SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

29    C
... ...View News by News Source

વડોદરા 1.09 કરોડ સાયબર ફ્રોડનો આરોપી ઝડપાયો:પાંચ માસથી ફરાર શફન મુલતાણી આણંદથી પકડાયો

વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ₹1.09 કરોડના સાયબર ફ્રોડ કેસમાં પાંચ માસથી ફરાર આરોપી શફન દિલાવર મુલતાણીની આણંદમાંથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિઠ્ઠલ ઉદ્યોગનગર, જી.આઇ.ડી.સી. કોલોની, તા.જી.આણંદનો રહેવાસી છે. વિદ્યાનગર પોલીસને બાતમી મળી હતી કે આરોપી શફન મુલતાણી એ.ડી.આઇ.ટી. કેમ્પસમાં આર્યુવેદીક કોલેજ નજીક આવેલા પાનના ગલ્લા પાસે બેઠો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે શફન મુલતાણીને વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને સોંપવા માટેની વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપી શફન મુલતાણી વિરુદ્ધ વર્ષ 2018માં વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો પણ નોંધાયેલો છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 6:53 pm

કાળાસર ગામમાં સરકારી જમીન પરનું દબાણ હટાવાયું:ચોટીલા નાયબ કલેક્ટરે ગામતળ માટેની જમીન ખુલ્લી કરાવી

ચોટીલા તાલુકાના કાળાસર ગામમાં ગામતળ માટે નિયત કરાયેલી જમીન પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ, ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા ગત તારીખ 15 નવેમ્બર, 2025ના રોજ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કાળાસર ગામના સર્વે નંબર 129/1 (જૂનો સર્વે નંબર 164) વાળી આ જમીન વર્ષ 2009માં તત્કાલીન નાયબ કલેક્ટર ચોટીલા દ્વારા ગામતળ તરીકે નિયત કરવામાં આવી હતી. આ જમીન પર ગેરકાયદેસર દબાણ થયું હતું. દબાણકર્તાઓ વિરુદ્ધ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર સમક્ષ રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી, જે નામંજૂર કરવામાં આવી હતી. આ નિર્ણય બાદ દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી. દબાણ દૂર થવાથી હવે આ ગામતળની જમીનમાં પ્લોટ પાડી શકાશે, જેનો ઉપયોગ ગામના વિકાસ કાર્યો માટે થઈ શકશે. દબાણ હટાવવાની આ કામગીરી દરમિયાન ચોટીલાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ અન્ય રેવન્યુ અને પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 6:52 pm

ખેડબ્રહ્મામાં SOGએ ગાંજાના 69 છોડ જપ્ત કર્યા:ઘરમાંથી 29 ડીટોનેટર મળ્યા, એક આરોપીની ધરપકડ

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ટેબડા ગામેથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ મોટા પ્રમાણમાં ગાંજાના છોડ અને વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરીને તેની સામે NDPS અને એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ બે ગુના નોંધ્યા છે. SOG ટીમ ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને બાતમી મળી હતી. આ બાતમીના આધારે, ટેબડા ગામમાં રાજુભાઈ કમજીભાઈ રાઠોડના રહેણાંક મકાન પાછળના ભાગે દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન, ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરેલું જણાયું હતું અને તેમના ઘરમાંથી ગેરકાયદેસર વિસ્ફોટક સામગ્રી પણ મળી આવી હતી. પોલીસે કુલ 9,71,726 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 19.410 કિલોગ્રામ ગાંજો (કિંમત રૂ. 9,70,500), 13 નાઈટ્રેટ મિક્સર ટોટા (કિંમત રૂ. 116), 24 ડીટોનેટિંગ ફ્યુઝ (કિંમત રૂ. 240) અને 29 સ્પેશિયલ ઓર્ડિનરી ડીટોનેટર (કિંમત રૂ. 870) નો સમાવેશ થાય છે. આ કેસમાં રાજુભાઈ કમજીભાઈ રાઠોડ (રહે. મટેડા ફળિયું, ટેબડા, તા. પોશીના, જિ. સાબરકાંઠા) નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ખેરોજ પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ અને એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 6:51 pm

કપિરાજે પાંચ લોકોને બચકા ભર્યા:વડોદરાના ગોત્રી વિસ્તારની વૈભવી સોસાયટીમાં કપિરાજનો આતંક, રહીશોમાં દહેશત

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી નીલાંબર સોસાયટીમાં એક કપિરાજે આતંક મચાવ્યો હતો. ગોત્રી- ભાયલી કેનાલ રોડ પર સ્થિત આ વૈભવી સોસાયટીમાં કપિરાજના હુમલાથી પાંચ લોકો ઘાયલ થયા હતા. આ અંગેની જાણ થતા જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી કપીરાજ માટે જાળ બિછાવી હતી અને તેમાં સફળતા મળી હતી. કપિરાજે સોસાયટીમાં પ્રવેશ કરીને પાંચ લોકોને બચકાં ભર્યાગોત્રી વિસ્તારમાં આવેલી નીલાંબર સોસાયટીમાં કપિરાજના આતંકીથી રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. કપીરાજના આતંકથી બચવા માટે રહીશો ઘરમાં કેદ થઈ ગયા હતા અને બહાર નીકળવામાં ડર લાગી રહ્યો હતો. સોસાયટીમાં કપિરાજે પ્રવેશ કરીને પાંચ લોકોને બચકાં ભર્યા હતા. જેમાં નાના બાળકો અને વડીલોનો સમાવેશ થાય છે. આ હુમલા બાદ રહીશોએ તાત્કાલિક પોલીસ અને વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને કપૂરજને પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું. કપીરાજને પાંજરે પૂરવા જાળ બિછાવી હતી. પાંજરે પૂરવા માટે વન વિભાગે કરેલ કામગીરીના લાઇવ દૃશ્યો સામે આવ્યા હતા. આ અંગે રેસ્ક્યુ કરનાર જીગ્નેશ પરમારે ટેલિફોનીક વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ અંગેની જાણ થતા જ અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અમે કપિરાજ પકડવા માટે બિસ્કીટના ટુકડા નાખ્યા હતા અને અમારી યોજનામાં સફળતા મળી હતી.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 6:47 pm

77 વર્ષીય વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરી 17 લાખ પડાવ્યા:શિવસેનાના નેતા સંજય રાઉતના મની લોન્ડરીંગ કેસમાં નામ ખૂલ્યાનું અને કેસની તપાસ દયાનાયક કરતા હોવાનું કહી ધમકાવ્યા

છેલ્લા કેટલાક મહિનાઓથી એક બાદ એક ડિજિટલ અરેસ્ટના બનાવો સામે આવી રહ્યા છે. અમદાવાદમાં રહેતા અને મિલમાંથી નિવૃત થયેલા 71 વર્ષીય વૃદ્ધ સાયબર ગઠિયાઓનો શિકાર બન્યા છે. મુંબઈ શિવસેના (UBT)ના નેતા સંજય રાઉત સામે થયેલા મની લોન્ડરીંગના કેસમાં નામ ખૂલ્યું હોવાનું કહી વૃદ્ધને ધમકાવ્યા હતા. આ કેસની તપાસ એન્કાઉન્ટ સ્પેશિયાલિસ્ટ દયા નાયક કરતા હોવાનો બોગસ લેટર પણ મોકલાવ્યો હતો. મહારાષ્ટ્ર પોલીસના લોગોવાળી કેબીનમાંથી સાયબર ગઠિયાએ વૃદ્ધ દંપતીને વીડિયો કોલ કરી ચોક્કસ ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ મામલે સાયબર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વૃદ્ધના એકાઉન્ટમાંથી 60 લાખ રૂપિયાનું મની લોન્ડરીંગ થયું હોવાની વિગત આપી ધમકાવ્યા અમદાવાદમાં મિલમાંથી નિવૃત્ત થયેલા 77 વર્ષીય વૃદ્ધ પત્ની સાથે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં રહે છે.તેમનો દીકરો પરિવાર સાથે લંડનમાં રહે છે.વૃદ્ધના મોબાઇલ પર ત્રીજી સપ્ટેમ્બરે બપોરે કોલ આવ્યો હતો. સામે છેડેથી પોતાની ઓળખ મુંબઇ કોલાબા પોલીસ મથકના સબ ઇન્સ્પેકટર વિજય ખન્ના તરીકે આપવામાં આવી હતી. ત્યારબાદ તેમને ધમકાવતાં જણાવવામાં આવ્યું હતું કે, તેમના એકાઉન્ટમાંથી 60 લાાખ રૂપિયાનું મનિલોન્ડરીંગ થયું છે. તેમની સંડોવણી મુંબઇના સંજય રાઉત મનીલોન્ડીંગ કૌભાંડમાં પણ છે.ત્યારબાદ આ ગઠીયાઓએ તેમને વીડિયો કોલ કર્યો હતો. જેમાં વિજય ખન્ના યુનિફોર્મમાં હતો અને તેની ખુરશી પાછળ મહારાષ્ટ્ર પોલીસનો લોગો પણ હતો. વિજય ખન્નાએ તેમને કોલાબા પોલીસ મથકે જવાબ લખાવવા માટે આવવું પડશે અને તેમને એરેસ્ટ પણ કરવામા આવશે તેમ કહી વૃદ્ધને ડરાવ્યા હતા. ઘરમાંથી કામ વગર બહાર ન નીકળવા દીધા, રાત્રે પણ લાઈટ ચાલુ રખાવીસાથે સાથે તમને સિનિયર સીટીઝન છો માટે તેમને હાલ એરેસ્ટ કરતા નથી તેમ કહી તેમની પત્નીના નંબર પર પણ વીડિયો કોલ કર્યો હતો અને ઘરમાંથી કામ વગર બહાર નહી નિકળવાનું. ઘરની લાઇટો રાત્રે પણ ચાલુ રાખવાની સુચના આપવામાં આવી હતી.વૃદ્ધને ડરાવવા તેણે એવું પણ કહ્યું હતું કે, આ કેસમાં મોટા માણસો છે તેનાથી તમને તકલીફ થાય તેમ છે માટે તમારી સુરક્ષા માટે ખાનગી કપડાંમાં પોલીસ પણ છે.વિજય ખન્નાએ કેનરા બેંક એકાઉન્ટની વાત કરી હતી પરંતુ વૃદ્ધે તેમનું કેનરા બેંકમાં કોઇ જ એકાઉન્ટ નહિ હોવાનું કહ્યું હતું. મની લોન્ડરીંગ કેસની તપાસ દયા નાયક કરતા હોવાની વાત કરીત્યારબાદ તેમના વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં પિટીશન થઇ ગઇ હોવાની ફેક કોપી પણ મોકલી આપી હતી. જેથી વૃદ્ધ ડરી ગયા હતા.ગઠીયાએ તેમની પાસેથી પહેલા 3.10 લાખ અને પછી રૂપિયાના વેરીફિસેશન માટે 14 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. તે કેસની તપાસ પુરી થાય ત્યારે પંચ ટકાના વધારા સાથે પરત કરવાની ખાતરી આપી હતી. જ્યાર આ કેસની તપાસ દયા નાયક કરતા હોવાનો લેટર પણ મોકલી આપ્યો હતો. પૈસા પડાવ્યા બાદ ગઠિયાએ વૃદ્ધને કહ્યું- 'તમને જામીન પર છોડવામાં આવે છે'થોડા દિવસો બાદ 11મી સપ્ટેમ્બરે વિજય ખન્નાએ વૃદ્ધને તેમને જામીન પર છોડવામાં આવે છે. તેવો લેટર પણ મોકલ્યો હતો. હવે જ્યરે વેરીફિેકેશનના રૂપિયા પરત માંગતા તેણે વધુ 6.50 લાખ રૂપિયા ભરવાનો લેટર મોકલી આપ્યો હતો.આ રૂપિયા માટે વૃદ્ધે પોતાના મિત્ર પાસેથી મદદ માંગી હતી અને પોતાની સાથે થયેલી ઘટનાની વાત કરી હતી.માટે મિત્રએ કોઇ જ રૂપિયા નહિ ભરવાનું કહી સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન પર ફરિયાદ કરાવી હતી.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 6:37 pm

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા વોકેથોન યોજાઈ:પોલીસ કમિશનર અને રાજ્યસભા સાંસદે ફ્લેગઓફ કરાવી, મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકો પણ જોડાયા

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા વોકેથોન યોજવામાં આવી હતી. સિંદુભવન રોડ પર અંદાજે બે કિલોમીટરની વોકેથોન યોજાઈ હતી. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક અને રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન દ્વારા ફ્લેગઓફ કરીને વોકેથોનની શરૂઆત કરવામાં આવી હતી. સિંદુભવન રોડ પર અંદાજે બે કિલોમીટર સુધી વોકેથોન યોજાઈ હતી. વોકેથોનમાં દિવ્યાંગ બાળકો પણ જોડાયા આ વોકેથોનમાં અંધજન મંડળના દિવ્યાંગ બાળકો પણ જોડાયા હતા. તેમજ થેલેસેમીયા, કેન્સર સર્વાઈવર બાળકોએ પણ વોકેથોનમાં ભાગ લીધો હતો. આ પ્રકારના બાળકો જે સરળતાથી ચાલી નથી શકતા, જોઈ શકતા નથી તેવા બાળકો સાથે પોલીસ જવાનો પણ જોડાયા હતા. સામાન્ય લોકો જેટલા ઉત્સાહ સાથે વોકેથોનમાં જોડાય છે તેટલા જ ઉત્સાહ સાથે દિવ્યાંગ બાળકોએ પણ જોડાયા હતા. પોલીસ જવાનો બાળકોનો હાથ પકડીને વોકેથોનમાં ચાલતા જોવા મળ્યા હતા. 'સોસાયટીમાં સમાન સન્માન મળે તે બતાવવા વોકેથોન યોજી'ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન અમિત દોશીએ જણાવ્યું હતું કે, આજે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને એ બતાવવા માટે કે આપણા દેશમાં આપણી સાથે જેને ફિઝિકલી ચેલેન્જ કહેવાય છે તે લોકોને સોસાયટીમાં સમાન સન્માન મળે તે બતાવવા માંગીએ છીએ. અઢી કિલોમીટરની વોકેથોન યોજાઈ હતી. જે ફિઝિકલી ચેલેન્જ લોકો છે તે લોકોએ ખૂબ ઉત્સાહથી જોડાયા છે. ફિઝિકલી ચેલેન્જ લોકોને ઉત્સાહ જોઈને સોસાયટીમાં ઘણો ફરજ પડી જવાનો છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 6:26 pm

'પુષ્પા સ્ટાઈલ'થી લઈ જવાતો અઢી કરોડનો વિદેશી દારૂ ઝડપાયો:છોટાઉદેપુરમાં LCBએ રાજસ્થાન પાસિંગના સિમેન્ટ ટેન્કરમાં બાકોરું કરી 1561 પેટીઓ કાઢી, હરિયાણાથી જથ્થો લવાયો

છોટા ઉદેપુર જિલ્લા પોલીસને વિદેશી દારૂના મોટા જથ્થાને ઝડપી પાડવામાં સફળતા મળી છે. જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ટીમે પાવી જેતપુર નજીક રેલવે ગરનાળા પાસેથી એક સિમેન્ટ ટેન્કરમાંથી રૂ. 2,50,07,520ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. પુષ્પા સ્ટાઈલમાં દારૂની હેરાફેરી કરાતી હોવાનો પર્દાફાશ થયો છે. રાજસ્થાન પાસિંગના સિમેન્ટ ટેન્કરમાં સિક્રેટ ખાનું બનાવીને દારૂ સંતાડાયો હતો. જેને પોલીસે ઝડપી પાડ્યો હતો અને બાંકોરું પાડીને જંગી જથ્થો કાઢવામાં આવ્યો હતો. ટેન્કરમાં ગુપ્ત ખંડ બનાવી દારૂ છુપાવ્યોગઈકાલે મળેલી ચોક્કસ બાતમીના આધારે LCBએ RJ 09 GB 4163 નંબરના સિમેન્ટ ટેન્કરને રોકીને તેની તલાશી લીધી હતી. તપાસમાં બહાર આવ્યું કે દારૂની હેરાફેરી માટે આરોપીએ ફિલ્મ 'પુષ્પા'ની સ્ટાઈલ અપનાવી હતી, જેમાં ટેન્કરની અંદર ગુપ્ત ખંડ બનાવીને દારૂ છુપાવવામાં આવ્યો હતો. આ ટેન્કરમાંથી વિદેશી દારૂની કુલ 1561 પેટીઓ મળી આવી હતી, જેમાં 28,812 બોટલ દારૂનો જથ્થો હતો. પકડાયેલા દારૂની કુલ કિંમત રૂ. 2,50,07,520/- આંકવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જપ્ત થયેલો આ દારૂનો જથ્થો છોટા ઉદેપુર જિલ્લાના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો છે. રાજસ્થાનનો ટેન્કર ચાલક ઝડપાયોપોલીસે ટેન્કર ચાલક મહેશકુમાર ચૂતરારામ જાટ (ચૌધરી), રહે. બિંજાસર, તા. ધનાઉ ચૌહટન, જિ. બાડમેર, રાજસ્થાનની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપી મહેશકુમારે કબૂલ્યું હતું કે આ દારૂનો જથ્થો હરિયાણાના હિસાર અને સીકર વચ્ચેના વિસ્તારમાંથી ભરવામાં આવ્યો હતો. દારૂ કોણે મંગાવ્યો તેની વધુ તપાસ ચાલુજિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે જણાવ્યું હતું કે દારૂ ક્યાં લઈ જવાનો હતો અને કોણે મંગાવ્યો હતો, તે અંગેની વધુ તપાસ હાલમાં ચાલી રહી છે અને આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 6:06 pm

સરપંચોનું સન્માન:સારી કામગીરી કરનાર 61 સરપંચનું નાણામંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે સન્માન

ગુજરાતના ગામડાંઓના સર્વાંગી વિકાસ અને પ્રગતિ માટે શ્રેષ્ઠ કાર્ય કરનાર સરપંચોને સન્માનિત કરવા માટે દિવ્ય ભાસ્કર દ્વારા આયોજિત ભવ્ય સરપંચ સન્માન સમારોહ યોજાયો છે. પારડી મોરારજી દેસાઇ ઓડિટોરિયમ ખાતે નાણા, શહેરી વિકાસ કેબિનેટ મંત્રી ગુજરાત કનુભાઇ દેસાઇના હસ્તે વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશ સહિત 60થી વધુ સરપંચોનું સન્માન કરવામાં આવી રહ્યું છે. વાપી, વલસાડ, પાર ડી, ઉમરગામ, ધરમપુર, કપરાડાના સરપંચોની કામગીરીને બિરદાવામાં આવી.આ કાર્યક્રમમાં વાપી વીઆઇએ પ્રમુખ સતિષ પટેલ,પારડી પાલિકા પ્રમુખ ચેતન નાયકા,વાપી,પારડી શહેરના રાજકીય આગેવાનો સામાજિક સંસ્થાના હોદેદારો,ઔદ્યોગિક સંસ્થાઓના હોદેદારો પણ ખાસ હાજર રહ્યા છે. આ કાર્યક્રમના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારનો વધુ વિકાસ કેવી રીતે થાય તથા સરપંચો એક મંચ પર જોવા મળી રહ્યા છે.પારડી સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો પણ આ કાર્યક્રમમાં જોડાયા છે.આમ દિવ્ય ભાસ્કરના સરપંચ સન્માન કાર્યક્રમમાં વાપી-વલસાડ શહેરના આગેવાનો હાજર રહેશે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 5:58 pm

દ્વારકાની દરગાહમાંથી હથિયારો મળ્યા:અમદાવાદના હુક્કાબારો પર ક્રાઇમ બ્રાન્ચની રેડ, પોલીસવાને કારને ટક્કર મારી 10 ફૂટ દૂર ફેંકી

ભાજપ પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં યુનિટી માર્ચ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીને લઈને વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર@150 અંતર્ગત એકતા અને સામાજિક જાગૃતિના સંદેશ સાથે વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે અમદાવાદમાં આજે 16મી નવેમ્બરથી તમામ વિધાનસભામાં દરરોજ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવશે. જેમાં આજે અમદાવાદના વિરાટનગર વોર્ડ ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને મંત્રી જીતુ વાઘાણીએ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં સરદાર પટેલનો ટેબ્લો અને 600 મીટર લાંબો રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ધો.9ના 2વિદ્યાર્થી ચિઠ્ઠી લખી ઘરેથી નીકળી ગયાં ક્રિકેટર બનવાની ઘેલછામાં ધોરણ 9માં સાથે ભણતા સુરતના મોરા ગામના બે સગીર ઘર છોડી સુરતથી ટ્રેનમાં મુંબઇ-બોરીવલી અને ત્યાંથી રાજસ્થાન જતી ટ્રેનમાં ભીલવાડા પહોંચી ગયા હતા. જતાં પહેલાં સગીરે પરિવારને સંબોધીને હિન્દીમાં એક ચિઠ્ઠી લખી હતી. બન્ને સગીર બીજા દિવસે પણ ન મળી આવતા પરિવાર ચિંતામાં પોલીસ પાસે પહોંચ્યો હતો. ઇચ્છાપોર પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે અને રેલવે સ્ટેશન સહિતના 93 સીસીટીવી ફૂટેજ તપાસી બન્નેને શોધી કાઢ્યાં હતાં. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો 200ના કિલોએ વેંચાતા લસણની આડમાં 1 કરોડનો દારુ ઝડપાયો નવસારી હાઈવે પરથી LCBએ એક કરોડનો દારુ ઝડપી પાડ્યો હતો. રૂ. 200ના કિલોએ વેંચાતા લસણની આડમાં આ દારૂનો જથ્થો ટ્રકમાં ભરી લઈ જવાતો હતો. જે દારુ સાથે LCBએ એક શખસને ઝડપી લીધો છે. આટલી મોટી માત્રામાં દારુ જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. LCB કચેરી દારૂના બોક્સથી છલકાઈ ગઈ હતી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો તમામ હુક્કાબાર પર ક્રાઇમ બ્રાન્ચની રેડ અમદાવાદ શહેરને નશા મુક્ત બનાવવાની દિશામાં વધુ એક પગલું ભરતાં, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ચાલતા ગેરકાયદેસર હુક્કાબાર પર તવાઈ બોલાવી છે. પોલીસની આ કાર્યવાહીમાં અનેક હુક્કાબાર ઝડપાયા છે અને મોટા પ્રમાણમાં પ્રતિબંધિત નિકોટીનયુક્ત ફ્લેવર તથા હુક્કાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. યુવાધનને નશાના રવાડે ચઢાવતા આ ધંધા પર પોલીસે અણધારી રેડ કરીને સંચાલકોમાં ફફડાટ ફેલાવી દીધો છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો દરગાહમાંથી હથિયારો મળ્યા દિલ્હી બોમ્બ બ્લાસ્ટ બાદ હાઇ એલર્ટના પગલે દ્વારકા બંદર વિસ્તારમાં પોલીસે મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં 2 ડીવાયએસપી, 6 પીઆઇ, એસઓજી અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સહિત એકસૌ વીસથી વધુ પોલીસકર્મીઓ જોડાયા હતા. કોમ્બિંગ દરમિયાન SOG ટીમને હઝરત કચ્છી પીર બાબાની દરગાહમાંથી કુહાડી, કાટો અને તલવાર જેવા હથિયારો મળી આવ્યા હતા. હથિયારો મળતા જ દરગાહના મુંજાવરની તાત્કાલિક પૂછપરછ કરવામાં આવી છે. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસે 110 કિલોમીટર લાંબા સંવેદનશીલ દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિંગ અને ચકાસણી વધારી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આવા કોમ્બિંગ ઓપરેશન્સ હજુ પણ ચાલુ રહેશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો પૂરપાટ જતી પોલીસની ગાડીએ કારને ટક્કર મારી શનિવારે મોડીરાત્રે એક પોલીસની ગાડીએ જ એક કારને અડફેટે લીધી હતી. પૂરઝડપે આવી રહેલી 112 જનરક્ષક ગાડીએ રસ્તાની બાજુમાં ઊભેલી એક કારને જોરદાર ટક્કર મારી, જેના કારણે કાર 10 ફૂટ દુર જતી રહી હતી. પોલીસની ગાડીમાંથી 6 સિરપની બોટલો પણ મળી આવી છે.અકસ્માત કરનાર 112 ની ગાડીના ડ્રાઇવર યશ પરમારની પોલીસે ધરપકડ કરી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, પોલીસ કર્મચારી નશાની હાલતમાં હતો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ગુજરાતના શ્રદ્ધાળુઓનો જોધપુર હાઈવે પર અકસ્માત રાજસ્થાનના જોધપુર જિલ્લામાં રવિવારે (16 નવેમ્બર) વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી હોવાથી એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના છ શ્રદ્ધાળુનાં મોત થયા છે, જ્યારે 7 બાળક સહિત 12 જેટલા લોકો ઘાયલ થયા છે. આ શ્રદ્ધાળુઓ ટેમ્પો દ્વારા રણુજાના દર્શન માટે જઈ રહ્યા હતા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકોની લાશ મળી ભાવનગરમાં ફરજ બજાવતા ફોરેસ્ટ અધિકારીના પત્ની અને બે સંતાોનીની ફોરેસ્ટ કોલોની નજીક એક ખાડામાં દાટી દીધેલી લાશો મળી આવતા ચકચાર મચી છે. બંને સંતાનો સાથે માતા 10 દિવસ પહેલા સુરત જવા નીકળ્યા બાદ ગુમ થયા હતા. જેની પોલીસને જાણ પણ કરવામાં આવી હતી. ત્રણેયની હત્યા કરી લાશનો દાટી દેવાઈ હોવાની પ્રબળ આશંકા સેવવામાં આવી રહી છે. ભાવનગર પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ભાવનગર એસપી નિતેશ પાંડેએ કહ્યું કે, ACF(આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ ) પતિ શૈલેષ ખાંભલા શંકાના દાયરામાં છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો વિદ્યાર્થીનો PGમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં પી.જીમાં રહી પારુલ યુનિવર્સિટીમાં MBAના બીજા વર્ષમાં અભ્યાસ કરતા જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થી ગતિક દાસનો મૃતદેહ રૂમમાંથી મળી આવતા ચકચાર મચી છે. આ બનાવ અંગે પીજી માલિકે પોલીસને જાણ કરતા પોલીસ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે આવી યુવકને જોતા તે મૃત હોવાનું જણાયું હતું. જેથી વિદ્યાર્થીના મૃતદેહને ગોત્રી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. આ વિદ્યાર્થીનું મોત કઈ રીતે થયું તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો 5 સિંહોએ આખું ગામ બાનમાં લીધું અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહોની લટાર હવે સામાન્ય બની ગઈ હોય તેમ જોવા મળી રહ્યું છે. અનેક વિસ્તારમાં સિંહો ઘૂસી આવ્યાં હોવાના બનાવો સતત સામે આવી રહ્યા છે. ત્યારે ગતરાત્રે 5 સિંહોએ રાજુલાનું મોટા આગરીયા ગામને જાણે બાનમાં લીધું હોય તેમ જોવા મળ્યું હતું. શિકારની શોધમાં આવેલા સિંહોએ ગામની શેરીઓમાં રખડતા પશુઓ પાછળ દોડધામ મચાવી હતી. આ વચ્ચે તરાપ મારી વાછરડી સહિત બે પશુઓનો શિકાર કર્યો હતો. જે ઘટના CCTVમાં કેદ થઈ છે. બીજી તરફ સિંહોની લટારને પગલે ગામલોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 5:55 pm

કચ્છ LCBએ મુંદરામાંથી પ્લાસ્ટિક દાણા પકડ્યા:એક શખ્સની ધરપકડ, 5.56 લાખનો મુદ્દામાલ જપ્ત

પશ્ચિમ કચ્છ-ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) મુંદરા વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના પ્લાસ્ટિકના દાણા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે બોલેરો વાન સહિત કુલ રૂ. 5.56 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 2800 કિલો પ્લાસ્ટિકના દાણાનો સમાવેશ થાય છે, જેની કિંમત રૂ. 56,000 આંકવામાં આવી છે. આ દાણાની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી GJ-12-BZ-4850 નંબરની બોલેરો પીકઅપ વાન પણ જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત રૂ. 5 લાખ છે. LCB પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પીઆઇ એચ.આર. જેઠીની સૂચના મુજબ, એ.એસ.આઇ. પ્રદ્યુમનસિંહ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલ, અને પોલીસ કોન્સ્ટેબલ રામજીભાઈ રબારી તથા મહેશભાઈ ચૌહાણ મુંદરા તાલુકામાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમને નાના કપાયા હાઈવે રોડ પરથી એક બોલેરો પીકઅપ વાનમાં ગેરકાયદેસર રીતે પ્લાસ્ટિકના દાણા લઈ જવાઈ રહ્યા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા મુસ્તફા રમજાન સુમરા (ઉ.વ. 25, મૂળ રહે. સુરલભીટ રોડ, લખુરાઈ, તા. ભુજ, હાલ રહે. ગુંદાલા, તા. મુંદરા) નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં તેણે આ મુદ્દામાલ અહેઝાઝ સુલેમાન કેર (રહે. મુંદરા) નામના વ્યક્તિના વાડા પરથી ભરી આપ્યો હોવાનું જણાવ્યું હતું. મુસ્તફા સુમરા પાસેથી પ્લાસ્ટિકના દાણાના કોઈ આધાર પુરાવા કે બિલ ન મળતા, પોલીસે તેને બી.એન.એસ.એસ. કલમ 106 હેઠળ શંકાસ્પદ મિલકત તરીકે મુદ્દામાલ જપ્ત કરી તેની ધરપકડ કરી હતી. આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 5:47 pm

દેવગઢબારીયામાં દિવ્યશક્તિ સંમિલિત શાળાનું ખાતમુહૂર્ત:વિકલાંગ બાળકો માટે નિઃશુલ્ક રહેઠાણ-ભણતર, જૂન 2025થી શરૂ

દેવગઢબારીયા નગરમાં સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા દિવ્યશક્તિ સંમિલિત શાળાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. વૈષ્ણવાચાર્ય 108 વ્રજરાજકુમારજી મહારાજના હસ્તે શ્રીજી પ્રાથમિક શાળાના કેમ્પસમાં આ શાળાનો શિલાન્યાસ થયો હતો. આ શાળા વિકલાંગ, દિવ્યાંગ અને મંદબુદ્ધિ ધરાવતા બાળકોને નિઃશુલ્ક રહેઠાણ અને ભણતરની સુવિધા પૂરી પાડશે. આ પ્રસંગે દેવગઢબારીયા નગરના રાજમાતા ઉર્વશીદેવી સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ, નગરજનો અને સમાજસેવકો ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટના પ્રમુખ નીલ સોનીએ જણાવ્યું હતું કે આ શાળા વિકલાંગ, દિવ્યાંગ અને મંદબુદ્ધિ ધરાવતા બાળકો માટે સંપૂર્ણ નિઃશુલ્ક રહેઠાણ, ભોજન અને શિક્ષણની વ્યવસ્થા પૂરી પાડશે. દાહોદ જિલ્લા તેમજ આસપાસના વિસ્તારોના જરૂરિયાતમંદ બાળકોને આ સુવિધાનો મોટો લાભ મળશે. શાળાનું કાર્ય જૂન 2025 થી શરૂ કરવામાં આવશે. નવું ભવન તૈયાર ન થાય ત્યાં સુધી, શ્રીજી શાળાના બિલ્ડિંગમાં અસ્થાયી ધોરણે તમામ સુવિધાઓ સાથે શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી કોઈપણ બાળકના શિક્ષણમાં અવરોધ ન આવે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 5:46 pm

‘મારી સાથે થયું તે થયું, બહેનનું અપમાન સાંખી નહીં લઉં’, પરિવારમાં કલેશ મુદ્દે તેજ પ્રતાપ યાદવની ચેતવણી

Lalu Prasad Yadav Family Controversy : બિહાર વિધાનસભા ચૂંટણીમાં લાલુ પ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતા દળ તથા કોંગ્રેસ ગઠબંધનનો કારમો પરાજય થયો છે. લોકોએ ભારતીય જનતા પાર્ટી તથા જેડીયુના નેતૃત્વવાળી NDAને પ્રચંડ બહુમતી આપી છે. ત્યારે પરિણામ બાદ લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં ફરી તિરાડ પડી છે. અગાઉ યાદવ પરિવારમાંથી તેજ પ્રતાપ યાદવને ઘરમાંથી કાઢી મુકાયા બાદ રાજકીય ખળભળાટ મચી ગયો હતો, ત્યારે હવે લાલુ યાદવના પુત્રી રોહિણી આચાર્યએ પરિવાર તથા પક્ષ સાથે સંબંધો તોડવાની જાહેરાત કરી છે, જેને લઈને તેજ પ્રતાપ પરિવાર પર ગુસ્સે થયો છે. તેજ પ્રતાપે બહેન રોહિણી આચાર્યને લઈને સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરી છે.

ગુજરાત સમાચાર 16 Nov 2025 5:35 pm

સુરતમાં PMએ ટ્રેક મશીનમાં બેસીને બુલેટ ટ્રેન સ્ટે.નું ઇન્સ્પેક્શન કર્યું:35 મિનિટ રોકાઈ અધિકારીઓના અનુભવ જાણ્યા, કહ્યું- અનુભવ રેકોર્ડ કરી બ્લૂ બુક તૈયાર કરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે સુરત નજીક અંત્રોલી ખાતે નિર્માણાધીન દેશના પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લઈને પોતાના ‘ડ્રીમ પ્રોજેક્ટ’ની કામગીરીની જાતે જ સમીક્ષા કરી હતી. કડક સુરક્ષા વચ્ચે લગભગ 35 મિનિટ સુધી સ્ટેશન પર રોકાણ કરીને પીએમએ સ્પીડ, ગુણવત્તા અને ટાઈમલાઈન પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ખુરશી પર બેસીને વડાપ્રધાને અધિકારીઓ-એન્જિનિયરો સાથે વિસ્તૃત ચર્ચા પણ કરી અને કહ્યું કે, “હું મારા દેશ માટે કામ કરી રહ્યો છું, હું દેશને કંઈક નવુ આપી રહ્યો છું એ ભાવ સાથે તમારા દરેક અનુભવને રોકોર્ડ કરો, જે આગામી પેઢીને પણ કામ લાગશે.” આ મુલાકાતની સત્તાવાર તસવીરો અને વિગતો NHSRCLએ 24 કલાક પછી જાહેર કરી છે. અધિકારીઓ-એન્જિનિયરો સાથે બેસીને વાતચીત કરીપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગતરોજ શનિવારે સવારે 9.20 વાગ્યે વિશેષ વિમાનથી સુરત એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટથી પીએમ સીધા હેલિકોપ્ટરથી હેલિપેડ અને ત્યાંથી સુરતના અંત્રોલી સ્થિત દેશના પ્રથમ નિર્માણાધીન હાઈ-સ્પીડ બુલેટ ટ્રેન સ્ટેશન સાઇટ પર પહોંચ્યા હતા. અહીં પહોંચ્યા બાદ પીએમએ સ્ટેશનના સ્ટ્રક્ચર, પ્લેટફોર્મ એલાઇનમેન્ટ તેમજ ચાલુ સિવિલ અને ઇલેક્ટ્રિકલ વર્કની માહિતી મેળવવા અધિકારીઓ-એન્જિનિયરો સાથે બેસીને વાતચીત કરી અને બુલેટ ટ્રેનની કામગીરી લઈને તેઓના અનુભવ જાણવાનો પ્રયાસ કર્યો હતો. પીએમએ ખુરશી પર બેસીને અધિકારીઓને સવાલ કર્યો હતો કે, તમને શું લાગે છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીની સ્પીડ ઠીક છે? તમે લોકોએ જે સમય નક્કી કર્યો હતો એ સમય પ્રમાણે કામ થઈ રહ્યું છે? તમને કામમાં કોઈ મુશ્કેલી આવી રહી છે? આ પ્રશ્નનો જવાબ આપતા અધિકારીએ જણાવ્યું હતું કે, ના કોઈ જ સમસ્યા નથી અને કામ સમયસર થઈ રહ્યું છે. ત્યારબાદ કેરલાની એક મહિલા અધિકારીએ પોતાનો પરિચય આપ્યો આ ચર્ચા બાદ પીએમએ બેઠેલા તમામ અધિકારીઓને સંબોધતા કહ્યું કે, જ્યાં સુધી તમારા મનમાં એવો ભાવ ઊભો નથી થતો કે, હું મારા દેશ માટે કામ કરી રહ્યો છું. હું દેશને એક નવી વસ્તુ આપુ છું. આ વાતને એક ઉદાહરણ આપીને સમજાવુ તો જેણે દેશનો પહેલો સેટેલાઈટ સ્પેસમાં તરતો મૂક્યો હશે તેણે પણ આવો જ અનુભવ કર્યો હશે અને તેના કારણે જ આજે હજારો સેટેલાઈટ સ્પેસમાં તરતા મૂકાઈ રહ્યા છે. અન્ય એક મહિલા અધિકારીએ પીએમને પોતાનો પરિચય આપ્યો આ ચર્ચાના અંતે ફરી અધિકારીએ શાયરાના અંદાજમાં પોતાની વાત રજૂ કરતા કહ્યું કે, 'ના નામ ચાહિયે, ના ઈનામ ચાહિયે, ના નામ ચાહિયે, ના ઈનામ ચાહિયે, બસ દેશ આગે બઢે યે અરમાન ચાહિયે...મોદીજી આપકા હર સપના સાકાર હો, મોદીજી આપકા હર સપના સાકાર હો, દેશ કા નામ ઊંચા રહે, હર બાર બાર બાર હો. મોદીજી બુલેટ ટ્રેન હૈ પહેચાન હમારી, યે ઉપલબ્ધિ હૈ મોદીજી આપકી ઔર હમારી.' સુરત બુલેટ ટ્રેન સ્ટેશન પર બુલેટ ટ્રેન જેવા દેખાતું એક ટ્રેક મશીન નિયમિતપણે કાર્યરત છે, પરંતુ વડા પ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને NHSRCL દ્વારા એક વધારાનું ટ્રેક મશીન ખાસ અત્રે લાવવામાં આવ્યું હતું. આ ટ્રેક ઇન્સ્પેક્શન મશીન દેખાવમાં ભવિષ્યની બુલેટ ટ્રેન જેવું જ હોય છે, જે તેમાં બેસનારને પ્રોજેક્ટની વાસ્તવિકતાનો અનુભવ કરાવે છે. આ મશીનમાં બેસવા માટે આરામદાયક સીટ, કાચનાં વિશાળ વિંડોઝ તથા કંટ્રોલ પેનલ જેવી તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ ટ્રેક મશીનમાં બેસીને ટ્રેક અને સ્ટેશનના બાંધકામની વિગતવાર માહિતી મેળવી હતી. આ મશીનની સવારી દ્વારા તેમને બુલેટ ટ્રેનના રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિરીક્ષણ કર્યું હતું. મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ 508 કિ.મી. લાંબો છે. તેમાંથી હાલ 326 કિ.મી. એલિવેટેડ કોરિડોરનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. સુરત-બિલીમોરા વિભાગ અંતિમ તબક્કામાં છે અને તેને પ્રોજેક્ટના સૌથી ઝડપી પ્રગતિવાળા ભાગોમાં ગણવામાં આવે છે. બુલેટ ટ્રેન ભારતીય રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ શરૂ કરનારી મહત્વાકાંક્ષી યોજના છે, જેના પ્રારંભિક સંચાલનમાં સુરતની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે. સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રીનું આ નિરીક્ષણ પ્રોજેક્ટની ટાઇમલાઇન, સુરક્ષા અને ક્વોલિટી પેરામીટર્સની ઉચ્ચસ્તરીય સમીક્ષાનો ભાગ હતું.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 5:32 pm

UGVCL જુનિયર એન્જિનિયર રૂ. 50,000ની લાંચ લેતા ઝડપાયો:પાટણ ACBએ સમી પેટા વિભાગની કચેરીમાં છટકું ગોઠવી કાર્યવાહી કરી

પાટણ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ આજે, 16 નવેમ્બર 2025ના રોજ, પાટણ જિલ્લાના સમી ખાતે આવેલી UGVCLની કચેરીમાં ટ્રેપ ગોઠવી હતી. આ કાર્યવાહીમાં UGVCLના જુનિયર એન્જિનિયર ચિંતન કુમાર શૈલેષભાઈ પટેલને ₹50,000ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. ચિંતન કુમાર પટેલ, જે વર્ગ-2ના અધિકારી છે અને મૂળ વડોદરાના સાનિધ્ય પાર્ક, વાઘોડિયા રોડના રહેવાસી છે, તેમણે એક જાગૃત નાગરિકના ખેતરમાં વીજ જોડાણ કરી આપવા માટે ₹50,000ની ગેરકાયદેસર માંગણી કરી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે પાટણ એસીબીનો સંપર્ક કર્યો હતો અને આ અંગે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે, એસીબીની ટીમે UGVCL કચેરી, સમી ખાતે છટકાનું આયોજન કર્યું હતું. ટ્રેપ દરમિયાન, આરોપી ચિંતન કુમાર પટેલે ફરિયાદી પાસેથી ₹50,000ની લાંચની રકમ સ્વીકારી હતી. એસીબીની ટીમે તુરંત કાર્યવાહી કરીને લાંચની રકમ સાથે આરોપીને પકડી પાડ્યો હતો. આ સફળ ટ્રેપ પીઆઈ એમ.જે.ચૌધરી, એસીબી પોસ્ટ પાટણ દ્વારા કરવામાં આવી હતી. એસીબીએ હાલમાં આક્ષેપિત અધિકારીને ડીટેઈન કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 5:25 pm

વલસાડમાં બિસ્માર રસ્તાના પેચવર્ક પર સવાલ:કોન્ટ્રાક્ટરે પાથરેલો ડામર ઉખાડી ફરી કામ કર્યું

વલસાડ નગરપાલિકા દ્વારા બિસ્માર રસ્તાઓના પેચવર્કની કામગીરી પર સ્થાનિક લોકોએ સવાલો ઉઠાવ્યા છે. એસટી ડેપો પાસે ચાલી રહેલા કામમાં ગુણવત્તાને લઈને પ્રશ્નો ઊભા થતાં કોન્ટ્રાક્ટરે તાત્કાલિક પાથરેલો ડામર ઉખાડી ફરીથી કામ કરવું પડ્યું હતું. શહેરમાં પડેલા વરસાદને કારણે 125 કિલોમીટરના કુલ રોડ પૈકી આશરે 25 કિલોમીટરના રસ્તાઓ બિસ્માર બન્યા હતા. આ રસ્તાઓના સમારકામ માટે નગરપાલિકા દ્વારા પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ગત રાત્રિએ વલસાડ એસટી ડેપો પાસે ચાલી રહેલી પેચવર્કની કામગીરીમાં બેદરકારી જણાતા કોંગ્રેસ અગ્રણી મિત દેસાઈને જાણ કરવામાં આવી હતી. તેમણે નગરપાલિકાની ટીમને જાણ કરતા, અધિકારીઓએ કોન્ટ્રાક્ટર સાથે સ્થળ પર પહોંચી તપાસ કરી હતી. તપાસ દરમિયાન ગુણવત્તામાં ખામી જણાતા, પાથરેલો ડામર ઉખાડી નવો ડામર પાથરી ફરીથી પેચવર્ક કરવામાં આવ્યું હતું. મિત દેસાઈએ નગરપાલિકાના ઈજનેરને આ બાબતે ફરિયાદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પેચવર્કની સાઈટ પરથી ડામરના સેમ્પલ લઈને ખાનગી લેબમાં પરીક્ષણ માટે મોકલવામાં આવશે. જો ડામરના કામમાં ક્ષતિ સાબિત થશે, તો સંબંધિત એજન્સીને બ્લેકલિસ્ટ કરવા સુધીની માંગ કરવામાં આવશે. યુથ કોંગ્રેસના કાર્યકર્તા મિત દેસાઈએ સ્થાનિક લોકોને આહ્વાન કર્યું છે કે તેઓ નગરપાલિકા દ્વારા થતી કામગીરી પર યોગ્ય દેખરેખ રાખે અને જો કોન્ટ્રાક્ટરના કામમાં કોઈ શંકા જણાય તો તાત્કાલિક પ્રશ્ન ઉઠાવી કામગીરી અટકાવે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 5:23 pm

સોજીત્રા વિધાનસભામાં એકતા પદયાત્રા યોજાઈ:સાંસદ મિતેશ પટેલ અને ધારાસભ્ય વિપુલ પટેલે પ્રસ્થાન કરાવ્યું

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરના વિધાનસભા વિસ્તારોમાં એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત, આણંદ જિલ્લાના સોજીત્રા વિધાનસભા વિસ્તારમાં એકતા પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રાને સાંસદ મિતેશભાઈ પટેલ અને સોજીત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું. તારાપુર નગરપાલિકાથી શરૂ થયેલી આ પદયાત્રાનું સમાપન પલોલ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે થયું હતું. આ પ્રસંગે સોજીત્રા વિધાનસભાના વિશેષ વ્યક્તિઓ તેમજ સરદાર પટેલ પરની વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા. સાંસદ મિતેશભાઈ પટેલે તેમના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નજીક આવી રહી છે. તેમણે દેશને આપેલા એકતા અને અખંડિતતાના સંદેશને જનજન સુધી પહોંચાડવા માટે આગામી ૨૬ નવેમ્બરના રોજ કરમસદથી કેવડિયા સુધી રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત, પ્રત્યેક વિધાનસભા વિસ્તારમાં પણ એક-એક પદયાત્રા યોજાઈ રહી છે. સોજીત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલે પદયાત્રીઓને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલી આ પ્રથમ એકતા પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા, જે સરદાર વલ્લભભાઈ પટેલ પ્રત્યેનો લોકોનો સ્નેહ દર્શાવે છે. પદયાત્રાના પ્રારંભે મહાનુભાવોએ સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી અને પુષ્પહાર અર્પણ કરીને ભાવાંજલિ આપી હતી. ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોએ સ્વદેશીના શપથ લીધા હતા. કાર્યક્રમના અંતે, સોજીત્રાના ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ સરદાર સ્મૃતિ વનમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ પદયાત્રામાં પેટલાદના મદદનીશ કલેક્ટર હિરેન બારોટ, પ્રાંત અધિકારી કુંજલ શાહ, જિલ્લા અગ્રણી સંજયભાઈ પટેલ, સંગઠનના અગ્રણીઓ, તારાપુર નગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ, પોલીસ કર્મીઓ અને આરોગ્યની ટીમ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 5:21 pm

પાલનપુરમાં થાર કારથી તોડફોડ કરનારની ધરપકડ:પોલીસે આરોપીને ઘટના સ્થળે લાવી કાયદાનું ભાન કરાવ્યું

પાલનપુરમાં થાર કાર વડે સલૂનમાં તોડફોડ કરનાર યુવક આર્યન પઢિયારની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે તેને ઘટનાસ્થળે લાવી ફરિયાદીની માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું હતું. આ ઘટના ગઈકાલે ટાઈમ સ્ક્વેર કોમ્પ્લેક્સના એરોમા સર્કલ વિસ્તારમાં બની હતી. સીસીટીવી ફૂટેજ મુજબ, યુવકે પહેલા કોમ્પ્લેક્સ આગળ પડેલી મોટરસાયકલ હટાવી હતી. ત્યારબાદ તેણે પોતાની થાર ગાડીને કોમ્પ્લેક્સના પગથિયાં પર ચઢાવી અંદર ઘુસાડી દીધી હતી. કોમ્પ્લેક્સમાં પ્રવેશ્યા બાદ, યુવકે સીધી ગાડી એક સલૂનની દુકાનના કાચ સાથે અથડાવી હતી. એકવાર ટક્કર માર્યા બાદ, તેણે ફરી તે જ દુકાનના કાચને બીજીવાર ટક્કર મારી અને પછી ગાડી લઈને નીકળી ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ પાલનપુર પશ્ચિમ પોલીસને થતાં, પોલીસે ગણતરીના કલાકોમાં આર્યન પઢિયારને શોધી કાઢ્યો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે આરોપીને ઘટનાસ્થળે લાવ્યો હતો, જ્યાં તેને જોવા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 5:20 pm

ડાયાબિટીસ પર કઈ રીતે નિયંત્રણ લાવી શકાય:વાકળ સેવા કેન્દ્ર પર યોગાચાર્ય દિલીપ ધોળકિયા દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું, 100 થી વધુ લોકોએ ભાગ લીધો

વડોદરા શહેરના સયાજીગંજ ખાતે આવેલ વાકળ સેવા કેન્દ્ર ખાતે રાઇઝ ઈન્ડિયા ઇનિશિએટિવ ફાઉન્ડેશન દ્વારા ડાયાબિટીસ ઉપર પ્રોગ્રામ રાખવામાં આવ્યો આવ્યો હતો. આ કાર્યક્રમમાં અમદાવાદના જાણીતા યોગાચાર્ય દિલીપ ધોળકિયાની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આજે દવા વગર કઈ રીતે ડાયાબિટીસ પર કંટ્રોલ મેળવી શકાય તે અંગે જાણકારી આપી હતી. ડાયાબિટીસ પર વર્કશોપ યોજાયોઆ અંગે આશિષ પાંડેએ જણાવ્યું હતું કે, હું રાઇઝ ઇન્ડિયા ફાઉન્ડેશનનો મેમ્બર છું. આજે આ ડાયાબિટીસ ઉપર પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. જેના માટે અમે અમદાવાદથી બહુ સરસ એક યોગાચાર્ય છે, દિલીપભાઈ ધોળકિયાની બોલાવ્યા છે. તેઓએ યોગમાં બેલેન્સ થેરપીની એક ટેકનિક ડેવલપ કરી છે. તેના માધ્યમથી તેઓ અહીંયા આજે વર્કશોપ દ્વારા માહિતી આપી રહ્યા છે કે કેવી રીતે આપણે ડાયાબિટીસને નોન-મેડિકલ રીતે રિવર્સ કરી શકીએ છીએ. ઇન્સ્યુલિન લેતા હોય એ લોકોનું ડાયાબિટીસ કેવી રીતે રિવર્સ થાયવધુમાં કહ્યું કે, રોજે રોજ જે લોકો ઇન્સ્યુલિન લેતા હોય એ લોકોનું ડાયાબિટીસ કેવી રીતે રિવર્સ થાય, કે જે લોકોનું ડાયાબિટીસ બહુ રહેતું હોય, તો એ ડાયાબિટીસ કેવી રીતે મેડિટેશનથી, યોગાથી અને એમની જે ટેકનિક એમને ડેવલપ કરી છે, બેલેન્સ થેરેપી, એનાથી કેવી રીતે રિવર્સ થઈ શકે છે તે સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. અત્યારે અત્યારે આપણા પ્રોગ્રામમાં 100 થી 120 જેટલા લોકો આ પ્રોગ્રામનો બેનિફિટ લઈ રહ્યા છે. શું બેલેન્સ થેરેપીનો ઉપયોગથી ડાયાબિટીસ દૂર થાય?તેઓ દ્વારા શીખવવામાં આવી રહ્યું છે કે, કેવી રીતે બેલેન્સ થેરેપીનો ઉપયોગ કરવાથી ડાયાબિટીસને આપણે રિવર્સ કરી શકીએ છીએ. અને એ જે બેલેન્સ થેરેપી છે એ ખાલી ડાયાબિટીસ માટે નહીં, ઘણા શરીરના ઘણા બધા રોગો હોય છે, જેમ કે કોઈને ની-પેઇન હોય, બેક-પેઇન હોય, કોલેસ્ટ્રોલ હોય, બ્લડ પ્રેશર હોય, તો એ બધા રોગોમાં એમની એ જે બેલેન્સ થેરેપી ટેકનિક છે, એ યુઝફુલ થાય છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 4:34 pm

વાપી હાઇવે પર રિક્ષા પાછળ જોખમી મુસાફરી, VIDEO:એક વ્યક્તિએ રિક્ષાના પાછળના ભાગે લટકીને મુસાફરી કરી, કડક કાર્યવાહીની માંગ

વલસાડ જિલ્લાના વાપી ગુંજન હાઇવે પર એક રિક્ષાની પાછળ લટકીને જોખમી મુસાફરી કરતો યુવાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના NH-48 ના સર્વિસ રોડ પર બની હતી, જેના કારણે અકસ્માતનો ભય ઊભો થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, સર્વિસ રોડ પરથી પસાર થતા એક વાહનચાલકે આ જોખમી દ્રશ્યનો વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, એક વ્યક્તિ રિક્ષાના પાછળના ભાગે લટકીને મુસાફરી કરી રહ્યો છે, જે અત્યંત જોખમી છે. આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે આવી બેદરકારીભરી હરકતની ટીકા કરી છે. યુઝર્સે ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને આવા કૃત્યોથી પોતાનો તેમજ અન્યનો જીવ જોખમમાં ન મૂકવા અપીલ કરી છે. આ ઘટનાને પગલે વલસાડ જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા હાઇવે પર પેટ્રોલિંગ વધારવાની જરૂરિયાત ઊભી થઈ છે. સ્થાનિક રહીશો અને સોશિયલ મીડિયા યુઝર્સે આવા જોખમી સ્ટન્ટ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 4:29 pm

તેરા તુજકો અર્પણ:જુનાગઢ એ ડિવિઝન પોલીસે ગુમ થયેલા 10 મોબાઇલ ફોન અને ₹ 2.30 લાખના સોનાના દાગીના શોધી કાઢ્યા, કુલ ₹ 4,20,000 નો મુદ્દામાલ માલિકોને સોંપાયો

પોલીસ પ્રજાનો મિત્ર તે સૂત્રને હંમેશા જૂનાગઢ પોલીસે સાર્થક કરી બતાવ્યું છે, જ્યારે ફરી એકવાર જુનાગઢ પોલીસ શહેરના અલગ અલગ વિસ્તારોમાં મોબાઈલ તથા સોનાના કીમતી દાગીનાઓ શોધી મૂળ માલિકને પરત કરતા પોલીસ પ્રજાનો મિત્ર તે સૂત્ર સાર્થક થયું છે. જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઇલ ફોન ખોવાઈ જવાના બનાવો બનતા હોય, જેના આધારે એસપી સુબોધ ઓડેદરા અને જુનાગઢ ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ તેમજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.કે. પરમારની સૂચના મુજબ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્ર સાર્થક થાય તે માટે લોકહીતમાં કામો કરવા અવારનવાર મૌખિક તેમજ લેખિત સૂચનાઓ અપાઈ હતી. એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અલગ-અલગ વિસ્તારોમાંથી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોનની અરજીઓ મળેલ હતી. આ અરજીઓમાં જણાવેલ મોબાઇલ ફોન નંગ-10, જેની કુલ કિંમત ₹ 1,90,000 થાય છે, તે તમામ મોબાઇલ ફોનને ટેક્નિકલ સોર્સથી તેમજ CEIR પોર્ટલની મદદથી શોધી કાઢી મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા છે પોલીસે જણાવ્યું છે કે હજુ પણ બીજા મોબાઇલો ડિટેક્ટ કરવાની કામગીરી ચાલુ છે અને બાકીના મોબાઇલો ટ્રેસ કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે.અરજદારોના ₹ 2,30,000 ની કિંમતના સાડા ત્રણ તોલા સોનાના દાગીના પણ પોલીસે શોધીને મૂળ માલિકોને પરત કર્યા હતા.​ મોબાઇલ ફોન ઉપરાંત જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવેલી અરજીઓના કામે અરજદારોના ગુમ થયેલા સોનાના દાગીના પણ પોલીસે પરત અપાવ્યા છે. પ્રથમ કિસ્સામાં, અરજદારનું સોનાનું ડોકીયું 15 ગ્રામ વજનનું, જેની કિંમત ₹ 1,30,000 થતી હતી, તે રસ્તામાં પડી ગયેલું હતું જે ગુમ સોનું શોધી અરજદારને પરત અપાવવામાં આવ્યું. તેમજ બીજા કિસ્સામાં અન્ય અરજીના કામે અરજદારનું સોનાની કાનની સળી જોડી-1, સોનાની કાનની બુટી જોડી-1 તથા સોનાની પાન બુટી જોડી-1 જેનો વજન આશરે 2 તોલા, કિંમત ₹ 2,00,000 ગુમ થયેલું હતું, તે ગુમ થયેલ તમામ સોનું પણ શોધીને અરજદારને પરત અપાવવામાં આવ્યું છે. આમ, તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કુલ મોબાઇલ ફોન નંગ-10 ,કિંમત ₹ 1,90,000 તથા સોનાના દાગીના વજન સાડા ત્રણ તોલા જેની કિંમત ₹ 2,30,000 મળી કુલ ₹ 4,20,000 નો મુદામાલ અરજદારો અને ફરિયાદીઓને પરત આપવામાં આવ્યો છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.કે. પરમાર તથા પોલીસ સ્ટાફના હસ્તે આપવામાં આવ્યો છે. આ સારી કામગીરી કરનાર પોલીસ હેડ કોન્સ્ટેબલ નીલેષ ચૌહાણ, પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ ગેલાભાઇ ચાવડા, નરેન્દ્ર બાલસ અને જુવાન લાખણોત્રાનો સમાવેશ થાય છે. આ કામગીરી દ્વારા જુનાગઢ પોલીસે લોકહિતની ભાવના અને ટેક્નિકલ ક્ષમતાનો ઉત્તમ સમન્વય સાબિત કરી બતાવ્યો છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 4:25 pm

હિંમતનગર: 20 દિવસથી ગુમ યુવકનો મૃતદેહ મળ્યો:ગામડી નજીક વાંઘામાંથી ડિકમ્પોઝ હાલતમાં લાશ મળી, પોલીસે ફોરેન્સિક PM માટે કાર્યવાહી કરી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગામડી નજીક વાંઘામાંથી 20 દિવસથી ગુમ થયેલા એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ગાંભોઈ પોલીસે મૃતદેહને પેનલથી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે. મૃતક યુવકની ઓળખ રાહુલ કાંતિસિંહ પરમાર (ઉંમર 30) તરીકે થઈ છે, જે ગામડી ગામનો રહેવાસી હતો. તે આશરે વીસ દિવસ પહેલા ગુમ થયો હતો. રવિવારે સવારે 9 વાગ્યાના સુમારે ગામડી નજીક વાંઘા વિસ્તારમાંથી તેનો ડીકમ્પોઝ થયેલો મૃતદેહ જોવા મળ્યો હતો. આ અંગે ગાંભોઈ પોલીસને જાણ થતાં, પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ગાંભોઈ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI જે.એમ. રબારીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, મૃતદેહ ડીકમ્પોઝ થયેલી હાલતમાં હોવાથી તેને પેનલથી પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. ત્યાંથી તેને વધુ ફોરેન્સિક તપાસ માટે અમદાવાદ મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. રાહુલ પરમાર મજૂરીકામ કરતો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 4:23 pm

ભારત પર્વમાં પ્રોજેક્ટ્સ મુલાકાત:પંજાબના રાજ્યપાલ, અંદમાન-નિકોબારના લેફ્ટનન્ટ ગવર્નર, કર્ણાટક વિધાન પરિષદના અધ્યક્ષ અને રાજ્યના કૃષિમંત્રી ઉપસ્થિત

'એક ભારત, શ્રેષ્ઠ ભારત' ના સૂત્રને સાકાર કરવા માટે એકતાનગર ખાતે ભારત પર્વની ઉજવણીને અનુલક્ષીને સાંસ્કૃતિક સંધ્યામાં પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારીયા, અંદમાન અને નિકોબારના લેફ્ટનન્ટ ગવર્નર, એડમિરલ ડી.કે. જોશી, કર્ણાટક વિધાન પરિષદના અધ્યક્ષ બસવરાજ હોરાટ્ટી અને રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખાસ ઉપસ્થિતિ નોંધાવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતની ભવ્યતા, સંસ્કાર, વિરાસત અને નૃત્ય કલાની ઝલક 'ગરવી ગુજરાત' ની શાનદાર પ્રસ્તુતિ સહિત ચંડીગઢ, પોન્ડુચેરી, દમણ-દીવ, લક્ષદીપ તથા અંદમાન-નિકોબારની સાંસ્કૃતિક કૃતિઓએ મહાનુભાવો તેમજ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કર્યા હતાં. સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ અમિત અરોરા સહિત ઓથોરિટી, પ્રવાસન અને સ્થાનિક તંત્રના અધિકારીઓ, કર્મીઓ તેમજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ-સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત પર્વ 25 ની ઉજવણી પ્રસંગે મંત્રી વાઘાણીએ ભારત દર્શન થીમ પેવેલિયન માં વિવિધ રાજ્યોના પેવેલિયનની મુલાકાત લઈને વિવિધ રાજ્યોના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો અને સાંસ્કૃતિક વિશેષતાઓની માહિતી મેળવી હતી. ઉપરાંત ઉભા કરાયેલા ફૂડ સ્ટોલ અને લાઇવ સ્ટુડિયો કિચનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વાનગીઓ પીરસાઈ રહી છે. મંત્રી વાઘાણીએ પણ પરંપરાગત વાનગીઓનો સ્વાદ માણ્યો હતો. આ ઉપરાંત, હસ્તકલા અને હેન્ડલૂમ સ્ટોલની પણ મંત્રી વાઘાણીએ મુલાકાત લીધી હતી. એકતા પ્રકાશ પર્વમાં વિવિધ થીમ આધારિત લાઇટિંગ અને ડેકોરેશન નિહાળીને પ્રસન્નતા વ્યક્ત કરી હતી. સાથોસાથ તેમણે પ્રવાસીઓ સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધી તસ્વીરો ખેંચાવી હતી.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 4:21 pm

ગુજરાતનું પ્રથમ AI ડેટા સેન્ટર ગિફ્ટ સિટીમાં બનશે:40 MW ક્ષમતા સાથે વર્ટિકલ ફોર્મેટમાં વિકસાવાશે, ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે

ગુજરાત અને દેશની ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષમતાને આગળ ધપાવતાં ગિફ્ટ સિટીમાં રાજ્યનું સૌપ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ડેટા સેન્ટર ઉભું થવા જઈ રહ્યું છે. સુત્રોના જણાવ્યા મુજબ, આ સેન્ટરની ક્ષમતા 40 મેગાવોટ સુધીની રહેશે અને ગિફ્ટ સિટીના માસ્ટર પ્લાન મુજબ તેને વર્ટિકલ ફોર્મેટમાં વિકસાવવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ, પ્રોજેક્ટના અમલીકરણ અને નિર્માણ માટેની ટેન્ડરની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવાની છે. પ્રોજેક્ટ તબક્કાવાર પૂર્ણ કરવામાં આવશે અને તેની સમયરેખા માંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયારીઓ સાથે જોડાઈને આગળ વધશે. ડેટા સેન્ટરની ડિઝાઈન ખાસ AI માટે ઓપ્ટિમાઈઝ કરાશેદેશમાં ઝડપી વધતા AI-કમ્પ્યુટની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ સેન્ટર અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. AI આધારિત વર્કલોડ — ટ્રેનીંગથી લઈને ઇન્ફરન્સ સુધી — મોટા પ્રમાણમાં હાઈ-પરફોર્મન્સ કમ્પ્યુટિંગની માંગ કરે છે, જેને ધ્યાનમાં રાખીને ડેટા સેન્ટરની ડિઝાઇન ખાસ AI માટે ઓપ્ટિમાઈઝ કરવામાં આવશે. પરંપરાગત ડેટા સેન્ટરથી અલગ, ગિફ્ટ સિટીમાં બનતું આ સેન્ટર વર્ટિકલ આર્કિટેક્ચર અપનાવશે, જેથી જમીનનો અસરકારક ઉપયોગ થાય, ઓપરેશનલ કાર્યક્ષમતા વધે અને ઊર્જા બચત શક્ય બને. ગિફ્ટ સિટી પહેલેથી જ ટેકફિન કંપનીઓ, બેંકો અને આંતરરાષ્ટ્રીય સ્ટોક અને બુલિયન એક્સચેન્જ માટે એક મુખ્ય હબ તરીકે ઉભરી છે. ટેકફિન કંપની, GCCs અને BFSI સેક્ટરના રોકાણમાં વધારાની શક્યતાવધુમાં જણાવ્યું કે મોટા પાયે નાણાકીય ટ્રાન્ઝેક્શન ડેટાની રિયલ-ટાઈમ પ્રોસેસિંગ, ફ્રોડ ડિટેક્શન અને આંતરરાષ્ટ્રીય નિયમનકારી પાલન પ્રક્રિયાઓમાં AI આધારિત વિશ્લેષણ અત્યંત અસરકારક સાબિત થશે. આ સેન્ટરથી ટેકફિન કંપનીઓ, વૈશ્વિક ક્ષમતા કેન્દ્રો (GCCs) અને BFSI સેક્ટરના રોકાણમાં પણ વધારો થવાની સંભાવના છે. સેન્ટર માટે લિક્વિડ કૂલિંગ ટેકનોલોજી અને એડવાન્સ પાવર સિસ્ટમ્સ જરૂરી રહેશે અને તેને વૈશ્વિક ધોરણો મુજબ વિકસાવવામાં આવશે. ગિફ્ટ-IFSCમાં પહેલેથી જ ત્રણ આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ કાર્યરત છે અને મજબૂત પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ હોવાથી પ્રોજેક્ટને વધારાનો લાભ મળશે. તેમજ વધતી AI/ML વર્કલોડ, હાઈ-પરફોર્મન્સ ક્લાઉડ સિસ્ટમ્સ અને એન્ટરપ્રાઈઝ એપ્લિકેશન્સની માંગને પહોંચી વળવા આ આગામી પેઢીનું સેન્ટર એક મહત્વપૂર્ણ હબ બની રહેશે. વર્ટિકલ ફોર્મેટ જમીનના ઓછા વિક્ષેપ સાથે વધુ ટકાઉ અને સ્પેસ-એફિશિયન્ટ મોડેલ પ્રદાન કરશે. પ્રોજેક્ટ હાઈપરસ્કેલ અને AI-રેડી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રસ ધરાવતા સ્થાનિક અને વૈશ્વિક વ્યવસાયકારોને આકર્ષી શકે છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 4:16 pm

પંચમહાલ કલેકટર મતદાન મથકોની મુલાકાતે:ગોધરાના મતદાન મથકોની મુલાકાત લઈ BLO કામગીરીની સમીક્ષા કરી

પંચમહાલ જિલ્લા કલેકટર અજય દહિયાએ ૧૬ નવેમ્બરના રોજ ગોધરા શહેરના વિવિધ મતદાન મથકોની અચાનક મુલાકાત લીધી હતી. તેમણે બુથ લેવલ ઓફિસર (BLO) દ્વારા ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી અને જરૂરી સૂચનો આપ્યા હતા. હાલમાં ચાલી રહેલી સ્પેશિયલ સમરી રિવિઝન (SIR) પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને, કલેકટરે અનેક બુથ પર પહોંચીને ત્યાંની તૈયારીઓની માહિતી મેળવી હતી. તેમણે સ્થળ પર હાજર BLO દ્વારા મતદાર યાદીની ચકાસણી, સુધારણા અને અન્ય કામગીરી સુચારુ રીતે ચાલી રહી છે કે કેમ તેનું નિરીક્ષણ અને મૂલ્યાંકન કર્યું હતું. સ્થાનિક કાર્યકર્તાઓ અને BLOઓ સાથે ચર્ચા કરતાં, કલેકટરે તેમની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે મતદાર યાદીમાં જો કોઈ ખામી હોય તો તેને તાત્કાલિક દૂર કરવા, તેમજ નવા મતદારોના નામ નોંધણી સહિતની કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવા માટે માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. કલેકટર દહિયાએ ખાસ ભાર મૂક્યો હતો કે મતદારોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે દરેક ટીમે સતર્ક રહેવું અત્યંત જરૂરી છે. જિલ્લા કલેકટરની આ મુલાકાતથી વહીવટી તંત્ર ચૂંટણી સંબંધિત કામગીરીમાં વધુ સજ્જતા અને કડકાઈથી કામ કરશે તેવી અપેક્ષા છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 4:13 pm

જામનગરમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી:રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં એકતા યાત્રા યોજાઈ, હાથમાં તિરંગા સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા

જામનગરમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે 78-જામનગર વિધાનસભા મતવિસ્તારમાં એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના મંત્રી રિવાબા જાડેજાએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પીને યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મેયરે શાબ્દિક સ્વાગત કર્યું હતું અને મંત્રી તેમજ અન્ય મહાનુભાવોએ વિવિધ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને કીટ આપી સન્માનિત કર્યા હતા. મંત્રી રિવાબા જાડેજાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, આ યાત્રા માત્ર એક યાત્રા નથી, પરંતુ એક રાષ્ટ્રપ્રેમી મહાન વિભૂતિને શ્રદ્ધાંજલિ છે. તેમણે સરદાર પટેલના જીવનને રાષ્ટ્રપ્રેમ, દયા અને સાહસ જેવા ગુણોની પ્રેરણા ગણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા સ્થાપીને અને એકતા દિવસની ઉજવણીનો પ્રારંભ કરાવીને સરદાર પટેલને યોગ્ય સન્માન આપ્યું છે. આ યાત્રાનો પ્રારંભ જામનગર ખાતે નવી કોર્ટ બિલ્ડીંગ પાસે ગાંધીનગર મેઈન રોડથી થયો હતો. તે પટેલ કોલોની, વિકાસગૃહ, ડી.કે.વી. સર્કલ, ગુરુ દત્તાત્રેય રોડ, સાંસદ નિવાસસ્થાન, વાલકેશ્વરી નગરી, ગુરુદ્વારા સર્કલ, મહારાણા પ્રતાપ સ્ટેચ્યુ થઈને લાલ બંગલો સર્કલ પાસે સમાપ્ત થઈ હતી. યાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ અલગ અલગ સમુદાયો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ થયા હતા. મહાનુભાવોએ મહારાણા પ્રતાપ અને ડો. આંબેડકરના સ્ટેચ્યુને પુષ્પહાર અર્પણ કર્યા હતા. આ એકતા પદયાત્રામાં શાળાના આચાર્યો, શિક્ષકો, વિવિધ સમાજના અગ્રણીઓ, સંરક્ષક દળોના જવાનો, વિદ્યાર્થીઓ અને અગ્રણી નાગરિકો સહિત મોટી સંખ્યામાં લોકો સહભાગી બન્યા હતા. તિરંગા સાથે અને રાષ્ટ્રભક્તિસભર ગીતોના સથવારે આ યાત્રા નગરના રાજમાર્ગો પરથી પસાર થઈ હતી. આ યાત્રામાં અગ્રણી બીનાબેન કોઠારી, કમિશનર ડી.એન. મોદી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, મહાનગરપાલિકાના હોદ્દેદારો, પ્રાંત અધિકારી અદિતિ વૈષ્ણવ, તેમજ અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 4:11 pm

મોરબી ક્રાઇમ ન્યૂઝ:માળીયા-ટંકારામાં કૂવામાં ડૂબી યુવાન-સગીરના મોત; પોલીસે બંને ઘટનામાં ગુનો નોંધી તપાસ શરૂ કરી

માળીયા (મી) અને ટંકારા તાલુકામાં કૂવામાં ડૂબી જવાથી બે અલગ-અલગ ઘટનાઓમાં એક યુવાન અને એક સગીર બાળકનું મોત થયું છે. પોલીસે બંને બનાવની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, માળીયા (મી)ના કોળીવાસમાં રહેતા 40 વર્ષીય ગોવિંદભાઈ અરજણભાઈ વાઘેલા નવાગામની સીમમાં આવેલા એક કૂવામાં કોઈ કારણોસર પડી ગયા હતા. પાણીમાં ડૂબી જવાથી તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ બાદ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે માળીયાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ દ્વારા માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. બીજી ઘટના ટંકારા તાલુકાના જીવાપર ગામે બની હતી, જ્યાં કૂવામાં પડી જવાથી 12 વર્ષીય સગીર બાળક જયદીપભાઈ મહેશભાઈ ભાભોરનું મોત થયું હતું. પોલીસ પાસેથી મળતી વિગત મુજબ, આ બનાવ ભાણજીભાઈ બારૈયાની વાડીના કૂવામાં બન્યો હતો. બનાવના દિવસે બપોરે 11 વાગ્યાના અરસામાં જયદીપ રમતા રમતા વાડીના કૂવાના કાંઠે ચડીને ત્યાં આવેલી ઓરડી ઉપર ચડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન અકસ્માતે ઓરડીની પારાપેટની ઈંટ નીકળી જતા તે પાણી ભરેલા કૂવામાં પડી ગયો હતો. પાણીમાં ડૂબી જવાના કારણે જયદીપનું મોત નીપજ્યું હતું. મૃતક બાળકના પિતા મહેશભાઈ ભાભોર દ્વારા ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આ અંગે પણ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 4:10 pm

ગીર સોમનાથમાં દરગાહમાંથી હથિયારો મળ્યા:મૂળ દ્વારકા બંદર પર પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન, મુંજાવરની પૂછપરછ શરૂ

ગીર સોમનાથ જિલ્લાના મૂળ દ્વારકા બંદર વિસ્તારમાં પોલીસે મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. એસ.પી. જયદીપસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ દિલ્હી બોમ્બ બ્લાસ્ટ બાદ જાહેર કરાયેલા હાઈ એલર્ટને પગલે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં એસ.પી. જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ 2 DYSP, 6 PI, 7 PSI, SOG, LCB અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સહિત 120થી વધુ પોલીસકર્મીઓ જોડાયા હતા. જિલ્લાના 110 કિલોમીટર લાંબા સંવેદનશીલ દરિયાકાંઠાના ગામોમાં વસવાટ કરતા લોકોની સઘન પૂછપરછ કરવામાં આવી હતી.કોમ્બિંગ દરમિયાન SOG ટીમને હઝરત કચ્છી પીર બાબાની દરગાહમાંથી કુહાડી, કાટો અને તલવાર જેવા હથિયારો મળી આવ્યા હતા. આ હથિયારો મળતા દરગાહના મુંજાવરની તાત્કાલિક પૂછપરછ શરૂ કરવામાં આવી છે. દિલ્હીમાં બનેલી ઘટનાને પગલે દેશભરમાં સુરક્ષા સઘન બનાવવામાં આવી છે. ગીર સોમનાથ પોલીસે પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિંગ અને ચકાસણી વધુ સઘન બનાવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આવા કોમ્બિંગ ઓપરેશન આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 4:07 pm

પંચમહાલમાં માર્ગોના સમારકામનું અભિયાન શરૂ:રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ રિસર્ફેસિંગ કરાશે

પંચમહાલ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા રસ્તાઓના સમારકામ અને રિસર્ફેસિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો હેઠળ રાજ્યભરમાં વરસાદથી અસરગ્રસ્ત માર્ગો અને પુલોના સમારકામ માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત, પંચમહાલના જિલ્લા કલેક્ટર અજય દહિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગની ટીમે મોરવા-ભૂરખલ રોડ, ભાટના મુવાડા એપ્રોચ રોડ, ખજૂરી–ભૂરખલ રોડ અને ખજૂરી એપ્રોચ રોડ સહિતના અગત્યના માર્ગો પર રોડ રિસર્ફેસિંગની કામગીરી હાથ ધરી છે. આ કામગીરીથી શહેરા, કાંકરી, અણિયાદ, છાણીપ, ચારણગઢ, રેણા, મોરવા(રેણા), ભૂરખલ, ભાટના મુવાડા, ખજૂરી, ગોકળપૂરા અને ઉજડા જેવા ગામોના લોકોને સીધો લાભ મળશે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા જણાવાયું છે કે જિલ્લા કલેક્ટર અજય દહિયાના નેતૃત્વ હેઠળ જિલ્લાભરમાં માર્ગ સુધારણા અને સમારકામની કામગીરી સતત ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 4:04 pm

મહીસાગરમાં વીજ ચેકિંગ, 9 જોડાણમાં ચોરી ઝડપાઈ:મધ્ય ગુજરાત વીજ કંપનીએ ₹16.20 લાખનો દંડ ફટકાર્યો

મહીસાગર જિલ્લામાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા હાથ ધરાયેલા આકસ્મિક વીજ ચેકિંગ દરમિયાન વીજ ચોરીના 9 કેસ ઝડપાયા છે. આ ગેરરીતિ બદલ કુલ ₹16.20 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. વડોદરા સ્થિત MGVCL કોર્પોરેશન ઓફિસ દ્વારા લુણાવાડા અને સંતરામપુર તાલુકામાં આ વીજ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ કામગીરી માટે કુલ છ ટીમો તૈનાત કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન, કુલ 325 વીજ જોડાણોની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી, 9 વીજ જોડાણોમાં વીજ ચોરીની ગેરરીતિ મળી આવી હતી, જેના પગલે સંબંધિત ગ્રાહકોને દંડ ફટકારવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 4:01 pm

આણંદના ખેડૂતોએ બટાકાની વાવણી શરૂ કરી:શિયાળાની શરૂઆત સાથે ખેતી કાર્ય વેગવંતું બન્યું

આણંદ જિલ્લામાં ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે, ત્યારે શિયાળાની શરૂઆત સાથે જ ખેડૂતોએ બટાકાની વાવણી શરૂ કરી દીધી છે. આ સાથે જિલ્લામાં ખેતી કાર્ય ફરી વેગવંતું બન્યું છે. પેટલાદ તાલુકાના બોરીયા ગામના ખેડૂત કેતનભાઈ પટેલના જણાવ્યા અનુસાર, તેમણે 30 વીઘાથી વધુ જમીનમાં બટાકાની ખેતી કરી છે. એક વીઘામાં 25 કટ્ટા એટલે કે 750 કિલો બિયારણ નાખવામાં આવે છે. બિયારણ નાખ્યા બાદ બે થી ત્રણ વખત ખેડ કરી તેમાં ગાય આધારિત ખાતર પાયામાં નાખવામાં આવે છે. આ ખેતીમાં પ્રતિ વીઘા રૂ. 45,000 થી વધુનો ખર્ચ આવે છે. જો વાતાવરણ અનુકૂળ રહે તો 500 મણ જેટલું ઉત્પાદન મળી શકે છે, જે ખેડૂતો માટે ફાયદાકારક છે. પ્રાકૃતિક ખેતી આધારિત તૈયાર થયેલ પાક માટે લોકો એડવાન્સમાં ખેડૂતનો સંપર્ક કરીને નોંધણી કરાવી દે છે. આનાથી ખેડૂતોને બજારમાં જવાની જરૂર પડતી નથી અને તેમને સારા ભાવ પણ મળી રહે છે. સામાન્ય રીતે દર વર્ષે નવેમ્બર માસના બીજા સપ્તાહમાં અનુકૂળ વાતાવરણ હોય તો બટાકાની વાવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ વાતાવરણ સામાન્ય હોવાથી નિયમિત સમય મુજબ રોપણી કરવામાં આવી હતી. લોકર અને કોલંબી જેવી બટાકાની જાતો 90 થી 120 દિવસમાં તૈયાર થઈ જાય છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 3:58 pm

અમરેલીમાં કપાસની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું:SOG મતીરાળા ગામમાં દરોડા પાડ્યા, ખેતરમાંથી લીલા ગાંજાના 48 છોડ મળી આવ્યાં, એક શખસની ધરપકડ

અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર ગાંજાના વાવેતરનો પર્દાફાશ થયો છે. લાઠી તાલુકાના મતીરાળા ગામની સીમમાં એક ખેતરમાં કપાસના પાકની આડમાં વાવેલા 155.865 કિલો ગાંજાના છોડ સાથે એક આરોપીની સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ (SOG) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત રૂ. 77,93,250 આંકવામાં આવી છે. રાજ્ય સરકારના નશીલા પદાર્થો સામેના અભિયાન અંતર્ગત અમરેલી SP સંજય ખરાતની સૂચનાથી SOG ટીમને બાતમી મળી હતી. આ બાતમીના આધારે લાઠી તાલુકાના કેરાળા ગામ તરફ જતા રસ્તે આવેલા મતીરાળા ગામની સીમમાં બાબુ ડેરના ખેતરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન, છના પંચાલ (રહે. કેરાળા) નામના આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. ખેતરમાંથી આશરે લીલા ગાંજાના 48 છોડ મળી આવ્યા હતા, જેનું કુલ વજન 155.865 કિલોગ્રામ હતું. SOG દ્વારા આ સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી આરોપી છનાભાઈ પંચાલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીને લાઠી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે, જ્યાં ગુનો નોંધી વધુ તપાસ ચાલી રહી છે. આ કામગીરીમાં અમરેલી SOG પી.આઈ. આર.ડી. ચૌધરી, જયરાજભાઈ વાળા, જીજ્ઞેશભાઈ પૉપટાણી, અરવિંદભાઈ ચૌહાણ, સ્વાગતભાઈ કુંવરીયા, જનકભાઈ કુવાડીયા અને નીરજભાઈ વાઘેલા સહિતની ટીમને સફળતા મળી હતી.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 3:54 pm

મનપાની જમીનોમાં દબાણોનો ઢગલો:રાજકોટ વેસ્ટનાં 47, ઇસ્ટનાં 34 અને સેન્ટ્રલ ઝોનનાં 18 સહિત 99 પ્લોટમાં દબાણો - ગેરકાયદે બાંધકામો, કુલ 6 જેટલા પ્લોટ કોર્ટ કેસમાં અટવાયા

રાજકોટ મહાપાલિકા દ્વારા ફરી ત્રણેક દિવસથી ટીપી સ્કીમ હેઠળ માલિકીના મળેલા પ્લોટમાં દબાણો હટાવવા કામગીરી શરૂ કરવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસમાં અનેક દબાણો હટાવીને કરોડોની જમીન ખુલ્લી કરાઈ છે. પરંતુ રાજકોટ મનપામાં ભળ્યા અને તે પૂર્વેના કબ્જા સાથે મળેલા અનેક પ્લોટમાં વર્ષોથી દબાણ છે. કોઇ આસામીની પોતાની જગ્યામાં દબાણ હોય તો લાખ પ્રયત્નો કરીને જગ્યા ચોખ્ખી કરે છે. પરંતુ સરકારી તંત્રને જાણે પોતાની જમીનની કંઇ પડી ન હોય તેમ ટીપી સ્કીમ હેઠળ SEWSH (આવાસ) હેતુના કુલ 142 પ્લોટ પૈકી 99 જેટલા પ્લોટમાં સંપૂર્ણ કે અંશતઃ દબાણો હોવા છતાં તંત્ર જાણે સાવ લાચાર છે. અને માત્ર નાની-મોટી ડિમોલિશનની કામગીરી કરીને સંતોષ માની રહ્યું છે. રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ ગેરકાયદે બાંધકામો અને ભ્રષ્ટાચારનો મામલો સમગ્ર ગુજરાતમાં ઉઠ્યો હતો. તેમજ અનઅધિકૃત બાંધકામોને નોટીસો આપવાથી માંડીને ડિમોલીશન સહિતની કામગીરી કરાઈ હતી. જોકે આમ છતાં મનપાને પોતાના પ્લોટની જરાય ફીકર ન હોવાનું તાજેતરમાં આરટીઆઇ હેઠળ માંગવામાં આવેલી માહિતી પરથી સામે આવ્યું છે. આરટીઆઇમાં મળેલી જાણકારી મુજબ રાજકોટમાં SEWSH (સોશિયલી ઇકોનોમિકલી વિકર સેક્શન હાઉસિંગ-આવાસ) હેતુના મનપાનાં 99 પ્લોટમાં 10 ટકાથી માંડી 100 ટકા સુધીના દબાણો છે. જયારે વેસ્ટ ઝોનનાં કુલ 6 પ્લોટમાં તો કોર્ટ કેસ ચાલી રહ્યા છે. તો સેન્ટ્રલ ઝોનમાં અનેક પ્લોટમાં આવાસ યોજનાઓ બની હોય, આ પ્લોટ દબાણમાંથી બચ્યા છે. છતાં સેન્ટ્રલ ઝોનમાં ગેરકાયદેસર દબાણો હટાવવા તંત્ર દ્વારા કોઈ નોંધપાત્ર કામગીરી થઇ નથી. પૂર્વ ઝોનની વાત કરીએ તો એસઇડબલ્યુએસ હેતુના ફાઇનલ અને પ્રિલી ટીપી સ્કીમના 36 પ્લોટ રહેલા છે. ટીપી રાજકોટ અને ટીપી કોઠારીયાના પ્લોટ તેમાં સામેલ છે. જેમાં કોઠારીયાના તમામ 13 પ્લોટમાં નાના-મોટા દબાણ છે. જ્યારે 11 પ્લોટમાં તો 100 ટકા દબાણ છે. મકાન, તોડેલી ફેન્સીંગ, વોંકળામાં બાંધકામ સહિતનાં દબાણો મનપાનાં પ્લોટમાં થયા છે. એક જગ્યાએ તો સોસાયટીએ વૃક્ષારોપણ, મંદિરો, કોમર્શિયલ બાંધકામો, એક કંપનીના દબાણ, એક સાથે નાની સોસાયટી જેટલા મકાનો, ઓરડી, મફતીયાપરાના દબાણો છે. સેન્ટ્રલ ઝોનમાં ઘણા પ્લોટમાં આવાસ યોજનાઓ બની ગઇ છે. છતાં આ હેતુના 47 પૈકી 18 પ્લોટ દબાણગ્રસ્ત છે. અલગ અલગ સોસાયટીઓ બનાવવામાં આવી છે. આવાસ યોજનાના પણ નિર્માણ થયા છે. તો ઘણા પ્લોટમાં 100-100 ટકા દબાણ પણ રહેલા છે. રહેણાંક, કોમર્શિયલ, મંદિરના બાંધકામો તેમાં સામેલ છે. ઘણા પ્લોટ આવાસ યોજના વિભાગના હવાલે છે. ત્રણ ખુલ્લા પ્લોટ છે. વેસ્ટ ઝોનમાં ન્યુ રાજકોટ સહિતના વિસ્તારમાં 59 પ્લોટ છે. જેમાંથી 47માં દબાણ છે. જેમાં 5 ટકાથી લઈ 100 ટકા સુધીના દબાણ છે. એક ઓરડીના કારણે પણ દબાણ રેકર્ડ પર છે. 6 પ્લોટમાં કોર્ટ કેસ ચાલી રહ્યો છે. ટીપી 1 અને 4 ઓવરલેપ થતા સાઇટ પર કબ્જો લેવાતો નથી. મંદિર, દેરી, ચબુતરો, વૃક્ષારોપણ, રહેણાંક અને કોમર્શિયલ બાંધકામો સહિત રૈયા, નાના મવા, મવડી સહિતના વિસ્તારોમાં આ દબાણો કરવામાં આવ્યા છે. રાજકોટના સેન્ટ્રલ ઝોન, ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોન હેઠળના ટીપી પ્લોટ્સની વિગતો સેન્ટ્રલ ઝોન (Central Zone) સેન્ટ્રલ ઝોનમાં રાજકોટ ટીપી 1 હેઠળ 1476 ચો.મી.નો પ્લોટ વામ્બે આવાસ અને મંદિર માટે, જ્યારે 6863 ચો.મી.નો મોટો વિસ્તાર નરસિંહ નગર સહિતની સોસાયટી માટે ફાળવવામાં આવ્યો છે. રાજકોટ ટીપી 3 માં 996 ચો.મી. અને 4457 ચો.મી.ના બે પ્લોટ 100% દબાણ હેઠળ છે. રાજકોટ ટીપી 4 માં 551, 916, 580, 3419, 743 અને 628 ચો.મી.ના પ્લોટ્સ પર 100% દબાણ છે. આ ટીપી 4 માં આવાસ યોજના માટે 411, 1542, 11463, 2992, અને 3840 ચો.મી.ના પ્લોટ્સ ફાળવેલ છે. ઉપરાંત, 7089 ચો.મી.નો એક પ્લોટ આવાસ અને હોકર્સ ઝોન માટે છે. રાજકોટ ટીપી 5 માં 25159 ચો.મી. પર 90% દબાણ અને 7370 ચો.મી. પર 100% દબાણ છે, જ્યારે 5380 ચો.મી. આવાસ યોજના માટે છે. રાજકોટ ટીપી 11 માં 3225 ચો.મી. પર 100% અને 3391 ચો.મી. પર 40% દબાણ જોવા મળે છે. રાજકોટ ટીપી 19 ના 8820 ચો.મી. અને 16252 ચો.મી.ના પ્લોટ્સ આવાસ વિભાગના હવાલે છે, જ્યારે 6036, 8608, અને 2899 ચો.મી.ના પ્લોટ્સ ખુલ્લા (ઓપન) છે. રાજકોટ ટીપી 23 માં 7284 ચો.મી. પર 80% દબાણ છે, જ્યારે 4282, 5127, 2888, અને 9775 ચો.મી.ના પ્લોટ્સ આવાસ યોજના માટે છે. કોઠારીયા ટીપી 13 માં 6343, 17077, અને 2025 ચો.મી.ના પ્લોટ્સ 100% દબાણ હેઠળ છે. છેલ્લે, રાજકોટ ટીપી 6 માં 45184 ચો.મી. અને રાજકોટ ટીપી 10 માં 1974 ચો.મી.ના પ્લોટ્સ પર 100% દબાણ છે. ઈસ્ટ ઝોન (East Zone) ઈસ્ટ ઝોનમાં રાજકોટ ટીપી 11 નો 9378 ચો.મી.નો પ્લોટ 100% દબાણ હેઠળ છે. કોઠારીયા ટીપી 12 માં 5657, 7686, 11039, 13194, 6445, અને 5315 ચો.મી.ના તમામ પ્લોટ્સ પર 100% દબાણ છે. કોઠારીયા ટીપી 13 માં 2725 ચો.મી. પર 30% દબાણ છે, જ્યારે 7692, 1185, 5198, 2592, અને 3396 ચો.મી.ના પ્લોટ્સ 100% દબાણ હેઠળ છે. રાજકોટ ટીપી 6 માં 6702 અને 11350 ચો.મી.ના પ્લોટ્સ 100% દબાણ હેઠળ છે, જ્યારે 2688 ચો.મી. અને 2196 ચો.મી. પર 35% દબાણ છે. 3460 ચો.મી.ના પ્લોટ પર જુના ઝુંપડા અને વોંકળો છે, જ્યારે 15274 ચો.મી.નો પ્લોટ આવાસ અને મંદિર માટે છે. રાજકોટ ટીપી 10 માં 3432 ચો.મી. સોસાયટીના વૃક્ષારોપણ માટે છે, 11799 ચો.મી. કોર્ટ કેસ હેઠળ છે, 3319 ચો.મી. પર 20% દબાણ છે, અને 1744 ચો.મી. દબાણ અને આંશિક રીતે ઓપન છે. રાજકોટ ટીપી 12 માં 2863 ચો.મી. પર 10% અને 7320 ચો.મી. પર 80% દબાણ (16 મકાન) છે. રાજકોટ ટીપી 13 માં 3207 ચો.મી. પર 20% દબાણ છે. આ ટીપીના અન્ય પ્લોટ્સમાં 4074 ચો.મી. (6 રૂમ/કારખાનું), 5779 ચો.મી. (1 ડેરી, મકાન), અને 2049 ચો.મી. (14 કાચા-પાકા મકાન) નો સમાવેશ થાય છે. રાજકોટ ટીપી 14 માં 10456 ચો.મી. પર 100% દબાણ, 8657 ચો.મી. પર 20% દબાણ, અને 7168 ચો.મી. પર 80% દબાણ છે. રાજકોટ ટીપી 7 નો 14677 ચો.મી.નો પ્લોટ અને રાજકોટ ટીપી 8 નો 11620 ચો.મી.નો પ્લોટ 100% દબાણ હેઠળ છે. રાજકોટ ટીપી 8 માં 6560 ચો.મી. કામદાર આવાસ યોજના માટે છે. વેસ્ટ ઝોન (West Zone) વેસ્ટ ઝોનમાં રાજકોટ ટીપી 3 નો 1985 ચો.મી.નો પ્લોટ 100% દબાણ હેઠળ છે. રૈયા ટીપી 16 માં દબાણવાળા પ્લોટ્સ 4719 ચો.મી. (10%), 6845 ચો.મી. (5%), 21 ચો.મી. (60%), 2778 ચો.મી. (70%), 7320 ચો.મી. (5%), 1848 ચો.મી. (10%), અને 4755 ચો.મી. (10%) છે, જ્યારે 1759 ચો.મી. પર 100% દબાણ છે. નાના મવા ટીપી 20 માં 3116 ચો.મી. પર ઓરડી, અને 1678 ચો.મી. તથા 15345 ચો.મી. પર 100% દબાણ છે. રૈયા ટીપી 22 માં 1761 ચો.મી. પર 10%, 3557 ચો.મી. પર 15%, અને 3248 ચો.મી. પર 45% દબાણ છે. રૈયા ટીપી 32 ના 10759, 7580, 24334, 21312, 10398, અને 12583 ચો.મી.ના છ પ્લોટ્સ કોર્ટ મેટર હેઠળ છે. રૈયા ટીપી 1 માં 1649 ચો.મી. પર મંદિર અને રોડ છે, જ્યારે 2747 ચો.મી. ટીપી-1 અને 4 નો વિસ્તાર છે. નાના મવા ટીપી 2 માં 1429 ચો.મી. પર મંદિર, દેરી, અને ચબૂતરો છે. નાના મવા ટીપી 5 માં 7923 ચો.મી. પર 5% દબાણ છે. મવડી ટીપી 21 માં દબાણની સ્થિતિ 893 ચો.મી. (100%), 3275 ચો.મી. (25%), 1356 ચો.મી. (60%), 1742 ચો.મી. (35%), 1719 ચો.મી. (30%), 1952 ચો.મી. (50%), 2446 ચો.મી. (40%), 1203 ચો.મી. (10%), અને 2536 ચો.મી. (40%) છે. મવડી ટીપી 26 અને 27 માં 13131 ચો.મી. અને 8484 ચો.મી.ના પ્લોટ્સ પર 1 મકાન છે. નાના મવા ટીપી 7 માં 2000.76 ચો.મી. પર 100% દબાણ છે. મવડી ટીપી 8 માં 2140 ચો.મી. અને 9834 ચો.મી. પર 100% દબાણ, અને 1279 ચો.મી. પર 80% દબાણ છે. વાવડી ટીપી 15 માં 18641 ચો.મી.નો પ્લોટ 50% વન વિભાગની નર્સરી છે. મોટા મવા ટીપી 10 માં 16624, 6107, 8307, અને 1730 ચો.મી.ના પ્લોટ્સ 100% દબાણ હેઠળ છે, જ્યારે 10166, 8935, અને 11191 ચો.મી.ના પ્લોટ્સ 40% દબાણ હેઠળ છે, અને 7516 ચો.મી. પર 70% દબાણ છે. મોટા મવા ટીપી 16 માં 10815 અને 6972 ચો.મી.ના પ્લોટ્સ પર કબજાની કાર્યવાહી ચાલુ છે. આ ટીપી 16 માં 4923 ચો.મી. પર 100% દબાણ, 1386 ચો.મી. અને 1370 ચો.મી. પર 30% દબાણ, અને 7594 ચો.મી. પર 100% દબાણ છે. જ્યારે 1274, 1424, 2926, અને 3649 ચો.મી.ના પ્લોટ્સની કોઈ વિગત આપેલી નથી. ઉલ્લેખનીય છે કે, આમ મનપાની માલિકીના માત્ર આ હેતુના 142 પ્લોટ પૈકી 99 પ્લોટમાં દબાણ હોવાથી આ જગ્યાનો કોઇ હેતુ માટે ઉપયોગ થતો નથી. માત્ર આવાસ નહીં પરંતુ અન્ય જાહેર હેતુ માટે પણ તેનો ઉપયોગ થઇ શકે છે. જે માટે નમુનારૂપ નહીં પરંતુ નકકર કામગીરીની જરૂર છે. જોકે લોકો કે વિપક્ષ દ્વારા જ્યારે આ મામલે સવાલો ઉઠવાય છે ત્યારે તંત્ર દ્વારા બે-ચાર ડિમોલિશન કરી સંતોષ માની લેવામાં આવે છે. એટલું જ નહીં બુલડોઝર ફેરવી ખુલ્લા કરવામાં આવેલા પ્લોટમાં ફરી દબાણ થાય નહીં તે માટે પણ નક્કર પગલાં લેવામાં આવતા નથી.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 3:47 pm

ભાટ ગામમાં હડકાયા શ્વાનનો આતંક, 10 લોકોને બચકાં ભર્યા:ઈજાગ્રસ્તો સારવાર માટે માંગરોળ અને જૂનાગઢ દોડ્યા, ગામલોકોમાં ભયનો માહોલ

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાનું ભાટ ગામ આજે એક હડકાયા શ્વાનના આતંકને કારણે ભયના ઓથાર નીચે આવી ગયું છે. એક જ હડકાયા શ્વાને ગામમાં જાણે 'બાન' લીધું હોય તેમ એકસાથે 10 જેટલા લોકોને બચકાં ભર્યા હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આટલું જ નહીં, આ શ્વાને ગામના 20થી વધુ પશુઓને પણ બચકાં ભરીને ઈજાગ્રસ્ત કર્યા છે, જેના કારણે ગામલોકોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હડકાયા શ્વાને એક સાથે અનેક લોકો હુમલો કર્યોહડકાયા શ્વાને રાહદારીઓ અને પશુઓને નિશાન બનાવતા ગામમાં ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ હતી. જે લોકોને હડકાયા શ્વાને બચકાં ભર્યા હતા, તેમને તાત્કાલિક સારવાર માટે માંગરોળ અને વધુ ગંભીર ઈજા પામેલા લોકોને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.ભાટ ગામના રહીશ જયંતીભાઈએ આ ગંભીર ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ભાટ ગામમાં એક હડકાયા શ્વાને ગામને બાનમાં લીધું છે. આ શ્વાને 8 થી 10 લોકો અને રખડતા ઢોરને બચકાં ભર્યા છે. જે લોકોને હડકાયા શ્વાને બચકાં ભર્યા હતા તેને તાત્કાલિક 108 મારફતે સારવાર માટે લાવવામાં આવ્યા છે અને અન્ય લોકોને વધુ સારવાર માટે જૂનાગઢ મોકલવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોએ માંગરોળ અને જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર લીધીઆ મામલે માંગરોળ સિવિલ હોસ્પિટલના ડોક્ટર ખાણીયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે ભાત ગામમાં હડકાયા શ્વાને બચકા ભર્યા હોય તેવા ચારથી વધુ દર્દીઓ સારવાર માટે આવ્યા હતા જેને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે તેમજ અન્ય જે ઇજાગ્રસ્તો હતા તે જુનાગઢ સારવાર માટે ગયેલા હોવાનું જાણવા મળ્યું છે હાલ માંગરોળ સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારના ઇન્જેક્શન અને દવાનો જથ્થો ઉપલબ્ધ છે તેમજ હડકાયા પશુ કરડે તે માટેના ઇજાગ્રસ્તોને જે ઇન્જેક્શન આપવાના હોય તેવા ઇજાગ્રસ્તો જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ગયા છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 3:45 pm

સી.આર પાટીલે કોંગ્રેસ પર પ્રહાર કર્યાં:કહ્યું- 'સરદાર પટેલે 24 કલાકમાં 500 રજવાડા જોડ્યા, જવાહરલાલ નહેરુ જમ્મુ કાશ્મીરને પણ જોડી શક્યા ન હતા'

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે 'સરદાર@150 યુનિટી માર્ચ' અંતર્ગત નવસારી જિલ્લામાં એકતા પદયાત્રાનું આયોજન કરાયું હતું. આ પદયાત્રામાં 5000થી વધુ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી.આર પાટીલે કોંગ્રેસ પર પ્રહાર કર્યાં હતા. મંત્રી સી.આર.પાટીલે કાશ્મીર મુદ્દે કોંગ્રેસને આડેહાથ લીધીમંત્રી સી.આર. પાટીલે કાશ્મીર મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે, સરદાર પટેલે 500 જેટલા રજવાડાઓને 24 કલાકમાં જોડ્યા હતા, પરંતુ પંડિત જવાહરલાલ નહેરુ જમ્મુ કાશ્મીર જોડી શક્યા નહોતા. કાશ્મીર જોડી ન શકવાને કારણે આજે પણ આપણે અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ, જે આપણા દિલમાં ખૂંચે છે અને મનમાં પણ ખટકે છે. 'સરદાર પટેલના અખંડ ભારતની યોજનાને PM મોદી ચોક્કસ પુરી કરશે'તેમણે વધુમાં જણાવ્યું કે, જે થયું તે થયું, પણ આજે ફરીથી ભારત સાથે કાશ્મીરને જોડવાના ચેલેન્જીસ અલગ છે. 370 ની કલમ રદ્દ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે કચાસ રહી છે, એને પુરી કરવાનો પ્રયાસ કર્યો છે. સંપૂર્ણ સફળતા હજી બાકી છે, પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલના અખંડ ભારતની યોજનાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચોક્કસ પુરી કરશે એવો દેશને વિશ્વાસ છે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે 'સરદાર@150 યુનિટી માર્ચ' અંતર્ગત નવસારી જિલ્લામાં એકતા પદયાત્રાનું આયોજન કરાયું હતું. શહેરના ફુવારાથી શરૂ થયેલી આ પદયાત્રા બીઆર ફાર્મ ખાતે સમાપ્ત થઈ હતી. આદિજાતી મંત્રી નરેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ, ધારાસભ્ય રાકેશ દેસાઈ, ઇન્ચાર્જ કલેક્ટર પુષ્પ લતા અને મહાનગરપાલિકા કમિશ્નર દેવ ચૌધરી સહિતના મહાનુભાવોએ પદયાત્રાને પ્રસ્થાન કરાવી હતી. પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયાઆ પદયાત્રામાં વિવિધ ક્ષેત્રના નાગરિકો સહભાગી થયા હતા. તેમાં 150 સરદાર પટેલ વેશભૂષા પદયાત્રીઓ, 50 કલાકારો, 250 'માય ભારત'ના સ્વયંસેવકો, 100 યોગ બોર્ડના સભ્યો, 500 શાળાના વિદ્યાર્થીઓ, 25 કોલેજના વિદ્યાર્થીઓ, 250 પોલીસ અને ફાયર ફાઇટરો, NCC કેડેટ્સ, 800 યુવાનો અને 2000 નવસારી શહેર તથા ગ્રામ વિસ્તારના નાગરિકો, અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થતો હતો. સૌએ રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 3:37 pm

કંપની બંધ કરાવવાનું કહી 15 કરોડની ખંડણી માગી:ટુંડાવની ઈન્ડો એમાઇન્સના ડાયરેક્ટરને NGTના અધિકારીનાં નામે ધમકી આપી, બે શખ્સની ધરપકડ

રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના પ્રમુખે ધમકી આપી 15 કરોડની ખંડની માગીટુંડાવની ઈન્ડો એમાઇન્સના ડાયરેક્ટરને NGTના અધિકારી નામે ધમકી આપી, બે શખ્સની ધરપકડ વડોદરાના ટુંડાવની ઈન્ડો એમાઇન્સ લી. કંપનીના ડાયરેક્ટર સાજી જોશને એનજીટીના અધિકારીનો સપોર્ટ છે, કંપની પોલ્યુશન ફેલાવે છે, કંપની બંધ કરાવી દઈશું કહી 15 કરોડની ખંડણી માગનારા 2 ખંડણીખોરની સયાજીગંજ પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે. આ બંને ખંડણીખોરને ઝડપી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. હોટેલમાં મિટિંગના બહાને છટકું ગોઠવી આરોપીઓને ઝડપ્યાંઃ DCPઆ અંગે ડી.સી.પી. ઝોન-1 ડો. જગદીશ ચાવડાએ કેસ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સુનિલ મહિડા અને જીતસિંહ રાણાએ પ્રદૂષણના ખોટા આરોપ લગાવી કંપની બંધ કરાવવાની ધમકી આપી હતી. બાદમાં ખાનગી હોટેલમાં મિટિંગના બહાને છટકું ગોઠવી આરોપીઓને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે. આ આરોપીઓએ રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાનો પ્રમુખ છે, તે કાર્ડ તપાસ માટે લેવાના આવ્યું છે અને તપાસ ચાલુ છે. સુનિલ મહિડા કારમાં લાલ-ભૂરી લાઇટ અને બાઉન્સર સાથે પહોંચતા શંકા ગાઢ બની હતી. કંપની ડિરેક્ટરે વાતચીતની ઓડિયો ક્લિપ સાથે પોલીસમાં BNS કલમ 308(2), 319, 351, 61 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હાલમાં બંને આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ફરવામાં આવી છે. શું હતો સમગ્ર મામલો?22 ઓક્ટોબરે ટુંડાવમાં રહેતો જીતસિંહ રાણા ઉર્ફે દાઉદ તથા સુનિલ મહિડા કંપનીમાં ગયા હતા અને રિપબ્લીક પાર્ટી ઓફ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ ઓફ ગુજરાતનું કાર્ડ આપ્યું હતું. જીતસિંહએ સાજીને ફોન પર કહ્યું હતું કે, જે આવ્યા છે તેમને વાત કરી લેજો. ગામ લોકોએ કંપની વિરૂદ્ધ પોલ્યુશન બાબતે ફરિયાદ કરી છે. કંપની બંધ કરાવી દે એટલી તેમની હેસિયત છે. 30 ઓક્ટોબરે સયાજીગંજની એફોટેલ હોટેલમાં મિટિંગમાં સાજી સહિત ત્રણ કર્મી પહોંચ્યા હતાં, ત્યાં જીતસિંહ આવ્યો હતો. થોડીવારમાં એક કારમાં લાલ-ભૂરી લાઈટ ચાલુ રાખી સુનિલ મહિડા પહોંચ્યો હતો. તેની સાથે ચાર બાઉન્સર તથા ડ્રાઈવર ઉતર્યાં હતા. સાજીએ કહ્યું કે, ગામ લોકોની શું ફરિયાદ છે? ત્યારે તેઓએ કહ્યું હતું કે, 2 હજાર લોકોને સ્વાસ્થ્યને ખતરો છે. સાજીએ કંપની જીપીસીબીના નિયમોનું પાલન કરે છે. 30 વર્ષથી ટુંડાવ-મહારાષ્ટ્રમાં પ્લાન્ટ છે. કોઈ ફરિયાદ નથી. ત્યારબાદ સુનિલે કોઈ સરકારી અધિકારી શ્રીવાસ્તવને ફોન કરી અંગ્રેજીમાં વાત કરી હતી અને કંપનીના માણસો નેગોશિયેટ કરે છે તેમ કહ્યું હતું. ત્યારબાદ તેઓએ જણાવ્યું કે, તમારે શોર્ટ-આઉટ કરવું છે કે કેમ? આમાં અમારી સાથે અધિકારીઓ છે, તેમને રૂ.15 કરોડ આપવા પડશે, નહીં તો એનજીટીના અધિકારીઓ કંપની બંધ કરાવી દેશે. અત્રે ઉલ્લેખનિય છે કે, કંપનીના કર્મીઓએ કહ્યું હતું કે, કંપની સરકારના નિતી નિયમો મુજબ ચાલે છે. તો શાના રૂપિયા આપવાના? જોકે, ત્યારે જીતસિંહે કહ્યું હતું કે, આ લોકો ઘણા પાવરફુલ છે. ગમે-તેમ કરીને ખોટી ફરિયાદ કરીને ગામના લોકોને ભેગા કરી કંપની બંધ કરાવી દેશે. કંપનીના કર્મીઓએ થોડો સમય માગ્યો હતો. ત્યારબાદ જીતસિંહ અવારનવાર ફોન કરી રૂપિયા બાબતે પૂછ્યા કરતો હતો. છટકું ગોઠવી આરોપીઓને દબોચ્યાસયાજીગંજની એફોટેલ હોટલમાં મિટિંગ યોજી રૂપિયાની માગણી કરાઈ હતી. બાદમાં આરોપીઓને પકડવા છટકુ ગોઠવાયું હતું. કંપનીના કર્મીઓએ બંને ગઠિયાને ફરી મિટિંગ કરવા એફોટેલ હોટલ બોલાવ્યા હતા અને ત્યાં પોલીસે બંનેને પકડી પાડ્યા હતા. મિટિંગ સહિતનું રેકોર્ડિંગ પણ કંપનીના કર્મીઓએ પોલીસને આપ્યું હતું. સાથે જ જાણવા મળ્યું હતું. અગાઉ કોઈની ચઢામણીથી કંપની આસપાસના લોકોએ કંપનીમાં તોડફોડ કરી લૂંટ કરી હતી. તે ઘટના અંગે ફરિયાદ પણ દાખલ થઈ હતી. ત્યારે ગામના કેટલાક લોકો પકડાયા હતા. કંપની બંધ કરાવવા ધમકી આપીસુનિલે કંપનીના કર્મચારીઓને કહ્યું હતું કે, કંપની તરફથી પોલ્યુશન અંગેની સંસ્થાને ઘણી ફરિયાદ મળી છે. તમારી કંપની બંધ કરાવી દઈએ એટલી તાકાત મારી પાસે છે. અમારી પાસે સેન્ટ્રલ ગવર્મેન્ટના એન.જી.ટી (નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ)ના અધિકારીનો સપોર્ટ છે. મેઘાલયમાં કોલ માઇનિંગ બંધ કરાવી છે. તમારી કંપની પણ બંધ કરાવી દઈશું.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 3:25 pm

મેંદરડાનો કોન્સ્ટેબલ પતિ આશિષ દયાતર ઝડપાયો:પત્નીને આત્મહત્યા માટે મજબૂર કરી હતી, મૃતક પત્નીના પિતાએ નોંધાવી હતી પોલીસ ફરિયાદ

જૂનાગઢ જિલ્લામાં એક અત્યંત દુઃખદ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં લગ્નજીવનમાં પોલીસ કોન્સ્ટેબલ પતિ દ્વારા આપવામાં આવતા શારીરિક અને માનસિક ત્રાસના કારણે પત્ની ભાવિશાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ ગુનાનો આરોપી અને મેંદરડા હેડક્વાર્ટર્સમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પતિ આશિષ લખમણ દયાતરની ચોરવાડ પોલીસે ઝડકા ગળુ રોડ નજીકથી આજે(16 નવેમ્બર )ધરપકડ કરી લીધી છે. પત્ની ભાવિશાને મરવા મજબૂર કરવા બદલ માળિયા હાટીના પોલીસ સ્ટેશનમાં ભાવિશાના પિતાએ નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે આ કડક કાર્યવાહી હાથ ધરી છે. મૃતક ભાવિશાના પિતાએ જમાઈના અન્ય ત્રણથી ચાર સ્ત્રીઓ સાથેના આડાસંબંધો અને અમાનવીય ત્રાસ હોવાના ગંભીર આક્ષેપો લગાવ્યા હતા, જેના પુરાવા તરીકે એક ઓડિયો ક્લિપ પણ રજૂ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર કેસની તપાસ ચોરવાડ PI સમીર મંધરા ચલાવી રહ્યા છે. આશિષ ભાવિશાને સતત માનસિક ત્રાસ આપતો હતોમૃતક દીકરી ભાવિશાના પિતા ભરતસિંહ બાબરીયાએ પોલીસ સમક્ષ આપેલી ફરિયાદમાં જમાઈ આશિષ દયાતરના અમાનવીય કૃત્યોનું વર્ણન કર્યું હતું. ભરતસિંહે જણાવ્યું હતું કે તેમની મોટી દીકરી ભાવિશાના લગ્ન પોલીસ કોન્સ્ટેબલ આશિષ સાથે થયા હતા. લગ્ન બાદ આશિષે ભાવિશાને સતત માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પોલીસ કેદીને માર મારે તેમ પત્નીને માર મારતોભરતસિંહે આક્ષેપ કર્યો હતો કે આશિષ ભાવિશાને ઢોર માર મારતો, તેની છાતી પર કલાકો સુધી બેઠો રહેતો અને પોલીસ કેદીને માર મારે તેમ માર મારતો હતો. ભાવિશાને 28 દિવસ સુધી સતત માર મારવામાં આવ્યો હતો. ભાવિશાએ પિતાને એ પણ જણાવ્યું હતું કે આશિષ માર મારવાની સાથે બટકા પણ ભરતો હતો. પોલીસ સ્ટાફે સમજાવતા ભરતસિંહ દીકરીને ભીખોર ગામે લઈ આવ્યા હતાપતિના અસહ્ય ત્રાસથી કંટાળીને ભાવિશાએ ગત 28 તારીખે એસિડ પીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો હતો. ભરતસિંહે જણાવ્યું કે જ્યારે ભાવિશાને સારવાર માટે લઈ જવામાં આવી ત્યારે મેંદરડા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા આશિષના પોલીસ સ્ટાફના સાહેબોએ તેમની દીકરી ભાવિશાને સમજાવી કે, આશિષ અમારા પોલીસ સ્ટાફનો છે, કંઈ કરતા નહીં. પોલીસ સ્ટાફે ત્યારે સમજાવતા તેની વાત માનીને ભરતસિંહે દીકરીને માળિયા હાટીના નજીક આવેલા ભીખોર ગામે લઈ આવ્યા હતા. ભીખોર આવ્યા બાદ ભાવિશાએ પિતાને આશિષના તમામ કાળા કામો અને ત્રાસની કહાની જણાવી હતી. તે સમયે ભાવિશાએ પોલીસ કેસ કરવાની વાત કરી હતીતે સમયે ભાવિશાએ પોલીસ કેસ કરવાની વાત કરી હતી, પરંતુ પિતા ભરતસિંહે પોતાની સામાજિક પ્રતિષ્ઠા અને અન્ય બે દીકરીઓના લગ્નને ધ્યાનમાં રાખીને દીકરીને કેસ ન કરવા માટે સમજાવી હતી. આ નિર્ણય બાદ ભાવિશા નિરાશ થઈ ગઈ હતી અને આશિષને ફોન-મેસેજ કર્યા, પરંતુ આશિષે કોઈ જવાબ આપ્યો ન હતો. આખરે નિરાશ થઈને ભાવિશાએ આત્મહત્યાનું અંતિમ પગલું ભર્યું હતું.​ ઓડિયો ક્લિપમાં કોન્સ્ટેબલે ત્રાસ કબૂલ્યો હતો​આ સમગ્ર કેસમાં સૌથી મોટો પુરાવો મૃતક ભાવિશાના પતિ આશિષ દયાતર અને ભાવિશાના પિતા ભરતસિંહ વચ્ચે થયેલી ઓડિયો ક્લિપમાં આશિષ દયાતરે પોતે જ અન્ય સ્ત્રીઓ સાથેના આડા સંબંધો હોવાનું કબૂલ્યું હતું.ઓડિયો ક્લિપમાં આશિષ કહે છે કે, હું કબૂલું છું કે મારે જૂનાગઢમાં લફરું છે, મેંદરડા સ્ટાફમાં લફરું છે અને માતરવાણીયા ગામમાં પણ લફરું છે. આશિષે તેના સસરાને વિનંતી કરી હતી કે તમે કોઈને મારે લફરું છે તેવી વાતો ન કરતા. મને બીક લાગી ગઈ છે, મને ઘરે ખીજાશે. જોકે, આ કબૂલાત અને ત્રાસ આપવાનું બંધ કરવાની ખાતરી માત્ર 'એક્ટિંગ' હોવાનું ભાવિશાએ તેના પિતાને કહ્યું હતું. અંતે આશિષે ફોનનો જવાબ ન આપતા ભાવિશા નિરાશ થઈ અને ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.​ કોન્સ્ટેબલ પતિની ધરપકડ, પોલીસે તપાસ હાથ ધરી​માળિયા હાટીના પોલીસે મૃતક ભાવિશાના પિતા ભરતસિંહ બાબરીયાની ફરિયાદના આધારે પોલીસ કોન્સ્ટેબલ પતિ આશિષ દયાતર વિરુદ્ધ પત્નીને મરવા મજબૂર કરવા બદલ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આજે આરોપી પતિ આશિષ દયાતરની ધરપકડ કરી લીધી છે. ભરતસિંહે સરકારને અપીલ કરી છે કે, તેમની દીકરી ભાવિશાને ન્યાય મળવો જોઈએ અને અન્ય દીકરીઓ પર આ દુઃખ ન પડે તે માટે કડક કાર્યવાહી કરવામાં આવે. પોલીસ કોન્સ્ટેબલ જેવા જવાબદાર પદ પર રહેલી વ્યક્તિ દ્વારા પત્નીને ત્રાસ આપી આત્મહત્યા માટે મજબૂર કરવાના આ કેસમાં કાયદેસરની કાર્યવાહી હવે વેગ પકડશે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 3:13 pm

5000નું તમાકું ખરીદી બે ટાબરિયા ભાગી ગયા, CCTV:વરાછામાં તમાકુની દુકાનેથી ખરીદી કરી ફેક એપથી પેમેન્ટનું નાટક કર્યું, નંબર પ્લેટ પર કાળી પટ્ટી મારી'તી

સુરતના વરાછા વિસ્તારમાં ફેક એપ દ્વારા ખોટુ પેમેન્ટ કરતા બે ટાબરિયા સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. વરાછા વિસ્તારમાં ટોબેકોની દુકાન ધરાવતા વેપારી પાસે જમ્બો તમાકુના બે બોક્સ ખરીદીને નકલી સ્કેનર બતાવી બે ટાબરિયા મોપેડ પર ફરાર થઈ ગયા હતા. ફેક એપ દ્વારા ખોટુ પેમેન્ટ કરી ફરાર થયાની આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં પણ કેદ થઈ જવા પામી છે. આ સાથે જ બંને પકડાઈ નહીં તે માટે મોપેડની નંબર પ્લેટ પર કાળી પટ્ટી મારી હતી. આ મામલે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 5 હજાર રૂપિયાના તમાકુના બે જમ્બો બોક્સની ખરીદી કરીમળતી માહિતી પ્રમાણે સારોલી વિસ્તારમાં આવેલી મોર્ડન ટાઉનશીપ સોસાયટીમાં 61 વર્ષીય કાંતિભાઈ ચોપડા રહે છે અને વરાછા વિસ્તારમાં આવેલી જૂની શક્તિ વિજય સોસાયટીમાં મારુતિ એન્ટરપ્રાઇઝ નામથી તમાકુ અને સોપારીની દુકાન ચલાવે છે. 11 નવેમ્બર ના રોજ બે 12થી 15 વર્ષની ઉંમર ધરાવતા બે કિશોર મોપેડ લઈને આવ્યા હતા. જે પૈકી એક તરુણ જમ્બો નામની તમાકુના બે બોક્સ આપવાનું કહ્યું હતું. એક કિશોર મોપેડ પર જ બેસેલો હતો અને બીજો તમાકુ ખરીદવા માટે આવ્યો હતો. કાંતિભાઈએ બે બોક્સ તમાકુના આપ્યા બાદ ઇસમે હું 5000 રૂપિયા સ્કેનરથી પે કરું છું તેમ કહ્યું હતું. ત્યારબાદ સ્કેનર સ્કેન કર્યું ને રૂપિયા પે કરી દીધા હોવાનું જણાવ્યું હતું. જોકે રૂપિયા ખાતામાં આવ્યા ન હતા. આ બાબતે કાંતિભાઈએ કહ્યું કે રૂપિયા આવ્યા નથી. જેથી બંને ટાબરિયા તમાકુના બોક્સ લઈને ભાગી ગયા હતા. પરંતુ તેઓએ ફેક એપ દ્વારા ખોટુ પેમેન્ટ કર્યું હતું. ઓળખ ન થાય તે માટે મોપેડની નંબર પ્લેટ પર કાળી પટ્ટી મારી દીધી હતીબંને કિશોર ખરીદી કરવા આવ્યા અને ત્યારબાદ મોપેડ લઈને ભાગી જતા હોય તે પ્રકારની સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી માં કેદ થઈ જવા પામી છે. આ સાથે બંને ટાબરીયાઓ પકડાય નહીં તે માટે મોપેડ ની નંબર પ્લેટ પર પણ કાળી પટ્ટી મારી દીધી હતી. આ બાબતે દુકાનના માલિક કાંતિભાઈ ચોપડા દ્વારા વરાછા પોલીસ સ્ટેશન ખાતે બંને ઈસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેથી વરાછા પોલીસ દ્વારા આ બંને યુવકોને ઝડપી પાડવાની દિશામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વેપારી કાંતિભાઈએ આ બાબતે જણાવ્યું હતું કે, આ ઘટનાને ધ્યાનમાં રાખીને તમામ શહેરીજનોએ સતર્ક રહેવું અત્યંત જરૂરી છે. જો કોઈ વ્યક્તિ ઓનલાઇન પેમેન્ટ કરે તો તરત જ તમારું બેંક એકાઉન્ટ ચેક કરવું. વેપારીભાઈઓને અપીલ છે કે તેમની દુકાનમાં Sound Box અવશ્ય રાખો અને જો આવી કોઈ છતરપિંડી થાય તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવો.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 2:59 pm

એક...બે...ત્રણ...કહેતા જ 6 લોકો મગર પર બેસી ગયા:વડોદરાના મુજ મહુડા વિસ્તારમાં 10 ફૂટ લાંબા મહાકાય મગરનું રેસ્ક્યૂ , જુઓ વીડિયો

વડોદરા શહેરમાં અવાર નવાર મગર દેખાવા કોઈ નવાઈની વાત રહી નથી. ચોમાસુ પૂરું થયું છે છતાં હજુ મગર નગરી વડોદરામાં મગર રહેણાંક વિસ્તારમાં ક્યાંકને ક્યાંક જોવા મળતા હોય છે. ત્યારે ગત રાત્રે વડોદરાના મુજ મહુડા પાસે આવેલ વિશ્વ જ્યોતિ આશ્રમ નજીક એક રહેવાસીના ઘરના પાછળના ભાગમાં મહાકાય મગર આવી જતા રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરી વન વિભાગને જાણ કરી હતી. વોલેન્ટીયર્સ અને સ્થાનિક લોકોએ મળી રેસ્ક્યૂ કર્યુંઆ મહાકાય મગર અહીંયા આવેલ ઝાડીઓમાં ફસાઈ ગયો હતો, તેની જાણ વડોદરા એનિમલ રેસ્ક્યુ ફાઉન્ડેશન અને એનિમલ રેસ્ક્યુ ટ્રસ્ટને કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રેક્સ્યુની કામગીરી શરૂ કરી હતી. તમામ વોલેન્ટર્સ અને સ્થાનિકો ભેગા મળીને લગભગ 10.5 ફૂટ અને 150 કિલોના આ મહાકાય મગરને દોરડા વડે ખેંચી એક કલાકની ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી તે જગ્યાથી બહાર કાઢી વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યો હતો. મગરની લંબાઈ 10 ફૂટ, વજન 150 કિલોઆ અંગે રેસ્ક્યુ ટીમના યશ તડવીએ જણાવ્યું હતું કે, મુજ મહુડા પાસે દસથી સાડા દસ ફૂટનો મગર ઘરની પાછળના ભાગે આવી ગયો છે. આ અંગેની જાણ થતા અમે તાત્કાલિક ત્યાં પહોંચી ભારે જહેમત બાદ તેને બહાર કાઢ્યો હતો અને વન વિભાગને સહી સલામત સોંપવામાં આવ્યો છે. જ્યાંથી મગર મળ્યો ત્યાંથી મહાકાય મગરને રેસ્ક્યુ કરવો ખુબજ મુશ્કેલ હતું, છતાં ખુબજ સપોર્ટ મળતા અમે રીસ્ક્યુ કર્યું હતું. વિશ્વામિત્રી નદીમાં 400થી વધુ મગરોનો વસવાટઉલ્લેખનીય છે કે, વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. જોકે, આજે વિશ્વામિત્રી નદીમાં 400થી વધુ મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે. મગર શેડયૂલ-1નું સંરક્ષિત પ્રાણી છે. નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી 4 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે. નદી કિનારે શું સાવચેતી રાખવી?

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 2:54 pm

ગાંધીધામમાં વેપારીઓએ સ્વેચ્છાએ અતિક્રમણ હટાવ્યા:મનપાની 6 ઇંચની મર્યાદાની સૂચના બાદ ઓટલા તોડાયા

ગાંધીધામ મહાનગરપાલિકાની સૂચના બાદ મુખ્ય બજારના વેપારીઓએ સ્વૈચ્છિક રીતે દુકાન બહારના ઓટલા 6 ઇંચની મર્યાદામાં બનાવવાની કામગીરી શરૂ કરી છે. રોડથી 6 ઇંચથી વધુ ઊંચાઈ ધરાવતા ઓટલા તોડી પાડવા માટે મનપા દ્વારા સૂચના અપાઈ હતી. આજે રવિવારે ગાંધીચોકથી ઝંડાચોક સુધીની બજારમાં દુકાન બહારના અતિક્રમણ દૂર કરવામાં આવ્યા હતા. વેપારીઓએ સકારાત્મક અભિગમ અપનાવીને આ કાર્યવાહીમાં સહયોગ આપ્યો છે. વેપારીઓની આ સક્રિયતા અને સહકારને કારણે બજારમાં ટ્રાફિક અને ફૂટપાથ પરની અવરજવર સરળ બનશે. મહાનગરપાલિકા દ્વારા ગાંધીધામ શહેરના માર્ગોને ટ્રાફિક મુક્ત કરવા માટે ખાસ દબાણ હટાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આ કાર્યવાહી થઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 2:45 pm

બોટાદમાં રવિ પાકનું વાવેતર શરૂ:માવઠા બાદ સરકારે સહાય આપી, ખેડૂતો પાક ધિરાણ માફી ઈચ્છે છે

બોટાદ જિલ્લામાં કમોસમી વરસાદના માર બાદ હવે રવિ પાકના વાવેતરની કામગીરીએ ગતિ પકડી છે. ખેડૂતો ધીમી ગતિએ ખેતરોમાં ઉતરી મુખ્ય શિયાળુ પાકોનું વાવેતર શરૂ કરી રહ્યા છે. જોકે, સરકારે સહાય જાહેર કરી હોવા છતાં, ખેડૂતો માવઠાથી થયેલા નુકસાન બાદ પાક ધિરાણ માફ કરવાની માંગ કરી રહ્યા છે. બોટાદ જિલ્લાના ગઢડા, બરવાળા, રાણપુર અને બોટાદ તાલુકાઓમાં હાલમાં કુલ ૨૬૭૫ હેક્ટરમાં ઘઉં, ૧૭૦૨ હેક્ટરમાં ચણા, ૧૬૫ હેક્ટરમાં જીરું, ૧૩૭ હેક્ટરમાં શાકભાજી અને ૫૩૭ હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે. અન્ય ખેડૂતો પણ રવિ પાકના વાવેતરની તૈયારીઓમાં વ્યસ્ત છે. કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે, જેના કારણે તેઓ આર્થિક રીતે પાયમાલ થયા છે. સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે તેઓ હાલ ખેતી કરવા માટે સક્ષમ નથી. તેથી, સરકાર પાક ધિરાણ માફ કરે તો જ ખેડૂતો ફરી પગભર થઈ શકે તેમ છે. કેટલાક વિસ્તારોમાં વાવેતર લગભગ પૂર્ણ થવા આવ્યું છે, જ્યારે ઘણા ખેડૂતો હજુ પણ રવિ સીઝનના પાકો વાવવામાં વ્યસ્ત છે. જો આગામી દિવસોમાં હવામાન સાનુકૂળ રહેશે, તો વાવેતરના વિસ્તારમાં વધુ વધારો થવાની શક્યતા છે. ખેડૂતો સારા ઉત્પાદનની અપેક્ષા સાથે વાવેતર કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 2:44 pm

ભુજ સીમંધર સિટીમાં મકાનમાં આગ:પરિવાર જનો સમયસર બહાર નીકળી જતા આબાદ બચાવ, ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો

ભુજ શહેરના સીમંધર સિટી વિસ્તારમાં આજે રવિવારે સવારે લગભગ 11 વાગ્યાની આસપાસ એક મકાનમાં આગ લાગી હતી. આ આગ ઘરના પૂજા સ્થળેથી શરૂ થઈ હતી. ઘટના સમયે ઘરમાં હાજર મહિલા સભ્યો સમયસર બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો. આગ ઝડપથી સમગ્ર રૂમમાં ફેલાઈ ગઈ હતી, જેના કારણે ઘરમાં રહેલું રાચરચીલું બળીને ખાખ થઈ ગયું હતું અને મોટી નુકસાની થઈ હતી. બનાવના પગલે આડોશ-પડોશના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તંત્રને જાણ કરી હતી. માહિતી મળતાં જ ભુજ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી ગણતરીના સમયમાં આગને કાબૂમાં લીધી હતી. આ કામગીરીમાં ફાયર વિભાગના યશપાલસિંહ વાઘેલા, સોહમ ગોસ્વામી, ચંદ્રદિપસિંહ ઝાલા અને નરેશ મહેશ્વરી જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 2:43 pm

દેવગઢ બારીયામાંથી ₹92,578નો વિદેશી દારૂ જપ્ત:દાહોદ LCB એ કાપડી ફળિયામાં દરોડા પાડી 307 બોટલ કબજે કરી

દાહોદ LCB પોલીસે દેવગઢ બારીયા નગરના કાપડી ફળિયામાં આવેલા એક રહેણાંક મકાન પર દરોડો પાડી ₹92,578નો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં કુલ 307 બોટલ દારૂ કબજે કરવામાં આવ્યો હતો. જિલ્લામાં દારૂબંધીની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે દાહોદ જિલ્લા પોલીસની સૂચના અને માર્ગદર્શન હેઠળ સતત કાર્યવાહી ચાલી રહી છે. આ અંતર્ગત, LCB ટીમને મળેલી બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. ગતરોજ દાહોદ LCB ટીમે દેવગઢ બારીયા નગરના કાપડી વિસ્તારમાં રહેતા મુમ્તાજ ઇસ્માઇલ રશીદવાલાના મકાન પર ઓચિંતી રેડ કરી હતી. રેડ દરમિયાન, મકાનમાંથી વિદેશી દારૂની કુલ 307 બોટલ મળી આવી હતી, જેની બજાર કિંમત ₹92,578 આંકવામાં આવી છે. LCB એ દારૂનો જથ્થો કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 2:41 pm

તવરા ક્રિકેટ પ્રીમિયર લીગ સીઝન-2 શરૂ:ટુર્નામેન્ટમાં 10 ટીમો અને 170 થી વધુ ખેલાડીઓ ભાગ લેશે

ભરૂચ તાલુકાના જુના તવરા ગામમાં સામાજિક એકતાનો સંદેશ આપનાર જુના તવરા ક્રિકેટ પ્રીમિયર લીગ (TPL) સીઝન-2 –2025 નો આજે ભવ્ય પ્રારંભ થયો હતો. સતત બીજા વર્ષે ગામના યુવા આગેવાનો દ્વારા યોજાયેલ આ ટુર્નામેન્ટમાં 10 ટીમો અને 170 થી વધુ યુવા ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. ગામના દરેક સમાજના યુવાનો એક પણ ભેદભાવ વગર એક જ મેદાનમાં ક્રિકેટ રમી શકે અને રમતના માધ્યમથી સમાજમાં પરસ્પર પ્રેમ, એકતા અને સહકારની ભાવના વિકસે તેવો હેતુ આ આયોજન પાછળ રહેલો છે. ક્રિકેટ ટુર્નામેન્ટ માત્ર રમત સુધી સીમિત ન રહી, ગામના સામાજિક તેમજ વિકાસ સંબંધિત કાર્યોમાં પણ યુવાનો એકસાથ જોડાય તેવો ઉમદા સંદેશ આપવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચની પૂર્વ પટ્ટી ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધી ઝડપભેર શહેરી વિકાસ થઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારોના યુવાનોને પ્રોત્સાહન મળે અને તેઓ સ્વવિકાસ તરફ આગળ વધી શકે તે માટે પણ આ ટુર્નામેન્ટ મહત્વપૂર્ણ ગણાય છે. આજે ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે ગામના વિવિધ સામાજિક અગ્રણી જેમ કે ગણપતસિંહ પરમાર, મનહરજી પરમાર, પ્રવીણસિંહ પરમાર,ડાહ્યાભાઈ આહીર (દક્ષિણ ગુજરાત આહીર સમાજ ઉપપ્રમુખ),બકોરભાઈ ઠાકોર,બાધર ગોહિલ, કેતન ગોહિલ, હસમુખ ગોહિલ, રણજીત વસાવા (ભરૂચ તાલુકા પંચાયત ઉપપ્રમુખ), પૃથ્વીરાજસિંહ પરમાર તથા શક્તિસિંહ પરમાર સહિતના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 2:34 pm

ભેંસ દોહતી મહિલા પર પિતા-પુત્રનો હુમલો:પુત્રએ છરી બતાવી અશ્લિલ માંગણી કરી કપડા ફાડ્યા, પિતાએ ધારીયું લઈ આવી મારી નાખવાની ધમકી આપી

પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં વહેલી સવારે એક મહિલા પર પિતા-પુત્રએ હુમલો કર્યો હતો. ભેંસ દોહવા ગયેલી મહિલા સાથે એક શખસે ખરાબ કામ કરવાની માંગણી કરી, વિરોધ કરતાં છરી અને ધારીયા વડે ધમકાવી કપડા ફાડી નાખ્યા હતા. પોલીસે બે આરોપીઓ સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સરસ્વતી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આ ઘટના ફરિયાદી મહિલાના વાડામાં બની હતી. મહિલા પોતાના વાડામાં ભેંસ દોહતી હતી, ત્યારે ગામનો પ્રવિણજી ભોપાજી ઠાકોર ત્યાં આવ્યો હતો. પ્રવિણજીએ મહિલાને 'તું મારી સાથે ખરાબ કામ કર' તેવી માંગણી કરી હતી. મહિલાએ ઇનકાર કરતાં આરોપી પ્રવિણજીએ તેની પાસે રહેલી છરી બતાવી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ બૂમાબૂમ કરતાં આરોપી પ્રવિણજીના પિતા ભોપાજી રાયચંદજી ઠાકોર હાથમાં ધારીયું લઈને ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ભોપાજી ઠાકોરે પોતાના હાથમાં રહેલું ધારીયું ફરિયાદી મહિલાને સાથળના ભાગે ઊંધું માર્યું હતું. પુત્ર પ્રવિણજી ઠાકોરે મહિલા સાથે ઝપાઝપી કરી તેમના કપડા ફાડી નાખ્યા હતા. બંને આરોપીઓએ મહિલાને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ સમગ્ર મામલે ફરિયાદી મહિલાએ સરસ્વતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઠાકોર પ્રવિણજી ભોપાજી અને ઠાકોર ભોપાજી રાયચંદજી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 74, 76, 115(2), 296(b), 351(3), 54 તેમજ ગુજરાત પોલીસ અધિનિયમ (GPA)ની કલમ 135 હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 2:26 pm

બોટાદ પોલીસે મોટરસાયકલ ચોરીના આરોપીને ઝડપ્યો:પીપરડી ગામના શખ્સ પાસેથી બે ચોરાયેલી બાઈક મળી

બોટાદ ટાઉન પોલીસે મોટરસાયકલ ચોરીના એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ કોમ્બિંગ નાઈટ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. ઝડપાયેલા આરોપીનું નામ વિપુલ કનુભાઈ મેટાલીયા છે, જે બોટાદના પીપરડી ગામનો રહેવાસી છે. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીએ શહેરના અલગ અલગ સ્થળોએથી બે મોટરસાયકલની ચોરી કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને ચોરી કરાયેલી બંને મોટરસાયકલ જપ્ત કરી છે. હાલ પોલીસે આરોપીએ અન્ય કેટલી જગ્યાએથી મોટરસાયકલ ચોરી કરી છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 2:23 pm

જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે લાખોનો દારૂ ઝડપ્યો:વિસાવદર- ભેંસાણ નજીકથી રૂ.7 લાખથી વધુનો દારૂ-બિયરનો જથ્થો મળી કુલ 13 લાખથી વધુના મુદામાલ સાથે 4 આરોપી પકડી પાડ્યા,ચાર આરોપી

જુનાગઢ જિલ્લામાં દારૂના વેપલાને ખતમ કરવા જુનાગઢ પોલીસ સઘન પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચને લાખો નો દારૂ પકડવામાં સફળતા મળી છે.જુનાગઢ એસપી સુબોધ ઓડેદરાની કડક સૂચનાથી જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ કુણાલ પટેલ અને તેમના પોલીસ સ્ટાફ સાથે જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેને લઇ જિલ્લામાં નસાનો કાળો કારોબાર ફેલાય તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે લાખો નો દારૂ ઝડપી બે મોટી સફળ કાર્યવાહી કરી છે. વિસાવદર અને ભેંસાણ પો.સ્ટે. વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાન્ચે કુલ 2,796 બોટલ/ટીન વિદેશી દારૂ અને બિયરનો જથ્થો, મોબાઈલ ફોન, કાર અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 13,11,650/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.​ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ. કે.એમ.પટેલ અને પી.કે.ગઢવીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જુનાગઢના ગાંધીગ્રામમાં રહેતા આરોપીઓ રાજુ ગોગન શામળા, ચના રાણા મોરી અને રૂત્વીક ભીમા કોડિયાતર ભાગીદારીમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી રહ્યા છે.જે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે શોભાવડલાથી નાનીપીંડાખાઈ ગામ તરફ જતા રસ્તે શોભાવડલા ગામની સીમમાં કટીંગ કરતી વખતે ક્રાઈમ બ્રાન્ચે કુલ નંગ 1,956 ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો અને બિયર કિંમત રૂ. 5,95,680/- નો જથ્થો પકડ્યો હતો. ભેંસાણના છોડવડી ગામની લપટી ધાર સીમ વિસ્તારમાં ચંદુભાઈ સરધારાના ખેતરના મકાનમાંથી ક્રાઈમ બ્રાન્ચે 840 નંગ ટ્યુબોર્ગ સ્ટ્રોન્ગ બિયર ટીન મળી કુલ કિંમત રૂ. કુલ નંગ.810 કિ.રૂા.1,84,800 /- મો.ફોન-1 કિ.રૂ.10,000 ,રોકડા રૂ.200,ફોર વ્હિલ કાર-1 કિ.રૂ.5,00,000 મળી કુલ મુદામાલ કિ.રૂા.6,95,000 નો ઝડપી પાડ્યો હતો. આ રેડ દરમિયાન જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે ગાંધીગ્રામના રાજુ ગોગનભાઇ શામળા,સુનીલ ભીમાભાઈ કોડીયાતર,કારાભાઈ નગાભાઈ સિંઘલ,ચંદુભાઇ વશરામભાઇ સરધારાને ઝડપી પાડ્યા છે. આ દારૂના ગુનામાં સંડોવાયેલ ચના રાણા મોરી,રૂત્વિક ભીમાભાઇ કોડિયાતર,લાખા પુના રબારી આને વિપુલ મૈયાભાઇ કોડિયાતર ફરાર થયા હતા જેને પકડવા જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.​ આ સફળ કામગીરીમાં ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ કે.એમ.પટેલ, પીએસઆઇ. પી.કે.ગઢવી, એ.એસ.આઈ. વિજયભાઈ બડવા, સામતભાઈ બારીયા, પો. હેડ કોન્સ. વનરાજસિંહ ચુડાસમા, ઇન્દ્રજીતસિંહ ઝાલા, પો.કોન્સ. જેઠાભાઈ કોડીયાતર, ભુપતસિંહ સીસોદીયા, ચેતનસિંહ સોલંકી, ગવરાજસિંહ અહાડા પોલીસ સ્ટાફ દ્વારા સફળ કામગીરી કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 2:10 pm

ભાવનગરમાં 10 દિવસથી ગુમ માતા, પુત્ર, પુત્રીની લાશ મળી:ફોરેસ્ટ કોલોની કાચના મંદિરની જગ્યામાંથી દટાયેલા મૃતદેહ મળ્યા, હત્યાની આશંકા; ઘરેથી સુરત જવાનું કહીને નીકળ્યાં'તા

ભાવનગર શહેરને હચમચાવી દેનારી એક ઘટના સામે આવી છે. જેમાં છેલ્લા દસ દિવસથી ગુમ થયેલા માતા, પુત્ર અને પુત્રીના મૃતદેહ ફોરેસ્ટ કોલોની નજીક આવેલા કાચના મંદિરની જગ્યામાંથી દટાયેલી હાલતમાં મળી આવ્યા છે. આ ત્રણેય પરિવારના સભ્યો સુરત જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા, પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો નહોતો. દટાયેલી હાલતમાં મૃતદેહ મળતા પોલીસે આ મામલે હત્યાની આશંકા વ્યક્ત કરી છે . ઘટનાસ્થળે પોલીસે પહોંચીને આ મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ........ આ સમાચાર પણ વાંચોઃજેના નામની મહેંદી મૂકી તે ‘સાજન’એ જ જીવ લીધો:પાનેતર બન્યું મોતનું કારણલગ્ન એક એવો શબ્દ કે જેને સાંભળી ખુશી, હર્ષોઉલ્લાસ અને પ્રેમની અનુભૂતિ થાય. જ્યારે બે લોકો એકબીજા જોડે સુખ દુ:ખમાં સાથે રહેવાના સપના જૂએ ત્યારે પ્રભુતાના પગલાં માંડતા હોય છે. આવી જ એક ભાવનગરની 22 વર્ષીય યુવતી સોનીએ પણ પોતાના ‘સાજન’ના સપના જોયા હતા. પણ તેને ક્યાં ખબર હતી કે તેનો સાજન તો ‘શેતાન’ નીકળશે. આજે વાત કરવી છે એવા બનાવની કે જેને ભાવેણાવાસીઓને હલાવી દીધા છે. જેમ સાગરમાં સુનામી આવે ને હિલોળા મારે તેમ આજે દરેક ભાવેણાવાસીઓના મન વિચારોના વમળમાં ફસાયેલા છે. ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ટેકરી ચોક નજીક 15 નવેમ્બરે વહેલી સવારે લગ્નના દિવસે જ સોની નામની યુવતીની તેના ભાવિ પતિ સાજને માથામાં પાઇપ મારી દીવાલે માથું ભટકાવી હત્યા કરી દેતા ગોહિલવાડ ગુમસુમ છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 2:05 pm

જોધપુર પાસે અકસ્માતમાં 6નાં મોત:ટેમ્પો-ટ્રક ટ્રેલર અથડાયા, 10થી વધુ ઘાયલ, બે ગંભીર

રાજસ્થાનના જોધપુર નજીક બાલેસર નેશનલ હાઈવે 125 પર ખારીબેડી પાસે આજે વહેલી સવારે મીની ટેમ્પો અને ટ્રક ટ્રેલર વચ્ચે ધુમ્મસના કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંસરી ગામના બે અને અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના રૂગનાથપુરા ગામના ચાર મળી કુલ છ લોકોના મોત થયા છે. આ ઉપરાંત, બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે અને દસથી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. પુંસરી ગામના સરપંચ નરેન્દ્રભાઈ પટેલે ટેલિફોનિક વાતચીતમાં આ માહિતી આપી હતી. મૃતકોમાં પુંસરી ગામના પ્રજાપતિવાસમાં રહેતા 23 વર્ષીય પ્રિતેશભાઈ ભરતભાઈ પ્રજાપતિ (મીની ટેમ્પોના ચાલક) અને પુંસરી બસ સ્ટેન્ડ પાસેના 65 વર્ષીય કેશાભાઈ કોહ્યાભાઈ વાળંદનો સમાવેશ થાય છે. તેમની સાથે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના રૂગનાથપુરા ગામના શ્રદ્ધાળુઓ પણ રામદેવરા દર્શન માટે જઈ રહ્યા હતા. આ અકસ્માત રવિવારે વહેલી સવારે લગભગ 5 વાગ્યાની આસપાસ જોધપુર-જેસલમેર નેશનલ હાઈવે 125 પર બાલેસર નજીક ખારીબેડી પાસે થયો હતો. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી હોવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં મીની ટેમ્પોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતમાં સ્થળ પર ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય ત્રણ લોકોનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. બે ગંભીર ઘાયલો સહિત દસથી વધુ ઈજાગ્રસ્તોને જોધપુરની મથુરાદાસ વિસ્તારમાં આવેલી માથુર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના અંગે રાજસ્થાનના બાલેસર પોલીસ સ્ટેશન દ્વારા ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંસરી ગામના સરપંચ નરેન્દ્રભાઈ પટેલનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સરપંચે ટેમ્પો ચાલક અને અન્ય એક મૃતકના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. સવારે પુંસરીથી રામદેવરા માટે એક ટીમ મોકલવામાં આવી હતી અને આવતીકાલે સવારે મૃતદેહો ગુજરાત પહોંચે તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 1:51 pm

ફરાર આરોપી મુંબઈથી ઝડપાયો:કાલાવડ ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 15 વર્ષથી ફરાર હતો

જામનગર જિલ્લાના કાલાવડ ટાઉન પોલીસ મથકમાં 15 વર્ષ પહેલા નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાનો ફરાર આરોપી ઝુબેર અબ્બાસભાઈ સમેજાને મુંબઈના ભાયંદરમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી છેલ્લા 15 વર્ષથી પોલીસ પકડથી બચતો હતો. આ ગુનો વર્ષ 2011માં કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. જામનગરના લાલવાડી આવાસ વિસ્તારનો રહેવાસી ઝુબેર સમેજા આ કેસમાં ફરાર જાહેર કરાયો હતો. જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોર્ડને ચોક્કસ બાતમી મળી હતી કે, આરોપી મુંબઈના ભાયંદર વિસ્તારમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે સ્ક્વોર્ડની ટીમે મુંબઈમાં તપાસ હાથ ધરી હતી અને ભાયંદરના કાશીગાંવ ખાતેથી ઝુબેરને પકડી પાડ્યો હતો. આરોપીને જામનગર લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને કાલાવડ ટાઉન પોલીસ મથકને સુપ્રત કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 1:40 pm

લીંબડીના રાણાગઢમાં પશુ આરોગ્ય મેળાનું આયોજન:પશુઓને રસીકરણ, સારવાર, સહિતની આરોગ્ય સંબંધિત મહત્વપૂર્ણ સેવાઓ કરાઈ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રાણાગઢ ખાતે પશુપાલન વિભાગ દ્વારા જિલ્લા કક્ષાના પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સુરેન્દ્રનગર જિલ્લાના પશુપાલકો માટે યોજાયો હતો. આ મેળામાં આસપાસના ગામોના અનેક પશુપાલકોએ ભાગ લીધો હતો. તેનો મુખ્ય હેતુ પશુધનને વિનામૂલ્યે તબીબી સહાય પૂરી પાડવાનો અને પશુપાલકોને પશુઓની સંભાળ વિશે જાગૃત કરવાનો હતો. પશુ ચિકિત્સા અધિકારી ડૉ. પલક વૈદએ મેળાની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ કેમ્પમાં વિવિધ પ્રકારના પશુઓ અને કેસની સારવાર કરવામાં આવી હતી. કીટોસિસ અને મિલ્ક ફીવર જેવા સામાન્ય કેસ ઉપરાંત એસિડ એટેક જેવા ગંભીર ઘાવના બે-ત્રણ કેસની પણ સફળ સારવાર કરાઈ હતી. અત્યાર સુધીમાં 60થી વધુ પશુઓની સારવાર કરાઈ છે. આ કેમ્પમાં પશુઓને લગતી દરેક પ્રકારની સારવાર, જેમ કે રસીકરણ, સામાન્ય બીમારીઓની સારવાર, ઈજાની સારવાર અને આરોગ્ય સંબંધિત મહત્વપૂર્ણ સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી. આ પશુ આરોગ્ય કેમ્પથી સ્થાનિક પશુપાલકોને તેમના પશુઓના સ્વાસ્થ્ય જાળવવામાં ઘણી રાહત મળી હતી. આ કાર્યક્રમ દ્વારા સરકારે પશુઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને સ્થાનિક ગ્રામ્ય અર્થતંત્રને સહાય પૂરી પાડી છે. આવા પ્રયાસો દ્વારા સરકાર ગ્રામીણ કલ્યાણના કાર્યોને વેગ આપી રહી છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 1:36 pm

ચારુસેટ-BDIAS વિદ્યાર્થીઓએ નેશનલ કોન્ફરન્સમાં દ્વિતીય સ્થાન મેળવ્યું:મેંગલોરમાં મેડિકલ ઇમેજિંગ ટેક્નોલોજી પોસ્ટર પ્રેઝન્ટેશનમાં સફળતા

ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન બાપુભાઈ દેસાઈભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એલાઈડ એન્ડ હેલ્થકેર સાયન્સીસ (BDIAS)ના મેડિકલ ઈમેજિંગ ટેક્નોલોજી વિભાગના વિદ્યાર્થીઓએ મેંગલોરમાં આયોજિત 23મી નેશનલ કોન્ફરન્સમાં પોસ્ટર પ્રેઝન્ટેશનમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ કોન્ફરન્સ કસ્તુરબા મેડીકલ કોલેજના ડીપાર્ટમેન્ટ ઓફ રેડિયોડાયાગ્નોસીસ એન્ડ ઇમેજિંગ દ્વારા યોજાઈ હતી. તેની થીમ ‘ADVANCING FRONTIERS : USHERING IN A NEW ERA OF MEDICAL IMAGING- IMAGINE 2025’ હતી. આ કોન્ફરન્સમાં BDIASના આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રીની શાહ, આસિસ્ટન્ટ પ્રોફેસર અત્રી ઠાકરે અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રોફેસર શ્રીની શાહે ફેકલ્ટી પોસ્ટર પ્રેઝન્ટેશનમાં ‘PROSTATE CANCER THROUGH PRECISION IMAGING’ વિષય પર પોસ્ટર રજૂ કર્યું હતું. તેમણે પ્રોસ્ટેટ કેન્સરના વહેલા નિદાનના મહત્વ પર ભાર મૂક્યો હતો, જેમાં મલ્ટીપેરામેટ્રિક MRI (MPMRI) અને PSMA PET/CT જેવી અદ્યતન પદ્ધતિઓ પરંપરાગત ઇમેજિંગની તુલનામાં વધુ સારી સંવેદનશીલતા અને વિશિષ્ટતા પ્રદાન કરે છે. કોન્ફરન્સમાં વિવિધ રાજ્યોના 100 વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટર ડિસ્પ્લે અને પ્રેઝન્ટેશન કરવામાં આવ્યા હતા. સ્ટુડન્ટસ પોસ્ટર પ્રેઝન્ટેશનમાં દ્વિતીય વર્ષના વિદ્યાર્થી પૃથવ પટેલે ‘COMPARISON OF CT FLUROSCOPY-GUIDED VS MULTI SLICE CT BIOPSY MODE GUIDED LUNG BIOPSIES’ વિષય પર રજૂઆત કરી હતી. ગ્રુપ 1 માં શશિન ચૌહાણ, ક્રીશ ગોસ્વામી અને પ્રથમ પટેલે ‘AI-Assisted Motion Sensing One-Tap Retake Workflow for Hand-Carried Portable Chest X-ray in Rural Healthcare’ વિષય પર, ગ્રુપ 2 માં એન્જલ હીરપરા, પ્રાચી પટેલ, ઈશિતા પારેખે ‘The Role of Artificial Intelligence in Enhancing Mammographic Diagnosis of Pregnancy-Associated Breast Cancer’ વિષય પર અને ગ્રુપ 3 માં ટીયા પટેલ, બ્લેસી ક્રિશ્ચિયન, ફલક વ્હોરાએ ‘CT Based Radiomic Biomarkers for Early Chemotherapy Response in Solid Tumour’ વિષય પર પોસ્ટર પ્રેઝન્ટેશનમાં ભાગ લીધો હતો. આમાંથી ગ્રુપ 1 ના વિદ્યાર્થીઓએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વિદ્યાર્થીઓની આ સફળતા બદલ ફેકલ્ટી ઓફ મેડીકલ સાયન્સીસના ડીન અને BDIPSના પ્રિન્સીપાલ ડો. ધારા પટેલ દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ કોન્ફરન્સમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી રેડિયોગ્રાફર્સ, રેડિયોલોજિસ્ટ, હેલ્થકેર પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય અગ્રણી સંશોધકો, ક્લિનિકલ નિષ્ણાતો અને વ્યાવસાયિકોને નવીનતા લાવવા, તેમના સંશોધનો રજૂ કરવા, ચર્ચાઓમાં ભાગ લેવા, વિવિધ સેશનમાં હાજરી આપવા અને ઇન્ટરેક્ટિવ વર્કશોપ્સ તથા પોસ્ટર ડિસ્પ્લેમાં ભાગ લેવા માટે એક મંચ પૂરો પાડવાનો હતો. આનાથી વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને તેમના સંશોધનો રજૂ કરવા, નિષ્ણાતો પાસેથી પ્રતિસાદ મેળવવા અને વૈજ્ઞાનિક સમુદાયમાં યોગદાન આપવાની તક મળી હતી. આ કોન્ફરન્સે શૈક્ષણિક વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓને મેડિકલ ઇમેજિંગ ટેક્નોલોજીના ક્ષેત્રમાં નવી ટેકનિકોનું સંશોધન કરવામાં, અદ્યતન ટેકનોલોજી સાથે રેડિયોલોજીમાં તેમનું નોલેજ વધારવામાં મદદ કરી, જે મેડિકલ ઈમેજિંગ પ્રોફેશનલ્સના વૈશ્વિક સમુદાય સાથે જોડાયેલા રહેવાની ભાવનાને પ્રોત્સાહન આપે છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 1:29 pm

રાજસ્થાનમાં અકસ્માત: અરવલ્લી-સાબરકાંઠાના 5 શ્રદ્ધાળુના મોત:રણુજા જતાં ટેમ્પોને ટ્રકે ટક્કર મારી, 12 ઘાયલ

રાજસ્થાનના જોધપુર-બાલેસર હાઈવે પર વહેલી સવારે થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પાંચ શ્રદ્ધાળુઓના કરુણ મોત થયા છે, જ્યારે 12થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ શ્રદ્ધાળુઓ રણુજાના દર્શન માટે ટેમ્પો દ્વારા જઈ રહ્યા હતા. આ ઘટના જોધપુર-બાલેસર હાઈવે પર બની હતી, જ્યાં શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલા ટેમ્પો અને સામેથી આવી રહેલી ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયંકર હતી કે ટેમ્પો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. અકસ્માતમાં ઘટનાસ્થળે જ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના રૂઘનાથપુરા ગામના ત્રણ અને સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંસરી ગામના બે શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યો હતો. ઘાયલ થયેલા 12થી વધુ લોકોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે જોધપુર નજીકની બાલેસર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ધનસુરા તાલુકાના રૂઘનાથપુરા ગામના ત્રણ લોકોના મોત થવાને કારણે સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. મૃતકોના પરિવારજનો પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. અકસ્માત બાદ અરવલ્લી અને સાબરકાંઠાના સ્થાનિક નેતાઓ રાજસ્થાનના તંત્ર સાથે સતત સંપર્કમાં રહી બચાવ અને સારવાર કામગીરી અંગે માહિતી મેળવી રહ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જે શ્રદ્ધાળુઓના મોત થયા છે તેમાંથી ચારના નામ સામે આવ્યા છે: 1. પ્રિતેશભાઈ ભરતભાઈ પ્રજાપતિ (પુંસરી, સાબરકાંઠા) 2. અર્જુનસિંહ લાલસિંહ સોલંકી (પુંસરી, સાબરકાંઠા) 3. નવ્યા કાળુસિંહ પરમાર (રૂઘનાથપુરા, ધનસુરા) 4. સોનલબેન કાળુસિંહ પરમાર (રૂઘનાથપુરા, ધનસુરા)

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 1:28 pm

વલસાડમાં ઠંડીનો ચમકારો, લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી:જિલ્લાભરમાં ગુલાબી ઠંડીનો અનુભવ, લોકો સ્વેટર, જાકેટ અને મફલર પહેરીને નોકરી-ધંધે જતા જોવા મળ્યા

વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. રાજ્ય હવામાન વિભાગની આગાહી મુજબ, વલસાડમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. ઠંડી વધતા સવારમાં સ્વેટર, જાકેટ અને મફલર પહેરીને નોકરી-ધંધે જતા લોકો જોવા મળ્યા હતા. શહેરમાં ઠંડીની અસર વચ્ચે પારનેરા ડુંગર સહિત આસપાસના વિસ્તારોમાં ઠંડા પવનના સુસવાટા અનુભવાયા હતા. સવારના સમયે મોર્નિંગ વોક અને કસરત માટે નીકળતા નાગરિકોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડીમાં વધુ વધારાની સાથે હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ ઠંડી વધતા જિલ્લાના ખેડૂતો રવિ પાક અને આંબાની સંભાળ રાખવાની કામગીરીમાં વ્યસ્ત બન્યા છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નોંધાયેલ તાપમાનની સ્થિતિ નીચે મુજબ છે: વલસાડ: મહત્તમ 29C, લઘુત્તમ 19C; ધરમપુર: મહત્તમ 30C, લઘુત્તમ 17C; વાપી: મહત્તમ 29C, લઘુત્તમ 19C; કપરાડા: મહત્તમ 28C, લઘુત્તમ 15C; ઉમરગામ: મહત્તમ 29C, લઘુત્તમ 18C.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 1:27 pm

ખેડૂતોને કૃષિ સહાય પેકેજનો લાભ સરળતાથી મળશે:જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમલ માટે તાકીદની સૂચનાઓ અપાઈ

રાજ્ય સરકારે ખેડૂતોના વિશાળ હિતમાં રૂ. 10,000 કરોડનું કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજનો લાભ પ્રત્યેક જરૂરિયાતમંદ ખેડૂતને કોઈપણ મુશ્કેલી વિના સરળતાથી અને ઝડપથી મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દૂરંદેશી માર્ગદર્શન હેઠળ લેવાયેલા આ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણયનો ઉદ્દેશ્ય રાજ્યના ખેડૂતોને આર્થિક ટેકો પૂરો પાડવાનો છે. આ પેકેજ દ્વારા ખેડૂતોને મુશ્કેલીના સમયમાં મદદરૂપ થવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ આ કૃષિ સહાય પેકેજના સુચારુ, પારદર્શી અને સમયબદ્ધ અમલ માટે જિલ્લાના તમામ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને તાકીદની સૂચનાઓ આપી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યાં રાજ્ય સરકાર ખેડૂતોના પડખે ઊભી રહીને આટલો મોટો નિર્ણય લઈ રહી છે, ત્યાં જિલ્લા વહીવટી તંત્ર પણ ખેડૂતોને સંપૂર્ણ મદદરૂપ થવા કટિબદ્ધ છે. અંકિત પન્નુએ વધુમાં જણાવ્યું કે ખેડૂતોને આર્થિક ટેકો અને સરળતાથી સહાય મળી રહે તેમજ કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે જ પ્રકારે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જિલ્લાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ આ કાર્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપશે. જિલ્લા વહીવટી તંત્ર આ ખેડૂતલક્ષી પેકેજના સમયસર અને અસરકારક અમલ માટે સંપૂર્ણપણે સજ્જ છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 1:25 pm

પ્રતાપનગર રેલવેને 30 કરોડના ખર્ચે સેટેલાઇટ સ્ટેશન તરીકે વકસાવાયું:નૉન ઇન્ટરલૉકિંગ કામ પૂર્ણ, લાંબા અંતરની મેલ એક્સપ્રેસ ટ્રેનો શરૂ થતાં મુસાફરોને રાહત થશે

વડોદરા મંડળના પ્રતાપનગર રેલવે સ્ટેશનને વડોદરા સ્ટેશનના સેટેલાઈટ સ્ટેશન રૂપે વિકસિત કરવાનું કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ કામને પૂર્ણ કરવા માટે પ્રતાપનગર સ્ટેશનમાં યાર્ડ રિમોડેલિંગ અને નૉન ઈન્ટરલૉકિંગનું કામ 14 નવેમ્બર, 2025ના રોજ પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ રીતે પ્રતાપનગરથી આવનારા દિવસોમાં લાંબા અંતરની મેલ એક્સપ્રેસ ટ્રેનોને શરૂ કરી શકાશે, જે ટ્રેન સંચાલન સહિત યાત્રી સુવિધામાં મહત્વનું હશે. સ્ટેશનના આધુનિકીકરણનું કામ જાન્યુઆરી, 2026માં પૂર્ણ થશેપ્રતાપનગર રેલવે સ્ટેશનને સેટેલાઈટ સ્ટેશન રૂપે વિકસિત કરવાનું કામ વડોદરા મંડળના ગતિ શક્તિ યૂનિટ દ્વારા કરવામાં આવ્યું છે. પ્રતાપનગર સ્ટેશન વિશ્વામિત્રી-ડભોઈ-એકતાનગર અને ડભોઈ-અલીરાજપુર સેક્શન પર આવેલ એક એનએસજી-6 સ્ટેશન છે. પ્રતાપનગરને વડોદરાના એક સેટેલાઈટ સ્ટેશન રૂપે વિકસિત કરવાનું કામ વર્ષ 2022-23માં કુલ 28.93 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું હતું. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આ સ્ટેશનના અપગ્રેડેશન-આધુનિકીકરણનું કામ જાન્યુઆરી, 2026 સુધી પૂર્ણ કરી લેવામાં આવશે. કેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાશે?

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 1:23 pm

મુસાફરની બેગમાંથી ફૂટેલ કારતૂસ મળી:વડોદરા એરપોર્ટ સુરક્ષા એજન્સી ચોકી ઊઠી, હરણી પોલીસે જાણવા જોગ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી, મુસાફર તુર્કીથી કારતૂસ લાવ્યો હોવાનું જણાવ્યું

વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા એરપોર્ટ પર મુસાફરોના સ્ક્રિનિંગ દરમિયાન એક મુસાફરના બેગમાંથી ફુટેલી કારતુસ મળી આવતા પોલીસ સહિતની વિવિધ એજન્સીઓ એક્શનમાં આવી ગઈ હતી. મુસાફરે તેને કોઈ જગ્યાથી આ ફૂટેલી કારતૂસ મળી હોય અને ભૂલથી તેની પાસે રહી ગઈ હોવાનું જણાવ્યું છે. જેથી હરણી પોલીસે હાલમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલા એરપોર્ટ ઉપરથી તાજેતરમાં જ એક વિદેશી મુસાફરના બેગમાંથી કારતુસના ખાલી ખોખા મળી આવ્યા હતા. જેને લઈને પોલીસ સહિતની એજન્સીઓ એક્શનમાં આવી ગઈ હતી અને આ વિદેશી આરોપીને ખાલી કારતૂસ ક્યાંથી આવ્યા ક્યાંથી તેની પૂછપરછ શરૂ કરાઈ હતી. ત્યારે ફરીવાર હરણી એરપોર્ટ પર તારીખ 15 નવેમ્બરના રોજ વહેલી સવારે વડોદરાથી મુંબઈ જતી ફ્લાઈટના મુસાફરોના સામાનનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન એક મુસાફરના સામાનનું સ્ક્રીનિંગ એરપોર્ટ ઓથોરિટી દ્વારા કરાતા ટ્રોલી બેગમાં કોઈ શંકાસ્પદ વસ્તુ જણાય આવી હતી. બાદમાં એરપોર્ટ ઓથોરિટીના સુરક્ષા કર્મચારીઓ એક્શનમા આવી ગયા હતા અને મુસાફરના બેગની ચકાસણી કરાઈ હતી. બેગમાંથી એક ફૂટેલી કારતૂસ મળી આવી હતી. એરપોર્ટ ઓથોરિટી દ્વારા ઘટના અંગે તાત્કાલિક જ હરણી પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે મુસાફરને તેની પાસે આ ખાલી કારતૂસ ક્યાંથી આવ્યું તેની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે આ મામલે મુસાફર પવનકુમાર હનુમાનથાપા એસ એચ (ઉંમર વર્ષ 45) ની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું કે, તેઓ મૂળ મૈસૂર કર્ણાટકના રહેવાસી છે. તેઓ ખાનગી કંપનીમાં મેનેજર તરીકે કામ કરે છે અને તેઓ ગત 12 નવેમ્બરના રોજ ઈસ્તમ્બુલ તુર્કી દેશ ખાતેથી મુંબઈ એરપોર્ટ આવેલા અને ગત તારીખ 13 નવેમ્બરના રોજ મુંબઈથી વડોદરા એરપોર્ટ ખાતે આવી અને ત્યારબાદ તેઓ મકરપુરા જીઆઇડીસી ખાતે ઓફિસના કામથી આવેલા હતા. બાદમાં તેઓ કામ પતાવી હોટેલ હયાત વાસણા ભાયલી રોડ ખાતે બે દિવસ રોકાયા હતા. બાદમાં ગઈકાલે સવારે મૈસૂર પોતાના ઘરે જવા માટે રવાના થયા હતા, તે દરમિયાન વડોદરા એરપોર્ટ પરથી મુંબઈ જતા પહેલા જ સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરતા બેગમાંથી ફૂટેલી ખાલી કારતુસ મળી આવતા વધુ તપાસ હાથ ધરી છે. આ કારતૂસ તેઓ તુર્કીથી મળી હોવાનું જણાવ્યું છે અને તે ભૂલથી બેગમાં રહી જોવાનું જણાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 1:18 pm

ગાંધીનગરની સુરક્ષા-વ્યવસ્થામાં છીંડા:કલેકટર કચેરીમાં તૈનાત ખુદ હોમગાર્ડ જવાન પોતાની રિક્ષાની સુરક્ષા ન કરી શક્યો, પાર્કિંગમાંથી ચોરાઈ ગઈ

ગાંધીનગર શહેરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વાહનચોરીના બનાવોએ માઝા મૂકી છે, ત્યારે હવે વાહન ચોરોએ ખુદ વહીવટી તંત્રના હૃદય સમાન કલેક્ટર કચેરીને નિશાન બનાવી છે. આ વખતે તો હદ થઈ ગઈ છે. કેમ કે, કલેક્ટર કચેરી ખાતે ફરજ પર તૈનાત ટ્રાફિકનો એક હોમગાર્ડ જવાન જ પોતાની રિક્ષાની સુરક્ષા કરી શક્યો નથી. અહીંના પાર્કિંગમાંથી તેની રિક્ષા ચોરાઈ ગઈ છે. આ ઘટનાએ કલેકટર કચેરીની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ત્યારે પોલીસે આ મામલે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કલેક્ટર કચેરની હોમગાર્ડની રિક્ષા ચોરાઈ ગઈસમગ્ર ગાંધીનગર જિલ્લાનું વહીવટી સંચાલન કરતી ખુદ કલેક્ટર કચેરી હવે માત્ર બેફામ પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યાથી નહીં, પરંતુ વાહનચોરીના બનાવોની સમસ્યાથી પણ ઘેરાયેલી છે. તાજેતરમાં કલેક્ટર કચેરીના પાર્કિંગમાંથી જ ખુદ ફરજ પરના એક હોમગાર્ડ જવાનની રિક્ષા ચોરાઈ જવાની ઘટનાએ કચેરીની સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. ત્યારે રોજબરોજ કચેરીની આસપાસની ટ્રાફિક અને પાર્કિંગની રેઢિયાળ સ્થિતિ અંગે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. આજુબાજુમાં તપાસ કર્યા બાદ પણ પત્તો ન લાગ્યોગાંધીનગર જિલ્લા ટ્રાફિક ખાતે હોમગાર્ડમાં ફરજ બજાવતા જયેશભાઈ ખોળીદાસ આસોડીયા 14 નવેમ્બરે સેક્ટર-11 કલેક્ટર કચેરી ખાતે પોતાની રિક્ષા લઈને નોકરી પર ગયા હતા અને રિક્ષાને કચેરીના ગેટ નં- 2 પાસેના પાર્કિંગમાં પાર્ક કરી હતી. બાદમાં સાંજે લગભગ 5.30 વાગે જ્યારે તેમણે જોયું તો પાર્કિંગમાંથી રીક્ષા ચોરાઈ ગઈ હતી. હોમગાર્ડ જવાને આજુબાજુમાં તેમજ અન્ય સ્થળોએ પોતાની રીતે તપાસ કરી હતી, પરંતુ રિક્ષાનો કોઈ પત્તો લાગ્યો નહોતો. વાહન ચોરોને જાણે મોકળું મેદાન મળ્યું હોયઆ ઘટના કલેક્ટર કચેરી જેવી અતિ સુરક્ષિત ગણાતી સરકારી જગ્યાએ બની છે, જ્યાં સુરક્ષા જવાનો તૈનાત હોય છે. આ ચોરીએ સ્પષ્ટ કરી દીધું છે કે સરકારી કચેરીઓ, એસટી ડેપો, સિવિલ હોસ્પિટલ કેમ્પસ અને કોર્ટ વિસ્તારમાં વાહન ચોરોને જાણે મોકળું મેદાન મળી ગયું છે. ખુદ કલેક્ટર કચેરી ખાતે ફરજ બજાવતા હોમગાર્ડ જવાનની રિક્ષા ચોરાઈ જતાં સામાન્ય નાગરિકોની માલમત્તાની સુરક્ષા કેવી રીતે થઈ રહી છે, તે અંગે ગંભીર પ્રશ્નાર્થ ઊભો થયો છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 1:11 pm

રાજકોટમાં 8-9 જાન્યુઆરીએ બીજી રિજનલ કોન્ફરન્સ:કૃષિ, ખાણકામ, પ્રવાસન અને ઔદ્યોગિક વિકાસ જેવા મુખ્ય વિષયો પર સેમિનાર યોજાશે

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ની તૈયારીઓ વચ્ચે રાજ્ય સરકાર કચ્છ અને સૌરાષ્ટ્રના વિકાસને ધ્યાનમાં રાખીને બીજી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નું આયોજન 8 અને 9 જાન્યુઆરી, 2026એ રાજકોટમાં કરવામાં આવ્યું છે. મહેસાણામાં પ્રથમ રિજનલ કોન્ફરન્સને મળેલા ઉત્તમ પ્રતિસાદ બાદ આ બીજી કોન્ફરન્સ પ્રદેશના વિકાસ, રોકાણ, લોજિસ્ટિક્સ અને નવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપશે. રાજકોટમાં યોજાનારી VGRC પહેલાં ડિસેમ્બર, 2025 દરમિયાન કચ્છ, જામનગર, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર અને દેવભૂમિ દ્વારકા મળી કુલ 11 જિલ્લામાં જિલ્લા-સ્તરીય કાર્યક્રમો થશે. આ ઇવેન્ટ્સમાં લોકલ તકો, MSMEs અને સ્ટાર્ટઅપ્સના પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપવામાં આવશે. કૃષિથી પ્રવાસન સુધી: મુખ્ય ક્ષેત્રો પર સેમિનારરાજકોટમાં બે દિવસીય કોન્ફરન્સ દરમિયાન કૃષિ, ખાણકામ, પ્રવાસન, ઔદ્યોગિક વિકાસ, પોર્ટ્સ–લોજિસ્ટિક્સ, ગ્રીન એનર્જી, એગ્રો-ફૂડ પ્રોસેસિંગ, માછીમારી, સિરામિક્સ અને એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રો પર વિશેષ સત્રો યોજાશે. MSME કોન્ક્લેવ, રિવર્સ બાયર–સેલર મીટ (RBSM) તેમજ અનેક ટ્રેડ ફેરનું પણ આયોજન થશે, જેનાથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને નેટવર્કિંગ અને ભાગીદારીની તક મળશે. કચ્છ-સૌરાષ્ટ્ર ક્ષેત્ર તેના બંદરો, ખનિજ સંસાધનો, પ્રવાસન, સિરામિક અને એન્જિનિયરિંગ ઉદ્યોગોને કારણે વૈશ્વિક સ્તરે ઝડપથી ઊભરતું રોકાણ કેન્દ્ર બન્યું છે. કોન્ફરન્સ આ ક્ષેત્રની નવી ક્ષમતાને વધુ ગતિ આપશે. મહેસાણા VGRCમાં 1,264 MoU, ₹3.25 લાખ કરોડના પ્રસ્તાવિત રોકાણમહેસાણામાં યોજાયેલી પ્રથમ VGRC દરમિયાન 3.25 લાખ કરોડના પ્રસ્તાવિત રોકાણ સાથે 1,264 MoU થયા હતા. બે દિવસમાં 29 હજારથી વધુ ઉપસ્થિતિ સાથે 80 દેશોના 440 પ્રતિનિધિઓ જોડાયા હતા. 160થી વધુ B2B અને 100થી વધુ B2G મિટિંગ્સ દ્વારા મોટા પાયે રોકાણ તકો ઊભી થઈ હતી. સ્ટાર્ટઅપ્સમાં ઉછાળો: ભારતનેક્સ્ટ પિચિંગ ફેસ્ટિવલમાં ₹41.56 કરોડના રોકાણની જાહેરાતમહેસાણા ઇવેન્ટમાં 410થી વધુ પ્રદર્શકો, જેમાં 170થી વધુ MSME અને સ્ટાર્ટઅપ્સ સામેલ હતા, તેમણે ઇનોવેશન રજૂ કર્યું હતું. ઉદ્યમી મેળામાં 9,000 ઉદ્યોગસાહસિકોને ₹.900 કરોડથી વધુની સહાય આપવામાં આવી હતી. ભારતનેક્સ્ટ સ્ટાર્ટઅપ પિચિંગ ફેસ્ટિવલમાં ₹41.56 કરોડના રોકાણની જાહેરાત થઈ હતી, જ્યારે RBSM દરમિયાન 850 સેલર્સ સાથે થયેલી બેઠકોમાંથી ₹500 કરોડથી વધુની નિકાસ ઇન્કવાયરી મળી હતી. રાજકોટમાં યોજાનારી બીજી VGRC કચ્છ–સૌરાષ્ટ્રને વિકાસ અને રોકાણના નવા યુગમાં આગળ ધપાવશે તેવી રાજ્ય સરકારને આશા છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 1:05 pm

એથ્લેટીક્સ મીટનું આયોજન:સીદસર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા એથ્લેટીક્સ મીટનું આયોજન

જુદી જુદી 43 શાળાના 1103થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એથ્લેટીક્સ મીટમાં 1103થી વધુ રમતવીરો ભાગ લીધો શહેરના સીદસર ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સુમિટોમો ઇન્ડિયા લિમિટેડ દ્વારા સુમિટોમો એથ્લેટિક્સ મીટ 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરની જુદી જુદી 43 શાળાના 1103 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, સુમીટોમો કેમિકલ ઈન્ડિયા લિમિટેડ ભાવનગર દ્રારા આજરોજ રવિવારના રોજ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ સીદસર ભાવનગર ખાતે સુમીટોમો એથ્લેટીકસ મીટ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું, એથ્લેટીકસ મીટમાં જુદી જુદી 6 સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમા 100 મીટર દોડ, 200 મીટર દોડ, રીલે દોડ, લોંગ જમ્પ, શોર્ટ પુટ, ડિસ્ક થ્રો, જેવી સ્પર્ધાનું આયોજનમાં જુદી-જુદી 43 શાળાના કુલ 1103 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધાઓમાં વિદ્યાર્થીનો બહોળો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સ્પર્ધાઓમાં અંતે પૂર્ણ થઈ ત્યારે મહેમાનો દ્વારા પ્રથમ, દ્વિતિય અને તૃતિય વિજેતા બનેલ વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા, આ અંગે સુમિટોમો કેમિકલ લી.ના વનરાજ ચાવડાએ જણાવ્યું હતું કે, છેલ્લા 4 વર્ષથી સુમિટોમો એથ્લેટીક્સ મીટનું આયોજન કરવામાં આવે છે, આ વર્ષથી જુદી જુદી 43 શાળાઓના 1100 થી વધુ બાળકો એ ભાગ લીધો છે, આ મીટ નો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને એથ્લેટીકસ રમત માટેનો અભિગમ ખીલે તથા તેને ભવિષ્યમાં સરકારી નોકરી જેમાં શારિરીક પરિક્ષા લેવાય છે જેમાં રાજયકક્ષા અને દેશ કક્ષાએ નેશનલ કોમ્પિટિશન ભાગ લઈ આગળ વધે તેવા આશયથી આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ને સફળ કરવા માટે લાલજીભાઈ કોરડીયા, અમુલભાઈ પરમાર અને પી.ટી. શિક્ષકોની ટીમ અને H.R ટીમ દ્રારા ખુબજ જહેમત ઉઠાવી હતી, તેમજ દરેક શાળાએ સહયોગ આપ્યા હતો.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 12:53 pm

ઉમેદપરામાં 11 સિંહની શાહી લટાર, CCTV:રાત્રિના અંધારામાં નિર્ભયપણે ગામના રસ્તા, ગલીઓ અને ઘરના ઓટલા પાસેથી પસાર થતાં જોવા મળ્યા; ગ્રામજનોમાં આશ્ચર્ય-ઉત્સુકતાનો માહોલ

ગીર જંગલની નજીક આવેલા ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના ઉમેદપરા ગામમાં ગત (16 નવેમ્બર) રાત્રે એક અદ્ભુત અને અનોખી ઘટના જોવા મળી હતી. એકસાથે 11 સિંહના પરિવારે ગામની સીમમાં પ્રવેશ કર્યો હતો અને રાત્રિના સમયે ગામમાં લટાર મારતા આ દૃશ્યો ગામના CCTV કેમેરામાં કેદ થયા હતા. ઉલ્લેખનીય છે કે, ગીર ગઢડા તાલુકામાં છેલ્લા બે દિવસમાં સિંહોની અસામાન્ય અને મોટી હાજરી જોવા મળી છે. બે અલગ-અલગ ઘટનાઓમાં એકસાથે 11 સિંહના પરિવારોએ માનવ વસાહતની નજીક લટાર મારી હતી, જેના દૃશ્યો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. જેને લઇ ગ્રામજનોમાં આશ્ચર્ય, ઉત્સુકતા અને ભયનો માહોલ છવાયો છે. ઉમેદપરામાં 11 સિંહની શાહી લટારગીર ગઢડાના ઉમેદપરા ગામે ગત રાત્રે એકસાથે 11 સિંહના પરિવારે પ્રવેશ કર્યો હતો. ગીર જંગલની સરહદે આવેલા આ ગામના રસ્તાઓ, ઘરના ઓટલાઓ અને ગલીઓમાંથી સિંહોનું આ મોટું જૂથ નિર્ભયપણે પસાર થતું જોવા મળ્યું હતું. આ દૃશ્યો ગામના CCTV કેમેરામાં સ્પષ્ટપણે કેદ થયા હતા. સામાન્ય રીતે સિંહોના આગમનથી ગ્રામજનોમાં ઉત્સુકતા રહેતી હોય છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં સિંહોનું જૂથ જોઈને ગ્રામજનોમાં આશ્ચર્ય સાથે સાવચેતીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ રાત્રે બહાર ન નીકળવાની ચેતવણી પણ આપી હતી. સિંહો જંગલ તરફ પાછા ફર્યા બાદ ગામમાં શાંતિ છવાઈ હતી. બે દિવસ પહેલાં પણ 11 સિંહોનું જૂથ જોવા મળ્યું હતુંઆ પહેલાં, ગત 13 નવેમ્બરની રાત્રે પણ ગીર ગઢડા શહેરમાં 11 સિંહનું એક આખું જૂથ જોવા મળ્યું હતું. શહેરના ધમધમતા એસટી બસ સ્ટેન્ડ નજીક આવેલા ઘનશ્યામનગર વિસ્તારમાં સિંહણ અને સિંહબાળ સહિત 11 સિંહનું ટોળું બિનધાસ્તપણે લટાર મારી રહ્યું હતું. આ રોમાંચક દૃશ્યો સ્થાનિક સિંહપ્રેમીએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા. (ગીર ગઢડામાં 'સિંહરાજ') સિંહો માટે 'હોટસ્પોટ' બન્યા શહેરી વિસ્તારોછેલ્લા બે દિવસમાં ગીર ગઢડાના પ્રમુખ પાર્ક અને ઉમેદપરા રોડ જેવા અલગ-અલગ સોસાયટી વિસ્તારોમાં પણ સિંહોની અવરજવર જોવા મળી છે. વન્યજીવ નિષ્ણાતોના મતે, જંગલની અંદર શિકારની મુશ્કેલી કરતાં ગ્રામ્ય કે શહેરી વિસ્તારોમાં પશુઓનો શિકાર સરળતાથી મળી રહેતો હોવાથી સિંહો માનવ વસાહત તરફ આકર્ષાય છે. ગ્રામજનોમાં આશ્ચર્ય-ઉત્સુકતાનો માહોલવન વિભાગે આ 11 સિંહના જૂથની હાજરીની પુષ્ટિ કરી છે અને જાણ થતાં જ ટીમ ઘનશ્યામનગર વિસ્તારમાં પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં સિંહો આગળ નીકળી ગયા હતા. વારંવાર રહેણાક વિસ્તારોમાં સિંહો દેખાતા હોવાથી, માનવ અને વન્યજીવ બંનેની સલામતી જળવાઈ રહે તે માટે વન વિભાગ દ્વારા સિંહ પ્રભાવિત વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા પ્રબળ માગ ઊઠી છે. આ સમાચાર પણ વાંચો... સિંહની ડણકથી ગીર ગઢડા વિસ્તાર ગુંજી ઊઠ્યો: મધરાત્રે બે નર સિંહ કલાકો સુધી રોડ પર બેસી રહ્યા; રાહદારીઓ થંભ્યા, કેમેરામાં કેદ કર્યાં અદ્ભુત દૃશ્યો ગીરની બોર્ડરે સાવજોની 'રોયલ લટાર'નાં અદભૂત દૃશ્યો: જામવાળા-ઘાંટવડ રોડ પર વરસાદી માહોલમાં મધરાતે સિંહણની જોડી નીકળી, કારચાલકે વીડિયો ઉતાર્યો કોડીનારમાં સાવજોનું માનવ વસાહતમાં ઘૂસી મારણ: આલીદર ગામમાં ઘરની ઓસરી પાસે સિંહોએ ગાયનો શિકાર કરી મિજબાની માણી, પરિવાર ઘરના પહેલા માળે જોતો રહ્યો કોડીનાર પંથકમાં સિંહ પરિવારનો આતંક:એકસાથે આઠ સિંહે બે દિવસમાં બે ગામમાં 'શાહી મિજબાની' માણી; ગ્રામજનોમાં ભયનો માહોલ સિંહ પરિવારની વરસાદી માહોલમાં 'શાહી મિજબાની':કોડીનારના સિંધાજ ગામે આઠ સિંહોએ એકસાથે મારણ પર ભોજન માણ્યું; ખોડિયાર મંદિરનો વીડિયો વાઈરલ ગીર જંગલમાં મગર અને દીપડા વચ્ચે જીવ સટોસટનો જંગ, વીડિયો:વન્યજીવ સૃષ્ટિની અત્યંત રોમાંચક અને દુર્લભ ઘટના બની, સૂર્યસ્નાન કરતા મગરને ડોકથી દબોચ્યો ગીર-ગઢડામાં 8 સિંહના પરિવારે રોડ બ્લોક કર્યો, VIDEO: મધરાતે રસ્તો જામ થતાં વાહનોનાં પૈડાં થંભી ગયાં; પ્રવાસીઓ માટે સિંહણ-પાઠડાનો અદ્ભુત નજારો ઉનામાં સિંહની ડણકથી સમગ્ર વિસ્તાર ગુંજી ઊઠ્યો: શિકારની શોધમાં આવેલો સિંહ કલાકો સુધી રોડ પર બેસી રહ્યો, રાહદારીઓ થંભ્યા; પ્રવાસીઓએ કેમેરામાં કેદ કર્યાં દૃશ્યો ગીરના જંગલમાં સિંહ, સિંહણ વચ્ચે વર્ચસ્વની લડાઈ જામી: કમલેશ્વર ડેમ વિસ્તારમાં 10 સાવજના ગ્રુપમાં અન્ય ગ્રુપની સિંહણ આવતાં ઘમાસાણ, ત્રાડોથી જંગલ ગુંજી ઊઠ્યું

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 12:38 pm

કોંગ્રેસની વધુ એક વખત જન-આક્રોશ યાત્રા, 21મીએ વાવ-થરાદથી યાત્રાની શરૂઆત:5 ઝોનમાં 60 દિવસ સુધી ચાલશે, 1100 કિલોમીટરનુ ભ્રમણ કરી બેચરાજીમાં સમાપન કરશે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસે સરકાર સામે બાયો ચડાવી છે. સોમનાથથી દ્વારકા સુધી ખેડૂત આક્રોશ યાત્રા યોજ્યા બાદ કોંગ્રેસ રાજ્યભરમાં કોંગ્રેસ વધુ એક વખત યાત્રા યોજવા જઈ રહી છે. રાજ્યભરમાં જન આક્રોશ યોજવાની જાહેરાત કરી છે. રાજ્યના 5 ઝોનમાં અલગ અલગ મુદ્દાઓને લઇને કોંગ્રેસ 60 દિવસ સુધી જન આક્રોશ યાત્રા યોજશે. આગામી 21 નવેમ્બરના વાવ - થરાદથી યાત્રાની શરૂઆત થશે. ઢીમાથી પહેલા ફેઝની યાત્રાની શરૂઆત કરવામાં આવે જે 1100 કિલોમીટર સુધી ભ્રમણ કરશે. પહેલા ફેઝની યાત્રાનું બેચરાજીમાં સમાપન થશે. ખેડૂતોના મુદ્દા, યુવાનોના મુદ્દા, મહિલાઓના મુદ્દા, મોંઘવારી સહિતના મુદ્દાઓને લઈને કોંગ્રેસ ગમે ગામ જાહેર સભા યોજશે. કોંગ્રેસે 11 દિવસ પહેલાં ખેડૂત આક્રોશ યાત્રા કરી હતી. જે ગીર સોમનાથથી પ્રારંભ થઈને, સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ફરી દ્વારકામાં સમાપન થયું હતું.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 12:33 pm

રાજકોટમાં SIR અંતર્ગત ફોર્મ ભરવાની કામગીરી 11% થઈ:કેમ્પમાં મતદારે કહ્યું-ખાસ મતદાર યાદી સુધારણા દર 10 વર્ષે થાય તો જ સાચું મતદાન થાય

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શનિવાર અને રવિવારના દિવસોમાં મતદાન મથકો પર બૂથ લેવલ ઓફિસરની હાજરીમાં સવારે 9થી 1 દરમિયાન ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેનો બહોળી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે. આ દરમિયાન વિધાનસભા 69 દક્ષિણમાં શેઠ હાઈસ્કૂલ ખાતે દિવ્ય ભાસ્કરની ટીમ પહોંચી તો ત્યાં લોકો મતદાર ગણતરી ફોર્મ લેવાની સાથે તે ફોર્મ ભરીને પરત આપી રહ્યા હતા. જ્યારે BLO દ્વારા ફોર્મ અપલોડ કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન અહીં આવેલા મતદારે કહ્યું કે, મતદાર યાદી ખાસ સુધારણા ઝૂંબેશ જે 23 વર્ષે થઈ તે દર 10 વર્ષે થવી જોઈએ અને તો જ સાચું મતદાન થાય. આ સાથે જ ચીફ ઇલેક્શન કમિશન હેઠળની BLO એપ્લિકેશન ધીમી ચાલતી હોવાની ફરિયાદો અમુક જગ્યાએથી સામે આવી છે. જિલ્લામાં હાલ મતદારોના ફોર્મ ભરી અપલોડ કરવાની કામગીરી 11% થઈ હોવાનું જાણવા મળી રહ્યુ છે. બૂથ લેવલ ઓફિસર ખૂબ જ સારા અને કો-ઓપરેટીવ દેખાઈ રહ્યા છેઃ રોહિત મોલીયારાજકોટની ભક્તિનગર સોસાયટીમાં રહેતા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિસ્ટમ એનાલિસિસ તરીકે ફરજ બજાવતા રોહિત મોલિયાએ જણાવ્યું હતું કે, SIR ની કામગીરી સબબ શેઠ હાઈસ્કૂલ ખાતે આવ્યો છું. મતદાર ગણતરી માટે અમારી ઘરે જે ફોર્મ આપી ગયા હતા તે ફોર્મ સબમીટ કરવા માટે અહીં આવ્યો છું. અહીં અમને ખૂબ જ સારો સહયોગ મળી રહ્યો છે. બૂથ લેવલ ઓફિસર ખૂબ જ સારા અને કો-ઓપરેટીવ દેખાઈ રહ્યા છે. જેમની મદદથી અમે સરળતાથી આ ફોર્મ ભરી શક્યા છીએ. તેમણે જણાવ્યું કે, અગાઉ જે નામ કમી કરવાના હતા તે કરી નાખેલા છે જેથી અમે હાથી ખાનામાંથી શિફ્ટ થઈને અહીં ભક્તિનગર સોસાયટીમાં આવ્યા છીએ. તેનું શિફ્ટિંગ પણ અગાઉ કરાવી નાખેલું છે, જેને લીધે અન્ય કોઈપણ પ્રકારની મુશ્કેલી પડી નથી. ભારતીય ચૂંટણી પંચ દ્વારા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી શરૂ કરવામાં આવી છે, જે ખૂબ જ આવકારદાયક છે. ‘અત્યારે જે કામગીરી થઈ રહી છે તે દર 10 વર્ષે થવી જોઈએ’આ સાથે જ તેમણે ચૂંટણી પંચ દ્વારા ખાસ મતદાર યાદી સુધારણા ઝૂંબેશ વર્ષ 2002 બાદ વર્ષ 2025માં થઈ રહી છે, તે ખરેખર કેટલી ફાયદાકારક છે તેવું પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, ઘણી જગ્યાએ લોકો શિફ્ટિંગ થતા હોય છે. ઉપરાંત ડમી મતદાન પણ થતું હોય છે, ત્યારે આ કામગીરી થવી જ જોઈએ. સરકારની આ ખૂબ જ સારી પહેલ છે. પરંતુ અત્યારે જે કામગીરી થઈ રહી છે તે દર 10 વર્ષે થવી જોઈએ. દર વખતની ચૂંટણી પહેલા જો આ કામગીરી થઈ જાય તો સાચું મતદાન થાય તેઓ મારો અંગત અભિપ્રાય છે. અત્યાર સુધીમાં અંદાજિત બે લાખ જેટલા ફોર્મ અપલોડજ્યારે જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા પ્રમાણે, રાજકોટ શહેર અને જિલ્લામાં ખાસ મતદાર યાદી સુધારણા ઝૂંબેશ અંતર્ગત શનિવાર અને રવિવારના દિવસોમાં ખાસ કેમ્પ રાખવામાં આવ્યો છે. જેમાં અત્યાર સુધીમાં જિલ્લામાં મતદારો દ્વારા ભરવામાં આવેલા અંદાજિત બે લાખ જેટલા ફોર્મ અપલોડ થઈ ગયા છે, એટલે કે 11% કામગીરી થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 12:07 pm

દવાની જગ્યાએ દારૂની મહેફિલ!:સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પડતર એમ્બ્યુલન્સની અંદર-બહાર દારૂની બોટલો મળી, સિવિલ અધિક્ષકે કહ્યું- જવાબદારો સામે કડક પગલાં લેવાશે

સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ ખાતેની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ગંભીર વિવાદના વમળમાં ફસાઈ છે. દર્દીઓ માટે દવાનો સંજીવનીરૂપી દવા પૂરીપાડવાને બદલે, આ હોસ્પિટલનું કમ્પાઉન્ડ રાત્રિના સમયે દારૂની મહેફિલનું સ્થળ બનતું હોવાની આશંકા સર્જતાં દ્રશ્યો સામે આવ્યા છે. હોસ્પિટલના જૂના બિલ્ડિંગ કમ્પાઉન્ડ તેમજ લાંબા સમયથી પાર્ક કરાયેલી ખખડધજ બનેલી એમ્બ્યુલન્સમાંથી દારૂની 5 જેટલી ખાલી બોટલો મળી આવતા દારૂબંધીના કાયદા અને હોસ્પિટલની સિક્યુરિટી વ્યવસ્થા પર અનેક સવાલો ઊભા થયા છે. આ સમગ્ર ઘટનાથી સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્રની ગંભીર બેદરકારી છતી થાય છે. જોકે સિવિલ અધિક્ષક ડોક્ટર મોનાલી માંકડિયાએ આ મામલે જવાબદારો સામે કડક પગલાં લેવાની ખાતરી આપી છે. સિવિલ હોસ્પિટલનાં જૂના બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં 3 જેટલી ખખડધજ એમ્બ્યુલન્સ છે. જેમાં બે એમ્બ્યુલન્સ બહાર 3 બોટલ અને 1 એમ્બ્યુલન્સની અંદર 2 બોટલ દારૂની મળી આવી છે. આમ સૌપ્રથમ દારૂની 3 ખાલી બોટલો મળી આવી હતી. ત્યારબાદ વધુ તપાસ કરતા, લાંબા સમયથી નિષ્ક્રિય અને ખખડધજ હાલતમાં પાર્ક કરાયેલી એક 108 એમ્બ્યુલન્સમાં દારૂની વધુ 2 ખાલી બોટલો મળી આવી હતી. આ 108 એમ્બ્યુલન્સનો ઉપયોગ દારૂની પાર્ટી માણનારાઓ દ્વારા 'સ્ટોરેજ' તરીકે કરતા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, આ એમ્બ્યુલન્સમાંથી દારૂના ગ્લાસ અને સિગરેટના ટુકડા પણ મળી આવ્યા હતા, જે સ્પષ્ટ સંકેત આપે છે કે આ સ્થળનો ઉપયોગ નિયમિતપણે દારૂ પીવા માટે થતો હશે. હોસ્પિટલ કમ્પાઉન્ડમાં રાત્રિના સમયે દારૂની મહેફિલ ચાલતી હોવાની ઘટનાથી લોકોમાં આશ્ચર્ય સાથે રોષ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલના આ વિસ્તારમાં રાત્રિના સમયે કોઈ સિક્યુરિટી ગાર્ડ આવતા ન હોવાથી અસામાજિક તત્વો તેનો લાભ લે છે. આ નિવેદન હોસ્પિટલની સિક્યુરિટી વ્યવસ્થાની પોકળતા દર્શાવે છે, જ્યારે એક તરફ સિવિલ હોસ્પિટલ દ્વારા સિક્યુરિટી પાછળ દર મહિને લાખો રૂ.નો ખર્ચ કરવામાં આવે છે. જોકે, આ ખર્ચ માત્ર કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે હોસ્પિટલના જ કમ્પાઉન્ડમાંથી દારૂની બોટલો મળી આવવી એ સુરક્ષામાં રહેલી મોટી ખામી તરફ ઈશારો કરે છે. આ પહેલીવાર નથી કે જ્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલનું નામ દારૂના વિવાદમાં સપડાયું હોય. અગાઉ પણ હોસ્પિટલના રેસીડેન્ટ ડોક્ટરના ક્વાર્ટર પાસેથી દારૂની બોટલો તેમજ દારૂ ભરેલી ગાડી મળી આવી હતી, ત્યારે પણ હોસ્પિટલ તંત્ર દ્વારા કડક પગલાં લેવાની વાતો કરવામાં આવી હતી, પરંતુ વર્તમાન ઘટના ફરી સાબિત કરે છે કે ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહી છે અને હોસ્પિટલના કેમ્પસમાં કાયદાનો ડર રહ્યો નથી. સિવિલ હોસ્પિટલની ગરિમા અને શિસ્ત જાળવવાની જવાબદારી ધરાવતા વહીવટી તંત્રના નાક નીચે આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી રહે છે. સમગ્ર મામલે સિવિલ અધિક્ષક ડો. મોનાલી માંકડિયાએ દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં તાત્કાલિક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આપના માધ્યમથી આ બાબત હાલમાં જ મારા ધ્યાન ઉપર આવી છે. અત્યારે દારૂની બોટલો ત્યાંથી દૂર કરવાના આદેશો આપી દવ છું. તેમજ આવતીકાલે આ મામલે કડક તપાસ માટેનો આદેશ કરવામાં આવશે અને જે કોઈપણ જવાબદાર હશે તેની સામે કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. સિવિલ હોસ્પિટલનાં કેમ્પસમાં આવી બેદરકારી ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, સિવિલ અધિક્ષકના આ નિવેદન બાદ હવે જોવાનું એ રહે છે કે આ વખતે હોસ્પિટલ તંત્ર દ્વારા માત્ર આશ્વાસન જ આપવામાં આવશે કે પછી ખરેખર કડક અને નક્કર પગલાં લઈને આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓનો અંત લાવવામાં આવશે. હાલમાં, આ ઘટનાએ સિવિલ હોસ્પિટલની પ્રતિષ્ઠાને મોટો ધક્કો પહોંચાડ્યો છે. અને આ ઘટના માત્ર રાજકોટમાં જ નહીં સૌરાષ્ટ્રભરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 11:54 am

નવસારી હાઈવે પરથી એક કરોડથી વધુનો દારૂ ઝડપાયો:ટ્રકમાં લસણની આડમાં દારૂની હેરાફેરીનો LCBએ પર્દાફાશ કર્યો, એક આરોપીને ઝડપી ₹1.11 કરોડનો મુદ્દામાલ જપ્ત

નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ નેશનલ હાઈવે નંબર-48 પરથી ₹ 1,01,88,720 ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં દારૂ, ટ્રક અને મોબાઈલ ફોન સહિત કુલ ₹ 1,11,98,720 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. LCB, નવસારીના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફ પ્રોહીબીશનની ગેરકાયદેસર હેરાફેરી રોકવા માટે ખાનગી બાતમીદારોને સક્રિય કરીને વોચમાં હતો. તા. 15 નવેમ્બરના રોજ, PI વી.જે. જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ને.હા. નં-48 પર, ખારેલ ઓવર બ્રીજના ઉત્તરે તુલસી હોટલ સામે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. મુંબઈથી અમદાવાદ જતી એક ટ્રકને અટકાવી તેની તલાશી લેવામાં આવી હતી. ટ્રકમાં આગળના ભાગે લસણની બોરી મૂકી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. પોલીસે ચોકસાઈપૂર્વક તપાસ કરતા ટ્રકમાંથી વ્હીસ્કી, વોડકા, રમ અને ટીન બિયર સહિત કુલ 27,252 નંગ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો, જેની કિંમત ₹ 1,01,88,720 આંકવામાં આવી છે. આ દારૂની હેરાફેરીના ગુનામાં એક આરોપીને સ્થળ પરથી પકડી પાડવામાં આવ્યો છે. દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર સહિત અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. પકડાયેલ અને વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ ગણદેવી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનાની વધુ તપાસ LCB PI વી.જે. જાડેજા દ્વારા કરવામાં આવી રહી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ₹ 1,01,88,720 ની કિંમતનો 27,252 નંગ વિદેશી દારૂ, ₹ 10,00,000 ની કિંમતની ટ્રક અને ₹ 10,000 ની કિંમતનો એક મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. આ તમામ મુદ્દામાલની કુલ કિંમત ₹ 1,11,98,720 થાય છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 11:34 am

રાજ્યપાલના ખોટા સહી-સિક્કા કરી નોકરીનો લેટર આપ્યો:ઠગ દંપતીએ સરકારી અધિકારી હોવાની ઓળખ આપી યુવક પાસેથી 7 લાખ પડાવ્યાં

અમદાવાદમાં યુવકને તેના પરિચિત ઠગ દંપતીએ સરકારી આગેવાન અને ભરતી નિમણૂક અધિકારી હોવાની ઓળખ આપીને 25 લાખમાં સરકારી નોકરી આપવાની લાલચ આપી હતી. યુવકે લાલચમાં આવીને 7 લાખ રૂપિયા આપતા યુવકને રાજ્યપાલની સહી અને સિક્કા વાડો ખોટો લેટર આપ્યો હતો. યુવકે તપાસ કરતા ખોટો લેટર હોવાનું જાણવા મળ્યું હતું, જેથી યુવકે ઠગ દંપતી વિરુદ્ધ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. દંપતીએ સરકારી ભરતીમાં નિમણૂક અધિકારીની ઓળખ આપીનરોડામાં રહેતા મયુર જોશી નવરંગપુરામાં કરન્સી મેનેજમેન્ટનું કામકાજ કરે છે. નવેમ્બર 2024માં તેમની મુલાકાત 15 વર્ષ બાદ તેમના નાનપણના મિત્ર અને કૌટુંબિક સંબંધી કોમલ ત્રિવેદી અને તેના પતિ આનંદ ત્રિવેદી સાથે થઈ હતી. એકબીજાના સંપર્કમાં આવ્યા બાદ તેઓ અવારનવાર મયુર જોશીની નવરંગપુરા ખાતેની ઓફિસ મળતા હતા. કોમલ અને આનંદે મયુરભાઈને જણાવ્યું હતું કે, તેઓ સરકારી કર્મચારી તથા સરકારી ભરતીમાં નિમણૂક અધિકારી છે. પોતે સરકારમાં આગેવાન તરીકે કાર્યરત છે. મનગમતા કોઈપણ ખાતામાં સરકારી નોકરીની લાલચ આપીમયુરભાઈને સરકારી નોકરી અપાવવાનો વિશ્વાસ અપાવ્યો હતો અને નોકરી આપવા બદલ 25 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જ્યારે મયુરે કયા ખાતામાં નોકરી મળશે તેવું પૂછ્યું ત્યારે દંપતીએ જણાવ્યું હતું કે મનગમતા કોઈપણ ખાતામાં નોકરી આપવામાં આવશે. નોકરી માટે એડવાન્સમાં 10 લાખ રૂપિયા પણ માંગ્યા હતા. જોકે મયુરભાઈ પાસે વ્યવસ્થા ન હોવાથી તેમણે શરૂઆતમાં ચાર લાખ રૂપિયા આંગડિયા મારફતે અને બાકીના અઢી લાખ રૂપિયા બેંકમાંથી ટ્રાન્સફર કર્યા હતા. કુલ 6.30 લાખ આપ્યા બાદ સરકાર તરફથી એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવશે, તેઓ વિશ્વાસ અપાવ્યો હતો. લેટર કોન્ફિડન્સિયલ હોવાનું જણાવી ગુપ્ત રાખવા કહ્યું16 જાન્યુઆરીના રોજ કોમલ ત્રિવેદીએ મયુરભાઈને વ્હોટ્સએપના માધ્યમથી ગુજરાત સરકાર દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલો ગુજરાત સરકારના ગવર્નર આચાર્ય દેવવ્રતની સહી તથા ગુજરાત સરકારના સિક્કા લગાડેલો નોકરીનો બનાવટી લેટર મોકલી આપ્યો હતો. આ લેટર કોન્ફિડન્સિયલ હોવાનું જણાવી ગુપ્ત રાખવાનું કહ્યું હતું. એટલું જ નહીં લેટર આપ્યા બાદ બીજા પૈસાની માંગણી કરી હતી, તેથી મયુરભાઈએ બીજા એક લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા, જેથી હ્યુમન રાઇટ્સ કમિટીનું આઇડી કાર્ડ આપ્યું હતું. પૈસા પરત ન આપતા દંપતી સામે ગુનો દાખલજો કે, લેટર આવી ગયા બાદ ઘણા સમય સુધી નોકરી ના મળતા મયુરભાઈએ કોમલનો સંપર્ક કર્યો, ત્યારે કોમલે કબૂલાત કરી હતી કે આ લેટર અને આઇડી કાર્ડ બંને બોગસ છે. મયુરને પૈસા પરત આપવા માટે 7.50 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. જે ચેક ભરતા ચેક રિટર્ન પણ થયો હતો. મયુર સાથે સરકારી નોકરીની લાલચે છેતરપિંડી થઇ હોવાની જાણ થતા મયુરે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ઠગ દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 11:29 am

હત્યાના આરોપીને ભાઈના લગ્ન માટે વચગાળાના જામીન:પાટણ કોર્ટે રૂ. 1 લાખ ડિપોઝિટ સાથે 15 દિવસના જામીન મંજૂર કર્યાં

પાટણ શહેરમાં ફેબ્રુઆરી 2023માં બનેલા હત્યા કેસના આરોપી જૈનેશ રાજેશભાઈ વસંતભાઈ તાડાના તેના નાના ભાઈના લગ્નમાં હાજર રહેવા માટે વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. પાટણના સેશન્સ જજ એમ.એ. શેખે આરોપીને 16 નવેમ્બર 2025થી 30 નવેમ્બર 2025 સુધી 15 દિવસ માટે જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. આરોપી જૈનેશ પાટણની સબજેલમાં કાચા કામના કેદી તરીકે બંધ છે. તેના પર સરદાર કોમ્પેલેક્ષમાં આવેલા જ્યોના વ્યસન મુક્તિ કેન્દ્રમાં સારવાર લઈ રહેલા હાર્દિક સુથારની હત્યા કરવાનો આરોપ છે. આરોપીના વકીલ અમિતભાઈ એમ. ઠક્કરે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, આરોપી લાંબા સમયથી ન્યાયિક કસ્ટડીમાં છે. તે ઘરમાં સૌથી મોટો ભાઈ છે અને તેના પિતાનું તાજેતરમાં અવસાન થયું હોવાથી લગ્નની તમામ વ્યવસ્થા કરવાની જવાબદારી તેની છે. વકીલે ખાતરી આપી હતી કે આરોપી જામીનની તમામ શરતોનું પાલન કરશે. સરકારી વકીલે જામીન અરજીનો વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આરોપી સામે ખૂન જેવો ગંભીર ગુનો હોવાથી મોટી રકમની ડિપોઝિટ કરાવવી જોઈએ અને જામીનના સમયગાળા દરમિયાન આરોપીના સ્વખર્ચે પોલીસ જાપ્તા સાથે તેને વચગાળાના જામીન પર મુક્ત કરવો જોઈએ. પાટણની સેશન્સ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જૈનેશના જામીન મંજૂર કર્યા હતા. કોર્ટે આરોપીને પાટણ કોર્ટમાં રૂ. 1 લાખની ડિપોઝિટ જમા કરાવવા અને રૂ. 1 લાખના સધ્ધર જામીન તથા જાત મુચરકો રજૂ કરવા આદેશ આપ્યો હતો. આરોપીને 15 દિવસ માટે લગ્નમાં હાજરી આપવા માટે વચગાળાના જામીન મળ્યા છે. તેને 30 નવેમ્બર 2025ના રોજ સાંજે જેલમાં પરત હાજર થવાની શરત મૂકવામાં આવી છે. ઉપરાંત, અરજદારે નિયમાનુસાર ભરવાપાત્ર થતો પોલીસ જાપ્તાનો ખર્ચ સંબંધિત પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીમાં જમા કરાવવાનો રહેશે અને ડિપોઝિટની રકમ જમા થયા બાદ ઉપરોક્ત સમય દરમિયાન યોગ્ય જાપ્તો પૂરો પાડવાનો રહેશે તેવો હુકમ કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 11:21 am

અમદાવાદના તમામ હુક્કાબાર પર ક્રાઇમ બ્રાન્ચની રેડ:કેફે-રેસ્ટોરન્ટના નામે ચાલતી મહેફિલોનો પર્દાફાશ; યુવાધનને 'હર્બલ હુક્કા'ના નામે નિકોટીનયુક્ત ફ્લેવર પીરસાતું

અમદાવાદ શહેરને નશા મુક્ત બનાવવાની દિશામાં વધુ એક પગલું ભરતાં, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ચાલતા ગેરકાયદેસર હુક્કાબાર પર તવાઈ બોલાવી છે. પોલીસની આ કાર્યવાહીમાં અનેક હુક્કાબાર ઝડપાયા છે અને મોટા પ્રમાણમાં પ્રતિબંધિત નિકોટીનયુક્ત ફ્લેવર તથા હુક્કાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. યુવાધનને નશાના રવાડે ચઢાવતા આ ધંધા પર પોલીસે અણધારી રેડ કરીને સંચાલકોમાં ફફડાટ ફેલાવી દીધો છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર બાતમી આધારે દરોડાક્રાઇમ બ્રાન્ચને શહેરના પોશ વિસ્તારો સહિત અનેક જગ્યાએ કેફે અને રેસ્ટોરન્ટના નામે ગેરકાયદેસર હુક્કાબાર ચાલતા હોવાની બાતમી મળી હતી. આ માહિતીના આધારે, ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ એકસાથે અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન, કાફેની આડમાં ચાલતી ગેરકાયદેસર હુક્કાની મહેફિલોનો પર્દાફાશ થયો હતો. પોલીસે સ્થળ પરથી હુક્કા પીતા અનેક યુવક-યુવતીઓને ઝડપી પાડ્યા છે. આ સાથે હુક્કાબારના માલિકો અને મેનેજરો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પકડાયેલા હુક્કાબારમાં મોટા ભાગના 'હર્બલ હુક્કા'પોલીસ દ્વારા પકડાયેલા હુક્કાબારમાંથી મોટા ભાગે 'હર્બલ હુક્કા'ના નામે ગેરકાયદેસર રીતે નિકોટીનયુક્ત ફ્લેવર પીરસવામાં આવતી હતી. રેડ દરમિયાન, પોલીસે મોટી સંખ્યામાં હુક્કાના પોટ, જુદી-જુદી પ્રતિબંધિત ફ્લેવરના પેકેટ્સ, નિકોટીનયુક્ત તમાકુ અને અન્ય આનુષંગિક વસ્તુઓ જપ્ત કરી છે. જપ્ત કરાયેલા આ મુદ્દામાલની કિંમત લાખોમાં હોવાનું પ્રાથમિક અનુમાન છે. પોલીસે તમામ સેમ્પલને FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)માં મોકલી આપ્યા છે, જેથી તેમાં નિકોટીન અથવા અન્ય પ્રતિબંધિત દ્રવ્યોની હાજરીની સત્તાવાર પુષ્ટિ થઈ શકે. આગામી દિવસોમાં પણ દરોડા ચાલુ રખાશેઅમદાવાદમાં હુક્કાબાર પર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં, કેટલાક સંચાલકો કાયદાનું ઉલ્લંઘન કરીને યુવાધનના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી રહ્યા છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે ક્રાઇમ બ્રાન્ચે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં ચાલતા આવા હુક્કાબારને ઝડપી પાડવા માટે સઘન પેટ્રોલિંગ અને દરોડાની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે, જેથી યુવાનોને આ પ્રકારના નશાથી દૂર રાખી શકાય અને કાયદાનું કડકપણે પાલન કરાવી શકાય. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલે જણાવ્યું હતું કે, ગઇકાલ રાતથી શહેરના અલગ આગ હુક્કાબાર પર રેડ કરવામાં આવી છે.હાલ પોલીસ કાર્યવાહી ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 11:17 am

5 સિંહોએ રાજુલાનું મોટા આગરિયા ગામ બાનમાં લીધું, CCTV:શિકાર કરવા શેરીઓમાં પશુઓ પાછળ દોડધામ મચાવી, તરાપ મારી વાછરડીનો શિકાર કર્યો, ગ્રામજનોમાં ભયનો માહોલ

અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહોની લટાર હવે સામાન્ય બની ગઈ હોય તેમ જોવા મળી રહ્યું છે. અનેક વિસ્તારમાં સિંહો ઘૂસી આવ્યાં હોવાના બનાવો સતત સામે આવી રહ્યા છે. ત્યારે ગતરાત્રે 5 સિંહોએ રાજુલાનું મોટા આગરીયા ગામને જાણે બાનમાં લીધું હોય તેમ જોવા મળ્યું હતું. શિકારની શોધમાં આવેલા સિંહોએ ગામની શેરીઓમાં રખડતા પશુઓ પાછળ દોડધામ મચાવી હતી. આ વચ્ચે તરાપ મારી વાછરડી સહિત બે પશુઓનો શિકાર કર્યો હતો. જે ઘટના CCTVમાં કેદ થઈ છે. બીજી તરફ સિંહોની લટારને પગલે ગામલોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રેઢિયાળ પશુઓ અને શ્વાનોમાં અફરાતફરી મચીરાજુલાના મોટા આગરીયા ગામમાં રાત્રે સિંહોનું ટોળું આવી પહોંચ્યું હતું. જેથી રેઢિયાળ પશુઓ અને શ્વાનોમાં અફરાતફરી મચી ગઈ હતી. સિંહો શેરીએ-શેરીએ ફરીને પશુઓ પાછળ દોડ લગાવી રહ્યાનું જોવા મળ્યું હતું. પશુઓ પણ જીવ બચાવવા માટે આમતેમ દોડી રહ્યા હતા. આ સિંહો રાજુલા-સાવરકુંડલા હાઈવે સુધી પહોંચી ગયા હતા, જ્યાં સિંહોના ટોળાને જોઈ વાહનચાલકો પણ ચોંકી ઉઠ્યા હતા અને પોતાના વાહનો થંભાવી દેવા પડ્યા હતા. સિંહોની લટારને પગલે મોટા આગરીયા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં સ્થાનિક લોકોમાં ગભરાટ અને ભયનો માહોલ છવાઈ ગયો છે. રેલવે ટ્રેક હોવાથી ભૂતકાળમાં અનેક અકસ્માતો બન્યાપૂર્વ વાઇલ્ડ લાઇફ વોર્ડન વિપુલ લહેરીએ જણાવ્યું હતું કે, આ વિસ્તાર સિંહોનું ઘર છે અને અહીં સૌથી વધુ સિંહો નોંધાઈ છે. મોટો રેલવે ટ્રેક હોવાથી ભૂતકાળમાં અનેક અકસ્માતો બન્યા છે. દોઢ વર્ષથી આર.એફ.ઓ. અને ડીસીએફની જગ્યા ખાલી હોવાથી વન્યપ્રાણીઓ રામભરોસે મુકાયા છે. તેમણે સરકારને તાત્કાલિક આર.એફ.ઓ. અને અન્ય સ્ટાફની ખાલી જગ્યાઓ ભરવા વિનંતી કરી હતી. સિંહોના ટોળા ગામમાં પ્રવેશી રહ્યા છે આમાં ખેડૂતો ખેતરે કેવી રીતે જાયઃ સ્થાનિકમોટા આગરીયા ગામના આગેવાન પ્રકાશભાઈ ખુમાણે માંગ કરી હતી કે, એક સાથે સિંહોના ટોળા ગામમાં પ્રવેશે ત્યારે ખેડૂતો વાડીએ કેવી રીતે અવરજવર કરે? તેમણે વન વિભાગ દ્વારા પેટ્રોલિંગ વધારવા અને જવાબદાર અધિકારીઓની નિમણૂક કરવાની માંગ કરી હતી. સ્ટાફની જગ્યાઓ ખાલી હોવાથી રજૂઆત કોને કરવી તે પણ એક પ્રશ્ન છે. તેમણે સરકારને આ વિસ્તારમાં અધિકારીઓ મૂકીને પેટ્રોલિંગ વધારવા અને વન્યપ્રાણીઓ ગામમાં પ્રવેશે નહીં તેની તકેદારી રાખવા અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, પાલીતાણા શેત્રુંજી ડિવિઝનના મુખ્ય વડા, DCFની જગ્યા ચાર મહિનાથી વધુ સમયથી ખાલી છે અને ભાવનગરના DCF ઈન્ચાર્જ તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે. આ ડિવિઝન હેઠળ આવતી રાજુલા રેન્જ, જે ઉદ્યોગો, રેલવે ટ્રેક અને સૌથી વધુ સિંહોની વસ્તી ધરાવતો અતિ સંવેદનશીલ વિસ્તાર છે, ત્યાં પણ દોઢ વર્ષથી RFOની જગ્યા ખાલી છે. આખી રેન્જમાં ફોરેસ્ટર પણ નથી અને ગાર્ડ પાસે ફોરેસ્ટરનો ચાર્જ છે. RFOના ચાર્જ પણ અલગ-અલગ અધિકારીઓ વચ્ચે બદલાયા કરે છે. આ સ્થિતિ સિંહોની સુરક્ષા અને સ્થાનિક લોકોની મુશ્કેલીઓ વધારી રહી હોવાનું માનવામાં આવે છે. પેટ્રોલિંગ અને મોનિટરિંગના અભાવે પરિસ્થિતિ વધુ વણસી રહી છે. અમરેલી, ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સિંહોની લટાર સતત જોવા મળી રહી છે ત્યારે આવો આવી જ કેટલીક ઘટનાઓ જોઈએ... સિંહણની જોડીએ તરાપ મારી પશુનો શિકાર કર્યોઆજથી 14 દિવસ પહેલા ખાંભાના રાયડી ગામમાં રાત્રે બે સિંહણ આવી પહોંચી હતી. ગામની શેરીમાં તરાપ મારી એક પશુનો શિકાર કર્યો હતો. જે બાદ સિંહણની જોડીએ મિજબાની માણી હતી. અહિં ક્લિક કરીને આ સમાચારને વિસ્તારથી વાંચો ગીર ગઢડામાં એક-બે નહીં, પૂરા 11 સિંહનું શાહી જૂથ જોવા મળ્યુંગત 13 નવેમ્બરની રાત્રે ગીર ગઢડા શહેરના ધમધમતા એસટી બસ સ્ટેન્ડ નજીક આવેલા ઘનશ્યામનગર વિસ્તારમાં એક-બે નહીં, પરંતુ 11 સિંહનું આખું જૂથ લટાર મારવા નીકળ્યું હતું. રહેણાક વિસ્તારોમાં સિંહોના આંટાફેરા સ્થાનિકોમાં ભય ફેલાયો છે. જેથી પેટ્રોલિંગ વધારવાની માગ કરી હતી. અહિં ક્લિક કરીને આ સમાચારને વિસ્તારથી વાંચો સિંહની ડણકથી ગીર ગઢડા વિસ્તાર ગુંજી ઊઠ્યોઆજથી 9 દિવસ પહેલા ગીરગઢડાના ફાટસર નજીક આવેલા કેદારનાથ મંદિર તરફ જતા રસ્તા પર રાત્રિના સમયે બે નર સિંહની ડણકથી આસપાસનો સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો, જેને પગલે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ થોભી જઈ આ અદ્ભુત ક્ષણના સાક્ષી બન્યા હતા. અહિં ક્લિક કરીને આ સમાચારને વિસ્તારથી વાંચો

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 11:05 am

‘બાય મમ્મી-પાપા, મેં અપના સપના પુરા કરને જા રહા હું’:સુરતથી ધો.9ના બે વિદ્યાર્થી ચિઠ્ઠી લખી હાથમાં બેટ લઇ ઘરેથી નીકળી ગયાં, લાસ્ટનાં લખ્યું- ઇસે મેરા બચપના ના સમજે

ક્રિકેટર બનવાની ઘેલછામાં ધોરણ 9માં સાથે ભણતા સુરતના મોરા ગામના બે સગીર ઘર છોડી સુરતથી ટ્રેનમાં બેસી મુંબઇ-બોરીવલી અને ત્યાંથી રાજસ્થાન જતી ટ્રેનમાં બેસી ભીલવાડા પહોંચી ગયા હતા. જતાં પહેલાં સગીરે પરિવારને સંબોધીને હિન્દીમાં એક ચિઠ્ઠી પણ લખી હતી. બન્ને મળી ન આવતા પરિવાર ચિંતામાં પોલીસ પાસે પહોંચ્યો હતો. ઇચ્છાપોર પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે અને રેલવે સ્ટેશન સહિતના 93 સીસીટીવી ફૂટેજ તપાસી બન્નેને શોધી કાઢ્યાં હતાં. દીકરો સાંજ સુધી ઘરે ન આપવતા પતિને જાણ કરીસુરતના હજીરા રોડના મોરા ટેકરા ગામમાં રહેતા અને ઘર નજીક કરિયાણાની દુકાન ધરાવતા રાજસ્થાની વેપારીનો ધો. 9માં અભ્યાસ કરતો 16 વર્ષીય પુત્ર વિકાસ (નામ બદલ્યું છે) ગત 7 નવેમ્બરે બપોરના 4 વાગ્યાના અરસામાં ઘરેથી વાળ કપાવા જવાનું કહીને ગયો હતો. મોડી સાંજ સુધી પરત નહીં આવતા માતાએ વેપારીને જાણ કરતા તેઓ ઘરે દોડી આવ્યા હતાં. સલૂનમાં જઈ તપાસ કરી તો વિકાસ વાળ કપાવી ઘરે જવા નીકળ્યો હોવાનું જાણવા મળ્યું હતું. માતા-પિતાએ સીસીટીવી જોઈ સ્કૂલના મિત્રોનો સંર્પક કર્યોદોડતા થયેલા માતા-પિતાએ સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરતા મોરા કોમ્યુનિટી હોલના કેમેરામાં દીકરો હાથમાં બેગ અને ક્રિકેટની બેટ લઈને જતા નજરે પડયો હતો. જેથી વેપારીએ તુરંત જ તેના સ્કૂલના મિત્રોનો સંર્પક કરતા જાણવા મળ્યું હતું કે, વિકાસ અને તેના ક્લાસમાં અભ્યાસ કરતો 15 વર્ષીય નીરવ (નામ બદલ્યું છે) બંને ક્રિકેટ રમવાના શોખીન છે અને વારંવાર ક્રિકેટર બનવાની વાત કરતા હોય છે. માતા-પિતા મિત્રના ઘરે જતાં તે પણ ગાયબ હતોમિત્રો હસ્તક નીરવના ઘરનું સરનામું મેળવી માતા-પિતા તેના ઘરે પહોંચ્યા તો જાણવા મળ્યું કે, 4 વાગ્યાથી નીરવ પણ ગુમ છે. જેથી બંનેના પરિજનો શોધખોળ કરતા ઉધના રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સુધી પહોંચ્યા હતાં, પરંતુ પત્તો નહીં મળતા આપમેળે આવી જશે એવું વિચાર્યુ હતું. પરંતુ બીજા દિવસે પણ પરત નહીં આવતા ઇચ્છાપોર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી સુરત રેલવે સ્ટેશનના અંદાજે 93 કેમેરા ચેક કરતા મુંબઇ જતી ટ્રેનમાં બેઠા હોવાથી પોલીસે પીછો કરવાનું શરૂ કર્યું હતું. પોલીસે બન્નેને શોધી કાઢ્યાં, પૂછરપછમાં ક્રિકેટર બનવાનું જણાવ્યુંબંને મિત્રો બોરીવલી સ્ટેશન ઉતરી જયપુર-રાજસ્થાન જતી ટ્રેનમાં બેઠા હોવાથી પોલીસની બીજી ટીમ જયપુર જવા રવાના થઈ હતી. જો કે, વિકાસ રાજસ્થાનનો હોવાથી પોલીસે તેના પિતાની મદદથી વતન ખાતે સંબંધીઓને જાણ કરતા ભીલવાડા ખાતે મામાના ઘર નજીકથી શોધી કાઢી પરિવારને હવાલે કર્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં બંનેને ક્રિકેટર બનવું હોવાથી ઘરેથી કોઇને પણ કહ્યા વગર નીકળી ગયાની કબૂલાત કરી હતી. સગીરે ચિઠ્ઠીમાં શું લખ્યું?BYY મમ્મી પાપા મેં જા રહા હું અપના સપના પુરા કરને, આપ ચિંતા ના કરે, મેં વાપીસ આ જાઉંગા, કુછ હી સાલો મેં ઓર મુજે ઢુંઢને કી કોશિષ ના કરે, આપ જીતના ઢુંઢોગે મુજે ઉતની હી દિક્કતે હોગી, ઓર ઉતના હીં લેટ મેં ઘર વાપીસા આઉંગા, LOVE YOU, ઇસે મેરા બચપના ના સમજે..!

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 10:59 am

પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીનો PGમાંથી મૃતદેહ મળ્યો:વડોદરામાં જમ્મુ કાશ્મીરનો સ્ટુડન્ટ મૂવી જોઈને આવ્યા બાદ સૂતો હતો, સવારે ના ઊઠતાં PG સંચાલકે 108 બોલાવી હતી

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં પી.જીમાં રહી અભ્યાસ કરતા જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીનો મૃતદેહ રૂમમાંથી મળી આવતા ચકચાર મચી છે. આ બનાવ અંગે પીજી માલિકે પોલીસને જાણ કરતા પોલીસ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે આવી યુવકને જોતા તે મૃત હોવાનું જણાયું હતું. જેથી વિદ્યાર્થીના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. આ વિદ્યાર્થીનું મોત કઈ રીતે થયું તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૂવી જોઈ આવ્યા બાદ ઉઠ્યો નહીંફતેગંજ વિસ્તારમાં બ્લૂલગૂન હોટેલની પાછળ સ્કાય હોમ પી.જીમાં રહેતા મૂળ જમ્મુ કાશ્મીરના ગતિક અજયકુમાર દાસ (ઉંમર વર્ષ 25) ગત તારીખ 14 નવેમ્બરે રાત્રે 1.30 કલાકે સુભાષ કોલોની ફતેગંજ વિસ્તારમાંથી મૂવી જોઈ આવી સૂઈ ગયા બાદ ગત રોજ ન ઉઠતા પી જી માલિકે 108ને જાણ કરી હતી. પી.જી સંચાલકે 108ને બોલાવીજમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીને 108 કર્મીએ તપાસ કરતા તે મૃત હોવાનું પી જી સંચાલકને જણાવ્યું હતું. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા ફતેગંજ પોલીસ તાત્કાલિક દોડી આવી મૃતદેહનો કબ્જો મેળવી સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે ફતેગંજ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. પારુલ યુનિવર્સિટીમાં MBAના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતોઆ વિદ્યાર્થી વડોદરા નજીક આવેલી પારુલ યુનિવર્સિટીમાં MBAના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે. આ વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત હોવાથી પોલીસે આત્મહત્યા, કુદરતી મોત કે અન્ય કોઈ બાબત છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં વિદ્યાર્થીના મિત્રોમાં દુઃખની લાગણી ફેલાઈ છે. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 10:40 am

નલિયામાં ઠંડી જામી, તાપમાન 12.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું:ભુજમાં 16.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું, લોકોને હળવી ઠંડીનો અનુભવ

રાજ્યના સૌથી ઠંડા સ્થળોમાં મોખરે રહેતા નલિયામાં આજે લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે તેને રાજ્યનું સૌથી ઠંડું શહેર બનાવે છે. ભુજમાં લઘુતમ તાપમાન 16.2 ડિગ્રી અને કંડલામાં 17.5 ડિગ્રી નોંધાયું હતું. સામાન્ય રીતે શિયાળામાં રાજ્યમાં સૌથી ઠંડું રહેતું નલિયા હવે ધીમે ધીમે ઠંડું પડી રહ્યું છે. બીજી તરફ, ભુજ શહેરમાં હજુ પણ હળવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જેના કારણે લોકો સંધ્યાકાળ પછી પણ ગરમ વસ્ત્રો વિના બહાર ફરતા જોવા મળે છે. હાલમાં ભુજમાં ગુલાબી ઠંડીનો માહોલ હોવાથી લોકો ખુલ્લેઆમ બહાર ફરી રહ્યા છે. જાહેર માર્ગો અને સોસાયટી વિસ્તારોમાં રાત્રિના સમયે તાપણી કરતા લોકો જોવા મળ્યા નથી. જોકે, હવામાન વિભાગે આગામી સમયમાં જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી કરી છે. નિષ્ણાતોએ ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો, પૌષ્ટિક અને ગરમ પ્રકૃતિ ધરાવતા ખોરાકનું સેવન કરવાની સલાહ આપી છે. જિલ્લામાં કાળઝાળ ગરમી અને લાંબા સમય સુધી વરસાદ બાદ હવે ઠંડી પણ લાંબા સમય સુધી તેની અસર બતાવશે તેવા અહેવાલ છે. નલિયા સતત બીજા દિવસે રાજ્યમાં સૌથી ઠંડા સ્થળ તરીકે નોંધાયું છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 10:03 am

બીજા દિવસે પણ નલિયા 14 ડિગ્રી સાથે સૌથી ઠંડુંગાર શહેર:રાજકોટમાં 14.5, ગાંધીનગરમાં 15.5 લઘુત્તમ તાપમાન નોંધાયું, 7 દિવસ વાતાવરણ સુકું રહેશે

રાજ્યમાં શિયાળાનો ચમકારો ધીમે-ધીમે વધી રહ્યો છે. સતત બીજા દિવસે નલિયા 14 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી નીચા તાપમાન સાથે ઠંડુંગાર શહેર રહ્યું છે. રાજ્યમાં લધુત્તમ તાપમાન 20 ડિગ્રી કરતા નીચે જતું રહેતાં તમામ જિલ્લાઓમાં ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવનાહવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ સુકું જોવા મળશે. આ દરમિયાન ઉત્તર પૂર્વના પવનો ફૂંકાશે, જેના કારણે આગામી કેટલાક દિવસ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે જતું રહ્યુંહવામાન વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ, કંડલા એરપોર્ટ પર 14.6 ડિગ્રી, રાજકોટમાં 14.5 ડિગ્રી, કેશોદમાં 14.7 ડિગ્રી, વડોદરામાં 14.4 ડિગ્રી, અમરેલીમાં 15.2 ડિગ્રી, ડીસામાં 15.3 ડિગ્રી, ગાંધીનગરમાં 15.5 ડિગ્રી, મહુવામાં 15.6 ડિગ્રી, દીવમાં 15.8 ડીગ્રી, અમદાવાદમાં 16.6 ડિગ્રી, ભાવનગરમાં 16.6 ડિગ્રી, પોરબંદરમાં 16.4 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 17.2 ડિગ્રી, સુરતમાં 18.6 ડિગ્રી, વેરાવળમાં 19.8 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 17.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 10:00 am

RTO ઈન્સ્પકેટરને મોઢા પર મુક્કા માર્યા, CCTV:મોપેડ ચાલક કોલેજીયન સહિત બેને ઠપકો આપતા તુમકો ગાડી કે સાથ જલા દેંગે કહી માર મારી બાઈક પર ફેંક્યા

સુરતના પાલ વિસ્તારમાં આરટીઓ ઈન્સ્પેકટર પોતાની કાર લઈને જતા હતા ત્યારે બે શખસોએ તેમની કાર સાથે અકસ્માત થાય તે રીતે કટ મારી હતી. જેથી આરટીઓ ઈન્સ્પેક્ટરે હોર્ન મારતા બંને શખસો અકળાયા હતા અને કાર આગળ બાઈક ઉભી રાખી કાચમાં મુક્કા માર્યા હતા. જેથી આરટીઓ ઈન્સ્પેકટર નીચે ઉતરતા બંને શખસોએ તેમના પર હુમલો કરી ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં આરટીઓ ઇન્સ્પેકટરને માર મારીને તુમ દુબારા યહાં દિખેગેં તો ગાડી કે સાથે જલા દેંગે અને પોલીસ હમારા કયાં ઉખાડ લેંગી એમ કહીને મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી આખરે પોલીસે બંને હુમલાખોરો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. ઇન્સ્પેક્ટરની કારને કટ મારતા અકસ્માત થતાં રહી ગયોસુરત આર.ટી.ઓના ઇન્સ્પેક્ટર તુષાર બાબુભાઇ બારીયા (ઉ.વ. 34 રહે. ગ્રીનસિટી, ભાઠા ગામ, સુરત) ગુરૂવારે સાંજે છ વાગ્યાના અરસામાં ઘરેથી મહિન્દ્રા એક્સયુવી 700 કારનું. જીજે-5 આરઝેડ-1668 લઈ પાલ ગૌરવ પથ સ્થિત શ્રીસ્ટાર ટી સ્ટોલની બાજુમાં બર્ન હાઉસ કેફેમાં ચા નાસ્તો કરવા જવા નીકળ્યા હતા. રસ્તામાં શ્રીસ્ટાર ટી સ્ટોલ નજીક ઉભેલા બે મોપેડ ચાલકે મોપેડ લઈ નીકળ્યા હતા અને ઇન્સ્પેક્ટરની કારને કટ મારતા અકસ્માત થતાં રહી ગયો હતો. મોપેડ કારની સાઇડમાં લાવી કાર પર લાત મારીતુષારે કારનો હોર્ન માર્યો તો ઈરાદાપૂર્વક મોપેડ કારની આગળ હંકારી કનડગત કરવાનું શરૂ કર્યુ હતું. જો કે ઇન્સ્પેકટરે હોર્ન મારવાનું ચાલુ રાખતા મોપેડ કારની સાઈડમાં લાવી કારમાં લાત મારી હતી. જેથી ઇન્સ્પેકટરે કાર સાઈડ ઉપર ઉભી રાખતાની સાથે જ બંને શખસ કારની આજુબાજુ આગળના દરવાજા પાસે દોડી આવ્યા હતા અને કાચમાં મુક્કા માર્યા હતા. જેથી તુષારે સર્તકતા દાખવી લઇ બર્ન હાઉફસ કેફે પાસે જઈ કાર રીવર્સ ઉભી રાખી કારમાંથી ઉતરી નુકસાન થયું છે કે નહીં તે જોઈ રહ્યા હતા. એકે ગળેથી પકડ્યા બીજાએ મોંઢા પર ઢીક્કા માર્યામોપેડ ચાલક પૈકી એક શખસે પાછળથી ઇન્સ્પેક્ટરને ગળેથી પકડી રાખ્યા જ્યારે બીજાએ ઉપરાછાપરી મોંઢા ઉપર સાતથી આઠ મુક્કા માર્યા હતા. ઇન્સ્પેકટરે પોલીસ બોલાવાનું કહેતા મોપેડ સવાર બંને યુવાને તુમ યહાં દુબારા દિખોગે તો તુમકો ગાડી કે સાથ જલા દેંગે, તેરે કો જો ઉખાડના હો વો ઉખાડ લેના, હમ તેરે કો છોડેંગે નહીં એવી ધમકી આપી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. આસપાસના લોકોએ ઇન્સ્પેક્ટરને બચાવ્યાઘટનાને પગલે લોકો એકઠા થઈ જતા તેમને તુષારને બચાવ્યો હતો અને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરવાનું કહેતા બંનેએ પોલીસ કો ફોન કરના હે તો કરો પોલીસ હમારા કયા ઉખાડ લેગી એવી પણ ધમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે અડાજણ-પાલ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ટપોરી અને અસામાજીક તત્વો બેખૌફ થઇ સામાન્ય લોકોને રંજાડી રહ્યા છે. કોલેજમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીની ધરપકડકોલેજમાં અભ્યાસ કરતા સોમેલ વિજય ગાયકવાડ (ઉ.વ. 22) અને હોટલ મેનેજમેન્ટનું કામ કરતો પ્રેમ સંજય ગાયકવાડ (ઉ.વ. 23 બંને રહે. સૂર્યમ હોરીઝન, ગેલેક્ષી એવેન્ચુરા નજીક, નિશાલ આર્કેડ, પાલ) ની ધરપકડ કરી છે. જે પૈકી સોમેલ મહારાષ્ટ્ર-મુંબઇના સાંતાક્રુઝના વિદ્યાનગરી રોડ સ્થિત જાદવ મોલ નજીક રહે છે. જયારે પ્રેમ મહારાષ્ટ્ર-મુંબઈના મુલુંડના સી.એચ.એસ અપન બજારની બાજુમાં અંબિકા નગરનો રહેવાસી છે. અડાજણ-પાલમાં છેલ્લા કેટલાક સમયથી ટપોરીઓનો​​​​​​​ ત્રાસસુરત શહેરનો અડાજણ અને પાલ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ટપોરી અને અસામાજીક તત્વોએ ભરડો લીધો હોય એવું પ્રતિત થઈ રહ્યું છે. તેમાં પણ ખાસ કરીને પાલ ગૌરવ પથ કે જયાં થ્રી સ્ટાર મટકા ચા અને મહાકાલ ટી સેન્ટરની બહાર આડેધડ વાહન પાર્કિંગની સાથે લોકોનો જમાવડો જોવા મળે છે. આશ્ચર્યની બાબત એ છે કે જેમનો જમાવડો જોવા મળે છે તેમાં મોટા ભાગના ટપોરી અને અસામાજીક તત્વો છે અને સામાન્ય બાબતમાં ઝઘડો કરી હુમલો કરતા પણ ખચકાતા નથી. આ પ્રકારનું ન્યૂસન્સ ગૌરવ પથની સાથે પાલ લેક ગાર્ડન નજીક મોડી રાત સુધી ધમધમતા ખાણીપીણીના સ્ટોલ ઉપર પણ જોવા મળી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 9:57 am

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી શરૂ કરશે બે નવા સર્ટિફિકેટ કોર્સ:ગાઈડ અને લીપિશાસ્ત્રના અભ્યાસક્રમોને એકેડેમિક કાઉન્સિલની મંજૂરી

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણની એકેડેમિક કાઉન્સિલની બેઠક કુલપતિ ડો. કે.સી. પોરીયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં શિક્ષણ અને વિદ્યાર્થીઓના હિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકમાં જૈનોલોજી અંતર્ગત સ્ક્રીપ્ટોલોજી (લીપિશાસ્ત્ર)નો 30 કલાકનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવાનું આયોજન કરાયું છે. આ કોર્સ માટે જૈન ટ્રસ્ટ તરફથી મદદ મળશે. આ ઉપરાંત, પાટણની વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ, મોઢેરા અને સિદ્ધપુરના પુરાતત્વીય વારસાને ઉજાગર કરવા માટે ગાઈડનો 30 કલાકનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવા પર પણ વિચારણા થઈ હતી. યુનિવર્સિટી સંલગ્ન કોઈપણ કોલેજ પોતાના વિસ્તારના વારસાને ધ્યાનમાં રાખીને આવા કોર્સ શરૂ કરી શકશે, જેનાથી વિદ્યાર્થીઓ માટે રોજગારીની તકો ઊભી થશે. યુનિવર્સિટીએ કેટલીક કોલેજોને શરતોની પૂર્તતા માટે અગાઉ લાંબો સમય આપ્યા બાદ ફરી 45 દિવસનો સમય આપ્યો હતો. જે કોલેજોએ આ સમયગાળામાં પણ શરતો પૂરી કરી નથી, તેમની યાદી સરકારમાં મોકલી આપવાનો નિર્ણય લેવાયો છે. નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) અંતર્ગત એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાં ડિપ્લોમા ટુ ડિગ્રીની જેમ પીએચ.ડી.નો ચાર વર્ષનો અભ્યાસક્રમ અમલમાં મૂકવાનો નિર્ણય લેવાયો છે. હાલમાં ત્રણ વત્તા બે વર્ષનો અભ્યાસક્રમ ચાલે છે, પરંતુ NEP હેઠળ આ કોર્સ ચાર વર્ષનો થશે, જેમાં વિદ્યાર્થીનું અનુસ્નાતકનું વર્ષ એક વર્ષનું થઈ જશે. ચાર વર્ષના પી.જી. કોર્સને કારણે, જે અધ્યાપકો પી.જી.માં ભણાવતા ન હોય તેમને પી.જી.ની લાયકાત આપીને પીએચ.ડી.ની લાયકાત ધરાવતા અધ્યાપકો ચોથા વર્ષમાં ગાઈડ બની શકે તેવી વ્યવસ્થા અમલમાં મૂકવાનો પણ નિર્ણય લેવાયો છે. એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં કુલપતિ ડો. કિશોર પોરીયા, રજિસ્ટ્રાર ડો. રોહિત દેસાઈ, દિલીપ ચૌધરી, ડો. શ્રેયાંશ ભટ્ટ, ડો. પ્રજાપતિ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે અન્ય ઘણા સભ્યો ઓનલાઈન જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 9:20 am

અમદાવાદમાં પૂરપાટ જતી પોલીસની ગાડીએ કારને ટક્કર મારી, CCTV:કાર 10 ફૂટ દુર જતી રહી, 112 જન રક્ષકમાંથી 6 સીરપની બોટલ મળતા ડ્રાઈવરે નશો કર્યાની શંકા

અમદાવાદમાં અકસ્માત થવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો! 14 નવેમ્બરની મોડીરાતે SG હાઈ-વે પરના રાજપથ રંગોલી રોડ પાસે MBAના વિદ્યાર્થીએ પૂરપાટ ઝડપે કાર ચલાવી બે હોમગાર્ડને ઉડાવ્યા હતાં. આ ઘટનાના બીજા દિવસે એટલે કે, શનિવારે મોડીરાત્રે એક પોલીસની ગાડીએ જ એક કારને અડફેટે લીધી હતી. પૂરઝડપે આવી રહેલી 112 જન રક્ષક ગાડીએ રસ્તાની બાજુમાં ઊભેલી એક કારને જોરદાર ટક્કર મારી, જેના કારણે કાર 10 ફૂટ દુર જતી રહી હતી. પોલીસની ગાડીમાંથી 6 સીરપની બોટલો પણ મળી આવી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, પોલીસ કર્મચારી નશાની હાલતમાં હતો. ટક્કર વાગતાં કાર 10 ફૂટ દુર જતી રહીશહેરના ગોતા વંદે માતરમ્ રોડ પર સાયોના તિલક પાસે 15 નવેમ્બરની મોડીરાત્રે એક કારચાલક પોતાની કાર સાઈડમાં પાર્ક કરીને અંદર બેઠો હતો. કાર પાર્ક થયાને એક મિનિટ જેટલો સમય થયો ત્યાં પાછળથી પૂરપાટ આવેલી પોલીસની 112 જનરક્ષક ગાડીએ તેને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરથી વાગી હતી કે, પાર્ક કરેલી ગાડી પણ 10 ફૂટ સુધી દૂર જતી રહી હતી. આ અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સ્થાનિકોએ તપાસ કરતા કારમાંથી સીરપની બોટલ મળીઅકસ્માત થતાની સાથે જ સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને પોલીસને જાણ પણ કરી હતી. સ્થાનિકોએ 112 જનરક્ષક ગાડીમાં તપાસ કરી ત્યારે ગાડીમાંથી તૂટેલી હાલતમાં સીરપની બોટલ મળી આવી હતી. સ્થાનિકોનું કહેવું છે કે, પોલીસની ગાડીનો ડ્રાઇવર નશાની હાલતમાં હતો. બનાવની જાણ થતા એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. ડ્રાઈવરના મેડિકલ સહિતની તપાસઃ PIઆ મામલે એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ એન. એ. દેસાઈએ જણાવ્યું હતું કે, અકસ્માત કરનાર પોલીસના ડ્રાઇવરને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત કારમાંથી જે સીરપની બોટલ મળી હતી તે મામલે સોલા પોલીસને જાણ કરવામાં આવી છે. સોલા પોલીસ સીરપની બોટલ અંગે તપાસ કરશે. 14 નવેમ્બરની મોડીરાતે SG હાઈ-વે પર MBAના વિદ્યાર્થીએ કાર વડે બે હોમગાર્ડને ઉડાવ્યા હતાં શુક્રવારની રાતે SG હાઈ-વે પરના રાજપથ રંગોલી રોડ પાસે બાઇક પર જઈ રહેલા બે હોમ ગાર્ડ જવાનને પૂર ઝડપે આવતા કારચાલકે ટક્કર મારી હતી. આ અકસ્માતથી બન્ને હોમગાર્ડ બાઇક સાથે રોડ પર પટકાતા એકને ગંભીર ઈજા પહોંચી છે. બાઈકને ટક્કર માર્યા બાદ કારચાલક ફરાર થઈ ગયો હતો. સ્થાનિકોના જણાવ્યાં મુજબ, આ કારના ચાલકે આગળ પણ ત્રણ લોકોને અડફેટે લીધા હતાં. સરખેજ પોલીસે કારચાલક સામે ગુનો નોંધી આરોપી મીત જાની (ઉં.વ.22, રહે. રાજશ્રી ટાવર, જોધપુર, સેટેલાઇટ)ની ધરપકડ કરી હતી. આરોપી મીત જાની MBAનો અભ્યાસ કરે છે. બ્રેઝા કાર તેના પિતાના નામે રજિસ્ટર છે. તેના મોઢામાંથી કેફી પીણું પીધું હોવાની ગંધ આવી હતી. દારૂ પીધેલી હાલતમાં તેના મિત્રો સાથે જમવા અને ફરવા માટે નીકળ્યો હતો. (વાંચે સંપૂર્ણ સમાચાર)

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 9:18 am

BLO કામગીરી: શિક્ષકોના ધરપકડ વોરંટ પ્રથા રદ કરવા માંગ:અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પાટણ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM) ની પાટણ જિલ્લાની પ્રાંત ટીમે કલેક્ટર, જિલ્લા ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ આવેદનપત્રમાં BLO (બૂથ લેવલ ઓફિસર) ની કામગીરીમાં શિક્ષકો પરના વધુ પડતા દબાણ અને ધરપકડ વોરંટની પ્રથાને તાત્કાલિક રદ કરવાની માંગ કરવામાં આવી હતી. મહાસંઘે BLO તથા સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા શિક્ષકો પરના વધતા કામના તણાવનો મુદ્દો ઉઠાવ્યો હતો. સંગઠને જણાવ્યું હતું કે, શાળાકીય ફરજ બાદ વધારાનું BLO કામ શિક્ષકોમાં માનસિક તાણ અને સમયનો ભારે બોજ સર્જે છે. તેમણે BLO કામગીરીમાં શિક્ષકોને પૂરતી અનુકૂળતા અને સહાય પૂરી પાડવાની પણ માંગ કરી હતી. સંગઠને રજૂઆત કરી હતી કે, BLO કામગીરી માટે જુદી જુદી 13 કેટેગરીના કર્મચારીઓને લેવાની જોગવાઈ હોવા છતાં, લગભગ 95% જવાબદારી શિક્ષકોને જ સોંપવામાં આવે છે. આ પ્રથાને અન્યાયપૂર્ણ ગણાવી અન્ય કેટેગરીના કર્મચારીઓને પણ BLO તરીકે જવાબદારી સોંપવાની માંગ કરવામાં આવી હતી. મહાસંઘે એ બાબત પર પણ ભાર મૂક્યો હતો કે BLO ની જવાબદારીના કારણે 6 નવેમ્બરથી દ્વિતીય સત્ર શરૂ થયું હોવા છતાં, BLO કામગીરીવાળા શિક્ષકો શાળામાં હાજર રહી શક્યા નથી. એક શાળામાંથી 3 થી 5 શિક્ષકો 1 થી 1.5 મહિના ગેરહાજર રહે તો શાળાનું શિક્ષણ કથળી શકે છે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી. આ રજૂઆતો વિશે ત્રણેય અધિકારીઓએ સંગઠનને સાંત્વના આપી હતી અને તેમની રજૂઆત માનનીય મુખ્યમંત્રી સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી. આવેદનપત્ર સુપરત કરતી વખતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રાંતના હોદ્દેદારો ડૉ. રૂપેશ ભાટિયા, ડૉ. હેમાંગીની પટેલ, બાબુભાઈ દેસાઈ, કલ્પેશભાઈ પટેલ તથા પ્રાથમિક સંવર્ગના જિલ્લાના અધ્યક્ષ શૈલેષભાઈ પટેલ, માધ્યમિક સંવર્ગના જિલ્લાના અધ્યક્ષ ડૉ. રાજગોપાલ મહારાજા, ઉચ્ચ માધ્યમિક સંવર્ગના જિલ્લાના અધ્યક્ષ પસાભાઈ દેસાઈ, ચાંદની ઠાકોર, દિનેશભાઈ વગેરે સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 9:16 am

અલ્પેશ કથીરિયાની હાજરીમાં મોરબીમાં પાટીદાર સ્નેહમિલન:મનોજ પનારાએ ઉમિયા ટ્રસ્ટમાં શિક્ષણ સહયોગની અપીલ કરી

મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા પાટીદાર સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અલ્પેશ કથીરિયા સહિત મોરબી જિલ્લાની પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. મંચ પરથી વ્યાજખોરી અને રોમિયોગીરી જેવા સમાજ માટે ચિંતાના વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને, આર્થિક કારણોસર પાટીદાર સમાજનો એક પણ દીકરો કે દીકરી અભ્યાસ ન છોડે તે માટે વિશેષ આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. મનોજ પનારાએ ઉપસ્થિત સૌને ઉમિયા એજ્યુકેશન ટ્રસ્ટમાં આર્થિક સહયોગ આપવા અપીલ કરી હતી, જેથી કોઈ પણ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે. પાટીદાર યુવા સેવા સંઘ છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરોના ચંગુલમાં ફસાયેલા પાટીદાર યુવાનો અને તેમના પરિવારોને મુક્ત કરાવવા અભિયાન ચલાવી રહ્યું છે, જેમાં નોંધપાત્ર સફળતા મળી છે. મનોજ પનારાએ જણાવ્યું હતું કે, સંઘની કામગીરીને કારણે ગુંડાગીરી, લૂખ્ખાગીરી અને રોમિયોગીરી પર નિયંત્રણ આવ્યું છે, અને આ દૂષણોને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે સંસ્થા કાર્યરત છે. સ્નેહમિલન દરમિયાન, પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓની સ્થાપના, તેમની કાર્યપ્રણાલી અને ઉદ્દેશ્યો વિશે વર્તમાન પેઢીને માહિતગાર કરવા ચર્ચા કરવામાં આવી હતી. સમાજ આર્થિક રીતે સમૃદ્ધ બન્યો હોવા છતાં, વ્યસન જેવા કેટલાક દૂષણો ઘર કરી ગયા છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીને, આગેવાનો દ્વારા સમાજને તેમાંથી મુક્ત કરવા ખાસ ટકોર કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 8:57 am

અરવલ્લીમાં સહકારી સપ્તાહનો પ્રારંભ:પ્રભુદાસ પટેલની અધ્યક્ષતામાં મોડાસા નાગરિક બેન્કમાં શિક્ષણ-તાલીમથી શરૂઆત

અરવલ્લી જિલ્લા સહકારી સંઘ દ્વારા સહકારી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્ય સહકારી સંઘના આદેશ અનુસાર, આ ઉજવણી મોડાસા નાગરિક સહકારી બેન્ક ખાતેથી શરૂ થઈ. આ પ્રસંગે જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ પ્રભુદાસ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સહકારી સંસ્થાઓની કામગીરી અને તેના મહત્વ વિશે જાણકારી આપી હતી. આ સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ્ય દૂધ મંડળીઓ, સેવા મંડળીઓ અને સહકારી બેંકો જેવી વેપારીઓ અને ખેડૂતો માટેની સંસ્થાઓમાં સારો વહીવટ અને પ્રગતિ સુનિશ્ચિત કરવાનો છે. જિલ્લા અને રાજ્ય સ્તરે નિમાયેલ સહકારી સંઘોની ભૂમિકા આમાં મહત્વપૂર્ણ છે. આ ઉજવણી અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓની સહકારી સંસ્થાઓમાં કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 8:48 am

સન્માન સમારોહ:બોટાદમાં નવનિયુક્ત કાર્યપાલક ઇજનેરનો સન્માન સમારોહ યોજાયો

ભાસ્કર ન્યૂઝ ।બોટાદ બોટાદ જિલ્લાના સમસ્ત સતવારા સમાજના PGVCLમાં નોકરી કરતાં કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા આયોજિત પી.જી.વી.સી.એલ. વિભાગીય કચેરી બોટાદના નવનિયુક્ત કાર્યપાલક ઇજનેર પી.જી. કણજરીયાનો સન્માન સમારોહ તા.14ને શુક્રવારના રોજ સાંજના 7.00 કલાકે હોટેલ મહાદેવ, ગઢડા રોડ, બોટાદ મુકામે યોજવામાં આવ્યો હતો. શ્રી સમસ્ત સતવારા સમાજ બોટાદનાં પ્રમુખ અને બોટાદ નગર પાલિકાનાં પૂર્વ પ્રમુખ મહાસુખભાઈ ઉજમશીભાઈ કણઝરિયા, સતવારા બોર્ડિંગ, બોટાદનાં પ્રમુખ અને ટ્રસ્ટના ખજાનચી કરમશીભાઈ ભવાનભાઈ ચાવડા, સમાજના ટ્રસ્ટી ઈશ્વરભાઈ કેશુભાઈ પરમાર, પી.જી.વી.સી.એલ.ના નવનિયુક્ત કાર્યપાલક ઇજનેર પી.જી. કણજરીયા સહિતનાઓની ઉપસ્થતિમાં સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. બોટાદ જિલ્લાનાં સતવારા સમાજના PGVCL માં ફરજ બજાવતાં 50 જેટલાં કર્મચારીઓએ હાજરી આપી કાર્યક્રમને દીપાવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રગટાવીને પ્રાર્થના થકી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોને આવકાર આપી પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. અને ઉપસ્થિત તમામ કર્મચારીઓએ ટૂંકો પરિચય આપવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 8:10 am

ચોરી:પાળીયાદમાંજવેલર્સની નજર ચૂકવી 1.30 લાખના સોનાના દાગીનાની ચોરી

બોટાદ જિલ્લાના પાળીયાદ ગામે સોની વેપારીની નજર ચૂકવી ગ્રાહકના સ્વાંગમાં આવેલ અજાણી મહિલા સોના ની સાદી બુટ્ટી જોડી 4 રૂ.1,30,600ની ચોરી કરી ગયાની પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ છે. બનાવની વિગત પ્રમાણે બોટાદ જિલ્લાના પાળીયાદ ગામે ગોપાણી શેરીમાં રહેતા અને ખીજડાવાળા ચોકમાં નુર ઝવેલર્સ નામની દુકાન ધરાવતા ફરિયાદી નાહિદભાઇ સરોસભાઇ માંકડ (ઉ.વ.26) ગત-6 નવેમ્બર 25ના સવારે આશરે દશેક વાગ્યે ઉપરોક્ત દુકાન ખોલેલ અને આશરે સાડા અગીયારેક વાગ્યે એક મહિલા આવેલ અને કહેલ કે, સોનાની બુટ્ટી બતાવો . જેથી સોનાની ચાર જોડી સાદી બુટ્ટી બતાવેલ અને બુટ્ટી જોઈ કહેલ કે, મારી દિકરી ને લઈ આવીશ. એમ કહી આ બુટ્ટીનું બોક્ષ પરત આપેલ. ત્યારબાદ તેને કહેલ કે, તે બુટ્ટીનું બોક્ષ ખાલી મને ઉપરથી બતાવો. હું ફરીવાર જોય લવ જેથી સાદી બુટ્ટીનું બોક્ષ ફરી વાર કાઉન્ટર પર ટ્રેમાં મુકેલ અને તે બેને બસો રૂપીયાની નોટ કાઢી કહેવા લાગેલ કે, ચાંદીના છત્તરમાં ઘુઘરી નાખી આપો, જેના બાના પેટે હું તમને બસો રૂપીયા આપું છું. જેથી 200 રૂપીયાની નોટ હાથમાં લીધેલ અને ત્યારબાદ મને કોઈ ખબર રહેલ નહીં અને આ બેન મારી દુકાનેથી જતા રહેલ.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 8:10 am

છેતરપિંડી:બોટાદના 4 વેપારીઓ સાથે સોનું,-ચાંદી રોકડ સહિત રૂ. 36.39 લાખની છેતરપિંડી

બોટાદના સોની બજારમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીનો મોટો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક જ વ્યક્તિએ ચાર જેટલા સોની વેપારીઓ સાથે કુલ ₹ 36,39,600ની કિંમતના સોના-ચાંદી અને રોકડની છેતરપિંડી આચરી છે. બોટાદના ભાવનગર રોડ પર રહેતા અને મૂર્તિ જવેલર્સ ચલાવતા કિર્તીભાઈ ઘનશ્યામભાઈ રાછડીયા (ઉ.વ. ૩૭)એ તેમના પરિચિત આરોપી વિશાલભાઈ ભરતભાઇ રોજાસરા (રહે. બોટાદ) વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપી વિશાલ રોજાસરા બોટાદ સોની બજારમાં કાચું સોનું-ચાંદી લઈ જઈને લગડી બનાવી પરત આપવાનું એટલે કે આંગડિયા તરીકેનું કામ કરતો હતો, જેના કારણે વેપારીઓએ તેના પર વિશ્વાસ મૂક્યો હતો. આરોપી દ્વારા આચરાયેલી છેતરપિંડીની વિગતો અંતે, છેતરપિંડીનો ભોગ બનેલા કિર્તીભાઈ રાછડીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 8:07 am

સરદાર@150, અમદાવાદમાં એકતાનો મહાસંગમ:પ્રદેશ અધ્યક્ષ ફુવારા સર્કલ પાસેથી યુનિટી માર્ચની શરૂઆત કરશે, સાંજે સાબરમતી વિધાનસભામાં પદયાત્રા

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીને લઈને વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સરદાર@150 અંતર્ગત એકતા અને સામાજિક જાગૃતિના સંદેશ સાથે વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે અમદાવાદમાં આજે 16મી નવેમ્બરથી તમામ વિધાનસભામાં દરરોજ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવશે. આજે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નિકોલ વિધાનસભાના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માની વિધાનસભા વિસ્તારમાં વિરાટનગર ખાતે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી પદયાત્રા શરૂ કરાશેનિકોલ વિધાનસભામાં આવતા વિરાટનગર વોર્ડમાં ફુવારા સર્કલ પાસેથી આ માર્ચની શરૂઆત થશે. નિકોલના અલગ-અલગ વિસ્તારમાં ફરી પૂર્ણ થશે. સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને પદયાત્રાની શરૂઆત કરવામાં આવશે. સાંજે સાબરમતી વિધાનસભા મત વિસ્તારમાં યુનિટી માર્ચ પદયાત્રા યોજાશે, જેમાં રાણીપના સરદાર ચોક ખાતેથી આ યાત્રા પ્રારંભ થશે અને સરદારબાગ ન્યુ રાણીપ ખાતે પૂર્ણ થશે. સાબરમતી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય ડો. હર્ષદ પટેલની આગેવાનીમાં વિધાનસભાના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાશે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 8:05 am

સમસ્યાનો ઉકેલ આવશ્યક:સિહોરમાં વળાવડ ફાટક પાસે ઑવરબ્રિજ બનાવવો જરૂરી

આજે દિવસે–દિવસે વસતી વધી રહી છે. અને જેમ –જેમ વસતી વધી રહી છે તેમ-તેમ વસતીના અનુપાતમાં વાહનો પણ વધી રહ્યા છે. અને સિહોરમાંથી પસાર થતાં ભાવનગર –રાજકોટ રોડ પર ગરીબશાપીર પાસે આવેલ વળાવડ ફાટકે ઑવર કે અંડરબ્રિજ બનાવવાની માંગ ઊઠવા પામી છે. દિવસે-દિવસે વાહનો વધવાના છે. પાલિતાણા તરફ જતી ટ્રેનોની સુવિધા પણ વધવાની છે. અને આથી ફાટક પર અંડર કે ઓવરબ્રિજ બનાવવાની પ્રબળ બની રહી છે. આ જ રોડ પર ઢસા પાસે ઓવરબ્રિજ બનાવવામાં આવેલ છે. તો સિહોરમાં શા માટે નહીં ? એવો પ્રશ્ન સિહોર પંથકમાં ચર્ચાઇ રહ્યો છે. વળાવડ ફાટક પાસે વહેલામાં વહેલી તકે અંડર કે ઑવરબ્રિજ બનાવવાની અપેક્ષિત લોકમાંગ વધુ પડતી તો નહીં જ ગણાય ને ? ભાવનગરથી પાલિતાણા જતી ટ્રેન એક વાર સવારમાં અને એક વાર સાંજે સિહોરમાંથી પસાર થાય છે. આમ, વળાવડ ફાટક દિવસમાં ચાર વખત બંધ થાય છે. એક વાર ટ્રેન પસાર થવાની હોય એટલે લગભગ 10થી 15 મિનિટ ફાટક બંધ રહે છે. એટલે કે રોજ આ ફાટક એક કલાક બંધ રહે છે. આ ઉપરાંત બાંદ્રા પાલિતાણા વીકલી ટ્રેન પણ અહીંથી જ પસાર થાય છે. આ રોડ પરથી રોજના અંદાજે નાના-મોટા 20 હજાર વાહનો પસાર થાય છે. રાજ્ય ધોરી માર્ગે રેલવે ફાટક આવેલુ હોય દરરોજ હજારો વાહનચાલકોને પરેશાનીસિહોરમાં ભાવનગર –રાજકોટ રોડ પર વળાવડ પાસે ફાટક આવેલું છે. આ ફાટક રાજય ધોરી માર્ગ પર આવેલું છે. આ ફાટક પર પાલિતાણા જતી આવતી ટ્રેનો પસાર થાય છે. જયારે ટ્રેનનો જવા –આવવાનો સમય થાય ત્યારે ફાટક બંધ થાય છે. આ માર્ગ રાજય ધોરી માર્ગ હોવાથી ફાટકની બંને સાઇડ વાહનોની મોટી –મોટી કતારો જોવા મળે છે. જેને કારણે હજારો લોકોના લાખો માનવ કલાકોનો વ્યય થાય છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 8:00 am

પ્રજાજન પરેશાન:ગારિયાધારના રૂપાવટી ગામ પાસે બેઠલા કોઝ વેથી ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ

ગારિયાધાર તાલુકાના હાલમાં મોટા ભાગના રોડ રસ્તા તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે.જેમાં ગારીયાધાર તાલુકાના રૂપાવટી ગામ પાસે આવેલ બેઠલા કોઝ વે પર સતત પાણી રહેતું હોય વાહન ચાલકો ને ભારે ચોમાસા દરમિયાન મુશ્કેલી પડે છે. કોઝ વે ને અડી ને જ તળાવ આવેલું હોવાથી અક્સ્માત થવાની પણ આ કોઝ વે હોવાથી શક્યતા રહેલી છે.ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામના ગ્રામજનો તેમજ આ રોડ ગારિયાધાર જેસર તાલુકાને જોડતો રોડ હોય વાહનો સતત ધમધમતા હોય જેથી લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. રૂપાવટીના ગ્રામજનો તેમજ અહીં પસાર થતા અન્ય વાહન ચાલકો ભયના ઓથાર ઉપર પોતાનું વાહન ચલાવી રહ્યાં છે. રાત્રિના ચાલુ વરસાદે અહીં વાહન પસાર કરવું જીવના જોખમે પસાર કરવું પડે છે.તેમજ અજાણ્યા વાહન ચાલકો તો અહીં કોઝ વે પર પાણી હોવાથી પસાર થવામાં ડર જ અનુભવે છે. દર વર્ષે ચોમાસા દરમિયાન આ રૂપાવટી પાસે આવેલ કોઝ વેની આવી હાલત થાય છે.બધા વાહનો પાણીમાંથી જ લોકોને પસાર કરવા પડે છે. તંત્ર દ્વારા આ કોઝ વે નું નિરીક્ષણ કરી ને કોઝ વે બાબતે કાયમી ઉકેલ આવે તેવી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગણી છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 8:00 am

કાળિયાર અભયારણ્યમાં પ્રવાસીઓનો ઘસારો:કાળિયાર અભયારણ્યમાં દિવાળી અને નવેમ્બરમાં 2941 પ્રવાસી ઉમટ્યા

વલભીપુર નજીક આવેલા નેશનલ બ્લેકબક (કાળીયાર હરણ) અભયારણ્ય ખાતે દિવાળીના તહેવારો તેમજ નવેમ્બર માસ દરમ્યાન સહેલાણીઓ મુલાકાત લઈ રહ્યા છે અને ફોરેસ્ટ વિભાગ દ્વારા પ્રવાસીઓને આપવામાં આવતી સુવિધાઓને લઇ પ્રતિ વર્ષ સહેલાણીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળે છે. અભયારણ્યની આસપાસના ગામો વેળાવદર,ગાંગાવડ, અધેલાઈ, ભડભીડ અને કાનાતળાવ સુધી વિસ્તરેલ હોય સહેલાણીઓ દુર સુધી જઇને કાળીયાર હરણોના ઝુંડને જોઈ આનંદ અનુભવે છે. આ પ્રવાસન સ્થળે ઓક્ટોબર અને નવેમ્બર માસ દરમ્યાન 2842 પ્રવાસીઓ રાજ્ય અને આંતર રાજ્યના તેમજ 99 વિદેશી પ્રવાસીઓ મળી કુલ 2941 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી તેમ RFO ડી.જી.ગઢવી એ જણાવ્યુ હતું. જો આ અભ્યારણ્યમાં અન્ય પ્રાણીઓને જો સ્થળાંતર કરાવી અહિંયા સ્થાયી કરવાનો પ્રયાસ કરવામાં આવે તો આ પર્યટક સ્થળ વધુ વિકાસ પામે તેમ છે

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 7:59 am

ગાંજો ઝડપાયો:મહુવાના છાપરી ગામે કપાસની આડમાં ગાંજાનું વાવેતર કરનાર ખેડૂત ઝડપાયો

મહુવાના છાપરી ગામે રહેતા એક ખેડૂતે કપાસની આડમાં અલગ અલગ ચાસમાં લીલા ગાંજાની વાવણી કરી હોય તે બાતમીના આધારે બગદાણા પોલીસે છાપરી ગામના વાડી વિસ્તાર માંગાધાર નજીક દરોડા પાડવામાં આવ્યા હતા. જા કપાસના વાવેતરમાં તપાસ દરમિયાન અલગ અલગ ચાસ માંથી કુલ 50 લીલા ગાંજાના એક ફૂટ થી સાડા ચાર ફૂટ ઊંચાઈના કિં. 51,700 ના છોડ મળી આવતા ખેડૂતની ધડપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. છાપરી ગામે રહેતા કનુભાઈ અરજણભાઈ ગોહિલ ઉં. 64 રહે. સડતર વાડી વિસ્તાર, છાપરી ગામે વાડીમાં કપાસ ની આડમાં અલગ અલગ ચાસમાં લીલા ગાંજા ના વાવેતરની બાતમી મળતા બગદાણા પોલીસે કનુભાઈ ની વાડીમાં દરોડા પાડ્યા હતા. તે વાડીમાં જ આવેલા મકાન થી 100 ફૂટ જેટલા અંતરે કપાસના વાવેતરમાં દરોડા દરમિયાન વાવેતર વચ્ચેથી કનુભાઈ અરજણભાઈ ગોહિલ મળી આવેલ જ્યાં તપાસ કરતા કપાસના વાવેતરમાં ચાસ નં.6 માંથી 12 છોડ, ચાસ નં.7 માંથી 17 છોડ અને ચાસ નં.8 માંથી 21 છોડ જેની ઊંચાઈ એક ફૂટ થી સાડા ચાર ફૂટ ના કુલ 50 લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. જ્યાં એફ.એસ.એલની ટીમે ગાંજાનું વજન કરતા 1 કિલો 34 ગ્રામ કિં. 51,700 કરી મુદ્દા માલ જપ્ત કરી માટીના સેમ્પલ લીધા હતા અને ખેડૂત સામે કાર્યવાહી હાથ ધરી હતી. ખેડૂત કનુભાઈ અરજણભાઈ ગોહિલ ની વધુ પૂછપરછ કરતા આ છોડ તેને જાંબુડા કટીંગ ખાતે આવેલા આશ્રમમાં સાધુ સંતોની સેવા પૂજા કરવા માટે વાવ્યા હોય તેવું જણાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી મુદ્દા માલ જપ્ત કર્યો હતો. મહુવા અને તળાજામાં ગાંજાનું દૂષણ વધ્યુંત્રણ દિવસ પહેલા જ મહુવાના દયાળ ગામે વૃદ્ધ ખેડૂતે કપાસની આડમાં ગાંજાનું વાવેતર કરતા પોલીસે ઝડપી પાડ્યો હતો અને મહુવા તળાજા પંથકમાં લીલા અને સૂકા ગાંજા નું વેચાણ એક દૂષણ બન્યું છે જ્યાં પોલીસે ભૂતકાળમાં અનેક વખત ગાંજાના વાવેતર ઝડપી પાડેલા હતા.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 7:59 am

આરોપીને છાવરવાના મામલે મહિલા કર્મચારીને નોટિસ ફટકારશે:એટ્રોસિટીના આરોપીને છાવરનાર મહિલા પોલીસ કર્મચારી ફરાર થઈ

ભાવનગરના લાખણકા ગામના દલિત ઉપસરપંચને જ્ઞાતિથી અપમાનિત કરી ગાળો આપી ગંભીર માર મારવાના ગુના મામલે પોલીસ મથકમાં ચાર આરોપી સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ હતી જેમાં એટ્રોસિટીના એક આરોપીને ઘરે આશરો આપનાર ભરતનગરના મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને અન્ય એક મહિલા કોન્સ્ટેબલ ની સંડોવણી ખોલવા પામી હતી જેમાં પોલીસ આ બંને મહિલા આરોપીની અટક કરી જમીન ઉપર છુટકારો કરવામાં આવ્યો હતો. હાલ આ ભરતનગર મહિલા પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ એટ્રોસિટીનો ગુનો નોંધાતા મહિલા પોલીસ કર્મી ફરાર થઈ ગઇ છે. ભાવનગર જિલ્લાના તળાજાના દેવલી ગામે રહેતો એટ્રોસીટી નો આરોપી પાર્થ ધાંધલ્યા અને એન્ટિહુમન વિભાગમાં ઉષા જાની ને ઘરમાં આશરો આપવા મામલે ભરત નગર પોલીસ મથકની કોન્સ્ટેબલ નયના નાનજીભાઈ બારૈયા ની અટક કરવા માં આવી હતી. જે દરમિયાન નયના બારૈયા એ ઉચ્ચ અધિકારી ને ધમકી આપી હતી અને પોલીસ એ ઘરમાં ઝડતી કરતા દારૂની બોટલો મળી આવતા જુદી જુદી કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જે મામલે ડીવાય એસ પી રીમાબેન ઝાલા એ જણાવ્યું હતું કે, એટ્રોસીટીના આરોપીને છાવરવા મામલે આરોપી નયના બારૈયા વિરુદ્ધ એટ્રોસીટી મુજબ કાર્યવાહી કરવામાં આવશે. તેમજ આ મામલે આરોપી નયના ને નોટિસ પણ આપવામાં આવશે. જોકે આરોપી નયના બારૈયા ફરાર થઈ ગઇ હોય અને સિહોરના દેવગણા ગામે કારમાં ફરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. આ રીતે ફરાર હોવા છતા તેની ભાળ અમુક લોકોને છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 7:57 am

સગીરાની શોધખોળ શરૂ કરાઈ:મહુવામાં મજૂરી કરવા જતી સગીરાને સાથે કામ કરતો શખ્સ ભગાડી ગયો

મહુવા ખાતે મજૂરીનું કામ કરવા જતી એક સગીરાને ત્યાં જ કામ કરતો ધર્મેશ નામનો યુવક બહોળા સમયથી સંપર્ક સાધવાનો પ્રયત્ન કરતો હતો, જેને સગીરાની બહેનોએ અનેક વખત મનાઈ કરી હતી. સગીરાને યુવક ભગાડી લઈ ગયો હોવાનું પરિવારે બે દિવસની જહેમતભરી શોધખોળ બાદ મહુવા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું. મહુવા વિસ્તારમાં મજૂરી કામ કરતી એક સગીરા સાથે ત્યાં જ કામ કરતો ધર્મેશ નામનો યુવક વારંવાર વાત કરવાનો પ્રયત્ન કરતો હતો. સગીરાની બે બહેનોએ આ યુવકને અનેક વખત સ્પષ્ટપણે વાતચીત ન કરવાની ચેતવણી આપી હતી. છતાંય યુવકનો સંપર્ક સાધવાનો પ્રયત્ન ચાલુ રહ્યો હતો. જ્યારે સગીરાની બે બહેનો રોજની જેમ કામ પર ગઈ હતી અને તેના પિતા પણ બહાર હતા. ઘરમાં માત્ર સગીરા અને તેનો નાનો ભાઈ જ હતા. લગભગ સવારે 11 વાગ્યે નાનો ભાઈ શાળાએ જવા નીકળ્યો હતો. સાંજે પાંચ વાગ્યે પરત ફરતી વેળાએ તેની બહેન ઘરમાં ક્યાંય ન દેખાતા ભાઈએ તેના પિતાને માહિતી આપી હતી જે બાદ પરિવારજનો, સગા-સંબંધીઓ અને આજુબાજુના વિસ્તારોમાં સતત બે દિવસ સગીરાની શોધખોળ કરી હતી. પરંતુ સગીરાનો કોઈ પત્તો ન લગતા પરિવારજનોએ શંકા વ્યક્ત કરતાં મહુવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કે સગીરાને ધર્મેશ નામનો યુવક ભગાડી ગયો હોય શકે છે, તેવી ફરિયાદ નોંધાવી હતી

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 7:56 am

શિપ રીસાયકલિંગ ઉદ્યોગને માઠી દશામાંથી ઉગારવાનો પ્રયાસ:શિપ રીસાયકલિંગ વ્યવસાયને વેગ આપવા E.U.ની માન્યતા માટે સરકારની આગેકૂચ

શિપ રીસાયકલિંગ ઉદ્યોગની માઠી દશામાંથી ઉગારવા માટે સરકાર દ્વારા વધુ એક પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. અલંગના શિપ રીસાયકલિંગ ઉદ્યોગમાં હોંગકોંગ કન્વેન્શનની ભલામણો મુજબની સવલતો ઉભી કરવાની શરૂઆત 10 વર્ષ અગાઉ થઇ હતી અને વૈશ્વિક સ્તરે જુન-2025થી અમલમાં આવ્યુ હતુ ત્યારે અલંગના 90 ટકા પ્લોટ તૈયાર હતા. બીજી તરફ વિશ્વના 40 ટકા જેટલા જહાજોનો જથ્થો યુરોપીયન યુનિયનના દેશો ધરાવે છે, અને તેઓના દ્વારા રજૂ કરવામાં આવેલા નિયમોનું પાલન કરનાર દેશમાં જ ઇ.યુ. પોતાના શિપ ભંગાણાર્થે મોકલે છે, અને અલંગમાં તેનીખામી હતી. હવે સરકાર દ્વારા તે પરિપૂર્ણ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર અલંગમાં ઇ.યુ.ની માન્યતા મળી જાય તેના માટે વધુ એક વખત સક્રિય પ્રયાસો કરી રહી છે. અલંગના 10 જેટલા અગ્રણી શિપ રીસાયકલિંગ જૂથો દ્વારા યુરોપીયન યુનિયનની માન્યતા મેળવવા માટે કામગીરી આગળ ધપાવી હતી, મોટાભાગના સ્થળોએ ઓડિટ પૂર્ણ થઇ ચૂક્યા છે. સરકાર દ્વારા યુરોપીયન યુનિયનની સાથે નિર્ણાયક તબક્કાની વાતચીત શરૂ કરવામાં આવી છે. ઇ.યુ.નો દરજ્જો પ્રાપ્ત કરાવવામાં સરકાર સમક્ષ બે બાબતો તમામ ઓડિટ રિપોર્ટમાં નકારાત્મક આવી રહી હતી, તે ઉચ્ચ ક્ષમતાના ઇન્સિનેટર-જોખમી કચરા સંચાલન સાઇટનું અપગ્રેડેશન અને હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર, બંનેમાં સરકારના પ્રયત્નોથી નોંધપાત્ર પ્રગતિ થઇ છે. સરકાર હવે યુરોપીયન યુનિયન સાથે અલંગમાં જહાજો મોકલવાની દિશામાં પણ મસલતો કરી રહી છે. ભાસ્કર ઈનસાઈડશા માટે યુરોપીયન યુનિયનની માન્યતા જરૂરી?લાંબા સમયથી અલંગમાં જહાજોનો જથ્થો તમામ યાર્ડની ઉપલબ્ધતા અને ક્ષમતાની સરખામણીએ નહીંવત્ છે. યુરોપીયન યુનિયન શિપ રીસાયકલિંગ નિયમન શક્તિશાળી પ્રભાવ છે. યુરોપીયન જહાજ માલીકો દ્વારા ફક્ત ઇ.યુ. માન્યતાપ્રાપ્ત યાર્ડમાં જ પોતાના જહાજ ભંગાણાર્થે મોકલે છે. પ્રમાણમાં નફાકારક્તા ધરાવતા ઇ.યુ.ના જહાજો તેઓની આવશ્ક્તા મુજબની સવલતો, માન્યતા ધરાવતા યાર્ડમાં મોકલવામાં આવે તો અંતિમ ખરીદનારને શિપ ખરીદ કિંમતમાં પણ ફાયદો થતો હોય છે. ઉદ્યોગકારોએ સ્વખર્ચે અલંગમાં સુવિધા ઉપલબ્ધ કરીઅલંગની શરૂઆતથી અત્યાર સુધીના 43 વર્ષ દરમિયાન સતત સુધારા સ્વીકાર્યા છે. શિપ રીસાયકલિંગ વ્યવસાયને આગળ ધપાવવા માટે ઉદ્યોગકારોએ સ્વ ખર્ચે પણ સવલતો ઉપલબ્ધ બનાવી છે. જ્યારે સરકાર દ્વારા પણ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા અનેક પગલા ભરવામાં આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર સમાચાર એક્સપર્ટઆંતરરાષ્ટ્રીય માપદંડોનું પાલન થાય જ છેઅલંગ યાર્ડ ખાતે છેલ્લા એક દાયકાથી જેટલા આંતરરાષ્ટ્રીય માપદંડો સૂચવવામાં આવ્યા હતા તેનું સ્પષ્ટપણે અલંગમાં પાલન થઇ રહ્યું છે. યુરોપીયન યુનિયનની જરૂરીયાત મુજબની સવલતો છે, સરકાર દ્વારા ઇ.યુ.ની માન્યતા પ્રાપ્ત કરવા માટે સકારાત્મક સહયોગ અપાઈ રહ્યો છે. > રમેશભાઈ મેંદપરા, ઉપપ્રમુખ,શિપ રિસાયકલીંગ ઈન્ડ.એસો. (ઈન્ડીયા)

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 7:55 am

અંધેરી મેટ્રો સ્ટેશન પર શંકાસ્પદ બેગ મળી આવતાં સુરક્ષા તંત્ર સતર્ક

ગુંદવલી સ્ટેશનમાં ટિકિટ કાઉન્ટર પાસે બેગ મળી બોમ્બ સ્કવોડે સઘન તપાસ કરતા તેમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી ન હતી મુંબઈ - દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ બાદ હાલ આ કેસની તપાસ ચાલુ છે. ત્યારે અંધેરીના ગુંદાવલી મેટ્રો સ્ટેશન પર પહેલા માળે એક ત્યજી દેવાયેલી કાળા રંગની શંકાસ્પદ બેગ મળી આવી હતી. આ શંકાસ્પદ બેગથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે. આ બાદ બોમ્બ સ્કવોડ અને પોલીસ વિભાગે સઘન તપાસ કરતા તેમાંથી કોઈપણ શંકાસ્પદ વસ્તુઓ મળી ન હતી.

ગુજરાત સમાચાર 16 Nov 2025 7:55 am