ભાસ્કર નોલેજ:ડભોઇથી દેવલિયાના હાઇવે પર એન્ટિ ગ્લેર બોર્ડ લગાવાયાં
કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે વડોદરા અને ભરૂચ તરફથી આવતાં વાહનોની સંખ્યામાં વધારો થયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતાં ડભોઇ- દેવલિયાના 30 કિમીના માર્ગનું પેચવર્ક કરીને રીફલેકટીવ એન્ટી ગ્લેર સીસ્ટમ લગાડવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનીટી ને જોડતા ડભોઇ- તીલકવાડા- દેવલીયા ચાર માર્ગીય રસ્તાની રીસરફેસીંગની કામગીરી રાજયના માર્ગ અને મકાન વિભાગની રાજપીપળા કચેરી તરફથી શરૂ કરવામાં આવી છે. ડભોઇ, દેવલીયા અને તિલકવાડા સહિતના જિલ્લાના મહત્વના સ્ટેટ હાઇવે છે.જે ચોમાસામાં વરસાદમાં ખૂબ મોટા ખાડા પડી ગયા હોવાથી સ્થાનિક લોકો અને પ્રવાસીઓએ ભારે હાલાકીનો સામાનો કર્યો હતો. વરસાદે વિરામ લેતાં હવે રસ્તાઓના રીપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. નાયબ કાર્યપાલક ઇજનેર હેમંત વસાવાએ જણાવ્યું હતું કે, ડભોઇથી દેવલિયા સુધીના રસ્તા પર ખાડાઓ પુરવામાં આવ્યાં છે તેમજ અકસ્માતો નિવારવા માટે રીફલેકટીવ એન્ટી ગ્લેર સીસ્ટમ લગાડવામાં આવી છે. આ નવી વ્યવસ્થાના કારણે અકસ્માતના બનાવોને અટકાવી શકાશે. સામેથી આવતાં વાહનોનીલાઇટથી આંખ અંજાતી નથીપહેલાંના સમયે રસ્તાની વચ્ચે આવેલાં ડીવાઇડરો પર વૃક્ષો ઉછેરવામાં આવતાં હતાં જેથી સામેથી આવતાં વાહનોની લાઇટથી આંખોને અંજાતી બચાવી શકાય પણ હવે તેના સ્થાને પ્લાસ્ટિકના બોર્ડ મારવામાં આવે છે જેને રીફલેકટીવ એન્ટી ગ્લેર સીસ્ટમ કહેવામાં આવે છે. દર 2 મીટરના અંતરે એક બોર્ડ મારવામાં આવે છે જેના કારણે સામેથી આવતાં વાહનોની લાઇટનો પ્રકાશ બીજી તરફથી આવતાં વાહનચાલકની આંખમાં પડતો નથી જેના કારણે તેની આંખો અંજાતી નથી. આના કારણે આંખો અંજાઇ જવાના કારણે થતાં અકસ્માતોને નિવારી શકાય છે.
ભાસ્કર ઇનસાઇડ:જુગાર અને પૈસા ઉડાડવાવાળા કારીગરે શેઠની હત્યા કરી
ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલી આર્શીવાદસોસાયટીમાં રહેતાં મુળ રાજસ્થાનના કેટરર્સનીહત્યામાં સંડોવાયેલા બે પૈકી એક કારીગરને એડિવિઝન પોલીસે ઉત્તરપ્રદેશથી ઝડપી પાડયો છે.આરોપી જુગાર રમવાની તથા પૈસા ઉડાડવાનીટેવવાળો હોવાથી તેણે પૈસા માટે અન્ય કારીગરનીમદદથી તેના જ શેઠની હત્યા કરી ઘરમાંથીસોનાચાંદીના દાગીના તથા 9.50 લાખ રોકડા સહિત14 લાખથી વધુ રૂપિયાની લૂંટ ચલાવી હતી. આરોપીકમલાપ્રસાદ ઉર્ફે રાજેશ હરીનારાયણ વર્માનેબુધવારના રોજ આર્શીવાદ સોસાયટીમાં બનાવનાસ્થળે રીકન્સટ્રકશન માટે લઇ જવાયો ત્યારે વાતાવરણ તંગ બની ગયું હતું. ઘટનાના રીકન્સટ્રકશન બાદ આરોપીને પોલીસની જીપમાં બેસાડવામાં આવી રહયો હતો ત્યારે ટોળામાંથી પરિવારના સભ્યએ તેને તમાચોપણ મારી દીધો હતો. આ કેસમાં ફરાર અન્યઆરોપીને ઝડપી પાડવાની કવાયત ચાલી રહી છે.ઝડપાયેલો આરોપી કમલાપ્રસાદનો સાગરીત જુગારરમવાની તથા પૈસા ઉડાડવાની ટેવવાળો હોવાથી દેવુંથઇ ગયું હતું અને તેને પૈસાની જરૂર હોવાથી તેનામાલિકના ઘરે જ લૂંટ કરવાની યોજના બનાવી હતી.મૃતક પ્રકાશ માલી નવું ઘર બનાવી રહયાં હોવાથીતેમના ઘરમાં લાખોની રોકડ રકમ હોવાની જાણહોવાથી તેણે આ યોજના ઘડી હતી. મૃતકનાપરિવારજનો રાજસ્થાન ગયાં ત્યારે ભેગા થઇને પ્રકાશમાલીની હત્યા કરી નાખી હતી. આ કેસમાં છોટકઉ ઉર્ફેનફીસ ઉર્ફે સલીમ સદલુને ઝડપી પાડવાની કવાયતચાલી રહી છે. આખી તપાસ એ ડિવિઝન પોલીસ તથાએલસીબીની ટીમ તરફથી કરવામાં આવી હતી. પૈસાની જરૂર હોવાથી હત્યાની યોજના ઘડી : ઘરમાંથી 9.50 લાખ રોકડા સહિત 14.55 લાખની લૂંંટ કરીફિલ્મી ઢબે એક આરોપી ઝડપાયોઃ પોલીસને મળી આવેલીચોક્કસ બાતમી પરથી એ ડિવિઝનના પીઆઈઆર.એમ.વસાવાએ તેમની ટીમના પીએસઆઇ સહિત ચારસભ્યોને અમદાવાદથી ફ્લાઇટ મારફતે લખનૌવ રવાનાકર્યા હતાં.લખનૌ એરપોર્ટ પર ઉતર્યા બાદ તેઓ 180 કિમીદૂર મોટરમાર્ગથી આરોપીના વતનના ગામમાં દરોડો પાડયોહતો. સ્થાનિક પોલીસની મદદથી આરોપી કમલાપ્રસાદનેઝડપી લેવામાં આવ્યો હતો. તેને બેહરાઇચની કોર્ટમાં રજૂકરી ટ્રાન્સઝીસ્ટ વોરંટથી ભરૂચ લાવવામાં આવ્યો હતો.આરોપીને ભરૂચની કોર્ટમાં રજૂ કરવામાં આવતાં તેના 12દિવસના રીમાન્ડ મંજૂર કરાયાં છે. અમારા આખા પરિવારને ખતરો છેપિતાની હત્યા કરી ભાગી ગયેલાં બે આરોપી પૈકી એકનેપોલીસે ઝડપી પાડયો છે. મારા પપ્પાને બાંધી થઇને તેનામોઢામાં બટાકુ નાખી દીધું હતું અને બાદમાં ત્રણથી ચારવખત ચા પીવડાવી હતી.. કોઇ દવા નાખીને પિતાની હત્યાકરી છે. આરોપીઓને ફાંસીની સજા થવી જોઇએ. મારાઘરમાં હવે ખાલી નાનો ભાઇ જ રહ્યો છે. અમારા પરિવારનેજીવનો ખતરો છે. > દુર્ગા માલી, મૃતકની દીકરી રીકન્સ્ટ્રકશન વખતે આરોપીને લાફો ઝીંકાયો, પરિવારનો વલોપાતપત્ની : મારા પતિ તમારા બધાનું પુુરૂ પાડતા હતાં, મહેનત કરવાવાળો માણસ હતોપત્ની : તને હું મારો ભાઇ માનતી હતી અને તે જ દગો કર્યો, તે ખૂબ મોટુ પાપ કર્યું છેપત્ની : મને એને ( આરોપી)ને મારવા દો, તો જ અમને શાંતિ મળશેપુત્રી : મારા પપ્પા હતાં, મારા પપ્પા જતાં રહયાં, હું હવે તને મારી નાખીશ, એને ફાંસી આપોપત્ની અને પુત્રી : એને ( આરોપી)ને ઘરની બહાર કાઢો, અમને એને મારવા દોસંબંધી : સાહેબ, એને ઘરની બહાર કાઢો, અને ફાંસો આપો, અમને ન્યાય મળવો જોઇએ ચા માં નશીલી દવા આપી,મોઢામાં બટાકુ નાખી દીધુંપ્રકાશ માલીનો પરિવાર વતનમાંગયો હોવાથી તેઓ ઘરમાં એકલાહતાં. બંને કારીગરો તેમનાઆર્શીવાદ સોસાયટીમાં આવેલાંઘરમાં ગયાં હતાં. તેમણે પ્રકાશમાલીને બંધક બનાવી દીધાં હતાંઅને તેઓ બુમો ના પાડે તે માટેતેમના મોંમા બટાકો નાખી દીધોહતો. બાદમાં ત્રણથી ચાર વખતનશીલી દવા નાંખેલી ચા પીવડાવીહતી. ચા પીધા બાદ પ્રકાશ માલીબેભાન થઇ ગયાં હતાં. બાદમાંતેમની ગળુ દબાવી હત્યા કરીનાખવામાં આવી હતી. હત્યા બાદબંને આરોપી ઘરમાંથી 9.50 લાખરોકડા તથા સોનાચાંદીના દાગીનામળી 14 લાખથી વધારેની લૂંટકરીને પ્રકાશ માલીની જ ઇકો કારલઇને ભાગી ગયાં હતાં. આ ઇકોકાર વડોદરા નજીકથી બિનવારસીહાલતમાં મળી આવી હતી.વડોદરાથી બંને લકઝરી બસમાંવતન ઉત્તરપ્રદેશ ભાગી ગયાં હતાં.
કામદારોની પીવાના પાણીની સમસ્યા ઉકેલાશે:સચિન GIDCમાં 24 કરોડના ખર્ચે પાણીની લાઇનનું કામ શરૂ
સચિન જીઆઇડીસીમાં વર્ષ 1990 બાદ ઉદ્યોગો સ્થપાવાનું શરૂ થયું હતું. જે સમયે ઉદ્યોગોની અને કામદારોની સંખ્યા ઓછી હતી. જે તે સમયે પીવાના પાણીની લાઇન માટે પીવીસી તથા કાસ્ટીંગ પાઈપોનો ઉપયોગ કરાયો હતો. આમ હયાત લાઇન 35 વર્ષ જુની અને જર્જરીત હોવાથી ઉદ્યોગકારોને પુરતા પ્રેશરથી પાણી મળતું નહતું અને ખાસ કરીને વસાહતમાં આવેલ આઇ ઝોન તથા સરદાર વલ્લભભાઈ પટેલ ઝોનમાં મોટાભાગના એકમોમાં કામદારો માટે પીવાના પાણીની કાયમીધોરણે સમસ્યા રહેતી હતી . જેથી પાણીની સમસ્યાના નિવારણ માટે તથા સુવિધા સુધારવા માટેના મહત્વકાંક્ષી ડ્રિંકીંગ વોટર પાઇપલાઇન પ્રોજેક્ટનું કામ કરવાનું નકકી કર્યુ. જે કામગીરી અંદાજીત 6માસમાં પૂર્ણ થશે. સમગ્ર પ્રોજેક્ટને ત્રણ ઝોનમાં વહેંચવામાં આવેલ છે. જેમાંથી નોન-કેમિકલ ઝોનમાં પ્રથમ તબકકાનું કામ શરૂ થઇ ગયું છે.
વિવાહ પંચ નિમિત્તે નાના વરાછા રામજી મંદિરમાં 400થી વધારે સંતો સહિત 3 હજાર લોકોએ ભાગ લીધો હતો. વૈદિક મંત્રોચ્ચાર સાથે સંતો દ્વારા રામ અને સીતાના વિવાહ કરવામાં આવ્યા હતા. ભગવાન રામ સેતુબંધ બાંધ્યો ત્યારે રામેશ્વર મહાદેવની સ્થાપના કરી પૂજા કરી હતી તેથી વિવાહ પંચમીના ઉત્સવ નિમિત્તે નાના વરાછા રામજી મંદિરના પ્રાંગણમાં આવેલ ગેબીનાથ મહાદેવને 21 લીટર દૂધથી અભિષેક કરવામાં આવ્યો હતો અને ધ્વજા ચઢાવવામાં આવી હતી. આ પ્રસંગે મહંત અખિલેશદાસજીએ જણાવ્યું હતું કે વિવાહ પંચમીનો ઉત્સવ જીવનમાં સૌમ્યતા મર્યાદા ધાર્મિકતા એકતા અને સંસ્કાર જેવા ગુણો જીવનમાં ઉતારવાનું શીખવે છે. ત્રણ ભાઈઓ સહિત રામના વિવાહ થયા હતા જેમ રામ અને ચારે ભાઈ કર્યું હતું તેવી જ રીતે સામા પક્ષે જનકપુરી રાજકુમારી સીતા સહિત ચારેય બહેનો પણ ત્યાગ મર્યાદા અને પતિવ્રતાની મૂર્તિ હતા. આજની પેઢીને આવા ઉત્સવો પરથી શીખવું પડશે કે પરિવારની એકતા, વડીલોની મર્યાદા વગેરે બાબતો આટલા મોટા રાજપરિવારના હોવા છતાં જરા પણ ઓછો નહોતી. હાથી અને ઘોડા સાથે ભગવાન રામની શોભાયાત્રા નીકળીછેલ્લા ચાર વર્ષથી નાના વરાછા રામજી મંદિર સાથે પણ વિવાહ પંચમીનું આયોજન કરાઇ રહ્યું છે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક પરંપરા મુજબ શ્રીરામ અને સીતાજીની મૂર્તિના લગ્ન કરવામાં આવ્યા હતા. આ નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં ભગવાન રામજીને હાથીની અંબાડી પર બેસાડવામાં આવ્યા હતા. ઘોડા- બળદગાડા વગેરે પણ શણગારવામાં આવ્યા હતા. આ અવસરે કેટલાક ભક્તો મહાદેવ, પાર્વતી, ભરત, શત્રુઘ્ન અને નારદજી વગેરેના પોશાક ધારણ કરીને આવ્યા હતા.
કોરોનાના સમયમાં માસ્કના એડવાન્સ રૂપિયા લઈ તેનું પેમેન્ટ નહીં આપી બાદમા ચેક પણ બાઉન્સ કરાવી છેલ્લાં પાંચ વર્ષથી ભાગતા ફરતા આરોપી અરવિંદ જીવરાજ ભાયાણીને આજે પોલીસે પકડી કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીનો હુકમ કરવામા આવ્યો હતો. આ કેસમાં ફરિયાદી તરફે એડવોકેટ નરેશ ગોહિલે દલીલો કરી હતી. આરોપી અરવિંદ ભાયાણી છેલ્લા સતત પાંચ વર્ષ સુધી ભાગતો રહ્યો હતો અને પોલીસ કે ફરિયાદી જયારે પુછપરછ કરવા જતા હતા તો આરોપી અરવિંદ ભાયાણીની પત્ની પણ એમ કહેતી હતી કે તે સંપર્કમાં નથી, મોબાઇલ પણ બંધ છેે આવો જ જવાબ મકાન માલિક પણ આપતો હતો. આખરે પાંચ વર્ષ બાદ એક સી.એ.નો સંપર્ક કરીને આરોપીનો પાનકાર્ડ ચેક કરવામા આવતા તેણે અંકલેશ્વરની એક બેન્કમાંથી 3.50 કરોડની લોન લીધી હોવાનુ સામે આવ્યુ હતુ અને ચોંકાવનારી બાબત એ હતી કે બેન્ક ગેરેન્ટર તરીકે તેની આરોપી પત્ની જ હતી. આથી સમગ્ર બાબતે પોલીસ કમિશનરને જાણ કરાતા તેઓએ ઉત્રાણ પોલીસને આદેશ આપતા આજે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ચેક બાઉન્સમાં મિલકતો હરાજી કરીને પણ રિકવરીસુરત આર્થિક પાર્ટનગર છે અને હજારો કેસ જયાં પેન્ડિંગ છે ત્યાં જેમના રૂપિયા ફસાયા છે તેઓને ન્યાય મળે માટે કેટલાક કેસમાં કોર્ટ મિલકતોની હરાજી કરીને ફરિયાદીનું ચૂકવણુ કરવાના આદેશ કરે છે. જેમાં આરોપી મળતા નથી તેમાં ફરિયાદી પર કેસ ચલાવવા આરોપીને શોધવો પડે છે. નહીં તો કેસ રદ થવાની સંભાવના રહે છે. આરોપીના 27.92 લાખના ચેક બાઉન્સ થયા હતાકોરોનામાં ફરિયાદીએ એન-95 સહિતના માસ્ક મંગાવવા માગતા હતા ત્યારે આરોપી અરવિંદ ભાયાણીએ સંપર્ક કરીને માસ્ક જોઈતા હોય તો એડવાન્સમાં રુપિયા આપવા પડશે કહેતા ફરિયાદીએ 27.92 લાખ આપ્યા હતા. થોડા દિવસ બાદ જથ્થો નહીં આપતા આરોપીએ બે ચેક આપ્યા હતા જે બાઉન્સ થતાં મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. કેસને પણ 5 વર્ષ થઈ જતા કોર્ટે ફરિયાદીને કેસ કાઢી નાંખવાની સૂચના આપી હતી.
રૂપિયા ચાર હજાર કરોડના બોગસ બિલિંગના કેસના આરોપીએ હાર્ટ સર્જરી કરાવવાની હોવાનું કારણ આગળ ધરીને કરેલી વચગાળાની જામીન અરજી ઇન્ચાર્જ ચીફ જ્યુડિ.મેજિસ્ટ્રેટ મનીષ વી. ચૌહાણ દ્વારા નામંજૂર કરવામા આવી હતી. બચાવ પક્ષની દલીલ હતી કે આરોપી દસ વર્ષથી હ્રદય રોગની બિમારીથી પિડાઈ છે અને હાલ તે સિવિલમાં છે અને પ્રાઇવેટમાં શીફ્ટ કરવાની તાતી જરૂરી છે. કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યુ હતુ કે સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર આપી શકાય તેમ નથી તેવી કોઈ હકીકત જણાઈ આવતી નથી આ સંજોગોમાં આરોપીના વકીલની દલીલ કે ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવવી ખૂબ જ જરૂરી છે તે માની શકાય નહીં. કેસની વિગત મુજબ ડીજીજીઆઇએ રૂપિયા 90 કરોડથી વધુની આઇટીસ (ઇનપુટ ટેક્સ ક્રેડિટ) લેવાના કેસમાં આરોપી હિમાંશુ રજનીકાંત શાહની સપ્ટેમ્બર-2025ના રોજ ધરપકડ કરી હતી. આ દરમિયાન આરોપીની તબિયત લથડતાતેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યો હતો. જ્યાં હાલ આરોપી આઇસીયુમાં દાખલ છે. જામીન અરજીમા આરોપીએ દલીલ કરી હતી કે તાત્કાલિક એન્જીયોપ્લાસ્ટી કરાવવી પડે એમ છે,છેલ્લા દસ વર્ષથી હ્રદયની બિમારથી પિડાઈ છે. આરોપીને ખાનગી હોસ્પિટલમાં સારવારની જરૂર છે. ભાસ્કર એક્સપર્ટ4 હજાર કરોડના બોગસ બિલિંગમાં હિમાંશુ શાહની ધરપકડ કરાઇ હતીકોઈપણ આરોપી જ્યારે મેડિકલના ગ્રાઉન્ડ પર જામીન માગે ત્યારે જામીન માટે એક તો જેલરનો રિપોર્ટ અને બીજો સારવાર કરનારા ડોકટરનો રિપોર્ટ જરૂરી બની જાય છે તેના જ આધારે આગળના નિર્ણય થાય છે. જો સરકારી હોસ્પિટલથી આરોપીને ખાનગીમાં શિફ્ટ કરવા હોય તો સરકારી હોસ્પિટલમાં સારવાર શક્ય નથી એવો કોઈ રિપોર્ટ છે કે કેમ એ પણ જોવામાં આવે છે. > નદીમ ઇસ્માઇલ ચૌધરી, એડવોકેટ
ઓનલાઈન કામગીરી:આંગણવાડીના ભૂલકાઓ તો ઠીક અમારા બાળકો પણ રખડી ગયાં છે, કંઇ કરો હવે
ભરૂચ જિલ્લામાં ચાલી રહેલી બીએલઑની કામગીરી દરમિયાન આંગણવાડી બીએલઓને ઘણી તકલીફ પડી રહી છે. તેને લઈને દિવ્ય ભાસ્કરની ટીમે બીએલઓ સાથે વાતચીત કરી હતી. તેમાં જાણવા મળ્યું હતું કે, કેટલીક આંગણવાડી બીએલઓને જાણ કર્યા વગર હુકમ કરી દેવામાં આવ્યા હતા. અને કેવી રીતે કામગીરી કરવી તે પણ ખબર પડતી નથી. ઉપરથી ઓનલાઈન ફોર્મ ભરતા પણ આવડતું નથી. કારણ જણાવતા તેમણે કહ્યું હતું કે ઓનલાઇન કામગીરી માં અંગ્રેજીમાં કેટલીક માહિતી ભરવાની હોય છે તેમાં સમજ પડતી નથી. જેથી કામગીરીની ટકાવારી પણ ઓછી દેખાય છે. એક બીએલઓએ જણાવ્યુ હતું કે, લોકોને ફોર્મ ભરવામાં સમજ નથી પડતી જેથી લોકો અમારી પાસે ભરાવે છે અને કહે છે કે આ કામ તમારું છે. કામગીરી દરમિયાન જમવાનો પણ સમય મળતો નથી આંગણવાડી ના છોકરા તો ખરા પણ અમારા છોકરા પણ રખડી રહ્યા છે. વાલીઓ પણ અમને ફરિયાદ કરે છે કે આંગણ વાડીમાં અમારે આંગણવાડી બહેનને શોધવા આવવું પડે છે. આંગણવાડીમાં કોઈ નથી આવતા એટલે બાળકોને કોના ભરોસે મૂકવું તેવું વાલીઓ અમને કહી રહ્યા છે. તેથી આ બીએલઓની કામગીરી શિક્ષિત બેરોજગારો ને આપવી જોઈએ જેથી તેઓને રોજગારી પણ મળે તેવું જણાવ્યુ હતું. જાણ કર્યા વિના બીએલઓનાહુકમ આપી દેવામાં આવ્યાંમને કોઈ પણ જાણ કર્યા વિના બીએલઓના હુકમ આપી દેવામાં આવ્યા હતા. અને આ કામગીરી વિશે કશું પણ જાણતા નથી. પણ હવે સવારથી રાત્રિ સુધી કામગીરી કરવી પડે છે અને લોકોને ફોર્મ ભરતા નથી આવડતું તો તેથી મારે ફોર્મ ભરવા પડે છે. બીએલઓની કામગીરી દરમિયાન જમવાનો પણ સમય મળતો નથી હાલ આંગણવાડી ના છોકરા તો ખરા પણ અમારા છોકરા પણ રખડી ગયા છે.
પાલિકાકર્મી સામે ગુનો નોંધાઈ:બોગસ ડોક્યુમેન્ટ્સથી લોન લેનાર પાલિકાકર્મી સામે ગુનો
મજુરાગેટની SBI શાખામાં ખોટી પગાર સ્લીપ અને બોગસ એનઓસીથી 9.14 લાખની લોન લેનાર પાલિકાની મહિલા કર્મી સામે અઠવા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. વડોદરાની રહેવાસી શીતલ રમેશ સોલંકી સુરત પાલિકામાં સફાઇ કર્મી છે. 2024માં તેણે મજુરાગેટની એસબીઆઇમાંથી પાલિકાની પે સ્લિપ અને બેંક ઓફ બરોડા વિજલપોરની NOCના આધારે 9.14 લાખની લોન લીધી હતી. બાદમાં બદલી થઇ મેનેજર તરીકે સુલતાકુમારી આવતા ઓડીટ દરમિયાન બોગસ ડોક્યુમેન્ટસથી લોન લીધાનું ખુલ્યું હતું. જેથી તેમણે અઠવાલાઇન્સ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનિય છેકે, આ કૌભાંડ ખુલતા શીતલે બેંકમાં લોન ભરી દીધી હતી. જોકે બેંક સાથે છેતરપિંડી થઇ હોવાને લીધે શીતલ સામે ફરિયાદ નોંધાઇ હતી. શીતલે SBIમાંથી 9 લાખની લોન લીધી હતીશીતલે બેંકમાં જુલાઇ 2023થી નવેમ્બર 2023ની એસએમસીની પે સ્લિપ રજૂ કરી હતી. આ પગાર સ્લિપમાં કોમ્પ્યુટરની મદદથી તેનો બેઝીંક પગાર રૂ.26 હજાર હતો. જેની જગ્યાએ રૂ.41 હજાર કરી દીધુ હતું. તેમજ બીઓબી બેંકના જાણ બગાર તેનો લોગોનો ઉપયોગ કરીને બોગસ એનઓસી બનાવી દીધી હતી.
ભાસ્કર ફોલોઅપ:બીકોમ સેમેસ્ટર-3ની પરીક્ષામાં છબરડા મામલે પેપર સેટર્સ પાસે ખુલાસો મંગાયો
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બીકોમ સેમેસ્ટર-3ની ભારતીય જ્ઞાન પરંપરા (IKS) વિષયની મુખ્ય જાહેર પરીક્ષામાં પંદર માર્ક્સનાં પ્રશ્નો સંપૂર્ણપણે સિલેબસથી બહાર હોવાના વિદ્યાર્થીઓના ફરિયાદ નોંધાવી હતી. આ મામલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. કે. એન. ચાવડા સાથે પરીક્ષા વિભાગને એક્શન મોડી પર આવી ગયા છે. કુલપતિ ડો. ચાવડાએ પેપર સેટર્સ પાસેથી સ્પષ્ટીકરણ માંગ્યું છે અને સાથે જ તપાસ માટે ડીન અને અંધર ધેન ડીનની તપાસ કમિટી પણ બનાવી છે. દરમિયાન પરીક્ષા વિભાગે પ્રાથમિક તપાસ માટે બેઠક યોજી હતી. પરંતુ ત્યાં કેટલીક જગ્યાએ પ્રોફેસરો પોતાની બેદરકારી છુપાવતા પેપર સિલેબસથી આવ્યા હોવાની ચર્ચા કરતાં નજરે ચડ્યા હોવાનું જાણવા મળ્યું છે. વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઇ કાર્યવાહી કરાશેફરિયાદ ગંભીર છે. અમે પેપર સેટર્સ પાસેથી સ્પષ્ટીકરણ માંગ્યું છે અને તપાસ કમિટી દ્વારા તમામ પાસાંનું નિષ્પક્ષ રીતે મૂલ્યાંકન કરવામાં આવશે. કોઈ દબાણ વિના વિદ્યાર્થીઓના હિતને મુખ્ય રાખીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. > ડો. કે. એન. ચાવડા, કુલપતિ, VNSGU યુનિવર્સિટીમાં વિદ્યાર્થી પરિષદનો હોબાળોવિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે બુધવારે યુનિવર્સિટીમાં હોબાળો મચાવ્યો હતો. પરિષદે માંગ કરી હતી કે યુનિવર્સિટીની ભૂલથી વિદ્યાર્થીઓને 15 ગુણનું નુકશાન થયું છે તો તેને પૂરા માર્ક્સ આપવામાં આવે તેમજ જવાબદાર પેપર સેર્ટસ સામે કાર્યવાહી કરાય. ભવિષ્યમાં આવી સમસ્યા ન થાય માટે પ્રશ્નબેંક આપવામાં આવે.
વિશેષ કેમ્પ:ભરૂચ જિલ્લામાં 29,30 નવેમ્બરે મતદારો માટે વિશેષ કેમ્પ યોજાશે
ભરૂચ જિલ્લામાં હાલ મતદાર યાદી ખાસ સહાન સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં મતદારોને મતદાર યાદી સંબંધિત સેવાઓ સરળતાથી મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર ગત 29 અને 30 નવેમ્બરે જિલ્લાના તમામ મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને નગરપાલિકા કચેરીએ મેગા કલેક્શન કેમ્પ યોજવામાં આવશે. જેમાં જિલ્લાના દરેક મતદારને મતદાર યાદીમાં નામ ઉમેરવા, સુધારણા, સ્થણાંતર, ફોટો અપડેટ તેમજ અન્ય તમામ મતદાર સેવાઓનો લાભ મળી રહેશે. ખાસ કરીને 1 જાન્યુઆરી 2026ની સ્થિતિએ 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનો માટે મતદાર તરીકે નોંધણી નો મોકો મળશે. કામગીરી બાદ ડ્રાફ્ટ મતદાર યાદીનું પ્રકાશન 9 ડિસેમ્બર અને દાવા અને વાંધાની અવધિ 9 ડિસેમ્બર થી 8 જાન્યુઆરી સુધીનો રહેશે. નોટીસની સુનાવણી 9 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી સુધી રહેશે. ત્યારબાદ 7 ફેબ્રુઆરીના રોજ અંતિમ મતદાર યાદી નું પ્રકાશન કરવામાં આવશે
સઘન સુધારણા કાર્યક્રમ-2026:મતદાર યાદી સુધારણા માટે 29-30 નવેમ્બરે કેમ્પ યોજાશે
ભારતના ચૂંટણી પંચ દ્વારા 01 જાન્યુઆરી 2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-2026 જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ દાહોદ જિલ્લામાં 28 ઓક્ટોબરથી શરૂ થઈ ચૂક્યો છે. આ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત, દાહોદ જિલ્લાના તમામ બૂથ લેવલ ઓફિસર (BLO) દ્વારા 04 નવેમ્બરથી 04 ડિસેમ્બર સુધી મતદારોના ઘરે-ઘરે જઈને એન્યુમેરેશન ફોર્મ્સનું વિતરણ કરવાની અને ભરેલા ફોર્મ્સ પરત સ્વીકારવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીના ભાગરૂપે, જિલ્લાના મતદારોની સુવિધા માટે 29 નવેમ્બરે બપોરે 12:00થી સાંજના 5:00 કલાક સુધી અને 30 નવેમ્બરે સવારે 10:00થી સાંજના 5:00 કલાક સુધી જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓ ખાતે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખાસ કેમ્પમાં મતદારોને તેમના ગણતરી ફોર્મ ભરવામાં મદદ કરશે. આ ઉપરાંત, જે મતદારોના ફોર્મ્સ બાકી રહી ગયા હોય, તેમના ફોર્મ સ્વીકારશે. આ કેમ્પમાં મતદારોને તેમનું નામ અથવા તેમના માતા-પિતા / દાદા-દાદીનું નામ વર્ષ 2002ની મતદારયાદીમાં શોધવામાં મદદ કરશે. જો કોઈ કિસ્સામાં નામ ન મળે, તો કયા પુરાવા રજૂ કરવા તે અંગેનું યોગ્ય માર્ગદર્શન આપશે.
કાર્યવાહી:રતનપુર(કાંટડી)નો બૂટલેગર પાસા હેઠળ રાજકોટ ધકેલ્યો
પંચમહાલ એલસીબી પોલીસે દારૂની હેરફેર પર કડક કાર્યવાહી કરતાં ગોધરા તાલુકાના રતનપુર (કાંટડી) ગામના કુખ્યાત પ્રોહી બુટલેગર રોનકકુમાર બારીયાને અટકાયત કરી મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલી આપ્યો છે. એલસીબીની ટીમે ગુપ્ત બાતમીના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પંચમહાલ એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. પટેલ દ્વારા રતનપુર (કાંટડી) ગામના રહેવાસી રોનકો બારીયા વિરુદ્ધ કાંકણપુર પોલીસ સ્ટેશનમાં દાખલ વિદેશી દારૂના કુલ ત્રણ ગુનાઓના આધારે પાસા કાર્યવાહી માટે દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. આરોપીના સતત વધતા ગુન્હાકાર્યને પગલે પાસા હેઠળ પગલું ભરવાની ભલામણ કરવામાં આવી હતી. આર.એ. પટેલ દ્વારા તૈયાર કરાયેલ પાસાની દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટ અજય દહિયા મંજુર કરી હતી. એલસીબીની ટીમે ખાનગી વોચ ગોઠવીને પ્રોહી બુટલેગર રોનકકુમાર ઉર્ફે રોનકો રતનસિંહ બારીયાઈને ઝડપી પાડ્યો. જરૂરી કાગળો અને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ રોનકકુમાર ઉર્ફે રોનકો બારીયાને મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે રવાના કરવામાં આવ્યો છે.
ભાસ્કર એક્સક્લુસિવ:NIOSના નામે નકલીનો રાફડો: 71 વેબસાઇટ, 8 એપ, 34 યુટ્યુબ અને 14 વોટ્સએપ નંબર મળ્યા
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓપન સ્કૂલિંગ (NIOS) એ નોટિસ જાહેર કરીને વિદ્યાર્થી, વાલીઓને નકલી વેબસાઇટ્સ, એપ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સથી સાવચેત રહેવાની સલાહ આપી છે. સંસ્થાએ જણાવ્યું છે કે તાજેતરમાં અનેક અનધિકૃત પ્લેટફોર્મ્સે NIOSની સત્તાવાર વેબસાઇટની ડિઝાઇન અને સામગ્રીની નકલ કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. એનઆઇએસે 71 નકલી વેબસાઈટ, 8 ફેક એપ, 34 બનાવટી યુટ્યુબ ચેનલ, 7 ઈન્સ્ટામ-ટેલીગ્રામ એકાઉન્ટ, 14 નકલી વોટ્સએપ નંબર જાહેર કર્યા છે. NIOS દ્વારા જાહેર કરેલી સુચનાઓમાં જણાવ્યું છે કે આ બનાવટી પ્લેટફોર્મ્સ પોતાને અસલી સ્રોત તરીકે રજૂ કરીને વિદ્યાર્થીઓનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરે છે. તેમનો ઉદ્દેશ ખાનગી માહિતી મેળવવાનો હોય છે, જે ઘણીવાર નાણાકીય છેતરપિંડીમાં પરિણમી શકે છે. આવા પ્લેટફોર્મ્સ પ્રવેશ સહાયતા, પરીક્ષા સંબંધિત મદદ, પરિણામ અપડેટ અથવા અભ્યાસ સામગ્રીના નામે ગેરમાર્ગે દોરે છે, વિદ્યાર્થીઓ અને વાલીઓને જો કોઈ શંકાસ્પદ વેબસાઇટ અથવા ઑનલાઇન એકાઉન્ટની માહિતી મળે, તો તેને તાત્કાલિક sap@nios.ac.in પર રિપોર્ટ કરે, જેથી જરૂરી કાર્યવાહી કરી શકાય. માત્ર સત્તાવાર વેબસાઇટ પર જ ભરોસો રાખોNIOS એ જણાવ્યું છે કે તમામ સત્તાવાર પરિપત્રો, જાહેરાતો, પરીક્ષા કાર્યક્રમો, શૈક્ષણિક અપડેટ્સ અને વિદ્યાર્થી સેવાઓ માત્ર તેની સત્તાવાર વેબસાઇટ nios.ac.in પર જ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, સંસ્થાનું કોઈ અન્ય પોર્ટલ કાર્યરત નથી અને તેણે કોઈ પણ કોચિંગ સંસ્થા કે ખાનગી સંગઠનને વિદ્યાર્થીઓ પાસેથી માહિતી કે ચુકવણી લેવાની મંજૂરી આપી નથી. શંકાસ્પદ હેન્ડલ્સની યાદી જાહેર કરાઇસંસ્થાએ એક યાદી જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે સૂચિબદ્ધ કોઈ પણ વેબસાઇટ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, ટેલિગ્રામ ગ્રુપ અથવા મોબાઇલ એપ્લિકેશન NIOS સાથે સંબંધિત નથી. આમાંના ઘણા પ્લેટફોર્મ્સ NIOSના નામ, લોગો અથવા શૈક્ષણિક શબ્દોનો ખોટો ઉપયોગ કરીને પોતાને કાયદેસર દર્શાવવાનો પ્રયાસ કરે છે. વિદ્યાર્થીઓની મદદ માટે NIOS એ આવા નકલી ડિજિટલ પ્લેટફોર્મ્સની વિગતવાર યાદી જારી કરી છે.
ભાસ્કર એનાલિસીસ:દાહોદ જિલ્લામાં 64609 ખેડૂતો પાક સહાયની પ્રતીક્ષામાં
વર્ષ 2025ના ઓક્ટોબર- નવેમ્બર મહિના દરમિયાન પડેલા કમોસમી માવઠાએ દાહોદ જિલ્લાના ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે. અણધાર્યા વરસાદના કારણે ખેતરોમાં તૈયાર થઈ ગયેલા ડાંગર અને સોયાબીન સહિતના મુખ્ય પાકોને વ્યાપક નુકસાન થયું હતું. સરકારે પાક સહાયની જાહેરાત કર્યા બાદ અત્યાર સુધી જિલ્લાના કુલ 64609 ખેડૂતોએ વળતર મેળવવા માટે અરજીઓ કરી છે. દાહોદ જિલ્લામાં પાકને થયેલા નુકસાનના સર્વે મુજબ સૌથી વધુ અસર દાહોદ, ઝાલોદ અને દેવગઢ બારિયા તાલુકામાં જોવા મળી છે. આ વિસ્તારોમાં ડાંગર અને સોયાબીનનો પાક મોટા પાયે પલળી જતાં કે સડી જતાં ખેડૂતોના સપના તૂટી ગયા હતાં.આખા જિલ્લામાં પાક ખરાબ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતાં. અનેક ખેતરોમાં પાણી ભરાઈ રહેવાથી શિયાળુ પાકનું વાવેતર પણ મુશ્કેલ બની ગયું હતું. કમોસમી માવઠાના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર બાદ ખેતીવાડી વિભાગની110 ટીમોએ તમામ ગામોને આવરી લઈને યુદ્ધના ધોરણે સર્વે કરતાં 49,000થી વધુ હેક્ટર વિસ્તારમાં પાક નુકસાન થયુ હોવાનું સામે આવ્યુ હતું. ત્યારે પાક સહાયની જાહેરાતના પ્રતિસાદરૂપે 64609 ખેડૂતોએ નિયત સમયમર્યાદામાં પાક સહાય માટે અરજીઓ નોંધાવી છે. આ અરજીઓ જિલ્લામાં થયેલા નુકસાનની ગંભીરતા દર્શાવે છે. હાલમાં ખેડૂતોની નજર સરકારી તંત્ર પર ટકેલી છે. સર્વેની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અને આટલી મોટી સંખ્યામાં અરજીઓ આવ્યા પછી હવે ખેડૂતો પાક સહાયની રકમ તેમના ખાતામાં જમા થાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 100 કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આફતમાંથી ઉગારવા માટે પાક સહાયની જાહેરાત કરવામાં આવી હતી. સરકારના આ પગલા બાદ દાહોદ જિલ્લામાં 64609 ખેડૂતોએ વળતર મેળવવા માટે નિયત પ્રક્રિયા મુજબ અરજીઓ દાખલ કરી છે. આ આંકડો જિલ્લામાં ખેડૂતોને થયેલા ભારે નુકસાનની ગંભીરતા સ્પષ્ટપણે દર્શાવે છે. ત્યારે આખા જિલ્લામાં અણધાર્યા વરસાદને કારણે 100 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયુ હોવાનો અંદાજ છે.
કાર્યવાહી:કડાણા તાલુકાના અસરગ્રસ્તોને ફાળવેલી જમીનમાં ખડકાયેલા દબાણો દૂર કરાયાં
શહેરાના વરીયાલ, ડેમલી તેમજ બામરોલી સહિતના ગામમાં કડાણા જળાશય યોજના ના અસરગ્રસ્તોને પુન:વસવાટ ફાળવેલ જમીનમાં દબાણ થતા તંત્ર દ્વારા જમીન સર્વેની કામગીરી કરીને દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ કરી છે. જેમાં વરીયાલ ગામમાં એક ઘરને સીલ મારવા સાથે વર્ષોથી ખેતી અને ઘર બનાવીને રહેતા અનેક પરિવારજનો હાલ ચિંતિત બની ઉઠ્યા હતા. શહેરા તાલુકાના વરીયાલ, ડેમલી તેમજ બામરોલી સહિતના ગામમાં કડાણા જળાશયમાં ડુબાણમાં ગયેલ જમીનના અસરગ્રસ્તોને પુન:વસવાટ માટે વર્ષો પહેલા જમીન ફાળવવામાં આવી હતી.અસરગ્રસ્તોને વર્ષો પહેલા ફાળવેલ જમીનમાં અમુક લોકોએ અનઅધિકૃત કબજો કરેલ હોવાથી નોટિસો આપવામાં આવી હતી. કડાણા ડેમના અસરગ્રસ્તોને પુન:વસવાટ માટે ડેમલી, વરીયાલ સહિતના ગામમાં ફાળવેલ જમીનની સર્વેની કામગીરી અલગ અલગ ટીમો દ્વારા કરાઈ રહી છે. જ્યારે સબંધિત કચેરીના અધિકારી સહિતની ટીમ દ્વારા વરિયાલ ગામ માં ભાથીજી મંદિર ની સામે નાયક ફળિયામાં સર્વેની કામગીરી પૂર્ણ કરીને વિલાયતી નળિયા વાળું ઘરને સીલ કરી દેવામાં આવીને જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.જોકે તંત્ર દ્વારા જે ઘર ને સીલ મારવામાં આવ્યું . જ્યારે નાયક અભા ભાઈએ જણાવ્યું હતું કે આ જંગલની જમીનમાં 50વર્ષથી અમે રહીએ છીએ અને જમીને ખેડતા હતા. મારૂ પરીવાર જે ઘરમાં રહેતુ હતુ તે ઘરને સીલ મારી દીધું છે. સંબંધિત તંત્ર દ્વારા કડાણા જળાશયના યોજનાના અસરગ્રસ્તોને ફાળવવામાં આવેલી જમીન વહેલી તકે તેઓને મળે તે માટે અલગ અલગ ટીમો દ્વારા સર્વેની કામગીરી સાથે કાર્યવાહી પણ કરવામાં આવી રહી હોય પરંતુ જે જમીનમાં દબાણ તંત્ર ને લાગી રહયુ છે. તેમાં અનેક લોકો વર્ષોથી ખેતી કરી રહયા છે. ત્યારે તંત્ર દ્વારા આ બાબતને પણ ગંભીરતાથી લેવામાં આવી હશે કે નહી? ત્રણ ગામમાં કડાણા જળાશયના અસરગ્રસ્તોને ફાળવેલી જમીન ને લઈને જરૂરી કાર્યવાહી કરાઇ છે.
ભાસ્કર ઈનસાઈડ:નદીસરમાં સરકારી પડતર, ગાૈચર જમીનમાંથી 1.89 લાખ મેટ્રિક ટન માટીની તસ્કરી કરાઇ
ગોધરાના નદીસર ગામે સરકારી પડતર, ગૌચર તથા સરદાર સરોવરના અસરગ્રસ્તોને ફાળવેલી વિવિધ સર્વેની જમીનમાંથી ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદે રીતે માટી, રેતી અને મોરમની ચોરી થઇ રહી છે. તેવી માહિતી ગ્રામજનો દ્વારા આપતા ખાણખનીજ વિભાગ ઉઘતું ઉઠીને નદીસર ગામે તપાસ કરવા પહોચ્યું હતું. ખનીજ માફિયાઓએ જમીનમાંથી માટીનું અનઅધિકૃત ખોદકામ કરતા મોટા ખાડાઓ પાડી દીધા હતો. ખનીજ વીભાગની ટીમ દ્વારા માપણી ચાલુ કરી હતી. GPS મશીન દ્વારા કરાયેલી માપણીમાં કુલ 1,89,003 મેટ્રિક ટન સાદી માટી અને મોરમનું બિન-અધિકૃત ખનન થયું હોવાનું સામે આવ્યું છે. નદીસરના સરપંચ અને તલાટીએ પણ આ મામલે લેખિત રજૂઆત કરી હતી. તેમણે કબીરપુરના રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ જોગાભાઈ ભરવાડ, અજયભાઈ જોગાભાઈ ભરવાડ અને વિરમભાઈ ગોકલભાઈ ભરવાડ દ્વારા આ ગેરકાયદેસર ખનન કરાઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું. ખાણખનીજ વિભાગે કરેલી ગણતરી મુજબ, ખનીજની કિંમત 3.33 કરોડ રૂપિયા અને પર્યાવરણીય નુકસાનનો દંડ 1.31 કરોડ મળી કુલ 4,64,67, 563નું સરકારી મિલ્કતને નુકસાન કર્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે માઈન્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ત્યારે આટલા મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થતી હોવા છતાં પંચમહાલ ખનીજ વિભાગ અજાણ તેવી ચર્ચાઓ ઉઠી હતી. રેતીનું પણ ખનનપંચમહાલ જિલ્લામાં ખનીજચોરી બહુ સામાન્ય વસ્તુ છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા અવાર નવાર ખનીજ ચોરોને ઝડપી પાડવામાં આવે છે. નદીસરમાં સરકારી જમીનમાં આટલી મોટાપાયે માટી ચોરી થતી હોય તો તંત્ર અજાણ હશે ? તેવી જ રીતે કાલોલ પાસેની ગોમા નદીમાંથી પણ રેતી માફિયાઓ બેફામ રેતી ઉલેચતા હોય છે. ત્યારે આવા તત્વો સામે કાર્યવાહી કરવી જરૂરી છે.
ભાસ્કર એક્સક્લુસિવ:પંચમહાલમાં ટેકાના ભાવે ડાંગરની એક હેકટરે 1500 કિલોની જ ખરીદી
પંચમહાલમાં કમોસમી વરસાદથી ખેડૂતોના ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે. ત્યારે ખેડૂતોએ ડાંગર સુકવીને ટેકાના ભાવની ખરીદી માટે જિલ્લામાં 3474 ખેડૂતોએ નોંધણી કરાવી છે. સરકારી ટેકાની ડાંગર એક મણે રૂા.476ના ભાવે ખરીદીની જાહેરાત કરી છે. જિલ્લામાં 12 હજાર કરતા વધુ ખેડૂતોએ 49 હજાર હેકટરમાં ડાંગરની ખેતી કરી હતી. લાબા વિરામ બાદ સરકારે ટેકાના ભાવની ખરીદી સોમવારથી શરૂ કરવાની જાહેરાત પણ પંચમહાલના 6 ખરીદી કેન્દ્ર પર બુધવારથી શરુ થઇ છે. દર વખતે ટેકાના ભાવની ખરીદીમાં સરકાર હેકટરે 2300 કિલો ડાંગરની ખરીદી કરતા હોય છે. પરંતુ આ વખતે કમોસમી વરસાદની સહાય આપવાની હોવાથી એક હેકટર દીઠ ખેડૂતો પાસેથી 1500 કિલોની ડાંગરની ખરીદી કરી રહ્યા છે. તેમજ ખેડૂતો ડાંગર લઇને આવે ત્યારે ડાંગરનો ભેજ 17 પોઇન્ટથી વધુ હોય તો તે ડાંગર પાછી આપીને સુકવીને પરત લાવવા જણાવી રહ્યા છે. બજાર ભાવ કરતા 100 રૂપિયા ટેકાના ભાવે ડાંગરનો ભાવ વધુ હોવા છતાં ખેડુતો ખરીદ કેન્દ્ર પર ડાંગર વેચવા આવવામાં આળસ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યુ઼ છે. 1 હેકટરે 2300 કિલોને બદલે 1500 કિલો કરી દીધી હું વેલવડ ગામનો ખેડૂત છું.ટેકાના ભાવે રજિસ્ટ્રેશન કરાવીને ડાંગર વેચવા આવું છે. બજાર ભાવ કરતા રૂા. 100 વધારે છે. પણ પહેલા એક હેકટરે 2300 કિલોથી ધટાડીને આ વખતે 1500 કિલો હેકટરે કરી દેવા અમને ખોટ જાય છે. સરકારી ફરીથી વધારીને 2300 કિલો હેકટર કરે તો ખેડૂતોને ફાયદો થાય: ગણપતભાઇ, ખેડૂત વધુ ભેજવાળી ડાંગરની ખરીદી નથી થતીજિલ્લામાં કમોસમી વરસાદથી ડાંગરનો પાક ભીનો થઇ જતા ખેડૂતો સુકવીને વેચી રહ્યા છે. રજીસટ્રેશન કરવા છતાં ખેડૂતો પાસે ટ્રેકટરની વ્યવસ્થા ન હોવાથી ટેકાના ભાવે વેચવા આવતા નથી. તેમજ કેટલાક ખેડૂતોની ડાંગર કાળી પડી જતા બજારમાં વેચવા જતા યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોને ખોટ આવી રહી છે. ખરીદ કેન્દ્રો પર ડાંગરમાં ભરેલો ભેજ માપવા મશીનો મુકવામાં આવ્યા છે. જો ડાંગરમાં ભેજ વધારે હોય તો તેવી ડાંગરની ખરીદી કરતા નથી.
ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશને સુરત એરપોર્ટ પર તૈયાર પેરેલલ ટેક્સી ટ્રેકને ઉપયોગ માટેની મંજૂરી આપી દીધી છે. હવે રનવે પર લેન્ડ થયેલી ફ્લાઇટ માત્ર 5થી 10 જ મિનિટમાં એપ્રન પર પહોંચી જશે, જે પહેલા 20થી 25 મિનિટ લેતી હતી. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનો રનવે 2,906 મીટર લાંબો અને 45 મીટર પહોળો છે, જે સાઇઝ અનુસાર પેરેલલ ટેક્સી ટ્રેક બનાવાયો છે. જેથી મોટા એરક્રાફ્ટ એટલે કે એરબસ A320 સીરીઝ, બોઇંગ 737 સીરીઝ અને મિડ-સાઈઝ કોમર્શિયલ ફ્લાઇટ્સને સરળતાથી લેન્ડ અને ટેકઓફ માટે પૂરતો છે. પેરેલલ ટેક્સી ટ્રેક બાદ ઇન્ડિગો ફ્લાઇટનો ટર્નઅરાઉન્ડ ટાઈમ 25 મિનિટથી ઘટીને 10થી 15 મિનિટ થયો છે, જ્યારે એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ માટે ટર્નઅરાઉન્ડ ટાઈમ 35થી40 મિનિટથી 30 મિનિટ થઈ ગયો છે. અધિકારીઓ જણાવે છે કે પેરેલલ ટેક્સી ટ્રેક સુરતના વધતા હવાઇ મુસાફર ટ્રાફિકને ઝડપી અને સરળ રીતે હેન્ડલ કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. DGCAની મંજૂરી સાથે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે વધુ સુરક્ષિત, ઝડપી અને મુસાફરો માટે સરળ બની ગયું છે. કામની વાતફ્લાઇટ્સ મોડી પડવાની ઘટનાઓ ઓછી થઈ જશે1. ફ્લાઇટ્સ માટે રનવે ઝડપથી ખાલી થશે, એક જ સમયગાળામાં વધુ ફ્લાઇટ્સનું લેન્ડિંગ અને ટેકઓફ કરવું શક્ય બનશે. આ એરપોર્ટની હેન્ડલિંગ કેપેસિટી વધારે છે.2. રનવે પર ફ્લાઇટોનો હોલ્ડિંગ ટાઇમ ઘટી જશે, જેનાથી રનવે પર ફ્લાઇટોની ગીચતા ઓછી થશે.3. ફ્લાઇટને લાંબો સમય રનવે પર કે ટેક્સી-વે પર રાહ જોવી પડતી નથી, ગ્રાઉન્ડ પર થતા ઇંધણના વપરાશમાં ઘટાડો થાય છે.4. ફ્લાઇટ મોડી પડવાની ઘટના ઘટી જશે, જેના કારણે એરપોર્ટની ઓવરઓલ કેપેસિટી અને પંક્ચ્યુઆલિટી સુધરે છે.5. એરપોર્ટની કેપેસિટી વધવાથી ફ્લાઇટના ટેકઓફ કે લેન્ડિંગમાં મોડી થવાની શક્યતા ઘટી જશે, જેથી મુસાફરો સમયસર તેમના ગંતવ્ય સ્થાને પહોંચી શકશે.6. ફ્લાઇટમાં રાહ જોવાની જરૂર પડતી નથી, જે પ્રવાસના અનુભવને વધુ સરળ બનાવે છે7. એરલાઇન્સ - ફ્લાઇટ એપ્રેન પર ઝડપથી પહોંચે છે અને ઝડપથી તૈયાર થઈને ફરી ઉડાન ભરી શકે છે.
ઇરફાન મલેક | દાહોદદાહોદ જિલ્લામાં મનરેગા હેઠળની તમામ કામગીરી હાલમાં સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીના કામો અટવાઈ જતાં ગરીબ અને શ્રમજીવી વર્ગ માટે મુશ્કેલી ઊભી થઈ છે. આ પરિસ્થિતિનું મુખ્ય કારણ અગાઉ થયેલા કૌભાંડ બાદ વહીવટી તંત્ર દ્વારા લાદવામાં આવેલી અત્યંત આકરી ટેન્ડર શરતો છે. અગાઉ ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકાઓમાં મનરેગા હેઠળના કામોમાં મોટું કૌભાંડ સામે આવ્યું હતું, જેમાં ‘એલ 1 સિવાયની એજન્સીઓને પણ ગેરકાયદેસર રીતે મોટી રકમ ચૂકવવામાં આવી હતી. જિલ્લામાં કાર્યરત મહત્તમ એજન્સીઓની કોન્ટ્રાક્ટ અવધિ પૂર્ણ થઇ ગઇ છે. જેના કારણે નવી એજન્સીઓની નિમણૂક અનિવાર્ય બની છે. મનરેગાના કામો ફરી શરૂ કરવા માટે તમામ તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા નવી એજન્સીઓની નિમણૂક માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. જોકે,વહીવટી તંત્રે ટેન્ડરની શરતોમાં ધરખમ ફેરફાર કરી તેને અત્યંત આકરી બનાવી દીધી છે.કડક નિયમોને કારણે જિલ્લાની એક પણ એજન્સી ટેન્ડર ભરવા માટે તૈયાર નથી. સ્થિતિ એ છે કે, જિલ્લાના દરેક તાલુકામાં નવી એજન્સીઓની નિમણૂક માટે એક-બે નહીં, પરંતુ પાંચ-પાંચ વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. આટલા પ્રયાસો છતાં, એક પણ એજન્સી દ્વારા ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેવા માટે કોઈ પ્રતિભાવ આપવામાં આવ્યો નથી. એજન્સીઓ માટેની સૌથી મોટી અને ગળે ન ઉતરે તેવી શરત છે તે ટેન્ડર કોસ્ટના 3 ટકા જેટલી જંગી રકમ ડિપોઝીટ તરીકે બિડ સાથે જમા કરાવવાની છે.જેની રકમ ટેન્ડરની રકમ પ્રમાણે 21 લાખથી માંડીને 97 લાખ સુધી છે. આ ડિપોઝીટની રકમ એટલી મોટી છે કે તે એજન્સીઓની મૂડીને બ્લોક કરી દે છે. આ સાથે જ જો કોન્ટ્રાક્ટ મળે અને એજન્સી કામ ન લે તો આ રકમ જપ્ત થઈ શકે તેવી કડક શરત પણ મૂકવામાં આવી છે. વળી, ટેન્ડર ફોર્મની ફી પણ ₹ 15000થી ₹ 18000 જેટલી ઊંચી અને નોન રિફંડેબલ રાખવામાં આવી છે. આકરી શરતો અને મોટો નાણાકીય જોખમ જોતાં એજન્સીઓ મનરેગાના કામોથી દૂર ભાગી રહી છે. ઉલલેખનિય છે કે, દાહોદ જિલ્લામાં મનરેગાના કામોમાં થયેલા ભ્રષ્ટાચારના પર્દાફાશ થયો હતો. દરમિયાન મનરેગાના કામોની ટેન્ડર કોસ્ટ વધી જતાં એજન્સીઓ પણ ટેન્ડર ભરવા આગળ આવતી નથી. 7 વર્ષમાં ડિપોઝિટમાં 96 લાખનો વધારોદાહોદ જિલ્લામાં મનરેગામાં એજન્સી તરીકેબીડ કરવા માટે ભૂતકાળમાં ડિપોઝિટની રકમઘણી ઓછી હતી. વર્ષ 2019 સુધી એજન્સીઓ પાસેથી માત્ર 1 લાખની ડિપોઝિટલેવામાં આવતી હતી.જોકે, ત્યાર પછીના સાત વર્ષના સમયગાળામાં ડિપોઝિટનીરકમમાં સમયાંતરે વધારો કરવામાં આવ્યો છે. આજે આ રકમ 97 લાખ પર પહોંચીગઈ છે. એટલે કે 7 વર્ષમાં ડિપોઝિટમાં સીધો 96 લાખનો જંગી વધારો થયો છે. કૂવા સિવાયના તમામ કામ બંધ મનરેગા અંતર્ગત તળાવ, ચેકડેમ, રસ્તાઓ,વનિકરણ અને અન્ય વિવિધ પ્રકારના સંખ્યાબંધ કામો હાથ ધરવામાં આવે છે. જોકે, જિલ્લામાં હાલની સ્થિતિ જોતાં માત્ર કૂવાના જ કામો ચાલુ છે.તેમાં પણ આકરા નિયમો અને ભૌગૌલિક સ્થિતિને કારણે જોઇયે તેવી પ્રગતિ નથી.જિલ્લામાં કૂવા સિવાયના મનરેગાના અન્ય તમામ કામો વર્તમાનમાં સંપૂર્ણપણે બંધ છે. કામગીરી ઠપ થવાથી શ્રમિકોને રોજગારી મળતી બંધ થઈ ગઈ છે. જેના કારણે ગ્રામીણ અર્થતંત્ર પર ગંભીર અસર પડી રહી છે. કયા તાલુકા માટે કેટલા પ્રયાસ કરાયાતાલુકો -------- પ્રયાસ -------- ટેન્ડર વેલ્યુ -------- ડિપોઝીટ
RBI લોકપાલનો ચુકાદો:આવાસ સબસિડી 8 માસમાં આવી જશે એવું કહેનારી બેંકે 5 વર્ષે આપી
PM આવાસ યોજનાની સબસિડીમાં બેંકો કેટલી હદે લાલિયાવાડી ચલાવે છે તેનું ઉદાહરણ તાજેતરમાં જ બે કિસ્સા પરથી જોવા મળ્યું છે. સુરત અને અમદાવાદના કેસમાં આ સબસિડી અનુક્રમે 4 અને 5 વર્ષે મળી હતી. વરાછાના રહીશને ઘર લીધા બાદ સબસિડી માટે લાંબા ધક્કા ખાવા પડ્યા જ્યારે અમદાવાદના રહીશને તો 8 માસની વાતો કરી છેક 5 વર્ષ બાદ 2.67 લાખની સબસિડી મળી. અરજદારોએ 2021માં હોમ લોન લીધી હતી અને તેના પર સબસિડી માંગી હતી, જેનો આંકડો 2.68 લાખ હતો. તમામ ડોક્યુમેન્ટ બેંકને આપવા છતાં બેંકે તેના પર કોઈપણ પ્રકારની પ્રોસેસ જ કરી ન હતી અને આ દરમિયાન પીએમએવાય(યુ) ક્લાસ હેઠળ એલઆઇજી યોજના 31 માર્ચ, 2012ના રોજ બંધ કરી દેવામાં આવી હતી. આથી સબસિડીની રકમ અટવાઈ ગઈ હતી. ઘણી બેંકોની આ રીતે સ્પષ્ટ લાલિયાવાડી જ જોવા મળી રહી છે. બેંકે પ્રોસેસ જ ન કરતાં ડિફોલ્ટિંગ અધિકારીને ફરિયાદઆવા કેસમાં આરબીઆઇ લોકપાલ સમક્ષ ફરિયાદ કરી શકાય છે. અનેક કેસમાં જોવામાં આવ્યું છે કે, લોકોએ અરજી કરી હતી પરંતુ બેંકોએ આ યોજના બંધ થઇ ગયા સુધી અરજી પરની યોગ્ય પ્રોસેસ જ કરી ન હતી. આથી જ ફરિયાદ કરીને બેંકના ડિફોલ્ટિંગ અધિકારી સામે સબસિડીનું વળતર મંગાયું હતું. > રાહુલ કથિરિયા, સી.એ.
શહેરમાં SIRની કામગીરી માટે હજારો શિક્ષકોને કામે લગાડવામાં આવ્યા છે, જેના કારણે સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય લગભગ ઠપ જેવું જ થઈ ગયું છે. સ્થિતિ તો કંઈક એવી છે કે વિદ્યાર્થીઓ સ્કૂલોમાં શિક્ષકોને શોધે છે, શિક્ષકો ઘરે-ઘરે જઈને મતદારો શોધે છે અને મતદારો SIRનું ફોર્મ ભરવા માટે વર્ષ 2002ની સૂચિમાં પોતાનું નામ શોધી રહ્યા છે. ફોર્મ ભરવા માટે વર્ષ 2002ની યાદીમાં લોકોને પોતાનું નામ શોધતા રીતસર પરસેવો પાડવો પડી રહ્યા છે. ઓનલાઇન શોધીને કંટાળી ગયા બાદ જ્યારે લોકો BLOનો સંપર્ક કરી મતદાન કેન્દ્ર પર પહોંચે છે ત્યારે નામ શોધવા માટે લાઇન લગાવવી પડી રહી છે. આ કામગીરીમાં અત્યારસુધી સુરતમાં કુલ 62 % કામ પૂર્ણ કરી દેવાનો તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છેે. સૌથી વધુ કામગીરી સુરત પશ્ચિમ વિસ્તારમાં જ્યારે સૌથી ઓછી ઉધના-લિંબાયત વિસ્તારમાં થઈ છે. BLO પાસે જે લીસ્ટ છે, તે સરનામે તેમને લોકો ઘરે મળી રહ્યા નથી.
ફૂડ વિભાગની તવાઈ:ખાઉધરા ગલીમાં પહેલીવાર ફૂડના 26 સેમ્પલ લેવાયા, ગંદકી મળી, 14 દિવસે રિપોર્ટ આવશે
સુરત શહેરમાં સ્ટ્રીટ ફૂડનો જૂનો અને લોકપ્રિય હબ તરીકે ઓળખાતી મહિધરપુરાની ખાઉંધરા ગલીમાં સુરત મહાનગર પાલિકાના ફુડ વિભાગે પહેલીવાર આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. આ ડ્રાઇવ દરમ્યાન ખાદ્ય પદાર્થો વેચતી કુલ 12 સંસ્થાઓની કડક સ્થળ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વેચાણ હેઠળના પાઉંભાજી, મૈસૂર મસાલા, ફાલુદા સહિતની વિવિધ ખાદ્ય પદાર્થોના કુલ 26 નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેને વધુ લેબોરેટરી વિશ્લેષણ માટે સુરત મહાનગરપાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી મોકલવામાં આવ્યા છે. 3800નો દંડ પણ કરાયો છે. ચેકિંગ દરમિયાન સંસ્થાઓને પીવાના પાણીની ગુણવત્તા, ગ્રીસ ચેમ્બર્સની નિયમિત સફાઈ, કર્મચારીઓના મેડિકલ સર્ટિફિકેટ, વ્યક્તિગત સ્વચ્છતા, તેમજ ટોપી, હાથમોજાં અને એપ્રનની ફરજિયાત ઉપયોગ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. સાથે-સાથે સુકા અને ભીના કચરાનું અલગ સંકલન કરવાની કડક સૂચનાઓ પણ આપવામાં આવી હતી. સ્ટોલધારકોને ચેતવણી આપવામાં આવી કે આ નિયમોનું પાલન ન થાય તો કડક વલણ અપનાવામાં આવશે. ખાઉધરા ગલી સ્ટ્રીટ ફૂડના જૂના અને લોકપ્રિય હબ તરીકે ઓળખાય છેખાસ કરીને વડાપાઉ, ભજીયા, લસ્સી, ચાઈનીઝ સ્ટ્રીટ ફૂડ, ઢોસા, પાઉંભાજી સહિતના નાસ્તા માટે લોકો અહીં આવતા રહે છે. વર્ષોથી ચાલતી દુકાનોનું પરંપરાગત સુરતી સ્વાદ લોકો ગમતા હોય છે. મુખ્યત્વે સાંજ પછી અહીં ખાસ ભીડ જોવા મળે છે. આ 12 સંસ્થાને નોટીસ આપી, તેમની દુકાનોમાંથી 26 સેમ્પલ લેવામાં આવ્યા
રાજકોટના બિનય પરસાણા નામના રહીશે એર ઇન્ડિયાની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં ગંભીર અગવડતા ભોગવવી પડી હતી આથી ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરિયાદ કરી હતી. જેની સુનાવણી થઇ જતા ગ્રાહક અદાલતે એર ઇન્ડિયાને દંડ તથા ખર્ચ સહિત રૂ.1 લાખ 6 ટકા વ્યાજ સાથે ફરિયાદીને ચૂકવી આપવા હુકમ કર્યો છે. આ કેસની વિગત એવી છે કે, રાજકોટના બિનય પરસાણાએ રાજકોટના હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટથી કેનેડાના ટોરોન્ટો જવા-આવવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટની ટિકિટ બુક કરાવી હતી. 14 કલાકની લાંબી મુસાફરી દરમિયાન તેમને અત્યંત નબળી સીટિંગ વ્યવસ્થા, અયોગ્ય સીટની ગોઠવણી, નબળી રિકલાઇનર અને એન્ટરટેઇનમેન્ટ સિસ્ટમનો સામનો કરવો પડ્યો હતો. આ તમામ સુવિધા મુદ્દે બિનય પરસાણાએ વકીલ મારફત એર ઇન્ડિયાને નોટિસ ફટકારી હતી અને ત્યારબાદ પોતાના વકીલ ચિરાગ છગ અને સ્મિત પારેખ મારફત એર ઇન્ડિયા સામે ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરિયાદ કરી હતી.
મુસાફરી સરળ અને ઝડપી થશે:દ્વારકા-કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટ મંજૂર, મંદિર સુધી કનેક્ટિવિટી મજબૂત બનશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ બુધવારે રેલવે મંત્રાલયના બે મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટોને મંજૂરી આપી છે. કુલ રૂ.2,781 કરોડના આ મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટો ગુજરાત અને મહારાષ્ટ્રના 4 જિલ્લાઓમાં રેલવે ક્ષમતા વધારશે અને લગભગ 32 લાખની વસ્તીને સીધો લાભ પહોંચાડશે. કાનાલુસથી ઓખા સુધીનું ડબલિંગ દ્વારકાધીશ મંદિર સુધીની કનેક્ટિવિટીને મજબૂત બનાવશે. દેશ-વિદેશના લાખો તીર્થયાત્રીઓ માટે સફર વધુ સરળ અને ઝડપી બનશે, જે સૌરાષ્ટ્રના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપશે. મંજૂર થયેલા પ્રોજેક્ટોમાં દેવભૂમિ દ્વારકા (ઓખા)–કાનાલુસ ડબલિંગ (141 કિમી) અને બદલાપુર–કારજત ત્રીજી અને ચોથી લાઇન (32 કિમી)નો સમાવેશ થાય છે. વધારાની લાઇન ક્ષમતાથી રેલવે ગતિશીલતા વધશે, ભીડ ઘટાડાશે અને ટ્રેન ઓપરેશન વધુ વિશ્વસનીય બનશે. આ પ્રોજેક્ટો ‘PM ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન’ હેઠળ આયોજન કરવામાં આવ્યા છે, જે સંકલિત પરિવહન અને લોજિસ્ટિક કાર્યક્ષમતા વધારવા પર કેન્દ્રિત છે. આ માર્ગો કોલસો, મીઠું, કન્ટેનર, સિમેન્ટ, POL જેવી વસ્તુઓના પરિવહન માટે અત્યંત મહત્ત્વના છે. વધારાના ટ્રેકથી દર વર્ષે 18 મિલિયન ટન સુધી વધારાનો માલ પરિવહન શક્ય બનશે. રેલવે દ્વારા પરિવહન ઊર્જા-કાર્યક્ષમ અને પર્યાવરણમિત્ર હોવાથી દેશના લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થશે. આ પ્રોજેક્ટો દ્વારા લગભગ 3 કરોડ લિટર તેલની બચત, અને 16 કરોડ કિલો CO₂ ઉત્સર્જનમાં ઘટાડો થશે જે લગભગ 64 લાખ વૃક્ષ વાવેતર જેટલો પર્યાવરણીય લાભ સમાન છે.
રાજકોટ જિલ્લાના ખેતી, માર્ગ-મકાન, પી.જી.વી.સી.એલ. વગેરે ક્ષેત્રોમાં વર્ષાઋતુ-2025 દરમિયાન થયેલી નુકસાનીનો તાગ મેળવવા માટે કેન્દ્રીય સચિવ કક્ષાની ટીમ રાજકોટ ખાતે આવી હતી અને વિવિધ ક્ષેત્રોમાં થયેલી નુકસાનીની સવિસ્તાર વિગતો મેળવી હતી. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં અધિક કલેક્ટર એ.કે.ગૌતમે કેન્દ્રીય ટીમના સભ્યોને આવકાર્યા હતા. કૃષિ, માર્ગ-મકાન, પી.જી.વી.સી.એલ. વગેરે વિભાગોએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી વરસાદના કારણે થયેલ નુકસાનીની વિગતો રજૂ કરી હતી. કેન્દ્રીય સચિવોએ ખેતી વિશેની તમામ સ્થાનિક જાણકારી ઉપસ્થિત સરકારી વિભાગોના અધિકારીઓ પાસેથી મેળવી હતી. ઓચિંતા વરસાદની પરિસ્થિતિમાં કપાસ અને મગફળીના પાકને બચાવવાના ઉપાયો વિશે કૃષિ વિભાગ દ્વારા કરાયેલી પ્રચાર-પ્રસારની કામગીરીની જાણકારી પણ ટીમના સભ્યોએ મેળવી હતી. રાજકોટ જિલ્લાની કૃષિ ક્ષેત્રની સાંપ્રત પરિસ્થિતિ, જિલ્લામાં લેવાતા ઋતુ પ્રમાણેના રોકડિયા તથા અન્ય કૃષિ પાકો, કૃષિ સંલગ્ન ઉદ્યોગો, કૃષિ ક્ષેત્ર માટે ઉપલબ્ધ આંતર માળખાકીય સવલતો, ગોંડલ-ઉપલેટા પંથકમાં કાર્યરત એમ.એસ.એમ.ઈ.(સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો), ખેતીને મુખ્ય વ્યવસાય તરીકે અપનાવતા ખેડૂતોની સામાજિક પરિસ્થિતિ વગેરે વિશે કેન્દ્રીય ટીમે ઉપસ્થિત વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. ટીમ મેમ્બર્સ માર્ગ અને મકાન વિભાગ હેઠળના માઈનોર બ્રિજ, એપ્રોચ રોડ, ડાયવર્ઝન વગેરેને થયેલા નુકસાનથી માહિતગાર થયા હતા. પી.જી.વી.સી.એલ.ના ટ્રાન્સફોર્મર્સ, વીજથાંભલાઓ તથા વીજલાઈનોને થયેલા નુકસાનની પણ વિગતો જાણી હતી. આંગણવાડી, સરકારી શાળા પરિસર વગેરેને થયેલા નુકસાન વિશે પણ સભ્યોએ જાણ્યું હતું અને અણચિંતવી પરિસ્થિતિનો આયોજનબદ્ધ સામનો કરવા બદલ જિલ્લા વહીવટી તંત્ર તથા તમામ સરકારી વિભાગના અધિકારીઓની સરાહના કરી હતી. કેન્દ્રીય ટીમ તથા સંબંધિત વિભાગોના અધિકારીઓ આજે રાજકોટ જિલ્લાના વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે રૂબરૂ નિરીક્ષણ કરી જાણકારી મેળવી હતી.
સગીરા ગુમ થઈ:બંગડી બજારમાં ગયેલી સગીરા ગુમ, અપહરણનો ગુનો નોંધાયો
શહેરમાંથી વધુ એક સગીરાનું અપહરણ થયું છે. નાનામવા રોડ જીવરાજ પાર્ક પાસે ટાઉનશિપમાં રહેતાં મુસ્લિમ પરિવારની 16 વર્ષની દીકરી મહિલા કોલેજ પાસે માતા સાથે ઓફિસમાં સફાઇ કામ કર્યા બાદ બંગડી બજારમાં નોવેલ્ટી સ્ટોરમાં કટલેરીનું કામ કરવા જવા નીકળ્યા બાદ ત્યાં ન પહોંચતા અને ગુમ થઇ જતાં પરિવારજનો દ્વારા અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બનાવમાં નાનામવા રોડ વિસ્તારમાં રહેતાં યુવાને એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધ્યો છે. યુવાને જણાવ્યું છે કે, તેને સંતાનમાં એક 16 વર્ષની દીકરી છે. તેના પત્ની મહિલા કોલેજ નજીક ઓફિસમાં સાફસફાઇનું કામ કરે છે. મંગળવારે 25મીએ સવારે નવેક વાગ્યે તે તેની પત્ની અને દીકરીને મહિલા કોલેજ ચોક પાસે ઓફિસ ખાતે ઉતારીને તેના કામના સ્થળે જતો રહ્યો હતો. મારી પત્ની ઓફિસમાં સફાઇ કામ કરતી હોઇ સાથે દીકરી પણ તેને કામમાં મદદ કરાવે છે. ત્યાંથી સાડા દસેક વાગ્યે દીકરી દરરોજ બંગડી બજારમાં નોવેલ્ટી સ્ટોરમાં કટલેરીનું કામ શીખવા જાય છે. મંગળવારે પણ તે નોવેલ્ટી સ્ટોર જવા નીકળી હતી, પરંતુ ત્યાં મોડે સુધી ન પહોંચતા તે ગુમ થઇ ગયાનું માલૂમ પડતાં એ-ડિવિઝન પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.
મોડી સાંજનો સમય હતો. શહેરના એક સુમસામ રોડ પર અજાણી મહિલા એકલી ચાલતી દેખાઈ. રસ્તો સૂનો, વાતાવરણ નિર્જન અને આ દૃશ્ય જોયેલી એક વ્યક્તિએ તરત 181 અભયમ ટીમને ફોન કરી જાણ કરી કે, કોઈ મહિલા એકલી છે, કંઈક અજુંગતું ન થાય, જલ્દી આવો. સૂચના મળતાં જ અભયમની ટીમ દોડી આવી. મહિલાની અવસ્થાને ધ્યાનમાં રાખી સૌપ્રથમ તેની સાથે નરમાઈથી વાત કરી. ધીમે ધીમે જાણવા મળ્યું કે તે ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગઈ હતી. ટીમે સમજદારીથી વાત ફેરવી પતિનો સંપર્ક મેળવ્યો અને મહિલાને સુરક્ષિત રીતે કચેરીએ લઈને આવી. થોડા સમયમાં પતિ પણ ત્યાં પહોંચી ગયો. મહિલા સંપૂર્ણ મૌન ધારણ કરી ચૂકી હતી, એટલે ટીમે પતિ પાસેથી હકીકત જાણવાની શરૂઆત કરી. પતિએ કહ્યું, તે આખો દિવસ સોશિયલ મીડિયા પર રહે છે, અજાણ્યા લોકો સાથે વાત કરે છે. થોડું સમજાવ્યું હતું, એ ખોટું લાગ્યું હોઇ શકે છે. આ દરમ્યાન પત્નીએ મૌન તોડી હૃદયની પીડા વ્યક્ત કરતાં કહ્યું કે, પતિ સમય આપતો નથી, વાત કરતો નથી. એકલતા દૂર કરવા મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો.પરંતુ સવાલ હતો કે તે ઘરેથી ક્યાં જવા નીકળી હતી? આ રહસ્ય ઉકેલવા અભયમ ટીમે બંનેનું અલગ-અલગ કાઉન્સેલિંગ શરૂ કર્યું. રાત વધતી ગઈ 12 વાગ્યા સુધી ચર્ચા ચાલી. અંતે, પત્નીએ પોતાના મનમાં દબાયેલા સત્યને બહાર કાઢતાં કહ્યું કે, તે સોશિયલ મીડિયા પર એક પુરુષ મિત્ર સાથે વાતચીત કરતી હતી. સંબંધોમાં તણાવ અને એકલતાનું દુ:ખ તેણે આ વ્યક્તિ સાથે વહેંચ્યું હતું. આ મિત્રે તેને વિશ્વાસ આપ્યો હતો અને કહ્યું હતું, તું અમદાવાદ એરપોર્ટ પર આવી જા. આ આશ્વાસન અને લાગણીના ભ્રમમાં આવી તે ઘર છોડીને નીકળી ગઈ હતી.અજાણ્યા પર આંધળો વિશ્વાસ જીવન બરબાદ કરી શકે છેસોશિયલ મીડિયાથી અજાણ્યા લોકો મીઠી વાતો, સહાનુભૂતિ અને ખોટા વચનો દ્વારા મનને ભ્રમિત કરી દે છે. ધીમે ધીમે લાગણી પર કાબૂ મેળવે છે અને છેલ્લે આર્થિક, માનસિક અને શારીરિક શોષણ કરે છે. ઓનલાઇન મળતા દરેક લોકો સારા હોય એ જરૂરી નથી. આંધળો વિશ્વાસ જીવનને ખતરનાક દિશામાં લઈ જઈ શકે અને જીવન બરબાદ કરી શકે છે.
14 ઓક્ટોબર, 2023નો દિવસ હતો. મુંબઈમાં ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીનું 141મું સેશન ચાલી રહ્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી બોલવા માટે ઉભા થયા. સામે દેશ-વિદેશના ખેલાડીઓ અને ઓલિમ્પિકનું પ્રતિનિધિત્વ કરી રહેલા લોકો બેઠાં હતા. ભાષણ દરમિયાન વડાપ્રધાન મોદીએ એક એવી વાત કહી જે સાંભળીને આખો હોલ તાળીઓથી ગૂંજી ઉઠ્યો. તેમણે કહેલી વાત ભારત જ નહીં વિદેશી મીડિયામાં પણ હેડલાઇન બની. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, હું તમારી સામે આજે 140 કરોડ ભારતીયોની ભાવના વ્યક્ત કરવા ઇચ્છું છું. ભારત પોતાની ધરતી પર ઓલિમ્પિકનું આયોજન કરવા માટે ઘણો ઉત્સાહિત છે. વર્ષ 2036માં ભારતમાં ઓલિમ્પિકનું સફળ આયોજન થાય એ માટે ભારત પોતાના પ્રયાસોમાં કોઈ ઉણપ નહીં રાખે. આ 140 કરોડ ભારતીયોનું વર્ષો જૂનું સપનું છે. આ સપનાને અમે તમારા લોકોના સહયોગથી પૂરો કરવા ઇચ્છીએ છીએ. આ ભાષણના 2 વર્ષ બાદ અમદાવાદમાં 2030માં કોમનવેલ્થ ગેમ્સ યોજવાનો નિર્ણય લેવાઈ ગયો છે. અમદાવાદને યજમાનીનો અવસર મળવો એ મોટી સફળતા માનવામાં આવી રહી છે. પરંતુ ગુજરાત અને ભારત સરકાર માટે આ નિર્ણય કોઈ ફિલ્મના ટ્રેલર સમાન છે. કારણ કે મૂળ ઉદ્દેશ કોમનવેલ્થ ગેમ્સનું સફળ આયોજન કરીને 2036ની ઓલિમ્પિક ગેમ્સની યજમાની મેળવવાનો છે. મુંબઈના ભાષણમાં ઓલિમ્પિકની ઇચ્છા વ્યક્ત કર્યા બાદ 15 ઓગસ્ટ, 2024ના રોજ લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસના સંબોધન દરમિયાન પણ વડાપ્રધાન મોદીએ 2036માં ઓલિમ્પિકનું આયોજન કરવાની વાત કહી હતી. એટલે ભારત ઓલિમ્પિકના આયોજનને લઈને ખૂબ ગંભીર છે એ વાત પર મહોર લાગી ગઈ. એમાં પણ ઓલિમ્પિકના વેન્યૂ તરીકે અમદાવાદ હોટફેવરિટ છે. અમદાવાદમાં ઓલિમ્પિક લાવવા માટે ભારત સરકાર પૂરજોશમાં તૈયારી કરી રહી છે. ગુજરાતમાં ઓલિમ્પિક લાવવા માટે એને લાગતું ઇન્ફ્રાસ્ટ્રકચર પણ ઊભું થઈ રહ્યું છે. જો કે એ પહેલા ભારત આયોજન માટે સક્ષમ છે કે નહીં તે સાબિત કરવું પડશે. એ તૈયારીના ભાગરૂપે જ અમદાવાદમાં ઇન્ટરનેશનલ કક્ષાની રમતોનું સતત આયોજન થઈ રહ્યું છે. જેમાં હવે સૌની નજર અમદાવાદમાં 2030માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ પર રહેશે. કારણ કે UK, કેનેડા અને ઓસ્ટ્રેલિયા ત્રણ એવા દેશ છે જેમણે ભૂતકાળમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરીને પોતાની સક્ષમતા દેખાડી અને ઓલિમ્પિકની યજમાની પણ કરેલી છે. ઓલિમ્પિક ગેમ્સ એ અમુક ચોક્કસ દેશ, ખંડ કે રમતો પુરતી સિમિત નથી. વિશ્વના મોટાભાગના દેશો ઓલિમ્પિકની રમતોમાં ભાગ લે છે. પરંતુ કોમનવેલ્થ ગેમ્સ એ જ દેશો રમી શકે છે જે પહેલા અથવા આજે પણ બ્રિટિશ કોલોનીનો ભાગ હોય. ભારત તરફથી કોમનવેલ્થ માટે જે બીડ રજૂ કરવામાં આવી છે એમાં અત્યાર સુધી ગુજરાતમાં કઈ-કઈ મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટ થઈ તેનો ઉલ્લેખ છે. આ ઉપરાંત ઇન્ટરનેશનલ કક્ષાની વાઇબ્રન્ટ ગુજરાત સમિટ તેમજ કોલ્ડ પ્લે જેવા આયોજનો પણ ગાંધીનગર તેમજ અમદાવાદમાં થયેલા છે. જે સંસાધનોનો યોગ્ય ઉપયોગ, આયોજન અને તેના સકારાત્મક પરિણામોનું ઉત્તમ ઉદાહરણ સાબિત થયા છે. જેના કારણે ઓલિમ્પિક 2036ની યજમાની માટે ભારતની દાવેદારી મજબૂત બને છે. અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ કન્સલ્ટન્ટ ફર્મને કામ સોંપ્યું, જેણે અમદાવાદ અને ગાંધીનગરમાં ઓલિમ્પિક આયોજન માટે 22 સ્થળોની ઓળખ કરી. 2036ની ઓલિમ્પિક ગેમ્સ અમદાવાદમાં યોજવા માટેની તૈયારીઓ ઘણા લાંબા સમયથી ચાલી રહી છે. પરંતુ આ ટાઇમલાઇનમાં સૌથી પહેલું કામ જાહેર જનતા સામે આવ્યું હોય તો એ હતો અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા કરાવવામાં આવેલો એક સરવે. AUDAએ એક કન્સલ્ટન્ટ ફર્મને કામ સોંપ્યું, જેણે કુલ 100 સ્થળોની ઓળખ કરી જ્યાં ઓલિમ્પિકની વિવિધ ગેમ્સનું આયોજન થઈ શકે. આ લિસ્ટમાં અમદાવાદ અને ગાંધીનગરના 22 સ્થળો હતો. આ લોકેશન એવા છે કે જેમાં નાનો-મોટો ફેરફાર કરવાથી ઓલિમ્પિક-2036ની રમત રમાડી શકાય છે. જેનો વ્યવસ્થિત રિપોર્ટ બનાવીને રાજ્યના તત્કાલીન મુખ્ય સચિવ પંકજકુમાર સમક્ષ એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ રમતોનું આયોજન કરવાનો પ્રસ્તાવ રજૂ થયો હતો. આ ઉપરાંત મોદી સ્ટેડિયમની આસપાસની 236 એકર જમીનનો ઉપયોગ કરીને વિવિધ રમતો માટેનાં મેદાન તૈયાર કરવાની તૈયારી દર્શાવવામાં આવી. સરવેમાં ઓલિમ્પિક્સની વિવિધ રમતોના સ્થળો માટે પોળોનાં જંગલો અને સાપુતારાના પહાડી વિસ્તારો પણ સામેલ છે. ઓલિમ્પિકની વોટર સ્પોર્ટ્સ માટે અમદાવાદમાં સાબરમતી નદી પરના રિવરફ્રન્ટ વિસ્તારનો ઉપયોગ કરવાનો વિચાર રજૂ કરાયો હતો. આ ઉપરાંત શિવરાજપુર બીચ સહિતના દરિયાકાંઠાના વિસ્તારો પણ તારવવામાં આવ્યા હતા. અન્ય વોટર સ્પોર્ટ્સ માટે ગોવા અને આંદામાન નિકોબારને પણ લિસ્ટમાં સ્થાન આપ્યું હતું. ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશને IOCને સત્તાવાર 'લેટર ઓફ ઈન્ટેન્ટ' સુપરત કરવામાં આવ્યો. જેથી યજમાની માટે ભારતની ઔપચારિક તૈયારી ગણાઈ. AUDAએ રિપોર્ટ તૈયાર કર્યા બાદ વર્ષ 2036માં યોજાનારા ઓલિમ્પિક અને પેરાલિમ્પિક રમતોત્સવના યજમાન બનવા માટે ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર ઔપચારિક રીતે પહેલું પગલું 5 નવેમ્બર, 2024ના રોજ ભર્યું. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશને ‘લેટર ઓફ ઇન્ટેન્ટ’ લખીને ઓલિમ્પિકના યજમાન બનવા માટે ઇચ્છા વ્યક્ત કરી હતી. આ મહત્ત્વની તક દેશમાં આર્થિક વિકાસ, સામાજિક પ્રગતિ અને યુવા સશક્તિકરણને પ્રોત્સાહન આપીને લાભની પૂરતી તકો આપશે. સમયસર તૈયારીઓ થઈ શકે તે માટે ઓલિમ્પિક આયોજન માટે દેશ પસંદ કરવાની પ્રક્રિયા 12 વર્ષ પહેલાં શરૂ થઈ જતી હોય છે. ભારત આ પહેલાં 1951 અને 1982માં એશિયન ગેમ્સ તેમજ 2010માં કોમનવેલ્થ ગેમ્સ તરીકે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓનો યજમાન દેશ બન્યો છે. ભારત દ્વારા મલ્ટી-સિટી બિડ (અમદાવાદ મુખ્ય કેન્દ્ર, અન્ય શહેરોમાં અમુક ઇવેન્ટ્સ)નો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. શરૂઆતના તબક્કે ઓલિમ્પિક 2036ની યજમાની માટે અમદાવાદ ચર્ચાના કેન્દ્રમાં હતું. પરંતુ ગત જૂન મહિનામાં કેન્દ્ર સરકારે વલણમાં થોડો ફેરફાર કર્યો. સરકાર ઓલિમ્પિક ગેમ્સને રાષ્ટ્રીય સ્તરે પ્રદર્શિત કરવા માગે છે. એટલે એક કરતા વધુ શહેરોમાં ઓલિમ્પિકનું આયોજન કરવા તરફ વિચાર કર્યો. એક રિપોર્ટ અનુસાર ભુવનેશ્વરમાં હોકી, પૂણેમાં કેનોઈંગ અને કયાકિંગ અને મુંબઈમાં ક્રિકેટ જેવી રમતો પ્રસ્તાવિત સ્થળોમાં સામેલ કર્યા છે. જો કે મોટાભાગની રમતો અમદાવાદમાં જ રમાઈ શકે છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, IOA પ્રમુખ પી.ટી.ઉષા સહિતના પ્રતિનિધિમંડળે સ્વિટ્ઝરલેન્ડના લુઝાનમાં IOC અધિકારીઓ સાથે મુલાકાત કરી અને અમદાવાદને યજમાન શહેર તરીકે ઔપચારિક રીતે રજૂ કર્યું. 30 જૂનના રોજ ભારતનું એક પ્રતિનિધિ મંડળ સ્વિટ્ઝરલેન્ડના લૌઝેન શહેર ખાતે પહોંચ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીવાળા આ પ્રતિનિધિમંડળમાં ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પી.ટી.ઉષા, રમતગમત સંઘના સચિવ હરિરંજન રાવ, ગુજરાતના રમતગમત વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી અશ્વિની કુમાર અને શહેરી વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી થેન્નારાસન સહિતના લોકો સામેલ હતા. તેમણે એસોસિએશન ઓફ નેશનલ ઓલિમ્પિક કમિટીઝ સાથે મુલાકાત કરી હતી. જેમાં તેમણે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે ઉભી કરવામાં આવેલી માળખાકીય સુવિધાઓ વિશે જાણકારી આપી હતી. એક તરફ અમદાવાદમાં ઓલિમ્પિકના આયોજન માટે જોરશોરથી બેઠકોનો અને વિદેશ યાત્રાનો દોર ચાલી રહ્યો હતો. પરંતુ આ જ સમયગાળામાં કર્સ્ટી કોવેન્ટ્રી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના નવા પ્રમુખ બન્યા. તેમણે પદ સંભાળતા જ ઓલિમ્પિક યજમાન શહેર પસંદગી પ્રક્રિયાને રોકીને સમીક્ષા કરવાની જાહેરાત કરી દીધી. આ નિર્ણયે અમદાવાદમાં ઓલિમ્પિકની મેજબાનીના પ્રયાસો માટે ફટકો ગણવામાં આવ્યો હતો. ત્યાર બાદ એવો માહોલ બની ચૂક્યો હતો કે ભારત સરકારના ઓલિમ્પિક માટેના પ્રયાસોની ગતિ ધીમી પડી ગઈ છે. પરંતુ ઓગસ્ટ મહિનાના અંતમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે એક કાર્યક્રમમાં નિવેદન આપીને આવી ચર્ચાઓ પર વિરામ લગાવી દીધું. ઓલિમ્પિકની મેજબાનીના સપના અને પ્રયાસો વચ્ચે અદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાશે. અગાઉ વર્ષ 2010માં દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાઇ હતી. ભારતમાં પહેલીવાર આટલી મોટી ઇવેન્ટનું આયોજન થયું હતું. જે સફળ રહ્યું હતું. તેનું બજેટ ત્રણેકવાર બદલાયું હતું. શરૂઆતના તબક્કે ઓર્ગેનાઇઝિંગ કમિટી દ્વારા દિલ્હી ઓલિમ્પિકનું બજેટ 11,500 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું. જો કે છેવટે તેમાં 70 હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો હોવાનું સામે આવ્યું હતું. દિલ્હી કોમનવેલ્થ ગેમ્સ ઇતિહાસની સૌથી મોંઘી કોમનવેલ્થ ગેમ્સ છે. દિલ્હી કોમનવેલ્થ 2010નું આયોજન ચાર સ્તરે થયું હતું ભારત સરકાર તથા દિલ્હી સરકાર: કોમનવેલ્થનું આયોજન રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં થયું હોવાથી કેન્દ્ર અને દિલ્હી એમ બન્ને સરકારે મળીને આયોજન કર્યું હતું. જેમાંથી નાણાકીય બજેટ, સુરક્ષા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જવાબદારી કેન્દ્ર સરકારે જ્યારે રમતના સ્થળો, ટ્રાન્સપોર્ટ, આવાસની જવાબદારી દિલ્હી સરકારના ભાગે હતી. ઓર્ગેનાઇઝિંગ કમિટી: સુરેશ કલમાડી ચેરમેન હતા. આ કમિટીએ દિલ્હી કોમનવેલ્થ 2010નું સંચાલન, સ્પોન્સરશિપ, ઓપરેશન્સનું કામ સંભાળ્યું હતું. કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન: માઇક ફેનેલ ત્યારે પ્રેસિડેન્ટ હતા. આ સંસ્થા રમતના આયોજન દરમિયાન નિયમોના પાલન બાબતે તપાસ કરતી હતી. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન: વિવિધ રમતો માટે રાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓની પસંદગી કરી હતી. આ ઉપરાંત 45થી વધુ સબ કમિટીઓ બનાવવામાં આવી હતી. જે સ્પોર્ટ્સ, વેન્યુ, સિક્યોરિટી, માર્કેટિંગ જેવા અલગ-અલગ વિભાગોમાં કામ કરતી હતી. 2010માં દિલ્હીમાં યોજાયેલી 19મી કોમનવેલ્થ ગેમ્સમાં વિવિધ ગેમ્સ માટે 12 લોકેશન નક્કી કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 9 સ્થળે એવા પણ હતા જ્યાં ખેલાડીઓ પ્રેક્ટિસ કરી શકે. એવું કહેવાય છે કે 2010માં કોમનવેલ્થ ગેમ્સના આયોજનના કારણે દિલ્હીની આખી શિકલ બદલાઈ ગઈ હતી. કારણ કે કોમનવેલ્થ ગેમ્સને ધ્યાને રાખીને ઘણા નવા પ્રોજેક્ટને માન્યતા મળી, અલગથી બજેટ ફાળવાયું અને નક્કી કરેલી સમયસીમામાં કામ પણ પૂરું કરી દેવામાં આવ્યું હતું. દિલ્હી કોમનવેલ્થ જોવા માટે લગભગ 14 લાખ દર્શકો આવ્યા હતા. જેમાં અંદાજે દોઢ લાખની આસપાસ વિદેશી લોકો પણ સામેલ હતા. એટલે પર્યટકોના કારણે પણ ઘણી આવક થઈ હતી. કોમનવેલ્થ અને ઓલિમ્પિકની તુલના- કેટલા દેશ, કેટલું બજેટ અને કેટલી રમતો હોય છે?સામાન્ય રીતે કોમનવેલ્થ અને ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેનાર દેશ-ખેલાડી અને રમાતી રમતની સંખ્યા બદલાતી રહેતી હોય છે. આ ગેમ્સનો વ્યાપ સમજવા માટે પહેલી અને છેલ્લે રમાયેલી કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સની તુલના કરવી પડે. પહેલી કોમનવેલ્થ ગેમ્સ કેનેડાના હેમિલ્ટન શહેરમાં 16થી 23 ઓગસ્ટ, 1930 દરમિયાન રમાઇ હતી. એ સમયે તે બ્રિટિશ એમ્પાયર ગેમ્સ કહેવાતી. જેમાં 11 દેશના 400 એથ્લિટસે ભાગ લીધો હતો. કુલ 59 ઇવેન્ટ્સમાં એથ્લેટિકસ, બોક્સિંગ, લોન બોલ્સ, રોવિંગ, સ્વિમિંગ અને ડાઇવિંગ તથા રેસલિંગની રમતો રમાઈ હતી. આજની 100 વર્ષ પહેલાં કોમનવેલ્થ ગેમ્સનું બજેટ 97,973 ડોલર હતું. છેલ્લે 28 જુલાઈથી 8 ઓગસ્ટ, 2022 દરમિયાન બર્મિગહામ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થયું હતું, જેમાં 72 દેશોના 4500થી વધુ એથ્લેટ્સે ભાગ લીધો હતો. જેમાં 22 રમતો રમાઈ હતી. આ ઇવેન્ટરનું બજેટ અંદાજે 8500 કરોડ રૂપિયા હતું. વર્ષ 1896માં 6થી 15 એપ્રિલ દરમિયાન ગ્રીસના એથેન્સ શહેરમાં પહેલી ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થયું હતું. જેમાં 12 દેશોના 280 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ તમામ ખેલાડીઓ પુરુષ હતા. એક અંદાજા મુજબ પહેલી ઓલિમ્પિક પાછળ 37,40,000 સોના મહોર જેટલો ખર્ચ થયો હતો. આજના સમયે તેની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા જેટલી ગણી શકાય. ગયા વર્ષે પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં 206 દેશોએ ભાગ લીધો હતો. જેમાં અલગ-અલગ 22 રમતોમાં 10,500 ખેલાડી હતા. 2024ની પેરિસ ઓલિમ્પિક પાછળ અંદાજે 91 હજાર કરોડ રૂપિયા ખર્ચાયા હતા. 2024માં પેરિસમાં ઓલિમ્પિક રમાઈ હતી. ફ્રાન્સના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્ટેટેસ્ટિક્સ એન્ડ ઇકોનોમિક સ્ટડીઝ પ્રમાણે પેરિસ ઓલિમ્પિકને કારણે ફ્રાન્સનો GDPમાં વિકાસદરમાં 0.5%નો વધારો થયો. ઓલિમ્પિકના આયોજનથી લાંબા સમયગાળામાં આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની છબિ સુધરે છે, દેશો સાથેના સંબંધો સુધરે છે અને એથલિટ્સની નવી પેઢી પ્રેરાય છે.
જૂની અદાવતનો ખાર રાખી હુમલો:ક્રિષ્ના વોટર પાર્કના માલિકનો તેના નાના ભાઈ પર હુમલો, હોસ્પિટલે ખસેડાયા
રાજકોટ નજીક આવેલ ક્રિષ્ના વોટર પાર્કના માલિકે લગ્ન પ્રસંગમાં આવેલા તેના સગા નાના ભાઈ સાથે તેણે અગાઉ કરેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા બાબતે બોલાચાલી કરી હુમલો કરતાં ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અમદાવાદમાં રહેતા અને રાજકોટમાં કુવાડવા રોડ ખાતે ફેક્ટરી ધરાવતા સુરેશભાઈ ગોવિંદભાઈ કણસાગરા(ઉં.વ.63) બુધવારે ગોંડલ રોડ ચોકડી પર આવેલ ક્રિષ્ના પાર્ક ખાતે લગ્ન પ્રસંગમાં આવ્યા હતા ત્યારે તેના મોટા ભાઈ હરિભાઈ ગોવિંદભાઈ કણસાગરાએ અગાઉ કરેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા બાબતે માથાકૂટ કરી સુરેશભાઈને માર માર્યો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં સુરેશભાઈ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં સુરેશભાઈએ જણાવ્યા અનુસાર, અંદાજિત પંદરેક દિવસ પહેલાં જ આ હરિભાઈએ તેના પુત્રને ફેક્ટરી બંધ કરી દેવા બાબતે ખૂનની ધમકી આપી હતી. આ મામલે સુરેશભાઈના પુત્રના મેનેજરની ફરિયાદ પરથી પોલીસે હરિભાઈ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જેનો ખાર રાખી આ હરિભાઈએ અમદાવાદથી ભાણેજની દીકરીના લગ્નમાં આવેલા તેના નાના ભાઈ સુરેશભાઈ કણસાગરાને જૂની ફરિયાદ પાછી ખેંચી લેવા બાબતે માથાકૂટ કરી આડેધડ હુમલો કરતાં સુરેશભાઈ તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે સુરેશભાઈનું નિવેદન નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ કરેલી પોલીસ ફરિયાદમાં સુરેશભાઈના પુત્રના મેનેજરે હરિભાઈ સહિતનાઓના નામો આપ્યા હતા. ફરિયાદમાં ઉલ્લેખ કર્યા અનુસાર, આ હરિભાઈ તેના ઝનૂની સ્વભાવને લીધે અવારનવાર આ પ્રકારે માથાકૂટ કરતાં હોય આ ઉપરાંત ઉશ્કેરાઈ જઈ માર માર્યાનું સામે આવતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જેનો ખાર રાખી ફરી એક વાર હરિભાઈએ તેના નાના ભાઈ સુરેશભાઈને આડેધડ માર મારતાં પોલીસે સુરેશભાઈનું નિવેદન લઈ વધુ તજવીજ હાથ ધરી છે.
મહેસાણા પંથકમાં રહેતી 14 વર્ષની સગીરાને મારી પાસે તારા ફોટા છે, તું આવીને ડિલિટ કરી જા તેમ કહી સગીરાને બોલાવી તેણીને ડરાવી ધમકાવીને છઠીયારડાના યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ તાલુકા પોલીસ મથકે નોંધાઇ છે. મહેસાણા પંથકમાં પરિવાર સાથે રહેતી 14 વર્ષની સગીરાને છઠીયારડા ગામના ઠાકોર જયેશજી દીવાનજીએ ઓક્ટોબર મહિનામાં પોતાની પાસે તેના ફોટા છે, તું આવીને ડિલિટ કરી જા તેમ કહી સગીરાને બોલાવી હતી અને પછી ધમકાવીને ચાર વખત તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ ગત 23 નવેમ્બરના રોજ સગીરાને ચપ્પુ બતાવી ડરાવીને તેની પાસે બોલાવી આબરૂ લેવાના ઈરાદે તેનો હાથ પકડીને નાસી છૂટ્યો હતો. સગીરાએ પરિવારજનોને વાત કરતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને તાલુકા પોલીસે જયેશજી ઠાકોર સામે પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
BAPS સ્વામિનારાયણ મંદિરના 27મા પાટોત્સવ દિનની ભવ્ય ઉજવણી કરાઇ હતી. આ તકે ષોડશોપચાર પૂજનવિધિ અને અભિષેકવિધિ તેમજ પાટોત્સવ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રના વિવિધ શહેરોના 20થી વધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. પાટોત્સવની ઉજવણી અંતર્ગત નિજ મંદિરમાં મંગળા આરતી બાદ પાટોત્સવની મહાપૂજાવિધિ યોજાઈ હતી. સમૃદ્ધિ અને સુખાકારી માટે વિશેષ પ્રાર્થના કરાઇસંતો તથા ઉપસ્થિત તમામ હરિભક્તોએ ભગવાન સમક્ષ સમગ્ર વિશ્વમાં સુખશાંતિ સ્થપાય સાથે સાથે ભક્તો-ભાવિકોની સમૃદ્ધિ અને સુખાકારી માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. ઠાકોરજી સમક્ષ તથા ગુરુપરંપરા, શ્રી હનુમાનજી અને શ્રી ગણપતિજી સમક્ષ પૂજન, અભિષેક, પંચામૃત સ્નાન અને કેસર જળાભિષેક વગેરે પાટોત્સવ વિધિઓ સંપન્ન થઈ હતી.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ શનિવારે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા રાજકોટ સહિત રાજ્યના તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં લેવામાં આવશે. આ પરીક્ષાઓ માટે 31 ઑક્ટોબર સુધી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી હતી, જેમાં કુલ 2.18 લાખ વિદ્યાર્થી નોંધાયા છે. પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં શૈક્ષણિક વર્ષ 2025–26માં અભ્યાસ કરતા ધોરણ–6ના વિદ્યાર્થીઓ ભાગ લેશે. રાજ્યભરમાં કુલ 1,42,775 વિદ્યાર્થીએ આ પરીક્ષા માટે અરજી કરી છે. જ્યારે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં ધોરણ–9માં અભ્યાસ કરતાં કુલ 75,423 વિદ્યાર્થી ઉપસ્થિત રહેશે. આમ, બંને પરીક્ષા માટે મળીને 2,18,198 વિદ્યાર્થી પરીક્ષા આપવા તૈયાર છે. રાજકોટમાં પણ જુદા જુદા કેન્દ્રોમાં આ પરીક્ષાનું આયોજન કરાયું છે. પરીક્ષાને લઈને શિક્ષણ તંત્ર દ્વારા મોટાભાગની તૈયારીઓ પૂરી કરી લીધી છે. પરીક્ષાનું આયોજન શનિવારના રોજ બપોરે 1થી 3 વચ્ચે રાજ્યના કુલ 1,205 પરીક્ષા કેન્દ્રમાં કરવામાં આવ્યું છે. પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા માટે 754 પરીક્ષા કેન્દ્ર અને 5,123 વર્ગ નક્કી કરવામાં આવ્યા છે. પરીક્ષા બોર્ડે અગાઉ જ જાહેરનામાં દ્વારા ઓનલાઈન આવેદન અને ફી ભરવાની પ્રક્રિયા અંગે સૂચનાઓ જાહેર કરી હતી. 29 નવેમ્બરે પરીક્ષાની તારીખ જાહેર થતાં જ શિક્ષણ સંસ્થાઓએ વિદ્યાર્થીઓને સમયસર તૈયારી માટે સૂચિત કર્યાં હતાં. રાજ્ય સરકારની PSE યોજનામાં વિદ્યાર્થીને વર્ષે રૂ.750 મળશે જ્યારે SSE યોજનામાં વર્ષમાં એક વખત રૂ.1000ની સ્કોલરશિપનો લાભ મળવાનો હોવાનું જાણવા મળ્યું છે. સફળ વિદ્યાર્થીઓને બોર્ડ શિષ્યવૃત્તિ અને પ્રમાણપત્રો એનાયત કરશેપ્રાથમિક શિષ્યવૃત્તિ : તાલુકાવાર ક્વોટા પ્રમાણે પ્રથમ 1000 વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. ઉત્તીર્ણ થનારા તમામ વિદ્યાર્થીઓને માર્કશીટ કમ પ્રમાણપત્ર એનાયત થશે. માધ્યમિક શિષ્યવૃત્તિ :તાલુકાવાર ક્વોટા પ્રમાણે કુલ 2900 વિદ્યાર્થી (ગ્રામ્યના 1500, શહેરી વિસ્તારના 1000 અને ટ્રાયબલના 400)ને શિષ્યવૃત્તિ મળશે. આ પરીક્ષામાં ઉત્તીર્ણ થનારા તમામ વિદ્યાર્થીઓને પણ માર્કશીટ કમ પ્રમાણપત્ર એનાયત કરાશે. પરીક્ષાની પેટર્ન બે પ્રકારની કસોટી હશે
ભાસ્કર ઈનસાઈડ:શહેરમાં 54 સીસી અને ડામર રોડનાં કામ 30 ડિસેમ્બર સુધીમાં પૂરાં કરાશે
મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેર અને ભળેલા 19 ગામોના 59 રોડનું રિસરફેસ કામ આગામી 30 ડિસેમ્બર સુધીમાં પૂરું કરવા કોન્ટ્રાક્ટરોને ડેડલાઇન અપાઇ હતી. આ સાથે જ રોડની ગુણવત્તાનું પૂરું ધ્યાન રાખવા તાકીદ કરી હતી. મનપા દ્વારા આ તમામ રોડનું થર્ડ પાર્ટી ઈન્સ્પેકશન પણ કરવામાં આવનાર છે. મનપા દ્વારા રૂ.30 કરોડના ખર્ચે આ 59 રોડ રિસરફેસ કરાનાર છે. જેમાં રૂ.23 કરોડના 34 ડામર રોડ અને રૂ.7 કરોડના 25 સીસી રોડનો સમાવેશ થાય છે. હાલ ટીબી હોસ્પિટલ રોડ સ્નેહકુંજ સોસાયટી, પાંચોટ હાઇવે ચોકડીથી ગામ તરફનો રસ્તો, ચોકની લીમડીથી ખારી નદી, રાધનપુર રોડ બાવનના નેળિયામાં, ફતેપુરા ગામથી બાયપાસ, ફતેપુરા ગામથી હાઇવેનું કામ ચાલુ છે. કમિશ્નરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રોડની કામગીરી કયા તબક્કે છેનો રિવ્યુ કરાયો હતો મનપાની પેનલ સિસ્ટમથી રોડ કામ ઝડપથી શરૂ થવા લાગ્યાનગરપાલિકા વખતે સોસાયટીઓની 20 થી 25 દરખાસ્તો એકઠી કરી પ્રાદેશિક કચેરીએ ત્યાંથી ફાઇનાન્સ બોર્ડમાં જાય પછી મંજૂરી બાદ ટેન્ડર કરીને એક જ એજન્સીને કામ સોંપાતું. જેમાં એક સોસાયટીમાં રોડ પાછળ 15 દિવસ લાગે, પછી બીજો રોડ શરૂ કરે. જેમાં વધુ સમય લાગતો. પરંતુ, હવે કોર્પોરેશન બનતાં દરખાસ્ત સીધી ફાઇનાન્સ બોર્ડમાં જાય અને મંજૂરી પછી મનપા પેનલ એજન્સી સિસ્ટમમાં તમામ રોડનાં કામ એક એજન્સીના બદલે 5 થી 10 એજન્સીઓમાં વહેંચતાં નગરપાલિકા કરતાં કામ ઝડપી પૂરાં થવા લાગ્યાં છે.
ભાસ્કર એક્સક્લુસિવ:આગામી ચોમાસામાં રેલવે સ્ટેશનના વરસાદી પાણીથી ગોપીનાળું ભરાશે
મહેસાણા રેલવે સ્ટેશન તરફ તાજેતરમાં બે સ્થળે નવા રસ્તા બનાવ્યા છે. આ બંને રસ્તા ગોપીનાળું વિસ્તાર અને ત્યાંથી રાધનપુર સર્કલ તરફ જતાં મુખ્ય માર્ગને સ્પર્શે છે. પરંતુ, અહીં વરસાદી પાણીની નિકાલની વ્યવસ્થા કરાઇ ન હોઇ આવનારા ચોમાસામાં વરસાદી પાણી સીધું ગોપીનાળામાં જવાની પૂરી શક્યતા છે, જે મુશ્કેલીમાં વધારો કરશે. ગોપીનાળાથી રેલવે સ્ટેશન તરફ નવા માર્ગની સાઇડમાં નાની કેનાલ બનાવી છે, જે ગોપીનાળાની બહારની બાજુએ જઈ મળે છે. બીજી તરફ, ગોપીનાળાથી રાધનપુર સર્કલ તરફના માર્ગે રેલવે કોલોનીની બાજુમાં આવેલા જૂના રસ્તાને તોડી નવો પહોળો માર્ગ બનાવાયો છે. બંને માર્ગનો ઢાળ મુખ્ય શહેર તરફ રહેતાં વરસાદી પાણીનો પ્રવાહ પણ એ દિશામાં જ રહેશે. ઉપરાંત, રેલવે સ્ટેશનનો લગભગ 10 હજાર ચોરસ મીટર ધરાવતો પાર્કિંગ ઝોન સહિતનો વિસ્તાર ઊંચાઈ પર છે અને ત્યાં વરસાદી પાણી નિકાલની કોઈ સુવિધા નથી. આ કારણે સ્ટેશનના આ વિસ્તારનું પાણી બંને નવા માર્ગેથી ગોપીનાળામાં પહોંચશે. ગોપીનાળામાં દર વર્ષે પાણી ભરાવાથી ભારે મુશ્કેલીની સ્થિતિ સર્જાઇ રહી છે. કલાકો સુધી ટ્રાફિકજામને લઇ લોકોએ હેરાન થવું પડે છે. એવામાં આ નવી મુસીબતથી આગામી ચોમાસામાં વધારાના વરસાદી પાણીના પ્રવાહથી અહીંની સમસ્યા વધુ ગંભીર બનવાની શક્યતા છે. અગાઉ પાણી નિકાલમાં કલાકો લાગતા હતા, હવે આખો દિવસ લાગી શકે એવી સ્થિતિ ઊભી થઈ શકે છે.
ભાસ્કર શીખ:મહેસાણામાં રહેતા નિવૃત્ત ડોક્ટરને 10 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી ઠગોએ 30 લાખ પડાવ્યા
ભાસ્કર ન્યૂઝ | મહેસાણા મહેસાણામાં રહેતા નિવૃત્ત તબીબને 16 થી 25 નવેમ્બર સુધી સળંગ 10 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી સાયબર ગઠિયાઓએ રૂ.30 લાખ પડાવ્યા હતા. સીબીઆઇ અધિકારી તરીકેની ઓળખ આપી તમારા નામે મુંબઈની કેનેરા બેન્કમાં ખુલેલા ખાતામાં રૂ.2 કરોડ જમા થયા હોવાનું કહી સતત વીડિયોકોલ ઉપર સુપ્રીમ કોર્ટનું વોરંટ બતાવી, અલગ અલગ ત્રણ ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસમાં નોંધાઈ છે. મહેસાણાના નિવૃત્ત તબીબને 16 નવેમ્બરના રોજ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી દિલ્હીથી સંજય ગુપ્તાએ ફોન કરી તમારા આધારકાર્ડથી તિલકનગર મુંબઈ ખાતે સીમકાર્ડ લીધું છે અને તેનાથી ફ્રોડ થયું છે. તમને સીબીઆઈના અધિકારી વિજય ખન્ના ફોન કરશેનું કહી ફોન મૂકી દીધા બાદ તરત જ 94264 87401 નંબરથી સીબીઆઇના અધિકારી વિજય ખન્નાના નામથી તેમને ફોન કરી, જેટ એરવેઝના ચેરમેનના ઘરે રેડમાં મળેલા 247 આધારકાર્ડમાં તમારું આધારકાર્ડ પણ મળ્યું છે. જેનાથી મુંબઈ ચેમ્બુરમાં કેનેરા બેન્કમાં તમારું ખાતું ખુલેલ છે અને તેમાં રૂ.2 કરોડના નાણાકીય વ્યવહારો થયા છે. તેમાં સાયબર ફ્રોડના નાણાં પણ જમા થયા છે અને તમે તમારું બેન્ક ખાતું વાપરવા આપવા બદલ રૂ.25 લાખ લીધા હોવાનું તપાસમાં આવ્યું છે. જેથી તમારા વિરુદ્ધમાં મની લોન્ડરિંગ બાબતે એફઆઇઆર દાખલ થઇ છે અને સુપ્રીમ કોર્ટે તમારા વિરુદ્ધ એરેસ્ટ વોરંટ કાઢ્યું છે તેમ કહી, તેમને એરેસ્ટ વોરંટ બીજા લીગલ ડોક્યુમેન્ટ બતાવ્યા હતા. બીજી ઘટના | કડીના વૃદ્ધ પાસે પણ સાયબર ફ્રોડના રૂ.4.90 કરોડ જમા થયા છેનું કહી રૂ.10 લાખ પડાવ્યાસાયબર ફ્રોડની બીજી ઘટના કડીમાં બની છે. જેમાં ગત 12 નવેમ્બરના રોજ કડીના વૃદ્ધને 91605 38568 નંબરથી વીડિયોકોલ આવ્યો હતો અને તે કોલમાં પોલીસના ડ્રેસમાં એક વ્યક્તિ અને સાદા કપડામાં બીજા બે જણ હતા. તેમણે પોતે મહારાષ્ટ્ર પોલીસમાંથી બોલે છે અને તમારા આધારકાર્ડથી કેનેરા બેન્કમાં ખોલેલા એકાઉન્ટમાં રૂ.4.90 કરોડ જમા થયા છે, જે સાયબર ફ્રોડના છે. જેથી તમારા ઉપર ગુનો દાખલ કરવાનો છે અને પોલીસ તમને પકડી જશે તેમ કહ્યું હતું. ત્યાર બાદ 13 થી 20 નવેમ્બર સુધી વીડિયોકોલ કરી સુપ્રીમ કોર્ટ અને રિઝર્વ બેંકના પત્રો મોકલી બેંકમાં જઈને રૂપિયા આરટીજીએસ કરવાનું કહેતાં વૃદ્ધે બેંકમાં જઈને 21 નવેમ્બરના રોજ ઠગે મોકલેલા ખાતામાં રૂ.10 લાખ આરટીજીએસ કર્યા હતા. પોતાની સાથે બનેલી ઘટના અંગે તેમણે પુત્રને જણાવતાં તેણે સાયબર ફ્રોડ થયું હોવાની જાણ થતાં મહેસાણા સાઈબર ક્રાઇમ પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ કે કોર્ટ ક્યારેય કોઈને ડિજિટલ એરેસ્ટ કરતી નથીકોઈપણ પોલીસ કે કોર્ટ ક્યારેય કોઈને ડિજિટલ એરેસ્ટ કરતી નથી. સાયબરનાં નાણાં જમા થતાં ખાતાઓની પોલીસ દ્વારા કરાતી તપાસમાં કોઈપણ પોલીસ વીડિયોકોલ કે ઓનલાઇન કાર્યવાહી કરતી નથી. તેના માટે જે-તે વ્યક્તિને રૂબરૂ જ બોલાવવામાં આવે છે. જેથી સીબીઆઇ કે અન્ય પોલીસના નામે કોઈ પણ અધિકારીનો ફોન આવે તો તેના જાસામાં આવવું નહીં અને રૂપિયા ટ્રાન્સફર કરવા નહીં.
અહો આશ્ચર્યમ:રાજકોટમાં માત્ર 3 દી’માં SIRની 19.6 ટકા કામગીરી
રાજકોટ શહેર-જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ(SIR)ની કામગીરી ચાલી રહી છે અને ગત રવિવાર સુધીમાં જિલ્લામાં માત્ર 57.05 ટકા જ કામગીરી પૂર્ણ થઇ હતી જેમાં 3 દિવસમાં 19.6 ટકાનો આશ્ચર્યજનક વધારો થયો છે અને 76.6 ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. 3 દિવસમાં 4,52,505 મતદાર ફોર્મ ડિજિટાઇઝેશન થઇ જતા અનેક સવાલો ઉઠ્યા છે. રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્રે જાહેર કરેલા આંકડા મુજબ ગત સોમવાર સુધીમાં કુલ મતદાર 23,91,027માંથી 13,64,163 મતદારના ફોર્મનું ડિજિટાઇઝેશન થઇ ગયું હતું. જ્યારે બુધવાર સુધીમાં હવે 18,18,668 મતદારના મતદાર ફોર્મનું ડિજિટાઇઝેશન થઇ ગયાનું જાહેર કરાયું છે. જે 76.6 ટકા કામગીરી પૂર્ણ થયાનું બતાવે છે. સૌથી વધુ કામગીરી જસદણ તાલુકામાં 90.98 ટકા થઇ છે. જસદણ તાલુકામાં 268531 મતદારમાંથી 244322 મતદારના મતદાર ફોર્મનું ડિજિટાઇઝેશન થઇ ગયું છે જ્યારે સૌથી ઓછી કામગીરી રાજકોટ પૂર્વમાં 68.30 ટકા થઇ છે. રાજકોટ પૂર્વમાં 308791 મતદારમાંથી 210906 મતદારના મતદાર ફોર્મનું ડિજિટાઇઝેશન થયું છે. ક્યાં કેટલા ટકા કામગીરી
મંજૂરીની મોકાણ:સાંઢિયા પુલને નડ્યું રેલવે તંત્રની મંજૂરીનું ગ્રહણ, ડિસેમ્બરમાં લોકાર્પણ અસંભવ
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.2 અને 3ની સરહદને વિભાજિત કરતા જામનગર રોડ ઉપર રૂ.75 કરોડના ખર્ચે નિર્માણાધીન સાંઢિયા પુલનો પ્રોજેક્ટ નિયત સમયમર્યાદામાં એટલે કે માર્ચ-2026માં પૂરો ન થાય તેવા સંજોગો સર્જાયા છે. સાંઢિયા પુલના કામે સેન્ટ્રલ પોર્શનમાં એટલે કે રેલવે ટ્રેકની બરોબર ઉપરના ભાગે સ્ટીલ ગર્ડર લોન્ચ કરવા રાજકોટ મહાનગરપાલિકાએ 3 મહિના પહેલાં મંજૂરી માગી હતી જે આજદિન સુધી ન મળતા મહાપાલિકાની ચૂંટણી પૂર્વે ડિસેમ્બરમાં પુલનું લોકાર્પણ કરવાનું સત્તાધીશોનું સપનું રોળાયું છે. હવે સંભવત: સાંઢિયા પુલનું કામ એપ્રિલ કે મે મહિનામાં પૂરું થાય તેવા સંજોગો મળી રહ્યા છે. સાંઢિયા પુલનું કામ માર્ચ-2026 સુધીમાં પૂરું કરવાની મુદત છે ત્યારે હવે કામ અટકી ગયું છે અને જ્યાં સુધી રેલવે તંત્રની મંજૂરી ન મળે ત્યાં સુધી આ કામ આગળ ધપી શકે તેમ નથી. આ કામ એ પુલ પ્રોજેક્ટના મહત્ત્વના હિસ્સાનું કામ છે અને તેના માટે 90 દિવસ પૂર્વે મંજૂરી માગવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને અગાઉ અવારનવાર લેખિત તથા મૌખિક રજૂઆતો અને ટેલિફોનિક ફોલોઅપ લેવામાં આવ્યા બાદ પણ હજુસુધી મંજૂરીના ઠેકાણા નથી. અને હજુ એક-બે મહિના બાદ મંજૂરી આવે તેવી શક્યતા છે. આ કામ માટે રેલવે તંત્રે બ્લોક લેવો પડે એટલે કે જ્યારે કોઇ ટ્રેન પસાર થવાની ન હોય ત્યારે જ સ્ટીલના તોતિંગ ગર્ડર લોન્ચિંગની કામગીરી થઇ શકે છે. તેથી જ્યાં સુધી રેલવે તંત્ર લીલીઝંડી નહીં આપે ત્યાં સુધી કામ અટકેલું રહેશે. સત્તાધીશો આ પુલનું કામ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની ગણતરી રાખી રહ્યા હતા જે હવે શક્ય ન હોવાનું જાણવા મળે છે.
જાહેર હરાજી:મનસુખભાઇ છાપિયા ટાઉનશિપની 8 દુકાનના રૂ.342.10 લાખ ઉપજ્યા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ મનસુખભાઈ છાપિયા ટાઉનશિપની 8 દુકાનની જાહેર હરાજી યોજાઈ હતી. જેમાં 8 દુકાનની અપસેટ કિમત રૂ.236.10 લાખ રાખવામાં આવેલ જેની સામે હરાજીમાં રૂ.342.10 લાખનો રેકોર્ડબ્રેક ભાવ ઉપજ્યા હતા. મનપાએ પુનિતનગર પાણીના ટાંકા સામેનો રોડ, શ્યામલ વાટિકા પાસે, ટી.પી.15(વાવડી)ના એફ.પી.15/એ-28/એ ખાતે વેસ્ટ ઝોન પેકેજ-5 હેઠળ તૈયાર થયેલ મનસુખભાઈ છાપિયા ટાઉનશિપના શોપિંગ સેન્ટરની કુલ-8 દુકાનની હરાજી બુધવારે કરી હતી જેમાં દુકાન ખરીદવા ઇચ્છુક 51 જેટલા ખરીદારોએ ભાગ લીધો હતો. આ જાહેર હરાજીમાં 8 દુકાનનો ભાવ અપસેટ પ્રાઇઝ કરતાં 44.89 ટકા વધુ ઉપજ્યા હતા. આ 8 દુકાનની અપસેટ પ્રાઇઝ કરતાં મહાનગરપાલિકાને રૂ.106 લાખની વધુ આવક થઇ હતી.
આપણું અમદાવાદ દુનિયાના નકશામાં ચમકશે. દિલ્હી-મુંબઈ નહીં હવે ભારતની ઓળખ અમદાવાદથી થશે. કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદ શહેરની પસંદગી થતાં જ ગુજરાતના વિકાસમાં નવો અધ્યાય લખાયો છે. આ સાથે જ ઓલિમ્પિક 2036 માટે પણ અમદાવાદની યજમાની લગભગ નિશ્ચિત થઈ ગઈ છે. આ બે વર્લ્ડ ક્લાસ ઈવેન્ટના આયોજનથી આખી દુનિયામાં અમદાવાદનું નામ ગૂંજતું થશે. એટલો વિકાસ થશે કે અમદાવાદની સિકલ સાવ બદલાઈ જશે. વિશ્વ જોતું રહી જાય એવા ભવ્યાતિભવ્ય સ્ટેડિયમો બનશે. નવા વીઆઈપી રોડથી લઈને હાઈટેક બ્રિજ બનશે. ખેલાડીઓને રહેવા માટે લક્ઝુરિયસ વિલેજથી લઈને ફરવા માટે આકર્ષક કેન્દ્રો ઉમેરાશે. મુખ્યત્વે રિવરફ્રન્ટ પરના કિનારે એવા નજરાણા ઉભા કરાશે કે ભલભલા અંજાઈ જશે. ટુરિઝ્મથી લઈને નોકરીની ડિમાન્ડ ઉભી થશે. રિયલ એસ્ટેટમાં એવી તેજી આવશે કે રોકાણ કરનારા માલામાલ થઈ જશે. તેમજ 3 લાખ જેટલી રોજગારી ઉભી થશે. કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે કેટલું બજેટ જોઈશે?, તોતિંગ ખર્ચની ગુજરાતના અર્થતંત્ર પર કેવી અસર થશે?, હોટલ, ટુરિઝમ, રિઅલ એસ્ટેટ માર્કેટને આ ગેમ્સના આયોજનથી કેવી આશા છે અને તેનાથી આ ઉદ્યોગોમાં કેવા પરિવર્તન આવશે? આ તમામ સવાલોના જવાબ જાણવા દિવ્ય ભાસ્કરે અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાતો સાથે વાતચીત કરી હતી. દેશમાં ગુજરાત સ્પોર્ટસનું હબ બનશેવાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, આંતરરાષ્ટ્રી પતંગોત્સવ, રણ ઉત્સવના આયોજન થકી ગુજરાત વિદેશી રોકાણકારો અને પર્યટકોને આકર્ષવામાં સફળ રહ્યું છે. આ પ્રકારના આંતરરાષ્ટ્રીય કક્ષાની ઈવેન્ટનું સફળતાપૂર્વક આયોજન કરી ગુજરાત ગ્લોબલ બિઝનેસ અને ટુરિઝમ હબ તરીકે સ્થાપિત થયું છે. અમદાવાદે 2026 ઓલિમ્પિક માટે દાવેદારી કરી છે. 2030 કોમનવેલ્થ ગેમ્સ, 2025 વેઈટ લિફ્ટિંગ, 2029 વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સના આયોજન ગુજરાતમાં થવાનું છે. જે દેશમાં ગુજરાતને સ્પોર્ટસ હબ તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ પ્રકારની ઈવેન્ટના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં સ્પોર્ટસ ક્ષેત્રે રોકાણો વધશે જેનો લાભ ગુજરાતના ખેલાડીઓને પણ થવાનો છે. કોમનવેલ્થ ગેમ્સના આયોજનના કારણે અમદાવાદને અને ગુજરાતના અર્થતંત્રને કેટલો ફાયદો થાય?, ખાસ કરીને કયા કયા સેક્ટરને સૌથી વધુ ફાયદો થાય અને ખર્ચમાં કરકસર માટે સરકાર શું કરી શકે? આ તમામ સવાલોના જવાબ મેળવવા દિવ્ય ભાસ્કરે આર્થિક બાબતોના જાણકાર જય નારાયણ વ્યાસ, યમલ વ્યાસ અને પ્રોફેસર હેમંતકુમાર શાહ સાથે વાતચીત કરી હતી. આયોજના પાછળ 30,000થી 35,000 કરોડના ખર્ચનો અંદાજજયનારાયણ વ્યાસે જણાવ્યું હતં કે, 2030માં અમદાવાદમાં કોમનવેલ્થનું આયોજન થવાનું છે તેની પાછળ અંદાજિત 30 થી 35 હજાર કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. રમતગમતના સ્ટેડિયમ બનશે, ઈન્ફ્રાસ્ટ્રકચરમાં ખૂબ વધારો થશે, જેના કારણે રોજગારીમાં પણ વધારો થશે. એરલાઈન્ટ અને હોટલ ઉદ્યોગનો બુસ્ટ મળશે. કોમનવેલ્થમાં જે રોકાણ થશે તે લાંબા ગાળાનું રોકાણ હશે એટલે તેનાથી ફાયદો જ થાય. દિલ્હીમાં પણ કોમનવેલ્થ ગેમ્સના કારણે ફાયદો જ થયો હતો. કોમનવેલ્થના આયોજનથી નવી 1 લાખ રોજગારીની તકો સર્જાશે: યમલ વ્યાસઆર્થિક બાબતોના જાણકાર યમલ વ્યાસે જણાવ્યું હતું કે, અમદાવાદમાં રમતગમત માટે જ 5 હજાર કરોડનો ખર્ચનો અંદાજ છે. જ્યારે ઈન્ફ્રાસ્ટ્રકચરનો ખર્ચ અલગ થશે. ગેમ્સના આયોજનના કારણે ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રકચર, ટ્રાન્સપોર્ટ, ટુરિઝમ જેવા સેક્ટરને ખૂબ મોટા પ્રમાણમાં લાભ થશે. ગેમ્સના આયોજનના કારણે અંદાજિત એક લાખ નવી રોજગારની તકોનું સર્જન થવાની શક્યતા છે. રિયલ એસ્ટેટને બૂસ્ટ ડોઝ મળશે2020 કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે જે સંભવિત સ્થળો છે તેની આસપાસના વિસ્તારોમાં આગામી દિવસોમાં જમીન-મકાનનાી ભાવમાં રોકેટગતિએ વધારો થવાની શક્યતા છે. રિયલ એસ્ટેટના જાણકારોનું માનીએ તો, હાલ રિયલ એસ્ટેટ માર્કેટ ધીમું ચાલે છે પણ કોમનવેલ્થ ગેમ્સની યજમાનીના કારણે બુસ્ટ મળશે. 'જમીન માલિકોને ચાંદખેડા, મોટેરામાં 15થી 20 ટકા સુધીનો તાત્કાલિક ફાયદો'રિયલ એસ્ટેટ ક્ષેત્રના જાણકારોના મતે કોમનવેલ્થ ગેમ્સની જાહેરાતના કારણે ચાંદખેડા, મોટેરા વિસ્તારમાં 15થી 20 ટકા સુધીનો તાત્કાલિક ફાયદો જમીન માલિકોને થઈ શકે છે. તેમજ તેની નજીકમાં આવતા ઝુંડાલ, વૈષ્ણોદેવી સર્કલ અને સરગાસણ સહિતના વિસ્તારમાં જમીનના ભાવમાં ઉછાળો જોવા મળી શકે છે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. રોકાણકારો માટે પણ રોકાણ માટે આ સુવર્ણ સમય ગણી શકાય. ચાંદખેડા ભાવિ વિકાસ કેન્દ્ર મોટેરા, ચાંદેખડા, ઝુંડાલ, વૈષ્ણોદેવી, ત્રાગડ, સરગાસણ સહિતના વિસ્તારોમાં રોકાણ કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે તેવું રિયલ એસ્ટેટ સેક્ટરના એક્સપર્ટ માની રહ્યા છે. કારણ કે ચાંદખેડાને એક ભાવિ વિકાસ કેન્દ્ર તરીકે જોવામાં આવે છે. તેમજ મોટેરા વિસ્તારમાં સ્ટેડિયમ એરિયા હોવાથી આ વિસ્તારમાં ઘણો વિકાસ થઈ શકે છે જેના કારણે રોકાણ કરવા માટે સૌથી વધુ ફાયદાકારક રહેવાનું છે. અમદાવાદમાં ઘર લેવું ગર્વની બાબત બની જશે: ક્રેડાઈના પ્રમુખક્રેડાઈના પ્રેસિડેન્ટ તેજસ જોશીએ જણાવ્યું હતું કે,અમદાવાદ શહેરમાં રિયલ એસ્ટેટની સાથે સાથે શહેરનો પણ વિકાસ થવાનો છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ખૂબ મોટી ક્રાંતિ અમદાવાદમાં આવી શકે છે. કોમનવેલ્થ ગેમ્સ આવવાથી માત્ર અમદાવાદમાં રહેતો ગુજરાતી જ નહીં બહાર રહેતા ગુજરાતી પણ ઇન્વેસ્ટમેન્ટ કરશે. અમદાવાદમાં ઘર લેવું ગર્વની વાત બની જશે.ખૂબ મોટું માઇગ્રેશન અમદાવાદમાં આવશે જેથી ઘણો ગ્રોથ પણ થવાનો છે. સ્પોર્ટ્સ સંકુલ જ્યાં બનવાના છે ત્યાં ઘણું બધું ઈન્ફ્રાસ્ટ્રક્ચર મળશે. વધુમાં તેજસ જોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતનો GDP ગ્રોથ વધી જવાનો છે. મોટેરા, ચાંદખેડા, વૈષ્ણોદેવી, ઝુંડાલ સહિતના વિસ્તારમાં ઇન્વેસ્ટ કરશો તો ઘણો એવો ગ્રોથ મળવાનો છે.ઇન્વેસ્ટનેટ પણ અમદાવાદ ફાસ્ટ આવશે જેનાથી ગ્રોથ પણ થવાનો છે. કોમનવેલ્થને ધ્યાનમાં રાખીને જ ડેવલોપમેન્ટ થવાના છે. અમદાવાદમાં અફોર્ડેબલ હાઉસિંગમાં અને ઓપન લેન્ડમાં ઘણું ડેવલોપમેન્ટ થશે. ચાર કે છ મહિનામાં કોઈ ઇન્વેસ્ટમેન કરશે તો ઘણું સારું રિટર્ન મળવાનું છે. 'શહેર આસપાસના 77 કિમીના વિસ્તારમાં ભાવ ઊંચા જઈ શકે'સિટી એસ્ટેટ મેનેજમેન્ટના મેનેજિંગ ડાયરેક્ટર પ્રવીણ બાવડીયાએ જણાવ્યું હતું કે, કોમનવેલ્થ ગેમ્સના કારણે અમદાવાદ શહેર આસપાસના 77 કિલોમીટરના વિસ્તારમાં ભાવ ઊંચા જઈ શકે. મોટેરા સહિતના વિસ્તારમાં પણ ભાવ ખૂબ વધી શકે છે. અત્યારે રોકાણ કરો તો સારું એવું બેનીફીટ મળી શકે છે. આવનારા 10 વર્ષ ગુજરાત માટે ખૂબ મહત્વના રહેવાના છે. કોમનવેલ્થ ગેમ્સના કારણે ઝુંડાલ, ત્રાગડ અને વૈષ્ણોદેવી જેવા વિસ્તારમાં ભાવમાં ચોક્કસથી વધારો જોવા મળશે. 'રોકાણ કરવું હોય તો અત્યારનો સમય યોગ્ય છે'કયા વિસ્તારની ડિમાન્ડ વધી શકે છે? તેને લઈને પ્રવીણ બાવડીયા જણાવે છે કે, અત્યારે જો કોઈને રોકાણ કરવું હોય તો કોમર્શિયલ રિયલ એસ્ટેટમાં રોકાણ કરવું જોઈએ. જે લોકોએ પોતાનું ઘર ખરીદવાનું બાકી હોય તો આ જ યોગ્ય સમય છે. કારણકે કોમનવેલ્થ ગેમ્સની જાહેરાત થયા બાદ ભાવમાં ઘણો ઉછાળો જોવા મળશે. ઝુંડાલ, ત્રાગડ, વૈષ્ણોદેવી, થલતેજ સહિતના વિસ્તારોમાં રોકાણ કરવું ઘણું ફાયદાકારક રહેશે. અત્યારે રોકાણ કરીએ તો 35 ટકાથી વધુનો વધારો ચોક્કસથી થઈ શકે છે. તેમજ ગાંધીનગર અને અમદાવાદનું અંતર કાપવું સરળ થઈ ગયું છે. જેથી વૈષ્ણોદેવીથી ઝુંડાલ અને મોટેરા સુધીનો જે વિસ્તાર છે તેમાં રોકાણ કરવું જોઈએ. લુલુ મોલ સહિતના મોટા મોટા મોલ પણ એ જ વિસ્તારમાં આવી રહ્યા છે. જો રોકાણ કરવું જ હોય તો અત્યારનો સમય એકદમ યોગ્ય જ છે. સરગાસણ, કુડાસણ, રાયસણ સહિતનો વિસ્તાર જોરદાર ગતિ પકડશેવધુમાં પ્રવીણ બાવડીયા જણાવે છે કે, સરગાસણ, કુડાસણ, રાયસણ સહિતનો જે વિસ્તાર છે તે જોરદાર ગતિ પકડવાનો છે. અન્ય જિલ્લામાંથી ઘણી મોટી સંખ્યામાં સ્ટુડન્ટ્સ અમદાવાદ અભ્યાસ માટે આવે છે જેથી ભવિષ્યમાં સ્ટુડન્ટ્સ અમદાવાદ-ગાંધીનગરમાં નોકરી કરે તો અહીં ઘર રાખવાનું પસંદ કરતા હોય છે. કોલકાતા, મુંબઈ, રાજસ્થાનના ઇન્વેસ્ટરનું અમદાવાદ પર ધ્યાનતેમજ કોલકાતા, મુંબઈ, રાજસ્થાન સહિતના ઇન્વેસ્ટર અમદાવાદમાં ધ્યાન કેન્દ્રિત કરીને બેઠા છે. NRIમાં અમેરિકા, લંડન અને આફ્રિકાથી પણ ઘણા ગુજરાતીઓ અમદાવાદમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે. જેથી આવનાર સમયમાં સુવર્ણ યુગની શરૂઆત થશે અને અમદાવાદ સૌથી હોટ ડેસ્ટિનેશન બની જવાનું છે. મોટી મોટી બ્રાન્ડ અમદાવાદમાં મોલ શરૂ કરશે- શ્રેયાંસ શાહરિયલ એસ્ટેટના એક્સપર્ટ શ્રેયાંસ શાહે જણાવ્યું હતું કે, કોમનવેલ્થ ગેમ્સની જાહેરાત થતાં જ ચાંદખેડા, મોટેરા વિસ્તારમાં 15થી 20 ટકાનો તાત્કાલિક ફાયદો જમીન માલિકોને થઈ જ જવાનો છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારના લોકોને ઘણો ફાયદો થવાનો છે. ઇન્ફ્રાસ્ટરમાં સરકાર કોમનવેલ્થ ગેમ્સની તારીખની સાથે જાહેરાત કરી શકે તો સોનામાં સુગંધ ભળી એવું કહી શકાય છે. નવા રોડ અને બ્રિજ બન્યા બાદ તૂટી જાય છે તેમાં સરકારે સુધારો કરવાની જરૂર છે. છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના ગામડાઓમાંથી લોકો અમદાવાદ શિફ્ટ થઈ રહ્યા છે. કોમનવેલ્થ ગેમ્સની સાથે સાથે જો ઓલિમ્પિક પણ સરકાર લાવે તો આખા દેશમાં ગુજરાતનો ડંકો વાગી જાય. વધુમાં શ્રેયાંસ શાહ જણાવે છે કે, રિયલ એસ્ટેટ સેક્ટરમાં મિલકતમાં 100 ટકા ભાવ વધારો થવાનો જ છે. લોકોને રોજગાર મળશે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારામાં સારું ડેવલપ થશે. અમદાવાદની રોનક બદલાઈ જવાની છે. કારણ કે આવી કોઈ મોટી ગેમ્સનું આયોજન થયું નથી. જેથી મોટી મોટી બ્રાન્ડ અમદાવાદમાં તેમના મોલ શરૂ કરશે. વિશ્વમાં અમદાવાદનો ડંકો વાગશે તો બિલ્ડર અને ઈન્વેસ્ટર અને જે લોકો મિલકત ધરાવતા હશે તેમને પણ ઘણો ફાયદો થવાનો છે. અત્યારે ઘણા લોકો પાસે ઇન્વેસ્ટ કરવા માટે કોઈ સાધન રહ્યા નથી. અત્યારે રોકાણ કરવું હોય તો તપોવન સર્કલ, વૈષ્ણોદેવી, ઝુંડાલ આ તમામ વિસ્તાર અત્યારે રોકાણ કરવાથી ઘણો બધો વધારો થઈ જવાનો છે. જાહેરાત થતા જ 15થી 20 ટકાનો વધાર થવાનું નક્કી જ છે. કોમનવેલ્થ ગેમ્સના આયોજનના કારણે અમદાવાદને અને ગુજરાતના અર્થતંત્રને કેટલો ફાયદો થાય?, ખાસ કરીને કયા કયા સેક્ટરને સૌથી વધુ ફાયદો થાય અને ખર્ચમાં કરકસર માટે સરકાર શું કરી શકે? આ તમામ સવાલોના જવાબ મેળવવા દિવ્ય ભાસ્કરે આર્થિક બાબતોના જાણકાર અને ગુજરાતના પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ સાથે વાત કરી હતી. 'અમદાવાદમાં અંદાજિત 30 થી 35 હજાર કરોડના ખર્ચનો અંદાજ'આ બાબતે જયનારાયણ વ્યાસે જણાવ્યું કે, કોમનવેલ્થનું બજેટ ઘણીબધી બાબતો પર આધારિત છે. હવે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપનો કોન્સેપ્ટ બધી જ જગ્યાએ જોવા મળી રહ્યો છે. આજે એરપોર્ટ સર્વિસીસ પણ પ્રાઈવેટ પાર્ટનરશીપથી ચાલે છે. એટલે કેટલા સરકાર કરશે અને કેટલા પ્રાઈવેટ સેક્ટરમાંથી થશે તેના પર બજેટનો આધાર છે. 2010માં કોમનવેલ્થ ગેમ્સ દિલ્હીમાં થઈ જેમાં અંદાજિત બજેટ 10 હજાર કરોડ હતું, ઘણાં લોકો હજુ આને ઓછું બજેટ ગણે છે. કેમ કે એમાં જે દિલ્હી કોર્પોરેશને જે કામો કર્યા હોય રોડ પહોળા કર્યા હોય, ફ્લાય ઓવર્સ કર્યા હોય, જે - તે એજન્સીએ કર્યા હોય, એ બધાનો આમાં સમાવેશ થતો નથી એટલે બધું જ થઈને 30 થી 35 હજાર કરોડ રૂપિયા 2030ની કોમનવેલ્થ ગેમ્સમાં ખર્ચાવા જોઈએ. 'હોટલ, ટુરિઝમ, એરલાઈન્સ ક્ષેત્રના વિકાસને વેગ મળશે'કોમનવેલ્થ ગેમ્સના આયોજનથી લગભગ બધા જ સેક્ટરને લાભ થશે, એક તો એના કારણે ખૂબ ટુંકાગાળા માટે રમતો તો રમાવાની પરંતુ ખુબ લાબાંગાળાનું ઈન્ફાસ્ટ્રક્ચર અહીંયા ઉભું થશે. કોમનવેલ્થ ગેમ્સને લઈને ટુંકાગાળામાં ઈન્ફાસ્ટ્રક્ચર ડેવલપ થશે જેના કારણે ઈન્વેસ્ટમેન્ટ આવશે અને લેબર, એડવાન્સ ટેક્નોલોજી ઈન્વેસ્ટમેન્ટ એપ્લીકેશન ઉભી થશે. રમત-ગમતના લેટેસ્ટ સ્ટેડિયમ બનશે, હોટલોમાં ઘરાકી વધશે, એરલાઈન્સની ફ્રીક્વન્સી વધશે એ રીતે એની જે સ્નોબોલિંગ(ધીમે ધીમે મોટું સ્વરૂપ ધારણ કરે) ઈફેક્ટ કહેવાય ને એ રીતે વિવિધ રીતે વિવિધ પ્રકારની પ્રવૃત્તિ અને એના થકી દરેક એક્ટિવિટી જનરેટ થશે.ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગનો ઘણો વિકાસ થયો છે જેના કારણે હોટલ ઉદ્યોગ પણ વિકસ્યો છે. કોમનવેલ્થના કારણે તેમાં વધારો થશે. 'અંદાજિત 3 લાખ લોકોને રોજગારી મળવાની શક્યતા'રોજગારીની વાત કરીએ તો જેટલી કલ્પના કરીએ તેટલી ઓછી છે, હાલમાં મારા માનવા પ્રમાણે 6 ટકાના દરે જીડીપી વધે છે તો એમ્પ્લોયમેન્ટ પણ એ રીતે વધશે. કામચલાઉ રોજગારીની વાત કરીએ તો અસંખ્ય રોજગારી વધશે.2030માં કોમનવેલ્થ આવવાની હોય તો 2028 સુધીમાં બધું ટ્રાયલ સ્ટેજ પર આવી જવું જોઈએ. એટલે ત્રણ વર્ષ રહ્યા. એક કરોડે 10 માણસ ગણીએ તો 30 હજાર કરોડે 3 લાખ લોકોને જુદી-જુદી કેટેગરીમાં રોજગારી મળે. અને હું કન્સ્ટ્રક્શનને કામચલાઉ રોજગારી નથી ગણતો કેમ કે દિલ્હીમાં કન્સ્ટ્રક્શન હાલમાં પણ બંધ નથી થયું ઉપરથી કન્સ્ટ્રક્શન વધ્યું છે એટલે લાંબાગાળે એમ્પ્લોયમેન્ટ વધશે ઓછું નહીં થાય. 'કોમનવેલ્થના આયોજનથી ફાયદો થવાની શક્યતા વધુ છે' કોમનવેલ્થથી આર્થિક મુશ્કેલીઓ આવશે કે કેમ? આ અંગે જયનાયાણ વ્યાસે કહ્યું કે, ના, જરાય નહીં આવું કંઈ થાય નહીં, કોમનવેલ્થ ગેમ્સ ચાલે એ દરમિયાન ગેમ્સનો બધો જ ખર્ચો વસુલ થઈ જાય તો એ શક્ય નથી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જુઓ એ પહેલા જ દિવસથી એનો ખર્ચો વસુલ થઈ ગયો એમાં ચાર મેચ રમાઈ એટલે કંઈ ખોટમાં નથી ગયા. આ લાંબાગાળાનું રોકાણ છે એટલે ફાયદો જ થાય દિલ્હીમાં કોમનવેલ્થ ગેમના આવવાથી ફાયદો જ થયો છે નુકસાન થયું નથી. 'સરકારે જરુર હોય તે જ ખર્ચ કરવો, અન્ય કામ પીપીપી મોડલથી કરી શકાય'ખર્ચ અંગે કહ્યું કે, ખર્ચાના જુદા-જુદા મોડલ્સ છે, સરકારે જ્યાં પોતે કરવાં જેવું હોય તેમાં જ પડવું જોઈએ બાકી તો પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપ અમુક પ્રાઈવેટ સેક્ટરને આપવું જોઈએ અને માત્ર કન્સ્ટ્રક્શન સવલતો ઉભી કરવાનો સવાલ નથી એની નિભાવણી પણ કરવી જ પડશે, એટલે તેની નિભાવણી પણ કરવી પડશે એટલે સરકારે ભવિષ્યના લાભ માટે તેની નિભાવણી પણ કરવી જોઈએ. એટલે જો સરકાર જો એરપોર્ટ માટે પ્રાઈવેટ પાર્ટનરશીપ કરતી હોય તો એ પણ હિતાવહ નથી પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપથી થાય તો સરકારે મિનિમમ રોકાણ કરવું જોઈએ. સરકારે હેલ્થ, એજ્યુકેશન અને પાણી, રસ્તા માટે કરવું જોઈએ. કોમનવેલ્થની યજમાની મળવાને લઈ દિવ્ય ભાસ્કરે ઇકોનોમિ એક્સપર્ટ યમલ વ્યાસ સાથે પણ વાતચીત કરી હતી. ફક્ત રમતગમત માટે જ 5 હજાર કરોડોનો ખર્ચ થઈ શકે- યમલ વ્યાસયમલ વ્યાસે કહ્યું હતું કે, અમદાવાદમાં કોમનવેલ્થના આયોજના માટે જે રમતગમતનું માળખું તૈયાર થશે તેની પાછળ જ અંદાજિત 5 હજાર કરોડના ખર્ચનો અંદાજ છે. જ્યારે ઈન્ફ્રાસ્ટ્રકચર પાછળ જે ખર્ચ થશે તે અલગ હશે. કોમનવેલ્થ આવતા ઈન્ફ્રાસ્ટ્રકચરમાં વધારો થશે. હોટલ, રસ્તા, ફ્લાયઓવર, મેટ્રો, બસ સહિતની સુવિધામાં વધારો થશે.જેના કારણે ઈન્ફ્રાસ્ટ્રકચ,. ટ્રાન્સપોર્ટેશન, ટુરિઝમ, હોટલ ક્ષેત્રને બુસ્ટ મળશે. 'કોમનવેલ્થના આયોજનથી સરકારને કોઈ નુકસાનીની શક્યતા નથી'ભૂતકાળમાં કોમનવેલ્થ ગેમ્સના આયોજનના કારણે યજમાન દેશોની સરકારે નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ, યમલ વ્યાસનું કહેવું છે કે, અમદાવાદમાં જે ઈન્ફ્રા્સ્ટ્રકચર તૈયાર થશે તે લાંબા ગાળે લાભ આપનારું બની રહેશે. ખેલાડીઓ અને સ્ટાફ માટે જ રહેઠાણ બનાવવામાં આવશે તે ગેમ્સ બાદ જરુરિયાતમંદ લોકોને રહેવા માટે વેચી આવક ઉભી કરી શકાશે. 'હું માનું છું કે, દિલ્હી જેવો ગુજરાતમાં ભ્રષ્ટાચાર નહીં થાય'યમલ વ્યાસે વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હીમાં વર્ષ 2010માં જે કોમનવેલ્થનું આયોજન કરાયું હતું તેમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હતો. હું માનું છું કે, ગુજરાતમાં તો આવું નહીં જ થાય. છેલ્લા25 વર્ષમાં નથી થયું એટલે હવે પણ નહીં થાય. દિલ્હીની માફક અમદાવાદની બદલાશે તસવીરઈન્ડિયામાં વર્ષ 2010માં પ્રથમવાર કોમનવેલ્થ ગેમ્સનું આયોજન દિલ્હીમાં થયું હતું. જે 1982 એશિયાડ બાદનું સૌથી મોટું આયોજન હતું. જે બાદ હવે ભારતમાં બીજીવાર 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની ઈન્ડિયાને મળી છે. 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદ શહેર કરશે. 2010 દિલ્હી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ભ્રષ્ટાચારના આક્ષેપોના કારણે વધુ ચર્ચામાં રહ્યું. પરંતુ, કોમનવેલ્થ સમયે દિલ્હીમાં જે કામો થયા તેને ભૂલવા ન જોઈએ. જેની યાદી નીચે મુજબ છે. મેટ્રો રૂટ લંબાવવાની તૈયારી આ વાત દિલ્હીની થઈ હવે વાત અમદાવાદની કરીએ. અહીં તો વિકાસ કામગીરી અવિરત ચાલી જ રહી છે. શહેરમાં ઓવરબ્રિજ, અંડરબ્રિજ, મેટ્રોની કામગીરી ચાલી રહી છે. કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખી જ્યાં ગ્રાઉન્ડ તૈયાર કરાશે ત્યાં સુધી પહોંચવા માટે માળખાગત સુવિધા ઉભી કરાશે. અમદાવાદ મેટ્રોને લંબાવીને ગાંધીનગર સુધી પહોંચાડી દેવામાં આવી છે. હવે આગામી સમયમાં મેટ્રોના રૂટને લંબાવવાની તૈયારી કરી દેવામાં આવી છે. રસ્તાના વાઈડનીંગના કાણ પણ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવ્યા છે. હોટલમાં 3000 રૂમનો વધારો થવાની શક્યતા2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળ્યા બાદ દેશ વિદેશના મહેમાનોને આવકારવા માટે અમદાવાદમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આમ તો ગુજરાતમાં વર્ષોથી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, રણોત્સવ જેવી ઈવેન્ટ થતી હોય અમદાવાદમાં વર્લ્ડ ક્લાસ લેવલની હોટલ ઉપલબ્ધ છે. પરંતુ, કોમનવેલ્થ દરમિયાન દેશ વિદેશમાંથી હજારોની સંખ્યામાં ખેલાડી અને લોકો આવવાના હોય ફોર સ્ટાર અને ફાઈવ સ્ટાર કેટેગરીની હોટલની ડીમાન્ડ વધશે. અમદાવાદ અને ગાંધીનગરમાં 2025માં થ્રી સ્ટાર, ફોર સ્ટાર અને ફાઈવ સ્ટાર કેટેગરીની જે હોટલ છે તેમાં રૂમની સંખ્યા 5420 છે. જેમાં આગામી પાંચ વર્ષમાં 3000 રૂમ વધારવાનું આયોજન છે. જે રૂમની કેપેસિટી વધારવામાં આવશે તેમાં 1500 રૂમ ફાઈવ સ્ટાર કેટેગરીના જ હશે. હોટલ ઓક્યુપેન્સીમાં 20 ટકા સુધીનો ફેર જોવા મળશેહોટલ એન્ડ રેસ્ટોરન્ટના પ્રમુખ નરેન્દ્રભાઈ સોમાણીએ જણાવ્યું હતું કે, જ્યારે પણ આવી ઇવેન્ટ થાય ત્યારે હોટલ ઇન્ડસ્ટ્રી, ટ્રાવેલ, ટુરીઝમ આ બધાને ઘણો ફાયદો થતો હોય છે. જ્યાં સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને ત્યાં સુધી જુદા જુદા રાજ્ય અને દેશોમાંથી લોકોની મૂવમેન્ટ શરૂ થઈ જતી હોય છે. જેથી કોમનવેલ્થ ગેમ્સ યોજાય એ પહેલા પણ હોટલની ડિમાન્ડ વધી જવાની છે. હોટલની ઓક્યુપેન્સીમાં 10થી 20 ટકા સુધીનો ફરક જોવા મળી શકે છે. ગુજરાતમાં અલગ અલગ ઇવેન્ટ થતી હોવાથી હોટલની ડિમાન્ડ વધી જ જતી હોય છે. સરકાર ટુરિઝમ પોલિસી લાવી શકેદિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ તે સમયની ટુરિઝમ પોલિસીને લઈને નરેન્દ્રભાઈ સોમાણી જણાવે છે કે, દિલ્હીમાં જ્યારે કોમનવેલ્થ ગેમ્સ આવી ત્યારે સરકાર દ્વારા ટુરીઝમ પોલિસી લાવવામાં આવી હતી. જેમાં લક્ઝુરિયસ ટેક્સ, સર્વિસ ટેક્સ અને ઇન્કમટેક્સમાં પણ માફી આપવામાં આવી હતી. જેનાથી દિલ્હીમાં મોટા પ્રમાણમાં હોટલો બનાવવામાં આવી હતી. જેથી હવે તે રીતે જ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર હોટલ ઇન્ડસ્ટ્રી માટે ટુરિઝમ પોલિસી લાવી શકે છે. જે લોકો મોટી મોટી હોટલ ઊભી કરવા માંગતા હશે તેમને છૂટછાટ મળી શકે છે. કારણ કે કોમનવેલ્થ ગેમ્સ તો એક મહિના માટે રહેશે પરંતુ ત્યારબાદ પણ ચાલવાની હોય છે. જેથી કોઈ પોલિસી આવે તો લોકો જોડાતા હોય છે. કોમનવેલ્થ ગેમ્સની ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે જેના કારણે બીજી પણ અલગ અલગ ટુર્નામેન્ટ અમદાવાદમાં થઈ શકે છે. જેથી હોટલ અને ટુરીઝમ ઉદ્યોગને વેગ મળવાનો છે. 2030 સુધીમાં અમદાવાદમાં નવી હોટલો ખુલશેવધુમાં નરેન્દ્રભાઈ સોમાણી જણાવે છે કે, કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળતા 25 ટકા સુધી હોટલમાં વધારો જોવા મળી શકે છે. જે બ્રાન્ડની હોટલ અમદાવાદમાં નથી તે લોકો પણ કોમનવેલ્થ ગેમ્સના કારણે અમદાવાદમાં પોતાની હોટલ ખોલશે. તેમજ લક્ઝરીયસ બ્રાન્ડ જેવી કે ફેરમાઉન્ટ જેવા ગ્રુપ પણ અમદાવાદમાં પોતાની હોટલ ખોલશે. એરપોર્ટ પાસે અદાણી ગ્રુપની બે હોટલ ખોલવાની તૈયારીઅમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 પહેલા અદાણી ગ્રુપ દ્વારા અમદાવાદ એરપોર્ટ પર બે મોટી હોટલ ખોલવા જઈ રહ્યું છે. જેમાં 700થી 800 રૂમની કેપેસિટી રાખવામાં આવશે. અમદાવાદ એરપોર્ટ એ કોમનવેલ્થ ગેમ્સ 2030 માટેનું એપિસેન્ટર ગણી શકાય છે. કારણ કે કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે જે પણ મેદાન બનવાના છે તે મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આજુબાજુ જ બનવાના છે. જેથી મેદાન સ્થળ સુધી પહોચવા માટે સૌથી સરળ અને નજીકનું કોઈ લોકેશન હોય તો તે અમદાવાદ એરપોર્ટ છે. જેથી અદાણી ગ્રુપ દ્વારા એરપોર્ટ પર બે મોટી હોટલ ખોલવાની તૈયારી કરવામાં આવી છે. ફેરમાઉન્ટ જેવા ગ્રુપ પણ હોટલો ખોલશેમાત્ર હોટલમાં વધારો થઇ શકે તેવું પણ નથી અનેક મોટી મોટી બ્રાન્ડ અને મોટા મોટા ગ્રુપ પોતાની હોટલ અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં ખોલી શકે છે. દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ તે બાદ અનેક મોટી મોટી બ્રાન્ડ દ્વારા તેમની હોટલ દિલ્હીમાં ખોલવામાં આવી હતી. તેવું જ અમદાવાદમાં પણ થઈ શકે છે. લક્ઝરીયસ બ્રાન્ડ જેવી કે ફેરમાઉન્ટ જેવા ગ્રુપ પણ અમદાવાદમાં પોતાની હોટલ ખોલી શકે છે. સરકાર પાસે માંગ કરતા નરેન્દ્રભાઈ સોમાણીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા રોકાણના આધારે ઇન્ટરેસ્ટ સબસીડી આપવામાં આવે, 7થી 8 વર્ષ માટે બેંકમાં લોન મળે છે જે વધારીને 12થી 15 વર્ષ માટે થાય, GST માં પણ સરકાર માફી આપી શકે છે. જેથી જો આ પ્રકારની ટુરિઝમ પોલિસી લાવવામાં આવે તો હોટલ બનાવનારને ફાયદો થાય અને તો જ 2030 સુધી નવી હોટલો ખુલી શકે છે. રોજ નવી નવી ઇન્ડસ્ટ્રી અમદાવાદમાં અને ગુજરાતમાં આવી રહી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બન્યા બાદ ઘણી બધી ક્રિકેટ ટુર્નામેન્ટ થઈ છે. જેથી હોટલ બિઝનેસમાં 15 થી 20 ટકાનો વધારો થયો છે. ફિલ્મ ફેસ્ટિવલ જેવી ઇવેન્ટ થવાથી પણ હોટલ અને ટુરીઝમ ઇન્ડસ્ટ્રીને ઘણો ફાયદો થઈ રહ્યો છે. ટુરિઝમ ઈન્ડસ્ટ્રીઝમાં 50 ટકા વધારાની શક્યતાકોમનવેલ્ ગેમ્સ 2030ની યજમાની અમદાવાદ માટે ગૌરવશાળી અને ઐતિહાસિક ક્ષણ બની જવાની છે. દિલ્હીની રોનક જેમ કોમનવેલ્થ ગેમ્સ કારણે બદલાઈ એમ અમદાવાદની રોનક પણ બદલાઈ જવાની છે. ટુરિઝમ ક્ષેત્રના એક નવા યુગની શરૂઆત પણ થઈ શકે છે. ટુરિઝમ ક્ષેત્રમાં વર્ષોથી કામ કરતા એક્સપર્ટ લોકો કોમનવેલ્થ ગેમ્સના કારણે ગુજરાત ટુરિઝમમાં 50 ટકા સુધીનો વધારો જોઈ રહ્યા છે. કોમનવેલ્થ ગેમ્સ 2030માં 72 દેશના ખેલાડીઓ ભાગ લેવાના છે. તેમજ ખેલાડીઓની સાથે સાથે મેનેજમેન્ટ સ્ટાફ, કોચ, ટેકનિકલ ઓફિસરો સહિતના લોકો મોટી સંખ્યામાં અમદાવાદ આવશે. જેના કારણે ગુજરાતની અને અમદાવાદની એક છાપ વિશ્વ કક્ષાએ પ્રસ્થાપિત થવાની છે. કોમનવેલ્થ ગેમ્સ 2030 બાદ પણ ફરી ખેલાડીઓ સહિતના લોકો કોઈને કોઈ ઇવેન્ટ માટે અમદાવાદ આવે અથવા ગુજરાતના સ્થળો જોવા માટે પણ ફરી ગુજરાત આવે તેવા પ્રયાસ ચોક્કસથી થવાના છે. જેના માટે તમામ સુવિધાઓ પૂરી પાડવાની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તૈયારી કરી રહી છે. કોમનવેલ્થ ગેમ્સની યજમાની ટુરિઝમ ક્ષેત્રને એક નવી ઊંચાઈ સુધી પહોંચાડી શકે- આલાપ મોદીઆ કોમનવેલ્થ ગેમ્સ 2030થી ટુરિઝમ ક્ષેત્રને કેટલો ફાયદો થવાનો છે તે જાણવા માટે અમે ટુરિઝમ ક્ષેત્રમાં છેલ્લા ઘણા વર્ષોથી કામ કરતા આલાપ મોદી સાથે વાતચીત કરી છે. તેમના મતે કોમનવેલ્થ ગેમ્સ 2030ના કારણે રમત જગતમાં જ નહીં પરંતુ ટુરિઝમ ક્ષેત્રને એક નવી ઊંચાઈ સુધી પહોંચાડી શકે છે. ગુજરાત આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશેએક સમય હતો કચ્છને કોઈ ઓળખતું પણ નહતું લોકો ત્યાં જવાનું પસંદ પણ કરતા નહતા. પરંતુ આજે કચ્છ રણોત્સવની વિશ્વભરમાં ચર્ચા થવા લાગી છે. તે જ રીતે કોમનવેલ્થ ગેમ્સના કારણે બુલેટ ટ્રેન, એરપોર્ટ સહિત રોડ રસ્તાઓનું મોટા પ્રમાણમાં નવીનીકરણ કરવામાં આવશે. જે લોકો અમદાવાદ આવશે તે આસપાસના વિસ્તારના રહેલા જોવા લાયક સ્થળોની પણ મુલાકાત લેવાના છે. જેનાથી ગુજરાતની અને અમદાવાદની એક ઓળખ વિશ્વભરમાં ઊભી થશે. અત્યારે સમયમાં દિવસોમાં ડોમેસ્ટિકમાં 70 ટકા લોકો અને ઇન્ટરનેશનલ 20થી 30 ટકા ગુજરાતના પ્રવાસન સ્થળની મુલાકાત લેતા હોય છે. પરંતુ કોમનવેલ્થ ગેમ્સ 2030 આ ટકાવારીમાં 50 ટકા સુધીનો વધારો કરી છે. એટલે ઇન્ટરનેશનલ પ્રવાસીઓ જે 20થી 30 ટકા આવે છે તે આગામી 2030 પછી 50 ટકા સુધી ગુજરાતમાં સ્થળોની મુલાકાત માટે આવી શકે છે. અત્યારે જેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કચ્છ રણ ઉત્સવની જેમ વિશ્વભરમાં ચર્ચા થાય છે, લોકો દેશ વિદેશમાંથી જોવા માટે ગુજરાત આવે છે એમ અન્ય સ્થળો પણ દેશ વિદેશમાંથી આવતા લોકોની પસંદ બની શકે છે. અજય મોદી ટ્રાવેલ્સના માલિક આલાપ મોદીએ જણાવ્યું હતું કે, કોમનવેલ્થ ગેમ્સ સમયે અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ થઈ ગઈ હશે, ધોલેરાનું એરપોર્ટ શરૂ થઈ ગયું હશે, રોડ રસ્તાનું નેટવર્ક પણ વધી જશે તેનો ફાયદો થવાનો છે. કારણ કે કોમનવેલ્થ ગેમ્સ થોડા દિવસ માટે થશે પરંતુ તે બાદ વિશ્વ કક્ષાએ અમદાવાદનું નામ લોકો સુધી પહોંચી જશે. જેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા ગુજરાતના પ્રખ્યાત સ્થળોની વિશ્વ કક્ષાએ ચર્ચા થશે. જેના કારણે ડોમેસ્ટિક ટુરિઝમ તો છે જ પરંતુ તેની સાથે સાથે ઇન્ટરનેશનલ ટુરિઝમ પણ ખૂબ વધી જશે. અમદાવાદ એરપોર્ટ પર કેવા ફેરફાર થશે?દિલ્હીમાં જ્યારે 2010માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરાયું તે પહેલા ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રૂ. 12,700 કરોડના ખર્ચે ટર્મિનલ-3 (T3)નું નિર્માણ કરાયું હતું. જે આજે પણ ભારતના સૌથી વ્યસ્ત એરપોર્ટમાંનું એક છે.હવે 2030માં જ્યારે અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં અમદાવાદ અને અન્ય કયા કયા એરપોર્ટનો ઉપયોગ થશે તેને લઈ અત્યારથી જ આયોજન શરૂ કરી દેવાયું છે. અમદાવાદ ઉપરાંત ખેલાડીઓ અને મુસાફરોની અવરજવર માટે વડોદરા અને સુરતના એરપોર્ટનો ઉપયોગ થશે. આ ઉપરાંત અંડર કન્સ્ટ્રકશન ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ ફેઝ-1ની કામગીરી પૂર્ણ થતા તેનો પણ ઉપયોગ કરી શકાશે. કોમનવેલ્થના કારણે કેટલી રોજગારી પેદા થવાની શક્યતા?અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સના આયોજનને લીલીઝંડી મળતા અત્યારથી જ ઈન્ફ્રાસ્ટ્રકચરના કામો શરૂ થઈ જશે. જેના કારણે રોજગારીમાં વધારો થશે. 2010માં દિલ્હીમાં યોજાયેલા કોમનવેલ્થ ગેમ્સમાં એક અંદાજ મુજબ અઢી લાખથી વધુ નોકરીઓ પેદા થઈ હતી. 2030 કોમનવેલ્થ ગેમ્સને લઈ રોજગારીમાં કેટલો વધારો થઈ શકે છે તે જાણવા અર્થશાસ્ત્રના જાણકાર જયનારાયણ વ્યાસ સાથે વાતચીત કરી હતી. જયનારાયણ વ્યાસના જણાવ્યા પ્રમાણે રોજગારની વાત કરીએ તો કલ્પના કરીએ તેટલી ઓછી છે. જે રીતે 6 ટકાના દરે જીડીપી વધી રહ્યો છે તે રીતે એમ્પલોયમેન્ટ પણ વધશે. 2030માં કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે ત્યારે 2028માં સુધીમાં તમામ ટ્રાયલ સ્ટેજ સુધી લાવવું પડે.કોમનવેલ્થને લઈ અંદાજિત 3 લાખ નવી રોજગારીની તકોનું સર્જન થવાની શક્યતા છે.
સોશિયલ મીડિયા પર અવારનવાર ભારતના ખાસ કરીને ગુજરાતી બૌદ્ધિકો ચર્ચા કરતા હોય છે કે બોલિવૂડના કલાકારો જે પક્ષ કેન્દ્રમાં હોય એમના તરફી હોય છે. હોલિવૂડના કલાકારોની જેમ સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર સ્ટેન્ડ નથી લેતા, જાહેરમાં બોલતા નથી અને તેઓ સ્વાર્થી છે. બોલિવૂડના લોકો હોલિવૂડના કલાકારોની જેમ સામાજિક અને રાજકીય નિસ્બત ધરાવતા નથી વગેરે વગેરે. વાતમાં અમુક અંશે તથ્ય પણ છે અને હોલિવૂડના કલાકારોની સામાજિક નિસ્બતની વાત નીકળે તો અમેરિકન એક્ટર 'કાલ પેન'ની વાત કરવી જ પડે. ન્યૂજર્સીમાં જન્મ13 એપ્રિલ, 1977ના ન્યૂજર્સીના મોન્ટેકલાઇરમાં કલ્પેન સુરેશ મોદી તરીકે જન્મ લેનાર અને વ્યવસાયિક રીતે કાલ પેન તરીકે જાણીતા એક અમેરિકન અભિનેતા, લેખક અને બરાક ઓબામા વહીવટી તંત્રમાં વ્હાઇટ હાઉસના ભૂતપૂર્વ સ્ટાફ સભ્ય છે. જો કે આ ઓળખ બહુ સીમિત છે એટલું બધું કામ વિવિધ ક્ષેત્રે કાલ્પેને કર્યું છે. હોલિવૂડના દરવાજા ખોલી આપ્યાગુજરાતી મૂળના અને ગુજરાતથી અમેરિકામાં ઇમિગ્રન્ટ તરીકે વસનારા માતા-પિતાના સંતાન એવા કલ્પેન મોદી ગુજરાતી સરસ બોલી શકે છે અને નાનપણથી ગુજરાતની વારંવાર મુલાકાત પણ લે છે. ખેડા જિલ્લાના અને એન્જિનિયર એવા પિતા સુરેશ ગાંધી અને વડોદરાના અસ્મિતા ભટ્ટના પુત્ર એવા કલ્પેને ભારતીય મૂળના કલાકારો માટે એવા સમયે હોલિવૂડના દરવાજા ખોલી આપ્યા. 2004નું વર્ષ હતું, જ્યારે મોટાભાગની હોલિવૂડ ફિલ્મોમાં મુખ્યત્વે શ્વેત કલાકારો હતા, આજે પણ છે તેના કરતાં પણ વધુ અને એવા માહોલમાં 'હેરોલ્ડ કુમાર ગો ટુ વ્હાઇટ કાસલ' નામની ફિલ્મમાં બે એશિયન કલાકારો મુખ્ય ભૂમિકામાં હતા- જોન ચો અને કાલ પેન. આ ફિલ્મ એટલી બધી સફળ રહી કે એ જ નામ પરથી બીજી બે સિક્વલ બની જેને ફિલ્મના કલાકારોને રાતોરાત વૈશ્વિક કક્ષાએ જાણીતા બનાવી દીધા અને અભૂતપૂર્વ સ્ટારડમ અપાવ્યું. અને પેન, આપણો ગુજરાતી મૂળનો અમેરિકન તેણે પોતાની ખ્યાતિનો ઉપયોગ પોતાના માટે એક અનોખી કારકિર્દી બનાવવા માટે કર્યો. ખ્યાતિ, નામ અને વગનો રાજકીય-સામાજિક કામોમાં ઉપયોગ કર્યોએક અભિનેતા તરીકે તેઓ હેરોલ્ડ એન્ડ કુમાર ફિલ્મ શ્રેણીમાં કુમાર પટેલ, ટેલિવિઝન કાર્યક્રમ હાઉસમાં લોરેન્સ કુટનર, ડેઝિગ્નેટેડ સર્વાઇવરમાં વ્હાઇટ હાઉસના સ્ટાફર સેથ રાઇટ અને હાઉ આઇ મેટ યોર મધરમાં રોબિનના બોયફ્રેન્ડ અને મનોવિજ્ઞાની કેવિન જેવા પાત્રો માટે જાણીતા અને લોન્લી આઇલેન્ડ, માલિબુઝ મોસ્ટ વોન્ટેડ, સુપરમેન રિટર્ન જેવા અમેરિકાન શોઝમાં કામ કર્યા પછી કલ્પેન મોદી બેસી નથી રહ્યાં. એમણે પોતાની આ ખ્યાતિ, નામ અને વગનો ઉપયોગ રાજકીય અને સામાજિક કામોમાં કર્યો. 2016 થી 2019 સુધી અમેરિકન રાજકીય સિરીઝ ડેઝિગ્નેટેડ સર્વાઇવરમાં વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી સેથ રાઇટની ભૂમિકા ભજવનાર કાલ પેને પોતાના આ રોલને કદાચ સિરિયસલી લઇ લીધો અને એશિયન પેસિફિક અમેરિકનો અને કલા સમુદાયો સુધી પહોંચવા માટે સંપર્ક તરીકે વ્હાઇટ હાઉસ ઓફિસ ઓફ પબ્લિક એન્ગેજમેન્ટમાં એસોસિયેટ ડિરેક્ટર તરીકે ઓબામા વહીવટીતંત્રમાં જોડાયા. ઓબામાના ચૂંટણી અભિયાનમાં સહ-અધ્યક્ષ રહેલા કાલ પેનને વ્હાઇટ હાઉસ ઓફિસ ઓફ પબ્લિક એન્ગેજમેન્ટ એન્ડ ઇન્ટર ગવર્નમેન્ટ અફેર્સના એસોસિયેટ ડિરેક્ટરનું પદ ઓફર કરવામાં આવ્યું હતું. જે તેમણે સ્વીકાર્યું. ઉપરાંત 2025 ન્યૂયોર્ક સિટી ડેમોક્રેટિક મેયરલ પ્રાઇમરી દરમિયાન પેન ઉમેદવાર જોહરાન મમદાની માટેની રેલીઓમાં પણ એમના સપોર્ટર તરીકે દેખાયા હતા. કાલ્પેનની સ્મરણકથા રાજકારણમાં ડેમોક્રેટિક મૂલ્યો તરફ જેનો ઝોક વધારે રહ્યો છે એવા 44 વર્ષના કલ્પેન મોદીએ You Can’t Be Serious નામની સ્મરણકથા લખી છે જે અમેરિકન-ગુજરાતીની વ્યક્તિગત અને કારકિર્દીની રસપ્રદ સફરનો દસ્તાવેજ છે. મીરા નાયરની, ઝુમ્પા લાહિરીની નવલકથા ધ નેમ સેક પરથી એ જ નામે બનનાર હોલિવૂડ પ્રોડક્શનમાં ઇમિગ્રન્ટ્સ માતા પિતાના સંતાનનો રોલ ખૂબ અસરકારક રીતે ભજવનાર કાલ પેન એટલે કે આપણો ગુજ્જુ ભાઇ કલ્પેન સુરેશભાઇ મોદી પોતાની સામાજિક નિસ્બત માટે, ગાંધીજીની સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય રહેલા એવા એના દાદા દાદીને આપે છે અને આમ જાણે નિયતિનું એક ચક્ર પૂરું થાય છે.
ઠંડીમાં છોકરાંવને લઈને ક્યાં જઈએ? અમારું ઘર જ હવે આ રિક્ષા છે અમારી પાસે અત્યારે ગેસ, ચુલો કે ઘર કંઈ જ નથી. બાજુમાં આવેલા સરકારી શૌચાલયમાં અમે ન્હાવા જઈએ છીએ મારી તિજોરી, પલંગ, ટીવી બધું કાટમાળ નીચે દબાઈ ગયું છે, અત્યારે ફૂટપાથ પર પડ્યા રહીએ છીએ આ શબ્દો છે ઈસનપુર તળાવ આસપાસ ઝૂંપડપટ્ટી અને કાચા મકાનોમાં રહેતા લોકોના. ઈસનપુર તળાવ આસપાસના એક હજાર મકાનો તોડી પાડ્યા પછી અમે બેઘર બની ગયેલા લોકોની વેદના સાંભળવા ભાસ્કરની ટીમ પહોંચી... છ મહિના પહેલા એપ્રિલ અને મે મહિનામાં અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલીશન કરાયું. હવે છ મહિના બાદ ચંડાળાની બાજુમાં જ આવેલા ઈસનપુરના તળાવ વિસ્તારમાં 24 નવેમ્બરના રોજ બીજું મોટું મેગા ડિમોલીશન કરાયું છે. જેમાં તળાવની આસપાસ અંદાજે એક હજાર જેટલા બાંધકામો દૂર કરવામાં આવ્યા અને અંદાજીત 90 હજાર ચો.મી. જેટલો વિસ્તાર ખુલ્લો કરવામાં આવ્યો. જોકે અમદાવાદ કોર્પોરેશને અગાઉથી જ અહીંના લોકોને મકાન તોડી પાડવાની નોટિસ આપી દીધી હતી અને ઘર ખાલી કરવા માટે સમય પણ અપાયો હતો. છતાં મોટાભાગના લોકોએ મકાન ખાલી ન કર્યું અને અંતે 24 નવેમ્બરની સવારે AMCનું બુલડોઝર ઈસનપુરના તળાવ વિસ્તારમાં પહોંચી ગયું. 1000 લોકોના મકાનો પર ફરી વળ્યું. ભાસ્કરની ટીમ ઘર વિહોણા થયેલા લોકોની વ્યથા જાણવા ઈસનપુરના તળાવ વિસ્તારમાં પહોંચી જ્યાં કેટલીક ચોંકાવનારી માહિતી મળી. અમે અહીં પહોંચ્યાં તો લોકો તેમના ઘરના તૂટેલા કાટમાળમાંથી ભંગાર કાઢી રહ્યા હતા. જેથી તે ભંગાર વેચીને તેમને થોડા રુપિયા મળી શકે. અહીંના અસરગ્રસ્ત લોકો સાથે વાતચીત કરી તો જાણવા મળ્યું કે, અહીં ઘણા લોકો એવા પણ રહેતા હતા જેમના મકાન ચંડોળા તળાવના મેગા ડિમોલીશનમાં તૂટી ગયા હતા. ઘર વિહોણાં બાળકોની વેદના આ તસવીરોમાં દેખાય છે... આ લોકોના મકાન 6 મહિના પહેલાં ચંડોળામાં તૂટી જતાં અહીં ભાડેથી રહેતા હતા. કોઈ 3 હજારના ભાડામાં તો કોઈ 5 હજારના ભાડામાં અહીં રહેતા હતા. 6 મહિનામાં 2-2 વખત તેમના ઘર પર આ રીતે બુલડોઝર ફરી વળતાં લોકો હવે લાચાર અને હતાશ થઈ ગયા છે. 6 મહિલા પહેલા જે સ્થિતિમાં હતા, જે રીતે રોડ પર રાત વિતાવી, જે રીતે અનાજના દાણો મળવો મુશ્કેલ થઈ ગયો હતો તેવી જ સ્થિતિ હાલમાં આવીને ઊભી છે. કારણ કે, જ્યારે ચંડોળામાં ઘર તૂટ્યા ત્યારે તેમનો સામાન પણ લેવા નહોતો લીધો પછી માંડ માંડ રુપિયા ભેગા કરીને ડીપોઝીટ જમા કરાવીને અહીં ભાડેથી મકાન મળ્યું હતું અને 6 મહિનાથી રહેતા હતા. હવે ફરી મકાન શોધીને ક્યાં રહેવા જવું તે ચિંતા તેમને સતાવી રહી છે. મકાન મળી પણ જાય તો હવે આ લોકો પાસે એટલા રુપિયા પણ નથી કે કોઈ જગ્યાએ ભાડાનું મકાન રાખીને ડીપોઝીટ જમા કરાવી શકે. AMC અને તેના અધિકારીઓએ આ લોકોને મકાન ખાલી કરવાનો પુરતો સમય આપ્યો હતો, પરંતુ આ લોકો અલગ અલગ કારણોસર મકાન ખાલી નથી કરી શક્યા. આવા જ એક અસરગ્રસ્ત યોગેશભાઈ અને હીનાબેનને મળ્યા. આ પતિ-પત્ની તેમના બે છોકરાને લઈને તેમની ભાડની રિક્ષામાં લાચાર બેઠા હતા. અમારી સાથે વાત કરતાં હીનાબેન સોલંકીએ જણાવ્યું કે, અમારા ઘરનું ટીવી,ફ્રીઝ, તિજોરી સહીતનો બધો જ સામાન અહીં કાટમાળમાં દટાઈ ગયો છે. ફક્ત ગાદલાં અને બે ચાર વાસણો બચ્યા છે, જે અમારી ભાડાની રિક્ષામાં રાખીને બેઠા છીએ. હીનાબેને અમને રડતાં રડતાં જણાવ્યું કે, અમને પહેલી નોટિસ દીવાળી પહેલાં મળી હતી. બાદમાં બીજી નોટિસ દીવાળી પછી મળી અને ઘર ખાલી કરવાનું કહ્યું. પરંતુ અમે ન કર્યું. અમને એવું હતું કે, ચંડોળામાં અમારું મકાન તોડ્યું તો હવે સરકાર ફરીથી થોડી અમારી સાથે આવું નહિ કરે. પરંતુ ફરી નોટિસ મળી અને 24 નવેમ્બરે અચાનક બુલડોઝર આવ્યું અને ઘરનો સામાન પણ લેવા ન દીધો. સામાન સહિત આખું ઘર તોડી પાડ્યું. આ ઠંડીમાં અમારા 2 નાનાં છોકરાઓને લઈને ક્યાં રહેવા જઈએ? હાલમાં તો આ કાટમાળમાંથી લોખંડ ભંગાર કાઢીને વેચીએ છીએ. જેથી હાલમાં અમારા બે ટંક જમવાનો ખર્ચો નીકળી શકે. ચંડોળામાં અમારું મકાન તૂટી ગયું એટલે અમે આ મકાન પાંચ હજારમાં ભાડે રાખ્યું હતું. મારો એક છોકરો 1 વર્ષનો છે અને એક છોકરી પોણા ત્રણ વર્ષની છે. મારા ઘરવાળા આ ભાડાંની રિક્ષા ચલાવે છે. રિક્ષાનું રોજનું 350 રુપિયા ભાડું છે. અત્યારે રિક્ષામાં ઘરનો સામાન પડ્યો છે. તો મારા ઘરવાળા ક્યાંથી રિક્ષા લઈને શટલ મારવા જાય? રિક્ષાનું રોજનું 350 રુપિયા ભાડું ક્યાંથી ભરીએ? અત્યારે રિક્ષાનો માલિક રોજ ભાડાં માટે ફોન કરે છે પણ હાલમાં અમારા જ ખાવાના ફાંફાં છે તો ભાડું ક્યાંથી આપીએ? હવે અમને કોઈનાથી કોઈ જ આશા નથી બસ આવી જ રીતે બાળકોને લઈને રોડ પર ભટકીશું. હાલ તો અમારી પાસે એક પણ રુપિયો નથી તે અમે ભાડે મકાન પણ નહિ રાખી શકીએ. હાલમાં તો અમારો સહારો આ ભાડાંની રિક્ષા જ છે આમાં જ રહીશું. મને એમ થાય છે કે, આ સરકાર અમીરોની ચિંતા કરે છે તો અમારા જેવા ગરીબોની ચિંતા કેમ કરતી નથી? આવા જ એક અસરગ્રસ્ત ચંડોળાથી આવીને અહીં રહેતા જ્યોત્સનાબેનને મળ્યા. તેમણે વાતચીત કરતાં જણાવ્યું કે, મારા સસરાની ત્રણ પેઢીઓથી અમે ચંડોળા તળાવમાં રહેતા હતા. મને લગ્ન કરીને અહીં આવ્યે 40 વર્ષ થઈ ગયા. ચંડોળામાં મારા છોકરાના અમારા પોતાના મકાનો હતો જે તોડી પડાતાં છ મહિનાથી અમે અહીં પાંચ હજારમાં ભાડે રહેતા હતા. અમારી શાકભાજીની લારી ચલાવીને અમારું ગુજરાન ચલાવીએ છીએ. હાલમાં અમારી પાસે કોઈ એટલા બધા રુપિયા નથી. અમે રોજનું કમાઈને રોજ ખાનારા લોકો છીએ. અમારી પાસે બચતમાં કોઈ રુપિયા ના હોય. હાલમાં આ ભંગાર વેચીને વીસ-ત્રીસ રુપિયાનું બહારથી સસ્તું મળતું ખાવાનું લાવીને બાળકોને ખવડાવીએ છીએ અને બચેલું ખાવાનું અમે ખાઈએ છીએ. જેમનું આ રીતે મકાન તૂટે ફક્ત તે લોકોને જ ખબર પડે કે મકાન વગર કેવી રીતે રહેવાય. બે ટાઈમનું જમવાનું ક્યાંથી લાવીએ? ખાઈએ ત્યારે ખબર પડે કે ખાવાની અને માથે છતની કિંમત શું છે. અમારી પાસે અત્યારે ગેસ, ચુલો કે ઘર કંઈ જ નથી. બાજુમાં આવેલા સરકારી શૌચાલયમાં અમે ન્હાવા જઈએ છીએ. અમે હાલમાં ભીખ માંગવા જઈએ તો કોઈ અમને ભીખ પણ ના આપે. અમારી હાલત જોઈને કહે કે તમે કમાઈ શકો તેવા છો, શેની ભીખ આપવાની? એટલે ભીખ પણ નથી માંગી શકતા. મારા ઘરમાં મારા ઘર વાળા અમારા ત્રણ છોકરા, 2 પુત્રવધુ તેમના નાના છોકરાઓ સહીત કુલ 10 લોકોનો પરીવાર છે. હવે અમને 10 લોકોના પરિવારને કોણ ભાડે મકાન આપે? પાંચેક લોકોથી વધારે પરિવારને કોઈ ભાડાનું મકાન આપતું પણ નથી. બધાએ અલગ અલગ મકાન રાખીને પાંચ-પાંચ હજાર ભાડું ભરીએ ત્યારે કંઈક મેળ પડે. પહેલા ચંડોળા અને હવે ઈસનપુર છ મહિનામાં અમારી સાથે આવું બે વખત થતા અમારી પર જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અમે એકલા હોય તો મરી પણ જઈએ પરંતુ આ અમારા નાનાં નાનાં છોકરાની સામે જોઈને કંઈ કરતા નથી તેમના માટે જીવવું પડે છે. અનિતાબેન જણાવે છે કે, મારા સાસુ સસરા 50 વર્ષથી ચંડોળામાં રહેતા હતા. છેલ્લા 25 વર્ષતો મારા લગ્ન કરે થયા ત્યારથી હું પણ ચંડોળામાં રહેતી હતી. એ વખતે ચંડોળામાં બાંગ્લાદેશીઓના મકાન તોડવાના હતા, ત્યારે આ લોકોએ અમારું પણ મકાન તોડી નાખ્યું હતું. ચંડોળામાં અમારું મકાન તૂટ્યા બાદ અહીં હું, મારા ઘરવાળા અને ત્રણ છોકરા છ મહિનાથી છ હજાર ભાડામાં અહીં રહેતા હતા. બુલડોઝર આવ્યું એમાં અમારો બધો સામાન અહીં દટાઈ ગયો. અમારી તીજોરી, ટીવી, પલંગ, નાના મોટા દાગીના સહિતનો સામાન અમે લઈ પણ ન શક્યા. મારા ઘરવાળા દારુ પીને પડ્યા રહે છે. ત્રણ છોકરા સરકારી સ્કૂલમાં ભણે છે. અહીં આવ્યા ત્યારે અમને 6 હજાર ભાડું નહોતું પોસાતું. પરંતુ જેમ તેમ કરીને, મજૂરી કરીને ભાડું ભરતા અને અહીં રહેતા હતા. સરકાર ભલે અમને કોઈ મદદ ન કરે પરંતુ અમે જ્યાં રહીએ ત્યાં અમને રહેવા દેવામાં આવે. અમે અમારું જીવન ગમે તેમ કરીને પાર પાડી લઈશું પરંતુ આ રીતે મકાન તોડી બેઘર કરી દેવામાં આવે તો શું કરીએ. મકાન તૂટ્યું ત્યારે મકાન માલિક જોવા આવ્યા હતા પરંતુ તેઓ પણ શું કરી શકે? હવે રોડ પર રહેવા સિવાય અમારી પાસે કોઈ રસ્તો નથી. આ વિસ્તારમાં રહેતા કેટલાક એવા લોકો પણ છે જેમણે સમય રહેતાં ઘર ખાલી કરી દીધું હતું. તેવા જ એક મણીબેન પરમારને અમે મળ્યા. તેમણે જણાવ્યું કે, દોઢ મહિના પહેલા અમને પહેલી નોટિસ મળી હતી, ત્યારે અમે મકાન ખાલી ન કર્યું. એમણે સમય લંબાવ્યો પરંતુ પછી બીજી નોટિસ આપી ત્યારે અમે મકાન ખાલી કરી દીધું અને બધો સામાન લઈને 21 નવેમ્બરે નારોલ રહેવા જતા રહ્યા અને 24 નવેમ્બરે આ લોકોએ બુલડોઝર ફેરવી દીધું. અહીં મારા ત્રણ મકાન હતા. જેમાં મારા છોકરા તેમના પત્ની અને બાળકો સાથે અલગ અલગ મકાનમાં રહેતા હતા. હાલમાં અમે 10 હજારમાં નારોલમાં ફ્લેટ ભાડે રાખ્યો છે. અમે 45 વર્ષથી અહીં રહેતા હતા, મારે ત્રણ છોકરા અને એક છોકરી છે. તેમના પણ નાનાં બાળકો છે. થોડા આગળ જતાં પોતાના તૂટેલા મકાનના કાટમાળના સળીયા કાપતા સુરેશભાઈ દેવીપૂજક નામના એક ભાઈને મળ્યા. તેમણે અમારી સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, મારા ઘરમાં મારા માતા પિતા, મારા પત્ની અને અમારા પાંચ છોકરા છે. મારા જન્મથી હું અહીં રહું છું. 6 મહિના પહેલાં અમને પહેલી નોટિસ મળી હતી. બાદમાં હમણા અધિકારીઓ આવ્યા અને કહેવા લાગ્યા કે હજી સુધી તમે લોકોએ મકાન કેમ ખાલી નથી કર્યું? અમે જવાબ આપ્યો કે, અમને કોઈ મકાન આપતું નથી તો ક્યાંથી ખાલી કરીએ અને જ્યાં ભાડે મકાન મળે છે તેનું ભાડું પાંચ હજાર જેટલું હોય છે હવે અત્યારે અમારી કોઈ એટલી બદી કમાણી નથી કે મહીને પાંચ હજાર ભાડું ભરી શકીએ એટલે મકાન ખાલી નહોતું કર્યું. આ લોકોએ દીવાળી સુધીનો ટાઈમ આપ્યો હતો પરંતુ હાલમાં 24 તારીખે અચાનક આવ્યા અને સામાન પણ ન લેવા દીઓ અને મકાન તોડવાનું શરુ કરી દીધું. AMC અને તેના અધિકારીઓએ અમને મકાન ખાલી કરવાનો પુરતો સમય આપ્યો હતો પરંતુ અમારા મોટા પરીવારને મકાન ન મળે તો અમે શું કરીએ? મકાન માટે સરકારે ફોર્મ ભરાવ્યા છે પરંતુ રુપિયા 3 લાખ જેટલા માંગ્યા છે આટલા બધા રુપિયા અમે ક્યાંથી લાવીને આપીએ?
બીએલઓની તબિયત લથડી:મોરબીમાં SIR કામગીરી દરમિયાન બીએલઓની તબિયત લથડતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
રાજ્યભરમાં હાલ કેન્દ્રિય ચૂંટણી પંચના આદેશને પગલે સ્પેશિયલ ઇનીસીએટીવ ઓફ રીવીઝન (SIR)ની કામગીરી ચાલી રહી છે અને તેમાં મતદારોને લગતી માહિતી માટે દરેક મતદાન બુથ દીઠ એક બુથ લેવલ ઓફિસર નીમવામાં આવ્યા છે અને જેમની પાસે તેમના બુથમાં આવતા મતદારોને ફોર્મ વિતરણ અને તેમના પાસેથી ફોર્મ ભરી ઓનલાઈન કામગીરી કરવાની રહે છે આ કામગીરીમાં ઉપરી અધિકારી દ્વારા મોટા પાયે દબાણ કરવામાં આવતા હોવાની અલગ અલગ જિલ્લામાંથી ફરિયાદ ઉઠી છે કેટલીક સ્થિતિમાં બી એલ ઓ આપઘાત કરવા જે વી સ્થિતિએ પહોચી ગયા છે. એક બી એલ ઓને દરરોજ 100 જેટલા ફોર્મ ભરી ઓનલાઈન સબમિટ કરવાની કડક ઉઘરાણીને પગલે મોટાભાગના બી એલ ઓ દિવસમાં ફિલ્ડ વર્ક કરે છે તો મોડી રાત સુધી ઓનલાઈન ડેટા એન્ટ્રી કરે છે અને આ કામગીરીમાં તેમને મોટા પાયે મુશ્કેલી થઈ રહી છે ત્યારે સતત કામના તણાવને કારણે પણ બીએલ ઓની તબિયત લથડતી હોવાની ફરિયાદ સામે આવી રહી છે ત્યારે મોરબીમાં આજે મોરબી પ્રાંત કચેરી ખાતે ફોર્મ સ્ક્રૂટિની કામગીરી વખતે મનીષભાઈ જેઠવા નામના બીએલઓની તબિયત લથડી હતી અને ત્યાં ઢળી પડ્યા હતા. જે બાદ 108ની મદદ લેવામાં આવી હતી અને 108ની મદદથીસ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'.
મોરબી જિલ્લામાં અવાર નવાર ડીઝલ ચોરીની ઘટના બનતી હોય છે. જોકે વાંકાનેર મોરબી માળીયા હાઈવે વિસ્તારમાં સામાન્ય રીતે હોટેલ બહાર પાર્ક કરેલ ડીઝલ ટેન્ક તોડી તેમાંથી 10 થી 12 લીટર ડીઝલ ચોરી કરતી એક ગેંગ સક્રિય છે તો બીજી એક ગેંગ જામનગર આમરણ માળિયાથી અમદાવાદ હાઈવે પર ડીઝલ ચોર ગેંગ નો તરખાટ છે. જોકે આ ગેંગ દસ બાર લિટર નહી પણ ટેન્કરના ચાલકને સાથે રાખી હજારો લીટર ડીઝલ કાઢી લે છે. આ ગેંગ આ રોડ પર આવેલા ગામડાંમાં કે હાઈવેની નાની મોટી હોટલના પાછળ ભાગે જગ્યા પાર્કિંગ કરી મોટા પાયે ડીઝલ ચોરી કરતા હોય છે. મોરબી જિલ્લા પોલીસ દ્વારા સમયાંતરે અલગ અલગ સ્થળે રેડ કરી આ રેકેટ પકડી લાખો ની કિંમતનો ડીઝલ ટેન્કર સહિતનો મુદામાલ જપ્ત કરતી હોય છે તો જોકે ભેજા બાજ દરેક વખતે નવી જગ્યા અને નવા માણસો રોકી રીતસરનું રેકેટ ચાલતું હોય તેમ લાગી રહ્યું છે કારણ કે માળિયા મીયાણા પોલીસે ચાલુ મહિનામાં બીજી વખત આ રીતે ડીઝલ ચોરીનું રેકેટ પકડી પાડ્યું છે. અગાઉ સોનગઢ ગામથી ડીઝલ ચોરી પ્રકરણમાં 2 આરોપી ને 18000 લીટર ડીઝલ સાથે પકડી પડયા બાદ આજે ફરી એકવાર માળિયા મીયાણા પોલીસની ટીમ ચોક્કસ બાતમી આધારે પી આઈ કે કે દરબાર અને તેની ટીમ દ્વારા નાના દહિસરા ગામની ફાટક નજીક ખુલ્લા પ્લોટમાંથી જીજે 36 ટી 7536 નંબરના ટેન્કરમાંથી ગેર કાયદેસર ડીઝલ ચોરીનું કૌભાંડ પકડી પાડ્યું હતું. પોલીસે બેરલમાં ડીઝલ ખાલી કરતા મૂળ જામનગરના ઇમ્તિયાઝ સુલેમાન ગજીયા નામના ટ્રક ચાલકને ઝડપી લીધો હતો જેની પૂછપરછ કરતા જસાપર ગામના હરદેવ રાણાભાઈ છૈયાનું નામ જણાવતા પોલીસે બન્ને શખસ વિરુદ્ધ BNS ની કલમ 3(5) 61(2) A ,110,267,303(1) 317(2)(4) ની કલમ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. ટેન્કરચાલક સાથે લિટર દીઠરૂપિયા આપવાનો થયો હતો સોદોજામનગરની રિફાઇનરીથી ટેન્કર ભરીને નીકળેલ ટ્રક ચાલક ઇમ્તિયાઝ સાથે આરોપી હરદેવ છૈયા એ લીટર દીઠ કમિશન આપવાની લાલચ આપવામાં આવી હતી અને આરોપીએ લગભગ 600 લિટર જેટલી ડીઝલ કાઢી લીધું હતું જોકે ચાલકે કેટલા રૂપિયા આપવાના નક્કી કર્યા હતા તે સામે આવ્યું નથી. અગાઉ ડીઝલ ચોરી કરી છે કે કેમ તપાસ ચાલુ છેહાલ ઝડપાયેલા ટેન્કર ચાલકની પૂછ પરછ ચાલી રહી છે ટેન્કર કંપની દ્વારા સીલ કરીને મોકલાતું હોય છે જો તે સીલ ખુલ્લે તો કંપનીને ખ્યાલ આવી જાય છે જેથી આ લોકો કેવી રીતે ડીઝલ ચોરી કરતા હતા અગાઉ ચોરી કરી વેચાણ કર્યું છે કે નહી તેની તપાસ ચાલુ છે હાલ તો પહેલી વખત જ આપ્યા હોવાનું જણાવી રહ્યો છે, તપાસ બાદ હકીકત સામે આવશે તેમ માળિયા મીયાણા પોલિસ સ્ટેશનના પી આઈ કે કે દરબારે જણાવ્યું હતું. મોરબીના વીરપરડા પાસે એસ એમસીએ પકડ્યું હતું ડીઝલ ચોરીનું મોટું રેકેટ2024માં મોરબી તાલુકાના વીર પરડા ગામ નજીક એક હોટલમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ત્રાટકી હતી અને દરોડો પાડી 21 હજાર લિટર ડીઝલ , કાર ખાલી અને ભરેલા બેરલ સહિત લાખનો મુદામાલ પણ જપ્ત કરાયો હતો આ ઘટના પોલીસે કર્મીની પણ સંડોવણી સામે આવી હતી જે બાદ એસપી પોલીસકર્મીઓ વિરુદ્ધ એકશન લઈ સસ્પેન્ડ કર્યા હતા
જમીનની છેતરપિંડીનો કેસ:હાઈકોર્ટે ખખડાવ્યા; આદેશ પાળ્યો નથી એટલે DSP કોર્ટથી ઉપર છે?
જમીનની છેતરપિંડીના કેસમાં સરકારી અધિકારીએ આગોતરા જામીન મેળવ્યા હોવા છતાં પોલીસે ખોટા પુરાવા ઊભા કરીને ચાર્જશીટ ફાઇલ કરતાં હાઈકોર્ટે પોલીસ અધિકારી સામે પગલાં લેવા આદેશ કર્યો હતો. ડીએસપીએ પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાને બદલે નોકરીમાં ચાલુ રાખતાં હાઈકોર્ટે રૂબરૂ હાજર રહેવા આદેશ કર્યો હતો. આથી બુધવારે ડીએસપી હાજર થયા હતા. હાઈકોર્ટે ટકોર કરી હતી કે કોઈ મૌખિક અવલોકન કરે તોપણ પોલીસે તેનું પાલન કરવું જોઈએ તેના બદલે અમે લેખિત હુકમ કર્યા છતાં ડીએસપી પાલન કરતા નથી. જ્યારે ડરામણું અવલોકન કર્યા છતાં ડીવાયએસપીએ જવાબદાર પોલીસવાળા સામે કોઈ પગલાં કેમ લીધાં નથી? તેનો જવાબ આપો. સરકાર તરફે રજૂઆત કરાઈ હતી કે અમે તેમની સામે પગલાં લઈ રહ્યા છીએ જ્યારે હાઈકોર્ટ એમ કહે છે કે જવાબદાર પોલીસવાળા સામે પગલાં લો ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારી એવું ન કહી શકે કે જે-તે પોલીસવાળાનો વાંક નથી. ડીએસપી કક્ષાના પોલીસવાળા જો હાઈકોર્ટના આદેશનું કહ્યું માનતા નથી તો સામાન્ય નાગરિકોના મનમાં તેની શી છાપ રહેશે? આ માત્ર એક પોલીસ અધિકારીની વાત નથી, પોલીસ ફોર્સની વાત છે. હાઇકોર્ટે જવાબદાર પોલીસને બરતરફ કરવાનો હુકમ કર્યા છતાં એ અધિકારી ફરજ બજાવે છે તેનો મતલબ ડીએસપી કોર્ટથી ઉપર છે? તમારા વિભાગની વિશ્વસનીયતા લોકોમાં રહી જ નથી. કોઈ સરકારી અધિકારીના ચારિત્ર પર એક વખત આંગળી ઉઠાવ્યા બાદ તમે તેની આબરૂ પાછી લાવી શકવાના છો?
તપાસમાં ખુલાસો:કૉલ સેન્ટરમાંથી દવાના બહાને વિદેશમાં પણ ફોન કરતા હતા
નવરંગપુરામાંથી પકડાયેલા કૉલ સેન્ટરમાંથી અમેરિકા, કેનેડા અને યુરોપના દેશોમાં વસતા ગુજરાતના લોકોને દવાના બહાને ફોન કરાતા હતા. કૉલિંગ માટે નોકરીએ યુવાનો ગૂગલ પર મોટેલ, સબ-વે અને લીકર શોપ સર્ચ કરીને ડાયરીમાંથી ત્યાં રહેતા ગુજરાતીઓનું નામ અને નંબર મેળવીને ફોન કરતા હતા. કૉલ સેન્ટર પકડાયું તે ઑફિસ અને મુનરાઇસ રેમેડી કેર પ્રા.લિ કૉલ સેન્ટરના માલિક અભિષેક પાઠકના ભાઈ મનિષ પાઠક (અમેરિકા)ના નામે હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતુ. સાકાર-9માં 6 મહિનાથી ચાલતા કૉલ સેન્ટરમાંથી પોલીસે માલિક અભિષેક પાઠક, મૅનેજર નિખિલ જૈન, ટીમ લીડર ગણપત પ્રજાપતિ અને કરણસિંહ ચૌહાણ સહિત કુલ 24 પકડાયા હતા. આરોપીઓની કૉલ ડિટેલ અને બૅન્ક એકાઉન્ટની વિગતો પોલીસે મેળવીકૉલ સેન્ટરના માલિક અભિષેક પાઠક, નિખિલ જૈન, ગણપત પ્રજાપતિ અને કરણસિંહ ચૌહાણની કૉલ ડિટેલ અને બૅન્ક ખાતાંની વિગતો પોલીસે મેળવી છે. જેના આધારે આગળની તપાસ હાથ ધરી છે. નવરંગપુરા પોલીસે ચારેય આરોપીને જ્યુ. મૅજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરીને 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આરોપીઓ વિદેશી નાગરિકોના ડેટા ક્યાંથી મેળવતા હતા. સહ આરોપીઓની તપાસ કરી પકડવાના છે. આરોપીઓએ કોલ સેન્ટર ચલાવી કેટલા રૂપિયા કમાયા છે. અને તેમાં કોને કેટલો ભાગ મળ્યો છે. તેની તપાસ કરવાની છે. ભાસ્કર ઈનસાઈડછોકરા-છોકરીઓને પૈસાની લાલચ અપાતી હતીકૉલર તરીકે નોકરી કરતા 15 છોકરા અને 5 છોકરી પકડાઈ હતી. તેમાંથી મોટા ભાગના રાજસ્થાન, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, કચ્છ અને અમરેલીના હતા. તમામ પીજીમાં રહીને કલેજમાં ભણતા હતા. આ છોકરા-છોકરીઓને 20થી 30 હજારના પગારની લાલચ આપીને નોકરી રાખ્યા હતા. 5 છોકરી જામીન મુક્ત, છોકરાઓ જેલમાંઅભિષેક, નિખિલ, ગણપત પ્રજાપતિ અને કરણસિંહ ચૌહાણને પોલીસે કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ લીધા હતા. જ્યારે કૉલર તરીકે નોકરી કરતી 5 છોકરીને જામીન મુક્ત કરાઈ હતી જ્યારે કૉલર તરીકે નોકરી કરતા 15 છોકરાને જેલમાં મોકલાયા હતા. વૉલેટમાં ડૉલર લઈ રૂપિયામાં કન્વર્ટ કરાવતા હતાકૉલરોના વિશ્વાસમાં આવીને વિદેશમાં રહેતા ગુજરાતના નાગરિકો તેમને 600 ડૉલર આપી દેતા હતા. જોકે આ ડલર તેઓ કયા વૉલેટમાં લેતા અને ત્યાંથી કેવી રીતે ભારતીય ચલણમાં ટ્રાન્સફર કરાવતા હતા. તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી.
આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ 1126 મીટરનો ટેક્સી-વે R (રોમિયો) અને R1 બુધવારથી તમામ ફ્લાઇટો માટે શરૂ કરી દેવાયો છે. આથી ટેકઓફમાં 3 મિનિટનો સમય બચશે. આમ દૈનિક 175 ફ્લાઇટના ટેકઓફથી 525 મિનિટ બચશે. એટલે કે મુસાફરોનો 5-10 મિનિટનો સમય ઘટશે, આમ 3505 મીટર રન-વેની પેરેરલ 3021 મીટરનો ટેક્સી-વે કાર્યરત થઇ ગયો છે, બાકી રહેલા 485 મીટરનું કામકામ ચાલી રહ્યું છે, જે આગામી વર્ષ 2026માં પૂર્ણ કરી દેવાશે, એટલે કે વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સ પહેલા રન-વેની સમાંતર ટેક્સી-વે સંપુર્ણ કાર્યરત થઇ જશે. 310 વિમાનના ઉડાન માટે નવો ટેક્સી-વે ઉપયોગીકોડ સીમાં આવતા ઍરબસ A,320, મેક્સ 737 વિમાન અમદાવાદથી હાલ ઇન્ડિગો, અકાશા, સ્પાઇસજેટ, ઍર ઇન્ડિયા, મલેશિયન, વિયતજેટ, કતાર, એતિહાદ, ઍર અરેબિયા, ઍર એશિયા ઍરલાઇન ઓપરેટ કરે છે એટલે કે હાલમાં પ્રતિદિન 330માંથી 310 વિમાનો માટે નવો ટેક્સી-વે ઉપયોગી બનશે. એરબસ A-380 વિમાન માટે રન-વે સક્ષમ નથીએરબસ A-380 વિમાન અમદાવાદ એરપોર્ટ પર ક્યારેય લેન્ડીંગ-ટેકઓફ થઇ શકશે નહીં કેમકે 600થી વધુ સીટર જમ્બો વિમાનના વીંગ્સ બહું પહોળા હોય છે જે નવો રન-વે, ટેક્સી-વે બન્યા બાદ પણ સક્ષમ નથી. સિંગાપોર, એમિરેટ્સને મુખ્ય રન-વે પર જવું પડશેઅમદાવાદથી ઓપરેટ થતી સિંગાપોર એરલાઇન A-359, એમિરેટ્સ A-350 અને 777 એરક્રાફ્ટનો ઉપયોગ કરે છે જે ટેકઓફ માટે નવા ટેક્સી-વેનો ઉપયોગ કરી શકશે નહીં તેમને ફરજિયાત મુખ્ય રન-વે પર જઇને ટન અરાઉન્ડ કરી ટેકઓફ કરવુ પડશે, ઇંધણની પણ 30 ટકા જેટલી બચત થશેઅમદાવાદના આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર પ્રાઇવેટ જેટ સાથે પ્રતિદિન ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલની 330 જેટલી ફ્લાઇટની મુવમેન્ટમાં 40 હજાર પેસેન્જરો નોંધાય છે, આગામી વર્ષે ટેક્સી-વે સંપૂર્ણ બની જતાં 360 થઈ જવાનો અંદાજ છે, સાથેસાથે પેસેન્જરોની મુવમેન્ટ 45 હજારને પાર કરી જશે. પીકઅવર્સમાં ફ્લાઇટોનો હોલ્ડિંગ સમય 5થી 10 મિનિટથી ઘટી 2-3 મિનિટ થઈ જશે એ સાથે જ ફ્યુઅલની 30 ટકા બચત થશે.
ભાસ્કર એક્સક્લુઝિવ:ભુજના નવા રેલવે સ્ટેશનમાં 8 હજાર ટન લોખંડ વપરાયું, એફિલ ટાવર કરતા વધારે
મીત ગોહિલ ભુજના નવા રેલવે સ્ટેશનનું કાર્ય હવે અંતિમ તબક્કામાં છે ત્યારે માર્ચ મહિના સુધીમા સ્ટેશન બનીને તૈયાર થઈ જશે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. ખાસ મહત્વની બાબત એ છે કે, 200 કરોડના ખર્ચે તૈયાર થતા સ્ટેશનમાં અંદાજીત 8 હજાર ટન લોખંડનો વપરાશ કરવામાં આવ્યો છે જે પેરીસના એફિલ ટાવરની સમકક્ષ છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં કાલુપુર પછી બીજા નંબરે ભુજ રેલવે સ્ટેશનનું 200 કરોડના ખર્ચે નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું છે.અમદાવાદ ડિવિઝનના ડીઆરએમ વેદ પ્રકાશ, ગાંધીધામ ડિવિઝનના એઆરએમ આશિષ ધાનિયા દ્વારા સ્ટેશન રી ડેવલોપમેન્ટની મુલાકાત લીધી હતી.ડીઆરએમએ માહિતી આપતા જણાવ્યું કે, ભુજ સ્ટેશનનું 200 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે જેમાં અત્યારસુધીમાં 75 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. માર્ચ સુધીમાં તમામ કાર્ય પુર્ણ થઈ જશે ખાસ સ્ટેશન રી ડેવલોપમેન્ટમાં અંદાજે 8 હજાર ટન લોખંડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે એફિલ ટાવરની સમકક્ષ છે. હાલમાં દૈનિક 2 હજાર પ્રવાસીની ક્ષમતા ધરાવતા સ્ટેશનમાં રી ડેવલોપમેન્ટ પછી 12 થી 15 હજાર પ્રવાસીઓ અવરજવર કરી શકે તેટલી ક્ષમતા થશે.1 એકરમાં ફેલાયેલા રૂફ પ્લાઝાનું મોટાભાગનું કામ પૂર્ણ થયું છે.હાલમાં એસકેલેટર લગાવવા સહિતની કામગીરી ચાલી રહી છે.કચ્છ આવતા પ્રવાસીઓને અને સ્થાનીકોને ફાયદો થશે તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ન્યુ ભુજ રેલવે સ્ટેશનની કામગીરી તા.31-1-2023થી શરૂ થઈ હતી.એપ્રિલ મહિનામાં કામ પૂર્ણ થવાની અવધિ હતી જોકે હવે કામગીરીએ વેગ પકડ્યો છે અને માર્ચ સુધીમા પૂર્ણ થઈ જશે. આધુનિકની સાથે કચ્છી કલાસંસ્કૃતીનો થશે સંગમસાંસદ વિનોદભાઈ ચાવડાએ સ્ટેશન રી-ડેવલોપમેન્ટ કાર્યની મુલાકાત લીધી હતી તેઓએ વાતચીત દરમ્યાન જણાવ્યું કે, ટૂંક સમયમાં આ સ્ટેશન પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે. ખાસ અહીં અદ્યતન સવલતો સાથે કચ્છની કલા સંસ્કૃતિ, ઈતિહાસ, વારસાનો સંગમ જોવા મળશે. કચ્છ આવતા પ્રવાસીઓ સાથે લોકોને પણ ફાયદો થશે. ભુજને એરપોર્ટ જેવા સુવિધાસભર રેલવે સ્ટેશનની ભેટ આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પણ આભાર વ્યકત કર્યો હતો. એફિલ ટાવરમાં 7,300 ટન લોખંડનો ઉપયોગફ્રાન્સના પેરિસ શહેરમાં આવેલા એફિલ ટાવરના ધાતુના માળખામાં કુલ 7,300 ટન લોખંડનો ઉપયોગ કરાયો છે. આ ટાવરનું કુલ વજન આશરે 10,100 ટન છે (જેમાં લિફ્ટ, દુકાનો અને એન્ટેનાનો સમાવેશ થાય છે).
સાઇબર ઠગાઈ:સિવિલની નર્સ પાસેથી સાડા 6 વર્ષમાં રૂ.20.53 લાખ પડાવ્યા
તમારી મેક્સ લાઇફ ઇન્સ્યોરન્સ પૉલિસીનું કમિશન એજન્ટને મળતું હતું તે હવેથી તમને મળશે, તેવું કહીને 2 મહિલા સહિત સાઇબર ગઠિયાની ટોળકીએ સિવિલની નર્સ પાસેથી સાડા 6 વર્ષમાં રૂ. 20.53 લાખ પડાવ્યા હતા. સિવિલના સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતાં કોકિલાબહેન ગુણવંતભાઈ બગડા (45) સિવિલમાં નર્સ છે. કોકિલાબહેને મેક્સલાઇફ ઇન્સ્યોરન્સમાંથી એક પૉલિસી લીધી હતી, જેનું વાર્ષિક પ્રીમિયમ રૂ. 30 હજાર આવતું હતંુ. જાન્યુઆરી 2019માં વિકાસ ગુપ્તાએ તેમને ફોન કરીને પૉલિસીનું કમિશન તમને મળશે તેવું કહી ગ્રાન્ડ હોલીડે વેકેશન પ્રા. લિ.માં રજિસ્ટ્રેશન કરાવીને રૂ. 25 હજાર ફી ભરવા કહ્યું હતું. રજિસ્ટ્રેશન કરાવ્યા પછી તેમને ટુકડે ટુકડે કમિશન મળતું હતું, નર્સે રૂ. 1.15 લાખ ભર્યા પછી વિકાસનો ફોન આવતો બંધ થઈ ગયો અને સચીને ફોન કરી વિકાસ અકસ્માતમાં મૃત્યુ પામ્યો હોવાનું કહીને કોકિલાબહેનના નામનો રૂ. 3.90 લાખના ચેકનો ફોટો પાડીને મોકલ્યો હતો. થોડા દિવસ પછી રીયા શર્માએ રજિસ્ટ્રેશન અને હોલિડેની મેમ્બરશિપના કમિશનના રૂ. 15 લાખ મળશે તેવું કહીને જીએસટી અને બીજા ચાર્જ પેટે બીજા રૂ.3.13 લાખ ભરાવડાવ્યા હતા. થોડા સમય પછી વિક્રમ ગુપ્તાએ રીયાના દીકરાનું મૃત્યુ થયું હોવાનું કહીને સાડા 6 વર્ષમાં કુલ રૂ.21.90 લાખ પડાવ્યા હતા. તેમાંથી તેમને કમિશન પેટે રૂ.1.37 લાખ પાછા આપ્યા હતા જ્યારે બાકીના20.53 લાખ પાછા ન મળતાં સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.
શહેરના સેક્ટર 17માં આવેલી સર્વ શિક્ષા અભિયાનની કચેરીમાં સ્ટેટ ઇજનેર તરીકે ફરજ બજાવતા નિપુણ ચોક્સી દ્વારા પાટણના બાલિયાની વિદ્યાલયના બિલનાં નાણાં મંજૂર કરવા કોન્ટ્રાક્ટર પાસેથી રૂ. 1.21 લાખની લાંચ માગતાં એસીબીએ છટકું ગોઠવીને રંગે હાથ ઝડપી લીધો હતો. આ બનાવ બાદ 5 વર્ષ પછી આરોપી સામે અપ્રમાણસર મિલકત મળતાં ગુનો નોંધાયો છે. આરોપી પાસેથી રૂ. 3.08 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ મળી આવી છે. ગાંધીનગર એસીબી નિયામક એ. કે. પરમારની ટીમના પીઆઇ એચ. બી. ચાવડાએ ગુનાની તપાસ કરી હતી. તપામાં ગત 16 જુલાઈ, 2021ના રોજ નિપુણ ચોક્સી (રહે. પ્લોટ નંબર 982-2, સેક્ટર 4ડી, ગાંધીનગર)ને રૂ. 1.21 લાખની લાંચ લેતાં પકડી લીધા બાદ તપાસ કરવામાં આવી હતી. જેમાં સેક્ટર 10 સ્થિત ગાંધીનગર નાગરિક બૅન્ક અને સેક્ટર 6ની બ્રાન્ચમાં તેનાં 3 લૉકર મળી આવ્યાં હતાં. આ લૉકરમાંથી રોકડ રૂ. 2,27 કરોડ, ઘરમાંથી રોકડા રૂપિયા 4.12 લાખ મળી કુલ 2.31 કરોડ રૂપિયા મળી આવ્યા હતા. તપાસ દરમિયાન 1 એપ્રિલ, 2021થી 19 સપ્ટેમ્બર, 2021 દરમિયાન પોતાની ફરજનો દુરુપયોગ કરી ખોટી રીતે 3,08 કરોડ રૂપિયા (62.43 ટકા) વધારે મિલકત ભેગી કરી હોવાનું સામે આવ્યું હતું. આથી આરોપીએ ફરજનો દુરુપયોગ કરીને એકઠી કરેલી અપ્રમાણસર મિલકત મળી આવતાં તેમની સામે ભ્રષ્ટાચાર નિવારણની કલમ 13 (1), (2) મુજબ અપ્રમાણસર મિલકત બાબતનો ગુનો નોંધાયો છે. શુ હતો સમગ્ર બનાવસેક્ટર 17માં આવેલી સર્વ શિક્ષા અભિયાનની કચેરીમાં નોકરી કરતા સ્ટેટ ઇજનેર નિપુણ ચોક્સી પાસે પાટણ જિલ્લાના સમી તાલુકામા બોયઝ હોસ્ટેલ, શંખેશ્વર તાલુકામાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું કામ પૂરું થયા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા બિલ મૂકવામાં આવ્યા હતા. કરોડોનો કોન્ટ્રાક્ટ હોવાના કારણે અધિકારીની લાળ ટપકી હતી. કોન્ટ્રાક્ટરે બિલ મૂક્યા બાદ વારંવાર અધિકારી પાસે બિલનાં નાણાં બાબતે રજૂઆત કરતો હતો અને ધક્કા ખાતો હતો. અધિકારી નિપુણ ચન્દ્રવદન ચોક્સીને લાંચ લેવાની હોવાથી બિલ પાસ કરવામાં વિલંબ કરતો હતો. કંટાળીને કોન્ટ્રાક્ટર અધિકારીને મળ્યો હતો અને તેને ટેબલ નીચેના વ્યવહારની વાત કરી હતી. બિલની કુલ રકમના સવા ટકાની રકમ 1.21 લાખ માગવામાં આવી હતી. આથી કોન્ટ્રાક્ટરે ભાવમાં ઉપર-નીચે કરવાની વાત કરી હતી. પરંતુ અધિકારી એકનો બે નહિ થતાં આખરે એસીબીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. રૂપિયા 1.21 લાખ આપવામા આવતા એસીબીની ટીમે રંગે હાથ ઝડપી લીધો હતો.
અનોખી પહેલ:પાલડીની એકાઉન્ટન્ટે પોતાનાં લગ્નમાં DJ અને ગરબા નહીં પણ ભજનસંધ્યા રાખી છે
લગ્નપ્રસંગમાં ડીજે, ગરબા અને લગ્નગીતોનું આયોજન કરવાની પ્રથા વર્ષો જૂની છે પરંતુ પાલડીની એકાઉન્ટન્ટ અક્ષા વાટલિયા દ્વારકાધીશની અન્ન્ય ભક્ત છે અને એટલે પોતાનાં પ્રેમલગ્નમાં તેણે ભક્તિસંગીત અને ‘કુંવરબાઈનું મામેરું’ આખ્યાન રાખ્યાં છે. 28મીએ ભજનિક અને આખ્યાનકાર કિર્તન દીક્ષિત આખ્યાનનું ગાન કરશે. દ્વારકાધીશ લગ્નમાં આવશે, એ ઉમળકો અક્ષાના જ શબ્દોમાં... ફર્સ્ટ પર્સનભગવાનનો સાથ ન હોત તો પ્રેમલગ્ન પણ ન થાત‘દ્વારકાધીશ બધા માટે ભગવાન છે પણ મારી માટે મારા પિતા છે, માતા છે અને મિત્ર પણ છે. એમને તો બધી ખબર હોય જ છતાં હું રોજ એમની સાથે મારી બધી જ વાત કરું છું. આમ તો એમ કહેવાય છે કે ભગવાનની ઇચ્છા હોય ત્યારે દર્શને બોલાવે પણ દ્વારકાધીશ માટે મારી શ્રદ્ધા એટલીબધી છે કે હું ઇચ્છું એટલે અને ઇચ્છું ત્યારે દ્વારકા દર્શન કરવા જઈ શકું છું. હું દર છ મહિને દ્વારકા દર્શન કરવા જાઉં છું. મારાં પ્રેમલગ્ન છે અને મારા ભગવાનને કારણે જ હું અને હર્ષ (ભાવિ પતિ) 30મીએ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યાં છીએ. અમારી લવસ્ટોરી પણ સરસ છે. હું અને હર્ષ કેજીથી સાથે છીએ. અમે ત્યારથી એકબીજાને ગમતા, પસંદ કરતા હતા પણ લગ્ન થશે કે કેમ, એ પ્રશ્ન હતો. અને ભાગીને લગ્ન કરવાની હર્ષે ના પાડી દીધી હતી એટલે શું થશે? એની ચિંતા હતી. મેં મારા ઘરે હર્ષ વિશે વાત કરી એ પહેલાં દ્વારકાધીશને કહ્યું કે હું આજે ઘરે વાત કરીશ, તમે સાચવી લેજો. અને એમણે સાચવી લીધું. મારી અપેક્ષા વિરુદ્ધ મારાં મમ્મી-પપ્પાએ વિના વિરોધે હા પાડી દીધી! હવે 30મીએ મારાં લગ્ન છે અને એમાં બધાં સગાંસંબંધી, મિત્રો તો આવશે જ પણ દ્વારકાધીશ મારો સૌથી મોટા અને સૌથી મોંઘેરા મહેમાન છે. એ તો આવવા જ જોઈએ. મારા ભગવાન રાધાજીને લઈને આવે એટલે એમને આમંત્રણ આપવા માટે ભક્તિસંધ્યા રાખી છે.’ > અક્ષા વાટલિયા
સાઇકલ યાત્રાનું આયોજન:બંધારણ દિવસ નિમિત્તે રેલવેના કર્મીઓની સાઇકલ યાત્રા યોજાઈ
સંવિધાન દિવસની ઉજવણીના ભાગરૂપે બુધવારે રેલવે કર્મચારીઓ દ્વારા અમદાવાદથી મહેસાણા સુધી સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ડીઆરએમ ઓફિસમાં એડીઆરએમ મંજૂ મીણા, એડીઆરએમ વિકાસ ગઢવાલ સહિત અન્ય અધિકારીઓ દ્વારા ઝંડી ફરકાવી સાયકલ સવારોને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ અગાઉ તમામ સાયકલ સવારોનું અધિકારીઓ દ્વારા સન્માન પણ કરવામા આવ્યું હતું.
સિદ્ધિ:સિદ્ધવડમાં 12.10 લાખ કલાકના મૌનવ્રતને ઇન્ડિયા બુકમાં સ્થાન
સિદ્ધવડ તીર્થ પર શુક્રવારે ઉપધાન 385 મોક્ષ–માળારોપણનો ઐતિહાસિક મહોત્સવ 6 હજારથી વધુ શ્રાવક–શ્રાવિકાની ઉપસ્થિતિમાં સાથે ઉજવાયો હતો. ચંદન પરિવારના યજમાનપદ હેઠળ યોજાયેલા આ મહાપ્રસંગે ચોમાસા દરમિયાન પાલિતણામાં થયેલી અનોખી મૌન ચાતુર્માસ શિબિરીને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું હોવાનો ગૌરવ જાહેર કર્યો. ચાતુર્માસમાં 1100 સાધકોએ 50 દિવસ સુધી રોજ સરેરાશ 22 કલાક મૌન પાળી કુલ 12 લાખ 10 હજાર કલાકનું મૌન, 7.26 કરોડ મિનિટનું સાધન અને 83 કરોડ શબ્દોનો ત્યાગ કર્યો હતો. જે અજોડ આરાધના સમૂહમાં પ્રથમવાર ભારતના રેકોર્ડમાં નોંધાઈ છે. આ પ્રસંગે આચાર્ય ભગવંતોની પવિત્ર નિશ્વામાં મોક્ષમાળા આરોહણ, તપ–ધ્યાન–પારાયણ તથા 200થી વધુ સાધુ–સાધ્વીઓની ઉપસ્થિતિએ સિદ્ધવડને આધ્યાત્મિક ઊર્જાથી ગુંજારી દીધું હતું.
અન્નપૂર્ણા વ્રતનો પ્રારંભ:અસારવાના અન્નપૂર્ણા મંદિરનાં દ્વાર માત્ર વ્રતના 21 દિવસ જ ખુલ્લાં રહે છે
અસારવાના આશરે 700 વર્ષ પૌરાણિક શ્રી નીલકંઠ મહાદેવ મંદિરના પરિસરમાં બુધવારથી અન્નપૂર્ણા માતાજીના 21 દિવસના વ્રતનો શુભારંભ થયો છે. આ વ્રત પરંપરા અનુસાર, માતા અન્નપૂર્ણાનાં દર્શન માટે મંદિરનાં દ્વાર ખોલવામાં આવ્યાં છે. વર્ષમાં આ વ્રત ટાણે જ મંદિરનાં દ્વાર ખોલવામાં આવે છે. મંદિરે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ, આ વર્ષે અન્નપૂર્ણા માતાજીના વ્રત દરમિયાન મંદિર 26 નવેમ્બરથી 16 ડિસેમ્બર સુધી ખુલ્લું રહેશે. વ્રત દરમિયાન શ્રદ્ધાળુઓ સુખ, શાંતિ અને ઘરમાં ધાન્યની સમૃદ્ધિ માટે માતાજીની વિશેષ પૂજા-અર્ચના કરશે. મંદિરના ઇતિહાસ મુજબ, નીલકંઠ મહાદેવ મંદિરની સ્થાપના શ્રી સ્વામી હીરાપુરીજી મહારાજે કરી હતી. તેમને ગુરુએ અન્નપૂર્ણા માતાજીની મૂર્તિ પ્રદાન કરી હતી. આ જ મૂર્તિની સ્થાપના મહાદેવના સાંનિધ્યમાં કરાઈ છે. માતા અન્નપૂર્ણાને અન્ન અને પોષણનાં દેવી માનવામાં આવે છે. શ્રદ્ધાળુઓનું માનવું છે કે આ 21 દિવસ માતાજીનાં દર્શન કરવાથી ઘરમાં ક્યારેય અન્ન ખૂટતું નથી અને સમસ્ત પરિવાર પર માતાજીના આશીર્વાદ યથાવત્ રહે છે. વ્રત નિમિત્તે મંદિર પરિસરમાં રોજ સવારે અને સાંજે વિશેષ આરતીનું આયોજન કરાશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લેશે.
નોકરી ન્યૂઝ:RRB સ્ટેશન માસ્ટર સહિતની 8858 જગ્યા પર ભરતી કરશે
ભારતીય રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ (RRB) દ્વારા NTPC ભરતીનું સત્તાવાર નોટિફિકેશન જાહેર કરાયું છે. નોટિફિકેશન મુજબ 8,858 જગ્યા ભરાશે. આ ભરતી માટે 12 પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધીના ઉમેદવારો અરજી કરી શકશે. ભરતીમાં સ્ટેશન માસ્ટર, ગુડ્સ ગાર્ડ, કોમર્શિયલ કલાર્ક, એકાઉન્ટ્સ કલાર્ક, ટાઇપિસ્ટ, ટ્રાફિક આસિસ્ટન્ટ જેવી વિવિધ મહત્વપૂર્ણ પોસ્ટ્સને જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો 27 નવેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકશે. ઉમેદવારે માન્ય ઇમેઇલ આઈડી અને મોબાઇલ નંબર સાથે નોંધણી કર્યા બાદ ઓનલાઈન ફોર્મ, જરૂરી દસ્તાવેજો, ફોટો અને સહી અપલોડ કરવાની રહેશે. ઉમેદવારનું કૌશલ્ય અને ટાઈપિંગ, દસ્તાવેજ ચકાસણી અને તબીબી પરીક્ષણ બાદ અંતિમ પસંદગી કરાશે. ઉમેદવાર એક જ વખત અરજી કરી શકશે. ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ પરથી અરજી કરી શકશે.
ડ્રેનેજની સમસ્યાનો આવશે અંત:સરખેજમાં એસટીપી પ્લાન્ટ બનશે, નવા પશ્ચિમમાં ડ્રેનેજ સમસ્યા ઉકેલાશે
સરખેજ ફતેવાડી વિસ્તારમાં મ્યુનિ. નવો 168.70 કરોડના ખર્ચે એસટીપી પ્લાન્ટ તૈયાર કરશે. મ્યુનિ. દ્વારા નક્કી કરાયેલી મૂળ કિંમત કરતાં 32 ટકા ઓછા ભાવે ખિલારી ઇન્ફ્રા. પ્રા.લિ.એ ટેન્ડર ભરતાં તેને કામ આપવા માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરાઈ છે. આ કંપની દ્વારા 10 વર્ષ માટે આ એસટીપીનું મેનેટનન્સ કરવા માટે પણ 34.26 લાખ વધારાના ચૂકવાશે. આ એસટીપી પ્લાન્ટ બની ગયા બાદ નવા પશ્ચિમ ઝોનમાં ડ્રેનેજની સમસ્યાનો અંત આવશે. મ્યુનિ.ની ગણતરી પ્રમાણે જ 2037માં એટલે કે 10 વર્ષમાં આ વિસ્તારમાં નવો બની રહેલા એસટીપી કરતાં બમણો સુએજ પ્રવાહ આવશે ત્યારે તંત્રને ફરીથી નવો એસટીપી બનાવવો પડે તેવી સ્થિતિ ઊભી થશે. કેટલાક એસટીપીમાં વધારે સુએજ આવતાં સીધું જ નદીમાં સુએજ છોડવું પડે તેવી સ્થિતિ હોય છે. આ વિસ્તારોમાં ડ્રેનેજ સુવિધા મળશેબોપલ, થલતેજ, ભાડજ, હેબતપુર, સરખેજ, શાંતિપુરા સર્કલ, સનાથલ, એપલવુડ ટાઉનશિપ, સરખેજ એસપી રિંગ રોડને સમાંતર વિસ્તારો, મક્તમપુરામાં કેટલીક જગ્યાએ ડ્રેનેજની સુવિધા ઉપલબ્ધ નથી ત્યાં તે ઉપલબ્ધ કરાવાશે. સાથે આ 150 એમએલડી એસટીપી દ્વારા પાણીને શુદ્ધ કરી એનજીટીના નિયમ પ્રમાણે નદીમાં છોડાશે.
મુસાફરોને મળશે સચોટ માહિતી:ટ્રેનનો પહેલો રિઝર્વેશન ચાર્ટ આઠ કલાક પહેલાં ઓટોમેટિક તૈયાર થશે
રેલવેએ 8 જુલાઈથી મેન્યુઅલ ચાર્ટિંગ સિસ્ટમ લાગુ કર્યા બાદથી કોઈ પણ ટ્રેનનો રિઝર્વેશન ચાર્ટ ટ્રેન ઉપડવાના નિર્ધારિત સમય કરતાં આઠ કલાક પહેલા મેન્યુઅલ તૈયાર કરવામાં આવતો હતો, જેમાં ઘણી વાર વિલંબ થતા પેસેન્જરોને સીટ ઉપલબ્ધતા અંગે સમયસર માહિતી મળતી ન હતી. આવી પરિસ્થિતિમાં રેલવે દ્વારા આ રિઝર્વેશન ચાર્ટ ઓટોમેટિક તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેથી હવે ટ્રેન ઉપડવાના 8 કલાક પહેલાં સિસ્ટમ જાતે જ ચાર્ટ તૈયાર કરી દેશે. આ સાથે જ સવારના 5 વાગ્યાથી બપોરે 2 વાગ્યા દરમિયાન ઊપડતી ટ્રેનોનો પહેલો રિઝર્વેશન ચાર્ટ અગાઉની જેમ જ આગલી રાતે 9 વાગ્યા સુધીમાં ઓટોમેટિક તૈયાર થઈ જશે. એ જ રીતે ટ્રેનના બીજા ચાર્ટના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ટ્રેન પ્લેટફોર્મ પરથી ઉપડે તેના 15 મિનિટ પહેલાં સિસ્ટમ જાતે જ અપડેટેડ ચાર્ટ તૈયાર કરી દેશે, જેથી આઈઆરસીટીસી અને કરન્ટ કાઉન્ટર પરથી ખાલી રહી ગયેલી બેઠકો તરત બુક થઈ શકશે. આમ સમયસર ટ્રેનના રિઝર્વેશન ચાર્ટ તૈયાર થવાને કારણે પેસેન્જરોને છેલ્લી ઘડીએ ટ્રેનમાં ખાલી રહી જતી ટ્રેનોની સીટોની ઉપલબ્ધતા અંગે સચોટ અને સમયસર માહિતી મળી રહેશે.
ભુજ–નારાયણસરોવર માર્ગે વાયા નેત્રા ચાલતી એસ.ટી. બસ સમયસર ન આવવાની ગંભીર સમસ્યાને લઈને નેત્રા ગામના વિદ્યાર્થીઓ, વાલીઓ અને લોકોએ બસ રોકો આંદોલન છેડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.બસની અનિયમિતતા બાબતે છેલ્લા આઠેક વર્ષથી રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ ન આવતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા. એસટી બસ અનિયમિત હોવાથી વિદ્યાર્થીઓને રોજ 5 કિલોમીટર સુધી પગપાળા ચાલવું પડે છે અથવા ખાનગી વાહનનો ખર્ચ ઉઠાવવો પડે છે, જેના કારણે તેમની શિક્ષણ વ્યવસ્થા પર ગંભીર અસર થઈ રહી છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વાલી મંડળો તથા જાગૃત નાગરિકો દ્વારા એસ.ટી. વિભાગને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, બસની સેવા વારંવાર બંધ થતી રહી છે. શાળા વેકેશન, શનિ-રવિ કે મેળા દરમિયાન પણ બસ બંધ કરી દેવામાં આવે છે, જેના કારણે મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વાલીઓ તથા વાલી મંડળ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે જો તાત્કાલિક યોગ્ય કાર્યવાહી નહીં થાય તો નેત્રાથી નખત્રાણા સુધી પગપાળા યાત્રા કાઢવામાં આવશે. ચક્કાજામ દરમિયાન ભુજ એસ.ટી. વિભાગના અધિકારીઓ સાથે ફોન દ્વારા સંપર્ક સાધવામાં આવતાં બસ સેવા સમયસર અને નિયમિત ચલાવવામાં આવશે તથા વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે યોગ્ય વ્યવસ્થા કરાશે તેવી ખાતરી જવાબદાર અધિકારી દ્વારા અપાઇ હતી તેમ હારુન કુંભારે જણાવ્યું હતું.
શહેરમાં ટ્રાફિકની સમસ્યા, રોંગ સાઇડ વાહનો મામલે વર્ષ 2018માં હાઈકોર્ટે કરેલા નિર્દેશોનું સરકારે 8 વર્ષ સુધી પાલન ન કરતા કન્ટેમ્પટ પિટિશન કરવામાં આવી હતી, જેની સુનાવણીમાં હાઈકોર્ટે સરકાર સામે વ્યંગબાણ છોડ્યા હતા. કોર્ટે કહ્યું કે, 8 વર્ષ જેટલો સમય વીતી ગયો છતાં કોઈ નક્કર પગલાં લેવાયાં નથી. કૂતરાંની પૂંછડી વાંકી રહેવાની છે. કોઈ પણ નિર્દેશો કરો, કોઈ ફરક પડવાનો નથી. ગમે તેટલી કન્ટેમ્પટ ફાઇલ કરો પણ કોઇ પરિણામ મળવાના નથી. માત્ર કોર્ટનો અને અરજદારોનો સમય બગડવાનો છે. સરકાર કે કોર્પોરેશને 8 વર્ષમાં કંઈ કર્યું નથી તો હવે શું કરવાના છે? તેમણે પોતાનો દેશ કે શહેર સમજીને સાચા હૃદયથી કોઈ કામગીરી કરી નથી.દેશના શાસકો બંધારણ મુજબ જે કઇ નાગરિકોને સુવિધા આપે તે સગવડ સમજી લેવાની. હાઈકોર્ટ સરકારને કે કોર્પોરેશનને ખખડાવે ત્યારે સોગંદનામાં લઈને આવે કે અમે આ કર્યું છે, પણ ફીલ્ડમાં જુઓ તો કોઈ કામગીરી જોવા મળે નહિ.દર વખતે સરકાર કોર્ટમાં આવીને કહે કે આવતા સપ્તાહે કરીશું. તમે ગમે તે કહો પણ તેમને જે કરવું છે તે જ કરશે. કોર્ટ કહે તે કરશે નહિ. કુલ 23 વર્ષથી કોર્ટ નિર્દેશો આપે છે કોઈ ફરક દેખાય છે?
કાર્યવાહી:દયાપરના મેટરનીટી હોમમાં નિયમોના ભંગ બદલ સોનોગ્રાફી મશીન સીલ કરાયું
સરહદી લખપત તાલુકાના દયાપરમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરીને નિયમોનો ભંગ જણાઈ આવતા મેટરનીટી હોમમાં સોનોગ્રાફી મશીન સીલ કરાયું હતું.દસ્તાવેજોનું પ્રમાણીકરણ, યોગ્ય સત્તાધિકારીની નિમણુંક, રેકોર્ડની જાળવણી સહિતની અધૂરાશો જણાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારી અને ડિસ્ટ્રીક્ટ એપ્રોપ્રિએટ ઓથોરીટી ઉત્સવ ગૌતમ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મિતેષ ભંડેરીના માર્ગદર્શન હેઠળ સબ-ડિસ્ટ્રીક્ટ એપ્રોપ્રિએટ ઓથોરીટી અને તાલુકા આરોગ્ય અધિકારી કે.કે.પટેલ દ્વારા આ કાર્યવાહી કરાઈ હતી. દયાપરમાં આવેલ સાંનિધ્ય ક્લિનીક એન્ડ મેટરનીટી હોમ ખાતે તપાસ કરાઈ ત્યારે સોનોગ્રાફી મશીનના ઉપયોગમાં PCPNDT ACTની કલમોના ભંગ જણાયો હતો.જેથી નિયમ પ્રમાણે મશીન સીલ કરવામાં આવ્યું છે. સરકારી માર્ગદર્શિકા મુજબ PCPNDT કાયદાના નિયમો 13,17(2),9(1)નું ઉલ્લંઘન કરવા બદલ સાનિધ્ય ક્લિનિક અને મેટરનિટી હોમમાં મશીન સીલ કરાયું હતું.હવે નિયમ પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. નિયમ પ્રમાણે આવી સોનોગ્રાફી ગાયનેકોલોજિસ્ટ કરી શકે છે. પરંતુ આ કિસ્સામાં એમબીબીએસ તબીબ હાજર મળી આવ્યા હતા તેમજ દર્દીની વિગતોનું રજિસ્ટર યોગ્ય રીતે નિભાવવામાં આવ્યું નહતું. જેથી કાર્યવાહી કરાઇ હતી.
પતિ વિરૂદ્ધ ફરિયાદ:ભુજમાં મહિલા પોલીસ કર્મચારી પર પેટ્રોલ છાંટી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરાયો
શહેરના એરપોર્ટ રોડ પર આવેલા 36 ક્વાર્ટરમાં રહેતા મહિલા પોલીસ કર્મચારી પર તેના પતિએ પેટ્રોલ છાંટી રૂમને બહારથી કડી મારી ગેસનો ચૂલો ચાલુ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બનાવમાં એ-ડિવિઝન પોલીસ મથકે આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો છે.આ બાબતે 36 ક્વાર્ટરમાં રહેતા કિરણબેન અલ્ફાઝ ઇકબાલ પંજાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ નલિયા પોલીસ સ્ટેશનમાં એલઆર વુમન પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. અમદાવાદ રથયાત્રામાં બંદોબસ્ત દરમિયાન ગઢશીશા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એલઆર પોલીસ કોન્સ્ટેબલ અલ્ફાઝ ઇકબાલ પંજા સાથે મુલાકાત થઇ હતી. બાદમાં પરિવારની સહમતીથી અમરેલી ખાતે લગ્ન કર્યા હતા. ફરિયાદીના માતાને ઘુટણના ભાગે તકલીફ હોવાથી સારવાર માટે ભુજ આવવું પડતું હતું. જેથી 36 ક્વાર્ટરમાં મકાનમાં રહેતા હતા. પતિ ભુજ આવતા એ દરમિયાન ઘરની બાબતોમાં તેમજ નોકરીની બાબતોમાં શક-વહેમ રાખી શારીરિક માનસિક ત્રાસ આપી ગાળો આપી માર મારવામાં આવતો હતો. ફરિયાદીને વતનમાં મતદાન સુધારણા યાદી માટે જવાનું હોઇ રજા લીધી હતી અને પતિ ગૃહમંત્રીના બંદોબસ્તમાં ભુજ ખાતે આવ્યા હતા. 25 તારીખે સવારે ફરિયાદી પતિનો મોબાઇલ જોતા હતા ત્યારે શેર બજારમાં રૂપિયા રોક્યા હોવાનું જણાઇ આવતા શેર બજારમાં ન રમવા અને પૈસાનો ખોટો બગાડ કરવાની ના પાડતા ઉશ્કેરાઇને ગાળો આપી માર માર્યો હતો અને ફરિયાદીના માતા વચ્ચે પડતા તેઓને ધકો મારી દીધો હતો. ફરિયાદીના ઘરે રાખેલ અડધો લિટર પેટ્રોલ ભરેલી બોટલ લઇને આવી ફરિયાદીને સળગાવી મારી નાખવા માટે તેમના પર ઢોળી માતાને માર મારવામાં આવ્યો હતો. બન્ને જણાને રૂમમાં પૂરી કડી મારી રસોડામાં ગેસનો ચૂલો ચાલુ કરી આરોપી જતા-જતા ધમકી આપી ગયો કે, તમને જાનથી મારી નાખવા છે. આખા ઘરમાં ગેસની વાસ આવવા લાગતા ફરિયાદીએ બૂમાબૂમ કરતા અવાજ સાંભળી ઉપર રહેતા મહિલા દોડી આવ્યા અને ગેસ બંધ કરી દરવાજો ખોલી બહાર કાઢયા હતા. આ બાબતે ભુજ એ-ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગઢશીશા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પતિ અલ્ફાઝ ઇકબાલ પંજા દ્વારા ફરિયાદીને લગ્ન જીવન દરમિયાન શારીરિક માનસિક ત્રાસ આપી પેટ્રોલ છાંટી રૂમમાં પૂરી દઇ સળગી જાય તે માટે ગેસનો ચૂલો ચાલુ રાખી ગુનો આચરવામાં આવતા વિવિધ કલમો તળે ફરિયાદ નોંધવામાં આવી હતી.
સિટી એન્કર:કચ્છના ભરતકામની વૈશ્વિક વિવિધતા 41 હતી આજે માંડ 14 રહી છે
કચ્છ પ્રદેશ એક સમયે દરિયાઈ અને જમીન વેપાર દ્વારા વિશ્વ સાથે જોડાયેલું હતું. અહીંની કલા, સંસ્કૃતિ અને સ્થાપત્ય ખૂબ સમૃદ્ધ હતા. જેનું ઉદાહરણ 5000 વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિ ધોળાવીરામાં દેખાય છે. કચ્છના ભરતકામની વિવિધતા પણ ખૂબ હતી તેવું જણાવતા ડૉ. પ્રિયા રાજ વિલિયમ ઉમેરે છે કે, એક સમયે વિવિધ જ્ઞાતિ દ્વારા 41 સમૃધ્ધ ભરતકામ કરવામાં આવતું. જે સાચવણીના અભાવે તેમજ મશીન એમ્બ્રોઇડરી જેવું નકલી ભરતકામ ઘૂસી આવતા 14 માંડ રહી છે જે ખરેખર ચિંતાનો વિષય છે. એમ કહેવાય છે કે જે પ્રદેશના લોકો ત્યાંની સંસ્કૃતિ સાચવી શકતા નથી તે પ્રદેશ ખતમ થઈ જાય છે. વિશ્વમાં અનેક સંસ્કૃતિઓ છે જે સદીઓથી એક સાથે આદાન-પ્રદાન કરીને જીવંત રહે છે. કચ્છમાં ભરતકામની વિવિધતા અંગે 40 વર્ષ સુધી અભ્યાસ કરીને ‘એક્સકયુસાઇટ એમ્બ્રોઈડરી ઓફ કચ્છ’ પ્રસિધ્ધ કરાઈ છે. ’80ના દાયકામાં કચ્છમાં પોલીસ વડા તરીકે ફરજ બજાવી ચૂકેલા આર.આર. વિલિયમના પત્ની તે સમયે અંતરિયાળ ગામોમાં એમ્બ્રોઇડરી વર્ક જોઈને પ્રભાવિત થયા હતા. તે સમયથી આ સરહદી જિલ્લામાં એક એક સમાજમાં કરવામાં આવતા ભરત કામ પર અભ્યાસ કર્યો. જેમાં દરેક ભરતકામ સાથે સ્થાનિક સંસ્કૃતિ કે વિદેશી સંસ્કૃતિ જોડાયેલી દેખાઈ. જેને એકત્ર કરી ચાર દાયકા બાદ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરી. આ પુસ્તકનો કોઈ વ્યવસાયિક ઉદ્દેશ નહીં પરંતુ અહીંની સંસ્કૃતિ જળવાય, સચવાય તેમજ લુપ્ત થઈ ગઈ છે તેને ફરીથી જીવંત બનાવવામાં આવે તેવું તેમણે કહ્યું હતું. તેમણે એક ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે ભાનુશાલી સમાજમાં છેલ્લે જ્યારે તેમના ભરતકામ માટે રૂબરૂ તપાસ કરી તો બે જ વૃદ્ધ મહિલાઓ હતી કે જેમને તે આવડતું હતું. જેમાં 93 વર્ષના એક માજી માત્ર ભરતકામ કરી શકતા હતા. ત્યારબાદ હવે કોઈ પેઢી આ વર્ક કરતું નથી. તે જ રીતે અન્ય સમાજ પણ ધીરે ધીરે ભરતકામથી દૂર થતો ગયો. આહિર, રબારી, જત જેવી કોમ્યુનિટી ગામડામાં આ કલા સાચવી બેઠી છે, પરંતુ જેમ જેમ શહેરીકરણ થયું તેમ વિવિધતા ઘટી ગઈ. આ ઉપરાંત કચ્છની કલાને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું હોય તો આજકાલ મશીનથી એમ્બ્રોઇડરી થયા છે કે જે કચ્છી ભરતકામના નામે વેચવામાં આવે છે. અનેક રિસર્ચ કરનારાઓ પણ કચ્છની કલાને ‘વેસ્ટર્ન ઇન્ડિયન કલ્ચર’ કહે છે. વાસ્તવમાં કચ્છનો નામોલ્લેખ થવો જોઈએ. આ એક કચ્છની સંસ્કૃતિ અને કલાને નુકસાન સાબિત થઈ શકે છે. 5000 વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિ પણ કચ્છી ભરતકામમાં દેખાય છેકચ્છી ભરતકામ કે જે વિવિધ સમાજની મહિલાઓ દ્વારા કરવામાં આવતી તે વિશ્વભરની કોઈને કોઈ સંસ્કૃતિ પ્રેરિત છે. મુખ્ય તો ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન જે હડપ્પીયન સંસ્કૃતિ ધોળાવીરામાંથી મળેલા નમૂનાઓમાં દૃશ્યમાન થાય છે. તેમાં વસ્ત્રો જોવા મળે છે તેની ડિઝાઇન કચ્છના ભરતકામમાં દેખાય છે. આ ઉપરાંત બી.સી. 2600 થી 1900 વચ્ચેના સમયમાં વિવિધ વિદેશી સંસ્કૃતિ પણ ભરતકામમાં દેખાય છે મેસોપોટેમીયા, ચાઈનીઝ, સિંધુ સંસ્કૃતિની છાંટ જોવા મળે છે.
ભાસ્કર એક્સક્લુસિવ:પ્રથમ ડ્રાફ્ટ યાદીમાં જ કચ્છના 11.79 લાખ મતદારોમાંથી 95 હજારના નામ કમી થશે !
કેવલ મોતાકચ્છ જિલ્લામાં ખાસ મતદાર યાદી સુધારણામાં કાર્યક્રમમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જિલ્લામાં હાલ ચાલી રહેલી ડિજિટાઇઝેશન પ્રક્રિયા દરમિયાન કુલ 16.90 લાખ મતદારો માંથી 11,79,475 મતદારોની ડેટા ઓનલાઇન અપલોડ કરી દેવાયો છે. જેમાંથી 95,800 નામો મતદાર યાદીમાંથી કમી કરવા માટે માર્ક કરી દેવાયા છે. અગામી 9 ડીસેમ્બરના પ્રાથમિક મુસદા યાદીમાંથી આ નામ નીકળી જશે. જેમાં 52,800 મતદારોએ કાયમી સ્થળાંતર કર્યું છે, જયારે 33,883 મૃતકોના નામ પણ રદ્દ કરવામાં આવશે. બીએલઓ દ્વારા 3,625 મતદારોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પણ તે હાજર મળી આવ્યા ન હતા. 5475 લોકો અન્ય મતદારો છે જેમાં ઘણા એવા મતદારોનો સમાવેશ થાય છે, જેમના નામ બે જગ્યાએ મતદાર યાદીમાં જોડાયેલા હતા, ઉદાહરણ તરીકે અનેક મતદારોના નામ કચ્છ અને મુંબઈમાં સમાવિષ્ટ હતા, એ મતદારોએ કચ્છની મતદાર યાદીમાંથી નામ કઢાવીને મુંબઈમાં કાયમ રખાયું છે. એટલે અત્યાર સુધીમાં 11.79 લાખ મતદારોનું ડિજિટાઇઝેશન થયું છે જેમાં 95,800 મતદારોના નામ કમી કરવા માટે માર્ક કરી દેવાયા છે, જેમનો રેશિયો 8 ટકા જેટલો થાય છે. હજુ પણ 5 લાખથી વધુ મતદારોનું ડિજિટાઇઝેશન થવાનું બાકી છે, એટલે આ આંકડો વધવાની શક્યતા છે. ચૂંટણી તંત્ર દ્વારા ચાલતી આ કામગીરીમાં મૃત્યુ થયા બાદ પરિવાર દ્વારા નામ કમી નથી કરાવાયા અથવા સ્થાનિક સ્તરે અપડેશન ન થવાને કારણે વર્ષો સુધી મૃતકોના નામ યાદીમાં જાળવાયેલા રહ્યા હોવાનું સામે આવ્યું છે. મતદાર યાદીમાં 33,883 મૃતકોના નામ રદ્દ થશે. આ આંકડાઓ દર્શાવે છે કે દરેક વિધાનસભા વિસ્તારમાં મોટા પ્રમાણમાં મૃત્યુ પામેલા લોકોના નામ હજી સુધી યાદીમાં ચાલુ હતા. ગાંધીધામ અને મુન્દ્રામાં સોથી વધુ નામ મતદાર યાદીમાંથી કમી થશેચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન દરમિયાન કચ્છમાં અત્યાર સુધી 95,800 મતદારોના નામ કમી કરવા જેવા મળ્યા છે. ખાસ કરીને ગાંધીધામ અને મુન્દ્રા જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં આ સંખ્યા વધુ જોવા મળી રહી છે. આ બે વિસ્તારોમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો વસવાટ કરતા હોવાથી તેઓ અમુક વર્ષો અહી રહ્યા બાદ અન્ય સ્થળે સ્થળાંતર કરી જાય છે. પણ તેમના નામો મતદાર યાદીમાં ચાલુ રહેતા હતા, જે હવે SIR પ્રક્રિયામાં દૂર થઈ રહ્યા છે. ચૂંટણી તંત્રના અધિકારીઓના જણાવ્યા મુજબ આગામી તબક્કામાં આ બંને વિસ્તારોમાંથી સૌથી વધુ નામો કમી થવાની સંભાવના છે. ચાલી રહેલી પ્રક્રિયા પૂર્ણ થતાં મતદાર યાદી વધુ સચોટ અને અપડેટ બનશે, જેથી આગામી ચુંટણીઓ માર્ગદર્શન મુજબ વધુ પારદર્શક રીતે યોજાઈ શકે.
ભાસ્કર એક્સક્લુસિવ:કમ્બોડિયામાં લાઇવ ફ્રોડ સેન્ટર, હાલમાં 15 મહિલા સહિત 60 ભારતીય રિક્રૂટ થયા
વડોદરામાં ડિજિટલ એરેસ્ટમાં ફસાઈ ખેડૂતે આત્મહત્યા કરી લીધી હોવાની રાજ્યની પહેલી ઘટના બની હતી. જોકે તે ઘટનાની કડીઓ કમ્બોડિયા સાથે જોડાયેલી હોવાની વિગતો સામે આવી છે. ભાસ્કરના ઈન્વેસ્ટિગેશનમાં કમ્બોડિયા પોઇપેટ સિટીમાં ચાલતા ઠગાઈ સેન્ટરની લાઇવ તસવીર સહિત ભેજાબાજો દ્વારા કરાતા, ફાયનાન્સિયલ ફ્રોડ, ડિજિટલ એરેસ્ટે, સહિતના ગુનાને કેવી રીતે અંજામ આપવામાં આવે છે તેની વિગતોનો ઘટસ્ફોટ થયો છે. ભેજાબાજો સાથે મળીને ઠગાઈ કરે છે. આ તસવીર તેને તાદૃશ્ય કરી શકે છે. સૂત્રો મુજબ, બે વર્ષ પહેલાં કમ્બોડિયામાં 4 ભારતીય હતા. તે ત્યાં કામ કરીને આવ્યો હતો. હાલમાં ભારતીયોને રિક્રૂટ કરવામાં આવી રહ્યા છે. વર્ષથી આંકડો 4થી વધીને 60 સુધી પહોંચ્યો છે. જેમાં 15 મહિલાઓ પણ છે. ભેજાબાજો ભારતમાં ચોખુ ઠગાઈ કરવાનું જણાવીને જ રિક્રૂટ કરી રહ્યા છે. તેઓ 1 લાખનો પગાર તથા ઈન્સેન્ટિવ આપે છે. પોઇપેટ સિટીમાં જુદી-જુદી બિલ્ડિંગમાં આ પ્રકારે ઠગાઈનું સેન્ટર ચાલી રહ્યું છે. હેર કટિંગ માટે જ બહાર જઈ શકાય છેબિલ્ડિંગમાં જીમ, ગ્રોસરીની દુકાન, જમવાના સ્ટોલ સહિત સુવિધા રાખવામાં આવે છે. જેથી કોઈ પણ વ્યક્તિ બિલ્ડિંગની બહાર ન જઈ શકે. જો કોઈને વાળ કપાવવા હોય તો જ તે બિલ્ડિંગની બહાર જઈ શકે, જોકે તે વ્યક્તિ સાથે એક સલામતી જવાનને પણ સાથે મોકલવામાં આવે છે એવું સૂત્રોએ જણાવ્યું હતું. બે વર્ષ ફરજિયાત કામ કરવું પડે છેઠગાઈના સેન્ટરમાં બે વર્ષ માટે ફરજિયાત કામ કરવું પડે છે. સાયબર માફિયા નવા જોડાયેલા વ્યક્તિ પાસે એગ્રીમેન્ટ પણ કરાવે છે. જો કોઈ એજન્ટ મારફતે આવ્યું હોય તો માહિયા 2 હજાર ડોલર ચૂકવે છે અને જેને પરત ઈન્ડિયા આવી જવું હોય તેને 2 હજાર ડોલર પરત કરી દો તો જ પરત જવા દઈશું તેમ કહી ધમકાવે છે તેમ સૂત્રો કહ્યું હતું. કમ્બોડિયા નેટવર્ક પર તપાસ કરાઈ રહી છેસાયબર સેન્ટર ઓફ એક્સિલેન્સ કમ્બોડિયા નેટવર્ક ઉપર કામ કરી રહ્યું છે. વિવિધ જુદા-જુદા મુદ્દે ઊંડાણપૂર્વક ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. > રાજદિપસિંહ ઝાલા, એસપી સાયબર સેલ, ગાંધીનગર. મહિને રૂ.30 લાખની છેતરપિંડી કરવાનું ટાર્ગેટસુત્રોએ કહ્યું હતું કે, તેઓ સીધુ મહિને કશું પણ કરીને ઈન્ડિયન કરન્સી મુજબ રૂ.30 લાખની છેતરપિંડી કરવાનો ટાર્ગેટ આપે છે. કોઈ વ્યક્તિ ટાર્ગેટ કરતા વધુ રૂપિયાની પણ છેતરપિંડી કરે છે. ત્યારે તેને ઈન્સેન્ટિવ પણ આપવામાં આવે છે. આ પ્રકારે મોટી સંખ્યામાં ગેરકાયદે રૂપિયાની હેરાફેરી થાય છે.
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:ગુજરાતમાં 10 લાખથી વધારે મૃત મતદારો, એસઆઇઆર કામગીરીમાં સામે આવ્યું સત્ય
રાજ્યભરમાં 4 નવેમ્બરથી શરૂ થયેલી એસઆઇઆરની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. અંતિમ તબક્કા તરફ જતી મતદાર સુધારણા યાદીની કામગીરીમાં અનેક ફરિયાદો અને વિવાદો બાદ પણ 22 દિવસમાં રાજ્યમાં આ કામગીરી 68.58 ટકા પુર્ણ થઇ ગઇ છે. પરંતુ આ કામગીરીનું એનાલીસીસ કરતાં અનેક ચોંકાવનારા આંકડાઓ બહાર આવ્યા છે. રાજ્યભરના 33 જિલ્લામાંથી 10,47,473 મતદારોનુ મૃત્યુ થયુ હોવાનું બહાર આવ્યુ છે. તો 10,95,672 મતદારોએ તો કાયમી સ્થળાંતર કરી દીધુ છે. એટલુ જ નહિં 1,42,521 મતદારો તો મળતા જ નથી તેમ છતાં તેમના નામો યાદીમાં યથાવત હતાં. જયારે 1,39,492 મતદારોના નામ ડૂપ્લીકેટ હોવાની ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. અને તેમાંય સૌથી આશ્ચર્ય જનક વાત એ છે કે, આટલી ઝડપથી ચાલતી કામગીરી વચ્ચે પણ 91,67,331 (અંદાજિત એક કરોડ) લોકોનું તો મેપિંગ જ નથી થયું. એસઆઇઆર હેઠળની ચાલતી આ કામગીરીમાં આવતાં ચોંકાવનારા આંકડા આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કે વિધાનસભાનું ચિત્ર બદલી શકે તેવી શક્યતાઓ પણ નકારી શકાતી નથી. મૃત છતાં યાદીમાં નામ હોય એવા મતદારો રાજ્યમાં આગામી 29, 30 નવે. મેપિંગ માટે કેમ્પ યોજાશેસમગ્ર ગુજરાતમાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશમાં તા. 29 અને 30 નવેમ્બર 2025 એમ બે દિવસ માટે રાજ્યના તમામ 182 વિધાનસભા મતવિસ્તારોમાં તાલુકા સ્તરે કેમ્પ યોજશે. કેમ્પમાં મામલતદાર, પ્રાંત કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહીને મતદારોને મદદ કરશે. રાજ્યના મતદારો પોતાના વિધાનસભા મતવિસ્તારની કચેરીએ ગણતરી ફોર્મ જમા કરાવી શકશે. તથા 2002ની મતદાર યાદીમાં તેમના નામો શોધવા માટે મદદ પણ મળી રહેશે. તેમજ ફોર્મમાં ડોકયુમેન્ટ આપેલ ન હોય તેવા નો મેપીંગ ફોર્મ પણ ભરવામાં મદદ કરવામાં આવશે. સૌથી વધુ અમદાવાદમાં 20 લાખનું મેપિંગ બાકી, આદિવાસી જિલ્લામાં પણ મોટો આંકબીએલઓ (બૂથ લેવલ ઑફિસર) મતદારયાદી સુધારણ માટે ઘરે ઘરે જતા હોય ત્યારે મોટા ભાગે મતદારોના વર્ષ 2002 ની મતદાર યાદીમાં નામ ન હોવાની બૂમો પડતી હતી. મતદારોના નામ 2002 ની યાદીમાં ન હોવાથી ફોર્મ જમા થઇ શકતા નથી. ત્યારે 26 મી સુધી એસઆઇઆરની કામગીરીમાં મતદારોના વર્ષ 2002 ની મતદાર યાદીમાં માતા-પિતાના નામ હોય પણ પુત્રનું નામ ન હોય. પુત્રવધુના નામ ના હોવાના વિવિધ કારણોને લઇને મતદારોના ફોર્મ મેપીંગ થતા નથી. આવા ફોર્મ મેપીંગ ના થયા હોય તેમાં રાજયના આંકડા મુજબ કુલ 91,67,331 મતદારોનું મેપીંગ બાકી છે. જોકે સૌથી વધુ અમદાવાદમાં છે. પરંતુ રાજ્યના આદિવાસી વિસ્તારોમાં રોજગારી માટે બહાર ભટકતા લોકોના મેપીંગનો આંકડો પણ મોટો છે.
નમસ્તે, ગઈકાલના મુખ્ય સમાચાર ધર્મ ધ્વજા પર પાકિસ્તાનને ભારતના જવાબ સાથે સંકળાયેલા હતા. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાન ઉપદેશ ન આપે. બીજા મોટા સમાચાર દિલ્હીમાં પ્રદૂષણના કારણે CJIની તબિયત બગડવા વિશેના હતા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી સ્કાઇરૂટ એરોસ્પેસના 'ઇન્ફિનિટી કેમ્પસ'નું ઉદ્ઘાટન કરશે. કાલના મોટા સમાચારો 1. મોદીએ રામમંદિરમાં ધ્વજા ફરકાવી તો પાકિસ્તાનને પેટમાં દુખ્યું:કહ્યું- આ મુસ્લિમ વારસાને ખતમ કરવાની કોશિશ, ભારતે વળતો જવાબ આપ્યો- અમને જ્ઞાન ન આપો ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પાકિસ્તાનને કહ્યું કે તેઓ લઘુમતીઓ પરના અત્યાચાર અને કટ્ટરતા પર ભાષણ ન આપે. પાકિસ્તાનનો લઘુમતીઓ પરના અત્યાચારોનો લાંબો ઇતિહાસ છે. તેમને અન્ય કોઈ દેશને સલાહ આપવાનો કોઈ અધિકાર નથી. પાકિસ્તાને અયોધ્યામાં રામ મંદિર પર પીએમ મોદીના ધ્વજ ફરકાવવાનો વિરોધ કર્યો હતો. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે આ ભારતમાં ધાર્મિક લઘુમતીઓ પર વધતા દબાણ અને મુસ્લિમ વારસાને ભૂંસી નાખવાના પ્રયાસનો એક ભાગ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. કોમનવેલ્થ- 2030 અમદાવાદમાં રમાશે, ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણ:સ્કોટલેન્ડના ગ્લાસગોમાં થયેલી બેઠકમાં લેવાયો નિર્ણય, નાઇજીરિયાને પછાડી મેળવી યજમાન ગુજરાત માટે આજનો દિવસ ખૂબ જ ઐતિહાસિક રહ્યો છે. કોમનવેલ્થ ગેમ્સની 2030ની યજમાની અમદાવાદનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે. સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં થયેલી મિટિંગમાં અમદાવાદના નામ પર મહોર લગી ગઈ છે. ગ્લાસગોમાં આ ગર્વીલી ક્ષણના સાક્ષી બનવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારત તરફથી એક ડેલિગેશન પહોંચ્યું છે. કોમનવેલ્થ સ્પોર્ટ એ એવી સંસ્થા છે, જે કોઈ દેશને યજમાની આપવાનો નિર્ણય લે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. CJI બોલ્યા- કાલે દોઢ કલાક ચાલ્યો, મારી તબિયત બગડી:દિલ્હીમાં પ્રદૂષણ ચિંતાજનક, ઉકેલ શોધવો પડશે; સુપ્રીમ કોર્ટમાં વર્ચ્યુઅલ સુનાવણી કરવા પર વિચાર દિલ્હીમાં વધતા પ્રદૂષણને કારણે સુપ્રીમ કોર્ટમાં માત્ર વર્ચ્યુઅલ મોડ પર સુનાવણી કરવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે. જોકે, હાલમાં કાર્યવાહી ફિઝિકલ અને વર્ચ્યુઅલ બંને રીતે થાય છે. CJI સૂર્યકાંતે બુધવારે જણાવ્યું હતું કે પ્રદૂષણ એટલું વધી ગયું છે કે ગઈકાલે હું સવારે એક કલાક માટે ચાલવા નીકળ્યો ત્યારે મારી તબિયત બગડી ગઈ. આપણે જલ્દીથી તેનો ઉકેલ શોધવો પડશે. CJI સૂર્યકાંતે વૃદ્ધ વકીલોના પણ સુનાવણી માટે કોર્ટમાં આવવા પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના વકીલોને ઇન-પર્સન સુનાવણીમાંથી બાકાત રાખવા અંગે વિચારણા કરવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ટીમ ઈન્ડિયાની હાલત પાકિસ્તાન કરતાં પણ ખરાબ થઈ:ગંભીરનો અંદાજ પસંદ નથી આવી રહ્યો; 93 વર્ષમાં પહેલીવાર 400થી વધુ રનથી હાર મળી સાઉથ આફ્રિકાએ બે ટેસ્ટ મેચની સિરીઝમાં ભારતનો 2-0થી સફાયો કરી દીધો છે. ગુવાહાટી ટેસ્ટના પાંચમા દિવસે 549 રનના ટાર્ગેટને ચેઝ કરી રહેલી ભારતીય ટીમ તેની બીજી ઇનિંગ્સમાં 140 રન પર ઓલઆઉટ થઈ ગઈ. સાઉથ આફ્રિકાએ મેચ 408 રનથી જીતી લીધી. ભારત તેના 93 વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં પહેલીવાર 400 રનથી વધુના અંતરથી હાર્યું છે. આ છેલ્લા એક વર્ષમાં ભારતીય ટીમની ઘરઆંગણે 7 ટેસ્ટમાં પાંચમી હાર છે. આ દરમિયાન બે વાર ભારતને ઘરમાં ક્લીન સ્વીપ થવું પડ્યું છે. ઓક્ટોબર-નવેમ્બર 2024માં ન્યૂઝીલેન્ડે ભારતને ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં 3-0થી હરાવ્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 5. જમ્મુ-કાશ્મીરમાં ભારે ઠંડી, પહેલગામમાં તાપમાન-4C:રાજસ્થાનમાં વરસાદનું એલર્ટ, ઠંડી વધશે; MPમાં રાત ગરમ, દિવસ ઠંડા થયા દેશના પહાડી રાજ્યોમાં થયેલી બરફવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી વધી રહી છે. આ દરમિયાન રાજસ્થાનમાં વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર, 27 નવેમ્બરથી ઉદયપુર, જોધપુર, અજમેર સંભાગના જિલ્લાઓમાં હળવો વરસાદ થઈ શકે છે. આનાથી ઠંડી વધશે. મધ્ય પ્રદેશમાં રાત્રે ગરમી અને દિવસે ઠંડક વધી ગઈ છે. ખરેખરમાં, રાજ્યમાં પવનની દિશા બદલાવાને કારણે ઉત્તરીય પવનો નથી આવી રહ્યા, જેનાથી રાત્રિનું તાપમાન વધી ગયું છે. બીજી તરફ, બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સક્રિય છે. જેના કારણે રાજ્યમાં હળવા વાદળો છવાયેલા છે. આનાથી દિવસ દરમિયાન ઠંડક વધી ગઈ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. રાજકોટમાં ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાની આત્મહત્યા:ગરમ પાણી પી ઉપરના માળે જઈ લટકી ગયો, પૂર્વ મંગેતરે રેપની ફરિયાદ કર્યાના વર્ષ બાદ આપઘાત, એક જ તારીખનો યોગાનુયોગ રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અમીન માર્ગ પર રહેતા ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળા જીત રસિકભાઈ પાબારીએ (ઉં.વ. 28) પોતાના નિવાસ્થાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. સવારથી જ જીત ઘરે જ હતો. પરિવારજનો તેના રૂમમાં જોવા ગયા તો તે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવતાં તાત્કાલિક કાલાવડ રોડ પરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તપાસ કરી તેને મૃત જાહેર કર્યો. જીત પાબારીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, જીત પાબારી પરણિત હોવાનું પણ સામે આવ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ડિજિટલ એરેસ્ટ બાદ રાજ્યમાં પહેલી આત્મહત્યા કેસમાં બે આરોપી દબોચાયા:કંબોડિયાથી ચાલતા કૌભાંડમાં સુરતથી સીમકાર્ડ સપ્લાય કરતા રાજ્યમાં પ્રથમ ડિજિટલ એરેસ્ટ દ્વારા ખેડૂતને કરોડો રૂપિયાના ફ્રોડની ધમકીથી આપઘાત કેસમાં પોલીસે બે આરોપીને દબોચી લીધા છે. ડભોઈના કાયાવરોહણ ગામે રહેતા 65 વર્ષીય અતુલભાઈ હિરાભાઈ પટેલે આપઘાત કરી લીધો હતો. ખેડૂતને રૂપિયા 40 કરોડનું ફ્રોડની ધમકી આપી ડરાવ્યા હતા. આ મામલે ડભોઇ પોલીસે આખરે ફરિયાદ નોધી બે આરોપી એવા નિકુંજ પાનશેરિયા અને હેનિલ પાનશેરિયાને પકડી લીધા છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : શ્રી સાંવરિયા શેઠના ભંડારે તોડ્યો રેકોર્ડ:ચાર રાઉન્ડમાં જ દાનપેટીમાંથી 36 કરોડ રૂપિયા મળ્યા, ગણતરી હજુ પણ ચાલુ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : દાવો- H-1B વિઝામાં છેતરપિંડી થઈ રહી છે:દુનિયા માટે 85 હજાર નક્કી હતા પરંતુ એકલા ચેન્નઈને 2.2 લાખ મળી ગયા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : કમલા પસંદ કંપનીના માલિકની પુત્રવધૂએ આત્મહત્યા કરી:દિલ્હીના ઘરમાંથી મૃતદેહ મળ્યો; ભાઈનો આરોપ- પતિ અને સાસુ મારપીટ કરતા હતા વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : દાવો- આર્મેનિયાએ ભારત પાસેથી તેજસ જેટ ખરીદવાનો કરાર રોક્યો:દુબઈ ક્રેશ બાદ નિર્ણય લીધો; ₹10 હજાર કરોડમાં 12 વિમાનની ડીલ થવાની હતી વાંચો સંપૂર્ણ સમાચાર 5.આ પણ નોંધી રાખો : 8મું પગારપંચ લાગુ ન થાય ત્યાં સુધીમાં DA વધશે?:તેનાથી સંબંધિત વિગતો જાણો; નવું આયોગ 1 જાન્યુઆરી 2026 થી લાગુ થઈ શકે છે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : અમદાવાદમાં 30મી નવેમ્બરે 9મી અદાણી મેરેથોનનું ભવ્ય આયોજન:24,000+ રનર્સ ચાર રેસ કેટેગરીમાં ભાગ લેશે, સુરક્ષા અને મેડિકલ વ્યવસ્થા સજ્જ વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : વક્રી બુધની તુલા રાશિમાં એન્ટ્રી:6 ડિસેમ્બર સુધી અહીં રહેશે; કન્યા-ધન રાશિના લોકો પર થશે પૈસાનો વરસાદ, વૃશ્ચિક રાશિના જાતકો ખોટા ખર્ચથી બચો વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન ખબર હટકે રોબોટે 106 કિમી ચાલીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો ચીની કંપની એઝીબોટના રોબોટ A2 એ 106 કિમી ચાલીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. તે જિઆંગસુના જિનજી તળાવથી શાંઘાઈના બંડસુધી ૨૪ કલાકમાં સતત ચાલ્યો. રસ્તામાં બેટરી બદલવામાં આવી, તેથી રોબોટ ક્યારેય અટક્યો નહીં. તે ટ્રાફિક નિયમોનું પાલન કરતો હતો અને અલગ અલગ સપાટી પર ચાલતો હતો. અંતે, રોબોટે મજાકમાં કહ્યું, મને હવે નવા જૂતાની જરૂર છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. હજારો નોકરી અને વર્લ્ડક્લાસ સુવિધા:અમદાવાદને બખ્ખાં, ગેમ વિલેજમાં રોજ 45,000 થાળી ભોજન બનશે, જાણો કોમનવેલ્થની 10 ઇન્ટરેસ્ટિંગ વાત 2. ગ્રાઉન્ડ રિપોર્ટ : રહસ્યોના તાણાવાણા સર્જતી ગોધરાની ઘટના:સોફામાં આગ લાગી ને ચારનાં મોત થયાં, કોઈએ બૂમાબૂમ ન કરી; વાયરિંગ બરાબર છે તો DVR કેવી રીતે સળગી ગયું? 3. કારના જૂના માલિકે પોલીસને ફોન કર્યો, બંધ કેસની ફાઇલ ખૂલી:77 દિવસ બાદ વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો, લિફ્ટ આપવાના નામે અપહરણ કર્યું, 40 કિમી દૂર લાશ ફેંકી 4. વિટામિન Dની ઊણપ એક છૂપી મહામારી:શહેરોમાં 89% લોકો ઝઝૂમી રહ્યા છે; 10 મુખ્ય પરિબળ જવાબદાર; ડોક્ટર પાસેથી જાણો એની પૂર્તિ કરવાના ઉપાય 5. RSS ઓફિસ, મંદિર અને માર્કેટ પર કેમિકલ-એટેકની તૈયારી હતી:ચીનથી 'રાઇસિન' બનાવવાનું શીખ્યો માસ્ટરમાઇન્ડ ડો. મોઈનુદ્દીન, કહ્યું- વેચીને કરોડપતિ બનીશ 6. આજનું એક્સપ્લેનર:12,000 વર્ષ પછી કેમ ફાટ્યો ઈથોપિયાનો જ્વાળામુખી, શું કોઈ મોટી આફતનો સંકેત; દિલ્હી સુધી કેવી રીતે પહોંચી લાવાની રાખ કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ ગુરુવારનું રાશિફળ: વૃષભ જાતકોને સંબંધીની સલાહ ઉન્નતિનો માર્ગ પ્રશસ્ત કરશે; કર્ક જાતકોને ગ્રહસ્થિતિ ખૂબ જ અનુકૂળ રહેશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
જનતા રેડ’ની ચીમકી:દારૂ-ડ્રગ્સના અડ્ડા પોલીસ બંધ નહીં કરાવે તો કચ્છમાં ‘જનતા રેડ’ની ચીમકી અપાઇ
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ તાજેતરમાં થરાદ ખાતે દારૂ અને ડ્રગ્સના દૂષણ મામલે પોલીસ વિરુદ્ધ કરેલા નિવેદન બાદ રાજ્યભરમાં વિવાદ સર્જાયો છે. ત્યારે ભુજ ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને કોંગ્રેસ દ્વારા એક વિશાળ રેલી યોજીને જીગ્નેશ મેવાણીને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. સાથે જ જો પોલીસ કચ્છમાં ધમધમતા દારૂના અડ્ડા બંધ નહીં કરાવે તો ગામેગામ ‘જનતા રેડ’ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ નરેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, જીગ્નેશ મેવાણીની લડાઈ ડ્રગ્સ અને દારૂના ખુલ્લેઆમ વેચાણ અને તેને પોષતા ભ્રષ્ટ અધિકારીઓ સામે છે. ‘પોલીસના પટ્ટા ઉતરી જશે’ તે નિવેદન માત્ર એવા ભ્રષ્ટ અધિકારીઓ માટે હતું જેઓ બુટલેગરો સાથે સાંઠગાંઠ ધરાવે છે. આમ છતાં આ નિવેદનને રાજકીય રંગ આપી મેવાણીની છબી ખરાબ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. આવેદનપત્રમાં જણાવાયું હતું કે, કચ્છમાં દારૂ હવે કન્ટેનરો મારફતે ઠલવાઈ રહ્યો છે. શહેરની ગલીઓથી લઈ ગામડાના ખૂણે-ખૂણે દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. પોલીસ ધારે તો આ અડ્ડાઓ બંધ કરાવી શકે છે, પરંતુ ‘મીઠી નજર’ હેઠળ આ કારોબાર ચાલી રહ્યો છે અને હપ્તા છેક ઉપર સુધી પહોંચતા હોવાના આક્ષેપો પણ કર્યા હતા. કોંગ્રેસના જિલ્લા પ્રમુખ વી.કે. હુંબલ અને દલિત આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી કે, યુવા ધનને બરબાદ કરી રહેલા ડ્રગ્સ અને દારૂના દુષણને ડામવા પોલીસ ત્વરિત કાર્યવાહી કરે. જો પોલીસ આ અડ્ડાઓ બંધ નહીં કરાવે, તો કચ્છના દરેક તાલુકામાં સરપ્રાઈઝ ‘જનતા રેડ’ કરવામાં આવશે. કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે ડ્રગ્સ મુક્ત ગુજરાતનું સપનું સાકાર કરવા માટે પોલીસ તંત્ર કડક હાથે કામ લે.
પડકાર:શરીરમાં વિવિધ દવાઓની બેઅસરનો તબીબી નિષ્ણાતો સામે પડકાર સર્જાયો
આધુનિક ઉપચાર પધ્ધતિએ આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ કરી છે,પણ એ વચ્ચે એક પડકાર પણ ઊભી થયો છે,જેનું નામ છે એન્ટીમાઇક્રોબીયલ રેસિસ્ટન્સ.જે દવા બેક્ટેરિયા કે વાયરસ સામે ધારી અસર કરતી હતી એ જ દવા બેક્ટેરિયા વાયરસ સામે બેઅસર થવા માંડી છે. જેને મેડિકલ ભાષામાં એન્ટીમાઇક્રોબીયલ રેસિસ્ટન્સ (એએમઆર) કહે છે. આ વિષય અનુસંધાને જાગૃતિ લાવવા ભુજની અદાણી મેડિકલ કોલેજમાં પોસ્ટર સ્પર્ધા સાથે સમજ આપવામાં આવી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને એએમઆર અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે દર વર્ષે 18થી 24 નવે.સુધી જાગૃતિ સપ્તાહ ઉજવે છે.એ ઉપલક્ષમાં કોલેજના આસિ.ડીન અને માઇક્રોબાયોલોજી વિભાગના હેડ ડૉ.હિતેશ આસુદાનીના માર્ગદર્શન હેઠળ કોલેજના વિધાર્થીઓની પોસ્ટર હરીફાઈ યોજાઇ હતી. બીમારીના નિદાન સારવારમાં એન્ટીબાયોટિકની ભૂમિકા મોટી હોય છે પરંતુ તે ડોક્ટરના માર્ગદર્શક હેઠળ લેવાવવી જોઈએ. જો ડોક્ટર સાથે પરામર્શ કર્યા સિવાય બારોબાર દવાની દુકાનેથી લઈને જાતે જ દર્દી ડોક્ટર બની જાય તો દવા અસર કરવાને બદલે બેક્ટેરિયાને જ શક્તિશાળી બનાવી દે છે જે એન્ટીમાઇક્રોબીયલ રેસિસ્ટન્સ છે પરિણામે સાર્વજનિક સ્વાસ્થ્ય સમસ્યા વધી જાય છે તેવી બાબતોને તેમજ લક્ષણો, સાવચેતી, કારણો અને નિવારણ, બેક્ટેરિયાને વાયરસ વિગેરે બાબતો પોસ્ટરમાં વણી લીધી હતી.હરીફાઈના પ્રથમ વિજેતા અભયકુમાર વાઘેલા અને દ્વિતીય ક્રમાંક વૈશાલી રાઠોડને કોમ્યુનિટી મેડિસિન વિભાગના હેડ ડૉ.શ્રેયસ મહેતા અને ફિઝીયોલોજી વિભાગના હેડ ડૉ.હિતેશ સોલંકીએ નવાજ્યા હતા.
એકનાથ શિંદેનો સીધો ઈશારો:મહત્ત્વાકાંક્ષી લાડકી બહેન યોજનાનો લાભ ખાટવા રાજકીય ટકરાવ વધ્યો
મહારાષ્ટ્રમાં આગામી નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજ્યમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. લાડકી બહેન યોજનાને લઈને સત્તાધારી અને વિરોધી પક્ષોમાં શબ્દયુદ્ધ ચાલું છે. આ વચ્ચે ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ યોજનાનું શ્રેય પોતાને અને મહાયુતી સરકારને મળવાનું હોવાનું દાવો કરી રાજકીય ચર્ચા તેજ કરી છે. તેમણે કહ્યું કે, હું મુખ્યમંત્રી હતો ત્યારે લાડકી બહેન યોજના શરૂ કરી. કેટલાય વિરોધ છતાં આ યોજના બંધ નહીં થાય.મહાયુતીના વિવિધ પક્ષો સ્થાનિક સ્તરે એકમેક સામે લડી રહ્યા હોવાથી લાડકી બહેનોનું મત કોની તરફ વળશે તે રાજકીય રીતે મહત્વનો પ્રશ્ન બન્યો છે. અગાઉની વિધાનસભા ચૂંટણીમાં મહિલાઓએ આ યોજનાના કારણે મહાયુતીને મોટો ટેકો આપ્યો હતો. તેથી 2 ડિસેમ્બરની નગરપાલિકા ચૂંટણીમાં પણ મહિલા મતદારોનું ઝુકાવ કોની તરફ જાય છે, તેની રાજ્યમાં ચર્ચા છે. શિંદેએ વિદર્ભની સભાઓમાં મહિલાઓની મોટી હાજરીનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, લાડકી બહેનોનો વિશ્વાસ તેમના ઉમેદવારોને ફાયદો કરાવશે. યુવાનો થી માંડી વડીલો સુધી મતદારો વિકાસ મુદ્દે સક્રિયપણે જોડાઈ રહ્યા હોવાનું તેમણે કહ્યું. વિકાસ વિશે વાત કરતાં શિંદેએ દાવો કર્યો કે, તેમની મુખ્યમંત્રી પદની કારકિર્દી દરમિયાન, જ્યાં શિવસેના નગરાધ્યક્ષ ન હતા ત્યાં પણ વિકાસ માટે પૂરતો નાણાંકીય ફાળો આપ્યો. પાણી, રસ્તા, ગટરના વિકાસ, આરોગ્ય સુવિધાઓ જેવા ક્ષેત્રોમાં રાજકારણ કરતા જનહિતને પ્રાથમિકતા આપી હોવાનું તેમણે જણાવ્યું. મહિલાઓના મત અંગે રાજકીય પક્ષોમાં સ્પર્ધા સ્પષ્ટ દેખાઈ રહી છે. કારણ કે મહાયુતિના પક્ષો આ વખતે અલગ લડી રહ્યા છે, મહિલાઓ કોને સપોર્ટ કરશે તે અનિશ્ચિત બન્યું છે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી આર્થિક મદદ, યોજનાઓનો સીધો લાભ અને ભવિષ્ય અંગેની આશાઓ મહિલાઓના નિર્ણયને અસર કરશે તે નિશ્ચિત છે.
મુલાકાત:ધોરડો, રોડ ટુ હેવન વિસ્તારમાં પાનની પિચકારી મારવા પર મનાઈ ફરમાવાઈ
ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા દર વર્ષે ધોરડો ખાતે રણ ઉત્સવ યોજવામાં છે. રણોત્સવનો લાભ લેવા દેશ-વિદેશથી પ્રવાસીઓ આવે છે. ધોરડો ખાતે રણ ઉત્સવની મુલાકાત લેતા પ્રવાસીઓ ખડીર વિસ્તારમાં આવેલા સફેદ રણમાંથી ૫સાર થતો રસ્તો કે જે ‘’રોડ ટુ હેવન’’ (NH-754k નો ભાગ) ના નામે ઓળખાય છે તેની પણ મુલાકાત લે છે. સફેદ રણ, રોડ ટુ હેવનનો વિસ્તાર તેમજ ધોરડો રણ ઉત્સવના વિસ્તાર ૫ર્યાવરણીય દ્રષ્ટીએ સંવેદનશીલ છે. પ્રવાસીઓ કે સ્થાનિક લોકો દ્વારા પાન-મસાલા ખાઈને સફેદ રણ વિસ્તારમાં, રોડ ટુ હેવન વિસ્તારમાં અને તેને સંલગ્ન સફેદ રણમાં થૂંકવામાં ન આવે તે માટે પ્રતિબંધ મૂકી આ જાહેર સ્થળોના સૌંદર્ય, સ્વચ્છતા અને પર્યાવરણીય ૫રિસ્થિતિ જાળવવા તેને નો સ્પીટીંગ ઝોન જાહેર કરાયો છે.જિલ્લા કલેકટર આનંદ ૫ટેલ દ્વારા જાહેરનામું બહાર પાડીને હુકમ કરવામાં આવ્યો છે ધોરડો રણ ઉત્સવના સબરસ બસ સ્ટેન્ડથી વોચ ટાવર સુધીના રસ્તા અને તેની બંને તરફનો 2-2 કિ.મી.નો વિસ્તાર, વોચ ટાવરની આસપાસનો સફેદ રણ વિસ્તાર અને ‘રોડ ટુ હેવનનો કાઢવાંઢથી ધોળાવીરા ગામ એન્ટ્રી પોઈન્ટ સુધીનો રસ્તો અને તેની બંને બાજુના સફેદ રણમાં તમાકુ, ગુટખા, પાન-મસાલા જેવા હાનિકારક ૫દાર્થોનું સેવન કરીને જાહેરમાં થૂંકવા ૫ર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવશે.અત્રે નોંધનીય છે કે, રણોત્સવ દરમિયાન દેશ-વિદેશના પર્યટકો સફેદ રણનો નજારો માણવા આવે છે. આ રણની સુંદરતા જાળવવા માટે લોકો સફાઇ પ્રત્યે પણ જાગૃત રહે તે જરૂરી બન્યું છે, જે માટે કચ્છ કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડીને થુંકવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.
ભાસ્કર સ્ટિંગ:ભુજમાં રાત પડેને ઘોંઘાટીયા બુલેટચાલકોનું દંગલ શરૂ
તમે આરામથી પોતાના રસ્તે જતાં હો અને એકાએક તમને અડીને કોઈ મોટો ફટાકડા ફૂટે કે ચિચિયારી સંભળાય, રખડતાં કુતરાઓ દોડવા અને ભસવા માંડે અને તમારા ઉપર પણ હુમલો કરે ત્યારે તમે અર્થાત રાહદારી શું કરી શકો ? નાનું બાળક, અશક્ત વૃદ્ધ, દર્દી, મહિલા હોય તો સ્વાભાવિક છે કે ડરી જાય અને અકસ્માત થાય, ઇજા પણ થાય.. આ બધુ થાય છે પણ કોઈ બોલતું નથી કારણ કે નબીરા કે આવારા તત્વો પોતાની બુલેટ બાઇક માં સાયલેન્સર બદલાવી પોતાનો અહં સાચવવા કે વટ બતાવવા ખુલ્લેઆમ ધ્વનિ પ્રદૂષણ કરે છે,ડરાવે છે, ઇજા કરે છે અને ભાગી છૂટે છે. ‘ દિવ્ય ભાસ્કર ‘ એ ભુજમાં સમી સાંજથી મોડી રાત સુધી આવી પરપીડનવૃતિ વાળાઓને પડકાર્યા પણ જ્યાં સુધી પોલીસ, ટ્રાફિક પોલીસ, આર.ટી.ઓ. કડક કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી આ તોફાન અને ધ્વનિ પ્રદૂષણ અટકે તેવું લાગતું નથી. ખાસ કરીને સ્ટેશન રોડ નજીકની કેટલીક દુકાનોમાં આ ગેરકાયદેસર સાયલેન્સર મળી રહે છે તેવી માહિતી સામે આવતા કરેલી તપાસમાં આવી વિગતો મળી હતી. કાર્યવાહી ચાલુ, વર્ષમાં 28 કેસ : ટ્રાફિક પોલીસનિયમ મુજબ મોટરસાયકલોમાં કંપની માન્ય સાયલેન્સર સિવાયના કડક અવાજવાળા, ફ્રી ફ્લો કે અન્ય કોઈ મોડીફાઇડ સાયલેન્સર લગાવવું સંપૂર્ણપણે પ્રતિબંધિત છે, શહેરમાં ચાલુ વર્ષમાં કુલ 28 કેસો નોંધાયેલા છે. આવા બાઇકને રોકી પહેરીવાર 1000 દંડ અને બીજી વાર 2000 સુધીનો દંડ કરવામાં આવતો હોય છે. આવા બાઇક ચાલકના પિયુસી જેવા ડોકયુમેંટ ચેક થાય છે અને જરૂર પડયે ગાડીને ડિટેઇન કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. > ટી. બી. રબારી, પીએસઆઇ, સિટી ટ્રાફિક પોલીસ આવા કિસ્સાઓમાં 5 હજાર સુધીના દંડની જોગવાઇઆ બાબતે આરટીઓ અધિકારી પી. પી. વાઘેલાનો સંપર્ક કરતાં તેમણે વાહનમાં કંપનીના લાયસન્સ સિવાય ફેરફાર કરેલ અલ્ટ્રેશન વિરૂદ્ધ રૂ.5000 સુધીનો દંડ કરીને સાયલેન્સર કઢાવવામાં આવે છે તેમ જણાવ્યું હતું. થોડા મહિના પહેલા રાજકોટમાં આવી રીતે સાયલેન્સરો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું, કચ્છમાં તંત્ર દ્વારા આવી કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. ભાસ્કર ભુજની 3 દુકાને ગ્રાહક બનીને પહોંચ્યુંદુકાનદાર-1 : સ્ટેશન રોડબુલેટ માટે મોડીફાઇડ સાયલેન્સર મળી જશે?- હા, કયું જોઈએ છે? કયા કયા હોય છે?- ઈંદોરી,પટિયાલા શું ભાવે મળી જાય?- 1600 થી 2800 દુકાનદાર-2 : લાલ ટેકરી ફટાકડાવાળા સાયલેન્સર છે કે ?- બોલો કયું મોડેલ છે?ક્લાસિક માટે કયું સારું મળી જાય?- ઈંદોરી લઈ લ્યો એ મીઠો અવાજ આપશે. શું ભાવ છે?- 1650,1750,1850 ભુજમાં ચલાવી શકાય ને?- તમારા ભાગ્ય, પકડાવવાના હશો તો પકડાઈ જશો દુકાનદાર-3 : સ્ટેશન રોડ સાયલેન્સર ક્લાસિક માટે મળી જશે?- હા, કયું મોડેલ છે2020 ક્લાસિક, શું ભાવ છે?- 1600થી 3000 સુધીની રેન્જ છે પોલીસ બાબતમાં શું છે? આ છે નિયમનવા એમ.વી.એક્ટની 194 F પ્રમાણે વિકૃત અવાજ કરતાં સાયલેન્સરનો ઉપયોગ કરવો સજાને પાત્ર છે.
પોલીસ કાર્યવાહી:બ્લેકમેઈલિંગને લઈ આત્મહત્યા કરનાર મહિલાના ફ્રેન્ડની ધરપકડ
સોશિયલ મિડિયા પર મોર્ફ કરેલી અશ્લીલ તસવીરો વાઈરલ કરવાની ધમકી અપાતાં અને બ્લેકમેઈલ કરાતાં મહિલાએ આત્મહત્યા કર્યા પછી તેના ફ્રેન્ડની પોલીસે આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાના આરોપ હેઠળ ધરપકડ કરી છે. પીડિતા ગોરેગાવમાં પરિવાર સાથે રહેતી હતી. તે આરોપી સાથે નિયમિત રીતે સંપર્કમાં હતી. બંને વ્હોટ્સએપ અને ફોન કોલ્સ પર લાંબા કલાકો સુધી વાતો કર્યા કરતા હતા. મહિલાના વાલીને આ અંગે જાણ થતાં તેમણે ફ્રેન્ડથી દૂર રહેવાની સલાહ આપી હતી. જોકે આમ છતાં મહિલા ફ્રેન્ડ સાથે સંપર્કમાં રહી હતી, એમ ગોરેગાવ પોલીસના અધિકારીએ બુધવારે જણાવ્યું હતું. છેલ્લા થોડા સપ્તાહમાં પીડિતા તીવ્ર માનસિક તાણ હેઠળ આવી ગઈ હતી. તેની માતાએ આ વિશે પૂછતાં તેણે માહિતી આપી હતી કે આરોપી સંજયરાજ વિશ્વકર્મા તેને અન્ય એક ફ્રેન્ડના કાર્યક્રમમાં લઈ ગયો હતો, જ્યાં તેની અનેક તસવીરો ખેંચી હતી. આ તસવીરો એડિટ કરીને તેમાંથી અશ્લીલ તસવીરો બનાવી હતી, જે વાઈરલ કરવાની ધમકી આપીને પૈસા માગતો હતો. જો પૈસા નહીં મળે તો તસવીરો વાઈરસ કરવા ધમકી આપતો હતો, એમ મહિલાએ માતાને જાણ કરી હતી. અનેક વાર નાણાં આપવા છતાં આરોપીએ બ્લેકમેઈલ કરવાનું ચાલુ રાખ્યું હતું. આ પછી પીડિતાઓ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીને મહિલાથી દૂર રહેવાની ચેતવણી આપી હતી. જોકે તે છતાં આરોપી માનસિક સતામણી કરતો હતો, જેને લઈ તે ગમગીનીમાં સપડાઈ ગઈ હતી. આ પછી 15 નવેમ્બરે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી, જે પછી તેના વાલીઓએ ગોરેગાવ પોલીસ સ્ટેશનમાં સંજયરાજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદને આધારે આપીની ધરપકડ કરી હતી. આરોપી વિરુદ્ધ, અશ્લીલ તસવીરો વાઈરલ કરવાની ધમકી આપવી, બ્લેકમેઈલિંગ, ખંડણી અને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો દાખલ કર્યો છે.
સુપ્રીમમાં OBC અનામત વિવાદ:ઓબીસી અનામત મુદ્દે સુનાવણી ફરીથી મુલતવી થતાં ચૂંટણીની અનિશ્ચિતતા વધી
મહારાષ્ટ્રમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે અત્યંત મહત્વપૂર્ણ બની રહેલા ઓબીસી અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટે 25 નવેમ્બરે સુનાવણી કરી, પરંતુ કેન્દ્ર સરકાર તરફથી વધુ માહિતી એકત્રિત કરવાની વિનંતી સ્વીકારીને આ સુનાવણી 28 નવેમ્બર સુધી મુલતવી રાખી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમાલા બાગચીની બેન્ચે સોલિસિટર જનરલ તુષાર મહેતાની માંગણી સ્વીકારી. આ નિર્ણયથી અનામત બાબતે ચાલી રહેલી લાંબી પ્રક્રિયા ફરી લંબાઈ છે, અને રાજ્યમાં મ્યુનિસિપલ તથા તાલુકા સ્તરની ચૂંટણી અંગે અનિશ્ચિતતા યથાવત રહી છે. સુનાવણીમાં અરજદારોએ દલીલ કરી કે અનેક નગરપાલિકાઓમાં અનામતનો કુલ હિસ્સો બંધારણીય 50% મર્યાદાને વટાવી રહ્યો છે, જે કોર્ટના અગાઉના આદેશનું ઉલ્લંઘન છે. તેમણે જણાવ્યું કે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, ઉમેદવારો સક્રિય થઈ ગયા છે, અને અરજીઓ સ્વીકારવાની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ છે, તેથી હવે ફેરફારો કરવાનો પ્રયાસ ઇરાદાપૂર્વકનો વિલંબ છે. અરજદારોએ યાદ અપાવ્યું કે, કોર્ટએ અગાઉ સ્પષ્ટ કહ્યું હતું કે બાંઠિયા કમિશન પૂર્વની પરિસ્થિતિ, એટલે કે ઓબીસી અનામત વિનાની વ્યવસ્થા, મુજબ ચૂંટણી યોજવી જોઈએ. ચૂંટણી પંચે દલીલ કરી કે જો કોર્ટ આજે કોઈ નિર્ણય આપે તો તેમને નવી અનામત પદ્ધતિ અનુસાર ચૂંટણી પ્રક્રિયા આગળ ધપાવવી પડશે, તેથી સ્પષ્ટ સૂચનાઓ આવશ્યક છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે જણાવ્યું કે, હાલ કોઈ તાત્કાલિક નિર્ણય લેવો શક્ય નથી અને ચૂંટણીઓ કોર્ટના અંતિમ આદેશ મુજબ જ યોજાશે. ચૂંટણી જાહેરનામા પર રોક યથાવત: ગયા હપ્તાની સુનાવણીમાં કોર્ટે રાજ્ય ચૂંટણી પંચને નવા જાહેરનામા બહાર પાડવાનું મોકૂફ રાખવા જણાવ્યું હતું. હાલ પણ મ્યુનિસિપલ ચૂંટણીના જાહેરનામા પર રોક યથાવત છે, જ્યારે ચાલુ ચૂંટણી પ્રક્રિયાના માત્ર પરિણામ જાહેર કરવાનું રોકવામાં આવ્યું છે. એટલે જો ક્યાંક મતદાન થઈ ગયું હોય, તો પણ વોટોની ગણતરી અથવા પરિણામ જાહેર કરવાની મંજૂરી નથી, જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો અંતિમ આદેશ ન આવે. અગાઉ રાજ્ય સરકારને ફટકાર મળી હતીઅગાઉની સુનાવણીમાં બાંઠિયા કમિશનનો હવાલો આપીને કોર્ટે રાજ્ય સરકારને અનામત વધારવા બદલ ફટકાર્યા હતા. ન્યાયાધીશ સૂર્યકાંતે સ્પષ્ટ કહ્યું હતું કે જો અનામત 50%થી વધુ થશે, તો ચૂંટણી પ્રક્રિયા બંધ થઈ શકે છે. રાજ્ય સરકારે માહિતી એકત્રિત કરવા વધુ સમય માગ્યા બાદ કોર્ટએ આગામી સુનાવણી 28 નવેમ્બરે નક્કી કરી છે. હવે રાજ્યની રાજકીય પક્ષો, ઉમેદવારો અને નાગરિકો સૌની નજર સુપ્રીમ કોર્ટના આગામી આદેશ પર છે, જેના આધારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ભાવિ નક્કી થશે.
સિટી એન્કર:મેટ્રો-3ને વરલી અને બીકેસીમાં બે મોટા સબવેની ક્નેક્ટિવિટી
તાજેતરમાં શરૂ કરવામાં આવેલી મુંબઈ મેટ્રો લાઈન 3 અથવા એક્વા લાઈન પર રાહદારી કનેક્ટિવિટી વધુ મજબૂત કરવા એમએમઆરસીએલે બે મોટા સબવે બાંધવાની યોજના જાહેર કરી છે. આ સબવેના કારણે મેટ્રો સ્ટેશનના મહત્વના નજીકના પરિસર, સાર્વજનિક સ્થળો અને આગામી પ્રકલ્પો સાથે સીધા જોડાણ મળશે જેના લીધે મેટ્રો-3ની ઉપયોગીતામાં ઘણો વધારો થશે. પ્રસ્તાવિત બે સબવેમાંથી પહેલો વરલીમાં નહેરુ સાયન્સ સેંટર મેટ્રો સ્ટેશનને જોડવામાં આવશે. આ સબવે મહાલક્ષ્મી રેસકોર્સ, વર્લી પ્રોમેનેડ અને નહેરુ પ્લેનેટોરિયમ સુધી બાંધવામાં આવશે. એ સાથે જ કોસ્ટલ રોડ નજીક ઊભા થઈ રહેલા નવા બોગદાને અને પહેલાંની વરલી ડેરીની જગ્યામાં ઊભા થઈ રહેલાં વ્યવસાયિક કેન્દ્રને પણ અ માર્ગ જોડશે. આ સબવે 1.6 કિલોમીટર લાંબો હશે. બીજો સબવે બાન્દરા-કુર્લા કોમ્પ્લેક્સ સ્ટેશનને જોડવામાં આવશે. આ સબવે 1.4 કિલોમીટર લાંબો હશે. આ સબવે પ્રવાસીઓને સીધા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન ટર્મિનલ સાથે જોડશે. બીકેસી પરિસરના મહત્વના ઠેકાણા સાથે આ માર્ગ સમન્વય સાધશે જેના કારણે આ ભાગ એક મુખ્ય ઈંટરચેન્જ હબ તરીકે વિકસિત થશે. આ બંને સબવેની કુલ લંબાઈ 3 કિલોમીટર કરતા વધુ હશે. આ બંને રાહદારી વેસ્ટિબ્યુલ્સ અથવા સબવે માટે ડીપીઆર તૈયાર કરવા અમે ટૂંક સમયમાં એક એજન્સીની નિયુક્તી કરશું. આ જ એજન્સી બાંધકામના સમયે પ્રકલ્પ વ્યવસ્થાપન સલાહકાર તરીકે પણ કામ કરશે એમ એમએમઆરસીએલના સંચાલક આર. રમણાએ જણાવ્યું હતું. વરલી ડેરીને ગ્રીન સિગ્નલઆ સંપૂર્ણ યોજનામાં એક મહત્વનો ભાગ વરલી ડેરીનો વિશાળ ભૂખંડ છે. આ ભૂખંડ હવે વ્યવસાયિક વપરાશ માટે ખુલ્લો મૂકવામાં આવશે એવા સંકેત સરકારી સ્તરેથી મળ્યા છે. અધિકારીઓના જણાવ્યું અનુસાર રાજ્ય શહેરી વિકાસ વિભાગ ડેવલપમેંટ કન્ટ્રોલ એન્ડ પ્રમોશનલ રેગ્યુલેશન્સમાં (ડીસીપીઆર) જરૂરી ફેરફાર કરવામાં આવશે. વરલી ડેરી પ્લોટનું આરક્ષણ વ્યવસાયિક વપરાશ માટે બદલવામાં આવશે. આ એરિયા માટે એમએમઆરડીએને નિયોજન પ્રાધિકરણ તરીકે પહેલાં જ નિયુક્ત કરવામાં આવ્યું છે. તેથી આ જગ્યાના પુનર્વિકાસનું કામ ઝડપી થશે એવી અપેક્ષા છે.
અજિત પવારે માફી માંગી:અંબેજોગાઈમાં વિવાદિત નિવેદનને લઈ અજિત પવારે માફી માગી લીધી
મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાટો વધ્યો છે ત્યારે ઉપ મુખ્ય મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ અજિત પવારે અકોલાના અકોટ ખાતે યોજાયેલી સભામાં એક મહત્ત્વનું નિવેદન આપ્યું. અંબેજોગાઈમાં થયેલા વિવાદિત શબ્દપ્રયોગ અંગે તેમણે જાહેર માફી માગીને વાતાવરણ શાંત કરવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે, સભામાં બોલતી વખતે જીભ લપસી પડી, પરંતુ કોઈની લાગણી દુભાઈ હોય તો માફી માગવી એ મારી ફરજ છે. અજિત પવારે સ્પષ્ટ કર્યું કે, અંબેજોગાઈ અંગેની તેમની ટિપ્પણી ત્યાંની અસ્વચ્છતા વિશે હતી, પરંતુ શબ્દનો ઉપયોગ યોગ્ય નહોતો. મિડિયા દ્વારા મુદ્દો મોટો કરવામાં આવ્યો હોવા છતાં ભૂલ પોતાની જ હતી એવી સ્વીકૃતિ આપી તેમણે જાહેર માફી માગી. તેમના આ વલણને હાજર જનમેળામાં તાળીઓથી આવકાર મળ્યો.સભામાં તેમણે પોતાની કામ કરવાની શૈલી પણ રજૂ કરી. તેમણે કહ્યું કે, લોકો તેમને કડક ગણે છે, પરંતુ તેઓ કામને અગ્રતા આપે છે. મને ટી.આર.પી.માં નહીં, પરંતુ જનકલ્યાણમાં રસ છે, એમ કહી તેમણે વિરોધીઓને જવાબ આપ્યો. સવારે છ વાગ્યાથી કામમાં ઝંપલાવવું એ મારી આદત છે, અને એ જ કારણે લોકો મને વારંવાર જિતાડે છે, એમ તેમણે જણાવ્યું. ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના મુદ્દે પણ પવારે તીખો હુમલો કર્યો. તેમણે રાજકીય પ્રણાલીમાં પારદર્શિતા જરૂરી હોવાનું કહી ચેતવણી આપી કે, જનતાના પૈસાની ઉચાપત કરીને રાજકારણ કરનારાને અમે ખુલ્લા પાડીશું. નગર પ્રમુખોની નજીકના લોકો જ કોન્ટ્રાક્ટ લેવાની પ્રથા વધતા વિકાસની ગુણવત્તા પર અસર થતી હોવાની તેમણે ટીકા કરી. અકોટની સભામાં કાર્યકરો અને જનસમૂહનો મળેલો ઉત્સાહજનક પ્રતિસાદ પવાર માટે સકારાત્મક સંદેશ માનવામાં આવે છે. એક બાજુ તેઓએ વિવાદિત શબ્દપ્રયોગ માટે માફી માગી પોતાની છબિ સુધારવાનો પ્રયત્ન કર્યો, જ્યારે બીજી બાજુ વિકાસના દાવા અને વિરોધી ઉપર આક્રમક હુમલા કરીને રાજકીય સમતોલ જાળવ્યો. આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં આ વલણ મતદારોને કેટલું ભાવે છે તે જોવાનું હવે રસપ્રદ બન્યું છે.
પાર્થને સંડોવતું જમીન પ્રકરણ ગરમાયું:અજિત પવારના રાજીનામા માટે દબાણ
પુણેના વિવાદાસ્પદ જમીન વ્યવહાર પરથી રાજ્યના રાજકારણમાં જોરદાર ધમાચકડી મચી છે. ઉપ મુખ્ય મંત્રી અજિત પવારના પુત્ર પાર્થની અમેડિયા કંપની પર ગંભીર આરોપ કરવામાં આવ્યા છે. હવે સામાજિક કાર્યકર્તા અંજલી દમણિયાએ બુધવારે આ વ્યવહારમાં તથાકથિત ગેરરીતિનો પર્દાફાશ કર્યો. દમણિયાએ કહ્યું કે વિગત અનુસાર પુણેની 40 એકર સરકારી જમીન સંબંધમાં અમેડિયા કંપનીએ ડેટા સેન્ટર શરૂ કરીશું એવું ખોટું કહીને ફક્ત રૂ. 500ની સ્ટેમ્પ ડ્યુટી ભરીને રાહત મેળવી એવો આરોપ તેમણે કર્યો. આ પછી તેમણે અજિત પવારના રાજીનામાની માગણી કરી છે.દમણિયાએ જણાવ્યું કે અમેડિયા કંપની દ્વારા સુપરત કરાયેલા લીડ ડીડ અને દસ્તાવેજોમાં ડેટા માઈનિંગ, આઈટી સેવા અને સાઈબર સુરક્ષા પ્રકલ્પ ઊભો કરવાનો ઉલ્લેખ છે. તેમાં 98 લાખનું રોકાણ હોવાની નોંધ કરાઈ છે, પરંતુ વાસ્તવમાં આ વ્યવહાર જમીન વેચાતી લેવા માટે હોવાની શંકા છે. બજારમૂલ્ય સેંકડો કરોડ હોવા છતાં જમીન પર ફક્ત રૂ. 500નો વ્યવહાર કરવાનું કારસ્થાન કરાયું હોવાનો આરોપ તેમણે કર્યો. આટલું મોટું પ્રકરણ જિલ્લાધિકારીએ પાલકમંત્રી અજિત પવારને જાણ કર્યા વિના કઈ રીતે થયું એવો પ્રશ્ન પણ તેમણે ઉપસ્થિત કર્યો હતો. દમણિયા અનુસાર કેન્દ્ર સરકારે આ પ્રકરણમાં 16 જૂને જ જિલ્લાધિકારીને પત્ર મોકલીને તુરંત હસ્તક્ષેપ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે સ્થાનિક પ્રશાસને આ નિર્દેશ તરફ દુર્લક્ષ કર્યાનું સ્પષ્ટ થાય છે. આથી સંપૂર્ણ પ્રકરણમાં રાજકીય દબાણ અને સંરક્ષણ મળ્યું છે, એવો તેમણે દાવો કર્યો હતો. જમીન વ્યવહારની કિંમત આશરે રૂ. 1800 કરોડ છે. આટલી મોટી ગેરરીતિમાં સંબંધિત મંત્રી અજાણ હોય તે માની શકાય એમ નથી, એમ પણ તેમણે જણાવ્યું હતું. આ મુદ્દા પરથી દમણિયાએ રાજ્ય સરકારને ખુલ્લી પાડી છે. તેમણે કહ્યું કે મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ પ્રકરણમાં તુરંત કાર્યવાહી કરવી જોઈએ અને અજિત પવારનું તુરંત રાજીનામું લઈ લેવું જોઈએ. રાજીનામું નહીં લેવાય તો બધા પુરાવા અમિત શાહ પાસે લઈ જઈશ. આ પ્રકરણમાં નીમેલી એસઆઈટી પર પણ અવિશ્વાસ વ્યક્ત કરીને તેમણે સમિતિ બરખાસ્ત કરવાની માગણી કરી છે. તપાસ ટીમમાં જિલ્લાના અધિકારી મોટે પાયે હોવા તે તપાસ પર અસર કરી શકે છે, એમ તેમણે જણાવ્યું હતું. ગુજરાતથી દિલ્હી સુધી પહોંચશે પ્રકરણરાજકીય ક્ષેત્રમાં આ આરોપને લીધે પ્રચંડ ખળભળાટ મચી ગયો છે. રાજ્યમાં ચૂંટણી માથે છે ત્યારે વિરોધીઓને ધાર્યું મળી ગયું છે. અજિત પવાર કામકાજ પર આધારિત નેતૃત્વ માનવામાં આવે છે. જોકે વારંવાર તેમનું નામ જમીન, સિંચાઈ અને આર્થિક ગેરરીતિમાં આવતું રહેવું તે તેમને માટે મોટો રાજકીય આંચકો નીવડી શકે છે. આ આરોપો પર અજિત પવાર હવે ચોક્કસ શું પ્રતિક્રિયા આપે છે તેની પર સૌની નજર રહેશે. ગુજરાતથી દિલ્હી સુધી પહોંચનારું આ પ્રકરણ મહાયુતિ સરકારની પ્રતિમા પણ બગાડી શકે છે, એવી ચર્ચા ચાલી રહી છે.
આરોપી ઝડપાયો:રાજ્યભરમાં પાર્ક થયેલી કારના કાચ તોડીને કિંમતી સામાન ચોરતો રીઢો આરોપી ઝડપાયો
પાર્ટી પ્લોટની બહાર પાર્ક કરેલી કારનો કાચ તોડી અંદરથી કિંમતી સામાન ચોરતો રીઢો આરોપી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી 1.32 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપી અગાઉ આ પ્રકારના રાજ્ય ભરમાં 25 થી વધારે ગુનામાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે. હરણી બાલાજી પાર્ટી પ્લોટ બહાર પાર્ક કરેલી હોન્ડા સિવિલ કારનો કાચ તોડી ચોરી થઈ હોવાની ફરિયાદ ચાર દિવસ અગાઉ હરણી પોલીસ મથકે નોંધાઈ હતી.ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ આર.જી.જાડેજાએ આ પ્રકારની ચોરી કરતા ઝડપાયેલા આરોપીઓની યાદી તૈયાર કરી હતી. હરણી વારસિયા રોડ ઉપરથી પસાર થતા અહેમદ ઉર્ફે શાહરૂખ શૌકતખાન પઠાણ રહે ભરૂચને અટકાવ્યો હતો.પૂછપરછ દરમ્યાન એને ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે ગિલોલ, લોખંડના છરા પણ જપ્ત કર્યા હતા.ચોરીના લેપટોપ, રોકડ રકમ મળી 78 હજાર ઉપરાંતનો સામાન જપ્ત કર્યો હતો. વાઈબ્રેશન સેન્સર બંધ કરી દેવાથી સાયરન વાગતી નથીઆધુનિક કારમાં સેન્સર લાગેલા હોય છે.જે કારના દરવાજા, ડેકી અને બોનેટ ને કોઈ અડકવાથી વાગે છે. એમાં વાઈબ્રેશન સાયરન પણ હોય છે.પરંતુ કોઈ પ્રાણી કે અન્ય કાર ને અડે તો તરત સાયરન વાગે છે. જેના કારણે મોટાભાગના લોકો વાઈબ્રેશન સાયરન બંધ કરાવી દે છે.ચોરીના આ મામલામાં જો વાઈબ્રેશન સાયરન ચાલુ હોત તો કાચ તોડતા જ સાયરન વાગ્યું હોત તસ્કર ભાગી ગયા હોત. ડેકી તોડવાના 25 ગુનામાં સંડોવણી છે.ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ આર.જી.જાડેજા એ જણાવ્યું છે કે, આરોપી અહેમદ અન્ય આરોપી સાથે મળી કાર અને બેંક ની બહાર મોપેડની ડેકી તોડતા હતા.બીજા આરોપીની શોધખોળ ચાલુ છે.આરોપી સામે માંજલપુર, ગોત્રી,જે.પી.રોડ, ગોરવા, નવસારી માં ગુનામાં સંડોવણી બહાર આવી છે.
લોન્ડ્રેક્સ ઈન્ડિયા 2025ના શ્રીગણેશ:ક્લીન ઈન્ડિયા સાથે લોન્ડ્રેક્સ ઈન્ડિયા 2025નો શુભારંભ
ક્લીનિંગ, હાઈજીન અને ઈન્ડસ્ટ્રિયલ ક્લીનિંગ માટે સમર્પિત ભારતનું એકમાત્ર એકીકૃત પ્રદર્શન ક્લીન ઈન્ડિયા શોની બહુપ્રતિક્ષિત 21મી આવૃત્તિનો આજે વિધિસર રીતે બોમ્બે એક્ઝિબિશન સેન્ટર, મુંબઈ ખાતે શુભાંરભ થયો. ઈવેન્ટ લિનેન કેર સોલ્યુશન્સ પર કેન્દ્રિત વિશિષ્ટ મંચ લોન્ડ્રેક્સ ઈન્ડિયા સાથે સહ- સ્થિત છે. એકત્રિત રીતે આ શો 26મીથી 28મી નવેમ્બર, 2025 સુધી એક છત હેઠળ ઈનોવેશન અને નિપુણતાનું અસમાંતર પ્રદર્શન લાવશે. ઉદઘાટનમાં પ્રોપર્ટા એન્ડ ફેસિલિટીઝ મેનેજમેન્ટના ભારત અને એપીએસીના એક્ઝિક્યુટિવ મેનેજિંગ ડાયરેક્ટર શ્રી સથીશ રાજેન્દ્રન, ડસ્ટર્સ ટોટલ સોલ્યુશન્સ સર્વિસીસ પ્રા. લિ.ના સીઈઓ શ્રી સંજીવ કુમાર એનજીએસ, ઓ'તેરીના સીઓઓ શ્રી મનોજ વનવારી, આયોજક મેસ્સી ફ્રેન્કફર્ટ એશિયા હોલ્ડિંગ્સ લિ.ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને બોર્ડ મેમ્બર શ્રી રાજ માણેક, વીઆઈએસ ગ્રુપના શ્રી જયરામન નાયર, મેનેજિંગ ડાયરેક્ટર શ્રી જે પી નાયર, એડિટર-ઈન-ચીફ શ્રીમતી મંગલા ચંદ્રનનો સમાવેશ થતો હતો.
7 દિવસમાં MSRDC પાસેથી તાબો લેવાનો આદેશ:મુંબઈના 34 ફ્લાયઓવરની દેખભાળ મહાપાલિકા કરશે
મહારાષ્ટ્ર રાજ્ય રસ્તા વિકાસ મહામંડળ તરફથી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં બાંધવામાં આવેલા 34 ફ્લાયઓવર દેખભાળ માટે મુંબઈ મહાપાલિકાને હસ્તાંતરિત કરવામાં આવશે. રાજ્ય સરકારે આ બાબતનો નિર્ણય લીધો છે. સાત દિવસમાં એ તાબામાં લેવાનો આદેશ સંબંધિત મહાપાલિકાઓને આપવામાં આવ્યો છે. એ અનુસાર મુંબઈ મહાનગર પ્રદેશના 34 ફ્લાયઓવરની દેખભાળની જવાબદારી સંબંધિત મહાપાલિકા પર હશે.મુંબઈ મહાનગર પ્રદેશમાં ટ્રાફિકજામની સમસ્યા દૂર કરવા એમએસઆરડીસીએ 1996માં 55 ફ્લાયઓવર બાંધવાનો નિર્ણય લીધો હતો. એ અનુસાર 34 ફ્લાયઓવર બાંધવામાં આવ્યા. એમાં મુંબઈના 27 ફ્લાયઓવરનો સમાવેશ છે. આ ફ્લાયઓવરની દેખભાળ અને રિપેરીંગની જવાબદારી અત્યારે એમએસઆરડીસી અથવા સંબંધિત ટોલટેક્સ લેનારા કોન્ટ્રેક્ટર પર છે. ચોમાસામાં ફ્લાયઓવર પરના ખાડાઓની સમસ્યા ગંભીર બને છે. મુંબઈના રસ્તાઓ પર અને ફ્લાયઓવર પર ખાડા દેખાય છે. એના પરથી વિવિધ સરકારી યંત્રણા વચ્ચે વિવાદ પણ થાય છે. મુંબઈમાં મહાપાલિકાએ ટીકાનો સામનો કરવો પડે છે. આ ધ્યાનમાં લેતા મહામુંબઈમાં એમએસઆરડીસીએ બાંધેલા 34 ફ્લાયઓવર મહાપાલિકાને દેખભાળ માટે સોંપવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. આ સંબંધી જીઆર ટૂંક સમયમાં સાર્વજનિક બાંધકામ વિભાગ તરફથી જારી કરવામાં આવશે.
લાંચખોરો ઉપર તવાઈ:એક વર્ષમાં 61 ક્લાસ વન અધિકારી ACBની જાળમાં
છેલ્લા સાડા દસ મહિનામાં 61 ક્લાસ વન અધિકારીઓ એન્ટિ કરપ્શન બ્યુરોની જાળમાં અટવાયા છે. ઉપરાંત વધુ આંચકાજનક વાત એટલે છેલ્લા બે વર્ષમાં લાચખોરીની કાર્યવાહીમાં પકડાયેલા અધિકારીઓ પર સસપેન્સન કે બરતરફીની કાર્યવાહી કરવા માટે પ્રશાસનને મૂરત મળ્યું નથી એવી માહિતી એસીબીના આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે. હજી પણ 209 લાચખોરોનું સસપેન્સન થયું નથી. તેથી તેઓ હજી પર ફરજ બજાવી રહ્યા છે. એમાં સૌથી વધારે ક્લાસ વન અને ક્લાસ ટુના 72 જણનો સમાવેશ છે. એસીબીના આંકડાઓ અનુસાર 1 જાન્યુઆરીથી 17 નવેમ્બર દરમિયાન 597 છટકા ગોઠવવાની કાર્યવાહી સહિત 610 ગુનાની નોંધ થઈ છે. એમાં 904 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એમાં હંમેશ મુજબ મહેસૂલ, પોલીસ વિભાગ અગ્રેસર છે. 61 ક્લાસ વન અધિકારીઓ અને સૌથી વધારે ક્લાસ થ્રીના 434 કર્મચારીઓ છટકામાં પકડાયા છે. 1 જાન્યુઆરી 2024થી 31 ઓક્ટોબર 2025 દરમિયાન લાચખોરીના છટકામાં પકડાવા છતાં પ્રશાસન સસપેન્સનની કાર્યવાહી માટે ગંભીર ન હોવાનું દેખાય છે. એમાં ક્લાસ વન (36), ક્લાસ ટુ (36), ક્લાસ થ્રીન (125) અને ક્લાસ ફોરના 12 અધિકારીનો સમાવેશ છે. એમાં સૌથી વધારે મુંબઈ (47), થાણે (43), પુણે (23), નાશિક (22), નાગપુર (14), અમરાવતી (14), છત્રપતિ સંભાજીનગર (28) અને નાંદેડ (11)ના અધિકારીઓનું સસપેન્સન થયું નથી. અનેક વખત ઉપરીના આદેશથી રૂપિયાની વસૂલી થાય છે. જો કે ઉપરી અધિકારી બાજુએ રહી જાય છે અને કર્મચારીઓ પકડાય છે.
વીજ ગ્રાહકો માટે બમ્પર ઓફર:હોમ અને કિચન એપ્લાયન્સ પર 60% છૂટ
મૂલ્યવર્ધિત સેવાઓ પૂરી પાડવા અને સક્ષમતાને પ્રોત્સાહિત કરવા માટે કટિબદ્ધ અદાણી ઈલેક્ટ્રિસિટી દ્વારા તેના ગ્રાહકો માટે ‘સ્પેશિયલ એપ્લાયન્સ ઓફર’ લોન્ચ કરીને નોંધપાત્ર ડિસ્કાઉન્ટ્સ પર હોમ અને કિચન એપ્લાયન્સીસની વ્યાપક શ્રેણી ખરીદી કરવા તેમને અભિમુખ બનાવ્યા છે. આ પહેલ ગ્રાહકો માટે બેતરફી લાભદાયી છે, જેમાં તેઓ આધુનિક એપ્લાયન્સીસ સાથે તેમનાં ઘરોને અપગ્રેડ કરી શકશે. ગ્રાહકો ઘર અને કિચન એપ્લાયન્સીસની નવી ખરીદી પર 60 ટકા સુધી છૂટ માણી શકે છે. ડિસ્કાઉન્ટ એપ્લાયન્સના મોડેલને આધારે 21થી 60 ટકા સુધીની શ્રેણીમાં રહેશે. ખાસ પ્રાઈસિંગ આપવા માટે એલજી, સેમસંગ, ગોદરેજ, મિત્સુબિશી, આઈએફબી, બજાજ, પ્રેસ્ટીજ, હેવેલ્સ અને વિજય સેલ્સ સહિત અગ્રણી બ્રાન્ડ્સ અને વિતરકો સાથે ભાગીદારી કરી છે. એપ્લાયન્સીસની વ્યાપક શ્રેણીમાં એસી અને રેફ્રિજરેટરો, વોશિંગ મશીનો અને ક્લોથ ડ્રાયર્સ, ડિશવોશર્સ અને માઈક્રોવેવ ઓવન્સ, ઈન્ડકશન કૂકટોપ્સ, ગિઝર્સ/ વોટર હીટર્સ, ટોસ્ટર્સ, સેન્ડવિચ મેકર્સ વગેરેનો સમાવેશ થાય છે. આ મર્યાદિત સમયની વિશેષ ઓફર અદાણી ઈલેક્ટ્રિસિટીના ગ્રાહકોને સર્વ ટેરિફ શ્રેણી માટે લાગુ થશે. અદાણી ઈલેક્ટ્રિસિટીના મૂલ્યવાન ગ્રાહકો તરીકે હવે તમારું ઘર અપગ્રેડ કરવાનો ઉત્તમ સમય છે. આ વિશેષ ઓફર અમારા ગ્રાહકોને આકર્ષક કિંમતે ઉત્તમ પ્રોડક્ટો ખરીદી કરવા માટે અનુકૂળતા આપશે.
સમગ્ર ભારતભરના ઈતિહાસમાં અજોડ અને બેજોડ અને શ્રી મુંબઈના સમગ્ર જૈન સંઘોમાં પ્રથમવાર શ્રી પાર્શ્વનાથ પ્રભુના જન્મકલ્યાણ નિમિત્તે એકસાથે 10,008 અઠ્ઠમનું આયોજન શ્રી ગીતાંજલિ જૈન સંઘ, બોરીવલી (વેસ્ટ)ના ઉપક્રમે આચાર્ય ભગવંત શ્રી જયશેખરસૂરીશ્વરજી મ. સા.ની નિશ્રા અને પ્રેરણામાં માગશર સુદ - 9-10-11 અંગ્રંજી તા. 13- 14- 15 ડિસેમ્બર, શનિવાર - રવિવાર - સોમવારે આયોજિત કરવામાં આવેલ છે. આ પ્રસંગનું સંપૂર્ણ માર્ગદર્શન શ્રી ધર્મસૂરીશ્વરજી સમુદાયના શતાવધાની આચાર્ય ભગવંત શ્રી જયાનંદસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન સરળ સ્વભાવી પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી જયશેખરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી શ્રી ગીતાંજલિ જૈન સંઘ, બોરીવલીના સાનિધ્ય, શ્રી પાર્શ્વનાથ પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવેલ છે. આ પરિવાર છેલ્લા 18 વર્ષથી ભારતભરના પાર્શ્વનાથ ભગવાનના વિવિધ તીર્થોમાં જઈને પોષ -10ની આરાધના કરે છે અને કરાવે છે. યોગાનુયોગ ગોડીજી દાદાની પ્રતિષ્ઠાનું 213મું વર્ષ ચાલી રહ્યું છે. અને શતાવધાનિ આચાર્ય ભગવંત શ્રી જયાનંદસૂરીશ્વરજી મ.સા.નું જન્મ શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે અને સમગ્ર મુંબઈ પર ગોડીજી દાદાનો અનહદ ઉપકાર છે અને તે દાદાની 200મી સાલગિરી નિમિત્તે મુંબઈના નગરશેઠ માતુશ્રી ગજરાબેન ગિરધરલાલ શાહ પરિવારે બદામ, કસાટા અને સકળ શ્રી સંઘનું સ્વામી વાત્સલ્યનું અદભુત આયોજન કરેલું. તે જ પ્રમાણે આ ગોડીજી દાદાના આલંબને અત્તર પારણા, પારણા અને બહુમાન - પ્રભાવનાનો લાભ પાર્શ્વ પરિવારને આપવા સકળ સંઘોને વિનંતી કરવામાં આવી છે. સંઘોએ બોરીવલી ગીતાંજલિ સંઘના શ્રી દિલીપભાઈ 9820501560 અથવા શ્રી બિપીનમામા 9322524771 પર સંપર્ક કરીને પોતાના સંઘના અઠ્ઠમના નામો લખાવી દેવા તેમ જ અત્તર પારણા અને પારણાના સમગ્ર ખર્ચનો લાભ શ્રી ગીતાંજલિ સંઘને આપવા નમ્ર વિનંતી કરી છે. આ નિમિત્તે શ્રી ગીતાંજલિ જૈન સંઘમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રથમ દિવસે તા. 13 ડિસેમ્બર શનિવારે શ્રી વર્ધમાન શક્રસ્તવનું અનુષ્ઠાન કરવામાં આવશે અને બીજા દિવસે તા. 14 ડિસેમ્બર રવિવારે કોરા કેન્દ્રમાં 1008 શ્રી પાર્શ્વનાથ પૂજન અને ત્રીજા દિવસે તા. 15 ડિસેમ્બર સોમવારે 1008 કમળથી પરમાત્માની દિવ્ય આરાધના કરવામાં આવશે. ત્રણેય દિવસે રાત્રિ સંધ્યા ભક્તિ જિનાલયમાં રાખવામાં આવેલ છે.
ધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને હસ્તે 9મા આંતરરાષ્ટ્રીય યુનિફોર્મ મેન્યુફેકરર્સ ફેર 2025નું ઉદઘાટન બુધવારે સવારે નેસ્કો એક્ઝિબિશન સેન્ટર, હોલ નં. 4, ગોરેગાવ પૂર્વમાં થયું. સોલાપુર ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન તરફથી અને મહારાષ્ટ્ર સરકારના વસ્ત્રોદ્યોગ વિભાગના સહયોગમાં આયોજિત પ્રદર્શનમાં માજી વસ્ત્રોદ્યોગ મંત્રી અને સોલાપુરના વિધાનસભ્ય શ્રી સુભાષ દેશમુખ મુખ્ય અતિથિ તરીકે હાજર હતા. આ પ્રદર્શનમાં 150થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ સહભાગી હોઈ 30,000 યુનિફોર્મ ડિઝાઈન્સ, 15,000 ફેબ્રિક ઈનોવેશન્સનું પ્રદર્શન કરાયું છે.
સરકારી તિજોરી પર તાણ:કોન્ટ્રેક્ટરોના 19 હજાર કરોડ જેટલી રકમ ચુકવવાની બાકી
કોન્ટ્રેક્ટરોના બિલ ચુકવવાના મોટા પ્રમાણમાં હોવાથી આંદોલન કરવામાં આવ્યું હતું. આખરે સરકાર તરફથી રસ્તા, પુલ, સરકારી કાર્યાલયો, સરકારી ઈમારત બાંધવી તેમ જ દેખભાળ-રિપેરીંગ પેટેના બાકી રહેલા બિલ કોન્ટ્રેક્ટરોને ચુકવવામાં આવ્યા છે. અત્યાર સુધી 20 હજાર કરોડ રૂપિયાના બિલ ચુકવાયા અને હજી લગભગ 19 હજાર કરોડ રૂપિયાના બિલ ચુકવવાના બાકી છે. આ બિલ ચુકવવાના હોવાથી શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવનારી પૂરક માગણીઓમાં 10 હજાર કરોડ રૂપિયાની પૂરક માગણી રજૂ કરવામાં આવશે. ચૂંટણીના ટાંકણે જાહેર કરવામાં આવેલી લોકપ્રિય ઘોષણાઓના કારણે સરકારી તિજોરી પર મોટા પ્રમાણમાં તાણ આવતો હતો. લાડકી બહેન યોજના માટે 45 હજાર કરોડ રૂપિયાનો ભાર સરકારે ઉંચકવો પડે છે. પરિણામે એનો તાણ બધા જ સરકારી ખર્ચ પર આવ્યો હોવાથી કોન્ટ્રેક્ટરોના બિલ મોટા પ્રમાણમાં ચુકવવાના બાકી રહ્યા. કોન્ટ્રેક્ટરો તરફથી વારંવાર એના માટે માગણી કરવામાં આવતી હતી. સાર્વજનિક બાંધકામ મંત્રી શિવેન્દ્રરાજે ભોસલેને પણ કોન્ટ્રેક્ટરોએ નિવેદન આપ્યું હતું. એ પછી સરકાર તરફથી બિલ ચુકવવા પર ભાર મૂકવામાં આવ્યો. સાર્વજનિક બાંધકામ વિભાગ તરફથી 2024-25ના આર્થિક વર્ષમાં જાન્યુઆરીથી માર્ચ 2025ના ત્રણ મહિનામાં વિભાગે રસ્તા અને ઈમારતોના બાકી રહેલા બિલ ચુકવવવા માટે 10 હજાર 41 કરોડ રૂપિયાનું ભંડોળ વિતરણ કર્યું. 2025-26ના આર્થિક વર્ષમાં 12 હજાર 345 કરોડ રૂપિયાનું ભંડોળ આપવામાં આવ્યું. અત્યાર સુધી કુલ 20 હજાર 799 કરોડ રૂપિયા બાકી રહેલા બિલ પેટે ચુકવવામાં આવ્યા છે. હજી પણ રસ્તા અને ઈમારતોના કામના 19 હજાર 502 કરોડ રૂપિયાના બિલ ચુકવવાના બાકી છે. સ્ટેટ હાઈવે અને મુખ્ય ડિસ્ટ્રિક્ટ હાઈવે યોજના અંતર્ગત 16 હજાર 704 કરોડ રૂપિયાના બિલ ચુકવવાના બાકી છે. ચાલુ વર્ષમાં આ યોજના માટે બજેટમાં 5 હજાર 585 કરોડ રૂપિયાનું ભંડોળ વિતરિત કર્યા પછી 11 હજાર 119 કરોડ રૂપિયા ચુકવવાના બાકી રહે છે. આ બિલ અને કામના નવા બિલ ધ્યાનમાં લેતા વિભાગે પૂરક માગણી તેમ જ કેન્દ્ર સરકારની વ્યાજ વિનાની લોન યોજનામાંથી ભંડોળ ઉપલબ્ધ કરવાનું નિયોજન કર્યું છે. મુંબઈ મંડળમાં 411 કરોડ બાકીદરમિયાન સાર્વજનિક બાંધકામ વિભાગના એકલા મુંબઈ મંડળમાં કોન્ટ્રેક્ટરોના 411 કરોડ 79 લાખ રૂપિયાના બિલ ચુકવવાના બાકી છે. મુંબઈ મંડળમાં ઈલાકા શહેર, મધ્ય મુંબઈ, ઉત્તર મુંબઈ, એકાત્મિકૃત ઘટક અને ઈમારત બાંધકામ જેવા વિભાગનો સમાવેશ છે. મુંબઈમાં મંત્રાલય, વિધાનભવન, રાજભવન, નવું પ્રશાસકીય ભવન, હાઈ કોર્ટ, મંત્રીઓના સરકારી બંગલા, વિધાનસભ્ય નિવાસ, પોલીસ મુખ્યાલય સહિત જજ, સનદી અધિકારી, રાજ્ય સરકારી અધિકારીના નિવાસસ્થાન છે. આ સરકારી ઈમારતોની દેખભાળ અને રિપેરીંગ પર સરકારે મોટા પ્રમાણમાં ખર્ચ કરવો પડે છે.
ભાસ્કર ઈનસાઈડ:છોટાઉદેપુરથી આવતી એસટી બસમાં લવાતી વિદેશી દારૂની 502 બોટલ સાથે ત્રણ ઝડપાયા
છોટાઉદેપુરથી એસટી બસમાં દારૂના ચાર કોથળા લઈ બેઠેલા ત્રણ ઇસમો ને ઝડપી પાડી પોલીસે 502 વિદેશી દારૂ અને બિયરની બોટલો જપ્ત કરી હતી. છોટાઉદેપુર થી ગારિયાધાર જતી એસટી બસમાં દારૂનો જથ્થો આવવાનો હોવાની બાતમી કપુરાઇ પોલીસ મથકના પીઆઈ ડી.સી.રાઓલને મળી હતી.જેના આધારે ટીમને કપુરાઇ ચાર રસ્તા પાસે વોચ ગોઠવવા સૂચના આપી હતી. પોલીસની ટીમના હરદીપસિંહની ટીમે અટકાવી હતી અને અંદર જઈ શંકાસ્પદ કોથળા અને એ લઈ એક કિશોર સહિત ત્રણની તપાસ કરી હતી. કોથળાની તપાસ કરતા અંદરથી વિદેશી દારૂની 484 દારૂની બોટલો મળી આવી હતી. દારૂ ભરેલા કોથળા લઈને આવેલા ત્રણની પૂછપરછ કરતા એક ગુમાનભાઈ કાળુભાઈ ધાણક રહે છોટાઉદેપુર, સિકંદરભાઈ ઉદેસિંહ ધાણક રહે, છોટાઉદેપુર તથા એક કિશોરને પોલીસે ઝડપી, વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે દારૂ-બિયરની 502 બોટલો કિંમત 71,904 નો જથ્થો જપ્ત કર્યો છે. હાઇવે પર ચેકિંગના કારણે બૂટલેગરો એસટી બસમાં દારૂ લાવતા થયાછોટાઉદેપુર જિલ્લાની સરહદો મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે, ત્યાં ના સરહદી વિસ્તારોમાં થી દારૂનો જથ્થો લાવવામાં આવે છે. લોકો વાહનો મારફતે દારૂનો જથ્થો લાવતા હતા. જેના ઉપર પોલીસે ચેકીંગ કરી ઝડપી પાડ્યા હતા. બાદમાં બૂટલેગરો કેનાલના રસ્તે મોપેડ અને બાઇક ઉપર દારૂ લાવતા હતા. એમ સ્ટેટ મોનીટરીંગ સેલે એક સાથે વીસ બાઇક અને મોપેડ ઉપર લવાતો દારૂ ઝડપી પાડ્યો હતો.પરિણામે બૂટલેગરોએ રણનીતિ બદલી એસટી બસમાં દારૂની હેરાફેરી કરવા માંડ્યા હતા.
સિટી એન્કર:કાંદિવલીની કોલેજ દ્વારા ‘વિજ્ઞાસા– વિજ્ઞાન કી જિજ્ઞાસા'નું આયોજન
કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (કેઈએસ) સંચાલિત શ્રી ટી.પી. ભાટિયા જુનિયર કૉલેજ ઓફ સાયન્સને આંગણે તાજેતરમાં ૧૬મા વિજ્ઞાનોત્સવ ‘વિજ્ઞાસા – વિજ્ઞાન કી જિજ્ઞાસા'નું સફળ આયોજન થયું હતું, જેમાં દેશભરમાંથી સ્ફલ્સ અને વિધાર્થીઓએ રસપૂર્વક ભાગ લીધો હતો. કોલેજને આંગણે યોજાયેલા ભવ્ય વિજ્ઞાનોત્સવના બે દિવસીય મહોત્સવમાં મહારાષ્ટ્રના મુંબઈ. પાલઘર, ઔરંગાબાદ વગેરે જિલ્લાઓ ઉપરાંત ભારતના કેરળ, તમિલનાડુ વગેરે પ્રાંતોથી પ્રતિભાશાળી યુવાઓની ૫૪ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રથમ દિવસે શ્રી ટી.પી. ભાટિયા કૉલેજ દ્વારા GROK લીમમાઈનના સહયોગથી ‘ક્લાઈમેટ સસ્ટેનેબિલિટી એન્ડ એન્વાયરમેન્ટ’ શીમ હેઠળ ધોરણ ૭ થી ૧૦ની વીસ ટીમોએ આરિ્ટફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઈઓટી) આધારિત વિવિધ વર્કિંગ અને નોન-વર્કિંગ મૉડેલો રજૂ કર્યા; જેમાં કચરાનું વિભાજન, કાર્બન ડાયોક્સાઈડ ડીટેક્શન, કોલ માઇન સલામતી, પાણી શુદ્ધિકરણ અને પ્રિસીઝન ફાર્મિંગ જેવા વાસ્તવિક જીવનના પ્રશ્નોને કેન્દ્રમાં રખાયાં હતાં. આ કાર્યક્રમમાં મખ્ય મહેમાન તરીકે અમિત તિવારી (કોનવેલો એન્જિનિયરિંગ કંપનીના સ્થાપક) અને ડૉ કાર્તિક નાગરાજન (ઈનોવેટર એમ્બેસેડર, ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગનાઇઝેશન (ઈસરો)) ઉપસ્થિત રહ્યા હતા. દિવસના અંતે પરસ્ક્રાર વિતરણ સમારંભ યોજાયો. જેમાં વર્કિંગ મોડલના વિજેતા ચિલ્ડ્રન્સ એકેડેમી, અશોક નગર, કે.એલ પોંડા હાઈસ્કૂલ, દહાણ અને મુંબઈ પબ્લિક સ્કુલ તથા નૉન- વર્કિંગ મોડેલના વિજેતા પંચોલિયા સ્કુલ અને આર જે. મંત્રા સ્કુલ રહ્યા હતા. જીવન વિકાસ શિક્ષણ સંસ્થા (JVSS) સંચાલિત શ્રી એસટી. કદમ સ્કુલ, પાલઘર અને ડૉ. એસડી. વર્તક વિદ્યાલય. બોઈસરને રાઈઝિંગ સ્ટાર એવાર્ડ પ્રાપ્ત થયો હતો. બીજા દિવસે વિજ્ઞાસા- નેશનલ સાયન્સ કિ્વઝનું આયોજન થયું હતું જેનું સંચાલન પ્રસિદ્ધ કિ્વઝ માસ્ટર ગેસ્ટન ડિ’સોઝાએ કર્યું, આ કિ્વઝના અંતિમ વિજેતાઓ હતા: એસ.એચ અગરવાલ ઇન્ટરનેશનલ સ્કુલ. ચિલ્ડ્રન્સ એકેડેમી. અશોક નગર (પ્રથમ રનર-અપ),રોયલ ગર્લ્સ સ્કુલ (બીજા રનર-અપ), શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિર (તતીય રનર-અપ)કૉલેજ મેગેઝિન ‘વિજ્ઞાસા- વિદ્યા પરમં બલમ'નું વિમોચન આ પ્રસંગે કૉલેજ મેગેઝિન ‘વિજ્ઞાસા- વિદ્યા પરમં બલમ'નું વિમોચન માનનીય ટ્રસ્ટીઓ, પ્રમુખ મહેશ શાહ અને ઉપપ્રમખ મહેશ ચંદારાણાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ અવસરે પ્રિન્સિપાલ ડૉ. સંગીતા શ્રીવાસ્તવે તમામ ટીમોનું સ્વાગત કર્યુ હતું. સમીર ખસનીસ દ્વારા ખાસ યુનેસ્કો માન્યતા માટે ૧૨ કિલ્લાઓનો પ્રચાર કરતી એક ટૂંકી ફિલ્મની રજૂઆત પણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ માટે લકી ડો અને બમ્પર ઈનામઆ વર્ષે આ મહોત્સવમાં એક નવીન આકર્ષણ ઉમેરાયું હતું. ‘લકી ડ્રો અને બમ્પર ઈનામ’ જે અંતર્ગત સ્થાનિક બમ્પર પ્રાઇઝ ચિલ્ડ્રન્સ એકેડેમી, મલાડ(પૂર્વ)ના રોનક બિહાનીને સાયકલ અને બહારગામથી આવેલા માટે બમ્પર ઈનામમાં આંધ્ર પ્રદેશની જીએનઆરએમસી સ્કુલના મુખલપતિ ચરણતેજાને સ્માર્ટ વૉચ ભેટ મળી હતી. વિદ્યાર્થીઓને હેન્ડ્સ-ઓન અનુભવઆ કાર્યક્રમમાં ભાગ લેનારી શાળાઓએ આયોજક સંસ્થાને આ સફળ આયોજન બદ્દલ અભિનંદન પાઠવ્યા હતા અને વિદ્યાર્થીઓને હેન્ડ્સ-ઑન અનુભવથી પોતાની કુશળતા અને સમસ્યા ઉકેલવાની શકિ્તને વિકસાવવાની તક આપવા બદ્દલ આયોજક સંસ્થાનો આભાર માન્યો હતો.
એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં હિસ્ટ્રીના પેપરમાં ગંભીર છબરડો સર્જાયો હતો. ટીવાયના વિદ્યાર્થીઓને એમએનું પેપર આપવામાં આવ્યું હતું. જેના પગલે વિદ્યાર્થીઓએ સુપરવાઇઝરનું ધ્યાન દોર્યું હતું. આ વિદ્યાર્થીઓને પ્રશ્નો લખાવામાં આવ્યા છે. 4 વાગ્યે શરૂ થતાં પેપર માટે વિદ્યાર્થીઓના અડધો કલાક પ્રશ્નો લખાવામાં સમય બગાડયો હતો. યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં 25 નવેમ્બરના રોજ મંગળવારે ટીવાય બીએની સેમ 5માં કોર 7 હિસ્ટ્રીનું પેપર હતું. જેમાં એટીકેટીની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને એમએનું પ્રશ્નપત્ર આપી દેવામાં આવ્યું હતું. એટીકેટીની પરીક્ષામાં 5 વિદ્યાર્થીઓ હતા જેમને આ પેપર આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે વિદ્યાર્થીઓએ સુપરવાઇઝરને કહ્યું હતું કે આ એમએનું પેપર છે જેથી સુપરવાઇઝર દ્વારા હિસ્ટ્રી વિભાગના અધ્યાપકને બોલાવામાં આવ્યા હતા. અધ્યાપકે ટીવાયનું પેપરના હોવાથી વિદ્યાર્થીઓને કહ્યું હતું કે પ્રશ્નો લખી લો અને તેના જવાબ ઉત્તરવહીમાં લખીને આપી દો. અધ્યાપકે મોઢેથી પ્રશ્નો બોલ્યા હતા અને વિદ્યાર્થીઓએ એક સાદા પેપરમાં પ્રશ્નો લખી લીધા હતા બે કલાકની 50 માર્કની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને પૂરતો સમય મળ્યો ના હતો. આર્ટસ ફેકલ્ટીમાં ગંભીર પ્રકારના છબરડાના પગલે દોડધામ મચી જવા પામી હતી. આટલી મોટી પરીક્ષામાં પેપર ખોટું આપવામાં આવ્યું તેના પર સવાલો ઉભા થયા છે. 6ના ટકોરે સુપરવાઇઝરે પેપર લઇને કહ્યું અમારે ઘરે જવાનું છેઆર્ટસના હિસ્ટ્રી વિભાગમાં એમએનું પેપર આપી દેવામાં આવ્યું હતુ અને બાદમાં વિદ્યાર્થીઓને પેપર માટે પ્રશ્નો લખાવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને અડધો કલાકનો સમય વધારે આપવો જોઇએ તેની જગ્યાએ 6 વાગ્યાના ટકોરે સુપરવાઇઝરે પેપર લઇ લીધું હતું અને કહ્યું હતું કે અમને ઘરે જવામાં મોડું થાય છે. બે કલાકના પેપરમાં વિદ્યાર્થીઓને સત્તાધીશોની ભૂલના કારણે અડધો કલાક ઓછો સમય મળ્યો હતો. એક્ષર્ટનલ પરીક્ષામાં પ્રશ્નો લખાવામાં આવ્યા હોવાની પ્રથમ ઘટનાએમ.એસ.યુનિવર્સિટીનો વહીવટ ખાડે ગયો છે આર્ટસ ફેકલ્ટીના હિસ્ટ્રી વિભાગમાં એક્ષર્ટનલ પરીક્ષામાં પ્રશ્નો લખાવામાં આવ્યા હોવાની યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ ઘટના છે. વિદ્યાર્થીઓએ પોતાના હાથે કાગળમાં પ્રશ્નો લખીને તેના જવાબો ઉત્તરવહીમાં આપ્યા હતા. જેના પગલે વિદ્યાર્થીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. જવાબદાર અધ્યાપકો સામે પગલા લેવામાં આવે તેવી માંગણી પણ વિદ્યાર્થીઓએ કરી છે.
ભાસ્કર ઈનસાઈડ:મ.સ.યુનિ.માં વિદ્યાર્થી લોગ ઇન ઠપ્પ,હોલ ટિકિટ જનરેટ ન થતાં વિદ્યાર્થીઓ અટવાયા
મ.સ.યુનિવર્સિટી વિદ્યાર્થી લોગ ઇન ઠપ્પ થતાં વિદ્યાર્થીઓ અટવાયા છે. યુનિ.નું કોમ્પ્યુટર સેન્ટરનો વહીવટ ખાડામાં ગયો છે. હોલ ટીકીટ જનરેટ થઇ રહી ના હોવાથી વિદ્યાર્થીઓ પરેશાન થઇ ગયા છે. તમામ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ આ લોગ ઇનનો ઉપયોગ કરતા હોય છે કારણે કે તેમાં વિદ્યાર્થી તેના રોલ નંબરના આધારે તેમાંથી તેમની વિગતો મેળવતા હોય છે. વિદ્યાર્થીઓ ઇન્ટરનલના માર્ક, ફી રીસીપ્ટ, વાર્ષિક પરીક્ષાના પરિણામ, આઇ કાર્ડ, ઓવરઓલ સેમિસ્ટરની ટકાવારી સહિતની વસ્તુઓ વિદ્યાર્થીઓ જોઇ શકે છે. જોકે આ પોર્ટલ ચાલતું નથી પંરતુ સત્તાધીશોને કોઇ રસના હોય તે પ્રકારે વહીવટ કરવામાં આવી રહ્યો છે. યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં અત્યારે પરીક્ષાઓ ચાલી રહી છે પણ વિદ્યાર્થી પોર્ટલ ચાલી રહ્યું નથી. જવાબદાર અધિકારીઓને આ વિશે ખબર નથી. યુનિના જવાબદાર અધિકારીઓને આ વિશે કોઇ જાણકારી નથી. વિદ્યાર્થીઓ પરેશાન થઇ ગયા છે પંરતુ સત્તાધીશોએ જાણકારી ના હોય તે પ્રકારનો વર્તાવ કરી રહ્યા છે. કોમ્પ્યૂટર સેન્ટરના કથળેલા વહીવટના પગલે શિક્ષકોને એક વર્ષથી રેમ્યુનિરેશન મળ્યું નથીયુનિવર્સિટીના કોમ્પ્યુટર સેન્ટરના કથળેલા વહીવટના પગલે શિક્ષકોને 1 વર્ષની રેમ્યુનીરેશન મળ્યું નથી. વાર વાર વિવાદમાં આવતા કોમ્પ્યુયટર સેન્ટરમાં ચાલતા વહીવટથી અધ્યાપકો કંટાળી ગયા છે. 1 વર્ષથી અધ્યાપકોએ જે ઉત્તરવહીની ચકાસણીઓ કરી અને પેપર કાઢયા તેનું મહેનતાણું ચૂકવામાં આવ્યું નથી. શિક્ષકોની સાથે વિદ્યાર્થીઓ તો વાર વાર પરેશાની ભોગવી જ રહ્યા છે.
પરિપત્ર:આરટીઓમાં ફિટનેસ નહીં કરાય, આણંદના વાહનો વડોદરા આવશે
1 ડિસેમ્બરથી આરટીઓ અને એઆરટીઓમાં જૂના વાહનોના ફિટનેસ સર્ટિફિકેટની કાર્યવાહી બંધ કરવાનો પરિપત્ર પરિવહન મંત્રાલયે જાહેર કર્યો છે. આ નિર્ણયને લીધે આણંદના ફિટનેસના વાહનો વડોદરા આવે તેવી શક્યતાઓ સર્જાઇ છે. ફિટનેસનું કામ હવે માત્ર ફિટનેસ સેન્ટરોમાં જ થશે. અત્યાર સુધી ફિટનેસ સેન્ટર ન હોય ત્યાં આ કામગીરી સ્થાનિક આરટીઓ અને એઆરટીઓ કચેરીએ થતી હતી. આ નવા પરિપત્રના પગલે 1લી ડિસેમ્બરથી આણંદ આરટીઓમાં ફિટનેસ કામગીરી પર પૂર્ણવિરામ મૂકાશે. જેથી હવે ફિટનેસના વાહનો વડોદરા આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. કારણ કે વડોદરામાં ફિટનેસ સેન્ટરો છે. આણંદ આરટીઓના ડેટા મુજબ સરેરાશ 8500 જેટલા વાહનોના ફિટનેસ માટે રજિસ્ટ્રેશન થાય છે. જોકે હાલમાં આણંદ ખાતે માત્ર 80 ફિટનેસ જ પેન્ડિંગ છે. આ નિયમ લાગૂ પડ્યા બાદ આણંદથી વડોદરાના ફિટનેસ સેન્ટરોમાં આવતા વાહનોની સંખ્યા વધશે. આણંદમાં છેલ્લા 3 વર્ષના ફિટનેસ માટેના રજિસ્ટ્રેશન
પ્રજાજન પરેશાન:પેટલાદ સોહાંગ સિનેમા રોડ પર ડ્રેનેજ લાઈનમાં ઠેર ઠેર ભંગાણ, નાના બાળકો ખાબકવાનો ભય
પેટલાદ શહેરમાં સોહાંગ સિનેમા રોડ ભઠ્ઠી સામે ખુલ્લી ગટર પર વર્ષો પહેલા ડ્રેનેજ બોકસ બનાવવામાં આવ્યાં હતા. જો કે છેલ્લા બે ત્રણ વર્ષથી ડ્રેનેજ બોકસ સ્બેલ તુટી જતાં ઠેર ઠેર ખાડા પડી ગયા છે. જેના કારણે ભારે દુર્ગધ મારે છે.તેમજ જીવાતોનો ઉપદ્વવ વધી ગયો છે. જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઇ રહી છે.તો વળી ડ્રેનેજ લાઇન પર દર 10 ફૂટે ગાબડા હોવાથી ક્યારે કોઇ નાનુ બાળક રમતા રમતા પડી જાય તો જાનીહાનિ થવાની સંભાવના છે. થોડા સમયે પહેલા ખુલ્લી ગટરમાં ગાય ખાબકતાં મહામહેનત બહાર કાઠી હતી. જો કે આ બાબતે પાલિકામાં છેલ્લા બે વર્ષથી રજૂઆત કરવા છતાં કોઇ જ પગલાં લેવાતા નથી જેને લઇને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.જો ટુંક સમયમાં કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી સ્થાનિક રહીશો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. - સંદીપ પ્રજાપતિ સ્થાનિક રહીશ સ્ટ્રોમ ડ્રેનેજની સફાઇ કામગીરી ચાલી રહી છે તે પૂર્ણ થયા બાદ સમારકામ હાથ ધરાશે પેટલાદ શહેરના વિવિધ વિસ્તારો આવેલા ડ્રેનેજ લાઇનની સફાઇની કામગીરી ચાલી રહી છે. તે કામગીરી પૂર્ણ થયા બાદ તુટી ગયેલી બોકસ ડ્રેનેજ સમારકામ ટુંક સમયમાં ચાલુ કરવામાં આવશે. તેમજ શહેરમાં જુદા જુદા વિકાસના કામો ચાલી રહ્યાં છે.જ્યારે સ્ટ્રીટ લાઇટ ટાઇમર ગરબડ હતી તેથી તેને સમારકામ કરીને સમય સુધારવામાં આવ્યો છે. - ક્રુણાલ પટેલ, ચીફ ઓફિસર, આણંદ સોહાંગ સિનેમાથી કલાલ પીપળી સુધી રસ્તો બિસ્મારપેડલાદ શહેરના સોહાંગ સિનેમાથી કુવા તરફ જતાં કલાલ પીપળી તરફનો રસ્તો તેમજ ગોલવાળ, વ્હોરાવાળ સહિત અન્ય સોસાયટીને જોડતા માર્ગો છેલ્લા 3 વર્ષથી બિસ્માર હાલતમાં ફેરવાઇ ગયા છે. પાંચેક વર્ષ પહેલા બનાવેલ માર્ગો ત્યારબાદ કયારે યોગ્ય રીતે સમારકામ કરવામાં આવ્યું નથી.માત્ર થીંગડા મારવામાં આવતાં હતા. જેના કારણે હાલમાં આ રોડ પર એક થી બે ફૂટ પહોળા મોટા મોટા ગાબડા પડી ગયા છે. જેમાં ટુ વ્હીલર ચાલકો પટકાતાં રોડ પર પડતાં નાની મોટી ઇજાઓ થાય છે. આ અંગે પાલિકા દ્વારા કોઇ જ પગલાં લેવામાં આવતાં નથી. - મુંઝક્કીર પઠાણ, સ્થાનિક રહીશ પેટલાદના શિયાળામાં સ્ટ્રીટ લાઇટો મોડી ચાલુ કરતાં રોષ પેડલાદ શહેરના પઠાણવાળા, હરિજનવાસ,શેખવાળા વિસ્તાર, કોલેજ રોડ , સિવિલ હોસ્પિટલ પાછળના ભાગે આવેલી સોસાયટીઓમાં સ્ટ્રીટ લાઇટો 7 વાગ્યા બાદ ચાલુ કરવામાં આવે છે. હાલમાં શિયાળો હોવાથી સાંજે 6 વાગ્યે અંધારુ છવાય છે. સ્ટ્રીટ લાઇટો ચાલુ ન હોવાથી રાહદારીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ક્યારે તો ચાલી જતાં ખાડા ન દેખાતા તેમાં પડતાં પગ મચકોડાઇ જવાના બનાવો બંને છે. જે બાબતે પાલિકા દિવાબતી વિભાગમાં રજૂઆત કરવા છતાં કોઇ જ પગલાં લેવાતા નથી. - મુસબ્બીર અલી સૈયદ, સ્થાનિક રહીશ,પેટલાદ

25 C