મોરબી જિલ્લા પોલીસે નવા વર્ષની ઉજવણી શાંતિ પૂર્વક થાય અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળે નહી તેમજ ઉજવણી નામે નશાકારક પદાર્થોનું વેચાણ કે સેવન ન થાય તે માટે વિવિધ ટીમ બનાવી હાલ ફાર્મ હાઉસ અને હોટેલમાં ચેકિંગ કામગીરી હાથ ધરી છે. આ ઉપરાંત રાત્રીના સમયે અલગ અલગ ચેક પોસ્ટ પર ચેકિંગ કાર્યવાહી હાથ ધરી છે જેના માટે અલગ અલગ પોલીસ વિભાગના અધિકારી, 530 પોલીસ જવાન તેમજ હોમ ગાર્ડ અને જીઆરડી સહિતની ટીમ દ્વારા વાહન ચેકિંગ અને નશો કરીને નીકળતા વાહન ચાલકોની ચકાસણી શરુ કરી છે. સાથોસાથ ડ્રગ્ઝ નું સેવન કરીને નીકળા હોય તેવા તત્વોને ઓળખી કાઢવા મોરબી પોલીસને સાત કીટ ફાળવાઇ છે. જે સાબીત થયેથી સ્થળ પર જ એનડીપીએસ 31st ના દિવસે નવા વર્ષની ઉજવણી ના નામે જાહેર માર્ગમાં નશો કરીને નીકળતા તત્વો છાકટા બનતા હોય છે. ઓવર સ્પીડથી વાહન ચલાવવા કે સ્ટંટ કરી જાહેરમાં ફટાકડા ફોડી અન્ય વાહન ચાલકોને બાનમાં લેવાની વૃતિ જોવા મળતી હોય છે. જો કે આ વર્ષે પોલીસ દ્વારા ઉજવણી નામે ફાર્મ હાઉસ કે હોટેલમાં નશીલા પદાર્થોનું વેચાણ કે સેવન ન થાય તે માટે છેલ્લા બે દિવસથી સામુહિક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રાત્રીના સમયે વિવિધ પોલીસ મથકના સ્ટાફ અને અધિકારીઓને સાથે રાખી શહેરના તેમજ જિલ્લાના એન્ટ્રી એક્ઝીટ પોઈન્ટ પર ચેકિંગ કરાઇ રહ્યું છે. આ ઉપરાંત આ વર્ષમાં દારૂ અને ડ્રગ્સ બન્ને પ્રકારના નશાકારક પદાર્થનું સેવન કરી જાહેરમાં નીકળતા લોકોના ટેસ્ટીંગ પણ કરાશે. ચાલકોનું બ્રેથ એનેલાઈઝરથી ચેકિંગ જયારે પ્રતિબંધિત નશાનું સેવન કરનાર વ્યક્તિને પકડવા ગૃહ વિભાગ દ્વારા 7 જેટલી ટેસ્ટીંગ કીટ ફાળવવામાં આવી છે. જેમનું ટેસ્ટીંગ પણ કરાઇ રહ્યું છે. સોશિયલ મીડિયા પર પણ પોલીસ ચાંપતી નજર રાખશેમોરબી જિલ્લામાં નવા વર્ષની ઉજવણીના નામે ધાર્મિક લાગણી દુભાય તેવા મેસેજ કરવા કે જાહેર સ્થળ પર કેક કે ફટાકડા ફોડી ઉજવણી કરતા કે સ્ટંટ કરતા વિડીયો મુકનારા પર પણ પોલીસે પગલાં લેવાની તૈયારી શરુ કરી છે અને તેના માટે સોશ્યલ મીડિયા પર પણ ટીમ નજર રાખશે અને આવી પ્રવુતિ કરનાર સામે એક્શન પણ લેવાની પણ ખાતરી જિલ્લા પોલીસ વડાએ આપી છે. હાઇવે પર કડક ચેકિંગ, ચાલકો પાસેથી એક લાખનો દંડ વસૂલાયોપ્રથમ દિવસે અલગ અલગ સ્થળે ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી, જેમાં ફોર વ્હીલમાં કાળા કાચ લગાવનાર 58 કારચાલક, ફેન્સી નમ્બર પ્લેટમાં નીકળેલા 37 વાહન, શીટ બેલ્ટ વિના નીકળેલા 4 વાહન ચાલકો તેમજ આડેધડ વાહન પાર્ક કરનાર 2 વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરાઇ હતી. આ ઉપરાંત વાહન ચાલકો પાસેથી સ્થળ પરથી રૂ 1 લાખ જેટલો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. અજાણી લિંક પર ક્લિક ન કરવા એસપીની અપીલમોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલે જણાવ્યું હતું કે નવા વર્ષની ઉજવણી અને તેના શુભેચ્છા કે ભેટ ના નામે આવતી અજાણી લીંક તેમજ એપીકે ફાઈલ પર કોઈ પણ પ્રકારની ક્લિક ન કરવા કે ફોરવર્ડ ન કરવા જણાવ્યું છે આવી લિંકથી સાઈબર ફ્રોડ થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરતા લોકોને સાવધાન રહેવા અપીલ કરી છે.
ભાસ્કર ફોલોઅપ:શામળાજી નજીકથી પકડાયેલ ઉત્તરપ્રદેશનો શખ્સ અમદાવાદમાં મોટો ગુનો કરવા નીકળ્યાની કબૂલાત
શામળાજી પોલીસે રવિવારે સાંજે યુપીના ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી બિરેન્દ્ર ખટીક અમદાવાદમાં મોટા ગુનાને અંજામ આપે તે પહેલા દેશી હાથ બનાવટની ત્રણ પિસ્તોલ અને 18 જીવતાં કારતૂસ સાથે ઝડપી આરોપીને કોર્ટમાં રજૂ કરાતાં તેના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. આરોપી લાઇવ રાઉન્ડ સાથે નીકળ્યો હતો અને તેના મોબાઈલમાંથી અમદાવાદના લોકેશન મળ્યા હોવાથી રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી અન્ય ગુનાનો ભેદ ઉકેલવાની એસપી મનોહરસિંહ જાડેજાએ શંકા વ્યક્ત કરી છે. શામળાજીના કડવઠ પાસેથી યુપીના બીરેન્દ્રકુમાર ચંદ્રપાલ ખટીક રહે. ફિરદોશ મસ્જિદ નજીક સાહીલાબાદ ગાજિયાબાદને પોલીસે 3 કટ્ટા પિસ્તોલ, 18 જીવતાં કારતૂસ સાથે ઝડપી પાડ્યો હતો. એસપી મનોહરસિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બે દિવસ અગાઉ ઉત્તર પ્રદેશના ફારુખા બાદથી આરોપી સહિત ચાર આરોપીઓ નીકળ્યા હતા. ઝડપાયેલો આરોપી લાઈવ રાઉન્ડ સાથે નીકળ્યો હતો અને બે થી ત્રણ દિવસમાં મોટા ગુનાને અંજામ આપવાની પોલીસે શંકા વ્યક્ત કરી હતી. અરવલ્લી પોલીસ અમદાવાદ પોલીસનો પણ સંપર્ક કર્યો છે. આરોપીની 73 લાખની લૂંટમાં ધરપકડ થઇ ચૂકી છે: એસપીએસપીએ વધુમાં જણાવ્યું હતું કે ઝડપાયેલો આરોપી અગાઉ જાન્યુઆરી 2025 માં બોપલમાં રૂ.73.10 લાખની લૂંટમાં પણ તેની ધરપકડ થઈ ચૂકી છે. તદુપરાંત તેની વિરુદ્ધ બોપલ વિસ્તારમાં રૂ. 25હજારની સોનાની ચેન સ્નેન્ચિંગનો ગુનો પણ નોંધાયેલો છે. આ સમગ્ર કેસની તપાસ એસઓજીને સોંપાઇ છે. એસઓજી દ્વારા જુદી જુદી ટીમો બનાવીને અન્ય આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરાઈ છે. ઉત્તર પ્રદેશથી આરોપી સાથે નીકળેલા અન્ય આરોપીઓ વિરુદ્ધ પણ ગંભીર ગુના નોંધાયેલા હોવાનું જણાવ્યું હતું.
રેલવે અંડરબ્રિજનું કામ પુરુ થતાં સુધી પાબંદી:સેવાલિયા દેવઘોડા મહાદેવ રોડ પરની ફાટક આજથી બંધ રહેશે
ગળતેશ્વર તાલુકાના મુખ્ય મથક સેવાલિયા ખાતે મહીસાગર નદીના કિનારે આવેલ પૌરાણિક દેવગોડા મહાદેવ જે સેવાલિયા રેલવે ફાટકથી પસાર થઈ મંદિરે જવું પડે છે. હાલ રેલ્વે દ્વારા આ ફાટક પર અંડર બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. જેને લઇ બુધવાર તારીખ 31 ડિસેમ્બરથી આ ફાટક અવરજવર માટે બંધ કરી દેવામાં આવશે. જેને લઇ ગળતેશ્વર તાલુકાના દેવગોડા મહાદેવ ખાતે જતા ભક્તો અને મહીસાગર નદી પાસે અંતિમ વિધિ કરવા માટે જતા તાલુકાના ગ્રામજનો મહીસાગર નદી જવા માટે આ જ ફાટકનો ઉપયોગ થતો હતો. જેથી હવે દેવગોડા મહાદેવ અને મહીસાગર નદી જવા માટે રાજુપુરા ફાટકનો ઉપયોગ કરવો પડશે. જેને લઇ લોકોને 2 કિલોમીટર જેટલો ફેરવો પડશે. આ ફાટક અંડરવેઝની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રહેશે. જેના કારણે દિવસ દરમિયાન આ ફાટક પર થી પાસર થતા વાહન ચાલકોને 2 કિલોમીટરનો ફેરો મારીને અવર જવર કરવી પડશે.
વાતાવરણ:જેટ સ્ટ્રીમ બ્રેકના લીધે 1-2 જાન્યુઆરીએ શહેરમાં ઠંડીનો પારો 10 ડિગ્રી પહોંચવા વકી
હાલમાં વાતાવરણના મધ્ય લેવલમાં ફૂંકાતી જેટ સ્ટ્રીમની અસરથી અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાન ઘટતાં ઠંડી ઘટી છે. પરંતુ, 31 જાન્યુઆરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટવાની સાથે જેટ સ્ટ્રીમ બ્રેકની અસરથી 1 અને 2 જાન્યુઆરીનાં બે દિવસમાં અમદાવાદમાં ઠંડીનો પારો 10થી 12 ડિગ્રી સુધી ગગડશે. આ બે દિવસ સિઝનના સૌથી ઠંડા દિવસ સાબિત થવાની શક્યતા હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના આંકડા મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને જેટ સ્ટ્રીમના કારણે 3 દિવસથી અમદાવાદના મહત્તમ તાપમાનમાં વધારો થયો છે. મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 1.7 ડિગ્રી વધીને 29.6 ડિગ્રી અને લઘુતમ તાપમાન 2.6 ડિગ્રી વધીને 14.8 ડિગ્રી નોંધાયું હતું. 31 ડિસેમ્બરે બપોરે વાતાવરણમાં પલટો આવવાની સાથે ધુંધળું વાતાવરણ થશે ઠંડીમાં પ્રમશ: વધારો થશે. ઠંડા પવનના કારણે અમદાવાદનું મહત્તમ તાપમાન 4 ડિગ્રી સુધી ઘટવાની જ્યારે લઘુતમ તાપમાન 10થી 12 ડિગ્રી સુધી પહોંચી જવાની શક્યતા છે. ભેજવાળા પવનનું જોર ઘટે તેને જેટ સ્ટ્રીમ બ્રેક કહેવાય છે જેટ સ્ટ્રીમને કારણે હાલમાં 100થી 150 કિલોમીટરની ઝડપે ભેજવાળા પવનો ફૂંકાય છે, હિમાલય તરફથી આવતાં ઠંડા પવનોની અસર વર્તાતી નથી. પરંતુ, જેટ સ્ટ્રીમ બ્રેકથી ભેજવાળા પવનોનું જોર ઘટશે અને હિમાલય તરફથી ગુજરાત તરફ ઠંડા પવનનું પ્રમાણ વધશે, જેને જેટ સ્ટ્રીમ બ્રેક કહે છે. - એ.ટી. દેસાઈ, હવામાન નિષ્ણાત,એક્સપર્ટ
31 ડિસેમ્બરને પગલે અમદાવાદમાં પરમિટ ધરાવતા ગ્રાહકો દ્વારા દારૂનું વેચાણ વધી ગયું છે. શહેરની 22 પરમિટ લિકર શોપમાંથી વિદેશી બ્રાન્ડની દારૂની બોટલો ચપોચપ વેચાઈ રહી છે. ખાસ કરીને વોડકા, ટકીલા અને સ્પાર્કલિંગ વાઇનના કોકટેલનો આ વર્ષે ભારે ક્રેઝ છે. વેપારીઓના જણાવ્યા મુજબ, ઇમ્પોર્ટેડ લિકરના ભાવ વધતા બોટલનો ભાવ લગભગ બમણો થઈ ગયો છે. પરિણામે ગ્રાહકોનો મોટો હિસ્સો હવે ઇન્ડિયન બ્રાન્ડ તરફ વળી રહ્યો છે છતાં મોંઘી વિદેશી બ્રાન્ડની શેમ્પેઇન અને ટકીલાનું વેચાણ વધ્યું છે. નવા વર્ષને પગલે શહેરની વાઇન શોપમાંથી મંગળવાર સુધીમાં 32 શેમ્પેઇનનું વેચાણ થયું છે. આ શેમ્પેઇનની કિંમત અંદાજે રૂ. 27 હજાર પ્રતિ બોટલ છે. જ્યારે ફ્રાન્સથી આવતી ક્રોનિયાક શેમ્પેઇનનો નવો સ્ટોક ઉપલબ્ધ ન હોવાથી, લિકર શોપમાં સ્પાર્કલિંગ વાઇનનું વેચાણ વધ્યું છે. ઇમ્પોર્ટેડ કોર્નિયાકની શોર્ટેજ પણ લગભગ તમામ શોપમાં છે. ગિફ્ટ સિટી ક્લબમાં રાજ્ય બહારના લોકોને પરમિટ વગર દારૂની સગવડ મળતી હોવાથી ત્યાંના પબ અને ક્લબમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે. લિકર હેલ્થ પરમિટમાં ગત વર્ષ કરતાં સામાન્ય વધારોઅમદાવાદમાં લિકર હેલ્થ પરમિટ માટે અરજી કરનારાઓની સંખ્યામાં છેલ્લા બે વર્ષથી સતત વધારો જોવા મળી રહ્યો છે. તણાવ અને નિદ્રા ન આવવાની તકલીફના આધારે આપવામાં આવતી આ પરમિટ માટે વર્ષ 2025માં અત્યાર સુધી 3,643 અરજી મંજૂર થઈ છે. ગયા વર્ષ 2024માં આ સંખ્યા 3,499 હતી, એટલે કે અરજદારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. એનઆરઆઈને અઠવાડિયાની એક બોટલની લિકર પરમિટ મળેરાજ્ય સરકારે એનઆરઆઈ માટે લિકર પરમિટની ખાસ વ્યવસ્થા કરી છે, જેમાં એનઆરઆઈએ ઇન્ડિયન પાસપોર્ટ, આવ્યાની ટિકિટ, પીઆર અથવા ગ્રીન કાર્ડ, અમદાવાદ જિલ્લાના એડ્રેસમાં ઇલેક્ટ્રિક સિટી બિલ, મકાન માલિકનું ડ્રાઇવિંગ લાઇસન્સ, ઇલેક્શન કાર્ડ, ટેક્સના બિલની જરૂર પડે છે. એનઆરઆઈને અઠવાડિયાની એક બોટલ મળતી હોય છે. દર સાત દિવસે એનઆરઆઈએ પરમિટ રિન્યુ કરાવવાની હોય છે. જો સાત દિવસમાં પરમિટ રિન્યુ ન કરાવે તો રદ થઇ જાય છે.
તંત્ર નિંદ્રાધીન:ડ્રાફ્ટ મતદાર યાદીને 10 દિવસ થવા છતાં એકપણ મતદારને નોટિસ મોકલાઈ નહિ
એસઆઈઆરની પ્રક્રિયામાં ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયાના 10 દિવસ પછી પણ કલેક્ટર કચેરી દ્વારા એક પણ મતદારને નોટિસ મોકલવામાં આવી નથી. જે મતદારોના સંબંધીના નામ 2002ની યાદીમાં ન હોય તેવા મતદારને નોટિસ મોકલવાની હતી.જે મતદારોને નોટિસ મોકલાશે તેઓએ પોતાના વાંધા અને દાવા અરજી સંબંધિત મતવિસ્તારમાં રજૂ કરવાની હોય છે. આ માટે 19 જાન્યુઆરી છેલ્લી તારીખ છે. નોટિસ પછી દાવા સાંભળવા બાદ કોના દાવા મંજૂર થયા કોના નામંજૂર થયા તે વાત નક્કી થાય. ત્યારબાદ જિલ્લા કલેક્ટર સામે પ્રથમ અપીલ અને બીજી અપીલ માટે ચૂંટણી પંચમાં જવું પડશે. ઈઆરઓ અને એઈઆરઓને મતદારોની યાદી બનાવી નોટિસ મોકલવા સૂચના અપાઈ છે. દરેક અધિકારી 50 લોકોની વાંધા અરજી સાંભળશેમતદારોના દાવા અને વાંધા અરજી સાંભળવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 750થી વધુ અધિકારીઓને કામગીરી સોંપાઈ છે. દરેક અધિકારી રોજ 50 મતદારને સાંભળશે. જે મતદારોના નામ જુની યાદી પ્રમાણે મેચ થઈ શકતા નથી તે લોકોની યાદી બનાવીને બૂથ પ્રમાણે જાણ કરાઈ રહી છે.
બુલેટ ટ્રેનની કામગીરી માટે સાબરમતીથી વટવા સુધી પાઈલોટિંગનું તથા સેગમેન્ટ લગાવવાનું ચાલી રહ્યું છે. આગામી દિવસોમાં શાહીબાગ અંડરબ્રિજ ખાતે તૈયાર થયેલા બુલેટ ટ્રેનના પિલ્લરો ઉપર સેગમેન્ટ લગાવવાની કામગીરી હાથ ધરવાની હોવાથી 5 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી શાહીબાગ અંડરપાસ તમામ પ્રકારના વાહનચાલકો માટે બંધ કરવામાં આવશે. આ અંગે ટ્રાફિક પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. એક બાજુ સુભાષબ્રિજમાં તિરાડો પડતાં બંધ કરી દેવાયો છે અને હવે બુલેટ ટ્રેનની કામગીરી માટે શાહીબાગ અંડરપાસ બંધ કરાશે તો ટ્રાફિકજામની સમસ્યા બીજો વધારો થશે. એએમટીએસની બસો રિવરફ્રન્ટમાંથી જશે તેથી ટ્રાફિકજામના દૃશ્યો સર્જાશે. શહેર ટ્રાફિક વિભાગના સંયુકત પોલીસ કમિશનર એન. એન. ચૌધરીએ બહાર પાડેલા જાહેરનામા મુજબ 5થી 12 જાન્યુઆરી સુધી બુલેટ ટ્રેનના પિલ્લર પર સેગમેન્ટ લગાવવાની કામગીરી હાથ ધરાનાર હોઈ શાહીબાગ અંડરબ્રિજના ત્રણેય પ્રવેશ વાહનો-રાહદારીઓ માટે બંધ રહેશે. આ સપ્તાહ દરમિયાન નાગરિકોને અવરજવર માટે વૈકલ્પિક માર્ગ જાહેર કરવામાં આવ્યો છે. પૂર્વના રિવરફ્રન્ટ પર ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાશે
નવા વર્ષની ઉજવણી માટે 31 ડિસેમ્બરે રાતે સીજી રોડ, સિંધુ ભવન રોડ, એસજી હાઈવે ઉપર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. જેને ધ્યાનમાં રાખીને 31મીએ સાંજે 6 વાગ્યાથી સીજી રોડ અને સિંધુ ભવન રોડ ઝાઝરમાન ચાર રસ્તાથી તાજ સ્કાયલાઈન ચાર રસ્તા સુધી વાહન ચાલકો માટે બંધ રહેશે. 31મીએ રાતે આ બંને રોડ ઉપરાંત એસજી હાઈવે, રિવ ફ્રન્ટ, કાંકરિયા ખાતે મોટી સંખ્યામાં લોકો ઉજવણી કરવા ભેગા થશે. જેથી આવી તમામ ભીડભાડ વાળી જગ્યાએ તેમજ સમગ્ર શહેરમાં 9040 પોલીસ અધિકારી - કર્મચારી રાત્રે બંદોબસ્તમાં તહેનાત રહેશે. જ્યારે કાંકરિયાની જેમ જ એસજી હાઈવે તેમજ તમામ જગ્યાએ ભેગી થનારી ભીડને નિયંત્રણમાં લેવા, સરળ ટ્રાફિક નિયમન માટે, સ્ટંટ બાજો ઉપર નજર રાખવા તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિત જાળવવા 4000 સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ રહેશે. જ્યારે દારૂ પીને બહાર નીકળનારા લોકોને પકડવા માટે 443 બ્રેથએનેલાઈઝર સાથે પોલીસ કર્મચારીઓ તમામ નાના -મોટા રસ્તા પર તહેનાત રહેશે. 11 આયોજકોએ ડાન્સ પાર્ટી માટે મંજૂરી મેળવી2024 માં 31 મી ડિસેમ્બરે ડાન્સ પાર્ટી માટે 14 આયોજકોએ અરજી કરી હતી. તે તમામે જરુરી ધારા ધોરણ પુરા કરતા તે તમામને મંજુરી આપવામાં આવી હતી. જ્યારે ચાલુ વર્ષે 30 ડિસેમ્બર સુધીમાં 11 આયોજકોએ ડાન્સ પાર્ટી માટે અરજી કરી હતી. જો કે તેમને મંજુરી આપવા માટેની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. પરંતુ તેમણે ધારા ધોરણો પુરા કર્યા હોવાથી તમામને મંજુરી આપી દેવાશે. આ વિસ્તાર પર ખાસ નજર - સાબરમતી રિવરફ્રન્ટ - એસ.પી. રિંગ રોડ - સી.જી. રોડ (નવરંગપુરા) - એલિસબ્રિજનો સમાવેશ થાય છે. પાર્ટી-સેલિબ્રેશન માટે પોલીસનો મેગા પ્લાન 9,040 કુલ તહેનાત પોલીસ સ્ટાફ 28એસીપી 05 કુલ જોઇન્ટ/ એસીપી 115 પોલીસ ઈન્સ્પેક્ટર 225 કુલ સબ-ઇન્સપેક્ટર 16ડીસીપી 4000 થી વધુ સીસીટીવી કેમેરા 2,560 હેબોડી વોર્ન કેમેરા 39 સ્પીડ ગન કેમેરા: 443 બ્રેથ એનેલાઇઝર્સ 123 પીસીઆર/જનરક્ષક વાન 04 બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ 09 હેક્વિક રિસ્પોન્સ ટીમ 63 ચેકિંગ માટે નાકાબંધી પોઇન્ટ્સ: 3500 હોમ ગાર્ડસ 02 એસઆરપી કંપની 5000 હેડ કોન્સ્ટેબલ 14 કુલ ચેકપોસ્ટ
હેપ્પી ન્યૂ યર ગ્રીટિંગ લિંકથી સાવધાન:હેપી ન્યૂ યરના નામે આવતી લિંક, APK ફાઈલ ખોલવી નહીં
તમારા નામે ગ્રીટિંગ કાર્ડ મોકલવા માટે અહીં કિલક કરો. વોટસએપ ઉપર ફરતી હેપ્પી ન્યૂ યર ગ્રીટિંગ લિંકથી સાવધાન રહેવું. સાઈબર ગઠીયાઓ ગ્રિટિંગ લિંકના નામે એપીકે ફાઈલ મોકલીને તમારુ બેંક એકાઉન્ટ ખાલી કરી દેશે. જેથી સાઈબર ક્રાઈમ દ્વારા લોકોને અપીલ કરી છે કે આવી કોઈ પણ એપીકે ફાઈલ ઈન્સ્ટોલ કે અપલોડ કરવી નહીં. એપીકે ફાઈલ ઈન્સ્ટોલ કે ડાઉનલોડ કરવાથી ફોનમાં વાયરસ આવી જાય છે અને ફોનનો તમામ ડેટા સાઈબર ગઠિયાઓ પાસે પહોંચી જાય છે. 31 ડિસેમ્બરે સાઈબર ગઠિયાઓએ લોકો સાથે છેતરપિંડી નવો કિમિયો અજમાવ્યો હોવાનું સાઈબર ક્રાઈમના અધિકારીઓના ધ્યાને આવ્યું છે. ફકત ટેક્સ્ટ મેસેજ, ઈમેજ, ડાયરેકટ વીડિયો ખોલવોસાઈબર ક્રાઈમના અધિકારીઓનું કહેવુ છે કે એપીકે ફાઈલથી બચવા નવા વર્ષ માટે આવતા ટેકસ મેસેજ, ઈમેજ અને ડાયરેકટ વિડિયો જ ખોલવા. જ્યારે વોટસએપ કોઈ પણ એપીકે ફાઈલ આવે તો પહેલા તો તેને ઈન્સ્ટોલ કરવી જ નહીં. પરંતુ જો ભૂલથી ફાઈલ ઈન્સ્ટોલ કે ડાઉન લોડ થઈ જાય તો ફોનને એરોપ્લેન મોડમાં કરી દેવો. ફોનમાં આવતા અને જતા મેસેજ બંધ થઈ જશે.
ડિસેમ્બર મહિનામાં સાઈબર ગઠિયાઓએ ગુજરાતના લોકોના રૂ.121 કરોડ પડાવી લીધા હતા. મોટા ભાગના લોકોએ ગોલ્ડન અવર (ફ્રોડના 2 કલાકની અંદર)માં પોલીસને જાણ કરતા ફ્રોડના 50 ટકા એટલે 61 કરોડ રૂપિયા બચાવી લીધા હતા. છેલ્લા 2 દિવસમાં જ સાઈબર ગઠિયાઓએ ગુજરાતના 3849 લોકોને છેતરપિંડીનો શિકાર બનાવ્યા હતા. જેમાંથી 1800 લોકો એવા હતા કે જેમના રૂ.18.23 કરોડ ગયા હતા. જો કે આ લોકોએ જરા પણ સમય બગાડયા વગર તાત્કાલિક સાઈબર ક્રાઈમ હેલ્પ લાઈન નંબર(1930) ઉપર ફરિયાદ કરી હતી. પોલીસને પણ ગોલ્ડન અવરમાં પૈસા ગયાની જાણ થઈ જતા આ રકમમમાંથી 16.72 કરોડ રૂપિયા બચાવી લેવાયા હતા. જ્યારે 1.52 કરોડ સાઈબર ગઠિયાઓ પડાવી ગયા હતા. એક કિસ્સામાં તો છેતરપિંડીમાં ગયેલા 1.57 કરોડ સંપૂર્ણ બચાવી લેવાયા હતા. બીજા કિસ્સામાં 10.54 કરોડમાંથી રૂ.9.04 કરોડ બચાવ્યા હતા. જ્યારે અમદાવાદના 80 વર્ષના વૃધ્ધને ડિજિટલ અરેસ્ટ કરીને રૂ.7.12 કરોડ પણ પડાવી લેવાયા હતા. વૃદ્ધે ઠગાઈના 2 કલાકમાં 1930 ઉપર ફરિયાદ કરી દેતા તેમના રૂ.7.11 કરોડ બચાવી લેવાયા હતા. સાઈબર ફ્રોડના કિસ્સા વધી રહ્યા છે. તેની સામે જાગૃતિની જરૂર છે. ચાલુ વર્ષે 11 મહિનામાં 1.61 લોકોએ રૂ.1334 કરોડ ગુમાવ્યાચાલુ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર સુધીના 11 મહિનામાં ગુજરાતના 1.61 લોકો સાઈબર ક્રાઈમનો શિકાર બન્યા હતા. લોકોના રૂ.1334 કરોડ પડાવાયા હતા. પહેલા હેલ્પ લાઈન નંબર(1930) ઉપર રોજના 1200થી 1500 ફરિયાદ મળતી હતી. જો કે લોકોમાં જાગૃતિ આવતા હવે રોજના 1800થી 1900 ફરિયાદ મળે છે. ફરિયાદોની સંખ્યા વધ્યાનું પોલીસ કહે છે. ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ લાંબું ચાલતા પૈસા વિદેશ જતા રહેતા બચાવી શકાતા નથીશેર માર્કેટ, ગોલ્ડ સહિતમાં ઈન્વેસ્ટમેન્ટ કરીને ટૂંકા ગાળામાં કમાણીની લાલચમાં લોકો સૌથી વધારે પૈસા ગુમાવી રહ્યા છે. જેમાં ટુકડે ટુકડે પૈસા આપતા હોય છે. પોલીસને જાણ કરે ત્યારે મોટા ભાગના પૈસા વિદેશ સુધી પહોંચી ગયા હોય છે. જેથી આવી ઘટનામાં પૈસા પાછા લાવવામાં સફળતા મળતી નથી. ડિસેમ્બર મહિનામાં લોકોના 50 ટકા પૈસા બચાવવામાં ગુજરાત ત્રીજા નંબરે આવી ગયું છે. પૈસા ફ્રીઝ કરવાનો સમય 50 મિનિટ થઈ ગયોપહેલા કોઈ પણ વ્યકિત સાઈબર હેલ્પ લાઈન નંબર ઉપર ફોન કરે તો તેની પાસેથી જ વોટસએપ ઉપર તમામ માહિતી મંગાવવામાં આવતી હતી. ત્યારબાદ હેલ્પલાઈન નંબર પરથી જે તે બેંકને જાણ કરીને પૈસા ફ્રીઝ કરાવવામાં આવતા હતા. પરંતુ તે પ્રોસેસમાં પહેલા 5 થી 6 કલાક લાગતા હતા. જ્યારે હવે તો બેંકો સાથે સંકલન કરીને જેવો હેલ્પ લાઈન નંબર ઉપર ફોન આવે તે સાથે જ બેંકને જાણ કરીને એકાઉન્ટ ફ્રીઝ કરી દેવાય છે. જેના કારણે પ્રોસેસનો સમય ઘટીને 50 મિનિટ થઈ ગયો છે. ગોલ્ડન અવરમાં ફરિયાદથી ઠગોનું એકાઉન્ટ ફ્રીઝ થાયસાઇબર ફ્રોડથી રૂપિયા ગુમાવ્યાના 1 કલાકની અંદર 1930 હેલ્પલાઇન કે cybercrime.gov.in પર ફરિયાદ કરાય તો ઠગોના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર થયા છે તે ફ્રીઝ થઇ શકે છે. ટ્રાન્ઝેક્શનની માહિતી સાથે ફરિયાદ કરવામાં આવે તો બેંકો તરત આ એકાઉન્ટ ફ્રીઝ કરી શકે છે.
તપાસ:SVPમાં દર્દીને લોહી નીકળતાં પુત્રે પોલીસને બોલાવવી પડી
એસવીપી હૉસ્પિટલમાં મેડિકલ સ્ટાફની બેદરકારી મુદ્દે દર્દીના પુત્રને પોલીસ બોલાવવી પડી હતી. આઇસીયુમાં દાખલ દર્દીના હાથમાં લગાવેલી વીગોમાંથી લોહી નીકળી રહ્યું હતું. એવામાં દર્દીનો પુત્ર બેડ સુધી પહોંચી જતાં તે ચોંકી ઊઠ્યો હતો. તેણે મેડિકલ સ્ટાફને જાણ કરી પોલીસને બોલાવી હતી. વેજલપુરના રીયાઝુદ્દિન શેખે જણાવ્યું કે 29મીએ પિતા સલીમભાઈને શ્વાસ લેવામાં તકલીફ હોવાથી તત્કાલ આઇસીયુમાં ખસેડાયા હતા. આઇસીયુમાં સામાન્ય રીતે દર્દીના સગાને જવા દેવાતા નથી પરંતુ રીયાઝુદ્દિનને જણાવ્યું કે તે સવારે અચાનક આઇસીયુમાં પહોંચી ગયો હતો. ત્યાં જોયું તો એક ચાદર લોહીથી લથબથ હતી. જેમાં તેમના પિતાના હાથમાંથી લોહી નીકળી રહ્યું હતું. દર્દીએ નળી ખેંચવાનો પ્રયાસ કર્યો હતોદર્દી બાયપેપ વેન્ટીલેટરની સપોર્ટ સિસ્ટમ પર હતા. હાથમાં વિગો લગાવેલી હતી. પેશાબની નળી તથા અન્ન માટે પણ નળી લગાવાઈ હતી. અર્ધબેભાન અવસ્થામાં દર્દી લગાવેલી વિગો અને પેશાબની નળી ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તેને કારણે આ ઘટના બની હતી. - SVPનું સત્તાવાર નિવેદન
સારવાર:IKDRCએ એક વર્ષમાં જ 500 કિડનીનું પ્રત્યારોપણ કર્યું
સિવિલ કેમ્પસસ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર (આઇકેડીઆરસી)એ 1 જ વર્ષમાં 500 સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી છે. વર્ષ 2025માં દેશમાં 500 સફળ ટ્રાન્સપ્લાન્ટ કરનારી દેશની પ્રથમ સરકારી હૉસ્પિટલ બની છે. આઇકેડીઆરસીના ડાયરેક્ટર ડૉ. પ્રાંજલ મોદીએ જણાવ્યું કે આ પ્રત્યારોપણમાં 367 પુરુષ અને 133 મહિલાનો સમાવેશ થાય છે. આ 500 દર્દીમાં 330 ગુજરાતના અને 170 દર્દીઓ ગુજરાત બહારના રાજ્યોના છે. મહત્વની વાત એ છે કે, ગત વર્ષે નવેમ્બર 2024 સુધીમાં કુલ 400 અંગ પ્રત્યારોપણ કરાયાં જ્યારે વર્ષ 2025માં 7 ઓક્ટોબર સુધીમાં જ આ આંકડો 400 સુધી પહોંચી ગયો હતો અને વર્ષના અંત સુધીમાં 500 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં 7405 લોકો વેઇટિંગ લિસ્ટમાં છેગુજરાતમાં 9592 દર્દી કિડની, હૃદય, લીવર સહિતનાં અંગોના પ્રત્યારોપણ માટે વેઇટિંગ લિસ્ટમાં છે. તેમાંથી 7405 કિડનીની રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં સંસદમાં આરોગ્ય મંત્રાલયે આપેલી માહિતી મુજબ, 82 હજારથી વધુ દર્દીઓ પ્રત્યાર્પણની રાહ જોઈ રહ્યા છે.
પોશ વિસ્તારની 38 વર્ષીય મહિલાએ 181 અભયમની મદદથી જીપીએસસીના ક્લાસમાં ભણાવતા 43 વર્ષીય રંગીનમિજાજી પતિને વિદ્યાર્થિની સાથે હોટલમાં રંગરલિયા કરતો ઝડપી પાડ્યો હતો. પતિ વારંવાર ફોનમાં યુવતીઓ સાથે વાત કરતો અને ‘આ તો મારી સ્ટુડન્ટ છે’ કહી પતિ વાત ટાળી દેતો. પત્નીને શંકા જતાં એકેડમી જવાનું કહીને પતિ નીકળ્યો ત્યારે પીછો કર્યો પણ પતિ એકેડમીને બદલે પ્રેમિકા એવી વિદ્યાર્થિની સાથે હોટેલમાં ગયો હતો. પત્ની પાછળ ગઈ પણ હોટેલના સ્ટાફે અટકાવતાં તેણે 181 અભયમની મદદ લીધી હતી. ટીમે રૂમ ખોલાવતાં પતિ વિદ્યાર્થિની સાથે કઢંગી હાલતમાં મળ્યો હતો. હોટલમાં હોબાળો થતાં ત્રણેયને પોલીસ સ્ટેશન લઈ જવાયા બાદ કાઉન્સેલિંગ દરમિયાન સત્ય સામે આવ્યું હતું. પત્નીએ કાર્યવાહીની તૈયારી દર્શાવતાં 181 ટીમે માર્ગદર્શન આપ્યું હતું. અન્ય 3 વિદ્યાર્થિની સાથે સંબંધ કબૂલ્યોપતિ અને યુવતીએ ભાગવાનો પ્રયાસ કર્યો પણ ટીમે તેમને સ્થાનિક પોલીસને સોંપ્યાં હતાં. અભયમની પૂછપરછમાં પતિએ આ યુવતી સિવાય બીજી 2-3 વિદ્યાર્થિની સાથે પણ સંબંધો હોવાનું કબૂલ્યું હતું. પતિને 8 વર્ષથી પરસ્ત્રીઓ સાથે સંબંધ હતોપતિને 8 વર્ષથી પરસ્ત્રીઓ સાથે સંબંધ હોવાની શંકા તથા અગાઉ ચેટ અને ફોટો મળી આવતાં પતિએ માતા-પિતાના સમ ખાઈ કહ્યું કે, ‘આ તો મારી સ્ટુડન્ટ છે.’ 4 મહિના પહેલાં ફરી વિવાદ થતાં પતિએ દીકરાના માથે હાથ મૂકી સોગંદ ખાધા કે તે નિર્દોષ છે.
પ્રથમ ગ્રાસે મક્ષિકા:યુનિ.માં ભરતીના ફોર્મ ભરવાના પહેલા દિવસે લિંક ખૂલી જ નહીં
ગુજરાત યુનિ.માં રજિસ્ટ્રાર, ચિફ એકાઉન્ટ ઓફિસર, ડાયરેક્ટર, લાઇબ્રેરીયન, પ્રેસ મેનેજર, જુનિયર ક્લાર્ક સહિતની જગ્યા માટે ભરતી જાહેર કરાઇ છે. નોટીફિકેશન મુજબ, ઉમેદવારો 29 ડિસે.થી ઓનલાઇન ફોર્મ ભરી શકેત, પરંતુ 30 ડિસ. સુધી ફોર્મ ભરવાની લિંક ઓપન થઇ ન હતી. યુનિવર્સિટી દ્વારા જાણીતી કહેવત ‘પ્રથમ ગ્રાસે મક્ષિકા’ જેવો ઘાટ થયો છે. આ પહેલા પણ જીયુ દ્વારા જાહેર કરાયેલી નોન ટીચિંગ સ્ટાફ ભરતીની પ્રક્રિયા સ્થગિત કરાઇ હતી. જો હવે કાલે ફોર્મ ભરવાની લિંક ચાલુ થશે તો ઉમેદવારો પાસે અરજી કરવા માટે 14 દિવસનો સમય રહેશે. આ તમામ પોસ્ટની ખાલી જગ્યાઓ પર ભરતી કરાશે પોસ્ટ જગ્યા રજિસ્ટાર1 ડાયરેક્ટર (એકેડેમિક સ્ટાફ)1 ડાયરેક્ટર (કોલેજ ડેવલપમેન્ટ કાઉન્સિલ)1 ચિફ એકાઉન્ટ ઓફિસર1 ડાયરેક્ટર (ફિઝિકલ એજ્યુ.) 1 લાઇબ્રેરિયન 1 પ્રેસ મેનેજર1 આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર1 લેડી મેડિકલ ઓફિસર1 યુનિ. એન્જિનિયર1 અકાઉન્ટ ઓફિસર1 પોસ્ટ જગ્યા પીએ ટુ વીસી - 1 પીએ ટુ રજિસ્ટ્રાર1 ડેપ્યુટી એન્જિ. (સિવિલ) 1 ટેકનિકલ આસિસ્ટન્ટ1 ફિલ્ડ વર્ક આસિસ્ટન્ટ1 સિનિયર ફાર્માસિસ્ટ1 લેબોરેટરી ટેકનિશિયન1 સિક્યુરિટિ ઓફિસર1 કમ્પાઉન્ડર 1 સનિયર ક્લાર્ક7 જુનિયર ક્લાર્ક84 લેબોરેટરી આસિસ્ટન્ટ2 ભરતી નવી શિક્ષણ નીતિના યુનિ. એક્ટ મુજબ કરાશેઅગાઉ યુનિવર્સિટીઓમાં ભરતી અને અન્ય નિર્ણયો ‘સેનેટ’ અને ‘સિન્ડિકેટ’ દ્વારા લેવાતા હતા, જેમાં ઘણીવાર રાજકીય હસ્તક્ષેપ અથવા વિલંબ થતો હતો. નવા એક્ટ મુજબ હવે બોર્ડ ઓફ મેનેજમેન્ટ મુખ્ય નિર્ણય લેનારી સંસ્થા બની છે. આ ભરતી નવા માળખામાં આવેલા ફેરફાર મુજબ અને રાજ્ય સરકારના સીધા સંકલનથી થઈ રહી છે, જેથી પ્રક્રિયા વધુ ઝડપી અને પારદર્શક બની રહેવાની આશા છે.
રજૂઆત:લગ્નનોંધણીના કાયદામાં ફેરફાર કરવા CMને અરજ
સમસ્ત બ્રહ્મસમાજ ગુજરાત પ્રદેશના આગેવાનોએ મુખ્ય મંત્રી સમક્ષ લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવા રજૂઆત કરી હતી સાથે જ મુખ્ય મંત્રી સાથે મુલાકાત કરી આ બાબતે કાયદાકીય જોગવાઈ કરવા પણ ખાસ ભાર મૂક્યો હતો અને સમસ્ત બ્રહ્મસમાજ સરકારની સાથે છે એવો પણ હુંકાર ભર્યો હતો. સમસ્ત બ્રહ્મસમાજ ગુજરાતના પ્રમુખ શૈલેષ ઠાકર, મહિલા પ્રમુખ ધારિણીબેન શુક્લ, યુવા પ્રમુખ મનોજ ઉપાધ્યાય, મહામંત્રી અનિલ શુક્લ, ઉપપ્રમુખ હરગોવન શીરવાડિયા, પ્રભારી રાજુભાઈ રાજગોર સહિતનું પ્રતિનિધિ મંડળ મુખ્ય મંત્રી, નાયબ મુખ્ય મંત્રી સહિત મંત્રીઓ સાથે મળીને આ બાબતે સમગ્ર સમાજ સરકારની સાથે હોવાની ખાતરી પણ આપી હતી તથા પાટીદાર સમાજે કરેલી રજૂઆતને સમર્થન આપ્યું હતું. અંબાજી ખાતે બ્રહ્મસમાજ ગુજરાત ની કારોબારી સમિતિમાં થયેલા ઠરાવો સરકાર સુધી પહોંચાડવામાં આવ્યા હતા સાથે સાથે ઈડબ્લ્યુસએસ અનામતની રાજકીય જોગવાઈ કરવાની પણ રજૂઆત કરી હતી તથા ગાંધીનગર ખાતે બ્રહ્મસમાજને જગ્યા ફાળવવા માટે પણ રણનીતિ બનાવીને કામગીરી થાય એ માટે ઇચ્છાશક્તિ દર્શાવી હતી. આ અંગે ગુજરાત બ્રહ્મસમાજના પ્રમુખ શૈલેષ ઠાકરે જણાવ્યું હતું કે સમાજના અનેકવિધિ મુદ્દા અંગે સરકારને રજૂઆત કરી છે.
કેન્દ્રીય જલશક્તિ મંત્રાલય દ્વારા પાણીના સંગ્રહ કરવા માટે જલ શક્તિ અભિયાન ચલાવવામાં આવે છે. કેચ ધ રેઇનથી માંડી તળાવોના નવિનીકરણ, ચેકડેમ બનાવવા, વોટર શેડનું નિર્માણ વગેરે કામ આ અભિયાનમાં થાય છે.આ અભિયાન હેઠળ જ નવેમ્બરમાં રાજસ્થાનના ઉદેપુર જિલ્લાને જળ સંગ્રહ માટે રાષ્ટ્રપતિના હસ્તે 1 કરોડ રૂપિયાનું ઇનામ મળ્યું હતું. પરંતુ જલ શક્તિ અભિયાનના ડેશબોર્ડ મુજબ, ઉદેપુર જિલ્લામાં જળ સંગ્રહના માટે થયેલા કામોના પુરાવામાં જે ફોટો અપલોડ કરાયા છે, તેમાં અમદાવાદમાં કોઇ વ્યક્તિના લગ્નની કંકોત્રી છે. ખરેખરમાં અહીં પાણીના સંગ્રહ માટે જે સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું હોય તેના ફોટો હોવો જોઇએ. આ ઉપરાંત વેબસાઇટના હોમ પેજના ફોટો પણ કામના ફોટોની જગ્યાએ અપલોડ કરાયા છે. ડેટાની ચકાસણી કરીને એવોર્ડ અપાયા!નવેમ્બરમાં જલ શક્તિ મંત્રાલયે પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે ‘જળ શક્તિ જન ભાગીદારી પોર્ટલ’માં પાણીના સંગ્રહ માટે થયેલા કામોના પુરાવા ચકાસીને રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ આપવામાં આવ્યા છે, પરંતુ આ જ પોર્ટલ પર કામના પુરાવામાં કંકોત્રીથી લઇને વેબસાઇટના હોમ પેજના ફોટો અપલોડ કરવામાં આવેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોર્ટલ મુજબ, ઉદેપુરમાં જળ સંગ્રહના 32 હજાર કામો પૂર્ણ થયા છે. આ મામલો સામે આવ્યા બાદ અન્ય કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ મામલે જો તપાસ કરવામાં આવે તો હજુ વધુ ગંભીર છબરડાઓ સામે આવી શકે છે. સુરત, રાજકોટ, નવસારી અને ખેડાને પણ એવોર્ડ મળ્યા હતા : પાણીના સંવર્ધન, વ્યવસ્થાપન, પદ્ધતિઓ વગેરે માપદંડના આધારે ગુજરાતને નેશનલ એવોર્ડમાં બીજુ સ્થાન મળ્યું હતું.‘જળ સંચય જન ભાગીદારી એવોર્ડ’માં કેટેગરી-1માં પ્રથમ સ્થાન મેળવનાર સુરતને 1 કરોડ, કેટેગરી-3માં રાજકોટ, નવસારી અને ખેડાને 25 લાખ રૂપિયાનું ઇનામ મળ્યું હતું.
જાતિના દાખલાની માંગને લઈ નીકળેલી આદિવાસી સમાજની પદયાત્રા ગાંધીનગર પહોંચે તે પહેલા છાપી નજીક રોકી આગેવાનોને પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન મથકે લવાયા હતા. જ્યાં 100 થી વધુ આદિવાસીઓએ સોમવારની આખીરાત ઉજાગરો કર્યો હતો. આદિવાસી ભાષામાં ગીતો ગાઈને ધારાસભ્ય અને આદિવાસી આગેવાનોએ રાત ગુજારી હતી. દરમિયાન મંગળવારે પદયાત્રાને મંગળવારે કાકોશી ચાર રસ્તા નજીક પાટણ પોલીસ દ્વારા અટકાવવામાં આવતાં ભારે રોષ ઉદભવ્યો છે. રાત્રે અઢી વાગ્યા ની આસપાસ પોલીસે આગેવાનોને કહ્યું કે, અમે ઉચ્ચકક્ષાએ તમારી પદયાત્રાની સમર્થનમાં અભિપ્રાય આપ્યો છે.તેમ કહીને રાત્રે અઢી વાગ્યા ની બાદ છોડી મૂકવામાં આવ્યા હતા. પરંતુ આદિવાસી પોલીસને કહ્યું કે અમે રાત્રે ક્યાં જઈએ, અમને જ્યાંથી ડીટેઈન કર્યા હતા ત્યાં મૂકી જાવ, જેથી પોલીસ આદિવાસીઓને છાપી નજીક મૂકી ગઈ હતી. જે બાદ તમામ લોકો સિધ્ધપુર રોકાયા હતા. જ્યાં સિધ્ધપુર ડીવાયએસપી કે.કે. પંડયાએ આદિવાસી આગેવાનોની અટકાયત કરીને પોલીસ અમીરગઢ સુધી મૂકી ગઈ હતી.જે બાદ પણ આગેવાનો કાણોદરમાં ધરણાં પર બેઠા છે. DySP અને આદિવાસી આગેવાનો વચ્ચે રકઝક DySP કે.કે. પંડયાએ કહ્યું, “પરમિશન વગર એક ડગલું આગળ નહીં મૂકવા દઉં,” જ્યારે આદિવાસી આગેવાનોએ પોતાની માંગ મક્કમ રાખી હતી. પોલીસે જણાવ્યું હતું કે, પદયાત્રા માટે કોઈ પૂર્વમંજૂરી લેવામાં આવી નહોતી. જેના કારણે કાકોશી ચાર રસ્તા પર યાત્રા અટકાવી દેવામાં આવી.MLA કાંતિ ખરાડીએ કહ્યું હતું કે, જ્યાં સુધી જાતિના દાખલા નહીં મળે, ત્યાં સુધી પીછેહઠ કરશું નહીં. ભણેલા છોકરાઓ નોકરીથી વિહોણા છે. સરકાર ગમે ત્યારે પદયાત્રાને અટકાવવા પ્રયત્ન કરે છે, પરંતુ અમે હક મેળવવા માટે લડત ચાલુ રાખીશું.
આજના આધુનિક અને ડિજિટલ યુગમાં જ્યારે શિશુ અવસ્થાથી જ બાળકો મોબાઈલ અને ગેજેટ્સની માયાજાળમાં ફસાયેલા જોવા મળે છે, ત્યારે ગુજરાતના ભાવિને મેદાન સાથે જોડવા માટે એક અનોખું અભિયાન શરૂ થયું છે. ‘ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી’ દ્વારા આગામી 9થી 12 જાન્યુઆરી, 2026 દરમિયાન સુરત ખાતે ‘રાજ્યકક્ષાની અંડર-11 એથ્લેટિક્સ મીટ સિઝન 4.0’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં સહભાગી થવા માટે રાજકોટ સહિત રાજ્યભરના 4,500થી વધુ બાળ ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવી પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે. આ એથ્લેટિક્સ મીટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા કુલ 1,056 વિજેતા બાળકોને રૂ.22 લાખના પ્રોત્સાહક ઇનામો આપવામાં આવશે. આ સ્પર્ધા માત્ર રમતગમતનો કાર્યક્રમ નથી, પરંતુ ગુજરાતના બાળકોને મોબાઈલની લતમાંથી મુક્ત કરી તેમનામાં રહેલી રમતવીરની પ્રતિભાને વૈજ્ઞાનિક ઢબે ખીલવવાનો એક સેતુ છે. ખાસ કરીને રાજકોટના રમતપ્રેમી બાળકો અને વાલીઓમાં આ સ્પર્ધાને લઈને ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મેદાન પર જ્યારે આ રમતવીરો ઉતરશે, ત્યારે ગુજરાતના ખેલ જગતનું એક નવું ચિત્ર અંકિત થશે. આમ, જાન્યુઆરી માસમાં યોજાનારો આ ‘મિનિ ખેલ મહાકુંભ’ ગુજરાતના રમતગમત ક્ષેત્રે એક નવો અધ્યાય લખશે અને મોબાઈલ પાછળ સમય વેડફતી પેઢીને મેદાનમાં ઉતારશે. જેનો હેતુ માત્ર રમત રમાડવાનો જ નથી, પરંતુ બાળકોના માનસિક અને શારીરિક વિકાસને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પૂરો પાડવાનો છે. રમતગમત દ્વારા બાળકના ચારિત્રનું ઘડતર થાય છે અને તેઓ માનસિક રીતે વધુ મજબૂત બને છે. જ્યારે બાળક મેદાનમાં ઉતરે છે ત્યારે તે હાર પચાવતા અને જીત માટે સંઘર્ષ કરતા શીખે છે, જે તેને જીવનના અન્ય ક્ષેત્રોમાં પણ સફળ બનાવે છે. વિજેતાઓને ‘ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ’માં સીધો પ્રવેશ મળવાની તકઆ એથ્લેટિક્સ મીટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા કુલ 1,056 વિજેતા બાળકોને રૂ.22 લાખના પ્રોત્સાહક ઇનામો આપવામાં આવશે. જોકે સૌથી મોટું આકર્ષણ ઇનામની રકમ કરતા ભવિષ્યની તક છે. આ સ્પર્ધાના વિજેતાઓને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) સંચાલિત ‘ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ’ (DLSS) માં સીધો પ્રવેશ મેળવવાની તક મળશે. આ પ્રવેશ બાળ ખેલાડીઓની રમતગમતની કારકિર્દી માટે ‘ગેમ-ચેન્જર’ સાબિત થશે, જ્યાં તેમને નિષ્ણાત કોચિંગ અને આધુનિક સુવિધાઓ પ્રાપ્ત થશે. જુદી જુદી 11 સ્પર્ધા યોજાશે વયજૂથ | U-9 અને U-11 (કુમાર અને કન્યા) કુલ રમતો | 11 વિવિધ સ્પર્ધાઓ મુખ્ય સ્પર્ધા | 60 મીટર, 100 મીટર, 200 મીટર અને 400 મીટર દોડ, હર્ડલ રેસ, ટેનિસ બોલ થ્રો, મેડિસિન બોલ થ્રો, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, લોંગ જમ્પ, હાઈ જમ્પ અને જેવલિન થ્રો.
શહેરમાં ફૂડ વિભાગનું ચેકિંગ:નાતાલ પર્વ વિત્યા બાદ મનપાએ કેક, કૂકીઝ સહિતના નમૂના લીધા
નાતાલ પર્વને લઈ શહેરમાં કેક, કૂકીઝ, ચોકલેટ સહિતની બેકરી આઇટમોનું ધૂમ વેચાણ થયા બાદ રાજકોટ મહાનગરપાલિકાએ રહી રહીને શહેરની અલગ અલગ બે બેકરીમાંથી કેક અને કૂકીઝના નમૂના લઈ પૃથક્કરણ માટે મોકલી આપ્યા છે. સાથે જ મહાનગરપાલિકા દ્વારા મંગળવારે શહેરના સાધુ વાસવાણી રોડ, હનુમાનમઢી અને રૈયા રોડ વિસ્તારમાં FSW વાન સાથે સઘન ચેકિંગ કરી સ્થળ પર જ 35 નમૂનાનું પરીક્ષણ કર્યું હતું. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મંગળવારે શહેરના સાધુ વાસવાણી રોડ, હનુમાનમઢી અને રૈયા રોડ વિસ્તારમાં FSW વાન સાથે સઘન ચેકિંગ કરી ખાણીપીણીના 40 ધંધાર્થીને ત્યાં તપાસ કરી હતી. જેમાં છ ધંધાર્થી પાસે ફૂડ લાઇસન્સ ન હોવાથી લાઇસન્સ મેળવી લેવા તાકીદ કરી હતી તેમજ 35 નમૂનાની સ્થળ પર જ ચકાસણી કરવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા ચેકિંગ દરમિયાન લક્ષ્મીવાડી વિસ્તારમાં રામેશ્વર બેકર્સ એન્ડ કેકશોપમાંથી ગુલાબ જામ કૂકીઝ અને સ્પે.ચોકલેટ કેક લૂઝના નમૂના લીધા હતા. સાથે જ ભીલવાસમાં આવેલ ભારત બેકરીમાંથી કાજુ નાન કૂકીઝ અને ચોકલેટ વેનીલા કેકના નમૂના લઈ પરીક્ષણમાં મોકલ્યા હતા.
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા 125 ટ્રેનના સમયમાં મહત્ત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. 1 જાન્યુઆરી, 2026થી અમલી બનનારા આ નવા ટાઈમટેબલ મુજબ, રાજકોટ આવતી-જતી 108 ટ્રેન હવે તેના નિર્ધારિત સમય કરતાં 1થી 42 મિનિટ સુધી વહેલી આવશે, જ્યારે 17 ટ્રેન 2થી 20 મિનિટ સુધી મોડી પડશે. રેલવે પ્રશાસન દ્વારા ટ્રેનની ગતિ વધારવા, ટ્રેક મેન્ટેનન્સ અને સંચાલન પ્રક્રિયાને વધુ સુગમ બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફેરફારથી ટ્રેનના ક્રોસિંગમાં ઓછો સમય વેડફાશે અને મુસાફરો પોતાના ગંતવ્ય સ્થાને વહેલા પહોંચી શકશે. રાજકોટ સ્ટેશન પર 5 મિનિટ કે તેથી વધુ વહેલી આવનારી મુખ્ય ટ્રેનમાં ઓખા-રામેશ્વરમ, પુરી-ઓખા અને દેહરાદૂન-ઓખા જેવી લાંબા અંતરની ટ્રેનનો સમાવેશ થાય છે. બીજી તરફ, કેટલીક ટ્રેન હવે તેના જૂના સમય કરતા 5થી 20 મિનિટ મોડી દોડશે. વધુ વિગત માટે www.wr.indianrailways.gov.in જોઈ લેવી. આટલી ટ્રેનનો સમય વહેલો કરાયો ટ્રેન નવો સમય (આવન/જાવન) રામેશ્વરમ-ઓખા એક્સપ્રેસ 04.59/05.09 પુરી-ઓખા એક્સપ્રેસ 04.47/04.57 દેહરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ 07.20/07.30 મડગાંવ-હાપા એક્સપ્રેસ 07.57/08.07 દિલ્હી સરાઈ રોહિલ્લા-રાજકોટ એક્સ. 07.50/....... મુંબઈ સેન્ટ્રલ-હાપા દુરંતો 08.30/08.40 તિરુવનંતપુરમ-વેરાવળ એક્સપ્રેસ 11.00/11.10 એર્નાકુલમ-ઓખા એક્સપ્રેસ 11.00/11.10 બાંદ્રા ટર્મિનસ-જામનગર હમસફર 11.56/12.06 બિલાસપુર-ઓખા એક્સપ્રેસ 13.30/13.40 નાથદ્વારા-ઓખા એક્સપ્રેસ 13.30/13.40 માતા વૈષ્ણોદેવી કટરા-જામનગર એક્સ. 16.15/16.25 માતા વૈષ્ણોદેવી કટરા-હાપા એક્સપ્રેસ 16.15/16.25 રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ ......../16.00 રાજકોટ-વેરાવળ લોકલ ......../07.55 વેરાવળ-રાજકોટ લોકલ 09.35/........ પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ 10.20/........ દિલ્હી સરાઈ રોહિલ્લા-રાજકોટ એક્સ. 07.50/........ આટલી ટ્રેન મોડી પડશે ટ્રેન નવો સમય (આવન/જાવન) પોરબંદર-રાજકોટ લોકલ 19.00/...... ઓખા-રામેશ્વરમ એક્સપ્રેસ 13.15/13.25 ઓખા-શાલિમાર એક્સપ્રેસ 13.15/13.25 પોરબંદર-શાલિમાર એક્સપ્રેસ 13.15/13.25 પોરબંદર-સાંતરાગાછી એક્સપ્રેસ 13.15/13.25 પોરબંદર-રાજકોટ લોકલ 19.00/........
રંગીલા રાજકોટમાં સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડી પડતી હોય છે, પરંતુ વર્ષ 2025નો ડિસેમ્બર મહિનો કંઈક અલગ જ મિજાજ બતાવી રહ્યો છે. હવામાન વિભાગના આંકડાઓનું વિશ્લેષણ કરતા માલૂમ પડે છે કે, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઠંડીનું જોર ખૂબ જ ઓછું રહ્યું છે. જ્યાં ગયા વર્ષે (2024) ડિસેમ્બરમાં તાપમાનનો પારો 9 ડિગ્રીએ સિંગલ ડિજિટમાં પહોંચી ગયો હતો, ત્યાં આ વર્ષે લઘુતમ તાપમાન 12 ડિગ્રીની આસપાસ જ અટકી ગયું છે. આ વર્ષે જાણે ઠંડીએ ‘ગરમી’ પકડી હોય એમ લઘુતમને બદલે મહત્તમ તાપમાનવધુ રહ્યું. ડિસેમ્બરના અંતિમ દિવસોમાં રાજકોટમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. મંગળવારે સવારથી જ આખું શહેર સફેદ ધુમ્મસની ચાદરમાં લપેટાયેલું જોવા મળ્યું હતું. વિઝિબિલિટી ઓછી થવા છતાં ઠંડીમાં ધાર્યો વધારો થયો નથી. 30 ડિસેમ્બરના રોજ રાજકોટમાં લઘુતમ તાપમાન 14.2C નોંધાયું છે, જ્યારે મહત્તમ તાપમાન 30.3C રહ્યું હતું. બપોરના સમયે પારો 30 ડિગ્રીને પાર કરી જતાં લોકોને હળવી ગરમીનો પણ અહેસાસ થઈ રહ્યો છે. હવામાન નિષ્ણાતોના મતે, ગ્લોબલ વોર્મિંગ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની બદલાતી પેટર્નને કારણે ઠંડા પવનોનો પ્રવાહ અવરોધાયો છે. આ ઉપરાંત પવનની દિશામાં વારંવાર થતા ફેરફારોને કારણે લઘુતમ તાપમાનમાં સ્થિરતા જોવા મળી નથી. હાલ તો રાજકોટવાસીઓ નવા વર્ષના આગમન સાથે કડકડતી ઠંડીની રાહ જોઈ રહ્યા છે, પરંતુ અત્યાર સુધીના આંકડા સાક્ષી પૂરે છે કે આ વર્ષે શિયાળો તેની અસલી ઓળખ પ્રસ્થાપિત કરવામાં નિષ્ફળ રહ્યો છે. સૌથી વધુ તાપમાન : ડિસેમ્બરમાં સૌથી વધુ ગરમીનો રેકોર્ડ 37.6C છે, જે 30 ડિસેમ્બર, 2015ના રોજ નોંધાયો હતો. સૌથી ઓછું તાપમાન : રાજકોટમાં ઇતિહાસનું સૌથી નીચું તાપમાન 2.8C નોંધાયું છે, જે 27 ડિસેમ્બર, 1903ના રોજ નોંધાયું હતું. રાજકોટમાં સૌથી નીચું તાપમાન12 ડિસેમ્બરે 12 ડિગ્રી રહ્યું હતું તારીખ લઘુતમ તાપમાન 1 16.2 ડિગ્રી 2 16.2 ડિગ્રી 3 14.3 ડિગ્રી 4 14.3 ડિગ્રી 5 14.2 ડિગ્રી 6 16.4 ડિગ્રી 7 14.0 ડિગ્રી 8 13.2 ડિગ્રી 9 13.8 ડિગ્રી 10 13.2 ડિગ્રી 11 12.5 ડિગ્રી 12 12.0 ડિગ્રી 13 12.8 ડિગ્રી 14 12.6 ડિગ્રી 15 13.4 ડિગ્રી 16 15.3 ડિગ્રી 17 14.0 ડિગ્રી 18 16.9 ડિગ્રી 19 15.0 ડિગ્રી 20 15.5 ડિગ્રી 21 16.2 ડિગ્રી 22 14.5 ડિગ્રી 23 13.8 ડિગ્રી 24 14.1 ડિગ્રી 25 14.2 ડિગ્રી 26 13.8 ડિગ્રી 27 14.4 ડિગ્રી 28 14.6 ડિગ્રી 29 15.4 ડિગ્રી 30 14.2 ડિગ્રી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે બે દિવસ માવઠું થવાની શક્યતા છે2025ના વર્ષની વિદાય અને વર્ષ 2026ની શરૂઆત માવઠા સાથે થાય તેવી સંભાવના છે. 31 ડિસેમ્બર અને 01 જાન્યુઆરી દરમિયાન રાજ્યના કેટલાક સ્થળો એ માવઠા થવાની શક્યતા છે. એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારત ઉપરથી પસાર થઇ રહ્યું છે. જે ગુજરાત તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે. 31મી ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ રાજ્યના હવામાનમાં પલટો આવી શકે છે અને કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. જોકે આ માવઠું કોઈ સાર્વત્રિક કે વધુ ભારે નહીં હોય એટલે લોકોએ ડરવાની જરૂર નથી. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આ માવઠું વધુ અસર કરે તેવી સંભાવના છે. જોકે આ ઝાપટાં એવા હશે કે એક વિસ્તારમાં હશે અને ત્યાંથી 5-7 કિ.મી.ના વિસ્તારમાં ન પણ હોય. મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, સોમનાથ, જામનગર, દ્વારકા, પોરબંદરમાં અસર કરી શકે છે. - પરેશ ગોસ્વામી, હવામાન નિષ્ણાત, એક્સપર્ટ
વાતાવરણ:ઠંડીનો પારો 2 ડિગ્રી ગગડીને 14 ડિગ્રીએ પહોંચ્યો, ભેજનું પ્રમાણ 45 ટકા નોંધાયું
પોરબંદરમાં મહતમ તાપમાન 30 ડિગ્રી યથાવત રહ્યું છે, જયારે લઘુતમ તાપમાન 2 ડિગ્રી ગગડીને 14 ડીગ્રીએ પહોંચ્યું છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 5 ટકા વધીને 45 ટકા નોંધાયું છે. ગઈકાલે સોમવારે મહતમ તાપમાન 30 ડિગ્રી નોંધાયું હતું જ્યારે મંગળવારે પણ મહત્તમ તાપમાન 30 ડિગ્રી નોંધાયું છે. ગઈકાલે સોમવારે લઘુતમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું હતું જ્યારે મંગળવારે લઘુતમ તાપમાન 2 ડિગ્રી નીચું આવીને 14 ડીગ્રીએ પહોંચ્યું છે. શિયાળો પોતાનો મિજાજ દેખાડી રહ્યો છે ત્યારે ઠંડીનો પારો નીચે આવતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સોમવારે 40 ટકા રહ્યું હતું ત્યારે મંગળવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 45 ટકા નોંધાયું છે. થોડા દિવસમાં કડકડતી ઠંડીનો અહેસાસ થશેસામાન્ય રીતે જાન્યુઆરીની શરૂઆતે વધુ ઠંડીનો અહેસાસ થતો હોય છે. હાલ માવઠાની આગાહી કરવામાં આવી છે ત્યારે પોરબંદરમાં આગામી દિવસોમાં તાપમાનનો પારો 13 ડિગ્રીથી નીચે જાય તેવી શક્યતા છે. ભેજનું પ્રમાણ ઘટશે ત્યારે કકળતી ઠંડીનો અનુભવ થશે તેવું નિષ્ણાંતોએ જણાવ્યું છે.
તપાસ બાદ એસપીનું કડક વલણ:પોલીસના પગાર સહિતના 70 બિલ પેન્ડિંગ રાખનાર મહિલા ક્લાર્ક સસ્પેન્ડ
પોલીસના પગાર સહિતના 70 બિલ પેન્ડિંગ રાખનાર મહિલા ક્લાર્કને તપાસ બાદ એસપીએ કડક વલણ અપનાવી સસ્પેન્ડ કરવાનો હુકમ કરતા ખળભળાટ મચી ગયો હતો. જૂનાગઢ પોલીસ અધિક્ષક કચેરીની હિસાબી શાખાના જુનિયર ક્લાર્ક શ્રીમતી વિલ્સુબેન જેઠાભાઇ કરંગીયા પાસે પગાર દફતરની ફરજ દરમિયાન સદગત પોલીસ કર્મચારીનું ઉચ્ચતર પગાર ધોરણનું પગાર તફાવત પુરવણી બિલ ઘણા લાંબા સમયથી પેન્ડિંગ હોવાની રજૂઆત મળી હતી. જે અંગે એસપી સુબોધ ઓડેદરાએ તપાસનો હુકમ કર્યો હતો. તપાસમાં મૃતક પોલીસ કર્મચારીનું બિલ બિનજરૂરી રીતે બે માસ સુધી પેન્ડિંગ રાખી બેદરકારી તથા નિષ્કાળજી દાખવી હોવાનું સામે આવ્યું હતું તેમજ પગાર દફતર પર નિમણૂક થયા બાદ અલગ અલગ વિષયના કુલ 70 બિલ બિનજરૂરી રીતે પેન્ડિંગ રાખ્યા હતા અને સમય મર્યાદામાં નિકાલ કર્યો ન હતો આથી ફરજમાં તથા નિષ્કાળજી દાખવી હોવાનું તપાસ બાદ જણાતા એસપી સુબોધ ઓડેદરાએ જુનિયર ક્લાર્ક શ્રીમતી વિલ્સુબેન જેઠાભાઇ કરંગીયાને ફરજ મોકુફીનો આદેશ કર્યો હતો. પોલીસ અધિક્ષકના પગલાથી ફરજમાં બેદરકારી દાખવતા કર્મચારીઓમાં હલચલ મચી ગઈ હતી. પોલીસ વિભાગમાં મહિલા કલાર્કને ફરજ મોકુફ કર્યા આવ્યા હોય એવો પ્રથમ કિસ્સો હોવાનું જાણવા મળ્યુ છે. એસપી સુબોધ ઓડેદરાએ તાત્કાલીક અસરથી કોઇની પણ શેહ શરમમાં આવ્યા વગર કાર્યવાહી હાથ ધરી હતી.
ભાસ્કર એક્સક્લુઝિવ:પીજીવીસીએલ દ્વારા સીટી લેબમાં એમઆરઆઇ રિપોર્ટ માટે મીટર ખોલ્યુ હતુ
નરસિંહ મહેતા તળાવ બ્યુટીફીકેશનનુ કામ કરતી દેવર્ષ કન્ટ્રકશન કંપની નામની એજન્સીએ વીજ મીટરની મુદત રિન્યુ ન કરતા થોડા સમય પહેલા પીજીવીસીએલ સેન્ટ્રલ ડિવિઝનની ટીમ દ્વારા છેડા કાપી નાખવામાં આવ્યા હતા. બાદમાં આ મીટરનો એમઆઇઆર રિપોર્ટ મેળવવા માટે સીટી લેબમાં મોકલવામાં આવ્યુ હતુ. પરંતુ લેબમાં મીટર ખોલતા અંદરથી બળેલુ નિકળતા મીટરની જે કંપની છે તેની વડોદરા ખાતેની લેબમાં રિપોર્ટ માટે મોકલાયુ છે. સીટી લેબના ઇન્ચાર્જ સંજય ફળદુએ જણાવ્યુ કે, થોડા સમય પહેલા તળાવના મીટરની મુદત રિન્યુ ન કરતા છેડા કાપી નાખ્યા હતા. બાદમાં તેના એમઆઇઆર રિપોર્ટ માટે લેબમાં મોકલાયુ હતુ. લેબમાં મીટર ખોલતા એક વર્ષના ડેટામાંથી પ્રથમ 6 મહિનાના ડેટા નીકળ્યા છેલ્લા 6 મહિનાના ડેટા સોફ્ટવેરમાં દેખાડતા ન હતા અને મીટર અંદરથી બળી જતા અમે મીટરની જે કંપની છે તેની લેબ એટલે કે વડોદરા ખાતે મીટર મોકલવામાં આવ્યુ છે. મીટર બળી જવા પાછળ આ કારણો હોઇ શકે વાયર કટીંગ કે ગેરકાયદેસર જોડાણ સહિતના અનધિકૃત ચેડા, મંજૂર લોડ કરતા વધારે ઉપકરણોથી ઓવરલોડ વપરાશ, વીજ પુરવઠામાં અચાનક ભારે ફેરફાર, વાયરિંગની ખામીથી શોર્ટ સર્કિટ, બહારનો ભેજ અથવા પાણીનો પ્રવેશ
આયોજન:ઔદ્યોગિક વિકાસને વેગ આપવા 4 જાન્યુ.એ ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ સમિટ
જૂનાગઢ જિલ્લાના ઔદ્યોગિક વિકાસને વેગ મળે અને ઉદ્યોગકારોના ધંધાને વિસ્તાર અને પ્રોત્સાહન મળે તે હેતુથી તારીખ 4 ડિસેમ્બરના રોજ ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ સમિટ યોજાનાર છે. જેમાં ઉદ્યોગકારો ભાગ લઇ શકે તે માટે ઓપન પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવનાર છે. જેથી આ સમિટમાં ભાગ લેનાર વ્યવસાયકારોના ધંધાને વિસ્તાર અને પ્રોત્સાહન મળી રહેશે. જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ સમિટમાં નિષ્ણાંતો ઔદ્યોગિક વિષયને ધ્યાને રાખીને સેમિનારના માધ્યમથી જરૂરી પરામર્શ અને માર્ગદર્શન કરશે, ઉપરાંત જિલ્લાના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે એમઓયુ પણ થશે. જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા ઇચ્છતા વ્યવસાયકાર- ઉદ્યોગકારોએ સરદાર બાગ ખાતે જૂનાગઢ સંગ્રહાલયની નજીક આવેલી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરીનો સંપર્ક કરવા જણાવ્યુ છે. આમ, જૂનાગઢ જિલ્લાના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા તેમજ ધંધાને વિસ્તાર અને પ્રોત્સાહન આપવા માટે ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ સમિટ યોજાનાર છે.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:સરદાર બાગ પાસે 16 કાચા- પાકા મકાન પર તંત્રનુ બુલડોઝર ફર્યુ
જૂનાગઢ શહેરના સરદારબાગ પાસેના ભાગે 630 ચોરસ મીટરમાં બીનકાયદેસર દબાણ કરીને બનાવેલા 16 કાચા- પાકા મકાન પર તંત્રએ બુલડોઝર ફેરવી રૂપિયા 1.27 કરોડની જમીન ખુલ્લી કરી છે. સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ દશરથસિંહ જાદવે જણાવ્યુ કે, સરદારબાગ પાસેના ભાગપર સરકારી જમીનમાં બિનકાયદેસર દબાણ કરી 16 જેટલા કાચા- પાકા મકાનો ઉભા કરી રહેઠાણ બનાવી લેવાયુ હતુ. આ તમામ લોકોને તંત્ર દ્વારા 6 મહિના અગાઉ નોટીસ પણ આપવામાં આવી હતી. પરંતુ જરૂરી આધાર પુરાવા રજૂ ન કરતા તારીખ 30 ડિસેમ્બરને મંગળવારના રોજ સવારે મામલતદાર, પીજીવીસીએલ, મહાપાલિકા સહિતની ટીમ દ્વારા સ્થળ પર જઇ 16 કાચા- પાકા મકાનો પર બુલડોઝર ફેરવી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. તંત્રએ ગેરકાયદેસર દબાવેલી 630 ચોરસ મીટર એટલે કે આશરે રૂપિયા 1.27 કરોડની જમીન ખુલ્લી કરી હતી.
કેમ્પ:માધ્યમિકના 177 જ્ઞાનસહાયકોના કાગળોની આજે ચકાસણી થશે
જૂનાગઢ જિલ્લામાં માધ્યમિક શાળામાં વિવિધ વિષયો મળી સરકારમાંથી ફાળવેલા કુલ 177 જ્ઞાનસહાયકોનુ તારીખ 31 ડિસેમ્બરના રોજ શાળા ફાળવણી અને ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે કેમ્પનુ આયોજન કરાયુ છે. જિલ્લા શિક્ષણાધિકારી લત્તાબને ઉપાધ્યાયે જણાવ્યુ કે, જૂનાગઢ જિલ્લામાં માધ્યમિક શાળાઓ માટે વિવિધ વિષયોના મળી સરકારમાંથી કુલ 177 જ્ઞાનસહાયકોની ફાળવણી કરવામાં આવી છે. જે તમામના ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેરીટના આધારે શાળાની ફાળવણી કરાશે જેને લઇને તારીખ 31 ડિસેમ્બરના ગર્વમેન્ટ ગર્લ્સ સ્કૂલ ખાતે કેમ્પ યોજાનાર છે. વિષય મુજબ આટલા શિક્ષકો અંગ્રેજી- 7, કોમ્પ્યુટર- 6, ગણિત અને વિજ્ઞાન- 71, ગુજરાતી- 57, ચિત્ર- 1, યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ- 1, સંસ્કૃત- 14, સમાજ- 19, હિન્દી- 1 મળી કુલ 177 જ્ઞાનસહાયકોની ફાળવણી થઇ છે.
પીજીવીસીએલની કાર્યવાહી:રહેણાંક વિસ્તારમાં કતલખાનાનો કેસ, ગેરકાયદે વીજ જોડાણ, 1.29 લાખનો દંડ
રહેણાંક વિસ્તારમાં કતલખાના કેસમાં પોલીસે પીજીવીસીએલ વગેરેને સાથે રાખી જગ્યાની માલિકી, વીજ જોડાણ મુદે તપાસ હાથ ધરી હતી. જેમાં એક ગેરકાયદે વીજ જોડાણ મળી આવતા વીજ તંત્રએ રૂપિયા 1.29 લાખની દંડનીય કાર્યવાહી કરી હતી. રવિવારે શહેરમાં ઢાલ રોડ, પાડાવાલા ચોક રહેણાંક વિસ્તારમાં ડેલા, મકાનોમાં ધમધમતા કતલખાના પોલીસે પકડી પાડી 31 પશુ બચાવ્યા હતા. કેસમાં તપાસનીશ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ પીકે ગઢવી, એ ડિવિઝનના વાય. એન. સોલંકી વગેરેની ટીમે જગ્યાની માલિકી, વીજ જોડાણ મુદે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પાડાવાલા ચોક, બેલીમ જમાતખાનાની સામે રહેતો મુનાવર ઈબ્રાહીમ બેલીમને ત્યાં વીજ ચોરી થતી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આ અંગે પીજીવીસીએલને રિપોર્ટ કરવામાં આવ્યો હતો. મંગળવારે પીજીવીસીએલના જુનિયર ઈજનેર કરમટા સહિતની ટીમે વીજ જોડાણનું ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં મુનાવર ઈબ્રાહીમ બેલીમને ત્યાં લાલ મહમદ મહમદ બેલીમના નામના વીજ કનેક્શનમાં વીજ ચોરી પકડી પાડી રૂપિયા 1,29,900નો દંડ ફટકારી આગળની કાર્યવાહી કરી હતી અને સાથે સાથે અન્ય એક વીજ જોડાણ કાપી નાખ્યું હતું.
ભાસ્કર વિશેષ:2 જાન્યુઆરીથી 3 દિવસ ઉલ્કાવર્ષા: પ્રતિ કલાક 110 દેખાશે, જોવા માટે સવારનો સમય શ્રેષ્ઠ
નવા વર્ષ 2026ના પ્રારંભે તારીખ 2 થી 4 જાન્યુઆરી એમ ત્રણ દિવસ જૂનાગઢ સહિત દેશભરમાં ખગોળરસિકોને આકાશમાં ક્વોડરેન્ટીડસ ઉલ્કા વર્ષાનો નજારો જોઇ શકશે. ખગોળીરસીકો આ ઉલ્કાવર્ષા તારીખ 12મી જાન્યુઆરી સુધી સ્વચ્છ આકાશમાં જોઇ શકવાના છે. પ્રતિ કલાકના 110 ઉલ્કાવર્ષા આકાશમાં જોવા મળશે. કવોડરેન્ટીડ્સ ઉલ્કાવર્ષા મહત્તમ ત્રણ દિવસ મધ્યરાત્રિથી પરોઢ સુધી આકાશમાં જોવા મળશે. નરી આંખે અને ખાસ તો ખુલ્લી અને નિર્જન જગ્યાએથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ઉલ્કાવર્ષા નિહાળવા મધ્યરાત્રિ બાદ અને વહેલી પરોઢનો સમય શ્રેષ્ઠ છે. મોટેભાગે વહેલી પરોઢે અને તારીખ 3 અને 4 જાન્યુઆરીના રોજ મહત્તમ ઉલ્કા વર્ષા જોવા મળે છે. ઉલ્કાવર્ષાઓ પાછળ ધૂમકેતુઓ કારણભૂત છે. સૌરમંડળમાં એવા પણ ધૂમકેતુઓ છે કે જે પોતાના સૂર્ય ફરતે તેના ભ્રમણ દરમ્યાન પૃથ્વીની ભ્રમણકક્ષાને કાપે છે. આ ધૂમકેતુઓનું સતત વિસર્જન થતું રહેતું હોય છે. અને તેમાંથી વિસર્જિત થયેલ પર્દાફાશ ધૂમકેતુની દિશા જાળવી રાખે છે એમ લોક વિજ્ઞાન કેન્દ્રના પ્રતાપસિંહ ઓરાએ જણાવ્યુ છે. ઉલ્કાની રાખનો એક ઇંચથી વધુનો થર ઉલ્કા જયારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે તેને મેટીયોર ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી ઉપર રોજની લગભગ 40 ટન જેટલી ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. પૃથ્વી ઉપર દિવસ-સૂર્યપ્રકાશ દરમ્યાન પડતી ઉલ્કાઓ જોઈ શકાતી નથી. અત્યાર સુધીમાં પૃથ્વી ઉપર ઉલ્કાની રાખનો થર એક ઈંચથી વધુનો અંદાજ છે.
વાતાવરણ:પારો ગગડયો, લઘુતમ તાપમાન 13.8 ડિગ્રી, બપોરે 29.3 ડિગ્રી નોંધાયું
કમોસમી વરસાદની સંભાવના વચ્ચે મંગળવારે જૂનાગઢ સહિત સોરઠમાં ધૂંધળું વાતાવરણ થઈ ગયું હતું અને પારો ગગડતા ગુલાબી ઠંડી વધી હતી. હવામાન નિષ્ણાતે 31 ડિસેમ્બર અને 1લી જાન્યુઆરીએ માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. જેના પગલે મંગળવારે વાતાવરણ પર અસર જોવા મળી હતી. વ્હેલી સવારે ઝાકળવર્ષા થયા બાદ ધૂંધળું વાતાવરણ થઈ ગયું હતું. આ સ્થિતિ વચ્ચે ગિરનાર પર્વત પર લઘુતમ તાપમાનનો પારો ગગડીને 8.8 ડિગ્રીએ અને જૂનાગઢમાં 13.8 ડિગ્રીએ સ્થિર થયો હતો. જેની સાથે સવારે શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને 82 ટકાએ પહોંચી જતા ગુલાબી ઠંડીની તીવ્રતા વધી હતી. તેમજ બે કિલોમીટરની ઝડપે ઠંડો પવન પણ ફૂકાતા ઠાર વધ્યો હતો. બીજી તરફ સોમવારે જૂનાગઢનું મહત્તમ તાપમાન 31.6 ડિગ્રી રહ્યા બાદ 24 કલાકમાં મંગળવારની બપોરે પારો 2.3 ડિગ્રી નીચે ઉતરીને 29.3 ડિગ્રી પર આવી ગયો હતો. બપોરની હવામાં પણ ભેજ વધીને 38 ટકાએ પહોંચી જતા બપોરે વાતાવરણ એકંદરે ઠંડું રહ્યું હતું.
જુનાગઢ સહિત રાજ્ય અને દેશભરના EPFO-95 આધારિત આશરે 78 લાખ પેન્શનરોને મળતી ક્ષુલ્લક પેન્શનના મુદ્દે વર્ષોથી ચાલી રહેલી માંગ હજુ સુધી સ્વીકારવામાં ન આવતાં પેન્શનરોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે કચ્છ-કાઠીયાવાડ ગુજરાત નિવૃત્ત કર્મચારી મંડળ અને મધુર સોશિયલ ગ્રુપ દ્વારા લાંબા સમયથી આંદોલન અને રજૂઆતો કરવામાં આવી રહી છે. કલેક્ટરથી લઈને વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સુધી અનેક અરજીઓ, અહેવાલો અને આવેદનપત્રો આપવામાં આવ્યા છતાં લઘુતમ રૂ. 7,500 પેન્શનની માંગનો કોઈ ઉકેલ આવ્યો નથી. પરિણામે ગુરુવારે જુનાગઢની EPFO કચેરી સામે અનોખી રીતે પ્રાર્થના કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુસ્લિમ સમાજ દ્વારા કુરાન શરીફની આયાત – સૂરહ મુઝમ્મિલનું પઠન કરવામાં આવ્યું હતું, જ્યારે હિન્દુ સમાજના ભૂદેવોએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. તમામે મળીને પેન્શનરોને યોગ્ય અને પૂરતું પેન્શન મળે તેમજ તંત્રને સદબુદ્ધિ પ્રાપ્ત થાય તેવી દુવા અને પ્રાર્થના કરી હતી. કાર્યક્રમમાં કચ્છ-કાઠીયાવાડ ગ્રુપના સલીમભાઈ ગુજરાતી, રતિભાઈ ગરાડા, યાસીન ખાન પઠાણ, હરસુખભાઈ ડાંગર, રફીકભાઈ મુનશી, જીતેન્દ્રભાઈ જોશી, અયુબ ખાન બલોચ, બળવત્ત નલિયાપરા સહિત મોટી સંખ્યામાં નિવૃત્ત કર્મચારીઓ હાજર રહ્યા હતા.આ અનોખી પ્રાર્થના દ્વારા પેન્શનરોને ન્યાય મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
ભાસ્કર એનાલિસિસ:યાર્ડમાં પ્રથમ દિવસે ધાણાનો ભાવ રૂ.5555, બીજા દિવસથી ઘટીને સીધા રૂ.1966 થઇ ગયા
આ વર્ષે માવઠાના લીધે ખેડૂતોના પાકને નુકસાન થયું હતું જોકે સરકાર દ્રારા સહાય ચૂકવવામાં આવી હતી તેમજ ટેકાના ભાવે મગફળી સહિતના પાકની ખરીદી કરવામાં આવી હતી.પરંતુ તેમાં 6.25 ખાંડી જ મગફળી લેવામાં આવી હતી જ્યારે બીજી બાજુ અન્ય ધાણા,જીરૂ સહિતના પાકો ખેડૂતો ખુલ્લા બજારમાં તેમજ માર્કેટીંગ યાર્ડમાં વેંચતા હોય છે.અને જૂનાગઢ યાર્ડની વાત કરીએ તો ત્રણ દિવસ પહેલાં જણસની હરરાજી થઈ હતી જેમાં ધાણાના પ્રતિમણ 5555 ભાવ બોલાયો હતો.જેથી ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી અને હવે સારા ભાવ મળવાની આશા જાગી હતી.અને ધરતીપુત્રો જુનાગઢ યાર્ડમાં જ ધાણા વેચવાની તૈયારી કરતા હતા જોકે પ્રથમ દિવસે આટલા ઉંચા ભાવ અપાયા હોવાના બણગા ફૂંકાતા હતા અને બીજા જ દિવસે પ્રતિમણ 3655 નો ઘટાડો આવ્યો હતો જેથી ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું હતું અને સોમવારે નીચા ભાવ 1600,ઉંચા ભાવ 2000 અને સામાન્ય ભાવ માત્ર 1850 જ બોલાયા હતા. આમ, માર્કેટીંગ યાર્ડ દ્વારા ઉંચા ભાવવાળો વિડીયો વાઇરલ કરતા ખેડૂતો જણસી લઇને આવે તો તે મુજબના ભાવ મળતા નથી. ચોળીની ધીમી આવક જોવા મળી માર્કેટીંગ યાર્ડમાં હવે ચોળીની આવક પણ જોવા મળી રહી છે.અને પ્રતિમણ ભાવ 800 થી 895 અને 850 ભાવ બોલાયા હતા થોડા દિવસ પહેલા આવક ખૂબ ઓછી જોવા મળતી હતી.લગ્ન સીઝનમાં ચોળીના ભાવમાં ઉછાળો આવી શકે છે. યાર્ડમાં ગમે તે નવી જણસીની પ્રથમવાર આવક થતી હોય તે જણસીના તમામ લોટનો વેપારીઓ રાજીખુશીથી ઉંચા ભાવે ખરીદી કરતા હોય છે. બાદમાં બીજા દિવસથી જ એ જણસીની કિંમત રાબેતા મુજબ જ રહે છે. પ્રથમ દિવસે જે ખેડૂતો આવે તે ઉંચા ભાવનો ફાયદો મળી રહે છે. > કેવલ ચોવટીયા, માર્કેટીંગ યાર્ડ- ચેરમેન યાર્ડમાં જણસીના વેપારી કિરીટ ઠુમરે જણાવ્યુ કે, સાચી ધાણાી આવક ફેબ્રુઆરી માસમાં થાય છે. પરંતુ એક ઢગલા જેટલી આવક થતા આવકના શ્રીગણેશ માટે જ ઉંચા ભાવ બોલાય છે. બાદમાં રાબેતા મુજબ ભાવ મળે છે. છેલ્લા 4 દિવસના ધાણાના ભાવ તારીખ 26 - નીચા ભાવ રૂ. 1600, ઉંચા ભાવ રૂ. 5555 તારીખ 27 - નીચા ભાવ રૂ. 1600, ઉંચા ભાવ રૂ. 1966 તારીખ 29 - નીચા ભાવ રૂ. 1600, ઉંચા ભાવ રૂ. 2000 તારીખ 30 - નીચા ભાવ રૂ. 1600, ઉંચા ભાવ રૂ. 2010
ફરિયાદ:મકાન ખાલી કરવાનું કહેતા માતા અને પુત્ર પર હુમલો
જામનગરના શહેરના ભાડુત પુત્રવધુને ભગાડી જતાં અને પુત્ર સાથે ઝગડો કરતા મકાન ખાલી કરવાનું કહેતા આરોપીએ અન્ય શખસ સાથે મળીને મહિલા મકાન માલિક અને તેમના પુત્ર ઉપર હુમલો કરીને ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.શહેરના અંધાશ્રમ આવાસમાં રહેતા નીતાબેન મહેન્દ્રભાઈ વાળા નામના મહિલાએ બાલાજી પાર્કમાં રહેતા શબ્બીર અનવર સંધી તથા મોહન વાંઝા નામના બે શખ્સ સામે હુમલો કરવા અંગે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ નીતાબેનના મકાનમાં શબ્બીર સંધી ભાડેથી રહે છે. તે દરમિયાન નીતાબેનના પુત્રવધૂ આ શખ્સ સાથે ચાલ્યા જતા નીતાબેન અને શબ્બીર વચ્ચે માથાકૂટ થઈ હતી. તે વેળાએ નીતાબેને પોતાનું મકાન ખાલી કરી આપવાનું કહ્યું હતું તેથી શબ્બીર ઉશ્કેરાયો હતો. ત્યારપછી આ શખસે રવિવારે સાંજે આ બ્લોકની અગાસી પર રહેલા નીતાબેનના બ્લોકમાં ઘૂસી તેઓને તથા તેમના પુત્રને ગાળો ભાંડી ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપવા ઉપરાંત બેટથી નીતાબેનને માર માર્યો હતો અને વચ્ચે પડનાર નીતાબેનના પુત્ર વિરલને પણ ફટકાર્યો હતો. આરોપીની સાથે મોહન વાંઝા નામનો શખ્સ હતો. પોલીસે બંને સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવમાં પોલીસે આરોપી હુમલાખોરોને સકંજામાં લેવા માટે કવાયત સાથે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આત્મહત્યા:જામનગરમાં મૈત્રીકરારથી રહેતી યુવતીનો આપઘાત
જામનગર શહેરમાં મૈત્રીકરારથી સાથે રહેતી યુવતિનો શંકાસ્પદ મૃતદેહ મળી આવતા પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. અંતે યુવતિએ અકળ કારણોસર ગળાફાંસો ખાધો હોવાનું સામે આવ્યું છે. સાથે રહેતો મિત્ર ફરાર થઈ ગયો છે. શહેરના ઢીંચડા રીંગરોડ પર આવેલી તિરૂપતિ સોસાયટીની શેરી નં.3માં દર્શનભાઈ સાથે મૈત્રીકરાર કરીને રહેતી સેજલબેન મહાદેવભાઈ ભરવાડ (ઉ.વ.ર૮) નામની યુવતીએ ગત તા.29ના પોતાના ઘરે એકલી હતી. ત્યારે ગળાફાંસો ખાધેલી હાલતમાં શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો હતો. આ બાબતની તેમના આડોશી પાડોશીઓને જાણ થતાં પોલીસમાં દોડધામ મચી ગઈ હતી અને પીઅઆઈ વી. બી. ચૌધરી સહિતનો સ્ટાફ આવી ગયો હતો. પોલીસે મહિલાના મૃતદેહને પીએમ માટે મોકલીને શૈલેષભાઈ બોડાનું નિવેદન નોંધ્યું હતું. પીએમના પ્રાથમિક રીપોર્ટમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. જ્યારે પુરૂષ મિત્ર મૃતદેહને જોઈને નાશી ગયો હોવાનું પોલીસની સામે આવ્યું છે.
કાર્યવાહી:રાજકીય દુશ્મનાવટથી કોર્પોરેટરનો હત્યાનો પ્રયાસ, પૂર્વ વિપક્ષી નેતા સહિત 6 સામે ગુનો
જામનગર મહાનગરપાલિકાના વોર્ડનં-12ના કોર્પોરેટર ઉપર થયેલા ખુની હુમલામાં રાજકિય દુશ્મનાવટ રાખીને પુર્વ વિપક્ષી નેતા, કોર્પોરેટરે પોતાના માણસો મોકલીને હુમલો કરાવ્યાની ફરિયાદથી રાજકિય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. બન્ને કોંગ્રેસમાં હોય, અને તાજેતરમાં જ કોર્પોરેટર આપમાં જોડાયા છે. પોલીસે પુર્વ વિપક્ષી નેતા સહિત 6 સામે ગુનો નોંધીને ત્રણ શખસોને રાઉન્ડઅપ કર્યા છે. કોંગ્રેસનો સાથ છોડીને આમ આદમી પાર્ટીમાં તાજેતરમાં જ જોડાયેલા વોર્ડનં-12ના કોર્પોરેટર અસલમભાઈ ખીલજી સોમવારે સાંજે મહાનગરપાલિકાની બિલ્ડીંગની સામે રોડ ઉપરથી સ્કુટર લઈને ઘરે જતા હતા. ત્યારે પાછળથી આવેલી એક કારે ઠોકર મારીને અસ્લમભાઈને પછાડી દીધા હતા. તેમાંથી જુનેદ ઉર્ફે પાવડરીયો ઉર્ફે જુનીયો પટણી રજાકભાઈ ચૌહાણ જેના હાથમાં તલવાર તથા ઈસ્તીયાક ઉર્ફે ચોટલી બદુભાઈ કુરેશી લોખંડના પઈપ તેમજ સલીમ વલીભાઈ ખીલજી, હબીબ ખફી લોખંડના પાઈપ સાથે અને સમીર ઉર્ફે ચોર શકીલભાઈ ચૌહાણ લાકડાના ધોકા સાથે નીચે ઉતર્યા હતા, અને કહેલ કે, અમોને કોર્પોરેટર અલ્તાફભાઈ ખફીએ મોકલેલ છે કારણ ક તુ અલ્તાફભાઈ સામે થાય છે અને તારો ત્રાસ બહુ વધી ગયો છે, જેથી આજે તને પતાવી દેવો છે તેમ કહી મારી નાંખવાના ઈરાદે તલવાર વડે માથાના ભાગે હુમલો કરીને કાનના પાછળના ભાગે ઈજા પહોંચાડી હતી અને ધોકા-પાઈપ વડે હુમલો કરીને હાથ-પગમાં મારીને બન્ને પગ અને હાથ ભાંગી નાંખ્યા હતા. અપશબ્દો બોલીને હવે પછી કોર્પોરેટર અલ્તાફભાઈ ખફી સામે થયો છો તો પતાવી દઈ તેવુ કહીને જતા રહ્યા હતા. જે અંગેની કોર્પોરેટર અસલમભાઈ ખીલજીના ભત્રીજાએ શાહનવાઝ મહમદ હનીફ અબ્દુલ કરીમભાઈ ખીલજીએ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાના પ્રયાસ સહીતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. પીઆઇ ઝાએ તપાસ હાથ ધરીને 3 શખસોને દબોચી લીધા છે અને અન્યની શોધખોળ શરૂ કરી છે.
જામનગરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી શાંતિમય માહોલમાં ઉત્સાહભેર ઉજવણી કરી શકાય તે માટે જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈનીએ બંદોબસ્ત માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેમાં 4 ડીવાયએસપી, 24 પીઆઈ, 35 પીએસઆઇ સહિત 65 પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ જવાન, ગ્રામ્ય રક્ષક દળ સહિત 700 જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નવા વર્ષને વધાવવા માટે જામનગર શહેરમાં તેમજ ભાગોળે આવેલી હોટલો, રેસ્ટોરન્ટ, રીસોર્ટ તેમજ પાર્ટી પ્લોટોમાં આયોજનો થતાં હોય છે. જેમાં યુવાનો ઉમટી પડતા હોય અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ અધિકારીઓ સહિત 700 જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં જિલ્લામાં 8 ચેક પોસ્ટ તૈયાર કરવામાં આવી છે, જેમાં આંતર જિલ્લામાંથી આવતા વાહનોને ચેક કરવામાં આવશે. તેમજ થર્ટી ફર્સ્ટના રાત્રિના પોલીસની 30 જીપ તેમજ 112 જનરક્ષક બોલેરો 27, મોટર સાયકલ 80 મળીને કુલ 137 વાહનો અને માઉન્ટેડ યુનિટ ઘોડેશ્વાર સાથે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવશે. જેમાં 206 બોડી વોર્ન કેમેરા તેમજ બ્રેથલાઈઝર 52નો ઉપયોગ કરીને નશો કરીને નિકળનારાઓનું ચેકીંગ કરવામાં આવશે. પોલીસ દ્વારા જાહેર જગ્યા, હોટલ, ધાબા, ટુરીસ્ટ સ્થળ, ગેસ્ટ હાઉસ, ભીડભાડ વાળી જગ્યાઓ તથા ઈન્ડ્રસ્ટીઝ એરીયાઓમાં સર્વેલન્સ સ્કવોડથી ચેકીંગની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત મહિલાઓની સુરક્ષાને ધ્યાને લઈને 16- શી ટીમ ટીમ (એન્ટી રોમીયો સ્કવોડ)ની ટીમો કાર્યરત કરવામાં આવી છે. જે શહેરમાં રોમીયોગીરી કરનારાઓને કાયદાના પાઠ ભણાવવામાં આવશે. તેમજ સાયબર ટીમ દ્વારા સોશિયલ મિડીયા પર સતત મોનિટરીંગ કરીને વાંધાજનક પોસ્ટ મુકનાર વ્યક્તિ ઉપર ત્વરિત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. LCB બુટલેગરો, SOG નશીલા પદાર્થોનું સેવન કરનાર પર વોચ રાખશે થર્ટી ફર્સ્ટની ઉજવણી એલસીબીની ટીમ દ્વારા જિલ્લાના પ્રોહીબિશન બુટલેગર, પ્રોહીબિશનની પ્રવૃતિ કરનાર ઈસમો ઉપર ખાસ વોચ રાખી ચેક કરવામાં આવશે, તેમજ ઈવેન્ટ યોજનાર તમામ રિસોર્ટ તેમજ ફાર્મ હાઉસ પર કડક ચેકીંગ કરાશે. તેમજ એસઓજી દ્વારા ડ્રગ્સ ડીટેક્શન કીટ દ્વારા નશીલા પદાર્થોનું સેવન કરનાર ઈસમો ઉપર વોચ રાખવામાં આવશે.
વાતાવરણ:48 કલાકથી ઠંડી પારો 14.4 ડિગ્રી સ્થિર થયો
જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં નહીંવત્ ઘટીને લઘુતમ તાપમાન 14.4 ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 7 ટકા વધીને 79 ટકા રહ્યું હતું.જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ તથા હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થતા ત્યાંના ઘણાં ભાગોમાં તાપમાનનો પારો માઈનસમાં ચાલ્યો ગયો છે. કડકડતી ઠંડીના પગલે ઉત્તર ભારતમાં જનજીવન ઠૂંઠવાઈ ગયું છે. હિમાલય પરથી આવતા પવનના પગલે હરિયાણાથી ગુજરાત સુધી તેની અસર વર્તાઈ રહી છે. રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાનમાં ઘટાડો થતા ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં નહીંવત્ ઘટીને લઘુતમ તાપમાન 14.4 ડીગ્રી નોંધાયું હતું, જેના પગલે ગઈકાલે રાતથી આજે વહેલી સવાર સુધી ઠંડી અનુભવાઈ હતી. જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧.૧ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન 29.6 ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 7 ટકા વધીને 79ટકાએ રહેતા ખાસ કરીને ગ્રામ્ય અને વાડી વિસ્તારો તથા ધોરીમાર્ગો પર વહેલી સવારે ધુમ્મસનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું.
કાર્યવાહી:ડીપી કપાતમાં દબાણકર્તાઓને એએમસીનું આખરી અલ્ટીમેટમ
જામનગર શહેરના ગોકુલનગરથી જકાતનાકા અને સાંઢીયા પુલને જોડતા 30 મીટર ડીપી રોડને પહોળો કરવાની કામગીરીને તંત્ર દ્વારા તેજ કરવામાં આવી છે. આજે આસિસ્ટન્ટ કમિશનર અને ટીપીઓ ટીમ દ્વારા દુકાનદારોને દુકાન ખાલી કરવા અલ્ટીમેટમ અપાયું હતું. જેમાં 60 ટકા જેટલા લોકોએ સ્વેચ્છિક રીતે દબાણો દુર કરવામાં આવ્યા છે. શહેરના ગોકુલનગરથી લઈને જકાતનાકા તેમજ સાંઢીયા પુલ સુધી 30 મીટર રોડ ડીપી કપાતમાં આવતો હોવાથી પહોળો કરવા માટે અગાઉ 83 જેટલા આસામીઓને નોટીસો આપવામાં આવી હતી. જે અંગે આસામીઓએ સ્વેચ્છિક રીતે દબાણો દુર કરવાની કામગીરી કરી હતી અને અંદાજે 60 ટકા જેટલું દબાણ સ્વેચ્છિક દુર કરવામાં આવ્યું છે. ત્યારે મંગળવારે સવારમાં જામ્યુકોના આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવા તેમજ ટી.પી.ઓ. કેતનભાઈ કટેશીયા સહિતની ટીમ દબાણ હટાવવામાં આવ્યા હતા, તેના નિરીક્ષણ માટે પહોંચ્યા હતા અને દુકાનદારોને સૂચના આપવામાં આવી હતી કે વચગાળાના દિવસોમાં સ્વેચ્છિક રીતે દબાણમાં આવે. જો આ દબાણ હટાવવામાં નહીં આવે તો નાછૂટકે દુકાનોનું ડિમોલેશન કરવામાં આવશે. તેવી સુચના આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છેકે, તંત્ર દ્વારા અગાઉ આપેલી નોટિસના પગલે દબાણકર્તાઓએ સ્વૈચ્છાએ દબાણ હટાવી લીધું હતું. જયારે બાકી રહેલા આસામીઓ દબાણ હટાવે તે અંગે સૂચના આપવામાં આવી છે.
વાતાવરણ:જામનગર-દેવભૂમિમાં આજથી બે દિવસ કમોસમી વરસાદની આગાહી
જામનગર અને દેવભુમિ દ્વારકા સહિતના કચ્છ, બનાસકાંઠા, પાટણ જિલ્લામાં આગામી તા.31 ડીસેમ્બર અને 1 જાન્યુઆરીના છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન ખાતાએ આગાહી કરતા ખેડુતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. આવા સમયે વાદળ છાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડુતોએ પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં તકેદારીના પગલા લેવા. કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક, તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી દરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો. તેમજ ખાતર અને બિયારણનો જથ્થો પલળે નહી તે મુજબ સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરાસાવચેતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે. એપીએમસીમાં અનાજ અને ખેત પેદાશો ઢાંકીને અથવા શેડ નીચે સુરક્ષિત રાખવા. તેમજ એપીએમસીમાં વેચાણ અર્થે આવતી પેદાો આ દિવસો દરમિયાન ટાળવો અથવા સુરક્ષિત રાખવા જણાવાયું છે. ખેડુતો માટે કિસાન કોલ સેન્ટર નંબર જાહેર વરસાદની આગાહીના પગલે વધુ માહિતી માટે ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક (તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), કેવીકે અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર-18001801551નો સંપર્ક કરવા જણાવ્યું છે.
કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સરદાર સરોવર નર્મદા નિગમના અસરગ્રસ્ત છ ગામોના નાગરિકો સાથે પરામર્શ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અસરગ્રસ્ત ગામો કેવડિયા, લીમડી, નવાગામ-બારફળિયા, વાગડિયા, કોઠી તથા ગોરા ગામના નાગરિકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.સરદાર સરોવર નર્મદા નિગમ પ્રોજેક્ટ તેમજ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણ દરમિયાન સંપાદિત થયેલી જમીનો તથા મૂળ ગામના નાગરિકોને લાગતા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. કલેક્ટરએ તમામ ગામોના આગેવાનોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી અને જે પ્રશ્નો નીતિ વિષયક બાબતો સાથે જોડાયેલા છે. ગામોના આગેવાનો દ્વારા જમીનના હક્કો, નાગરિક તરીકેના અધિકારો, સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારમાં આવેલાં પોતાના ગામોમાં જવા માટે ચેકપોસ્ટ પાર કરવાની વ્યવસ્થા, ગ્રામ પંચાયત, એસટી બસ સ્ટેશન, આંગણવાડી કેન્દ્ર, ખેડૂતોને મળતા સરકારી લાભો, કેવડિયા ગામને ‘એકતાનગર’ નહીં પરંતુ મૂળ ગામ ‘કેવડિયા’ તરીકે જ યથાવત્ રાખવા તથા સંપાદિત થયેલી જમીન માટે યોગ્ય વળતર આપવા જેવા મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા.
દુષ્કર્મનો મામલો:ગંગાસ્વરૂપ મહિલા સાથે એસઆરપીનું દુષ્કર્મ
તિલકવાડા તાલુકાના એક ગામમાં રહેતી ગંગાસ્વરૂપ મહિલા પર એસઆરપી જવાન તરીકે ફરજ બજાવતાં કૌટુબિક જેઠે દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે. ગંગાસ્વરૂપ મહિલા મોપેડ લઇને તેના ખેતરમાં જઇ રહી હતી તે સમયે તેનો સંબંધી અને એસઆરપીમાં ફરજ બજાવતો રાકેશ બારીયા તેને માર્ગમાં મળ્યો હતો. તેણે મહિલાને મારૂ ખેતર તમારા ખેતરની નજીકમાં હોવાથી મને મોપેડ પર બેસાડી જાઓ તેમ કહયું હતું. મહિલા અને જવાન બંને મોપેડ પર બેસીને ખેતર તરફ જવા માટે નીકળ્યાં હતાં. જવાન મોપેડ ચલાવી રહયો હતો અને મહિલા પાછળ બેઠી હતી. ખેતરમાં જતી વખતે તેણે પોતાના ખેતરના બદલે મોપેડને અન્ય ખેતરમાં વાળી દીધું હતું. ખેતરમાં જઇને મહિલાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ તેણે મહિલાને આ વાત કોઇને કહેશે તો જીવતી સળગાવી દેવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ પીડિત વિધવા મહિલાએ તિલકવાડા પોલીસ મથકે એસઆરપી જવાન રાકેશ બારીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.બનાવના પગલે તિલકવાડા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે ચાલી રહેલી 'શ્રી હનુમાન ચાલીસા યુવા કથા' સૌ રાજકોટ વાસીઓ માટે આસ્થાનું કેન્દ્ર બની છે. કથાના ચોથા દિવસ હરિપ્રકાસદાસજી સ્વામીએ વ્યાસપીઠ ઉપરથી શ્રોતાગણોને પોતાની આગવી શૈલીમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું રસપાન કરાવી યુવાનોને વ્યસન અને ફેશનથી દૂર રહેવા સંકેત આપી આપણી સંસ્કૃતિને સુભે તેવા વસ્ત્રો પહેરવા અપીલ કરી છે જયારે વધતા જતા આત્મહત્યાના કેસોને ધ્યાનમાં લઇ ખાસ નિસ્ફળતાથી હારી જીવન ન ટૂંકાવવા અપીલ કરી જીવનમાં એકાદ બે નિષ્ફ્ળતા આપણી સફળતાને શ્રેષ્ઠ બનાવવા માટે આવતી હોય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ આપી આત્મહત્યા ન કરવા હાથ જોડી અપીલ કરી હતી. વ્યસન અને ફેશનથી દૂર રહેવા યુવાનોને અપીલ સ્વામી હરિપ્રકાશદાસજીએ પોતાની કથા દરમિયાન ચોથા દિવસે કહ્યું હતું કે, હું ફેશનનો વિરોધી નથી તમે સમય પ્રમાણે પહેરો ઓઢો એમાં વાંધો નથી પરંતુ આપણી સંસ્કૃતિને શોભે તેવા વસ્ત્રો પહેરજો તમને જોઈ તમારા પિતાની આંખ ફરી જાય માથું શરમથી ઝૂકી જાય એવા વસ્ત્રો ન પહેરવા ખાસ અપીલ કરી છે. તેમાં પણ ઉદાહરણ આપતા કહ્યું કે એક બાપ દીકરીને બાજુ બેસાડી તેનો મોબાઈલ માંગે છે અને આ બે લાખના ફોનમાં પ્લાસ્ટિકના કવરની શું જરૂર છે જેના જવાબમાં દીકરી કહે છે મોબાઈલ ખરાબ ન થાય, તૂટી ન જાય, ધૂળ ના લાગે અને તેની સેફટી માટે છે ત્યારે બાપ દીકરીને કહે છે કરોડો રૂપિયા આપતા પણ ન મળે એવી કાયા ભગવાને તને આપી છે તેની પણ તું આટલી કાળજી રાખજે હું તારો બાપ છું જોઈ નથી શકતો એટલે કવ છું. નિષ્ફ્ળતા આપણી સફળતાને શ્રેષ્ઠ બનાવવા માટે આવતી હોય છે વધતા જતા આત્મહત્યા અને ડિપ્રેશનના બનાવોને ધ્યાનમાં રાખી સ્વામીએ વ્યાસપીઠ પરથી કહ્યું કે, કોઈ વખત એકાદ-બે નિષ્ફ્ળતા આપણી સફળતાને શ્રેષ્ઠ બનાવવા માટે આવતી હોય છે તેનાથી હારી ન જવું, ડિપ્રેશનમાં ન આવવું અને આત્મહત્યા ન કરવી હું બધાને ખાસ અપીલ કરું છું. અહીંયા 10 અને 12 ધોરણના વિદ્યાર્થીઓ પણ છે મારી તેમને બે હાથ જોડીને વિનંતી છે થોડા માર્ક ઓછા આવ તો ભલે આવે ટકા ઓછા આવે તો ભલે આવે તેમાં ચિંતા કરવાની જરૂર નથી કાગળના ટકા ભલે ઓછા હોય પણ જીવનની અંદર સારા ટકા આવવા જોઈએ. સ્કૂલની પરીક્ષામાં જેટલું જતું કરો એટલા માર્ક કપાય અને જિંદગીની પરીક્ષામાં જેટલું જતું કરો એટલા માર્ક વધુ આવશે. બુધવારે હનુમાન ભવ્યાતિભવ્ય જન્મોત્સવ ઉજવાશે રાજકોટની હનુમાન ચાલીસા યુવા કથામાં પાંચમા દિવસે 31 ડિસેમ્બરને બુધવારના દિવસે હનુમાન જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી થવાની છે જેમાં આખું દેશ ન્યુયર પાર્ટી સેલિબ્રેશન કરતું હશે એ સમયે રાજકોટના રેસકોર્સ મેદાનમાં 50,000 લોકો એક સાથે હનુમાન ચાલીસાનું ગાન કરી હનુમાન જન્મોત્સવ ઉજવણી કરશે જેમાં ભવ્ય આતશબાજી, પુષ્પ વર્ષા, બાળકો માટે ચોકલેટ અને કેકનો પ્રસાદ રાખવામાં આવશે. જેમાં કુલ 151 કિલોની કેક, 51 કિલો ચોકલેટ પ્રસાદ રૂપે આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ દિવસે તમામ બાળકોને હનુમાનજીના વેશમાં લાવવા માટે વાલીઓને ખાસ અપીલ કરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં લિકર હેલ્થ પરમિટ માટે અરજી કરનારાઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને ઇન્સોમ્નિયા એટલે કે ઊંઘ ન આવવી અને માનસિક તણાવ જેવી તકલીફોને આધારે આપવામાં આવતા આ પરમિટ માટે વર્ષ 2025માં અત્યાર સુધીમાં 3,643 અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષ 2024માં કુલ 3,499 અરજીઓ મંજૂર થઈ હતી, જ્યારે આ વર્ષે 144 અરજીઓ વધુ મળી છે. એટલે કે લિકર હેલ્થ પરમિટ લેવા માંગતા લોકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. લિકર પરમિટની ફીમાં વધારો છતાં અરજીઓમાં ઘટડો નહીંસરકાર દ્વારા પરમિટ ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ નવા લિકર હેલ્થ પરમિટ માટે 20 હજાર રૂપિયા લેવામાં આવતા હતા, જે હવે વધારીને 25 હજાર રૂપિયા કરવામાં આવ્યા છે. તે જ રીતે, રીન્યૂઅલ પરમિટ માટેની ફી પણ 14 હજાર રૂપિયાથી વધારીને 20 હજાર રૂપિયા કરવામાં આવી છે. ફીમાં વધારો થવા છતાં અરજીઓની સંખ્યામાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. 3,408 પુરુષો અને 235 મહિલાઓની અરજી મંજૂર કરાઈઅમદાવાદમાં નવી અરજીઓની સંખ્યામાં ખાસ વધારો નોંધાયો છે. વર્ષ 2024માં જ્યાં માત્ર 290 નવી અરજીઓ મંજૂર થઈ હતી, ત્યાં વર્ષ 2025માં આ સંખ્યા વધીને 897 સુધી પહોંચી ગઈ છે. ડેટા પર નજર કરીએ તો 2025માં મંજૂર થયેલી 3,643 અરજીઓમાં 3,408 પુરુષો અને 235 મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે 2024માં મંજૂર થયેલી 3,499 અરજીઓમાં 3,280 પુરુષો અને 219 મહિલાઓ હતી. ઇન્સોમ્નિયા-તણાવથી પીડાતા લોકો અરજી કરી શકેસરકારી નિયમો અનુસાર, ઇન્સોમ્નિયા અને માનસિક તણાવ જેવી તબીબી સમસ્યાઓ ધરાવતા લોકો લિકર હેલ્થ પરમિટ માટે અરજી કરી શકે છે. અરજદારે પહેલા પ્રોહિબિશન વિભાગમાં અરજી કરવી પડે છે અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં તબીબી તપાસ કરાવવામાં આવે છે.
અમદાવાદના સેટેલાઈટ પોલીસ મથકે ઓગસ્ટ મહિનામાં ત્રણ આરોપીઓ જીતેન્દ્ર ગોસ્વામી, રોનક સોનાણી અને વિપુલ ગાંગાણી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે સંદર્ભે પોલીસે રોનક સોનાણી અને વિપુલ ગાંગાણીને ઝડપીને અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટમાં 10 દિવસના રિમાન્ડની માંગ સાથે રજૂ કર્યા હતા. જેમના 02 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર થયા હતા. વકીલ સાહેબ બ્રિજ પાસેના ફ્લેટમાં રોકાણના નામે 13.52 કરોડ પડાવ્યા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ છેતરપિંડીનો ભોગ બનનાર ફરિયાદીના પતિ બિલ્ડીંગ મટીરીયલ સપ્લાયર્સના કામ સાથે સંકળાયેલા છે. જેથી તેઓ આરોપીઓના સંપર્કમાં આવ્યા હતા. આરોપીઓએ ફરિયાદીના પતિને અમદાવાદના વકીલ સાહેબ બ્રિજ પાસે 5 ફ્લેટમાં રોકાણના નામે ટુકડે ટુકડે 13.52 કરોડ પડાવી દીધા હતા. ત્યારબાદ તેઓ પૈસા પાછા આપતા નહોતા અને જમીન ખરીદીમાં ભાગીદાર બનાવવાની વાત કરીને તેમને ગોળ ગોળ ફેરવતા હતા. આખરે પોતે છેતરાયા હોવાનું લાગતા ફરિયાદીએ સેટેલાઈટ પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 'આ કેસમાં અન્ય કોઈ આરોપી સંકળાયેલ છે કે કેમ તે જાણવાનું છે'આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરી જણાવાયુ હતું કે, આરોપીઓએ જે પૈસા મેળવ્યા છે, તે ક્યાં છે અને ક્યાં વાપર્યા છે, તે જાણવાનું છે. આરોપી જીતેન્દ્ર ગોસ્વામીને પકડવાનો બાકી છે. આ કેસમાં અન્ય કોઈ આરોપી સંકળાયેલ છે કે કેમ તે જાણવાનું છે. શું આરોપીઓએ ફરિયાદીના પતિના પૈસાથી કોઈ મિલકતો ખરીદી છે કે કેમ તે જાણવાનું છે.
ભરૂચમાં જિલ્લા આરોગ્ય સમિતિની બેઠક યોજાઈ:કલેક્ટરની અધ્યક્ષતામાં રોગચાળા નિયંત્રણ પર સમીક્ષા કરાઈ
ભરૂચ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા આરોગ્ય શાખાની વિવિધ સમિતિઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે અને પ્રાયોજના વહીવટદાર નિશા ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં જિલ્લા સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિ, જિલ્લા ટાસ્ક ફોર્સ ઇમ્યુનાઈઝેશન (રસીકરણ) તેમજ નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત ચાલી રહેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન સંચારી રોગોની વર્તમાન પરિસ્થિતિ, રોગચાળા અટકાયત માટે લેવાતી તકેદારી અને જિલ્લામાં નોંધાતા તમામ કેસોની દૈનિક એન્ટ્રી અંગે ચર્ચા થઈ હતી. આ ઉપરાંત, NTCP, સિકલસેલ એનિમિયા, ક્લાઈમેટ ચેન્જ, નેશનલ લેપ્રસી પ્રોગ્રામ અને નેશનલ ટીબી કંટ્રોલ પ્રોગ્રામ જેવા કાર્યક્રમો અંગે પણ જરૂરી માર્ગદર્શન અપાયું હતું. કલેકટરે જિલ્લામાં સિઝનલ ફ્લુનો ફેલાવો અટકાવવા માટે જરૂરી દવાઓ, માસ્ક અને ટ્રિપલ ટેસ્ટિંગ કિટ્સનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે કે કેમ તે અંગે વિગતો મેળવી હતી. તેમણે પાણીજન્ય તથા વાહકજન્ય રોગોની અટકાયત તેમજ સિકલસેલ એનિમિયા નિયંત્રણ કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા અધિકારીઓને સૂચનાઓ આપી હતી. બેઠકનું સંચાલન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મુનિરા શુક્લાએ પ્રેઝન્ટેશનના માધ્યમથી કર્યું હતું. આ બેઠકમાં વિવિધ કચેરીઓના અધિકારીઓ, કર્મયોગીઓ અને સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.
જામનગર શહેર અને જિલ્લામાં 31મી ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી પૂર્વે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીએ સમગ્ર શહેર અને જિલ્લામાં જાતે ચેકિંગ કાર્યવાહીનું નિરીક્ષણ કર્યું હતું. આ કાર્યવાહીમાં શહેર અને ગ્રામ્ય ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. એસ.પી. ડો. રવિ મોહન સૈનીએ શહેર અને જિલ્લામાં કડક ચેકિંગના આદેશો આપ્યા છે. આ કાર્યવાહી 31મી ડિસેમ્બરની ઉજવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી અવિરત ચાલુ રહેશે. આ આદેશોના પગલે, સિટી-એ ડિવિઝન પોલીસે લાખોટા તળાવ અને ખંભાળિયા સર્કલ નજીક ચેકિંગ હાથ ધર્યું હતું. સિટી-બી પોલીસે ડીકેવી સર્કલ સહિતના મુખ્ય માર્ગો પર કાર્યવાહી કરી, જ્યારે સિટી-સી પોલીસે સમર્પણ સર્કલ અને નિઝામ સર્કલ સહિતના વિસ્તારોમાં ચેકિંગ કર્યું. આ ઝુંબેશમાં એલસીબી અને એસઓજી સહિતની ટીમો પણ જોડાઈ હતી. આ દરમિયાન વાહનોમાં બ્લેક કાચ, વાહનના કાગળો અને ખાસ કરીને બ્રેથ એનાલાઇઝર દ્વારા દારૂ પીધેલા વાહનચાલકોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે દંડકીય કાર્યવાહી પણ કરવામાં આવી. થર્ટી ફર્સ્ટ નજીક આવતા આવારા તત્વો અને દારૂના બંધાણીઓ બેફામ બનતા હોય છે. આવા તત્વોને અંકુશમાં લાવવા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જામનગર પોલીસની આ કાર્યવાહીથી નિયમોનો ભંગ કરનારાઓ, દારૂ પીધેલા વાહનચાલકો અને રોમિયોગીરી કરતા આવારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પિરોજપુરા ગામે એક દિવ્યાંગ દંપતી હીરાનું કારખાનું બંધ થતાં બેરોજગાર બન્યું હતું. આવા સમયે શંખેશ્વરના સેવાભાવી કાર્યકર જયદીપભાઈ ઠાકર અને તેમની ટીમે આ પરિવારને કરિયાણાની કીટ પૂરી પાડી મદદનો હાથ લંબાવ્યો છે. પિરોજપુરાના દલાભાઈ ગણેશભાઈ ઠાકોર અને તેમના પત્ની બંને દિવ્યાંગ છે. તેઓ ગામમાં આવેલા હીરાના કારખાનામાં કામ કરીને ગુજરાન ચલાવતા હતા. તેમને ચોથા ધોરણમાં ભણતો એક દીકરો પણ છે. કારખાનું બંધ થઈ જતાં તેઓ આર્થિક સંઘર્ષ કરી રહ્યા હતા. આ સેવાકાર્ય સ્વ. કિરીટભાઈ ઠાકર દ્વારા તેમના પત્નીના સ્મરણાર્થે શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ અને આંગણવાડીના બાળકોને મિષ્ઠાન ભોજન પ્રસાદ આપ્યો હતો. તેમના નિધન બાદ તેમના પુત્ર જયદીપભાઈ ઠાકર આ સેવા યજ્ઞને આગળ ધપાવી રહ્યા છે. જયદીપભાઈ ઠાકરે દિવ્યભાસ્કરને જણાવ્યું કે અત્યાર સુધીમાં તેઓએ 300થી વધુ જરૂરિયાતમંદ પરિવારોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની કીટનું વિતરણ કર્યું છે. ઉપરાંત, ગયા વર્ષે અને આ શિયાળામાં 1000થી વધુ લોકોને ગરમ ધાબળા પણ આપવામાં આવ્યા છે. અગાઉ શંખેશ્વરમાં એક પરિવારનું મકાન પણ કાર્યકરોએ સાથે મળીને બનાવી આપ્યું હતું. જયદીપભાઈ અને તેમની ટીમ આવા જરૂરિયાતમંદ પરિવારોને હિંમત અને હૂંફ આપવા હંમેશા તત્પર રહે છે. તેમણે દલાભાઈના પરિવારને ભવિષ્યમાં પણ મદદ કરવાની અને રોજગારી મેળવવાના પ્રયાસોમાં સહયોગ આપવાની ખાતરી આપી હતી.
ગિરનારની પવિત્ર તળેટીમાં અનંત યુગોથી ઉજવાતો મહાશિવરાત્રીનો મેળો આ વર્ષે એક ઐતિહાસિક અને યાદગાર સ્વરૂપ ધારણ કરવા જઈ રહ્યો છે. ગુજરાત સરકાર અને સાધુ-સંતોના સંયુક્ત પ્રયાસોથી આ વર્ષના મેળાને 'મિની કુંભ' તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જગતગુરુ મહેન્દ્રાનંદગીરી મહારાજ અને ગિરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુએ આ અંગે વિગતો આપતા તમામ શ્રદ્ધાળુઓને આ દિવ્ય મહોત્સવમાં જોડાવા ભાવભીનું આમંત્રણ પાઠવ્યું છે. ધર્મ સત્તા અને રાજસત્તાનો અનોખો સમન્વય ગયા વર્ષે જ્યારે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જૂનાગઢની મુલાકાત લીધી હતી, ત્યારે તેમણે સંતોની ઉપસ્થિતિમાં વચન આપ્યું હતું કે આવતા વર્ષનો શિવરાત્રી મેળો વિશ્વ કક્ષાએ સંદેશ આપે તે રીતે અને ભવ્ય રીતે ઉજવવામાં આવશે. આ વચનને સાર્થક કરવા માટે આ વર્ષે ગુજરાત સરકાર અને સાધુ-સંતોએ સાથે મળીને મિની કુંભનું આયોજન કર્યું છે. 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી 2026 સુધી આ શિવોત્સવ ધામધૂમથી ઉજવાશે, જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતા છે. ભક્તિ, ભોજન અને ભજનનો ત્રિવેણી સંગમ જગતગુરુ મહેન્દ્રાનંદગીરી મહારાજે જણાવ્યું હતું કે, ગિરનાર એ દત્ત મહારાજ અને માં અંબાનું બેસણું છે. અહીં વર્ષોથી ભોજન, ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાય છે. પાંચ દિવસ સુધી ચાલનારા આ મેળામાં આવતા પ્રવાસીઓ માટે વિશેષ સુવિધાઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સરકાર અને સંતોની ગાઈડલાઈન મુજબ આ વખતે વ્યવસ્થા એવી રીતે ગોઠવવામાં આવી છે કે આવનારા ભક્તો ભક્તિના માહોલમાં તરબોળ થઈ જાય. મૃગીકુંડમાં દિવ્ય સ્નાન અને સાધુઓની રવેડી મેળાનું મુખ્ય આકર્ષણ મહાશિવરાત્રીની મધ્યરાત્રીએ નીકળતી સાધુ-સંતોની રવેડી અને ત્યારબાદ થતું શાહી સ્નાન છે. ઇન્દ્રભારતી બાપુના જણાવ્યા અનુસાર, મધ્યરાત્રીએ 12 વાગ્યે જ્યારે રવેડી નીકળે છે, ત્યારે તેમાં સિદ્ધ ચોરાસી, ગુરુ દત્તાત્રેય, શિવ-બ્રહ્મા-વિષ્ણુ અને જોગમાયાઓ અદ્રશ્ય સ્વરૂપે હાજર હોવાની માન્યતા છે. આ રવેડીમાં ચિરંજીવી ગણાતા ગુરુ ગૌરક્ષનાથ, ભરથરી, ગોપીચંદ, અશ્વત્થામા અને હનુમાનજી સહિતની દિવ્ય શક્તિઓ સામેલ થાય છે. સાધુ-સંતો અને નાગા સાધુઓ દ્વારા શાહી સ્નાન રવેડીના અંતે મૃગીકુંડમાં સાધુ-સંતો અને નાગા સાધુઓ દ્વારા શાહી સ્નાન કરવામાં આવે છે. ગિરનારમાં અનેક કુંડ આવેલા છે જેમ કે દામોદર કુંડ, કમંડળ કુંડ અને સૂર્યકુંડ, પરંતુ મૃગીકુંડનું આધ્યાત્મિક મહત્વ સૌથી વધુ છે. એવી શ્રદ્ધા છે કે સ્વયં મહાદેવ અહીં સ્નાન કરવા આવે છે અને વર્ષોથી પર્વતની ગુફાઓમાં તપ કરતા સંતો પણ આ રાત્રે સ્નાન માટે પ્રગટ થાય છે. વિશ્વને અપાશે સનાતનનો સંદેશ આ વર્ષે તમામ અખાડાના સાધુ-સંતો પરંપરાગત રીતે રાવટીઓ નાખશે અને ધર્મનો પ્રચાર કરશે. હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ પ્રશાસન દ્વારા સુરક્ષા, પરિવહન અને શ્રદ્ધાળુઓની સુવિધા માટે પૂરતી જહેમત ઉઠાવવામાં આવી રહી છે. સંતોએ આ મેળાને 'હરનો મેળો' ગણાવીને તમામ સનાતની ભાવિકોને આમંત્રણ આપ્યું છે કે તેઓ આ મિની કુંભમાં પધારીને ગિરનારની ધૂળને માથે ચડાવે અને શિવમય બને.
સુરત શહેર નવા વર્ષ 2026ના સ્વાગત માટે સંપૂર્ણ રીતે સજ્જ દેખાઈ રહ્યું છે. શહેરના વિવિધ 13 કોમર્શિયલ સ્થળો પર થર્ટી ફર્સ્ટની રાત્રિને યાદગાર બનાવવા માટે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, મંગળવાર સાંજ સુધી આયોજકો પોલીસ મંજૂરીની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ પોલીસ વિભાગ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે આવતીકાલ સુધીમાં તમામ જરૂરી પરવાનગીઓ આપી દેવામાં આવશે. લોકોની સુરક્ષા, ફાયર સેફ્ટી અને ભીડ નિયંત્રણ....આ વર્ષે ઉજવણીમાં કોઈ ખલેલ ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.આ વખતની ઉજવણીમાં લોકોની સુરક્ષા, ફાયર સેફ્ટી અને ભીડ નિયંત્રણ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આયોજકોને કડક સૂચના આપવામાં આવી છે કે તેઓ નિર્ધારિત નિયમોનું પાલન કરે. ખાસ કરીને મોટા ગ્રાઉન્ડ અને મોલ્સમાં થતી ભીડને ધ્યાનમાં રાખીને પ્રવેશ અને નિકાસની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે, જેથી કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળી શકાય. બ્રેથએનાલાઇઝર અને આધુનિક ડ્રગ્સ ટેસ્ટિંગ કીટનો ઉપયોગસુરક્ષા વ્યવસ્થાને લઈને સુરત પોલીસ એક્શન મોડમાં છે. ઉજવણીના સ્થળો પર મહિલાઓની સુરક્ષા માટે 'સી-ટીમ' તૈનાત રહેશે, આ ઉપરાંત ડીસીબી અને એસઓજી જેવી મહત્વની એજન્સીઓ પણ બાજ નજર રાખશે. નશો કરી છાંકટા બનતા તત્વોને પકડવા માટે પોલીસે આ વખતે હાઈટેક તૈયારી કરી છે. તમામ મુખ્ય પોઈન્ટ્સ અને પાર્ટીના સ્થળો પર બ્રેથએનાલાઇઝર અને આધુનિક ડ્રગ્સ ટેસ્ટિંગ કીટનો ઉપયોગ કરવામાં આવશે. 13 સ્થળો પર સંગીત અને મનોરંજનના કાર્યક્રમો યોજાશેશહેરના જાણીતા સ્થળો જેવા કે અવધ ઉટોપિયા, લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ, સરસાણા ડોમ અને વી.આર. મોલ સહિતના 13 સ્થળો પર સંગીત અને મનોરંજનના કાર્યક્રમો યોજાશે. આયોજકો દ્વારા પણ લાઈટિંગ અને સાઉન્ડ સિસ્ટમ સાથે વર્ષના છેલ્લા દિવસને ખાસ બનાવવાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પોલીસ કમિશનરે જણાવ્યું છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વધારાનો પોલીસ કાફલો પણ રસ્તાઓ પર પેટ્રોલિંગમાં રહેશે. કયા સ્થળો પર ભવ્ય આયોજન કરવામાં આવ્યું?શહેરમાં મુખ્યત્વે અવધ ઉટોપિયા (માત્ર મેમ્બરો માટે), હીરામોતી પાર્ટી પ્લોટ, ડ્રિફ્ટ, રીબાઉન્સ અને બ્લેકબની ગેમઝોન, ફેન્ટાસિયા-પાલ, જમનાબા પાર્ટી પ્લોટ, સરસાણા ડોમ, સુરત મેરિયોટ હોટલ, ઓએનજીસી કોલોની, લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ, રાહુલરાજ મોલ અને વી.આર. મોલ ખાતે ભવ્ય કાર્યક્રમો યોજાનાર છે.
રાજકોટમાં 18 વર્ષ પહેલા મહાનગરપાલિકામાં પાણી પ્રશ્ને રજૂઆત કરવા ગયેલા કોંગી આગેવાનોના ટોળાએ તત્કાલીન મ્યુ. કમિશનર મુકેશ કુમારની ચેમ્બરમાં બબાલ કરી હંગામો મચાવી તોડફોડ કરી ફરજમાં રૂકાવટ કરવાના કેસમાં રાજકોટ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ, જશવંતસિંહ ભટ્ટી સહિત 9 આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કર્યો હતો જેથી નીચેની કોર્ટના હુકમ સામે સરકાર દ્વારા સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી જે અપીલ ચાલી જતા આજ રોજ સેશન્સ કોર્ટે સરકાર પક્ષે કરવામા આવેલી અપીલ રદ કરી નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખતો આદેશ કર્યો છે. 13 લોકો સામે ગુનો નોંઘ્યો હતો રાજકોટ શહેરમાં વર્ષ 2004માં મ્યુ.કમિશનર મુકેશ કુમારને પાણી પ્રશ્ને શહેર કોંગ્રેસના આગેવાનો અને નગરસેવકો રજૂઆત કરવા ગયા હતા ત્યારે વાતાવરણ ઉગ્ર બનતા કમિશનરની ચેમ્બરમાં તોડફોડ કરી, કમિશનરના ચશ્મા તોડી, સરકારી કાગળો ફાડી નાખી નુકશાન કરી તેમજ ફરજમાં રૂકાવટ કર્યાની એ. ડિવિઝન પોલીસમાં વિજિલન્સ શાખાના પી.આઈ. જાડેજાએ ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી, તત્કાલીન કોંગી કોર્પોરેટર ઈન્દ્રનીલ રાજ્યગુરૂ, નિતીન નથવાણી, શકીલ રફાઈ, સતુભા જાડેજા, બહાદુર સિંધવ, વિજય ચૌહાણ, કોંગી અગ્રણી ઙ્કવિણ સોરાણી, ગોવિંદ સભાયા, જ્યુભાઈ મસરાણી, વશરામભાઈ સાગઠિયા જગદીશ પુરબીયા અને જયંત ઠાકર સહિત 13 લોકો સામે ગુનો નોંઘ્યો હતો. પોલીસ સ્ટાફે તમામની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી બાદ પોલીસે કોર્ટમાં રજૂ કરતા તમામનો જામીન ઉપર છુટકારો થયો હતો. તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યુ હતું. જે કેસની સુનાવણી હાથ ધરવામાં આવતા સરકાર તરફે કમિશનર મુકેશકુમાર, તપાસનીસ અને ફરીયાદીને તપાસવામાં આવેલા હતા. તેમજ કેસની સુનાવણી દરમ્યાન ચાર લોકોના મળત્યુ નિપજ્યા હોવાથી તેઓને એબેટ કરવામાં આવ્યા હતા. જ્યારે બચાવ પક્ષના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત-મૌખિક દલીલમાં તત્કાલીન મ્યુનિ.કમિશનર મુકેશકુમારની જુબાની જોતા કોઈ પણ વ્યકિત સામે નામજોગ જુબાની આપેલ નથી તેમજ આરોપીઓએ કોઈ પણ પ્રકારની ચોક્કસ ભૂમિકા ભજવેલ ન હોય બનાવ અંગે તમામ સાહેદોમાં વિરોધાભાષ નિવેદનો છે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાઓ અને બચાવ પક્ષની દલીલ ઘ્યાને લઈ એડિશનલ ચીફ.જયુડિ.મેજિસ્ટ્રેટે તમામ શખસોને શંકાનો લાભ આપીને છોડી મુકવા હુકમ કર્યો હતો. કોંગી અગ્રણીઓને નિર્દોષ મુક્ત કરતો હુકમ કર્યો નીચેની કોર્ટના હુકમ સામે સરકાર પક્ષે ઉપલી કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. જે અપીલ ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ બચાવ પક્ષના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ સેશન્સ કોર્ટ દ્વારા નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખી કોંગી અગ્રણીઓને નિર્દોષ મુક્ત કરતો હુકમ કર્યો છે. આ કેસમાં બચાવ પક્ષે એડવોકેટ તરીકે, પથીક દફતરી, ભાવીન દફતરી, નુપુર દફતરી, દિપક ત્રિવેદી, નેહા દફતરી, યુવરાજસિંહ જાડેજા, સંજયસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, હાર્દિક મહેતા, વિક્રાંત વ્યાસ, પાર્થ જાની, હસમુખભાઈ પરમાર, નિશા સુદ્રા, શિવાંગી મજેઠીયા અને પરેશ કુકાવા રોકાયા હતા.
બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન સહિતના સ્ટાર્સ તેમજ અનેક સેલિબ્રિટીઓ જામનગર પહોંચ્યા છે. સેલિબ્રેટીઓનું જામનગર એરપોર્ટ પર આગમન થતાં ભવ્ય સ્વાગત કરાયું હતું. તમામ સેલિબ્રેટીઓ વનતારામાં આયોજિત થર્ટી ફર્સ્ટની ખાસ ઉજવણીમાં હાજરી આપવા માટે આવ્યાં છે. સલમાન ખાન ઉપરાંત બોલીવુડ સ્ટાર્સ રિતેશ દેશમુખ, જેનેલિયા ડીસોઝા અને આયુષ શર્મા, ખુશી કપૂર બોયફ્રેન્ડ વેદાંગ રૈના સાથે આવી છે. આ ઉપરાંત ભારતીય T-20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ તેમજ રોહિત શર્માનું પણ પરિવાર સાથે જામનગર એરપોર્ટ પર આગમન થયું હતું. આ તમામ સેલિબ્રિટી અને ક્રિકેટરો રિલાયન્સ ખાતે યોજાનારી નવા વર્ષની ઉજવણીમાં ભાગ લેવા માટે રવાના થયા હતા. અંબાણી પરિવારના ખાસ મહેમાન તરીકે તેઓ આ કાર્યક્રમમાં હાજર રહેશે. આ કાર્યક્રમને લઈને શહેરમાં ઉત્સાહનો માહોલ છે.
રાજકોટ શહેરમાં વર્ષ 2025 માં ટ્રાફિક નિયમોનો ભંગ કરતા 2,52,028 કેસ કરવામાં આવ્યા છે અને તે બદલ રૂ.9,13,17,950 નો દંડ ટ્રાફિક પોલીસ દ્વારા વસૂલવામાં આવ્યો હોવાનું રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિની બેઠકમાં ખુદ DCP એ જાહેર કર્યુ હતુ. શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા તેમજ હાઇવે પર વાહન અકસ્માતના કારણો અને પ્રમાણ ઘટાડવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ કમિશનરે સ્કૂલ પીકઅપ વાન અને વાલીઓ દ્વારા શાળાએ મુકવા તથા તેડવા આવે તે સમયે જાહેર માર્ગોના બદલે સ્કૂલ કેમ્પસનો ઉપયોગ કરે તે માટે પોલીસ વિભાગને કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જયારે હાઇવે પર વારંવાર ગેરકાયદે મીડીયમ ગેપ તોડનારા લોકોને શોધી કાઢવા નજીકના પેટ્રોલ પંપ કે હોટેલ ધારકોને સી.સી.ટી.વી. કેમેરા લગાવવા અથવા તેમની જવાબદારી ફિક્સ કરવા હાઇવે ઓથોરિટીને સૂચના આપી હતી. આ ઉપરાંત કારમાં બ્લેક ફિલ્મ લગાડનાર વાહન ચાલાક વિરુદ્ધ કામગીરી કરવા અને તેના વેચાણકર્તા વિરુદ્ધ ડ્રાઇવ કરવા, રોડ કામગીરી પૂર્ણ થયેલ ચોકમાં ટ્રાફિક સિગ્નલ અને સી.સી.ટી.વી. પુનઃ કાર્યરત કરવા મહાનગરપાલિકાને બ્રજેશ કુમારે સૂચના આપી હતી. આ તકે ડી.સી.પી. ટ્રાફિક હરપાલસિંહ જાડેજાએ વર્ષ દરમ્યાન ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે માહિતી આપી હતી. વર્ષ દરમ્યાન વિભાગ દ્વારા 2.52 લાખ કેસ અને રૂ.9.13 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો હોવાનું જાહેર કર્યું હતું. આ ઉપરાંત ફેન્સી નંબર પ્લેટ, સફેદ એલ.ઈ.ડી. વિરુદ્ધ કામગીરી ચાલુ રાખવા તેમજ સિટી બસ પણ જો નિયમો વિરુદ્ધ ચાલશે તો તેમના વિરુદ્ધ પણ કામગીરી કરવા તાકીદ કરી હતી.બેઠકમાં સેફટી કમિટીના સલાહકાર જે.વી. શાહે ટ્રાફિક સિગ્નલ પર નાના બાળકો અને ભિક્ષુકોને હટાવવા તેમજ બિનજરૂરી બેરિકેડને દૂર કરવા, ટ્રાફિક સિગ્નલ નજીક ઉભી રહેતી રીક્ષાઓ દૂર કરાવવા સૂચન કર્યુ હતું. જેનું અમલીકરણ કરવા પોલીસ કમિશનરે સૂચના આપી હતી. જ્યારે મહાનગરપાલિકાના અધિકારી અઢિયાએ શહેરમા ચાલી રહેલા રોડ, સાઈનેજીસ, કર્બ, ક્રેશ બેરીયર વગેરે કામગીરીની વિગત પુરી પાડી હતી. આર.ટી.ઓ. દ્વારા ટ્રાફિક ડ્રાઈવ અને કરવામાં આવેલા કેસની માહિતી આપવામાં આવી હતી. રાજકોટ જિલ્લા ક્ષય કેન્દ્રને ડિજિટલ એક્સ રે મશીન મળ્યા, 20 આરોગ્ય કેન્દ્રમાં સોલાર રુફટોપ આવશે રાજકોટ જિલ્લા પંચાયત ખાતે જાહેર આરોગ્ય સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં આરોગ્ય સમિતિના ચેરમેન લીલાબેન ઠુંમર દ્વારા આરોગ્ય ક્ષેત્રના વિવિધ કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ રાષ્ટ્રીય કક્ષાએ આરોગ્ય વિભાગની સિધ્ધી બદલ તેમજ રાજકોટ જિલ્લા ક્ષય કેન્દ્રને રૂ. 35 લાખની કિંમતના ડિજિટલ એક્સ-રે મશીન તથા TRUENAT મશીન એનાયત કરવા બદલ સમિતિના તમામ સભ્યોએ આભાર વ્યક્ત કર્યો હતો.રાજકોટ જિલ્લાના 20 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે સોલાર રૂફટોપ સ્થાપન માટે GEDA ગાંધીનગર દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને સર્વે કામગીરી ગતિમાં છે. તેમજ નવા 252 પેટા આરોગ્ય કેન્દ્રો માટે જરૂરી વિગતો એકત્ર કરી મંજૂરી માટે ટૂંક સમયમાં મોકલવામાં આવશે જે મુદ્દે પણ બેઠકમાં આભાર દર્શન કરવામાં આવ્યું હતુ. આર.સી.એચ., મેલેરિયા, એપિડેમિક, ટીબી તથા ગુણવત્તા સંબંધિત તમામ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ પી.આઇ.યુ. રાજકોટ દ્વારા જિલ્લામાં બાંધકામ કાર્યની સમિતિ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં આરોગ્ય સમિતિના સભ્યો તથા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના તમામ શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્યકક્ષાની જુડો બહેનોની સ્પર્ધા રાજકોટમાં ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજીત અને ખેલ મહાકુંભ રાજકોટ મહાનગરપાલિકા અમલીકરણ સમિતિ દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ-2025 અંતર્ગત રાજ્યકક્ષા જુડો બહેનો અંડર -14, 17 તથા ઓપન એઇજ સ્પર્ધાનું આયોજન રાજકોટ ખાતે કરવામાં આવનાર છે. જે સ્પર્ધાનો વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે. જિલ્લાની ટીમની યાદીના પ્રવેશપત્રો dsdo-rajkot@gujarat.gov.in મેઈલ પર તા.1 જાન્યુઆરી, 2026 સુધીમાં અચુક મોકલી આપવા જણાવવામાં આવે છે. ખેલ મહાકુંભ-2025 માં રાજ્યકક્ષાની જુડો સ્પર્ધા અંતર્ગત અંડર - 14 બહેનો માટે જિલ્લા કક્ષાએ પ્રથમ, દ્વિતિય માટેની ઈવેન્ટ વજન 23, 27, 32 અને 36 કિલોગ્રામ માટે સ્પર્ધા તા.1 જાન્યુઆરીના સવારે 8 વાગ્યાથી શરૂ થશે. અંડર - 14 બહેનો રાજ્યકક્ષા માટે ઈવેન્ટ 40, 44 અને 44 કિલોગ્રામથી વધુ માટે વજનના સ્પર્ધકો માટે સ્પર્ધા તા.2 જાન્યુઆરીના રોજ સવારે 8 કલાકથી શરૂ થશે. જ્યારે અંડર - 17 બહેનો જિલ્લાએથી પ્રથમ, દ્વિતિય માટે ઈવેન્ટ વજન ગ્રુપ 36, 40, 44, 48, 52 કિલોગ્રામ માટે સ્પર્ધા તા.3 જાન્યુઆરીના સવારે 8 કલાકથી શરૂ થશે. આ ઉપરાંત અંડર - 17 બહેનો સીધી રાજ્યકક્ષાએ સ્પર્ધા માટે ઈવેન્ટ વજન ગ્રુપ 57, 63, 70 અને 70 થી વધુ કિલોગ્રામ માટે સ્પર્ધા તા. 5 જાન્યુઆરીના રોજ સવારે 8 કલાકથી શરૂ થશે.ઓપન શ્રેણીમાં જિલ્લા કક્ષાએથી પ્રથમ અને દ્વિતિય વયજૂથમાં 44,48, 52 અને 57 કિલોગ્રામ શ્રેણી માટે સ્પર્ધા તારીખ 5 જાન્યુઆરીના રોજ સવારે 8 કલાકથી શરૂ થશે. ઓપન શ્રેણી બહેનો માટે સીધી રાજ્યકક્ષાની સ્પર્ધા માટે ઈવેન્ટ વજન ગ્રુપ 63,70,78 અને 78 કિલોગ્રામથી વધુ વજન શ્રેણી માટે સ્પર્ધા તા.6 જાન્યુઆરીના સવારે 8 વાગ્યાથી શરૂ થશે.રિપોર્ટિંગ સ્થળ SAG સ્પોર્ટસ હોસ્ટેલ, પોલીસ કમિશનર બંગ્લોની બાજુમાં, સીટી પોલીસ હેડ ક્વાર્ટરની પાસે, રેસકોર્ષ, રાજકોટ ખાતે રહેશે. 2 જાન્યુઆરીએ ઓસમ પર્વત પર આરોહણ-અવરોહણ સ્પર્ધાના દિવસે પ્રવાસીઓની અવરજવર પર પ્રતિબંધ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ખાતે આવેલા ઓસમ પર્વત પર આગામી 2 જાન્યુઆરી 2026 ના રોજ રાજ્યકક્ષાની પર્વતારોહણ સ્પર્ધા યોજાનાર છે. આ સ્પર્ધામાં ભાગ લેનારા સ્પર્ધકોને કોઈ અડચણ ના થાય હેતુથી રાજકોટ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન. કે. મુછારે જાહેરનામા મારફત સ્પર્ધાના દિવસે પર્વતના પગથિયા પર પ્રવાસીઓ માટે પ્રવેશબંધી ફરમાવી છે. આ જાહેરનામા મુજબ, 2 જાન્યુઆરીના રોજ મધ્યરાત્રિના 12 કલાકથી બપોરના 12 કલાક સુધી ઓસમ પર્વતના સીડીના પગથિયા પર સામાન્ય પ્રવાસીઓ, યાત્રાળુઓ કે અન્ય વ્યક્તિઓ અવરજવર કરી શકશે નહીં. સ્પર્ધા માટે અધિકૃત અધિકારીઓ, સ્વયંસેવકો અને કાયદેસરની ફરજ બજાવતા કર્મચારીઓને આ જાહેરનામુ લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 131 અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.તુવેર પાક માટે ટેકાના ભાવથી ખરીદી કરાશે,ખેડૂતો તા.21 જાન્યુઆરી સુધી ઓનલાઈન નોંધણી કરી શકશે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેમની કૃષિકીય પેદાશોના આર્થિક રક્ષણ અને પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી, ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન તુવેર પાક માટે ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન કરવામાં આવેલ છે. જેની ઓનલાઇન નોંધણી તા.21 જાન્યુઆરી,2026 સુધી ચાલનાર છે. જે અન્વયે અરજી કરવા માંગતા ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VLE/VCE મારફતે L1 POS machine થકી આધાર ઓથેન્ટીફીકેશન અથવા મોબાઈલ એપના માધ્યમથી ફેસ ઓથેન્ટીફીકેશનથી નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર નોંધણી ઓનલાઇન કરાવવાની રહેશે. જે માટે જરૂરી સાધનિક કાગળો જેવાકે ગામનો નમૂનો 8-અ, તલાટીનો વાવેતર અંગેનો દાખલો અથવા 7/12, આધાર કાર્ડની નકલ, બેન્ક પાસબુકના પ્રથમ પાનાની નકલ (IFSC કોડ સાથે) સાથે ઓનલાઈન નોંધણી કરવાની રહેશે.વધુ માહિતી માટે ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીના વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યુર (VCE) અથવા ગ્રામ સેવક તથા તાલુકા કક્ષાએ TLEનો સંપર્ક કરવા રાજકોટ જિલ્લા પંચાયત કચેરીની ખેતીવાડી શાખાની યાદીમાં જણાવાયું છે.
મોરબી તાલુકાના ગીડચ ગામ નજીક પાણીના ટેન્કર અને ત્રીપલ સવારી બુલેટ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બુલેટ પર સવાર બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક યુવાનને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મૃતકોમાં ભાવેશ લાભુભાઈ ટીડાણી (ઉં.વ. 24) અને મહેશ પ્રેમજીભાઈ કુંવરિયા (ઉં.વ. 27) નો સમાવેશ થાય છે. અકસ્માતમાં અનિલભાઈ પ્રેમજીભાઈ કુંવરિયા નામના યુવાનને ઈજા પહોંચી હતી. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદર જિલ્લાના બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફટાણા ગામ નજીક વર્તુ નદીના પુલ પાસેથી 25 સપ્ટેમ્બર, 2025ના રોજ એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી. આશરે 45થી 5 વર્ષની ઉંમરની મહિલાની લાશ નદીમાંથી મળતાં બગવદર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. મહિલાની ઓળખ ન થતાં, બગવદર પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને પ્રેસનોટ પ્રસિદ્ધ કરી. આ ઉપરાંત, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ ગ્રામ્ય જેવા સરહદી જિલ્લાઓમાં નોંધાયેલા ગુમ મહિલાઓના કેસોની માહિતી મેળવવામાં આવી. ઊંડાણપૂર્વક તપાસ કરતાં, ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુમ જાણવા જોગ કેસ નંબર 164/2025 સાથે લાશનું વર્ણન મેળ ખાતું જણાયું. તપાસમાં મૃતક 40 વર્ષીય મહિલા ખંભાળીયા, જી. દેવભૂમિ દ્વારકા રહેતી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ટેક્નિકલ સોર્સ અને ખાનગી બાતમીદારોની મદદથી બે આરોપીઓને ઝડપી પાડ્યા. આરોપીઓમાં રામદે કાનાભાઈ ઉર્ફે સુકાભાઈ અમર (ઉંમર 21, રહે. સોઢાણા ગામ) અને જેઠા ઉર્ફે કારીયો સામતભાઈ ઓડેદરા (ઉંમર ૨૮, રહે. મજીવાણા ગામ, મૂળ વતન ડેરાસીકરી, તા. લાલપુર, જી. જામનગર) નો સમાવેશ થાય છે. પૂછપરછમાં બંને આરોપીઓએ ગુનો કબૂલ કર્યો હતો. તેમણે મહિલાને શારીરિક સંબંધ બાંધવા માટે આરોપીની વાડીએ બોલાવી હતી. 21 સપ્ટેમ્બર, 2025ના રોજ મહિલાએ 45000 રૂપિયાની માંગણી કરતાં વિવાદ થયો. મહિલાએ પૈસા ન આપવા પર બળાત્કારની ફરિયાદ કરવાની ધમકી આપતાં, બંને આરોપીઓએ દોરડા વડે ગળે ફાંસો આપી તેમની હત્યા કરી. પુરાવાનો નાશ કરવા માટે લાશને વર્તુ નદીમાં ફેંકી દીધી હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે બગવદર પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકાની વર્ષ 2025ની છેલ્લી સામાન્ય સભામાં વિપક્ષી નેતા પાયલ સાંકરિયાએ શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે રિવરફ્રન્ટ, ચાર્જિંગ સ્ટેશન અને સાયકલ ટ્રેક જેવા કરોડોના પ્રોજેક્ટ્સ આજે મેઇન્ટેનન્સના અભાવે નિષ્ફળ સાબિત થયા છે. અડાજણનો રિવરફ્રન્ટ અસામાજિક તત્ત્વોનો અડ્ડો બની ગયો છે અને એક્વેરિયમ છેલ્લા નવ મહિનાથી બંધ હાલતમાં છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે જનતાના ટેક્સના કરોડો રૂપિયા વેડફાયા બાદ હવે અધિકારીઓ અને શાસકો કેમ જવાબદારીમાંથી હાથ ઊંચા કરી રહ્યા છે? બાંગ્લાદેશી ઘૂસણખોરી અને ગેરકાયદે બાંધકામ મુદ્દે સોમનાથ મરાઠેની ગંભીર રજૂઆતજાહેર પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ મરાઠેએ સભામાં સુરતના ઉન-સોનારી વિસ્તારનો મુદ્દો ઉઠાવતા સનસનાટી મચાવી હતી. તેમણે દાવો કર્યો હતો કે 'બંગાળી મહોલ્લા' તરીકે ઓળખાતા વિસ્તારમાં અનેક મકાનોને તાળાં લટકેલા છે, જ્યાં અગાઉ બાંગ્લાદેશીઓ રહેતા હોવાની શંકા છે. તેમણે પ્રશ્ન કર્યો હતો કે તળાવ પૂરીને થયેલા આ ગેરકાયદે બાંધકામોની આકારણી કેવી રીતે થઈ? મરાઠેએ પોલીસ અને પાલિકાને સાથે મળીને આ મકાનો સીલ કરવાની અને ઉધના રેલવે સ્ટેશન પાસેના દબાણો દૂર કરવાની માંગ કરી હતી. કમિશનરની સત્તા અને વહીવટી ખર્ચ મુદ્દે વિપક્ષના સવાલો: ભાજપનો વળતો જવાબસભામાં વિપુલ સુહાગીયાએ મ્યુનિસિપલ કમિશનરની મુદત અંગે ટેકનિકલ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે પૂછ્યું હતું કે સપ્ટેમ્બર 2025માં મુદત પૂરી થયા બાદ કમિશનર દ્વારા ફાઈલો પર કરવામાં આવેલી સહીઓ કાયદેસર ગણાશે કે કેમ? બીજી તરફ, ઓડિટ વાંધાઓ મુદ્દે ચિમન પટેલે વિપક્ષને આડેહાથ લેતા કહ્યું હતું કે 85% વાંધાઓ ઉકેલાઈ ગયા છે અને વિપક્ષે અધૂરા અભ્યાસે આક્ષેપો ન કરવા જોઈએ. આ ઉપરાંત, ગાર્ડનોમાં 'શાંતિકુંજ'નો દુરુપયોગ રોકવા માટે તેને તાળાં મારવાની અજીબોગરીબ રજૂઆત પણ દંડક ધર્મેશ વાણીયાવાલા દ્વારા કરવામાં આવી હતી.
ગાંધીનગર મહાનગરપાલિકાની આજે યોજાયેલી સામાન્ય સભામાં અત્યાર સુધી 'હા માં હા' મિલાવતા શાસક પક્ષના સભ્યોએ આખરે મૌન તોડ્યું છે. 44માંથી 43 સભ્યો ભાજપના હોવા છતાં વિકાસના નામે ખેડૂતોને થતા અન્યાય અને વોર્ડમાં અટકેલા કામો મુદ્દે કોર્પોરેટરોએ કમિશનર અને સત્તાધિશો સામે બળાપો કાઢતા સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. 40 ટકા જમીન કપાત આપનારા ખેડૂતોનો અભિપ્રાય લેવામાં આવતો નથીગાંધીનગર મહાનગરપાલિકાની આજે યોજાયેલી સામાન્ય સભામાં ઘણા વખત પછી કોર્પોરેટરોએ ખુલીને બળાપો ઠાલવવામાં આવતા આગામી દિવસોમાં આંતરિક ખેંચતાણ સર્જાય તો નવાઈ નહીં. આજે વાવોલ, ઉવારસદ અને કોલવડા વિસ્તારની ટી.પી. સ્કીમ 34 અને 35ને મંજૂરી આપવાની દરખાસ્ત વખતે ભાજપના જ કોર્પોરેટર શૈલેષભાઈ પટેલે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, 40 ટકા જમીન કપાત આપનારા ખેડૂતોનો અભિપ્રાય લેવામાં આવતો નથી.ઓરિજિનલ પ્લોટ અને ફાઈનલ પ્લોટમાં મોટો તફાવત હોવાથી ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે. બે મહિનામાં ગ્રાન્ટ પૂરી થઈ જશે, પરંતુ હજુ કામો થતા નથીમેયરના વોર્ડના સભ્ય પોપટસિંહ ગોહિલે પણ આ વાતમાં સૂર પુરાવતા જણાવ્યું હતું કે દરેક ટી.પી.માં આવું જ થઈ રહ્યું છે. મતદારોને શું જવાબ આપીશું? એ જ રીતે કોર્પોરેટર રાકેશ પટેલે માળખાકીય સુવિધાઓના કામમાં થતા વિલંબ અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે રોષ સાથે કહ્યું હતું કે, બે મહિનામાં ગ્રાન્ટ પૂરી થઈ જશે, પરંતુ હજુ કામો થતા નથી. અમે મતદારો વચ્ચે જઈએ ત્યારે તેમને શું જવાબ આપવો? તેમણે આગામી વર્ષની ગ્રાન્ટને પણ 'કેરી ફોરવર્ડ' કરવાની માંગ કરી હતી. રખડતા કૂતરાઓના વધતા ત્રાસ અંગે રજૂઆત કરીજ્યારે સેનીટેશન સમિતિના ચેરમેન અંકિત બારોટે શહેરમાં રખડતા કૂતરાઓના વધતા ત્રાસ અંગે રજૂઆત કરતા કહ્યું હતું કે, લોકો આ મુદ્દે એટલી ફરિયાદો કરે છે કે, કોર્પોરેટરોએ અન્ય કામો છોડીને કૂતરાઓની ફરિયાદો પાછળ દોડવું પડે છે. કમિશનરે આ મુદ્દે અડાલજ ખાતે નવી હોસ્ટેલ અને ખસીકરણની પ્રક્રિયા ઝડપી બનાવવાની ખાતરી આપી હતી. કાઉન્સિલરો સાથે બંધ બારણે બેઠક યોજી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યોસૂત્રોના કહેવા મુજબ સામાન્ય સભા પહેલા મળેલી સંકલન સમિતિની બેઠકમાં પણ ભારે બોલાચાલી થઈ હતી. સભ્યોની નારાજગીની જાણ થતા જ શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે તાત્કાલિક મનપા કચેરી પહોંચ્યા હતા અને સભા બાદ તમામ હોદ્દેદારો અને કાઉન્સિલરો સાથે બંધ બારણે બેઠક યોજી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
શહેરના પૂર્વ વિસ્તારમાં વિવેકાનંદનગર, હાથીજણ, વિનોબાભાવે નગર અને વિન્ઝોલ વિસ્તારમાં એક જાન્યુઆરી 2026ના રોજ સવારે પાણી ઉપલબ્ધ જથ્થા મુજબ આપવામાં આવશે. હાથીજણ સર્કલ ખાતે ઔડા દ્વારા નવનિર્મિત ઓવરબ્રિજની અલાઈમેન્ટમાં નડતરરૂપ રાસ્કા વો.ટ્રી.પ્લાન્ટ આધારીત હયાત 600 અને 700 મી.મી. વ્યાસની એમ.એસ. ટ્રન્ક મેઇન્સ લાઇન અંદાજે 625 રનીંગ મીટર લંબાઇમાં રીંગ રોડ સમાંત્તર ઈજનેર વોટર પ્રોજેકટ અંતર્ગત AMC હસ્તકનાં ટી.પી. રોડનાં કાચા ભાગમાં શીફટ કરવાની કામગીરી કરવામાં આવશે. 1 જાન્યુઆરીએ સવારનો સપ્લાય પાણીના ઉપલબ્ધ જથ્થા મુજબ આપવામાં આવશેપૂર્વ ઝોનનાં વિવેકાનંદનગર, હાથીજણ, વિનોબાભાવે નગર અને વિન્ઝોલ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાં પાણી પુરુ પાડતી 700 અને 600 મી.મી. વ્યાસની હયાત ટ્રન્ક મેઇન્સ લાઈન સાથે બંને બાજુએ જોડાણ કરવાની કામગીરી 31 જાન્યુઆરીના રોજ કરવાની હોવાથી શટ ડાઉન કરવામાં આવશે. જેથી, 1 જાન્યુઆરી, 2026ના રોજ પૂર્વ ઝોનનાં ઉપરોક્ત વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાં સવારનો સપ્લાય પાણીના ઉપલબ્ધ જથ્થા મુજબ આપવામાં આવશે. જે અંગે વોટર પ્રોજેક્ટના ઇજનેર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
મોરબી જિલ્લામાં થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લાના ફાર્મ હાઉસ, રેસ્ટોરન્ટ અને હોટલોમાં પોલીસની ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. આ ચેકિંગ દરમિયાન નશાકારક દ્રવ્યો કે તેનું સેવન કરનારા મળી આવશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, રોડ પર વાહન ચલાવતા નશાની હાલતમાં પકડાશે તો પણ કડક પગલાં લેવાશે. મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક (SP) મુકેશકુમાર પટેલે પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, સુરક્ષા વ્યવસ્થા માટે 3 DYSP, 15 PI અને 550 જેટલા પોલીસ કર્મચારીઓની જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં ચેકિંગ હાથ ધરશે. ખાસ કરીને મોરબી શહેર માટે 6 ટીમોની રચના કરવામાં આવી છે, જે સતત પેટ્રોલિંગ અને ચેકિંગ કરશે. SP પટેલે જિલ્લાના લોકોને અપીલ કરી છે કે, થર્ટી ફર્સ્ટની ઉજવણી નશાકારક દ્રવ્યોથી દૂર રહીને જવાબદારીપૂર્વક કરે. તેમણે ચેતવણી આપી કે, તમારી ઉજવણી બીજા માટે ત્રાસદાયી ન બને અને ભવિષ્યમાં જેલ કે વિદેશ પ્રવાસમાં મુશ્કેલી ન થાય તેનું ધ્યાન રાખવું.
ગુજરાત હાઈકોર્ટમાં દાહોદથી 14 વર્ષ અને 6 મહિનાની સગીરાના 8 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી કરવામાં આવી હતી. જેમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપી સામે ધાનપુર પોલીસ મથકે દુષ્કર્મ અને પોક્સો એક્ટની ધારાઓ અંતર્ગત ફરિયાદ નોંધાઈ હતી. જોકે, કોર્ટ કાર્યવાહીમાં અરજદારના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, કોર્ટમાં કાર્યવાહી પેન્ડિંગ છે, ત્યારે ફરીથી સગીરા ભાગી ગઈ છે. જે સંદર્ભે દાહોદના ધાનપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. હેબિયસ કૉર્પસ દાખલ થતાં હાઈકોર્ટની પક્ષકારોને નોટિસસગીરાને સદેહે હાજર કરવા હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસ અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં હાઇકોર્ટે પક્ષકારોને નોટિસ પાઠવીને વધુ કાર્યવાહી 12 જાન્યુઆરીએ રાખી છે. ઉલ્લેખનીય છે કે, સગીરા જ્યારે પહેલી વખત ભાગી ત્યારે તેની યોગ્ય કાળજી રાખવાની બાહેંધરી તેના વાલી દ્વારા આપવામાં આવી હતી. વળી પ્રોબેશન ઓફિસર દ્વારા તેની નિયમિત મુલાકાત પણ લેવાની થતી હતી. 26 ડિસેમ્બરે સગીરાનો મેડિકલ રિપોર્ટ કોર્ટ સમક્ષ આવવાનો હતોઅગાઉ સગીરા ગર્ભ રાખવા માંગતી ના હોવાથી ગર્ભપાત માટે કોર્ટની પરવાનગી માંગતી અરજી દાખલ કરી હતી. જેથી હાઇકોર્ટે સગીરાની મેડિકલ તપાસના આદેશ આપ્યા હતા. જેમાં તેને દાહોદની સિવિલ હોસ્પિટલની ડોક્ટર કમિટી સમક્ષ 24 ડિસેમ્બરે હાજર થવાનું હતું અને 26 ડિસેમ્બરે તેનો મેડિકલ રિપોર્ટ કોર્ટ સમક્ષ આવવાનો હતો. જેથી કોર્ટ આગળના નિર્દેશ આપી શકે. ગર્ભાવસ્થાના ગર્ભપાતનો નિયમ શું કહે છે?મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી (MTP ) એક્ટ હેઠળ કોઈપણ પરિણીત મહિલા, બળાત્કાર પીડિતા, અલગ-અલગ-વિકલાંગ મહિલા અને સગીર છોકરીને 24 અઠવાડિયાં સુધીની ગર્ભાવસ્થાનો ગર્ભપાત કરવાની છૂટ છે. જો પ્રેગ્નન્સી 24 અઠવાડિયાંથી વધુ હોય તો મેડિકલ બોર્ડની સલાહ પર કોર્ટમાંથી ગર્ભપાતની મંજૂરી લેવી પડે છે. વર્ષ 2020માં MTP એક્ટમાં ફેરફારો કરવામાં આવ્યા હતા. એ પહેલાં 1971માં બનેલો કાયદો લાગુ હતો. છેલ્લા બે વર્ષમાં 19 દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી અપાઈઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટ દ્વારા બે વર્ષમાં 29 નવેમ્બર, 2025ના સગીરાના ગર્ભપાતના કેસ સહિત 19 પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી છે, જેમાં 16 સગીરાનો સમાવેશ થાય છે. જોકે, 12 મેના રોજ હાઈકોર્ટે 13 વર્ષીય સગીરાના 33 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી આપી હતી. ત્યાર બાદ 13 મેના રોજ સગીરાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને 17 મે, 2025ના રોજ સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો. આ ઉપરાંત હાઈકોર્ટ દ્વારા 28 સપ્તાહ પ્રેગ્નેન્ટ 14 વર્ષની પીડિતાને જીવનું જોખમ હોવાથી ગર્ભપાતની મંજૂરી આપવા ઇનકાર કર્યો હતો. 9 સપ્તાહ પ્રેગ્નેન્ટ 17 વર્ષીય સગીરાના ગર્ભપાતની આપી મંજૂરીગુજરાત હાઈકોર્ટમાં 17 વર્ષ અને 6 મહિનાની સગીરાએ પોતાના 9 સપ્તાહ અને 5 દિવસના ગર્ભના ગર્ભપાત માટે વાલી મારફતે અરજી કરી હતી. જે સંદર્ભે ગુજરાત હાઈકોર્ટે રાજકોટની દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલને સગીરાના મેડિકલ તપાસના આદેશ આપ્યા હતા. જે રિપોર્ટ અનુસાર સગીરાના ગર્ભપાતની હાઈકોર્ટે મંજૂરી આપી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો... 15 વર્ષીય દુષ્કર્મ પીડિતાને હાઇકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપીરાજકોટની દુષ્કર્મ પીડિતા 15 વર્ષીય સગીરાના 25 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે ગુજરાત હાઇકોર્ટમાં તેના માતા- પિતા દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. જેને લઈને હાઇકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી, મેડિકલ અહેવાલ મુજબ કોઈ ગંભીર લક્ષણો નહીં, ગર્ભપાત શક્ય છે તેમ જણાવ્યું હતું. આ સંદર્ભે હાઇકોર્ટે રાજકોટની PDU હોસ્પિટલને સગીરાના મેડિકલ તપાસના નિર્દેશ આપ્યા હતાં. જેથી જાણી શકાય કે સગીરાનો ગર્ભપાત શક્ય છે કે કેમ? તેમાં કોઈ એબનોર્માલિટી છે કે કેમ? તેમાં રિસ્ક છે તો કેટલું છે? સંપૂર્ણ સમાચાર વાંચો... 28 સપ્તાહ પ્રેગ્નેન્ટ સગીરાને ગર્ભપાતની મંજૂરી આપવા હાઈકોર્ટનો ઇનકાર14 વર્ષની દુષ્કર્મ પીડિતાને 28 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી આપવા ઇનકાર કરતાં ચુકાદામાં હાઇકોર્ટે નોંધ્યું છે કે, આ કેસમાં સગીર પીડિતાને ગર્ભપાતમાં જીવનું જોખમ રહેલું છે અને બીજી તરફ ગર્ભસ્થ શિશુને પણ જીવનનો અધિકાર છે. તેથી ઉક્ત સંજોગોમાં કોર્ટનો ન્યાયિક અંતરાત્મા બે જીવોને જોખમમાં મૂકતો આદેશ પસાર કરવા તૈયાર નથી. તેથી ગર્ભપાતની મંજૂરી આપી શકાય એમ નથી. સંપૂર્ણ સમાચાર વાંચો... 14 વર્ષની દુષ્કર્મ પીડિતાને 17 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી વડોદરાથી 14 વર્ષીય સગીરાની માતા દ્વારા સગીરાના 17 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી દાખલ કરવામાં આવી હતી. જેને હાઇકોર્ટે આજે મંજૂરી આપી હતી. હાઇકોર્ટે નોંધ્યું હતું કે, મેડિકલ તપાસના રિપોર્ટ નોર્મલ છે તેમ છતાં ગર્ભપાતમાં જોખમ રહેલું જ હોય છે. ગર્ભ રાખવો તે પીડિતા અને તેના પરિવાર બંને માટે આઘાતજનક હશે. આથી, જેમ બને તેમ જલ્દી પીડિતાના ગર્ભનો નિકાલ કરવામાં આવે. તેના DNA મેળવી પોલીસને સોંપી FSLમાં તપાસ અર્થે મોકલવામાં આવે. પીડિતાની ગર્ભપાત પહેલા અને પછી લેવાની મેડિકલ સારસંભાળ રાખવામાં આવે. સંપૂર્ણ સમાચાર વાંચો... 15 વર્ષની સગીરાના 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરી15 વર્ષીય દુષ્કર્મ પીડિત સગીરાના 26 સપ્તાહના ગર્ભપાતની અરજી બાદ હાઇકોર્ટે જૂનાગઢની સરકારી હોસ્પિટલને સગીરાના મેડિકલ તપાસના આદેશો આપ્યા હતા. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા હાઇકોર્ટે સગીરાના ગર્ભપાતની મંજૂરી આપી હતી. જેમાં હાઈકોર્ટે ગર્ભપાત માટે નિષ્ણાંત ડોકટરોની ટીમ, ગર્ભપાતમાં રહેલા રિસ્કની માહિતી અરજદારને આપવી, બાળકોના અને રેડિયોલોજસ્ટ ડોક્ટરોએ હાજર રહેવું, ગર્ભપાત બાદની ટ્રીટમેન્ટ આપવી અને ભ્રૂણ જીવિત રહે તો તેને બચાવવા તમામ શક્ય પ્રયત્ન કરવા જણાવ્યું હતું. સમગ્ર અહેવાલ વાંચો... દેશમાં પહેલીવાર સૌથી વધુ સપ્તાહના ગર્ભના ગર્ભપાતને મંજૂરીરાજકોટ શહેરમાં રહેતી 13 વર્ષીય સગીરા સાથે તેના જ પિતરાઈ ભાઈ અને પિતરાઈ ભાઈના મિત્રએ મળી અવારનવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ 12 મેના રોજ હાઈકોર્ટે સગીરાના 33 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી આપી હતી. આમ દેશમાં પહેલીવાર સૌથી વધુ સપ્તાહના ગર્ભનો ગર્ભપાત કરાવવાની મંજૂરી મળી હતી. 13 મેના રોજ મંગળવારે સગીરાને પોલીસ પ્રોટેકશન સાથે રાજકોટની જનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, ત્યારે 17 મે, 2025 શનિવારના રોજ સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો... 13 વર્ષની કિશોરીનો કોર્ટની મંજૂરી બાદ ગર્ભપાત કરાવાયોસુરતના એક વિસ્તારમાં રહેતી 13 વર્ષની કિશોરીને 21 વર્ષીય ડ્રાઇવર રાઘવેન્દ્રએ પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ આરોપીએ કિશોરી સાથે શારીરિક સંબંધ બાંધતાં તે ગર્ભવતી થઈ હતી. કિશોરીને પેટમાં દુખાવો ઊપડ્યા બાદ હોસ્પિટલ લઈ જતાં સામે આવ્યું હતું કે તેને ત્રણ મહિનાનો ગર્ભ છે. આ બાબતે પરિવારના સભ્યોને જાણ થતાં મામલો પોલીસ સ્ટેશનને પહોંચ્યો હતો. આ કૃત્યને લઈ પોલીસે તપાસ હાથ ધરી આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો હતો. કિશોરીની ઉંમર નાની હોવાની સાથે હજુ ગર્ભ પણ ત્રણ મહિનાનો હોવા અને જીવનું જોખમ હોવાનું સામે આવતાં ગર્ભપાતની કોર્ટમાં મંજૂરી લેવામાં આવી હતી અને એ મળી જતાં એનો ગર્ભપાત કરાવાયો હતો. એ બાદ ભ્રૂણ સાથે આરોપી યુવકનો DNA ટેસ્ટ કરાશે. સમગ્ર અહેવાલ વાંચો... 14 વર્ષીય દુષ્કર્મ પીડિતાને 26 સપ્તાહનો ગર્ભવલસાડની 14 વર્ષીય દુષ્કર્મ પીડિતાના પિતા દ્વારા સગીરાના ગર્ભપાત માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. સગીરા સાથે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ વાંસદા પોલીસ મથકે ચાલુ વર્ષે ફરિયાદ નોંધાઈ હતી. સગીરાને 26 સપ્તાહનો ગર્ભ છે. હાઇકોર્ટે વાપીની GMERS હોસ્પિટલે સગીરાના મેડિકલ તપાસ માટેના નિર્દેશ આપ્યા હતા. જોકે તપાસનો રિપોર્ટ સ્પષ્ટ ના આવતાં ફરી સગીરાની મેડિકલ તપાસ કરવા હાઇકોર્ટે નિર્દેશ આપ્યા હતા. બાદમાં હાઇકોર્ટે ચીફ મેડિકલ ઓફિસરની દેખરેખ હેઠળ તેના ગર્ભના ગર્ભપાતની મંજૂરી આપી હતી. હાઈકોર્ટે સગીરાના ગર્ભપાત માટે એક્સપર્ટ ડોક્ટરોને ઉપસ્થિત રહેવા નિર્દેશ આપ્યા હતા, સાથે જ બાળકોના ડોક્ટર હાજર રહેશે. ગર્ભપાત બાદની સારવાર પણ સગીરાને આપવા કોર્ટે નિર્દેશ આપ્યા છે. સગીરાના ગર્ભની પેશીનાં DNA સેમ્પલ આરોપી સામે કેસ પુરવાર કરવા FSLમાં મોકલવામાં આવશે. સમગ્ર અહેવાલ વાંચો... 16 વર્ષની સગીરાનાં 12 અઠવાડિયાંનો ગર્ભના ગર્ભપાતની મંજૂરીનર્મદા જિલ્લાના એક પોલીસ મથકે એક આરોપી સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો. આ ગુના અંતર્ગત ભોગ બનનારી સગીરા ગર્ભવતી બની હતી, જેની માતા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં સગીરાના ગર્ભપાત માટે અરજી દાખલ કરવામાં આવી હતી. સગીરા 16 વર્ષની ઉંમરની છે અને તેને 12 અઠવાડિયાંનો ગર્ભ છે. ગુજરાત હાઇકોર્ટે સગીરાને ગર્ભપાતની મંજૂરી આપી હતી. સમગ્ર અહેવાલ વાંચો... 14 વર્ષની સગીરાનાં 28 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરીગર્ભપાત માટેના કાયદા મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી MTP એક્ટ હેઠળ મહત્તમ 24 સપ્તાહ સુધીના ગર્ભના ગર્ભપાતની મંજૂરી આપવામાં આવતી હોય છે, પરંતુ હાઇકોર્ટ સમક્ષ આવેલા એક કેસના વિશિષ્ટ સંજોગોને ધ્યાનમાં લેતાં હાઇકોર્ટે 14 વર્ષની રેપ પીડિતાનાં 28 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરી આપી છે. હાઇકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપતાં આદેશમાં એવું મર્મસ્પર્શી અવલોકન કર્યું છે કે દુષ્કર્મ જેવા જઘન્ય ગુનાના કારણે પીડિતા દુર્ભાગ્યપૂર્ણ રીતે સગર્ભા થઇ છે. જો તેની ગર્ભાવસ્થા ચાલુ રહે તો તેનો જીવ જોખમમાં મુકાઇ શકે છે. આવા સંજોગોમાં જ્યારે પીડિતાના જીવનમરણનો પ્રશ્ન હોય અને એ અસહ્ય માનસિક અને શારીરિક પીડામાંથી પસાર થઇ રહી હોય ત્યારે કોર્ટ પીડિતાની વ્યથા પ્રત્યે મૂકદર્શક બની શકે નહીં. સમગ્ર અહેવાલ વાંચો... 16 વર્ષીય દુષ્કર્મ પીડિતાનાં 15 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી16 વર્ષીય દુષ્કર્મ પીડિતાનાં 15 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે હાઇકોર્ટે મંજૂરી આપી હતી. પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી ફરિયાદમાં પીડિતાના પિતા તરફથી હાઇકોર્ટ સમક્ષ અરજી કરીને દાદ માગવામાં આવી હતી કે તેની દીકરીને ગર્ભપાતની મંજૂરી આપવામાં આવે. એમાં હાઇકોર્ટે તબીબોનો અભિપ્રાય મેળવ્યો હતો અને એના આધારે પીડિતાને ગર્ભપાત માટેની મંજૂરી આપી હતી. સમગ્ર અહેવાલ વાંચો... 15 વર્ષની સગીરાનાં 19 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરીઅમદાવાદની 15 વર્ષની દુષ્કર્મ પીડિતાની માતા તરફથી સગીરાનાં 19 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે હાઈકોટમાં અરજી કરવામાં આવી હતી. એમાં હાઇકોર્ટે સોલા સિવિલ હોસ્પિટલને સગીરાના મેડિકલ તપાસના આદેશ આપ્યા હતા. તબીબોના અહેવાલમાં પણ ગર્ભપાતની મંજૂરી આપી શકાય એવો અભિપ્રાય આપવામાં આવ્યો હતો, તેથી સોલા સિવિલ હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર અને પેનલ પરના અન્ય ડોક્ટરોની દેખરેખ હેઠળ પીડિતાના ગર્ભપાત માટેની મંજૂરી હાઈકોર્ટ દ્વારા આપવામાં આવી હતી. સમગ્ર અહેવાલ વાંચો... 26 વર્ષીય દુષ્કર્મ પીડિતાનાં 17 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરીગુજરાત હાઇકોર્ટમાં દિવાળી વેકેશન દરમિયાન તત્કાલ સુનાવણી માટે આવતા કેસોમાં 4 નવેમ્બર 2024ના રોજ એક 26 વર્ષીય દુષ્કર્મ પીડિતાની ગર્ભપાત માટેની અરજી આવી હતી, જેમાં પીડિતાને 17 અઠવાડિયાંથી વધુનો ગર્ભ હતો અને તેણે ગર્ભપાત કરાવવાનો ઈરાદો દર્શાવ્યો હતો. એક્સપર્ટ ડોક્ટરોની મેડિકલ તપાસ બાદ ગુજરાત હાઈકોર્ટે પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી હતી. સમગ્ર અહેવાલ વાંચો... 15 વર્ષ 9 મહિનાની સગીરાનાં 27 સપ્તાહના ગર્ભપાતની મંજૂરીગુજરાત હાઇકોર્ટમાં તાપીની 15 વર્ષ અને 9 માસની સગીરાના 27 સપ્તાહના ગર્ભપાત માટે તેના પિતાએ એડવોકેટ પી.વી.પાટડિયા દ્વારા અરજી કરી હતી, જે જજ નિર્ઝર દેસાઈની કોર્ટ સમક્ષ રજૂ થઈ હતી. અરજદારના એડવોકેટે કોર્ટને જણાવ્યું હતું કે સગીરા માનસિક દિવ્યાંગ છે. એક આરોપીએ તેનું શારીરિક શોષણ કરતાં તે ગર્ભવતી બની હતી. સમગ્ર અહેવાલ વાંચો... 19 વર્ષીય યુવતીનાં 16 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાતની મંજૂરીગુજરાત હાઇકોર્ટમાં 19 વર્ષ અને 6 મહિનાની યુવતીએ તેનાં 16 અઠવાડિયાંના ગર્ભના ગર્ભપાત માટે અરજી કરી હતી. યુવતી દુષ્કર્મનો ભોગ બની હતી. તેણે આરોપી મિતેશ ઠાકોર સામે 3 મે, 2024ના રોજ અમદાવાદના રાણીપ પોલીસ મથકે IPCની કલમ 376(2)(f) અને 376(2)(n) મુજબ ફરિયાદ પણ નોંધાવી હતી. યુવતી માનસિક અને આર્થિક રીતે બાળકને રાખવા સક્ષમ નથી, જેથી કોર્ટે અરજી સંદર્ભે યુવતીનો મેડિકલ ટેસ્ટ કરવા અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલને નિર્દેશ આપ્યા હતા. એમાં જણાવાયું હતું કે યુવતી ગર્ભપાત માટે ફિટ છે, પરંતુ એમાં જોખમ પણ છે. સમગ્ર અહેવાલ વાંચો... 17 વર્ષીય સગીરાનાં 7 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરીગુજરાત હાઇકોર્ટમાં 17 વર્ષીય સગીરાની માતાએ સગીરાનાં 7 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે એડવોકેટ ચિંતન ગાંધી મારફત અરજી કરી હતી, જે જજ હસમુખ સુથારની કોર્ટ સમક્ષ રજૂ થઈ હતી. કોર્ટે સુરતની સિવિલ હોસ્પિટલને ત્યાંના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ, ગાયનેકોલોજિસ્ટ અને સાઇકોલોજિસ્ટને સગીરાની શારીરિક અને માનસિક સ્થિતિ અંગેનો મેડિકલ રિપોર્ટ આપવા હુકમ કર્યો હતો તેમજ મેડિકલ રિપોર્ટ માટે તપાસ અધિકારીને વ્યવસ્થાઓ કરવા હુકમ કર્યો હતો. કોર્ટે સગીરાનાં 7 સપ્તાહના ગર્ભપાત માટે મંજૂરી આપી હતી. સમગ્ર અહેવાલ વાંચો... સગીરાનાં 9 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરીગુજરાત હાઇકોર્ટમાં એક સગીરાની માતા દ્વારા તેનાં 9 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી કરવામાં આવી હતી. સગીરા ઉપર દુષ્કર્મ આચરવામાં આવતાં તે ગર્ભવતી બની હતી, જોકે અરજદારના વકીલે કહ્યું હતું કે તે શારીરિક અને માનસિક રીતે કમજોર છે. વળી, તે પોતે બાળકના ઉછેર માટે સક્ષમ નથી. ઉપરાંત સમાજમાં બદનામીને જોતાં પણ સગીરાના ગર્ભપાત માટે મંજૂરી આપવી જોઈએ. સમગ્ર અહેવાલ વાંચો... 16 વર્ષની સગીરાનાં 27 અઠવાડિયાંના ગર્ભના ગર્ભપાતની મંજૂરીગુજરાત હાઈકોર્ટમાં જજ સમીર દવેની કોર્ટમાં એડવોકેટ નિસર્ગ શાહ દ્વારા 16 વર્ષીય સગીરાના ગર્ભપાત માટે અરજી કરવામાં આવી હતી. આ સગીરાને 27 સપ્તાહનો ગર્ભ હતો, જોકે હાઈકોર્ટે સગીરાને ગર્ભપાતની મંજૂરી આપી હતી. સમગ્ર અહેવાલ વાંચો... 22 વર્ષીય યુવતીનાં 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરીસુરેન્દ્રનગરની 22 વર્ષીય યુવતી પર પાડોશી દ્વારા પરિવારજનોને મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. એ સંદર્ભે સુરેન્દ્રનગરમાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી, જોકે આ દુષ્કર્મથી પીડિતાને ગર્ભ રહી જતાં તેણે એડવોકેટ નિમિત્ત શુક્લા મારફત ગુજરાત હાઇકોર્ટમાં યુવતીનાં 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે મંજૂરી માગતી અરજી કરી હતી. એમાં સગીરાના મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ હાઈકોર્ટે મંજૂરી આપી હતી. સમગ્ર અહેવાલ વાંચો... 12 વર્ષીય સગીરાનાં 27 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરીનર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં માતા-પિતા સાથે રહેતી 12 વર્ષીય સગીરા પર તેના જ પિતા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવતાં તે ગર્ભવતી બની હતી. સગીરાનાં 27 સપ્તાહના ગર્ભપાત માટે માતાએ જ વકીલ પૂનમ મહેતા દ્વારા હાઇકોર્ટમાં અરજી કરી હતી, જોકે વડોદરાની સયાજીરાવ હોસ્પિલમાંથી સગીરાના મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ કોર્ટે સગીરાના ગર્ભપાતની મંજૂરી આપી હતી. સમગ્ર અહેવાલ વાંચો...
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના શિયાણી ગામે મારામારીના ગુનાની ઘટનામાં રીકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી દેવરાજ બોરાણાએ પોલીસ પર છરી વડે હુમલો કર્યો હતો. જેને પગલે સ્વબચાવમાં પીએસઆઈ વી.એમ. કોડિયાતરે આરોપી પર ફાયરિંગ કર્યું હતું. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આરોપી દેવરાજ બોરાણાને મારામારીના ગુનાના સ્થળ પર રીકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન તેણે અચાનક છરી કાઢી પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો, જેમાં એક પોલીસકર્મીને ઈજા પહોંચી હતી. પોલીસ પર હુમલો થતાં પીએસઆઈ વી.એમ. કોડિયાતરે સ્વબચાવમાં આરોપી દેવરાજ બોરાણાના પગમાં ગોળી મારી હતી. ગોળી વાગતા આરોપી દેવરાજ બોરાણા ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્ત પોલીસકર્મી અને આરોપી દેવરાજ બોરાણા બંનેને તાત્કાલિક સારવાર અર્થે લીંબડીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આરોપીને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો.
દુનિયાની નજર અત્યારે પૂર્વ એશિયાના આ નાના દરિયાઈ પટ્ટા પર છે. એક તરફ ચીન છે, અને બીજી બાજુ તાઈવાન. તાઈવાનને ઘેરવા ચીને 5 જગ્યા પર જસ્ટિસ મિશન 2025 હેઠળ લશ્કરી કવાયત હાથ ધરી છે. આ પોઈન્ટ્સ પર તાઈવાનનાં મુખ્ય બંદરો અને સપ્લાય રૂટ્સ છે. જેને બ્લોક કરીને આખા ટાપુની નાકાબંધી કરવાનો ચીનનો પ્લાન છે. પોઈન્ટ-1. ઉત્તર Keelung પાસે પોઇન્ટ-2. ઉત્તર-પશ્ચિમ Taoyuan પાસે પોઇન્ટ-3. દક્ષિણ Pingtung પાસે પોઇન્ટ-4. દક્ષિણ-પૂર્વ Taitung પાસે પોઇન્ટ-5. પશ્ચિમ Penghu ટાપુઓ પાસે ચીને જે તાઈવાનની ઘેરાબંધી કરી છે, તે ટાપુ દુનિયાના 90% એડવાન્સ્ડ સેમિકન્ડક્ટર ચીપ્સનું પ્રોડક્શન કરે છે. મોબાઈલથી લઈ ઈલેક્ટ્રિક કારના મગજ સમાન આ ચીપ્સ વગર આપણી આજની ડિજિટલ લાઈફ લગભગ અશક્ય છે. જો તાઈવાનની સપ્લાય ચેઈન તૂટે, તો નવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો મળતા બંધ થશે અને જૂના ઉપકરણો સોફ્ટવેર સપોર્ટ વગર ધીમે-ધીમે ઈ-વેસ્ટ બની જશે. જો બંનેમાંથી એક પણ બાજુ તરફથી નાનું અમથું પણ છમકલું થાય અથવા તો આ સંઘર્ષ લાંબો ચાલે, તો ડિજિટલાઈઝ્ડ દુનિયા એક ફરી 19મી સદીમાં પાછી જઈ શકે છે, જેમાં બેંકિંગથી લઈ ડિફેન્સ સુધીની દરેક હાઈ-ટેક સિસ્ટમ મેઈન્ટેનન્સના અભાવે ઠપ થઈ શકે છે. તો સવાલ એ થાય કે શું આ ચીનની સૈન્ય કવાયત છે કે મોટા તોફાન પહેલાની ભયાનક શાંતિ? નમસ્કાર.... ચીનનો તાઈવાન પર કોઈ સામાન્ય યુદ્ધાભ્યાસ નથી પણ શી જિનપિંગની ખતરનાક પોલિસી છે. ચીન તાઈવાનને હરાવવા નથી માગતું. તે તેને આર્થિક રીતે ગુંગળાવવા માગે છે એવું લાગી રહ્યું છે. ચીનના આવા અખતરાથી એક પણ ગોળી ચાલાવ્યા વગર તાઈવાનનો આર્થિક ઉદયનો સૂર્યાસ્ત થઈ શકે એમ છે. આ મુદ્દામાં એક તરફ નાનકડું છતાં અત્યંત તેજસ્વી અને પોતાને લોકશાહી વિસ્તાર કહેતું તાઈવાન છે અને બીજી બાજુ ચીની ડ્રેગન ફૂંફાડા મારી રહ્યો છે. તાઈવાનનો દીવો ઓલવ્યા વગર ચાઈનાનું વન ચાઈના પોલિસીનું સપનું પૂરું થાય એમ નથી. માટે જ 29 ડિસેમ્બરની વહેલી સવારથી ચાઈનીઝ આર્મી PLAએ 28 હાઈટેક જહાજો સાથે તાઈવાનને ઘેરી લીધું છે. ચીન પાસે કેટલી અને કેવી સેના છે તે આખી દુનિયા જાણે છે. માટે આ કોઈ શક્તિ પ્રદર્શન નથી, સીધી રીતે તાઈવાનની નાકાબંધી છે. આવું કરીને ચીન સાબિત કરવા માગે છે કે ચીન ગમે ત્યારે તાઈવાનને દુનિયાથી અલગ કરી શકે છે. ચારેય બાજુથી ચીનની ત્રણેય પાંખો તાઈવાનું ગળું દબાવવાના પ્રયાસો કરી રહ્યું છે. અહીં એક સવાલ થાય કે, ચાઈના આવું કેમ કરવા માગે છે? ચીનને તાઈવાનથી આટલી નફરત કેમ છે? તો તેનો જવાબ ઈતિહાસમાં મળે છે. ચીન અને તાઈવાનના ઝઘડાનું મૂળ 1949માં છે. આ એ સમય છે જ્યારે ચીનમાં સામ્યવાદી ક્રાંતિ થઈ હતી. ત્યારે હારેલી ચીનની રાષ્ટ્રવાદી સરકાર ભાગીને તાઈવાન ગઈ હતી. ચીન તાઈવાનને પોતાનું ગણાવે છે જ્યારે તાઈવાન પોતાને સ્વતંત્ર ગણાવે છે. તાઈવાન માટે જાપાન મિત્ર છે અને ચીન શત્રુ છે. હાલ જે પરિસ્થિતિ થઈ છે તે 30 વર્ષ પહેલા 1996માં પણ થઈ ચૂકી છે. ચીને તાઈવાન પર ઘેરાબંધી કરી હતી. જો કે તાઈવાનના નસીબ કે અમેરિકાએ બે એરક્રાફ્ટ કેરિયર્સ મોકલીને ચીનને પરત ધકેલી દીધું હતું, અને તાઈવાન બચી ગયું હતું. પણ 1996નું ચીન અને 2025નું ચીન જમીન આસામાનથી અલગ છે. આજે ચીન પાસે સૌથી મોટું નૌકાદળ છે, હાયપરસોનિક મિસાઈલ્સ છે. પણ આજના સમયમાં દુનિયા આખી તાઈવાનની સુપરફાસ્ટ હાઈટેક ચીપ્સ પર નિર્ભર છે. 1996ની જેમ ચીન મિસાઈલ નથી છોડી રહ્યું. તે તાઈવાનને દુનિયાથી કાપવાના પ્રયાસો કરી રહ્યું છે. જો આવું થાય તો તાઈવાન આર્થિક રીતે નબળું થઈ જશે. ઈન્ટરનેટ વગરનું તાઈવાન એટલે બંદૂક વગરની સેના. તાઈવાનની TSMC પાસે દુનિયાભરની સેમિકન્ડક્ટર ચીપ્સનો 72 ટકા બજાર હિસ્સો છે. જો કાલે ચીન તાઈવાન પર હુમલો કરી દે તો દુનિયાભરની GDPમાં 3 ટકા સુધીનો ઘટાડો આવે તેવી શક્યતા છે. આપણે 2008માં જે મહામંદી જોઈ હતી આ તેનાથી પણ ભયાનક પરિણામ હોઈ શકે છે. સામેની બાજુ જો તાઈવાનને કંઈ થાય તો જાપાન પણ મેદાને આવી જશે. કારણ કે હમણા જ જાપાની સરકારે કહ્યું હતું કે તાઈવાન પર હુમલો એટલે જાપાન પર હુમલો. બીજી બાજુ તાઈવાન અને જાપાનને કંઈ થાય તો પેસિફિક મહાસાગરમાં ચીન ગમે ત્યારે અમેરિકાને ધમકાવી શકે તેમ છે. હવે બંનેની સેનાની પણ તાકાત જોઈએ. ચીનની તાકાત તાઈવાનની તાકાત બંનેના પાંચ મોટા પાર્ટનર્સની વાત કરીએ તો તાઈવાનના સાથી દેશો ચીનના સાથી દેશો અહીં રશિયા ભલે ચીન તરફ હોય પણ ભારત રશિયાનું દોસ્ત હોવા છતાં ન્યુટ્રલ છે. પણ ભારત સતર્ક રહેશે કારણ કે ચીનનું હિંદ મહાસાગરમાં પ્રભુત્વ વધવું એ ભારત માટે યોગ્ય નથી. ચીન હાલ સરહદી સંઘર્ષમાં છે ત્યારે ભારત ચીન સરહદે પોતાની શક્તિ વધારવામાં પણ સમય મળી શકે એમ છે. આખી વાત જાણે એમ છે કે ચીન દલીલ કરે છે કે, તાઈવાન અમારો આંતરિક ભાગ છે અને પશ્ચિમી દેશોએ તેમાં દખલગીરી બંધ કરવી જોઈએ. સાંભળવામાં આ દલીલ સારી લાગે છે. પણ શું આંતરરાષ્ટ્રીય જળસીમામાં વેપારી જહાજોને રોકવા એ આંતરિક બાબત છે? આ સીધી રીતે ઘૂસણખોરી છે. બિગર પિક્ચર જોઈએ તો ચીન તાઈવાનનો નાનો એવો ટાપુ નથી ઈચ્છતું પણ તે સમગ્ર ઈન્ડો પેસિફિક વિસ્તારમાં પોતાનું સામ્યવાદી શાસન ઈચ્છે છે. આ પરિસ્થિતિમાં બંધ બેસે એવું અમેરિકાના ઈકોનોમિક હિસ્ટોરિયન ક્રિસ મિલરનું એક પુસ્તક છે. નામ છે ચીપ વોર. જેમાં લખવામાં આવ્યું છે કે, 'જે સેમિકન્ડક્ટર પર નિયંત્રણ રાખશે, તે ભવિષ્યની સૈન્ય અને આર્થિક તાકાત પર નિયંત્રણ રાખશે.' અહીં એવું લાગી રહ્યું છે કે ચીન આ પુસ્તકનાં પાનાઓને હકીકતમાં ફેરવી રહ્યું છે. બીજી બાજુ કાઉન્ટર પોઈન્ટ રિસર્ચના 2025ના લેટેસ્ટ રિપોર્ટ મુજબ 'Apple, Nvidia અને AMD જેવી કંપનીઓનું 90% ભવિષ્ય માત્ર તાઈવાનની શાંતિ પર ટકેલું છે.' હવે સમજીએ કે 5 હજાર કિલોમીટર દૂર થઈ રહેલી વૈશ્વિક ઘટના આપણા ઘર, ખિસ્સા અને રસોડાને કેવી રીતે અસર કરી શકે. જો ચીન તાઈવાન સામે ન કરવાનું કરે તો ચીન તાઇવાન પર હુમલો કરે તો? ચીનની એક હરકત વિશ્વના તમામ દેશો અને ગુજરાતના તમામ લોકોના ખિસ્સા પર મોંઘવારીનો સીધો માર કરી શકે છે. દુનિયા આ બનાવ પર શું કહી રહી છે તે પણ જાણીએ ભારતે હાલ આ મામલે કોઈ સત્તાવાર નિવેદન નથી આપ્યું. ભારતની પ્રતિક્રિયાની ઘણા દેશોને રાહ હશે. અને છેલ્લે, ગુજરાતનું ધોલેરા SIR સેમિકન્ડક્ટર પ્લાન્ટનું હબ છે. અહીં તાઈવાનની PSMC અને ટાટા સાથે મળીને 91 હજાર કરોડ રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કરવાનું છે. જો તાઈવાનમાં કંઈ થાય તો ધોલેરાને પણ અસર થઈ શકે છે. ડ્રેગનની જ્વાળાથી તાઈવાન ભડકે બળે તો વિશ્વ ડિજિટલી થંભી જાય એવી પરિસ્થિતિ છે. શું થશે તેની એક-એક વિગત પર નજર રાખવી તટસ્થ ભારત માટે અતિ જરૂરી છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)
સુરતમાં ઓલપાડ વિધાનસભા વિસ્તારના કીમ, સાયણ અને ઓલપાડ ગામોના વિકાસને વેગ આપવા માટે વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. આ ત્રણ મોટા ગામોને ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકામાં રૂપાંતરિત કરવા માટે સુરત સાઉથ ઝોનના પ્રાદેશિક કમિશનર આર.સી. પટેલ દ્વારા રાજ્ય સરકારના મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન વિભાગને સત્તાવાર દરખાસ્ત મોકલવામાં આવી છે. ઓલપાડના ધારાસભ્ય અને પૂર્વ રાજ્ય મંત્રી મુકેશ પટેલ દ્વારા લાંબા સમયથી કરવામાં આવી રહેલી રજૂઆતના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જે આ વિસ્તારોના ભાવિ શહેરી વિકાસ માટે નિર્ણાયક સાબિત થશે. આ વિસ્તારો હવે સંપૂર્ણપણે શહેરી સ્વરૂપ ધારણ કરી ચૂક્યા છેપ્રાદેશિક કમિશનર આર.સી.પટેલે જણાવ્યું છે કે કીમ, સાયણ અને ઓલપાડમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર ઔદ્યોગિક વિકાસ અને વસ્તીમાં ભારે વધારો જોવા મળ્યો છે. આ વિસ્તારો હવે માત્ર ગામડાઓ ન રહેતા સંપૂર્ણપણે શહેરી સ્વરૂપ ધારણ કરી ચૂક્યા છે. ત્યાં મોટી રહેણાંક સોસાયટીઓ, ફ્લેટ સંકુલો અને વ્યાપારી એકમોની સાથે જીઆઈડીસી (GIDC) જેવા ઔદ્યોગિક વિસ્તારોનો પણ વ્યાપક વિકાસ થયો છે. સ્થાનિકોના જીવનધોરણમાં મોટો સુધારો આવશેવર્તમાન ગ્રામ પંચાયતનું માળખું આ વિશાળ જનસંખ્યાને જરૂરી એવી આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં અપર્યાપ્ત સાબિત થઈ રહ્યું છે, જેના કારણે વહીવટી પરિવર્તન અનિવાર્ય બન્યું છે. નગરપાલિકાની રચના થવાથી આ વિસ્તારોમાં નાગરિક સુવિધાઓનું સ્તર ઊંચું આવશે. પ્રસ્તાવ મુજબ, નગરપાલિકા બન્યા બાદ આ ત્રણેય ગામોને અમૃત (AMRUT), સ્વચ્છ ભારત મિશન (શહેરી), અને પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) જેવી કેન્દ્રીય અને રાજ્ય સ્તરની મહત્વની યોજનાઓનો સીધો લાભ મળશે. પીવાનું શુદ્ધ પાણી, અદ્યતન ગટર અને ડ્રેનેજ વ્યવસ્થા, ઘન કચરાનું વ્યવસ્થિત સંચાલન, સ્ટ્રીટ લાઈટો અને ફાયર સેફ્ટી જેવી સેવાઓ વધુ આયોજનબદ્ધ રીતે ઉપલબ્ધ કરાવી શકાશે, જેનાથી સ્થાનિકોના જીવનધોરણમાં મોટો સુધારો આવશે. આ વિસ્તારોને નગરપાલિકાનો દરજ્જો પ્રાપ્ત થશેઅંતમાં, પ્રાદેશિક કમિશનર આર.સી. પટેલે ધારાસભ્ય મુકેશ પટેલની રજૂઆતને સરકારને આ બાબતે જરૂરી સર્વે અને કાયદેસરની તપાસ પ્રક્રિયા ત્વરિત હાથ ધરવા ભલામણ કરી છે. જો સરકાર દ્વારા આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવશે તો કીમ, સાયણ અને ઓલપાડના રસ્તાઓ, આરોગ્ય સુવિધાઓ અને આયોજનબદ્ધ શહેરી માળખાનો નવો અધ્યાય શરૂ થશે. આ જાહેરાતથી સ્થાનિક રહીશોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આશા સેવાઈ રહી છે કે, ટૂંક સમયમાં આ વિસ્તારોને નગરપાલિકાનો દરજ્જો પ્રાપ્ત થશે.
યુનાઈટેડ ફોરમ ઑફ બેન્ક યુનિયન્સ દ્વારા જાહેર કરાયેલ રાષ્ટ્રવ્યાપી આંદોલનાત્મક કાર્યક્રમને લઈ, દેશભરના 5 Day Banking ની માંગણીના સમર્થનમાં, આજરોજ શહેરની બેન્ક ઓફ ઇન્ડિયા ખાતે દેખાવો-સુત્રોચારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બેન્ક કર્મચારીઓ જોડાયા હતા. 5 Day Bankingની માંગણીના સમર્થનમાં દેખાવો અને સુત્રોચારનો કાર્યક્રમભાવનગર યુનિટ યુનાઈટેડ ફોરમ ઑફ બેન્ક યુનિયન્સ દ્વારા, આજરોજ શહેરના આતાભાઈ ચોક પાસે આવેલ બેંક ઓફ ઇન્ડિયા ખાતે, શહેરભરની તમામ બેંકમાં કાર્યરત તમામ સ્તરના કર્મચારી સંગઠનોના સભ્યો દ્વારા, યુનાઈટેડ ફોરમ ઑફ બેન્ક યુનિયન્સ દ્વારા જાહેર કરાયેલ રાષ્ટ્રવ્યાપી આંદોલનાત્મક કાર્યક્રમોને લઈ, દેશભરના '5 Day Banking'ની માંગણીના સમર્થનમાં, દેખાવો અને સુત્રોચારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં બેન્ક કર્મચારીઓ અને અધિકારી વર્ગના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. દેશભરમાં બેન્ક કામદારોનું આંદોલનઆ અંગે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના કન્વીનર પુનિત ઓઝાએ જણાવ્યું હતું કે, યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના નેજા નીચે, દેશભરમાં કાર્યરત તમામ બેન્ક કામદારોએ આંદોલનની શરૂઆત કરી છે, જેમાં મુખ્ય માંગણી છે, અને જેને એકમાત્ર કહી શકાય, 5 day bankingની છે. 'આજ સુધી નાણામંત્રાલયે 5 day bankingની મંજૂરી આપેલ નથી'તેને વધુમાં કહ્યું કે, છેલ્લા દસ વર્ષથી આ પ્રશ્ન યુનિયન બેન્ક એસોસિએશન સાથે અનેક વખત ચર્ચાઓ થઈ છે, તેમનો અભિપ્રાય હકારાત્મક હોવા છતાં પણ, આજ સુધી નાણામંત્રાલયે 5 day bankingની મંજૂરી આપેલ નથી. તેના માટે દેશભરના તમામ બેન્ક કામદારો સંયુક્ત રીતે, યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના નેજા નીચે, આંદોલનની શરૂઆત કરી છે, અને આજરોજ દેશભરના તમામ શહેરોમાં આ માંગણીના સમર્થનમાં કર્મચારીઓ દ્વારા સુત્રોચાર કરી દેખાવો કરવામાં આવેલ છે. આગળના દિવસોમાં દેશ વ્યાપી હડતાલનું આયોજન પણ કરવામાં આવેલ છે, જેનું ભાવનગર જિલ્લાના તમામ કર્મચારીઓ અમલ કરશે.
GUJCET-2026 માટે અરજીની મુદત લંબાઈ:6 જાન્યુઆરી સુધી આ વેબસાઈટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા GUJCET-2025 માટેની ઓનલાઇન અરજી પ્રક્રિયામાં રાહત આપવામાં આવી છે. અગાઉ 30 ડિસેમ્બર સુધી નક્કી કરાયેલી અરજી કરવાની અંતિમ તારીખ હવે લંબાવીને 6 જાન્યુઆરી 2026 કરવામાં આવી છે. આ વેબસાઈટ પરથી ફોર્મ ભરી શકશોબોર્ડની અધિકૃત સૂચના મુજબ એન્જિનિયરિંગ, ડિગ્રી તથા ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ ઈચ્છતા ઉમેદવારો હવે વધારાના દિવસોમાં GUJCET-2026 માટે ઓનલાઇન અરજી કરી શકશે. અરજી ફોર્મ બોર્ડની વેબસાઇટ www.gseb.org તથા gujcet.gseb.org પર ઉપલબ્ધ છે. ફી ઓનલાઈન અને ચલણ દ્વારા ભરી શકાશેઉમેદવારો માટે પરીક્ષા ફી રૂપિયા 350 નક્કી કરાઈ છે, જે SBI Epay System મારફતે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે નેટ બેન્કિંગથી ઓનલાઇન ભરી શકાય છે. ઉપરાંત SBI Branch Payment વિકલ્પ દ્વારા નજીકની SBI શાખામાં પણ ફી ભરવાની સુવિધા ઉપલબ્ધ રહેશે. બોર્ડે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાના આચાર્યશ્રીઓને વધારાના સમયનો લાભ લઈ સમયસર અરજી પૂર્ણ કરવા અપીલ કરી છે, જેથી કોઈ પણ ઉમેદવાર GUJCET-2026 પરીક્ષામાંથી વંચિત ન રહે.
ભાવનગર શહેરના કણબીવાડ વિસ્તારમાં રહેતા પરિવારમાં મિલકત મામલે ડખ્ખો થતા સગા ભત્રીજાઓએ તેના કાકાની બાઈક સળગાવી દઈ રૂ.60,000નું નુકસાન કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા કાકાએ ભત્રીજાઓ વિરુદ્ધ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 2 ભત્રીજાએ કાકાની બાઈક સળગાવી દીધુંઆ બનાવ અંગે ગંગાજળીયા પોલીસ મથકેથી જણાવા મળતી વિગતો અનુસાર શહેરના કણબીવાડ વિસ્તારમાં આવેલ નાની સડક સ્થિત હબીબના ચોકમાં રહેતા અને છૂટક મજૂરી કામ સાથે સંકળાયેલા સાગર ભાનુભાઇ ચૌહાણ ઉં.વ.28 એ તેના સગા ભત્રીજા સાગર ઈશ્વર ચૌહાણ તથા રચિત ઈશ્વર ચૌહાણ વિરુદ્ધ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તે તથા તેના ત્રણ ભાઈઓ સંયુક્ત મિલકત ધરાવે છે અને આ મિલકત હજુ વેચી ન હોય અને તેની માતા તેની સાથે રહેતી હોય આથી મિલકતની વહેચણી ન કરી હોય. જેને લઈને ઈશ્વરને તેનો હિસ્સો આપ્યો ન હોય આ વાતની દાજ રાખી ઈશ્વરના બંને પુત્રો રોહન તથા રચિતએ ગતરાત્રિના સમયે ફરીયાદીના ઘર બહાર પાર્ક કરેલ બાઈક નંબર GJ 04 DM 7520 કિંમત રૂપિયા 60,000નું સળગાવી દીધુ હતું. 'મિલ્કતમાં ભાગ નહીં આપે તો જાનથી મારી નાંખીશું'ફરિયાદી સાગર સળગતું બાઈક જોઈને જાગી જતા બાઈક પાસે ઉભેલ તેના બંને ભત્રીજાઓએ સાગરના કહેલ કે તારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી દેજે મિલ્કતમાં ભાગ નહીં આપે તો જાનથી મારી નાંખીશું તેમ કહી ફરાર થઈ ગયા હતા આ અંગે ગંગાજળીયા પોલીસ મથકે સાગર ચૌહાણએ રોહન ઈશ્વરભાઈ ચૌહાણ તથા રચિત ઈશ્વરભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી હતી.
પાટણ શહેરના વોર્ડ નંબર 6 માં ગાયત્રી મંદિર રોડ પર આવેલ અમરદીપ સોસાયટી સામે GEBના ટ્રાન્સફોર્મરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ટ્રાન્સફોર્મરની આસપાસ વ્યાપેલા ઝાડી-ઝાંખરાના કારણે આગ વધુ ફેલાઈ હતી. આ ઘટના બાદ પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો અને તાત્કાલિક સમારકામની માંગ કરી હતી. જીઈબી તંત્રની ઘોર બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી રહી છે, કારણ કે ટ્રાન્સફોર્મરની આજુબાજુ ખૂબ મોટા પ્રમાણમાં ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા હતા. પાટણ શહેરના અનેક વિસ્તારોમાં આવા ટ્રાન્સફોર્મરો આવેલા છે જ્યાં આસપાસ સફાઈનો અભાવ અને વ્યાપક પ્રમાણમાં ઝાડીઓ જોવા મળે છે. આ ઉપરાંત, અનેક સ્થળોએ વીજ વાયરો છુટા અને ખુલ્લા હોવાથી વારંવાર શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાના બનાવો બને છે. શહેર કોંગ્રેસ પ્રમુખે આ મામલે રજૂઆત કરતા જણાવ્યું છે કે, પાટણનું જીઈબી તંત્ર સત્વરે જાગે અને સમગ્ર શહેરમાં જ્યાં પણ જાહેર રસ્તાઓ પર ટ્રાન્સફોર્મરો આવેલા છે તેની આસપાસથી તાત્કાલિક ધોરણે ઝાડીઓ દૂર કરવામાં આવે. તેમણે ખુલ્લા અને જોખમી વાયરોનું સમારકામ કરી યોગ્ય વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી હતી. જેથી ભવિષ્યમાં આવા બનાવોને અટકાવી શકાય અને કોઈ મોટી જાનહાનિ કે અકસ્માત થતો રોકી શકાય. કોંગ્રેસ પ્રમુખે ચેતવણી આપી હતી કે, જો તંત્ર દ્વારા વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી સમયમાં મોટી દુર્ઘટના સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે.
ગરવાગઢ ગિરનારની તળેટીમાં યોજાનારા આગામી મહાશિવરાત્રીના મેળા પૂર્વે જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા આક્રમક કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા અને મેળા દરમિયાન પાર્કિંગની જરૂરિયાતને પહોંચી વળવા માટે તંત્રએ ધારાગઢ અને સરદાર બાગ વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધર્યું હતું. આ કામગીરી દરમિયાન કરોડો રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકી દેવાયેલા ગેરકાયદે બાંધકામોને દૂર કરી જમીન ખુલ્લી કરવામાં આવી છે. ધારાગઢમાં 1 કરોડની જમીન પરથી હટાવાયું દબાણ સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ દશરથસિંહ જાદવના જણાવ્યા અનુસાર, ધારાગઢ રોડ પર અંદાજે 1200 વાર જગ્યામાં ગેરકાયદે રીતે બે મકાનો બાંધી દેવામાં આવ્યા હતા. આ મકાન માલિકોને અગાઉ નોટિસ પાઠવી પુરાવા રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું, પરંતુ કોઈ માન્ય દસ્તાવેજો રજૂ ન કરી શકતા આજે તંત્રએ બુલડોઝર ફેરવી દીધું હતું. આ જમીનની બજાર કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ અંકાય છે. હવે આ જગ્યાનો ઉપયોગ શિવરાત્રી મેળામાં આવતા શ્રદ્ધાળુઓના વાહન પાર્કિંગ માટે કરવામાં આવશે. સરદાર બાગ પાસે ગેરકાયદે મકાનો તોડી પડાયા તંત્રની બીજી ટુકડીએ શહેરના વ્યસ્ત એવા સરદાર બાગ વિસ્તારમાં કાર્યવાહી કરી હતી. અહીં છેલ્લા ઘણા સમયથી 630 ચોરસ મીટર સરકારી જમીન પર 16 જેટલા કાચા-પાકા મકાનો બનાવીને દબાણ કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્રએ આ તમામ દબાણોને હટાવીને 1 કરોડથી વધુની કિંમતની જમીન કબ્જે કરી છે. અહીં રહેતા લોકોને પૂરતો સમય અને નોટિસ આપવામાં આવી હોવા છતાં પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહેતા અંતે તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. શિવરાત્રી મેળા માટે પાર્કિંગની સુવિધા વધારવાનો લક્ષ્ય મહાશિવરાત્રીના મેળા દરમિયાન લાખોની સંખ્યામાં ભાવિકો જૂનાગઢ ઉમટી પડે છે, જેને કારણે પાર્કિંગ અને ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતી હોય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે કલેક્ટર અને સીટી સર્વે વિભાગ દ્વારા મેળાને અડીને આવેલા વિસ્તારોમાં સરકારી જમીન પરના દબાણો હટાવવાનું અભિયાન હાથ ધરાયું છે. ધારાગઢની ખુલ્લી થયેલી જગ્યાને પાર્કિંગ પ્લોટ તરીકે વિકસાવવામાં આવશે, જેથી પ્રવાસીઓને અગવડતા ન પડે. જૂનાગઢ વહીવટી તંત્રના આ એક્શન મોડને કારણે ભૂમાફિયાઓ અને ગેરકાયદે દબાણ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે, આવનારા દિવસોમાં શહેરના અન્ય ભાગોમાં પણ સરકારી જમીન પર થયેલા દબાણો સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે. શહેરીજનોએ તંત્રની આ કામગીરીને વધાવી છે, કારણ કે આનાથી શહેરના મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ ઘટશે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં નિવૃત Dyspના પુત્રના મોત બાદ આખરે કોર્પોરેશન તંત્ર તાબડતોડ કામે લાગ્યું હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં બનેલી ઘટના બાદ તંત્રએ એક બાદ એક જવાબદાર સામે કાર્યવાહી કરવાની શરૂ કરી છે, ત્યારે આજે કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પોતાની વિજિલન્સ ડિપાર્ટમેન્ટ અને ક્વોલિટી કંટ્રોલ સેલ ઊભો કરવામાં આવશે જેથી આવી ઘટનાઓને રોકી શકાય. 'ઈજારદારની ફક્ત જવાબદારી નથી, અમારા સુપરવાઈઝર અધિકારીઓની પણ જવાબદારી 'આ અંગે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે, આજે રીવ્યુ બેઠકમાં પણ આ અંગે ઘણી ચર્ચા કરવામાં આવી, એટલે અત્યારે જે કાયદાકીય પગલાં લેવાના છે એ અમે લઈ લીધી છે. પરંતુ ફરી આવી ઘટના ના બને એના માટે સાવચેતીના ભાગરૂપે તમામ ડ્રેનેજ, વોટર સપ્લાય, રોડ અને જે પણ ઝોનલ એન્જિનિયરની ટીમને આજે સૂચના આપવામાં આવી છે કે જે કોન્ટ્રેક્ટ આપ્યા પછી ઈજારદારની ફક્ત જવાબદારી નથી, અમારા સુપરવાઈઝર અધિકારીઓની પણ જવાબદારી છે. સુપરવિઝનની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને પગલાંતેમણે વધુમાં ઉમેર્યું કે સુપરવિઝનની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને પગલાં લેવામાં આવી રહ્યા છે. એમાં એક-એક સમયમાં એક એડિશનલ એન્જિનિયર અથવા ડેપ્યુટી એન્જિનિયરની અંડરમાં 10-15 જગ્યામાં કામ ચાલતું હશે એની પણ સુપરવિઝન થોડું મુશ્કેલ છે, એટલે જે તે ઈજારદારને ધ્યાન આપવા માટે કહેવામાં આવ્યું છે. સાથે તમામ એડિશનલ એન્જિનિયર અને ડે. એન્જિનિયરને પણ ધ્યાન કરવાનું કીધું છે અને ખરેખર આ બધું ચેકિંગ માટે વિજિલન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ વારેઘડીએ જવું પડે છે. 'વિજિલન્સ ડિપાર્ટમેન્ટના સ્ટાફ સેટઅપ થોડું ઓછું છે એને પણ મજબૂત કરવાની જરૂરિયાત 'વધુમાં કહ્યું કે, અહીંયા વિજિલન્સ ડિપાર્ટમેન્ટના સ્ટાફ સેટઅપ થોડું ઓછું છે એને પણ મજબૂત કરવાની જરૂરિયાત છે. આવનારા દિવસોમાં વિજિલન્સ ડિપાર્ટમેન્ટની પણ ભરતી કરીને મજબૂત કરવાનું નક્કી કર્યું છે અને જે ક્વોલિટી કંટ્રોલ સેલનો અભાવ છે એ પણ ક્વોલિટી કંટ્રોલ સેલ ઉભો કરવામાં આવશે. જેથી કરીને ગુણવત્તાપૂર્વક કામ આવનારા દિવસોમાં જે સુપરવિઝન થવું જોઈએ જે તે એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયરના નીચે એની પણ ચર્ચા કરવામાં આવી છે. 'નવા સેટઅપમાં એક વિજિલન્સ સેલ અને ક્વોલિટી કંટ્રોલ સેલ પણ ઉભો કરાશે'વધુમાં કહ્યું કે, આવનારા દિવસોમાં નવા સેટઅપમાં એક વિજિલન્સ સેલ અને ક્વોલિટી કંટ્રોલ સેલ પણ ઉભો કરવામાં આવશે. જે ડાયરેક્ટ મોનિટરિંગ કોર્પોરેશનની હેડક્વાર્ટર તરફથી પણ જવા માટે કરશે અને ઝોનલ લેવલમાં પણ એને ઈન્સ્પેક્શન કરવા માટે કરીશું. સ્થાનિક લેવલના અધિકારી હોય, સુપરવાઈઝર અધિકારી હોય કે સ્થાનિક કોન્ટ્રેક્ટર જેણે કોન્ટ્રેક્ટ મળ્યો છે, એ ત્રણેયની જવાબદારી આવે છે, પરંતુ વધારે કોન્ટ્રેક્ટરની જવાબદારી છે કારણ કે અમે પેમેન્ટ તો એમને જ કરતાં હોય છે, એમની ડાયરેક્ટ જવાબદારી બને છે.
સુરતમાં 31st ડિસેમ્બરની ઉજવણીમાં ડ્રગ્સની હેરાફેરી અને વેચાણ વધવાની શક્યતાઓને જોતા પોલીસ એક્શન મોડમાં હતી. સૈયદપુરા માર્કેટ પાસે આવેલા જાહેર શૌચાલયનો ઉપયોગ ડ્રગ્સના અડ્ડા તરીકે કરનાર ડ્રગ્સ પેડલર અરબાઝ ઉર્ફે 'ફાઈવ ટુ' ઇસ્માઇલ શેખને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યો છે. આરોપીની યોજના ડ્રગ્સ વેચીને મળેલી રકમથી નવા વર્ષની ભવ્ય પાર્ટી કરવાની હતી, પરંતુ તે પહેલા જ તે જેલના સળિયા પાછળ પહોંચી ગયો છે. જાહેર શૌચાલયના પહેલા માળેથી ઝડપાયો નશાનો કારોબારસુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, સૈયદપુરા માર્કેટ પાસે મહાનગરપાલિકા સંચાલિત 'પે એન્ડ યુઝ' ટોયલેટના પહેલા માળે ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે. પીઆઈ એસ.એન. પસ્માર અને તેમની ટીમે ઓપરેશન પાર પાડી અરબાઝની ધરપકડ કરી હતી.આરોપી ત્યાં બેસીને જ ગ્રાહકોને નશીલા પદાર્થો સપ્લાય કરતો હતો. પોલીસને તેની પાસેથી 51.040 ગ્રામ પ્રતિબંધિત મેફેડ્રોન (MD) ડ્રગ્સ મળી આવ્યું છે, જેની બજાર કિંમત અંદાજે 5,10,400 રૂપિયા જેટલી થાય છે. ધો.10 પાસ આરોપીનો ગુનાહિત ઇતિહાસઝડપાયેલો ડ્રગ્સ પેડલર આરોપી અરબાઝ ઉર્ફે પાઇવ માત્ર 10 ધોરણ સુધી ભણેલો છે અને કોઈ નક્કર રોજગાર ધરાવતો નથી. ટૂંકા સમયમાં વધુ પૈસા કમાવવાની લાલચે તે ડ્રગ્સના રવાડે ચઢ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અરબાઝ અગાઉ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં પણ 7.40 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે પકડાઈ ચૂક્યો છે. જેલમાં જઈ આવ્યા બાદ પણ તેણે પોતાનો કાળો કારોબાર ચાલુ રાખ્યો હતો. 5.61 લાખનો મુદ્દામાલ જપ્ત, આદિલ મસાલા વોન્ટેડપોલીસે આ દરોડા દરમિયાન માત્ર ડ્રગ્સ જ નહીં, પરંતુ અન્ય ચીજવસ્તુઓ પણ કબજે કરી છે. જેમાં 50,000 રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન અને રોકડ રકમ સામેલ છે. આમ, કુલ 5,61,300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે આ ડ્રગ્સનો જથ્થો તેણે 'આદિલ મસાલા' નામના શખ્સ પાસેથી મેળવ્યો હતો. હાલ પોલીસે આદિલને વોન્ટેડ જાહેર કરી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. લાલગેટ પોલીસ ઊંઘતી ઝડપાઈ અને ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકીઆ ઘટનામાં લાલગેટ પોલીસની કાર્યશૈલી પર પણ સવાલો ઉભા થયા છે. જે વિસ્તારમાં મોટા પાયે ડ્રગ્સનું વેચાણ થતું હતું ત્યાં સ્થાનિક પોલીસ અજાણ રહી હતી, જ્યારે ક્રાઈમ બ્રાન્ચે સચોટ બાતમીના આધારે દરોડો પાડીને સફળતા મેળવી છે. હાલ આ કેસની આગળની તપાસ લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એમ. ચૌધરીને સોંપવામાં આવી છે, જેઓ ડ્રગ્સના મૂળ સુધી પહોંચવા પ્રયત્ન કરી રહ્યા છે.
પંચમહાલ જિલ્લાના ગોધરા સર્કિટ હાઉસ ખાતે પોલીસ અધિકારીઓ માટે NDPS એક્ટ અંગે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ અને એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સ (ANTF)ની સૂચના મુજબ આયોજિત કરાયો હતો. તાલીમનો મુખ્ય હેતુ પંચમહાલ જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવાનો અને નાર્કોટીક્સ સંબંધિત ગુનાઓમાં સજાનો દર વધારવાનો હતો. ગોધરા સર્કિટ હાઉસના કોન્ફરન્સ હોલમાં NDPS એક્ટ-1985ની ફરજિયાત જોગવાઈઓ અંગે ઇન્ટરએક્ટિવ સેશન યોજાયું હતું. આ કાર્યક્રમમાં સ્પેશિયલ NDPS જજ વી.વી. મોંઢે અને સરકારી વકીલ આર.ડી. શુકલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે હાજર રહેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને NDPS એક્ટની કાયદાકીય બારીકીઓ અને તપાસ દરમિયાન રાખવી પડતી તકેદારીઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. કેસની તપાસમાં કાયદાકીય ભૂલો ન થાય અને ગુનેગારોને સખત સજા થઈ શકે તે બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો. પંચમહાલ રેન્જ આઈજી આર.વી. અસારી અને ઈન્ચાર્જ એસપી બી.એલ. દેસાઈના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પીઆઈ આર.એ. પટેલ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેશનમાં જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
વડોદરામાં ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાના પ્રયાસના મામલે MLAએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં બિલાડીના ટોપની જેમ માર્ગો પર વેચાતા સિમકાર્ડ બંધ કરાવવા માટે રજૂઆત કરી છે. રોડ અને લારીઓ પર મળતા સિમ કાર્ડ બંધ કરાવો અને માત્ર ઓથોરાઇઝ્ડ ડીલર જ સિમ કાર્ડ વેચી શકે તેવો કાયદો બનાવવા માગ કરી છે. આ ઉપરાંત સિમ કાર્ડ લેનારની સાથે સાક્ષીઓનું પણ ઓળખ પત્ર અને બાયોમેટ્રિક પુરાવા લેવા રજૂઆત કરવામાં આવી છે. તેમજ વિધાનસભામાં આ અંગે અલગથી કાયદો બનાવવા રજૂઆત કરવામાં આવી છે.
સુરત શહેરના અત્યંત પોશ ગણાતા વેસુ વિસ્તારમાં તસ્કરોએ ધાર્મિક કાર્યક્રમમાં મોટો હાથફેરો કરી પોલીસને પડકાર ફેંક્યો છે. વેસુ ખાતે આવેલ નંદીની-01 એપાર્ટમેન્ટમાં આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન ભીડનો ગેરલાભ ઉઠાવી તસ્કરોએ એકસાથે સાત મહિલાઓને નિશાન બનાવી હતી. આ સામૂહિક ચોરીની ઘટનાને પગલે શ્રદ્ધાળુઓમાં ભારે રોષ છે. નજર ચૂકવી સાત મહિલાઓના દાગીના લઈને ફરારઘટનાની વિગતો મુજબ ગત તારીખ 27 ડિસેમ્બર, 2015ના રોજ બપોરે 3થી 7 વાગ્યા દરમિયાન કથાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ સમયે કથામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ભક્તિમય માહોલ વચ્ચે ભીડનો લાભ ઉઠાવી કોઈ અજાણ્યા તસ્કરે મહિલાઓની નજર ચૂકવી તેમના ગળામાંથી કિંમતી સોનાના ઘરેણાં સેરવી લેવાનું શરૂ કર્યું હતું. જેમાં ફરિયાદીના ગળામાંથી 22 ગ્રામની સોનાની ચેઈન સહિત કુલ સાત મહિલાઓના દાગીના ચોરાયા હતા. 6.77 લાખના સાત ચેઈન લઈને તસ્કરો ફરારઆ મામલે વેસુમાં જ રહેતા 68 વર્ષીય વૃદ્ધા દ્રોપધીબેન પીતામ્બરદાસ ગુસ્નાનીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, તસ્કરોએ જે સાત ચેઈનની ચોરી કરી છે તેનું કુલ વજન આશરે 140 ગ્રામ જેટલું થાય છે. આ સોનાના ઘરેણાંની બજાર કિંમત અંદાજે 6,77,000 આંકવામાં આવી છે. કથા પૂર્ણ થયા બાદ જ્યારે મહિલાઓને તેમના ગળામાંથી ચેઈન ગાયબ હોવાની જાણ થઈ ત્યારે સમગ્ર પંડાલમાં હોબાળો મચી ગયો હતો. મહિલાઓ કથામાં મગ્ન હતી ને તસ્કરોએ તરખાટ મચાવ્યોચોરીની ઘટના અંગેની જાણ થતાં જ વેસુ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, કોઈ રીઢા તસ્કર અથવા ચોર ગેંગ દ્વારા આયોજનબદ્ધ રીતે આ કસબ અજમાવવામાં આવ્યો હોય તેવી પૂરેપૂરી શક્યતા છે. મહિલાઓ જ્યારે કથામાં મગ્ન હતી ત્યારે જ અત્યંત ચપળતાથી તેમના ગળામાંથી ચેઈન ખેંચી લેવામાં આવી હતી અને આરોપીઓ ભીડમાં ભળીને ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. લોકોએ ભીડવાળી જગ્યાએ સાવચેત રહેવું જોઈએહાલમાં વેસુ પોલીસે દ્રોપધીબેનની ફરિયાદના આધારે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ દ્વારા એપાર્ટમેન્ટના પ્રવેશદ્વાર અને આસપાસના સીસીટીવી ફૂટેજની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. ધાર્મિક કાર્યક્રમોમાં સુરક્ષાને લઈને ફરી એકવાર સવાલો ઉભા થયા છે અને પોલીસે લોકોને ભીડવાળી જગ્યાએ સાવચેત રહેવા અપીલ કરી છે.
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે કડકડતી ઠંડી વચ્ચે અબોલ શ્વાનો માટે અનોખી જીવદયા પ્રવૃત્તિ ચાલી રહી છે. ગામના મહિલા અને યુવા મંડળો દ્વારા લોકફાળાથી શ્વાનોને લાડુ, શીરો, ખીચડી અને ગરમાગરમ રોટલાનું ભોજન પીરસવામાં આવી રહ્યું છે. આ સેવા કાર્ય છેલ્લા બે મહિનાથી નિરંતર ચાલી રહ્યું છે. આ સેવા અંતર્ગત, ગં.સ્વ. સવિતાબા લાભશંકર વ્યાસ અને ગં.સ્વ. મંગુબેન પ્રેમશંકર વ્યાસ દ્વારા દર વર્ષની જેમ આ શિયાળામાં પણ રોટલા બનાવવાનું પુણ્ય કાર્ય શરૂ કરાયું છે. લીમડી ચોક પાસે દરરોજ રાત્રે મહોલ્લાની બહેનો એકત્ર થઈ રોટલા બનાવે છે. અત્યાર સુધીમાં 100 કિલોથી વધુ બાજરીના રોટલા બનાવી શ્વાનોને ખવડાવવામાં આવ્યા છે, જેમાં દાતાઓ દ્વારા બાજરી અને લાકડાનું દાન મળ્યું છે. આ કાર્ય ઠંડી ચાલુ રહેશે ત્યાં સુધી ચાલુ રહેશે. ગામના યુવા મંડળ દ્વારા છેલ્લા એક મહિનાથી ગામલોકોના દાનથી આંતરા દિવસે ખીચડી અને શીરો બનાવવામાં આવે છે. આ ભોજન ગામમાં તેમજ ખેતરોમાં રહેતા શ્વાનોને છકડા મારફતે પહોંચાડવામાં આવે છે. મૌલિકભાઈ પટેલના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં છ થી સાત ઘાણ શીરો અને દસથી વધુ ઘાણ ખીચડી બનાવીને ખવડાવવામાં આવી છે. આ સેવા કાર્યમાં રમેશભાઈ પટેલ, શિવાભાઈ પટેલ, પમુજી દરબાર, ભરતભાઈ, ભદ્રેશભાઈ, સંદીપભાઈ, મહેશભાઈ, મયુરભાઈ, કુણાલભાઈ અને તેમની ટીમ સક્રિય છે. રાધાકૃષ્ણ મહિલા મંડળ પણ દર વર્ષે તેલના લાડુ બનાવીને શ્વાનોને ખવડાવે છે. ચાલુ વર્ષે દરબાર અંતરબા ભગાજીના ઘરે બે મણ લોટના તેલના લાડુ બનાવવામાં આવ્યા હતા, જેમાં બહેનો દ્વારા રૂ. 6900નો આર્થિક સહયોગ મળ્યો હતો. રસોઈયા હરગોવનભાઈ પ્રજાપતિએ લાડુનો ઘાણ તૈયાર કર્યા બાદ મહિલા મંડળના અંતરબા, ગં.સ્વ. રમાબા વ્યાસ, રંજનબેન વ્યાસ, પદ્માબેન રાવલ, રામીબેન પટેલ, રમાબેન ઠાકર સહિતની બહેનોએ જાતે એકત્ર થઈ લાડુ બનાવી દરેક મહોલ્લામાં પહોંચાડી ખવડાવ્યા હતા. બચેલા રૂ. 1,500 યુવા મંડળને ખીચડી અને શીરો બનાવવા માટે દાનમાં આપવામાં આવ્યા હતા.
ગરવા ગઢ ગિરનારની ગોદમાં વસેલા જૂનાગઢ શહેરને સ્માર્ટ બનાવવાની વાતો વચ્ચે મહાનગરપાલિકાના 'વોટર વર્કસ' વિભાગની પોલ ખુલી ગઈ છે. શહેરના મધુરમ વિસ્તારમાં એસબીઆઈ બેન્ક સામે આવેલી વનગંગા સોસાયટીમાં મનપાએ નાખેલી પાણીની નવી પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લિટર પાણીનો બગાડ થયો છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને વોટર વર્ક શાખાના અધિકારી અલ્પેશ ચાવડાની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. પાઈપલાઈન લીકેજ થવાને કારણે સોસાયટીના રસ્તાઓ પર એક ફૂટથી વધુ પાણી ભરાઈ ગયા છે. જેના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકો અને ખાસ કરીને શાળાએ જતા નાના બાળકો અને તેમના વાલીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોએ આ ગંદા અને કાદવયુક્ત પાણીમાં ચાલીને રસ્તો ઓળંગવો પડી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે પણ અધિકારીઓની અણઆવડતને કારણે જનતા સુવિધાના બદલે મુસીબત ભોગવી રહી છે. બે મહિનામાં બીજી વખત ભંગાણ અગાઉ બે મહિના પહેલા પણ આ જ જગ્યાએ પાઈપલાઈન તૂટી હતી.નિષ્ણાતોના મતે પાઈપલાઈન નાખતી વખતે યોગ્ય 'લેવલિંગ' કરવામાં આવ્યું નથી અથવા તો હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે. કરોડો રૂપિયાના ખર્ચે જે કામગીરી થઈ છે, તેમાં ટેકનિકલ પદ્ધતિને નેવે મૂકીને માત્ર કાગળ પર કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. મનપા અધિકારી અલ્પેશ ચાવડાનું મૌન જ્યારે આ ગંભીર બેદરકારી અંગે વોટર વર્ક શાખાના જવાબદાર અધિકારી અલ્પેશ ચાવડાનો વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમણે ફોન ઉપાડવાનું ટાળ્યું હતું. અધિકારીનું આ મૌન અનેક તર્ક-વિતર્ક સર્જી રહ્યું છે. શું આ કામગીરીમાં તેમની પણ ભાગીદારી છે ? કે પછી કોન્ટ્રાક્ટરને છાવરવા માટે તેઓ મીડિયાના સવાલોથી ભાગી રહ્યા છે ? કોર્પોરેટરનું 'ટેસ્ટિંગ'નું બહાનું : આ મામલે સ્થાનિક કોર્પોરેટર ધર્મન ડાંગરે જણાવ્યું હતું કે કદાચ પાણીની લાઈનનું ટેસ્ટિંગ ચાલતું હશે એટલે આવું થયું હશે. જોકે જ્યારે તેમને યાદ અપાવવામાં આવ્યું કે બે મહિના પહેલા પણ આ જ સ્થિતિ હતી, ત્યારે તેઓ નિરુત્તર થઈ ગયા હતા. જોકે, તેમણે વહેલી તકે કામગીરી સુધારવાની ખાતરી તો આપી છે, પણ સવાલ એ છે કે દર વખતે ટેસ્ટિંગના નામે જનતાના ટેક્સના પૈસા અને પીવાનું પાણી ક્યાં સુધી વેડફાતું રહેશે ? જૂનાગઢ મનપાના એન્જિનિયરો અને અધિકારીઓની બેદરકારી હવે જનતા માટે જીવનું જોખમ બની રહી છે. જો આ રીતે જ ભ્રષ્ટાચાર ચાલતો રહેશે, તો આગામી દિવસોમાં સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે. હવે જોવાનું એ રહેશે કે કમિશનર આ મામલે જવાબદાર અધિકારી અલ્પેશ ચાવડા અને કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરે છે કે પછી 'સેટિંગ'ના ખેલમાં જનતા પીસાતી રહેશે.
ગાંધીનગરમાં રખડતા શ્વાનના વધતા ત્રાસ અને નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખીને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા બે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. મેયરની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં રખડતા કૂતરાઓ માટે અડાલજ ખાતે 200ની ક્ષમતા ધરાવતી ખાસ એનિમલ હોસ્ટેલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ શહેરમાં પાલતુ શ્વાન રાખનારા માલિકો માટે રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાની દરખાસ્તને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા બે મહત્વના નિર્ણયો લેવાયાગાંધીનગરમાં રખડતા શ્વાનના વધતા ત્રાસ અને નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખીને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા બે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જોકે, સભા દરમિયાન રજૂ થયેલી 10 દરખાસ્તો પૈકી પાલતુ શ્વાનના રજીસ્ટ્રેશનની દરખાસ્ત ચર્ચામાં રહી હતી. કોર્પોરેટરોએ બીજા કામો છોડી કૂતરાઓની ફરિયાદો પાછળ દોડવું પડે છેઆ સભામાં મૂળ કોંગ્રેસી એવા ભાજપના કાઉન્સિલર અને સુએઝ, સેનીટેશન સમિતિના ચેરમેન અંકિત બારોટે આ મુદ્દે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, પાલતુ શ્વાનનું રજીસ્ટ્રેશન આવકારદાયક છે, પરંતુ શહેરમાં રખડતા કૂતરાઓનો પ્રશ્ન વધુ ગંભીર છે. વોર્ડમાં જતી વખતે લોકો અવારનવાર આ ત્રાસ અંગે ફરિયાદ કરે છે. કોર્પોરેટરોએ બીજા કામો છોડીને કૂતરાઓની ફરિયાદો પાછળ દોડવું પડે છે. અડાલજ ખાતે રખડતા શ્વાન માટે ખાસ હોસ્ટેલનું નિર્માણત્યારે અંકિત બારોટની રજૂઆતના જવાબમાં મ્યુનિસિપલ કમિશનરે ખાતરી આપી હતી કે અડાલજ ખાતે રખડતા શ્વાન માટે ખાસ હોસ્ટેલનું નિર્માણ થઈ રહ્યું છે. આ હોસ્ટેલની ક્ષમતા 200 શ્વાન રાખવાની હશે. બીમાર કે હડકાયા શ્વાનને પકડીને ત્યાં જરૂરી ટ્રીટમેન્ટ આપવામાં આવશે. શહેરમાં શ્વાનના ખસીકરણની પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવવામાં આવશે. રખડતા શ્વાન માટે નક્કર પોલિસી હોવી જોઈએઆ અંગે અંકિત બારોટે કહ્યું કે, લોકોની ફરિયાદ હતી કે રખડતા કુતરાઓનો ત્રાસ વધી ગયો છે. મેં સભામાં રજૂઆત કરી કે માત્ર રજીસ્ટ્રેશન નહીં પણ રખડતા શ્વાન માટે નક્કર પોલિસી હોવી જોઈએ. કમિશનરે આશ્વાસન આપ્યું છે કે અડાલજમાં હોસ્ટેલ તૈયાર થયા બાદ આ સમસ્યાનો ટૂંક સમયમાં અંત આવશે. પાલતુ કૂતરાઓની નોંધણી મહાનગરપાલિકામાં કરાવવી પડશેઉલ્લેખનીય છે કે, મહાપાલિકાએ મંજૂર કરેલી નવી દરખાસ્ત મુજબ, હવે ગાંધીનગરના નાગરિકોએ તેમના ઘરમાં રાખેલા પાલતુ કૂતરાઓની નોંધણી મહાનગરપાલિકામાં કરાવવી પડશે. આ નિર્ણય પાછળનો હેતુ પાલતુ પ્રાણીઓનો ડેટા રાખવાનો અને જવાબદાર પેટ ઓનરશિપને પ્રોત્સાહન આપવાનો છે.
રાજ્યમાં ભાગીને કરાતા લગ્નના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લગ્ન નોંધણીના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. નવા પ્રસ્તાવ મુજબ હવે ભાગેડુ લગ્નની નોંધણી સીધી રીતે નહીં થઈ શકે અને તે માટે વર્ગ-2 અધિકારીની પૂર્વ મંજૂરી ફરજિયાત રહેશે. માતા-પિતાએ 30 દિવસની અંદર લેખિત જવાબ આપવો પ્રસ્તાવિત નિયમો અનુસાર તલાટી અથવા વર્ગ-2 અધિકારીની મંજૂરી વિના ભાગેડુ લગ્નની નોંધણી કરી શકાશે નહીં. ઉપરાંત આવા કિસ્સાઓમાં યુવક-યુવતીના માતા-પિતાને પણ સત્તાવાર નોટિસ મોકલવામાં આવશે. નોટિસ મળ્યા બાદ માતા-પિતાએ 30 દિવસની અંદર પોતાનો લેખિત જવાબ આપવો ફરજિયાત રહેશે. પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ સત્તાવાર જાહેરાત થઈ શકે છેસરકારનો ઉદ્દેશ્ય નાબાલિક લગ્ન, દબાણ હેઠળ થતા લગ્ન અને પરિવારની જાણ વગર થતી નોંધણી પર રોક લગાવવાનો છે. આવતીકાલે યોજાનારી કેબિનેટ બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ તેના અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. નવા નિયમો અમલમાં આવ્યા બાદ રાજ્યમાં ભાગેડુ લગ્નની નોંધણી પ્રક્રિયા વધુ કડક અને પારદર્શક બનશે.
ભારત-પાકિસ્તાન વચ્ચે 2026માં 'સશસ્ત્ર સંઘર્ષ'ની આશંકા, અમેરિકન થિંક ટેન્કના રિપોર્ટમાં દાવો
US Predicts Possible India-Pakistan War : દુનિયાભરમાં શાંતિના પ્રયાસો વચ્ચે દક્ષિણ એશિયા માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકાની પ્રતિષ્ઠિત થિંક ટેન્ક 'કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સ' (CFR) એ તેના વાર્ષિક રિપોર્ટ 'કોન્ફ્લિક્ટ ટુ વૉચ ઇન 2026'માં ભવિષ્યવાણી કરી છે કે આગામી વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ભારત જ નહીં, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે પણ સરહદી સંઘર્ષ વધવાની પ્રબળ શક્યતા જોવામાં આવી રહી છે. ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની કેટલી શક્યતા? આ રિપોર્ટ અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચે 'સશસ્ત્ર સંઘર્ષ'ની શક્યતા 'મધ્યમ' (Moderate Likelihood) શ્રેણીમાં રખાઈ છે.
વડોદરા હરણી એરપોર્ટ ખાતે આજે ઈન્ડિગો એર લાઈન્સ દ્વારા નવી મુંબઈની ફ્લાઈટ આજથી શરૂ કરવામાં આવી છે. આ ફ્લાઇટ આજે નવી મુંબઈથી વડોદરા આવી પહોંચી હતી. નવી મુંબઈ એરપોર્ટથી આજે બપોરે 3 વાગ્યે ફ્લાઇટ ટેકઓફ થઈ હતી. જે વડોદરા એરપોર્ટ પર 4.05 વાગ્યે આગમન થઈ હતી. જ્યારે નવી મુંબઇ માટે વડોદરાથી સાંજે 4.40 વાગ્યે ટેક ઓફ કરીને નવી મુંબઇ સાંજે 5.45 વાગે પહોંચશે. વડોદરાને નવી મુંબઈ સાથે જોડતી નવી ફ્લાઇટ મળીઆ નવી ફ્લાઈટ શરૂ થતાં વડોદરા એરપોર્ટથી ફ્લાઇટ્સની સંખ્યા વધીને 15 પર પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ઈન્ડિગો એર લાઇન્સની ફ્લાઇટ્સની કટોકટી બાદ વડોદરા એરપોર્ટ ખાતે પહેલી નવી ફ્લાઈટનો આજથી પ્રારંભ થયો છે. ઈન્ડિગો એરલાઈન્સે આજે વડોદરાને નવી મુંબઈ સાથે જોડતી તેની નવી ફ્લાઇટનું સંચાલન શરૂ કર્યું છે, જે મહારાષ્ટ્ર સાથે હવાઈ જોડાણને ખુબજ મજબૂત બનાવશે. 170 મુસાફરો વડોદરાથી નવી મુંબઈ માટે રવાના થયા આ ફ્લેટને લઈ વડોદરા એરપોર્ટ પર ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ એરપોર્ટ ડિરેક્ટર, એરપોર્ટ સલાહકાર સમિતિના સભ્યો, એરપોર્ટ મેનેજર ઈન્ડિગો, વિવિધ હિસ્સેદારો અને એરપોર્ટ સ્ટાફની હાજરીમાં યોજાયો હતો. આજની આ ફ્લાઇટને મુસાફરોનો અદ્ભુત પ્રતિસાદ મળ્યો છે. નવી મુંબઈથી કુલ 80 મુસાફરો વડોદરા આવ્યા હતા, જ્યારે 170 મુસાફરો વડોદરાથી નવી મુંબઈ માટે રવાના થયા હતા.
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે ફરી એકવાર મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. એર ઈન્ડિયા એક્સપ્રેસની સુરતથી બેંગકોક જતી ફ્લાઇટ નિર્ધારિત સમય કરતાં 9 કલાકથી વધુ મોડી પડતા મુસાફરોનો પારો સાતમા આસમાને પહોંચ્યો હતો. સવારથી ભૂખ્યા-તરસ્યા બેસી રહેલા મુસાફરોએ એરપોર્ટ પરિસરમાં જ એરલાઇન્સના સ્ટાફ સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. શું છે સમગ્ર મામલો? મળતી માહિતી મુજબ, એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ જે સવારે 9:00 વાગ્યે સુરતથી બેંગકોક માટે રવાના થવાની હતી, તે ટેકનિકલ કે અન્ય કારણોસર મોડી પડી હતી. સાંજ ના 6:00 વાગ્યા સુધી પણ ફ્લાઇટ ઉપડવાના કોઈ એંધાણ ન દેખાતા મુસાફરોની ધીરજ ખૂટી હતી. ઘણા મુસાફરોએ આગળના કનેક્ટિંગ ફ્લાઇટ અને હોટલ બુકિંગ કરાવી રાખ્યા હતા, જે આ વિલંબને કારણે રદ થવાની ભીતિ સેવાઈ રહી છે. બાળકો અને વૃદ્ધોની હાલત કફોડી એરપોર્ટ પર અટવાયેલા મુસાફરોમાં નાના બાળકો અને વૃદ્ધોની સંખ્યા મોટી હતી. મુસાફરોનો આક્ષેપ છે કે એરલાઇન્સ દ્વારા મુસાફરો માટે જમવા કે પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નહોતી. ફ્લાઇટ કેટલા વાગ્યે ઉપડશે તે અંગે સ્ટાફ દ્વારા કોઈ સચોટ માહિતી આપવામાં આવતી નહોતી. લાંબા સમય સુધી રાહ જોયા બાદ જ્યારે મુસાફરોએ પૂછપરછ કરી, ત્યારે સ્ટાફ તરફથી સંતોષકારક જવાબ ન મળતા મામલો બિચક્યો હતો. એરપોર્ટ પર હંગામો અને રોષ ભારે અકળામણ અનુભવતા મુસાફરોએ એરપોર્ટના ડિપાર્ચર ટર્મિનલ પાસે જ ભેગા થઈને એર ઈન્ડિયા એક્સપ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. મુસાફરોએ જણાવ્યું હતું કે, અમે લાખો રૂપિયા ખર્ચીને વેકેશન પ્લાન કર્યું હોય છે અને એરલાઇન્સની આવી બેદરકારીને કારણે અમારો આખો પ્રવાસ બગડી રહ્યો છે. મોડી સાંજ સુધી એરપોર્ટ પર તણાવભર્યો માહોલ જોવા મળ્યો હતો અને એરપોર્ટ સિક્યુરિટીએ દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. અહીં ઘેટાં-બકરાંની જેમ ભરી દીધા છે એક મુસાફરે જણાવ્યું હતું કે, હવે અમારા રોકાણના પૈસા કોણ આપશે? તે લોકો ફ્લાઇટનું રિફંડ પણ નથી આપી રહ્યા. અહીં કોઈ સુવિધા નથી. એવું સમજી લો કે અમને અહીં ઘેટાં-બકરાંની જેમ ભરી દીધા છે. ન તો અમે ઘરે પાછા જઈ શકીએ છીએ અને ન તો અહીંથી આગળ વધી શકીએ છીએ. ખૂબ જ અસુવિધા થઈ રહી છે. અમારી જે ફ્લાઇટ હતી તે તો ઓલરેડી મિસ થઈ ગઈ અન્ય એક મુસાફરે જણાવ્યું કે, અહીંયા ફ્લાઇટ મોડી પડી છે, ત્રણ વખત અપડેટ આપ્યું છે પણ હજી કોઈ ચોક્કસ માહિતી નથી કે આગલી ફ્લાઇટ ક્યારે આવશે. અમારે અહીંથી આગળ વિયેતનામ જવાનું છે, તેના માટે અમે મુંઝવણમાં છીએ કે બીજી ફ્લાઇટ ક્યારે બુક કરાવીએ. હજી સુધી કોઈ અપડેટ નથી અને વિયેતનામની અમારી જે ફ્લાઇટ હતી તે તો ઓલરેડી મિસ થઈ ગઈ છે. તેઓ અમને મૂર્ખ બનાવી રહ્યા છે અન્ય એક મુસાફરે જણાવ્યું કે, કોઈને બેંગકોકથી વિયેતનામ જવું છે, કોઈને ચાઇના જવું છે, દરેકની કનેક્ટિવિટી બગડી ગઈ છે. બધું જ વેરવિખેર થઈ ગયું છે. જો આ સમસ્યા વિશે અમને સવારના 12 કે 1 વાગ્યા સુધીમાં જણાવી દીધું હોત, તો અમે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી શક્યા હોત. પણ તેઓ અમને મૂર્ખ બનાવી રહ્યા છે. તેઓએ બધી જ ફ્લાઇટ્સ રોકી દીધી છે અને કોઈને અમારી પરવા નથી.
વડોદરામાં તાજેતરના એક જાહેર કાર્યક્રમમાં મંચ પર ભાજપના વિધાનસભા દંડક અને મંત્રી સાથે નેતાઓ ઉપસ્થિત હતા. ત્યારે મંચ પર પહોંચેલા ક્લાસ વન ઓફિસર ડીઇઓએ વિધાનસભા દંડક બાળુ શુક્લના ચરણ સ્પર્શ અંગે ડીઇઓ સામે NSUI દ્વારા વિરોધ કરીને માફી માગી સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરે તેવી માગ કરી છે. ડીઇઓના વર્તનથી શિક્ષણને બદ્દો લાગવા સહિત ડીઈઓ ભાજપના કાર્યકર હોવાનો આક્ષેપ કરીને કારેલીબાગ ડીઈઓ કચેરી સામે કાર્યકરોએ ભારે સૂત્રોચાર કર્યો હતો. દંડક બાળુ શુક્લના ચરણસ્પર્શ કર્યા ને વિવાદતાજેતરમાં સાંસદ ખેલ મહોત્સવની પૂર્ણાહુતિ સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મંચ પર વિધાનસભા દંડક બાળુ શુક્લ સહિત શહેર ભાજપ પ્રમુખ તથા મહિલા રાજ્ય મંત્રી ઉપસ્થિત હતા. દરમિયાન મંચ પર ક્લાસ વન ઓફિસર ડીઇઓ મહેશ પાડેએ આવી પહોંચી દંડક બાળુ શુક્લના ચરણસ્પર્શ કર્યા હતા. આ બાબતે NSUI દ્વારા ભારે વિરોધ કર્યો હતો. ક્લાસ વન ઓફિસર ડીઈઓ પ્રજાના સેવક છે નહીં કે ભાજપના કાર્યકર તેવા આક્ષેપ કરીને ડીઈઓ માફી માંગે અને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર મૂકે તેવી કાર્યકરોએ માંગ કરી ભારે સૂત્રોચાર કરીને ડીઇઓ કચેરી કમ્પાઉન્ડ ગજાવી મૂક્યું હતું. વીડિયો બનાવી માફી માગવામાં આવેની NSUIની માગઆ અંગે NSUIના પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું હતું કે, વડોદરાના DEO દ્વારા સમગ્ર શિક્ષણ જગતમાં એક શરમજનક બાબત કે ધારાસભ્યને જાહેર મંચ પર ચરણ સ્પર્શ કરે છે, આ એક શરમ જનક બાબત છે. જાહેર મંચ પર આ રીતે ચરણ સ્પર્શ કરવા યોગ્ય નથી. તેઓનો પગાર ભારતીય જનતા પાર્ટી દ્વારા નથી કરવામાં આવતો તે સરકાર આપે છે. આ કૃત્ય યોગ નથી અને આ અંગે NSUI દ્વારા માંગ કરવામાં આવે છે કે આ બાબતે એક વીડિયો બનાવી માફી માગવામાં આવે તેવી માગ કરવામાં આવે છે. અમારી માંગ ત્યાં સુધી ચાલુ રહેશે કે DEO અમારી સમક્ષ નહીં આવે ત્યાં સુધી અમે વિવિધ કાર્યક્રમ કરીશું. 'ગાંધીજીનો ફોટો મૂકી નમન કરવું હોય તો તેઓને કરવું જોઈએ'વધુમાં કહ્યું કે, આજે અમે ગાંધીજીનો ફોટો લઈ ને આ બાબતે રજૂઆત માટે પહોંચ્યા હતા પરંતુ તેઓ મળ્યા ન હતા. આ માટે અમે ઓફિસમાં આવેલ ખુરશી પર ગાંધીજીનો ફોટો મૂકી નમન કરવું હોય તો તેઓને કરવું જોઈએ. આ બાબતે અમે રજૂઆત અર્થે પહોંચ્યા પરંતુ તેઓ મળ્યા ન હતા. આખરે આ મામલે ચોક્કસ માફી માગી તેઓએ વિડિઓ જાહેર કરવો જોઈએ.
ખનીજ વિભાગનો સપાટો:વલ્લભીપુર, પાલિતાણા અને વરતેજમાંથી રેતીચોરી કરતા 4 ડમ્પરો ઝડપાયા
ભાવનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ વહન અટકાવવા માટે ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા લાલ આંખ કરવામાં આવી છે જેમાં આજે સવારે જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલા આકસ્મિક દરોડામાં સાદી રેતીનું ગેરકાયદેસર વહન કરતા 4 ડમ્પરો ઝડપી પાડી કુલ રૂપિયા 80 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે ભૂસ્તરશાસ્ત્રી બી. એમ. જાળોંધરા એ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આજે અમારી કચેરીની તપાસ ટીમ દ્વારા આજે સવારે વલ્લભીપુર, પાલિતાણા અને વરતેજ ખાતે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ દરમિયાન રોયલ્ટી પાસ વગર અથવા નિયમ વિરુદ્ધ રેતી ભરીને જતા ચાર વાહનોને પકડી પાડવામાં આવ્યા હતા, તપાસ ટીમ દ્વારા વાહનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં ડમ્પર નંબર GJ-04- AX -5041 જે ભોળા અશોકભાઈ ચૌહાણ ની માલિકી, ડમ્પર નંબર GJ- 06- AZ - 2420 જે રાજદીપસિંહ ડી ગોહિલની માલિકી, ડમ્પર નંબર GJ-13- X-6483 જે જીતેશ ડાયાભાઈ ડાંગર ની માલિકી તથા ડમ્પર નંબર- GJ -04- X- 7061 જે જયદીપસિંહ જાડેજાની માલિકી ઓના ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી, તપાસ ટીમ દ્વારા કુલ 80 લાખની કિંમતના ડમ્પરો સીઝ કરીને આગળની દંડનીય અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભૂસ્તરશાસ્ત્રી બી. એમ. જાળોંધરાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને વહન કરનારા તત્વો સામે આગામી સમયમાં પણ આ પ્રકારની કડક ઝુંબેશ ચાલુ રહેશે.
લુણાવાડા નગરપાલિકાની કાર્યવાહી:પરવાનગી વિના ટેન્ટ લગાવનાર વેપારીઓ પાસેથી દંડ વસૂલ્યો
લુણાવાડા નગરપાલિકાએ જાહેર માર્ગો પર પરવાનગી વિના ટેન્ટ ઊભા કરીને ટ્રાફિકમાં અડચણ ઊભી કરનારા વેપારીઓ સામે કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી અંતર્ગત વેપારીઓ પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો. નગરપાલિકા અધિનિયમ મુજબ, આવા વેપારીઓ પાસેથી કુલ ₹3300/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ ટેન્ટ જાહેર માર્ગો પર ઊભા કરાયા હતા, જેના કારણે વાહનવ્યવહારમાં અવરોધ ઊભો થતો હતો. નગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે આગામી સમયમાં જો કોઈ પણ વેપારી પરવાનગી વિના જાહેર સ્થળો પર ટેન્ટ કે અન્ય કોઈ પ્રકારના માળખા ઊભા કરશે, તો તેમની સામે કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. નગરપાલિકા તંત્ર દ્વારા તમામ વેપારીઓને નિયમોનું પાલન કરવા અને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
સુરત ખાતે આયોજિત સમસ્ત ઝાલાવાડ લેઉવા પટેલ સમાજના 33મા સ્નેહ મિલન અને તેજસ્વી તારલાઓના સન્માન સમારોહમાં પાટીદાર અગ્રણી અને જાણીતા વક્તા શૈલેષ સાગપરીયાએ સમાજની વર્તમાન સ્થિતિ અને પેઢીઓ વચ્ચેના અંતર પર અત્યંત માર્મિક અને હૃદયસ્પર્શી નિવેદનો આપ્યા હતા. હાલ ચાલતા આરતી સાંગાણીના પ્રેમલગ્નને ચાલતા વિરોધ વચ્ચે તેમણે નામ લીધા વિના જ દીકરીઓને ખૂબ જ મોટી ટકોર કરી હતી અને કહ્યું હતું કે, જીવનસાથી પસંદ કરતી વખતે સચેત રહો. દીકરીનું એક ખોટું પગલું આખી જિંદગી પિતાને નીચું જોઈને ચાલવા મજબૂર કરી શકે છે. તમારા એક ખોટા પગલાથી પિતાનું મસ્તક ઝૂકી શકે છેકાર્યક્રમમાં શૈલેષ સાગપરીયાએ દીકરીઓને ઉદ્દેશીને અત્યંત ભાવુક અપીલ કરી હતી કે, સમાજની દીકરીઓને પણ મારે એક વાત છેલ્લે એટલી કહેવી છે, અહીંથી કહેવાઈ ગઈ છે એટલે વિશેષ મારે નથી કહેવું, પણ એટલું કહેવું છે કે તમારો જીવનસાથી પસંદ કરતી વખતે બરોબર સચેત રહેજો. કારણ કે તમને તમારી ઉંમરને કારણે ખબર નથી કે તમારી પસંદગી કેવી ખોટી થઈ જાય છે. એક પગલું ભરીએ ને પિતા નીચું મોઢું રાખીને ચાલતા થઈ જાયઆજકાલ આપણે આપણા આદર્શ પણ કોને બનાવી દીધા છે? ફિલ્મ અભિનેત્રીઓ આપણી આદર્શ! હું તો એવું કહું કે સરદાર પટેલ મની દીકરી કુમારી મણીબેન પટેલ આપણા માટે આદર્શ હોવા જોઈએ કે પોતાના પિતા માટે એ દીકરીએ શું કર્યું હતું? બહેનો યાદ રાખજો, આપણા પિતા પાસે પૈસા ભલે ના હોય, આપણા પિતા પાસે મોટો બંગલો ભલે ના હોય, આપણા પિતા પાસે મોટી કાર ભલે ના હોય, પણ આપણા પિતાની આબરૂ ગામમાં ગજબની હોય, આપણું ખોરડું ખાનદાની ખોરડું કહેવાતું હોય, એક પગલું આપણે એવું ભરીએ ને... જિંદગીભર આપણા પિતા નીચું મોઢું રાખીને ચાલતા થઈ જાય. પરિવારની આબરૂનું ધ્યાન રાખવું એ દીકરીની જવાબદારીજે બાપ ગામમાં છાતી કાઢીને ચાલતો હોય ને એ જ બાપ કે એ જ માને નીચી નજર સાથે ચાલવું પડે એવી પરિસ્થિતિ આવે, એક દીકરી તરીકે મારે વિચારવું પડે કે મારું જીવન મારું છે પણ સાથે સાથે મારા પરિવારની આબરૂનું ધ્યાન રાખવું એ પણ મારી જવાબદારી છે. એટલે આ બાબત પણ વિચારજો. કાર્યક્રમમાં શૈલેષ સાગપરીયાએ વડીલોને ટકોર કરતા જણાવ્યું હતું કે, સમય ખૂબ ઝડપથી બદલાયો છે. પહેલાં બગડવાની તકો ઓછી હતી, પણ હવે મોબાઈલ અને સોશિયલ મીડિયાના યુગમાં પડકારો વધ્યા છે. જો વડીલો સમય સાથે પોતાના વિચારો અને વર્તનમાં પરિવર્તન નહીં લાવે, તો નવી પેઢી સાથે તેમનો તાલમેલ બેસશે નહીં. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, સમય સાથે પરિવર્તન જરૂરી છે, નહીં તો નવી પેઢી તમને એકલા પાડી દેશે. પિતા-પુત્રીના સંબંધોમાં મિત્રતાની જરૂરદીકરી અને પિતા વચ્ચેના પરંપરાગત અંતર પર બોલતા તેમણે સલાહ આપી હતી કે દીકરા-દીકરી 16 વર્ષના થાય એટલે પિતાએ શાસકની ભૂમિકા છોડી મિત્ર બનવું જોઈએ. ઘરમાં દરેક વિષય પર સ્પષ્ટ અને ખુલ્લી ચર્ચા થવી જોઈએ. પરિવારના દરેક સભ્યને તેના સ્વભાવ સાથે સ્વીકારવો જોઈએ. બંગલાને સ્વર્ગ કે સ્મશાન બનાવવું તે સ્ત્રીના હાથમાંમહિલાઓને 'ગૃહલક્ષ્મી' ગણાવતા તેમણે કહ્યું કે, એક સ્ત્રી ધારે તો ઝૂંપડાને પણ સ્વર્ગ બનાવી શકે છે અને જો તે ધારે તો આલીશાન બંગલાને પણ સ્મશાન જેવો શાંત અને નિરસ બનાવી શકે છે. તેમણે સાસુ-વહુના સંબંધોમાં પણ આધુનિક સમય મુજબ બદલાવ લાવવાની હિમાયત કરી હતી. સમાજ સામેના અન્ય પડકારોસમાજમાં દીકરીઓ 30-30 વર્ષની વય વટાવી જાય છે છતાં યોગ્ય પાત્ર મળતું નથી, કારણ કે આપણી અપેક્ષાઓ ખૂબ મોટી છે. સામાજિક પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચાઓ પર કાપ મૂકવા તેમણે ટકોર કરી હતી. દીકરી જો થોડું સહન કરે તો તે પરિવારને અખંડ રાખી શકે છે. આ કાર્યક્રમમાં શૈલેષ સાગપરીયાની કડવી પણ સત્ય વાતોએ ઉપસ્થિત દરેક સમાજશ્રેષ્ઠીઓને વિચારતા કરી દીધા હતા. તેમણે પાટીદાર સમાજની પ્રગતિને બિરદાવવાની સાથે સામાજિક દૂષણો અને માનસિકતા બદલવા પર ભાર મૂક્યો હતો.
રાજ્યમાં ધોરણ 1થી 5માં સરકારી પ્રાથમિક શિક્ષક બનવા માટેની ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET-1) શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. પરીક્ષા પૂર્ણ થતાં જ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. બોર્ડના પરિપત્ર મુજબ TET-1 પરીક્ષામાં ઉપસ્થિત રહેલા તમામ ઉમેદવારોની OMR શીટ 30 ડિસેમ્બર 2025ના રોજ અધિકૃત વેબસાઈટ www.sebexam.org પર મુકવામાં આવી છે. પ્રોવિઝનલ આન્સર કી 3 જાન્યુઆરી સુધી ડાઉનલોડ કરી શકશોબોર્ડે સ્પષ્ટ કર્યું છે કે ઉમેદવારો પોતાની OMR શીટ 3 જાન્યુઆરી 2026 સુધી ડાઉનલોડ કરી શકશે. જો કોઈ ઉમેદવારને જવાબોમાં કોઈ વાંધો કે શંકા હોય તો તે નિર્ધારિત સમયમર્યાદામાં ધ્યાનમાં લઈ શકે તે માટે આ વ્યવસ્થા કરાઈ છે. બોર્ડે તમામ ઉમેદવારોને સમયસર OMR શીટ ડાઉનલોડ કરવાની સૂચના આપી છે. ઉમેદવારોને પેપર પૂર્ણ કરવામાં સમય ઓછો પડ્યો હતોઉલ્લેખનીય છે કે રવિવારે યોજાયેલી TET-1 પરીક્ષા બપોરના 12થી 2 વાગ્યા સુધી યોજાઈ હતી, જેમાં રાજ્યભરમાં 1.01 લાખથી વધુ ઉમેદવાર નોંધાયા હતા. પરીક્ષામાં ગણિત વિષય અઘરું હોવાની ફરિયાદો ઉમેદવારો તરફથી સામે આવી હતી. બે વર્ષ બાદ લેવાયેલી પરીક્ષામાં સમય 30 મિનિટ વધારી 120 મિનિટ આપવામાં આવ્યો હોવા છતાં અનેક ઉમેદવારોને પેપર પૂર્ણ કરવામાં સમય ઓછો પડ્યો હતો. તેમ છતાં કોઈ મોટા વિવાદ વગર પરીક્ષા પૂર્ણ થતાં હવે પરિણામ પ્રક્રિયા તરફ બોર્ડે ઝડપ વધારી છે. નેગેટિવ માર્કિંગ ન હોવાથી ઉમેદવારોમાં થોડી રાહત 150 ગુણના પેપરમાં નેગેટિવ માર્કિંગ ન હોવાના કારણે ઉમેદવારોમાં થોડી રાહત જોવા મળી હતી. આ પરીક્ષામાં ઉચ્ચ ગુણ સાથે પાસ થનારા ઉમેદવારોને ધોરણ 1થી 5ના સરકારી પ્રાથમિક શિક્ષક તરીકે પસંદગી માટે લાયક ગણવામાં આવશે. માર્ચ મહિના સુધીમાં પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવાનો લક્ષ્ય TET-1 પરીક્ષા બાદ રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગે શિક્ષક ભરતી અંગે મહત્વપૂર્ણ સંકેત આપ્યો છે. શિક્ષણ વિભાગના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ, આવતા જાન્યુઆરી મહિનામાં અંદાજે 5,000 શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે, જ્યારે માર્ચ મહિના સુધીમાં પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. સરકારનું આયોજન છે કે, પસંદ થયેલા ઉમેદવારોને નવા શૈક્ષણિક સત્રથી નિમણૂક મળી જાય. શાળાઓમાં મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલીનિવૃત્તિ અને એક્સ્ટેન્શન પૂર્ણ થતાં વધશે ખાલી જગ્યાઓ ઉચ્ચ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, ઓક્ટોબર મહિનામાં મોટી સંખ્યામાં શિક્ષકો નિવૃત થયા હતા, જેમને નિયમ મુજબ 5 મહિના સુધી એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે. આ એક્સ્ટેન્શન સમયગાળો પૂર્ણ થતાં જ શાળાઓમાં મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી પડશે, જેને ભરવા માટે શિક્ષક ભરતી અનિવાર્ય બનશે. આ કારણે સરકાર ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માગે છે. 3,500 વ્યાયામ શિક્ષકોની જગ્યાઓ ખાલીવ્યાયામ, ચિત્ર અને સંગીત શિક્ષકોની કરાર આધારિત ભરતી શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, વ્યાયામ, ચિત્ર અને સંગીત વિષયના શિક્ષકોની ભરતી કરાર આધારિત (Contract basis) કરવામાં આવશે. હાલ તાજેતરમાં 5,000 વ્યાયામ શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ યોગ્ય ઉમેદવારો ન મળતાં હજુ પણ અંદાજે 3,500 વ્યાયામ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે.
મોરબીના કંડલા બાયપાસ રોડ પર એક ગમખ્વાર અકસ્માતમાં 57 વર્ષીય આધેડનું મોત થયું છે. કામધેનુ પાર્ટી પ્લોટ પાસેથી પસાર થઈ રહેલા સુરેશભાઈ મગનભાઈ ફૂલતરિયાના ઇલેક્ટ્રિક સ્કૂટરને એક ટ્રકે ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માત બાદ સુરેશભાઈ રોડ પર પટકાયા હતા અને તેમના માથા પરથી ટ્રકના ટાયર ફરી વળ્યા હતા. જેના કારણે તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ઉપરાંત, હાથ, પગ અને છાતીના ભાગે પણ ઈજાઓ થતા તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. મૃતક સુરેશભાઈ મગનભાઈ ફૂલતરિયા મોરબીના રવાપર રોડ પર ઉમિયા ચોક પાસે આવેલ અનુપમ સોસાયટીમાં રહેતા હતા. આ બનાવ અંગે તેમના ભત્રીજા યશભાઈ દીપકભાઈ ફુલતરીયા (ઉં.વ. 25) એ ટ્રક નંબર GJ 3 BY 1297 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સુરેશભાઈ GJ 36 AD 5404 નંબરના ઇલેક્ટ્રિક સ્કૂટર પર સવાર હતા. ફરિયાદી પાસેથી મળતી માહિતી મુજબ, સુરેશભાઈની મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ગોકુળ હોટલ આવેલી છે. તેઓ પોતાની હોટલેથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માતનો ભોગ બન્યા હતા. પોલીસે યશભાઈની ફરિયાદના આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી ટ્રક ચાલકને ઝડપી પાડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.
પડોશી ધર્મ નિભાવશે ભારત, પૂર્વ PM ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા ઢાકા જશે જયશંકર
Former Bangladesh PM Khaleda Zia Passes Away : બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન અને BNPના વડા બેગમ ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે નિધન થયું છે. પડોશી દેશમાં ચાલી રહેલા રાજકીય તણાવ વચ્ચે ભારત સરકાર તરફથી એક મોટો સંદેશ આપવામાં આવ્યો છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં સામેલ થશે. 80 વર્ષની વયે હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
રાજકોટ શહેરમાં કોઠારીયા રોડ પર મુકબધીર સગીરાને બગીચામાં મળવા બોલાવી છેડછાડ કરી સગીરાની સહેલીએ મિત્ર સાથે મળી ફોટા-વિડીયો પાડી કાવતરૂ રચી ફોટા-વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રૂ.7.70 લાખ પડાવ્યા હોવાની ફરીયાદ ભક્તિનગર પોલીસમાં નોંધાઈ હતી જેના આધારે ભકિતનગર પોલીસે તપાસ કરતા સગીરાએ બદનામીના ડરથી તેના ભાઈના લગ્નના દાગીના ખરીદવાના રાખેલા નાણા ઘેરથી ઉઠાવી લઈ બોયફ્રેન્ડને આપ્યા હોવાનુ સામે આવતા પોલીસે બોયફ્રેન્ડ અને સહેલી સામે ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે જયારે ગુનામાં સંડોવાયેલ આરોપી સગીરાની પોલીસે શોધખોળ હાથ ધરી છે. રાજકોટના કોઠારીયા રોડ પર રહેતી મહિલાએ ફરિયાદમાં જણાવ્યુ હતુ કે તેને સંતાનમાં એક દીકરી છે જે સગીર વયની છે અને જન્મથી જ મુકબધીર હોવાનુ એટલે કે તે બોલી કે સાંભળી શકતી ન હોય પરંતુ સાંકેતીક ભાષામાં સમજી સકે છે. ઘરમાં લગ્નનો પ્રસંગ આવતો હોવાથી ઘરમાં દાગીના ખરીદવા માટે રૂ.7.70 લાખ સેટી નીચે રાખ્યા હતા તે વખતે અમારી પુત્રી પણ હાજર હતી બાદમાં તા.01.12.2025ના રોજ દાગીના લેવા જવાનુ હતું માટે સેટી નીચે મુકેલા પૈસા લેવા જતા પૈસા ગાયબ હતા જે અંગે પરીવારને જાણ કરી હતી અને તપાસ કરતા પૈસા મળી આવ્યા ન હતા. લગ્ન પ્રસંગ પુરો થતા મારી પુત્રીને સાંકેતીક ભાષામાં વાત કરતા તેને જણાવ્યુ હતુ કે પાડોશી સહેલી અને તેના બોયફ્રેન્ડ રૂત્વીક નામના શખસે તેને બગીચામાં બોલાવી હતી અને રૂત્વીક નામના શખસે તેની સાથે છેડછાડ કરી હતી અને સહેલીએ ફોટા-વિડીયો ઉતારી લીધા હતા અને કોઈને આ વાત કહીશ તો આ ફોટા-વિડીયો તારી માતા-પિતા અને સંબધીને વાયરલ કરવાની ધમકી આપી હતી. બાદમાં કાવતરૂ રચી બંન્નેએ પૈસાની માંગણીઓ કરતા કટકે કટકે રૂ.7.70 લાખ આપ્યા હતા. જે સેટી નીચેથી લઈને આપ્યા હોવાનુ જણાવતા સગીરાની માતાની ફરીયાદ પરથી ભકિતનગર પોલીસ સ્ટાફે પોકસો સહીતની કલમ હેઠળ ગુનો નોંધી ઋત્વિક અને સમીર નામના બન્ને આરોપીઓને ઝડપી પાડી સગીરાની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટની ધોળકિયા ખાનગી સ્કૂલમાં ભારતની CA ઇન્સ્ટિટ્યૂટના ચેરમેનના હસ્તે એકાઉન્ટિંગ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. જેનાથી વિદ્યાર્થીઓને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માટેની પ્રેરણા મળશે. આ તકે ચેરમેને ભારતમાં સેંકડો વર્ષ પહેલા એકાઉન્ટિંગની શરૂઆત થઈ હોવાનું જણાવવાની સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માંગતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે રૂ.500 કરોડનું સ્કોલરશીપ ફંડ રિલીઝ થયાનું જણાવ્યું હતું. આ પ્રસંગે ઓફિસ ઓટોમેશન, લીટીગેશન અને કેપિટલ માર્કેટમાં AI નો ઉપયોગ કઈ રીતે કરવો તેની માહિતી આપવા માટે કોન્ફરન્સ યોજાઇ હતી. 'એકાઉન્ટિંગ મ્યુઝિયમથી વિદ્યાર્થીઓને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાની પ્રેરણા મળશે'વેસ્ટર્ન ઈન્ડિયા રિજનલ કાઉન્સિલ ઓફ ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયાના ચેરમેન CA કેતન સૈયાએ જણાવ્યું હતુ કે, આજે અમે WIRCની રાજકોટ બ્રાન્ચની મહત્વની વિઝિટમાં આવ્યા છીએ. અમે ધોળકિયા સ્કૂલમાં એકાઉન્ટિંગ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું છે. જે દર્શાવે છે કે ભારતમાં જ સેંકડો વર્ષ પહેલા એકાઉન્ટિંગની શરૂઆત થઈ હતી. મને આશા છે કે આ એકાઉન્ટિંગ મ્યુઝિયમ જોવાથી વિદ્યાર્થીઓને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાની પ્રેરણા મળશે. 'આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી લાઈફ સરળ 'તેમણે જણાવ્યું કે આજે અમે AI વિષય પર એક દિવસની કોન્ફરન્સ કરી છે જેમાં અમે બતાવીએ છીએ કે કઈ રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી લાઈફ સરળ થાય છે. ઘણા બધા કાર્ય જેમાં ખૂબ જ સમય વેડફાઈ જાય છે તે કાર્યો AIની મદદ થી સરળતાથી થઈ શકે છે. 'દર શુક્રવારે અમે MSME ક્લિનિક ચલાવીએ છીએ'CA કેતન સૈયાએ જણાવ્યું હતું કે, ભારતમાં CA ઇન્સ્ટિટ્યૂટની 180થી વધુ બ્રાન્ચ છે. જેમાં દર શુક્રવારે અમે MSME ક્લિનિક ચલાવીએ છીએ. જેમાં નાના ઉદ્યોગકારોને સબસીડી, GST કે ઇન્કમટેક્સ અંગે કોઈ માહિતી જોઈતી હોય તો આપીએ છીએ. આ ઉપરાંત ભારતમાં અમે ટેક્સ અને ફાઇનાન્સની જાગૃતિ ડ્રાઇવ ચલાવીએ છીએ. આ ઉપરાંત હાલમાં વધી ગયેલા સાયબર ફ્રોડ અંગે લોકોને માહિતગાર કરીએ છીએ. જેસી લોકો પોતાના ઓટીપી, પાસવર્ડ કે આધાર નંબર અજાણ્યા વ્યક્તિઓને ન મોકલે. આ ઉપરાંત કરિયર કાઉન્સિલિંગના લેક્ચર આપીએ છીએ જેનાથી વિદ્યાર્થીઓને પ્રેરણા મળે. વિદ્યાર્થી માટે ટ્રેઈન અર્ન એન્ડ લર્ન કોર્સ શરૂCA કેતન સૈયાએ વધુમાં જણાવ્યું હતું કે, CA ઇન્સ્ટિટયૂટની વેસ્ટર્ન બ્રાંચમાં અમે ટ્રેઈન અર્ન એન્ડ લર્ન કોર્સ શરૂ કર્યો છે. કોમર્સનો કોઈ વિદ્યાર્થી આ કોર્સ કરે તો ઇન્ડસ્ટ્રીઝની જરૂરિયાત અને એજ્યુકેશન વચ્ચેનો ગેપ બ્રિજ થાય છે. જેમાં ઇન્કમટેક્સ રિટર્ન, GST અને TDS કઈ રીતે ફાઇલ કરવુ તેની માહિતી મળે છે આ સાથે જ વિદ્યાર્થીને પ્રેક્ટીકલ ટ્રેનિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઓફિસમાં આપવામાં આવે છે. આ કોર્સ કર્યા બાદ કોમર્સનો કોઈ પણ વિદ્યાર્થી ઇન્ડસ્ટ્રીઝમાં જશે તો તેને ખૂબ જ ફાયદો થશે. એકાઉન્ટિંગ મ્યુઝિયમનુ ઉદ્ઘાટનધોળકિયા સ્કૂલ ખાતે એકાઉન્ટિંગ મ્યુઝિયમનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ અનોખા મ્યુઝિયમમાં એકાઉન્ટિંગ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્સીના ઇતિહાસ, વિકાસ યાત્રા તથા મહત્વપૂર્ણ ક્ષણોને ફોટોગ્રાફ્સ અને વિઝ્યુઅલ માધ્યમ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. જે વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ માટે પ્રેરણાસ્રોત બની રહેશે.
વિશ્વના ડાયમંડ હબ તરીકે ઓળખાતા સુરત શહેરમાં હીરા અને ઝવેરાત ક્ષેત્રે તાલીમ આપતી પ્રતિષ્ઠિત સંસ્થા ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ (IDI) ને હવે નવો ઓપ આપવામાં આવ્યો છે. કતારગામ ખાતે આવેલી આ સંસ્થાના બિલ્ડિંગનું રિનોવેશન કાર્ય પૂર્ણ થતા, રાજ્યસભાના સાંસદ અને જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાના હસ્તે તેનું ગરિમાપૂર્ણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જૂના સ્ટ્રક્ચરને મળ્યો આધુનિક ઓપ વર્ષ 1978 થી કાર્યરત આ સંસ્થાનું બિલ્ડિંગ સમય જતાં ઘણું જૂનું થઈ ગયું હતું. આધુનિક સમયની જરૂરિયાતો અને વધતા જતા વિદ્યાર્થીઓના પ્રવાહને ધ્યાનમાં રાખીને સંસ્થાના સ્ટ્રક્ચરને રિનોવેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આ ઇન્સ્ટિટ્યૂટ અદ્યતન સુવિધાઓ અને નવીન ટેકનોલોજી સાથે ફરી એકવાર વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી છે. વૈશ્વિક સ્તરે ડાયમંડ ક્ષેત્રે પાયાની ભૂમિકા IDI માત્ર સુરત કે ભારત પૂરતી મર્યાદિત નથી, પરંતુ અહીં વિદેશથી પણ વિદ્યાર્થીઓ તાલીમ લેવા માટે આવે છે. છેલ્લા સાડા ચાર દાયકાથી આ સંસ્થાએ હજારો વિદ્યાર્થીઓને ડાયમંડ અને જ્વેલરી સેક્ટરમાં પ્રોફેશનલ તાલીમ આપી છે. અહીંથી તાલીમ મેળવેલા વિદ્યાર્થીઓ આજે દેશ-વિદેશના મોટા હીરા ઉદ્યોગોમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત છે. સંસ્થાએ ડાયમંડ ગ્રેડિંગ, ડિઝાઇનિંગ અને મેન્યુફેક્ચરિંગમાં અનેક યુવાનોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું છે. ઉદ્યોગ જગતમાં ખુશીની લહેર ઉદ્ઘાટન પ્રસંગે ગોવિંદભાઈ ધોળકિયાએ સંસ્થાની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, આજે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે IDI નું રી-ઓપનિંગ કરવામાં આવ્યું છે. આ ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ 47 વર્ષ પહેલા 1978 માં પાયો નખાયો, એમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ અને ગુજરાત ગવર્મેન્ટ પણ સાથે છે અને આ 47 વર્ષમાં હજારો સ્ટુડન્ટ અહીંથી ડાયમંડ, જ્વેલરી અને એ બધી ટ્રેનિંગ લઈ વિવિધ જાતની અને દેશ વિદેશમાં પોતાનું ભાવી બનાવી રહ્યા છે અને બન્યું છે. એ સમયે આ ઐતિહાસિક સંસ્થા ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટમાં અત્યારે દિનેશભાઈ નાવડિયા જે ચેરમેન તરીકે નવનિયુક્ત થયા અને એણે બહુ મહેનત કરી, બધા જૂના ડાયમંડ વાળાને યાદ કરાવ્યું, ડોનેશન લઈ અને આખું ફરીથી આનું રિનોવેશન કરાવ્યું. આજે અમે આ બધું જોયું, જોઈને ખૂબ પ્રભાવિત થયા, આનંદિત થયા અને હવે આ જ્યારે રિનોવેશન થયું છે અને નવી દુનિયા આજની સાથે ટ્રેનિંગ સેન્ટર ચાલુ થયું છે, તો હવે દેશભરમાંથી ને વિદેશથી પણ અહીંયા સ્ટુડન્ટ આવશે, આવે છે અને એનું ભાવી બનાવશે અને બની રહ્યું છે.

22 C