ઉત્તરાયણ પર્વ નજીક આવતા જ પોલીસ દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ અને હેરફેર પર કડક વલણ અપનાવવામાં આવ્યું છે. આ ઝુંબેશના ભાગરૂપે મહેસાણા તાલુકા પોલીસે બાતમીના આધારેજગુદણથી લીંચ જતા રોડ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થતા બે શંકાસ્પદ ઈસમોની તપાસ કરતા તેમની પાસેથી જીવલેણ ગણાતી પ્રતિબંધિત નાઈલોન/ચાઈનીઝ દોરીના 50 નંગ રીલ મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ. 30,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી બંને ઈસમોની અટકાયત કરી છે. આ મામલે પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચાઈનીઝ દોરી અને તુક્કલના વેચાણ પર પ્રતિબંધ આગામી ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને મહેસાણા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જીવલેણ ચાઈનીઝ દોરી અને તુક્કલના વેચાણ પર પ્રતિબંધ મુકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાના કડક અમલ અને અસરકારક કામગીરી માટે મહેસાણા પોલીસ ઇન્સ્પેક્ટર ડી.જી. બડવાએ આપેલી સૂચનાના આધારે મહેસાણા પોલીસે સઘન પેટ્રોલીંગ હાથ ધર્યું હતું. જે અંતર્ગત મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. આર.આર. રાઠોડ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન આ.પો.કોન્સ. ચેતનભાઇ સોમાભાઇ તથા અ.પો.કોન્સ. ગૌરવકુમાર બાબુભાઇને સંયુક્ત બાતમી મળી હતી. પ્લાસ્ટિકની થેલીમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો હતોબાતમી મુજબ બે ઈસમો જગુદણ-કોચવા બ્રિજ નીચેથી લીચ તરફ જતા રોડ પર બાઈક પર પ્લાસ્ટિકની થેલીમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો લઈને પસાર થવાના છે.બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળા બે ઈસમો બાઈક પર આવતા તેમને રોકી તપાસ કરતા તેમની પાસેથી WELYN MENO GERMAN TECHNOLOGY ફોર ઇન્ડસ્ટ્રીયલ યુજ ઓન્લી ના માર્કાવાળી પ્રતિબંધિત નાઈલોન,ચાઈનીઝ દોરીની 50 રીલ મળી આવી હતી. બંને આરોપીઓની અટકાયતપોલીસે જાહેરનામાનો ભંગ કરવા બદલ બંને આરોપીઓની અટકાયત કરી છે અને તેમની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 223, 54 તથા ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ 131 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 80 હજારનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યોપોલીસે હાલમાં રાવળ સહદેવ વાસુભાઇ (ઉ.વ. 21) રાવળ કરણકુમાર અશોકભાઇ (ઉ.વ. 20) બંને રહે. પરબતપુરા રાવળવાસ, તા. માણસા, જિ. ગાંધીનગર વાળાને ઝડપી તેઓની પાસેથી નાઈલોન ચાઈનીઝ દોરીના રીલ નંગ-50 કિંમત રૂ 30 હજાર,હિરો સ્પ્લેન્ડર પ્લસ બાઈક કિંમત 50 હજાર મળી કુલ 80 હજારનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે.
હિંમતનગર અષ્ટવિનાયક મંદિરમાં સંકટ ચતુર્થીની ઉજવણી:ગણપતિદાદાને 21 કિલો સંતરા અર્પણ કરાયા
હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં આવેલા વિનાયકનગરના અષ્ટવિનાયક ગણપતિ મંદિરમાં રવિવારે સંકટ ચતુર્થીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ગણપતિદાદાને 21 કિલો સંતરા અર્પણ કરીને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. ઉજવણીના ભાગરૂપે, સવારે 5:30 કલાકે ગણપતિદાદાનો અભિષેક કરાયો હતો. ત્યારબાદ સવારે 6:15 કલાકે આરતી યોજાઈ હતી. યજમાન મયંક ભરતભાઈ ભોઈ દ્વારા સવારે 6:45 કલાકે પૂજન-અર્ચન સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. દિવસભર ભક્તોએ ગણપતિદાદાને કરાયેલા ફળોના શણગારના દર્શન કર્યા હતા. મંદિરમાં સાંજે 6:45 કલાકે આરતી કરવામાં આવી હતી. રાત્રે 8:35 કલાકે ચંદ્રદર્શનનો વિશેષ સમય રહ્યો હતો, જેમાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.
હિંમતનગરના અંબાવાડામાં ખેડૂતના ઘરમાં આગ:બે ફાયર ફાયટર વડે આગ બુઝાવી, સરસામાન બળીને ખાખ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના અંબાવાડા ગામે શનિવારે રાત્રે ખેડૂત જુજારસિંહ બાપુસિંહ મકવાણાના મકાનમાં આગ લાગી હતી. આ ઘટનામાં ઘરનો સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો, જોકે પરિવારના સભ્યો સમયસર સુરક્ષિત બહાર નીકળી ગયા હતા. આગની જાણ થતાં જ હિંમતનગર ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે એક બ્રાઉઝર અને એક મિની ટેન્ડર સહિત બે ફાયર ફાઈટરનો ઉપયોગ કર્યો હતો. ફાયર ફાઈટરો દ્વારા કુલ ૧૩,૫૦૦ લિટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. અંદાજે સાડા ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. હિંમતનગર ફાયર વિભાગના મયંકભાઈ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાય છે. આ ઘટનાથી ખેડૂત પરિવારને મોટું નુકસાન થયું છે.
ભારત સરકારના શિક્ષણ મંત્રાલય અને AICTE દ્વારા આયોજિત દેશનો સૌથી મોટો ઇનોવેશન મહોત્સવ, સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન (SIH) 2025 ગ્રાન્ડ ફિનાલે આ વર્ષે રાષ્ટ્રીય સ્તરે યોજાશે. આ હેકાથોન હાર્ડવેર અને સોફ્ટવેર એમ બંને એડિશનમાં ઉજવાશે. આ રાષ્ટ્રીય સ્તરીય હેકાથોન માટે દેશભરના 78 વિવિધ મંત્રાલયો અને વિભાગો દ્વારા પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ્સ આપવામાં આવ્યા છે. હેકાથોન સમગ્ર ભારતમાં 60 નોડલ સેન્ટર્સ પર એકસાથે યોજાશે. ગુજરાતમાંથી AICTE દ્વારા માત્ર 3 નોડલ સેન્ટર્સ પસંદ કરવામાં આવ્યા છે, જેમાં કાલોલ સ્થિત સ્વામિનારાયણ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. સ્વામિનારાયણ યુનિવર્સિટીને આ વર્ષે કુલ 4 પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ્સ સોંપવામાં આવ્યા છે. તેમાંથી 3 પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ્સ મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ દ્વારા અને 1 પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી – GUJCOST દ્વારા આપવામાં આવ્યું છે. દરેક પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ માટે 5 ટીમો, એટલે કે કુલ 20 ટીમો 7 ડિસેમ્બર 2025ના રોજ સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં પહોંચશે. સમગ્ર દેશમાંથી સ્ટેટ-રીજનલ રાઉન્ડ જીતીને આવેલી આ ટીમો 36 કલાક સુધી સતત ચાલનારી આ કોડિંગ મેરેથોનમાં ભાગ લેશે. આ ગ્રાન્ડ ફિનાલેનું ઉદ્ઘાટન 8 ડિસેમ્બર 2025ના રોજ સવારે 9:00 વાગ્યે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના વર્ચ્યુઅલ સંબોધન સાથે થશે. હેકાથોન સતત ચાલુ રહી 9 ડિસેમ્બર 2025ના દિવસે સમાપ્ત થશે. સ્વામિનારાયણ યુનિવર્સિટીએ વિવિધ ટીમોના રહેઠાણ, ટેક્નિકલ સેટઅપ, મેન્ટરશિપ અને 36-કલાકના નોન-સ્ટોપ કોડિંગ માટે તમામ જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરી છે. આ ઇવેન્ટ યુવા ઇનોવેટર્સને રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા દર્શાવવા માટે એક મંચ પૂરો પાડે છે.
અમદાવાદના RTO પાસે રીક્ષા ચાલક અને બાઇક ચાલક વચ્ચે તકરાર થઈ હતી જે બાદ રીક્ષા ચાલક અને તેના સાથીએ રોડ પર આતંક મચાવ્યો હતો. રસ્તે જતા લોકો સાથે ઝપાઝપી કરી હતી. એમ્બ્યુલન્સ જતી હતી તેને પણ રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસ પહોચતા પોલીસકર્મી સાથે પણ ઝપાઝપી કરી હતી. રાણીપ પોલીસે બંને યુવકોની અટકાયત કરી હતી. રીક્ષા ચાલક અને તેના સાથીએ યુવક સાથે મારામારી કરીRTO પાસેથી સાંજના સમયે એક બાઇક ચાલક પસાર થઈ રહ્યો હતો ત્યારે એક રીક્ષા ચાલક ઓવરટેક કરવા જઈ રહ્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. રીક્ષા ચાલકે રીક્ષામાં બેઠેલા તેના સાથી સાથે મળીને બાઇક ચાલક સાથે મારામારી કરી હતી. લોકો છોડાવવા વચ્ચે પડતા રીક્ષા ચાલક અને તેના સાથીએ નશાની હાલતમાં લોકો સાથે પણ ઝપાઝપી કરી હતી. એમ્બ્યુલન્સ રોકવાનો પ્રયત્ન કર્યોએટલું જ નહીં રીક્ષા ચાલકે રસ્તા પરથી જઈ રહેલી 108 એમ્બ્યુલન્સની આગળ આવીને એમ્બ્યુલન્સ રોકવાનો પણ પ્રયત્ન કર્યો હતો. અન્ય વાહન ચાલકોને પણ નુકસાન કરવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસકર્મી સાથે પણ રીક્ષા ચાલકે ઝપાઝપી કરીબનાવની જાણ થતા રાણીપ પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે પોલીસકર્મી સાથ પણ રીક્ષા ચાલકે ઝપાઝપી કરી હતી. પોલીસે રીક્ષા ચાલક અને તેના સાથીની અટકાયત કરી હતી. 'બાઇક ચાલકે ફરિયાદ નોંધાવી નથી'-PIરાણીપ પોલીસ સ્ટેશનના PI કેતન વ્યાસે જણાવ્યું હતું કે, બનાવ બાબતે બાઇક ચાલકે ફરિયાદ નોંધાવવી ન્હોતી, જેથી બંને યુવકને અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતાં. બંને યુવક સામે 151 મુજબ અટકાયતી પગલા લેવામાં આવ્યાં હતા.
પાટણમાં ગતરોજ ગોશાળાના લાભાર્થે લોકડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં કિર્તિદાન ગઢવી, રાજભા ગઢવી અને રાજદાન ગઢવીએ ભજનોની રમઝટ બોલાવી હતી. તો ઉપસ્થિત જનમેદનીએ ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. આખુ સ્ટેજ રૂપિયાથી ઉભરાયું હતું. લોકોએ 50, 100 અને 500ની ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. ભાગવત કથાના છઠ્ઠા દિવસે લોક ડાયરો યોજાયોપાટણના અનાવાડામાં વૈદિક સરસ્વતી નદીના કિનારે આવેલી હરિઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે રમેશભાઈ ઓઝાના વ્યાસપીઠે શ્રીમદ્ ભાગવત કથા ચાલી રહી છે. કથાના છઠ્ઠા દિવસે હરિઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુપ્રસિદ્ધ કલાકારો કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી અને રાજદાન ગઢવી સહિતનાઓએ પરફોર્મ કર્યું હતું. 50, 100 અને 500ની ચલણી નોટોનો વરસાદ કર્યોઆ લોક ડાયરો બીમાર ગૌમાતા અને ગૌશાળાના લાભાર્થે યોજાયો હતો. કલાકારોએ ભજન અને ગીતોની રમઝટ બોલાવી હતી. ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરી હતી. મોટી સંખ્યામાં લોકો આ ડાયરો સાંભળવા ઉમટી પડ્યા હતા. લોકોએ 50, 100 અને 500ની ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. કેટલાક લોકોએ રાસ ગરબાની પણ મોજ માણી હતી. ગૌશાળાના લાભાર્થે કરોડો રૂપિયાની રકમનું દાન કાર્યક્રમ દરમિયાન ગૌ માતા અને ગૌશાળાના લાભાર્થે કરોડો રૂપિયાની રકમનું દાન એકત્ર થયું હતું. આ લોક ડાયરામાંથી એકત્ર થયેલી સમગ્ર રકમનો ઉપયોગ અનાવાડા સ્થિત હરિઓમ ગૌશાળા હોસ્પિટલના કાર્યોમાં કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હરિઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે શ્રીમદ્ ભાગવત કથા પણ ચાલી રહી છે. કથાના ત્રીજા દિવસે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ઉપસ્થિત રહ્યાઉલ્લેખનીય છે કે, પાટણમાં રમેશભાઈ ઓઝાના વ્યાસપીઠે શ્રીમદ્ ભાગવત કથા ચાલી રહી છે. 7 ડિસેમ્બર સુધી ચાલનારી આ કથાના ત્રીજા દિવસે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ઉપસ્થિત રહી કથા શ્રવણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે ગૌ-સંવર્ધન, ગાયોની સંભાળ, અને ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલા દારૂમુક્તિ અભિયાન વિશે વાત કરી હતી. તેમણે લોકોને ગાયને રખડતી છોડી મૂકવાને બદલે તેને ઘરમાં જ અંતિમ વિદાય આપવાનો સંકલ્પ લેવા હાકલ કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કથા શ્રવણ કરીકથાના ચોથા દિવસે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કથા શ્રવણ કરી હતી. શંકર ચૌધરીએ ગૌ માતાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગાયનું દરેક અંગ માનવ અને જીવ સૃષ્ટિ માટે કલ્યાણકારી છે. ગૌમૂત્ર અને વૃક્ષો દ્વારા જમીનની ફળદ્રુપતા વધે છે, જેનાથી તૈયાર થયેલા ફળ, ફૂલ અને શાકભાજી માનવ તથા જીવ સૃષ્ટિનો આહાર બને છે.
મોરબીના પટેલ ચેમ્બર કોમ્પ્લેક્સમાં આવેલી એક રીવાઇન્ડિંગ દુકાનમાંથી ₹1.98 લાખથી વધુના મુદ્દામાલની ચોરીના કેસમાં એલસીબી ટીમે રાજકોટના બે શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે કુલ ₹64,700નો મુદ્દામાલ કબજે કર્યો છે. મોરબીના કેનાલ રોડ પર રહેતા મનીષભાઈ રામજીભાઈ મેરજા (ઉં.વ. 40)એ આ અંગે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, લખધીરપુર રોડ પર આવેલ પટેલ ચેમ્બર કોમ્પ્લેક્સમાં તેમની 'ન્યુ પટેલ રીવાઇન્ડિંગ' નામની દુકાન આવેલી છે. તસ્કરોએ દુકાનનું શટર ઊંચકાવી પ્રવેશ કર્યો હતો. દુકાનમાંથી 280 કિલો નવો કોપર વાયર, 100 કિલો સબમર્સિબલ મોટરનો નવો વાયર, 60 કિલો કોપર વાયરનો ભંગાર, 12 ઇલેક્ટ્રિક મોટરની બોડી, એક ઇલેક્ટ્રિક પાવર ટ્રાન્સફોર્મર, સીસીટીવી કેમેરા અને તેનું ડીવીઆર સહિત કુલ ₹1,98,200ની કિંમતનો મુદ્દામાલ ચોરાયો હતો. આ ગુનાની તપાસ સ્થાનિક પોલીસ અને એલસીબી ટીમ કરી રહી હતી. એલસીબીને મળેલી બાતમીના આધારે મોરબીના ધરમપુર રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબની જૂની નંબર પ્લેટ વગરની છકડો રિક્ષા પસાર થતાં તેને રોકવામાં આવી હતી. રિક્ષાની તપાસ કરતાં તેમાંથી 100 કિલો તાંબાનો વાયર (કિંમત ₹39,700) અને ₹25,000ની રિક્ષા મળી, કુલ ₹64,700નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે રાજકોટના સંજય ઉર્ફે અભલો ગીરીશભાઈ સોલંકી અને સંજય ઉર્ફે સંજલો શંભુભાઈ ડાભીની ધરપકડ કરી હતી. બંને આરોપીઓને વધુ તપાસ માટે બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. આ કામગીરી એલસીબી પીઆઈ એમ.પી. પંડ્યાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા પર જૂતાથી થયેલા હુમલાના વિરોધમાં વડોદરા શહેર આમ આદમી પાર્ટીએ શહેરના ગાંધીનગર ગૃહ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ભાજપ સરકાર સામે સૂત્રોચારો કર્યા હતા. સાથે સાથે ભાજપ કોંગ્રેસના હાય હાય અને ગુંડાગર્દી બંધ કરો નારા પણ લગાવ્યા હતા. અને ગાંધીનગર ગૃહથી રેલી કાઢીને વિરોધ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત ધરણા પર બેસીને રામધૂન પણ બોલાવી હતી. આ સમયે ગાંધીનગર ગૃહ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વડોદરાના આમ આદમી પાર્ટીના લોકસભા પ્રમુખ વિરેન રામીએ જણાવ્યું હતું કે, જામનગરમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર જે રીતે હુમલો કરવામાં આવ્યો છે, એ ભાજપ અને કોંગ્રેસ – બંનેની સંપૂર્ણ મિલીભગતથી થયેલો હુમલો છે, જે દિવસથી વિસાવદરની બેઠક આમ આદમી પાર્ટીએ જીતી છે, એ જ દિવસથી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પક્ષોને આમ આદમી પાર્ટી કણાની માફક ખૂંચી રહી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, એક બાજુ આમ આદમી પાર્ટીનો વ્યાપ આખા ગુજરાતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે, ત્યારે એને રોકવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને ભેગા મળીને આમ આદમી પાર્ટીને ટાર્ગેટ કરી રહ્યા છે. અમારી સભાઓ ન થાય, રેલીઓ ન થાય, કોઈ પણ કાર્યક્રમ ન થઈ શકે, એ માટે આ પ્રકારના હુમલા કરવામાં આવી રહ્યા છે. આ હુમલાની અમે કડકમાં કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ અને એની સામે આજે અમે અહીં ધરણાં-પ્રદર્શન કરીને વિરોધ નોંધાવીએ છીએ. તેઓએ કહ્યું હતું કે, ભાજપ સત્તામાં છે. જ્યારે કાયદો અને વ્યવસ્થા કથળી જાય ત્યારે લોકો સ્વાભાવિક રીતે સત્તાધારી પક્ષ પાસે જ જાય છે. અમે વિરોધ પક્ષ છીએ, અમે જનતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ આવા સમયે ભાજપ અને કોંગ્રેસના કેટલાક આગેવાનો મળીને આમ આદમી પાર્ટીના નેતાઓને ટાર્ગેટ કરે છે. એનો અમે સખત વિરોધ કરીએ છીએ. તેઓએ ઉમેર્યું હતું કે, ગોપાલ ઇટાલીયા પર થયેલા હુમલામાં છત્રસિંહ જાડેજા નામનો કોંગ્રેસનો કાર્યકર્તા હોવાની ઓળખ થઈ છે. વિસાવદરની ચૂંટણી દરમિયાન પણ કોંગ્રેસે આમ આદમી પાર્ટીના નેતાઓને ખરીદવાના પ્રયાસો કર્યા હતા, અને એ પૈસા કોના હતા? ભાજપના હતા, એટલે ભાજપ કોંગ્રેસને પૈસા આપે અને કોંગ્રેસ આમ આદમી પાર્ટીના નેતાઓને ખરીદે. આ બંને પક્ષોની સમજૂતી એક્સપ્રેસ છે. એમને એમ છે કે ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ ભેગા મળીને આમ આદમી પાર્ટીને હરાવી દેશે, પરંતુ હવે ગુજરાતની જનતાનો આત્મા જાગી ગયો છે અને આ વખતે જનતા જ પરિણામ બતાવનાર છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જામનગરમાં આમ આદમી પાર્ટીની જન સભામાં કોંગ્રેસના કાર્યકરે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતા હોબાળો થયો હતો. જે બાદ આદમી પાર્ટીના કાર્યકરોએ કોંગી કાર્યકરને માર મારતા મામલો બિચક્યો હતો. મહત્વનું છે કે, ગોપાલ ઇટાલિયાએ વર્ષ 2017માં તત્કાલીન ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પર જૂતાનો ઘા કર્યો હતો.
ભારતીય રેલ્વે આગામી 3 દિવસમાં 89 વિશેષ ટ્રેનની 100થી વધુ ટ્રિપ્સ દોડાવશે. મોટા શહેરો જેમ કે મુંબઈ, દિલ્હી, પુણે, હાવડા, હૈદરાબાદ વગેરેમાં આવતા અને જતા મુસાફરોની ભીડ ઘટાડવા માટે વિશેષ ટ્રેનો; ઉત્તર પૂર્વીય રેલ્વે (NER) દિલ્હી અને મુંબઈ વચ્ચે 6 ટ્રિપ્સ દોડાવશે ભારતીય રેલ્વેએ શિયાળાની ઋતુ દરમિયાન વ્યાપક ફ્લાઇટ રદ્દીકરણ અને વધારાની ભીડના સંદર્ભમાં મુસાફરીને સરળ બનાવવાનું શરૂ કર્યું છે. આજે શરૂ કરીને, આગામી ત્રણ દિવસમાં અનેક ઝોનમાં 89 વિશેષ ટ્રેન સેવાઓ (100 થી વધુ ટ્રિપ્સ) દોડાવવામાં આવશે. આનાથી સરળ મુસાફરીમાં મદદ મળશે અને રેલ મુસાફરીની વધતી માંગ વચ્ચે પૂરતી કનેક્ટિવિટી સુનિશ્ચિત થશે. મધ્ય રેલ્વે દ્વારા 14 વિશેષ ટ્રેનનું સંચાલનમધ્ય રેલ્વે મુસાફરોની વધેલી માંગને પહોંચી વળવા માટે 14 વિશેષ ટ્રેન સેવાઓનું સંચાલન કરશે. આમાં 6 અને 7 ડિસેમ્બરના રોજ ટ્રેન નંબર 01413/01414 પુણે–બેંગલુરુ–પુણે; 7 અને 9 ડિસેમ્બરના રોજ 01409/01410 પુણે–હઝરત નિઝામુદ્દીન–પુણે; 7 અને 8 ડિસેમ્બરના રોજ 01019/01020 લોકમાન્ય ટિલક ટર્મિનસ (LTT)–માડગાંવ–LTT; 6 અને 7 ડિસેમ્બરના રોજ 01077/01078 છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)–હઝરત નિઝામુદ્દીન–CSMT; 6 અને 7 ડિસેમ્બરના રોજ 01015/01016 LTT–લખનૌ–LTT; 6 અને 7 ડિસેમ્બરના રોજ 01012/01011 નાગપુર–CSMT–નાગપુર; 7 અને 9 ડિસેમ્બરના રોજ 05587/05588 ગોરખપુર–LTT–ગોરખપુર; અને 10 અને 12 ડિસેમ્બરના રોજ 08245/08246 બિલાસપુર–LTT–બિલાસપુરનો સમાવેશ થાય છે. દક્ષિણ પૂર્વીય રેલ્વે દ્વારા વિશેષ ટ્રેનનું સંચાલન દક્ષિણ પૂર્વીય રેલ્વેએ તાજેતરના ફ્લાઇટ રદ્દીકરણ પછી માંગમાં વધારો થવાને સંભાળવા માટે વિશેષ ટ્રેનોનું આયોજન કર્યું છે. આમાં ટ્રેન નંબર 08073/08074 સાન્ત્રાગાછી–યેલહંકા–સાન્ત્રાગાછીનો સમાવેશ થાય છે, જેમાં 08073 સાન્ત્રાગાછીથી 7 ડિસેમ્બરે ઉપડશે, અને 08074 યેલહંકાથી 9 ડિસેમ્બરે પરત ફરશે. ટ્રેન નંબર 02870/02869 હાવડા–CSMT–હાવડા સ્પેશિયલ દોડશે, જેમાં 02870 હાવડાથી 6 ડિસેમ્બરે પ્રસ્થાન કરશે, અને 02869 CSMT થી 8 ડિસેમ્બરે પ્રસ્થાન કરશે. ટ્રેન નંબર 07148/07149 ચેરલાપલ્લી–શાલીમાર–ચેરલાપલ્લીનું સંચાલન કરવામાં આવશે, જેમાં 07148 ચેરલાપલ્લીથી 6 ડિસેમ્બરે પ્રસ્થાન કરશે, અને 07149 શાલીમારથી 8 ડિસેમ્બરે પ્રસ્થાન કરશે. મુસાફરોની વધારાની ભીડનું સંચાલન કરવા માટે, દક્ષિણ મધ્ય રેલ્વે આજે, 6 ડિસેમ્બર 2025 ના રોજ ત્રણ વિશેષ ટ્રેનોનું સંચાલન કરી રહી છે. ટ્રેન નંબર 07148 ચેરલાપલ્લીથી શાલીમાર, ટ્રેન નંબર 07146 સિકંદરાબાદથી ચેન્નઈ એગમોર, અને ટ્રેન નંબર 07150 હૈદરાબાદથી મુંબઈ LTT આજે પ્રસ્થાન કરી ચૂકી છે. પૂર્વીય રેલ્વે દ્વારા વિશેષ ટ્રેનનું સંચાલનપૂર્વીય રેલ્વે હાવડા, સીલદહ અને મુખ્ય સ્થળો વચ્ચે વિશેષ ટ્રેન સેવાઓનું સંચાલન કરશે. ટ્રેન નંબર 03009/03010 હાવડા–નવી દિલ્હી–હાવડા સ્પેશિયલ દોડશે, જેમાં 03009 હાવડાથી 6 ડિસેમ્બરે પ્રસ્થાન કરશે, અને 03010 નવી દિલ્હીથી 8 ડિસેમ્બરે પ્રસ્થાન કરશે. ટ્રેન નંબર 03127/03128 સીલદહ–LTT–સીલદહ સ્પેશિયલનું સંચાલન કરવામાં આવશે, જેમાં 03127 સીલદહથી 6 ડિસેમ્બરે ઉપડશે, અને 03128 LTT થી 9 ડિસેમ્બરે પ્રસ્થાન કરશે. પશ્ચિમ રેલ્વે દ્વારા સાત વિશેષ ટ્રેનોનું સંચાલનપશ્ચિમ રેલ્વે મુસાફરીની વધેલી માંગને પહોંચી વળવા માટે સાત વિશેષ ટ્રેનોનું સંચાલન કરશે. આમાં ટ્રેન નંબર 09001/09002 મુંબઈ સેન્ટ્રલ–ભિવાની સુપરફાસ્ટ સ્પેશિયલ (દ્વિ-સાપ્તાહિક)નો સમાવેશ થાય છે, જે 9 અને 30 ડિસેમ્બર વચ્ચે મુંબઈ સેન્ટ્રલથી દર મંગળવાર અને શુક્રવારે અને 10 અને 31 ડિસેમ્બર વચ્ચે ભિવાનીથી દર બુધવાર અને શનિવારે ચાલશે, કુલ 14 ટ્રિપ્સ. માર્ગમાં આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, રતલામ, મંદસૌર, નીમચ, ચિત્તોડગઢ, ભિલવાડા, બિજયનગર, નસીરાબાદ, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, બાંદીકુઈ, અલવર, રેવાડી, કોસલી અને ચરખી દાદરી સ્ટેશનો પર રોકાશે. ટ્રેન નંબર 09003/09004 મુંબઈ સેન્ટ્રલ–શકુર બસ્તી સુપરફાસ્ટ સ્પેશિયલ 8 અને 29 ડિસેમ્બર વચ્ચે મુંબઈ સેન્ટ્રલથી મંગળવાર અને શુક્રવાર સિવાય દરરોજ, અને 9 અને 30 ડિસેમ્બર વચ્ચે શકુર બસ્તીથી બુધવાર અને શનિવાર સિવાય દરરોજ દોડશે, કુલ 32 ટ્રિપ્સ, જેનું બુકિંગ 6 ડિસેમ્બરના રોજ ખુલશે. ટ્રેન નંબર 09730/09729 બાંદ્રા ટર્મિનસ–દુર્ગપુરા સુપરફાસ્ટ સ્પેશિયલ 09730 સાથે 8 ડિસેમ્બરના રોજ બાંદ્રા ટર્મિનસથી પ્રસ્થાન કરશે અને 09729 સાથે 7 ડિસેમ્બરના રોજ દુર્ગપુરાથી પ્રસ્થાન કરશે, જેનું બુકિંગ 6 ડિસેમ્બરના રોજ ખુલશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી - 2 ટાયર, એસી - 3 ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે. મુસાફરોની વધેલી માંગના પ્રતિભાવમાં, ભારતીય રેલ્વે ગોરખપુરથી વધારાની સેવાઓનું સંચાલન કરશે. ટ્રેન નંબર 05591/05592 ગોરખપુર–આનંદ વિહાર ટર્મિનલ–ગોરખપુર બે ટ્રિપ્સ માટે દોડશે, જેમાં 7 અને 8 ડિસેમ્બરના રોજ ગોરખપુરથી અને 8 અને 9 ડિસેમ્બરના રોજ આનંદ વિહાર ટર્મિનલથી પ્રસ્થાન થશે. ટ્રેન નંબર 05587/05588 ગોરખપુર–LTT–ગોરખપુર 7 ડિસેમ્બરના રોજ ગોરખપુરથી અને 9 ડિસેમ્બરના રોજ LTT થી પ્રસ્થાન સાથે દોડશે. બિહારથી વિશેષ ટ્રેનોનું સંચાલનબિહારથી શિયાળુ મુસાફરીની સુવિધા માટે, પૂર્વ મધ્ય રેલ્વે પટના અને દરભંગાથી આનંદ વિહાર ટર્મિનલ સુધી વિશેષ ટ્રેનોનું સંચાલન કરશે. ટ્રેન નંબર 02309/02310 પટના–આનંદ વિહાર ટર્મિનલ–પટના 6 અને 8 ડિસેમ્બરના રોજ પટનાથી અને 7 અને 9 ડિસેમ્બરના રોજ આનંદ વિહાર ટર્મિનલથી પ્રસ્થાન સાથે દોડશે. ટ્રેન નંબર 02395/02396 પટના–આનંદ વિહાર ટર્મિનલ–પટનાનું સંચાલન કરવામાં આવશે, જેમાં 02395 પટનાથી 7 ડિસેમ્બરના રોજ અને 02396 આનંદ વિહાર ટર્મિનલથી 8 ડિસેમ્બરના રોજ ઉપડશે. ટ્રેન નંબર 05563/05564 દરભંગા–આનંદ વિહાર ટર્મિનલ–દરભંગા 7 ડિસેમ્બરના રોજ દરભંગાથી અને 9 ડિસેમ્બરના રોજ આનંદ વિહાર ટર્મિનલથી પ્રસ્થાન સાથે દોડશે. એક-ટ્રિપના આધારે બે સ્પેશિયલ ફેર સ્પેશિયલ ટ્રેનોનું સંચાલનઉત્તર પશ્ચિમ રેલ્વે આગામી મુસાફરીના સમયગાળા દરમિયાન મુસાફરોની વધારાની ભીડ દૂર કરવા માટે એક-ટ્રિપના આધારે બે સ્પેશિયલ ફેર સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન કરશે. ટ્રેન નંબર 04725 હિસાર–ખાડકી સ્પેશિયલ 7 ડિસેમ્બર 2025 ના રોજ હિસારથી પ્રસ્થાન કરશે, જ્યારે પરત સેવા, ટ્રેન નંબર 04726 ખાડકી–હિસાર સ્પેશિયલ, 8 ડિસેમ્બર 2025 ના રોજ ખાડકીથી પ્રસ્થાન કરશે. ઉત્તર પશ્ચિમ રેલ્વે એક-ટ્રિપ સ્પેશિયલ ફેર સ્પેશિયલ ટ્રેન નંબર 09729 દુર્ગપુરા–બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ પણ દોડાવશે, જે 7 ડિસેમ્બર 2025 ના રોજ દુર્ગપુરાથી પ્રસ્થાન કરશે. પરત સેવા, ટ્રેન નંબર 09730 બાંદ્રા ટર્મિનસ–દુર્ગપુરા સ્પેશિયલ, 8 ડિસેમ્બર 2025 ના રોજ બાંદ્રા ટર્મિનસથી ઉપડશે. પ્રયાગરાજ અને નવી દિલ્હી વચ્ચે વિશેષ ટ્રેનોમુસાફરોની સુવિધા માટે, ઉત્તર મધ્ય રેલ્વે પ્રયાગરાજ અને નવી દિલ્હી વચ્ચે વિશેષ ટ્રેનોનું સંચાલન કરશે. ટ્રેન નંબર 02417 6 અને 8 ડિસેમ્બરના રોજ પ્રયાગરાજથી પ્રસ્થાન કરશે, અને 7 અને 9 ડિસેમ્બરના રોજ ટ્રેન નંબર 02418 તરીકે નવી દિલ્હીથી પરત ફરશે, જેમાં દરેક દિશામાં કુલ બે ટ્રિપ્સ થશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 02275 7 ડિસેમ્બરના રોજ પ્રયાગરાજથી પ્રસ્થાન કરશે, અને 8 ડિસેમ્બરના રોજ ટ્રેન નંબર 02276 તરીકે નવી દિલ્હીથી પરત ફરશે, જેમાં દરેક દિશામાં એક-એક ટ્રિપનું સંચાલન થશે. ઉત્તર અને પશ્ચિમ વચ્ચે લાંબા અંતરની અવરજવરની સુવિધા માટે વિશેષ ટ્રેનો ઉત્તરીય રેલ્વે 6 ડિસેમ્બર 2025 ના રોજ 02439 નવી દિલ્હી–શહીદ કેપ્ટન તુષાર મહાજન ઉધમપુર વંદે ભારત દોડાવશે, તેની સાથે તે જ તારીખે અનુરૂપ 02440 ઉધમપુર–નવી દિલ્હી વંદે ભારત પણ દોડાવશે, જે રાષ્ટ્રીય રાજધાની અને જમ્મુ અને કાશ્મીર વચ્ચે ઝડપી અને વધુ આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરશે. ઉત્તર અને પશ્ચિમ વચ્ચે લાંબા અંતરની અવરજવરની સુવિધા માટે, 04002 નવી દિલ્હી–મુંબઈ સેન્ટ્રલ ટ્રેન 6 ડિસેમ્બર 2025 ના રોજ દોડશે, જ્યારે પરત સેવા 04001 મુંબઈ સેન્ટ્રલ–નવી દિલ્હી 7 ડિસેમ્બર 2025 ના રોજ દોડશે. ઉત્તરીય રેલ્વે 04080 હઝરત નિઝામુદ્દીન–તિરુવનંતપુરમ સેન્ટ્રલ સ્પેશિયલ દ્વારા પણ દિલ્હીને દક્ષિણ રેલ્વે સાથે જોડશે, જે 6 ડિસેમ્બર 2025 માટે નિર્ધારિત છે. દક્ષિણ મધ્ય રેલ્વે નેટવર્કમાં પ્રાદેશિક ગતિશીલતાને મજબૂત કરતા, 07703 ચલિપલ્લી–જલિમાર ટ્રેન 7 ડિસેમ્બર 2025 ના રોજ દોડશે. શિયાળુ ભીડનું સંચાલન કરવા માટે, દુર્ગ અને હઝરત નિઝામુદ્દીન વચ્ચે એક વિશેષ ટ્રેન દોડશે. ટ્રેન 08760 7 ડિસેમ્બર 2025 ના રોજ દુર્ગથી પ્રસ્થાન કરશે, અને ટ્રેન 08761 8 ડિસેમ્બર 2025 ના રોજ હઝરત નિઝામુદ્દીનથી પ્રસ્થાન કરશે.
અમદાવાદમાં બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાની મિલકતો જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય તેને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં નિકોલ અને હાથીજણમાં આવેલા કુલ ત્રણ મલ્ટિપ્લેક્સ તેમજ વસ્ત્રાલ અને ઓઢવ વિસ્તારમાં આવેલી કુલ પાંચ જેટલી હોસ્પિટલોને સીલ મારવામાં આવી છે. બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટીને લઈને નોટિસ આપવામાં આવી હોવા છતાં પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા છેવટે પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. બીયુ પરમિશન અને ફાયર સેફ્ટીને લઈને મિલકતોમાં ચેકિંગરાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા બીયુ પરમિશન અને ફાયર સેફ્ટીને લઈને કડક પગલાં ભરવા માટેની સૂચના આપી હતી ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિલકતોમાં ચેકિંગ કરી નોટિસ આપી કાર્યવાહી કરી હતી પરંતુ ફરી એકવાર 50થી વધારે લોકો જાય એક સાથે ભેગા થતા હોય એવી બિલ્ડીંગોમાં તપાસ કરી છે જેમાં હોસ્પિટલો અને મલ્ટિપ્લેક્સ વગેરે જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે. 10 મલ્ટિપ્લેક્સમાં અને 103 હોસ્પિટલમાં ચેકિંગAMC પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા 103 હોસ્પિટલમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં 13 હોસ્પિટલોમાં માન્ય બી.યુ. રજુ કરવા નોટિસો આપવામાં આવી હતી. જે હોસ્પીટલ બિલ્ડીંગ પાસે માન્ય વપરાશ પરવાનગી ન હોય તેવી 5 હોસ્પિટલ બિલ્ડીંગોને સીલ કરવામાં આવેલી છે. પૂર્વ વિસ્તારમાં 10 જેટલા મલ્ટિપ્લેક્સમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ મલ્ટિપ્લેક્સને માન્ય બી.યુ. રજુ કરવા નોટિસો આપવામાં આવી છે. જે મલ્ટિપ્લેક્સ બિલ્ડીંગ પાસે માન્ય વપરાશ પરવાનગી ન હોય તેવા 3 મલ્ટિપ્લેક્સને સીલ કરવામાં આવી છે. આ 8 મિલકતો સીલ
ભુજ નજીક કુકમામાં બોરવેલમાં ખાબકેલા ઝારખંડના 20 વર્ષીય યુવકને નવ કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે, તેને બચાવી શકાયો ન હતો અને ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના ગત સાંજે 6.38 વાગ્યાની આસપાસ બની હતી. પારિવારીક ઝગડાથી કંટાળી આવેશમાં આવી બોરવેલમાં પડતું મૂક્યું મૂળ ઝારખંડ રાજ્યનો વતની રૂસ્તમ શેખ નામનો આ યુવક કુકમા સ્થિત આશાપુરા ટેકરી પાસે ગોપાલભાઈની વાડીમાં ખેતમજૂરી કરતો હતો. પારિવારીક ઝગડાથી કંટાળી આવેશમાં આવીને તેણે બોરવેલમાં પડતું મૂક્યું હતું. એક ફૂટ પહોળાઈ ધરાવતા આ બોરવેલમાં યુવક લગભગ 150 ફૂટ ઊંડાઈએ ફસાયો હતો. ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્રના અધિકારીઓ અને ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. ગત સાંજથી વહેલી સવાર સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યુંભુજ ફાયર વિભાગના ફાયરમેન કમલેશ મતિયાએ જણાવ્યું કે, યુવકને સુરક્ષિત બહાર કાઢવા માટે ગત સાંજથી વહેલી સવાર સુધી સતત કામગીરી ચાલી હતી. આશરે નવ કલાક સુધી ચાલેલી આ કામગીરીમાં આર્મીના જવાનો, સ્થાનિક બોરવેલ બનાવતા યુવકો અને ફાયર ટીમના 15 સભ્યો જોડાયા હતા. યુવક જીવિત રહે તે માટે બોરવેલની અંદર પાઇપલાઈન મારફતે સતત ઓક્સિજન પૂરો પાડવામાં આવતો હતો અને કેમેરાની મદદથી તેની સ્થિતિ પર નજર રાખવામાં આવતી હતી. યુવકને કેવી રીતે બહાર કઢાયો?રાત સુધી સફળતા ન મળતા, અંતે દેશી પદ્ધતિ અપનાવવામાં આવી હતી. લોખંડના હૂકને દોરડા વડે બાંધી ગરગડી મારફતે બોરવેલની અંદર ઉતારવામાં આવી હતી. આ હૂક યુવકના કપડામાં ફસાવી તેને બહાર ખેંચી કાઢવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે હાજર 108ની ટીમે યુવકને તાત્કાલિક ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોસ્ટમોર્ટમ સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવીઆ અંગે પધ્ધર પોલીસનો સંપર્ક કરતા, મથકના ફરજ પર હાજર પીએસઓ (પોલીસ સબ ઓફિસર) એ જણાવ્યું કે, યુવકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો, પરંતુ ફરજ પરના તબીબ દ્વારા તેને મૃત જાહેર કરાયો હતો. હાલ તેના પોસ્ટમોર્ટમ સહિતની વહીવટી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ભુજ પ્રાંત અધિકારી ઘટનાસ્થળે સતત માર્ગદર્શન આપતા રહ્યા હતા. આ પણ વાંચો- ઝારખંડનો યુવક ભુજમાં બોરવેલમાં ખાબક્યો, 150 ફૂટની ઊંડાઈએ ફસાયો
કલોલ તાલુકાના છત્રાલ ગામમાં તાજેતરમાં ત્રિ-દિવસીય રામજી મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો. આ મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને જાણીતા કલાકારોનો લોક ડાયરો પણ યોજાયો હતો. ત્યારે મહોત્સવના ભાગરૂપે નીકળેલી ભવ્ય શોભાયાત્રામાં ભીડનો લાભ લઈને કોઈ અજાણ્યા ચોર ઇસમે બે મહિલાના ગળામાંથી રૂ. 3.50 લાખની કિંમતના બે સોનાનાં દોરાની ચિલઝડપ તેમજ અન્ય લોકોના ખિસ્સા કાપ્યા હોવાની પણ ઘટના કલોલ તાલુકા પોલીસ મથકના ચોપડે નોંધવામાં આવી છે. મહિલાને ગળામાં ચેઈન ન હોવાની જાણ થતાં શોધખોળછત્રાલ ભગત નિવાસ સોસાયટીમાં રહેતા 72 વર્ષીય વૃદ્ધા હસુમતીબેન ગોવિંદભાઈ ધનજીદાસે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત 4 ડિસેમ્બરના રોજ સવારે નવેક વાગ્યે ગામમાં શોભાયાત્રા શરૂ થઈ હતી. આશરે 11 વાગ્યાની આસપાસ તેમના ઘર પાસેથી શોભાયાત્રા નીકળી ત્યારે તેઓ પણ તેમાં જોડાયા હતા. આ દરમિયાન આશરે 11.30 વાગ્યે શોભાયાત્રા દુધસાગર ડેરી નજીક આવેલા હરસિદ્ધ માતાના મંદિર પાસે પહોંચી, ત્યારે હસુમતીબેનને ખ્યાલ આવ્યો કે તેમના ગળામાં પહેરેલી બે લાખની કિંમતની આશરે બે તોલાની સોનાની મગમાળા ગાયબ છે. જેથી તેમણે ભીડની વચ્ચે શોધખોળ આદરી હતી. અન્ય લોકોને પણ તસ્કરોએ નીશાન બનાવ્યાંએવામાં તેમને જાણવા મળ્યું હતુ કે, આ જ શોભાયાત્રામાં ગાયત્રી સોસાયટીમાં રહેતા પન્નાબેન અરવિંદભાઈ પટેલના ગળામાંથી પણ દોઢ લાખની કિંમતનો સોનાના દોરાની ચિલઝડપ થઇ છે. આ ઉપરાંત અન્ય બે વ્યક્તિઓના રોકડા રૂપિયા પણ ચોરાયા હોવાની બુમરાણ ઉઠી હતી. આ અંગે કલોલ તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઓનલાઇન જુગારનો પર્દાફાશ રૂ.1.92 લાખના મુદ્દામાલ ઝડપી લીધો ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરના આડોડિયા વાસ વિસ્તારમાં ચાલતા એક મોટા ઓનલાઇન હારજીતના જુગારના અખાડા પર દરોડો પાડીને કુલ 12 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી રોકડ, કોમ્પ્યુટર સિસ્ટમ, મોબાઇલ ફોન અને જુગારમાં વપરાતા અન્ય સાધનો મળીને કુલ રૂ.1,92,600 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે અન્ય ત્રણ ને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે. ભાવનગર LCB સ્ટાફને બાતમી મળી હતી કે, ભીખાભાઇ કનુભાઇ પરમાર રહે.આડોડિયાવાસ તેમના કબજા હેઠળની આડોડિયા વાસની બે દુકાનોમાં અને જીતેશ ઉર્ફે વિવેક દિલીપભાઇ રાઠોડ રહે.આડોડિયાવાસ) તેમની બાજુની પતરાવાળી દુકાનમાં આર્થિક લાભ માટે જુગારનો અખાડો ચલાવે છે. આ શખ્સો બહારથી માણસોને બોલાવી દુકાનમાં રાખેલ મશીન પર યંત્રોના ચિત્રો પર રોકડ રકમ લગાવી હારજીતનો જુગાર રમાડતા હતા. વિજેતાને લગાડેલી રકમ કરતાં દસ ગણી રકમ ચૂકવીને નસીબ આધારિત આ જુગાર ચાલતો હતો. ઓનલાઇન જુગારની મોડસ ઓપરેન્ડી (MO) પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ 'ઓનેસ્ટ-1' અને 'સેફરોન' નામની ઓનલાઇન ફ્રેન્ચાઇઝી અને યંત્રોનું વેચાણ કરવાના બહાને આ જુગાર રમાડતા હતા. ગ્રાહકો યંત્રના ચિત્રો પર રૂ.11, રૂ.22, રૂ.33 વગેરે જેવી રકમો લગાડતા હતા. દર પાંચ મિનિટે ઓનલાઇન એક યંત્ર વિજેતા જાહેર થતું હતું. લગાડેલ રકમના નવ ગણા રૂપિયા (દા.ત., રૂ.11 લગાવનારને રૂ.99 આપવામાં આવતા હતા. યંત્રો પર લગાવેલી રકમ જતી રહેતી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ પ્રવૃત્તિ વરલી મટકાના જુગાર જેવી જ છે, જ્યાં આંકડાને બદલે યંત્રનું ચિત્ર વિજેતા જાહેર થાય છે. આ જુગારમાં ગ્રાહકોને કોઈ યંત્ર કે સિક્કા આપવામાં આવતા નહોતા. નોકરિયાત, રીક્ષા ડ્રાઈવર, વેપારી, વિદ્યાર્થી સહિત ઝડપાયા ઝડપાયેલા આરોપીઓ અને ફરાર શખ્સોપોલીસે સ્થળ પરથી જુગાર રમી-રમાડતા કુલ 12 શખ્સોને દબોચી લીધા હતા, ઝડપાયેલા ક્રિશ વીક્કીભાઇ રાઠોડ ઉ.વ.20 ધંધો-પ્રા.નોકરી રહે.અખાડા પાસે, આડોડીયાવાસ, સરફરાઝ નિજામભાઇ શેખ ઉ.વ.30 ધંધો- રી.ડ્રા. રહે.ઇકબાલ પાન હાઉસ પાસે, બાપેસરા કુવા પાછળ, વડવા, નિશાંત ઉર્ફે ભોલો મહેશભાઇ ઉર્ફે ચંદુ રાઠોડ ઉ.વ.26 ધંધો- ઓરકેસ્ટ્રા પાર્ટી રહે.આડોડિયાવાસ, વિરેન હરેશભાઇ રૂપડા ઉ.વ.36 ધંધો-મજુરી રહે.પ્લોટ નં.11, સત્યનારાયણ સોસાયટી, ગાયત્રીનગર, નકુલ સંદિપભાઇ પરમાર ઉ.વ.19 ધંધો- નોકરી રહે.રજની પાન પાછળ, આડોડિયા વાસ, ખોડીદાસ વાલજીભાઇ રાઠોડ ઉ.વ.36 ધંધો-મજુરી રહે.મ.નં.99/ઇ, 50 વારીયા, લંબે હનુમાન પાછળ, ઘોઘા જકાતનાકા, સચાનંદ રેવાચંદ મંગલાણી ઉ.વ.55 ધંધો- ફ્રુટનો વેપાર રહે.યોગેશભાઇ મિસ્ત્રી ના મકાને, 14 નાળા,મીની બજાર, ઘોઘા રોડ, ભાવનગર ગુરુ નાનક મંદિરના પુજારી, વઘાશીયા ચોરા પાસે, ધોરાજી જી.રાજકોટ, મીલન હિતેશભાઇ પંડયા ઉ.વ.24 ધંધો-મજુરી રહે.પ્લોટ નંબર-11, શેરી નંબર-8, મુંબઇવાળાની ચાલી, નિર્મળનગર, જગદીશભાઇ શંભુભાઇ ગૌસ્વામી ઉ.વ.58 ધંધો- ફ્રુટનો વેપાર રહે.મફતનગર, હનુમાન ગલી, શહેર ફરતી સડક, દેવરાજ નગર સામે, માનવ પંકજભાઇ પરમાર ઉ.વ.20 ધંધો-અભ્યાસ રહે.મેલડીમાના મંદીર પાસે, આડોડીયા વાસ, જીતેશ ઉર્ફે વિવેક દીલીપભાઇ રાઠોડ ઉ.વ.38 ધંધો-વેપાર રહે.વાલ્મીકી વાસ સામે, આડોડિયા વાસ, મીલન નરેશભાઇ પરમાર ઉ.વ.25 ધંધો-ડ્રાયવીંગ રહે.સોનલ પાન પાસે,આડોડિયાવાસ વાળાને ઝડપી લીધા હતા જ્યારે ત્રણ શખ્સોઓ ભીખાભાઇ કનુભાઇ પરમાર રહે.આડોડીયાવાસ, સિધ્ધાર્થ સતિષભાઇ પરમાર રહે.આડોડીયાવાસ તથા રવિરાજસિંહ રહે.ભાવનગર ત્રણેય ઈસમો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, જેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા, તમામ ઈસમો વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમો હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
આજના સમયમાં બાળકો માટે યોગ્ય સ્કૂલ પસંદ કરવી વાલીઓ માટે એક મોટો અને જવાબદારીભર્યો નિર્ણય બની ગયો છે. આવા સમયમાં વાલીઓને પૂર્ણ માર્ગદર્શન મળે, વિવિધ સ્કૂલોને એક જ સ્થળે નજીકથી સમજવાનો મોકો મળે અને સરખામણી આધારિત યોગ્ય પસંદગી કરી શકે એવા ઉમદા હેતુ સાથે દિવ્ય ભાસ્કર દ્વારા સ્કૂલ ફેરનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અહીં વાલીઓને વિવિધ સ્કૂલોના પ્રતિનિધિઓ સાથે સીધી વાતચીત કરવાની, તેમની શિક્ષણ પદ્ધતિ જાણવાની અને પોતાના બાળક માટે શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવાની અનોખી તક મળે છે. અમદાવાદની નામાંકિત સ્કૂલોએ ફેરમાં જોડાઈઆલ્ફા ઈન્ટરનેશનલ સ્કૂલ, એશિયા સ્કૂલ, જીનિવા લિબરલ સ્કૂલ, H3 પ્રિ-સ્કૂલ, સત્યમેવજયતે ઈન્ટરનેશનલ સ્કૂલ, ધી એચ.બી.કાપડિયા ન્યૂ હાઈસ્કૂલ વગેરે જેવી અમદાવાદની નામાંકિત સ્કૂલો દિવ્ય ભાસ્કર દ્વારા આયોજિત સ્કૂલ એડમિશન ફેરમાં ભાગ લઈ રહી છે. સ્કૂલ એડમિશન ફેરમાં એન્ટ્રી તદ્ન ફ્રી છે. આ ફેરમાં તમને GSEB, CBSE, IB, ICSE Cambridge Boardની સ્કૂલો એક સાથે એક જ સ્થળે મળી રહેશે. તેમે ફ્રી રજિસ્ટ્રેશન માટે 91900 00090 નંબરનો સંપર્ક કરી શકો છે. બાળકોની સેફ્ટી અને યોગ્ય વાતાવરણ મળે તે જરૂરીબાળકના ભવિષ્યનો મજબૂત પાયો તેની યોગ્ય સ્કૂલથી જ બંધાઈ શકે છે. આધુનિક સમયમાં શિક્ષણ હવે ફક્ત પુસ્તકીય જ્ઞાન સુધી મર્યાદિત નથી. આજના બદલાતા શૈક્ષણિક માળખામાં માત્ર સારી બિલ્ડિંગ કે ઊંચી ફી એટલે સારી સ્કૂલ નહીં, પરંતુ શિક્ષણની ગુણવત્તા, સેફ્ટી, શિક્ષક–વિદ્યાર્થી રેશિયો, એક્ટિવિટીઝ અને બાળકને યોગ્ય વાતાવરણ મળે છે કે નહીં આ બધું ખૂબ મહત્વનું બની ગયું છે. આ જરૂરિયાતને પૂર્ણ કરવા માટે આધુનિક સ્કૂલોને વધુ પસંદ કરવામાં આવી રહી છે. શ્રેષ્ઠ સ્કૂલો ફક્ત અભ્યાસ માટેનું કેન્દ્ર નથી, પરંતુ એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં વિદ્યાર્થીઓનો માનસિક, શારીરિક, સામાજિક અને ભાવનાત્મક વિકાસ સમાન રીતે થાય છે. તેથી વાલીઓએ સ્કૂલ પસંદ કરતી વખતે સમજદારીપૂર્વક વિવિધ મુદ્દાઓનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. ત્યારે તમને પણ એક વાલી તરીકે સ્કૂલ પસંદગી કરવામાં સરળતા રહે તેવા ઉમદા હેતુ સાથે દિવ્ય ભાસ્કર દ્વારા સ્કૂલ એડમિશન ફેર 2026-27નું આયોજન કરવામાં આવ્યું છે. સ્કૂલ એડમિશન ફેરમાં ઉત્કૃષ્ટ પરિણામ આપતી સ્કૂલો, અભ્યાસની ઉત્તમ ગુણવત્તા સાથે શ્રેષ્ઠ શિક્ષકગણ, સુવિધાસભર અને સલામત સ્કૂલો, સુરક્ષિત ટ્રાન્સપોર્ટ સુવિધા ઉપલબ્ધ, ફુલ્લી ડિજિટલ એન્હેસ્ન્ડ કેમ્પસ વગેરે જેવી સ્કૂલો એક જ સ્થળે ઉપલબ્ધ મળી રહેશે.
છેલ્લા 4 દિવસથી સતત ઈન્ડિગો એરલાઈન ક્રાઈસીસમાંથી પસાર થઈ રહી છે. તેના કારણે અનેક મુસાફરો હેરાન પરેશાન થઈ રહ્યા છે. હજારો મુસાફરો અમદાવાદ એરપોર્ટ પર હોબાળો મચાવતા પણ જોવા મળ્યા હતા અને ઘણા મુસાફરો રડતા પણ જોવા મળ્યા હતાં. જ્યારે આજે પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ એરપોર્ટ પર RCTC નું કાઉન્ટર ખૂલતા મુસાફરોને હવે ટ્રેન બુકિંગ માટેનો ઓપ્શન મળી રહેશે. 89 વિશેષ ટ્રેનની 100થી વધુ ટ્રિપ્સભારતીય રેલ્વે આગામી 3 દિવસ (7,8 અને 9 ડિસેમ્બર)માં 89 વિશેષ ટ્રેનની 100થી વધુ ટ્રિપ્સ દોડાવશે. મોટા શહેરો જેમ કે મુંબઈ, દિલ્હી, પુણે, હાવડા, હૈદરાબાદ વગેરેમાં આવતા અને જતા મુસાફરોની ભીડ ઘટાડવા માટે વિશેષ ટ્રેનો; ઉત્તર પૂર્વીય રેલ્વે (NER) દિલ્હી અને મુંબઈ વચ્ચે 6 ટ્રિપ્સ દોડાવશે ભારતીય રેલ્વેએ શિયાળાની ઋતુ દરમિયાન વ્યાપક ફ્લાઇટ રદ્દીકરણ અને વધારાની ભીડના સંદર્ભમાં મુસાફરીને સરળ બનાવવાનું શરૂ કર્યું છે. આજે શરૂ કરીને આગામી ત્રણ દિવસ(9 ડિસેમ્બર સુધી)માં અનેક ઝોનમાં 89 વિશેષ ટ્રેન સેવાઓ (100થી વધુ ટ્રિપ્સ) દોડાવવામાં આવશે. આનાથી સરળ મુસાફરીમાં મદદ મળશે અને રેલ મુસાફરીની વધતી માંગ વચ્ચે પૂરતી કનેક્ટિવિટી સુનિશ્ચિત થશે. અમદાવાદમાં 32 ફ્લાઇટ કેન્સલત્યારે આજે પણ એટલે કે 7 ડિસેમ્બરના રોજ સવારે 6 વાગ્યા સુધીમાં ઇન્ડિગોની કુલ 32 ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. જેમાં ડિપાર્ચર 17 અને અરાઇવાલ 15 જેટલી ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. એરપોર્ટ પર IRCTC નું નવું કાઉન્ટર શરૂત્યારે પશ્ચિમ રેલવેએ અમદાવાદ એરપોર્ટ પરના મુસાફરો માટે આ સમયગાળા દરમિયાન કામચલાઉ રીતે આજથી નવું કાઉન્ટર શરૂ કર્યું છે. IRCTC નું કાઉન્ટર ખૂલતા મુસાફરોને હવે ફ્લાઇટ કેન્સલ થતાં રેલવેમાં બુકિંગ માટેનો તરત ઓપ્શન મળી રહેશે. લાખો મુસાફરો અલગ અલગ એરપોર્ટ પર રઝળ્યાદેશની સૌથી મોટી એરલાઇન્સ કંપની ઈન્ડિગો હાલમાં સૌથી મોટા ક્રાઈસીસમાંથી પસાર થઈ રહી છે. નવા પાયલટ રુલ્સના કારણે 2 હજારથી પણ વધારે ફ્લાઈટ્સ કેન્સલ થઈ છે. લાખો મુસાફરો દેશના અલગ અલગ એરપોર્ટ પર રઝળી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટની વાત કરીએ તો છેલ્લા 4 દિવસમાં હજારો મુસાફરો હેરાન પરેશાન થઈ રહ્યા છે. મુસાફરોને મુશ્કેલી પડી રહીઘણા મુસાફરોને આજની ફ્લાઇટ હતી તેવા લોકોને આવતીકાલ માટે રિ-શિડ્યુલ કરીને ટિકિટ આપવામાં આવી રહી છે. જેથી મુસાફરોને મુશ્કેલી પડી રહી છે. કોઈ પોતાની મિટિંગ પોસ્ટપોન્ડ કરી રહ્યું છે કોઈનું ઇન્ટરવ્યુ કેન્સલ થઈ રહ્યું છે. કોઈ પોતાના જ લગ્નના રિસેપ્શનમાં પહોંચી નથી શકતું. ત્યારે હવે અમદાવાદ એરપોર્ટના મુસાફરો માટે પશ્ચિમ રેલવેએ એરપોર્ટ પર જ કાઉન્ટર ઊભું કરીને મુસાફરોને ઓપ્શન આપ્યો છે. સ્પેશિયલ ટ્રેનનું બુકિંગ પણ થઈ જશેપશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના PRO અજય સોલંકીએ જણાવ્યું હતું કે, હમણાં યાત્રીઓની ફ્લાઇટ મિસ થઈ રહી છે અથવા તો કેન્સલ થઈ રહી છે એના માટે જ તેમણે હેલ્પડેસ્ક બનાવ્યું છે, કે જે હમણાં ત્યા IRCTCનું કાઉન્ટર પણ ખોલી દીધું છે. આપણે જેમ વેસ્ટર્ન રેલ્વે સ્પેશિયલ ટ્રેન ચલાવી રહ્યા છીએ, તો જો કોઈને જો બુકિંગ કરવું હોય તો કરવી શકે. IRCTCના કાઉન્ટર પરથી ટ્રેન ટિકિટ મળી શકશેતેને વધુમાં કહ્યું કે, જો કોઈની ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ હોય અને તેને દિલ્હી જવું હોય કે મુંબઈ જવું હોય, તો ત્યાંથી જ તે IRCTCના કાઉન્ટર પરથી પોતાની ટિકિટ બુક કરી શકે છે, ઑન ધ સ્પોટ. ત્યાં એક કાઉન્ટર ખુલ્લું છે. ટિકિટ બુક કરીને અને સ્ટેશન જઈને પોતાની ટ્રેન લઈ શકે છે, એટલે કે સાબરમતી કે અમદાવાદ જઈને. તો એના માટેની સવલત માટે તેમણે આ હેલ્પડેસ્ક ખોલ્યો છે. મધ્ય રેલ્વે દ્વારા 14 વિશેષ ટ્રેનનું સંચાલનમધ્ય રેલ્વે મુસાફરોની વધેલી માંગને પહોંચી વળવા માટે 14 વિશેષ ટ્રેન સેવાઓનું સંચાલન કરશે. આમાં 6 અને 7 ડિસેમ્બરના રોજ ટ્રેન નંબર 01413/01414 પુણે–બેંગલુરુ–પુણે; 7 અને 9 ડિસેમ્બરના રોજ 01409/01410 પુણે–હઝરત નિઝામુદ્દીન–પુણે; 7 અને 8 ડિસેમ્બરના રોજ 01019/01020 લોકમાન્ય ટિલક ટર્મિનસ (LTT)–માડગાંવ–LTT; 6 અને 7 ડિસેમ્બરના રોજ 01077/01078 છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)–હઝરત નિઝામુદ્દીન–CSMT; 6 અને 7 ડિસેમ્બરના રોજ 01015/01016 LTT–લખનૌ–LTT; 6 અને 7 ડિસેમ્બરના રોજ 01012/01011 નાગપુર–CSMT–નાગપુર; 7 અને 9 ડિસેમ્બરના રોજ 05587/05588 ગોરખપુર–LTT–ગોરખપુર; અને 10 અને 12 ડિસેમ્બરના રોજ 08245/08246 બિલાસપુર–LTT–બિલાસપુરનો સમાવેશ થાય છે. દક્ષિણ પૂર્વીય રેલ્વે દ્વારા વિશેષ ટ્રેનનું સંચાલનદક્ષિણ પૂર્વીય રેલ્વેએ તાજેતરના ફ્લાઇટ રદ્દીકરણ પછી માંગમાં વધારો થવાને સંભાળવા માટે વિશેષ ટ્રેનોનું આયોજન કર્યું છે. આમાં ટ્રેન નંબર 08073/08074 સાન્ત્રાગાછી–યેલહંકા–સાન્ત્રાગાછીનો સમાવેશ થાય છે, જેમાં 08073 સાન્ત્રાગાછીથી 7 ડિસેમ્બરે ઉપડશે, અને 08074 યેલહંકાથી 9 ડિસેમ્બરે પરત ફરશે. ટ્રેન નંબર 02870/02869 હાવડા–CSMT–હાવડા સ્પેશિયલ દોડશે, જેમાં 02870 હાવડાથી 6 ડિસેમ્બરે પ્રસ્થાન કરશે, અને 02869 CSMT થી 8 ડિસેમ્બરે પ્રસ્થાન કરશે. ટ્રેન નંબર 07148/07149 ચેરલાપલ્લી–શાલીમાર–ચેરલાપલ્લીનું સંચાલન કરવામાં આવશે, જેમાં 07148 ચેરલાપલ્લીથી 6 ડિસેમ્બરે પ્રસ્થાન કરશે, અને 07149 શાલીમારથી 8 ડિસેમ્બરે પ્રસ્થાન કરશે. મુસાફરોની વધારાની ભીડનું સંચાલન કરવા માટે, દક્ષિણ મધ્ય રેલ્વે 6 ડિસેમ્બર 2025 ના રોજ ત્રણ વિશેષ ટ્રેનોનું સંચાલન કરી રહી છે. ટ્રેન નંબર 07148 ચેરલાપલ્લીથી શાલીમાર, ટ્રેન નંબર 07146 સિકંદરાબાદથી ચેન્નઈ એગમોર, અને ટ્રેન નંબર 07150 હૈદરાબાદથી મુંબઈ LTT આજે પ્રસ્થાન કરી ચૂકી છે. પૂર્વીય રેલ્વે દ્વારા વિશેષ ટ્રેનનું સંચાલન પૂર્વીય રેલ્વે હાવડા, સીલદહ અને મુખ્ય સ્થળો વચ્ચે વિશેષ ટ્રેન સેવાઓનું સંચાલન કરશે. ટ્રેન નંબર 03009/03010 હાવડા–નવી દિલ્હી–હાવડા સ્પેશિયલ દોડશે, જેમાં 03009 હાવડાથી 6 ડિસેમ્બરે પ્રસ્થાન કરશે, અને 03010 નવી દિલ્હીથી 8 ડિસેમ્બરે પ્રસ્થાન કરશે. ટ્રેન નંબર 03127/03128 સીલદહ–LTT–સીલદહ સ્પેશિયલનું સંચાલન કરવામાં આવશે, જેમાં 03127 સીલદહથી 6 ડિસેમ્બરે ઉપડશે, અને 03128 LTT થી 9 ડિસેમ્બરે પ્રસ્થાન કરશે. પશ્ચિમ રેલ્વે દ્વારા સાત વિશેષ ટ્રેનોનું સંચાલન પશ્ચિમ રેલ્વે મુસાફરીની વધેલી માંગને પહોંચી વળવા માટે સાત વિશેષ ટ્રેનોનું સંચાલન કરશે. આમાં ટ્રેન નંબર 09001/09002 મુંબઈ સેન્ટ્રલ–ભિવાની સુપરફાસ્ટ સ્પેશિયલ (દ્વિ-સાપ્તાહિક)નો સમાવેશ થાય છે, જે 9 અને 30 ડિસેમ્બર વચ્ચે મુંબઈ સેન્ટ્રલથી દર મંગળવાર અને શુક્રવારે અને 10 અને 31 ડિસેમ્બર વચ્ચે ભિવાનીથી દર બુધવાર અને શનિવારે ચાલશે, કુલ 14 ટ્રિપ્સ. માર્ગમાં આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, રતલામ, મંદસૌર, નીમચ, ચિત્તોડગઢ, ભિલવાડા, બિજયનગર, નસીરાબાદ, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, બાંદીકુઈ, અલવર, રેવાડી, કોસલી અને ચરખી દાદરી સ્ટેશનો પર રોકાશે. ટ્રેન નંબર 09003/09004 મુંબઈ સેન્ટ્રલ–શકુર બસ્તી સુપરફાસ્ટ સ્પેશિયલ 8 અને 29 ડિસેમ્બર વચ્ચે મુંબઈ સેન્ટ્રલથી મંગળવાર અને શુક્રવાર સિવાય દરરોજ, અને 9 અને 30 ડિસેમ્બર વચ્ચે શકુર બસ્તીથી બુધવાર અને શનિવાર સિવાય દરરોજ દોડશે, કુલ 32 ટ્રિપ્સ, જેનું બુકિંગ 6 ડિસેમ્બરના રોજ ખુલશે. ટ્રેન નંબર 09730/09729 બાંદ્રા ટર્મિનસ–દુર્ગપુરા સુપરફાસ્ટ સ્પેશિયલ 09730 સાથે 8 ડિસેમ્બરના રોજ બાંદ્રા ટર્મિનસથી પ્રસ્થાન કરશે અને 09729 સાથે 7 ડિસેમ્બરના રોજ દુર્ગપુરાથી પ્રસ્થાન કરશે, જેનું બુકિંગ 6 ડિસેમ્બરના રોજ ખુલશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી - 2 ટાયર, એસી - 3 ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે. મુસાફરોની વધેલી માંગના પ્રતિભાવમાં, ભારતીય રેલ્વે ગોરખપુરથી વધારાની સેવાઓનું સંચાલન કરશે. ટ્રેન નંબર 05591/05592 ગોરખપુર–આનંદ વિહાર ટર્મિનલ–ગોરખપુર બે ટ્રિપ્સ માટે દોડશે, જેમાં 7 અને 8 ડિસેમ્બરના રોજ ગોરખપુરથી અને 8 અને 9 ડિસેમ્બરના રોજ આનંદ વિહાર ટર્મિનલથી પ્રસ્થાન થશે. ટ્રેન નંબર 05587/05588 ગોરખપુર–LTT–ગોરખપુર 7 ડિસેમ્બરના રોજ ગોરખપુરથી અને 9 ડિસેમ્બરના રોજ LTT થી પ્રસ્થાન સાથે દોડશે. બિહારથી વિશેષ ટ્રેનોનું સંચાલનબિહારથી શિયાળુ મુસાફરીની સુવિધા માટે, પૂર્વ મધ્ય રેલ્વે પટના અને દરભંગાથી આનંદ વિહાર ટર્મિનલ સુધી વિશેષ ટ્રેનોનું સંચાલન કરશે. ટ્રેન નંબર 02309/02310 પટના–આનંદ વિહાર ટર્મિનલ–પટના 6 અને 8 ડિસેમ્બરના રોજ પટનાથી અને 7 અને 9 ડિસેમ્બરના રોજ આનંદ વિહાર ટર્મિનલથી પ્રસ્થાન સાથે દોડશે. ટ્રેન નંબર 02395/02396 પટના–આનંદ વિહાર ટર્મિનલ–પટનાનું સંચાલન કરવામાં આવશે, જેમાં 02395 પટનાથી 7 ડિસેમ્બરના રોજ અને 02396 આનંદ વિહાર ટર્મિનલથી 8 ડિસેમ્બરના રોજ ઉપડશે. ટ્રેન નંબર 05563/05564 દરભંગા–આનંદ વિહાર ટર્મિનલ–દરભંગા 7 ડિસેમ્બરના રોજ દરભંગાથી અને 9 ડિસેમ્બરના રોજ આનંદ વિહાર ટર્મિનલથી પ્રસ્થાન સાથે દોડશે. એક-ટ્રિપના આધારે બે સ્પેશિયલ ફેર સ્પેશિયલ ટ્રેનોનું સંચાલનઉત્તર પશ્ચિમ રેલ્વે આગામી મુસાફરીના સમયગાળા દરમિયાન મુસાફરોની વધારાની ભીડ દૂર કરવા માટે એક-ટ્રિપના આધારે બે સ્પેશિયલ ફેર સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન કરશે. ટ્રેન નંબર 04725 હિસાર–ખાડકી સ્પેશિયલ 7 ડિસેમ્બર 2025 ના રોજ હિસારથી પ્રસ્થાન કરશે, જ્યારે પરત સેવા, ટ્રેન નંબર 04726 ખાડકી–હિસાર સ્પેશિયલ, 8 ડિસેમ્બર 2025 ના રોજ ખાડકીથી પ્રસ્થાન કરશે. ઉત્તર પશ્ચિમ રેલ્વે એક-ટ્રિપ સ્પેશિયલ ફેર સ્પેશિયલ ટ્રેન નંબર 09729 દુર્ગપુરા–બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ પણ દોડાવશે, જે 7 ડિસેમ્બર 2025 ના રોજ દુર્ગપુરાથી પ્રસ્થાન કરશે. પરત સેવા, ટ્રેન નંબર 09730 બાંદ્રા ટર્મિનસ–દુર્ગપુરા સ્પેશિયલ, 8 ડિસેમ્બર 2025 ના રોજ બાંદ્રા ટર્મિનસથી ઉપડશે. પ્રયાગરાજ અને નવી દિલ્હી વચ્ચે વિશેષ ટ્રેનોમુસાફરોની સુવિધા માટે, ઉત્તર મધ્ય રેલ્વે પ્રયાગરાજ અને નવી દિલ્હી વચ્ચે વિશેષ ટ્રેનોનું સંચાલન કરશે. ટ્રેન નંબર 02417 6 અને 8 ડિસેમ્બરના રોજ પ્રયાગરાજથી પ્રસ્થાન કરશે, અને 7 અને 9 ડિસેમ્બરના રોજ ટ્રેન નંબર 02418 તરીકે નવી દિલ્હીથી પરત ફરશે, જેમાં દરેક દિશામાં કુલ બે ટ્રિપ્સ થશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 02275 7 ડિસેમ્બરના રોજ પ્રયાગરાજથી પ્રસ્થાન કરશે, અને 8 ડિસેમ્બરના રોજ ટ્રેન નંબર 02276 તરીકે નવી દિલ્હીથી પરત ફરશે, જેમાં દરેક દિશામાં એક-એક ટ્રિપનું સંચાલન થશે. ઉત્તર અને પશ્ચિમ વચ્ચે લાંબા અંતરની અવરજવરની સુવિધા માટે વિશેષ ટ્રેનોઉત્તરીય રેલ્વે 6 ડિસેમ્બર 2025 ના રોજ 02439 નવી દિલ્હી–શહીદ કેપ્ટન તુષાર મહાજન ઉધમપુર વંદે ભારત દોડાવશે, તેની સાથે તે જ તારીખે અનુરૂપ 02440 ઉધમપુર–નવી દિલ્હી વંદે ભારત પણ દોડાવશે, જે રાષ્ટ્રીય રાજધાની અને જમ્મુ અને કાશ્મીર વચ્ચે ઝડપી અને વધુ આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરશે. ઉત્તર અને પશ્ચિમ વચ્ચે લાંબા અંતરની અવરજવરની સુવિધા માટે, 04002 નવી દિલ્હી–મુંબઈ સેન્ટ્રલ ટ્રેન 6 ડિસેમ્બર 2025 ના રોજ દોડશે, જ્યારે પરત સેવા 04001 મુંબઈ સેન્ટ્રલ–નવી દિલ્હી 7 ડિસેમ્બર 2025 ના રોજ દોડશે. ઉત્તરીય રેલ્વે 04080 હઝરત નિઝામુદ્દીન–તિરુવનંતપુરમ સેન્ટ્રલ સ્પેશિયલ દ્વારા પણ દિલ્હીને દક્ષિણ રેલ્વે સાથે જોડશે, જે 6 ડિસેમ્બર 2025 માટે નિર્ધારિત છે. દક્ષિણ મધ્ય રેલ્વે નેટવર્કમાં પ્રાદેશિક ગતિશીલતાને મજબૂત કરતા, 07703 ચલિપલ્લી–જલિમાર ટ્રેન 7 ડિસેમ્બર 2025 ના રોજ દોડશે. શિયાળુ ભીડનું સંચાલન કરવા માટે, દુર્ગ અને હઝરત નિઝામુદ્દીન વચ્ચે એક વિશેષ ટ્રેન દોડશે. ટ્રેન 08760 7 ડિસેમ્બર 2025 ના રોજ દુર્ગથી પ્રસ્થાન કરશે, અને ટ્રેન 08761 8 ડિસેમ્બર 2025 ના રોજ હઝરત નિઝામુદ્દીનથી પ્રસ્થાન કરશે.
ગાંધીના ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના વેચાણને લઈને કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા સરકાર અને પોલીસને દરેક કાર્યક્રમમાં ઘેરવામાં છે. ગુજરાતમાં ઠે- ઠેર દારૂના અડ્ડા ચાલતા હોવાને લઈને નાગરિકો હેરાન થઈ રહ્યા છે, ત્યારે અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલું સરદારગ્રામ રેલવે સ્ટેશન દારૂડિયાઓનો અડ્ડો બની ગયું છે. નવા બનેલા રેલવે સ્ટેશન પરિસરમાં દારૂ અને બિયરની ખાલી બોટલો પડેલી જોવા મળી છે. સરદારગ્રામ રેલવે સ્ટેશનથી 100 મીટર દૂર જ સરદારનગરનું છારાનગર આવેલું, જ્યાં બેફામ દારૂ અને બિયરનું વેચાણ થતું હોવાનું સ્થાનિકોનું કહેવું છે અને ત્યાંથી લોકો રેલવે સ્ટેશનમાં આવીને દારૂની મહેફીલ માણતા હોવાનું જાણવા મળ્યું છે. રેલવે પરિચરની તપાસ કરતા ઠેર-ઠેર દારૂ-બીયરની બોટલો જોવા મળીદિવ્ય ભાસ્કર દ્વારા સરદારગ્રામ રેલવે સ્ટેશનનો ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ નવા નકોર રેલવે સ્ટેશનના પરિસરમાં વેઇટિંગ રૂમની આગળના ભાગે વિશાળ ખુલ્લી જગ્યા આવેલી છે. વેઇટિંગ રૂમની આગળના ભાગે જ આ જગ્યામાં રાત્રે કેટલાક લોકો દારૂની મહેફિલ માણતા હોય તેમ દારૂની અને બિયરની ખાલી બોટલો જોવા મળી હતી. નવા બનેલા રેલવે સ્ટેશનમાં જવાનો રસ્તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કુબેરનગર વોર્ડ ઓફિસની સામેના ભાગે આવેલો છે. રેલવે સ્ટેશનના ભાગમાં જવા માટે કોઈ ગેટ રાખવામાં આવ્યો નથી. સરદારગ્રામ રેલવે સ્ટેશન ધૂળ ખાધેલી પરિસ્થિતિમાંરેલવે સ્ટેશનના પરિસરમાં અંદર જતાની સાથે જ ડાબી અને જમણી તરફ ખુલ્લી જગ્યા આવેલી છે, જેમાં જમણી તરફ રેલવે સ્ટેશનમાં જઈ શકાય છે. નવું બનાવવામાં આવેલું સરદારગ્રામ રેલવે સ્ટેશન અત્યારે ધૂળ ખાધેલી પરિસ્થિતિમાં જોવા મળ્યું હતું. રેલવે સ્ટેશનના વેઇટિંગ રૂમને તાળું મારેલું છે અને બહારના ભાગે ત્રણથી ચાર ખાલી દારૂની અને બેથી ત્રણ બિયરની બોટલો જોવા મળી હતી. આ દૃશ્યો સાબીત કરે છે કે, અહીં રાત્રિના દારૂની મહેફિલ થાય છે. પ્રજાના પૈસે દારૂડિયાઓ માટે અડ્ડો બન્યો હોય તેવો ઘાટ ઘડાયો એક જગ્યાએ તો બિયરની કાચની ખાલી બોટલ પણ ત્યાં મૂકી દેવામાં આવેલી હતી. આ સાથે રેલવે સ્ટેશન પરિસરમાં ઠેર-ઠેર ગંદકી જોવા મળી છે, જેથી અહીં સફાઈ કરવામાં ન આવતી હોવાના પણ દૃશ્યો જોવા મળ્યા હતા. પ્રજાના પૈસે ખર્ચ કરીને નવું સરદાર ગ્રામ રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે, પરંતુ આ રેલવે સ્ટેશન સરદારનગર નજીક દારૂડીયાઓ માટેનું અડ્ડો બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. છારાનગરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છેઃ સુત્રોસરદારગ્રામ રેલવે સ્ટેશન સરદારનગરના છારાનગરથી માત્ર 100 મીટર દૂર આવેલું છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, સરદારનગર વિસ્તારના છારાનગરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોય છે. અમદાવાદમાં દારૂ અને બીયરના વેચાણ માટે સરદારનગર ખૂબ જ જાણીતી જગ્યા છે. તાજેતરમાં જ નરોડા વિસ્તારમાં દારૂ અને બિયરની બોટલો રોડ ઉપર જોવા મળી હોવાના દૃશ્યો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતાં. જે દારૂ સરદારનગર વિસ્તારમાં લઈ જવામાં આવતો હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારે નરોડા અને સરદારનગર જેવા વિસ્તારોમાં દારૂનું વેચાણ થતું હોવાથી જ રેલવે સ્ટેશન જેવા પરિસર દારૂડિયાઓ માટે અડ્ડો બની ગયા છે. રાત્રિના અંધારામાં લોકો દારૂ પીવે છેઃ સ્થાનિકસ્થાનિક લોકોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં રેલવે સ્ટેશનથી 100 મીટર આગળ પાછળ દેશી દારૂ અને વિદેશી દારૂનું વેચાણ થાય છે. કેટલાક લોકો નજીકમાંથી દારૂ લાવીને આજ રેલવે સ્ટેશનના પરિસરમાં બેસીને પીવે છે. રાત્રે કોઈપણ વ્યક્તિ આ રેલવે સ્ટેશનમાં અવરજવર કરતું હોય છે, ક્યાંય કોઈપણ સુરક્ષાકર્મી હોતા નથી. નજીકમાં જ દારૂ મળી જતો હોવાથી લોકો ત્યાંથી લઈ અને આ જગ્યામાં કોઈ રાત્રે અંધારામાં પીવા આવે છે. સામે પણ ખુલ્લેઆમ ઝાડીઓમાં જઈને દેશી દારૂ પીવા લાગે છે. રેલવે સ્ટેશન દારૂડિયાનો અડ્ડો બનતા રેલવે-પોલીસ તંત્રની કામગીરી સામે સવાલઉલ્લેખનીય છે કે, નવું બનાવવામાં આવેલું સરદારગ્રામ રેલવે સ્ટેશન નાગરિકો માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું નથી. રાજસ્થાનના ઉદયપુર અને હિંમતનગર તરફ જવા માટેની ટ્રેનો સરદારગ્રામ રેલવે સ્ટેશન થઈને જતી હોય છે, ત્યારે આ રેલવે સ્ટેશન તાજેતરમાં જ નવું બનાવવામાં આવ્યું છે. પરંતુ સરદારનગર વિસ્તારમાં આ રેલવે સ્ટેશન દારૂડિયાઓનો અડ્ડો બની ગયું હોય તેવી સ્થિતિ જોવા મળી છે. ત્યારે સ્થાનિક સરદારનગર પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. રેલવે સ્ટેશનથી એકદમ નજીક જ્યારે દારૂનું વેચાણ થતું હોય ત્યારે પોલીસની આ વિસ્તારમાં સદંતર નિષ્ક્રિયતા હોવાના કારણે નવું બનેલું રેલવે સ્ટેશન જો દારૂડિયાઓનો અડ્ડો બની ગયું તો મુસાફરો માટે પણ આ જોખમ બની શકે તેમ છે. બહારથી દારૂ લાવી લોકો પીતા હોય તેવું બની શકેઃ RPFઆ મામલે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના PRO અજય સોલંકીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સરદારગ્રામનું રેલવે સ્ટેશન બનાવવામાં આવેલું છે, જે હાલ બંધ હાલતમાં છે. ત્યાં લોકો દારૂ પીવે છે તે અંગે તપાસ કરાવી લેશું. તો વધુમાં RPF અમદાવાદના અધિકારીએ જણાવ્યું હતું કે, ત્યાં સિક્યુરિટી રાખવામાં હોય છે, પરંતુ સ્થાનિક પોલીસની પણ જવાબદારી છે. બહારથી દારૂ લાવીને ત્યાં લોકો પીતા હોય તેવું બની શકે, પરંતુ સિક્યુરિટી ત્યાં રાખીશું.
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આજે ખોડલધામ મંદિર, કાગવડ મુકામે એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અને રાજ્ય સરકારમાં નવનિયુક્ત થયેલા લેઉવા પટેલ સમાજના મંત્રીશ્રીઓનું વિશેષ સન્માન કરવામાં આવશે.મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિઆ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારત સરકારના કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયાની પ્રેરક ઉપસ્થિતિ રહેશે, જે કાર્યક્રમની ગરિમામાં વધારો કરશે. સન્માનિત થનાર મહાનુભાવોશ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદિશભાઈ વિશ્વકર્મા, રાજ્ય સરકારના નવનિયુક્ત લેઉવા પટેલ સમાજના મંત્રીઓ જીતુભાઈ વાઘાણી, કૌશિકભાઈ વેકરીયા, કમલેશભાઈ પટેલનું સન્માન થશે.ટ્રસ્ટના ચેરમેનના માર્ગદર્શન હેઠળ મોટી જનમેદનીઆ સન્માન સમારોહમાં ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે. જેમાં ટ્રસ્ટીઓ, વિવિધ કન્વીનરો અને તેમની ટીમ, રાજકીય અને સામાજિક આગેવાનો, વિવિધ એસોસિએશનના હોદ્દેદારો તેમજ સોશિયલ ગ્રુપના સભ્યો સહિત સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી મહાનુભાવોને શુભેચ્છાઓ પાઠવશે.આ સન્માન સમારોહ સમાજ અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ વચ્ચેના સેતુને વધુ મજબૂત બનાવશે.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વલાદર ગામે ગઈ સાંજે દીપડાના હિંસક હુમલાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. શનિવાર ની સાંજે અંદાજે 6:30 વાગ્યાના અરસામાં સંબંધીના ઘરે જઈ પરત ફરતી વખતે 50 વર્ષીય રસીદાબેન પર જાહેર માર્ગ પર અચાનક દીપડાએ હુમલો કર્યો હતો. દીપડાના હુમલામાં રસીદાબેનને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાના પગલે આસપાસ દોડધામ મચી ગઈ હતી. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક કોડીનારની રાનાવાલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. યુવકની સતર્કતાથી બચ્યો જીવઘટનાના પ્રત્યક્ષદર્શી યુવક હરસુખએ જણાવ્યું હતું કે, હું કોડીનારથી વલાદર તરફ બાઈક પર જઈ રહ્યો હતો. એ દરમિયાન મારા આગળ જઈ રહેલા રસીદાબેન પર રસ્તાની બાજુમાંથી અચાનક વંડી ઠેકીને દીપડો ત્રાટક્યો. મેં તરત જ જોરથી દેકારો કરતાં દીપડો મહિલા ને છોડીને નાસી ગયો, જેથી રસીદાબેનનો જીવ બચી ગયો. ગ્રામજનોમાં ભય સાથે રોષજંગલ સીમાને અડીને આવેલા વલાદર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડા જેવા હિંસક પ્રાણીઓના હુમલાની ઘટનાઓ વધતી જતા ગ્રામજનોમાં ભય સાથે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. ગામના રહીશ નૂર મમદભાઈએ જણાવ્યું હતું કે, વારંવાર દીપડાના હુમલાની ઘટનાઓ બને છે. પશુઓના રક્ષણ માટે લાકડી રાખીએ તો વન વિભાગ કાર્યવાહી કરે છે. હવે આવા હિંસક પ્રાણીઓ માનવ જીવ પર હુમલો કરે ત્યારે અમારે શું કરવું? વન વિભાગની ટીમ ઘટના સ્થળેઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક વલાદર ગામે પહોંચી હતી. ગ્રામજનોએ હુમલાખોર દીપડાને ત્વરિત પાંજરે પૂરવા અને સમગ્ર વિસ્તારમાં રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવા માંગ ઉઠાવી છે. દીપડાના સતત વધતા હુમલાઓને લઈ ગ્રામ્ય પ્રજામાં ભયની લાગણી વધુ ઘેરાઈ રહી છે ત્યારે વન વિભાગ દ્વારા કાયમી અને કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે.
માર માર્યો:ભાગીયુ રાખતા શખ્સને બાજુની વાડીના ભાગીયાએ માર માર્યો
તળાજા તાલુકાના કામરોળ ગામે ભાગ્યું રાખીને ખેતી કામ કરતા મૂળ બગદાણા ગામના લાલજીભાઈ ઉર્ફે લાલાભાઇ નારણભાઈ શિયાળ એ તળાજા પોલીસને ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેઓ પોતાની વાડીમાં કામ કરતા હતા તે વેળાએ બાજુની વાડીમાં ભાગ્યા તરીકે કામ કરતા અશોક મનુભાઈ ઢાપા, વિજય મનુભાઈ ઢાપા (જૂની કામરોલ) એ મારી વાડીએ મજૂરી એ કેમ નથી આવતો તેમ કહી ગાળો આપવા લાગેલ જેને લાલજીભાઈએ ગાળો દેવાની ના પાડતા બંને શખ્સો એકદમ ઉશ્કેરાઈ જઈ લાકડી વડે લાલજીભાઈને મારમાર્યો હતો. ત્યારે તેમના બા સમજુબેન મનુભાઈ ઢાપાએ ગાળો આપી હતી જેથી લાલજીભાઈ ઉર્ફે લાલાભાઇ નારણભાઈ શિયાળાને તળાજા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા જ્યાં પોલીસે ગુનો નોંધ્યો હતો.
મોટરસાયકલની ચોરી:મહુવામાં નોકરી કરવા ગયેલા નેસવડ ગામના યુવાનનું મોટરસાયકલ ચોરાયું
મહુવા તાલુકામાં ખોડીયાર નગર પ્લોટ વિસ્તાર નેસવડ ગામ માં રહેતા દીપકભાઈ મનસુખભાઈ બારૈયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ આસ્થા કોમ્પ્યુટરમાં નોકરી કરતા હોય જેથી પોતાનું મોટરસાયકલ GJ 27 DC 5971 જૂની કોર્ટના કમ્પાઉન્ડમાં આવેલા પતરા ના પાર્કિંગમાં પાર્ક કર્યું હતું અને બપોરના ઘરે જમવા જતી વેળાએ પોતાનું મોટરસાયકલ પાર્કિંગમાં ન જોતા કોઈ અજાણ્યો શખ્સ ચોરી ગયું હોય તે શંકાએ ફરિયાદ નોંધાવી હતી.
ધમકી:પરિણીતાને સંબંધ રાખવા કહી પરિવારને મારી નાખવાની ધમકી
ભાવનગર શહેરના રૂવાપરી રોડ પાસે લાલ ડેલા હુદા મસ્જિદ વાળા ખાતે રહેતા સમીનાબેન ફેજલભાઇ માલકાણીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવતા જણાવ્યું હતું કે તેમના દેરાણીનો સગો ભાઈ ઝુબેર આફીરભાઇ લાકડીયા રહે શેલારસા રોડ સંઘેડીયા બજાર સમીર મેડિકલ ની સામે ફરિયાદમાં જણાવ્યું હતું કે ઝુબેર સાથે પારિવારિક સંબંધ હોવાથી ફોનમાં તથા મેસેજ કરવાના સંબંધો હતા જે પરિવારમાં જાણ થતાં દરેક સંબંધો મૂકી દીધા હતા ત્યારે ઝુબેર સમીનાબેનનો પીછો કરી તેની પાછળ પાછળ ફરી સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. હાલમાં જ તેમના પરિવારમાં યોજાયેલા પ્રસંગમાં પણ સમીનાબેનની પાછળ જઈ જઈને સંબંધ રાખવા માટે મજબૂર કરતો હતો અને તેમના સાસરિયાના ઘર પાસે આવીને સંબંધ રાખવા દબાણ કરતો હતો અને જો સંબંધ નહીં રાખે તો તેના પતિ અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી સમીનાબેને પોલીસ કંટ્રોલમાં જાણ કરી મદદ માગી હતી. આ ઝુબેર આફિરભાઈ લાકડીયા માથાભારે હોય અને તેનો સંબંધી થતો હોય તેથી સમજાવટથી ના પાડી છતાં પણ પીછો કરી દબાણ કરતો હોવાથી ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
GSEB:ધો.10-12ની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાનારી ધોરણ 10 અને 12ના વિવિધ પ્રવાહોની પરીક્ષાઓ માટેના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ 10મી ડિસેમ્બર સુધી રેગ્યુલર ફી સાથે અને 11 ડિસેમ્બર થી 22 ડિસેમ્બર સુધી લેટ ફી સાથે ફી ભરી શકશે. બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. ધો.10 અને ધો.12ની પરીક્ષામાં રેગ્યુલર ફી સાથે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 ડિસેમ્બર 2025 હતી, જેને વધારીને હવે 10 ડિસેમ્બર 2025 કરવામાં આવી છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ 11 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર 2025 સુધી લેટ ફી સાથે ફોર્મ ભરી શકશે. લેટ ફી ત્રણ તબક્કામાં રાખવામાં આવી છે—11 થી 14 ડિસેમ્બર દરમ્યાન ₹250, 15 થી 18 ડિસેમ્બર દરમ્યાન ₹300 અને 19 થી 22 ડિસેમ્બર દરમ્યાન ₹350 લેટ ફી રહેશે તેમ ભાવનગરના ડીઇઓ હિતેન્દ્રસિંહ પઢેરિયાએ જણાવ્યું છે. આ પરીક્ષામાં વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને નિયમિત પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે, જોકે પરીક્ષાની લેટ ફીમાંથી કોઈને મુક્તિ અપાશે નહી તેમ ડીઇઓ કચેરીના રાજુભાઇ ભટ્ટે જણાવ્યું છે.
ધર્મોત્સવ:પાલિતાણામાં સુરીપ્રેમ ભુવનભાનુ પુણ્ય પરિસરમાં 127 શિલાઓની વિધિ સંપન્ન
જૈનોના પવિત્ર તીર્થધામ પાલિતાણામાં મેવાડ ભવનની બાજુમાં આવેલ પ્રેમ-ભુવનભાનુ પુણ્ય પરિસરમાં પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજાના આશીર્વાદથી પૂજ્ય શ્રમણીગણનાયક આચાર્ય શ્રી રશ્મિરત્નસૂરિશ્વરજી મ.સા. આચાર્ય શ્રીસંયમરત્ન સુરીશ્વરજી મ.સા., આચાર્ય શ્રી લબ્ધીવલ્લભ સુરીશ્વરજી મ.સા. આદિ સાધુ ભગવંતો તથા પ્રવર્તીની સાધ્વીશ્રી પુણ્યરેખાશ્રી આદિ સાધ્વી ભગવંતોને નિશ્રામાં 9 મુખ્ય શીલા સહિત 127 શીલાઓની ૫ ડિસેમ્બરે મંત્રોચ્ચાર સાથે પૂર્ણ થયેલ છે. આ પ્રસંગે દાનવીર અને જીવદયાપ્રેમી સુશ્રાવક કુમારપાળભાઈ. વી. શાહ તથા દાનવીર કલ્પેશભાઈ. વી.શાહ આદિ અનેક ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેલા. ડોક્ટર સંજયભાઈ શાહે વિગત આપી અને કલ્પેશભાઈની પહેલ કરી એ મુજબ અનેક દાનવીરો એ યોજનામાં લાભ લીધેલ છે.
પ્રજાજન પરેશાન:સિહોર-તળાજાના બિસ્માર રોડની મરામત પ્રશ્ને બે તંત્ર વચ્ચે પિસાઈ રહેલા પ્રજાજનો
સિહોર ટાણા ચોકડીથી લીલાપીરનો રોડ કે જે સિહોર તળાજા સ્ટેટ હાઇવે તરીકે ઓળખાય છે. આ માર્ગ બિસ્માર હાલતમાં હોવાથી, આ રોડથી પસાર થવામાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો પડી રહ્યો છે. આ માર્ગ બન્યાના ત્રણ વર્ષ જેટલા સમયમાં આ રોડ અનેક જગ્યાએ તૂટી જતા રોડના કામની ગુણવત્તા અંગે સવાલો ઊભા છે. આ અંગે સિહોર નગરપાલિકાના વિપક્ષ નેતા જયરાજસિંહ મોરી દ્વારા માર્ગ અને મકાન વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.આ રજૂઆતનો માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઇ જવાબ ન અપાતા જયરાજસિંહ મોરી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા તા.10/10ના રોજ લેખિતમાં જવાબ આપવામાં આવ્યો હતો કે એજન્સીને સમારકામ કરવા માટે નોટિસ પાઠવવામાં આવી છે અને ચોમાસાની સિઝન પુરી થયે જરૂરી ડ્રાય સ્પેલ મળે કામગીરી શરૂ કરવામાં આવશે. એજન્સી દ્વારા સિહોર નગરપાલિકા અને પ્રાંત અધિકારીને ઊભરાતી ગટર અને વહેતા પાણીને અટકાવવા રજૂઆત કરેલ. જ્યારે સામા પક્ષે સિહોર નગરપાલિકા એ તા. 16/10ના રોજ વિપક્ષ નેતાને આપેલ લેખિત પ્રત્યુત્તરમાં જણાવેલ કે આ રોડ જિલ્લા પંચાયત હસ્તક આવતો હોય સિહોર નગરપાલિકાને આ અંગે કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી. આમ એક જ રોડના સમારકામ માટે વહીવટી તંત્ર એકબીજા પર દોષારોપણ કરી જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. હજુ સુધી આ દિશામાં કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. કોન્ટ્રાક્ટરો પાસે પણ સમારકામ કરાવવાને બદલે તંત્ર દ્વારા તેમને જાણી જોઈને છાવરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરાયો હતો.
વીજકાપ:વલભીપુર 220 કે.વી. સબ સ્ટેશનમાં 9મીએ વીજકાપ
વરતેજ જેટકો પ્રવહન વિભાગીય કચેરી દ્વારા વલભીપુર 220 કે.વી. સબ સ્ટેશનમાં મરામત કામગીરી અનુસંધાને આગામી તા.9મી ડિસેમ્બર-2025 મંગળવારે 11 કલાકનો વીજકાપ જાહેર કરાયો છે. વલભીપુર 220 કે.વી. સબ સ્ટેશનમાં મરામત કામગીરી અંતર્ગત સબ સ્ટેશનમાંથી નીકળતા તમામ 11 કે.વી.ના ફિડરોમાં તા.9મીને મંગળવારે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. વલભીપુર 220 કે.વી. સબ સ્ટેશનમાં મરામત કામગીરી વહેલી પૂર્ણ થયે કોઈપણ જાતની જાણ કર્યા વિના વીજ પુરવઠો પુનઃ શરૂ કરી દેવામાં આવશે.
ખુલ્લેઆમ દારૂનું વેચાણ:23 સ્થળો પર ધમધમી રહ્યા છે દારૂના અડ્ડા, કોંગ્રેસે એસપીને આપ્યા સરનામા
ભાવનગર શહેરમાં દારૂ, ગાંજો અને પાવડરના અડ્ડાઓ બેફામ રીતે ચાલતા હોવાના શહેર કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરી આ અડ્ડાઓ તાત્કાલિક બંધ કરવાની કાર્યવાહી માટે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે. અને એટલું જ નહીં પરંતુ કોંગ્રેસ દ્વારા લેખિતમાં શહેરમાં જુદી જુદી 23 જગ્યાએ દારૂના અડ્ડાઓની યાદી પણ પોલીસને આપી છે. જેથી પોલીસ તેની સામે કાર્યવાહી કરી શકે. ભાવનગર શહેર સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી તરીકે જાણીતું છે ત્યારે શહેરમાં ચાલતા દારૂ, ગાંજા અને પાવડરના અડ્ડાઓને કારણે ભાવનગરની સંસ્કારીતા પર લાંચન લાગતા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી નું પણ અપમાન થતું હોવાનું ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ દ્વારા જિલ્લા પોલીસવડાને રજૂઆત કરી આ અડ્ડાઓ તાત્કાલિક બંધ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવા માગણી કરી છે. આ રહ્યા દારૂના ધમધમતા અડ્ડાના સરનામા, બંધ કરાવોભાવનગર શહેરમાં દારૂના અડ્ડાઓ ચાલી રહેલ હોવાનું શહેર કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરી દારૂના અડ્ડા ધમધમતા હોય તેવા 23 સ્થળો દર્શાવ્યા છે. જેમાં કુંભારવાડા અક્ષર પાર્ક સોસાયટીના નાળાથી લઈ ભઠ્ઠી વાળા રોડ સુધીમાં, અવેડા પાસે, ચિત્રા જીઆઇડીસીમાં મોગલ પાન પાસે, રેલવે પાટા પાસે, મસ્તરામ મંદિર પાસે, ફુલસર પાણીની ટાંકી પાછળ, એસટી વર્કશોપ વાળા ખાચામાં હનુમાનજી મંદિર પાસે અને ચિત્રા ફુલસર ખારા વિસ્તારમાં, આખલોલ જકાતનાકા 25 વારિયામાં, બોરતળાવ મફતનગરમાં, બેન્ક કોલોનીમાં, કુમુદવાડી, માલધારી સોસાયટી, માઢીયા રોડ ખારવિસ્તાર, ચાવડી ગેટ, સરદારનગર બ્રહ્માકુમારી હોસ્ટેલ પાસે, સરદારનગર ભારત પેટ્રોલ પંપની સામે દારૂના અડ્ડા છે. તેમજ બહુચરાજી માતાના મંદિર પાછળ, સરદાર નગર અખાડામાં, જકાતનાકા શોપિંગ સેન્ટર જયદીપ સેલ્સ એજન્સી પાછળ અને આડોડીયાવાસમાં દીપક ચોક વણકર હોલની બાજુમાં, કરચલીયા પરા ભુંભાણીફળીઅને વાઘેલાના મઢ પાસે, રેલવે ફાટક પાસે સિંહાકોલોની તેમજ સીદસર 25 વારીયા અને અકવાડા તથા શીતળા માતાના મંદિરની સામેના વિસ્તારમાં પણ દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે હોવાનું ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા ભાવનગરના એસપીને જણાવાયું છે.
ભાવનગર રેલ્વે સ્ટેશનને અધધ આવક:ભાવનગર રેલવેને નવેમ્બર ફળ્યો, 181.62 કરોડની આવક નોંધાઇ
નવેમ્બર-2025નો મહિનો ભાવનગર રેલવે ડિવિઝન માટે શીતળ અનુભવ વાળો રહ્યો હતો, અને એક જ માસમાં રેલવેને 181.62 કરોડની આવક પ્રાપ્ત થઇ હતી. ભાવનગર રેલવે ડિવિઝનને નવેમ્બર માસ દરમિયાન મુસાફર પરિવહન થકી રૂપિયા 29.50 કરોડની આવક થઇ હતી. જ્યારે માલ પરિવહન થકી 95.67 કરોડની આવક મળી હતી. એક જ માસમાં મુસાફરોની ટિકિટના ચેકિંગ હાથ ધરવામાં આવ્યા હતા અને એક જ માસમાં 8130 મુસાફરો ટિકિટ વિના પરિવહન કરી રહેલી હાલતમાં ઝડપાયા હતા અને તમામ પાસેથી રપિયા 56.45 લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો. ભાવનગર રેલવેના ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલકુમાર ત્રિપાઠીના મતે, માલ પરિવહન માટે ઉદ્યોગ ગૃહો સાથે સતત મિટિંગો કરવામાં આવે છે, અને શક્યત: તમામ સવલતો તેઓને રેલ પરિવહન માટે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા પણ સતત અને તમામ ટ્રેનોમાં રેન્ડમ ચેકિંગ કરવામાં આવે છે, અને તેના પરિણામે જ એક જ માસમાં 8130 મુસાફરોને ટિકિટ વિના મુસાફરી કરી રહેલા પકડવામાં આવ્યા હતા. ભાવનગર રેલવે દ્વારા મુસાફરોની તમામ સવલતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, અને સમયસર ટ્રેનોના સંચાલન બાબતે વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. ભાવનગર બંદર પર રેલવેને મોટી આશાભાવનગર બંદરનો વિકાસ થઇ રહ્યો છે, અને છેક સુધી રેલવેની લાઇન મોજુદ છે. બંદર ઉપર આવતા માલસામાનને ઉત્તર ભારત, મધ્ય ભારતમાં પહોંચાડવા માટે રેલવે સરળ પરિવહન માધ્યમ છે. ભાવનગર બંદર બહુહેતુલક્ષી બનવાની સાથે જ માલ પરિવહન થકી રેલવેની આવકમાં નોંધપાત્ર વધારો થવાનો છે.
સૌરાષ્ટ્ર સમાચાર ઇમ્પેક્ટ:રાજ્યની મેડિકલ કોલેજોમાંથી બોન્ડેડ તબીબી ઉમેદવારોની માહિતી મંગાવાઈ
ગુજરાતમાં કોરોના કાળમાં મેડિકલ ક્ષેત્રે વર્ષ-2021ની પોસ્ટ ગ્રેજ્યુએશન બેચની પ્રવેશ પ્રક્રિયા છ-આઠ મહિના મોડી થઈ હતી. જેથી વર્ષ-2022ની બેચના નવેમ્બર-2025માં પોસ્ટ ગ્રેજ્યુએશન (ડિગ્રી અને ડિપ્લોમા) પુરૂ કરનારા ભાવિ તબીબોને ગ્રામ્ય વિસ્તારોમાં સોંપવામાં આવતી બોન્ડેડ મેડિકલ સેવાને લઇ પેચીદો પ્રશ્ન ઉભો થયો હતો. સૌરાષ્ટ્ર સમાચારમાં તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલથી આખરે આરોગ્ય વિભાગના તંત્રવાહકો જાગ્યા છે ત્યારે આરોગ્ય તબીબી સેવાઓ અને શિક્ષણ વિભાગે તબીબી અભ્યાસક્રમ પૂર્ણ કરનારા ઉમેદવારોની ભાવનગર સહિત 6 સરકારી મેડિકલ કોલેજો પાસેથી માહિતી માંગી છે. ગાંધીનગર આરોગ્ય તબીબી સેવાઓ અને શિક્ષણ વિભાગે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગરની સરકારી મેડિકલ કોલેજને જારી કરેલા પરિપત્રમાં પોસ્ટ ગ્રેજ્યુએશન તબીબી અભ્યાસક્રમ (ડિગ્રી અને ડિપ્લોમા) પૂર્ણ કરતા બોન્ડેડ ઉમેદવારોની યાદી મોકલી આપવા જણાવાયું છે. જેમાં તબીબી અભ્યાસક્રમ પૂર્ણ કરનારા બોન્ડેડ ઉમેદવાર પૈકી સિનિયર રેસિડેન્ટ તરીકે જોડાવા માંગતા હોય તે સિવાયના બોન્ડેડ ઉમેદવારની માહિતી આગામી તા.10મી ડિસેમ્બર-2025 સુધીમાં મોકલી આપવા જણાવાયું છે. તેમજ GMERS અને સ્વનિર્ભર સંસ્થાઓએ રાજ્ય સરકારના 30 જાન્યુ-2020ના ઠરાવ અનુસાર ફ્રિ શિપ કાર્ડનો લાભ મેળવેલ હોય તેવા બોન્ડેડ ઉમેદવારની યાદી મંગાવાઈ છે. ભાવિ તબીબો ગૂંચવણમાં હતાબોન્ડેડ મેડિકલ સેવા મામલે રાજ્યની 6 સરકારી મેડિકલ કોલેજ અને જી.એમ.ઈ.આર.સી. સંલગ્ન મેડિકલ કોલેજમાંથી નવેમ્બર-2025માં પોસ્ટ ગ્રેજ્યુએશન પુરૂ કરનારા 1300 જેટલા ભાવિ તબીબો ગૂંચવણમાં હતા. કોરોનાના કારણે સર્જાયેલી સ્થિતિ બાદ બોન્ડેડ મેડિકલ સેવા બાબતે આખરે રાજ્યના આરોગ્ય વિભાગે આળસ ખંખેરી કાર્યવાહી શરૂ કરતા હવે વર્ષ-2022ની બેચના પોસ્ટ ગ્રેજ્યુએશન પુરૂ કરનારા તબીબોને હવે આશા જન્મી છે. ઉલ્લેખનીય છે કે બોન્ડેડ મેડિકલ સેવાના પ્રશ્ને રાજ્યના વિવિધ જુનિયર ડોક્ટર્સ એસોસિએશન દ્વારા સિનિયર રેસીડન્ટશીપના સમયગાળાને બોન્ડ સેવામાં ગણવા સહિતની માંગણીઓ બાબતે સ્થાનિક અને ઉચ્ચકક્ષાએ લેખિતમાં રજુઆત કરી હતી.
કેન્દ્ર સરકારના ઊર્જા મંત્રાલય નિદર્શિત માર્ગદર્શિકા અનુસાર વીજળી સંબંધિત પ્રશ્નોના તાત્કાલિક નિકાલ થાય તેવા આશય સાથે પી.જી.વી.સી.એલ. દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સ્કાડા (સુપરવિઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન) સિસ્ટમ હેઠળ વીજ વ્યવસ્થાપન તંત્રનું ડીજીટલાઇઝેશન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પી.જી.વી.સી.એલ.ના મહત્વાકાંક્ષી સ્કાડાના પાયલોટ પ્રોજેક્ટને લઈ પસંદ કરાયેલા ભાવનગર, રાજકોટ, જૂનાગઢ અને જામનગરમાં પ્રારંભિક તબક્કાનું પરીક્ષણ શરૂ કરાય બાદ સૌરાષ્ટ્રના આ ચારેય શહેરોમાં RMU (રીંગ મેઈન યુનિટ) સિસ્ટમ અંગે સર્વે કરાશે. પી.જી.વી.સી.એલ.ના સ્કાડા પ્રોજેક્ટ અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોનમાં પસંદ કરાયેલ ભાવનગર, રાજકોટ, જૂનાગઢ અને જામનગરમાં પાર્ટ-1માં હયાત વીજ વ્યવસ્થાપન તંત્રને અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે. તેની સાથોસાથ પાર્ટ-2માં સૌરાષ્ટ્રના પસંદ કરાયેલ ચારેય શહેરોમાં RMU (રીંગ મેઈન યુનિટ) સિસ્ટમ લગાવવા, વીજળીના સ્માર્ટ મીટર લગાવવા સહિતની મૂળભૂત કામગીરી તબક્કાવાર કરવામાં આવી રહી છે. ત્યારે સંભવતઃ આગામી વર્ષ-2026ના અંત સુધીમાં પી.જી.વી.સી.એલ.માં સ્કાડા પ્રોજેક્ટ સંપૂર્ણપણે કાર્યરત બનશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. PGVCLમાં ક્યાં કેટલા નવા RMU લાગશે ? ▪️ ભાવનગર શહેર 68 ▪️ જામનગર શહેર 24 ▪️ રાજકોટ શહેર 20 ▪️ જુનાગઢ શહેર 109 RMU સિસ્ટમથી વીજળીને લગતા પ્રશ્નો હળવા થશેPGVCLના હાલના વીજ વ્યવસ્થાપનમાં વીજળીના 11 કે.વી.ના ફિડરમાં કોઈ એક પ્રશ્નને લઈ જે તે વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરવામાં આવે છે. ત્યારે RMU (રીંગ મેઈન યુનિટ) સિસ્ટમથી હવે આગામી દિવસોમાં જ્યાં ફોલ્ટ હશે તે વિસ્તારમાં વીજળી બંધ રહેશે. આથી આ વિસ્તારના અન્ય ગ્રાહકોને કારણ વિનાના વીજકાપ સહન કરવામાંથી મુક્તિ મળશે. RMU (રીંગ મેઈન યુનિટ) સિસ્ટમમાં એકથી વધુ 11 કે.વી.ના ફિડરની વીજ વ્યવસ્થાપનનું સંચાલન કરી શકાતું હોવાથી વીજળીને લગતા પ્રશ્નો હળવા બનશે.
આરોગ્ય સેવામાં વધારો:6.2 કરોડના ખર્ચે બનાવાશે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને હેલ્થ ક્ષેત્રે પ્રાથમિક સુવિધાઓ તેમના ઘરની નજીકમાં જ મળતી થાય, નાની-મોટી માંદગી કે અન્ય અનિવાર્ય કારણોસર જરૂરી આરોગ્ય વિષયક સેવા ઝડપથી મળી રહે તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં હાલ કાર્યરત પી.એચ.સી. કેન્દ્રોને ધ્યાને લઇ મહિલા કોલેજ સર્કલ પાસે યશવંતરાય નાટ્યગૃહની બાજુમાં 6.2 કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પી.એચ.સી.) બનાવવા માટે આયોજન કરવામાં આવેલ છે. મહાનગરપાલિકા દ્વારા મહિલા કોલેજ સર્કલ પાસે નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુલ ત્રણ માળનું બનાવવામાં આવનાર છે. જે કામમાં સ્ટેન્ડીંગ કમિટી દ્વારા પરામર્શ આપવામાં આવેલ છે તથા તે અનુસંધાને ટેન્ડર પ્રક્રિયા ગતિમાં હોવાનું સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન રાજુભાઇ રાબડીયાએ જણાવ્યું છે. જેમાં ગ્રાઉન્ડ ફલોરમાં ઓ.પી.ડી. રૂમ, ડીસ્પેન્સરી, માઇનર ઓ.ટી., લેબોરેટરી, ડ્રેસીંગ એરીયા વિગેરે આરોગ્ય વિષયક સેવાઓ માટે પ્રાવધાન કરવામાં આવેલુ છે. તથા પ્રથમ અને બીજા માળ પર કલીનીક, કોલ્ડ ચેઇન રૂમ, મેલ-ફીમેલ વોર્ડ, નસીંગ રૂમ, કોન્ફરન્સ હોલ, સ્ટોર રૂમ વિગેરેનો સમાવેશ થાય છે. વધુમાં સી.સી.ટી.વી., ફાયર સિસ્ટમ તથા પાર્કીંગ વિગેરે જરૂરી બાબતોનો પી.એચ.સી.ના બિલ્ડીંગમાં સમાવિષ્ટ થયેલ છે. મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બનાવવામાં આવી રહેલ અન્ય પી.એચ.સી. કે જેમાં સીદસર ગામ ખાતે પી.એચ.સી., બોરતળાવ ગૌરીશંકર સોસાયટી પી.એચ.સી.. સુભાષનગર પી.એચ.સી., વિઠ્ઠલવાડી વિસ્તારમાં પી.એચ.સી., કુંભારવાડા-હાદાનગર પી.એચ.સી., કરચલીયા પરામાં વાલ્કેટગેટ આગરિયાવાડ ખાતે પી.એચ.સી. બનાવવાની કામગીરી શરૂ છે. જેથી શહેરના લોકોને હેલ્થને લગત સેવાઓ સરળતાથી નજીકમાં જ પ્રાપ્ત થઇ શકે. 14 પીએચસી, 3 યુપીએચસી કાર્યરતહાલમાં શહેરના વિવિધ વિસ્તારોમાં 14 જેટલા પી.એચ.સી. 3 શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્રો (યુ.સી.એચ.સી.) પણ કાર્યરત છે. આ તમામ આરોગ્ય કેન્દ્રો પર દર્દીઓને ઓ.પી.ડી. સેવાઓ, પ્રાથમિક સારવાર, દવા તેમજ લેબોરેટરી નિદાન ઉપરાંત બાળકોનું રસીકરણ, સગર્ભા અને ધાત્રી માતાઓને સેવાઓ, વાહકજન્ય તથા પાણીજન્ય રોગ નિયંત્રણ હેતુ કામગીરી, બિનચેપી રોગોના નિદાન તથા સારવાર વગેરે જેવી વિવિધ આરોગ્યવિષયક સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ઉપરાંત વિવિધ પી.એચ.સી. સંલગ્ન 28 જેટલા દીનદયાળ ઔષધાલય અને 26 જેટલા આયુષ્યમાન આરોગ્ય મંદિર (હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર) પણ કાર્યરત છે. જે તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે લોકોને જરૂરીયાતના સમયે સારવાર લેવા મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને આથી અનુરોધ કરવામાં આવે છે.
સન્ડે બિગ સ્ટોરી:રખડતા કૂતરાના ત્રાસને અટકાવવા 26 ફીડિંગ ઝોન ઉભા કરાશે
ભાવનગર સહિત સમગ્ર દેશમાં રખડતા કૂતરાઓની સમસ્યા ઊભી થઈ છે અને રખડતા કૂતરાઓના ત્રાસને અટકાવવા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ભાવનગર કોર્પોરેશન દ્વારા પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં વોર્ડ વાઇસ 2 એમ કુલ 26 ફીડિંગ ઝોન બનાવવા પણ આયોજન હાથ ધર્યું છે. એટલે કે, કોર્પોરેશન દ્વારા નિશ્ચિત કરેલ ચોક્કસ જગ્યા પર લોકો કૂતરાઓને ખાવાનું આપી શકશે. સુપ્રીમ કોર્ટ દ્વારા હુકમ અન્વયે રખડતા કૂતરાઓના ત્રાસને અટકાવવા ગુજરાત સરકાર દ્વારા સુપ્રીમના હુકમના અમલીકરણ માટે સઘન ઝુંબેશ હાથ ધરવા પરિપત્ર કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન અને રાજ્ય સરકારના પરિપત્ર મુજબ ભાવનગર કોર્પોરેશન દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે મુજબ કોર્પોરેશન વિસ્તારમાં કે જ્યાં નજીકમાં શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ, બાગ બગીચા, જ્યાં લોકોની અવરજવર ઓછી હોય તેવા જુદા જુદા વિસ્તારોમાં રખડતા કૂતરાઓને ખવડાવવા માટે ફીડિંગ ઝોન ઉભા કરવામાં આવશે. ભાવનગર કોર્પોરેશનમાં એક વોર્ડમાં બે એવા કુલ 26 ફીડિંગ ઝોનની સુવિધા કૂતરાઓ માટે ઉભી કરાશે. જે માટે કોર્પોરેશન દ્વારા જીવદયાપ્રેમીઓ કે જે રખડતા કૂતરાઓની સારવાર અને રખેવાળી કરતા હોય તેઓની મદદથી ફીડિંગ સપોટ નિશ્ચિત કરી રહ્યા છે. તદુપરાંત રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, સરકારી હોસ્પિટલો, શૈક્ષણિક શૈક્ષણિક સંસ્થાઓ, એરપોર્ટ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિતના સ્થળો પર કે જ્યાં લોકોની મોટી સંખ્યામાં અવરજવર હોય તેવા એકમોમાં રખડતા કૂતરાને લઈ કામગીરી કરવા માટે નોડલ ઓફિસરોની પણ નિમણૂક કરવામાં આવશે. આ જગ્યાઓ પર રખડતા કૂતરાઓ પોતાનું કાયમી રહેઠાણ ન બનાવે તે માટે નોડલ ઓફિસરોની જવાબદારી નિશ્ચિત કરાશે. અને કોર્પોરેશન દ્વારા કૂતરા અંગેની ફરિયાદો માટે પણ હેલ્પલાઇન નંબર જાહેર કરશે. જેના પર લોકો કૂતરા અંગેની ફરિયાદ કરી શકશે.આ તમામ કાર્યવાહી કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે. ખસીકરણ બાદ કૂતરાઓના બેહાલની નારાજગીકોર્પોરેશન દ્વારા જે એજન્સી મારફત રખડતા કૂતરાઓને પકડી ખસીકરણ કરવામાં આવી રહ્યું છે તેમાં વ્યાપક ફરિયાદો પણ ઉઠી છે. ખસીકરણ કર્યા બાદ કૂતરાઓને અપાતા ભોજન અને ખસીકરણમાં પણ બેદરકારી તેમજ ખસીકરણ બાદ પરત મુકેલા કુતરાઓમાં શારીરિક નુકસાનને કારણે શ્વાન પ્રેમીઓમાં નારાજગી ફેલાયેલી છે. જોકે કોર્પોરેશન દ્વારા પણ બેદરકારી માટે એજન્સી સામે કડકાઇ દાખવામાં આવે છે. 26,000થી વધુ કૂતરાઓનું ખસીકરણભાવનગર કોર્પોરેશન દ્વારા રખડતા કૂતરાઓને પકડી તેનું ખસીકરણ અને રસીકરણ કરવા માટે કોન્ટ્રાક્ટ આપેલો છે વર્ષ 2020 થી શરૂ કરી અત્યાર સુધી 26,654 કૂતરાઓનું ખસીકરણ કરી રસીકરણ કરવામાં આવ્યું છે. તેમજ આ વર્ષે એપ્રિલ 2025થી અત્યાર સુધી 4345 કુતરાઓને પકડી ખસી કરણ કરી રસીકરણ કર્યું છે. જ્યારે 15600 કૂતરાઓને સ્થળ પર જઈ રસીકરણ કરવામાં આવ્યું છે. હાલમાં રોજના 25 થી 30 કૂતરાઓને પકડી ખસીકરણ અને રસીકરણ કરવામાં આવી રહ્યો છે. સુપ્રીમની ગાઈડલાઈન મુજબ કાર્યવાહી શરૂરખડતા કૂતરાઓના ત્રાસની અટકાવવા માટે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ભાવનગર કોર્પોરેશન દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં વોર્ડ વાઇઝ ફીટીંગ સપોટ, ડેડીકેટેડ હેલ્પલાઇન અને નોડલ ઓફિસરની નિમણૂક માટે પણ પ્રક્રિયા શરૂ છે. -ડો. હિતેશ સવાણી, વેટરનરી ઓફિસર
સુરતની સહારા ઈન્ડિયા બેંકમાં 3.90 લાખની ઉચાપત કરી ફરાર આરોપી સુરેશસિંગ ફોજદારસિંગ(53),મુરઘાટ, બસ્તી.યુપી) UPની સરકારી સ્કૂલમાં પ્રિન્સિપાલ બની ગયો હતો. 16 વર્ષથી વોન્ટેડ સુરેશને સુરત ક્રાઇમ બ્રાંચે યુપીમાંથી પકડી પાડયો છે. સરકારી સ્કૂલમાં ક્રાઈમ બ્રાંચના સ્ટાફે એડમિશનના બહાને સ્કૂલમાં પ્રવેશ કર્યો હતો. પ્રિન્સિપાલને મળી તેનું નામ સહિતની માહિતી મેળવી સ્થાનિક પોલીસની મદદથી પકડી પાડ્યો હતો. અમરોલી છાપરાભાઠા રોડ પર સહારા ઈન્ડિયા બેંકમાં જૂન-2007માં સુરેશસીંગ નોકરી પર હતો. તેણે 3.90 લાખની ઉચાપત કરી હતી. હિસાબ ચેક કરતાં આ ગોટાળો સામે આવ્યો હતો.2010માં ફરિયાદ નોંધાઇ હત. સરકારી સ્કૂલમાં આરોપીનો માસિક 70 હજારનો પગાર હતોલાખોની ઊંચાપત કરનાર સુરેશસીંગ ઉત્તરપ્રદેશમાં બસ્તી જીલ્લામાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં વર્ષ 2014થી પ્રિન્સીપાલ તરીકે નોકરી કરતો હતો. તેનો માસિક 70 હજારનો પગાર હતો.
સિંગણપોર-ડભોલી રોડ પર શનિવારે ભક્તિ નંદન ફાર્મ પાસે તોતિંગ ટ્રેલરમાં Dj સાઉન્ડ સિસ્ટમ સાથે રોંગ સાઇડમાં નીકળેલી લગ્નની જાનના લીધે 3 કિમી સુધી ટ્રાફિકજામ થતાં તેમાં મેયર દક્ષેશ માવાણી પણ ફસાયા હતાં. 3 કિમીનો રસ્તો પસાર કરતાં મેયરને 42 મિનિટ લાગી હતી. મેયરે કારમાંથી ઉતરી ટ્રાફિક છુટો કરવાનો પ્રયત્ન કર્યો હતો દક્ષેશ માવાણીએ સ્થળ પરથી જ સિંગણપોર પીઆઇને સ્થિતિથી વાકેફ કર્યા હતાં. Dj સિસ્ટમ લઇને રોન્ગ સાઇડ આવેલા ટ્રેલરનાં લીધે ટ્રાફિક જામ થતાં મેયરે ટ્રેલર ચાલક સામે ગુનો દાખલ કરવા રજૂઆત કરી હતી.ત્યાર બાદ પોલીસે ગુનો નોંધ્યો હતો. ટ્રેલર કબજે લીધો છે.લગનસરાના લીધે વિસ્તારના 52 પાર્ટી પ્લોટની બહાર રોજ સાંજે આ સ્થિતિને પહોંચી વળવા 2 ટીમ મોનિટરિંગ કરે છે. વ્યવસ્થા બનાવી રાખવાના પ્રયત્નો વચ્ચે ભક્તિ નંદન ફાર્મ પાસેના ડિવાઇડર કટમાંથી રોન્ગ સાઇડમાં આવેલી લગ્ન જાનના લીધે સમસ્યા વકરી હતી. જોકે ટ્રેલર સામે FIR કરી વાહન સહિતનો સામાન કબજે લેવાયો છે. > Y.B. ગોહિલ, પોલીસ ઇન્સ્પેક્ટર, સિંગણપોર
ભૂમિપૂજન:શ્રી શ્યામ મંદિરના નવા ભવનના નિર્માણ કાર્યનું ભૂમિપૂજન કરાયું
વીઆઈપી રોડ સ્થિત શ્રીશ્યામ મંદિર, સુરતમાં નવા ભવનના નિર્માણ કાર્ય માટે શનિવારે સવારે ભૂમિ પૂજન કરવામાં આવ્યું. વેસુ શ્યામ મંદિરની બાજુના પલોટમાં પાંચથી છ માળનું કોરિડોર નિર્માણ કરવામાં આવશે. જેમાં મહોત્સવ વખતે ભક્તો કતારમાં ઊભા રહી શકે તેવી વ્યવસ્થા, પૂજારીઓ અને સ્ટાફ માટે વ્યવસ્થા, કિર્તન હોલ વગેરે સુવિધા ઉભી કરવામાં આવશે. આ અવસર પર શ્યામ સેવા ટ્રસ્ટના અધ્યક્ષ કૈલાશ હાકિમે જણાવ્યું હતું કે, ‘ખૂબ જ જલ્દી નિર્માણ કાર્ય શરૂ થશે. આ નિર્માણ ભક્તોની દરેક સુવિધાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.”
પાલમાં રામ પાવન ભૂમિ ખાતે આજે ગચ્છાધિપતિ આચાર્ય અભયદેવ સૂરિજી અને આચાર્ય મોક્ષરત્નસૂરિજી સહિતના સાધુ સાધ્વીજીની નિશ્રામાં ત્રિદિવસીય દીક્ષા મહોત્સવનું આયોજન થયું છે જેમાં શનિવારે રથયાત્રા પાલ વિસ્તારમાં ફરી હતી. કુમારી મોક્ષા સંયમ માર્ગ પર જઈ રહી હોય તેને વધાવવા માટે હજારોની મેદની ઉમટી પડી હતી. રવિવારે દીક્ષા મહોત્સવ યોજાશે . 21 વર્ષ પહેલા તપાગચ્છાધિપતિ રામસૂરિશ્વરજી મહારાજ ડહેલાવાળાની અંતિમ ક્રિયા જે સ્થળે કરવામાં આવી તે સ્થળને પાલ તાપી કિનારે રામ પાવન ભૂમિ નામ આપવામાં આવ્યું છે. આજે આ સ્થળ સમગ્ર શહેરના જૈન સમુદાય માટે શ્રદ્ધા કેન્દ્ર બની ગયું છે. તેમના પછી ડહેલાવાળા જૈન સમુદાયમાં અભયદેવસૂરીજી મહારાજને તપાગચ્છની પદવી આપવામાં આવ્યા બાદ તેમને પાલીતાણા તીર્થના મુખ્ય કાર્યવાહક તરીકે ઘોષિત કરાયા તેમણે 13 વર્ષ પહેલા કરોડોના ખર્ચે પાલીતાણા શહેરને ડેવલોપ કર્યું હતું. આ ભૂમિમાં 21 વર્ષમાં 50 કરોડ નવકાર મહામંત્રનો જાપ થયો છે. 23 ઉપધાના કાર્યક્રમોમાં 6,000થી વધારે આરાધકોએ 47 દિવસ સુધી સાધુ જીવન જીવીને ધર્મની આરાધના કરી છે. 180 દીક્ષા થઈ છે. 25થી વધારે અન્ય અને આચાર્યને પદ અર્પણ થયા છે. ગચ્છાધિપતિ રામસૂરિશ્વરજીની અંતિમ ક્રિયા સ્થળને રામ પાવન ભૂમિ તરીકે વિકસાવાઇઆચાર્ય મોક્ષરત્નસૂરિજી મહારાજે જણાવ્યું હતું કે રામપાવન ભૂમિ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ ડહેલા વાળા સમુદાયની હોવા છતાં પણ અહીં ચારેચાર ફિરકાઓના મહોત્સવ આયોજિત કરવામાં આવે છે. દિગંબર અને તેના પણ સમુદાયમાં સાધુ માઈક અને ઈલેક્ટ્રીક ઉપકરણોનો ઉપયોગ કરે છે પરંતુ અહીં કાર્યક્રમ હોય ત્યારે અહીંના નિયમ પ્રમાણે માઇકનો ઉપયોગ કરી શકાતો નથી. 64 વર્ષ સાધુ જીવનમાં 40 વર્ષથી આચાર્ય77 વર્ષીય અભયદેવ સુરીશ્વરજી મહારાજે મુંબઈનું વૈભવી જીવન છોડીને 12 વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. તેઓએ માત્ર સાત વર્ષની ઉંમરે ત્રણ હિન્દી ફિલ્મોમાં બાળ કલાકારની ભૂમિકા પણ કરી હતી. 64 વર્ષના સાધુ જીવનમાં 40 વર્ષથી આચાર્ય પદ ધરાવે છે.
દારૂની હેરાફેરી ઝડપાઈ:કોમ્પ્યુટરની દુકાને મુંબઇથી પાર્સલ આવ્યા,ખોલતા લાખોનો દારૂ હતો
નાનપુરા ખાતે અમિત અગ્રવાલ કેડીયા કોમ્પ્યુટરના નામે દુકાન ધરાવે છે. .5મી ડિસેમ્બરે તેમની દુકાને તુરંથ ટ્રાન્સપોર્ટમાંથી 3 પાર્સલ આવ્યા હતા. જે અમિતે મંગાવ્યા ન હતા. શંકા જતા ડિલીવરી મેનને રોકીને તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. અઠવા પોલીસે સ્થળ પર જઇ ટ્રાન્સપોર્ટના મેનેજર મો.મલીક શેખને બોલાવી તેની હાજરીમાં પાર્સલ ખોલતા તેમાંથી ઇમ્પોર્ટેડ દારૂની રૂ.3,33,040ની કિંમતની 22 બોટલો નીકળી હતી. પોલીસ તપાસમાં ઇન્વોઇસ અને ડીલીવરી ચલણમાં મોકલનાર તરીકે પ્રો. ઓફિસ સોલ્યુશન એલ.એલ.પી (રહે, સેક્ટર 11, સીબીડી બેલાપુર નવી મુંબઇ)ના નામ હોવાનું માલુમ પડ્યું હતું. જ્યારે અમિત અગ્રવાલે આવું કોઇ પાર્લસ મંગાવ્યું ન હોવાનું જણાવ્યું હતું. બનાવ અંગે અઠવાલાઇન્સ પોલીસે ખાટા દસ્તાવેજ બનાવવા અને પ્રોહિબિશનનો ગુનો નોંધી તપાસ આદરી છે. પાર્સલમાં એડ્રેસ દુકાનનું હતું પણ ફોન નંબર બીજાનો હતોમુંબઇથી આવેલા પાર્સલમાં કેડીયા કોમ્પ્યુટરનું સરનામું હતું. પણ મોબાઇલ નંબર બીજો હતો. સ્થળ જઇને ડિલિવરી મેને આપેલા નંબર પર ફોન કર્યો હતો. જ્યારે સામેથી તમે ત્યાંથી ડિલિવરી પરત લઇ લો અને મારા ગોડાઉન પર આવી દો, જ્યારે ડિલિવરી મેને ના પાડતા તેને એક્સ્ટ્રા ચાર્જ આપવાનું કહ્યું પણ તેણે દુકાન પર જ ડિલિવરી કરવાનું કહીને પાર્સલ આપ્યો અને દારૂ પકડાયો હતો.
કૃષિ સહાય પેકેજ:કમોસમી વરસાદથી નુકસાનમાં 5589 ખેડૂતોને 11.27 કરોડ વળતર અપાયું
ઓક્ટોબરમાં પડેલા કમોસમી વરસાદથી થયેલી પાક નુકશાની માટે રાજય સરકાર દ્વારા કૃષિ સહાય પેકેજ જાહેર કરાયું હતું. સુરત જિલ્લાના ખેડુતો પાસેથી કૃષિ સહાય પેકેજ હેઠળ સહાય મેળવવા અરજીઓ મંગાઇ હતી. 5 ડિસેમ્બરની સ્થિતિએ 19295 અરજીઓ પૈકી 5589 ખેડુતોના ખાતામાં 11.29 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. સુરત જિલ્લા ખેતીવાડી અધિકારી સતીષ ગામીતે કહ્યું હતું કે, ‘રાજય સરકાર દ્વારા અરજી થયાના માત્ર 10 દિવસમાં જ ઝડપથી ચુકવણું કરાયું છે. આગામી અઠવાડિયામાં સહાયની તમામ રકમ ખેડુતોના ખાતામાં જમા થઈ જશે. બારડોલીમાંથી આવેલી 544 અરજીઓ પૈકી 239 ખેડુતોને 41.83 લાખની સહાય, ચોર્યાસી અને સુરત સીટીના તાલુકામાંથી 422 અરજીઓ પૈકી 41 ખેડુતોને 11.31 લાખ, કામરેજની 112 અરજીઓ પૈકી 54 અરજદારોને 9.49 લાખની સહાય, મહુવા 2585 અરજીઓ પૈકી 1079 ખેડુતોને 1.75 કરોડ, માંડવી તાલુકાના 3732 અરજીઓ પૈકી 1097 ખેડુતોને 1.59 કરોડ, માંગરોળ તાલુકાના 2564 અરજીઓ પૈકી 316 ખેડુતોના ખાતામાં 77.71 લાખ, ઓલપાડમાંથી આવેલી 5941 અરજીઓ પૈકી 2006 ખેડુતોના ખાતામાં 4.91 કરોડ, પલસાણાની 257 અરજીઓ પૈકી 86 ખેડુતોને 23.56 લાખ, ઉમરપાડાની 3138 અરજીઓ પૈકી 643 ખેડુતોના ખાતામાં 1.37 કરોડ રૂપિયાની સહાય જમા કરવામાં આવી છે.
નોકરી ન્યૂઝ:આજથી CGPDTMમાં 102 પદ માટે અરજી કરી શકાશે, પગાર રૂ. 1.25 લાખ
યુજીસી દ્વારા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડમાર્ક્સ (CGPDTM)માં વિવિધ પોસ્ટો માટેની ભરતી જાહેર કરાઇ છે. 102 જગ્યા માટે ઓનલાઇન અરજી કરી શકાશે, જેમાં 100 પોસ્ટ્સ ટ્રેડમાર્ક અને જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન્સ (GI) એગ્ઝામિનર માટે અને 2 જગ્યા ડિપ્ટી ડિરેક્ટર (એગ્ઝામિનેશ ન રિફોર્મ્સ) માટે છે. ટ્રેડમાર્ક અને GI એગ્ઝામિનર માટે ઉમેદવાર પાસે લોની ડિગ્રી હોવી જરૂરી છે અને ઉંમર 21 થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ. ડેપ્યુટી ડિ રેક્ટર પદો માટે વિશિષ્ટ લાયકાત મુજબ પસંદગી થશે. SC/ST/OBC/EWS અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા ઉમેદવારો માટે આરક્ષણ લાગુ પડશે. ચોઇસ પ્રોસેસમાં પ્રાથમિક (ઓબ્જેક્ટિવ) અને લેખિત પરીક્ષા, ત્યારબાદ ઈન્ટરવ્યુ અને ડોક્યુમેન્ટ ચેકિંગ દ્વારા થઈ શકે છે. પગાર બેઝિક રૂ. 56,100 પ્રતિ મહિનો છે, જ્યારે કુલ પેકેજ રૂ.1,00,000 – રૂ. 1,25,000 સુધી હોઈ શકે છે.
ભાસ્કર ઇમ્પેક્ટ:રિંગ રોડ બ્રિજ પર 60 ફૂટમાં બનાવેલા 3 બમ્પ તોડી પડાયા
રિંગરોડ ફલાય ઓવરબ્રિજ પર પાલિકાની પૂર્વ મંજૂરી વગર જ સીટકો કંપનીએ બનાવી દીધેલાં જોખમી સ્પીડ બ્રેકર શનિવારે ઝોન દ્વારા તોડી પડાયા હતા. મોટી દુર્ઘટના બને તે પહેલાં ‘દિવ્ય ભાસ્કર’એ પ્રસિદ્ધ કરેલા અહેવાલને પગલે પાલિકાએ સ્પીડબ્રેકર હટાવ્યા હતા.
ઇન્ડિગોની પાછલા ત્રણ દિવસથી ઘણી ફ્લાઇટ રદ થઈ હોવાથી તેની સીધી અસર હવે રેલવેની પ્રીમિયમ-એક્સપ્રેસ ટ્રેનો પર દેખાઈ રહી છે. સુરતથી મુંબઈ-અમદાવાદ અને અમદાવાદ-દિલ્હી, જયપુર સહિત ઉત્તરી ભારતના હાઈ-ડિમાન્ડ સેક્ટરમાં મેલ, એક્સપ્રેસ સહિત વંદે ભારત, રાજધાની, શતાબ્દી, ડબલ ડેકર અને આઇઆરસીટીએસી તેજસ એક્સપ્રેસની સીટો અચાનક રેકોર્ડ સ્પીડથી ભરાવા લાગી છે. એરલાઇનની સર્વિસ ક્રાઇસિસે હજારો મુસાફરોને મજબૂર કરી દીધા કે તેઓ તરત જ ટ્રેનનો વિકલ્પ પસંદ કરે. પાછલા 2થી 3 દિવસો વચ્ચે મુંબઈથી સુરત - અમદાવાદ - દિલ્હી - જયપુર રુટ પર તમામ ટ્રેનોમાં 1 લાખથી વધુ નવા મુસાફરો જોવા મળ્યા. અમદાવાદ-મુંબઈ રુટની હાલત સૌથી વધુ બગડી. દિલ્હી, જયપુર, ચંડીગઢ તરફ જતી ટ્રેનોમાં પણ આવી જ સ્થિતિ ફ્લાઇટની સ્થિતિ ન સુધરે ત્યાં સુધી ટ્રેનોમાં સીટ મળવી મુશ્કેલટ્રાવેલ એજન્ટ્સના મુજબ, ઉડાનો રદ્દ થતા બિઝનેસ ટ્રાવેલર્સ અને કોર્પોરેટ મૂવમેન્ટ સીધી ટ્રેન તરફ શિફ્ટ થઈ ગયું છે. આવું દબાણ વર્ષમાં માત્ર તહેવારો અથવા રજાઓ દરમિયાન જ દેખાય છે, ઉડાનો સ્થિર ન થાય ત્યાં સુધી ટ્રેનોમાં સીટ મળવી અત્યંત મુશ્કેલ બની રહેશે. વંદે ભારતનું વેટિંગ લિસ્ટ 296 થયું હતું6 ડિસેમ્બર અમદાવાદ-મુંબઈ વંદે ભારતમાં વેટિંગ 296 સુધી જઈ પહોંચ્યું હતું. આ રૂટ પર અત્યાર સુધીની સૌથી હાઈએસ્ટ વેટિંગમાંની એક ગણાઈ રહી છે. જોકે 7 ડિસેમ્બરે આ વેટિંગ ઘટીને 70 થઈ ગઈ હતી. માત્ર વંદે ભારત જ નહીં, પરંતુ રાજધાની, શતાબ્દી અને તેજસમાં પણ આવી જ સ્થિતિ છે
સન્ડે ફોટો સ્ટોરી:તળાવના પાણીમાં ઊગે છે શિયાળાનો સ્વાદ, હોડકામાં બેસી રોજ 80 કિલો શિંગોડા કાઢે છે
સુરત : શિયાળાની શરૂઆત થતાં જ સિઝનમાં આવતા શિંગોડાની લોકો લિજ્જત માણતા હોય છે. ગણદેવી ગામના તળાવમાં વર્ષોથી શિંગોડાની ખેતી કરવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાં નવસારીના કછોલી, ધનોરી, અબ્રામા, સાહુ, હરીધામણ સહીત ગણદેવીમાં આ શિંગોડાની ખેતી વધુ થાય છે. ગણદેવીના રહેજ ગામના સરપંચ મુકેશ પટેલના જણાવ્યા અનુસાર જૂન મહિનામાં બીના ભાગરૂપે પાટોડીના વેલા તળાવમાં નાખવામાં આવે છે. જેમાં ફુલો લાગતા ઓક્ટોબરથી જાન્યુઆરી સુધી પાક લેવામાં આવે છે. તે વિટામિન B6, પોટેશિયમ, ફાઇબર અને એન્ટીઑકિસડન્ટથી ભરપૂર હોય છે. તેમાં કુદરતી રીતે ચરબી ઓછી હોય છે અને ગ્લુટેન-મુક્ત હોય છે, જે તેને એક સ્વસ્થ મોસમી ખોરાકની પસંદગી બનાવે છે. તેનો તાજગીભર્યો સ્વાદ તેને સ્વાદિષ્ટ અને સંતોષકારક બનાવે છે.
નવું નિયોજન:બે વખત નામવાળા મતદારોની ચકાસણી હવે ફોટો પ્રમાણે કરવાનું નિયોજન કરાયું
મતદાન કેન્દ્ર પ્રમાણે યાદી આગામી 22 ડિસેમ્બરના જાહેર કરવામાં આવશે. એના માટે બે વખત નામવાળા મતદારોની ચકાસણી કરવા મહાપાલિકાની મથામણ ચાલુ છે. દરેક વોર્ડમાં મતદારોના ફોટો અનુસાર ચકાસણી કરવાનું નિયોજન કરવામાં આવ્યું છે અને વોર્ડ કાર્યાલયમાં વિશેષ યંત્રણા ઊભી કરવામાં આવી છે. બે વખત નામવાળા મતદારોમાં મોટા ભાગે સરખા નામવાળાનો સમાવેશ વધારે હોવાનો અંદાજ હોવાથી 11 લાખ જેટલી મતદાર સંખ્યા ઓછી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે. આગામી 10 ડિસેમ્બર સુધી 11 લાખ આવા મતદારોની ફોટો પ્રમાણે ચકાસણી કરવાનો પડકાર મહાપાલિકા સમક્ષ છે. દરમિયાન વોર્ડના હદમાં ઈમારત, ચાલી અથવા મતદારનું નામ બીજા વોર્ડમાં હોય તો એમાં અગ્રતાથી સુધારો કરવામાં આવશે. મહાપાલિકાની વોર્ડ પ્રમાણે મતદારયાદીમાં 11 લાખ 1 હજાર 505 બે વખત નામવાળા મતદાર જણાયા છે. આ મતદારોની ચકાસણી કરવા મહાપાલિકા કર્મચારીઓએ મતદારોને ઘરે જઈને ચકાસણી શરૂ કરી હતી. જો કે આ પ્રક્રિયામાં ટેકનિકલ અડચણ ઊભી થવાથી મહાપાલિકાએ એરિયા પ્રમાણે મુલાકાત કરવાનું અત્યારે અટકાવ્યું છે. આવા મતદારો બાબતે તાજેતરમાં મહાપાલિકાના એ વોર્ડમાં નમૂના પરીક્ષણ કરવામાં આવ્યું. મૃત મતદારનું નામ બાકાતવિવિધ રાજકીય પક્ષો તરફથી મોટા ભાગના મતદાર મૃત હોવાનો વાંધો નોંધાવીને તેમના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવાની સૂચના કરવામાં આવી છે. જો કે એની ચકાસણી કરવા માટે સંબંધિત વોર્ડના સહાયક આયુક્ત મતદારોના કુટુંબીઓ સાથે સંપર્ક કરશે. એ પછી કુટુંબીઓએ 12 ડિસેમ્બર સુધી મતદારનું મૃત્યુ પ્રમાણપત્ર મહાપાલિકાની મધ્યવર્તી ચૂંટણી શાખા પાસે રજૂ કરવાનું રહેશે. એ પછી મતદારનું નામ કાઢી નાખવામાં આવશે.
ક્રિકેટ અને ગ્લેમરનો અનોખો સંગમ જોવા મળ્યો:ડોંબિવલી ખાતે MCCL સ્પર્ધા માટે ફિલ્મ કલાકારો મેદાનમાં
ડોંબિવલી જિમખાના ગ્રાઉન્ડ પર ક્રિકેટ અને ગ્લેમરનો અનોખો સંગમ જોવા મળ્યો. 80થી વધુ ફિલ્મ કલાકારો બે દિવસની ક્રિકેટ મેચ માટે એકત્ર આ ય છે. મરાઠી સેલિબ્રિટી ક્રિકેટ લીગ (એમસીસીએલ) અંતર્ગત શનિવાર- રવિવારે આ આયોજન ભાજપ મહારાષ્ટ્ર પ્રદેશના પ્રદેશાધ્યક્ષ રવીંદ્ર ચવ્હાણ દ્વારા કરાયું છે. ડોંબિવલીકર- એક સાંસ્કૃતિક પરિવારની સંકલ્પનામાંથી તે સાકાર કરવામાં આવ્યું છે.ફિલ્મ સૃષ્ટિ ઘડનારા 8 દિગ્ગજ મહાનુભાવોને આદરાંજલી તરીકે તેમને નામે ટીમો બનાવવામાં આઅવી હતી. ડોંબિવલીમાં ફક્ત ક્રિકેટ, ઉત્સાહ, કલાકારોની ધમાલ અને મનોરંજનનો ઝંઝાવાત જોવા મળી રહ્યો છે. મેદાનમાં કલાકારોની ફિલ્ડિંગ, બેટિંગ, ચોગ્ગા- છગ્ગાની વર્ષા અને એકબીજાની મૈત્રીપૂર્ણ ટક્કર સર્વ પ્રેક્ષકો માટે એક અવિસ્મરણીય અનુભવ બની રહ્યો છે.દરેક ટીમ પોતાના નામ જોડાયેલા મહાન દિગ્ગજોને સન્માન આપતાં મેદાનમાં ઊતરવાની હોવાથી સ્પર્ધાને ભાવનાત્મક અને સાંસ્કૃતિક રંગ પણ મળ્યો છે. આ સૌથી મોટી ફિલ્મ સેલિબ્રિટી ક્રિકેટ લીગ ઠરશે. ડોંબિવલીકર ટ્રોફી રોમાંચક લડત પ્રેક્ષકો માટે અવિસ્મરણીય પર્વ બની રહેશે, એમ ચવ્હાણે જણાવ્યું હતું.
મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડના કચરાના ડુંગરનો શાસ્ત્રોક્ત પદ્ધતિથી નાશ કરીને જમીન ફરીથી મેળવવા માટે બીજી વખત મુદતવધારો આપવામાં આવ્યો. જૂન 2025ની મુદત ચૂકી જવાથી હવે કોન્ટ્રેક્ટરને ફેબ્રુઆરી 2026ની મુદત આપવામાં આવી છે. અત્યાર સુધી ડમ્પિંગ ગ્રાઉન્ડના કચરાનો નાશ કરવાનું કામ 68 ટકા થયું છે. મહાપાલિકાના ડમ્પિંગ ગ્રાઉન્ડની ક્ષમતા પૂરી થવાથી આ ડમ્પિંગ ગ્રાઉન્ડ શાસ્ત્રોક્ત પદ્ધતિથી બંધ કરવાનો આદેશ કોર્ટે આપ્યો છે તેથી મહાપાલિકાએ મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડ બંધ કરવાનું નક્કી કર્યું છે. જો કે પ્રકલ્પનું કામ ધીમી ગતિએ ચાલુ છે. આ ડમ્પિંગ ગ્રાઉન્ડ પર છેલ્લા અનેક વર્ષોથી સચવાયેલા કચરાનો શાસ્ત્રોક્ત પદ્ધતિથી નાશ કરીને જમીન ફરીથી મેળવવા માટે મહાપાલિકાએ જૂન 2018માં કોન્ટ્રેક્ટર નિમીને વર્કઓર્ડર આપ્યો હતો. વર્કઓર્ડર આપ્યા પછી લાંબા સમય સુધી આ ડમ્પિંગ ગ્રાઉન્ડ પર કચરો સ્વીકારવામાં આવતો હતો. વિવિધ પરવાનગીઓના કારણે પ્રકલ્પ શરૂ થવામાં વિલંબ થયો હતો. વળી કોરોના અને લોકડાઉનના લીધે મનુષ્યબળ ન હોવાથી આ પ્રકલ્પના કામમાં વિલંબ થયો હતો.
નગરપાલિકા, નગરપંચાયત ચૂંટણી દરમિયાન મહાયુતીના ઘટક પક્ષોમાં વિવાદ વકર્યો હોવાનું ધ્યાનમાં લેતા રાજ્યની કોઓપરેટીવ સંસ્થાની ચૂંટણી ઠેલવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. એનો ફટકો રાજ્યના સાકર કારખાના, બેંકો, બજાર સમિતિઓની ચૂંટણીને પડશે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીનું બ્યુગલ વાગી રહ્યું છે ત્યારે ટૂંક સમયમાં મહાપાલિકા, જિલ્લા પરિષદની ચૂંટણી થશે. એમાં કોઓપરેટીવ સંસ્થાની જિલ્લા બેંકો, સાકર કારખાના, બજાર સમિતિઓ, સહકારી સંઘ, પાવરલૂમ જેવી સંસ્થાઓની ચૂંટણી ચાલુ હતી. કેટલીક સંસ્થાઓની ચૂંટણીની ટૂંક સમયમાં ઘોષણા થવાની હતી. સહકારી સંસ્થાની ચૂંટણીમાં પક્ષ અંતર્ગત કાર્યકર્તાઓ મોટા પ્રમાણમાં દાવેદાર હોય છે. તેમને તક ન મળે તો તેની નારાજગીનો ફટકો સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને પડી શકે છે. તેમ જ મહાયુતીમાં પણ અત્યારે મતભેદ સપાટી પર હોવાથી કોઓપરેટીવ સંસ્થાની ચૂંટણી નિમિત્તે આ વિવાદ હજી વકરે નહીં એ માટે કોઓપરેટીવ સંસ્થાઓની ચૂંટણી જ સ્થગિત કરવાનો નિર્ણય સરકારે લીધો છે.
કાર્યવાહી:ઊઠબેસથી મૃત્યુ પ્રકરણે 3 શિક્ષણ અધિકારી સસપેન્ડ
વસઈ વિસ્તારમાં એક શાળામાં 100 ઉઠક-બેઠકની સજા આપવાના ગંભીર પ્રકરણ બાદ જીલ્લામાં શિક્ષણતંત્રની બેદરકારી સામે મોટો પ્રશ્નચિન્હ ઊભો થયો છે. સતિવલી, વસઈ (પૂર્વ) સ્થિત શ્રી હનુમંત વિદ્યામંદિર શાળામાં વિદ્યાર્થીઓને મોડા પહોંચવા બદલ આપવામાં આવેલી આ કઠોર સજાના કારણે એક 13 વર્ષીય વિદ્યાર્થિનીના મૃત્યુ બાદ સમગ્ર પાલઘર જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. અહેવાલો મુજબ, શિક્ષકે એક જૂથની વિદ્યાર્થીઓને 100 ઊઠબેસ કરવાની સજા ફરમાવી. છઠ્ઠા ધોરણની એક વિદ્યાર્થિની આ ભારે શારીરિક સજા દરમિયાન બેહાલ થઈ પડી અને તેની તબિયત અત્યંત બગડી. તેને તરત જ મુંબઈની જે.જે. હોસ્પિટલમાં ખસેડવામાં આવી, પરંતુ 15 નવેમ્બરે સારવાર દરમિયાન તેનું અવસાન થયું. આ ઘટનાને પગલે વાલિવ પોલીસે શિક્ષકને અરેસ્ટ કરી કેસ દાખલ કર્યો. આ ઘટનાના રોષ વચ્ચે પાલઘર જિલ્લા પરિષદે કડક વલણ દાખવતા વસઈના ત્રણ વરિષ્ઠ શિક્ષણ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા. મુખ્ય કાર્યકારી અધિકારી મનોજ રાણડેને ફરજમાં બેદરકારી અને ઘટનાની સમયસર જાણ ન કરવા બદલ સસ્પેન્શન આદેશો જારી કર્યા. વિદ્યાર્થિનીના મોત બાદ તપાસમાં ગેરકાયદેસર કામગીરીનો ખુલાસો થયોવિદ્યાર્થીની મૃત્યુ બાદ, જિલ્લા શિક્ષણ વિભાગે આ મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરી.
એક દેશ એક કાનૂનની માંગ સાથે બંધ:ભેદભાવ સામે વેપારીઓ લાલ ઘૂમ
નવી મુંબઈ મરચન્ટ ચેમ્બર તથા 130 વર્ષ જૂની ધી બોમ્બે મૂડીબજાર કરિયાણા મર્ચન્ટ એસોસિએશને રાજ્ય સરકાર સામે તીવ્ર અસંતોષ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, મહારાષ્ટ્રની 305 માર્કેટમાં અસમાનતા, ભેદભાવ અને જૂના કાયદાઓના કારણે વેપારીઓ સતત પીડાઈ રહ્યા છે. કૃષિ વેપાર સાથે સંકળાયેલા વેપારીઓએ શુક્રવારે સંપૂર્ણ બંધ રહ્યો, આને વેપારીઓએ સરકારનો ખુલ્લો અન્યાય ગણાવ્યો. વેપારીઓના જણાવ્યા મુજબ, ઈ-કોમર્સના સમયમાં પણ પરંપરાગત કૃષિ બજારો પર મલ્ટીપલ માર્કેટ ફી, જુદા જુદા દરો, અલગ અલગ નિયમો તથા જૂના કાયદા આજે પણ લાદવામાં આવે છે. તેથી સરકારની નીતિઓ વેપારને અવરોધી રહી છે, અને લોકપ્રતિનિધિઓ તથા પૂર્વ રાજકીય આગેવાનોના કાયમી દબાણને કારણે બોર્ડમાં ભ્રષ્ટાચાર ફેલાયો છે, એવો આક્ષેપ કરવામાં આવ્યો છે. ધી બોમ્બે મૂડીબજાર કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના અધ્યક્ષ કિર્તિભાઈ રાણાએ સ્પષ્ટ કર્યું કે, એક રાજ્ય એક કાયદો તાત્કાલિક અમલમાં લાવવો જરૂરી છે. અનેક મુદ્દાઓમાં અલગ અલગ મત કરતાં એક જ મુદ્દા પર લડત જરૂરી છે, એક દેશ, એક કાયદો, જેથી તમામ માર્કેટોને ફ્રીહોલ્ડ કરી શકાય અને એપીએમસીની હેરાનગતિનો અંત આવે. વેપારીઓએ વધુમાં જણાવ્યું કે, જો વેપારમાં જીએસટી લાગુ છે, તો કૃષિ માલસામાન પર અન્ય કોઈ વધારાના કરો લગાડવા ન જોઈએ અને વ્યાપારને સંપૂર્ણ મુક્તતા આપવી જોઈએ. એક દિવસના બંધથી સરકાર જાગતી નથી, તેથી બેમુદત બંધનું એલાન કરવાની જરૂર છે, એવી ચેતવણી પણ આપવામાં આવી. ભારત સરકાર, મુખ્યમંત્રી અને તમામ સાંસદોને સીધી અપીલ કરતા વેપારીઓએ માગણી કરી છે કે જૂના અને કાલબાહ્ય કાયદા દૂર કરી વેપારક્ષેત્ર માટે એકસરખો, પારદર્શક અને સમાન કાનૂન બનાવવામાં આવે. જ્યારે જીએસટીનો ટેક્ષ અમલમાં આવ્યો ત્યારે આ વાત વેપારીઓને કહેવામાં આવી હતી કે, હવે એક જ ટેક્ષ માળખુ રહેશે, પરંતુ હજુ એપીએમસી માર્કટને માટે અન્ય સેસ અને વેરા લાગુ કરાયા છે, જે તર્ક સંગત નથી. આ મામલો 2023થી શરૂ છે, છતાં મહારાષ્ટ્ર સરકારે આ મામલાને ગંભીરતાથી લીધો નથી એથી છેવટે વેપારીઓને આકરા પગલા લેવાની ફરજ પડી રહી છે, એમ રાણાએ જણાવ્યું હતું.
સન્ડે ફોટો સ્ટોરી:એજન્ટિક એઆઈ હેકેથોન વૈશ્વિક સ્તરે સૌથી વિશાળ બની
નેસ્કોમાં ધ ટેક એન્ટરપ્રેન્યોર્સ એસોસિયેશન ઓફ મુંબઈ (મુંબઈ) અને બિન નફો કરતી પહેલ મેડ ઈન ઈન્ડિયા દ્વારા મુંબઈહેક્સ 2025નું આયોજન કરાયું હતું, જેમાં વૈશ્વિક સ્તરે સૌથી વિશાળ એજન્ટિક હેકેથોન તરીકે તેણે પોતાને જ વિશ્વવિક્રમ તોડ્યો હતો. એચસીએલટેક દ્વારા ઈવેન્ટ પ્રસ્તુત કરાઈ હતી, જેમાં રોકડ અને પુરસ્કારમાં રૂ. 1 કરોડનાં ઈનામ રખાયાં હતાં
શિવસેના (યુબિટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રાજ્યની મહાયુતી સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે, મહારાષ્ટ્ર વિધાનસભામાં તાત્કાલિક વિરોધ પક્ષના નેતા(એલઓપી) ની નિમણૂંક કરવી અનિવાર્ય છે. તેમણે કહ્યું કે, રાજ્યના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે કે વિધાનસભા અને વિધાન પરિષદ બંને ગૃહો વિપક્ષના નેતા વિના કાર્યરત છે, અને આ લોકશાહી માટે ગંભીર ઘાતક છે. મુંબઈ અને ઉપનગરોમાં અનેક ભૂતપૂર્વ કોર્પોરેટરો તથા ભાજપ- એનસીપી કાર્યકરોના સેનામાં પ્રવેશ બાદ ઠાકરેએ સરકાર પર વિપક્ષથી ડરવાની વૃત્તિનો આરોપ લગાવ્યો. તેમના મુજબ, એલઓપી પદ માટેની માગણી અગાઉની જ સત્રમાં કરવામાં આવી હતી, પરંતુ આખું વર્ષ વીતી ગયા છતાં સરકારએ કોઈ નિર્ણય નથી લીધો. જાહેરાતો અને રાજકીય નિવેદનો સિવાય સરકારે કંઈ કર્યું નથી. લોકશાહી બચી રહે તે માટે બંને ગૃહોમાં તરત એલઓપી હોવો જ જોઈએ, એમ તેમણે કહ્યું. ઠાકરેએ સરકારની દલીલ પર પણ પ્રહાર કર્યો કે જો બંધારણીય કારણો બતાવી એલઓપીની નિમણૂક અટકાવવામાં આવી રહી હોય, તો પછી બંધારણીય આધાર ન ધરાવતા ઉપ મુખ્યમંત્રીના પદો રદ્દ કરવા જોઈએ.સરકારની આંતરિક ખીચાતાણ પર ચાબખા મારતાં ઠાકરેએ કહ્યું કે મહાયુતીની ત્રણેય પાર્ટીઓના નામ–ચિહ્ન અલગ છે, પરંતુ તેમનો માલિક એક જ છે. ભાજપની એનાકોન્ડા વ્યૂહરચના શિંદે જૂથ અને એનસીપીને ગળી રહી છે, એમ તેમણે ટિપ્પણી કરી. આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલાં મતદાર યાદીની ગડબડ પર પણ તેમણે ચિંતા વ્યક્ત કરી. મુંબઈ સહિત અનેક શહેરોમાં ભારે અનિયમિતતાઓ છે. કોઈ ધ્યાન નથી આપતું. સુપ્રીમ કોર્ટને હસ્તક્ષેપ કરવો જોઈએ, એમ તેમણે કહ્યું.કાંઠે ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને રાહત પહોંચાડવામાં થયેલી સરકારી વિલંબની પણ તેમણે ટીકા કરી. ઠાકરેએ અંતમાં આક્ષેપ કર્યો કે, સરકાર શાસન કરતાં વધુ ચૂંટણી કબજે કરવાની ચિંતા કરે છે, જ્યારે વિપક્ષના નેતા વિના ગૃહો ચલાવવું લોકશાહી માટે ખતરનાક સંકેત છે.
કોર્ટ દ્વારા સજા:9 વર્ષની બાળાની હત્યા સંબંધે મહિલા નિર્દોષ પણ પુરાવા નષ્ટ કરવા માટે સજા
9 વર્ષની બાળકીની હત્યા સંબંધે થાણે કોર્ટે મહિલાને નિર્દોષ જાહેર કરી હતી, પરંતુ બાળકીના મૃત્યુ સંબંધમાં પુરાવાનો નાશ કરવા માટે તેને અને સહ- આરોપીને ત્રણ વર્ષની સખત કેદ ફટકારી હતી. બાળકીનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો, જેથી પોસ્ટમોર્ટમનો અહેવાલ બાળકીના મૃત્યુનો સંકેત આપતો નથી. આથી બાળકી કઈ રીતે મૃત્યુ પામી તે ફરિયાદ પક્ષ સિદ્ધ કરી શક્યો નથી, એમ ગુરુવારે ચુકાદામાં એડિશનલ સેશન્સ જજ એ એસ ભાગવતે જણાવ્યું હતું, આદેશની નકલ શનિવારે ઉપલબ્ધ થઈ હતી.બાળકીને ભણાવવાને બહાને છત્રપતિ સંભાજીનગરથી આરોપી અનિતા રાઠોડ (40) અને હવે મૃતક તેના પતિ પ્રકાશ સાથે રહેવા માટે ઉત્તનમાં લાવવામાં આવી હતી. પ્રકાશ બાળકીની માતાનો સંબંધી હતો, જેણે આ કેસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ પક્ષનો આરોપ હતો કે દંપતીએ બાળકીને ઘરનાં કામો કરાવવાનું શરૂ કર્યું હતું. બાળકી કામ બરોબર કરતી નહીં હોવાથી અને કપડાંમાં જ શૌચ કરતાં ગુસ્સામાં તેનું ગળું દબાવીને મારી નાખવામાં આવી હતી. આ કેસમાં ચાર્જશીટ દાખલ કરાય તે પૂર્વે જ પ્રકાશે આત્મહત્યા કરી લીધી હતી.બાળકીના મૃત્યુ અંગે ચુકાદામાં કોર્ટે નોંધ્યું કે ઘટનાને નજરે જોનારો કોઈ સાક્ષીદાર નથી. વળી, કોર્ટે બાળકી પર અત્યાચાર ગુજારાતો હતો તે અંગેના પુરાવા અવિશ્વસનીય હોવાનું જણાવ્યું હતું. ખાસ કરીને સાક્ષીદારો બાળકીની મારપીટ સમયે મોજૂદ નહોતા, એવી નોંધ કરી હતી. કોર્ટે જણાવ્યું કે બાળકી પર હુમલો, શોષણ, માનસિક કે શારીરિક ત્રાસ અપાયો હોય એવા કોઈ પુરાવા રેકોર્ડ પર લવાયા નથી. આ નોંધ સાથે કોર્ટે અનિતાને હત્યાના આરોપમાં નિર્દોષ છોડી મૂકી હતી, પરંતુ તેને અને સહ- આરોપી આકાશ સોપાન ચવાણ (31)ને ભારતીય દંડ સંહિતાની કલમ 201 (પુરાવા નષ્ટ કરવા) અને 34 (ગુનાનો સમાન હેતુ) હેઠળ કસૂરવાર ઠરાવ્યા હતા. કોર્ટે જણાવ્યું કે બંને આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ 201, 34 હેઠળ આરોપોનો સંબંધ છે ત્યાં સુધી આકાશે આપેલું નિવેદન અને ત્યાર પછી ડ્રમમાં રાખેલો અને કસારા ઘાટમાં છુપાવવામાં આવેલો મૃતદેહની ખોજ કરાઈ તે ઉત્તમ પુરાવા છે, જે સિદ્ધ કરે છે કે આકાશ અને અનિતા વચ્ચે ગુનાના પુરાવા ગાયબ કરવામાં સાઠગાંઠ હતી. આથી પુરાવા નષ્ટ કરવાના આરોપ હેઠળ કસૂરવાર ઠરાવવા સાથે કોર્ટે આરોપી પર પ્રત્યેકી રૂ. 5000નો દંડ ફટકાર્યો હતો અને પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ હેઠળ છુટકારા માટે વિનંતી નકારી કાઢવામાં આવી હતી.
મુંબઈ કોર્ટનો નિર્ણય:અધિકારી બદલી થાય તો સત્તા સમાપ્ત!
મુંબઈમાં અમિત દર્શન કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી સામે ચાલી રહેલી કાર્યવાહી મામલે મુંબઈ હાઈ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ સોસાયટીઝ એક્ટ, 1960ની કલમ 88 મુજબની કાર્યવાહી ચલાવવા માટે નિયુક્ત થયેલા અધિકૃત અધિકારીની સત્તા એકવાર સમાપ્ત થઈ જાય, બદલી થઈ જાય અથવા તેણે પોતાનું અધિકૃત કામ પૂરું કરી દીધું હોય, તે પછી તે અધિકારી વધુ કોઈ કાર્યવાહી કરી શકતો નથી. એટલે કે, તેના અધિકાર તરત જ સમાપ્ત થઈ જાય છે, ભલે તેને તેની બદલી વિશે વ્યક્તિગત જાણ ન હોય. કેસમાં શરૂઆતમાં નિયુકત અધિકારીને કલમ 88ની ઇન્ક્વાયરી કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. તેણે ચાર્જ ફ્રેમ કરી જવાબો મેળવ્યા, પરંતુ વચ્ચે જ ડેપ્યુટી રજિસ્ટ્રારે તેને બદલીને સુનિલ ખોચરેના નામની નવી નિયુક્તિ કરી. તેમ છતાં, જૂના અધિકારીએ જાણ ન હોવાના બહાને 1 માર્ચ, 2022નો રિપોર્ટ તૈયાર કરીને સુપરત કર્યો. બાદમાં એ રિપોર્ટના આધારે કલમ 98 હેઠળ નૈનેશ સંઘવી સહિતના સભ્યો સામે રિકવરી સર્ટિફિકેટ પણ કાઢવામાં આવ્યું. પરંતુ જસ્ટિસ અમિત બોકરે આ કાર્યવાહી ગેરકાનૂની ઠરાવી. કોર્ટે કહ્યું કે, અધિકારીની સત્તા વ્યક્તિગત જ્ઞાન પર નહીં પરંતુ રજિસ્ટ્રારના આદેશ પર આધારિત છે. એક વાર નવો અધિકારી નિયુક્ત થઈ જાય એટલે જૂનો અધિકારી તાત્કાલિક સત્તાશૂન્ય બને છે. અજાણ હોવાની દલીલ કાયદામાં ચાલતી નથી,
છેલ્લા પાંચ દિવસથી ઇન્ડિગો ફ્લાઇટ્સમાં ચાલી રહેલી અંધાધૂંધી હવે ચરમસીમાએ પહોંચી રહી છે. ફ્લાઇટ રદ થવી અને કલાકો સુધી વિલંબ થવાથી હતાશ થયેલા મુસાફરો હવે ધીરજ ગુમાવી ચૂક્યા છે અને મુંબઈ એરપોર્ટ પર શાબ્દિક રીતે હંગામો કરતાં જોવા મળી રહ્યા છે. ત્રણ દિવસથી બેગ ન મળતાં રાહ જોઈ રહેલા એક મુસાફરે એરપોર્ટ પર હિંસક વિરોધ પ્રદર્શન કર્યું.ઈન્ડિગોના ગેરવહીવટના ઘણા વિડિયો હાલમાં સોશિયલ મિડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. મુંબઈ એરપોર્ટ પર એક વિદેશી મહિલા ગુસ્સામાં ચેક-ઈન કાઉન્ટર પર સીધી ચઢી ગઈ અને મારપીટ કરી રહી હોવાની ઘટના તાજી છે, ત્યારે હવે એક મુસાફરનો બીજો વિડિયો સામે આવ્યો છે. આ વિડિયોમાં, ઈન્ડિગોના બેદરકાર સંચાલનને કારણે મુસાફર ગુસ્સે ભરાયો છે. વિડિયોમાં મુસાફર ઈન્ડિગોના ચેક-ઈન કાઉન્ટર પર જોરજોરથી હાથ પછાડતો અને કંપનીના કર્મચારીઓ પાસેથી જવાબ માગતો જોવા મળે છે. આ મુસાફર છેલ્લા ત્રણ દિવસથી બેંગ્લોરમાં ફસાયેલો હતો. કોઈક રીતે ભૂખ્યા અને કોઈ સહારા વગર મુંબઈ પહોંચ્યા પછી, તેને ખબર પડી કે તેની બેગ ગાયબ છે. આ મુસાફર કહે છે, અમે છેલ્લા ત્રણ દિવસથી બેંગ્લોરમાં ફસાયેલા હતા. ત્યાં અમને એક પણ દાણો ખોરાક કે પાણીનો ઘૂંટ પણ મળ્યો નહીં. કોઈક રીતે અમે આજે મુંબઈ પહોંચ્યા, પણ હવે અમારી બેગ ગાયબ છે. મારા ઘરની ચાવીઓ અને પાસપોર્ટ તે બેગમાં છે. હવે અમે શું કરવું જોઈએ? મારે ક્યાં? આ મુસાફરે ગુસ્સામાં કાઉન્ટર પર હાથ પછાડતાં સ્ટાફને પૂછ્યું.દરમિયાન, અગાઉ ઇન્ડિગોની ફ્લાઇટ રદ થયા પછી, ગુસ્સામાં એક વિદેશી મહિલા મુંબઈ એરપોર્ટ પર કાઉન્ટર પર ચઢી ગઈ અને સ્ટાફ પાસેથી જવાબ માગ્યો. સ્ટાફ તરફથી તેના પ્રશ્નોના જવાબ ન મળતાં તેની ધીરજ ખૂટી ગઈ અને ઇન્ડિગોના ગેરવહીવટ અંગે પ્રશ્નો ઊભા કર્યા. આ ઘટનાનો વિડિયો હવે સોશિયલ મિડિયા પર વાઈરલ થયો છે, અને ત્યાં હાજર અન્ય મુસાફરો પણ ફ્લાઇટ અપડેટ્સની રાહ જોતા જોવા મળી રહ્યા છે. અન્ય એરલાઇન્સનાં ભાડાંમાં વધારોદરમિયાન, એક તરફ, ઇન્ડિગોની સેવાઓ ખોરવાઈ જવાથી મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. બીજી તરફ, અન્ય એરલાઇન્સે તકવાદી વલણ અપનાવીને ટિકિટના ભાવમાં દસ ગણો વધારો કર્યો છે. દિલ્હી-બેંગલુરુ ફ્લાઇટની મૂળ ટિકિટ કિંમત 7,000 રૂપિયા હતી, પરંતુ હવે તે 1 લાખ રૂપિયાથી વધુ થઈ ગઈ છે. દિલ્હી-મુંબઈ ફ્લાઇટની મૂળ ટિકિટ કિંમત 6,000 રૂપિયા હતી, પરંતુ હવે તે 70,000 રૂપિયા થઈ ગઈ છે. ભાડામાં વધારા અંગે સરકારની ચેતવણીમુસાફરોની આ હેરાનગતિ અને ખાનગી કંપનીઓની મનમાની લૂંટ જોઈને, કેન્દ્ર સરકારે આખરે હસ્તક્ષેપ કર્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે હવે અચાનક વિમાન ભાડામાં થયેલા વધારા અંગે કડક વલણ અપનાવ્યું છે અને સરકારે વધેલા ભાડા અંગે કેટલીક એરલાઇન્સને ગંભીર સૂચનાઓ આપી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વિમાન ભાડા પર મર્યાદા લાદવાનો આદેશ આપ્યો છે અને ભાડાનું 'રીઅલ-ટાઇમ ટ્રેકિંગ' શરૂ કર્યું છે. પરિસ્થિતિ પૂર્વવત ન થાય ત્યાં સુધી કંપનીઓને વધેલા દરો ન વસૂલવા કડક સૂચનાઓ આપવામાં આવી છે.
યાત્રિઓ આપે ધ્યાન:એસી લોકલનો ઓફ્ફલાઈન પાસ હોય તો સાથે ઓળખપત્ર ફરજિયાત
એસી લોકલમાં પ્રવાસ કરતા પ્રવાસીઓએ હવેથી પોતાના પાસનું ઓળખપત્ર પણ ટીસીને દેખાડવું પડશે. મધ્ય અને પશ્ચિમ રેલવેમાં એસી લોકલના બનાવટી ટિકિટ અને પાસ તૈયાર કરનારા વિરુદ્ધ રેલવે પ્રશાસને કાર્યવાહી તીવ્ર કરી છે. યુટીએસ એપ દ્વારા કઢાવેલ પાસ અને ટિકિટ યોગ્ય ગણવા તથા ઓફ્ફલાઈન પદ્ધતિથી કાઢેલા પાસ સાથે ઓળખપત્રની તપાસ ફરજિયાત કરવી એવી સૂચના મહાવ્યવસ્થાપક વિવેકકુમાર ગુપ્તાએ મધ્ય અને પશ્ચિમ રેલવેના વરિષ્ઠ રેલવે અધિકારીઓને આપી છે. એઆઈ અને બજારમાં ઉપલબ્ધ એડિટિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરીને એસી લોકલનો બનાવટી પાસ તૈયાર કરવાની ઘટના તાજેતરમાં બની છે. મધ્ય રેલવેમાં ત્રણ અને પશ્ચિમ રેલવેમાં બે પ્રકરણમાં વિવિધ રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઓફ્ફલાઈન પદ્ધતિથી પાસ કાઢવા માટે રેલવે તરફથી અધિકૃત ઓળખપત્ર આપવામાં આવે છે. એનો આધાર લઈ નંબરનો સમાવેશ પાસમાં કરવામાં આવે છે. મધ્ય અને પશ્ચિમ રેલવેમાં તમામ ટીસીઓએ પાસ સાથે ઓળખપત્રની તપાસ કરવી. ભારતીય રેલવેના અધિકૃત યુટીએસ એપમાં દેખાતી ટિકિટ અને પાસ ઓનલાઈન વૈદ્ય ટિકિટ-પાસ તરીકે માન્ય કરવા. અન્ય કોઈ પણ માધ્યમમાં દેખાડતા ઓનલાઈન ટિકિટ કે પાસ માન્ય કરવા નહીં એવી સ્પષ્ટ સૂચના ટીસીને આપવામાં આવી છે. રેલવે કાયદા અનુસાર ટિકિટ વિનાના પ્રવાસીઓને 500 રૂપિયા દંડની જોગવાઈ છે. જો કે બનાવટી ટિકિટ વાપરવી રેલવેની છેતરપિંડી કરવા સમાન છે. આવા ગુનામાં ભારતીય ન્યાય સંહિતા કલમ 318(2), 336(3) અને (4), 340(1) અને (2), 3 (5) અનુસાર મહત્તમ સાત વર્ષ જેલની સજા છે. એના લીધે દાખલ ગુનામાં તરત કાર્યવાહી પૂરી કરવી. એના માટે મધ્ય અને પશ્ચિમ રેલવેના અધિકારીઓએ મુંબઈ રેલવે પોલીસ સાથે વધુ સમન્વય સાધવો એવી સૂચના પણ ગુપ્તાએ આપી છે.
સિટી એન્કર:શ્રી હાલાઈ બ્રહ્મક્ષત્રિય પંચનો 79મો વિદ્યોત્તેજક ઈનામી સમારોહ સંપન્ન
શ્રી હાલાઈ બ્રહ્મક્ષત્રિય પંચ મુંબઈનો ૭૯મો વાર્ષિક વિદ્યોત્તેજક ઇનામી સમારોહ તાજેતરમાં પાટકર હોલ, ન્યૂ મરીન લાઈન્સમાં યોજવામાં આવ્યો હતો જેના સમારંભ પ્રમુખ સુધાબેન નિરંજનભાઇ દુબલ હતાં. આ સમારંભમાં બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના મહાનુભાવોને આમંત્રિત કરાયા હતા. ઉપરાંત કવિ અને વાર્તાકાર સંજય પંડ્યા પણ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. જ્ઞાતિના સભ્યોએ છ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો સ્ટેજ પર રજૂ કર્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પ્રજ્ઞા સોનેજી અને રીટા કકૈયા તથા સંચાલન નિશા કકૈયા અને ભાર્ગવ દુબળે કર્યું હતું. જ્ઞાતિના જે વિદ્યાર્થીઓ આ વર્ષે પાસ થયા તે બધાને ઇનામ આપવામાં આવ્યા. ઉપરાંત ધોરણ આઠ પછીના જેટલા પણ વિદ્યાર્થીઓ પહેલો કે બીજો નંબર લાવ્યા તેઓને રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા. છ વિદ્યાર્થીઓ જેમણે ડબલ ગ્રેજ્યુએટ અથવા પ્રોફેશનલ પરીક્ષા પાસ કરી હોય તેમનું 'તેજસ્વી તારલા' તરીકે સન્માન કરી હારતોરા સાથે મેડલ આપવામાં આવ્યા હતા. તેજસ્વી તારલામાં પ્રાથી રાકેશ ભેડા એલએલએમ, ઓમ રાજુ જોગી સીએમએ અમેરિકા, જાનવી શૈલેષ વીંછી એમ.એ, સૃષ્ટિ હિતેન્દ્ર ટાટારીયા એમ.કોમ, હેતલ નરેન્દ્ર ઠાઠાગર એમ.કોમ અને મંથન ગીતેશ દુબલ સીએ. આમંત્રિત મહેમાનોનું સન્માન કરી તેમને પુષ્પગુચ્છ આપવામાં આવ્યા હતા. તેજસ્વી તારલામાંથી એક વિદ્યાર્થીએ કહ્યું હતું કે દરેક જ્ઞાતિમાં જો આવી રીતે પ્રોત્સાહન આપવામાં આવે તો ઘણા તેજસ્વી તારલાઓ બની શકે છે. ત્યાર બાદ સંભારંભ પ્રમુખ સુધાબેને પોતાનું મંતવ્ય વ્યક્ત કરતાં કહ્યું હતું કે જે વિદ્યાર્થીઓ પાસ થયાં છે તેમને અભિનંદન અને તેઓ આગળ વધી જ્ઞાતિનું નામ રોશન કરે એવી શુભેચ્છા. જ્ઞાતિની મદદની રૂપરેખા રજૂ કરાઈશ્રી હાલાઈ બ્રહ્મક્ષત્રિય પંચના પ્રમુખ જયેશ કાપડિયાએ મહેમાનોનું સ્વાગત કરી વિદ્યાર્થીઓ માટે જ્ઞાતિ કેટલી મદદ કરે છે તેની રૂપરેખા રજૂ કરી હતી. આ કાર્યક્રમનું સંચાલન આશા દુબલ, હીનલ ખત્રી અને મંથન દુબલેએ સંભાળ્યું હતું. આ સંપૂર્ણ કાર્યક્રમ દરમિયાન શ્રી હાલાઈ બ્રહ્મક્ષત્રિય સ્ત્રી મંડળના પ્રમુખ કિર્તીદા મચ્છરે કાર્યક્રમ નિર્વિઘ્ને પાર પડે તેનું ધ્યાન રાખ્યું હતું. ભુપેન્દ્રભાઈ ઘુમરા માનદ મંત્રીઅને પ્રકાશભાઈ તેજાણી સહમંત્રીએ પ્રમુખ સાથે રહીને સમગ્ર સંકલન સંભાળ્યું હતું.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે 7 ડિસેમ્બરના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂપિયા 1507 કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અમદાવાદ ફાયર વિભાગના નવા નિમણૂંક પામેલા 102 સહાયક ફાયરમેનને નિમણૂંક પત્ર પણ એનાયત કરવામાં આવશે. સવારે 10:30 વાગ્યાથી વિવિધ વિસ્તારોમાં નવા વિકાસના કાર્યોના લોકાર્પણ સ્થળની મુલાકાત લઈ બપોરે 2:30 વાગ્યે ગોતા દેવનગર ખાતે જાહેર સભા સંબોધશે. બપોરે વૈષ્ણોદેવી સર્કલ પાસે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન ચરિત્ર પર લખાયેલી પુસ્તિકાનું ગુજરાતી આવૃત્તિનું લોકાર્પણ અને સાંજે રિવરફ્રન્ટ ખાતે BAPSના પ્રમુખ વરણી અમૃત મહોત્સવ કાર્યક્રમમાં પણ હાજરી આપશે. થલતેજમાં 881 EWS આવાસો અને સરખેજ-વસ્ત્રાપુરમાં તળાવનું લોકાર્પણકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રવિવારના રોજ સવારે થલતેજ ખાતે 881 EWS આવાસો, તુલસી રેસીડેન્સીનું નામાભિધાન તેમજ લોકાર્પણ કરશે. ત્યાર બાદ સાઉથ બોપલમાં ઇલેક્ટોથર્મ ગાર્ડન, સરખેજ ગામમાં શ્રી ક્ષેત્ર સરોવર અને વસ્ત્રાપુરમાં ભક્તકવિ નરસિંહ મહેતા સરોવર (વસ્ત્રાપુર તળાવ) જેને રિડેવલોપ કરવામાં આવ્યું છે તેનું પણ લોકાર્પણ કરશે. 350 આવાસોનું લોકાર્પણ અને મીની સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું ખાતમુહૂર્તમેમનગરમાં નારાયણરાવ ભંડારી ઓપન પાર્ટી પ્લોટ, નવા વાડજમાં નટના છાપરા ખાતે રીહેબિલીટેશન કરવામાં આવેલા 350 આવાસોનું લોકાર્પણ તેમજ ગોતામાં મીની સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું ખાતમુહૂર્ત પણ કરશે. આ સિવાય રાણીપ રેલવે ઓવરબ્રિજ પાસે આવેલા રમતગમત પ્રવૃત્તિ સંકુલ અને ન્યુ રાણીપમાં જીમનેશિયમ અને વાંચનલાયની મુલાકાત પણ લશે. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 960.72 કરોડના 29 કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્તગાંધીનગર લોકસભા વિસ્તારમાં AMC દ્વારા રૂપિયા 292.27 કરોડના ખર્ચે 14 કામોનું લોકાર્પણ થશે. આ સાથે સાથે 2 આવાસોના ડ્રો પણ યોજાશે. જેમાં રૂપિયા 127.67 કરોડના આવાસ સંબંધિત કામોનો પણ સમાવેશ કરાયો છે. આ સિવાય રૂપિયા 540.78 કરોડના 13 કામોના ખાતમુહૂર્ત પણ કરશે. આમ આ વિસ્તારમાં કુલ મળીને 960.72 કરોડના ખર્ચે 29 કામો લોકો માટે ઉપયોગી બનશે. પૂર્વ-પશ્ચિમ લોકસભા વિસ્તારમાં 546.18 કરોડના 29 કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્તઅમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા વિસ્તારમાં AMC દ્વારા રૂપિયા 104.85 કરોડના ખર્ચે 12 કામોનું લોકાર્પણ થશે. જ્યારે રૂપિયા 441.33 કરોડના ખર્ચે 17 કામોના ખાતમુહૂર્ત પણ કરશે. આમ આ વિસ્તારમાં રૂપિયા 546.18 કરોડના ખર્ચે કુલ 29 જેટલા કામો અને પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થશે. કુલ 1506.9 કરોડના 58 વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તબંને લોકસભા વિસ્તારોને મળીને AMC દ્વારા રૂપિયા 1506.9 કરોડના ખર્ચે સંભવિત 58 જેટલા વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. આ પ્રોજેક્ટ થકી આગામી દિવસોમાં શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી સુવિધાઓ, ડ્રેનેજ, માર્ગ પાર્ક તેમજ હરિત વિકાસ સહિતના ક્ષેત્રોમાં વિકાસ જોવા મળશે. ગોતામાં 43 કરોડના ખર્ચે નવું મીની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવાશેશહેરના ગોતા વિસ્તારમાં દેવનગર પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા 43 કરોડના ખર્ચે નવું મીની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. 18,824 ચોરસ મીટર જગ્યામાં આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. સ્વિમિંગ પુલ સાથે બાસ્કેટબોલ, ટેનિસ કોર્ટ, કબડ્ડી કોર્ટ, ટેબલ ટેનિસ વગેરે રમતો રમી શકે તેના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે. આઉટડોર જીમ અને શાવર ચેન્જિંગ રૂમ વગેરે બનાવવામાં આવશે. આઉટડોર સીટીંગ સાથે ફૂડ કોર્ટ પણ બનાવવામાં આવશે. વિકાસ કાર્યોનું લોકાર્પણ સરકારી આવાસોનો ડ્રો વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભારતીય વાયુસેનાના સહયોગથી આજે સૂર્યકિરણ ટીમ દ્વારા એર શો યોજવામાં આવશે. આ સાથે સાથે 'આકાશગંગા'નાં જવાનો ચાલુ વિમાનમાંથી જમ્પ કરશે તેમજ એરપોર્ટ બેન્ડ અને વાયુસેનાનું શસ્ત્રપ્રદર્શન યોજાશે. ભારતીય વાયુસેનાનાં ચાર વિભાગોનું એકસાથે પ્રદર્શ એ ઐતિહાસિક ઘટના છે. અગાઉ પીએમ મોદીની હાજરીમાં કેવડિયામાં આ પ્રકારનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ મનપાનાં પ્રયાસોથી રાજકોટને આ અનોખા કાર્યક્રમની યજમાની કરવાનો મોકો મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે 6 ડિસેમ્બરના રોજ વાયુસેનાનાં જવાનોએ આ કાર્યક્રમની ફુલડ્રેસ રિહર્સલ કર્યું હતું અને શસ્ત્રોનું પ્રદર્શન બે દિવસ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જોકે, તેના સમયમાં સિક્યોરિટી કારણોસર અચાનક ફેરફાર કરી સવારે 8 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. ભારતિય વાયુસેનાના 40 મિનિટ દિલધડક કરતબોઅટલ સરોવાર આસપાસના સ્માર્ટ સિટીના વિસ્તારમાં આજે સવારે 10 વાગ્યે આ ખાસ કાર્યક્રમ યોજાશે. જેમાં સૂર્યકિરણ ટીમના 9 હોક વિમાનો રાજકોટના આકાશમાં પહોંચશે અને પાઇલટ્સ દ્વારા અહીં 40 મિનિટ દિલધડક કરતબો રજૂ કરવામાં આવશે. દર્શકો વિમાનોના સિગ્નેચર ફોર્મેટ સ્ટંટ્સ જેમ કે, હાયમંડ ફોર્મેશન, ભારતના સ્વદેશી તેજસ વિમાનની આકૃતિ, લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ અને ઇન્વર્ટેડ ફોર્મેશન ડીએનએ જેવા અદ્ભુત સ્ટંટ્સ જોઈ શકાશે. રાજકોટનું આકાશ તિરંગાના રંગથી રંગાશેપાઇલટ્સ માત્ર 5 મીટરથી ઓછા અંતરે વિમાનો ઉડાડીને તેમની ચોકસાઈ, શિસ્ત અને ટીમ સ્પિરિટનો લાઈવ ડેમો આપશે. આ 9 હોક વિમાનો આકાશને તિરંગાના રંગથી રંગીન બનાવીને યુવાનોને ભારતીય સશસ્ત્ર દળોમાં જોડવા માટે પ્રેરણા પૂરી પાડશે. કાર્યક્રમનું આયોજન શહેરના નાગરિકો માટે સંપૂર્ણપણે વિનામૂલ્યે રાખવામાં આવ્યું છે. જેમાં એર-શો અને શસ્ત્ર પ્રદર્શન નિહાળવા માટે કોઈ ટિકિટ કે પાસની આવશ્યક્તા નથી. આકાશ ગંગા સ્કાયડાઈવિંગ ટીમ દ્વારા આકાશમાંથી જમ્પ કરશેઆજના મુખ્ય કાર્યક્રમમાં એરફોર્સ બેન્ડના પરફોર્મન્સ દ્વારા સ્વાગત કરાશે. બાદમાં C-295 એરક્રાફ્ટ ફ્લાયપાસ થશે અને આકાશ ગંગા સ્કાયડાઈવિંગ ટીમ દ્વારા આકાશમાંથી જમ્પ કરી પરફોર્મન્સ કરવામાં આવશે. જમ્પ કરતા જવાનોને હેલિકોપ્ટર MI-17V5 દ્વારા વિંગસિંગ ઓપરેશન કરીને એરલિફ્ટ કરવામાં આવશે. ત્યાર બાદ એરફોર્સ બેન્ડ પરફોર્મન્સ કરશે અને અંતે આકાશમાં ભવ્ય સૂર્યકિરણ એર-શો યોજાશે. આ વિશાળ કાર્યક્રમો રાજકોટના આકાશ અને ધરતી બંનેને દેશપ્રેમ, ગૌરવ અને સંગીતની સુંદરતાથી રંગીને શહેર માટે ઐતિહાસિક ક્ષણો સર્જશે. બ્રેક મેન્યુવર્સ, વિંગ ફોર્મેશન્સ મુખ્ય આકર્ષણોમુખ્ય કાર્યક્રમની વિશેષતાઓમાં ભારતીય વાયુસેનાની વિશ્વપ્રસિદ્ધ 'Suryakiran Aerobatic Team' આકાશમાં તેમના શૌર્ય, ચોકસાઈ અને તાલમેલના અનોખા કૌશલ્યનું પ્રદર્શન કરશે. આકાશમાં બનતી સુંદર રચનાઓ, ગતિ, ઝડપ અને પાયલોટ્સની કુશળતા નાગરિકો માટે રોમાંચક દૃશ્ય સર્જશે. એડ્રેનાલિન ભરેલા લૂપ્સ, બ્રેક મેન્યુવર્સ, વિંગ ફોર્મેશન્સ અને હાઇ-સ્પીડ પાસેસ એ કાર્યક્રમનાં મુખ્ય આકર્ષણોમાં રહેશે. આ ઉપરાંત, પ્રતિષ્ઠિત એર ફોર્સ બેન્ડ દ્વારા દેશભક્તિ ગીતો, પ્રખ્યાત મિલિટરી બેન્ડ ટ્યૂન્સ, આધુનિક સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટલ્સ અને વિશેષ વાયુસેના થીમ મ્યુઝિકના મુખ્ય વિભાગો રજૂ કરવામાં આવશે. વીર જવાનોની તૈયારી, શિસ્ત અને સાહસનો લાઈવ અનુભવરાજકોટ શહેર માટે ગૌરવનો વધુ એક ક્ષણ ઉમેરાતા ભારતીય વાયુસેનાની પ્રતિષ્ઠિત આકાશ ગંગા સ્કાય ડાઈવિંગ ટીમ પોતાના આંખને ચમકાવી દે તેવા પ્રદર્શન સાથે હાજર રહેશે. આકાશ ગંગા સ્કાયડાઈવિંગ ટીમ દેશ-વિદેશમાં અનેક વાર પોતાની કૌશલ્યપૂર્ણ હવાઈ કળાઓ માટે પ્રખ્યાત છે. ટીમના પેરાશૂટર્સ આકાશમાંથી ઝડપભેર ઝંપલાવી અનોખા ફોર્મેશન, રંગીન સ્મોક ટ્રેઈલ્સ અને અત્યંત દિલધડક સ્ટન્ટ્સ રજૂ કરશે. આ કાર્યક્રમ દરમિયાન દર્શકોને દેશના વીર જવાનોની તૈયારી, શિસ્ત અને સાહસનો જીવંત અનુભવ થશે. ત્યારબાદ જમીન પર લેન્ડિંગ કરી ચૂકેલા પેરાટ્રૂપર્સને હેલિકોપ્ટરની મદદથી એર લિફ્ટ કરવામાં આવશે. દર્શકો 20 મોટી સ્ક્રીન પર સમગ્ર પરફોર્મન્સ નિહાળી શકશેનાગરિકોને કાર્યક્રમ નિહાળવામાં સરળતા રહે તે માટે રાજકોટ મહાપાલિકા દ્વારા અટલ સરોવર આસપાસના સ્માર્ટ સિટી વિસ્તારમાં વિશેષ વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવ્યું છે. સ્માર્ટ સિટી વિસ્તારમાં અલગ અલગ સ્થળોએ 17થી 20 ભવ્ય અને મોટી સ્ક્રીનના માધ્યમથી બહોળી સંખ્યામાં લોકો ઊભા રહીને કે ભારતીય બેઠક કરીને સમગ્ર પરફોર્મન્સ નિહાળી શકશે. એરફોર્સના કમાન્ડો દ્વારા આપવામાં આવતા કમાન્ડને નિહાળવાની સાથે અવકાશમાં થતા ફાઇટર પ્લેનના પરફોર્મન્સ પણ સરળતાથી નિહાળી શકાશે. ગરુડ ફોર્સનું સૂત્ર પ્રહાર સે સુરક્ષાશહેરીજનો અટલ સરોવરની આસપાસના વિસ્તારમાં ઊભા રહીને અને ભારતીય બેઠક પર ભવ્ય એર-શો અને એર ફોર્સ બેન્ડનું લાઇવ પરફોર્મન્સ નિહાળી શકે તે માટે અટલ સરોવર ફરતે 30થી વધુ સાઉન્ડ ટાવર સ્ટેન્ડ બાય કરવામાં આવશે. જેના માધ્યમથી અટલ સરોવર ફરતે રહેલા નાગરિકો ભવ્ય એર-શો અને લાઇવ બેન્ડ માણી આનંદ મેળવી શકશે. આ દરમિયાન લોકો ભારતીય વાયુસેનાના 'ગરુડ સ્પેશિયલ ફોર્સ' વિશે પણ માહિતી મેળવી શકશે, જેનું ગઠન 2004માં થયું હતું. ગરુડ કમાન્ડોની ટ્રેનિંગ અત્યંત પડકારજનક અને કઠિન હોય છે. આ ફોર્સ હાઇ રિસ્ક મિશન, કાઉન્ટર ટેરરિઝમ ઓપરેશન, રેસ્ક્યુ મિશન અને કુદરતી આપત્તિમાં રાહત તથા બચાવ કાર્યોમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. ગરુડ ફોર્સનું સૂત્ર પ્રહાર સે સુરક્ષા છે. 7 વ્યુ પોઈન્ટ અને 8 પાર્કિંગ પ્લોટ નક્કી કરાયાઆ કાર્યક્રમ માટે ખાસ અટલ સરોવરની આસપાસના વિસ્તારમાં કુલ 7 (A થી G) વ્યુ પોઈન્ટ અને 8 પાર્કિંગ પ્લોટ (પાર્કિંગ B, C અને D રિઝર્વ પાર્કિંગ તેમજ પાર્કિંગ A, E, F, G, H જનરલ પાર્કિંગ) નક્કી કરવામાં આવેલ છે. સ્માર્ટ સિટી એરિયામાં આવવા માટે મુખ્ય ચાર માર્ગો નક્કી કરવામાં આવ્યા છે. કાલાવડ રોડ તરફથી નવા રિંગ રોડ ઉપર, જામનગર રોડ પરથી નવા રિંગ રોડ ઉપર, રૈયા ચોકડી તરફથી સ્માર્ટ સિટી તરફ અને રામાપીર ચોક પરથી રૈયાધારવાળો રોડ જાહેર સલામતી માટે લોકોને BRTSના રસ્તા ખાલી રાખવામાં આવ્યા છે.
HDFC બેંકની રાજકોટની વિવિધ બ્રાંચમાં સાત માસ દરમિયાન અજાણ્યા ગ્રાહકોએ રૂ.1.41 લાખની કિંમતની 504 બનાવટી ચલણી નોટો ધાબડી જતા બેંકના આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટની ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસે ગુનો નોંધ્યો છે. આ બનાવમાં શહેરના દોઢસો ફૂટ રિંગ પરના કિડવાઈનગરમાં આવેલા માધવ રેસિડેન્સી શેરી નં.1માં રહેતા અને HDFC બેંકની ભક્તિનગર શાખામાં આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ તરીકે નોકરી કરતા દેવાંગ ચીમનલાલ મોટાએ ભક્તિનગર પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને તમામ શાખાઓની જે નોટ આવે તે બેંકમાં કરન્સી ચેસ્ટ બ્રાન્ચના મશીન દ્વારા નોટનું ચેકિંગ કરી બનાવટી છે કે કેમ તેની તપાસ કરવાની કામગીરી સોંપવામાં આવી છે. તેમની રાજકોટની શાખાઓમાં એપ્રિલ 2025થી ઓક્ટોબર 2025ના સાત માસના સમયગાળા દરમિયાન અજાણ્યા ગ્રાહકો દ્વારા કુલ રૂપિયા 1.46 લાખની કિંમતની 504 નકલી નોટો ધાબડી દેતા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી હોય અને વિવાદ ન થાય તેવું બને જ નહીં. આ વખતે વિવાદ સંદીપ વેકરિયાના સસ્પેન્શનને લઈને છે. રોલમાંથી દૂર કરી દેવાતા ચૂંટણીમાં ઉમેદવારી પત્રક ભરી શક્યા નથી. આ નિર્ણય સામે વેકરિયા સ્ટેટ બાર કાઉન્સિલમાં જતા સ્ટે મળ્યો અને તે સ્ટે સામે રિવિઝનમાં એસોસિએશન બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં જતા ત્યાં સ્ટેટના ઓર્ડર રદ કરી નાખ્યો એટલે સસ્પેન્શન ચાલુ થયું. તેની સામે રજાના દિવસે હાઈકોર્ટ ખોલાવી અરજી થઈ પણ રાહત મળી નથી. અને 10મી ડિસેમ્બરની નોટીસ કાઢવામાં આવી છે. જો કે, 10મીએ જ ફોર્મ પરત ખેંચવાની છેલ્લા તારીખ છે આથી વેકરિયા માટે ચૂંટણી લડવા માટે આકરા ચઢાણ છે. બાર એસોસિએશનના સસ્પેન્શનના ઓર્ડર પર બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો સ્ટે હતો. આ સ્ટે ઓર્ડરના રિવિઝનમાં બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ બાર કાઉન્સિલના ગુજરાત પર સ્ટે આપી દીધો હતો. હવે બીસીઆઈના આ ઓર્ડર પર સ્ટે લાવવા માટે સંદીપ વેકરિયાએ હાઈકોર્ટના દ્વારા ખખડાવ્યા હતા. જોકે શનિવારે રજા હતી પણ હાઇકોર્ટે આ સમગ્ર મામલો સાંભળીને 10 મીની નોટીસ કાઢી છે. વિવાદનો આ છે સમગ્ર ઘટનાક્રમ
CCTV ફૂટેજમાં ચાર તસ્કર કેદ થયા:પડધરી કારખાનામાંથી રૂ.27.55 લાખની માલમત્તા લઇ ચડ્ડી-બનિયાન ગેંગ ફરાર
પડધરીમાં વધુ એક ચોરીનો બનાવ પોલીસે ચોપડે નોંધાયો છે. જેમાં ચાર તસ્કરે કારખાનામાં પ્રવેશી લેપટોપ, આઈપેડ તેમજ રોકડ સહિત રૂ.27.55 લાખની માલમત્તા લઈ ફરાર થઈ ગયા છે. આ બનાવમાં શહેરના અમીન માર્ગ પર આવેલ નચિકેતન 1-અ ગુલાબવાટિકામાં રહેતા અને મોવૈયાની સીમ પડધરી-ઉકરડા રોડ પર આવેલા એરકોન ઈન્ડિયા નામે કારખાનું ધરાવતા હર્ષિતભાઈ પ્રહલાદભાઈ કાવર(ઉં.વ.35) એ પડધરી પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.5ના વહેલી સવારે તે ઘરે હતો ત્યારે તેના સાળા વાગુભાઈ પણ સાથે જ હતા, તે સમયે તેના ફોનમાં કોલ આવ્યો કે કારખાનામાં ચોરી થઇ છે. જેથી તે બન્ને કારખાને જઈ તપાસ કરતા તેની ઓફિસના ઉત્તર બાજુની દીવાલે મેટલ સેક્શનનો દરવાજો ખૂલેલ હાલતમાં હતો. તેમજ બહારની જગ્યામાં સીડી જોવા મળી અને ઓફિસના ટેબલના ખાનાઓ પણ ખુલ્લા હતા. આ ઉપરાંત લાકડાંના કબાટ પર સ્ટીલનો ડબ્બો જેમાં દવા પડી હતી તે પણ ખાલી હતો. અને બીજા ખાનામાં રાખેલ રોકડ રૂ.24.47 લાખ પણ જોવા ન મળ્યા હતા. આ ઉપરાંત આઈપેડ, મેકબુક અને બંધ લેપટોપ મળી કુલ રૂ.45 હજારનો સામાન ચોરી થયો હતો. જે દરમિયાન એકાઉન્ટની કામગીરી સંભાળતા હિરેનગીરી ગોસ્વામીએ તેને કહ્યું કે, મારા ટેબલના ખાનામાં રાખેલ રૂ.63 હજાર પણ જોવા મળતા નથી. આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
ઠગ ઓફ થમ્બ્સ:વાજબીભાવના 6 પરવાનેદારને રૂ.45.78 લાખનો દંડ કરાયો
વર્ષ 2019-20માં બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપાયેલા નકલી ફિંગરપ્રિન્ટના આધારે સરકારી અનાજ હડપ કરી જવાના કૌભાંડમાં તપાસ રાજકોટ સુધી લંબાયા બાદ વાજબીભાવના 23 પરવાનેદાર પુરવઠા વિભાગની ઝપટે ચડી જતા કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ચકચારી કૌભાંડમાં પાંચ દુકાનદાર સરકારમાં અપીલમાં ગયા બાદ કેસ રિમાન્ડ થતાં જિલ્લા કલેક્ટરે પાંચેય પરવાનેદારને રૂ.39,20,797નો દંડ ફટકાર્યો હતો. સાથે જ આવા જ અન્ય એક કિસ્સામાં પુરવઠા અધિકારીના હુકમ સામે કલેક્ટર સમક્ષ અપીલ કરતા કલેક્ટરે ડીએસઓનો હુકમ યથાવત્ રાખી રૂ.6,57,767 રૂપિયા દંડ વસૂલવા આદેશ કરતાં ઠગ ઓફ થમ્બ કૌભાંડમાં કુલ છ પરવાનેદારને રૂપિયા 45,78,564નો દંડ ફટકારવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ 2019માં ભૂતિયા રેશનકાર્ડના આધારે અસ્તિત્વ વગરના રેશનકાર્ડ ધારકોના નકલી રબ્બરના અંગૂઠાથી સરકારી અનાજ હડપ કરવાનું કૌભાંડ અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી લેતા આ કૌભાંડનો રેલો રાજકોટ સુધી પહોંચ્યો હતો. અહીં શહેર અને જિલ્લામાં ઠગ ઓફ થમ્બ ગેંગના ભેજાબાજ સસ્તા અનાજના વિક્રેતાઓ દ્વારા પુરવઠા વિભાગ ઓપરેટરની મદદથી ગરીબોના હિસ્સાનું અનાજ હડપ કરી લેવામાં આવતું હોવાનું ખૂલતા તત્કાલીન જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને ખાસ ટીમો મારફતે તપાસ કરાવી આવા 23થી વધુ પરવાનેદાર વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. નકલી અંગૂઠા બનાવનાર વેપારીઓને ફટકારાયેલ દંડ વર્ષ 2019-20માં નકલી ફિંગરપ્રિન્ટ મામલે 23 પરવાનેદાર ઝપટે ચડ્યા હતાપોલીસે ઝડપી લેતા આ કૌભાંડનો રેલો રાજકોટ સુધી પહોંચ્યો હતો. અહીં શહેર અને જિલ્લામાં ઠગ ઓફ થમ્બ ગેંગના ભેજાબાજ સસ્તા અનાજના વિક્રેતાઓ દ્વારા પુરવઠા વિભાગ ઓપરેટરની મદદથી ગરીબોના હિસ્સાનું અનાજ હડપ કરી લેવામાં આવતું હોવાનું ખૂલતા તત્કાલીન જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને ખાસ ટીમો મારફતે તપાસ કરાવી આવા 23થી વધુ પરવાનેદાર વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિક્ષણ અને સંશોધનના નામે ખુલ્લેઆમ નાણાકીય ગેરવહીવટ થઈ રહ્યો હોવાની સ્થિતિ સર્જાઈ છે. યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી લાઇબ્રેરી માટે મૂળ રૂ.6 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું, પરંતુ સત્તાધીશોએ અત્યાર સુધીમાં રૂ.7.39 કરોડ ખર્ચી નાખ્યા છે, એટલે કે મંજૂર બજેટ કરતાં રૂ.1.39 કરોડનો સીધો વધુ ખર્ચ કરી દેવામાં આવ્યો છે! આ નાણાકીય બેદરકારીનો અંત અહીં આવતો નથી. એકબાજુ લાઇબ્રેરી પાછળ રૂ.7.39 કરોડનો બિનજરૂરી ખર્ચ કરી દેવાયો, પરંતુ સૌથી ગંભીર અને બેજવાબદાર ભૂલ એ થઈ કે તેમાં ફાયર સેફ્ટીના સાધનો અને સુવિધાઓ આપવાનું જ ભૂલાઈ ગયું! વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાના પુસ્તકો અને સંશોધન સુવિધાઓ મળવાને બદલે, કરોડો રૂપિયાનો આ વધારાનો ખર્ચ ક્યાં અને શા માટે થયો તેની તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસની માંગ જોર પકડી રહી છે. સ્પષ્ટપણે જણાય છે કે, સત્તામંડળની બેઠકો ખાલી રાખીને, વિદ્યાર્થીઓના મહત્ત્વના શૈક્ષણિક પ્રશ્નોની જાણી જોઈને અવગણના કરવામાં આવી રહી છે અને માત્ર રાજકીય ગોટાળાઓને છાવરવા માટે જ આ સંકુલને ‘ગેરવહીવટનું મેદાન’ બનાવી દેવાયું છે. વિદ્યાર્થીઓના જીવન અને સંસ્થાની સંપત્તિની સુરક્ષા માટે આવશ્યક એવી ફાયર સેફ્ટીની સુવિધા માટે હવે ફરીથી યુનિવર્સિટીના વહીવટી તંત્ર દ્વારા આશરે રૂ.92.92 લાખના ખર્ચનું નવું એસ્ટિમેટ બોર્ડ ઓફ મેનેજમેન્ટ સમક્ષ મૂકવામાં આવ્યું છે, જેનાથી વિવાદ વકર્યો છે. આ દર્શાવે છે કે, આટલા મોટા ખર્ચ છતાં યુનિવર્સિટીના વહીવટી તંત્રને મૂળભૂત સુરક્ષા જરૂરિયાતોની પણ પરવા નથી. શિક્ષણના નામે કરોડોનો ધુમાડો કરનાર સત્તાવાળાઓ હવે ફાયર સેફ્ટીના નામે વધુ 92 લાખ રૂપિયાનો ફટકો મારવા તૈયાર છે. હવે જોવાનું એ રહ્યું કે, સરકાર આ શૈક્ષણિક સંકુલમાં ચાલી રહેલા ગોટાળા પર કડક અને તાત્કાલિક કાર્યવાહી કરે છે કે, પછી હંમેશની જેમ આ ગંભીર મુદ્દાઓ માત્ર ફાઈલોમાં જ દબાઈને રહી જશે. ગોટાળા અટકાવવા તાત્કાલિક પરીક્ષા સમિતિની બેઠક બોલાવવા VCને પત્રસૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા પ્રણાલીની પારદર્શિતા અને ગુણવત્તા પર સવાલો ઊભા થયા છે. ફેકલ્ટી ઓફ એજ્યુકેશનના ડીન ડો. નિદત્ત બારોટે આ મુદ્દે પરીક્ષા સમિતિની વિશેષ બેઠક તાત્કાલિક બોલાવવા માટે કુલપતિને પત્ર લખ્યો છે. ચાર મુખ્ય અને ગંભીર મુદ્દાઓ પર તાત્કાલિક નિર્ણય લેવાની માંગ કરવામાં આવી છે જેમાં પ્રશ્નપત્ર રચનાની વ્યવસ્થાની પુનર્રચના કરવી, નવી સ્ક્રૂટિની મિકેનિઝમ અને ડબલ ચેકિંગ સિસ્ટમ લાગુ કરવી. પરીક્ષકો, મૂલ્યાંકનકાર અને પેપર સેટરની એક વર્ષથી વધુ સમયથી બાકી રહેલ રેમ્યુનરેશનની ચૂકવણી ઝડપી કરવી, એપ્રિલ-મે, 2026ની આવનારી પરીક્ષાનું સમયપત્રક પૂર્વ તૈયારી સાથે વહેલું નક્કી કરવું અને તાજેતરમાં માર્કશીટમાં નોંધાયેલી ભૂલોના મૂળ કારણો ઓળખી સુધારેલી પદ્ધતિ અમલમાં મૂકવી. ડો.બારોટે વિનંતી કરી છે કે, આ તમામ મુદ્દાઓ વિદ્યાર્થીઓના હિત અને પરીક્ષાની વિશ્વસનીયતા સાથે સીધા સંકળાયેલા છે, જેથી વહેલામાં વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવે.
25 વહાલુડીના વિવાહ:કન્યાદાન કરવા બે દંપતી લંડન તથા એક દુબઇથી રાજકોટ આવશે
દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વહાલુડીના વિવાહનું આઠમું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા સાત વર્ષથી ડિસેમ્બર માસના છેલ્લા રવિવારે માતા-પિતા વિહોણી કે પિતા વિહોણી 22 દીકરીના ભવ્ય સમૂહલગ્ન કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે 25 દીકરીના વિવાહ યોજાશે. આ આયોજન તા.21 ડિસેમ્બર, રવિવારના રોજ સાંજે 5 વાગ્યે યોજાશે. દીકરીઓને કરિયાવરમાં 200થી વધુ વસ્તુઓ આપવામાં આવશે. આ વર્ષે વિવાહના મુખ્ય યજમાન તરીકે રાજકોટની ત્રણ સખીઓ જેમાં વર્ષાબેન આદ્રોજા, નીપાબેન કાલરિયા અને કેશાબેન મહેતા છેે. ભાસ્કર ઇનસાઇડકરિયાવરની સાથે 6 માસ સુધીનું રાશન અપાશેવિવાહ અંગે સંસ્થાના સ્થાપક અનુપમભાઇ દોશીએ જણાવ્યું હતું કે, દર વખતે 22 દીકરીના વિવાહ યોજાઇ છે, પરંતુ આ વખતે અન્ય 3 દીકરી એટલે 25 દીકરીના વિવાહ યોજાશે. આ ઉપરાંત દર વર્ષની જેમ આ વર્ષે પણ પહેલી પાંચ કંકોતરી રામનાથ મહાદેવ મંદિર, બાલાજી મંદિર, આશાપુરા મંદિર, માઇ મંદિર અને બાલકૃષ્ણલાલજી હવેલી (દરબારગઢ) ખાતે મૂકવામાં આવશે. આ આયોજનમાં સૌરાષ્ટ્રભરના સાધુ-સંતો દીકરીઓને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહેશે. દીકરીઓને માત્ર કરિયાવર જ નહીં, પરંતુ તેની સાથે 6 માસ સુધીનું રાશન પણ અપાશે. તમામ કરિયાવર 14મીએ રવાના કરાશે જેનું પેકિંગ સંસ્થાની બહેનો ભક્તિમય સંગીત, વાતાવરણમાં કરે છે. લગ્નના દિવસે ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવશે. વિશેષ વાત તો એ છે કે, સંસ્થા દ્વારા દીકરીઓને પાર્લર તથા મહેંદી સહિતની તમામ વસ્તુઓ પૂરી પાડે છે જેમાં જૂનાગઢથી બહેનો દીકરીઓને તૈયાર કરવા તથા મહેંદી મૂકવા પોતાના ખર્ચે આવે છે. આ ઉપરાંત કહેવાય છે કે, કન્યાદાન એ સૌથી મોટું દાન છે. જે માતા-પિતાને દીકરી નથી તેમને કન્યાદાન કરવાનો અવસર આપવામાં આવે છે, તેથી આ વખતે કન્યાદાન કરવા ખાસ 3 લોકોમાં બે લંડન અને એક દુબઇથી રાજકોટ આવશે. 25 યુગલના આજે થેલિસિમિયા ટેસ્ટવિવાહ પહેલાં કહેવાય છે કે, થેલિસિમિયા ટેસ્ટ પછી જ સગાઇ. આથી આગામી તા.21 ડિસેમ્બરમાં યોજનાર વહાલુડીના વિવાહની 25 યુગલના આજે તા.7 ડિસેમ્બરના રોજ બપોરે 2 વાગ્યે સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ ખાતે થેલિસિમિયા ટેસ્ટ કરાવાશે. જેમાં તંદુરસ્ત અને સ્વસ્થ સમાજનું નિર્માણ થાય, ભવિષ્યમાં નવા થેલેસેમિક બાળક ન જન્મે તે માટે આ આયોજન લાઇફ સંસ્થાના સહયોગથી કરવામાં આવ્યું છે. ઇન્સાઇડ
યાત્રિકોમાં હાશકારો:DGCAની ઈન્ડિગોને રાહત, રાજકોટથી તમામ ફ્લાઈટ શરૂ, મુંબઈની કેન્સલ રહી
નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ એરલાઈન્સ અને ખાસ કરીને ઇન્ડિગોને નિયમોમાં 10 ફેબ્રુઆરી 2026 સુધી અસ્થાયી રાહત આપતા, કર્મચારીઓના વીકલી રેસ્ટ (સાપ્તાહિક આરામ) ને બદલે રજા ન આપવાના તેના અગાઉના કડક નિર્ણયને પાછો ખેંચી લીધો છે. આ નિર્ણયના પગલે રાજકોટ સહિત દેશભરમાં ઇન્ડિગોની ફ્લાઇટના ઓપરેશન શનિવારે પૂર્વવત્ થઈ ગયા છે. રાજકોટથી એકમાત્ર મુંબઈની ફ્લાઈટ કેન્સલ કરી હતી જ્યારે બાકીની તમામ ફ્લાઈટના ઓપરેશન રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવતા યાત્રિકોને પણ હાશકારો થયો છે. શનિવારે ઇન્ડિગો એરલાઇન્સની પરિસ્થિતિ પાટે ચડી હોય તેમ સવારની દિલ્હી ફ્લાઇટ ફુલ ઊડી હતી. મુંબઈની ફ્લાઇટ 30 મિનિટ ડીલે થઈ હતી. જોકે આજે સાંજે 4:55 કલાકની રાજકોટ-મુંબઈ ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી, પરંતુ અન્ય દિલ્હી-2, મુંબઈ-3, ગોવા, હૈદરાબાદ અને બેંગ્લોરની 1-1 ફ્લાઇટનું ઉડ્ડયન શરૂ થતાં મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે. શુક્રવારે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઇન્ડિગોની ડેઈલી દિલ્હી, મુંબઈ, ગોવા, હૈદરાબાદ અને બેંગ્લોર સહિત તમામ 8 જેટલી ફ્લાઇટ એકીસાથે કેન્સલ થઈ ગઈ હતી. જેના કારણે હજારો પ્રવાસીઓ રઝળી પડ્યા હતા અને ઇન્ડિગો એરલાઇન્સ કંપની સામે પ્રવાસીઓએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. લગ્ન પ્રસંગો અને અન્ય મહત્ત્વના કામો સબબ ફરજિયાત મુસાફરી કરવી પડે તેવી સ્થિતિવાળા પ્રવાસીઓએ એર ઇન્ડિયાની દિલ્હી-મુંબઈ ફ્લાઇટમાં ઊંચા એરફેર ચૂકવીને ફ્લાઇટ પકડવી પડી હતી.
વિદ્યાર્થીએ જીવાદોરી કાપી:B.Tech ઇજનેરીનું પેપર નબળું જવાથી આત્મીય કોલેજના વિદ્યાર્થીનો આપઘાત
શહેરના મવડી રોડ આનંદ બંગલા ચોક નજીક આવેલી સ્વાશ્રય સોસા.માં રહેતા અને આત્મીય કોલેજમાં બી.ટેક. એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા યુવકે ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. રાજકોટના મવડી રોડ આનંદ બંગલા ચોક નજીક આવેલી સ્વાશ્રય સોસાયટી શેરી નં.05માં રહેતા અવિનાશ હરસુખભાઈ મોલિયા(ઉં.વ.20) નામના યુવાને રાતે ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારજનો દ્વારા 108ને જાણ કરવામાં આવી હતી. જોકે 108 સ્થળે પહોંચે તે પૂર્વે જ યુવાનનું મોત થયું હતું. બનાવ અંગે 108ની ટીમ દ્વારા માલવિયાનગર પોલીસને જાણ કરતા હેડ કોન્સ્ટેબલ એ.વી.ચાવડા સહિતનો સ્ટાફ હોસ્પિટલ ખાતે પીએમ રૂમે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં, અવિનાશ તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. અવિનાશની મોટી બહેનના લગ્ન થઇ ચૂકેલા છે. પોતે આત્મીય કોલેજમાં બી.ટેક. એન્જિનિયરિંગનો ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. હાલમાં તેને એન્જિનિયરિંગની બીજા સેમની પરીક્ષા શરૂ હતી. બીજા સેમનું બીજું જ પેપર નબળું ગયું હોવાની યુવકે બપોરે જ તેના માતા-પિતા સમક્ષ વાત પણ કરી હતી. યુવકના પિતા હરસુખભાઈ પોતે સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં કારખાનું ધરાવે છે. દંપતી સાંજના સમયે સત્સંગ માટે સ્વામિનારાયણ મંદિરે ગયા હતા. પુત્રને સાથે આવવા માટે જણાવતા તેણે વાચવાનું હોવાનું કહી સાથે આવવાની ના કહી દીધી હતી. પાછળથી યુવકે ઘરના હોલમાં જ ગ્રીલ સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ લેતા ઘરે આવ્યા બાદ પુત્રને લટકતો જોઈ માતા-પિતા બંને સ્તબ્ધ થઇ ગયા હતા.
સન્ડે બિગ સ્ટોરી:રાજકોટની 28 બેંકના ખાતામાં પડ્યા છે 139.20 કરોડ રૂપિયા, કોઈ દાવેદાર નથી!
રાજકોટ સહિત દેશભરની બેંકમાં કરોડો રૂપિયાની બિનવારસી જમા રકમ (અનક્લેમ્ડ ડિપોઝિટ) પડી છે, જેનો ઘણાં વર્ષોથી બેંક પાસે કોઈ દાવો કરવા માટે આવ્યું નથી. એટલે કે, આ બેંક ખાતાઓ નિષ્ક્રિય થઈ ચૂક્યા છે અને તેમની સંખ્યા સેંકડોમાં છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) હવે આ પ્રકારની અનક્લેમ્ડ ડિપોઝિટને તેમના અસલ કાયદાકીય વારસદારને સોંપવા માટે દરેક જિલ્લામાં અભિયાન (કેમ્પન) યોજવાની યોજના બનાવી છે. રાજકોટની જુદી જુદી 20 બેંકના 3.57 લાખ ખાતામાં પડ્યા છે 139 કરોડ રૂપિયા, જેનું કોઈ દાવેદાર નથી! જેમાં સૌથી વધુ બેંક ઓફ બરોડામાં 33.50 કરોડ અને SBIમાં 31.78 કરોડ રૂપિયા પડ્યા છે. સૌથી વધુ નિષ્ક્રિય ખાતા અને રકમ ધરાવતી ટોપ-10 બેંક ભાસ્કર એક્સપર્ટનાણા મંત્રાલયે 565 ખાતેદારને 4.22 કરોડની રકમ પરત અપાવીભારત સરકારના નાણા મંત્રાલયના માર્ગદર્શનમાં સમગ્ર ભારતમાં ‘તમારી મૂડી તમારા અધિકારો’ અભિયાનનું અમલીકરણ થઈ રહ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ બેંકો, વીમા સંસ્થાઓ અને અન્ય નાણાકીય સંસ્થાઓમાં રહેલી વર્ષોથી અન્ક્લેમ્ડ/અપ્રમાણિત મૂડીને જનતાની માલિકીની મૂડી તરીકે ફરી સક્રિય (ચેતનવંત) કરી તેમને પરત આપવાનો છે. રાજકોટ જિલ્લામાં લીડ બેંક SBI દ્વારા રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન હોલ ખાતે વિશાળ અભિયાન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં 565 ખાતેદારનેકુલ રૂ.4.22 કરોડની રકમ વિવિધ બેંકો દ્વારા પરત/સેટલ કરાઇ હતી. એલ.આઇ.સી. દ્વારા રૂ.9.65 લાખની રકમ સીધી જ લાભાર્થીઓને પરત કરાઇ હતી. રાજકોટ જિલ્લામાં અન્ક્લેમ્ડ ડિપોઝિટ શોધ, સેટલમેન્ટની દૃષ્ટિએ એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે. > સંજય મેહતા, ફાઈનાન્સિયલ લિટરેસી કાઉન્સેલર, લીડ બેંક
આગામી તા.8 અને 9 જાન્યુઆરીએ રાજકોટ ખાતે યોજાનાર સૌરાષ્ટ્ર રીજન માટેની વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. શનિવારે રાજ્યના ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સ વિભાગની પ્રિન્સિપલ સેક્રેટરી મમતા વર્માએ કોન્ફરન્સ સ્થળ મારવાડી કેમ્પસ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ 100 જેટલા ઉદ્યોગ સંગઠનોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી ઓપનિંગ સેરેમની સહિતના આયોજનની સમીક્ષા કરી હતી. મહત્ત્વનું છે કે, રાજકોટ ખાતે યોજાનાર સમિટમાં દેશના ટોચના ઉદ્યોગપતિ હાજરી આપશે. વડોદરા એન્જિનિયરિંગ, એજ્યુકેશન ખાતે યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સમાં સિરામિક્સ, એન્જિનિયરિંગ, પોર્ટ્સ અને લોજિસ્ટિક્સ, ફિશરીઝ, પેટ્રોકેમિકલ્સ, કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ, મિનરલ્સ જેવા ક્ષેત્રોમાંથી સૌથી વધુ રોકાણની શક્યતા જોવાઈ રહી છે અને આ કોન્ફરન્સમાં જાપાન અને કેનેડાના ડેલિગેશનની સાથે દેશના ટોચના ઉદ્યોગપતિઓ પણ હાજર રહેશે. શનિવારે પ્રિન્સિપલ સેક્રેટરી મમતા વર્માએ મારવાડી યુનિવર્સિટી ખાતે સૌરાષ્ટ્રના 100 જેટલા ઉદ્યોગ સંગઠનના પ્રતિનિધિઓ સાથે બેઠક પણ યોજી હતી.મહત્ત્વનું છે કે, મહેસાણા ખાતે યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સમાં રૂ.3.24 લાખ કરોડના રોકાણ માટેના એમઓયુ સાઈન કરવામાં આવ્યા હતા. રાજ્યમાં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સની તારીખ
રાજકોટ મહાનગરપાલિકાએ બે મહિના પહેલાં જ નાણાવટી ચોકથી રામેશ્વર મેઈન રોડ સુધી અંદાજે બે કિલોમીટરનો નવો નક્કોર રોડ લોકોની સુવિધા માટે બનાવી આપ્યો છે. સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન આ રોડના કુલ 28 મેનહોલમાંથી 13 મેનહોલ ખુલ્લા રાખી દેવામાં આવ્યા છે. 7 મેનહોલમાં પાણા અને પેવર બ્લોકના કટકા ખડકી દેવામાં આવ્યા છે. જ્યારે 5 મેનહોલનું જ સિમેન્ટ પાથરીને લેવલિંગ કરવામાં આવ્યું છે. નવો રોડ બનતા વાહનની સ્પીડ થોડી વધારે રહે તે સ્વાભાવિક છે. આ રોડ પર સવારે અને સાંજે સૌથી વધુ મહિલાઓ ઘરવખરીની ચીજ વસ્તુઓની ખરીદી કરવા ટૂ વ્હિલર લઈને આવે છે ત્યારે આ રોડ કોઇ જીવલેણ અકસ્માત સર્જે તે પહેલાં ખુલ્લા અને પાણા ખડકી દેવાયેલા ડ્રેનેજના મેનહોલ તેમજ પાણીની વાલ્વ ચેમ્બરનું સમારકામ કરવું જરૂરી છે, અન્યથા શું થઈ શકે તે મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સારી રીતે જાણે છે. લત્તાવાસીઓની વ્યથાકોર્પોરેટર, કોર્પોરેશનને ફરિયાદ કરી તો કહ્યું, ‘ચિંતા ન કરો, તમારું કામ થઈ જશે’રામેશ્વર ચોકમાં જ દુકાન ધરાવતા સુનિલભાઈ ચૌહાણે નવા નક્કોર રોડ પર જે જીવલેણ મેનહોલ છે તે સંદર્ભે મહાનગરપાલિકાને આજથી 20 દિવસ પહેલાં ઓનલાઈન ફરિયાદ કરી હતી અને વોર્ડ નં.9ના કોર્પોરેટર જીતુ કાત્રોડિયાને રૂબરૂ બોલાવીને, ખાડા દેખાડીને રજૂઆત કરી હતી બંને જગ્યાએથી એક જ જવાબ આવ્યો કે ચિંતા ન કરો, કામ થઈ જશે. સુનિલભાઈએ કહ્યું હતું કે, છેલ્લા 15 દિવસમાં આ ચોકમાં ખાડાને કારણે અકસ્માતની પાંચ ઘટના બની છે સદનસીબે કોઇ ગંભીર રીતે ઘાયલ થયું નથી, પરંતુ વાહનને ખાસ્સું એવું નુકસાન થયું હતું. ભાસ્કર ઇનસાઇડટેન્ડર તૈયાર કરનાર વોર્ડ એન્જિનિયરની આળસુ વૃત્તિ આ ખાડાનું કારણ બની !જ્યારે કોઇ રોડ નવેસરથી બનાવવાનો આવે ત્યારે બધાને એ ખબર હોય છે કે રસ્તા પરના મેનહોલ ઊંડા જશે અને લેવલ કરવા પડશે. જે રોડ બનાવવા માટે રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટ આવી હોય તેના ટેન્ડરમાં જ મેનહોલ લેવલ કરવાની પણ શરત નાખી દેવાની હોય છે. પણ, કોપી પેસ્ટના ટેવાયેલા વોર્ડ એન્જિનિયર એવો કોઇ ફેરફાર કરતા નથી જેથી રોડ બની ગયા બાદ આ મેનહોલ ઉંચા કરવાનું કામ ઝોનલ કોન્ટ્રાક્ટર પાસે કરાવે છે જેનો ખર્ચ પણ મનપા ભોગવે અને કોન્ટ્રાક્ટર મનમુજબ કામ કરે એટલે બે મહિનાથી આ ખાડા યથાવત્ છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલના ટીબી વોર્ડમાં દાખલ પ્રૌઢ દર્દી તા.2ના ભેદી સંજોગોમાં દાઝી ગયા હતા, જેમનું તા.5ના સારવાર દરમિયાન મૃત્યું થયું હતું. ટીબીના દર્દી રાત્રિના બીડી પીતી વખતે દાઝી ગયાની ડોક્ટરે પોલીસમાં નોંધ કરાવી હતી. દર્દીનું મૃત્યુ થયા બાદ પોસ્ટમોર્ટમ કરાવવું ફરજિયાત હોવા છતાં પોલીસે પીએમ કરાવ્યા વગર મૃતદેહ સ્વજનોને સોંપી દીધો હતો. બીડી પીતા નહીં પરંતુ કોઇ ઇલેક્ટ્રિક સ્પાર્કથી દર્દી દાઝ્યાની દૃઢ શંકા સેવાઇ રહી છે ત્યારે હોસ્પિટલ તંત્રએ ખોટી સ્ટોરી ઊભી કરી અને પોલીસે પણ તેમાં મદદગારી કરી પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર મૃતદેહને બારોબાર મોકલી દેવાતા અનેક સવાલો ઉઠ્યા છે. મોરબીમાં રહેતા કાકુભાઇ કરશનભાઇ નામના 65 વર્ષના પ્રૌઢને ગત તા.28 નવેમ્બરના રાજકોટની સિવિલ હોસ્પિટલના ટીબી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગત તા.2 ડિસેમ્બરના બપોરે 1.05 વાગ્યે હોસ્પિટલના ડોક્ટર આઇ આદિત્ય નાયડુએ હોસ્પિટલ પોલીસ ચોકીમાં જાણ કરી હતી કે, તા.2ની રાત્રિના 3 વાગ્યે દર્દી કાકુભાઇ પોતાના બેડ પર બીડી પીતા આકસ્મિક દાઝી ગયા છે, તેમજ તા.5ના બપોરે 4.20 વાગ્યે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. પોલીસે પણ ડોક્ટરે કરેલી જાહેરાતની નોંધ કરી હતી અને પોલીસે એવી પણ નોંધ કરી હતી કે, મૃતકના વાલીવારસ પોસ્ટમોર્ટમ કરાવવા માગતાં ન હોય જેથી પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું નથી. કાયદા મુજબ કોઇપણ ઉંમરની વ્યક્તિ કોઇ પણ રીતે દાઝી ગઇ હોય અને તેનું મૃત્યુ થાય તો પોસ્ટમોર્ટમ કરાવવું ફરજિયાત છે, પરંતુ પોલીસે આ કિસ્સામાં કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું. આ મામલે દિવ્ય ભાસ્કરની ટીમે તપાસ કરતાં અનેક શંકાસ્પદ વિગતો બહાર આવી હતી. દિવ્ય ભાસ્કરની ટીમે આગની ઘટના અંગે હોસ્પિટલના વિવિધ કર્મચારીઓ સાથે વાતચીત કરી તો જાણવા મળ્યું કે, તા.2ની રાત્રિના પ્રૌઢ દર્દી કાકુભાઇ દાઝ્યા હતા જેની જાણ થતાં હોસ્પિટલનો ફાયર સ્ટાફ વોર્ડમાં પહોંચ્યો હતો. ફાયર એક્સ્ટિંગ્યુસરનો ઉપયોગ કરી આગ બુઝાવવામાં આવી હતી, દર્દીને ઓક્સિજન અપાતું હોવાથી તેમના ચહેરા પર માસ્ક લગાવવામાં આવ્યું હતું અને આગને કારણે માસ્ક સળગ્યું હતું, ફાયર સ્ટાફે આ મામલે તબીબી અધિક્ષકને રિપોર્ટ આપ્યો હતો તેમાં પણ સ્પાર્ક થવાથી આગ લાગ્યાની શંકા દર્શાવવામાં આવી છે. ટીબીના પ્રૌઢ દર્દી કાકુભાઇને ઓક્સિજન આપવામાં આવી રહ્યો હતો અને ચહેરા પર માસ્ક લગાવાયું હતું તો તે બીડી કેવી રીતે પી શકે? આ અંગે હોસ્પિટલના જવાબદાર અધિકારીઓને પૂછતાં તેમણે આગ કેવી રીતે લાગી તે અંગે અજાણ હોવાનું રટણ રટ્યું હતું. હોસ્પિટલના જ ફાયર સ્ટાફે સ્પાર્કથી આગ લાગ્યાનું કારણ હોવાની શંકા વ્યક્ત કરી છે ત્યારે બીડી પીતા દાઝી જવાની ઘટના બની હોય તેવું કોઇના ધ્યાને નથી, આમ છતાં મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ પણ કરાવવામાં આવ્યું નથી. હોસ્પિટલમાં કોઇ કારણસર સ્પાર્ક થતાં ઓક્સિજન પર રહેલા દર્દી કાકુભાઇ દાઝી ગયા હતા, પરંતુ હોસ્પિટલની લાપરવાહી છુપાવવા બીડી પીતા દાઝી ગયાની સ્ટોરી ઊભી કરી પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર લાશની બારોબાર અંતિમવિધિ કરી દેવાયાની પણ હોસ્પિટલ કેમ્પસમાં ભારે ચર્ચા ચાલી રહી છે, આ મામલે ડોક્ટર અને પોલીસ બંનેની ભુૂમિકા સામે અનેક સવાલો ઉઠ્યા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ તપાસ કરે તો કોરોના વખતે રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં બનેલા અગ્નિકાંડ જેવી જ ઘટના બહાર આવશે તેવો પણ નિર્દેશ મળી રહ્યો છે. સૌથી મોટી શંકા ઉપજાવતો મુદ્દાઓ 1) દર્દી ઓક્સિજન પર હતા અને ચહેરા પર માસ્ક હતું તો તે બીડી કેવી રીતે પી શકે?. 2) બીડી પીતા જ દાઝ્યા હતા તો અન્ય કોઇ દર્દી કે તેના સંબંધીએએ તેમને તે સ્થિતિમાં જોયા હતા? 3) ટીબીના દર્દી વોર્ડમાં બીડી પીતા હતા તો વોર્ડના સ્ટાફે તેમને શા માટે ન અટકાવ્યા? 4) દર્દી બીડી પીતા હતા ત્યારે વોર્ડનો સ્ટાફ ક્યાં હતો? 5) પ્રૌઢ વોર્ડમાં દાઝ્યા હતા, પોલીસમાં જાણ કરાઇ હતી તો પોસ્ટમોર્ટમ શા માટે ના કરાવાયું? 6) પોલીસે ક્યા કારણોસર કાયદાનું ઉલ્લંઘન કર્યું? શંકા ઉપજાવતા મુદ્દાઓ
આવતીકાલથી નવી સિરીઝ 'ગ્લોબલ ગુજરાતી':વિદેશમાં રહીને ભારત ને ગુજરાતનું નામ રોશન કરનારાંની સંઘર્ષ કથા
કર્મભૂમિ દુનિયાનો ગમે તે દેશ હોય, પરંતુ જન્મભૂમિ ગુજરાતને ગુજરાતીઓ ક્યારેય ભૂલતા નથી. તેઓ માત્ર પોતાનું જ નહીં, પરંતુ દેશ ને પોતાના રાજ્યનું હંમેશાં વિચારતા હોય છે. આવા જ કેટલાંક વિદેશમાં વસતા ગુજરાતીઓની સિરીઝ 'ગ્લોબલ ગુજરાતી' દિવ્ય ભાસ્કર એપ પર સોમવારથી શરૂ થઈ રહી છે. આ સિરીઝમાં આપણે વિદેશમાં વસતા ગુજરાતીઓએ કેવા કેવા મુશ્કેલ સમયમાં પણ હિંમત હાર્યા વગર સામનો કર્યો. સાઉથ આફ્રિકામાં રહેતા મુકેશ પટેલે કેવી રીતે દવાઓનું સામ્રાજ્ય ઊભું કર્યું કે પછી અમેરિકામાં પાટીદારની દીકરી બે વર્ષ પથારીવશ રહ્યા બાદ નિરાશ થયા વગર ફરીથી સફળતા મેળવે છે તો ગાંધીનગરમાં ઇન્ફોસિટીનો પ્રોજેક્ટ પૂરો કરીને ગુજરાતને આઇટી ક્ષેત્રમાં આગળ લાવનારા દિલીપ બારોટને તો કેમના ભૂલાય. માત્ર 16-17 વર્ષની વયે સામાન્ય પરિવારનો દીકરો શ્યામલ પટેલ અમેરિકા જાય છે અને ત્યાં બબ્બેવાર ફ્રોડનો ભોગ બને છે પણ આજે પોતાની ફાર્માસિસ્ટ કંપની ચલાવે છે. ઓસ્ટ્રેલિયામાં પ્રિન્ટિંગ ફિલ્ડમાં જેનો દબદબો છે તેવા રમેશ પટેલ કેવી રીતે માભોમની સેવા કરે છે. 'ગ્લોબલ ગુજરાતી' માત્ર સંઘર્ષની વાત નથી કરતું પણ એક ગુજરાતી ધારે તો ગમે તેવી મુશ્કેલીઓને પછડાટ આપીને કેવી રીતે સફળતા મેળવે છે તેની વાત કરે છે. યુવાઓને જીવનનું ભાથું આપે છે અને તેમની સલાહને માનીએ વાંચવા-જોવાનું ચૂકશો નહીં સોમવારથી દરરોજ સવારે 6 વાગ્યાથી આખો દિવસ દિવ્ય ભાસ્કર એપ પર, 'ગ્લોબલ ગુજરાતી' સિરીઝ..
મહિલા સાથે ઠગાઈ:મહિલાએ ઓનલાઈન મગાવેલા રીંગણ પરત કરવા જતાં રૂ.87 હજાર ગુમાવ્યા
ચાંદખેડામાં રહેતી મહિલાએ ઓનલાઈન રીંગણ મંગાવ્યા હતા, જેમાં નાની સાઈઝના બદલે મોટા રીંગણ આવતા તેને પાછા આપી પૈસા પરત લેવા લેવા જતા 87 હજાર ગુમાવવાનો વારો આવ્યો છે. રીંગણના રૂ.24 પાછા આપવા માટે સાઈબર ગઠિયાએ એપીકે ફાઈલ મોકલી ડાઉનલોડ કરાવી હતી. આ અંગે મહિલાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ચાંદખેડાની 53 વર્ષીય મહિલાએ 1 જુલાઈ ઝેપ્ટો પરથી શાકભાજીનો ઓર્ડર કર્યો હતો. ડિલિવરી બોયએ પાર્સલ આપતા તેમાં નાના રીંગણના બદલે મોટી રીંગણ આવી જતાં તેને બદલવાની વાત કરી હતી. જો કે ડિલિવરી બોયે તે શક્ય ન હોવાનું કહીને કસ્ટમર કેરનો સંપર્ક કરવા કહ્યું હતું. ડિલિવરી બોય પાસે નંબર ન હોઈ મહિલાએ ઈન્ટરનેટ પરથી નંબર શોધીને ફોન કરતા સામેથી કંપનીમાંથી બોલતા હોવાનું કહીને ગઠિયાએ વિશ્વાસ કેળવ્યો હતો. ગઠિયાએ મહિલાની વિગતો મેળવ્યા બાદ તેમને રીંગણના રૂ. 24 રિફંડ મોકલી આપ્યાનું કહીને એક એપીકે ફાઈલ મોકલી આપી હતી, જેને ઈન્સ્ટોલ કરવાથી રિફંડ ઓટોમેટિક મળી જશે તેમ કહ્યું હતું. મહિલાએ ફાઈલ ઈન્સ્ટોલ કરતા જ ગઠિયાએ ફોન હેક કરીને તેમની બેંકની એપમાં જઈને 3 ખાતાના પિન નંબર મેળવીને મિનિટોમાં જ રૂ. 87 હજાર ઉપાડી લીધા હતા. નાને બદલે મોટા રીંગણ આવી ગયાં હતાં - મહિલાએ ઝેપ્ટો પરથી નાના રીંગણનો ઓર્ડર કર્યો હતો. - ભૂલથી મોટા રીંગણ પહોંચતા પાછા આપવા કસ્ટમર કેર નંબર શોધ્યો. - ગૂગલ પરથી મળેલો નંબર નીકળ્યો અને ગઠિયા ભટકાઈ ગયા. - ગઠિયાએ 24 રૂપિયા રિફંડની આડમાં એપીકે ફાઇલ ડાઉનલોડ કરાવી. - એપીકે ફાઈલ ઇન્સ્ટોલ કરતા ફોન હેક થયો, અને ગઠિયાને એક્સેસ મળ્યો. - આરોપીએ 3 બેંક ખાતાના પિન નંબર રીડ કરી 87 હજાર ઉપાડી લીધા.
દેશની સૌથી મોટી એરલાઇન્સ કંપની ઈન્ડિગો હાલમાં સૌથી મોટા ક્રાઈસીસમાંથી પસાર થઈ રહી છે. નવા પાયલટ રુલ્સના કારણે 2 હજારથી પણ વધારે ફ્લાઈટ્સ કેન્સલ થઈ છે લાખો મુસાફરો દેશના અલગ અલગ એરપોર્ટ પર રઝળી રહ્યા છે. આ બધું પણ એવા સમયે થઈ રહ્યું છે વિન્ટર હોલિડે સેશનમાં આ સમય પર ફ્લાઈટ્સનો ટ્રાફીક વધુ હોય છે. સોશિયલ મીડિયામાં પેસેન્જરોના આક્રોશિત કરતા વીડિયો સતત સામે આવી રહ્યા છે. આખરે આ બધું અચાનક કેમ ઊભું થયું? કોના કારણે એરપોર્ટ પર રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન જેવી હાલત થઈ? મુસાફરો કેવી રીતે પરેશાન થઈ રહ્યા છે? એરપોર્ટ પર ઈન્ડિગોના સ્ટાફ દ્વારા પેસેન્જરોને શું જવાબ આપવામાં આવી રહ્યા છે? આ તમામ સવાલોના જવાબ જાણવા ભાસ્કરની ગુજરાતના સૌથી મોટા એવા અમદાવાદના એરપોર્ટ પર પહોંચી છે. આજના ગ્રાઉન્ડ રિપોર્ટમાં આ તમામ સવાલના જવાબ જાણીશું અને પેસેન્જરોને પડતી હાલાકી અને ક્યારે સ્થિતિ સામાન્ય થશે તે પણ જાણીશું... દેશની સૌથી ભરોસાપાત્ર એરલાઈન્સ કંપની ઈન્ડિગો છેલ્લા કેટલાક દિવસથી પોતાનો ભરોસો ખોઈ બેઠી છે. છેલ્લા પાંચ-છ દિવસમાં દેશના અલગ અલગ એરપોર્ટ પર 2 હજાર કરતાં પણ વધારે ફ્લાઈટ્સ રદ્ થતા એરપોર્ટની હાલત રેલવે સ્ટેશન જેવી થઈ ગઈ છે. ભાસ્કરની ટીમ અમદાવાદના ડોમેસ્ટીક એરપોર્ટ પર પહોંચી તો અહીં પહોંચતા સ્થિતિ તો સામાન્ય જણાતી હતી પરંતુ ટર્મિનલના ગેટ નંબર 5ની પાસે આવેલા ઈન્ડિગોના ટિકિટ કાઉન્ટર પર લોકો હોબાળો કરી રહ્યા હતા. બાજુમાં એર ઈન્ડિયાનું કાઉન્ટર હતું ત્યાં એકદમ સન્નાટો હતો. એરપોર્ટની અંદર ઈન્ડિગોના પેસેન્જરોને જતા અટકાવવામાં આવી રહ્યા હતા. કોઈપણ ઈન્ડિગોનું પેસેન્જર આવે તો તેમને બહાર ઊભા કરી દેવાતા હતા. અહીં કેટલાક પેસેન્જરો સાથે અમારી ટીમે વાતચીત કરી તો ઘણા લોકોએ પોતાની વ્યથા ઠાલવી. કોઈને પરીક્ષા માટે બેંગ્લુરુ પહોંચવું હતું, કોઈને વિદેશ જવાની કનેક્ટીંગ ફ્લાઈટ્સ મુંબઈથી પકડવાની હતી, કોઈને હોસ્પિટલ પહોંચવાનું હતું, કોઈને લગ્નમાં જવાનું હતું તો કોઈ કપલને હનીમુન કરવા જવાનું હતું.... આવી અલગ અલગ વ્યથા ઠાલવતા મુસાફરો અમને અમદાવાદ એરપોર્ટ પર મળ્યા. ભાસ્કરની ટીમ પાંચ નંબરના ગેટ પર પહોંચી તો કોલકાતાના રહેવાસી બે લોકો અમને મળ્યા. અમે તેમની સાથે વાતચીત કરી તો તેમની હાલત રડવા જેવી થઈ ગઈ હતી.કોલકાતાના આશિષ ઝાએ અમને જણાવ્યું કે, હું મારા બિઝનેસના કામથી ગયા રવિવારનો કોલકાતાથી સુરત આવ્યો હતો. મારે બપોરે 1:00 વાગ્યાની સુરતથી કોલકાતાની ફ્લાઈટ હતી. એરપોર્ટ પર પહોંચ્યા તો ખબર પડી કે ફ્લાઇટ ડીલે છે થોડી વાર લાગશે. અમે ઘણી રાહ જોઈ કોઈ જવાબ ના આપતાં છેલ્લે અમે અને અમારી સાથે અન્ય લોકોએ હોબાળો મચાવ્યો. બાદમાં વિડીયો બનાવવા લાગ્યા અને તે વિડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં તે લોકોએ અમને એક કેબ કરી આપી. સુરતથી અમદાવાદ માટે અને કહ્યું કે તમને અમદાવાદ એરપોર્ટ પરથી કોલકાતા જવાની ફ્લાઈટ મળી જશે. અમે ના પાડી કે અમે અમદાવાદ નહીં જઈએ. અમે અહીં સુરતથી જ કોલકત્તા જઈશું. પરંતુ તેમણે કહ્યું કે, અહીંથી કોલકાતા જવું કોઈ પણ સંજોગોમાં શક્ય નથી એટલે અમે તમને અહીંથી જ અમદાવાદનો બોર્ડિંગ પાસ ઇસ્યુ કરીએ છીએ. આ બોર્ડિંગ પાસ અમદાવાદ થી કોલકાતા જતી 10:30 વાગ્યાની ફ્લાઈટનો છે. તમે ત્યાં અમદાવાદ એરપોર્ટ પર આ બોર્ડિંગ પાસ બતાવજો જેથી રાતની જે ફ્લાઈટ હશે તેમાં તમને કોલકત્તા મોકલી આપશે. અમે ચાર પાંચ વાગ્યાની વચ્ચે સુરતથી અમદાવાદ આવવા માટે નીકળ્યા. જેવા અમે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા અને આ બોર્ડિંગ પાસ ક્યારના અમે બતાવતા હતા પરંતુ અમને અંદર એન્ટ્રી જ આપવામાં ન આવી. સવારના ભૂખ્યા તરસ્યા અમે એરપોર્ટ પર આમ તેમ રઝળી રહ્યા છીએ. પરંતુ અમારા ઘરે જવાના કોઈ જ ઠેકાણા નથી. મારી પત્ની બીમાર છે તેને હોસ્પિટલ લઈ જવાની છે. મારું કોલકાતા ઘરે પહોંચવું ખૂબ જ જરૂરી છે, પરંતુ આ લોકો મારું સાંભળતા નથી અન્ય ફ્લાઈટનો હું ઓપ્શન જોઉં છું તો ત્યાં રેટ એટલા બધા બતાવે છે કે જે હું એફોર્ડ કરી શકું તેમ નથી. હવે અમે શું કરીએ અમને કંઈ જ ખબર નથી પડતી. બે પેસન્જરો ઈન્ડિગોના કાઉન્ટરની અંદર હતા. જેમણે જણાવ્યું કે, તેમણે ઈન્ડિગો એરલાઈન્સ પર આરોપ લગાવ્યો કે, એક ફ્લાઈટ ફક્ત આઠ પેસેન્જરોને લઈને બેંગ્લોર પહોંચી ગઈ છે. અમારા જેવા બોર્ડિંગ પાસવાળા 45 પેસેન્જરો છે પરંતુ ફક્ત 8 પેસેન્જરોને ફ્લાઈટમાં બેસાડવામાં આવ્યા. આ ફ્લાઈટનો વીડિયો પણ અમારી પાસે છે જ્યારે આ ફ્લાઈટ નીકળી ત્યારે અમે ત્યાં બહાર જ ઊભા હતા અમારી સામે પેસેન્જર ભર્યા વગરની ખાલી ફ્લાઈટ ફક્ત 8 પેસેન્જરોને લઈને ઉપડી ગઈ. અત્યારે આ લોકો બરાબર જવાબ આપતા નથી. અમે અન્ય એક પેસેન્જરને મળ્યા જે ખૂબ જ ચિંતામાં હતા. તેમણે તેમનું નામ આદિત્ય પાઠક જણાવ્યું અને અને કહ્યું કે, હું અમદાવાદમાં રહું છું. બેંગ્લુરૂમાં એમબીએ ફાઇનાન્સનો અભ્યાસ કરું છું. ત્યાં મારી છેલ્લા સેમેસ્ટરની એક અગત્યની પરીક્ષા છે. સવારે આઠ વાગ્યાની મારી અમદાવાદથી બેંગ્લુરૂની ફ્લાઈટ હતી. સવારે અહીં પહોંચ્યા તો ખબર પડી કે ફ્લાઇટ ડીલે છે ડીલે કરતા કરતા બપોર થઈ ગઈ સાંજ પડી ગઈ અને છેલ્લે એવી ખબર પડી કે ફ્લાઇટ જ કેન્સલ છે. જો હું આ પરીક્ષા નહીં આપું હું ગેરહાજર રહીશ તો મારું આખું વર્ષ બગડશે તેનું જવાબદાર કોણ? અત્યારે ઈન્ડિગો વાળા કહી રહ્યા છે કે અમે રિફંડ કરી દઈએ અમારે રિફંડની કોઈ જ જરૂર નથી. તેઓ કહેતો હોય તો થોડા પૈસા અમેં વધારે આપી દઈએ, પરંતુ અમને અમારા સ્થાન ઉપર પહોંચાડે.. મારી પરીક્ષા છે મારું બેંગ્લુરૂ પહોંચવું ખૂબ જ જરૂરી છે. ટ્રેનની સ્થિતિ તમે જાણો છો કે તાત્કાલિક રિઝર્વેશન મળશે નહીં બસમાં જઈશ તો ખબર નહીં ક્યારે પહોંચીશ? હવે હું શું કરું? અમે ઈન્ડિગોના મેનેજમેન્ટ સાથે વાતચીત કરી. ભાસ્કરની ટીમે પૂછ્યું કે, પેસેન્જરોને ઘણી તકલીફ પડી રહી છે. બરાબર જવાબ આપવામાં નથી આપી રહ્યા? તેના માટે ઈન્ડિગો મેનેજમેન્ટ દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તો ઓન કેમેરા ઈન્ડિગોના સ્ટાફે જણાવ્યું કે, અમે તમામ પેસેન્જરોને જવાબ આપવા માટે જ અહીં કાઉન્ટર પર ઊભા છીએ. પેસેન્જરોને રિફન્ડ આપવામાં આવી રહ્યું છે અથવા અલ્ટરનેટીવ ઓપ્શન આપવામાં આવી રહ્યો છે. અમે પૂછ્યું કે, રાત્રે 3-4 વાગ્યે કેટલાક લોકોની મુંબઈથી કે દિલ્હીથી કનેક્ટીંગ ફ્લાઈટ છે, ત્યાંથી તે લોકોને અન્ય દેશમાં જવાનું છે. તેમના માટે શું કરવામાં આવી રહ્યું છે? ત્યારે પણ ઈન્ડિગોના મેનેજમેન્ટે જવાબ આપ્યો કે પેસેન્જરોને અલ્ટરનેટીવ ઓપ્શન આપવામાં આવી રહ્યો છે. આવું બોલતા જ પાછળથી બધા જ પેસેન્જરો બોલવા લાગ્યા કે તમે કોઈ અલ્ટરનેટીવ ઓપ્શન આપ્યો જ નથી. ક્યારના બધા લોકો અહીં છેલ્લા 15-20 કલાકથી ઉભા છે કોઈ વ્યવસ્થા કરી આપી હોત તો અત્યારે આટલી બધી ભીડ ન હોત અહીંયા... અલ્ટરનેટીવ ઓપ્શન એટલે કે અન્ય ફ્લાઈટમાં જવાની વ્યવસ્થા. ઈન્ડિગોનો સ્ટાફ ભલે એમ કહે કે અમે અન્ય વ્યવસ્થા કરી રહ્યા છે પરંતુ હકીકતમાં આવું કંઈજ ગ્રાઉન્ડ પર દેખાતું નથી. બધા જ લોકો હેરાન થઈ રહ્યા છે. કોલકાતાના શહેઝાદ ખાને અમને મળ્યા. તેમણે જણાવ્યું કે, હું દુબઈમાં કામ કરું છું. મેં દુબઈથી કોલકાતાની કનેક્ટીંગ ફ્લાઈટ બુક કરી હતી, જે દુબઈથી અમદાવાદ અને અમદાવાદથી કોલકાતા ઉતારવાની હતી. હું દુબઈથી નીકળ્યો ત્યારે પણ ફ્લાઈટ ડીલે ચાલતી હતી. દુબઈના એરપોર્ટ ઉપર જ મેં 24 કલાક કાઢ્યા. મને ખ્યાલ તો આવી હતો કે અમદાવાદ પહોંચતાં કદાચ કંઈક આવી હાલત ફરી થઈ શકે છે અને અહીં પહોંચ્યો તો એવું જ જોવા મળ્યું. અત્યારે હું સવારનો ખાધા પીધા વગરનો ઊભો છું. મારે કોલકત્તા જવું છે. મારી વાઈફે પુત્રને જન્મ આપ્યો છે. તેને જોવા માટે અને મળવા માટે હું મારી જોબ પરથી ખાસ રજા લઈને બે ચાર દિવસ માટે દુબઈથી કોલકાતા માટે આવ્યો હતો, પરંતુ અહીં આવતા એટલો બધો હેરાન થયો કે, ન પૂછો વાત... જીવનમાં પહેલીવાર ઈન્ડિગોની ફ્લાઈટમાં બેઠો અને પહેલી સવારીમાં જ એટલો ખબર અનુભવ થયો કે બીજી વાર આ ફ્લાઈટમાં બેસવાની ભૂલ નહી કરું. આ લોકો અમને એરપોર્ટની અંદર પણ નથી જવા દેતા, અમે હોબાળો કરીએ તો બે સમોસા અને પાણી બોટલ લાવીને પકડાવી દે છે. જાણે અમે કંઈ ભીખારી છીએ? શું ઈન્ડિગોના 2 સમોસા ખાવા માટે અમે અહીં આવ્યા છીએ? અહીં ચાર્જીંગની કોઈ વ્યવસ્થા નથી. મારો ફોન બંધ થઈ ગયો છે. અન્ય એર લાઈન્સની ટિકિટ જોવું છું તો રેટ એટલા બધા છે કે તે પોસાય તેમ નથી. ઈન્ડિગોના સ્ટાફને કહીને કંઈ મતલબ નથી કારણ કે, છેલ્લા 3-4 દિવસથી આ લોકો પણ બધાને હેન્ડલ કરી રહ્યા છે. અમને ધીરેન પટેલ નામના એક NRI મળ્યા. તેમને અમેરિકાના ડલ્લાસ જવાનું છે. જેના માટે તેમની કનેક્ટીંગ ફ્લાઈટ છે. ધીરેનભાઈ 15 દિવસ માટે તેમના બહેનના લગ્ન માટે આવ્યા હતા. હવે તેમની રજા પૂર્ણ થતાં તેઓ અમેરિકા જવા નીકળ્યા છે. જ્યાં તેઓ જોબ કરે છે. ધીરેન પટેલના જણાવ્યા મુજબ મારી પહેલી ફ્લાઈટ અમદાવાદથી મુંબઈની ઈન્ડિગોની છે. બાદમાં મુંબઈથી ઈસ્તમબુલ અને પછી ત્યાંથી ડલ્લાસની ફ્લાઈટ ટર્કિશ એરલાઇન્સની છે... અહીં ઈન્ડિગોથી અમને જવાબ આપવામાં આવ્યો કે, તમે ટર્કિશ એરલાઇન્સમાં જાણ કરો. તેઓ તમારી વ્યવસ્થા કરી આપશે. અમે ટર્કિશ એરલાઇન્સમાં ફોન કર્યો તો તેમણે અમને કહ્યું કે, અમને ઈન્ડિગો એરલાઈન્સ તરફથી તમારી ફ્લાઈટ કેન્સલેશનની કોઈ જ જાણ કરવામાં નથી આવી એટલે ટર્કિશ એરલાઇન્સવાળા પણ અમે કોઈ જ મદદ કરી શકે તેમ નથી. જો ઈન્ડિગો એરલાઈન્સવાળા ટર્કિશ એરલાઇન્સને જાણ કરે તો તેઓ અમારી મદદ કરી શકે, પરંતુ ઈન્ડિગો એરલાઈન્સ તરફથી કોઈ જ કોમ્યુનિકેશન કરવામાં નથી આવી રહ્યું. ઈન્ડિગો દ્વારા અમને પણ કોઈ મેઈલ કે મેસેજ મળ્યો નથી કે તમારી ડીલે છે કે રદ છે. કમ સે કમ અમને જાણ કરવી જોઈએ ને જેથી કરીને અમે અમારી બીજી કોઈ વ્યવસ્થા કરી શકીએ. અમે અન્ય એક પેસેન્જર વિમલ પ્રજાપતિને મળ્યા તેમણે કહ્યું કે, હું પેરા નેશનલ પ્લેયરનો કોચ છું. દિલ્હીમાં પેરા રાયફલ ચેમ્પિયનશિપ શિપની મેચ છે તો તમે વિચારો કે મારે દિલ્હી પહોંચવું કેટલું જરુરી છે. મારી ફ્લાઈટ સવારે સાડા ચાર વાગ્યાની હતી. બાદમાં તેને 11:15 વાગ્યે રીશિડ્યૂલ કરવામાં આવી. અત્યારે રાત થઈ ગઈ છે પરંતુ ફ્લાઈટ મળશે કે નહીં, તેના કોઈ જ ઠેકાણા દેખાતા નથી. આગામી પેરા ચેમ્પિયનનો વર્લ્ડ કપ થવાનો છે તેના સિલેક્શન માટેની અત્યારે નેશનલ મેચ ચાલી રહી છે એટલે તમે વિચારો કે મારું દિલ્હી પહોંચવું કેટલું જરુરી છે. ગોવા ફરવા જતા 3 કપલ અમને મળ્યા. જેમની સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, અમે બધા ડોક્ટર છીએ અને રાજસ્થાનના ડુંગરપુરથી આવ્યા છીએ. અમે બધા ગોવા ફરવા જઈ રહ્યા છે. અમારામાંથી એક કપલના લગ્ન તો હમણા 4 દિવસ પહેલાં જ થયા છે. અને તેઓ તેમનું હનીમૂન માણવા ગોવા જઈ રહ્યા છે. પરંતુ અમે જ્યારે અહીં અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા તો અમને ખબર પડી કે અમારી ફ્લાઈટ પણ કેન્સલ છે. અમે રાજસ્થાનથી નીકળતી વખતે ઓનલાઈન ચેક કર્યું હતું તો ફ્લાઈટ સમયસર બતાવતી હતી એટલે અમે અહીં આવવા માટે નીકળી ગયા હતા. અત્યારે અમને બસ કે ટ્રેન પણ મળવી મુશ્કેલ છે. ગોવામાં અમે અમારી હોટલ સહિત બધુ બુકીંગ કરી રાખ્યું છે હવે તેના રુપિયા કોણ આપશે? અહીં ફ્લાઈ્ટસનું તો રીફંડ મળી જશે પરંતુ ત્યાં ગોવાના રુપિયા તો અમારા માથે જ પડશે ને.... સમગ્ર પ્રકરણ કેવી રીતે શરુ થયું? ઇન્ડિગો એરલાઈન્સ છેલ્લા કેટલાક અઠવાડિયાથી ફ્લાઇટ વિલંબ અને નાની ટેકનિકલ ખામીઓનો સામનો કરી રહી હતી. એરલાઇન્સ આના માટે ક્યારેક હવામાનને તો ક્યારેક એરપોર્ટને જવાબદાર ગણાવતું હતું. પરંતુ વાસ્તવિક દબાણ ત્યારે શરૂ થયું જ્યારે સરકારે ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન (FDTL) માટે નવા નિયમો લાગુ કર્યા. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ 1 નવેમ્બરના રોજ ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન (FDTL) ના બીજા તબક્કાનો અમલ કર્યો હતો. પ્રથમ તબક્કો 1 જુલાઈથી અમલમાં આવ્યો હતો. જે પાઇલટ્સ અને અન્ય ક્રૂ સભ્યો માટે કાર્ય સંબંધિત નિયમ છે. તેનો મૂળ હેતુ પાઇલટ્સને થાકથી બચાવવાનો હતો. પરંતુ સ્ટાફની કમીનો સામનો કરી રહેલી ઈન્ડિગો એરલાઈન્સ માટે આ નિયમ મુસીબત બની ગયો. FDTL નવા નિયમોમાં પાઇલટ્સ માટે ફરજિયાત આરામની જોગવાઈ કરાઈ હતી. આના પરિણામે મોટી સંખ્યામાં પાઇલટ્સને આરામ પર મૂકવામાં આવ્યા, જ્યારે ઇન્ડિગો પાસે જરૂરી વધારાનો પૂરતો સ્ટાફ નહોતો. જેના કારણે એરલાઇનને ઘણી ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી અને અહીંથી મોટી સમસ્યા શરૂ થઈ. દેશના તમામ મોટા એરપોર્ટ પર હોબાળો વધતો ગયો ત્યારે , નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ એરલાઇન્સ, ખાસ કરીને ઇન્ડિગોને 10 ફેબ્રુઆરી, 2026 સુધી કામચલાઉ રાહત આપી દીધી. પાઈલટ્સને સાપ્તાહિક આરામના બદલે કોઈપણ રજા ન આપવાનો નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો છે. આનાથી પાઇલટ રોટેશન સરળ બનશે અને એરલાઇનમાં થોડી સ્થિરતા આવશે. ઇન્ડિગોનો દાવો છે કે આ નિયમને કારણે પાઇલટ્સ અને અન્ય સ્ટાફની અછત સર્જાઈ હતી અને તેના સમગ્ર ઓપરેશનલ પર અસર પડી આને સુધારવામાં સમય લાગશે.પાઇલટ યુનિયનનો આરોપ છે કે ઇન્ડિગો મેનેજમેન્ટ અગાઉથી જાણતા હોવા છતાં નવા નિયમો માટે તૈયારી કરવામાં નિષ્ફળ ગયું. તેમનો દાવો છે કે વધુ ભરતીઓ થવી જોઈતી હતી, પરંતુ એરલાઇને તેના બદલે સ્ટાફમાં ઘટાડો કર્યો.
ભાસ્કર એનાલિસિસ:વિદ્યાર્થીઓ ન મળતાં સિવિલ, મિકેનિકલની 4158 સીટ રદ
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)માં છેલ્લા 5 વર્ષમાં ડિગ્રી- ડિપ્લોમામાં મિકેનિકલની બેઠકોમાં 2688 અને સિવિલ એન્જિ.માં 1470 બેઠકોનો ઘટાડો થયો છે. જ્યારે કમ્પ્યુટર એન્જિ.માં 2490 બેઠકોનો વધારો થયો છે. આ વર્ષ માટે કોલેજોને બેઠકોમાં વધારો - ઘટાડો કરવાની પ્રક્રિયા પોર્ટલ પર શરૂ કરાઇ છે. આ પહેલા વર્ષ 2025-26માં ડિગ્રી-ડિપ્લોમામાં 390 બેઠકો, 2024-25માં 1306 બેઠકો સરેન્ડર કરાઇ હતી.ડિપ્લોમાં કોલેજમાંથી 2023-24માં સૌથી વધુ 330 બેઠકો રદ્દ કરવા માટે અરજી કરી હતી. છેલ્લા 5 વર્ષમાં ડિગ્રી એન્જિનિયરિંગની સામે ડિપ્લોમામાં સૌથી વધુ બેઠકો સંચાલકોએ જીટીયુમાં સરેન્ડર કરી છે. 2023-24માં ડિપ્લોમા કોલેજોએ 300 સીટ સરેન્ડર કરી હતી. વર્ષમાં ઘટાડેલી બેઠકોની સંખ્યા સિવિલમાં કાર્ટલ સિસ્ટમને કારણે નોકરીમાં મુશ્કેલી મિકેનિકલ એન્જિનિયરિંગ : વિદ્યાર્થીઓને વ્હાઇટ કોલર જોબ પસંદ આવી રહી છે. વિદ્યાર્થીઓ હવે હાર્ડ નહીં સ્માર્ટ વર્કમાં માની રહ્યાં છે. તેમજ આ સ્ટ્રીમમાં નોકરી મેળવવા માટે સંઘર્ષ કરવો પડે છે, તરત નોકરી મળતી નથી. સિવિલ એન્જિનિયરિંગ : સિવિલ એન્જિ.માં કાર્ટલ સિસ્ટમ ચાલે છે તેમજ પગારમાં પણ ઘટાડો થયો છે. જેથી જો કોઇ વિદ્યાર્થી પરિવારનો પહેલો સિવિલ એન્જિનિયર હશે તો તેણે નોકરી માટે સંઘર્ષ કરવો પડશે. તેમજ સરકારી નોકરીઓમાં પણ સિવિલ વર્કની જગ્યા ઓછી રહે છે. - ડો. રાજેન્દ્ર ઉપાધ્યાય, કરિયર કાઉન્સેલર ભાસ્કર નોલેજદેશમાં ITનો સૌથી વધુ 94 ટકા પ્લેસમેન્ટ દરAICTEનાં ઇન્ડિયા સ્કિલ્સ રિપોર્ટ 2025 મુજબ દેશમાં સૌથી વધુ માંગ કમ્પ્યુટર સાયન્સ અને IT ક્ષેત્ર માટે છે. આઇટીનો પ્લેસમેન્ટ દર 94.46% જે સૌથી વધારે છે. જ્યારે કે મિકેનિકલ એન્જિનિયરિંગનો 66.48%, સિવિલ એન્જિનિયરિંગમાં 41.88% પ્લેસમેન્ટ દર નોંધાયો હતો.
સાઇકલયાત્રાનું આયોજન:5થી 14 વર્ષનાં 45 બાળકોની ચોટીલા સુધીની સાઇકલયાત્રા
અડાલજ પાસેના જમિયતપુરા ગામ પાસેના શાર્દૂલ ગુરુકુળ દ્વારા શ્રદ્ધાયાત્રાનું આયોજન કરાયું છે. 5થી 14 વર્ષનાં 45 જેટલાં બાળકોએ શનિવારે જમિયતપુરા ગામથી સાઇકલ યાત્રા શરૂ કરી હતી, જે 12 ડિસેમ્બરે ચોટીલાસ્થિત ચામુંડા માતાજીના મંદિરે પૂર્ણ થશે. બાળકો રોજ 40 કિલોમીટર સાઇકલ ચલાવશે. 7 દિવસીય યાત્રા દરમિયાન માર્ગમાં આવતાં ગામડાંમાં રાત્રિરોકાણ કરાશે. ગામડાંમાં રોકાણ દરમિયાન, બાળકો ગ્રામજનો સાથે ભળી જશે, તેમની સાથે પરંપરાગત રમતો રમશે અને સાંજે પ્રભુભક્તિમાં લીન થઈ ભજન-કીર્તન કરશે. શાર્દૂલ ગુરુકુળ પરંપરાના વ્યવસ્થાપક હિતેશ બી. ચૌહાણના જણાવ્યા અનુસાર, ‘આ યાત્રાનો હેતુ માત્ર એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવાનો નથી, પરંતુ બાળકોમાં સંસ્કારસિંચન, શિસ્ત, શ્રદ્ધા અને સાહસિકતાના ગુણો વિકસાવવાનો છે. આધુનિક યુગમાં બાળકો આપણી મૂળ સંસ્કૃતિ અને ગ્રામીણ જીવનના ધબકારને પ્રત્યક્ષ અનુભવે તે આ યાત્રાનો મુખ્ય ધ્યેય છે.’
RTO ખાતે સર્વરના ધાંધિયા:સર્વર ડાઉન રહેતાં RTOના પોર્ટલ પરથી લર્નિંગ લાઇસન્સ નથી મળતું
આરટીઓના સારથી પોર્ટલ પરથી લોકો લર્નિંગ લાઇસન્સ માટેની ટેસ્ટ આપી શકે છે પણ 3 દિવસથી પોર્ટલ અટકી-અટકીને ચાલતાં રોજ આવતા 200થી 250 લોકોને ધક્કા ખાવા પડ્યા હતા. કામધંધા છોડીને આવતા લોકોને સર્વર ડાઉન રહેવાની સમસ્યાના કારણે હાલાકી ભોગવવી પડે છે. લોકો માટે સુવિધા ઊભી કરવાના નામે માત્ર ફી વધારી દેવાય છે પરંતુ લોકોની હાલાકી ઓછી થતી નથી. આરટીઓમાં વર્ષો જૂની સિસ્ટમ ચાલવાના કારણે સતત સર્વર ડાઉન થવાની સમસ્યા જોવા મળે છે. વાડજના રહીશ 2 ડિસેમ્બરે લર્નિંગ લાઇસન્સ માટે અપોઇન્ટમેન્ટ લેવા ગયા હતા પણ સર્વર ડાઉન રહેતાં 3 ડિસેમ્બરની અપોઈન્ટમેન્ટ અપાઈ હતી. ફરીથી સર્વર ડાઉન રહેતાં ટેસ્ટની કામગીરી થઈ શકી નહોતી. 2 દિવસથી કામધંધો છોડીને આવતા લોકોને પરિવહન વિભાગની સમસ્યાના કારણે મુશ્કેલી સહન કરવી પડે છે. અધિકારીઓ પાસેથી સર્વર ડાઉન રહેવાનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાતું નથી. સમસ્યાનો ગાંધીનગરથી ઉકેલ આવી શકશે એવો જવાબ આપી અધિકારીઓ જવાબદારીમાંથી છટકી જાય છે. મેઈન્ટેનન્સનું કામ ખાનગી કંપનીને સોંપવું જોઈએપૂર્વ આરટીઓ જે. એન. બારેવાડિયાએ કહ્યું કે એનઆઈસી દ્વારા સર્વર ચલાવાતું હોય છે. જોકે સર્વરનું યોગ્ય મેઇન્ટેનન્સ ન થતાં વાંરવાર સમસ્યા સર્જાય છે. સરકારે એનઆઇસી સાથેના કરાર રદ કરીને ખાનગી કંપનીને મેઇન્ટેનન્સની કામગીરી આપવી જોઈએ. જે પણ સરકારી વિભાગમાં સર્વરના મેઇન્ટેનન્સની કામગીરી એનઆઈસીને સોંપવામાં આવે છે તે તમામ જગ્યાએ સર્વર ડાઉન થવાની સમસ્યા રહેતી હોય છે.
વસ્ત્રાલ આરટીઓના ડ્રાઈવિંગ ટેસ્ટમાં એઆઈ અપગ્રેડેશનની કામગીરી થવાના કારણે 11થી 17 ડિસેમ્બર સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેશે. ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર એઆઈ સિસ્ટમ લગાવાયા બાદ વાહનચાલક પાસ છે કે ફેલ તેનું પરિણામ ઓટોમેટિક જનરેટ થશે. અત્યાર સુધી આ કામગીરી મેન્યુઅલી થતી હતી, જેમાં ઈન્સ્પેક્ટર વીડિયો સર્વેલન્સના આધારે અરજદારને પાસ કે ફેલ કરતા હતા. જોકે હવેથી ખાનગી કંપનીને કામગીરી સોંપી એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટનું પરિણામ જાહેર કરાશે. નવી ટેક્નોલોજી અપગ્રેડ થવાના કારણે ઓછા માનવીય હસ્તક્ષેપ સાથે વીડિયો એનાલિટિક ટેસ્ટ કરાશે. જૂની સિસ્ટમમાં ગ્રાઉન્ડ બેઝ્ડ ટેક્નોલોજીનો ઉપયોગ કરી ડ્રાઈવિંગ ટેસ્ટ લેવાય છે. નવી સિસ્ટમમાં એઆઈની સાથે વીડિયો એનાલિટિક ટેક્નોલોજીનો ઉપયોગ કરાશે. આ 7 દિવસની એપોઇન્ટમેન્ટની તારીખો બદલાશેવસ્ત્રાલ આરટીઓમાં સરેરાશ દરરોજ 250 લોકો ડ્રાઈવિંગ ટેસ્ટ માટે આવતા હોય છે. સાત દિવસ સુધી ડ્રાઈવિંગ ટેસ્ટ બંધ રહેશે ત્યારે આ સમયગાળા દરમિયાન એપોઇન્ટમેન્ટ લેનારા લોકોના ડ્રાઇવિંગ ટેસ્ટને રિશિડ્યુલ કરાશે. આવનારા દિવસોમાં કામના કલાકો વધારીને એક્સ્ટ્રા સ્લોટમાં લોકોને અપોઇન્ટમેન્ટ આપી ટેસ્ટ લેવાશે. નવી ટેક્નોલોજીમાં આટલી બાબતોનું ધ્યાન રખાશે - સરેરાશ સ્પીડ, સ્ટાન્ડર્ડ ડિરેક્શન અનુસરાય છે કે નહીં, ફોરવર્ડ અને રિવર્સ મૂવમેન્ટ ટ્રેક કરાશે, ટેસ્ટમાં સ્ટોપેજની સંખ્યા અને સમય મર્યાદા
શકરી તળાવનું આજે લોકાર્પણ:મંદિર હોવાથી શકરી તળાવને પૌરાણિક ઘાટની થીમ અપાઈ
ફર્સ્ટ પર્સનજ્યારે અમે સરખેજના શકરી તળાવનો પ્રથમ સરવે કર્યો ત્યારે તેની હાલત જોઈને ખરેખર ચોંકી ગયા હતા. તળાવની આજુબાજુ દબાણો એટલાં બધાં હતાં કે અમુક જગ્યાએ પહોંચવું મુશ્કેલ હતું. ડેવલપમેન્ટના નામે અહીં કશું જ ન હતું અને તળાવ પોતાની અસલી ઓળખ ગુમાવી રહ્યું હતું. તેથી સૌથી પહેલાં દબાણો દૂર કરવા સૂચવ્યું. સામાન્ય રીતે તળાવ ડેવલપમેન્ટમાં વોકવે, પાળી અને આધુનિક સુવિધાઓ બનાવવામાં આવે છે, પરંતુ આ તળાવ માટે અમારો વિચારો કંઈક જુદા હતા. અહીં આવેલું પ્રાચીન મંદિર અને તેની વાવને હું માત્ર સ્ટ્રક્ચર માનતો નહોતો, તે આ જગ્યાની આધ્યાત્મિક ઓળખ હતી. તેથી અમને વિચાર આવ્યો કે આપણે પૌરાણિક ઘાટોથી પ્રેરિત થીમ પર આ તળાવને ડિઝાઇન કરીએ, જેથી આધુનિકતા વચ્ચે પણ મંદિરનું આધ્યાત્મ જળવાઈ રહે. ડિઝાઇન કરતી વખતે અમે ખાસ ધ્યાન રાખ્યું કે, કોંક્રીટનું જંગલ ન સર્જાય, જેથી આરસીસીની જગ્યાએ બધા જ કિનારા પર હરિયાળી દેખાય તે રીતે તેને ડિઝાઇન કર્યું. > આકાશ પટેલ, પ્રોજેક્ટ ડિઝાઇનર તળાવની ખાસિયત • બે ફેઝમાં ડેવલપમેન્ટ કરાયું • કુલ ક્ષેત્રફળ: 78,858.49 ચો.મી. • ડેવલપમેન્ટ: 34676 ચો.મી. • તળાવ ઊંડું કરી સ્ટોન મશીનરી, ટો-વોલ બનાવાઈ • તળાવની ફરતે 3 ગેટ, 2 ફુવારા • રમતગમતનાં સાધનો • 5500 ચોરસ મીટરમાં બગીચો •વોકવે, પ્લાન્ટેશન એરિયા
સન્ડે બિગ સ્ટોરી:ગોતા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્વિમિંગ પૂલ અને 13થી વધુ રમતોની સુવિધા
ગોતા વોર્ડમાં 43.12 કરોડના ખર્ચે તૈયાર થનારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્વિમિંગ પૂલ સહિત વિવિધ 13થી વધારે રમતો માટેની જગ્યા તૈયાર કરાશે. 18824 ચોરસ મીટર જગ્યામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સાથે વિવિધ રમત માટે કોર્ટ પણ તૈયાર કરાશે. આ વિસ્તારના 5 લાખ કરતાં વધારે નાગરિકોને આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સરળતાથી ઉપયોગી બને તેવી સુવિધા ઉપલબ્ધ હશે. કોમનવેલ્થ કે ઓલિમ્પિક ગેમ માટે જો પ્રેક્ટિસ મેચની જરૂર હોય તો ઇન્ટરનેશનલ કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિવિધ રમતોની સુવિધાથી સજ્જ રીતે મ્યુનિ. બનાવી રહ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ગોતા ખાતે બનાવવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરાશે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 2027માં તૈયાર થઈ જશે. આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ ધરાવતા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્થાનિક નાગરિકોને પણ લાભ મળશે. નાગરિકો અહીં સ્વિમિંગ પૂલ તેમ જ વિવિધ ગેમની કોર્ટનો ઉપયોગ કરી શકશે. આગામી દિવસોમાં ભાડજ ખાતે પણ એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઊભું કરવાની વિચારણા છે, જેથી શહેરમાં વિવિધ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય ગુણવત્તા ધરાવતા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થશે. જે કોમનવેલ્થ કે ઓલિમ્પિક ગેમમાં ઉપયોગી રહેશે. વારદીઠ ભાવમાં 15 હજારનો વધારોઘુમામાં 32471 ચોરસ મીટર જગ્યામાં 54 કરોડના ખર્ચે મિની સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બનાવાશે. નવ વિકસિત વિસ્તારમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્સની સુવિધા શરૂ થયા બાદ સાઉથ બોપલ, શેલા, ઘુમાના 4થી 6 લાખ નાગરિકોને તેનો ફાયદો થશે. જોકે તેની જાહેરાત બાદ વર્ષમાં વાર દીઠ જમીનના ભાવમાં રૂ.15 હજારનો વધારો થયો છે. ગત વર્ષે ઘુમામાં વારદીઠ જમીનનો ભાવ 50 હજાર હતો, જે વધીને 65 હજાર થયો છે. મિની સ્પોર્ટ્સ કોમ્પલેક્સની કામગીરી બે વર્ષમાં પૂરી કરાશે. આટલી રમતો હશે: જિમનેસ્ટિક, મલ્ટીપર્પઝ કોર્ટ, ટેબલ ટેનિસ, સ્ક્વોશિ, જિમ, બાસ્કેટ બોલ, પિકલ બોલ, ફૂટબોલ ગ્રાઉન્ડ, સ્વિમિંગ પૂલ, બોક્સ ક્રિકેટ હશે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં શું શું હશે? •110 ટુવ્હીલર પાર્કિંગ •71 કાર પાર્કિંગ •સ્વિમિંગ પૂલ •ટેનિસ કોર્ટ •બાસ્કેટ બોલ •કબડ્ડી કોર્ટ •રેસ્ટોરાં•આઉટડોર જિમ •બેડમિન્ટનનાં 4 કોર્ટ •વોલીબોલ કોર્ટ •જિમ્નેસ્ટિક કોર્ટ•નેટબોલ કોર્ટ •ઇન્ડોર હોકી કોર્ટ •યોગ માટે હોલ •ટેબલ ટેનિસ કોર્ટ•ક્લામ્બિંગ વોલ •પિકલ બોલ કોર્ટ
ભાસ્કર એક્સક્લુસિવ:પત્નીનું નામ ગુનામાં ન હોવાથી તેનું બેંક ખાતું અનફ્રીઝ કરવા હાઈકોર્ટનો આદેશ
સરકારી અધિકારી પતિ સામે આવક કરતાં વધુની સંપત્તિ હોવાના કેસમાં પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી.પતિ સામે કેસ ચાલી રહ્યો હતો તે દરમિયાન એસીબીએ પત્નીનું બેંક એકાઉન્ટ પણ સીઝ કર્યું હતું. પત્નીએ એસીબીમાં અરજી કરી હતી કે તેના પતિ સાથે તેને વિખવાદ ચાલતો હોવાથી તેણે છૂટાછેડાની અરજી કરી છે, જે પેન્ડિંગ છે, માટે તેનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી શકાય નહિ. એસીબીએ બેંક એકાઉન્ટ અનફ્રીઝ ન કરતા પત્નીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે એસીબી પાસેથી તપાસના કાગળ અને પત્ની તરફથી છૂટાછેડાની અરજીના પેપર જોયા બાદ પત્નીનું બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા આદેશ કર્યો છે. અમદાવાદથી સુરતમાં બદલી કરીને ગયેલા સરકારી અધિકારીની બેનામી સંપત્તિના કેસમાં 2022માં ધરપકડ કરાઈ હતી. એન્ટી કરપ્શન બ્યુરોએ અધિકારીની પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ, 1988 હેઠળ ધરપકડ કરી હતી. તપાસમાં બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાયાં હતાં, જેમાં પત્નીનું બેંક એકાઉન્ટ પણ હતું. આથી પત્નીએ હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે તેના પતિની સામે એસીબીની તપાસ ચાલે છે. તેમાં એસીબી પત્નીનું બેંક એકાઉન્ટ શા માટે ફ્રીઝ કરી દે છે? તપાસ એજન્સી તેમની વચ્ચેના સંબંધો વિશે જાણતી નથી. મનમેળ ન હોવાથી તેઓ 2020થી અલગ રહે છે. પતિ પાસે છૂટાછેડા, ભરણપોષણની અરજી પેન્ડિંગ છે. પત્ની પતિથી અલગ રહેતી હોવાથી તેને પોતાની આવકમાંથી ખર્ચ કરવાના રહે છે. આવા સમયે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરતા તેમને પારાવાર મુશ્કેલી પડી રહી છે.
ગુજરાતની 98.23 લાખ હેક્ટર જમીન ખેતી લાયક છે. વાવણીની ત્રણેય સિઝનમાં ચોમાસાની સિઝનમાં સૌથી વધુ વાવેતર થતું હોય છે. ગત ચોમાસામાં 85.57 લાખ હેક્ટરમાં વાવણીના અંદાજ સામે 84.94 લાખ હેક્ટર જમીનમાં વાવણી થઇ હતી. શિયાળુ સિઝનમાં 46.06 લાખ હેક્ટર જમીનમાં વાવણી થવાનો અંદાજ કૃષિ વિભાગે મુક્યો છે. એટલે કે, ચોમાસું સિઝન કરતાં શિયાળુ સિઝનમાં 38.87 લાખ હેક્ટર સાથે 46% ઓછું વાવેતર થશે. રાજ્યના 207 જળાશયોમાં કુલ 94.11% જળસંગ્રહ પૈકી 92.74% જથ્થો વપરાશ લાયક હોવા છતાં આ સ્થિતિ સર્જાશે. બીજી કારણ પાણીની અછત છે. સુરેન્દ્રનગર, પાટણ અને કચ્છ જેવા સુકા પ્રદેશોમાં હજુ બિન પિયત જમીનનો મોટો હિસ્સો છે. આ વિસ્તારોમાં પાણીની અછતના કારણે ત્રણ પૈકી એક જ સિઝનમાં વાવેતર થાય છે. રાજ્યની 38.69 લાખ હેક્ટર જમીન વરસાદ પર નિર્ભરરાજ્યમાં કુલ 98.23 લાખ હેક્ટર જમીન ખેતી લાયક છે. અત્યાર સુધીમાં સૌથી વધુ 87.24 લાખ હેક્ટરનું વાવેતર વર્ષ 2020 ના ચોમાસામાં થયું હતું. એટલે કે, 10.99 લાખ હેક્ટર જમીન એવી છે કે, જે ક્યારેય ખેડાઇ નથી. બીજી બાજુ સૌથી વધુ 48.54 લાખ હેક્ટરનું શિયાળુ વાવેતર 2025 માં થયું હતું. એટલે કે, આજે પણ 38.69 લાખ હેક્ટર જમીન એવી જ્યાં વરસાદી પાણીથી ખેતી શક્ય છે. ટુંકમાં આજે પણ 39% જમીન પર વરસાદ આધારીત ખેતી થાય છે. અને 11.19% જમીનમાં ખેતી કરી શકાતી નથી. 5 ઝોનમાં જળસંગ્રહની સ્થિતિ
2011 ના પોલીસ હુમલા કેસમાં શિવસેનાના ભૂતપૂર્વ મેયર વિશાખા રાઉત નિર્દોષ જાહેર
નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પુતળા સળગાવવાનો પ્રયાસ એફઆઈઆર દાખલ કરવામાં વિલંબ, ધરપકડની તારીખોમાં, પુરાવામાં તથા અન્ય આંતરિક વિસંગતતાઓને ધ્યાનમાં લેવાઈ મુંબઈ - અહીંની એક વિશેષ કોર્ટે મુંબઈના ભૂતપૂર્વ મેયર અને શિવસેનાના નેતા વિશાખા રાઉત અને કાર્યકર માધુરી માંજરેકરને પોલીસ કોન્સ્ટેબલ પર હુમલાના ૧૪ વર્ષ જૂના કેસમાંથી મુક્ત કર્યા છે. બીજી ડિસેમ્બરના રોજ સાંસદો-ધારાસભ્યોના કેસના વિશેષ ન્યાયાધીશ સત્યનારાયણ નાવંડે દ્વારા આ બંનેને બધા આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:ખેડૂતોની 7/12ની નકલો પરથી બોગસ પરમીટો બનાવી લાખોની કિંમતના ખેરના લાકડાનું વેચાણ
વલસાડ વર્તુળમાં આવતાં વન વિભાગમાં આંતર રાજ્ય ખેરના લાકડાની ચોરીના મસમોટા નેટવર્કનો દિવ્ય ભાસ્કરની તપાસમાં પર્દાફાશ થયો છે. વલસાડ વર્તુળમાં જ 17 વર્ષથી ચિપકેલા આરએફઓ જે.ડી.રાઠોડ અને છેલ્લા 10 વર્ષથી બેઠેલા ફોરેસ્ટરે હેતલ પટેલે લાંબા સમયનો લાભ લઇને આંતર રાજ્ય ખેર ચોરીનું નેટવર્ક ખડકી દીધું છે. દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં ઘણી સ્ફોટક વિગતો બહાર આવી હતી. જેમાં સરકારની નોકરી કરતાં આ કૌભાંડીઓ દ્વારા ખેડૂતોના 7/12ની નકલના આધારે એક જ નકલ પર વારંવાર લાકડા માટે બોગસ પરમીટ બનાવી જંગલોમાંથી ખેરના લાકડાનું આડેધડ કટીંગ કરી તેના વેચાણનું આંતર રાજ્ય રેકેટ ચલાવાતું હોવાની બાબતો પર્દાફાશ થયો છે. આશ્ચર્ય જનક વાત એ છે કે, ફોરેસ્ટર અને આરએફઓની આ કૌભાંડી જોડી છેલ્લા કેટલાય વર્ષોથી વલાસાડ વર્તુળમા જ કોના આર્શિવાદથી ફરજ બજાવે છે ? તે તપાસનો વિષય છે. જોકે હાલમાં તો આ બંને અધિકારીઓને સસ્પેન્ડ કરાયા બાદ તેમની સામે ગાંધીનગરથી તપાસ ચાલી રહી છે. બંને અધિકારીઓ પાસે કરોડોની સંપતિ અને રાજકીય પીઠબળની ચર્ચા વચ્ચે તપાસ ફાઇલમાં બંધ થશે કે પછી મોટા માથાઓ સુધી રેલો આવશે તેના પર સૌની મીટ મંડાયેલી છે. વલસાડ વર્તૃળ અંતર્ગત આવતાં નવસારીના વાંસદા અને ચીખલીના જંગલોમાંથી આંતર રાજ્ય ખેર ચોરીની તસ્કરીની ઘટનામાં જે. ડી. રાઠોડ અને હેતલ પટેલ જ ખેર તસ્કરી માટે તસ્કરોને જે પરમીટ બનાવી આપતાં હતાં તેમાં મોટા પાયે હેરાફેરી કરવામાં આવતી હતી. ગાંધીનગરની ટીમે કરેલી તપાસમાં સપાટી પર આવેલી વિગત અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, ખેડૂતોની 7-12 અને ઉતારાનો ઉપયોગ કરી પરમીટ બનાવ્યા બાદ જંગલનું લાકડું આ પરમીટને આધારે અન્ય રાજ્યોમાં મોકલી દેવામાં આવતું હતું. લાકડાચોરની કોલ ડિટેલમાં કડી મળશેચીખલી ખેર પ્રકરણમાં જેનું નામ આવ્યું છે એ લાકડાચોર અર્જુનના ફોનની કોલ ડિટેલ પણ આખા પ્રકરણ પરથી પડદો ઉઠાવી દે તેમ છે. વાંસદા ચીખલી પંથકમાં તો આ લાકડા ચોર સાથે વનવિભાગના જ જવાબદારની પણ સંડોવણીની ચર્ચા ચાલી રહી છે.આ કોલ ડિટેલમાં પણ વનવિભાગને અંધારામાં રાખી કરાતા ખેલના પાપો છાપરે ચઢીને પોકારશે. ખાતાકીય તપાસે સમગ્ર પ્રકરણની તમામ હકીકતો બહાર આવશેથોડા સમય અગાઉ વનવિભાગ દ્વારા વાંસદા વનવિભાગના એસીએફ તરીકે સાડાત્રણ વર્ષ સુધી જે. ડી. રાઠોડને ચાર્જ આપવામાં આવ્યો હતો. કહેવાય છે કે આ સમયે પણ નિયમ નેવે મૂકી દેવામાં આવ્યા હતાં. અન્ય સિનિયર અધિકારી આરએફઓ હોવા છતાં ખાતાકીય પ્રમોશન લઈને આરએફઓ બનેલા જે. ડી. રાઠોડને એસીએફનો ચાર્જ આપવમાં આવ્યો હતો. જે ચાર્જ દરમિયાન પણ આ પ્રકારની પ્રવૃત્તિ થઈ હતી. આ પ્રકરણમાં એસીબી તપાસ અનિવાર્ય બની છે. વનવિભાગની ખાતાકીય તપાસે સમગ્ર પ્રકરણની તમામ હકીકતો બહાર આવે એવી શક્યતા નહીંવત દેખાઈ રહી છે. ભાસ્કર ઇનસાઇડ નિર્દોષ વેપારીએ જેલમાંથી બહાર આવી ષડયંત્ર ઉઘાડું પાડ્યુંસુત્રોના જણાવ્યાં મુજબ ખેરના લાકડાની તસ્કરી કરતાં એક વેપારીને થોડા સમય અગાઉ બંને અધિકારીઓની ટોળકીએ ખોટા કેસમાં ફસાવી દીધો હતો. પરિણામે જેલમાંથી બહાર આવ્યા બાદ વેપારીએ પણ બદલો લેવા વન વિભાગના નાના કર્મચારીઓ સાથે મળી હેતલ પટેલ અને જે.ડી. રાઠોડનો ખેલ કરવાનું આયોજન કર્યું હતું. ઓફિસમાં સીસીટીવી કેમેરા લગાવ્યા બાદ મેળવેલા પુરાવા મહિલા અધિકારીને આપતા સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું. સરકારના માજી મંત્રીનું નામ આ પ્રકરણમાં ઉછળ્યુંજે.ડી.રાઠોડ છેલ્લાં ઘણા વર્ષોથી એક જ જગ્યા પર ફરજ બજાવતાં હોવાનું સામે આવ્યું છે.સામાન્ય રીતે એક જ જગ્યા પર ત્રણ વર્ષથી વધુ સમય ફરજ બજાવ્યા બાદ તેમની બદલી થતી હોય છે. તસ્કરોના નામો આવ્યા છતાં કાર્યવાહી નહીં. દક્ષિણ ગુજરાતમાંથી લાકડાંની તસ્કરી થતી હોવાછતાં સરકાર દ્વારા આ બાબતે દુર્લક્ષ્ય સેવવામાં આવી રહ્યું છે. જેમાં એક માજી મંત્રીની છત્રછાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બન્ને અધિકારી હાલ સસ્પેન્ડ, કુલ 19થી વધુ લોકોની સંડોવણીઆંતર રાજય ખેર ચોરી પુષ્કળ પ્રમાણમાં થઇ રહી છે.અગાઉના કેસમાં વલસાડ ઉત્તર વન વિભાગે પ્રાપ્ત ખાનગી બાતમી આધારે ગોડથલ ખાતે તપાસ દરમ્યાન અનામત ખેરની છાલ (સોડા) ગેરકાયદેસર રીતે સંગ્રહિત મળ્યું હતું. આ માલને છોલવાની અને ભરવાની કામગીરી પીડવળ વિસ્તારના વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતી હતી અને બાદમાં વાહનો દ્વારા માલ ફરહાન અલી, કેસર ગંજ, ઉત્તર પ્રદેશના ઈસમ દ્વાર ચિપલૂન (મહારાષ્ટ્ર) મોકલવામાં આવતો હતો.આ મામલે વન વિભાગે અતયાર સુધીમાં 19 થી વધુ વ્યક્તિઓની સંડોવણી બહાર આવી છે વધુ તપાસ ચાલી રહી છે વન વિભાગના કાયદા હેઠળ ગુનો દાખલ કરી ગુજરાત અને મહારાષ્ટ્ર-બન્ને રાજ્યોમાં વધુ તપાસ શરૂ કરી હતી. જો કે આગળ તપાસ થતી નથી.
ફરિયાદ નોંધાઈ:બોટાદમાં પોલીસની ફરજમાં રૂકાવટ કરતા 3 મહિલા સહિત 11 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ
બોટાદમાં પીધેલી હાલતમાં મળી આવેલ આરોપીને બોટાદ પોલીસ સ્ટેશને લઈ જતા આરોપીના પત્ની તથા તેના દીકરા અને અન્ય મહિલા અને પુરુષોએ મળી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી પોલીસ વિરુદ્ધ નારા લગાવી આરોપીના પત્નીએ પોલીસ કોન્સ્ટેબલને ઢીકાપાટુ નો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઆપી પોલીસ વાનને નુકસાન કર્યાની બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ છે. પોલીસ વર્તુળના જણાવ્યા પ્રમાણે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પંકજભાઈ સામતભાઈ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ ચિરાગભાઈ પોપટભાઈ પંડ્યા 5 ડિસેમ્બરનાં સાડા સાતેક વાગ્યાનાં અરસામાં બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન બોટાદ સાળંગપુર રોડ દશામાના મંદિર પાસે આરોપી રાજેશભાઈ ઉર્ફે પપ્પુ પરશોત્તમભાઈ હેડંબા પોતાના હાથમાં લાકડી લઈ કેફી પીણું પીધેલ હાલતમાં મળી આવતા તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્ય વાહી કરવા સારૂ આરોપીને પોલીસ સ્ટેશન ખાતે લઈ જતા હતા. ત્યારે પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી આરોપી રાજેશભાઈ ઉર્ફે પપ્પુ પરશોત્તમભાઈ હેડંબાના પત્ની જ્યોતિબેન હેડંબા તથા તેના બે દીકરા મીતભાઈ અને જતીનભાઈ તથા સુરેશભાઈ કાંતીભાઈ મકવાણા,અનિલભાઈ ઉર્ફે હોલી મેઘજીભાઈ હેડંબા, મેઘાજીભાઈ ગીગાભાઈ હેડંબા, લાભુબેન મેઘજીભાઈ હેડંબા, સોનલબેન અશોકભાઈ ચાચિંયા, કમલેશભાઈ રમેશભાઈ રાઠોડ, દિનેશભાઈ નારાયણભાઈને બોલાવી ગેરકાયદેસર મંડળી રચી એકસંપ થઈ પોતાનો સમાન ઉદેશ્ય પાર પાડવા જ્યોતિબેને પી.સી.આર વાન-2 ના ઇન્ચાર્જ આર્મ પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ મનજીભાઈ ચૌહાણનો વર્દીનો પોલીસ પટ્ટો પકડી, ફરીયાદી પંકજભાઈ સામંતભાઈ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ ચિરાગભાઈને ઢીંકાપાટુનો માર મારી છરીનો ઘોદો મારી દેવાની ધમકી આપી. પોલીસના માણસો તથા પી.સી.આર વાન-2 ઉપર પથ્થરમારો કરી પી.સી.આર વાન-2 ને આશરે 6000 નુક્શાન કરી પોલીસ સ્ટેશન ખાતેથી આરોપી જ્યોતિબેન હેડંબાએ બહાર જઈ બહારથી મહિલા તથા પુરૂષને બોલાવી ઘેરાવ કર્યો હતો.
નમસ્તે, મોટા સમાચારોમાં જોઈએ તો બંગાળમાં TMCના ધારાસભ્યની હાકલ પર બે લાખ મુસલમાનો ભેગા થયા હતા અને બાબરી જેવી મસ્જિદનું નિર્માણ કરવા માટે ઈંટો લઈને પહોંચ્યા હતા. ઈન્ડિગોની વણસેલી સ્થિતિ થાળે પડતી જાય છે. સરકારે પણ આ મામલે કડક વલણ અપનાવ્યું છે. સોનિયા ગાંધીએ મોદી સરકાર પર આરોપ લગાવ્યો છે કે તે નહેરુના ઈતિહાસને ભૂંસી નાખવા માગે છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. કોલકાતામાં પાંચ લાખ લોકો એક સાથે ગીતાનો પાઠ કરશે. આમાં પીએમ મોદી, રાષ્ટ્રપતિ મુર્મુ અને મુખ્યમંત્રી મમતા બેનર્જીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. 2. ઈન્ડિગોની દેશભરની ફ્લાઈટના અપડેટ પર નજર રહેશે કાલના મોટા સમાચારો 1. બંગાળમાં સસ્પેન્ડેડ TMCના ધારાસભ્યએ બાબરી મસ્જિદનો પાયો નાખ્યો:મૌલવીઓ સાથે રિબન કાપી, 2 લાખથી વધુ લોકો મસ્જિદ માટે માથે ઈંટો લઈને પહોંચ્યા તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય હુમાયુ કબીરે શનિવારે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગામાં બાબરી મસ્જિદનો પાયો નાખ્યો છે. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કબીરે સ્ટેજ પર મૌલવીઓ સાથે રિબન કાપીને ઔપચારિકતા પૂર્ણ કરી હતી. સવારથી જ 2 લાખથી વધુ લોકો ટ્રેક્ટર, ઈ-રિક્ષામાં અને માથા પર ઈંટો લઈને બાંધકામ સ્થળ પર પહોંચી રહ્યા છે. બેલડાંગા સહિત આસપાસનો વિસ્તાર આજે હાઈ એલર્ટ પર છે. કોલકાતા હાઈકોર્ટે શુક્રવારે મસ્જિદ નિર્માણ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું- કાર્યક્રમ દરમિયાન શાંતિ જાળવી રાખવાની જવાબદારી રાજ્ય સરકારની રહેશે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ઇન્ડિગોએ કહ્યું- 95% રૂટ પર ફ્લાઇટ્સ ફરી શરૂ:કાલ સુધીમાં રિફંડ મળી જશે; બેફામ ભાડા વસૂલી પર બ્રેક, સરકારે કિલોમીટર પ્રમાણે ટિકિટની પ્રાઇઝ ફિક્સ કરી ઇન્ડિગો એરલાઇન્સની ઈમરજન્સી, જે છેલ્લા ચાર દિવસથી ચાલી રહી હતી, તેમાં શનિવારે સુધારો જોવા મળ્યો. એરલાઇનના જણાવ્યા અનુસાર, તેના 95% રૂટ પર ફ્લાઇટ કામગીરી ફરી શરૂ થઈ ગઈ છે. તેના 138 સ્થળોમાંથી 135 સ્થળો માટે ફ્લાઇટ્સ રવાના થઈ છે. જે મુસાફરોની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે તેમને રવિવારે રાત્રે 8 વાગ્યા સુધીમાં રિફંડ મળશે. આ ઉપરાંત સરકારે અન્ય એરલાઇન્સને નિર્ધારિત વિમાન ભાડા કરતાં વધુ ન વસૂલવા સૂચના આપી છે. સરકારે વિમાન ભાડું નક્કી કર્યું છે. હવે, 500 કિમી સુધીના વિમાન ભાડાનો ખર્ચ ₹7,500 થશે. 500 કિમી સુધીની મુસાફરીનો મહત્તમ ખર્ચ ₹12,000, ₹15,000 અને ₹18,000 થશે. 1,500 કિમીથી વધુની મુસાફરીનો ખર્ચ ₹15,000 થશે. જોકે, આમાં બિઝનેસ ક્લાસનો સમાવેશ થતો નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 3. સોનિયાએ કહ્યું- સરકાર નેહરુને ઇતિહાસમાંથી ભૂંસી નાખવા માંગે છે:તેમને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યા છે;ભાજપે કહ્યું- કલમ 370 નેહરુની ભૂલ હતી કોંગ્રેસ પાર્લામેન્ટરી પાર્ટી (CPP) ના ચેરપર્સન સોનિયા ગાંધી શુક્રવારે દિલ્હી ખાતે જવાહર ભવનમાં નેહરુ સેન્ટર ઇન્ડિયાના લોન્ચ સમારોહમાં હાજર રહ્યા. આ દરમિયાન તેમણે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પર નિવેદનબાજી મામલે ભાજપ સરકારની ટીકા કરી હતી. સોનિયાએ કહ્યું- એમાં કોઈ શંકા નથી કે જવાહરલાલ નેહરુને બદનામ કરવું એ આજની સત્તાનો મુખ્ય હેતુ છે. તેઓ તેમને (નેહરુને) માત્ર ઇતિહાસમાંથી હટાવવા નથી માંગતા, પરંતુ તેમના સામાજિક, રાજકીય અને આર્થિક પાયાને પણ નબળા પાડવા માંગે છે, જેના પર દેશ ઊભો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. શશિ થરૂરે મેરિટલ રેપને ગુનો બનાવવા કહ્યું:લોકસભામાં ત્રણ પ્રાઇવેટ બિલ રજૂ કરાયા, અન્ય બે બિલ રાજ્યોના પુનર્ગઠન અને કર્મચારીઓના કામના કલાકો અને આરોગ્ય સાથે જોડાયેલ લોકસભામાં કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે ત્રણ પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કર્યા હતા. એક બિલમાં મેરિટલ રેપને ગુનો જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. જ્યારે અન્ય બે બિલ રાજ્યોના પુનર્ગઠન, કામ કરતા લોકોના કામના કલાકો અને માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલા છે. થરૂરે મેરિટલ રેપ અંગે કહ્યું કે “લગ્ન કોઈપણ રીતે હિંસાનું લાઇસન્સ નથી. પત્નીની સંમતિ દરેક સ્થિતિમાં જરૂરી છે.” વાંચો સંપૂર્ણ સમાચાર 5. મોદી બોલ્યા– ભારત દુનિયાની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા:'ધીમી અર્થવ્યવસ્થાને હિંદુ રેટ ઓફ ગ્રોથ કહેનારા હવે ચૂપ છે' વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું કે જ્યારે ભારતનો વૃદ્ધિ દર 2-3% હતો, ત્યારે કેટલાક બુદ્ધિજીવીઓએ તેને હિંદુ રેટ ઓફ ગ્રોથ કહ્યો હતો અને દેશની ધીમી અર્થવ્યવસ્થાનું કારણ હિંદુ સંસ્કૃતિને ગણાવ્યું હતું. મોદીએ કહ્યું, આજે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે, પરંતુ તે જ લોકો હવે આ શબ્દનો ઉલ્લેખ કરતા નથી. PM મોદી દિલ્હીમાં હિન્દુસ્તાન ટાઈમ્સના લીડરશીપ સમિટમાં બોલી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે જે લોકો દરેક વાતમાં સાંપ્રદાયિકતા જુએ છે, તેમને ત્યારે હિંદુ રેટ ઓફ ગ્રોથ શબ્દ યોગ્ય લાગ્યો અને તેઓ તેને પોતાના પુસ્તકો અને રિસર્ચ પેપર્સમાં લખતા રહ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 6. પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરીંગ કેસમાં 5 વર્ષની સજા:અગાઉના કેસની સજાથી અલગ ભોગવવાની રહેશે, હવાલાથી મોટી રકમ અમેરિકા ટ્રાન્સફર કરવાનો આરોપ રાજ્યના પૂર્વ IAS પ્રદીપ શર્મા સામે મની લોન્ડરીંગ એક્ટ હેઠળ નોંધાયેલી ફરિયાદમાં PMLA કોર્ટ દ્વારા 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે. પ્રદીપ શર્મા હાલ જે કેસમાં સજા કાપી રહ્યા છે તેનાથી અલગ સજા ભોગવવાની રહેશે. આ ઉપરાંત કોર્ટે ચુકાદામાં જણાવ્યું છે કે, સરકાર દ્વાર અધિકારીની જે સંપત્તિ ટાંચમાં લીધી છે તે સરકાર હસ્તક જ રહેશે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. 'પશુપાલકોની આવક 5 વર્ષમાં 20%થી વધુ વધશે':અમિત શાહના હસ્તે બનાસ ડેરી હસ્તકના વિવિધ પ્રકલ્પોનું ખાતમુર્હુત-લોકાર્પણ કરાયું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે, 6 ડિસેમ્બર, 2025ના રોજ, બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી હતી અને વાવ-થરાદના સણાદર ખાતે વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, સહકારી મોડેલ થકી આવનાર 5 વર્ષમાં પશુપાલકોની આવક 20 ટકાથી વધુ વધશે. તેમણે આગથળા (લાખણી) ખાતે બનાસ ડેરી અને સુઝુકી ઈન્ડિયા દ્વારા સ્થાપિત બાયો-સીએનજી અને ફર્ટિલાઇઝર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું, જે પશુઓના ગોબરની ખરીદી કરીને CNGનું ઉત્પાદન કરી એક ઉત્તમ ચક્રીય અર્થવ્યવસ્થા ઊભી કરે છે. આ ઉપરાંત, તેમણે સણાદરમાં રૂ. 440 કરોડના ખર્ચે બનનાર 150 TPD ક્ષમતાવાળા મિલ્ક પાવડર અને બેબી ફૂડ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : જુબીન ગર્ગના મૃત્યુ કેસમાં 12 ડિસેમ્બરે ચાર્જશીટ:અત્યાર સુધીમાં સાતની ધરપકડ, સિંગાપોરમાં 19 સપ્ટેમ્બરે સિંગરનું મોત થયું હતું વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર પર ફરી ફાયરિંગ:પીસ ટોકના 48 કલાક બાદ હુમલો; એકબીજા પર પહેલા હુમલો કરવાનો આરોપ લગાવ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : રાજસ્થાન-MPના 37 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે:8 ડિસેમ્બરથી ઠંડી વધુ તીવ્ર બનશે; ઉત્તરાખંડ અને હિમાચલમાં હિમવર્ષાનું એલર્ટ, કેદારનાથમાં પારો-14 ડિગ્રી વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : રાષ્ટ્રપતિ ભવનમાં પુતિને ખાધી કાશ્મીરી અખરોટની ચટણી:મેનૂમાં ઝોલ મોમો અને દાળ તડકા પણ સામેલ; PM મોદીએ ચાંદીનો ઘોડો ભેટ આપ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : નેટફ્લિક્સે વોર્નર બ્રધર્સ સ્ટુડિયોને ખરીદવાની જાહેરાત કરી:₹6.47 લાખ કરોડમાં ડીલ થઈ, નેટફ્લિક્સ રોકડ અને સ્ટોકથી ચૂકવણી કરશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.ધર્મ તહેવાર જ્યોતિષ : તુલસીનાં પાન કયા દિવસોમાં ન તોડવાં?:જાણો શાસ્ત્રમાં આ વિશે શું લખેલું છે? આ છોડમાં હોય છે માતા લક્ષ્મીનો વાસ વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન ખબર હટકે યુદ્ધ દરમિયાન 54 યુગલો પરણ્યા ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે 54 યુગલો માટે સમૂહ લગ્ન યોજાયા. યુદ્ધના કાટમાળ વચ્ચે દુલ્હનો સફેદ ગાઉનમાં નાચી. બહાર વોર ડ્રોન ઉડ્યા, અને અંદર ઉજવણી ચાલુ રહી. આ કાર્યક્રમમાં 21,000 લોકો હાજર રહ્યા. એક દુલ્હને કહ્યું, આ લગ્ન યુદ્ધના અંધકારમાં આપણા માટે આશાનું કિરણ છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. IPS ડાયરીઝ-6 મામા-ફોઇના પોરિયાએ મળી ₹88 લાખ ગપચાવ્યા:‘ધૂમ’ જેવા કીમિયાથી ચહેરો બદલાવ્યો; IPS રૂપલ સોલંકીના કરિયરના હચમચાવી દેતા કિસ્સા 2. એક્સક્લૂસિવ ટ્રેનના 100 ડબ્બાના વજન જેટલો કચરો અમદાવાદીઓ રોજ ફેંકે છે:10 વર્ષમાં સ્વીડન, જાપાનની માફક અમદાવાદમાં કચરાનો નિકાલ થશે 3. અમેરિકામાં ભારતીયોને લૂંટવાનો નવો ટ્રેન્ડ:ડિપોર્ટેશન અને એમ્બેસીના નામે જાળમાં ફસાવે છે, ગઠિયાઓની ગજબ મોડસઓપરેન્ડી, જાણો બચવાના ત્રણ ઉપાય 4. અભિજિત હત્યારો નથી, તો મોડલ દિવ્યા પાહુજાને કોણે મારી?:9 સાક્ષી ફરી ગયા, ગેંગસ્ટરના પરિવાર પર શંકા; હોટલે કહ્યું, CCTV ફૂટેજ અમારા નથી 5. 24 વર્ષ શિક્ષક રહ્યાં, BLO બનાવીને માતાની હત્યા કરી:કામચોર કહ્યા તો ફાંસી લગાવી, પશ્ચિમ બંગાળમાં SIRમાં 39 મોત પાછળનું કારણ શું છે? 6. ભાસ્કર એક્સપ્લેનર ફ્લાઇંગ ક્રેમલિન પર રશિયા પરત ફરેલા પુતિનની લક્ઝરીના કિસ્સા:બ્લેક સીના કિનારે અને જંગલોની વચ્ચે સિક્રેટ પેલેસ; ઘોડેસવારી જેવા બીજા કયા શોખ? 7. આજનું એક્સપ્લેનર:સફેદ ફોર્ચ્યુનરમાં જ કેમ બેઠા પુતિન?, મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ, મોદી સાથે 3 વાર મુલાકાત; શું સંદેશ આપી ગયા રશિયન રાષ્ટ્રપતિ? કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ:વૃષભ જાતકોને આજે ગ્રહસ્થિતિ અનુકૂળ રહેશે; મિથુન જાતકો પોતાના કાર્યોને વ્યવસ્થિત રીતે પાર પાડી શકશે વાંચો સંપૂર્ણ રાશિફળ
માર માર્યો:ઉમલાવમાં સાઇકલ લઈને જતી છોકરી પડી જતા યુવકને માર માર્યો
આંકલાવના તાલુકાના ઉમલાવ ગામે લક્ષ્મીપુરામાં રહેતા મનુભાઈ રંગીતભાઈ પરમાર મિત્ર જગદીશભાઈ મંગળભાઈ પઢીયાર નાસ્તાની લારીએ જતાં હતા. અને રસ્તામાં એક છોકરી સાયકલ લઈને આવતી હતી. જે સાયકલ સાથે પડી ગઈ હતી અને પોતાના ઘરે જવા નીકળી ગઈ હતી. મનુભાઈ પોતાના મિત્ર જગદીશભાઈ ચાલતા ચાલતા જયંતીભાઈ ખોડાભાઈ પટેલની કરિયાણાની દુકાન ખાતે આવીને ઉભા હતા. આ વખતે સાયકલ લઈને પડી ગયેલ છોકરી પોતાના કાકા કિશનભાઇ લાલજીભાઈ ઠાકોર સાથે આવીને છોકરીએ આવીને મનુભાઈએ સાયકલ ઉપરથી પાડી દીધી તેમ કહેતા મનુભાઈએ જણાવેલ કે મેં સાયકલ ઉપરથી તમારી ભત્રીજીને પાડી નથી તેમ કહેતા કિશનભાઇ એકદમ ઉશ્કેરાઈ જઈ મનુભાઈને માર મારી જમીન ઉપર પાડી દઈ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મનુભાઈની ફરિયાદ લઈ ભાદરણ પોલીસે કિશનભાઇ ઠાકોર વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આંકલાવના ખડોલમાં ગીરવે મૂકેલી જમીનના પૈસા બાબતે 2 પરિવાર વચ્ચે મારા મારી થઇ હતી. આંકલાવ તાલુકાના ખડોલ ગામે અંબીકા ચોક વિસ્તારમાં 19 વર્ષીય ખુશીબેન રાહુલકુમાર પુરોહિત સસરા કનુભાઈને પાડોશમાં રહેતા તારકભાઈ ચંદ્રકાંતભાઈ પુરોહિત, હેમંતભાઈ ચંદ્રકાંતભાઈ પુરોહિત, જયભાઈ હેમંતભાઈ પુરોહિત અને સન્નીભાઈ હેમંતભાઈ પુરોહિતે જમીન ઉપર આપેલા રૂ 1 લાખ આપી દો તેમ જણાવતા કનુભાઈએ મેં તમારી પાસેથી આટલા બધા પૈસા લીધેલ નથી તેમ કહેતા એકદમ ચારેય જણાએ ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલીને કનુભાઈને પકડી ઝપાઝપી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ખુશી પુરોહિતની ફરિયાદ લઈ તારક સહિત ચાર વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સામા પક્ષે નીલમબેન જયકુમાર પુરોહિતે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓની પડોશમાં રહેતા કનુભાઈ ભાનુપ્રસાદ પુરોહિત, શિલ્પાબેન કનુભાઈ પુરોહિત, ખુશીબેન રાહુલભાઈ પુરોહિત અને રાહુલભાઈ કનુભાઈ પુરોહિતે ભેગા મળી નીલમબેનના કાક સસરા તારકભાઈ જમીનની વાત કરવા ગયા હતા. ત્યારે તારકભાઈને ગાળો બોલી ફેટ પકડી ઝપાઝપી કરતાં સન્નીભાઈ તેમજ નીલમબેનના પતિ જયકુમાર છોડાવા વચ્ચે પડતા નીલમબેનાન ઘર આગળ જઈ નીલમબેનનો હાથ પકડી નીચે પાડી દઈ લાતો મારી તેમજ જયકુમાર અને તેમના પરિવારજનોને ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા આંકલાવ પોલીસે બંને પક્ષોની ફરિયાદો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સરદાર પટેલ યુનિવર્સિટીનો 68મો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં 15મી ડિસેમ્બરે 2025ના રોજ યોજાશે. પદવીદાન સમારોહમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર ડો. મિનેશ શાહ ઉપસ્થિત રહી દિક્ષાંત પ્રવચન આપશે. પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીના 11 વિવિધ વિદ્યાશાખાના કુલ 16,963 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને 103 ગોલ્ડ મેડલ એનાયત કરાશે. આ પદવીદાન સાથે જ અત્યાર સુધીમાં એસપી યુનિવર્સિટીના 4,07,729 વિદ્યાર્થીઓને પદવી એનાયત થશે. આ વર્ષે સ્વદેશી પોષાક ખાદીને પ્રોત્સાહન મળે માટે પદર્વીદાન સમારંભ દરમ્યાન મંચસ્ત મહાનુભાવો, યુનિવર્સિટીના શૈક્ષણિક કર્મચારીઓ, વહિવટી કર્મચારીઓ તથા ગોલ્ડ મેડાલીસ્ટ વિદ્યાર્થીઓ ખાદીના એક સરખા ડ્રેસકોડમાં હાજર રહેશે. સમારંભનું સ્થળ માનવ વિદ્યાભવનના પટાંગણમાં સરદાર પટેલ યુનિવર્સિટી મુખ્ય કાર્યાલય સામે રહેશે. વિતરણ કેન્દ્ર ખાતે સવારે 8થી 1 સુધી ડિગ્રી અપાશે રૂબરૂમાં પદવી મેળવનાર વિદ્યાર્થીને જો તેનો કોન્વોકેશન સિરીયલ નંબર અંગેનો એસએમએસ ન મળે તો વિદ્યાર્થીએ યુનિ. વેબસાઇટ પર કોન્વોકેશન લીસ્ટની ફાઇલ ઓપન કરી પોતાનું નામ ટાઇપ કરી મેળવી લેવી તથા 15 ડીસેમ્બરના રોજ ઓળખપત્ર અને ફી ભર્યાની પાવતી સાથે યુનિ.ની ઉપરોક્ત લિંકમાં પદવીની સામે દર્શાવેલ પદવી વિતરણ કેન્દ્ર ખાતેથી સવારના 8.00 થી બપોરના 1.00 કલાકે ઉપસ્થિત રહી ડીગ્રી મેળવી લેવી.
મનપાની કાર્યવાહી:બાકરોલ સ્ક્વેરની 7 દુકાનોનો 60 હજાર બાકી વેરો ન ભરાતાં મનપાએ સીલ કરી
કરમસદ આણંદ મનપાના ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા વિવિધ વિસ્તારો ખાતે બાકી વેરો જમા કરાવવા અંગે નોટિસ આપવામાં આવી છે અને રિકવરી સંબંધે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મનપાવિસ્તારમાં આવેલ બાકરોલ સ્ક્વેર માં રૂ. 60 હજાર નો બાકી વેરો ભરપાઈ ન કરવાના કારણે 07 જેટલી દુકાન તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવી છે.મનપા ના વિવિધ વિસ્તારો માંથી અન્ય મિલકતો ધારક પાસેથી બાકી પડતો રૂ.2.75 લાખ જેટલો વેરો વસૂલ કરવામાં આવ્યો છે. આણંદ મનપા ટેકસ વિભાગના જણાવ્યાં અનુસાર 50 હજારથી વધુ મિલકત વેરો બાકી છે તે તમામને નોટીસ પાઠવવામાં આવી છે. તેમ છતાં તેઓ વેરો નહીં ભરે તો આગામી દિવસોમાં મિલકતો સીલ કરવામાં આવશે.મનપા દ્વારા નગરજનોને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે કે પોતાની મિલકતનો બાકી વેરો તાત્કાલિક જમા કરાવવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. પોતાની મિલકતનો બાકી રહેલ વેરો નિયમિત ન ભરતા લોકો સામે કાયદાની જોગવાઈને આધીન દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમ મનપાની રિકવરી ટીમ દ્વારા જણાવવામાં આવ્યું છે. વર્ષોથી વેરો ન ભરતા બાકીદારોની યાદી તૈયાર કરાઇ કરમસદ આણંદ મનપા વિસ્તારમાં સમાવેશ કરાયેલ વિદ્યાનગર, કરમસદ સહિત ચાર ગામોમાં મિલકતધારકો જેઓ વર્ષોથી વેરો ભરતા નથી તેવા બાકીદારોની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં સરકારી કચેરીઓ સહિત કેટલાંક મોટા માથાનો સમાવેશ થાય છે. તેઓ વેરો નહીં ભરે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ મનપા ટેકસ વિભાગના સૂત્રોએ જણાવ્યું છે
આણંદ જિલ્લા વીજ તંત્ર દર રવિવારે વીજકાપ મુકવાની પ્રથા યથાવત જોવા મળી રહી છે.ત્યારે વિદ્યાનગર સબ ડિવીઝન હસ્તક આવેલા નારાયણ શાલીગ્રામ, ગોકુલધામ સહિત અન્ય બે જેટલા ફિડરો રવિવારે 7 કલાક સુધી વીજ કાપ મુકવાનો નિર્ણય કર્યો છે.જેના પગલે બાકરોલ વડતાલ રોડ, કરમસદ રોડ અને ધોળાકુવા ,ગોકુલધામ સહિત 300થી વધુ સોસાયટી વિસ્તારના રહીશોને હાલાકીઓનો ભોગ બનવું પડશે. પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ જિલ્લનાા વીજતંત્ર દ્વારા સમાર કામના બહાને રવિવારે વિજ કાપ મુકવામાં આવશે.ત્યારે વિદ્યાનગર સબ ડિવીઝનમાં આવેલા જોગણી માતા મંદિર, લક્ષ સોસાયટી ભાઇકાકા કોલોની, લાંભવેલ માર્ગ ,એસ પી યુનિવર્સિટી વિસ્તાર, રાજનગર ,બાકરોલ રોડ થી સંકેત સુધીના ભારે તેમજ હળવા દબાણો ગ્રાહકને ફિડર પરથી સવારે 7 કલાક થી બપોરના 1 કલાક સુધી લાઇટો બંધ રહેશે. આ સમય દરમિયાન લાઇન ફોલ્ટ, કેબલ બદલવા સહિતની કામગીરી હાથધરવામાં આવશે.પરંતુ બપોરે એક કલાકે કામગીરી પૂર્ણ થયા બાદ સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો શરૂ કરી દેવામાં આવશે.જો કે દર રવિવારે વિજ કાપ મુકાતા શહેરીજનો વિજ તંત્રથી તોબા પોકારી ઉઠ્યા છે.રવિવારને બદલે અન્ય દીવસોમાં વિજકાપ મુકવામા તેવી માંગ ઉચ્ચારી છે.
આણંદના અમૂલ ડેરી રોડ એપીએમસી હસ્તકની મોટી શાકમાર્કેટમાં પાર્કિંગની કોઇ વ્યવસ્થા નથી. તેમજ સ્વચ્છતા પણ જળવાતી નથી. પાછળના ભાગે કચરાના ઢગ ખડકાતાં હોઈ ગ્રાહકોના સ્વાસ્થય સાથે ચેડા થઇ રહ્યાં છે. લોકો વાહનો રોડની સાઇડમાં પાર્ક કરતાં હોવાથી અડધા ઉપરાંત રસ્તો રોકાઇ જાય છે.જેને ધ્યાને લઇને આણંદ મનપાએ એપીએમસીને નોટીસ પાઠવીને શાકમાર્કેટમાં પાર્કિંગની વ્યવસ્થા કરવા તેમજ સ્વચ્છા જાળવવા સુચના આપી છે.તેમ છતાં કોઇ જ પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં શાકમાર્કેટને સીલ કરી દેવાની ચીમકી આપી છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આણંદ હસ્તક આવેલ અમૂલ ડેરી રોડ ઉપરનું શાક માર્કેટની અંદર મહાનગર પાલિકાની ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ કરતા વધારે પડતી ગંદકી જોવા મળી હતી. આ ઉપરાંત શાકમાર્કેટના વેપારીઓ દ્વારા મુખ્ય રસ્તાઓ ઉપર પણ ખૂબ જ પ્રમાણમાં જ્યાં ત્યાં કચરો નાખવામાં આવે છે તેવું ધ્યાનમાં આવેલ છે. આ ઉપરાંત શાકમાર્કેટની આજુબાજુ વાહનોનું અવ્યવસ્થિત પાર્કિંગ થી ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે. કરમસદ આણંદ મનપા હદ વિસ્તારમાં આવેલ અમુલ ડેરી રોડ ઉપરનું શાક માર્કેટ જે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આણંદ હસ્તક આવેલ છે જ્યાં જરૂરી સફાઈનું આયોજન કરવા સુવ્યવસ્થિત પાર્કિંગની અમલવારી કરાવવા માટે નાયબ મ્યુનિસિપલ કમિશનર કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવેલ છે. મનપાએ નોટિસમાં જણાવવામાં આવ્યું છે તે મુજબ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, આણંદ દ્વારા જાહેર જનતાની સુખાકારીને ધ્યાનમાં રાખી શાક માર્કેટની અંદરની બાજુ ઉપર જરૂરી સફાઈ અને બહારની સાઈડ ઉપર સુવ્યવસ્થિત પાર્કિંગ કરવામાં નહીં આવે તો નિયમ અનુસાર શાકમાર્કેટને સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે. ભાસ્કર ઇનસાઇડકલ્પના ટોકીઝ પાસેનું બંધ શાક માર્કેટ ચાલુ કરાય તો મોટી માર્કેટમાં ભારણ ઘટેઆણંદના મનપા હસ્તકની જગ્યામાં કલ્પના ટોકીઝની આગળના રસ્તા પર વર્ષો પહેલા શાકમાર્કેટ બનાવી ઓટલા પાડ્યા હતા. જે વર્ષોથી બંધ હાલતમાં છે. ત્યારે આ શાક માર્કેટને કાર્યરત કરીને એપીએમસીને સોંપવામાં આવે તો મનપાને આવક થાય તેમજ શહેરના અમૂલ ડેરી રોડ ટ્રાફિક સમસ્યા હલ થાય તેમ છે. તેમજ નાના વેપારીઓને રોજગારી તક ઉભી થાય તેમ છે.
સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક કાયદાશાસ્ત્ર વિભાગ દ્વારા માનવ વિદ્યાભવનમાં સાઇબર સુરક્ષા અને નવા ગુનાહિત કાયદાઓનું મૂળભૂત માળખા પર કાનૂની જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાંં સમાજનને કાનૂની રીતે શક્તિશાળી બનાવતા નવા કાયદા અને તેમની ઉપયોગીતાને સમજાવવામાં આવ્યાં હતાં. કાર્યક્રમમાં નિ:શુલ્ક કાનૂની સાક્ષરતાનો લાભ 80 જેટલા અધ્યાપકો તથા યુનિવર્સિટિના કર્મચારીઓ તથા 25 જેટલા યુનિવર્સિટીના વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. યુનિવર્સિટીમાં ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના સંલગ્ન અનુસ્નાતક કાયદાશાસ્ત્ર વિભાગમાં નિ:શુલ્ક કાનૂની સેવા કેન્દ્રનો લાભ દરેક વિદ્યાર્થીઓ, યુનિવર્સિટીના કર્મચારીઓ અને અધ્યાપકો કાયદાકીય પ્રશ્નોના નિવારણ માટે લઈ શકે તે બાબતનું માર્ગદર્શન કુલપતિ પ્રો. ડો. નીરંજન પટેલે આપ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા કાનૂની ન્યાય સેવા સત્તા મંડળના ચેરમેન જીડી પડિયાએ નવા ભારતીય કાયદાઓ વિશે જણાવ્યું હતું. જેમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય સાક્ષ્ય અધિનિયમ હેઠળ ઉમેરવામાં આવેલા નવા કાયદાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

31 C