SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

29    C
... ...View News by News Source

2 લાખમાં ખરીદો 1 BHK મકાન:15 વર્ષથી ખાલીખમ 1056 સરકારી આવાસોને કોર્પોરેશને રિનોવેશન માટે કાઢ્યા, 10 મહિનામાં થશે તૈયાર

રાજકોટ શહેરમાં 15 વર્ષથી જર્જરિત પડેલા 1056 1BHK આવાસ રિનોવેટ કરીને જરુરિયાતમંદોને ₹2 લાખમાં વેચવાનો નિર્ણય લીધો છે. BSUP યોજના હેઠળ પ્રેમમંદિર પાછળ અને સાધુ વાસવાણી કુંજ રોડ પર બનેલા 1056 આવાસો, જે વર્ષોથી ખાલી રહેતા જર્જરિત બન્યા હતા, તેનું ₹16.60 કરોડના ખર્ચે રીનોવેશન શરૂ થયું છે. સ્ટેન્ડિંગ કમિટીએ આ નિર્ણયને મંજૂરી આપી અને 10 મહિનામાં કામ પૂર્ણ થયા બાદ PMAY 2.0 હેઠળ ₹3 લાખ સુધીની આવક ધરાવતા જરૂરિયાતમંદોને આ ફ્લેટ્સ ફાળવાશે, જે રાજકોટના ગરીબો માટે આગામી દિવાળી પહેલાં ઘરનું સ્વપ્ન સાકાર કરશે. 15 વર્ષથી ખાલીખમ પડ્યા હતા મકાનપ્રાપ્ત વિગત મુજબ રાજકોટ મનપા દ્વારા પ્રેમમંદિરની પાછળ રવિપાર્ક મેઈન રોડ તેમજ સાધુ વાસવાણી કુંજ રોડ પર BSUP (બેઝિક સર્વિસ ફોર અર્બન પુઅર) યોજના અંતર્ગત આવાસનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ આવાસ યોજના મહાનગરપાલિકાની અનામત જમીન પર રહેતા અથવા નદી કિનારે વસવાટ કરતા તથા ઝુંપડાઓમાં રહેતા લોકોને આવરી લેવા માટે બનાવવામાં આવી હતી. જોકે, તેમાં કોઈ રહેવા આવી રહ્યું ન હોવાથી 15 વર્ષથી ખાલીખમ પડ્યા હતા. આ આવાસ ખખડધજ બની જાય તે પૂર્વે અફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પલેક્સ મતલબ કે ટોકનદરના ભાડે આપવા માટે નક્કી કરવામાં આવ્યું હતું. આ માટે ટેન્ડર પ્રક્રિયા પણ કરવામાં આવી હતી, પરંતુ તેમાં સફળતા મળી ન્હોતી. આ પૈકી 1056 આવાસ ખાલી પડયા હોય અત્યંત ખખડી જતા થોડા સમય પહેલાં તેના રિપેરિંગ માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ખર્ચને બહાલી આપવામાં આવી હતી. 2 લાખ રૂપિયામાં આવાસ વેચવાનો નિર્ણય લેવામાં આવ્યોમનપા દ્વારા હાલમાં આ બંને આવાસ યોજનાનું રિપેરિંગ કામ શરૂ કરવામાં આવી રહ્યું છે. જે 10 મહિનામાં પૂર્ણ થવાનો અંદાજ છે. ત્યારે એ કામ પૂર્ણ થાય ત્યાં સુધીમાં મહાનગરપાલિકા દ્વારા 1056 આવાસને પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0ના નિયમાનુસાર 3 લાખ સુધીની કૌટુંબિક વાર્ષિક આવક ધરાવતા તેમજ પોતાનું પાક્કું ઘર ધરાવતા ન હોય તેવા લોકોને 2 લાખ રૂપિયામાં આવાસ વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે રિપેરિંગ કામ પૂર્ણ થાય ત્યાં સુધીમાં ડ્રો પણ કરવામાં આવશે. તંત્ર દ્વારા એવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે કે, અત્યારે જુદી-જુદી આવાસ યોજના હેઠળ 1 BHKનું આવાસ છ લાખ રૂપિયામાં મળી રહ્યું છે, જેની સામે એટલી જ સુવિધા ધરાવતું બીએસયુપી યોજનાનું આ આવાસ માત્ર 2 લાખ રૂપિયામાં મળી રહ્યું હોય અને તેમાં પણ લોન સહિત સુવિધા અપાનાર હોય રાજકોટમાંથી 50-60 હજાર ફોર્મ ભરાય તેવી શક્યતા નકારી શકાતી નથી. 1056 આવાસોનું 16.60 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશેરાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે તાજેતરમાં યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જર્જરિત બનેલા કુલ 1056 આવાસોનું રૂ. 16.60 કરોડનાં ખર્ચે નવીનીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મ્યુ. કોર્પોરેશન દ્વારા 15 વર્ષ પહેલા કાલાવડ રોડ પ્રેમ મંદિર પાછળ અને 6 વર્ષ પહેલા પોપટપરાના સાધુ વાસવાણી કુંજ રોડ ઉપર બનાવવામાં આવેલી બે આવાસ યોજનાના ખાલી રહેલા 1056 આવાસ ખાલી પડ્યા રહેતા આ આવાસ યોજનાઓના રીપેરીંગનો કરોડોની ખર્ચ કરવાની નોબત આવી છે. મનપા દ્વારા કાલાવડ રોડ, પ્રેમ મંદિર પાછળ, રવિ પાર્ક મેઇન રોડ પર ટીપી-5 નાના મવામાં BSUP-2 આવાસ યોજના બનાવવામાં આવી છે. 360 આવાસની આ યોજના તા. 13-2-2010ના રોજ પૂર્ણ કરવામાં આવી હતી પરંતુ, 15 વર્ષથી તમામ 360 આવાસ ખાલી છે. BSUP નીતિ અનુસાર લાભાર્થીઓ પાત્રતા ધરાવતા ન હોય, શહેરી ગરીબો તથા વિસ્થાપિતોને આપવા આ આવાસ અનામત રખાયેલા છે. ત્યારબાદ PPP રૈયાધાર યોજના હેઠળ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે આવાસો તેમને સોંપવાની નીતિ હતી. જે આવાસો હાલ ખાલી છે. આગામી સમયમાં ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને આવાસ ફાળવાશેઆ યોજનામાં કુલ 1440 લાભાર્થી છે. આ આવાસ લાભાર્થીને 2 લાખના નજીવા દરે આપવાનું નકકી કરાયું હતું. જોકે, આવાસો ખખડી જતા હવે રીપેરીંગ, પાણીના ટાંકા, સિન્ટેકસ ટાંકી, ટેરેસ પર ટાઇલ્સ, કિચન પ્લેટફોર્મ, રંગરોગાન, ઇલે. વર્ક, નવા બારી-દરવાજા ફીટ કરવા સહિતના કામો કરવામાં આવી રહ્યા છે. પ્રેમમંદિર પાછળ આવાસ યોજનાના કવાર્ટર રીપેર કરવા રૂ. 7.59 કરોડ અને પોપટપરાની આવાસ યોજનાના રીપેરીંગ માટે રૂ. 9.01 કરોડ મળી રૂ. 16.60 કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે. આગામી સમયમાં ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને આ આવાસની ફાળવણી કરવામાં આવશે. પ્રેમમંદિર પાછળનાં આવાસ માટે રૂ. 4.60 કરોડનું ટેન્ડર અને તે બાદ રી-ટેન્ડર પણ કરાયા હતા. સનરાઇઝ એન્ટરપ્રાઇઝે 48.11 ટકા ઓન અને મે.પ્રવીણ સી. સાવલીયા એજન્સીએ 39.76 ટકા ઓન માંગી હતી. આ 39.76 ટકા ઓન ટેન્ડર કમિટીએ માન્ય ગણતા 7.59 કરોડના ખર્ચે આ રીપેરીંગ કરવા નકકી કરાયું છે. બીજી આવાસ યોજના પોપટપરાના સાધુ વાસવાણી કુંજ રોડ પર બનાવવામાં આવી છે. અહીં પણ મે.પ્રવીણ સી. સાવલીયાએ 38.50 ટકા અને સનરાઇઝ એન્ટરપ્રાઇઝે 45.21 ટકા ઓન માંગી હતી. જેમાં પણ સાવલીયા એજન્સીના ભાવ ટેન્ડર કમિટીએ માન્ય કરતા રૂ. 9.01 લાખના ખર્ચે કામ આપવા નિર્ણય કરાયો છે. ફલેટદીઠ રિનોવેશન માટે પોણા બે લાખનો ખર્ચ થશેઉલ્લેખનીય છે કે, કુલ 1056 આવાસના રીપેરીંગનો મોટો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. એકંદરે ગરીબોને 2 લાખમાં જે આવાસ આપવાનો ભાવ નકકી થયો છે, તે આવાસમાં ફલેટદીઠ પોણા બે લાખ જેવો ખર્ચ કરવામાં આવશે. આ આવાસો રેન્ટલ હાઉસીંગ પોલિસી હેઠળ આવતા હોય અન્ય કોઇને ફાળવી ન શકાતા રીપેરીંગનો મોટો ખર્ચ આવ્યો છે. જેને મંજૂર કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ રિનોવેશન પૂર્ણ થયા બાદ માત્ર રૂ. 2 લાખમાં જ આ આવાસો જરૂરિયાતમંદ લોકોને ફાળવવામાં આવશે. જેથી, અનેક લોકોના ઘરના ઘરનું સ્વપ્ન આવતી દિવાળી પૂર્વે સાકાર થાય એવી પૂરતી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 23 Oct 2025 6:08 am

થેંક્સગિવિંગ: કુટુંબ, મિત્રો, ખાણીપીણી અને શોપિંગનો તહેવાર:અમેરિકા, કેનેડા, બ્રાઝિલ, જર્મનીમાં દર વર્ષે થાય છે અનોખી ઉજવણી

પશ્ચિમી દેશોમાં ધીમે પગલે પાનખર પછી શિયાળો આવી પહોંચ્યો છે પણ હજી પ્રકૃતિ એ પાનખર દરમિયાન પાથરેલા સોનેરી સૌંદર્ય દ્રશ્યમાન થાય છે અને આવી રહેલા તીવ્ર શિયાળા અને શિયાળા દરમિયાન આવતા તહેવારોની આગમનની છડી પોકારી રહ્યું છે. આમ જોવા જઇએ તો દુનિયાના દરેક દેશ અલગ અલગ છે અને છતાં ઘણી બધી સામ્યતા ધરાવે છે. કારણ કે છેવટે તો દરેક દેશના માનવીનો પૂર્વજ એક જ રહ્યો છે અને માટે જ એની લાગણીઓ, ગમા અણગમા, એને વ્યક્ત કરવાનું માધ્યમ વગેરે એક જ છે અને માટે જ દરેક દેશમાં ઉજવાતા તહેવારોમાં ઘણી બધી બાબતો સરખી છે. આવો જ એક તહેવાર જે અમેરિકા, કેનેડા જેવા દેશોમાં ઓક્ટોબર-નવેમ્બરમાં ઉજવાય છે એ છે 'થેંક્સગિવિંગ'! ઓક્ટોબર-નવેમ્બરમાં ઉજવણીથેંક્સગિવિંગ એ યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા, સેન્ટ લુસિયા, લાઇબેરિયા, બ્રાઝિલ અને જર્મની જેવા દેશોમાં ઓક્ટોબર અને નવેમ્બરમાં અલગ અલગ તારીખે ઉજવવામાં આવતી રાષ્ટ્રીય રજા છે. તે ઓસ્ટ્રેલિયાના નોર્ફોક ટાપુ પર પણ ઉજવવામાં આવે છે. તે ખેતરમાં વિવિધ પાક અને પાછલું વર્ષ સારું ગયું એના આશીર્વાદ માટે આભાર માનવાના દિવસ તરીકે શરૂ થયો હતો. પાનખર દરમિયાન સમગ્ર વિશ્વમાં સમાન નામવાળી વિવિધ લણણી ઉત્સવોની રજાઓ થાય છે. જેમ કે ભારતમાં પંજાબમાં લોહરી, દક્ષિણ ભારતમાં ઓણમ વગેરે! જોકે થેંક્સગિવિંગના મૂળિયા ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાના ઐતિહાસિક મૂળ ધરાવે છે અને તે લાંબા સમયથી સેક્યુલર રજા તરીકે પણ ઉજવવામાં આવે છે. અંગ્રેજી પરંપરામાં મૂળમોટાભાગના ધર્મોમાં લણણી પછી અને વર્ષના અન્ય સમયે આભાર વિધિની પ્રાર્થના અને એની પરંપરાગત ઉજવણી સામાન્ય છે. ઉત્તર અમેરિકામાં થેંક્સગિવિંગ રજાનો ઇતિહાસ પ્રોટેસ્ટંટ સુધારાની અંગ્રેજી પરંપરાઓમાં મૂળ ધરાવે છે. ઉત્તર અમેરિકન વસાહતોમાં વાર્ષિક થેંક્સગિવિંગ રજાની પરંપરા સૌપ્રથમ 1619માં ડોક્યુમેન્ટ કરવામાં આવી છે. જેને હવે વર્જિનિયાના કોમનવેલ્થ તરીકે ઓળખવામાં આવે છે. માર્ગારેટ જહાજ પર સવાર આડત્રીસ અંગ્રેજી વસાહતીઓ 4 ડિસેમ્બર, 1619ના રોજ વર્જિનિયાના ચાર્લ્સ સિટી કાઉન્ટીમાં બર્કલે હન્ડ્રેડ ખાતે જેમ્સ નદીના માર્ગે પહોંચ્યા. ઉતરાણ પછી તરત જ ધાર્મિક ઉજવણી કરવામાં આવી, જે ખાસ કરીને લંડન કંપનીના જૂથના ચાર્ટર દ્વારા નક્કી કરવામાં આવી હતી. ચાર્ટરમાં જાહેર કરવામાં આવ્યું હતું કે, વર્જિનિયાની ભૂમિમાં વાવેતર માટે સોંપાયેલા સ્થળે અમારા જહાજોના આગમનનો દિવસ વાર્ષિક અને કાયમ માટે પવિત્ર રહેશે. જો કે થેંક્સગિવિંગના મૂળ ન્યૂ ઇંગ્લેન્ડમાં છે પણ પ્રથમ થેંક્સગિવિંગ ઉજવવાનું ક્યારે શરુ થયું એ વિશે અલગ અલગ વાર્તાઓ અને મતમતાંતરો છે. અબ્રાહમ લિંકને રાષ્ટ્રીય રજા જાહેર કરીયુનાઇટેડ સ્ટેટ્સમાં થેંક્સગિવિંગ અલગ અલગ તારીખે મનાવવામાં આવે છે. જે તે સમયના અમેરિકાના અગ્રણીના સમયથી લઇને 1863માં અબ્રાહમ લિંકન દ્વારા તેને રાષ્ટ્રીય રજા ન બનાવવામાં આવી ત્યાં સુધી, ઉજવણીની તારીખ રાજ્યથી રાજ્યમાં બદલાતી રહેતી હતી પણ સમય જતા નવેમ્બર મહિનાનો છેલ્લો ગુરુવાર હવે ઓફિશિયલ થેંક્સગિવિંગ ઉજવણીનો દિવસ બની રહ્યો છે અને આ દિવસની આખું અમેરિકા અને અમેરિકન કુટુંબો આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. અમેરિકન થેંક્સગિવિંગ તહેવારની વાત જેમ ફેમિલી ડિનર વગર અધૂરી છે એમ આપણા ઢેલ જેવા લગતા પક્ષી ટર્કી, વિશિષ્ટ મીઠાઇ પમ્પકિન પાઇ જે કોળાંમાંથી બનાવવામાં આવે છે એના વગર અધૂરી ગણાય. જિંગલ બેલ્સ મૂળરૂપે થેંક્સગિવિંગ ગીત હતુંથેંક્સગિવિંગ રસપ્રદ તથ્યોથી ભરેલું છે, જેમ કે પ્રથમ થેંક્સગિવિંગ મિજબાની ત્રણ દિવસ સુધી ચાલતી હતી અને તેમાં કોળાની પાઇ અથવા ટર્કીનો સમાવેશ થતો નહોતો પરંતુ હરણનું માંસ, હંસ અને અન્ય રમતનો સમાવેશ થતો હતો. લોકપ્રિય ગીત 'જિંગલ બેલ્સ' મૂળરૂપે થેંક્સગિવિંગ ગીત હતું, અને થેંક્સગિવિંગ પર વ્યાવસાયિક ફૂટબોલની પરંપરા 1920 માં શરૂ થઇ હતી. અમેરિકનો જેને 'હોલિડે સિઝન' કહે છે તે સામાન્ય રીતે થેંક્સગિવિંગથી શરૂ થાય છે. થેન્ક્સગિવિંગ ડે પછીનો પહેલો દિવસ - બ્લેક ફ્રાઈડે - નાતાલની ખરીદીની સિઝનની શરૂઆત દર્શાવે છે. 2010થી નવી પરંપરા શરૂ થઇથેંક્સગિવિંગ સામાન્ય રીતે કૌટુંબિક ભોજન સાથે ઉજવવામાં આવે છે. 2010 ના દાયકાથી શરૂ કરીને એક નવી પરંપરા ઊભી થઇ છે જેમાં મિત્રો સાથે ભોજન કરીને થેંક્સગિવિંગ ઉજવણી કરવામાં આવે છે. જે એક અલગ દિવસે અથવા થેન્ક્સગિવિંગ ડે પર વૈકલ્પિક કાર્યક્રમ તરીકે થાય છે. આને ફ્રેન્ડ્સ ગિવીંગ તરીકે ઓળખવામાં આવે છે. વેલ ફ્રેન્ડ ગિવિંગ તો બહુ નિર્દોષ ઉજવણી છે પણ ઓફિશિયલ થેંક્સગિવિંગની ઉજવણી ગુરુવારે શરુ થાય એના આગળના દિવસે એટલે કે બુધવારે, અબજો ડોલરનો દારૂ વિદેશમાં પીવાય છે અને માટે એ દિવસ 'ડ્રિન્ક્સ ગિવિંગ ડે' તરીકે ઉજવાય છે. દુનિયામાં દરેક બાળક જે ગીત બાલમંદિરમાં ભણેલું એ 'મેરી હેડ અ લિટલ લેમ્બ'ના રચયિતા સારાહ જોસેફા હેલને 17 વર્ષના પ્રચાર પછી રાષ્ટ્રપતિ લિંકનને થેંક્સગિવિંગ રાષ્ટ્રીય રજા બનાવવા માટે મનાવવાનો શ્રેય આપવામાં આવે છે. અત્યારે આખું અમેરિકા સારાહ જોસેફા હેલનું કુટુંબ અને મિત્રોને જોડતાં તહેવાર માટે ઋણી છે! હેપી થેન્ક્સગિવિંગ!

દિવ્ય ભાસ્કર 23 Oct 2025 6:00 am

રાજકોટના 25 તબલાવાદકોની 'ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ'માં ધમાલ:8થી 20 વર્ષના બાળકોના 'તબલા તાંડવ'થી ત્રણેય જજ અભિભૂત, સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું

શંકર મહાદેવનના કંઠે ગવાયેલા પ્રસિધ્ધ શિવ તાંડવને તબલા વાદન થકી પ્રસ્તુત કરવામાં આવ્યું અને તેનો વીડિયો યુ ટ્યુબ પર મુકતાની સાથે જ લાખો લોકોએ આ ગીતને વધાવી લીધું. જે બાદ તબલા વાદન થકી તાંડવનો તે વીડિયો ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટની ટીમ સમક્ષ પહોંચ્યો અને તેમના દ્વારા સામેથી અમારો સંપર્ક કરી ફાઈનલ રાઉન્ડમાં સિલેક્ટ કરી પરફોર્મન્સ આપવા આમંત્રણ અપાયું. આ શબ્દો છે રાજકોટની રાષ્ટ્રીય શાળા સંગીત મહાવિદ્યાલયના તબલા પ્રોફેસર ભાર્ગવ જાનીના. જેમની ટીમ દ્વારા ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં સંગીતના ત્રણેય ફોર્મેટને એક સાથે તુમ સે મિલકે દિલ કા હૈ જો હાલ ક્યા કરે ગીત પર તબલા વાદન અદભુત રીતે રજૂ કરવામાં આવ્યું. રાજકોટના 25 તબલા વાદકોના ઇન્ટરનેશનલ સ્ટેજ પરના તાંડવે જજને અભિભૂત કરી દીધા હતા. 25 જેટલા તબલાવાદકોએ તબલા તાંડવ રજૂ કર્યુંરાષ્ટ્રીય શાળા સંગીત મહાવિદ્યાલયમાં છેલ્લા 15 વર્ષથી તબલાના પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ભાર્ગવ જાનીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં મારી પાસે 1000થી વધુ વિદ્યાર્થીઓ તબલા શીખી અને ડિગ્રી મેળવી આગળ વધ્યા છે. ગત 18 ઓક્ટોબરના સોની ટીવીમાં ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ પ્રોગ્રામમાં મારી તબલાની ટીમ દ્વારા પરફોર્મ કરવામાં આવ્યું. હાલ ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટની 11મી સિઝન ચાલી રહી છે, પરંતુ અત્યાર સુધીની સિઝનમાં એવું પ્રથમ વખત બન્યું હશે કે એક સાથે 25 જેટલા તબલાવાદકો દ્વારા તબલા તાંડવ રજૂ કરવામાં આવ્યું. જેનાથી જજ ખૂબ જ આકર્ષિત થયા હતા કારણકે માત્ર તબલા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે આવુ પ્રથમ વખત બન્યું હતું. 'સતત ચાર મિનિટ સુધી તબલાવાદન કરવાનું હતું'રાજકોટની તબલા સાથેની ટીમ દ્વારા મોટા સ્ટેજ ઉપર ખુબ જ સરસ પરર્ફોર્મન્સ આપવામાં આવ્યું તે આ શહેર અને ગુજરાત માટે ખૂબ જ ગૌરવની વાત છે. ત્યાંથી જે સોંગ આપવામાં આવ્યું હતું તે મુજબ અમારે સતત ચાર મિનિટ સુધી તબલાવાદન કરવાનું હતું. સંગીતમાં 3 પ્રકારો કલાસિકલ, લાઈટ અને ફોક મ્યુઝિક છે. જે ત્રણેય પ્રકારો મુજબ બાળકો કઈ રીતે તબલા વગાડી શકે તે પ્રકારનું રીધમ કમ્પોઝિશન તૈયાર કરવામાં આવ્યું હતું. જે પરર્ફોમન્સ બદલ અમને ખૂબ જ સારા પ્રતિભાવો મળ્યા અને તે બદલ અમે રાષ્ટ્રીય શાળાના મેનેજિંગ ટ્રસ્ટી જીતુભાઈ ભટ્ટનો પણ આભાર માનીએ છીએ. આગળ અમને મુંબઈ જઈને પરર્ફોર્મન્સ આપવાની તક મળશે તો તેમાં પણ અમે જઈશું અને રાજકોટનું નામ રોશન કરશું. 'ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટના ત્રણેય જજ માટે ગીફ્ટ લઈને ગયા હતા'તેમણે જણાવ્યું હતું કે, ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ પ્રોગ્રામમાં 3 જજ છે. જેમાં શાન મુખર્જી ગુજરાતના જમાઈ છે. નવેમ્બર મહિનામાં તેમની 25મી મેરેજ એનિવર્સરી આવી રહી છે. જેને લઈને અમે તેમને સરપ્રાઈઝ આપી હતી અને તેના માટે અમે એક આખું ઘર સજાવ્યું હતું. આ ઉપરાંત તેમના માટે ફૂલોના હાર, મીઠાઈ, કપડા સહિતની વસ્તુઓની ખરીદી કરી હતી. જે કોન્સેપ્ટને જમાઈ રાજ નામ આપવામાં આવ્યું હતું. આ સાથે જ નવજોત સિંહ સિદ્ધુ અને મલાઈકા અરોરા માટે ઘણી બધી ભેટ લઈ ગયા હતા. અમારું આ સિલેક્શન થયું તે પહેલા મુંબઈથી ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટની ટીમ રાજકોટ આવી હતી અને અમારી તબલાની ટીમના શૂટિંગની સાથે રાજકોટ શહેરમાં પણ ઘણી બધી ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરી હતી. બાળકોએ માત્ર ત્રણ દિવસમાં ગીત તૈયાર કર્યુંભાર્ગવ જાનીના પુત્ર અને ટીમમાં સાથે પરફોર્મન્સ આપતા ઓમ જાનીએ જણાવ્યું હતું કે, હાલમાં હું તપસ્વી ઇન્ટરનેશનલ સ્કૂલમાં મ્યુઝિક ફેકલ્ટી છું. મેં મારા પિતા સાથે એક ટીમ તરીકે પરફોર્મન્સ આપ્યું. અમારા પરિવારમાં છેલ્લી સાત પેઢીથી સંગીતનો વારસો ચાલ્યો આવે છે અને તેને હું આગળ વધારી રહ્યો છું. અમે 'તુમ સે મિલકે દિલ કા હૈ જો હાલ ક્યા કરે' ગીત પર તબલા વાદન કર્યુ હતું. 5 મિનિટનું ગીત હતું. જેના માટે અમે છેલ્લા ત્રણ મહિનાથી પ્રેક્ટિસ કરતા હતા. જોકે અમે જ્યારે મુંબઈ ગયા ત્યારે કહેવામાં આવ્યું કે તમારે આમાંથી ખાલી એક મિનિટના મુખડા પર જ પરર્ફોર્મન્સ આપવાનું છે. જેથી અમારી 8થી 20 વર્ષ સુધીના બાળકો સહિતની ટીમે માત્ર ત્રણ દિવસમાં ગીત તૈયાર કર્યું અને તેના પર ખૂબ જ સરસ પરર્ફોર્મન્સ પણ આપવામાં આવ્યું. ત્રણેય જજ દ્વારા સ્ટેન્ડિંગ ઓવેશન આપવામાં આવ્યું અને અમારા પરર્ફોર્મન્સને બિરદાવવામાં આવ્યું.

દિવ્ય ભાસ્કર 23 Oct 2025 6:00 am

મોરારી બાપુની બીજી ઐતિહાસિક 'રામ યાત્રા':25 ઓક્ટોબરે ચિત્રકુટથી શરૂ કરી શ્રીલંકા થઈ 4 નવેમ્બરે અયોધ્યામાં પૂર્ણ કરશે, 22 કોચની ટ્રેનમાં 8 હજાર કિમીનું અંતર કાપશે

પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના ઉપદેશોના પ્રસારક મોરારી બાપુ 25 ઓક્ટોબરથી 4 નવેમ્બર, 2025 સુધી એક વિશિષ્ટ આધ્યાત્મિક સફર 'રામ યાત્રા' ઉપર જઇ રહ્યાં છે. આ દિવ્ય યાત્રા મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામના પાવન માર્ગ ઉપર ચાલતાં તેમના જીવન અને ઉપદેશો સાથે જોડાયેલા પવિત્ર સ્થળો સાથે જોડાશે. ચિત્રકૂટથી રામેશ્વર અને કોલંબો બાદ આ યાત્રા અયોધ્યામાં સમાપ્ત થશે. આ યાત્રા સનાતમ ધર્મના સાર, પ્રભુ શ્રીરામના નામના મહિમાને ઉજાગર કરશે. આ યાત્રા ભારતને એકતાના સૂત્રમાં જોડશે અને પરંપરાઓને મજબૂત કરશે. 22 કોચની ટ્રેનમાં 8 હજાર કિમીનું અંતર કાપશેઆ યાત્રા ચિત્રકૂટના પવિત્ર અત્રિ મુનિ આશ્રમથી શરૂ થશે, જ્યાં 25 ઓક્ટોબર, 2025ના રોજ પ્રથમ રામ કથાનું આયોજન થશે. 11 દિવસ દરમિયાન વિવિધ સ્થળો ઉપર કથા યોજાશે જે કુલ 8,000 કિમીનું અંતર કાપશે. એક 22 કોચની વિશેષ ટ્રેનમાં કુલ 411 શ્રદ્ધાળુઓ સફર કરશે, જેમાં બાપુની સાથે તેમના અનુયાયીઓ આ સફરમાં જોડાશે. આ યાત્રામાં ભારત અને શ્રીલંકાના વિવિધ આધ્યાત્મિક સ્થળો ઉપર 9 દિવસ રામ કથા યોજાશે, જ્યાં શ્રદ્ધાળુઓ પ્રભુ શ્રીરામના ઉપદેશો અને જીવન વિશે જાણકારી મેળવશે. ભારત અને શ્રીલંકામાં વિવિધ સ્થળો રામકથા કરશેમોરારી બાપુ ઘણાં દાયકાઓથી રામકથા કરી રહ્યાં છે અને હવે તેઓ ભારત અને શ્રીલંકામાં વિવિધ સ્થળો ઉપર પ્રભુ શ્રીરામના ઉપદેશોના પ્રસાર માટે આધ્યાત્મિક યાત્રા ઉપર જઇ રહ્યાં છે. આ યાત્રામાં મોરારી બાપુ નીચે મૂજબના આધ્યાત્મિક રીતે ખૂબજ મહત્વપૂર્ણ સ્થળો ઉપર રામકથા કરશે. ચિત્રકૂટથી રામેશ્વર અને કોલંબોથી અયોધ્યા પરત ફરશેઆ પ્રભુ શ્રીરામના ધર્મ, સમર્પણ અને કરૂણાની સફરને ખૂબજ સુંદર રીતે પ્રસ્તુત કરશે તથા રામ રાજ્યના સારને જીવંત બનાવશે. આ રામકથા ચિત્રકૂટથી રામેશ્વર સુધી ટ્રેન દ્વારા અને ત્યાર બાદ રામેશ્વરથી કોલંબો અને કોલંબોથી અયોધ્યા ફ્લાઇટના માધ્યમથી વિવિધ સ્થળો ઉપર કથા યોજાશે. અયોધ્યા એ જગ્યા છે કે જ્યાં પ્રભુ રામ 14 વર્ષના વનવાસ પૂર્ણ કર્યાં બાદ પરત ફર્યાં હતાં. શ્રદ્ધાળુઓને પ્રસાદીરૂપે દૈનિક ત્રણવાર ભોજન પીરસાશેરામચરિત માનસ પ્રભુ શ્રીરામની બાહ્ય સફરને દર્શાવવાની સાથે-સાથે આત્માની આંતરિક યાત્રાનું પણ વર્ણન કરે છે. કોઇપણ વ્યક્તિ આ રામકથામાં ઉપસ્થિત રહી શકે છે અને કોઇપણ વ્યક્તિ સફરના કોઇપણ તબક્કે સીધા તેમાં સામેલ થઇ શકે છે. તેનાથી દરેક વર્ગના લોકોને આધ્યાત્મિક અનુભવમાં સહભાગી બનવાની તક મળશે. દરેક શ્રદ્ધાળુઓને આયોજકો દ્વારા પ્રસાદીરૂપે દૈનિક ત્રણવાર ભોજન પીરસાશે. આ યાત્રા પ્રભુ શ્રીરામના ધર્મ અને કરૂણાના માર્ગનું સ્મરણપ્રભુ શ્રીરામના વનવાસ સાથે સંબંધિત આ બીજી પરિક્રમા યાત્રા છે. પહેલી પરિક્રમા યાત્રા 27 નવેમ્બરથી 5 ડિસેમ્બર 2021 દરમિયાન અયોધ્યાથી ચિત્રકૂટ અને નંદીગ્રામ સુધી યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે, મોરારી બાપુ કથા માટે કોઇપણ રકમ સ્વિકારતા નથી અને શ્રદ્ધાળુઓને વિનામૂલ્યે ભોજન કરાવવામાં આવે છે. આગામી રામકથા વિશે વાત કરતાં મોરારી બાપુએ જણાવ્યું હતું કે, આ યાત્રા એક સ્થળથી બીજા સ્થળ સુધીની સફર જ નહીં, પરંતુ પ્રભુ શ્રીરામના ધર્મ અને કરૂણાના માર્ગનું સ્મરણ છે. જ્યાં પણ પ્રેમથી તેમના નામનું સ્મરણ કરાય, તે જગ્યા અયોધ્યા બની જાય છે. સત્ય, પ્રેમ અને કરુણાના શાશ્વત મૂલ્યોમાં મૂળ ધરાવતી રામયાત્રાઆ યાત્રાનું આયોજન સંતકૃપા સનાતન સંસ્થાનના બાપુના અનુયાયી મદનજી પાલીવાલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. યાત્રાથી લઈને વ્યવસ્થા અને કથા સહિતના દરેક પાસા સનાતન ધર્મની શુદ્ધતા અને સમાવેશકતાને પ્રતિબિંબિત કરે છે. વિશ્વભરના ભક્તો બાપુ સાથે આવશે, જે આ શ્રદ્ધા અને એકતાનું પ્રતીક બનશે. સત્ય, પ્રેમ અને કરુણાના શાશ્વત મૂલ્યોમાં મૂળ ધરાવતી રામયાત્રા રામ ચરિત માનસના ઉપદેશોના પ્રકાશ ફેલાવવા અને માનવતાના આધ્યાત્મિક માળખાને મજબૂત બનાવવાના બાપુના જીવનભરના મિશનને સુંદર રીતે પ્રસ્તુત કરે છે.

દિવ્ય ભાસ્કર 23 Oct 2025 6:00 am

અમરેલીની કોલેજમાં પ્રેમ ને ગાંધીનગરમાં લોહીયાળ અંત:પ્રેમીએ અંગતપળો દરમિયાન જ પ્રેમિકાને નેપકીનથી પતાવી દીધી, રાતના 10 વાગ્યે બેડમાં જ ખેલ્યો ખૂની ખેલ

તારીખ: 29 સપ્ટેમ્બર, 2025સમય: રાતના 10 વાગ્યા આસપાસસ્થળ: ગાંધીનગર ચોમાસુ વિદાય લેવાની તૈયારીઓમાં હતું અને ગુજરાતીઓ નવરાત્રિ સેલિબ્રેશનમાં ડૂબેલા હતા. બરાબર રાતના સાડા આઠ વાગ્યા આસપાસ ગાંધીનગર એસટી ડેપો નજીક એક ખાનગી વાહન આવીને થોભે છે. આ વાહનમાંથી એક યુવક ઉતરે છે. તે જેવો વાહનમાંથી નીચે પગ મૂકે છે એ સાથે જ એક્ટિવા પર એક યુવતીને તેને લઈને તેમના ઘર તરફ જવા નીકળી પડે છે. રસ્તામાં ATMમાંથી રૂ.500 ઉપાડે છે અને મેડિકલેથી અમૂક વસ્તુઓ ખરીદે છે. બાદમાં પાઠ્ય પુસ્તક મંડળ ક્વાર્ટર્સમાં એન્ટ્રી લે છે. પાઠ્ય પુસ્તક મંડળ ક્વાર્ટર્સમાં એન્ટ્રી કર્યા બાદ આ યુવક બાથરૂમમાં ન્હાવા માટે જાય છે અને પછી આ યુવક-યુવતી બેડ પર એકમેકમાં ખોવાઈ જાય છે. યુવકનું નામ મોહન પારધી હોય છે અને યુવતી શાહીબાગ હેડક્વાર્ટર્સમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી હોય છે. જો કે બન્ને એકમેકમાં ખોવાયા બાદ અચાનક જ યુવતીની નિર્વસ્ત્ર હાલતમાં લાશ મળે છે. આ સાથે જ લાશનું રહસ્ય શોધવા માટે ગાંધીનગર પોલીસ દોડતી થઈ જાય છે. અમરેલીની કોલેજમાં સાથે અભ્યાસ ને સાથે જ અપડાઉનસૌથી પહેલા તો આ યુવક અને યુવતી કેવી રીતે સંપર્કમાં આવ્યા અને તેમના સંબંધો બેડ સુધી કેવી રીતે પહોંચ્યા એ અંગે શરૂથી શરૂઆત કરીએ તો અમરેલીની પોકાર માર્બલ કંપનીમાં 15 હજાર પગારે મેનેજર તરીકે નોકરી કરતો 33 વર્ષીય મોહન પારધી સહિત પાંચ ભાઈ બહેનો છે. જેમાં ત્રણ ભાઈ અને બે બહેનો છે. વર્ષ 2011-12 માં મોહન અમરેલીની પ્રતાપરાય આર્ટસ કોલેજમાં બી.એ.નો અભ્યાસ કરતો હતો. જ્યાં મૂળ ગારિયાધારની એક યુવતી પણ અભ્યાસ કરતી હતી. બન્ને જણા કૉલેજ જવાં આવવા એક જ બસમાં અપડાઉન કરતા હોવાથી એક બીજાના પરિચયમાં આવ્યા હતા. બાદમાં બન્ને વચ્ચે મિત્રતાના ગાઢ સબંધો બંધાયા હતા. મોહનના જાગૃતિ સાથે લગ્ન, યુવતી સાથેનો સંપર્ક તૂટ્યોત્યાર બાદ બંને જણા સોશિયલ મીડિયા થકી પણ એકબીજાના સંપર્કમાં રહેવા લાગ્યા હતા. આમને આમ કોલેજ કાળ પૂર્ણ થવા આવ્યો. આ દરમ્યાન વર્ષ 2015માં મોહનને જાગૃતિ નામની યુવતી સાથે પ્રેમ થઈ જાય છે. જેથી તેની સાથે પ્રેમ લગ્ન કરી લે છે. જેને હાલમાં ત્રણ વર્ષનો દીકરો પણ છે. આમ થોડા સમય માટે મોહન અને યુવતી વચ્ચેનો સંપર્ક તૂટી ગયો હતો. પ્રેમિકા કોન્સ્ટેબલ બની, કોલેજકાળનો પ્રેમ ફરી સળવળી ઉઠ્યોઆ સમય ગાળા દરમિયાન કોલેજમાં સાથે ભણતી એ યુવતીએ પોતાની કારકિર્દી ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું અને અથાગ મહેનત કરીને પોલીસ ખાતામાં કોન્સ્ટેબલ તરીકે નોકરી મેળવી લીધી. ત્યાર બાદ તેને અમદાવાદ શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવવા લાગી હતી. સમય જતા મોહન અને મૃતક યુવતી ફરી પાછા સોશિયલ મીડિયા દ્વારા એકબીજા સાથે સંપર્કમાં આવ્યા અને કોલેજકાળનો દિલમાં ધરબાયેલો એ પ્રેમ ફરી સળવળી ઉઠ્યો. આમ એક સમયના કોલેજના સાથીઓ હવે પ્રેમી-પ્રેમિકા બની ગયા. એક સાથે પત્ની અને પ્રેમિકા સાથે સંબંધો રાખતોજો કે મોહન પરણિત હતો. જેથી તે પત્ની અને પ્રેમિકા એમ બન્નેને છેતરી રહ્યો હતો. આ તરફ યુવતીને એમ હતું કે મોહન તેની સાથે લગ્ન કરશે. એટલે મોકો મળતા મોહન આ યુવતીને મળવા ત્રણેક વખત ગાંધીનગર આવી ચૂક્યો હતો. એવામાં ગત તા.26 સપ્ટેમ્બર, 2025ના રોજ યુવતીના ભાઈ-ભાભી આઠમનું નિવૈદ્ય કરવા વતન ગયા હતા. જેઓ ત્યાં રોકાવાના હોવાથી બન્નેએ મળવાનું નક્કી કર્યું હતું. એ દિવસે અમરેલીથી ગાંધીનગર પહોંચ્યો મોહન, મેડીકલેથી વસ્તુઓ ખરીદીબન્ને વચ્ચે નક્કી થયા મુજબ 29 સપ્ટેમ્બરના બપોરના એકાદ વાગે મોહન અમરેલીથી બસમાં બેસી અમદાવાદ આવ્યો હતો. અમદાવાદથી તે સાડા આઠ વાગ્યે પ્રાઇવેટ વાહનમાં બેસી ગાંધીનગર એસટી ડેપો નજીક આવ્યો હતો. જેને લેવા માટે પ્રેમિકા એક્ટિવા લઈને એસટી ડેપો નજીક પહોંચી ગઈ. જ્યાં રસ્તામાં મોહને એક એટીએમ માંથી 500 રૂપિયા ઉપાડ્યા અને એક મેડિકલેથી જરૂરીયાતની વસ્તુ ખરીદી હતી. બાથરૂમમાં સ્નાન ને પલંગમાં અંગતપળો સમયે લગ્નની પ્રપોઝલ ત્યાર બાદમાં બંને જણા રાતના પોણા દસેક વાગ્યે પાઠય પુસ્તક મંડળ ક્વાર્ટસ ગયા હતા. જ્યાં મોહને બાથરૂમમાં જઈ સ્નાન કર્યું હતું.બાદમાં બન્ને જણા નિવસ્ત્ર હાલતમાં પલંગમાં એકમેકમાં ખોવાઈ જાય છે. આ પ્રેમાલાપ સમયે જ પ્રેમિકાએ લગ્ન કરવાની વાત કરતા મોહન એકદમ ઉશ્કેરાઈ જાય છે અને પોતાને પત્ની અને દીકરો હોવાનું કારણ આગળ ધરી લગ્ન કરવાનો ઇન્કાર કરી દે છે. નેપકીનથી મોઢું દબાવી દીધું, પ્રેમિકાએ ખૂબ તરફડીયા માર્યાઆ દરમિયાન બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે. જેથી મોહન પ્રેમિકાના દોઢ વર્ષના ભત્રીજામા નેપકીન વડે તેણીનું મોંઢું દબાવી દે છે. જેનાથી બચવા પ્રેમિકા ઘણા તરફડિયા મારે છે. પરંતુ મોહને શ્વાસ રૂંધાઈ જાય ત્યાં સુધી તેણીનું મોઢું દબાવી રાખે છે અને હત્યા કરી દે છે. ત્યાર બાદમાં કપડાં પહેરીને મોહન પુરાવાનો નાશ કરવાના ઇરાદે પ્રેમિકાનો મોબાઇલ પોતાની પાસે રાખી લે છે. એક્ટિવાની ચાવી અને ફોન લઈ મેટ્રો પુલ બાજુ ભાગ્યોત્યાર બાદ એક્ટિવા લઈને નીકળી જવાના ઇરાદે એક્ટિવાની ચાવી પણ ઉઠાવી લે છે. બાદમાં રાતના દોઢેક વાગે ઘરના દરવાજાને બહારથી બંધ કરીને રૂમની નીચે ચાલ્યો જાય છે. પરંતુ રાતે એક્ટિવા ચાલુ કરવાથી આસપાસના લોકો જાગી જશે એમ માનીને મોહન ત્યાંથી બહાર નીકળીને મેટ્રો પુલ બાજુ થઈને મુખ્ય રોડ ઉપર આવી પહોંચે છે. જ્યાંથી તે એક રિક્ષામાં બેસી એસટી ડેપો ચાલ્યો જાય છે. એસટી ડેપોએ બસમાં બેસીને અમરેલી જતો રહે છે. પરિવારમાં એક બહેન, ભાઈ-ભાભી અને ભત્રીજોમૂળ ભાવનગરના ગારિયાધરના વતની અને હાલમાં સેક્ટર 24 પાઠય પુસ્તક મંડળ સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા તેમના ભાઈ પાઠયપુસ્તક મંડળમાં નોકરી કરે છે. જેમને પરિવારમાં પત્ની અને દોઢ વર્ષનો દીકરો છે. તેને ચાર બહેનો પૈકી 32 વર્ષીય બહેન તેમની સાથે રહીને અમદાવાદ શાહીબાગ હેડ ક્વાર્ટર ખાતે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી હોય. છે. જ્યારે એક બહેન નડિયાદ પોલીસમાં નોકરી કરે છે. બહારથી દરવાજો બંધ ને ફોન સ્વીચ ઓફગત તા.26 સપ્ટેમ્બરે તેમના ભાઈ પત્ની અને દીકરા સાથે આઠમનું નિવૈદ્ય કરવા વતન ગારિયાધાર ગયા હતા. આ દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ બહેન ઘરે એકલી રોકાઈ હતી. 30 સપ્ટેમ્બરને મંગળવારે સવારે ભાઈએ તેની બહેનને પાંચેક વખત ફોન કર્યો હતો. આથી તેમણે પાડોશમાં રહેતા એક મહિલાને ઘરે તપાસ કરવા કહ્યું હતું. ત્યારે બપોરના આશરે સાડા અગિયારેક વાગે પાડોશી મહિલાએ મૃતકના ભાઈને ફોન કરીને કહ્યું કે,તેની બહેનનો ફોન બંધ આવે છે અને બહારથી દરવાજો બંધ કરેલો જોવા મળે છે. પાડોશીએ ઘર અંદરનું દ્રશ્ય જોયું ને પગ નીચેથી જમીન સરકીજેથી મૃતક યુવતીના ભાઈએ પાડોશીઓને ઘરમાં જઈને તપાસ કરવા કહ્યું, પાડોશી મહિલાએ અંદર જઈને જોતાં જ પગ નીચેથી જમીન સરકી જાય છે. કેમકે પોલીસ કોન્સ્ટેબલ યુવતી ઘરની અંદર આવેલી ગેલેરીમા પલંગ ઉપર નિર્વસ્ત્ર હાલતમાં પડી હતી. બાદમાં પાડોશી મહિલાએ તેમના પતિને પણ બોલાવી લીધા હતા અને મૃતકના ભાઈને સમગ્ર સ્થિતિથી વાકેફ કરવામાં આવે છે. આ બનાવની જાણ થતા જ ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટી અને એલસીબી સહિત સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ ઉપર પહોંચી જાય છે. હોઠ અને નાકે સુકાયેલા લોહીના ડાઘ જોતા જ પોલીસ સમજી ગઈબીજી તરફ તેના ભાઈ માતા-પિતા સહિતના પરિવારજનો સાથે પ્રાઇવેટ વાહનમાં ગાંધીનગર આવવા રવાના થઈ જાય છે. તો આ તરફ પોલીસે એફએસએલની મદદથી ઘનિષ્ઠ તપાસનો દોર શરૂ કરે છે. પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ હત્યા થયાનો અંદાજ તો આવી જાય છે. કેમ કે મહિલા કોન્સ્ટેબલ નિર્વસ્ત્ર હાલતમાં હતી. મોઢું પણ અર્ધ ખુલ્લુ તેમજ હોઠ અને નાકના ભાગે સુકાઇ ગયેલા લોહીના ડાઘ હતા.જેથી મૃતક યુવતીનો ભુતકાળ શોધવા પોલીસ ટીમોને કામે લગાડી દેવામાં આવે છે. તો પોલીસે ઘરની તપાસ કરતા મૃતકનો મોબાઇલ અને એક્ટિવાની ચાવી ગાયબ જોવા મળ્યા. પરિવારજનો હાંફળા ફાંફળા થઈ વતનથી ગાંધીનગર પહોંચ્યાઆ દરમિયાન સાંજના 6 વાગ્યાની આસપાસ મૃતકના ભાઈ સહિતના પરિવારજનો હાંફળા ફાંફળા થઈને ઘરે આવી પહોંચે છે અને બહેનની લાશ જોઈ શોકમાં ગરકાવ થઈ જાય છે. આ તરફ એસપી રવિ તેજા વાસમ શેટ્ટીના સીધા માર્ગદશન હેઠળ એલસીબી પીઆઇ દિવાનસિંહ વાળા(ગાંધીનગરના સાઇકો કિલરે ફાયરિંગ કરતા વળતું ફાયરિંગ કરનારા પોલીસ જવાન), એચ.પી.પરમાર અને જે. જે. ગઢવીની અલગ અલગ ટીમો જુદા જુદા એંગલથી તપાસમાં લાગી હતી. ટેકનિકલ સર્વેલન્સ એનાલિસિસથી સસ્પેકટ તરીકે મોહન નાગજીભાઇ પારધી (ઉ.વ.33 રહે, બુધ્ધ વિહાર શેરી, આંબેડકર શેરીની બાજુમાં, ચિત્તલ રોડ, અમરેલી, મૂળ.ગારિયાધાર) આઇડેન્ટીફાય થયો હતો. જેને ટ્રેક કરીને 1 ઓક્ટોબર, 2025ના રોજ મોહન પારધીને અમરેલીથી ઉઠાવી લેવાયો. આમ મોહન પારધીને એલસીબીએ બીજા દિવસે જ દબોચી લીધો હતો. ત્યારે આ મર્ડરની વધુ તપાસ સેકટર 21 પીઆઇ એલપી દેસાઈ કરી રહ્યા છે. પોલીસે મૃતક કોન્સ્ટેબલના વિસેરા સહિતના પુરાવા એકત્ર કરી એફએસએલ તપાસ અર્થે મોકલી આપ્યા છે. જેના રિપોર્ટ પછી મોહન વિરુદ્ધ બળાત્કારની કલમનો ઉમેરો કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 23 Oct 2025 6:00 am

હાઇફાઇ મોલમાં હોય તેવું ઉમરાળા ગામનું પબ્લિક ટોઈલેટ:એન્ટર થતાં જ લાઈટ ચાલુ ને ઓટોમેટિક ફ્લશ; વિકાસ એવો કે CM પણ વખાણ કર્યા વગર ના રહી શક્યા

ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામે રાજ્ય સરકારની ગ્રાન્ટ સાથે લોકભાગીદારી અને દાતાઓના સહયોગથી ગામને આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવાનો અનોખો પ્રયાસ કર્યો છે. અદ્યતન CCTV કંટ્રોલ રૂમથી લઈ ડિજિટલ ફાઈલિંગ સિસ્ટમ સુધી, ઉમરાળા આજે સ્માર્ટ ગામ તરીકે ઉભર્યું છે. સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમના નેતૃત્વ હેઠળ ગામમાં સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય અને પર્યાવરણ ક્ષેત્રે નોંધપાત્ર કામ થયું છે. ગામના વિકાસની વાત કરીએ તો ટોઇલેટમાં ઘૂસતા જ લાઇટ શરૂ થઈ જાય અને ઓટોમેટિક ફ્લશ થઈ જાય છે. વિકાસ તો એવો છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વખાણ કર્યા વગર ના રહી શક્યા. શહેરને ટક્કર મારે તેવું ઉમરાળા ગામભાવનગર જિલ્લાની ઉમરાળા ગ્રામ પંચાયતે રાજ્ય સરકાર દ્વારા મળતી ગ્રાન્ટની સાથે સાથે લોકભાગીદારીના માધ્યમથી અને જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં પોતાના સ્વખર્ચે, દાતાઓના સહયોગથી ઉમરાળા ગ્રામ પંચાયતમાં શહેરને ટક્કર મારે તેવી તમામ માળખાકીય સુવિધાઓ આપવાનો નવતર પ્રયાસ કર્યો છે. CCTV કંટ્રોલ રૂમ બનાવી આખા ગામમાં દેખરેખગામમાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગ્રામ પંચાયત તેમજ મુખ્ય રસ્તા પર અદ્યતન CCTV કેમેરા લગાવી દેવામાં આવ્યાં છે. ગ્રામ પંચાયતમાં CCTV કંટ્રોલ રૂમ બનાવીને સમગ્ર ગામમાં દેખરેખ રાખવામાં આવી રહી છે. ઉમરાળા અન્ય ગામો માટે પ્રેરણારૂપ બન્યુંગ્રામ પંચાયતનો વહીવટ છેલ્લા ત્રણ વર્ષથી ધર્મેન્દ્રભાઇ હેજમ કરી રહ્યાં છે. તેમણે મેળવેલાં શિક્ષણ, આગવી સૂઝ અને ગામ માટે કંઇક કરી છૂટવાની‌ તમન્નાને લીધે ઉમરાળા ગામે વિકાસ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરીને ગામની સાથે ભાવનગર જિલ્લાનું નામ રોશન કર્યું છે.સરપંચ ધર્મેન્દ્રભાઈની ઉત્કૃષ્ટ કામગીરીને‌ લીધે વિવિધ મહાનુભાવોના હસ્તે તેમને સન્માનિત કરવામાં આવ્યાં છે. આમ, ઉમરાળા ગામ અન્ય ગામો માટે પ્રેરણારૂપ બન્યું છે. ઉમરાળા ગામમાં 2 આધુનિક શૌચાલયઉમરાળા ગ્રામપંચાયતમાં હાલ બે આધુનિક શૌચાલય કાર્યરત છે. જેમાં 1 શૌચાલય ગ્રામ પંચાયત પરિસરમાં છે,જે 2,43,000ના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ગ્રામ પંચાયત નાણાંપંચ અને તાલુકા પંચાયત નાણાંપંચમાંથી 2 લાખની ગ્રાન્ટ મળી હતી અને 43,000 દાતાઓના સહયોગથી આમ કુલ 2,43,000ના ખર્ચે બનાવાયું છે. અન્ય એક આધુનિક શૌચાલય ગ્રામ પંચાયત ઓફિસની બહાર બનાવાયું છે, જે 2,94,000ના ખર્ચે તૈયાર કરાયું છે. જેમાં ગ્રામ પંચાયત નાણાંપંચ અને તાલુકા પંચાયત નાણાંપંચમાંથી 2 લાખની ગ્રાન્ટ મળી હતી અને 94,000 દાતા પાસેથી એમ કુલ 2,94,000ના ખર્ચે બનાવાયું છે. ગુજરાતમાં ક્યાંય ના હોય તેવા જાપાનની ટેક્નોલોજીથી શૌચાલય બનશેઉમરાળાના સરપંચે જણાવ્યુ હતું કે વર્ષ 2027 સુધીમાં વધુ બે આધુનિક શૌચાલય જાપાનની ટેકનોલોજીથી ઉમરાળા ખાતે બનવવામાં આવશે અને તે ગુજરાતમાં કોઈ જગ્યા એ નહિં હોય તેવી ડિઝાઇનથી બનાવવામાં આવશે. ઉમરાળા સરપંચને મળ્યો આધુનિક શૌચાલયનો એવોર્ડ11 ઓક્ટોબરે રાજકોટમાં યોજાયેલા વિકાસ સપ્તાહ અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આધુનિક શૌચાલયનો ગુજરાતમાં પ્રથમ ક્રમાંકિત એવોર્ડ ઉમરાળા સરપંચને આપી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સરપંચને પ્રેરણા મળે તે માટે આધુનિક શૌચાલયની માહિતી આપવા મુખ્યમંત્રીએ સરપંચને કહ્યું હતું. 18મી સદીથી લઈ આજ સુધીના જન્મ-મરણ રેકર્ડ ઓનલાઇનઉમરાળા ગામના સરપંચ તેમજ તલાટી કમ મંત્રી નિલમબેનની દેખરેખ હેઠળ આઇ.ટી. નિષ્ણાંત ટીમને સાથે રાખી સ્કેનર દ્વારા 18મી સદીથી લઈને આજ સુધીના જન્મ-મરણ રેકર્ડના એક-એક પેજ સ્કેન કરી પીડીએફ બનાવી લેમિનેશન ફોલ્ડરમાં નાખીને વર્ષ વાઇઝ અલગ અલગ ફાઈલો બનાવીને તમામ રેકર્ડ અપડેટ કર્યો છે. 125 વર્ષ જૂનો રેકર્ડ હવે વર્ષો સુધી સુરક્ષિત રહેશે1899ની સાલ પછીના વડવાઓની જન્મ-મરણની માહિતી મિનિટોની ગણતરીમાં મળી જશે અને 125 વર્ષ જૂનો રેકર્ડ હવે વર્ષો સુધી સુરક્ષિત રહેશે. આમ ઉમરાળાની ગ્રામ પંચાયતે સમગ્ર ગુજરાતના ગામડાઓને નવો રાહ ચિંધ્યો છે. ગ્રામ પંચાયતમાં ફરિયાદ નિવારણ માટે હેલ્પલાઇન નંબરઘરે બેઠાં જ ગ્રામ પંચાયતના પ્રશ્નોનું નિવારણ આવી જાય તો કેવું સારું, બસ આવા વિચાર થકી જ ગામના સરપંચે એક અનોખી પહેલ આદરી. એ પહેલ એટલે ફરિયાદ નિવારણ. ગ્રામ પંચાયતે 7778800087 હેલ્પલાઇન નંબર છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત કર્યો છે. નોંધાયેલી ફરિયાદનો સમયસર નિકાલઆ નંબર પર લોકો પોતાના પ્રશ્નો રજૂ કરે છે. તલાટી કમ મંત્રી, સરપંચ તેમજ તેમના સભ્યો દ્વારા રજૂ થયેલાં પ્રશ્નોનું નિવારણ લાવવાનો પ્રયત્ન કરે છે. આમ‌ આજદિન સુધીમાં નોંધાયેલ તમામ ફરિયાદોનો સમયસર નિકાલ કરી દેવામાં આવ્યો છે. ગ્રામ પંચાયતમાં ઓનલાઇન પેમેન્ટ માટે QR કોડની સુવિધાઉમરાળા ગ્રામ પંચાયતમાં અત્યાર સુધી રોકડેથી વસૂલાત થતી હતી, પરંતુ હવે QR કોડના માધ્યમથી ઘરે બેઠા ઓનલાઇન વેરો વસૂલવામાં આવી રહ્યો છે. લોકોને વેરો ભરવા માટે ગ્રામ પંચાયત સુધી આવવું પડતું નથી. ગામ બહાર વસતા લોકો બહારગામથી પોતાના વેરા અને લોકફાળો આપી શકે છે. ગ્રામ પંચાયત, લાઈબ્રેરી અને‌ શાળામાં ફ્રી વાઈ-ફાઈઉમરાળા ગામનાં સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમે સ્વખર્ચે ગ્રામ પંચાયત, લાઈબ્રેરી, શાળાઓ તેમજ ગામના મુખ્ય વિસ્તારોમાં ફ્રી વાઈ-ફાઈની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. આ સુવિધા ગ્રામજનો, વાંચકો માટે ખુબ જ લાભદાયી બની રહી છે. સિંગલ યુઝ પ્લાસ્ટીક ભરેલી ત્રણ બોટલ આપો અને રૂ.20 મેળવોઉમરાળા ગ્રામ પંચાયતે એક નવતર પહેલ આદરી છે. જેમાં સિંગલ યુઝ પ્લાસ્ટીક ભરેલી ત્રણ બોટલ આપે તેને રૂ.20 આપવાના રહે છે. આ પહેલ દ્વારા રસ્તા કે ગામમાં પ્લાસ્ટીકની બોટલો જ્યાં ત્યાં ફેંકેલી જોવા મળતી હતી. તે હવે જોવા મળતી નથી અને ગામ પણ પ્લાસ્ટીક મુક્ત બનતું જાય છે. 60 દીકરીનો શિક્ષણ ખર્ચ, 60 દીકરા-દીકરીઓને શૈક્ષણિક કિટ્સનું વિતરણઉમરાળામાં ગુણવત્તાસભર શિક્ષણ થકી ધો.10-11ની શાળાનું પરિણામ ઉત્કૃષ્ટ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓ શિક્ષણની સુવિધાથી વંચિત ના રહી જાય તે માટે 60 દીકરીનો શિક્ષણનો ખર્ચ અને 60 દીકરા-દીકરીઓને શૈક્ષણિક કિટ્સનું વિતરણ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ શૈક્ષણિક કિટ્સમાં સ્કૂલબેગ, ફુલસ્કેપ ચોપડા, કંમ્પાસ, પેડ, પેન્સિલ, પાણીની બોટલ અને 50 પેનનો સમાવેશ થાય છે. ઘરઆંગણે જ સમયસર સારવારઉમરાળા ગામના લોકોને ઘર આંગણે‌ જ‌ આરોગ્ય લક્ષી સુદ્રઢ સારવાર મળી રહે તે માટે વેલનેસ સેન્ટર સહિતની આરોગ્ય લક્ષી ઉત્તમ પ્રકારની સુવિધા પુરી પાડવામાં આવી રહી છે. જેમાં ઇમરજન્સી સારવાર, ડિલિવરી યુનિટ, ઓપીડી સારવાર, લેબોરેટરી, ડાયાલિસિસ યુનિટ વગેરે ઉપલબ્ધ છે. લોકોને અહીં સમયસર આરોગ્યની સારવાર મળી રહે છે. ટી.બી. નિયમન ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કાર્ય બદલ બ્રોન્ઝ એવોર્ડ મળ્યોઆકસ્મિક સારવાર માટે એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત આર્થિક રીતે નબળા માણસો માટે વ્હીલચેર સહિત અન્ય સાધનોની જરૂર પડે તો ગામના સરપંચ દ્વારા વિનામૂલ્યે પુરા પાડવામાં આવે છે. તાજેતરમાં વિશ્વ આરોગ્ય દિવસ ઉજવણીના ભાગરૂપે ઉમરાળા ગ્રામ પંચાયતને આરોગ્ય વિષયક ટી.બી. નિયમન ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કાર્ય બદલ બ્રોન્ઝ એવોર્ડ આપવામાં આવ્યો છે. મુખ્ય બજારો ફાયર સેફ્ટીથી સજ્જઉમરાળા ગામની મુખ્ય બજારોમાં ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આવનારા દિવસોમાં ઉમરાળાના તમામ વિસ્તારોને ફાયર સેફટીથી સુસજ્જ કરવામાં આવશે. ભયજનક વળાંક પર બહિર્ગોળ કાચ મુકાયાઅકસ્માત નિવારવા માટે ભયજનક વળાંકવાળા 8 વિસ્તારોમાં બંને સાઈડથી દેખાય એવા બહિર્ગોળ કાચ મુકવામાં આવ્યા છે. આ કાચ થકી લોકોની સલામતી જળવાયી છે અને અકસ્માત પણ નિવારી શકાય છે. ચાંદીની ગાય-તુલસી ક્યારો ભેટ આપી દીકરી જન્મના વધામણાસરપંચ ઉમરાળા સરકારી દવાખાનામાં જે પણ દીકરીનો જન્મ થાય તેમને ચાંદીની ગાય અને ચાંદીનો તુલસી ક્યારો ભેટ આપીને દીકરી જન્મના વધામણા કરે છે. તેઓ સમાજને સંદેશ આપવા માંગે છે કે, દીકરી એ સાપનો ભારો નથી, દીકરી તો તુલસીનો ક્યારો છે. સોશિયલ મીડિયાના સથવારે ગ્રામજનો સાથે માહિતીનું આદાનપ્રદાનગ્રામજનો સુધી માહિતી સમયસર અને ઝડપથી પહોંચે તે માટે ગામના સરપંચ ધર્મેન્દ્રભાઇ હેજમે સોશિયલ મીડિયાનું ગ્રુપ બનાવ્યું છે. આ ગ્રુપમાં ગામના તમામ પરિવારો જોડાયેલા હોવાથી ગામને લગતી માહિતી સમયસર પહોંચે છે અને લોકો પોતાના અભિપ્રાય પણ મુક્ત‌ મને શેર કરી શકે છે. આમ આ ગ્રુપ ગામના લોકો માટે ખૂબ જ લાભદાયી છે. 3 હજારથી વધુ પેકેટનું વિનામૂલ્યે વિતરણહેલ્ધી અને સ્વાદિષ્ટ શાકભાજી ઘર આંગણે જ લોકોને મળી રહે તે માટે ગ્રામ પંચાયત દ્વારા 3 હજારથી વધુ પેકેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યાં છે. કર્મચારીએ ઈનામમાં મળેલું ઝેરોક્ષ મશીન પંચાયતને ભેટ આપ્યું ઉમરાળા ગ્રામ પંચાયતના નિષ્ઠાવાન કર્મચારી જયપાલસિંહ ગોહિલની શ્રેષ્ઠ કામગીરીના ઇનામ સ્વરૂપે સરકાર તરફથી અંદાજે રૂ.1,50,000 કિંમતનું ઝેરોક્ષ મશીન ભેટ આપવામાં આવ્યું હતું, પરંતુ જયપાલસિંહે આ ઝેરોક્ષ મશીન પોતે ન રાખતા પંચાયતને ભેટમાં આપ્યું હોવાથી ગ્રામ પંચાયતમાં કામકાજ અર્થે આવતા અરજદારોને હવે ઝેરોક્ષ કઢાવવા માટે બહાર જવું પડતું નથી. ઉમરાળા ગ્રામ પંચાયતની અનેક લોકોએ મુલાકાત લીધીરાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ગુજરાતના વિવિધ જિલ્લાઓના સરપંચો, તલાટી મંત્રીઓ, કર્મચારીઓ, અધિકારીઓએ ઉમરાળા ગામની મુલાકાત લીધી છે. આ કાર્યક્રમ અંતર્ગત સુરેન્દ્રનગર, બોટાદ અને નર્મદા એમ 3 જિલ્લાના સરપંચો અને પદાધિકારીઓ-અધિકારીઓ ઉમરાળાની મુલાકાત લઈ ચૂક્યા છે. 3 હજાર રોપાનું વિતરણ કરાયુંઉમરાળા ગામને લીલુંછમ-હરિયાળુ બનાવવા માટે દાતાઓ અને સમસ્ત ગામના સહિયારા પ્રયાસોથી 7 રોપાનું ટ્રિ ગાર્ડ સાથે રોપણ કરવામાં આવ્યું છે. 2727 વૃક્ષોથી ઉમરાળા લીલુંછમ બનશે. છાયાના વૃક્ષોમાં કણજી, લીમડા, વડ, પીપળો, સપ્તપર્ણ, બીલીપત્ર, ક્લોટન, બોગરનલ, વાંસ, કાશીદ, સીતાઅશોક, ગરમાળો તેમજ ફળોના વૃક્ષોમાં સીતાફળ, જામફળ, લીંબુ, પપૈયા, ગુંદા, બદામ, સરગવો, શેતૂર, અરીઠા, જાંબુ અને ફૂલોમાં જાસૂદ, ગુલાબ, ચંપો, લિલી મેંદી, પીળી મેંદી વગેરે આ તમામ રોપાઓ ગ્રામ પંચાયત દ્વારા વિનામૂલ્યે આપવામાં આવ્યાં છે. આમ, આજદિન સુધીમાં 3 હજાર જેટલાં રોપાઓનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. ઉતરાયણમાં પક્ષીઓના રક્ષણ માટે દોરીના વજન પ્રમાણે ઈનામ આપે છેઉતરાયણ તહેવાર બાદ ઉમરાળા ગ્રામ પંચાયત દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. જેમાં ગામના રસ્તાઓમાં, વૃક્ષોમાં દરેક જગ્યાઓએ મોટી સંખ્યામાં દોરી ઘુંચ પડેલી હોય છે. જેમાં અસંખ્ય પક્ષીઓના પગમાં દોરી ભરાવાથી ઉડી શકતા નથી. અબોલ પક્ષીઓને આ મુશ્કેલીથી બચાવવા દોરીના વજન પ્રમાણે ઇનામ આપવામાં આવે છે. 100 ગ્રામ દોરી જમા કરાવે તો 100 રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે. આમ, જેટલાં ગ્રામ દોરી જમા કરાવે તેટલા ગ્રામના રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે. આમ આ પહેલ થકી ગામમાં નકામી દોરી જોવા પણ મળતી નથી. 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ફ્રી રાશન હોમ ડિલિવરી60 વર્ષથી વધુ ઉંમરના વડીલો છે તેમને રાશનની દુકાનેથી અનાજ માથે ઊંચકીને લઈ જવું ન પડે માટે ફ્રી રાશન હોમ ડિલિવરીની વિતરણ વ્યવસ્થા ઉમરાળા ગ્રામ પંચાયત દ્વારા ચાલુ કરવામાં આવી છે. આ વ્યવસ્થા વડીલો માટે ખૂબ જ કલ્યાણકારી બની રહી છે. સૌથી વધારે માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીને એક દિવસ સરપંચ બનાવાય છેશાળાના બાળકોના કૌશલ્યનું ઘડતર થાય તે માટે ગામની શાળામાં દર વર્ષે એક વખત પરીક્ષા લેવામાં આવે છે. જેમાં સૌથી વધારે માર્કસ મેળવનાર વિદ્યાર્થીને એક દિવસ માટે ગામના સરપંચ બનાવવામાં આવે છે. આ સાથે ઉપસરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો સહિતની કામગીરી આ વિદ્યાર્થીઓ કરે છે. 6 માસમાં 60 વિકાસકાર્યો પૂરા કરતા CMએ અભિનંદન પાઠવ્યાઉમરાળા ગ્રામ પંચાયતના છ માસના કાર્યકાળ દરમિયાન 60 વિકાસકાર્યો પૂરાં કરવા બદલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 30 ઓગસ્ટ 2022એ શુભેચ્છા સંદેશ પાઠવીને સરપંચને અભિનંદન પાઠવ્યા હતા. માત્ર વિકાસ નહીં, નવીન વિચારશક્તિ-લોકશાહીમાં આદર્શ મોડલ ગામરાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ઉમરાળા ગામના વિકાસકાર્યોને બિરદાવી સરપંચને શુભેચ્છા પાઠવી હતી. ઉમરાળા આજે એક એવું ગામ છે જે માત્ર વિકાસમાં નહીં પરંતુ નવીન વિચારશક્તિ અને લોકશાહીમાં પણ સમગ્ર ગુજરાત માટે એક આદર્શ મોડલ ગામ બની ગયું છે. ‘સરપંચ સરકારી ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પુસ્તકો ફ્રીમાં આપે છે’ગામના સ્થાનિક વિદ્યાર્થી ભરત ડાભીએ જણાવ્યુ હતું કે અમારા ઉમરાળા ગામમાં સરપંચ દ્વારા સરકારી ભરતીની તૈયારી કરતા હોય તે વિદ્યાર્થીઓ માટે તમામ પ્રકારના સાહિત્ય પુસ્તકો ફ્રીમાં આપવામાં આવે છે અને જુદા-જુદા વિષયો બાબતે પંચાયત દ્વારા ઘણી મદદ કરવામાં આવે છે. સરપંચ દ્વારા ખૂબ સરસ કાર્ય થઈ રહ્યું છે. બધા વિદ્યાર્થીઓ પુસ્તકો ખરીદી નથી શકતા. જેથી સરપંચ દ્વારા આ અનોખી પહેલ કરવામાં આવી છે. ગામનો નાનામાં નાનો વિદ્યાર્થી છે તે આગળ વધે અને ગામનું નામ રોશન કરે તેવી કામગીરી સરપંચ દ્વારા કરવામાં આવી રહી છે. ‘અમારા ગામની નોંધ કેન્દ્ર-ગુજરાતમાં લેવાય છે’ઉમરાળા અનોખી ઓળખ ઉભી કરી છે ત્યારે ગામના નાગરિક જબ્બારભાઈ કુરેશીએ જણાવ્યું હતું કે હાલ જે ઉમરાળા ગામમાં રોડ રસ્તા અને ગ્રામ પંચાયતની અંદર સરાહનીય કામ થઈ રહ્યું છે તે પ્રશં ને લાયક છે. ગામમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે કેમેરા લગાવવાથી ગામની બહેનો અને દીકરીઓ ગામમાં જતી હોય ત્યારે તેની સેફટી પણ રહે છે. ગામમાં જે શૌચાલયો છે જે આધુનિક બનાવવામાં આવ્યા છે પાણીની સુવિધા અને નિયમિત સફાઈ થઈ રહી છે. ઉમરાળા ગામમાં સારા એવા શૌચાલયો બનાવવામાં આવ્યા છે. ‘આર્થિક-સામાજિક મદદની જરૂર હોય ત્યારે ગ્રામ પંચાયતની મદદ મળે છે’ઉમરાળા ગામના વતની વિનોદગીરી ગોસાઈએ જણાવ્યું કે હું અનેક સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલો છું. આ સેવામાં ચકલીના માળા, ચકલીના કુંડા,ગાયોની સારવાર અને પશુ-પક્ષીઓ,ગરીબો, વિધવાઓની તમામ સેવાઓમાં સંકળાયેલો છું. જેમાં ગામના સરપંચ અને ગ્રામ પંચાયત દ્વારા ખૂબ જ સારો એવો સહકાર મળી રહ્યો છે. તમામ આર્થિક સામાજિક જરૂરત ઊભી થતી હોય છે ત્યારે અમારી સાથે હર હંમેશ સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યો મદદરૂપ થાય છે. ‘વૃદ્ધોને સરકારી સહાય અપાવવામાં પંચાયતનો ફાળો’ઉમરાળાના વતની જિજ્ઞાષાબેન ડાભીએ જણાવ્યું કે હું છેલ્લા દસ વર્ષથી આ ગામમાં રહું છું. જે પહેલાંનું ઉમરાળા હતું અને અત્યારના ઉમરાળામાં ઘણો તફાવત છે. પહેલા ગામમાં ઘણા બધા કામો થતા હતા પણ એ કામો પ્રગતિ ન કરતા હતા. પણ અત્યારે જે પંચાયતમાં બોડી આવી છે સરપંચ છે કે સભ્યો છે એ લોકોએ ગામમાં જે વૃદ્ધ લોકો છે એ વૃદ્ધ લોકોને ડોક્યુમેન્ટ અધુરા હોવાના કારણે એને સહાય નહોતી મળતી. એ સહાય વૃદ્ધોને પૂરી પાડવામાં પંચાયતનો મોટાભાગનો ફાળો છે. ગામની દીકરીઓ છે જે લોકો ભણી નથી શકતા તે ભણતર પાછળ પણ સારી કામગીરી ગ્રામ પંચાયત કરી રહી છે. અમારા ગામનું શૌચાલય છે એ અત્યંત આધુનિક અને અત્યંત ટેકનોલોજીવાળું શૌચાલય છે જે કોઈ દિવસ મેં જોયું નથી, તે અમારા ઉમરાળા ગામમાં બનાવવામાં આવ્યું છે. ‘અમારા ગામનું શૌચાલય સારી હોટલોમાં હોઈ તેવું બનાવાયું છે’આ અંગે ઉમરાળા ગામના રહેવાસી દિગ્વિજયસિંહ ગોહિલે જણાવ્યું હતું કે હું છેલ્લા 30 વર્ષથી ઉમરાળા ગામમાં રહું છું. હું જ્યારે સ્કૂલમાં અભ્યાસ કરતો હતો, ત્યારે ગંદકી કચરાના ઢગલા જોવા મળતા અને અત્યારે હું સ્કૂલ પાસેથી પસાર થવ છું, ત્યાં સરસ મજાના ગાર્ડન જેવું બનાવવામાં આવ્યું છે. સાથે ભગવાન બુદ્ધની પ્રતિમા મૂકવામાં આવી છે. જેથી લોકો સ્કૂલ પાસે કચરો નાખતા બંધ થયા છે. હાલ ગામમાં ડોર ટુ ડોર કચરો લેવામાં આવી રહ્યો છે. જેમાં ગામમાં લોકો કચરો નાખતા બંધ થઈ ગયા છે. અમારા ગામનું શૌચાલય સારી હોટલોમાં હોઈ તેવું બનાવાયું છે.સાથે ગામમાં સ્વચ્છતાના ઘણા કાર્યક્રમો કરવામાં આવે છે. જેમાં ઘણી વખત જોડાવું છું અને ગામમાં વૃક્ષારોપણ કરી ગામને હરિયાળુ બનાવવા સારો એવો પ્રયત્ન સરપંચ દ્વારા કરવામાં આવે છે. ‘છેલ્લા 4 વર્ષમાં ઉમરાળા વધુ સારું બન્યું છે’ગામમાં સારી એવી લાઇબ્રેરી સંચાલિત છે અને સ્કૂલો અને શિક્ષણનું સારુ એવું પ્રભુત્વ રહેલું છે અને અમારા ગામમાં બધા જ બ્રાહ્મણો દ્વારા સ્કૂલો બનાવવામાં આવી છે અને મુખ્ય દાતાઓ બ્રાહ્મણો છે. સ્કૂલો, આરોગ્ય કેન્દ્ર અને દવાખાના 1951થી અમે મુખ્ય દાતાઓ તરીકે અને બંને કન્યાશાળાઓ,પ્રાથમિક શાળા પણ બ્રાહ્મણોએ બનાવી દીધી છે એટલે કે શિક્ષણ સ્વચ્છતા લક્ષી સારું છે પહેલા જે ઉમરાળા હતું તે છેલ્લા ચાર વર્ષમાં વધુ સારું બન્યું છે. ‘અમે ગામમાં સુરક્ષિત મહેસૂસ કરીએ છીએ’ઉમરાળા ગામની રહેવાસી પ્રાચી રાજ્યગુરુએ જણાવ્યું કે હું નાનપણથી ઉમરાળા ગામમાં રહું છું અને મેં 12 સુધીનો અભ્યાસ ઉમરાળા ગામમાં જ કર્યો છે. અમારા ગામમાં બધી જ સુવિધા ખૂબ જ સારી છે અને સ્વચ્છ છે. પહેલા અમે અમારા ઘરનો કચરો ઘરની બહાર નાખતા હતા. પણ જ્યારથી ડોર ટુ ડોર કચરો લેવાની સુવિધા થઈ છે, ત્યારથી કચરો કચરા ગાડીમાં નાખીએ છીએ. જેથી અમારા ગામની સ્વચ્છતા સારી થઈ ગઈ છે, એનાથી અમને ફાયદો પણ ખૂબ થયો છે. અમારા ગામમાં અનેક સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેનાથી મહિલાઓ અને વિદ્યાર્થિનીઓ સાંજના સમયે બહાર જવું હોય ત્યારે ડર પણ લાગતો નથી અને અમે સુરક્ષિત મહેસૂસ કરીએ છીએ અને સાથે હું એમ પણ કહેવા માગું છું કે અમારા ગામ જેવી સુવિધા બધા જ ગામમાં હોય જેથી મહિલાઓ અને છોકરીઓને કોઈ જાતની મુશ્કેલીઓ ન પડે.

દિવ્ય ભાસ્કર 23 Oct 2025 6:00 am

'નેતાઓની નારાજગી સાચી છે, હું પણ તેમાંનો એક':ભાજપના લીડર ભવાન ભરવાડનો ઉકળાટ- અમારી પાર્ટીમાં સાંભળવાની ટેવ ઓછી, કોઇ બોલે તો કાપી નાખે

ભરવાડ સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ નથી મળી રહ્યું....નેતાઓની નારાજગીની વાત બિલકુલ સાચી અને યોગ્ય છે. હું પણ તેમાંનો એક છું. કોઇ સુરતના નેતાને ગુજરાતનો આગેવાન બનાવી દે પણ તેને અમદાવાદના કક્કો કે બારાખડીની પણ ખબર ન હોય....અમારી પાર્ટીમાં સાંભળવાની ઓછી ટેવ છે. જો કોઇ બોલે તો તેને કાપી નાખવામાં આવે છે.... ઉકળાટભર્યાં આ શબ્દો છે પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા ભવાન ભરવાડના. અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી ગોકુલ હોટલ જેના નામથી ઓળખાય છે તે ઊંચી અને પડછંદ કાયાના માલિક ભવાન ભરવાડ પોતે પણ ચર્ચાસ્પદ ચહેરો રહ્યાં છે. પહેલાં કોંગ્રેસમાં હતા, 2002માં સુરેન્દ્રનગરની લીંબડી બેઠકની રસાકસીભરી ચૂંટણી જીતીને અપસેટ સર્જ્યો અને નરેન્દ્ર મોદીના કહેવાથી 2012માં ભાજપમાં જોડાઇ ગયા. ભાજપે તેમને ઘેંટા અને ઉન વિકાસ નિગમના ચેરમેન બનાવ્યા પણ છેલ્લા થોડા સમયથી હાંસિયામાં ધકેલાઇ ગયા હતા. હવે ભરવાડ યુવા સંગઠન થકી સમાજના યુવાનોને JCB વિતરણ કરી તેઓ ફરી ચર્ચામાં આવ્યા છે ત્યારે દિવ્ય ભાસ્કરને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે પોતાના સ્વભાવ પ્રમાણે જ તડ ને ફડ વાત કરી છે. વાંચો આખો ઇન્ટરવ્યૂ..... સવાલ: JCB વિતરણનો વિચાર કેવી રીતે આવ્યો? કેવી રીતે સંગઠન બનાવ્યું?જવાબઃ આ વિચાર ખૂબ જૂના છે. આ પહેલાં અમે અમારા સમાજના યુવાનોને 0% વ્યાજે 2300 જીપ અને ઇકો આપી હતી. આ પછી મુખ્યમંત્રીની હાજરીમાં 50 JCB આપ્યા હતા. હાલમાં જે ફંક્શન થયું, તેમાં આખા ભારતના JCBના ચેરમેન આવ્યા હતા. એ ફાયનાન્સર કંપનીઓને વિશ્વાસ છે કે આ કોઇ અમારા હપ્તા બાકી રાખશે નહીં. 'ફાયનાન્સ કંપનીઓ પર અમારી છાપ એવી છે કે મારા નામે 2 હજાર કરોડનો માલ માંગીએ તો પણ આપી દે છે. હું ઉંમરલાયક છું એટલે મેં મારો દીકરો દિલીપ, મારો ભાણો અમિત અને લાખાભાઇના દીકરાને આગળ કરી આખા ગુજરાતનું ભરવાડ યુવા સંગઠન બનાવ્યું છે. આ સંગઠનના અઢી લાખથી વધારે તો સભ્યો છે.' સવાલઃ ઇકો કારના વિતરણનો વિચાર કેમ?જવાબઃ અમારા ભરવાડ સમાજની છાપ ખૂબ ખરાબ હતી. ફાયનાન્સ કંપની લોન પર કોઇ વસ્તુ ન આપે. તેમને ડર હોય કે આ લોકો હપ્તા નહીં ભરે, નંબર બદલી નાખશે, મારામારી કરશે પણ મેં મારા સમાજની આ છાપ ભૂંસી નાખી છે. લોકો બોલે છે તેવો મારો સમાજ નથી. અમારો સમાજ ખૂબ ભોળો અને સારો સમાજ છે પણ જો કોઇ તેને છંછેડે તો એ તેને છોડે નહીં. 'ભરવાડને કોઇ 0% વ્યાજે લોન આપી સાધનો નહોતું આપતું એટલે મેં મારી ગેરેંટી પર આ કામ કરાવ્યું છે. અમે JCBની રકમમાં 3.5 લાખ રૂપિયા ઓછા કરાવ્યા છે. વ્યાજ પણ 3% ઓછું કરાવ્યું છે. અમારું સંગઠન ઇચ્છત તો તેમાંથી વચ્ચે 1 કરોડ રૂપિયા લઇ શકતું હતું પરંતુ અમે તેવું કરવા નથી માંગતા. અમારી એક જ ઇચ્છા છે કે કેવી રીતે અમારો સમાજ ઉપર આવે.' સવાલઃ આ કાર્યક્રમ અને JCB વિતરણ પાછળ કેટલો ખર્ચ થાય છે? આ બધા પૈસા ક્યાંથી આવે છે?જવાબઃ ના, એવો કોઇ મોટો ખર્ચ થતો નથી. અમે મોટો કાર્યક્રમ કરીએ એટલે ફાયનાન્સ કંપની ખર્ચ આપે છે. એના સિવાય નાનો-મોટો ખર્ચ હોય એ તો અમે કરી જ શકીએ. અમે મારી પોપર્ટી, લાખાભાઇના ફાર્મ સહિત સમાજની જ પોપર્ટી પર ફંકશન કરીએ છીએ એટલે એનો કોઇ ખર્ચ થતો નથી. સવાલઃ તમે જે આ બધું કામ કરો છો એ સરકારનું કામ નથી?જવાબઃ વાત સાચી છે, આ કામ સરકારનું છે. પરંતુ સરકારની પ્રોસેસ ખૂબ લેન્ધી છે. એકલા ભરવાડ સમાજના છોકરાને ભણાવવા માટે પૈસા માંગીએ તો સરકાર નહીં આપે. એ આપે તો બક્ષીપંચના છાત્રાલય માટે આપે તો પછી એમાં કોળી, ભરવાડ, દેવીપૂજક સહિત દરેક સમાજના છોકરાઓ અભ્યાસ કરે. અને એ બધું મારાથી પહોંચી વળાય નહીં એટલે મારા સમાજના ડોનેશનથી અમે અમારી રીતે આ સેવા કરીએ છીએ. સવાલઃ મુખ્યમંત્રી આવ્યા ત્યારે કાર્યક્રમમાં તમારી બે વચ્ચે સંવાદ થયો હતો અને ખડખડાટ હસી પડ્યા હતા. એ શું વાત હતી?જવાબઃ એ કાર્યક્રમમાં અમારા સમાજના ભાજપ તરફી આગેવાનો ત્યાં હાજર હતા. ત્યારે મેં હસતા હસતા મુખ્યમંત્રી સામે તે બધા આગેવાનોનું લિસ્ટ વાંચી લીધું. આ લિસ્ટ વાંચતા હસતા હસતા કહી પણ દીધું કે અમે આટલા છીએ. આમાંથી તમારે સરકાર અને સંગઠનમાં જે આપવાનું હોય તે આપી દો. સવાલઃ શું તમારા મતે ભરવાડ સમાજને સરકારમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળી રહ્યું છે?જવાબઃ ના, બિલકુલ નથી મળી રહ્યું. હું પહેલા બોર્ડનો ચેરમેન હતો તે છેલ્લા ચાર વર્ષથી નથી. આ પછી કોઇ બોર્ડ કે નિગમ બન્યા પણ નથી એટલે ભવિષ્યમાં સરકારનું ધ્યાન દોરીશું. સવાલઃ છેલ્લા ઘણા સમયથી ભાજપના જૂના જોગીઓની નારાજગી સામે આવી છે. આને તમે કેવી રીતે જુઓ છો?જવાબઃ હા, તેમની નારાજગીની વાત બિલકુલ સાચી અને યોગ્ય છે. હું પણ તેમાંનો એક છું. ઉદાહરણ તરીકે કોઇ સુરતના નેતાને ગુજરાતનો આગેવાન બનાવી દે. તેને હવે અમદાવાદના કોઇ કક્કો કે બારાખડીની પણ ખબર ન હોય. કોણ કેવો માણસ છે, તેનું કેટલું માન છે, તેની ઇમ્પ્રેશન કેવી છે તેવી કંઇ જ ખબર તેમને હોતી નથી. આ બાયોડેટા ભાજપવાળા લેતા નથી. આ લઇને કામ સોંપે તો કોઇને વાંધો આવે નહીં. 'જૂના લોકો અને માજી ધારાસભ્યોને નાના-મોટા કામ સોંપવા જ જોઇએ કારણ કે એ પ્રેક્ટિકલ હોય. જેમ કે મારી 73 વર્ષની ઉંમર છે, હું ચેરમેન રહ્યો, ધારાસભ્ય રહ્યો, સમાજનું કામ કર્યું એટલે મને ક્યાંક મૂકે તો ભાજપનું કામ પરફેક્ટ કરવાનો છું પરંતુ જો કોઇ નવા નિશાળિયાને મૂકે તો ત્યાં પાર્ટીને નુકસાન થાય છે. પણ અમારી પાર્ટીમાં સાંભળવાની ઓછી ટેવ છે. જો કોઇ બોલે તો તેને કાપી નાંખવામાં આવે છે.' સવાલઃ 2012માં નરેન્દ્ર મોદીએ તમને ભાજપમાં જોડ્યા. એ સમયે શું વાત થઇ હતી?જવાબઃ જ્યારે હું કોંગ્રેસમાં હતો ત્યારે પણ નરેન્દ્ર મોદી સાથે મારે સારા સંબંધ હતા. તે સમયે તેઓ મુખ્યમંત્રી પણ નહોતા માત્ર સંગઠનમાં કામ કરતા હતા. એ સમયે જ તેમના ધ્યાનમાં હું હતો. મોદી ખૂબ બુદ્ધિશાળી માણસ છે. તેઓ તાલુકા લેવલથી લઇ રાજ્ય લેવલ સુધી જેમનું વજન પડે તેવા માણસો શોધતા હતા એટલે એમણે મને શોધ્યો હતો. 'હું લીંબડીમાં 30 હજાર મતથી ચૂંટણી જીતી ગયો હતો. જો કે મને મારો વિસ્તાર દૂર પડતો હતો એટલે બીજી ટર્મમાં ધ્યાન આપ્યું નહીં જેથી નજીવા માર્જિનથી હારી ગયો.' 'આ પછી નરેન્દ્ર મોદીએ મને બોલાવ્યો. તેમણે કહ્યું કે તું આ બાજુ આવી જા. હું તને ચેરમેનપદ આપીશ અને તારા વજન પ્રમાણે તને પદ આપીશ. તે સમયે આનંદીબહેને પણ મને કીધેલું હતું એટલે હું ભાજપમાં આવી ગયો. પછી આ વિસ્તારમાંથી (ઘાટલોડિયા વિધાનસભા) આનંદીબેન ચૂંટણી લડ્યા. મેં દિલથી કામ કર્યું. ભૂપેન્દ્રભાઇ બે વખત ધારાસભ્ય થયા ત્યારે પણ મેં દિલથી કામ કર્યું. અહીંયા મેં વસાવેલા અનેક સમાજના 2 હજારથી વધુ લોકો રહે છે.' સવાલઃ 2002માં તમારી લીંબડીની જીતની આજે પણ ચર્ચા થાય છે. તે સમયે કેવી રીતે જીત્યા હતા? શું સ્ટ્રેટેજી હતી?જવાબઃ ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. પહેલો ઘા રાણાનો. 50 લોકોનું ટોળું હોય અને તમે 5 હોવ, તમે આઘા પાછા થઇ જાવ તો 50 લોકો તમારા પર હાવિ થઇ જાય પણ તમે હાકોટા પડકારા એવા કરો કે એ 50 લોકો તમારાથી ડરી જાય. આવી પહેલી ઇમ્પ્રેશન મેં ત્યાં પાડી હતી. 'હું જ્યારે તે વિસ્તારમાં જાવ ત્યારે મારી પાસે 100-200 ગાડીઓ હોય. 100-200 બંદૂક અને રિવોલ્વર હોય. બધું લાયસન્સ વાળું હોય પરંતુ જ્યાં જઇએ ત્યાં ગામડામાં લોકોએ આવું જોયું જ ન હોય એટલે એ લોકોને મારી તાકાતની ખબર પડતી. આમ પણ મારી પહેલાં તો તાકાતવર તરીકેની છાપ હતી જ કે ખોટા કામમાં હું કોઇને ગાંઠતો નહીં.' 'તે સમયે મને અહીંથી તે વિસ્તારના કોળી પટેલ સમાજના આગેવાન લાલજી મેર, લક્ષ્મણ ગોહિલ એવા ઘણા બધા સવર્ણો ભેગા થઇને લઇ ગયા હતા. તેમણે કહ્યું હતું કે તમે એકવાર આવો, ચૂંટણી લડો. અમે તમારા માટે દિલથી કામ કરીશું.' સવાલઃ તમે ભાજપમાં જોડાયા પછી તમને કે પરિવારને કોઇ ટિકિટ નથી આપી તો તમારી શું ઇચ્છા છે?જવાબઃ આમાં એવું છે કે અમારા સમાજને આપી શકાય તેવી કોઇ જગ્યા હશે તો અમે 2027માં ચોક્કસ માંગવાના છીએ અને તેઓ અમને આપશે પણ ખરા. સવાલઃ તમારા દીકરા માટે ટિકિટ માંગશો?જવાબઃ મારા 3 દીકરા છે તેમાંથી વચ્ચેનો દીકરો દિલીપ છે. તેને મેં સમાજના કામ અને રાજકારણ માટે રાખ્યો છે. સવાલઃ તમને તમારી પસંદગીની સીટ આપવાનું કહે તો તમે કઇ સીટ માંગો?જવાબઃ એ મારે અત્યારથી ન કહેવાય. તમારે મારા દુશ્મન પેદા કરવા છે? સવાલઃ અત્યારે તમારે કિરીટસિંહ રાણા સાથે કેવા સંબંધ છે?જવાબઃ અત્યારે મારા તેમની સાથે ખૂબ સારા સંબંધ છે. તેમના ઇલેક્શનમાં પણ હું જાઉં છું. તેમના ઇલેક્શન સમયે મને નરેન્દ્ર મોદી ફોન કરે છે અને ઇલેક્શનમાં મારા સમાજની મિટિંગ કરી આપવાનું કહે છે, હું કરી આપું છું. સવાલઃ તમે કોંગ્રેસ અને ભાજપ એમ બંન્નેમાં રહ્યાં છો. તમને બન્ને વચ્ચે શું ફર્ક લાગે છે?જવાબઃ કોંગ્રેસમાં કોઇ શિસ્ત નથી, પરિવારવાદ છે. માધવસિંહના દીકરા પછી તેનો દીકરો આવે, ભાણીયો-ભત્રીજો આવે, કાકા અને દાદા આવે. ભાજપમાં તો ખૂબ શિસ્ત છે. સ્ટેજ પર 3 જણાને બેસવાનું હોય તો 3 જ બેસે. બાકી મિનિસ્ટર લેવલનો વ્યક્તિ પણ નીચે બેઠો હોય એટલે આ મને ખૂબ ગમે છે. સવાલઃ આગામી સમયમાં ભરવાડ સમાજ માટે શું આયોજન છે?જવાબઃ અમે અત્યારે શિક્ષણ અને વિકાસ પાછળ પડ્યા છીએ. જેની પાસે લાયસન્સ છે તેવા લોકોને આવકના સાધનો લાવી આપીએ છીએ. અમારી કોમ મજબૂત છે અને જમીનથી જોડાયેલી છે. 'ભણેલો ગણેલો ઓછો હોય પણ 10-15 હજારનો પગારદાર રાખે અને તે નાનો હિસાબ કરે અને અમારા માણસનો ટ્રેક્ટર અને JCBનો ધંધો ચાલ્યા કરે. અમે પહેલા જેને એક જીપ આપી હતી તેની પાસે અત્યારે 4 જીપ છે એટલે અમને અત્યારે બેંક સામેથી લોન આપવાની વાત કરે છે.' સવાલઃ આગામી સમયમાં દીકરીઓને શિક્ષણ માટે સહાયની કોઇ યોજના છે?જવાબઃ જે દીકરા દીકરીઓ 90% માર્કસ લાવ્યા છે. તે 50 દીકરા-દીકરીઓને અમે 35 હજાર રૂપિયાના લેપટોપ મફતમાં આપ્યા છે. આ ઉપરાંત અમારી 12-15 હોસ્ટેલ છે. અમે સરકારની કોઇ સહાય વગર ચલાવીએ છીએ. અમે વીરમગામના કમીજલા પાસે એક હોસ્ટેલ બનાવી છે. તેમાંથી 400 વિદ્યાર્થીઓ સરકારી નોકરીમાં પાસ થયા છે. અમે ત્યાં ભવાન ટ્રેનિંગ સેન્ટર બનાવ્યું. 'હમણાં જંગલ ખાતાની પરીક્ષા વખતે તે ટ્રેનિંગ સેન્ટરમાં ભણેલા 50% છોકરાઓ પાસ થઇ ગયા. આવું બાબાભાઇ ભરવાડના સહયોગથી સુરેન્દ્રનગરમાં પણ કર્યું હતું.' છેલ્લે પોતાની વાત પૂરી કરતા ભવાન ભરવાડ કહે છે કે, ભાસ્કર ખૂબ સારી સંસ્થા છે. ભાસ્કર ખૂબ સારું લખે છે. તે સાચાને સાચો અને ખોટાને ખોટો કહે છે. આજે પણ હું સૌથી પહેલા ભાસ્કર વાંચું છું, તે મારી પહેલી પસંદ છે.

દિવ્ય ભાસ્કર 23 Oct 2025 6:00 am

નીતિન પટેલના ખભે હાથ મુકી અમિત શાહે શું કહ્યું?:ચકચકાટ MLA ક્વાર્ટરના ઉદ્ધાટન પહેલા એક મંત્રીના બંગલાએ ચર્ચા જગાવી, એક પગ ગાંધીનગરમાં જ રાખશે?

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'

દિવ્ય ભાસ્કર 23 Oct 2025 5:55 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:કેરળમાં રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર ખાડામાં ફસાયું; અમેરિકા શટડાઉન, સરકારી કર્મચારીનો પગાર બંધ; અઠવાડિયામાં ચાંદી 25 હજાર સસ્તી

નમસ્તે,ગઈકાલના મોટા સમાચાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લગતા હતા. રાષ્ટ્રપતિ મુર્મુનું હેલિકોપ્ટર લેન્ડ થતાં જ ધસી પડ્યું. બીજા સમાચાર યુનાઇટેડ સ્ટેટ્સથી આવ્યો, જ્યાં 22 દિવસથી શટડાઉન ચાલી રહ્યું છે. કર્મચારીઓને તેમના પગાર મળી રહ્યા નથી. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. રાષ્ટ્રપતિ મુર્મુ તિરુવનંતપુરમના રાજભવન ખાતે પૂર્વ રાષ્ટ્રપતિ કે.આર. નારાયણનની પ્રતિમાનું અનાવરણ કરશે. 2. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે મેચ સવારે 9 વાગ્યાથી એડિલેડમાં રમાશે. ભારત ગઈ મેચ હારી ગયું હતું. કાલના મોટા સમાચારો 1. રાષ્ટ્રપતિ મુર્મુનું હેલિકોપ્ટર લેન્ડ થતાં જ ધસી પડ્યું, VIDEO:પોલીસકર્મીઓએ લેન્ડિંગ પેડ પરથી ધક્કો મારીને બહાર કાઢ્યું, મોટી દુર્ઘટના ટળી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સુરક્ષામાં એક મોટી બેદરકારી સામે આવી છે. રાષ્ટ્રપતિને તેમની સબરીમાલા યાત્રા પર લઈ જતું હેલિકોપ્ટર બુધવારે કેરળમાં લેન્ડિંગ પેડ પર ફસાઈ ગયું હતું. કેરળના પ્રમદમના રાજીવ ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં નવા બનેલા કોંક્રીટ હેલિપેડ પર હેલિકોપ્ટર લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે એનો એક ભાગ ધસી ગયો હતો. ત્યાર બાદ પોલીસ અધિકારીઓની મદદથી એને બહાર કાઢ્યું. રાષ્ટ્રપતિ મુર્મુ સબરીમાલાની મુલાકાત લેવા માટે કેરળ પહોંચ્યાં. હેલિકોપ્ટર હેલિપેડ પર લેન્ડ કર્યા પછી તેમનો કાફલો રોડ માર્ગે પમ્બા જવા રવાના થયો. રાષ્ટ્રપતિ ગયા પછી ઘણા પોલીસકર્મીઓ અને ફાયરબ્રિગેડના કર્મચારીઓ હેલિપેડ પરના ખાડાઓમાંથી હેલિકોપ્ટરનાં પૈડાં બહાર કાઢતા જોવા મળ્યા. સંપૂર્ણ સમાચાર વાંચો 2. મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણીને લઈને તણાવ વધ્યો:અશોક ગેહલોત તેજસ્વીને મળવા પહોંચ્યા; કાલે જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ શકે બિહાર ચૂંટણી પહેલા, મહાગઠબંધનમાં કોંગ્રેસ અને આરજેડી વચ્ચે બેઠક ફાળવણી અને સંયુક્ત મેનિફેસ્ટોને લઈને તણાવ વધી ગયો છે. કોંગ્રેસ હાઇકમાન્ડે આ મામલાને ઉકેલવા માટે અશોક ગેહલોતને પટના મોકલ્યા છે. ગેહલોત બુધવારે સવારે પટના પહોંચ્યા હતા. તેઓ હવે આરજેડીના વડા તેજસ્વી યાદવને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. જો આ બેઠકમાં બધું બરાબર રહ્યું તો ગુરુવારે મહાગઠબંધનની સંયુક્ત પત્રકાર પરિષદ યોજાશે. સંપૂર્ણ સમાચાર વાંચો 3. અમેરિકામાં ફૂડ ડિલિવરી કરીને ગુજરાન ચલાવે છે સરકારી કર્મચારીઓ:22 દિવસથી પગાર નથી થયો; ટ્રમ્પનો પ્રસ્તાવ 11મી વખત ફગાવાયો, USમાં બીજું સૌથી લાંબું શટડાઉન 1 ઓક્ટોબરથી શરૂ થયેલા યુએસ સરકારી શટડાઉનનો આજે 22મો દિવસ છે. આ યુએસ ઇતિહાસમાં બીજું સૌથી લાંબું શટડાઉન છે. આ પહેલાં 2018માં 35 દિવસ અને 1995માં 21 દિવસ સુધી શટડાઉન ચાલ્યું હતું. 20 ઓક્ટોબરના રોજ યુએસ સંસદના ઉપલા ગૃહ, સેનેટમાં ભંડોળ બિલ પસાર કરવા માટે 11મી વખત મતદાન થયું, જોકે સરકારે જરૂરી 60 મતમાંથી ફક્ત 55 મત જ મેળવ્યા. સંપૂર્ણ સમાચાર વાંચો 4. 5 દિવસમાં સોનું ₹5,677 ઘટીને ₹1.24 લાખ પહોંચ્યું:ચાંદી પણ તેના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરથી ₹25,000 સસ્તી, ₹1.52 લાખ પ્રતિ કિલો થઈ દિવાળી પછી સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો થયો છે. સોનું તેના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરથી 5,677 રૂપિયા સસ્તું થયું છે અને ચાંદી પણ તેના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરથી 25,599 રૂપિયા સસ્તી થઈ છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, આજે, એટલે કે, 22 ઓક્ટોબરના રોજ, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 3,726 રૂપિયા ઘટીને 1,23,907 રૂપિયા થઈ ગયો છે. સંપૂર્ણ સમાચાર વાંચો 5. ભારત S-400 માટે ₹10 હજાર કરોડની ડીલ કરશે:રશિયાથી વધુ મિસાઇલ ખરીદશે, ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની ફાઇટર જેટને નષ્ટ કર્યા હતા ભારત તેની હાલની S-400 વાયુ સંરક્ષણ પ્રણાલીને પૂરક બનાવવા માટે રશિયા પાસેથી ₹10,000 કરોડની મિસાઇલો ખરીદવાની યોજના બનાવી રહ્યું છે. રશિયન અધિકારીઓ સાથે વાટાઘાટો ચાલી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર, સંરક્ષણ મંત્રાલય 23 ઓક્ટોબરે યોજાનારી સંરક્ષણ સંપાદન પરિષદની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપે તેવી અપેક્ષા છે. ભારતીય વાયુસેનાની S-400 સિસ્ટમે ઓપરેશન સિંદૂર દરમિયાન મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે 300 કિલોમીટરથી વધુની રેન્જમાં પાંચથી છ પાકિસ્તાની ફાઇટર જેટ અને એક જાસૂસી વિમાનને તોડી પાડ્યા હોવાના અહેવાલ છે. વાયુસેનાએ S-400ને ભારતની વાયુ સંરક્ષણ વ્યૂહરચનામાં ગેમ-ચેન્જર ગણાવ્યું છે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. ડિવાઇડર સાથે અથડાયા બાદ XUV કાર ઝાડ પર ઊંધી લટકી: વડોદરામાં મુંબઈના ડોક્ટર પરિવારનો ગમખ્વાર અકસ્માત, એકનું મોત; ચાર ઈજાગ્રસ્ત વડોદરાના જરોદ પાસે ગઈકાલે સાંજે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મુંબઇથી ઉત્તરપ્રદેશ લગ્નમાં જતા પરિવારને અકસ્માત નડ્યો હતો. XUV કાર ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાયા બાદ ઝાડ પર ઊંધી લટકી ગઈ હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ચાર લોકોને ઈજા પહોંચી છે. આ બનાવને લઈ જરોદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 7. નશામાં ધુત નબીરાએ 4 વર્ષના બાળક પર કાર ચડાવી દીધી:અકસ્માત સર્જી ફરાર થતાં કારચાલકને લોકોએ મેથીપાક ચખાડ્યો, કારમાંથી દારૂની બોટલ મળી વડોદરામાં દિવાળીમાં નશામાં ધુત કારચાલકે અકસ્માત સર્જી એક માસૂમ બાળકનો જીવ ગુમાવ્યો હોવાની ઘટના બની છે. અવધૂત ફાટક પાસે મોડીરાત્રે એક નબીરાએ બેફામ રીતે કાર હંકારી ફૂટપાથ પર સૂતેલા શ્રમજીવી પરિવાર ઉપર ચડાવી દીધી હતી. આ અકસ્માતમાં 4 વર્ષના એક માસૂમ બાળક પર કારનાં પૈડાં ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 4 શ્રમજીવીને ઈજા પહોંચી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ ઇન્ડિગોની ફ્લાઇટનું હવામાં ફ્યુઅલ લીક:વારાણસીમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે 'મે ડે' કોલ આપ્યો; કોલકાતાથી શ્રીનગર જતી હતી ફ્લાઇટ (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. વિદેશઃ કાબુલમાં ભારતીય દૂતાવાસ ફરી ખુલ્યું:શું ભારત તાલિબાનને માન્યતા આપશે? અફઘાનિસ્તાને કહ્યું- પાકિસ્તાન સાથેના વિવાદમાં ભારતની કોઈ ભૂમિકા નથી (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ બે સેલ, પ્રાઇવેટ ટોઈલેટ, ટીવી-પંખા...:ભાગેડુ મેહુલ ચોકસીને મુંબઈમાં હાઇ સિક્યોરિટી આર્થર રોડ જેલમાં રખાશે, અજમલ કસાબ રહ્યો તે જ બેરેકમાં રહેશે (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. વિદેશઃ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં દિવાળી ઊજવી:ભારતીય-અમેરિકનોને શુભકામના પાઠવી; PM મોદીને મહાન વ્યક્તિ ગણાવ્યા, ફોન પર વાત કરી હોવાનો દાવો કર્યો (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. બિઝનેસઃ શું ચાંદીમાં 1980 જેવો ક્રેશ આવી શકે છે:ત્યારે હન્ટ બ્રધર્સના કારણે ભાવ ગગડ્યા હતા; આ વર્ષે ત્રણ કારણોસર ભાવ ડબલ થયા (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. સ્પોર્ટ્સઃ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરા લેફ્ટનન્ટ કર્નલ બન્યા:સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ પદવી એનાયત કરી, સેના પ્રમુખ પણ હાજર રહ્યા (સંપૂર્ણ સમાચાર વાંચો) ️ ચર્ચિત નિવેદન ખબર હટકે પંજાબનું પહેલું ગામ જ્યાં મફત ઇન્ટરનેટ, દિવાલો પર પાસવર્ડ ભારત-પાકિસ્તાન સરહદની નજીક આવેલા પંજાબના રામકલવાન ગામમાં મફત ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ છે. આ પંજાબનું પહેલું ગામ છે જે સંપૂર્ણપણે મફત વાઇ-ફાઇથી જોડાયેલું છે. ગામમાં આશરે 150 ઘરો છે, અને રહેવાસીઓ દિવાલો પર લખેલા પાસવર્ડનો ઉપયોગ કરીને વાઇ-ફાઇથી કનેક્ટ થાય છે. આ વાઇ-ફાઇ BSNL દ્વારા પૂરું પાડવામાં આવે છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor's View: ભારતમાં ગુગલની ગુગલી:અદાણી સાથે મળીને સૌથી મોટું AI હબ બનાવશે, ટ્રમ્પને તમાચો, જાણો ગામ નહીં ગાડું ફેરવવાનું ગણિત 2. વાર્ષિક રાશિફળ:વિક્રમ સંવત 2082નું વર્ષ બારેય રાશિના જાતકો માટે કેવું રહેશે? વીડિયો દ્વારા જાણો આવનારા વર્ષનું ભવિષ્યફળ 3. 4 મોબાઇલ સાથે સ્વિચ ઓફ અને ઓન થતાં કેસ ઉકેલાયો:પોલીસનો દાવો ખેતરમાં ખાડો પૂરવા આવેલા યુવાનોએ હત્યા કરી, આરોપીઓ નિર્દોષ કેમ છૂટ્યા? 4. ગુજરાતથી આસામ સુધી ફેલાયેલું વીમા ફ્રોડ નેટવર્ક:100 કરોડથી વધુનું કૌભાંડ; મૃતકોને કાગળ પર જીવતા કરે, તમારી પોલિસી કેટલી સુરક્ષિત 5. ભાસ્કર એક્સપ્લેનર:દિલ્હીમાં હવા ઝેરી થઈ, AQI 500ને પાર; દિવાળીનો કેટલો રોલ, શિયાળામાં જ કેમ વધે છે વાયુ-પ્રદૂષણ? 6. આજનું એક્સપ્લેનર:મ્યુઝિયમમાંથી 900 કરોડની ચોરી; 2 ચોરોએ 7 મિનિટમાં ઉઠાવ્યાં ફ્રાન્સની રાણીઓનાં 8 અમૂલ્ય ઘરેણાં, જાણો પૂરી કહાની કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ ગુરુવારનું રાશિફળ: મિથુન રાશિના લોકોને પરિસ્થિતિઓમાં સકારાત્મક પરિવર્તન આવશે; કર્ક રાશિના લોકોને અટકેલા પૈસા પાછા મળશે (વાંચો સંપૂર્ણ રાશિફળ)

દિવ્ય ભાસ્કર 23 Oct 2025 5:00 am

વૈજનાથ દાદાને નવા વર્ષે દીવડાઓનો અનોખો શણગાર:હિંમતનગરના રાયગઢ મંદિરે બે યુવકોએ કરી સજાવટ

હિંમતનગરના રાયગઢ ખાતે આવેલા વૈજનાથ દાદાના મંદિરે નવા વર્ષ નિમિત્તે દીવડાઓનો અનોખો શણગાર કરવામાં આવ્યો હતો. આ વિશેષ સજાવટ બુધવારે કરવામાં આવી હતી. આ શણગાર બે યુવકો દ્વારા બે કલાકમાં તૈયાર કરવામાં આવ્યો હતો. તેમાં 20 કિલો ફૂલોનો ઉપયોગ કરાયો હતો. દાદાને લોક કલ્યાણ અર્થે 17 દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા, જેમાં બે લિટર તેલનો ઉપયોગ થયો હતો. રાયગઢ સ્થિત વૈજનાથ દાદાના મંદિરે શ્રાવણ માસ ઉપરાંત વર્ષ દરમિયાન વિવિધ તહેવારો નિમિત્તે અલગ-અલગ પ્રકારના શણગાર કરવાની પરંપરા છે. આ પરંપરાના ભાગરૂપે નવા વર્ષે દીવડાઓનો આ અનોખો શણગાર કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 8:49 pm

નવ નિર્માણ ટ્રસ્ટે દિવાળી પર વસ્ત્રદાન કર્યું:લુણાવાડાના અંતરિયાળ ગામોમાં જરૂરિયાતમંદ પરિવારોને મદદ

લુણાવાડા: નવ નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિવાળીના પર્વ નિમિત્તે 'વસ્ત્ર દાન મહાદાન' અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અંતર્ગત લુણાવાડાના અંતરિયાળ ગામોમાં જરૂરિયાતમંદ પરિવારોને વસ્ત્રોનું દાન કરવામાં આવ્યું. ટ્રસ્ટના સભ્યોએ જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચી બાળકો અને તેમના પરિવાર સાથે ખુશીઓ વહેંચી હતી. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય 'દિવાળીએ કરો વસ્ત્રદાન, કોઈના ચહેરાને આપો સ્મિતનું વરદાન' રહ્યો હતો. આ કાર્યમાં સહયોગ આપનાર તમામ દાતાઓનો ટ્રસ્ટ દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો. નવ નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ દેવ પંડ્યાની આગેવાની હેઠળ ડો. આકાશ વૈધ, જન્મેય પાઠક, વશિષ્ઠ સેવક, નીલ વ્યાસ, હર્ષ પંડ્યા, ઉજ્જવલ શર્મા, દીપ પ્રજાપતિ, કક્ષ ત્રિવેદી અને અમિત પટેલ સહિતના યુવાનો સક્રિય છે. આ ટ્રસ્ટ માત્ર વસ્ત્રદાન જ નહીં, પરંતુ વૃક્ષારોપણ જેવી પર્યાવરણ લક્ષી પ્રવૃત્તિઓ સહિત અનેક સેવા કાર્યો પણ કરે છે. યુવાનોનો 'નવ નિર્માણ'નો સંકલ્પ સેવાકાર્યો થકી સતત આગળ વધી રહ્યો છે, જે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ વસ્ત્રદાન અભિયાનથી અનેક પરિવારોને દિવાળીની ખુશી મળી હતી.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 8:33 pm

સંતરામપુર ધારાસભ્ય ડો. કુબેર ડીંડોરનું સ્નેહમિલન:નવા વર્ષે માદરે વતન ભંડારામાં ગ્રામજનોને શુભેચ્છા પાઠવી

વિક્રમ સંવત 2082 ના નવા વર્ષના પ્રારંભે, મહીસાગર જિલ્લાના સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય ડો. કુબેર ડીંડોર પોતાના માદરે વતન ભંડારા ગામ પહોંચ્યા હતા. તેઓએ નવા વર્ષ નિમિત્તે ગામના આગેવાનો અને ગ્રામજનોને શુભેચ્છા મુલાકાત લીધી હતી. ભંડારા ગામમાં ડો. કુબેરભાઈએ મોટી સંખ્યામાં ઉપસ્થિત આગેવાનો, વડીલો અને માતા-બહેનોને મળીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. આ મુલાકાત દરમિયાન તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને અન્ય આગેવાનો પણ હાજર રહ્યા હતા.ધારાસભ્ય ડીંડોરે વડીલોના આશીર્વાદ લીધા હતા અને તમામ ગ્રામજનોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી રામરામ કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 8:27 pm

ઓજત નદીમાં આર્મી જવાન ડૂબ્યો:રજા પર આવેલો આર્મી જવાન ટીકર નજીક ઓજત નદીમાં ડૂબ્યો, 5 કલાકથી શોધખોળ છતાં પત્તો નહીં, NDRFની ટીમ બોલાવાઈ.

જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીકર ગામ નજીકથી પસાર થતી ઓજત નદીમાં એક આર્મી જવાન ડૂબી જવાની ગંભીર ઘટના સામે આવી છે. આ બનાવ બપોરના ચાર વાગ્યા આસપાસ બન્યો હતો, જેના પગલે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને નદી કાંઠે લોકોના ટોળા એકઠા થઈ ગયા છે.​ વંથલી તાલુકાના ટીકર ગામના રહેવાસી અને ભારતીય સેનામાં છેલ્લા 16 વર્ષથી ફરજ બજાવતા 30 વર્ષિય યુવાન ભરતભાઈ ભેટારિયા એક મહિના પહેલા જ રજાના દિવસોમાં પોતાના ગામડે આવ્યા હતા. આજે ટીકર ગામ નજીકથી પસાર થતી ઓજત નદીમાં તેઓ નાહવા પડ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી અને ભરતભાઈ નદીના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. 5 કલાકથી શોધખોળ, હવે NDRFની મદદ​ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. આર્મી જવાન નદીમાં ડૂબવાના સમાચાર મળતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને યુવાનને શોધવાની કામગીરી શરૂ કરી દીધી હતી.​ બપોરના ચાર વાગ્યાની આ ઘટના બની છે, ત્યારે છેલ્લા પાંચ કલાકથી ફાયર વિભાગની ટીમ યુવાનને શોધવાની કોશિશ કરી રહી છે. જોકે, હજુ સુધી આર્મી જવાનનો કોઈ પત્તો લાગ્યો નથી. યુવાનને શોધવા માટે હવે NDRF ની ટીમની પણ મદદ લેવામાં આવી છે.​ યુવાનના પરિવારજનો અને ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને ચિંતાતુર માહોલ જોવા મળી રહ્યો છે. વંથલી પોલીસ દ્વારા પણ આ ઘટના અંગેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 8:26 pm

નવા વર્ષે કોંગ્રેસ પ્રમુખનો નવો સંકલ્પ:નૂતન વર્ષ નિમિત્તે ભાવનગર કોંગ્રેસના પ્રમુખે ભ્રષ્ટાચાર મુક્ત શહેર બનાવવાનો સંકલ્પ

નૂતન વર્ષના શુભ અવસરે ભાવનગર કોંગ્રેસના પ્રમુખ દ્વારા સમગ્ર ભાવનગરવાસીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે, તેમણે આ નવું વર્ષ તમામ ભાવનગરવાસીઓ માટે સુખદાયી નીવડે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. કોંગ્રેસ પક્ષ એક સબળ વિપક્ષ તરીકે પ્રયત્ન કરશે​કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે તેમણે આગામી વર્ષમાં ભાવનગરના વિકાસ માટે અને જનતાના હિતમાં કામ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ​ટેક્સનું વળતર મહાનગરપાલિકામાં ભાવનગરની જનતા જે ટેક્સ ભરે છે, તેનું પૂરેપૂરું વળતર તેમને મળી રહે તે માટે કોંગ્રેસ પક્ષ એક સબળ વિપક્ષ તરીકે પ્રયત્ન કરશે. શહેર ભ્રષ્ટાચાર મુક્ત કેમ બને એવા પ્રયાસ કરશે​​​​​​​​શાસકને મદદ સાથે ભાવનગરના વિકાસ માટે તમામ જગ્યાએ વિપક્ષ તરીકે શાસક પક્ષને મદદરૂપ થવાની ખાતરી આપી હતી. ​ભ્રષ્ટાચાર મુક્ત ભાવનગર તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આવનારા નવા વર્ષમાં ભાવનગર શહેર ભ્રષ્ટાચાર મુક્ત કેમ બને તેવા તમામ પ્રયત્નો કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવશે. ​આમ, નૂતન વર્ષ નિમિત્તે ભાવનગર કોંગ્રેસે શહેરના વિકાસ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન માટે સક્રિય ભૂમિકા ભજવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 8:13 pm

ઝીઝાવદર કોઝવે પર પાણી, ખાડાથી વાહનચાલકો મુશ્કેલીમાં:સોનલ નદીના પાણી અને ખાડાથી ટ્રાફિક જામ; તાત્કાલિક સમારકામની માગ

ગઢડા-નિંગાળા માર્ગ પર ઝીઝાવદર ગામ નજીક આવેલા કોઝવે પર સોનલ નદીનું પાણી વહેતું હોવા અને મોટા ખાડા પડવાને કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ સ્થિતિના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં ટ્રાફિક જામ અને વાહનચાલકોની હાલાકી સ્પષ્ટ દેખાઈ રહી છે. આ કોઝવે છેલ્લા કેટલાક સમયથી વાહનચાલકો માટે માથાનો દુખાવો બન્યો છે. સોનલ નદીનું પાણી સતત કોઝવે પરથી વહેતું રહે છે, જેના કારણે સપાટી પર મોટા અને ઊંડા ખાડા પડી ગયા છે. આ ખાડાઓ અને પાણીના પ્રવાહને લીધે વાહનચાલકોને પસાર થવામાં ભારે હાલાકી વેઠવી પડે છે. હાલ તહેવારોની મોસમ ચાલી રહી હોવાથી રસ્તા પર વાહનોની અવરજવર નોંધપાત્ર રીતે વધી છે. આવી સ્થિતિમાં, કોઝવે પરના ખાડા અને પાણીનો પ્રવાહ ટ્રાફિક જામનું મુખ્ય કારણ બની રહ્યા છે. ઘણીવાર વાહનચાલકોને કલાકો સુધી રસ્તા પર અટવાઈ રહેવું પડે છે, જેનાથી તેઓ ભારે પરેશાન થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કોઝવેની જોખમભરી હાલત સ્પષ્ટપણે દેખાય છે. સ્થાનિક લોકો અને વાહનચાલકો દ્વારા આ સમસ્યાના તાત્કાલિક નિરાકરણ અને ખાડાઓ પૂરવા માટે સત્વરે વ્યવસ્થા ગોઠવવાની માંગ ઉઠી છે. વાહનચાલકો અને સ્થાનિકો પ્રશાસન પાસે આશા રાખી રહ્યા છે કે આ ગંભીર સમસ્યા પર તાત્કાલિક ધ્યાન આપીને લોકોની અવરજવર સુવ્યવસ્થિત બનાવવા માટે યોગ્ય પગલાં લેવામાં આવે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 7:51 pm

મહીસાગરમાં નૂતન વર્ષનો પ્રારંભ:મંદિરોમાં ભક્તોની ભીડ, દર્શન કરી નવા વર્ષની શરૂઆત

આજથી વિક્રમ સંવત 2082ના નવા વર્ષનો પ્રારંભ થયો છે. સમગ્ર રાજ્યભરમાં નૂતન વર્ષની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી છે. મહીસાગર જિલ્લામાં પણ આનંદ અને ઉલ્લાસ સાથે નવા વર્ષનું સ્વાગત કરાયું હતું. જિલ્લા મથક લુણાવાડા શહેર સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં લોકોએ મંદિરોમાં દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરી. વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી. લુણાવાડા શહેરમાં આવેલા પૌરાણિક શિવ મંદિર, લુણેશ્વર મહાદેવ મંદિર અને રામજી મંદિરે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. દિવસભર લોકોએ મંદિરમાં ભગવાનના દર્શન કર્યા હતા. નવા વર્ષ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા, જેના કારણે જિલ્લાના વિવિધ મંદિરોમાં ભીડ જામી હતી. લોકો એકબીજાને નૂતન વર્ષાભિનંદન પાઠવીને નવા વર્ષની શુભકામનાઓ આપી રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 7:43 pm

અમિત શાહે અમદાવાદમાં ઉજવ્યું નવું વરસ:હર્ષ સંઘવીએ સફાઈ કર્મીઓ સાથે લીધું ભોજન, સુરત પોલીસની મ્યુઝિકલ ઉજવણી, ચાર વર્ષના બાળકને નબીરાએ કચડ્યા

વિક્રમ સંવત 2082નું રંગેચંગે સ્વાગત આજે ગુજરાતીઓએ નવા વર્ષનું સ્વાગત કર્યું...રાજ્યભરના વિવિધ મંદિરોમાં આજે ભગવાનને અન્નકૂટ ધરાવાયો.. લોકોએ નવા વર્ષની શરુઆત ભગવાનના દર્શનથી કરી. અમિત શાહે અમદાવાદમાં કરી નવા વર્ષની ઉજવણી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં નવા વર્ષની ઉજવણી કરી..મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત દિગ્ગજ નેતાઓ અને કાર્યકર્તાઓ નવા વર્ષની શુભકામનાઓ માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા. આજે અમિત શાહનો જન્મદિવસ પણ છે.. આ સમાચારને વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નવા વર્ષે મુખ્યમંત્રીએ કર્યા ભગવાનના દર્શન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિવસની શરૂઆત ગાંધીનગરના પંચદેવ મંદિર અને અડાલજ ત્રિમંદિરમાં પૂજા-અર્ચના કરીને કરી,આ સિવાય તેઓ અમદાવાદમાં ભદ્રકાળી મંદિરે પણ દર્શન માટે પહોંચ્યા હતા. આ સમાચારને વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હર્ષ સંઘવીએ સફાઈ કર્મીઓ સાથે ભોજન કર્યું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવા વર્ષે 1500 સફાઈ કર્મચારીઓ સાથે ભોજન કર્યું.. કહ્યું, આપ સૌ 'સ્વચ્છતાના સેવકો છો', તમારા પરિશ્રમથી ગુજરાતનું ગૌરવ વધે છે'. આ સમાચારને વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઓપરેશન સિંદૂરની થીમ પર બનાવી રંગોળી જામનગરના વાલકેશ્વરીમાં ઓપરેશન સિંદૂરની થીમ પર રંગોળી બનાવાઈ. જેમાં ડાબા ભાગમાં એક ભારતીય મહિલા,જમણી બાજુએ એક ભારતીય સૈનિકનો ક્રોધિત ચહેરો અને કેન્દ્રમાં રાષ્ટ્રધ્વજના બેકગ્રાઉન્ડમાં ફાઈટર જેટ્સ ઉડતા દેખાઈ રહ્યા છે. આ સમાચારને વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ફટાકડા ફોડી ગોવાળ પાછળ ગાયો દોડાવી પાટણના હારીજ અને સમીના ગામોમાં બેસતા વર્ષન દિવસે ફટાકડા ફોડી ગાયોને ગોવાળ પાછળ દોડાવાઈ. આ દરમિયાન ઉડતી ધૂળને લોકોએ માથે ચઢાવી.. વર્ષો જૂની આ પરંપરા હજુ પણ અકબંધ છે. આ સમાચારને વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પોલીસના જવાનો સાથે કમિશનરે ગાયું ગીત સુરતમાં કમિશનર સહિત પોલીસકર્મીઓએ નવા વર્ષની મ્યુઝિકલ ઉજવણી કરી..કમિશનરે ડ્રગ્સ પેડલર્સ વિરુદ્ધ 'મેગા ઑપરેશન'ની પણ જાહેરાત કરી આ સમાચારને વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ડિવાઈડર સાથે ભટકાઈને કાર ઝાડ પર લટકી ગઈ વડોદરાના જરોદ પાસે XUV કાર ડિવાઈડર સાથે અથડાઈને ઝાડ પર ઊંધી લટકી ગઈ. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું જ્યારે 4 ઘાયલ થયા છે. મુંબઈનો ડોક્ટર પરિવાર લગ્ન પ્રસંગમાં યુપી જઈ રહ્યો હતો.. આ સમાચારને વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુમ બાળક પાછું મળતા પરિવારમાં આનંદ ગાંધીનગરમાં 6 મહિનાના બાળકનું અપહરણ થયું. મહિલા પરિવારની નજર ચૂકવી બાળકને ઉઠાવી ગઈ. જો કે પોલીસે 18 કલાકમાં જ બાળકને શોધી પરિવારને સોંપી, આરોપી મહિલાની ધરપકડ કરી લીધી. આ સમાચારને વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નબીરાએ 4 વર્ષના બાળકને કચડ્યો વડોદરાના અવધૂત ફાટક પાસે નબીરાએ શ્રમજીવી પરિવારને કચડ્યો. ગાડીનું ટાયર માથા પરથી ફરી વળતા 4 વર્ષના બાળકનું મોત નીપજ્યું. રોષે ભરાયેલા લોકોએ કારચાલકની ધોલાઈ કરી. આ સમાચારને વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 5:58 pm

'અમારા બાળકોનું ભવિષ્ય બગડે છે':લિંબાયતના આઝાદ ચોક વિસ્તારમાં નશાકારક સીરપના વેચાણ વિરુદ્ધ મહિલાઓ રોષે ભરાઈ, પોલીસમાં ફરિયાદ કરી

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા આઝાદ ચોક નુરાની મસ્જીદ પાસેના સ્લમ વિસ્તારમાં નશાકારક સીરપ અને દવાઓના ગેરકાયદેસર વેચાણને કારણે સ્થાનિક મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નશાના આ દૂષણથી તેમના બાળકો અને યુવાનોનું ભવિષ્ય બગડી રહ્યું હોવાથી સ્થાનિક મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી અને નશાનો ધંધો કરનારા તત્વો વિરુદ્ધ વિરોધ પ્રગટ કર્યો હતો. અસમાજિક તત્વો દ્વારા નશાકારક દવાઓનું વેચાણસ્થાનિક મહિલાઓએ લિંબાયત પોલીસ મથકમાં લેખિત અરજી આપીને જણાવ્યું છે કે તેમની ગલીમાં કેટલાક અસમાજિક શખ્સો છેલ્લા ઘણા સમયથી નશાકારક દવાઓનું વેચાણ અને અસામાજિક પ્રવૃત્તિઓ કરે છે. જેના કારણે તેમના સંતાનો અને નાના બાળકો પણ નશાના રવાડે ચડી રહ્યા છે. આ સ્થળે નશાની વસ્તુઓ લેવા આવતા વ્યસનીઓ તેમના ઘર પાસે ઊભા રહે છે અને નશાની હાલતમાં અવારનવાર બોલાચાલી અને ઝઘડા કરે છે. સ્થાનિકોએ આ નશાના ધંધાઓ બંધ કરાવવા માટે આરોપીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓએ વાત માની નહોતી. તમારા વિરુદ્ધ ખોટા કેસો કરી દઈશુંની ધમકી આપીતા. 22/10/2024ના રોજ સવારે અરજી કરનાર મહિલા તેમના પતિ અને અન્ય ગલીના લોકો સાથે આ સામાજિક તત્વોને ધંધો બંધ કરવા કહેવા ગયા હતા. જોકે, આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને મહિલાઓ તથા તેમના પતિ સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા. એટલું જ નહીં, આરોપીઓએ ધમકી પણ આપી હતી કે, જો તમે લોકો અમારા વિરુદ્ધ ફરિયાદ કરશો, તો તમારું જીવવાનું હરામ કરી નાખીશું અને તમારા વિરુદ્ધ ખોટા કેસો કરી દઈશું.નશાકારક પ્રવૃત્તિઓથી ત્રસ્ત મહિલાઓએ પોલીસને વિનંતી કરી છે કે આ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેથી તેમના બાળકોનું ભવિષ્ય સુરક્ષિત બની શકે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 5:51 pm

મંત્રી પી સી બરંડાના વતન વાંકાટીંબામાં સ્નેહમિલન યોજાયું:શુભેચ્છકોએ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી, આત્મનિર્ભર ભારત પર ભાર

ભિલોડા-મેઘરજ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પી.સી. બરંડાના વતન વાંકાટીંબા ગામે નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે તેમના મતવિસ્તારના અગ્રણીઓ, શુભેચ્છકો અને હિતચિંતકોએ ઉપસ્થિત રહી મંત્રીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. વિક્રમ સંવત 2082ના નવા વર્ષના પ્રારંભે આયોજિત આ કાર્યક્રમમાં સૌએ એકબીજાને મળીને આવનારું વર્ષ સુખમય અને યશસ્વી નીવડે તેવી કામના કરી હતી. ઉપસ્થિત લોકોએ ગુજરાતના તમામ નાગરિકો માટે નવું વર્ષ સફળતાભર્યું રહે તેવી શુભકામનાઓ પણ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મંત્રી પી.સી. બરંડાએ જણાવ્યું હતું કે, આવનારા સમયમાં સમગ્ર દેશ આત્મનિર્ભર બને અને વર્ષ 2047 સુધીમાં ભારત આર્થિક રીતે વિશ્વમાં નંબર વન બને તે માટે દરેક નાગરિકે સ્વદેશી અપનાવવું જોઈએ. તેમણે કેન્દ્રીય અગ્રણીઓ જે.પી. નડ્ડા અને અમિત શાહે તેમના પર જે વિશ્વાસ મૂક્યો છે, તેમાં તેઓ ખરા ઉતરશે તેવી પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 5:05 pm

પૂરપાટ ઝડપે આવતા બાઈકચાલકે મહિલાને ઉડાડી, CCTV:વડોદરામાં અકસ્માતના 22 દિવસ બાદ મહિલાનું મોત, આરોપી ફરાર; પરિવારની કડક કાર્યવાહી કરવા માગ

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ગત 1 ઓક્ટોબરના રોજ રાત્રે પૂરપાટ ઝડપે બાઈક હંકારી એક મહિલાને ઉડાવી દેવાની ઘટના બની હતી, ત્યારે અકસ્માતની ઘટનાના 22 દિવસે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. અકસ્માતની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જ્યારે આરોપી બાઈકચાલક હજુ પણ ફરાર છે. આ ઘટના મામલે કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે. બાઈકચાલકે પૂરપાટ ઝડપે અને ગફલતભરી ચલાવીઆ અકસ્માત અંગે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં અરૂણકુમાર અગ્રવાલની ફરિયાદ મુજબ, આરોપી રવિ અનિશ ભાભોર (રહે. ઇશાન-2, મુક્તાનંદ સર્કલ, કારેલીબાગ, વડોદરા)એ તા. 1 ઓક્ટોબર 2025ના રોજ રાત્રે આશરે 8:30 કલાકે ગોવર્ધન એપાર્ટમેન્ટની સામે સ્કેટિંગ રિંગની બાજુમાં મુક્તાનંદ સર્કલ પાસે જાહેર રોડ પર પોતાની બાઈક ખૂબ જ ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી હતી. મહિલાને અડફેટે લેતા માથામાં ગંભીર ઈજા પહોંચીઆ દરમિયાન આરોપીએ ફરિયાદીના સાસુ ગીતાબેન અગ્રવાલ (રહે. ગોકુલ ટાઉનશીપ, ગોત્રી, વડોદરા)ને અડફેટે લીધા હતા. જેના કારણે તેમને માથાના ભાગે અને બંને મગજ પર ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઘટનાને પગલે આજે 22 દિવસ બાદ તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જોકે, આ ઘટનાને પગલે 22 દિવસ બાદ આ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીને પકડી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવેઆ અંગે મૃતકના પરિવારજન જીતુભાઈ અગ્રવાલે જણાવ્યું હતું કે, 1 ઓક્ટોબરના રોજ મુક્તનંદ સર્કલ કારેલીબાગ પાસે તેઓ રોડ ક્રોસ કરતા હતા. તેઓ અને તેમના વેવાણ સાથે હતા અને અચાનક કોઈ અજાણ્યો વ્યક્તિ બાઈક લીને ત્યાંથી પસાર થયો અને મારા ફોઈ સાસુને અડફેટે લેતા ઈજાઓ પહોંચી હતી. ત્યાંથી તેમને તાત્કાલિક અવધૂત હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. અમારી રીતે FIR નોંધાવી છે અને અમારી માગ એક જ છે કે, જે આરોપી છે એને પકડી લાવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 4:32 pm

મોરબીના બગથળામાં નકલંક મંદિરે અન્નકૂટ દર્શન:વા વર્ષના પ્રારંભે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા, મંત્રી કાંતિ અમૃતિયા અને હજારો ભક્તોએ લાભ લીધો

મોરબી નજીકના બગથળા ગામે બેસતા વર્ષ નિમિત્તે નકલંક દાદાના મંદિરે અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિભાગના મંત્રી કાંતિ અમૃતિયાએ તેમના ધર્મપત્ની સાથે દાદાના દર્શન કરી ગુજરાત રાજ્ય અને દેશમાં સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. નવા વર્ષના પ્રારંભે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જુદા જુદા ગામો અને શહેરોમાંથી નકલંક દાદાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. ગ્રામજનોના સહયોગથી આયોજિત આ અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદનો હજારો લોકોએ લાભ લીધો હતો. આ મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર હોવાથી અહીં સ્નેહમિલન જેવું વાતાવરણ પણ જોવા મળ્યું હતું. મંદિરના મહંત દામજી ભગતના જણાવ્યા અનુસાર, નકલંક મંદિરની સ્થાપના 207 વર્ષ પૂર્વે કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે બેસતા વર્ષના દિવસે અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદ રાખવામાં આવે છે. બીલીયા, બગથળા, બરવાળા, નાની વાવડી, મોટી વાવડી, પંચાસર, શારદાનગર, જેપુર, ખેવારીયા, ગોર ખીજડીયા સહિત આસપાસના ગામોના હજારો લોકો આ પરંપરાનો લાભ લે છે. રાજકીય અને સામાજિક આગેવાનો પણ દાદાના આશીર્વાદ મેળવવા અચૂક આવે છે.મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ પત્ની જ્યોત્સનાબેન અમૃતિયા સાથે નકલંક દાદાને શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય અને દેશમાં સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી છે. આગામી સમયમાં લોકોની સુખાકારીમાં વધારો થાય તેવા અનેક કાર્યો રાજ્ય અને કેન્દ્ર સરકારના માધ્યમથી કરવામાં આવશે તેવી ખાતરી પણ તેમણે આપી હતી.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 4:06 pm

ડિવાઈડર સાથે અથડાયા બાદ XUV કાર ઝાડ પર ઊંધી લટકી:વડોદરામાં મુંબઇના ડોક્ટર પરિવારનો ગમખ્વાર અકસ્માત, એકનું મોત; ચાર ઈજાગ્રસ્ત

વડોદરાના જરોદ પાસે ગઈકાલે સાંજે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મુંબઇથી ઉત્તરપ્રદેશ લગ્નમાં જતા પરિવારને અકસ્માત નડ્યો હતો. XUV કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાયા બાદ ઝાડ પર ઊંધી લટકી ગઈ હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય ચાર લોકોને ઈજા પહોંચી છે. આ બનાવને લઈ જરોદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ ઝાડ પર ઊંધી લટકીગઈકાલ સાંજે મહારાષ્ટ્રના મુંબઇથી એક ડોક્ટર પરિવાર ઉત્તરપ્રદેશ લગ્ન પ્રસંગમાં જઈ રહ્યો હતો. તે દરમિયાન વડોદરાથી હાલોલ રોડ પર જરોદ પાસે ડોક્ટર પરિવારની XUV 500 કારને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ ઝાડ પર ઊંધી લટકી ગઈ હતી. આસપાસના સ્થાનિકો દ્વારા ભારે જહેમત બાદ કારને નીચે ઉતારાઈ હતી અને કારમાં સવાર લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. કારમાં સવાર પાંચ લોકો પૈકી એક વ્યક્તિનું ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. કારમાં સવાર પાંચમાંથી એકનું મોત, ચારને ઈજામજહરૂદ્દીન મોહીઉદ્દીન અન્સારી (ઉ.વ. 51, રહે. મ.નં. 14 મોગરાપાડા, અંધેરી, ઇસ્ટ મુંબઇ, મહારાષ્ટ્ર)નું ગંભીર ઈજાઓને કારણે મોત થયું હતું. આ બનાવ સંદર્ભે મૃતકના પુત્ર ફહિમઅહેમદે ઝાલોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. અકસ્માત બાદ રોડ પર ભારે ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. જોકે, તાત્કાલિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતમાં ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મૃતકના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતમાં XUV કારનો કચ્ચરઘાણઆ પરિવાર લગ્નમાં જતો હતો અને આ અકસ્માત સર્જાતા ભારે ગમગીની ફેલાઈ હતી. પરિવાર પરત મુંબઈ મૃતદેહ લઈ રવાના થયો હતો. આ અકસ્માતમાં XUV કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને ફસાયેલા લોકોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. આ બનાવ અંગે હાલમાં જરોદ પોલીસ તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 3:54 pm

વાંકાનેરમાં મિત્રના ઝઘડાને પતાવવા ગયેલા યુવકની હત્યા:છાતીમાં છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનાર ચાર ઝડપાયા, એક કિશોર ડિટેઈન

વાંકાનેરમાં બે દિવસ પૂર્વે થયેલી એક યુવાનની હત્યાના કેસમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક કિશોરને ડિટેઈન કરવામાં આવ્યો છે. આ ઘટના મિત્રો વચ્ચેના ઝઘડાનું સમાધાન કરાવવા ગયેલા ધ્રુવ પ્રફુલ્લ કેરવાડીયા (ઉંમર 20) નામના યુવાનના મોતનું કારણ બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા ધ્રુવ કેરવાડીયાનો મિત્ર દીપક મનસુખ પરેચા અન્ય કેટલાક શખ્સો સાથે ઝઘડામાં પડ્યો હતો. આ ઝઘડાનું સમાધાન કરાવવા માટે ધ્રુવ પોતાના મિત્રો દીપક પરેચા અને વિપુલ સાથલીયા સાથે નવાપરા વિસ્તારમાં આવેલા વાસુકી દાદાના મંદિર નજીક ગયો હતો. ત્યાં આરોપીઓ સાહિલ દિનેશ વિજવાડીયા, ઋત્વિક જગદીશ કોળી, અનિલ રમેશ કોળી (ત્રણેય રહે. નવાપરા, વાંકાનેર) અને કાનો દેગામા (રહે. વિશીપરા, વાંકાનેર) સહિત કુલ પાંચ વ્યક્તિઓ હાજર હતા. સમાધાન માટેની વાતચીત ચાલી રહી હતી તે દરમિયાન આરોપીઓએ ધ્રુવ, દીપક અને વિપુલને ઘેરી લીધા હતા અને તેમને બેફામ માર માર્યો હતો. આ હુમલા દરમિયાન આરોપીઓએ ધ્રુવ કેરવાડીયાને છાતીના ભાગે છરીનો જીવલેણ ઘા ઝીંકી દીધો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા ધ્રુવ કેરવાડીયા લોહીલુહાણ હાલતમાં ત્યાં ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતા પ્રફુલ્લ કેશુ કેરવાડીયાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં નામજોગ હત્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે વાંકાનેરના સિટી પીઆઈ એચ.એ. જાડેજા અને તેમની ટીમે ઉપરોક્ત ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા એક બાળકિશોરને પણ ડિટેઈન કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 3:44 pm

મહાઅન્નકૂટ:નૂતનવર્ષના પ્રારંભએ અક્ષરવાડી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે ખાતે 1200 પ્રકારની વિવિધ વાનગીઓનો ભવ્ય મહાઅન્નકુટ ઉત્સવ

અક્ષરવાડીમાં દિપાવલીનાં પવિત્ર પર્વમાં આજે નૂતન વર્ષનો પ્રારંભ દિપાવલીનાં પર્વમાં પ્રકાશોત્સવ બાદ આજથી નૂતન વર્ષનો પ્રારંભ થયો છે. અને દર વર્ષની માફક આ વર્ષે પણ BAPS સ્વામિનારાયણ મંદિર અક્ષરવાડી ખાતે નૂતન વર્ષ નિમિતે ભવ્ય અન્નકૂટ નું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન સમક્ષ આશરે 1200 કરતાં પણ વધારની સંખ્યામાં વિવિધ પ્રકારની વાનગી ધરાવવામાં આવી હતી. ભગવાન સમક્ષ ધરાવવામાં આવેલ અન્નકૂટની પ્રથમ આરતી ઉતાર્યા બાદ સંત સોમપ્રકાશ સ્વામીએ આજથી શરૂ થતાં નવા વર્ષની સૌની આધ્યાત્મિક, સામાજિક પ્રગતિ થાય અને સૌના ધંધા રોજગાર સારા થાય અને સર્વ પ્રકારે સુખી થાય તેવાં આશિર્વાદ આપ્યા હતા. આજનાં પ્રસંગે ભાવનગર શહેરનાં કલેક્ટર ડો.મનીષકુમાર બંસલ સહિત અનેક રાજકીય અને સામાજિક મહાનુભાવો ઉપસ્થિત રહી દર્શન અને આરતીનો લાભ પ્રાપ્ત કર્યો હતો. સવારના 11 વાગ્યાંથી સાંજના 7 વાગ્યાં સુધી આ અન્નકૂટ દર્શનનો લાભ મળી રહેશે, અક્ષરવાડીમાં દર વર્ષે ખૂબ ભક્તિભાવ પૂર્વક અન્નકૂટ ઉત્સવ ઉજવાય છે. આ વર્ષે અન્નકુટમાં 1200 પ્રકારની વિવિધ શુદ્વ શાકાહારી વાનગીઓ ધરવામાં આવી છે. સંત સોમ પ્રકાશ સ્વામી, કોઠારી સંત યોગ વિજય સ્વામી તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉત્સવના દિવસે ઉત્સવના કીર્તનો, થાળ તથા મહાઆરતી કરવામાં આવી હતી. સમગ્ર મંદિર પરિસર દિવ્ય આધ્યાત્મિક વાતાવરણથી હર્યું ભર્યું જોવાં મળ્યું હતું. આજના પ્રસંગે પૂર્વના ધારાસભ્ય સેજલબેન રાજીવકુમાર પંડ્યા, કલેકટર ડો.મનીષ બંસલ, અગ્રણી ઉદ્યોગપતિઓ, મહાનુભાવો, તથા ભાવિક-ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 3:39 pm

હિંમતનગરમાં અષ્ટવિનાયક મંદિરે દાદાને અન્નકૂટ અર્પણ:નૂતન વર્ષે અનેક મંદિરોમાં ભક્તોએ આરતી કરી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં નૂતન વર્ષ નિમિત્તે વિવિધ મંદિરોમાં ભગવાનને અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભક્તોએ પૂજન-અર્ચન કરી આરતીનો લાભ લીધો હતો. હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં આવેલા વિનાયકનગરના અષ્ટવિનાયક ગણપતિ મંદિરે નૂતન વર્ષના શુભ દિને દાદાને 56 ભોગનો અન્નકૂટ પ્રસાદ ચડાવવામાં આવ્યો. બાબુલાલ સોનાજી પુરોહિત પરિવાર દ્વારા દાદાની આરતી ઉતારવામાં આવી હતી, જેમાં આસપાસના ધર્મપ્રેમી ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ ઉપરાંત, હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં આવેલા રામજી મંદિરમાં પણ ભગવાન શ્રીરામજીને ભવ્ય અન્નકૂટ અર્પણ કરાયો હતો. ત્યારબાદ અન્નકૂટ આરતી કરવામાં આવી, જેમાં પણ મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો. હિંમતનગરના મહા મંદિરમાં રાધા-કૃષ્ણ ભગવાનને પણ અન્નકૂટ ભરવામાં આવ્યો હતો, અને બપોરે આરતી કરવામાં આવી. આ રાધા-કૃષ્ણ મંદિર રાજા-રજવાડા સમયનું પૌરાણિક મંદિર છે, જ્યાં સ્થાનિક યુવાનો અને ટ્રસ્ટીઓ દ્વારા વિવિધ ઉત્સવોનું આયોજન કરાય છે. દિવાળી જેવા પર્વો પર દીવડાઓ પ્રગટાવી મંદિરને શણગારવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 3:36 pm

નવા વર્ષે હર્ષ સંઘવીએ 1500 સફાઈકર્મીઓ સાથે ભોજન લીધું:નાયબ મુખ્યમંત્રીએ કહ્યું- 'આપ સૌ 'સ્વચ્છતાના સેવકો છો', તમારા પરિશ્રમથી ગુજરાતનું ગૌરવ વધે છે'

વિક્રમ સંવત 2082ના પ્રારંભે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જન્મદિવસ નિમિત્તે ગાંધીનગર ટાઉનહોલ ખાતે એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શહેરની સ્વચ્છતા જાળવતા આશરે 1,500 સફાઈ કામદારોને સન્માનિત કર્યા હતા. સંઘવીએ સફાઈ કર્મચારીઓને આપ સૌ સાચા અર્થમાં ‘સ્વચ્છતાના સેવકો’ છો, જેમના પરિશ્રમથી ગુજરાતનું ગૌરવ વધે છે તેમ કહી તેમની પ્રશંસા કરી હતી. તેમણે આ શ્રમજીવીઓ સાથે બેસીને ભોજન લીધું હતું અને ઠંડીની શરૂઆતને ધ્યાનમાં રાખીને તેમને સ્વેટરનું વિતરણ પણ કર્યું હતું. ઠંડીના આગમનને ધ્યાનમાં રાખીને સ્વેટરનું વિતરણકેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના જન્મદિવસ નિમિત્તે ગાંધીનગર ટાઉનહોલ ખાતે એક અનોખા અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરના આશરે 1,500 સફાઈ કામદારોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમની સાથે ભોજન સમારંભ યોજાયો હતો. સાથે જ ઠંડીના આગમનને ધ્યાનમાં રાખીને સ્વેટરનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સફાઈ કામદારો સાથે બેસીને ભોજન લીધુંઆ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવામાં અવિરત સેવાઓ આપી રહેલા સફાઈ કામદારો સાથે બેસીને ભોજન લીધું હતું અને તેમની નિષ્ઠા તથા પરિશ્રમની પ્રશંસા કરી હતી. 'આપ સૌ સાચા અર્થમાં ‘સ્વચ્છતાના સેવકો’ છો'નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, 'શહેરની સ્વચ્છતા જાળવવામાં આપ સૌની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. આપ સૌ સાચા અર્થમાં ‘સ્વચ્છતાના સેવકો’ છો, જેમના પરિશ્રમ અને પ્રતિબદ્ધતાથી ગુજરાતને દેશ અને દુનિયામાં વિશેષ સ્થાન મળ્યું છે.' સમાજમાં એક સકારાત્મક સંદેશ ફેલાવતો કાર્યક્રમઅમિત શાહના જન્મદિવસ નિમિત્તે યોજાયેલો આ ભોજન સમારંભ અને સ્વેટર વિતરણ કાર્યક્રમ સમાજના પાયાના સ્તરે કાર્યરત શ્રમજીવીઓ પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને સન્માનની ભાવના વ્યક્ત કરતો એક અનોખો ઉપક્રમ સાબિત થયો હતો. સફાઈ કર્મચારીઓના યોગદાનને બિરદાવવા અને તેમનો ઉત્સાહ વધારવા માટે આ પહેલ સમાજમાં એક સકારાત્મક સંદેશ આપી ગઈ હતી.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 3:22 pm

‘તું મને ગાળ કેમ બોલ્યો’કહી માથામાં પથ્થર મારી દીધો:મોરવા હડફના ભાઠા ગામે નજીવી બાબતે યુવક મોતને ઘાટ ઉતાર્યો, ફરિયાદ નોંધાઈ

મોરવા હડફ તાલુકાના ભાઠા ગામે નજીવી બાબતે એક યુવકની હત્યા કરવામાં આવી છે. ૩૦ વર્ષીય ધર્મેન્દ્ર રૂપા સુથારને જયદીપ સોમા રાવળે પથ્થર મારી મોતને ઘાટ ઉતાર્યા હતા. આ ઘટના અંગે મોરવા હડફ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. મૃતકના દિનેશ સુથારના જણાવ્યા અનુસાર, સાંજે લગભગ પોણા ચાર વાગ્યે તેઓ વિનોદ સુથારની દુકાન પર મસાલો ખાવા ગયા હતા. ત્યાં તેમણે જોયું કે નારસિંગ રાવળની દુકાન સામે જયદીપ રાવળ સૂતેલા હતા અને ઝાલા સુથાર તેમની બાજુમાં બેઠા હતા. આ સમયે ધર્મેન્દ્ર સુથાર ઝાલા પાસેથી મોટરસાયકલની ચાવી લેવા આવ્યા હતા. ચાવી લેતી વખતે ધર્મેન્દ્રનો હાથ અકસ્માતે સૂતેલા જયદીપને અડી ગયો. જયદીપ ઊંઘમાંથી જાગી ગયા અને ધર્મેન્દ્રને ગાળ બોલ્યા હોવાનું કહી ઝપાઝપી કરવા લાગ્યા. દિનેશ અને વિનોદએ તેમને છોડાવ્યા હતા. જયદીપના માતા-પિતા પણ ત્યાં આવી ગયા હતા અને તેમને ઘરે લઈ જવામાં આવ્યા હતા. જોકે, થોડીવાર પછી જયદીપ ફરીથી તેમના ઘરેથી પથ્થર લઈને આવ્યા અને નારસિંગની દુકાન પાસે ઊભેલા ધર્મેન્દ્રને તું મને ગાળ કેમ બોલ્યો તેમ કહી માથાના પાછળના ભાગે પથ્થર મારી દીધો. પથ્થર વાગતા ધર્મેન્દ્ર નીચે પડી ગયા અને તેમના નાકમાંથી પ્રવાહી નીકળવા લાગ્યું, તેઓ બેભાન થઈ ગયા. દિનેશ અને વિનોદ ધર્મેન્દ્રને તાત્કાલિક મોટરસાઈકલ પર મેત્રાલ સરકારી દવાખાને લઈ ગયા, પરંતુ ત્યાં સારવાર મળી ન હતી. ત્યારબાદ તેમને ઘરે લઈ જઈ ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કર્યો, પરંતુ તે સમયસર ન આવતા વિનોદની ગાડીમાં મોરા સીએચસી દવાખાને લઈ જવામાં આવ્યા. ત્યાં ફરજ પરના ડોક્ટરે ધર્મેન્દ્રને મૃત જાહેર કર્યા. આ બનાવ અંગે મૃતકના દિનેશ રૂપા સુથારે જયદીપ સોમા રાવળ (રહે. ભાઠા, રાવળ ફળિયું, તા. મોરવા હડફ) વિરુદ્ધ મોરવા હડફ પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 3:22 pm

પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ:નારોલમાં કોલ સેન્ટરનો વેપાર ચલાવતા હેમંત અને તેના સાગરીતોએ રાતે 2થી 4 વાગ્યા સુધી ફટાકડા ફોડી રોડ બાનમાં લીધો

પોલીસ કમિશનર દ્વારા ફટાકડા ફોડવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જે મુજબ રાતે 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાય છે છતાં નારોલ વિસ્તારમાં કેટલાક નબીરાઓએ મોડી રાતે 2 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન ફટાકડા ફોડી જાહેર રોડ બાનમાં લીધો હતો.ફટાકડા ફોડનાર પણ કુખ્યાત હેમંત ઉર્ફે છોટુ ચૌહાણ અને તેના સાગરીતો હતા. પોલીસ આવી તો ખરા પણ ઠપકો આપીને રવાના થઈ ગઈ હતી. નબીરાઓએ જાહેર રોડ પર ફટાકડા ફોડીને રોડ બાનમાં લીધોઅમદાવાદના નારોલ વિસ્તારમાં સરેઆમ કેટલાક નબીરાઓએ પોલીસ કમિશનરના ફટાકડા ફોડવાના જાહેરનામાનો ઉલ્લંઘન કર્યો હતો. નારોલના ગેબનશાહ કેનાલ પાસે રાત્રે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી કેટલાક નબીરાઓએ જાહેર રોડ પર ફટાકડા ફોડીને રોડ બાનમાં લીધો હતો. આવતા જતા રાહદારીઓને અડચણરૂપ થાય તે રીતે નબીરાઓએ ફટાકડા ફોડ્યા હતા. આ ફટાકડા ફોડનાર બીજું કોઈ નહીં પરંતુ, રાજ્ય બહાર કોલ સેન્ટરનો ગેરકાયદેસર વેપાર ચલાવતા કુખ્યાત હેમંત ઉર્ફે છોટુ ચૌહાણ અને તેના સાગરીતો હતા. પોલીસ કાર્યવાહી કર્યા વિના માત્ર ઠપકો આપીને પાછલા બારણે રવાના થઈ ગઈઅસામાજિક તત્વોનો રાત્રે આ પ્રકારનો આતંક જોઈને કેટલાક સ્થાનિકોએ પોલીસને ફોન કરીને જાણ પણ કરી હતી ત્યારે નારોલ પોલીસની ગાડી તો આવી હતી પરંતુ, પોલીસ કોઈપણ કાર્યવાહી કર્યા વિના માત્ર ઠપકો આપીને પાછલા બારણે રવાના થઈ ગઈ હતી. સ્થાનિકોએ બેથી ત્રણ વખત પોલીસ કંટ્રોલરૂમને જાણ કરી પરંતુ, નારોલ પોલીસ દ્વારા આ અંગે ઠપકો આપ્યા સિવાય કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. જેને કારણે અસામાજિક તત્વોને વધુ વેગ મળ્યો અને 4 વાગ્યા સુધી ફટાકડા ફોડી સ્થાનિકોને હેરાન કરી જાહેર રોડ બાનમાં લીધો હતો. નારોલ પોલીસ સ્ટેશનના પીઆઇ પરિમલ દેસાઈએ જણાવ્યું હતું કે, આ અંગે તપાસ કરી રહ્યા છીએ.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 3:07 pm

ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી:લિંબાયતમાં દિવાળીની રાત્રે ગુંડાગીરી, આરોપીઓએ ગાળાગાળી કરી ઢીકમુક્કીનો માર માર્યો

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં બે અજાણ્યા શખ્સોએ એક યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી ફરાર થઈ ગયા હતા. પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. વિક્કી અને તેના મિત્રએ યુવક પર હુમલો કર્યોલિંબાયત વિસ્તારમાં આવેલા કૈલાશનગર, પ્લોટ નં-106, બાબા બૈજનાથ મંદિર પાસે મજૂરીકામ કરતા દિપક ચંદ્રદેવ પાંડે (ઉ.વ.24) પર આ હુમલો થયો હતો. તારીખ 21/10/2025ના રોજ આશરે 3 વાગ્યાના સુમારે, દિપક પાંડે પર વિક્કી નામના એક શખસ અને તેના એક અજાણ્યા મિત્ર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ ઝઘડો ફટાકડા ફોડવા બાબતે શરૂ થયો હતો. બોલાચાલી ઉગ્ર બનતા, વિક્કી અને તેના મિત્રએ દિપક પાંડે સાથે ગાળાગાળી કરી ઢીકમુક્કીનો માર માર્યો હતો. પોલીસે ધરપકડના ચક્રો ગતિમાન કર્યા​​​​​​​હુમલા દરમિયાન વિક્કીના અજાણ્યા મિત્રએ તેની પાસેના કોઈ તીક્ષ્ણ હથિયાર વડે દિપક પાંડેના જમણા પડખાના ભાગે અને જમણા પગના ઘૂંટણના ભાગે ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ બંને આરોપીઓ તાત્કાલિક સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા દિપક પાંડે દ્વારા લિંબાયત પોલીસ સ્ટેશનમાં વિક્કી અને તેના અજાણ્યા મિત્ર વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ASI રાજેન્દ્રભાઈ નટવરભાઈએ આ મામલે ગુનો નોંધી આરોપીઓ વિક્કી અને તેના મિત્રની શોધખોળ શરૂ કરી છે. પોલીસે CCTV અને અન્ય માધ્યમો દ્વારા આરોપીઓના પુરા નામ-સરનામા મેળવીને તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 2:51 pm

બેસતા વર્ષે પાવાગઢમાં માઈભક્તોની ભીડ:વહેલી સવારે મંગળા આરતીના દર્શનનો લાભ લીધો, ચાંપાનેરથી માંચી અને નીજમંદિર સુધી ભાવિકોનું ઘોડાપૂર

પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે બેસતા વર્ષના દિવસે મહાકાળી માતાજીના દર્શન કરવા માટે લાખો ભક્તો ઉમટી પડ્યા હતા. નવા વર્ષના પ્રારંભે ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.વહેલી સવારે મંગળા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. નવા વર્ષની શરૂઆત માતાજીના દર્શન કરીને કરવા માટે ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રસિદ્ધ યાત્રાધામ ખાતે નવા વરસના પ્રથમ દિવસે લાખોની સખ્યામાં ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યુ હતુ. મહાકાલી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આજથી નવા વર્ષની શરુઆત થઈ રહી છે. ત્યારે ભાવિકોએ પાવાગઢ ખાતે મહાકાલી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને સાથે એકબીજાને નવા વરસની શુભકામનાઓ પાઠવી હતી. પાવાગઢ ખાતે બેસતા વરસના દિવસે સવારથી ભાવિકોની ભીડ જોવા મળી હતી. વહેલી સવારે મંગળા આરતી કરવામા આવી હતી. જેમા ભાવિકો જોડાયા હતા. નવા વરસની શરુઆત થઈ રહી છે.ત્યારે ભાવિકોએ મહાકાલી માતાજીના દર્શન કરીને નવા વર્ષની શરુઆત કરી હતી. ગુજરાત,રાજસ્થાન તેમજ મહારાષ્ટ્રથી મોટી સંખ્યામા ભાવિકો ઉમટી પડ્યા હતા. ચાંપાનેરથી માંચી તેમજ નીજમંદિર સુધી ભાવિકોનું ઘોડાપૂર જોવા મળતું હતું.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 2:43 pm

સાળંગપુર હનુમાનજી મંદિરે નૂતન વર્ષે ભક્તો ઉમટ્યા:દાદાને વિશેષ સુવર્ણ વાઘા અને 56 ભોગનો અન્નકૂટ ધરાવાયો

નૂતન વર્ષ નિમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. દેશ-વિદેશ અને રાજ્યભરમાંથી હજારો શ્રદ્ધાળુઓએ દાદાના દર્શનનો લાભ લીધો હતો. સવારથી જ મંદિરમાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો હતો. આજે કષ્ટભંજન દેવ હનુમાનજીને અદભૂત સુવર્ણ વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો. નૂતન વર્ષ નિમિત્તે વિશેષ શણગાર, પૂજન-અર્ચન અને આરતીનું આયોજન કરાયું હતું, જેના દર્શનનો લાભ પણ ભક્તોએ લીધો હતો. બપોરના સમયે દાદાને 56 ભોગ મીઠાઈનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. ભક્તોએ દાદાના અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિરના કોઠારી વિવેકસાગરદાસ સ્વામીએ નૂતન વર્ષ નિમિત્તે ભાવિકોને આશીર્વાદ પાઠવ્યા હતા. શ્રદ્ધાળુઓએ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દર્શન કરીને નવા વર્ષનો શુભારંભ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 2:15 pm

સ્વામિનારાયણ મંદિરે 1380 વાનગીઓનો અન્નકૂટ:નવા વર્ષે 20,000 થી વધુ ભક્તોએ દર્શન કર્યા

જામનગરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે નૂતન વર્ષના પ્રારંભે ભવ્ય અન્નકૂટ ઉત્સવ ઉજવાયો. ભગવાન સ્વામિનારાયણને 1380 પ્રકારની વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ અવસરે 20,000 થી વધુ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. નવા વર્ષની શરૂઆત ભગવાનના દર્શનથી કરવા ભક્તો વહેલી સવારથી જ મંદિરે ઉમટી પડ્યા હતા. સૌપ્રથમ ભગવાન સ્વામિનારાયણને અભિષેક કરાવી, નવા વાઘા ધારણ કરાવી પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ ગોવર્ધન આરતી કરવામાં આવી. બપોરના સમયે 1380 પ્રકારના અન્નકૂટની મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો અને અન્નકૂટના દર્શનનો લાભ લીધો હતો. મહાઆરતી બાદ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું, જેનો પણ હજારો ભક્તોએ લાભ લીધો. દિવાળીના પવિત્ર પર્વ નિમિત્તે મંદિર અને સમગ્ર પરિસરને દીપ જ્યોતિથી શણગારવામાં આવ્યું હતું. નૂતન વર્ષે પ્રતિષ્ઠિત મહાનુભાવોની સાથે ભક્તોએ ગોવર્ધન પૂજા અને અન્નકૂટ સહિત આરતીનો લાભ લીધો હતો. આ ઉત્સવમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના મહંત ધર્મનિધિ સ્વામી સહિતના સંતો અને મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. ભગવાન સ્વામિનારાયણ, અક્ષર પુરુષોત્તમ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, રાધે કૃષ્ણ દેવ અને ગુરુ પરંપરા સમક્ષ ભક્તિ ભાવપૂર્વક અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 2:14 pm

ગઢડા ગોપીનાથજી મંદિરે 56 ભોગનો અન્નકૂટ ધરાવાયો:હીરા જડિત વાઘાના દર્શન કરવા ભક્તો ઉમટી પડ્યા

ગઢડાના સુપ્રસિદ્ધ ગોપીનાથજી મંદિરે નવા વર્ષ નિમિત્તે 56 ભોગનો અન્નકૂટ ધરાવાયો હતો. ગોપીનાથજી મહારાજને હીરા જડિત વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરના દરવાજા ખુલતા જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા હતા. બોટાદ જિલ્લાના ગઢડા ખાતે આવેલું આ સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું તીર્થધામ છે. દેશ-વિદેશના લાખો ભાવિકો માટે તે શ્રદ્ધાનું કેન્દ્ર છે. 200 વર્ષ પહેલાં સ્વયં સ્વામિનારાયણ ભગવાને દરબાર ગઢમાં નવા વર્ષ નિમિત્તે અન્નકૂટ બનાવ્યો હતો, તેથી સંપ્રદાયમાં અન્નકૂટ દર્શનનું વિશેષ મહાત્મ્ય છે. figure class=custom-ckfigure image> આ પરંપરા જાળવી રાખીને, આજે નવા વર્ષ નિમિત્તે ગોપીનાથજી મંદિરે વિવિધ વાનગીઓ અને શાકભાજીનો 56 ભોગનો અન્નકૂટ ધરાવાયો હતો. ગોપીનાથજી મહારાજને હીરા જડિત વાઘાનો દિવ્ય શૃંગાર કરવામાં આવ્યો હતો. દેશ અને દુનિયામાંથી વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ગઢડા ગોપીનાથજી મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા. બપોરના સમયે ગોપીનાથજી મહારાજને દિવ્ય શણગાર અને હજારો વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ભક્તોએ આ દિવ્ય અન્નકૂટના દર્શન કર્યા હતા. <

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 2:06 pm

સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિ ઉપક્રમે મહાઅન્નકૂટ:અક્ષરફાર્મમાં દેવોને 10 ટન વજનની 3000 કરતા વધારે વાનગીઓનો મહાઅન્નકૂટ ધરાવાયો

આણંદ સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિ વર્ષ નિમિત્તે નૂતન વર્ષના દિવસે અક્ષરફાર્મમાં મહાઅન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભગવાન સ્વામિનારાયણની 15 ફૂટ ઊંચી મૂર્તિ સમક્ષ આશરે 10 ટનથી વધુ વજનની 3000થી વધુ વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ અન્નકૂટમાં વિવિધ વાનગીઓનું કલાત્મક રીતે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ મહાઅન્નકૂટ ઉત્સવમાં સદગુરુ ત્યાગવલ્લભ સ્વામી, વિવેકસાગર સ્વામી, અન્ય સંતો અને મંત્રી રમણ સોલંકી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં હરિભક્તોએ પણ દર્શન કર્યા હતા. અક્ષર ફાર્મમાં યોજાયેલા આ વિશિષ્ટ અન્નકૂટના દર્શન પૂર્વે જંગલ સફારી, પૌરાણિક ભક્તો અને ભગવાનના અવતારોની કુટિરો પણ દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. છેલ્લાં એક મહિનાથી તૈયારીઓ ચાલતી હતીમહંત સ્વામી મહારાજના આશીર્વાદથી વોકલ ફોર લોકલના સિદ્ધાંત અનુસાર કોઠારી યજ્ઞસેતુ સ્વામીના માર્ગદર્શન હેઠળ, સંતો અને સ્થાનિક યુવકો, યુવતીઓ, હરિભક્તો, મહિલાઓ છેલ્લાં એક મહિનાથી આ મહાઅન્નકૂટ ઉત્સવની તૈયારીઓ કરી રહ્યાં હતાં. આ અન્નકૂટ સેવા, સમર્પણ અને ભક્તિના પ્રતીકરૂપ બન્યો છે. જે સ્થાનેથી બી.એ.પી.એસ.ના આર્ધ્યસ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે સનાતન વૈદિક “અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત” ને ઉજાગર કરવા માટે કમર કસી હતી. એ સ્થાન ઉપર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ દ્વારા નિર્મિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિ વર્ષમાં આ મહા અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રકૃતિ સંવર્ધન, સંપ સુહૃદ્ય ભાવ અને એકતા, ભક્તિ, ઉપાસનાના સિદ્ધાંતોને સર્વાંગ રૂપથી પ્રતિબિંબિત કરવા માટે વિરાટ છતાં કળા કૌશલ્યથી ભરપૂર આ અન્નકૂટ માટે આ વર્ષે અક્ષરફાર્મ સ્થાન નક્કી કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 2:05 pm

વલસાડ BAPS મંદિરમાં 2500થી વધુ વાનગીઓનો અન્નકૂટ:નવા વર્ષે 400થી વધુ ગામોના હરિભક્તોએ ઠાકોરજીને અન્નકૂટ ધરાવ્યો

વલસાડના તિથલ ખાતે આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં નવા વર્ષ નિમિત્તે ઠાકોરજીને અન્નકૂટ ધરાવવામાં આવ્યો. વલસાડ જિલ્લાના 400થી વધુ ગામોમાંથી આવેલા હરિભક્તોએ તેમના ઘરે બનાવેલી 2,500થી વધુ વાનગીઓ અર્પણ કરી હતી. આ અન્નકૂટનું આયોજન હરિભક્તો અને અન્નકૂટ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. પરંપરા મુજબ, હરિભક્તો નવા વર્ષના દિવસે ઠાકોરજીને વિવિધ વાનગીઓ અર્પણ કરે છે. અન્નકૂટની આરતી દરમિયાન BAPS સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીએ રાજ્યના તમામ લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. અન્નકૂટ દર્શન પહેલાં, સત્સંગ હોલ ખાતે કોઠારી સ્વામીએ હરિભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા. 2,500થી વધુ વાનગીઓના આ અન્નકૂટના દર્શન કરીને હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 2:00 pm

કમિશનરે ડ્રગ્સ પેડલર્સ વિરુદ્ધ 'મેગા ઑપરેશન'ની જાહેરાત કરી:સુરત પોલીસ કમિશનરના નિવાસસ્થાને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ 'હમ તો સાત રંગ હૈં' ગીત ગાઈ નૂતન વર્ષની ઉજવણી કરી

વિક્રમ સંવત 2082ના મંગલમય નૂતન વર્ષના પ્રારંભે સુરત પોલીસે એક અનોખી અને હળવાશભરી ઉજવણી કરીને નવો ચીલો ચાતર્યો છે. પરંપરાગત શુભેચ્છા કાર્યક્રમને સંગીતમય માહોલમાં બદલીને સુરતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ 'હમ તો સાત રંગ હે, યે જહાં રંગી બનાયેંગે' ગીત ગાઈને એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. પોલીસ અધિકારીઓએ ગીત ગાઈ નૂતન વર્ષની ઉજવણી કરીનૂતન વર્ષ નિમિત્તે શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતના નિવાસસ્થાને યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં પોલીસ બેડાના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ખાસ અવસરે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોત પોતે, જોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ, રેન્જ આઈ.જી. પ્રેમવીર સિંહ અને ઇકોશિલના ડીસીપી કરણ રાજસિંહ વાઘેલા સાથે મળીને 'હમ તો સાત રંગ હે યે જહાં રંગી બનાયેંગે' ગીત ગાતા જોવા મળ્યા હતા. સામાન્ય રીતે કાયદો અને વ્યવસ્થાની ગંભીરતામાં વ્યસ્ત રહેતા ઉચ્ચ અધિકારીઓએ આ રીતે ગીતગાન કરીને એક હળવાશ અને સૌહાર્દપૂર્ણ માહોલનો અનુભવ કર્યો હતો. સુરતમાં ડ્રગ્સના દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકાશેનવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે બાદ, પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતે સુરત શહેરની સુરક્ષા વ્યવસ્થા અને આગામી સમયની પોલીસની રણનીતિ અંગે મહત્ત્વનું સંબોધન કર્યું હતું, જેમાં તેમણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તરફથી મળેલી સ્પષ્ટ સૂચનાઓ પર ભાર મૂક્યો હતો. કમિશનર ગહેલોતે સ્પષ્ટ સંકેતો આપ્યા હતા કે આવનારા દિવસોમાં પોલીસ કડક કાર્યવાહી માટે તૈયાર છે. સાથે જાહેરાત કરી હતી કે, સુરતમાં ડ્રગ્સના દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે ડ્રગ્સ પેડલર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવશે. જે વ્યક્તિઓ કે તત્વો સામાન્ય પ્રજાને હેરાનગતિ પહોંચાડે છે, તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે અને તેમને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. શહેરની બહેન અને દીકરીઓની સુરક્ષા માટે પોલીસ કોઈપણ કસર બાકી રાખશે નહીં. મહિલાઓની સુરક્ષાને પોલીસની પ્રાથમિકતા ગણાવવામાં આવી હતી. 'ફરિયાદી વિના ભયે પોલીસ સ્ટેશન આવી શકે'પોલીસ કમિશનરે સુરત શહેરના નાગરિકોને ખાતરી આપી હતી કે પોલીસ સ્ટેશનનો માહોલ બદલવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, સુરત શહેરમાં એક એવો માહોલ ઊભો કરવામાં આવશે કે જેનાથી ફરિયાદી ભય વગર પોલીસ સ્ટેશન આવે. તેમણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તરફથી મળેલા નિર્દેશોને ટાંકીને કહ્યું હતું કે, આ સૂચના અમને નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવી છે અને તેનું કડક પાલન કરવામાં આવશે. કોઈપણ વ્યક્તિ સીધેસીધું પોલીસ સ્ટેશન આવી શકે છે અને ભય વિના પોતાની વાત મૂકી શકે છે. પોલીસ દરેક ફરિયાદીને ન્યાય અપાવવા માટે કટિબદ્ધ છે અને તે માટે પ્રયત્નશીલ રહેશે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 1:49 pm

નિષ્ઠાવાન ફરજને બિરદાવવા વ્યક્તિગત મુલાકાત:દિવાળી અને નૂતન વર્ષના પાવન અવસર પર સુરતના મેયરની સફાઈ કર્મીઓ સાથે શુભેચ્છા મુલાકાત, મોઢું મીઠું કરાવી ઉજવણી કરી

પ્રકાશના પર્વ દિવાળી અને નૂતન વર્ષના શુભ અવસર પર સુરત શહેરના મેયર દક્ષેશ માવાણીએ શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે સતત ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મેયરે તહેવારના માહોલમાં પણ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક અદા કરી રહેલા આ કર્મીઓના સેવાભાવ, સમર્પણ અને અથાગ મહેનતને હૃદયપૂર્વક બિરદાવી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. નિષ્ઠાવાન ફરજને બિરદાવવા વ્યક્તિગત મુલાકાત જ્યારે આખું શહેર દિવાળીની ઉજવણીમાં મગ્ન છે અને સૌ પોતાના પરિવાર સાથે આનંદ માણી રહ્યા છે, ત્યારે સફાઈ કર્મીઓ કોઈપણ વિરામ વિના શહેરની સ્વચ્છતા જાળવવાની મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી રહ્યા છે. આ નિષ્ઠા અને કાર્યપ્રતિના ઉત્સાહને ધ્યાનમાં રાખીને, મેયર દક્ષેશ માવાણીએ વ્યક્તિગત રીતે તેમની મુલાકાત લીધી અને શુભેચ્છા પાઠવી હતી. આ મુલાકાત દરમિયાન મેયરએ સફાઈ કર્મચારીઓ સાથે દિવાળીની ઉજવણી કરી હતી અને સૌનું મોઢું મીઠું કરાવ્યું હતું, જે તેમના પ્રત્યે આદર અને સ્નેહની લાગણી દર્શાવે છે. મેયરએ જણાવ્યું હતું કે, આ સફાઈ યોદ્ધાઓ જ આપણા શહેરની સાચી ઓળખ અને ગૌરવ છે. સ્વચ્છતાના મામલે સુરતને મળેલું સન્માન તેમની મહેનતનું પરિણામ છે. આ અવસરે મેયરે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને અન્ય અગ્રણીઓની હાજરીમાં સૌને સુરત શહેરને વધુ સ્વચ્છ, હરિત અને સુંદર બનાવવા માટે સંકલ્પબદ્ધ થવા પ્રેરિત કર્યા હતા. તેમણે શહેરના દરેક નાગરિકને સ્વચ્છતા જાળવવાની આ ઝુંબેશમાં સફાઈ કર્મચારીઓને સહયોગ આપવા અને જવાબદારીપૂર્વક વર્તન કરવા અપીલ કરી હતી. આ શુભેચ્છા મુલાકાત મેયર દ્વારા સફાઈ કર્મચારીઓના મહત્વને માન આપી, તહેવારના સમયમાં તેમની નિષ્ઠાવાન સેવાને બિરદાવવાનો એક સરાહનીય પ્રયાસ હતો.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 1:42 pm

સ્નેહમિલન:ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ ભાવેણાવાસીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી

ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ સમસ્ત ભાવનગર જિલ્લાના રહેવાસીઓને નવા વર્ષ નિમિત્તે હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી છે. સેજલબેનએ આશા વ્યક્ત કરી હતી કે, નવું વર્ષ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય લઈને આવે. તેમણે ભાવેણાના તમામ નાગરિકોની પ્રગતિ અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. વિક્રમ સવંત 2082 નું શરૂ થતા નવા વર્ષનું સ્વાગત કરવા નુતન વર્ષ નિમિત્તે ભાવનગર પૂર્વ વિસ્તારના ધારાસભ્ય સેજલબેન રાજીવકુમાર પંડ્યા નું સ્નેહ મિલન આજરોજ તેમના કાર્યાલય સ્વરાપાર્ક, વળીયા હોસ્પિટલ ની સામે રાખવામાં આવ્યું હતું, આ પ્રસંગે આગેવાનો, કોર્પોરેટરો, પૂર્વ કોર્પોરેટરો, કાર્યકરો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી. ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ આજથી ગુજરાતીઓનું નવું વર્ષ શરૂ થાય છે, દરેક લોકોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, ભાવનગર નો વિકાસ કરે અને ભાવનગરના દરેક લોકોની ખૂબ પ્રગતિ કરે અને સારું સ્વાસ્થ્ય આપે એવી માં અંબા પાસે પ્રાર્થના. અને વડાપ્રધાન મોદી જે આત્મનિર્ભર ભારતની અને સ્વદેશી અપનાવવાની વાત કરી છે, એમાં આપણે ભાવનગરે પણ જોડાવવાનું છે અને દરેક લોકોએ આ આહવાનમાં સાથે નરેન્દ્રભાઈ મોદીની સાથે મળી અને આત્મનિર્ભર ભારતના અભિયાનને આગળ વધારવાનું છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 1:23 pm

ભરૂચના મંદિરોમાં નવા વર્ષે ભક્તોની ભીડ:સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થનાઓ કરી

ભરૂચમાં નવા વર્ષના પ્રથમ દિવસે શહેરભરના મંદિરોમાં ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ પોતાના ઇષ્ટદેવના દર્શન કરવા અને નવા વર્ષની શુભ શરૂઆત કરવા માટે કતારમાં ઉમટી પડ્યા હતા. દાંડિયા બજારમાં આવેલા 2065 વર્ષ જૂના અને 52મા શક્તિપીઠ તરીકે પ્રસિદ્ધ અંબાજી મંદિરે ભક્તોએ માં અંબાના દર્શન કર્યા હતા. તેમણે નવા વર્ષ સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર રહે તેવી પ્રાર્થના કરી હતી. આ જ રીતે, રાધા વલ્લભ નવાડેરા મંદિર ખાતે અન્નકુટ દર્શન માટે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. શહેરના અન્ય અનેક મંદિરોમાં પણ નવા વર્ષના પ્રથમ દિવસે પૂજા-અર્ચના સાથે ધાર્મિક માહોલ છવાયો હતો. નવા વર્ષના પ્રારંભે ભરૂચવાસીઓએ દેવી-દેવતાઓના દર્શન કરીને સારા આરોગ્ય, શાંતિ અને આનંદભર્યું વર્ષ રહે તેવી મનોકામના વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 12:52 pm

સુરત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે અન્નકૂટ:નૂતન વર્ષના પ્રારંભે 1300થી વધુ વાનગીઓનો ભવ્ય અન્નકૂટોત્સવ યોજાયો; 45 હજારથી વધુ ભક્તોએ દર્શન કર્યા

નૂતન વર્ષના મંગલ પ્રારંભે સુરત સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય અને દિવ્ય અન્નકૂટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સંવત 2082ના પ્રથમ દિવસે, શાસ્ત્રીજી મહારાજની પ્રેરણાથી સ્થપાયેલી બી.એ.પી.એસ. સંસ્થાના આ મંદિરે 1300થી વધુ વિવિધ વાનગીઓનો મનોહર થાળ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં ભક્તિભાવપૂર્વક ધરાવવામાં આવ્યો હતો. હિન્દુ પરંપરા મુજબ, નૂતન વર્ષના પ્રથમ દિવસે ભક્તો મંદિરે ભગવાનના દર્શન કરીને નવા વર્ષનો શુભ પ્રારંભ કરતા હોય છે. આ પરંપરાને અનુસરીને, પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી, વિશ્વભરના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરોની જેમ સુરત મંદિરે પણ અન્નકૂટોત્સવનું સુંદર આયોજન થયું હતું. હજારો બાઈ-ભાઈ ભક્તો દ્વારા સ્વયંસેવક ભાવે સેવા આપીને આ અન્નકૂટની તૈયારી કરવામાં આવી હતી. ભક્તોની ભક્તિ અને શ્રદ્ધાથી તૈયાર થયેલી 1300થી વધુ વાનગીઓને અત્યંત કલાત્મક અને મનોહર સુશોભન સાથે ગોઠવવામાં આવી હતી, જેણે દર્શનાર્થીઓ માટે દિવ્ય વાતાવરણ સર્જ્યું હતું. બપોરના સમયે સંતો તથા સુરત શહેરના અગ્રણી મહાનુભાવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ આ ભવ્ય અન્નકૂટોત્સવની આરતી ઉતારવામાં આવી હતી. 45 હજારથી વધુ ભાવિક ભક્તોએ આ અલૌકિક અન્નકૂટના દર્શનનો લાભ લીધો હતો અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. મંદિર પ્રશાસન અને સ્વયંસેવકો દ્વારા દર્શનાર્થીઓની વ્યવસ્થા અને સુગમતા માટે કરવામાં આવેલી ઉત્તમ વ્યવસ્થાને જોઈને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. આ અન્નકૂટોત્સવ નૂતન વર્ષના પ્રારંભે ભક્તોમાં શ્રદ્ધા, ભક્તિ અને આનંદની લાગણીનો સંચાર કરનારો એક દિવ્ય અવસર બની રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 12:50 pm

પાટણ જિલ્લામાં વિક્રમ સંવત 2082 ના નવા વર્ષની ઉજવણી:મંદિરોમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા, સ્નેહમિલન અને મેળાનું આયોજન

પાટણ સહિત સમગ્ર જિલ્લામાં વિક્રમ સંવત 2082ના નવા વર્ષની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી. દીપાવલી પર્વ બાદ બેસતા વર્ષના દિવસે 2082નું સ્વાગત કરાયું. વડીલોના આશીર્વાદ અને દેવ દર્શન સાથે નવા વર્ષનો પ્રારંભ થયો. જિલ્લાના તમામ મંદિરોમાં દર્શન માટે શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી. પાટણ શહેર અને જિલ્લાના લક્ષ્મી મંદિર, રામજી મંદિર, વૈષ્ણવ મંદિર, રાજપુર ગામના ભ્રહ્માણી માતાજી મંદિર સહિતના મંદિરોમાં વહેલી સવારથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સિદ્ધનાથ મહાદેવ, બગેશ્વર મહાદેવ, પંચમુખી હનુમાન દાદા, બાલા હનુમાન, આનંદેશ્વર મહાદેવ અને વરાણા ખોડલ માતાજી જેવા વિવિધ મંદિરોને ફૂલોથી શણગારવામાં આવ્યા હતા. અહીં આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા, જેમાં વહેલી સવારથી સાંજ સુધી ભક્તોની ભારે ભીડ રહી. નવા વર્ષ નિમિત્તે વિવિધ સમાજો દ્વારા સ્નેહમિલન કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. યુવાનોએ પણ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. નગર દેવી કાલિકા માતાજી મંદિર ખાતે પારંપરિક લોકમેળો યોજાયો, જે પાટણ શહેરમાં મેળાઓ સાથે નવા વર્ષની શરૂઆત દર્શાવે છે. વેપારીઓએ નવા વર્ષથી પોતાના વેપાર-ધંધાનો શુભારંભ કર્યો. મોટાભાગના વેપારીઓ લાભ પાંચમના દિવસે પોતાની દુકાનો ખોલશે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 12:44 pm

જામનગર બાલા હનુમાન મંદિરે નવા વર્ષે ભક્તો ઉમટ્યા:દર્શન કરી સવંત 2082ની શુભ શરૂઆત કરી

જામનગરમાં લોકોએ સવંત 2082 ના નવા વર્ષની શરૂઆત વિશ્વ વિખ્યાત બાલા હનુમાન મંદિરે દર્શન કરીને કરી છે. મોટી સંખ્યામાં ભક્તોએ સવારથી જ મંદિરે ઉમટી પડી દર્શનનો લાભ લીધો હતો. આ મંદિર તેની અખંડ રામધૂન માટે વિશ્વભરમાં જાણીતું છે. ભક્તોએ ભગવાન શ્રીરામ અને બાલા હનુમાનજીના દર્શન કરીને નવા વર્ષનો પ્રારંભ કર્યો હતો. નવા વર્ષ નિમિત્તે ભગવાન શ્રીરામ અને હનુમાનજી મહારાજનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. સાંજે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભક્તોએ નવું વર્ષ સુખ, શાંતિ અને સમૃદ્ધિથી પસાર થાય તેવી પ્રાર્થના કરી હતી. કોરોના કાળ બાદ આ વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવ્યા હતા, જે નવા વર્ષના ઉત્સાહભેર પ્રારંભનો સંકેત આપે છે. પરિવારો સાથે આવીને ભક્તોએ આશીર્વાદ મેળવી નવા વર્ષની શુભ શરૂઆત કરી.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 12:41 pm

ભુજમાં નૂતન વર્ષે મંદિરોમાં ભક્તોની ભીડ:સ્વામિનારાયણ મંદિરમાં 175થી વધુ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ દર્શન

ભુજ શહેરના વિવિધ દેવ મંદિરો અને યાત્રાધામ નૂતન સ્વામિનારાયણ મંદિરમાં નૂતન વર્ષ નિમિત્તે ભવ્ય અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. નૂતન સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ, નરનારાયણદેવ અને રાધાકૃષ્ણદેવ સહિત તમામ દેવી-દેવતાઓને 56 ભોગ સાથે 175થી વધુ પ્રકારની વાનગીઓનો મહાઅન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો. આ ભવ્ય દર્શન માટે ભાવિકોની લાંબી કતારો જોવા મળી હતી. આ ઉત્સવની પૂર્વ સંધ્યાએ દીપાવલી નિમિત્તે દોઢ લાખ દીપક પ્રજ્વલિત કરીને ભવ્ય દીપમાળા યોજવામાં આવી હતી. આ ઉપરાંત, ભુજના આશાપુરા માતાજીના મંદિરે પણ વહેલી સવારથી દર્શન માટે ભાવિકોની ભીડ ઉમટી પડી હતી. અન્નકૂટની પરંપરા ભગવાન શ્રીકૃષ્ણની ઉપસ્થિતિમાં ગોવર્ધન પૂજા રૂપે ગોકુળથી શરૂ થઈ હતી. ભારતીય સનાતની ધાર્મિક ભક્તિ પરંપરામાં આ ઉત્સવનું આજે પણ વિશેષ મહત્વ છે. ભુજ નરનારાયણ દેવ નૂતન સ્વામિનારાયણ મંદિરના છેલ્લા 15 વર્ષના ગાળામાં યોજાયેલા અન્નકૂટ ઉત્સવો દરમિયાન 25 લાખથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હોવાનું નોંધાયું છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 12:35 pm

ફટાકડા ફોડી ગાયોને ગોવાળ પાછળ દોડાવાઈ:ઊડતી રજને શ્રદ્ધાળુઓએ માથે ચઢાવી, હારીજ-સમીના ગ્રામ્ય પંથકમાં વર્ષો જૂની પરંપરા હજુ પણ યથાવત્

હારીજ અને સમી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બેસતા વર્ષના દિવસે ગોવાળ પાછળ ગાયો દોડાવવાની વર્ષો જૂની પરંપરા હજુ પણ યથાવત્ છે. ગામની તમામ ગાયોને એક સ્થળે એકત્રિત કરવામાં આવી હતી. જે બાદ ફટાકડા ફોડીને ગૌ માતાના જય જય કાર સાથે ગોવાળોએ ગાયોને દોડાવી હતી. ગાયો દોડતી હોય ત્યારે તેની ઊડતી રજને શ્રદ્ધાળુઓએ માથે ચઢાવી હતી. ગાયોને ચારો નાખી દાન પુણ્ય કરવામાં પણ આવ્યું હતું. એક સાથે સમગ્ર ગામની ગાયોને દોડાવવામાં આવીપાટણ જિલ્લામાં હારીજ તાલુકાના ગોધાણા ,બોરતવાડા તેમજ સમી તાલુકાના સમસેરપુરા, ધધાણા ગામે ગાયો દોડાવવાની પરંપરા છે. ગોધાણા ગામે એક સાથે સમગ્ર ગામની ગૌ માતાઓને જૂની પરંપરા મુજબ દોડાવવામાં આવી હતી. તમામ ગાયોને ગામ ભાગોળે એકઠી કરી ગૌ ધનનું પૂજન કરાઈ છેગામના હીરાભાઈ જાદવના જણાવ્યા મુજબ દીપાવલીના પર્વમાં મહિલાઓથી માંડીને પુરુષો બધા જ પર્વ મનાવવામાં વ્યસ્ત હોય છે, જેના કારણે ગાયોને ચરાવવા જઈ શકાતું નથી. જેને પગલે બેસતા વર્ષના દિવસે ખેડૂતો લીલો ઘાસચારો ગાયોને ચરવા માટે દાન કરી દેતા હોય છે. માટે તમામ ગાયોને ગામ ભાગોળે એકઠી કરી ગૌ ધનનું પૂજન કરી, એક સાથે ગાયોને દોડાવીને ખેતરમાં લઈ જવાની પરંપરા પહેલા ગામે ગામ હતી. હાલમાં તાલુકાના કેટલાક ગામોમાં આજે પણ પરંપરા જળવાઈ રહી છે. ગૌ સેવકો ગાયોને ઘાસચારો અર્પણ કરે છેસમશેરપુરા ગામે બેસતા વર્ષે સમસ્ત ગામના લોકો પાદરમાં એકઠા થાય છે. ગામના ભરવાડ સમાજના યુવાનો ગાયોને સુશોભિત કરી. પૂજન કરી નવા વર્ષના શુકન તરીકે ગામ પાદરમાં ગાયોને દોડાવે છે અને ગામના ગૌ સેવકો દ્વારા આ ગાયોને ઘાસચારો અર્પણ કરે છે. ગામલોકો ગાય માતાના આશીર્વાદ સમજી ઊડતી રજને માથે ચઢાવે છેસમશેરપુરા ગામના અરજણ ભરવાડ જણાવે છે કે, અમે વર્ષોથી આ પરંપરાને સાચવી રહ્યા છીએ. બેસતા વર્ષ નિમિતે વર્ષોથી પરંપરાગત રીતે અમારા ગામના ભરવાડ સમાજના યુવાનો ગાયોને દોડાવે છે. સમગ્ર ગામ એક સાથે મળી બેસતા વર્ષની ઉજવણી કરે છે. ગાયો દોડે છે ત્યારે તેની ઊડતી રજને લોકો પવિત્ર માને છે અને નવા વર્ષના શુકન તરીકે ગાય માતાના આશીર્વાદ સમજી આ રજને લોકો માથે ચઢાવે છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 12:23 pm

લચ્છીની લારી પાસેથી 6 માસના બાળકનું અપહરણ, CCTV:દિવાળીની ખરીદી પરત ફરેલા પરિવાર પાસેથી અજાણી મહિલા બાળકને ઉપાડી ગઈ; મહિલા મહેસાણા, કડી અને સાણંદમાં ફરી હોવાનું પગેરુ મળ્યું

ગાંધીનગર જિલ્લાના કલોલ નજીક છત્રાલ રોડ પર આવેલા પાનોટ ગામની સીમમાં ગોપાલ કાંટા પાછળના વિસ્તારમાં રહેતા એક પરિવારના માત્ર 6 માસ અને 12 દિવસના બાળકનું અપહરણ થયાની ચકચારી ઘટના સામે આવી છે. દિવાળીના તહેવાર દરમિયાન ખરીદી કરીને પરત ફરેલા પરિવારના બાળકને એક અજાણી મહિલા ભેટી ગઈ હતી અને તેને વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગઈ હતી. આ અંગે કલોલ તાલુકા પોલીસે ગુનો નોધી CCTV આધારે તપાસનો દોર શરૂ કર્યો છે. આખો પરિવાર સવારે કલોલ ફરવા ગયો હતોપોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કલોલ તાલુકાના પાનોટ ગામની સીમમાં રહેતા કલાબેન અનવરભાઈ મીર દિવાળીનો તહેવાર હોવાથી તેઓ તેમના નણંદ લશાબેન, બે પુત્રો સમીર (ઉ.વ. 8), શાહરૂખ (ઉ.વ. 6 માસ 12 દિવસ) અને જેઠનો પુત્ર શાબીર સાથે સવારે કલોલ ફરવા ગયા હતા. રસ્તામાં એક અજાણી સ્ત્રી મળી હતીબપોરના આશરે બે વાગ્યે તેઓ છત્રાલ બ્રિજ નજીક લુણાસણ રોડ પર રિક્ષામાંથી ઉતર્યા હતા. ત્યાંથી બધા ચાલતા જતા હતા ત્યારે રસ્તામાં તેમને એક અજાણી સ્ત્રી મળી હતી. આ સ્ત્રી ગુજરાતી ભાષા બોલતી હતી અને તેણે કલાબેન સાથે બાળકો અંગે વાતચીત કરી હતી. બાદમાં બપોરે આશરે 2.30 વાગ્યાના અરસામાં કલાબેન અને તેમના નણંદ લુણાસણ રોડની નજીક આવેલા સર્વિસ રોડ પરની લચ્છીની લારી પાસે બેઠા હતા. જ્યાં કલાબેને તેમના સૌથી નાના પુત્ર શાહરૂખને જેઠના પુત્ર શાબીર અને મોટા પુત્ર સમીર સાથે ટેબલ પર બેસાડી દીધો હતો અને પોતે બામ લેવા મેડિકલ સ્ટોર તરફ ગયા હતા. લચ્છીની લારીએ પાછા આવ્યા તો શાહરુખ નહોતોજ્યારે નણંદ લશાબેન તાવની દવા લેવા ગયા હતા. કલાબેનને મેડિકલ સ્ટોરમાંથી બામ ન મળતા તેઓ પરત લચ્છીની લારીએ આવ્યા હતા. ત્યાં જોયું તો તેમના બંને મોટા પુત્રો ટેબલ પર બેઠા હતા પરંતુ, 6 માસનો શાહરૂખ તેમના ખોળામાં નહોતો. પુત્રોને પૂછતાં તેમણે જણાવ્યું કે, તેમની સાથે બેઠેલા લીલા કલરની સાડીવાળા બહેન શાહરૂખને લઈને ગયા છે. આ અંગે લચ્છીની લારીવાળા ભાઈએ પણ પુષ્ટિ કરી કે તે બહેન બાળકને લઈને છત્રાલ બ્રિજ તરફ ગયા હતા.કલાબેન અને તેમના નણંદે તાત્કાલિક છત્રાલ બ્રિજની આજુબાજુ અને રાજપુર તરફ પણ શોધખોળ શરૂ કરી, પરંતુ અજાણી સ્ત્રી કે તેમનો પુત્ર શાહરૂખ મળી આવ્યો નહોતો. મહિલા મહેસાણા, કડી, સાણંદ સહિતના વિસ્તારોમાં ફરી હોવાનું પોલીસને પગેરુ મળ્યું આ અંગે કલોલ તાલુકા પોલીસે અપહરણનો ગુનો નોંધી અપહૃત બાળક અને અપહરણ કરનાર મહિલાને શોધવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ સ્ત્રીની ઉંમર આશરે 40 વર્ષની શ્યામ વર્ણની, મધ્યમ બાંધાની અને શરીરે લીલા કલરની સાડી (જેમાં સફેદ કલરની ડિઝાઇન હતી) પહેરેલી હતી. આ બનાવના પગલે પોલીસની અલગ-અલગ ટીમો એક્ટિવ કરવામાં આવી છે. અજાણી મહિલા મહેસાણા, કડી, સાણંદ સહિતના વિસ્તારોમાં ફરી હોવાનું પોલીસને પગેરુ મળ્યું છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 12:17 pm

હિંમતનગર સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય અન્નકૂટ:નવા વર્ષે અન્નકૂટમાં 1000થી વધુ વાનગીઓ ભગવાનને ધરાવાઈ

હિંમતનગરના કાંકરોલ ખાતે આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં નવા વર્ષ નિમિત્તે ભવ્ય અન્નકૂટ ભરાયો હતો. આ અન્નકૂટમાં 1000 થી વધુ વિવિધ વાનગીઓ ભગવાનને અર્પણ કરવામાં આવી હતી. મંગળવાર સવારથી જ હરિભક્તો દર્શન માટે મંદિરમાં ઉમટી પડ્યા હતા. બપોર સુધીમાં 10 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 11:48 am

સી.આર. પાટીલનું નૂતન વર્ષ નિમિત્તે પ્રજાજોગ સંબોધન:લોકોએ સ્વદેશી ચીજવસ્તુઓને અપનાવી, જેના કારણે નાના વેપારીઓને મોટો ફાયદો થયો છે: પાટીલ

નૂતન વર્ષ નિમિત્તે કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના નિવાસસ્થાને આજે સવારે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો, નેતાઓ અને પ્રજાજનોએ તેમને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. મંત્રી પાટીલે આ અવસરે પ્રજાજોગ સંબોધન કરીને સૌ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને દેશની વર્તમાન સ્થિતિ પર પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો. આ નવું વર્ષ દેશવાસીઓ માટે નવી ઉમંગ લઈને આવ્યું મંત્રી સી.આર. પાટીલે પોતાના સંબોધનની શરૂઆત નૂતન વર્ષની શુભકામનાઓ સાથે કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આજે નવું વર્ષ શરૂ થાય છે. આ ક્ષણની રાહ માત્ર ગુજરાતમાં નહીં, પરંતુ આખા દેશમાં લોકો જોતા હોય છે. આ દિવસ એક નવી ઊર્જા સાથે આગળ વધવા માટેનો છે અને આપ સૌ કાગડોળે આ દિવસની રાહ જોતા હોવ છો. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, આ નવું વર્ષ દેશવાસીઓ માટે નવી ઉમંગ લઈને આવ્યું છે. દેશવાસીઓએ વોકલ ફોર લોકલના મંત્રને દિલથી અપનાવ્યોમંત્રી પાટીલે પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશીની પ્રશંસા કરી હતી અને 'વોકલ ફોર લોકલ' મંત્રની સફળતા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, દેશના લોકો વડાપ્રધાનનો આભાર માને છે, કારણ કે આ વખતે પણ દેશવાસીઓએ વોકલ ફોર લોકલના મંત્રને દિલથી અપનાવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, લોકોએ સ્વદેશી ચીજવસ્તુઓને અપનાવી, જેના કારણે નાના વેપારીઓને મોટો ફાયદો થયો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકોની આ ખુશીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સિંહફાળો રહ્યો છે અને હવે દેશવાસીઓએ વડાપ્રધાને આપેલા 'વોકલ ફોર લોકલ'ના મંત્રને વધુ ને વધુ આગળ વધારવાનો છે. જળશક્તિ મંત્રાલયનો સંકલ્પકેન્દ્રીય જળશક્તિ મંત્રી હોવાના નાતે સી.આર. પાટીલે જળસંચયના રાષ્ટ્રવ્યાપી અભિયાન પર પણ વાત કરી હતી. તેમણે દેશવાસીઓને રેન વોટર હાર્વેસ્ટિંગના અભિયાનને પણ આગળ વધારવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે જાણકારી આપી હતી કે, દેશમાં અત્યાર સુધીમાં આ અભિયાન અંતર્ગત 35 લાખ સ્ટ્રક્ચર ઊભા કરવામાં આવ્યા છે. મંત્રીએ દેશની જળ સુરક્ષા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો કે, આ સ્ટ્રક્ચરની સંખ્યાને વધારીને એક કરોડ સુધી લઈ જવાનો ધ્યેય રાખવામાં આવ્યો છે. અંતમાં, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે સૌ દેશવાસીઓને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 11:37 am

મંદિરોમાં દર્શનાથીઓની ભીડ:ભાવનગરમાં ઉત્સાહ અને ભક્તિભાવનો માહોલ છવાયો, ભક્તો ફૂલ-પ્રસાદ ભગવાનને અર્પણ કરતા જોવા મળ્યા

નૂતન વર્ષના પાવન પ્રસંગે ભાવનગર શહેરમાં ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવનો માહોલ છવાયો હતો. વહેલી સવારથી જ શહેરના અનેક મંદિરોમાં દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી. લોકો નવા વર્ષના પ્રારંભે ભગવાનના આશીર્વાદ મેળવવા માટે પરિવાર સાથે મંદિરોમાં ઉમટી પડ્યા હતા. વિવિધ વિસ્તારોમાં વાતાવરણ ભક્તિમય બની ગયુંભાવનગર શહેરના મંદિરોમાં વહેલી સવારે આરતી અને પૂજન સાથે નવા વર્ષના શુભેચ્છા સંદેશાઓની ગુંજ ઉઠી હતી. અનેક જગ્યાએ ભક્તો ફૂલ, પ્રસાદ અને દીપથી ભગવાનને અર્પણ કરતા જોવા મળ્યા. જેમાં નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌએ ભક્તિભાવથી નવા વર્ષના દર્શનનો આનંદ માણ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ઘેર-ઘેર ફૂલોથી સજાવટ કરવામાં આવી હતી નૂતન વર્ષની શરૂઆત ભગવાનના દર્શન કરી લોકોએ નવા વર્ષમાં શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય માટે પ્રાર્થના કરી હતી. ઘેર-ઘેર ફૂલોથી સજાવટ કરવામાં આવી હતી અને લોકો એકબીજાને નૂતન વર્ષાભિનંદન પાઠવી શુભકામનાઓ આપી રહ્યા હતા.ભાવનગરના મંદિરોમાં આજે દિવસભર ભક્તોની અવરજવર ચાલતી રહી હતી.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 11:19 am

વિક્રમ સંવત 2082ના પ્રારંભે સોમનાથમાં ભક્તોનો મહેરામણ:નવા વર્ષે વિશ્વ કલ્યાણ માટે શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન, વિદેશથી પણ ભક્તો ઉમટ્યાં

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વિક્રમ સંવત 2082ના પ્રથમ દિવસે ભક્તોનો અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટ્યો હતો. નવા વર્ષના મંગલ પ્રારંભે સોમનાથ મહાદેવના દર્શન અને પ્રાતઃ આરતીનો લાભ લેવા દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. શ્રદ્ધાળુઓએ શિવજીને શીશ નમાવી ધન્યતા અનુભવી હતી. સોમનાથ મહાદેવને શાંતિ અને કલ્યાણના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. આ શુભ દિવસે ભક્તોએ વ્યક્તિગત સુખ-સમૃદ્ધિ ઉપરાંત સમગ્ર વિશ્વના કલ્યાણ અને સુખ માટે પ્રાર્થના કરી હતી. વર્ષના પ્રથમ શૃંગાર અને પ્રાતઃ આરતીના દિવ્ય દર્શન કરીને શ્રદ્ધાળુઓએ આવનારું વર્ષ શાંતિ, પ્રગતિ, સુખાકારી અને નિરામય આયુષ્ય લઈને આવે તેવી કામના કરી હતી. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા નવા વર્ષના પ્રથમ દિવસે દિવ્યાંગો, વૃદ્ધો અને અશક્ત દર્શનાર્થીઓને સુચારુ દર્શનનો લાભ મળી રહે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. ટ્રસ્ટના આ આયોજનને કારણે દિવ્યાંગોના મુખ પર સંતોષ જોવા મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 11:14 am

ઓપરેશન સતર્ક અંતર્ગત કાર્યવાહી કરાઈ:મહેસાણા રેલવે સ્ટેશન પર તહેવારોને લઈ સુરક્ષા તંત્ર સઘન ચેકિંગ સાથે વધુ સતર્ક બન્યું

દિવાળીના પર્વને લઈ ટ્રાન્સપોર્ટેશનની સેવા ઉપર નાગરિકોનો ઘસારો વધુ રહેતો હોય છે ત્યારે રાષ્ટ્રમાં પરિવહનના મુખ્ય બિંદુ સમાન રેલવેની સેવામાં યાત્રિકોની સુરક્ષાને ધ્યાને રાખી GRP અને RPF સહિતની સુરક્ષા ટીમો ઓપરેશન સતર્ક અંતર્ગત વધુ સતર્ક બની હતી. મહેસાણા રેલ્વે સ્ટેશન પર ઓપરેશન સતર્ક અંતર્ગત ગુજરાત રેલવે પોલીસ અને રેલ્વે પ્રોટેકશન ફોર્સ દ્વારા મહેસાણા સહિતની ટીમની મદદથી રેલવે સ્ટેશન અને ત્યાંથી પસાર થતી ટ્રેનોની અંદર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અનિચ્છનીય બનાવ ન બને એટલે સતત ચેકિંગની કાર્યવાહી ચેકિંગ દરમિયાન શંકાસ્પદ ચીજવસ્તુઓ અને વ્યક્તિઓની તપાસ પૂછપરછ કરવામાં આવી હતી. મહત્વનું છે કે, ચેકિંગ દરમિયાન કોઈપણ વાંધાજનક બાબત સામે આવી ન હતી. પરંતુ સરકારી મિલકતો અને નાગરિકોની સુરક્ષા અને સેવા અવિરત બની રહે તે હેતુ સુરક્ષા તંત્ર દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનું ધ્યાન રાખતા સતત ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી રહી હતી.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 11:09 am

મહાનગરપાલિકાનું સ્નેહમિલન:ગોહિલવાડમાં નવી આશાઓ અને ઉમંગ-ઉત્સાહ સાથે નૂતનવર્ષની ઉજવણી કરાઈ

ભાવનગર મહાનગરપાલિકાનો સ્નેહ મિલન કાર્યક્રમમાં મંત્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહ્યા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજે શહેર ના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ટાઉનહોલ ખાતે નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા તેમજ ધારાસભ્ય, મેયર, ચેરમેન સહિત ના મહાનુભવો ઉપસ્થિત રહી એકબીજા ને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. દિવાળી પછીના દિવસે બેસતા વર્ષ એટલે કે નવા વર્ષ તરીકે ઉજવવામાં આવતો હોય છે. જોકે આ વર્ષે દિવાળી પછી પડતર દિવસ હોય જેને લઇ આજે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી. આજના દિવસે ગુજરાતીઓ કોઈપણ જગ્યાએ વસતા હોય એવો ધામધૂમ પૂર્વક નવા વર્ષની ઉજવણી કરતા હોય છે. એક નવા ઉલ્લાસ, ઉત્સાહ અને નવી ઊર્જા સાથે નવા વર્ષની શરૂઆત થાય છે, ત્યારે સૌ કોઈ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી, વડીલોના આશીર્વાદ મેળવી ધાર્મિક સ્થળોએ દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરતા હોય છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પણ વર્ષોની પરંપરા મુજબ નવા વર્ષની સવારે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ટાઉન હોલ ખાતે આજે સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ભાવનગરના પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા, મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ પદાધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહી એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 10:26 am

નવા વર્ષે ખેડબ્રહ્મામાં અંબિકા માતાજીના મંદિરે ભક્તોની ભીડ:ભક્તોએ મંગળા આરતીનો લાભ લીધો, માતાજીના કમળ પર સવારીના દર્શન

સાબરકાંઠા જિલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે આવેલા અંબિકા માતાજીના મંદિરે હિન્દુ નૂતન વર્ષના પ્રારંભે વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી. ભક્તોએ માતાજીની મંગળા આરતીનો લાભ લઈ શીશ ઝુકાવ્યું હતું. કારતક સુદ એકમ એટલે કે નવ વર્ષના પાવન પર્વ નિમિત્તે બુધવારે સવારે ભક્તો માતાજીના ચરણોમાં પહોંચ્યા હતા. સવારે મંગળા આરતી બાદ ફૂલોથી શણગાર કરાયેલા માતાજીના કમળ પર સવારીના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત, હિંમતનગર ખાતે આવેલા હરસિદ્ધિ માતાજીના મંદિરે પણ માતાજીને ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. અહીં પણ ભક્તો વહેલી સવારથી જ દર્શન માટે પહોંચી ગયા હતા. બપોરના સમયે માતાજીની અન્નકૂટ આરતીનું આયોજન કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 10:24 am

દિવાળીનું રોકેટ પડતાં જ રેલવેની ઇલેક્ટ્રિક લાઇન સળગી ઊઠી:RPF જવાનોએ તાત્કાલિક આગને બુઝાવી રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટાળી

નડિયાદ રેલવે સ્ટેશન પર દિવાળીના તહેવાર દરમિયાન એક મોટી દુર્ઘટના ટળતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના જવાનોની સમયસૂચકતા અને બહાદુરીના કારણે રેલવેની મુખ્ય ઇલેક્ટ્રિક લાઇન પર લાગેલી આગને સમયસર બુઝાવી દેવાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, દિવાળી પર્વ નિમિત્તે ફોડવામાં આવેલું એક રોકેટ રેલવે સ્ટેશન પરની મેઇન ઇલેક્ટ્રિક લાઇન પર પડ્યું હતું. રોકેટ પડતાંની સાથે જ ઇલેક્ટ્રિક લાઇન સળગી ઊઠી હતી, જેના કારણે મોટી જાનહાનિ થવાનો અને રેલ વ્યવહાર ખોરવાઈ જવાનો ભય ઊભો થયો હતો. મુખ્ય ઇલેક્ટ્રિક લાઇન સળગી રહી હોવાનું રેલવે RPFના જવાનોના ધ્યાને આવતા, તુરંત જ જવાને ત્વરિત પગલાં લીધાં હતાં. RPFના જવાનો રવિ કિરણ શર્મા, સંદીપકુમાર યાદવ, રમેશકુમાર, રતિલાલ તળપદા અને અન્ય સ્ટાફના સભ્યો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. જવાનોએ કોઈ પણ વિલંબ કર્યા વિના, પોતાની સૂઝબૂઝનો ઉપયોગ કરીને સળગતી લાઇન પર લાગેલી આગને બુઝાવવાનું કાર્ય શરૂ કર્યું હતું. તેમની સમયસરની અને સંકલિત કાર્યવાહીને કારણે આગ પર કાબૂ મેળવી શકાયો હતો અને કોઈ પણ મોટી દુર્ઘટના થતાં અટકી હતી.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 10:17 am

શામળાજીમાં નવા વર્ષે ભક્તો ઉમટ્યા:ભગવાન શામળિયાને વિશેષ શણગાર કરાયા

વિક્રમ સંવત 2081ના નવા વર્ષની શરૂઆત સાથે જ યાત્રાધામ શામળાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન શામળિયાના દર્શન કરવા પહોંચ્યા હતા. નવા વર્ષ નિમિત્તે ભગવાન શામળિયાને વિશેષ શણગાર કરવામાં આવ્યા છે. તેમને હીરા જડિત મુગટ, સોનાના આભૂષણો અને ખાસ કારીગરો દ્વારા તૈયાર કરાયેલા વાઘા પહેરાવવામાં આવ્યા હતા. આજના દિવસે ભગવાનના અલગ અલગ મનોરથના દર્શન યોજાશે, જેને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અનેક ભક્તોએ શામળાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. શ્રદ્ધાળુઓએ ભગવાન શામળિયાને પ્રાર્થના કરી હતી કે નવું વર્ષ સૌ માટે સુખમય અને યશસ્વી નીવડે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 10:12 am

'ઓપરેશન સિંદૂર'ની થીમ પર અદ્ભુત રંગોળી:જામનગરની યુવતીએ દસ દિવસની મહેનત બાદ કલાકૃતિ બનાવી, પહેલગામ હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી

જામનગરના વાલકેશ્વરી વિસ્તારમાં રહેતા રિદ્ધિબેન શેઠે પહેલગામ હુમલાના 26 નિર્દોષ ભોગગ્રસ્તોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક અનોખી રંગોળીનું નિર્માણ કર્યું છે. છેલ્લા 15 વર્ષથી વિવિધ થીમ પર રંગોળી બનાવતા રિદ્ધિબેને આ વર્ષે 'શૌર્ય' (વન નેશન, વન ફ્લેમ) થીમ અંતર્ગત આ કલાકૃતિ બનાવી છે. આ રંગોળી આશરે પાંચ બાય ત્રણ ફૂટની છે. આ કલાકૃતિ 22 એપ્રિલ, 2025ના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના 26 નિર્દોષ ભોગ બનેલા આત્માઓને અર્પણ કરાયેલી ભાવનાત્મક શ્રદ્ધાંજલિ છે. રિદ્ધિબેનના મતે, આ રંગોના કણ-કણમાં ભારતની ધરતીની માટી, બલિદાનનું લોહી અને રાષ્ટ્રપ્રેમની અગ્નિ સમાયેલી છે. રંગોળીના ડાબા ભાગમાં એક ભારતીય મહિલાનો ચહેરો દર્શાવવામાં આવ્યો છે. આ મહિલા પીડિતોના પરિવારોનું પ્રતીક છે, જેમણે આ હુમલામાં પોતાના પ્રિયજનોને, પોતાના 'સિંદૂર'ને ગુમાવ્યા છે. તેમની આંખોમાં દર્દ, શૂન્યતા અને ઊંડી વેદના છલકાય છે, જે રાષ્ટ્રની સામૂહિક પીડાને વ્યક્ત કરે છે. જમણી બાજુએ એક ભારતીય સૈનિકનો ક્રોધિત ચહેરો પ્રદર્શિત છે. તે આપણા ભારતીય સશસ્ત્ર દળોના અડગ સંકલ્પ અને ક્રોધનું પ્રતીક છે. તેની આંખોમાં ન્યાયની તીવ્ર ઝંખના અને રાષ્ટ્રના અપમાનનો બદલો લેવાની અડગ ભાવના સ્પષ્ટ દેખાય છે, જે દરેક ભારતીયના હૃદયમાં જાગેલી રોષની જ્વાળાને દર્શાવે છે. કેન્દ્રમાં, ગર્જના કરતા ભારતીય ત્રિરંગા ધ્વજની પૃષ્ઠભૂમિ પર, ગગનભેદી અવાજ કરતા ફાઇટર જેટ્સ ઊડી રહ્યા છે. આ ફાઇટર જેટ્સ કોઈ પણ કિંમતે આતંકવાદી હુમલાનો બદલો લેવાના ભારતના અતૂટ સંકલ્પ અને શક્તિનું પ્રતીક છે. 'ઑપરેશન સિંદૂર' માત્ર એક સૈન્ય કાર્યવાહી નહોતી, પરંતુ રાષ્ટ્રના ક્રોધ અને ન્યાયની માંગનો પડઘો હતો. ત્રિરંગો ધ્વજ દર્શાવે છે કે આ હુમલાથી ભારતની એકતા અને ગૌરવ અખંડ છે, અને આપણે ક્યારેય આતંકવાદ સામે ઝૂકીશું નહીં. આ હાયપર રિયલિસ્ટિક રંગોળી સામાન્ય ચિરોડી રંગો દ્વારા લગભગ દસ દિવસની જહેમત બાદ તૈયાર કરવામાં આવી છે. રિદ્ધિબેન આશા રાખે છે કે, આ કલાકૃતિ દ્વારા આપણે આપણા વીર જવાનોના શૌર્ય અને આપણા રાષ્ટ્રની અદમ્ય ભાવનાને યાદ રાખીશું. આ રંગોળી તા 18 ઓક્ટોબર 2025 ધનતેરસ થી એક મહિના સુધી શ્રીપતિ એપાર્ટમેન્ટ, સનશાઇન સ્કૂલની પાછળ, વાલકેશ્વરી, જામનગર ખાતે લોકો નિહાળી શકશે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 9:32 am

વાપીના ડુંગરામાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ:ફાટકડાના તણખલાથી આગ લાગી હોવાનું અનુમાન

વાપીના ડુંગરા વિસ્તારમાં આવેલી લેકવ્યુ સોસાયટી નજીક એક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. પ્રાથમિક અનુમાન મુજબ, ફાટકડાના તણખલાથી આ આગ લાગી હોવાનું મનાય છે. આગની જાણ થતાં જ સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ગોડાઉનની આસપાસ રહેતા લોકોએ આગ પર કાબૂ મેળવવાના પ્રાથમિક પ્રયાસો હાથ ધર્યા હતા. સ્થાનિકો દ્વારા તાત્કાલિક વાપી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા, ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. વાપી નગરપાલિકાની ફાયર ટીમ ઉપરાંત વાપી GIDC, નોટિફાઈડ અને ખાનગી કંપનીઓના ફાયર ફાઈટરો સહિત કુલ 3-4 ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ગોડાઉનમાં પેપર, પ્લાસ્ટિક અને કાપડનો ભંગારનો મોટો જથ્થો હોવાથી આગ પર કાબૂ મેળવવામાં ફાયર ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આગને કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ફેલાયા હતા અને દોડધામ મચી ગઈ હતી. ફાયર વિભાગ દ્વારા આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 8:33 am

નશામાં ધૂત નબીરાએ 4 વર્ષના બાળક પર કાર ચડાવી દીધી:અકસ્માત સર્જી ફરાર થતાં કારચાલકને લોકોએ મેથીપાક ચખાડ્યો, કારમાંથી દારૂની બોટલ મળી

વડોદરામાં દિવાળીમાં નશામાં ધૂત કારચાલકે અકસ્માત સર્જી એક માસૂમ બાળકનો જીવ ગુમાવ્યો હોવાની ઘટના બની છે. અવધૂત ફાટક પાસે મોડી રાત્રે એક નબીરાએ બેફામ રીતે કાર હંકારી ફૂટપાથ પર સૂતેલા શ્રમજીવી પરિવાર ઉપર ચડાવી દીધી હતી. આ અકસ્માતમાં 4 વર્ષના એક માસૂમ બાળક પર કારના પૈડાં ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 4 શ્રમજીવીઓને ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જીને ભાગતા કારચાલકનો લોકોએ પીછો કરીને ઝડપી બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. તે દરમિયાન પોલીસે સ્થળ પર પહોંચી કારમાંથી વિદેશી દારૂની બોટલો કબ્જે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 'આરોપી દારૂના નશામાં અકસ્માત સર્જી ભાગ્યો હતો'આ અંગે ડીસીપી જગદીશ ચાવડાએ જણાવ્યું હતું કે, અહીંથી રાવપુરા પોલીસ સ્ટેશનની હદમાં આ ગાડીનો ચાલક અકસ્માત કરી અને અહીંયા અક્ષર ચોક સુધી ભાગીને આવી ગયો હતો અને પબ્લિકના ટોળા એકત્રિત થઈ ગયા હતા. દરમિયાન પોલીસ આવીને આરોપીને લઈ ગઈ છે. બાળકના મોત અંગે જણાવ્યું કે, અમારા એક અન્ય અધિકારી બનાવ બન્યો તે સ્થળે તપાસ કરી રહ્યા છે. ગાડી ચેક કરતા એક દારૂની બોટલ મળી આવી છે. સાથે બીજા અન્ય એમની જે કોઈ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે તે અસ્ત વ્યસ્ત છે તે એક વખત ગાડીમાં વધારે ચેક કરીને જ જણાવીશું. આ ઘટના ખુબજ ગંભીર ગણી શકાય અને પોલીસ એમાં એકદમ સ્ટ્રીક એક્શન સાથે કાયદેસરની કાર્યવાહી કરશે. વધુમાં જણાવ્યું હતું કે, કારચાલકે જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકસ્માત કરીને આવ્યો છે એ વિસ્તાર રાવપુરા પોલીસ સ્ટેશનમાં લાગે જેથી આરોપીને ત્યાં લઈ જઈ આગળની કાર્યવાહી કરવામાં આવશે. નશામાં હોવાની વાત સાચી છે અને હાલ પ્રાથમિક જે વીડિયો અમને મળ્યા છે એમાં નશામાં હોય એવું જણાય છે. બ્લડ સેમ્પલ લઈને ચેક કર્યા પછી આગળની કાર્યવાહી કરીશું. 'ગરીબનો દીકરો મૃત્યુ પામ્યો છે, એટલે કેસ દબાવો જોઈએ નહીં'અકસ્માત નજરે જોનાર મહિલાએ જણાવ્યું હતું કે, અવધૂત ફાટક બહાર બધા ગરીબ સાઇડ પર ઊંઘેલા હતા અને આ ક્રેટા ગાડી વાળો ફૂલ પીધેલો હતો. ગાડીમાં દારૂની બોટલો પણ છે. સાઇટ પર સૂતેલા લોકો પર ગાડી ચડાવી દીધી હતી, ત્યાં કેટલાકને વાગ્યું છે અને ત્યાં નાનો છોકરો હતો તે તો ત્યાંજ મૃત્યુ પામ્યો, આના પર કાર્યવાહી થવી જોઈએ. તે પીધેલો અહીં સુધી ભાગ્યો અને અહીંયા આવીને અમે રોક્યો છે. ગરીબનો છોકરો ગયો છે કેસ દબાવો જોઈએ નહીં હું કેસ કરવા તૈયાર છું. અમે આ સમાચાર સતત અપડેટ કરી રહ્યાં છીએ...

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 8:32 am

સૂર્યના કિરણો પડતા જ ઝળહળી ઉઠે છે મા અંબાનું મંદિર:61 ફૂટ ઊંચું સુવર્ણ શિખર ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર, મંદિરના અન્ય ભાગોને સુવર્ણ બનાવવા 225 કિલો સોનાની જરૂર

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાની ધરા પર આવેલું વિશ્વ વિખ્યાત મા અંબાનું ધામ અંબાજી મંદિર રાજ્યનું સર્વ પ્રથમ સુવર્ણ શિખર મંદિર બન્યું છે. સોનાથી મઢાયેલા મંદિરના મુખ્ય શિખરને જોતા જ મા ના દર્શને આવતા ભક્તોની આંખોમાં અનેરો ઉજાસ છલકાય છે. પ્રથમ ફેઝના કામમાં વર્ષ 2018 સુધીમાં દેશી પારા પદ્ધતિથી મા ના મંદિરના મુખ્ય શિખરના 61 ફૂટ ભાગને સોનાથી મઢી દેવાયો હતો. જે બાદ મંદિરના બાકી રહેલા ભાગોને સુવર્ણ બનાવવા 225 કિલો સોનાની જરૂર છે. જેની સામે હાલ 50 કિલો ગ્રામ સોનાનું દાન કરાયું છે. શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમકહેવાય છે કે, અહીં ધબકે છે મા અંબાનું હૃદય. જ્યાં છે શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ. બનાસકાંઠા જિલ્લામાં આવેલું આ એક એવુ મંદિર છે કે જ્યાં દિવસ દરમિયાન હજારો લોકો માત્ર ગુજરાત કે ભારતમાંથી જ નહિ પરંતુ દેશ વિદેશમાંથી મા અંબા જગદંબાના દર્શનાર્થે આવતા હોય છે અને મા ના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા પ્રાપ્ત કરતા હોય છે. વર્ષ 2011થી મંદિરના શિખરને સુવર્ણ બનાવવાની શરૂઆત​​​​​​અંબાજીનો મહિમા ખુબ જ વર્ષો જૂનો પૌરાણિક છે. વર્ષોથી અહીં ભક્તોનો ઘસારો અવિરત છે, જેમ જેમ ભક્તોનો ઘસારો વધતો ગયો તેમ તેમ અંબાજીનો વિકાસ પણ વધતો ગયો. સોનામાં સુગંધ ભળી હોય તેમ વર્ષ 2011થી વિશ્વ વિખ્યાત મા અંબાના ધામ અંબાજી મંદિરને સુવર્ણ શિખર મંદિર બનાવવાની શરૂઆત કરાઈ, મા ના ધામ અંબાજીમાં મંદિર ઉપર મુકાયેલો કળશ તો વર્ષોથી સંપૂર્ણ સોનાનો હતો જ પરંતુ વર્ષ 2011થી મા ના મંદિર પર આવેલા મુખ્ય શિખરને સોનાથી મઢવાની શરૂઆત કરાઈ હતી. શિખરના 61 ફૂટ ભાગને સોનાથી મઢી દેવાયોસતત 8 વર્ષ સુધી ચાલેલા પ્રથમ ફેઝના કામમાં 2018 સુધીમાં દેશી પારા પદ્ધતિથી મા ના મંદિરના મુખ્ય શિખરના 61 ફૂટ ભાગને સોનાથી મઢી દેવાયો હતો. 61 ફૂટ જેટલાં મુખ્ય શિખરના ભાગને સોનેથી મઢવા 140 કિલોથી વધુ સોનાનો અને 15,711 કિલો તાંબાનો ઉપયોગ કરાયો છે. સૂર્યના કિરણો મા ના સુવર્ણ શિખરને ઝગમગાવતું રાખે છેસોનાથી તૈયાર કરાયેલું મા નું 61 ફૂટ ઊંચું સુવર્ણ શિખર આજે લાખો-કરોડો માઇભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સુવર્ણ બનેલા આ શિખર પર રાત્રીના સમયે લાઇટિંગનો નજારો તો સવાર પડતાની સાથે જ દિવસ દરમિયાન સૂર્યના કિરણો મા ના સુવર્ણ શિખરને ઝગમગાવતું રાખે છે. મા ના ધામે દર્શનાર્થે આવતા માઇભક્તો મા ના દર્શનની સાથે સાથે સોનાના શિખરના પણ દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. તમામ સોનુ એ ભક્તોએ દાન સ્વરૂપે અર્પણ કરેલું છે મહત્વની વાત છે કે, મંદિરને સુવર્ણ શિખર મંદિર બનાવવામાં વપરાયેલું આ તમામ સોનું એ કોઈ સંસ્થા કે મંદિર ટ્રસ્ટ દ્વારા ખરીદવામાં નથી આવ્યું, પરંતુ આ તમામ સોનુ એ મા ના ભક્તોએ પોતાની આસ્થાથી મા ના ધામમાં દાન સ્વરૂપે અર્પણ કરેલું સોનું છે. અનેક ભક્તોનું સ્વપ્ન હતું કે, મા ના ધામનું શિખર સોનેથી ઘડાય અને ભક્તોનું આ સ્વપ્ન આજે હકીકત બન્યું છે. મંદિરનું 61 ફૂટ ઊંચું મુખ્ય શિખર સોનાથી ઘડાઈ ગયું છે. હવે મા ના મંદિર ઉપર આવેલા સભા મંડપનો ઘુમ્મટ, સભાં મંડપની ચોકીઓ, નૃત્ય મંડપનો ઘુમ્મટ, નૃત્ય મંડપની ચોકીઓ અને મુખ્ય શિખર નીચેની પેઢીને પણ સોનેથી મઢવાનું તંત્ર ભવિષ્યમાં આયોજન કરી રહ્યું છે. બાકી રહેલા ઘુમ્મટ અને ચોકીઓને સોનેથી મઢવા મંદિર ટ્રસ્ટ દ્વારા કાર્યરત સુવર્ણ શિખર યોજનામાં ભક્તો દ્વારા અત્યાર સુધીમાં 50 કિલો ગ્રામ સોનાનું દાન કરાયું છે. બાકી રહેલા આ તમામ ભાગોને સુવર્ણ બનાવવા મંદિર ટ્રસ્ટને 225 કિલો સોનુ અને 18,000 કિલો તાંબાની જરૂર પડશે. જેમ જેમ ભક્તો દ્વારા દાન મળતું જાય છે તેમ તેમ મા અંબા જગદંબાનું ધામ સુવર્ણ શિખરની સાથે સુવર્ણ મંદિર બનતું જાય છે. મંદિરમાં આવતા ભક્તો પણ મા ના સુવર્ણ શિખરના દર્શન કરી જેમ મંદિરનું શિખર સૂર્યના કિરણોથી ઝગમગે છે તેમ મા જગતજનની પોતાની કૃપાથી ભક્તોની જિંદગી પણ ઝગમગાવે તેવી પ્રાર્થના કરતા હોય છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 8:10 am

સાળંગપુર મંદિરે 11 હજાર દિવડા પ્રગટાવ્યા:દિપોત્સવ નિમિત્તે ભવ્ય દિપમાલા અને આતશબાજી કરાઈ

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે દિપોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દાદાને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા અને ફૂલોનો દિવ્ય શણગાર કરાયો હતો. મંદિર પરિસરમાં 11 હજાર દિવડાઓ પ્રગટાવી સમૂહ સંધ્યા આરતી અને ભવ્ય આતશબાજીનું આયોજન થયું હતું. પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી અને કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ તા. 21 ઓક્ટોબર, ૨૦૨૫, મંગળવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘા અને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. પ્યોર સિલ્કના કાપડમાંથી બનેલા એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા દાદાને પહેરાવવામાં આવ્યા હતા. દાદાનું સિંહાસન 200 કિલો ગુલાબ અને સેવંતીના ફૂલોથી શણગારવામાં આવ્યું હતું.સવારે 5:30 કલાકે કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે 7:00 કલાકે શણગાર આરતી અને સંધ્યા આરતી પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા સંપન્ન થઈ હતી. દિપોત્સવ નિમિત્તે સાંજે 6:30 કલાકે સમૂહ સંધ્યા આરતીમાં મંદિરના પટાંગણમાં ૧૧ હજાર દિવડાઓની હારમાળા પ્રગટાવવામાં આવી હતી. આ સાથે શ્રી હનુમાન ચાલીસાનું સમૂહ ગાન પણ કરાયું હતું. સમગ્ર મંદિર અને પરિસરને રોશનીથી શણગારવામાં આવતા સાળંગપુરધામ ઝળહળી ઉઠ્યું હતું. રાત્રે 9:00 થી 10:00 કલાકે ભવ્ય આતશબાજીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 8:07 am

ગઢડા ગોપીનાથજી મંદિરે ભવ્ય દીપમાળા યોજાઈ:નવા વર્ષની પૂર્વ સંધ્યાએ હજારો દીવડાઓ પ્રગટાવી ઉજવણી કરાઈ

ગઢડા: સ્વામિનારાયણ સંપ્રદાયના ગઢડા ગોપીનાથજી મંદિરે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ભવ્ય દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ ભગવાનની પરંપરા મુજબ હજારો દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા અને મધુર બેન્ડના સંગાથે આ ભવ્ય દીપમાળા યોજાઈ હતી. હજારોની સંખ્યામાં હરિભક્તોએ દીપમાળાના દર્શન કરીને દિવાળી પર્વની ઉજવણી કરી હતી. આ દીપમાળા સ્વામિનારાયણ ભગવાન દ્વારા શરૂ કરાયેલી પરંપરાનું પ્રતિક છે. જ્યારે ભગવાન સ્વામિનારાયણ ગઢડામાં નિવાસ કરતા હતા, ત્યારે તેઓ પોતે દિવાળીના તહેવારો નિમિત્તે મંદિરમાં ભવ્ય દીપમાળા યોજીને પર્વની ઉજવણી કરતા હતા. આ જ પરંપરાને આજે પણ ગઢડા ગોપીનાથજી મંદિરે જાળવી રાખવામાં આવી છે. ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયના આ મહત્વપૂર્ણ ગોપીનાથજી મંદિરને રંગબેરંગી લાઇટ ડેકોરેશનથી શણગારવામાં આવ્યું હતું. મંદિરના શિખર, દરબાર ગઢ અને સમગ્ર મંદિર પરિસરમાં હજારો દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. મધુર બેન્ડના સથવારે યોજાયેલી આ દીપમાળાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા અને દીપાવલી પર્વની ધામધૂમથી ઉજવણી કરી હતી.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 8:05 am

જીવલેણ હુમલો:રીક્ષા પાસે ફટાકડા ફોડવાની ના પાડતા ત્રણ ભાઇઓને છરીના ઘા ઝીંક્યા

ભાવનગરના શહેરના તિલકનગર વિસ્તારમાં રહેતા અને રિક્ષા ડ્રાઇવીંગ કરતા વિજયભાઇ રાજુભાઇ મકવાણાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના ઘર પાસે રિક્ષા પાર્ક કરેલ હોય જેની નજીક આશીષ ઉર્ફે ફુદી વિક્રમભાઇ સોલંકી, રામજી ઉર્ફે રામ નરેશભાઇ સોલંકી, રવિ ઉર્ફે વાસુ કિશનભાઇ સુરેલા, સંતોષ બહાદુરભાઇ સોલંકી, અભિ ઉર્ફે અભીશ બહાદુરભાઇ સોલંકી જાહેરમાં ફટાકડા ફોડી, રીક્ષાને નુકશાન કરતા હોય જે બાબતે વિજયભાઇએ રિક્ષા પાસે ફટાકડા ફોડવાની ના પાડી હતી. જેની દાઝ રાખી પાંચેય શખ્સો છરી સાથે આવી વિજયભાઇને ગંભીર ઘા ઝીંકી દિધા હતા. જેને બચાવવા દોડેલા તેમના ભાઇઓ મનીષભાઇ ગોપાલભાઇ અને રાહુલભાઇ આવતા તેમને પણ પેટના ભાગે છરીના ઘા ઝીંકી, ગંભીર ઇજા કરી ફરાર થઇ જતાં મામલો તંગ બની જવા પામ્યો હતો. બનાવ બાદ ત્રણેય ભાઇઓને સર ટી. હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા જ્યાં પાંચેય શખ્સો વિરૂદ્ધ વિજયભાઇએ ઘોઘારોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 8:04 am

સુવિધાથી સજ્જ સિહોર:અમૂલ્ય ઐતિહાસિક વારસો, શૈક્ષણિક સુવિધા અને મહાપુરુષોના પાવન પગલાથી વસેલું અર્વાચીન સિહોર

સિહોર આજે 21મી સદીનું અદ્યતન શહેર બનવા તરફ આગળ જઇ રહ્યું છે. અનેકવિધ સુવિધાથી સજજ સિહોર શહેરમાં દિન-પ્રતિદિન મકાનો, બિલ્ડિંગો અને બહુમાળી ભવનો બનતા જાય છે. સિહોર શહેરમાં વિવિધ મોલ અને નવી-નવી કંપનીઓના શો-રૂમો બનતા ગ્રાહકોએ હવે જિલ્લા મથકોએ જવું પડતું નથી. તમામ ક્ષેત્રે લોકોને રહેવા સ્થાયી થવા માટે સિહોર આદર્શ સીટી બની ચૂકયું છે. ભાવનગર રોડ પર ખાખરિયાના પાટિયાથી શરૂ કરી વળાવડ ગામ સુધી તથા ઘાંઘળી રોડથી ટાણા રોડ તરફ ચોતરફ સિહોર વિકસ્યું છે. અહીં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, કોલેજો, મોટી સ્કૂલો, મોટાભાગની બેંકો તથા મોલના અસ્તિત્વએ શહેરીજનોને સંપૂર્ણ સુવિધા બક્ષી છે. ચોમેર ગિરિમાળાની વચ્ચે શોભતા સિહોર શહેરનો ઇતિહાસ ભવ્ય અને દૈદીપ્યમાન છે. પ્રાચીનકાળમાં ઋષિ પરંપરામાં મુર્ધન્ય સ્થાન ધરાવતા મહામુની ગૌતમ ઋષિનો ઇતિહાસ સિહોર સાથે સંકળાયેલ છે. અહલ્યાને શ્રાપ આપ્યા પછી સોમનાથની યાત્રામાં અત્રેથી પસાર થતાં ગૌતમ ઋષિએ અહીંયા વરસો સુધી ભગવાન શિવનું તપ કર્યુ અને સ્વયં બાણ પ્રગટયું એ ગૌતમેશ્વર મહાદેવ નામે પૂજાયા. તેમના શિષ્યો જે સરસ્વતી ઉપાસકો આ વિસ્તાર આસપાસ વસતા સારસ્વતપુર નગર બનેલ. પ્રાચીન કાળમાં સિંહપુર નામે ઓળખાતું આજનું સિહોર શહેર રમણીય ટેકરીઓની હારમાળાઓની વચ્ચે તળેટીઓમાં આવેલ છે. તેનો વિસ્તાર છેક ગૌતમી નદી સુધી વિસ્તરેલો છે. સિહોર 21.46 ઉત્તર અક્ષાંશ અને 71.57 પૂર્વ રેખાંશની વચ્ચે આવેલું એક ઐતિહાસિક નગર છે. આ શહેરની ઝાકઝમાળ, જાહોજલાલી અને ભવ્ય ઇતિહાસે આ શહેરને એક નવી ઊંચાઇ અને ગરીમા બક્ષ્યા છે. સિહોર એ શહેર છે કે જયાં સિધ્ધરાજ જયસિંહનો કોઢ મટયો હતો. ત્યાં બ્રહ્મકુંડના રૂપે સ્થાપના કરી યાદી કંડારાયેલી છે, કિલ્લાઓથી શોભતું આ શહેર એ શહેર છે કે જેને હંમેશા નિરાશામાં ગરકાવ થયેલ આદમીને સહર્ષ સ્વીકાર્યા છે. એ 1857ના મહાસંગ્રામના નાના સાહેબ પેશ્વા હોય કે પછી પોતાની પત્ની અહલ્યાને શ્રાપ આપી જીવંત સ્ત્રીમાંથી અમૃત પથ્થર બનાવી દેનાર ગૌતમ ઋષિ હોય. આ એ શહેર છે કે જયાં મારવાડમાંથી ગુજરાતમાં આવીને વસનાર ગોહિલ વંશના વશંજો વિસોજીએ પોતાની રાજધાની ઉમરાળાથી બદલી સિહોરમાં ફેરવી અને ઇ.સ.1565થી 1763 (વૈશાખ સુદ -3) સુધી એ રાજધાની રહ્યું. અને ત્યારબાદ ભાવસિંહજી નામના રાજાએ સલામતીને ખાતર સિહોરની રાજધાની ખંભાતના અખાત નજીક દરિયાકાંઠે વડવા (આજનું ભાવનગર) ખાતે સ્થાપી. આ શહેરે આજ દિન સુધીમાં અનેક તડકાં -છાયા, આરોહ –અવરોહ, ધૂપ-છાંવ અને ચડતી-પડતીની અનેક મેઘધનુષ્યી છાયાઓ જોઇ છે. સિહોરના વિકાસમાં આજે પણ ઉધોગોનો સિંહફાળો છે. તાંબા -પિતળના વાસણો,છીંકણી, પેંડા અને ક્રોકરીની આઇટમો માટે વિખ્યાત છે. સિહોરના જી.આઇ.ડી.સી. એરિયામાં એક સમયે 100 જેટલી રી-રોલિંગ મિલો શરૂ હતી.પરંતુ આર્થિક મંદીના કારણે હાલમાં જૂજ સંખ્યામાં જ રોલિંગ મિલો શરૂ છે. સિહોરની ભૂમિનું સ્વરૂપ, તેની નૈસર્ગિક સંપતિ અને સૌંદર્ય અવર્ણનીય છે. સિહોરમાં વસવાટ કરનાર અને અહીંયા પધારનાર મહાનુભાવોમાં આઝાદીના લડવૈયા નાના સાહેબ પેશ્વા, સ્વામી વિવેકાનંદ, સહજાનંદ સ્વામી વગેરે મહાનુભાવોની ચરણ ધૂલિથી આ ભૂમિ પવિત્ર થયેલ છે. અહીં નવનાથ અને પાંચ પીરના બેસણા છે. આ કારણે જ આ શહેર છોટે કાશીનું બિરુદ પામેલ છે. શૈક્ષણિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રીતે આ શહેરે રાજયને અનેક મહાનુભાવો આપ્યા છે. અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓથી ધમધમતી વિવિધ સંસ્થાઓ અહીં કાર્યરત છે. 21મી સદીના બીજા દાયકાના ઉત્તરાર્ધમાં આ શહેર આજે પ્રગતિની દિશામાં સતત હરણફાળ ભરી રહ્યું છે.અને સિહોરની આન,બાન અને શાનમાં સતત વધારો કરી રહ્યું છે. સિહોરી પેંડાએ સિહોરને આપી એક અનોખી ઓળખ…સિહોરના ગામડાંઓમાં પશુપાલન વ્યવસાય મોટા પાયે હોય, અહીં પેંડાનો ઉદ્યોગ વિકસ્યો છે.વર્ષોથી સુખલાલ ભગવાનદાસ મુની, શામજી સુખલાલ મુની અને હાલ અશોકભાઇ મુનીના પેંડા છેક વિદેશ સુધી પહોંચી, મુની પેંડાના નામે પ્રખ્યાત બન્યા છે. ઉપરાંત રાધે તથા અન્ય બ્રાન્ડના પેંડા સ્વાદમાં અવ્વલ હોય છે. સિહોરી પેંડાએ મીઠાઇ જગતમાં નામ કાઢ્યું છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 8:03 am

માર માર્યો:મહુવામાં મેથળા બંધારાથી ઇલેકટ્રીક મોટરની ચોરી કરનાર ઈસમને પાંચ શખ્સોએ કારમાં બેસાડી માર માર્યો

મહુવાના દયાળ ગામે રહેતા ઇસમે તેના મિત્ર સાથે રહી ઈલેક્ટ્રીક મોટરની ચોરી કર્યા ની જાણ સામેવાળાને થઈ જતા તેઓએ એક સંપ કરી ઇસમને જુદી જુદી જગ્યાએ ફેરવી માર માર્યાની ફરિયાદ નોંધાઈ હતી. મહુવા તાલુકાના દયાળ ગામે રહેતા રાજેન્દ્ર મગનભાઈ ચૌહાણ એ તથા તેના મિત્ર ભરતભાઈએ 12 -13 દિવસ પહેલા મેથળા બંધારેથી નીચા કોટડા ગામે રહેતાજગદીશભાઈ ગગુભાઈ બારૈયા ની પાણી ખેંચવાની ઈલેક્ટ્રીક મોટર ની ચોરી કરેલ હોય જે બાબત કોટડા ગામે રહેતા જગદીશભાઈ બારીયા, અશોકભાઈ બારીયા, નાનુભાઈ બારીયા, મનીષભાઈ ભીલ અને ભાવેશભાઈ બારીયા ને જાણ થઈ ગઈ હતી. બાદ આ તમામ શખ્સોએ એક સંપ કરી ઝાયલો ફોરવીલ ગાડીમાં રાજેન્દ્રભાઈ ને બળજબરીપૂર્વક બેસાડી કળસાર ગામે આવેલ ચોરીની મોટર દુકાનેથી પાછી લેવડાવી ત્યાંથી નીચા કોટડા, ઝાધપર ગેટ પાસે લાવી અશોકભાઈ તથા જગદીશભાઈએ પાઇપ તથા લાકડી વડે તેમજ મુંઢમાર મારી તથા ભાવેશભાઈ એ ધોલ થપાટ મારી ત્યાંથી બળજબરીપૂર્વક તેને નીચા કોટડા ગામના મેથળા બંધારે લઈ જઈ પાણીમાં મોટર ફીટ કરાવી મારી નાખવાની ધમકી આપી ગાળો આપ્યાની ફરિયાદ દાઠા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 8:01 am

રાહત:વલભીપુર હાઇવે પહોળો કરવાની કામગીરીથી વાહન ચાલકોને થશે રાહત

વલભીપુરથી ભાવનગરના હાઇવેને પહોળો કરવાની સાથે ડામર રોડની કામગીરીમાં ઝડપ આવી છે અને તેના કારણે વાહન ચાલકો અને મુસાફરોને આંશીક રાહત મળી છે. બહુ વગોવાયેલા ભાવનગર-અમદાવાદ હાઇવે વાયા વલભીપુર વાળો રાજય ધોરી માર્ગ તેની બિસ્માર અને ભંગાર હાલત તેમજ પહોળો બનાવા માટેની કામગીરી ધીમી ચાલતી હોય તેના કારણે આ હાઇવે વગોવાઇ ગયેલો પરંતુ છેલ્લાં પખવાડીયાથી પહોળા બનાવેલ રસ્તા ઉપર ડામર કામ પણ કરી દેવામાં આવ્યુ હોવાથી અને જયા જુના પુલો છે તેના ઉપર પડી ગયેલા ખાડાઓને ડામરનું રીકાર્પેટીંગ પણ કરી દેવામાં આવતા નવા બનાવેલા રસ્તા ઉપર વાહનો પુરપાટ ઝડપે ચલાવી શકાતુ હોવાથી મુસાફરી માટેના સમય પણ મહંદ અંશે ઘટયો છે. જો માર્ગ-મકાન તંત્ર દ્વારા હાલ નેસડા ગામથી ઉંડવી સુધીના હાઇવે રીકાર્પેટીંગ કરે તો વાહન ચાલકો અને મુસાફરો વધુ રાહત મળે તેમ છે કારણ કે હાલ આ 38 કિ.મી.સુધીના હાઇવે પર બિસ્માર હાલત આ બે ગામ વચ્ચે વધુ છે. જો આ સ્પીડે કામ શરૂ રહેશેતો આગામી ટુંક સમયમાં નવો હાઇવે ટનાટન બની જશે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 8:00 am

અસામાજિક તત્વો દ્વારા તોડફોડ:સિહોરમાં લુખ્ખાઓએ દારૂ પીને મંદિરમાં બોમ્બ ફોડી, માટલા ફોડતા ચકચાર મચી

સિહોરમાં દિવાળીના પર્વ નિમિતે કેટલાક અસામાજિક તત્વો દ્વારા સિહોર પાંચવડા વિસ્તારમાં તોડફોડ આચરી, ભારે આતંક મચાવી, નુકસાન કરતાં સિહોર તહેવારોમાં પોલીસની પોલંપોલ ખુલી જવા પામી હતી. સિહોરની મધ્યમાં પાંચવડા વિસ્તારના નાકે કેટલાક અસામાજિક તત્વોએ ભારે ધમાલ મચાવી હતી. રોડ પર પરબના પાણીના માટલા તોડી નાખ્યા હતા. વોટર કૂલર તોડવાનો પ્રયાસ કર્યો હતો. દાતાના નામ પર લીટા મારી દીધા હતા. રોડ પર રહેલ મેલડી માના મંદિર પર બૉમ્બ ફોડ્યા હતા. માતાજીની ચૂંદડીને નુકસાન પહોંચાડ્યું હતું. તુલસી ફર્નિચરના બોર્ડને તોડફોડ કરી હતી. આઠથી દસ તત્વોએ દારૂ પીને રોફ જમાવ્યો હતો.જેથી આ વિસ્તારમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.આ ઘટના બાદ આ વિસ્તારના રહીશો પોલીસ સ્ટેશન દોડી ગયા હતા અને આ અંગે રજૂઆત કરી હતી. જેથી પોલીસે આવા આવારા તત્વોને પકડી, આ દિશામાં સઘન તપાસ હાથ ધરી છે. દિવાળી જેવો પાવન તહેવાર હોય. પરંતુ દિવાળી જેવા તહેવારમાં આવારા તત્વો બેખોફ બનીને હાઇ-વે પર મન ફાવે તેવું વર્તન કરે અને પોલીસને ખુલ્લેઆમ ચેલેન્જ આપતી હોય કલંકિત ઘટના ગણી શકાય.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 8:00 am

ફટાકડા ફુટવાથી હવામાં પ્રદૂષણમાં મોટા પ્રમાણમાં વધારો થયો:દિવાળીની મોડી રાત્રે ભાવનગરમાં હવાનું પ્રદૂષણ 159 AQI થતા હવા હાનિકારક

ગુજરાતમાં મોટા શહેરોમાં પાંચમુ સ્થાને ગણાતુ ભાવનગર શહેર સાચા અર્થમા નિવૃત માનવીનુ શહેર છે. 4-5 કિમીની ત્રિજયામાં ફેલાયેલા શહેરમાં 10-15 મિનિટમા એક ખુણેથી બીજા ખુણે પહોંચી શકાય છે. ટ્રાફિકની સામાન્ય સમસ્યા ધરાવતુ, પ્રદુષણ રહિત, સ્વાસ્થકારક હવામાન ધરાવતુ,પાણી અને બીજી કુદરતી સંપતિ ધરાવતુ આદર્શ શહેર છે.ભાવનગરની ભૌગોલિક સ્થિતિને કારણે મોટી કુદરતી આપત્તિ પણ ભાવનગરમા નથી આવી. આ ભાવનગરમાં ગત રાત્રે દિવાળીની ઉજવણીને લીધે હવામાન પ્રદૂષિત થયુ અને અસ્થમાના દર્દીઓ માટે આ પ્રદૂષિત હજા જોખમી બની રહી હતી. સામાન્ય રીતિ 40-થી 50 હવાનો ગુણવત્તા ધરાવતા ભાવનગરની હવાની ગુણવતા આંક 159 હતો. જે સામાન્ય માનવી માટે ચિંતાજનક હતો. (WHO) વિશ્વ આરોગ્ય સંસ્થા મુજબ હવામાં તરતા કણો જે શ્વાસ સાથે ફેફસામાં દાખલ થઈ જમા થતો હોય છે તે પણ ભયજનક (52 થી 155 )થઈ ગયો હતો.અન્ય પ્રદૂષણોમા ઓઝોન ( 25 પીપીબી ) થતા માનવીને અસ્વસ્થ કરી શકે છે.નાઇટ્રોજન ઓકસાઈડ ( 13 પીપીબી ) થોડી માત્રામાં વધારે હતો. કાર્બન મોનોકસાઈડ (503 પીપીબી ) ભારે માત્રામા સલ્ફર ડયોકસાઈડ (32 પીપીબી ) હતા. આ વાયુઓ એક યા બીજી રીતે નુકશાન કારક છે જ પરંતુ મોડી રાત્રે અને પછીના સવાર તથા દિવસના ભાગમા વાતાવરણમા ફેલાઈ જતા ફકત અતિ સંવેદનશીલ વ્યક્તિ માટે ચિંતાજનક રહે છે. સાવચેતીના પગલા રૂપે રાત્ર દરમયાન ઘરમા જ રહેવુ,માસ્ક પહેરીને જ ફરવુ અને ધરની બહાર નીકળવાનુ ટાળવુ. તેમ પર્યાવરણવિદ્દ ડો.બી.આર. પંડિતે જણાવ્યું છે. ફટાકડા ફુટવાથી હવામાં પ્રદૂષણમાં મોટા પ્રમાણમાં વધારો થયો હવામાં તરતા કણો જે શ્વાસ સાથે ફેફસામાં દાખલ થતા હોય છે તે ભયજનક દિવાળીની રાત્રે ભાવનગરની હવાનો ગુણવતા આંક

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 7:59 am

હુમલો:કુંભારવાડા સ્મશાનના ટ્રસ્ટી સહિત બે લોકો ઉપર હુમલો

ભાવનગર શહેરના કુંભારવાડા સ્શાનની અંદર આવેલ મંદિરના ટ્રસ્ટી સહિત બે લોકો ઉપર છ શખ્સોએ આતંક મચાવી, ગંભીર મારમારતા દર્શનાર્થીઓમાં ભારે ભય ફેલાઇ જવા પામ્યો હતો. કુંભારવાડા સ્મશાનના મંદિરમાં ગઇકાલે દર્શનાર્થીઓની ભારે ભીડ હોય જે વેળાએ બે શખ્સોએ મંદિરના દરવાજા બંધ કરી, ભક્તોને અંદર આવવાની મનાઇ ફરમાવી, ટ્રસ્ટી સહિત બે લોકોને ગંભીર મારમારતા છ શખ્સો વિરૂદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ભાવનગર શહેરના નિર્મળનગર વિસ્તારમાં રહેતા અને કુંભારવાડા સ્મશાનની અંદર આવેલ મેલડી માતાના મંદિરના ટ્રસ્ટી તરીકે ફરજ બજાવતા ક્રુપાલસિંહ ભુપતસિંહ ચૌહાણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇકાલે મંદિરમાં દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ હતી અને દર્શનાર્થીઓ દર્શન કરી રહ્યા હતા તે વેળાએ સંજયસિંહ વિક્રમસિંહ જાડેજા તેમજ યુવરાજસિંહ જાડેજાએ મંદિરમાં પ્રવેશ કરી, મંદિરનો દરવાજો બંધ કરી દિધો હતો અને ભક્તોને દર્શન નહીં કરવાનું જણાવ્યું હતું. જે બાબતે ક્રુપાલસિંહે આવું શું કામ કરો છો તેમ કહેતા, સંજયસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, સુર્યદિપસિંહ વાળા, રામ નટુભાઇ સગડ, તુષાર ઉર્ફે દંતુ કાન્તીભાઇ બારૈયા, મલય જોષીએ એક સંપ કરી ક્રુપાલસિંહને ઢોરમાર માર્યો હતો અને પંચ પહેરી લોહિયાળ ઇજાઓ કરી હતી જેને બચાવવા ક્રુપાલભાઇના ભાઇ સંજયસિંહ ચૌહાણ દોડી આવતા તેમને પણ ગંભીર મારમારી, ઇજા કરી ફરાર થઇ જતાં સારવારમાં ખસેડાયા હતા જ્યાં છ શખ્સો વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 7:58 am

પોલીસ ઉપર આક્ષેપ:અકવાડાની મારામારીમાં આરોપીને પોલીસ છાવરતી હોવાના આક્ષેપો

અકવાડા ગામે રહેતા ઉત્તમભાઇ ઘુઘાભાઇ બારૈયા છ દિવસ અગાઉ મંદિરેથી ઘરે જતા હતા તે વેળાએ ગામમાં રહેતા વિશ્વદિપસિંહ ઉર્ફે ભોલુ ટેમુભા ગોહિલ દારૂ પીને ધમાલ મચાવી રહ્યો હતો જે વેળાએ તેની નજીકથી ઉત્તમભાઇ બાઇક લઇ પસાર થઇ રહ્યા હતા તે વેળાએ વિશ્વદિપસિંહે ઉત્તમભાઇને ઉભા રાખી, નશાની હાલતે માથાના ભાગે પાઇપ ઝીંક્યો હતો. જે ડરના મારે ઉત્તમભાઇ ઘરે જતો રહ્યો હતો અને બાદમાં વિશ્વદિપસિંહ ફરી તેની માતા, ભાઇ અને કાકા સાથે ઉત્તમભાઇના ઘરે પહોંચી, ઉત્તમભાઇ, તેમના પિતા, કાકા સહિત બહેનને મારમારતા બંન્ને પક્ષે સામસામી મારમારી થતાં ઉત્તમ તેમજ વિશ્વદિપને ઇજા પહોંચી હતી. જે બાદ ઘોઘારોડ પોલીસના પી.એસ.આઇ. ચૌધરીએ તપાસ શરૂ કરી, ઉત્તમ તેમજ તેમના પરિવારના સભ્યોને પુછપરછ માટે બોલાવી, તેના વિરૂદ્ધ ફરિયાદ નોંધી, ધરપકડ કરી લીધી હતી અને જેલહવાલે કરાયા હતા. પરંતુ સામાપક્ષે માત્ર વિશ્વદિપ વિરૂદ્ધ ફરિયાદ નોંધી, સારવારમાં ખસેડી દિધો હતો અને જે બાદ તેને રજા મળતા ધરપકડ ન કરતા, આરોપીની ધરપકડની માંગ કરી છે. ઉત્તમભાઇના પરિવારજનોએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, વિશ્વદિપસિંહ વ્યાજવટાવનો વ્યવસાય કરે છે જેના ઉપરી નિમભા છે જેના કહેવાથી ઘોઘારોડ પોલીસ કામગીરીમાં ઢીલાશ રાખી રહી છે. ઉત્તમભાઇના બે પિતરાઇ ભાઇઓ આર્મીમાં ફરજ બજાવે છે. જેને લઇ અન્યાય થતાં આર્મીના ચીફ દ્વારા એસ.પી.નિતેશ પાંડેયને ફોન કરી વાત કરવામાં આવી છે છતાં પણ ઘોઘારોડ પોલીસ કામગીરીમાં ઢીલાશ રાખી રહી હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. આર્મીના જવાને વીડીયો બનાવી ન્યાયની માંગ કરીઉત્તમભાઇના દાદા બાબુભાઇની વિરૂદ્ધ પોલીસે ફરિયાદ લીધી છે. બાબુભાઇના બંન્ને પુત્રો આર્મીમાં ફરજ બજાવે છે. બાબુભાઇની ખોટી રીતે ધરપકડ થતાં આર્મીના ચીફ દ્વારા ઘોઘારોડના પી.આઇ. અને એસ.પી.ને ફોન કર્યો હતો. જે બાદ ઘુઘાભાઇના દિકરા બારૈયા વિશાલ બાબુભાઇ જે આર્મી જવાન છે તેમને પણ સોશ્યલ મિડીયામાં વિડીયો મુકી ભાવનગર પોલીસ પાસે ન્યાયની અપેક્ષા સાથે માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 7:57 am

ઉત્કૃષ્ટ પ્રદર્શન:જીટીયુના યુવક મહોત્સવમાં જીઇસી 3 સ્પર્ધામાં વિજેતા

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી દ્વારા યજમાનપદે આયોજીત 13મો યુવક મહોત્સવ એકત્વ યોજાયેલ હતો, જેમાં સરકારી ઈજનેરી કોલેજ ભાવનગરની વિવિધ વિદ્યાશાખાના 35 વિદ્યાર્થીઓએ અલગઅલગ 20થી વધુ સ્પર્ધાઓમાં ભાગ લીધેલ હતો, જેમાંથી તમામ સ્પર્ધાઓમાં સફળતમ દેખાવની સાથે ૩ સ્પર્ધાઓમા ટ્રોફિ ઇનામ અને મેડલ જીત્યા હતા. આ ત્રિદિવસીય ઈન્ટરઝોનલ યુવક મહોત્સવમા સંગીત-ગાયન, તાલવાદ્ય, અભિનય અને ફાઈન આર્ટ્સ જેવી વિવિધ સ્પર્ધાઓમા સંસ્થાના વિદ્યાર્થિઓએ રસપૂર્વક ભાગ લિધેલ હતો, જેમાથી ચૌહાણ સહદેવસિંહ (સીવીલ ઈજનેરી) દુહા-છંદ ગાયનસ્પર્ધામા દ્વિતિય, પઠાણ નવાઝખાન (આઈ.સી.ટી. ઈજનેરી) વેસ્ટર્ન મ્યુઝિક પ્લેમા તૃતીય તેમજ જોષી શુભમ (કોમ્પ્યુટર ઈજનેરી) અને સુકિર્તીકુમારી (ઈ.સી. ઈજનેરી) એ ડિબેટ સ્પર્ધામા તૃતીય ક્રમ મેળવ્યા હતા. અત્રે એ ઉલ્લેખનીય છે કે સંસ્થાની કલ્ચરલ કમિટીનુ સૂત્ર “દિલ તો જીતેંગે” છે, જેને કેન્દ્રસ્થાને રાખીને વિદ્યાર્થિઓએ લઘુનાટક, મૂક અભિનય, મિમિક્રી, કાર્ટૂનિંગ, ક્લે-મોડેલિંગ, ભજન, ક્વિઝ, વિગેરે સ્પર્ધાઓમા ભાગ લીધો હતો. સંસ્થાના આચાર્ય પ્રો. ડો. એમ.જી. ભટ્ટ દ્વારા વિજેતા અને સ્પર્ધામા ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપતા જણાવ્યુ હતુ કે ખાસ તો તેમનો મંચ પર અભિનય કે અભિવ્યક્તિ કરવા માટેનો આત્મવિશ્વાસ વધે છે, જે એમના ઉજ્જવળ ભવિષ્યના પાયામાથી એક પાયો છે. જેમ આ યુવક મહોત્સવમાં તેમનુ સુવ્યવસ્થિત અને આયોજનબદ્ધ પ્રદર્શન રહ્યુ , પ્રો. ડો. એન.એન. જાડેજા, પ્રો. સી.એ. ગજ્જર, પ્રો. ડિ.એચ. દવે અને પ્રો. વિ.આર. અંદોદરિયાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી જણાવ્યું હતુ કે કોઈ પણ પ્રોફેશનલ્સની મદદ વિના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધેલ હતો અને વિદ્યાર્થીઓ જ વિદ્યાર્થીઓ માટે મદદરૂપ અને માર્ગદર્શક બની રહ્યા હતા,

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 7:56 am

નાસ્તામાં સાવધાની જરૂરી:લાભ પાંચમ સુધી રોજ વધારાની 1000થી 1200 કેલેરી ઉમેરાશે

વિક્રમ સંવતના 2082ના નૂતન વર્ષની શુભેચ્છા માટે ઘરે-ઘરે નાસ્તા કરો ત્યારે પેટનો વિચાર કરવો આવશ્યક તહેવારની ઉજવણીમાં પેટ દળાઈ જાય એટલું ભરપેટ ખાઈ લેવું, ભલેને પછી તબિયતનું જે થવું હોય તે થાય તેવી માનસિકતા કેટલાક ભાવનગરવાસીઓ ધરાવે છે. વધુ પ્રમાણમાં ઘી તેલ વપરાયા હોય તે હૃદય માટે નુકસાનકારક છે. ડાયેટિશિયન બી.એસ. શર્મા જણાવે કે દિવાળીથી લાભપાંચમ સુધીમાં 1 દિવસમાં એક વ્યકિત સરેરાશ 2300થી 2500 કેલેરી મેળવે છે જે વધારે ગણાય. ખરેખર સ્ત્રીને રોજના 1200થી 1500 કેલેરી અને પુરૂષને 1500થી 1700 કેલેરીની જરૂર હોય છે. આ ગણિત મુજબ દિવાળીમાં દૈનિક 1000થી 1200 કેલેરી વધુ ઉમેરાતી હોય છે. દિવાળીના આ ઉજવણીના દિવસો રજાના, વેકેશનના દિવસો હોવાથી ખાવાનું વધારે અને શ્રમ ઓછો તેવો ઘાટ થતાં આ દસેક દિવસના રજાના ગાળામાં જ કેટલાકનું વજન બે-ત્રણ કિલો વધી જાય છે જે ચિંતાજનક ગણી શકાય. લાભ પાંચમ સુધીમાં ઘરે જઈ ભરપૂર નાસ્તો કરનારાનું વજન બે-ત્રણ કિલો વધી જાય છે. બેસતા વર્ષ કે ત્યાર બાદ આપણે જેમના ઘરે જઈએ ત્યાં ચોળાફળી, ફાફડા, મઠીયા, ચેવડો, બરફી, કાજુકતરી, ફરસીપુરી, ગાંઠિયા, મગજના લાડુ, ઘુઘરા, ગુલાબજાંબુ જેવા મિઠાઈ-ફરસાણ તેમજ આઈસક્રીમ કે શરબતથી સરભરા કરવામાં આવે છે. મિઠાઈ-ફરસાણ કરતાં ગરમ નાસ્તા સ્વાસ્થ્ય માટે ફાયદાકારણ છે જેમાં ફણગાવેલા મગ, ઉપમા, બાફેલા કઠોળની ભેળ વિ. લઈ શકાય. મિલ્કશેક કે આઈસ્ક્રીમના બદલે પાણી સરબત પીવોનૂતન વર્ષની શુભેચ્છા માટે કોઈને ત્યાં જતાં પહેલાં ઘરે સલાડ કે ફળ અથવા લીંબુ સરબત પી લેવું. ઘરે શુભેચ્છા માટે જતા હો ત્યા મિલ્કશેક કે આઇસક્રીમના બદલે પાણી સરબત પીવો. - નાસ્તો પાંચ-છ ઘરે કર્યો હોય તો ઘરે જમવાનું ટાળો અને ઘરે હળવું ભોજન લ્યો. - તેલનો પ્રચૂર ઉપયોગ થયો હોય તેવા ફરસાણ અને ઘી-તેલ અને માવાવાળી મિઠાઈને ખાવાનું ત્યજો. ગુણવત્તા વગરની મિઠાઇનો અતિરેક પેટ માટે હાનિકારકમોં મીઠું કરતી મિઠાઇનો અતિરેક પેટ માટે હાનિકારક મિઠાઈમાં વપરાતા કેમિકલયુકત કલરથી ગળાની, હોજરીની તકલીફ થઈ શકે છે. વધુ પડતી મિઠાઈ ખાવાથી શરીરમાં કાર્બોહાઈડ્રેડનું પ્રમાણ વધી શકે છે. જોકે, મર્યાદામાં રહી મિઠાઈ ખાવાથી નુકસાન થતું નથી. બજારમાં મળતી કેટલીક હલકી ગુણવત્તાવાળી મિઠાઈમાં હાનિકારક કલર્સ વધુ હોય છે. જાગૃત પરિવારો મિઠાઈ ઘરે બનાવાનો આગ્રહ રાખે છે તેમાં પણ શુદ્ધતાની તો ખાસ તકેદારી રાખે છે. > ડો.સલોની ચૌહાણ, ડાયેટિશિયન

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 7:55 am

આ વર્ષે રાત્રે તાપમાન વધીને 24.8 ડિગ્રી થઈ ગયું:5 વર્ષમાં આ વર્ષે દિવાળીની રાત્રે સૌથી વધુ તાપમાન રહ્યું

તહેવારોના દિવસોમાં ભાવનગર સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવામાન મુખ્યત્વે સૂકું રહ્યું છે અને ભાવનગર શહેરમાં રાતનું ઉષ્ણતામાન વધીને 24.8 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાતા ગત સપ્તાહમાં 20 ડિગ્રીથી ઓછા તાપમાને શહેરમાં ગુલાબી ઠંડી જામી હતી તે વિખાઇ ગઇ છે. હવામાન વિભાગ મુજબ આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં લઘુતમ કે મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની આગાહી નથી. ભાવનગર શહેરમાં 24 કલાક અગાઉ લઘુત્તમ ઉષ્ણતામાન 23.5 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે 1.3 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 24.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જેથી દિવાળીની રાતે ઠંડી ગાયબ થઇ ગઇ હતી. શહેરમાં આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 73 ટકા નોંધાયુ હતુ જ્યારે પવનની ઝડપ આજે સવારે 10 કિલોમીટર નોંધાઇ હતી. ગુજરાતમાં દીવાળીમાં વરસાદની આગાહી હતી તે સાચી પડી નથી.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 7:51 am

ભરતી પ્રક્રિયામાં કોર્પો.ની ક્ષતિ:104 જગ્યાની ભરતી માટેની જાહેરાતના દિવસે કોર્પો.ની વેબસાઈટ પર ફોર્મ જ નહીં

ભાવનગર કોર્પોરેશન દ્વારા જુદી જુદી 104 જગ્યા પર સીધી ભરતી કરવા માટે પ્રક્રિયા હાથ થઈ છે પરંતુ કોર્પોરેશનની બેદરકારીને કારણે ઓજસ વેબસાઈટ પર પ્રસિદ્ધ કરેલ તારીખ કરતા એક દિવસ મોડું ફોર્મ અપલોડ કરવામાં આવ્યું હતું. જેના કારણે ફોર્મ ભરવા માટે અરજદારોને તો એક દિવસ ઓછો જ મળ્યો છે સાથોસાથ ગ્રામ્ય વિસ્તારમાંથી ફોર્મ ભરવા માટે ભાવનગર આવેલા અરજદારોને ધક્કા થયા હતા. એક દિવસ બાદ વેબસાઈટ પર ફોર્મ મૂકવામાં આવ્યું હતું. વહીવટી અધિકારી, નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલ, સેનેટરી ઇન્સ્પેક્ટર, સ્ટાફ નર્સ, ટેકનિકલ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ, ફાર્માસિસ્ટ, સ્ટેનોગ્રાફર, ટેકનિકલ આસિસ્ટન્ટ, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અને જુનિયર ક્લાર્ક સહિતની 104 જગ્યા માટે હાલમાં ફરતી પ્રક્રિયા શરૂ છે. ભાવનગર કોર્પોરેશન દ્વારા ભરતી પ્રક્રિયા માટે 18 ઓક્ટોબરને બપોરે 2 કલાકથી 8મી નવેમ્બર રાત્રિના 11:59 કલાક સુધીમાં ઓજસની વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવા જાહેરાત કરવામાં આવી હતી. મોટા ઉપાડે કોર્પોરેશનના મહેકમ વિભાગ દ્વારા 18 મી ઓક્ટોબરથી ઓનલાઇન અરજી કરવાની જાહેરાત તો કરી પરંતુ 18 મી ઓક્ટોબરએ ઓજસ વેબસાઈટ પર કોર્પોરેશનની ભરતી બાબતના ફોર્મ જ અપલોડ કર્યા ન હતા. 18મીએ ભરતીની જાહેરાત ફોક નીવડી હતી. ઓજસ વેબસાઇટ પર કોર્પોરેશનની ભરતીના ફોર્મ જ નહીં હોવાથી યુવાનો વિલા મોઢે ધક્કા ખાઈ પાછા ફર્યા હતા. ફોર્મ માટે પૂરા 21 દિવસ થતા નથી, 1 દિવસ ઓછોભાવનગર કોર્પોરેશનની ભરતીમાં તા.18/10/25 થી તા. 8/11/25 નો સમયગાળો ફોર્મ ભરવા માટે આપ્યો છે. એટલે કે અરજદારોને 21 દિવસનો ફોર્મ ભરવા માટે સમય આપવામાં આવ્યો છે. પરંતુ 18મી ઓક્ટોબર ના રોજ ઓજસ વેબસાઇટ પર ફોર્મ ભરવા માટે સુવિધા ઉપલબ્ધ ન હતી. જે એક દિવસ બાદ વેબસાઈટ પર ફોર્મ મુકવામાં આવ્યું હતું. જેથી અરજદારોને ચોખ્ખા 21 દિવસ ફોર્મ ભરવા માટે મળશે નહીં.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 7:49 am

મોટા નેતાઓ પાછળ થતો ખર્ચ નિરર્થક, પ્રજાની આશા નઠારી:PMની ભાવનગરની મુલાકાત કોર્પો.ને 32.53 લાખમાં પડી, પ્રજાને ઠેંગો

ભાવનગરમાં રાજ્યના રાષ્ટ્રીય કક્ષાના મોટા નેતાઓ આવે તે ભાવનગર માટે ગૌરવપ્રદ બાબત છે. પરંતુ ભાવનગરના નગરજનોને પણ મોટા નેતાઓ પાસે ઘણી અપેક્ષાઓ હોય છે જે સહજ બાબત છે. પરંતુ ભાવનગરમાં તાજેતરમાં આવેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાવનગરના લોકોએ સારી આગતા સ્વાગતા કરી અને કોર્પોરેશન દ્વારા પણ ડેકોરેશન અને સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત પાછળ 32.53 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો પરંતુ ભાવનગરના લોકોને જાહેરાતોના નામે ઠેંગો જ મળ્યો હતો. ભાવનગર ખાતે તાજેતરમાં 20મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ હતો અને જવાહર મેદાન ખાતે લોકાર્પણ ખાતમુહૂર્ત તેમજ રોડ શો નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગણતરીની કલાકો માટે યોજાતા કાર્યક્રમમાં તંત્ર તો ઉંધા માથે થાય જ છે પરંતુ પ્રજાના નાણા પણ બેફામ રીતે વપરાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તાજેતરમાં ભાવનગર ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં જવાહર મેદાન ખાતે તો અન્ય વિભાગોએ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો પરંતુ રોડ શો દરમિયાન ભાવનગર કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ કોર્ડન, મંડપ સર્વિસ અને ડેકોરેશનને લગતી કામગીરી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનો કુલ રૂપિયા 32,53,340નો ખર્ચ થયો હતો. જે તાજેતરમાં મળેલી સાધારણ સભામાં વિરોધ પક્ષના નેતા જીતુભાઈ સોલંકી દ્વારા પુછાયેલા પ્રશ્નના પ્રત્યુતરમાં વિભાગીય અધિકારી દ્વારા જણાવાયું હતું. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર શહેરમાં સપ્ટેમ્બર 2022 અને ફેબ્રુઆરી 2023 માં આવ્યા હતા. જે દરમિયાન કોર્પોરેશન દ્વારા સ્ટેજ ડેકોરેશન, પાર્ટીશન અને મંડપ સર્વિસને લગતી કામગીરી કરવામાં આવી હતી. જેનો કુલ ખર્ચ 5,99,084 થયો હતો. આમ મોટા નેતાઓ ભાવનગરમાં આવે ત્યારે પ્રજાના લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ તે નિરર્થક સાબિત થાય છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 7:48 am

દિવાળી પછીય મેઘરાજા ખમૈયાના મૂડમાં નથી! સૌરાષ્ટ્ર-કચ્છ સહિત વિવિધ વિસ્તારમાં વરસાદની આગાહી

Gujarat Rain Forecast: ગુજરાત રાજયમાં હાલ બેવડી સિઝનનો અનુભવ વર્તાઇ રહ્યો છે, જેમાં દિવસ દરમિયાન થોડી ગરમી તો, રાત્રે ઠંડીનો સહેજ ચમકારો અનુભવાઈ રહ્યો છે. રાજયમાં શિયાળાની ફુલગુલાબી ઠંડી ધીરે ધીરે જોર પકડવાનું શરૂ કરે તે પહેલાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હવામાનની બે સિસ્મટ સક્રિય થવાના કારણે હવામાનમાં ફેરફાર આવી શકે છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત સહિત રાજયના કેટલાક જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પણ વાંચોઃ કોરીડોર મામલે તંત્રની બેવડી નિતી, સારંગપુરથી વિકટોરીયા ગાર્ડન સુધી BRTS કોરીડોર દુર નહીં કરાય સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી

ગુજરાત સમાચાર 22 Oct 2025 7:47 am

શહેર રોશનીથી ઝગમગ્યું:વિક્રમ સંવત 2082ના નૂતન વર્ષે નિહાળો સર્કલોનો ઝળહળતો શણગાર

તા.22 ઓક્ટોબરને બુધવારે વિક્રમ સંવત 2082ના નવા વર્ષનો આરંભ થશે ત્યારે ભાવેણાવાસીઓ આ નવા વર્ષના આરંભના દિવસને શુભ સંકલ્પનો દિવસ તરીકે ઉજવશે.આ વર્ષે સર્કલોના નવીનીકરણ સાથે શહેરને નવોઢાની જેમ ઝળળહતી રોશનીથી શણગારાયું છે. કારતક સુદ એકમને આપણે નૂતન વર્ષ તરીકે ઉજવીએ છીએ. જ્યાં શહેરના મુખ્ય 6 રસ્તાનું મિલન થાય છે તે ઘોઘા સર્કલને મધ્યમાં રાખીને શહેરના શણગાર આ તસવીરમાં દ્રશ્યમાન થાય છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 7:47 am

સીઝફાયરના પ્રયાસોને ઝટકો: ટ્રમ્પ અને પુતિનની બેઠક રદ, કહ્યું- હું સમય વેડફવા નથી માંગતો

Donald Trump Cancels Meeting with Putin : ગાઝામાં સીઝફાયર બાદ હવે રશિયા અને યુક્રેન વચ્ચે પણ શાંતિ સ્થપાય તેને લઈને માંગ વધી રહી છે. જોકે આ મામલે અમેરિકાના પ્રમુખના પ્રયાસોને ઝટકો લાગ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ પુતિન વચ્ચે સીઝફાયર મુદ્દે બીજી બેઠક થવાની હતી, જે હવે મોકૂફ રખાઇ છે. પુતિન સાથે બેઠક કરવી સમય વેડફવા નથી માંગતો: ટ્રમ્પ રશિયાએ યુક્રેન સાથે તાત્કાલિક સીઝફાયરની માંગ ઠુકરાવી છે.

ગુજરાત સમાચાર 22 Oct 2025 7:44 am

ભાસ્કર બ્રેકિંગ:કચ્છને ફરી વૈશ્વિક સ્તરે ઓળખની તૈયારી ! યુનેસ્કોની પેરિસ બેઠકમાં કચ્છ જીઓપાર્ક નામાંકનનું નેતૃત્વ જાહેર

કચ્છ જિલ્લાના કરોડો વર્ષ જૂના અનોખા ભૂવૈજ્ઞાનિક વારસાને વૈશ્વિક માન્યતા આપવા માટે ભારત સરકારે મહત્વની પગલાં ભર્યાં છે. પેરિસમાં યોજાયેલી યુનેસ્કોની 222મી એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠકમાં ભારતીય પ્રતિનિધિએ જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (જીએસઆઈ)ના માધ્યમથી કચ્છ જીઓપાર્ક માટેની નામાંકન પ્રક્રિયાનું નેતૃત્વ કરી રહ્યા હોવાનું જણાવ્યું છે. આ પગલાથી કચ્છને ભારતનું પ્રથમ યુનેસ્કો વૈશ્વિક જીઓપાર્ક તરીકે માન્યતા મળવાની આશા જગાડી છે, જે રણની આ ધરતીને વૈજ્ઞાનિક અભ્યાસ, પર્યટન અને સંરક્ષણનું કેન્દ્ર બનાવશે. આ બેઠક પેરિસમાં યુનેસ્કો મુખ્યાલય ખાતે 1 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર, 2025 દરમિયાન યોજાઈ હતી. ભારતીય પ્રતિનિધિએ સ્પષ્ટ જણાવ્યું હતું કે જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (GSI) ના માધ્યમથી ભારત કચ્છ જીઓપાર્ક માટેની નામાંકન પ્રક્રિયાનું નેતૃત્વ કરી રહ્યું છે. આ જાહેરાત કચ્છના ભૂ-વારસાને વિશ્વ ફલક પર લાવવાના ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે. ભારત સરકારે કચ્છની સાથે મહારાષ્ટ્રના લોનાર અને છત્તીસગઢના બસ્તર જેવા મુખ્ય સ્થળોને યુનેસ્કો ગ્લોબલ જીઓપાર્ક તરીકે નામાંકિત કરવાની પ્રક્રિયામાં અગ્રેસર છે તેવું જણાવ્યું હતું. કચ્છના જીઓપાર્કની માન્યતાથી આ વિસ્તારને વૈશ્વિક પ્રવાસીઓનું આકર્ષણ બનાવવામાં મદદ મળશે, જે ધોળાવીરા જેવા પુરાતત્વીય સ્થળો સાથે જોડાઈને એક અનોખું જીઓટુરિઝમ હબ બનાવશે. ભૂવારસા બિલને આગળ વધારવા અને એશિયા-પેસિફિક જીઓપાર્ક્સ નેટવર્કમાં ભારતનું પ્રતિનિધિત્વ મજબૂત કરવા પર ભાર મૂકાયો છે. આગામી વર્ષોમાં કચ્છની નામાંકન પ્રક્રિયા વધુ વેગ પકડશે, જે ભારતને ભૂવૈજ્ઞાનિક વારસા સંરક્ષણમાં વૈશ્વિક લીડર તરીકે સ્થાપિત કરશે. હાલ દુનિયામાં 229 યુનેસ્કો ગ્લોબલ જીઓપાર્કકચ્છ, લોનાર અને બસ્તરના જીઓપાર્ક માટે જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી રહેલો પ્રયાસ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે જો આમાંથી કોઈ સ્થળને માન્યતા મળે છે, તો તે ભારતનો પ્રથમ યુનેસ્કો ગ્લોબલ જીઓપાર્ક બનશે. હાલમાં ભારતમાં એક પણ યુનેસ્કો ગ્લોબલ જીઓપાર્ક નથી. વિશ્વમાં હાલમાં 229 યુનેસ્કો ગ્લોબલ જીઓપાર્ક છે, જે 50 દેશોમાં ફેલાયેલા છે. ક્રિટેસિયસથી જુરાસિક યુગ સુધીનો કચ્છમાં ઇતિહાસકચ્છની ભૂસંપદા મુખ્યત્વે તેના અશ્મિઓ, પર્વતમાળાઓ અને વિશિષ્ટ ખડક રચનાઓ માં સમાયેલી છે. કરોડો વર્ષ જૂના દરિયાઈ અશ્મિઓ છે. જુરાસિક યુગ (લગભગ 145 થી 20 કરોડ વર્ષ જૂનો) અને ક્રિટેસિયસ યુગના દરિયાઈ અશ્મિઓ વિપુલ પ્રમાણમાં મળી આવે છે. ઉત્તર-પશ્ચિમ કચ્છના અમુક મેદાની વિસ્તારોમાંથી ડાયનોસોરિયન અશ્મિભૂત સ્થળો પણ મળી આવ્યા છે, જે ભારતીય ઉપખંડના ભૂસ્તરીય ઉત્ક્રાંતિને સમજવામાં મદદરૂપ થાય છે. કચ્છમાં બેસાલ્ટ ખડકો મળી આવે છે, જે લાખો વર્ષો પહેલા થયેલી ડેક્કન ટ્રૅપની જ્વાળામુખીય પ્રવૃત્તિઓનો પુરાવો છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 7:42 am

સુરત માટે ગર્વની વાત:આખ્સાહ પરમારના પર્ફોર્મન્સ સાથે ગુજરાતની ટીમ ફાઇનલમાં ટ્રોફી જીતી

ગુજરાત ક્રિકેટ એસોસિઓએશન તથા રિલાયન્સના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં અમદાવાદના શ્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે અંડર 19 વુમેન્સ “રિલાયન્સ G1 “ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ચાર ગુજરાત, સૌરાષ્ટ્ર, બરોડા અને બંગાળની ટીમે ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં બધી લીગ મેચ જીતી ફાઇનલ મેચ પણ બંગાળની સામે જીતીને ટ્રોફી પોતાના નામે કરી હતી. સુરત માટે ગર્વની વાત એ છે કે ગુજરાતની ટીમનું પ્રતિનિધત્વ સુરતની આખ્સાહ પરમાર કર્યું હતું. ફાઇનલ મેચમાં તેઓએ 30 બોલમાં 8 ચોકા અને એક સિક્સની મદદ થી 46 રન કર્યા હતા. બોલિંગમાં 3 ઓવરમાં 16 રન આપી એક વિકેટ લીધી હતી. એમના આ ઓલ રાઉન્ડ પર્ફોમેન્સ બદલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મેળ્યો હતો. આખ્સાહ પરમારે 6 વર્ષની ઉંમરે લુર્ડસ કોન્વેન્ટ હાઇસ્કુલમાં હોકી રમવાનું શરુ કર્યું હતું. બે રાજ્ય કક્ષાની ટૂર્નામેન્ટ તથા ખેલ મહાકુંભમાં હોકી રમતમાં શાનદાર પ્રદર્શન કરી 8 વર્ષની ઉંમરથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. 12 વર્ષની ઉંમરે જીસીએ (ગુજરાત ક્રિકેટ એસોસિએશન) અંડર-19 પ્રોબેબલ પ્લેયર તરીકે પસંદગી પામી હતી. ત્યારથી એની મેહનત રંગ લાવી રહી છે અને તે શહેરની સહિત રાજ્યનું નામ રોશન કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 7:40 am

દુ:ખદ બનાવ:ભેસ્તાનમાં ડિવાઇડર સાથે બાઇક અથડાતાં યુવકનું મોત

ભેસ્તાન ત્રણ રસ્તા પાસે બાઈક ડીવાઈડર સાથે ભટકાતા બાઈક સવારે બે મિત્રો પૈકી એકનું મોત નીપજ્યું હતું. જ્યારે મિત્ર ઈજાગ્રસ્ત થયો હતો. ડિંડોલી ગ્રીનહોમ રેસીડન્સી ખાતે રહેતા 40 વર્ષીય ગુલાબ રામજીત યાદવ એક મહિના પહેલા જ મિત્રને ત્યાં આવ્યા હતા અને નોકરીની શોધમાં હતા. સોમવારે સાંજે તેઓ મિત્ર જ્ઞાનેશ્વર સાથે બાઈક પર સચિનથી ઘરે જતા હતા. ત્યારે ભેસ્તાન ત્રણ રસ્તા પાસે બાઈક ડીવાઈડર સાથે ભટકાતા ગુલાબભાઈ ગંભીર રીતે ઘવાયા હતા તેમજ જ્ઞાનેશ્વરને સામાન્ય ઈજા થઈ હતી. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગુલાબભાઈને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 7:37 am

RRB-NTPC:સ્ટેશન માસ્ટર, ગુડ્સ ટ્રેન મેનેજર, ટ્રાફિક આસિસ્ટન્ટની ભરતી

રેલવે ભરતી બોર્ડ દ્વારા NTPC ગ્રેજ્યુએટ લેવલ પદો માટે નવી ભરતી બહાર પાડવામાં આવી છે. જે ભરતીમાં 5810 પદો ભરવામાં આવશે. જેમાં સ્ટેશન માસ્ટર, ગુડ્સ ટ્રેન મેનેજર, ટ્રાફિક અસિસ્ટન્ટ, ચીફ કોમર્શિયલ અને ટિકિટ સુપરવાઈઝર, સિનિયર ક્લાર્ક અને ટાઇપિસ્ટ, જુનિયર અકાઉન્ટ અસિસ્ટન્ટ અને ટાઇપિસ્ટ મુખ્ય પદો છે. અરજી પ્રક્રિયા 21 ઓક્ટોબર 2025 થી શરૂ થઈ છે અને 20 નવેમ્બર 2025 સુધી ચાલુ રહેશે. ઉમેદવારો અધિકૃત વેબસાઈટ www.rrbapply.gov.in પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે. ફોર્મ સબમિટ કર્યા પછી 22 નવેમ્બર સુધી ફી ચુકવણી કરી શકાય છે. અરજી માટે યોગ્યતા કોઈ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ હોવી આવશ્યક છે. ઉંમર મર્યાદા 18–33 વર્ષ છે, જ્યારે આરક્ષિત વર્ગને નિયમ અનુસાર છૂટ મળશે. ઉમેદવારોની પસંદગી માટે CBT-1, CBT-2, સ્કિલ ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ યોજાશે. નોકરી માટે ઉમેદવારો આ રીતે અરજી કરી શકાશે

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 7:37 am

સાવકા પિતાએ આચર્યું દુષ્કર્મ:પાંડેસરામાં સાવકા પિતાએ સગીર દીકરી પર બળાત્કાર કરતા ધરપકડ

એક વર્ષ પહેલા માતાના ઘરે રહેવા માટે આ‌વેલી 14 વર્ષની સગીરા પર સાવકા પિતાએ અવાર નવાર બળાત્કાર ગુજાર્યોની ફરિયાદ પાંડેસરા પોલીસમાં નોંધાય છે. આ દિવાળીમાં સગીરાએ માતના ઘરે જવાનો ઇન્કાર કરી સગીરાએ માસીને સઘળી હકિકત જણાવી હતી. બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ પાંડેસરા વિસ્તારમાં બિહારી પરિવાર રહે છે. માતા એ બીજા લગ્ન કર્યા હોવાથી 14 વર્ષની દિકરી વડોદરા માસી સાથે રહે છે. જ્યારે તેણીના બે ભાઇઓ વતન બિહારમાં રહે છે. ગત વર્ષે દિવાળીનો તહેવાર હોવાથી 14 વર્ષની સગીરા તા.29-10-2024થી 9-1-2024 દરમિયાન સુરત પાંડેસરા વિસ્તારમાં માતાના ઘરે રહેવા માટે આવી હતી. દરમિયાનમાં સાવકા પિતાની તેની પર દાનત બગડી હતી. જ્યારે માતા મજુરી કામ માટે બહાર જતી હતી. આ દરમિયાનમાં પિતાએ સગીર દિકરી પર બળાત્કાર ગુજાર્યો હતો અને કોઇને કહશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ રીતે પિતાએ સગીરા પર 10થી 15 વખત બળાત્કાર ગુજાર્યો હતો.આ ઘટનાથી સગીરા ગભરાઇ ગઇ હતી. જોકે, બાદમાં તે માસીના ઘરે પરત ગઇ હતી. દિવાળીનો તહેવાર આવતો હોવાથી માતાએ સગીર દિકરીને પોતાના ઘરે બોલાવી હતી. દીકરીએ સ્પષ્ટ ના પાડી દીધી હતી. જ્યારે માસીએ પ્રેમથી સગીરાને પુછતા તેણીએ પિતા દ્વારા ગુજારવામાં આવેલા બળાત્કાર અંગે માસીને વાત કરી હતી. જ્યારે માસીએ તેની બહેન એ‌વી સગીરાની માતાને જાણ કરતી તેમણે પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો નોંધી હવસખોર પિતાની ધરપકડ કરી છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 7:36 am

લૂંટ:આંજણામાં રિક્ષા ચાલક પર ચપ્પુ વડે હુમલો કરી મોબાઈલની લૂંટ

આંજણા ફાર્મ વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલકના ઘરમાં રાત્રે ચપ્પુ લઇને ઘુસી આવેલા બે લૂંટારૂ જાનથી મારી નાખવાની ધમકી આપીને મોબાઇલ ફોનની લૂંટ કર્યાનો બનાવ બન્યો છે. પોલીસે ગણતરીના કલાકમાં જ બે લૂંટારૂને પકડી પાડ્યા છે. આંજણા ફાર્મ જય નારાયણ ઇન્ડસ્ટ્રીઝ સ્થિત ત્રિકમભાઇના મકાનમાં ભાડે રહેતા મુકેશભાઈ જેરામભાઈ અઘેરા કડવા પટેલ છેલ્લા દસ વર્ષથી એકલા રહે છે અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે. સોમવારે આખો દિવસ રીક્ષા ચલાવીના રાત્રે નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે આવ્યા હતા. અને જમી પરવારીને સુઇ ગયા હતા. દરમિયાનમાં રાત્રે બે વાગ્યાના અરસામાં બાજુના રૂમનો દરવાજો કોઈ જોરથી ખખડાવતા અવાજ આવતાં તેઓ જાગી ગયા હતા અને પોતાની રૂમનો દરવાજો ખોલતા જ બે શખ્સો દરવાજો જોરથી ધક્કો મારી અંદર પ્રવેશ કર્યો અને ચપ્પુ બતાવી ધમકી આપી આપી કે બૂમો પાડશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોબાઇલ લૂંટી જતા જતા ઈસમોએ પોલીસ પાસે ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશ એવી ફરી ધમકી આપતા ગયા હતા. બનાવ અંગે સલાબતપુરા પોલીસે લૂંટનો ગુનો નોંધી સીસીટીવી ફેટેજના આધારે તપાસ શરૂ કરી લૂંટારૂ સલીમ ઉર્ફે લુખ્ખા ગુલામ દસ્તગીર શેખ (ઉ.વ.- 24,રહે. આંબેડકર નગર,લીંબાયત) અનેઇસ્તીયાઝ એહમદ ઉર્ફે બહુવા અબ્દુલ હમીદ અંસારી (ઉ.વ- 29,રહેફાયર બ્રિગેડની પાછળ, માનદરવાજા સલાબતપુરા)ને ઝડપી પાડ્યા હતા

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 7:35 am

હુમલો:બર્થડે પાર્ટીમાં નહીં બોલાવતા નારાજ મિત્રનો ચપ્પુ વડે હુમલો

પાંડેસરામાં મિત્ર બર્થડે પાર્ટીમાં નહીં બોલાવતા થયેલા ઝઘડાની અદાવતમાં મિત્રએ પોતાના સાગરીતો સાથે મળીને યુવક પર ચપ્પુના ઘા મારી હત્યાના પ્રયાસ કર્યોનો બનાવ બન્યો છે. બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ પાંડેસરા બમરોલી રોડ સ્થિત સહયોગ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રિયાંશુ રામશંકર કુરિયર કંપનીમાં નોકરી કરી પરિવારને મદદરૂપ થાય છે. તા.18મી ઓક્ટોબરના રોજ પ્રિયાંશુનો જન્મદિવસ હતો. જેથી તેણે મિત્રને પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં તે મિત્ર હર્ષને આમંત્રણ આપવાનું ભુલી ગયો હતો. જેથી હર્ષે મને કેમ ન બોલાવ્યો એમ કહેતા તેમની વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખી ને તા.19 ઓક્ટોબરના રોજ હર્ષે સાંજે સાતેક વાગ્યાના અરસામાં પ્રિયાંશુને ફોન કરીને બાલાજી નગરથી મણીનગર તરફ જતા રોડની ડાબી બાજુ આવેલા શૃગાલ રેસીડેન્સી પાછળના ખુલ્લા મેદાનમાં બોલાવ્યો હતો. જેથી પ્રિયાંશુ તેને મળવા ગયા હતો. જ્યાં તેમની વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઇ હતી. દરમિયાનમાં હર્ષનો ભાઇ કિશન તેના મિત્ર ક્રિષ્ણા સાથે ત્યાં પહોંચી ગયો હતો. કિશને પણ પ્રિયાંશુ સાથે ઝઘડો કરીને તેના મિત્ર ક્રિષ્ણા પાસેનું ચપ્પુ લઇને પ્રિયાંશુના કમર અને પીઠના ભાગે ઘા મારીને નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત પ્રિયાંશુને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે પાંડેસરા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ આદરી છે. જ્યારે હર્ષના પિતાએ પ્રિયાંશુ, બચી યાદવ અને નીતિન વિરૂદ્ધ મારા મારીની ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે, જે સ્થળે ઘટના બની છે ત્યાં સ્થાનિક ટપોરીઓની અવરજવર વધુ છે અને આ બાબતે સ્થાનિકોમાં ભારે કચવાટ છે. પોલીસ આ સ્થળે પેટ્રોલિંગ વધારે તો ગુનો થતાં પહેલા જ પોલીસ તેને ટાળી પણ શકે છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 7:35 am

પ્રવાસીઓનો ધસારો:દિવાળી વેકેશનમાં કચ્છ તરફ પ્રવાસીઓનો ધસારો : રિસોર્ટ, ટેન્ટ સિટીમાં બુકિંગ શરૂ

દિવાળીના તહેવારોની રજાઓ શરૂ થતાં જ સરહદી જિલ્લા કચ્છના પ્રવાસન અને યાત્રાધામોમાં પ્રવાસીઓનો મહેરામણ ઉમટશે. ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ની થીમ સાથે પ્રખ્યાત બનેલો આ જિલ્લો દિવાળી વેકેશન માટે પ્રવાસીઓનું ‘મોસ્ટ ફેવરિટ ડેસ્ટિનેશન’ બની ગયો છે. સફેદ રણનો વિશિષ્ટ નજારો, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને શાંતિનો અનુભવ પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે. આ વખતે રણોત્સવનો પ્રારંભ પણ દિવાળીના સમયગાળામાં જ થતો હોવાથી પ્રવાસીઓની સંખ્યામાં મોટો વધારો થવાની સંભાવના છે. ધોરડો ખાતે આવેલ સફેદ રણ અદ્ભુત માહોલ સર્જે છે. લોકો શહેરના ઘોંઘાટથી દૂર, રણની શાંતિ અને સંસ્કૃતિનો અનુભવ કરવા માટે ઉત્સુક છે. રણોત્સવની ટેન્ટ સિટી અને વિવિધ રિસોર્ટ એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યા છે. રણોત્સવ ઉપરાંત, કચ્છના યાત્રાધામો જેવા કે માતાનો મઢ, નારાયણ સરોવર, અને કોટેશ્વર મહાદેવ મંદિરે પણ શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળશે. આ મંદિરોનો પૌરાણિક ઇતિહાસ અને દરિયાકિનારાની નિકટતા વિશેષ આકર્ષણ ઊભું કરે છે. માત્ર સફેદ રણ જ નહીં, પણ જિલ્લાના ઐતિહાસિક સ્થળો જેવા કે ભુજમાં આવેલ આઈના મહેલ, પ્રાગ મહેલ, સ્મૃતિવન, તેમજ ધોળાવીરાના હડપ્પન સંસ્કૃતિના સ્થળની મુલાકાત લેવા પણ ઉત્સુક હોય છે. કાળો ડુંગરનો નયનરમ્ય સૂર્યોદય-સૂર્યાસ્ત અને માંડવીના રમણીય બીચ પણ આ વેકેશનમાં પ્રવાસીઓથી છલકાઈ જશે. રોડ ટુ હેવન પણ બન્યુ આકર્ષણનું કેન્દ્ર : હાલ પાણી ભરાયેલા હોવાથી અનોખો નજારો​​​​​​​દિવાળી વેકેશનમાં કચ્છના સફેદ રણનું એક વિશેષ આકર્ષણ છે ‘રોડ ટુ હેવન’. સફેદ રણ તરફ જતો આ માર્ગ પ્રવાસીઓમાં ભારે લોકપ્રિય છે. જ્યારે દૂર દૂર સુધી માત્ર સફેદ ચાદર જેવું મીઠું પથરાયેલું હોય અને ક્ષિતિજ સુધી વિસ્તરતો રસ્તો દેખાય છે, ત્યારે તે દ્રશ્ય સ્વર્ગ તરફ જતો હોય તેવો અહેસાસ કરાવે છે. વહેલી સવારે સૂર્યોદય સમયે કે રાત્રે પૂર્ણ ચંદ્રની ચાંદનીમાં, આ રસ્તો ફોટોગ્રાફી માટે સ્વર્ગ સમાન છે. આ અદ્ભુત કુદરતી નજારાનો અનુભવ કરવા માટે ખાસ કરીને યુવાનો અને પ્રકૃતિપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. જોકે હાલ અહીં બેથી ત્રણ ફુટ પાણી ભરાયેલા છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 7:34 am

કરંટ લાગ્યો:ઉન પાટિયા નજીક ટેમ્પોમાંથી કરંટ લાગતાં યુવકનું મોત થયું

ઉન પાટીયા નજીક આઈસ્ક્રીમના ટેમ્પોમાંથી કરંટ લાગતા યુવકનું મોત નીપજ્યું હતું. ઉન પાટીયા અલીફ નગર ખાતે રહેતા 22 વર્ષીય શંકર પ્રજાપતી આઈસ્ક્રીમના ટેમ્પોમાં નોકરી કરતા હતા. સોમવારે રાત્રે જમ્યા બાદ ફટાકડા ફોડ્યા પછી તેઓ ટેમ્પો નજીક ગયા હતા. ત્યારે ટેમ્પોમાંથી કોઈક રીતે કરંટ લાગતા બેભાન થઈ ઢળી પડ્યા હતા. જેથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 7:34 am

ગોઝારો અકસ્માત સર્જાયો:પાંડેસરામાં કાર ચાલકે અડફેટમાં લેતા બાઈક સવારે યુવકનું મોત

પાંડેસરામાં બાઈક સવાર યુવકને ઘર નજીક ફોરવ્હીલ ચાલકે અડફેટમાં લઈ લેતા ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નીપજ્યું હતું. પાંડેસરા વિનાયક નગર ખાતે રહેતા 28 વર્ષીય આકાશ ઉલ્લાસ હિંગે ગેરજનું કામ કરતો હતો. સોમવારે રાત્રે ઘર પાસે બાઈક લઈ પસાર થતો હતો. ત્યારે અજાણ્ય ફોરવ્હીલ ચાલકે તેને અડફેટમાં લઈ લીધો હતો અને ભાગી છુટ્યો હતો . ગંભીર રીતે ઘવાયેલા આકાશને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 7:34 am

ધામધૂમપૂર્વક દિવાળીની ઉજવણી:શેરીઓ ગાજી ને આભ ઝળહળ્યું

સોમવારે રાત્રે શહેરભરમાં દિવાળીની ધામધૂમપૂર્વક ઉજવણી થતી જોવા મળી હતી. અઠવાલાઈન્સ, પીપલોદ, વેસુ-VIP રોડ, RTO, પાલ-ગૌરવ પથ, વરાછા, કતારગામ સહિતના વિસ્તારોના મુખ્ય રસ્તાઓ પર સુરતીઓએ મન મૂકીને ફટાકડા ફોડવાની મજા માણી હતી. રાત્રે દસેક વાગ્યાના અરસામાં શરૂ થયેલી આ ઉજવણી મધરાતે 2-3 વાગ્યા સુધી ચાલી હતી. એકતરફ શહેરભરમાં રોશનીનો ઝગમગાટ અને બીજી તરફ ગગનભેદી ફટાકડા અને આતશબાજીની ધણધણાટી વચ્ચે દિવાળીનો માહોલ જામ્યો હતો. 27 ફોટો સેન્ડવીચ કરીને બનાવી આતશબાજીની તસવીરદિવ્ય ભાસ્કરે દિવાળીની આ સતરંગી ઉજવણીને ડ્રોન કેમેરામાં કંડારી હતી. ટેકનિકલ ભાષામાં કહીએ તો, કેમેરાને એક સ્થાને સ્થિર રાખી શટર સ્પીડ ધીમી કરીને કુલ 27 ફોટો ક્લિક કર્યા હતા. એક જ એન્ગલના આ તમામ ફોટોગ્રાફ્સને સેન્ડવીચ કરીને આતશબાજીની આ તસવીર બનાવાઈ હતી.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 7:32 am

અઢી દાયકાથી ગૂંચવાયેલા કેસને રાજ્ય સરકારની મંજૂરી:એરપોર્ટ માટે 25 વર્ષ પહેલાં સંપાદિત થયેલી જમીનોનું વળતર હવે ચૂકવાશે

એરપોર્ટના વિસ્તરણ માટે 25 વર્ષ પહેલાં સંપાદિત થયેલી જમીનના વળતરનો મુદ્દો ઉકેલાઈ ગયો છે. સરકારે આ કેસને મંજૂરી આપી છે. કલેક્ટર કચેરીએ આભવાના જમીન માલિકોને વળતર આપવા આદેશ જારી કર્યો છે. આ જમીન વર્ષો પહેલા એરપોર્ટ રનવે વિસ્તરણ પ્રોજેક્ટ માટે સંપાદિત કરવામાં આવી હતી, પરંતુ તે સમયે જમીન માલિકોને વળતર મળ્યું ન હતું. હવે, મહેસૂલ વિભાગે 24 સપ્ટેમ્બર, 2025 ના રોજ એન્ટ્રી નંબર 5805 હેઠળ આદેશ જારી કર્યો છે, જેમાં સંકળાયેલા ખેડૂતોને વળતર આપવાની પ્રક્રિયા શરૂ કરી છે. કુલ જમીન વિસ્તાર, 27,880 ચોરસ મીટર (આશરે 2.78 હેક્ટર), 14 સર્વે નંબરોનો સમાવેશ કરે છે. આ જમીન “એરપોર્ટ વિસ્તારના બાંધકામ” માટે જરૂરી જાહેર કરવામાં આવી હતી. જમીન વર્ષો પહેલાં એરપોર્ટ ઓથોરિટીને સોંપાઈ હતી, પરંતુ કાયદાની ગૂંચમાં વિલંબ થતાં મામલો પેન્ડિંગ હતો. 2013ના જમીન સંપાદન કાયદા હેઠળ ચૂકવણી કરાશેજમીન માલિકોને હવે 2013ના જમીન સંપાદના નવા કાયદા હેઠળ વળતર ચૂકવવામાં આવશે. આ કાયદામાં બજાર દરે મૂલ્યાંકન, ૧૦૦% સોલેટિયમ (વધારાની રાહત) અને પુનર્વસન લાભોનો સમાવેશ થાય છે, જે ખેડૂતોને પહેલા કરતા અનેક ગણી વધુ લાભ આપશે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 7:30 am

કોઝવેને શનિવારથી ખુલ્લો મૂકવાની સંભાવના:કોઝવેની સપાટી ભયજનક 6 મીટરથી 5.72 મીટર થતાં શનિવારથી ખોલાશે

તાપી નદી પર રાંદેર અને કતારગામને જોડતા વિયર કમ કોઝવેની જળ સપાટી મંગળવારે 5.72 મીટર નોંધાતા પાલિકાએ કૉઝવે પર વાહન વ્યવહાર શરૂ કરવા સફાઇ અને ગ્રીલ બાંધવા સહિતની મેન્ટેનન્સની કામગીરી ચાલુ કરી હતી. કોઝવેને શનિવારથી ખુલ્લો મૂકવાની સંભાવના છે. રાંદેર અને સિંગણપોર વચ્ચે 1995માં નિર્માણ કરાયેલાં વિયર કમ કોઝવેની સપાટી 6 મીટરે પહોંચતાં તકેદારીના ધોરણે કોઝવેને વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો. વાહન વ્યવહારને ચંદ્રશેખર આઝાદ બ્રિજ અને ડભોલી બ્રિજ તરફ વાળવામાં આવ્યો હતો. જો કે, મંગળવારે કોઝવેની સપાટી 5.72 નોંધાતા રોડની સફાઇ અને ગ્રીલ બાંધવાની તૈયારીઓ શરૂ કરી હતી. સંભવતઃ શનિવારથી વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાશે. 25થી 28 ઝાપટાં પડી શકે, ઠંડી માટે રાહ જોવી પડશેશહેરમાં શનિવારથી મંગળવાર સુધી ઝાપટાંની શક્યતા છે. જ્યારે આગામી બે દિવસ વાતાવરણ સામાન્ય રહેશે. ઠંડી માટે શહેરીજનોએ રાહ જોવી પડશે. નવેમ્બરમાં પ્રથમ અથવા બીજા સપ્તાહમાં ઠંડીની અસર શરૂ થશે. હવામાન વિભાગ અનુસાર મંગળવારે શહેરનું મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૬.૩ ડિગ્રી નોંધાયું હતું.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 7:30 am

કચરાનો નિકાલ:રોજના 3000 ટન સામે દિવાળીમાં 3400 ટન કચરો નીકળ્યો

દિવાળીમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે તંત્ર રાતથી જ કામગીરીમાં જોતરાયું હતું. દિવાળી આવતાં જ લોકો ઘરોની અને પરિસરની સફાઈ કરતા હોય છે તેમજ દિવાળીની રાત્રે રસ્તાઓ પર ફટાકડા ફોડી ઉજવણી કરાતી હોય છે, જેને લઈને મોટા પ્રમાણમાં કચરો નીકળતો હોય છે. શહેરમાંથી સામાન્ય દિવસોમાં રોજ સરેરાશ 3000 ટન કચરો નીકળે છે, પરંતુ હાલમાં દિવાળીમાં રોજ 350થી 375 ટન વધારાનો કચરો નીકળી રહ્યો છે. પાલિકાએ કુલ 9 લોડર, 16 ટ્રક, 110 ડોર-ટુ-ડોર કચરા ગાડી, 155 ઈ-વ્હીકલ તથા 1,650 સફાઈ કામદારોને ફરજ પર મુક્યા હતા.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 7:29 am