વલસાડ તાલુકાના કાંજણરણછોડ ગામે ઓરંગા નદીના નવા પુલ નીચેથી ગુરુવારે બપોરે એક 21 વર્ષીય યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પુલ ઉપર બિનવારસી હાલતમાં પડેલી એક એક્ટિવા અને નીચેથી મળેલા મૃતદેહને કારણે આ ઘટના આત્મહત્યા છે કે અન્ય કંઈ, તે અંગે રહસ્ય ઘેરું બન્યું છે. વલસાડ રૂરલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગુરુવારે સવારે 11 વાગ્યાના સુમારે પોલીસ કંટ્રોલને ઓરંગા નદીના પુલ પર એક શંકાસ્પદ એક્ટિવા (GJ-15-BG-1655) અને નીચે મૃતદેહ હોવાની જાણ થઈ હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા પુલના બીજા પિલર પાસે યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. વાહનના રજીસ્ટ્રેશન નંબરના આધારે પોલીસે પરિવારનો સંપર્ક કર્યો હતો. મૃતક યુવતીની ઓળખ અટગામ, કોલવાડ ફળીયા, વલસાડની રહેવાસી નેહાબેન શૈલેષભાઈ પટેલ (ઉ.વ. 21) તરીકે થઈ હતી. મૃતકની માતા સંગીતાબેન પટેલે સ્થળ પર પહોંચી મૃતદેહની ઓળખ કરી હતી. મૃતકની માતા સંગીતાબેને પોલીસને આપેલી પ્રાથમિક વિગતો મુજબ, નેહા છેલ્લા એક વર્ષથી કલવાડાના અરુણકુમાર રાઠોડ સાથે પ્રેમસંબંધમાં હોવાથી તેના ઘરે રહેતી હતી અને વલસાડના એક મેડિકલ સ્ટોરમાં નોકરી કરતી હતી. ઘટનાના આગલા દિવસે (11 ડિસેમ્બર) બપોરે નેહાએ માતાને ફોન કરી ઘરે પરત આવવાની ઈચ્છા વ્યક્ત કરતા માતા તેને ઘરે લઈ આવી હતી. રાત્રે સંગીતાબેન, નેહા અને તેમના પરિચિત કમલભાઈ સાથે સૂતા હતા. રાત્રે 2 વાગ્યે માતાની આંખ ખૂલતાં નેહા પથારીમાં જોવા મળી નહોતી. આસપાસ શોધખોળ કરવા છતાં અને ફોન કરવા છતાં (ફોન રિંગ થતો હતો પણ રિસીવ નહોતો થતો) તેની ભાળ મળી નહોતી. આખરે સવારે પોલીસના ફોન બાદ આ કરુણ ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. નેહા રાત્રે 2 વાગ્યે ઘરેથી કેવી રીતે નીકળી અને પુલ સુધી કોની સાથે પહોંચી તે જાણવા પોલીસે સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેઈલ રેકોર્ડ (CDR) તપાસવાનું શરૂ કર્યું છે. યુવતી એક વર્ષથી પ્રેમી સાથે રહેતી હતી અને અચાનક ઘરે પરત કેમ આવી? શું કોઈ ઝઘડો થયો હતો? તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.
કાર્યવાહી:સુરેન્દ્રનગર એલસીબીએ વસ્તડી પાસેથી દારૂ સાથે 10.55 લાખનો મુદ્દામાલ પકડયો
સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસે દારૂની બદીને ડામવા માટે બુટલેગરો ઉપર નજર રાખીને એક પછી એક જગ્યાએ દરોડા પાડાવામાં આવી રહયા છે ત્યારે વસ્તડી પાસેથી હરીયાણા પાસીંગની કારમાં ગુજરાત ની ખોટી નંબર પ્લેટ લગાવીને દારૂની ખેપ મારવાનો પર્દાફાસ કર્યો હતો.દરોડામાં કુલ રૂ.10.55 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. એલસીબી પીઆઇ વિ.વિ.જાડેજાની સુચનાથી ટીમનો સ્ટાફ લીંબડી નેશનલ હાઇવે ઉપર પેટ્રોલીંગ કરી રહયો હતો ત્યારે વસ્તડી ગામ પાસેથી દારૂ ભરેલી કાર પસાર થવાની હોવાની હકીકત મળી હતી.આથી પોલીસે શંકાસ્પદ કારને અટકાવવાનો પ્રયાસ કરતા ચાલકે કાર વસ્તડી ગામ તરફ મારી મુકી હતી. પોલીસે તેનો પીછો કરતા બુટલેગર કાર મુકીને નાશી ગયા હતા.ગાડીની તપાસ કરતા તેમાંથી જુદી જુદી બ્રાન્ડની કુલ 2020 દારૂના ચપલા મળી આવ્યા હતા.ગાડીના ચેચીસ નંબરની તપાસ કરતા ગાડીનો સાચો નંબર એચ.આર.31 કયુ 4383 હોવાનું ખુલ્યુ હતુ.જયારે ગાડીમાં જી.જે.18 ઇબી 6651 ની નંબર પ્લેટ લગાવવામાં આવી હતી.આટલુ જ નહી પરંતુ કાર માંથી બીજી જીજે 27 સીઆઇ 5283 ની પણ નંબર પ્લેટ મળી આવી હતી.પોલીસે પીછો કરતા બે આરોપીઓ ભાગી ગયા હતા.
લાશ મળી:વઢવાણ બાળા કેનાલ પમ્પીંગ સ્ટેશનમાંથી કોહવાયેલી લાશ મળી
વઢવાણના બાળા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલના પમ્પીંગ સ્ટેશનમાં અજાણ્યા શખ્સની લાશ તરતી હોવાનો કોલથી ફાયર વિભાગને જાણકારી અપાઇ હતી. આથી ફાયર વિભાગ દેવાંગભાઇ દુધરેજીયા સહિત અશોકસિંહ પરમાર, ધર્મરાજસિંહ સગર, ગોવિંદભાઈ મકવાણા, જયદીપસિંહ ડોડીયા સહિતની ટીમે કેનાલમાં એકકલાકની શોધખોળ બાદ એક મૃતદેહ બહાર કાઢી હતી. આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી. અને ઓળખ હાથ ધરવામાં આવતા આ વ્યક્તી મધ્યમ વયની આશરે જીન્સ ટીસર્ટ આખી બાયનુ ટીશર્ટ પહેરેલ હતુ. આથી પોલીસે મૃતકનો મૃતદેહ ગાંધી હોસ્પીટલ મોકલી આપી મૃતકના વાલી વારસીની તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગરમાં ગંદકી અને રોગચાળાનો ભય:વોર્ડ 9, બક્ષીનગરના રહીશોમાં રોષ
સુરેન્દ્રનગર વોર્ડનં.9ના બક્ષીનગરમાં પ્રાથમિક સુવિધાના અભાવે રહીશો પરેશાન છે.ગંદકીથી રોગચાળાનો ભય હોવાથી આથી મનપા કચેરીએ ધસી જઇ લેખિત રજૂઆત સાથે સુવિધાની માંગ કરી હતી. સુરેન્દ્રનગર મહાનગર પાલિકા વોર્ડ નં.9 ના રહીશોની ઘણા સમયથી પ્રાથમિક સુવિધા ન મળતા મુશ્કેલી થઇ રહી હતી.આથી શહેર કોંગ્રેસપ્રમુખ મહેન્દ્રભાઇ પરમાર, ભક્તીનગરના મહેન્દ્દ્રભાઇ દવે સહિત રહીશોએ મનપા કચેરીએ લેખિત રજૂઆત કરી હતી .જેમાં જણાવ્ય મુજબ કિરીટભાઇના ઘરથી બાયપાસ રોડ સુધીનો રસ્તો તદન ખાડા વાળો અને બિસ્માર હોવાથી ત્યાંથી રહીશો પસાર નથી થઇ શકતા વૃધ્ધોને પડી જવાનો ભય રહે છે.આથી રસ્તો તાત્કાલીક બનાવવા તથા વિસ્તારમાં રાત્રીના સમયે સ્ટ્રીટ લાઇટો બંધ રહે છે છુટક એકાદ બે ચાલુ છે બાકી છેક બાયપાસ સુધીનો રસ્તો બિલકુલ અંધારાપટ રહે છે.
ભાસ્કર ઈનસાઈડ:સુરેન્દ્રનગર મનપાનું જુનુ બિલ્ડીંગ જર્જરીત છતા 4 કચેરીઓનો સ્ટાફ બેસવા મજબૂર
સુરેન્દ્રનગર મહાનગર પાલિકા થતાને સાથે જ જુદા જુદા ખાતાઓ અસ્તીત્વમાં આવી ગયા છે. મનપાએ તેના માટે અંદાજ 400 થી વધુ લોકોના સ્ટાફની પણ ભરતી કરી છે. પરંતુ સ્ટાફને બેસવા માટે હજુ પુરતી વ્યવસ્થા નથી અને આથી જ એક ઓફિસમાં બે થી વધુ વિભાગનો સ્ટાફ બેસે છે.આવા સમયે પહેલા જયા નગરપાલિકા બેસતી હતી તે જૂનુ બિલ્ડીંગ જર્જરીત હોવા છતા આજે પણ મનપાની ચાર કચેરીનો સ્ટાફ આવા જોખમી બિલ્ડીંગમાં બેસીને કામ કરી રહયો છે. સુરેન્દ્રનગર નગરપાલિકા બેસતી હતી તે બિલ્ડીંગ બે માળનુ છે. 17 ફેબ્રુઆરી 2004ના વર્ષમાં તેને બનાવવામાં આવ્યુ હતુ. જેમાં નગરપાલીકાના સમયમાં તમામ ખાતા અને પ્રમુખ સહિતના ચેરમેનો આ બિલ્ડીંગમાં બેસીને નગરપાલિકાનો વહિવટ કરતા હતા. પરંતુ વર્ષો જુના આ બિલ્ડીંગની હાલત હાલ ખરાબ થઇ ગઇ છે. છત સહિતના ભાગ માંથી પોટડા ખરાવ લાગ્યા છે અને સળીયા પણ દેખાઇ રહયા છે. આમ આ બિલ્ડીંગ જોખમી હોવા છતા તેમાં સર્વેયર, યુસીડી, સ્ટોર તથા ચૂંટણી એમ કુલ ચાર શાખાનો સ્ટાફ બેસીને જીવના જોખમે કામ કરી રહયો છે. જેમાં બાજુમાં આવેલા બિલ્ડીંગની હાલત થોડી સારી છે. પરંતુ પ્રવેશતા શરૂ થતા બિલ્ડીંગની હાલત ખંડેર બની ગઇ છે. તેને પાડવા માટેનો ઠરાવ થયો હતો. પરંતુ હજુ સુધી જોખમી બિલ્ડીંગ પાડવામાં આવ્યુ નથી. આ બિલ્ડીંગ પાડવા માટે 2021માં ઠરાવ કરવામાં આવ્યો હતો પાલિકાની બોડીએ આ બિલ્ડીંગને પાડી દેવા માટે 2021માં ઠરાવ કરવામાં આવ્યો હતો. જો નવી સરકારની ગ્રાન્ટ આવે તો આ બિલ્ડીંગ બનાવી શકાય. બાજુમાં નવુ બિલ્ડીંગ બનાવવામાં આવતા જૂના પાલિકાને નવુ બિલ્ડીંગ મળી ગયુ હતુ. પરંતુ જુનુ બિલ્ડીંગ હજુ સુધી પાડવામાં આવ્યુ નથી.
સુરેન્દ્રનગર શહેરમાં મનપાનું ચેકિંગ:ખાણી પીણીના 15 વેપારીઓને ત્યા સેમ્પલ લીધા
સુરેન્દ્રનગર મહાનગર પાલિકા બન્યા બાદ પહેલીવાર શહેરમાં ખાણીપીથીની દુકાનોમાં આરોગ્ય વિભાગની ટીમે ચેકિંગ કર્યુ હતુ. શહેમાં અનેક જગ્યાએ લોકોને વાસી ખોરાકનું વેચાણ કરવામાં આવતુ હોવાની ફરિયાદને લઇને કરવામાં આવેલા ચેકિંગમાં 15 જગ્યાએથી સેમ્પલ લેવામાં આવ્યા છે. આ અભિયાન દરમિયાન શહેરના અલગ-અલગ વિસ્તારોમાં હાથ ધરવાં આવ્યુ હતુ.જેમા મયંક નાસ્તા હાઉસ, પતરાવાડી, ચામુંડા ભેળ સેન્ટર, કે લાલ દાબેલી એન્ડ ફાસ્ટ ફૂડ, ખોડીયાર છોલે ભટુરે, અન્નપૂર્ણા ભેળ પકોડી અને આસ્તા ફૂડ એન્ડ કોલ્ડ્રીંક્સ સહિતની જગ્યાએ તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ભજીયા, બેસન, પાણીપુરીનું પાણી, મસાલા સિંગ, સબ્જી, સેવ, ફુદીનાની ગાંઠિયા, ખમણ સહિત વિવિધ ખાદ્ય પદાર્થોના કુલ 15 નમૂના જેટલા ફૂડ સેફ્ટી લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.તેનો રીપોર્ટ આવ્યા બાદ નમુના ફેલ થશે તે વેપારી સામે કાર્યવાહી કરવામાં આવશે. ફુડ વિભાગને સાથે રાખીને મનપાની ટીમે કાર્યવાહી કરી આરોગ્યની ટીમે કામગીરી કરી સુરેન્દ્રનગર મહાનગર પાલિકા બની ગયાને 9 મહિના જેટલો સમય થઇ ગયો છે. સ્ટાફની ભરતી ઘણા વિભાગો ચાલુ કર્યા છે. જેમાં ફુડ વિભાગ અને તેના મહેકમ માટે ગાધીનગરથી મંજુરી મળી નથી. આથી મનપાની આરોગ્ય વિભાગની ટીમે ફુડ વિભાગને સાથે રાખી દરોડા કર્યા હતા. તેનુ ટેસ્ટીંગ પણ ફુડ વિભાગ કરાવશે.
ભાસ્કર બ્રેકિંગ:હવે ફુલગ્રામથી પાણી ફિલ્ટર કરી 229 ગામના 8.12 લાખ લોકોને પહોંચાડાશે
વિપુલ જોષી સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ નર્મદાના નીરથી છલોછલ ભરેલો રાખવામાં આવે છે.અને અહિયાથી છેક સૌરાષ્ટ્ર તથા કચ્છ સુધી પાણી પહોચાડવામાં આવે છે.પરંતુ મૂળી, સાયલા,ચોટીલા, વઢવાણ અને થાન સહિતના ગામો તલાળ કાઢે તરસ્યા રહેતા હોવાનો ઘાટ સર્જાયો હતો. પરંતુ હવે 229 ગામને ફુલગ્રામથી પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડાશે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા, થાન, સાયલા, મૂળીમાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડાય છે. આ ગામના લોકોની તરસ છીપાવવા માટે સરકારે રૂ.100.11 કરોડની યોજના અમલી બનાવી હતી. વર્ષ 2022માં કામ શરૂ કરાયું હતું. જેમાં ફુલગ્રામ પાસે 2 કરોડ લીટરની ક્ષમતાનો સમ્પ બનાવાયો છે. 90 એમએલડીની ક્ષમતા વાળો ફિલ્ટર પ્લાન્ટ પણ છે. ધોળીધજા ડેમથી 1299 એમએમની 27 કિમીની ફુલગ્રામ સુધી પાણીની લાઇન નાખવામાં આવી છે. ડેમના પાણીથી સમ્પ ભરેલો રાખીને પાણી ફિલ્ટર કરવામાં આવશે. તા.14.11.25ના દિવસે કામ પુર્ણ થતાં ટેસ્ટીંગ પણ કરાયું હતું. ફિલ્ટર કરેલુ નર્મદાનું પાણી જ આ 229 ગામના લોકોને વિતરણ કરાશે. અહીયાથી દરરોજ 100 એ મએલડી પાણી વિતરણ કરાશે. જેમાં મહત્વની બાબત એ છે કે, ગામડાઓની સાથે ખાસ કરીને થાન અને ચોટીલા શહેરની જનતાને પણ ફુલગ્રામથી પાણી સપ્લાય કરાશે. અંદાજે કુલ 8.12 લાખ લોકોને અહીયાથી પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડાશે. નાયબ દંડક જગદીશભાઇ મકવાણાએ જણાવ્યુ કે, તમામ કામગીરી પુર્ણ થઇ ગઇ છે. થોડા દિવસોમાં જ આ સંપનું ઓપનીંગ કરીને ગામડાઓ સુધી પાણી પહોંચાડાશે. કયા તાલુકાના કેટલા ગામને પાણી મળશે વઢવાણ તાલુકાના 8 ગામ, થાનના 26, સાયલાના 70, મૂ ળીના 41,ચોટીલાના 82,વાકાનેરનું 1,વિછીયાનું 1 અને થાન ચોટીલા શહેરની જનતાને આ પાણીનો લાભ મળશે.
ગ્રાઉન્ડ રિપોર્ટ:RTOનો U ટર્ન : ચોકના નિશાને ટેસ્ટ, લાયસન્સ માટે 6 માસનું વેઇટિંગ
સેતુગીરી ગોસ્વામીસુરેન્દ્રનગર બહુમાળી ભવનમાં કાર્યરત RTO કચેરીમાં ભાસ્કરની ટીમ દ્વારા અરજદારોને પડતી મુશ્કેલીઓ અંગે ગ્રાઉન્ડ રિપોર્ટ કરાયો હતો. જેમાં વાર્ષિક 20 કરોડથી વધુની આવક છતાં અેઆઇ બેઝડ ટ્રેકના બદલે અહીં હાથથી ચુનાના ચક્કરડા દોરીને ટેસ્ટ ડ્રાઇવ કરાવાય છે. તે પણ પતરાના શેડની કામચલાઉ રીતે બનાવવામાં આવ્યો છે. તેમાં પીલર સાવ જર્જરિત હોવાથી અરજદાર ભૂલથી કાર અથડાવે તો નીચે ઉભેલા તમામનો જીવ જોખમમમાં મૂકાઇ શકે છે. નવી કચેરી બનાવવા નાનાં કેરાળા ગામ પાસે દોઢ વર્ષ પહેલા જમીન મંજૂર થઈ છે પણ હજુ એકાદ વર્ષ સુધી નવી કચેરી શરૂ થાય તેવા કોઈ એંધાણ નથી. લર્નિંગ લાઇસન્સ આવ્યા પછી 6 મહિનામાં કાયમી લાયસન્સ મેળવવાનું હોય છે પરંતુ માત્ર 140નો જ સ્લોટ હોવાથી અમૂક ટીનેજરે તો 8 મહિનાથી રાહ જોઇ રહ્યાં છે. આથી ફરી લર્નિંગ રીન્યુ કરવું પડ્યું છે . 100થી વધુ એજન્ટો માટે ટેબલ ખુરશીની વ્યવસ્થાકચેરીથી 300 મીટરની ત્રિજ્યા બહાર એજન્ટોને બેસવાના નિયમનો અહીં ખુલ્લેઆમ ભંગ થતો હોય તેમ એજન્ટો માટે પતરાના શેડ છે અને 100 મીટરના અંતરે કચેરીના મેદાનમાં જ 100થી વધુ એજન્ટો માટે ટેબલ ખુરશીની વ્યવસ્થા કરાઈ છે. તો કચેરીમાં અરજદારો માટે બેસવાની કોઈ વ્યવસ્થા નથી અને આમ અરજદારો કરતા એજન્ટોને વધુ સગવડ હોય તેવા દ્રશ્ય છે. નાના કેરાળામાં પહેલાં નવો ટ્રેક પછી બિલ્ડિંગ બનશેનાના કેરાળા ગામ પાસે નવી જગ્યા પર કચેરી બનાવવા માટે આર.એન્ડ.બી. માં ફાઈલ છે. ટેન્ડરિંગ પ્રકિયા થાય એટલે તરત આવતા થોડા મહિનામાં નવી જગ્યા પર પહેલા ટ્રેક બનશે પછી બિલ્ડીંગ બનશે. એક દિવસમાં 140 અરજદારો ના સ્લોટ છે ઉપર થી નક્કી થાય છે. સ્લોટ વધે તે માટે અમે પણ પ્રયત્નશીલ છીએ. > એમ.આર પરમાર, આરટીઓ અધિકારી
શૈક્ષણિક સામગ્રીનો અભાવ:નાંદોદના પ્રાંત અધિકારી તથા સ્ટાફે ડૂંડાખાલના 48 બાળકોને મદદ કરી
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા આઇએએસ અધિકારી ગરૂડેશ્વર તાલુકાના ડૂંડાખાલ ગામની મુલાકાતે ગયાં હતાં. તેમને જાણવા મળ્યું કે, ગરીબીના કારણે બાળકો પાસે દફતર જ નથી. આ સાંભળી તેમણે પોતાના તથા સ્ટાફના પગારમાંથી દફતર સહિતની શૈક્ષણિક સામગ્રીની ખરીદી કરી શાળાના બાળકોને પૂરી પાડી હતી. શાળાના 48 બાળકોને દફતર સહિતની શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગામમાં માળખાકીય સુવિધાઓ ઉભી કરવા માટે એટીવીટીમાંથી તાત્કાલિક અસરથી 20 લાખની ગ્રાંટ મંજૂર કરવામાં આવી છે. રાજપીપળામાં પ્રાંત અધિકારી તરીકે આઇએએસ અધિકારી પ્રસનજીત કૌરની નિયુકતિ કરવામાં આવી છે. તેઓ 16મી ઓકટોબરના રોજ ગરુડેશ્વર તાલુકાના અંતરિયાળ એવા ડૂંડાખાલગામની દફતર તપાસણી માટે ગયા હતા. આ મુલાકાત દરમિયાન શાળાના શિક્ષક તરફથી રજુઆત કરવામાં આવેલ છે કે અમારી શાળામાં આવતાં વિધાર્થીઓ પાસે સ્કુલ યુનિફોર્મ, દફતર તથા અન્ય શિક્ષણને લગત સાધન સામગ્રી ન હોઈ શૈક્ષણિક કાર્ય કરવાની તકલીફ પડે છે. ગ્રામજનોએ પણ લોકો નદીમાંથી પસાર થતાં હોવાથી નાળુ બનાવવાની, સંરક્ષણ દિવાલ અને રસ્તો બનાવવા સહિતની રજૂઆતો કરી હતી. ગામની મુલાકાત બાદ એસડીએમએ રાજપીપળા પ્રાંંત કચેરીના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં ગામના વિકાસ માટે એટીવીટી યોજના અંતર્ગત તાત્કાલિક ગ્રાંન્ટ ફાળવણી કરી કામગીરી શરૂ કરાવી હતી. આ ઉપરાંત પ્રાંત કચેરીના સ્ટાફ અને મદદનીશ કલેકટર તરફથી પગારની રકમ ખર્ચીને બાળકોની માંગણી મુજબ સ્કુલ યુનિફોર્મ, દફતર, ચોપડા સહિતની સામગ્રી આપવામાં આવી હતી. આ ઉપરાંત શાળામાં તિથિ ભોજન પણ રાખવામાં આવ્યું હતું. મહિલા અધિકારીની કામગીરીને ગ્રામજનોએ બિરદાવી હતી. એસડીએમ તથા સ્ટાફે અમુક રકમ એકત્ર કરી 48 જેટલા બાળકોને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગામમાં વિકાસકામો કરવા માટે એટીવીટીમાંથી રૂા.20 લાખની ગ્રાંટની ફાળવણી કરવામાં આવી હતી.
આમને-સામને:સાંસદ આક્ષેપો સાબિત નહિ કરે તો માનહાનિનો દાવો કરીશ, હવે ચૂપ નહી બેસુ : દર્શના દેશમુખ
નર્મદા ભાજપમાં એક સાંધે ને તેર તૂટે જેવા ઘાટ હાલ સર્જાઈ રહ્યા છે. એક બે નહીં ત્રણ ચાર ફાંટા પડ્યા હોય એક નનામી પત્રિકા ને લઈને હાલમાં જેલમાં સામસામે આક્ષેપ પ્રતિ આક્ષેપો ચાલી રહ્યા છે. થોડા દિવસો પહેલા ભરૂચના સિનિયર સાંસદ મનસુખ વસાવા દ્વારા ભ્રષ્ટાચાર મામલે કરવામાં આવેલા આક્ષેપો બાદ નાંદોદના ભાજપના જ ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે આજે મૌન તોડીને સાંસદ સામે ગંભીર પડકાર ફેંક્યો છે. મનસુખ વસાવાએ તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં નનામા પત્રના આધારે આડકતરી રીતે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતાં જેના જવાબમાં ડૉ. દર્શના દેશમુખે સાંસદને કાં તો ભ્રષ્ટાચાર સાબિત કરવા અથવા માનહાનિના દાવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે. સાંસદે કહયું હતું : ધારાસભ્યની ચૈતર વસાવા સાથે સાંઠગાઠ છે સાંસદ મનસુખ વસાવાએ 7 ડિસેમ્બરના રોજ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે નર્મદા જિલ્લાના રાજકીય નેતાઓ અને વહીવટી તંત્રમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. જોકે, તેમણે ભ્રષ્ટાચાર કરનાર કોઈ પણ નેતાનું નામ જાહેર કર્યું ન હતું. પરંતુ દર્શનાબેનનો દાવો છે કે મનસુખ વસાવાએ આડકતરી રીતે એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેમના એટલે કે ડૉ. દર્શનાબેન દેશમુખની આમ આદમી પાર્ટી (AAP)ના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે સાંઠગાંઠ છે. ધારાસભ્યએ કહયું : મૌન તોડયા સિવાય કોઇ રસ્તો ન હતો આમને સામનેનાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખે જણાવ્યું હતું કે, મનસુખ વસાવા કહી રહ્યા છે કે મારી અને ચૈતર વસાવા સાથે સાંઠગાંઠ છે, પણ હું તેમને કહેવા માગું છું કે તેમને તો ચૈતર વસાવા સાથે ઘરના સંબંધ છે, મારે તો નાહવા-નિચોવાને કોઈ સંબંધ નથી.ભ્રષ્ટાચારની વાત છે, તો મનસુખ વસાવા તે સાબિત કરે, નહીં તો હું તેમની સામે માનહાનીનો દાવો કરીશ. કોર્ટમાં જવાનું હશે તો હું ચોક્કસ જઈશ. તેઓ મનસુખ વસાવા સામે ધરણા પર બેસવાના હતા પરંતુ પ્રદેશ ભાજપમાંથી સૂચના મળતા તેમણે આ કાર્યક્રમ રદ કર્યો છે.આ સમગ્ર મામલે પ્રદેશ સ્તરે રજૂઆત કરી છે અને હવે તેઓ મૌન નહીં રહે. કેટલાય સમયથી મૌન હતી, પણ આવા વાણી-વિલાસને કારણે મારે આજે મૌન તોડવું પડ્યું છે.
નારી મેળો:ભરૂચમાં 100 સ્ટોલ સાથે સશકત નારી મેળો યોજાશે
ભરૂચ જિલ્લામાં 19 થી 21 ડિસેમ્બર દરમિયાન હોસ્ટેલ ગ્રાઉન્ડમાં સશક્ત નારી મેળા નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાની મહિલાઓના આર્થિક અને સામાજિક યોગદાન ને ઉજાગર કરી સ્વદેશી ચીજ વસ્તુઓના ઉત્પાદનોના માર્કેટ પુરા પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 100 જેટલી સ્ટોલ નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મુખ્યત્વે હસ્તકલા, મીલેટ પ્રોડક્ટ, ફૂડ પ્રોસેસિંગ પ્રાકૃતિક ઉત્પાદનો સહિતના સ્ટોલ સાથે ડેમો અને વેચાણ કરવામાં આવશે. ઉપરાંત સ્કૂલો, કોલેજના વિદ્યાર્થીઓ તેમજ જાહેર જનતા માટે માટે વકતૃત્વ સ્પર્ધા, નારી સશક્તિકરણ, સ્વદેશી અપનાવો અને આત્મનિર્ભર ભારતની થીમ ઉપર આયોજન કરવામાં આવ્યું છે.
મનરેગા યોજનામાં 7.30 કરોડનું કૌભાંડ:હિરા જોટવા અને તેના પુત્રના શરતી જામીન રદ કરી દેવાયા
આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકામાં મનરેગા યોજનાના કામોમાં 7.30 કરોડના કૌભાંડમાં કોંગ્રેસના નેતા હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવાના શરતી જામીન ભરૂચની કોર્ટે રદ કરી દીધાં છે. પિતા અને પુત્રને અપાયેલા શરતી જામીન સામે સરકારી વકીલે અરજી કરી હતી. જેની સુનાવણી બાદ કોર્ટે શરતી જામીન રદ કરી બંનેને આજે શનિવારે 11 વાગ્યા સુધીમાં હાજર થવા આદેશ કર્યો છે. મનરેગા યોજના હેઠળ મશીનરીથી કામો કરાવી તથા ખોટા કામો બતાવી 7.30 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું હતું. આ પ્રકરણમાં કોંગ્રેસના નેતા હીરા જોટવા, તેમના દીકરા દિગ્વિજય સહિતના આરોપીઓ સામે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.હિરા જોટવા અને તેના પુત્ર દિગ્વિજયના ગત 24 સપ્ટેમ્બરના રોજ શરતી જામીન મંજૂર થયાં હતાં. ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટે તેમના જામીન અરજી મંજૂર કરી હતી. જેની સામે તપાસ અધિકારીએ કોર્ટમાં જામીન અરજી નામંજૂર કરવા માટે કાર્યવાહી કરી હતી. આ અરજીની સુનાવણી ભરૂચના પાંચમાં એડિશન સેસન્સ જજની કોર્ટમાં ચાલી હતી. જેમાં અદાલતે બન્ને પક્ષની દલીલોને ગ્રાહ્ય રાખી નોંધ્યુ હતું કે, ચીફ જયુડિશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટ દ્વારા ગત 24 સપ્ટેમ્બરના રોજ આરોપી હિરા જોટવા અને તેના પુત્રને શરતોને આધિન જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો હતો. તે હુકમ ગુનાની ગંભીરતા, પ્રાઈમાફેસી કેસ, આરોપીનું સ્ટેટસ ધ્યાને લઈ સાહેદોને લોભ વાલચ આપી તોડવા ફોડવાની શકયાતા છે. તેમજ મટીરીયલ ફેંકટસ તથા સમાજ પર પડનાર અસરને ધ્યાને લીધાં વીના કરવામાં આવ્યો છે. તેવું પ્રાથમિક દ્રષ્ટીએ સ્પષ્ટ થાય છે. વધુમાં તેમણે ટાંકયું હતું કે, એફઆઈઆરના ગ્રાઉન્ડ પર ચીફ કોર્ટે તેમજ સેસન્સ કોર્ટે આરોપીની જામીન અરજીઓ નામંજુર કરી છે. તેમજ આરોપીઓ હાઈકોર્ટમાંથી પણ જામીન અરજી વિડો કરી છે. એટલે હાઈકોર્ટે પણ આરોપીને જામીન આપ્યા નથી. ત્યારે માત્ર ચાજશીટ રજૂ થયાં બાદ પિતા - પુત્રને જામીન આપતો હુકમ કરવામાં આવ્યો હોઈ બીએનએસએસની કલમ 483 (3) મુજબ તે હુકમ રદ કરાયો છે.
ભાસ્કર ઈનસાઈડ:ભરૂચ અને ત્રાલસામાં ચોરી કરનાર 2 સિકલીગર ઝડપાયા
ભરૂચ એલસીબીની ટીમે ઘરફોડ ચોરી કરતાં બે સિકલીગરને ઝડપી પાડયાં છે. નવેમ્બર ના પ્રથમ અઠવાડિયામાં ત્રાલસા ગામે રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ બંધ મકાનનો નકુચો તોડી સોના-ચાંદીના દાગીનાં અને રોકડ મળીને રૂ.1,87,500ની ચોરી કરી હતી. જેની તપાસ દરમિયાન એલસીબીના પીએસઆઇ દિપસિંહ તુવરને આ ચોરીમાં સંડોવાયેલા બે શખ્સ જસબીરસિંહ ટાંક અને તેજીન્દરસિંહ સરદાર ભરૂચથી દહેજ તરફ યુનીકોન બાઇક પર જઈ રહ્યા છે. જેથી ભરૂચ-દહેજ રોડ પર એક્સપ્રેસવે નીચે વોચ ગોઠવતા બાતમીવાળી બાઇક સાથે બંને શખ્સો ઝડપાઈ ગયા હતા. તેમની તપાસ કરતાં ચાંદીનો ઝુડો અને રોકડ મળી આવ્યો હતો. બંનેની સઘન પુછપરછ દરમિયાન બંને શખ્સોએ ત્રાલસા ગામની ચોરી સહિત ઓગસ્ટ 2025માં ભરૂચ શહેરની હિતેષનગર સોસાયટીમાં કરેલી બીજી ઘરફોડ ચોરીની કબૂલાત કરી હતી. બંને આરોપીઓને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવ્યા છે. બંને આરોપીઓ રાત્રિના સમયે બાઇક લઇને નીકળતાં હતાં અને બંધ મકાન દેખાય તો તેનું તાળુ ડીસમીસથી તોડી નાખતા હતાં. ઘરમાંથી ચોરી કરી મુદ્દામાલ સરખા ભાગે વહેંચી લેતાં હતાં. ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ તરફથી અવાર નવાર ચોરી સહિતના ગુના શોધવાની કામગીરી કરી રહી છે. બંને ઇસમો અગાઉ સગાંઓ સાથે રહી ચોરી કરતા હતા બંને ઇસમો માસીયાઈ ભાઈઓ છે અને અગાઉ સગાંઓ સાથે રહી ચોરી કરતા હતા. જસબીરસિંહ ટાંક હૈદરાબાદ રાજ્યના કામારેડી જિલ્લાના બે પોલીસ સ્ટેશનોમાં વર્ષ 2024ની ત્રણ ઘરફોડ ચોરીમાં વોન્ટેડ છે. ભરૂચ વિસ્તારની જાણકારી હોવાને કારણે અહીં ચોરીને ટાર્ગેટ કરતા હોવાનું જણાવ્યું હતું જાણવા મળ્યું છે.
માર માર્યો:રાજુપુરામાં ખાણ ખનિજ વિભાગે સીઝ કરેલા વાહનો જોવા જતા માર માર્યો
આણંદ પાસેના વાસદ ગામ સ્થિત ડાકોર રોડ ઉપર ઉદય ટ્રેડર્સ પાસે ખાણખનીજ વિભાગની ટીમ દ્વારા સીઝ કરીને મૂકવામાં આવેલા વાહનો જોવા ગયેલા યુવકને ચાર શખસોએ માર મારતા સમગ્ર મામલો વાસદ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે ચારેય વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વાસદ ડાકોર રોડ ઉપર આવેલ ઉદય ટ્રેડર્સ પાસે ખાણ ખનીજ વિભાગની ટીમે મીઠાભાઈ ભરવાડના ડમ્પર અને હીટાચી મશીન જપ્ત કરીને મુક્યા હતા. ગુરુવારે રાત્રે મીઠાભાઈના મિત્ર દીપભાઈ પ્રફુલભાઈ પટેલ જપ્ત કરેલા વાહનોમાંથી ડીઝલ અને બેટરી ચોરી થયાની શંકા જતા જોવા માટે ગયા હતા. આ વખતે સ્થળ પર હાજર રાજુ સુરેશ પરમારે ગમે તેમ અપશબ્દ બોલી અમારી જગ્યામાં કેમ આવ્યા તેમ કહી લાફા મારી દીધા હતા. અને રાજુભાઈનું ઉપરાણું લઈને પવન પરમાર, પૃથ્વીરાજ અને પ્રયાગરાજ આવી ગયા હતા અને તેને માર માર્યો હતો. જેમાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી. આ મામલે વાસદ પોલીસે ચારેય વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
મંદિરમાં ચોરી:લુણેજ વડુચીમાતા મંદિરના ગર્ભ ગૃહના તાળા તોડી 67 હજારની ચોરી
ખંભાત તાલુકાના લુણેજ ગામનું વડુચી માતાજીનું મંદિર સમસ્ત ગામ અને આસપાસના વિસ્તારોના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. મંદિરમાં જયપાલભાઈ પ્રહલાદભાઈ જોષી છેલ્લા 22 વર્ષથી મંદિરના પૂજારી તરીકે સેવા આપે છે અને તેઓ પરિવાર સાથે મંદિરના કમ્પાઉન્ડમાં આવેલી એક રૂમમાં રહે છે. ગત રાત્રિના સમયે કેટલાક તસ્કરો મંદિરમાં ઘૂસ્યા હતા. તેઓએ ગર્ભગૃહના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને માતાજીની મૂર્તિઓને પહેરાવેલા સોના-ચાંદીના આભૂષણોની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. સવારે 6 વાગ્યે પૂજા કરવા જાગેલા પૂજારી જયપાલભાઈને તેમની માતાએ મંદિરનું તાળું તૂટેલું હોવાની જાણ કરી હતી. તપાસ કરતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. મંદિરમાં સીસીટીવી કેમેરા ન હોવાથી, પોલીસે ડોગ સ્ક્વૉડ અને એફએસએલની મદદથી તસ્કરોને પકડવાની કવાયત તેજ કરી છે. મંદિરમાંથી કુલ 67,500 રૂપિયાના આભૂષણો ચોરાયા છે. જેમાં 5750 ગ્રામ વજનના ચાંદીના આભૂષણો તથા 5 ગ્રામ સોનાના આભૂષણોનો સમાવેશ થાય છે.
દારૂનો મોટો જથ્થો પકડાયો:સામરખા પાસેથી 50.91 લાખના વિદેશી દારૂ સાથે ટ્રક ડ્રાઈવર-ક્લીનર ઝડપાયા
આણંદ પાસેના સામરખા પાસેથી ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને 50.91 લાખના વિદેશી દારૂ સાથે ટ્રક ડ્રાઈવર અને ક્લીનરને ઝડપી પાડ્યા હતા. પ્લાયવુડની સીટ અને પ્લાસ્ટીકની કોથળીની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા હતા. પોલીસે આ અંગે રૂા. 79.89 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. ભાલેજથી સામરખા તરફ જતા સામરખા ગામની એપેક્ષ હોટલની સામે એક ટ્રકમાં વિદેશી દારૂ ભર્યો હોવાની ચોક્કસ બાતમી ગાંધીનગર સ્થિત એસએમસીની ટીમને મળી હતી. જેને પગલે પોલીસની એક ટીમ તુરંત જ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ટ્રકની તપાસ કરી હતી. ત્યાં હાજર ટ્રક ડ્રાઈવર અને ક્લીનરને તેમના નામ-ઠામની પૂછપરછ કરતા ડ્રાઈવર ઝીનકાન ઉર્ફે અમિતકુમાર વર્મા અને તે દિલ્હીનો રહેવાસી હોવાનું જ્યારે ક્લીનર ખીયારામ મંગારામ જાટ અને તે રાજસ્થાનનો હોવાનું ખૂલ્યું હતું. પોલીસની પૂછપરછમાં ટ્રકમાં પ્લાયવુડની સીટ ભરેલી હોવાનું જણાવ્યું હતું. તેઓએ બિલ્ટી પણ રજૂ કરી હતી. પોલીસે બાતમીના આધારે ટ્રકની પાછળની સાઈડે તપાસ કરતા પ્લાયવુડની સીટ અને સફેદ પ્લાસ્ટીકની કોથળીઓની આડમાં વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. જે અંગે પૂછપરછ કરતા તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. પોલીસે તેની ગણતરી કરતા કુલ 50.91 લાખની મતાનો 1044 નંગ વિદેશી દારૂ હતો. પોલીસે રોકડા, ટ્રક અને દારૂ મળી કુલ રૂપિયા 79.89 લાખનો મુદ્દામાલ કબજે કરી બંનેની પૂછપરછ કરતા પ્લાયવુડની સીટ જયપુરના કાલાડેરા ખાતેથી ભરી હતી અને ત્યાં દિપુ નામના શખસે ગાડીમાં વિદેશી દારૂ ભરી આપ્યો હતો. વડોદરા ખાતે દારૂ ડિલીવર કરવાનું જણાવ્યું હતું. જેમાં તેણે તે શખસનો નંબર આપ્યો હતો. પોલીસે આ મામલે બંનેની ધરપકડ કરી ચારેય વિરૂદ્ધ ગુનો નોંધી અન્ય બે વોન્ટેડને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
પાણી માટે રઝળપાટ:કરમસદ બે પાણીની ટાંકીનું સાથે સમારકામ શરૂ કરાતાં ત્રણ દિવસથી પાણીનો કકળાટ
કરસમદ આણંદ મનપા દ્વારા કરમસદ ગામમાં વર્ષોજૂની બે પીવાના પાણી ટાંકીની કંટાઇ ગયેલી લોખંડની પાઇપ લાઇનો બદલાની કામગીરી છેલ્લા ત્રણ દિવસથી હાથ ધરવામાં આવી હતી. જેના કારણે શહેરની 30 હજારથી વસ્તીને ધીમા ફોર્સથી પાણી મળતું હોવાથી ગૃહિણીઓને ભારે હાલાકીઓનો સામનો કરવો પડયો હતો. જેથી જે સોસાયટીઓમાં બોરની વ્યવસ્થા હતી. ત્યાંથી પાણી ભરી લાવવા માટે દોડધામ કરવી પડતી હોવાથી ભારે રોષ જોવા મળી રહ્યો છે. મનપાએ એક પછી એક પાણીની ટાંકીનું સમારકામ કર્યું હોત તો આ સમસ્યા ઉભી ન થતાં તેમ નગરજનોએ જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર કરમસદ પાલિકા શાસન વખતે 3 દાયકા અગાઉ પીવાના પાણી ટાંકી સોજિત્રા રોડને અડીને આવેલા પ્લોટમાં બનાવવામાં આવી હતી.જે વાતને વર્ષો થઇ જતાં પીવાના પાણી ટાંકી સાથે જોડાણ આપેલી લોખંડી પાઇપ લાઇન કંટાઇ ગઇ હતી. જેથી ટાંકી ભરવા માટે ઘણો સમય જતો હતો. જેના કારણે વીજળીનો વેડફાટ થતો હતો. તેમજ પાઇપ લાઇનો લીકેજ હોઈ કેટલાંક વિસ્તારમાં પુરતા ફોર્સથી પાણી મળતું ન હતું તેને ધ્યાને લઇને મનપાએ તાત્કાલિક બંને ટાંકીની પાઇપ લાઇન બદલવા માટે કામ ત્રણ દિવસ અગાઉ હાથ ધર્યું હતું. જેના કારણે નગરજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. ત્રણ દિવસથી પાણી ધીમુ આવતાં બેડા લઇને રખડવાનો વખતકરમસદ શહેરના સંદેશર રોડ સહિત છેવાડા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી પાણી ધીમું આવતું હતું. જેથી ફલેટોમાં પાણી ચઢતાં ન હતા. તેમજ સોસાયટીઓમાં ધીમા ફોર્સથી પાણી આવતું હતું. જેના કારણે ટાંકીઓ ભરાતી ન હતી. તેમજ પીવાનું પાણી મેળવવા માટે બોર ધરાવતી સોસાયટીઓમાં જઇને પાણી ભરી લાવવું પડતું હતું. જેને લઇને ગૃહિણીઓને બેડા લઇને રઝપાટ કરવાનો વખત આવ્યો હતો.> મીના સોલંકી, સ્થાનિક કરમસદ વાસીઓને આજથી પૂરતા ફોર્સમાં પાણી મળશે કરમસદ આણંદ મનપા ડેપ્યુટી કમિશ્નર એસ કે ગરવાલે જણાવ્યું હતું કે, હાલમાં બે ટાંકીનું કામ ચાલુ સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. તેથી ત્રણ દિવસ પાણી સીધુ આપવામાં આવતું હતું પણ હવે પાઇપ લાઇનનું કામ પૂર્ણ થઇ ગયું છે. જેથી શનિવાર સવારથી પુરતા ફોર્સથી પાણી આપવામાં આવશે. કરમસદમાં ત્રીજી ટાંકી વિદ્યાનગર રોડ પર બનાવવી જરૂરી કરમસદ નગરપાલિકા મનપા ફેરવાતા કેટલાંક વિસ્તારો કરમસદ વોર્ડમાં સમાવેશ કરાયો છે. જેથી વસ્તી વધી ગઇ છે. તેમ નવી સોસાયટીઓનું નિર્માણ કાર્ય ચાલી રહે છે. હાલમાં મનપા સંચાલિત માત્ર બે વોટર વર્કસ આવેલા તેની સમતા માત્ર 30 હજાર લોકોને પાણી પુરૂ પાડવાની છે. ત્યારે વ્યાપ અને વસ્તી વધતાં વિદ્યાનગર રોડ પર ત્રીજુ વોટર વર્કસ બનાવીને નવા વિસ્તારમાં પાણી પુરૂ પાડવામાં આવે તો નગરજનોને પુરતા ફોર્સથી પાણી મળી રહે તેમ છે.
સોજિત્રાના પીપળાવ ખાતે આવેલા આણંદના સુપ્રસિદ્ધ આશાપુરી પ્રવાસધામ ખાતે તાજેતરમાં જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. કલેક્ટરે મંદિરમાં અને આસપાસના વિસ્તારમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. શ્રદ્ધાળુઓ તેમજ પ્રવાસીઓની સુવિધાઓમાં વધારો કરવા માટે મંદિરના મેનેજર, સરપંચ તથા ગામના આગેવાનો તેમજ અધિક નિવાસી કલેકટર, પ્રાંત અધિકારી, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સહિતની હાજરીમાં વધતી ભીડને ધ્યાનમાં રાખીને વાહનો માટે યોગ્ય અને સુવ્યવસ્થિત પાર્કિંગ વ્યવસ્થા, પ્રવાસીઓ માટે શુદ્ધ અને પૂરતા પીવાના પાણીની સુવિધાઓ, શૌચાલય, બેઠક વ્યવસ્થા અને અન્ય જરૂરી સુવિધાઓમાં વધારો કરવા વિશેષ ભાર મુકાયો હતો આ ઉપરાંત પ્લાસ્ટિક મુક્ત પરિસર બનાવી સ્વચ્છતાનું સ્તર જાળવી રાખવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો વિસ્તૃત ચર્ચા કરી હતી. કલેક્ટરે પ્રવાસધામના વિકાસ માટે નિયમિતપણે મોનિટરિંગ કરવા અને જરૂરી સરકારી સહાય પૂરી પાડવાની ખાતરી પણ આપી હતી. તાલુકા વહીવટી ટીમે પ્લાસ્ટિકની જગ્યાએ કાપડની બેગ વાપરવા અંગેની ડ્રાઈવ યોજી હતી.
અકસ્માત:સામલી પાસે મોપેડ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બે યુવાનોના મોત
ગોધરાના છકડીયા ચોકડીથી સામલી જવાના રોડ પર મોપેટ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બંને વાહનના ચાલકોના ઘટનાસ્થળે મોત નિપજયા હતા. જયારે મોપેટ અને બાઇક પાછળ બેસેલા 3ને ગંભીર ઇજાઓ થતા વડોદરા રીફર કર્યા હતા. ગોધરા તાલુકાના વેલવડ ગામે આવેલા કૂવાવાળા ફળિયામાં રહેતા 34 વર્ષિય નિતેશભાઇ નટવરસિંહ મકવાણા પોતાની બાઇક પર પોતાના બે સંતાન સંધ્યા ઉ.વ 4 અને પિયુષ ઉ.વ 5ને બેસાડીને વણાંકપુર ખાતે પોતાની સાસરીમાં જતો હતો.તે દરમ્યાન છકડીયાથી સામલી જવાના રસ્તા પર ફોરેસ્ટ નાકા પાસે બર્ગમેન મોપેટનો ચાલક પુરપાટ હકારીને પોતાના કબજાની મોપેટ નિતેશભાઇની બાઇક સાથે જોરદાર અથડાવી દેતા બાઇક ચાલક નિતેશભાઇ ઉછળીને રોડ પર પટકાતા તેને ગંભીર ઇજાઓ થતા ઘટનાસ્થળે મોત નિપજયું હતું. જયારે બાઇક પર બેસેલા સંધ્યા અને પિયુષને ગંભીર ઇજાઓ થઇ હતી. ત્યારે બર્ગમેન મોપેટનો ચાલક નિલેશકુમાર રમણલાલ પણદાનું પણ ગંભીર ઇજાઓ થતા ઘટનાસ્થળે મોત થયું હતું. મોપેડ પાછળ બેઠેલા જૈમિન સેલોતને ગંભીર ઇજાઓ થઇ હતી.અકસ્માતમાં બે યુવકોના ધટના સ્થળે મોત થયા હતા. જયારે 3 ઇજાગ્રસ્તોને 108 મારફતે ગોધરા સિવિલમાં સારવાર અર્થે ખસેડયા હતા.ગંભીર ઇજાઓને લઇને 3 ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં રીફર કર્યા હતા. અકસ્માતની ગોધરા તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ હતી.
આણંદ શહેરના રેલ્વે સ્ટેશનનો એ ગ્રેડમાં સમાવેશ થતો હતો છતાં સુવિધાના નામે મીડું હતું. જેને લઇને છેલ્લા 20 વર્ષથી સતત રજૂઆત કરવામાં આવતી હતી. અગાઉ 2 વખત બ્યુટિફિકેશન કરવાની જાહેરાત કરઇા હતી. પરંતુ કામગીરી થઇ ન હતી. હવે ત્રીજી વાર આણંદ રેલ્વે સ્ટેશનની મુલાકાતે આવેલા વેસ્ટર્ન ઝોન રેલવે વિભાગના જનરલ મેનેજર વિજય ગુપ્તાએ ખુદ 100 કરોડના ખર્ચે આણંદ રેલ્વે સ્ટેશનનું બ્યુટિફિકેશન કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે.જેમાં એક જ ફૂટ ઓરબ્રિજથી 6 પ્લેટફોર્મ પર જવાય તેવી સુવિધા ઉભી કરાશે. આણંદ રેલ્વે સ્ટેશને બપોરે 4 વાગ્યા બાદ વેસ્ટર્ન ઝોન રેલવે વિભાગના જનરલ મેનેજર નડિયાદથી સીધા આણંદ આવી પહોંચ્યા હતા. તેઓ શહેરના આગેવાનો સાથે ચર્ચા કરીને કેટલાંક પ્રશ્નો હલ કરવાની ખાતરી આપી હતી. સાથે સાથે આણંદ રેલ્વે સ્ટેશનનું 100 કરોડ ઉપરાંતના ખર્ચે બ્યુટીફિકેશન કરવામાં આવશે. તેમ જણાવ્યું હતું. જુના સ્ટેશનનો હેરીટેજ લુક જાળવી રખાશેઆણંદ રેલ્વે સ્ટેશન પર દૈનિક 80 વધુ ટ્રેનો પસાર થાય છે. જેમાં લાંબા રૂટની ટ્રેનોને સ્ટોપેજ આપ્યાં છે. ત્યારે જુના સ્ટેશનનો હેરીટેજ લુક જાળવી રાખી બ્યુટીફિકેશન કરાશે, જેમાં મુસાફરો માટે આધુનિક વેઇટિંગ એરિયા બનાવાશે. આણંદ રેલ્વે સ્ટેશન હાલમાં 6 પ્લેટફોર્મ આવેલા છે. ત્યારે મુસાફરો સરળતા એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ જઇ શકે તે માટે આધુનિક ટેકનોલોજીથી સજજ ફૂટ ઓવરબ્રિજ બનાવવાનું આયોજન હાથધરવામાં આવશે જેથી કનેક્ટિવિટી જળવાતા મુસાફરોને અવરજવરમાં સરળતા રહેશે,દરેક ઋતુમાં મુસાફરો કોઇ અવગવળના પડે તે માટે પ્લેટફોર્મ નવા બનાવવામાં આવશે. વરસાદી પાણી સંચય સિસ્ટમ ઉભી કરાશે, મુસાફરો માટે લિફ્ટ, એસ્કેલેટર, આધુનિક ફાયર ડિટેકશન સિસ્ટમ, સીસીટીવી, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, એક્સેસ કન્ટ્રોલ, વાઇફાઇ સુવિધાથી મુસાફરોને કનેક્ટિવિટીનો સમન્વય મળશે.તેમજ સ્ટેશનની બહાર 500થી વધુ વાહનો પાર્ક થઇ શકે તે માટે પાર્કિંગ સ્ટેન્ડ ઉભુ કરવામાં આવશે.
કુપોષણ અને યોજનાકીય કામગીરીમાં નબળુ સુપરવિઝન:16 આંગણવાડીમાં નબળી કામગીરી બદલ સુપરવાઇઝની આંતરિક બદલી
આણંદ કલેક્ટરે આંગણવાડી કેન્દ્રોની આકસ્મિક મુલાકાત લીધી હતી.ત્યારે મુલાકાત દરમિયાન આંગણવાડી કેન્દ્રમાં કુપોષણ અને યોજનાકીય કામગીરીના નબળા સુપરવિઝન હોવાનું તપાસમાં ખુલવા પામતા 16 સુપરવાઇઝરની બદલીઓના આદેશ કર્યો છે. જેના પગલે ફરજ દરમિયાન ગુલ્લી મારતાં કર્મીઓમાં ચર્ચાનો વિષય બની ગયો છે. રાજ્ય સરકારના આદેશના પગલે તાજેતરમાં આણંદ જિલ્લા કલેકટરે સામરખા સહિત આંગણવાડીઓમાં મુલાકાત દરમિયાન ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ત્યારે વર્ષોબાદ આણંદ જિલ્લાની આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવતા 16 જેટલા સુપર વાઇઝરની બદલીનો આદેશ કર્યો છે. જે મુજબ સામરખામાં તનવીર સોમારની બદલી બોરસદ, વડોદાના ભાવનાબેન પટેલની બદલી ચાંગા, બાકરોલના મધુબેન મકવાણાની બદલી અલારસા, આણંદ અર્બનના હેમલતાબેનની બદલી શીલી ,કુંજરાવના ઇન્દુબેન પટેલની બદલી થામણા, ઓડના રમીલાબેને ગોહેલની દાવોલ, દાવોલના સફાનાઝ શેખની બદલી ખંભાત બોરીઆવીના ધારા દવેની બદલી વહેરાખાડી, નાપા નયનાબેન બારોટની અજરપુરા સહિત 16 જેટલી મુખ્ય સેવિકાઓનો વર્ષો બાદ બદલીઓ કરવામાં આવી હોવાથી પંથકમાં ચર્ચાનો વિષય પણ બની ગયો છે.
શિબિરનું આયોજન:પંચ.ની શિબિરમાં 92 દાવેદારોએ પુરાવા રજૂ કરતા 1.53 કરોડની રકમના દાવા મંજૂર કર્યા
પંચમહાલ જિલ્લામાં વિવિધ 18 બેંકોમાં 2.04 લાખ બેંક ખાતાઓમાં 49 કરોડ જેટલી રકમનો કોઇએ દાવો ના કરતા બિનવારસી હાલતમાં પડી રહી છે. નાણાકીય સંસ્થાઓ દ્વારા દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ પાછી મેળવવા તમારી મૂડી, તમારો અધિકાર ટેગલાઇન સાથે દાવો ન કરાયેલ થાપણો પરત મેળવવા માટેની રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે આ ઝુંબેશને જિલ્લા કક્ષાએ આગળ ધપાવવા પંચમહાલ ખાતે બેંક ઓફ બરોડા, અગ્રણી જિલ્લા બેંક દ્વારા આયોજન કરવામાં આવ્યું.અગ્રણી જિલ્લા બેંક દ્વારા જિલ્લાની વિવિધ બેંકોના માધ્યમથી દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ પાછી મેળવવા માટે ગોધરાના ફેડરેશન સભાખંડ ખાતે શુક્રવારના રોજ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. વિત્તીય વિભાગના પ્રતિનિધિઓ અને તમામ બેંકોના અધિકારીઓ, ગ્રાહક, લાભાર્થી ઉપસ્થિત રહ્યા હતા. અતિથિઓએ આ પહેલની સરાહના કરતા જણાવ્યું કે આવી શિબિરો નાગરિકોને તેમના નાણાકીય અધિકારો પ્રત્યે જાગૃત કરવા અને નાણાકીય સમાવેશન ને સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.આ શિબિર દરમ્યાનમહાનુભાવો દ્વારા 92 દાવેદારોને દાવાઓના સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા તથા વિવિધ નાણાકીય સંસ્થાઓના કુલ 1.53 કરોડના દાવાઓ મંજૂર કરવામાં આવ્યા આ મહામેળાવડામાં અંદાજે 236 જેટલા લોકો હાજર રહ્યા હતા. આ શિબિર દરમ્યાન વિવિધ નાણાકીય સંસ્થાઓ દ્રારા 7 સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. જે સ્ટોલ પર લોકોને પોતાના જૂના ખાતાઓની યોગ્ય જાણકારી, મૃત વ્યક્તિના વારસદારો ને દાવો કરવાની પ્રક્રિયાની જાણકારી આપવામાં આવી હતી.કાર્યક્રમના અંતે લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર (LDM) પંચમહાલ સત્યેન્દ્ર રાવએ તમામ અતિથિઓ, બેંક અધિકારીઓ, મીડિયા પ્રતિનિધિઓ તથા નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
પંચમહાલ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. વહેલી સવારે ગુલાબી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં ન્યુનતમ તાપમાન 15 ડિગ્રીને મહત્તમ 30 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે બપોરે આકરો તાપ પડી રહ્યો છે. બેવડી ઋતુના પગલે લોકોના આરોગ્ય પર પણ માઠી અસર થતા શરદી, ખાંસી અને તાવના 7 દિવસમાં 7157 કેસ નોંધાયા છે. પંચમહાલમાં શિયાળાની ઋતુ દરવાજે દસ્તક દઇ રહી છે. પરંતુ હજુ આકરી ઠંડીની શરુઆત થઇ નથી. વહેલી સવારે ગુલાબી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. સુર્યનારાયણ ઉગતાની સાથે વાતાવરણ હુંફાળુ બની જાય છે અને બપોર થતા સુધીમા ગરમી પડી રહી છે. શહેરનું મહતમ તાપમાન 30 ડિગ્રી રહ્યું હતું. જ્યારે વહેલી સવારે ન્યુનતમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું હતું. આમ દિવસ અને રાતના તાપમાનમાં 15 ડીગ્રીનો તફાવત રહેતા જિલ્લાવાસીઓ બેવડી ઋતુ અનુભવી રહ્યા છે. નાના બાળકો, વયસ્કો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો પર વધુ અસર જોવા મળી રહી છે. જેથી લોકો શરદી, ખાંસી અને તાવના રોગમાં સપડાયા છે. જિલ્લામાં હજુ સુધી શિયાળાએ દસ્તક કરી પણ હવામાન વિભાગ અનુસાર ગરમી અને ઠંડી જેવી બેવડી ઋતુનું વાતાવરણ રહેશે. સૌથી વધુ ગોધરામાં 1922 કેસ નોંધાયા પંચમહાલમાં છેલ્લા 7 દિવસમાં શરદી, ખાંસી અને તાવના કેસોમાં મોરવા(હ) તાલુકા 768, શહેરા તાલુકા 1231, ગોધરા તાલુકા 1922, ઘોઘંબા તાલુકા 1038, કાલોલ તાલુકા 802 , હાલોલ તાલુકા 1193 તથા જાંબુઘોડા તાલુકામાં 203 કેસ મળીને જિલ્લામાં એક અઠવાડીયામાં 7157 કેસ નોધાયા છે. જે ગત વર્ષના ડિસેમ્બર માસના એક અઠવાડીયાના 6289 કેસ કરતા 868 કેસ વધુ નોંધાયા છે. દાહોદમાં તાપમાન 4 ડિગ્રી ગગડ્યુ : સાંજે પારો 18 ડિગ્રીએદાહોદ શહેર અને આસપાસના વિસ્તારોમાં ઉત્તરેથી આવતા ઠંડા પવનથી શિયાળાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. મોસમ વિભાગ પ્રમાણે શહેરમાં ભેજનું પ્રમાણ 63 ટકા છે, જ્યારે 5 કિમી પ્રતિ કલાકની ઝડપે ઠંડા પવન ફૂંકાતા તાપમાન પાછલા દિવસોની સરખામણીએ 3 થી 4 ડિગ્રી સુધી ઘટી ગયું છે. ખાસ કરીને સવારે ધુમ્મસ જેવી પરિસ્થિતિ સર્જાતા વાહનચાલકોને દૃશ્યતા ઓછી થતાં મુશ્કેલી પડી રહી છે. બાળકો અને વૃદ્ધોમાં ઠંડીનો પ્રભાવ વધુ દેખાઈ રહ્યો છે. ડૉક્ટરો લોકો ગરમ પાણી પીવાની, ગરમ પદાર્થો અપનાવવાની તથા બહાર નીકળતી વખતે પૂરતા ઉષ્ણ કપડાં પહેરવાની સલાહ આપી રહ્યા છે. શાળાઓમાં વહેલી સવારે પહોંચતા વિદ્યાર્થીઓ પર ઠંડીનો અસરકારક પ્રભાવ અનુભવાઈ રહ્યો છે. સાંજે સાડા સાત વાગ્યે પારો 18 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. જ્યારે મોસમ વિભાગે રાત્રે તાપમાન હજી નીચે 10 થી 12 ડીગ્રી જવાની શક્યતા વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ યથાવત રહેવાની સંભાવના છે. 7 દિવસ બાદ ઠંડીનો ચમકારો વધશેજિલ્લામાં હાલ લધુત્તમ તાપમાન 15 ડીગ્રી અને મહત્તમ 30 ડીગ્રી નોધાયું છે. વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થાય છે. આવી ઋતુ ચાર પાંચ દીવસ સુધી રહેશે. જેથી લોકોએ કાળજી રાખવી જરૂરી છે. આવનાર 7 દિવસ બાદ ઠંડીનો પારો 10 ડીગ્રીની આસપાસ પહોચતા લોકોને શિયાળાની ઠંડીનો ચમકારો લાગશે. સુનિલ યાદવ, કૃષિ વિશેષજ્ઞ
કાર્યવાહી:મહી.માં 15.26 લાખનું ફ્રોડ કરનાર 3 આરોપી અમદાવાદથી પકડાયા
મહીસાગરમાં 15.26 લાખનુ ફ્રોડ થતા મહીસાગર સાયબર ક્રાઈમમાં ફરીયાદ નોંધાવામાં આવી હતી. જેની કાર્યવાહી શરૂ કરવામાં આવતા ફ્રોડ કરનાર 3 આરોપીઓ અમદાવાદથી ઝડપાઇ ગયા હતા. તેમની વધુ તપાસમાં ચાઈનીઝ સાયબર ટેલીગ્રામ ટાસ્ક ફ્રોડ ગેંગ સાથેના સંબંધો ખુલ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. મહીસાગર સાયબર ક્રાઈમના ગુના મુજબ એક વ્યક્તિને ટેલિગ્રામ મારફતે ગોદરેજ કંપનીમાં ઘરે બેઠા કામ કરવાની લાલચ આપી અલગ-અલગ ટાસ્ક દ્વારા કુલ રૂા.15,26,873 નું ફ્રોડ કરવામાં આવ્યું હતું. જેની તપાસ મહીસાગર સાયબર ક્રાઈમના પીઆઇ ડી.પી. ચુડાસમા દ્વારા અલગ-અલગ ટીમો બનાવી શરૂ કરવામાં આવી હતી. દરમિયાન ટેકનિકલ એનાલિસિસમાં જાણવા મળ્યું કે, આરોપીઓ અલગ- અલગ બેંક એકાઉન્ટ્સમાં પૈસા જમા કરાવી, અલગ-અલગ એટીએમ દ્વારા ઉપાડી લેતા હતા. આ નાણાંને ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરીને ચીન-હોંગકોંગ મોકલી આપતા હતા. આરોપીઓ અમદાવાદ ખાતે હોવાની ચોક્કસ માહિતીના આધારે સાયબર પોલીસ સ્ટેશનની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને મોહમદ ઉર્ફે મોનુ પરવેઝ ઐયુબભાઈ નુર મોહમદ શેખ રહે.બાપુનગર, અમદાવાદ, શાહનવાજ હુસેન અબ્દુલ કાદર સૌયદ રહે. દરિયાપુર, અમદાવાદ અને તોકીર અનીશ અહેમદ અબ્દુલ રહેમાન શેખ રહે. ગોમતીપુર, અમદાવાદ ને ઝડપી પાડયા હતા. આરોપીઓની વધુ તપાસમાં ચાઈનીઝ સાયબર ટેલીગ્રામ ટાસ્ક ફ્રોડ ગેંગ સાથેના સંબંધો ખુલ્યા હોવાનું જાણવા મળી રહ્યુ છે. અલગ અલગ ATMથી નાણા ઉપાડતા હતાઝડપાયેલા ચારે આરોપીઓ વ્યવસ્થિત રીતે નેટવર્ક ચલાવતા હતાં.તેઓ અલગ અલગ બેંકના ખાતામાં નાણા જમા કરાવતા હતાં. બાદમાં અલગ અલગ એટીએમમાં જઇને નાણા ઉપડાી લેતા હતાં. અને આ નાણાંને ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરીને ચીન-હોંગકોંગ મોકલી આપવામાં આવતા હતા.
તારાપુર તાલુકાના આદરૂજ ગામના અને હાલમાં આણંદના મોગરી ગામે રહેતા અને ખેતી કરી જીવન ગુજરાન ચલાવતા 33 વર્ષીય યુવકને અમદાવાદ જિલ્લાના ધોળકાના મોતીપુરા (આનંદપુરા) ખાતે રહેતા તેના મિત્ર અને તેના ભાઈ અને કાકાએ કસ્ટમમાં આવતું સોનું સસ્તામાં આપવાનું જણાવી ઠગ્યા હતા. આ પીડિત યુવક સહિત 5 લોકો સાથે રૂપિયા 2.92 કરોડ રૂપિયાની ઠગાઈ આચરી હતી. હાલમાં આ અંગેની ફરિયાદ તારાપુર પોલીસ સ્ટેશને નોંધાતા જ આ ત્રણેય શખસ ધરપકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. આ અંગેની પોલીસસુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર તારાપુર તાલુકાના આદરૂજ ગામે ભરવાડની જોગ વિસ્તારના મૂળ વતની ભરતભાઈ ભનાભાઈ ભરવાડ હાલમાં આણંદના મોગરી ગામે રહે છે. તેઓ તારાપુર રહેતા હતા ત્યારે ક્રિકેટ ટુર્નામેન્ટ રમતી વેળાએ તેમનો પરિચય ધોળકાના મોતીપુરા (આનંદપુરા) ખાતે રહેતા વિપુલ ઉર્ફે મુખી લક્ષ્મણ ભરવાડ સાથે થયો હતો. પરિચય મિત્રતામાં પરિણમ્યો હતો. દરમિયાન વર્ષ 2024માં જાન્યુઆરીમાં તારાપુર સ્થિત હોટલ ખાતે વિપુલ ભરવાડ ભરતભાઈને મળવા આવ્યો હતો. જ્યાં તેણે તેના દાદાનો છોકરો મુંબઈ કસ્ટમમાં છે અને મુંબઈમાં મારે લાઈન છે જેમાં સસ્તુ સોનું આવે છે, જો જોઈતું હોય તો કહેજો તેમ કહી લલચાવ્યા હતા. એ સમયે સોનાનો ભાવ 10 ગ્રામ પર 63થી 65 હજારની આસપાસ ચાલતો હતો. તેણે લલચાવવા માટે થઈને તેમને 55થી 60 હજાર કહ્યા હતા. જોકે, ભરતભાઈએ તે સમયે તેને તેની પાસે આવે ત્યારે કહેજે, ચેક કરીને લઈશું તેમ કહેતા અઠવાડિયા પછી તે લઈને આવ્યો હતો. જેે અસલ હોય ભરતભાઈએ તેના રૂપિયા 5.50 લાખ આપ્યા હતા. એ પછી થોડા સમય બાદ પુન: બીજું સોનું લાવ્યો હતો જે અસલ નીકળતા તેના તેમણે પૈસા ચૂકવ્યા હતા. થોડા સમય બાદ શખસે 500 ગ્રામ વસ્તુ આવશે તેમ કહી રૂપિયા 27 લાખ એડવાન્સમાં લઈ લીધા હતા. આમ, વિશ્વાસમાં આવી ગયેલા ભરતભાઈએ આ બાબતે બીજા 4 લોકોને પણ વાતચીત કરીને પૈસા મેળવ્યા હતા. જોકે, શખસ ઉપરાંત તેના ભાઈ મેહુલ લક્ષ્મણ ભરવાડ અને કાકા વિક્રમ ગોરા ભરવાડે બધાને ઓરિજનલ વસ્તુ થોડા સમયમાં મળશે તેમ કહીને બાંહેધરી આપી હતી. વધુમાં પૈસા થોડા ઓછા પડે છે તેમ કહીને ત્રણેય જણાંએ સમાજના જ કેટલાંક લોકોને ભેગા કરીને 2.92 લાખ પડાવી લીધા હતા. લોકોએ અવાર- નવાર પૈસા કાં તો સોનાની માંગણી કરતા આખરે ત્રણેય ગઠિયાઓએ 100-100 ગ્રામ વજનના 10 ખોટા સોનાના બિસ્કીટ સાચા હોવાનું કહી પકડાવી દીધા હતા. જેની ભરતભાઈએ ખાતરી કરાવતા સોનાના બિસ્કીટ બનાવટી નીકળ્યા હતા. આખરે, ભરતભાઈએ તારાપુર પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તારાપુર પોલીસ સ્ટેશનમાં 20 દિવસ પહેલાં અરજી આપી હતી. જેની જાણ થતાં જ ત્રણેય ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. ફરિયાદી વિરૂદ્ધ 91 લાખનું લખાણ આપતા 138 હેઠળ ફરિયાદ નોંધાઈ ફરિયાદી ભરતભાઈએ તેના પપ્પાના મિત્ર પાસેથી આ કામ પેટે 91 લાખ લીધા હતા. જોકે, શખસે જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે ન તો સોનું મળ્યું, ન તો પૈસા પરત આવતા અને આ વાતને ચાર પાંચ મહિના થતાં તેમણે પૈસા આપ્યાનું લખાણ અને ચેક લઈ લીધા હતા. ત્રણેય શખસો પણ 15 દિવસ, મહિનાઓનો વાયદો કર્યા કરતા હતા. આખરે, એ વાતને ચાર મહિના થઈ જતાં 91 લાખ આપનારા ભાઈએ યુવક વિરૂદ્ધ ચેક રિટર્નનો કેસ કર્યો હતો. સૂત્રધારની પત્ની જ કહેતી ટેન્શન ન લેશો, તમામને બધા પૈસા અને સોનુ મળી જશેલોકોને વિશ્વાસ આવે એ માટે તેઓ ક્યારેક લોકોને ઘરે જ પેમેન્ટ લઈને સોનું લેવા માટે બોલાવતા હતા. શખસોએ ઘરની બહાર કેમેરા મુકેલા હતા. પરંતુ જેઓ સમગ્ર મામલો બહાર આવ્યો એ પછી તેઓ ઘરે ફરક્યા જ નહોતા. તેની માતાએ કહ્યું હતું કે, તેના બંને પુત્ર 20 દિવસથી ઘરે જ નથી આવ્યા. તેની પત્ની પણ લોકોને મારી આંખ સામે જ વસ્તુ હતી. ટેન્શન ન લેશો. બધું પતી જશે તેમ કહી ભરોસો આપતા હતા. વધુમાં મારી પાસેથી સોનું લઈ જજો, તમારૂં પેમેન્ટ કંઈ નહીં જાય તેમ કહીને લોકોને વિશ્વાસ અપાવતી હતી. ઘણા લોકો આખો દિવસ તેમને ઘરે બેસી રહેતા હતા. આજ નહીં કાલે આવશે તેમ કહીને દિવસો કાઢી નાંખતા હતા. દિવસો પસાર કરીને શુક્રવાર આવી જાય એટલે શનિવાર-રવિવારની રજા એટલે સોમવારનો વાયદો કરતા હતા. આમ, ગોળ-ગોળ ફેરવીને દસ મહિના કાઢી નાંખ્યા હતા. સુત્રધાર વિપુલ ઉર્ફે મુખી ડાયરામાં પૈસા અને સોનુંબેફામ ઉડાવી લોકોને આંજી નાંખતો હતોસમગ્ર કાવતરાંનો મુખ્ય સુત્રધાર વિપુલ ઉર્ફે મુખી ભરવાડ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટીવ રહેતો હતો. તેના 71 હજારથી વધુ સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ છે. તમામને આંજી નાંખવા માટે અને ગ્રામજનોમાં પોતાની ધાક બેસાડવા માટે તે અવનવા વિડિયો મુકતો હતો. તેના બેથી ત્રણ વિડિયો એવા છે કે જેમાં તે ડાયરામાં નોટો અને સોનું ઉડાડી રહ્યો છે. તેણે ત્રણેક માસ પહેલાં જ ફોર્ચ્યુનર કાર લીધી હતી. તેની પાસે આ સિવાય થાર કાર પણ છે. તે જ્યારે પણ પૈસા લેવા જતો ત્યારે કાર લઈને જતો હતો. સોશિયલ મીડિયા પર પૈસા-સોનુ ઉડાવતા વિડિયો, કાર સાથેના ફોટો બતાવી સમાજમાં લોકોને આંજી નાંખતો હતો. હાલમાં શખસોએ 40 થી 50 કરોડની ઠગાઈ આચરી હોવાની ચર્ચા છે. જોકે, જે પણ લોકો તેના વિરૂદ્ધ ફરિયાદ કરતા ત્યારે તેઓને તમે પણ ખોટું કર્યું છે અને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ડરાવતા હતા.
ઈરફાન મલેકકેન્દ્ર સરકારની મહત્ત્વાકાંક્ષી ભારતમાલા પરિયોજના હેઠળનો નવનિર્મિત દિલ્હી-મુંબઈ કોરિડોર ગુજરાતમાં દારૂબંધીને પડકારતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે અચાનક ''નોન-સ્ટોપ હાઇવે'' બની ગયો છે. હાઇવેના અધૂરા કામનો ગેરલાભ લઈને બૂટલેગરો ગુજરાત સરહદ સુધી પહોંચવા માટે આ કોરિડોરનો ગોલ્ડન રૂટ તરીકે બેફામ ઉપયોગ કરી રહ્યા છે. હાલમાં આ કોરિડોરના બે મહત્ત્વપૂર્ણ પટ્ટાઓમધ્ય પ્રદેશના થાંદલાથી રાજસ્થાનના ચેચટ 243 કિમી અને સવાઈ માધોપુરના જેસપુરાથી દિલ્હી સુધી 246 કિમી—નોન-સ્ટોપ ચાલુ કરી દેવાયા છે. જોકે, અન્ય વિસ્તારોમાં બાકી કામગીરીને કારણે કોરિડોર સંપૂર્ણ રીતે કાર્યરત નથી. જેથી દિલ્હીથી માંડીને મધ્ય પ્રદેશના થાંદલા સુધીના લાંબા પટ્ટામાં પોલીસનું કોઈ નિયમિત ચેકિંગ હોતું નથી. જેથી પંજાબ અને હરિયાણાથી ટ્રકબંધ દારૂ ભરીને કોઈ પણ રોકટોક વિના થાંદલા સુધી સરળતાથી પહોંચી જાય છે. ત્યાંથી કોરીડોરબંધ હોઇ ગુજરાતમાં પ્રવેશવા માટે તેમને ફરજિયાતપણે પરંપરાગત રસ્તાઓનો ઉપયોગ કરવો પડે છે. રેન્જ આઈ.જી. આર.વી અસારીના માર્ગદર્શનમાં એસ.પી. રવીરાજસિંહ જાડેજાએ એક્શન પ્લાન તૈયાર કર્યો હતો. જેના પરિણામ સ્વરૂપ છેલ્લા માત્ર ત્રણ માસમાં દાહોદ જિલ્લામાં ₹ 10.04 કરોડ રૂપિયાનો વિદેશી દારૂનો જંગી જથ્થો પકડાયો છે. આ પકડાયેલા જથ્થામાં મહત્તમ દારૂ પંજાબ અને હરિયાણાનો હોવાનું સામે આવ્યું છે. સ્પષ્ટ છે કે નવનિર્મિત હાઇવેના માળખાકીય લાભો સામે કાયદા અમલીકરણની નવીન પડકારો ઊભા થયા છે. જેનો સામનો કરવા માટે દાહોદ પોલીસ તંત્ર મક્કમ બન્યું છે. બૂટલેગરો દ્વારા કઇ-કઇ મોડ્સ ઓપરેન્ડી વાપરવામાં આવીદારૂના મોટા જથ્થાની હેરાફેરી કરવા માટે બૂટલેગરોએ વિવિધ પ્રકારની મોડ્સઓપરેન્ડી વાપરી હતી. જેમાં લુઝ સિમેન્ટનું પરિવહન કરતી ટ્રકનું નિર્માણ કરીને તેમાં દારૂ ભરી દેવાયો હતો. ટ્રકોની નીચે ખાના બનાવી દેવાયા હતાં. આ તમામ દારૂનો જથ્થો વિવિધ પ્રકારના સામાનની બિલ્ટી ઉપર હેરાફેરી કરાતો હતો. જોવાની વાત એ હતી કે,પંજાબ અને હરિયાણાથી આવતા આ દારૂનો જથ્થો રાજ્યના મોટા શહેરમાં જઇ રહ્યો હતો. 5.96 કરોડના વાહનો જપ્તદાહોદ જિલ્લામાં છેલ્લા ત્રણ માસમાં પોલીસેવિદેશી દારૂના પાંચ હજાર કેસ કર્યા હતાં.તેમાં 10.04 કરોડનો દારૂનો જથ્થો પકડાયોહતો. આ દારૂના પરિવહનમાં ઉપયોગમાંલેવાતા 5.96 કરોડના વાહનો પકડાયા હતાં.આ વાહનોમાં ટ્રકો અને ટ્રેલર હોવાને લીધેવાહનની કિંમતનો આંકડો મોટો જોવા મળીરહ્યો છે. દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા 5098લોકો સામે ગુના દાખલ કરવામાં આવ્યા હતાં.જેમાંથી 78 લિસ્ટેડ બૂટલેગરો હોવાનું સામેઆવ્યુ હતું.
એસ પી યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર વિભાગમાં ફરજ બજાવતા ક્લાર્કે ચાલુ નોકરીએ એલએલબીનો અભ્યાસ કર્યાનું ઉજાગર થતાં જ આખરે યુનિવર્સિટી દ્વારા કર્મીને ટર્મિનેટ કરી દેવામાં આવ્યો છે. જોકે, તેના ટર્મિનેટ થવાની સાથે જ ક્લાર્કે કોની રહેમનજર હેઠળ એલએલબી કર્યું અને મળતિયાઓ વિરૂદ્ધ કેમ કોઈ પગલાં ન લેવામાં આવ્યા તેવા પ્રશ્નો હાલ અન્ય કર્મીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, સૌથી મહત્વની વાત તો એ છે કે, કર્મીનો કોન્ટ્રાક્ટ ડિસેમ્બરમાં પૂર્ણ જ થવાનો હતો. અને તેને કાયમી કરવાની જ વાતો ચાલી રહી હતી. પરંતુ તે પહેલાં અહેવાલ પ્રકાશિત થતાં જ યુનિવર્સિટીએ કાર્યવાહી કરતા આખરે કાર્યવાહી કરવાનો મામલો શાંત થઈ ગયો છે. ઉમરેઠના જાખલાના રહેવાસી રાહુલ ઈશ્વરભાઈ પરમારે યુનિ.માં ગત નવેમ્બરમાં લેખિત રજૂઆત કરી હતી અને તેમાં યુનિ.ના શિક્ષણશાસ્ત્ર વિભાગમાં ફરજ બજાવતા ક્લાર્ક શૈલેષ કાંચનલાલ રાઠવા દ્વારા ચાલુ નોકરીએ એલએલબી કરવામાં આવતું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ મામલે તેઓ દ્વારા પગલાં લેવામાં આવે તેવી માગ કરાઈ હતી. નિયમ પ્રમાણે 80 ટકા હાજરી જરૂરી, ચાલુ નોકરીએ કેવી રીતે શક્ય નોંધનીય બાબત તો એ છે કે, યુજીસીના નિયમ પ્રમાણે 80 ટકા હાજરી હોવી જરૂરી છે. યુનિવર્સિટી દ્વારા પણ તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. જોકે, આ કેસમાં સમગ્ર નિયમ સરેઆમ ઉલ્લંઘન થયું હતું. યુનિવર્સિટી દ્વારા કોન્ટ્રાક્ટમાં કામ કરતા કર્મીને ટર્મિનેટ કરી દેવાયો હતો, પરંતુ જેની રહેમનજર હેઠળ તે ચાલુ નોકરીએ અભ્યાસ કરતો હતો તેને બચાવી લેવામાં આવતા યુનિવર્સિટીની કાર્યવાહીને લઈને પણ અનેક પ્રશ્નાર્થ સર્જાયા છે.
કાર્યવાહી:ગીલોસણમાં 526 ગ્રામ ગાંજા સાથે પિતા ઝડપાયા, પુત્ર વોન્ટેડ
મહેસાણા તાલુકા પોલીસે ગીલોસણ ગામે રહેણાંક મકાનમાંથી રૂ.26,320ની કિંમતના 526.40 ગ્રામ ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. જ્યારે ગાંજો લાવીને વેચાણ કરનાર વોન્ટેડ પુત્રને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. તાલુકાના ગીલોસણ ગામે મુસલમાન વાસના રહેણાંક મકાનમાં ગાંજો લાવીને વેચાણ થતો હોવાની બાતમીને આધારે પીઆઇ ડી.જી. બડવા અને તેમની ટીમે શુક્રવારના રોજ રહેણાંક મકાનમાં રેડ કરી રૂ.26,320ની કિંમતના 526.40 ગ્રામ ગાંજા સાથે અબ્બાસમીયા રહીમમીયા કુરેશીની ધરપકડ કરી હતી. અબ્બાસમીયાની પ્રાથમિક પૂછપરછ કરતાં ગાંજાનો જથ્થો તેમનો પુત્ર અસ્પાક અબ્બાસમીયા કુરેશી લાવતો હોવાનું અને તે જ વેચાણ કરતો હોવાનું બહાર આવતાં પોલીસે વોન્ટેડ અસ્પાકને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
કાર્યવાહી:જીપડાલામાં ચાઇનીઝ દોરીના 300 રીલ લઇને જતો કડીનો શખ્સ પકડાયો
ડાભસર ગામેથી ગેરકાયદે ચાઇનીઝ પતંગની દોરીની 300 રીલ કિં. 1.50 લાખના મુદ્દામાલ સાથે કડીનો શખ્સ પકડાયો હતો. દેત્રોજ પીઆઈ એસ. એ. ગઢવીએ ટીમ બનાવી હતી. જેમાં ગેરકાયદેર વેચાણ કરવામાં આવતી ચાઈનીઝ દોરીનો ઉપયોગ તેમજ વેચાણ કરતા શખ્સોને શોધી કાઢવા આવી પ્રવૃત્તિ કરતાં ઈસમો ઉપર વોચ રાખવા સુચના કરેલ જે અનુસંધાને દેત્રોજ પોલીસ સ્ટેશનની ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અ.પો.કો રાહુલસિંહને બાતમી મળી હતી બાતમી હકીકત આધારે દેત્રોજ પોલીસ ટીમ દ્વારા ડાભસર ગામ ખાતેથી જીપડાલામાં ચાઇનીઝ પતંગની દોરીની રીલ નંગ-300 કિં. 1.50 લાખના મુદ્દામાલ સહિત રાજેશકુમાર ચતુરભાઈ રાવળ (38) રહે. મહુડો સોસાયટી પાંજરાપોળ પાછળ કુંડાળ તા. કડી જી. મહેસાણાને ઝડપી ગુનો નોંધ્યો હતો.
વેધર રિપોર્ટ:18મી સુધી મહેસાણામાં પાટણ, બનાસકાંઠા કરતાં વધુ ઠંડી રહેશે
ઉત્તર ગુજરાતમાં શુક્રવારે પવનની દિશા બદલાઇને પૂર્વ તરફની થઈ હતી. પ્રતિ કલાકે સરેરાશ 5 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પૂર્વના પવનને કારણે વહેલી સવારે હવામાં ભેજનું પ્રમાણ વધીને 74 ટકાએ પહોંચ્યું હતું. જેના લીધે મુખ્ય પાંચ શહેરોમાં ઠંડીનો પારો 12.5 ડિગ્રીની આસપાસ રહ્યો હતો. સતત બીજા દિવસે ઉત્તર ગુજરાતમાં કાતિલ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. ભારતીય હવામાન વિભાગે શુક્રવારે આગામી બે સપ્તાહનું પૂર્વાનુમાન રજૂ કર્યું હતું. આ પૂર્વાનુમાન મુજબ, 18 ડિસેમ્બર સુધી ઉત્તર ગુજરાતમાં કાતિલ ઠંડીનો ચમકારો યથાવત રહેવાની શક્યતા છે. ખાસ કરીને, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં પાટણ અને બનાસકાંઠા કરતાં વધારે ઠંડી રહેશે. આ સમયગાળા દરમિયાન ઠંડીનો પારો 11.5 ડિગ્રી આસપાસ જઈ શકે છે. ત્યાર બાદ, 19 ડિસેમ્બરથી ઠંડીનું જોર ઘટી શકે છે.
ભાસ્કર એક્સક્લુસિવ:મેપિંગ વગરનાં 74703 મતદારોને પુરાવા આપવા નોટિસ આવશે
મહેસાણા જિલ્લામાં એસઆઈઆર ફોર્મમાં 74703 મતદારોના ફોર્મ વર્ષ 2002ની યાદીમાં તેમના કે સંબંધીઓના નામ સાથે મેપિંગ વગર ચૂંટણી તંત્રને મળ્યા છે. આવા તમામ મેપિંગ વગરના મતદારોને નોટિસ આવશે. આ મતદારોએ ચૂંટણી પંચે ફોર્મ પાછળ સૂચિત કરેલ 13 પુરાવા પૈકી કોઇ એક રજૂ કરવાનો રહેશે. હવે નો મેપિંગવાળા ફોર્મને મેપિંગમાં લાવવા કવાયતજે મતદારોએ વર્ષ 2002ની યાદીમાં નામના ભાગ કે ક્રમ નંબર વગર ફોર્મ આપી દીધા છે, તેવા મતદારોના ઓનલાઇન મેપિંગ હજુ બીએલઓ કરી રહ્યા છે. જેથી નોટિસના તબક્કાથી બહાર નીકળી શકે. બીએલઓ મતદારોને ફોન કરીને વર્ષ 2002માં તમારા માતા, પિતા કે દાદા દાદી ક્યાં રહેતા હતા, ક્યાં મતદાન કરતા હતા તેવી વિગતો મેળવીને ઓનલાઇન મેપિંગ માટે સર્ચ કરી રહ્યા છે. હજુ તા.14 ડિસેમ્બર સુધી સુધારાને અવકાશ હોઇ નો મેપિંગથી જેટલા મતદારો મેપિંગમાં ફેરવાય તેટલા કરી લેવા પ્રયાસો કરી રહ્યા છે. બીજી તરફ, મોડેથી ફોર્મ આપવા આવે તેમના રોલબેક કરી ડિઝિટાઇઝ કરાય છે.
સરપ્રાઇઝ તપાસ:શહેરમાં લાયસન્સ વિના વાહન લઇને શાળાએ આવતાં 52 વિદ્યાર્થીઓને આરટીઓએ પકડ્યાં
મહેસાણા આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા શુક્રવાર સવારે શહેરની વિવિધ સ્કૂલોમાં સરપ્રાઇઝ તપાસ હાથ ધરી હતી. જેમાં લાયસન્સ વિના વાહન લઇને આવતાં 52 છાત્ર-છાત્રોને પકડયા હતા . આરટીઓ અધિકારી એસ.એમ. પટેલે જણાવ્યું કે, શુક્રવાર સવારે 6 કલાકે આરટીઓ અને ટ્રાફિક પોલીસના 15 અધિકારીઓની 5 ટીમોએ શહેરની જુદી-જુદી સ્કૂલોમાં આકસ્મિક તપાસ કરી હતી. જેમાં કુલ 60 વાહન માલિકોને રૂ.2.44 લાખનો દંડ કરાયો છે. જેમાં 8 સ્કૂલ વાહનો અને 52 છાત્રો-ઝડપાયા છે. મોટાભાગના છાત્રો પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હતા, 17 વાહન ડિટેઇન કર્યા છે. વાહનો છોડાવવા અને દંડ ભરવા આવતાં વાલીઓને 16 થી 18 વર્ષની અંદર આવતાં બાળકોને મળતાં લાયસન્સ વિશે જાણકારી સાથે સંભવિત જોખમો અંગે ચર્ચા કરવામાં આવશે. ઓછી સ્પીડવાળાં ઇ-વ્હિકલનું ચલણ વધ્યુંઆરટીઓની આ તપાસમાં મોટાભાગના બાળકો હવે ઇલેક્ટ્રિક ટુ-વ્હિલર લઇને સ્કૂલે આવતાં જોવા મળ્યા હતા. એમાં પણ ઓછી સ્પીડવાળા એટલે કે, 25 કિમીની મર્યાદિત સ્પીડવાળા વ્હિકલ વધુ જોવા મળ્યા હતા. આવા વ્હિક્લથી અકસ્માતનું જોખમ ઓછું રહે છે.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:છોટાઉદેપુર જિલ્લામાં ISI માર્કા વગરની રોજગાર કીટનું લાભાર્થીઓને વિતરણ
છોટા ઉદેપુર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રોજગારી માટે કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં મોટા પાયે ગોબાચારી થઈ હોવાનો અરજદારો આક્ષેપ કરી રહ્યા છે. લાભાર્થીઓને ચાલુ કંપનીનો સામાન પધરાવવામાં આવી રહ્યો છે. જેને લઇને લાભાર્થીઓ રોષ જોવા મળી રહ્યો છે. છોટા ઉદેપુર જિલ્લામાં જિલ્લા રોજગાર કચેરી દ્વારા જિલ્લાના રોજગાર મેળવવા માંગતા લોકોને રોજગારી મળે તે માટે વિવિધ સહાય આપવામાં આવે છે. જેમાં કારીગરોને જરૂરી કીટનો લાભ સરકારે નક્કી કરેલી એજન્સી મારફતે લાભાર્થીને આપવામાં આવી રહ્યો છે. જેમાં હલકી કક્ષાનો માલ સામાન આપવામાં આવી રહ્યો છે. જેને લઇને લાભાર્થીઓ રોષ જોવા મળી રહ્યો છે. હાલ જિલ્લામાં કુલ 746 લાભાર્થીઓની ડ્રો મારફતે પસંદગી કરવામાં આવી છે. જેને અલગ અલગ એજન્સીઓ મારફતે કીટનું વિતરણ કરાઈ રહ્યું છે. જેમાં ISI માર્કા વગરના અને હલકી કક્ષાનો સામાન લાભાર્થીઓને પધરાવવામાં આવી રહ્યો હોવાનુ અરજદારો જણાવી રહ્યા છે. અને સારી ગુણવત્તાવાળો સામાન આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. કીટમાં અપાયેલી વસ્તુઓ પર ISI માર્કો પણ નથીહું ટવાથી આવ્યો છું. ઇલેક્ટ્રિશિયનની કીટ માટે અરજી કરી હતી. એ કીટ લેવા આવ્યો છું. આ કીટમાં મટીરિયલ હલકી કક્ષાનું છે. ISI માર્કો પણ નથી. એક વાર મળે તો સારું મળવું જોઈએ. જેથી અમે ઉપયોગ કરી શકીએ. > કૈલેશભાઈ રાઠવા, લાભાર્થી, ટવા અમારી સાથે છેતરપિંડીકરી હોય તેવું લાગે છેમે માનવ કલ્યાણ યોજનામાંદરજીકામના સાધનની અરજીકરી હતી. મારા મોબાઇલમાંSMS આવ્યો કે તમારી કીટપાસ થઈ ગઈ છે. જેથી અમેલાઇનમાં ઊભા રહ્યા, સાધનડુપ્લીકેટ આપે છે, ISI માર્કાવગરના આપે છે. અમારી સાથેછેતરપિંડી કરી હોય તેવું લાગેછે. > વિષ્ણુભાઈ બાલુભાઈતડવી, લાભાર્થી, સંખેડા તાલુકોઅરજદાર તરફથી કચેરીએકોઈ રજૂઆત આવી નથી એજન્સીઓ જે પ્રોવાઈડ કરે તે પ્રમાણે અમે વિતરણ કરીએ છીએઆ ગુજરાત સરકાર દ્વારા પૂરી પડાય છે. આ અલગ અલગ લાભાર્થીને 8થી 9 જાતની કીટ અપાય છે. સરકાર જે તે એજન્સીઓને આપતી હોય છે. અમે અલગ અલગ વેન્ડર છે. અમને પણ કમિશન પર રાખતા હોય છે. આખો જિલ્લો અલગ અલગ એજન્સીઓને આપવામાં આવે છે. ઉપરથી એજન્સીઓ જે પ્રોવાઇડ કરે તે પ્રમાણે વિતરણ કરીએ છે. હલકી કક્ષા આવે તો લોકો વાપરે તેની ઉપર ડીપેન્ડ કરે. વસ્તુ સરકાર જે તે એજન્સીઓને આપે એજન્સીઓ વસ્તુ ખરીદે, પછી વેન્ડરને આપે. > અંકિત વસાવા, વિતરક, કવાંટ અરજદાર તરફથી કચેરીએ કોઈ રજૂઆત આવી નથીમાનવ કલ્યાણ યોજનામાં પસંદગી પામેલા લાભાર્થીઓને વિવિધ એજન્સીઓ મારફતે ટૂલકિટ આપવાની થાય છે. આમાં કોઈ ગરબડી હોય કે કોઈ પ્રકારની હોય તેવી અરજદાર તરફથી કચેરીએ કોઈ રજૂઆત આવેલી નથી. અરજદાર કોઈ રજૂઆત કરશે તો ચોક્કસ વડી કચેરીને જાણ કરી આગળની કાર્યવાહી કરાશે. અમુક એવી આઇટમ હોય કે જેમાં ISI માર્કો નથી હોતો. એ ટેન્ડરીંગની શરતો પ્રમાણેનું કામ હોય છે. હાલ 746 લાભાર્થીઓ છે. વિસ્તરણ એજન્સી કરતી હોય છે. > નરપત વોરા, મદદનીશ કમિશ્નર, જિલ્લા રોજગાર કચેરી, છોટા ઉદેપુર
સામૂહિક રાજીનામાની ચીમકી:અનુસૂચિત જાતિ મોરચાના નવનિયુક્ત મહિલા પ્રમુખ સામે સભ્યોનો વિરોધ
પાટણ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ મોરચાના નવનિયુક્ત મહિલા પ્રમુખ સામે અનુસૂચિત જાતિ મોરચાના સભ્યોએ મોરચો મોડયો છે.અને મહિલા પ્રમુખને હટાવવા ઉગ્ર માંગ કરી છે. પાટણ જિલ્લા કોંગ્રેસના અનુસૂચિત જાતિ વિભાગમાં નવો વિવાદ સર્જાયો છે.પ્રદેશ કોંગ્રેસે નવા મહિલા પ્રમુખની નિમણૂક કરતા જ જિલ્લાના આગેવાનો અને કાર્યકરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિક નેતાઓએ ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખ સમક્ષ પહોંચીને હસમુખ સક્સેનાને પ્રમુખ તરીકે ચાલુ રાખવા પર ભાર મૂક્યો છે અને નવનિયુક્ત મહિલા પ્રમુખની નિમણૂક તાત્કાલિક સ્થગિત કરવાની માંગ કરી છે. જો આ મામલે નિરાકરણ નહીં આવે તો, પાટણ જિલ્લાના તમામ તાલુકાના આગેવાનો અને હોદ્દેદારો સામૂહિક રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારી છે. જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તોડફોડ કરવાની ચીમકી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના હરગોવનભાઈ મકવાણા દ્વારા આપવામાં આવી છે.
સરકારમાં રજૂઆત:પાટણ નગર પાલિકામાં ટાઉન પ્લાનર વગર બાંધકામ મંજૂરી અને DP પ્લાનમાં વિલંબ
પાટણ નગરપાલિકામાં કાયમી જુનિયર ટાઉન પ્લાનર ન હોવાને કારણે શહેરીજનોને બાંધકામની મંજૂરી મળવામાં વિલંબ થઈ રહ્યો મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, શહેરના વિકાસના નવા આયોજન ઉપર સીધી બ્રેક લાગી છે.જેથી તાત્કાલિક ધોરણે નવા જુનિયર ટાઉન પ્લાનર મુકવા માટે પાલિકા પ્રમુખ દ્વારા સરકારમાં રજૂઆત કરાઈ છે. પાટણ નગરપાલિકામાં કાયમી જુનિયર ટાઉન પ્લાનરની દોઢ મહિના પહેલા બદલી થતાં ઊંઝાના અધિકારીને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. અધિકારી પાસે બે ચાર્જ હોય સમય અનુકૂળતાએ પાલિકામાં આવતા હોય જેને લઇ પાટણમાં નવા મકાનો કે કોમર્શિયલ પ્રોજેક્ટ માટેના નકશા મંજૂરી (નકશા પાસ) અને બાંધકામ પરવાનગીઓની ફાઈલો લાંબા સમયથી મંજૂરીના અભાવે પડી રહે છે. આના કારણે શહેરીજનોના આયોજનો અટવાયા છે. ઉપરાંત ટેક્નિકલ દેખરેખના અભાવે શહેરમાં અનિયંત્રિત વિકાસ થવાની કે ગેરકાયદે બાંધકામોની પ્રવૃત્તિઓ વધવાની શક્યતા ઊભી થઈ છે.સાથે શહેરના લાંબા ગાળાના આયોજન માટે અત્યંત મહત્ત્વના ગણાતા ડેવલપમેન્ટ પ્લાન (DP) અને નવી ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમની પ્રક્રિયા શરૂ થતાં પહેલા જ ખોરંભે પડી છે. નવા રોડ, ડ્રેનેજ કે અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના DPR (ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ) તૈયાર કરવામાં અને તેના ટેક્નિકલ ઓપિનિયન મેળવવામાં ધીમો પેસ જોવા મળી રહ્યો છે.જેથી નગરપાલિકા પ્રમુખ હિરલ પરમારે શહેરી વિકાસ તથા શહેરી ગૃહ નિર્માણ વિભાગને રજૂઆત કરી છે કે જો તાત્કાલિક કાયમી જુનિયર ટાઉન પ્લાનરની તાત્કાલિક નિમણૂક કરવા માંગ કરી હતી.
ઐતિહાસિક પાટણ શહેરમાં પ્રવેશતા પ્રવાસીઓના આકર્ષક માટે નિર્મળ ગુજરાત 2.0 હેઠળ પાટણના એન્ટ્રી પોઇન્ટ ઊંઝા ત્રણ રસ્તાથી બ્રહ્માકુમારી સુધીના બે કિલોમીટર માર્ગને 80.74 લાખના ખર્ચે શહેરમાં સૌપ્રથમ આઇકોનિક રોડ’ બનાવાયો હતો. જેમાં ભીત પર રંગબેરંગી પેઈન્ટિંગ, સુશોભિત બેઠક અને નવી સ્ટ્રીટ લાઇટની કામગીરી પૂર્ણ થવા છતાં હાલમાં પાલિકા આ આઇકોનિક રોડની સ્વચ્છતા, સુંદરતા અને સંભાળ માટે બેદરકારી દાખવતા આ રોડની દુર્દશા થઈ ગઈ છે.ભારે ખર્ચ છતાં, માર્ગની બંને બાજુ અને લાઇટ પોલ નજીક કચરાના ઠેરઠેર ઢગલા જોવા મળી રહ્યા છે. હરિયાળી માટે રોડની વચ્ચે વાવેલા અસંખ્ય વૃક્ષ પાણીના અભાવે ક્યાંક સુકાઈ ગયા તો મોટા ભાગે ખુલ્લા વૃક્ષ પશુઓ ચરી જતા હાલમાં જોવા જ મળી રહ્યા નથી. રસ્તા પર કરેલ બેઠક સ્થળો પાસે ગંદકી છવાયેલી છે. સ્થાનિક નાગરિકોનો બેસવાનું તો ઠીક ઊભું રહેવા લાયક નથી.સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે ખર્ચે કરી રોડ બનાવો મહત્વનો નથી.પરતું રોજબરોજની જાળવણી ન થાય, તો આ આઇકોનિક રોડ માત્ર કાગળ પરનો ખર્ચ બનીને જ રહેશે. પાલિકા તાત્કાલિક સ્વચ્છતા અને જાળવણી કરી સૌંદર્ય વધારવા કાર્યવાહી કરવી જોઈએ.
બાર એસોસિએશનની ચૂંટણી:ખંભાળિયા બાર એસો.ના પ્રમુખ પદ માટે એક મહિલા સહિત ત્રણ ઉમેદવાર મેદાને
ખંભાળીયા બાર એસોસિએશનની ચૂંટણી આગામી શુક્રવાર તા. 19-12-25ના રોજ ખંભાળીયા કોર્ટ બિલ્ડીંગમાં યોજાશે.જેમાં એક મહિલા સહિત ત્રણ ઉમેદવારો પ્રમુખ પદ માટે મેદાનમાં ઉતર્યા છે જેમાં 191 સભ્યોનો સમાવેશ થાય છે છેલા સાત વર્ષથી ખંભાળિયા વકીલ મંડળ બિન હરીફ રહ્યું છે પરંતુ આ વખતે ચૂંટણી યોજાનાર છે. ખંભાળીયા વકીલ મંડળમાં કુલ 191 મતદારોને સમાવેશ થાય છે. જેમાં ખંભાળીયાના વકીલ મંડળના પૂર્વ પ્રમુખ સંજયભાઈ જોશી જેઓ ઘણા સમયથી ખંભાળીયા બાર એસોસિએશન પ્રમુખ તરીકે બિનહરીફ કાર્યરત છે તેમજ સંજયભાઈ આંબલીયા જેઓ હાલમાં રેવન્યુ પ્રેક્ટિસનર્સ એડવોકેટ ગ્રુપના પ્રમુખ તરીકે કાર્યરત છે તેમજ મહિલા ઉમેદવાર સંગીતાબેન મોદી જેઓ મંડળની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે . એક મહિલા સહિત ત્રણ ઉમેદવારો પ્રમુખપદ માટે મેદાનમાં ઉતર્યા છે. જ્યારે ઉપપ્રમુખ માટે આર.એમ.જામ, ટી.જે.વિઠલાણી અને દવુભાઈ ચાવડા, સેક્રેટરી પદ માટે એસ.એલ.માતંગ, અને અમીબેન ધ્રુવ ઉમેદવાર છે જ્યારે જોઈન્ટ સેક્રેટરી ડી.ડી.લુણા અને ટ્રેઝરરમાં મહિલા અનામતમાં ધારાબેન કાનાણી તેમજ સહ ખજાનચી જયકુમાર કુવા અને લાઈબ્રેરીયન રવિરાજસિંહ જાડેજા બિનહરીફ વિજેતા થયા છે. જોકે, ખંભાળિયા વકીલ મંડળના પ્રમુખ સહિતના પદ માટે ઉમેદવારો મેદાને છે ત્યારે આગામી 19 તારીખને શુક્રવારના રોજ ખંભાળીયા કોર્ટ બિલ્ડીંગમાં સવારના 10 વાગ્યાથી બે વાગ્યા સુધી ચૂંટણી યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ખંભાળીયા વકીલ મંડળમાં છેલ્લા સાતેક વર્ષથી પ્રમુખ સહિતના પદ બિનહરીફ થયા છે અને છેલ્લા સાત વર્ષથી સંજયભાઈ જોશી બિનહરીફ પ્રમુખ તરીકે કાર્યરત રહ્યા છે જોકે આ વખતે મહિલા સહિત પ્રમુખ પદ માટે ત્રણ ઉમેદવારો મેદાને છે તેમાં જોવાનું રહ્યું કે, હવે કોના શિરે પ્રમુખ સહિતના પદ માટે તાજ પહેરવામા આવશે.
મીઠાપુર સ્થિત ટાટા કેમિકલ્સ કંપની સોડા, મીઠું અને સિમેન્ટ નું ઉત્પાદન કરે છે, ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન ઝેરી કચરો બહાર નિકળતા કથિત વિવિધ પ્રદૂષણથી માનવ જીવ, પશુ, પક્ષી, જંગલ અને ખેતી ઉપરાંત સમુદ્રી જીવ સૃષ્ટિને કથિત પારાવાર નુકસાની અંગે સંબંધિત લોકો દ્વારા તંત્રને ફરીયાદો કરાઇ છે. જે પૈકી એક ફરીયાદીની ફરિયાદનાં અનુસંધાને પ્રાંત અધિકારી અમોલ આવટે ની અધ્યક્ષતામાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ફિસરીજ અધિકારી, ખેતીવાડી અધિકારી, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનાં પ્રાદેશિક અધિકારી,સંબંધિત તલાટી વગેરે ટાટા કેમિકલ્સ મીઠાપુર ખાતે ફરિયાદીને સાથે રાખીને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત સમયે ટાટા કેમિકેલ્સ નાં ઉચ્ચ અધિકારીઓ સાથે રહ્યા હતા.ફરીયાદીઓની ફરીયાદ છે કે, ટાટા કેમિકલ્સ ફેક્ટરી તેના ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન ઝેરી રજકણો બહાર કાઢે છે, જેથી કરીને સુરજ કરાડીના ઉદ્યોગ નગર દેવપરા અને આસપાસના વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ થાય છે. સોલિડ કેમિકલ વેસ્ટ અને લિક્વિડ કેમિકલ વેસ્ટનું પાડલી પાસેનાં દરિયામાં કથિત નિકાલ કરતી હોય ત્યારે અહીં મોટા મોટા ડુંગરો સોલિડ વેસ્ટ કેમિકલનાં ખડકેલા છે જેથી આસપાસના ગ્રામ્ય કક્ષાનાં ખેતરો ની જમીન બંજર થઈ ગઈ છે. આ ફરિયાદના અનુસંધાને પ્રાંત અધિકારી અને સંબંધીત વિભાગના અધિકારી કર્મચારી પ્રથમ ટાટા કેમિકલ્સ ફેક્ટરીની મુલાકાત લીધી અને ત્યારબાદ દેવપરા ના રહેણાંક વિસ્તારમાં સુપર વિઝન કર્યું. અંતે સોલિડ વેસ્ટ સમુદ્રમાં નાખે છે તે સમુદ્રની અંદર મુલાકાત લઈને અલગ અલગ પ્રકારના સેમ્પલિંગ લઈને પંચરોજ કામ કરેલ છે.
ખંભાળીયામાં આઝાદીના સમય પહેલા જામનગરના રાજવી જામ રણજીતસિંહ દ્વારા અંગ્રેજોના સમયમાં ખંભાળીયામાં દાતા ગોપાલજી વાલજી જેરાજાણી પરિવારના આર્થિક સહયોગથી તે સમયના સવા લાખ રૂપિયામાં ભવ્ય અને રાજમહેલ જેવી જી.વી.જે. હાઇસ્કુલ બનાવેલી હતી. જે એક સમયે ખંભાળીયાની એક માત્ર હાઇસ્કુલ હતી જે હાઇસ્કુલમાં આઈએએસ સચિવ પી.વી.ભટ્ટ, સાંસદ પરિમલ નથવાણી, ધારાસભ્ય મેઘજીભાઈ કણઝારીયા, પૂર્વ મંત્રી હકુભા જાડેજા સહિત વિશ્વના અનેક દેશોમાં હાલ વસતા લોકો આ શાળાના પુર્વ વિદ્યાર્થી છે. ખૂબ જ ભવ્ય અને જે શાળાનું પરિણામ મુંબઈ રાજ્યમાં ખંભાળીયા હતું ત્યારે 100 ટકા આવતું તથા કડક શિસ્ત માટે જાણીતી આ હાઇસ્કુલમાં એક સમયે 25-30 વર્ગો હતા તે પછી 2001ના ભૂકંપમાં આ જૂનું બિલ્ડીંગ જર્જરિત થઈ ગયું અને પાછળના ભાગમાં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પ્રયાસોથી કરોડોનું બિલ્ડીંગ પણ બનાવાયું. જૂનું બિલ્ડીંગ જર્જરિત હોય તોડી પાડવા માટે હુકમ કરાયો હતો. પણ જી.વી.જે. હાઇસ્કુલના પૂર્વ શિક્ષકો, પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા એક લાંબી લડત શરૂ કરાઇ આ બિલ્ડીંગને બચાવવા તથા પુરાતન જી.વી.જે. હાઇસ્કુલ હિતરક્ષક સમિતિ પણ બની હતી. ડો.વી.કે.નકુમ, સ્વ.ડી.એમ.ભટ્ટ, સ્વ.નરોત્તમભાઈ હર્ષ, હિતેન્દ્ર આચાર્ય, ધીરેનભાઈ બદીયાણી વગરે દ્વારા જહેમત શરૂ થઈ જેમાં સાંસદ પૂનમબેન માડમ, તત્કાલીન મંત્રી હકુભા જાડેજા, રાજ્યસભા સાંસદ પરીમલ નથવાણી, પૂર્વ મંત્રી મુળુભાઈ બેરા વગરે ની મદદ તથા સમિતિના સદસ્યોની વારંવાર રજુઆત તથા ઝારખંડ તથા ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ પ્રદીપ ભટ્ટની જહેમત રંગ લાવી હતી. કરોડોના ખર્ચે આ જી.વી.જે. હાઇસ્કુલનો પુરાતન રૂપમાં જે સ્થિતિમાં મૂળ બિલ્ડીંગનો ભાગ હતો તેજ રીતે લાકડું પથ્થર વાપરીને તેજ ડિઝાઇનમાં તેનું નવું રૂપ કરવાનું નક્કી થયું અને મૂળ જોડિયા જામનગરના સવાણીભાઈ કોન્ટ્રાક્ટર દ્વારા આ અદ્દભુત નવું સ્વરૂપ તૈયાર થયું જેનું ગુરૂવારે લોકાર્પણ થયું હતું. ઉલ્લેખનીય છેકે વિશાળ જી.વી.જે. હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં તેના બિલ્ડીંગમાં જ અગાઉ જિલ્લા પોલીસ વડા સહિતની ચાર કચેરીઓ બેસતી હતી તથા હાલ આ બિલ્ડીંગમાં નવીનીકરણ વાળા બિલ્ડીંગમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવન બેસે છે જ્યારે અન્ય બિલ્ડીંગમાં જી.વી.જે. હાઇસ્કુલ તથા પાસે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી પણ બેસે છે. અગાઉ જ્યાં હાઇસ્કુલ બેસતી તે પ્રાચીન બિલ્ડીંગમાં હવે પી.ટી.સી. કે બી.એડ. કોલેજના છાત્રો બેસશે તે પણ આ બિલ્ડીંગ માટે ગૌરવની વાત ગણાય છે. બોકસ-1 પુર્વ છાત્રો વસ્યા છે . વિશ્વના અનેક દેશોમાં ખંભાળિયાની જી.વી.જે. હાઇસ્કુલ એવી હાઇસ્કુલ છે જેના છાત્રો હાલ આફ્રિકા, ઇંગ્લેન્ડ, રશિયા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, દુબઈ, સહિતના અનેક દેશોમાં વસે છે અને અહીં આવે ત્યારે પોતાની પ્રાચીન શાળા નિહાળે છે તેઓ પણ આ નવનિર્માણના બિલ્ડીંગની ખૂબ આનંદિત થયા છે. પૂર્વ છાત્રો વસ્યા છે વિશ્વના અનેક દેશોમાં ખંભાળિયાની જી.વી.જે. હાઇસ્કુલ એવી હાઇસ્કુલ છે જેના છાત્રો હાલ આફ્રિકા, ઇંગ્લેન્ડ, રશિયા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, દુબઈ, સહિતના અનેક દેશોમાં વસે છે અને અહીં આવે ત્યારે પોતાની પ્રાચીન શાળા નિહાળે છે તેઓ પણ આ નવનિર્માણના બિલ્ડીંગની ખૂબ આનંદિત થયા છે.
દૂધસાગર ડેરીમાં મતદારો વધુ હોવા છતાં પાટીદાર પ્રતિનિધિત્વ ઉપર કાતર ફેરવાઇ હોવા મામલે ઉઠેલા વિવાદને પગલે ડેરીમાં સાૈથી વધુ 39 ટકા દૂધ ભરાવનાર ચાૈધરી સમાજના અશોક ચૌધરીને ચેરમેન પદે રિપીટ કરાયા છે. તો સાૈથી વધુ દૂધ મંડળીઅો ધરાવતા પાટીદાર સમાજના, માણસાના ડિરેક્ટર દશરથભાઈ પટેલની વાઇસ ચેરમેન પદે સર્વાનુમતે વરણી કરાઈ છે. નિયામક મંડળના 17 ડિરેક્ટરો હાજરીમાં મળેલી બેઠકમાં, ભાજપના મેન્ડેટ મુજબ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીની કાર્યવાહી માત્ર 12 મિનિટમાં પૂરી થઈ હતી. ચેરમેન અશોક ચૌધરીએ જણાવ્યું કે, આ માત્ર ધંધો નથી, પરંતુ એક શ્રદ્ધા છે અને આ ધંધામાં એક રૂપિયાની પણ ગડબડ થાય તો ભગવાન પણ માફ ન કરે. દૂધસાગર ડેરીને પશુપાલકો માટે એક મંદિર સમાન ગણાવી, ફરી પાંચ વર્ષની જવાબદારી મળી છે એમ કહી ભાવુક થઇ ગયા હતા. આંખો લૂસીને કહ્યું કે, ગત પાંચ વર્ષમાં તેમણે આ પદ (ઝભ્ભા) ઉપર કોઈ દિવસ ડાઘ પડવા દીધો નથી, હવે પણ ડાઘ પડવા દઇશ નહીં. પશુપાલક પ્રશ્નો લઈને આવે અને હસતાં હસતાં જાય ત્યારે જ સાચો આનંદ થાય છે. ગત પાંચ વર્ષમાં જે કામો થયા, તે કેવળ અને કેવળ પશુપાલક સુખી થાય અને ડેરી મજબૂત કરવાના હતા. તેમણે કહ્યું કે, ગત 5 વર્ષમાં કામો કર્યા તેના લીધે ટર્નઓવર વધ્યું છે. 5 વર્ષમાં પાવડર પ્લાન્ટ, દિલ્હીમાં પનીર પ્લાન્ટ વગેરે થયા છે. આવનાર દિવસોમાં ડેરીમાં ચીઝ પ્લાન્ટ અને બીજી અલગ અલગ પ્રોડક્ટ બનાવવાનું આયોજન છે. હાલ ડેરીમાં 42 લાખ લિટર દૂધ આવે છે, આવનાર બે વર્ષમાં 50 લાખ લિટર દૂધ આવે તે સંક્લ્પ સાથે કામ કરી રહ્યા છીએ. તેમણે યુવાનો પશુપાલનથી વિમુખ ન થાય તેની ચિંતા વ્યક્ત કરી યુવાનો માટે 50 ગાય-ભેંસનો મોડેલ તબેલો બનાવવાની યોજના રજૂ કરી. આ તબેલો તૈયાર થયા પછી યુવાનોને ત્રણ દિવસની તાલીમ અને બેંક લોન માટે મદદ અથવા ડેરી દ્વારા લોન આપવાની વ્યવસ્થા કરવામાં આવશે.
ઝળહળતી સિદ્ધિ:દ્વારકાની છાત્રા સુગમ સંગીત સ્પર્ધામાં પ્રદેશકક્ષાએ દ્વિતીય
કલા મહાકુંભના પ્રદેશકક્ષાના આયોજનમાં મુળ દ્વારકાની હાલ પોરબંદરની બોખીરાની પે સેન્ટર શાળાની વિદ્યાર્થીનીએ દ્વિતીય ક્રમ મેળવ્યો છે. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા અને સાંસ્ક્રુતિક પ્રવૃત્તિની કચેરી અમરેલી દ્વારા તાજેતરમાં અમરેલી ખાતે સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાના કલા મહાકુંભ૨૦૨૫-૨૬ ની વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામા આવેલ હતુ. આ સ્પર્ધામાં મુળ દ્વારકાના અને હાલ પોરબંદરની સરકારી પી. એમ. બોખીરા પે સેન્ટર પ્રાથમિક શાળાની ધો-6માં અભ્યાસ કરતી અબોટી બ્રામણ સમાજની કાવ્યા મનસુખભાઈ ઠાકરે કલા મહાકુંભ સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાની 6 થી 14 વય જૂથ સ્પર્ધામાં દ્વિતીય નંબર મેળવી શાળા,અબોટી સમાજ, દ્વારકા અને પોરબંદર જિલ્લાનું ગૌરવ વધારવા બદલ અભિનદન વર્ષા થઈ છે અમરેલી ખાતે સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાની કલા મહાકુંભ-2025 સ્પર્ધા યોજાઈ હતી. જેમાં લોક ગીત, ભજન સમૂહ ગીત લોકનૃત્ય જેવી વિવિધ સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં મુળ દ્વારકા અને હાલ પોરબંદરની બોખીરા પે સેન્ટર શાળામાં ધો-૬ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કાવ્યા મનસુખભાઈ ઠાકરે સુગમ સંગીત સ્પર્ધામાં દ્વિતીય નંબરે વિજેતા થતા પોરબંદર જિલ્લાનું ગૌરવ વધારવા બદલ અભિનંદન વર્ષા થઈ છે. કાવ્યાબેનના પિતા મનસુખભાઈ ઠાકર મોઢવાડાની વી.જી.કારીયા માધ્યમિક શાળામાં ગુજરાતી શિક્ષક તરીકે ફરજ બજાવે છે, તેઓ જાણીતા સાહીત્યકાર, કવિ વક્તા છે ત્યારે તેઓની પુત્રી કાવ્યાએ સૌરાષ્ટ્ર પ્રદેશકક્ષાએ સુગમ સંગીતમાં દ્વિતીય નંબરે વિજેતા થતા મોરનાં ઈંડા ચીતરવા ન પડે''''એ કહેવત સાર્થક કરી છે, આથી શિક્ષણ જગતના સારસ્વ તો ગૌરવની લાગણી અનુભવે છે નાની ઉમરે શિક્ષકની પુત્રીએ આ સિધ્ધિ મેળવવા બદલ અભિનંદન આપ્યા હતા.
ઉત્કૃષ્ટ પ્રદર્શન:રાજ્યકક્ષાએ ટેક્વોન્ડોમાં સુવર્ણચંદ્રક જીત્યુ, ગૌરવ
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત ચાલતી ટેક્વોન્ડો ઇન-સ્કૂલ યોજના હેઠળ શ્રી સાંઈ વિદ્યા સંકુલ જોડીયામાં તાલીમ લઈ રહેલા વિદ્યાર્થી શિવમ હિતેશભાઈ સાંચલાએ તાજેતરમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. તા. 7 ડિસેમ્બર 2025ના સુરતમાં યોજાયેલી 3rd ઓપન ગુજરાત સ્ટેટ ટેક્વોન્ડો ચેમ્પિયનશિપ 2025 અને 2nd ફેડરેશન કપ માટેની પસંદગી ટ્રાયલમાં શિવમે શાળાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ સ્પર્ધામાં તેણે કેડેટ વય જૂથમાં-61 કિલોગ્રામ વજન જૂથમાં જોરદાર પ્રદર્શન કરીને સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો છે. આ સિદ્ધિ દ્વારા શિવમે માત્ર શાળાનું જ નહીં પરંતુ સમગ્ર જામનગર જિલ્લા સહિત દરજી સમાજનું ગૌરવ વધાર્યું છે અને તેનું આ પ્રદર્શન આગામી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ માટે આશા જગાવે છે. શિવમની આ પ્રેરણાદાયી સફળતા બદલ જિલ્લા રમત ગમત અધિકારી, ટીમ મેનેજર અને શ્રી સાંઈના આચાર્ય જગદીશ વિરમગામા તેમજ શાળાના ટ્રસ્ટીઓ અને શિક્ષકગણે છાત્રને બિરદાવ્યો છે. આ સિદ્ધિ પાછળ ખેલાડીની મહેનતની સાથે સાથે કોચ જયવિરસિંહ સરવૈયાનું કુશળ માર્ગદર્શન પણ નિર્ણાયક રહ્યું છે. શિવમની આ જીત અન્ય ખેલાડીઓ માટે પણ રમતગમતના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટેની પ્રેરણા સ્ત્રોત બની રહેશે.
અનઅધિકૃત દબાણો દૂર કરાયા:દબાણ હટાવ ઝૂંબેશ, 20થી વધુ અડચણરૂપ રેકડીં-કેબીન હટાવાયા
શહેરમાં મહાનગરપાલિકા દ્વારા માર્ગો પર અડચણરૂપ દબાણોને દૂર કરવાની કાર્યવાહી યથાવત રખાઇ છે જેમાં શુક્રવારે શરૂ સેકશન રોડ સહિતના વિસ્તારોમાં માર્ગો પર અડચણરૂપ રેકડીઓ, કેબીનો અને પતરા વગેરે સહિત વીશથી વધુ દબાણોને એસ્ટેટ શાખા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા સપ્તાહના પ્રારંભથી દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જે શુક્રવારે પણ યથાવત રખાઇ હતી.જેમાં મેરેથોન તથા સાયકલોથોન રૂટ પર એસ્ટેટ શાખા દ્વારા માર્ગોને અડચણરૂપ દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. શહેરના શરૂ સેકશન રોડ, બેડેશ્વર ઓવરબ્રિજ સહિતના વિસ્તારમાં રેંકડીઓ, કેબીનો ઉપરાંત પતરાઓ વગેરેને તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.એસ્ટેટ ટીમ દ્વારા દિવસ દરમિયાન લગભગ વીશથી વધુ આવા નડતરરૂપ દબાણોને હટાવાયા હતા. એસ્ટેટ દ્વારા શહેરના માર્ગો પર અડચણરૂપ દબાણોને દૂર કરવાની કાર્યવાહી અવિરતપણ ચાલુ રખાઇ છે. અત્રે ઉલ્લેખનીય છેકે, મનપા દ્વારા છેલ્લા પાંચ દિવસ દરમિયાન દશ રેકડીઓ, પાંચ કેબીનો ઉપરાંત 40થી વધુ નાના મોટા પથારા સહિતનો સામાન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં શહેરના દરબારગઢ, બ્રર્ધન ચોક, માંડવી ટાવર, સેન્ટ્રલ બેન્ક ,રણજીત રોડ, જી.જી.હોસ્પિટલ રોડ, દિ,પ્લોટ, ઓશવાળ હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં તંત્ર દ્વારા દબાણો દૂર કરાયા હતા.
જામનગરના વિમાની મથકે શુક્રવારે સવારે ભારતીય ટીમના પુર્વ કેપ્ટન જાણીતા ક્રિકેટર રોહિત શર્મા, પત્ની અને બે સંતાનો સાથે ઉતર્યા હતા.તેઓ ચુસ્ત સિકયુરીટી વ્યવસ્થા વચ્ચે કાર મારફતે રીલાયન્સના વનતારા જવા માટે રવાના થયા હતા. જે દરમિયાન બપોરે બોલીવુડ સ્ટાર અભિનેતા રણબીર કપુર અને તેના પત્ની અભિનેત્રી આલીયા ભટ્ટ પણ પરીવાર સાથે એરપોર્ટ પર આવી પહોચ્યા બાદ વનતારા જવા કારમાં પ્રસ્થાન કર્યુ હતુ.
વેધર રિપોર્ટ:શહેરમાં આંશિક વધારા સાથે પારો 13 ડિગ્રી, ઠંડીનું મોજું
જામનગર શહેર સહિત જિલ્લાભરમાં ઘીરે ધીરે શિયાળો આગવો મિજાજ દર્શાવી રહયો છે.સતત બે દિવસથી સાડા બાર ડિગ્રી આસપાસ સ્થિર રહેલો લઘુતમ પારો આંશિક ઉંચકાયો હતો અને 13 ડિગ્રી પર પહોચ્યો હતો.જોકે, મહતમ તાપમાનમાં પણ એક ડિગ્રીનો ઘટાડો થતા મોડીસાંજથી સવાર સુધી વાતાવરણ ટાઢુબોળ રહયુ હતુ. જામનગર સહિત હાલારભરમાં હેમાળો માગસર માસના અંતિમ સપ્તાહના પ્રાર઼ભ સાથે જ જોર પકડી રહયો છે.સપ્તાહના મધ્ય ભાગથી તિવ્ર ઠંડીના મોજાનો મુકામ રહયો હતો .તેમાં શહેરમાં ગત બુધવાર અને ગુરૂવાર દરમિયાન સાડા બાર ડિગ્રી આસપાસ લઘુતમ તાપમાન સ્થિર થતા કડકડતી ઠંડીનો અહેસાસ જનજીવને કર્યો હતો. પવન સાથે પારામાં આંશિક વધઘટ વચ્ચે શુક્રવારે રાત્રીનુ તાપમાન અડધો ડિગ્રીથી વધુ ઉંચકાયુ હતુ. જે સાથે મહતમ તાપમાન પણ એક ડિગ્રી ઘટી 30 ડિગ્રી પર સ્થિર થયુ હતુ. જેના કારણે આંશિક વધઘટ વચ્ચે પણ શુક્રવારે ઠંડીનુ મોજુ મહદઅંશે બરકરાર રહયુ હતુ.ખાસ કરી મોડીસાંજથી સવાર સુધી વાતાવરણમાં ટાઢોડાનો અહેસાસ જનજીવને કર્યો હતો. માગસર માસના બીજા પખવાડીયાના પ્રારંભ સાથે જ તિવ્ર ઠંડીના મુકામથી જનજીવન પણ પ્રભાવિત થયુ હતુ. ખાસ કરી રાત્રી દરમિયાન શહેરના સતત ધમધમતા રાજમાર્ગો પર ચહલ પહલ નહીવત જોવા મળે છે.ગ્રામ્ય પંથકમાં પણ ઠંડીનુ જોર વધતા જનજીવન પ્રભાવિત થયુ છે.
ભાસ્કર એનાલિસિસ:જામ્યુકોની બિલ્ડીંગની ફાયર અગ્નિશામકની આવરદા પૂર્ણ, અધિકારી-કર્મીઓના જીવને જોખમ
જામનગર મહાનગરપાલિકાની બિલ્ડીંગમાં ફીટ કરાયેલી ફાયર સીસ્ટમના અગ્નિશામકોની આવરદા છેલ્લા બે વર્ષથી પુર્ણ થઈ જતાં કામ કરતા કર્મચારીઓ તેમજ દૈનિક મોટી સંખ્યામાં આવતા અરજદારોના જીવનું જોખમ ઉભું થયું છે. આખા શહેરમાં ફાયર એનઓસીના નિયમોનું પાલન કરાવે છે તે જ બિલ્ડીંગની ફાયર સીસ્ટમ છેલ્લા બે વર્ષથી પુર્ણ થઈ ગઈ છે. જામનગર શહેરમાં આવેલી તમામ બિલ્ડીંગો તેમજ હાઈરાઈઝ બિલ્ડીંગોમાં ફાયર સિસ્ટમ માટેની એનઓસી લેવી ફરજીયાત છે. ત્યારે શહેરમાં ફાયર સિસ્ટમ એનઓસીનું પાલન કરાવતી જામ્યુકોની બિલ્ડીંગમાં જ ફાયર સીસ્ટમ ખખડધજ બની ગઈ છે. બિલ્ડીમાં ઓગસ્ટ-2020માં ફાયર સીસ્ટમ ફીટ કરવામાં આવી હતી જેમાં પાંચ માળની બિલ્ડીંગમાં તમામ વિભાગોની ઓફીસોમાં અગ્નિશામકો (એક્સટીંગ્યુશર ) મુકવામાં આવ્યા છે. જેની ડ્યુ ડેટ ઓગસ્ટ-2023 છે. પરંતુ હજુ સુધી અગ્નિશામકો બદલવામાં આવ્યા નથી. તો ફાયર સીસ્ટમ જે ફીટ કરવામાં આવી છે. તેમાં વાલ પણ કટાઈ ગયા છે. જેથી કોઈ દુર્ઘટના સર્જાય ત્યારે ચાલે કે, નહીં તે પણ મોટો પ્રશ્ન ઉભો થયો છે. હાલ જામ્યુકોમાં જુદા જુદા વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ, કર્મચારીઓ તેમજ દૈનિક મોટી સંખ્યામાં આવતા અરજદારો ઉપર જોખમ ઉભુ થયું છે. જ્યારે આખા શહેરની જેના ઉપર જવાબદારી છે. તે જામ્યુકોની બિલ્ડીંગમાં ફાયર સીસ્ટમની આવરદા પુર્ણ થઈ ગઈ હોવા છતાં એક્સટીંગુશર બદલવામાં આવ્યા નથી. જો કોઈ દુર્ઘટના બને તો જવાબદારી કોની..? તે મોટો પશ્ન છે. છેલ્લા બે વર્ષથી ફાયર અગ્નિ શામકોની આવરદા પુર્ણ થઈ ગઈ હોવા છતાં અધિકારીઓને ધ્યાનમાં જ નથી., કે પછી આંખ આડા કાન કરવામાં આવે છે. જ્યારે કરોડોના વિકાસકામોને મંજુર કરવામાં આવે છે. ત્યારે લાખોના ખર્ચે ફાયર સીસ્ટમ કેમ ફીટ કરવામાં નથી આવતી. અત્રે ઉલ્લેખનિય છે કે, મહાનગરપાલિકાના વિભાગીય કાર્યલયો, દૈનિક અરજદારોની ભીડ અને વિવિધ પ્રશાસનિક પ્રક્રિયાઓને કારણે અહીં રોજે હજારો લોકોની અવરજવર રહે છે. આવી ભીડભાડની બિલ્ડીંગમાં ફાયર અલાર્મ સિસ્ટમ, સ્પ્રિંકલર લાઇન, ફાયર એક્સ્ટિંગ્વિશર સહિતની સુવિધાઓ પૂર્ણ રીતે કાર્યરત હોવી જરૂરી છે. પરંતુ છેલ્લા બે વર્ષથી આ સિસ્ટમ માત્ર દેખાવ પૂરતી રહી છે. ઘણા ફાયર એક્સ્ટિંગ્વિશર સમયમર્યાદા પાર કરી ચૂક્યા છે, કેટલીક જગ્યાએ પ્રેશર ઓછું છે, જ્યારે સ્પ્રિંકલર નેટવર્કનું મેન્ટેનન્સ પણ યોગ્ય રીતે થયું નથી. ફાયર વિભાગ-અધિકારીઓએ કંઈ કહેવાની ના પાડીજામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગનો સંપર્ક કરવામાં આવતા આ બાબતે કોઈ બોલવા માંગતા ન હતા. તો ફાયર ઓફીસર કે.કે.બિશ્નોઈએ પણ આ બાબતે મારે કંઈ કહેવું નથી. તેમ જણાવ્યું હતું. તો જામ્યુકોના અન્ય અધિકારીઓ પણ આ બાબતે કંઇ કહેવા માંગતા નથી.
દર્દીઓને હાલાકી:જી.જી.ના ટ્રોમા વોર્ડથી નવી બિલ્ડીંગ સુધી દર્દી સિફ્ટિંગમાં વધતી પરેશાની
જામનગર શહેરની જી.જી. હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાંથી નવી બિલ્ડીંગમાં દર્દીઓને શીફ્ટ કરવામાં આવતા દર્દીઓની અને સાથે રહેલા સગાઓની પરેશાની વધી ગઈ છે. દર્દીઓને સ્ટ્રેચરમાં લઈ જવામાં પરસેવો વળી જાય છે. જી.જી.હોસ્પિટલમાં દૈનિક 3 થી 4 હજાર દર્દીઓની ઓપીડી હોય છે તો ઈમરજન્સી દર્દીઓ પણ મોટી સંખ્યામાં આવતા હોવાથી ટ્રોમા વોર્ડ તેમજ 100 નંબરમાં તાત્કાલિક સારવાર માટે મોકલવામાં આવે છે. જ્યાં દર્દીને ઈમરજન્સી સારવાર અપાયા બાદ નવી બિલ્ડીંગમાં શીફ્ટ કરવામાં આવે છે. અત્યાર સુધી જી.જી.હોસ્પિટલની જુની બિલ્ડીંગમાંથી નવી બિલ્ડીંગમાં લઈ જવામાં આવતા હતાં. પરંતુ હાલ જુની જી.જી.હોસ્પિટલની બિલ્ડીંગની પાડતોડની કામગીરી ચાલી રહી હોવાથી દર્દીઓને બારોબાર થઈને અંદાજે 300 મીટર સુધી સ્ટ્રેચર ચલાવીમાં લઈ જવામાં દર્દીઓ અને સગાઓની હાલત કફોડી બની જાય છે. તો ઓર્થોપેડીક તથા અન્ય ઓપરેશનો પણ જુની બિલ્ડીંગમાં થાય છે. જેથી તે દર્દીઓને પણ સ્ટ્રેચરમાં નવી બિલ્ડીંગમાં લઈ જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જી.જી.હોસ્પિટલ તંત્ર દ્વારા આવા દર્દીઓને નવી બિલ્ડીંગમાં પહોંચાડવા માટેની ખાસ વ્યવસ્થા કરવી જરૂરી છે. તો અગાઉ જ્યારે નવું બિલ્ડીંગ બન્યું હતું. ત્યારે વાહનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરત શહેરની મુલાકાતે આવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાના 350 કરોડના વિકાસ કામો સહિત કૂલ 600 કરોડના પ્રોજેક્ટનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાશે. સુરત એપીએમસીમાં રૂપિયા 200 કરોડના ખર્ચે બનેલી 'એલિવેટેડ માર્કેટ'ને મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લી મૂકાશે. ત્યારબાદ મુખ્યમંત્રી રાંદેરની એક હોટલમાં આયોજીત ઓલ ઈન્ડિયા મેયર કાઉન્સિની બેઠકમાં હાજરી આપશે. બેઠક બાદ વીર નર્મદ યુનિવર્સિટીમાં આયોજીત મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રાજ્યની સૌથી મોટી અને અત્યાધુનિક એલિવેટેડ માર્કેટનું નિર્માણસુરતમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ રાજ્યની સૌથી મોટી અને અત્યાધુનિક 'એલિવેટેડ માર્કેટ' તૈયાર કરીને એક નવો ઈતિહાસ રચ્યો છે. સામાન્ય રીતે શાકભાજી માર્કેટ ગ્રાઉન્ડ ફ્લોર પર જોવા મળતી હોય છે પરંતુ, સુરતમાં જમીનની અછત અને આધુનિકીકરણના ભાગરૂપે પહેલા માળે શાકમાર્કેટ તૈયાર કરવામાં આવી છે.આ માર્કેટની સૌથી મોટી વિશેષતા તેની ડિઝાઈન છે. અહીં એરપોર્ટની જેમ ખાસ રેમ્પ તૈયાર કરવામાં આવ્યા છે. પરંપરાગત માર્કેટમાં માલસામાન ઉતારવા અને ચડાવવામાં ખૂબ સમય બગડતો હતો અને ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી પરંતુ, આ નવી એલિવેટેડ માર્કેટમાં 100 ફૂટનો પહોળો રેમ્પ બનાવવામાં આવ્યો છે. જેના કારણે ટ્રક અને ટેમ્પો જેવા હેવી વ્હીકલ્સ સીધા પહેલા માળે દુકાનની સામે જ જઈ શકે છે. આ સુવિધાને કારણે ખેડૂતો અને વેપારીઓ પોતાનો માલસામાન દુકાનની બરાબર સામે જ ઉતારી શકે છે, જેનાથી શ્રમ અને સમય બંનેની બચત થાય છે. આ પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ભારતના કૃષિ માર્કેટ સેક્ટરમાં એક નવો ચીલો ચાતરશે. 108 હાઈટેક દુકાનો અને બિઝનેસ ફ્રેન્ડલી સુવિધાઓઆ એલિવેટેડ માર્કેટમાં કુલ 108 જેટલી મોટી દુકાનો બનાવવામાં આવી છે. વેપારીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને દરેક દુકાનમાં એક મોટું ગોડાઉન અને બે ઓફિસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં, દુકાનની બહાર પણ માલસામાન મૂકવા માટે પૂરતી મોકળાશવાળી જગ્યા રાખવામાં આવી છે, જેથી હરાજી અને વેચાણ પ્રક્રિયામાં કોઈ અડચણ ન આવે. શ્રમિકો અને ખેડૂતોને મફત સારવારની સુવિધા અપાશેમાત્ર વેપાર જ નહીં પરંતુ, સુરત APMCએ માનવતાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. માર્કેટમાં કામ કરતા હજારો શ્રમિકો અને માલ લઈને આવતા ખેડૂતોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અહીં મેડિકલની સુવિધા ઉભી કરવામાં આવી છે. અહીં કામદારો માટે સંપૂર્ણપણે મફત સારવારની વ્યવસ્થા છે, જેથી ગરીબ શ્રમિકોને નાની-મોટી બીમારીમાં આર્થિક બોજ ન સહન કરવો પડે. 15 રાજ્યો સાથે વ્યાપારિક જોડાણ અને 3700 કરોડનું ટર્નઓવરસુરત APMC માત્ર ગુજરાત પૂરતું સીમિત નથી રહ્યું. અહીં દેશના 15 જેટલા વિવિધ રાજ્યોમાંથી લોકો પોતાના શાકભાજી અને ફળો વેચવા માટે આવે છે. આ આંતરરાજ્ય વ્યાપારને કારણે સુરત એક મોટું ટ્રેડિંગ હબ બન્યું છે. રોજિંદા અંદાજે 15,000 જેટલા ખેડૂતો, ફેરિયાઓ અને વેપારીઓ અહીં મુલાકાત લે છે. આવકની દ્રષ્ટિએ વાત કરીએ તો, સુરત APMC સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમાંકે આવે છે. વાર્ષિક 3700 કરોડ રૂપિયાના તોતિંગ ટર્નઓવર સાથે આ માર્કેટ રાજ્યના અર્થતંત્રમાં મોટો ફાળો આપી રહી છે. બગડી ગયેલા શાકભાજી અને કચરામાંથી CNG ગેસ બનાવે છેપર્યાવરણ જાળવણીમાં પણ આ માર્કેટ પાછળ નથી. શાકભાજી માર્કેટમાં પુષ્કળ પ્રમાણમાં કચરો નીકળવો સ્વાભાવિક છે પરંતુ, અહીં વેસ્ટેજ શાકભાજીનો નિકાલ કરવા માટે બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. બગડી ગયેલા શાકભાજી અને કચરાને આ પ્લાન્ટમાં નાખીને તેમાંથી CNG ગેસ બનાવવામાં આવે છે, જે ગ્રીન એનર્જી તરફનું એક મજબૂત પગલું છે. એલિવેટેડ માર્કેટ દેશભરમાં એક મોડલ સમાન બની રહીસુરત APMCના ચેરમેન અને ધારાસભ્ય સંદીપ દેસાઈએ આ પ્રોજેક્ટ વિશે ગર્વ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સુરત APMC માર્કેટ ગુજરાતમાં સૌથી વધારે ટર્નઓવર ધરાવતી માર્કેટ છે. હવે આ રાજ્યની એવી પ્રથમ માર્કેટ બની છે જે એલિવેટેડ છે. પહેલા માળે APMC માર્કેટ કાર્યરત થવાથી અને 100 ફૂટના રેમ્પ જેવી સુવિધાઓ મળવાથી વેપાર સરળ બનશે. અમે ખેડૂતો અને શ્રમિકો માટે મેડિકલ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. દેશના 15 રાજ્યોમાંથી લોકો અહીં વેપાર અર્થે આવે છે તે સુરત માટે ગૌરવની વાત છે. આમ, આધુનિક સુવિધાઓ, જંગી ટર્નઓવર અને પર્યાવરણલક્ષી અભિગમ સાથે સુરતની આ એલિવેટેડ માર્કેટ દેશભરમાં એક મોડલ સમાન બની રહી છે.
હાલમાં ચાલી રહેલી SIRની કામગીરી દરમિયાન ઘણા BLO અનેક ફરિયાદો કરી રહ્યાં છે. કેટલાક કિસ્સાઓ એવા પણ સામે આવ્યા છે જેમાં કામના ભારણના કારણે શિક્ષકોએ આપઘાત કર્યા હોય. આ તમામ વિવાદો વચ્ચે સુરતના BLO મકરંદ રાજેશભાઈ જોશી વિશેષ કામગીરી કરી રહ્યાં છે. આ શિક્ષકને ફાળવેલા વિસ્તારોમાં માઇક અને લાઉડ સ્પીકર સાથે સોસાયટી-સોસાયટીમાં જઈ SIRના ફોર્મ ભરવા લોકોને એનાઉન્સ કરી કરીને જાગૃત કરી રહ્યા છે. એટલું જ નહીં તેઓ આ કામગીરીને લોકશાહીને મજબૂત કરવાનું ઐતિહાસિક કાર્ય માની રહ્યા છે. એક તરફ મકરંદ જોશીને ગળાની નીચે મણકાની ગાદીમાં સર્વાઇકલ ઇજા થઇ છે અને ડોક્ટરે હાથ-ખભામાં આરામ કરવાનું કહ્યું. આમ છતાં પોતાની સમસ્યાને લઈને કોઈપણ પ્રકારની રજાની માગ કર્યા વગર કામ કરી રહ્યાં છે. તેઓનું કહેવું છે કે, લોકતંત્રને મજબૂત કરવાના કેમ્પેનમાંથી બાકાત રહેવા નથી માંગતો. SIR કામગીરીમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી અને તેની જીવનભર યાદી બની રહે તે રીતે કામગીરી કરી રહ્યા છે. શરૂઆતમાં મકરંદ જોશીને કોઈ તકલીફ નહોંતીસુરતના અડાજણ વિસ્તારમાં રહેતા 37 વર્ષીય મકરંદ રાજેશભાઈ જોશી 2013થી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. બે દીકરીના પિતા એવા મકરંદભાઈ હાલ SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન)ની કામગીરીમાં BLO (બૂથ લેવલ ઓફિસર) તરીકે કામગીરી કરી રહ્યા છે. કામગીરી શરૂ થઈ ત્યારે તેઓ એકદમ સ્વસ્થ હતાં. જોકે થોડા દિવસોમાં તેમની મણકાની ગાદી ખસી જવાના કારણે તકલીફ શરૂ થઈ હતી. જોકે, લોકશાહીને મજબૂત કરવાની આ કામગીરીમાં પોતાનુ યોગદાન આપી રહ્યા છે. ગરદનમાં દુખાવો થતાં મેં ડોક્ટર પાસે ચેક કરાવડાવ્યુંઃ મકરંદ જોશીમકરંદ રાજેન્દ્રભાઈ જોશીએ જણાવ્યું હતું કે, અત્યારે SIRમાં બીએલઓ તરીકે હું સુરતમાં 138 ભાગમાં કામ કરી રહ્યો છું. જ્યારે આ કામગીરી શરૂ થઈ એની વચ્ચે જ મને ગરદનમાં દુખાવો ચાલુ થયો, એટલે મેં ડોક્ટર પાસે ચેક કરાવડાવ્યું તો ડોક્ટરે કહ્યું કે, તમારા મણકાની ગાદી ખસી ગઈ છે. એટલે એનો ઇલાજ પણ સાથે-સાથે ચાલુ છે અને કામગીરી પણ સાથે સાથે ચાલુ છે. ‘ઈલાજની સાથે મેં SIRનું કામ પણ કરવાનુ નક્કી કર્યું’શરૂઆતમાં તો હું થોડો ગભરાઈ ગયો. મને થયું આની માટે ઇલાજ પર આપણે વધુ ધ્યાન આપવું જોઈએ. પણ સાથે-સાથે મને એ પણ ધ્યાનમાં આવ્યું કે, લોકતંત્રને ખૂબ મજબૂત કરવાની આ SIRની પ્રક્રિયા છે. ક્યાંકને ક્યાંક આપણે એનો ભાગ છીએ. આ કામગીરી એટલી ક્લિષ્ટ અને કોમ્પ્લેક્સ છે કે કદાચ મને આમાંથી મુક્ત પણ કરે અને કોઈ નવો વ્યક્તિ પણ આવે તો તેને પણ સમજવામાં-કરવામાં ખૂબ તનાવ થશે. એટલે મને થયું કે, આપણે આ સાથે બંને કામો સાથે જ કરીએ. ‘કામ અને તબિયત બેલેન્સ કરીને બધુ કરૂ છું’તબિયતનું ધ્યાન રાખવાની સાથે-સાથે કામ કરૂ છું. કામ અને તબિયતને લઈ એ રીતનો પ્રયાસ રહે છે કે, બહું શારીરિક રીતે પણ શ્રમ ન પડે અને શારીરિક અંગોનું પણ હલનચલન થાય. સાથે-સાથે જે આપણા કામો છે, જેમ કે, ફોર્મ્સ લેવાના હોય કે શિફ્ટેડના ફોર્મ હોય, ઓનલાઇન ચઢાવવાના એ બધું કરીએ છીએ. ‘ઘણી વખત ફ્રસ્ટ્રેશનની સ્થિતિ થાય, ધીરજ રાખવી પડે’જ્યારે અમે ઘરે-ઘરે જઈએ તો ઘણા લોકો આ કામગીરીને બહુ ગંભીરતાથી લેતા નથી. ફોર્મ સમય પર આપતા નથી, જેથી એમના ઘરે જવું પડે, બેસીને ફોર્મ ભરવું પડે અને ખૂબ ધીરજ રાખવી પડે. ફ્રસ્ટ્રેશનની સ્થિતિ થાય કારણ કે, લોકોના એવા રિસ્પોન્સ હોય કે આ આપણું કામ છે, લોકો સુધી જવું જરૂરી છે. એટલે માનસિક રીતે ધીરજ રાખીને પેશન્સ રાખીને કામ કરવું પડે. ‘એક વાતાવરણ ઊભું કર્યા બાદ ફોર્મ મળવા લાગ્યા’મને જ્યારે ધ્યાનમાં આવ્યું કે, ફોર્મ ભરીને આપવાનું જે કામ છે તેને લઈને લોકોમાં ગંભીરતા નથી. તેમને ખ્યાલ નથી કે એમનું નામ મતદાર યાદીમાંથી નીકળી શકે છે. એટલે વ્યક્તિગત ઘરે જઈને પણ જ્યારે રિસ્પોન્સ ન મળ્યો, ત્યારે મને થયું કે આનું એક વાતાવરણ ઊભું કરવું પડશે. સોસાયટીમાં માઈક સ્પીકર લઈને જવું પડશે તો વાતાવરણ બને અને પછી લોકો એકબીજા સાથે વાતો કરીને આના વિશે ચર્ચા કરે તો ફોર્મ મળવા લાગ્યા. જે બાદ સારૂ પરિણામ મળ્યું. ‘મેં કામખથી મુક્ત થવા અધિકારીને ના પાડી’અમારા અધિકારીને પણ જાણ કરી અને એમનો પણ ખૂબ સારો પ્રતિભાવ હતો. તેઓ પણ મને આ કામગીરીમાંથી જો મુક્ત થવું હોય એ વિષય પણ વિચારતા હતાં. પણ મેં એમને સામેથી જ ના પાડી. કારણ કે, મેં રાત્રે વિચાર કર્યો કે આ એટલી કોમ્પ્લેક્સ કામગીરી છે, તો નવો વ્યક્તિ કઈ રીતે કરશે? અને ક્યાંકને ક્યાંક લોકતંત્રને મજબૂત કરવાનું આ આખું કેમ્પેન છે અને એમાંથી હું બાકાત રહેવા નથી માંગતો.
કોમનવેલ્થ ગેમ્સ અને ઓલમ્પિક્સને લઈને અમદાવાદમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આઇકોનિક રોડ બનાવવામાં આવ્યા છે. વૈષ્ણોદેવી સર્કલથી સરખેજ ઉજાલા સુધી આઇકોનિક ડસ્ટ ફ્રી રોડ બનાવવામાં આવશે, જેનો પહેલો ફેઝ પકવાન સર્કલથી શરૂ કરી ઇસ્કોન બ્રિજના છેડા સુધીનો રોડ હાલ પૂર્ણ થવા આવ્યો છે. એસજી હાઇવે અને સર્વિસ રોડની વચ્ચેના ભાગે આઇકોનિક પ્લેસ મેકિંગ કરવામાં આવ્યું છે. લેન્ડસ્કેપિંગ, બેસવાની વ્યવસ્થા તેમજ જીમ અને ફાઉન્ટેનની આધુનિક કક્ષાની સુવિધાઓ વિકસાવવામાં આવી છે. ડિસેમ્બર મહિનાના અંતમાં આઇકોનિક અને ડસ્ટ ફ્રી રોડ બનીને તૈયાર થઈ જશે અને લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. તો ચાલો અમદાવાદીઓ તૈયાર થઈ જાવ વિદેશને પણ ઝાંખા પાડે તેવા હાઇવેને ફીલ કરવા. હાલ તો પકવાન સર્કલથી ઈસ્કોન બ્રિજ જશો તો લેન્ડસ્કેપિંગ, ગજેબો, જીમ ને ફાઉન્ટેન જોઈ તમારી સ્પીડ આપોઆપ ઓછી થઈ જશે. વૈષ્ણોદેવી સર્કલથી સરખેજ ઉજાલા સર્કલ સુધી રોડ ડેવલોપમેન્ટસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આઇકોનિક રોડ બનાવવામાં આવી રહ્યા છે. એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધી આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો છે. જે બાદ શહેરના એસજી હાઇવે ગણાતા વૈષ્ણોદેવી સર્કલથી લઈને સરખેજ ઉજાલા સર્કલ સુધીના રોડને ડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યો છે. ડસ્ટ ફ્રી રોડ પર વૃક્ષ અને તેની માહિતી આપતું બોર્ડઆઇકોનિક અને ડસ્ટ ફ્રી રોડને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરેક ભાગમાં પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. જે પણ વૃક્ષ અથવા પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે તેની માહિતી આપતું બોર્ડ પણ લગાવાયું છે. હયાત રોડની પહોળાઈને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત આવતાં સર્વિસ રોડનું અંદાજીત 8 મીટર પહોળાઈમાં 750 મીટર સુધી ડેવલપમેન્ટ કરાયું છે. નેશનલ હાઇવેના બફરઝોનમાં શહેરી વનીકરણ કરી લેન્ડસ્કેપીંગમાં વધારોપકવાન જંકશન પાસે જજીસ બંગ્લોઝ પાસેથી આવતા ટ્રાફિકને એસ.જી હાઇવે ઉપર સીગ્નલ મુક્ત ફ્રી લેફટ ટર્ન પણ મળશે. નેશનલ હાઇવેનાં બફરઝોનમાં શહેરી વનીકરણ કરી લેન્ડસ્કેપીંગમાં વધારો કરી પર્યાવરણ સંતુલન પર ભાર તેમજ અન્ય જરૂરીયાત મુજબની સ્થળ પરિસ્થિતિ મુજબની કામગીરી કરવામાં આવી છે. અનિયમિત કાચા ભાગમાં આવેલા હયાત મોટા વૃક્ષોની પણ જાળવણી કરવામાં આવી છે. ટોરેન્ટ હાઈટેનશન લાઈનનાં ટાવરને સિમેન્ટ જાળી લગાવી કવર કરાયા છે. એસજી હાઇવે પર ચાલવાનો સરસ રોડ બનાવ્યો એટલે અકસ્માત થશે નહી: સ્થાનિકશહેરના બોડકદેવ વિસ્તારમાં રહેતા સ્થાનિક ગોવિંદભાઈ પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દરરોજ તેઓ અહીંયા ચાલવા માટે આવે છે. પહેલા ચાલવા માટે આવતા હતા તો અકસ્માત થતા હતા પોતે પણ અકસ્માતનો ભોગ બન્યા છે, પરંતુ ચાલવા અને બેસવા માટે આ અલગથી સરસ જગ્યાને ડેવલપમેન્ટ કરવામાં આવી છે તેનાથી લોકોને ખૂબ જ લાભ થશે. અત્યાધુનિક સુવિધાની સાથે હરવા-ફરવાની જગ્યા મળશેવૈષ્ણોદેવી સર્કલથી સરખેજના ઉજાલા સર્કલ સુધી આખા એસજી હાઇવે પર આ મુજબ આઇકોનિક અને ડસ્ટ ફ્રી રોડ બનશે. જેના માટે પ્રથમ ફેઝમાં પકવાન સર્કલથી ઇસ્કોન સુધી ડેવલોપમેન્ટ કરવામાં આવ્યું છે હવે બાકીના ભાગોમાં તબક્કાવાર રીતે ડેવલપમેન્ટ કરાશે, જેથી લોકોને અત્યાધુનિક સુવિધાની સાથે હરવા-ફરવાની જગ્યા મળી રહેશે. આ પણ વાંચો: પગ મૂકતાં જ અમદાવાદ સ્વર્ગ લાગશે, લંડન-પેરિસ ઝાંખાં પડશે આ પણ વાંચો: અમદાવાદ આસપાસના 77 કિમી વિસ્તારમાં જમીન-મકાનના ભાવ આસમાને આંબશે
જામતારા....છત્તીસગઢનું આ ગામ એટલું બદનામ છે કે દેશમાં જ્યારે પણ કોઇ સાયબર ગઠિયાની વાત આવે ત્યારે તેનું કનેક્શન તેની સાથે નીકળે પણ ગુજરાતનું એક એવું ગામ છે જે જામતારા કરતાં સાવ ઊંધી દિશામાં જ આગળ વધ્યું છે અને ભલભલા ગઠિયાઓને ધૂળ ચાટતા કરી દીધા છે. 'અમે તો હજુય નથી છેતરાતા અને બીજાને પણ નહીં છેતરાવા દઇએ....'આ શબ્દો એ ગામની મહિલાના છે જે ગામના અડધા લોકો તો ભણેલા જ નથી. ગામનું નામ રાજપર. સુરેન્દ્રનગરના વઢવાણથી અંદાજે 6થી 7 કિલોમીટર દૂર થાય. ગામમાં 800 મકાનો હશે, પાંચેક હજાર લોકોની વસતિ છે. એવું તો શું થયું કે આ ગામના લોકોએ કમાલ કરી દીધો એ જાણવા માટે દિવ્ય ભાસ્કરની ટીમે ગામની મુલાકાત લીધી હતી. અહીં અમે વિદ્યાર્થીઓ, શિક્ષિકા, પશુપાલક, આંગણવાડી કાર્યકરો, દુકાનદાર, સરપંચ સહિતના લોકોને મળ્યાં હતા. અહીં બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના લોકોમાં એટલી સમજ છે કે કોઇ વસ્તુ ખરીદે ત્યારે બિલ માગે, કોઇ સાયબર ગઠિયાઓનો ફોન આવે તો તેના પર ધ્યાન જ ન આપે. ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર (CERC) તેમજ મેત્રી (મોટિવેશન ફોર એજ્યુકેશન ટ્રેનિગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) એજ્યુકેશન ટ્રસ્ટે સાથે મળીને ઓગસ્ટ-2024માં અહીં જાગૃત ગ્રાહક ગામ નામથી એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેમાં ગામના લોકોને કોઇપણ રીતના ફ્રોડથી બચવા માટેની માહિતી અપાય છે. જ્યારે દિવ્ય ભાસ્કરની ટીમ ગામમાં પહોંચી તો મુખ્ય દરવાજા, શેરીઓની દીવાલો, રિક્ષાઓ પર પોસ્ટર્સ લગાવેલા દેખાયા. જેમાં કોઇ વસ્તુ ખરીદ્યા પછી કેવું ધ્યાન રાખવું તેની માહિતી હતી. ટૂંકમાં કહીએ તો લોકોમાં જાગૃતિ લાવવા માટેના પ્રયાસો હતા. ગામના દરવાજા પાસે આવેલા એક મકાનમાં કેટલાક કાર્યકરો શિબિર યોજીને ગ્રામજનોને ગ્રાહક અધિકાર અંગે માહિતી આપતા જોવા મળ્યાં હતા. શિબિરથી આગળ વધીને અમે ગામની કન્યા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. અહીં ધો. 6થી 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ પણ ગ્રાહકોના અધિકાર અંગે જાગૃત હતી. વિદ્યાર્થિનીઓ પાસે જુદા જુદા સૂત્રો લખેલા બેનર્સ હતા. જેમાં લખ્યું હતું કે ભ્રામક યોજનામાં ભરમાતા નહીં, MRP કરતાં વધુ રૂપિયા ન આપો, વેપારી પાસે બીલ માંગો, ગુણવત્તાના પ્રતિક ચિહ્નો જોઇને ખરીદી કરો, અસંતોષકારક માલની ફરિયાદ નોંધાવો, ઓનલાઇન છેતરપિંડીથી સાવધાન રહો. શાળાની મુલાકાત દરમિયાન વિદ્યાર્થિનીઓએ અમને કેટલાક કિસ્સાંઓ કહ્યાં. કિસ્સો 1એક વિદ્યાર્થિનીએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, મારા પપ્પાના ફોન પર ફ્રોડ કોલ આવ્યો હતો. 10 ફોન કર્યા હતા અને દરેક વખતે અલગ અલગ રાજ્યમાંથી બોલતાં હોવાનું કહેતા હતા. તમે અમારી એપમાંથી વસ્તુ લીધી છે અને પૈસા નથી આપ્યાં તેવું પણ કહેતા હતા. હકીકતમાં મારા પપ્પાએ કંઇ લીધું નહોતું એટલે અમારું બેંક એકાઉન્ટ બંધ કરી દીધું અને ફ્રોડ કોલ કરનારાએ કહ્યું છતાં ઓટીપી ન આપ્યો. ફ્રોડ કરનારા એવું કહેતા કે હું તમારા પર કેસ કરીશ, મારા પપ્પાએ કહ્યું કે તમે કેસ કરજો, તમે જ્યાં કહેશો ત્યાં હું આવીશ એટલે તેમણે ફોન કાપી નાખ્યો હતો. કિસ્સો 2આવી જ એક બીજી વિદ્યાર્થિનીએ પોતાના પિતાનો કિસ્સો વર્ણવતાં કહ્યું કે, મારા પપ્પાના મોબાઇલ પર એક ફોન આવ્યો હતો. એ લોકો કહેતાં હતા કે મેં તમારા ખાતામાં 12 હજાર રૂપિયા નાંખ્યા છે તો તમે જોઇ જુઓ. મારા પપ્પાએ કહ્યું કે, ના, મેં કોઇને પૈસા નાંખવાનું કહ્યું નથી. આના પછી બીજીવાર ફોન આવ્યો તો અમે ઉપાડ્યો જ નહીં. કિસ્સો 3ત્રીજી વિદ્યાર્થિનીએ ગ્રાહકોની આંખ ઉઘાડતી વાત કરી. તેણે કહ્યું, હું જ્યારે વસ્તુ લેવા જઉં ત્યારે એક્સ્પાયરી ડેટ, હોલમાર્ક જોઉં છું. લાલ ટપકું (નોનવેજ) છે કે લીલું (વેજ), પેકેટ તૂટેલું છે કે નહીં તે જોઉં છું અને કિંમત જોઉં છું. તેમાં લખ્યાં હોય તેટલાં પૈસા આપું છું. જો દુકાનદાર વધુ પૈસા માંગે તો હું તેમને કહું છું કે પેકેટ પાછળ તો આટલાં જ પૈસા લખ્યાં છે તમે વધારે કેમ પૈસા માંગો છો. વિદ્યાર્થિનીઓમાં આવેલી જાગૃતિ પાછળનું એક કારણ શિક્ષણ છે અને બીજું કારણ CERC તેમજ મેત્રી એજ્યુકેશન ટ્રસ્ટનો પ્રયાસ છે. રશ્મિબેન દાંતણીયા આ જ શાળામાં 9 વર્ષથી શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે અને ધો. 6થી 8ની વિદ્યાર્થિનીઓને સામાજિક વિજ્ઞાન અને હિન્દી ભણાવે છે. તેમણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, ગ્રાહક અધિકાર અંગે ધો. 8માં સામાજિક વિજ્ઞાનમાં એક ચેપ્ટર આવે છે અને મેત્રી એજ્યુકેશન ટ્રસ્ટના દીપાલીબેન અવારનવાર અહીંયા ગ્રાહક અધિકાર અંગે જાગૃતિ ફેલાવવાના કાર્યક્રમો કરવા આવતાં હોવાથી બાળકોમાં તે અંગે ઘણી જાગૃતિ આવી છે. મેત્રી એજ્યુકેશન ટ્રસ્ટે રાજપર ગામના 800 લોકો પર બેઝલાઇન સર્વે કર્યો હતો. જેમાં જાણવા મળ્યું કે 50% લોકોએ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું છે. 23% લોકોએ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું છે. 13% લોકો પાસે સ્નાતક કક્ષા અને 1.38% લોકો પાસે અનુસ્નાતક કક્ષાની ડિગ્રી હતી. 12.5% લોકોએ કોઇ ઔપચારિક શિક્ષણ લીધું ન હોવાનું જણાવ્યું હતું. શાળાથી આગળ વધીને અમે ગામના દરવાજા પાસે પહોંચ્યાં. જ્યાં રહેતા સોનલબેન રબારી અમને મળ્યાં. સોનલબેન ખેતી તેમજ પશુપાલન સાથે સંકળાયેલા છે. તેમણે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, અમે જ્યારે સોનુ-ચાંદી કે કપડાં ખરીદવા જઇએ છીએ ત્યારે બિલ લઇએ છીએ. જો કોઇ વસ્તુ ખરીદ્યા બાદ તેને બદલાવવાની જરૂર પડે ત્યારે બિલ હોય તો કામ લાગે. જો વેપારી વસ્તુ ના બદલી દે અને આપણી પાસે બિલ હોય તો આપણે તે વેપારી વિરૂદ્ધ કાર્યવાહી કરી શકીએ, હેલ્પલાઇન પર ફરિયાદ કરી શકીએ. સંસ્થાએ ગામમાં બોર્ડ મારેલા છે તે જોઇએ છીએ અને તેમાંથી શીખીએ છીએ. ગામમાં જ એક આરોગ્ય કેન્દ્ર આવેલું છે. જેમાં રીટાબેન ખેર કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે છેલ્લા 4 વર્ષથી ફરજ બજાવે છે. તેમણે જણાવ્યું કે, બધા ગ્રામજનો ગ્રાહક અધિકાર અંગે જાણે છે પરંતુ ઓનલાઇન ખરીદીમાં ક્યારેક ભૂલ કરી બેસે છે. સંસ્થાના દીપાલીબેન અહીં આવીને વારંવાર કાર્યક્રમો કરે છે જેથી લોકોમાં જાગૃતિ આવી છે. તેમણે કહ્યું કે, લેડીઝ તરીકે તો અમને વસ્તુ જોઇને વધારે ખબર પડે કે ફૂગ લાગેલી છે કે કલર ચેન્જ છે. અમે તે જોઇને ઓળખી જઇએ છીએ કે વસ્તુ જૂની છે અને સ્ટીકર નવું લગાવેલું છે. ગ્રામજનોને પણ બધી ખબર પડે જ છે. ગામની આંગણવાડીમાં કામ કરતી મહિલાઓ પણ ગ્રાહક તરીકેના અધિકારથી સારી રીતે વાકેફ છે. છાયાબેન ચૌહાણ ગામની આંગણવાડીમાં તેડાગર તરીકે નોકરી કરે છે. તેમણે કહ્યું કે, અમે ગ્રામજનોને મળીએ ત્યારે થોડું સમજાવીએ છીએ. ગ્રાહક સુરક્ષાવાળા બેન આવીને સમજાવે છે કે ગમે તે વસ્તુ ખરીદો ત્યારે તારીખ જોવી, અનાજ સારું છે કે નહીં તે જોવું, પેકિંગ બરાબર છે કે નહીં તે જોવું. અમે બાળકોને લેવા તેના ઘરે જઇએ ત્યારે તેમના ઘરે પણ આ બધું કહીએ છીએ. આરતીબેન પંચાળા આંગણવાડી વર્કર છે. તેમણે ઓનલાઇન ઓર્ડર આપીને મગાવેલા ટી-શર્ટનો કિસ્સો કહ્યો. 'મેં ઓનલાઇન એક ટી-શર્ટ મંગાવ્યું હતું. જેમાં XLના બદલે XXLની સાઇઝ આવી ગઇ હતી. જેથી તે બિનઉપયોગી બની ગયું હતું. આ અંગે અમે જ્યારે દીપાલીબેનને કહ્યું ત્યારે તેમણે ટી-શર્ટ પાછું આપવાની રીત કહી. જે પ્રમાણે અમે રિટર્ન કર્યું એટલે પૈસા પાછા મળી ગયા.' આંગણવાડી કાર્યકરોને મળ્યાં બાદ અમે હંસાબેન નામના એક ગૃહિણીને મળ્યાં. તેમણે પોતાના પડોશી કેવી રીતે ઠગાઇનો શિકાર બન્યાં તેની વાત કહી. હંસાબેને કહ્યું, અમે ગ્રાહક અધિકાર અંગે જાણીએ છીએ. દુકાને વસ્તુ લેવા જઇએ ત્યારે ધ્યાન રાખીએ છીએ. આંગણવાડીમાં જતાં ઘણાં બહેનોને ફ્રોડ કોલ આવેલાં કે તમે ઓટીપી આપો. ઠગે અમારી બાજુવાળા એક બહેનના ખાતામાં પહેલાં 3 હજાર રૂપિયા નાખ્યા હતા પછી ઓટીપી માંગ્યો હતો. ઓટીપી આપ્યો એટલે તરત જ તેમના ખાતામાંથી 14 હજાર રૂપિયા ઉપડી ગયા હતા. હવે અમે ધ્યાન રાખીએ છીએ કે કોઇને ઓટીપી આપવો નહીં. ગામમાં જ રહેતા અને નોકરી કરતા ગીતાબેન મીઠાપરાના પુત્રવધુને ફ્રોડ કોલ આવ્યો હતો. આ કિસ્સાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, અમારા વહુને ફ્રોડ કોલ આવ્યો હતો અને ઓટીપી માંગ્યો હતો પણ અમે આપ્યો નહોતો એટલે છેતરાયાં નથી. ગ્રાહક સુરક્ષાવાળા બહેને અમને કહ્યું હતું કે કોઇને ઓટીપી આપવાનો નહીં, નહીંતર તમારું બેલેન્સ ખાલી થઇ જશે એટલે અમે ઓટીપી આપ્યો ન હતો. ફક્ત લોકો જ નહીં પરંતુ દુકાનદારોમાં પણ કેવી જાગૃતિ છે તે જાણવા માટે અમે અહીં આવેલા એક પ્રોવિઝન સ્ટોરની મુલાકાત લીધી હતી. વિશાલ સતાણા પ્રોવિઝન સ્ટોર ચલાવે છે. તેઓ ગ્રાહકોની જાગૃતિ અંગે કહે છે કે, ગ્રામજનોમાં ગ્રાહક અધિકારો અંગે પૂરી જાગૃતિ છે. ગ્રાહકો જ્યારે વસ્તુ લેવા આવે ત્યારે તારીખ, વજન વગેરે બધું જ જુએ છે. છેલ્લા દોઢેક વર્ષથી ગ્રામજનોમાં વધુ જાગૃતિ આવી છે. હું તો નિયમોનુસાર માલ વેચું છું, મને શેનું ટેન્શન હોય? હું પણ માલ ખરીદું ત્યારે બિલ લઉં છું અને તે જ રીતે અહીંયા ગ્રાહકને માલ વેચું છું. દોઢ-બે વર્ષથી ગ્રાહક સંસ્થાવાળા આવે છે. મારી દુકાનની સામેના ઘરમાં જ મિટિંગનું આયોજન કરાવી આપ્યું હતું. અમે પોસ્ટર્સ પણ લગાવ્યા હતા. લોકો સાથેની મુલાકાત બાદ હવે અમારે ગામના સરપંચ અને ઉપ સરપંચને મળવાનું હતું. સંગીતાબેન વાઘેલા ગામના સરપંચ છે. તેઓ ગ્રાહક જાગૃતિ માટેના કાર્યક્રમની પ્રશંસા કરે છે. તેમણે કહ્યું કે, આવા કાર્યક્રમો કરવા માટે સંસ્થાએ અમારી મંજૂરી લીધી હતી. તે ગ્રાહકલક્ષી કાર્યક્રમો કરે છે, જાહેરાત કરે છે અને દરેકને સમજાવે છે. વિનોદ બારૈયા ગામના ઉપસરપંચ છે. તેઓ કહે છે કે, અમારા ગામમાં CERC જુદી-જુદી જગ્યાએ કાર્યક્રમ કરે છે. કાર્યક્રમમાં એવું સમજાવાય છે કે વસ્તુની ખરીદી કરતી વખતે પાકું બિલ લેવાનું. આપણે બિલ માંગીએ એટલે સામેવાળા સમજી જાય કે આ લોકો જાણકાર લાગે છે. કાર્યક્રમો થવાના લીધે લોકોમાં જાગૃતિ ફેલાઇ છે. ગામમાં આવેલી આ જાગૃતિ માટેનો શ્રેય મેત્રી એજ્યુકેશન ટ્રસ્ટ અને CERCને જાય છે એટલે અમે આ બન્ને સંસ્થાની કામગીરી જાણવાનો પણ પ્રયત્ન કર્યો હતો. દીપાલી દવે મેત્રી એજ્યુકેશન ટ્રસ્ટના સંચાલક છે. તેમણે સંસ્થાની પ્રવૃત્તિઓ અંગે માહિતી આપતા કહ્યું કે, અમારી સંસ્થા ઊર્જા બચાવવાની, ગ્રાહક સુરક્ષા અંગેની એમ જુદી-જુદી પ્રવૃત્તિઓ કરે છે. અમે CERC સાથે કામ કરીએ છીએ. રાજપર ગામની પસંદગી શા માટે કરાઇ તે અંગે તેમણે કહ્યું કે, આ ગામમાં વસ્તી વધુ છે અને રસ વધારે લે છે. જેથી વધુ જાગૃતિ આવી શકે તેમ છે. ગામની 5થી 6 હજારની વસતિમાંથી 50% લોકો અક્ષરજ્ઞાન ધરાવે છે. લોકો જાગૃત થાય તે માટે અમે અલગ અલગ જગ્યાએ અવેરનેસ પ્રોગ્રામ કરીએ છીએ. કિશોરીઓ સાથે, આંગણવાડી વર્કર, હેલ્પર સાથે રહીને કાર્યક્રમ યોજીએ છીએ. 'બાળકો પાસે ડ્રોઇંગ, સ્લોગન વગેરે જેવી જુદી-જુદી એક્ટિવિટી કરાવીએ છીએ. મેળો હોય, મંદિરનો પાટોત્સવ હોય, માતાજીનો માંડવો હોય ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થતા હોય છે એટલે ત્યારે પણ કાર્યક્રમો કરીએ છીએ. જે લોકો અશિક્ષિત હોય તેને સમજાવીએ છીએ કે તમારે વસ્તુના વજન અંગે પૂછવું, ભાવ પૂછવો, MRP કરતાં વધારે પૈસા નથી લેતાને તે અંગે દુકાનદાર સાથે સ્પષ્ટ રીતે વાતચીત કરીને ખરીદી કરવી.' 'શરૂઆતમાં લાગતું હતું કે ગ્રામજનો જાગૃત નથી. તેમને ગ્રાહક અધિકારોની જાણકારી નથી.કોઇને ખ્યાલ નહોતો કે તેમની સાથે છેતરપિંડી થાય તો શું કરવું? ક્યાં જવું? પણ જાગૃતિ કાર્યક્રમો યોજ્યા બાદ હવે લોકો જાગૃત થઇ ગયા છે. ' તેમણે કહ્યું, હવે તો લોકો ફરિયાદ પણ કરે છે અને પૂછે પણ છે કે ઓનલાઇન વસ્તુ મંગાવીએ અને ખરાબ આવે તો અમારે શું કરવું? આમ જોવા જઇએ તો અત્યારે 75% લોકો તો અવેર થઇ જ ગયા છે. વધુ ગ્રામજનો જાગૃત થાય તે માટે અમે ગામમાં ઠેર ઠેર બેનરો લગાવ્યાં છે, ભીંત પર લખાણ લખાવ્યું છે, ડ્રોઇંગ કરાવ્યાં છે. કાર્યક્રમોમાં પેમ્ફ્લેટ આપીએ છીએ.ટોલ ફ્રી નંબર્સ આપેલાં છે. ગામમાં ઘણા બધાને ફ્રોડ કોલ આવેલા પણ જાગૃતિના કાર્યક્રમો કરેલા હોવાથી ફક્ત 3 કે 4 લોકોના જ પૈસા ગયા છે બાકી કોઇના પૈસા નથી ગયા. મેઘાવી જોશી CERCના કમ્પ્લેઇન વિભાગના મેનેજર છે. તેમણે કહ્યું કે, અમે મેત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સાથે મળીને 2 વર્ષથી આ પ્રોજેક્ટ પર કામ કરતા હતા. 'અમે જોયું કે મેત્રી ટ્રસ્ટ વઢવાણ તથા તેની આસપાસના ગામડાંઓમાં સારા કામ કરે છે. જેથી અમે સૌ પહેલાં રાજપર ગામમાં ગ્રાહક જાગૃતિ માટે કામ કરવું હોય તો ક્યાં કરી શકીએ તે અંગે ટ્રસ્ટ સાથે વાતચીત કરી હતી. બાકી બધી અમારી જરૂરિયાત પ્રમાણેની ગામની વિગતો તપાસી તો અમને લાગ્યું કે અમે આ ગામમાં કામ કરી શકીએ તેમ છીએ.' તેમણે સંસ્થાની જરૂરિયાત અંગે જણાવ્યું કે, ગામમાં કેટલી વસતિ છે, કેટલા લોકો જાગૃત છે, કેટલું શિક્ષણ ધરાવે છે તેના માટે અમે પહેલાં બેઝલાઇન સર્વે કરાવ્યો હતો. જેમાં આ ગામ ખરું ઉતર્યુ પછી અમે ગામને પસંદ કર્યું હતું. 'મહિલાઓ, કિશોરીઓ, ધો.6થી 8ના વિદ્યાર્થીઓ, ગામના ચોરે બેસતાં સિનીયર સિટીઝન એ બધા માટે ગ્રાહક જાગૃતિના કાર્યક્રમ કરીએ છીએ. દુકાનદાર માટે પણ અમે આવા કાર્યક્રમ કરીએ છીએ જેથી તેમને એવું ન થાય કે અમે અહીંયા જે કામ કરી રહ્યાં છીએ તે તેમની વિરૂદ્ધમાં કરી રહ્યાં છીએ.' તેઓ ઉમેરે છે કે, ગામની આંગણવાડીમાં લગભગ 30થી 40 મહિલા લાભાર્થીને ફ્રોડ કોલ આવ્યા હતા પણ જાગૃતિ કાર્યક્રમો કર્યા હોવાથી માત્ર 3 કે 4 મહિલાઓએ જ ઓટીપી આપ્યાં અને તેમના પૈસા ગયા છે. જ્યારે આસપાસના ગામોમાંથી તો ઘણાં બધાંના પૈસા જતાં રહ્યાં છે. આ અમારા માટે મોટી ઇમ્પેક્ટ છે. 'દુકાનદારો સાથે અમારો સારો રેપો બની ગયો છે. અમે લોકો તેમને અને ગ્રામજનોને એટલા જાગૃત કરવા માંગીએ છીએ કે દુકાનદાર ગ્રામજનોને એવી ક્વોલિટીવાળી વસ્તુ આપે કે ગ્રામજનોને બહાર જવાની જરૂર ના પડે.' 'જાગૃત ગામ એટલે શું? દરેકના બિહેવિયરમાં ચેન્જ આવે. આ ચેન્જ એકાદ વર્ષમાં ન આવે. જેથી અમે આ પ્રોજેક્ટ 3 વર્ષ માટે રાખ્યો છે. કોઇપણ વ્યક્તિને એકની એક વસ્તુ 10 વાર કહો ત્યારે તેનું ઓટોમેટિક બિહેવિયર બની જાય છે. કોઇ વારા ઘડીએ આવીને કહે કે તમે MRP ચેક કરો, બિલ લો એટલે આ બધું તે વ્યક્તિનું બિહેવિયર બની જાય છે.' 'આ અમારો સુઓમોટો પ્રોજેક્ટ છે. જે સુરેન્દ્રનગર જિલ્લામાં છે પણ તેના સિવાય બીજું કોઇ ગામ એવું પણ હોય કે જેમાં અમે લોકો આવું કરીએ અને વધારેને વધારે લોકોને જાગૃત કરીએ.' પોતાની વાત પૂરી કરતાં તેમણે કહ્યું, અમે મેત્રી ટ્રસ્ટને સતત અપડેટેડ માહિતી શેર કરતાં રહીએ છીએ કે જેથી તે માહિતી ગામ લોકો સુધી પહોંચે. અમારી ઘણી ઇચ્છા છે કે અમે બીજા ગામોમાં પણ આ રીતે એક્ટિવિટી કરીએ. આ માટે અમારી વાતચીત ચાલી રહી છે.
ગિફ્ટ સિટીના પાતાળમાં છુપાયેલી છે એક અનોખી દુનિયા. જ્યાં ગગનચુંબી ઈમારતોની નીચે ટ્રક પસાર થઈ શકે એટલી મોટી ટનલ છે. આ ટનલ 16 કિલોમીટર લાંબી છે જેમાંથી અંદાજે 5 કિલોમીટર તૈયાર છે. જમીનથી 22 ફૂટ નીચે લગાવાયેલી મોટી પાઈપો ગિફ્ટ સિટીની તમામ બિલ્ડીંગોમાં એસી સુધી કુલિંગ પહોંચાડવાનું કામ કરે છે. અહીં કચરાના નિકાલ માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. આધુનિક ટૅક્નોલોજી ધરાવતા આ શહેરમાં ઈન્ટરનેટ કનેક્શન અને પાવર સપ્લાય પણ આ ટનલમાંથી જ થાય છે. આ ટનલની અન્ય શું વિશેષતાઓ છે અને ગિફ્ટ સિટીનું પાતાળલોક કેવું છે એ જાણવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો. અને જુઓ 'ગુજરાત બિગ પ્રોજેક્ટ્સ'નો ત્રીજો એપિસોડ.
પરીક્ષામાં ચોરીઓ રોકવા ખાસ આયોજન:પરીક્ષામાં ચોરીઓ રોકવા કમ્પ્યુટર આધારિત ટેસ્ટ સેન્ટર્સની સ્થાપના
મહારાષ્ટ્ર સહિત દેશનાં વિવિધ રાજ્યોમાં મુખ્ય પરીક્ષાઓ ન્યાયી અને પારદર્શક રીતે પાર પડે તે માટે ઈનોવેટિવ્યુ દ્વારા કમ્પ્યુટર આધારિત પરીક્ષા કેન્દ્રો (સીબીટી) સહિત પરીક્ષા કેન્દ્રો સ્થાપવા માટે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ અને પરીક્ષા મંડળો સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરવાનું લક્ષ્ય રાખ્યું છે. 2017માં આશિષ મિત્તલ દ્વારા સ્થાપિત અને નોઈડામાં વડામથક ધરાવતી સંસ્થા હાલમાં પરીક્ષાઓ, ચૂંટણીઓ અને વિવિધ કાર્યક્રમો માટે ઈન્ટીગ્રેટેડ સલામતી સમાધાન પ્રદાન કરે છે. તે ISaaS (ઈન્ટીગ્રેટેડ સિક્યુરિટી એઝ અ સર્વિસ), ERaaS (ઈક્વિપમેન્ટ રેન્ટલ એઝ અ સોલ્યુશન) અને SIaaS (સિસ્ટમ ઈન્ટીગ્રેશન એઝ અ સોલ્યુશન) જેવી સેવાઓ પૂરી પાડે છે. એક્ઝામ ઈન્ટીગ્રેટેડ સિક્યુરિટી સર્વિસિયેબલ માર્કેટ નાણાકીય વર્ષ 2029 સુધી 34.1 ટકાથી વધશે અને એક્ઝામિનેશન્સ ઈન્ટીગ્રેટેડ સિક્યુરિટી સર્વિસિયેબલ અવેલેબલ માર્કેટ (એસએએમ) રૂ. 2683.6 કરોડ સુધી વધવાની ધારણા છે, જ્યારે કુલ પહોંચક્ષમ બજાર 2025ના અંત સુધી રૂ. 11,085.9 કરોડ સુધી વધશે. સંસ્થા દર વર્ષે 50 ટકાથી વધુ વૃદ્ધિ દર નોંધાવી રહી છે. હવે તે રૂ. 2000 કરોડના આઈપીઓ થકી પબ્લિક લિસ્ટિંગનું પણ આયોજન કરી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું. સંસ્થા અત્યાધુનિક પરીક્ષા કેન્દ્રો પણ સ્થાપે છે. રાયપુરમાં હાલમાં સ્થપાઈ રહેલું પરીક્ષા કેન્દ્ર અત્યાધુનિક હશે, જે અન્યત્ર પણ બનાવવાની તૈયારી છે. બિહાર સરકાર પાસેથી 8400 બેઠક સાથે નવ કેન્દ્રમાં સીબીટી કેન્દ્રો સ્થાપવાનો ઓર્ડર મળ્યો છે. નોઈડામાં 4700 નોડ્સ સાથે કેન્દ્ર સ્થાપિત કરાશે, એમ તેમણે જણાવ્યું હતું. અમારી સલામતી વ્યવસ્થા એક સજ્જડ છે કે અમે જ્યાં પણ સેવા પૂરી પાડીએ ત્યાં પરીક્ષામાં ચોરીના પ્રયાસ પ્રવેશ સ્તરે જ પકડી પાડીએ છીએ. ચોરી પકડાયા પછી પરીક્ષા આયોજન કરનારી સંસ્થાને તે કેસ સોંપી દઈએ છીએ. એકંદરે ચોરી રોકવા માટે સરકારના સ્તરેથી વધુ કડક નિયમો બનાવવાની જરૂર છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
નવતર રાજકીય પ્રયોગ:વિલે પાર્લામાં વોર્ડ 71 માટે નાગરિક ઉમેદવાર ઊભા રાખવાની ભલામણ
મુંબઈ મહાપાલિકાની ચૂ઼ંટણીનો સમય જેમ જેમ નજીક આવતો જાય છે, તેમ તેમ વધુ ને વધુ ઉમેદવારો ઊભા રાખવા જુદા જુદા પક્ષો કમર કસી રહ્યા છે. આ કડીમાં એક નવતર રાજકીય પ્રયોગ મુજબ વિલે પાર્લે (વેસ્ટ) પરિવર્તન સહકાર સમિતિએ કે-વેસ્ટ વોર્ડ નંબર 71 માટે ગીતા બિમલ ભૂતાને નાગરિક ઉમેદવાર તરીકે ચૂ઼ટણી જંગમાં ઊભા રાખવા ભલામણ કરી છે. અંધેરીમાં નોંધાયેલ એરિયા લોકાલિટી મેનેજમેન્ટ (એએલએમ )એ છેલ્લાં 20 વર્ષથી આ સમિતિ સ્થાનિક નાગરિકો અને વ્યાવસાયિકોના કલ્યાણ, વિલે પાર્લેના સાંસ્કૃતિક વારસાની જાળવણી અને સરકારી એજન્સીઓ સાથે સંકલન દ્વારા નાગરિક હિતરક્ષા માટે કાર્યરત છે. સમિતીની સચિવ વીણા સંઘવીએ જણાવ્યું કે, લાંબા સમયથી સમિતિ સાથે જોડાયેલા સામાજિક કાર્ય, લોકોને પહોંચતા તેમની ક્ષમતા અને સ્થાનિક મુદ્દાઓની ઊંડી સમજના આધારે ગીતા ભૂતાનું નામ ભલામણ માટે પસંદ કરવામાં આવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર પચાસથી વધુ સમાજ સંસ્થાઓ અને વિવિધ ક્ષેત્રના નિર્ણયકારોએ પણ તેમના નામને ટેકો આપ્યો છે. હરિદયા ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી બકુલેશ ઠક્કરે જણાવ્યું કે, ગીતા ભૂતાએ તેમના પતિ બિમલ ભૂતા અને ટીમ સાથે છેલ્લાં પાંચ વર્ષમાં 80થી વધુ સામાજિક કલ્યાણ કાર્યક્રમો સફળતાપૂર્વક આયોજિત કર્યા છે. ભૂતા પરિવાર વિલે પાર્લેમાં સદીથી સામાજિક કાર્ય સાથે જોડાયેલો છે, અને તેમની સખાવતી સંસ્થાઓ દ્વારા અંધેરી– વિલે પાર્લે વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થાઓ પણ સંચાલિત થાય છે. કપોળ સમાજનો અને મૂળ ગુજરાતનો આ પરિવાર લાંબા સમયથી આ વિસ્તારમાં વિશ્વાસપાત્ર ઓળખ ધરાવે છે. તાજેતરમાં મરાઠી, જૈન, કપોળ, વિશ્વકર્મા, લોહાણા, કોલી સહિતના અનેક સમુદાયો તેમજ 50થી વધુ વ્યાવસાયિકોએ પણ ગીતા ભૂતાને ટેકો જાહેર કર્યો છે. સમિતિ અનુસાર, સ્થાનિક હિત, પારદર્શિતા અને વિકાસ માટે તેઓ યોગ્ય પ્રતિનિધિ સાબિત થશે. આમ બીએમસીની ચૂ઼ંટણીના પડધમ પહેલા જ અનેક ઉમેદવારો પોતાનું વજૂદ જાળવવા પ્રયાસ કરી રહ્યા છે, જેના કારણે ચૂ઼ંટણી વધુ રસકાસીભરી બનશે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'
મહાપાલિકા પ્રશાસને ઝીલ્યો મોટો પડકાર:મુંબઈના 41 હજાર 2 વખત નામવાળા મતદારોના ઘરે જઈને રૂબરૂ મુલાકાત
બે વખત નામવાળા મતદારોની ચકાસણી કરવાનો મોટો પડકાર મહાપાલિકા પ્રશાસને ઝીલ્યો છે. હાલની સ્થિતિમાં વોર્ડના સ્તરે 250 કર્મચારીઓની આ કામ માટે નિમણુક કરવામાં આવી છે. મતદાન કેન્દ્ર પ્રમાણે યાદી જાહેર કરવાની મુદત ઠેલાણી છે અને હવે 27 ડિસેમ્બરના અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. દરમિયાન એક જ વોર્ડમાં અનેક વખત નામવાળા 2.25 લાખ મતદારોની તપાસ કર્યા પછી 41 હજાર મતદારો બે વખત નામવાળા જણાયા છે. આ મતદારોના ઘરે જઈને મુલાકાત કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. તેમની પાસેથી એક જ ઠેકાણે મતદાન કરવા બાબતે પરિશિષ્ટ-1 ભરાવવામાં આવે છે. બે વખત નામવાળાની મતદાર યાદીમાં મોટા ભાગના મતદારોના નામ સરખા છે અને આવા મતદારોનો સમાવેશ વધુ હોવાનો અંદાજ મહાપાલિકાએ વ્યક્ત કર્યો છે. આ પહેલાં રાજ્ય ચૂંટણી પંચે વોર્ડ પ્રમાણે મતદાર યાદી જાહેર કરવા 10 ડિસેમ્બરની મુદત આપી હતી. હવે એમાં ફેરફાર કરીને હવે 15 ડિસેમ્બરના વોર્ડ પ્રમાણે મતદાર યાદી જાહેર કરવામાં આવશે. તેમ જ મતદાન કેન્દ્રોની યાદી 15ના બદલે 20 ડિસેમ્બર તો મતદાન કેન્દ્ર પ્રમાણેની યાદી 27 ડિસેમ્બરના જાહેર કરવામાં આવશે. એક જ વોર્ડની હદમાં મતદાર, ઈમારત કે ચાલ બીજા વોર્ડમાં હોય તો એમાં અગ્રતાક્રમે સુધારો કરવામાં આવે છે. તેમ જ બે વખત નામવાળા મતદારોની તપાસ પણ યુદ્ધના ધોરણે ચાલુ છે. રાજ્ય ચૂંટણી પંચ તરફથી મહાપાલિકાને મળેલી મતદાર યાદીમાં 11 લાખ 1 હજાર 505 બે વખત નામવાળા મતદાર જણાયા હતા. આ મતદારોની ફોટો પ્રમાણે ચકાસણી મહાપાલિકાએ શરૂ કરી. એના માટે દરેક વોર્ડમાં વિશેષ યંત્રણા ઊભી કરવામાં આવી. મહાપાલિકાના એક જ વોર્ડ કાર્યાલયની હદમાં અનેક વખત નામ ધરાવતા 2 લાખ 25 હજાર 68 બે વખત નામવાળામાંથી 1.12 લાખ મતદારોના ઘરે જઈને મુલાકાત કરવાની કાર્યવાહી મહાપાલિકા તરફથી શરૂ કરવામાં આવી છે.
ચુકાદો:મતદાર યાદીની 10 હજારથી વધુ વાંધા-સૂચના પર ચુકાદો
આગામી મહાપાલિકા ચૂંટણીને ધ્યાનમાં લઈને જાહેર કરવામાં આવેલી પ્રભાગ પ્રારુપ મતદાર યાદી બાબતે કુલ 11 હજાર 497 વાંધા અને સૂચના મળી હતી. એમાંથી 10 હજાર 668 વાંધા અને સૂચના પર ચુકાદો આપવામાં આવ્યો છે. બાકીના 829 વાંધા અને સૂચનાબે વખત નામવાળા બાબતની છે એવી માહિતી અતિરિક્ત મહાપાલિકા આયુક્ત ડો. અશ્વિની જોશીએ આપી હતી. પ્રભાગ પ્રારુપ મતદાર યાદી પર વાંધા અને સૂચના પર નિર્ણય આપવા પ્રશાસકીય વિભાગના સહાયક આયુક્તની પ્રાધિકૃત અધિકારી તરીકે નિયુક્તી કરવામાં આવી છે. મહાપાલિકાના 26 પ્રશાસકીય વોર્ડમાં કુલ 11 હજાર 497 વાંધા અને સૂચના મળી હતી. એમાંથી 10 હજાર 668 વાંધા અને સૂચના પર પ્રાધિકૃત અધિકારીએ નિર્ણય આપ્યો હતો.બાકીના 829 વાંધા બે વખત નામવાળા મતદાર બાબતે છે. પ્રારુપ મતદાર યાદી પર મળેલા વાંધા અને સૂચના પર પ્રાધિકૃત અધિકારીએ આપેલા નિર્ણય અનુસાર અંતિમ મતદાર યાદી પ્રમાણે કન્ટ્રોલ ચાર્ટ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલુ છે. એમાં જે વોર્ડમાં સ્થળાંતરિત મતદારોની સંખ્યા 100થી વધુ વધારે છે એવા તમામ પ્રકરણમાં ગુગલ નકશા અનુસાર વોર્ડ મુજબ સીમા, ત્યાંના ઘર, ઈમારતો, ચાલી, કોલોની વગેરેની તપાસ તરત કરવી.
મુંઢવા જમીન કૌભાંડ કેસ:પાર્થ પવારની સામે હજુ સુધી કોઈ કેસ કેમ દાખલ કરાયો નથીઃ વિપક્ષ
પુણેમાં મુંઢવા જમીન કૌભાંડ કેસમાં ઉપ મુખ્ય મંત્રી અજિત પવારના પુત્ર પાર્થ પવાર મુશ્કેલીમાં છે. આ કેસમાં તેમની સામે કેસ નોંધવાની માગણી કરવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હવે મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોતે આ અંગે સ્પષ્ટતા આપી છે. કોઈ પણ કાર્યવાહીમાં એફઆઈઆર એ પહેલું પગલું છે. પરંતુ એફઆઈઆરમાં નામ આવવાથી તેનો અર્થ એ નથી કે સંબંધિત વ્યક્તિ દોષી છે અને એફઆઈઆરમાં નામ ન હોવાનો અર્થ એ નથી કે તે દોષી નથી, એમ તેમણે જણાવ્યું હતું. પુણેમાં મુંઢવા જમીન કૌભાંડ હાલમાં રાજ્યભરમાં ચર્ચામાં છે. આ કેસમાં પાર્થ પવાર પર મુંઢવામાં ૧૮૦૦ કરોડ રૂપિયાની જમીન માત્ર ૩૦૦ કરોડ રૂપિયામાં ખરીદવાનો આરોપ છે. સરકારે આ વ્યવહાર રદ કર્યો છે. આમાં કેસ પણ નોંધવામાં આવ્યો છે, પરંતુ હવે વિપક્ષ અને સામાજિક કાર્યકરોએ આ કેસમાં પાર્થ પવાર સામે કેસ નોંધવાની માગણી કરી છે. આ મામલે સરકારની ચારે બાજુ ટીકા થઈ રહી છે, ત્યારે મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.મુખ્ય મંત્રીએ કહ્યું, આ પુણેમાં જમીન વ્યવહારનો મામલો છે. આ મામલો પ્રકાશમાં આવ્યા પછી, સરકારે કાર્યવાહી કરવામાં એક મિનિટ પણ બગાડી નહીં. લોકો માગણી કરે તે પહેલાં જ મેં આ મામલે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો. તે પછી, તાત્કાલિક કેસ નોંધવામાં આવ્યો. આ કેસમાં, સરકારી જમીન વેચનાર વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવ્યો છે. ખરીદદારોની સહીઓ સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. ઉપરાંત, આ કેસમાં મદદ કરનારા અધિકારીઓ સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે.
રેલવે અકસ્માત પ્રકરણે વળતર ચુકવવાનો આદેશ:લોકલના દરવાજા પર ઊભા રહેવું તે બેદરકારી નથીઃ કોર્ટ
ગિરદીના સમયે ઉપનગરીય લોકલમાં પ્રવાસ કરતા પ્રવાસીઓએ સખત ગિરદીના કારણે દરવાજા પર ઊભા રહી પોતાનો જીવ જોખમમાં મૂક્યા વિના વિકલ્પ નથી. કોર્ટ પણ આ વાસ્તવિકતા નકારી શકતી નથી એમ હાઈ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું. તેમ જ પ્રવાસીઓના આવા વર્તનને બેદરકારી ગણી શકાય નહીં એમ મહત્વનું નિરીક્ષણ નોંધી રેલવે અકસ્માતમાં મૃત્યુ પામેલા પ્રવાસીના કુટુંબીઓને આપવામાં આવેલા વળતરની રકમ યથાવત રાખી હતી. લોકલના દરવાજામાં ઊભા રહીને પ્રવાસ કરવાની બેદરકારીના કારણે પ્રતિવાદીના પુત્રનો અકસ્માત થયો એવો રેલવે પ્રશાસનનો દાવો અમાન્ય કરીને જજ જિતેન્દ્ર જૈનની સિંગલ બેન્ચે ઉપરોક્ત ચુકાદો આપ્યો. રેલવે અકસ્માત દાવો ન્યાયાધિકરણે ડિસેમ્બર 2009માં પ્રતિવાદીને વળતર ચુકવવાનો આદેશ આપ્યો હતો. આ આદેશને કેન્દ્ર સરકારે હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. પશ્ચિમ રેલવેમાં ભાઈંદરથી મરીનલાઈન્સ સ્ટેશન દરમિયાન 28 ઓક્ટોબર 2005ના પ્રતિવાદીનો પુત્ર લોકલમાંથી પડી ગયો. એ પછી સારવાર દરમિયાન થોડા દિવસમાં એનું મૃત્યુ થયું હતું. ગિરદીના સમયે વિરાર-ચર્ચગેટ લોકલમાં સખત ગિરદી હોય છે.
સિટી એન્કર:ધારાવીમાં 2% લોકો અયોગ્ય; નવા આવાસ માટે બહુમતી લોકો સુરક્ષિત
પુનઃવિકાસ પ્રોજેક્ટ હેઠળ ધારાવીના 80% રહેવાસીઓને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હોવાના દાવા ખોટા હોવાનું જાણવા મળ્યું છે. સત્તાવાર DRP અંતિમ જોડાણ-II ડેટા દર્શાવે છે કે કુલ 3,518 ટેનામેન્ટમાંથી માત્ર 75 (2%) ને અત્યાર સુધી અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે. આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ (DRP) ની વિવિધ પાત્રતા શ્રેણીઓ હેઠળ 57% થી વધુ રહેવાસીઓ પહેલાથી જ સુરક્ષિત છે. કુલ 3,518 ટેનામેન્ટમાંથી, 2,009 (57%) આવાસ લાભો માટે પાત્ર છે, જેમાંથી 1,178 (33%) ધારાવીમાં ઇન-સીટુ રિહેબિલિટેશન માટે લાયક છે. ડેટા એ પણ દર્શાવે છે કે લગભગ 1,078 (30.6%) ટેનામેન્ટ હાલમાં અધૂરા દસ્તાવેજો અથવા વિવિધ અન્ય સરકારી એજન્સીઓ સાથે ચકાસણી ચાલી રહી હોવાને કારણે પેન્ડિંગ સ્થિતિમાં છે. આ કેસોને નકારવામાં આવ્યા નથી અને ચકાસણી પૂર્ણ થયા પછી તેની સમીક્ષા કરવામાં આવશે, એમ DRP અધિકારીએ જણાવ્યું હતું. 330 બાંધકામો શૌચાલય વગેરે શ્રેણીમાં: ડેટા સ્પષ્ટપણે દર્શાવે છે કે મોટાભાગના રહેવાસીઓ વિવિધ શ્રેણીઓ હેઠળ પાત્ર બની રહ્યા છે. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે ધારાવીકરોને ગેરમાર્ગે દોરવા માટે ઇરાદાપૂર્વક ખોટી માહિતી ઝુંબેશનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કે મેઘવાડી, આઝાદ નગર, તિલક નગર અને કમલા રમણ નગર જેવા વિસ્તારોના મોટા ભાગને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે. અમે રહેવાસીઓને અચોક્કસ માહિતી અથવા અફવાઓથી ગેરમાર્ગે દોરવા વિનંતી કરીએ છીએ. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય બધા માટે આવાસ છે, અને સરકાર તેને પહોંચાડવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે, DRP અધિકારીએ જણાવ્યું. ચાર સ્તરીય ફરિયાદ નિવારણ પ્રણાલી: અધિકારીએ વધુમાં ઉમેર્યું કે અંતિમ પરિશિષ્ટ-II નું પ્રકાશન પ્રક્રિયાનો અંત નથી. ફરિયાદોના નિરાકરણ માટે ચાર-સ્તરીય ફરિયાદ નિવારણ પ્રણાલી મૂકવામાં આવી છે. રહેવાસીઓ પહેલા અપીલ અધિકારી (AO) નો સંપર્ક કરી શકે છે. જો તેઓ સંતુષ્ટ ન હોય, તો તેઓ ફરિયાદ નિવારણ સમિતિ (GRC) માં જઈ શકે છે, જેમાં સર્વે પ્રક્રિયાથી સ્વતંત્ર વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે, અધિકારીએ જણાવ્યું. કલેક્ટરની આગેવાની હેઠળની અપીલ સમિતિજો મામલો વણઉકેલાયેલ રહે છે, તો તેને એડિશનલ કલેક્ટરની આગેવાની હેઠળની અપીલ સમિતિ સમક્ષ લઈ શકાય છે, જે DRP CEO ને રિપોર્ટ કરતી નથી. અંતિમ વિકલ્પ એપેક્સ ગ્રીવન્સ રિડ્રેસલ કમિટી (AGRC) છે, જે DRP સંબંધિત કેસોને ફાસ્ટ-ટ્રેક કરવા માટે બનાવવામાં આવેલી અર્ધ-ન્યાયિક સંસ્થા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મુંબઈ હાઈકોર્ટનો ચૂકાદો:મરાઠી ભાષાના મામલે પૂર્વ મનસે નેતા સામેની FIR રદ કરવા નકાર
મુંબઈ હાઈકોર્ટે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના ભૂતપૂર્વ નેતા અકિલ ચિત્રે સામેની મારપીટ સંબંધિત એફઆઈઆર રદ કરવાની માગને નકારી કાઢી છે. ડિસેમ્બર 2020માં એમેઝોન કંપની તરફથી હાજરી આપતા વકીલ દુર્ગેશ ગુપ્તા પર થયેલા હુમલામાં ચિત્રેની સંડોવણીનો આરોપ છે. હવે તેઓ શિવસેના (યુબીટી)માં જોડાયા છે. ન્યાયમૂર્તિ અજય ગડકરી અને રણજિતસિંહ ભોસલેની ખંડપીઠે જણાવ્યું કે, એફઆઈઆર, તપાસના કાગળો, સાક્ષીઓનાં નિવેદનો અને ઈજાના પ્રમાણપત્રના આધારે ચિત્રે સામે પ્રાથમિક દ્રષ્ટિએ કેસ બને છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, ઉપલબ્ધ પુરાવાઓ દર્શાવે છે કે આરોપી મારપીટમાં સંકળાયેલો છે અને તેથી 482 સીઆરપીસી હેઠળ એફઆઈઆર રદ કરવાની માગ સ્વીકાર્ય નથી. ઓક્ટોબર 2020માં મનસે કાર્યકરો એમેઝોન પર દૈનિક કામગીરીમાં મરાઠી ભાષાનો ઉપયોગ કરવાની માગ સાથે દબાણ કરી રહ્યા હતા. ચિત્રે પર કંપનીના કર્મચારીઓને ધમકી આપવાનો પણ આરોપ છે. તેના આધારે કંપનીએ દિંડોશી સ્થિત સિટી સિવિલ કોર્ટમાં પ્રતિબંધ આદેશ માગતી અરજી કરી હતી, જે મુજબ કોર્ટે 22 ઓક્ટોબરે એકતરફી સ્ટે આપ્યો હતો. વકીલ દુર્ગેશ ગુપ્તાએ ફરિયાદમાં જણાવ્યું કે, કોર્ટ રૂમની બહાર આવતાં જ ત્રણ અજાણ્યા લોકોએ તેમનું નામ પૂછ્યું અને તેમને મુક્કા-લાતોથી માર્યા. અન્ય વકીલો તેમને બચાવવા દોડતાં હુમલાખોરો ભાગી ગયા. બાદમાં ફરિયાદી અને અન્ય વકીલોએ કોર્ટ પાર્કિંગમાં ચિત્રે પોતાની કાર કાઢતા જોયા અને હુમલાખોરોમાંનો એક વ્યક્તિ કારમાં હાજર હતો. ચિત્રેની દલીલો અને અદાલતનું વલણચિત્રેએ દલીલ કરી કે તેમણે હુમલામાં ભાગ લીધો નહોતો અને ફરિયાદમાં તેમનું સીધું નામ નથી. પરંતુ ખંડપીઠે કહ્યું કે તપાસમાં તેમની સંડોવણીના પુરાવા છે, અને આવા મુદ્દાઓ ટ્રાયલમાં જ તપાસાય, એફઆઈઆર રદ કરવા જેવી સ્થિતિ નથી. અદાલતે ચિત્રેને ટ્રાયલ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરવાનો વિકલ્પ આપ્યો. 2021થી તેમને મળેલી આંતરિક રાહત વધારવાનો ઇનકાર કરતાં કોર્ટે નોંધ્યું કે ચાર વર્ષ વીતી ગયાં છે અને તપાસ પૂર્ણ થવાની છે. અંતે, અરજી ફગાવી દેવામાં આવી.
મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યો વચ્ચેનો જૂનો સરહદી વિવાદ ફરી એક વાર સામે આવ્યો છે. તલાસરી તાલુકાના વેવજી, ગિરગાંવ, ઘીમાનિયા, ઝાઈ, સાંભા અને અછાડ ગ્રામ પંચાયતોના સીમા મુદ્દાઓને કારણે તણાવ ઊભો થયો છે. ઘણાં વર્ષોથી પડતર આ મુદ્દો તાજેતરમાં અતિક્રમણની વધતી ઘટનાઓને કારણે વધુ ઉગ્ર બન્યો છે. તલાસરી તાલુકાના વેવજી ગામ અને ઉમ્બરગાંવ તાલુકાના સોલસુંભા વચ્ચેની અસ્પષ્ટ સીમા રેખાઓ બંને રાજ્યોના નાગરિકો વચ્ચે તણાવ પેદા કરી રહી છે અને વારંવાર વિવાદો તરફ દોરી રહી છે. તેથી, સ્થાનિક લોકોએ ફરી એક વાર રાજ્ય સરકારને સીમાંકન માટે નક્કર મૉગણી કરી છે. આ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, બંને રાજ્યોની મહેસૂલી સંસ્થાઓએ ભેગા મળીને સીમા રેખાનું ભૌતિક ટેકનિકલ માપન કરવાનો પ્રયાસ કર્યો. પાલઘર જિલ્લાના તલાસરી તહસીલદાર અને ગુજરાતના ઉમ્બરગાંવ તહસીલદારની હાજરીમાં ગઈકાલે માપન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જોકે, સ્થાનિક નાગરિકો અને ઉપ-સરપંચોના વાંધાઓને કારણે આ ઝુંબેશ અવરોધાઈ હતી. નાગરિકો દ્વારા ઉઠાવવામાં આવેલી શંકાઓને કારણે, સમગ્ર માપનને અસ્થાયી રૂપે સ્થગિત કરવાનો સમય આવ્યો હતો. સીમાઓનું યોગ્ય રીતે સીમાંકન કરવામાં નિષ્ફળતાને કારણે, એવું બહાર આવ્યું છે કે બે અલગ અલગ રાજ્યો વેવજી ગામમાં સર્વે નંબર 204 અને સોલસુંભા ગામમાં સર્વે નંબર 173 પર દાવો કરી રહ્યા છે. તેથી, આ બે પ્લોટ પરનો સીમા વિવાદ સમગ્ર પ્રક્રિયામાં સૌથી જટિલ મુદ્દો બની ગયો છે. અસ્પષ્ટ સીમા અનધિકૃત બાંધકામને નોતરું: અસ્પષ્ટ સીમાઓને કારણે ઘણા અનધિકૃત બાંધકામોમાં પણ વધારો થયો છે, ખાસ કરીને વેવજી ગામમાં, સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ગુજરાતની વિવિધ ઇમારતો બનાવવામાં આવી રહી છે. એટલું જ નહીં, એવું પણ જોવા મળ્યું કે ગૂગલ મેપ્સમાં, ગુજરાત રાજ્યના વેવજી, ગિરગાંવ, ગિમાનિયા, ઝાઈ, આચ્છાડ અને સાંભાના બધા ગામો દર્શાવવામાં આવી રહ્યા છે. આ ટેકનિકલ ભૂલોને કારણે મૂંઝવણ વધી છે, અને એવું જાણવા મળ્યું છે કે મહારાષ્ટ્ર વહીવટીતંત્રે ગુગલ સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો છે જેમાં સુધારાની માંગ કરવામાં આવી છે. સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો છે કે આ ભૂલને કારણે, ઘણા સરકારી દસ્તાવેજો, મિલકતના રેકોર્ડ અને નાગરિકોના અધિકારોને લગતી પ્રક્રિયાઓ અવરોધાઈ રહી છે. વિવાદનો કાયમી ઉકેલ લાવવાની માગ: સ્થાનિક નાગરિકોએ વહીવટીતંત્ર સમક્ષ સ્પષ્ટ માંગણી કરી છે કે મહારાષ્ટ્ર-ગુજરાત સરહદ તાત્કાલિક સુધારવી જોઈએ, કારણ કે આનાથી વિકાસ કાર્યો, સરકારી યોજનાઓ અને નાગરિક અધિકારોમાં મુશ્કેલીઓ વધી રહી છે. સરહદ વિવાદ ઘણા ગામોમાં જમીન દસ્તાવેજો તૈયાર કરવા, પરમિટ મેળવવા અને કર વસૂલવા જેવી પ્રક્રિયાઓમાં અવરોધો ઉભા કરી રહ્યો છે. આને કારણે, આ વિસ્તારના નાગરિકોની ભાવનાત્મક અને સામાજિક અસુરક્ષા વધી છે, અને માંગણી એ છે કે વહીવટીતંત્ર તાત્કાલિક નક્કર પગલાં લે અને આ વિવાદનો કાયમી ઉકેલ લાવે. એવી આશા છે કે જો સરહદ રેખાની ગણતરી યોગ્ય રીતે પૂર્ણ થાય અને બંને રાજ્યો વચ્ચેની વિવાદિત સરહદ સ્પષ્ટ કરવામાં આવે, તો ઘણા વર્ષોથી પડતર આ મુદ્દો ઉકેલાઈ શકે છે. વાંધાને કારણે પ્રક્રિયા ફરીથી અનિશ્ચિતગુજરાતના નાગરિકોએ વેવજી વિસ્તારમાં ઘૂસણખોરી કરીને કોંક્રિટ બાંધકામો ઊભા કર્યા હોવાથી સરહદ વિવાદ નવો વળાંક લઈ રહ્યો છે. અગાઉ આ સંદર્ભમાં ઘણી વખત સમાચાર પ્રકાશિત થયા હતા, ત્યારબાદ જિલ્લા વહીવટી તંત્રે મહારાષ્ટ્ર જમીન મહેસૂલ અધિનિયમ, 1966 ની કલમ 133 હેઠળ સરહદ રેખા ચિહ્નિત કરવાની પ્રક્રિયાનો આદેશ આપ્યો હતો. તે મુજબ, ગણતરી પ્રક્રિયા તાજેતરમાં શરૂ કરવામાં આવી હતી. જોકે સરહદ વિવાદ ઉકેલવાના સંકેતો દેખાઈ રહ્યા છે, પરંતુ સ્થાનિકોના વાંધાને કારણે પ્રક્રિયા ફરીથી અનિશ્ચિતતામાં અટવાઈ ગઈ છે. વહીવટીતંત્ર આ સમગ્ર પરિસ્થિતિને ગંભીરતાથી જોઈ રહ્યું છે અને આગળની કાર્યવાહી માટે બંને રાજ્યોના મહેસૂલ વિભાગો વચ્ચે ચર્ચા ચાલી રહી છે.
સિદ્ધિ:સૌરાષ્ટ્ર કક્ષાના કલા મહાકુંભમાં નંદકુંવરબા કન્યા વિદ્યાલયની સિદ્ધિ
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી આયોજિત અમરેલી ખાતે યોજાયેલા કલા મહાકુંભમાં નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયના વિદ્યાર્થીનીઓ તથા શિક્ષકોએ નંબર મેળવી વિશિષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 15 થી 20 વર્ષના વયજૂથમાં લગ્નગીતની સ્પર્ધામાં પૂનમ ચૌહાણ તથા સહગાયિકાઓમાં નિરાલીબા વાળા, હસ્તિ ગોટી, મોના પરમાર, જાનવી દવેએ પ્રદેશ કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે તથા 21 થી 59ના વય જૂથમાં લગ્નગીતમાં સ્કૂલના શિક્ષિકા આશા વાળા તથા સહગાયિકાઓમાં ભાવના ગોહિલ, નીતા જોળિયા, ભૂમિદા પંડ્યા તથા શીતલ સાંખટે સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાએ તૃતીયસ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. શાળાના સંગીત શિક્ષક કલાપી પાઠક દ્વારા માર્ગદર્શન - સંગત પ્રાપ્ત થઈ હતી.
રીક્ષા ગેંગ સક્રિય થઈ:ત્રણ શખ્સોએ વૃદ્ધાને રીક્ષામાં બેસાડી સોનાની બંગડીઓ સેરવી લીધી
ભાવનગર શહેર તેમજ જિલ્લામાં ચીલ ઝડપ ગેંગ બાદ રિક્ષા ગેંગ સક્રિય થઇ છે. નારી ચોકડી નજીક આવેલ ટોયોટા ના શો રૂમ નજીક એક વૃદ્ધા પોતાના દિકરાના ઘરે ચાલીને જતાં હતા જે દરમિયાન પાછળથી રિક્ષામાં આવેલા મહિલા સહિત ત્રણ શખ્સોએ વૃદ્ધાને વિશ્વાસમાં લઇ, અમે એ બાજુ જ જઇએ છીએ તેમ કહી, વૃદ્ધાને રિક્ષામાં બેસાડી, વૃદ્ધાના હાથમાંથી સોનાની બંગડીઓ સેરવી લઇ, લૂંટ કરી ફરાર થઇ જતાં ત્રણ શખ્સો વિરૂદ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ હતી. શહેરના ટોયોટા શો રૂમ નજીક ઘનશ્યામનગર વિસ્તારમાં રહેતા અને શાંતાબેન રજનીકાંતભાઇ સિદ્ધપુરાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, નારાયણ રેસીડેન્સીમાં રહેતા તેમના પુત્ર લલીતભાઇના ઘરે તેમના ઘરેથી ચાલીને જતાં હતા. જે દરમિયાન વિશાલ ટ્રેડર્સ વાળા ખાંચામાં પહોંચતા પાછળથી એક રિક્ષા આવી હતી અને રિક્ષામાં એક મહિલા સહિત ત્રણ શખ્સો બેઠા હતા. જે રિક્ષા ચાલકે રિક્ષા શાંતાબેન પાસે ઉભી રાખી, રિક્ષામાં બેસી જાવ, આગળ ઉતારી દઇશું અમે એ બાજુ જ જઇએ છીએ તેમ કહી શાંતાબેનને વિશ્વાસમાં લઇ રિક્ષામાં બેસાડી દિધા હતા અને મહિલાએ શાંતાબેનને વાતોમાં ભોળવી શાંતાબેનના હાથોમાંથી સોનાની બંગડીઓ સેરવી, લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. જે બાદ દિકરાના ઘરે પહોંચેલા શાંતાબેને હાથમાં બંગડી ન જોવા મળતા, તસ્કરીની જાણ થતાં વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી
વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઉત્તમ પ્રદર્શન:કુલદિપસિંહ વાળાએ દેશનું ગૌરવ વધાર્યુ
પાલિતાણા તાલુકાના મોટી પાણીયાળી ગામના કુલદિપસિંહ બી વાળાએ વિશ્વના વિવિધ દેશના ખેલાડીઓ વચ્ચે દક્ષિણ આફ્રિકાના મોસલ બે ખાતે યોજાયેલ વર્લ્ડ ચેમ્પિયનશિપની ટ્રાયથલે સ્પર્ધામાં તેમના કોચ અંકુરસિંહ તેમજ તેમના પિતા અને શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના આચાર્ય બી. એ.વાળાના માર્ગદર્શન હેઠળ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું ત્રણ કિલોમીટર દોડ અને સમુદ્રમાં 200 મીટર સ્વીમીંગ તેમજ ગન દ્વારા શૂટિંગ કરીને તેમના સાથી ખેલાડીઓ મધ્ય પ્રદેશના યશ બાથરે અને ગોવાના ઉદેશ માજીક એમ ત્રણેયની બનેલી ટીમે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવી દક્ષિણ આફ્રિકામાં તિરંગો લહેરાવતા ગુજરાત રાજ્યની સાથે સમગ્ર ભારત દેશનું નામ રોશન કર્યું છે અને ભાવનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
દુર્ઘટનાની ભીતિ:સમઢીયાળામાં વીજ થાંભલા પર વેલા વીંટળાતા દુર્ઘટનાનો ભય
તળાજા તાલુકાના સમઢીયાળા ગામે ખેતીવાડીની વીજળીની લાઈનમાં ઘણી જગ્યાએ ડબલ થાંભલા આવેલા છે. સમઢિયાળાથી બેલા જવાના રોડ ઉપર ડબુકિયા નદીના આવા ડબલ થાંભલા આવેલા છે ત્યાં બંને થાંભલા ઉપર ચોમાસાના વખતથી વેલા વીંટળાઈ ગયેલા જોવા મળે છે. વરસાદ જતો રહ્યો એને લગભગ બે મહિના થવા આવ્યા છે છતાં પણ પીજીવીસીએલ દ્વારા આવા વેલા અને ઝાડીઝાંખરાને દૂર કરવાની કામગીરી કરવામાં આવી નથી. આ થાંભલા ઉપર બે લાઈન આવેલી છે.પરિણામે ઘણી વખત થાંભલા ઉપર વીજળીનો કરંટ લાગવાથી તણખા જરે છે અને જંપર બળી જાય છે.આ રીતે વેલાને કારણે ખેતીવાડીની લાઈટ પણ જતી રહે છે આથી ખેડૂતોને પરેશાની ભોગવી પડે છે.
લોક માંગ:ધંધુકાથી ફેદરાનો હાઇવે શરૂ, વલભીપુરને બસોનો લાભ આપો
ધંધુકાથી ફેદરા તરફના હાઇવે પર હાઇવેનુ રીકાર્પેટીંગ અને બ્રિજના નિર્માણનું કામ શરૂ કરવામાં આવતા ભાવનગર થી અમદાવાદ તરફ જતી એસ.ટી.બસોના રૂટમાં છેલ્લાં ઘણાં મહિનાઓથી વાયા ધોલેરા પરથી ડાયવર્ટ કરવામાં આવી હતી. રૂટોને ડાવવર્ટ કરતા પહેલા જે એસ.ટી.બસો વાયા વલભીપુર થઇને જતી હતી તેમાં કૃષ્ણનગર-મહુવા,કૃષ્ણનગર-ભાવનગર,અમદાવાદ-પાલીતાણાતળેટી(એ.સી.),બગદાણા -બાપુનગર, પાલીતાણા તળેટી -અમદાવાદ(એ.સી.),લુણાવાડા-પાલીતાણા તળેટી (એ.સી.), મહુવા-અમદાવાદ,.ભાવનગર-કૃષ્ણનગર,કૃષ્ણનગર-મહુવા, પાલીતાણા તળેટી-અમદાવાદ(એ.સી.), ભગુડા-રાધનપુર,બાપુનગર-તળાજા અને મહુવા-કૃષ્ણનગર આ તમામ રૂટોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જયારે ધંધુકા થી ફેદરા તરફનો હાઇવે પુન: રાબેતા મુજબ ખુલ્લો મુકવામાં આવ્યો છે ત્યારે ભાવનગર ડીવીઝન અને તેના તાબા તળેના ડેપો દ્વારા સંચાલતી બસોને વાયા ધોલેરા પરથી ડાયવર્ટ કરવામાં આવી હતી તે તમામ બસોના રૂટોને પણ થયાવત રીતે વાયા વલભીપુર થઇને ચાલુ કરવા જોઇએ. ધંધુકાથી ફેદરા વાળો હાઇવે બંધ કર્યા પછી આમ પણ વલભીપુર એસ.ટી.સ્ટેન્ડમાં માત્ર પાલીતાણા અને અમરેલી ડેપો દ્વારા -અમદાવાદ-કૃષ્ણનગરની મર્યાદીત સંખ્યામાં રૂટ ઉપર આધાર રાખવો પડે છે ત્યારે ભાવનગર ડીવીઝન અને ડેપો દ્વારા સંચાલીત રૂટો પણ પુન: રાબેતા મુજબ શરૂ થાય તેવી તાલુકાની મુસાફર જનતાની લાગણી અને માંગણી એસ.ટી.તંત્ર પાસે રાખી રહ્યાં છે. આ બાબતે એ.પી.એમ.સી.ના ડાયરેકટર મહેશ બી.ડાવરા એ વિભાગીય નિયામકને રજુઆત કરી છે. હાલમાં અમદાવાદ-વડોદરાના એસ.ટી.બસો વાયા ધોલેરા થઇને ચાલતી હોય તેના કારણે વલભીપુર અને અયોધ્યાપુરમ જવા માંગતા શ્રધ્ધાળુઓને નારી ચોકડીથી સરકારી અથવા ખાનગી વાહનનો સહારો લેવો ફરજીયાત છે. બસોનો જૈન તિર્થ સ્થાનો જવા પણ લાભ મળેવલભીપુર અને વલભીપુર નજીક આવેલ અયોધ્યાપુરમ્ તીર્થો એ જૈન સંપ્રદાયના આસ્થા અને શ્રધ્ધાના કેન્દ્રસમા દેરાસરો આવેલા છે જેમાં વલભીપુર તો જૈન સંપ્રાદયનું પ્રાચીન તીર્થ આવેલ છે પાલિતાણા ગિરીરાજ શેત્રુંજય તીર્થ જતા પહેલા જૈન યાત્રીકો અયોધ્યાપુરમ્ અને વલભીપુર તીર્થના દર્શન કર્યા પછી પાલિતાણા જતા હોય છે. હાલમાં અમદાવાદ-વડોદરાના એસ.ટી.બસો વાયા ધોલેરા થઇને ચાલતી હોય તેના કારણે વલભીપુર અને અયોધ્યાપુરમ જવા માંગતા શ્રધ્ધાળુઓને નારી ચોકડીથી સરકારી અથવા ખાનગી વાહનનો સહારો લેવો ફરજીયાત છે
ઇન્ડસઇન્ડ બેંક કૌભાંડ:મહિલા મેનેજરે પતિ સાથે મળી 110 મ્યુલ ખાતા ખોલાવી રૂ.1.5 કરોડ કમિશન લીધુ
ભાવનગરની ઈન્ડસઈન્ડ બેંકમાં 110 મ્યુલ એકાઉન્ટ ખોલાવી 6 મહિનામાં સાઈબર ક્રાઈમના રૂ.100 કરોડ દુબઈ મોકલવાના કૌભાંડમાં બેંકના મહિલા મેનેજર, તેના પતિ સહિત વધુ 4ની ધરપકડ કરાઇ છે. મેનેજરનો પતિ અગાઉ આ કૌભાંડમાં પકડાયેલા 10 આરોપીના સંપર્કમાં હતો. તેમની સાથે મળી તેણે બેંકમાં મ્યુલ એકાઉન્ટ ખોલાવ્યાં હતાં. જે પેટે મહિલા મેનેજર અને પતિ 1-2 ટકા કમિશન લેતાં હતાં. 26 રાજ્ય અને 6 કેન્દ્રશાસિત પ્રદેશમાં સાઈબર ફ્રોડના 719 કરોડ પડાવવાના કૌભાંડમાં સાઈબર સેન્ટર ઓફ એક્સિલન્સ ટીમે અગાઉ ભાવનગરની ઈન્ડસઈન્ડ બેંકના 2 કર્મી સહિત 10ની ધરપકડ કરી હતી. વધુ તપાસમાં આ કૌભાંડમાં ઈન્ડસઈન્ડ બેંકની ભાવનગર બ્રાંચના મેનેજર ભૂમિકા જગદીશ લશ્કરી, તેના પતિ સાહીલ સંજય સાધુની સંડોવણી બહાર આવતાં પોલીસે બંનેની ધરપકડ કરી પૂછપરછમાં સાઈબર ફ્રોડના નાણાંની હેરાફેરી માટે મહિપાલસિંહ વીરભદ્રસિંહ ગોહિલે તેમની બ્રાંચમાં 110 મ્યુલ એકાઉન્ટ ખોલાવ્યાં હતાં. તેમાંથી 109 એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલા સાઈબર ફ્રોડના રૂ.11 કરોડ ભાર્ગવ જનક પંડયાએ અન્ય આરોપીઓ સાથે મળી હવાલા-આંગડિયા તથા વોલેટ દ્વારા દુબઈ, કમ્બોડિયા, મ્યાનમાર મોકલ્યા હતા. જેના આધારે પોલીસે ભાર્ગવ અને મહિપાલસિંહની પણ ધરપકડ કરી હતી. આ કૌભાંડમાં ભૂમિકા અને સાહીલે ટ્રાન્જેક્શન પર 1-2 ટકા કમિશન લીધું હતું. જેની તપાસમાં 6 મહિનામાં 110માંથી 109 મ્યુલ એકાઉન્ટમાં રૂ.100 કરોડની હેરાફેરી થઈ હતી. આ 100 કરોડમાંથી દંપતીએ રૂ.1થી 1.5 કરોડ કમિશન લીધું હતું. ભૂમિકાએ KYC વિના 110 એકાઉન્ટ ખોલ્યાંપોલીસનું કહેવું છે કે, આરોપીઓએ ઈન્ડસઈન્ડ બેંકની ભાવનગર બ્રાંચમાં 6 મહિનામાં જ 110 મ્યુલ એકાઉન્ટ ખોલાવ્યાં હતાં. તેના માટે જરૂરી ડોક્યુમેન્ટનું પ્રોપર વેરિફિકેશન કરાયું નહોતુ. તે એકાઉન્ટ પૈકી 109 એકાઉન્ટમાં 6 મહિનામાં જ રૂ.100 કરોડનાં ટ્રાન્જેક્શન થયાં હતાં. કૌભાંડનો અણસાર આવતા ઈન્કવાયરી શરૂ થયેલીભૂમિકાબહેન ડિસેમ્બર 2023 માં ઈન્ડસ ઈન્ડ બેંકની ભાવનગર બ્રાંચમાં મેનેજર તરીકે જોડાયા હતા. હાલમાં તેમનો પગાર માસિક રૂ.73 હજાર હતો. તેઓ મ્યુલ એકાઉન્ટ કૌભાંડમાં સંડોવાયેલા હોવા અંગેની ફરિયાદ 2 મહિના અગાઉ બેંક સત્તાવાળાને મળી હતી. જેના આધારે વાઈસ પ્રેસિડેન્ટ દ્વારા ઈન્કવાયરી પણ કરવામાં આવી હતી. તેમની મ્યુક એકાઉન્ટ ઘારકોના સંપર્કમાં હોવાની કેટલીક માહિતી બેંક સત્તાવાળાને મળી હતી. પરંતુ બેંક સત્તાવાળા કોઈ પગલા લે તે પહેલા જ પોલીસે તેણીની ધરપકડ કરી હતી.
ભાવનગર શહેરના ઘોઘારોડ તેમજ બોરતળાવ પોલીસ મથકના કર્મચારીઓ દ્વારા ભાવનગર જિલ્લા સમન્વય પોર્ટલમાં નિરીક્ષણ કરી રહ્યા હતા. જે દરમિયાન ભાવનગર શહેરના બે શખ્સોના બેન્ક ખાતામાં રૂા. 45.50 લાખથી વધુના સાયબર ફ્રોડના નાણા જમા થયા હોવાની ગેરરીતિ થઇ હોવાની જાણ થતાં તપાસ હાથ ધરાઇ હતી. જે તપાસમાં બન્ને શખ્સો વિરુદ્ધ દસ જેટલી સાયબર ફ્રોડની અરજી થઇ હોવાનું જણાઇ આવતા પોલીસે બન્ને શખ્સો વિરૂદ્ધ જુદા જુદા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી, ઊંડી તપાસ શરૂ કરી છે. ભાવનગર શહેરમાં આવેલી ઇન્ડસઇન્ડ બેન્કના મહિલા મેનેજર સહિત ત્રણ કર્મચારીઓએ એજન્ટો સાથે મળીને રૂા. 719 કરોડથી વધુના સાયબર ફ્રોડ આચરવાની ઘટનાની સ્યાહી હજુ સુકાઇ નથી ત્યાં શહેરના વધુ બે શખ્સોની લાખો રૂપિયાના સાયબર ફ્રોડની સંડોવણી ખુલવા પામી છે. શહેરના ઘોઘારોડ પોલીસ મથક વિસ્તારના તેમજ બોરતળાવ પોલીસ મથકના વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી ભાવનગર જિલ્લા સમન્વય પોર્ટલમાં નિરીક્ષણ કરી રહ્યા હતા. જે દરમિયાન સરફરાજ હમીદભાઇ લાખાણી (રહે. પાંચ ભીલવાડા સર્કલ)ના બેન્ક ખાતામાં રૂા. 19,22,000 તેમજ જયેશ ભરતભાઇ જાંબુચા (પ્લોટ નં. 82 બી, હાદાનગર મેઇન રોડ રામજી મંદિર પાસે)ના બેન્ક ખાતામાં રૂા. 26,28,950 જેટલી રકમ ગેરકાયદેસર જુદા જુદા યુ.પી.આઇ. આર.ટી.જી.એસ. દ્વારા જમા થઇ હોવાનું જાણવા મળી આવ્યું હતું. આ ઉપરાંત સરફરાજ વિરૂદ્ધ કુલ 6 અરજી તેમજ જયેશ જાંબુચા વિરૂદ્ધ 4 અરજી જોવા મળતા પોલીસે આ બન્ને શખ્સો વિરૂદ્ધ ઘોઘારોડ અને બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. ફ્રોડમાં અન્ય શખ્સો સંડોવાયેલા છે કે કેમ તપાસ કરાશેપોલીસ દ્વારા જિલ્લા સમન્વય પોર્ટલમાં કામગીરી દરમિયાન સાયબર ફ્રોડના નાણા જમા થયાનુ જણાઈ આવ્યુ હતુ. આ સાયબર ફ્રોડમાં બન્ને શખ્સોની સાથે કોઈ અજાણ્યા અન્ય શખ્સોની સંડોવણી છે કે કેમ તેની વિસ્તૃત તપાસ કરવામાં આવનાર છે.
PGVCL વર્તુળ કચેરી ખાતેની ભરતી પ્રક્રિયા:948 ઉમેદવારોએ આપી વિદ્યુત સહાયકની પોલ ટેસ્ટની પરીક્ષા
પી.જી.વી.સી.એલ. ભાવનગર વર્તુળ કચેરી નીચેની વિભાગીય કચેરીઓમાં એપ્રેન્ટીસની તાલીમ પૂર્ણ કરેલ ભૂતપુર્વ ઍપ્રેન્ટિસ લાઈનમેનમાંથી વિદ્યુત સહાયક (ઈલેક્ટ્રીકલ આસીસ્ટન્ટ)ની ભરતીમાં માટેના પોલ ટેસ્ટ (શારીરિક પરીક્ષા) પી.જી.વી.સી.એલ. ભાવનગર વર્તુળ કચેરી ખાતે યોજાઈ હતી. પાંચ દિવસની વિદ્યુત સહાયકની ભરતીમાં 1155 ઉમેદવારોના પોલ ટેસ્ટમાં 948 ઉમેદવારોએ શારીરિક પરીક્ષા આપી હતી. પી.જી.વી.સી.એલ. ભાવનગર વર્તુળ કચેરી ખાતે વિદ્યુત સહાયક (ઈલેક્ટ્રીકલ આસીસ્ટન્ટ)ની ભરતીમાં ભાવનગર સહિત વિવિધ જિલ્લામાંથી 1155 ઉમેદવારોને પોલ ટેસ્ટની શારીરિક પરીક્ષા માટે આમંત્રિત કરાયા હતા. પી.જી.વી.સી.એલ. આયોજીત 50 સેકેન્ડમાં વીજ પોલ ચડવાની પોલ ટેસ્ટની શારીરિક પરીક્ષા ઉમેદવારોએ શારીરિક પરીક્ષા આપી હતી. વિદ્યુત સહાયકની ભરતીના તબક્કાવાર આયોજનમાં અંતિમ દિવસે તા.12મી ડિસેમ્બરે 250 જેટલા ઉમેદવારોએ પોલ ટેસ્ટની શારીરિક પરીક્ષા આપી હતી. ભાવનગર વર્તુળ કચેરી ખાતેની ભરતી પ્રક્રિયામાં વિદ્યુત સહાયક (ઈલેક્ટ્રીકલ આસીસ્ટન્ટ)ની ભરતીમાં માટેના પોલ ટેસ્ટ (શારીરિક પરીક્ષા) પાસ કરનારા ઉમેદવારોની આગામી દિવસોમાં લેખિત પરીક્ષા લેવાશે. સંભવતઃ ડિસેમ્બર મહિનાના અંત ભાગમાં રાજકોટ ખાતે યોજાનારી પરીક્ષામાં 12 સર્કલ કચેરીઓમાંથી શારીરિક પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે.
ભાવનગર જિલ્લા જેલમાં કાચા કામની સજા ભોગવી રહેલી કોન્સ્ટેબલ મહિલા કેદી પાસેથી મોબાઇલનું સિમકાર્ડ મળી આવતા ભાવનગર જિલ્લા જેલમાં ફરજ બજાવતા જેલરે મહિલા કેદી વિરૂદ્ધ જુદી જુદી કલમો હેઠળ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.ભાવનગર જિલ્લા જેલમાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવતા સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ રંગેહાથે ઝડપાઇ ગઇ હતી. ભાવનગર જિલ્લા જેલમાં સવારના સુમારે એક સરપ્રાઇઝ ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન એટ્રોસીટીના ગુનામાં કાચા કામના કેદી મહિલા કોન્સ્ટેબલ પાસેથી એક વી.આઇ. કંપનીનું સીમકાર્ડ મળી આવ્યું હતું. એક માસથી જિલ્લા જેલમાં એટ્રોસીટીના આરોપીને છાવરનાર મહિલા કોન્સ્ટેબલ નયના નાનજીભાઇ બારૈયા વિરૂદ્ધ અનેક કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી. જે બાદ મહિલા કોન્સ્ટેબલ નયના નાનજીભાઇ બારૈયાની ધરપકડ કરી, ભાવનગર જિલ્લા જેલમાં ધકેલવામાં આવી હતી. ત્યારે આજે જિલ્લા જેલના અધિકારી તેમજ જેલ સિપાઇ દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન મહિલા વિભાગની બેરેક નં. 02માં ચેકીંગ કરતા કાચા કામની કેદી નયના નાનજીભાઇ બારૈયા પાસેથી અનઅધિકૃત વી.આઇ. કંપનીનું મોબાઇલ સિમકાર્ડ મળી આવતા કેદી નયના બારૈયા વિરૂદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે મહિલા કેદીને અન્ય કેદીઓએ સિમકાર્ડ આપ્યું છે અથવા તો બહારના ક્યા વ્યક્તિ દ્વારા સિમકાર્ડ આપવામાં આવ્યું છે જે અંગે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરાશે.
મનપાની આવકમાં નોંધાઈ વૃદ્ધિ:શુક્રવારે એક દિવસમાં ઘરવેરાની આવક રૂ. 45.26 લાખને આંબી
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઘરવેરા વિભાગમાં આવકમાં સતત વૃદ્ધિ થઇ રહી છે. આ વર્ષે હાઉસટેક્સ માટે ભરપાઇ થયેલી કુલ આવક રૂપિયા 147.30 કરોડના આંકને આંબી ગઇ છે. તો છેલ્લાં એક માસમાં તંત્રને કુલ 6.43 કરોડના વેરાની આવક થઇ છે. તો આજે શુક્રવારુે એક જ દિવસમાં ઘરવેરાની આવક રૂ.45.26 લાખને આંબી ગઇ હતી. આજે ભાવનગર મહાનગરપાલિકામાં તા.12 ડિસેમ્બરે એક જ દિવસમાં કુલ 398 કરદાતાઓ દ્વારા કુલ 45.26 લાખનો મિલ્કત વેરો એક જ દિવસમાં ભરપાઈ કરવામાં આવતાં મહાનગરપાલિકાની ચાલુ નાણાકીય વર્ષની મિલ્કત વેરાની કુલ આવક 147.30 કરોડ થઇ ગઇ છે. માસ જપ્તીના પગલે ભાવનગર મહાનગપાલિકાની આવકમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. તા.10 નવેમ્બરથી શરૂ કરેલ માસ જપ્તીના પગલે એક મહિનામાં (તા.10 નવેમ્બરથી 12 ડિસેમ્બર સુધીમાં ) કુલ 3865 કરદાતાઓ દ્વારા કુલ 6.43 કરોડનો મિલ્કત વેરો ભરપાઈ કરેલ છે. ઘરવેરા વિભાગ દ્વારા વેરા માટે માસ જપ્તી ડ્રાઇવમાં કુલ 800થી પણ વધુ મિલકતોને સીલ કરવામાં આવેલ છે તેમ મહાનગરપાલિકાના ઘરવેરા વિભાગ દ્વારા જણાવાયું છે.
પાલનપુરના ગઢ નજીકથી 181 અભયમની ટીમને અસ્થિર મગજની મહિલા મળી હતી. જેને સખીવન સ્ટોપ સેન્ટરમાં મુકાઇ હતી. જે માત્ર પોતાનું નામ જ બોલતી હતી. જેનો ફોટો સોશિયલ મીડિયામાં મુકતાં પરિવાર મળ્યો હતો. જેમની સાથે મિલન કરાવવામાં આવ્યું હતુ. મહિલા સુરક્ષા અને સેવા માટે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર, પાલનપુર દ્વારા રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના એક નાનકડા ગામની માનસિક અસ્થિર બહેનને દોઢ મહિના પછી તેમના પરિવાર સાથે મળાવી માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ અંગે કેન્દ્ર સંચાલક નીલોફરબેને જણાવ્યું હતુ કે, મહિલા ગઢ ગામ નજીક રસ્તે ભટકતી જોવા મળતાં એક જાગૃત નાગરિકે 181 મહિલા અભયમ ટીમને જાણ કરી હતી. મહિલા માનસિક અસ્થિરતા છતાં તેમની સુરક્ષા માટે ટીમે તેમને પાલનપુરના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે પહોંચાડ્યા હતા. અહીં સ્ટાફે તેમનું કાઉન્સેલિંગ કર્યું, પરંતુ તેઓ નામ સિવાય કંઈ કહી ન શકતા હોવાથી ઓળખ વિશે સ્પષ્ટ માહિતી મળી નહોતી.આથી મહિલાનો ફોટો આદિવાસી સમાજના ગ્રુપમાં મોકલતા પાંચ દિવસ પછી તેમના ઘરે અંગે માહિતી મળી હતી. સંપર્ક મળતા સખી સેન્ટર ટીમે મહિલાના ભાઈ સાથે વાત કરી તેમને પાલનપુર બોલાવી તેમને સુપ્રત કર્યા હતા. પતિના ત્રાસથી મહિલા અસ્થિર મગજની બનીરાજસ્થાનનો પરિવાર મહિલાને લેવા માટે પાલનપુર આવ્યો હતો. તેમણે જણાવ્યું હતુ કે, તેણી પરિણીત છે. જોકે, તેનો પતિ શારિરીક - માનસિક ત્રાસ ગુજારતો હોવાથી આઘાતના કારણે માનસિક અસ્થિર બની હતી.
ટેમ્પલ મેનેજમેન્ટ રિસર્ચ:રાજ્યમાં પ્રથમ વખત 132 મંદિરોનું વૈજ્ઞાનિક સંશોધન
ગુજરાતના મંદિરોના મેનેજમેન્ટ પર ભાવનગરના એમ.કે.બી. યુનિ.ના ઇ.સી. સભ્ય ડૉ. નિયતિ પંડ્યાએ ગુજરાતનું પ્રથમ સંશોધન પૂર્ણ કર્યું છે અનુે તેમાં 132 મંદિરોના અભ્યાસ દ્વારા મંદિર મેનેજમેન્ટના મોડલ પ્રસ્તુત કરી મંદિરોની ભીડ નિયંત્રણ, નાણાકીય પારદર્શિતા, વોલન્ટિયર સિસ્ટમ, સ્વચ્છતા, કચરા વ્યવસ્થાપન, પ્રસાદ વ્યવસ્થા, ડિજિટલ સેવાઓ અને સંસ્કૃતિક-શૈક્ષણિક ભૂમિકાઓ જેવી અનેક બાબતો પર પ્રથમવાર એકેડેમિક ફ્રેમવર્કથી સંશોધન કરીને પ્રકાશમાં લાવી છે. ડૉ. નિયતિ પંડ્યાનું કહેવું છે કે મંદિર માત્ર ધાર્મિક ભાવનાઓનું કેન્દ્ર નથી, તેઓ સમાજના નૈતિક અને સાંસ્કૃતિક વિકાસના આધારસ્તંભ છે. યોગ્ય વ્યવસ્થાપન દ્વારા મંદિરો સમાજસેવા, શિક્ષણ, ગૌસંવર્ધન, સંસ્કૃતિ સંરક્ષણ અને સમુદાય નેતૃત્વ આ પાંચેય ક્ષેત્રોમાં મોટી ભૂમિકા ભજવી શકે છે. મંદિરો સનાતન ધર્મ, ભારતીય સંસ્કૃતિ અને હિન્દૂ સમાજમાં કેન્દ્રસ્થાન ધરાવે છે, પરંતુ તેમનું વ્યવસ્થાપન કેટલું અસરકારક છે? વર્તમાન સમયમાં મંદિરો સમાજમાં કેટલી ભૂમિકા ભજવે છે? અને સમાજ સામે પ્રસ્તુત પડકારોનો સામનો કરવા માટે મંદિરની વધારે સક્રિય અને અસરકારક ભૂમિકા કેવી રીતે બનાવી શકાય? આવા અનેક મૂળભૂત પ્રશ્નોને સ્પર્શતું અનોખું સંશોધન ”Temple Management in Gujarat” ભાવનગરની સંશોધક ડૉ. નિયતિ વિક્રાંત પંડ્યા દ્વારા ડૉ. પરાગભાઈ સંઘાણીના માર્ગદર્શન હેઠળ પી. પી. સવાણી યુનિ.માંથી પૂર્ણ કરાયું છે. મંદિરો માટે નવું વૈજ્ઞાનિક મોડેલ દર્શાવ્યુંગુજરાતના મંદિરો માટે એક નવું અને વૈજ્ઞાનિક Integrated Temple Management Model (ITMM) એ ડૉ. નિયતિ પંડ્યાના આ અધ્યનનની ફળશ્રુતિ છે. જેમાં 7-S Strategic Framework અને 5-C Diagnostic Model બંનેનો સમાવેશ થાય છે. 7-S મોડલમંદિરોમાં સેવા, સ્વચ્છતા, સંસ્કાર, સમર્પણ, સહયોગ, સંરક્ષણ અને સાતત્ય જેવા સાંસ્કૃતિક મૂલ્યોને આધુનિક મેનેજમેન્ટ સાથે જોડે છે અને 5-C મોડલ Cleanliness, Crowd, Community, Character અને Culture જેવા માપી શકાય એવા પરિબળો દ્વારા મંદિરની કાર્યક્ષમતા અને ભક્તોના સંતોષનું મૂલ્યાંકન પણ કરે છે. સરકાર માટે આ મોડલ અત્યંત ઉપયોગી બની શકેસંશોધન મુજબ સરકાર માટે આ મોડલ અત્યંત ઉપયોગી બની શકે છે, કારણ કે રાજ્યના ઘણા મંદિરો સરકાર, યાત્રાધામ બોર્ડ અથવા વહીવટી તંત્રની દેખરેખ હેઠળ આવે છે. આ અભ્યાસ રાજ્યને સ્વચ્છ મંદીર ઇન્ડેક્સ , એકસરખાં SOPs, વોલન્ટિયર તાલીમ કાર્યક્રમો, ગૌશાળા અને પરંપરાગત પાઠશાળાઓ માટે ગ્રાન્ટ, અને ડિજિટલ દાન વ્યવસ્થા જેવા રાજ્યવ્યાપી સુધારણા કાર્યક્રમો બનાવવા માટે પ્રમાણ આધારિત માર્ગદર્શન આપે છે.
કૌભાંડનો પર્દાફાશ:પાલનપુર યાર્ડમાં ઓછા વજનની મગફળી ખરીદીમાં કૌભાંડનો ખેડૂતે જ પર્દાફાશ કર્યો
પાલનપુર માર્કેટ યાર્ડમાં જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘ દ્વારા ટેકાના ભાવે થતી મગફળી ખરીદીમાં ફરી એકવાર ગેરરીતિઓ બહાર આવી છે. સેન્ટર નંબર 2 પર ખેડૂતોની મગફળી ‘ઓછા વજન’ના નામે રિજેક્ટ કરવામાં આવી રહી હતી, પરંતુ તપાસ કરતા બહાર આવ્યું કે સેન્ટર દ્વારા પોતે જ ઓછા વજનવાળી બોરીઓ ખરીદવામાં આવી રહી હતી. સરકાર દ્વારા બનાસકાંઠામાં ગુજકો-નાફેડ મારફતે મગફળી રૂપિયા 1452ના ટેકાના ભાવે ખરીદવામાં આવી રહી છે. પાલનપુર માર્કેટ યાર્ડના સેન્ટર 2 પર શુક્રવારે 7 ખેડૂતોને મગફળી ભરાવવાનો મેસેજ મોકલાયો હતો. જેમાંથી ત્રણ ખેડૂતોની મગફળી 35.800 કિલોગ્રામનાં માપદંડ કરતાં હલકી હોવાથી તેમની બોરીઓ રિજેક્ટ કરવામાં આવી. જે બાદ કુંભલમેર ગામના ખેડૂત કાંતિભાઈ હરિભાઈ પટેલની પણ મગફળી સ્વીકારવામાં આવી નહોતી. અનેક વિનંતી છતાં સેન્ટર સંચાલકે ઓછા વજનની મગફળી ખરીદી શકાશે નહીં એવું જણાવ્યું. આથી અચંબામાં પડેલા ખેડૂતે વિરોધ સ્વરૂપે સેન્ટરે ખરીદેલી અન્ય બોરીઓનું વજન કરાવ્યું તો તે બોરીઓ પણ નિયત માપદંડથી 5-6 કિલો ઓછી હોવાનું બહાર આવ્યું. ખેડૂતોએ તરત જ નાફેડના અધિકારીને સ્થળ પર બોલાવ્યા. અધિકારીની હાજરીમાં પણ ખરીદેલી બોરીઓમાં વજન ઓછું નીકળતા તેમણે ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ કરી સેન્ટર બંધ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી, ખેડૂતે વીડિયો ઉતાર્યો એટલેવજનમાં 6 કિલો કટિંગ જણાયુંખેડૂતે વીડિયો ઉતારી જવાબદાર અધિકારીની હાજરીમાં ચકાસણી કરી જુદી જુદી મગફળીની બોરીઓનું વજન કરાવ્યું હતું. મૂળ 38.500 કિગ્રા વજન હોવું જોઈએ ત્યારે હકીકતમાં 32.500 કિગ્રા જેટલું ઓછું નીકળ્યું. એટલે પ્રતિ બોરી 6 કિલો સુધીનું કટિંગ થતું હોવાનું જાણવા મળ્યું. ખેડૂતના ખુલાસા બાદ આ ગેરરીતિ બહાર આવી હતી.
કાર્યવાહી:માલપુરના કાટકૂવા ગામમાં ડુંગરની તળેટીમાંથી 2.56 લાખનો દારૂ પકડાયો
માલપુરના કાટકૂવામાં રહેણાંક મકાનની નજીક આવેલ ડુંગરની તળેટીમાં છૂપાવી રાખેલો રૂ.2.56 લાખનો વિદેશી દારૂનો જથ્થો માલપુર પોલીસે ઝડપી પોલીસે વોન્ટેડ આરોપી નિતીન મકવાણા સામે ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરી છે. માલપુર પોલીસ સ્ટેશનના પીઆઇ એઆઈ ચાવડાએ આપેલી સૂચનાના ભાગરૂપે સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહિબિશન વોચ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન સ્ટાફના હેડ કોન્સ્ટેબલ નવનીતભાઈ સવજીભાઈને ખાનગી માહિતી મળી હતી કે કાટકૂવા ગામમાં રહેતા નીતિનભાઈ ભલાભાઇ મકવાણા પોતાના રહેણાંક મકાનની પાસેની ડુંગરની તળેટીમાં ગેરકાયદે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હોવાની માહિતીના આધારે માલપુર પોલીસે અચાનક રેડ કરતાં ડુંગરની તળેટીમાં છુપાવી રાખેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂની બોટલ નંગ 1560 કિં.2,56,614નો વિદેશી દારૂનો જથ્થો કબજે લઈ વોન્ટેડ આરોપી નીતિનભાઈ ભલાભાઇ મકવાણા રહે. કાટકૂવા તા.માલપુર વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આવેદનપત્ર:સા.કાં.ના ખેડૂતોને ખાતરનો પુરવઠો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવો
સાબરકાંઠા જિલ્લા કિસાન સભાના આગેવાનોએ કલેક્ટર સાબરકાંઠા મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતરનો પુરવઠો મળી રહે તે માટેની માંગ કરી છે. ગુજરાત કિસાન સભા રાજ્યમંત્રી પરસોતમ પરમાર, સાબરકાંઠા જિલ્લા કિસાન સભાના પ્રમુખ સોનસિંહ મકવાણા, ઉપપ્રમુખ દિનેશ પરમાર, મંત્રી મોતીલાલ પરમારે જણાવ્યું કે કમોસમી માવઠાના લીધે ખેડૂતોનો પાક તદ્દન નિષ્ફળ ગયો છે. એવી સ્થિતિમાં શિયાળુ સિઝનમાં રાસાયણિક ખાતર મળતું નથી. હિંમતનગર,ગાંભોઈ, વિજયનગર, ખેડબ્રહ્મા સહિત આદિવાસી તાલુકાઓમાં ખાતર મેળવવા માટે લાંબી લાંબી લાઈનો લાગે છે. ઘણી જગ્યાએ ખાતર ઉપલબ્ધ નથી એવા બોર્ડ પણ મારેલા છે. ખેડૂતને પાંચની જરૂર હોય તો ફક્ત એક થેલી મળે છે અને યુરિયા સાથે નેનો બોટલ ફરજિયાત વળગાડે છે. ખેડૂતોને ખાતરના ભાવ સીધા ડબલ થઈ જાય છે. વધુમાં આદિવાસી વિસ્તારમાં ખેડૂતો પાસે મોબાઇલ હોતા નથી અને ખાતર મેળવવા માટે OTP આપવા પડે છે . વહીવટી તંત્રના પુરવઠો પૂરેપૂરો હોવાના દાવા પોકળ છે. હકીકતમાં ખેડૂતોને ખાતર મળતું નથી. પંદર દિવસ ખાતરના ધાંધિયા ચાલુ રહે તો ખેડૂતોની મુખ્ય સિઝન રવિ સિઝનનો પાક નિષ્ફળ જાય તેમ છે.
આગની ઘટના:હિંમતનગરની આંબાવાડી પોલીસ લાઈનના ત્રીજા માળે સિલિન્ડર લિકેજથી આગ લાગતાં રસોડાનો સામાન ખાખ
હિંમતનગર શહેરને એ ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ આંબાવાડી પોલીસ લાઈનમાં શુક્રવારે સવારે ત્રીજા માળે મકાનમાં સિલિન્ડર લિકેજથી અચાનક આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડને જાણ કરાયા બાદ ફાયર ટીમે એકાદ કલાકમાં આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. રસોડાની તમામ ચીજ વસ્તુઓ અને ટાઈલ્સ તથા ગ્રેનાઇટને નુકસાન થયું હતું. જ્યારે ઘરના લોકો બહાર નીકળી જતાં કોઈ કમનસીબ ઘટના બની ન હતી. આંબાવાડી પોલીસ ક્વાટર્સના બ્લોક નંબર 10 મકાન નંબર 120 ત્રીજા માળે પ્રવિણસિંહ રાઠોડના મકાનમાં આગ લાગી હોવાનો 9:27 કલાકે ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો ફાયર બ્રિગેડના મયંકભાઇ પટેલે જણાવ્યું કે કોલ મળતાં જ સ્થળ પર પહોંચી ગયા હતા અને ત્રીજા માળે નોઝલ પહોંચાડી પાણીનો મારો ચલાવી 10:30 કલાક સુધીમાં આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. આગને કારણે રસોડાનો બધો સામાન, ટાઇલ્સ અને ગ્રેનાઇટને નુકસાન થયું હતું તેમણે ઉમેર્યું કે પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં એલપીજી સિલિન્ડર નવો લગાવેલો હતો અને રેગ્યુલેટરમાં લિકેજ હોવાને કારણે આગ પકડાઈ ગયાનું જણાઈ રહ્યું છે.
શહેરમાં આવેલા 16 પોલીસ મથક અને સાયબર ક્રાઇમમાં એક જ દિવસમાં 26 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઇ છે. 26 ફરિયાદોમાં કુલ રૂ.1.66 કરોડનું ફ્રોડ થયુ હતું. અડાજણના યોગીપાર્ક સોસાયટીમાં રહેતા હેમેન્દ્ર પરમાનંદ લિંબાચીયા છેલ્લા સાત વર્ષથી શેર માર્કેટમાં ટ્રેડિંગ કરે છે. જુન 2025માં સોશિયલ મીડિયામાં પર જાહેરત જોઇને તેઓ Y811 360 ONE STUDY CIRCLE નામના ગ્રુપમાં જોડાયા હતા. આ ગ્રુપના એડમિન આરોહી પટેલ અને કરન ભગત હતા. ગ્રુપમાં શેર ની ટિપ્સ તેમજ NSE-BSEની વેબસાઇટ્સના ભાવો સાથે તુલના દર્શાવવામાં આવતી હતી. 15 દિવસ સુધી ગ્રુપનું અવલોકન કર્યા બાદ હેમેન્દ્રએ તેમની સાથે શેરનું કામ શરૂ કરતા આરોહી પટેલે 360 ONE નામની એપ્લિકેશનની લિંક મોકલી આધાર કાર્ડ અપલોડ કરાવીને યુઝરનેમ-પાસવર્ડ બનાવડાવ્યા હતા. એપમાં બેંક એકાઉન્ટની વિગતો આપીને રોકાણ માટેના પૈસા જમા કરાવવાનું કહેતા હેમેન્દ્રએ આ એપના એકાઉન્ટમાં તા. 02/07/2025ના રોજ કુલ રૂ. 43,35,000 જમા કરાવ્યા હતા.બાદમાં તેના દિકરા વિશાલને પણ આ ગ્રુપમાં જોડાવીને એપ મારફતે બનાવેલા એકાઉન્ટમાં રૂ 58,27,000 જમા કરાવ્યા હતા. આ ઠગ ટોળકીએ સારો નફો બતાવીને હેમેન્દ્રના એકાઉન્ટમાં રૂ. 3,18,01,031 અને વિશાલના એકાઉન્ટમાં રૂ. 2,12,57,703 જમા રકમ બતાવતી હતી અને વધુ રોકાણ કરવા જણાવ્યું હતું. પછી વિડ્રો કરવા દીધા ન હતા. અન્ય એક બનાવમાં શેરબજારમાં અઠવાડિયામાં 100 ટકા નફોની લાલચ આપીને ટ્રાન્સપોર્ટર સાથે 8.34 લાખની ઠગાઈ કરવામાં આવી છે. જેમાં ભેસ્તાન વણકલાના વૈષ્ણોદેવી સ્કાયમાં રહેતા ટ્રાન્સપોર્ટર વિજિગીષુ મધુસુદન પટેલે 2 ઓગસ્ટ 2024 તેમના વોટ્સઅપ મેસેજમાં પોતાનું નામ રકુલ પ્રીત જણાવીને સ્ટોકમાં રોકાણ કરીને મોટા નફાની લાલચ આપવામાં આવી હતી. ઠગાઈના 26 કેસ કેસ-1 : કાદરશાહની નાળમાં રહેતા મોહમદ ઇમરાન અબ્દુલ કરીમે રૂ. 4 હજારમાં બેંક ખાતું ભાડે રાખી ઠગાઈ કરી. કેસ-2 : સંજયભાઈ બાબુભાઈ પટેલ (રહે. લોક રેસીડન્સી, મોટા વરાછા)એ ડોક્યુમેન્ટ મેળવી બેંક એકાઉન્ટ ખોલી ફ્રોડ કર્યું હતું. કેસ-3 : ભાઠેના એકાઉન્ટન્ટ સુરેશ તારાચંદ ભોજક સાથે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ બહાને 12.74 લાખની ઠગાઇ. કેસ-4 : પ્રોફેસર હેમંતકુમાર પટેલ સાથે શેરમાર્કેટમાં રોકાણ બહાને 24.42 લાખની ઠગાઇ. કેસ-5 : ડ્રાઈવર વિનાયક શાલિક વારે સાથે ૩ લાખની ઠગાઇ કેસ-6 : એમ્બ્રોડરી મશીન ઓપરેટર અનિલ લાલચંદ સોની સાથે 93 હજારની ઠગાઇ કેસ-7 : બિલ્ડરોના બેંક ખાતાના ઍક્સેસ મેળવી ૨ લાખની ઠગાઈ કેસ-8 : ડાઇંગ માસ્ટરને સુનીલ રાજભર સાથ 99 હજારની ઠગાઈ કેસ-9 : શિક્ષિકા રવિના દુસેજા સાથે રૂપિયા 1.75 લાખની ઠગાઈ કેસ-10 : વિનય જીનવાલા સાથે રૂપિયા 8 હજાર ઠગાઈ કેસ-11 : કેફે માલિક તુષાર સેજલીયા સાથે 14 હજારની ઠગાઇ કેસ-12 : દરજી ધવલ કાચવાઉ સાથે 30 હજારની ઠગાઇ કેસ-13 : રોકાણના નામે હંસાબેન સાથે 1.30 લાખની ઠગાઇ કેસ-14 : વિદ્યાર્થી અમિષ વડોદરીયા સાથે 92 હજારની ઠગાઇ કેસ-15 : મિલન રાદડીયાને ડિઝીટલ એરેસ્ટ કરી 90 હજાર પડાવાયા કેસ-16 : આર્કિટેક્ચર ગૌરાંગ ગાયકવાડ સાથે 1 લાખની ઠગાઈ આવી જ રીતે અન્ય 10 લાખો સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરાઈ હતી.
રક્તદાન કેન્દ્રના રક્તદાન સેવામાં 50 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે ત્યારે બ્લડ ટેસ્ટ માટે એક કરોડના ખર્ચે જર્મન કંપનીનું નવું ઓટોમેટીક નેટ ટેસ્ટિંગ મશીન લોન્ચ કરાયું હતું. સંસ્થાના આગેવાનોએ જણાવ્યું હતું નવું ઓટોમેટીક મશીન આવવાથી બધા જ યુનિટોનું ટેસ્ટ ઓટોમેટીક થશે. અત્યાર સુધી મેન્યુઅલ કામ થતું હોવાથી કોઈ વખત હ્યુમન એરરની સંભાવના રહેતી હોય છે અથવા તો તેમાં સમય વધારે લાગતો પરંતુ હવે ઝડપી અને સંપૂર્ણપણે ઓટોમેટીક ટેસ્ટ થઈને બ્લડ આપવામાં આવશે. પહેલા રક્તદાન કરેલ રકતમાં Hiv, Hep-c, Hep-Bના સેલ છે કે નહીં તેના ટેસ્ટ માટે સમય લાગતો પરંતુ હવે આ મશીનમાં તરત જ ખ્યાલ આવી જશે.
અનુબંધ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા સુરતમાં 20 ડિસેમ્બરે બપોરે 12 કલાકે બદ્રીનારાયણ મંદિર હોલ બાપ્સ હોસ્પિટલની બાજુમાં અડાજણ ખાતે 50થી 80 વર્ષ સુધીની ઉંમરના કુંવારા, ડિવોર્સી, વિધવા વિધુર માટે જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર નિ:શુલ્ક જીવન સાથી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાના પ્રમુખ નટુભાઈ પટેલે જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં સમગ્ર ભારતના જુદા જુદા શહેરોમાં 91 સંમેલનો કરાયા છે જેમાં 16815 બાયોડેટા પ્રાપ્ત થયા છે. 50 વર્ષથી વધારે ઉંંમરના 220 વ્યક્તિને પરણાવ્યા છે. સુરત અડાજણ ખાતે યોજાનાર સંમેલનમાં ભાગ લેવા ઈચ્છતા 50થી 80 વર્ષની વયના ભારતના કોઈપણ રાજ્યના કોઈપણ જ્ઞાતિના કે ધર્મના ભાઈઓ અથવા બહેનો ભાગ લઈ શકે છે. ડિવોર્સી અથવા વિધવા, વિધુર ઉમેદવારોએ એક ફોટો, આધાર કાર્ડ, ડિવોર્સ પેપર, પતિ અથવા પત્નીના મરણનું સર્ટિફિકેટ સાથે લાવવું. દૂરથી આવનાર સ્ત્રી ઉમેદવારો માટે રાત્રિ રોકાણની, જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદવારોએ 12 વાગ્યે સ્થળ પર રજીસ્ટ્રેશન કરાવવુંપસંદગી સંમેલનમાં બપોરે 12થી 1 દરમિયાન રજીસ્ટ્રેશન 1થી 1.30 ઉદ્ઘાટન સમારોહ,1.30થી 3.30પાત્ર પરિચય અને 3:30થી 6 વાગ્યા સુધી પર્સનલ મીટીંગ થશે. ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારોએ નટુભાઈ પટેલ 8320372264, વાસુદેવભાઈ પટેલ, 8238600999નો સંપર્ક કરવા જણાવ્યું હતું.
ભાસ્કર શીખ:પ્રાંતિજમાં મોટા બાપાના દીકરાએ ઠગાઇના 5.40 લાખ ખાતામાં નખાવી ઉપાડી લીધા
પ્રાંતિજના કરોલમાં રહેતા યુવકના મોટા બાપના દીકરા અને તેના મિત્રએ જમીન દલાલીના કામે બીજી પાર્ટી પાસેથી લેવાના થતાં પૈસા છેતરપિંડી કરી મેળવેલ હોઇ તે નાણાં તેના ખાતામાં જમા કરાવી ઉપડાવી લીધા બાદ બંને જણાંની છેતરપિંડી પકડાયા બાદ પોલીસ તપાસમાં આવતાં યુવકે બંને જણા વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કરોલના 22 વર્ષીય યુવક પાર્થકુમાર પ્રવિણભાઈ પટેલના બેન્ક ઓફ બરોડાના ઘડકણ શાખાના ખાતામાં તા.1-03-25 તથા તા.3-03-25ના રોજ થયેલ નાણાંકીય લેવડ દેવડ બાબતે પોલીસ પૂછપરછ અર્થે આવતાં પાર્થકુમારે આ નાણાંકીય લેવડ દેવડ મોટા બાપાના દીકરા કૌશિકકુમાર જશુભાઇ પટેલ (રહે.કરોલ તા.પ્રાંતિજ) તથા તેમના ઓળખીતા (પંકજભાઇ પટેલ રહે.રાયસણ તા.ગાંધીનગર)એ જમીન દલાલીના કામે બીજી પાર્ટી પાસેથી લેવાના થતાં પૈસા ખાતામાં નખાવવા બાબતે વાત કરી હતી. કૌશિકભાઈ અગાઉ રાયસણ ખાતે રહેતા હોઇ અવર જવર દરમ્યાન પંકજભાઈ સાથે પરિચય થયો હતો. જેથી બેન્ક ખાતામાં પૈસા જમા થયા બાદ કૌશિકભાઈ તથા પંકજભાઈના કહેવાથી જમીન દલાલીથી આવેલા સમજીને આ પૈસા કૌશિકભાઇ તથા પંકજભાઇ સાથે બેન્કમાં જઇ ચેકથી ઉપાડી આ રકમ રૂ.1.5 લાખ તથા રૂ.3.90 લાખ મળી કુલ રૂ.5.40 લાખ રોકડા કૌશિકભાઇ મારફતે પંકજભાઇને આપ્યા હતા. આ નાણાં છેતરપિંડીથી બંને જણાએ મેળવી ખોટી વિગતો જણાવી વિશ્વાસઘાત કર્યો હોવા અંગે પાર્થકુમારે બંને જણાં વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બેંક ખાતાની છેતરપિંડીથી બચવા માટે આ ધ્યાન રાખવું
હોમિયોપેથી સારવાર કેમ્પ યોજાયો:‘હોપ ફોર હોપલેસ’ મહાનિદાન હોમિયોપેથી સારવાર કેમ્પ યોજાયો
હોમિયોપેથીએ 175 બાળકો માટે આશાનું નવું દ્વાર ખોલ્યું છે. જન્મજાત ખોડખાંપણ અને માનસિક દિવ્યાંગતા ધરાવતા બાળકો માટે પ્રીત હોમિયોપેથી ક્લિનિકના સંયુક્ત ઉપક્રમે ‘હોપ ફોર હોપલે’સ મહાનિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો. બ્લુ ચિપ કોમ્પલેક્ષ સેવાશ્રમ રોડ ભરૂચ ખાતે કેમ્પમાં 175 થી વધુ ‘સ્પેશિયલ ચિલ્ડ્રન’ (દિવ્યાંગ બાળકો)ની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી હતી. આજના યુગમાં જ્યારે સારવાર મોંઘી બની રહી છે, ત્યારે સમાજના એવા વર્ગ માટે કે જેમના બાળકો સેરેબ્રલ પાલ્સી, ઓટિઝમ, ડાઉન સિન્ડ્રોમ કે મંદબુદ્ધિ જેવી ગંભીર સમસ્યાઓથી પિડાય છે, તેમના માટે આ કેમ્પ એક આશીર્વાદ સમાન સાબિત થયો.હતો.
રસ્તામાં અડચણરૂપ દબાણો હટાવાયા:પાલમાં ગેરકાયદે બાંધકામને તોડી 50 હજાર દંડ વસૂલાયો
પાલ વિસ્તારમાં ફાઈનલ પ્લોટ નં. 125 અને 126 પર મિલ્કતદારોએ મહાપાલિકાની મંજૂરી વિના કરાયેલા અનધિકૃત બાંધકામ સામે રાંદેર ઝોને ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરી હતી. વારંવાર નોટિસ આપવા છતાં અનધિકૃત બાંધકામ દૂર ન કરાતા વહીવટી ચાર્જ 50હજાર પણ વસૂલ કરવામાં આવ્યો છે. ઉપરાંત હોટેલ પાર્ક ઈન રેડિસનથી રાજહંસ કેમ્પસ ચાર રસ્તા વીર અરિસ્તા સામે, સોમચિંતામણી, રાજહંસ સિનેમા ટી-પોઈન્ટથી પાલ-ઉમરા બ્રિજ તથા પાલ આર.ટી.ઓ. વાળા રસ્તા પર, ધનમોરા કોમ્પ્લેક્સથી શીતલ ચાર રસ્તા સુધીના રસ્તા પરથી લારીઓના દબાણો, પાથરણા, ફેરિયાઓના દબાણો તથા બોર્ડ/બેનરોને દૂર કરીને તમામ સામાન જપ્ત કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીથી આ વ્યસ્ત રસ્તા પર પગપાળા અને વાહનચાલકોને ટ્રાફિકથી રાહત મળી છે. ગેલેરિયા બિઝનેસ હબ, અડાજણ ગામ તરફના રસ્તા ઉપર તથા પાલ-ઉમરા બ્રિજ વાળા રસ્તા પરના કાચા-પાકા દબાણો અને ઝૂંપડાઓને દૂર કરવામાં આવ્યા હતા.
નોકરી ન્યૂઝ:IMA, INA, AFA અને OTAમાં જોડાવા ભરતી શરૂ
દેશની સશસ્ત્ર સેનામાં ઓફિસર તરીકે ગૌરવપૂર્ણ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ સંયુક્ત સંરક્ષણ સેવા પરીક્ષા (CDS-I)2026 માટેની જાહેરાત બહાર પાડી છે. આ ભરતી દ્વારા ઇન્ડિયન મિલિટરી એકેડમી (IMA), નેવલ એકેડમી (INA), એરફોર્સ એકેડમી (AFA) અને ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમી (OTA) માટે કુલ 451 જગ્યાઓ ભરવામાં આવશે. ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને ઉમેદવારો 30 ડિસેમ્બર, 2025ના સાંજના 6 વાગ્યા સુધી અરજી કરી શકશે. માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક (ડિગ્રી) થયેલા અને કોર્સ મુજબ 19 થી 24 વર્ષની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. સ્નાતક (ડિગ્રી) થયેલા અને કોર્સ મુજબ 19 થી 24 વર્ષની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.
અકસ્માત:કટથી હાઇવે પર ચડવા જતાં ટ્રકે બાઇક ચાલકને કચડતાં મોત
મોડાસા-માલપુર હાઇવે ઉપર આવેલા ગોરી ટીંબા સ્ટેન્ડ સામે કટ આઉટથી હાઇવે પર ચડવા જતાં બાઇક ચાલકનું ટ્રકની ટક્કરે મોત થયું હતું. મૃતક આમંત્રણ હોટેલમાં કામ કરતો હતો અને મધ્યપ્રદેશનો 28 વર્ષીય યુવાન હોવાનું સામે આવ્યું હતું. અકસ્માત કરી ભાગી છૂટેલા ટ્રક ચાલકને ઝડપી લેવાયો હતો. મોડાસાથી માલપુર હાઇવે પર થતી કામગીરીને કારણે હાઇવે વન વે કરાયો હોવાથી હાઇવે પરની આમંત્રણ હોટેલથી દેવેન્દ્રસિંહ ઉર્ફે જીતુ બાઇક નં. gj 07 cs 6700 લઈને પાછળ રોહિતસિંહ તોમર બેઠો હતો. દરમિયાન બંને ગોરી ટીંબા સ્ટેન્ડના પાસેના કટ આઉટ ઉપરથી હાઇવે પર ચડવા જતાં માલપુર તરફથી આવી રહેલી ટ્રક નં. આર જે 27 જીઈ 9572 સાથે અકસ્માત સર્જાતાં બાઇક સવાર રોહિતસિંહ રામબીરસિંહ તોમર (28) મૂળ રહે. શિહોણીયા તા. અંબા જિલ્લો મુરેના મધ્યપ્રદેશ હાલ રહે. આમંત્રણ હોટલ હાઈવે મોડાસા માલપુરની ઉપરથી ટ્રકનું ટાયર પસાર થતાં શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળે મોત થયું હતું. અકસ્માતમાં બાઇક ચાલક દેવેન્દ્રસિંહ ઉર્ફે જીતુ સતેન્દ્રસિંહ તોમર ટ્રકની ટક્કરથી ફેંકાઈ જતા તેને હાથે ફ્રેક્ચર થઈ શરીરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક ભાગવા જતા તે ઝડપાઈ ગયો હતો. ઘટનાના પગલે મોડાસા રૂરલ પોલીસ પણ દોડી ગઈ હતી. આ અંગે રાહુલ પ્રકાશ શિકરવાર રહે. બાયડ બારોટ ફરી મૂળ રહે. શિહોણી તા. અંબા જીલ્લો મૂરેના મધ્યપ્રદેશએ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ટ્રક ચાલક ધર્મેન્દ્રકુમાર શિવ પૂજન ચમાર રહે. દાવતપુર તા. ભીંતી જિ. આંબેડકર નગર ઉત્તર પ્રદેશ વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મુખ્ય જાહેર પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીઓ ચોરી કરવામાં કોઈ કસર છોડતા નથી. વિદ્યાર્થીઓએ હવે કોપી કરવાની પદ્ધતિમાં નવીનતા લાવતા હાથ અને પાઉચને જ ચોરીનું સાધન બનાવી દીધી છે. માલપ્રેક્ટિસ ઇન્કવાયરી કમિટી (MPEC) સમક્ષ ચોંકાવનારા કિસ્સાઓ આવ્યા છે. આ ગેરરીતિ બદલ યુનિવર્સિટીએ હાથ અને પાઉચ પર લખાણ સાથે ઝડપાયેલા વિદ્યાર્થીઓને જે તે વિષયોમાં 0 માર્ક્સ આપવા સાથે સાથે રૂ. 2,500ની પેનલ્ટી કરી છે. સુધારવા કાઉન્સલિંગ પણ કરાયુંવિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષામાં ગેરરીતિ નહીં કરે તે માટે એક્સપર્ટોથી કાઉન્સિલિંગ કરી ભાગવત ગીતા અપાઈ હતી.
સુરતના કાર્યક્રમ બાદ પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા નીતિન ભજીયાવાલાના માતૃશ્રીના તાજેતરમાં થયેલા નિધનને પગલે તેમના નિવાસ સ્થાને ત્યારબાદ પૂર્વ શહેર પ્રમુખ અને રાજયસભાના પૂર્વ સાંસદ સ્વ.પ્રવીણ નાયકના નિવાસ સ્થાને પહોચ્યા હતા. દરમિયાન પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માની સાથે શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ, ધારાસભ્ય પૂર્ણેશ મોદી અને વિનુ મોરડીયા પણ જોડાયા હતાં. ભજીયાવાલા અને સ્વ. પ્રવીણ નાયકના નિવાસ સ્થાને પ્રદેશ ભાજપ પ્રમુખની મુલાકાત ફકત સામાજિક કારણોસર જ હતી. પરંતુ સાથે પૂર્ણેશ મોદી, વિનુ મોરડિયા પણ જાડાયા હોય શહેરના રાજકારણમાં અચાનક વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું છે. જગદીશ વિશ્વકર્માના ‘ઓલ્ડ ઇઝ ગોલ્ડ કાર્ડ’થી સુરતના રાજકારણમાં ગરમાટો આવ્યો હોવાનું જણાયું છે.
ભાસ્કર એક્સપર્ટ:વેન્ટિલેશન બ્લોક હતું એટલે દીવાલો ફાટી, I-બીમ વળ્યા, સ્લેબમાં તિરાડ
ગોડાદરાની રાજ ટેક્સટાઇલ માર્કેટની આગમાં 7મો માળ 12 કલાક અગનજ્વાળા અને 500થી 700 ડિગ્રી તાપમાન વચ્ચે જાણે ભઠ્ઠી બની ગયો હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. 7મા માળનું સ્ટ્રક્ચર સંપૂર્ણપણે ખખડી ગયું છે. દીવાલો ફાટી ગઈ છે, સ્લેબમાં તિરાડો પડી છે, લોખંડની એન્ગલો વળી ગઈ છે. અહીં 14 દુકાનો તથા પેસેજ પેક કરીને ગોડાઉન બનાવી ઠસોઠસ પોટલાં ભરી દેવાતાં દુર્ઘટના સમયે પાણી તો ઠીક હવા પણ જઈ શકે તેવી સ્થિતિ ન હતી, જેથી ટેક્નિકલ અભિપ્રાય વિના હાલમાં આ માળ પર કોઈને પ્રવેશ આપી શકાય એમ નથી. પહેલા, ત્રીજા અને પાંચમા માળે આગ ઝડપથી કાબૂમાં આવી ગઈ હતી, પરંતુ 7મા માળે 12 કલાક લાગ્યા હતા. આ આગથી બાંધકામની કાયદેસરતા તથા નીતિ-નિયમોની સમીક્ષા થવી જરૂરી છે. ખાસ કરીને 7મા માળે આગ બાદની સ્થિતિનું નિરિક્ષણ કરીને ટેકનિકલ વિશ્લેષણ કર્યું તો ચોંકાવનારાં તારણો મળ્યાં હતાં. જેથી હાલની સ્થિતિમાં આ માળ માળખાગત રીતે સંપૂર્ણપણે અસુરક્ષિત છે. (મોઇન શેખ સાથે થયેલી વાતચીત મુજબ) > ભાસ્કર એક્સપર્ટ : ડો. પંકજ ગાંધી, SVNIT રિસર્ચફેલો, સેફ્ટી એન્જિનિયર, અર્બન પ્લાનર, સેપ્ટ અમદાવાદ ગરમી-ધુમાડો બહાર જવા જગ્યા જ ન હતી એટલે તાપમાન વધ્યું RCC મૂળ ડિઝાઇન મુજબ લોડ સહન કરવા સક્ષમ રહ્યું નથીડો. ગાંધીએ કહ્યું કે, ‘બીમ, કૉલમ, સ્લેબ પર સૂટ ડિપોઝિટ સ્પષ્ટ દેખાય છે. કોંક્રિટ સ્પેલિંગ અને રિબાર એક્સપોઝર, હીટથી દીવાલો તૂટી ગઈ છે અને સ્લેબની અંદર ડિલેમિનેશન થઈ ગયું છે. આ બધું બતાવે છે કે, આગ દરમિયાન તાપમાન 500થી 700 ડિગ્રી હોય શકે છે. RCCના ભાગો મૂળ ડિઝાઇન મુજબ લોડ સહન કરવા સક્ષમ રહ્યા નથી. કૉરિડોર સુધી કાપડનું સ્ટોરેજ, બહાર નીકળવાના રસ્તા પણ બ્લૉક કરી દેવાયા હતા. ધુમાડો બહાર જવાની કોઈ જગ્યા જ બચી ન હતી એટલે તાપમાન વધ્યું હોય શકે છે. અંદર 2થી 3 મીટર ઊંચા ફેબ્રિકના ઢગલા હતા, જેમણે પેટ્રોલની ગરજ સારી હતી. ટેક્સટાઇલ ફાયર લોડ સામાન્ય બિલ્ડિંગ કરતાં 10 ગણું વધારે (3500–4500 MJ/m) હોય છે, જેથી આગ અસાધારણ રીતે ઝડપથી ફેલાઇ હતી. આગના 12 કલાકમાં આખું સ્ટ્રક્ચર વિખેરાઈ ગયું હતું. લોડ પાથ પણ તૂટી ગયો છે અને RCCના ભાગો બેન્ડ વળી ગયા છે. હવે રિબારને કાટ લાગવાનો ખતરો છે, જેથી યોગ્ય તપાસ કરવા પહેલાં કોઈ પણ નિર્ણય લેવો જોખમી છે.’ અંતિમ નિર્ણય પહેલાં આ TEST જરૂરીNDT ટેસ્ટ : 1. રીબાઉન્ડ હેમર 2. UPV 3. ઇન્ફ્રારેડ થર્મોગ્રાફીસેમિ–ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ : 1. કોર કટિંગ 2. રિબાર વ્યાસ નુકશાન 3. કાર્બોનેશન ટેસ્ટસ્ટ્રક્ચરલ મેપિંગ : 1. ક્રેક મેપિંગ 2. સ્પેલિંગ એરિયા 3. લોડ પાથ વેરિફિકેશન
લોકોને રાહતની શક્યતા:મોરબીમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા વધુ 13 પોલીસ કર્મચારીને જવાબદારી સોંપાઈ
ઔદ્યોગિક નગરી મોરબીમાં હવે ટ્રાફિક સમસ્યા એટલી બધી વધી ગઈ છે કે, લોકો માટે માર્ગો ઉપર માત્ર થોડી ઝડપ કે સરળતાથી નીકળવું ખૂબ જ મુશ્કેલ જ નહીં કઠિન છે. એટલે કાચબા ગતિએ નીકળવા સિવાય કોઈ વિકલ્પ નથી. ટ્રાફિકમાં સ્ટાફની કમી છે. એટલે હયાત સ્ટાફ પર ભારણ વધુ છે. આથી ટ્રાફિકની સમસ્યા હલ કરવા એસપીએ 13 પોલીસ કર્મીઓને ટ્રાફિકની કમાન સોંપી છે. જેમાં હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા એએસઆઈ કમલેશભાઈ ગરાસીયા, અશોકભાઈ ચૌધરી, વનરાજસિંહ બાબરીયા, હેડ કોન્સ્ટેબલ ચકુભાઈ કરોતરા, સમરથસિંહ ઝાલા, યોગેશભાઈ સગર, જોરૂભા રાઠોડ, સંજયભાઈ મૈયડ તેમજ કોન્સ્ટેબલ વિપુલકુમાર ડાંગર, લલિતકુમાર પરમાર, રવિભાઈ કીડીયા, ઇકબાલભાઈ સુમરા, તેજપાલસિંહ ઝાલાની ટ્રાફિક શાખામાં બદલી કરાઈ છે. હાલના સ્ટાફ અનેટ્રાફિક પોઇન્ટની સ્થિતિમોરબીમાં ટ્રાફિકના 36 માંથી 20 પોઇન્ટ ઉપર ટ્રાફિક શાખા પાસે 55ની બદલે 36 પોલીસ કર્મીઓનો સ્ટાફ હોય પણ એમાંથી હાલ 20 પોલીસ કર્મીઓ ટ્રાફિકનું સંચાલન કરે છે. અન્ય ચેકીંગ સહિતની કામગીરીમાં રોકાયેલા હોય છે.આથી ટ્રાફિક શાખામાં સ્ટાફની ઘટ દૂર એસપીએ પોલીસ હેડક્વાર્ટરના 16 જેટલા પોલીસ કર્મીઓની ટ્રાફિક શાખામાં એકસાથે બદલી કરી છે. હવે જોવાનું એ રહે છે કે, એસપીનો ટ્રાફિકમાં સ્ટાફની ઘટ દૂર કરવાથી સમસ્યા હલ કરવાનો હેતુ સિદ્ધ થાય છે કે નહીં ? એસપીની નિગરાની હેઠળ સંચાલનથાય તો જ ટ્રાફિક સમસ્યા હળવી થાયશહેરમાં ટ્રાફિક સમસ્યા ઘણા સમયથી છે. એમાં ઘણા બધા કારણો છે. જેમ કે ટ્રાફિક નિયમોનો અભાવ, મનપા અને પોલીસ વચ્ચે કોઈ તાલમેલ જ નહીં, પાર્કિગ પણ નહીં અને ટ્રાફિક સેન્સનો અભાવ એ સૌથી મોટું કારણ છે. હાલ જે એસપીએ 13 કર્મીઓને ટ્રાફિકમાં મુક્યા એ તમામ ટ્રાફિક પોઇન્ટ ઉપર પોલીસ તેમજ વોર્ડન યોગ્ય રીતે ટ્રાફિકનું પાલન કરાવે છે કે નહીં ? તે સહિતના ટ્રાફિકના નિયમોનું પાલન થાય છે કે નહીં તેનું કોઈ નિર્દર્શન કરતું નથી. સ્ટાફ ફળવવાથી ટ્રાફિક સમસ્યા હલ નહિ થાય, એટલે સ્ટાફ અને ટ્રાફિકનું કડક અનુશાસન થાય એ માટે એસપીની સીધી નિગરાની જરૂરી છે. બીજું કે ટ્રાફિક વોર્ડનને પગાર ચૂકવતા અમારા જિલ્લા ટ્રાફિક ટ્રસ્ટની લાંબા સમયથી બેઠક જ બોલાવી નથી. આ બેઠક બોલાવે તો તેમાંથી કઈક નિષ્કર્ષ નીકળે. > સતીશભાઈ કાનાબાર જિલ્લા ટ્રાફિક ટ્રસ્ટના ટ્રસ્ટી

21 C