ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:ખેડૂતોની 7/12ની નકલો પરથી બોગસ પરમીટો બનાવી લાખોની કિંમતના ખેરના લાકડાનું વેચાણ
વલસાડ વર્તુળમાં આવતાં વન વિભાગમાં આંતર રાજ્ય ખેરના લાકડાની ચોરીના મસમોટા નેટવર્કનો દિવ્ય ભાસ્કરની તપાસમાં પર્દાફાશ થયો છે. વલસાડ વર્તુળમાં જ 17 વર્ષથી ચિપકેલા આરએફઓ જે.ડી.રાઠોડ અને છેલ્લા 10 વર્ષથી બેઠેલા ફોરેસ્ટરે હેતલ પટેલે લાંબા સમયનો લાભ લઇને આંતર રાજ્ય ખેર ચોરીનું નેટવર્ક ખડકી દીધું છે. દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં ઘણી સ્ફોટક વિગતો બહાર આવી હતી. જેમાં સરકારની નોકરી કરતાં આ કૌભાંડીઓ દ્વારા ખેડૂતોના 7/12ની નકલના આધારે એક જ નકલ પર વારંવાર લાકડા માટે બોગસ પરમીટ બનાવી જંગલોમાંથી ખેરના લાકડાનું આડેધડ કટીંગ કરી તેના વેચાણનું આંતર રાજ્ય રેકેટ ચલાવાતું હોવાની બાબતો પર્દાફાશ થયો છે. આશ્ચર્ય જનક વાત એ છે કે, ફોરેસ્ટર અને આરએફઓની આ કૌભાંડી જોડી છેલ્લા કેટલાય વર્ષોથી વલાસાડ વર્તુળમા જ કોના આર્શિવાદથી ફરજ બજાવે છે ? તે તપાસનો વિષય છે. જોકે હાલમાં તો આ બંને અધિકારીઓને સસ્પેન્ડ કરાયા બાદ તેમની સામે ગાંધીનગરથી તપાસ ચાલી રહી છે. બંને અધિકારીઓ પાસે કરોડોની સંપતિ અને રાજકીય પીઠબળની ચર્ચા વચ્ચે તપાસ ફાઇલમાં બંધ થશે કે પછી મોટા માથાઓ સુધી રેલો આવશે તેના પર સૌની મીટ મંડાયેલી છે. વલસાડ વર્તૃળ અંતર્ગત આવતાં નવસારીના વાંસદા અને ચીખલીના જંગલોમાંથી આંતર રાજ્ય ખેર ચોરીની તસ્કરીની ઘટનામાં જે. ડી. રાઠોડ અને હેતલ પટેલ જ ખેર તસ્કરી માટે તસ્કરોને જે પરમીટ બનાવી આપતાં હતાં તેમાં મોટા પાયે હેરાફેરી કરવામાં આવતી હતી. ગાંધીનગરની ટીમે કરેલી તપાસમાં સપાટી પર આવેલી વિગત અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, ખેડૂતોની 7-12 અને ઉતારાનો ઉપયોગ કરી પરમીટ બનાવ્યા બાદ જંગલનું લાકડું આ પરમીટને આધારે અન્ય રાજ્યોમાં મોકલી દેવામાં આવતું હતું. લાકડાચોરની કોલ ડિટેલમાં કડી મળશેચીખલી ખેર પ્રકરણમાં જેનું નામ આવ્યું છે એ લાકડાચોર અર્જુનના ફોનની કોલ ડિટેલ પણ આખા પ્રકરણ પરથી પડદો ઉઠાવી દે તેમ છે. વાંસદા ચીખલી પંથકમાં તો આ લાકડા ચોર સાથે વનવિભાગના જ જવાબદારની પણ સંડોવણીની ચર્ચા ચાલી રહી છે.આ કોલ ડિટેલમાં પણ વનવિભાગને અંધારામાં રાખી કરાતા ખેલના પાપો છાપરે ચઢીને પોકારશે. ખાતાકીય તપાસે સમગ્ર પ્રકરણની તમામ હકીકતો બહાર આવશેથોડા સમય અગાઉ વનવિભાગ દ્વારા વાંસદા વનવિભાગના એસીએફ તરીકે સાડાત્રણ વર્ષ સુધી જે. ડી. રાઠોડને ચાર્જ આપવામાં આવ્યો હતો. કહેવાય છે કે આ સમયે પણ નિયમ નેવે મૂકી દેવામાં આવ્યા હતાં. અન્ય સિનિયર અધિકારી આરએફઓ હોવા છતાં ખાતાકીય પ્રમોશન લઈને આરએફઓ બનેલા જે. ડી. રાઠોડને એસીએફનો ચાર્જ આપવમાં આવ્યો હતો. જે ચાર્જ દરમિયાન પણ આ પ્રકારની પ્રવૃત્તિ થઈ હતી. આ પ્રકરણમાં એસીબી તપાસ અનિવાર્ય બની છે. વનવિભાગની ખાતાકીય તપાસે સમગ્ર પ્રકરણની તમામ હકીકતો બહાર આવે એવી શક્યતા નહીંવત દેખાઈ રહી છે. ભાસ્કર ઇનસાઇડ નિર્દોષ વેપારીએ જેલમાંથી બહાર આવી ષડયંત્ર ઉઘાડું પાડ્યુંસુત્રોના જણાવ્યાં મુજબ ખેરના લાકડાની તસ્કરી કરતાં એક વેપારીને થોડા સમય અગાઉ બંને અધિકારીઓની ટોળકીએ ખોટા કેસમાં ફસાવી દીધો હતો. પરિણામે જેલમાંથી બહાર આવ્યા બાદ વેપારીએ પણ બદલો લેવા વન વિભાગના નાના કર્મચારીઓ સાથે મળી હેતલ પટેલ અને જે.ડી. રાઠોડનો ખેલ કરવાનું આયોજન કર્યું હતું. ઓફિસમાં સીસીટીવી કેમેરા લગાવ્યા બાદ મેળવેલા પુરાવા મહિલા અધિકારીને આપતા સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું. સરકારના માજી મંત્રીનું નામ આ પ્રકરણમાં ઉછળ્યુંજે.ડી.રાઠોડ છેલ્લાં ઘણા વર્ષોથી એક જ જગ્યા પર ફરજ બજાવતાં હોવાનું સામે આવ્યું છે.સામાન્ય રીતે એક જ જગ્યા પર ત્રણ વર્ષથી વધુ સમય ફરજ બજાવ્યા બાદ તેમની બદલી થતી હોય છે. તસ્કરોના નામો આવ્યા છતાં કાર્યવાહી નહીં. દક્ષિણ ગુજરાતમાંથી લાકડાંની તસ્કરી થતી હોવાછતાં સરકાર દ્વારા આ બાબતે દુર્લક્ષ્ય સેવવામાં આવી રહ્યું છે. જેમાં એક માજી મંત્રીની છત્રછાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બન્ને અધિકારી હાલ સસ્પેન્ડ, કુલ 19થી વધુ લોકોની સંડોવણીઆંતર રાજય ખેર ચોરી પુષ્કળ પ્રમાણમાં થઇ રહી છે.અગાઉના કેસમાં વલસાડ ઉત્તર વન વિભાગે પ્રાપ્ત ખાનગી બાતમી આધારે ગોડથલ ખાતે તપાસ દરમ્યાન અનામત ખેરની છાલ (સોડા) ગેરકાયદેસર રીતે સંગ્રહિત મળ્યું હતું. આ માલને છોલવાની અને ભરવાની કામગીરી પીડવળ વિસ્તારના વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતી હતી અને બાદમાં વાહનો દ્વારા માલ ફરહાન અલી, કેસર ગંજ, ઉત્તર પ્રદેશના ઈસમ દ્વાર ચિપલૂન (મહારાષ્ટ્ર) મોકલવામાં આવતો હતો.આ મામલે વન વિભાગે અતયાર સુધીમાં 19 થી વધુ વ્યક્તિઓની સંડોવણી બહાર આવી છે વધુ તપાસ ચાલી રહી છે વન વિભાગના કાયદા હેઠળ ગુનો દાખલ કરી ગુજરાત અને મહારાષ્ટ્ર-બન્ને રાજ્યોમાં વધુ તપાસ શરૂ કરી હતી. જો કે આગળ તપાસ થતી નથી.
ફરિયાદ નોંધાઈ:બોટાદમાં પોલીસની ફરજમાં રૂકાવટ કરતા 3 મહિલા સહિત 11 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ
બોટાદમાં પીધેલી હાલતમાં મળી આવેલ આરોપીને બોટાદ પોલીસ સ્ટેશને લઈ જતા આરોપીના પત્ની તથા તેના દીકરા અને અન્ય મહિલા અને પુરુષોએ મળી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી પોલીસ વિરુદ્ધ નારા લગાવી આરોપીના પત્નીએ પોલીસ કોન્સ્ટેબલને ઢીકાપાટુ નો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઆપી પોલીસ વાનને નુકસાન કર્યાની બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ છે. પોલીસ વર્તુળના જણાવ્યા પ્રમાણે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પંકજભાઈ સામતભાઈ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ ચિરાગભાઈ પોપટભાઈ પંડ્યા 5 ડિસેમ્બરનાં સાડા સાતેક વાગ્યાનાં અરસામાં બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન બોટાદ સાળંગપુર રોડ દશામાના મંદિર પાસે આરોપી રાજેશભાઈ ઉર્ફે પપ્પુ પરશોત્તમભાઈ હેડંબા પોતાના હાથમાં લાકડી લઈ કેફી પીણું પીધેલ હાલતમાં મળી આવતા તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્ય વાહી કરવા સારૂ આરોપીને પોલીસ સ્ટેશન ખાતે લઈ જતા હતા. ત્યારે પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી આરોપી રાજેશભાઈ ઉર્ફે પપ્પુ પરશોત્તમભાઈ હેડંબાના પત્ની જ્યોતિબેન હેડંબા તથા તેના બે દીકરા મીતભાઈ અને જતીનભાઈ તથા સુરેશભાઈ કાંતીભાઈ મકવાણા,અનિલભાઈ ઉર્ફે હોલી મેઘજીભાઈ હેડંબા, મેઘાજીભાઈ ગીગાભાઈ હેડંબા, લાભુબેન મેઘજીભાઈ હેડંબા, સોનલબેન અશોકભાઈ ચાચિંયા, કમલેશભાઈ રમેશભાઈ રાઠોડ, દિનેશભાઈ નારાયણભાઈને બોલાવી ગેરકાયદેસર મંડળી રચી એકસંપ થઈ પોતાનો સમાન ઉદેશ્ય પાર પાડવા જ્યોતિબેને પી.સી.આર વાન-2 ના ઇન્ચાર્જ આર્મ પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ મનજીભાઈ ચૌહાણનો વર્દીનો પોલીસ પટ્ટો પકડી, ફરીયાદી પંકજભાઈ સામંતભાઈ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ ચિરાગભાઈને ઢીંકાપાટુનો માર મારી છરીનો ઘોદો મારી દેવાની ધમકી આપી. પોલીસના માણસો તથા પી.સી.આર વાન-2 ઉપર પથ્થરમારો કરી પી.સી.આર વાન-2 ને આશરે 6000 નુક્શાન કરી પોલીસ સ્ટેશન ખાતેથી આરોપી જ્યોતિબેન હેડંબાએ બહાર જઈ બહારથી મહિલા તથા પુરૂષને બોલાવી ઘેરાવ કર્યો હતો.
નમસ્તે, મોટા સમાચારોમાં જોઈએ તો બંગાળમાં TMCના ધારાસભ્યની હાકલ પર બે લાખ મુસલમાનો ભેગા થયા હતા અને બાબરી જેવી મસ્જિદનું નિર્માણ કરવા માટે ઈંટો લઈને પહોંચ્યા હતા. ઈન્ડિગોની વણસેલી સ્થિતિ થાળે પડતી જાય છે. સરકારે પણ આ મામલે કડક વલણ અપનાવ્યું છે. સોનિયા ગાંધીએ મોદી સરકાર પર આરોપ લગાવ્યો છે કે તે નહેરુના ઈતિહાસને ભૂંસી નાખવા માગે છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. કોલકાતામાં પાંચ લાખ લોકો એક સાથે ગીતાનો પાઠ કરશે. આમાં પીએમ મોદી, રાષ્ટ્રપતિ મુર્મુ અને મુખ્યમંત્રી મમતા બેનર્જીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. 2. ઈન્ડિગોની દેશભરની ફ્લાઈટના અપડેટ પર નજર રહેશે કાલના મોટા સમાચારો 1. બંગાળમાં સસ્પેન્ડેડ TMCના ધારાસભ્યએ બાબરી મસ્જિદનો પાયો નાખ્યો:મૌલવીઓ સાથે રિબન કાપી, 2 લાખથી વધુ લોકો મસ્જિદ માટે માથે ઈંટો લઈને પહોંચ્યા તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય હુમાયુ કબીરે શનિવારે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગામાં બાબરી મસ્જિદનો પાયો નાખ્યો છે. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કબીરે સ્ટેજ પર મૌલવીઓ સાથે રિબન કાપીને ઔપચારિકતા પૂર્ણ કરી હતી. સવારથી જ 2 લાખથી વધુ લોકો ટ્રેક્ટર, ઈ-રિક્ષામાં અને માથા પર ઈંટો લઈને બાંધકામ સ્થળ પર પહોંચી રહ્યા છે. બેલડાંગા સહિત આસપાસનો વિસ્તાર આજે હાઈ એલર્ટ પર છે. કોલકાતા હાઈકોર્ટે શુક્રવારે મસ્જિદ નિર્માણ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું- કાર્યક્રમ દરમિયાન શાંતિ જાળવી રાખવાની જવાબદારી રાજ્ય સરકારની રહેશે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ઇન્ડિગોએ કહ્યું- 95% રૂટ પર ફ્લાઇટ્સ ફરી શરૂ:કાલ સુધીમાં રિફંડ મળી જશે; બેફામ ભાડા વસૂલી પર બ્રેક, સરકારે કિલોમીટર પ્રમાણે ટિકિટની પ્રાઇઝ ફિક્સ કરી ઇન્ડિગો એરલાઇન્સની ઈમરજન્સી, જે છેલ્લા ચાર દિવસથી ચાલી રહી હતી, તેમાં શનિવારે સુધારો જોવા મળ્યો. એરલાઇનના જણાવ્યા અનુસાર, તેના 95% રૂટ પર ફ્લાઇટ કામગીરી ફરી શરૂ થઈ ગઈ છે. તેના 138 સ્થળોમાંથી 135 સ્થળો માટે ફ્લાઇટ્સ રવાના થઈ છે. જે મુસાફરોની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે તેમને રવિવારે રાત્રે 8 વાગ્યા સુધીમાં રિફંડ મળશે. આ ઉપરાંત સરકારે અન્ય એરલાઇન્સને નિર્ધારિત વિમાન ભાડા કરતાં વધુ ન વસૂલવા સૂચના આપી છે. સરકારે વિમાન ભાડું નક્કી કર્યું છે. હવે, 500 કિમી સુધીના વિમાન ભાડાનો ખર્ચ ₹7,500 થશે. 500 કિમી સુધીની મુસાફરીનો મહત્તમ ખર્ચ ₹12,000, ₹15,000 અને ₹18,000 થશે. 1,500 કિમીથી વધુની મુસાફરીનો ખર્ચ ₹15,000 થશે. જોકે, આમાં બિઝનેસ ક્લાસનો સમાવેશ થતો નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 3. સોનિયાએ કહ્યું- સરકાર નેહરુને ઇતિહાસમાંથી ભૂંસી નાખવા માંગે છે:તેમને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યા છે;ભાજપે કહ્યું- કલમ 370 નેહરુની ભૂલ હતી કોંગ્રેસ પાર્લામેન્ટરી પાર્ટી (CPP) ના ચેરપર્સન સોનિયા ગાંધી શુક્રવારે દિલ્હી ખાતે જવાહર ભવનમાં નેહરુ સેન્ટર ઇન્ડિયાના લોન્ચ સમારોહમાં હાજર રહ્યા. આ દરમિયાન તેમણે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પર નિવેદનબાજી મામલે ભાજપ સરકારની ટીકા કરી હતી. સોનિયાએ કહ્યું- એમાં કોઈ શંકા નથી કે જવાહરલાલ નેહરુને બદનામ કરવું એ આજની સત્તાનો મુખ્ય હેતુ છે. તેઓ તેમને (નેહરુને) માત્ર ઇતિહાસમાંથી હટાવવા નથી માંગતા, પરંતુ તેમના સામાજિક, રાજકીય અને આર્થિક પાયાને પણ નબળા પાડવા માંગે છે, જેના પર દેશ ઊભો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. શશિ થરૂરે મેરિટલ રેપને ગુનો બનાવવા કહ્યું:લોકસભામાં ત્રણ પ્રાઇવેટ બિલ રજૂ કરાયા, અન્ય બે બિલ રાજ્યોના પુનર્ગઠન અને કર્મચારીઓના કામના કલાકો અને આરોગ્ય સાથે જોડાયેલ લોકસભામાં કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે ત્રણ પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કર્યા હતા. એક બિલમાં મેરિટલ રેપને ગુનો જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. જ્યારે અન્ય બે બિલ રાજ્યોના પુનર્ગઠન, કામ કરતા લોકોના કામના કલાકો અને માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલા છે. થરૂરે મેરિટલ રેપ અંગે કહ્યું કે “લગ્ન કોઈપણ રીતે હિંસાનું લાઇસન્સ નથી. પત્નીની સંમતિ દરેક સ્થિતિમાં જરૂરી છે.” વાંચો સંપૂર્ણ સમાચાર 5. મોદી બોલ્યા– ભારત દુનિયાની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા:'ધીમી અર્થવ્યવસ્થાને હિંદુ રેટ ઓફ ગ્રોથ કહેનારા હવે ચૂપ છે' વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું કે જ્યારે ભારતનો વૃદ્ધિ દર 2-3% હતો, ત્યારે કેટલાક બુદ્ધિજીવીઓએ તેને હિંદુ રેટ ઓફ ગ્રોથ કહ્યો હતો અને દેશની ધીમી અર્થવ્યવસ્થાનું કારણ હિંદુ સંસ્કૃતિને ગણાવ્યું હતું. મોદીએ કહ્યું, આજે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે, પરંતુ તે જ લોકો હવે આ શબ્દનો ઉલ્લેખ કરતા નથી. PM મોદી દિલ્હીમાં હિન્દુસ્તાન ટાઈમ્સના લીડરશીપ સમિટમાં બોલી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે જે લોકો દરેક વાતમાં સાંપ્રદાયિકતા જુએ છે, તેમને ત્યારે હિંદુ રેટ ઓફ ગ્રોથ શબ્દ યોગ્ય લાગ્યો અને તેઓ તેને પોતાના પુસ્તકો અને રિસર્ચ પેપર્સમાં લખતા રહ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 6. પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરીંગ કેસમાં 5 વર્ષની સજા:અગાઉના કેસની સજાથી અલગ ભોગવવાની રહેશે, હવાલાથી મોટી રકમ અમેરિકા ટ્રાન્સફર કરવાનો આરોપ રાજ્યના પૂર્વ IAS પ્રદીપ શર્મા સામે મની લોન્ડરીંગ એક્ટ હેઠળ નોંધાયેલી ફરિયાદમાં PMLA કોર્ટ દ્વારા 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે. પ્રદીપ શર્મા હાલ જે કેસમાં સજા કાપી રહ્યા છે તેનાથી અલગ સજા ભોગવવાની રહેશે. આ ઉપરાંત કોર્ટે ચુકાદામાં જણાવ્યું છે કે, સરકાર દ્વાર અધિકારીની જે સંપત્તિ ટાંચમાં લીધી છે તે સરકાર હસ્તક જ રહેશે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. 'પશુપાલકોની આવક 5 વર્ષમાં 20%થી વધુ વધશે':અમિત શાહના હસ્તે બનાસ ડેરી હસ્તકના વિવિધ પ્રકલ્પોનું ખાતમુર્હુત-લોકાર્પણ કરાયું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે, 6 ડિસેમ્બર, 2025ના રોજ, બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી હતી અને વાવ-થરાદના સણાદર ખાતે વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, સહકારી મોડેલ થકી આવનાર 5 વર્ષમાં પશુપાલકોની આવક 20 ટકાથી વધુ વધશે. તેમણે આગથળા (લાખણી) ખાતે બનાસ ડેરી અને સુઝુકી ઈન્ડિયા દ્વારા સ્થાપિત બાયો-સીએનજી અને ફર્ટિલાઇઝર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું, જે પશુઓના ગોબરની ખરીદી કરીને CNGનું ઉત્પાદન કરી એક ઉત્તમ ચક્રીય અર્થવ્યવસ્થા ઊભી કરે છે. આ ઉપરાંત, તેમણે સણાદરમાં રૂ. 440 કરોડના ખર્ચે બનનાર 150 TPD ક્ષમતાવાળા મિલ્ક પાવડર અને બેબી ફૂડ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : જુબીન ગર્ગના મૃત્યુ કેસમાં 12 ડિસેમ્બરે ચાર્જશીટ:અત્યાર સુધીમાં સાતની ધરપકડ, સિંગાપોરમાં 19 સપ્ટેમ્બરે સિંગરનું મોત થયું હતું વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર પર ફરી ફાયરિંગ:પીસ ટોકના 48 કલાક બાદ હુમલો; એકબીજા પર પહેલા હુમલો કરવાનો આરોપ લગાવ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : રાજસ્થાન-MPના 37 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે:8 ડિસેમ્બરથી ઠંડી વધુ તીવ્ર બનશે; ઉત્તરાખંડ અને હિમાચલમાં હિમવર્ષાનું એલર્ટ, કેદારનાથમાં પારો-14 ડિગ્રી વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : રાષ્ટ્રપતિ ભવનમાં પુતિને ખાધી કાશ્મીરી અખરોટની ચટણી:મેનૂમાં ઝોલ મોમો અને દાળ તડકા પણ સામેલ; PM મોદીએ ચાંદીનો ઘોડો ભેટ આપ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : નેટફ્લિક્સે વોર્નર બ્રધર્સ સ્ટુડિયોને ખરીદવાની જાહેરાત કરી:₹6.47 લાખ કરોડમાં ડીલ થઈ, નેટફ્લિક્સ રોકડ અને સ્ટોકથી ચૂકવણી કરશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.ધર્મ તહેવાર જ્યોતિષ : તુલસીનાં પાન કયા દિવસોમાં ન તોડવાં?:જાણો શાસ્ત્રમાં આ વિશે શું લખેલું છે? આ છોડમાં હોય છે માતા લક્ષ્મીનો વાસ વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન ખબર હટકે યુદ્ધ દરમિયાન 54 યુગલો પરણ્યા ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે 54 યુગલો માટે સમૂહ લગ્ન યોજાયા. યુદ્ધના કાટમાળ વચ્ચે દુલ્હનો સફેદ ગાઉનમાં નાચી. બહાર વોર ડ્રોન ઉડ્યા, અને અંદર ઉજવણી ચાલુ રહી. આ કાર્યક્રમમાં 21,000 લોકો હાજર રહ્યા. એક દુલ્હને કહ્યું, આ લગ્ન યુદ્ધના અંધકારમાં આપણા માટે આશાનું કિરણ છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. IPS ડાયરીઝ-6 મામા-ફોઇના પોરિયાએ મળી ₹88 લાખ ગપચાવ્યા:‘ધૂમ’ જેવા કીમિયાથી ચહેરો બદલાવ્યો; IPS રૂપલ સોલંકીના કરિયરના હચમચાવી દેતા કિસ્સા 2. એક્સક્લૂસિવ ટ્રેનના 100 ડબ્બાના વજન જેટલો કચરો અમદાવાદીઓ રોજ ફેંકે છે:10 વર્ષમાં સ્વીડન, જાપાનની માફક અમદાવાદમાં કચરાનો નિકાલ થશે 3. અમેરિકામાં ભારતીયોને લૂંટવાનો નવો ટ્રેન્ડ:ડિપોર્ટેશન અને એમ્બેસીના નામે જાળમાં ફસાવે છે, ગઠિયાઓની ગજબ મોડસઓપરેન્ડી, જાણો બચવાના ત્રણ ઉપાય 4. અભિજિત હત્યારો નથી, તો મોડલ દિવ્યા પાહુજાને કોણે મારી?:9 સાક્ષી ફરી ગયા, ગેંગસ્ટરના પરિવાર પર શંકા; હોટલે કહ્યું, CCTV ફૂટેજ અમારા નથી 5. 24 વર્ષ શિક્ષક રહ્યાં, BLO બનાવીને માતાની હત્યા કરી:કામચોર કહ્યા તો ફાંસી લગાવી, પશ્ચિમ બંગાળમાં SIRમાં 39 મોત પાછળનું કારણ શું છે? 6. ભાસ્કર એક્સપ્લેનર ફ્લાઇંગ ક્રેમલિન પર રશિયા પરત ફરેલા પુતિનની લક્ઝરીના કિસ્સા:બ્લેક સીના કિનારે અને જંગલોની વચ્ચે સિક્રેટ પેલેસ; ઘોડેસવારી જેવા બીજા કયા શોખ? 7. આજનું એક્સપ્લેનર:સફેદ ફોર્ચ્યુનરમાં જ કેમ બેઠા પુતિન?, મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ, મોદી સાથે 3 વાર મુલાકાત; શું સંદેશ આપી ગયા રશિયન રાષ્ટ્રપતિ? કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ:વૃષભ જાતકોને આજે ગ્રહસ્થિતિ અનુકૂળ રહેશે; મિથુન જાતકો પોતાના કાર્યોને વ્યવસ્થિત રીતે પાર પાડી શકશે વાંચો સંપૂર્ણ રાશિફળ
માર માર્યો:ઉમલાવમાં સાઇકલ લઈને જતી છોકરી પડી જતા યુવકને માર માર્યો
આંકલાવના તાલુકાના ઉમલાવ ગામે લક્ષ્મીપુરામાં રહેતા મનુભાઈ રંગીતભાઈ પરમાર મિત્ર જગદીશભાઈ મંગળભાઈ પઢીયાર નાસ્તાની લારીએ જતાં હતા. અને રસ્તામાં એક છોકરી સાયકલ લઈને આવતી હતી. જે સાયકલ સાથે પડી ગઈ હતી અને પોતાના ઘરે જવા નીકળી ગઈ હતી. મનુભાઈ પોતાના મિત્ર જગદીશભાઈ ચાલતા ચાલતા જયંતીભાઈ ખોડાભાઈ પટેલની કરિયાણાની દુકાન ખાતે આવીને ઉભા હતા. આ વખતે સાયકલ લઈને પડી ગયેલ છોકરી પોતાના કાકા કિશનભાઇ લાલજીભાઈ ઠાકોર સાથે આવીને છોકરીએ આવીને મનુભાઈએ સાયકલ ઉપરથી પાડી દીધી તેમ કહેતા મનુભાઈએ જણાવેલ કે મેં સાયકલ ઉપરથી તમારી ભત્રીજીને પાડી નથી તેમ કહેતા કિશનભાઇ એકદમ ઉશ્કેરાઈ જઈ મનુભાઈને માર મારી જમીન ઉપર પાડી દઈ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મનુભાઈની ફરિયાદ લઈ ભાદરણ પોલીસે કિશનભાઇ ઠાકોર વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આંકલાવના ખડોલમાં ગીરવે મૂકેલી જમીનના પૈસા બાબતે 2 પરિવાર વચ્ચે મારા મારી થઇ હતી. આંકલાવ તાલુકાના ખડોલ ગામે અંબીકા ચોક વિસ્તારમાં 19 વર્ષીય ખુશીબેન રાહુલકુમાર પુરોહિત સસરા કનુભાઈને પાડોશમાં રહેતા તારકભાઈ ચંદ્રકાંતભાઈ પુરોહિત, હેમંતભાઈ ચંદ્રકાંતભાઈ પુરોહિત, જયભાઈ હેમંતભાઈ પુરોહિત અને સન્નીભાઈ હેમંતભાઈ પુરોહિતે જમીન ઉપર આપેલા રૂ 1 લાખ આપી દો તેમ જણાવતા કનુભાઈએ મેં તમારી પાસેથી આટલા બધા પૈસા લીધેલ નથી તેમ કહેતા એકદમ ચારેય જણાએ ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલીને કનુભાઈને પકડી ઝપાઝપી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ખુશી પુરોહિતની ફરિયાદ લઈ તારક સહિત ચાર વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સામા પક્ષે નીલમબેન જયકુમાર પુરોહિતે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓની પડોશમાં રહેતા કનુભાઈ ભાનુપ્રસાદ પુરોહિત, શિલ્પાબેન કનુભાઈ પુરોહિત, ખુશીબેન રાહુલભાઈ પુરોહિત અને રાહુલભાઈ કનુભાઈ પુરોહિતે ભેગા મળી નીલમબેનના કાક સસરા તારકભાઈ જમીનની વાત કરવા ગયા હતા. ત્યારે તારકભાઈને ગાળો બોલી ફેટ પકડી ઝપાઝપી કરતાં સન્નીભાઈ તેમજ નીલમબેનના પતિ જયકુમાર છોડાવા વચ્ચે પડતા નીલમબેનાન ઘર આગળ જઈ નીલમબેનનો હાથ પકડી નીચે પાડી દઈ લાતો મારી તેમજ જયકુમાર અને તેમના પરિવારજનોને ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા આંકલાવ પોલીસે બંને પક્ષોની ફરિયાદો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સરદાર પટેલ યુનિવર્સિટીનો 68મો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં 15મી ડિસેમ્બરે 2025ના રોજ યોજાશે. પદવીદાન સમારોહમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર ડો. મિનેશ શાહ ઉપસ્થિત રહી દિક્ષાંત પ્રવચન આપશે. પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીના 11 વિવિધ વિદ્યાશાખાના કુલ 16,963 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને 103 ગોલ્ડ મેડલ એનાયત કરાશે. આ પદવીદાન સાથે જ અત્યાર સુધીમાં એસપી યુનિવર્સિટીના 4,07,729 વિદ્યાર્થીઓને પદવી એનાયત થશે. આ વર્ષે સ્વદેશી પોષાક ખાદીને પ્રોત્સાહન મળે માટે પદર્વીદાન સમારંભ દરમ્યાન મંચસ્ત મહાનુભાવો, યુનિવર્સિટીના શૈક્ષણિક કર્મચારીઓ, વહિવટી કર્મચારીઓ તથા ગોલ્ડ મેડાલીસ્ટ વિદ્યાર્થીઓ ખાદીના એક સરખા ડ્રેસકોડમાં હાજર રહેશે. સમારંભનું સ્થળ માનવ વિદ્યાભવનના પટાંગણમાં સરદાર પટેલ યુનિવર્સિટી મુખ્ય કાર્યાલય સામે રહેશે. વિતરણ કેન્દ્ર ખાતે સવારે 8થી 1 સુધી ડિગ્રી અપાશે રૂબરૂમાં પદવી મેળવનાર વિદ્યાર્થીને જો તેનો કોન્વોકેશન સિરીયલ નંબર અંગેનો એસએમએસ ન મળે તો વિદ્યાર્થીએ યુનિ. વેબસાઇટ પર કોન્વોકેશન લીસ્ટની ફાઇલ ઓપન કરી પોતાનું નામ ટાઇપ કરી મેળવી લેવી તથા 15 ડીસેમ્બરના રોજ ઓળખપત્ર અને ફી ભર્યાની પાવતી સાથે યુનિ.ની ઉપરોક્ત લિંકમાં પદવીની સામે દર્શાવેલ પદવી વિતરણ કેન્દ્ર ખાતેથી સવારના 8.00 થી બપોરના 1.00 કલાકે ઉપસ્થિત રહી ડીગ્રી મેળવી લેવી.
આણંદ જિલ્લા વીજ તંત્ર દર રવિવારે વીજકાપ મુકવાની પ્રથા યથાવત જોવા મળી રહી છે.ત્યારે વિદ્યાનગર સબ ડિવીઝન હસ્તક આવેલા નારાયણ શાલીગ્રામ, ગોકુલધામ સહિત અન્ય બે જેટલા ફિડરો રવિવારે 7 કલાક સુધી વીજ કાપ મુકવાનો નિર્ણય કર્યો છે.જેના પગલે બાકરોલ વડતાલ રોડ, કરમસદ રોડ અને ધોળાકુવા ,ગોકુલધામ સહિત 300થી વધુ સોસાયટી વિસ્તારના રહીશોને હાલાકીઓનો ભોગ બનવું પડશે. પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ જિલ્લનાા વીજતંત્ર દ્વારા સમાર કામના બહાને રવિવારે વિજ કાપ મુકવામાં આવશે.ત્યારે વિદ્યાનગર સબ ડિવીઝનમાં આવેલા જોગણી માતા મંદિર, લક્ષ સોસાયટી ભાઇકાકા કોલોની, લાંભવેલ માર્ગ ,એસ પી યુનિવર્સિટી વિસ્તાર, રાજનગર ,બાકરોલ રોડ થી સંકેત સુધીના ભારે તેમજ હળવા દબાણો ગ્રાહકને ફિડર પરથી સવારે 7 કલાક થી બપોરના 1 કલાક સુધી લાઇટો બંધ રહેશે. આ સમય દરમિયાન લાઇન ફોલ્ટ, કેબલ બદલવા સહિતની કામગીરી હાથધરવામાં આવશે.પરંતુ બપોરે એક કલાકે કામગીરી પૂર્ણ થયા બાદ સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો શરૂ કરી દેવામાં આવશે.જો કે દર રવિવારે વિજ કાપ મુકાતા શહેરીજનો વિજ તંત્રથી તોબા પોકારી ઉઠ્યા છે.રવિવારને બદલે અન્ય દીવસોમાં વિજકાપ મુકવામા તેવી માંગ ઉચ્ચારી છે.
આણંદના અમૂલ ડેરી રોડ એપીએમસી હસ્તકની મોટી શાકમાર્કેટમાં પાર્કિંગની કોઇ વ્યવસ્થા નથી. તેમજ સ્વચ્છતા પણ જળવાતી નથી. પાછળના ભાગે કચરાના ઢગ ખડકાતાં હોઈ ગ્રાહકોના સ્વાસ્થય સાથે ચેડા થઇ રહ્યાં છે. લોકો વાહનો રોડની સાઇડમાં પાર્ક કરતાં હોવાથી અડધા ઉપરાંત રસ્તો રોકાઇ જાય છે.જેને ધ્યાને લઇને આણંદ મનપાએ એપીએમસીને નોટીસ પાઠવીને શાકમાર્કેટમાં પાર્કિંગની વ્યવસ્થા કરવા તેમજ સ્વચ્છા જાળવવા સુચના આપી છે.તેમ છતાં કોઇ જ પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં શાકમાર્કેટને સીલ કરી દેવાની ચીમકી આપી છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આણંદ હસ્તક આવેલ અમૂલ ડેરી રોડ ઉપરનું શાક માર્કેટની અંદર મહાનગર પાલિકાની ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ કરતા વધારે પડતી ગંદકી જોવા મળી હતી. આ ઉપરાંત શાકમાર્કેટના વેપારીઓ દ્વારા મુખ્ય રસ્તાઓ ઉપર પણ ખૂબ જ પ્રમાણમાં જ્યાં ત્યાં કચરો નાખવામાં આવે છે તેવું ધ્યાનમાં આવેલ છે. આ ઉપરાંત શાકમાર્કેટની આજુબાજુ વાહનોનું અવ્યવસ્થિત પાર્કિંગ થી ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે. કરમસદ આણંદ મનપા હદ વિસ્તારમાં આવેલ અમુલ ડેરી રોડ ઉપરનું શાક માર્કેટ જે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આણંદ હસ્તક આવેલ છે જ્યાં જરૂરી સફાઈનું આયોજન કરવા સુવ્યવસ્થિત પાર્કિંગની અમલવારી કરાવવા માટે નાયબ મ્યુનિસિપલ કમિશનર કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવેલ છે. મનપાએ નોટિસમાં જણાવવામાં આવ્યું છે તે મુજબ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, આણંદ દ્વારા જાહેર જનતાની સુખાકારીને ધ્યાનમાં રાખી શાક માર્કેટની અંદરની બાજુ ઉપર જરૂરી સફાઈ અને બહારની સાઈડ ઉપર સુવ્યવસ્થિત પાર્કિંગ કરવામાં નહીં આવે તો નિયમ અનુસાર શાકમાર્કેટને સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે. ભાસ્કર ઇનસાઇડકલ્પના ટોકીઝ પાસેનું બંધ શાક માર્કેટ ચાલુ કરાય તો મોટી માર્કેટમાં ભારણ ઘટેઆણંદના મનપા હસ્તકની જગ્યામાં કલ્પના ટોકીઝની આગળના રસ્તા પર વર્ષો પહેલા શાકમાર્કેટ બનાવી ઓટલા પાડ્યા હતા. જે વર્ષોથી બંધ હાલતમાં છે. ત્યારે આ શાક માર્કેટને કાર્યરત કરીને એપીએમસીને સોંપવામાં આવે તો મનપાને આવક થાય તેમજ શહેરના અમૂલ ડેરી રોડ ટ્રાફિક સમસ્યા હલ થાય તેમ છે. તેમજ નાના વેપારીઓને રોજગારી તક ઉભી થાય તેમ છે.
સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક કાયદાશાસ્ત્ર વિભાગ દ્વારા માનવ વિદ્યાભવનમાં સાઇબર સુરક્ષા અને નવા ગુનાહિત કાયદાઓનું મૂળભૂત માળખા પર કાનૂની જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાંં સમાજનને કાનૂની રીતે શક્તિશાળી બનાવતા નવા કાયદા અને તેમની ઉપયોગીતાને સમજાવવામાં આવ્યાં હતાં. કાર્યક્રમમાં નિ:શુલ્ક કાનૂની સાક્ષરતાનો લાભ 80 જેટલા અધ્યાપકો તથા યુનિવર્સિટિના કર્મચારીઓ તથા 25 જેટલા યુનિવર્સિટીના વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. યુનિવર્સિટીમાં ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના સંલગ્ન અનુસ્નાતક કાયદાશાસ્ત્ર વિભાગમાં નિ:શુલ્ક કાનૂની સેવા કેન્દ્રનો લાભ દરેક વિદ્યાર્થીઓ, યુનિવર્સિટીના કર્મચારીઓ અને અધ્યાપકો કાયદાકીય પ્રશ્નોના નિવારણ માટે લઈ શકે તે બાબતનું માર્ગદર્શન કુલપતિ પ્રો. ડો. નીરંજન પટેલે આપ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા કાનૂની ન્યાય સેવા સત્તા મંડળના ચેરમેન જીડી પડિયાએ નવા ભારતીય કાયદાઓ વિશે જણાવ્યું હતું. જેમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય સાક્ષ્ય અધિનિયમ હેઠળ ઉમેરવામાં આવેલા નવા કાયદાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
વેધર રિપોર્ટ:પવનનું જોર વધુ રહેતા ઠંડીનો પારો 14.3 ડિગ્રી
હવામાન વિભાગના જણાવ્યાં અનુાસર આગામી 8 ડિસેમ્બર સુધી ઉત્તર ગુજરાતમાં પૂર્વ દિશાનો પવન ફૂંકાવાની શક્યતા છે. જેને લઇ ઠંડીની આ સ્થિતિમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જો કે પવનની ગતિ વધુ રહેતા લઘુત્તમ તાપમાન 12 દિવસ બાદ 15 ડિગ્રી નીચે એટલે કે 14.3 ડિગ્રી નોંધાયું છે. હાલમાં ભેજવાળુ વાતાવરણ હોવાથી હજુ તાપમાનમાં બે દિવસ વધ-ઘટ રહેશે.
દારૂ મળ્યો:બોરસદના દાવોલ પાસે અકસ્માતગ્રસ્ત કારમાંથી 1.78 લાખનો દારૂ મળ્યો
શુક્રવાર સાંજે એલસીબી પોલીસને મળેલી બાતમી આધારે સંદેશરથી પેટલાદ તરફ જવાના રોડ ઉપર વોચ ગોઠવી હતી. દરમ્યાન સફેદ કલરની કાર જેની આગળ નંબર પ્લેટ નહોતી પરંતુ પાછળના ભાગે જીજે-23, બીસી-7596ની લગાવી હતી. તે પુરપાટ ઝડપે આવતાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચાલકે ભગાડી મુકતાં પોલીસની ટીમે ખાનગી કારમાં પીછો કર્યો હતો. જેમાં સંતોકપુરાના બસસ્ટેશન પાસે ચાલતા પસાર થતા રમેશ ઈશ્વરભાઈ ઠાકોર (રે.બોચાસણ)ને કારે ટક્કર મારતાં ઈજા પહોંચી હતી. દરમ્યાન કારનો ચાલક ભાગવા જતા બોદાલ ગામની સુર્યપુરા સીમ વિસ્તારમાં આવેલા તળાવના ડીવાઈડર સાથે અથડાતા ત્યાં જ મુકીને ફરાર થઈ ગયો હતો. જેમા 1.78 લાખના વિદેશી દારૂના 639 ક્વાર્ટરીયા, 109 બીયરના ટીન મળી આવ્યા હતા. કારમાંથી બેઅલગ-અલગ નંબર ધરાવતીચાર નંબર પ્લેટો પણ મળી આવીહતી. કારની તપાસ કરતા તેનોઓરીજનલ નંબર એમપી-09,ડીએફ-5025નો જાણવા મળ્યુંહતુ.પોલીસે ગુનો નોંધી વધુતપાસ હાથ ધરી છે.
દબાણને લીઘે વાહનચાલકો હેરાન:થર્મલમાં દુકાનદારો દ્વારા માર્ગ ઉપર દબાણો ઉભા કરતા સ્થાનિકોને હાલાકી
વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ના મુખ્ય પ્રવેશ દ્વારથી ગાયત્રી નગર સામે આવેલ દુકાનો દ્વારા માર્ગ ઉપર જ દબાણ કરી દેવામાં આવ્યા છે. જેમાં ચા નાસ્તાની દુકાનો અને લારીઓ વાળા માર્ગ પર દબાણ કરી દેતા અવર જવરમાં પણ સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જેના કારણે મુખ્ય માર્ગ પર થી દબાણો હટાવવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. ખેડા જિલ્લામાં આવેલા વણાક બોરી થર્મલ પાવર સ્ટેશનના મુખ્ય માર્ગથી ગાયત્રીનગર જવાના માર્ગ ઉપર મોટી સંખ્યામાં દુકાનો આવેલી છે. આ સાથે મુખ્ય માર્ગ ઉપર જ ખોટી રીતે દબાણો ઊભા કરી દેવામાં આવ્યા છે. ત્યારે માર્ગ ઉપરથી દિવસ દરમિયાન મોટા પ્રમાણમાં ટ્રકો પસાર થતી હોય છે. જોકે મુખ્ય માર્ગ ઉપર દબાણ કરી દેવાના કારણે સ્થાનિકો અને વિદ્યાર્થીઓને માર્ગ પરથી ચાલીને જવા માટે મજબૂર બન્યા છે. ત્યારે મોટી સંખ્યામાં ટ્રકોની અવર જવાને કારણે સ્થાનિકોમાં અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે. આ સાથે મુખ્ય માર્ગ પર દબાણો કરી દેવામાં આવતા અનેક વખત ટ્રાફિક જામની સમસ્યા પણ ઊભી થાય છે. જેમાં વાહનચાલકોને પોતાનો સમય બગાડવો પડતો હોય છે. ત્યારે મુખ્ય માર્ગ ઉપર કરી દેવામાં આવેલા દબાણ દૂર કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.
નડિયાદમાં 3 જેટલી વર્ષો પુરાણી વાવ છે. જેમાં વણઝારી વાવ 400 વર્ષથી વધુ જૂની છે. આ ઐતિહાસિક વાવ છેલ્લા અનેક વર્ષોથી તંત્રની જાળવણીના અભાવે ખસ્તા હાલતમાં ફેરવાઇ ગઇ છે. હાલમાં વાવની દિવાલની ઇંટો તૂટી પડી છે, જંગલી વનસ્પતિ ઉગી નીકળી છે. વર્ષોથી વાવની જાળવણી કે સફાઇ કરવામાં આવી ન હોવાથી નામશેષ થવાના આરે ઉભેલી આ ઐતિહાસિક ધરોહરના રિસ્ટોરેશનને લઇને હવે મહાનગરપાલિકા દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. હાલમાં શહેરમાં આવેલી તમામ ઐતિહાસિક ધરોહરોનો સર્વે કરી બાદમાં તેની જાળવણી માટે જરૂરી મરામત સાથેનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે.
બાઈક રેલીનું આયોજન કરાયું:મોરબીમાં ડો. આંબેડકરના પરિનિર્વાણ દિને બાઈક રેલી નીકળી
ડો. ભીમરાવ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે મોરબી શહેરમાં સ્વયમ્ સૈનિક દળ દ્વારા બાઈક રેલી આયોજન કરાયુ હતું. આ રેલી મોરબીના ઉમિયાનગરમાંથી શરૂ થઈ મુખ્ય માર્ગો કલેકટર કચેરી, વાઘપરા, સનાળા રોડ થઈ મહાનગરપાલિકા પાસે પહોંચી હતી. જયારે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને એસએસડીના સૈનિકો દ્વારા સલામી આપવામાં આવી, બાદમાં નેહરુગેટ ચોકથી વીસી ફાટકથી રોહીદાસપરા ખાતે રેલી સભામાં પરિવર્તિત થઈ હતી. સભામાં સૈનિક દળના સૈનિકોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ભારત રાષ્ટ્ર માટે ત્યાગ અને બલિદાન વિશેની વાત કરી અને મહામાનવ ના સંઘર્ષને લોકો સુધી પહોંચાડવા અને ભારતને સમતાવાદી રાષ્ટ્ર બનાવવાની વાત કરી, અને સમાજમાંથી જાતિવાદ, પ્રાંતવાદ, ભાષાવાદ, વ્યસન દૂર કરવાની વાત કરી. તસવીર : કિશન પરમાર
આફતમાં અવસર:ઇન્ડિગો ક્રાઇસીસ,એઆઇનું મુંબઇનું ભાડું અમેરિકાની ટિકિટ જેટલું,90 હજારે પહોંચ્યું
ઇન્ડિગો એર લાઇન્સે શનિવારે વડોદરાની 6 ફ્લાઈટ રદ કરતાં સેંકડો મુસાફરો અટવાયા હતા. બીજી તરફ શિડ્યૂલ ખોરવાતાં રિટર્ન ફ્લાઇટનું બુકિંગ રદ કરાવવા વડોદરા એરપોર્ટ પર મુસાફરોની કતારો લાગી હતી. ઇન્ડિગો દ્વારા શનિવારથી ફ્લાઇટ રાબેતા મુજબ રહેશે તેવી જાહેરાત કરાયા બાદ પણ 6 ફ્લાઇટ રદ કરાઈ હતી. બીજી તરફ એર ઇન્ડિયા દ્વારા આ આફતના સમયમાં કમાવાનો અવસર હોય તેવી રીતે સોમવારની મુંબઈની ફ્લાઈટનું ભાડું 90 હજાર સુધી ઓનલાઈન દર્શાવાયું હતું. જ્યારે વડોદરાથી મુંબઈનું ટેક્સીનું ભાડું 15 હજાર થાય છે.સાંસદ ડો.હેમાંગ જોશીએ કહ્યું કે, સરકારે શનિવારે માર્ગદર્શિકા બહાર પાડી એર લાઇન્સને યોગ્ય પ્રમાણમાં ભાડું લેવા જણાવ્યું છે. ગાંધી ટ્રાવેલ્સના સિદ્દીક ગાંધીએ કહ્યું કે, ટ્રાવેલ્સ સંચાલકોએ ભાવ વધાર્યો નથી. એર લાઇન્સ 90 હજાર જેટલું ભાડું વસૂલે છે. 60 હજારની ટિકિટ સામે 25 હજાર ચાર્જ લાગેહૈદરાબાદની 4 ટિકિટ હતી. રિટર્નની ટિકિટ રદ કરાવીએ તો 4 ટિકિટ પર 60 હજારની સામે 25 હજાર ચાર્જ કપાય છે. તેથી એરપોર્ટ પર ટિકિટ રદ કરાવી રિફંડ મેળવ્યું. > મિત્તલ કારલા, મુસાફર યુગલોનાં હનિમૂનનાં ડેસ્ટિનેશન બદલાયાંવડોદરા ટ્રાવેલ્સ એસોસિયેશનના રાજેશ પંડ્યાએ જણાવ્યું કે, વડોદરાથી સંખ્યાબંધ કપલનાં હનિમૂન ડેસ્ટિનેશન બદલવાનો વખત આવ્યો છે. વડોદરાથી નજીક આવેલા સ્થળ કે ગુજરાતની બોર્ડર પાસે હોય અને કારથી જઈ શકાય તેવાં સ્થળોની માગ વધી છે. બુકિંગ વિન્ડો પર ટિકિટ રદ કરાવે તો ચાર્જ ન લાગેમુસાફરોનું ફરવા જવાનું શિડ્યૂલ હોય અને ફ્લાઈટ રદ થઈ હોય ત્યારે રિટર્ન ફ્લાઇટ ઓનલાઇન રદ કરાવાય તો કેન્સલેશન ચાર્જ લાગે છે. જોકે બુકિંગ વિન્ડો પર રદ કરાવાય તો પૂરું રિફંડ મળતું હોય છે.
ગોત્રીમાં માતાએ ઘરકામ કરવા મુદ્દે ઠપકો આપતાં પુત્રી રિસાઈને રાતે ઘરેથી નીકળી ગઈ હતી. જોકે ચાર રસ્તા પર કેટલાક યુવકોએ તેની છેડતી કરતાં ગભરાઈ ગયેલી દીકરીએ 181 પર ફોન કરી અભયમની મદદ માગી હતી. ટીમ તાત્કાલિક આવતાં યુવાનો ભાગી ગયા હતા. અભયમે પૂછ્યું કે, તને કેવી રીતે ખબર પડી કે મુસીબતના સમયમાં 181 પર કોલ કરવો જોઈએ? તો સગીરાએ કહ્યું કે, તમે મારી કોલેજમાં 181 નંબર વિશે સમજ આપી હતી. અભયમે કહ્યું કે, ગોત્રીમાં રહેતી માતા-દીકરી વચ્ચે ઘરકામ મુદ્દે બોલાચાલી થઈ હતી. જેથી દીકરી મોડી રાતે ઘરેથી નીકળી પોતાની મિત્રના ઘરે પહોંચી હતી. મિત્રે રાખવાની ના પાડતાં તે ચાર રસ્તા પાસે બેસી ગઈ હતી. ત્યાં કેટલાક યુવકોએ તેની છેડતી કરતાં તેણે 181માં કોલ કર્યો હતો. જેથી અભયમની ટીમ જતાં યુવકો ફરાર થઈ ગયા હતા. તે પછી તેને ઘરે પહોંચાડી હતી. 181 અભયમ મોબાઈલ એપની વિશેષતા 1 સ્માર્ટ ફોનમાં પેનિક બટન દબાવતાં હેલ્પ લાઈનની મદદ મેળવી શકાશે 2 મોબાઈલ જોરથી હલાવતાં પણ કોલ થઈ શકશે, જેથી કટોકટીના સમયમાં ફોન કર્યા વગર પણ મદદ મેળવી શકાશે 3 એપ મારફતે ઘટના સ્થળેથી કોલ કરે તો તેનું લોકેશન મળી જશે 4 એપમાં 181 બટન દબાવતાની સાથે મુશ્કેલ સ્થિતિમાં રહેલી મહિલાના 5 જેટલાં સગા-સંબંધી કે મિત્રોને ઓટોમેટિક મેસેજ મળી જશે 5 મહિલા ઘટના સ્થળના ફોટો અને વીડિયો એપ્લિકેશન દ્વારા અપલોડ કરી પુરાવા તરીકે હેલ્પ લાઈનના સેન્ટરમાં મોકલી શકશે અભયમે 2 વર્ષમાં 1 લાખથી વધુ યુવતી-મહિલાને 181 એપ વિશે માહિતી આપીઅભયમની ટીમે કહ્યું કે, 2 વર્ષમાં શહેર-જિલ્લાની તમામ સ્કૂલો, કોલેજ અને આઈટીઆઈ ઉપરાંત ઓફિસોમાં જઈને 1 લાખથી વધુ મહિલા તેમજ યુવતીઓને અભયમની 181 એપ વિશે માહિતી આપી હતી. માતા-પિતાને સલાહ આપી, દીકરીને ખોટું લાગે નહીં તે રીતે વાતચીત કરો અભયમે દીકરીનાં માતા-પિતાને સલાહ આપી કે, દીકરીને ખોટું ન લાગે તે રીતે વાત કરવી જોઈએ. યુવતીને સમજાવી કે, ભૂલ હોય તો માતા-પિતા ટોકે પણ ખરાં.જેથી ઘર છોડવું યોગ્ય નથી.
દુર્ઘટના:શાળા છુટ્યા બાદ ઘરે જતી વેળા બાઇક ચાલકે 4 છાત્રાને અડફેટે લીધી, 2ને ઇજા
ડાંગ જિલ્લાના સુબીર તાલુકાની પ્રાથમિક શાળામાં ધોરણ-7માં અભ્યાસ કરતી અને લહાનકડમાળ ગામની ચાર વિદ્યાર્થિનીઓ શાળા છૂટ્યા બાદ સાંજે 5.30 વાગ્યાના અરસામાં મહાલ રસ્તે પોતાના ઘરે જઈ રહી હતી . આ દરમિયાન, લહાનકડમાળ ફાટક નજીક કડમાળ ગામનો રહેવાસી યુવક પ્રકાશ ઝિપરભાઈ દાહવાડ બાઇક (નં. GJ-30-B-3618) બેફીકરાઈથી હંકારીને આવી રહ્યો હતો. તેણે રસ્તામાં ચાલી રહેલી ચાર પૈકી ત્રણ છાત્રાને પાછળથી ટક્કર મારી ઢસડી હતી. જોકે તેમાંથી એક છોકરીનો આબાદ બચાવ થયો હતો. જ્યારે પ્રેમિલા જમશુંભાઈ રાઉત (ઉ.વ.17)ને મોઢાના ભાગે ઈજા તથા ડાબા પગમાં ફ્રેકચર થયું હતું અને રવિના સોનુભાઇ પવાર (ઉ.વ. 17) ને જમણા પગમાં 12થી 15 ટાંકા આવ્યા હતા. ઈજાગ્રસ્ત છોકરીઓને 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સુબીર સીએચસી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલમાં રિફર કરાઈ હતી. પગમાં ફ્રેકચર થયેલી છોકરીને હાલમાં વાંસદાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસ હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી. અચાનક બનેલી ઘટનાથી ગ્રામવાસીઓમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
ધરપકડ:8 માસથી ફરાર હત્યાના આરોપીને વ્યારા પોલીસે ભાવનગરથી પકડ્યો
પેરોલ–ફર્લો પર ફરાર થયેલા આરોપીઓની ધરપકડ માટે હાથ ધરાયેલા વિશેષ “ઓપરેશન કારાવાસ” અંતર્ગત તાપી પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. વ્યારા પોલીસ સ્ટેશનના હત્યાના ગંભીર ગુનામાં મધ્યસ્થ જેલ લાજપોરમાંથી છેલ્લા આઠ મહિના થી ફરાર રહેલો કાચા કામનો આરોપી મહુવા ભાવનગર ખાતેથી ઝડપી લેવાયો છે. IPC કલમ 302, 307, 324, 120(B), 201, 225, 114 ના ગંભીર ગુનામાં કાચા આરોપી નં. 358/2025 પ્રતિક ખીમજીભાઈ ચુડાસમા (રહે કતારગામ, સુરત) 3 દિવસના વચગાળાના જામીન પર 8 માર્ચથી 10 માર્ચ 2025 દરમિયાન પોતાના ભાઈના લગ્ને જવા રજા પર ગયો હતો. તેને 11 માર્ચે જેલમાં હાજર થવાનું હતું, પરંતુ તે પરત ન ફરતાં તે ફરાર જાહેર થયો હતો.પેરોલ–ફર્લો સ્કોર્ડના અ.હે.કો. હરપાલસિંહ અભેસિંહ અને અ.પો.કો. બ્રીજરાજસિંહને મળેલી ચોક્કસ બાતમી આધારે ટીમે મહુવા–ભાવનગર ખાતે રેડ કરી આરોપી પ્રતિક ચુડાસમાને ઝડપી લીધો હતો. બાદમાં તેને નિયમ મુજબ મધ્યસ્થ જેલ લાજપોરમાં સોપવામાં આવ્યો છે.
કાર્યવાહી:વ્યારા ગાંજા પ્રકરણમાં વધુ 3 આરોપી ઝડપાયા, કુલ 5ની ધરપકડ
વ્યારા ના નગરમાં એસ ઓ જી ની ટીમ એક મહિલાના દ્વારા ઘરે 348 ગ્રામ ગાંજો સાથે મહિલાની અટક કરી હતી બીજા દિવસે એક આરોપીની અટક કરી હતી.જે બાદ આ પ્રકરણની વધુ તપાસ કરતા વ્યારા પોલીસે ત્રણ આરોપીની અટક કરી હતી. વ્યારા મગદુમનગર (મહાદેવનગર) વિસ્તારમાં રહેતી ચંદાબેન સુકલાલ જાધવ (ઉ.વ. 64) ના મકાન પર પોલીસ દ્વારા કરાયેલ રેડમાં ગેરકાયદેસર ગાંજો મળી આવ્યા બાદ કેસમાં સતત કાર્યવાહી આગળ ધપાવવામાં આવી છે. રેડ દરમિયાન કુલ 348 ગ્રામ ગાંજો, કિંમત રૂ. 17,400 તથા અન્ય મુદ્દામાલ મળી રૂ. 23,000નો માલ કબજે કર્યો હતો. આ ઘટના અંગે વ્યારા પોલીસ સ્ટેશનમાં પાર્ટ–B ગુ.ર.નં. 118240012 P24 34/2025 હેઠળ NDPS ઍક્ટ મુજબ ગુનો નોંધાયો છે.કેસમાં વોન્ટેડ જાહેર કરાયેલ આરોપી પ્રવિણભાઈ ઉર્ફે પરવેઝ ચંદ્રસિંહ વસાવા (ઉ.વ. 32, રાયગઢ સરપંચ ફળીયું, નિઝર) વ્યારા મિશન નાકા નજીક જોવા મળતાં એસ.ઓ.જી. ટીમે તેને ઝડપ્યો હતો. આ પહેલા કેસના બે આરોપી ઝડપાઈ ચૂક્યા હતા.ત્યારે હવે વ્યારા પી.આઈ. બી.જી રાવલના માર્ગદર્શન હેઠળ અન્ય ત્રણ શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી છે.જેમાં અશ્વિનભાઈ શાંતિલાલ વળવી (ઉ.વ. 26, રાયગઢ સરપંચ ફળીયું, નિઝર) તેમજ કમલેશ કિશોર પાડવી (ઉ.વ. 23, હાથનુર ગામ, નિઝર – હાલ સિમાડા , સુરત) અને દિપક દિનેશભાઈ વળવી (ઉ.વ. 29, કાલીયા આંબા મંદિર ફળીયું, નિઝર – હાલ સચીન, સુરત) ને 04/12/2025 ના વહેલી સવારે 03:15 કલાકે ઝડપી પાડવામાં આવ્યા. આ રીતે કેસમાં કુલ પાંચ આરોપીની ધરપકડ થતા પોલીસે તપાસ વધુ ગતિમાન કરી છે અને ગાંજા સપ્લાયના સૂત્રો અંગે માહિતી મેળવવા માટે પૂછપરછ પીઆઇ રાવલે ચાલુ રાખી છે.
દુર્ઘટના:બેફામ ચાલકે ટેન્કર ડિવાઇડરમાં અથડાવ્યા બાદ પટકાતા મોત
સુરત-ધુલિયા નેશનલ હાઇવે પર ઉચ્છલ નજીક બેડકી નાકા ચેકપોસ્ટ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક ટેન્કર પૂરઝડપે હંકારતા તે ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાયું હતું, જેના પરિણામે ચાલક કેબિનમાંથી પટકાયો હતો અને ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. ઉચ્છલ પોલીસ લાઇન ખાતે ફરજ બજાવતા કોન્સ્ટેબલ પંકજભાઈ ગામીત અને તેમની સાથેના જી.આર.ડી. સભ્યો નેશનલ હાઇવે 53 પર નવાપુરથી સુરત તરફ જતા લેન પર વાહન ચેકિંગની ફરજ બજાવી રહ્યા હતા. આ જ સમયે, મહારાષ્ટ્ર નવાપુર તરફથી MP-08- HA-0394 ટેન્કર પૂરપાટ ઝડપે આવ્યું હતું. ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટેન્કર હાઇવે રોડના ડિવાઇડર પર ચઢી ગયું હતું અને ત્યાં સી.સી.ટી.વી. કેમેરાના થાંભલા સાથે જોરદાર ટકરાયું હતું. અકસ્માત એટલો ભયંકર હતો કે, ટક્કર માર્યા બાદ ટેન્કરનો ચાલક કેબિનમાંથી ફંગોળાઈને સોનગઢથી નવાપુર તરફ જતા લેન પર રોડ ઉપર પટકાયો હતો. કોન્સ્ટેબલ પંકજભાઈ અને ટીમે દોડી જઈને જોયું તો ચાલક બેભાન હતો અને માથાના ભાગેથી પુષ્કળ લોહી વહી રહ્યું હતું. તુરંત જ 108 ને બોલાવતા તપાસ કરતાં ટેન્કર ચાલકને મૃત જાહેર કર્યો હતો. પોલીસે ટેન્કરના દસ્તાવેજોની ચકાસણી અને પાછળ આવતા અન્ય ટેન્કર ચાલકોની પૂછપરછ કરતા મૃતક ચાલકનું નામ અર્જુનસિંહ રામસિંહ (મધ્યપ્રદેશ) હોવાનું જાણવા મળ્યું હતું.
ધીમે ધીમે શિયાળો પોતાનો રંગ દેખાડી રહ્યો છે. ઘણા પરિવાર એવા છે જેમના માથા પર પાકી છત નથી આવા લોકો ફૂટપાથ કે અન્ય વિસ્તારમાં ઠંડીથી બચવા ઝઝૂમી રહ્યા છે ત્યારે આવા લોકોને રાત્રીના પાકી છત મળી રહે તે જરૂરી છે. તાજેતરમાં દિવ્ય ભાસ્કર દ્વારા ઠંડીમાં સુતેલા લોકોને તેમના માટે શરુ કરાયેલા શેલ્ટર હોમમાં જગ્યા અપાવે તેવો અહેવાલ પ્રસિધ્ધ થયો હતો, ત્યાર બાદ તંત્ર જાગ્યું હતું. ઘરવિહોણા લોકો માટે મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા આશ્રયગૃહ માટે નાઈટ-ડ્રાઈવ યોજાઇ છે અને તેના ભાગરૂપે મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે લોકોને નિઃશુલ્ક રહેવા જમવા સહિતની પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી છે. ઉપરોક્ત ડ્રાઈવ દ્વારા 26 ઘરવિહોણા લોકોને પરિવાર સાથે આશ્રયગૃહ ખાતે પહોચાડાયા હતા. મોરબી મહાનગરપાલિકા દ્વારા સદર આશ્રયગૃહમાં વધુનેવધુ ઘર વિહોણા લોકોને લાભ લેવા કમિશ્નર મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
વેધર રિપોર્ટ:16 દિવસ બાદ ઉ.ગુજરાતમાં ઠંડીનો પારો 14.5 ડિગ્રીની નીચે, 13.8 ડિગ્રી સાથે ડીસા સૌથી ઠંડુ
ઉત્તર ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહમાં 7 ડિગ્રી ઠંડી વધી છે. શનિવારે પણ પોણા ડિગ્રીના વધારા સાથે 11 દિવસ બાદ ઠંડીનો પારો 14.5 ડિગ્રીથી નીચે આવ્યો હતો. સવારે હળવી ઝાકળવર્ષા વચ્ચે ધ્રુજાવતી ઠંડીનો અનુભવ થયો હતો. આગામી 5 દિવસ ઠંડીનો આ દબદબો યથાવત રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાતમાં શનિવારે વહેલી સવારે 75% અને બપોરે 50% ભેજનું પ્રમાણ રહ્યું હતું. અંશત: વાદળછાયા વાતાવરણ વચ્ચે વહેલી સવારે ધુમ્મસની ચાદર પથરાઇ હતી અને હળવી ઝાકળવર્ષા પણ જોવા મળી હતી. દિવસભર સુસવાટા મારતાં ઠંડા પવનોના કારણે દિવસ-રાતના તાપમાનમાં પોણો ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. 16 દિવસ બાદ ઠંડીનો પારો 14.5 ડિગ્રીથી નીચે ઉતર્યો હતો. આ દરમિયાન 13.8 ડિગ્રી સાથે ડીસા ઉત્તર ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. નીચા તાપમાન, સુસવાટા મારતાં ઠંડા પવન અને વધુ પડતાં ભેજના કારણે વહેલી સવારે ધ્રુજાવતી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. હજુ 1 થી 2 ડિગ્રી ઠંડી વધવાની શક્યતા બીજી બાજુ, દિવસનું વાસ્તવિક તાપમાન 29 ડિગ્રીની આસપાસ રહ્યું હતું, પરંતુ વધુ પડતાં ભેજના કારણે 27.5 ડિગ્રી તાપમાન અનુભવાયું હતું. જેને લઇ દિવસે પણ ઠંડકનો અનુભવ થયો હતો. હવામાન વિભાગના ટૂંકાગાળાના અનુમાન મુજબ, આગામી 5 દિવસમાં ઠંડીમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે.
એ ડિવિઝન પોલીસે હદપાર ભંગના કેસમાં એક રીઢા આરોપીની ધરપકડ કરી છે. સુખનાથ ચોક વિસ્તારમાં રહેતા એઝાજશા ઉર્ફે એઝલો ઇસ્માઇલશા રફાઇ વિરુદ્ધ હદપારની દરખાસ્ત મોકલવામાં આવી હતી. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા છ માસ માટે જુનાગઢ અને તેની આસપાસના જિલ્લાઓમાંથી હદપાર કરવામાં આવ્યો હતો. પીઆઈ વી.જે. સાવજની સૂચનાના પગલે એ.એસ.આઇ. ભદ્રેશ રવૈયા અને પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ ચાવડા તથા સુભાષ કોઠીયાળને ખાનગી રાહે માહિતી મળી હતી. આ બાતમીના આધારે એઝલો રફાઇ સુખનાથ ચોક, ધારાગઢ દરવાજા રોડ ઉપર હાજર હોવાની ખાતરી થતાં તેને ઝડપી લેવાયો હતો. પોલીસે હદપારના આદેશનો ભંગ કરવા બદલ આરોપી વિરુદ્ધ જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાયદેસર ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પીએસઆઇ વાય.એન. સોલંકી, એ.એસ.આઇ. ભદ્રેશ રવૈયા, પંકજ સાગઠીયા સહિત અન્ય પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.
લોકપ્રિય ગુજરાતી સિંગર કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ સગાઈ કરી લીધી છે, ત્યારે આ સગાઈનો વીડિયો કિંજલ દવેએ પોતાના ફેસબુક પેજ પોસ્ટ કરી ઓફિશિયલ જાહેરાત કરી છે. કિંજલ દવેએ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી છે. આ યુગલની સગાઈના સમાચારથી તેમના ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, કિંજલ દવેએ એપ્રિલ, 2018માં પવન જોષી સાથે સગાઈ કરી હતી. જોકે, વર્ષ 2023માં કિંજલ અને પવનની સગાઈ તૂટી ગઈ હતી. ત્યારે સગાઈ તૂટ્યાના બે વર્ષ બાદ કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ સગાઈ કરી લીધી છે. એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે કિંજલની સગાઈકિંજલ દવેએ ધ્રુવિન શાહ સાથે ગાઈ કરી છે. 5 ડિસેમ્બરના રોજ ગોળધાણાનો પ્રસંગ યોજાયો હતો અને 6 ડિસેમ્બરના રોજ સગાઈ સેરેમની યોજવામાં આવી હતી. કિંજલ દવેના મંગેતર ધ્રુવિન શાહ એક એક્ટરની સાથે સાથે એક બિઝનેસમેન પણ છે. કિંજલ દવેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર સગાઈની ઓફિશિયલ જાહેરાત કરવાની સાથે સગાઈનો વીડિયો પોસ્ટ કરી લખ્યું- ગોડ્સ પ્લાન. કિંજલ અને ધ્રુવિન ઘણા સમયથી એકબીજાને ડેટ કરતા હતાસૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કિંજલ દવે અને ધ્રુવિન શાહ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. આ લાંબા સમયના સંબંધને હવે તેમણે સગાઈના પવિત્ર બંધનથી સત્તાવાર માન્યતા આપી છે. આ યુગલની સગાઈના સમાચારથી તેમના ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફેન્સમાં આશ્ચર્ય અને ખુશીની લહેરલોકપ્રિય સિંગ કિંજલ દવેની અચાનક સગાઈના સમાચારથી તેમના અસંખ્ય ચાહકોમાં આશ્ચર્ય અને આનંદની મિશ્ર લાગણી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર આ કપલને અભિનંદન આપતા કોમેન્ટોનો ધોધ વહી રહ્યો છે. ગુજરાતની 'ચાર ચાર બંગડીવાળી' સિંગરે તેના જીવનના આ નવા પ્રકરણની શરૂઆત કરી છે, જેને તેના પ્રશંસકોએ દિલથી વધાવી લીધી છે. કોણ છે કિંજલ દવેના મંગેતર ધ્રુવિન શાહ?કિંજલ દવેના મંગેતર ધ્રુવિન શાહ માત્ર એક અભિનેતા જ નથી, પરંતુ તેઓ એક પ્રતિષ્ઠિત બિઝનેસ ફેમિલીમાંથી આવે છે. આ ઉપરાંત તેઓ ગુજરાતી ફિલ્મો અને કન્ટેન્ટ માટેની લોકપ્રિય એપ્લિકેશન જોજો એપ (JoJo App)ના ફાઉન્ડર પણ છે. ધ્રુવિન શાહ મલ્ટી-ટેલેન્ટેડ હોવાની સાથે એક સફળ ઉદ્યોગપતિ પણ છે. કોણ છે કિંજલ દવે?કિંજલ દવેનો જન્મ 24 નવેમ્બર 1998ના રોજ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના જેસંગપરામાં થયો હતો. કિંજલ દવેને નાની ઉંમરથી ગીતો ગાવાનું શરૂ કર્યું હતું અને વર્ષ 2017માં તેના હિટ ગીત 'ચાર ચાર બંગડી'થી ખ્યાતિ મેળવી હતી. ત્યારથી તેણીએ ઘણા લોકપ્રિય ગીતો રજૂ કર્યા છે. કિંજલ દવેએ ભારત અને વિદેશમાં પણ વિવિધ મ્યુઝિક કોન્સર્ટ કર્યા છે. કિંજલ તેના પરંપરાગત ગુજરાતી લોક ગીતો માટે જાણીતી છે અને મ્યુઝિકની દુનિયામાં તેના યોગદાન માટે તેને ઘણા એવોર્ડ પણ જીત્યા છે. કિંજલના પિતા હીરાઘસુ હતાકિંજલના પિતા લલિત દવે હીરા ઘસવાની સાથે સાથે ગીતો લખવાનો પણ શોખ ધરાવતા હતા અને તે મિત્ર સાથે મળીને ગીતો પણ લખતા હતા. પિતા અને મનુ રબારીના પ્રયાસોથી નાની ઉંમરે કિંજલને ‘જોનડિયો’ લગ્નગીત આલ્બમમાં ગાવાનો મોકો મળ્યો. આ લગ્નગીત થોડાં જ સમયમાં સમગ્ર ગુજરાતમાં હિટ રહ્યું હતું અને પછી કિંજલ આખા ગુજરાતમાં લોકપ્રિય થઈ ગઈ હતી.
બોપલ ઘુમામાં રહેતા એક 34 વર્ષીય વેપારી સાથે શેરબજારમાં મોટા નફાની લાલચ આપી 69.43 લાખ રૂપિયા પડાવવાનો સાયબર ફ્રોડ થયો છે. વેપારી ઇલેક્ટ્રીક સામાનનો ધંધો કરે છે. તેમને એક અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હતો, જેમાં પોતે SEBI રજિસ્ટર્ડ કંપનીમાંથી બોલતો હોવાનું જણાવાયું હતું.આ શખ્સે વેપારીને શેરબજારની ટીપ્સ આપી અને ઓનલાઈન–ઓફલાઈન ટ્રેડિંગમાં રોકાણ કરવાથી ઘણો મોટો નફો થશે એવી લાલચ આપી. ત્યારબાદ વેપારીએ તેના જણાવ્યા મુજબ ટ્રેડિંગ એકાઉન્ટ પણ ખોલાવ્યું અને અનેક વખત પૈસા જમા કરાવ્યા. વેપારી પાસેથી અલગ-અલગ બેંક એકાઉન્ટમાં મોટી રકમ ટ્રાન્સફર કરાવીશરૂઆતમાં વેપારીને 7,500 રૂપિયાનું નફો બતાવી વિશ્વાસમાં લેવાયા. ત્યારબાદ ગઠિયાઓએ સ્કેનર અને અન્ય દસ્તાવેજો મોકલીને વેપારી પાસેથી અલગ-અલગ બેંક એકાઉન્ટમાં મોટી રકમ ટ્રાન્સફર કરાવી. બાદમાં તેમણે કંપનીના નકલી લેટરહેડ પર નફા–નુકસાનનું ખોટું સ્ટેટમેન્ટ મોકલ્યું. જ્યારે વેપારીએ દલાલી કપાઈને બાકી રકમ પરત આપવા કહ્યું, ત્યારે ગઠિયાઓએ નુકસાન દેખાડતું નકલી સરવૈયું મોકલી વધુ પૈસા માંગવાનું શરૂ કર્યું. આ પછી વેપારીને સાયબર ફ્રોડની શંકા થતા તેમણે હેલ્પલાઇનમાં ફરિયાદ કરી. હવે ગ્રામ્ય સાયબર સેલે વેપારીની ફરિયાદના આધારે 69.43 લાખના આ સાયબર ફ્રોડનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 24 રૂ. રિફંડ આપવાનું કહીને ફોન હેક કરીને 87 હજાર ખંખેરી લીધા હતાગુગલમાં ઓનલાઇન કસ્ટમર કેરનો નંબર સર્ચ કરનારા લોકો હવે રિફંડ મેળવવા અથવા વસ્તુ પરત કરવા માટે એક વખત વિચાર કરીને ફોન કરજો કારણકે સાઇબર ગઠિયાઓ હવે આ નંબરો મારફતે પણ ફોન હેક કરીને છેતરપિંડી કરી રહ્યા છે. એક મહિલાએ ઓનલાઇન એપ્લિકેશન મારફતે નાના રીંગણ મંગાવ્યા હતા. જોકે, મોટા રીંગણનું પાર્સલ આવતા તેમણે પાર્સલ રિટર્ન કરવા પ્રોસેસ કરી હતી. ગૂગલ સર્ચ કરીને કસ્ટમર કેરનો નંબર મેળવીને ઓર્ડર બાબતે વાત કરતા સાયબર ગઠિયા સાથે ભેટો થયો હતો. આરોપીએ એપીકે ફાઇલ મોકલીને તેમને 24 રૂ. રિફંડ આપવાનું કહીને ફોન હેક કરીને 87 હજાર ખંખેરી લીધા હતા. આ મામલે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ડિલિવરી એપના કસ્ટમર કેરમાં વાત કરીને ઓર્ડર પરત લઇ જવાની ફરિયાદ કરવા કહ્યું મૂળ મહારાષ્ટ્રના અને હાલ ચાંદખેડામાં રહેતા 53 વર્ષીય મહિલાએ 1 જુલાઇના રોજ ઝેપ્ટો નામની એપ્લિકેશનમાંથી શાકભાજી મંગાવ્યા હતા. ઓર્ડર કર્યા બાદ ઓટીપી આવ્યો હતો અને બાદમાં ઓર્ડર કન્ફર્મ થયો હતો. જે બાદ ડિલિવરી બોય શાકભાજીનું પાર્સલ આપી ગયો હતો. જ્યારે પાર્સલ ખોલીને જોયું તો તેમણે કરેલા ઓર્ડર મુજબનું શાકભાજી નહોતા. તેમણે મંગાવેલા નાના રીંગણની જગ્યાએ મોટા રીંગણ આવી ગયા હતા. જેથી તેમણે ડિલિવરી બોયને રીંગણ પરત લઇ જવાનું કહેતા તેણે તે પોતે રિટર્ન ન લઇ જઇ શકે પરંતુ ડિલિવરી એપના કસ્ટમર કેરમાં વાત કરીને ઓર્ડર પરત લઇ જવાની ફરિયાદ કરવા કહ્યું હતું. ત્રણેક એકાઉન્ટના પીન નંબર જાણીને 87 હજાર સેરવી લીધા હતા.ડિલિવરી બોય પાસે કસ્ટમર કેરનો નંબર માંગતા તેની પાસે નંબર ન હોવાથી મહિલાએ ગૂગલ મારફતે કસ્ટમર કેરનો નંબર સર્ચ કર્યો હતો. ગૂગલ પરથી મળેલા નંબર પર ફોન કરતા વાત કરનારે અન્ય એક નંબર આપ્યો હતો. તે નંબર ધારકે વાત કરીને વોટ્સએપ પર વિગતો માંગીને વોટ્સએપ કોલ કરીને કંપનીમાંથી બોલતો હોવાની ઓળખ આપી હતી. બાદમાં 24 રૂપિયા રિફંડ મોકલ્યા હોવાનું કહીને એક એપ્લિકેશન ડાઉનલોડ કરવા કહ્યું હતું. વોટ્સએપ પર આવેલી એપીકે ફાઇલ ડાઉનલોડ થઇ હતી. બાદમાં ગઠિયાએ બેલેન્સ જોવાનું કહીને તે બહાને સરલબેનનો ફોન હેક કરીને ફોન રીડ કરીને ત્રણેક એકાઉન્ટના પીન નંબર જાણીને 87 હજાર સેરવી લીધા હતા. મહિલાના ખાતામાંથી પૈસા જતા રહેતા આ મામલે તેઓએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલા નીરજ એપાર્ટમેન્ટમાં શનિવારે એક ભયાનક લિફ્ટ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં 49 વર્ષીય એક મહિલા અંદાજે અડધા કલાક સુધી લિફ્ટમાં ફસાઈ રહી હતી. સદનસીબે, ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચીને મહિલાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. છઠ્ઠા માળેથી ત્રીજા માળે ધસી આવી લિફ્ટલિબાયત વિસ્તારની રહેવાસી આ મહિલા રોજની જેમ એપાર્ટમેન્ટમાં ઘરેલું કામ કરવા માટે આવી હતી. શનિવારે પણ જ્યારે તે ઉપરના માળેથી નીચે આવવા માટે લિફ્ટનો ઉપયોગ કરી રહી હતી ત્યારે અચાનક લિફ્ટનો મુખ્ય વાયર તૂટી ગયો હતો. વાયર તૂટવાના કારણે લિફ્ટ સીધી છઠ્ઠી મંજિલ પરથી જોરદાર ઝટકા સાથે ત્રીજી મંજિલ પર આવીને અટકી ગઈ હતી. અચાનક બનેલા આ ગમખ્વાર અકસ્માતથી મહિલા ખૂબ જ ગભરાઈ ગઈ હતી અને મદદ માટે બૂમો પાડવા લાગી હતી. એપાર્ટમેન્ટના રહેવાસીઓએ મહિલાની બૂમો સાંભળીને તાત્કાલિક ફાયર બ્રિગેડને આ અંગેની જાણ કરી હતી. મજુરા ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે તુરંત પહોંચી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. લિફ્ટનો દરવાજો અંદરથી જામ થઈ ગયો હોવાથી, રેસ્ક્યુ ટીમે સુરક્ષાના તમામ માપદંડોને ધ્યાનમાં રાખીને પહેલા લિફ્ટને સ્થિર કરી હતી. ત્યારબાદ લોખંડના સાધનોની મદદથી દરવાજો ખોલવાની કામગીરી શરૂ કરી હતી. 25-30 મિનિટની જહેમત બાદ મહિલા સુરક્ષિતફાયર ઓફિસર વિજય પટેલે જણાવ્યું કે, લિફ્ટનો મુખ્ય વાયર તૂટી જવાના કારણે લિફ્ટ છઠ્ઠા માળેથી ત્રીજા માળે આવીને અટકી ગઈ હતી. આશરે 25થી 30 મિનિટની ભારે જહેમત બાદ મહિલાને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવી હતી. અકસ્માત દરમિયાન મહિલાને કોઈ ગંભીર ઈજા પહોંચી નહોતી, પરંતુ તે ખૂબ જ ગભરાઈ ગઈ હતી. ફાયર ટીમે મહિલાને પાણી પીવડાવીને શાંત પાડી હતી અને તેમના પરિવારજનોનો સંપર્ક કરાવ્યો હતો. લિફ્ટ મેઈન્ટેનન્સ પર સવાલઆ ઘટના બાદ એપાર્ટમેન્ટના રહેવાસીઓએ બિલ્ડિંગની લિફ્ટના મેન્ટેનન્સની વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આ પ્રકારની બેદરકારી ફરી ન થાય તે માટે કડક તપાસ કરવાની અને જવાબદારો સામે પગલાં લેવાની માંગણી કરી છે.
સુરત મહાનગરપાલિકાની શનિવારે મળેલી સંકલન બેઠકમાં ધારાસભ્યોએ શહેરના વિકાસ કામો અને વહીવટી પ્રશ્નોને લઈને તંત્ર સમક્ષ આકરા સવાલો ઉઠાવ્યા હતા. મુખ્યત્વે મેટ્રો રેલ પ્રોજેક્ટને કારણે સર્જાયેલી ટ્રાફિક સમસ્યા અને ગેરકાયદેસર બાંધકામોના મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા. મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલ અને તમામ ઝોનલ ઓફિસરોની હાજરીમાં યોજાયેલી આ બેઠકમાં પાંચ ધારાસભ્યો અરવિંદ રાણા, પૂર્ણેશ મોદી, સંદિપ દેસાઇ, મનુ પટેલ, અને પ્રવિણ ઘોઘારી ઉપસ્થિત રહ્યા હતા. જોકે, વરાછા-સરથાણાંમાં દબાણ હટાવવાના મુદ્દે કાર્યવાહી કરાવનારા ધારાસભ્ય કુમાર કાનાણી ગેરહાજર રહ્યા હતા. મેટ્રોના બેરિકેટથી લોકોએ હાલાકી ભોગવવી પડે છેશહેરમાં ચાલી રહેલી મેટ્રોની કામગીરીમાં બેદરકારી અને તેના કારણે લોકોએ ભોગવવી પડતી હાલાકીનો મુદ્દો ધારાસભ્યો પૂર્ણેશ મોદી અને પ્રવિણ ઘોઘારીએ ઉઠાવ્યો હતો. પ્રવીણ ઘોઘારીએ વરાછા વિસ્તારના મેટ્રો અંડરગ્રાઉન્ડ સ્ટેશનોના કામની પ્રગતિ અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, લાભેશ્વર ચાર રસ્તા, વસંત ભિખાની વાડી, અને લંબે હનુમાન મંદિર પાસેના અંડરગ્રાઉન્ડ સ્ટેશનોની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. તેથી, આ ત્રણેય સ્થળો પરથી રસ્તા પરના બેરિકેટ હટાવીને રસ્તો તાત્કાલિક ખુલ્લો કરવામાં આવે જેથી વાહનચાલકોને રાહત મળે. આ ઉપરાંત, તેમણે સ્મીમેર હોસ્પિટલ સામેની રાજીવ નગર ઝૂંપડપટ્ટીમાં રસ્તા પર દબાણ કરતા છ ઝુંપડાને મકાન ફાળવીને રસ્તો ખુલ્લો કરવાની પેન્ડિંગ દરખાસ્ત પર કાર્યવાહી કરવા જણાવ્યું હતું. રાહદારીઓ અને વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છેપૂર્ણેશ મોદીએ રાંદેર વિસ્તારમાં બદ્રીનારાયણથી કેબલ સ્ટેઇડ બ્રિજ સુધીના મેટ્રો બેરિકેટ હટાવવાની માંગણી કરી હતી, જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમણે હનુમાન ટેકરી સર્કલને ટ્રાફિક સમસ્યા હળવી કરવા નાનું કરવાની જરૂરિયાત પણ જણાવી હતી. વધુમાં, રોડના કામોમાં ઉપયોગમાં લેવાતી ફ્લાયએશ સમયસર નહીં ઉપાડવાથી ધૂળ ઉડે છે અને વાયુ પ્રદૂષણ થાય છે, જેથી તે તુરંત દૂર થાય તેની ખાતરી કરવા જણાવ્યું હતું. ગેરકાયદે બાંધકામોનો મુદ્દો ફરી ઉઠ્યોધારાસભ્ય અરવિંદ રાણાએ ફરી એકવાર ગેરકાયદેસર બાંધકામોના મુદ્દે મહાપાલિકાના તંત્ર પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ઈમ્પેક્ટ ફી કાયદાના અમલ બાદ સરકારે અને મહાપાલિકા કમિશનરે પરિપત્ર બહાર પાડીને ગેરકાયદે બાંધકામ ચાલુ રહે તો તે માટે જવાબદાર કર્મચારી-અધિકારી સામે પગલાં લેવાની સૂચના આપી હતી. રાણાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, ડિસેમ્બર 2022 થી સપ્ટેમ્બર 2025 સુધીમાં દરેક ઝોનમાં થયેલા ગેરકાયદે બાંધકામોના ડિમોલીશનની માંગેલી વીગતોમાં, તમામ ગેરકાયદે બાંધકામ આકારણી દફતરે નોંધાઈ ગયાની માહિતી મળી છે. તેમણે ચોંકાવનારો કિસ્સો રજૂ કરતા જણાવ્યું હતું કે, સેન્ટ્રલ ઝોનમાં અમુક મિલકતોમાં પાંચમાં માળે ડિમોલીશન કર્યા પછી તેમાં છઠ્ઠો માળ પણ ચણી દેવાયો છે અને તેની નોંધણી પણ આકારણી દફતરે થઈ ગઈ છે. આ બાબત ગેરકાયદે બાંધકામોને કાયમી કરવાના પ્રયાસો સામે ગંભીર સવાલો ઊભા કરે છે. ઉધના વિસ્તારમાં પ્રાથમિક સુવિધા અને દબાણ હટાવવા માંગધારાસભ્ય મનુ પટેલે તેમના ઉધના વિધાનસભા વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે નવા સમાવાયેલા વિસ્તારોમાં હજી પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે, જે ઝડપથી પૂરી પાડવી જોઈએ. આ ઉપરાંત, ઘણા વિસ્તારોમાં રસ્તાઓની હાલત દયનીય હોવાથી ઝડપથી રિપેરિંગ કામગીરી શરૂ કરવા જણાવ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઉધના વિસ્તારમાં ઘણી જગ્યાઓ પર દબાણકર્તાઓ દ્વારા રસ્તાઓ પર અતિશય દબાણ કરી દેવામાં આવ્યું છે, જેને તાત્કાલિક હટાવીને રસ્તાઓ ખુલ્લા કરવા જોઈએ.
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના કલસર કોસ્ટલ રોડ પર એક ગંભીર માર્ગ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં એક યુવાનનું મોત થયું છે, જ્યારે અન્ય એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે અને વાપીની હરિયા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 5 ડિસેમ્બર, 2025ના રોજ રાત્રે લગભગ નવ વાગ્યે આ ઘટના બની હતી. પોલીકેબ ઇન્ડિયા પ્રા.લી. કંપનીમાં નોકરી કરતા મયંક ભરતકુમાર મોર્યા (ઉં.વ. 20) અને મુકેશકુમાર મહાત્માપ્રસાદ ચોરસીયા (ઉં.વ. 27) કામ પૂરું કરીને તેમની મોટરસાયકલ પર કલસર ખાતેના તેમના રૂમ તરફ જઈ રહ્યા હતા. કલસર જંક્શન નજીક પહોંચતા જ, સામેથી પૂરઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલી કાળા રંગની મહિન્દ્રા સ્કોર્પિયો સાથે તેમની બાઇકનો અકસ્માત થયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે સ્કોર્પિયો વાહન રોડની બાજુમાં પલટી મારી ગયું હતું. આ અકસ્માતમાં બંને મિત્રોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને તાત્કાલિક વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાઇક ચાલક મયંક મોર્યાને શરીરે ગંભીર ઈજાઓ થવાને કારણે આજે વહેલી સવારે સાડા દસ વાગ્યે હોસ્પિટલના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના મિત્ર મુકેશ ચોરસીયા હાલ બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટના અંગે પારડી પોલીસ મથકે મૃતકના મિત્ર દ્વારા સ્કોર્પિયો કારના અજાણ્યા ચાલક વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં ડ્રગ્સની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે અમદાવાદ નાર્કોટિક્સ વિભાગ દ્વારા એક અત્યંત સનસનાટીપૂર્ણ અને સફળ દરોડો પાડવામાં આવ્યો છે. કોઈની કલ્પનામાં ન આવે તે રીતે, તુરાઓ મોરલો બાગ એ યુસુફ બિલ્ડિંગના પાંચમા માળે આવેલા મકાનમાંથી મસાલાની પેકેટમાંથી 20 કિલોથી વધુ હાઈ લેવલનું અફીણ ઝડપાયું છે. પાંચમા માળે દરોડા પાડતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતાનાર્કોટિક્સ વિભાગને મળેલી ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. માહિતી એવી હતી કે મસાલાના યાર્ડની આડમાં લોકો અફીણનું ગેરકાયદે વેચાણ કરી રહ્યા છે. જે જગ્યાએ આ દરોડો પડાયો, તે પાંચ માળનું બિલ્ડિંગમાં નવનિર્મિત મકાન પણ સામે આવ્યું છે. પાંચમા માળે દરોડા પાડતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા કારણ કે આ ડ્રગ્સને છુપાવવા માટે જે તરકીબ અપનાવવામાં આવી હતી, તે અસામાન્ય હતી. મસાલાના પેકેટમાં ડ્રગ્સનો છુપાવાયેલો ખેલરેડ દરમિયાન, નાર્કોટિક્સ વિભાગે લગભગ 30 થી 40 મસાલાના પેકેટ જપ્ત કર્યા હતા, જેમાં અફીણ છુપાવીને રાખવામાં આવ્યું હતું. સાથે અન્ય બોકસમાં પણ અફીણ મૂકવામાં આવ્યા હતા.આ ઉપરાંત, ત્યાંથી છૂટક અફીણનો જથ્થો પણ મળી આવ્યો હતો. આ સમગ્ર જથ્થો અંદાજે 20 કિલોથી પણ વધુ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પકડાયેલા આ હાઈ લેવલના અફીણની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટના ભાવ પ્રમાણે આંકવામાં આવી રહી છે, જે કરોડોમાં હોવાની શક્યતા છે. આ રેડમાં પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે સંકળાયેલા એક શખ્સની પણ અટકાયત કરી છે. પકડાયેલ તમામ અફીણના સેમ્પલને વધુ પૃથક્કરણ માટે એફએસએલમાં મોકલવામાં આવી રહ્યા છે, જેથી તેની ગુણવત્તા અને સ્ત્રોત વિશે ચોક્કસ માહિતી મળી શકે. સપ્લાય ચેઇન અને મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવાના પ્રયાસઅમદાવાદ નાર્કોટિક્સ વિભાગે સુરતમાં ડ્રગ્સના આ મોટા નેટવર્કનો પર્દાફાશ કરીને એક મોટી સફળતા હાંસલ કરી છે. વિભાગ હવે આ અફીણના સપ્લાય ચેઇન અને આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે. આટલી મોટી માત્રામાં અફીણનું વેચાણ અને સંગ્રહ થતો હોવાથી, આ નેટવર્ક આંતરરાજ્ય અથવા આંતરરાષ્ટ્રીય સ્તરનું હોવાની પૂરી શક્યતા છે. આ કાર્યવાહીથી શહેરમાં ગેરકાયદેસર નશાના કારોબારમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સુરત જેવા વિકાસશીલ શહેરમાં યુવાનોને નશાના દૂષણથી બચાવવા માટે નાર્કોટિક્સ વિભાગની આ કાર્યવાહી એક આવકાર્ય પગલું છે.
રાણાવાવ પોલીસે રાણા વડવાળા ગામમાં બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી દેશી દારૂ બનાવતી બે ભઠ્ઠીઓ ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં કુલ 10,650નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને પ્રોહિબિશનના બે ગુના નોંધવામાં આવ્યા છે.પોરબંદર જિલ્લાના રાણાવાવ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. આર.વી. મોરી અને તેમના સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન સર્વેલન્સ સ્ટાફના સંજય વાલાભાઇ અને જયમલ સામતભાઈ પાસેથી બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે રાણા વડવાળા ગામમાં કાર્યવાહી હાથ ધરી હતી.પ્રથમ દરોડામાં, રાજુ ડાયાભાઇ ચાનપા (રહે. રાણા વડવાળા ગામ) ના સ્થળેથી દારૂ બનાવવાનો 200 લિટર આથો અને અન્ય સાધનો મળી કુલ ₹5500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જોકે, આરોપી સ્થળ પર હાજર મળ્યો ન હતો. બીજા દરોડામાં, કેશુ કારાભાઇ ઓડેદરા (રહે. રાણા વડવાળા ગામ) ના સ્થળેથી 190 લિટર આથો અને ભઠ્ઠીના સાધનો સહિત કુલ ₹5150નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ આરોપી પણ દરોડા સમયે હાજર ન હતો.રાણાવાવ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદે દારૂની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવામાં મદદ મળશે.
રાજકોટ ક્રાઇમ ન્યૂઝ:ઘરફોડ ચોરીના ગુનામાં એક વર્ષથી ફરાર રીઢો તસ્કર ગાંધીધામથી ઝડપાયો
ગાંધીગ્રામ પોલીસ મથકની ઘરફોડ ચોરીના ગુનામાં 14 માસથી ફરાર પાટણના રીઢા તસ્કરને એલસીબી ઝોન-2 ટીમે ગાંધીધામથી પકડી લીધો હતો. રાજકોટ ઉપરાંત કચ્છ, બનાસકાંઠા, પાટણમાં દોઢ ડઝન ઘરફોડ ચોરીના ગુનામાં સામેલ તસ્કરને દબોચી ગાંધીગ્રામ પોલીસ મથકના ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો. એલસીબી ઝોન-2 ટીમ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પ્રયત્નશીલ હતી. તે દરમિયાન ટીમને મળેલી બાતમીના આધારે ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં 14 મહિનાથી ફરાર રીઢા તસ્કર કિશોર માવજીભાઈ વારૈયા (રહે. વારાહી ગામ, પાટણ)ને કચ્છના ગાંધીધામ ખાતેથી ઝડપી પાડી ગાંધીગ્રામ પોલીસના હવાલે કરાયો હતો. ઝડપાયેલ શખ્સ વિરુદ્ધ રાજકોટ ઉપરાંત પાટણ, બનાસકાંઠા, કચ્છમાં ચોરી સહિતના 17 ગુના નોંધાઈ ચુક્યાનું પોલીસની તપાસમાં ખુલવા પામ્યું છે. ખાનગી ટ્રાવેલ્સ પર પથ્થરમારા મામલે ગૂનો દાખલ આજીડેમ ચોકડી નજીક વધુ એક ખાનગી ટ્રાવેલ્સની બસ પર પથ્થરમારો કરી કાચ ફોડી નાંખ્યા હતાં. પથ્થરનો ઘા વાગતા ચાલક પણ ઈજાગ્રસ્ત થયો હતો. જે મામલે આજીડેમ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. બનાવ અંગે જૂનાગઢના ડુંગરપુર ગામના વતની 23 વર્ષીય યુવાન રાહુલ ભીખાભાઈ ધાધલે આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે બિલખા ખાતે આવેલ સંજયભાઈ જેબલીયાની રામનાથ ટ્રાવેલ્સની બસ નં. જીજે-03-બીવી-4524 છેલ્લા બે વર્ષથી ચલાવે છે. આ ટ્રાવેલ્સ બીલખાથી વાયા રાજકોટ થઈ સુરત રૂટમા ચાલે છે. ગત તા. 03 ના સાંજના 7 વાગ્યે બસ ચલાવી બીલખાથી સુરત જવા માટે નિકળ્યો હતો. તેમની સાથે કંડકટર તરીકે ભાવીકભાઈ ખુમાણ હતા. આ બસમાં આશરે 35 જેટલા પેસેન્જર બેસેલ હતા. બસ રાજકોટ ખાતે રાત્રીના 11 વાગ્યાની આસપાસ કોઠારીયા રીંગરોડ, હુડકો ચોકડી અને આજીડેમ ચોકડીનો પુલ ચડતા અચાનક રોડ ઉપર એક પથ્થરનો કોઈએ ઘા કરતા બસની આગળનો મેઈન કાચ ફૂટી ગયો હતો. જે પથ્થર હાથની કોણીમા વાગતા મુંઢ ઈજા થઈ હતી. જેથી આજીડેમ પોલીસે પથ્થરમારો કરી રૂ. 12,500 ની કિંમતનો કાચ ફોડી નાખનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે l. યુવાન, આધેડનું બેભાન થઈ જતા મોત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં યુવાન, આધેડના મોત નીપજ્યા હતા. મળતી માહિતી મુજબ, વિનોદભાઈ નરોત્તમભાઈ લખતરીયા (ઉં.વ. 43, રહે. બજરંગવાડી શેરી નં. 13) આજે સવારે 10ઃ30 વાગ્યા આસપાસ પોતે પોતાના ઘરે હતા ત્યારે બેભાન થઈ જતા બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવતા ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.પરિવારે જણાવ્યું કે, વિનોદભાઈ ઘરે હતા ત્યારે જોર જોરથી શ્વાસ લેવા લાગ્યા હતા. જે પછી બેભાન થઈ ગયા હતા. જેને હોસ્પિટલ ખસેડતા મૃત જાહેર કરાયા હતા. વિનોદભાઈ 2 ભાઈ અને 2 બહેનમાં નાના હતા. તેમના લગ્ન બાદ છૂટાછેડા થઈ ગયા હતા. તેમના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ હતી. બીજા બનાવમાં ભનુભાઈ નારણભાઇ મિયાત્રા (ઉં. વ. 61, રહે. ભગવતીપરા શેરી નં. 3) ગઈકાલે રાત્રે 9 વાગ્યાં આસપાસ ઘરે હતા ત્યારે છાતીમાં દુઃખાવો ઉપડતા બેભાન થઈ જતા પ્રથમ ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં લાવતા ડોક્ટરે મૃત જાહેર કર્યાં હતા. ભનુભાઈને સંતાનમાં 1 પુત્ર અને 3 પુત્રી છે. પોતે કરિયાણાની દુકાને બેસતા તેમના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો હતો. એક તરફી પ્રેમમાં યુવાનનો આપઘાતનો પ્રયાસ માંડાડુંગર વિસ્તારમાં એક તરફી પ્રેમમાં યુવાને આપઘાત પ્રયાસ કર્યો હતો. યુવકે ગઈકાલે રાત્રે પોતાના ઘરે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. તેને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આજીડેમ પોલીસે યુવકનું નિવેદન લેવા તજવીજ કરી હતી. આ 28 વર્ષીય યુવકના પરિવારે જણાવ્યું કે, યુવક સોપારી કાપવાનું કામ કરે છે. યુવકને એક યુવતી સાથે એક તરફી પ્રેમ હોય, તેને પામી નહીં શકે તેવા ડરથી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પરિવારે જણાવ્યું હતુ. આધેડનો ગળાફાંસો ખાઈ આપઘાત શહેરમાં ગાયકવાડી શેરી નં. 5 માં રહેતા કાળુભાઈ બાબુભાઈ કુરીયા (ઉં.વ. 53) ગઈકાલે રાત્રે 9 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો. તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યાં તબીબે આધેડને મૃત જાહેર કર્યાં હતા. પ્રદ્યુમનનગર પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડયો હતો. પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, મૃતક પોતે બેરોજગાર હતા. સંતાનમાં 1 પુત્ર છે. પુત્રએ પિતાનું છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ હતી. આપઘાતનું કારણ જાણવા ન મળતા પોલીસે વધુ તપાસ યથાવત રાખી હતી.
ભુજનાં કુકમા નજીક એક યુવક બોરવેલમાં પડી ગયો હતો. જેથી પોલીસ, પ્રાંત અધિકારી, ફાયર વિભાગ અને 108ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ છે. હાલ યુવકની બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અંગે મળતી માહિતી મુજબ કુકમાના આશાપુરા ટેકરી પાછળ બંધ બોરમાં મૂળ ઝારખંડનો યુવક પડી ગયો હતો. ભુજ ફાયર શાખા દ્વારા આધુનિક સાધન સામગ્રીની મદદ વડે બોરમાં ફસાયેલા યુવકને બહાર કાઢવા માટેના પ્રયાસો હાથ ધર્યાં છે. વહીવટી તંત્ર સાથે પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે હાજર છે. અમે આને અપડેટ કરીએ છીએ..
રાજકોટ સમાચાર:'સશસ્ત્ર સેના ધ્વજ દિન' નો કલેકટર ડો. ઓમ પ્રકાશના હસ્તે અનુદાન આપી પ્રારંભ
7 ડિસેમ્બર-2025 'સશસ્ત્ર સેના ધ્વજ દિન' સૈનિકોના બલિદાનને યાદ કરી તેઓના પરિવારજનોના સહારો બનવા માટેના અનુદાનનાં દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજરોજ કલેકટર ડો. ઓમ પ્રકાશે અનુદાન આપી આ દિવસની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો તેમજ જણાવ્યું હતું કે, ભારતીય સેનાના જવાનોને યાદ કરી શહીદો અને માજી સૈનિકોના પરિવારજનોને મદદરૂપ બનવા દાન કરવું જોઈએ. ત્યારે નૈતિક ફરજના ભાગરૂપે સૈનિક પરિવારોના કલ્યાણ માટે દરેક ભારતીય આ દાન દેવા માટે સહભાગી બને તે જરૂરી છે. તો એનસીસીના કેડેટ્સ દ્વારા ઘ્વજ લગાવીને વિધિવત રીતે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કેડેટ્સ દ્વારા વિવિધ સરકારી અને સામાજિક સંસ્થાઓ , શાળા કોલેજમાં કેડેટ્સ દ્વારા ભંડોળ એકઠું કરવાની કામગીરી કરવામાં આવે છે. દાતાઓને આ દિવસે દેશમાં ત્રણેય સશસ્ત્ર સેનાઓનું પ્રતિનિધિત્વ કરતા લાલ, ઘેરા વાદળી અને આછા વાદળી રંગોના નાના ધ્વજનું વિતરણ કરવામાં આવે છે. સૌરાષ્ટ્ર યુનિ.ની એક્ષટર્નલ પરીક્ષાના ફોર્મ વિદ્યાર્થીઓ તા.17 સુધી ઓનલાઈન ભરી શકશે રાજકોટ સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા જાન્યુઆરી-2026માં લેવાનારી બીએ, બી કોમ, એમએ અને એમ કોમની સેમ-1ની એક્ષટર્નલ પરીક્ષાના ઓનલાઈન ફોર્મ નિયત કરાયેલ ‘ફી’ સાથે સ્વીકારવાનું શરૂ કરી દેવાયું છે. ત્યારે વિદ્યાર્થીઓ તા.17 ડીસેમ્બર સુધીમાં પરીક્ષાના ફોર્મ ભરી શકશે. સૌરાષ્ટ્ર યુનિ.ની વેબસાઈટ ઉપર આ એક્ષટર્નલ પરીક્ષાના ફોર્મ ભરી શકશે જેમાં બી.કોમ અને બી.એ. સેમ-1 માટે રૂા.535 પરીક્ષા ફી નિયત કરવામાં આવી છે. જયારે એમએ સેમેસ્ટર-1 (તમામ વિષય) અને બીકોમ સેમેસ્ટર-1 માટે રૂા.935 પરીક્ષા ફી નિયત કરવામાં આવી છે. કલેકટર કચેરી ખાતે તા.24ના જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે રાજકોટ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.24ને બુધવારે જિલ્લા કલેકટર કચેરી ખાતે આયોજિત કરવામાં આવેલ છે. કાર્યક્રમ માટે જિલ્લા કક્ષાના પ્રશ્નો-ફરિયાદો 19 ડિસેમ્બર સુધીમાં સબંધિત ખાતા-વિભાગોની જિલ્લા કક્ષાની કચેરીના વડાને પહોંચતા કરવાના રહેશે. જેમાં લાંબા સમયથી આખરી નિકાલ આવતો ન હોય તેવા પડતર પ્રશ્નો-ફરિયાદો મોકલવા તેમજ અગાઉ સબંધિત ખાતામાં કરેલ રજૂઆતનો આધાર રજૂ કરવા અને તેમના તરફથી આપવામાં આવેલ જવાબ પ્રત્યુતરની ઝેરોક્ષ નકલ. અરજી સાથે અરજદારોએ સાથે રાખવાની રહેશે. જેમાં સરકારી કર્મચારીના નોકરીને લગતા પ્રશ્નો અને કોર્ટમાં ચાલતા પ્રશ્નો રજૂ કરી શકાશે નહીં. પ્રશ્નો -ફરિયાદો અરજદારોનો પોતાનો હોવો જોઈએ. આગામી તા.24ના સવારના 11 કલાકે કલેકટર કચેરીના ત્રીજા માળે સભાખંડમાં યોજાનાર આ કાર્યક્રમમાં કલેકટર તેમજ સબંધિત ખાતાના અધિકારીઓ, મહેસુલી તંત્ર, જિલ્લા પંચાયત, પોલીસ વિભાગ, પીજીવીસીએલ, એસટી અને પાણી પુરવઠા બોર્ડના પ્રશ્નો સાંભળશે.
હાલનો સોશ્યલ મીડિયાનો યુગ યુવાધનો માટે કેટલો ઘાતક નીવડી શકે છે તેનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં રહેતી અને મેડિકલનો અભ્યાસ કરતી 27 વર્ષીય યુવતી સાથે સોશિયલ મીડિયા મારફતે મિત્રતા કેળવી ગીર સોમનાથના તાલાલાના શૈલેષ ઉર્ફે રિષી નામના શખ્સે લગ્નની લાલચ આપી જુદી જુદી હોટલોમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતુ. જેનો ગુપ્ત રીતે વીડિયો બનાવી બ્લેક મેલ કરતા શખ્સ સામે યુવતીએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે તે શખ્સને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે. શહેરમાં રહેતી અને મેડીકલનો અભ્યાસ કરતી 27 વર્ષીય યુવતીએ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગીર સોમનાથના તાલાલાનાં વતની શૈલેષ ઉર્ફે રિષી સોંદરવા ( ઉ.વ. 26) નું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, શૈલેષ ઉર્ફે રિશી સાથે તેણીની સોશિયલ મીડિયાના માધ્યમથી પરિચય થયો હતો. જે બાદ બંને વચ્ચે મિત્રતા થતા નંબરની આપ લે થઈ હતી. વાતચીત બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. જે બાદ યુવાને યુવતીને હું તારી સાથે લગ્ન કરીશ તેવી લાલચ આપી હતી. જે બાદ યુવાને યુવતીને શહેરની જુદી જુદી હોટલોમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યુ અને ગુપ્ત રીતે તેનો વિડીયો પણ બનાવી લીધો હતો.જે બાદ યુવક પોતાના મિત્રોને આ વીડિયો બતાવતો હોય આ વાતની જાણ યુવતીને થતાં તેણે આવું ન કરવા સમજાવ્યું હતું. જે વાતમાં ગુસ્સે થઈને યુવકે યુવતીને બેફામ માર માર્યો અને આ વીડિયો વાઇરલ કરી દઈશ તેવી ધમકી આપી તરછોડી દીધી હતી. જેથી ભોગ બનનારે આ સમગ્ર હકીકત વિશે પરિવારને જાણ કરતા પરિવારે હિંમત આપતા અંતે યુવતીએ આ અંગે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે શૈલેષ ઉર્ફે રિષી સોંદરવા સામે બીએનએસ કલમ 69, 115(2),351(2) તથા આઇટી એકટ મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના અમરોલી વિસ્તારમાં અંજની ઇન્ડસ્ટ્રીયલ એરિયા નજીક રેલવે ટ્રેક પરથી એક યુવકનો મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ હતી. મૃતકના હાથ-પગ બાંધેલી હાલતમાં અને માથા પર બોથડ પદાર્થના ઘા માર્યા હોવાથી પ્રાથમિક દૃષ્ટિએ આ હત્યાનો મામલો હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી પાંચ આરોપીઓની ધરપકડ કરી અને હત્યા પાછળનું કારણ અનૈતિક સંબંધોની શંકા હોવાનું જણાવ્યું છે. રેલવે ટ્રેક પરથી યુવકનો મૃતદેહ મળ્યોગત તા. 5 ડિસેમ્બરના રાત્રે 11 વાગ્યા પહેલાં કોઈપણ સમયે અજની ઇન્ડસ્ટ્રી અમરોલી ક્રિભકો સાઇડિંગ રેલવે લાઈનના પોન નં. GX1016થી GX1018ની વચ્ચે ઓમપ્રકાશ ઉર્ફે ઓમબાબુ રામનરેશ યાદવ (ઉ.વ. 35)નો મૃતદેહ જાહેરમાં રેલવે ટ્રેક પરથી મળ્યો હતો. યુવકને હાથ-પગ બાંધી બોથડ પદાર્થથી મોતને ઘાટ ઉતાર્યોમૃતકના બંને હાથ પાછળના ભાગે કાળા કપડાથી બાંધેલા હતા. બંને પગ પણ પટ્ટાથી બાંધેલા હતા. માથાના ભાગે અને મોઢા પર બોથડ પદાર્થ વડે માર મારવામાં આવ્યો હતો. જેના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું હતું. ઓમપ્રકાશ યાદવ મૂળ ઉત્તર પ્રદેશના ઉન્નાવનો રહેવાસી હતો અને અંજની ઇન્ડસ્ટ્રીઝમાં મજૂરી કામ કરતો હતો. અનેતિક સંબંધોની શંકાએ યુવકની હત્યાપોલીસ અધિકારી ડીસીપી એલ. એ. ઝાલાએ જણાવ્યું હતું કે, આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં હત્યા પાછળનું મુખ્ય કારણ અનૈતિક સંબંધોની શંકા હોવાનું બહાર આવ્યું છે. મૃતક ઓમપ્રકાશ યાદવને પાંચ આરોપીઓ પૈકીના એક આરોપીની પત્ની સાથે અનૈતિક સંબંધો હોવાની માહિતી મળી હતી. આ બાબતે આરોપીઓ પૈકીના એક સાથે મૃતકને અગાઉ તકરાર પણ થઈ હતી. આખરે, આ બાબતનો ખાર રાખીને પાંચેય આરોપીઓએ એકસંપ થઈને ઓમપ્રકાશને પકડી, તેના હાથ-પગ બાંધી દીધા અને બોથડ પદાર્થ વડે ગંભીર ઇજાઓ પહોંચાડી તેનું મોત નીપજાવ્યું હતું. પાંચેય આરોપીઓની ધરપકડપોલીસે ગણતરીના કલાકોમાં જ પાંચેય આરોપીઓ મોહીત નમીનારાયણ બીન્દ, રોહીત નમોનારાયણ બીન્દ, અર્પીત ઉર્ફે પીન્ટુ બુધ્ધીલાલ યાદવ, સત્યમ ઉર્ફે આકાશ રંજનલાલ યાદવ અને વિવેક મોતીલાલ યાદવની ધરપકડ કરી છે. તમામ આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને અંજલી ઈન્ડસ્ટ્રી વિસ્તારમાં જ રહેતા હતા. પોલીસે આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગીર સોમનાથમાં પોલીસ તંત્રમાં મોટો ફેરફાર:82 પોલીસ કર્મચારીઓની એકસાથે બદલી, વેરાવળમાંથી 57
ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ પોલીસ તંત્રમાં મોટા ફેરફારો કર્યા છે. જાહેરહિતને ધ્યાનમાં રાખીને કુલ 82 પોલીસ કર્મચારીઓની એકસાથે બદલીના આદેશ જારી કરવામાં આવ્યા છે. આ બદલીઓમાં 24 મહિલા પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. આ 82 બદલીઓમાંથી 57 પોલીસ કર્મચારીઓ માત્ર વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાંથી જ અન્ય સ્થળોએ બદલવામાં આવ્યા છે. આનાથી વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં મોટા પાયે ફેરફારો થયા હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસ વિભાગમાં થયેલા આ મોટા ફેરફારોથી ક્યાંક નવી જવાબદારીઓ શરૂ થઈ છે. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા દ્વારા લેવાયેલા આ નિર્ણયોથી કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
બોટાદ જિલ્લાને દાયકાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં અને શહેરની વસ્તી અઢી લાખને વટાવી ગઈ હોવા છતાં, યુવાનો માટે એક પણ યોગ્ય રમતગમત મેદાન નથી. ક્રિકેટ હોય કે સ્પર્ધાત્મક પરીક્ષા માટેની શારીરિક તૈયારી, મેદાનના અભાવે બોટાદના યુવાનો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ ચિંતા હવે રમતગમત મેદાન બનાવવા માટેની માંગ રૂપે સામે આવી છે. જિલ્લા બન્યા બાદ વિકાસની અનેક જરૂરિયાતો ઊભી થઈ છે, પરંતુ શહેરમાં ક્રિકેટ અને અન્ય રમતો માટે એક પણ સ્ટાન્ડર્ડ મેદાન નથી. અઢી લાખની વસ્તી ધરાવતા શહેરના યુવાનોને દોડ, ફિઝિકલ પ્રેક્ટિસ અને કોચિંગ માટે યોગ્ય જગ્યાનો અભાવ રહે છે. પોલીસ, એસઆરપી અને આર્મી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે શારીરિક તૈયારી કરતાં ઉમેદવારોને રોજિંદી તકલીફોનો સામનો કરવો પડે છે. મહત્વની વાત એ છે કે ક્રિકેટનું મેદાન ન હોવા છતાં બોટાદના અનેક ખેલાડીઓ રાજ્ય અને જિલ્લાસ્તરે પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી રહ્યા છે. ગર્લ્સ ક્રિકેટમાં અવની ચાવડા અને નંદની ગુજરાત લેવલે રમે છે, જ્યારે કાવ્ય પટેલ સૌરાષ્ટ્ર ટીમ-૧૪ના કેપ્ટન રહી ચૂક્યા છે. હાલમાં ખેલાડીઓ હાઈસ્કૂલના મેદાનમાં જ મળતી જગ્યામાં પ્રેક્ટિસ કરવા મજબૂર છે. ક્રિકેટ કોચ કિરણભાઈ સોલંકીએ જણાવ્યું કે જો સરકાર દ્વારા સ્ટાન્ડર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ અને રનિંગ ટ્રેક જેવી સુવિધાઓ ઊભી થાય, તો બોટાદમાંથી રાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ ઊભા થવાની પૂરી શક્યતા છે. બીજી તરફ, ભાજપના શહેરના પૂર્વ પ્રમુખ ચન્દ્રકાંત સાવલીયાએ જણાવ્યું કે બોટાદમાં ૧૫ કરોડના ખર્ચે આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ ચાલી રહ્યું છે. તેમાં મલ્ટિપલ હોલ, ખોખો અને વોલીબોલ સહિતની વિવિધ રમતો માટે સુવિધાઓ તૈયાર થઈ રહી છે. તેમણે સ્વીકાર્યું કે ક્રિકેટ અને હોકીના મેદાન માટે વિશાળ જગ્યા જરૂરી હોય છે, પરંતુ તેના માટે સરકાર સમક્ષ રજૂઆત થઈ ચૂકી છે અને ભવિષ્યમાં ક્રિકેટ મેદાન બને તેવી આશા વ્યક્ત કરી છે. જ્યાં એક તરફ યુવાનોની માંગ અને મુશ્કેલીઓ છે, ત્યાં બીજી તરફ તંત્ર અને રાજકીય પક્ષોની ખાતરીઓ છે. હવે જોવાનું એ છે કે બોટાદ શહેરને ક્યારે અને કેવી રીતે એક એવું આધુનિક રમતગમત માળખું મળે છે, જે યુવાનોના સપનાઓને નવી દિશા આપી શકે.
વલસાડના નનકવાડા હરીદર્શન એપાર્ટમેન્ટ વિસ્તારમાં ડી.જે. બંધ કરવા બાબતે યુવાનો વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટનામાં બંને પક્ષના અનેક લોકોને ઈજાઓ પહોંચી હતી. વલસાડ સીટી પોલીસે બંને પક્ષ તરફથી સામસામી ફરિયાદો નોંધી તપાસ શરૂ કરી છે. વિવાદની શરૂઆત 30 નવેમ્બરે તીથલ સોલ્ટી રિસોર્ટ ખાતે એક સગાઈ પ્રસંગ દરમિયાન ડી.જે. પર ગીત વગાડવાના મુદ્દે થઈ હતી. ડી.જે. બંધ કરાવવા બાબતે હર્ષ ઉર્ફે જિંગુ પટેલ અને નિર્મલભાઈ ટંડેલ વચ્ચે ફોન પર પણ ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વિવાદ આગળ વધતા 1 ડિસેમ્બરના રોજ મધરાતે લગભગ સાડા બાર વાગ્યે હરીદર્શન એપાર્ટમેન્ટના મુખ્ય ગેટ પાસે બંને પક્ષ આમને-સામને આવી ગયા હતા. હર્ષ, કેયુર પટેલ, જીગર પટેલ અને અન્ય લોકો ત્યાં હાજર હતા, ત્યારે નિર્મલભાઈ ટંડેલ પોતાના સાથીઓ સાથે સ્થળે પહોંચ્યા હતા. ફોન પરની ધમકીઓ બાદ અચાનક ઝઘડો શરૂ થયો હતો. બંને પક્ષ તરફથી હોકી, લાકડાં, સિમેન્ટના પેવર બ્લોક અને લોખંડના સળિયા વડે એકબીજા પર હુમલા થયાની ફરિયાદ નોંધાઈ છે. અથડામણમાં કેયુર પટેલ, જીગર પટેલ સહિત બંને પક્ષના અનેક લોકોને ઈજાઓ પહોંચી હતી, જેમાંથી કેટલાકને લોહીલુહાણ હાલતમાં વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના બાદ વલસાડ સીટી પોલીસે બંને પક્ષ તરફથી સામસામી ફરિયાદો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ઝઘડો કોના કહેવાથી વધ્યો અને હુમલો કોણે પહેલા કર્યો.
આણંદમાં 21 યુવક-યુવતીઓને વિદેશ મોકલવાના બહાને ₹50.90 લાખની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપી દિનેશકુમાર મણીલાલ પટેલને પોલીસે મધ્યપ્રદેશના ઈન્દોરથી ઝડપી પાડ્યો છે. આણંદ શહેર પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. એક મહિના અગાઉ આણંદ શહેરના એ.વી. રોડ પર આવેલી વિઝા કન્સલ્ટન્ટની ઓફિસના સંચાલકોએ 21 યુવક-યુવતીઓ પાસેથી વિદેશ મોકલવાના બહાને ₹50.90 લાખ મેળવ્યા હતા. આરોપીઓએ પૈસાના બદલામાં પહોંચ અને એગ્રીમેન્ટ પણ લખી આપ્યા હતા. જોકે, તેમને વિદેશ મોકલવામાં આવ્યા ન હતા કે પૈસા પરત કરવામાં આવ્યા ન હતા. બાદમાં ઓફિસ બંધ કરીને આરોપીઓ નાસી છૂટ્યા હતા. આ ઘટના અંગે આણંદ શહેર પોલીસે ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો. તપાસ દરમિયાન, મુખ્ય આરોપી દિનેશકુમાર મણીલાલ પટેલ (રહે. ઓરા ગામ, કલોલ, જિ. ગાંધીનગર) મધ્યપ્રદેશના ઈન્દોર ખાતે હોવાનું જાણવા મળ્યું હતું. માહિતીના આધારે, આણંદ પોલીસની ટીમે ઈન્દોર પહોંચીને આરોપી દિનેશ પટેલને ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલા આરોપી પાસેથી ₹10,29,000 રોકડા, ₹10,000ની કિંમતનો એક મોબાઈલ ફોન, ચાર એ.ટી.એમ. કાર્ડ અને એક પેન ડ્રાઈવ જપ્ત કરી છે. આરોપી દિનેશ પટેલ વિરુદ્ધ અગાઉ ગાંધીનગર સેક્ટર-21 અને બોડકદેવ પોલીસ મથકમાં પણ છેતરપિંડીના ગુના નોંધાયેલા હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગોધરામાં સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણી શરૂ:કલેક્ટર અજય દહિયાએ ભંડોળ એકત્ર કરવાની શરૂઆત કરી
ગોધરા: પંચમહાલ જિલ્લામાં સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણીનો પ્રારંભ થયો છે. જિલ્લા કલેક્ટર અજય દહિયાના હસ્તે ગોધરાની જિલ્લા સેવાસદન કચેરી ખાતેથી ભંડોળ એકત્ર કરવાની ઔપચારિક વિધિ હાથ ધરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ૭ ડિસેમ્બરે સમગ્ર ભારતમાં સશસ્ત્ર સેના ધ્વજ દિનની ઉજવણી કરવામાં આવશે. આ દિવસનો મુખ્ય હેતુ દેશની સરહદો પર ફરજ બજાવતા સૈનિકો, પૂર્વ સૈનિકો, શહીદ સૈનિકોની પત્નીઓ અને તેમના આશ્રિતોના પુનર્વસવાટ તથા કલ્યાણ માટે ભંડોળ એકત્ર કરવાનો છે. આ ભંડોળ દેશના નાગરિકો, સરકારી અને અર્ધ-સરકારી કચેરીઓ, ઔદ્યોગિક/ખાનગી એકમો, શૈક્ષણિક સંસ્થાઓ અને વ્યાપારી ક્ષેત્રો પાસેથી દાન સ્વરૂપે એકત્ર કરવામાં આવે છે. આ યોગદાન દેશભક્તિની ભાવનાને પ્રોત્સાહન આપે છે. પંચમહાલ જિલ્લામાં કલેક્ટર અજય દહિયા અને અધિક કલેક્ટર જે.જે. પટેલના હસ્તે ટોકન સ્વરૂપે ભંડોળ એકત્ર કરવાની શરૂઆત થઈ હતી. કલેક્ટર અજય દહિયાએ પોતે યોગદાન આપીને આ કાર્યનો શુભારંભ કર્યો હતો અને જિલ્લાના નાગરિકોને આ ઉમદા દેશભક્તિના કાર્યમાં ઉત્સાહપૂર્વક સહભાગી થવા હૃદયપૂર્વક અપીલ કરી હતી.
કાલોલના પશુ સંરક્ષણ ગુનાનો વોન્ટેડ આરોપી ઝડપાયો:પંચમહાલ SOGએ એક વર્ષથી ફરાર આરોપીને પકડ્યો
પંચમહાલ-ગોધરા એસ.ઓ.જી. પોલીસે કાલોલ પોલીસ સ્ટેશનના પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીને બોરૂ કસ્બા, કાલોલ ખાતેથી પકડી પાડી વધુ કાર્યવાહી માટે કાલોલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ ગોધરા રેન્જ, આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક પંચમહાલ ગોધરા, ડૉ. હરેશભાઇ દુધાત દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે એસ.ઓ.જી. ગોધરાના પોલીસ ઇન્સ્પેકટર આર.એ. પટેલે તેમની ટીમને કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો. એસ.ઓ.જી.ના હેડ કોન્સ્ટેબલ કમલેશકુમાર પરષોતમભાઈને મળેલી બાતમીના આધારે, પોલીસ સબ ઇન્સ્પેકટર બી.કે. ગોહિલ અને એસ.ઓ.જી. સ્ટાફે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન, કાલોલ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૦૭૦૩૬૨૪૦૮૨૨/૨૦૨૪ હેઠળ પશુ સંરક્ષણ અધિનિયમની કલમ ૮(૨), ૮(૪) તથા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૨૫ અને જી.પી. એક્ટ ૧૧૯ મુજબના ગુનામાં વોન્ટેડ આરોપી વસીમખાં રસીદખાં બેલીમ (રહે. બોરૂ કસ્બા, કાલોલ, જિ. પંચમહાલ) ને પકડી પાડવામાં આવ્યો હતો. તે છેલ્લા એક વર્ષથી ફરાર હતો.
ગઢડા-બોટાદ રોડ પર બે દિવસ પહેલા થયેલા કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં વધુ એક યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ સાથે અકસ્માતમાં મૃત્યુઆંક બે પર પહોંચ્યો છે. આ અકસ્માત ગઢડા-બોટાદ રોડ પર CNG પંપ નજીક રાત્રિના સમયે થયો હતો. જેમાં બાઈક ચાલક યાશીન ભટ્ટીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા સલમાન પઠાણને તાત્કાલિક ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું હતું. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ગઢડા પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ઝાલોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓને મજબૂત કરવા શનિવારે બે મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાયા. ધાવડીયા ગામે રૂ. 1.31 કરોડના ખર્ચે નિર્મિત અત્યાધુનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) નું લોકાર્પણ થયું, જ્યારે કદવાળ ગામે ₹5 કરોડના અંદાજિત ખર્ચે નવા PHC ના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ બંને કાર્યક્રમોમાં ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ, પશુપાલન, સહકાર તથા ગૌ-સંવર્ધન મંત્રી રમેશ કટારા અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે દાહોદ લોકસભા સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. ઝાલોદના ધારાસભ્ય મહેશ ભુરીયા, તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ ભાભોર, પૂર્વ પ્રમુખ મુકેશ ડામોર સહિત અન્ય પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ધાવડીયા ખાતેનું નવું PHC અત્યાધુનિક સાધનોથી સજ્જ છે, જ્યાં સામાન્ય સારવાર, માતા-બાળ કલ્યાણ, રસીકરણ અને પ્રયોગશાળા તપાસ જેવી સેવાઓ ઉપલબ્ધ થશે. મંત્રી રમેશ કટારાએ જણાવ્યું હતું કે, અંતરિયાળ વિસ્તારોમાં પણ ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પહોંચાડવી એ સરકારની પ્રાથમિકતા છે. આ નવા કેન્દ્રથી સ્થાનિક લોકોને તાત્કાલિક અને અસરકારક સારવાર મળી રહેશે. કદવાળ ખાતે રૂ. 5 કરોડના ખર્ચે બનનારું નવું PHC પૂર્ણ થતાં આ વિસ્તારના હજારો લોકોને અદ્યતન સ્વાસ્થ્ય સેવાઓનો લાભ મળશે. સાંસદ જશવંતસિંહ ભાભોરે ગ્રામજનોને આયુષ્માન કાર્ડ બનાવડાવી તેનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું કે, નાની-મોટી બીમારીઓ માટે હવે દૂરના શહેરોમાં જવાની જરૂર નહીં પડે. બંને સ્થળોએ ઉપસ્થિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ આ આરોગ્ય સુવિધાઓના વિસ્તાર માટે રાજ્ય અને કેન્દ્ર સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
જૂનાગઢમાં બહાઉદ્દીન કોલેજ સામે આવેલા એક એટીએમની બહાર એક ઠગ દ્વારા બે યુવકો સાથે કુલ ₹19,000 ની છેતરપિંડી આચરવામાં આવી છે. આ અંગે બંને ભોગ બનનારા યુવકોએ સી-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વંથલીના દૂધના વેપાતાઈ સરમણ બીજલભાઈ સિંધવ તા. 16 નવેમ્બરે સવારે 11:30 કલાકે તેમના વ્યવસાયના પૈસા બેંક ખાતામાં જમા કરાવવા ગયા હતા. એટીએમ બંધ હોવાથી અને બહાર લાઇનમાં ઊભા હતા, તે દરમિયાન એક અજાણ્યો શખ્સ તેમની પાસે આવ્યો. તેણે વિશ્વાસમાં લઈને સરમણભાઈને કહ્યું કે, જો તેઓ તેને રોકડ આપશે તો તે પોતાના ખાતામાંથી તાત્કાલિક ઓનલાઇન રકમ ટ્રાન્સફર કરી આપશે. સરમણભાઈએ ભરોસો મૂકીને ₹ 12,000 રોકડા તે વ્યક્તિને આપી દીધા. ઠગ દ્વારા પોતાના મોબાઇલમાં ખોટી ફોન-પે એપ દ્વારા 'સફળ ટ્રાન્સફર' થયાનો ખોટો મેસેજ બતાવવામાં આવ્યો અને તે સ્થળ પરથી ચાલ્યો ગયો હતો. બાદમાં સરમણભાઈએ ખાતાનું બેલેન્સ ચકાસતા પૈસા જમા ન થયાનું માલૂમ પડ્યું હતું. બીજા યુવક સાથે પણ છેતરપિંડી સરમણભાઈની જેમ જ રોહિતભાઈ નામના અન્ય એક યુવાન પાસેથી પણ આજ રીતે તે શખ્સે ₹7,000 પડાવી લીધાનું સામે આવ્યું છે. કુલ ₹19,000 આ છેતરપિંડી અંગે બંને યુવકોએ જૂનાગઢ સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
બોટાદ જિલ્લા ભાજપ દ્વારા બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રદેશ વક્તા અને ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ સહિત ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને દીવા પ્રગટાવી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ધારાસભ્ય શંભુનાથ ટુંડીયાએ જણાવ્યું હતું કે, ડો. બાબાસાહેબ આંબેડકરે રાષ્ટ્રને સમર્પિત ભાવથી સંવિધાન નિર્માણ સહિત સમાજજીવનના વ્યાપક ક્ષેત્રોને સ્પર્શતા અનેક ઐતિહાસિક નિર્ણયો લીધા હતા. તેમણે ઉમેર્યું હતું કે, આજના ભારતને ઊભું કરવામાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે. આ મહાન યોગદાનને યાદ કરીને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા છે.
હિંમતનગરમાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી:સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, કલેક્ટર-પોલીસ વડા ઉપસ્થિત
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ટાઉનહોલ ખાતે દિવ્યાંગ સેવા ટ્રસ્ટ દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દિવ્યાંગજનોને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલ, નગરપાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય, સમાજ સુરક્ષા અધિકારી મનીષ જોષી સહિત અનેક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં દિવ્યાંગજનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આપણે લોકતાંત્રિક સમાજમાં જીવીએ છીએ અને સરકારની યોજનાઓ દ્વારા સૌને મજબૂત તથા સ્વાભિમાનભર્યું જીવન જીવવાનો સમાન હક છે. તેમણે ઉમેર્યું કે, વિકસિત રાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે સમાજમાં કોઈ અશક્ત નથી, સૌ સમાન શક્તિ ધરાવે છે. સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા દિવ્યાંગજનોની દેખરેખ રાખવામાં આવશે. સક્ષમ સંસ્થાના મનુ પુરોહિતે દિવ્યાંગજનોને પ્રોત્સાહન આપતાં કહ્યું કે, ભારતે ઓલિમ્પિક્સ કરતાં દોઢ ગણા વધુ ગોલ્ડ મેડલ પેરાલિમ્પિક્સમાં જીત્યા છે. તેમણે સૂચવ્યું કે, વિરાટ કોહલીને જાહેરાતોમાં લેવા પાછળ દોડતી કંપનીઓએ દિવ્યાંગ ખેલાડીઓને પ્રોત્સાહન આપવું જોઈએ, ત્યારે જ સમાજમાં સાચું પરિવર્તન આવશે. પુરોહિતે દિવ્યાંગજનો પ્રત્યેની દ્રષ્ટિ બદલવાની અને વડાપ્રધાન દ્વારા અપાયેલ 'દિવ્યાંગ' શબ્દની યોગ્યતા પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમ દરમિયાન જયદીપ ગઢવીએ લોક ડાયરો રજૂ કર્યો હતો, જ્યારે હાસ્ય કલાકાર બબલુ રબારીએ ઉપસ્થિતોનું મનોરંજન કર્યું હતું. સુભાષચંદ્ર બોસના એકપાત્રીય અભિનયે પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ ઉપરાંત, સુધાબેન જોષી દ્વારા તમામ દિવ્યાંગજનોને ભેટ સ્વરૂપે બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રાજકોટને પાણી પુરૂ પાડતાં આજી અને ન્યારી ડેમમાં આગામી જાન્યુઆરી માસ પછી નર્મદાનીર ઠલવવા માટે રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો છે. હાલ બન્ને ડેમમાં 15 જાન્યુઆરી બાદ પાણીની જરૂરિયાત ઉભી થાય તેમ છે. જોકે મહાનગરપાલિકા દ્વારા આગોતરા આયોજન તરીકે નર્મદાનીરની માગણી કરવામાં આવી છે. સામાન્ય રીતે દરવર્ષે 2600 MCFT પાણીની માંગ કરવામાં આવે છે. પરંતુ એપ્રિલ-મેં મહિનામાં નહેરના સમારકામ માટે બંધ કરવામાં આવનાર હોય આ વર્ષે 3150 MCFT નીર આપવા માંગ કરવામાં આવી છે. રાજકોટને પાણી પુરૂ પાડતો આજીડેમ ચોમાસામાં ઓવરફ્લો થયો હતો. જ્યારે, ન્યારી ડેમ ઓવરફલો થયો નથી. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વરસાદ ઓછો પડતાં આજી અને ન્યારી ડેમ 2026ના વર્ષના પ્રારંભમાં જ પાણી માટે આગોતરૂં આયોજન કરવાની ફરજ પડી છે. જેને લઈને રાજ્ય સરકાર પાસેથી સૌની યોજના હેઠળ 3150 MCFT નર્મદાનીર આપવાની માગ કરવામાં આવી છે. હાલની સ્થિતિની વાત કરીએ તો આજી-1માં હાલમાં 862.56 ફૂટ પાણી છે. જ્યારે ન્યારી-1 ડેમમાં 995.09 ફૂટ પાણી ઉપલબ્ધ છે. જેમાં આજી ડેમમાંથી દરરોજ 145 MLD અને ન્યારી ડેમમાંથી 225 MLD પાણીનું વિતરણ કરવામાં આવે છે. બન્ને ડેમમાં હાલમાં રહેલો પાણીનો જથ્થો 15 જાન્યુઆરી સુધી જ ચાલે તેમ છે. આગોતરા આયોજનરૂપે તા.15 જાન્યુઆરી બાદ બે તબક્કામાં સૌની યોજના હેઠળ 3150 એમસીએફટી નર્મદાનીર માંગવા માટે રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો છે. રાજકોટને પાણી પુરૂ પાડતાં આજી અને ન્યારી ડેમ દરવર્ષે ચોમાસામાં ઓવરફલો થઈ જતાં હોવા છતાં શહેરના વધતાં જતાં વિકાસ અને વિસ્તારની સાથે પાણીની ડિમાંન્ડ પણ વધતાં આ બન્ને જળાશયો રકાબી જેવા સાબિત થઈ રહ્યા છે. પરિણામે મનપાને દરવર્ષે બે વાર સૌની યોજના હેઠળ નર્મદા નીર લેવા પડે છે. મનપા દ્વારા આગોતરૂં આયોજન કરવા માટે દરવર્ષે બે વખત સરકારને પત્ર પાઠવીને નર્મદાનીરની માંગ કરવામાં આવે છે. જેમાં ઉનાળાની શરૂઆત પૂર્વે ફેબ્રુઆરી મહિનાના અંતમાં અને ત્યારબાદ જૂલાઈ માસના અંતમાં રાજ્ય સરકારને પત્ર લખીને સૌની યોજના હેઠળ નર્મદાનીરની માંગ કરવામાં આવે છે. જોકે આ વર્ષે વરસાદ ઓછો હોવાથી પાણીની જરૂર વહેલી પડે તેમ છે. આ કારણે મનપા દ્વારા રાજ્ય સરકારને પત્ર લખાયો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાનારી ધોરણ 10 અને 12ના વિવિધ પ્રવાહોની પરીક્ષાઓ માટેના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ 10મી ડિસેમ્બર સુધી રેગ્યુલર ફી સાથે અને 11 થી 22 ડિસેમ્બર સુધી લેટ ફી સાથે ફી ભરી શકશે. 10 તારીખ સુધી રેગ્યુલર ફી સાથે,ત્યારબાદ 22મી સુધી લેટ ફી સાથે ફોર્મ ભરાશેરેગ્યુલર ફી સાથે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 ડિસેમ્બર 2025 હતી, જેને વધારીને હવે 10 ડિસેમ્બર 2025 કરવામાં આવી છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ 11 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર 2025 સુધી લેટ ફી સાથે ફોર્મ ભરી શકશે. લેટ ફી ત્રણ તબક્કામાં રાખવામાં આવી છે—11 થી 14 ડિસેમ્બર દરમ્યાન ₹250, 15 થી 18 ડિસેમ્બર દરમ્યાન ₹300 અને 19 થી 22 ડિસેમ્બર દરમ્યાન ₹350 લેટ ફી રહેશે. શાળા કક્ષાએથી 22મી સુધી વિદ્યાર્થીઓની માહિતીમાં સુધારો થઈ શકશેશાળા કક્ષાએથી વિદ્યાર્થીની માહિતીમાં સુધારો કરવાની સુવિધા 22 ડિસેમ્બર સુધી ઉપલબ્ધ રહેશે અને તેના માટે કોઈ વધારાની ફી ભરવાની નહીં હોય. વિદ્યાર્થીઓનું પ્રિન્સિપલ એપ્રુવલ પણ 22 ડિસેમ્બર, રાત્રે 12 વાગ્યા સુધી કરી શકાશે. વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને નિયમિત પરીક્ષા ફીમાંથી મુક્તિબોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ તથા ફી ભરવાની સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ, વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને નિયમિત પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે, જોકે લેટ ફીમાંથી કોઈને મુક્તિ આપવામાં આવનાર નથી. 26 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશેગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ધોરણ-10ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ સુધી યોજાશે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી યોજાશે. ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી યોજાશે. 29 માર્ચે લેવાશે ગુજકેટની પરીક્ષા આ સાથે જ ગુજકેટ 2026ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં આગામી 29 માર્ચ, 2026ના રવિવારે સવારે 10 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાશે. GUJCET 2026ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ આગામી સમયમાં જાહેર કરાશે. ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ સહિતની માહિતી પુસ્તિકા બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પર જાહેર કરવામાં આવશે. પરીક્ષા ગુજરાતી, અંગ્રેજી અને હિંદી ત્રણ માધ્યમમાં આપી શકાશે. 15 મિનિટનો સમય વધુ ફાળવવામાં આવશે દરેક પ્રશ્ન પત્રમાં 15 મિનિટનો સમય વધુ ફાળવવામાં આવશે. વિદ્યાર્થીને ઉત્તરવહી ઉપરની વિગતો ભરવા માટેની શરૂઆતની પાંચ મિનિટ અને પ્રશ્નપત્ર વાંચવા માટે 10 મિનિટ ફાળવવામાં આવશે અને જવાબ લખવા માટે નિયમ મુજબ 1 કલાકથી 3 કલાક સુધીનો સમય રહશે. પ્રથમ પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓએ પરીક્ષા સેન્ટર પર શરૂ થવાની 30 મિનિટ પહેલાં પહોંચવાનું રહેશે, બાકીના દિવસોએ 20 મિનિટ અગાઉ રહેવાનું રહેશે.
પોરબંદરમાં વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના કેબિનેટ મંત્રી તથા સ્થાનિક ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં લોકદરબાર યોજાયો હતો. આ કાર્યક્રમ પોરબંદર જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે યોજાયો હતો. લોકદરબાર દરમિયાન, નાગરિકોએ પોતાના વિવિધ પ્રશ્નો લેખિત રજૂઆતો દ્વારા મંત્રી સમક્ષ રજૂ કર્યા હતા. મંત્રી મોઢવાડિયાએ જણાવ્યું કે, પોરબંદર જિલ્લાના પ્રશ્નો સાંભળીને તેના ઝડપી ઉકેલ માટે આ લોકદરબારનું આયોજન કરાયું છે. તેમણે ઉમેર્યું કે, પ્રાપ્ત થયેલી તમામ રજૂઆતો અંગે વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. મંત્રી મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ભાજપ સરકાર જિલ્લા સ્તરે જ પ્રજાના પ્રશ્નો સાંભળીને તેનો ઉકેલ લાવવા પ્રતિબદ્ધ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, પોરબંદરને વૈશ્વિક નકશા પર આગળ વધારવાના મહત્વપૂર્ણ કાર્યો ચાલી રહ્યા છે, પરંતુ તે સાથે નાના પ્રશ્નોનું નિરાકરણ લાવવું પણ એટલું જ અનિવાર્ય છે. આ લોકદરબારમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપ મહામંત્રી અશોક મોઢા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન આવડા ઓડેદરા અને પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ માહિતી જિલ્લા ભાજપ મીડિયા સેલના સહ-કન્વીનર હર્ષ રૂઘાણી દ્વારા આપવામાં આવી હતી.
સાપુતારામાં ₹35 કરોડના શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ:આદિજાતિ શિક્ષણ વિકાસમાં ડાંગ જિલ્લો બન્યો અગ્રેસર
ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે ₹35 કરોડના ખર્ચે નવનિર્મિત કન્યા સાક્ષરતા નિવાસી શાળા સંકુલ અને ગારખડીની એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ (EMRS)ના છાત્રાલય તથા સ્ટાફ ક્વાર્ટર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ આદિજાતિ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ અને જિલ્લા પ્રભારી મંત્રી ડૉ. જયરામ ગામિતના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ ભવ્ય શૈક્ષણિક સંકુલો ડાંગના આદિવાસી વિદ્યાર્થીઓ માટે શિક્ષણના નવા દ્વાર ખોલશે. સાપુતારા કન્યા સાક્ષરતા નિવાસી શાળાનું નવનિર્મિત સંકુલ ₹20.20 કરોડના ખર્ચે તૈયાર થયું છે. તેમાં 480 વિદ્યાર્થીનીઓ માટે અધ્યતન સગવડો ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત, EMRS ગારખડીના છાત્રાલય અને સ્ટાફ ક્વાર્ટર્સ ₹14.97 કરોડના ખર્ચે ઊભા કરવામાં આવ્યા છે. ગારખડી EMRSમાં હાલ ધોરણ 6 થી 11 સુધીના 330 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. મંત્રી નરેશ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે આ નવનિર્મિત ભવનોનું લોકાર્પણ માત્ર ઈમારતોનું ઉદ્ઘાટન નથી, પરંતુ આદિવાસી યુવાનોના ઉજ્જવળ ભવિષ્યના શિલાન્યાસ સમાન છે. તેમણે ઉમેર્યું કે ડાંગ જિલ્લામાં 8 EMRS અને 1 કન્યા સાક્ષરતા નિવાસી શાળામાં કુલ 2739 વિદ્યાર્થીઓને નિવાસ સાથે ગુણવત્તાપૂર્ણ શિક્ષણ મળી રહ્યું છે. સરકારના પ્રયાસોથી નવીન શાળા ભવન, આધુનિક છાત્રાલયો, સ્વચ્છ રસોઈ ઘર, ભોજનાલય, સ્ટાફ ક્વાર્ટર્સ અને સાયન્સ લેબ જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. જિલ્લા પ્રભારી મંત્રી ડૉ. જયરામ ગામિતે જણાવ્યું કે સરકાર આરોગ્ય, પાણી, ખેતી અને શિક્ષણ ક્ષેત્રે આદિવાસી વિસ્તારોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. સરકારનો ધ્યેય દરેક આદિવાસી વિદ્યાર્થીને ગુણવત્તાયુક્ત શિક્ષણની સુવિધા પૂરી પાડવાનો છે જેથી તેઓ સ્પર્ધાત્મક યુગમાં આગળ વધી શકે. કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ દંડક અને ધારાસભ્ય વિજય પટેલે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસથી મહેનત કરીને પોતાની કારકિર્દી ઊંચાઈએ લઈ જવા પ્રેરણા આપી. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે ઉપલબ્ધ કરાવેલી આધુનિક સુવિધાઓના યોગ્ય ઉપયોગથી ડાંગના વિદ્યાર્થીઓ IIT, એન્જિનિયરિંગ, MBBS જેવા ક્ષેત્રોમાં તેજસ્વી પ્રગતિ કરી રહ્યા છે. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ શાળા સંકુલની મુલાકાત લઈ સુવિધાઓની સમીક્ષા કરી હતી. ઉપરાંત, મરામત અને નિભાવણી પ્રોત્સાહન પુરસ્કાર યોજના અંતર્ગત જિલ્લાના 16 સરપંચોને પ્રતિ સરપંચ ₹2 લાખનું પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, સરપંચો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સ્વામિનારાયણ સ્કૂલમાં જિલ્લા કક્ષાનો કૌશલ્ય ઉત્સવ:વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત 150 પ્રોજેક્ટ રજૂ કરાયા
નવસારીની સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં 6 ડિસેમ્બર, 2025ના રોજ જિલ્લા કક્ષાનો વોકેશનલ એજ્યુકેશન કૌશલ્યોત્સવ યોજાયો હતો. આ ઉત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયો પર લગભગ 150 પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા. રજૂ કરાયેલા પ્રોજેક્ટ્સમાં ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર, ઑટોમોબાઇલ, એગ્રીકલ્ચર, બ્યુટી એન્ડ વેલનેસ, હેલ્થ કેર, સ્પોર્ટ્સ, ફૂડ એન્ડ પ્રોસેસિંગ, રિટેલિંગ, હૉસ્પિટાલિટી એન્ડ ટૂરિઝમ, પ્લમ્બિંગ અને ઑટોમોટિવ જેવા વિષયોનો સમાવેશ થતો હતો. આ પ્રવૃત્તિઓનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓની સુપ્ત શક્તિઓ અને કૌશલ્યોનો સર્વાંગી વિકાસ કરવાનો હતો. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને ઈશ્વર પ્રાર્થનાથી થયો હતો. ઉદ્ઘાટન પ્રસંગે સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી પ્રફુલ ગોંડલીયા, આચાર્ય હિરેન ઉપાધ્યાય, AEI રોહન ટંડેલ, RMSA કો-ઓર્ડીનેટર ઈશ્વર શાહ અને BRC કો-ઓર્ડીનેટર મેહુલ ભટ્ટ સહિત દરેક તાલુકા કક્ષાએથી પધારેલા BRPs ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને સ્મૃતિભેટ દ્વારા સન્માન કરવામાં આવ્યું. અતિથિ વિશેષ તરીકે રોહન ટંડેલ અને ઈશ્વર શાહ હાજર રહ્યા હતા. નિર્ણાયકોમાં ડૉ. ડેની ટંડેલ, ડૉ. એમ.ડી. ખૂંટ, ડૉ. દિલીપ પટેલ અને ડૉ. અંકુર દેસાઈનો સમાવેશ થતો હતો. ત્યારબાદ સન્માન અને આભાર વિધિનો કાર્યક્રમ યોજાયો હતો અને પ્રદર્શનને વિદ્યાર્થીઓ તથા મુલાકાતીઓના નિરીક્ષણ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવાનો શ્રેય સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી નવસારી, વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત આયોજિત આયોજકો અને સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રફુલ ગોંડલીયાને ફાળે જાય છે. શાળાના આચાર્ય હિરેન ઉપાધ્યાય, ઉપાચાર્ય ભાવનાબેન નાયક તથા કો-ઓર્ડીનેટર આશાબેન, મનમિતબેન, જીનલબેન અને પાયલબેને પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સંસ્થાએ તમામ અતિથિ વિશેષો, વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
સુરત શહેર પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વધુ એક કડક પગલું ભર્યું છે. પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌતની સૂચનાથી છેલ્લા 6 દિવસમાં કુલ 26 આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે અને તેમને રાજ્યની અલગ-અલગ જેલોમાં મોકલી દેવાયા છે. આ કાર્યવાહીમાં 1500 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડમાં સંડોવાયેલા 07 મુખ્ય આરોપીઓનો પણ સમાવેશ થાય છે. 1500 કરોડના સાયબર ફ્રોડના આરોપીઓ જેલભેગાસુરત પોલીસે આંતરરાષ્ટ્રીય સ્તરના 1500 કરોડના સાયબર ફ્રોડ કેસમાં સંડોવાયેલા 7 આરોપીઓ – (1) રંજની ઉર્ફે રજની કુંભાણી, (2) હાર્દિક કુંભાણી, (3) દર્શનભાઇ સવાણી, (4) હાર્દિક મૈયાણી, (5) દિપક રાજપુત, (6) પરેશ નાવડીયા, અને (7) સંદિપભાઇ બેલડીયાની પાસા હેઠળ અટકાયત કરી છે. આ તમામ આરોપીઓને અનુક્રમે મહેસાણા, ભુજ અને રાજકોટની જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે. તેમની સામે ઉધના પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023 અને આઇ.ટી. એક્ટની કલમો હેઠળ ગુનો નોંધાયેલ છે, જે દર્શાવે છે કે સુરત શહેરના લોકોને સાયબર ફ્રોડથી બચાવવા માટે પોલીસ તંત્ર કડક કાર્યવાહી કરી રહ્યું છે. ડુપ્લીકેટ જેલર અને દેહ વ્યાપારના સંચાલક પર પણ પાસાસાયબર ફ્રોડ ઉપરાંત અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે. સુરતની લાજપોર જેલના ડુપ્લીકેટ જેલર અને ડુપ્લીકેટ જેલ સુપ્રિન્ટેન્ડેન્ટ બનીને આરોપીઓના સગા-સંબંધીઓ પાસેથી ટિફિન અને અન્ય સુવિધાઓના બહાને પૈસાની માંગણી કરનાર આરોપી રાજેશભાઇ ત્રિવેદીને પણ પાસા હેઠળ અમદાવાદની મધસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, મહિધરપુરા વિસ્તારમાં ગેરકાયદેસર દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચલાવતા અને કુટણખાનું ચલાવનાર આરોપી અમિત ઉર્ફે વિક્કી શાવને પણ પાસા હેઠળ ભુજની ખાસ જેલ ખાતે મોકલી દેવાયો છે. વ્યવસ્થામાં અવરોધરૂપ બનનાર ઇસમો વિરુદ્ધ કાર્યવાહી ચાલુ રહેશેછેલ્લા 6 દિવસમાં સાયબર ફ્રોડ, ડુપ્લીકેટ જેલર, મારામારી, વાહન ચોરી, ધરફોડ ચોરી, મોબાઇલ સ્નેચીંગ, રીક્ષામાં ચોરી તેમજ પ્રોહીબીશનની પ્રવૃત્તિ કરતા કુલ 26 ઇસમોને પાસા હેઠળ જેલભેગા કરવામાં આવ્યા છે. પોલીસ તંત્ર તરફથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે, આગામી સમયમાં પણ કાયદો અને વ્યવસ્થામાં અવરોધરૂપ બનનાર ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી ચાલુ રહેશે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સુરત પોલીસે કુલ 939 આરોપીઓને પાસા હેઠળ મોકલી આપ્યા છે.
સુરતમાં રખડતા શ્વાનના વધતા આતંક અને નાના બાળકો પરના વારંવારના હુમલાની ગંભીર ઘટનાઓએ શિક્ષણ વિભાગને જાગૃત કર્યું છે. હવે શહેરની સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિયમિત અભ્યાસની સાથે-સાથે ‘શ્વાન જાગૃતિ’નું વિશેષ પ્રશિક્ષણ શરૂ કરાયું છે, જેથી બાળકો શ્વાનના હુમલાનો ભોગ ન બને અને કરડાય તો તાત્કાલિક શું કરવું તેની જાણકારી મેળવી શકે. માર્ગદર્શિકા અને તાલીમની વિગતોશિક્ષણ વિભાગે પ્રાથમિક, માધ્યમિક, અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે શ્વાન જાગૃતિ અંગેની વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકાના આધારે શિક્ષકો બાળકોને તાલીમ આપી રહ્યા છે, જેથી તેઓ શ્વાનના હુમલાનો ભોગ બનતા અટકે. કૂતરા કરડે તો શું કરવું તેનું માર્ગદર્શન બાળકોને અપાયુંસુરતના પાંડેસરાના નાગશેન નગરમાં આવેલી સરકારી શાળામાં બાળકોને પ્રોજેક્ટર દ્વારા દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી અસરકારક શિક્ષણ આપવામાં આવ્યું હતું. તાલીમa બાળકોને જણાવવામાં આવ્યું હતું ke,રખડતા શ્વાનોને હેરાન ન કરવા અથવા તેમની પજવણી ન કરવી, શ્વાનની નજીક એકલા ન જવું, વાન આક્રમક બને કે ભૂલો કરે ત્યારે કઈ રીતે કાળજી રાખવી તે સમજાવવામાં આવ્યું સાથે કૂતરા કરડે તો તાત્કાલિક કઈ રીતે પ્રાથમિક સારવાર અને તબીબી સહાય મેળવવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ તાલીમ બાળકોને સુરક્ષિત રાખવામાં મદદ કરશેસુરત સહિત રાજ્યભરમાં રખડતા શ્વાનના હુમલાની ઘટનાઓ એક ગંભીર સામાજિક અને જાહેર આરોગ્યનો પ્રશ્ન બની રહ્યો છે. ખાસ કરીને નાના બાળકો પરના હુમલાના બનાવો વધતા, તેમને આ પ્રકારનું પ્રશિક્ષણ આપવું સમયની માંગ અને આવશ્યક બન્યું છે. આ તાલીમ દ્વારા બાળકોને સુરક્ષિત રહેવા અને શ્વાન પ્રત્યે સમજણ કેળવવામાં મદદ મળશે.
કાંકણોલ ગામમાં ભાગવત સપ્તાહની તૈયારીઓ:વૈદિક મંત્રોચ્ચાર સાથે ધ્વજારોહણ, 9 ડિસેમ્બરથી કથાનો પ્રારંભ
હિંમતનગર તાલુકાના કાંકણોલ ગામમાં શ્રીમદ્દ ભાગવત કથા સપ્તાહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પુરાણા હનુમાન મંદિર, ગૌશાળા અને મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે 9 થી 15 ડિસેમ્બર દરમિયાન આ કથા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. શનિવારે સંતો-મહંતોની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ધ્વજારોહણ કાર્યક્રમ સંપન્ન થયો હતો. પુરાણા હનુમાન મંદિરના મહંત નાગેશગીરીએ જણાવ્યું હતું કે, કાંકણોલ ગામના ગ્રામજનોના સહયોગથી આયોજિત આ કથા સપ્તાહમાં કથાકાર હાર્દિક જોષી વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે. કથાનો પ્રારંભ 9 ડિસેમ્બર, મંગળવારે સવારે 11 કલાકે ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં કળશયાત્રા સાથે થશે. શનિવારે યોજાયેલા ધ્વજારોહણ કાર્યક્રમમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા-વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે સુધીર પટેલ, કનુ ટેલ, હિતેશ સોની, બ્રિજેશ પટેલ, શૈલેષ ભુવાસહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમદ્દ ભાગવત સપ્તાહ પ્રસંગે શ્રી શ્રી 1008 દિગમ્બર ખુશાલભારથી મહારાજ (મહાકાલ સેના સંસ્થાપક), દિનેશગીરી મહારાજ (કુંબેરભંડારી મહારાજ) અને મહંત લક્ષ્મણભારથી મહારાજ સહિત અનેક સાધુ-સંતો ઉપસ્થિત રહેશે. કથા દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુપ્રસિદ્ધ કલાકારો નિરંજ પંડ્યા, રિયાબેન પટેલ, જયદીપ ગઢવી અને સાગર નાયક લોકડાયરો રજૂ કરશે. આ ઉપરાંત, 13 ડિસેમ્બર, શનિવારે રાત્રે દુષ્યંત પંડ્યા (સોનાસણવાળા) દ્વારા સુંદરકાંડનું આયોજન કરાયું છે.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં સતત આઠમાં વર્ષે સ્માર્ટ ઇન્ડિયા ઇન્ડિયા હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે. સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન ગ્રાન્ડ ફિનાલેનું યજમાનપદ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને સોંપવામાં આવ્યું છે. રાષ્ટ્રીય ઇનોવેશન આયોજન સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર-ISRO (SAC-ISRO)ના સહયોગથી આયોજિત થઈ રહ્યું છે. દેશભરના તેજસ્વી યુવાઓને રાષ્ટ્રના વાસ્તવિક પડકારોનો ઉકેલ શોધવા માટે એક મંચ પ્રદાન કરવામાં આવશે. SIH વિશ્વનું સૌથી મોટું ઓપન ઇનોવેશન મોડેલસ્નાતક વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરના સમસ્યા નિવારણમાં જોડવા માટે SIHને 2017માં શિક્ષણ મંત્રાલયના ઇનોવેશન સેલ અને ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. આજે SIH વિશ્વનું સૌથી મોટું ઓપન ઇનોવેશન મોડેલ બની ગયું છે. આ વર્ષે SIHમાં રેકોર્ડ બ્રેકિંગ પ્રતિસાદ મળી રહ્યો છે. કુલ 72,165 વિચારો અને 68,766 ટીમોએ તેમના સોલ્યુશન્સ રજૂ કર્યા છે. દેશભરના 2,587 સંસ્થાઓએ આંતરિક હેકાથોન્સ આયોજિત કર્યા હતા. જેમાં 8,26,635 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી 3,34,456 મહિલા વિદ્યાર્થીઓ છે. 58 કેન્દ્રિય મંત્રાલયો, 15 રાજ્ય વિભાગો અને 7 PSU અને ઉદ્યોગ ભાગીદારોએ મળીને 271 પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ્સ આપ્યા હતા. 2024ની સરખામણીએ આ વર્ષે ભાગીદારીમાં નોંધપાત્ર વૃદ્ધિ રાષ્ટ્રીય સ્તરે થયેલી કડક પસંદગી પછી 8,160 વિદ્યાર્થીઓની 1,360 ટીમો દેશમાં આવેલા 60 નોડલ સેન્ટર્સ પર આયોજિત ગ્રાન્ડ ફિનાલે માટે પસંદ કરવામાં આવી હતી. આમાં 42 સોફ્ટવેર અને 18 હાર્ડવેર નોડલ સેન્ટર્સ શામેલ છે. GTUના અમદાવાદ નોડલ સેન્ટરમાં 18 રાજ્યોમાંથી આવેલી 55 ટીમો, 330 વિદ્યાર્થીઓ અને 28 મેન્ટર્સ 11 રાષ્ટ્રીય પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ પર કાર્ય કરી રહ્યા છે. GTU ઇકોસિસ્ટમમાંથી 18 ટીમો રાષ્ટ્રીય સ્તરે પસંદ થઈ છે અને તેમાંની એક ટીમ GTU ખાતે યોજાતા ફિનાલેમાં સ્પર્ધા કરી રહી છે. SIH 2024ની સરખામણીએ આ વર્ષે ભાગીદારીમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. સંસ્થાઓની ભાગીદારીમાં 15.13 ટકાની વૃદ્ધિ, ટીમ રજિસ્ટ્રેશનમાં 61.77 ટકાની વૃદ્ધિ, વિદ્યાર્થી ભાગીદારીમાં 67.69 ટકાની વૃદ્ધિ, મહિલા ભાગીદારીમાં 75.38 ટકાની વૃદ્ધિ અને રાષ્ટ્રીય નામાંકનમાં 37.83 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. GTUના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનું મૂલ્યાંકન 830 કરોડથી વધુGTUએ અત્યાર સુધીમાં 840થી વધુ સ્ટાર્ટઅપ્સનું સંવર્ધન કર્યું છે. 4,129 વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સને ટેકો આપ્યો છે. 27 કરોડની ફંડિંગ સુવિધા પ્રદાન કરી છે. 171 કરોડથી વધુનું આવક સર્જાયું છે અને 4,850થી વધુ રોજગારનું સર્જન કર્યું છે. 287 પેટેન્ટ્સ નોંધાયા છે અને GTUના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનું મૂલ્યાંકન 830 કરોડથી વધુ છે. SIHમાંથી ઉભરતાં વિચારો રાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત ઉકેલો બન્યાકુલપતિ ડો. રાજુલ ગજ્જરે જણાવ્યું હતું કે, સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન માત્ર સ્પર્ધા નથી. તે યુવાનોને જવાબદાર અને સર્જનાત્મક ઇનોવેટર્સ બનાવતી એક યાત્રા છે. તેમના મત મુજબ, SIHમાં ભાગ લેતો દરેક વિદ્યાર્થી વિકસિત ભારત 2047ના નિર્માણમાં પોતાનું યોગદાન આપી રહ્યો છે. તેમણે વિદ્યાર્થીઓને નિર્ભય વિચારો, જવાબદારીપૂર્વક ઇનોવેશન કરો, સાર્થક સહકાર આપો અને દેશ માટે ઉપયોગી એવા ઉકેલો વિકસાવવા પ્રોત્સાહિત કર્યા. તેમના શબ્દોએ વિદ્યાર્થીઓમાં આશા, ઉત્સાહ અને જવાબદારીની ભાવના જગાવી. GTU માને છે કે SIHએ વિદ્યાર્થીઓમાં પ્રોબ્લેમ સોલ્ડિંગ, ટેક્નિકલ સ્કિલ્સ, ઇન્ડસ્ટ્રી કનેક્શન, મેન્ટરશિપ અને સ્ટાર્ટઅપ જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ કર્યો છે. SIHમાંથી ઉભરતાં ઘણા વિચારો પ્રોટોટાઇપ, પેટેન્ટ અને રાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત ઉકેલો બન્યા છે.
જૂનાગઢના એક રેતી સપ્લાયર વેપારીને જૂના કામકાજના હિસાબ પેટે લેવાના થતા રૂ. 70,000 સામે આરોપીઓએ પૂર્વ આયોજન કરીને રૂ. 2,50 લાખની ખંડણી માંગી હોવાનો અને જાતિ વિરુદ્ધ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. પોલીસે આ મામલે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ખંડણી, ધમકી, હુમલો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ટીંબાવાડી વિસ્તારમાં રહેતા 39 વર્ષીય રોહિતભાઈ ગોવિંદભાઈ મિયાત્રા જે રેતી સપ્લાયનો વ્યવસાય કરે છે. તેમણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે જુલાઈથી ઓક્ટોબર 2025 દરમિયાન તેમની સાથે ડમ્પરના ફેરા કરનાર ઉદેપુરના બોડેલીના સાગર ભગવાનજીભાઈ સોઢીયા આહીરના તેમના તરફ રૂ. 70.000 લેવાના નીકળતા હતા આ બાબતે હિસાબની સમજાવટ છતાં સાગરભાઈ સતત ફોન કરીને ધમકીઓ આપતા હતા.સાગરે ફોન કરીને હિસાબમાં રૂ. અઢી લાખ આપવાના થાય છે તેવી ધમકી આપી હતી અને પૈસા નહીં આપવા બદલ જૂનાગઢ આવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ તા.03/12/2025 ના માળીયા રહેતા અજયભાઈ કાગડા નામના વ્યક્તિએ રોહિતભાઈને રેતીના કામનું બહાનું આપીને મળવા બોલાવ્યા હતા.અને 04/12/2025 ના રોજ મોતી પેલેસ પાસે મુલાકાત પણ થઈ હતી.પરંતુ તા.05/12/2025 ના બપોરે રોહિતભાઈ તેમના મિત્ર સુલેમાનભાઈ હાલા સાથે ઝાંઝરડા ચોકડી પર એવરસાઈન કોમ્પ્લેક્સમાં અજયભાઈના કહેવા મુજબ પહોંચ્યા ત્યારે ત્યાં કારૂભાઈ કરેણા સહિત અન્ય ચાર લોકો હાજર હતા. ઓફિસમાં ધંધાની વાતચીત ચાલી રહી હતી ત્યારે અચાનક સાગરભાઈ સોઢીયા ત્યાં આવી પહોંચ્યો અને રોહિતભાઈને બે-ત્રણ ઝાપટ મારી જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા. જ્યારે રોહિતભાઈએ તેમને ગાળો બોલવાની ના પાડી, ત્યારે સાગરભાઈએ તેમને જ્ઞાતિ વિરુદ્ધ અપશબ્દો બોલીને ધમકી આપી. રોહિતભાઈ જ્યારે ફોન કરવા ગયા ત્યારે કારૂભાઈ કરેણાએ તેમનો ફોન છીનવી લીધો અને ગાળો બોલવા લાગ્યા. આસપાસના લોકો ભેગા થતાં સાગરભાઈ અને કારૂભાઈ કાળા કલરની હ્યુન્ડાઈ ઓરા કારમાં બેસીને જતાં રહ્યા હતા. આ ઘટના બાદ રોહિતભાઈએ સાગરભાઈ ભગવાનજીભાઈ સોઢીયા આહિર (રહે. બોડેલી), કારૂભાઈ કરેણા (અપંગ વ્યક્તિ) અને અજયભાઈ કાગડા (રહે. માળિયા) વિરુદ્ધ જૂનાગઢ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ મુખ્યત્વે આઈપીસી (IPC)ની કલમ 323, 504 ,506(2) 120(બી) અને 387 તેમજ એટ્રોસિટી અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બે દિવસ અગાઉ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ઝીંઝુવાડાના બાઈક ચોરીના કેસમાં LCB દ્વારા એક યુવકને પૂછપરછ માટે કચેરીમાં લઈ જવાયો હતો. જે યુવાને કચેરીના શૌચાલયમાં જ ગળેફાસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસ બેડામાં હડકમ્પ મચી ગયો હતો. ત્યારે દિવ્યભાસ્કરની ટીમે ઝીંઝુવાડા ગામમાં રહેતા મૃતક યુવકના પરિવારજનોની મુલાકાત લીધી હતી. જ્યા પરિવારજનોમાં આ ઘટનાને પગલે આક્રોશ જોવા મળ્યો હતો. ચોંધાર આંસુએ રડતા રડતા પરિવારજનોએ પોલીસ પર આક્ષેપ કરી ન્યાયની માગ કરી હતી. દિવ્યભાસ્કરની ટીમે ઝીંઝુવાડા ગામે રૂબરૂ જઈ અને આ પીડિત પરિવારની મુલાકાત લીધી ત્યારે યુવકની માતા કૈલાશબા ઝાલાએ રડતા રડતા જણાવ્યું હતું કે, મારા લાડકા દીકરાને એ લોકો રાત્રે લઇ ગયા હતા, અને એને મારી નાખ્યો છે, ગમે તેમ કરીને દીકરાને પાછો લાવો. અમે ફરી એસપીને રજૂઆત કરીશુંઃ મૃતકના કાકાઆ અંગે મૃતક ગજેન્દ્રસિંહ ઝાલાના કાકા બાબુભા શાંતુભા ઝાલાએ જણાવ્યું હતું કે, મારા ભાઈના દીકરાને એલસીબી લઇ ગયા બાદ આ બનાવ બનતા અમે સુરેન્દ્રનગર દોડી ગયા હતા. જ્યાં આ બનાવ બન્યો એ જગ્યાએ 15 ફૂટ ઊંચી બારીએ એને ગળેફાંસો ખાધો હોવાનું જણાવતા એ અમારા માન્યમાં આવતું નથી, આ બાબતે અમે સુરેન્દ્રનગર એસપી સાહેબને એક વખત રજૂઆત કરીને આવ્યા છીએ, અને ફરી રજૂઆત માટે સુરેન્દ્રનગર જવાના છીએ. 'એસપી સાહેબ જોડે અમને ન્યાયની અપેક્ષા છે'મૃતક યુવાનના કૌટુંબિક ભાઈ મહેન્દ્રસિંહ ઝાલાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, મારા ભાઈ ગજેન્દ્રસિંહને એલસીબી સ્ટાફ રાત્રે ઉઠાડીને પુછપરછ માટે લઇ ગઈ હતી, અને તપાસમાં પોલીસ વિભાગની બેદરકારીના કારણે આ બનાવ બન્યો છે, એનો અમારે ન્યાય જોઈએ. બાથરૂમમાં 15 ફૂટ ઉચી બારીએથી એ પોતાના શર્ટ વડે ફાંસો ખાઈ જ ના શકે એસપી સાહેબ જોડે અમને ન્યાયની અપેક્ષા છે. એસપી સાહેબે અમને ન્યાયીક તપાસની બાયેંધરી આપી છે. ગઈકાલે અમારા ભાઈની ગામમાં અંતિમ વિધી કર્યા બાદ ફરી અમે સૌ પરિવારજનો ફરી સુરેન્દ્રનગર એસપી સાહેબને મળવા જઈએ છીએ. ન્યાયીક તપાસની બાયેંધરી બાદ લાશનો સ્વીકાર કર્યોવધુમાં જણાવ્યું કે, આ બનાવ બન્યા પછી પણ પોલીસ વિભાગ દ્વારા અમને ત્રણથી ચાર કલાક સુધી જાણ સુદ્ધા કરી નહોતી. બાદમાં મારા ભાઈનું પેનલ પીએમ રાજકોટ કરાવવામાં આવ્યું હતું. અમે લાશનો સ્વીકાર કર્યો નહોતો, પણ એસપી સાહેબે આ કેસમાં ન્યાયીક તપાસની બાયેંધરી આપતા અમે લાશનો સ્વીકાર કરી ગામમાં ભારે હૈયે એની અંતિમ વિધી કરી હતી. આ અંગે મૃતક યુવાનની બહેન હેતલબા ઝાલાએ જણાવ્યું કે, બુધવારે રાત્રે એલસીબીવાળા મારા ભાઈને પાછો મૂકી જઈશું એમ કહીને લઇ ગયા હતા અને પછી મારા પપ્પાને મળવા બોલાવ્યા અને પછી શું ઘટના બની એની અમને કઈ જ ખબર ના પડી, પછી મારો ભાઈ પાછો ઘેર આવ્યો જ નહીં, અમારે મારા ભાઈ માટે સાચો ન્યાય જોઈએ, મારા મમ્મી-પપ્પા અત્યારે સાવ એકલા થઇ ગયા છે. બસ અમારે આનો સાચો ન્યાય જોઈએ. આ અંગે મૃતક યુવાનના પિતા વિનુભા ઝાલાએ આંખોમાં ઝણઝણીયા સાથે જણાવ્યું કે, મારો દિકરો રાત્રે ઘેર સૂતો હતો, ત્યારે દશરથભાઈ રબારી પોલીસવાળા એને ઘેરથી લઇ ગયા હતા. હવે અમે બંને એકલા થઇ ગયા છીએ, હવે અમારે એનો ન્યાય જોઈએ. હું હાલમાં કોલસા પાડીને મજૂરી કામ કરું છું, હવે અમારું કોઈ રણીધણી નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સાચી હકીકત સામે આવશેઃ પોલીસઆ અંગે આ કેસની તપાસ કરી રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એચ.પુવારે જણાવ્યું કે આ કેસમાં ગળેફાંસો ખાવાથી અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, બાકી પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સાચી હકીકત સામે આવશે. શું હતો સમગ્ર બનાવ?સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ઝીંઝુવાડાથી બાઈક ચોરીના ગુનામાં પૂછપરછ માટે લવાયેલા યુવાને એલસીબી કચેરીમાં શૌચાલયમાં જ ગળેફાસો ખાઈ લીધો હતો. ત્રણ કે ચાર દિવસ અગાઉ સુરેન્દ્રનગર એલસીબી સ્ટાફ આ 26 વર્ષનો યુવાન ગજેન્દ્રસિંહ ઝાલા ઘરમાં સૂતો હતો, ત્યારે ઘરેથી ઉઠાડીને લઇ ગઈ હતી. જે બાદ આ યુવાને એલસીબી કચેરીમાં આત્મહત્યા કરી હતી. જેથી ગરીબ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. આ ઘટના બાદ પહેલા આ યુવાનના પરિવારજનોએ લાશ સ્વીકારવાનો નનૈયો ભણી દીધો હતો. પરિવાર છુટક મજૂરી કરી ગુજરાન ચલાવે છેગજેન્દ્રસિંહ ઝાલાના પિતા વિનુભા ઝાલા અને માતા કૈલાસબા ઝાલા છૂટક મજૂરી કામ એટલે કે, મીઠા મજૂરી અને લાકડા કાપવાનુ કામ કરી ગુજરાન ચલાવે છે, જયારે ગજેન્દ્રસિંહનો મોટો ભાઈ બકુભા વિનુભા ઝાલા પણ રીક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે. 2 ડિસેમ્બર મંગળવારે રાત્રે ગજેન્દ્રસિંહ ઝાલા પોતાના ઘેર સૂતો હતો. ત્યારે સુરેન્દ્રનગર એલસીબીનો સ્ટાફ બાઈક ચોરીના ગુનામાં એને ઉંઘમાંથી ઉઠાડીને લઇ ગયો હતો. ઝીંઝુવાડાનો ગજેન્દ્રસિંહ વિનુભા ઝાલા પણ છૂટક મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. અંતિમ યાત્રામાં આખુ ગામ જોડાયુંઝીંઝુવાડાના યુવાનના કસ્ટોડીયલ ડેથ બાદ એસપીની હૈયાધારણા બાદ પરિવારજનોએ લાશનો સ્વીકાર કર્યો હતો. આ યુવાનની લાશને પેનલ પીએમ માટે રાજકોટ લઇ જવામાં આવી હતી. ઝીંઝુવાડામાં પરિવારજનોએ ભારે હૈયે યુવાનની અંતિમ વિધી કરી હતી. અંતિમ યાત્રામાં આખુ ગામ જોડાયું હતું. પરિવારજનોએ રોક્ક્ડ અને આક્રન્દથી વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી. આ પણ વાંચો-સુરેન્દ્રનગર LCB કચેરીમાં ગળાફાંસો ખાઇ આરોપીનો આપઘાત
હિંમતનગરના મહેતાપુરામાં SIR કામગીરી 100% પૂર્ણ:સ્થાનિકોએ BLO અને સહાયકનું સન્માન કર્યું
સાબરકાંઠા જિલ્લામાં SIR (Special Summary Revision) ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ અંતર્ગત હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં ગુજરાતી શાળા અને ત્રિવેણી વિદ્યાલયના પાંચ બૂથમાં BLO (Booth Level Officer) દ્વારા 100 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ સિદ્ધિ બદલ સ્થાનિકો દ્વારા BLOs નું સન્માન કરવામાં આવ્યું હતું. મહેતાપુરામાં આવેલી ત્રિવેણી વિદ્યાલય-1 માં બૂથ નંબર-71, ત્રિવેણી વિદ્યાલય-2 માં બૂથ નંબર-72, અને ગુજરાતી શાળામાં બૂથ નંબર-73, 74, અને 75 એમ કુલ પાંચ બૂથમાં નિર્ધારિત સમય કરતાં વહેલા 100 ટકા કામગીરી સંપન્ન થઈ છે. શિક્ષકોને સોંપાયેલી BLO ની આ કામગીરીમાં અથાગ પ્રયત્નો કરનાર મહેતાપુરા વોર્ડ નંબર 1ના BLO અર્પણ રાવલ, દર્શિત પટેલ અને નેહલબેન પટેલનું મહેતાપુરાના ગ્રામજનો દ્વારા ત્રિવેણી વિદ્યાલય ખાતે શનિવારે ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં વિશેષ મદદ કરનાર મહેશ શર્મા (ભોલાભાઈ) નું પણ આ પ્રસંગે સન્માન કરાયું હતું. સ્થાનિકોએ જાગૃત નાગરિક તરીકે પોતાની ફરજ નિભાવીને આ ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી, જે અન્ય વિસ્તારો માટે પણ પ્રેરણાદાયક બની રહી છે.
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં માર્ગશીર્ષ માસના પવિત્ર મહા આદ્રા નક્ષત્ર નિમિત્તે વિશેષ પૂજા-અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ મહાપૂજનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. શાસ્ત્રો અનુસાર, માર્ગશીર્ષ માસમાં આવતા આદ્રા નક્ષત્રનું વિશેષ મહત્ત્વ છે. પૌરાણિક કથા મુજબ, આ દિવસે ભગવાન શિવ બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ તેમના તેજોમય લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. આ દિવસથી જ શિવના લિંગ સ્વરૂપની પૂજાનો આરંભ થયો હતો. પ્રથમ જ્યોતિર્લિંગની પાવન ભૂમિ પ્રભાસ ખાતે આ મહાપર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે શિવલિંગની પૂજા કરવાથી અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે. શિવ આરાધના, પંચાક્ષર સ્તોત્રનું પઠન અને દીપ જ્યોતિનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ પવિત્ર દિવસે, શ્રી સોમનાથ મહાદેવની વિશેષ મહાપૂજા યોજાઈ હતી. પરંપરાગત વિધિ મુજબ, ભગવાનને પવિત્ર દ્રવ્યો અને પંચામૃતથી અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, વૈદિક મંત્રોચ્ચાર સાથે શતરુદ્રિય અભિષેક સંપન્ન થયો હતો. આ શતરુદ્રિય પાઠ દ્વારા દેવાધિદેવ મહાદેવ સમક્ષ સમગ્ર વિશ્વ કલ્યાણ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ભક્તોએ સોમનાથ દાદાના દર્શન કરીને શિવ પૂજા-અર્ચના, આરતી કરી પ્રસાદી અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. મહા આદ્રા નક્ષત્રના આ શુભ દિવસે, શ્રદ્ધાળુઓએ સોમેશ્વર મહાપૂજા, ધ્વજા પૂજા, રુદ્રાભિષેક, ગંગાજળ અભિષેક, બિલ્વ પૂજા અને મહામૃત્યુંજય જાપ સહિતના પૂજનોનો લાભ લીધો હતો. સમગ્ર મંદિર પરિસર 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
વડોદરા શહેરના છાણી રોડના એટીએમ સેન્ટરમાં કાર્ડથી પૈસા ઉપાડવા ગયેલા સિક્યુરિટી ગાર્ડે એટીએમ મશીનમાંથી કાઢવાનું શરૂ કર્યું, ત્યારે બાજુમાં ઉભેલા ગઠિયાએ સિફતપૂર્વક એટીએમ કાર્ડ ચોરી બીજું કાર્ડ નાખી દઈને જાણી લીધેલા પાસવર્ડ અને ચોરી કરેલા એટીએમ કાર્ડના સહારે જુદા જુદા સેન્ટરો પરથી કુલ રૂપિયા 55,554 ઉપાડી લઈને ઠગાઈ કરી હોવાની ફરિયાદ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. મિની સ્ટેટમેન્ટ સમયે પાસવર્ડ જાણી લીધા બાદ ઠગાઈ કરીઉલ્લેખનીય છે કે નવાયાર્ડ વિસ્તારમાં જુની રામવાડી ખાતે રહેતા સિક્યુરિટીમાં નોકરી કરતા 58 વર્ષનાનટુભાઈ મણીભાઈ પરમાર એ ફતેગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ઘરેથી SBIનું એટીએમ કાર્ડ લઈને છાણી રોડના SBI એટીએમ સેન્ટર ખાતે સવારે પૈસા ઉપાડવા ગયો હતો, ત્યારે એટીએમમાંથી તેમણે મીની સ્ટેટમેન્ટ કાઢ્યું હતું, ત્યારે બાજુમાં 20થી 25 વર્ષનો અજાણ્યો યુવક બાજુમાં ઊભો હતો. આ યુવકે મીની સ્ટેટમેન્ટ કાઢતી વખતે સિફત પૂર્વક નટુભાઈ પરમારનું એટીએમ કાર્ડ ચોરી લીધું હતું અને પોતાની પાસે છુપાવેલું એટીએમ કાર્ડ મશીનમાં નાખી દીધું હતું. સ્ટેટમેન્ટ કાઢતી વખતેથી વખતે ગઠીયાએ પાસવર્ડ પણ જાણી લીધો હતો. જ્યારે નટુભાઈએ પોતાના એટીએમનો પાસવર્ડ નાખતા મશીન દ્વારા પાસવર્ડ ખોટો હોવાનું જણાવ્યું હતું. પરિણામે સિક્યુરિટી ગાર્ડે કેવાયસી બાકી હોવાથી મશીન આમ જણાવતો હોવાનું માનીને મશીનમાંથી એટીએમ કાર્ડ કાઢી ઘરે પરત ગયા હતા. મોબાઈલ પર મેસેજ આવતા છેતરપિંડીની જાણ થઈઘરે પહોંચતા જ મોબાઈલ ફોન પર મેસેજ આવ્યો કે, જુદા જુદા એટીએમ સેન્ટરમાંથી રૂપિયા 55,554 ઉપડી ગયા છે. આ બનાવ અંગે નટુભાઈ પરમારે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.
VIDEO : 33 બાળકો સહિત 50ના મોત... સુદાનના અનેક શહેરોમાં હુમલા, શાળા પર ડ્રોન ઝિંકાયો
Sudan Paramilitary Forces Attack On Kindergarten : સુદાનમાં અર્ધલશ્કરી દળો રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) અને બળવો કરનાર સુદાનિસ આર્મ્ડ ફોર્સિસ (SAF) વચ્ચે ચાલી રહેલા ગૃહયુદ્ધમાં રોજબરોજ અનેક લોકોના મોત થઈ રહ્યા છે. તાજેતરની ઘટનાની વાત કરીએ તો આરએસએફે નાના બાળકોની શાળા પર ડ્રોનથી હુમલો કર્યા બાદ ઘટનાસ્થળે મદદ માટે પહોંચેલી પૈરામેડિકલ ટીમ પર પણ હુમલો કર્યો છે. આ ઘટનામાં 33 માસૂમ બાળકો સહિત 50 લોકોએ જીવ ગુમાવ્યો છે. એટલું જ નહીં એસએએફે બોર્ડર પર હુમલા કરનાર અનેક ટ્રકોમાં ભયાનક આગ લાગી ગઈ છે. મદદે પહોંચેલી પૈરામેડિકલ ટીમ પર પણ હુમલો
રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000 રન પૂરા કર્યા, આવું કરનારો ચોથો ભારતીય બન્યો
Rohit Sharma News: દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી વનડે દરમિયાન ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ એક મોટી સિદ્ધિ હાંસલ કરી. તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000 રન પૂર્ણ કર્યા છે. આ સાથે તે આ સિદ્ધિ મેળવનાર ચોથા ભારતીય ખેલાડી બન્યો. અગાઉ, સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને રાહુલ દ્રવિડ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000 રનનો આંકડો પાર કરી ચૂક્યા છે.
વડોદરા શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG)એ ગોરવા વિસ્તારમાં વિમલેશ્વર મહાદેવ મંદિર પાસે રેડ પાડી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના 459 ગ્રામ જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં રૂ. 1,19,30પીનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. SOG પોલીસના સ્ટાફને ગુપ્ત બાતમી મળી હતી કે, મથુરનગરથી નવાયાર્ડ જતા બ્રિજ પાસે મહાદેવ મંદિરની બાજુમાં કાળા રંગનું સ્કૂટર પાર્ક કરીને રાજેન્દ્રકુમાર ઉર્ફે છોટુ બિન્દ નામનો ઇસમ દરરોજ સાંજના સમયે ગાંજાનું છૂટક વેચાણ કરે છે.આ બાતમીના આધારે SOG પી.આઈ. એસ.ડી. રાતડાના માર્ગદર્શન હેઠળ SOGની ટીમે તુરંત રેડ પાડીને આરોપી રાજેન્દ્રકુમાર ઉર્ફે છોટુ ભારતલાલ બિન્દ (ઉ.વ. 29, રહે. ઋષિનગર, ગીરખનાથ મંદિર પાસે, ગોરવા, મૂળ રહે. ચકોલીયા ગામ, તા. કુલપુર, જિ. પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ)ને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 22,950 રૂપિયાની કિંમતનો 459 ગ્રામ ગાંજો, એક્ટિવા, એક મોબાઇલ, તેમજ ગાંજા વેચાણની રોકડ રૂ. 1350 મળી કુલ રૂ. 1,19,300નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ ગોરવા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગાંજાનો જથ્થો સપ્લાય કરનાર એક અન્ય આરોપીની શોધખોળ ચાલુ છે. છેલ્લા 24 દિવસમાં વડોદરા પોલીસની મોટી કાર્યવાહીવડોદરા શહેર પોલીસે છેલ્લા 24 દિવસમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે NDPS એક્ટ હેઠળ કુલ 17 ગુના નોંધ્યા છે. આ કાર્યવાહીમાં 20 કિલો 685 ગ્રામ ગાંજો તથા હાઇબ્રિડ ગાંજો, 73 ગ્રામ મેફેડ્રોન, 2 કિલો અફીણ સહિત કુલ રૂ. 41.53 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી 21 આરોપીઓની ધરપકડ કરી છે. વર્ષ 2025માં અત્યાર સુધીમાં 36 ગુના નોંધાયાવર્ષ 2025 દરમિયાન NDPS એક્ટ હેઠળ કુલ 36 ગુના નોંધાયા છે. આમાં 317 કિલોથી વધુ ગાંજો, મેફેડ્રોન, અફીણ, કફ સિરપ, ટ્રામાડોલ-આલ્પ્રાઝોલમ ટેબ્લેટ્સ સહિત કુલ રૂ. 1.97 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી 61 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત નશીલા પદાર્થોના વ્યાપાર સાથે સંકળાયેલા 6 આરોપીઓ વિરુદ્ધ PIT એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે.
સુરતના ગોડાદરા વિસ્તારમાં બુટલેગર શિવા ટકલાની માનવતાને લજવતી એક ઘટના સામે આવી છે. માત્ર ₹20 હજારની ઉઘરાણી માટે તેણે ત્રણ મિત્રોનું અપહરણ કરી લાકડાના ફટકા, લોખંડના સળિયા, લાતો-બુટથી ઢોરમાર માર માર્યો અને “કોઈને મોઢું બતાવવા લાયક નહીં રાખીએ”ની ધમકી આપીને અડધા વાળ, મૂછ અને એક આંખની ભ્રમર અસ્તરાથી કાપી વિકૃત પિશાચી આનંદ લીધો. આ અમાનુષી અત્યાચાર સહન ન થતાં 22 વર્ષીય સોએબ શેખનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું, જ્યારે નાઝીમની લાશ મહારાષ્ટ્ર બોર્ડર પરથી મળી. નાઝીમની શિવા ટકલા સાથે પૈસા મામલે જૂની માથાકૂટઆ ઘટનામાં બચી ગયેલા ઈર્શાદે પોલીસને વિગત આપતા જણાવ્યું કે, 1લી ડિસેમ્બરના રોજ લિંબાયતના ગોવિંદ નગરમાં રહેતા ઈર્શાદ ઉર્ફે કાણિયો, નાઝીમ ઉર્ફે ભાંજા સાદીક અને સોએબ ફિરોજ ચાંદ શેખ મારુતિ નગરમાં બેઠા હતા. નાઝીમની શિવા ટકલા સાથે પૈસા બાબતે કોઈ જૂની માથાકૂટ ચાલતી હતી. આ મામલે વાતચીત કરવા માટે ત્રણેય મિત્રો ગોડાદરાના લક્ષ્મણ નગર ગયા હતા. જોકે, ત્યાં વાતચીત ઉગ્ર બોલાચાલીમાં ફેરવાઈ ગઈ હતી. આ વાતચીત બાદ શિવા ટકલાએ પોતાના સાગરીતો સાથે મળીને ત્રણેય મિત્રોનું અપહરણ કરી લીધું હતું અને તેમને કેપિટલ સ્ક્વેર ખાતે લઈ ગયો હતો. લોખંડના સળિયા અને લાતોથી ઢોરમાર માર્યો અહીં શિવા ટકલા ઉપરાંત નામચીન બુટલેગર રાજુ શીલાનો પુત્ર મેહુલ, બિપીન ગડરીયો, તાજીબ, અમિત અને સની કાલીયા જેવા લુખ્ખા તત્વો હાજર હતા. હત્યારાઓએ ત્રણેય યુવાનોને ચોમેર તરફથી ઘેરી લીધા હતા. ત્યારબાદ લાકડાના ફટકા, લોખંડના સળિયા, લાતો અને બુટથી તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો પરંતુ, શિવા ટકલાનો ગુસ્સો માત્ર માર મારવાથી શાંત થયો નહોતો. તેણે અને તેની ગેંગે ત્રણેય મિત્રોને ધમકી આપી હતી કે, તમને કોઈને મોઢું બતાવવા લાયક નહીં રાખીએ. માથાના વાળ કાપી નાખી અમાનુષી અત્યાચાર ગુજાર્યોઆ ધમકી બાદ તેમણે બર્બરતાપૂર્વક ત્રણેય યુવાનોના માથાના અડધા વાળ અસ્તરાથી કાપી નાખ્યા હતા અડધો ટકો કર્યો હતો. આટલું ઓછું હોય તેમ, એક આંખ પરની ભ્રમર અને અડધી મૂછ પણ કાપી નાખી હતી. શરીરે અસંખ્ય ઘા અને લોહીલુહાણ હાલતમાં પણ તેઓ આ યુવાનોની મજાક ઉડાવતા રહ્યા હતા. આ અમાનુષી અત્યાચાર સહન ન થતા સોએબનું ઘટનાસ્થળે જ અથવા ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સોએબનું ઘટનાસ્થળે મોત તો નાઝીમને નંદુરબાર બોર્ડર પાસે ફેંકી દીધી જ્યારે નાઝીમ અને ઈર્શાદને તેઓ ગાડીમાં નાખીને મહારાષ્ટ્ર તરફ લઈ ગયા હતા. રસ્તામાં અત્યાચારના કારણે નાઝીમનું પણ મોત થતા તેની લાશને નંદુરબાર બોર્ડર પાસે ફેંકી દીધી હતી, જ્યારે ઈર્શાદને મરેલો સમજી અથવા ડરના માર્યે રસ્તામાં ફેંકીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જોકે, સમગ્ર મામલે બે આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય આરોપી શિવા ફરાર છે. માતા શકીલાનું હૈયાફાટ રુદન અને ગંભીર આક્ષેપમૃતક 22 વર્ષીય સોએબ ઉબેર ટેક્સી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. સોએબની માતા શકીલાએ રડતા રડતા પોતાની વ્યથા ઠાલવી હતી. અમ્મી, આ લોકો 20,000 રૂપિયા માંગી રહ્યા છેમાતા શકીલાએ જણાવ્યું હતું કે,મને પહેલા બીજા કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. સામે છેડે મારો દીકરો સોએબ વાત કરી રહ્યો હતો. તે ખૂબ ગભરાયેલો હતો. તેણે મને કહ્યું કે, 'અમ્મી, આ લોકો 20,000 રૂપિયા માંગી રહ્યા છે. જો પૈસા નહીં આપીએ તો મને ખૂબ તકલીફ આપશે, મને મારી નાખશે.' અમે ગરીબ માણસો છીએ, તાત્કાલિક આટલી રકમ એકત્ર કરવી અમારા માટે મુશ્કેલ હતી. અમે પૈસાની વ્યવસ્થા કરીએ તે પહેલા જ ફોન કપાઈ ગયો અને પછી મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયો. મારા દીકરાના શરીર પર એક પણ કપડું નહોતુંશકીલા બહેને વધુમાં ઉમેર્યું હતું કે,અમે લિંબાયત પોલીસ મથકમાં દીકરાના ગુમ થયાની ફરિયાદ કરવા ગયા હતા, ત્યારે જ સમાચાર મળ્યા કે તેનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે મેં મારા દીકરાની હાલત જોઈ ત્યારે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારા દીકરાના માથાના વચ્ચેથી વાળ કાપી નાખ્યા હતા, તેની આંખની ભ્રમર પણ કાપી નાખવામાં આવી હતી. તેના શરીર પર એક પણ કપડું નહોતું. નરાધમોએ તેને નિર્વસ્ત્ર કરીને માર્યો હતો. મારો દીકરો નિર્દોષ હતો, હું બસ મારા પુત્ર માટે ન્યાય માંગુ છું. આવા રાક્ષસોને કડકમાં કડક સજા થવી જોઈએ. કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ પણ આક્રોશ ઠાલવ્યોઆ ડબલ મર્ડરની ઘટના બાદ સુરતના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે. કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિને લઈને કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ પોલીસ તંત્ર અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને હેવાનોને ફાંસીની સજા આપવામાં આવેઅસલમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે,આ ઘટના સુરત માટે કલંકરૂપ અને હૃદયદ્રાવક છે. શિવા ટકલા કોઈ સામાન્ય ગુનેગાર નથી. તે અગાઉ હોમગાર્ડની હત્યા કરી ચૂક્યો છે અને પોલીસ પર પણ હુમલા કરી ચૂક્યો છે. સવાલ એ થાય છે કે આવા રીઢા ગુનેગારને, જે ખુલ્લેઆમ દારૂનો અડ્ડો ચલાવે છે, તેને છૂટો દોર કોણે આપ્યો? આ ઘટના માટે જેટલો જવાબદાર શિવા યાદવ છે, તેટલી જ જવાબદાર સ્થાનિક પોલીસ પણ છે. જે વિસ્તારમાં તે દારૂ વેચતો હતો તે પોલીસ શું કરતી હતી? સુરતમાં કાયદાનો ડર રહ્યો નથી તે આ ઘટના સાબિત કરે છે. સોએબ અને નાઝીમની જે રીતે ક્રૂર હત્યા કરવામાં આવી છે, તે જોતા પોલીસ પાસે અમારી એટલી જ અપેક્ષા છે કે આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને આવા હેવાનોને ફાંસીની સજા આપવામાં આવે. પોલીસે ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા આ ઘટનાની ગંભીરતાને જોતા સુરત પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે મળીને અત્યાર સુધીમાં મુખ્ય સૂત્રધાર શિવાકાંત યાદવ ઉર્ફે શિવા ટકલાને ઉત્તર પ્રદેશ ફરાર છે. આ ઉપરાંત તેના સાગરીતો જાલમ કલાલ અને આસિફ મોતી શેખની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, એક લાખ રૂપિયાની ઉઘરાણીમાં આ ખેલ ખેલાયો હતો, જેમાં બે નિર્દોષ મિત્રો સોએબ અને નાઝીમ પિસાઈ ગયા. હાલ પોલીસ આ ગુનામાં સામેલ અન્ય ફરાર આરોપીઓ મેહુલ, બિપીન અને અમિતને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
મહીસાગર જિલ્લામાં યોજાયેલી અખિલ ભારતીય શાળાકીય રાજ્ય કક્ષાની કુરાશ રમત સ્પર્ધામાં પોરબંદરના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ડી.એલ.એસ.એસ. સાંદિપની ગુરુકુળમાં અભ્યાસ કરતા અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર ખાતે તાલીમ મેળવનાર ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. પોરબંદર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા આ ખેલાડીઓએ કુલ 9 મેડલ પોતાના નામે કર્યા હતા. જેમાં 5 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર મેડલ અને 3 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ખેલાડીઓના આ ઉત્તમ પ્રદર્શન બદલ જિલ્લા રમત વિકાસ અધિકારી ડૉ. મનિષકુમાર જીલડીયા, જિલ્લા રમત ગમત અધિકારી ડૉ. પ્રવિણાબેન પાંડાવ, ડી.એલ.એસ.એસ. સાંદિપની ગુરુકુળના આચાર્ય કમલ મોઢા, શાળા પરિવાર તેમજ કોચ અક્ષય ચૌધરી અને ટ્રેનર ભરત જુંગી દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
નવસારીમાં કલેક્ટરની આગેવાનીમાં વીજ બચત રેલી:વીજળી બચાવો થીમ પર જનજાગૃતિનો સંદેશ અપાયો
નવસારીમાં ઊર્જા સંરક્ષણ મહિના અંતર્ગત જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન હેઠળ વીજળી બચાવો – ઊર્જા સંરક્ષણ થીમ પર જનજાગૃતિ રેલી યોજાઈ હતી. આ રેલી ગ્રીડથી શરૂ થઈને જુનાથાણા સ્વામી વિવેકાનંદ સર્કલ પર સમાપ્ત થઈ હતી. આ રેલીમાં જેટકો (GETCO) અને ડી.જી.વી.સી.એલ (DGVCL)ના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. તેમણે લોકોને વીજળી બચત અને ઊર્જા સંરક્ષણનું મહત્ત્વ સમજાવ્યું હતું. રેલી દરમિયાન વીજળી બચાવો – ઊર્જા સંરક્ષણ અને ઉપયોગ કરો સમજપૂર્વક, બચત કરો જવાબદારીથી જેવા પ્લેકાર્ડ પ્રદર્શિત કરીને જાગૃતિ ફેલાવવામાં આવી હતી. રેલીનો મુખ્ય હેતુ ઘરેલું, ઔદ્યોગિક અને સરકારી સ્તરે વીજળીના વપરાશમાં સમજદારી લાવવાનો અને બિનજરૂરી વપરાશ અટકાવવાનો હતો. ઊર્જા સંરક્ષણ માત્ર વર્તમાનની જરૂરિયાત નથી, પરંતુ ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનો બચાવવાની જવાબદારી પણ છે, તે સંદેશ આ રેલી દ્વારા અસરકારક રીતે અપાયો હતો. આ કાર્યક્રમ જેટકો અને ડી.જી.વી.સી.એલ દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરાયો હતો. બંને સંસ્થાઓએ વીજ બચતને પ્રોત્સાહન આપવા માટે વિવિધ માર્ગદર્શિકાઓ અને અભિયાનોની માહિતી પણ લોકો સુધી પહોંચાડી હતી. આ જનજાગૃતિ રેલી દ્વારા ઊર્જા સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી હતી.
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU) ના પાલનપુર પ્રાદેશિક કેન્દ્ર દ્વારા 6 ડિસેમ્બરના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિવસ નિમિત્તે જગાણા ખાતેની એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલમાં પ્રિ-એડમિશન કાઉન્સેલિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમો વિશે માહિતગાર કરવાનો હતો. 6 ડિસેમ્બર એ સમાજ સુધારક, વકીલ, અર્થશાસ્ત્રી અને ભારતના બંધારણના મુખ્ય શિલ્પી ડૉ. બાબાસાહેબ આંબેડકરનો નિર્વાણ દિવસ છે. તેમણે ભારતને સમાનતા, ન્યાય અને બંધારણીય મૂલ્યોનો માર્ગ દર્શાવ્યો હતો અને દલિતો, વંચિતો, સ્ત્રીઓ તથા પીડિત વર્ગોના શિક્ષણ માટે લડત આપી હતી. યુનિવર્સિટીના કુલગુરુ પ્રો. ડૉ. અમી ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી આ ધ્યેયને સાર્થક કરી રહી છે. આ કાર્યક્રમની શરૂઆત એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ, જગાણાના આચાર્ય સંજયકુમાર મિશ્રા દ્વારા શાબ્દિક પરિચયથી કરવામાં આવી હતી. ત્યારબાદ પાલનપુર પ્રાદેશિક કેન્દ્રના ઇન્ચાર્જ અને ઇતિહાસ વિષયના અધ્યાપક ડૉ. સોનલ ચૌધરીએ દૂરવર્તી શિક્ષણમાં ઓપન યુનિવર્સિટી અને ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની પ્રણાલિકા વિશે માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ સર્ટિફિકેટ, ડિપ્લોમા અને ડિગ્રી અભ્યાસક્રમો વિશે માહિતગાર કર્યા હતા. ડૉ. સોનલે વિદ્યાર્થીઓને તેમના રસ મુજબ શિક્ષણ ચાલુ રાખીને ઉજ્જવળ ભવિષ્ય અને શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમના અંતે, પાલનપુર પ્રાદેશિક કેન્દ્રના સહાયક પ્રાદેશિક નિયામક ગોકુલભાઈ દેસાઈ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી અને રાષ્ટ્રગાન બાદ કાર્યક્રમ સંપન્ન થયો હતો. આચાર્ય સંજયકુમાર મિશ્રાએ યુનિવર્સિટીની ટીમને શાળા અને કેમ્પસની મુલાકાત પણ કરાવી હતી. કેન્દ્ર સરકારના આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત આ એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ અનુસૂચિત જનજાતિ સમુદાયના બાળકોને ખાનગી શાળાની જેમ જ ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઇતર પ્રવૃત્તિઓ અને વિવિધ સુવિધાઓ પૂરી પાડે છે. આચાર્ય અને શિક્ષકોની અથાગ મહેનતથી આ શાળા 'એકલવ્ય મોડેલ સ્કૂલ' પોતાના નામને સાર્થક કરી રહી છે.
એકથી બે માસ પહેલા ભાવનગર જિલ્લામાં જે કમોસમી માવઠું થયું તેમાં અનેક પાકોને નુકશાન થયું જેમાં ઘાસચારાના પાકમાં પણ ઘણું નુકશાન થયું હતું જેને પગલે હાલ ભાવનગર શહેર તથા જિલ્લામાં હાલના સમયે લીલા અને સૂકા ઘાસચારાની આવક ઘટતા લીલા-સૂકા ઘાસચારમાં ભાવમાં વધારો થયો છે જેના કારણે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા માલધારીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને પશુપાલન કરવું આકરું થઈ પડ્યું છે સરકાર પશુપાલકોને રાહત આપે એવી માગ માલધારીઓ કરી રહ્યા છે. લીલાઘાસના 150 અને સૂકા ઘાસના 250 રૂપિયા થયાભાવનગર જિલ્લામાં ચોમાસા બાદ એક સપ્તાહ સુધી વરસેલા ભારે વરસાદના કારણે જિલ્લાના વિસ્તારોમાં કરવામાં આવેલ ઘાસચારાનું વાવેતર નિષ્ફળ ગયું હતું. પરિણામે હાલમાં ભાવનગર શહેર જિલ્લામાં ઘાસચારાની તીવ્ર અછત ઊભી થઈ છે ઓછી આવક અને વધુ માંગ હોવાના કારણે લીલા અને સૂકા ઘાસચારાના ભાવમાં ધરખમ વધારો થયો છે. જેમાં લીલુઘાસ ગત વર્ષે 80 રૂપિયા મણ વેચાતું હતું તે આ વર્ષે 150 રૂપિયા વેચાઈ રહ્યું છે અને સૂકું ઘાસ જે ગત વર્ષે 150 રૂપિયા મણ વેચાતું હતું તે આ વર્ષે 250 રૂપિયા વહેંચાઇ રહ્યું છે. ઘાસચારાની આવક ઓછી હોવાના કારણે ઘાસચારાના ભાવ ભડકે બળ્યાંબીજી તરફ હાલમાં ઘાસચારાની આવક ઓછી હોવાના કારણે ઘાસચારાના ભાવ ભડકે બળ્યાં છે પશુચારાના ભાવોમાં વધારો થતા આ વધારાની સીધી જ અસર માલધારીઓ પર પડી રહી છે. આ અંગે બુધભાઈ ભરવાડએ જણાવ્યું હતું કે, અમે ઘાસચારા માટે રાતદિવસ આમથી આમ દોડીએ છીએ. ક્યાંય મેળ પડતો નથી. ભાવમાં અમારે કઈ પોગાતું નથી. દૂધના ભાવે પણ સરકારે એનાં એ જ રાખ્યા છે. કારણ કે 30થી 40 જેટલા માલ ઢોર છે, ક્યાં જવું? આમ મોંઘવારી કારણે પોગાવું કેવી રીતે? નિણમા એટલે ભાવ વધારો છે અને ઘાસમાં પણ એટલો વધારો છે. 'નિણમા અને ઘાસમાં ભાવ વધી ગયા, સરકાર કોઈ ધ્યાન દેતી નથી'તેને વધુમાં કહ્યું કે, લીલા ઘાસના ભાવ 80થી 150 રૂપિયા સુધી પહોંચ્યા છે અને સૂકા ઘાસના ભાવ 150 રૂપિયા હતા એ 250 રૂપિયા સુધી પહોંચ્યા છે. તો અમારે કરવાનું શું? સરકારને અપીલ એટલી કરવી છે કે અમારી સામે કંઈક જોવો અને થોડી ઘણી સુવિધા કરી દે. કારણ કે મુશ્કેલી એટલી આવી ગઈ છે કે એની કોઈ સીમા નથી. માલધારીને દૂધના ભાવ ત્યાંના ત્યાં જ છે, નિણમા અને ઘાસમાં ભાવ વધી ગયા છે. સરકાર કોઈ ધ્યાન દેતી નથી. 'થોડી ઘણી અમને રાહત થાય એવું કંઈક કરી દો'બુધભાઈ ભરવાડએ કહ્યું કે, સરકારને અમે અપીલ કરીએ છીએ કે થોડી ઘણી અમને રાહત થાય એવું કંઈક કરી દો. એટલી અમારી વિનંતી. મારે પોતાની પાસે 30થી 35 માલ ઢોર છે. પહેલા દરરોજ 30 થી 35 મણ ઘાસ જોતું હતું, અત્યારે 10થી 15 મણમાં રોડવીએ છીએ. એટલે સરકારને વિનંતી કરીએ છીએ કે કંઈક રાહત આપો જેથી ભરવાડ સમાજ અને માલધારી સમાજને રાહત થાય. 'લીલું ઘાસ 80 રૂપિયાનું હતું હવે તે 150માં વેચાઈ છે'આ અંગે ઘાસચારો વેચનાર વેપારી સંજયભાઈએ જણાવ્યું હતું કે, હું 30થી 40 વર્ષથી ઘાસચારો વેચવાનો ધંધો કરું છું. અને અત્યારે વરસાદને, માવઠુને એ બધું થયું એના હિસાબે આ ભાવ વધારો છે. પહેલા અમે લીલું ઘાસ 80 રૂપિયા વેચતા હતા, અત્યારે અમે આ ઘાસને 150 રૂપિયા વેચીએ છીએ. સુકું ઘાસ અમે 250 રૂપિયા વેચીએ છીએ. આ બધું વરસાદના અને ખરાબ વાતાવરણના લીધે થયું છે. બધા માણસોને નુકસાન થયું છે. 'કમોસમી માવઠું થયું પછીથી ભાવ વધારો થયો'સંજયભાઈએ વધુમાં કહ્યું કે, અત્યારે અમારી પાસે ઘાસ લેવા કોઈ આવતું નથી. પહેલા બધા લેવા આવતા, એ બધા 500 રૂપિયાનું લઈ જતા. એ લોકો અત્યારે 150 રૂપિયાનું લઈ જાય છે. અત્યારે બધી મંદીના હિસાબે આ મોંઘવારી છે. ભાવ વધી ગયા છે. અત્યારે 150 રૂપિયા લીલું ઘાસ અને સુકું ઘાસનો ભાવ 250 રૂપિયા છે. આ છેલ્લે કમોસમી માવઠું થયું પછીથી ભાવ વધારો થયો છે. માલની આવક નથી. માલધારીને અત્યારે બિચારા ને માલ મળતો નથી અને નુકસાન થાય છે. અને ઢોરને પણ ખાવા મળતું નથી.
અમરેલી શહેરમાં રાજ્ય સરકારના રૂ. 904.49 લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ઉર્જા, કાયદો અને ન્યાય, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના હસ્તે આ કાર્યોનો પ્રારંભ થયો હતો. આ ખાતમુહૂર્ત સમારોહ અમરેલી શહેરના જેસીંગપરા અને લાઠી રોડ વિસ્તારમાં યોજાયો હતો. આ પ્રસંગે સાંસદ ભરત સુતરિયા અને નગરપાલિકાના પ્રમુખ બિપીન લિંબાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ વિકાસકાર્યો રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (યુપીડી-88) વર્ષ 2025-26 હેઠળ હાથ ધરવામાં આવશે. આ કાર્યોમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રીમિક્સ સાથે સી.સી. રોડ, કમ્પાઉન્ડ વોલ, બોક્ષ કલ્વર્ટ, વીંગ વોલ, રીટેઈનીંગ વોલ, બોક્ષ ડ્રેઈન, સ્ટોર્મ વોટર ડ્રેનેજ, મેનહોલ ફ્રેમ કવર સાથે મજબુતીકરણ, ફૂટપાથ, ટ્રી-પ્લાન્ટેશન, ગ્રીલ, ગાર્ડન ડેવલપમેન્ટ, સ્ટ્રીટલાઇટ અને ડી.આઈ પાઇપલાઇનની કામગીરીનો સમાવેશ થાય છે. રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ આ કામો સમય મર્યાદામાં અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવા સૂચન કર્યું હતું. તેમણે અમરેલીની શહેરી વિકાસ યાત્રાને આગળ ધપાવવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે નગરપાલિકાના સભ્યો, શહેરના અગ્રણીઓ પી.પી. સોજિત્રા, મહામંત્રી મેહુલભાઈ ધોરાજિયા, સંદિપભાઈ માંગરોળીયા, મૌલિકભાઈ ઉપાધ્યાય, વોર્ડના સભ્યો, નગરપાલિકાના અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યના પૂર્વ IAS પ્રદીપ શર્મા સામે મની લોન્ડરીંગ એક્ટ હેઠળ નોંધાયેલી ફરિયાદમાં PMLA કોર્ટ દ્વારા 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે. પ્રદીપ શર્મા હાલ જે કેસમાં સજા કાપી રહ્યા છે તેનાથી અલગ સજા ભોગવવાની રહેશે. આ ઉપરાંત કોર્ટે ચુકાદામાં જણાવ્યું છે કે, સરકાર દ્વાર અધિકારીની જે સંપત્તિ ટાંચમાં લીધી છે તે સરકાર હસ્તક જ રહેશે. પ્રદીપ શર્મા સામે વર્ષ 2016 અને 2018માં PMLA હેઠળ કેસ નોંધાયો હતોપ્રદીપ શર્મા જ્યારે કચ્છ કલેકટર હતા ત્યારે વેલસ્પન ગ્રુપની કંપનીને સસ્તામાં જમીન આપી સરકારને નુકસાન પહોંચાડવાનો આરોપ લાગ્યો હતો. જેની સામે રાજકોટ CID ક્રાઈમ પોલીસ મથકમાં 2010માં ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ખાતે આવેલી વિશેષ PMLA કોર્ટમાં વર્ષ 2016માં ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રીંગ એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. પ્રદીપ શર્માએ ભ્રષ્ટાચારના કોરોડ રૂપિયા પોતાની પત્ની અને અમેરિકામાં રહેતા દીકરા અને દીકરીના ખાતમાં મોકલ્યા હોવાનો આરોપ છે. અન્ય કેસમાં સજા ભોગવ્યા બાદ આ સજા ભોગવવાની રહેશેપ્રદીપ શર્મા સામે PMLA હેઠળ નોંધાયેલા કેસમાં સજાનું એલાન કરતા કોર્ટે કહ્યું છે કે, પ્રદીપ શર્મા હાલ જે કેસમાં સજા કાપી રહ્યા છે તેનાથી અલગ આ સજા ભોગવવાની રહેશે. આ ઉપરાંત ઈડીએ અધિકારીની જે પ્રોપર્ટી ટાંચમાં લીધી છે તે સરકાર હસ્તક જ રહેશે. આઠ મહિના પહેલા ભુજ કોર્ટે પણ જમીન ફાળવણીના કેસમાં સજા ફટકારી હતીકચ્છના તત્કાલીન કલેક્ટર પ્રદીપ શર્મા સહિત ચાર અધિકારી સામે ગંભીર આરોપો સાબિત થયા હતા. આ કેસમાં તેમને પાંચ વર્ષની કેદની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સોપાઇપ અસ લિમિટેડને સમાઘોઘા, મુંદ્રામાં સરકારી જમીનની ફાળવણીમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. સરકારના પરિપત્ર મુજબ કલેકટરને માત્ર 2 હેક્ટર સુધીની જમીન ફાળવવાની સત્તા હતી. આ મર્યાદા હોવા છતાં પ્રદીપ શર્માએ 47,173 ચોરસ મીટર જમીન મંજૂર કરી હતી. એને લઇને પ્રદીપ શર્માને કોર્ટ દ્વારા 5 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. 1999 બેચના IAS અધિકારી હતા પ્રદીપ શર્મારસાયણશાસ્ત્રમાં સ્નાતક કરનારા પ્રદીપ શર્માએ ગુજરાત વહીવટી સેવાની પરીક્ષા પાસ કરી હતી અને વર્ષ 1981માં તેઓ ડેપ્યુટી કલેક્ટર બન્યા હતા. ત્યાર બાદ વર્ષ 1999માં આઇએએસ અધિકારી તરીકે બઢતી મળ્યા બાદ જામનગર, ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર રહ્યા હતા. ત્યાર બાદ રાજકોટ અને કચ્છ જિલ્લાના કલેક્ટર બન્યા હતા. (આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યા છીએ)
ભારતીય બંધારણના ઘડવૈયા, મહામાનવ બાબાસાહેબ આંબેડકરનો પરિનિર્વાણ દિવસ પોરબંદરમાં ભીમ મહોત્સવ સમિતિ દ્વારા ઉજવાયો હતો. આ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. બાબાસાહેબની ૬૯મી પુણ્યતિથિ નિમિત્તે પોરબંદરની ભીમ મહોત્સવ સમિતિ દ્વારા જિલ્લા પોલીસવડાની કચેરી નજીક આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે, ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને તે બાબાસાહેબે ઘડેલા બંધારણને કારણે ચાલે છે. જોકે, આગેવાનોએ આઝાદીના આટલા વર્ષો પછી પણ દેશમાંથી અસ્પૃશ્યતા સંપૂર્ણપણે દૂર ન થઈ હોવા અંગે ખેદ વ્યક્ત કર્યો હતો અને આ મુદ્દે આકરી ટકોર કરી હતી.
રાણા વડવાળામાં નંદીના પગ ભાંગ્યા:અજાણ્યા શખ્સે હુમલો કર્યો, જીવદયા ગ્રુપે સારવાર કરાવી
પોરબંદર જિલ્લાના રાણા વડવાળા ગામે એક નંદી પર અજાણ્યા શખ્સે ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં નંદીના પાછળના બંને પગ ગંભીર રીતે ભાંગી નાખવામાં આવ્યા હતા. ઘાયલ નંદીને રાણાવાવ જીવદયા ગ્રુપ અને વનખંડી ગૌશાળા (કિરીટભાઈ વીસાણા ગ્રુપ) દ્વારા બચાવવામાં આવ્યો હતો. સંસ્થાઓ દ્વારા નંદીને તાત્કાલિક સારવાર માટે વનખંડી ગૌશાળામાં ખસેડવામાં આવ્યો છે. હાલ તેની સારવાર ચાલી રહી છે.
કોડીનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા 1થી 5 ડિસેમ્બર દરમિયાન 'જમીન આરોગ્ય દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયો હતો. આ ઉજવણીમાં ઉના તાલુકાના સોંદરડી ગામ અને કેશોદ તાલુકાના રંગપુર ગામના ખેડૂતોએ ભાગ લીધો હતો. કુલ 100થી વધુ પ્રગતિશીલ ખેડૂતો આ કાર્યક્રમમાં જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિકો અને વિષય નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જમીન વિજ્ઞાન, પાક વિજ્ઞાન, પાક સંરક્ષણ અને બાગાયત વિષયના નિષ્ણાતોનો સમાવેશ થાય છે. નિષ્ણાતોએ જમીનનું આરોગ્ય જાળવવા માટે જમીન ચકાસણીનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જમીનમાં સેન્દ્રીય કાર્બન વધારવાના ઉપાયો, પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો અપનાવી જમીનને સુરક્ષિત રાખવાના માર્ગો અને જમીન ચકાસણીના પરિણામોના આધારે ખાતરોના ઉપયોગ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં આશરે 30 ખેડૂતોને જમીન આરોગ્ય પત્રકનું વિતરણ કરવામાં આવ્યું હતું. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જમીનના આરોગ્ય સુધારણાના અભિયાનના ભાગરૂપે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
30 બાળકો 210 કિમી સાયકલ યાત્રા પર:શાર્દુલ ગુરુકુળના વિદ્યાર્થીઓ ચોટીલા દર્શન કરશે
શાર્દુલ અન્વેષિકા ગુરુકુળના ૮ થી ૧૧ વર્ષના ૩૦ બાળકો, ૧૦ ગુરુજનો અને માતાઓ સાથે ચોટીલાના દર્શનાર્થે ૨૧૦ કિલોમીટરની સાયકલ યાત્રા પર નીકળ્યા છે. આ યાત્રા જમિયતપુરા ગામેથી ૬ ડિસેમ્બર (માગશર વદ બીજ) ના રોજ વહેલી સવારે શરૂ થઈ હતી અને ૧૨ ડિસેમ્બર (માગશર વદ આઠમ) ના રોજ ચોટીલા ખાતે પૂર્ણ થશે. ચોટીલા પ્રસિદ્ધ શક્તિતીર્થ અને મેઘાણીજીનું જન્મસ્થાન છે. ગુરુકુળના સંચાલક શ્રી ઉત્કર્ષભાઈ પટેલના જણાવ્યા અનુસાર, આ યાત્રાનો મુખ્ય હેતુ બાળકોમાં આત્મશ્રદ્ધા, ધર્મશ્રદ્ધા, રાષ્ટ્રશ્રદ્ધા, શાસ્ત્રશ્રદ્ધા અને ઈશશ્રદ્ધા વધારવાનો છે. શાર્દુલ પરિવાર દર વર્ષે બાળકો માટે આવા વિવિધ તીર્થક્ષેત્રોની શ્રદ્ધા યાત્રાનું આયોજન કરે છે. આ વર્ષની યાત્રાનું સૂત્ર “ગીતા થકી પંચ-પરિવર્તન” છે, જેમાં સામાજિક સમરસતા, કૌટુંબિક ભાવના, પર્યાવરણ જાળવણી, નાગરિક કર્તવ્ય અને સ્વ-ભાવ જાગરણ જેવા પાંચ પરિવર્તનો પર ભાર મૂકવામાં આવ્યો છે. બાળકો ભારતના આત્મા સમા ૫૦ થી વધુ ગામોમાંથી પસાર થશે અને ગામના બાળકોથી લઈને વૃદ્ધો સાથે નાટકો, રમતો, વાર્તાઓ, ભજન અને શાસ્ત્રોના સત્સંગ દ્વારા એકરૂપ થશે. યાત્રા દરમિયાન બાળકો ગીતાના ૧૮ અધ્યાયોનું પારાયણ કરશે. તેઓ રસ્તામાં આવતા ગામો, ત્યાંના મંદિરો, જળાશયો, કૃષિ પદ્ધતિઓ અને દેવી-દેવતાઓના વિવિધ સ્વરૂપોનો ઇતિહાસ નિહાળશે. આનાથી તેમને ભારતનો સાંસ્કૃતિક, પ્રાકૃતિક, ઋષિ-કૃષિ અને આધ્યાત્મિક વારસાની ઊંડી સમજ મળશે. ભોજન માટે બાળકો ગામમાં ફરીને ભિક્ષા ગ્રહણ કરશે અને બદલામાં ગીતાના શ્લોકરૂપી વિચારપુષ્પ અર્પણ કરશે. આ વિચરણ યાત્રા દ્વારા બાળકો શારીરિક વ્યાયામની સાથે ભૂગોળ, ઇતિહાસ, સમાજવિદ્યા, કૃષિવિજ્ઞાન, વ્યવહારશાસ્ત્ર, ગ્રામસંસ્કૃતિ પરિચય અને ધર્મશાસ્ત્ર જેવા અનેક વિષયોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકશે. આપણી સંસ્કૃતિમાં વિચરણનું ખૂબ મહત્વ રહ્યું છે, અને આ યાત્રા બાળકોમાં સાહસ, નિર્ભયતા, એકતા, સહનશીલતા, કૃતજ્ઞતા, ભાવમયતા, આત્મવિશ્વાસ, સેવાભાવના, સંઘનિષ્ઠા તથા દેશ, ધર્મ અને શાસ્ત્રો પર અતૂટ શ્રદ્ધાનું નિર્માણ કરશે. યાત્રા દરમિયાન જુદા જુદા વિષયોના વિદ્વાનો રોજ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા યાત્રાને વધુ આનંદપૂર્ણ અને કળાઓથી ભરપૂર બનાવે છે. આમાં જાણીતા ચિત્રકાર શ્રી પ્રકાશ ગર્ગ અને કેરળ મુરલ આર્ટ વિશેષજ્ઞ શકીલાજી જેવા નોંધપાત્ર વ્યક્તિઓનો સમાવેશ થાય છે.
રાષ્ટ્રીય મનોદિવ્યાંગ દિવસની ઉજવણી નિમિત્તે મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે એક તત્કાલ ચિત્ર હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. 'સોસાયટી ફોર ધ વેલફેર ઓફ ધ મેન્ટલી રિટારડેડ' દ્વારા આ હરીફાઈ યોજાઈ હતી, જેમાં શહેરની 25 સંસ્થાઓના 450થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ હરીફાઈમાં મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ ઉપરાંત, તેમના શિક્ષકો અને વાલીઓએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. હંસાબેન પટેલ, નયનાબેન મેવાડા અને દેવેન્દ્રભાઈ ખત્રી જજ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ વિવિધ થીમ પર ચિત્રો દોર્યા હતા. દરેક વિભાગમાંથી શ્રેષ્ઠ પાંચ ચિત્રોને ઇનામ આપવામાં આવ્યા હતા. ભાગ લેનાર દરેક બાળક માટે ભેટ અને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ચિત્ર હરીફાઈનો મુખ્ય હેતુ મનોદિવ્યાંગજનોમાં રહેલી કલાત્મક ક્ષમતાઓને કલાના માધ્યમથી બહાર લાવવાનો હતો. 8 ડિસેમ્બરને રાષ્ટ્રીય મનોદિવ્યાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય મનોદિવ્યાંગજનો માટે જાગૃતિ લાવવાનો અને તેમના કલ્યાણ માટે કાર્યક્રમો યોજવાનો છે.
કોડિનાર ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શિક્ષણ અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ કોડિનાર આંબેડકર ચૉક ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી. શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ મંત્રી ડૉ. વાજા પાણી દરવાજા વિસ્તારમાં પહોંચ્યા હતા. અહીં તેમણે મતવિસ્તારના નાગરિકો સાથે લોકસંપર્ક કર્યો હતો. લોકસંપર્ક દરમિયાન નાગરિકોએ તેમને વ્યક્તિગત તેમજ સામૂહિક પ્રશ્નો અંગે મૌખિક અને લેખિત રજૂઆતો કરી હતી. મંત્રીએ આ રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી અને તમામ મુદ્દાઓમાં શક્ય તેટલી ઝડપથી નિવારણ લાવવા ખાતરી આપી હતી. આ પ્રસંગે કોડિનાર નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ શિવા સોલંકી, અગ્રણીઓ સુભાષ ડોડિયા, ડૉ. શૈલેન્દ્ર વાઘેલા, ભગુ પરમાર સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
‘અમે દારૂ નથી વેચતા, ઈમાનદારીનો ધંધો કરીએ છીએ. દારૂ અને જુગારના અડ્ડા ચાલે છે, એમને પકડો. ત્યાંથી પૈસા મળે છે અને અમારી પાસેથી કશું નથી મળતું એટલે અમારો સામાન ઉઠાવી જાય છે. અમે દિવસના માંડ-માંડ 50 કે 100 રૂપિયા કમાઈને પેટ ભરીએ છીએ તો અમારો વાંક શું? જો અમે ગમતા ન હોય તો ગોળી મારીને મારી નાખો, આમ રોજ-રોજનું મરવા કરતા એક વાર મારી નાખો...’ આ વેદનાભર્યા શબ્દો છે સુરતમાં 60થી 65 વર્ષની એ વૃદ્ધ મહિલાઓના છે જેઓ રસ્તા પર બેસીને શાકભાજી વેચી રહી છે. સુરતના વરાછા વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક ઘટના બની હતી, જ્યાં તંત્રની કડક કાર્યવાહી અને અધિકારીઓના તોછડા વર્તનથી ત્રસ્ત થયેલી વૃદ્ધ મહિલાઓનું ટોળું પોતાની વ્યથા ઠાલવવા ધારાસભ્ય કુમાર કાનાણીની ઓફિસે પહોંચ્યું હતું. આ મહિલાઓની આંખોમાં આંસુ સાથે તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. ‘હું શું ત્યાં ભટ્ટ સાહેબની બાપની બાયડી બનવા ગઈ હતી?’એક વૃદ્ધ મહિલાએ ધ્રુજતા અવાજે અને રડતાં-રડતા પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, જ્યારે સાહેબો મારો સામાન જપ્ત કરી રહ્યા હતાં, ત્યારે હું કરગરી રહી હતી. મેં ભટ્ટ સાહેબને હાથ જોડીને કહ્યું કે, સાહેબ, હું તમારી માની ઉંમરની છું, મારી લાચારી સમજો. ત્યારે ભટ્ટ સાહેબે વળતા જવાબમાં મને હીન કક્ષાના શબ્દો સાંભળ્યા છે. શું ગરીબ હોવું એ અમારો ગુનો છે? ‘અમે કોઈ ટ્રાફિકને નડતરરૂપ નથી થતા’ધારાસભ્યને રજૂઆત કરવા આવેલી અન્ય મહિલાએ કહ્યું કે, છેલ્લા 10 દિવસથી અમારો ધંધો બંધ છે. ઘરમાં ખાવા માટે અનાજ નથી. અમારી પાસે કોઈ ગાડી નથી, કોઈ ટેમ્પો નથી. અમે કોઈ ટ્રાફિકને નડતરરૂપ નથી થતા, અમે તો સાઈડમાં બેસીએ છીએ, છતાં મ્યુનિસિપાલટીની ગાડી આવે છે, અમારો સામાન વેરવિખેર કરી નાખે છે અને જપ્ત કરીને લઈ જાય છે. અમે ચોરી નથી કરતા, મહેનત કરીએ છીએ. અમને જગ્યા આપે અને ધંધો કરવા દે. આ સાથે જ રોષે ભરાયેલી મહિલાઓએ પોલીસની કામગીરી પર આક્ષેપો કરતા જણાવ્યું કે, દારૂ અને જુગારના અડ્ડાઓ ચાલે છે, તેઓને પકડો. તેઓ પાસેથી પૈસા મળે છે એટલે, અમારી પાસે કઈ ન મળે. અમે કઈ દારૂ નથી વેચતા, ઈમાનદારીનો ધંધો કરીએ છીએ. એક પ્રશ્ન હલ કરવા જતા કોઈ સાથે અન્યાય ન થવો જોઈએઃ કાનાણી આ મામલે ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું કે, ટ્રાફિકની સમસ્યા માટે દબાણ હટાવવું જરૂરી છે, પરંતુ તેની નિર્દોષ અને ગરીબ લોકો હેરાન ન થવા જોઈએ. વરાછામાં ટ્રાફિક અને ગેરકાયદેસર દબાણનો પ્રશ્ન વિકટ છે, જે માટે મેં જ તંત્રને પત્ર લખ્યો હતો, પરંતુ મારો ઉદ્દેશ્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને માથાભારે દબાણકર્તાઓ સામે કાર્યવાહી કરવાનો હતો. તેમણે ઉમેર્યું કે, જે વૃદ્ધ મહિલાઓ પોતાની જગ્યા પર બેસીને શાંતિથી વેપાર કરે છે, તેમનો સામાન જપ્ત કરવો અને તેમની સાથે અમાનવીય વર્તન કરવું યોગ્ય નથી. શું છે સમગ્ર મામલો?બનાવની વિગત એવી છે કે, વરાછામાં ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે સુરત મહાનગરપાલિકાની દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે. આ દરમિયાન વરાછામાં રસ્તાની સાઈડમાં જમીન પર બેસીને શાકભાજી વેચતી વૃદ્ધ મહિલાઓની લારીઓ અને સામાન દબાણ શાખા દ્વારા જપ્ત કરી લેવાયો હતો. આ સમયે મહિલાઓએ પોતાના સામાન પરત આપવા માટે આજીજી કરી હતી. આ સમયે તંત્રના કર્મચારીઓએ માનવતા નેવે મૂકી દીધી હોવાનો આક્ષેપ મહિલાઓએ કર્યો છે.
રાહી ફાઉન્ડેશન દ્વારા સાબરમતીના ગોકુલનગર ખાતે ખીચડી વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ ફાઉન્ડેશનના 204મા ખીચડી વિતરણ પ્રોજેક્ટ અંતર્ગત 800થી વધુ લાભાર્થીઓને વેજીટેબલ ખીચડી અને મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ આંગણવાડી કેન્દ્ર, ઝૂંપડા પુનઃ વસન યોજના, ગોકુલનગર, સાબરમતી ખાતે રાખવામાં આવેલ હતો. મુખ્યત્વે શ્રમજીવી પરિવારના બાળકો અને મહિલાઓએ આ સેવાનો લાભ લીધો હતો. આ કાર્યક્રમના સહયોગી તરીકે શ્રી રાજેશભાઈ અને બેલાબેન પરીખ પરિવારે યોગદાન આપ્યું હતું. આંગણવાડીની કાર્યકર્તા બહેનોએ વ્યવસ્થાપનમાં સુંદર સહયોગ આપ્યો હતો. રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, નિહારિકા પરીખ, ભદ્રેશભાઈ, કિંજલબેન, વસંતરાવ, વૃતાંત, માર્કણ્ડભાઈ અને વિજય દલાલ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિતરણ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું.
પી.એમ.શ્રી.એન.પી. સયાજીગંજ શાળા નંબર 52 ના 45 વિદ્યાર્થીઓએ CRC કક્ષાના રમતોત્સવમાં ભાગ લીધો હતો. આ વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે.
ગુજરાત સરકારે NEP-2020ના અસરકારક અમલીકરણ અને વિદ્યાર્થીઓને વધુ રોજગારક્ષમ બનાવવાના ઉદ્દેશ્યથી એક વિશેષ વર્કશોપનું આયોજન કર્યું હતું. ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત આ વર્કશોપ ઇન્ટર્નશિપ અને અપ્રેન્ટિસશિપ પર કેન્દ્રિત હતો, જેમાં શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગ નિષ્ણાતો એક મંચ પર આવ્યા હતા. આ વર્કશોપ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની સરકારી તેમજ ગ્રાન્ટ-ઇન-એઇડ આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજો માટે ખાસ યોજાયો હતો. તેમાં 12થી વધુ પ્રતિષ્ઠિત ઉદ્યોગ નિષ્ણાતો, શૈક્ષણિક સંસ્થાના અધિકારીઓ, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ વચ્ચે બજારની જરૂરિયાતો, રોજગારીની તકો અને જરૂરી કૌશલ્યોના વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વર્ષોથી એવી માન્યતા હતી કે ઇન્ટર્નશિપ અને અપ્રેન્ટિસશિપ ફક્ત ટેકનિકલ અથવા વ્યવસાયિક અભ્યાસક્રમો માટે જ મહત્વપૂર્ણ છે. જોકે, ઉદ્યોગની બદલાતી જરૂરિયાતો અને NEP-2020ના અમલીકરણને કારણે આ દૃષ્ટિકોણમાં મોટો પરિવર્તન આવ્યો છે. હવે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે પણ વાસ્તવિક બજારનો અનુભવ મેળવવા ઇન્ટર્નશિપ અત્યંત મહત્વપૂર્ણ બની ગયું છે. અભ્યાસની સાથે સાથે વિષય અને તેને અનુરૂપ ક્ષેત્રનો પ્રાયોગિક અનુભવ દરેક વિદ્યાર્થી માટે રોજગાર ક્ષમતા વધારવાનું એક મહત્વનું સાધન બની ગયું છે. આ હેતુસર, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની 70થી વધુ કોલેજોના પ્રિન્સિપાલ, વિદ્યાર્થી પ્રતિનિધિઓ, NEP નોડલ ઓફિસર્સ અને પ્લેસમેન્ટ/ઇન્ડસ્ટ્રી ઓફિસર્સને આ વર્કશોપમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમાં કુલ 250થી વધુ પ્રતિભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્કશોપ દ્વારા ઉદ્યોગની વર્તમાન જરૂરિયાતો અને અપેક્ષાઓને સ્પષ્ટપણે સમજવામાં મદદ મળી હતી, જેથી અભ્યાસક્રમમાં તેનું અમલીકરણ સરળ બનશે. આ કાર્યક્રમ શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અને ઉદ્યોગો વચ્ચે સેતુ બનવાનું કાર્ય કરશે. ઉદ્યોગના નિષ્ણાતોએ વિદ્યાર્થીઓ પાસેથી ઉદ્યોગની અપેક્ષાઓ, ઇન્ટર્નશિપની તકો, ભવિષ્યમાં જરૂરી વ્યક્તિગત અને વ્યાવસાયિક કૌશલ્યો તેમજ ભવિષ્યમાં ઉદ્યોગ રોજગારની પરિસ્થિતિ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આનાથી કોલેજો પોતાના શૈક્ષણિક માળખાને વધુ ઉદ્યોગ અને રોજગારી લક્ષી બનાવી શકશે. આ સમગ્ર કાર્યક્રમની પહેલ અને માર્ગદર્શન માનનીય કમિશનર, ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમની આગેવાની હેઠળ ગુજરાતનું ઉચ્ચ શિક્ષણ વધુ ઉદ્યોગ-રોજગારી અને બજારની માંગ આધારિત કૌશલ્ય પ્રદાન કરવા તરફ આગળ વધી રહ્યું છે.
પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે ચંદ્ર-કૃષ્ણા હોલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. પાટણના વિદ્વાન બ્રાહ્મણ શ્રી અમિતભાઈ ઓઝા દ્વારા વિધિવત રીતે આ ભૂમિપૂજન સંપન્ન થયું હતું. આ પ્રસંગે દાતા અરવિંદભાઈ કૃષ્ણાલાલ દવે અને જયશ્રીબેન અરવિંદભાઈ દવે, કૈલાશબેન વ્યાસ, મનોજભાઈ વ્યાસ, પુસ્તકાલયના પ્રમુખ ડો. શૈલેષ સોમપુરા, પ્રમુખ હિરલબેન પરમાર સહિત કારોબારી સભ્યો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ હોલનો સંપૂર્ણ ખર્ચ દાતા પરિવાર દ્વારા ઉઠાવવામાં આવશે. આ હોલ ઉપર અને નીચે બંને બાજુ આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવશે. તેનો મુખ્ય હેતુ પાટણના વરિષ્ઠ નાગરિકો તેમના નિવૃત્ત જીવનનો ઉત્તમ સમય પસાર કરી શકે તે છે. હોલમાં હોમ થિયેટર સાથે સમાચાર, ધાર્મિક પ્રવચનો, મનોરંજન કાર્યક્રમો, મોટીવેશનલ લેક્ચર, વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓના લેક્ચર તેમજ વિવિધ પુસ્તકોના પ્રવચનો આધુનિક પદ્ધતિથી દર્શાવવામાં આવશે. આવી સુવિધાથી સજ્જ થનારી આ ગુજરાતની પ્રથમ લાઇબ્રેરી બનશે, જે પાટણ શહેર માટે ગૌરવપૂર્ણ બાબત છે. પુસ્તકાલય દ્વારા દાતા પરિવારનો આ ઉમદા કાર્ય બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
શનિવાર, ૬ ડિસેમ્બરના રોજ અમદાવાદના મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ ખાતે સદ્ગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની ચોથી વાર્ષિક અંતર્ધાન તિથિની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે સાંજે ૫:૩૦ થી ૮:૦૦ વાગ્યા સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. કાર્યક્રમમાં ધ્યાન, ભજન, શ્રી અબજીબાપાશ્રીની વાતોની પારાયણ અને કીર્તન-ભક્તિનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, છત્રી સ્થાને સામૂહિક આરતી પણ કરવામાં આવશે. આ પ્રસંગે શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામી સદ્ગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના મહિમાનું ગાન કરશે. કાર્યક્રમના અંતે, સંતો અને ભક્તો દ્વારા સામૂહિક પૂજન અને આરતી ઉતારવામાં આવશે. દેશ-વિદેશના ભક્તો આ કાર્યક્રમનો લાભ લઈ શકે તે માટે સ્વામિનારાયણ મંદિર કુમકુમની યુટ્યુબ ચેનલ પર તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ પ્રસંગે સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સાધુતાની મૂર્તિ અને સાધુગુણોનું શિખર હતા. તેમણે પોતાના ૮૦ વર્ષના સાધુ જીવન દ્વારા અનેક સંતો અને સત્સંગીઓને શ્રી સ્વામિનારાયણ ભગવાને પાળેલા નિયમોનું પાલન કરવાની પ્રેરણા આપી છે. શ્રી મુક્તજીવન સ્વામીબાપાના સિદ્ધાંતોને જાળવી રાખવા માટે સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ અમદાવાદના મણિનગરમાં શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમની સ્થાપના કરી હતી. હાલમાં, શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની સ્મૃતિમાં હીરાપુર આનંદધામ ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદ પધરાવીને એક છત્રી બનાવવામાં આવી છે. આ છત્રી સ્થાનને ૩ વર્ષ પૂર્ણ થયા છે અને ત્યાં દર પૂનમે સત્સંગ સભા યોજવામાં આવે છે.
ઉમરાળા ગામ ODF પ્લસ મોડલ તરફ:ગોબરધન યોજનાથી સ્વચ્છતા અને સ્વાવલંબનનું ઉદાહરણ બન્યું
સ્વચ્છતા અભિયાન હવે ગ્રામ વિકાસનો મજબૂત આધાર બની રહ્યું છે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાનું ઉમરાળા ગામ આ વિચારને સાકાર કરી રહ્યું છે. ગોબરધન પ્રોજેક્ટના સફળ અમલથી ઉમરાળા ગામ ઓ.ડી.એફ. પ્લસ મોડલ ગામ તરફ દ્રઢ પગલાં ભરી રહ્યું છે. વર્ષ ૨૦૧૪માં પ્રધાનમંત્રી દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ની શરૂઆત કરવામાં આવી હતી, જેના પરિણામે ૨જી ઓક્ટોબર ૨૦૧૯ના રોજ સમગ્ર દેશને ખુલ્લામાં શૌચમુક્ત (ODF) જાહેર કરવામાં આવ્યો. આ સફરને વધુ સશક્ત બનાવવા માટે, પ્રધાનમંત્રીની દીર્ઘદૃષ્ટિ મુજબ વર્ષ ૨૦૨૦-૨૧થી ૨૦૨૪-૨૫ દરમિયાન સ્વચ્છ ભારત મિશન તબક્કા-૨ અંતર્ગત તમામ ગામોને ODF પ્લસ મોડલ ગામ બનાવવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. આ તબક્કામાં ઘન અને પ્રવાહી કચરાના વૈજ્ઞાનિક સંચાલન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં ગોબરધન પ્રોજેક્ટ એક મહત્વપૂર્ણ કડી બની રહ્યો છે. રાણપુર તાલુકાના ઉમરાળા ગામે આ પ્રોજેક્ટનો શ્રેષ્ઠ અમલ થઈ રહ્યો છે. ગામના લાભાર્થીઓને ગંધ રહિત રસોઈ માટે બાયોગેસ મળી રહ્યો છે, જ્યારે પ્લાન્ટમાંથી મળતી મિથેન રહિત સ્લરી ખેડૂતો માટે વરદાન સાબિત થઈ રહી છે. આ સ્લરીનો પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગ કરીને ખેડૂતો વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે અને જમીનની ઉર્વરતા પણ જાળવી રહ્યા છે. આનાથી ખર્ચમાં ઘટાડો, ઉત્પાદનમાં વધારો અને પર્યાવરણ સુરક્ષા—આ ત્રણેયનો સમન્વય ઉમરાળા ગામમાં શક્ય બન્યો છે. આમ, સ્વચ્છતા, સ્વાવલંબન અને સસ્ટેનેબલ વિકાસનું સુંદર ઉદાહરણ બની રહેલું ઉમરાળા ગામ આજે અન્ય ગામો માટે પ્રેરણા સ્ત્રોત બન્યું છે.
આજરોજ મહેસાણા કલેક્ટર કચેરી ખાતે મહેસાણા નિવાસી અધિક કલેક્ટર જસવંત જેગોડાએ સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં પોતાનો ફાળો આપીને જિલ્લામાં સશસ્ત્ર સેના ધ્વજ દિનની ઉજવણીનો શુભારંભ કરાવ્યો હતો. આ તકે જિલ્લા મદદનીશ સૈનિક કલ્યાણ અધિકારી પલ્કેશકુમાર એચ.ચૌધરી દ્વારા અધિક નિવાસી કલેક્ટર જે.કે.જેગોડાનું સન્માન કરવામાં આવ્યું હતું. સૈનિકો પ્રત્યે ઋણ અદા કરવાની આપણી અને સમાજની મોટી જવાબદારીઆ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર જસવંત જેગોડાએ સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં ફાળો આપવા જિલ્લાવાસીઓને અપીલ કરી હતી. અધિક નિવાસી કલેક્ટર જસવંત કે. જેગોડાએ અપીલ કરતાં જણાવ્યું હતું કે, પોતાના પ્રાણની પરવા કર્યા વિના દેશના સીમાડાઓ અને સાર્વભૌમત્વનું રક્ષણ કરનાર દેશના સશસ્ત્ર સેનાના સૈનિકો યુદ્ધ સિવાય કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ કુદરતી પ્રકોપ, માનવ સર્જીત અકસ્માત કે આપદાઓમાં પણ નાગરિકોની સહાયતા માટે ખડે પગે રહી સમાજ અને દેશની અમુલ્ય સેવા બજાવવા અગ્રસર રહે છે. દેશની રક્ષા કરવા સતત તહેનાત રહેતા આપણા સૈનિકો પ્રત્યે ઋણ અદા કરવાની આપણી અને સમાજની મોટી જવાબદારી થાય છે. ગતવર્ષે 9 લાખ જેટલું ભંડોળ એકઠું કરવામાં સફળતા મળી હતીવધુમાં તેમણે કહ્યું કે, સૈનિકોના પરિવારજનો સ્વમાનભેર પોતાના જીવનનો નિર્વાહ કરી શકે તેવી વ્યવસ્થા કરવા તેમજ યુદ્ધ અને સૈનિક કાર્યવાહીમાં શારીરિક ક્ષતિગ્રસ્ત થવાના કારણે સશસ્ત્ર સેનાઓમાંથી છુટા કરાયેલા સૈનિકોના પુનર્વસવાટ માટે તેમજ સશસ્ત્ર સેનાઓને યુવાન રાખવાની રાષ્ટ્રની નિતિના ફલસ્વરૂપ તમામ નાગરિક સેવાઓની સરખામણીમાં ઘણી નાની ઉમરમાં સશસ્ત્ર સેનાઓમાંથી છુટા કરવામાં આવતા સૈનિકો અને તેઓના પરિવારજનોના કલ્યાણ માટે ચિંતા કરવી એ આપણી ફરજ છે. ગતવર્ષે 9 લાખ જેટલું ભંડોળ એકઠું કરવામાં સફળતા મળી હતી. આ વર્ષે પણ સશસ્ત્ર સેના ધ્વજદિન 2025-26 માં મહત્તમ ફાળો આપવા સર્વ કચેરી, સંસ્થા, શાળાઓ, વ્યક્તિને તથા જિલ્લાવાસીઓને અપીલ કરી હતી. આ તકે જિલ્લા મદદનીશ સૈનિક કલ્યાણ અધિકારી પલ્કેશકુમાર એચ.ચૌધરી સહિત જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શિયાળાની શરૂઆત સાથે જ રાજ્યના મહાનગરોમાં વધતા હવા પ્રદૂષણને ગંભીરતાપૂર્વક ધ્યાને લઇ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પ્રદૂષણ નિયંત્રણ માટે તાત્કાલિક એક્શન પ્લાન તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હતી. મુખ્યમંત્રીએ ભવિષ્યમાં પ્રદૂષણની ગંભીર અસરોને અટકાવવા રાજ્યના તમામ વિભાગોને સાથે રાખીને ઝડપી પગલા ભરવા જણાવી તાકીદ કરી હતી. CMની સૂચના બાદ બાંધકામની સાઈટ પર તપાસ શરૂમુખ્યમંત્રીની સૂચનાનુસાર શહેરી વિકાસ વિભાગ એક્શન મોડમાં આવી ચૂક્યું છે. વિભાગના અગ્ર સચિવએ રાજ્યની 17 મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરો અને 6 પ્રાદેશિક નગરપાલિકાના કમિશનરો સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી બાંધકામ સાઈટ પર પ્રદૂષણ નિયંત્રણના પગલાં અંગે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ તમામ મહાનગરપાલિકાઓએ તાત્કાલિક સાઈટ ઈન્સ્પેક્શનનો પ્રારંભ કર્યો હતો. બાંધકામ દરમિયાન તકેદારી ન રાખનારી 541 સાઈટ સામે દંડનીય કાર્યવાહીમાત્ર ત્રણ દિવસમાં રાજ્યની 2,961 બાંધકામ સાઈટ પૈકી 2,600થી વધુ સાઈટનું ઈન્સ્પેક્શન પૂર્ણ કરવામાં આવ્યું છે. તેમાં જૂની 8 મહાનગરપાલિકાની 1,303 તથા નવી 9 મહાનગરપાલિકાની 1,300 સાઈટનો સમાવેશ થાય છે. ઉપરાંત પ્રાદેશિક નગરપાલિકાઓની કચેરી હેઠળની કુલ 771 સાઈટનું પણ 100% ઈન્સ્પેક્શન પૂર્ણ થયું છે. ઈન્સ્પેક્શન દરમિયાન તકેદારી ન રાખનાર કુલ 541 સાઈટને દંડ ફટકારાયો છે. જેમાં જૂની મહાનગરપાલિકાની 506 સાઈટને ₹1.22 કરોડ અને નવી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી 35 સાઈટને 1 લાખ 5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. હાલમાં શહેરી વિકાસ વિભાગ દૈનિક ધોરણે મોનીટરીંગ અને સમીક્ષા કરી રહ્યું છે અને બાંધકામ સમયે પર્યાવરણ સંરક્ષણના નિયમો કડકાઈથી અમલમાં લાવવા માટે સતત દેખરેખ રાખી રહ્યું છે. આ સમાચાર પણ વાંચોગુજરાતનાં ચાર મુખ્ય શહેરમાં AQI 180ને પાર, અમદાવાદ-રાજકોટમાં પાંચ વર્ષનો રેકોર્ડ તૂટ્યો; ડોક્ટરે કહ્યું- 'માસ્ક પહેરો' ગુજરાતમાં શિયાળાની શરૂઆતની સાથે છેલ્લા 15 દિવસથી હવામાં પ્રદૂષણના સ્તરમાં વધારો થયો છે. ગુજરાતનાં ચાર મુખ્ય શહેર- અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પ્રદૂષણના સ્તર 180ને પાર થઈ જતાં તબીબોએ લોકોને ચેતવ્યા છે. આ શહેરોમાં સવારના અને સાંજના સમયે તો AQI (એર ક્વોલિટી ઈન્ડેક્સ)નો સ્તર 200ને પાર પહોંચી જાય છે, જેને અનહેલ્થી ગણવામાં આવે છે. મહાનગરોનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 180ને પાર પહોંચવા લાગતાં તબીબોએ લોકોને ચેતવ્યા છે. ખાસ કરીને શ્વાસ અને હૃદયરોગના દર્દીઓે વહેલી સવારે અને રાત્રિના સમયે બહાર ન નીકળવા સલાહ આપી છે. જો બહાર નીકળવાનું થાય તો N-95 માસ્ક પહેરવા સલાહ આપવામાં આવી છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
હિંમતનગરમાંથી SOGએ નશાકારક કફ સિરપ ઝડપી:176 બોટલ સાથે બે આરોપી પકડાયા, એક ફરાર
સાબરકાંઠા SOG એ હિંમતનગર વિસ્તારમાંથી નશાકારક કફ સિરપ કોડીનની 176 બોટલ ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી ફરાર છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત રૂ. 33,440 આંકવામાં આવી છે. SOG PI ડી.સી. પરમારે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, SOG PSI પી.એમ. ઝાલા અને તેમનો સ્ટાફ ATS ચાર્ટર સંબંધિત કામગીરી માટે હિંમતનગર ટાઉનમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને બાતમી મળી હતી. બાતમી મુજબ, હિંમતનગર બસ સ્ટેશન સામે શક્તિ હોટલ નજીક મોચીવાસમાં જવાના રોડ પર એક ઇસમ કાળા રંગની થેલીમાં કફ સિરપની બોટલો સાથે ઊભો હતો. SOG ટીમે ત્યાં જઈને તપાસ કરતા હિંમતનગરના મોચીવાસમાં રહેતા કરુણ ઉર્ફે કરણ રામજીભાઈ પરમાર (ઉં.વ. 18 વર્ષ 2 માસ) પાસેથી લેબલ વગરની 11 કફ સિરપની બોટલો મળી આવી હતી. કરુણની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે આ કફ સિરપ તે હિંમતનગર બસ સ્ટેશન સામે, મોચીવાસમાં રહેતા દર્શનકુમાર ભરતભાઈ પરમારના ઘરેથી લાવ્યો હતો. દર્શન પરમાર આ સિરપ હિંમતનગર સહકારી જીન વિસ્તારમાં તુલસી ફ્લેટમાં રહેતા નિલેશકુમાર રમણભાઈ પ્રજાપતિ પાસેથી લાવ્યો હતો. SOG ટીમે કરુણને સાથે રાખી દર્શનકુમાર પરમારના ઘરે તપાસ કરતા ત્યાંથી લેબલ વગરની 17 કફ સિરપની બોટલો મળી આવી હતી. ત્યારબાદ, 40 વર્ષીય નિલેશકુમાર રમણભાઈ પ્રજાપતિના ઘરેથી 'TRIPROLIDDINE HYDROCHLORIDE PHOSPHATE SYRUP' ના લેબલવાળી 148 કફ સિરપની બોટલો મળી હતી. આમ, SOG ટીમે કુલ 176 નંગ કફ સિરપની બોટલો જપ્ત કરી હતી, જેની કુલ કિંમત રૂ. 33,440 થાય છે. SOG એ તમામ મુદ્દામાલ કબજે લઈ ઝડપાયેલા બે અને ફરાર એક સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓ 1. કરુણ ઉર્ફે કરણ રામજીભાઈ અરજનભાઈ પરમાર, ઉં.વ. 18 વર્ષ 2 માસ, રહે. હિંમતનગર બસ સ્ટેશનની સામે, મોચીવાસ, હિંમતનગર, જિ. સાબરકાંઠા. 2. નિલેશકુમાર રમણભાઈ પ્રજાપતિ, ઉં.વ. 40, રહે. તુલસી ફ્લેટ, એફ વિંગ, મકાન નં-105, સહકારી જીન, હિંમતનગર, જિ. સાબરકાંઠા. ફરાર આરોપી: 1. દર્શનકુમાર ભરતભાઈ પરમાર, રહે. હિંમતનગર બસ સ્ટેશનની સામે, મોચીવાસ, હિંમતનગર, જિ. સાબરકાંઠા.
પોરબંદરમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ (GPKVB) યોજના હેઠળ પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્માના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ પ્રવાસ અંતર્ગત કુતિયાણા તાલુકાના ચૌટા ગામના ખેડૂતોએ રાણાવાવ તાલુકાના રાણાકંડોરણા ગામ સ્થિત વેલનાથ મોડલ ફાર્મની મુલાકાત લીધી હતી. આ પ્રેરણા પ્રવાસમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વેલનાથ મોડલ ફાર્મ ખાતે ખેડૂતોને જીવામૃત અને ઘન જીવામૃતના જીવંત નિદર્શન (ડેમો) તેમજ પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓનું પ્રત્યક્ષ પ્રદર્શન કરીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ માર્ગદર્શન તાલુકા સંયોજક દેવાભાઈ ખૂટી, એગ્રી એસિસ્ટન્ટ પારસ મારૂ અને આસિસ્ટન્ટ ટીમ મેનેજર રાજભાઈ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રવાસ ખેડૂતો માટે અત્યંત માર્ગદર્શક સાબિત થયો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાકૃતિક ખેતી અપનાવી જમીનની ઉત્પાદકતા વધારવી, ખેતી ખર્ચ ઘટાડવો અને સ્વસ્થ પાક ઉત્પાદન તરફ આગળ વધવાનો હતો.
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાન માટે જાહેર કરાયેલા કૃષિ રાહત પેકેજ અંતર્ગત 75 હજારથી વધુ ખેડૂતોને ₹252 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. જિલ્લામાં કુલ 2,24,613 અસરગ્રસ્ત ખેડૂતોએ સહાય માટે અરજી કરી હતી, જેમાંથી 1,56,000 અરજીઓની ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ બાદ કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. આ પેકેજ હેઠળ પાક નુકસાની સહાયનો લાભ મેળવવા માટે અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2,24,613 ખેડૂતોએ અરજીઓ કરી છે. પી.એફ.એમ.એસ. પોર્ટલ મારફત થયેલી કામગીરીમાં 75 હજારથી વધુ નુકસાનગ્રસ્ત ખેડૂતોને ₹252 કરોડથી વધુની રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા સીધી અરજદાર ખેડૂતોના આધારલિંક બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. કૃષિ રાહત પેકેજનો લાભ લેવા માટે અમરેલી જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં જોગવાઈ મુજબ વી.સી.ઈ. મારફત નુકસાનગ્રસ્ત ખેડૂતોની અરજીઓ મેળવવાની કામગીરી 14 નવેમ્બર, 2025થી શરૂ થઈ હતી. અરજી મેળવવાની આ કાર્યવાહી હવે પૂર્ણ થઈ ગઈ છે. અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે, જિલ્લાના તમામ 626 અસરગ્રસ્ત ગામોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. અરજદારો દ્વારા રજૂ કરાયેલા સાધનિક પુરાવા અને વિગતોની ચકાસણીની કામગીરી ગ્રામસેવક અને તાલુકા સ્ટાફ મારફત કરવામાં આવી રહી છે. હાલના તબક્કે 1,56,000 અરજીઓની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને અન્ય અરજીઓની ચકાસણીની કામગીરી દિવસ-રાત સતત ચાલુ છે. જેમ જેમ અરજી ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થશે, તેમ તેમ પાક નુકસાની સહાય પેકેજની રકમ ખેડૂતોના બેંક ખાતામાં DBT મારફત સીધી જ જમા કરવામાં આવશે.
મહિલાનું હાર્મોનિયમ રીક્ષામાં ભૂલાયું:પોરબંદરમાં નેત્રમ ટીમે CCTVની મદદથી શોધી પરત કર્યું
પોરબંદરમાં વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ નેત્રમ ટીમે ફરી એક પ્રશંસનીય કામગીરી કરી છે. એક મહિલાનું આશરે ₹15,000નું હાર્મોનિયમ ઓટો રીક્ષામાં ભૂલાઈ ગયું હતું, જેને ટીમે સીસીટીવીની મદદથી ગણતરીની મિનિટોમાં શોધી પરત અપાવ્યું હતું. અરજદાર વિજ્યાબેન તેમના પુત્ર સાથે રામબા કોલેજ પાસેથી કમલાબાગ સર્કલ તરફ જવા માટે એક ઓટો રીક્ષામાં બેઠા હતા. આ દરમિયાન તેમનું હાર્મોનિયમ રીક્ષામાં જ રહી ગયું હતું. વિજ્યાબેને નેત્રમ કચેરીનો સંપર્ક કરતા, નેત્રમ ઇન્ચાર્જે તાત્કાલિક સ્ટાફને શોધખોળ શરૂ કરવા સૂચના આપી હતી. ટીમે રીક્ષા પસાર થયેલા રૂટ પર લગાવેલા VISWAS PROJECTના સીસીટીવી કેમેરા તપાસ્યા હતા. સીસીટીવી ફૂટેજના આધારે રીક્ષાનો રજીસ્ટ્રેશન નંબર GJ04 AU 2128 હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ રીક્ષા ચાલક રાજુભાઇ રાળાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. નેત્રમ કચેરીએ રીક્ષા ચાલક રાજુભાઇ અને અરજદાર વિજ્યાબેન બંનેને બોલાવી, ભૂલાઈ ગયેલું હાર્મોનિયમ સુરક્ષિત રીતે પરત સોંપ્યું હતું. વિજ્યાબેને નેત્રમ સ્ટાફ અને પ્રમાણિક રીક્ષા ચાલક રાજુભાઇ રાળાનો આભાર વ્યક્ત કર્યો હતો.
કલા મહાકુંભ સ્પર્ધાનો અમરેલીમાં શુભારંભ:8 જિલ્લા, 4 મહાનગરપાલિકાના 4000 સ્પર્ધકો ભાગ લેશે
અમરેલીમાં સૌરાષ્ટ્ર પ્રદેશકક્ષા કલા મહાકુંભ સ્પર્ધા-2025નો રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરીયાના હસ્તે શુભારંભ થયો. આ સ્પર્ધા 6 થી 8 ડિસેમ્બર દરમિયાન યોજાશે. શહેરની કે.કે. પારેખ અને મહેતા આર.પી. વિદ્યાલય (નૂતન મીડલ સ્કૂલ) ખાતે આયોજિત આ મહાકુંભમાં સૌરાષ્ટ્રના 8 જિલ્લા અને 4 મહાનગરપાલિકા વિસ્તારના લગભગ 4,000 સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધામાં રાજકોટ શહેર અને ગ્રામ્ય, ભાવનગર શહેર અને ગ્રામ્ય, જામનગર શહેર અને ગ્રામ્ય, જૂનાગઢ શહેર અને ગ્રામ્ય, અમરેલી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લા કક્ષાએ વિજેતા બનેલા સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. વિવિધ વયજૂથમાં કુલ 30 સ્પર્ધાઓ યોજાઈ રહી છે. સ્પર્ધામાં કલાત્મક લોકનૃત્યો, સમૂહ ગીત, અભિનય, લેખન, સંગીતના વિવિધ વાદ્યોનું વાદન, વક્તૃત્વ અને અન્ય કલા પ્રસ્તુતિઓનો સમાવેશ થાય છે. રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને કલાકારોની કલાકૃતિઓ નિહાળી હતી અને તેમની કળાને બિરદાવી હતી. તેમણે અમરેલીના યજમાનપદે યોજાઈ રહેલા આ કાર્યક્રમના સફળ આયોજન બદલ જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, અમરેલીને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી વિક્રમસિંહ પરમારે રાજ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલ ધોરાજીયા, મૌલિક ઉપાધ્યાય, વિવિધ જિલ્લામાંથી આવેલા સ્પર્ધકો, શાળાના શિક્ષકો અને કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.

25 C