ગુજરાતના ગૌરવ સમાન એશિયાટિક સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયા બાદ હવે સિંહો જિલ્લાના છેવાડાના વિસ્તારો સુધી પોતાનું સામ્રાજ્ય વિસ્તારી રહ્યા છે. વડિયા પંથકમાં આવેલા સુરવો ડેમ નજીક એક સિંહણ તેના 3 બચ્ચા સાથે જોવા મળતા સ્થાનિકોમાં કુતૂહલ સર્જાયું છે. સિંહ પરિવારે મારણ કર્યા બાદ ખુલ્લા મેદાનમાં આરામ ફરમાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. લોકોના ટોળેટોળા ઉમટ્યાસિંહોના આગમનના સમાચાર વાયુવેગે પ્રસરતા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો સુરવો ડેમની પાળે સિંહદર્શન માટે એકઠા થયા હતા. સિંહણ અને તેના 3 બચ્ચાને નિર્ભય રીતે વિહાર કરતા જોઈ પ્રકૃતિપ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. વાયરલ વીડિયોમાં સિંહ પરિવાર મારણ કર્યા બાદ નિરાંતે આરામ કરતો નજરે પડે છે. વન વિભાગ સતર્કવીડિયો વાઈરલ થતાં અને લોકોની ભીડ વધતા વન વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. વન વિભાગના કર્મચારીઓએ ડેમની આસપાસ એકઠા થયેલા લોકોને સુરક્ષિત અંતરે ખસેડ્યા હતા. વનતંત્ર દ્વારા લોકોને સિંહ પરિવારની નજીક ન જવા અને કોઈ પણ પ્રકારની પજવણી ન કરવા કડક અપીલ કરવામાં આવી છે. હાલ વન વિભાગની ટીમ દ્વારા આ વિસ્તારમાં સિંહોના મૂવમેન્ટ પર સતત વોચ રાખવામાં આવી રહી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. વિસ્તરતું સિંહોનું સામ્રાજ્યઅમરેલી જિલ્લામાં સિંહોની વસ્તી સૌથી વધુ નોંધાઈ છે. હવે સિંહો માત્ર ગીરના જંગલ પૂરતા મર્યાદિત ન રહેતા જિલ્લાની સરહદો અને છેવાડાના ગ્રામ્ય વિસ્તારો સુધી વસવાટ કરી રહ્યા છે, જે પર્યાવરણ અને સિંહ સંરક્ષણની દ્રષ્ટિએ હકારાત્મક સંકેત માનવામાં આવે છે.
ગુરુકુલ કોલેજમાં સાયબર સિક્યુરિટી ચિત્ર સ્પર્ધા:વિદ્યાર્થીઓમાં જાગૃતિ માટે કવચ કેન્દ્ર દ્વારા આયોજન
પોરબંદરની ગુરુકુલ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ગુજરાત સરકારના કવચ કેન્દ્ર અને રંગ કલા કૌશલ્ય ધારાના સંયુક્ત ઉપક્રમે સાયબર સિક્યુરિટી જાગૃતિ અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. ડિજિટલ યુગમાં વધતા સાયબર ગુનાઓ પ્રત્યે વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાય અને સુરક્ષિત ઇન્ટરનેટ ઉપયોગ અંગે સમજ વિકસે તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કોલેજના પ્રિન્સિપલ ડૉ. અનુપમ નાગરના માર્ગદર્શન અને પ્રેરણાથી કોલેજમાં સમયાંતરે સાયબર સિક્યુરિટી અવેરનેસ માટે વિવિધ પ્રવૃત્તિઓ યોજાતી રહે છે. આ પ્રસંગે રંગ કલા કૌશલ્ય ધારાના અધ્યક્ષા પ્રો. રોહિણીબા જાડેજા, સભ્ય ડૉ. નમ્રતાબેન સામાણી તથા ધારાના સેક્રેટરી કુમારી રિયા ગોહેલે આયોજનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. ચિત્ર સ્પર્ધાના નિર્ણાયક તરીકે કોલેજના કવચ કેન્દ્રના કોઓર્ડિનેટર ડૉ. રાજેન્દ્ર ચૌધરીએ જવાબદારી નિભાવી હતી. સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ હેકિંગ, ફિશિંગ, પાસવર્ડ સુરક્ષા, સોશિયલ મીડિયા સેફ્ટી અને સેફ ઇન્ટરનેટ પ્રેક્ટિસિસ જેવા વિષયો પર સર્જનાત્મક અને સંદેશસભર ચિત્રો રજૂ કર્યા હતા. સ્પર્ધાના વિજેતાઓમાં સરવૈયા નંદીની એ., બામણીયા ભુમીશા ડી. અને બગીયા કૃપા એચ. નો સમાવેશ થાય છે. વિજેતાઓને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને સુરક્ષિત ડિજિટલ જીવન તરફ પ્રેરિત કરવામાં આવ્યા હતા.
પાટણમાં રાણીની વાવ ઉત્સવ-2026 સંપન્ન:ઋષભ આહીરના સંગીતથી લોકસંસ્કૃતિની ઉજવણી થઈ
પાટણ ખાતે વિશ્વ વિરાસત રાણીની વાવમાં બે દિવસીય 'રાણીની વાવ ઉત્સવ-2026' સંપન્ન થયો છે. ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત આ ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય લોકસંસ્કૃતિને ઉજાગર કરવાનો હતો. રાજ્યભરના સુપ્રસિદ્ધ યાત્રાધામો તેમજ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસા સ્થળોએ લોકસંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્સવ દરમિયાન આયોજિત સંગીત સમારોહમાં સુપ્રસિદ્ધ લોકગાયક ઋષભ આહીર અને તેમના ગ્રુપે લોકસંગીતની મનોહર રજૂઆત કરી હતી. તેમણે પરંપરાગત લોકગીતો, રાસ-ગરબા અને લોકધુનો રજૂ કર્યા હતા. ઋષભ આહીરના સૂર અને તાલે સમગ્ર રાણીની વાવ પરિસર સંગીતમય બની ગયું હતું. પાટણવાસીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રવાસીઓએ સંગીતનો ભરપૂર આનંદ માણ્યો હતો. આ ઉત્સવમાં વિવિધ અધિકારીઓ, કર્મચારીઓ, સંગઠનના પદાધિકારીઓ, સાંસ્કૃતિક ક્ષેત્રના આગેવાનો તેમજ પાટણ જિલ્લાના નાગરિકો અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગરના પીપળજ પાસે એક ગંભીર અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી છે. ખાણખનીજ વિભાગની ચેકપોસ્ટ પાસે ઉભેલી સરકારી બોલેરો ગાડી પર રેતી ભરેલું ડમ્પર પલટી ખાઈ જતાં ગાડીનો કુરચો બોલી ગયો હતો. સદનસીબે આ અકસ્માત સમયે ગાડીમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે. હાલમાં આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડમ્પર બોલેરો ગાડી પર પલટી મારી ગયુંગાંધીનગરના પીપળજ ખાણખનીજ ચેકપોસ્ટ પાસે વિભાગની બોલેરો ગાડી નિયમ મુજબ ઉભી હતી. આ દરમિયાન રસ્તા પરથી પસાર થઈ રહેલા એક ડમ્પરના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. અને બેકાબૂ બનેલું ડમ્પર સીધું જ ચેકપોસ્ટ પાસે ઉભેલી બોલેરો ગાડી પર પલટી મારી ગયું હતું. આ ડમ્પર એટલી જોરદાર રીતે પલટ્યું હતું કે બોલેરો ગાડી ડમ્પરના વજન નીચે દબાઈ ગઈ હતી અને તેનો સંપૂર્ણ લોસ થયો હતો. ડ્રાઈવરે અચાનક કાબૂ ગુમાવતા ટ્રક પલટી ખાઈ ગઈઆ ઘટના અંગે ગાંધીનગરના ભૂસ્તર શાસ્ત્રી પ્રણવસિંહે જણાવ્યું હતું કે, ચેકપોસ્ટ પર અગાઉથી વિભાગની ગાડી ઉભી રાખવામાં આવી હતી. તે સમયે એક ટ્રક ડમ્પર આગળ ઉભી હતી. જેની પાછળ અન્ય એક ટ્રક પૂરપાટ ઝડપે આવી પહોંચી હતી. ડ્રાઈવરે અચાનક કાબૂ ગુમાવતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી અને અમારી બોલેરો ગાડી તેની નીચે દબાઈ ગઈ હતી. ટ્રકના ડ્રાઈવરને સામાન્ય ઈજાસદનસીબે રાહતની વાત એ છે કે જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે બોલેરો ગાડીનો ડ્રાઈવર ગાડીની બહાર હતો. જેના કારણે તેનો આબાદ બચાવ થયો છે. બીજી તરફ, ટ્રકના ડ્રાઈવરને આ ઘટનામાં સામાન્ય ઈજાઓ પહોંચી છે, જેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ડમ્પર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાયોઆ અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જેની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ડમ્પર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી અકસ્માત પાછળના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ ઓવરસ્પીડ અથવા બ્રેક ફેલ થવાના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
પાટણ નગરપાલિકામાં BU પરમિશનને લઈને ચાલી રહેલા વિવાદમાં નવો વળાંક આવ્યો છે. કોંગ્રેસે ચીફ ઓફિસર પર મીડિયાને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કર્યો છે, જ્યારે ચીફ ઓફિસરે આર્કિટેક્ટની ભૂલ ગણાવી વધારાની મંજૂરી રદ કરી હોવાનું જણાવ્યું છે. આ વિવાદમાં તંત્ર દ્વારા સંબંધિત આર્કિટેક્ટનું લાયસન્સ પણ રદ કરવામાં આવ્યું છે. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે નગરપાલિકાના ચીફ ઓફિસર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, બસ સ્ટેન્ડ પ્રોજેક્ટમાં અપાયેલી BU પરમિશન અંગે ચીફ ઓફિસરે અગાઉ મીડિયા સમક્ષ ખોટું નિવેદન આપ્યું હતું. ચીફ ઓફિસરે કુલ 4 માળની મંજૂરી આપી હોવાનું જણાવ્યું હતું, પરંતુ વાસ્તવમાં કાગળ પર 7 માળની પરમિશન આપવામાં આવી હતી. આ વિસંગતતાને પગલે કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસર, પ્રમુખ અને ઉપપ્રમુખની ચેમ્બરની બહાર 7 માળની મંજૂરીના કાગળો ચોંટાડી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દીપક પટેલે વધુમાં જણાવ્યું કે, જ્યારે આ મુદ્દે રજૂઆત કરાઈ ત્યારે ચીફ ઓફિસરે પરમિશન રદ કરી હોવાનો બચાવ કર્યો હતો. કોંગ્રેસનો આક્ષેપ છે કે જો પરમિશન રદ થઈ હોય તો ત્યાં કાર્યરત 'વી-માર્ટ' માં 4 માળ સુધી માલ ભરેલો છે અને તે ધમધમી રહ્યો છે. તેમણે માંગ કરી કે જો તંત્ર સામાન્ય નાગરિકોની દુકાનો કે મકાનો સીલ કરી શકતું હોય, તો પરમિશન વગર ચાલતા 'વી-માર્ટ' ને પણ તાત્કાલિક સીલ કરવું જોઈએ. આ ઉપરાંત, બસ સ્ટેન્ડના પ્રથમ માળની મંજૂરી 9 મહિના પહેલા અપાઈ હોવા છતાં 6 મહિના બાદ પણ તે શરૂ ન થતા જનતાને હાલાકી ભોગવવી પડી રહી છે. આ વિવાદ અંગે ચીફ ઓફિસર હિરલ ઠાકરે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા તમામ પ્રક્રિયા નિયમ મુજબ કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, આ કેસમાં જે તે સમયે આર્કિટેક્ટ દ્વારા ખોટા દસ્તાવેજો અપલોડ કરવામાં આવ્યા હતા અને સર્વે કર્યા વગર 4 માળની BU પરમિશન મેળવવાનો પ્રયાસ કરાયો હતો. આ બાબત ધ્યાને આવતા નગરપાલિકાએ તુરંત આર્કિટેક્ટને નોટિસ આપી હતી. હાલમાં જ તે આર્કિટેક્ટનું લાયસન્સ રિન્યુ કરવાને બદલે રિજેક્ટ કરી દેવામાં આવ્યું છે. ચીફ ઓફિસરે વધુમાં જણાવ્યું હતું કે, બસ સ્ટેશન બનાવી રહેલી એજન્સીને પણ 15 ઓક્ટોબરના રોજ લેખિતમાં જાણ કરી દેવામાં આવી હતી કે તેમના બીજા, ત્રીજા અને ચોથા માળની BU પરમિશન રદ કરવામાં આવે છે. હાલ માત્ર ફાયર NOC ના આધારે જેટલી મંજૂરી મળી છે તેટલી જ પરમિશન અમલમાં છે અને આ કાર્યવાહી GDCR ના નિયમો મુજબ થઈ છે. 'વી-માર્ટ' ના કિસ્સામાં તે પ્રથમ માળ સુધી કામગીરી ચાલુ રાખી શકશે, પરંતુ તેનાથી ઉપરના માળ બાબતે GDCR ની જોગવાઈઓ તપાસીને આગામી સમયમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતીને 38 વર્ષીય પરિણીતે સ્નેપચેટ પર ખોટું નામ ધારણ કરી પ્રેમજાળમાં ફસાવી હતી. એક વર્ષ યૌનશોષણ કર્યા બાદ તે પરિણીત હોવાનો ભાંડો ફૂટી જતાં ધાકધમકી અને બ્લેકમેઈલ કરી નાનાભાઈ સાથે બળજબરી પરણાવી દીધી હતી. જોકે લગ્ન બાદ પણ યુવતીને સંબંધ રાખવા દબાણ અને બળાત્કાર કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પ્રતિક છ મહિના પહેલાં યુવતીને પોતાના નાના ભાઇ સાથે લગ્ન કરાવી પોતાના જ ઘરમાં જ લઇ આવ્યો હતો. નાના ભાઇના લગ્ન નહિ થતાં હોય વાત છુપાવવા માટે એન.જી.ઓ.ની મદદથી બીજી જ્ઞાતિની યુવતી શોધી હોવાનું જણાવી પોતાની પ્રેમિકા હોવાનું બહાર આવવા દીધું ન હતું. લગ્ન બાદ યુવતી પોતાના પતિ સાથે વફાદાર રહેવા માંગતી હોવા છતાં વાત જાહેર કરી દેવાની ધમકી આપી બળાત્કાર કરતાં ત્રાસેલી યુવતી છેવટે સિંગણપોર પોલીસ મથકે પહોંચી હતી. પ્રેમજાળમાં ફસાવી ને અનેક વખત શરીર સંબંધ બાંધ્યામળતી માહિતી પ્રમાણે સિંગણપોર વિસ્તારમાં રહેતી 22 વર્ષીય કોલેજીયન યુવતીની દોઢેક વર્ષ અગાઉ સ્નેપચેટ પર કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર સુપરવાઇઝર તરીકે નોકરી કરતા પ્રતિક (નામ બદલ્યું છે) સાથે મિત્રતા થઇ હતી. 40 વર્ષીય એક પુત્રીના પિતા પ્રતિકે પોતે અપરિણીત છે એમ કહી પ્રેમજાળમાં ફસાવી ફરવાના બહાને શહેરના અલગ-અલગ વિસ્તારની હોટલમાં લઇ જઈ લગ્નની લાલચ આપી અનેક વખત શરીર સંબંધ બાંધ્યા હતા. પરિણીત હોવાનો ભાંડો ફૂટ્યો ને સંબંધ પર પૂર્ણવિરામબ્યુટી પાર્લરના કામની સાથે કોલેજમાં અભ્યાસ કરતી યુવતીએ લગ્નની વાત કરતા પ્રતિકે પોતે પરિણીત હોવાનું અને એક પુત્રીનો પિતા હોવાથી લગ્નનો ઇન્કાર કર્યો હતો. જેથી યુવતીએ પ્રતિક સાથેના સંબંધ પર પૂર્ણવિરામ મુકયું હતું. એકાંત માણેલા ફોટો વાયરલ કરવાની ધમકી આપીપરંતુ પરિણીત હોવાની હક્કીત છુપાવનાર નરાધમ પ્રતિકે એકાંત માણ્યું હતું, ત્યારના ફોટો ક્લીક કર્યા હતા, તે તેણીના ભાઈ અને પિતાને બતાવવા ઉપરાંત સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવાની ધમકી આપી બદનામ કરવાનું શરૂ કર્યુ હતું. નાનાભાઈ સાથે લગ્ન કરાવીને યુવતી પર દુષ્કર્મ આચર્યું ઉપરાંત આરોપીએ યુવતીને કહ્યું કે, 'આપણે જો સાથે રહેવું હોય તો તું મારા નાનાભાઇ સાથે લગ્ન કરી લે અને તું ના પાડશે તો હું ફોટા વાયરલ કરી દઈશ' એવી ધમકી આપી હતી. જેથી પ્રતિકની ધમકીને પગલે યુવતીએ તેના નાનાભાઈ સાથે લગ્ન કર્યા હતાં. લગ્ન બાદ છ મહિના સુધી પ્રતિકે યુવતી પર બળાત્કાર ગુજારવાનું ચાલુ રાખ્યું હતું. હવસખોર પરિણીત પ્રતિકને પોલીસે દબોચ્યોપરંતુ છેવટે પ્રતિકની રોજબરોજની કનડગતથી યુવતી કંટાળીને ઘર છોડીને ચાલી ગઈ હતી અને હવસખોર પ્રતિકના જધન્ય અપરાધ અંગે સિંગણપોર પોલીસમાં બળાત્કારની ફરિયાદ નોંધાવતા ધરપકડ કરી એક દિવસનો રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરાઈ છે. આ પણ વાંચો 2 ફેબ્રુઆરીએ પરિણીત શખસે કુંવારો હોવાનું કહી યુવતી સાથે દુષ્કર્મ આચર્યુંસુરતના વરાછા વિસ્તારમાં એક 20 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી 5 નરાધમે હવસનો શિકાર બનાવી હોવાની હચમચાવી દેતી ઘટના સામે આવી છે. પરિણીત શખસે કુંવારો હોવાની ઓળખ આપી વીડિયો ઉતાર્યો હતો અને ત્યાર બાદ મિત્રો અને સંબંધી પાસે પણ દુષ્કર્મ કરાવી 23,000 રૂપિયા તથા સોનાની બુટ્ટી પડાવી લેતાં પોલીસે તપાસ શરૂ કરી બે આરોપી અર્જુન અને રણજિતની ધરપકડ કરી છે. (વાંચો સંપૂર્ણ સમાચાર) 4 ફેબ્રુઆરીએ 6 દિવસના પરિચયમાં 20 દિવસ સુધી દુષ્કર્મનો ભોગ બનીસુરતમાં એક યુવતીને નશાકારક ઈન્જેકશન આપી બે શખસોએ એક યુવતી પર વારંવાર દુષ્કર્મ આચર્યાનો ચકચારી બનાવ સામે આવ્યું છે. રાજસ્થાનના કોટાની યુવતીનો સોશિયલ મીડિયાના માધ્યમથી અમન નામના આરોપી સાથે સંપર્ક થયો હતો. અમને પોતાનો બર્થડે હોય સેલિબ્રેશન માટે યુવતીને સુરત બોલાવી હતી. અમનના મિત્ર મહંમદ તોહીદુલ પણ હિન્દુ નામ ધારણ કરી યુવતીના સંપર્કમાં આવ્યો હતો. અમને અને મહંમદે સુરત આવેલી યુવતીને નશાકારક ઈન્જેકશન આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે બંને આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.(વાંચો સંપૂર્ણ સમાચાર) ફ્રી ફાયર ગેમથી કોન્ટેક્ટ ને યુવકનું સગીરા પર દુષ્કર્મઅમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતી એક સગીરાને ફ્રી ફાયર ગેમ રમતાં રમતાં પશ્ચિમ બંગાળના યુવક સાથે સંપર્ક થયો હતો. સગીરા અને યુવક સંપર્કમાં આવ્યાં બાદ યુવક સગીરાને મળવા અમદાવાદ આવ્યો હતો. સગીરાના ઘરે યુવકે તેની સાથે દુષ્કર્મ કર્યું અને તેનું અપહરણ કરીને પશ્ચિમ બંગાળ લઈ જઈ રહ્યો હતો. આ દરમિયાન પોલીસે ખડગપુર રેલવે સ્ટેશનથી યુવકને સગીરા સાથે ઝડપી પાડ્યો હતો. (સંપૂર્ણ સમાચાર વાંચો)
જૂનાગઢના મોતીબાગ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા ‘પટેલ કેળવણી મંડળ’માં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો ઉગ્ર વિવાદ હાલ પૂરતો શાંત પડ્યો છે. દીકરીઓની સુરક્ષા અને ટ્રસ્ટીઓના અસભ્ય વર્તનને લઈને આકરા પાણીએ થયેલા વાલીઓ આજે તંત્રને આવેદનપત્ર પાઠવવાના હતા, પરંતુ સંસ્થાના હોદ્દેદારો સાથેની બેઠકમાં સુખદ નિરાકરણ લાવવાની ખાતરી મળતા વાલીઓએ પોતાનો વિરોધ કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. સંસ્થાએ આગામી 24 ફેબ્રુઆરીએ વાલી મીટિંગ બોલાવવાનું નક્કી કર્યું છે. વાલી અગ્રણી જીતુભાઈ જસાણીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, આજે અમે સૌ વાલીઓ જૂનાગઢ વહીવટી તંત્રને ગાંધી ચીંધ્યા માર્ગે શાંતિપૂર્ણ રીતે આવેદનપત્ર પાઠવવાના હતા.જોકે તે પૂર્વે જ પટેલ કેળવણી મંડળના હોદ્દેદારો સાથે અમારી મીટિંગ થઈ હતી.જેમાં મંડળ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે આગામી દિવસોમાં તમામ વાલીઓની એક સત્તાવાર મીટિંગ બોલાવવામાં આવશે અને વાલીઓના તમામ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે. આ ખાતરીને પગલે અમે આજે આવેદનપત્ર આપવાનું માંડી વાળ્યું છે. જો મીટિંગમાં યોગ્ય ઉકેલ નહીં આવે તો અમે ફરી આંદોલન કરીશું. બીજી તરફ ચંદ્રેશભાઇ જલસાણીયાએ જણાવ્યું હતું કે તેઓ આઈ.જી. અને એસ.પી.ને રજૂઆત કરવા જવાના હતા, પરંતુ તમામ ટ્રસ્ટીઓ એકઠા થતા તેમની સાથે બેઠક યોજાઈ હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, અમારે સંસ્થા સામે કોઈ વિરોધ નથી, કારણ કે આ સંસ્થા સમાજના પરસેવાથી ઉભી થઈ છે. અમારો વિરોધ માત્ર તે ટ્રસ્ટીઓ સામે હતો જેમણે વાલીઓ સાથે ગેરવર્તણૂક કરી અને અસભ્ય શબ્દો વાપર્યા હતા. હવે જ્યારે ટ્રસ્ટીઓએ વાલી મીટિંગની ખાતરી આપી છે, ત્યારે અમે સંવાદ દ્વારા સમાધાન ઈચ્છીએ છીએ. પ્રમુખ સવજીભાઈ મેનપુરાનું નિવેદન પટેલ કેળવણી મંડળના પ્રમુખ સવજીભાઈ મેનપુરાએ સ્વીકાર્યું હતું કે વાલીઓની રજૂઆત વ્યાજબી છે. તેમણે જણાવ્યું કે, વાલીઓએ અમને રજૂઆત કરી હતી કે લાંબા સમયથી કોઈ મીટિંગ યોજાઈ નથી, તેથી બધાને સાંભળવા માટે ૨૪ ફેબ્રુઆરી કે તેની આસપાસના દિવસોમાં એક મોટી વાલી મીટિંગ બોલાવવામાં આવશે. વાલીઓના જે કંઈ પણ પ્રશ્નો હશે તેને અમે સંતોષકારક રીતે ઉકેલવા કટિબદ્ધ છીએ.આ વિવાદના મૂળમાં નવરાત્રિ દરમિયાન બનેલી એક ગંભીર ઘટના છે. અંદાજે દોઢ-બે મહિના પહેલા કન્યા હોસ્ટેલમાં એક બહારનો યુવક ઘૂસી ગયો હોવાની ઘટના બની હતી. આ મામલે વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે એક છોકરો હોસ્ટેલના બાથરૂમમાં ૨૪ કલાક સુધી છુપાઈ રહ્યો હતો, જે સુરક્ષામાં મોટી ચૂક છે. જ્યારે વાલીઓ આ બાબતે રજૂઆત કરવા ગયા ત્યારે તત્કાલીન પ્રમુખ કાંતિભાઈ ફળદુ અને અન્ય સ્ટાફે અહંકારમાં આવીને વાલીઓને એમ કહ્યું હતું કે ‘આ સંસ્થા કોઈના બાપની જાગીર નથી, અમારી અંગત મિલકત છે’ અને ગાળાગાળી કરી હોવાનો આરોપ વાલીઓએ લગાવ્યો હતો. વાલી સમીર ભાલોડિયા અને નિલેશભાઈ અધેરાએ અગાઉ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 8 વર્ષથી સંસ્થામાં વાલી મીટિંગ થઈ નથી. ખેડૂતોના દાનથી બનેલી આ સંસ્થામાં એક સમયે ૨૦૦૦ દીકરીઓ રહેતી હતી, જે સંખ્યા ઘટીને હવે ૬૦૦ થઈ ગઈ છે. ભોજનની ખરાબ ગુણવત્તા અને ટ્રસ્ટીઓની જાગીરદારી જેવી માનસિકતાને કારણે સંસ્થાની ગરિમા ખરડાઈ હોવાનું વાલીઓ માની રહ્યા હતા. આ અગાઉ વાલીઓ અને પટેલ સમાજના આગેવાનોએ સોમવારે એક મહાસંમેલન બોલાવી કલેક્ટર અને એસ.પી.ને ભ્રષ્ટાચાર તથા ગેરવહીવટના પુરાવાઓ સાથે આવેદન આપવાની અને ધરણા કરવાની રણનીતિ ઘડી હતી. જોકે, હવે ટ્રસ્ટીઓએ નમતું જોખતા અને વાલીઓને માનપૂર્વક સાંભળવાની તૈયારી બતાવતા આ વિવાદ હાલ પૂરતો સમી ગયો છે. આગામી ૨૪ ફેબ્રુઆરીએ યોજાનારી મીટિંગમાં હોસ્ટેલની સુરક્ષા, ભોજનની ગુણવત્તા અને ટ્રસ્ટી મંડળના વલણ અંગે અંતિમ નિર્ણય લેવાશે તેવી શક્યતા છે
અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં સાપરથી સુડાવડને જોડતા માર્ગના સમારકામમાં ગંભીર ગેરરીતિ અને નબળી ગુણવત્તાના આક્ષેપો ઉઠ્યા છે. છેલ્લા 5 વર્ષથી બિસ્માર હાલતમાં રહેલા આ માર્ગનું કામ હજુ 8 દિવસ પહેલા જ પૂર્ણ થયું હતું, પરંતુ સ્થાનિકોએ ડામર ઉખડતો હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ કરતા તંત્ર દોડતું થયું છે. 5 વર્ષની રાહ બાદ થયેલું કામ વિવાદમાંસ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો લાંબા સમયથી આ માર્ગના સમારકામની માગ કરી રહ્યા હતા. સરકાર દ્વારા મંજૂરી મળ્યા બાદ 2 મહિના પૂર્વે કામ શરૂ થયું હતું. જોકે, કામ પૂર્ણ થયાના ગણતરીના દિવસોમાં જ ડામરના પોપડા ઉખડવા લાગતા ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, માર્ગ પર નીચે કોઈ મટીરિયલ નાખ્યા વગર સીધો ડામર પાથરી દેવામાં આવ્યો છે. સ્થાનિકો દ્વારા તપાસની માગસ્થાનિક ખેડૂત ભાવેશના જણાવ્યા મુજબ, સવારે વાડીએ જતી વખતે આ માર્ગ પરથી પસાર થતો એક ટ્રક ઉછળતા નબળા કામની પોલ ખુલી હતી. મેં તેનો વીડિયો ઉતારી વાઈરલ કર્યો છે. જો આ રીતે જ કામ ચાલશે તો ટૂંક સમયમાં આખો રોડ ઉખડી જશે. આ મામલે સરકારે તટસ્થ તપાસ કરવી જોઈએ. સમસ્યા સાફ-સફાઈની હતી, હવે સ્થિતિ સામાન્ય: તંત્રઆ વિવાદ અંગે અમરેલી જિલ્લા પંચાયત સ્ટેટના અધિકારી ચૌધરીએ જણાવ્યું હતું કે, વાઈરલ વીડિયોને ધ્યાને લઈ સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે તે માર્ગનો પ્રથમ લેયર હતો અને સમસ્યા રોડની અંદર નહીં પણ બહારના ભાગમાં હતી. તે સમયે સાફ-સફાઈના અભાવે આ પ્રશ્ન સર્જાયો હતો. હાલ ATR (એક્શન ટેકન રિપોર્ટ) તૈયાર કરવામાં આવ્યો છે અને કામમાં સુધારો કરી દેવાયો છે. કોઈ પણ વ્યક્તિ સ્થળ પર જઈને વર્તમાન સ્થિતિની ચકાસણી કરી શકે છે.
નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ બૂટલેગરો દ્વારા દારૂની હેરાફેરીનો વધુ એક નવો કીમિયો નિષ્ફળ બનાવ્યો છે. પોલીસે વેસ્ટેજ કપડાના પોટલાની આડમાં લઈ જવાતો ₹7.40 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ સાથે વાહન અને અન્ય મુદ્દામાલ મળી કુલ ₹12.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. નવસારી LCB પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, મુંબઈથી અમદાવાદ જતી એક પીકઅપમાં દારૂનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર 48 પર થાલા ગામની સીમમાં ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ પાસે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. વોચ દરમિયાન શંકાસ્પદ અશોક લેલેન્ડ પીકઅપ ટેમ્પો (નંબર GJ 08 AU 0593) આવતા તેને અટકાવી તપાસ કરવામાં આવી હતી. ટેમ્પોમાં ઉપરના ભાગે વેસ્ટેજ કપડાના મોટા પોટલા ભરેલા હતા, જેની નીચે ભારતીય બનાવટની વિદેશી દારૂની વ્હીસ્કી, વોડકા અને ટીન બીયરનો મસમોટો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. પોલીસે કુલ 2208 નંગ વિદેશી દારૂ અને બીયરની બોટલો જપ્ત કરી હતી, જેની કિંમત ₹7,40,400/- થાય છે. આ ઉપરાંત, ₹5,00,000/- ની કિંમતનો અશોક લેલેન્ડ પીકઅપ ટેમ્પો અને ₹10,000/- ની કિંમતનો મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આમ, કુલ ₹12,50,400/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે રાજસ્થાનના રહેવાસી ડ્રાઈવર રમેશકુમાર કિશનારામ બિશ્નોઈ (ઉ.વ. 26) ને ઘટનાસ્થળેથી ઝડપી પાડ્યો છે. જોકે, દારૂનો જથ્થો ભરાવનાર મુખ્ય સૂત્રધાર સુરેશ સુજાનારામ સિયાક (રહે. સાંચોર, રાજસ્થાન) અને સુરત ખાતે દારૂ મંગાવનાર ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ચીખલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
LJIMC દ્વારા 6 ફેબ્રુઆરીના રોજ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ 'Cineverse 2026'નું આયોજન કરાયું હતું. આ ફેસ્ટિવલમાં દેશભરની 37 ફિલ્મોનું સ્ક્રીનિંગ થયું. ફેસ્ટિવલની પ્રથમ આવૃત્તિની થીમ 'Going Beyond: Breaking Barriers' હતી, તેમ ફેસ્ટિવલ ડાયરેક્ટર ડૉ. દિવ્યા સોનીએ જણાવ્યું હતું. ફેસ્ટિવલને દેશભરમાંથી 40 જેટલી એન્ટ્રીઓ મળી હતી, જેમાં ફિક્શન, નોન-ફિક્શન, એનિમેશન અને AI ફિલ્મોનો સમાવેશ થતો હતો. યુવા ફિલ્મમેકર્સે સ્ત્રી સશક્તિકરણ, માનસિક સ્વાસ્થ્ય, વુમન સેફ્ટી, શિક્ષણ, માનવીય સંબંધો અને મર્ડર મિસ્ટ્રી જેવા સામાજિક મુદ્દાઓ પર ફિલ્મો બનાવી હતી. આ સ્પર્ધામાં સત્યજીત રે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ, સાવિત્રીબાઈ ફૂલે યુનિવર્સિટી, MSU બરોડા અને સેવા એકેડમી જેવી સંસ્થાઓના વિદ્યાર્થીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ફેસ્ટિવલના ભાગરૂપે માસ્ટર ક્લાસનું પણ આયોજન કરાયું હતું. 'સ્ત્રી 2' અને 'બાલા' જેવી ફિલ્મોના લેખક નિરેન ભટ્ટે પટકથા લેખન અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, એક સારી વાર્તા હંમેશા તમારા અંગત અનુભવો અને આસપાસના નિરીક્ષણમાંથી જન્મે છે. 'સત્યમેવ જયતે' ફિલ્મના સિનેમેટોગ્રાફર શાંતિભૂષણ રોયે સિનેમેટોગ્રાફી અને વિડિયોગ્રાફી સમજાવી હતી. તેમણે કેમેરા એન્ગલ્સના મહત્વ પર ભાર મૂક્યો હતો. LJ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉ. મનીષ શાહે ફિલ્મ નિર્માણ અને સ્ટોરી ટેલિંગ ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહિત કરવા ₹1,00,000 ના ઇનામોની જાહેરાત કરી હતી. ઇવેન્ટના સમાપન સમારોહમાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ. વિરલ શાહ અને વાઇસ ચાન્સેલર ડૉ. દિનેશ અવસ્થીના હસ્તે વિજેતાઓને સન્માનિત કરાયા. વિજેતાઓની યાદીમાં, બેસ્ટ ડીઓપી તરીકે નિયતિ શાહ (રાડે), શ્રેષ્ઠ એડિટર તરીકે ચિંતન, દિવિજ્ઞા અને રાગવી (ધ રિપોર્ટર એટ પાઠશાળા) વિજેતા બન્યા. શ્રેષ્ઠ લેખકનો પુરસ્કાર તન્મય દુબે (સમર ટાઇમ રેન્ડરિંગ) અને કમાલ કાદરી (ધ રિડલ)ને મળ્યો. નિર્દેશન માટે આદિત્ય કાંબલે (મારી સ્કૂલ) અને આદર્શ કુમાર (અનહિન્જ્ડ)ને પુરસ્કૃત કરાયા. શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર સૃષ્ટિ પ્રસાદ (મારી સ્કૂલ) અને ક્રિશ લખ્યાણી (પતા હૈ આજ ક્યા હુઆ)ને એનાયત થયો. શ્રેષ્ઠ ફિલ્મોની શ્રેણીમાં 'લુનર બર્ડ્સ' પ્રથમ સ્થાને રહી. 'બીકન ઓફ લાઈટ' અને 'પતા હૈ આજ ક્યા હુઆ' બીજા ક્રમે, જ્યારે 'રિપોર્ટર એટ પાઠશાળા' અને 'મારી સ્કૂલ' ત્રીજા ક્રમે વિજેતા બની. આ આયોજનમાં ડૉ. દિવ્યા સોનીની અધ્યક્ષતા હેઠળ વિવિધ વિભાગના ડાયરેક્ટર્સ, ફેકલ્ટીઝ અને 1000 થી વધુ ફિલ્મપ્રેમી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે દુબઈથી આવેલા એક શખસ પાસેથી કુલ 96 લાખ રૂપિયાનું સોનું ઝડપ્યું છે. આ શખસે દાણચોરી માટે ચાલાકીપૂર્વક તેના અન્ડરવેરમાં 45 લાખની કિંમતનું સોનું પેસ્ટ સ્વરૂપે છુપાવ્યું હતું, જે જોતા પહેલી નજરે સામાન્ય કાપડ જેવું જ દેખાતું હતું. પરંતુ કસ્ટમ્સ વિભાગને એરપોર્ટ પર શખસની શંકાસ્પદ હિલચાલના આધારે તેની તપાસ કરતા આ અનોખી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો હતો અને અધિકારીઓ પણ સોનાને છુપાવવાની આ પદ્ધતિ જોઈને દંગ રહી ગયા હતા. દુબઈ-અમદાવાદ ફલાઈટમાં સોનાની દાણચોરીઅમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)એ સોનાની દાણચોરીના એક રેકેટનો પર્દાફાશ કર્યો છે. કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ દુબઈથી સ્પાઇસજેટની ફ્લાઇટ નંબર SG-016થી અમદાવાદ પહોંચેલા એક શખસને અટકાવીને તપાસ હાથ ધરી હતી. બે આખી સોનાની લગડીઓ અને એક કાપેલી લગડી જપ્તતપાસ દરમિયાન શખસ પાસેથી 24 કેરેટ શુદ્ધતાની બે આખી સોનાની લગડીઓ અને એક કાપેલી લગડી મળી આવી હતી. આ સોનાનો જથ્થો મુસાફરે ચાલાકીપૂર્વક પોતાના ખિસ્સામાં રાખેલા પર્સમાં છુપાવ્યો હતો. આ જપ્ત કરાયેલા 324.140 ગ્રામ સોનાની અંદાજિત બજાર કિંમત 51,73,274 જેટલી થાય છે. સોનાને પેસ્ટ બનાવીને અન્ડરવેરમાં છુપાવ્યુંકસ્ટમ્સના અધિકારીઓને શખસની હિલચાલ પર શંકા જતાં તેની ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, શખસે સોનાને પેસ્ટના સ્વરૂપમાં ફેરવીને તેણે પહેરેલા અન્ડરવેરમાં છુપાવ્યું હતું. આ પેસ્ટ પર રાસાયણિક પ્રક્રિયા કર્યા બાદ 277.800 ગ્રામ શુદ્ધ સોનું (24 કેરેટ) પ્રાપ્ત થયું હતું, જેની કિંમત અંદાજે 44,33,688 આંકવામાં આવી છે. શખસ પાસેથી 96 લાખનું સોનું જપ્તઆમ, અમદાવાદ કસ્ટમ્સ દ્વારા કુલ 601.940 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે, જેની કુલ બજાર કિંમત 96,06,962 થાય છે. અધિકારીઓએ કસ્ટમ્સ એક્ટ, 1962ની વિવિધ જોગવાઈઓ હેઠળ આ મુદ્દામાલ જપ્ત કરી શખ્સની અટકાયત કરી છે. આ સોનું કોને પહોંચાડવાનું હતું અને આમાં અન્ય કોઈ શખ્સો સામેલ છે કે કેમ તે અંગે હાલ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. વિદેશથી કેટલું સોનું, મોબાઇલ, દારૂ, રોકડ લાવી શકાય?એરપોર્ટ પર સોનું, ચાંદી, હીરા જેવી કીમતી વસ્તુ અને મોંઘા મોબાઈલ જેવાં ગેજેટ્સ સાથે મુસાફર પકડાઈ જવાના ઘણા કિસ્સા સામે આવતા હોય છે. વળી, વિદેશમાં રહેતા સંબંધી વતન આવે તો મોબાઇલ, લેપટોપ જેવી વસ્તુઓ મગાવવાની પણ ઘણા લોકોની ઇચ્છા હોય, પરંતુ સામાન્ય મુસાફરના મનમાં પણ સવાલો ઊઠે કે વિદેશથી કંઈ વસ્તુ કેટલા પ્રમાણમાં લવાય, કેટલી રોકડ લાવી શકાય અને કેટલું લઈ જઈ શકાય? જો સોના-ચાંદીનાં ઘરેણાં પહેરીને વિદેશ જઈએ તો પરત આવતા સમયે એરપોર્ટ પર કોઈ રોકે તો શું કરવું? (વાંચો સંપૂર્ણ સમાચાર) 4 ઓક્ટોબર 2025ના અમદાવાદમાં પેન્ટમાં છુપાવેલી 491 ગ્રામ સોનાની પેસ્ટ ઝડપાઈઅમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી દાણચોરી કરી લાવવામાં આવતું ગોલ્ડ ઝડપાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અમદાવાદ કસ્ટમ દ્વારા દુબથી આવેલા એક ભારતીય નાગરિક પાસેથી રૂપિયા 59 લાખ રૂપિયાનું ગોલ્ડ જપ્ત કરવામાં આવ્યું છે. એરપોર્ટ પર ચેકિંગમાં ઝડપાય નહીં તે માટે યુવક દ્વારા ગોલ્ડનો પાઉડર અને પેસ્ટ બનાવી જીન્સ પેન્ટના નીચેના ભાગે કાપડના બે સ્તર વચ્ચે છુપાવ્યું હતું. જો કે, ડીઆરઆઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે યુવક એરપોર્ટ પર ઉતરતા જ તેની તલાશી લઈ ઝડપી પાડ્યો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર) ભેજાબાજ ટ્રોલીબેગના વ્હીલમાં સોનું છુપાડી લાવતો ઝડપાયોઅમદાવાદ એરપોર્ટ પરથી સતત ત્રીજા દિવસે સોનું મળવાની આજે ત્રીજી ઘટના સામે આવી છે. કસ્ટમ વિભાગે દુબઈથી આવતા એક મુસાફર પાસેથી 24 કેરેટનું 16 લાખની કિંમતનું 152 ગ્રામ સોનું જપ્ત કર્યું છે. આરોપી 24 કેરેટના 152 ગ્રામ સોનાના નળાકાર ટુકડાઓ ટ્રોલી બેગના વ્હીલમાં છુપાવી આવ્યો હતો. જેને કસ્ટમ વિભાગે ઝડપી પાડી એક આરોપીની અટકાયત કરી છે.(વાંચો સંપૂર્ણ સમાચાર) દુબઇથી ઇન્ડિગો ફ્લાઈટમાં 2.65 કિલો સોનાની પેસ્ટ મોજાંમાં છુપાવી અમદાવાદ લાવ્યાઅમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે 2.56 કરોડનું 2.65 કિ.ગ્રા સોનું જપ્ત કર્યું છે. દુબઇથી ઇન્ડિગોની ફ્લાઈટમાં મુસાફરો સોનાની પેસ્ટનાં 6 સિલ્વર કલરનાં પાઉચને મોજાંમાં છુપાવી અમદાવાદ લાવ્યા હતા. કસ્ટમ વિભાગે એક પુરુષ અને બે મહિલા સહિત કુલ 3 મુસાફરની ધરપકડ કરી છે.(વાંચો સંપૂર્ણ સમાચાર)
વલસાડ જિલ્લાના વાપી GIDC પોલીસ મથક વિસ્તારમાં આવેલા ભડકમોર વિસ્તારમાં એક અજાણ્યા યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. વાપી GIDC પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. માહિતી અનુસાર, ભડકમોર વિસ્તારમાં એક લારી પાછળ આ યુવકની લાશ પડેલી હતી. રસ્તા પરથી પસાર થતા એક રાહદારીએ તેને જોઈને તાત્કાલિક સ્થાનિક આગેવાનોને જાણ કરી હતી. આગેવાનોએ વાપી GIDC પોલીસને આ અંગેની માહિતી આપી હતી. માહિતી મળતા જ વાપી GIDC પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અજાણ્યા યુવકની લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસે ભડકમોર અને આસપાસના વિસ્તારોમાં સ્થાનિક આગેવાનો અને બાતમીદારોને લાશના ફોટા મોકલી મૃતકની ઓળખ કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. પોલીસે ઘટનાસ્થળની આસપાસ રહેતા લોકોની પૂછપરછ શરૂ કરી છે. આ ઉપરાંત, આસપાસના વિસ્તારોમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે, જેથી હત્યાના રહસ્ય પરથી પડદો ઉઠાવી શકાય. હત્યાનો ભેદ ઉકેલવા માટે વાપી GIDC પોલીસે ડોગ સ્ક્વોડ અને FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ટીમની મદદ લીધી છે. મૃતક યુવક કોણ છે અને તેના પરિવારના સભ્યો કોણ છે તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં વહેલી સવારે બંધ મકાનમાં આગ લાગી હોવાનો કોલ વડોદરા ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગની ટીમને મળતા તાત્કાલિક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પાણીનો મારો ચલાવીને બંધ મકાનમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી. આ આગ ગીઝરમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. બંધ ઘરમાં આગ લાગતા તપાસશહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી સૂર્યોદય પાર્ક સોસાયટીમાં વહેલી સવારે અચાનક આગ લાગી જતાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં આગનું કારણ મકાનમાં લગાવેલા ગીઝરમાં શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. સદનસીબે મકાન બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બંધ મકાનમાં ગીઝરમાં આગ કઈ રીતે લાગી તે પણ એક સવાલ છે. આ મામલે ફાયર વિભાગે વધુ તપાસ હાથ ધરી છે. ગીઝર અને વોશિંગ મશીન સંપૂર્ણપણે બળીને ખાખઆ આગના બનાવને લઈ તાત્કાલિક વડોદરા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. વડીવાડી ફાયર સ્ટેશનની ટીમ તુરંત સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના કારણે મકાનમાં રહેલ ગીઝર અને વોશિંગ મશીન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયર વિભાગે ગણતરીની મિનિટોમાં કાબૂ મેળવ્યોફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, આગનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ કરવામાં આવશે. પ્રાથમિક માહિતી અનુસાર આ આગ બહાર લગાવેલ ગીઝરમાં લાગી હતી અને પાછી નીચે રહેલ વિશિંગ મશીનમાં પ્રસરતા આગ વધુ વિકરાળ બની હતી. જો કે અમારી ટીમે તાત્કાલિક પહોંચી ગણતરીની મિનિટોમાં આગ કાબૂમાં લીધી હતી.
મોરબીની ડેરીમાં બોઇલર બ્લાસ્ટ:ઓવરહીટિંગથી એક શ્રમિકને ઇજા, કોઈ જાનહાનિ નહીં
મોરબીના સનાળા રોડ પર આવેલા જીઆઇડીસી વિસ્તારમાં ભોલે બાબા ડેરીમાં આજે (9 ફેબ્રુઆરી) સવારે બોઇલર બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ડેરીનો શેડ તૂટી ગયો હતો અને બોઇલરના ટુકડા આસપાસના કારખાનાઓમાં ફેલાઈ ગયા હતા. બ્લાસ્ટના કારણે એક શ્રમિકને ઇજા પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાથમિક માહિતી મુજબ, બોઇલરમાં ઓવરહીટિંગના કારણે આ બ્લાસ્ટ થયો હોવાની શક્યતા છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના યુનિટોમાં કામ કરતા શ્રમિકો સહિતના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે પાણીનો મારો ચલાવીને લાગેલી આગને કાબુમાં લીધી હતી.
નકલી દસ્તાવેજ કૌભાંડનો ફરાર આરોપી અમદાવાદથી ઝડપાયો:પંચમહાલ પેરોલ ફ્લો સ્ક્વોડને મળી સફળતા
પંચમહાલ પોલીસે નકલી દસ્તાવેજ કૌભાંડના લાંબા સમયથી ફરાર આરોપી રથીનભાઈ અતુલભાઈ દેસાઈની અમદાવાદમાંથી ધરપકડ કરી છે. પંચમહાલ પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે બાતમીના આધારે અમદાવાદના મણિનગર વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી રથીન દેસાઈ સામે શહેરા પોલીસ મથકે ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર ૦૮૮૨/૨૦૨૫ હેઠળ ગુનો નોંધાયો હતો. તેની સામે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ અને ૧૧૪ હેઠળ નકલી દસ્તાવેજો બનાવવા અને તેનો ઉપયોગ કરવા બદલ આરોપ છે. ગુનો નોંધાયા બાદથી આરોપી ફરાર હતો. પંચમહાલ રેન્જ આઈ.જી.પી. આર.વી. અસારી અને એસ.પી. ડો. હરેશભાઈ દુધાતની સૂચનાથી પેરોલ ફ્લો સ્ક્વોડ સક્રિય થઈ હતી. પી.એસ.આઈ. બી.એમ. રાઠોડના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. રૂપસિંહ કલાભાઈને ગુપ્ત માહિતી મળી હતી કે આરોપી અમદાવાદમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે પોલીસે અમદાવાદના મણિનગર વિસ્તારમાં વોચ ગોઠવી રથીન દેસાઈને ઝડપી પાડ્યો હતો. હાલ આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે શહેરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
પ્રખ્યાત આધ્યાત્મિક સંત અને રામકથા વક્તા મોરારીબાપુએ યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા ભારતના નવા નકશાનું સ્વાગત કર્યું છે. આ નકશામાં પાકિસ્તાન કબજા હેઠળનો કાશ્મીર (PoK) અને અક્સાઈ ચીન સહિત સમગ્ર જમ્મુ-કાશ્મીરને ભારતના અભિન્ન અને અખંડ ભાગ તરીકે દર્શાવવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકામાં ચાલી રહેલી તેમની “માનસ કૃષ્ણ અવતાર” કથા દરમિયાન વ્યાસપીઠ પરથી મોરારીબાપુએ ગતરોજ આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે, આજના અખબારોમાં તેમણે યુએસ દ્વારા રજૂ કરાયેલા ભારતના નવા નકશા વિશે વાંચ્યું છે, જે ભારતની પ્રાદેશિક અખંડિતતા અને ઐતિહાસિક સત્યને સ્પષ્ટપણે પ્રતિબિંબિત કરે છે. વ્યાસપીઠ વતી તેમણે આ નિર્ણયને આવકાર્યો હતો. મોરારીબાપુએ પોતાના નિવેદનમાં કહ્યું કે, પાકિસ્તાન તથા ચીન દ્વારા કબજામાં રાખવામાં આવેલા વિસ્તારોને ભારતના નકશામાં સ્પષ્ટ રીતે સામેલ કરવા એ અખંડ ભારતની ભાવનાને મજબૂત બનાવતું મહત્વપૂર્ણ પગલું છે. તેમણે ઉમેર્યું કે, આવી આંતરરાષ્ટ્રીય માન્યતા દેશની એકતા અને અખંડિતતાના વિચારને વૈશ્વિક સ્તરે વધુ દૃઢ બનાવે છે. મોરારીબાપુના આ નિવેદનને કથા શ્રોતાઓ તરફથી તાળીઓ અને સમર્થન મળ્યું હતું, જેના કારણે કથા પંડાલમાં દેશભક્તિ અને ગૌરવનો માહોલ છવાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) કાર્યાલય દ્વારા ભારત–અમેરિકા વેપાર કરાર સંદર્ભે આ નકશો જાહેર કરાયો છે. તેમાં PoK સહિત સમગ્ર જમ્મુ-કાશ્મીરને કોઈપણ વિભાજક રેખા વિના ભારતના ભાગરૂપે દર્શાવવામાં આવ્યું છે, તેમજ અક્સાઈ ચીનને પણ ભારતની ભૂમિ તરીકે રજૂ કરાયું છે. અગાઉ યુએસની વિવિધ સરકારી એજન્સીઓ દ્વારા બહાર પાડવામાં આવતાં નકશામાં આ વિસ્તારોને વિવાદિત તરીકે દર્શાવવામાં આવતા હતા. આ નવી રજૂઆતને રાજદ્વારી દૃષ્ટિએ મહત્વપૂર્ણ અને દિશાસૂચક પરિવર્તન તરીકે જોવામાં આવી રહી છે, જે ભારતની વર્ષોથી રહેલી ભૂમિકા અને દાવાને મજબૂત આધાર પૂરો પાડે છે.
પોરબંદર GIDC ખાતે ઉદ્યોગસાહસિકતા તાલીમ સંપન્ન:CED દ્વારા 15 દિવસીય તાલીમમાં ઉદ્યોગ સ્થાપના શીખવાઈ
પોરબંદરના GIDC ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર ખાતે ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થાન (CED) દ્વારા ૧૫ દિવસીય ઉદ્યોગસાહસિકતા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારની ઉદ્યોગસાહસિકતા અને કૌશલ્ય વિકાસ માટે કાર્યરત અગ્રણી સંસ્થા CED દ્વારા આ તાલીમનું સંચાલન કરવામાં આવ્યું હતું, જેમાં ઉદ્યોગસાહસિક બનવા ઈચ્છુક ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હતો. આ તાલીમ દરમિયાન ઉદ્યોગ શરૂ કરવા, તેની સ્થાપના કરવી, ઉપલબ્ધ સરકારી સહાય અને સવલતો, ઉદ્યોગનું સફળ સંચાલન કેવી રીતે કરવું તેવા વિષયો પર માર્ગદર્શન અપાયું હતું. આ ઉપરાંત, વિવિધ સરકારી યોજનાઓની માહિતી, લોન અરજી પ્રક્રિયા, ધિરાણ મેળવવાની સરળ સમજૂતી, સ્થાનિક એકમોની મુલાકાત અને પ્રોજેક્ટ રિપોર્ટની સમજણ જેવા મુદ્દાઓ પર તજજ્ઞ નિષ્ણાતો દ્વારા જ્ઞાન અને વ્યવહારુ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ 15 દિવસીય તાલીમ કાર્યક્રમના સફળ આયોજન માટે CED પોરબંદરના સિનિયર ટ્રેનિંગ ઓફિસર સિરાજ બગથરીયા અને એક્ઝિક્યુટિવ જીગ્નેશ ચૌહાણે સક્રિય ભૂમિકા ભજવી હતી.
હળવદ પાસે 1188 દારૂ બોટલ ભરેલી ઇનોવા ઝડપાઈ:કાર ચાલક ફરાર, 8.98 લાખનો મુદ્દામાલ જપ્ત
હળવદ તાલુકાના ચરડવા ગામ પાસે દેવળીયા ચોકડી નજીકથી પોલીસે દારૂ ભરેલી એક ઇનોવા કાર ઝડપી પાડી છે. પોલીસે કારમાંથી વિદેશી દારૂની કુલ 1188 બોટલો જપ્ત કરી છે. જોકે, કાર ચાલક પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. પોલીસે કુલ 8.98 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે ચરડવા ગામ પાસે આવેલ દેવળીયા ચોકડી નજીકથી દારૂ ભરેલી એક ઇનોવા કાર પસાર થવાની છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન, બાતમી મુજબની GJ 12 BE 1111 નંબરની ઇનોવા કાર ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કાર ચાલકે પોલીસને જોઈને કાર ભગાવી હતી અને થોડે આગળ જઈને કાર છોડીને નાસી છૂટ્યો હતો. પોલીસે તુરંત જ કારનો પીછો કરીને તેને કબજે લીધી હતી. કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 1188 બોટલો મળી આવી હતી. આ દારૂના જથ્થાની કિંમત 3,98,400 રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે 5 લાખ રૂપિયાની ઇનોવા કાર સહિત કુલ 8,98,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે હળવદ તાલુકા પોલીસે ફરાર થયેલા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે. આ કામગીરી હળવદના પીઆઇ ડી.વી.કાનાણી અને તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
છોટા ઉદેપુર LCBએ ₹3.22 લાખનો દારૂ ઝડપ્યો:ઓડ ગામના બંધ મકાનમાંથી 810 બોટલ જપ્ત
છોટા ઉદેપુર જિલ્લા LCBએ ઓડ ગામના એક બંધ મકાનમાંથી ₹3,22,710/- નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 810 બોટલ દારૂ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છોટા ઉદેપુર એક સરહદી જિલ્લો હોવાથી, પડોશી રાજ્યોમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો અવારનવાર થતા રહે છે. જિલ્લા પોલીસ આવા પ્રયાસોને નિષ્ફળ બનાવવામાં સતત કાર્યરત છે. જિલ્લા LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે ઓડ ગામના પટેલ ફળિયામાં રહેતી ચેકલીબેન નાયકના બંધ મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો છે. આ બાતમીના આધારે LCBની ટીમે તાત્કાલિક બંધ મકાન પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મકાનમાંથી વિદેશી દારૂની 810 બોટલ મળી આવી હતી, જેની કુલ કિંમત ₹3,22,710/- આંકવામાં આવી છે. પોલીસે દારૂનો જથ્થો કબજે કરીને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જામનગરમાં ટ્રાફિક ડ્રાઇવ,144 કેસ:પોલીસે 743 વાહનો ચેક કર્યા, 9 વાહન ડિટેઈન, રૂપિયા 34,200 દંડ
જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે રાત્રે પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન કુલ 743 વાહનોની તપાસ કરવામાં આવી હતી. ટ્રાફિક નિયમોના ભંગ બદલ 144 વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી, જેમાં 75 વાહનચાલકો પાસેથી ₹34,200નો દંડ વસૂલવામાં આવ્યો. ઉપરાંત, 9 વાહનોને ડિટેઈન કરવામાં આવ્યા હતા. જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ આ ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ હતી. આ ડ્રાઇવમાં મોટર વાહન અધિનિયમ (MV Act), કારમાં બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગરના વાહનો, ફેન્સી નંબર પ્લેટવાળા વાહનો અને ગુજરાત પોલીસ અધિનિયમ (GP Act) હેઠળના નિયમ ભંગ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન, MV Act કલમ-207 હેઠળ 9 વાહનો ડિટેઈન કરાયા હતા. MV Act કલમ-285 હેઠળ 5 કેસ નોંધાયા હતા. હથિયારબંધી જાહેરનામા ભંગના 9 કેસ અને કેફી પીણું પીધેલા 5 કેસ કરવામાં આવ્યા હતા. ફોરવ્હીલ કારમાં બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગરના વાહનો અને ફેન્સી નંબર પ્લેટવાળા વાહનો સહિત કુલ 144 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત, MV Act હેઠળ હાજર દંડના 75 કેસ કરીને ₹34,200નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
અમદાવાદના ફરતે આવેલા એસપી રિંગ રોડ દારૂની હેરફેર માટે વધુ એક વખત વિવાદમાં આવ્યો છે. નારોલ પોલીસ સ્ટેશનની હદમાંથી બીજી વખત એસપી રિંગ રોડ પરથી પીસીબીની ટીમે 63.86 લાખ રૂપિયાનો દારૂનો જથ્થા સાથે ડ્રાઈવરની ધરપકડ કરી છે. હેલમેટની આડમાં દારૂનો જથ્થો પંજાબથી અમદાવાદ થઈને જૂનાગઢ જવાનો હતો, પરંતુ પીસીબીની ટીમે તને ઝડપી પાડ્યો છે. પીસીબીની આ કામગીરીના કારણે નારોલ પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે. ડ્રાઈવરે ટ્રકમાં હેલ્મેટ હોવાનું કહ્યુંપીસીબીની ટીમને બાતમી મળી હતી કે, એક હીમાચલ પાસિંગની ટ્રક હાથીજણ સર્કલ તરફથી અસલાલી આવી રહી છે, જેમાં વિદેશી દારૂનો જથ્થો છે. બાતમીના આધારે પીસીબીની ટીમે ટ્રકને રોકીને ડ્રાઈવર તેની પૂછપરછ કરી હતી. ડ્રાઈવરનુ નામ જોની બળદેવસિંહ ચંદેલ છે અને તે હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના હવાની ગામનો વતની છે. પોલીસે ટ્રકમાં શું છે? તે મામલે જોનીને પૂછ્યુ હતું, ત્યારે તેણે જણાવ્યુ હતું કે, ટ્રકમાં હેલમેટ છે. બોક્સની તપાસ કરતા દારૂ નીકળ્યોહેલ્મેટ ભરેલી ટ્રક નારોલ પોલીસ સ્ટેશન લાવી હતી. પીસીબીએ એક બાદ એક બોક્સ ખોલીને જોતા પહેલા હેલ્મેટ મળી આવ્યા હતા, પરંતુ હેલ્મેટની આડમાં દારૂની પેટીઓ પણ મળી આવી હતી. પોલીસે ટ્રકમાંથી 63,86,608 રૂપિયાની કિંમતની દારૂની 10749 બોટલો, 5.25 લાખની કિંમતના 1053 હેલ્મેટ, તેમજ 15 લાખ રૂપિયાની ટ્રક સહિત કુલ 84.25 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જૂનાગઢના બુટલેગરે દારૂનો જથ્થો મંગાવ્યો હતોપૂછપરછ દરમિયાન સામે આવ્યુ હતું કે, દારૂનો જથ્થો ચંદીગઢથી આવી રહ્યો હતો અને જૂનાગઢ ખાતે પહોચાડવાનો હતો. જૂનાગઢના બુટલેગરે દારૂનો જથ્થો મંગાવ્યો હતો. હીમાચલ પ્રદેશના સરકાઘાટ ખાતે રહેતા દીલેરામ શેરસીંગે દારૂનો જથ્થો મોકલી આપ્યો હતો. જૂનાગઢ ટ્રક પહોચી ગયા બાદ બુટલેગર દારૂનો જથ્થો લેવા માટે આવવાનો હતો. પીસીબીએ નારોલ પોલીસ સ્ટેશનમાં જોની, દીલેરામ અને અન્ય જૂનાગઢના બુટલેગર વિરૂદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. નારોલ પોલીસ બીજી વાર ઊંઘતી ઝડપાઈ!અઠવાડિયામાં બીજી વખત નારોલ પોલીસ સ્ટેશનની હદમાંથી સ્થાનિક પોલીસ નહીં, પરંતુ એજન્સીઓ બીજી વખત લાખો રૂપિયાનો દારૂ ઝડપ્યો છે. અગાઉ ટ્રાન્સપોર્ટમાં આવેલો 3.53 લાખનો દારૂ ક્રાઈમ બ્રાન્ચે પકડ્યો હતો, ત્યારે હવે બીજી વખતમાં લાખોનો દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો છે. જોકે સ્થાનિક પોલીસ અજાણ હતી કે, સ્થાનિક પોલીસ આંખ આડા કાન કરી રહી હતી તે મામલે તપાસ કરવામાં આવશે. સ્થાનિક પોલીસની કોઈ સંડોવણી હશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે.
પાટણ શહેરના પનાગર વાડા વિસ્તારમાં નીલમ સિનેમા સામે આવેલો એક વીજ સિમેન્ટ પોલ અત્યંત જોખમી હાલતમાં છે. આ પોલ હાલ માત્ર દોરડાના સહારે ટકી રહ્યો છે અને ગમે ત્યારે ધરાશાયી થવાની ભીતિ છે. આ ગંભીર મુદ્દે વોર્ડના કોર્પોરેટર ભરત ભાટીયાએ UGVCLના કાર્યપાલક ઈજનેરને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક સમારકામની માંગ કરી છે. કોર્પોરેટર ભરત ભાટીયાએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે પનાગર વાડા મોહલ્લામાં આવેલો આ વીજ પોલ રહેણાંક અને અવરજવર વાળા વિસ્તારમાં છે. પોલ એટલી હદે વળી ગયો છે કે તેને ટેકો આપવા માટે દોરડાનો ઉપયોગ કરવો પડ્યો છે. અગાઉ આ બાબતે મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં UGVCL વિભાગ દ્વારા આજદિન સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. ભરત ભાટીયાએ તંત્રની આ કાર્યપણાલીને દુર્ભાગ્યપૂર્ણ અને બેદરકારી ગણાવી છે. જો આ જોખમી પોલ અચાનક પડી જાય તો મોટી માનવ જાનહાનિ કે મિલકતને નુકસાન થવાની પૂરી શક્યતા છે. કોર્પોરેટરે પત્રમાં સ્પષ્ટ ચીમકી આપી છે કે જો તંત્રની બેદરકારીને કારણે કોઈ પણ અઘટિત ઘટના કે જાનહાનિ થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત અધિકારી અને કર્મચારીની રહેશે. હાલમાં સ્થાનિક રહીશો પણ આ જોખમી પોલને કારણે ફફડાટ અનુભવી રહ્યા છે. તેઓ તંત્ર વહેલી તકે આ પોલ બદલે અથવા તેનું યોગ્ય સમારકામ કરે તેવી માંગ કરી રહ્યા છે.
વડોદરામાં 2 ફેબ્રુઆરીના રોજ BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતિ નિમિત્તે એક વિશ્વ રેકોર્ડ સર્જાયો હતો. આ કાર્યક્રમમાં 'સત્સંગ દીક્ષા' ગ્રંથના તમામ 315 શ્લોકોનું મુખપાઠ કરીને આ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ ઐતિહાસિક સિદ્ધિમાં વેરાવળ BAPS મંદિર બાળ સત્સંગ મંડળના 67 બાળકોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ 67 બાળકો વેરાવળ, સુત્રાપાડા, લોઢવા, કેશોદ, વિસાવદર, માળિયા હાટીના, તાલાલા અને કોડીનાર જેવા વિવિધ વિસ્તારોમાંથી આવ્યા હતા. તેમણે 'સત્સંગ દીક્ષા' ગ્રંથના તમામ 315 શ્લોકોનું મુખપાઠ કરીને તેમની યાદશક્તિ અને આધ્યાત્મિક નિષ્ઠાનો પરિચય આપ્યો હતો. તેમની આ સિદ્ધિ બદલ BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા તેમને 'વિદ્વાન'નો સન્માનિત દરજ્જો અર્પણ કરવામાં આવ્યો હતો. આ બાળકોએ તેમની ઉત્કૃષ્ટ યાદશક્તિ, શિસ્ત અને આધ્યાત્મિક નિષ્ઠાનો પરિચય આપ્યો હતો, જેનાથી વેરાવળનું નામ દેશભરમાં ગૌરવપૂર્વક પ્રગટ્યું હતું. આ ગૌરવપૂર્ણ સિદ્ધિના અનુસંધાને વેરાવળ BAPS મંદિર પરિસરમાં પૂજ્ય સંતોના હસ્તે 67 બાળકોનો ભવ્ય અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બાળકોને પ્રશસ્તિ પત્ર, આશીર્વાદ અને પ્રોત્સાહન આપી તેમની મહેનતને બિરદાવવામાં આવી હતી. પૂજ્ય સંતોએ તેમના આશીર્વચનમાં જણાવ્યું હતું કે, આ બાળકો માત્ર શ્લોકોનું સ્મરણ નથી કરતા, પરંતુ સંસ્કાર, સંયમ અને સંસ્કૃતિના સાચા વારસદાર બની રહ્યા છે. તેમણે બાળકોના માતા-પિતા અને સંયોજકોની પણ પ્રશંસા કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સંતો, હરિભક્તો, માતા-પિતા અને સ્થાનિક શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો. BAPS સંસ્થાની બાળ સત્સંગ પ્રવૃત્તિ દ્વારા 'મિશન રાજીપો' અંતર્ગત આ વિશ્વ રેકોર્ડ સર્જાયો હતો. આ પ્રસંગે કુલ 12,723 બાળકોએ હિન્દુ પરંપરા અનુસાર 'સત્સંગ દીક્ષા' ગ્રંથના 315 શ્લોકોનું સંસ્કૃત ભાષામાં સંપૂર્ણ મુખપાઠ અને ગાયન કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું. વેરાવળના બાળકો દ્વારા પ્રાપ્ત આ સિદ્ધિ આવનારી પેઢી માટે પ્રેરણાસ્રોત બની રહેશે અને BAPS સંસ્થાના સંસ્કાર આધારિત શિક્ષણ કાર્યને નવી ઊંચાઈ આપશે. આ ઐતિહાસિક રેકોર્ડમાં સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામના ચાર બાળકોના નામ નોંધાયા છે. તેમાં 5 વર્ષના ઘનશ્યામભાઈ સુરેશભાઈ વાઢેર, 9 વર્ષની નિરવાબેન સુરેશભાઈ વાઢેર, 12 વર્ષના મીતભાઈ અશ્વિનભાઈ કવા અને 13 વર્ષના અક્ષરભાઈ ભીમશીભાઈ સોલંકીનો સમાવેશ થાય છે. ખાસ નોંધપાત્ર બાબત એ છે કે માત્ર 5 વર્ષની નાની વયે ઘનશ્યામભાઈ વાઢેરે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી લોઢવા ગામ, તેમના પરિવાર અને સમગ્ર સત્સંગ મંડળનું ગૌરવ વધાર્યું છે.
નકલી નંબર પ્લેટ સાથે ટ્રક ચલાવતો શખ્સ ઝડપાયો:ફાઈનાન્સના હપ્તા ટાળવા ₹15 લાખનો ટ્રક કબજે
કુતિયાણા પોલીસે નકલી નંબર પ્લેટનો ઉપયોગ કરીને ટ્રક ચલાવતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી ફાઈનાન્સના હપ્તા ભરવાથી બચવા માટે આ કીમિયો અપનાવી રહ્યો હતો. પોલીસે ટ્રક અને નકલી નંબર પ્લેટ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની વિગત અનુસાર, કુતિયાણા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ એમ.ડી. વાલા અને તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન કુતિયાણા ચોટા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. તે સમયે પોરબંદર તરફથી આવી રહેલા અશોક લેલન કંપનીના સિમેન્ટ ભરવાના બન્કર ટ્રકને રોકવામાં આવ્યો હતો. પોલીસે ટ્રક (નંબર GJ-03-BY-7745) ના કાગળો અને રજીસ્ટ્રેશન વિગતોની ચકાસણી કરતા જાણવા મળ્યું કે ટ્રક પર લગાવેલી નંબર પ્લેટ નકલી હતી. પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો કે ફાઈનાન્સના હપ્તા ન ભરવા પડે તે હેતુથી આ બનાવટી નંબર પ્લેટનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ મામલે પોલીસે જાજાભાઈ જેઠાભાઈ ગોઢાણીયા (ઉં.વ. 40, રહે. ખાંભોદર) નામના શખ્સની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક આરોપી મીલનભાઈ રમેશભાઈ દુધાત (રહે. ગુંદાળા ચોકડી, ગોંડલ) ને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે. પોલીસે અંદાજે ₹15 લાખની કિંમતનો ટ્રક અને નકલી નંબર પ્લેટ કબજે કરી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
જૂનાગઢમાં આગામી મહાશિવરાત્રીના મેળાને લઈને ગિરનાર રોપ-વે દ્વારા શ્રદ્ધાળુઓ માટે એક મહત્વની અને આનંદની જાહેરાત કરવામાં આવી છે. મેળા દરમિયાન આવતા લાખો ભક્તો ગિરનાર મહાદેવના દર્શન સરળતાથી કરી શકે તે હેતુથી રોપ-વેની ટિકિટના દરમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે. રોપ-વેની ટિકિટના ભાવમાં રૂ.69નો ઘટાડોગિરનાર રોપ-વે મેનેજમેન્ટ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, રોપ-વેની ટિકિટના ભાવમાં રૂ.69નો ઘટાડો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી જે ટિકિટનો દર રૂ. 699 હતો, તે હવે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે માત્ર રૂ. 630માં ઉપલબ્ધ થશે. આ રાહત દરને કારણે સામાન્ય શ્રદ્ધાળુઓના ખિસ્સા પરનો બોજ ઘટશે. 11થી 15 ફેબ્રુઆરી સુધી ભક્તોને ફાયદો થશેટિકિટ દરમાં કરવામાં આવેલો આ ઘટાડો મર્યાદિત સમય માટે અમલી રહેશે. આગામી તારીખ 11થી 15 ફેબ્રુઆરી સુધી, એમ કુલ પાંચ દિવસ સુધી આ ઘટાડેલા ભાવ લાગુ રહેશે. આ સમયગાળા દરમિયાન મેળામાં આવતા હજારો ભક્તો આ સુવિધાનો લાભ લઈ શકશે. ગિરનાર રોપ-વે જનાર ભક્તોમાં ભારે આનંદની લાગણી મહાશિવરાત્રીના મેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ગિરનારની સીડીઓ ચઢવામાં અસમર્થ એવા વૃદ્ધો અને બાળકો માટે રોપ-વે આશીર્વાદ સમાન છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા આ લોકહિતના નિર્ણયથી ગિરનાર જનાર ભક્તોમાં ભારે આનંદની લાગણી જોવા મળી રહી છે.
પાટણમાં 24મા સમૂહલગ્ન, 9 યુગલ લગ્નગ્રંથિથી જોડાયા:દાતાઓએ 32 કરિયાવર વસ્તુઓ ભેટ આપી
પાટણ લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળ દ્વારા પાટણના મોતીશા દરવાજા બહાર આવેલી ખોડીયાર માતાની વાડી ખાતે 24મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના 9 યુગલોએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર લગ્નગ્રંથિથી જોડાઈ નવા જીવનનો પ્રારંભ કર્યો હતો. આ મંગલમય પ્રસંગે જ્ઞાતિના વિવિધ દાતાઓના સહયોગથી નવદંપતીઓને ઘરવખરીની ચીજવસ્તુઓ ભેટમાં આપવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળના સભ્યોએ સઘન પ્રયાસો કર્યા હતા. જ્ઞાતિના અગ્રણીઓ અને મહેમાનોની હાજરીમાં લગ્ન વિધિ સંપન્ન થઈ હતી. સમૂહ લગ્નના આયોજનમાં સમાજના દાતાઓએ આર્થિક અને સાધન સહયોગ પૂરો પાડ્યો હતો. જમણવાર માટે મનસુખભાઈ હરિભાઈ પટેલ પરિવાર, રેફ્રિજરેટર માટે રણછોડભાઈ પુંજાભાઈ પટેલ અને લગ્ન મંડપ માટે હીરાબેન મંછારામ પટેલ પરિવારે સેવા આપી હતી. મંડળ દ્વારા આ તમામ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સમાજ દ્વારા દરેક નવદંપતીને કરિયાવર રૂપે સોનાની ચૂની, ચાંદીના સિક્કા, ચાંદીના ગણપતિ, ગેસ સગડી, મિક્સર અને ઇન્ડક્શન કુકટોપ જેવી આધુનિક સુવિધાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત, ઘરવખરીની અન્ય નાની-મોટી મળીને કુલ 32 જેટલી ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે આપી નવદંપતીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લેઉવા પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા
સોનાના આસમાને પહોંચેલા ભાવ વચ્ચે સુરત શહેરમાં ચેઇન સ્નેચિંગની ઘટનાઓમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ગત 31 જાન્યુઆરીના રોજ શહેરના ઉધના અને અડાજણ વિસ્તારમાં માત્ર પોણા કલાકના અંતરે બે ગૃહિણીને નિશાન બનાવી સોનાની ચેઇન આંચકી લેનાર રીઢા ગુનેગારને ઉધના પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે 200થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરી આરોપી શાહિલ ઉર્ફે શાહુ શેખની ધરપકડ કરી રૂ. 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એક જ દિવસમાં બે વિસ્તારોમાં તરાપબપોરે 2.15 વાગ્યે (અડાજણ): શંખેશ્વર હાઈટ્સમાં રહેતા 31 વર્ષીય જ્યોત્સનાબેન પટેલ નિશાલ આર્કેડ પાસે જૈન ધર્મના પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા. વૈષ્ણોદેવી લાઈફ સ્ટાઈલ પાસે એક મોપેડ ચાલક તેમની બાજુમાંથી પસાર થઈ ગળામાંથી રૂ. 14 હજારનો અછોડો ઝૂંટવી ફરાર થઈ ગયો હતો. બપોરે 3 વાગ્યે (ઉધના): અડાજણની ઘટનાના ગણતરીના સમયમાં જ આરોપી ઉધના પહોંચ્યો હતો. ઉધના ગામના કર્મકાંડી બ્રાહ્મણની પત્ની સોનમબેન દવે (ઉં.વ. 37) પોતાના પુત્ર સાથે મોપેડ પર જઈ રહ્યા હતા. તેરાપંથ ભવન પાસે જ્યુપીટર મોપેડ પર આવેલા આ જ શખસે સોનમબેનના ગળામાંથી 8 ગ્રામની સોનાની ચેઇન (કિંમત આશરે રૂ. 1 લાખ) આંચકી લીધી હતી. ઉધનાથી લિંબાયત સુધીના 200થી વધુ CCTVનું ચેકિંગઆ બંને ઘટનાઓ સીસીટીવીમાં કેદ થઈ હતી. ઉધના પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ શરૂ કરી હતી. પોલીસે ઉધનાથી લિંબાયત સુધીના 200થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બંને ગુનામાં વપરાયેલ મોપેડ (GJ-5-UC-1023) એક જ હતું અને આરોપીનું છેલ્લું લોકેશન લિંબાયત વિસ્તારમાં મળી આવ્યું હતું. બે મહત્વના ગુનાઓનો ભેદ ઉકેલાયોપોલીસે ચોક્કસ બાતમીના આધારે શાહિલ ઉર્ફે શાહુ શેખને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ચોરીની ચેઇન અને ગુનામાં વપરાયેલ વાહન સહિત કુલ 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ સાથે ઉધના અને અડાજણ પોલીસ મથકે નોંધાયેલા બે મહત્વના ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપીએ અન્ય કોઈ સ્થળે આ પ્રકારે લૂંટ ચલાવી છે કે કેમ? 19 જાન્યુઆરી, 2026: મહિલાની પાછળ જઈને ચોરે સોનાનો દોરો તોડ્યો, CCTV, બાઈક પર ત્રણની ટોળકી આવી'તી અમદાવાદના ખોખરા વિસ્તારમાં 19 જાન્યુઆરીના રોજ ધોળા દિવસે ચોરીનો બનાવ સામે આવ્યો હતો. મહિલા સ્ટેશનરીની દુકાનેથી વસ્તુ લઈને તેમના ફ્લેટમાં જઈ રહ્યા હતા, ત્યારે એક ચોર તેમની પાછળ પાછળ આવ્યો અને મોકો મળતા મહિલાઓના ગળામાં રહેલી સોનાનો દોરો તોડી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મહિલાએ બુમાબુમ કરતા ચોર ગભરાયો અને દોરો મૂકીને પેન્ડલ લઈને ભાગી ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો)
થોડા દિવસો પહેલા શહેરના વિધાનગર વિસ્તારમાં આવેલી પોલીસ લાઈનના એક બંધ મકાનમાં સીસીટીવી સહિતના લાખોના મુદ્દામાલની ચોરી થઈ હતી, જે ગુનાનો ભેદ ભાવનગર એલસીબી પોલીસે ઉકેલ્યો છે. પોલીસે વડવા તલાવડી વિસ્તારમાં દરોડો પાડી ચોરીના શંકાસ્પદ મુદ્દામાલ સાથે ત્રણ શખસને ઝડપી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે રૂ.1.51 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે આગળની કાર્યવાહી માટે ત્રણેય આરોપીને નિલમબાગ પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યા છે. જ્યારે આ બનાવમાં અન્ય બાકી બે તસ્કરને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. LCBએ ઘરમાં તપાસ કરતા ચોરીનો સામાન મળી આવ્યોઆ બનાવ અંગે એલસીબી કચેરીથી જાણવા મળતી માહિતી મુજબ, 8 ફેબ્રુઆરીના રોજ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં વણશોધાયેલ મિલકત સંબંધિત ગુનાઓ અંગે તપાસમાં હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળતા વડવા તલાવડી વિસ્તારમાં આવેલા વિઠ્ઠલના ડેલામાં રહેતા મિહીરભાઈ ભંગારીના ઘરે તપાસ કરતા પોલીસ લાઈનમાં થયેલી ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પૂછપરછ દરમિયાન રાહુલ ઉર્ફે બાડો સવજીભાઈ સોલંકી (ઉં.વ.20), હાર્દિક ઉર્ફે ડાબલી સવજીભાઈ મીઠાપરા (ઉં.વ.19) અને મિહીર મુકેશભાઈ ટાંક (ઉં.વ.23)ને શંકાસ્પદ મુદ્દામાલ સાથે મળી આવતા ત્રણેયને ઝડપી લીધા હતા. પૂછપરછમાં આરોપીઓએ વટાણા વેરી દીધાઝડપાયેલા આરોપીઓ પાસેથી મળી આવેલા મુદ્દામાલ અંગે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ ન મળતા તે માલ ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું જણાતાં પોલીસે તમામ મુદ્દામાલ તપાસ અર્થે કબજે કર્યો હતો. પોલીસે ત્રણેય આરોપીની પૂછપરછ કરતા ચોરીના ગુનાની મદદગારીમાં સામેલ રાહુલ ઉર્ફે બાડો અને વિજય ઉર્ફે કાળીયો સોલંકીના નામો ખુલ્યા હતા. વધુ તપાસમાં વિધાનગર પોલીસ લાઈનમાં બંધ જુના મકાનમાં ચોરી કરવા અંગે પૂછપરછ કરતા રાહુલ ઉર્ફે બાડાએ પોલીસ લાઈનમાં બેથી ત્રણ વખત ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. તેમજ રાહુલ ઉર્ફે બાડાએ તથા હાર્દિક ઉર્ફે ડાબલી મીઠાપરાએ ફરી એકવાર ભેગા મળી વિધાનગરમાં આવેલી પોલીસ લાઈનમાં એક જ જગ્યાએથી ચોરીઓ કરેલ હોવાની કબૂલાત કરી હતી. ચોરી કરેલો માલસામાન મિહિરભાઈ ઉર્ફે બાડાને વેચાણ માટે આપેલ હોવાનું સામે આવ્યું હતુ. આ ગુનામાં હજુ અમુક સામાન બાકી છે, જે માલ હાલમાં ફરાર થયેલા આરોપી સુલેમાન સર્કીટને આપ્યો હોવાની કબૂલાત કરી હતી. ફરાર આરોપીને શોધખોળ શરૂપોલીસે કાર્યવાહી દરમિયાન એક તૂટેલ હાલતનો P.T.Z કેમેરો કિં.રૂ.5000, હાર્ડ ડીસ્ક 5 નંગ કિં.રૂ.20,000, D-LINK કંપનીની સ્વીચ કિં.રૂ.7000, કમ્પ્યુટરના પાવર કેબલ 4 નંગ કિં.રૂ.400, એક મોબાઈલ ફોન કિં.રૂ.5000, રોકડ 1000 રૂપિયા, એકસેસ સ્કુટર કિં.રૂ.40,000, એક સર્વર કિં.રૂ.50,000, કમ્પ્યુટરના પાવર કેબલ 58 નંગ કિં.રૂ.5800, એડેપટર 3 નંગ કિં.રૂ.1200, અલગ-અલગ કંપનીના એડેપ્ટર 5 નંગ કિં.રૂ.500, પાવર કેબલ 4 નંગ કિં.રૂ.400, કેબલ 3 નંગ કિં.રૂ.450, એક LCD મોનિટર કિં.રૂ.500, સ્વીચ બોર્ડ કિં.રૂ.5000 એક UPS કિં.રૂ.5000, LCD ટીવી કિં.રૂ.500, એલ્યુમિનીયમ જેવી ધાતુની ઈંટો 2 નંગ જે એક ઈંટનું વજન આશરે 9 કિલો કિં.રૂ.3600, લાઈટબિલ મળી કુલ કિં.રૂ.1,51,350નો મુદ્દામાલ સાથે રાહુલ ઉર્ફે બાડો સવજીભાઈ સોલંકી, હાર્દિક ઉર્ફે ડાબલી સવજીભાઈ મીઠાપરા, મિહીર મુકેશભાઈ ટાંકને એલસીબી પોલીસે ત્રણેય આરોપીને વધુ કાર્યવાહી માટે નિલમબાગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. જ્યારે આ બનવાના અન્ય બે ફરાર આરોપી વિજય ઉર્ફે કાળિયો સોલંકી અને સુલેમાન સર્કિટને ઝડપી લેવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ICC અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં ફાસ્ટ બોલર તરીકે સ્થાન મેળવી, ટુર્નામેન્ટની એક મેચમાં પાંચ મહત્વની વિકેટ ઝડપી વલસાડનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરનાર યુવા ક્રિકેટર હેનીલ પટેલનું માદરે વતન પરત ફરતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પોતાના લાડકા ક્રિકેટરની એક ઝલક મેળવવા માટે વલસાડના ક્રિકેટપ્રેમીઓ ધરમપુર ચોકડી ખાતે કલાકો સુધી રાહ જોઈ રહ્યા હતા. હેનીલ પટેલ વલસાડ પહોંચવાના હોવાની જાણ થતાં જ રવિવારે સાંજથી ચાહકો, યુવા ક્રિકેટરો અને સ્થાનિક અગ્રણીઓ ધરમપુર ચોકડી ખાતે એકઠા થવા લાગ્યા હતા. વાતાવરણમાં ઉત્સાહ એટલો હતો કે લોકો હાથમાં તિરંગા અને સ્વાગતના બેનરો લઈને કલાકો સુધી ઊભા રહ્યા હતા. રાત્રે 10 કલાકે હેનીલનું આગમન થતાં જ 'હેનીલ... હેનીલ...' ના નારાથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ઢોલ-નગારા અને ડીજેના તાલે પુષ્પવર્ષા સાથે તેનું શાહી સન્માન કરવામાં આવ્યું. અંડર-19 વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયામાં રમીને આવેલા હેનીલે જરા પણ અભિમાન વગર અત્યંત સાદગીપૂર્વક ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું. ભીડ વચ્ચે પણ તેણે ધૈર્ય જાળવી રાખી યુવા ચાહકો સાથે સેલ્ફી પડાવી, વડીલોના આશીર્વાદ લીધા અને સ્થાનિક ક્રિકેટરોને પ્રોત્સાહિત કર્યા. હેનીલ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, મારા વતન વલસાડના લોકોએ જે પ્રેમ આપ્યો છે, તે મારા માટે કોઈ પણ મેડલ કરતાં મોટો છે. આ સપોર્ટ જ મને આગળ વધવાની પ્રેરણા આપે છે. હેનીલની આ સફળતા પાછળ તેની સખત મહેનત અને પરિવારનો સંઘર્ષ રહેલો છે. સ્વાગત વેળાએ હેનીલના માતા-પિતાની આંખોમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા. સ્થાનિક કોચના જણાવ્યા અનુસાર, હેનીલની આ સિદ્ધિ વલસાડના અન્ય ઉભરતા ખેલાડીઓ માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે. આગામી દિવસોમાં હેનીલના માનમાં શહેરમાં વધુ કેટલાક સન્માન સમારોહ પણ યોજાય તેવી શક્યતા છે.
વાપીમાં 30.94 લાખનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો:યુપીનો યુવક પકડાયો, કુલ 31.58 લાખનો મુદ્દામાલ જપ્ત
ડુંગરા પોલીસે વાપી તાલુકાના બલીઠા વિસ્તારમાંથી ₹30.94 લાખના હાઈબ્રિડ ગાંજા સાથે ઉત્તર પ્રદેશના એક યુવકની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં કુલ ₹31.58 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડીને પ્રિન્સકુમાર પ્રેમચંદ્ર મૌર્ય (રહે. બલીઠા, વાપી; મૂળ રહે. અમેઠી, ઉત્તર પ્રદેશ)ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 884 ગ્રામ હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત આશરે ₹30,94,000 છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ₹30,94,000નો હાઈબ્રિડ ગાંજો, ₹8,000 રોકડા, ₹5,500ના બે મોબાઈલ ફોન, ₹50,000નું હીરો મેસ્ટ્રો સ્કૂટર તેમજ વજન કાંટો અને પ્લાસ્ટિકની પારદર્શક કોથળીઓનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ નશા નેટવર્ક પાછળ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢનો સૂરજસિંગ પ્રમોદસિંગ નામનો શખ્સ મુખ્ય સપ્લાયર છે, જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ડુંગરા પોલીસે આરોપી પ્રિન્સકુમાર સામે NDPS એક્ટની કલમ 8(c), 20(b)(ii)(A) અને 29 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગંગા એક્સપ્રેસ-વે પર કાળમુખી કારનો કહેર: ભંડારામાંથી પરત ફરતી 7 યુવતીઓને કચડી, 4ના કરુણ મોત
AI Image
દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી… મુખ્ય સચિવના ડરથી પાલિકા- કોર્પોરેશનોએ નાના મોટા કામોમાં ઝડપ લાવી દીધીમુખ્ય સચિવ એમ.કે. દાસે ચાર્જ સંભાળ્યા બાદ જીલ્લા કલેકટરો,ડીડીઓ,સચિવોને સાફ કહી દીધુ છે કે, કોઈપણ સંજોગોમાં ભ્રષ્ટાચારને ચલાવી લેવામાં નહી આવે. એટલુ જ નહી, કામમા પણ ઝડપ લાવવાની રહેશે. જેના માટે અધિકારીઓની જવાબદારી નક્કી થશે. આવા આદેશ બાદ વિવિધ મ્યુનિ.કોર્પોરેશનો અને નગરપાલિકાઓ-તાલુકા પંચાયતોના વિવિધ કામમા ખુબ જ ઝડપ આવી ગઈ છે. અમદાવાદ કોર્પોરેશનમાં કેટલાક અધિકારીઓ ચર્ચા કરતા હતા કે, દાસ સાહેબની કડકાઈથી હવે બધા સીધા થઈ ગયા છે. પહેલા ગટર સહિતના કામ માટે જગ્યા જોઈતી હોય તો એક એક વર્ષ સુધી જવાબ આપતા નહોતા. હવે તેઓ સીધા થઈ ગયા છે. એક વાર કહેવાથી જ તેઓ જગ્યાની ફટોફટ ફાળવણી કરી દે છે. ચમત્કાર વગર નમસ્કાર નહી એ કહેવતને મુખ્ય સચિવે યથાર્થ ઠેરવી છે. 'ભાજપના નેતાને સરકારી સ્લોટર હાઉસ દેખાયું પણ ગેરકાયદે કતલખાના નથી દેખાતા!'અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા ઐતિહાસિક બજેટમાં નવું સ્લોટર હાઉસ બનાવવાની દરખાસ્તને લઈને ભાજપના ધારાસભ્ય ભડક્યા અને કમિશનરે દરખાસ્ત પરત ખેંચી લીધી હોવાની જાહેરાત કરવી પડી છે. જોકે આ સમગ્ર મામલો રાજકીય થયાં બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓમાં ચર્ચા છે કે, સરકારી નિયમ પ્રમાણે સ્લોટર હાઉસ ચલાવવામાં આવી રહ્યું છે અને હાલની સ્થિતિને જોતા નવું બનાવવું પડે છે. જોકે પશુઓની કતલને રોકવાના નામે ભાજપના ધારાસભ્યએ વિરોધ કર્યો પરંતુ શહેરમાં બાપુનગર, ગોમતીપુર, બહેરામપુરા, વટવા સહિત અનેક જગ્યાએ ગેરકાયદેસર કતલખાના ચાલે છે જેને ભાજપના નેતાઓ બંધ કરાવી શકતા નથી. પોલીસ કમિશનર સાથેની સંકલન બેઠકમાં ગેરકાયદેસર કતલખાનાઓ બંધ કરાવવા માટે રજૂઆત કરી શકતા હોય છે, પરંતુ ત્યાં આવી કોઈ રજૂઆત થતી નથી. જો ગેરકાયદેસર બંધ કરાવી દે તો પણ ઘણા બધા પશુ કતલ થતી રોકાઈ જાય. જોકે નેતાજીને સરકારી સ્લોટર હાઉસ દેખાય છે પરંતુ શહેરમાં અનેક ગેરકાયદેસર સ્લોટર હાઉસ ચાલે છે એના વિશે ક્યાંય રજૂઆત થઈ હોય તેવું જણાતું નથી. શિક્ષણ વિભાગમાં ફાઈલોના ઢગલા,મુખ્યમંત્રીએ પણ તેની ગંભીર નોંધ લીધીથોડો સમય પહેલા જ મુખ્ય સચિવ એમ.કે. દાસે કેબિનેટને સમાંતર મળતી સેક્રેટરીઓની મીટીંગમાં સૂચના આપી હતી કે, કોઈપણ પ્રકારની ફાઈલ હોય તેનો સાત દિવસમાં નિકાલ કરવો પડશે.શેઠની શિખામણ ઝાંપા સુધી એ કહેવતની માફક હજુ પણ તેનો પૂરો અમલ થયો નથી.સચિવાલયમાં ચર્ચા છે કે, અગાઉની જેમ હજુ સૌથી વધુ ફાઈલોનો નિકાલ થતો ન હોય તેવા ડીપાર્ટમેન્ટમાં શિક્ષણ વિભાગ નંબર 1 ઉપર આવે છે. મંત્રીમંડળનુ વિસ્તરણ થયા બાદ નવા શિક્ષણ મંત્રી તરીકે પ્રધ્યુમન વાઝાએ કારભાર સંભાળ્યા બાદ સ્થિતિ સુધરવાને બદલે બગડી રહી છે. વિભાગના અધિકારીઓ દ્રારા જૂદી જૂદી ફાઈલોને સમયસર મંત્રીના કાર્યાલયમાં મોકલવામાં આવે છે. પરંતુ ત્યાંથી ફાઈલોનો નિકાલ થતો નથી. ઉચ્ચ અધિકારીઓ મંત્રીને સમજાવીને થાકી જાય છે પણ મંત્રી સમજી શકતા નથી. આ સંદર્ભમાં મુખ્યમંત્રી તેમજ મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર હસમુખ અઢીયાને પણ ખબર પડી ગઈ છે. તેઓએ પણ તેની ગંભીર નોંધ લીધી છે.જોવાનુ એ રહે છે કે, બજેટ સત્ર પહેલા ફાઈલોનો નિકાલ થાય છે કે પછી ફાઈલોનો સંખ્યા વધે છે. બાંધકામોની સાઈટો પરથી સેમ્પલ લો, નીચેના અધિકારીઓ પર સોપો પાડી દોગત અઠવાડીયે ગાંધીનગરમાં મુખ્યમંત્રી-મુખ્ય સચિવની હાજરીમાં પ્રભારી સચિવોની મીટીંગ મળી હતી. જેમાં એડિશનલ ચીફ સેક્રેટરીઓ,પ્રિન્સિપલ સેક્રેટરીઓ અને સેક્રેટરીઓ જોડાયા હતા. આ મીટીંગ લાંબો સમય ચાલી હતી. જેમાં પ્રભારી સચિવોને કહેવાયુ કે, તમે જે જીલ્લા માટે પ્રભારી સચિવ તરીકેની જવાબદારી સોંપાઈ છે તે જીલ્લાની એકાએક મુલાકાત લેવાનુ ચાલુ કરી દો.ત્યાં જઈને વિવિધ પ્રકારના બાંધકામોની સાઈટ પર જાવ અને તેના સેમ્પલ લો અને ચકાસણી કરો કે કામ બરોબર થાય છે કે નથી થતુ. તેમાં ખાસ કરીને ક્વોલિટીની ચકાસણી કરવાની છે. તમે લોકો જઈને ત્યાં સોપો પાડી દો.આવી ચર્ચા દરમિયાન એક બે મહીલા સચિવે હિંમત કરીને દલીલ કરી હતી કે, અમારી પાસે મટીરીયલ્સનુ ચેકીંગ કરવાની કોઈ સુવિધા કે મશીનરી નથી અને કઈ રીતે આ કામ કરી શકીએ. અમને આમાં ટેકનિકલી કશી ખબર પણ ન પડે.અમારુ કામ તો જીલ્લાના પ્રશ્નો ઉકેલવાનુ છે તેમજ સરકાર સાથેના કોઈ ઈસ્યુ હોય તો જીલ્લાના સ્થાનિક તંત્ર વચ્ચે કો ઓર્ડીનેશન કરવાનુ છે. જો કે, સચિવોને એવુ કહેવાયુ છે કે, તમે કામ શરુ કરો સરકાર તમને તમામ વ્યવસ્થા કરી આપશે. આ બેઠક બાદ બ્યુરોક્રેટ્સમાં ચર્ચા છે કે, છેલ્લા કેટલાક સમયથી પાણીની ટાંકી તૂટી પડવાની, જૂદા જૂદા બ્રિજો તૂટવાની કે નબળા પડવાની ઘટના બન્યા બાદ સરકાર હવે એ જવાબદારી પણ આપણા પર નાખવા માગે છે. સ્માર્ટ સિટી અમદાવાદમાં AI પર બ્રેક,વરસાદી પાણી નિકાલની ફાઈલ દોઢ મહિનાથી પેન્ડિંગઅમદાવાદ મહાનગરપાલિકાનો વર્ષોથી સૌથી મોટો અને પ્રાણ પ્રશ્ન રહ્યો છે વરસાદી પાણી ભરાવાનો. દર વર્ષે થોડો પણ ભારે વરસાદ પડે એટલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. આ સમસ્યાને વૈજ્ઞાનિક અને આધુનિક ટેકનોલોજીથી કંટ્રોલ કરવા માટે હવે AI (Artificial Intelligence)નો ઉપયોગ કરવો જોઈએ એવી ચર્ચા જોર પકડી રહી છે. કેટલો વરસાદ આવશે તેનું એડવાન્સ ફોરકાસ્ટ, કયા વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા છે અને કયા પ્રિવેન્ટિવ એક્શન લેવા, આ બધું AIના માધ્યમથી શક્ય છે. આ મુદ્દે બ્રેઈન સ્ટોર્મિંગ પણ થયું છે, કોર્પોરેશનમાં લોકો મળ્યા છે, ચર્ચાઓ થઈ છે.પરંતુ ચર્ચા અહીં જ અટકી ગઈ છે. ચર્ચાઈ રહ્યું છે કે AI આધારિત પ્રોજેક્ટની ફાઈલ છેલ્લા દોઢ મહિનાથી મ્યુનિસિપલ કમિશનરના ટેબલ પર ધૂળ ખાતી પડી છે, પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી. શહેર માટે એટલો ગંભીર મુદ્દો હોવા છતાં કમિશનરનો રસ ન દેખાતો હોવાની ચર્ચા કોર્પોરેશનના ગલિયારાઓમાં ચાલી રહી છે. GFGNLના કથિતકૌભાંડ બાદ DSTમાં ‘સાઈલન્સ મોડ’?ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (DST)ને લઈને ચર્ચાઓ ગરમ છે. મોના ખંધાર જ્યારે DSTમાં ફરજ બજાવતા હતા, ત્યારે તેમની બદલી પાછળ GFGNL (Gujarat Fibre Grid Network Limited)ના કથિત કૌભાંડની છાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે, 1 સપ્ટેમ્બરે GFGNLની રીવ્યુ મીટિંગ યોજાઈ હતી અને એ પછી જ મોના ખંધારની બદલી થઈ. ત્યારબાદ આજદિન સુધી GFGNLને લઈને એકપણ સિંગલ મૂવમેન્ટ નથી થઈ. ચર્ચા એવી છે કે હવે તો GFGNLની ફાઈલને સ્પર્શ કરવા માટે ન મંત્રી તૈયાર છે, ન સેક્રેટરી, ન કોઈ અધિકારી. કેટલાક તો એવું પણ કહી રહ્યા છે કે 1 સપ્ટેમ્બર પછી DSTને જાણે તાળું વાગી ગયું હોય, એવી સ્થિતિ સર્જાઈ છે. સોમવારના જનસંપર્કમાં ફક્ત ફોટોગ્રાફી, નિકાલ શૂન્ય? મંત્રીઓ માટે જનતાને મળવાનો નક્કી કરાયેલ દિવસ એટલે સોમવાર. આ દિવસે અરજદારો રજુઆત કરવા આવે છે, પરંતુ રજુઆતનો નિકાલ થાય છે કે નહીં, એ મોટો પ્રશ્ન બની ગયો છે.એક જિલ્લામાંથી રજુઆત કરવા આવેલા એક સંગઠનનું કહેવું છે કે, “અમે એક મહિના પહેલા અરજી આપી હતી. ફોલોઅપ માટે એક મહિના પછી ફરી આવ્યા તો કહેવામાં આવ્યું કે અરજી મળતી નથી, ફરી આપી દો. ફરી આપી, છતાં ફોલોઅપ લીધો તો કોઈ કાર્યવાહી નથી.” આવા અનુભવો બાદ લોકોમાં રોષ વધી રહ્યો છે. લોકો કહે છે કે જનસંપર્કના દિવસે મંત્રીઓ અરજદારોને મળવાને બદલે ફક્ત ફોટા પડાવવામાં વ્યસ્ત રહે છે. રજુઆતો સાંભળવામાં આવે છે, આશ્વાસન આપવામાં આવે છે, પરંતુ નિકાલ ક્યાંય દેખાતો નથી. જનસંપર્કનું ‘આઉટકમ’ ક્યાં? ફરિયાદો એવી ઉઠી રહી છે કે જનસંપર્કનું કોઈ સ્પષ્ટ આઉટકમ જ નથી આવતું. લોકો મળ્યા, ફોટા પડ્યા, વાતો થઈ… પણ ફાઈલ ત્યાં જ અટકી જાય છે. શિક્ષણનુ સ્તર સુધારવા માટે શિક્ષકોને સોંપાતી અન્ય કામગીરીને બંધ કરાવોગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષણનુ સ્તર કથળ્યું છે. તેને સુધારવા માટે સરકારે અનેક પ્રયાસો કર્યા છે પણ હજુ સુધી કોઈ જ સફળતા મળતી નથી. ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠકમાં પણ શિક્ષણનુ સ્તર સુધારવા માટેની ચર્ચા થઈ હતી. અધિકારીઓ દ્રારા સેક્રેટરીઓની મીટીંગમાં પ્રેઝન્ટેશન પણ અપાયુ હતુ.જેમાં એવો મત વ્યક્ત કરાયો હતો કે, શિક્ષણનુ સ્તર સુધારવા માટે ઉચ્ચ અધિકારીઓએ પોતાની પૂરી તાકાત લગાવવી પડશે. જ્યારે કોઈ અધિકારીએ એવી દલીલ પણ કરી હતી કે, વર્ષ દરમિયાન વેકેશનો અને રજાના દિવસો બાદ કરતા વિધાર્થીઓને ભણવા માટે ઘણા ઓછા દિવસો મળે છે.ઉપરાંત શિક્ષકોને વર્ષ દરમિયાન BLO સહિતની અનેક કામગીરી સોંપાતી હોય છે. જેથી તેઓ શાળામાં ભણાવવામાં પૂરતુ ધ્યાન આપી શકતા નથી. કોઈએ એવુ સૂચન કર્યુ હતુ કે, જો એજ્યુકેશનનુ સ્તર સુધારવુ હોય તો, ત્રણ વર્ષ સુધી તમામ શિક્ષકોને ભણાવવા સિવાયની કોઈ જ અન્ય કામગીરી સોંપવી જોઈએ નહી. સરકાર હવે આ સંદર્ભમા કેવો નિર્ણય કરે છે તે જોવાનુ રસપ્રદ બનશે. બે પ્રિન્સિપલ સેક્રેટરીઓ ઈટલીના પ્રવાસે ઉપડ્યા, અધિકારીઓમાં ગણગણાટગત અઠવાડીયે સચિવાલયમાં ફરજ બજાવતા બે IPS અધિકારીઓ અશ્વિનીકુમાર અને રાહુલ ગુપ્તા ઈટલીના પ્રવાસે ઉપડી ગયા છે. જો કે આ તેમનો સરકારી અને સત્તાવાર પ્રવાસ છે. ઈટલીમાં ઓલિમ્પિક ગેમ્સના સંદર્ભમાં બેઠક મળી રહી છે જેમાં હાજર રહેવા માટે સરકારે બન્ને અધિકારીઓને ત્યાં મોકલ્યા છે. જેને લઈને સચિવાલયમાં કેટલાક અધિકારીઓમાં ગણગણાટ શરુ થયો છે. તેઓ એકબીજા સાથે ચર્ચા કરી રહ્યા છે કે, વિદેશ પ્રવાસ માટે આપણો નંબર ક્યારે આવશે.આ બન્ને અધિકારીઓની સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જવાના હતા પણ તેઓ શ્રીલંકા ગયા હતા. રાજકોટ ભાજપ સંગઠનમાં પોતાના વિશ્વાસુઓને ગોઠવવા ધારાસભ્યોમાં ખેંચતાણરાજકોટ ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રાજકોટ શહેર ભાજપના જૂથવાદની વાતો પ્રદેશ જ નહિ પરંતુ રાષ્ટ્રીય મવડી મંડળ સુધી પણ પહોંચી ગઈ જેના કારણે પ્રથમ પ્રમુખ સહિત આખું માળખું નવું જાહેર કરવા અટકળો શરૂ થઇ. જો કે પ્રમુખે પોતાને નવી ટિમ મળી ન હોવાથી યોગ્ય કામ થઇ ન શકતું હોવાની રજુઆત કરી નવી ટિમ સાથે તાકાતથી કામ કરવાની ખાતરી આપતા મોવડી મંડળ આ વાતથી માંડ માંડ સહમત થયું ત્યાં બાકીના હોદેદારો માટે ખેંચતાણ શરૂ થઇ. રાજકોટના એક ધારાસભ્યના અંગતને સંગઠનમાં નિમણુંક પાક્કી છે તેવું ચર્ચાવા લાગતા બીજા ધારાસભ્યએ પણ પોતાના માનીતાનો સમાવેશ કરવા માંગણી કરી છે પરંતુ હવે એ નામ માટે તો સ્પષ્ટ મનાઈ જ આવી છે માટે હવે ગુંચવાયેલા કોકડા વચ્ચે મહદ અંશે નો રિપીટ સાથેના માળખામાં કોનો સમાવેશ થાય અને કોની બાદબાકી તેના પર આખાએ રાજકોટના ભાજપના નેતાઓ આગેવાનો અને કાર્યકર્તાઓની મિટ મંડાયેલી છે. સમસ્યાના નિરાકરણના બદલે ભાજપ નેતાએ નાગરિકને ઉડાઉ જવાબ આપ્યો!ભાજપના એક નેતાની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. નેતાજીની રજૂઆતના આધારે જે નિર્ણય કરવામાં આવ્યો છે તેનાથી લોકોમાં રોષ ફેલાયો છે સ્થાનિક લોકોએ ભાજપના નેતાને ફોન કરીને તેમની સમસ્યા સાંભળવા માટે કીધું તો ભાજપના નેતાએ કહી દીધું કે તમે મંત્રીઓ જોડે જાઓ સરકારમાં જાઓ જે કરવું હોય એ કરો. આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે. ત્યારે ભાજપના નેતાજીએ સ્થાનિક લોકોને સાંત્વના આપી તેમની સમસ્યાનું નિરાકરણ કરવાનું હોય પરંતુ ભાજપના આ નેતાજી તો તમારે જ્યાં સરકારને કહેવું હોય અને જે મંત્રીને કહેવું હોય એ કહી દો હું કોઈ સરકારનો માલિક નથી એવું કહ્યું હતું. ભાજપના નેતાજીના હઠના કારણે આગામી ચૂંટણીમાં નેતાજીના આવા જવાબ અને તેમની કરેલી રજૂઆતના કારણે હેરાનગતિ લોકો ચોક્કસ યાદ રાખીને મતદાન કરશે એવી ચર્ચા છે. મનપાની ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક લડાઈ તેજ બન્યાની ચર્ચાગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર થઈ ચૂક્યું છે જિલ્લા અને શહેરમાં પણ નવા સંગઠનની ટીમ જાહેર થઈ રહી છે. જોકે ભાજપમાં સંગઠનમાં આંતરિક વિખવાદ હવે ચરમસીમા પર આવી ગયો છે. ખાસ કરીને મહાનગરપાલિકાઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપના નેતાઓમાં અંદરો અંદર લડાઈ ચાલુ થયાની ચર્ચા છે. ભાજપ ભલે શિસ્ત પાર્ટી કહેવામાં આવે પરંતુ પાર્ટીમાં હવે શિસ્ત જેવું ક્યાંય રહ્યું નથી. પાર્ટીમાં ઉચ્ચ નેતા સર્વોપરી હોય છે પરંતુ હવે પાર્ટીના કેટલાક નેતાઓ જ ગમે ત્યારે ગમે તે રીતે વર્તન અને પૂછ્યા વિના નિર્ણયો કરવા લાગ્યા છે. સૌરાષ્ટ્રના સંગઠનમાં પણ આંતરિક વિખવાદ સામે આવ્યો છે. અમદાવાદમાં પણ ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો વચ્ચે ક્યાંક ને ક્યાંક આંતરિક વિખવાદ હોવાને લઈને નવી ટીમ જાહેર થતાની સાથે જ મોટો વિરોધ સામે આવે એવી ચર્ચા જાગી છે CMOમાં ફરજ બજાવતા અજયકુમાર અને વિક્રાંત પાંડેની શાલીનતા જોઈ CM-નાણામંત્રી પ્રભાવિતગત અઠવાડીયે કેન્દ્ર સરકારનુ બજેટ જાહેર થયા બાદ તેના પર પ્રતિક્રિયા આપવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મીડિયા સાથે વાત કરવાનુ નક્કી કર્યુ હતુ. તેમની સાથે નાણા મંત્રી કનુભાઈ દેસાઈ, નાણા ખાતાના એડિશનલ ચીફ સેક્રેટરી ટી.નટરાજન, સીએમઓમાં ફરજ બજાવતા સંજીવકુમાર, પ્રિન્સિપલ સેક્રેટરી વિક્રાંત પાંડે અને સચિવ અજયકુમાર જોડાયા હતા. સ્ટેજ પર મુખ્યમંત્રી નાણામંત્રી ઉપરાંત આ પાંચેય આઈએએસ અધિકારીઓ માટે પણ ખુરશી ગોઠવાઈ હતી. મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોનો કાફલો સ્વર્ણિમ-1ના તાપી હોલમાં પહોચ્યો હતો. એ સમયે પાંડે અને અજયકુમાર સિવાયના બાકીના તમામ લોકો સ્ટેજ પર જતા રહ્યા હતા. એક તબક્કે આ બન્ને અધિકારીઓ પણ સ્ટેજ પર જવાના હતા પણ છેલ્લી ઘડીએ તેઓ સ્ટેજ પર બેઠા નહોતા. એટલુ જ નહી મીડીયાના લોકો જ્યાં બેઠા હતા ત્યાં જઈને બન્ને અધિકારીઓ શાંતિથી બેસી ગયા હતા. પ્રેસ કોન્ફરન્સ પૂરી થયા બાદ આ બન્ને અધિકારીઓ હાથમાં ફાઈલો લઈને ઉભા થઈ ગયા હતા. બન્ને અધિકારીઓની આવી શાલીનતા જોઈને મુખ્યમંત્રી-નાણામંત્રી પ્રભાવિત થયા હતા. શહેરી વિકાસ મંત્રીએ ટીપીના સંદર્ભમાં સીટીપી-મ્યુનિ.કમિશનરો,ઔડા-ગુડાને નોટિસ ફટકારીતાજેતરમાં જ નાણા અને શહેરી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ ટાઉન પ્લાનીંગ સ્કીમના સંદર્ભમાં સીટીપી તેમજ તમામ મ્યુનિસિપલ કમિશનરોને તથા ઔડા,ગુડા જેવી ઓથોરીટીઓને નોટિસો ફટકારી છે. જેમાં જણાવાયુ છે કે, જે કામ 100 દિવસમાં થતા હોય તેનો સમય ઘટાડીને 20 દિવસનો કરવાની વાતનુ શું થયુ. કામ કેમ ઝડપથી થતુ નથી, સમય કેમ ઘટતો નથી તેનો ખુલાશો કરો. અગાઉના પરિપત્ર મુજબ ટીપીની કામગીરીમાં ઝડપથી નિર્ણયો લેવાના થતા હોય છે એ મુજબનુ કામ અધિકારીઓ અને તંત્ર કરતુ નથી. અત્રે નોંધનીય છે કે, સીએમ બન્યા બાદ ભુપેન્દ્ર પટેલે એક પરિપત્ર કરાવ્યો હતો. જેમાં જણાવાયુ હતુ કે, ટીપીમાં સુધારાઓ કરીને તેની પ્રોસેસને નાની-ટૂંકી કરી દો જેથી નાગરિકોને કોઈ તકલીફો ન પડે. જો કે, હજુ સુધી તેનો અમલ થઈ શક્યો નથી. માટે આવી નોટિસ કાઢવી પડી છે. કોઈ સીટીપીને નોટીસ મળી હોય એવી ગુજરાતની આ પ્રથમ ઘટના છે.હવે તંત્ર આવી નોટીસને ઘોળીને પી જાય છે કે પછી તેનો અમલ કરાવે છે તે જોવાનુ રહ્યુ.
ગમખ્વાર અકસ્માત સર્જાયો:દવા લેવા જતાં દંપતિનું કાર અડફેટે કરૂણ મોત
દિહોર ગામે રહેતા દંપતિ ઠાડચ ગામે હોસ્પિટલ જતાં ઠાડચ ગામની નજીક એક ટાટા કંપનીના કાર ચાલકે પુરપાટ ઝડપે, બેફીકરાઇથી કારને દોડાવી, મોટર સાયકલમાં બેસેલા દંપતિ સાથે કારનો ગમખ્વાર અકસ્માત સર્જતા દંપતિ ફંગોળાઇને રોડ ઉપર પટકાયા હતા. જે અકસ્માતમાં ઇજાગ્રસ્ત દંપતિને સારવારમાં ભાવનગર ખાતે લઇ જવાતા દંપતિનું સારવારમાં કરૂણ મોત નિપજતા શોક છવાઇ જવા પામ્યો હતો. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થયો હતો. તળાજા તાલુકાના દિહોર ગામે રહેતા દલપતભાઇ ખાટાભાઇ દિહોરા અને તેમના પત્નિ કાન્તુબેન દલપતભાઇ ખાટાને ઘણા સમયથી તાવ આવતો હોય જેને લઇને તેઓ પોતાની મોટર સાયકલ નં. GJ 04 FB 3848 લઇને દિહોર ગામેથી ઠાડચ ગામે હોસ્પિટલમાં સારવાર માટે જઇ રહ્યા હતા. જે દરમિયાન તેઓ પોતાનું મોટર સાયકલ લઇને ઠાડચ ગામ નજીક પહોંચ્યા હતા જે વેળાએ ઠાડચ થી તળાજા તરફ જતી એક ટાટા કંપનીની સફેદ કલની કર્વ કાર નં. GJ 04 EP 3195ના ચાલકે દંપતિના મોટર સાયકલ સાથે ગમખ્વાર અકસ્માત સર્જયો હતો. જે અકસ્માતમાં દંપતિ મોટર સાયકલમાંથી ફંગોળાઇને રોડ ઉપર પટકાતા, દંપતિને શરીરના જુદા જુદા ભાગો ઉપર ગંભીર ઇજા પહોંચતા સર.ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ઼ જ્યાં સારવાર દરમ્યાન દલપતભાઇ ખાટાભાઇ દિહોરા (ઉ.વ.48) અને કાન્તુબેન દિહોરા (ઉ.વ.42)નું કરૂણ મોત નિપજતા પરિવારમાં ભારે ગમગીની ફેલાઇ જવા પામી હતી. જે ઘટનાને લઇને શંભુભાઇ ખાટાભાઇ દિહોરાએ પાલિતાણા રૂરલ પોલીસ મથકમાં કાર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. લક્ઝરી બસ અડફેટે સીદસરના આધેડનું મોતભાવનગર શહેરના વાળુકડ, સીદસર ગામે રહેતા અનિલભાઇ બાવભાઇ પરમારના પિતા બાવભાઇ પરમાર મોડી રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં તેમના ઘરની નજીક આવેલ ચામુંડા હોટલે ગયા હતા અને જ્યાંથી સર્વોત્તમ ડેરી પાસે આવેલ એક પાર્કિંગની જગ્યામાં સુઇ ગયા હતા. જે બાદ એક લક્ઝરી બસના ચાલકે ત્યાંથી તેમની બસ પસાર કરતા તેમના પિતા બાવભાઇ પરમાર બસના ટાયર તળે આવી જતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમના સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં ભારે ગમગીની ફેલાઇ જવા પામી હતી. જે મામલે અનિલભાઇ બાવભાઇ પરમારે અજાણી લક્ઝરી બસના ચાલક વિરૂદ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
તસ્કરો ઝડપાયા:ભાવનગર પોલીસ લાઇનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ ઝડપાયા
ભાવનગર શહેરમાં વિદ્યાનગર પોલીસ લાઇનમાં એક બંધ જુના ક્વાર્ટરમાં નેત્રમ તેમજ અન્ય સરકારી પ્રોજેક્ટના સી.સી.ટી.વી. કેમેરા સહિતનો કિંમતી સામાન સહિતની રૂા. 1.75 ના મુદ્દામાલની તસ્કરી થવા પામી હતી. જે મામલે એલ.સી.બી. પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન પોલીસે તસ્કરી કરનારા ત્રણ તસ્કરોને રૂા. 1.51 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. આ બનાવમાં વધુ બે તસ્કરોની સંડોવણી ખુલતા શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસ ક્વાર્ટરમાં ત્રણથી વધુ વખત ચોરી કરી હતી. શહેરમાં આવેલ વિદ્યાનગર પોલીસ લાઇનમાં કન્ડમ હાલતમાં રહેલા બંધ ક્વાર્ટરમાંથી સરકારી નેત્રમ પ્રોજેક્ટ સહિત ત્રણ પ્રોજેક્ટના સી.સી.ટી.વી. કેમેરા સહિતની ચોરી થયાની પાંચેક દિવસ અગાઉ વાયરલેસ પી.એસ.આઇ. દ્વારા ફરિયાદ નોંધાવા પામી હતી. તસ્કરો દ્વારા ફ્લેટના બારીની ગ્રીલ તોડી, ફ્લેટમાં પ્રવેશી ત્રણ પ્રોજેક્ટના પચાસથી વધુ કેમેરા, સર્વર, હાર્ડડિસ્ક સહિતની રૂા. 1.75 લાખના મુદ્દામાલની ચોરી થયાનું જણાવાયું હતું. જે તસ્કરી બાદ પોલીસ ઉપર અનેક સવાલો ઉભા થવા પામ્યા હતા. આ ચોરીની ઘટના બાદ એલ.સી.બી. પોલીસ દ્વારા શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં તપાસ હાથ ધરતા વડવા તલાવડી વિસ્તારમાં રહેતા કેટલાક શકમંદોએ તસ્કરી કરી હોવાનું અને ચોરીનો સામાન મીહીર ભંગારીના ઘરના ફળિયામાં રાખ્યો હોવાની બાતમી મળતા ચોક્કસ બાતમી આધારે તપાસ કરતા, પોલીસને ચોરી થયેલ રૂા. 1,51,350 લાખનો મુદ્દામાલ મળી આવતા, મુદ્દામાલ સાથે તસ્કરોને પણ ઝડપી લેવાયા હતા. જેમાં રાહુલ ઉર્ફે બાડો સવજીભાઈ સોલંકી, હાર્દિક ઉર્ફે ડાબલી સવજીભાઈ મીઠાપરા, મિહીર મુકેશભાઈ ટાંકને ઝડપી લેવાયા છે. તેમજ વિજય ઉર્ફે કાળીયો હિંમતભાઈ સોલંકી, સુલેમાનભાઈ સર્કીટની શોધખોળ શરૂ કરાઇ છે. ક્વાર્ટરમાં તસ્કરોએ ત્રણથી વધુ વખત ખાતર પાડ્યુંત્રણ આરોપીની ધરપકડ બાદ રાહુલ ઉર્ફે બાડો તેમજ પકડવાનો બાકી વિજય એ પ્રથમ બંન્ને અને ત્યાર બાદ રાહુલ ઉર્ફે બાડાએ બેથી ત્રણ વખત અને એક વખત રાહુલ પોતે અને હાર્દિક મીઠાપરાની સાથે પણ તસ્કરી કરી હોવાનું એલ.સી.બી. પોલીસ દ્વારા જણાવાયું હતું. જો કે, આ તસ્કરો દ્વારા કેટલા સમય અગાઉ ચોરી કરી તે જણાવાયું ન હતું.
સૌરાષ્ટ્ર સમાચાર ગ્રાઉન્ડ રિપોર્ટ:પ્રવાસીઓ માટે ભાવનગરના દિશાસૂચક બોર્ડ ત્રણ ભાષામાં રાખો
ભાવનગર શહેરના વિવિધ માર્ગો પર લગાવવામાં આવેલા દિશાસૂચક (Direction Boards) માત્ર ગુજરાતી ભાષામાં હોવાના કારણે રાજ્યની બહારથી આવતા પ્રવાસીઓ, વેપારીઓ તેમજ દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગો, ચોક અને સરકારી કચેરીઓ તરફ માર્ગદર્શન આપતા બોર્ડમાં અન્ય ભાષાનો અભાવ હોવાના કારણે બહારગામથી આવતા લોકો માટે યોગ્ય સ્થળ ઓળખવું અને માર્ગ સમજવો કઠિન બન્યું છે. ભાવનગર પ્રવાસન, ઉદ્યોગ અને વેપાર સાથે સંકળાયેલું મહત્વપૂર્ણ શહેર છે. રોજબરોજ રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાંથી લોકો અહીં સારવાર, વ્યવસાય અને અન્ય કામ માટે આવનજાવન કરે છે. આવા સંજોગોમાં માત્ર ગુજરાતી ભાષાના સાઇનબોર્ડ બહારથી આવતા નાગરિકો માટે અડચણરૂપ સાબિત થઈ રહ્યા છે. શહેરમાં હોટલ, હોસ્પિટલ, સરકારી કચેરી, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન તેમજ મહત્વના ચોક તરફ દિશા દર્શાવતા બોર્ડ જો વાંચી ન શકાય, તો પ્રવાસીઓમાં ગુંચવણ ઊભી થાય છે. જેના કારણે શહેરની વ્યવસ્થાપન ક્ષમતાની છબી પર પણ પ્રતિકૂળ અસર પડી રહી છે. સ્થાનિક વેપારી વર્ગ અને નાગરિકોમાંથી માંગ ઉઠી છે કે તમામ દિશાસૂચક બોર્ડ પર ગુજરાતી સાથે હિન્દી અને અંગ્રેજી ભાષાનો સમાવેશ કરવામાં આવે, જેથી બહારથી આવતા લોકોને માર્ગ શોધવામાં સરળતા રહે અને શહેર સાચા અર્થમાં “સ્માર્ટ સિટી”ની ઓળખ મેળવી શકે. નાગરિકોનું કહેવું છે કે દેશના મોટાભાગના મહાનગરોમાં ત્રિભાષા (Gujarati–Hindi–English) પદ્ધતિ અમલમાં છે, ત્યારે ભાવનગરમાં માત્ર એક ભાષા સુધી મર્યાદિત રહેવું સમયની જરૂરિયાત સાથે સુસંગત નથી. આ મુદ્દે ભાવનગર મહાનગરપાલિકા તેમજ માર્ગ વિભાગે તાત્કાલિક ધ્યાન આપી ભાષાત્મક સુવિધા સાથે માનવહિતને પ્રાધાન્ય આપતું નિર્ણય લેવું જરૂરી હોવાનું મત વધુ મજબૂત બની રહ્યું છે. પ્રવાસીઓની સ્પષ્ટ માંગ છે કે ભાવનગર જેવા મહત્વના શહેરમાં દિશાસૂચક બોર્ડ પર ગુજરાતી સાથે હિન્દી અને અંગ્રેજી ભાષાનો સમાવેશ કરવામાં આવે, જેથી બહારથી આવનાર લોકો પણ સરળતાથી માર્ગ શોધી શકે અને શહેર પ્રત્યે સકારાત્મક છાપ ઉભી થાય. બહારગામથી આવતા પ્રવાસીઓનો અવાજભાવનગરમાં અન્ય રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓ અને મુસાફરો પણ દિશાસૂચક બોર્ડ મુદ્દે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી આવતા લોકોનું કહેવું છે કે શહેરના મોટાભાગના માર્ગો પરના સાઇનબોર્ડ માત્ર ગુજરાતી ભાષામાં હોવાથી અજાણ્યા વિસ્તારમાં યોગ્ય સ્થળ સુધી પહોંચવામાં ભારે તકલીફ પડે છે. ઘણા મુસાફરોનું કહેવું છે કે બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, હોસ્પિટલ કે સરકારી કચેરી શોધવા માટે વારંવાર સ્થાનિક લોકો પાસે પૂછવું પડે છે, જેના કારણે સમય બગડે છે અને ગુંચવણ સર્જાય છે.
મુસાફરોની સુવિધા વધારવા લેવાયો નિર્ણય:બાંદ્રા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન માર્ચ માસ સુધી લંબાવાઈ
ભાવનગર-બાંદ્રા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનને મળી રહેલા અભૂતપૂર્વ આવકાર બાદ પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ભાવનગર મંડળ થઈને ચાલતી ત્રણ જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તૃત કરવામાં આવ્યા છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી અનુસાર, ટ્રેન નંબર 09208 ભાવનગર – બાન્દ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલને 26 માર્ચ, 2026 સુધી વિસ્તૃત કરવામાં આવી છે. તે જ રીતે, ટ્રેન નંબર 09207 બાન્દ્રા ટર્મિનસ – ભાવનગર ટર્મિનસને 27 માર્ચ, 2026 સુધી વિસ્તૃત કરવામાં આવી છે. ટ્રેન નંબર 09216 ભાવનગર – ગાંધીગ્રામ દૈનિક અનારક્ષિત સ્પેશિયલને 31 માર્ચ, 2026 સુધી વિસ્તૃત કરવામાં આવી છે. તે જ રીતે, ટ્રેન નંબર 09215 ગાંધીગ્રામ – ભાવનગર ટર્મિનસ દૈનિક અનારક્ષિત સ્પેશિયલને પણ 31 માર્ચ, 2026 સુધી વિસ્તૃત કરવામાં આવી છે. વેરાવળ – બાન્દ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલને 30 માર્ચ, 2026 સુધી વિસ્તૃત કરવામાં આવી છે. તે જ રીતે, બાન્દ્રા ટર્મિનસ – વેરાવળ સાપ્તાહિક સ્પેશિયલને 29 માર્ચ, 2026 સુધી વિસ્તૃત કરવામાં આવી છે. ઉપરોક્ત તમામ આરક્ષિત ટ્રેનોના વિસ્તૃત ફેરાઓ માટેની બુકિંગ 8 ફેબ્રુઆરી, 2026થી તમામ પીઆરસી કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઈટ પર શરૂ થઈ ચૂકી છે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરોને www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લેવા જણાવાયુ છે.
વેધર રિપોર્ટ:બપોર અને રાતના તાપમાન વચ્ચે 15 ડિગ્રીના તફાવત સાથે બેવડી ઋતુ
ભાવનગર શહેરમાં આજે બપોર અને રાતના તાપમાન વચ્ચે 15 ડિગ્રી સેન્ટીગ્રેડ જેવો નોંધપાત્ર તફાવત હોય નગરજનોએ બેવડી ઋતુનો અનુભવ કર્યો હતો. આજે સવારે લઘુત્તમ ઉષ્ણતામાન 16.7 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ જ્યારે મહત્તમ તાપમાન 31.8 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ. જો કે આજે પવનની ઝડપ ઘટી જતા અને ભેજ રહેતા બફારો વધ્યો હતો. હાલમાં અરબ સાગરથી ગુજરાત સુધી ભેજની પટ્ટી(ટ્રફ) સક્રિય છે, જેની અસરોથી નીચલા લેવલે પવની ગતિમાં ઘટાડો થયો છે. જેથી બપોરે લોકોએ ઉનાળા જેવી ગરમીનો અનુભવ કર્યો હતો. હજુ ચારથી પાંચ દિવસ શહેરના લઘુતમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો થશે, આજે રવિવારે ભાવનગરનું મહત્તમ તાપમાન 31.8 ડિગ્રી અને લઘુત્તમ ઉષ્ણતામાન 16.7 ડિગ્રી નોંધાયું હતું. હાલમાં વાતાવરણના મધ્ય લેવલમાં અરબ સાગર ગુજરાત સુધી ટ્રફની સિસ્ટમ સક્રિય છે. રવિવારે બપોર પછી પવનની ગતિ ઘટીને 6 કિલોમીટરની થઇ ગઇ હતી, જેને કારણે બપોર પછી લોકોએ ઉનાળા જેવી ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. ભાવનગર શહેરમાં આજે બપોર તાપમાન 31.8 ડિગ્રી હતુ જે સામમન્ય તાપમાનથી 2.3 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયુ હતુ.
દિન વિશેષ:આજે નેશનલ ટૂથએક ડે, સર ટી. હોસ્પિટલમાં મહિને દાંતના દુ:ખાવાના 2100 કેસ
દરરોજ આપણે અનેક કામોમાં વ્યસ્ત હોઈએ છીએ, પરંતુ પોતાના આરોગ્ય તરફ ખાસ કરીને દાંત અને મોંના આરોગ્ય તરફ ઘણી વખત ધ્યાન નથી આપતા ! જ્યારે અચાનક દાંતમાં દુખાવો થાય છે, ત્યારે તેની ગંભીરતા સમજાય છે. આવા જ મહત્વને ઉજાગર કરવા માટે દર વર્ષે 9મી ફેબ્રુઆરીના દિવસને ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં દાંતના દુખાવા દિવસ ઉજવવામાં આવે છે. સ્થાનિક કક્ષાએ ભાવનગર શહેરની સરકારી ભાવનગર સર ટી. હોસ્પિટલમાં દર મહિને સરેરાશ 2100 જેટલા દાંતના સહિતના રોગોની સારવાર કરવામાં આવે છે. દાંતનો દુખાવો માત્ર અસહ્ય પીડા જ નથી આપતો, પરંતુ તે શરીરમાં કોઈ ગંભીર સમસ્યાનો સંકેત પણ હોઈ શકે છે. દાંતનું ઘસાઈ જવાથી, સડાના ચેપથી થતો દુખાવો, દાંત તૂટવો કે વધારે સૅન્સિટિવિટી જેવા કારણો દાંતના દુખાવા માટે જવાબદાર હોઈ શકે છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે, તો નાની સમસ્યા મોટી બની શકે છે. સર ટી. હોસ્પિટલમાં દાંત વિભાગમાં છેલ્લા બે વર્ષના આંકડા મુજબ વર્ષ-2025માં 26,043 તથા વર્ષ-2024માં 23,898 દર્દીઓએ દાંતના દુખાવાથી પીડિત દર્દીઓએ સારવાર લીધી છે. સૌરાષ્ટ્ર સમાચાર એક્સપર્ટજંકફૂડ અને બદલાતી જીવનશૈલીથી દર્દીઓ વધ્યા જંકફૂડ અને બદલાતી જીવનશૈલીથી દર્દીઓ વધ્યા છે. જેમાં લેટ નાઈટ લાઈફ કલ્ચરમાં રાત્રે સુતા પહેલા ખાવાની આદત, પાન-માવાનું વ્યસન અને વધારે પડતા ગળપણવાળા ખોરાક બાદ બરાબર દાંતની સફાઈ ન કરવાની મોટાભાગે દાંતની સમસ્યા ઉદ્દભવતી હોય છે. - ડૉ. જિજ્ઞાબેન શાહ, દંત ચિકિત્સા વિભાગ, સર ટી. દાંતના દુ:ખાવા દિવસ ઉદ્દેશ શું છે ?
મંડે પોઝિટીવ:માતા, પુત્ર અને પુત્રવધૂની ત્રિપુટીએ સાક્ષરતા માટે જ્ઞાનયજ્ઞ શરૂ કર્યો
“શિક્ષા દાન એ ઉત્તમ દાન છે” આ ઉક્તિને અક્ષરશઃ સાબિત કરવા મેદાને પડેલી ભાવનગરની એક માતા–પુત્ર–પુત્રવધૂની ત્રિપુટી આજે સંવેદનાની જીવતી પાઠશાળા બની રહી છે. ધો. 12 પાસ માતા રૂપાબેન વસાણી, MBA કરેલ પુત્ર ભાવિનભાઈ અને ગ્રેજ્યુએટ પુત્રવધૂ મનીષાબેન , આ મધ્યમ વર્ગીય પરિવાર એરપોર્ટ રોડ વિસ્તારની ઝૂંપડપટ્ટી અને આસપાસના વિસ્તારમાં રહેતા આશરે 38 જેટલા ગરીબ બાળકોને નિઃશુલ્ક પાયાનું શિક્ષણ આપી તેમને સાક્ષરતા અને સમૃદ્ધ ભવિષ્ય તરફ અગ્રેસર કરવાનો સ્તુત્ય પ્રયાસ કરી રહ્યો છે. કોઈ ફોટોશૂટ કે પ્રચાર વિના, ચૂપચાપ શિક્ષા યજ્ઞ કરતો આ પરિવાર સમાજ માટે દૃષ્ટાંત સમાન છે. શરૂઆતમાં 5થી 7 બાળકોમાંથી શરૂ થયેલ આ અભિયાનમાં દિનપ્રતિદિન બાળકોની સંખ્યા વધતી જઈ રહી છે. જરૂર પડે ત્યારે બાળકોને પુસ્તકો અને અન્ય સ્ટેશનરી પણ પોતાના ખર્ચે પૂરી પાડી માનવધર્મનું ઋણ અદા કરવામાં આવે છે. આવા અનેક બાળકોને પાયાનું શિક્ષણ આપ્યા પછી શાળામાં દાખલ કરાવી ઉજ્જવલ ભવિષ્યની તક પણ આ પરિવારે આપી છે. રવેચીધામમાં સાંજે 5 થી 7 સુધી શિક્ષણનો યજ્ઞગરીબી અને ભૂખ સામે ગરીબ બાળકોના શિક્ષણના સપનાઓ ઘણી વખત દમ તોડી દે છે, ત્યારે આ પરિવાર એવા બાળકો માટે આશાની જ્યોત બની રવેચીધામના પવિત્ર પરિસરમાં રોજ સાંજે 5 થી 7 વાગ્યા દરમ્યાન શિક્ષણનો યજ્ઞ ચલાવે છે.
ઠગાઈ:સરકારી લોન, સિલાઈ મશીન આપવાના નામે ગઠિયાએ 78 મહિલાના રૂ. 1.94 લાખ પડાવ્યા
હું પ્રેરક સ્વસહાય જૂથમાંથી આવું છું, બૅન્કમાં ઝીરો બેલેન્સથી તમારું ખાતું ખોલાવીશું. સંસ્થાના સભ્ય બનવા રૂ. 620નું ફોર્મ ભરો તો રૂ. 1000ની ઘરવખરી આપીશું. ત્યાર બાદ સિલાઈ મશીન, રસોડાનો સામાન અને મહિલા લોન અપાવવાનું કહીને ગઠિયાએ 78 મહિલા પાસેથી રૂ. 1.94 લાખ પડાવી લીધા હતા. મહિલાઓને વિશ્વાસમાં લેવા ગઠિયાએ સ્થાનિક સામાજિક કાર્યકરને કમિશનની લાલચ આપી પૈસા ઉઘરાવ્યા હતા. 7 જુલાઈ, 2025એ પરિક્ષિતલાલ નગરમાં રહેતા વસીદ શેખે ચાલીની મહિલાઓને પોતે પ્રેરક સ્વસહાય જૂનમાંથી આવતો હોવાનું કહીને સંસ્થામાં રૂ. 620નું સભ્યપદ લેવાથી રૂ. 1000ની ઘરવખરી આપવાની વાત કરી હતી. સાથે જ આજીવન સભ્ય બનાવીને સરકારી યોજનામાંથી સિલાઈ મશીન, મહિલા લોન અપાવવાની લાલચ આપી હતી. પછી એ જ દિવસે 50 મહિલા પાસેથી પૈસા લઈ પહોંચ પણ આપી હતી. ત્યાર પછી વસીદ સ્થાનિક સામાજિક કાર્યકર ગુલશનબહેનને મળીને તેમને સભ્ય લઈને આવશો તો તમને કમિશન આપીશું, તેવું કહ્યું હતું. આથી ગુલશનબહેને સભ્ય બનાવવાનું શરૂ કર્યું હતું. તેમણે મશીન અને રસોડાના સામાન માટે 32 સભ્ય પાસેથી રૂ. 3000 લેખે રૂ. 96,000, 20 સભ્ય પાસેથી કરિયાણાના રૂ. 2500 લેખે રૂ. 50 હજાર તેમજ 78 સભ્યના ફોર્મનાં રૂ. 620 લેખે રૂ. 48,360 મળીને કુલ રૂ. 1.94 લાખ વાસીદખાને આપ્યા હતા પરંતુ સહાય ન આપતાં ગુલશનબહેને દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સરકારી યોજનાનો લાભ લેવા સરકારી કચેરી સિવાય ક્યાંય ન જવું, કોઈને પૈસા ન આપવાસરકારી અધિકારીઓનું કહેવુ છે કે સરકારની જે પણ યોજના હોય છે તેના ફોર્મ સરકારી કચેરીઓમાં જ મળે છે. તે ફોર્મ ભરીને પાછા સરકારી ઓફિસમાં જ જમા કરાવવાના હોય છે. જેના માટે જે તે અધિકારી દ્વારા ખરાઈ કરીને આધાર કાર્ડ, રેશનિંગ કાર્ડ, આવાકનો દાખલો જેવા ડોકયુમેન્ટસ પણ લેવામાં આવે છે. જેથી કોઈ પણ વ્યકિતને કોઈ પણ સરકારી યોજનાનો લાભ લેવો હોય તો તેમણે સૌથી પહેલા સરકારી કચેરીમાં જઈને તે યોજના વિશે માહિતી એકત્રિત કરવી જોઈએ. ત્યારબાદ ત્યાંથી ફોર્મ લઈને ફોર્મ ભરીને પાછુ ત્યાં જ જમા કરાવવુ જોઈએ. આ ઉપરાંત કોઈ એજન્ટ કે અનધિકૃત વ્યકિતને કયારેય કોઈ સરકારી યોજનાનો લાભ લેવા પૈસા આપવા નહીં. આમ કરવાથી છેતરપીંડીનો ભોગ બનતા અટકી શકાશે.
અનોખા પ્રકારની કાર રેલી યોજાઈ:, જોઈ શકતો ચાલક રૂટથી અજાણ હતો, જેની પાસે મેપ હતો એ પ્રજ્ઞાચક્ષુ હતા
અમદાવાદમાં આ રવિવારની સવાર નવતર પ્રકારનો સૂર્યપ્રકાશ લઈને આવી હતી. વસ્ત્રાપુરસ્થિત અંધજન મંડળ અને બિન સરકારી સંગઠન રાઉન્ડ ટૅબલ ફાઉન્ડેશને વિશિષ્ટ પ્રકારની કાર રેલી યોજી હતી. આ રેલીમાં રફતાર નહોતી છતાં રોમાંચ હતો. આ રેલીમાં બીજા સ્પર્ધકોને પાછળ રાખીને પહેલા પહોંચવાની હોડ નહોતી છતાં અનુભવ દિલધડક હતો. કારણ કે કાર ચલાવનાર જોઈ શકતા હતા પણ એમને ક્યાં જવાનું છે - એ ખબર નહોતી અને જેની પાસે આ માહિતી હતી એ વ્યક્તિ અંધ હતી! અમદાવાદના, ગુજરાતના અને ગુજરાત બહારના 100 કારચાલક આ રેલીમાં જોડાયા હતા અને 100 પ્રજ્ઞાચક્ષુ એમના માર્ગદર્શક બન્યા હતા. રૂટ 50 કિલોમીટરનો હતો અને અંધજન મંડળથી નીકળી સાયન્સ સિટી, ભાડજ હરેકૃષ્ણ મંદિર, રાંચરડા, સિંધુ ભવનથી પરત અંધજન મંડળ પહોંચવાનું હતું. 1થી 7 સેક્શન સુધીની 50 કિલોમીટરની રેલી પૂરી કરવા માટે સરેરાશ 24થી 32ની એવરેજ નક્કી કરાઈ હતી. રૂટ પર નિર્ધારિત સ્થળે 5 અજ્ઞાત માર્શલ ચોકી રખાઈ હતી. ફ્લેગ ઓફ માટે કાર આવે ત્યારે જ પ્રજ્ઞાચક્ષુને બ્રેઇલ મેપ અપાયો હતો. કાર રેલીના અંતે લવ કારિઆ, નિશત ભુરાણી અને અંધ નેવિગેટર ભાવેશ કટારા પ્રથમ; ઋષિ ગુપ્તા, શિવાંગ મુકિમ અને નેવિગેટર દિનેશ મકવાણા દ્વિતીય તથા દેવલ શાહ અને નેવિગેટર તેજપાલ સિંહ તૃતીય સ્થાને આવ્યા હતા. માર્શલ પૉઇન્ટ પર વહેલા નહીં પણ મોડા પહોંચવામાં ઓછું નુકસાન થતું હતુંપ્રજ્ઞાચક્ષુ બ્રેઇલ મેપ પર આંગળી ફેરવીને માર્ગ બતાવતા, એને અનુસરીને ચાલકે કાર હંકારવાની હતી. એટલે રેલીમાં ગતિનું નહીં પણ કોમ્યુનિકેશન, ચોકસાઈ અને ભૂલરહિત ડ્રાઇવિંગનું મહત્ત્વ હતું. નિયમ પ્રમાણે એક માર્શલ ચોકીથી બીજી ચોકીએ કાર નિર્ધારિત સમય કરતાં વહેલી પહોંચે તો મિનિટ દીઠ 3 પૉઇન્ટ અને મોડા પહોંચે તો માત્ર 1 પૉઇન્ટ કપાય. એટલે રેલીમાં વહેલા કરતાં મોડા પહોંચવામાં ઓછું નુકસાન હતું. બ્રેઇલ એક્સપર્ટ નેવિગેટર અદિતિએ પૂછ્યું, ‘રંગબેરંગી ઝાડ કેવું હોય વળી!’અંધજન મંડળના ઈંગ્લીશ ટ્રેનર અને બ્રેઇલ એક્સપર્ટ અદિતિ પંડ્યા ગુડગાંવના આઇટી સેક્ટરના આકિફ શેખના નેવિગેટર બન્યાં હતાં. સાયન્સ સિટીથી આગળ વધ્યા ત્યારે મેપમાં ‘રંગબેરંગી ઝાડને ડાબી બાજુએ રાખીને ડાબે વળવું’ એવી સૂચના અપાઈ હતી. અદિતિએ આ સૂચના આપ્યા પછી પૂછ્યું, ‘રંગબેરંગી ઝાડ કેવું હોય વળી!?’ પોલીસ કમિશનરે ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યુંડૉ. ભૂષણ પુનાની, પ્રમુખ રાજેન્દ્ર શાહ અને પોલીસ કમિશનર જી. એસ. મલિકે મારુતિ, કિયા, હ્યુન્ડાઈ, મિનિ કૂપર અને મર્સિડિઝ જેવી કારને પ્રસ્થાન કરાવ્યું હતું.
સ્પોન્જ પાર્કનું કરાશે નિર્માણ:વાસણા વિસ્તારમાં 1.47 કરોડના ખર્ચે મ્યુનિ. સ્પોન્જ પાર્ક બનાવશે
શહેરમાં વાસણામાં 1.47 કરોડના ખર્ચે સ્પોન્જ પાર્ક બનાવવાની તૈયારી કરી છે. વોટર સપ્લાય અને સુઅરેજ કમિટી સમક્ષ આ દરખાસ્ત રજૂ કરી છે. અગાઉ વેજલપુર વિસ્તારમાં ગાર્ડનમાં સ્પોન્જ પાર્ક બનાવવાની દરખાસ્તને કમિટી દ્વારા પરત કરી દેવાઇ હતી. જ્યારે હવે આગામી દિવસોમાં 5 સ્થળે આવા સ્પોન્જ પાર્ક બનશે. સ્પોન્જ પાર્ક બનાવવા માટે મ્યુનિ. દ્વારા 7 વખત ટેન્ડર બહાર પાડ્યા બાદ આખરે એક કોન્ટ્રાક્ટરે રસ દાખવતાં મ્યુનિ. દ્વારા સિંગલ ટેન્ડર મંજૂર કરવા માટે દરખાસ્ત કરવામાં આવી છે. શહેરમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ ડીઝાસ્ટર મિટિગેશન ફંડની ફાળવણી કરી છે. જેના હેઠળ અમદાવાદમાં સ્પોન્જ પાર્ક બનાવવાની કામગીરી હાથ ધરાશે. જે વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા હોય તેની નજીક આ સ્પોન્જ પાર્ક બનાવાય છે. જેથી આ વિસ્તારનું પાણી સ્પોન્જ પાર્કમાં વહાવવામાં આવે. જેને કારણે વિસ્તારના ભૂગર્ભ જળ ઊંચા આવે જ્યારે બીજી તરફ લોકોને વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી રાહત મળે. કેવું હોય સ્પોન્જ પાર્ક?પ્લોટમાં ખોદાણ કરી તેમાં અર્થન ટેંક બેડ એરિયા બનાવવામાં આવે છે. જે ટેંકમાં પહેલા માટી, ઘાસ હોય છે તેની નીચે મોટા કાંકરા સહિતની વસ્તુઓ હોય જે સરળતાથી પાણીને ભૂગર્ભમાં ઉતારે. આ ટેંકમાં આસપાસના વિસ્તારનું પાણી એકઠું કરવા માટે લાઇનો નાંખામાં આવે. જેથી ભરાઇ રહેતું વરસાદી પાણી આ સ્થળે આવે. ખાડામાં પરકોલેટિંગની સુવિધા હોય જેથી પાણી ભૂગર્ભમાં ઉતરતાં ભૂગર્ભજળ રિચાર્જ થાય. વરસાદી સીઝન સિવાય આ ખાડામાં ઘાસ ઉગે તેમજ ત્યાં બાળકો માટે પ્લેગ્રાઉન્ડ જેવી સુવિધા હોય. જેથી ચોમાસા સિવાય આ સ્થળનો બાળકો માટે ઉપયોગ થાય. તે સિવાય ગણેશ કિંડ, પોડિયમ, જીમ એરિયા, સાયકલ ટ્રેક જેવી સુવિધા પણ આ સ્થળે ઉપલબ્ધ કરાવાય. આ સ્થળે સ્પોન્જ પાર્ક બનશે
NIFT પ્રવેશ પ્રક્રિયા:શહેરના 750 સહિત રાજ્યના 1500 વિદ્યાર્થીએ NIFT માટેની ટેસ્ટ આપી
નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટૅક્નોલોજી (NIFT) નવી દિલ્હીમાં પ્રવેશ માટે રવિવારે ગાંધીનગરમાં 2 ભાગમાં લેવાયેલી એન્ટ્રન્સ ટેસ્ટ, જનરલ એલિજિબિલિટી ટેસ્ટ અને ક્રિએટિવ એબિલિટી ટેસ્ટનું ઓવરઓલ પ્રશ્નપત્ર ઈઝી ટુ મોડરેટ લાગ્યું હતું. જોકે જીએટીમાં 20 માર્કના ક્વોન્ટેટિવ એબિલિટીના ટેસ્ટનું પ્રશ્નપત્ર થોડું અઘરું લાગ્યું હતું. ટેસ્ટનું પરિણામ એપ્રિલમાં જાહેર કરાશે. તે પછી બીજા તબક્કામાં મે મહિનામાં સિચ્યુએશન ટેસ્ટ થશે. આ સિચ્યુએશન ટેસ્ટનું પરિણામ મેના અંતમાં કે જૂનમાં જાહેર થશે. પ્રથમ તબક્કાની અને બીજા તબક્કાની ટેસ્ટના પરિણામના આધારે ઓવરઓલ મેરીટ તૈયાર કરીને નિફ્ટ દિલ્હી દ્વારા પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. રવિવારે 15 હજારથી વધુ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. અમદાવાદમાં 750 સહિત રાજ્યના 1500થી વધુ વિદ્યાર્થીઓએ આ ટેસ્ટ આપી હતી. 20 સંસ્થાનમાં ઉપલબ્ધ બેઠકોની વિગતો ક્વોન્ટેટિવ એબિલિટીના પ્રશ્નો અઘરા‘રવિવારે કુલ 200 માર્કસની જીએટી (જનરલ એબિલિટી ટેસ્ટ), સીએટી (ક્રિએટિવ એબિલિટી ટેસ્ટ) યોજાઈ હતી, જેમાં કુલ 100 માર્કની જીએટીમાં 20 માર્કસના ક્વોન્ટેટિવ એબિલિટીના 20 મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન (પ્રશ્નો) થોડાક અઘરા લાગ્યા હતા.100 માર્કસની જનરલ એબિલિટી ટેસ્ટમાં ક્વોન્ટિટેટિવ એબિલીટીના 20 પ્રશ્નો થોડાક અધરા લાગ્યા, જ્યારે બાકીના પ્રશ્નો અને પ્રશ્નપત્ર મોડરેટ લાગ્યુ હત.જ્યારે બપોરના ભાગે ક્રિએટિવ એબિલિટી ટેસ્ટ (સીએટી)માં કુલ 100 માર્કસના ત્રણ પ્રશ્નો ડ્રોઈંગને લગતા વિઝયુલાઈઝેશન,ગ્રાફિક્સને લગતા પૂછાયા હતા. - પ્રતીક બ્રહ્મભટ્ટ, ડિઝાઈન કોચિંગ એક્સપર્ટ
ACPC દ્વારા કરાઈ જાહેરાત:ડિપ્લોમા ટુ ડિગ્રી ઇજનેરી-ફાર્મસીની 42 હજાર બેઠક માટે આજથી નોંધણી શરૂ થશે
એસીપીસી (એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ)એ ડિપ્લોમા ઈજનેરી-ફાર્મસી પછીના ડીગ્રી ઈજનેરી-ફાર્મસી કોર્સની પ્રવેશ પરીક્ષા ડીડીસીઈટી-2026 (ડિપ્લોમો ટુ ડીગ્રી કોમન એન્ટ્રી ટેસ્ટ) કાર્યક્રમની જાહેરાત કરી છે. આ જાહેરાત અનુસાર 26મી એપ્રિલે યોજાનારી ડીડીસીઈટી-2026 માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો 9મી ફેબ્રુઆરી સોમવારથી પ્રારંભ થશે અને આ રજિસ્ટ્રેશન પ્રક્રિયા 30મી માર્ચ, 2026 સુધી ચાલશે. ડીડીસીઈટી-2026ના આધારે ડિપ્લોમા ઈજનેરીમાંથી ડિગ્રી ઈજનેરીના બીજા વર્ષમાં ત્રીજા વર્ષમાં પ્રવેશ માટેની રાજ્યભરમાં 139 જેટલી ડીગ્રી ડિપ્લોમા ફાર્મસીની 36 હજારથી વધુ ડિગ્રી ઈજનેરી અને ડિગ્રી ફાર્મસી કોલેજોની બેઠકો ઉપલબ્ધ છે. વર્ષ 2023-24માં 16 હજારથી વધુ વિદ્યાર્થી નોંધાયા હતા જ્યારે વર્ષ 2024-25માં 18 હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ટેસ્ટના માળખાની વિગતો : ટેસ્ટના રજિસ્ટ્રેશન અંગેની વિગતો સંખ્યા વધી રહી છે‘2 વર્ષમાં ડીડીસીઈટી આપનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે યોજાનારી પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવનારા, ટેસ્ટ આપનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.’ - નીલય ભૂપતાણી, મેમ્બર સેક્રેટરી, એસીપીસી
ભાસ્કર એક્સક્લુસિવ:દિવ્યાંગ વિદ્યાર્થીએ એઆઇ આધારિત માસ્ટર મેક્સ વેબ એપ્લિકેશન બનાવી
સરકારી પોલિટેક્નિકમાં ઑટોમેશન એન્ડ રોબોટિક્સ ડિપાર્ટમેન્ટમાં ભણતા દિવ્યાંગ વિદ્યાર્થી યશ પંચાલે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને ગૃહકાર્ય-પ્રોજેક્ટ વર્કને લગતું માર્ગદર્શન આપવા, ઈજનેરીના વિદ્યાર્થીઓને કોર્સને લગતી પરીક્ષાલક્ષી માહિતી આપવા માટે તેમજ નાના મોટા વેપારીઓને વેપાર સબંધિત સ્ટોકને લગતી માહિતી,નાણાંકીય વ્યવસ્થાપન-હિસાબ કિતાબને લગતી માહિતી-માર્ગદર્શન આપવા માટેની વેબ એપ્લિકેશન ડિઝાઈન કરી દીધી છે. આ એપ્લિકેશને હજી પણ વધુ ઉપયોગી બનાવવા માટે અપગ્રેડેશનની કામગીરી હાલમાં ચાલી રહી છે. એપ્લિકેશનમાં આ પ્રમાણેની વિગતો રજૂ કરાઈ છે વ્યાપક જનસમુદાય સુધી એપ પહોંચાડવા પ્રયાસ કરાશે‘અમારી સંસ્થાના દિવ્યાંગ વિદ્યાર્થી યશ પંચાલે શાળાના તેમજ ડિપ્લોમા-ડીગ્રી ઈજનેનેરી કોલેજોના વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવી આ નિ:શુલ્ક એઆઈ માસ્ટર મેક્સ વેબ એપ્લિકેશન ડિઝાઈન કરી છે. આ એપ્લિકેશન સમાજના વિવિધ વર્ગના લોકો સુધી, વ્યાપક જન સમુદાય સુધી પહોંચે તે ઈચ્છનીય બાબત છે.આ એપ્લિકેશન મહત્તમ લોકો સુધી પહોંચે તે માટેના અમે સઘન પ્રયાસો કરીશું.’ -ડો ભાસ્કર ઐયર, પ્રિન્સિપાલ,ગવર્નમેન્ટ પોલિટેકનિક,આંબાવાડી
હિંદુ સંગઠનની માંગ:‘નગરયાત્રાનું આયોજન તિથિ પ્રમાણે કે મહાશિવરાત્રીના દિવસે થવું જોઈએ’
ભદ્રકાળી માની નગરયાત્રા 26 ફેબ્રુઆરીએ નીકળવાની છે ત્યારે હિંદુ સંગઠનોએ તારીખનો વિરોધ કરી તેને તિથિ પ્રમાણે કે મહાશિવરાત્રીએ યોજવા કહ્યું છે. તેમનું માનવું છે કે, મા ભદ્રકાળી અને 26 ફેબ્રુઆરી વચ્ચે સીધો કોઈ સંબંધ નથી, પરંતુ ઇતિહાસની દૃષ્ટિએ 26 ફેબ્રુઆરી 1411ના રોજ અહમદશાહે શહેરની સ્થાપના કરી હતી. 614 વર્ષ બાદ પહેલી વખત નગરયાત્રા નીકળી હતી, પણ તે દિવસે મહાશિવરાત્રિ પણ હતી, પરંતુ આ વર્ષે 26 ફેબ્રુઆરીએ એવી કોઈ મહત્ત્વપૂર્ણ તિથિ નથી. ખાડિયાના કોર્પોરેટર પંકજ ભટ્ટે કહ્યું કે, યાત્રા તિથિ કે, મહાશિવરાત્રીએ નીકળે તો હિન્દુ પરંપરા જળવાશે. મંદિર ટ્રસ્ટે ફેર વિચાર કરવો જોઈએ. યાત્રાની પરંપરા સારી, પણ 26મીએ થશે તો વિરોધમંદિર સત્તાધારીઓ પરંપરાનો દુરુપયોગ કરશે તો કડક વિરોધ થશે. નગરયાત્રાને અહમદશાહ સાથે જોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, જે સ્વીકાર્ય નથી. મહાશિવરાત્રિના દિવસે યાત્રા નીકળે તેવો અમારો આગ્રહ છે. - નલીન પટેલ, સંગઠન મંત્રી, વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત આવતા વર્ષે જ્યોતિષશાસ્ત્રીઓની સલાહથી તિથિ કાઢીશુંપંડિતો અને જ્યોતિષશાસ્ત્રીઓની સલાહથી 615 વર્ષ પહેલાની તિથિ ગણતરી કરાશે અને આવતા વર્ષથી તે મુજબ આયોજન કરાશે. અમે સનાતન હિંદુ છીએ, અમારે અહમદશાહ સાથે કોઈ લેવા-દેવા નથી. - શશિકાંત તિવારી, શ્રી રામબલિ પ્રાગ તિવારી ટ્રસ્ટ, ભદ્રકાળી અને મહાલક્ષ્મી મંદિર
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ હવે પેસેન્જરોને હાઈટેક કેરાવાનની ભેટ આપશે. અત્યાર સુધી માત્ર વીઆઈપી લોકો પાસે જોવા મળતી લક્ઝુરિયસ ‘કેરાવાન’ હવે સામાન્ય જનતા અને કોર્પોરેટ ગ્રૂપ પણ વાપરી શકશે. નિગમે પ્રથમ તબક્કામાં 10 અત્યાધુનિક કેરાવાન લાવવાની તૈયારી પૂર્ણ કરી છે. આ કેરાવાન એવા પરિવારોને ધ્યાનમાં રાખી ડિઝાઈન કરાઇ છે જેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાપુતારા કે કચ્છના રણ જેવા સ્થળે ગ્રૂપમાં પ્રવાસ કરવા ઇચ્છે છે. એ રીતે મલ્ટિનેશનલ કંપનીઓ એક્ઝિક્યુટિવ માટે ચાલુ મુસાફરીએ મીટિંગનું આયોજન કરી શકશે, જેથી મીટિંગની સાથે મનોરંજન પણ માણી શકશે. જેથી લોકોના સમયની બચત થશે. એ રીતે વિદેશથી ગ્રૂપમાં આવતા પ્રવાસીઓ પણ ફરવા માટે આ કેરાવાનનું બુકિંગ કરાવી વીઆઈપી પ્રવાસનો આનંદ માણી શકશે. આ કેરાવાનનું સંચાલન અમદાવાદ જેવાં મુખ્ય શહેરો, તીર્થ સ્થળો તથા પર્યટન સ્થળો માટે કરી શકાશે. કેરાવાનમાં રેસ્ટ એરિયા, મિની પેન્ટ્રી, એટેચ વોશરૂમ પણ હશે GSRTCની વેબસાઈટ અને મોબાઈલ એપ પરથી બુકિંગમુસાફરોની સુરક્ષા માટે દરેક વાનમાં જીપીએસ ટ્રેકિંગ અને સીસીટીવી કેમેરા હશે, જેનું મોનિટરિંગ સીધું નિગમના કંટ્રોલ રૂમ દ્વારા કરાશે. આ વાનમાં ખાસ તાલીમબદ્ધ ડ્રાઈવર અને સહાયક અપાશે. જીએસઆરટીસીની વેબસાઈટ કે મોબાઈલ એપ દ્વારા આ કેરાવાનનું ઓનલાઈન બુકિંગ કરાવી શકશે.
શહેરમાં એક વર્ષમાં નોંધાયેલા કુલ 2835 આગના બનાવોમાંથી 567 માત્ર એસીમાં શોર્ટસર્કિટ, કોમ્પ્રેસર બ્લાસ્ટ કે ગેસ લિકેજને કારણે બન્યા હતા. ખાસ કરીને માર્ચથી જૂનમાં આગનું પ્રમાણ વધી જતું હોય છે. ઉનાળાના આ સમયમાં એસી, ફ્રીજનો વધુ પડતો ઉપયોગને કારણે પાવર ઓવરલોડિંગ થતાં આગ લાગે છે. આ કુલ બનાવો પૈકી 58 ટકા આગના બનાવોનું કારણ પણ શોર્ટસર્કિટ હોવાનું સામે આવ્યું હતું. ભાસ્કર નોલેજજ્વલનશીલ ગેસથી એસીમાં બ્લાસ્ટ થવાનો ખતરો રહે છે એસીથી આગ માટે આ કારણો જવાબદાર આટલું જરૂરી:સારી ગુણવત્તાની MCB વાપરવી. એસી ડક્ટમાં સિલન્ટ કરવું. મજબૂત કોપર વાયરિંગ. આઉટડોર યુનિટ સામે 2-3 ફૂટ જગ્યા રાખવી. નિયમિત ગેસ ચેકિંગ, સર્વિસ અને સફાઈ.
ભાસ્કર ઈનસાઈડ:ઓનલાઇન પોર્ટલના ડિલિવરી બોયે 2 આઈફોન 17-પ્રો, એરબડ કાઢી પાર્સલમાં નકલી મૂકી દીધાં
ઓનલાઇન ડિલિવરી પોર્ટલના ડિલિવરી બોયે ટોળકી સાથે મળી પાર્સલ સાથે ચેડા કરી 2 આઈફોન 17-પ્રો અને એરબડ કાઢી નકલી ફોન-એરબડ મુક્યા હતા. કંપનીના અધિકારીઓના ચેકિંગમાં ભાંડો ફુટતા પોલીસે તપાસ શરૂ કરી હતી. લક્ષ્મીપુરા પોલીસે ડિલિવરી બોય સામે ગુનો નોંધ્યો હતો. સુભાનપુરા સહકાર સોસાયટીમાં રહેતા અશોક ગેરધનભાઈ પરમાર લક્ષ્મીપુરા રોડ નંદિશ પેલેસ ખાતે ઓનલાઇન ડિલિવરી પોર્ટલ કંપનીના સંકલનમાં રહીને સ્ટોર ચલાવે છે. તે પાર્સલની ડિલિવરી કરાવે છે. અશોકભાઈ સાથે મનોજ શાહ અન મનોજ નેકારામ સોલંકી (રહે, ફોર્ચ્યુન સ્કાય, કલાલી, મુળ ઝાલોર, રાજસ્થાન) ડિલિવરી બોય તરીકે કામ કરે છે. તા.2 ફેબ્રુઆરીએ અશોકભાઈની ઓફિસે કંપનીના અધિકારી આવ્યા હતા અને કહ્યું કે, મનોજ સોલંકીએ 3 ડિલિવરી કરી નથી. અશોકભાઈએ રહી ગયેલા પાર્સલ ખોલીને જોતા તેમાં ડુપ્લિકેટ મોબાઇલ મળી આવ્યા હતા. તેમાં એપલ એરપોર્ડ પ્રો રૂ.27 હજાર અને બે એપલ આઈફોન 17 પ્રો રૂ.1.14 લાખ- રૂ.1.14 લાખના હતા. ત્રણેયના ડિલિવરી એડ્રેસ જુદા-જુદા હતા. ત્રણેય પાર્સલની ડિલિવરી કરવા મનોજ ગયો હતો. જ્યારે મનોજ સોલંકીનો ફોન બંધ આવતો હતો. પાર્સલમાં ડુપ્લિકેટ ફોન, એરપોર્ડ મુકીને મનોજે છેતરપિંડી કરી હતી. જે અંગે લક્ષ્મીપુરા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. મનોજ સોલંકી સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 5 જણાની ટોળકીને પકડી પાડવામાં આવી હતી. ટોળકી દ્વારા લોકોના પાર્સલ સાથે ચેડા કરીને અસલી વસ્તુ કાઢી લેવામાં આવતી હતી અને તેની જગ્યાએ નકલી વસ્તુ મુકી દેવામાં આવતી હતી. ભેજાબાજે ડિલિવરી બોય પાસે નાણાં લેવાનાં હતાં, ન આપવા ઠગાઈ કરીસુત્રધાર રાજસ્થાનનો રામલાલ ગેહલોક અને મનોજ સોલંકી પણ ઝાલોરનો છે. રામલાલ મનોજ પાસે રૂ.3 લાખ માગતો હતો. જેથી રૂપિયા ન આપવા હોય તો ઠગાઈ કરવા રામલાલે ટોળકી અને મનોજને સાથે જોડી લીધા હતા. તેઓ મળીને ખોટા ઓર્ડર કરતા હતા અને વડોદરામાં સાથે મળીને પાર્સલ ખોલી જે-તે વસ્તુ કાઢી લઈને ઠગાઈ કરતા હતા. આ રીતે નકલી સામાન મુકાતો હતોટોળકી ઈન્જેક્શનમાં સોલ્યુશન ભરી પાર્સલના સીલ પર લગાવીને સીલ ખોલતી હતી. ફોનનું સીલ હેરડ્રાયર દ્વારા ખોલી દેવાતું હતું. ફોન કાઢી તેની જગ્યાએ નકલી કે ડમી ફોન મુકી દેતા હતા અને ફરી પાર્સલ સીલ કરી દેતા હતા. પાર્સલ પોતે મગાવ્યું હોય તો ખોઈ ગયાનું જણાવીને રિટર્ન કરી દેવાતું હતું.
કાર ચાલક પોલીસ પકડથી દૂર:રેન્જરોવર ચાલકે અકસ્માત કર્યા પછી ‘મેં કંઇ કર્યું નથી’ તેવી બૂમો પાડી હતી
ટાવર ચાર રસ્તા પાસે શનિવારે વહેલી સવારે 3 વાગે અકસ્માત સર્જી રેન્જ રોવર કારની બહાર નિકળીને આ ચાલકે ‘ મે કશુ કર્યું નથી.’ તેવી બુમો પાડ્યા બાદ ભાગી ગયો હોવાનું સ્થાનિક સુત્રોએ જણાવ્યું હતું. ઘટનાને 24 કલાક ઉપર થઈ ગયા હોવા છતાં પોલીસ હજુ સુધી આ અકસ્માત સર્જનાર સુધી પહોચી શકી નથી. ત્યારે આ સમગ્ર ઘટના ડ્રીંગ એન્ડ ડ્રાઈવની હોવાનું પણ સ્થાનિકોનું માનવું છે. જ્યારે પોલીસ દ્વારા કાર માલિક હરેન્દ્રસિંહ ભદોરીયાની પુછપરછ કરતાં તેને આ કાર બે દિવસ માટે આકાશ દરજીને આપી હોવાનું જણાવ્યું હતું. જોકે આકાશ દરજી મુંબઈ લગ્નમાં ગયો હોવાનું પોલીસ જણાવી રહી છે. તેના નિવેદન બાદ કાર ચાલક કોણ છે તે અંગે સ્પષ્ટ થશે. ઉલ્લેખનિય છે કે, મોટાભાગે અકસ્માતના કેસમાં કાર ચાલક જ અકસ્માત થયો હોવાની જાણ પોલીસને કરતો હોય છે. જ્યારે ચાલકે દારૂ પીધો હોય તો તે કાર છોડીને ફરાર થાય છે તેવું પણ સ્થાનિક સુત્રોનું માનવું છે. પોલીસ દ્વારા આ ઘટના અંગે નોંધેલી ફરિયાદ અનુસાર, શનિવારે વહેલી સવારે 3:11 વાગે કંટ્રોલરૂમ તરફથી વર્ધી મળી હતી કે, રાવપુરા ટાવર ચાર રસ્તા પર અકસ્માત થયો છે. તપાસ કરતા 1011 નંબરની રેન્જ રોવર કાર રાવપુરા ટાવર ચાર રસ્તા પાસે ખોડિયાર માતા મંદિર પાસે પડી હતી. પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરનાર શીયાબાગમાં રહેતા યુવકે આ અંગે જણાવ્યું હતું કે, આ કાર પુરઝડપે જ્યુબિલી બાગ તરફથી આવીને ખોડિયાર માતા મંદિર પાસેના ટ્રાફિક સિગ્નલના પોલ તેમજ તેની બાજુમાં મુકેલા કંટ્રોલ બોક્ષ સાથે અથડાઈ હતી. ચાલક ભાગી ગયો હતો.
મંડે પોઝિટીવ:3500 બાળકોએ 3 હજાર કિલો દોરી ભેગી કરી, ગાદલાં-ઓશિકાં બનાવવા ગૃહઉદ્યોગને અપાશે
ઉત્તરાયણ પછી ઝાડ કે ધાબા પર લટકી દોરી પક્ષીઓ માટે ઘાતક ન બને તે માટે રાજયશ ફાઉન્ડેશને અભિયાન શરૂ કર્યું હતું. અમદાવાદ, સાણંદ અને નળસરોવર પંથકની સ્કૂલોના 3700 વિદ્યાર્થીઓને વિશેષ તાલીમ આપી દોરી એકત્રિત કરવાની સમજ અપાઈ હતી. આ વર્ષે 3500 વિદ્યાર્થીઓએ 3 હજાર કિલો દોરી એકત્રિત કરી છે. આ એકત્ર થયેલી દોરીનો સદુપયોગ કરીને સ્ટ્રીટ ડોગ માટે 350થી વધુ ધાબળા તૈયાર કરાશે, જે વિવિધ સેવાભાવી સંસ્થાને ફ્રીમાં અપાશે તેમજ ઓશિકા-ગાદલા બનાવતા ગૃહઉદ્યોગોને પણ અપાશે. રાજયશ ફાઉન્ડેશનના ફાઉન્ડર જલ્પા શાહે જણાવ્યું કે, ઉત્તરાયણ પૂર્વેના 6 મહિના અગાઉથી જ આ કામગીરી શરૂ કરી દેવાઈ હતી. જેમાં અમદાવાદની જૈન પાઠશાળાના 400 વિદ્યાર્થીઓ સહિત ગ્રામ્ય વિસ્તારોની સ્કીલોમાં બાળકોને તાલીમ અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા. અત્યાર સુધીમાં રાજ્યના કુલ 25 હજાર વિદ્યાર્થીઓને તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે. છેલ્લાં 4 વર્ષથી આ કામગીરી કરાઈ છે. પ્રથમ વર્ષે 800 કિલો દોરી એકત્રિત કરાઈ હતી. દર વર્ષે 900 કિલો દોરી પ્રોસેસ કરવામાં આવે છેગત વર્ષોના અનુભવના આધારે ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે અંદાજે 900 કિલો દોરીને પ્રોસેસ કરવામાં આવે છે. ગરમ પાણી ભરેલા મોટા ડ્રમોમાં બે થી ચાર દિવસ દોરી રાખી ‘કાચ’ ઉતારાય છે. એકત્રિત થયેલી દોરીમાં ચાઈનીઝ દોરીનો જથ્થો આવે છે, તેનો ફરી ઉપયોગ ન થાય તે માટે વિશેષ તકેદારી રખાય છે. આવી દોરીને પ્લાસ્ટિક રિસાઈકલ કરતા યુનિટોમાં મોકલી દેવાય છે, જ્યાં તેનો ઉપયોગ દાણા બનાવવામાં થાય છે.
ગત 1 ફેબ્રુઆરીની રાત સુરતના ઘેલાણી ફેમિલી માટે આઘાતની રાત બની ગઈ હતી. ઘરમાં લાડલી દીકરીના લગ્નની તૈયારીઓ ચાલી રહી અને તુષાર ઘેલાણીએ પોતાની જ પિસ્તોલ દ્વારા આત્મહત્યા કરતા માતમ છવાઈ ગયો હતો. જો કે આ આત્મહત્યા પાછળના ઘણાં રહસ્યો હજુ પણ વણઉકેલ્યા છે. પાંચ દિવસની લાંબી સારવાર બાદ ગુરુવારે તેમનું મોત નિપજ્યું હતું. પોલીસે રિવોલ્વર કબ્જે લઈ એફએસએલમાં મોકલી છે. જોકે એક ચોંકાવનારી વાત સામે આવી છે કે, જે રિવોલ્વરથી તુષાર ઘેલાણીએ આપઘાત કર્યો એ રિવોલ્વરમાં મેગઝિન હતી જ નહીં. પણ રિવોલરની ચેમ્બરમાં રહેલી એક ગોળીથી જ પોતાનો જીવ લીધો હતો. 1 ફેબ્રુઆરીની એ કાળી રાત્રિએ પરિવારના સભ્યો અને સુરતના સિટીલાઇટ વિસ્તાર સ્થિત પોતાના ઘરે આવેલા મહેમાનો વચ્ચે દીકરી તન્વીના લગ્નના આયોજન અને કંકોત્રીના લિસ્ટ બાબતે ચર્ચા ચાલી રહી હતી. 2 ફેબ્રુઆરીના રોજ સવારે શુભ મુહૂર્તમાં કંકોત્રી લેખનનો કાર્યક્રમ નિર્ધારિત હતો. જોકે, રાત્રિના આશરે એક વાગ્યાની આસપાસ કોઈ અંગત કારણોસર કે મનદુઃખ થતા તુષારભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને પોતાના બેડરૂમમાં જતા રહ્યા હતા. ડાબા કાન પાછળના ભાગે ગોળી મારી દીધી ને સામેની દિવાલે અથડાઈરૂમમાં ગયાના ગણતરીની મિનિટોમાં જ એક જોરદાર ધડાકો સંભળાયો હતો. પરિવારજનો દોડીને રૂમમાં પહોંચ્યા ત્યારે દ્રશ્ય ભયાનક હતું. તુષારભાઈએ પોતાની લાયસન્સવાળી લામા (LLAMA) જર્મન મેડ રિવોલ્વર વડે ડાબા કાનની પાછળના ભાગે ગોળી મારી દીધી હતી. ગોળી એટલી નજીકથી અને જોરથી મારવામાં આવી હતી કે તે માથું ફાડીને આરપાર નીકળી ગઈ હતી અને સામેની દીવાલ સાથે અથડાઈને નીચે પડી હતી. આ પણ વાંચો- સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી બ્રેઇન ડેડ જાહેર, પરિવારની અંગદાનની જાહેરાત એક ગોળી લોડ થયેલી હતી પણ મેગઝિન નહોતીઉમરા પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં એક અત્યંત ચોંકાવનારી વિગત સામે આવી છે. તપાસ દરમિયાન પોલીસને તુષારભાઈના રૂમમાંથી જે રિવોલ્વર મળી, તેમાં મેગેઝિન ઇન્સર્ટ કરેલું નહોતું. સામાન્ય રીતે પિસ્તોલમાં મેગઝિન ન હોય તો તેને ખાલી માનવામાં આવે છે, પરંતુ આ કિસ્સામાં રિવોલ્વરની ચેમ્બરમાં એક ગોળી પહેલેથી જ લોડ થયેલી હતી. મેગઝીન અને 5 ગોળી ક્યાંથી મળ્યા?પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, તુષારભાઈ કદાચ ઉગ્ર સ્વભાવના હોવાથી અકસ્માતે કોઈ મોટી ઘટના ન બને તે માટે મેગઝિન અલગ રાખતા હતા. પરંતુ ચેમ્બરમાં એક ગોળી રહી ગઈ હતી, જે તેમના મૃત્યુનું કારણ બની. પોલીસે ઘટનાસ્થળેથી રિવોલ્વર, દીવાલમાં અથડાયેલી ગોળી અને ડ્રોઅરમાંથી 5 ગોળી ભરેલું મેગેઝિન તથા અન્ય 15 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. હથિયારને હાલ એફએસએલ (FSL)માં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યું છે. પાંચ દિવસ સુધી વેન્ટિલેટર પર ને પછી બ્રેઇનડેડતુષારભાઈના કાનની પાછળના ભાગેથી મારવામાં આવેલી ગોળી મગજ ચીરીને આરપાર નીકળી ગઈ હતી. આ ગોળી 9 MMની હતી. ત્યાર બાદ તુરંત જ લોહીલુહાણ હાલતમાં તુષારભાઈને સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. શહેરના નિષ્ણાત તબીબોની ટીમે તેમને બચાવવા માટે દિવસ-રાત એક કર્યા હતા. પાંચ દિવસ સુધી તેઓ વેન્ટિલેટર પર જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતા રહ્યા. જોકે, ઈજા એટલી ગંભીર હતી કે બુધવારે તબીબોએ તેમને 'બ્રેઈનડેડ' જાહેર કર્યા હતા. પરિવારે અંગદાનનો નિર્ણય કર્યો પણ અચાનક કાર્ડિયાક એરેસ્ટ આવ્યોતુષારભાઈના પરિવારે અત્યંત દુઃખની ઘડીમાં પણ ઉમદા નિર્ણય લીધો હતો. તેમણે તુષારભાઈના અંગોનું દાન કરી અન્યોને નવું જીવન આપવાનું નક્કી કર્યું. 'ડોનેટ લાઈફ'ની ટીમ હોસ્પિટલ પહોંચી અને અંગદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. પરંતુ, કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. ગુરુવારે સવારે જ્યારે તેમને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે જ તેમને અચાનક કાર્ડિયાક એરેસ્ટ આવ્યો. તબીબોએ 20 મિનિટ સુધી સતત CPR આપીને હૃદય ધબકતું કરવાના પ્રયાસો કર્યા, પરંતુ સફળતા મળી નહીં. હાર્ટ ફેલ થવાને કારણે કિડની, લિવર કે હૃદયનું દાન ન થઈ શક્યું, માત્ર તેમની આંખો (ચક્ષુદાન) સ્વીકારવામાં આવી હતી. દીકરીઓએ કાંધ આપી, સ્મશાનમાં હૃદયદ્રાવક દ્રશ્યો5 ફેબ્રુઆરીના રોજ બપોરે 2:30 વાગ્યે તુષાર ઘેલાણીની અંતિમયાત્રા તેમના નિવાસ્થાનેથી નીકળીને ઉમરા સ્મશાન ખાતે પહોંચી હતી. જ્યાં તેમની બંને દીકરીઓએ પિતાને કાંધ આપી હતી. ભારે હૈયે પરિવારજનો અને સગા સંબંધી સહિત મિત્રોએ વિદાય આપી હતી. ગુરુવારે બપોરે જ્યારે તુષારભાઈની અંતિમયાત્રા નીકળી ત્યારે સમગ્ર સુરતની બિલ્ડર લોબી અને ઉદ્યોગપતિઓ ઉમટી પડ્યા હતા. પરંતુ સૌથી વધુ કરુણ દ્રશ્યો ત્યારે સર્જાયા જ્યારે પિતાની અર્થીને તેમની લાડકવાયી દીકરીઓએ કાંધ આપી. જે દિવસે દીકરી ફેરા ફરવાની હતી એ જ દિવસે તેણે રડતી આંખે અને ધ્રૂજતા હાથે પિતાને મુખાગ્નિ આપવો પડ્યો હતો. ઉમરા સ્મશાનગૃહમાં હાજર રહેલા દરેક વ્યક્તિની આંખો આ જોઈને ભીની થઈ ગઈ હતી. આ પ્રશ્નો હજુ પણ અનુત્તરએક સફળ બિલ્ડર અને પરિવારના મોભી એવા તુષારભાઈએ આટલું અંતિમ પગલું કેમ ભર્યું? શું માત્ર ક્ષણિક આવેશમાં આવીને આ નિર્ણય લેવાયો કે પછી કોઈ ઊંડું માનસિક દબાણ હતું? પોલીસ હાલ આ તમામ પાસાઓ પર તપાસ કરી રહી છે. કોણ હતા તુષાર ઘેલાણી?તુષાર ઘેલાણી સુરતના રિયલ એસ્ટેટ માર્કેટનું ખૂબ મોટું અને આદરણીય નામ હતું. તેમની કંપની ઘેલાણી બિલ્ડર્સ, ઘેલાણી ગ્રુપ અને 1990થી સુરતના બાંધકામ ક્ષેત્રે સક્રિય હતા. તેમની મેઈન ઓફિસ સુરતના પાર્લેપોઈન્ટ ખાતે જોલી કોમ્પલેક્ષમાં આવેલી હતી. તેઓ સુરતમાં આધુનિક આર્કિટેક્ચર અને લક્ઝુરિયસ રહેણાંક પ્રોજેક્ટ્સ બનાવવા માટે જાણીતા હતા.
4 વર્ષની દિકરી સાથે અડપલા કરનારા નરાધમ પાડોશીની પોક્સો હેઠળ ધરપકડ કર્યા બાદ માંજલપુર પોલીસ મથકના પીઆઈ કે.પી.ખરાદી દ્વારા આરોપીને વી.આઈ.પી ટ્રીટમેન્ટ આપ્યા બાદ જામીન પર મુક્ત કરી દિધો હોવાનું સગીરાના પિતાએ આક્ષેપ કર્યો છે. જ્યારે આ અંગે ફરિયાદીને ખોટી રીતે ધમકાવવામાં આવ્યાં હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ ડિસીપીને કરી છે. ફરિયાદીનો આક્ષેપ છે કે, તેમની સગીર દિકરી સાથે જાતીય છેડતીના ગુનામાં માંજલપુર પોલીસ દ્વારા ન્યાય આપવાના બદલે આરોપીને છાવરવામાં આવી રહ્યો છે. જ્યારે કેસની તપાસ કરતા પીઆઈ દ્વારા અમે ગુનેગાર હોઈએ તેવું વર્તન કરી રહ્યાં છે. જ્યારે આ ઘટનાનું વિડિયો રેકોર્ડીંગ લાવવા પીઆઈ જણાવી રહ્યાં છે. ત્યારે આવી ઘૃણાસ્પદ ઘટનાનો વિડિયો ફુટેજ કોઈની પાસે કેવી રીતે હોઈ શકે? આ માંગણી તદ્દન અતાર્કિત છે. જ્યારે પોલીસ ઈન્સપેક્ટર દ્વારા આરોપી વિરૂધ્ધ કેસ પાછો ખેંચવા માટે આડકતરી રીતે દબાણ કરવામાં આવ્યું છે. આરોપીને આવા ગંભીર ગુનામાં સજા થાય અને સમાજમાં દાખલો બેસે તેવી કાર્યવાહી કરવાના બદલે આરોપીને જામીન આપી દેવામાં આવી છે. જ્યારે ફરિયાદીએ ડિસીપીને અરજી આપીને માંગણી કરી છે કે, પીઆઈ ખરાદી વિરૂધ્ધ પોક્સો એક્ટના આરોપીને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવા, જામીન પર મુક્ત કરવા તેમજ ફરીયાદીને ખોટી રીતે ધમકાવવાનું વર્તન કરવા બાબતે કડક કાર્યવાહી કરી શિક્ષાત્મક પગલા લેવામાં આવે. નોંધનિય છે કે પાડોશીએ જ બાળકી સાથે અડપલાં કર્યા હતા. અમે અરજીની તપાસ કરી રહ્યાં છીએમારી પાસે ફરિયાદીએ કરેલી અરજી આવી છે. જેમાં કરાયેલા આક્ષેપ અંગે તપાસ કરી રહ્યાં છીએ. જો ખરેખર કોઈ નિષ્કાળજી હશે તો પગલા લેવામાં આવશે. > અભિષેક ગુપ્તા, ડીસીપી
પ્રગતિશીલ ખેડૂત:કાશ્મીરના ઠંડા પ્રદેશમાં થતા સફરજન સહિતના ફળ પાટણની ગરમ ધરા
પાટણના કુડેર ગામના 52 વર્ષીય રમેશભાઈ રાજપૂત જન્મજાત ખેડૂત પુત્ર પરંતુ શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય કંઈક નવું શીખવાની અને કરવાની પ્રવૃત્તિના ભાગરૂપે કાશ્મીર જેવા ઠંડા પ્રદેશોમાં જ થતા સફરજન, કીવી, અંજીર જેવા વિવિધ પ્રકારના ફળ પાટણની ભૂમિ ઉપર કરી ખેતરને ફળનું વન બનાવી દીધું છે. તેમની આ સફળ બાગાયતી ફળોની ખેતી સમગ્ર પાટણ પંથકમાં ખેડૂતો માટે માર્ગદર્શન બની છે. જાણીએ તેમની કહાની તેમના શબ્દોમાં..... હું પાટણ તાલુકાના કુડેર ગામમાં રહું છું અને રાધનપુર સરકારી પ્રા.શાળા શિક્ષક તરીકે નોકરી કરું છું. મારા પિતાજી ખેડૂત હોય જન્મજાત ખેતી સાથે જોડાયેલો છું. આમ તો પાટણ જિલ્લો જે એક સમયે 'ડ્રાય એરિયા' ગણાતો હતો, ત્યાં હવે આધુનિકતાના મિશ્રણથી ખેતીમાં નવો સૂર્યોદય થયો છે. જેથી ખેતી ક્ષેત્ર કંઈક નવું કરવા અને અનુભવ માટે વિચાર આવ્યો હતો. જેથી મારા ખેતરની માત્ર દોઢ વીઘા જમીનમાં સફરજન , નાસપતિ, અંજીર, દ્વાક્ષ જેવા 8 થી 10 પ્રકારના વિશિષ્ટ ફળોની ખેતી કરીને સાબિત કર્યું છે કે જો મક્કમ નિર્ધાર હોય તો પાટણની વધુ તાપમાનવાળી ધરતી પર પણ શીતભૂમિ કાશ્મીરમાં થતા ફળફળાદી ઉગાડી શકાય છે. હવે ખેતી માત્ર નસીબ પર આધારિત નથી, પણ ટેકનોલોજી અને કુદરતી સંસાધનોના સમન્વયથી તેને નફાકારક વ્યવસાય બનાવી શકાય છે. 3 વર્ષની મહેનતે 5 લાખનો ખર્ચ ગાય આધારિત પધ્ધતિથી ફ્રૂટની આ રીતે ખેતી કરી ઇન્ટરનેટના માધ્યમથી ઠંડા પ્રદેશના ફળના પાકોનો અભ્યાસ કર્યો. બાદમાં આ ખેતીમાં તેમણે કોઈ રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વગર માત્ર ગૌમૂત્ર અને છાણિયા ખાતરના જોરે 3 ફૂટ ઊંડા ખાડા કરી વૈજ્ઞાનિક પદ્ધતિથી ઠંડા પ્રદેશ સમાન ફળના પાકો માટે જમીન અનુરૂપ કરી ઓનલાઈન રોપા મંગાવી વાવ્યા હતા. આજે તેમની મહેનત રંગ લાવી છે અને તમામ છોડ પર ફળો બેસવાનું શરૂ થઈ ગયું છે. રોપામાં ફળ આવ્યા , વેપારીઓએ સંર્પક શરૂ કર્યા ખેડૂતના 22 પ્રકારના તમામ ફ્રુટના રોપાઓમાં સારા પ્રમાણમાં ફળ બેસવા લાગ્યા છે. ટૂંક સમયમાં ફળ પાકી જતાં બજારમાં વેચાણ માટે મૂકી શકાશે. પ્રથમવાર પાટણ પંથકમાં પણ આવા ફળ થયા હોય ફળ સ્વાદે સ્વાદિષ્ટ હોય હોલસેલના અનેક વેપારીઓ દ્વારા ખેડૂતનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. જેથી ખેડૂતને આ ફળોમાંથી સારી આવક થવાનો આશાવાદ જોવા મળી રહ્યો છે. આ પ્રગતિશીલ ખેડૂત પાસેથી મેળવવો વધુ વિગતો : 8320559065(પાટણથી ગોવિંદ પ્રજાપતિ સાથેની વાતચીતના આધારે )
એરપોર્ટ પર સોનું, ચાંદી, હીરા જેવી કિંમતી વસ્તુ અને મોંઘા મોબાઈલ જેવા ગેજેટ્સ સાથે મુસાફર પકડાઈ જવાના ઘણા કિસ્સા સામે આવતા હોય છે. વળી, વિદેશમાં રહેતા સંબંધી વતન આવે તો મોબાઇલ, લેપટોપ જેવી વસ્તુઓ મંગાવવાની પણ ઘણા લોકોની ઇચ્છા હોય. પરંતુ સામાન્ય મુસાફરના મનમાં પણ સવાલો ઉઠે કે વિદેશથી કંઈ વસ્તુ કેટલા પ્રમાણમાં લવાય, કેટલી રોકડ લાવી શકાય અને કેટલુે લઈ જઈ શકાય? જો સોના-ચાંદીના ઘરેણા પહેરીને વિદેશ જઈએ તો પરત આવતા સમયે એરપોર્ટ પર કોઈ રોકે તો શું કરવું? અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટમાંનું એક છે. નાણાકીય વર્ષ 2024-25માં 1 કરોડ 34 લાખ લોકોએ અમદાવાદ એરપોર્ટ મારફતે મુસાફરી રહી હતી. દરરોજ 290થી વધુ ફ્લાઇટમાં 37 હજારથી પણ વધુ મુસાફરો અમદાવાદ એરપોર્ટ પહોંચે છે. ગુજરાતીઓને કસ્ટમ્સના નિયમો સીધી રીતે અસર કરે છે. કેન્દ્રીય બજેટ રજૂ થયા બાદ કસ્ટમના નિયમોમાં કેટલોક ફેરફાર આવ્યો છે. એટલે માટે દિવ્ય ભાસ્કરે અમદાવાદ સ્થિત કસ્ટમ કમિશનરેટમાંથી કસ્ટમ ક્લિયરન્સને લગતી માહિતી મેળવી. અમદાવાદ સહિત કોઈપણ એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરો માટે બે લાઇન હોય છે. એક ગ્રીન ચેનલના નામે ઓળખાય છે અને બીજી રેડ ચેનલ. જો વિદેશથી આવતા કોઈ પેસેન્જર પાસે કસ્ટમ ડ્યૂટીને લગતો કોઈ સામાન ન હોય તો તે ગ્રીન ચેનલમાંથી પસાર થઈને એરપોર્ટ બહાર નીકળી શકે છે. પરંતુ મુસાફર પાસે કસ્ટમ ડ્યૂટીના નિયમો લાગૂ થાય એવો સામાન હોય તો તેણે રેડ ચેનલમાંથી પસાર થવું પડે છે અને જરૂર પડે તો ડોક્યુમેન્ટ, સામાનનું ડિક્લેરેશન ફોર્મ, બિલ વગેરે બતાવવાથી લઈને સામાન ચેક કરાવવામાં પણ સહકાર આપવો પડે. તો જાણી લો કે વિદેશથી મુસાફરી કરીને ભારતના કોઈપણ એરપોર્ટ પર ઉતરો ત્યારે કેવા નિયમો લાગુ પડે છે અને કઈ-કઈ વસ્તુ કેટલા પ્રમાણમાં લાવી શકાય છે. વિદેશમાં દાગીના લઈ જવા માટેનો નિયમ સમજોલગ્ન કે અન્ય પ્રસંગોમાં સોના, પ્લેટિનમ કે ડાયમંડના દાગીના પહેરીને વિદેશ જતા લોકોએ કસ્ટમ્સ વિભાગ પાસેથી 'એક્સપોર્ટ સર્ટિફિકેટ' મેળવવાનું હોય છે. આ માટે ગવર્મેન્ટ એપ્રુવ્ડ વેલ્યુઅર દાગીનાની કિંમત નક્કી કરે છે, તેના ફોટા પણ પાડવામાં આવે છે અને જ્વેલરી સીલ કર્યા બાદ સર્ટિફિકેટ આપવામાં આવે છે. મુસાફર જ્યારે પરત ફરે ત્યારે એક્સ-રે અને કેરેટોમીટર મશીન દ્વારા ચકાસણી કરવામાં આવે છે કે દાગીના બદલાયા તો નથી ને. જો કોઈ શંકા થાય તો ફરીથી વેલ્યુઅર પાસે તપાસ કરાવાય છે. 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર 2025 સુધીમાં કુલ 96 મુસાફરોએ આ સર્ટિફિકેટ મેળવ્યા હતા. જેમાંથી 92 લોકોએ રૂબરૂમાં અને 4 લોકોએ ઓનલાઇન પ્રક્રિયા કરી હતી. સામાન્ય રીતે કસ્ટમ્સની વેબસાઇટ પર રોજિંદા પ્રશ્નોની વિગતો ઉપલબ્ધ હોય છે, પરંતુ કેટલીકવાર અમુક પ્રશ્નોનો જવાબ ત્યાં ન મળતા મુસાફરો રૂબરૂ જાણકારી મેળવવા એરપોર્ટ પર કસ્ટમ્સ અધિકારી પાસે જતા હોય છે. અમદાવાદ અને સુરત જેવા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ અધિકારીઓ 24 કલાક હાજર રહે છે. જોકે, મુશ્કેલી એ આવે કે એરપોર્ટની અંદર બેસતા અધિકારીને મળવા માટે ટિકિટ વગર પ્રવેશ મેળવવા બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી પાસેથી સિક્યોરિટી પાસ લેવો પડતો હતો. જેના કારણે મુસાફરોને ભારે પરેશાની થતી હતી. લોકોની આ મુશ્કેલી દૂર કરવા કસ્ટમ્સ કમિશનરેટ કચેરી દ્વારા એરપોર્ટ પર પેસેન્જર ફેસિલિટેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં 24 કલાક કસ્ટમ્સ અધિકારીઓ તૈનાત હોય છે. આ સુવિધાને કારણે મુસાફરોને હવે પાસ લેવાની ઝંઝટમાંથી મુક્તિ મળી છે અને તેઓ એરપોર્ટની બહારથી જ સીધા અધિકારીઓના સંપર્કમાં આવી શકે છે. છેલ્લા દોઢેક મહિનામાં આશરે 80થી વધુ નાગરિકોએ આ સેન્ટરની મુલાકાત લઈને જરૂરી પૂછપરછ કરી છે. કસ્ટમ્સ કમિશનર શિવકુમાર શર્માએ જણાવ્યું,અહીં વિદેશ જતા મુસાફરો કેટલી કરન્સી લઈ જઈ શકે, કેટલી લાવી શકે અથવા જો કોઈના માલસામાનને ડીટેઇન કરવામાં આવ્યો હોય તો તે માટે કેટલી પેનલ્ટી કે ફી ભરવી પડશે તેવી તમામ માહિતી 24 કલાક ઉપલબ્ધ છે. એરપોર્ટ પર મુસાફરોની જાણકારી માટે આ સેન્ટરના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. કસ્ટમ્સ વિભાગની છબી વધુ પારદર્શક બનાવવા માટે અધિકારીઓ અને કર્મચારીઓને પ્રોફેશનલ્સ દ્વારા મુસાફરો સાથેના વર્તન અને વાતચીત અંગે તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત, અધિકારીઓને બોડી વોર્ન કેમેરા પણ ફાળવવામાં આવ્યા છે. આગામી દિવસોમાં ક્લિયરન્સ વખતે મુસાફરો પાસેથી ફીડબેક લેવાની સિસ્ટમ પણ શરૂ કરાશે. જો કોઈ મુસાફર નેગેટિવ ફીડબેક આપશે તો તે મુસાફર એરપોર્ટ છોડે તે પહેલાં જ અધિકારીઓ દ્વારા તેમની મુશ્કેલીનું તાત્કાલીક નિરાકરણ લાવવામાં આવશે.
નવી તરકીબ:એક્સપોર્ટના વેપારીનું નકલી ખાતું બનાવી કસ્ટમના સરકારી લાભના ~8 લાખ ઠગ્યા
વડોદરાના એક્સપોર્ટ-ઇમ્પોર્ટના વેપારી સાથે સરકારી વેબસાઈટ પર નકલી એકાઉન્ટ બનાવી છેતરપિંડી થયાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકે નોંધાઈ છે. ભેજાબાજે કસ્ટમ વિભાગના ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના પોર્ટલ પર વેપારીનું નકલી એકાઉન્ટ બનાવી 8.12 લાખ ઉપરાંતની રકમની છેતરપિંડી કરી હોવાનો ગુનો નોંધાયો છે. સાયબર ક્રાઈમ પોલીસ મથકે પણ આ પ્રકારની છેતરપિંડીની પ્રથમ ફરિયાદ નોંધાઈ છે, જેમાં આઇપી એડ્રેસ અને બેંક ખાતા દ્વારા પોલીસે ભેજાબાજોની શોધખોળ હાથ ધરી છે. સુભાનપુરા વિસ્તારની સેમી સોસાયટીમાં રહેતા દીપેનભાઇ જયંતીભાઈ શિંગડા 25 વર્ષથી ઈમ્પોર્ટ-એક્સપોર્ટનું કામ કરે છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે, હું જીત એન્જિનિયર્સ નામે ફર્મ ચલાવું છું. એક્સપોર્ટના વેપારીઓને થતા લાભો માટે ભારતના કસ્ટમ એન્ડ એક્સાઇઝ વિભાગની આઈસગેટ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. જેમાં એક્સપોર્ટ પ્રોડક્ટની ડ્યૂટીની રેમિશન સ્કીમ હોય છે. 2021થી મારા ખાતામાં મેં ભરેલી એક્સપોર્ટ ડ્યુટીના લાભની રકમ જમા થતી હતી. આ ડીજીએફટી પોર્ટલ પર સપ્ટેમ્બર-2025માં રજીસ્ટ્રેશન બાકી હતું. થોડા સમય પહેલા તપાસ કરતાં મારા નામનું ખાતું અગાઉથી જ બનેલું હોવાનું જાણવા મળ્યું હતું. કોઈએ મારા પાસવર્ડ-આઇડી બદલીને ખાતું બનાવી રૂ.8.12 લાખની ક્રેડિટ તેના ખાતામાં ટ્રાન્સફર કરી હોવાની માહિતી મળી હતી. 3 માર્ચ 2025ના એક જ દિવસે 4 ટ્રાન્જેક્શન કરી લીધા હતા. આ ટ્રાન્જેક્શન અંગે રજિસ્ટ્રેશનની માહિતી ચેક કરતા એ આઈ.પી એડ્રેસ પરથી પ્રથમ વાર નોંધણી કરાવી હોવાનું બહાર આવ્યું હતું. સાયબર સેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આવી છેતરપિંડી ફિશિંગથી થાય છેસરકારી ગેટવેમાં પણ હવે કૌભાંડો શરૂ થયા છે. ભેજાબાજો ઇમેઇલ, ટેક્સ્ટ અથવા કોલ કરી HMRCનો સંપર્ક કરી છેતરપિંડી કરે છે. અજાણી લિંક પર ક્લિક કરીને અંગત માહિતી આપવી નહીં. કૌભાંડીઓ ICE કોડનો દૂર ઉપયોગ કરી છેતરપિંડી કરતા હોય છે.સરકારી ગેટવે જેવો ઇમેઇલ મોકલી તાત્કાલિક માહિતી માંગે તો આપવી નહીં. પ્રથમ મોકલનારને તપાસવા જોઈએ. શંકાસ્પદ ઇમેઇલ કે મેસેજ પર ક્લિક ન કરો, આવા ઇમેઇલ-મેસેજ આવે તો સાયબર વિભાગને જાણ કરવી જોઈએ.
દક્ષિણ ગુજરાતનું શાંત અને હરિયાળું નવસારી શહેર હવે ‘મેરેજ ટુરિઝમ’ના ક્ષેત્રમાં એક મોટી છલાંગ લગાવી રહ્યું છે. અત્યાર સુધી જે શહેર માત્ર ચીકુ, કેરી અને વેપાર માટે જાણીતું હતું, તે હવે ડેસ્ટિનેશન વેડિંગના કારણે અર્થતંત્રનું નવું એન્જિન બનવા જઈ રહ્યું છે. પરંપરાગત પાર્ટી પ્લોટના જમાનાને અલવિદા કહી રહેલો આજનો યુવા વર્ગ લક્ઝુરિયસ રિસોર્ટ્સ અને નેચર-બેઝ્ડ લોકેશન્સ તરફ વળ્યો છે, જેને પગલે નવસારીમાં કરોડો રૂપિયાનું રોકાણ થઈ રહ્યું છે. અડદા ગામે સાકાર થનારો રૂ. 250 કરોડનો મેગા પ્રોજેક્ટ નવસારીને વૈશ્વિક નકશા પર નવી ઓળખ અપાવશે. કમોસમી વરસાદ અને ખેતીમાં થતા નુકસાન સામે હાર માનવાને બદલે સંઘર્ષનો માર્ગ અપનાવનાર ખેડૂતપુત્ર સંજયભાઈ પટેલે નવસારીમાં આ ખાસ પ્રોજેક્ટ લઈને આવ્યા છે. અડદા ગામમાં 8 લાખ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું આ નવું હબ સુરત અને મુંબઈ પરની નિર્ભરતા ઘટાડશે. આ પ્રોજેક્ટમાં 5,000 ચોરસ ફૂટનો ભવ્ય કોલમ-લેસ હોલ, તાજ અને મેરિયટ જેવી હોટલ્સને ટક્કર આપે તેવા અદ્યતન રૂમ્સ, IPL કદનું ક્રિકેટ ગ્રાઉન્ડ, ઓલિમ્પિક સાઈઝ સ્વિમિંગ પૂલ અને ગોકાર્ટિંગ તેમજ 1,200 લોકોની ક્ષમતા ધરાવતું આધુનિક ઓડિટોરિયમ બનાવવામાં આવશે.જ્યાં એક સમયે લોકો લગ્નની ખરીદી કે હોલ માટે સુરત-મુંબઈ તરફ દોડતા હતા, ત્યાં હવે નવસારી પોતે એક એવું કેન્દ્ર બની રહ્યું છે જે અન્ય મેટ્રો સિટીના લોકોને આકર્ષશે. દક્ષિણ ગુજરાતના NRIને સરળતા રહેશેનવસારી અને દક્ષિણ ગુજરાતમાં વર્ષોથી વિદેશમાં વસતા NRI યુવક-યુવતીઓ ભારતીય પરંપરા મુજબ લગ્ન કરવા માટે પોતાના વતન આવે છે. અમેરિકા, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા અને ગલ્ફ દેશોમાં રહેતા લોકોને પોતાના જ ગામ નજીક લગ્ન પ્રસંગ તેમજ અન્ય કાર્યક્રમો માટે આ પ્રોજેક્ટ થકી સારી સુવિધા મળી રહેશે. અન્ય મોટા વેડિંગ ડેસ્ટિનેશન પણ સજ્જનવસારીની ભૌગોલિક સ્થિતિ તેને ડેસ્ટિનેશન વેડિંગ માટે સર્વોત્તમ બનાવે છે. પૂર્ણા નદીના કિનારે ‘ધરતી રિસોર્ટ’ પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. નવસારીનો કાંઠા વિસ્તાર હવે ગોવાની તર્જ પર ‘બીચ વેડિંગ’નો અનુભવ આપી રહ્યો છે. જલતરંગ વોટરપાર્ક, ઉદય પેલેસ અને જાનકી રિસોર્ટ જેવા સ્થળોએ પણ થીમબેઝ્ડ વેડિંગ અને પ્રી-વેડિંગ શૂટનું પ્રમાણ સતત વધી રહ્યું છે. બુલેટ ટ્રેનને ધ્યાનમાં રાખી પ્લાન તૈયાર કર્યોબુલેટ ટ્રેન શરૂ થતા મુંબઈથી નવસારીનું અંતર માત્ર 90 મિનિટનું રહી જશે. મુંબઈ અને ઉદયપુરમાં થતા કરોડોના ખર્ચ કરતા અડધા ભાવે અમે અહીં આંતરરાષ્ટ્રીય સુવિધાઓ આપીશું, જે મુંબઈગરાઓ અને NRI માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. > સંજય પટેલ, ડેવલોપર, નવસારી રોજગારી વધવા સાથે સ્થાનિક ઇકોનોમીને મોટો ફાયદોનવસારી વેડિંગ હબ બનવાને કારણે કેટરિંગ, ડેકોરેશન, ઈવેન્ટ મેનેજમેન્ટ અને ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે હજારો સ્થાનિક લોકોને રોજગારી મળશે. આસપાસના વિસ્તારોમાં જમીનના ભાવ અને કોમર્શિયલ પ્રોપર્ટીની માંગમાં ઉછાળો આવ્યો છે. ખાસ કરીને NRI પટ્ટા ધરાવતા નવસારીમાં વિદેશથી આવતા ભારતીયો માટે હવે ઘર આંગણે જ આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા ઉપલબ્ધ થશે.
સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રૂપના વિવાદમાં બંને ગ્રૂપ અલગ હોવાનો એમડીનો ખુલાસો કર્યો હતો. સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રૂપના નામનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું તથા લોગોનો ખોટી રીતે દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રુપના એમડી શૈલેષ ગોલવિયાએ જણાવ્યું હતું કે એસ.પી.ગ્રૂપ અને અમારું સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રૂપ બંને સંપૂર્ણપણે અલગ છે. એસ.પી.ગ્રૂપનું નામ સિદ્ધેશ્વરાય ગ્રૂપ છે. અમારા લોગોનો ખોટી રીતે દુરુપયોગ કરાયો છે. અમારે એસ.પી.ગ્રૂપ સાથે કોઈપણ પ્રકારની લેવા દેવા નથી. દર્શિત કમલેશ શાહ દ્વારા ન્યાલકરણ ગ્રૂપના એમ.ડી અશ્વિનભાઈ એમ.ગોળવિયાના એસ.પી ગ્રૂપમાં ઈન્વેસ્ટમેન્ટના રેફરન્સની જે વાત કરી છે તે તદ્દન ખોટી છે. શ્રી સિદ્ધેશ્વર હેઝલવુડમાં કરાર કરી રોકાણની જે વાત કરી છે તે પણ તદ્દન ખોટી વાત છે. ખરેખર હકીકત એવી છે કે દર્શિત કમલેશ શાહએ શ્રી સિદ્ધેશ્વર હેઝલવુડમાં ટાવર-એ માં ફલેટ નં. 1003 તથા 1004 જે બુક કરાવેલા છે અને બંને યુનિટ ઉપર હોમલોન કરાવી પાર્ટ પેમેન્ટ આપેલું છે. એમના દ્રારા અમારી કંપનીની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનું ઘોર કૃત્ય કરેલ છે. જેની સામે અમે કાયદાકીય કાર્યવાહી કરી છે. દર્શિત શાહે જણાવ્યું હતું કે મારે એસ.પી.ઇન્ફ્રા સાથે મતલબ છે. સિદ્ધેશ્વર હેઝલવુડમાં ફલેટ લીધો છે. ન્યાલકરણમાં ફલેટ લીધા છે જે ઇન્વેસ્ટમેન્ટની મેટર છે. પોલીસ ફરિયાદમાં તમામ બાબતોનો ઉલ્લેખ છે.
સયાજી હોસ્પિટલમાં આવેલી વધુ એક જર્જરિત બિલ્ડિંગ તોડવાનો નિર્ણય કરાયો છે. આ બિલ્ડિંગ તોડી પડતાં પાર્કિંગ માટે જગ્યા ખુલ્લી થશે અને હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના સગાઓને પાર્કિંગ કરવામાં આસાની રહેશે. હાલમાં સયાજી હોસ્પિટલના સર્જિકલ વોર્ડની બહાર ઘણીવાર દર્દીઓને પાર્કિંગ કરવામાં તકલીફ પડતી હોય છે. જેના કારણે ઘણીવાર દર્દીના સગાઓ આડેધડ પાર્કિંગ કરીને જતા રહેતા હોય છે. ઈમર્જન્સી વિભાગની સામે આવેલા એક માળના બિલ્ડિંગને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં આ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં 108 એમ્બ્યુલન્સની ઓફિસ આવેલી છે અને પહેલા માળે નર્સિંગ એસોસિયેશનની ઓફિસ આવેલી છે. બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે, જેથી તેને નોટિસ અપાશે. નર્સિંગ એસોસિયેશનની ઓફિસને મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર ખસેડાશે. હાલમાં ત્યાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે, કામ પૂર્ણ થતાં ઓફિસ ત્યાં શિફ્ટ કરી દેવામાં આવશે. જો કે 108 એમ્બ્યુલન્સની જગ્યા નક્કી કરવામાં આવી નથી.
જનજાગૃતિ રેલી:મકરપુરામાં રહીશો-સફાઇ કર્મીની સ્વચ્છતા રેલી, નાગરિકોને સ્વચ્છતા માટે જાગૃત કર્યા
શહેરને સ્વચ્છ બનાવવા લોકોને સાથે રાખી અભિયાન કરાયું હતું. આસિ. મ્યુનિ. કમિશનરે મકરપુરામાં રહીશો, સફાઇ કર્મીને સાથે રાખી સ્વચ્છતા રેલી યોજી હતી. મકરપુરા બસ ડેપો પાછળ આવેલી શુભ રેસિડેન્સી અને રાધે રેસિડેન્સીના રહીશોને સાથે રાખીને સ્વચ્છતા રેલી યોજાઈ હતી. દક્ષિણ ઝોનના આસિ. મ્યુ. કમિશનર શમિક જોશીની ઉપસ્થિતમાં વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ રહે અને લોકો કચરાના નિકાલ પ્રત્યે જાગૃત બને તેવા હેતુથી પાલિકાના સહયોગથી જનજાગૃતિ રેલી યોજાઈ હતી. રેલીમાં રહીશોએ પ્લેકાર્ડ્સ દ્વારા સંદેશ આપ્યો હતો કે, કચરો ગમે ત્યાં ન ફેંકવો. ભીનો અને સૂકો કચરો અલગ રાખવો. આસિ. મ્યુ. કમિશનર શમિક જોશીએ કહ્યું કે, સ્વચ્છતા એ માત્ર કાગળ પર લખવાનો વિષય નથી. અન્ય સોસાયટીએ પણ પ્રેરણા લેવી જોઈએ. સૂકો-ભીનો કચરો જુદો કરવા ઝુંબેશસૂકા અને ભીના કચરાની ભેદરેખા લોકોને સમજાવાઈ રહી છે. જેને પગલે ડોર ટુ ડોરની ગાડીમાં પણ લોકો સૂકો અને ભીનો કચરો અલગ નાખે. આ બંને મિક્સ કરી નાખવાથી રોગચાળો થઇ શકે છે અને રિસાઇકલ થનાર કચરો પણ પડી રહે તો પર્યાવરણને નુકસાન થઇ શકે છે. આસિ. મ્યુ. કમિશનરના પ્રયાસથી પાલિકાના કર્મચારી સોસાયટી વિસ્તારમાં ડોર ટુ ડોર જઇને સૂકો-ભીનો કચરો અલગ નાખવા પર રહીશોને સમજાવે છે.
સોશિયલ મીડિયા અને ગેમિંગ પાછળ ખુવાર થતા યુવાધનને બચાવવા પેટ્રોકેમિકલ એન્જિનિયરે એબીસીડી ઓફ જૈનિઝમ પ્રોજેક્ટ અંતર્ગત સોશિયલ મીડિયા એપ થકી આઝાદીના નાયકો, સનાતની સંતો, શૌર્ય સાહસિકોની વાર્તા મોબાઈલ થકી કિશોરો-બાળકો સુધી પહોંચાડાય છે. આજના યુગમાં પુસ્તકો વાંચવાનું ઓછું થઈ રહ્યું છે અને નવી પેઢી માતૃભાષા અને સંસ્કૃતિથી વિમુખ થઈ રહી છે ત્યારે સુભાનપુરા જૈન સંઘના અગ્રણી અને પેટ્રોકેમિકલ એન્જિનિયર 52 વર્ષિય મનીષ શાહનો પ્રયાસ દીવાદાંડી સમાન છે. તેમણે કહ્યું કે,1 વર્ષથી હું ‘એબીસીડી ઓફ જૈનિઝમ’ નામનો પ્રોજેક્ટ સોશિયલ મીડિયા એપ દ્વારા ચલાવું છું. હાલમાં તેમાં 770થી વધુ સભ્ય જોડાયેલા છે. ઉપરાંત બીજા 50થી વધુ સોશિયલ મીડિયા ગ્રૂપમાં નિયમિત મેસેજ મોકલું છું. દર રવિવારે સવારે આ સંસ્કાર પીરસતો મેસેજ મોકલાય છે. ઉલ્લેખનિય છે કે, મનીષભાઈ દર રવિવારે બપોરે બાળકો માટે વિશેષ શિબિર યોજે છે, જ્યારે બુધવારે પરિવારના સભ્યો માટે પારિવારિક મસ્તી કી પાઠશાળા પણ યોજે છે. પ્રોજેક્ટની ખાસિયત અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્યબાળકો અને યુવાનોને સોશિયલ મીડિયા અને હિંસક ગેમ્સના વળગણથી દૂર રાખવાં. } જીવનના દરેક તબક્કે (ભણતર, નોકરી, વ્યવસાય કે પરિવાર) ઉપયોગી થાય તેવા સંસ્કારોનું સિંચન કરવું. } સમાજ અને ઘરમાં શાંતિથી હળી-મળીને રહી શકાય તેવાં નૈતિક મૂલ્યો શીખવવાં.
આયોજન:વીઆઇપી રોડ પર વરસાદી લાઇન નખાશે, પાણી ભરાવા અને ભૂવામાંથી છુટકારો મળશે
અમિતનગર સર્કલ તરફથી રાત્રી બજાર સુધી વરસાદી ગટર બનાવાશે. વીઆઇપી રોડ પર ઈંટોના ચણતરવાળી વરસાદી ચેનલના સ્થાને 7.50 કરોડના ખર્ચે વરસાદી લાઇન નખાશે. પાણી ભરાવા અને ભૂવા પડવાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ગટર નખાશે. વીઆઇપી રોડ પર અમિતનગર સર્કલ તરફથી રાત્રી બજાર સુધીના રસ્તા પર હયાત જૂની જર્જરિત ઈંટોના ચણતરવાળી વરસાદી ચેનલ આવેલી છે. જેમાં 2024ના ચોમાસામાં પૂર દરમિયાન અને તે પછી ભંગાણો સર્જાયાં હતાં. જેથી ચોમાસામાં વરસાદના સમયે આજુબાજુના વિસ્તારમાં પાણી ભરાતાં હોવાથી અકસ્માતની સંભાવના વધી ગઇ છે. આ કામ માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ દ્વારા સ્થળ-સ્થિતિનો વિગતવાર સરવે કરાયો હતો. અંદાજિત 965 રનિંગ મીટર લંબાઈમાં 2 મીટર સાઈઝની પ્રિ-કાસ્ટ બોક્સ ડ્રેઈન બેસાડવાનું આયોજન છે. આ કામગીરી 4 ઈજારદારોના ભાવપત્રો આવ્યા હતા. જેમાં 8.24 કરોડ કરતાં 9.03 ટકા ઓછા મુજબ 7.50 કરોડનું ભાવપત્ર આવેલું છે. આ દરખાસ્તને સ્થાયીમાં રજૂ કરાઈ છે. ગટરનાં જોડાણથી વરસાદી ચેનલ નબળી પડીવરસાદના પાણીના નિકાલ માટે 2 દાયકા પહેલાં બનાવેલી ઈંટોના ચણતરવાળી વરસાદી ચેનલમાં વીઆઇપી રોડની સોસાયટીઓની ગટરનાં જોડાણ નાખી દેવાયાં છે. બારે મહિનામાં વરસાદી ચેનલમાંથી ડ્રેનેજનાં પાણી જઇ રહ્યાં છે, જેથી તે નબળી પડી ગઇ છે અને ભૂવા પડી રહ્યા છે. વુડા સર્કલ પાસે ટેમ્પો સમાય તેટલો ભૂવો પડ્યો હતો2 વર્ષમાં વુડા સર્કલ પાસે 8 જેટલા ભૂવા પડ્યા હતા. જેમાંથી એક ભૂવો તો આખેઆખો ટેમ્પો સમાઇ જાય તેટલી સાઇઝનો હતો. જેને પગલે સામાજિક કાર્યકરોએ પણ વિરોધ નોંધાવ્યો હતો અને સ્થાનિક રહીશો પણ પરેશાન થઇ ગયા હતા.
મંડે મેગા સ્ટોરી:લાશ્કરનો જીવ 12 રૂપિયાનોઃ આગમાં જીવ બચાવવાનું ભથ્થુ મહિને ~350
વડોદરા ફાયરબ્રિગેડના કર્મચારીઓ આગમાં જઇ કે પાણીમાં ઊંડે ઊતરી જોખમી ફરજ બજાવે છે. આ જોખમી ફરજ માટે તેમને વિશેષ રિસ્ક એલાઉન્સ અપાય છે. આ એલાઉન્સ મહિનાનું રૂા.350 છે એટલે સરેરાશ રોજનું રૂા.12થી પણ ઓછું છે. જ્યારે પાલિકાના પટાવાળાઓને માસિક વિશેષ અલાઉન્સ 1 હજાર અપાય છે. સાદી ગણતરી માંડીએ તો રોજનું રૂા.33 થાય. ફાયરબ્રિગેડના નારાજ લાશ્કરો કહે છે તેમ પાલિકાના મતે પટાવાળાનું રિસ્ક અમારા કરતાં 3 ગણું છે! ફાયરબ્રિગેડના 300 જેટલા કર્મીઓ પ્રત્યે પાલિકાના અધિકારીઓ, નેતાઓ ઓરમાયું વર્તન રાખે છે, જ્યારે પટાવાળાઓ પર ફીદા છે. ઉપરાંત વિચિત્ર જણાય તેવી બીજી હકીકત પણ જાણવા જેવી છે. 8 મહિના અગાઉ રૂા.3200ની એક સિસોટી ખરીદીને વિવાદમાં આવેલા વડોદરા ફાયરબ્રિગેડમાં આ લાશ્કરોના યુનિફોર્મ માટેનું ધોલાઇ ભથ્થું આપે છે. આ ભથ્થું માસિક રૂા.15 છે. આજે સામાન્ય વોશિંગ પાઉડરની નાનું પાઉચ પણ રૂા.10નું થયું છે ત્યારે 30 દિવસમાં ફાયરબ્રિગેડનો કર્મચારી આખો મહિનો રૂા.15માં યુનિફોર્મ કેવી રીતે ધોઇ શકે. વડોદરા ફાયરબ્રિગેડમાં પિતાએ નોકરી કર્યા બાદ પુત્ર પણ નોકરી કરતા હોય તેવા દાખલા છે. હાલમાં નોકરી કરતા એક કર્મચારીએ કહ્યું કે, મારા પિતા કહેતા હતા કે, હું જ્યારે ફાયરબ્રિગેડમાં જોડાયો ત્યારે પણ ભથ્થામાં આટલા જ રૂપિયા મળતા હતા. સ્માર્ટ સિટીના અધિકારીઓ આ વિશે તુરંત કંઇક કરી શાણો નિર્ણય લે તેવી સાદી ઝંખના ફાયરબ્રિગેડના કર્મચારીઓ રાખી રહ્યા છે. આ વિશે પાલિકાના એક રાજકીય અગ્રણીએ કહ્યું કે, અમારી પાસે આવી કોઇ રજૂઆત આવે તો ચોક્કસ ધ્યાન આપીશું. પટાવાળાઓ અમારી પાસે આવ્યા ત્યારે અમે તેમને વિશેષ ભથ્થામાં વધારો કરી આપ્યો હતો. 40 વર્ષમાં મોંઘવારી જેટ ગતિએ વધી, પણ ભથ્થામાં સુધારો નહીંફાયરબ્રિગેડના કર્મચારીઓને કેટલાં ભથ્થાં આપવાં તેની પોલિસી રાજ્ય સરકાર નક્કી કરે છે. બીજી તરફ વડોદરામાં યુનિફોર્મ ધોલાઇ ભથ્થું રૂા.15 છે. જ્યારે સુરત, રાજકોટ અને ગાંધીનગરમાં આ રકમ બમણાથી વધુ એટલે કે, રૂા.35થી રૂા.36 છે. એક ઉચ્ચ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, આજથી 40 વર્ષ પહેલાં વોશિંગ પાઉડરની થેલી રૂા.15ની આવતી હશે. એટલે ગણતરી એવી કે, એક થેલીમાં તે મહિનો પોતાનો યુનિફોર્મ ધોઇ શકે. જ્યારે ફાયરબ્રિગેડના કર્મચારીઓ કહે છે કે, અત્યારે વોશિંગ મશીન આવ્યાં છે. તેનો પાઉડર પણ જુદો હોય છે. આ સ્થિતિમાં પંદર રૂપરડી? કોઇ રીતે મેળ બેસે એવી વાત નથી. પોલીસ વિભાગમાં પણ કોન્સ્ટેબલને ધોલાઇ ભથ્થું રૂા.40 મળે છે. મારી પાસે હજુ કોઇ રજૂઆત આવી નથીભથ્થા અંગે કર્મચારીઓને કોઇ અસંતોષ હોય તો રજૂઆત કરવી જોઇએ. મારી પાસે આવી કોઇ રજૂઆત હજી સુધી આવી નથી. > હરેન્દ્રસિંહ ગોહિલ, ચીફ ફાયર ઓફિસર, વડોદરા ફાયરબ્રિગેડના ટેલિફોન ઓપરેટરને ભથ્થા પેટે રોજના રૂા.3 ચૂકવાય છેફાયરબ્રિગેડના કર્મીઓનો અન્ય અસંતોષ પણ જાણવા જેવો છે. ફાયરબ્રિગેડની ટ્રેનિંગ લઇ આવેલા કેટલાક કર્મીને ટેલિફોન ડ્યૂટી અપાય છે. તેમનું કામ 8 કલાક ટેલિફોન પાસે બેસી લોકોની ટેન્કરની માગ, પક્ષી ફસાયાં, પશુ કેનાલ કે ખાડામાં પડ્યાં, ઝાડ પર કે ઘરની પાઇપોમાં બિલાડી-કૂતરા ફસાયાં તેવી ફરિયાદો સાંભળવાની હોય છે. આ કામ માટે તેમને મહિને ભથ્થા પેટે રૂા.85 એટલે કે રોજના રૂા.3 અપાય છે. આટલા રૂપિયામાં તો સારો પાણીપૂરીવાળો એક સાદી પાણીપૂરી આપે છે.
ઘટસ્ફોટ:એસઆઈઆર: કોર્પોરેટર અજિત દધીચ સહિત ભાજપના કાર્યકર-નેતાએ 1689 વાંધા ઉઠાવ્યા
મતદાર યાદી સુધારણા પ્રક્રિયા અંગે કોંગ્રેસના નેતા ઋત્વિજ જોશીએ અત્યંત ગંભીર અને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. જેમાં ભાજપના કોર્પોરેટર અજિત દધીચે 122 વાંધા, શિક્ષણ સમિતિના ચેરમેન આદિત્ય પટેલે 30 વાંધા, કોર્પોરેટર જાગૃતિબેન કાકાએ 81 વાંધા મળી ભાજપના 13 જેટલા કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટર અને નેતા દ્વારા 1689 વાંધા ઉઠાવ્યા હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. જ્યારે શહેરના 5 વિધાનસભા વિસ્તારોમાં ફોર્મ-7 હેઠળ 46,266 અરજી દાખલ કરાઈ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે. ઋત્વિજ જોશીએ જણાવ્યું કે, આ સામાન્ય પ્રક્રિયા નહીં, પણ ભાજપ અને ઇલેક્શન કમિશનના મેળાપીપણાનું પૂર્વનિયોજિત મતચોરી તરફ સ્પષ્ટ સંકેત કરે છે. કોંગ્રેસે ‘ઓપરેશન સરકાર ચોરી’ શીર્ષક હેઠળ પ્રેસ કોન્ફરન્સ યોજી SIRની કામગીરીમાં ફોર્મ-7 ભરી ભાજપના નેતાઓ અને કોર્પોરેટરોએ મતદારોનાં નામ કમી કરવાનું ષડ્યંત્ર રચ્યું હોવાના પુરાવા રજૂ કર્યા છે. જેમાં ભાજપના કોર્પોરેટર અજિત દધીચે 122 વાંધા ઉઠાવ્યા છે. ઉપરાંત અનેક નેતાએ વાંધા ઉઠાવ્યા હોવાના પુરાવા રજૂ કર્યા હતા. આ મામલે રાજદ્રોહનો ગુનો દાખલ કરવા કોંગ્રેસે માગ કરી છે. નિયમ પ્રમાણે તો 1 વર્ષની સજા અને 1 લાખના દંડની જોગવાઈ છે. કોંગ્રેસની માગ છે કે, કોઈ પણ ચમરબંધી હોય, ભાજપના કોર્પોરેટર કે નેતા હોય, જેણે ખોટો વાંધો લીધો હોય તો તેની સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરો. આગામી દિવસોમાં આ મુદ્દે આંદોલન કરી રેલી કાઢીશું. કોંગ્રેસનું કામ આક્ષેપ કરવાનું છે,મારા નામે લેવાયેલા વાંધા અંગે જાણ નથીકોંગ્રેસનું કામ આક્ષેપ કરવાનું રહ્યું છે. જ્યારે મારા નામે 122 વાંધા લેવાયાનો કોંગ્રેસ દ્વારા જે આક્ષેપ કરાયો છે. તે અંગે મને કોઈ જાણ નથી. > અજિત દધીચ, કાઉન્સિલર, વોર્ડ-4 દેવેશ પટેલ નામના વ્યક્તિ પાસે 25, સીએન માછી પાસે 20 એપીક નંબર છેશહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ કહ્યું કે, તપાસમાં સામે આવ્યું છે કે એક જ વ્યક્તિ પાસે અનેક મતદાર ઓળખપત્ર છે. જેના પુરાવા અમારી પાસે છે, જે જાહેર કરાયા છે. એક વ્યક્તિએ ખોટા એપીક આઇડીથી એકથી વધુ વાંધા અરજી આપી છતાં જિલ્લા ચૂંટણી અધિકારીએ તે સ્વીકારી, જે ગંભીર છે. પુરાવા મુજબ દેવેશ પટેલ પાસે 25 એપીક નંબર છે. જ્યારે સી.એન. માછી પાસે 20 અને અન્ય કેટલાક પાસે પાસે 2 થી 4 એપીક નંબર છે.
મંડે પોઝિટીવ:રાજ્યમાં સૌપ્રથમ કચ્છના 910 ‘તળાવનીમ’ કરાયા
સતત વરસાદને ઝંખતા, પાણી માટે બારેય માસ વલખાં મારતા અને રણ-દરિયા થકી ભૂતળના મીઠા પાણી ગુમાવીને નર્મદાના પાઇપલાઇન વાટે આવતા પીવાના પાણી થકી પ્યાસ બુઝાવતા કચ્છમાં જો હયાત તળાવો, ડેમ પરંપરાગત કુદરતી જળસ્ત્રોતને ગંભીરતાપૂર્વક સાચવવામાં આવે તો રાષ્ટ્રના સૌથી વિશાળ ક્ષેત્રફળ ધરાવતા આ જિલ્લાને પાણીક્ષેત્રે સ્વાવલંબનતા પ્રાપ્ત થાય, આવા જ વિચાર સાથે સરહદી અને સુકા જિલ્લામાં 281 ગામનાં કુલ 910 તળાવોને સંપૂર્ણ સુરક્ષિતતા આપવાના એક ભગીરથ વ્યાયામમાં હાલ ખુદ કચ્છ કલેક્ટર આનંદ પટેલના નેજા હેઠળ મહેસુલ તંત્ર લાગ્યું છે આવું જિલ્લાના નહીં પણ ગુજરાત રાજ્યનાં ઇતિહાસમાં પહેલી વાર થઇ રહ્યું હોવાથી આવતા સમયમાં તેનો સાનુકુળ પડઘો પડે તેવી પુરી સંભાવના છે. આવું ક્યાં ક્યાં થયું?કચ્છમાં હજારો એકર-હેક્ટર જમીન એવી છે જે નવસાધ્ય કરવાના પ્રયાસો થાય તો તુરત જ પરિણામ આપે તેમ છે, આ જમીનો પર કાં તો દબાણ છે કાં રેવન્યુ રેકર્ડમાં અધુરાશ છે, ગુજરાતભરમાં કચ્છ જિલ્લો રેવન્યુ કાયદાની દૃષ્ટિએ અલગ પડે છે અહીંના પ્રશ્નો પણ અલગ છે અને તેથી જ પોતાના સનદી અધિકારી તરીકેના પ્રાથમિક કાર્યકાળમાં ટ્રેઇની તરીકે ફરજ બજાવી ગયેલા સમાહર્તા આનંદ પટેલે હવે એ દિશામાં પુરી ગંભીરતા સાથે કામ હાથ ધરતાં 10 તાલુકાના 281 ગામોના 910 તળાવો ‘નીમ’ થઇ ગયા છે. ધ્યાન રહે એકવાર રેવન્યુ રેકર્ડ પર આ મિલકત ચડી જાય એટલે તેનો દૂરૂપયોગ અટકે અને વધારામાં કેન્દ્ર-રાજ્ય સરકારની મહત્ત્વની યોજનાઓનો લાભ પણ રેકર્ડ પર ચડેલી હોય તેવી જ મિલકતોને મળે, આમ મહેસુલ તંત્ર પાસેથી તળાવો ‘નીમ’ કરાવવાની ઝુંબેશ હાથ ધરીને કલેક્ટરે તળાવોનું ભાવી સુરક્ષિત કરી દીધું છે. આ કચ્છ હિતનું કાર્ય હજુ સુધીના કલેક્ટરોને ન્હોતું સુઝ્યુ હવે જ્યારે ઔદ્યોગિકરણનો વાયરો ફૂંકાયો છે ત્યારે પરંપરાગત જળસ્ત્રોત કેન્દ્રોની સંભાળ નહીં રાખે તેનું રાષ્ટ્રની સર્વોચ્ચ અદાલત પુછાણું લેતી હોવાથી આ કાર્યને તંત્રના હકારાત્મક પગલાં તરીકે ગણવું જ પડે! રાજ્યમાં પ્રથમ પ્રયોગસમગ્ર રાજ્યમાં આવો આ સર્વપ્રથમ કચ્છમાં થયો છે હવે તેના ફાયદા-ગેરફાયદા પર નજર દોડાવીએ તો જ્યાં જ્યાં હવે ‘સુજલામ સુફલામ યોજના’, ‘અમૃત સરોવર’, ‘વીબી રામજી’ જેવી યોજનાઓ તળે જળ સંરક્ષણના કામ ન્હોતા થતાં ત્યાં થઇ શકશે, પર્યાવરણની જાળવણી થશે, અને હવે વન વિભાગ એ તળાવ ફરતે વૃક્ષારોપણ કે વનીકરણનાં કામ કરશે એ ફાયદા, જ્યાં તંત્રનું ધ્યાને નથી ત્યાં અને તળાવો ચોપડે ચડ્યા નથી ત્યાં હવે શું? એ અંગે કોઇ સ્પષ્ટતા હજુ થઇ નથી તેથી એ ગેરફાયદો. શું પરિણામ આવશે?ભુજ શહેરમાં 21 તળાવોને નીમ કરવાનો હુકમ કરી એ તળાવોને સંબંધિત સત્તામંડળ કે જવાબદારોને સોંપી દેવાયા આવું આખા કચ્છમાં થયું હવે તળાવોનાં નિયત ક્ષેત્રફળમાં દબાણો, ગેરકાયદે કબજો, માલિકીના વિવાદ થશે નહીં, ગામે-ગામ ગૌચર અને તળાવના ક્ષેત્રફળમાં જે વિસંગતતા આવતી અને તળાવો પર દબાણ થતાં તે સંપૂર્ણ અટકી જશે. કલેક્ટરથી લઇ મહેસુલ અધિકારોઓ જોડાયા910 તળાવોને ‘નીમ’ કરવાની આ કામગીરીની શરૂઆત કલેક્ટરે સંબંધિત પ્રાંત અધિકારીઓ, મામલતદારો, લેન્ડ રેકર્ડ ઓફિસર્સ સાથે સંવાદ કરી તળાવોની જમીનોનું સંરક્ષણ-સંવર્ધન અને સૌંદર્યીકરણ કરવા હેતુ સૌ પ્રથમ ‘તળાવનીમ’ અભિયાન આદર્યું. ભવિષ્યમાં તળાવોનાં ક્ષેત્રફળને લઇને કોઇ વાદ-વિવાદ ન જાગે તે માટે ડી.આઇ.એલ.આર.ને સાથે રાખીને તમામ તળાવોની વૈજ્ઞાનિક માપણી કરાઇ, માપણી બાદ ‘તળાવનીમ’ના આખરી હુકમો કરી દેવાયા જેથી ભવિષ્યમાં કોઇ નડતર ન આવે. આ પ્રક્રિયાથી તળાવોનું ભાવી સુરક્ષિત થયુંભુજ તાલુકામાં 313, મુન્દ્રામાં 25, માંડવીમાં 38, નખત્રાણામાં 163, અબડાસામાં 87, અંજારમાં 132, ભચાઉમાં 78, રાપરમાં 18, લખપતમાં 45 અને ગાંધીધામમાં 11 મળી કુલ 910 તળાવોની હદ્દ નક્કી થઇ ગઇ અને મહેસૂલના ચોપડે ચડી ગઇ. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કુલ 5691 એકર જમીન નીમ કરાઇ છે. આમા અનેક તળાવ એવા પણ છે જે હયાત હોવા છતાં મહેસુલી રેકર્ડ પર ન્હોતા તેથી જળસંચય, સંવર્ધન, સંરક્ષણ અને સૌંદર્યીકરણ માટે સરકારી ગ્રાંટ ફાળવી શકાતી ન્હોતી. હવે કમસેકમ 910 સત્તાવાર તળાવ કચ્છમાં મહેસુલ ચોપડે ચડાવાયા છે. આ તળાવો તો નીમ થયા જ થયા પણ તેની સામે અનેક સ્થળોએ ગૌચર જમીન પણ જોડાયેલી હતી તેથી તે પણ સુરક્ષિત થઇ.
અપહરણનો મામલો આવ્યો સામે:ખોખડદળ પાસે યુવકને છરી બતાવી 4 શખ્સ ઉઠાવી ગયા
આ બનાવમાં શહેરના કણકોટ કોળીવાસમાં રહેતા પૂજાબેન મુકેશભાઈ ઉધરેજા(ઉં.વ.26)એ આજી ડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેણીના પતિ રિક્ષા ડ્રાઈવિંગનું કામ કરે છે. ગત તા.07/02ના પતિ મુકેશ ઉધરેજા તેના મિત્ર અરુણ તથા વિજય અને મામાના દીકરા વિનાશ સાથે ફોર વ્હિલ કાર લઈને શાપર ગયા હતા. સાંજે પતિનો તેણીના ફોનમાં કોલ આવ્યો કે, રાત્રે જમવાનું ના બનાવીશ આપણે જમવા જઈશું. ત્યારબાદ પતિનો કોલ ન લાગતા સસરાએ જાણ કરી કે, તેને અરુણે જણાવ્યું હતું કે, મુકેશને કારમાં આવેલા ચાર શખ્સે ખોખડદળ મેલડી માતાજીના મંદિર પાસે રસ્તામાં આંતરી લઇ માર મારી છરી બતાવી કારમાં બેસાડી અપહરણ કરી લઇ ગયા હોય જે બાબતે મહિલાની ફરિયાદ પરથી પોલીસે અપહૃત પતિને શોધવા વધુ કાર્યવાહી હાથ ધરી છે.
શહેરમાં ગંદકી માત્ર સ્વચ્છતાનો પ્રશ્ન નથી રહી, પરંતુ ગુનાઓની જન્મભૂમિ બની રહી છે. શહેરના ગોવર્ધન ચોક માધવ ગેટની અંદર ખુલ્લા પ્લોટમાં ક્લીનઅપ રાજકોટ ગ્રૂપના યુવાઓ દ્વારા જ્યારે સફાઈ અભિયાન હાથ ધરાયું ત્યારે અમુક ચોંકાવનારી ચીજવસ્તુઓ અહીં કચરાના ઢગમાંથી પ્રાપ્ત થઇ હતી. અહીં એક કોથળામાંથી માંસ મળી આવતા રહેવાસીઓમાં અરેરાટી મચી જવા પામી હતી. તત્કાલ પોલીસને જાણ કરવામાં આવતા રાજકોટ તાલુકા પોલીસ મથકની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને પ્રાપ્ત થયેલા પશુ માંસ પ્રાથમિક દૃષ્ટિએ ગૌવંશનું હોવાનું જણાઈ રહ્યું છે. આ ઉપરાંત કચરાના ઢગ અને કટાઈ ગયેલી બંધ સ્થિતિમાં પડેલ કારમાંથી અનેક દારૂની ખાલી બોટલો મળી આવી હતી. બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, શહેરના ગોવર્ધન ચોક માધવ ગેટની અંદર ખુલ્લા પ્લોટમાં સવારે દસેક વાગ્યાના અરસામાં જ્યારે ક્લીનઅપ રાજકોટ નામે સફાઈ ગ્રૂપના યુવાનોએ અહીં સફાઈ અભિયાન શરૂ કર્યું ત્યારે અહીંથી અનેક ચોંકાવનારી ચીજવસ્તુ મળી આવી હતી. થોડી જ વખતમાં એક કોથળાને હટાવવા જતા તેમાંથી રક્તના કણ નીચે પડતાં સાફ-સફાઈ કરનાર યુવાનો ડરી ગયા હતા. રહેવાસીઓ સ્થળે એકત્રિત થઇ ગયા હતા. કોથળાને ખોલીને જોયું તો અંદરથી માંસ મળી આવ્યું હતું. મનુષ્ય દેહનું માંસ હોવાની શંકાએ લોકોમાં અરેરાટી મચી જવા પામી હતી. તત્કાલ પોલીસને જાણ કરતાં રાજકોટ તાલુકા પોલીસ મથકના એએસઆઈ ડી.સી.જોષી સહિતની ટીમ ત્યાં દોડી ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ માંસ કોઈ પશુનું હોવાનું જાણવા મળ્યું હતું. આ માંસ ગૌવંશનું હોવાની રહેવાસીઓમાં ચર્ચા થતા પોલીસે માંસને એફએસએલ માટે મોકલવા તજવીજ હાથ ધરી છે. અસામાજીક તત્વોની ગેરકાનૂની પ્રવૃતિથી લોકો પરેશાનસોસાયટીના રહેવાસીઓએ મનપાને માગણી કરતા જણાવ્યું છે કે, અહીં બાળકો હાથમાં દારૂની બોટલો લઈને ઘરે આવે છે. અસામાજિક લોકો ખાલી કટાઈ ગયેલી કારમાં રાત્રીના બેસીને ખરાબ કર્યો કરે છે. દારૂની ખાલી બોટલો, એંઠવાડ અને અંતિમ વિધિમાં ઉપયોગમાં આવતો સામાન પણ લોકો અહીં ફેંકીને જતા રહે છે. જેનાથી અહીં રહેતા લોકોના સ્વાસ્થ્ય અને સમાજ બંનેને નુકસાન થાય છે.
ભાસ્કર વિશેષ:મચ્છોયા આહિર સમાજના વરરાજાનો સદીઓ જૂનો પરંપરાગત પહેરવેશ એ સંસ્કૃતિની ઓળખ
મચ્છોયા આહિર સમાજના વરરાજાનો પહેરવેશ એ સમાજની સંસ્કૃતિની ઓળખ છે. મચ્છોયા આહિર સમાજમાં લગ્નને દિવસે વરરાજા અંગે વાધા ધારણ કરે છે. અંતરજાળના ડૉ.વિજય નારણભાઇ ઝાટિયાએ વાધાએ સદીઓ જૂનો પરંપરાગત પહેરવેશ છે). વરરાજા જે શણગાર સજે એનું પણ એક વિશેષ ગીત ગવાય છે. વરરાજાના પહેરવેશનું ગીત, ‘નીલા પીળા મારે વડલાના પાંદ, એ થી પીળા મારા વીરના અંગ, ઈ રે અંગે રે વાઘલિયા સોહે માણા રાજ.’ વરરાજા અંગે ઝરી ભરેલા વાઘા ધારણ કરીને ત્યારબાદ ગળામાં ઝૂમણા, ટુપિયા પહેરે છે. કાનમાં ઓગનીયા, ઠોરિયા અને કણકુ પણ ધારણ કરે. હાથમાં સિમુરા પહેરી શણગાર સોહે છે. વીરના પગમાં તોડા-બેડી પહેરાવવામાં આવે છે. હાથમાં તલવાર તેની માથે ભરત ભરેલી મ્યાન હોય, કણીયલની ડાળખી બાંધે સાથે ખોંભાનો દોરો પણ શુભ શુકન અર્થે બાંધવામાં આવે છે. પહેલના સમયમાં તો વરરાજા ગણેશ સ્થાપન થાય ત્યારથી લગ્ન થાય એ દિવસોમાં એક નાનકડી થેલી પોતાના પહેરવેશમાં બાંધતા જેમાં સોપારી અને એલચી, તજ, લવિંગ અને સુડી રાખવામાં આવતી. સામે જે કોઈ મળે એ લાડાને મીઠપથી કહેતા કે, લાડા લાડા કટકો દે અને વરરાજા એ નાની કોથળી જેવી થેલીમાંથી કટકો આપતા.
નવતર પ્રયોગ:ભુજની શાળામાં યોજાયો એક્સ્પો, વિવિધ વિષયોમાં વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા ખીલી
શહેરની સૂર્યા વરસાણી એકેડેમી ખાતે તાજેતરમાં EXPO 3.0નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં શાળાના તમામ ધોરણોના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની શક્તિઓનું પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ પી. એસ. હિરાણીએ પ્રદર્શનની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા વિવિધ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું. વિદ્યાર્થીઓના અવિરત પ્રયાસોની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે, આવા આયોજનોથી વિદ્યાર્થીઓમાં નવીન વિચારો અને આત્મવિશ્વાસનો સંચાર થાય છે. તેમણે યુવા પેઢીને આધુનિક ટેકનોલોજી અને સર્જનાત્મકતા સાથે દેશના વિકાસમાં સહભાગી થવા પ્રોત્સાહન આપ્યું હતું. એક્સ્પોમાં વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન, રોબોટિક્સ, સંગીત, કલા તેમજ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી જેવી ભાષાઓને આવરી લેતા પ્રકલ્પો રજૂ કરવામાં આવ્યા હતા. દરેક વર્ગખંડને ખાસ થીમ આધારિત સજાવવામાં આવ્યા હતા, ખાસ કરીને રોબોટિક્સ અને વિજ્ઞાનના ‘વર્કિંગ મોડલ્સ’ તેમજ સંગીત વિભાગની સર્જનાત્મકતાએ વાલીઓ અને મુલાકાતીઓને મંત્રમુગ્ધ કર્યા હતા આ કાર્યક્રમની સફળતા પાછળ શાળાના પ્રિન્સિપાલ વિનીતા રાજપૂતનું માર્ગદર્શન અને સંપૂર્ણ સહયોગ રહ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, EXPO 3.0 દ્વારા વિદ્યાર્થીઓમાં સહકારભાવ અને પ્રાયોગિક જ્ઞાન વિકસાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. શિક્ષકોના સતત માર્ગદર્શન અને વિદ્યાર્થીઓની તનતોડ મહેનતના પરિણામે આ કાર્યક્રમ યાદગાર બન્યો છે. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વાલીઓએ પણ શાળાના આ નવતર પ્રયોગની ભારોભાર પ્રશંસા કરી હતી.
TAT-HSની પરીક્ષા:TAT-HSની પ્રિલિમ પરીક્ષા 29 માર્ચે લેવાશે, 19મી સુધી રજિસ્ટ્રેશન
શિક્ષણ વિભાગ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સના લક્ષ્યોને પૂર્ણ કરવા માટે “શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) - 2026” (TAT-HS) નું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામા મુજબમાધ્યમિક શાળામાં શિક્ષક બનવા માટેઉમેદવારો 10 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી 2026 દરમિયાન ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે. ઓનલાઈન ફી ભરવા માટે 20 ફેબ્રુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ પરીક્ષા બે તબક્કામાં યોજાશે, જેમાં પ્રાથમિક પરીક્ષા 29 માર્ચ 2026ના રોજ અને મુખ્ય પરીક્ષા સંભવિત રીતે મે 2026માં યોજાશે. સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે રૂ. 500 અને અનામત કેટેગરીના ઉમેદવારો માટે રૂ. 400 ફી નક્કી કરવામાં આવી છે, જે નેટ બેન્કિંગ મારફતે ભરી શકાશે. દ્વિસ્તરીય પરીક્ષા માળખું TAT-HS પરીક્ષા દ્વિસ્તરીય સ્પર્ધાત્મક સ્વરૂપની રહેશે ક્યા વિષયો માટે યોજાશે પરીક્ષાઆ કસોટી ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં લેવાશે. જેમાં મુખ્યત્વે એકાઉન્ટ, કોમર્સ, બાયોલોજી, કેમિસ્ટ્રી, કમ્પ્યૂટર, ઈકોનોમિક્સ, અંગ્રેજી, ભૂગોળ, ગુજરાતી, હિન્દી, ઇતિહાસ, કૃષિ વિદ્યા, ગણિત, ફિલોસોફી, ફિઝિક્સ, સાયકોલોજી, સંસ્કૃત, સોશિયોલોજી, આંકડાશાસ્ત્ર અને શારીરિક શિક્ષણ જેવા વિષયોનો સમાવેશ થાય છે.
NEET UG:1 જાન્યુઆરી 2025 પછીનો જ ફોટો માન્ય, અંગૂઠાના નિશાન પણ અપલોડ કરવા પડશે
દેશની સરકારી અને ખાનગી મેડિકલ કોલેજોમાં MBBS, BDS અને અન્ય પેરામેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી ‘ડોક્ટર’ બનવાનું સ્વપ્નું જોતા લાખો વિદ્યાર્થીઓ માટે આતુરતાનો અંત આવ્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા વર્ષ 2026 માટેની નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-UG)નું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. આ જાહેરનામા સાથે જ ઓનલાઈન રજિસ્ટ્રેશન વિન્ડો પણ ખૂલી ગઈ છે. મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા ઉમેદવારો માટે આગામી 8 માર્ચ સુધીમાં અરજી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. આ વર્ષે પણ પરીક્ષા રાષ્ટ્રીય સ્તરે અત્યંત ચુસ્ત સુરક્ષા અને પારદર્શિતા સાથે યોજાવા જઈ રહી છે. ખાસ કરીને ગુજરાતના એવા વિદ્યાર્થીઓ કે જેઓ માતૃભાષામાં પરીક્ષા આપવા માગે છે, તેમના માટે ગુજરાતી સહિત 13 પ્રાદેશિક ભાષાઓમાં પરીક્ષા આપવાનો વિકલ્પ ખુલ્લો રાખવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની સુવિધા માટે આ પરીક્ષા ગુજરાતી સહિત દેશની કુલ 13 ભાષામાં આયોજિત કરવામાં આવશે. જેમાં અંગ્રેજી, હિન્દી, આસામી, બંગાળી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઓડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દૂનો સમાવેશ થાય છે. આટલા ડોક્યુમેન્ટ ફરજિયાત અપલોડ કરવા પડશે ઉમેદવારોએ આવી રીતે અરજી કરવી
ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત અન્નથી બનેલી રસોઈમાં જ સર્વે સમસ્યાઓનું સમાધાન મળી શકે તેવા ઉદેશ્ય સાથે પંજાબના ફિરોજપુરથી નીકળેલી ગૌ રસોઈ યાત્રા શનિવારનાં કુકમા આવી હતી. ભારત ગોપાલ રત્ન બુટ્ટાસિંઘનાં માર્ગદર્શનમાં અને સારથીજી તેમજ અન્ય નિવૃત ફૌજી અધિકારીઓ આ યાત્રામાં જોડાયા છે અને તેઓ ગાય આધારિત રસોડાનાં મોડેલને સમજાવવા તેઓ પ્રવાસ કરી રહ્યા છે. કુકમા ખાતે શ્રી રામ કૃષ્ણ ટ્રસ્ટ ખાતે તેઓએ દરેક પ્રવૃત્તિ નિહાળી હતી. સંસ્થા મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. મનોજભાઈ સોલંકી સાથે ગહન ગોષ્ઠી પણ કરી હતી. ટ્રસ્ટમાં થઇ રહેલી પ્રવૃત્તિ તદ્દન અનોખી હોવાનો મત વ્યક્ત કરી આ દિશામાં થઇ રહેલ કામ બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ યાત્રામાં પંજાબ ઉપરાંત ઉતર પ્રદેશ, હરિયાણાથી વિવિધ પરિવારો જોડાયેલા છે. રાજકોટમાં તેઓ ઘી બનાવવાની વિશેષ તાલીમ લેવા જશે. યાત્રાનાં સંયોજક સારથીજી એ કહ્યું કે હાલમાં ફિરોજપુર ખાતે ગાય આધારિત રસોઈનો પ્રયોગ કરાયો છે. જેને આખા દેશમાં લઇ જવાનું આયોજન છે. એક વોટ્સએપ ગ્રુપ દ્વારા તેઓ જાગૃતિ માટે પ્રયાસ કરી રહ્યા છે. કુકમાનાં પ્રવાસ દરમ્યાન તેઓએ ડૉ. વીરાભાઈ ચાવડાનાં માર્ગદર્શનમાં તમામ આયામો નિહાળ્યા હતા અનેસમજણ મેળવી હતી. અહી ચાલતા ગુરુકુળની મુલાકાત લીધી હતી તેઓને ડૉ. મુક્તીબેન પટેલએ ઉદેશ સમજાવ્યો હતો. કચ્છમાં અંજારના રાજાભાઈ આહીર તેઓની સાથે રહ્યા હતા.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાનારી ધોરણ-10 અને 12ની પરીક્ષા માટેનો ‘એક્શન પ્લાન’ તૈયાર કરી લેવામાં આવ્યો છે. આગામી 26 ફેબ્રુઆરીથી શરૂ થતા આ ‘શિક્ષણના મહાકુંભ’માં કોઈ પણ કચાસ ન રહી જાય તે માટે શિક્ષણ વિભાગે હવે બેઠકોનો દોર શરૂ કર્યો છે. પરીક્ષાના સુચારુ સંચાલન માટે આગામી 10મી તારીખે રાજકોટ સહિત રાજ્યભરના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ (DEO)ને ગાંધીનગર ખાતે બોલાવાયા છે. આ બેઠકમાં પરીક્ષા કેન્દ્રની સુરક્ષા, પેપર વિતરણ અને સીસીટીવી મોનિટરિંગ જેવી બાબતો પર અંતિમ મહોર મારવામાં આવશે. ત્યારબાદ, 12મી તારીખે ખુદ શિક્ષણમંત્રી વીડિયો કોન્ફરન્સ દ્વારા તમામ જિલ્લાના વહીવટી તંત્ર સાથે સીધી વાતચીત કરી તૈયારીઓની સમીક્ષા કરશે. જિલ્લાના અંતરિયાળ વિસ્તારો જેવા કે જસદણ, વીંછિયા અને ગોંડલના કેન્દ્રો પર ખાસ તકેદારી રાખવામાં આવશે. રાજકોટ ઝોનમાં હજારો વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, જેના માટે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને પરીક્ષા કેન્દ્રો તરીકે સજ્જ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓએ પરીક્ષાના પ્રથમ દિવસે 30 મિનિટ વહેલા પહોંચવાનું રહેશે. મોબાઈલ કે અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો પરીક્ષા ખંડમાં લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જો કોઈ વિદ્યાર્થી ભૂલથી સાહિત્ય લાવ્યો હોય તો તે પરીક્ષા શરૂ થયા પહેલાં પશ્ચાત્તાપ પેટીમાં નાખી શકશે, જેથી તેની સામે કોઈ કાર્યવાહી ન થાય. રાજકોટમાં ધો.10-12માં 78,390 વિદ્યાર્થી, 308 બિલ્ડિંગ, 2753 બ્લોકમાં વ્યવસ્થારાજકોટ જિલ્લામાં ધોરણ-10માં આશરે 47,500 જેટલા વિદ્યાર્થી પરીક્ષા આપવાના છે જ્યારે ધોરણ-12 કોમર્સમાં 23,200 અને ધોરણ-12 સાયન્સમાં 7690 વિદ્યાર્થી પરીક્ષા આપવાનો અંદાજ છે. કુલ 308 બિલ્ડિંગ અને 2,753 બ્લોકમાં વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ધોરણ-10માં કુલ પાંચ ઝોન નક્કી કરાયા છે, જેમાં ત્રણ ઝોન રાજકોટ શહેરમાં, એક ઝોન ધોરાજીમાં અને એક ઝોન જસદણમાં નિયત કરવામાં આવ્યો છે. ધોરણ 12માં પરીક્ષા માટે પણ કુલ પાંચ ઝોન નક્કી કરાયા છે. આમાં પણ શહેરમાં ત્રણ, ધોરાજીમાં એક અને જસદણમાં એક ઝોનનો સમાવેશ થાય છે. એક્શન પ્લાનની મુખ્ય હાઈલાઈટ્સ ગેરરીતિ ડામવા ‘થ્રી-લેયર’ સુરક્ષાએક્શન પ્લાન મુજબ, પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. જેમાં સ્થાનિક સ્ક્વોડ, જિલ્લા કક્ષાની ફ્લાઈંગ સ્ક્વોડ અને ગાંધીનગરથી સીધું મોનિટરિંગ સામેલ છે. રાજકોટ જિલ્લા કલેક્ટરના નેતૃત્વમાં ખાસ પરીક્ષા સમિતિ આ સમગ્ર પ્રક્રિયા પર નજર રાખશે.
મંડે પોઝિટિવ:‘અમને ભણવા દેજો’: 31 હજાર લોકોએ સાંભળ્યો દીકરીઓનો સંદેશ
વાગડ પંથકમાં બાળકોના શિક્ષણ તેમજ બાળલગ્ન નાબૂદી અંગે જનજાગૃતિ લાવવા માટે 7 દિવસીય ‘વાગડ બાળ વિકાસ યાત્રા’નું શનિવારે સમાપન થયું હતું. જેમાં 45 ગામોને આવરી લઈને 400 કિલોમીટરથી વધુ મુસાફરી કરવામાં આવી હતી. તેમજ વાગડ વિસ્તારના અલગ અલગ ગામડાઓમાં ડોર ટુ ડોર સંપર્ક, ગ્રામસભાઓ, રેલીઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા 31 હજારથી વધુ લોકો સુધી બાળ લગ્ન નાબૂદી તેમજ શિક્ષણનો સંદેશ પહોંચાડાયો હતો. વાગડ વિસ્તારમાં બાળ લગ્ન અને શિક્ષણ અંગે સામાજિક પરિવર્તન લાવવાના હેતુથી યોજાયેલી યાત્રા ગ્રામજાગૃતિનો પ્રેરણાદાયી અભિયાન બન્યો હતો. 7 દિવસ સુધી ચાલેલી આ યાત્રાએ 45 ગામોમાં સીધો સંપર્ક સાધી બાળકોના ભવિષ્ય, શિક્ષણ અને બાળલગ્ન વિરોધ અંગે વ્યાપક સંવાદ કર્યો અને સમાજમાં ઘર કરેલ કુરિવાજોને લોકોના જન્માનસ માંથી કાઢવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. એક થી બીજા ગામોમાં જતી યાત્રાને પાંચ ગામોએ સ્વયંપ્રેરિત રીતે યાત્રાને આમંત્રણ આપ્યું હતું તેમજ 170થી વધુ બાળકોએ પોતાના વડીલો પાસેથી શિક્ષણ અને બાળલગ્ન વિરોધના વચનો લેવડાવ્યા હતા. આ યાત્રામાં સ્થાનિકો, સરપંચો, કિશોર-કિશોરીઓ, સરકારી વિભાગો, કાનૂની સત્તા મંડળ અને પોલીસ તંત્ર જોડાયા હતા. યાત્રાની સૌથી હ્રદયસ્પર્શી પ્રવૃત્તિ તરીકે ‘રક્ષા કવચ’ અભિયાન રહ્યું હતું. જેમાં, ગામની કિશોરીઓએ તેમના પિતા, દાદા અને વડીલોના કાંડે રક્ષા કવચ બાંધતી અને એક લાગણીસભર વિનંતી કરતી કે ‘અમને ભણવા દેજો, બાળલગ્નથી અમારું બાળપણ ન છીનવો’. અનેક સ્થળોએ આ દ્રશ્યો ભાવુક બની રહ્યા, જ્યાં વડીલોની આંખ ભીની થઈ હતી અને તેઓએ જાહેરમાં દીકરીઓના શિક્ષણ અને સુરક્ષાનું વચન આપ્યું હતું. આ યાત્રામાં રાજ્ય અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધિકારીઓ, સામાજિક ન્યાય વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા તાલુકા તંત્રએ સ્થળ પર માર્ગદર્શન આપ્યું અને દીકરીઓને પ્રોત્સાહન કીટનું પણ વિતરણ કર્યું હતું. મા રવેચીના ધામથી શરૂ થયેલી આ યાત્રાનું સમાપન શનિવારે શ્રી રામદેવપીર મંદિરે કરવામાં આવ્યું હતું. બાળલગ્ન નાબૂદી અને બાળકોના શિક્ષણના હેતુથી આયોજિત આ યાત્રામાં ઈસાર એનજીઓના સેજલબેન જોશી તેમજ એમની ટીમે આ યાત્રાની જહેમત ઉઠાવી હતી. વાગડ બાળ વિકાસ યાત્રા હવે વાગડ પ્રદેશમાં સામાજિક પરિવર્તનની મજબૂત પાયાની જેમ જોવામાં આવી રહી છે. એક ગામથી યાત્રા નીકળતા તે ગામની દીકરીઓ બીજા ગામ પણ સાથે આવીયાત્રા દરમિયાન પદમપર ગામની કિશોરીઓએ દીકરીઓના શિક્ષણ માટે અમે ક્યાંય પણ સાથે આવીશું એમ કહીને આગળના ગામોમાં પણ રેલીમાં જોડાવવા તૈયાર થઈ હતી. તેમજ સુવઈ ગામની કિશોરીઓ પણ જાતે બાઇક ચલાઈ આ રેલીમાં જોડાણી હતી.
શહેરના જામનગર રોડ પર આવેલ નાગેશ્વર વિસ્તાર છેલ્લા ત્રણેક વર્ષથી રાજકોટ મહાનગરપાલિકાની હદમાં ભળી ગયો હોવા છતાં હજુ પણ આ વિસ્તારને રોડ-રસ્તા, પાણી, ભૂગર્ભ, સ્ટ્રીટલાઇટ સહિતની પ્રાથમિક સુવિધાઓમાં અન્યાય થઇ રહ્યો છે. વોર્ડ નં.1માં આવતા નાગેશ્વર વિસ્તારમાં જવા માટે જામનગર રોડથી મુખ્ય રસ્તો આવેલો છે. અહીં પહોળો રસ્તો હોવા છતાં મહાનગરપાલિકા દ્વારા એકપણ વખત ડામર રોડ કરાયો નથી. રોડની બન્ને તરફ મોટા પથ્થરો અને કપચી પથરાયેલી હોવાથી દરરોજ નાના-મોટા અકસ્માતો થતા રહે છે. સાથે જ નાગેશ્વર ચોકથી પટેલ ચોક તરફ જવાનો રસ્તો સીસી રોડ બનાવ્યા બાદ અહીં લેવલ વગરનું કામ થયું હોય ભૂગર્ભની કુંડીઓ રસ્તા પર ઉંચા લેવલમાં છે જેથી વાહનચાલકોને અકસ્માતનો ભય રહે છે. નાગેશ્વર વિસ્તારમાં સૌથી મોટી સમસ્યા પાણીની છે. અહીં આવેલી બહુમંજીલા ઇમારતોમાં કોર્પોરેશન દ્વારા અપાતું પાણી પૂરતા ફોર્સથી ન આવતું હોવાથી શિયાળો અને ઉનાળો બન્ને ઋતુમાં લોકોને નાછૂટકે ટેન્કર મંગાવવા પડે છે.
નિ:શુલ્ક પાઠ્યપુસ્તક બેંક:જૂના પુસ્તકો એકત્રિત કરી જરૂરિયાતમંદ બાળકો માટે બને છે ભણતરનો સહારો
સમાજમાં શિક્ષણને સૌથી મોટું શસ્ત્ર માનવામાં આવે છે, પરંતુ આજે પણ અનેક એવા પરિવારો છે, જ્યાં આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી બાળકોને શિક્ષણ માટે જરૂરી પાઠ્યપુસ્તકો મેળવવામાં મુશ્કેલી પડે છે. આવા સમયમાં રાજકોટમાં શરૂ કરાયેલું ‘નિઃશુલ્ક વિદ્યાર્થી પાઠ્યપુસ્તક બેંક’ એક આશાની કિરણ સમાન બની રહ્યું છે. દર વર્ષે શૈક્ષણિક વર્ષ પૂર્ણ થતાં ઘણા વિદ્યાર્થીઓ પોતાના પાઠ્યપુસ્તકો ઘરમાં જ પડ્યા રહે છે અથવા પછી નકામા બની જાય છે અને પસ્તીમાં આપી દે છે, પરંતુ આ પુસ્તકો બીજા કોઈ ગરીબ અથવા જરૂરિયાતમંદ વિદ્યાર્થી માટે ખૂબ જ મૂલ્યવાન બની શકે છે. આ વિચાર સાથે ‘શ્રીકૃષ્ણમ્ સેવા’ દ્વારા પાઠ્યપુસ્તક બેંકનો અનોખો સેવાકીય પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. શહેરમાં નીલકંઠ સિનેમાની સામે કોઠારિયા મેઇન રોડ ખાતે આવેલી ઓફિસમાં સર્વ સમાજના વિદ્યાર્થીઓ માટે ધોરણ 6થી લઈને કોલેજની કોઈપણ ફેકલ્ટીના પાઠ્યપુસ્તક રાખવામાં આવે છે. જેમાં હાલ મેડિકલ, એન્જિનિયરિંગ તથા બાયોલોજીના પણ પુસ્તકો આવ્યા છે. આ પહેલનો મુખ્ય હેતુ એ છે કે, જે બાળકો પાઠ્યપુસ્તકો ખરીદી શકતા નથી, તેઓને મફતમાં પુસ્તકો ઉપલબ્ધ થાય અને તેઓ શિક્ષણથી વંચિત ન રહે. સંસ્થા લોકો પાસે અપીલ કરે છે કે પોતાના બાળકોના જૂના પાઠ્યપુસ્તકો પસ્તીમાં આપવાને બદલે દાનમાં આપીને કોઈના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં સહભાગી બનવું. આ કાર્ય માત્ર દાન પૂરતું નથી, પરંતુ સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને માનવતા બંનેનું ઉત્તમ ઉદાહરણ છે. આ સેવા કાર્યને કારણે ઘણા વિદ્યાર્થીઓને નવી આશા મળી છે. ઘણા એવા વિદ્યાર્થીઓ છે, જેમના માતા-પિતા મજૂરી અથવા નાની નોકરી કરતા હોય છે. તેમના માટે દર વર્ષે નવા પુસ્તકો ખરીદવું મુશ્કેલ બની જાય છે, પરંતુ પાઠ્યપુસ્તક બેંકના કારણે હવે તેઓ આત્મવિશ્વાસ સાથે અભ્યાસ કરી શકે છે. ‘એક બાળકને શિક્ષણ આપવું એટલે આખા સમાજને ઉજ્જવળ બનાવવું.’ આ વિચારને સાકાર બનાવવા માટે લોકો પણ ઉત્સાહ સાથે જોડાઈ રહ્યા છે. ઘણા પરિવારો પોતાના બાળકોના પુસ્તકો દાન કરીને આ સેવા યજ્ઞમાં સહભાગી બની રહ્યા છે. શિક્ષણ માત્ર વ્યક્તિગત વિકાસ માટે જ નહીં, પરંતુ સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે પણ મહત્ત્વપૂર્ણ છે. પાઠ્યપુસ્તક બેંક જેવી પહેલ સમાજમાં સમાન શિક્ષણના અધિકારને મજબૂત બનાવે છે. આ તકે સંસ્થાના જગદેવસિંહ જાડેજાએ આ સેવા કાર્યમાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે અપીલ કરે છે કે, જો તમારા ઘરે ઉપયોગમાં ન હોય તેવા પાઠ્યપુસ્તકો હોય, તો તેને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અર્પણ કરી તમારું આ નાનું યોગદાન કોઈ બાળકના ભવિષ્યમાં મોટો ફેરફાર લાવી શકે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ સેવા કાર્યો માટે સૌરાષ્ટ્ર મેડિકલ એસોસિએશનના પ્રમુખ મયૂરસિંહ સતુભા જાડેજા એ આ જગ્યા ઉપયોગ કરવા માટે ફાળવેલી છે. જ્યારે સત્ર શરૂ થયા બાદ પાઠ્યપુસ્તક આપવા કે લેવા માટે 96383 16016 પર સંપર્ક કરવા જણાવ્યું છે.
ભુજ તાલુકાના કનૈયાબે ગામના વતની અને ખેતીકામ કરતા હિતેન્દ્રભાઈ જાડેજાની પુત્રી પ્રિયાંશીબા જન્મથી જ દ્રષ્ટિની દિવ્યાંગતા ધરાવે છે. જન્મથી જ દ્રષ્ટિબાધિત હોવા છતાં પ્રિયાંશીબાએ શિક્ષણ અને વોલબોલ, ફુટબોલ સહિતની રમતમાં નેશનલ કક્ષાએ જઇ નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે. તેમની સાથે નાની બહેન જાનવીબા અને ભાઈ પણ દ્રષ્ટિબાધિત હોવા છતાં તેમની માતા કિરણબાએ સંતાનોના ભવિષ્ય માટે અડગ મનોબળ દાખવી એકસાથે ત્રણ દ્રષ્ટિબાધિત બાળકોને શિક્ષણ તરફ દોર્યાં હતા. બાળકોને આધુનિક શિક્ષણ અને ટેકનોલોજીથી સજ્જ કરવા માટે આ પરિવાર માધાપર સ્થાયી થયો અને વર્ષ 2019માં પ્રિયાંશીબાને માધાપર સ્થિત ‘’ નવચેતન અંધજન મંડળ’’ સંચાલિત દિવ્યાંગ કન્યાકુંજમાં ધોરણ-2 માં પ્રવેશ અપાવ્યો. જ્યાં બ્રેઇલ લિપિ અને વિશેષ શિક્ષણ પદ્ધતિ દ્વારા તેઓ હાલમાં 8માં ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છે. અભ્યાસ સાથે તેણે રમતગમતમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. રાજ્ય કક્ષાની પેરા એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં ગોળાફેંક, ચક્રફેંક, લાંબી કૂદ અને દોડ જેવી રમતોમાં વિજેતા બની તેઓએ પોતાની પ્રતિભા સાબિત કરી છે. બ્લાઈન્ડ ફૂટબોલ ટુર્નામેન્ટમાં પણ બેંગ્લોર અને રાજસ્થાન ખાતે નેશનલ સ્તરે તેમની પસંદગી થઈ ચૂકી છે. ગોલબોલ રમતમાં પણ તેણે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને વિશેષ ઓળખ ઉભી કરી છે. ટીમના લીગ મેચોમાં તેમના સારા પ્રદર્શનથી ટીમ સેમિફાઈનલ સુધી પહોંચી હતી. સેમિફાઈનલ દરમિયાન વિરોધી ટીમના ટાર્ગેટના કારણે તેઓ ઇજાગ્રસ્ત થતાં મેદાન બહાર થવું પડ્યું, છતાં તેમનો રમત પ્રત્યેનો જુસ્સો અને સાહસ પ્રશંસનીય રહ્યો હતો. પ્રિયાંશીબાની આ સફર એ સાબિત કરે છે કે કઠિન પરિસ્થિતિઓમાં પણ જો સંકલ્પ શક્તિ હોય તો દિવ્યાંગતા ક્યારેય સફળતાના માર્ગમાં અવરોધ બની શક્તિ નથી કોચના જણાવ્યા મુજબ ગ્વાલિયર ખાતે યોજાયેલી જુનિયર અને સબ-જુનિયર ટુર્નામેન્ટમાં ઉત્તમ દેખાવ કર્યો હતો અને ગુજરાતની ટીમ રનર-અપ રહી હતી. તાજેતરમાં બિહાર ખાતે આયોજિત ‘’ગોલબોલ’’ જેવી આંતરરાષ્ટ્રીય સ્તરની રમત માટે પણ તેમની પસંદગી થતા તેમણે પરિવાર સાથે કચ્છનું ગૌરવ વધાર્યું છે. ત્યારબાદ બિહાર ખાતે યોજાયેલી નેશનલ ગોલબોલ ટુર્નામેન્ટમાં તેઓ સેન્ટર પોઝિશન પર મજબૂત ખેલાડી તરીકે ઉભરી આવી.
રાજકોટમાં બેવડી ઋતુ:બપોરે આકરો તાપ અને વહેલી સવારે ગુલાબી ઠંડી
રાજકોટમાં રવિવારે લઘુતમ તાપમાન 17.5 ડિગ્રી અને મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી નોંધાતા શહેરીજનોને બપોરે ગરમી અને મોડી રાત્રે તથા વહેલી સવારે ગુલાબી ઠંડી એમ ‘મિક્સ ઋતુ’નો અનુભવ થઈ રહ્યો છે. સામાન્ય રીતે મધ્ય ફેબ્રુઆરી બાદ ગરમીની શરૂઆત થતી હોય છે, પરંતુ આ વર્ષે ફેબ્રુઆરીના આરંભથી જ તાપમાનનો પારો ઊંચો ગયો છે. હવામાન નિષ્ણાતોના મતે, આગામી એક સપ્તાહ સુધી ગરમીનો માહોલ યથાવત્ રહેશે. જોકે તા.10થી 12 ફેબ્રુઆરી દરમિયાન લઘુતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. આમ છતાં આ ઘટાડાથી ખાસ ઠંડીનો અનુભવ થશે નહીં, માત્ર રાત્રિના સમયે થોડી રાહત મળશે. હવામાન વિભાગના આંકડા મુજબ, ઉત્તર ગુજરાત અને કચ્છમાં આ સમયે લઘુતમ તાપમાન 12થી 14 ડિગ્રી વચ્ચે રહેતું હોય છે, પરંતુ અત્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સરેરાશ કરતા ઊંચું નોંધાઈ રહ્યું છે.
મુસાફરોને મળશે નવી સુવિધા:ભુજ એરપોર્ટ પર શરૂ થશે ભારત ટેક્સી
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી વચ્ચે એક મહત્વપૂર્ણ કરાર કરવામાં આવ્યા છે. આ ભાગીદારી હેઠળ ભુજ સહિત દેશના પસંદગીના એરપોર્ટ પર મુસાફરોને છેવાડાના સ્થળ સુધી પહોંચાડવા માટે સુરક્ષિત અને પારદર્શક ટેક્સી સેવા પૂરી પાડવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તાજેતરમાં લોન્ચ કરાયેલી આ ભારત ટેક્સી સેવા અન્ય એપ-આધારિત ટેક્સીઓ કરતા અલગ છે. આ મોડેલની ખાસિયત એ છે કે તે ડ્રાઈવરોની માલિકીની સહકારી સંસ્થા છે. મુસાફરો માટે સૌથી મોટો ફાયદો એ રહેશે કે અહીં કોઈ પણ પ્રકારનો વધારાનો ભાવવધારો વસૂલવામાં આવશે નહીં. એટલે કે, પીક અવર્સ કે વરસાદ જેવા સમયે પણ ભાવ એકસમાન અને વાજબી રહેશે. ઍરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરમેન વિપિન કુમારની હાજરીમાં થયેલા આ કરાર મુજબ, પ્રાથમિક તબક્કે ગુજરાતના ભુજ, રાજકોટ, વડોદરા અને સુરત એરપોર્ટ પર આ સુવિધા શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત પુણે, વારાણસી અને આગ્રા જેવા શહેરોનો પણ સમાવેશ કરાયો છે.આ પહેલ આત્મનિર્ભર ભારત અને સહકાર સે સમૃદ્ધિના વિઝનને વેગ આપશે. ભારત ટેક્સીએ અગાઉ દિલ્હી પોલીસ અને મેટ્રો સાથે પણ જોડાણ કર્યું છે, જે હવે એરપોર્ટ ઇકોસિસ્ટમમાં પ્રવેશ કરી રહી છે. આનાથી સ્થાનિક ડ્રાઈવરોને રોજગારી મળવાની સાથે મુસાફરોને ભરોસાપાત્ર વાહન વ્યવહાર મળશે. ભારત ટેકસી સાથે કઈ રીતે જોડાઈ શકાય?આ સેવા સહકાર ટેક્સી કો-ઓપરેટિવ લિમિટેડ દ્વારા સંચાલિત હોવાથી ડ્રાઈવરોએ તેના સભ્ય બનવું પડશે. ડ્રાઈવર પાસે માન્ય કોમર્શિયલ ડ્રાઈવિંગ લાયસન્સ, ટેક્સીનું ફિટનેસ સર્ટિફિકેટ, પરમિટ અને આધાર કાર્ડ હોવું અનિવાર્ય છે ડ્રાઈવરોએ પ્લે સ્ટોર પરથી Bharat Taxi Driver એપ ડાઉનલોડ કરી તેમાં પોતાની વિગતો અપલોડ કરવાની રહેશે.એરપોર્ટ પર મુસાફરો સાથે કેવું વર્તન કરવું અને ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો તેની ટૂંકી તાલીમ સંસ્થા દ્વારા આપવામાં આવશે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને ટ્રેનોમાં જોવા મળતી ભીડને ધ્યાનમાં રાખીને વિવિધ રૂટ પર ચાલતી સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવાનો નિર્ણય કરાયો છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકના જણાવ્યા મુજબ, કચ્છના ભુજ અને ગાંધીધામને મુંબઈ બાંદ્રા ટર્મિનસ સાથે જોડતી ટ્રેનોના સમયગાળામાં વધારો કરાયો છે.આ તમામ સ્પેશિયલ ટ્રેનોના લંબાવવામાં આવેલા ફેરા માટેનું બુકિંગ 8 ફેબ્રુઆરીથી શરૂ કરી દેવામાં આવ્યું છે. મુસાફરોને ભુજથી સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવાર તેમજ બાંદ્રાથી મંગળવાર, ગુરૂવાર, શનિવાર અને રવિવારે સ્પેશિયલ ટ્રેનની સેવા મળી રહેશે. જ્યારે ગાંધીધામથી ગુરૂવારે આ ટ્રેન ઉપડે છે. અત્રે મહત્વનું છે કે, રેલવે દ્વારા આ સ્પેશિયલ ટ્રેનોને કાયમી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ ઉપરાંત કચ્છ અને સયાજીમાં લોકલ કોચની સંખ્યામાં વધારો કરવામાં આવે તે જરૂરી છે. બાંદ્રા ટર્મિનસ – ગાંધીધામ સાપ્તાહિકટ્રેન નંબર 09415 અને 09416 બાંદ્રા-ગાંધીધામ-બાંદ્રા હવે 26 માર્ચ સુધી કાર્યરત રહેશે.આ ટ્રેન બંને સ્થળેથી દર ગુરૂવારે ઉપડે છે. બાંદ્રા ટર્મિનસ – ભુજ દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ1 ટ્રેન નંબર 09037 બાંદ્રા-ભુજને 28 માર્ચ સુધી અને ટ્રેન નંબર 09038 ભુજ-બાંદ્રાને 29 માર્ચ સુધી લંબાવવામાં આવી છે. આ ટ્રેન બાંદ્રાથી ગુરુવાર અને શનિવાર જ્યારે ભુજથી શુક્રવાર અને રવિવારે ઉપડે છે.2 ટ્રેન નંબર 09009 બાંદ્રા-ભુજ હવે 29 માર્ચ સુધી અને ટ્રેન નંબર 09010 ભુજ-બાંદ્રા 30 માર્ચ, 2026 સુધી દોડશે. આ ટ્રેન ભુજ થી સોમવારે અને બાંદ્રાથી રવિવારે ઉપડે છે.3 ટ્રેન નંબર 09011 બાંદ્રા-ભુજને 31 માર્ચ સુધી અને ટ્રેન નંબર 09012 ભુજ-બાંદ્રાને 25 માર્ચ સુધી લંબાવવામાં આવી છે. આ ટ્રેન બાંદ્રાથી દર મંગળવાર અને ભુજ થી દર બુધવારે ઉપડે છે.
ભાસ્કર એનાલિસીસ:‘બેવડી ઋતુ’ : 24 કલાકમાં તાપમાનમાં 20 ડિગ્રીનો તફાવત!
ફેબ્રુઆરી મહિનો શરૂ થઈ ચૂક્યો છે, પરંતુ કચ્છમાં વિચિત્ર ઋતુ અનુભવાઇ રહી છે. અત્યારે લોકો એક જ દિવસમાં બે અલગ-અલગ ઋતુનો અનુભવ કરી રહ્યા છે. દિવસ દરમિયાન કાળઝાળ ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર પડી રહી છે. રવિવારે નલિયામાં લઘુતમ તાપમાન 11.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સમગ્ર રાજ્યમાં સૌથી નીચું તાપમાન હતું. પરંતુ નવાઈની વાત એ છે કે અહીં દિવસનું મહત્તમ તાપમાન 32.5 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. નલિયામાં રાત અને દિવસના તાપમાન વચ્ચે સીધો 20.7 ડિગ્રીનો તોતિંગ તફાવત જોવા મળ્યો હતો. અહીંના લોકો સવારે સ્વેટર પહેરે છે અને બપોરે પંખા ચાલુ કરવા પડે તેવી સ્થિતિ છે. ગરમી અને ઠંડી વચ્ચે હરીફાઈ કંડલામાં પણ જારી છે. અહીં પણ બેવડી ઋતુનો માર સ્પષ્ટ દેખાય છે. કંડલા પોર્ટનું મહત્તમ તાપમાન 33.7 ડિગ્રી નોંધાયું હતું. જે રાજ્યના સૌથી ગરમ શહેરો (સુરત અને રાજકોટ 34.2 ડિગ્રી) ની હરોળમાં આવે છે. અહીં લઘુતમ તાપમાન 16.4 ડિગ્રી રહ્યું હતું. આમ, અહીં 17.3 ડિગ્રીનો તફાવત હતો. બીજી તરફ કંડલા એરપોર્ટ પર લઘુતમ તાપમાન 13.4 ડિગ્રી નોંધાયું હતું. જે રાજ્યના સૌથી ઠંડા મથકોમાં બીજા ક્રમે (ડીસા સાથે સંયુક્ત રીતે) હતું. જ્યારે મહત્તમ તાપમાન 32.6 ડિગ્રી રહ્યું હતું. અહીં તાપમાનનો તફાવત 19.2 ડિગ્રી જેટલો રહ્યો હતો. જિલ્લા મથક ભુજમાં પણ સ્થિતિ અલગ નથી. ભુજમાં મહત્તમ તાપમાન 33.5 ડિગ્રી અને લઘુતમ તાપમાન 16.8 ડિગ્રી નોંધાયું છે. ભુજવાસીઓ પણ દિવસ અને રાતના તાપમાનમાં 16.7 ડિગ્રી જેટલો મોટો ફેરફાર સહન કરી રહ્યા છે 20-20 ડિગ્રીના આ તાપમાન ફેરફારને કારણે વાયરલ ઇન્ફેક્શનઆ આંકડા દર્શાવે છે કે કચ્છમાં હાલ “સવારે શિયાળો અને બપોરે ઉનાળો” જેવો ઘાટ સર્જાયો છે. નલિયા અને કંડલા એરપોર્ટ જેવા વિસ્તારોમાં જ્યાં રાત્રે તાપમાન 11-13 ડિગ્રી થઈ જાય છે, ત્યાં બપોરે 33 ડિગ્રી ગરમી થતાં શરીરનું તાપમાન જાળવવું મુશ્કેલ બને છે. 20-20 ડિગ્રીના આ તાપમાન ફેરફારને કારણે વાયરલ ઇન્ફેક્શન, શરદી અને ઉધરસના કેસો વધી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે અને તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, એટલે કે કચ્છવાસીઓએ હજુ થોડા દિવસ આ મિશ્ર ઋતુ સહન કરવી પડશે.
વેક્સિનેશન કેમ્પનું આયોજન:ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 500થી વધુહજયાત્રીઓનું રસીકરણ કરવામાં આવ્યું
ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે હજયાત્રીઓ માટે રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજ પઢવા જનારા 500થી વધારે લોકોએ રસી લીધી હતી. ભરૂચ ખાતે આ વર્ષે હજ યાત્રાએ જનાર યાત્રિકોને આરોગ્ય સુરક્ષા પૂરી પાડવાના હેતુસર વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હજ કમિટી મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલના કોલેજ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.કેમ્પ દરમિયાન આશરે 500 જેટલા હજ યાત્રિકોએ હાજરી આપી રસીકરણનો લાભ લીધો હતો.સમગ્ર કેમ્પનું આયોજન ભરૂચ જિલ્લા હજ ખાદીમ તરફથી કરવામાં આવ્યું હતું, જેમાં યાત્રિકોની સુવિધા અને આરોગ્ય સલામતીને પ્રાથમિકતા આપવામાં આવી હતી. કેમ્પ દરમિયાન ડૉ.ગોપિકા મેખીયા, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, ડૉ. અભીનવ શર્મા,ઇન્ચાર્જ સિવિલ સર્જન, ડૉ.રૂહીના શેખ તેમજ પ્રોગ્રામ કોર્ડિનેટર મુકીમ મન્સૂરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
દારુ ઝડપાયો:આમોદ નજીકથી બિસ્કિટના પૂઠાની આડમાંલઇ જવાતો ~ 25.64 લાખનો દારૂ ઝડપાયો
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે આમોદ- મગણાદ રોડ પર આવેલી ક્રિષ્ણા કાઠીયાવાડી હોટલના પટાંગણમાંથી 25.64 લાખના દારૂ સાથે 6 ઇસમોને ઝડપી પાડયાં છે. ઉબેર ગામના બુટલેગરે વિપુલ માત્રામાં દારૂનો જથ્થો મંગાવ્યો હોવાની વિગતો સામે આવી છે. એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, જંબુસરના ઉબેરના બુટલેગર કિરણસિંહ ચૌહાણે વિપુલ માત્રામાં દારૂનો જથ્થો મંગાવ્યો છે અને દારૂ ભરેલા વાહનો મગણાદ પાસે આવેલી ક્રિષ્ણા કાઠીયાવાડી હોટલના પટાંગણમાં ઉભા છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો જેમાં હોટલના પટાંગણમાંથી એક ટેમ્પો સહિત બે વાહનો સાથે 6 ઇસમો મળી આવ્યાં હતાં. ટેમ્પાની તલાશી લેવામાં આવતાં તેમાં બિસ્કિટના પુઠ્ઠાની આડમાં સંતાડેલી દારૂની 7,200 જેટલી બોટલ મળી આવી હતી. આ બોટલોની કિમંત 25.64 લાખ રૂપિયા થવા જાય છે. સ્થળ પરથી બુટલેગર સહિત 6 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે અને દારૂ તથા વાહનો સહિત કુલ 39.30 લાખના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વિદેશી દારૂનો જથ્થો કયાંથી મંગાવવામાં આવ્યો હતો સહિતની વિગતો મેળવવાની કવાયત પોલીસે હાથ ધરી છે. એલસીબીએ મોટા પ્રમાણમાં દારુનો જથ્થો ઝડપી પાડતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.
કાર્યવાહી:ઝાડેશ્વરની દુબઇ ટેકરી પરથી વિદેશી દારૂ સાથે બે ઝડપાયા
ભરૂચના ઝાડેશ્વરની દુબઇ ટેકરી પાસેથી બે ઇસમોને ઝડપી પાડયાં છે. સી ડિવિઝન પોલીસની ટીમગત રાત્રી દરમિયાન પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી. કે ઝાડેશ્વર ગામ દુબઈ ટેકરી કબીર મંદિર સામે રહેતા ઇમરાન મનસુરિયાના ઘરે હિતેશ પટેલ ભેગા મળીને વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યા છે. તેવી માહિતી મળતા પોલીસની ટીમ બે પંચો સાથે મળીને બાતમી વાળી જગ્યાએ રેડ કરી હતી. રેડ દરમિયાન સ્થળ પરથી બે ઈસમ મળી આવ્યા હતા તેઓની સાથે ઘરની તપાસ કરતાં પોલીસે અલગ અલગ કંપનીની વિદેશી દારૂની નાની-મોટી કુલ 96 બોટલ મળી આવી હતી. જેની કિંમત રૂપિયા 31,200 આંકવામાં આવી છે.આમ બંને ઇસમોને પૂછતાં તેઓ વેચાણ માટે વિદેશી દારૂ રાખ્યો હોવાનું જણાવ્યું હતું. તેથી પોલીસે બે ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
મંડે પોઝિટીવ:સાત વર્ષમાં 1307 મહિલાઓને મદદ, સૌથી વધુ 777 ઘરેલુ હિંસાના કેસો બહાર આવ્યા
મહિલા સુરક્ષા અને સશક્તિકરણ ને મજબૂત બનાવવા માટે રાજ્યભરમાં સખી વન સ્ટોપ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. આ પહેલના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ ઓગસ્ટ 2019માં સખી વન સ્ટોપ સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી. આ સેન્ટર મહિલાઓ માટે એક વિશ્વસનીય અને સુરક્ષિત મંચ તરીકે કાર્ય કરી રહ્યું છે. આ સેન્ટરમાં જ્ઞાતિ, ધર્મ, ઉંમર કે સામાજિક સ્થિતિ ના કોઈ પણ ભેદભાવ વગર હિંસાથી પીડિત મહિલાઓને એક જ છત હેઠળ સર્વાંગી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. સખી વન સ્ટોપ સેન્ટરની સ્થાપના બાદ છેલ્લા સાત વર્ષ દરમિયાન કુલ 1307 મહિલાઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે. પીડિત મહિલાઓ સેન્ટરનો સંપર્ક કરે તત્કાળ તેમને સુરક્ષા અને હંગામી આશ્રયની વ્યવસ્થા કરાઇ છે. જેથી તેઓ ભય મુક્ત વાતાવરણમાં પોતાની સમસ્યાઓ રજૂ કરી શકે. આ સમયગાળા દરમિયાન સૌથી વધુ 777 ઘરેલુ હિંસાના કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે.
છેતરપિંડીનો નવો કીમિયો:AIના ડીપફેક ઓડિયોથી સાયબર ફ્રોડ, 5થી 10 હજાર માગી છેતરપિંડી
તમારા ફોન પર એક અજાણ્યા નંબરથી કોલ આવે છે. સામે છેડેથી હૂબહૂ તમારા સંબંધીનો અવાજ સંભળાય છે. અને અકસ્માત થયો છે કહીને પૈસાની માંગણી કરે તો પૈસા મોકલી આપવા નહીં આ ફ્રોડ હોઇ શકે છે. એઆઇની મદદથી પૈસા પડાવવા માટે નવી તરકીબ અપનાવવામાં આવી રહી છે. સાયબર ફ્રોડ દ્વારા પૈસા પડાવવા માટે નવી નવી તકનીક અપનાવવામાં આવી રહી છે. હવે એઆઇના જમાનામાં ડિપફેક વીડિયો જ નહીં પણ ઓડિયો પણ બનાવા લાગ્યા છે. સાયબર ફ્રોડને તમારા કે તમારા સગા સબંધીનો માત્ર 10 સેકન્ડનો ઓડિયો મળી જાય તો તેના આધારે એઆઇની મદદથી વોઇસ ક્લોનિંગ કરી લે છે. સામાન્ય માણસે બચવા માટે શું કરવું?આવો કોલ આવે અને તાત્કાલિક પૈસા માંગે તો તરત કોલ કટ કરીને કન્સર્ન વ્યક્તિના નંબર પર કોલ કરી ખાત્રી કરી લેવી. તેના પરિવારને જાણતા હોય એવો અંગત સવાલ કરવો અને ખાત્રી થયા બાદ ખરેખર જરૂર હોય તો તેના એકાઉન્ટમાં જ નાણા મોકલવા જોઇએ. - ચંદ્રવદન ધ્રુવ, એક્ષપર્ટ સાયબર પુત્ર બાજુમાં બેઠેલો અને ફોન પર તેણે રૂપિયા માગ્યા કેસ-1 : પુત્ર બાજુમાં હતો અને તેના અવાજથી કોલ આવ્યો અડાજણના સુનિલભાઇએ જણાવ્યું હતું બે મહિના પહેલા તેમના મોબાઇલ પર અજાણ્યા નંબરથી કોલ આવ્યો હતો. જેમાં તેના દિકરા જેવોજ અવાજ હતો. તેણે અકસ્માત થયો હોય તાત્કાલિક રૂ.10 હજાર મોકલવાનું કહ્યું હતું. પણ તેમને દિકરો તેમની સાથે જ બેઠો હતો. કેસ-2 : અરજન્ટ જરૂર છે તાત્કાલિક પૈસા મોકલો હિતેશ પટેલને તેના ભાઇના નામથી ફોન આવ્યો હતો. જેમાં પોતે બહાર કામથી આવ્યો હોય અને અરજન્ટ પૈસાની જરૂર છે એટલે આ નંબર પર પૈસા મોકલી આપો. જ્યારે ફોન કાપીને તેણે ભાઇને કોલ કરતા તેણે કોલ કર્યો ન હોય અને મિત્ર સાથે હોવાનું જણાવ્યું હતું.
ગમખ્વાર અકસ્માત સર્જાયો:કાર પલટી જતાં પાંચ મિત્રો પૈકી એકનું મોત, ચાર ઘવાયા
બોક્ષ ક્રિકેટ રમવા માટે જતી વખતે ઈચ્છાપોર ભેંસાણ રોડ રિલાયન્સ કોલોની પાસે કાર પલટી જતાં કારમાં સવાર 5 મિત્રો પૈકી એક મિત્રનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 4 મિત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ડભોલી નાની વેડ ખાતે રહેતો 24 વર્ષીય ઓમ અશોક રોય પિતાના ચણાના લોટના કારખાનામાં મદદરૂપ થતો હતો. શનિવારે ઓમ તેના મિત્રો બંટી ભરતભાઈ મોરડીયા, દર્શીત ધનસુખભાઈ જીવાણી, ક્રિષ્ણા અશોકભાઈ ઘેલાણી અને રૂશીક નરસિંહભાઈ કુંભાણી સાથે ડુમસ ખાતે બોક્ષ ક્રિકેટ રમવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો. પાંચેય મિત્રો કતારગામ ખાતે રહેતા દર્શીતની ફોર્ડ ઈકો સ્પોર્ટસ કારમાં ડુમસ જવા માટે નીકળ્યા હતા. તેઓ ઈચ્છાપોર ભેંસાણ રોડ પર રિલાયન્સ કોલોની પાસેથી પસાર થતા હતા. ત્યારે રસ્તાની બાજુમાં ખોદકામ કરેલું હોય તેની માટીના ઢગલા પરથી વ્હીલ પસાર થતા કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં પાંચેય મિત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઓમ રોયને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા ઈચ્છાપોર પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.
સુરત એરપોર્ટ પર બેંગ્કોકથી આવી રહેલી ફ્લાઇટમાંથી કસ્ટમ અને ડીઆરઆઇની ટીમે એક સંયુુક્ત ઓપરેશનમાં રૂપિયા આઠ કરોડનો ગાંજો ઝડપી પાડયો હતો. આ ગાંજો દિલ્હી સપ્યાલ થવાનો હતો. બેંગ્કોકથી આવેલી આ વીકની બે ફલાઇટમાં આ ગાંજો મળ્યો છે. પહેલા દિવસે ફ્લાઇટમાં છ કિલો તો બીજા દિવસે બે કિલો ગાંજો મળ્યો હતો. આઠ કિલો ગાંજાની બજાર કિંમત રૂપિયા નવ કરોડ છે. સમગ્ર કાંડમાં સ્મગલરોની નવી જ મોડસ ઓપરેન્ડી જોવા મળી છે. ખાસ કરીને ઇમરાન હાશ્મીની ‘તસ્કરી’ વેબ સિરિઝમાં બતાવેલી સ્ટાઇલ સ્મગલરોએ અપનાવી છે. બંને કેસમાં ગાંજો વિમાનમાં જ સીટ નીચે અને સીટની પાછળ છોડી દેવામાં આવ્યો હતો. તમામ મુસાફરો ઉતરી ગયા બાદ ફ્લાઇટ દિલ્હી જનાર હતી અને ત્યાથી સંતાડેલા ગાંજાની ડિલિવરી અજાણ્યા શખ્શો લેનાર હતા. ડીઆરઆઈએ પ્રવિણ કરમવીર, પ્રદિપ ભાન, વિક્રમ બુકલ અને અંશુલ ગુપ્તાની ધરપકડ કરી છે. ક્રુ મેમ્બરે સીટ ઉપસેલી જોતા શંકા ગઈ, ચેક કરતા જ ગાંજો મળી આવતા ભાંડો ફૂટ્યોપેહલા દિવસની ફ્લાઇટ બેંગ્કોકથી આવી હતી. સુરત આવ્યા બાદ ફ્લાઇટ થોડી ખાલી થઈ ગઈ હતી અને દિલ્હી જનારા થોડા પેસેન્જર બેસી રહ્યા હતા. ત્યારે ક્રુ મેમ્બરે જોયું કે એક રોની કેટલીક સીટ પાછળના ભાગેથી ઉપસેલી છે, જાણે કંઇ મૂકયુ હોય તેણે સીટ કવર ખસેડીને પાછળની બાજુએ જોયુ તો થેલીમાં કંઇ ભરેલું હતું. પાછળની બીજી સીટ જોઇ અને ત્યારબાદની પણ બે સીટ જોઇ તો દરેકમાં આવું જ હતું અને સીટનો પાછળનો ભાગ ઉપસેલો હતો. તમામ સીટ ચેક કરવામાં આવતા ચાર બેગ મળી આવી હતી. જેમાં 6 કરોડનો (6 કિલો) ગાંજો હતો. બીજા દિવસે જે ફ્લાઇટ આવી તેમાં પણ પેસેન્જરો ઉતરી ગયા બાદ ક્રૂ મેમ્બરનું ધ્યાન સીટ નીચે રાખેલી બે થેલી પર પડી હતી અને તમાંથી પણ ગાંજો મળ્યો હતો. એનડીપીએસ એક્ટ હેઠળ કેસ, પકડે કોઈ પણ એજન્સીકસ્મટ હોય કે ડીઆરઆઇ કે પોલીસ જો ગાંજો કે હાઇબ્રીડ ગાંજો પકડાય તો આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ જ કાર્યવાહી થતી હોય છે અને સજાની જોગવાઈ તેની ક્વોન્ટિટીના આધારે થતી હોય છે. જેમાં એક વર્ષથી લઇને 20 વર્ષ અને સેક્સન 31એ હેઠળ થાય છે. આરોપી ફરી પકડાય અને જથ્થો વધુ હોય તો આજીવન સજા થઈ શકે. - સોનલ શર્મા, સ્વાતી મહેતા, એડવોકટ
61 કેવલરીમાં જોડાવાની તક:સંરક્ષણ મંત્રાલયમાં કુલ 12 અશ્વપાલની ભરતી થશે, ધો.10 પાસ જરૂરી
ભારતીય સેનાના સંરક્ષણ મંત્રાલય દ્વારા જયપુર સ્થિત પ્રતિષ્ઠિત 61 કેવલરી માં ગ્રુપ-સી સ્ટાફ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી હેઠળ સઇસ (અશ્વપાલ) પદ માટે કુલ 12 જગ્યાઓ ભરવામાં આવશે. અશ્વપાલ એટલે કે ઘોડાઓની માવજત, ખોરાક અને તેમને તાલીમ માટે તૈયાર કરનાર કર્મચારી. ધોરણ 10 પાસ હોય અને સેનામાં શિસ્તબદ્ધ નોકરી કરવા ઈચ્છતા હોય તેવા યુવાનો માટે આ એક ઉત્તમ તક છે. લાયક ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજો સાથે પોતાની અરજી ટાઈપ કરી કમાન્ડન્ટ, મુખ્યાલય એસી સેન્ટર અને સ્કૂલ, પિન 900476, સી/ઓ 56 એપીઓના સરનામે માત્ર ટપાલ દ્વારા મોકલવાની રહેશે. આ રીતે ઉમેદવારની પસંદગી થશે
ભાસ્કર એક્સક્લુસિવ:યુજીમાં વિદ્યાર્થીઓને 4 વર્ષ ભણવામાં રસ નથી, 41 ટકા 3 વર્ષમાં જ એક્ઝિટના મુડમાં
વીર નર્મદ યુનિવર્સિટીમાં નવી શિક્ષણ નીતિ (NEP-2020) હેઠળ ફોર્થ યર ઓનર્સ કોર્સની એન્ટ્રી તો થઈ, પણ વિદ્યાર્થીઓએ તેને ‘ઠંડો’ પ્રતિસાદ આપ્યો છે. યુનિવર્સિટીના પ્રાથમિક સર્વેમાં એક ચોંકાવનારો ટ્રેન્ડ જોવા મળ્યો છે. સર્વેક્ષણ હેઠળના 19,675 વિદ્યાર્થીઓમાંથી 41.31% વિદ્યાર્થીઓ ત્રણ વર્ષે જ ‘એક્ઝિટ’ લેવાના મૂડમાં છે. આ ‘રિવર્સ ગિયર’ પાછળનું મુખ્ય કારણ રિસર્ચ પ્રત્યેની ઉદાસીનતા છે, કારણ કે માત્ર 3.59% વિદ્યાર્થીઓ જ સંશોધન કરવા માંગે છે. આજના યુવાનોને ફોર્થ યરનો વધારાનો ‘લોડ’ લેવાને બદલે વહેલી તકે ડિગ્રી મેળવી ‘ટાટા-બાય બાય’ કહેવામાં વધુ રસ છે. બીજી તરફ, 25% સ્ટુડન્ટ્સ હજુ પણ ‘ઓલ્ડ ઈઝ ગોલ્ડ’ ગણાતા જૂના ટુ-યર PG કોર્સના જ ફેન છે. આમ, NEP-2020ના અમલીકરણ પહેલાં જ દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓમાં આ નવો ટ્રેન્ડ ચર્ચાનો વિષય બન્યો છે. ડિગ્રીના લાંબા અભ્યાસ કરતા કમાવવાને પ્રાધાન્યનવી શિક્ષણ નીતિમાં ભલે સંશોધન પર ભાર મુકાયો હોય, પણ સુરતી સ્ટુડન્ટ્સ તો ‘વહેલા તે પહેલા’ના ધોરણે કેરિયર સેટ કરવા માંગે છે. વિદ્યાર્થીઓમાં વહેલી એક્ઝિટના ક્રેઝ પાછળનું સૌથી મોટું કારણ ‘આર્થિક રીતે પગભર’ થવાની ઉતાવળ છે; 3 વર્ષમાં ડિગ્રી ખિસ્સામાં નાખી નોકરીના મેદાનમાં ઉતરી પડવાની હોડ જામી છે. વળી, વર્ષોથી ચાલી આવતી ‘થ્રી-યર ગ્રેજ્યુએશન’ની માનસિકતા હજુ વાલીઓના મનમાંથી ગઈ નથી, તેમને ચોથા વર્ષનો અભ્યાસ એક વધારાનો ‘લોડ’ લાગે છે. ઘણા વિદ્યાર્થીઓ એવા પણ છે જેમને સરકારી પરીક્ષાના ‘ચક્રવ્યૂહ’માં ઉતરવું છે, જ્યાં માત્ર ગ્રેજ્યુએશન જ પૂરતું છે. આ સંજોગોમાં, વધુ એક વર્ષ કોલેજમાં વિતાવવાને બદલે વિદ્યાર્થીઓ કેરિયરના ‘શોર્ટકટ’ શોધી રહ્યા હોય તેવું સ્પષ્ટ જણાય છે. ભાસ્કર નોલેજ : ચાર વર્ષની ડિગ્રી સ્માર્ટ ચોઈસ 1. ઓનર્સ ડિગ્રી એટલે કેરિયરની નવી ઊંચાઈ 2. ઓનર્સ વિથ રિસર્ચ એટલે ફ્યુચર રેડી પ્રોફાઇલ

31 C