SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

26    C
...

રિટાયર્ડ ડીજીના ઘરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો:ઘરઘાટીએ વતનમાં રોલો પાડવા પિસ્ટલની ચોરી કરી રાજસ્થાન જતો રહ્યો હતો

શહેરના વસ્ત્રાપુરમાં નિવૃત ડીજીના ઘરે ઘરઘાટીએ ચોરી કરી હોવાનો બનાવ બન્યો છે.ગોયલ ઇન્ટરસિટીમાં રહેતા નિવૃત ડીજીના પુત્ર લાયસન્સવાળી પિસ્ટલ અને રાઉન્ડ જમા કરાવવા જવાના હતા પરંતુ આ હથિયાર કબાટમાંથી ગાયબ હતા જેથી તેમણે ઘરઘાટીને પૂછતા તેણે અજાણ હોવાનું જણાવ્યું હતું.જ્યારે પોલીસને જાણ કરવામાં આવી ત્યારે પોલીસે ઘરઘાટી પર શંકા રાખીને પૂછપરછ કરતા તેણે હથિયાર ચોરી કર્યાની કબૂલાત કરી હતી. લાઈસન્સ વાળી પિસ્ટલની ચોરી થઈ હતીવસ્ત્રાપુરમાં આવેલા ગોયલ ઇન્ટરસિટીમાં રહેતા અમનદિપસિંગ રિટાયર્ડ ડીજી ગુરુદયાલસિંગના પુત્ર છે.અમનદિપસિંગ ગૌશાળા ધરાવીને દૂધ અને ઘીનો વેપાર કરે છે.અમનદીપસિંગની માતાએ વર્ષ 2004માં સ્વરક્ષણ માટે લાયસન્સ વાળી કોલ્ટ પોઇન્ટ 25 પિસ્ટલ ખરીદી હતી.અમનદિપસિંગના ઘરે પહેલા ઘરકામ માટે એક મહિલા કામ કરતી હતી. પરંતુ તે બે માસથી આવતી ન હોવાથી તેમણે ઓળખીતા દ્વારા મહીપાલસિંહ સીસોદીયા (રહે. રાજસ્થાન)ને 15 હજારના પગારે નોકરીએ રાખ્યો હતો.મહિપાલસિંહ બે માસથી મકાનમાલિક અમનદિપસિંગના ઘરે જ રહેતો હતો. થોડા દિવસ પહેલા હથિયાર ડીલરને જમા કરાવવાનું હોવાથી અમનદિપસિંગ કબાટમાંથી હથિયાર લેવા જતા પિસ્ટલ અને રાઉન્ડ મળી આવ્યા નહોતા. હોળી સમયે વતનમાં રોલો પાડવા હથિયારની ચોરી કર્યાની કબૂલાતઘરઘાટી મહિપાલસિંહને હથિયાર બાબતે પૂછતા તેણે અજાણ હોવાનું જણાવ્યુ હતું.જેથી અમનદીપસિંગે પોલીસને જાણ કરી હતી.પોલીસે ઘરઘાટી મહિપાલસિંહની ઉંડાણપુર્વક પૂછપરછ કરતા ઘરઘાટી મહિપાલસિંહ સીસોદીયાએ ચોરી કર્યાની કબૂલાત કરી હતી.આરોપી હથિયાર ચોરી કરીને હોળી સમયે વતન રાજસ્થાન ગયો હતો.ત્યારે ત્યાંના મકાનમાં હથિયાર મૂકી દીધા હતા. વતનમાં હથિયાર સાથે રોલો પાડવા અને ફોટો પડાવાવવાનો શોખ પૂરો કરવા ચોરી કર્યાની કબૂલાત કરી છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 12:05 am

વધુ 1111 હનુમાનજી મંદિર નિર્માણની જાહેરાત:સુરતમાં પૂર્વ રાષ્ટ્રપતિ, રાજ્યપાલની હાજરીમાં સાંસદ ગોવિંદ ધોળકિયાનું સન્માન, સમાજને કુરીતિઓમાંથી મુક્ત કરવાનું સામર્થ્ય

સુરતના વરિયાવ સ્થિત કલાકૃતિ લોન ખાતે દિવ્ય અને આધ્યાત્મિક વાતાવરણમાં આયોજિત સમારોહમાં શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન (SRKKF)ના નેજા હેઠળ દંડકારણ્યની ભૂમિ ડાંગ જિલ્લાના 311 ગામોમાં હનુમાનજી મંદિર અને હનુમાન ભવન (કોમ્યુનિટી હોલ) નિર્માણ કરવાનો પવિત્ર સંકલ્પ કરનાર રાજ્યસભા સાંસદ અને અગ્રણી ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાનું મહાનુભાવો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, આ તકે ગોવિંદ ધોળકિયાએ ડાંગથી આગળ વધી રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં વધુ 1111 હનુમાનજી મંદિર નિર્માણની જાહેરાત કરતા તેમના આ પવિત્ર સંકલ્પને ઉપસ્થિત પૂર્વ રાષ્ટ્રપતિ, રાજ્યપાલ સહિત તમામ મહાનુભાવોએ હર્ષનાદ સાથે વધાવવામાં આવ્યા હતા. આધ્યાત્મિક વિચારો જ સમાજને કુરીતિઓમાંથી મુક્ત કરવાનું સામર્થ્ય ધરાવે છેઃ રાજ્યપાલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગોવિંદ ધોળકિયાના સેવાકીય અભિગમને બિરદાવતા કહ્યું હતું કે, ધર્મો રક્ષતિ રક્ષિતઃ ના સૂત્રને ચરિતાર્થ કરતા આ કાર્યથી આવનારી પેઢીને સંસ્કાર અને માર્ગદર્શન મળશે. ગોવિંદભાઈ અને તેમની સહયોગી દાતા ટીમ દ્વારા સંસ્કૃતિના સંવર્ધન માટે કરવામાં આવતું કાર્ય અભિનંદનીય છે. દિવાસી વિસ્તારોમાં નિર્મિત હનુમાનજી મંદિરો માત્ર સિમેન્ટ-કોંક્રિટના ભવનો નથી, પરંતુ તે વિચારોની અગ્નિ અને જ્ઞાનના પ્રકાશ કેન્દ્રો બન્યા છે. આદિવાસી વિસ્તારોમાં હનુમાન મંદિર પરિસરમાં થતા ભજન-કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમોને કારણે નવી પેઢી વ્યસનોથી મુક્ત થઈ રહી છે અને ભારતીય જીવનમૂલ્યો તરફ વળી રહી છે. આધ્યાત્મિક વિચારો જ સમાજને કુરીતિઓમાંથી મુક્ત કરવાનું સામર્થ્ય ધરાવે છે. ‘નમ્રતા અને સેવાભાવ જ માનવીને આદર અપાવે છે’વધુમાં રાજ્યપાલે જણાવ્યું કે, સુકા લાકડા જેવી જડતા ક્યારેય ટકી શકતી નથી, પરંતુ નમ્રતા અને સેવાભાવ જ માનવીને આદર અપાવે છે. રાજ્ય સરકારે ડાંગને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી ધરાવતો જિલ્લો જાહેર કર્યો છે, ત્યારે ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી દ્વારા આવનારી પેઢીનું ભવિષ્ય સુરક્ષિત કરવું એ આપણી નૈતિક જવાબદારી છે. 311 મંદિરોમાંથી 200નું નિર્માણ પૂર્ણઃ ગોવિંદ ધોળકિયા311 મંદિર નિર્માણનો સંકલ્પ લેનાર રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ જણાવ્યું હતું કે, સહયોગી દાતાઓના ટીપમાં 200 પરિવારો મંદિર નિર્માણના યજ્ઞમાં જોડાઈ ગયા છે. 311 મંદિરો પૈકી 200 મંદિરોનું નિર્માણ પૂર્ણ થઈ ચૂક્યું છે, જેમાં 175 મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ ચૂકી છે. હનુમાન મંદિર નિર્માણના પ્રેરણામૂર્તિ ડાંગના પ્રયોશા પ્રતિષ્ઠાનના સંસ્થાપકશ્રી પી.પી.સ્વામીજીએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં મંદિર નિર્માણના યજ્ઞ સમાન કાર્યની રૂપરેખા આપી પ્રસન્નતા વ્યક્ત કરી હતી. ડાંગના ગામેગામ હનુમાનજી ભવનના લોકાર્પણઃ રાકેશ દુધાતદાતા અને અગ્રણી ઉદ્યોગપતિ રાકેશ દુધાતે હતું કે, 2017માં પૂ. પી.પી. સ્વામીજી અને ગોવિંદકાકાના ડાંગ પ્રવાસ દરમિયાન થયેલી ચર્ચા અને આસ્થાના પરિપાક રૂપે 311 હનુમાન મંદિર નિર્માણ ભગીરથ કાર્યનો આરંભ થયો છે. જે અંતર્ગત ડાંગના ગામેગામ હનુમાનજી ભવનના લોકાર્પણ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હાલ ઉજવાઈ રહ્યા છે. આ વેળાએ રામનાથ કોવિંદના હસ્તે શ્રીમદ્દ ભાગવત ગીતાના આદર્શ જીવનસંદેશને જન જન સુધી લઈ જવા માટે શ્રી ગીતા જ્ઞાન રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 12:05 am

બોટાદના જૈન પરિવારે પશુઓ માટે ₹11,000 આપ્યા:લગ્નની વર્ષગાંઠે પાળીયાદ પાંજરાપોળને દાન કર્યું

બોટાદના વતની અને હાલ અમદાવાદમાં ફાઇનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલા ક્રિનાબેન મિતભાઈ વસાણીએ તેમની પ્રથમ લગ્ન વર્ષગાંઠની અનોખી રીતે ઉજવણી કરી હતી. તેમણે પાળીયાદ મહાજન પાંજરાપોળમાં અબોલ પશુઓના ઘાસચારા માટે ₹11,000નું દાન આપ્યું હતું. જીવદયા પ્રેમી ક્રિનાબેન વસાણીએ પાંજરાપોળની વર્તમાન સ્થિતિ અંગે વિચાર્યું હતું. તેમણે નોંધ્યું કે પાળીયાદ મહાજન પાંજરાપોળમાં મોટી સંખ્યામાં અબોલ પશુ-પક્ષીઓ છે અને તેની આવક કરતાં જાવક વધુ છે. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેમણે આ દાન કરવાનો નિર્ણય લીધો હતો.પાળીયાદ મહાજન પાંજરાપોળ દ્વારા આ રકમ સ્વીકારવામાં આવી હતી. પાંજરાપોળે 'અહિંસા પરમો ધર્મ'ના સૂત્ર સાથે ક્રિનાબેન વસાણીનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમના આ જીવદયા કાર્યને બિરદાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 11:18 pm

મુખ્યમંત્રીની ગાડીમાં સ્નેહલ ધરીયાની સવારીએ દાહોદના રાજકીય ગલિયારાઓમાં ગરમાવો વધાર્યો:હેલિપેડથી સભા સ્થળ અને સાંસદના નિવાસસ્થાન સુધી પ્રમુખ સતત મુખ્યમંત્રીની સાથે રહ્યાં, બંધ બારણે થયેલી ચર્ચાઓથી અનેક તર્ક-વિતર્કો શરૂ થયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દાહોદ મુલાકાત આજે માત્ર વિકાસ કાર્યોના લોકાર્પણ પૂરતી મર્યાદિત ન રહેતા રાજકીય દ્રષ્ટિએ અત્યંત સૂચક બની રહી હતી. સિંગવડ ખાતે 367.78 કરોડના વિકાસ કામોની ભેટ આપવા આવેલા મુખ્યમંત્રીના સમગ્ર પ્રવાસ દરમિયાન દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરીયા તેમની સતત નિકટ જોવા મળ્યા હતા. હેલિપેડ પર ઉતરાણથી લઈને પરત વિદાય સુધીના તમામ કાર્યક્રમોમાં સ્નેહલ ધરીયા મુખ્યમંત્રીની ગાડીમાં તેમની સાથે જ સવાર રહેતા જિલ્લાના રાજકીય ગલિયારાઓમાં અટકળોનું બજાર ગરમ થયું છે. હેલિપેડથી સભા સ્થળ સુધીની ગાઢ નિકટતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યારે હેલિપેડ પર ઉતર્યા ત્યારે મંત્રીઓ, સાંસદ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે, સૌના આશ્ચર્ય વચ્ચે જ્યારે મુખ્યમંત્રી સભા સ્થળ જવા રવાના થયા ત્યારે તેમની સરકારી ગાડીમાં માત્ર જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરીયા જ તેમની સાથે બેઠેલા જોવા મળ્યા હતા. પ્રોટોકોલ મુજબ સામાન્ય રીતે મંત્રીઓ કે વરિષ્ઠ સચિવો મુખ્યમંત્રીની સાથે મુસાફરી કરતા હોય છે, પરંતુ સંગઠનના પ્રમુખને મળેલી આ વિશેષ પ્રાધાન્યતાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. લોકાર્પણથી સાંસદના નિવાસસ્થાન સુધીનો સાથ મુખ્યમંત્રી સિંગવડ મામલતદાર કચેરીના લોકાર્પણ માટે ગયા ત્યારે પણ સ્નેહલ ધરીયા તેમની પડખે રહ્યા હતા. ત્યારબાદ સાંસદ જશવંતસિંહ ભાભોરના દાસા સ્થિત નિવાસસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં જવા માટે અને ત્યાંથી પરત હેલિપેડ સુધી પહોંચવા સુધીના તમામ રૂટ પર સ્નેહલ ધરીયા મુખ્યમંત્રીની ગાડીમાં જ સાથે રહ્યા હતા. આખા પ્રવાસ દરમિયાન જે રીતે અન્ય નેતાઓને બદલે માત્ર જિલ્લા પ્રમુખને જ આટલી નિકટતા મળી, તેણે રાજકીય ચર્ચાઓને નવો વળાંક આપ્યો છે. બંધ બારણે થયેલી ચર્ચાઓથી અટકળો તેજ મુખ્યમંત્રી અને સ્નેહલ ધરીયા વચ્ચે વાહનમાં મુસાફરી દરમિયાન લાંબો સમય કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ હશે તેને લઈને અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. આગામી સમયમાં સંગઠનમાં થનારા ફેરફારો, જિલ્લાના પડતર પ્રશ્નો કે કોઈ મોટા રાજકીય સમીકરણો અંગે મુખ્યમંત્રીએ સીધું માર્ગદર્શન આપ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સરકારી કાર્યક્રમોની વચ્ચે સંગઠન પ્રમુખની આ પ્રકારે સતત હાજરી દાહોદ ભાજપના આંતરિક રાજકારણમાં સ્નેહલ ધરીયાનું વધતું વર્ચસ્વ દર્શાવે છે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 10:58 pm

વેરાવળમાં માતૃશક્તિએ હિન્દુ સંમેલનનું આયોજન કર્યું:બહેનોએ આયોજન-સંચાલન કર્યું, પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં ગોવર્ધન વસ્તી દ્વારા એક ભવ્ય વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનની મુખ્ય વિશેષતા એ રહી કે જિલ્લામાં પ્રથમ વખત માતૃશક્તિ એટલે કે બહેનો દ્વારા તેનું સંપૂર્ણ આયોજન અને સંચાલન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધાર્મિક ભાવના, સામાજિક એકતા અને સંસ્કૃતિ પ્રત્યેનો ગર્વ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. સંમેલન પૂર્વે બહેનોની આગેવાનીમાં એક વિશાળ બાઈક રેલીનું આયોજન કરાયું હતું. વેરાવળના ટાવર ચોકથી શરૂ થયેલી આ રેલી સંમેલન સ્થળ કપીશ્વર પાર્ટી પ્લોટ સુધી પહોંચી હતી. શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતી વખતે જુદા જુદા સમાજ અને સંગઠનો દ્વારા તેનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. બહેનોના ઉત્સાહ અને દેશભક્તિભેર નારા સાથેની આ રેલી શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. વેરાવળ સ્થિત કપીશ્વર પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ સંમેલનમાં અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ નાગરિક સહકારી બેંકના વાઇસ ચેરમેન કાર્તિકેયભાઈ પારેખ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જુનાગઢ વિભાગના કાર્યવાહ જીતેન્દ્રભાઈ સાલસિયા અને વેરાવળ મર્કન્ટાઇલ કો-ઓપ. બેંક લી.ના ડિરેક્ટર બિંદુબેન ચંદ્રાણીએ હિંદુત્વ, સંસ્કાર અને સામાજિક એકતા અંગે પ્રેરક વક્તવ્યો આપ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ભીડીયા માછીમાર સમાજની દીકરીઓએ દંડ સાથેની વિશિષ્ટ કૃતિ રજૂ કરી હતી. આ ઉપરાંત, નાના ભૂલકાઓ દ્વારા લગભગ 15 મિનિટ સુધી સંસ્કૃતના કંઠસ્થ શ્લોકોનું પઠન કરવામાં આવ્યું હતું, જે ઉપસ્થિત સૌ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ પ્રસંગે સમાજ અને વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપતા વ્યક્તિઓનું સન્માન પણ કરાયું હતું. હિન્દુ સંમેલન જેવા કાર્યક્રમોનો મુખ્ય હેતુ ધર્મની સેવા, સંસ્કૃતિનું સંરક્ષણ, સમાજમાં એકતા અને સંસ્કારોનું સંવર્ધન કરવાનો હોય છે. વેરાવળમાં યોજાયેલું આ સંમેલન પણ એ જ ભાવનાને મજબૂત બનાવવાનું મહત્વપૂર્ણ મંચ સાબિત થયું. સમગ્ર આયોજનથી લઈને સંચાલન સુધીની તમામ જવાબદારી બહેનો દ્વારા સફળતાપૂર્વક નિભાવવામાં આવી હતી, જે નારી શક્તિ અને સંગઠન શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 10:25 pm

ઘરફોડ ચોરી કરતા બંટી-બબલી ઝડપાયા:વેપારી સાથે રૂ.20 લાખનું સાયબર ફ્રોડ, વિંટી ચોર્યાનો આરોપ લાગતા પરિણીતાનો આપઘાત

રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથક વિસ્તારમાં 2 જગ્યાએ તેમજ પડધરીમાં એક જગ્યાએ થયેલી ઘરફોડ ચોરીનો ભેદ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. રૈયાધારમાં રહેતા હિતેષ દિનેશભાઈ ડવ અને તેની પત્ની ઇલાબેનને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે. પોલીસે સોનાની કાનની બૂટી, ચેઇન, પેન્ડલ ઉપરાંત ચાંદીનો કંદોરો, સાંકળા, કમરનો ઝૂડો, પગમાં પહેરવાના કડલા, ચાંદીનો સિક્કો સહિતના દાગીના કબજે કર્યા હતા. આ સાથે જ રૂ.35000ની રોકડ, મોબાઇલ, બાઇક સહિત રૂ.15,51,575નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પરિણીતાને મરવા મજબૂર કરનાર સસરા-નણંદ સામે ગુનોસુરેન્દ્રનગરના ચોટીલાના ભેટસુડા ગામે રહેતા અને ખેતી કામ કરતા વિશાલ નનુભાઈ કુકડીયાએ થોરાળા પોલીસ મથકમાં ગંજીવાડામાં રહેતા વશરામભાઈ મકવાણા અને તેની પુત્રી આરતી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, ગત 23 એપ્રિલ, 2025ના મારી બહેન છાયાના લગ્ન ગંજીવાડામાં રહેતા રણજીત મકવાણા સાથે થયા હતાં. લગ્ન બાદ મારી બેનના સસરા વશરામભાઈ અને નણંદ આરતી વીંટી ચોર્યાનો ખોટો આરોપ લગાવતા હતા, જેથી 9 માર્ચના બહેન છાયાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસે મૃતક મહિલાના ભાઈની ફરિયાદ પરથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વેપારીનું નેટ બેન્કિંગ, મેઈલના ઍક્સેસ મેળવી ભેજાબાજોએ રૂ.20 લાખ ઉપાડી લીધારાજકોટમાં 26 વર્ષીય ખુરબાન ડામરા નામના કૃષિ ઉત્પાદનોની લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી દ્વારા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેર ખાતે બીએનએસની કલમ 318 (4), 61(2) તેમજ આઇટી એક્ટ સહિતની કલમ હેઠળ વિનોદ ભોજવાણી, રોનક જેઠવા તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ઘુંટા ગામ ખાતે રહેતા તેમજ રાજકોટ શહેરના રાજપૂત પરા વિસ્તારમાં ઓમ એન્ટરપ્રાઇઝ નામની પેઢી ચલાવનારા ડામરા દ્વારા પોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 5 માર્ચ, 2026ના રોજ મારી પેઢીમાં કામકાજ કરનારા વિમલ કાથરોટીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેઓ બેંક ખાતે અન્ય પેઢીને ચૂકવણી કરવા માટે આરટીજીએસ મારફતે પૈસા ટ્રાન્સફર કરવા ગયા હતા, પરંતુ બેંક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પેઢીના બેંક એકાઉન્ટમાં પૂરતું બેલેન્સ નથી. તેમજ હાલમાં રૂ.19,99,400ના ત્રણ અલગ અલગ ટ્રાન્જેક્શન એક જ બેંક એકાઉન્ટમાં થવા પામ્યા છે. આ બાબતની જાણ થતા મેં મારી ઓફિસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મારી પેઢીની જાણ બહાર પેઢીના બેંક એકાઉન્ટમાંથી નાણા ઉપડી ગયા છે. તેમજ બેંકમાં રજિસ્ટર થયેલ પેઢીનું મેઇલ આઇડી ચેક કરતા તે પણ ખુલવા પામ્યું ન હતુ. તેમજ તેનો એક્સેસ પણ અમારી પાસેથી જતો રહ્યો હતો. જે બાબતે સાઇબર ક્રાઇમ હેલ્પ નંબર 1930 પર કોલ કરી અરજી પણ નોંધાવી હતી. દરમિયાન જે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા હતા, તે પંજાબ નેશનલ બેંકનું હોવાનું તેમજ નિશી ફેશન નામની પેઢીનું હોવાનું સામે આવ્યું હતું. તેના પ્રોપરાઇટર તરીકે વિનોદ ભોજવાણી હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે વિનોદ ભોજવાણીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, તેમના બેંક એકાઉન્ટમાં રાજકોટ ખાતે રહેતા રોનક જેઠવા દ્વારા પૈસા જમા કરાવવામાં આવ્યા હતા. તેમજ ત્યારબાદ તે રકમ વિનોદ ભોજવાણી દ્વારા આંગડિયા મારફતે રોનક જેઠવાને મોકલી આપવામાં આવી હતી. તે રકમ પેટે વિનોદ ભોજવાણીને 39,400 જેટલી રકમ કમિશન પેટે આપવામાં આવી હતી.આમ વિનોદ ભોજવાણી, રોનક જેઠવા અને અજાણ્યા વ્યક્તિઓએ કોમ્પ્યુટર રિસોર્સીસનો ઉપયોગ કરીને ડમરાની ઓમ એન્ટરપ્રાઇઝ નામની પેઢીના બેન્ક એકાઉન્ટમાં નેટબેન્કિંગ તેમજ ઇ-મેલ આઇડીનો ગેરકાયદેસર રીતે એક્સેસ મેળવી તેમજ બેંકના ઓટીપી અપ્રમાણિક રીતે મેળવીને તેમની પેઢીના બેંક એકાઉન્ટમાંથી 19,99,400 રૂપિયા જેટલી રકમ અનઅધિકૃત રીતે મેળવી લઈ છેતરપિંડી આચરવામાં આવી છે. વેપારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપતા શખસને રૂ.2.75 લાખની સોનાની લક્કી આપી દીધીરાજકોટના અમીન માર્ગ ઉપર રહેતા 19 વર્ષીય વેપારી જેનીલભાઇ વાગડીયાએ ભક્તિનગર પોલીસ મથકમાં કેવડા વાળીમાં રહેતા મંથન મુંધવા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે 13 માર્ચના દિગ્વીજય મેઇન રોડ પર તેના મિત્રની રાહ જોતા હતા, ત્યારે મંથન ત્યાં આવ્યો હતો અને જેનીલનું બાઇક લઈ તેને પાછળ બેસી જવા કહ્યું હતું. જે બાદ કેવડાવાડીમાં વસુંધરા એપાર્ટમેન્ટ પાસે લઈ જઈ ટાંટીયા ભાંગી નાખીશ તેવી ધમકી આપી હતી, જેથી યુવાન ડરી ગયો હતો અને પોતે પહેરેલી રૂ.2.75 લાખની સોનાની લક્કી આપી દીધી હતી. જેથી તે લક્કી લઈ મંથન નાસી છૂટ્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે. નટેશ્વર મહાદેવ મંદીરમાંથી રૂ.10,800ની ચોરીશહેરના ભક્તિનગર સર્કલ પાસે આવેલા નટેશ્વર મહાદેવ મંદિર માંથી ચોરી થયાની કોઠારીયા કોલોનીમાં રહેતા વિરભદ્રસિંહ માવુભા જાડેજાએ ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, 14 માર્ચના રાત્રિના સમયે અજાણ્યો શખ્સ મંદિરમાં પ્રવેશ્યો હતો અને દાનપેટી તોડી રૂ.10000 ની રોકડ, ટંકોરી અને સ્ટીલની ડોલ મળી રૂ.10800 ની માલમતાની ચોરી કરી હતી. ડી-માર્ટ મોલ મોડી રાત્રે કેમ ખૂલ્લો છે? કહી શખસોની દાદાગીરી રાજકોટ શહેરના કાલાવડ રોડ પરના ક્રિસ્ટલ મોલમાં આવેલા ડી-માર્ટમાં ગત 5 માર્ચના રાત્રિના 10 વાગ્યા આસપાસ એમ. જી. હોસ્ટેલમાં રહેતા કૈલાશ સોલંકી, જતીન તેમજ તેની સાથે આવેલો એક અજાણ્યો શખસ એક્ઝિટ ગેટમાંથી અંદર આવ્યા હતાં. ‘અત્યારે ડી માર્ટ કેમ ખૂલ્લો છે? બંધ કરી દો’ કહી દાદાગીરી કરી હતી અને મોલ બંધ નહીં થાય તો અહીં કાલાવડ ઉપરની એમ.જી. હોસ્ટેલમાં જ રહીએ છીએ. પોલીસમાં તમારા વિરોધી ખોટી એટ્રોસિટીની ફરિયાદ કરી જીવવા નહીં દઈએ, જેવી ધમકી આપી હતી. આ મામલે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 10:03 pm

ભાલના જસવંતપુરામાં જુગારની રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલો:15 થી 20 લોકો લાકડી લઈ તૂટી પડ્યા, 2 પોલીસ કોન્સ્ટેબલ અને ડ્રાઈવર ઈજાગ્રસ્ત

ભાવનગરના ભાલ પંથકના જસવંતપુરા ગામમાં જુગારની રેડ કરવા ગયેલા પોલીસકર્મીઓ પર હુમલો થતા બે પોલીસ કોન્સ્ટેબલ અને ડ્રાઈવર ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા છે. પોલીસકર્મીઓ જ્યારે બાતમીના આધારે ગામમાં દરોડો પાડવા ગયા ત્યારે 15 થી 20 લોકોના ટોળાએ લાકડીઓ અને ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલામાં બે પોલીસ કર્મી અને ડ્રાઈવરને ઈજા પહોંચીભાલ પોલીસ સ્ટેશનના જસવંતપુરા ગામમાં પોલીસ પર હુમલાની ઘટનામાં લકીરાજસિંહ મહાવીર સિંહ, અભેસંગભાઈ ભાવસંગભાઈ અને કોન્ટ્રાકટ બેઝ પર ફરજ બજાવતા ડ્રાઇવર સહિતનાઓને ઈજા પહોંચતા સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે. સારવાર માટે ભાવનગર સર.ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. Dysp ,LCB સહિતનો પોલીસ કાફલો પહોંચ્યો બનાવ સ્થળેદિવ્યભાસ્કર સાથે ટેલિફોનિક વાતચીતમાં DYSP આર.આર.સિંધાલ એ જણાવેલ કે વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન પોલીસ કર્મચારીઓ જુગારની રેડ કરવા ગયેલા પોલીસ કર્મીઓ પર અંદાજિત 15 થી 20 લોકો લાકડી અને ઢીકાપાટુનો મારમારી ઈજાઓ કરી હોવાનું જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 9:14 pm

ભાજપ આદિજાતિ મોરચામાં સંગઠનાત્મક ફેરફાર:નવા હોદેદારોની જાહેરાત, વિવિધ જિલ્લાઓને મળ્યું પ્રતિનિધિત્વ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચામાં સંગઠનાત્મક માળખું મજબૂત કરવા માટે નવા હોદેદારોની નિમણૂક કરવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ ગણપતસિંહ વસાવા દ્વારા જાહેર કરાયેલા આ આદેશ મુજબ પ્રદેશ ઉપાધ્યક્ષ, મહામંત્રી, મંત્રી અને અન્ય હોદેદારોની જાહેરાત કરવામાં આવી છે. આ નિમણૂકો પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તથા સંગઠન મહામંત્રી રત્નાકરજી સાથે ચર્ચા-વિચારણા બાદ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 9:14 pm

5 રાજ્યોનો ઓપિનિયન પોલ, બંગાળમાં ભાજપ માટે 'મિશન ઈમ્પોસિબલ', કોંગ્રેસ માટે કપરા ચઢાણ

Assembly Elections Opinion Poll: આજે દેશના 5 રાજ્યોમાં ચૂંટણીનો 'એલાન-એ-જંગ' થઈ ગયો છે. ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરવાની સાથે જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. ત્યારે MATRIZE-IANSના ઓપિનિયન પોલ જાહેર કર્યો છે, તમિલનાડુમાં 23 એપ્રિલે અને બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન તો આસામ, કેરલમ અને પુડુચેરીમાં 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થશે. બધા રાજ્યોના પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે. કેવા સમીકરણો બની રહ્યા છે?

ગુજરાત સમાચાર 15 Mar 2026 8:55 pm

બ્રહ્મ સમાજની અનોખી પહેલ:900થી વધુ દીકરીઓને 'બેહદ' ફિલ્મ બતાવી 'લવ-જિહાદ' અને છેતરપિંડી સામે જાગૃત કરાઈ

બ્રહ્મ સમાજ દ્વારા 900 જેટલી યુવતીઓ માટે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત યુવતીઓને બેહદ નામની ગુજરાતી ફિલ્મ બતાવવામાં આવી હતી, જેનો હેતુ તેમને પ્રેમના નામે થતી છેતરપિંડી અને ભ્રમણાઓથી સજાગ કરવાનો હતો. સમાજની સંસ્કૃતિ, સંસ્કાર અને પરંપરા જળવાઈ રહે તે ઉદ્દેશ્યથી આ પહેલ કરવામાં આવી હતી. આજના સમયમાં સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા યુવતીઓને ભ્રમિત કરવાની ઘટનાઓ વધી રહી છે, ત્યારે તેમને સાચી હકીકત સમજાવીને કોઈપણ પ્રકારની છેતરપિંડીથી બચાવવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સમાજના આગેવાનોએ યુવતીઓને સંબોધતા જણાવ્યું હતું કે જીવનના મહત્વપૂર્ણ નિર્ણયો વિચારપૂર્વક અને પરિવારના માર્ગદર્શન સાથે લેવા જોઈએ. તેમણે પ્રેમના નામે થતા કોઈપણ ભ્રમ કે દબાણથી દૂર રહી પોતાની ઓળખ, સંસ્કૃતિ અને પરિવારના મૂલ્યો જાળવવા માટે જાગૃત રહેવા પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમનો વિચાર નિવૃત ચીફ ઓફિસર રમેશભાઈ જોશીને આવ્યો હતો, ત્યાર બાદ સમાજના યુવાનોએ એકત્ર થઈને તેનું આયોજન કર્યું હતું. રમેશભાઈ જોશી અને સ્નેહલભાઈ મહેતા આ કાર્યક્રમના મુખ્ય દાતા હતા. આ અંગે મનોજભાઇ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, પ્રેમના નામે ખોટા ધંધા શરૂ થયા છે, જેનાથી ભારતની પરંપરા તૂટી રહી છે અને પરિવાર ભાવના વિખેરાઈ રહી છે. સોશિયલ મીડિયાના જમાનામાં આપણે સૌ જાગૃત થઈએ અને ભાગેડુ લગ્નનો વિરોધ કરીએ. જોકે આ અંગે મંત્રી પ્રવીણભાઈ માળીએ કહ્યું કે સમાજની આ પહેલથી સમાજના સૌ વડીલોએ આપણી આવનારી પેઢી, આપણી સંસ્કૃતિને જાળવી રાખી, આપણા રીતિ-રિવાજો જાળવી રાખી, આપણું કલ્ચર જાળવી રાખીએ એના માટે કરીને આજે જે કેટલાક કિસ્સાઓ લવ-જિહાદના બને છે એ એક પહેલા સ્ટેજની અંદર દરેકને સારું લાગતું હોય, આ ઉંમર હોય છે દરેકની કે ભાઈ હું મારા પસંદગીના માણસ સાથે પરણું. આ એક ઉંમર હોય છે પણ આની પાછળના જે ષડયંત્રો હોય છે એ સારી રીતે કદાચ કેરલા સ્ટોરીમાં પણ કીધેલું છે એની ટ્રુ સ્ટોરી આવી છે. એના પછી આ એક બેહદ પિક્ચર આવ્યું છે એ બહુ સારી રીતે કહે છે કે એના પછી શું થતું હોય છે. પ્રેમના કોઈ વિરોધી ન હોઈ શકે પણ પ્રેમના નામે ષડયંત્ર થતું હોય તો શું થતું હોય છે એ આજે દેખાડવાની જે આગેવાનોએ કોશિશ કરી છે એ આગેવાનોને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું. તમારી આ કોશિશ જે છે એ આવનારી પેઢીને સુરક્ષિત કરશે, સમાજને સુરક્ષિત કરશે, સમાજની દીકરીઓને સુરક્ષિત કરશે, એના માટેનું જે પગલું આપે ભર્યું છે એના માટે હૃદયપૂર્વકના ખુબ ખુબ અભિનંદન આપું છું. ખુબ આગળ વધો અને હજીએ આ જ પ્રકારે કદાચ પિક્ચર દેખાડવા આપણે ન પડે પણ જાતે સ્વયંભૂ શક્તિ જ એ કહી દે એનો તેજ એટલો હોય કે આવા લવ-જિહાદના ષડયંત્રો એની સામે આવી જ ન શકે એવી પેઢી તૈયાર કરવા માટે પણ વિનંતી કરું છું. એના માટે બાલ સંસ્કાર કેન્દ્રો હોય, એના માટે ગર્ભ સંસ્કાર કેન્દ્રો હોય જેવી પ્રવૃત્તિ પણ આપ ચાલુ કરો એવી આ તબક્કે વિનંતી પણ હું કરું છું. જોકે આ અંગે સમાજના આગેવાન મનોજભાઈ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, સમાજની દીકરીઓમાં જાગૃતિ આવે અને બહેન-દીકરીઓ જે વર્તમાન સમયની જે સ્થિતિ છે, લવ જેહાદના નામે જે ખેલ ચાલે છે, પ્રેમને ખોટી રીતે પ્રસ્તુત કરીને ખોટા જે ધંધા ચાલુ થયા છે. એમાંથી જાગૃતિ મળે માટે બ્રહ્મ સમાજની આજે 900થી વધુ બહેનો 'બેહદ' પિક્ચર જે ગુજરાતી ચલચિત્ર છે એનું આયોજન અહીંયા બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે અને સમગ્ર આયોજન દાતાઓના સહયોગથી કરવામાં આવ્યું છે. આ આયોજન પાછળનો એકમાત્ર હેતુ એ છે કે સમાજની દીકરી-બહેનો પ્રેમ વિશે જાગૃત થાય, પ્રેમના નામે જે લોકો ખોટું કામ કરી રહ્યા છે એ લોકો બહાર લાવવા ખૂબ જ જરૂરી છે અને વર્તમાન સમયના ટેક્નોલોજીના સમયમાં જ્યારે આ પ્રકારની વ્યવસ્થા થતી હોય, અમારા નિવૃત્ત ચીફ ઓફિસર રમેશભાઈ જોશીને આ વિચાર આવેલો કે દીકરીઓને આ પિક્ચર બતાવીએ અને પિક્ચરના માધ્યમથી એક સંદેશ આપવાનો પ્રયત્ન હતો. એટલે દાતા સ્નેહલભાઈ મહેતા, આર.પી. જોશી સાહેબ, મંત્રી પણ આવ્યા છે, ધારાસભ્ય તમામ આગેવાનો છે, બધા ભેગા મળીને દીકરીઓ પ્રેમ વિશે જાગૃત થાય અને સમયની સાથે બદલાવ લાવે, સંસ્કારો અને પરંપરાની જાળવણી કરે એ જ હેતુથી આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મંત્રી પ્રવીણભાઈ માળી, ધારાસભ્ય અનિકેતભાઇ ઠાકર, પૂજ્ય વિજય સોમજી મહારાજ, કૃણાલભાઈ ભટ્ટ, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ દીલશુખભાઈ અગ્રવાલ, રમેશભાઈ પંડ્યા, આર.એસ.એસ.માંથી કૈલાશજી જોશી, ડાહ્યાભાઈ ગામી અને મહિલા અગ્રણી રાજીલબેન દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમાજના સભ્યો અને વાલીઓ દ્વારા આ અનોખી પહેલને વ્યાપક સરાહના મળી હતી, અને આગેવાનોએ આવી જાગૃતિ પ્રવૃત્તિઓ સમાજને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 8:46 pm

ગોપાલ ઇટાલિયાની હાજરીમાં રસપ્રદ ટિપ્પણી:AAP સમર્થકે કોંગ્રેસના MLA કિરીટ પટેલને કહ્યું-ત્યાં ફાવતું ન હોય તો અમારી પાર્ટીમાં આવી જાવ

ગાંધીનગરમાં ચાલી રહેલા ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન એક હળવી અને રસપ્રદ ઘટના સામે આવી હતી. વિધાનસભા પરિસરમાં રાજકીય ચર્ચાઓ વચ્ચે થોડા સમય માટે હાસ્યનો માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે ગોપાલ ઇટાલિયા પોતાના સમર્થકો સાથે વિધાનસભા પરિસરમાં ચર્ચા કરી રહ્યા હતા અને તેમને વિધાનસભા તેમજ સચિવાલય અંગે માહિતી આપી રહ્યા હતા. આ દરમિયાન ત્યાંથી પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ પસાર થઈ રહ્યા હતા. ગોપાલ ઇટાલિયાએ પોતાના સમર્થકોને કિરીટ પટેલનો પરિચય કરાવ્યો. પરિચય બાદ એક AAP સમર્થકે હળવા અને મજાકીય અંદાજમાં કિરીટ પટેલને કહ્યું કે, ત્યાં ફાવતું ન હોય તો આમ આદમી પાર્ટીમાં આવી જાવ ને... સમર્થકની આ ટિપ્પણી સાંભળતા જ ત્યાં હાજર લોકોમાં હાસ્ય ફરી વળ્યું. ત્યારે ગોપાલ ઇટાલિયાએ પણ તરત જ હળવી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અરે ભાઈ, એવું ના હોય... તેમના આ જવાબ પછી વાતચીત વધુ હળવા માહોલમાં આગળ વધી. વિધાનસભા સત્ર દરમિયાન સામાન્ય રીતે રાજકીય ગરમાવો જોવા મળતો હોય છે, પરંતુ આ પ્રકારની હળવી ઘટના થોડો સમય માટે વાતાવરણને હળવું બનાવી દેતી હોય છે. આ ઘટનાએ પણ વિધાનસભા પરિસરમાં થોડો સમય માટે હાસ્યનો માહોલ સર્જ્યો હતો અને ત્યાં હાજર લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની હતી.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 8:46 pm

વલસાડ પોલીસે ગેસ એજન્સી, CNG પમ્પ સંચાલકો સાથે બેઠક યોજી:સુરક્ષા અને નિયમોના પાલન પર ભાર મૂકાયો

વલસાડ સિટી પોલીસે શહેરમાં સુરક્ષા વ્યવસ્થા અને જાહેર સુવિધા જાળવવા માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. PI દિનેશ પરમારના અધ્યક્ષસ્થાને વલસાડ સિટી પોલીસ મથક ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરની વિવિધ ગેસ એજન્સીઓના સંચાલકો અને CNG પમ્પના માલિકો હાજર રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ગેસ વિતરણ અને CNG પમ્પ પર થતી કામગીરીમાં સુરક્ષાના માપદંડો જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો હતો. ગેરકાયદેસર ગેસ રિફિલિંગ અને સલામતીના અભાવે થતી દુર્ઘટનાઓને રોકવા માટે પોલીસે આ પહેલ કરી છે. PI દિનેશ પરમારે સંચાલકોને કડક સૂચનાઓ આપી હતી. તેમણે જણાવ્યું કે, ગેસ રિફિલિંગ અને પરિવહન દરમિયાન તમામ સુરક્ષા સાધનો કાર્યરત હોવા જોઈએ. ખાસ કરીને, તમામ ગેસ એજન્સીઓ અને CNG પમ્પ પર હાઈ-ડેફિનેશન CCTV કેમેરા ચાલુ રાખવા ફરજિયાત છે. અગ્નિશમન ઉપકરણોની નિયમિત તપાસ કરવી અને સ્ટાફને તેની તાલીમ આપવી પણ સૂચવવામાં આવ્યું હતું. પમ્પ પર વાહનોની લાંબી કતારોને કારણે ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા પર ભાર મૂકવામાં આવ્યો. શંકાસ્પદ પ્રવૃત્તિ કે અનધિકૃત વ્યક્તિઓ વિશે તાત્કાલિક પોલીસને જાણ કરવા પણ સૂચના અપાઈ હતી. PI પરમારે સંચાલકોને ખાતરી આપી હતી કે તેમની મુંઝવણોના નિરાકરણ માટે પૂરતો સહયોગ મળશે. જોકે, તેમણે ચેતવણી પણ આપી હતી કે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 8:37 pm

નવસારીમાં PNG ગેસ લાઇન તૂટતા 700 ઘરોનો સપ્લાય ખોરવાયો:ધર્મીનનગરમાં ખોદકામ દરમિયાન દુર્ઘટના, સમારકામ શરૂ

નવસારી શહેરના ધર્મીન નગર વિસ્તારમાં ખોદકામ દરમિયાન PNGની મુખ્ય ગેસ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. આ ઘટનાને કારણે આસપાસના અંદાજિત 700 ઘરોમાં રાંધણ ગેસનો સપ્લાય ખોરવાઈ ગયો છે. પ્રાથમિક માહિતી મુજબ, ધર્મીન નગરમાં ગેસ પાઇપલાઇનના પુલિંગની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન જેસીબી મશીન વડે ખાડો ખોદતી વખતે અજાણતા ગેસ લાઇનના પાઇપને નુકસાન થયું હતું, જેના પરિણામે ગેસ લીકેજ શરૂ થયું. ઘટનાની જાણ થતાં જ નવસારી ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ગુજરાત ગેસ લિમિટેડની ટેકનિકલ મેન્ટેનન્સ ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક અસરથી ગેસ સપ્લાય બંધ કરી દીધો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સુરક્ષા જળવાઈ રહે તે માટે નવસારી ગ્રામ્ય પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યો છે. હાલ ગુજરાત ગેસ કંપની દ્વારા યુદ્ધના ધોરણે પાઇપલાઇન રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગેસ લાઇનમાં ભંગાણ પડવાને કારણે ધર્મીન નગર અને તેની આસપાસના 700 જેટલા પરિવારો પ્રભાવિત થયા છે. કંપની દ્વારા ટૂંક સમયમાં ગેસ સપ્લાય પુનઃસ્થાપિત કરવાની ખાતરી આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 8:35 pm

પાંરજપોળ પાસે નશામાં ધૂત રિક્ષાચાલકે ટક્કર મારતા વૃદ્ધનું મોત:સ્થાનિકોએ પકડી ફટકાર્યો, વસ્ત્રાપુરમાં કંપનીમાં કામ કરતો કર્મચારી 13 લોકોના 2 લાખ લઈ ફરાર

શહેરના પાંજરાપોળ ચાર રસ્તાથી પર્યાવરણ મંદિર તરફ ચાલતા જઈ રહેલા વૃદ્ધને નશામાં ધૂત લોડિંગ રિક્ષાચાલકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં વૃદ્ધ રોડ પર પટકાયા હતા અને ગંભીર ઇજા થતા સ્થળ પર મોત નિપજ્યું હતું. તો વસ્ત્રાપુરમાં કંપનીના કર્મચારીએ 13 લોકો પાસેથી 1.93 લાખ મેળવી કંપનીમાં જમા ન કરાવી છેતરપિંડી આચરી છે. વાસણામાં એક શખ્સ વૃદ્ધના ઘરમાં ઘૂસી વૃદ્ધ સાથે મારામારી કરી 75 હજારની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. તેમજ ઉસ્માનપુરા પાસે એક ટુ-વ્હીલર ચાલકે કારચાલકને રોકી અકસ્માત કર્યો હોવાનું કહી સારવાર કરાવવાના બહાને એક લાખ પડાવ્યા હતા. ચારેય ઘટનામાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લોડિંગ રિક્ષાએ ટક્કર મારતા વૃદ્ધ હવામાં ફંગોળાઈ રોડ પર પટકાયાપાંજરાપોળ ચાર રસ્તા નજીક નશામાં ધૂત લોડિંગ રિક્ષાચાલકે ટક્કર મારતા 69 વર્ષીય હરિપ્રસાદ પાંડેનું મોત નીપજ્યું હતું. હરિપ્રસાદ પાંડે પાંજરાપોળથી પર્યાવરણ મંદિર તરફ પગપાળા જઈ રહ્યા હતા. ત્યારે તક્ષશીલા પાસે ઓએનજીસીની દીવાલ પાસેથી પૂરઝડપે આવેલી રિક્ષાએ તેમને ટક્કર મારી હતી. ટક્કર વાગતા હવામાં ફંગોળાઈ રોડ પર પટકાયા હતા. અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતાં સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માત બાદ ભેગા થયેલા લોકોએ ભાગવાનો પ્રયાસ કરનાર રિક્ષાચાલક રાજુ જાટવને પકડી મેથીપાક ચખાડીને પોલીસને સોંપ્યો હતો. આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વસ્ત્રાપુરમાં 13 લોકો પાસેથી પૈસા લઈ કંપનીમાં જમા ન કરાવી ઠગાઈવસ્ત્રાપુર વિસ્તારમાં કંપનીમાં કામ કરતા કર્મચારીએ જ 1.93 લાખની છેતરપિંડી આચરી છે. વસ્ત્રાપુરમાં રહેતા સાકેતભાઈ વિશ્વકર્મા કંપની સંચાલિત પીજીમાં નોડલ ઓફિસર તરીકે કામ કરે છે. કંપનીમાં કેપ્ટન તરીકે કામ કરતો પ્રમોદ બાંદલા નવા લોકોની નિમણૂક તેમજ પેમેન્ટનો હિસાબ રાખતો હતો. થોડા દિવસ પહેલા તે રજા પર ગયો હતો. તે દરમિયાન કેટલાક લોકોએ પેમેન્ટ કર્યા છતાં એપ્લિકેશનમાં એન્ટ્રી ન હોવાનું કંપનીમાં જણાવ્યું હતું. જે બાદ તપાસ કરવામાં આવતા પ્રમોદે 13 લોકો પાસેથી લીધેલા 1.93 લાખ કંપનીમાં જમા ન કર્યાનું બહાર આવ્યું હતું, જેને લઈને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. વાસણામાં તસ્કરે ઘરમાં ઘૂસી લૂંટ ચલાવીવાસણા વિસ્તારમાં આવેલા ધનુષધારી સોસાયટીમાં 91 વર્ષીય નરેન્દ્ર શાહના ઘરમાં ઘૂસી અજાણ્યા શખ્સે લૂંટ ચલાવી હોવાનું સામે આવ્યું છે. નરેન્દ્ર શાહ તહેવાર નિમિત્તે અમેરિકાથી અમદાવાદ આવ્યા હતા. ગત 8 તારીખે તેમના ઘરે સૂતા હતા. અચાનક રાત્રે અવાજ આવતા નરેન્દ્રભાઈ જાગી ગયા હતા. તે બાદ રૂમમાંથી બહાર આવતા જ એક શખ્સે તેમની સાથે મારામારી કરી હતી. ત્યારબાદ કબાટમાં રાખેલા આશરે 75 હજાર રૂપિયા લૂંટી ફરાર થઈ ગયો હતો, જેને લઈને વૃદ્ધે અજાણ્યા આરોપી સામે વાસણા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત થયો હવાનું કહી બાઈકચાલક પૈસા લઈ ફરારઆંબાવાડી વિસ્તારમાં રહેતા અનિલભાઈ કોઠારી સાથે અકસ્માતના નામે ઠગાઈની આચરવામાં આવી છે. ગત 11 તારીખે અનિલભાઈ કાર લઇને જઈ રહ્યા હતા, ત્યારે ઉસ્માનપુરા પાસે એક ગઠિયો ટુ-વ્હીલર પર આવી તેમની ગાડી રોકી હતી. અકસ્માત થયો હોવાનું કહી ઇજા થઈ હોવાનું નાટક કર્યું હતું. જે બાદ આરોપી અનિલભાઇને કોટ વિસ્તારમાં હાડવૈદ પાસે અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ લઇ ગયો. સર્જરી કરાવવાની જરૂર હોવાનું કહી આરોપીએ બેંકમાં લઇ જઈ એક લાખ રૂપિયા પડાવી લીધા હતા. તેમજ 70 હજારનો ચેક પણ લીધો. જો કે બાદમાં અકસ્માત થયો જ ન હોવાનું બહાર આવતા અનિલભાઇએ વાડજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 8:29 pm

ચાર પાઠદાન કેન્દ્રનો વાર્ષિકોત્સવ:હિંમતનગરમાં બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા

હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં એન.જી. સર્કલ પાસે આવેલા પાલિકા સંચાલિત બગીચામાં રવિવારે રાષ્ટ્રીય સેવા ભારતી સંલગ્ન કર્મધામ હિંમતનગર દ્વારા સંચાલિત ચાર પાઠદાન કેન્દ્રોનો વાર્ષિકોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ પાઠદાન કેન્દ્રોમાં બાળકોને વિનામૂલ્યે શિક્ષણ અને સંસ્કારનું સિંચન કરવામાં આવે છે, જ્યાં રોજ ચાર શિક્ષકો ટ્યુશન કરાવે છે. વાર્ષિકોત્સવમાં વિવેકાનંદ, માધવ પાર્ક, સરસ્વતી અને કેશવ પાઠદાન કેન્દ્રોના કુલ 70 બાળકોએ ભાગ લીધો હતો અને પોતાની મૌલિકતા દર્શાવતી સુંદર કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રસંગે પાઠદાન કેન્દ્રની ચાર બહેનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શારદા વિદ્યામંદિર વડાલીના વક્તા ગૌતમભાઈ આચાર્ય, કર્મધામના ટ્રસ્ટી અને પ્રમુખ રમેશભાઈ સોરઠીયા, પરિમલભાઈ પંડિત, મહેન્દ્રભાઈ પટેલ, અનિરુદ્ધભાઈ સોરઠીયા અને ડૉ. મહેન્દ્રભાઈ સોની સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લલીતભાઈ પટેલ, જશુભાઈ સોની અને જિલ્લાના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. શહેરના શ્રેષ્ઠીઓ જેવા કે કેશવ ઉપનગર કાર્યવાહ ભાવેશભાઈ પટેલ, માધવ ઉપનગર કાર્યવાહ વિશાલભાઈ સોરઠીયા, નિવૃત્ત બેંક મેનેજર ભરતભાઈ પરમાર, ગોપાલસિંહ રાઠોડ, કનુભાઈ દવે તેમજ શહેરના નાગરિકો અને પાઠ કેન્દ્રના બાળકોના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 8:24 pm

ડૉ. અજય રાવલને શિક્ષણશાસ્ત્રમાં PhD બદલ સન્માનિત કરાયા:રાષ્ટ્રીય પરિસંવાદમાં “ડૉ. મફતલાલ પટેલ સંશોધન પારિતોષિક – 2025” એનાયત

ગાંધીનગર નિવાસી ડૉ. અજય રાવલને શિક્ષણશાસ્ત્રમાં પીએચ.ડી. પૂર્ણ કરવા બદલ “ડૉ. મફતલાલ પટેલ સંશોધન પારિતોષિક – ૨૦૨૫” એનાયત કરવામાં આવ્યું છે. આ સન્માન અમદાવાદમાં યોજાયેલા એક રાષ્ટ્રીય પરિસંવાદ દરમિયાન તેમને અર્પણ કરાયું હતું. અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા તા. 15 માર્ચ, 2026 (રવિવાર) ના રોજ અમદાવાદ ખાતે “એ.આઈ. ટેક્નોલોજી – ભારતીય શિક્ષણ પ્રણાલીમાં આશીર્વાદ કે અભિશાપ?” વિષયક રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર શિક્ષણવિદોને વિવિધ સન્માનો અને પારિતોષિકોથી નવાજવામાં આવ્યા હતા. ડૉ. અજય રાવલ કડી સર્વ વિશ્વવિદ્યાલયની એસ. એસ. પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન, ફેકલ્ટી ઓફ એજ્યુકેશન ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છે. તેમને પદ્મશ્રી રતિલાલ બોરીસાગર, પ્રખ્યાત પત્રકાર દેવેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણવિદ ડૉ. મફતલાલ પટેલ જેવા પ્રતિષ્ઠિત મહાનુભાવોના હસ્તે આ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. ડૉ. રાવલનું પીએચ.ડી. સંશોધન કાર્ય “ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની આધ્યાત્મિક બુદ્ધિ અને આત્મ ગૌરવનો કેટલાંક ચલોના સંદર્ભમાં અભ્યાસ” વિષય પર આધારિત છે. આ સંશોધન પ્રો. ડૉ. વીણાબેન પટેલ, ડીનશ્રી, ફેકલ્ટી ઓફ એજ્યુકેશન, કડી સર્વ વિશ્વવિદ્યાલયના માર્ગદર્શન હેઠળ પૂર્ણ થયું છે. આ કાર્યક્રમમાં દેશભરના શિક્ષણવિદો, સંશોધકો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. અજય રાવલને મળેલું આ સન્માન તેમના શૈક્ષણિક સંશોધન અને શિક્ષણક્ષેત્રે આપેલા યોગદાન માટે એક મહત્ત્વપૂર્ણ પુરસ્કાર ગણાય છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 8:22 pm

વેપારીના ગળા પર છરી મૂકીને લૂંટ:બાપુનગરમાં અસામાજીક તત્વને લોકોએ પકડીને મેથીપાક આપ્યો, પોલીસ પેટ્રોલિંગ ન કરતી હોવાનો આક્ષેપ

શહેરના બાપુનગરમાં અસામાજીક તત્વનો આતંક સામે આવ્યો છે. વેપારીના ગળા પર છરી મૂકીને કાઉન્ટરમાં હાથ નાખીને રૂ. 2200 લૂંટીને ફરાર થઇ ગયો હતો. વેપારીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને તેનો પીછો કરીને પકડીને મેથીપાક ચખાડીને પોલીસના હવાલે કર્યો હતો. આ અંગે બાપુનગર પોલીસે શખ્સ સામે ગુનો નોધીને તેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આ વિસ્તારમાં અગાઉ પણ કેટલાક લોકોને તેણે છરી મારી હોવાનો બનાવ બન્યો છે, ત્યારે આવા સામાજિક તત્વો વિસ્તારમાં પોલીસને ગાંઠતા ન હોવાનું અને પોલીસ પેટ્રોલિંગ કરતી ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ પણ છે. આરોપીએ દુકાને આવીને પહેલાં બિભત્સ ગાળો ભાંડીમળતી માહિતી મુજબ, બાપુનગરમાં વિસ્તારમાં 56 વર્ષીય ગોપાલસિંગ વર્મા ચતુરદાસ હજારીમલની ચાલી પાસે આઇસ્ક્રીમની દુકાન ધરાવી ધંધો કરે છે. 14 માર્ચે રાત્રિના સમયે તેઓ પુત્ર અમીત અને ભત્રીજા વિષ્ણુ અને કારીગરો સાથે હાજર હતા. ત્યારે સામે ગંગાનગરની ચાલીમાં રહેતો સુનિલ રાવત છરી લઇને દુકાને આવીને બિભત્સ ગાળો બોલીને ગોપાલસિંગના ગળા પર છરી મૂકીને દુકાનના કાઉન્ટરમાંથી રૂ. 2200 લૂંટીને નાસી ગયો હતો. જેથી ગોપાલ સિંગે બૂમાબૂમ કરતા આસપાસના વેપારીઓ અને કારીગરોએ આવીને સુનિલની પાછળ દોડ્યા હતા. સૌરાષ્ટ્ર પટેલ સોસાયટી પાસે સુનિલ નીચે પડી જતા લોકોએ તેને પકડી પાડીને મેથીપાક ચખાડીને પોલીસના હવાલે કર્યો હતો. આરોપીએ અગાઉ પણ અન્ય વેપારી પર હુમલો કર્યો હતોભૂતકાળમાં અગાઉ પણ આ વ્યક્તિ દ્વારા બીજા વેપારીઓ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. વેપારીઓ દ્વારા લેખિતમાં પોલીસ આ તત્વ સામે કાર્યવાહી કરવા માટે સહી સાથે લખાણ પણ આપ્યું છે. બાપુનગર વિસ્તારમાં બનતા આવા બનાવોને લઈને પોલીસ પણ નિષ્ક્રિય હોવાનું સામે આવ્યું છે. આ અંગે ગોપાલસિંગે સુનિલ સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે સુનિલની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 8:19 pm

દ્વારકા-નાગેશ્વર રોડ પર બુલેરો-કાર અકસ્માત:એક વ્યક્તિ ઘાયલ, નવા ડિવાઈડર જોખમી બન્યા

દ્વારકા-નાગેશ્વર માર્ગ પર આજે બુલેરો અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોમાં નવા બનેલા ડિવાઈડરની સુરક્ષા વ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, આ અકસ્માત દ્વારકા-નાગેશ્વર રોડ પર થયો હતો. અથડામણ એટલી જોરદાર હતી કે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં જ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, થોડા સમય પહેલા જ આ માર્ગ પર નવા ડિવાઈડર મૂકવામાં આવ્યા છે. જોકે, આ ડિવાઈડર પર યોગ્ય સૂચના, રિફ્લેક્ટર કે પૂરતી સુરક્ષા વ્યવસ્થાનો અભાવ જોવા મળે છે. જેના કારણે રાત્રિના સમયે અથવા ઝડપથી આવતા વાહનચાલકો માટે તે જોખમરૂપ બની રહ્યા છે. નવા ડિવાઈડર બન્યા પછી આ જ વિસ્તારમાં અત્યાર સુધીમાં ચારથી વધુ નાના-મોટા અકસ્માતો બન્યા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાને કારણે સ્થાનિકોમાં રોડ સેફ્ટી અંગે નારાજગી પ્રવર્તી રહી છે. લોકો દ્વારા સંબંધિત તંત્રને યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા, ડિવાઈડર પર રિફ્લેક્ટર લગાવવા અને ચેતવણીના બોર્ડ મૂકવાની તાત્કાલિક માંગ કરવામાં આવી રહી છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 7:56 pm

જાહેરમાં છેડતી કરનાર યુવકે મહિલા સામે જ ઉઠકબેઠક કરી, VIDEO:ઈલોરા પાર્કમાં રસ્તે ચાલીને જઈ રહેલી મહિલાની છેડતી કરી, સીસીટીવીના આધારે પોલીસે ઝડપી સાન ઠેકાણે લાવી દીધી

વડોદરા શહેરના ઈલોરાપાર્ક વિસ્તારમાં એક શખ્સે રસ્તા પર ચાલતી મહિલાને સ્પર્શ કરીને છેડતી કરી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. મહિલાની ફરિયાદના આધારે ગોરવા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત આરોપીએ પોલીસ સ્ટેશનમાં આવીને મહિલા સામે કાન પકડીને માફી માંગી હતી. રસ્તે ચાલીને જતી મહિલાની છેડતી કરી હતીતા.14 માર્ચના રોજ રાત્રે આશરે 11:10 વાગ્યે વડોદરા શહેરના ઇલોરાપાર્ક વિસ્તારમાં એમ.આઇ.જી. ફ્લેટ્સની ગલીમાં એક મહિલા રસ્તા પર ચાલતી હતી, ત્યારે એક અજાણ્યા બાઇક સવારે તેની બાજુમાં આવીને છેડતી કરી અને ભાગી ગયો હતો. મહિલાએ તુરંત જ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 75(2) હેઠળ ગુનો દાખલ કર્યો હતો. છેડતીની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. પોલીસે CCTVના આધારે આ કેસમાં તપાસ શરૂ કરી હતી. આરોપીને પકડવા માટે ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એન. લાઠીયાના દ્વારા અલગ-અલગ ટીમો રચવામાં આવી હતી. CCTV ફૂટેજનું વિશ્લેષણ અને હ્યુમન સોર્સિસના આધારે આરોપી અમિત નટુભાઈ પઢિયાર (ઉંમર: 38 વર્ષ, રહે. શંકરપાર્ક સોસાયટી, દિવાળીપુરા, વડોદરા) ની ઓળખ થઈ ગઈ હતી અને ગોરવા પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીએ મહિલાની સામે ઉઠબેસ કરી માફી માગીઆરોપી અમિત નટુભાઈ પઢિયારે મહિલાની સામે કાન પકડીને જણાવ્યું હતું કે, 'મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે. હું આવું ગેરવર્તન કોઈ બહેન સાથે ક્યારેય નહીં કરું' ત્યારબાદ આરોપી કાન પકડીને ઉઠક બેઠક કરીને પોતાની ભૂલની સજા જાતે સ્વીકારે છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 7:50 pm

રાજકોટ AIIMSના ઇન્ટર્ન તબીબના આપઘાતમાં 5ની ધરપકડ:ઈન્સ્ટાગ્રામમાં સુસાઈડ નોટ મૂકી લખ્યું-સાથી વિદ્યાર્થીઓ જ શારીરિક-માનસિક ત્રાસ આપતા, સ્ત્રી મિત્રનો પણ ઉલ્લેખ

ગુજરાત રાજ્યની એકમાત્ર રાજકોટ સ્થિત નામાંકિત AIIMS હોસ્પિટલમાં ઇન્ટર્ન ડોક્ટરના આપઘાત પ્રકરણમાં નવો વણાંક આવ્યો છે. MBBSમાં અભ્યાસ કરતા રતન મેઘવાલે સહપાઠી 5 મેડિકલ વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક ત્રાસના કારણે જ જીવન ટૂંકાવી લીધાનું સુસાઈડ નોટમાં સામે આવ્યું છે. મૃતક યુવાને અગાઉ 2 વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને પોતે માનસિક અસ્વસ્થ હોય મનોચિકિત્સકની દવા પણ ચાલુ હતી. સુસાઇડ નોટમાં તેમની સાથે જ અભ્યાસ કરતી સ્ત્રી મિત્રનો પણ ઉલ્લેખ કરાયો છે. જોકે હાલ પોલીસે કોર્ટના આદેશ મુજબ પાંચેય ઇન્ટર્ન તબીબ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતકની સાથે ભણતા 5 વિદ્યાર્થીની ધરપકડરાજકોટ SC, ST સેલના ACP ચિંતન પટેલે જણાવ્યું હતું કે, AIIMS હોસ્પિટલના ઇન્ટર્ન તબીબ અને MBBSના વિદ્યાર્થી રતનકુમાર મોહનલાલ મેઘવાલે આપઘાત પહેલા લખેલી સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં લખ્યા મૂજબ, તેમની સાથે અભ્યાસ કરતા MBBSના જ 5 વિદ્યાર્થી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા અને તેના કારણે જ તેને આપઘાતનું અંતિમ પગલું ભર્યુ હતુ. પોલીસે મૃતક યુવાન સાથે અભ્યાસ કરતા મેડિકલના 5 વિદ્યાર્થીની ધરપકડ કરી છે. આ સિવાય એક મહિલા મિત્રનો ઉલ્લેખ છે, જે મૃતક યુવાન અને આરોપીઓ બંનેના મિત્ર છે. જે પણ MBBSમાં જ અભ્યાસ કરે છે. તેઓની વચ્ચે વ્હોટ્સએપ મેસેજમાં વાતચીત થતી હતી. ત્રીજી વખત આપઘાતના પ્રયાસમાં મોતઆ યુવાને અગાઉ એક નહીં પરંતુ બે-બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જ્યારે ત્રીજી વખત તેને આપઘાતનો પ્રયાસ કરતા તેમનું મૃત્યુ નીપજ્યુ હતુ. અગાઉ 28 જાન્યુઆરી, 2026ના પરાપીપળીયા ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે તે વખતે તેને બચાવી લેવાયો હતો. જે બાદ તેનું કાઉન્સિલિંગ થયુ હતુ અને મનોચિકિત્સકની દવા ચાલુ હતી. જોકે બાદમાં તે AIIMS હોસ્પિટલમાં ન હતો. યુવાન તેના ઘરે રાજસ્થાનના જેસલમેર હતો, જ્યાં પણ યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઈન્ટર્ન ડૉક્ટરે ટ્રેન નીચે આવી જીવન ટૂંકાવ્યું, દોઢ મહિના પહેલા ગ્રામજનોએ સુસાઇડ કરતા બચાવ્યો હતો યુવકે આપઘાત પૂર્વે 18 પેજની સુસાઇડ નોટ ઈન્સ્ટાગ્રામ પર મૂકીજે બાદ ગત 13 માર્ચ, 2026ના યુવાન રાજસ્થાનથી રાજકોટ આવી પહોંચ્યો હતો અને 14 માર્ચના વહેલી સવારે પરાપીપળીયા પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી જીવન ટૂંકાવી લીધુ છે. યુવાને આપઘાત પૂર્વે 18 પેજની સુસાઇડ નોટ પોતાના ઈન્સ્ટાગ્રામ પર મૂકી હતી, જેમાં તેમની સાથે અભ્યાસ કરતા મિત્રો જ તેમને ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે તેઓ કઈ રીતે તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા, તેનો કોઈ ઉલ્લેખ નથી. આજે 15મી માર્ચે પાંચેય આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરાયો છે. આરોપીઓના નામ AIIMS રાજકોટના 2021 બેચના વિદ્યાર્થી મૃતક રતનકુમાર મેઘવાલ દ્વારા લખાયેલ એક પત્ર સામે આવ્યો છે, જેમાં તેમણે તેની આત્મહત્યા માટે જવાબદાર કારણો અને વ્યક્તિઓ વિશે વિગતવાર માહિતી આપી છે. પત્રનો સારાંશ મારપીટ અને પ્રતાડના: રતને ઉલ્લેખ કર્યો છે કે 27/1/26ના રોજ આ 5 છોકરાએ તેમની સાથે રૂમ 203 (બોયઝ હોસ્ટેલ)માં મારપીટ કરી હતી. તેમણે રતનના વીડિયો અને ઓડિયો રેકોર્ડિંગ પણ કર્યા હતા, જેથી તેમને માનસિક રીતે તોડી શકાય. યુવતી વિશે સ્પષ્ટતા: રતને ભારપૂર્વક જણાવ્યું છે કે આમાં યુવતીની કોઈ ભૂલ નથી અને તેને અથવા તેના માતા-પિતાને આ માટે જવાબદાર માનવા નહીં. તેમના મતે, યુવતી પોતે જ આ છોકરાઓના 'માઇન્ડ ગેમ' અને 'લવ બોમ્બિંગ'નો શિકાર બની હતી. રતન અને યુવતીનો સંબંધ: તેમની વચ્ચે કોઈ પ્રેમ સંબંધ (Love) નહોતો પરંતુ ઊંડું ભાવનાત્મક જોડાણ (Emotional Attachment) હતું. રતને સ્વીકાર્યું કે બંને વચ્ચે ગેરસમજ થઈ હતી અને વાતચીત બંધ થવાને કારણે સ્થિતિ બગડી હતી. પ્રણવ પાલીવાલની ભૂમિકા: રતને આક્ષેપ કર્યો છે કે પ્રણવે રતન અને યુવતી વચ્ચેના તણાવનો ફાયદો ઉઠાવ્યો હતો. તેણે યુવતીને ઈમોશનલી મેનીપ્યુલેટ કરીને પોતાની જાળમાં ફસાવી હતી, જે માત્ર એક 'ટાઈમપાસ' હતો. અંતિમ ઈચ્છાઓ અને વિનંતીઓકાનૂની કાર્યવાહી: રતને માંગ કરી છે કે તે 5 છોકરા સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને તેમના ફોનની FSL તપાસ કરવામાં આવે, જેથી ડિલીટ કરેલા વીડિયો અને પુરાવા મળી શકે. યુવતી માટે રક્ષણ: રતને કોલેજને વિનંતી કરી છે કે યુવતી સામે કોઈ કાનૂની કે એકેડેમિક પગલાં ન લેવામાં આવે. તેને પ્રોફેશનલ કાઉન્સેલિંગ આપવામાં આવે અને તેનો અભ્યાસ પૂર્ણ કરવામાં મદદ કરવામાં આવે. અન્ય પીડિતો: પત્રમાં જણાવાયું છે કે આ જ છોકરાઓએ અગાઉ રાજ તિવારી નામના વિદ્યાર્થી સાથે પણ મારપીટ કરી હતી, પરંતુ કોલેજ દ્વારા કોઈ કડક પગલાં લેવાયા નહોતા.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 7:42 pm

પીપરડી પાંજરાપોળમાં અબોલ જીવોને લીલા ઘાસ અપાયું:સહકાર નગર જીવદયા ગ્રુપ દ્વારા એક આઇસર ઘાસચારો પૂરો પાડવામાં આવ્યો

સહકાર નગર જીવદયા ગ્રુપ દ્વારા પીપરડી મહાજન પાંજરાપોળમાં અબોલ જીવો માટે લીલા ઘાસ આપવામાં આવ્યું હતું. એક આઇસર ભરીને લીલું ઘાસ પાંજરાપોળના પશુઓને ખવડાવવામાં આવ્યું. આ સેવાકાર્ય માટે કુલ રૂ. 15,000નો ખર્ચ થયો હતો, જે વિવિધ સહયોગી દાતાઓ દ્વારા પૂરો પાડવામાં આવ્યો હતો.દાતાઓમાં સ્વ. હેમકુંવરબેન નેમચંદ દેવશી ગુઢકા તથા સ્વ. દર્શનાબેનના આત્મશ્રેયાર્થે ઋષભ વિજયભાઈ શાહ પરિવાર (મૂળ મિઠોઈ, હાલ લંડન) તરફથી રૂ. 3,501નો સહયોગ મળ્યો હતો. માતૃશ્રી લીલાવતીબેન શિવાલાલભાઈ શાહ (તુરખાવાળા, બોટાદ) દ્વારા રૂ. 2,500નું દાન આપવામાં આવ્યું હતું.આ ઉપરાંત, સ્વ. જયેશભાઈ હિંમતલાલ શાહ HM પરિવાર (બોટાદ) તરફથી રૂ. 1,500, સ્વ. લતાબેન રાજેશભાઈ શાહ (બોટાદ) તરફથી રૂ. 1,000, એક ગુરુભક્ત પરિવાર (બોટાદ) તરફથી રૂ. 1,000, એક ભાઈ (બોટાદ) તરફથી રૂ. 500 અને જીતેન્દ્રભાઈ વસાણી (બોટાદ) તરફથી રૂ. 500નો ફાળો મળ્યો હતો.સહકાર નગર જીવદયા ગ્રુપે તમામ લાભાર્થી પરિવારોનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 7:41 pm

VNSGU અંગ્રેજી વિભાગનો કોચી શૈક્ષણિક પ્રવાસ:59 વિદ્યાર્થીઓ, 5 અધ્યાપકોએ કોચી-મુઝિરિસ બિનાલેની મુલાકાત લીધી

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ના અંગ્રેજી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસ 21 થી 28 ફેબ્રુઆરી, 2026 દરમિયાન કેરળના કોચી શહેરમાં યોજાયો હતો. પ્રવાસનો મુખ્ય હેતુ કોચી-મુઝિરિસ બિનાલે (KMB) ના છઠ્ઠા સત્રની મુલાકાત લેવાનો હતો. આ આંતરરાષ્ટ્રીય કલા મહોત્સવ For the Time Being શીર્ષક હેઠળ યોજાયો હતો.આ શૈક્ષણિક પ્રવાસમાં કુલ 59 વિદ્યાર્થીઓ અને 5 અધ્યાપકો જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 7:25 pm

વડવા તલાવડીમાં પાડોશીઓનો યુવક પર છરીથી હુમલો:ઘર પાસે ટોળા ભેગા કરવા બાબતે બે શખસે માર માર્યો; સંબંધીઓ આવી જતાં આરોપીઓ ફરાર

ભાવનગર શહેરના વડવા તલાવડી વાલ્મિકી વાસ વિસ્તારમાં ઘર નજીક લોકોને ટોળા ભેગા થવા બાબતે પડોશીઓ વચ્ચે થયેલી બોલાચાલી દરમિયાન પડોશમાં જ રહેતા બે શખસે એક યુવકને ઢીકાપાટુ વડે મારમારી છરીથી હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યારે બનાવના પગલે પોલીસે બંને શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓએ લોકોને ભેગા ન કરવાનું કહી બબાલ કરીઆ બનાવ અંગે નિલમબાગ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર, ભાવનગર શહેરના વડવા તલાવડી વાલ્મિકી વાસ વિસ્તારમાં રહેતા વિપુલ મહેશભાઈ સરધારાએ નિલમબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગતરાત્રે તે પોતાના ઘર નજીક બેઠો હતો. ત્યારે પાડોશમાં રહેતા ભરત વિનોદભાઈ ચૌહાણ અને અમિત જેરામભાઈ ચૌહાણ ત્યાં આવી તેમને ઘરની નજીક લોકોના ટોળા ભેગા ન કરવા બાબતે કહ્યુ હતું. છરી મારતા આંખના ભાગે ઈજાઆ બાબતે બોલાચાલી થતા બંન્ને ઉશ્કેરાઈ જઈ વિપુલને ઢીકાપાટુ વડે માર માર્યો હતો. દરમિયાન ભરતે તેમના માથાના વાળ પકડી રાખ્યા અને અમિતે છરીથી હુમલો કરી જેમાં વિપુલના આંખના ભાગે ઈજા પહોંચી હતી. આ દરમિયાન વિપુલના સંબંધીઓ દોડી આવતા વધુ મારથી તેને છોડાવવામાં આવ્યો હતો. ત્યારબાદ બન્ને શખસ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બન્ને સામે ગુનો નોંધ્યોઈજાગ્રસ્ત વિપુલને સારવાર માટે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ પગલે પોલીસે ભરત ચૌહાણ અને અમિત ચૌહાણ સામે BNS 118(1), 115(2), 352, 351(2), 351(3), 54 તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 7:04 pm

ગાંધીનગરમાં સ્ટેટ IBનો સિનિયર ઓફિસર 80 હજારની લાંચ લેતા ઝડપાયો:સરગાસણમાં ACBની સફળ ટ્રેપ, પોલીસ પ્રોટેક્શનના રીન્યુઅલ માટે લાંચ માગી હતી

ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં આજે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ગોઠવવામાં આવેલા એક છટકામાં સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરોમાં ફરજ બજાવતો એક અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો છે. સાણંદ સેન્ટરના સિનિયર ઇન્ટેલીજન્સ ઓફીસર કેતન ગીરીશભાઇ દવેએ એક જાગૃત નાગરિકના પોલીસ પ્રોટેક્શનને રીન્યુ કરવા માટે પોઝીટીવ અભિપ્રાય આપવાના બદલામાં 80 હજાર રૂપિયાની માંગણી કરી હતી, જે રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે તેમને દબોચી લીધો છે. પોલીસ પ્રોટેકશનની અરજી બાબતે સકારાત્મક અભિપ્રાય આપવા બદલ લાંચ માગીઆ કેસની વિગત એવી છે કે, ફરિયાદીને અગાઉથી જ પોલીસ પ્રોટેક્શન મળેલું હતું. આ પ્રોટેક્શનની મુદ્દત વધારવા એટલે કે રીન્યુ કરાવવા માટે ફરિયાદીએ વિધિવત અરજી કરી હતી. આ સરકારી પ્રક્રિયાના ભાગરૂપે આરોપી કેતન દવેએ આ અરજી પર સકારાત્મક અભિપ્રાય મોકલી આપવા માટે ફરિયાદી પાસે નાણાંની માંગ કરાઈ હતી. તેણે પોઝીટીવ અભિપ્રાય આપવા ફરિયાદી પાસે 80,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જોકે જાગૃત નાગરિકે આ લાંચ આપવાને બદલે ગાંધીનગર એસીબી એકમનો સંપર્ક સાધી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જેના પગલે ગાંધીનગર એસીબી દ્વારા છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. 80 હજારની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યોઆ દરમિયાન ગાંધીનગરના સરગાસણ ચોકડી પાસે આવેલા સૌરાષ્ટ્ર ગાંઠીયા રથની સામે રોડ પર જ્યારે ફરિયાદી પોતાની ગાડીમાં હાજર હતા.ત્યારે આરોપી કેતન ત્યાં પહોંચ્યો હતો. બાદમાં ગાડીની અંદર જ આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી હતી. જેવી આરોપીએ 80 હજારની રકમ હાથમાં લીધી તેવી જ વોચમાં રહેલી એસીબીની ટીમે ત્રાટકીને તેને રંગેહાથ પકડી લીધો હતો. આ સમગ્ર ટ્રેપની કામગીરી ગાંધીનગર એસીબી એકમના ફિલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ચાવડા દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં મદદનીશ નિયામક એ.કે. પરમારના સુપરવિઝન હેઠળ અને અમદાવાદના નાયબ નિયામક હરેશ મેવાડાના માર્ગદર્શનમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસીબીએ હવે આ મામલે આરોપીની વધુ પૂછપરછ અને અન્ય મિલકતોની તપાસ માટેની તજવીજ તેજ કરી છે. કેતન દવે હાલ સાણંદ સેન્ટર ખાતે કાર્યરતઆ અંગે સૂત્રોએ જણાવ્યું કે , ફરિયાદી એક રાજકીય વ્યક્તિ છે. જેમના પોલીસ પ્રોટેક્શન માટેની મુદત વધારવા માટે અરજી કરવામાં આવી હતી. જે અરજીના પોઝિટિવ અભિપ્રાય માટે દવે કેતને લાંચ માંગી હતી. વર્ષ 2010માં કેતન પોલીસ ખાતામાં પીએસઆઇ તરીકે જોડાયો હતો. બાદમાં પ્રમોશન મેળવીને પોલીસ ઇન્સ્પેક્ટર બન્યો હતો. જે હાલમાં અમદાવાદ રિજિયન સાણંદ સેન્ટર ખાતે એક ઇન્ટેલિજન્સ બ્યુરોમાં સિનિયર ઈન્ટેલિજન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવે છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 6:47 pm

એરપોર્ટના એરકાર્ગો ટર્મિનલ વિસ્તારમાં આગ:કેબીનના સ્ટ્રકચરમાં લાગેલી આગના કારણે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા, કારણ અકબંધ

અમદાવાદ એરપોર્ટ એર કાર્ગો ટર્મિનલ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની હતી. એર કાર્ગો ટર્મિનલ વિસ્તારમાં આવેલી એક ટેમ્પરરી કેબિન સ્ટ્રક્ચરમાં આગ ભભૂકી ઊઠી હતી. આગ લાગતા ધુમાડા આકાશમાં જોવા મળ્યા હતા. જેના પગલે તાત્કાલિક એરપોર્ટ ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી. આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી પરંતુ એર કાર્ગો વિસ્તારમાં બનેલી ઘટનાને લઈને એરપોર્ટ તંત્ર સાવચેત થઈ ગયું હતું. એર કાર્ગો નજીક ટેમ્પરરી કેબીન સ્ટ્રકચરમાં આગમળતી માહિતી મુજબ અમદાવાદ એરપોર્ટના એરક્રાફ્ટ મૂવમેન્ટ એરિયા બહાર આગ લાગવાની ઘટના બની હોવાને લઈને દોડધામ મચી ગઈ હતી. એરપોર્ટની જૂની ગુજસેલ બિલ્ડિંગ પાસે આગ લાગવાની ઘટના બની હતી. એર કાર્ગો નજીકના ટેમ્પરરી કેબિન સ્ટ્રક્ચરમાં આગ લાગી હતી ત્યારે હાજર CISF જવાનો અને સ્ટાફ દ્વારા તરત જ એરપોર્ટ ફાયરને જાણ કરવામાં આવી હતી. એરોડ્રોમ રેસ્ક્યુ અને ફાયર ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવાયો હતો. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. ઘટનામાં પણ કોઈ જાનહાનિ થઈ નથી આગ લાગવા અંગે હાલ એરપોર્ટ સ્ટાફ ઓથોરિટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 6:16 pm

પાટણ રોટરી ક્લબ દ્વારા થેલેસેમિયા સેન્ટરનું લોકાર્પણ:52મા ચાર્ટર ડે નિમિત્તે શંકુઝ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય કિરીટ પટેલની ઉપસ્થિતમાં શુભારંભ

પાટણ રોટરી ક્લબ દ્વારા તેના 52મા ચાર્ટર ડેની ઉજવણી નિમિત્તે શંકુઝ હોસ્પિટલ ખાતે કાયમી થેલેસેમિયા સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિગમ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં આ સેવાકીય પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રોટરી ઇન્ટરનેશનલ વિશ્વભરમાં સેવા પ્રોજેક્ટ્સ દ્વારા કાર્ય કરતી સૌથી મોટી અને પ્રાચીન સંસ્થાઓમાંની એક છે. રોટરી ક્લબ ઓફ પાટણને રોટરી ક્લબ ઓફ અમદાવાદ દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યા બાદ 15 માર્ચ 1974ના રોજ ચાર્ટર પ્રાપ્ત થયું હતું. ક્લબની 52 વર્ષની આ યાત્રા નિમિત્તે શરૂ કરાયેલું આ થેલેસેમિયા સેન્ટર, આગામી સમયમાં થેલેસેમિયા પીડિત બાળકો અને તેમના પરિવારો માટે મહત્વપૂર્ણ સહાયક બનશે. આ પ્રસંગે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલ અને રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિગમ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. રોટરી પ્રમુખ પરિમલ જાની અને શંકુઝ હોસ્પિટલના સી.ઈ.ઓ. ડો. ગ્રિશ્મા દ્વારા વિધિવત રીતે એમ.ઓ.યુ. (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) પર હસ્તાક્ષર કરીને આ પ્રોજેક્ટને ખુલ્લો મુકાયો હતો. આ નવું સેન્ટર રોટરી ક્લબ પાટણ દ્વારા ચાલતા અન્ય પ્રોજેક્ટ્સ જેવા કે બ્લડ બેંક, ચક્ષુ બેંક, રોટરી વિસામો, સહસ્ત્ર તરુવન, રોટરી–રોટરેક્ટ ગાર્ડન અને ઓક્સિજન બેંકની યાદીમાં એક નવું સોપાન છે. ક્લબ દ્વારા વર્ષોથી કાર્યરત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં આ થેલેસેમિયા સેન્ટરનો ઉમેરો થવાથી દર્દીઓને વધુ રાહત મળશે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 6:15 pm

દ્વારકામાં દર્શનાર્થીઓને 'ધતુરા'નું પીણું પીવડાવી લૂંટતી ગેંગ ઝડપાઈ:ભક્તોને બેભાન કરી દાગીના-રોકડની લૂંટ ચલાવતા, ગુનાહિત ઇતિહાસ ધરાવતા ભાવનગરના બે આરોપી જેલહવાલે

જગત મંદિર દ્વારકાના દર્શનાર્થે આવતા ભોળા ભક્તોને વિશ્વાસમાં લઈ, તેમને નશીલું પીણું પીવડાવી લૂંટી લેતી એક શાતિર ટોળકીનો દેવભૂમિ દ્વારકા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ પર્દાફાશ કર્યો છે. ભાવનગર જિલ્લાના બે શખસને રૂ. 3.14 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પોલીસે યાત્રિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી છે. મોડસ ઓપરેન્ડી: મીઠી વાતો અને ધતુરાનો પાવડર આરોપીઓ ખાસ કરીને વૃદ્ધ અને નિર્દોષ દર્શનાર્થીઓને નિશાન બનાવતા હતા. જામજોધપુરના પ્રવાસીઓ બન્યા હતા ભોગ તાજેતરમાં હોળી-ધુળેટીના ફૂલડોલ ઉત્સવ દરમિયાન જામજોધપુર પંથકથી આવેલા બે દર્શનાર્થીને આ ટોળકીએ નિશાન બનાવ્યા હતા. તેમને શેરડીના રસમાં ધતુરો પીવડાવી સોનાના ઠોરીયા અને રોકડની લૂંટ ચલાવી હતી. આ અંગે દ્વારકા પોલીસ મથકે ગુનો નોંધાતાં પોલીસ એક્શનમાં આવી હતી. સંપૂર્ણ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો… પોલીસની કામગીરી અને ધરપકડ જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાની સૂચનાથી LCB પીઆઈ બી.જે. સરવૈયાની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ તેજ કરી હતી. ખંભાળિયા-પોરબંદર હાઈવે પર રેલવે ફાટક પાસે વોચ ગોઠવી પોલીસે બે આરોપીને દબોચી લીધા હતા: જપ્ત કરાયેલો મુદ્દામાલ પોલીસની જનતાને અપીલ આ સફળ કામગીરી બાદ પોલીસે યાત્રિકો અને સ્થાનિક જનતાને સાવચેત રહેવા અપીલ કરી છે. કોઈપણ અજાણ્યા વ્યક્તિ દ્વારા આપવામાં આવતી ખાવા-પીવાની વસ્તુઓનો સ્વીકાર ન કરવો અને શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તુરંત પોલીસનો સંપર્ક કરવો.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 6:06 pm

વધુ એક મંદિર બન્યું અસામાજિક તત્ત્વોનો અડ્ડો:સ્થાનિક સ્વરાજ પહેલા ભાજપ-કોંગ્રેસમાં ભડકો, પાંચ શખ્સોએ સગીરા પર સામુહિક દુષ્કર્મ આચર્યું

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ભાજપમાં ભડકો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપનો આંતરિક વિખવાદ સામે આવ્યો. ભાજપના એક વ્હોટ્સએપ ગૃપમાં કાર્યકર્તાઓએ અમરાઈવાડીના ધારાસભ્ય ડો. હસમુખ પટેલ સામે રોષ વ્યક્ત કર્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કોંગ્રેસે શરુ કરી સ્થાનિક સ્વરાજ માટેની તૈયારીઓ કોંગ્રેસે સોમનાથ દાદાના દર્શન કરી સ્થાનિક સ્વરાજ માટે સંગઠન મજબૂત કરવાની તૈયારી શરુ કરી. જો કે દરમિયાન સોમનાથ વિધાનસભાના જ ધારાસભ્ય વિમલ ચુડાસમાની સૂચક ગેરહાજરીએ કોંગ્રેસના આંતરિક વિવાદને લઈને સવાલો ઉભા કર્યા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અંબાજી મંદિર વિવાદ મામલે તપાસ તેજ જૂનાગઢના ગીરનારમાં અંબાજી મંદિર વિવાદ મામલે તપાસનો ધમધમાટ. આજે રવિવારની રજા હોવા છતાં પ્રાંત અધિકારીએ પૂજારી, PRO અને રસોયા સહિત કુલ 26 લોકોને પૂછપરછ માટે બોલાવ્યા હતા. .11 લોકોના નિવેદન નોંધવામાં આવ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રામેશ્વર મંદિર બન્યું અસામાજિક તત્ત્વોનો અડ્ડો આ તરફ અમદાવાદના ઘાટલોડિયાના રામેશ્વર મંદિરના કમ્પાઉન્ડમાં દારુ અને ગાંજાની મહેફિલ જામતી હોવાનો આક્ષેપ.. મંદિર ટ્રસ્ટે કહ્યું કે મંદિર બંધ થયા બાદ પરિસર અને ગાર્ડનમાં અસામાજિક તત્ત્વો અડ્ડો જમાવે છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બમ્પ કૂદાવી કાર ચાલકે બાઈકસવારને ટક્કર મારી વડોદરામાં સ્પીડ બ્રેકર હોવા છતાં બેફામ સ્પીડમાં આવતા કાર ચાલકે બાઈકસવારને ટક્કર મારી.. યુવક 20ફૂટ દૂર જઈને પટકાયો અને તરફડિયા મારતો રહ્યો. જો કે કારચાલક ત્યાંથી તાત્કાલિક ભાગી છૂટ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સગીરા પર પાંચ શખ્સોએ ગેંગરેપ કર્યો સુરતના ઉમરપાડામાં સગીરા પર ગેંગરેપની ઘટના સામે આવી. પાંચ શખ્સોએ અવાવરુ જગ્યાએ લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દારુના અડ્ડાના ઝઘડામાં યુવતીએ મચાવી ધમાલ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં દેશી દારુના અડ્ડા બાબતે એક યુવતીએ ધમાલ મચાવી. હાથમાં છરો લઈને યુવતીએ તલવારની જેમ ફેરવી બેફામ ગાળો ભાંડી..પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ટ્રકે બાઈકને ટક્કર મારતા બે યુવકોના મોત અમદાવાદ -મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રકે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર બે યુવકોના મોત થયા. ટક્કર એટલી ભયાનક હતી કે હાઈવે પર માંસના લોચા વિખેરાયા. પતિના મૃતદેહ પાસે મહિલાના હૈયાફાટ આક્રંદે સૌ કોઈને હચમચાવી નાખ્યા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પરપ્રાંતીય શ્રમિકોએ વતનની વાટ પકડી મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધને કારણે સર્જાયેલી ગેસની અછતને પગલે હવે પરપ્રાંતીય શ્રમિકોએ વતનની વાટ પકડી..સુરતના વીવિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો વતન જવા રવાના થયા..રેલવે સ્ટેશન પર લાંબી લાઈનો લાગેલી જોવા મળી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભદ્ર પાથરણાં બજાર ફરી ધમધમતું થયું HCના આદેશ બાદ ભદ્ર પાથરણાં બજાર ફરી ધમધમતું થયું. જો કે AMCએ વેરિફિકેશન કરીને વ્યવસ્થા ના કરતાં ગમે તેમ બેસી ગયા, ફરી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ શકે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 5:55 pm

ફિલ્મી ઢબે દારૂ ભરેલી બ્રેઝા કાર સાથે એકની ધરપકડ:ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની શાહપુર બ્રિજ પાસે રેડ; એક આરોપી અંધારાનો લાભ લઈ ફરાર

ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગઈકાલે મોડી સાંજે ફતેપુરા ત્રણ રસ્તા પાસેના ખુલ્લા ખેતરમાંથી 21 જુગારીને 21 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા પછી આજે સવારે શાહપુરબ્રિજ નજીકથી દારૂની હેરાફેરીનો પણ પર્દાફાશ કર્યો છે. એલસીબીએ ચિલોડાથી અમદાવાદ તરફ દારૂ ભરેલી ગાડી જવાની બાતમીના આધારે વોચ ગોઠવી વિદેશી દારૂ બિયરના જથ્થા સાથે 8.10 લાખનો મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. કાર રોકવાનું કહેતા આરોપીએ ભગાવીઆ અંગેની મળતી માહિતી મુજબ, એલસીબીની ટીમ ઈન્દ્રોડા સર્કલ પાસે પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી મળી હતી કે રાજસ્થાન પાસિંગની સફેદ કલરની વિટારા બ્રેઝા નંબર RJ-23-CC-5327માં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. જેના પગલે એલસીબી ટીમે વોચ ગોઠવી ગાડીને ઉભી રાખવાનો ઈશારો કરતા ચાલકે ગાડી ભગાવી હતી. જેના પગલે ટીમે ખાનગી વાહનોમાં પીછો કરતા શાહપુર બ્રિજ પાસે સર્વિસ રોડ પર પટેલ આઈસ્ક્રીમ શોપ નજીક ગાડીને કોર્ડન કરી લીધી હતી. એક આરોપી કારમાંથી ફરારઆ દરમિયાન મુખ્ય આરોપી નરૂ ઉર્ફે કાળિયો (રહે. બુબી, રાજસ્થાન) અંધારાનો લાભ લઈ ચાલુ ગાડીએ ઉતરીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. બાદમાં પોલીસે ગાડીમાં તપાસ કરતા ડ્રાઈવર સીટ પર બેઠેલા કરણકુમાર નવીનભાઈ પારઘી (રહે. અણસોલ, શામળાજી)ને ઝડપી લીધો હતો. દારૂ સહિત 8 લાખનો મુદ્દામાલ જપ્તઆ અંગે એલસીબી પીઆઇ દિવાનસિંહ વાળાએ કહ્યું કે, ગાડીની તલાશી લેતા તેમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 376 બોટલો અને બીયરના ટીન મળી કુલ રૂ. 2,95,210નો જથ્થો મળી આવ્યો છે. જેના પગલે દારૂની હેરાફેરીમાં વપરાયેલ રૂ. 5,00,000ની વિટારા બ્રેઝા ગાડી અને રૂ. 15,000નો મોબાઈલ ફોન મળી કુલ રૂ. 8,10,210નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ફરાર આરોપી સહિતનાની શોધખોળ શરૂ કરીઆરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આ દારૂનો જથ્થો નરૂ ઉર્ફે કાળિયો લાવ્યો હતો અને રતનપુર બોર્ડરથી કરણકુમારને સાથે રાખી અમદાવાદમાં કોઈને સપ્લાય કરવાનો હતો. પોલીસે આ મામલે પકડાયેલ આરોપી, ફરાર આરોપી, ગાડીના માલિક અને દારૂ મંગાવનાર અને મોકલનાર તમામ વિરુદ્ધ ઇન્ફોસિટી પોલીસ મથકના ગુનો દાખલ કરવામાં આવ્યો છે .

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 5:54 pm

જોરાવરનગરમાં બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર કરાયા:સમાજ સેવકો અને પોલીસે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું

જોરાવરનગર સમશાનભૂમિ ખાતે એક બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સમાજ સેવકો અને પોલીસની હાજરીમાં આ માનવતાભર્યું કાર્ય સંપન્ન થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, 6 માર્ચ, 2026ના રોજ જોરાવરનગરની ઉપાસના હોસ્પિટલ નજીકથી પોલીસને આ મૃતદેહ મળ્યો હતો. મૃતદેહની ઓળખ માટે ઘણા દિવસો સુધી તપાસ કરવામાં આવી હતી, પરંતુ તેના કોઈ પરિવારજન કે ઓળખાણ મળી શકી ન હતી.આખરે, કોઈ વારસદાર ન મળતા, 15 માર્ચ, 2026ના રોજ જોરાવરનગર સમશાનભૂમિ ખાતે માનવતાના ધોરણે મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લેવાયો. આ સેવાકાર્યમાં એ.એસ.આઈ. મુળજીભાઈ મકવાણા, સમાજ સેવક દુષ્યંતભાઈ આચાર્ય, નાનાભા જાડેજા, મહેશભાઈ મેટાલિયા, વાયરલેસ વિભાગના વી.ડી. ઝાલા અને એડવોકેટ રુસ્તમભાઈ પીલુડીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ તમામ વ્યક્તિઓએ બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર કરીને સમાજમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 5:49 pm

BCG ચૂંટણીનું પરિણામ આવવાની શરૂઆત:આફતાબ હુસૈન અંસારી અને જે.જે.પટેલ કાઉન્સિલના સભ્ય બન્યા, વધુ સભ્યો વિશે આગામી સમયમાં પરિણામ આવશે

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં પ્રથમ પ્રેફરન્સનું વોટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. BCG ચૂંટણીમાં વકીલોએ આપેલા 46,286 મતો માન્ય ઠર્યા છે. વોટ શેર આધારે પ્રથમ પ્રેફરન્સમાં માન્ય થયેલા બે ઉમેદવારોનું સભ્યપદ નક્કી થયું છે. જેમાં આફતાબ હુસૈન અંસારી અને જે.જે.પટેલે ક્વોટા પાર કરી વિજય મેળવ્યો છે. આફતાબ હુસૈન અંસારી અને જે.જે. પટેલ કાઉન્સિલના સભ્ય બન્યાBCGના સભ્ય માટે 1929 નો ક્વોટા મેળવવો જરૂરી હતો. આફતાબ હુસૈન અન્સારી 2,398 વોટ ક્વોટા સાથે પ્રથમ સભ્ય બન્યા બન્યા છે. જે.જે.પટેલને 1949 વોટ ક્વોટા સાથે બીજા નંબરે કાઉન્સિલના સભ્ય બન્યા છે. સંપૂર્ણ પ્રેફરન્સ વોટની ગણતરી બાદ પરીણામ ચારેક દિવસમાં સ્પષ્ટ થશે. ચૂંટણીમાં કુલ 99 ઉમેદવારો મેદાનમાં હતાકુલ 23 ઉમેદવારો BCGના સભ્યો નક્કી થશે. તમામ સભ્યો થકી પોતાના ચેરમેન અને કમિટીના હોદ્દેદારોની નિમણૂક કરાશે. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં 99 એડવોકેટ ઉમેદવાર તરીકે ઊભા હતા. જ્યારે રાજ્યમાંથી 76 હજારથી વધુ અને અમદાવાદમાંથી 18 હજારથી વધુ વકીલો મતદાતા હતા. 06 માર્ચે યોજાયેલ આ ચૂંટણીમાં રાજ્યના 150 સેન્ટર ઉપર મતદાન યોજાયું હતું.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 5:40 pm

દાદરા નગર હવેલીમાં તોતાપુરી કેરીનું આગમ:ખેડૂતે એકાદશીએ વેચાણ શરૂ કર્યું, પ્રથમ દિવસે ₹2000 ભાવ મળ્યો

સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના નરોલી ગામમાં તોતાપુરી કેરીની સિઝનનો પ્રારંભ થયો છે. વલસાડ જિલ્લાને અડીને આવેલા આ વિસ્તારના ખેડૂત ભરતસિંહ સોલંકીએ એકાદશીના શુભ દિવસે કેરીના વેચાણનું મુહૂર્ત કર્યું હતું. પ્રથમ દિવસે તેમને 3 મણ કેરીના ₹2000 પ્રતિ મણનો ભાવ મળ્યો હતો. વલસાડ જિલ્લા સહિત દાદરા નગર હવેલી અને દમણ પ્રદેશમાં ગરમીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ફળોના રાજા કેરીની સિઝન પણ નજીક આવી રહી છે. હાલમાં આંબાવાડીઓમાં તોતાપુરી કેરીનો ફાલ ઉતરવાની શરૂઆત થઈ છે, જેના પગલે ખેડૂતોએ કેરી ઉતારવાનું શરૂ કર્યું છે. ખેડૂત ભરતસિંહ સોલંકીએ આશાવાદ વ્યક્ત કર્યો છે કે જો આગામી દિવસોમાં વાતાવરણ સાનુકૂળ રહેશે, તો કેરીનો સારો પાક મળશે અને ખેડૂતોને પણ સારો ભાવ મળી રહેશે. આગામી સમયમાં તોતાપુરી કેરી બજારમાં ધૂમ મચાવશે તેવી અપેક્ષા છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 5:37 pm

પાલનપુરમાં ₹4.60 કરોડના ખર્ચે નવો ડેપો-વર્કશોપ બન્યો:મંત્રી પ્રવીણભાઈ માળીએ આધુનિક સુવિધાઓવાળા સંકુલનું લોકાર્પણ કર્યું

પાલનપુર ખાતે રાજ્યના પરિવહન માળખાને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી ₹4.60 કરોડના ખર્ચે નવનિર્મિત આધુનિક ડેપો-વર્કશોપનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્યના વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર અને ક્લાયમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે આ સંકુલનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર પણ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી અને ધારાસભ્યએ એસ.ટી.ના ડ્રાઈવર અને કંડક્ટર કર્મચારીઓને સ્વહસ્તે ભોજન પીરસીને પ્રોત્સાહિત કર્યા હતા. પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. મંત્રીએ વર્કશોપ ખાતેની વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તૈયાર કરાયેલું આ નવું વર્કશોપ બિલ્ડિંગ 15,712 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. જૂના અને જર્જરિત ડેપોનું ડિમોલિશન કરીને અત્યાધુનિક આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરવાળું બાંધકામ કરવામાં આવ્યું છે. આ વર્કશોપ બસોના ઝડપી અને ગુણવત્તાયુક્ત મેન્ટેનન્સ માટે તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે, જે મુસાફરોની સુરક્ષા અને સુવિધામાં વધારો કરશે. વર્કશોપના ગ્રાઉન્ડ ફ્લોર પર 998.38 ચોરસ મીટરનો બિલ્ટઅપ એરિયા છે. અહીં ડેપો મેનેજર ઓફિસ, એડમિન રૂમ, સ્ટોર, ઓઈલ રૂમ, ટાયર અને બેટરી રૂમ જેવી વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, બસોના સમારકામ માટે લોન્ગ સર્વિસ પીટ અને યુ-શેપ પીટ પણ તૈયાર કરવામાં આવ્યા છે. બિલ્ડિંગના પ્રથમ માળે કર્મચારીઓ માટે લેડીઝ રેસ્ટરૂમ, વર્કર્સ રૂમ, રેકોર્ડ રૂમ અને ડિસ્પેન્સરી જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. સમગ્ર સંકુલમાં 6,000 ચોરસ મીટર વિસ્તારમાં સી.સી. ટ્રિમિક્સ ફ્લોરિંગ કરવામાં આવ્યું છે. પાલનપુર એસ.ટી. વિભાગ હાલમાં વિશાળ ફલક પર કાર્યરત છે, જેમાં કુલ 2,896 કર્મચારીઓ (1,147 ડ્રાઈવર અને 1,269 કંડક્ટર સહિત) ફરજ બજાવી રહ્યા છે. આ વિભાગ હેઠળ 7 ડેપો વર્કશોપ અને 8 કંટ્રોલ પોઈન્ટ્સ કાર્યરત છે. હાલમાં 647 બસો દ્વારા દૈનિક 594 શિડ્યુલ અને 2,881 ટ્રિપો મારફતે આશરે 2.69 લાખ કિલોમીટરનું અંતર કાપીને નાગરિકોને પરિવહન સેવા પૂરી પાડવામાં આવે છે. એસ.ટી. વિભાગ દ્વારા 99.34% ગ્રામીણ વિસ્તારોમાં બસ સેવા પહોંચાડવામાં આવે છે. દૈનિક 1.19 લાખ મુસાફરો આ સેવાનો લાભ લે છે, જેમાં 18 હજાર ગ્રામીણ વિદ્યાર્થીનીઓને 100% ફ્રી પાસ અને 24 હજાર વિદ્યાર્થીઓને રાહત દરે મુસાફરીનો લાભ આપવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 5:30 pm

એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ડીંડોલીમાં ધોળે દિવસે યુવકની ઘાતકી હત્યા, ગેસના વિકલ્પમાં ચુલાનો ઉપયોગ શરૂ કરાતા લાકડાના ભાવમાં ભડકો

દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 5:30 pm

એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:હાથમાં છરો લઈને યુવતી બેફામ બની, કાર્યકરોએ ભાજપ MLA ડો.હસમુખ પટેલ સામે જ મોરચો માંડ્યો

દિવ્ય ભાસ્કર એપ અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 5:26 pm

મુખ્યમંત્રીએ દાહોદને ₹367.78 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી:સિંગવડમાં સેવા સદન, ગરબાડામાં એકલવ્ય સ્કૂલનું લોકાર્પણ; GIDCનું પણ ખાતમુહૂર્ત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદ જિલ્લાને ₹367.78 કરોડના વિવિધ વિકાસ કામોની ભેટ આપી છે. સિંગવડ ખાતે આયોજિત કાર્યક્રમમાં તેમણે તાલુકા સેવા સદન અને ગરબાડામાં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનું લોકાર્પણ કર્યું. આ ઉપરાંત, રતનમહલ રીંછ અભયારણ્ય વિકાસ અને નવી GIDC પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ તેમના હસ્તે સંપન્ન થયું. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ વનબંધુઓના જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવવા સતત પ્રયાસો થઈ રહ્યા છે, અને આ નવા પ્રોજેક્ટ્સ દાહોદ જિલ્લાના વિકાસને નવી ગતિ આપશે. સિંગવડ ખાતેના કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સિંગવડ તાલુકા સેવા સદન, ગરબાડામાં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, રતનમહલ રીંછ અભયારણ્ય વિકાસ, નવી GIDC, રમતગમતના મેદાનો અને દેવગઢ બારિયામાં આદર્શ નિવાસી શાળાના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત સહિતના મહત્વના કામો ખુલ્લા મૂક્યા હતા. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે દાહોદ જિલ્લો ઐતિહાસિક રીતે આદિવાસી ગૌરવ અને સ્વાતંત્ર્ય આંદોલન સાથે જોડાયેલો છે. તેમણે 2007માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ કરાયેલી વનબંધુ કલ્યાણ યોજનાનો ઉલ્લેખ કર્યો, જેનાથી આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટું રોકાણ થયું છે. નર્મદાના પાણી દ્વારા દાહોદ, છોટા ઉદેપુર અને પંચમહાલના તળાવો ભરવાના ₹5500 કરોડના પ્રોજેક્ટથી 51,000 હેક્ટરથી વધુ જમીનને સિંચાઈનો લાભ મળશે. દાહોદના પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે છેલ્લા બે દાયકામાં દાહોદ જિલ્લાને વિકાસની નવી દિશા મળી છે. અગાઉ વંચિત ગણાતો આ જિલ્લો આજે દેશના નકશામાં મહત્વનું સ્થાન ધરાવે છે. તેમણે જિલ્લામાં રેલવે ક્ષેત્રે મોટા રોકાણ, ઇલેક્ટ્રિકલ એન્જિન ઉત્પાદન એકમ અને રાષ્ટ્રીય રાજમાર્ગોના વિકાસથી આર્થિક પ્રગતિ તેજ બન્યાનો ઉલ્લેખ કર્યો. આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયા, રાજ્ય મંત્રી રમેશ કટારા, સહ પ્રભારી પી. સી. બરંડા, સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર અને ધારાસભ્યો શૈલેષ ભાભોર, બચુ ખાબડ, મહેન્દ્ર ભાભોર, મહેશ ભુરીયા તથા કનૈયાલાલ કિશોરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 5:25 pm

દેવભૂમિ દ્વારકામાં ગાંજા સાથે એક ઝડપાયો:રૂ. 19,170નો જથ્થો જપ્ત, અન્યની શોધખોળ ચાલુ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નશીલા પદાર્થોના વેચાણ પર અંકુશ લાવવા માટે પોલીસે કાર્યવાહી તેજ કરી છે. કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામમાંથી એસ.ઓ.જી. ટીમે 54 વર્ષીય મહિપતસિંહ મનુભા જાડેજાને 383.4 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યા છે. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત આશરે ₹19,170 આંકવામાં આવી છે. જિલ્લા એસ.ઓ.જી. પીઆઈ કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ ટીમ કલ્યાણપુર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન એ.એસ.આઈ. કાનાભાઈ માડમ, ભીખાભાઈ ગાગીયા અને સુમાતભાઈ ભાટીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. બાતમીના આધારે ખાખરડા ગામમાં ખેતી સાથે સંકળાયેલા મહિપતસિંહ મનુભા અભેસંગ જાડેજાના રહેણાંક મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન તેમના ઘરમાંથી કુલ 383.4 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જે પોલીસે કબજે કર્યો હતો. આ મામલે વધુ પૂછપરછ કરતા જામનગરમાં રહેતા દિનેશ ગોજીયા નામના વ્યક્તિનું નામ પણ સામે આવ્યું છે. પોલીસે તેની સંડોવણી અંગે તપાસ શરૂ કરી છે અને તેને ઝડપી પાડવા માટે શોધખોળ હાથ ધરી છે. સમગ્ર ઘટના અંગે પોલીસે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસ ગાંજાનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 5:22 pm

એડમિનીસ્ટ્રેટર હર્ષદ પટેલે ભાવનગર મનપાનો ચાર્જ સંભાળ્યો:રજાના દિવસે વિકાસ કાર્યો અને જનસુવિધાને વેગ આપવા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક

રાજ્ય સરકાર દ્વારા ભાવનગર મહાનગરપાલિકામાં એડમિનીસ્ટ્રેટર (વહીવટદાર) તરીકે નિમણૂક પામેલા હર્ષદ પટેલે વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. કાર્યભાર સંભાળતાની સાથે જ તેમણે શહેરની મુલાકાત લીધી હતી અને કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી વહીવટી પ્રક્રિયાઓને ગતિશીલ બનાવવાના સંકેત આપ્યા હતા. તેમજ નિયમિત ચૂંટાયેલી બોડીની નિમણૂક થાય ત્યાં સુધી શહેરનો વહીવટ સૂચારુ રીતે ચાલે, નાગરિકોને સમયસર સેવાઓ મળે અને પ્રજાને સ્પર્શતા પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ થાય તે માટે એડમિનીસ્ટ્રેટર દ્વારા અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તમામ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી આ અંગે ભાવનગર મહાનગરપાલિકાના એડમિનીસ્ટ્રેટર હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના એડમિનીસ્ટ્રેટર તરીકે રાજ્ય સરકાર તરફથી મારી નિમણૂક થઈ છે. આજે ભાવનગર શહેરની મુલાકાત લઈ અને ભાવનગર કોર્પોરેશનના જે અગત્યના તમામ વિભાગોના અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર સાથે તમામ વિભાગોની અલગ-અલગ કામગીરીની સમીક્ષા કરવામાં આવી. પ્રજાને સ્પર્શતા પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા પણ ચર્ચા જે રેગ્યુલર ચૂંટણી થઈ અને નિયમિત જે જનરલ સભા અને સ્ટેન્ડિંગ કમિટીની વ્યવસ્થા હોય છે એની નિમણૂક થાય એ દરમિયાન સુધી વહીવટ સુચારુ રીતે ચાલે. તમામ સેવાઓ લોકોને સમયસર મળી રહે, ચાલુ યોજનાઓ હોય એ સમયબદ્ધ રીતે આગળ વધે અને જે પ્રજાને સ્પર્શતા પ્રશ્નો હોય એનું સત્વરે નિરાકરણ થાય એ માટે અત્યારે કામગીરી અને હયાત વ્યવસ્થા છે એની સમીક્ષા કરવામાં આવી. આગળ વધુને વધુ સુદ્રઢ રીતે કઈ રીતે કરી શકાય એ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને સતત જે બાબતો હશે એનું રિવ્યુ કરવામાં આવશે. પાણીની વ્યવસ્થા વધુ સધન બનાવવા પણ સમીક્ષાભાવનગર શહેરને અલગ-અલગ ચાર સોર્સમાંથી જે પાણી આપવામાં આવે છે એ મુજબ શેત્રુંજી ડેમ, બોરતળાવ, પાણી પુરવઠા બોર્ડથી જે પાણી મળે છે અને જે એ રીતે ચાર અલગ-અલગ સોર્સમાંથી પાણી મળે છે, એ અત્યારે એનું જે વોટર ટ્રીટમેન્ટ ફેસિલિટી હોય એનો સુચારુ રીતે ઉપયોગ કરી અને નિયમિત શહેરમાં જે પાણી વિતરણ થાય છે એમાં કોઈ સમસ્યા હોય તો એનું તુરંત નિરાકરણ થાય અને લોકોને નિયમિત અને સ્વચ્છ પાણીનો પુરવઠો મળી રહે એ માટેની વ્યવસ્થા વધારે સઘન રીતે ચલાવવામાં આવે એ માટે પણ વિગતવાર સમીક્ષા કરવામાં આવી. શહેરને સ્પર્શતી ઈમરજન્સી બાબતોનું ત્વરિત નિરાકરણ લવાશે સામાન્ય સભા અને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા જે કામો મંજૂર થયેલા હોય એ નિયમાનુસાર જે પ્રક્રિયા હશે એ આગળ એમાં વધશે. જે એના મંજૂરી મળી હોય, બજેટમાં જોગવાઈ થઈ ગયેલી હોય, અને ટેક્નિકલ અને વહીવટી પાસાઓ ધ્યાનમાં લઈ એની મંજૂરી હોય એ નિયમિત રીતે સુચારુ રીતે કામ ચાલશે. ઈમરજન્સીની કોઈ બાબતો હોય, અથવા શહેરને સ્પર્શતી કોઈ અગત્યની બાબત હોય અને વચગાળાના સમય દરમિયાન એનું નિરાકરણ કરવું જરૂરી હોય તો એનો નિર્ણય અમારા દ્વારા કરવામાં આવશે. પણ મોટાભાગે પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની જે બોડી હોય એ જમીનને લગતી બાબતો હોય, મોટી નાણાકીય બાબતો હોય, બજેટને લગતી બાબતો હોય કે મોટી નીતિવિષયક બાબતો હોય તો એમના દ્વારા નિયમિત રીતે કરવામાં આવતું હોય છે. વહીવટદારની નિમણૂક સરકારે એટલા માટે કરી કે વચ્ચેના સમય દરમિયાન કોઈ સમસ્યા હોય તો એનું તાત્કાલિક નિરાકરણ થાય, અને અગત્યની કોઈ પ્રજાને સ્પર્શતી બાબત હોય તો એના પર તુરંત ધ્યાન આપી શકાય એ માટે વહીવટદાર દ્વારા એના નિર્ણયો કરવામાં આવશે. કોરો પોતાની સમસ્યા ઓનલાઈને અને રૂબરૂમાં રજૂ કરી શકે છેકોર્પોરેશનનું કામ લોકોને સુવિધા આપવાનું છે, એટલે જે મારા અલગ-અલગ વિભાગના અધિકારીઓ છે, કમિશનર છે, એ લોકો અહીંયા કોર્પોરેશનમાં જ ફરજ બજાવે છે અને લોકોને જે પણ પ્રશ્ન હોય એ ઓનલાઈન માધ્યમથી, ફિઝિકલ માધ્યમથી, રૂબરૂમાં એ લોકો દરેક સમસ્યા રજૂ કરી શકે, અને એનું નિરાકરણ ઝડપથી કરવામાં આવશે, અને એના પર પૂરતું ધ્યાન આપવામાં આવશે. એટલે એ વ્યવસ્થાના ભાગરૂપે જ વહીવટદારની નિમણૂક કરવામાં આવે છે, જેથી કરીને કોર્પોરેશનને માર્ગદર્શન આપવામાં આવે અને જે લોકોને સ્પર્શતા કામો છે એ સત્વરે થાય.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:58 pm

સોમનાથના જોખમી સમુદ્રમાં યાત્રિક મહિલા તણાઈ:10 સ્થાનિક ફોટોગ્રાફર-અશ્વસવારોએ સમુદ્રમાં ઝંપલાવી દોરડાની મદદથી પ્રચંડ મોજાં વચ્ચે જીવના જોખમે નવજીવન આપ્યું

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથના દરિયાકાંઠે આજે (15 માર્ચે) રવિવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. દરિયાના ઉછળતા મોજાંની મોજ માણવા ગયેલી એક મહિલા યાત્રિક અચાનક ઊંડા પાણીમાં તણાવા લાગી હતી. જોકે, કાંઠે હાજર સ્થાનિક યુવાનોની સમયસૂચકતા અને અદભૂત સાહસને કારણે મહિલાને નવજીવન મળ્યું છે. મોજમસ્તી બની જીવનું જોખમ રવિવારે બપોરે અંદાજે 3:30 વાગ્યાના સુમારે સોમનાથ બીચ પર યાત્રિકોની ભારે ભીડ હતી. આ દરમિયાન એક મહિલા પ્રવાસી દરિયાના મોજાંનો આનંદ લેવા કિનારાની નજીક ગઈ હતી. અચાનક સમુદ્રમાં કરંટ વધતા અને ઊંચા મોજાં ઉછળતા મહિલા સંતુલન ગુમાવી બેઠી હતી અને જોતજોતામાં દરિયાના ઊંડા પાણીમાં ખેંચાવા લાગી હતી. મહિલાને ડૂબતી જોઈ કિનારે ઉભેલા સહેલાણીઓમાં ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક યુવકો બન્યા 'દેવદૂત' મહિલાનો જીવ જોખમમાં જોઈને ત્યાં રોજી-રોટી કમાતા સ્થાનિક યુવકોએ જરાપણ વિલંબ કર્યા વગર મેદાને પડ્યા હતા. બીચ પર ફોટોગ્રાફી કરતા યુવકો, ઘોડેસવાર અને ઊંટસવાર સહિત અંદાજે 10 જેટલા યુવાનો દોરડા લઈને દરિયામાં કૂદી પડ્યા હતા. દરિયાના પ્રચંડ મોજાં અને ખેંચાણ વચ્ચે આ યુવકોએ માનવ સાંકળ રચી અને દોરડાની મદદથી મહિલા સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. ભારે જહેમત બાદ મહિલાને સુરક્ષિત રીતે દરિયાની બહાર કાઢી લાવવામાં આવી હતી. ઉપસ્થિત લોકોના મતે, જો આ યુવકોએ સેકન્ડોની પણ વાર કરી હોત, તો મહિલાનું મોત નિશ્ચિત હતું. સ્થાનિક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, જો આ યુવાનો સમયસર ન પહોંચ્યા હોત તો મોટી જાનહાનિ થઈ હોત. આ યુવકોએ પોતાની જિંદગીની પરવા કર્યા વગર જે માનવતા બતાવી છે તે ખરેખર વંદનીય છે. નિષેધ હોવા છતાં બેદરકારી નોંધનીય છે કે, સોમનાથનો દરિયા કિનારો અત્યંત જોખમી માનવામાં આવે છે. અહીં અગાઉ પણ અનેક ડૂબી જવાની ઘટનાઓ બની હોવાથી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા દરિયામાં નહાવા કે ઉતરવા પર પ્રતિબંધાત્મક જાહેરનામું અમલમાં છે. તેમ છતાં, પ્રવાસીઓ ઉત્સાહમાં આવીને જોખમ ખેડતા હોય છે, જે ક્યારેક જીવલેણ સાબિત થાય છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:49 pm

ભક્તિના ઓથે 'લાલો' બની છુપાયેલો ઠગ ઝડપાયો:12 લાખની છેતરપિંડી કરી 10 મહિનાથી આશ્રમમાં સેવા કરતો હતો, ઊંઘતી હાલતમાં જ પોલીસે દબોચ્યો

સુરત શહેરના ચોકબજાર વિસ્તારમાં ઇલેક્ટ્રિકના સાધનો ખરીદી કરી તેનું પેમેન્ટ ચૂકવ્યા વગર છેતરપિંડી આચરી છેલ્લા 10 મહિનાથી નાસતા ફરતા આરોપીને પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે. આરોપી અમદાવાદના વંથલ ગામના આશ્રમમાં પોતાની ઓળખ છુપાવી 'લાલો' નામ રાખી ગૌશાળામાં સેવા કરી રહ્યો હતો, જ્યાંથી સુરત પોલીસે તેને દબોચી લીધો છે. શું હતો સમગ્ર મામલો?બોટાદ જિલ્લાના બરવાળાનો રહેવાસી ધનંજય નરસિંહભાઈ છેટા (ઉં.વ. 39)એ ડિસેમ્બર, 2024માં એક વેપારી પાસેથી મોબાઈલ હેન્ડસેટ, સ્માર્ટ વોચ અને બ્લૂ-ટુથ જેવી એસેસરીઝ મળી કુલ રૂ. 11,79,499નો માલ ખરીદ્યો હતો. બજારના નિયમ મુજબ 30 દિવસમાં નાણાં ચૂકવવાની ખાતરી આપી હોવા છતાં તેણે પેમેન્ટ કર્યું નહોતું અને છેતરપિંડી આચરી ફરાર થઈ ગયો હતો. આ મામલે ચોકબજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે 'દર્શનાર્થી' બની છટકું ગોઠવ્યુંઆરોપીને પકડવા માટે પી.આઈ. એન.જી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. વી.ટી. ડોડીયાની ટીમે ટેકનિકલ એનાલિસિસ હાથ ધર્યું હતું. પોલીસને બાતમી મળી હતી કે, આરોપી વિરમગામના વંથલ ગામે આવેલા શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજ આનંદ આશ્રમમાં નામ બદલીને રહે છે. પોલીસની ટીમ દર્શનાર્થી બનીને આશ્રમમાં પહોંચી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે 'લાલો' નામનો વ્યક્તિ ગૌશાળામાં સૂતો છે. પોલીસે મોકો જોઈ ગૌશાળામાંથી જ ઊંઘતી હાલતમાં ધનંજયને ઝડપી પાડ્યો હતો. આરોપીનો ગુનાહિત ઇતિહાસઆરોપી ધનંજય નરસિંહભાઈ છેટા (ઉં.વ. 39 રહે. પુરાણીયા શેરી, રામપરા ગામ, તા-બરવાળા, જિ. બોટાદ) સામે અગાઉ ગુનો નોંધાઈ ચુક્યો છે. 2016માં વરાછા પોલીસ મથકે કલમ 406, 420 હેઠળ છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. જ્યારે હાલ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં BNS-2023ની કલમ 318(4) મુજબ ગુનો દાખલ કરીને ઝડપી પાડ્યો હતો.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:31 pm

નવસારીમાં ખનિજ વિભાગે ₹171 કરોડની વસૂલાત કરી:રોયલ્ટી આવક ₹100 કરોડને પાર, દ.ગુજરાતમાં સૌથી વધુ

નવસારી જિલ્લામાં ખાણ-ખનિજ વિભાગે ગેરકાયદે ખનિજ પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરી છે. વિભાગે ચાલુ નાણાકીય વર્ષમાં ₹171.42 કરોડની વસૂલાત કરી છે, જ્યારે રોયલ્ટીની આવક ₹100 કરોડને વટાવી ગઈ છે. આ આવક દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં સૌથી વધુ છે, જે સરકારી તિજોરીને મજબૂત બનાવવામાં મદદરૂપ થઈ છે. ખનિજ ચોરી અટકાવવા માટે વિભાગે ત્રણ મુખ્ય સ્તરે કામગીરી કરી છે. ગેરકાયદે ખનનના 8 કેસમાં ₹1.42 કરોડની વસૂલાત કરવામાં આવી છે. વાહનો દ્વારા થતી ગેરકાયદે વહનના 27 કેસમાં સૌથી વધુ ₹24.56 કરોડ વસૂલવામાં આવ્યા છે. આ ઉપરાંત, ગેરકાયદે સંગ્રહના 2 કેસમાં સ્ટોકિસ્ટો પાસેથી ₹2.27 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. એપ્રિલ માસથી અત્યાર સુધીમાં કુલ 83 કેસમાં ₹64.69 કરોડની વસૂલાત થઈ છે. સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન, કુલ 154 કેસની સામે ₹171.42 કરોડની માતબર રકમ વસૂલવામાં વિભાગને સફળતા મળી છે. આ કાર્યવાહી દરમિયાન, ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 182 વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. નવસારી જિલ્લો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ખનિજ સંપત્તિ ધરાવે છે. ખાસ કરીને ચીખલી તાલુકાના ડુંગરાળ પ્રદેશમાં આવેલી બ્લેક સ્ટોનની ખાણો રોયલ્ટી પેટે સરકારને મોટી આવક પૂરી પાડે છે. આ આવક વધારવા માટે તંત્ર દ્વારા વધુ 13 નવી લિઝ પણ મંજૂર કરવામાં આવી છે. ખાણ-ખનિજ વિભાગના સૂત્રો અનુસાર, વર્ષ 2025-26 માટે રોયલ્ટીની આવકનો અંદાજ ₹145 કરોડ રાખવામાં આવ્યો છે, જ્યારે વિભાગ ₹150 કરોડનો લક્ષ્યાંક પૂર્ણ કરવા તરફ આગળ વધી રહ્યું છે. ખનિજ માફિયાઓ દ્વારા થતી ચોરીને કારણે તિજોરીને થતું નુકસાન અટકાવવા આગામી દિવસોમાં હજુ વધુ કડક તપાસ હાથ ધરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:25 pm

સુરતમાં બ્રહ્મસમાજની બહેનો માટે રોજગાર મેળાનું આયોજન:75થી વધુ સ્ટોલ્સ દ્વારા 'વોકલ ફોર લોકલ'ને વેગ; સરકારી યોજનાઓ અને લોનનું માર્ગદર્શન અપાયું

આજે સુરત ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા મહિલા પાંખ, કલ્પવૃક્ષ ફાઉન્ડેશન અને પ્રતિભા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે બ્રહ્મ સમાજની બહેનો માટે એક વિશેષ રોજગાર મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજની દીકરીઓ અને મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવાનો અને તેમને ઉદ્યોગ સાહસિકતા તરફ વાળવાનો છે. આ રોજગાર મેળાનો મંગલ પ્રારંભ સુરતના પૂર્વ મેયર દક્ષેશ માવાણી સહિત બ્રહ્મ સમાજના અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, જ્યારે સમાજની મહિલા આર્થિક રીતે સક્ષમ બને છે, ત્યારે આખો પરિવાર અને રાષ્ટ્ર પ્રગતિ કરે છે. બ્રહ્મ સમાજ દ્વારા લેવામાં આવેલી આ પહેલ અન્ય સમાજો માટે પણ પ્રેરણારૂપ સાબિત થશે. વોકલ ફોર લોકલના આહવાનને વેગ આપવા માટે મેળાનું આયોજનવડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલના આહવાનને વેગ આપવા માટે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં પ્રદર્શિત કરવામાં આવેલી મોટાભાગની વસ્તુઓ બહેનો દ્વારા ઘરે અથવા નાના પાયે તૈયાર કરવામાં આવી છે. આ પ્લેટફોર્મ થકી સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન મળ્યું છે અને મહિલાઓને સીધા ગ્રાહકો સાથે જોડાવવાની તક મળી છે. બહેનોમાં છુપાયેલી કળા અને વ્યવસાયિક કૌશલ્ય જોવા મળ્યું આ મેળામાં કુલ 75થી પણ વધારે સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં ખાણી-પીણી, હેન્ડીક્રાફ્ટ, જ્વેલરી, કપડાં, ઘર સુશોભનની વસ્તુઓ અને આયુર્વેદિક ઉત્પાદનોનું વેચાણ અને પ્રદર્શન કરવામાં આવ્યું છે. બહેનોમાં છુપાયેલી કળા અને વ્યવસાયિક કૌશલ્ય અહીં જોવા મળી રહ્યું છે. મહિલાઓને આગળ વધવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુંઆ રોજગાર મેળાની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં માત્ર વેચાણ જ નહીં, પરંતુ મહિલાઓને આગળ વધવા માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. સુરત મહાનગર પાલિકાની ટીમ દ્વારા મહિલાઓ માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓના ફોર્મ અને માહિતી માટે વિશેષ સ્ટોલ રાખવામાં આવ્યા છે. નવો ઉદ્યોગ શરૂ કરવા માંગતી બહેનોને સરકાર તરફથી મળતી લોન, સબસિડી અને અન્ય પ્રોત્સાહનો વિશે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી રહી છે. જે યુવતીઓ ખાનગી ક્ષેત્રમાં નોકરી કરવા ઈચ્છે છે, તેમને રોજગાર કચેરીની વિવિધ સેવાઓ અને કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આયોજકો દ્વારા સામાજિક જાગૃતિ માટે પણ વિશેષ વ્યવસ્થાઆ મેળો માત્ર આર્થિક પ્રવૃત્તિ પૂરતો મર્યાદિત નથી. આયોજકો દ્વારા સામાજિક જાગૃતિ માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અંગદાન જાગૃતિ અભિયાન માટેનો ખાસ સ્ટોલ રાખવામાં આવ્યો છે, જ્યાં લોકોને અંગદાનનું મહત્વ સમજાવી સંકલ્પ પત્રો ભરાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, બ્રહ્મ સમાજના વિવિધ સેવાભાવી સંગઠનો દ્વારા કરવામાં આવતી સામાજિક પ્રવૃત્તિઓથી પણ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. 'ફાઉન્ડેશન અને બ્રહ્મ સમાજે અમને આ પ્લેટફોર્મ પૂરું પાડ્યું'જાગૃતિ બહેને જણાવ્યું હતું કે, બ્રહ્મ સમાજ દ્વારા આજે જે આયોજન કરવામાં આવ્યું છે, અહીંયા ટોટલ 75 જેટલા સ્ટોલ છે, જે લેડીઝોને આત્મનિર્ભર બનાવવા માટેના છે. મેજોરિટી વસ્તુ લેડીઝો જે ઘરેથી કરે છે, જે લોકોને પ્લેટફોર્મની જરૂર છે, તે લોકોને પ્લેટફોર્મ સારું એવું આજે મળી રહ્યું છે. અમારો એમાં આ કોટનનું કુર્તી અને તેનો સ્ટોલ છે, એકદમ રિઝનેબલ પ્રાઇસથી છે જે દરેક લોકો અફોર્ડ કરી શકે તેવું છે. અને સારી એવી અહીંયા આ લોકોએ વ્યવસ્થા કરી આપી છે, તો થેન્ક્યુ આ ફાઉન્ડેશનને અને બ્રહ્મ સમાજને કે એ લોકોએ અમને આ પ્લેટફોર્મ પૂરું પાડ્યું. રાજ્ય કક્ષા દ્વારા 75 સ્ટોલોનું બહેનો માટે આયોજન કરાયુંધારિત્રી બહેને જણાવ્યું હતું કે, આજે જે સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા 75 સ્ટોલોનું બહેનો માટે આયોજન કર્યું છે કે જેથી રોજગાર મળી રહે, એમાં અમે આજે કોટનની કુર્તીઓ જે એકદમ રીઝનેબલ ભાવથી ઘરેથી જ કામ કરીએ છીએ પણ આજે અમને એક પ્લેટફોર્મ મળ્યું. આ પ્લેટફોર્મ થકી અમે કઈંક રોજગાર પણ કરી શકીએ અને આગળ અમે એડવર્ટાઈઝ પણ કરી શકીએ. તો જે આ કલ્પવૃક્ષ ફાઉન્ડેશન અને પ્રતિભા ફાઉન્ડેશન દ્વારા અને સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા એક સારું પ્લેટફોર્મ અમને પૂરું પાડ્યું તે બદલ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:23 pm

મંદિર બંધ થતા જ કમ્પાઉન્ડમાં દારૂ ગાંજાની મહેફિલ:અમદાવાદનું મહાદેવ મંદિર પરિસર ને ગાર્ડન અસામાજિક તત્વોનો અડ્ડો?, રામેશ્વર ટ્રસ્ટની વીડિયો સાથે પોલીસને અરજી

અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા રામેશ્વર મંદિરના કમ્પાઉન્ડમાં મંદિર બંધ થયા બાદ સામાજિક તત્વો દારૂ અને ચરસની મહેફીલ માણતા હોવાના મંદિર ટ્રસ્ટ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. ટ્રસ્ટે એવો પણ આક્ષેપ કર્યો છે કે ભગવાનના ધામમાં બેસીને જ અસામાજિક તત્વો જુગાર પણ રમે છે. આ અંગે મંદિર ટ્રસ્ટ દ્વારા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપવામાં આવી છે. જેને લઇને પોલીસ દ્વારા હાલ આ મામલે કાર્યવાહી ચાલી રહી હોવાનું જણાવવામાં આવ્યું છે. મહાદેવ મંદિર પરિસર ને ગાર્ડન અસામાજિક તત્વોનો અડ્ડો?મળતી વિગત અનુસાર, ઘાટલોડિયામાં આવેલા રામેશ્વર મહાદેવ મંદિરના રામેશ્વર સેવા ટ્રસ્ટ દ્વારા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પીઆઇને અરજી પણ આપવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, રામેશ્વર મહાદેવનું મંદિર તથા અમુલનો બગીચો વર્ષોથી સ્થાપિત છે. બગીચાનું સંચાલન અમુલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. 'મંદિરના પગથિયા ઉપર બેસીને ગાંજો, ચરસ, ધૂમ્રપાન તથા દારૂનું સેવન'અરજી મુજબ, બપોરના સુમસામ સમયે 12:30થી 04:30 તથા રાત્રે 8:30થી આખી રાતના સમયગાળામાં અસામાજિક તત્વો દ્વારા મંદિરના પગથિયા ઉપર બેસીને ગાંજો, ચરસ, ધૂમ્રપાન તથા દારૂ જેવા પદાર્થોનું સેવન કરવામાં આવતું હોય છે. અભદ્ર ભાષા બોલે છે. જેનો વીડિયો પણ છે. મંદિરના પગથિયાં પર પાન મસાલા ખાઈને પિચકારી મારી ગંદકી પણ કરવામાં આવી રહી છે. ટ્રસ્ટે પોલીસ સ્ટેશનમાં બે અરજી કરીમહાદેવ મંદિરના રામેશ્વર સેવા ટ્રસ્ટ દ્વારા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં બે અરજી કરવામાં આવી છે.જેમાં મંદિર અને બગીચાની આસપાસ પોલીસ પેટ્રોલિંગ અને કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે. મંદિર તરફથી અરજી મળ્યા બાદ પેટ્રોલિંગ વધારાયું - PIઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પીઆઇ સી. જી. જોશીએ જણાવ્યું હતું કે, મંદિર તરફથી અરજી મળ્યા બાદ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. મંદિર આસપાસ કાયમી પોલીસનો પોઇન્ટ પણ મૂકવામાં આવશે. મંદિર દ્વારા કરવામાં આવેલી અરજી પર ત્વરિત પગલા લેવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:18 pm

દિલ્હીમાં ગુજરાતના રત્નો ઝળહળ્યા:દિવ્ય ભાસ્કર 'રત્ન એવોર્ડ્સ'માં 40થી વધુ ઉદ્યોગપતિઓ સન્માનિત; સી.આર.પાટીલના હસ્તે સન્માન અપાયું

આપણા રાજ્યના ઉદ્યોગપતિઓએ માત્ર ગુજરાતની જ નહીં પણ સમગ્ર દેશની ઇકોનોમિક પ્રોગ્રેસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આ જ કોન્ટ્રીબ્યુશનને નવાજવા અને સમાજમાં ઇન્સપાયરીંગ વ્યક્તિત્વને જાહેર કરવા માટે દિવ્ય ભાસ્કર દર વર્ષે રત્ન એવોર્ડ્સનું આયોજન કરે છે. આ વર્ષે પણ દિવ્ય ભાસ્કરે દિલ્હી ખાતે ભવ્ય કાર્યક્રમ સાથે ગુજરાતના રત્નો સમાન બિઝનેસ સહસિકોને સન્માનિત કર્યા હતા. દિલ્હીના ભવ્ય માહોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરતા 40થી વધુ ઉદ્યોગપતિઓ અને સમાજસેવી વ્યક્તિત્વોને રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. બિઝનેસ, ઉદ્યોગ, સેવા, નવીનતા અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખી આ તમામ મહાનુભાવોને દિલ્હીમાં ભારત સરકારના સેન્ટ્રલ કેબિનેટ મિનિસ્ટર સી.આર.પાટીલના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. સી.આર. પાટીલે હાજર ઉદ્યોગપતિઓને સંબોધતા કહ્યું કે, “આજના સમયમાં ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ્સ દેશની અર્થવ્યવસ્થાના મુખ્ય આધાર બની રહ્યા છે. ગુજરાતના ઉદ્યોગપતિઓએ હંમેશા નવી ટેક્નોલોજી અપનાવીને વિકાસના નવા માપદંડ સ્થાપિત કર્યા છે.' ગુજરાતના આ રત્નો જેની ઉદ્યોગ સાહસિકતા અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાએ આ સન્માન આપાવ્યું. સુધીર નાણાવટી અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિતકાયદાકીય અને શિક્ષણ ક્ષેત્રે આદર્શ નેતૃત્વ કરનાર સુધીર નાણાવટી GI 5 યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ તરીકે કાર્યરત છે. આજે બહુમૂલ્ય 15000+ વિદ્યાર્થીઓને શિક્ષણ આપી GIS યુનિવર્સિટીને 3.44 (પ્રથમ સાઇકલ)ના CGPA સાથે NAAC A+ ગ્રેડ એનાયત થયો છે, જે તેને સૌથી વધુધોઈન્ટ પ્રાપ્ત કરનારી ગુજરાતની એકમાત્ર પ્રાઈવેટ યુનિવર્સિટી (જનરલ કેટેગરીમાં) બનાવે છે. તેમની સેવાને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે અને તેમણે યુવા પેઢીને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું છે. યુનિવર્સિટી તરફથી ‘લિફ’ નામનું ઈન્ક્યુબેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જે ઇમ્પ્લોયમેંટ અને સ્ટાર્ટઅપ માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. તેમણે યુનિવર્સિટીને આંતરરાષ્ટ્રીયકરણ તરફ દોરી જતા સંકલનાત્મક સહયોગો જેવા કે યુ.કે., ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને દુબઈની યુનિવર્સિટીઓ સાથે મજબૂત ભાગીદારી દ્વારા વૈશ્વિક ઊંચાઈ અપાવી છે. ડૉ.અપૂર્વ વ્યાસના 30 વર્ષના અનુભવમાં 18000થી વધારે લેપ્રોસ્કોપીક સર્જરીવૈશ્વિકસ્તરે સતત બદલાતી જતી લાઇફસ્ટાઈલના કારવી નવા-નવા રોગનું થઈ છે. રોગનું મૂળ વધતું વજન છે તેમ કહેવું ખોટું નથી. ઓબેસીટિના કારણે અનેક રોગો થઈ રહ્યાં છે. મેદસ્વીતા મોટી ઉમરના લોકોમાં જ જોવા મળે છે એવું નથી હવે ટીનએજ 13-17 વર્ષના બાળકોમાં સૌથી વધુ સમસ્યા જોવા મળી રહી છે. પશ્ચિમ ભારતમાં સૌ પ્રથમ રોબોટીક બેરિયાટ્રિક સર્જરી રેડિયન્સ હોસ્પિટલમાં કરવામાં આવી છે. . ડૉ.અપૂર્વ વ્યાસના 30 વર્ષના અનુભવ અને કુલ 18000થી વધારે લેપ્રોસ્કોપીક સર્જરી કરી છે. 13 વર્ષમાં 90 કિલોથી 300 કિલો વજનવાળા દર્દીઓ પર 7000થી વધુ સ્થૂળતા સર્જરી કરી છે. તેમણે મેદસ્વિતાની સારવાર માટે રેડિયન્સ હોસ્પિટલનું ગુજરાતનું વન-સ્ટોપ ડેસ્ટિનેશન બનાવ્યું છે. ધીરેન્દ્ર સોમકુંવર 16 વર્ષથી ઈન્ડક્શન ટેક્નોલોજીને વધારવાના કાર્ય સાથે સંકળાયેલાએનર્જીમાં ફેરવવાનું વિઝન ધરાવતી ગુજરાતની એકમાત્ર કંપની છે પંક્તિ ઇન્ડસ્ટ્રીઝ પ્ર લિ. જેઓ છેલ્લા 16 વર્ષથી ઈન્ડક્શન ટેક્નોલોજીના ઉપયોગને વધારવાનું કાર્ય કરતા આવ્યા છે. પ્રોડક્ટ બનાવીને વેંચવાની નહિં.પણ તેનાથી પર્યાવરણ અને ઇલેક્ટ્રિસિટી કેવી રીતે બયાવી શકાય તેવા ધ્યેય સાથે પંક્તિ ઈન્ડસ્ટ્રી પ્રા.લિ. સાથે પીરેન્દ્ર સોમકુંવર કાર્યરત છે. ધીરેન્દ્રભાઇએ જ્યારે આ ટેક્નોલોજી જોઇ ત્યારે કોમર્શિયલ માર્કેટમાં જો આ ટેક્નોલોજી આવે તો ગેસ અને લાકડાનો ઘણો ખરો વપરાશ ઓછો થશે એવા એક વિઝન સાથે ગુજરાતમાં ઇન્ડક્શન ટેક્નોલોજીની શરૂઆત કરી હતી. શરૂઆતમાં લોકોને અવેરનેસ ન હોવાને કારણે ઘણો સંઘર્ષ રહ્યો પણ આજે તેઓ સમગ્ર ગુજરાત અને 8 દેશોમાં આ ટેક્નોલોજી સપ્લાય કરે છે. પંક્તિ ઇન્ડસ્ટ્રી પ્રા.લિ. આજે 100 કિલોવોલ્ટની કેપેસિટીવાળું એક ઇક્વિપમેન્ટ બનવવામાં સફળ રહ્યાં છે. ઓટોમેશન કરનાર આગવી IT કંપનીઓમાં સાયપ્રય ગ્રુપ'નું નામ શ્રેષ્ઠઅમેરિકમાં રિટેલ સેક્ટરનું ઓટોમેશન કરનાર આગવી IT કંપનીઓમાં સાયપ્રય ગ્રુપ'નું નામ શ્રેષ્ઠ ગણાય છે. કંપનીના સ્થાપક ઘનશ્યામ નાયક આજે વૈશ્વિક સ્તરે જાણીતા ટેક વિઝનરી લીડર છે. અમેરિકામાં રહેતા હોવા છતાં તેમણે ભારતમાં ગુજરાતને પોતાનું કર્મનું કેન્દ્ર બનાવ્યું છે. માત્ર IT સેવા પૂરતું સીમિત ન રહીને રિટલ ઈન્ડસ્ટ્રીમાં આર્ટિફશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કેવી રીતે થઈ શકે તે માટેના રિસર્ચમાં તેમનું સૌથી મોટું યોગદાન આ ક્ષેત્રમાં સર્વોચ્ચ રહેશે. સાયપ્રમ ગ્રુપે રિટેલ ઇન્ડસ્ટ્રીમાં AIનો ઉપયોગ કેવી રીતે વધુ અસરકારક બની શકે તે માટે વિશિષ્ટ સંશોધન શરૂ કર્યું છે. ગાંધીનગરમાં સ્થાપિત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબ આધુનિક ટેક્નોલોજીમાં તાલીમ માટે યુવાનો માટે આશીર્વાદરૂપ બની છે. AI પર આધારિત રિસર્ચ લેબની શરૂઆત કરનારા પ્રથમ ભારતીયમાં તેમનું સ્થાન છે. 2020માં યુ. એસ. બેંક તરફથી ‘બેસ્ટ અચીવર એવૉર્ડ’ તેમણે મેળવેલો છે. ‘અમારું વિઝન સપ્લાય ચેઇનમાં ઇન્ડિયાને ગ્લોબલ લીડર બનાવવાનું’સખત મહેનત એ એકમાત્ર સિદ્ધાંત છે જે આપણને ક્યારેય નિષ્ફળ બનાવતો નથી. આપણે ભાગ્યશાળી છીએ કે આપણી આગામી પેઢી ફક્ત વારસો નથી જાળવતી, તેને વધુ આગળ વધારવા ઉત્સાહી છે. અમારું વિઝન સપ્લાય ચેઇનમાં ઇન્ડિયાને ગ્લોબલ લીડર બનાવવાનું છે. આજે ભારતભરના 5 રાજ્યોમાં 9 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે, જેમાં 4 હજારથી વધારે લોકોને રોજગારી મળે છે તેમજ 120થી વધુ દેશોમાં એક્સપોર્ટ સાથે ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ લિમિટેડ એ એગ્રી-પ્રોસેસિંગમાં ભારતની સૌથી પ્રતિષ્ઠિત કંપનીઓ તરીકે ઉભરી આવી છે. કંપનીમાં આગામી પેઢીના નેતૃત્વના પ્રતિનિધિ શ્રેયાન ગુપ્તા પોતાના પિતાની સાથે કંપનીમાં જોડાયા છે અને તેઓએ યુનાઈટેડ કિંગડમની વોરવિક યુનિવર્સિટીમાંથી પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું છે. તેમણે હવે કંપનીના ફર્મેન્ટેશન ડિપાર્ટમેન્ટનું નેતૃત્વ સંભાળ્યું છે, જે આ ઉચ્ચ-વૃદ્ધિવાળા સેગમેન્ટમાં નવો અભિગમ અને સ્ટ્રેટજી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 6 પેટન્ટ નામ પર કરી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખ્યાતિ પ્રાપ્ત કરીમાનવ જીવનમાં જેટલું હદયનું મહત્વ છે તેનાથી પણ વિશેષ મહત્વ આંબને આપવું જરૂરી બન્યું છે. આંખની દ્રષ્ટિ અઘતન ટેક્નોલોજી દ્વારા લાંબા સમય માટે ટકાવી રાખવા નેત્રાલય સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલના વિટ્રીઓ રેટીના સર્જન ડોક્ટર પાર્થ રાણાએ દેશભરમાં નામના મેળવી છે. 6 પેટન્ટ તેમના નામ પર કરી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખ્યાતિ પ્રાપ્ત કરી છે. આંખની એન્જીઓગ્રાફી કરવામાં આવે છે જે માટેનું વૈશ્વિક સ્તરે સૌથી અદ્યતન સાધન ઓપ્ટોસ કેલિફોર્નિયા RGB ભારતમાં સૌ પ્રથમ નેત્રાલયમાં લાવવામાં આવેલ છે. ગુજરાતની સૌ પ્રથમ નેત્રાલય હોસ્પિટલમાં અલ્ટ્રા વાઇડ ફિલ્ડ રેટીનલ ઇમેજીંગ સીસ્ટમ દ્વારા દર્દીની કીકી પહોળી કર્યા વગર પડદાની તપાસ કરવામાં આવે છે, જેનાથી દર્દીઓને સરળતાથી આંખના પડદાની તપાસ થાય છે અને સાથે કોઇ માણસ લઇને આવવાની જરૂર રહેતી નથી. ભારતમાં 70થી વધુ મહત્વપૂર્ણ પ્રોજેક્ટસ પૂર્ણ કર્યારાજેશ બ્રહ્મભટ્ટની લીડરશિપ હેઠળ કંપનીએ ભારતમાં 70થી વધુ મહત્વપૂર્ણ પ્રોજેક્ટસ પૂર્ણ કર્યા છે અને 46 મિલિયન ચોરસ ફૂટથી વધુ વિસ્તાર વિકસાવ્યો છે. કંપનીએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી રાષ્ટ્રીય સ્તરે નામના મંગવી છે. આ ઉપરાંત, સામાજિક કાર્યોમાં CEPT યુનિવર્સિટીને લેક્ચર નોલ 7,86,000 સર્વે. ફિમાં 1600 જેટલા પરિવારો માટે રિહેબિલિટેશન હાઉસિંગ અને ઉભરતા કલાકારોને વધુ પ્રોત્સાહન મળે એ માટે Abir ગ્રૂપના માધ્યમથી આર્ટક્ષેત્રે યોગદાન આપીને એક ઉત્તમ સમાજસેવી કંપનીમાં પરિવર્તિત કરી છે. ગુજરાત સ્ટેટ એવોર્ડ દ્વારા ‘બેસ્ટ એમ્પ્લોયર ઓફ ડિસએબલ્ડ પીપલ(2009)’, સહિત અઢળક નામાંકિત એવોર્ડસ એનાયત થયેલ છે. કંપની એમડી રૂપેશભાઈના પ્રયત્નો થકી BSAFAL એ સસ્ટેઈનેબલ એનર્જી પર ધ્યાન કેન્દ્રિત કરીને રિન્યુએબલ એનર્જી ઈન્ડસ્ટ્રીઝમાં પ્રવેશ કરવાની તૈયારી કરી રહી છે. 2032 સુધીમાં અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં 10 લાખ વૃક્ષારોપણનું લક્ષ્યગ્રીન ઇકોનોમી, સામાજીક જવાબદારી નિભાવવામાં સતત અગ્રેસર એવા ચિરીપાલ ગ્રુપમાં સેકન્ડ જનરેશન ઝડપી વિઝન સાથે આગળ વધી રહી છે. યંગ જનરેશન ગ્રીન ઈકોનોમીને વેગ આપવા માટે સોલાર-રિન્યુએબલ એનર્જી પ્લાસ્ટિક વેસ્ટ રિસાયકલ ઉપરાંત હવે ઈથનોલ સેગમેન્ટમાં પણ પ્રવેશ્યું છે. કંપનીનું નવું ફોક્સ ઈથેનોલ સેગમેન્ટ જેમાં ટ્રુ બાયોગ્રીન ફ્યુઅલની શરૂઆત આ વર્ષમાં થશે. જેની ઉત્પાદન ક્ષમતા 300 કિલો લિટર પ્રતિ દિવસની રહેશે. હેલ્થ, એજ્યુકેશન ઉપરાંત પર્યાવરણ મુદ્દે ચિરીપાલ ગ્રુપ દ્વારા સૌથી વધુ સીએસઆર એક્ટિવિટી કરવામાં આવી રહી છે. પર્યાવરણને બચાવવા માટે ગ્રુપે વર્ષ 2032 સુધીમાં અમદાવાદ અને આસપાસના ગામોમાં મળીને કુલ 10 લાખનું વૃક્ષારોપણનો અને ઉછેર કરવાનો છે. આ વર્ષે ગ્રીન યોદ્ધા થીમ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. બારેજા આસપાસના 90 ગામોના યુવાઓ માટે શાંતિ પોલિટેક્નિક સ્કૂલ શરૂ કરી છે. ભારતભરમાં રિન્યુએબલ એનર્જીના MEGA પ્રોજેક્ટ સફળ બનાવ્યાવર્ષ 2017માં ગ્રીનપીલ કંપનીની શરૂઆત અને 10 વર્ષથી પણ ઓછા સમયમાં ગુજરાત અને ભારતભરમાં રિન્યુએબલ એનર્જીના MEGA પ્રોજેક્ટ સફળ બનાવી રહ્યાં છે. 15 વર્ષથી વધારેનો ટેક્નિકલ અનુભવ ધરાવતા બે ફાઉન્ડર્સ દ્વારા શરૂ થયેલી ગ્રીનપીલ આજે 90થી વધારે લોકોને પ્રત્યક્ષ રીતે અને 250થી વધારે લોકોને પરોક્ષ રીતે રોજગારી આપી રહી છે. ગુજરાતમાં ગ્રીન એનર્જીનો IPO લઈને આવનારી કંપની ગ્રીનપીલ રિન્યુએબલ એનર્જી પ્રા.લિ. ફર્સ્ટ જનરેશન આંત્રપ્રિન્યોર મહેશ્વરી બ્રધર્સ એ માત્ર 10 વર્ષમાં ગ્રીનપીલને સોલાર એનર્જી (EPC IPP) બેટરી સ્ટોરેજ, ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે ભારતમાં અગ્રેસર બનાવી છે. કંપની પાસે 1000 એકર્સથી પણ વધારે લેન્ડ બેંક ગુજરાતમાં છે અને તેના પર 66 KVના સોલાર પાર્ક ડેવલપ કરી થર્ડ પાર્ટી - ગ્રુપ કેપટિવ મોડેલ દ્વારા MNC, કોર્પોરેટ્સ, ઈન્ડસ્ટ્રીને ગ્રીન પાવર સપ્લાય કરે છે. જીજ્ઞેશ પટેલેની કંપની અતૂટ વિશ્વાસના જોરે ગુજરાતનું ‘પાવર પરફેક્શન’વડોદરા સ્થિત પાર્થ ઇલેક્ટ્રિકલ્સ એન્ડ એન્જિનિયરિંગ પ્રા. લિ. આજે ટેકનોલોજી અને અતૂટ વિશ્વાસના જોરે ગુજરાતનું 'પાવર પરફેક્શન' બન્યું છે. કંપનીના એમ.ડી. જીજ્ઞેશ પટેલે નોકરીના અનુભવ બાદ 200૫માં માત્ર ૫ વ્યક્તિઓ સાથે સર્વિસ પ્રોવાઈડર તરીકે સાહસ શરૂ કર્યું હતું, જે આજે 200થી વધુ લોકોને રોજગારી આપતી અગ્રણી કંપની બની છે. જીજ્ઞેશભાઈના કુશળ મેનેજમેન્ટ હેઠળ કંપનીએ 2009માં આધુનિક જાપાનીઝ મશીનરી સાથે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ઝંપલાવ્યું અને ગુજરાતનું પ્રથમ 220 KV GIS સબસ્ટેશન સ્થાપવાનું ગૌરવ હાંસલ કર્યું. માત્ર ઉપકરણો જ નહીં પણ દરેક પ્રોજેક્ટનું સચોટ સોલ્યુશન આપતી આ કંપની પાસે 20 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી મજબૂત ટીમ છે. આગામી સમયમાં ઓડિશા અને બરોડામાં નવા યુનિટ્સ સ્થાપવાના વિઝન સાથે જીજ્ઞેશ પટેલ 'મેક ઇન ઇન્ડિયા'ના સંકલ્પને સાકાર કરી રહ્યા છે. નવોદિત ઉદ્યોગસાહસિકોને તેઓ સંદેશ આપે છે કે, પોતાના આત્મવિશ્વાસ અને ઉર્જાને ઓળખીને મક્કમતાથી કામ શરૂ કરવાથી જ સફળ બિઝનેસ સ્થાપી શકાય છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:09 pm

દરેડ અને સચાણામાં SOGનો દરોડો: બે બોગસ ડોક્ટર ઝડપાયા:ડિગ્રી વગર ક્લિનિક ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હતા

જામનગર એસઓજી પોલીસે ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા બોગસ ક્લિનિકો પર દરોડા પાડી ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે દરેડના શાંતિનગર અને સચાણા ગામમાંથી દવાઓ તથા તબીબી સાધનો સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એસઓજી સ્ટાફના ધર્મેન્દ્ર વૈષ્ણવ અને અશોકસિંહાને મળેલી બાતમીના આધારે દરેડના શાંતિનગર વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં જગદીશ મકવાણા નામનો શખ્સ કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર 'શ્રીજી ક્લિનિક' ચલાવતો હતો. તે દર્દીઓને તપાસી, ઇન્જેક્શન આપી અને બાટલા ચડાવી પૈસા વસૂલતો હતો. પોલીસે સ્થળ પરથી સ્ટેથોસ્કોપ અને દવાઓ સહિત રૂ. 4,910નો મુદ્દામાલ જપ્ત કરી પંચકોશી 'બી' પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે. બીજી તરફ, એસઓજીના વિજયભાઈ કારેણ, જયેશભાઈ પેઢેરિયા અને તોશિફભાઈ તાયાણીને મળેલી બાતમી મુજબ, સચાણા ગામમાં વલીમામદ આમદભાઈ કકલની ઓરડીમાં મધુમંગલ અનંતભાઈ બિશ્વાસ નામનો શખ્સ દવાખાનું ચલાવતો હતો. આ શખ્સ પાસે પણ કોઈ માન્ય ડિગ્રી ન હોવા છતાં તે એલોપેથિક સારવાર આપતો હતો. પોલીસે અહીંથી રૂ. 2,335ની કિંમતની દવાઓ અને સાધનો કબજે કર્યા છે અને આરોપી વિરુદ્ધ પંચકોશી 'એ' પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એસઓજી પોલીસે બંને સ્થળોએથી કુલ રૂ. 7,245નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહી દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા નકલી ડોક્ટરો વિરુદ્ધ તપાસ તેજ કરવામાં આવી છે. એસઓજી પોલીસે એક જ દિવસમાં કુલ ચાર નકલી બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે, જેના કારણે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં આવા શખ્સોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:09 pm

નવસારીના વિજલપોરમાં કારચાલકની દાદાગીરી:એક્ટિવાચાલકને ફંગોળ્યો અને માર પણ માર્યો; દિવ્યભાસ્કરના અહેવાલ બાદ પોલીસ પાઠ ભણાવ્યો; VIDEO

નવસારીના વિજલપોરમાં એક કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી. અકસ્માત બાદ મદદ કરવાને બદલે કારમાં સવાર બે શખ્સોએ એક્ટિવા ચાલકને ઢીકમુક્કીનો માર માર્યો હતો. દિવ્ય ભાસ્કર ડિજિટલમાં આ ઘટનાનો અહેવાલ પ્રસારિત થયાના ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટના 13 માર્ચના રોજ સવારે પોણા નવેક વાગ્યે બની હતી. વિજલપોરના રામનગર પાસે આવેલા સાઈ બંગલોઝમાં રહેતા 36 વર્ષીય રમાકાંત ગંગારામ સોનકર પોતાની એક્ટિવા (GJ-21-AE-4546) લઈને છાપરા રોડ તરફ કામ અર્થે જઈ રહ્યા હતા. જીવંતિકા માતાના મંદિર પાસે આવેલા પેટ્રોલ પંપ સામે પાછળથી પૂરઝડપે આવી રહેલી મારૂતિ સુઝુકી વેગનઆર (GJ-21-CE-8850) ના ચાલકે તેમની એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે રમાકાંતભાઈ રોડ પર ફંગોળાઈ ગયા હતા અને તેમને હાથ-પગ તેમજ કમરના ભાગે ઈજાઓ પહોંચી હતી. રાહદારીઓ તેમને ઊભા કરી રહ્યા હતા ત્યારે વેગનઆર કારમાંથી ખારા અબ્રામાના અલ્પેશ રાજેશભાઈ પટેલ અને અંકુર રાજેશભાઈ પટેલ નીચે ઉતર્યા હતા. મદદ કરવાને બદલે અલ્પેશ પટેલે રમાકાંતભાઈને ગાળો આપવાનું શરૂ કર્યું અને 'તારી ભૂલના કારણે મારી કારને નુકસાન થયું છે' તેમ કહી જાહેરમાં તમાચા તથા ઢીકમુક્કીનો માર માર્યો હતો. આરોપીઓએ ઈજાગ્રસ્ત યુવકને રોડની સાઈડમાં લઈ જઈ ફરીથી માર માર્યો હતો અને કારમાં થયેલા નુકસાનના પૈસાની માંગણી કરી હતી. જોકે, યુવક પાસે પૈસા ન હોવાથી આરોપીઓ તેનું નામ અને મોબાઈલ નંબર લઈ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત રમાકાંતભાઈએ સૌ પ્રથમ નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લીધી હતી. ત્યારબાદ સ્વસ્થ થતા તેમણે જલાલપોર પોલીસ મથકે બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે પૂરઝડપે ગાડી ચલાવી અકસ્માત સર્જવા તેમજ મારપીટ અને ગાળાગાળી કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરી બંને આરોપીઓની ધરપકડ કરી છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 3:44 pm

ગીર સોમનાથમાં ભારતીય મજદૂર સંઘનું જિલ્લા સંમેલન:નવા હોદ્દેદારોની જાહેરાત, કર્મચારીઓ દ્વારા પ્રશ્નોની રજૂઆતની તૈયારી

ગીર સોમનાથ જિલ્લામાં ભારતીય મજદૂર સંઘનું જિલ્લા કક્ષાનું સંમેલન પ્રાચી ખાતે યોજાયું હતું. આ સંમેલનમાં ભારતીય મજદૂર સંઘના ગુજરાત પ્રદેશના જોઈન્ટ સેક્રેટરી નાના ગીરધર પાટીલ અને પ્રદેશ સંગઠન મંત્રી કરસનભાઈ કટારીયા ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં જિલ્લાના છ તાલુકાઓમાંથી આંગણવાડી કાર્યકરો, આશા વર્કર બહેનો અને વિવિધ ઔદ્યોગિક એકમોના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ દરમિયાન ગીર સોમનાથ જિલ્લા મજદૂર સંઘની નવી કારોબારીની રચના કરીને વિવિધ હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી. નવી કારોબારીમાં જિલ્લા પ્રમુખ તરીકે વિજયભાઈ મેરામણભાઈ કાછેલા (GHCL, સુત્રાપાડા)ની નિમણૂક કરાઈ છે. ઉપપ્રમુખ તરીકે રમેશભાઈ આર. વંસ (સૌરાષ્ટ્ર સિમેન્ટ, મોરાસા), જસુભા પી. જાડેજા (શ્રી સોમનાથ ટ્રસ્ટ, પાટણ), અસલમખાન બી.સી.ટી. (મૂળદ્વારકા, કોડીનાર), કંચનબેન આર. ગોસ્વામી અને પ્રતાપભાઈ કે. ખેર (સૌરાષ્ટ્ર સિમેન્ટ, મોરાસા)ની પસંદગી થઈ છે. જિલ્લા મંત્રી તરીકે પ્રતાપભાઈ મેરામણભાઈ કટારીયા, સહમંત્રી તરીકે નિલેશ છોટુપ્રસાદ મહેતો, સંગઠન મંત્રી તરીકે રામપાલ એમ. સોની અને અરજણભાઈ હરદાસભાઈની નિમણૂક કરવામાં આવી છે. કોષાધ્યક્ષ તરીકે જયેશ રામજીભાઈ દેવડીયા (રેયોન ફેક્ટરી, વેરાવળ) અને કાર્યાલય મંત્રી તરીકે મુન્સીરામ સૈની (રેયોન, વેરાવળ)ની પસંદગી કરાઈ છે. આ સંમેલનમાં ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય કર્મચારી સંઘ અને આંગણવાડી કર્મચારી સંઘના નવા હોદ્દેદારોની પણ જાહેરાત થઈ. આરોગ્ય કર્મચારી સંઘમાં ગુજરાત પ્રદેશ આશા કર્મચારી મહાસંઘના મહામંત્રી તરીકે વેરાવળના નયનાબેન પરમારની પસંદગી કરાઈ. જિલ્લા પ્રમુખ તરીકે કુસુમબેન વંસ અને જિલ્લા મંત્રી તરીકે હંસાબેન વિસાવાડિયા સહિત અન્ય હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘમાં પ્રમુખ તરીકે હંસાબેન સોલંકી (ઉના) અને જિલ્લા મંત્રી તરીકે કંચનબેન ગોસ્વામી (કોડીનાર) સહિત અન્ય હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી. સંમેલનમાં વિવિધ ક્ષેત્રના કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા થઈ. આગામી દિવસોમાં કર્મચારીઓના હિત અને સમસ્યાઓના ઉકેલ માટે સરકાર સમક્ષ મજબૂત રજૂઆત કરવાની વ્યૂહરચના પણ ઘડવામાં આવી. પ્રદેશ મંત્રી નાના ગીરધર પાટીલે સંમેલનને સંબોધતા કર્મચારીઓને વધુ સંગઠિત બની પોતાના હકો માટે લડત આપવા આહ્વાન કર્યું. તેમણે ખાતરી આપી કે આવનારા સમયમાં સંગઠન વધુ મજબૂત બની કર્મચારીઓના પ્રશ્નોના ઉકેલ માટે સક્રિય રીતે કાર્ય કરશે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 3:34 pm

સુરેન્દ્રનગરમાં નિવૃત્ત અધિકારીના ખાતામાંથી ₹10.69 લાખ ઉપડ્યા:પેન્શનના બહાને સાયબર ગઠિયાઓએ છેતરપિંડી આચરી, ફરિયાદ નોંધાઈ

સુરેન્દ્રનગરમાં સાયબર છેતરપિંડીનો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક નિવૃત્ત વીજ અધિકારીએ ₹10.69 લાખ ગુમાવ્યા છે. 77 વર્ષીય વૃદ્ધને પેન્શન માટે હયાતીનું પ્રમાણપત્ર જનરેટ કરવાના બહાને નિશાન બનાવવામાં આવ્યા હતા. તા. 20 નવેમ્બર, 2025ના રોજ, વૃદ્ધના વોટ્સએપ પર એક મેસેજ આવ્યો હતો, જેમાં પંજાબ નેશનલ બેંકનો સિમ્બોલ હતો અને પેન્શન માટે હયાતીનું પ્રમાણપત્ર જનરેટ કરવાનું કહેવામાં આવ્યું હતું. નિવૃત્ત કર્મચારીઓને દર નવેમ્બરમાં આવા પ્રમાણપત્રની જરૂર પડતી હોવાથી, તેમણે તેને બેંકની ઓનલાઈન સુવિધા સમજીને વોટ્સએપ કોલ દ્વારા સંપર્ક કર્યો હતો. કોલ પર 'આશિષ' નામના વ્યક્તિએ વાત કરી હતી. તેણે વૃદ્ધને એક APK ફાઇલ મોકલી અને તેને ઓપન કરીને જરૂરી વિગતો ભરવા જણાવ્યું હતું. વૃદ્ધે સૂચના મુજબ વિગતો ભરી દીધી હતી.વિગતો ભર્યા પછી લાંબા સમય સુધી તેમનું પ્રમાણપત્ર જનરેટ થયું ન હતું. આ દરમિયાન, તેમના બેંક ખાતામાંથી બે વાર ₹5 લાખ, ₹47,500, ₹9,000 અને ₹13,000 એમ કુલ ₹10,69,500 ઉપડી ગયા હતા. આ છેતરપિંડીનો અહેસાસ થતાં, વૃદ્ધે અજાણ્યા શખ્સો વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ₹10,69,500ની ઓનલાઈન છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ મામલે પીઆઈ આર.એમ. સંગાડા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 3:31 pm

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરામાંના મરડેશ્વર મહાદેવના દર્શન કર્યા:રાજ્યની પ્રગતિ અને જનતાની સુખ-શાંતિ માટે પ્રાર્થના

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે સુપ્રસિદ્ધ મરડેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન અને પૂજા અર્ચના કરી હતી. પંચમહાલ જિલ્લાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીએ શહેરાના કેશવ ગ્રાઉન્ડ ખાતેનો નિર્ધારિત કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ સીધા જ મરડેશ્વર મહાદેવ મંદિર પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ મહાદેવની વિશેષ પૂજા-અર્ચના કરી હતી. તેમણે ભોળાનાથના શિવલિંગ પર જલાભિષેક કરીને આશીર્વાદ મેળવ્યા હતા. મરડેશ્વર દાદાના દર્શન કર્યા બાદ મુખ્યમંત્રીએ ગુજરાતની નિરંતર પ્રગતિ, જનતાની સુખ-શાંતિ અને રાજ્યમાં સમૃદ્ધિ બની રહે તે માટે મહાદેવ પાસે મંગલ કામના કરી હતી. આ પ્રસંગે મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 3:26 pm

સુરેન્દ્રનગરમાં દારૂનો જથ્થો ઝડપાયો:A ડીવીઝન પોલીસે ₹1.86 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

સુરેન્દ્રનગરના વાદીપરા વિસ્તારમાં એ ડીવીઝન પોલીસે એક રહેણાંક મકાન પર દરોડો પાડી લાખો રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે કુલ ₹1,86,140 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે વાદીપરા શેરી નંબર 7માં ધાવડી માતાજીના ડેલા સામે રહેતો મુકેશ કાનજીભાઈ દેગામા પોતાના ઘરે દારૂનો સંગ્રહ કરી વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. જોકે, દરોડા દરમિયાન આરોપી મુકેશ દેગામા સ્થળ પર હાજર મળ્યો ન હતો. પોલીસે મકાનમાંથી દારૂની નાની-મોટી કુલ 528 બોટલો અને બીયરના 72 ટીન જપ્ત કર્યા હતા. આરોપી મુકેશ દેગામા વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી વધુ તપાસ વિજયસિંહ પરમાર ચલાવી રહ્યા છે. આ ઉપરાંત, ધ્રાંગધ્રા સીટી પોલીસે પણ એક અલગ કાર્યવાહીમાં બસ સ્ટેશન પરથી દિવ્યાંગ મહિલા પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ દારૂની કિંમત ₹5,940 આંકવામાં આવી છે.પોલીસને બાતમી મળી હતી કે ધ્રાંગધ્રા બસ સ્ટેશનના બાકડામાં બેઠેલી એક દિવ્યાંગ મહિલા પાસે થેલીમાં દારૂ છે. આ બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. પોલીસે મોરબી જિલ્લાના માળીયા ગામની 45 વર્ષીય ઝુલેખાબેન કરીમભાઈ સામતાણી પાસેથી વિદેશી દારૂના 33 ચપલા મળી આવ્યા હતા. મહિલા વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ એચસી બી.બી.પઢીયાર કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 3:25 pm

હવે ગેસ એજન્સીઓ પર મહેસૂલી કર્મી - પોલીસનો પહેરો:રાજકોટના ગોંડલમાં હોટલ - રેસ્ટોરન્ટમાંથી 30 ઘરેલું ગેસ સિલિન્ડર કબ્જે, એક ઘરમાંથી 38 ખાલી બાટલા જપ્ત

ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે ગેસના બાટલાની અછત સર્જાઈ છે ત્યારે રાજકોટ પુરવઠા વિભાગ દ્વારા જિલ્લાની 18 ગેસ એજન્સીઓ પર મહેસુલી કર્મચારી અને પોલીસમાં પહેરો રાખવાનું શરૂ કરાયું છે. દરમિયાન જિલ્લામાં 46 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં હોટેલ અને રેસ્ટોરન્ટમાંથી 30 ઘરેલું ગેસ સિલિન્ડર મળી આવતા તે જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગોંડલ શહેરમાં એક ઘરમાંથી 38 ઘરેલું ગેસના ખાલી સિલિન્ડર મળી આવતા તે પણ કબ્જે કરવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી એ.એસ. ઝાપડાએ જણાવ્યુ હતુ કે, જિલ્લા કલેકટરની સૂચનાથી જિલ્લાના તમામ મામલતદાર દ્વારા જુદી જુદી ટીમો બનાવી સમગ્ર જિલ્લામાં આવેલ વિવિધ હોટલ, રેસ્ટોરન્ટ, ટી-સ્ટોલ, ફરસાણ સ્ટોર, નાસ્તા હાઉસ તથા ફાસ્ટ ફૂડ સ્ટોર ખાતે ઘરેલુ ગેસ સિલિન્ડરના વપરાશ બાબતે કુલ 46 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ગોંડલ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ બિલિયાળા ગામેથી મામલતદાર ગોંડલ (ગ્રામ્ય) દ્વારા 15 ભરેલા તથા 10 ખાલી એમ કુલ 25 ઘરેલુ ગેસ સિલિન્ડર (રૂ.45,410) ના જથ્થા સાથે સિઝ કરી ગેસ એજન્સીને સોંપવામાં આવ્યા છે. આ ઉપરાંત જુદી જુદી હોટલ અને રેસ્ટોરન્ટમાંથી વધુ 5 ઘરેલુ ગેસ સિલિન્ડર (રૂ.11,038) ના જથ્થા સાથે સિઝ કરી ગેસ એજન્સીને સોંપવામાં આવ્યા છે. આ ઉપરાંત ગોંડલ શહેર વિસ્તારમાં મામલતદાર દ્વારા ગેરકાયદેસર રીતે ઘરમાં સંગ્રહ કરેલા રિલાયન્સ કંપનીના 38 ખાલી ગેસ સિલિન્ડર કબ્જે કર્યા હતા. જેની કિંમત રૂ.63,400 થાય છે. આ સાથે જ તમામ હોટલ તથા ફાસ્ટ ફૂડ સ્ટોરના માલિકોને ઘરેલુ સિલિન્ડરના ગેરવપરાશ અંગે સમજણ આપવામાં આવી હતી. દરમિયાન સમગ્ર જિલ્લામાં કુલ 18 ગેસ એજન્સીઓની તપાસણી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત જિલ્લાની તમામ ગેસ એજન્સીઓ અને ગોડાઉનમાં નાયબ મામલતદાર (પુરવઠા) ની દેખરેખ હેઠળ દરેક એજન્સી તથા ગોડાઉન દીઠ 1 મહેસુલી કર્મચારી સાથે 1 પોલીસ જવાનને મુકવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 3:25 pm

મોરબી સિરામિક એસો.માં ચૂંટણી નિશ્ચિત:વોલ ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખ પદ માટે 3 ઉમેદવારો મેદાનમાં

મોરબી સિરામિક એસોસિએશનના વોલ ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાશે. વર્તમાન પ્રમુખની ટર્મ પૂરી થતાં ત્રણ કારખાનેદારોએ દાવેદારી નોંધાવી છે. આ ત્રણ ઉમેદવારોમાંથી પ્રમુખની પસંદગી સભ્યોના મતદાન દ્વારા કરવામાં આવશે. મોરબીનો સિરામિક ઉદ્યોગ વિશ્વકક્ષાનો છે, જ્યાં વિવિધ પ્રકારની ટાઇલ્સ અને સેનેટરીનું ઉત્પાદન થાય છે. આ ઉદ્યોગમાં વોલ ટાઇલ્સ, ફ્લોર ટાઇલ્સ, વિટ્રિફાઇડ અને સેનેટરીવેર એમ ચાર ડિવિઝન છે. વોલ ટાઇલ્સ એસોસિએશનના વર્તમાન પ્રમુખ હરેશ બોપલિયા છેલ્લા ચાર વર્ષથી (બે ટર્મ) કાર્યરત છે, જેમની ટર્મ આગામી 31 માર્ચના રોજ પૂર્ણ થઈ રહી છે. સામાન્ય રીતે સિરામિક એસોસિએશનમાં ચૂંટણીને બદલે સર્વસંમતિથી પસંદગી (સિલેક્શન) કરવાનો આગ્રહ રાખવામાં આવે છે. જોકે, એક કરતાં વધુ દાવેદારો હોય ત્યારે ચૂંટણી યોજાય છે. આ વખતે પણ વોલ ટાઇલ્સ ડિવિઝનમાં ચૂંટણી ટાળીને સર્વસંમતિ સાધવાના પ્રયાસો એસોસિએશનના આગેવાનો અને અગ્રણી ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવ્યા હતા. તેમ છતાં, પ્રમુખ પદ માટે કેવલ સંઘાણી, નરેન્દ્ર સંઘાત અને કાંતિ સીતાપરાએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે પણ કોઈ ઉમેદવારે ફોર્મ પાછું ન ખેંચતા હવે ચૂંટણી નિશ્ચિત બની છે. મોરબી અને આસપાસના વોલ ટાઇલ્સના 160 થી વધુ કારખાનાના માલિકો, જેઓ એસોસિએશનના સભ્યો છે, તેઓ મતદાન કરીને નવા પ્રમુખને ચૂંટી કાઢશે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 3:22 pm

સગીરાએ યુવકના ત્રાસથી એસિડ પીધું, ટૂંકી સારવાર બાદ મોત:મોબાઈલ દુકાન સંચાલક પર બ્લેકમેલનો આરોપ; સુસાઇડ નોટમાં લખ્યું- એ મને ફસાવી, બ્લેકમેઇલ કરે છે, હું એના કારણે મરું છું

વલસાડ જિલ્લાના એક ગામમાં એક સગીરાએ એસિડ પીને આપઘાત કરી લીધો છે. 17 વર્ષીય ડિમ્પલ (નામ બદલ્યું છે) નામની સગીરાએ આત્મહત્યા કરતા પહેલાં એક સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેણે એક મોબાઈલ દુકાન સંચાલક પર હેરાનગતિ અને બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો છે. એક દિવસની ટૂંકી સારવાર દરમિયાન સગીરાનું મોત થયું હતું. ડિમ્પલ તેના પરિવાર સાથે રહેતી હતી. ઘટનાના દિવસે તે કોઈની સાથે મોબાઈલ ફોન પર વાત કરી રહી હતી. તેની માતાએ કોની સાથે વાત કરે છે તેમ પૂછતાં, ડિમ્પલને મન દુઃખ લાગી આવ્યું હતું. આ પછી તેણે સુસાઇડ નોટ લખી એસિડ ગટગટાવ્યું હતું. પરિવારના સભ્યોને ઘટનાની જાણ થતાં જ તેઓએ સગીરાને બચાવવાના પ્રયાસો કર્યા અને તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. જોકે, સારવાર દરમિયાન સગીરાનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટના અંગે પોલીસ ટીમને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે સગીરાના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે. સગીરાએ સુસાઇડ નોટમાં મોબાઈલ દુકાનના સંચાલક દ્વારા બ્લેકમેલ કરવામાં આવતો હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 3:11 pm

બોટાદના ફાડરવાળા મેલડી મંદિરે મહાપ્રસાદ યોજાયો:ડાકડમરુ કાર્યક્રમમાં 15 હજારથી વધુ ભક્તોએ લાભ લીધો

બોટાદ જિલ્લાના આસ્થા કેન્દ્ર શ્રી ફાડરવાળા મેલડી માતાજી મંદિરે મહાપ્રસાદ અને ડાકડમરુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આશરે ૧૫ હજારથી વધુ ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આ ભવ્ય આયોજન કરાયું હતું. મહાપ્રસાદ બાદ મેલડી માતાજીના ગુણગાન માટે ડાકડમરુનો કાર્યક્રમ યોજાયો હતો, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ સમગ્ર આયોજન શ્રી શિવા ભગત અને મંદિરના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ભક્તોએ પણ વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 3:06 pm

જમીન વિવાદમાં ઘાતકી હુમલો:મેદરામાં જમીન પચાવી પાડવાના ઈરાદે હથિયારો સાથે ટોળાનો આતંક, તોડફોડ કરી સિક્યુરિટી ગાર્ડ્સ પર હુમલો

ગાંધીનગરના મેદરા ગામની સીમના સર્વે 172ની જમીન પચાવી પાડવાના ઇરાદે 25 થી 30 જેટલા અજાણ્યા શખ્સોના ટોળાએ ઘાતક હથિયારો વડે સિક્યુરિટી ગાર્ડ્સ પર જીવલેણ હુમલો કરવામાં આવતા ડભોડા પોલીસે ટોળાં વિરુધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. 25થી 30 લોકોના ટોળાએ હુમલો કરી તોડફોડ કરીગાંધીનગરના મેદરા ગામની સીમમાં આવેલ સર્વે નંબર 172 વાળી જમીન પર સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા શિવાભાઈ રબારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગઈકાલે તેઓ અન્ય ગાર્ડ્સ અને ઇન્ચાર્જ જીગરભાઈ ચૌધરી સાથે હાજર હતા. ત્યારે અચાનક લાકડીઓ અને ધારિયા જેવા હથિયારો સાથે 25 થી 30 શખસોનું ટોળું ત્યાં ધસી આવ્યું હતું. બાદમાં હુમલાખોરોએ જમીન પર પોતાનો હક જતાવતા બૂમો પાડવાનું શરૂ કર્યું હતું અને બિભત્સ ગાળો આપી હતી. ગાર્ડ્સે બચાવ માટે લોખંડનો દરવાજો અંદરથી બંધ કર્યો હોવા છતાં ઉશ્કેરાયેલા ટોળાએ દરવાજો તોડી પાડી અંદર પ્રવેશ કર્યો હતો. હુમલાખોરોએ ત્યાં મારેલા બોર્ડની પણ તોડફોડ કરી અંદાજે 22 હજારનું નુકસાન પહોંચાડ્યું હતું. હુમલાખોર સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવીફરિયાદમાં જણાવ્યા અનુસાર, હુમલામાં ​દીપક કમશી રબારી,બળદેવ પુંજાભાઇ ચૌધરી ,બકુલ ધામેલીયા,,સતીષ દેવાજી ઠાકોર, પ્રધ્યુમન ચંદ્રવિહાર પરમાર, સત્યેન્દ્રસિહ અમરસિંહ રાજપુર, અભય સંજયસિંહ રાજપુત , ડી. કે. રબારીના ટોળાંએ લાકડીઓ ધારીયા વડે હુમલો કર્યો હતો. ​આ શખ્સોએ સિક્યુરિટી ગાર્ડ્સને ગડદાપાટુનો માર માર્યો હતો અને જો જમીન ખાલી નહીં કરે તો જાનથી મારી નાખીશું તેવી ગંભીર ધમકીઓ આપી હતી.બનાવ બાદ આસપાસના લોકો એકઠા થઈ જતા હુમલાખોરો હથિયારો સાથે ફરાર થઈ ગયા હતા. આ મામલે ડભોડા પોલીસે રાયોટિંગ, મારામારી અને પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 2:59 pm

સુરત શહેરમાં વધુ એક હત્યા:ડિંડોલીમાં ક્રિષ્ના AC મોલ બહાર યુવકને રહેંસી નાંખ્યો, પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો

સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. ડિંડોલી વિસ્તારમાં આવેલા ક્રિષ્ના AC મોલ બહાર યુવકની હત્યા કરવામાં ઓઆવી છે. કેટલાક ઈસમો દ્વારા આશિષસીંગ રાજપૂત નામના યુવક પર કરી હત્યા કરવામાં આવી હતી. આ હત્યાને પગલે મૃતકના પરિવારજનો ખાનગી હોસ્પિટલ પહોંચ્યા હતાં. તેમજ ડિંડોલી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 2:55 pm

ગુજરાત મેટ્રો રેલના 100 સિક્યુરિટી ગાર્ડ હડતાળ પર:પગાર, હક્ક રજા સહિતના પ્રશ્ને ઓલ્ડ હાઈકોર્ટ મેટ્રો સ્ટેશન પર વિરોધ પ્રદર્શન

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (મેટ્રો રેલવે)માં રેલવે સ્ટેશન પર સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવનારા કર્મચારીઓ આજે 15 માર્ચના રોજ બપોરે હડતાલ પર ઉતરી ગયા હતા. ઇન્કમટેક્સ નજીક ઓલ્ડ હાઇકોર્ટ મેટ્રો સ્ટેશન ખાતે 100 જેટલા સિક્યુરિટી ગાર્ડ દ્વારા ભેગા મળી વિરોધ નોંધાવ્યો હતો. સિક્યુરિટી ગાર્ડના આક્ષેપ છે કે, તેમને નક્કી કરેલા પગાર કરતા ઓછો પગાર આપવામાં આવે છે. હકની રજા આપવામાં આવતી નથી અને ઓવરટાઈમનો પણ ચૂકવતો પગાર આપવામાં આવતો નથી. જે સુપરવાઇઝરને તેમણે ફરિયાદ કરી હતી અને તેમણે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા તેમને પણ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે જેથી તેમને નોકરીમાં પરત લેવામાં આવે અને માંગણીઓ પૂરી કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ કર્યો હતો. ઓલ્ડ હાઈકોર્ટ મેટ્રો સ્ટેશન પર વિરોધ પ્રદર્શનઅમદાવાદની લાઈફ લાઇન ગણાતી એવી મેટ્રો ટ્રેનમાં રેલવે સ્ટેશન અને અન્ય જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા સંભાળતા સિક્યુરિટી ગાર્ડોએ ઓલ્ડ હાઈકોર્ટ મેટ્રો સ્ટેશન નીચે ભેગા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. અંદાજે 100 જેટલા ગાર્ડોએ ગૌરવ સિક્યુરિટી એજન્સી સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. પુષ્પાબેન રાજપૂત નામના મહિલા સિક્યુરિટી ગાર્ડે જણાવ્યું હતું કે, ગૌરવ સિક્યુરિટીમાં અમે નોકરી કરીએ છીએ અગાઉ અમને ₹496 રૂપિયા પ્રતિ દિવસના ચૂકવવામાં આવતા હતા હવે 476 રૂપિયા આપવામાં આવે છે આ બાબતે અમે અમારા સુપરવાઇઝર નીનામા સાહેબને વાત કરી હતી તેમણે ઉપરી અધિકારીને રજૂઆત કરી હતી. ઉપરી અધિકારીના રજૂઆત કરતા સિક્યુરિટી ગાર્ડનો પક્ષ કેમ લો છો એમ કહી અને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા જેથી તેમને નોકરીમાં પરત લાવવાની પણ માંગ કરી છે. ભરતી સમયે જે ખાતરી અપાઈ તે સુવિધા મળતી ન હોવાની રજૂઆતસિક્યુરિટી ગાર્ડ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભરતી સમયે તેમને જે પગાર અને સુવિધાઓ અંગે ખાતરી આપવામાં આવી હતી, તે મુજબ સુવિધાઓ આપવામાં આવતી નથી. તેમને નક્કી કરેલા પગાર કરતાં ઓછો પગાર આપવામાં આવે છે અને ઘણી વખત પગારમાં કાપ પણ કરવામાં આવે છે. ગાર્ડોએ આક્ષેપ કર્યો કે પૂરતી રજા આપવામાં આવતી નથી અને જો કોઈ ગાર્ડ રજા માંગે તો તેને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવે છે. ઓવરટાઈમનો વધારાનો પગાર ન અપાતો હોવાનો આક્ષેપઆ ઉપરાંત ગાર્ડોએ કહ્યું કે તેમની પાસેથી લાંબા સમય સુધી ડ્યૂટી કરાવવામાં આવે છે અને ઘણી વખત જબરદસ્તી ઓવરટાઈમ પણ કરાવવામાં આવે છે. પરંતુ તે ઓવરટાઈમનો કોઈ વધારાનો પગાર ચૂકવવામાં આવતો નથી. સાથે જ જે સુપર વાઇઝર સિક્યુરિટી ગાર્ડના હક માટે લડતા હતા તેમને પણ નોકરી પરથી કાઢી મુકવામાં આવ્યા છે. આ સમગ્ર માંગ અને તેમના સુપરવાઇઝરને નોકરીમાં પરત લેવા મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 2:54 pm

નેતન્યાહુ ક્યાં છે? હત્યાની અટકળો વચ્ચે ઈઝરાયલની સ્પષ્ટતા અને ઈરાનની 'શોધીને મારવાની' ખુલ્લી ધમકી

Iran America War : ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો દાવો વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈરાની હુમલામાં ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનું મોત નીપજ્યું છે. આ અફવાઓને ત્યારે વધુ વેગ મળ્યો જ્યારે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) એ એક ભયાનક ધમકી આપી.

ગુજરાત સમાચાર 15 Mar 2026 2:31 pm

ગુજરાત હાઇકોર્ટનો રાજ્ય સરકારને હુકમ:જન્મ-મૃત્યુ પ્રમાણપત્રમાં ફેરફાર કરવાની સત્તા હોવા છત્તા રજિસ્ટ્રાર કોર્ટનો હુકમ માગે છે, સત્તા વાપરવા સરકાર નિર્દેશ આપે

ગુજરાત હાઇકોર્ટમાં જૂનાગઢથી એક વ્યક્તિએ જન્મ અને મૃત્યુ રજિસ્ટ્રારના હુકમને રદ કરવા માટે અરજી કરી હતી. સાથે જ માગ કરવામાં આવી હતી કે, તેની દીકરીના જન્મ પ્રમાણપત્રમાંથી તેના જૈવિક પિતાનું નામ કાઢીને દત્તક લેનાર પિતાનું નામ ઉમેરવામાં આવે અને માતાના નામમાં પણ ફેરફાર કરીને નવું જન્મ પ્રમાણપત્ર આપવામાં આવે. દીકરીના જૈવિક પિતાનું નામ દૂર અરજી આ કેસમાં અરજદારે એક છુટાછેડા લીધેલ મહિલા સાથે લગ્ન કર્યા હતા. મહિલાને પહેલા પતિથી એક દીકરી હતી, જેનો જન્મ 2015માં થયો હતો. જ્યારે તેના છૂટાછેડા 2022માં થયા હતા. દીકરીની કસ્ટડી તેની માતા પાસે હતી. આથી અરજદારે દીકરીને ખોળે લીધી હતી અને તે માટેની કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. પરંતુ જન્મ પ્રમાણપત્રમાં દીકરીના જૈવિક પિતાનું નામ હોવાથી મુશ્કેલીઓ સર્જાઈ હતી, જેથી અરજદારે દીકરીના જૈવિક પિતાનું નામ દૂર કરીને તેનું નામ ઉમેરવા માટે જન્મ મૃત્યુ નોંધણી રજિસ્ટ્રારમાં અરજી કરી હતી. જો કે, જન્મ- મૃત્યુ રજિસ્ટ્રારે અરજદાર પાસેથી કોર્ટનો ઓર્ડર માગ્યો હતો. રજિસ્ટ્રારને ચાર અઠવાડિયામાં નિર્ણય લેવા હુકમગુજરાત હાઇકોર્ટમાં આ કેસ આવતા કોર્ટે નોંધ્યું હતું કે, અરજદારની અરજી ઉપર નિર્ણય લેવાની સત્તા જન્મ-મૃત્યુ રજિસ્ટ્રાર પાસે છે. કોર્ટે અગાઉ પણ આવા કેસોમાં હુકમ કર્યા છે. તેમ છતાં આવા કેસો ફરી આવી રહ્યા છે, જેથી રાજ્ય સરકાર જન્મ મૃત્યુ નોંધણી વિભાગને આ સંદર્ભે યોગ્ય દિશા નિર્દેશ આપે. આ સાથે જ ગુજરાત હાઇકોર્ટે જૂનાગઢના જન્મ-મૃત્યુ રજિસ્ટ્રારના હુકમને રદ કર્યો હતો. અરજદારને એક અઠવાડિયામાં નવી અરજી કરવા અને રજિસ્ટ્રારને ચાર અઠવાડિયામાં તેની પર નિર્ણય લેવા માટે હુકમ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 2:28 pm

પાટણમાં ₹15 કરોડના ખર્ચે નવું છાત્રાલય બનશે:પ્રજાપતિ કેળવણી મંડળે કુમાર-કન્યા છાત્રાલયનો શિલાન્યાસ કર્યો

પાટણ ખાતે ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ સંચાલિત શેઠ હીરાભાઈ ધનાભાઈ પ્રજાપતિ છાત્રાલયના નૂતન ભવનનો શિલાન્યાસ સમારોહ યોજાયો હતો. આ અદ્યતન પાંચ માળનું ભવન આશરે ₹15 કરોડના ખર્ચે તૈયાર થશે. તેમાં 350 કુમારો અને 100 કન્યાઓ માટે રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાશે. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ અને ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાટણ શહેરમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સહિત મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજો આવેલી હોવાથી રાજ્યભરમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓના ધસારાને પહોંચી વળવા સંસ્થા દ્વારા આ નવા છાત્રાલયનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા અને વાલીઓની લાંબા સમયની માગણી સંતોષવા માટે આ પ્રોજેક્ટમાં કન્યાઓ માટે અલગ નિવાસ વ્યવસ્થાનો સમાવેશ કરાયો છે. આ શિલાન્યાસ વિધિ સતાધાર ધામના મહંત વિજયબાપુની નિશ્રામાં અને ભૂમિદાતા પરિવારના નરેન્દ્રકુમાર રામચંદ્રભાઈ પ્રજાપતિ તથા યોગેશકુમાર હિંમતલાલ પ્રજાપતિના વરદ્ હસ્તે સંપન્ન થઈ હતી. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના સંસ્થાપક દલસુખભાઈ સી. પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે દયાગૌરી પુનમચંદ સ્વામી, ભરતભાઈ જી. પ્રજાપતિ, મોતીભાઈ આર. પ્રજાપતિ, નવનીતભાઈ ડાહ્યાભાઈ કોન્ટ્રાક્ટર અને અમેરિકાથી પધારેલા પુનમચંદભાઈ પરષોત્તમભાઈ પ્રજાપતિ હાજર રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કે.સી. પોરિયા, નિવૃત્ત રજિસ્ટ્રાર મણિભાઈ કે. પ્રજાપતિ, ઉત્તર ઝોન પ્રજાપતિ સમાજના પ્રમુખ મનહરભાઈ આર. પ્રજાપતિ, પૂર્વ પ્રમુખ ગંગારામભાઈ કે. પ્રજાપતિ, અમૃતભાઈ પી. કંબોયા અને રાધનપુર છાત્રાલયના સ્થાપક પ્રમુખ મનજીભાઈ રૂગનાથભાઈ પ્રજાપતિએ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના પ્રમુખ શાંતિલાલ એસ. પ્રજાપતિ અને મંત્રી રઘુભાઈ જી. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 2:28 pm

પાટણ ફાયરિંગ-હત્યા કેસ: 4 આરોપી ઝડપાયા:પૂર્વ આયોજિત કાવતરા હેઠળ યુસુફખાનની હત્યા, હથિયાર-ગાડી કબજે

પાટણ શહેરના નીલમ સિનેમા પાસે ગત 12 માર્ચના રોજ ધોળા દિવસે સ્વિફ્ટ કારમાં જઈ રહેલા યુસુફખાન પઠાણ પર ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પાટણ જિલ્લા પોલીસે સફળતા મેળવી છે. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે મુખ્ય શૂટર સહિત 4 શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તારીખ 12 માર્ચ, 2026ના રોજ સવારના સુમારે આ ચકચારી ઘટના બની હતી. મૃતક યુસુફખાન ચાંદખાન પઠાણ પોતાની સફેદ કલરની સ્વિફ્ટ કાર નંબર GJ 08 BF 8784 લઈને બુકડીથી જૂનાગંજ તરફ જઈ રહ્યા હતા. તે સમયે આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે રસ્તામાં તેમની ગાડી ઉભી રખાવી હતી. આરોપીઓ પૈકીના એક શખ્સે રિવોલ્વર જેવા હથિયાર વડે યુસુફખાન પર બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો, જેમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે પાટણ સિટી એ ડિવિઝન પોલીસ મથકે BNS ની કલમ 103(1), 126(2), 61(2) અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષકની સૂચનાથી LCB, SOG, પેરોલ ફર્લો અને ટેકનિકલ સર્વેલન્સની વિવિધ ટીમો કાર્યરત કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપીઓ સફેદ કલરની જાયલો ગાડી નંબર GJ 24 A 8316 માં વડુ ત્રણ રસ્તા પાસેથી પસાર થવાના છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ગાડીને કોર્ડન કરી હતી અને તેમાંથી ઝહીર ઉર્ફે ખોખરો અબ્બાસખાન બેલીમ, સાહિદ સાજીદ શેખ, ઇમરાનખાન મહમદખાન બલોચ અને એજાજ ઉર્ફે વેતીયો રસુલભાઈ સિપાઈની અટકાયત કરી હતી. પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે આ ગુનાને અંજામ આપવા માટે તેઓએ બે દિવસ સુધી રેકી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે પઠાણ અને બલોચ પરિવારો વચ્ચે છેલ્લા એક વર્ષથી વૈમનસ્ય ચાલતું હતું. તાજેતરમાં નમાજ પઢવા બાબતે બાળકો વચ્ચે થયેલા ઝઘડા બાદ બંને પરિવારો સામસામે આવી ગયા હતા અને તે આ હત્યાનું તાત્કાલિક કારણ બન્યું હતું. આરોપીઓ પાસેથી 4,00,000ની કિંમતની જાયલો ગાડી અને 20,000 ની કિંમતના 4 મોબાઈલ મળી કુલ 4,20,000 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલ આરોપીઓ પૈકી ઝહીર ઉર્ફે ખોખરો સામે વિવિધ રાજ્યોમાં મર્ડર અને લૂંટ જેવા 10 ગુનાઓ નોંધાયેલા છે. આ કેસમાં હથિયાર છુપાવવામાં મદદ કરનાર મોસીન ઉર્ફે ચટણી અને મહોમદ ખાન બલોચને પકડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 2:23 pm

AAP ભરૂચમાં સ્થાનિક ચૂંટણી માટે ઉમેદવાર પસંદગી પ્રક્રિયા યોજી:ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના નેતાઓએ ઇન્ટરવ્યૂ લીધા

ભરૂચમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ઉમેદવાર પસંદગી માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની એક ખાનગી હોટલ ખાતે યોજાયેલી આ પ્રક્રિયામાં ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ઉમેદવારી ઇચ્છુકો ઉપસ્થિત રહ્યા હતા. આ ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં ધારાસભ્ય ચૈતર વસાવા, સાઉથ ઝોન પ્રભારી રામ ધડુક, ભરૂચ લોકસભા પ્રમુખ યાકુબ ગુરજી અને જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ઉમેદવારોની પસંદગી પાર્ટીના સિદ્ધાંતો પ્રત્યેની પ્રતિબદ્ધતા, સંગઠન પ્રત્યેની નિષ્ઠા, સમાજસેવા અને વિસ્તારમાં કરાયેલા કાર્યો જેવા મુદ્દાઓને આધારે કરવામાં આવી હતી. આ દરમિયાન, પાર્ટીના આગેવાનોએ ઉપસ્થિત કાર્યકર્તાઓને સંગઠનને વધુ મજબૂત બનાવવા, જનતા સાથે સતત સંપર્કમાં રહેવા અને પાર્ટીના વિચારોને ગામેગામ પહોંચાડવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આમ આદમી પાર્ટીના આગેવાનોએ જણાવ્યું હતું કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભરૂચ જિલ્લાની તમામ બેઠકો પર મજબૂત રીતે ચૂંટણી લડવાની તૈયારીઓ ચાલી રહી છે. યોગ્ય અને જનસેવામાં સમર્પિત ઉમેદવારોને તક આપવામાં આવશે. આ સાથે જ, સંગઠનને બૂથ સ્તર સુધી મજબૂત બનાવવા માટે પણ કાર્યકર્તાઓને આહ્વાન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 2:18 pm

કનકપુરા યાર્ડનું આધુનિકીકરણ:રાજકોટ ડિવિઝનની ટ્રેનો પર અસર, ઓખા અને પોરબંદરથી ઉપડતી અનેક ટ્રેનોના રૂટ બદલાયા અથવા આંશિક રદ

ત્તર પશ્ચિમ રેલવેના જયપુર ડિવિઝનમાં આવેલા કનકપુરા યાર્ડ ખાતે નોન-ઇન્ટરલોકિંગ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. રેલવે તંત્ર દ્વારા ટ્રેનોની અવરજવરને વધુ સુગમ બનાવવા, લાઈનોની ક્ષમતા વધારવા અને કનેક્ટિવિટી સુધારવા માટે આ મહત્વપૂર્ણ વિકાસ કાર્ય શરૂ કરાયું છે. આ અંતર્ગત રેલ લાઈનોના નવા જોડાણો અને લંબાઈમાં વધારો કરવામાં આવશે. જોકે, આ ટેકનિકલ કામગીરીને કારણે મે 2026માં રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોના શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઓખા-જયપુર એક્સપ્રેસ ટ્રેનો આંશિક રીતે રદ ટ્રેન નંબર 20951 (ઓખા–જયપુર): 11.05.2026ના રોજ ઓખાથી ઉપડતી આ ટ્રેન જયપુર સુધી જવાને બદલે અજમેર ખાતે જ રોકાઈ જશે. એટલે કે, અજમેર અને જયપુર વચ્ચે આ ટ્રેન રદ રહેશે. ટ્રેન નંબર 20952 (જયપુર–ઓખા): 12.05.2026ના રોજ આ ટ્રેન જયપુરથી ઉપડવાને બદલે અજમેરથી પ્રસ્થાન કરશે. આમ, જયપુર અને અજમેર વચ્ચેની મુસાફરી રદ કરવામાં આવી છે. પોરબંદરની ટ્રેનોના રૂટમાં ફેરફાર મુસાફરોએ ખાસ નોંધ લેવી કે પોરબંદરથી ઉપડતી ટ્રેનો નિર્ધારિત માર્ગને બદલે પરિવર્તિત માર્ગ (ડાયવર્ટ) પરથી દોડશે: પોરબંદર–મુઝફ્ફરપુર (19269): 08.05.2026ના રોજ આ ટ્રેન ફુલેરા-જયપુર-રેવાડીને બદલે ફુલેરા-રિંગસ-રેવાડી થઈને જશે. આ ટ્રેન જયપુર, અલવર અને બાંદીકુઈ સ્ટેશન પર જશે નહીં. પોરબંદર–દિલ્હી સરાય રોહિલ્લા (20937): 09.05.2026ના રોજ ઉપડતી આ ટ્રેન પણ ફુલેરા-રિંગસ-રેવાડી માર્ગે ચાલશે. જેના કારણે જયપુર, દૌસા, બાંદીકુઈ, અલવર અને ખૈરથલ સ્ટેશનો પર ટ્રેન ઉભી રહેશે નહીં. મુઝફ્ફરપુર–પોરબંદર (19270): 11.05.2026ના રોજ આ ટ્રેન રેવાડી-રિંગસ-ફુલેરા માર્ગે દોડશે. આ ટ્રેન અલવર, બાંદીકુઈ અને જયપુર સ્ટેશનો પર જશે નહીં. રેલવે તંત્ર દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ પોતાની યાત્રા શરૂ કરતા પહેલા અધિકૃત પૂછપરછ બારી અથવા વેબસાઈટ પર ટ્રેનનું સ્ટેટસ ચકાસી લે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 2:03 pm

વારસિયાના ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી, CCTV:ગર્ભગૃહમાં પ્રવેશની રોકડ, ચાંદીના છત્ર અને આભૂષણો લઈને તસ્કરો ફરાર, સેવકે ફરિયાદ નોંધાવી

વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા સુપ્રસિદ્ધ ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરોએ મંદિરમાં રહેલ મતા ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. મંદિરમાંથી ભગવાનના ચાંદીના ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે મંદિરના સેવક દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અજાણ્યા તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું આ ઘટનાની વિગતો એવી છે કે ગત તારીખ 6 માર્ચના રોજ રાત્રિ દરમિયાન અજાણ્યા તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી ભગવાનને અર્પણ કરેલા કિંમતી આભૂષણોની ચોરી કરી હતી. સવારે જ્યારે પૂજારી અને ભક્તો મંદિરે પહોંચ્યા ત્યારે ચોરી થઈ હોવાનું જણાતા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. રોકડ, ચાંદીના છત્ર અને આભૂષણો લઈને તસ્કરો ફરારઆ ચોરીની ઘટનામાં મંદિરમાંથી ચોર ઈસમે ચાંદીનું મોટું છત્ર, ચાંદીનું નાનું છત્ર, દાન પેટીમાંથી ચોરાયેલ રોકડ રકમ મળી કુલ 45,200ની મતા ચોરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટના અંગે મંદિરના ટ્રસ્ટીઓ અને સેવકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને પંચનામું કર્યું છે અને અજાણ્યા ચોર શખસ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસીને તસ્કરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 1:49 pm

મોડાસામાં 125 વર્ષ જૂની C.S. બુટાલા અને બ્રધરહૂડ લાયબ્રેરીની ઉજવણી:વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ અને ચિત્ર સ્પર્ધા યોજાઈ

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં શ્રી સાંકળચંદ લક્ષ્મીચંદ શાહ ટ્રસ્ટ સંચાલિત શ્રી C.S. બુટાલા અને બ્રધરહૂડ જાહેર પુસ્તકાલયે તેની 125મી સ્થાપના વર્ષગાંઠની ઉજવણી કરી. આ નિમિત્તે વિદ્યાર્થીઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પુસ્તકપ્રેમ અને વાંચનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના હેતુથી પુસ્તકાલય દ્વારા વક્તૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધાઓમાં મોડાસા શહેરની વિવિધ શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પુસ્તકો આપણા મિત્રો (અક્ષરલેખન) અને મારી કલ્પનાનું પુસ્તકાલય જેવા વિષયો પર સુંદર ચિત્રો દોરી પોતાની સર્જનાત્મકતા રજૂ કરી હતી. આ પ્રવૃત્તિઓનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રસ વધારવાનો અને તેમની કલ્પનાશક્તિને પ્રોત્સાહન આપવાનો હતો. જાહેર પુસ્તકાલય દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિઓ યોજીને નવી પેઢીને પુસ્તક સંસ્કૃતિ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ડિજિટલ યુગમાં પણ પુસ્તકોનું મહત્વ જાળવી રાખવા આ પહેલ પ્રેરણાદાયક બની રહી છે. આ કાર્યક્રમના આયોજનમાં બ્રધરહૂડ લાઇબ્રેરીના પ્રમુખ એ.જે. મોદી, ટ્રસ્ટીઓ, કન્વીનર કામેશ શાહ, મિનેશભાઈ ગાંધી, તેમજ કલરવ સ્કૂલના આચાર્ય સેજલબેન ઠેકડી સહિતના આયોજકોનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 1:46 pm

400 કિ.મી.ની ઝડપે બુલેટ ટ્રેન જતી હોય એવો અનુભવ થશે:વડોદરામાં અનોખી ધ બુલેટ રેસ્ટોરન્ટની શરૂ થઈ, 3 મહિનાની મહેનત બાદ બુલેટ ટ્રેનની આબેહૂબ મોડલ બનાવ્યું, અભિનેત્રી શ્રદ્ધા ડાંગરના હસ્તે ઉદ્ઘાટન, બુલેટ ટ્રેન તો 2030માં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેનથી પ્રેરણા લઈને વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા સેવન સીઝ મોલમાં બુલેટ ટ્રેન રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી છે, ગુજરાતી ફિલ્મ જગતના અભિનેત્રી શ્રદ્ધા ડાંગરના હસ્તે આજે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ટ્રેનમાં બેસતા જ 400 કિમી સ્પીડ બુલેટ ટ્રેન જતી હોય એવો અનુભવ તમને થશે. જેના માટે બારીમાં LED સ્ક્રીન લગાવવામાં આવી છે અને તેમાં અમદાવાદથી મુંબઈના રિયલ દૃશ્યો દર્શાવવામાં આવ્યા છે. જેને શૂટ કરતા 45 દિવસનો સમય લાગ્યો હતો. આ ઉપરાંત રેસ્ટોરન્ટનું ઇન્ટિરિયર પર લક્ઝુરિયસ છે. ધ બુલેટ રેસ્ટોરન્ટના માલિક વિજય અગ્રવાલે જણાવ્યું હતું કે, વર્ષ 2016માં કામ અર્થે ચાઈના જવાનો અવસર મળ્યો હતો. તે સમયે બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી હતી અને ત્યાર બાદ ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈથી અમદાવાદ વચ્ચે વર્ષ 2030માં બુલેટ ટ્રેનનો પ્રારંભ થશે તેવી જાહેરાત કરી છે. જેથી મને વિચાર આવ્યો કે બુલેટ ટ્રેનમાં લોકો વર્ષ 2030માં મુસાફરી કરશે પણ તે પહેલા તેઓને બુલેટ ટ્રેનમાં બેસવા જેવો અનુભવ મળે એના માટે કંઈક કરીએ. તેઓએ વધુમાં કહ્યું કે, અમે 45 દિવસ મુંબઈથી અમદાવાદના રૂટ પર શૂટ કર્યું હતું અને તે શૂટિંગને LED સ્કિન ઉપર મૂકવામાં આવ્યું છે. જેનાથી રેસ્ટોરન્ટમાં આવનાર દરેકને ટ્રેનમાં બેઠા હોય તેવું ફિલ થશે. જે માટે 3 મહિના સુધી 100 લોકોની ટીમ કામે લાગી હતી અને આ પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો. ભારતમાં વર્ષ 2030 સુધીમાં જે બુલેટ ટ્રેન આવવાની છે, અમે તે અંગેની જરૂરી માહિતી એકત્રિત કરી હતી. એ જ માહિતીના આધારે અમે આ 'ડમી ટ્રેન' બનાવી છે, જે બહારથી જોતા તમને બિલકુલ અસલી ટ્રેન જેવો જ અનુભવ કરાવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમારો પૂરો પ્રયાસ છે કે લોકોને અહીં અદ્ભુત અનુભવ મળે. ગ્રાહકોને વ્યાજબી ભાવે શુદ્ધ અને ઘર જેવું જ ભોજન મળી રહે તે અમારી પ્રાથમિકતા છે. તેના માટે અમે 'ઓપન કિચન' રાખ્યું છે, જે કાચમાંથી તમે સીધું જોઈ શકો છો અને રસોઈમાં વપરાતી સ્વચ્છતાની ખાતરી કરી શકો છો. આ એક મલ્ટી-ક્યુઝિન રેસ્ટોરન્ટ છે, એટલે કે અહીં ખાસ્સું લાંબુ મેનુ છે. ​તેઓએ વધુમાં કહ્યું કે, એક ખાસ વાત એ છે કે અત્યારે બજારમાં LPG ની અછત હોવાને કારણે અમે 'બ્લેક'માં ગેસ લેવાનું ટાળ્યું છે. હાલ પૂરતું અમે 'NON-LPG' મેનુ લોન્ચ કર્યું છે, જેમાં લગભગ 30-32 આઈટમ્સ ઉપલબ્ધ છે. એકવાર કાયદેસર રીતે ગેસની સુવિધા ઉપલબ્ધ થાય પછી અમે સંપૂર્ણ મેનુ શરૂ કરીશું.વડોદરા શહેરની અન્ય મલ્ટી-ક્યુઝિન રેસ્ટોરન્ટ્સની સરખામણીએ અમે ભાવ 20 થી 30 ટકા ઓછા રાખવાનો પ્રયત્ન કર્યો છે, જેથી સામાન્ય વ્યક્તિ પણ આ અનોખા વાતાવરણમાં ભોજનનો આનંદ માણી શકે.​ગુજરાતી ફિલ્મની અભિનેત્રી શ્રદ્ધા ડાંગરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં જે રીતે અલગ-અલગ કન્સેપ્ટ પર કામ થઈ રહ્યું છે તે જોઈને ખૂબ જ આનંદ થાય છે. પછી ભલે તે રેસ્ટોરન્ટ હોય, કાફે હોય કે એવી કોઈ પણ જગ્યા જ્યાં આપણે આપણા પરિવાર સાથે જઈ શકીએ. અગ્રવાલ ફેમિલીએ આ 'ધ બુલેટ' મલ્ટિક્યુઝિન રેસ્ટોરન્ટમાં ખૂબ જ સુંદર કન્સેપ્ટ રજૂ કર્યો છે.​તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આપણે જાણીએ છીએ કે, ગુજરાતીઓને ખાવાનો ખૂબ શોખ હોય છે. ભલે ઘરે મહેમાન આવે કે ન આવે, બહાર જમવાના પ્લાન હંમેશા તૈયાર જ હોય છે! ગુજરાતીઓ માટે સૌથી પહેલી પ્રયોરીટી એ હોય છે કે પરિવારને શુદ્ધ અને સરસ જમવાનું મળે. આ રેસ્ટોરન્ટમાં મેનેજમેન્ટનો મુખ્ય હેતુ પણ એ જ છે કે તેઓ જેવું શુદ્ધ ભોજન ઘરે જમે છે, એવું જ લોકોને પીરસે.​તેઓએ કહ્યું કે, આ રેસ્ટોરન્ટની સૌથી મોટી ખાસિયત તેનો બુલેટ ટ્રેન કન્સેપ્ટ છે. મેં અત્યાર સુધી ક્યાંય પણ આવો અનોખો પ્રયોગ જોયો નથી. જ્યારે તમે તમારા ફેમિલી સાથે લંચ કે ડિનર લઈ રહ્યા હોવ અને તમને એવું અનુભવાય કે તમે બુલેટ ટ્રેનમાં બેસીને શાંતિથી મુસાફરી કરી રહ્યા છો, તો એ ખરેખર 'પૈસા વસૂલ' કન્સેપ્ટ છે.​હું વડોદરાવાસીઓને એટલું જ કહીશ કે હવે જ્યારે પણ તમે પરિવાર સાથે બહાર જમવાનો પ્લાન કરો, ત્યારે સેવન સીઝ મોલમાં આવેલી 'ધ બુલેટ' મલ્ટિક્યુઝિન રેસ્ટોરન્ટ ની મુલાકાત જરૂર લેજો.​તરોનિશ કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે, અહીં આવીને ખૂબ જ નવો અનુભવ થઈ રહ્યો છે. અહીં બેસીને એવું લાગે છે કે જાણે આપણે સાચે જ બુલેટ ટ્રેનમાં બેઠા હોઈએ. તમે પાછળ જોશો તો તમને લાગશે કે તમે ખરેખર બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો અને સાથે જમવાની મજા માણી રહ્યા છો. ખૂબ જ સારો અનુભવ છે, એટલે અહીં ચોક્કસ મુલાકાત લેવી જોઈએ. લોકોએ અહીં ચોક્કસ આવવું જોઈએ. અહીં તમને બિલકુલ નવો જ અનુભવ મળશે, તો એકવાર અહીં જરૂર મુલાકાત લો. ગ્રાહક મોનલબેને જણાવ્યું હતું કે, આ એકદમ નવો કન્સેપ્ટ છે. મેં આવું પહેલાં ક્યારેય ક્યાંય સાંભળ્યું પણ નહોતું. મને આ કન્સેપ્ટ ખૂબ જ સરસ લાગ્યો. જ્યારે તમે અંદર બેસીને આનો અનુભવ કરો ત્યારે જ ખબર પડે. બિલકુલ બુલેટ ટ્રેનમાં બેઠા હોઈએ તેવી જ ફીલિંગ આ રેસ્ટોરન્ટમાં બેસીને આવે છે. અહીંની બધી જ સુવિધાઓ ખૂબ જ સરસ છે. ​

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 1:45 pm

ત્રીજા માળેથી પટકાતા મોત થયાને પાંચ મહિને ગુનો નોંધાયો:હેબતપુર સાઇટ સેફ્ટી નેટ ન લગાવતા શ્રમિકનું ત્રીજા માળેથી પડવાથી મોત થયું'તું, બિલ્ડર સહિત ચાર સામે ગુનો નોંધાયો

અમદાવાદ શહેરના હેબતપુર રોડ પર આવેલી બીનોરી એરિસ્ટોલા નામની સાઈટ પર કામ કરતા શ્રમિકનું ત્રીજા માળેથી નીચે પડવાના કારણે મોત થયું હતું. સાઈડ પર સેફ્ટી નેટના લગાવવાના કારણે શ્રમિકના મોત મામલે બોડકદેવ પોલીસે બનાવના પાંચ મહિનાથી વધુ સમય બાદ બિલ્ડર એન્જિનિયર કોન્ટ્રાક્ટર સહિત કુલ ચાર લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ત્રીજા માળેથી પડવાના કારણે મોતરાજસ્થાનમાં રહેતા ગોવિંદ નીનામા નામના યુવકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના મોટાભાઈ અનિલ એસ.પી. રીંગ રોડ હેબતપુર ખાતે આવેલી બીનોરી એરિસ્ટોલા નામની સાઈટ પર કામ કરતા હતા. 30 સપ્ટેમ્બર ના રોજ અનિલનું કન્સ્ટ્રક્શન સાઇટના ત્રીજા માળેથી પડવાના કારણે મોત થયું હતું. અનિલ ત્રીજા મળે ફ્લેટમાં વોટરપ્રૂફિંગનું કામ કરતો હતો. આ દરમિયાન છજા પરથી અનિલનો પગ લસરી જતા નીચે પડ્યો હતો.જેના કારણે અનિલને માથામાં ગંભીર ઈજા થઈ હતી,જે બાદ સારવાર દરમિયાન મોત થયું હતું. સેફ્ટી નેટ લગાવી ન હોવાથી બેદરકારી, 4 સામે ગુનો નોંધાયોઆ સમગ્ર મામલે બાંધકામ સાઈટ પર અવરોધક સેફ્ટી નેટ લગાવી ન હોવાથી બિલ્ડર અને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે.બોડકદેવ પોલીસે બિલ્ડર વિષ્ણુ શર્મા, કોન્ટ્રાક્ટર ચિરાગ પટેલ,લેબર કોન્ટ્રાક્ટર લક્ષ્મણ મકવાણા અને હાર્દિક એમ કુલ ચાર લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 1:39 pm

દક્ષિણ ભારતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ! ભાજપે સુપરસ્ટાર વિજયને આપી મોટી ઓફર

Vijay TVK BJP Alliance : તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026 નજીક આવતા જ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. લેટેસ્ટ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતામાંથી નેતા બનેલા વિજયની પાર્ટી 'તમિલગા વેટ્ટી કડગમ' (TVK) અને ભાજપ (BJP) વચ્ચે ગઠબંધન માટેની વાતચીત અંતિમ તબક્કામાં હોવાનું મનાઈ રહ્યું છે. ભાજપની વિજયને મોટી ઓફર: 80 બેઠકો અને ડેપ્યુટી CM પદ? સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપે વિજયને NDAમાં સામેલ કરવા માટે એક આકર્ષક ઓફર આપી છે. ભાજપે વિજયની પાર્ટીને ગઠબંધનમાં 80 બેઠકો આપવાની તૈયારી દર્શાવી છે.

ગુજરાત સમાચાર 15 Mar 2026 1:38 pm

પોક્સો-અપહરણ કેસનો ફરાર આરોપી ઝડપાયો:એસ.ઓ.જી. સુરેન્દ્રનગરે સગીરા સાથેના ગુનામાં મોરબીથી પકડ્યો

સુરેન્દ્રનગર એસ.ઓ.જી.એ પોક્સો અને અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. આ કેસમાં હેબિયસ કોર્પસની ભોગ બનનાર સગીરાને પણ શોધી કાઢવામાં આવી છે. આરોપી અને સગીરાને વધુ તપાસ માટે થાનગઢ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. પોલીસને બાતમી મળી હતી કે, થાનગઢ પોલીસ સ્ટેશનના ગુના નંબર 11211050260051/2026, બી.એન.એસ. કલમ 137(2), 87 મુજબના હેબિયસ કોર્પસ, પોક્સો અને અપહરણના કેસનો આરોપી વિપુલભાઈ બીજલભાઈ સરવૈયા (ઉં.વ. 26, રહે. સરોડી તળાવ પાસે, તા. થાનગઢ) મોરબી ખાતેના ખોખરા હનુમાન, બેલા રંગપરા પાસે હાજર છે. બાતમીના આધારે તપાસ કરતા ઉપરોક્ત આરોપી અને ભોગ બનનાર સગીરા મળી આવ્યા હતા. એસ.ઓ.જી. ટીમે તેમને ઝડપી પાડીને વધુ કાર્યવાહી માટે થાનગઢ પોલીસ સ્ટેશનને સુપરત કર્યા છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 1:36 pm

ધ્રાંગધ્રા સ્વદેશી મેળાને સારો પ્રતિસાદ:લોક માંગને પગલે એક દિવસ લંબાવાયો

ધ્રાંગધ્રાના ચરમાળિયા ગ્રાઉન્ડ ખાતે આયોજિત સ્વદેશી મેળાને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. દરરોજ એક હજારથી વધુ લોકો મેળાની મુલાકાત લેતા હોવાથી, નગરપાલિકા દ્વારા મેળાને એક દિવસ લંબાવવાનો નિર્ણય લેવાયો છે. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વદેશી વસ્તુઓ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેના વેચાણને પ્રોત્સાહન આપવાનો છે. આ મેળામાં કુલ 36 જેટલા વિવિધ સ્ટોલ ઉપલબ્ધ છે, જેમાં આયુર્વેદ, હસ્તકલા, ઓર્ગેનિક વસ્તુઓ, ખાદી અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા સ્ટોલ ધારકોને નિઃશુલ્ક સ્ટોલ તેમજ લાઇટ અને પાણી જેવી આવશ્યક સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી, જેથી નાના વેપારીઓને પ્રોત્સાહન મળી શકે. પૂર્વ મંત્રીના હસ્તે આ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, દેશને મહાસત્તા બનાવવા માટે વડાપ્રધાનના 'આત્મનિર્ભર ભારત'ના વિઝનને મજબૂત કરવા સૌએ સાથે મળીને સ્વદેશી અપનાવવું જોઈએ. આ મેળા દ્વારા નાના અને મોટા સ્વદેશી વેપારીઓને પ્રોત્સાહન આપીને દેશને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મેળામાં મહિલા સંચાલિત સ્ટોલની સંખ્યા નોંધપાત્ર હતી, જે સ્વદેશી ઉત્પાદનો સાથે મહિલા સશક્તિકરણને પણ પ્રોત્સાહન આપે છે. મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા સંચાલિત સ્ટોર્સ જોવા મળ્યા હતા, જે દર્શાવે છે કે સ્વદેશી અભિયાનમાં મહિલાઓ સક્રિયપણે જોડાઈ રહી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચીફ ઓફિસર મન્ટીલભાઈ પટેલ અને પાલિકાના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. મેળામાં મોટી સંખ્યામાં આગેવાનો, સુધરાઈ સભ્યો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 1:31 pm

ગેસ સંકટથી પરપ્રાંતીયોએ વતનની વાટ પકડી:સુરતના વીવિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા કામદારો ટ્રેન મારફતે વતન રવાના, કોરોનાકાળ જેવી સ્થિતિ ન થાય તે પહેલા જ હિજરત

મિડલ ઇસ્ટમાં વધતા યુધ્ધનાં તણાવથી રાંધણ ગેસનો પુરવઠો પ્રભાવિત થયો છે,તેને કારણે હવે સુરતમાં વસતા પરપ્રાંતિય શ્રમિકોની હાલત રોજ બરોજનાં ગેસ વપરાશને લઈને કટોકટી ભરી બની ગઈ છે. ગેસની બોટલો કાળા બજારમાં ચારથી પાચ ધણા ભાવે વેચાઈ રહી છે જે શ્રમિકોને કોઈ કાળે પરવડે તેવુ ન હોવાથી હવે તેમની ધીરજનાં બાણ ખુટી જતાં વતનની વાટ પકડી રહ્યાં છે. 15 દિવસોથી મિડલ ઇસ્ટમાં યુધ્ધની વધી રહેલી તણાવ ભરી સ્થિતિને કારણે જો કોઈ વસ્તુની સર્વાધિક અસર વર્તાઈ હોય તો તે રાંધણ ગેસની છે. હાલ વધી રહેલી કટોકટીને કારણે તેની સિધી અસર રસોઈથી માંડીને રોજીદાં જીવન ઉપર પણ પડી રહી છે. સામાન્ય 1200 રૂપિયાને ભાવે મળતો ગેસ સિલિન્ડર હવે 2500થી લઈને 3000 રૂપિયા કિંમત ચુકવ્યા બાદ પણ નથી મળી રહ્યો. રાંધણ ગેસની વધતી જતી કાળા બજારી વચ્ચે શ્રમિકો એ તેમના વતન જવુ વધૂ મુનાસિબ સમજી રહ્યાં છે. છેલ્લા બે દિવસોથી સુરત અને ઉધના રેલ્વે સ્ટેશન ઉપર શ્રમિકો વતન તરફ પ્રયાણ કરતા નજરે ચડી રહ્યાં છે. સવારે 8:00 કલાકની ઉધના દાનાપુર ટ્રેન અને 10:30 કલાકે તાપ્તી ગંગા ટ્રેનમાં શ્રમિકોની મહત્તમ ભીડ જોવા મળી રહી છે. ટ્રેનમાં બેસવા રીતસર લાઈનો લાગી રહી છે. વિજય માંગુકિયા (અંજની ઈન્ડસ્ટ્રીયલ અને વિવર્સ એસોશિએશનના પ્રમુખ) એ જણાવ્યું હતું કે, અત્યારે તકવાદીઓ જે તકનો લાભ ઉઠાવી રહ્યા છે અને જે રીતે કામદારોમાં એક જ્યારે ભૂતકાળની અંદર કોરોના કાળ આવ્યો હતો અને લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ હતી ત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને કામદારોને જે તકલીફ પડી હતી એ દોહરાય નહીં એના માટે કામદારોએ વતનની વાટ પકડી છે અને વીવિંગમાં 50% જેટલા કામદારો અત્યારે હાલમાં જે સ્થિતિ સર્જાય ત્યાર પછી એમના ગામ તરફ જતાં જોવા મળ્યા છે અને ત્યાર પછી જે વીવિંગ ઉદ્યોગની અંદર 30 થી 40 રૂપિયા જે ભાવ વધારો યાર્નના ડીલરો દ્વારા ઝીંકી દેવામાં આવ્યો છે એ પણ સ્થિતિ બગાડી રહ્યો છે અને વીવર્સ પણ વિચારી રહ્યા છે કે કારખાના કેવી રીતે ચલાવવા. જ્યારે કામદારોને ગેસના બાટલાની અછત હોય અને અમારા દ્વારા કલેક્ટરને સોમવારે રજૂઆત કરવામાં આવશે, રૂબરૂ રજૂઆત કરવામાં આવશે, લેખિતમાં રજૂઆત કરવામાં આવશે કે જો 50 થી 60% જ અમારી ફેક્ટરી વીવિંગ ઉદ્યોગ ચાલવાનો હોય તો અમારા ભાગનો જે ગેસ છે જે મળવાપાત્ર ગેસ છે એ કામદારોને આપવામાં આવે અને કામદારોનું પણ જીવન ટકી રહે, જીવનયાત્રા ચાલુ રહે અને કંપનીઓ પણ ચાલુ રહે એવું અમે વિચારી રહ્યા છીએ. વધુમાં જણાવ્યું હતું કે, 50% જેટલા કામદારોએ વતનની વાટ પકડી છે અને જે ગેસ નથી મળી રહ્યો, જે રીતે તકવાદીઓ કરિયાણા સ્ટોર હોય કે પછી અન્ય ખાદ્ય પદાર્થોની ચીજવસ્તુઓ હોય કે પછી રેસીડેન્સીયલ વિસ્તારોની અંદર જે કામદારો જે વસે છે એ વિસ્તારોની અંદર કઈ પણ ચીજવસ્તુ હોય એમાં ભાવ વધારો આપવો પડતો હોય ત્યારે કામદારોમાં ચોક્કસ એક એવી સ્થિતિ ઉભી થઈ શકે એ વતન તરફ જઈ રહ્યા છે. યાર્નના ભાવની અંદર 30 થી 40 રૂપિયાનો અલગ-અલગ ડેનિયરોમાં ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક એવી પણ સ્થિતિ છે કે જે ઓર્ડરો લીધેલા છે, વીવર્સોએ જે ઓર્ડરો લીધેલા છે એ ઓર્ડરો પૂરા કરવા માટે થોડું થોડું યાર્ન ખરીદી રહ્યા છે પરંતુ આ તકનો લાભ ઉઠાવવાના જે પ્રયાસો છે એને ડામવા જોઈએ સરકાર દ્વારા અને તંત્ર દ્વારા એવી અમારી માંગ છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 1:22 pm

પક્ષીઓ માટે જલસેવાનો સેવાયજ્ઞ:અમદાવાદના રતનપોળ વિસ્તારમાં 1000 થી વધુ માટીના કુંડાનું વિતરણ કરી જીવદયા વહાવી

અમદાવાદમાં સતત વધી રહેલા તાપમાન અને ભીષણ ગરમીના કારણે માનવીઓ જ નહીં, પણ અબોલ પક્ષીઓ પણ આકુળ-વ્યાકુળ થઈ રહ્યા છે. પક્ષીઓને ગરમીમાં પીવાનું પાણી સરળતાથી મળી રહે તેવા ઉમદા હેતુ સાથે આજે 'આદિ ફાઉન્ડેશન' દ્વારા શહેરના વ્યસ્ત એવા રતનપોળ અને રિલીફ રોડ વિસ્તારમાં માટીના જલપાત્ર (કુંડા) વિતરણના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. 1000 થી વધુ કુંડાનું વિતરણઆ અભિયાન અંતર્ગત સંસ્થા દ્વારા નાગરિકોને 1000 થી વધુ માટીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. હાજર રહેલા શહેરીજનોએ આ પહેલને વધાવી લીધી હતી અને પોતપોતાના ઘરની છત, બાલ્કની કે આસપાસના વિસ્તારમાં પક્ષીઓ માટે નિયમિત પાણી રાખવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો. સંસ્થાના સભ્યોએ જણાવ્યું હતું કે, ઉનાળાની પ્રચંડ ગરમીમાં પાણીના અભાવે અનેક પક્ષીઓ જીવ ગુમાવતા હોય છે, ત્યારે આ નાનકડો પ્રયાસ પણ અબોલ જીવોના જીવન બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જીવદયા પ્રેમીઓ અને સભ્યોની ઉપસ્થિતિઆ સેવાકાર્યમાં આદિ ફાઉન્ડેશનની ટીમ સાથે અનેક જીવદયા પ્રેમીઓ પણ જોડાયા હતા. આ પ્રસંગે હાર્દિક સંઘવી, અલ્પેશ શાહ, ચિરાગ ભાઈ અને રવિ ચૌહાણ સહિત સંસ્થાના અન્ય અગ્રણી સભ્યો હાજર રહ્યા હતા અને વ્યવસ્થા સંભાળી હતી. સંસ્થાએ અંતમાં શહેરના તમામ નાગરિકોને અપીલ કરી છે કે, તેઓ પણ પોતાની આસપાસ પાણીના પાત્ર મૂકીને જીવદયાના આ કાર્યમાં સહભાગી બને અને સમાજમાં માનવતાનો સંદેશ ફેલાવે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 1:22 pm

અકસ્માત ગ્રસ્ત રીક્ષા ચાલકને 108 ટીમે કિંમતી ચીજવસ્તુઓ સોંપી:રામોસણા ચોકડી પાસે જેસીબી સાથે રીક્ષા અથડાતા અકસ્માત થયો'તો

મહેસાણાના રામોસણા ચોકડી પાસે ગત સાંજે સર્જાયેલા એક માર્ગ અકસ્માતમાં 108 ઇમરજન્સી સેવાની ટીમે માનવતા અને પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.અકસ્માતગ્રસ્ત રિક્ષા ચાલકને સમયસર હોસ્પિટલ પહોંચાડી જીવ બચાવવાની સાથે તેની કિંમતી ચીજવસ્તુઓ સુરક્ષિત રીતે હોસ્પિટલ સત્તાધીશોને સોંપી ફરજનિષ્ઠા અદા કરી હતી. જેસીબી મશીન સાથે રિક્ષા અથડાતા અકસ્માત મહેસાણાના રામોસણા ચોકડી પાસે પાર્ક કરેલા એક જેસીબી મશીન સાથે રિક્ષા અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા ચાલક વિશાલકુમાર દશરથભાઈ રાવલને દાઢી અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા જ 108ની ટીમ તત્કાલ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. ઈજાગ્રસ્તને કિંમતી વસ્તુઓ સુરક્ષિત રીતે તેને પરત અપાઈજિલ્લા અધિકારી હરેશ વાણિયાએ જણાવ્યું હતું કે, અકસ્માત સમયે ઈજાગ્રસ્તના કોઈ સબંધી હાજર ન હોવાથી 108ની ટીમે નૈતિક જવાબદારી નિભાવી હતી. દર્દીની રિક્ષાની ચાવી, મોબાઈલ ફોન અને આધાર કાર્ડ જેવી તમામ કિંમતી વસ્તુઓ સુરક્ષિત રીતે મેળવી લીધી હતી. ત્યારબાદ સિવિલ હોસ્પિટલના ફરજ પરના ડોક્ટર પાર્થ ને આ તમામ વસ્તુઓ વિધિવત રીતે સુપ્રત કરવામાં આવી હતી. 108ની ટીમની આ કામગીરી અને પ્રમાણિકતાને સ્થાનિકો તેમજ વહીવટી તંત્ર દ્વારા બિરદાવવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 1:20 pm

ચાંદખેડામાંથી વિદેશી નાગરિકોને ઠગતું કોલ સેન્ટર ઝડપાયું:કેનેડાના નાગરિકોને ડરાવી પ્રોસેસના નામે ગિફ્ટ કાર્ડ દ્વારા પૈસા ટ્રાન્સફર કરાવતા, ચાર શખ્સની ધરપકડ

અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાંથી મકાનમાં ચાલી રહેલું કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. ચાર આરોપીઓ કેનેડાના બેંકના કર્મચારી તરીકેની ઓળખ આપીને કેનેડિયન નાગરિકોને તેમનું બેન્ક એકાઉન્ટ કોઈકે લોગિન કરેલું હોવાનું ખોટું કારણ બતાવી સોફ્ટવેર મારફતે ખોટી ડિજિટલ આઇડી બનાવી કોલ કરી પ્રોસેસ કરવાના બહાને જુદી જુદી કંપનીના ગિફ્ટ કાર્ડ વાઉચર દ્વારા પૈસા ટ્રાન્સફર કરાવીને છેતરપિંડી કરતા હતાં. સાઇબર ક્રાઇમે કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી લેપટોપ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. ન્યુ સીજી રોડ પાસેના સોપાન હાઈટ્સમાં છેતરપિંડીનો કાળો કારોબાર ચલાવતાઅમદાવાદ સાઇબર ક્રાઇમે બાતમીના આધારે ચાંદખેડામાં આવેલા ન્યુ સીજી રોડ પાસેના સોપાન હાઈટ્સમાં આવેલા મકાનમાંથી કુશ પટેલ, હર્ષ પટેલ, આશુ પટેલ અને સુનિલ રાવત નામના ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. 1.87 લાખનો મુદ્દામાલ જપ્તપકડાયેલા આરોપીઓ પાસેથી 6 લેપટોપ, 5 મોબાઇલ ફોન, 4 હેડફોન, 1 કીબોર્ડ સહિત કુલ 1.87 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપીઓના લેપટોપમાં સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યું હતું જેનો વોઇસ કોલ કરવા માટે ઉપયોગ થતો હતો. લેપટોપ માંથી સ્ક્રિપ્ટ પણ મળી આવી હતી. એજન્સી ને બેંકના નકલી ઓફિસર બનીને છેતરતાંસ્ક્રિપ્ટમાં આરોપીઓ પોતાને કેનેડા રેવન્યુ એજન્સીના અધિકારી અને બેંકના અધિકારી તરીકેની ઓળખ આપીને કેનેડિયન નાગરિકોનો ફોન કરી તેમનો વિશ્વાસ સંપાદન કરતા હતા. જે બાદ નાગરિકોના નામ, સરનામા, પોસ્ટલ કોડ સહિતની વિગત મેળવી લેતા હતાં. કેનેડિયનને ડરાવી ગિફ્ટ કાર્ડના વાઉચરમાં નાણા ટ્રાન્સફર કરાવતાંઆરોપીઓ નાગરિકોને જણાવતા હતા કે તેમના વિવિધ બેંકમાં અનેક TFSA એકાઉન્ટ ખુલ્લા છે અને કોઈ અજાણી વ્યક્તિ તેમના વ્યક્તિગત માહિતીનો દૂર ઉપયોગ કરી રહી છે. જે બાદ કેનેડિયન નાગરિકોને ડરાવી ઓનલાઈન પ્રોસેસના બહાને ગિફ્ટ કાર્ડના વાઉચરમાં નાણા ટ્રાન્સફર કરાવતા હતા. ચાર આરોપીની ધરપકડ, એક ફરારઆ પૈસા શિવાંગ નામના યુવકના ખાતામાં જતા હતાં. સાયબર ક્રાઈમે હાલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે જેમની પાસેથી લેપટોપ,મોબાઈલ પણ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.આ ગુનામાં પાંચમો આરોપી શિવાંગ હાલ ફરાર છે જેની તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 1:12 pm

હિંમતનગરની પૌરાણિક દરબારી વાવનું રિસ્ટોરેશન શરૂ:33 લાખના ખર્ચે ચાર મહિનામાં કામગીરી પૂર્ણ થશે, ઇડર સ્ટેટ વખતનું બાંધકામ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલી પૌરાણિક દરબારી વાવના રિસ્ટોરેશનનું કામ શરૂ થઈ ગયું છે. ટાવર ચોકના બગીચામાં આવેલી આ વાવના જીર્ણોદ્ધાર માટે રૂ. 33 લાખનો ખર્ચ કરવામાં આવશે અને આગામી ચાર મહિનામાં કામગીરી પૂર્ણ થવાની અપેક્ષા છે. આ વાવને 'દરબારી વાવ' અથવા 'બોરસલ્લીની વાવ' તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇડર સ્ટેટ વખતની આ વાવનું બાંધકામ ગુજરાતના સુબા અહેમદશાહના સમયમાં શરૂ કરવામાં આવ્યું હતું. અગાઉ, પંચાયત દ્વારા આ વાવમાં બોર કરીને તેના પાણીનો ઉપયોગ બગીચાના વૃક્ષોની જાળવણી માટે થતો હતો. જોકે, બોરમાં પાણી ન રહેતા તેનો ઉપયોગ બંધ કરી દેવાયો હતો, જેના કારણે વાવ જર્જરિત થઈ ગઈ હતી. હિંમતનગર નગરપાલિકા દ્વારા આ રિસ્ટોરેશન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત ધારાસભ્ય વી.ડી. ઝાલા અને સાંસદ શોભનાબેન બારૈયાના હસ્તે કરવામાં આવ્યું હતું. હાલમાં, સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વાવની ક્ષતિગ્રસ્ત પથ્થરની દીવાલોમાંથી પથ્થરો કાઢીને કામગીરી શરૂ કરવામાં આવી છે. હિંમતનગર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ જીનલ પટેલે જણાવ્યું હતું કે, વાવના પુનરુદ્ધારનો મુખ્ય હેતુ હિંમતનગરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનું જતન કરવાનો તેમજ પાણીનો સંગ્રહ કરીને વાવને ફરી જીવંત કરવાનો છે. કામગીરી પૂર્ણ થયા બાદ વાવની બહાર મુલાકાતીઓ માટે નાના બગીચા સાથે બેઠક વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 1:08 pm

વાપીમાં 15 વર્ષીય કિશોર લાપતા:પરિવારે અપહરણની ફરિયાદ નોંધાવી, પોલીસ તપાસ શરૂ

વાપીના ગીતાનગર વિસ્તારમાંથી એક 15 વર્ષીય કિશોર રહસ્યમય રીતે લાપતા થયો છે. આ મામલે કિશોરના પરિવારે વાપી ટાઉન પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, મૂળ બિહારનો વતની અને હાલ વાપીના ગીતાનગર વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારનો 15 વર્ષીય પુત્ર 'મનોજ' (નામ બદલ્યું છે) ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કરી ગત વર્ષે જ ધોરણ 9માં ભણવા માટે વાપી તેના માતા-પિતા પાસે આવ્યો હતો. ગત 12મી માર્ચના રોજ મનોજને કોઈ વાતનું મનદુઃખ થતાં તે ઘરેથી કોઈને પણ જાણ કર્યા વગર નીકળી ગયો હતો. સાંજે જ્યારે તેના માતા-પિતા નોકરી પરથી પરત ફર્યા ત્યારે પુત્ર ઘરે જોવા મળ્યો ન હતો. પરિવારજનોએ આજુબાજુમાં અને ગીતાનગર વિસ્તારમાં તપાસ કરી હતી, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. તેમણે સ્થાનિક અગ્રણીઓ અને યુવકોની મદદથી વલસાડ જિલ્લાના પ્રવાસન સ્થળોએ પણ શોધખોળ કરી. કિશોર વતને ગયો હોવાની શંકાએ બિહારમાં પણ તપાસ કરવામાં આવી હતી, છતાં મનોજ મળ્યો ન હતો. અંતે, પરિવારજનોએ વાપી ટાઉન પોલીસ મથકે મનોજના અપહરણ અંગેની ફરિયાદ નોંધાવી. વાપી ટાઉન પોલીસે ગીતાનગર વિસ્તારના CCTV ફૂટેજ મેળવ્યા છે. પોલીસે રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને રીક્ષા સ્ટેન્ડના CCTV ફૂટેજ તેમજ બાતમીદારોની મદદથી કિશોરના સગડ મેળવવાની સઘન તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 1:06 pm

ભરૂચમાં વ્યાજખોરે વેપારી પાસેથી ₹18 લાખ વસૂલ્યા:મારપીટ અને ધમકી આપતા વિડીયો વાયરલ, પોલીસ હરકતમાં

ભરૂચ શહેરમાં વ્યાજખોરીનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. તુલસીધામ વિસ્તારના કપડાના વેપારી દિલીપકુમાર ઓમપ્રકાશ સુધારે વ્યાજખોર સામે સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, વર્ષ 2022માં વેપાર માટે નાણાકીય જરૂરિયાત ઊભી થતાં દિલીપકુમારે આરોપી અજયભાઈ મહેન્દ્રકુમાર શાહ પાસેથી ₹3 લાખ ઉધાર લીધા હતા. આ રકમ 10 મહિનામાં 5 ટકા વ્યાજ સાથે પરત કરવાની શરત હતી. સુરક્ષા પેટે ફરિયાદીએ આરોપીને ત્રણ કોરા ચેક પણ આપ્યા હતા. આક્ષેપ મુજબ, ત્યારબાદ આરોપીએ વ્યાજના નામે સતત વધુ રકમની માંગણી કરી હતી. દબાણ કરીને ફરિયાદી પાસેથી આશરે ₹18 લાખ સુધીની રકમ વસૂલવામાં આવી હતી. તેમ છતાં, આરોપી દ્વારા ધમકી અને ઉઘરાણીનો ત્રાસ ચાલુ રાખવામાં આવ્યો હતો. ફરિયાદમાં એ પણ ઉલ્લેખ છે કે આરોપી એકથી વધુ વખત વેપારીની દુકાને આવી ગાળાગાળી અને ધમકીઓ આપતો હતો, તેમજ મારપીટ પણ કરતો હતો. એક કિસ્સામાં, ફરિયાદીને બળજબરીથી કારમાં બેસાડી અન્ય સ્થળે લઈ જઈ માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. પરિવાર સામે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી વધુ પૈસા આપવા દબાણ કરાયું હોવાનું પણ જણાવાયું છે. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેના કારણે મામલો વધુ ગંભીર બન્યો છે. આ ત્રાસથી કંટાળીને વેપારીએ સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી આરોપી સામે કડક કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. પોલીસે અરજીના આધારે મામલાની તપાસ શરૂ કરી છે. જો આરોપો સાચા સાબિત થશે, તો વ્યાજખોરી અને ધમકીના ગુનાઓ હેઠળ કડક કાર્યવાહી થવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 1:05 pm

મુખ્યમંત્રીએ શહેરાથી ₹732.28 કરોડના વિકાસકામોનું લોકાર્પણ કર્યું:પંચમહાલમાં પાણી, શિક્ષણ, આરોગ્ય સહિતના 112 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

પંચમહાલ જિલ્લાના વિકાસને નવી ગતિ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરાના કેશવ ગ્રાઉન્ડ ખાતેથી ₹732.28 કરોડના કુલ 112 વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ વિકાસકામોમાં ખાસ કરીને પાણી પુરવઠા, શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. વિભાગવાર ફાળવણીની વિગતોમુખ્યમંત્રી દ્વારા જાહેર કરાયેલા 112 કામોમાં સૌથી વધુ 50 કામો પંચાયત હસ્તકના માર્ગ અને મકાન વિભાગના છે. પાનમ પ્રોજેક્ટ અને સ્થાનિક અસરોઆ કાર્યક્રમ દરમિયાન પાનમ પ્રોજેક્ટ અંતર્ગત ₹337.67 કરોડના કામો જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ્સના અમલીકરણથી પંચમહાલના અંતરિયાળ વિસ્તારોમાં સુવિધાઓનો વ્યાપ વધશે. આ ઉપરાંત, સ્થાનિક સ્તરે રોજગારીની તકો ઊભી થશે અને આર્થિક ગતિવિધિઓને વેગ મળશે તેવું માનવામાં આવી રહ્યું છે. ઉપસ્થિત મહાનુભાવોઆ વિકાસ પર્વમાં જિલ્લા પ્રભારી મંત્રી રમેશ કટારા, સાંસદ રાજપાલસિંહ જાદવ, જશુભાઈ રાઠવા અને ડૉ. જસવંતસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ધારાસભ્યો જેઠા ભરવાડ, સી.કે. રાઉલજી, નિમિષા સુથાર, જયદ્રથસિંહ પરમાર અને ફતેસિંહ ચૌહાણ પણ હાજર રહ્યા હતા. વહીવટી તંત્ર તરફથી જિલ્લા કલેક્ટર અજય દહિયા અને જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકા ડાયરા સહિતના આગેવાનોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 1:04 pm

મહીસાગર SOGએ મોબાઈલ ચોર પકડ્યો:સંતરામપુર પોલીસ સ્ટેશનના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલાયો

મહીસાગર SOG પોલીસે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોબાઈલ ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે રૂ. 26,000ની કિંમતના ચોરાયેલા OPPO મોબાઈલ ફોન સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસન દ્વારા મિલકત સંબંધિત વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસને સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે, મહીસાગર SOG પીઆઈ વી.ડી. ધોરડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એમ. બારીઆ, એચ.બી. સિસોદિયા અને SOG સ્ટાફ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન, પીઆઈ વી.ડી. ધોરડાને ટેકનિકલ અને હ્યુમન સોર્સ દ્વારા બાતમી મળી હતી. આ બાતમી મુજબ, સંતરામપુર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 303(2) હેઠળ નોંધાયેલા ગુનામાં ચોરી થયેલો OPPO કંપનીનો મોબાઈલ ફોન ડીટવાસ પોલીસ સ્ટેશન વિસ્તારના બચકરીયા ગામે હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. માહિતી મળતા જ, SOG પીએસઆઈ એ.એમ. બારીયા અને SOG સ્ટાફને ડીટવાસ ખાતે મોકલવામાં આવ્યા હતા. ત્યાં તપાસ કરતા, છાયામહુડા ફળિયું, બચકરીયા ઉત્તર, તા. કડાણા, જી. મહીસાગરના રહેવાસી બાબુ કાળુભાઈ ડામોરને ચોરી થયેલા રૂ. 26,000ની કિંમતના મોબાઈલ ફોન સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. ઝડપાયેલા આરોપી અને ચોરીનો મુદ્દામાલ વધુ કાર્યવાહી માટે સંતરામપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 1:02 pm

અમદાવાદમાં છરો લઈ તલવારની જેમ ફેરવી યુવતીએ બેફામ ગાળો ભાંડી:દેશી દારૂના અડ્ડાઓ મામલે પાડોશીઓ વચ્ચેના ઝઘડામાં તોફાન મચાવી દીધું, પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદમાં દિન પ્રતિદિન અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. શહેરના અમરાઈવાડી વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં એક યુવતી દ્વારા છરા જેવું હથિયાર બતાવવામાં આવી રહ્યું છે. પાડોશીઓ વચ્ચેના ઝઘડાની અદાવતમાં બે થી ત્રણ સગીરા સહિતની યુવતી દ્વારા બોલાચાલી કરવામાં આવી હતી. સ્થાનિક મહિલા દ્વારા અરજી પણ કરવામાં આવી છે કે ચાલીમાં દેશી દારૂના અડ્ડા ચાલે છે અને જે બાબતે કહેતા મહિલાઓ દ્વારા ચાલી કરી હોવાનું જાણવા મળ્યું છે સમગ્ર મામલે હાલ અમરાઈવાડી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ વીડિયોમાં બે યુવતીઓ દ્વારા બોલાચાલી કરવામાં આવી રહી છે. તેમજ એક યુવતી દ્વારા હાથમાં છરા જેવું હથિયાર બતાવવામાં આવી રહ્યું છે. આ મામલે અમરાઈવાડી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમરાઈવાડીના સંજય ચોક વિસ્તાર પાસે આવેલી ચાલીનો આ વિડિયો છે. જેમાં બે પાડોશીઓ વચ્ચે ઝઘડો થયો હોવાથી તેની અદાવતમાં થયેલી બોલાચાલીમાં હથિયાર જેવું બતાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સંજય ચોક વિસ્તારમાં રહેતી એક મહિલા દ્વારા ચારથી પાંચ યુવતીઓ વિરુદ્ધમાં અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપવામાં આવેલી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે અમે પરિવાર સાથે રહીએ છીએ અને અમારી ચાલીમાં અસામાજિક પ્રવૃત્તિઓ ચાલે છે. એક વ્યક્તિ દ્વારા દેશી દારૂનો અડ્ડો ચલાવવામાં આવે છે. જેના વિરુદ્ધમાં અમે બોલતા તેમના પરિવારની મહિલાઓ દ્વારા બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે. આ સમગ્ર મામલે હાલ અમરાઈવાડી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. દેશી દારૂના અડ્ડા ચાલતા હોવા બાબતે બોલાચાલી થયો હોવાનું જાણવા મળ્યું છે જોકે આ સમગ્ર મામલે હાલ પોલીસે પણ એક વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 12:55 pm

ઉનાળામાં જ પીવાના પાણીની બોટલ મોંઘી:યુધ્ધના લીધે રાજકોટના પેકેજ ડ્રિંકિંગ વોટર બિઝનેસને માઠી અસર, એક કેરેટમાં 1 લીટરના રૂ.75, 500 ML ના રૂ.95 થયા

અમેરિકા અને ઇઝરાઇલ દ્વારા ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને કારણે ગલ્ફ દેશોમાંથી આયાત થતા પ્લાસ્ટિકના દાણાના રો મટીરીયલની અછત સર્જાઈ છે અને તેને કારણે ઉનાળા વખતે જ પીવાના પાણીની બોટલના કેરેટના ભાવમાં રૂ.15 નો વધારો થયો છે. 500 ML ની 24 બોટલના એક કેરેટના રૂ.75 થી વધારી રૂ.90 તો 1 લીટરની 12 બોટલના એક કેરેટના રૂ.60 થી વધારી રૂ.75 થયો છે. જેને લીધે પીવાના પાણીની સિંગલ બોટલના ભાવમાં વધારાની શક્યતા સેવાઇ રહી છે. રાજકોટના બિસ્વિન બેવરેજિસના સંચાલક શૈલેષભાઈ ભુતે જણાવ્યુ હતુ કે, અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને કારણે પેકેજ ડ્રીન્કિંગના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જેને કારણે હાલમાં પાણીની બોટલના કેરેટ પર રૂપિયા 15 નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. હાલ ઉનાળાના કારણે 500 ML અને 1 લીટર પાણીની બોટલના કેરેટની ડિમાન્ડ વધુ રહે છે. પહેલા 1 લીટર કેરેટનો ભાવ રૂ.60 હતો જેના રૂ.85 કરવા પડે તેવી પરિસ્થિતિ છે. જોકે તેમાં રૂ.75 કર્યા છે. એક કેરેટમાં 12 બોટલ આવે છે. જ્યારે 500 ML પાણીની બોટલના એક કેરેટના પહેલા રૂ.75 હતા જે રૂ.100 કરવો પડે તેવી પરિસ્થિતિ છે. જોકે તેના રૂ.90 કરવા પડ્યા છે. તેમણે જણાવ્યું કે, હાલ પેકેજ ડ્રિંકિંગ વોટરની સપ્લાય ખૂબ જ ઓછી આવે છે. પૈસા આપતા પણ માલ મળતો નથી અને સામે ગ્રાહકોને પૂરો માલ આપી શકતા નથી. રાજકોટ શહેરમાં આ પ્રકારના 20 જેટલા યુનિટ છે જ્યારે જિલ્લામાં યુનિટની સંખ્યા વધારે છે ઓકે પછી જગ્યાએ એક સરખી ખરાબ પરિસ્થિતિ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્લાસ્ટિકનું રો મટીરીયલ બધું ગલ્ફ કન્ટ્રીમાંથી આવે છે. પેટ્રોકેમિકલની શોર્ટ સપ્લાયને લીધે વોટર પેકેજીંગ બિઝનેસને ગંભીર અસર પહોંચે છે. રો મટીરીયલ નો ભાવ બમણો થઈ ગયો છે. જ્યારે પાણીની સિંગલ બટન બાબતે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, હાલ પાણીની મોટી બોટલના રૂ.20 અને પાણીની નાની બોટલના રૂ.10 યથાવત છે. જેમાં પણ ભવિષ્યમાં ભાવ વધારો કરવો પડે તેવી પરિસ્થિતિ છે. અમારા ગ્રાહકો પાન સહિતના નાના દુકાનદારો હોય છે અને તેઓને આ ભાવ વધારો પોષાય તેમ નથી.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 12:53 pm

ગાંધીના ગુજરાતમાં ગોડસેના વંશજનો કાર્યક્રમ!:સુરતમાં કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ બાદ પહેલા બેનરો હટાવાયા હવે 'સુરક્ષિત ભારત' કાર્યક્રમ રદ્દ કરાયો, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

સુરત શહેરના સિટીલાઈટ વિસ્તારમાં આજરોજ સુરક્ષિત ભારત કાર્યક્રમ યોજાનાર હતો. જોકે આ કાર્યક્રમમાં નથુરામ ગોડસેના વંશજને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સાથે નથુરામની તસવીર સાથેના બેનરો પણ લગાવવામાં આવ્યા હતાં. જેને લઈને કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. જેથી પહેલા બેનરો હટાવવામાં આવ્યા હતાં. જોકે કાર્યક્રમ થશે તો કઈ પણ થશે તો જવાબદારી આયોજકોની રહેશે તેવી કોંગ્રેસ દ્વારા ચીમકી આપવામાં આવી હતી. જેથી આખરે કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી હતી. આજે પણ કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ સ્થળ પર પહોંચતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ‘શ્રીરામ કૃષ્ણ સમિતિ'એ ગોડસેના વંશજને આમંત્રિત આપ્યુ'તુંસુરત શહેરના સિટી લાઈટ વિસ્તારમાં સ્થિત મહેશ્વરી ભવન ખાતે ‘શ્રીરામ કૃષ્ણ સમિતિ' દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “સુરક્ષિત ભારત સનાતન અતીત, વર્તમાન અને ભવિષ્યના પડકાર અને સમાધાન' વિષયક આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અજિંક્ય ગોડસેને આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેઓ નથુરામ ગોડસેના વંશજ તરીકે ઓળખાય છે. આ આમંત્રણ સાથે લગાવવામાં આવેલા પોસ્ટરોમાં ગોડસેની તસ્વીર હોવાને કારણે શહેરમાં ચર્ચાનો માહોલ ઉભો થયો હતો. 'ર્હોડિંગ્સ લગાવીને નથુરામ ગોડસેને 'દેશભકત' તરીકે દર્શાવવાનો પ્રયાસ'કાર્યક્રમના પ્રચાર માટે સુરતના અનેક મુખ્ય માર્ગો પર મોટા ર્હોડિંગ્સ પણ લગાવવામાં આવ્યા હતા. આ બેનરોમાં નથુરામ ગોડસેને 'દેશભકત' તરીકે દર્શાવવાનો પ્રયાસ થયો હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. પોસ્ટરો સામે આવતા જ ગાંધીવાદી વિચારધારા ધરાવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને આ મુદ્દો રાજકીય ચર્ચાનો કેન્દ્ર બની ગયો હતો. કોંગ્રેસની ચીમકી, આયોજક દ્વારા કાર્યક્રમ રદ કરાયોવિરોધના પગલે પહેલા બેનરો હટાવવામાં આવ્યા હતા. જોકે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ થાય અને કઈ ઘટના બને તો તેની જવાબદારી આયોજકોની રહેશે તેવી ચીમકી આપવામાં આવી હતી. જેથી આખરે આયોજક નરેન્દ્ર શાહુ દ્વારા કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો હતો. વિવાદ વધી જતા ઉમરા પોલીસ મથક દ્વારા રવિવારના કાર્યક્રમને હજુ સુધી સત્તાવાર પરવાનગી આપવામાં આવી નથી. કોંગ્રેસના વિરોધને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવાયોકાર્યક્રમને લઈને આજે પણ કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ સ્થળ પર મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. વિરોધને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ સાથે જ આ કાર્યક્રમમાં હાજર રહેનાર પૂર્વ સૈનિકો સહિતના લોકો પણ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા ત્યારે તેમને કાર્યક્રમ રદ થયો હોવાની જાણ થઈ હતી જેથી તેમનામાં પણ રોષ જોવા મળ્યો હતો. 'ગાંધીના હત્યારાને ગુણગાન કરવા માટેનો કાર્યક્રમ હતો'કોંગ્રેસ શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારાને અહીં ગુણગાન કરવા માટેનો એક કાર્યક્રમ હતો. અને આ ચેષ્ટા કરવાની હિંમત તેઓને ગુજરાતથી થવાની એમ કોશિશ હતી કે અહીંથી અમે શરૂ કરી અને આખા ભારતમાં લઈ જઈએ. 'અમે પાણી નાખી દીધું, એમની હિંમતને અમે તોડી નાખી'ઉધનાવાલાએ કહ્યું હતું કે, પણ એ ચિનગારી કોંગ્રેસ પાર્ટી ચાલવા ન દીધી, એના ઉપર અમે પાણી નાખી દીધું છે અને એમની હિંમતને અમે તોડી નાખી છે. કારણ કે તેઓ જો રાષ્ટ્રપિતા, જેમને વિશ્વની અંદર એમની કેટલીય દેશોમાં એમની મૂર્તિ છે, એમનો ઇતિહાસ છે, એમના ઉપર કેટલીય બુકો લખવામાં આવી છે. એવા મહાન આપણા રાષ્ટ્રપિતાની વિરુદ્ધમાં જો તેઓ એમના હત્યારાને, એમના આતંકવાદી જેવા હત્યારાને જો તેઓ ગુણગાન કરવા માંગતા હોય, તો એ પ્રવૃત્તિ કોંગ્રેસ પાર્ટી નહીં ચાલવા દે, ભારતના લોકો નહીં ચાલવા દે. એ સાથે અમે અહીં આવ્યા હતા અને આજે આ કાર્યક્રમ રદ થયો છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 12:51 pm

ગોધરામાં રમઝાનમાં નિઃશુલ્ક ટિફિન સેવા:9મા વર્ષે જરૂરિયાતમંદોને વહેલી સવારે ભોજન પૂરું પાડે છે, 10 લોકોની ટીમ 'શહેરી'માં સેવારત

ગોધરામાં સામાજિક કાર્યકર તોફિક મલેક અને તેમની ટીમ દ્વારા પવિત્ર રમઝાન માસ દરમિયાન નિઃશુલ્ક 'શહેરી' (વહેલી સવારનું ભોજન) ટિફિન સેવા પૂરી પાડવામાં આવે છે. આ સેવા છેલ્લા નવ વર્ષથી સતત ચાલી રહી છે, જેમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગાઓ અને અન્ય જરૂરિયાતમંદોને ભોજન પૂરું પાડવામાં આવે છે. આ સેવા માટે ગોધરાના સરદાર નગર ખંડ નજીક દરરોજ વહેલી સવારે દસથી વધુ યુવાનોની ટીમ એકત્ર થાય છે. આ ટીમ દ્વારા ગરમાગરમ અને પૌષ્ટિક ભોજન તૈયાર કરવામાં આવે છે. તૈયાર થયેલા ટિફિન શહેરની વિવિધ હોસ્પિટલોમાં દાખલ દર્દીઓના પરિજનો, મુસાફરો અને આર્થિક રીતે નબળા પરિવારો સુધી પહોંચાડવામાં આવે છે. આ સેવા દર રમઝાન માસમાં છેલ્લા નવ વર્ષથી સતત ચાલી રહી છે અને તેનો સંપૂર્ણ આર્થિક ભાર તોફિક મલેક પોતે ઉઠાવે છે. વહેલી સવારે જ્યારે મોટાભાગના લોકો આરામ કરતા હોય છે, ત્યારે આ યુવાનોની ટીમ સક્રિય હોય છે. તૈયાર થયેલા ટિફિનને સુવ્યવસ્થિત રીતે પેક કરીને વિવિધ વિસ્તારો અને હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવે છે, જેથી કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ વહેલી સવારના ભોજનથી વંચિત ન રહે. કોઈપણ પ્રકારના પ્રચાર-પ્રસાર વિના કરવામાં આવતી આ સેવા ગોધરા શહેરમાં પ્રશંસા મેળવી રહી છે. તોફિક મલેક અને તેમની ટીમની આ કામગીરી સમાજ માટે એક ઉદાહરણ પૂરું પાડે છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 12:43 pm

ચિઠોડા પોલીસ સ્ટેશનમાંથી પ્રોહિબિશનનો આરોપી ફરાર:ગણતરીના કલાકોમાં ઝડપાયો, બે પોલીસકર્મી સામે ગુનો નોંધાયો

સાબરકાંઠા જિલ્લાના ચિઠોડા પોલીસ સ્ટેશનમાંથી પ્રોહિબિશનનો એક આરોપી ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં તેને ઝડપી પાડ્યો હતો. આ ઘટનામાં બેદરકારી દાખવવા બદલ પોલીસ સ્ટેશનના PSO અને મહિલા વાયરલેસ ઓપરેટર સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ચિઠોડા પોલીસે રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના બલીચા ગામના સંજયભાઈ બંસીલાલ ખરાડીને પ્રોહિબિશનના ગુનામાં પકડ્યો હતો. શનિવારે વહેલી સવારે 6:05 થી 6:15 કલાકના દસ મિનિટના ગાળામાં સંજયભાઈ લોકઅપના દરવાજાની સ્ટોપર ખોલીને ભાગી છૂટ્યા હતા. આ ઘટનામાં પોલીસ સ્ટેશનના PSO દ્વારા લોકઅપના દરવાજાને લોક ન મારવામાં આવ્યું હોવાનું અને મહિલા વાયરલેસ ઓપરેટરની બેદરકારી સામે આવી હતી. હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ મગનભાઈ હુડલાની ફરિયાદના આધારે, ફરાર આરોપી સંજયભાઈ બંસીલાલ ખરાડી, PSO હેડ કોન્સ્ટેબલ રમણભાઈ જીવાજી બુવળ અને વાયરલેસ ઓપરેટર મહિલા હેડ કોન્સ્ટેબલ રીટાબેન કાનજીભાઈ ડોડીયાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. ઇડરના DYSP સ્મિત ગોહિલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આરોપી ફરાર થયા બાદ સ્થાનિક પોલીસ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ગણતરીના કલાકોમાં જ તેને રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના નયાગાવ તાલુકાના બલીચા ગામેથી સાંજે ઝડપી લેવામાં આવ્યો હતો. નોંધાયેલી ફરિયાદ સંદર્ભે જિલ્લા પોલીસ વડા દ્વારા ખાતાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 12:24 pm

જૂનાગઢમાં 'સફેદ દૂધના કાળા કારોબાર' પર જનતા રેડ:વહેલી સવારે યુવરાજસિંહ જાડેજાની ટીમે શંકાસ્પદ દૂધનું ટેન્કર ઝડપ્યું; કેમિકલયુક્ત દૂધ સોરઠ ડેરીમાં ઠાલવવાનું કૌભાંડ હોવાનો આક્ષેપ

​જૂનાગઢના હાર્દ સમાન કાળવા ચોક વિસ્તારમાં આવેલી સરકારી પુસ્તકાલય પાસે આજે વહેલી સવારે એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં શંકાસ્પદ દૂધથી ભરેલું ટેન્કર ઝડપાઈ જતાં સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે. આ કાર્યવાહી કોઈ સરકારી તંત્ર દ્વારા નહીં પરંતુ જાગૃત નાગરિકો અને યુવરાજસિંહ જાડેજાની ટીમ દ્વારા ગુપ્ત બાતમીના આધારે કરવામાં આવી હતી. ટીમને લાંબા સમયથી માહિતી મળી રહી હતી કે, અહીં દૂધમાં મોટા પાયે ઝેરી કેમિકલ્સની ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરવામાં આવી રહ્યા છે જેના પર્દાફાશ માટે આજે વહેલી સવારે વોચ ગોઠવવામાં આવી હતી. યુવરાજ સિંહે પોતાની કિટથી ટેસ્ટ કરતા ભેળસેળનો પર્દાફાશ થયો​આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભેળસેળિયા તત્વો બેફામ બન્યા છે અને અગાઉ પણ તેમણે વરિયા ગામ પાસેથી નકલી દૂધનું ટેન્કર પકડીને આ રેકેટ ખુલ્લું પાડ્યું હતું. આજે જે ટેન્કર પકડાયું છે તે વિસાવદરના દેડિયા ગામથી દરરોજ સવારે પાંચ વાગ્યે નીકળે છે જેના માલિક દેવાભાઈ ભરવાડ હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢમાં ઝડપાયેલા શંકાસ્પદ દૂધના મામલે યુવરાજસિંહની ટીમે પોલીસ સ્ટેશનમાં જ પોતાની કિટથી ટેસ્ટ કરતા ભેળસેળનો પર્દાફાશ થયો હતો. આ દરમિયાન ફૂડ વિભાગના અધિકારીઓ પાસે પૂરતા સાધનો ન હોવાથી તેમની આકરી ઝાટકણી કાઢવામાં આવી હતી. તંત્રની બેદરકારી સામે સવાલો ઉઠાવી જનતાના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં રોકવા માગ કરાઈ છે. ભેળસેળની સચોટ માહિતી માટે દૂધને FSLમાં મોકલાયું​યુવરાજસિંહની ટીમે શંકાસ્પદ વાહનને અટકાવ્યા બાદ તાત્કાલિક અસરથી 112 નંબર પર કોલ કરીને પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી અને સી-ડિવિઝન પોલીસ સ્ટેશનના PI સહિતના ઉચ્ચ અધિકારીઓને સ્થળ પર બોલાવી લીધા હતા. આ સાથે જ દૂધના નમૂનામાં કયા પ્રકારની ભેળસેળ છે તેની સચોટ માહિતી મેળવવા માટે FSL એટલે કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી જેથી દૂધમાં રહેલા ઘાતક તત્વોની વૈજ્ઞાનિક તપાસ થઈ શકે. હાલમાં પોલીસ દ્વારા આ ટેન્કરને સી-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુરક્ષિત લઈ જવામાં આવ્યું છે અને આગળની તમામ કાયદેસરની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. '350થી 400 લિટર શંકાસ્પદ જથ્થો ડેરીઓમાં ઠલવાય છે'​આ કૌભાંડની કાર્યપદ્ધતિ અંગે આક્ષેપ કરતા જણાવાયું છે કે, વિસાવદરના દેડિયા ગામની સહકારી ડેરીમાં વાસ્તવમાં ખૂબ ઓછું દૂધ જમા થાય છે, પરંતુ આસપાસના મજૂરો પાસેથી માત્ર ચાર કેન જેટલું શુદ્ધ દૂધ મેળવ્યા બાદ તેમાં મોટા જથ્થામાં મિશ્રણવાળું અને કેમિકલયુક્ત દૂધ ઉમેરી દેવામાં આવે છે. આ રીતે અંદાજે 350થી 400 લિટર જેટલો શંકાસ્પદ જથ્થો તૈયાર કરીને ડેરીઓમાં ઠાલવવામાં આવે છે. યુવરાજસિંહ જાડેજાએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, આજે ગુજરાતમાં કેન્સર અને કિડનીના કેસોમાં જે ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. તેની પાચે ક્યાંકને ક્યાંક આવા સફેદ દૂધના કાળા કારોબારીઓ જવાબદાર છે જે લોકોના જીવ જોખમમાં મૂકીને નફો કમાઈ રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો​આ સમગ્ર મામલે જૂનાગઢ પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે અને FSLના અહેવાલની રાહ જોવામાં આવી રહી છે. જો આ નમૂનામાં કેમિકલની હાજરી સાબિત થશે તો દૂધના માલિક દેવાભાઈ ભરવાડ તેમજ જે ડેરીમાં આ દૂધ જતું હતું તે તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી તંત્ર દ્વારા આપવામાં આવી છે. લોકોમાં પણ એવી માગ ઉઠી રહી છે કે, માત્ર એક ટેન્કર પકડીને સંતોષ માનવાને બદલે આખા નેટવર્કનું મૂળ શોધવામાં આવે જેથી જનતાના સ્વાસ્થ્ય સાથે થતા આ અક્ષમ્ય અપરાધને રોકી શકાય.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 12:11 pm

ખાદ્ય પદાર્થોનાં નમુના બહાર મોકલવા નહીં પડે:રાજકોટનાં TRP ગેમઝોનની નજીક રૂ. 4.60 કરોડના ખર્ચે આધુનિક ફૂડ લેબોરેટરી બનશે, આરોગ્ય કેન્દ્રનું પણ નિર્માણ થતા લોકોને ઇમરજન્સીમાં સારવાર મળશે

હાલમાં જ્યારે ગુજરાતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે રાજકોટ મહાપાલિકા દ્વારા મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. રાજકોટનાં કાલાવડ રોડ પાસેથી નાનામવા રોડ તરફ જતાં પ્લોટમાં TRP ગેમઝોન નજીક અંદાજે રૂ. 4.60 કરોડના ખર્ચે એક વિશાળ અને આધુનિક ફૂડ લેબોરેટરી અને આરોગ્ય સુવિધા ભવનનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવાની પ્રક્રિયાને વધુ ઝડપી, સચોટ અને સ્થાનિક સ્તરે ઉપલબ્ધ કરાવવાનો છે. આ લેબોરેટરી તૈયાર થતા રાજકોટનાં ફૂડ વિભાગ દ્વારા લેવાતા નમુના વડોદરા મોકલવા નહીં પડે અને અત્યારે બે-ત્રણ મહિને આવતા રિપોર્ટ બે-ત્રણ દિવસમાં મળી જશે. આ સાથે અહીં તબીબી સારવાર માટે આરોગ્ય કેન્દ્રનું નિર્માણ પણ કરવામાં આવશે. જેને લઈને ઇમરજન્સીમાં લોકોને સારવાર પણ મળી રહેશે. વર્તમાન વ્યવસ્થા મુજબ, રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવતા ખાદ્ય પદાર્થોના નમૂનાઓ (સેમ્પલ) ચકાસણી માટે વડોદરા ખાતેની લેબોરેટરીમાં મોકલવા પડે છે. આ પ્રક્રિયામાં ઘણો સમય વ્યતીત થાય છે અને રિપોર્ટ આવવામાં વિલંબ થવાથી દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં પણ મુશ્કેલી પડે છે. પરંતુ નવું બિલ્ડિંગ કાર્યરત થયા બાદ રાજકોટમાં જ અત્યાધુનિક ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી ઉપલબ્ધ થશે. જેના પરિણામે દૂધ, ઘી, તેલ કે અન્ય ખાદ્ય સામગ્રીમાં થતી ભેળસેળને પકડવા માટેના રિપોર્ટ ગણતરીના દિવસોમાં જ મળી શકશે. આનાથી ભેળસેળિયા તત્વોની સામે ઝડપથી કાર્યવાહી કરી શકાશે. અને નાગરિકોને શુદ્ધ આહાર મળવાની ખાતરી થશે. આ બિલ્ડિંગના આયોજન અને સ્થાપત્યની વાત કરીએ તો, તેને કુલ ત્રણ મુખ્ય ભાગમાં વહેંચવામાં આવ્યું છે, જેમાં આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા બંનેનો સમન્વય જોવા મળશે. ગ્રાઉન્ડ ફ્લોર: સર્વગ્રાહી આરોગ્ય સેવાઓબિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર સામાન્ય જનતા માટે પાયાની અને કટોકટીની તબીબી સેવાઓ કેન્દ્રિત કરવામાં આવી છે. અહીં તાત્કાલિક સારવાર માટે 3 ઇમરજન્સી બેડની વ્યવસ્થા હશે, જે અકસ્માત કે ગંભીર બીમારીના સમયે દર્દીને સ્થિર કરવામાં મદદરૂપ થશે. આ ઉપરાંત 2 કન્સલ્ટેશન રૂમ, દવા વિતરણ કેન્દ્ર, મેડિકલ સ્ટોર અને રજીસ્ટ્રેશન કાઉન્ટરની સુવિધા ઉપલબ્ધ હશે. ખાસ કરીને માતૃ-બાળ કલ્યાણ માટે B.F. કોર્નર, ઇમ્યુનાઇઝેશન (રસીકરણ) રૂમ અને RBSK (રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ) રૂમની ફાળવણી કરવામાં આવી છે. પુરુષ અને મહિલાઓ માટે અલગ વોર્ડ તેમજ શૌચાલયની સુવિધા પણ રાખવામાં આવી છે. આ ઉપરાંત પેથોલોજી લેબ અને સેમ્પલ લેબ જેવી સુવિધાઓથી નિદાન પ્રક્રિયા વધુ સરળ બનશે. પ્રથમ માળ: આધુનિક ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરીબિલ્ડિંગનો પ્રથમ માળ સંપૂર્ણપણે ખાદ્ય સુરક્ષા વિભાગને સમર્પિત રહેશે. અહીં 3 અત્યાધુનિક ફૂડ ટેસ્ટિંગ લેબ બનાવવામાં આવશે. આ લેબમાં હાઈ-ટેક સાધનો માટે ઇન્સ્ટ્રુમેન્ટ રૂમ, ડિસ્ટિલેશન રૂમ, ફ્યુમિંગ રૂમ, બેલેન્સ રૂમ અને કેમિકલ સ્ટોરની સુવિધા હશે. ફૂડ એનાલિસ્ટ માટે અલગ ચેમ્બર અને ડેટા મેનેજમેન્ટ માટે એડમિન વિસ્તારની જોગવાઈ છે. આ ઉપરાંત, ખાદ્ય સુરક્ષા અંગે જનજાગૃતિ લાવવા માટે એક વિશેષ એક્ઝિબિશન રૂમ અને ટ્રેનિંગ રૂમ પણ બનાવવામાં આવશે, જ્યાં હોટેલ-રેસ્ટોરન્ટના માલિકો અને નાગરિકોને ખાદ્ય સુરક્ષાના ધોરણો અંગે માહિતગાર કરી શકાશે. બીજો માળ: વોટર ટેસ્ટિંગ અને વહીવટી સુવિધાઓબિલ્ડિંગના બીજા માળે પાણીની શુદ્ધતા ચકાસવા માટે 2 ખાસ વોટર ટેસ્ટિંગ રૂમ ફાળવવામાં આવ્યા છે. શહેરમાં વિતરણ થતા પીવાના પાણીની ગુણવત્તા જાળવી રાખવા માટે આ લેબ અત્યંત મહત્વની ભૂમિકા ભજવશે. અશુદ્ધ પાણીથી ફેલાતા રોગચાળાને અટકાવવા માટે આધુનિક પદ્ધતિથી અહીં પાણીના નમૂનાઓનું પૃથ્થકરણ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ પ્રોજેકટ માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા ટેન્ડર મુજબ ત્રણેય સુવિધાઓના નિર્માણ માટેનો અંદાજિત ખર્ચ રૂ. 4,59,67,751 (GST સિવાય) નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ કામગીરી માટે 18 મહિનાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. જોકે, ચોમાસાના ત્રણ મહિના (1 જુલાઈથી 30 સપ્ટેમ્બર) ને કાર્યકાળમાંથી બાકાત રાખવામાં આવશે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તરત જ વર્કઓર્ડર આપી કામ શરૂ કરવામાં આવે તો અંદાજે દોઢ-બે વર્ષની અંદર રાજકોટનાં લોકોને આ સુવિધાનો લાભ મળતો થવાની શક્યતા છે. કોન્ટ્રાક્ટરો માટે પાત્રતાના ધોરણો આ કામ માટે માત્ર 'A' ક્લાસમાં નોંધાયેલા અનુભવી કોન્ટ્રાક્ટરો જ અરજી કરી શકશે. કોન્ટ્રાક્ટરોએ છેલ્લા સાત વર્ષમાં આ પ્રકારના કામનો ઓછામાં ઓછો 40 ટકા જેટલો અનુભવ ધરાવવો આવશ્યક છે. આ ઉપરાંત, ટેન્ડર સાથે રૂ. 4,59,678 ની અર્નેસ્ટ મની ડિપોઝિટ (EMD) અને રૂ. 7,500 ની ટેન્ડર ફી જમા કરાવવાની રહેશે. કોન્ટ્રાક્ટરે કામના સ્થળે ઓછામાં ઓછા 5 વર્ષનો અનુભવ ધરાવતા સિવિલ એન્જિનિયરની નિમણૂક કરવી પણ ફરજિયાત છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રોજેકટમાં ફૂડ લેબોરેટરીની સાથે આરોગ્ય સુવિધા ભવનનું પણ નિર્માણ કરવામાં આવશે. જેમાં બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર સામાન્ય જનતા માટે પાયાની અને ઇમરજન્સી તબીબી સેવાઓ મળી રહેશે. અહીં તાત્કાલિક સારવાર માટે 3 ઇમરજન્સી બેડની વ્યવસ્થા હશે, જે અકસ્માત કે ગંભીર બીમારીના સમયે દર્દીને સ્થિર કરવામાં મદદરૂપ થશે. અને 2 કન્સલ્ટેશન રૂમ, દવા વિતરણ કેન્દ્ર, મેડિકલ સ્ટોર અને રજીસ્ટ્રેશન કાઉન્ટરની સુવિધા ઉપલબ્ધ હશે. એટલું જ નહીં વિવિધ પ્રકારના રસીકરણ પણ અહીં કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 12:08 pm

પ્રાંતિજના સાદોલીયા ઓવરબ્રિજ પર અકસ્માતમાં 2નાં મોત:ભારે વાહનો રોકવાની લોખંડની ગડરને ડમ્પર અથડાયું, વિચિત્ર અકસ્માતમાં તેની પાછળ બીજા 2 ડમ્પર અને ટ્રક અથડાયો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક આવેલા સાદોલીયા ઓવરબ્રિજ પર શનિવારે રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. પ્રતિબંધિત હોવા છતાં પસાર થઈ રહેલા રેતી ભરેલા 3 ડમ્પર અને 1 ટ્રક વચ્ચે થયેલી અથડામણમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક ચાલકને ફાયર વિભાગે જીવિત બહાર કાઢ્યો હતો. સાદોલીયા ઓવરબ્રિજ પર ભારે વાહનોની અવરજવર રોકવા માટે તંત્ર દ્વારા લોખંડના ગડર (બેરિયર) લગાવવામાં આવ્યા છે. શનિવારે રાત્રે રેતી ભરીને જતું એક ડમ્પર આ લોખંડના ગડર સાથે અથડાયું હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે પાછળ આવી રહેલા અન્ય 2 ડમ્પર અને 1 ટ્રક પણ એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. મૃતકોની ઓળખઅકસ્માતમાં ડમ્પરના કેબિનનો કુરચો બોલી ગયો હતો, જેમાં ફસાયેલા ચાલક અને ક્લીનરનું ગંભીર ઈજાઓને કારણે સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અજીત શના ઠાકોર (25 વર્ષ) – રહે. પીંઢારપુરા, ચાણસ્મા, જિ. પાટણ વિશાલ લક્ષ્મણ ઠાકોર (24 વર્ષ) – રહે. પીંઢારપુરા, ચાણસ્મા, જિ. પાટણ ફાયર વિભાગનું રેસ્ક્યૂ ઓપરેશનઘટનાની જાણ થતા જ પ્રાંતિજ ફાયર વિભાગની ટીમ મુકેશ પરમારના નેતૃત્વમાં સ્થળ પર પહોંચી હતી. અંદાજે 45 મિનિટની જહેમત બાદ ડમ્પરની કેબિન કાપીને બંને મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. આ દરમિયાન પાછળ અથડાયેલી ટ્રકના કેબિનમાં ફસાયેલા ચાલક જીવરામ ગોવિંદને ફાયર ટીમે માત્ર 10 મિનિટમાં સુરક્ષિત બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસ કાર્યવાહીપ્રાંતિજ પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ભારે વાહનો માટે પ્રતિબંધ હોવા છતાં ઓવરલોડ વાહનો આ માર્ગ પરથી પસાર થતા હોવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 12:00 pm

સોમનાથથી કોંગ્રેસનો ચૂંટણી શંખનાદ!:સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સંગઠન મજબૂત બનાવવાની શરૂઆત; દિગ્ગજોએ દર્શન કરી આશીર્વાદ લીધા; વેરાવળ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનો શુભારંભ

કોંગ્રેસે ગીર સોમનાથ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા સોમનાથથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો છે. પક્ષના મોવડી મંડળે પવિત્ર સોમનાથ મહાદેવના દર્શન અને પૂજન અર્ચન કરીને પ્રચાર અભિયાનની શરૂઆત કરી. આ પ્રસંગે રાજ્યસભા સાંસદ અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી રામકિશન ઓઝા સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નેતાઓએ સોમનાથ મહાદેવના મંદિરે જળાભિષેક અને પાઘ પૂજન કરી આશીર્વાદ મેળવ્યા. આ સાથે જ વેરાવળ શહેરમાં ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસનું મુખ્યાલય પણ ખુલ્લું મુકવામાં આવ્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે સંગઠનાત્મક દ્રષ્ટિએ આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે. તેને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પક્ષે સંગઠન મજબૂત બનાવવાની દિશામાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. સોમનાથ મહાદેવના દર્શન બાદ મીડિયા સાથે વાત કરતાં મુકુલ વાસનિકે જણાવ્યું કે તેઓ આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી રહ્યા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ વધુ મજબૂત બનીને મેદાનમાં ઉતરશે. વાસનિકે ઉમેર્યું કે રાજ્યભરમાં કોંગ્રેસના સંગઠન માળખાને વધુ મજબૂત બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. કાર્યકર્તાઓને સક્રિય બનાવી સ્થાનિક સ્તરે જનસંપર્ક વધારવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજકીય નિરીક્ષકોના મતે, પવિત્ર સોમનાથથી પ્રચારની શરૂઆત કરીને કોંગ્રેસે ધાર્મિક અને રાજકીય બંને સ્તરે સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. આ પગલું આવનારી ચૂંટણીઓમાં રાજકીય ગરમાવો વધારવાનું સૂચવે છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 11:58 am

બોટાદની તરઘરા શાળામાં યોગ શિબિર યોજાઈ:બાળકોને પરીક્ષાનો ભય દૂર કરવા અપાયું માર્ગદર્શન

બોટાદ તાલુકાની તરઘરા પ્રાથમિક શાળામાં બાળકો માટે એક દિવસીય નિ:શુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. 'શ્રી યોગ ફાઉન્ડેશન' દ્વારા આ શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં શાળાના આશરે 380 બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શ્રી યોગ ફાઉન્ડેશનના ડો. અર્જુનભાઈ નિમાવતે બાળકોને યોગનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે પરીક્ષાનો ભય દૂર કરવા માટે વિવિધ આસનો, પ્રાણાયામ અને એક્યુપ્રેશર જેવી પદ્ધતિઓનું સચોટ માર્ગદર્શન અને અભ્યાસ કરાવ્યો હતો. શાળા પરિવારે શ્રી યોગ ફાઉન્ડેશનના પ્રમુખ નયનભાઈ શેઠ અને તેમની ટીમનો આ કાર્ય બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ નિ:શુલ્ક યોગ શિબિરથી બાળકોમાં પરીક્ષા પ્રત્યે આત્મવિશ્વાસ વધ્યો હતો અને શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવાઈ હતી. શાળાના આચાર્ય મનુમાસ્તર અને શાળા પરિવારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 11:44 am

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બાદ 'બાબ અલ મંદેબ' પણ બંધ થશે! યમનના હુથીઓની ધમકીથી દુનિયા ટેન્શનમાં

Iran Israel War : ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે માત્ર સરહદ પૂરતું મર્યાદિત રહ્યું નથી, પરંતુ તે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાને ડૂબાડવાની ક્ષમતા ધરાવે છે. ઈરાન સમર્થિત યમનના હૂતી બળવાખોરોએ હવે દુનિયાના સૌથી મહત્વના દરિયાઈ માર્ગ 'બાબ અલ-મંડેબ' (Bab al-Mandab) ને બ્લોક કરવાની ધમકી આપી છે. શું છે ઈરાનની 'ત્રણ તબક્કાની રણનીતિ'? પ્રથમ તબક્કો: સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બ્લોક કરવો (જે પહેલાથી જ પ્રભાવિત છે).

ગુજરાત સમાચાર 15 Mar 2026 11:38 am