તરણેતર ગામમાં ગેરકાયદે ખનન ઝડપાયું:નાયબ કલેક્ટરની ટીમે ₹1.97 કરોડના વાહનો જપ્ત કર્યા
થાનગઢ તાલુકાના તરણેતર ગામમાં સરકારી જમીન પર ગેરકાયદે ખનનનો પર્દાફાશ થયો છે. ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની ટીમે વહેલી સવારે દરોડો પાડી સેન્ડસ્ટોન અને સફેદ માટીનું ખનન કરતા વાહનો જપ્ત કર્યા હતા. સરકારી સર્વે નંબર 592 પરથી એક હિટાચી મશીન, ત્રણ ડમ્પર (GJ 03 BV 7947, GJ 13 TA 0727, GJ 13 AW 3396) અને એક ટ્રેક્ટર (GJ 13 AR 8463) જપ્ત કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹1.97 કરોડ આંકવામાં આવી છે, જેને ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે. આ મામલે વેરશીભાઈ લાલજીભાઈ સારદીયા (તરણેતર), લગધીરભાઈ ભીમશીભાઈ લલોતરા (ડોળીયા), હેમુભાઈ જીવરાજભાઈ ખમાણી (તરણેતર) અને કાળુભાઈ હેમુભાઈ ખમાણી (તરણેતર) સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમની સામે ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ, 2017) તેમજ લેન્ડ ગ્રેબિંગ અને તડીપાર હેઠળ કાર્યવાહી કરાશે. આ ઉપરાંત, તરણેતર ગામના તલાટી-કમ-મંત્રી અને સરપંચ સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
મોડાસાની માણેકબા સોસાયટીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. ગયા શનિવાર અને રવિવારની મધ્યરાત્રિ દરમિયાન અજાણ્યા ચોર ઈસમોએ બે બંધ મકાનોને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 4 લાખ 18 હજારની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા છે. ઝોમેટો ડિલિવરી બોયના બંધ મકાનમાં ચોરી ફરિયાદી કૃષ્ણકાંત મોહનલાલ પંડ્યા, જેઓ ઝોમેટોમાં ફૂડ ડિલિવરીનું કામ કરે છે. તેઓ 28મી ફેબ્રુઆરીએ પરિવાર સાથે અમદાવાદ પોતાના સાસરે ગયા હતા. રવિવારે બપોરે તેમના પાડોશીએ ફોન મારફત જાણ કરી કે તેમના ઘરના દરવાજા ખુલ્લા છે. કૃષ્ણકાંતભાઈએ ઘરે આવીને તપાસ કરતા જાણવા મળ્યું કે તસ્કરોએ ઘરનું તાળું તોડી, તિજોરી ફંફોસીને નીચે મુજબની મત્તાની ચોરી કરી-સોનાના દાગીના: વીંટી, પેન્ડલ, ચુની અને બુટ્ટી મળી અંદાજે 1.45 લાખની કિંમત.ચાંદીના દાગીના: છડા, કંદોરો, ચેઈન અને લક્કી મળી અંદાજે 88 હજારની કિંમત.રોકડ રકમ: રૂપિયા 30 હજાર રોકડા.કુલ મળીને તેમના ઘરેથી રૂપિયા 2 લાખ 63 હજારની ચોરી થઈ. પાડોશીના ઘરે પણ હાથફેરો તસ્કરોએ માત્ર કૃષ્ણકાંતભાઈના જ નહીં, પરંતુ તેમની બાજુમાં રહેતા વિજયભાઈ રાજુભાઈ ખાંટના બંધ મકાનને પણ નિશાન બનાવ્યું હતું. વિજયભાઈના ઘરેથી સોનાની બુટ્ટી, ચાંદીના કડલા અને 55 હજારની રોકડ રકમ મળી કુલ રૂપિયા 1 લાખ 55 હજારની મત્તાની ચોરી થઈ છે. ₹4.18 લાખની ચોરી અંગે ફરિયાદ દાખલ મોડાસા ટાઉન પોલીસે આ મામલે બી.એન.એસ. (BNS)ની કલમ 331(3), 331(4) અને 305 હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. હેડ કોન્સ્ટેબલ પરેશભાઈ વિશ્રામભાઈએ ફરિયાદ નોંધી છે અને પોલીસ ઇન્સ્પેક્ટર ભૂપેન્દ્રસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ અજાણ્યા તસ્કરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
ભરૂચ શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં મસાજ પાર્લરની આડમાં ચાલતા ગેરકાયદેસર દેહવ્યાપારનો પર્દાફાશ થયો છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) દ્વારા દરોડા પાડી બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે ત્રણ યુવતીઓને મુક્ત કરાઈ હતી. AHTUના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જી. ગોહિલના માર્ગદર્શન હેઠળ ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. સ્ટેશન રોડ પર સુપર માર્કેટ પાછળ આવેલા આંબેડકર શોપિંગ સેન્ટરના પ્રથમ માળે આવેલા પીપી થાઇ સ્પા પર દરોડો પાડવામાં આવ્યો હતો. પ્રાથમિક ચકાસણી માટે ડમી ગ્રાહક મોકલવામાં આવ્યો હતો, જેમાં મસાજની આડમાં દેહવ્યાપાર ચાલતો હોવાનું સામે આવ્યું હતું. દરોડા દરમિયાન સ્પાના મેનેજર તનવીર મનાન શેખ (ઉં.વ.23, રહે. નંદેલાવ, ભરૂચ) અને સમીર અહમદ ફઝલુર રહેમાન (ઉં.વ.18, રહે. ભરૂચ) ને સ્થળ પરથી ઝડપી લેવાયા હતા. આ ઉપરાંત, સ્પાના માલિક અફરોઝ મનાન શેખ, સીમા ઉર્ફે શના કામરાન શેખ અને દુકાન માલિક સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. અનૈતિક વેપાર નિવારણ અધિનિયમ 1956ની કલમ 3, 4, 5, 7 તેમજ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૫૪ હેઠળ કાર્યવાહી શરૂ કરાઈ છે. પોલીસે દરોડા દરમિયાન 73,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મુક્ત કરાયેલી ત્રણેય યુવતીઓને કાયદેસરની પ્રક્રિયા માટે સુરક્ષિત રીતે સોંપવામાં આવી છે. પોલીસ તંત્રએ જણાવ્યું હતું કે શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી કડક કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.
મિડલ ઈસ્ટમાં વણસેલી યુદ્ધની સ્થિતિમાં ભયના ઓથાર વચ્ચે ફસાયેલા 210 ગુજરાતીઓ હેમખેમ સ્વદેશ પરત ફરતા તેમના પરિવારોએ રાહતનો શ્વાસ લીધો છે. આ વતન વાપસી દરમિયાન એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર સ્વજનો સાથે મિલન થતા અત્યંત ભાવુક દ્રશ્યો સર્જાયા હતાં. 210 મુસાફરો પૈકી 205 લોકો વિશેષ પ્લેન દ્વારા જેદાહ, સાઉદી અરેબિયાથી સીધા અમદાવાદ ઉતર્યા હતાં, જ્યારે અન્ય 5 લોકો દુબઈથી રિલીફ ફ્લાઈટ મારફતે મુંબઈ પહોંચ્યા બાદ ટ્રેન દ્વારા સુરત પરત ફર્યા હતાં. મહિનાઓ સુધી અસુરક્ષિત માહોલમાં રહ્યા બાદ પોતાના વતનની સુરક્ષિત ધરતી પર પગ મૂકતા જ અનેક લોકોની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતાં. સુરતના 5 પ્રવાસીઓ હેમખેમ વતન પરત ફરતા પરિવારોમાં ખુશીની લહેર ઈરાન-ઇઝરાયલ વચ્ચે સર્જાયેલી યુદ્ધની સ્થિતિને પગલે વિદેશમાં ફસાયેલા ભારતીયોમાં ચિંતાનો માહોલ હતો, ત્યારે સુરતીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. દુબઈમાં ફસાયેલા સુરતના 20 પ્રવાસીઓ પૈકી 5 પ્રવાસીઓ હેમખેમ વતન પરત ફરતા પરિવારોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. સાઉદી અરેબિયાથી 205 લોકો અમદાવાદ પરત ફર્યાઅમદાવાદમાં ગઈકાલે 3 માર્ચે રાતે 11:15 કલાક બાદ યુદ્ધ ગ્રસ્ત મિડલ ઈસ્ટમાંથી 205 જેટલા ભારતીયોને લઈને વિશેષ પ્લેન પરત ફર્યું હતું. ધાર્મિક યાત્રાએ ગયેલા આ યાત્રાળુઓને તેમના ટૂર ઓપરેટર અને સોશિયલ મીડિયા થકી ફલાઇટની ખબર પડી હતી. જેદાહ, સાઉદી અરેબિયાથી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ઉતરેલા યાત્રાળુએ જણાવ્યું હતું કે યુદ્ધને લઈને તેઓ ચોક્કસ તણાવમાં હતા. કારણ કે ફ્લાઈટો બંધ થઈ ચૂકી હતી. હોટલના ભાડા વધી ચૂક્યા હતા અને તેમના રહેવા જમવાના પૈસા પણ ખુટવા આવ્યા હતા. એકબીજાને ભેટતા આંખમાંથી આંસુ છલકાયા તેઓએ સીધો જ કોઈ યુદ્ધનો હુમલો થયેલો જોવાનો ઇન્કાર કર્યો હતો. સ્વદેશમાં ઉતરતાની સાથે તેમના પરિવારો તેમના મોટા પાયે સ્વાગત માટે ઉભા હતાં. ફુલહારથી તેમનું સ્વાગત કરાયું હતું. તેમજ માતા પિતા અને બાળકો એકબીજાને ભેટતા આંખમાંથી આંસુ છલકાયા હતા. પોતાના સ્વજનો હેમખેમ સ્વદેશ આવતા યાત્રાળુ તેમ જ તેમના સ્વજનોએ ભારત સરકાર, સ્થાનિક ધારાસભ્ય, હજ કમિટી વગેરેનો આભાર માન્યો હતો. સરકાર અને એરલાઇન્સના સંકલનથી 'રિલીફ ફ્લાઈટ'ની વ્યવસ્થાઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે વિમાની સેવાઓ પર મોટી અસર પડી છે. આ સ્થિતિમાં સુરતના 20 જેટલા પ્રવાસીઓ દુબઈમાં ફસાઈ ગયા હતા. સતત વધતા જતા ભય અને અનિશ્ચિતતા વચ્ચે ભારત સરકાર અને એરલાઇન્સના સંકલનથી 'રિલીફ ફ્લાઈટ'ની વ્યવસ્થા કરવામાં આવી હતી. 5 પ્રવાસીઓ દુબઈથી મુંબઈ અને પછી સુરત આવ્યાંદુબઈમાં ફસાયેલા 20 પ્રવાસીઓમાંથી 5 પ્રવાસીઓ પ્રથમ તબક્કે સ્પેશિયલ રિલીફ ફ્લાઈટ મારફતે મુંબઈ એરપોર્ટ પર ઉતર્યા હતા. ત્યાંથી તેઓ ટ્રેન દ્વારા સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. વતન પરત ફરતા જ આ પ્રવાસીઓના ચહેરા પર રાહતનો શ્વાસ જોવા મળ્યો હતો. સુરત સ્ટેશન પર જ્યારે પ્રવાસીઓ ઉતર્યા ત્યારે વાતાવરણ ભાવુક બની ગયું હતું. લાંબા સમયની ચિંતા બાદ પોતાના સ્વજનોને નજર સામે જોતા જ પરિવારોના આંખમાં હરખના આંસુ છલકાયા હતા. એકબીજાને ગુલાલ લગાવીને હોળીની ઉજવણી કરીપરિવારો દ્વારા તમામ પ્રવાસીઓનું ફૂલહાર અને બુકે આપીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે હોળી-ધૂળેટીનો પર્વ હોવાથી, પરત ફરેલા પ્રવાસીઓએ પરિવાર સાથે એકબીજાને ગુલાલ લગાવીને તહેવારની ઉજવણી કરી હતી. યુદ્ધના ડરને ભૂલીને સૌ કોઈ રંગોના ઉત્સવમાં મગ્ન થયા હતા. હજુ પણ સુરતના 15 જેટલા પ્રવાસીઓ પરત આવવાની રાહ જોઈ રહ્યા છે, જેમને ટૂંક સમયમાં પરત લાવવા માટેના પ્રયાસો ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. 'હા, આવું પહેલીવાર અનુભવ્યું એટલે મનમાં થોડો ડર ચોક્કસ હતો'દુબઈથી સુરત પરત ફરેલા અમર જરીવાલાએ જણાવ્યું હતું કે, દુબઈમાં ખાવા-પીવાની અને રહેવાની બધી જ સગવડો વ્યવસ્થિત હતી. દુબઈ ગવર્મેન્ટે સારી વ્યવસ્થા કરી હતી. પણ જ્યારે ફ્લાઈટ્સ બંધ હતી, ત્યારે ઘરના લોકો ચિંતામાં હતા અને અમને પણ થોડું ટેન્શન હતું. પણ ધીરે ધીરે ફ્લાઈટ્સ શરૂ થઈ અને અમે સુરત પાછા આવી રહ્યા છીએ. દુબઈમાં ડ્રોન હુમલાની વાત સાચી છે. પણ તેમને આકાશમાં જ નષ્ટ કરી દેવામાં આવતા હતા. દુબઈ સરકાર સક્ષમ છે એટલે ત્યાં કોઈ અફરાતફરી જેવો માહોલ નહોતો. પણ હા, આવું પહેલીવાર અનુભવ્યું એટલે મનમાં થોડો ડર ચોક્કસ હતો. 'હજુ પણ 50થી 60 હજાર લોકો અટવાયેલા છે'તેને વધુમાં કહ્યું કે, ફ્લાઈટ્સ એક દિવસ પહેલા જ શરૂ થઈ છે. ત્યાં હજુ પણ 50થી 60 હજાર લોકો અટવાયેલા છે. પહેલા દિવસે ટિકિટ ન મળી પણ બીજા દિવસે ટિકિટ મળી ગઈ. આમાં 'અરાઈઝ'ના કેવનભાઈએ અમને સતત મદદ કરી અને ગાઈડ કર્યા. છેવટે અમે દુબઈથી સીધા સુરત આવ્યા છીએ. અમે લગભગ 15થી 20 જણા સાથે આવ્યા છીએ અને બીજા મિત્રો પણ આજ રાતની ફ્લાઈટમાં પરત આવવાના છે. પરિવારમાં ખુશીનો માહોલ છે. જ્યારે તમે પરિવાર સાથે હોવ ત્યારે બધો ડર નીકળી જાય છે. પરિવાર એ પરિવાર જ હોય છે. હવે ઘરે જઈને પરિવાર સાથે રંગોથી ધુળેટી રમીશું અને ઠંડાઈ પીને તહેવારની મજા માણીશું. અમારા બધા માણસો ઘરે સહી-સલામત આવી ગયાડિમ્પલ અમર જરીવાલાએ જણાવ્યું હતું કે, એ ત્યાં દુબઈ ગયા હતા. હમણાં પણ ઘણી ચિંતા હતી કે આ બધું થઈ રહેલું છે, તો અમારા માણસો કેવી રીતે ઘરે આવશે? પણ થેન્ક્સ ટુ કૈવાનભાઈ અને એમની ‘અરાઈઝ ટુર્સ એન્ડ કંપની’ કે જે એમને બહુ મહેનત કરી બધી રીતે ટિકિટ અરેન્જ કરવામાં અને બધી રીતે બહુ હેલ્પ કરી, તેથી અમારા બધા માણસો ઘરે સહી-સલામત આવી ગયા છે. અને થેન્ક્સ ટુ UAE કે એટલો સપોર્ટ કર્યો કે ઈન્ડિયા આવી જાય અમારા હસબન્ડ. હવે અત્યારે બહુ ખુશીનો માહોલ છે અમારા માટે કે આવી જગ્યા પરથી આવ્યા છે, તો ખુશ જ છીએ અમે. દુબઈથી મુંબઈ બેંગલોર ચેન્નઈ અને દિલ્હીની ચાર ફલાઇટઅત્રે ઉલ્લેખનીય છે કે, દુબઈથી હાલ સ્પેશિયલ ફ્લાઈટો દોડાવવામાં આવી રહી છે અને ભારતીયોને પરત આવવામાં મદદ કરવામાં આવી રહી છે. દુબઈથી મુંબઈ બેંગલોર ચેન્નઈ અને દિલ્હીની ચાર ફલાઇટ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં અમદાવાદની ફ્લાઈટ પણ શરૂ કરવામાં આવશે.
પાટણ શહેર અને જિલ્લામાં હોળી-ધુળેટીના મહાપર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈએ રંગોના આ ઉત્સવને ઉત્સાહભેર મનાવ્યો હતો. રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ દ્વારા પણ ધુળેટીની ઉજવણી કરવામાં આવી હતી. હોલિકા દહન બાદ બીજા દિવસે સવારથી જ શહેરના મોહલ્લા, પોળ અને સોસાયટી વિસ્તારોમાં ધુળેટી પર્વનો માહોલ જામ્યો હતો. બાળકોએ પિચકારીઓ વડે એકબીજા પર રંગ છાંટી પર્વની શરૂઆત કરી હતી, જ્યારે યુવાનો અને વડીલોએ પણ પરંપરા મુજબ આ ઉત્સવ મનાવ્યો હતો. સમગ્ર શહેર વિવિધ રંગોમાં રંગાયેલું જોવા મળ્યું હતું. શહેરના ઐતિહાસિક બગવાડા દરવાજા ખાતે જિલ્લા ભાજપ દ્વારા 'કેસરીયા રંગોત્સવ'નું આયોજન કરાયું હતું. જેમાં ભાજપના કાર્યકરોએ એકબીજા પર અબીલ-ગુલાલ ઉડાડ્યા હતા અને ડીજેના તાલે ગરબાની રમઝટ બોલાવી હતી. બીજી તરફ, જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ બગવાડા ચોક ખાતે ધુળેટીની ઉજવણી કરવામાં આવી હતી. કોંગ્રેસના કાર્યકરોએ રંગો ઉડાડી એકબીજાને પર્વની શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જનતાને ધુળેટીની શુભેચ્છા પાઠવી સામાજિક સમરસતા જાળવવા અને ધાર્મિક વિભાજનથી બચવા અપીલ કરી હતી. તેમણે વેપારીઓ, ખેડૂતો અને બેરોજગારોની સમસ્યાઓનો ઉલ્લેખ કરી આગામી ચૂંટણીઓમાં પરિવર્તનનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. શહેરના વિવિધ પાર્ટી પ્લોટમાં પણ ખાનગી ધોરણે ધુળેટી પર્વનું આયોજન થયું હતું. અહીં ડીજેના તાલે યુવક-યુવતીઓ અને કપલ્સ રંગબેરંગી પાણી અને ગુલાલ સાથે નાચતા-ગાતા જોવા મળ્યા હતા. આમ, પાટણ શહેર અને જિલ્લામાં ઠેર-ઠેર હર્ષોલ્લાસ સાથે રંગોત્સવ ઉજવાયો હતો.
ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે વણસેલી યુદ્ધની પરિસ્થિતિની સીધી અસર હવે મોરબીના વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગ પર જોવા મળી રહી છે. સાઉદી અરેબિયાની પ્રતિષ્ઠિત અરામકો (Aramco) રિફાઇનરી પર થયેલા મિસાઈલ હુમલાને કારણે પ્રોપેન ગેસની સપ્લાય ચેઈન ખોરવાઈ છે, જેનાથી આગામી 2 થી 3 દિવસમાં મોરબીના સેંકડો કારખાનાઓના પૈડાં થંભી જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. ગણતરીના દિવસોમાં ગેસનો પુરવઠો ખૂટી જશે મોરબીના સિરામિક ઉદ્યોગમાં ઉત્પાદન માટે નેચરલ ગેસ અને પ્રોપેન ગેસનો મુખ્યત્વે ઉપયોગ થાય છે. આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો: મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજ એરવાડિયાના જણાવ્યા અનુસાર, સાઉદીથી જહાજ (વેસલ) મારફતે પ્રોપેન ગેસ કંડલા બંદર આવે છે અને ત્યાંથી ટેન્કરો દ્વારા મોરબી પહોંચે છે. હાલમાં રિફાઇનરી બંધ થતા અને પરિવહન અટકતા, કારખાનાઓ પાસે માત્ર બે-ત્રણ દિવસ ચાલે તેટલો જ સ્ટોક બચ્યો છે. લાખો શ્રમિકો અને ઉદ્યોગકારો પર 'બેવડો માર' જો આ પરિસ્થિતિ લાંબી ચાલે અને કારખાના બંધ થાય, તો તેની ગંભીર અસરો નીચે મુજબ જોવા મળશે: આર્થિક નુકસાનનો અંદાજ સિરામિક ઉદ્યોગપતિ રાજનભાઈ પટેલના મતે, જો ગેસની શોર્ટ સપ્લાયને કારણે એક મહિનો કારખાના બંધ રહે, તો સરેરાશ એક ઉદ્યોગકારને 50 લાખથી 1 કરોડ રૂપિયા સુધીનું મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. મોરબીનો સિરામિક ઉદ્યોગ અત્યારે ગંભીર આર્થિક સંકટના ઉંબરે ઉભો છે. જો આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધ વિરામ ન થાય અથવા ગેસની વૈકલ્પિક વ્યવસ્થા ન થાય, તો ગુજરાતના અર્થતંત્રને મોટો ફટકો પડી શકે તેમ છે. આ પણ વાંચો, સિરામિક ઉદ્યોગને મહિને ₹50 લાખથી ₹1 કરોડનું નુકસાન, કારખાના બંધ થવાની શક્યતા આ પણ વાંચો, સિસિરામિક ઉદ્યોગ માટે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ, સિરામિક ઉદ્યોગ પાસે એક સપ્તાહ પૂરતો જથ્થો બચ્યો
અમદાવાદ શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મજુર ગામ પાસે બુટલેગર દ્વારા પોલીસ કર્મચારી ઉપર હુમલો કરવાની ગંભીર ઘટના બની હતી. 'તું અમારા ધંધાની બાતમી કેમ આપે છે?' કહી પોલીસ કર્મચારી ઉપર બુટલેગરે હુમલો કર્યો હતો. કાગડાપીઠ પોલીસ દ્વારા ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ત્રણેય આરોપીઓને દોરડા વડે બાંધી પોલીસકર્મી પર હુમલો કરવા જેવી ઘટનાને લઈને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જોકે ત્રણેય આરોપીઓ પોલીસ પર હુમલો કરવાની ઘટના બાદ શાંતિથી ચાલતા ચાલતા તેમના દ્વારા કરાયેલા હુમલા અંગે રિકન્સ્ટ્રક્શનની માહિતી આપતા જોવા મળ્યા હતાં. કોન્સ્ટેબલ ઘરેથી જમીને નીકળ્યાને બૂટલેગરે રોક્યામળતી માહિતી અનુસાર, મજૂર ગામમાં બાલમુકુંદ સોસાયટીમાં રહેતા અને શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં જયવર્ધન પરમાર 2 માર્ચના રોજ તેઓ નોકરી ઉપર ગયા હતા અને બપોરે 2 વાગ્યે રિસેસના સમયમાં ઘરે જમવા માટે આવ્યા હતાં. ત્યારે બપોરે પોણા ત્રણ વાગ્યાની આજુબાજુ નોકરી પર પરત જવા માટે નીકળ્યા હતાં. ત્યારબાદ મજૂર ગામ એકતા નગરની ચાલી પાસેથી પસાર થતાં હતા ત્યારે એકતા નગરની ચાલીમાં રહેતો ભાવેશ રાઠોડે તેના ઉભા રાખ્યા હતાં. ત્રણેયે મળીને કોન્સ્ટેબલને લાકડી વડે મારમાર્યો'તું અમારા ધંધાની બાતમી કેમ આપે છે, તું જો હું મારા ભાઈ પેપ્સી રાઠોડ તથા મારો મિત્ર દિવ્યાંગને બોલાવી લાવું છું.' જેથી જયવર્ધને કહ્યું હતું કે, તારા ધંધા બાબતે મને કંઈ ખબર નથી મેં કોઈ બાતમી આપી નથી. જેથી ભાવેશે ઉસ્કેરાઈ અને ગંદી ગાળો આપી હતી. ગાળો ના બોલવા સમજાવતા ત્રણેય જણાએ ભેગા મળી કોન્સ્ટેબલને લાકડાના ડંડા વડે અને ગડદા પાટુનો માર માર્યો હતો. લોકોના ટોળા ભેગું થતાં ત્રણેય ફરાર થયા'તાથોડી જ વારમાં લોકોના ટોળા ભેગા થઈ ગયા હતાં. જેથી ત્રણેય ફરાર થઈ ગયા હતાં. ઈજાગ્રસ્ત કોન્સ્ટેબલને સારવાર અર્થે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્રણેય આરોપીઓની ધરપકડ બુટલેગર દ્વારા પોલીસ કર્મચારી પર હુમલો કરવાની ઘટના બાદ કાગડાપીઠ પોલીસ પોતાની નિષ્ક્રિયતાને ઉજાગર થતી બચાવવા માટે તાત્કાલિક ધોરણે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. વિદેશી દારૂની બોટલો નો ગુનો નોંધાયો ને બીજા દિવસે હુમલોઅમદાવાદના કે ડિવિઝન એસીપી યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આરોપી પિયુષ ઉર્ફે પેપ્સી રાઠોડ વિરુદ્ધ અગાઉ છ જેટલા પ્રોહિબિશનના ગુના દાખલ કરવામાં આવેલા છે. મારામારીનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે ભાવેશ રાઠોડ વિરુદ્ધ પણ પ્રોહીબિશનનો ગુનો નોંધાયો છે. આ બાબતે હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આરોપી પિયુષ ઉર્ફે પેપ્સી રાઠોડ વિરુદ્ધ એક માર્ચના રોજ ચાર જેટલી વિદેશી દારૂની બોટલો રાખવા અંગેનો દારૂનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને બીજા જ દિવસે પોલીસ કર્મચારી ઉપર હુમલાની ઘટના બની હતી. કડક કાર્યવાહી કરી ઉદાહરણ બેસાડીશું - ACPપોલીસ કર્મચારી ઉપર બુટલેગર દ્વારા હુમલો કર્યા બાદ એસીપીએ કહ્યું હતું કે, પોલીસ કર્મચારી ઉપર કોઈ હાથ ઉગામે કે ઇજા પહોંચાડે નહીં એવું કડકમાં કડક કાર્યવાહી કરી ઉદાહરણ બેસાડીશું. જોકે પોલીસ કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો તેમાં 'તું અમારા ધંધાની બાતમી આપે છે' તેમાં ક્યાંય પણ દારૂના ધંધા અંગેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. દોરડા વડે બાંધી ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાયુંકાગડાપીઠ પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓની ધરપકડ કરી અને ત્યારબાદ રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. જેમાં ત્રણે આરોપીઓને પોલીસ દ્વારા દોરડા વડે બાંધી અને ઘટના સ્થળ ઉપર લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં આરોપીઓ દ્વારા શાંતિથી ચાલી અને જે ઘટના બની હતી તે અંગે જણાવવામાં આવ્યું હતું. અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડીપોલીસ દ્વારા પોતાના જ પોલીસ કર્મચારી ઉપર હુમલો કરવાની ઘટના બાદ જાહેરમાં ત્રણે આરોપીઓને લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જોકે છેલ્લા કેટલાય સમયથી કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બહેરામપુરા મજૂર ગામ અને કાંકરિયા વિસ્તારમાં હત્યા મારામારી જેવા બનાવો બન્યા છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં નિષ્ફળતા જોવા મળી છે.
લૂંટેરી દુલ્હન ટોળકીનો સાગરિત ઝડપાયો:શંખેશ્વરના પ્રૌઢ સાથે રૂ. 1.50 લાખની છેતરપિંડી કેસમાં ધરપકડ
પાટણ પોલીસે શંખેશ્વરના એક પ્રૌઢ સાથે રૂ. 1.50 લાખની છેતરપિંડી કરવાના કેસમાં લૂંટેરી દુલ્હન ટોળકીના એક સાગરિતની ધરપકડ કરી છે. આરોપી હરેશભાઈ કરશનભાઈ ભરવાડ (રહે. રઢુ, તા. ખેડા) છેલ્લા ત્રણ મહિનાથી ફરાર હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, શંખેશ્વર ગામના 40 વર્ષીય યુવક સાથે ધોળકાના આંબેઠી ગામની રેખા તખાભાઈ ઠાકોરના લગ્ન કરાવવામાં આવ્યા હતા. આ લગ્નના ખર્ચ પેટે યુવાન પાસેથી રૂ. 1.50 લાખની રકમ લેવામાં આવી હતી. લગ્નના એક મહિના બાદ રેખા બીમાર માસીને મળવાના બહાને ઘરેથી નીકળી ગયા હતા અને પરત ફર્યા ન હતા. આ ઘટના બાદ યુવકે લૂંટેરી દુલ્હન સહિત લગ્ન કરાવનારા પાંચ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ફરાર હરેશભાઈ ભરવાડને પાટણ બી-ડિવિઝન પોલીસના ડી-સ્ટાફે સિદ્ધપુર હાઈવે પર આવેલા એલ.પી. ભવન પાસેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
બોટાદ પોલીસ પરિવારે ધુળેટી પર્વની ઉજવણી કરી:જિલ્લા હેડક્વાર્ટર ખાતે અધિકારીઓ અને પરિવારો રંગે રમ્યા
બોટાદ જિલ્લા પોલીસ પરિવારે ધુળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માની ઉપસ્થિતિમાં બોટાદ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે આ ઉજવણી કરવામાં આવી હતી. બોટાદ શહેરના ખસ રોડ પર આવેલા જિલ્લા પોલીસ વડાની કચેરી હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ પરિવાર એકત્રિત થયો હતો. આ ઉજવણીમાં એસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિત જિલ્લાના પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારજનો જોડાયા હતા. પોલીસ પરિવારે ડીજેના તાલે ઝૂમીને એકબીજા પર રંગો ઉડાડ્યા હતા અને પિચકારીઓથી રંગોળી સર્જી હતી. આ રીતે પરંપરાગત ધુળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થાની જવાબદારી નિભાવતા પોલીસ કર્મચારીઓએ ફરજની સાથે પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી હતી.
અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વણસેલી સ્થિતિને કારણે સમગ્ર મિડલ ઈસ્ટ અત્યારે યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું છે. આ ભયાનક સ્થિતિની સીધી અસર લાખો ભારતીયો પર પડી છે, જેમાં ખાસ કરીને ગુજરાત અને સુરતના અનેક લોકો ત્યાં અટવાયા છે. સુરતના સાંસદ મુકેશ દલાલ દ્વારા વિદેશ મંત્રાલયમાં કરવામાં આવેલી રજૂઆત બાદ હવે ભારત સરકાર એક્શન મોડમાં આવી છે અને ફસાયેલા લોકોની વહારે આવી છે. યુદ્ધના ભરડામાં મિડલ ઈસ્ટ, ગુજરાતીઓના જીવ અધ્ધરઈરાન અને ઈઝરાયેલ વચ્ચે શરૂ થયેલા સશસ્ત્ર સંઘર્ષે ખાડી દેશોમાં ભયનો માહોલ પેદા કર્યો છે. દુબઈ અને જ્યોર્જિયા જેવા દેશોમાં વ્યવસાય અને નોકરી અર્થે ગયેલા હજારો ગુજરાતીઓ અત્યારે સુરક્ષિત આશરા માટે ફાંફા મારી રહ્યા છે. બોમ્બમારો અને એરસ્પેસ બંધ થવાની ઘટનાઓ વચ્ચે સુરત અને દક્ષિણ ગુજરાતના પરિવારો અહીં ચિંતામાં ડૂબ્યા છે. અનેક લોકોએ સોશિયલ મીડિયા અને ફોન દ્વારા સુરતના પ્રતિનિધિઓ પાસે મદદની ગુહાર લગાવી હતી. સાંસદ મુકેશ દલાલનો વિદેશ મંત્રી એસ. જયશંકરને પત્રસુરત અને ગુજરાતના લોકોની ગંભીર સ્થિતિને જોતા સાંસદ મુકેશ દલાલે તાત્કાલિક અસરથી વિદેશ મંત્રી એસ. જયશંકરનો સંપર્ક સાધ્યો હતો. તેમણે ઈમેલ દ્વારા લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે, સુરત અને ગુજરાતના અનેક નાગરિકો હાલ દુબઈ અને જ્યોર્જિયામાં ફસાયેલા છે. આ લોકો પોતાની સલામતીને લઈને ખૂબ જ ચિંતિત છે. મુકેશ દલાલે ભારત સરકારને આ બાબતમાં તાકીદે હસ્તક્ષેપ કરવા અને ત્યાંની એમ્બેસીને સક્રિય કરવા વિનંતી કરી હતી. દુબઈ કોન્સ્યુલેટ જનરલનો હકારાત્મક પ્રતિસાદમુકેશ દલાલની રજૂઆતને પગલે વિદેશ મંત્રાલય સતર્ક થયું છે. કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા (દુબઈ)તરફથી સત્તાવાર ઈમેલ દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયે ખાતરી આપી છે કે તેમની ઓફિસ તમામ ફસાયેલા ભારતીયોનો વ્યક્તિગત સંપર્ક કરશે અને તેમને શક્ય તમામ મદદ પહોંચાડવામાં આવશે. આ માટે સ્થાનિક ભારતીય સંગઠનો અને કોમ્યુનિટી લીડર્સની પણ મદદ લેવામાં આવી રહી છે. સુરતીઓની સલામત વાપસી માટે કવાયતયુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી સુરતીઓ અને ગુજરાતીઓને હેમખેમ ભારત લાવવા માટેની વ્યવસ્થા ગોઠવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, ભારતીય એમ્બેસી ત્યાંના સત્તાધીશો સાથે સતત સંપર્કમાં છે. જે લોકો ભારત પરત આવવા માંગે છે તેમના માટે જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા અને મુસાફરીની વ્યવસ્થા કરવા માટે ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી વિષમ પરિસ્થિતિમાં પણ નાગરિકો સુરક્ષિત રહી શકે. ઈમરજન્સી હેલ્પલાઇન અને વોટ્સએપ નંબર જાહેરફસાયેલા લોકો અને તેમના પરિવારજનોની સુવિધા માટે વિદેશ મંત્રાલય દ્વારા તાત્કાલિક હેલ્પલાઇન નંબરો જારી કરવામાં આવ્યા છે. દુબઈમાં ફસાયેલા લોકો નીચે મુજબના સંપર્ક સૂત્રોનો ઉપયોગ કરી શકશે: પરિવારજનોમાં આશાનું કિરણસુરતના સાંસદની સક્રિયતા અને વિદેશ મંત્રાલયના ત્વરિત જવાબને કારણે ફસાયેલા લોકોના પરિવારજનોમાં થોડી રાહત જોવા મળી રહી છે. મુકેશ દલાલે જણાવ્યું છે કે, જ્યાં સુધી છેલ્લો ગુજરાતી સલામત રીતે વતન પરત નહીં આવે ત્યાં સુધી તેઓ સતત ફોલોઅપ લેતા રહેશે. યુદ્ધની આ કપરી સ્થિતિમાં ભારત સરકાર પોતાના નાગરિકોની રક્ષા માટે કટિબદ્ધ છે તેવો સંદેશ આ કાર્યવાહીથી મળ્યો છે.
વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી (SPU) હેઠળ કાર્યરત એસ.પી.યુ.–એસ.એસ.આઈ.પી. નવાધારા એકમ દ્વારા યુવા ઈનોવેટર્સને સહાય પૂરી પાડવામાં આવી છે. તાજેતરમાં યોજાયેલી માસિક સમિતિની બેઠકમાં રજૂ થયેલા 8 પ્રોજેક્ટ્સમાંથી 5 શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સને કુલ ₹5.97 લાખની આર્થિક સહાય મંજૂર કરાઈ છે. આ સાથે 5 બૌદ્ધિક સંપત્તિ અધિકાર (IPR) સંબંધિત અરજીઓને પણ સત્તાવાર મંજૂરી અપાઈ છે. આ પહેલનો મુખ્ય હેતુ યુવા સંશોધકોમાં ઉદ્યમશીલતા વધારી તેમને આત્મનિર્ભર બનાવવાનો છે. મંજૂર કરાયેલા સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ્સમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ જોવા મળ્યો છે. સ્નેહા નાયરની ટીમે કૃષિ ઉત્પાદનોને સુકવવા માટે AI-આધારિત હાઇબ્રિડ સોલર ડ્રાયર વિકસાવ્યું છે. ધ્રુવ શાહના 'કિસાન પ્લસ' પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને સીધું બજાર અને જમીન સ્વાસ્થ્ય સંબંધિત માહિતી મળશે. સુરક્ષા ક્ષેત્રે, BVMના એક વિદ્યાર્થીએ સામાન્ય સીસીટીવીને સ્માર્ટ સર્વેલન્સ સિસ્ટમમાં રૂપાંતરિત કરવાની પદ્ધતિ રજૂ કરી છે. આરોગ્ય ક્ષેત્રે, આણંદ કોમર્સ કોલેજની વિદ્યાર્થીનીઓએ 'કવચ હેલ્થ ગાર્ડિયન' નામની ઘડિયાળ બનાવી છે. આ ઘડિયાળ વ્યક્તિના બાયો-સિગ્નલ ટ્રેક કરી કટોકટીમાં ઓટોમેટિક કોલ અને SMS મોકલશે. પર્યાવરણના જતન માટે, આણંદની પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની વિદ્યાર્થીનીઓએ ખનિજ-પ્રબલિત 'બાયો-લેધર'નો વિકલ્પ રજૂ કર્યો છે, જે પરંપરાગત ચામડાના સ્થાને વાપરી શકાશે. આ ઉપરાંત, સમિતિએ અગાઉ રજૂ થયેલા સેન્સરી ગ્લોબ, બાળકો માટે કુદરતી ક્રેયોન અને પર્સનલ હેલ્થ ગાઈડ જેવા 5 પ્રોજેક્ટ્સની IPR અરજીઓને પણ મંજૂરી આપી છે. શૈક્ષણિક અને તકનીકી ક્ષેત્રના નિષ્ણાતોની હાજરીમાં લેવાયેલા આ નિર્ણયોથી વિદ્યાનગરના યુવા સંશોધકોમાં નવીન સંશોધનો પ્રત્યે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલા છારાનગરમાં મોડી રાત્રે લૂંટ વિથ મર્ડરની ઘટના બની છે. છારાનગરના ફ્રી કોલોનીમાં રહેતા વૃદ્ધા ઘરમાં ઘૂસી અજાણ્યા શખ્સો દ્વારા લૂંટ ચલાવી અને હત્યા કરવામાં આવી છે. સ્થાનિક વ્યક્તિને જાણ થતા તેમણે પરિવારજનોને પોલીસને જાણ કરી હતી સરદાર નગર પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસ દ્વારા હાલ આ મામલે ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે. ઘરમાં ઘૂસી લૂંટ કરીને વૃદ્ધાની હત્યા કરીમહિલાના પરિવારજનો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છારાનગર ફ્રી કોલોની ખાતે ભારતીબેન બજરંગી છેલ્લા કેટલાય સમયથી એકલા રહેતાં હતાં. મોડી રાત્રે તેઓ જમી પરવારીને સુઈ ગયા હતાં. સ્થાનિક વ્યક્તિે વૃદ્ધાના ઘરમાં જોયું તો વૃદ્ધા નીચે પડેલી હાલતમાં હતાદરમિયાનમાં વહેલી સવારે 3.30 વાગ્યાની આસપાસ સ્થાનિક વ્યક્તિ જ્યારે ત્યાંથી પસાર થયો ત્યારે તેમને વૃદ્ધાના ઘરમાં જોયું તો વૃદ્ધા નીચે પડેલી હાલતમાં હતા અને કઈ અજુબતું બન્યું હોવાનું જાણ થઈ હતી.જેથી તેમણે તાત્કાલિક ધોરણે મહિલાના પરિવારજનોને જાણ કરી હતી. પરિવારજનો સ્થળ પર પહોંચ્યા હતા અને પોલીસને પણ જાણ કરી હતી. શરીર પર રહેલા દાગીના ગાયબ હતા અને ઘરની તિજોરી ખુલ્લીસરદારનગર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ઘરમાં જ્યારે જઈને જોયું તો મહિલાની નીચે પડેલી હાલતમાં હતા તેમના શરીર પર રહેલા દાગીના ગાયબ હતા અને ઘરની તિજોરી અને રોકડ રકમ સહિતની વસ્તુઓ પણ ગાયબ જોવા મળી હતી. ઇજાના નિશાન અને મોઢે વાગેલું હતું તેથી હત્યાનું જણાયુંમહિલાના શરીર પર ઇજાના નિશાન અને મોઢે વાગેલું હતું જેથી તેમની હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. મોડી રાત્રે કોઈ અજાણી વ્યક્તિ દ્વારા ઘરમાં મહિલાની હત્યા કરી અને લૂંટ કરી હતી. સરદાર નગર પોલીસ દ્વારા આ સમગ્ર મામલે હાલ વધુ તપાસ કરવામાં આવી રહી છે.
નવસારી જિલ્લાના ચીખલી હાઈવે પર રોડ રેજની ઘટના સામે આવી છે. ટેમ્પો ઝડપથી ચલાવવા બાબતે થયેલી બોલાચાલી બાદ બાઈક સવારે પોતાના મિત્રોને બોલાવી ટેમ્પો ચાલક પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ મોબાઈલ લૂંટવાનો પણ પ્રયાસ કર્યો હતો. ઈજાગ્રસ્ત ટેમ્પો ચાલકને સારવાર માટે વલસાડની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે અને પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટના ચીખલી તાલુકાના હાઈવે પર બની હતી. ડાંગનો એક ટેમ્પો ચાલક પોતાનું વાહન લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે એક બાઈક સવારે તેને રોક્યો હતો. બાઈક સવારે ટેમ્પો ચાલકને 'તું ટેમ્પો કેમ આટલી સ્પીડમાં ચલાવે છે?' તેમ કહીને બોલાચાલી શરૂ કરી હતી. વાત માત્ર બોલાચાલી પૂરતી સીમિત ન રહેતા, બાઈક સવારે ફોન કરીને તેના અન્ય મિત્રોને ઘટનાસ્થળે બોલાવી લીધા હતા. સ્થાનિક યુવાનોના ટોળાએ ટેમ્પો ચાલક સાથે ઉગ્ર દલીલો કરી હતી. જોતજોતામાં ટોળાએ ટેમ્પો ચાલક પર લાકડાના ફટકા અને ઢીકાપાટુ વડે હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ટેમ્પો ચાલક પાસેથી તેનો મોબાઈલ ફોન પણ ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલામાં ચાલકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને પગલે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ભોગ બનનાર ટેમ્પો ચાલકે જણાવ્યું હતું કે, મેં ગાડી સાઈડમાં ઊભી રાખી તો પણ તેઓએ ગાળાગાળી શરૂ કરી અને 5-6 જણાએ ભેગા મળીને મને માર માર્યો. ઘટનાની જાણ થતા જ ચીખલી પોલીસ ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી હતી. ટેમ્પો ચાલકની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા અને ઓળખાયેલા શખ્સો વિરુદ્ધ રાયોટિંગ અને મારામારીની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે હુમલાખોરોને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે દિન પ્રતિદિન જાહેરમાં મારામારીના બનાવો વધી રહ્યા છે. લાકડીઓ, દંડા અને તલવાર જેવા ઘાતક હથિયારો પર પ્રતિબંધ હોવા છતાં પણ જાહેર રોડ ઉપર મારામારીના બનાવો ઘટી રહ્યા નથી. જેની વચ્ચે ગઈકાલે(3 માર્ચ) રાત્રે અમદાવાદના નોબલનગર વિસ્તારમાં ધ્રુજારી કંપાવી દે એવી ઘટના સામે આવી છે. ચાર શખ્સો લાકડીઓ વડે મહિલા અને પુરુષ ઉપર તૂટી પડ્યા હતા. બાઈકો ઉપર આવેલા ચાર જેટલા શખ્સો દ્વારા લાકડીઓ વડે એક વ્યક્તિને માર મારવામાં આવી રહ્યો હતો જેને બચાવવા માટે બે મહિલાઓ વચ્ચે આવી હતી. મહિલા યુવકને બચાવી રહી હતી છતાં પણ ચારેય યુવકો દ્વારા બેફામ લાકડીઓ વરસાવવામાં આવી હતી. નિર્દયી રીતે અમદાવાદ શહેર પોલીસનો સહેજ પણ ડર ન હોય તેમ મહિલા અને પુરુષ ઉપર લાકડીઓ વડે મારામારી કરતો હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. એટલી ખરાબ રીતે મહિલાને માર મારવામાં આવ્યો હતો કે તેનો હાથ સુજી ગયો હતો. લોકોના ટોળા ભેગા થઈ જતા ચારે લોકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ પોલીસને થતા સરદારનગર અને એરપોર્ટ બંને પોલીસ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. બાઇક પર આવેલા ચાર શખ્સો લાકડીઓ લઈ તૂટી પડ્યાસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 3 માર્ચના રોજ રાત્રે 11થી 11:30ની આસપાસ શહેરના નોબલનગર ટર્નિંગ પાસે મહિલા અને પુરુષ ઉપર બેફામ રીતે ચાર લોકો લાકડીઓ વડે તૂટી પડ્યા હતા. બાઇક પર આવેલા ચાર જેટલા શખ્સો દ્વારા યુવકને માર મારવામાં આવી રહ્યો હતો. જેને બચાવવા માટે મહિલા વચ્ચે પડી હતી છતાં પણ ચારેય લોકો લાકડીઓ વડે માર મારી રહ્યા હતા. લોકોના ટોળેટોળા ભેગા થઈ જતા ચારે શખ્સ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જે મહિલા અને પુરુષને માર મારવામાં આવ્યો હતો તેમને અંગત અદાવતમાં પોલીસ સ્ટેશન જતા હતા ત્યારે માર મારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ‘અમે પોલીસ ચોકીમાં જ જઈશું અને ભલે ત્યાં મરી જઈએ’મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. બીજા વીડિયોમાં પણ મહિલાના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એરપોર્ટ અને સરદારનગર પોલીસ ઘટનાસ્થળ ઉપર પહોંચે ત્યારે પીડિત પરિવારજનો કહી રહ્યા છે કે કેવી રીતે માર માર્યો છે. અમે પોલીસ ચોકીમાં જ જઈશું અને ભલે ત્યાં મરી જઈએ પણ અમારે પોલીસ ચોકી જવું છે એવું કહેવા લાગ્યા હતા. મહિલાઓ પણ ખૂબ રડવા લાગી હતી અને અમને કેવો માર માર્યો છે જુઓ એમ કહીને જે ગંભીર રીતે મારામારી થઈ હતી તેના નિશાન બતાવ્યા હતા. પોલીસના નાઇટ પેટ્રોલિંગના દાવા વચ્ચે રાત્રે જાહેર રોડ પર ગુંડાગર્દીથોડા દિવસો પહેલા પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા અમદાવાદમાં ગુનાખોરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાની વાત કરવામાં આવી હતી, પરંતુ હકીકત કંઈક અલગ જ જોવા મળી છે. શહેરમાં ગુનેગારોને જાણે કોઈ ડર ન હોય તેવી સ્થિતિ જોવા મળી છે. કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ સારી હોવાની વાત કરવામાં આવી હતી. જોકે શહેરમાં જાહેર રોડ ઉપર લાકડી અને ડંડા વડે મારામારીના બનાવો સતત વધી રહ્યા છે. શહેર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને નાઈટ પેટ્રોલીંગના દાવા કરવામાં આવે છે, પરંતુ રાત્રિના સમયે પોલીસ રોડ ઉપર જો ફરતી હોય તો આવા બનાવો બને નહીં. પોલીસનો ગુનેગારોમાં ડર રહ્યો નથીશહેરમાં પોલીસ કમિશનર દ્વારા જાહેરનામા બહાર પાડવામાં આવે છે, પરંતુ કોઈ પણ પ્રકારના જાહેરનામાનું અમલીકરણ થતું નથી. લાકડી અને ડંડા જેવા હથિયારો લઇને લોકો બેફામ ફરતા હોય છે. શહેરમાં પીસીબી, ક્રાઈમ બ્રાન્ચ, ઝોન એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમો હોવા છતાં પણ કાયદો-વ્યવસ્થા ખૂબ જ ખરાબ છે. પોલીસનો ગુનેગારોમાં ડર રહ્યો નથી. 2 દિવસ પહેલાં શાહપુરમાં દારૂના અડ્ડા પર જનતા રેડછેલ્લા કેટલાય સમયથી અમદાવાદ શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓની સાથે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. દારૂના અડ્ડાઓ ઉપર જનતા રેડ કરી રહી છે. શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ચાલતા દારૂના અડ્ડાઓને લઈને પોલીસ ખૂબ જ નિષ્ક્રિયતા દાખવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે શાહપુર વિસ્તારમાં પણ બે દિવસ પહેલા લોકોએ દરોડો પાડ્યો હતો અને ત્યારે દારૂ વેચાતો હોવા અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો હતો. તહેવારોમાં ફૂટ-નાઇટ પેટ્રોલિંગના દાવા પોકળકાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ બુટલેગરો દ્વારા પોલીસકર્મી પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ કમિશનર દ્વારા તાજેતરમાં જ પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી કરવામાં આવી હતી ત્યારે કેટલાક પોલીસ ઇન્સ્પેક્ટરે તો પોલીસ સ્ટેશનનો ચાર્જ લીધો નથી તો કેટલાક પોલીસ કર્મચારીઓ રજા ઉપર ઉતરી ગયા છે. તહેવારોના સમયમાં ફૂટ પેટ્રોલિંગ અને સઘન પેટ્રોલિંગના દાવાની વચ્ચે જાહેરમાં મારામારીનો બનાવ બનતા પોલીસની નિષ્ફળતા જોવા મળી છે. જાહેરમાં મારામારી અને પોલીસની હદ વિવાદની હૈયાહોળીઘટના મામલે સરદારનગર પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ એન. બી. કલાસરિયાને દિવ્ય ભાસ્કરએ પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ ઘટના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે જેથી એરપોર્ટ પોલીસમાં નોંધ કરવામાં આવી રહી છે જ્યારે એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ એન.ડી.નકુમને પૂછ્યું તો તેમણે જણાવ્યું હતું કે ઘટનાસ્થળની હદ નક્કી કરવામાં આવી રહી છે જે જગ્યા ઉપર મારામારી થઈ છે તે જગ્યા હજી વેરીફાઈ કરવાની બાકી છે જેથી સરદારનગર પોલીસને પણ અમે કહ્યું છે. જાહેર રોડ ઉપર બેફામ પણે મહિલા અને પુરુષને માર મારવાની ઘટનામાં એરપોર્ટ અને સરદારનગર પોલીસ હદના વિવાદમાં હજી સુધી ફરિયાદ નોંધી નથી.
ગોધરા સિવિલમાં 24 કલાકમાં 35 મારામારીના કેસ:હોળી પૂર્વે ઇમરજન્સી વોર્ડ ઇજાગ્રસ્તોથી ઉભરાયો
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં હોળીના તહેવાર પૂર્વે હિંસાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં ગોધરા સિવિલ હોસ્પિટલમાં મારામારીના કુલ 35 કેસ નોંધાયા છે, જેના કારણે ઇમરજન્સી વોર્ડ ઇજાગ્રસ્તોથી ઉભરાઈ ગયો હતો. આ ઘટનાઓ પાછળ જૂની અદાવત, પારિવારિક ઝઘડા અને નાની બાબતોમાં થયેલી અથડામણો મુખ્ય કારણભૂત હોવાનું સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલના સૂત્રો અનુસાર, આ 35 કેસ ગોધરા શહેર તેમજ પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવ્યા છે. એકસાથે મોટી સંખ્યામાં ઇજાગ્રસ્તો દાખલ થતાં હોસ્પિટલના મેડિકલ સ્ટાફ પર કાર્યભાર વધ્યો હતો. તેમ છતાં, તમામ દર્દીઓને તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. ગોધરા સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉ. યુ.કે. વર્માએ જણાવ્યું કે, સામાન્ય ઇજાગ્રસ્તોને સારવાર આપી રજા આપવામાં આવી છે, જ્યારે ગંભીર ઇજાગ્રસ્તોને દાખલ કરીને સારવાર અપાઈ રહી છે. હોસ્પિટલ ચોકી દ્વારા આ તમામ કેસોની નોંધણી કરીને સંબંધિત પોલીસ સ્ટેશનોને જાણ કરવામાં આવી છે. તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ વિભાગ દ્વારા શાંતિ જાળવવા અને નશાબંધીના કડક અમલ માટે ઠેર-ઠેર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.
મહિસાગર જિલ્લાના લુણાવાડાના કંતાર ગામે બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, કંતાર ગામના રહેવાસી શૈલેષભાઈ ખાટ પોતાની બાઇક લઈને ઘરે જઈ રહ્યા હતા. ત્યારે તેમની બાઇક અને અન્ય એક બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં શૈલેષભાઈને મોઢા અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત શૈલેષભાઈને તાત્કાલિક લુણાવાડાની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ઇજાઓની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, તેમને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે યુવકના પગમાં ફ્રેક્ચર થયું છે. હાલમાં શૈલેષભાઈ ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના નગડલા ગામે એક યુવાનનું ટ્રેક્ટરના રોટાવેટરમાં ફસાઈ જવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. આ દુર્ઘટનામાં ભુપતભાઈ મેરના પુત્ર દીપાનું અવસાન થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, છાછર ગામે એક ખેડૂતના ખેતરમાં ટ્રેક્ટર સાથે રોટાવેટર ચલાવતી વખતે દીપા અચાનક મશીનમાં ફસાઈ ગયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે યુવકને જીવલેણ ઈજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં દીપાનો જીવ જતો રહ્યો હતો. ગ્રામજનોના જણાવ્યા મુજબ, આ ઘટના એટલી ઝડપથી બની કે કોઈને કંઈ સમજવાનો મોકો મળ્યો ન હતો. આ દુર્ઘટનાથી દીપાના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવારજનો અને સગાસંબંધીઓમાં ગમગીની વ્યાપી ગઈ છે. સમગ્ર નગડલા અને આસપાસના વિસ્તારોમાં પણ શોકની લાગણી ફેલાઈ છે. સ્થાનિક લોકોએ પરિવારને સાંત્વના પાઠવી છે અને આ દુઃખની ઘડીમાં તેમની સાથે ઊભા રહ્યા છે. ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા, તાત્કાલિક પોલીસ દળ સ્થળ પર પહોંચી ગયું હતું. પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે અને અકસ્માતની સંપૂર્ણ હકીકત જાણવા માટે વધુ કાર્યવાહી શરૂ કરી છે.
ખાડીના દેશો યુદ્ધની ઝપેટમાં! ભારત પર સંભવિત તેલ સંકટ આવશે તો સૌથી જૂનો મિત્ર દેશ મદદ માટે તૈયાર
US Israel Iran War: ઈરાન પર અમેરિકા અને ઈરાઝરાયલના હુમલા બાદ ઈરાનની જવાબી કાર્યવાહીથી ખાડીના દેશો યુદ્ધની આગમાં ભડકે બળી રહ્યા છે. ભારત પાસે માત્ર 50 દિવસ સુધી ચાલે તેટલો જ કાચા તેલ અને પેટ્રોલિયમનો જથ્થો ઉપલબ્ધ છે. જો યુદ્ધ લાંબુ ચાલે તો ભારતને ક્રૂડ સંકટનો સામનો કરવો પડી શકે તેમ છે. તેવામાં સૌથી જૂનો દોસ્ત દેશ રશિયા ભારતની પડખે આવ્યો છે. રશિયાએ કહ્યું, ભારતની મદદ માટે તૈયાર
યુદ્ધ વચ્ચે ઈરાને અમેરિકા-ઈઝરાયલને આપ્યો ઝટકો, ખામેનેઈના મોત બાદ નવા સુપ્રીમ લીડર પસંદગી
વાઈરલ તસવીર US Israel Iran War: અમેરિકા-ઈઝરાયેલના હવાઈ હુમલાઓ અને આયતુલ્લા અલી ખામેનેઈના મોત વચ્ચે ઈરાનની સૌથી શક્તિશાળી સંસ્થા ‘એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ’ એ ખામેનેઈ પુત્ર મોજતબા ખામેનેઈને નવા સુપ્રીમ લીડર તરીકે ચૂંટી કાઢ્યા છે. આ નિર્ણય ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC) એટલે કે રિવોલ્યુશનરી ગાર્ડ્સના દબાણ હેઠળ લેવામાં આવ્યો હોવાનો દાવો છે.
ગુજરાત સહિત દેશભરમાં આજે એટલે કે 4 માર્ચ 2026ના રોજ ધુળેટીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. દરેક તહેવારને હોંશે હોશેં ઉજવતા ગુજ્જુઓ આ તહેવારને પણ પોતાની આગવી સ્ટાઈલથી ઉજવશે. ગુજરાતના શહેરોમાં ધૂળેટીના દિવસે હોળી પાર્ટીઓનો રંગ જામશે. હોળી પાર્ટી માટે દેશ-વિદેશના DJ ગુજરાતના મહેમાન બનશે અને આ પાર્ટીમાં હોળી રમવા માટે રંગરસિયાઓ 50 હજાર સુધી ખર્ચી નાખશે. અહીં પ્રાઇવેટ પૂલ, ઓર્ગેનિક કલર, વોટર ટેન્કર, રેઈન ડાન્સ, કલર શોર્ટસ, વોટર ડ્રમ્સ અને વોટર બલૂન્સ સાથે રંગોની છોળો ઉડશે. તો કેટલીક હાઇફાઇ પાર્ટીમાં તો ગુજ્જુઓ ધૂળેટીમાં બેલી ડાન્સર્સ સાથે ભીંજાશે. આવો જાણીએ અમદાવાદ-સુરત-વડોદરાના ટોપ પાર્ટી વેન્યૂ અને પાસની કિંમત વિશે…
ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બાંધકામ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ નિર્ણયમાં બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)એ નવેમ્બર 2025માં જાહેર કરાયેલ સુધારેલ IS 1893 (ભાગ 1): 2025 – ડિઝાઇન અર્થક્વેક હેઝર્ડ એન્ડ ક્રાઇટેરિયા ફોર અર્થક્વેક રેઝિસ્ટન્ટ ડિઝાઇન ઑફ સ્ટ્રક્ચર્સ અંગેની ગેઝેટ સૂચના સત્તાવાર રીતે પરત ખેંચી છે. 3 માર્ચ, 2026ના રોજ જાહેર કરાયેલ નવી સૂચના અનુસાર, 6 નવેમ્બર, 2025ની (પ્રકાશન તારીખ 13 નવેમ્બર, 2025)અગાઉની ગેઝેટ સૂચના તાત્કાલિક અસરથી રદ્દ કરવામાં આવી છે. સુધારેલ સિસ્મિક કોડના અમલ પહેલાં ફરીથી સમીક્ષા થશેમૂળ 2025ની સૂચનામાં IS 1893(ભાગ 1):2025 અમલમાં મુકવાનો ઉલ્લેખ હતો અને અગાઉ અમલમાં રહેલ IS 1893(ભાગ 1): 2016ને 3મે, 2026થી રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ટેક્નિકલ અને આર્થિક અસર અંગે ઊંચા સ્તરે ઉઠેલા પ્રશ્નો છે કે, ખાસ કરીને મેટ્રો રેલ, મોટા પુલો અને બિલ્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર પડતા અસરને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે સુધારેલ સિસ્મિક કોડના અમલ પહેલાં ફરીથી સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે. IS 1893 (ભાગ 1): 2016 હાલ યથાવત અમલમાં રહેનવેમ્બર 2025ની સૂચના પરત ખેંચાતા IS 1893 (ભાગ 1): 2016 હાલ યથાવત અમલમાં રહેશે. 2025નું સુધારેલ વર્ઝન હવે વધુ ચર્ચા અને પરામર્શ બાદ જ આગળ વધશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર મંત્રાલયો, મોટા બિલ્ડિંગ પ્રોજેક્ટ્સ, પુલો અને મેટ્રો રેલ સંસ્થાઓ સાથે વ્યાપક સમીક્ષા થવાની સંભાવના છે વિશેષજ્ઞોનું માનવું છે કે સરકાર સ્ટેકહોલ્ડર્સ સાથે વ્યાપક ચર્ચા કર્યા બાદ જરૂરી ફેરફારો સાથે સુધારેલ કોડ ફરીથી જાહેર કરી શકે છે. ગુજરાત પર શું અસર?ગુજરાત જેવા રાજ્યોમાં, જ્યાં મોટા પાયે શહેરી વિકાસ, હાઈ-રાઈઝ બિલ્ડિંગ, બ્રિજ અને મેટ્રો પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, ત્યાં સિસ્મિક કોડમાં મોટા ફેરફારોથી સ્ટ્રક્ચરલ ડિઝાઇન ફોર્સમાં વધારો, રીનફોર્સમેન્ટ અને ફાઉન્ડેશન સાઇઝમાં વધારો, પ્રોજેક્ટ ખર્ચમાં વધારો અને ચાલુ DPR અને ટેન્ડર પર પુનઃવિચાર કરવાની જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકતી હતી, જે હાલ પૂરતી નહીં થાય. ટેક્નિકલ ચર્ચા અને સમીક્ષા બાદ નવી સૂચના આવી શકેહાલ માટે, ડિઝાઇનર્સ, કન્સલ્ટન્ટ્સ અને કોન્ટ્રાક્ટર્સ IS 1893:2016 મુજબ જ ડિઝાઇન કામગીરી ચાલુ રાખશે. આગામી મહિનાઓમાં BIS, વિવિધ મંત્રાલયો, સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ સંસ્થાઓ અને પ્રોજેક્ટ ઓથોરિટીઝ વચ્ચે ટેક્નિકલ ચર્ચા અને સમીક્ષા થવાની શક્યતા છે. ત્યારબાદ જ નવી સૂચના બહાર પાડવામાં આવી શકે છે. 'સ્ટ્રક્ચરલ ડિઝાઇન અને ખર્ચ પર અસર પડે'સ્ટ્રક્ચરલ નિષ્ણાત આનંદ શાહે જણાવ્યું હતું કે, ભૂકંપ પ્રતિકારક ડિઝાઇન માટે IS 1893 જેવા કોડમાં સમયાંતરે સુધારા કરવું જરૂરી છે, કારણ કે નવી સિસ્મિક માહિતી અને સંશોધન મુજબ ડિઝાઇન પેરામીટર્સ બદલાતા રહે છે. જો ઝોન ફેક્ટર અને ડિઝાઇન ફોર્સમાં વધારો થાય તો બિલ્ડિંગ, પુલ અને મેટ્રો જેવી મોટી રચનાઓના સ્ટ્રક્ચરલ ડિઝાઇન અને ખર્ચ પર અસર પડે છે. તેથી આવા ફેરફારો અમલમાં મૂકતા પહેલાં વિસ્તૃત ચર્ચા અને તબક્કાવાર અમલ જરૂરી છે. સલામતીને પ્રાથમિકતા આપતાં સાથે પ્રોજેક્ટની આર્થિક અને ટેક્નિકલ બાબતો/ વ્યવહારિકતા જાળવવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે.
સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં આજે ઉમરવાડા ખાતે આવેલા ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન પર કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા ડ્રાઈવરોએ એકાએક વિરોધ પ્રદર્શન અને હોબાળો શરૂ કર્યો હતો. પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે એક તબક્કે સ્થાનિક કર્મચારીઓમાં ફાળ પડી હતી, જોકે ઉચ્ચ અધિકારીઓની મધ્યસ્થી બાદ મામલો થાળે પડ્યો હતો. ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી વિવાદોમાં!મળતી માહિતી અનુસાર, વરાછા ઝોનમાં ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં હતી. સ્થાનિક રહીશો દ્વારા વારંવાર ફરિયાદો કરવામાં આવી રહી હતી કે કચરો લેવા આવતા ટેમ્પોના ડ્રાઈવરો અનિયમિત છે અને કામગીરીમાં ભારે બેદરકારી દાખવી રહ્યા છે. ડ્રાઈવરોની મનમાની અને લાલિયાવાડીને કારણે સફાઈ અભિયાન પર માઠી અસર પડી રહી હતી. ડ્રાઈવરોને નોકરી પરથી તાત્કાલિક અસરથી છૂટા કરાતા હોબાળોઆ ફરિયાદોને ગંભીરતાથી લઈને સંબંધિત કોન્ટ્રાક્ટર દ્વારા શિસ્તભંગના પગલાં ભરવામાં આવ્યા હતા. જે ડ્રાઈવરો વારંવાર સૂચના આપવા છતાં સુધર્યા ન હતા, તેવા લાપરવાહ ડ્રાઈવરોને નોકરી પરથી તાત્કાલિક અસરથી છૂટા કરી દેવામાં આવ્યા હતા અને તેમના સ્થાને નવા ડ્રાઈવરોની નિમણૂક કરવામાં આવી હતી. પોતાની નોકરી જતી રહેતા રોષે ભરાયેલા જૂના ડ્રાઈવરોએ આજે સવારે ઉમરવાડા પ્લાન્ટ પર મોરચો માંડ્યો હતો. ડ્રાઈવરોએ સૂત્રોચ્ચાર કરીને કામગીરી અટકાવવાનો પ્રયાસ કર્યોઆજે સવારે જ્યારે કચરાના ટેમ્પો ખાલી કરવા અને નવા રૂટ પર નીકળવાની પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે જ છૂટા કરાયેલા ડ્રાઈવરોએ પ્લાન્ટના પ્રવેશદ્વાર પાસે હોબાળો મચાવ્યો હતો. વિરોધ કરી રહેલા ડ્રાઈવરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને કામગીરી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ આકસ્મિક વિરોધને કારણે પ્લાન્ટમાં ફરજ બજાવતા સેનેટરી ઈન્સ્પેક્ટર અને અન્ય નાના કર્મચારીઓ ગભરાઈ ગયા હતા અને વાતાવરણમાં ભારે ગરમાટો આવી ગયો હતો. અધિકારીઓની મધ્યસ્થી બાદ મામલો થાળે પડ્યોઘટનાની જાણ થતા જ વરાછા ઝોનના ઉચ્ચ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કલાકોની જહેમત અને સમજાવટ બાદ આખરે મામલો શાંત પડ્યો હતો. અધિકારીઓએ મોરચો સંભાળીને વિરોધ કરી રહેલા ટોળાને વિખેર્યું હતું અને ફરી એકવાર ગાર્બેજ કલેકશનની કામગીરી પૂર્વવત કરી હતી. મામલો થાળે પડતા પ્લાન્ટના કર્મચારીઓએ હાશકારો અનુભવ્યો હતો.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના મંગળવારના એપિસોડમાં તમે જાણ્યું કે કામિનીને દાઝી ગયેલી હાલતમાં હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યાં તેની સારવાર ચાલુ હતી. 14મી ફેબ્રુઆરીએ જ્યારે દુનિયા વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી રહી હતી ત્યારે કામિનીનું મોત નિપજ્યું હતું. પોતાના મરણોન્મુખ નિવેદનમાં કામિનીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. આ ચોંકાવનારો ખુલાસો શું હતો તે જાણો ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના આજના એપિસોડમાં. પ્રેમના દિવસે આ દુનિયા છોડનારી કામિનીના મોત પાછળ પણ પ્રેમ જ જવાબદાર હતો. કામિનીને જીગ્નેશ રાજપૂત નામના એક યુવાન સાથે પ્રેમ થઇ ગયો હતો. બન્નેએ એકબીજાને 7 જન્મો સુધી સાથ આપવાના કોલ આપ્યા હતા. જીજ્ઞેશની આંખોમાં ત્યારે પ્રેમ હતો અને કામિનીના સપનામાં એક સુખી સંસાર. અંદાજે બારેક વર્ષ પહેલાં બન્નેએ પોતાના પ્રેમને સામાજિક ઓળખ આપવાનું નક્કી કર્યું અને દુનિયા શું કહેશે તેની ચિંતા કર્યા વગર પ્રેમ લગ્ન કરી લીધા. પ્રેમ જૂનો હતો પણ લગ્ન તો નવા-નવા હતા ને? બન્નેએ સુખ-શાંતિ ભરેલા લગ્નજીવનની કલ્પના કરી હતી. લગ્નજીવનથી કામિની અને જીગ્નેશને ત્યાં 2 બાળકીઓનો જન્મ પણ થયો હતો. શરૂઆતમાં તો બધું સરખું રહ્યું પણ જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ પરિસ્થિતિ બદલાવા લાગી. નાનું-મોટું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવનારા જીગ્નેશને દારૂની લત લાગી ગઇ. હવે તેને કામ મળતું પણ બંધ થઇ ગયું અને તે બેકાર રહેવા લાગ્યો હતો. ઘણીવાર કામિની પાસેથી પૈસા લઇને દારૂ પીતો હતો. જ્યારે કામિની પાસે પૈસા ન હોય ત્યારે જીગ્નેશ તેની સાથે ઝઘડો કરતો. ધીરે-ધીરે આ વાત ફક્ત ઝઘડા પૂરતી સિમિત ન રહી. હવે શાબ્દિક પ્રહારે શારીરિક પ્રહારનું રૂપ લઇ લીધું હતું. વર્ષો પહેલાંનો પ્રેમ ભૂલાઇ ગયો હતો અને દારૂ પીવાની લ્હાયમાં જીગ્નેશ કામિની પર હાથ ઉગામવા લાગ્યો હતો. બે બાળકીઓની સામે જ કામિની મારઝૂડનો ભોગ બનતી રહી. માસૂમ દીકરીઓ ખૂણામાં ભરાઇને પોતાની માને માર ખાતી જોતી રહેતી અને રડતી રહેતી. એક દિવસ કામિનીના ધૈર્યએ જવાબ દઇ દીધો. રોજ-રોજના ઝઘડા અને મારકૂટથી કંટાળીને કામિની બન્ને બાળકીઓને સાથે લઇને પોતાના પિયરમાં રહેવા જતી રહી હતી. કામિનીને મનમાં હતું કે પિયરમાં રહેવા આવી જવાથી જીગ્નેશ તેને હેરાન નહીં કરે પણ તેની આ ધારણા ખોટી પડી. જીગ્નેશ ઘણીવાર કામિનીના ઘરે જઇને તેની સાથે બોલાચાલી કરતો. પિયરમાં રહેતી કામિની પોતાના પરિવાર પર બોજ બનવા નહોતી માંગતી. તેણે પોતાની સહેલીઓને કહીને નોકરી શોધવાનું શરૂ કર્યું હતું. જાણે કે નસીબ પણ તેને સાથ આપતું હોય તેમ કામિનીને સફળતા મળી. કામિનીને ઉમરગામ જીઆઇડીસીમાં આવેલી એક કંપનીમાં નોકરી મળી ગઇ. હવે તે કમાવા લાગી હતી. ઘરમાં આવક થતાં તે ખુશ હતી. સવારે 8:30 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી નોકરી કરતી અને સાંજે ઘરે પરત ફરીને ઘરકામમાં પણ મદદ કરતી. કામિનીને આનંદ હતો કે તે હવે સ્વતંત્ર છે પણ જીજ્ઞેશ તેનો પીછો છોડવા તૈયાર નહોતો. તે ઘણીવાર રસ્તામાં ઊભો રહી જતો, ઝઘડા કરતો અને પૈસા માંગતો. ક્યારેક તો તે કામિનીની કંપનીએ જઇને તેની સાથે ઝઘડો કરતો. આમને આમ દિવસો વિતતા જતા હતા પણ એક દિવસ એવો આવવાનો હતો જે કામિનીના શાંત અને સુખી જીવનમાં તોફાન લાવવાનો હતો. કોઇએ કલ્પના પણ ન કરી હોય તેવી ઘટના એ દિવસે બનવાની હતી. આ દિવસ પછી કામિનીનું જીવન હંમેશને માટે બદલાઇ જવાનું હતું. તારીખઃ 25 ઓક્ટોબર,2021 કામિની ઉઠીને દરરોજની જેમ આજેપણ તૈયાર થઇ રહી હતી. તૈયાર થતી વખતે તેણે પોતાની મનપસંદ સફેદ કલરની કુર્તી, પોપટી કલરની લેગીસ, બ્લુ-કેસરી-મરૂન અને લીલા કલરના પટ્ટાવાળો દુપટ્ટો અને આછા ગુલાબી રંગના ચપ્પલ પહેર્યાં હતા. તેની કુર્તી પર દિલની જુદી-જુદી ડિઝાઇન હતી. આ ડિઝાઇન જાણે કે એ વાતનો સંકેત આપતી હતી કે આજે આ દિલ પર જ ઘા થવાનો છે. સવારે આઠેક વાગ્યા આસપાસ કામિની તૈયાર થઇને કંપનીમાં તેની સાથે કામ કરતી 2 સહેલીઓ નિકીતા અને દિવ્યા સાથે નોકરી પર જવા નીકળી હતી. ઉમરગામ ટાઉન કન્યાશાળાની સામે આવેલા રસ્તા પર માછી મંદિરની ગલી પાસે ત્રણેય સહેલીઓ ઊભી રહી ગઇ અને કંપનીમાં જવા માટે રિક્ષાની રાહ જોવા લાગી. હજુ તેમને રિક્ષા નહોતી મળી. આવામાં એક અજુગતી ઘટના બની. ગ્રે કલરના ટી-શર્ટ અને બર્મુડામાં જીજ્ઞેશ ત્યાં ધસી આવ્યો. તેની આંખો લાલચોળ હતી. તેણે કામિની પાસે આવીને રૂપિયાની માગણી કરી. જીજ્ઞેશે જોરથી કહ્યું, મને 300 રૂપિયા આપ.કામિનીએ હિંમત ભેગી કરીને કહ્યું, મારી પાસે પૈસા નથી જીજ્ઞેશ, તું અહીંથી જતો રહે. આ જવાબ પછી જીજ્ઞેશ ઉશ્કેરાઇ ગયો. તે કામિનીને ધમકાવવા લાગ્યો પણ આ વખતનો ઝઘડો જુદો હતો. જીજ્ઞેશના મનમાં કંઇક પ્લાન પહેલેથી બનેલો હતો. તે પોતાની સાથે લીલા કલરની પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ લાવ્યો હતો. કામિની સાથેનો ઝઘડો વધી જતાં તેણે બોટલનું સફેદ કલરનું ઢાંકણું ખોલીને તેમાં રહેલું પેટ્રોલ કામિનીના માથા પર રેડી દીધું. કામિની અને તેની 2 સહેલીઓને કંઇ ખબર જ ન પડી કે પળવારમાં શું બની ગયું પણ પેટ્રોલની તીવ્ર વાસે એટલું તો સ્પષ્ટ કરી દીધું કે જીજ્ઞેશના ઇરાદા ખતરનાક હતા. કામિની પર પેટ્રોલ રેડ્યા બાદ જીજ્ઞેશે પોતાની પાસે રહેલું પીળા કલરનું લાઇટર કાઢ્યું. લાઇટરમાં અડધો ગેસ ભરેલો હતો. ટિક....એવા અવાજ સાથે જીજ્ઞેશે લાઇટર ચાલુ કર્યું. આગની જ્વાળા પ્રગટી પણ પવને તેને ઓલવી નાખી. જીજ્ઞેશે બીજો પ્રયાસ કર્યો. ફરી લાઇટર સળગ્યું પણ ફરી જ્વાળા ઓલવાઇ ગઇ. જાણે કુદરત જીજ્ઞેશને કહી રહી હતી કે હજુ પણ રોકાઇ જા, આવું પાપ ન કર. લાઇટરની જ્વાળા ઓલવાઇ ગઇ એટલે જીજ્ઞેશના મનમાં ગુસ્સો વધી ગયો. હવે કામિનીને પતિના ઇરાદાની ખબર પડી ગઇ હતી. તે જાણી ગઇ હતી કે જીજ્ઞેશ તેને સળગાવવાની કોશિષ કરી રહ્યો છે એટલે તેણે ત્યાંથી ભાગવાનું નક્કી કર્યું. 25-30 સેકન્ડના સમયમાં જ આખો ઘટનાક્રમ બની ગયો. કામિનીએ જીજ્ઞેશને ધક્કો માર્યો અને ત્યાંથી ભાગી. જીજ્ઞેશ તેની પાછળ દોડ્યો. કામિની હજુ તો માંડ 10 ડગલાં ભાગી હશે ત્યાં જીજ્ઞેશે તેને પકડી લીધી અને લાઇટરથી આગ ચાંપી દીધી. એક તો કામિનીના શરીર પર પેટ્રોલ ઢોળાયેલું હતું અને આગની જ્વાળા અડી જતાં તે રસ્તા પર જ ભડભડ સળગી ઉઠી. તેના મોઢામાંથી બચાવો... બચાવો...ની બૂમ નીકળવા લાગી. ક્ષણવારમાં કામિનીની સફેદ કુર્તી પરના દિલ આગની જ્વાળાઓમાં ફેરવાઇ ગયા. કામિનીની 2 સહેલીઓ નિકીતા અને દિવ્યા આ દૃશ્ય જોઇને સ્તબ્ધ બની ગઇ. નિકીતા પાસે પાણીની 1 લીટરની સફેદ કલરની બોટલ હતી. તેણે તરત જ બોટલનું ઢાંકણું ખોલ્યું અને સળગી રહેલી કામિની પર ધ્રૂજતા હાથે પાણી રેડી દીધું. એક લીટર પેટ્રોલથી લાગેલી આગ એક લીટર પાણીથી ક્યાં બુજાવાની હતી? કામિની સળગતી રહી. તેની કુર્તી અને લેગીસ અડધા બળી ગયા. તે તડપતી રહી. તેની આસપાસ 4 ફૂટના ઘેરાવામાં બધું બળવા લાગ્યું હતું. કામિનીના વાળ, માથામાં પહેરેલું બક્કલ સળગી ગયા અને નીચે જમીન પર પડ્યા. જાહેર રસ્તા પર એક સ્ત્રીને સળગતી જોઇ ચારેકોર હોહા મચી ગઇ. એટલી વારમાં કામિનીના સાસુ સુનિતાબેન પણ ત્યાં દોડીને આવી ગયા. બધાએ સાથે મળીને આગ ઓલવવાની કોશિષ કરી. થોડીવારમાં આગ તો ઓલવાઇ ગઇ પણ કામિનીનું શરીર 42 થી 45% જેટલું બળી ગયું હતું. તાત્કાલીક 108 એમ્બ્યુલન્સને જાણ કરાઇ. એમ્બ્યુલન્સ પહોંચી અને કામિનીને સૌથી પહેલાં મમતા હોસ્પિટલ લઇ ગઇ. આમ કામિનીએ જેના પ્રેમ માટે દુનિયા સામે બાથ ભીડી હતી તે જ પતિએ તેને જીવતી સળગાવી દીધી. દમણની મરવડ હોસ્પિટલમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને આપેલા મરણોન્મુખ નિવેદનમાં કામિનીએ પોતાના પતિનું નામ આપ્યું હતું. આ નિવેદન જ જીજ્ઞેશને જેલમાં પહોંચાડવા માટે પૂરતું હતું. આ કેસમાં પોલીસે કામિનીના પતિ સામે હત્યા, હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. કોર્ટે કામિનીના પતિને દોષિત જાહેર કરીને આજીવન કેદની સજા ફટકારી છે. હાલ જીજ્ઞેશ જેલના સળિયા પાછળ ધકેલાઇ ગયો છે. નોકરીએ જતી પત્ની પર પતિએ પેટ્રોલ રેડ્યું, વાંચો પાર્ટ-1
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે ભારત પાસે હવે માત્ર 25 દિવસનું ક્રૂડ ઓઈલ બચ્યું હોવા અંગેના રહ્યા. જ્યારે બીજા સમાચાર ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીને મશહદમાં દફનાવવામાં આવશે એ અંગેના રહ્યા, જો કે હજુ એની તારીખ કે સમય હજુ નક્કી નથી. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. દેશભરમાં આજે હોળીનો તહેવાર મનાવવામાં આવશે. 2. વર્લ્ડ કપ 2026ની પ્રથમ સેમીફાઈનલ દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. કાલના મોટા સમાચારો 1. ભારત પાસે માત્ર 25 દિવસનું ઓઈલ બચ્યું:સરકાર નવા સપ્લાયર્સની શોધમાં, રશિયા બન્યું આશાનું કિરણ; હાલમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવાનો કોઈ પ્લાન નથી પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે ભારત પાસે હવે માત્ર 25 દિવસનો ક્રૂડ ઓઈલ એટલે કે કાચા તેલ અને રિફાઈન્ડ ઓઈલનો સ્ટોક બચ્યો છે. ન્યૂઝ એજન્સી ANIએ દેશની એનર્જી સિક્યોરિટીને લઈને આ અપડેટ સરકારી સૂત્રો અનુસાર આપ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકાર સતત સ્થિતિ પર નજર રાખી રહી છે અને કાચા તેલ, LPG અને LNG માટે વૈકલ્પિક દેશો સાથે વાતચીત કરી રહી છે, જેથી સપ્લાય ચેઇનમાં કોઈ અવરોધ ન આવે. સંપૂર્ણ સમાચાર વાંચો 2. મશહદમાં દફનાવવામાં આવશે ખામેની, દિવસ-તારીખ નક્કી નથી:સુપ્રીમ લીડરની જાહેરાત આવતા સપ્તાહે શક્ય; ઈઝરાયેલનો દાવો- 4 દિવસમાં ઈરાનના 300 મિસાઈલ લોન્ચર નષ્ટ ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીને મશહદમાં દફનાવવામાં આવશે. જોકે દિવસ-તારીખ નક્કી નથી. ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી 'ફાર્સ' મુજબ ખામેનીને ઈમામ રઝા (અલૈહિસ્સલામ)ની દરગાહ પાસે સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે. ખામેનીનો જન્મ પણ 1939માં મશહદમાં જ થયો હતો. ઈરાનના આગામી સુપ્રીમ લીડરની જાહેરાત ખામેનીને દફનાવ્યા પછી જ કરવામાં આવશે. મંગળવારે સમાચાર આવ્યા હતા કે કોમમાં 'એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ' દ્વારા સુપ્રીમ લીડરની પસંદગી માટે વોટિંગ કરવામાં આવ્યું છે. એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સમાં 88 સભ્યો હોય છે, જે દેશના સુપ્રીમ લીડરને પસંદ કરે છે. ખરેખર, 28 ફેબ્રુઆરીએ US-ઈઝરાયેલના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીનું મોત થયું હતું. ત્યારથી આ પદ ખાલી છે. જોકે ઈરાની વિપક્ષ સાથે જોડાયેલા ઈરાન ઈન્ટરનેશનલનો દાવો છે કે એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સે IRGC ના દબાણમાં ખામેનીના પુત્ર મોજતબાને આગામી સુપ્રીમ લીડર તરીકે પસંદ કરી લીધા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ઇઝરાયલ-ઇરાન યુદ્ધઃ દિલ્હી-મુંબઈ સહિત 4 એરપોર્ટ પર 250+ ફ્લાઇટ્સ રદ:દુબઈથી 149 મુસાફરો દિલ્હી અને 217 ચેન્નાઈ પરત ફર્યા આજે ઇઝરાયલ-ઈરાન યુદ્ધનો ચોથો દિવસ છે. મિડલ ઈસ્ટમાં વધતા તણાવને કારણે, મંગળવારે દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને ચેન્નઈ એરપોર્ટ પર 250થી વધુ ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આમાં દિલ્હીથી 80+, મુંબઈથી 107, બેંગ્લોરથી 42 અને ચેન્નાઈથી 30 ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. આજે ઇઝરાયલ-ઈરાન યુદ્ધનો ચોથો દિવસ છે. ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનીના મોત સામે આજે જમ્મુ અને કાશ્મીરમાં વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યા. બાંદીપોરાના શાદીપોરામાં, શિયા સમુદાયે ખામેનીના પોસ્ટરો સાથે પ્રદર્શન કર્યું. શ્રીનગર સતત બીજા દિવસે બંધ રહ્યું. ભારત સરકારે તમામ રાજ્યોને ઉશ્કેરણીજનક ભાષણો માટે એલર્ટ રહેવા જણાવ્યું છે. આજે સતત ચોથા દિવસે દિલ્હી એરપોર્ટ પર 80થી વધુ ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. જોકે, આજે સવારે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI916D 149 મુસાફરો અને 8 કેબિન ક્રૂ સાથે દિલ્હી પહોંચી હતી. દુબઈમાં ફસાયેલી ભારતીય શટલર પીવી સિંધુ પણ પરત ફરી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ચાંદી ₹20 હજાર, સોનું ₹7 હજાર સસ્તું:1 કિલો ચાંદી ₹2.68 લાખ, 10 ગ્રામ સોનું ₹1.58 લાખ થયું; વાયદા બજારમાં પ્રોફિટ બુકિંગથી ભાવ ઘટ્યા વાયદા બજાર (MCX)માં પ્રોફિટ બુકિંગને કારણે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. 3 માર્ચે વાયદા બજારમાં ચાંદી લગભગ 20 હજાર રૂપિયા (7%) ઘટી ગઈ. 1 કિલો ચાંદીનો ભાવ 2.58 લાખ રૂપિયા પર આવી ગયો છે. સોમવારે તે 2.78 લાખ રૂપિયા પર હતી. જ્યારે, સોનામાં પણ લગભગ 7 હજાર રૂપિયા (4%)નો ઘટાડો થયો છે. 10 ગ્રામ સોનું 1.59 લાખ રૂપિયા પર આવી ગયું છે. સોમવારે તે 1.66 લાખ રૂપિયા પર હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીન રાજ્યસભા જશે:6 રાજ્યોમાંથી 9 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર; 37 બેઠકો પર 16 માર્ચે ચૂંટણી ભાજપે મંગળવારે રાજ્યસભા માટે 9 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીન બિહારથી રાજ્યસભા જશે. તેમના સિવાય યાદીમાં શિવેશ કુમારનું પણ નામ છે. છત્તીસગઢથી ભાજપે લક્ષ્મી વર્માને ઉમેદવાર બનાવ્યા છે. આસામથી તેરાશ ગોવાલા, જોગન મોહન, હરિયાણાથી સંજય ભાટિયા, ઓડિશાથી મનમોહન સામલ, સુજીત કુમાર અને પશ્ચિમ બંગાળથી રાહુલ સિંહા ઉમેદવાર છે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. મોદી-શાહને ટાર્ગેટ કરી સ્કૂલોને બોમ્બની ધમકી આપનારો ઝડપાયો:ગુજરાતને ખાલિસ્તાન બનાવવાની ધમકી આપી હતી, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પ.બંગાળથી દબોચ્યો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બોમ્બની ધમકીભર્યા ઇમેલ કરનાર એક આરોપીની ધરપકડ કરી છે.બોમ્બની ધમકીના મેસેજ કરનાર આરોપીની પશ્ચિમ બંગાળથી ધરપકડ કરવામાં આવી છે.બોમ્બની ધમકીના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે પ્રથમ વખત આરોપીની ધરપકડ કરી છે.આરોપીની ધરપકડ કરી રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે.હાલ આરોપીની પૂછપરછ ચાલી રહી છે.અમદાવાદ સહિત રાજ્યભરની સ્કૂલો અને નીચલી અદાલતને ખાલિસ્તાનના નામે ઇમેલ કરનાર બિશ્વાસ નામના આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમનું સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું છે. ઇ-મેલ કરનાર કોઈ એક આરોપી નથી,હાલ એક આરોપી ઝડપાયો છે,બાકીના આરોપીઓની તપાસ ચાલી રહી છે.ક્રાઈમ દ્વારા હાલ આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.પકડાયેલા આરોપી હાઈકોર્ટને મળેલા ઇ-મેલ કર્યા છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. દ્વારકાધીશ મંદિરમાં ભવ્ય ફૂલ ડોલોત્સવ:દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ પાવન ભૂમિ પર ઉમટ્યાં; શામળાજીમાં આસ્થા સાથે અબીલ-ગુલાલની છોળો ઊડી યાત્રાધામ દ્વારકામાં આજે હોળી-ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે ‘ફૂલડોલ ઉત્સવ’ અત્યંત ઉત્સાહ અને ભક્તિમય માહોલમાં ઉજવવામાં આવ્યો હતો. ‘હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી’ અને ‘દ્વારકાધીશ કી જય’ના ગગનભેદી નાદ સાથે સમગ્ર નગરી કૃષ્ણમય બની હતી. જગતમંદિરમાં બિરાજતા ભગવાન દ્વારકાધીશ સાથે હોળી રમવા માટે દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આજે શામળાજીના શામળાજી મંદિરમાં પણ હોળી પર્વની ઉજવણી કરાઈ હતી. બંને મંદિરો ખાતે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને અબીલ-ગુલાલની છોળો ઊડી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : ઉત્તરાખંડમાં હોળી પછી વરસાદ અને હિમવર્ષાની સંભાવના:MPના 11 જિલ્લાઓમાં તાપમાન 33Cથી વધુ, રાજસ્થાનમાં લઘુત્તમ તાપમાન 23C વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ભારત ફરી વધારશે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી:95 લાખ બેરલ તેલ પર નજર; ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી સપ્લાય અટકી વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : મથુરામાં સળગતી હોળીમાંથી નીકળ્યો યુવક, VIDEO:25 ફૂટ ઊંચી ધગધગતી જ્વાળાઓ, સહેજ પણ દાઝ્યો નહીં; વિદેશીઓ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ઇઝરાયલે ટ્રાફિક કેમેરા હેક કરીને ખામેની પર હુમલો કર્યો:વર્ષો સુધી નજર રાખી, ઓફિસ પર 30 મિસાઈલો છોડી, 40 અધિકારીઓ પણ માર્યા ગયા વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : એપલનો સસ્તો સ્માર્ટફોન આઈફોન 17e ભારતમાં લોન્ચ:48MP ફ્યુઝન કેમેરા અને A19 ચિપસેટ, M4 પ્રોસેસર સાથેનો અપડેટેડ આઈપેડ એર પણ રિવીલ કરાયો વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : 'ખેલાડીઓને બલિનો બકરો ન બનાવો':મોહમ્મદ આમિરે PCBના એક્શન પર ઝાટકણી કાઢી; ચેરમેન મોહસિન નકવીને પણ ચેતવણી આપી વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : 19 માર્ચથી શરૂ થશે ચૈત્ર માસ:નવરાત્રિ, ગુડી પડવો, રામ નવમી અને હનુમાન જન્મોત્સવ જેવા મોટા વ્રત-પર્વ વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ મહિલાએ એકસાથે બે પુરુષો સાથે લગ્ન કર્યા થાઈલેન્ડની 37 વર્ષીય ડુઆંગડુઆન કેતસારોએ એકસાથે બે વરરાજાઓ સાથે લગ્ન કર્યા છે. બંને વરરાજા ઓસ્ટ્રિયાના રહેવાસી છે. પરસ્પર સંમતિ અને સમજદારી બાદ ત્રણેયે લગ્નનો નિર્ણય લીધો હતો. મહિલા અગાઉ પરિણીત રહી ચૂકી છે અને તેમને ત્રણ બાળકો તથા બે દૌહિત્રી-પૌત્રો પણ છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. પારકી પંચાત : જોઈ લો, જય-વીરૂની જમાવટ:કોણ બનશે હોળીનું નારિયેળ?; પૂર્ણેશ મોદીએ સુરતમાં પગ મુક્યો ને મ્યાનમાંથી તલવાર કાઢી, જુઓ VIDEO 2. ભાસ્કર એક્સપ્લેનર : ખામેનીને રાત્રે મારવાના હતા, તો સવારે કેમ માર્યા?:અમેરિકાએ ખામેનીને મારવા ગજબની જાળ બિછાવી; ખામેનીએ કહેલું કે- હું ભાગી જઈશ તો કાયર ગણાઈશ 3. શું મેરઠમાં મળેલી લાશ પર યુપી પોલીસ જૂઠું બોલી?:મરનાર અર્ચિતા કે તુર્કમેનિસ્તાનની મુહબ્બત; માતાએ કહ્યું- જાણ કર્યા વગર જ મૃતદેહ સળગાવી દીધો 4. નેપાળનું થામેલ, સેક્સ વર્કર્સની નાઈટ લાઈફ ઠપ:રાત્રે 10 વાગતાં જ માર્કેટ બંધ ને એજન્ટો એક્ટિવ, અત્યારે ચૂંટણીના કારણે સ્પા સેન્ટરને તાળાં લાગી ગયાં છે 5. દુબઇમાં ફસાયેલા ગુજરાતીઓની મદદે આવી જૈન સંસ્થા:હોટલના મોંઘા ભાડા વચ્ચે સસ્તામાં રહેવા-જમવાની સુવિધા શરૂ કરી, દર્દીઓને દવા પૂરી પાડી 6. અંતે મોતે કામિનીનું સરનામું શોધી જ લીધું!:ટ્રાફિકને ચીરીને દોડી રહેલી એમ્બ્યુલન્સમાં 32 વર્ષની કાયા કણસી રહી હતી, એક ઘટનાએ બધા સપનાં ખાખ કરી દીધા કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ બુધવારનું રાશિફળ: મિથુન જાતકોના સંબંધોમાં આવશે મીઠાશ, ધન-મકર જાતકો માટે ભાગ્યશાળી રહેશે ધુળેટી; જાણો અન્ય રાશિ માટે આજનો દિવસ કેટલો 'રંગીન' (સંપૂર્ણ સમાચાર વાંચો)
તપાસ:મેમણવાડા વિસ્તારમાં 2 યુવાનોએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો, હોસ્પિટલમાં સારવાર હેઠળ
પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા 2 યુવાનોએ મેમણવાડા વિસ્તારમાં જાહેરમાં ફીનાઇલ પી.આપઘાતનો પ્રયાસ કર્યો હતો.આ યુવાનોને અમુક સખ્સો ત્રાસ આપતા હોવાથી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા.આ ઘટના બાદ બંને યુવાનોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટનાની મળતી વિગતો અનુસાર ખારવાવાડ વિસ્તારમાં રહેતા જુલાયા સમીર યુસુફ અને કુંભારવાડા વિસ્તારમાં રહેતા સંધી મુશરફ મુર્તુજા નામના બે યુવાનોએ સોમવારે રાત્રીના ફિનાઈલ પી લેતા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ ઘટના બાદ બંને યુવાનોને સારવાર અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બંને યુવાનોએ એવા આક્ષેપો કર્યા હતા કે સમીર કાદરી, અજીમબાપુ કાદરી અવાર નવાર ધાક ધમકીઓ આપતા હતા અને અગાઉ અમને બે વાર માર પણ મરાયો છે સોમવારે પણ જકાતનાકા વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે જુબેર,સમીર યુનુસ કાદરીએ રોકી અને ધાકધમકી આપી હતી. જેથી બંને યુવાનોએ મેમણવાડા વિસ્તારમાં ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપો કર્યા હતા.આ ઘટના બાદ પોલીસે પણ નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ધમકી આપી મારમાર્યો તેમજ ખોટી ફરિયાદ કરાવતા આ પગલું ભર્યું હું અને મારો મિત્ર બંને બેઠા હતા ત્યારે આ શખ્સો ત્યાં આવ્યા હતા અને મારા મિત્રને મારવા લાગ્યા હતા.આગાઉ આ શખ્સો દ્વારા મારી ઉપર ખોટી ફરિયાદો પણ કરાવી હતી.જે બાબતે આગેવાનોને પણ કરી હતી પણ કોઈનું હાલતું નથી જેથી અમે અમારી રીતે જ મરી જવા આ પગલું ભર્યું હતું-સમીર યુસુફ
વસૂલાત ઝુંબેશ:મનપાએ 11 ટીમો મેદાનમાં ઉતારી57.23 લાખની વેરા વસૂલાત કરી
પોરબંદર શહેરમાં હાઉસ ટેક્સ વસૂલાત વધારવા માટે પોરબંદર મનપા દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મનપાના કમિશનર પ્રજાપતિ અને ડેપ્યુટી કમિશનર ચતુર્વેદીની સૂચના મુજબ હાઉસ ટેક્સ વિભાગ દ્વારા હાઉસ ટેક્સ ઇન્સ્પેક્ટર મિતેષ કોટેચાની સૂચનાથી કુલ 11 ટીમો બનાવવામાં આવી છે, આ ટીમ સવારથી સાંજ સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી લાંબા સમયથી વેરો ન ભરનાર બાકીદારો પાસેથી વસૂલાત કરવાની કામગીરી કરી રહી છે.મનપા વિસ્તારમાં હાઉસ ટેક્સનું કુલ માંગણું અંદાજે રૂ.40 કરોડ જેટલું છે. તેમાં ચાલુ વર્ષનું અંદાજિત રૂ.18 કરોડ જેટલું બાકી માંગણું છે. આ બાકી રકમ વસૂલવા માટે વિભાગે ખાસ આયોજન કર્યું છે અને ટીમોને અલગ-અલગ ઝોનમાં વહેંચીને કામગીરી તેજ કરવામાં આવી છે. ખાસ કરીને કેટલીક ફેક્ટરીઓ લાંબા સમયથી બંધ હોવાથી તેમજ મિલ્કતો અંગે કોર્ટ કેસ ચાલી રહ્યા હોવાથી તેમાંથી માતબર રકમનો ટેક્સ વસૂલાત પ્રક્રિયા અટવાઈ છે. ગત ફેબ્રુઆરી માસમાં 57,23,648 રૂપિયાની હાઉસ ટેક્સ વેરાની વસૂલાત થઈ છે. શહેરના વિકાસ કાર્યો માટે હાઉસ ટેક્સ મહત્વપૂર્ણ આવકનો સ્ત્રોત છે, જેથી લાંબા સમયથી બાકી રહેતા વેરા વહેલી તકે ભરપાઈ કરી દેવા ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીએ અપીલ કરી છે. અત્રે નોંધનીય છેકે, પોરબંદર મનપા વેરા વસૂલાત માટે કમર કસી રહી છે . શહેરીજનોએ સ્વૈચ્છિક રીતે હાઉસ ટેક્સ ચૂકવી શહેરી વિકાસ માટે મદદરૂપ થવું જોઇએ.
જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ:મેંદરડા પાસે વાઈલ્ડ વાડી કોટેજ રિસોર્ટના સંચાલક સામે કાર્યવાહી
મેંદરડા પાસે આવેલા 'વાઈલ્ડ વાડી કોટેજ' રિસોર્ટના સંચાલક વિરુદ્ધ પોલીસે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી. મંગળવાર બપોરે મેંદરડા પોલીસ સ્ટાફ દ્વારા નતાડીયા ગામની સીમમાં પેટ્રોલિંગ દરમિયાન 'વાઈલ્ડ વાડી કોટેજ' રિસોર્ટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે રિસોર્ટ સંચાલક લાલજીભાઈ વિનુભાઈ મકવાણા દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન કરાયું હતું. નિયમ મુજબ હોટલ કે રિસોર્ટમાં આવતા મુસાફરોની સંપૂર્ણ વિગત મેન્યુઅલ ગેસ્ટ રજીસ્ટરમાં નોંધવી અને તેમના અસલ આઈડી પ્રૂફની નકલ મેળવવી ફરજિયાત છે. જોકે, આ રિસોર્ટમાં ગેસ્ટ ઇન-આઉટનો સમય, મુસાફરોની સહી કે આઈડી. પ્રૂફની નકલો રાખવામાં આવી નહોતી.આ ઉપરાંત, સીસીટીવી કેમેરાના બેકઅપ બાબતે પૂછપરછ કરતા સંતોષકારક વિગતો મળી ન હતી. આ બેદરકારી બદલ મૂળ વિસાવદર તાલુકાના ખાંભા ગીર ગામના લાલજી મકવાણા વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. આમ મેંદરડા પાસે રિસોર્ટના સંચાલક વિરૂદ્ધ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
કામગીરી:મેંદરડાના વાઈલ્ડ વાડી કોટેજ સંચાલક સામે પોલીસ કાર્યવાહી
મેંદરડા પાસે આવેલા 'વાઈલ્ડ વાડી કોટેજ' રિસોર્ટના સંચાલક વિરુદ્ધ પોલીસે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી. મંગળવાર બપોરે મેંદરડા પોલીસ સ્ટાફ દ્વારા નતાડીયા ગામની સીમમાં પેટ્રોલિંગ દરમિયાન 'વાઈલ્ડ વાડી કોટેજ' રિસોર્ટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે રિસોર્ટ સંચાલક લાલજીભાઈ વિનુભાઈ મકવાણા દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. નિયમ મુજબ હોટલ કે રિસોર્ટમાં આવતા મુસાફરોની સંપૂર્ણ વિગત મેન્યુઅલ ગેસ્ટ રજીસ્ટરમાં નોંધવી અને તેમના અસલ આઈડી પ્રૂફની નકલ મેળવવી ફરજિયાત છે. જોકે, આ રિસોર્ટમાં ગેસ્ટ ઇન-આઉટનો સમય, મુસાફરોની સહી કે આઈડી. પ્રૂફની નકલો રાખવામાં આવી નહોતી. આ ઉપરાંત, સીસીટીવી કેમેરાના બેકઅપ બાબતે પૂછપરછ કરતા સંતોષકારક વિગતો મળી ન હતી.આ બેદરકારી બદલ મૂળ વિસાવદર તાલુકાના ખાંભા ગીર ગામના લાલજી મકવાણા વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.
કાર્યવાહી:NCTEના નકલી લેટરમાં સહી કરી બીએડ કોલેજ ચલાવનાર 3 સામે ગુનો
ઊના તાલુકાના ભાચા ગામે એનસીટીઇનો નકલી લેટર, સહી કરી બીએડ કોલેજ ચલાવનાર 3 સામે શ્રી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની ફરિયાદ આધારે જૂનાગઢ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. શ્રી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન ઊના તાલુકાના ભાચા ગામે કાર્યરત બી. એમ. નાંડોળા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી વનીતાબેન બચુભાઈ નાંડોળા બી. એડ કોલેજને દિલ્હી સ્થિત એનસીટીઈની માન્યતા ન હોવા છતાં કોલેજ શરૂ હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. આથી યુનિવર્સિટીના રજીસ્ટ્રાર રમેશચંદ્ર ગેલાભાઈ પરમારે સોમવારે જૂનાગઢ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. રજીસ્ટ્રારની ફરિયાદ અનુસાર શ્રીમતી વનીતાબેન બચુભાઈ નાંડોળા બી. એડ કોલેજના મેનેજમેન્ટના કર્તાહર્તા તથા તે સમયના પ્રિન્સિપાલે પોતાની બી. એડ કોલેજને એનસીટીઇ દિલ્હીની માન્યતા ન હોવા છતાં તેના ખોટા લેટરપેડમાં પોતાની કોલેજને માન્યતા મળી હોવાનો એનસીટીઇના રિજીયોનલ ડાયરેક્ટરની ખોટી સહી વાળો લેટર ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં રજૂ કર્યો હતો. એટલું જ નહીં કોલેજમાં બી.એડનો અભ્યાસક્રમ શરૂ કરી વિદ્યાર્થીઓને પ્રવેશ આપી છાત્રોની શૈક્ષણિક કારકિર્દીને નુકસાન કરી તેમજ કોલેજને મળેલ માન્યતાનો લેટર બનાવટી હોવાનું યુનિ.ના રજીસ્ટ્રારને ધ્યાન પર આવ્યું હતું. આથી લેટરનું વેરિફિકેશન દિલ્હી ખાતે કરાવવામાં આવતા લેટર પણ બનાવટી હોવાનું જણાયું હતું. અને બનાવટી વેરિફિકેશનનો પ્રત્યુતર લેટર એનસીટીઈ દિલ્હીના નામેથી મોકલનાર શખ્સે પણ યુનિવર્સિટીને ગેરમાર્ગે દોરી હતી. આ ફરિયાદ આધારે તાલુકા પોલીસે શ્રીમતી વનીતાબેન બચુભાઈ નાંડોળા બી. એડ કોલેજના મેનેજમેન્ટના કર્તાહર્તા, તે સમયના પ્રિન્સિપાલ અને બનાવટી પ્રત્યુતર લેટર મોકલનાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ચકચાર:મજાકમાં ગાળાગાળી બાદ જામકાના યુવકની હત્યા
મજાકમાં ગાળાગાળી બાદ ઉશ્કેરાઈ જઈને જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં જામકા ગામના 19 વર્ષીય રાશીશ ઉર્ફે ભયુ હરસુખભાઈ સોલંકીને મિત્ર રોનક ચૌધરીએ છરી મારી પતાવી દીધો હતો. પોલીસે તપાસ કરી આરોપીને ઝડપી લીધો હતો. જામકા ગામે રહેતા રાશીશ ઉર્ફે ભયુ લાઈટ ડેકોરેશનના કામ માટે બોટાદ જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. સોમવારે વહેલી સવારે જૂનાગઢ શહેરના કડીયાવાડ વિસ્તારમાંથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ રિફર કરાયો હતો. જ્યાં સોમવારે બપોરે સારવાર દરમ્યાન રાશીશ ઉર્ફે ભયુનું મૃત્યુ નિપજ્યું હતું. ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, મૃતક યુવક તેના ઘરેથી બોટાદ જવા માટે વિસાવદર રવિ સોલંકીને ત્યાં ગયો હતો બાદમાં રવિનો પિતરાઈ હર્ષદ સોલંકી ઈકો લઈને જૂનાગઢ આવતો હોય તેની સાથે શહેરમાં ઝાંઝરડા ચોકડી પાસે આવ્યો હતો. અહીં અમિત સોલંકી, રોનક ચૌધરી વગેરે ભેગા થયા હતા અને આ પછી કડીયાવાડમાં રહેતા મિત સોલંકીના ઘરે ગયા હતા. જ્યાં એપાર્ટમેન્ટ પાસે બેઠા હતા ત્યારે રોનક અને રાશીશ ઉર્ફે ભયુ મશ્કરી કરતા હતા તે દરમિયાન રોનક ચૌધરીએ ઉશ્કેરાઈ જઈને પેન્ટના નેફામાંથી છરી કાઢી એક ઘા યુવકને થાપાના ભાગે ઝીંકી દેતા લોહીલોહાણ થઈ ગયો હતો. આથી તેને ઈકોમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા ત્યાંથી તેને રાજકોટ સિવિલમાં રીફર કરવામાં આવતા સારવાર દરમિયાન રાશીશ ઉર્ફે ભયુનું મૃત્યુ થયું હતું. ઘટના અંગે મૃતકની બહેન નેહાબેનની ફરિયાદ લઈ આરોપી રોનક ચૌધરીની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતની સ્ટોરી ઉભી કરી હતીઆરોપી રોનકે રાશીશને ટુ-વ્હીલર પરથી પડી જવાથી ઇજા થયાનું જણાવી અકસ્માતની સ્ટોરી ઉભી કરી હતી. રાજકોટ સિવિલમાં રીફર કરાતા જ્યાં સારવારમાં મૃત્યુ થતા મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાયુ હતું જેમાં તિક્ષણ હથિયાર લાગવાથી ઇજા થઇ હોવાનું સામે આવતા રાશીશ ઉર્ફ ભયુની રોનકે હત્યા કર્યાનો ભંડાફોડ થયો હતો. > હિતેશ ધાંધલ્યા, ડીવાયએસપી
વિશેષ વોચ:ધુળેટીના દિવસે ચાલુ બાઈકમાં રંગ ઉડાડશો તો લોકઅપમાં ધકેલાશો
રંગોનું પર્વ ધુળેટીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. આ તહેવારની ઉલ્લાસ સાથે ઉજવણી માટે લોકો દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે ત્યારે ધૂળેટી દરમિયાન કાયદો વ્યવસ્થા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. ખાસ કરીને ધૂળેટીના દિવસે ચાલુ બાઈકમાં રંગ ઉડાવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. સીટી ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ ભાસ્કરને જણાવ્યું હતું કે, શહેરમાં ધુળેટીનું પર્વ લોકો સુરક્ષિત રીતે ઉજવી શકે તે માટે વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેરમાં ઝાંઝરડા રોડ સહિતના વિસ્તાર, માર્ગો પર ચાલુ ટુ-વ્હીલર પરથી રંગ ઉડાવનાર શખ્સો પર વિશેષ વોચ રાખવામાં આવશે. આ માટે ઝાંઝરડા રોડ પર ચેકપોસ્ટ શરૂ કરાશે ઉપરાંત સીસીટીવી કેમેરાના માધ્યમથી મોનિટરિંગ કરી નજર રાખવામાં આવશે. આટલો બંદોબસ્ત રહેશેધુળેટી પર્વ પર શહેરમાં એ, બી, સી ડિવિઝન અને ભવનાથ વિસ્તારમાં 4 પોલીસ ઇન્સ્પેક્ટર, 9 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 127 પોલીસ કર્મીઓ અને 59 હોમગાર્ડ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવાનું ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ જણાવ્યું હતું.
સુંદરતા પર ગ્રહણ:નરસિંહ મહેતા સરોવરના કાંઠે વેલનું સામ્રાજ્ય વધ્યું, વેલ દૂર કરવામાં માંગ
જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરના કાંઠે ઘણા સમયથી જંગલી વેલનું સામ્રાજ્ય સતત વધી રહ્યું છે. તંત્ર દ્વારા શહેરમાં રસ્તા પહોળા કરવા, લાઈટિંગ અને સુશોભન પાછળ લાખોનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ આ ઐતિહાસિક ધરોહરની જાળવણીમાં મનપા તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. સરોવરના પાણી પર વેલ પથરાઈ જવાથી જળચર જીવો સામે જોખમ ઊભું થયું છે અને બ્યુટીફિકેશનની કામગીરી માત્ર કાગળ પર હોય તેવું જણાય છે. સરોવર કિનારે ગંદકીનું પ્રમાણ પણ વધ્યું છે, છતાં સફાઈ અભિયાન હાથ ધરવામાં ન આવતા સ્થાનિકો અને પ્રવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર વહેલી તકે વેલ દૂર કરે તેવી લોકમાંગ ઉઠી છે.
આયોજન:ઉપરકોટમાં પાર્કિંગ, પ્રવાસી સેન્ટર બનશે
સરકાર દ્વારા જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા અને હર્ષદ માતાના મંદિર માટે કરોડોના ખર્ચની જાહેરાત તો કરી દેવામાં આવી છે, પરંતુ આ આંકડાઓની માયાજાળ પાછળ અનેક સવાલો ઉભા થયા છે. ઉપરકોટ કિલ્લો જે વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે, ત્યાં મજવેડી ગેટ પાસે ફેસિલિટી સેન્ટર અને પાર્કિંગ માટે માત્ર 1.07 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. શું આટલી નજીવી રકમમાં પ્રવાસીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા મળશે કે પછી આ માત્ર કાગળ પરના જ ઘોડા છે?બીજી તરફ, હર્ષદ માતાના મંદિરના વિકાસ માટે સીધા 20.09 કરોડ રૂપિયાના કામોનો વર્ક ઓર્ડર આપી દેવાયો છે. એકતરફ ઐતિહાસિક વારસાની જાળવણીમાં ઠાગાઠૈયા અને બીજી તરફ ધાર્મિક સ્થળોએ કરોડોની લહાણી પાછળ તંત્રની કઈ નીતિ કામ કરી રહી છે તે ચર્ચાનો વિષય બન્યો છે. ઉપરકોટમાં લિફ્ટની વાતો માત્ર ભવિષ્યના ભાણા જેવી છે, જ્યારે વાસ્તવિકતામાં અત્યારે પ્રવાસીઓએ સુવિધાઓના અભાવે હેરાન થવું પડી રહ્યું છે.તંત્રના આ ભેદભાવભર્યા વલણથી જૂનાગઢના સ્થાનિકો અને પ્રવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વિરાસતને સાચવવાના નામે માત્ર 'ટીચકી' ભરી રકમ ફાળવીને સરકાર જૂનાગઢ શહેરનો કયો વિકાસ કરવા માંગે છે તે સમજાતું નથી. ઉપરકોટ કિલ્લો : 1.07 કરોડ - પાર્કિંગ - ફેસિલિટી, કામ અધૂરું રહેવાની ભીતિ. હર્ષદ માતા મંદિર : 20.09 કરોડ - સર્વગ્રાહી વિકાસ | જંગી રકમ સામે ભ્રષ્ટાચારની આશંકા | લિફ્ટની સુવિધા| માત્ર જાહેરાત, નક્કર અમલ નહીં.
વિશિષ્ટ કાર્યક્રમ:કર્મચારીઓને ESICના શું લાખો મળે ?
શહેરના લિયો રિસોર્ટ ખાતે કર્મચારી રાજ્ય વીમા નિગમ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ઔદ્યોગિક એકમોમાં કામ કરતા શ્રમિકો અને કર્મચારીઓને તેમના કાયદેસરના હકો અને ઇ.એસ.આઈ.સી દ્વારા મળવા પાત્ર વિવિધ લાભોથી માહિતગાર કરવાનો હતો. આ પ્રસંગે યતીન કોટેચા તેમજ અધિકારી અમરભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વક્તાઓએ જણાવ્યું હતું કે, ESIC એ માત્ર એક વીમો નથી પરંતુ કર્મચારીઓ માટે મુશ્કેલ સમયનું મજબૂત સુરક્ષા કવચ છે. જે કંપનીઓ પોતાના કર્મચારીઓનું પ્રીમિયમ ભરે છે, તેમના કર્મચારીઓને માંદગી કે અકસ્માત જેવી કટોકટીના સમયે સરકાર તરફથી વ્યાપક સુરક્ષા મળે છે. આ યોજના હેઠળ કર્મચારીને માત્ર મફત સારવાર જ નથી મળતી, પરંતુ સરકાર વળતર ચુકવે છે.
આરોગ્ય તંત્રમાં દોડધામ:ગ્રામ્યમાં કોલેરાનો કોઈ કેસ નહીં, 5563 ઘરનો સર્વે
જામનગર શહેર બાદ ગ્રામ્ય પંથકમાં કોલેરાએ પગપેસારો કર્યો હતો જેમાં લાલપુર સહિત પંથકમાં અડધો ડઝન કેસોના પગલે આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. જે દરમિયાન મંગળવારે કોલેરાનો કોઇ નવો કેસ સામે આવ્યો ન હતો.જયારે જિલ્લામાં કુલ આઠ પૈકી સાત દર્દી અગાઉ જ ડીસ્ચાર્જ થયા હતા જયારે હજુ એક દર્દી સારવાર હેઠળ હોવાનુ આરોગ્ય વિભાગે જણાવ્યુ છે. લાલપુરમાં પાંચ સહિત પંથકમાં છ કોલેરાના કેસોએ આરોગ્ય તંત્રને દોડતુ કર્યુ હતુ. જે દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા મંગળવારે પણ કામગીરીનો અવિરત ધમધમાટ હાથ ધરાયો હતો.આરોગ્ય વિભાગની જુદી જુદી ટીમો દ્વારા 5,563 ઘરનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં કુલ 25,658ની વસ્તીને આવરી લેવાઇ હતી.જય સાથે અત્યાર સુધીમાં કુલ 37,271 કલોરીન ટેબલેટનુ વિતરણ કરાયુ હતુ તદુપરા઼ત 633 ઓઆરએસ પેકેટસનુ વિતરણ પણ કરાયુ હતુ.આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સંબંધિત ગ્રામ્ય પંથકમાં ડોર ટુ ડોર સર્વે સહિતની આરોગ્ય વિષયક કામગીરી વેગવંતી બનાવાઇ છે.
ફરિયાદ:પત્ની સાથે ઝગડો કરતા પતિને કારખાનેદારે ધક્કો મારતા ઘાયલ
દરેડ મસીતીયા રોડ પર આવેલ કારખાનામાં શ્રમિક મહીલા સાથે પતિ સહિતના ઝગડો કરતા હતા. મહિલાના પતિનો હાથ પકડીને ધક્કો મારતા સીડી પરથી નીચે પટકાતા માથાના ભાગે ઈજા પહોંચતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. કારખાનેદાર સામે ગુનો નોંધ્યો છે. દરેડ-મસીતીયા રોડ પર આવેલા ઉર્જા ઈન્ડસ્ટ્રીયલ પાર્ક-1માં કારખાનામાં રહેતા યુ.પી.ના વતની કિરણબેન પ્રકાશભાઈ મોખરા (ઉ.વ.27) નામની મહિલાની દિકરીનો ગત તા.2ના રોજ જન્મ દિવસ હોય, અને તેણીના પતિ, દિયર અને સાસુ કારખાને ગયા હતા. આ દરમિયાન 1 વર્ષ પહેલા મહિલા તેમના કૌટુંબિક ભાઈ સાથે લગ્ન કરવા માટે ભાગી ગઈ હતી. જે બાબતે પતિ અને દિયર ઝગડો કરતા હતા. મહિલાએ બુમો પાડતા મજુરો આવી ગયા હતા, તેમનું ન માનતા શેઠ જયદિપભાઈ ગીરધરભાઈ તાડાને જાણ કરી હતી. જેથી તેઓએ આવીને મહિલાના પતિને સમજાવતા તે સમજ્યો ન હતો. જેથી બીજા માળે મહિલાના પતિને કારખાનામાંથી બહાર નિકળી જવાનું કહ્યું હતું અને હાથ પકડીને ધક્કો મારી સીડી પર પછાડીને માથના પાછળના ભાગે ઈજા પહોંચાડી હતી. જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ માટે ખસેડવામાં આવ્યો હતો. જે અંગેની મહિલાએ પોલીસમાં કારખાનેદાર જયદિપ તાડા સામે ફરિયાદ નોંધાવી છે.
સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઈવ:હોળીના પર્વને લઈને સ્પેશિયલ ડ્રાઈવ 1325 વાહનો ચેક, 276 સામે પગલા
શહેર-જિલ્લામાં હોળી- ધુળેટીના પર્વની શાંતિપુર્ણ માહોલમાં લોકો ઉજવણી કરે, તેમજ નશો કરી જાહેરમાં ઘુમનારાઓ સહિતના ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે હોળીના તહેવારમાં પોલીસ દ્વારા સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં શહેર તથા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા જુદી જુદી ટીમો બનાવીને વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. એક જ દિવસમાં 1325 વાહનોને ચેક કરવામાં આવ્યા હતા. જેમાં એક વાહન ડીટેઈન કરવામાં આવ્યું છે. તેમજ 185 હેઠળ 1, હથિયારભંગના 6 તેમજ 281 અને 285 હેઠળ એક-એક કેસ કરવામાં આવ્યો છે. તેમજ ફોરવ્હીલ કારમાં બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગરના વાહનના કેસ, ફ્રેન્સી નંબર પ્લેટવાળા મળીને કુલ 45 કેસ કરવામાં આવ્યા છે. તેમજ 221 વાહન ચાલકો પાસેથી રૂ.98,700 હાજર દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત VOC તથા ઈ-ચલણ દંડની 67,800ની પાવતીઓ આપવામાં આવી છે. આ સ્પેશ્યલ ટ્રાફીક ડ્રાઈવ દરમિયાન પોલીસ દ્વારા ડ્રીંક એન્ડ ડ્રાઈવ કરનારા શંકાસ્પદ વાહન ચાલકોને પણ ચેક કરવામાં આવ્યા હતા. પરંતુ પોલીસના આ ચેકીંગથી વાહન ચાલકો ગલીઓમાં પકડી લીધી હતી.
વરણી:જામનગર શહેર અને વોર્ડ ભાજપ પ્રભારીઓની નિમણૂંક
જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને અનુલક્ષીને જામનગર શહેર પ્રભારી અને વોર્ડ પ્રભારીઓની નવનિયુક્તિ કરવામાં આવી છે, અને નવા હોદેદારોને ભાજપ સંગઠન દ્વારા આવકારવામાં આવી રહ્યા છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર સંગઠનના પ્રભારી તરીકે ધનસુખભાઈ ભંડેરીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી દ્વારા જામનગર શહેરના ૧૬ વોર્ડના સંગઠન પ્રભારીઓની નિમણૂક કરવામાં આવેલ છે. જેમાં વોર્ડ નં. 1 - સંજય મકવાણા, વોર્ડ 2- વિજયસિંહ ગોહિલ, વોર્ડ 3- દિનેશ ગજરા, વોર્ડ નં.4 - ભાવિશાબેન ધોળકિયા, વોર્ડ નં.5-મિલન વજાણી, વોર્ડ 6- સંજય દાઉદિયા, વોર્ડ 7- પ્રજ્ઞેશ ભટ્ટ, વોર્ડ નં.8- પરસોત્તમ કકનાણી, વોર્ડ નં.9- મેઘાભાઈ કાંબરિયા, વોર્ડ 10- નીતિન સોલાણી, વોર્ડ નં.11- ભરતસિંહ જાડેજા, વોર્ડ નં.12- ભાવેશ કોઠારી, વોર્ડ નં.13- હિરેન તખ્તાણી, વોર્ડ નં.14- મુકેશ વસોયા, વોર્ડ નં.15- મનિષ કનખરા, વોર્ડ નં.16- નરભેરામ ડાકાની નિમણૂંક કરવામાં આવી છે. આ નિમણૂંકને સતાધારી પક્ષના રાજકિય નેતા તેમજ પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ, કોર્પોરેટરો સહિતનાઓને શહેર સંગઠન પ્રભારી તથા વોર્ડ પ્રભારીઓની નિમણુંકને આવકારવામાં આવી છે.
વાતાવરણ:મહત્તમ તાપમાનમાં વધારા સાથે 31.5 ડિગ્રી
જામનગરમાં છેલ્લા એકાદ માસથી તાપમાનમાં વધારો-ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે મહત્તમ તાપમાન એક ડિગ્રીના વધારા સાથે 31.5 ડિગ્રીએ પહોંચ્યો છે. તો લઘુત્તમ તાપમાનનો પારો 20.4 ડિગ્રીએ સ્થિર રહ્યું હતું. જેથી મિશ્રઋતુના કારણે રોગચાળો વકરી રહ્યો છે. શિયાળો વિદાય લઈ રહ્યો હોય તેમ તાપમાનમાં વધ-ઘટ થઈ રહી છે. ત્યારે મંગળવારે સવારે પુરા થતાં છેલ્લા ચોવીસ કલાકમાં મહત્તમ તાપમાન 31.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20.4 ડિગ્રી નોંધાયું હતું. તો ભેજમાં એક જ દિવસમાં 4 ટકાના ઘટાડા સાથે 77 ટકા રહ્યો હતો. તો પવનની ગતિ પ્રતિ કલાકના 5 થી 10 કિ.મી.ની ઝડપે ફુંકાયો હતો. તાપમાનના વધ-ઘટના કારણે રાત્રિના ઠંડી અને દિવસના ગરમી રહે છે. જેથી મિશ્રઋતુના કારણે રોગચાળામાં પણ વધારો થયો છે. વાયરલ ફીવરના કારણે તાવ, શરદી અને ઉધરસના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે.
ભુજવાસીઓને પૂરતું પાણી મળે તેવા પ્રયાસ:પાણીની તંગી ટાળવા 10 જૂના બોરવેલ જીવંત કરાશે
છેલ્લા બે દાયકામાં ભુજમાં પાણી વિતરણનો મુદ્દો હંમેશા ચર્ચામાં રહ્યો છે. ખાસ કરીને ઉનાળાની ઋતુ નજીક આવે ત્યારે પીવાના પાણીની અછત ન સર્જાય તે માટે નગરપાલિકા દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવે છે. હાલ શહેર માટેનો મુખ્ય સ્ત્રોત નર્મદાનું પાણી છે, પરંતુ જરૂરિયાતની સરખામણીએ આશરે 80 ટકા જેટલું જ પાણી પ્રાપ્ત થતું હોવાથી બાકીનું પાણી સ્થાનિક સ્ત્રોતોમાંથી મેળવવું પડે છે અથવા તો વિતરણમાં બેથી ત્રણ દિવસનું અંતર રાખવું પડે છે. આગામી ઉનાળાને ધ્યાનમાં રાખીને ભુજ નગરપાલિકાનું શું આયોજન છે તે અંગે ચીફ ઓફિસર ટ્વિંકલ પટેલને પૂછતા જણાવ્યું કે, ટૂંક સમયમાં ભુજ નજીક આવેલા 10 જૂના બોરવેલને ફરી કાર્યરત કરવામાં આવશે. હાલ આ બોરવેલ ઉપયોગમાં નથી, પરંતુ તેમને ફંક્શનલ કરવાની કામગીરી શરૂ થવાની છે. ગત વર્ષે પણ 10 બોરવેલ જીવંત કરાયા હતા, જેમાંથી એક નિષ્ફળ ગયું હતું, જ્યારે બાકીના નવ બોરવેલમાંથી દૈનિક અંદાજે 9 એમએલડી પાણી મળતું રહ્યું છે. હવે નવા 10 બોરવેલ શરૂ થતાં આશરે 8 થી 10 એમએલડી દૈનિક વધારાનું પાણી ઉપલબ્ધ થવાની શક્યતા છે. હાલ નર્મદાનું સપ્લાય છેલ્લા એક અઠવાડિયાથી નિયમિત છે, છતાં શહેરની કુલ જરૂરિયાતની સરખામણીએ તે ઓછું જ ગણાય. ભુજ શહેરની દૈનિક સરેરાશ પાણીની જરૂરિયાત 42 થી 45 એમએલડી છે, જ્યારે જીડબલ્યુઆઈએલ હેઠળ પાણી પુરવઠા દ્વારા માત્ર 27 થી 28 એમએલડી પાણી મળે છે. પરિણામે નગરપાલિકાને એકાંતરે પાણી વિતરણ કરવું પડે છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં આવેલા ઓવરહેડ ટેન્ક જો તાત્કાલિક ઉપયોગ માટે સ્વીકારવામાં આવે તો વધારાની સ્ટોરેજ ક્ષમતા ઉપલબ્ધ થઈ શકે, પરંતુ કોઈ કારણસર નગરપાલિકા દ્વારા હજુ સુધી તેને સત્તાવાર સ્વીકાર્યો નથી. નગરપાલિકા તરફથી હાથ ધરાતી 10 બોરવેલ પુનર્જીવન યોજના સફળ થાય અને પૂરતું પાણી ઉપલબ્ધ રહે તો ભુજ શહેર માટે આ વ્યવસ્થા હાલ ‘સંજીવની’ સમાન સાબિત થઈ શકે છે. આગામી ઉનાળામાં પાણીની ખેંચ ટાળવા માટે આ પ્રયાસ કેટલો અસરકારક સાબિત થાય છે. આ 56 બોરવેલમાંથી દસ નિર્ધારિત કરીને જીવંત થશેભુજ નગરપાલિકા દ્વારા પાણી પુરવઠા સુધારણા માટે વિવિધ વિસ્તારોમાં બોરવેલ કામગીરી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ નર્મદા–9, નર્મદા-4 અને નર્મદા-5, ઉપરાંત ગાયત્રી-8 અને ગાયત્રી-9, જ્યારે ભુજોડી વિસ્તારમાં 11, ધોરાવા-9 અને ધોરાવા-10 વિસ્તારમાં જૂના બોરવેલ કે જ્યાં પાણીનો સ્ત્રોત વધુ મળે તેવી શક્યતા હશે તે દસને જીવંત કરવાની કામગીરી કરવામાં આવશે. બોરવેલ દુરસ્તી માટે અંદાજિત રૂ. 122 લાખનો ખર્ચ નિર્ધારિત કરાયો છે. ‘નલ સે જલ’ યોજના હેઠળ 900 મીમી જીઆઈ પાઈપ નાખવાની કામગીરી થઈ ગઈ છે, જેથી ઉનાળામાં પાણી સમસ્યા હળવી બને તેવી આશા છે.
કચ્છ યુનિવર્સિટી એક્સટેન્શન સેન્ટર ગઢશીશા ખાતે માતૃભાષા મહોત્સવ અંતર્ગત વાચિકમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમના સંયોજક નીલભાઈ કનૈયા દ્વારા મહેમાનોનું સ્વાગત કરાયું હતું.સંચાલક કાંતિભાઈ વિગોરાએ યુનિવર્સિટી એક્સટેન્શન સેન્ટરનો પરિચય આપતા કુલપતિ ડૉ. મોહન પટેલે કચ્છના છેવાડાના દૂર દૂરના વિસ્તારોની દીકરીઓ માટે ઘર આંગણે ઉચ્ચ શિક્ષણની સુવિધા કરી આપવા માટેની સગવડો ઊભી કરી તે માટે આભાર વ્યક્ત કર્યો હતો. યુનિવર્સિટી દ્વારા ગઢસીસા ઉપરાંત પાનધ્રો, ખાવડા, ધોળાવીરા અને આડેસર એમ પાંચ જગ્યાએ એક્સટેન્શન સેન્ટરો કાર્યરત છે અને તેમાં 450 વિદ્યાર્થીનિઓ કોલેજનો અભ્યાસ કરી રહી છે તેમ જણાવ્યું હતું. મુખ્ય અતિથિ રેખાબેન દવેએ જીવનમાં માતૃભાષાનું મહત્વ કોને કહેવાય એ બાબતે વિચારો વ્યક્ત કર્યા હતા.સાથે તેમણે ગઢસીસા હાઈસ્કૂલમાં ધોરણ 12 ના પરીક્ષા કેન્દ્રની મંજૂરી મળવાની ખુશી વહેંચી હતી એક્સટેન્સન સેન્ટર કો ઓર્ડીનેટર ડૉ.રામ સોંદરવાએ માતૃભાષા દિવસની ઉજવણીનો ઇતિહાસ જણાવ્યો હતો. વક્તા તરીકે કચ્છી યુવા ગૌરવ પુરસ્કાર વિજેતા નયનાબેન ચારણીયા નેત્રમ અને વિશ્વા ગોસ્વામી વિશ્વ રહ્યા હતા. તેમણે પોતાની સ્વરચિત વાર્તાઓનું વાચીકમ કર્યું હતું.આભારવિધિ અધ્યાપક માનસીબેન શર્મા દ્વારા કરાઈ હતી.સેન્ટરના અધ્યાપક સુમેરાબેન, જ્યોત્સનાબેન અને હીનાબેને વ્યવસ્થા સંભાળી હતી. સંચાલન કોલેજની વિદ્યાર્થીનીઓ સિંધી રાયમા અક્ષાબાનું અને ચાવડા વૈશાલીએ કર્યું હતું.
અમરેલી જિલ્લામાં વૃક્ષોનું ગેરકાયદે નિકંદન નીકળી રહ્યું છે. અહીં દિવસ રાત મોટી સંખ્યામાં વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે અને ગેરકાયદે લાકડાનું વહન કરતા ટ્રકો મોટેભાગે રાતના 12 થી 4 વચ્ચે હેરાફેરી કરે છે. ખાંભામાં વન વિભાગે ત્રણ માસમાં આવા 12 ટ્રક ઝડપી લીધા છે પરંતુ લીલીયા પંથકમાંથી તો કોઈ જ રોકટોક વગર ગેરકાયદે કપાયેલું લાકડું મહુવા પહોંચી રહ્યું છે. આ બધું તંત્રના નાક નીચે ચેકપોસ્ટ પરથી પસાર થઈ રહ્યું છે આમ છતાં કોઈ પગલાં લેવામાં આવી રહ્યા નથી. ગીર પૂર્વ વન વિભાગની તુલસીશ્યામ રેન્જ હેઠળના રબારીકા રાઉન્ડમાં વનવિભાગની પેટ્રોલિંગ ટીમે રાત્રિના સમયે સઘન ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર લાકડાની હેરાફેરી કરતા તત્વો સામે લાલ આંખ કરી છે. મોડી રાત્રે વન વિભાગે પાડેલા દરોડામાં પ્રતિબંધિત લાકડા ભરેલી ટ્રક ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તુલસીશ્યામ રેન્જના રાયડીપાટી બીટમાં રાત્રિના સમયે પરવાનગી વગર વન્ય સંપત્તિની ચોરી થતી હોવાની આશંકાને પગલે પેટ્રોલિંગ ટીમ સતર્ક હતી. રાત્રિના 12 વાગ્યા પછી, વનવિભાગની ટીમે એક શંકાસ્પદ ટ્રકને અટકાવી તપાસ કરતા તેમાંથી તાજા કાપેલા લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં લીંબડો, આવળ તથા અન્ય સ્થાનિક વૃક્ષોના તાજા લાકડા જેની અંદાજે ₹18,000ની કિંમતનો મુદ્દામાલ સાથે ઝડપી પાડી હતી. 3 મહિનામાં આ 12મી ગાડી ઝડપાઈ છે. સ્થાનિક આરએફઓ નિકુલ નકુમ અને તેની ટીમ દ્વારા આ કાર્યવાહી કરાઈ હતી. આ વિસ્તારમાં લાકડાની ગેરકાયદે હેરાફેરી કરતા ટ્રકો મોટાભાગે રાત્રિના 12થી વહેલી સવારના 4 વાગ્યા દરમિયાન દોડતા હોય છે. અહીં ઉના પંથકમાંથી પણ લાકડું આવી રહ્યું છે. વૃક્ષોનું ગેરકાયદે કટીંગ સૌથી વધુ લીલીયા પંથકમાં થઈ રહ્યું છે. ભોરિંગડા પંથકમાં દેશી બાવળનો કચ્ચરઘાણ બોલાવી દેવાયો છે. ગૌચરની સફાઈના નામે દેશી કુળના વૃક્ષો કાપી નાખી રાત્રિના સમયે તેની ગેરકાયદે હેરાફેરી કરવામાં આવે છે. આ વિસ્તારમાં સાંજના સાત વાગ્યાથી વહેલી સવારના 03:00 વાગ્યા સુધીના સમય ગાળામાં ગેરકાયદે લાકડા ભરેલા ટ્રકો પસાર થાય છે. સૌથી મહત્વની વાત એ છે કે પોલીસ ચોકી અને વન વિભાગની ચોકીઓની સામેથી જ આ ટ્રકો પસાર થતા હોવા છતાં તેની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. સ્થાનિક લોકોએ ગૂગલ મેપમાં હાલમાં ભોરિંગડા અને આસપાસના ગામોની સીમમાં જંગલની તસવીરો કેપ્ચર કરી છે. જ્યાં મોટા પ્રમાણમાં વૃક્ષોનું કટીંગ થયું છે. આવનારા માર્ચ માસ બાદ ગુગલ મેપમાં અપડેટ આવશે. અને ત્યારે કેટલો જંગલ વિસ્તાર હટી ગયો છે તે સ્પષ્ટ થશે. અને બાદમાં આ અંગે ઉપર કક્ષાએ રજૂઆત કરવામાં આવશે. ડીઝલ જનરેટર અને ચેન શો મશીનનો ઉપયોગલાકડાનું ગેરકાયદે કટીંગ એટલી હદે ખુલ્લેઆમ કરવામાં આવી રહ્યું છે કે ગેરકાયદે કટીંગ કરતા તત્વો સીમમાં ડીઝલ જનરેટર ચલાવે છે અને ચેન શો મશીનનો ઉપયોગ કરી લાકડા કાપે છે. છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. લાકડાની હેરાફેરી તંત્રના સીસીટીવીમાં પણ... રાત્રિના સમયે લાકડાની ગેરકાયદે હેરાફેરી કરતા ટ્રકો જુદી-જુદી ચેકપોસ્ટ પરથી પસાર થાય છે અને આ ચેક પોસ્ટ પર સીસીટીવી કેમેરા પણ લાગેલા છે. આ ગેરકાયદે હેરાફેરી સીસીટીવીમાં પણ કેદ થઈ રહી છે છતાં કોઈ પગલાં લેવાઈ રહ્યા નથી.
ઓનલાઇન છેતરપિંડી:વીજપડીમાં ફ્રી ડિવાઈસની લાલચઆપી યુવાન સાથે 1 લાખની ઠગાઈ
સાવરકુંડલાના વિજપડી ગામે 19/12/2025ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર moneyon5014 નામની આઈડી પરથી Free Device Offer ની જાહેરાત જોઈ ભાવીનભાઈ લલચાયા હતા. જેમાં સ્વાઇપ મશીન અને બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ સ્કેનર જેવા સાધનો મફત આપવાની ઓફર કરવામાં આવી હતી. આ દરમિયાન અલગ-અલગ મોબાઈલ નંબર પરથી સંપર્ક કરી અજાણ્યા શખ્સોએ પોતાની ઓળખ Naveepy કંપનીના પ્રતિનિધિ તરીકે આપી હતી. જેમાં મોહિત નામના વ્યક્તિ અને તેના સાથીદારોએ ભાવીભાઈને વિશ્વાસમાં લઈ એવી લાલચ આપી હતી કે નવા આધાર કાર્ડ અને પાનકાર્ડ કાઢી આપવામાં આવશે, કાર્ડમાં સુધારા-વધારા કરી આપવામાં આવશે તેમજ વિવિધ બેંકોમાં ખાતા ખોલવા માટે આઈડી આપવામાં આવશે, આ સુવિધાઓ અને ફ્રી ડિવાઈસના બહાને મોહિત તથા અન્ય ત્રણ અજાણ્યા વ્યક્તિઓએ તેની પાસેથી અલગ-અલગ સમયે ઓનલાઈન ટ્રાન્જેક્શન કરાવી કુલ 1 લાખ પડાવી લીધા હતાં . આ બાબતે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા તેણે ગઈ કાલે સાવરકુંડલા તાલુકા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે મોહિત અને અન્ય ત્રણ મોબાઈલ નંબર ધારકો વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.
આકરી ગરમીની શરૂઆત:અમરેલીમાં મહત્તમ પારો 35.7 ડિગ્રીએ પર પહોંચ્યો
અમરેલીમાં હવે તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. આકરી ગરમીની શરૂઆત થઈ છે. ગીરકાંઠા વિસ્તારમાં પણ આકરો તાપ પડી રહ્યો છે. આજે અમરેલીમાં મહત્તમ પારો 35.7 ડિગ્રી રહ્યો હતો. જેના કારણે આકરી ગરમી પડી હતી. અમરેલીમાં દિવસે દિવસે ગરમીમાં વધારો થઈ રહ્યો છે. ગઈકાલે અમરેલીમાં મહત્તમ તાપમાનનો પારો 34.5 ડિગ્રી રહ્યો હતો અને ન્યુનત્તમ તાપમાનનો પારો 13.4 ડિગ્રી પર પહોંચી ગયો હતો. જ્યારે આજે અમરેલીમાં મહત્તમ તાપમાનનો પારો 35.7 ડિગ્રી રહ્યો હતો અને ન્યુનત્તમ તાપમાનનો પારો 18 ડિગ્રી રહ્યો હતો. એટલે કે ગઈકાલની સરખામણીમાં આજે તાપમાનમાં વધારો થયો હતો. આ ઉપરાંત અમરેલીમાં આજે હવામા ભેજનું પ્રમાણ 68 ટકા રહ્યું હતું. જ્યારે પવનની ગતિ પ્રતિ કલાક 0.6 કિલોમીટરની રહી હતી. આ ઉપરાંત ગીર પંથકમાં પણ તાપમાનમાં વધારો થયો હતો.
સમસ્યા:સાવરકુંડલા તાલુકામાં પરચૂરણની ભારે અછતથી વેપારીઓ મુંઝવણમાં
સાવરકુંડલામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની બ્રાન્ચમાં કરન્સી સુવિધા બંધ થયા બાદ શહેરમાં છૂટ્ટા નાણાંની સમસ્યા વધુ વકરી રહી છે. સાવરકુંડલા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રૂપીયા 10 અને 20ની નોટો તેમજ 1, 2 અને 5 અને 10 રૂપીયાના પરચૂરણની અછત હોવાથી નાના વેપારીઓ ગ્રાહકો સાથે લેતી દેતીમાં ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. વેપારીઓ પહેલેથી જ મંદીની અસર અનુભવી રહ્યા છે. આવા સમયમાં છૂટ્ટા નાણાં પરચુરણની અછત હોવાથી વેપારીઓની હાલત વધુ કફોડી સ્થિતિમાં મૂક્યા છે. વેપારીઓએ રૂપિયા 10 અને 20ની નોટો ફાટેલી આવતી હોવાથી ગ્રાહકો સ્વીકારતા નથી. સાથે જ રૂપીયા 2, 5 અને 10ના સિક્કાઓથી મુશ્કેલીમાં મુકાયા છે. પરચૂરણ પૂરતું ઉપલબ્ધ ન હોવાને કારણે રિટેલ વેપાર પર સીધી અસર પડી રહી છે. હાલ બજારમાં પરચૂરણ મળે છે. પરંતુ તેમાં કમિશન આપવું પડે છે. રૂપિયા એક હજારના પરચુરણ માટે રૂપિયા 100 થી 150 સુધી વધારાનું કમિશન ચૂકવવું પડે છે. ઉપરાંત નવી રૂપિયા 10 અને 20ની નોટોના બંડલ બજારમાં લેવા માટે રૂપિયા 50 થી 100 વધારાની રકમ આપવી પડતી હોવાના પણ વેપારીઓએ આક્ષેપ કર્યા હતા. સાવરકુંડલામાં પરચૂરણની સમસ્યાનો તાત્કાલીક ઉકેલ આવે તેવી વેપારીઓમાં માંગણી ઉઠી છે.
નાજાપુરના અગ્રણીની રાજ્યમંત્રીને રજૂઆત:સરકારી કચેરીઓમાં કામકાજ અને રીસેસ સમય જાહેર કરો
નાજાપુરના કૌશિકભાઈ પાનસુરીયાએ રાજ્યમંત્રીને રજૂઆતમાં જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં આવેલી વિવિધ સરકારી કચેરીઓમાં કામકાજનો સમય અને રીસેસ સમય સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવતો નથી. જેની અનેક ફરિયાદો સામે આવે છે. જેના કારણે સામાન્ય નાગરિકોને ઘણી વખત કચેરીએ જઈને પણ યોગ્ય માહિતી મળતી નથી અને લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. તમામ સરકારી કચેરીઓના પ્રવેશદ્વાર પર કચેરીની અંદર કામકાજનો સમય અને રીસેસ સમય સ્પષ્ટ રીતે લખીને લગાડવા તેમણે માંગણી કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઘણા લોકો દૂર દૂરના ગામડાંમાંથી કામ માટે કચેરીએ આવે છે. પરંતુ સમયની જાણ ન હોવાને કારણે તેમને વારંવાર આવવું પડે છે.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું:જિલ્લાભરમાં 8 માર્ચ સુધી સભા-સરઘસ પર પ્રતિબંધ
જિલ્લામાં રમઝાન અને ધૂળેટીને લઈને કાયદો, વ્યવસ્થા તેમજ જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધાત્મક આદેશ કરતું જાહેરનામુ 8 માર્ચ સુધી અમલી રહેશે. અમરેલી જિલ્લામાં શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદૂક, ચપ્પુ કે ઇજા પહોંચાડવામાં ઉપયોગી હોય તેવી ચીજવસ્તુ પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત રાજયની સલામતી જોખમાતી હોય તેવા છટાદાર ભાષણ આપવા કે ચાળા પાડવા, નકલ કરવી, ચિત્રો, નિશાનીઓ દેખાડવા, કોઈપણ સ્ફોટક પદાર્થો લઈ જવા સહિતની બાબતો પ્રતિબંધિત રહેશે. તેમજ વ્યક્તિઓના પૂતળા દેખાડવાની, લોકોએ બૂમ પાડવાની, ગીતો ગાવાની તથા વાદ્ય વગાડવાની મનાઈ છે. સભા-સરઘસ હથિયારબંધી રહેશે. જિલ્લામાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી સિવાય કોઈ સભા અ્ને મંડળી ભરી શકાશે નહી.ત તેમજ સંબંધિત તાલુકા એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટની પરવાનગી સિવાય લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ છે.
જાણકારી:કોટડી ગામમાં ખેડૂતોને કહ્યું, નવી ટેક્નોલોજી અને આધુનિક પદ્ધતિઓથી ખેતી ખર્ચ ઘટે છે
કોટડી ગામે ખેતીવાડી અંગેના એક માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગરના જાણીતા વેપારી અનિલભાઈ પટેલ દ્વારા આયોજિત આ કાર્યક્રમ ધાતરવડી FPOના મંગળુભાઈ વાળાની વાડીએ યોજાયો હતો. રાજુલા તાલુકાના કોટડી ગામે વૈજ્ઞાનિક ખેતી માર્ગદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નિષ્ણાતો દ્વારા ઊંડાણપૂર્વકની સમજણ આપવામાં આવી હતી વૈજ્ઞાનિક ખેતીએ પરંપરાગત પદ્ધતિ છોડી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. માટે પાક ઉત્પાદન વધારવા માટે ગુણવત્તાયુક્ત બિયારણની પસંદગી કરવી, ટપક સિંચાઈ પદ્ધતિ અને જૈવિક ખાતરનો સચોટ ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે માહિતી આપવામાં આવી હતી. ઓરિએન્ટ ફાર્મના હાર્દિક વસોયા દ્વારા ખેડૂતો માટે સ્થળ પર જ જમીન પરીક્ષણનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, નવી ટેકનોલોજી, આધુનિક પદ્ધતિઓ અપનાવવાથી ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે અને ઉત્પાદન વધે છે, જે ખેડૂતની આર્થિક ઉન્નતિનો સાચો માર્ગ છે. કાર્યક્રમના અંતે એક વિશેષ પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું, જેમાં ખેડૂતોએ પોતાની મુંઝવણો રજૂ કરી હતી અને નિષ્ણાતોએ તેનું સચોટ સમાધાન આપ્યું હતું. ઉપસ્થિત તમામ ખેડૂતોએ ખેતીમાં નવી દિશા અને આધુનિક અભિગમ અપનાવવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. મુખ્ય મહેમાન તરીકે અમરેલી જિલ્લાની અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અમરેલી બાગાયત વિભાગના અધિકારીઓ અને વિસ્તારના પ્રગતિશીલ ખેડૂત મનુભાઈ ઘાખડા હાજર રહ્યા હતા.
નવીનીકરણ:સાવરકુંડલામાં 500 મીટર લંબાઇ11 મીટરનો પહોળો રસ્તો બનાવાશે
સાવરકુંડલા શહેરની મધ્યમાંથી પસાર થતો નાવલી નદી પર નો માર્ગ 1.14 કરોડના ખર્ચે નવો બનવા જઈ રહ્યો છે જેનું ગઈકાલે ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું સાવરકુંડલા શહેરનો મુખ્યમાર્ગ નાવલી નદીના બ્રીજથી સ્ટેશન રોડ સુધીના માર્ગ પર સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેર વિકાસ યોજના અંતર્ગત યુ.ડી.પી. 88 અંતર્ગત અંદાજિત ખર્ચ રૂપિયા 114 લાખના ખર્ચે નવીનીકરણ કરાશે. પોલીસ સ્ટેશનથી જુના બસ સ્ટેન્ડથી નાવલી બ્રિજ સુધીનો સી.સી. રોડ 500 મીટર લંબાઈ 11 મીટરનો પહોળો બનશે. આ રોડની બંને સાઈડ પેવીંગ બ્લોક નખાશે. રોડનું ખાતમુહૂર્ત સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના વરદ હસ્તે થયું હતું. આ તકે સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિકભાઈ નાકરાણી, ચીફ ઓફિસર સાવનભાઈ રતાણી, જીલ્લા ભાજપ અગ્રણી લલિતભાઈ મારૂ, સહિત નગરપાલિકાનો સ્ટાફ, રાજકીય, સામાજિક આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લામાં 14 નાયબ મામલતદારની આંતરિક બદલી કરાઈ છે. જેમાં વી. એમ. ગઢવી જે અગાઉ ભુજ શહેરના ના. મામલતદાર (પુરવઠા) હતા, તેમની બદલી મેજીસ્ટ્રીયલ શાખા, કલેક્ટર કચેરી ખાતે કરાઈ છે. જે. એન. ઝાલા જેઓ સર્કલ ઓફિસર તરીકે બળદિયા (ભુજ ગ્રામ્ય)માં હતા તેમની બદલી અપીલ શાખા, એ. એમ. પરમાર જેઓ ખાવડા ખાતે સીનીયર નાયબ મામલતદાર હતા તેમને હવે સર્કલ ઓફિસર બળદિયા, જ્યારે તેમની ખાલી જગ્યાએ વી. ડી. અમીનને (અગાઉ નાયબ મામલતદાર મ.ભો.યો. ભુજ ગ્રામ્ય) જવાબદારી સોંપાઈ છે. એચ. આઈ. ચૌહાણ જે અગાઉ વિથોણ ખાતે સર્કલ ઓફિસર હતા તેમની બદલી ના. મામલતદાર મ.ભો.યો. ભુજ (ગ્રામ્ય) ખાતે થઈ છે. એન. એચ. ટાંક અબડાસામાં નાયબ મામલતદાર (પુરવઠા) હતા તેમની બદલી હવે નાયબ મામલતદાર પ્રોટોકોલ, કલેક્ટર કચેરીમાં કરાઇ છે. એ. કે. વાવીયા જે અંજારમાં સામાજિક સુરક્ષા શાખામાં હતા તેમની બદલી વસુલાત અધિકારી તરીકે કે.ડી.સી.સી. બેંક ભુજ ખાતે થઈ છે. તેમની જગ્યાએ એમ. પી. અંદરપા (અગાઉ સંકલન બેઠક શાખા ભુજ) ની નિમણૂક થઈ છે. પી. ડી. જોષી જેઓ નખત્રાણામાં ના. મામલતદાર (મ.ભો.યો.-૨) હતા તેમની બદલી હવે સંકલન બેઠક શાખા, કલેક્ટર કચેરીમાં કરાઈ છે. એસ. બી. ધાસુરા જેઓ ફતેહગઢમાં સર્કલ ઓફિસર હતા તેમને હવે ગાંધીધામ ખાતે નાયબ મામલતદાર (પુરવઠા) તરીકે મૂકાયા છે, જ્યારે તેમની અગાઉની જગ્યાએ એટલે કે ફતેહગઢ ખાતે વી. કે. ચૌધરી (અગાઉ નાયબ મામલતદાર પુરવઠા) ની બદલી થઈ છે. આર. જે. બુકોલીયા જેઓ લખપતમાં મતદાર યાદીના નાયબ મામલતદાર હતા તેમને હવે તે જ તાલુકામાં સર્કલ ઓફિસર તરીકે જવાબદારી અપાઈ છે. આર. વી. રાજપુત જે અગાઉ સામાજિક સુરક્ષા શાખા ભુજમાં હતા તેમની બદલી હવે નાયબ મામલતદાર મહેસૂલ નખત્રાણા ખાતે કરાઈ છે અને તેમની ભુજ ખાતેની ખાલી પડેલી જગ્યાએ એ. જી. ઝાલા (અગાઉ નાયબ મામલતદાર હક્કપત્રક ભુજ) ને નિયુક્ત કરાયા છે.
વિશ્વ અને ભારતમાં સ્થૂળતાનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે જેથી WHO અને વિવિધ આરોગ્ય સંસ્થાઓ તેના નિવારણ માટે કામે લાગી છે. આજે 4 માર્ચે ઉજવાનારા વિશ્વ સ્થૂળતા દિવસ પૂર્વે ભુજની જનરલ હોસ્પિટલોના તબીબોએ લાલ બત્તી ધરતાં જણાવ્યું હતું કે, સ્થૂળતા વધવાથી હૃદયરોગ, ડાયાબિટીસ, કેન્સર જેવી બીમારીની સંભાવના રહે છે. વિશ્વની 8 અબજ વસ્તી સામે દુનિયામાં એક અબજ અને ભારતમાં ૮ કરોડ લોકો સ્થૂળતાથી પીડિત છે. શરીરમાં ચરબી અર્થાત્ મેદસ્વિતા વધવાનું મુખ્ય કારણ પ્રથમ તો બિનઆરોગ્યપ્રદ ખોરાક અને નિષ્ક્રિય જીવનશૈલી ઉપરાંત આનુવંશિક, હોર્મોનમાં ફેરફાર, ચયાપચયમાં ઘટાડો, ખરાબ ઊંઘ, દવાની અસર વિગેરે મુખ્ય કારણ છે તેમ અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના મેડિસિન વિભાગના હેડ ડૉ.દેવિકા ભટ્ટે જણાવ્યું હતું. જો સ્થૂળતા વધે તો હૃદયરોગ,કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ,સાંધાના રોગો અને ચોક્કસ પ્રકારના કેન્સર થવાની સંભાવના રહે છે તેમ તેમણે ઉમેર્યું હતું. તબીબો કહે છે ખાવા પીવાનું મહત્વ વ્યાયામથી ઓછું નથી.ધીરે ધીરે વજન ઓછું કરવામાં જ ફાયદો છે.તબીબો કહે છે રોજ જેટલી કેલેરી લેવાય છે તેની માત્રામાં ૫૦૦ કેલેરી ખોરાક ઓછો લેવો જોઈએ. તબીબના જણાવ્યા મુજબ વજન ઘટાડવા ખાનપાન અને જીવનશૈલી ઉપર ધ્યાન આપવું જરૂરી છે. ‘કોઇપણ રીતે વજન ઘટાડવું’ જોખમીસમગ્ર વિશ્વમાં એક મોટી જનસંખ્યા વજન ઉતારવાના કામમાં જોતરાયેલી છે. તેઓ કોઈપણ રીતે વજન ઉતારવા ઈચ્છે છે, તબીબો કહે છે વજન ચોક્કસ ઘટાડવું જોઈએ પણ આરોગ્ય નહીં. કોઈપણ રીતે વજન ઉતારવાની વિચારસરણી યોગ્ય નથી. માત્ર વ્યાયામ જ નહીં પણ ખોરાક સંતુલન, યોગ અને આસન એટલાજ જરૂરી છે. બિલકુલ ન ખાવું અને કસરત જ કરે રાખવાથી ખતરો ઉત્પન્ન થઈ શકે છે.
વલસાડ સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત વલસાડ શહેર ની જાણીતી અંગ્રેજી માધ્યમ ની શાળા આર. એમ. એન્ડ વી.એમ.ઇંગ્લિશ સ્કૂલ ને ગુજરાત સરકાર ના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા મંથલી સ્વચ્છ વર્ડ રેન્કીંગ માં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે. શહેરી વિકાસ વિભાગ તરફથી આ અંગે શાળા ને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવી છે. શાળાને આ ગૌરવ પ્રાપ્ત થતા વલસાડ સાર્વજનિક કેળવણી મંડળ ના પ્રમુખ વિનોદચંદ્ર મગનલાલ દેસાઈ અને સેક્રેટરી દોલતભાઈ દેસાઈ એ શાળાના એમ.ડી. અલ્પાબેન નાયક, શાળાના આચાર્ય જિજ્ઞાબેન ભટ્ટ, બિજલબેન પટેલ, શાળાના શિક્ષકો અને શાળા પરિવાર ને અભિનંદન આપ્યા છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે વલસાડ શહેર ની જાણીતી આર. એમ. એન્ડ વી.એમ. ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ માં મોટાભાગના વિદ્યાર્થીઓ ગરીબ અને પછાત વર્ગના અભ્યાસ કરે છે અને શાળાના સંચાલક મંડળ દ્વારા સૌથી ઓછી ફી લઈને અંગ્રેજી માધ્યમ નું ઉચ્ચકક્ષાનું અને આધુનિક ટેક્નોલોજી સાથે નું શિક્ષણ આપવામાં આવે છે. આ ઉપરાંત શાળાના સંચાલક મંડળના શિક્ષણપ્રેમી અને દાનવીર પ્રમુખ વિનોદચંદ્ર દેસાઈના સાર્વજનિક કેળવણી મંડળ તરફથી કોઈ પણ વિધાર્થીઓ પાસેથી એડમિશન લેવા માટે એક પણ રૂપિયાનું ડોનેશન લેવામાં આવતું નથી. એટલે પૂર્વ પ્રાથમિક શાળાથી ધોરણ 12 સુધી અભ્યાસ કરતા અંગ્રેજી માધ્યમના શિક્ષણ માટે ગરીબ અને પછાતવર્ગ ના વિદ્યાર્થીઓ માટે આ શાળા ખુબ જ આશીર્વાદરૂપ બની છે..
ભાસ્કર ઈનસાઈડ:વલસાડના ઘડોઈ ઘાટકેશ્વર મંદિરે 1.80 કરોડ રિવરફ્રન્ટ ઘાટ સહિતના કાર્યો કરાશે
વલસાડના ઘડોઈ સ્થિત શ્રી ઘાટકેશ્વર મહાદેવ મંદિર પરિસરને પ્રવાસન હોટસ્પોટ તરીકે વિકસાવવા માટે 1.80 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ઘાટ, લેન્ડસ્કેપિંગ, ચિલ્ડ્રન પ્લે એરિયા અને પાર્કિંગ જેવી આધુનિક સુવિધાઓ વિકસાવવાનો મહત્વનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો છે. રાજ્યના ઐતિહાસિક વારસાને જાળવવા અને યાત્રાધામોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાના મક્કમ નિર્ધાર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મંગળવારે એક જ દિવસમાં વિવિધ યાત્રાધામ અને પ્રવાસન સ્થળો માટે અંદાજે 28.68 કરોડના વિકાસલક્ષી કામોને વહીવટી અને નાણાકીય મંજૂરી આપવામાં આવી છે. વલસાડ જિલ્લાના ઘડોઈ ખાતે આવેલા શ્રી ઘાટકેશ્વર મહાદેવ મંદિરના વિકાસ માટે રિવરફ્રન્ટ ઘાટ, લેન્ડસ્કેપિંગ અને ચિલ્ડ્રન પ્લે એરિયા જેવા કામો માટે 1.8ડ કરોડ ફાળવવામાં આવ્યા છે. આ તમામ વિકાસલક્ષી કામો આગામી સમયમાં ગુજરાતના પ્રવાસન નકશાને વધુ સુદ્રઢ બનાવશે અને શ્રદ્ધાળુઓ તેમજ પ્રવાસીઓ માટે સુવિધાઓના નવા દ્વાર ખોલશે. મંદિરનો ઇતિહાસ રસપ્રદ વલસાડ જિલ્લાના ઘડોઇ ગામે આવેલું પ્રાચીન શિવ મંદિર સ્થાનિક આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. લોકકથાઓ મુજબ આ સ્થળે પ્રાચીન સમયમાં ઋષિ-મુનિઓ તપસ્યા કરતા હતા અને ત્યારથી અહીં શિવલિંગ પ્રસ્થાપિત થયું હોવાનું કહેવાય છે. “ઘાટકેશ્વર” નામ વિશે માન્યતા છે કે નજીકના ઘાટ (ટેકરા) વિસ્તારમાં પ્રગટ થયેલા શિવલિંગને આધારે મંદિરનું નામ પડ્યું. સમયાંતરે ગામજનો અને દાતાઓના સહકારથી મંદિરનું પુનઃનિર્માણ અને જીર્ણોદ્ધાર કરાયો હતો.
સ્વદેશી મેળો:વલસાડમાં 7 દિવસમાં 9 લાખથી વધુનો વેપાર, મહિલાઓનો આત્મવિશ્વાસ વધ્યો
વલસાડ નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો 2026’ ની સફળ પૂર્ણાહુતિ સાથે સ્થાનિક મહિલાશક્તિનું પ્રેરણાદાયી પ્રદર્શન જોવા મળ્યું હતું. 24 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી ચાલેલા આ 7 દિવસીય મેળામાં મહિલાઓએ 9 લાખથી વધુનો વેપાર કરી સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી” અને “સર્જનથી સમૃદ્ધિ” ના મંત્રને સાકાર થયો છે. આશરે 50 જેટલા સ્ટોલ્સ પર સખીમંડળની બહેનોએ ઘરેલું અને હસ્તકલા ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેચાણ કર્યું હતું, જેને લોકોએ ઉત્સાહપૂર્વક ખરીદી સમર્થન આપ્યું હતું. ધરમપુરની યોગીતાબેને નાગલીના બિસ્કિટ અને લસણની ચટણી વેચી અંદાજે રૂ. 12 હજારની આવક મેળવી હતી, જે દર્શાવે છે કે પરંપરાગત અને પૌષ્ટિક ખાદ્ય વસ્તુઓને બજારમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વલસાડના અબ્રામા વિસ્તારની કિંજલ રાવલ અને ઉર્વશી પટેલે હેન્ડમેડ બંગડીઓ, સેટ અને એરિંગ્સ જેવી હસ્તકલા વસ્તુઓ વેચી અંદાજે રૂ. 10 હજાર જેટલી આવક કરી હતી. વિનામૂલ્યે સ્ટોલ ફાળવવા બદલ તેમણે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. પર્યાવરણ જાગૃતિનો સંદેશસીબી સ્કૂલ ગ્રાઉન્ડ પાસે યોજાયેલા મેળામાં લસણની ચટણી, અથાણાં, મિલેટ્સ મીઠાઈઓ અને નાગલીના પાપડ જેવી ચીજવસ્તુઓ ખાસ લોકપ્રિય રહી હતી. મિલેટ આધારિત વાનગીઓએ સ્વાસ્થ્ય પ્રત્યે વધતી જાગૃતિને ધ્યાનમાં રાખી વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. આ ઉપરાંત, લીમડા, કેસુડા અને ચંદનથી બનેલા કેમિકલમુક્ત કોસ્મેટિક્સ તેમજ વાંસમાંથી તૈયાર કરાયેલી ઘર સજાવટની વસ્તુઓએ પણ મુલાકાતીઓનું ધ્યાન ખેંચ્યું હતું.
આંગણામાં ખાડો કરી જથ્થો છુપાવ્યો હતો:સુખપરના મકાનમાંથી 6 લાખનો દારૂ પકડાયો, આરોપી ન મળ્યો
તાલુકાના સુખપર ગામમાં આવેલ સુથાર સમાજવાડીની પાછળના ભાગે આવેલા આરોપીના રહેણાંક મકાનમાં વેચાણ માટે રાખેલો રૂપિયા 6.15 લાખની કિંમતનો દારૂ સ્થાનિક પોલીસને મળી આવ્યો હતો,જોકે રેઇડ દરમિયાન આરોપી હાથ લાગ્યો ન હતો. પ્રાપ્ત વિગતો મુજબ માનકુવા પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી.એ દરમિયાન બાતમી મળી હતી કે,આરોપી જયદીપ વિજય ચુડાસમાએ પોતાના ઘરમાં દારૂનો જથ્થો છુપાવીને રાખેલો છે.બાતમીને આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી હતી અને આરોપીના ઘરના આંગણામાં તપાસ કરતા તાજુ ખોદકામ થયેલો હોવાનું દેખાયું હતું.જથી પોલીસે પાવડાથી માટી હટાવતા અંદરથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત ઘરની પાછળના ભાગેથી પણ દારૂ મળી આવ્યો હતો.પોલીસે રૂપિયા 6.15 લાખની કિંમતની 994 દારૂની બોટલ અને બીયરના ટીન સહીતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જોકે આરોપી સ્થળ પર હાજર મળ્યો ન હતો.સમગ્ર મામલે માનકુવા પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભાસ્કર ફોલોઅપ:સુરખાઇ ગામમાં ‘જે.એસ.ડી-2'' શોપિંગસેન્ટરનું ગેરકાયદે બાંધકામ ફરી વિવાદમાં
ચીખલી તાલુકાના સુરખાઇ ગ્રામ પંચાયતની હદમાં આવેલ જે.એસ.ડી-2 નામનું શોપિંગ સેન્ટર ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા નિયમોને નેવે મૂકીને કરવામાં આવેલા આ બાંધકામ પર હાલ શરતભંગની કાર્યવાહી ચાલી રહી છે. આ અંગેનો રિપોર્ટ હાલ કલેક્ટર કચેરીમાં નિર્ણયની રાહ પર છે,તેમ છતાં નિર્ભય બનીને ફરી બાંધકામ શરૂ કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે. સુરખાઈ ગામના બ્લોક સર્વે નંબર-287 વાળી જમીન પર ગેરકાયદે બાંધકામની તપાસ ચાલુ હોવા છતાં,કોઈ પણ પ્રકારની પરવાનગી વગર નવી દુકાનોનું બાંધકામ ધમધમી રહ્યું છે. આ મામલે સમગ્ર પંથકમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે અને જિલ્લા વહીવટી તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થો ઊભા થયા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે શું નિયમો ફક્ત સામાન્ય જનતા માટે જ છે ? શું આવા માલેતુજારોને સરકારના નીતિ-નિયમો લાગુ પડતા નથી ? વિવાદ વકરતા ગ્રામ પંચાયતે માત્ર નોટિસ આપીને સંતોષ માની લીધો હોય તેમ જણાય છે. હવે સુરખાઈ ગ્રામ પંચાયત ક્યારે પોતાના કાયદાકીય અધિકારોનો ઉપયોગ કરી આ ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવશે, તેની જનતા રાહ જોઈ રહી છે. બાંધકામ કરનાર બિલ્ડરના એક રાજકીય નેતા સાથે ગાઢ સંબંધો હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે સરકારી તંત્ર આ વગ ધરાવતા ઈસમો સામે કડક પગલાં લેવાની હિંમત બતાવશે કે કેમ? આ બાબતે જિલ્લા વહીવટી તંત્રને અનેકવાર પૂછતાં એક જ રટણ રટવામાં આવી રહ્યું છે કે થોડા દિવસોમાં નિર્ણય આપી દેવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર સામે પણ અનેક પ્રશ્નાર્થ ઉઠ્યા છે. બાંધકામ બાબતના પુરાવા રજૂ કરવા નોટિસ આપી છેઅમારી ઓફિસમાં કોઇ ડોકયુમેન્ટ હાલમાં રજુ કરાયા નથી. જ્યારે મારી ગેરહાજરીમાં રજૂ કર્યા હોય અને પટાવાળાને આપ્યા હોય તો મને ખબર નથી. અમોએ તો બાંધકામ બાબતના પુરાવા રજૂ કરવા નોટિસ આપી છે. > પ્રીતિબેન પટેલ, તલાટી કમ મંત્રી, સુરખાઈ
‘જશન’ વિધિ:જમશેદજી તાતાની જન્મ જયંતી નિમિત્તે નવસારીમાં ‘જશન’ વિધિ
ભારતીય ઉદ્યોગ જગતના પ્રણેતા અને જેમના હૃદયમાં હંમેશા માનવ કલ્યાણ મોખરે રહ્યું છે એવા મહાન વિભૂતિ જમશેદજી નુસરવાનજી તાતાની મંગળવારે 187મી જન્મ જયંતીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નવસારીના દસ્તુરવાડ સ્થિત તેમના જન્મસ્થળે ગરિમાપૂર્ણ ‘જશન' વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક વિધિ એરવદ ફ્રેડી નોઝર પાલિયાના નેતૃત્વ હેઠળ સંપન્ન થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ અને નગરજનોએ જોડાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જમશેદજી તાતાએ માત્ર ઉદ્યોગોની સ્થાપના જ નથી કરી, પરંતુ ‘ટાટા ગ્રુપ'' દ્વારા નૈતિકતા અને સમાજ ઉત્થાનનો જે પાયો નાખ્યો છે તે આજે પણ અડીખમ છે. નવસારીની ભૂમિ પર જન્મેલા આ મહાન રત્ને વિશ્વભરમાં ભારતનું નામ રોશન કર્યું છે. આ મહાન આત્માને વંદન અને ટાટા ગ્રુપની એ ઉમદા ભાવનાને સલામ, જ્યાં નફા કરતા માનવતા અને લોકકલ્યાણને હંમેશા પ્રાધાન્ય આપવામાં આવે છે.
ભાસ્કર ઈનસાઈડ:રિયલ એસ્ટેટ ગ્રુપોના 400 કરોડના બેનામી વ્યવહારો બહાર આવ્યા
સુરત અને નવસારીના રિયલ એસ્ટેટ ક્ષેત્રના દિગ્ગજો પર આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા હાથ ધરવામાં આવેલું પાંચ દિવસીય ‘સર્ચ ઓપરેશન' આખરે પૂર્ણ થયું છે. આ મેગા ઓપરેશનમાં ઓપેરા ગ્રુપ, મિરિખ ઈન્ફ્રાટેક અને જાણીતા બ્રોકર વિશાલ રાવ સહિત કુલ 22 સ્થળોએ સઘન તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક અહેવાલો મુજબ, આ તપાસમાં અંદાજે ₹350થી ₹400 કરોડના બેનામી નાણાકીય વ્યવહારો મળી આવતા ફફડાટ ફેલાયો છે. અધિકારીઓની તપાસમાં બહાર આવ્યું છે કે જમીન દલાલોની મધ્યસ્થી દ્વારા કરોડો રૂપિયાના વ્યવહારો રોકડમાં કરીને કેપિટલ ગેઈન ટેક્સની મોટાપાયે ચોરી કરવામાં આવી હતી. આ પ્રકરણમાં ખેડૂતોની ભૂમિકા પણ શંકાના દાયરામાં છે, જેમણે જમીન વેચાણની રોકડ રકમ સત્તાવાર રીતે ક્યાંય દર્શાવી ન હતી. આઈટી અધિકારીઓએ સુરત, નવસારી, અમદાવાદ અને ભાવનગરથી વાંધાજનક દસ્તાવેજો અને ડિજિટલ ડેટા જપ્ત કર્યો છે. કોઈપણ મૂડી રોકાણ વગર માત્ર કમિશન અને રોકડની હેરફેર દ્વારા જંગી કમાણીના પુરાવા મળ્યા છે. જપ્ત કરવામાં આવેલી ડાયરીઓના આધારે સંકળાયેલા બ્રોકરોને કરોડોની પેનલ્ટી થઈ શકે છે. નવસારીમાં અધિકારીને લાંચની ઓફર થઈ હતી નવસારીમાં જમીન વિષયક દસ્તાવેજો ઉપર તપાસ દરમિયાન એક અગ્રણી દ્વારા અધિકારીઓને લાંચ આપવાની કોશિશ કરી પણ અધિકારીઓએ સ્પષ્ટ ના પાડી હતી અને દસ્તાવેજો સીઝ કરી દીધા હોવાનું નવસારી જિલ્લામાં ચર્ચાઈ રહ્યું છે. જોકે આ વ્યક્તિ કોણ હતો તે અંગેની પણ ચર્ચા થઈ રહી છે. આગામી દિવસોમાં અધિકારીઓને લાંચ આપવાની કોશિશ કરનાર અને સબંધ ધરાવનારા પણ તપાસ થવાની શકયતા વધી છે.
જાનહાનિ ટળી:વેસ્મા હાઈવે પર ટેન્કર ડિવાઈડર કૂદી મકાનો પાસે ધસી ગયું
નેશનલ હાઇવે નંબર 48 પર વેસ્મા ગામની સીમમાં આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલા એક ટેન્કરના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેન્કર ડિવાઈડર તોડીને સીધું સર્વિસ રોડ ક્રોસ કરી રહેણાંક મકાનો તરફ ધસી ગયું હતું. સદનસીબે ટેન્કર મકાનોની દીવાલ પાસે અટકી જતા મોટી હોનારત ટળી હતી. મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે પરથી પસાર થઈ રહેલું ટેન્કર (નં. GJ-21-W-9690) પૂરપાટ ઝડપે જઈ રહ્યું હતું ત્યારે વેસ્મા ગામ નજીક અચાનક ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ બનેલું ટેન્કર જોરદાર ધડાકા સાથે મુખ્ય માર્ગના ડિવાઈડર તોડીને સર્વિસ રોડ પર ફંટાયું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે ટેન્કર સર્વિસ રોડ પણ ઓળંગી ગયું હતું અને રોડની બાજુમાં આવેલા મકાનો તરફ ધસી ગયું હતું. ઘટનાની જાણ થતા જ વેસ્મા આઉટ પોસ્ટના પોલીસ જવાનો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. પોલીસે ક્રેન મારફતે ટેન્કરને હટાવવાની અને અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ટાયર ફાટતા ઘટના બની હોવાનું ચર્ચાય રહ્યું છે.
ભાસ્કર ઈનસાઈડ:મધ્યમ વર્ગના પેન્શનરો મુશ્કેલીમાં નિવૃત કર્મીને ‘જી-કાર્ડ’માં અડચણ
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે નિવૃત્તિ બાદ પેન્શન મેળવવા માટે જરૂરી ‘જી-કાર્ડ’ કઢાવવાની પ્રક્રિયા છેલ્લા એક મહિનાથી અત્યંત જટિલ બની ગઈ છે. ખાસ કરીને નવસારી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં કર્મચારીઓને જૂના ‘મા-કાર્ડ’ રદ કરાવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી કર્મચારી આલમમાં રોષ જોવા મળી રહ્યો છે. અગાઉની પદ્ધતિ મુજબ જ્યારે કર્મચારી જી-કાર્ડ માટે અરજી કરતા ત્યારે તેમની પાસે રહેલા જૂના ‘મા-કાર્ડ’ પુરાવા તરીકે જમા લેવાતા અને 8થી 10 દિવસમાં તે આપોઆપ રદ થઈ જતા, ત્યારબાદ નવું જી-કાર્ડ સરળતાથી મળી જતું હતું પરંતુ નવા નિયમ મુજબ જો જૂનું ‘મા-કાર્ડ’ (જેની મર્યાદા 3 વર્ષની હોય છે) એક્સપાયર થઈ ગયું હોય, તો તેને પહેલા ફરીથી એક્ટિવ કરાવવું પડે છે. જે બાદ તેને રદ કરવાની પ્રક્રિયા હાથ ધરી શકાય છે, ત્યારબાદ જ જી-કાર્ડ ઇશ્યૂ થાય છે. જેને લઇ નવસારી સહિત જિલ્લામાં ઘણાં પેન્શન કર્મીઓ તકલીફમાં મુકાયા છે. વહીવટી તંત્ર દ્વારા આ સમસ્યાનું સમાધાન થાય તેવી માંગ પેન્શનકર્મીઓએ કરી છે. વધતા મોંઘવારી ભથ્થા (DA) ને કારણે અનેક પેન્શનરોની વાર્ષિક આવક 4 લાખથી વધી જતાં નવા PM-JAY કાર્ડ નીકળતા નથી. જી-કાર્ડ એટલે શું?જી-કાર્ડ એ પેન્શનરની ઓળખ માટેનું એક ડિજિટલ અથવા ફિઝિકલ આઈડેન્ટિટી કાર્ડ છે. જ્યારે કોઈ સરકારી કર્મચારી નિવૃત્ત થાય છે, ત્યારે તેમને ‘પેન્શન પેમેન્ટ ઓર્ડર' આપવામાં આવે છે. જી-કાર્ડ આ PPO નો એક ટૂંકો અને સરળ ઓળખ પુરાવો છે.જેમાં પેન્શનરની ઓળખ, સરળ પ્રક્રિયા, તબીબી સુવિધાઓ અને રેલવેમાં કનેકશન આ જી કાર્ડ થી મળે છે. તર્કવિહીન નિયમ સામે સરકારમાં લેખિત રાવ, જૂની પદ્ધતિ અમલમાં મૂકાય તેવી માગ ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિએ આ પ્રક્રિયાને તર્કવિહીન ગણાવી છે. જે કાર્ડની મુદત પૂરી થઈ ગઈ છે તેને રદ કરવા માટે ફરીથી એક્ટિવ કરાવવાનો નિયમ બિનજરૂરી સમયનો બગાડ કરે છે. આ બાબતે સમિતિએ રાજ્યના આરોગ્ય કમિશનરને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે જૂની સરળ પદ્ધતિ ફરી અમલી બનાવવામાં આવે. અબ્રામા સિવિલમાં આ અંગે અનેક અરજીઓ પડતર છે, જેના ઉકેલની માંગ ઉઠી છે.
કચ્છમાં આજથી ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ અપર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં તાપમાનમાં વધારો નોંધાશે. ૩ દિવસ સુધી જિલ્લામાં વાતાવરણ સૂકું રહેશે. ખાસ કરીને આજથી 6 માર્ચ દરમિયાન કચ્છના દરિયા કાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાની સંભાવના છે. આ ગરમ અને ભેજવાળા પવનના કારણે લોકોને અકળામણનો અનુભવ થઈ શકે છે. ભેજના પ્રમાણમાં વધારો થવાને કારણે ગરમીનો અસરકારક પ્રભાવ વધુ જણાઈ શકે છે. દિવસ દરમિયાન તાપમાન સામાન્ય કરતાં 4-6 ડીગ્રી વધારે રહેવાની શક્યતા છે, જ્યારે રાત્રિના સમયે તાપમાનમાં ખાસ ફેરફાર નહીં જોવા મળે. ખાસ કરીને ભુજ શહેરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ પહોંચવાનું અનુમાન છે. તાપમાન વધતા લોકોને બપોરના સમયે બહાર નીકળતાં સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. IMD અમદાવાદ અનુસાર આજથી કચ્છમાં ગરમીનો પારો ઉંચકાવાની સંભાવના હોવાથી નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. કચ્છ સહીત રાજ્યમાં માર્ચની શરૂઆત સાથે જ ગરમીનો અહેસાસ ભારે થવા લાગ્યો છે. આ વર્ષે ઉનાળો સામાન્ય કરતાં વધુ તીવ્ર રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે, અપર એર સર્ક્યુલેશન સક્રિય થતા આગામી દિવસોમાં તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે માર્ચ માસની શરૂઆતથી જ સમગ્ર કચ્છમાં ગરમીનો પારો 35 ડીગ્રીની આસપાસ સ્થિર થયો છે. જેના કારણે બપોરના ભાગે આકરી ગરમી પડી રહી છે. તેની વચ્ચે તાપમાનમાં વધારો થવાથી લોકોને હાલાકી ભોગવવી પડશે. કચ્છમાં મંગળવારે નોંધાયેલ તાપમાનના આંકડાશહેર તાપમાન
‘સિક્સ હિલ્સ અ ડે’:યુવાનોએ 6 ડુંગર, 21 કિ.મી.નું આરોહણ 19 કલાકમાં પૂર્ણ કર્યું
કચ્છની પ્રકૃતિને નજીકથી માણતા અને સાહસિકતા સાથે શારીરિક-માનસિક ક્ષમતા અજમાવતા ‘સિક્સ હિલ્સ અ ડે’ કાર્યક્રમનું આ વર્ષે આઠમી વખત સફળ આયોજન થયું. ભુજ રનર્સ દ્વારા છેલ્લા સાત વર્ષથી યોજાતો આ વિશિષ્ટ સાહસિક પ્રવાસ હવે કચ્છના પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન બનાવી રહ્યો છે કચ્છમાં રણ, દરિયો અને જંગલો જેવી વૈવિધ્યસભર પ્રાકૃતિક વિશેષતાઓ વચ્ચે મધ્યમ કદના અનેક સુંદર ડુંગરો આવેલા છે. આ ડુંગરોના પરિભ્રમણમાં જ્યારે સાહસનો તત્વ ઉમેરાય ત્યારે ‘સિક્સ હિલ્સ અ ડે’ જેવા કાર્યક્રમનું સર્જન થાય છે. ભુજના ડો. આલાપ અંતાણી અને કુશાગ્ર રાવલ દ્વારા વર્ષ 2016માં આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે એક જ દિવસે કચ્છના છ જાણીતા-અજાણીતા ડુંગરોનું આરોહણ-અવરોહણ કરીને આ કાર્યક્રમ યોજાય છે. આ વર્ષે 22 ફેબ્રુઆરી, રવિવારે યોજાયેલા અભિયાનમાં રાજકોટ અને અમદાવાદ સહિત વિવિધ શહેરોમાંથી સાહસવીરોએ ભાગ લીધો હતો. પરોઢે 3:30 વાગ્યે શરૂઆત કરીને રાત્રે 9:30 વાગ્યા સુધી ચાલેલા આ કાર્યક્રમ દરમિયાન આશરે 250 કિ.મી.નો બસ પ્રવાસ અને કુલ 21 કિલોમીટર જેટલું આરોહણ-અવરોહણ પૂર્ણ કરવામાં આવ્યું. ભાગ લેનારોએ ભુજીઓ, કીરીયો, ધીરણોધર, સાયરો, નનામો અને ચંદ્રુઆ જેવા ડુંગરો સર કર્યા. પરોઢ અને રાત્રિના અંધકારથી લઈને બપોર સુધી ચાલતા આ ટ્રેક દરમિયાન શારીરિક તેમજ માનસિક કસોટી લેવાય છે. તેથી કાર્યક્રમમાં ભાગ લેવા માટે નિયમિત વ્યાયામ, મેરેથોન, ટેનિસ, જીમ અથવા ટ્રેકિંગ જેવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોવું જરૂરી માનવામાં આવે છે. ‘સિક્સ હિલ્સ અ ડે’ દ્વારા ભુજ રનર્સ કચ્છના વૈવિધ્યસભર સૌંદર્યને નવા દૃષ્ટિકોણથી અનુભવવાની તક પણ મળે છે. આ આયોજનને સફળ બનાવવા રાજ ઠક્કર, હિતેશ બિજલાણી, પાર્થ ગુંસાઈ, કપિલ ભવાની, પ્રિયાંક દાવડા સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
વાગરા તાલુકાના પીપલીયા ગામમાં પૌત્રના વિવાદમાં દાદાની ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. પોલીસે ત્રણેય આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધાં છે. પીપલીયા ગામે પૌત્રને ગાળો બોલવા બાબતે ઠપકો આપતા દાદાની હત્યા કરી દેવામાં આવી હતી. 24મી ફેબ્રુઆરીના રોજરાત્રિના આશરે આઠેક વાગ્યાના અરસામાં પીપલીયા ગામના જૂના ફળિયામાં આવેલી મહમદભાઈની દુકાન પાસે આ હિંસક મારામારી થઇ હતી. ફરિયાદી સોમા રાઠોડનો પૌત્ર જગદીશ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે ગામના જ ત્રણ શખ્સો તેને સામાન્ય બાબતમાં ગાળો બોલી ઝઘડો કરી રહ્યા હતા. પોતાના પૌત્રને મુશ્કેલીમાં જોઈ 60 વર્ષીય સોમાભાઈ વચ્ચે પડ્યા હતા. અને હુમલાખોરોને શાંત રહેવા સમજાવતા પૂછ્યું હતું કે, તમે મારા પૌત્રને કેમ ગાળો બોલીને મારો છો? આટલો ઠપકો આપતા જ આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. નગીન વસાવા, વિનોદ વસાવા અને બિપિન વસાવાએ પાઇપ અને લાકડાના સપાટા વડે વૃદ્ધ પર જીવલેણ હુમલો કરી દીધો હતો. વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચાડી આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. જોકે શરૂઆતમાં ગામમાં સામાજિક સ્તરે સમાધાનના પ્રયાસો થયા હતાં. પરંતુ બીજા દિવસે તેમને અસહ્ય દુખાવો ઉપડતા તેમને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યાં તેમની હાલત વધુ નાજુક જણાતા ડોક્ટરોએ તેમને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં રિફર કર્યા હતાં. વડોદરામાં સારવાર દરમિયાન તેમણે દમ તોડી દીધો હતો. વાગરા પોલીસે ત્રણે આરોપી સામે હત્યાનો ગુનો નોંધી તેમને ઝડપી પાડયાં હતાં. નજીવી બાબતે થયેલા ઝઘડામાં વૃદ્ધનો જીવ ગયોવાગરા તાલુકાના પીપલીયા ગામમાં ચાર યુવાનો વચ્ચે નજીવી બાબતે ઝઘડો થયો હતો. જેમાં પોતાના પૌત્રને બચાવવા માટે દાદા ગયાં હતાં. ઉશ્કેરાયેલા ત્રણેયે વૃધ્ધને ઢોર માર માર્યો હતો. જેમાં આખરે વૃધ્ધને જીવ ગુમાવવો પડયો હતો.
વ્યાજખોર ટોળકીએ ~49 લાખ સામે 90 લાખ વસુલી 5 કિલો સોનુ અને 3 કરોડની જમીન પચાવ્યાની ફરિયાદ બાપોદ પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે મૂળ અરજીમાં દર્શાવાયેલા 3 પૈકી એક આરોપીનું નામ એફઆઈઆરમાં નહીં નોંધ્યું હોવાનો આરોપ ફરિયાદીએ લગાવ્યો છે. આજવારોડ રહેતા પાર્વતીબેન પ્રભુભાઈ સોલંકીએ ફરિયાદ અગાઉ ગૃહ મંત્રી, મહિલા આયોગ, કલેક્ટર, પોલીસ કમિશનર, સહિતને ફરિયાદ કરી હતી. જેમાં સમીર અરવિંદભાઈ પટેલ, રહે ન્યૂ વીઆઇપી રોડ, અરવિંદ શનાભાઈ પટેલ, રહે ગોરવા તેમજ દર્શિત ભૂપેન્દ્ર ઉર્ફે ટીનો શાહને આરોપી દર્શાવી જણાવ્યું કે, પતિએ ~49 લાખ 2021માં વ્યાજે સમીર પટેલ પાસે લીધા હતા. સામે સોનાની 20 બંગડી, હીરાનો હાર, 2 મંગળ સૂત્ર, સોનાનું કડુ મળી 5 કિલો સોનુ કેટલાંક બિલ સાથે આપ્યું હતું. બાદમાં વ્યાજ વધારી દીધું હતું. બાપોદ ગામ ટીપી 43 ફાઇનલ પ્લોટ 99/3ની જમીનનું રજીસ્ટર બાનાખત કરાવી ~3 કરોડ કિંમત દર્શાવી હતી. આજવારોડ પરિતોષ નગરની દુકાન પણ 20 લાખ વ્યાજ પેટે લખાવી હતી. બાપોદની જમીનના 3 કરોડ આપવાનું જણાવ્યું હતું. જેમાં મૂડીનો પણ સમાવેશ થશે કહી અરવિંદ પટેલે જમીન દર્શિત ભૂપેન્દ્ર ઉર્ફે ટીનો શાહને 2022માં વેચી નીલકંઠ એવન્યુમાં દુકાન આપવાનું નક્કી કર્યું હતુ અને 2.35 કરોડના ચેક આપ્યા હતા. દર્શિત ભૂપેન્દ્ર શાહના રૂપિયા આવશે ત્યારે આપીશ કહી સમીરે પાર્વતીબેન પાસેથી ચેક લીધા હતા. બાદમાં કોર્ટમાં ફસાવી દેવાની ધમકી આપી વ્યાજની માંગણી કરી હતી. બાપોદ પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધ શરૂ કરી છે. એક વર્ષ ઇકો સેલે અરજી દબાવી રાખીપાર્વતીબેને 1 વર્ષ પૂર્વે વ્યાજખોરો સામે ઈકો સેલમાં ફરિયાદ કરી હતી.જેમાં 11-3-25એ પીઆઇ આર.એસ.ઠાકર સમક્ષ નિવેદન આપ્યું હતું. જેમાં 3 કરોડની જમીન અને 5 કિલો સોનુ વ્યાજખોરોએ પચાવ્યું હોવાનું નોંધાવ્યું હતું. ફરિયાદ વર્ષ બાદ બાપોદ પોલીસ મથકે થઇ જેમાં સમીર પટેલ, અરવિંદ પટેલ અને દર્શિત શાહ પૈકી દર્શિત શાહનું નામ બાકાત કરી દેવાયું છે. દર્શિત ભૂપેન્દ્ર ઉર્ફે ટીનાનું નામ ફરિયાદમાંથી બાકાત કરી દીધુંવ્યાજખોર ટોળકીએ 3 કરોડની જમીન અને 5 કિલો સોનુ પડાવી લીધું છે. ફરિયાદી બહેને મને વકીલ તરીકે રોક્યો હતો. ગૃહ મંત્રીથી માંડી પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી હતી. જેમાં સમીર પટેલ, અરવિંદભાઈ પટેલ અને દર્શિત ભૂપેન્દ્ર ઉર્ફે ટીનો શાહ આરોપી હતા. પ્રથમ ઈકો સેલ અને બાદમાં બાપોદ પોલીસમાં પહોચેલી ફરિયાદમાં ભેદી રીતે એક આરોપી દર્શિત ભૂપેન્દ્ર શાહનું નામ બાદ કરી દેવાયું છે. આ અંગે ગૃહ મંત્રી અને પોલીસ કમિશનરને ફરિયાદ કરવામાં આવશે અને જમીન લખાવનાર અને લેનાર સમીર પટેલ અને દર્શિત શાહ સામે લેન્ડ ગ્રેબિંગ અંગે પણ કલેકટર સમક્ષ ફરિયાદ કરવામાં આવશે. > ધર્મેશ દુબે, એડવોકેટ બાપોદ પોલીસ ઉપર વિશ્વાસ નથી, ક્રાઇમ બ્રાન્ચને સોંપોઅગાઉ ગૃહ મંત્રીથી માંડી પોલીસ કમિશનર સુધી લેખિત ફરિયાદ કરી હતી. જેમાં ઊંચું વ્યાજ વસૂલવામાં આવ્યું હતું. જ્યારે અમારી 3 કરોડની જમીન અને 5 કિલો સોનુ પડાવી લીધું છે. આ ફરિયાદમાં 3 આરોપી હતા. ત્યારે બાપોદ પોલીસે એક આરોપીનું નામ બારોબાર કમી કરી માત્ર બે આરોપીને જ ફરિયાદમાં દર્શાવ્યા છે. મને બાપોદ પોલીસ ઉપર વિશ્વાસ નથી. અમારી ફરિયાદની તપાસ ક્રાઈમ બ્રાન્ચ અથવા સીઆઇડી ક્રાઇમને સોંપવાની માંગ કરી છે. > પાર્વતી સોલંકી, ફરિયાદી આ જમીન દર્શિત ભૂપેન્દ્ર શાહને વેચી હતીઆ મામલામાં આરોપી સમીર પટેલના વકીલ પ્રકાશ માંડવીયાએ જણાવ્યું છે, કે ફરિયાદીએ ખોટા આરોપ લગાવ્યા છે. 5 કિલો સોનાના બિલ ફરિયાદીએ રજૂ કર્યા નથી. અવેજની રકમ લીધા બાદ બાપોદની જમીન સમીર પટેલે લીધી હતી. જે દર્શિત ભૂપેન્દ્ર શાહને વેચવામાં આવી હતી. અમે આ અંગે અદાલતમાં પણ કાર્યવાહી શરૂ કરી છે.
• SP સહિતના અધિકરીઓ ઘટના સ્થળે દોડી ગયા રાજકોટમાં વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં મેટોડા GIDC વિસ્તારમાં ટ્રકે રિક્ષાને અડફેટે લેતા રીક્ષા ચાલક યુવાન તેમજ બે સગા ભાઈઓ અને એક શ્રમિક મુસાફર મળી કુલ ચાર લોકોના મોત નિપજ્યા છે જયારે ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક મૂકીને નાસી જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી અને ગણતરીની કલાકોમાં જ પોલીસે ઓખાના રહેવાસી ટ્રક ચાલક બંસીભારતી બટુકભારતી ગોસ્વામીની ધરપકડ કરી ફરિયાદ દાખલ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. બનાવની જાણ થતા જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને FSL તેમજ RTOની મદદ લઇ પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ કાલાવડ રોડ હાઇવે પર આવેલ મેટોડા GIDC ગેઇટ નંબર 3માં આવેલ યુનિવર્સલ ટેક્નોકાસ્ટ નામના કારખાના નજીક રાત્રીના 10 વાગ્યા આસપાસ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં જીજે.03.બીવાય.8889 નંબરના ટ્રકે રીક્ષાને અડફેટે લેતા જીજે.03.બીએક્સ.5656 નંબરની રીક્ષાનો બુકડો બોલી ગયો હતો. ઓટો રિક્ષામાં બે સગા ભાઈઓ અને એક શ્રમિક મળી કુલ 3 મુસાફરો બેઠા હતા જે તમામ અને રીક્ષા ચાલક મળી કુલ ચાર લોકોના આ અકસ્માતમાં મોત નિપજ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ઓટો રીક્ષા શ્રી રામ હોસ્પિટલ પાસેથી પસાર થઇ ગેઇટ નંબર 3માં જતી હતી દરમિયાન અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સુનિલ અશ્વિનભાઈ વરાણીયા (ઉ.વ.28) જે પોતે મેટોડા GIDC વિસ્તારમાં આવેલ મચ્છોનગર વિસ્તારમાં જ રહેતો હોવાનું અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હોવાનું સામે આવ્યું છે. મૃતક રીક્ષા ચાલક એક બેન ત્રણ ભાઇમાં મોટો હતો અને તેને સંતાનમાં બે દીકરી હોવાનું સામે આવ્યું છે જેને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાઈ જવા પામ્યો છે. જયારે આ અકસ્માતમાં બે સગા ભાઈઓ અને એક શ્રમિક કે જેઓ રિક્ષામાં મુસાફર તરીકે બેઠા હતા તેમના પણ મોત નિપજ્યા છે જેમાં વિશાલ સવસીભાઈ ગાંગડિયા અને વિજયસવસીભાઇ ગાંગડિયાનો સમાવેશ થાય છે જેઓ પણ મેટોડા GIDC વિસ્તારમાં જ આવેલ રોટરી ક્લ્બ નજીક રહેતા હોવાનું સામે આવ્યું છે મૂળ તેઓ સુરેન્દ્રનગરના વતની હતા અને અહીંયા પેઈન્ટર તરીકે મેટોડા અને આસપાસમાં પેઇન્ટિંગ કામ કરતા હતા. આ ઉપરાંત અકસ્માતમાં મૃત્યુ પામેલ અન્ય એક શ્રમિકની ઓળખ મેળવવા માટે પોલીસ તપાસ હાથ ધરી છે. બનાવ અંગેની જાણ થતા જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર, DYSP કે જી ઝાલા સહીત મેટોડા પોલીસ તેમજ LCB ટિમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. હાલ મેટોડા પોલીસે ચારેય મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત અંગે ગુનો નોંધવા તેમજ અકસ્માત સર્જી નાસી છૂટેલા ઓખાના રહેવાસી ટ્રક ચાલક બંસીભારતી બટુકભારતી ગોસ્વામીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર નજીકના અધેવાડા ગામે 5 દિવસ પૂર્વે અવાવરું જગ્યામાં આવેલ બાવળની કાંટમાંથી શંકાસ્પદ હાલતે યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં મૃતકના શરીરના ભાગે અને માથાના ભાગે ઈજા જોવા મળતા હત્યાની આશંકા જાગી હતી. ત્યારબાદ યુવાનના પીએમ રીપોર્ટમાં હત્યા થયાનું સામે આવતા હત્યાની ક્લમ હેઠળ ગુનો નોંધાયો હતો. જે મામલે એલસીબીએ તપાસ હાથ ધરી આજરોજ ચિત્રા વિસ્તારમાં રહેતા શખસને ઝડપી પાડ્યો હતો. બાવળની કાંટમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતોઆ બનાવ અંગેની ભરતનગર પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર ભાવનગરના અધેવાડા ગામ નજીક અને શહેરના શિવમ અમ્રુત સોસાયટી, ડી-માર્ટ વાળા જવાના રસ્તા વિસ્તારની અવાવરુ જગ્યામાં બાવળની કાંટમાં આવેલ સિમેન્ટની વંડી પાસેથી શંકાસ્પદ હાલતમાં એક યુવાનનો મૃતદેહ મળી આવતા ડીવાયએસપી સહિતો પોલીસ સ્ટાફ ડોગ સ્કોવડ, એફએસએલ સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. મૃતક યુવાનનો કબજો લઈ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જેમાં યુવાનને માથાના ભાગે થયેલી ઈજાઓ જોવા મળતા યુવાનની હત્યા થયાની આશંકા ઉભી થવા પામી હતી. LCB બાઈકના આધારે હત્યારા સુધી પહોંચીપોલીસની તપાસ દરમિયાન મૃતક યુવાન અધેવાડા ગામના દેવિપુજક વાસમાં રહેતા મથુરભાઈ હીરાભાઈ પરમાર (ઉ.વ.40) હોવાનું ખુલવા પામ્યુ હતું. જ્યારે બનાવ સ્થળથી થોડે દુર એક શંકાસ્પદ બાઈક મળી આવતા પોલીસે કબજે લીધું હતું. જે દરમિયાન મૃતક યુવકનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા તેની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા મૃતકની પત્નીએ ભરતનગર પોલીસ મથકમાં અજાણ્યા શખસ સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે પુછપરછ કરતાં હત્યાની કબુલાત કરીઆ બનાવને લઈ એલસીબી પીઆઈ વાળા સહિતના સ્ટાફ વણશોધાયેલ હત્યાનો ગુન્હો શોધી કાઢવા માટે ટેકનિકલ તથા હ્યુમન સોર્સીસ મારફતે ફળદાયક માહિતી મેળવવા માટે અલગ-અલગ ટીમ બનાવી તપાસમાં જોડાય ગયેલ હતાં. જે દરમિયાન આ હત્યામાં હિરો સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર- GJ. 04.EB - 9045 ના ધારક શંકાસ્પદ હોવાની માહિતી મળી આવી હતી. જે મોટરસાયકલ ચાલક રાજેન્દ્ર ગોબરભાઈ સોલંકી ઉ.વ.40 રહે.પટેલનગર, ચિત્રા, ભાવનગરને એલસીબી ઓફિસે બોલાવી પુછપરછ કરતાં તેણે મથુરભાઈની હત્યા કરેલ હોવાની કબુલાત આપી હતી. જેથી આ અંગે આગળની વધુ તપાસ થવા માટે શખ્સને ભરતનગર પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવ્યો હતો. કોઈ કપલ સ્કૂટર લઈ અહીંથી પસાર થયુંની બાતમી ને શખ્સ દબોચાયોસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસે આ બનાવમાં અલગ-અલગ બે ટીમો બનાવી તપાસમાં કામે લાગી હતી. જેમાં પોલીસે 26થી 2 માર્ચ સુધી બનાવ સ્થળની આજુબાજુના તમામ ખેતરોની તપાસ કરવામા આવી હતી. જેમાં પોલીસને બનાવ સ્થળ નજીક દુકાન ધારકની પૂછપરછ કરવામાં આવતા ત્યાંથી પોલીસને કળી મળી હતી કે કોઈ કપલ સ્કૂટર લઈ અહીંથી પસાર થયું હતું. જે પોલીસે ટેક્નિકલ ટીમ બનાવી સ્કુટરના નંબરથી ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં રહેતો રાજેન્દ્ર સોલંકીને એલસીબીએ ઝડપી પાડ્યો હતો. મહિલા સાથે આડાસબંધ ને અડપલા કર્યા ને પતાવી દીધોરાજેન્દ્ર સોલંકીની પોલીસ પૂછપરછ દરમિયાન તેને કોઈ મહિલા સાથે આડાસબંધ હોઈ તે બન્ને અધેવાડાની અવાવરું જગ્યાના બાવળની કાંટમાં બેઠા હતાં, તે દરમિયાન મૃતક યુવક આવી રાજન્દ્રે સાથે રહેલ મહિલા સાથે મૃતક યુવક મથુરભાઈએ અડપલા કર્યા હતાં. જેમાં રાજેન્દ્ર અને મહિલા સાથે મૃતક યુવકે અગાવ પણ 4થી 5 વખત હેરાન પરેશાન કર્યા હતાં. જેને લઈ રાજન્દ્રે સોલંકી ઉશ્કેરાઈને પ્રથમ મથુરભાઈનું ગળું દબાવ્યું હતું અને ત્યારબાદ તેને માથાના ભાગે પથ્થર મારી હત્યા કરી હતી. મૃતક યુવક અવાવરુ જગ્યામાં બેસવા આવતોપોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, મૃતક યુવક મથુરભાઈ અધેવાડાની અવાવરુ જગ્યામાં બેસવા આવતા અંદાજિત 25થી વધુ લોકો પાસેથી પૈસાની માંગણી કરી હેરાન પરેશાન કરતો હતો. જ્યારે પોલીસે રાજેન્દ્ર સોલંકીની સાથે આ બનાવમાં અન્ય જે મહિલા કોણ છે એનો શુ રોલ હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. શંકાસ્પદ હિલચાલ જણાતા તપાસ આદરીને ભાંડો ફૂટ્યોભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારના અધેવાડા ખાતે બાવળની કાટમાંથી મળી આવેલી મથુરભાઈ પરમારની લાશ અંગે ભેદ ઉકેલતા સીટી ડીવાયએસપી આર.આર. સિંઘાલે જણાવ્યું હતું કે, ઘટનાસ્થળેથી મૃતકની કોઈ પણ ચીજવસ્તુઓ ન મળતા અને ડોગ સ્ક્વોડની તપાસમાં શંકાસ્પદ હિલચાલ જણાતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી.
સુરત મહાનગરપાલિકાની આગામી 11 માર્ચે ટર્મ પૂર્ણ થઈ રહી છે, ત્યારે સૌની નજર ટર્મ પૂરી થવાના આગલા દિવસે મળનાર સાધારણ સભા પર છે. આ સભા 10 માર્ચ, 2026ના રોજ સાંજે 4 કલાકે પાલિકા કચેરીના સરદાર વલ્લભભાઈ પટેલ સભાગૃહ ખાતે મળવાની છે. આ સભામાં સ્થાયી સમિતિ અને બીજી 5 સમિતિના વિવિધ મહત્વના કામો પર ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે. સ્થાયી સમિતિના કામોસભામાં લિંબાયત વિસ્તારમાં સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ માટે જમીનની પરસ્પર ફેરબદલી અને ફાળવણી અંગે મહત્વનો નિર્ણય લેવાશે. આ ઉપરાંત, ગોડાદરા-ડિંડોલીની નગર રચના યોજના હેઠળના કામો પણ એજન્ડા પર છે. અટલબિહારી વાજપેયી ઓડિટોરિયમના ભાડા અને અન્ય સેવાઓના દરોને બહાલી આપવા અંગે પણ ચર્ચા થશે. શહેરના રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર ડ્રેનેજ જોડાણોને નિયમબદ્ધ કરવા માટેના સુધારા અંગે ચર્ચા થશે સાથે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પણ ગટર લાઈન નિયમબદ્ધ કરવા વિચારણા કરાશે જેને ₹500 ભરી કાયદેસર કરાશે. જાહેર પરિવહન પ્રવૃત્તિ સમિતિના કામોસુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં જાહેર પરિવહન પ્રવૃત્તિ સમિતિ અંતર્ગત ટ્રાફિક વ્યવસ્થાપન માટે એક મહત્વપૂર્ણ દરખાસ્ત રજૂ કરવામાં આવશે. શહેરના વિવિધ રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે નવી જગ્યાએ કુલ 45 નવા ટ્રાફિક સિગ્નલ લગાવવાની યોજના છે. આ પ્રોજેક્ટમાં સિગ્નલ ઇન્સ્ટોલેશન અને તેના લાંબા ગાળાના મેઈન્ટેનન્સ માટે અંદાજે 16,11,00,000ના ગ્રોસ અંદાજને મંજૂર કરવા બાબતે નિર્ણય લેવામાં આવશે. જાહેર બાંધકામ સમિતિના કામોશહેરના વિવિધ વિસ્તારો જેવા કે પુણા, કરંજ, ઉધના, લિંબાયત અને અડાજણ વગેરેમાં વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે જેમાં મુખ્યત્વે સોસાયટીઓના આંતરિક રસ્તાઓને સિમેન્ટ કોંક્રિટ બનાવવા, ડામર રસ્તાઓનું રિ-કાર્પેટિંગ કરવું, નવા વેજીટેબલ માર્કેટના શેડનું સમારકામ અને વહીવટી ભવનો કે ઓડિટોરિયમ પાછળ થનારા ખર્ચના અંદાજોને મંજૂરી આપવામાં આવશે. પાણી સમિતિના કામોશહેરના વિવિધ વિસ્તારો જેવા કે કપોદ્રા, મગોબ, ડિંડોલી, અને ભેસ્તાન ખાતે આવેલા જળ વિતરણ મથકો અને વરાછા વોટર વર્ક્સના પંપ સેટ્સ તેમજ ઇલેક્ટ્રિકલ-મિકેનિકલ મશીનરીના સમારકામ અને નિભાવણી માટેના લાખો રૂપિયાના અંદાજોને મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત, નવા ગ્રાઉન્ડ વોટર રિચાર્જ સિસ્ટમ બનાવવા, પાઇપલાઇન નેટવર્કની જાળવણી અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સના આધુનિકીકરણ જેવા મહત્વના કામોનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. 11 માર્ચે આ ટર્મની પૂરી થવા જઈ રહી છે, ત્યારે 10 માર્ચે છેલ્લી સામાન્ય સભામાં અનેક વિકાસલક્ષી કામોની ચર્ચા કરવામાં આવશે અને વિકાસના કામોને વેગ કાપવામાં આવશે.
સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં રહેતો અને ફરસાણના વ્યવસાય સાથે સંકળાયેલો 28 વર્ષીય યુવક વિનેશ વિક્રમભાઈ પટેલ પોતાની પ્રેમિકા સાથે ડિંડોલીના જી-નાઈન કોમ્પ્લેક્સમાં આવેલી વેલેન્ટાઈન હોટલમાં ગયો હતો. બપોરે અંદાજે 3:30 વાગ્યાના અરસામાં હોટલના રૂમમાં જ અચાનક વિનેશની તબિયત લથડી હતી અને તેના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા હતા. જોતજોતામાં યુવક ઢળી પડતા પ્રેમિકા ગભરાઈ ગઈ હતી અને તાત્કાલિક મદદ માટે બૂમાબૂમ કરી મૂકી હતી. ભાઈ અને 108 ઘટનાસ્થળે પહોંચ્યા, ડોક્ટરે મૃત જાહેર કર્યોઘટનાની ગંભીરતા જોઈ વિનેશની પ્રેમિકાએ તુરંત તેના ભાઈ સમીરને ફોન કરીને જાણ કરી હતી. ભાઈ સમીર અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક હોટલ પર પહોંચી હતી. જોકે, એમ્બ્યુલન્સના પેરામેડિકલ સ્ટાફે તપાસ કરતા વિનેશના શરીરમાં કોઈ હલચલ જણાતી નહોતી. પ્રાથમિક તપાસ બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. યુવાન પુત્રના મોતના સમાચાર મળતા જ પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે અને હોસ્પિટલ પરિસરમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા. ત્રણ વર્ષથી પ્રેમસંબંધ પણ લગ્ન માટે પરિવાર રાજી નહોતોડિંડોલી પોલીસની પ્રાથમિક તપાસમાં વિગતો સામે આવી છે. મૃતક વિનેશ અને તેની સાથે હોટલમાં હાજર યુવતી વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમસંબંધ હતો. બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા, પરંતુ જાણવા મળતી વિગત મુજબ પરિવારના સભ્યો આ લગ્ન માટે તૈયાર નહોતા. મોતનું કારણ 'ખેંચ' કે કંઈક બીજું?વિનેશના મોતના કારણ અંગે અત્યારે રહસ્ય ઘેરાયું છે. પ્રાથમિક દ્રષ્ટિએ યુવકને 'ખેંચ' આવી હોવાનું અને તેના કારણે મોત નીપજ્યું હોવાનું અનુમાન લગાવાય રહ્યું છે. જોકે, હોટલના રૂમમાં અચાનક તબિયત કેવી રીતે બગડી અને મોઢામાંથી ફીણ કેમ નીકળ્યા તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. પ્રેમિકા અને ભાઈના નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરીસમગ્ર મામલે ડિંડોલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ઘટનાસ્થળ એટલે કે હોટલના રૂમની તપાસ કરી જરૂરી પુરાવા એકત્ર કર્યા છે. આ ઉપરાંત, વિનેશની પ્રેમિકા અને તેના ભાઈ સમીર સહિત પરિવારના અન્ય સભ્યોના નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. હાલમાં હોટલના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવી રહ્યા છે.
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા સૌથી વ્યસ્ત ગણાતાં એવા નરોડા-નારોલ હાઇવેને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડેવલોપમેન્ટ કરવામાં આવશે. 13.70 કિલોમીટર લાંબા રોડ પર રાહદારીઓ માટે ફૂટપાથ, અન્ડર પાસ, ટ્રાફિક સાઈનેજીસ સહિત વગેરેની સુવિધાઓ સાથે રૂ. 250 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરવામાં આવનાર છે. ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે મુખ્ય કેરેજ વે પણ બનાવવામાં આવશે. નરોડા પાટિયાથી નારોલ સર્કલ સુધીના રોડ ડેવલોપ કરાશેસ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ બ્યુટિફિકેશન અને રોડને ડેવલપમેન્ટ કરવાની કામગીરી કરવામાં આવે છે. એરપોર્ટ સર્કલથી લઈને ડફનાળા સુધીનો આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો છે, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નરોડા પાટિયાથી નારોલ સર્કલ સુધીના રોડને ડેવલોપ કરવામાં આવશે. 250 કરોડના ખર્ચે 13.70 કિમીનો રોડ વિકસાવાશેરોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા નારોલ સર્કલથી નરોડા પાટિયા સુધીનો કુલ 13.70 કિલોમીટર લંબાઈનો માર્ગ રૂ. 250 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે. આ માર્ગની કુલ પહોળાઈ 60 મીટર રહેશે. જેના કારણે વાહનવ્યવહાર વધુ સુગમ અને સુરક્ષિત બનશે. મુખ્ય કેરેજ વે હાલની 10.50 મીટર પહોળાઈ મુજબ બંને બાજુ વિકસાવવામાં આવશે. ઉપરાંત, 10.50 મીટર પહોળાઈનો સર્વિસ રોડ પણ બનાવાશે, જેથી સ્થાનિક ટ્રાફિકને અલગ સુવિધા મળી રહેશે. પદયાત્રીઓને સુરક્ષિત રીતે ચાલવાની સગવડનાગરિકોની સુવિધા માટે માર્ગની બંને બાજુ 2 મીટર પહોળા ફૂટપાથ બનાવાશે, જેથી પદયાત્રીઓને સુરક્ષિત રીતે ચાલવાની સગવડ મળશે. સાથે સાથે નાગરિકોને બેસવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. મુખ્ય કેરેજ વે અને સર્વિસ રોડ વચ્ચે 1 મીટર પહોળાઈનું નવું મીડિયન તૈયાર કરવામાં આવશે. પ્રોજેક્ટમાં મલ્ટી યુટિલિટી ઝોનમાં પ્લાન્ટેશન, સાઇનેજ સુવિધા, વૃક્ષારોપણ અને લેન્ડસ્કેપિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ માર્ગ શહેરના મુખ્ય કનેક્ટિવિટી કોરિડોર તરીકે ઉભરશેપેડેસ્ટ્રિયન ક્રોસિંગ પર રેફ્યુજ આઇલેન્ડ્સ બનાવાશે, જેથી રસ્તો પાર કરવો વધુ સુરક્ષિત બનશે. યુટિલિટી માટે અંડરગ્રાઉન્ડ રોડ ક્રોસિંગની પણ વ્યવસ્થા કરવામાં આવશે. નારોલથી નરોડા પાટિયા સુધીનો માર્ગ શહેરના મુખ્ય કનેક્ટિવિટી કોરિડોર તરીકે ઉભરાશે અને પૂર્વ અમદાવાદના વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યામાં નોંધપાત્ર રાહત મળશે. આ પ્રોજેક્ટ પૂર્વ વિસ્તારના નાગરિકો માટે મહત્વનો બની રહેશે. એરપોર્ટ સર્કલથી ડફનાળા સર્કલ સુધી આઇકોનિક રોડ જેમ ડેવલપ કરવામાં આવશે.
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના ઘોડાસરમાં સામે 72 વર્ષીય વૃદ્ધાએ બીમારીથી કંટાળીને પોતાની જાતને સળગાવી આત્મહત્યા કરી લીધી હતી. વૃદ્ધા દ્વારા કરવામાં આવેલી આત્મહત્યાની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ મામલે વટવા પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, છેલ્લા કેટલાય સમયથી તેઓ એકલવાયું જીવન જીવતા હતા અને તેમને બીમારી હતી જેથી તેનાથી કંટાળી અને તેમણે આત્મહત્યા કરી લીધી છે. વટવા પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે. વૃદ્ધાએ જ્વલનશીલ પદાર્થ છાંટી પોતાની જાતને સળગાવીમળતી માહિતી મુજબ શહેરના ઘોડાસર કેડીલા બ્રિજ પાસે આવેલા ઘરવિહોણા પ્લોટમાં ગૌરીબેન પટેલ નામના 72 વર્ષીય વૃદ્ધા એકલા રહેતા હતા. છેલ્લા કેટલાય સમયથી તેઓ એકલા રહેતા હતા અને તેમની દીકરી અલગ રહેતી હતી. 3 માર્ચના રોજ સવારે 6 વાગ્યાની આસપાસ ગૌરીબેને તેમના ઘરની નજીક કોઈ જ્વલનશીલ પદાર્થ છાંટીને પોતાની જાતને સળગાવી આત્મહત્યા કરી લીધી હતી. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધીમાં વૃદ્ધાનું મોતવહેલી સવારનો સમય હોવાના કારણે આસપાસના વિસ્તારમાં કોઈ હાજર નહોતું. સ્થાનિક લોકોને જાણ થતા તેઓએ આ મામલે તેમના પરિવારજનોને જાણ કરી હતી. ગૌરીબેનના પરિવારજનો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા હતા અને પોલીસને પણ જાણ કરી હતી. વટવા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી, ત્યારે વૃદ્ધાનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. એકલવાયું જીવન અને બીમારીથી કંટાળીને આપઘાત કર્યોપોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, ગૌરીબેન છેલ્લા કેટલાય સમયથી એકલા રહેતા હતા અને તેમને બીમારી હતી જેથી તેનાથી કંટાળી અને તેમના દ્વારા આત્મહત્યા કરી લેવામાં આવી હોઈ શકે છે. હાલ અકસ્માતે મોત નોંધી અને વધુ તપાસ કરવામાં આવી છે.
વલાદર નજીક દુર્લભ શેઢાળી દેખાઈ:ગીર બોર્ડર પર રાત્રે રસ્તો ક્રોસ કરતી કેમેરામાં કેદ
ગીર જંગલ બોર્ડર પર આવેલા સુત્રાપાડા તાલુકાના વલાદર ગામ નજીક એક દુર્લભ શેઢાળી (શાહુળી) જોવા મળી હતી. રાત્રિના સમયે વાડી વિસ્તારના માર્ગ પરથી પસાર થતી આ શેઢાળીને એક કારચાલકે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી હતી. વલાદર ગામની સીમમાં આવેલા સીદ્ધાશ્રમ આશ્રમ નજીક શેઢાળી રસ્તો ક્રોસ કરતી નજરે પડતાં સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. સામાન્ય રીતે ગાઢ જંગલ વિસ્તારોમાં જોવા મળતું આ પ્રાણી માનવ વસાહત નજીક દેખાતા લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું. શેઢાળી એક રાત્રિચર અને અત્યંત સાવચેત વન્યજીવ છે. તેના શરીર પર કઠોર અને કાંટાળું કવચ હોય છે, જે તેને શિકારીઓથી રક્ષણ આપે છે. જોખમની સ્થિતિમાં તે પોતાના કાંટા ઊભા કરી પ્રતિકાર કરે છે. પર્યાવરણ માટે શેઢાળી અત્યંત ઉપયોગી માનવામાં આવે છે. તે જમીનમાં રહેલી જીવાતો, દીંડકીઓ અને કેટલીક વનસ્પતિઓનું ભક્ષણ કરીને પ્રકૃતિનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. પર્યાવરણવિદોના મતે, ગીર અને આસપાસના વિસ્તારોમાં શેઢાળીની હાજરી જૈવવિવિધતા માટે સકારાત્મક સંકેત છે. ગીર વિસ્તાર, જે એશિયાટિક સિંહો માટે વિશ્વપ્રસિદ્ધ છે, ત્યાં આવી દુર્લભ પ્રજાતિઓનું દર્શન સૂચવે છે કે કુદરતી આવાસ હજુ પણ સમૃદ્ધ છે. વલાદર ગામે દેખાયેલી આ શેઢાળી દર્શાવે છે કે ગીર માત્ર સિંહોનું જ નહીં, પરંતુ અનેક દુર્લભ પ્રાણીઓનું પણ આશ્રયસ્થાન છે. આવા વન્યજીવોની સુરક્ષા માટે જાગૃતિ અને સંવેદનશીલતા જાળવવી જરૂરી છે.
ઈરાનમાં ભયાનક સ્થિતિ, નવા સંરક્ષણ મંત્રીનું પણ મોત, ઈઝરાયલે કર્યો દાવો
US-Iran War : અમેરિકા અને ઈઝરાયલે ડ્રોન અને મિસાઈલોથી સતત હુમલાઓ કરીને ઈરાનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે, ત્યારે હાલ ઈરાનમાં વધુ એક મોટા મંત્રીનું મોત થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઈઝરાયલે દાવો કર્યો છે કે, હુમલામાં ઈરાનમાં એક દિવસ પહેલા નવા સંરક્ષણ મંત્રી બનેલા સૈયદ માજિદ અબ અલ-રેજાનું મોત થયું છે. રેજાના મોત પહેલા રવિવારે એક એર સ્ટ્રાઈકમાં જૂના સંરક્ષણ મંત્રી અજીજ નાસિરજાદેહનું પણ મોત થયું હતું. રવિવારે જૂના સંરક્ષણ મંત્રીનું મોત થયું હતું.
સુરત શહેરના કુખ્યાત ડ્રગ્સ માફિયા શિવા ઝાલા ગેંગ સામે સુરત પોલીસની લાલ આંખ યથાવત છે. છેલ્લા એક વર્ષથી પોલીસને થાપ આપી નાસતા ફરતા ગેંગના રીઢા સાગરીત ઈમરાન ગડ્ડીને સુરત શહેર ક્રાઈમ બ્રાંચની નાસતા ફરતા સ્કોડે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના રાવેર ખાતેથી દબોચી લીધો છે. પકડાયેલ આરોપી ડ્રગ્સ હેરાફેરી, લૂંટ અને હથિયાર રાખવા જેવા અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે. શિવા ઝાલા માટે ડ્રગ્સ મંગાવવામાં આરોપીની મુખ્ય ભૂમિકાસલાબતપુરા પોલીસ મથકમાં નોંધાયેલા એન.ડી.પી.એસ. (NDPS) એક્ટ મુજબના ગુનામાં ઈમરાન ઉર્ફે ઈમરાન ગડ્ડી મુખ્ય આરોપી તરીકે વોન્ટેડ હતો. ઓગસ્ટ 2025માં જ્યારે સુરત એસ.ઓ.જી.એ ડ્રગ્સ માફિયા શિવરાજ સિંહ ઝાલા ઉર્ફે શિવા ઝાલાને 12 લાખના એમ.ડી. ડ્રગ્સ અને પિસ્તોલ સાથે પકડ્યો હતો, ત્યારે તપાસમાં ખુલાસો થયો હતો કે આ ડ્રગ્સનો જથ્થો ઈમરાન ગડ્ડીએ જ મંગાવ્યો હતો. શિવા ઝાલાની ધરપકડ બાદ ઈમરાન ધરપકડ ટાળવા માટે સુરત છોડીને ભાગી ગયો હતો અને મહારાષ્ટ્રમાં છુપાઈને રહેતો હતો. અપહરણ અને લૂંટના ગુનામાં પણ સંડોવણીમાત્ર ડ્રગ્સ જ નહીં, પરંતુ ઈમરાન ગડ્ડી હિંસક ગુનાઓમાં પણ સક્રિય હતો. મે 2025માં ઉમરા પોલીસ મથકની હદમાં ગેંગ લીડર શિવા ઝાલા અને ઈમરાન સહિતના 10 સાગરીતોએ મળીને એક વ્યક્તિનું અપહરણ કર્યું હતું. આ ગેંગે ફરિયાદીને ઢીક મુક્કીનો માર મારી તેની પાસેથી સોનાની ચેન, વીંટી અને રોકડ મળી કુલ 13,000ની લૂંટ ચલાવી હતી. આ લૂંટ બાદ આરોપી સુરત પોલીસ માટે માથાનો દુખાવો બની ગયો હતો અને સતત લોકેશન બદલી રહ્યો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમે ફિલ્મી ઢબે જલગાંવમાં કરી વોચનાસતા ફરતા સ્કોડને ખાનગી બાતમી મળી હતી કે ઈમરાન ગડ્ડી હાલ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના રાવેર ગામમાં પોતાની ઓળખ છુપાવીને રહી રહ્યો છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે મહારાષ્ટ્રમાં ધામા નાખ્યા હતા. સતત વોચ રાખ્યા બાદ ઈમરાન ઉર્ફે ઈમરાન ગડ્ડી અમીરૂદ્દીન શેખ (ઉ.વ. 35) ને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. આરોપી પાસેથી ડ્રગ્સ કેસમાં ઉપયોગમાં લેવાયેલા વોકી-ટોકી અને હથિયારો અંગે પણ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે. 14થી વધુ ગંભીર ગુનાઓનો ઈતિહાસઈમરાન ગડ્ડીનો ગુનાહિત ઈતિહાસ અત્યંત ચોંકાવનારો છે. તેના વિરુદ્ધ સુરતના વિવિધ પોલીસ સ્ટેશનમાં કુલ 14 જેટલા ગુના નોંધાયેલા છે. જેમાં ખટોદરા હત્યા (302) અને હત્યાની કોશિશ (307), સલાબતપુરા માં ડ્રગ્સ (NDPS), આર્મ્સ એક્ટ અને હુમલો, સચીન GIDC માં હત્યા અને રાયોટિંગ, લીંબાયત તથા ઉધના માં મારામારી અને ધાક-ધમકી સહિતનો ગુના નોંધાયો છે.
30 લાખથી વધુ વેરા બાકી, મિલકતો સીલ:સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકાએ બાકીદારો સામે કડક કાર્યવાહી શરૂ કરી
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વેરા વિભાગે શહેરના બાકીદારો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. મિલકત વેરાની વસૂલાત માટે ચલાવવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત, નોટિસ છતાં વેરો ન ભરનારાઓની મિલકતો સીલ કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીમાં ગૌરાંગભાઈની રૂ. 4,13,800ના બાકી વેરાવાળી મિલકત સીલ કરાઈ છે. અનિલભાઈ ડાયાભાઈ પરમારની રૂ. 2,33,717ના બાકી વેરાવાળી મિલકત પર પણ સીલ લગાવવામાં આવ્યું છે. સૌથી મોટી કાર્યવાહી ભારત જીનિંગ એન્ડ પ્રેસિંગ ફેક્ટરી સામે થઈ છે, જ્યાં રૂ. 30 લાખથી વધુના બાકી વેરાને કારણે મિલકત સીલ કરવામાં આવી છે. મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે શહેરના વિવિધ વિસ્તારોમાં બાકીદારો સામે આ પ્રકારની કાર્યવાહી નિયમિતપણે ચાલુ રહેશે. આ પગલાંનો ઉદ્દેશ્ય શહેરના વિકાસ કાર્યો અને નાગરિક સેવાઓ માટે જરૂરી ભંડોળ એકત્ર કરવાનો છે. મહાનગરપાલિકાએ તમામ નાગરિકોને તેમનો બાકી મિલકત વેરો તાત્કાલિક ભરી દેવા અને કાયદેસરની કાર્યવાહીથી બચવા અપીલ કરી છે. વેરો ભરવા માટે વેરા વિભાગની કચેરીનો સંપર્ક કરી શકાય છે અથવા ઓનલાઈન સુવિધાનો ઉપયોગ કરી શકાય છે.
સુરતમાં રાજસ્થાન યુવા સંઘના અધ્યક્ષ તેમજ કાપડ ઉધોગના જાણીતા વેપારી વિક્રમસિંહ શેખાવતનું આજે હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું હતું. વિક્રમસિંહે ગોડાદરા ખાતે ત્રણ દિવસ માટે ફાગોત્સવનું આયોજન કર્યું હતું. દરમિયાન તેમની તબિયત નાજુક લાગતી હતી, પરંતુ કાર્યકર્તાઓનો મનોબળ નહીં તૂટે તે માટે તેઓએ કોઈને કહ્યું ન હતું અને સારવાર પણ લીધી ન હતી. તેઓના મોત બાદ રાજસ્થાની સમાજ સહિતના લોકોમાં શોકનો માહોલ સર્જાયો હતો. આ સાથે જ વિક્રમસિંહના અવસાનની જાણ થતા સીઆર પાટીલ સહિતના નેતાઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને પરિવારને સાંત્વના આપી હતી. વિક્રમસિંહની તબિયત લથડતા બેભાન થઈ ઢળી પડ્યામળતી માહિતી પ્રમાણે, મૂળ રાજસ્થાન અને વેસુ VIP રોડ પર આવેલ પુણ્યભૂમિ સોસાયટીમાં 42 વર્ષીય વિક્રમસિંહ રાજપાલસિંહ શેખાવત પત્ની તેમજ એક પુત્ર સહિતના પરિવાર સાથે રહેતા હતા. વિક્રમસિંહ ખટોદરા વિસ્તારમાં કાપડનું હાઉસ ધરાવતા હતા અને સોલાર અને સિક્યુરિટી ગાર્ડની એજન્સીના વ્યવસાય સાથે જોડાયેલા હતા. આજે વિક્રમસિંહ ઘરે હતા. ત્યારે તેઓની તબિયત લથડતા તેઓ બેભાન થઈ ગયા હતા. જેથી પરિવારજનો દોડી આવ્યા હતા અને હોસ્પિટલમાંથી તબીબની ટીમને પણ ઘરે બોલાવી દીધા હતા. તબીબોએ વિક્રમસિંહને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકબેભાન વિક્રમસિંહને CPR સહિતની સારવાર આપવામાં આવી હતી. પરંતુ તેઓ બચી શક્યા ન હતા. તબીબની ટીમે તેમને મૃત જાહેર કર્યા હતા. જેને પગલે પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. બનાવની જાણ થતા અલથાણ પોલીસ સ્થળ પર પહોંચીને તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. રાજસ્થાની પરંપરા મુજબની ફાગોત્સવનું આયોજન કર્યું હતુંવિક્રમસિંહે ગોડાદરા વિસ્તારમાં આવેલા તુલસી પાર્ટી પ્લોટ ખાતે ત્રણ દિવસ માટેના રાજસ્થાની પરંપરા મુજબની ફાગોત્સવનું આયોજન કર્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં રાજસ્થાની સમાજના લોકો જોડાયા હતા. તેઓ દર વર્ષે આવા પ્રોગ્રામ કરતા હતા. તેમજ વિક્રમસિંહ VHPના પૂર્વ ઉપાધ્યક્ષ, લઘુ ઉધોગ ભારતીના ઉપપ્રમુખ તરીકે પણ સેવાપ્રવૃત્તિ કરી છે. આ ઉપરાંત વિવિધ સામાજિક સંસ્થાઓમાં સેવા કાર્ય કરતા હતા. તેમના પિતા આર્મીમાં હતા અને હાલમાં તેઓ નિવૃત છે. સી.આર.પાટીલ સહિતના નેતાઓએ પરિવારને સાંત્વના આપીવિક્રમસિંહે ગોડાદરા ખાતે ત્રણ દિવસ માટે ફાગોત્સવનું આયોજન કર્યું હતું. દરમિયાન તેમની તબિયત નાજુક લાગતી હતી. પરંતુ કાર્યકર્તાઓનો મનોબળ નહી તૂટે તે માટે તેઓએ કોઈને કહ્યું ન હતું અને સારવાર પણ લીધી ન હતી. દરમિયાન આજે તેમની તબિયત લથડી હતી અને બેભાન થયા બાદ મોત નિપજ્યું હતું. વિક્રમસિંહના અવસાનની જાણ થતા ભાજપના નેતાઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. સી.આર.પાટીલ સહિતના નેતાઓએ પરિવારને સાંત્વના આપી હતી.
પાટડીમાં ખેતરના ખોટા બાનાખતથી છેતરપિંડી:એક મહિલા સહિત ત્રણ લોકો સામે પોલીસ ફરિયાદ
પાટડીમાં ખેતરના ખોટા બાનાખત બનાવી કરોડો રૂપિયાની જમીન હડપવાના પ્રયાસ બદલ એક મહિલા સહિત ત્રણ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીએ પોતાની અને પરિવારની જાણ બહાર બનાવટી દસ્તાવેજો તૈયાર કરી જમીન પચાવી પાડવાનું કાવતરું રચાયાનો આરોપ લગાવ્યો છે. આ અંગે પાટડીના રાજેશભાઈ રમેશચંદ્ર પરીખે પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તેમણે ગોરીયાવાડ ગામના હેતુભા પ્રભાતસંગ ઝાલા, નોટરી અને એડવોકેટ વંદના તિવારી અને રજનીભાઈ જયંતીભાઈ વાણંદ વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે. ફરિયાદ મુજબ, આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી રૂ. 300ના સ્ટેમ્પ પેપર પર ગેરકાયદેસર રીતે ખોટું બાનાખત તૈયાર કર્યું હતું. આ બાનાખતમાં ફરિયાદી રાજેશભાઈ કે તેમના પરિવારના સહ-હિસ્સેદારો હાજર ન હોવા છતાં તેમની ખોટી સહીઓ અને અંગૂઠાના નિશાન કરવામાં આવ્યા હતા, જેને નોટરી દ્વારા પ્રમાણિત પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, મૃતક વ્યક્તિના નામે પણ સહીઓ કરીને રેવન્યુ સર્વે નંબર-358 પૈકીની જમીન પર પોતાનો હક જમાવવા માટે જાહેર નોટિસ બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યું હતું. ફરિયાદીના મોટા ભાઈ કશ્યપભાઈનું 1/2/2025ના રોજ અવસાન થયું હોવા છતાં, 17/4/2025ના રોજ બનેલા બાનાખતમાં તેમની સહી દર્શાવવામાં આવી હતી. રાજેશભાઈ રમેશચંદ્ર પરીખ કાયમ અંગ્રેજીમાં સહી કરે છે, જ્યારે બાનાખતમાં ગુજરાતીમાં સહી હતી. પરિવારના અન્ય સભ્યો પાટડીમાં હાજર ન હોવા છતાં તેમના નામની ખોટી સહીઓ પણ બાનાખતમાં કરાઈ હતી. આ છેતરપિંડી બહાર આવતા ફરિયાદીએ બાનાખતની નકલ અને મૃત્યુના દાખલા સહિતના પુરાવાઓ રજૂ કર્યા છે. પાટડી પોલીસ મથકના પીઆઇ બી.સી.છત્રાલીયા આ કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છે.
સ્માર્ટ સિટી સુરતના વહીવટી તંત્રમાં પારદર્શિતાના દાવાઓ વચ્ચે વરાછા ઝોન-એ માંથી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સીતાનગર બ્રિજ નીચે કાર્યરત 'પે એન્ડ પાર્ક'ના ઈજારદારે છેલ્લા 4 મહિનાથી પાલિકાની તિજોરીમાં એક પણ રૂપિયો જમા કરાવ્યો નથી, છતાં અધિકારીઓએ ભેદી મૌન સેવી રાખતા અનેક સવાલો ઊભા થયા છે. આ મામલે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગીયાએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને જવાબદાર અધિકારીઓ સામે તપાસની માંગ કરી છે. ‘વરાછાના સીતાનગર બ્રિજ નીચે પે એન્ડ પાર્કના ઈજારદાર પર અધિકારીઓની મહેરબાની?’મળતી માહિતી અનુસાર, વરાછા ઝોન-એ અંતર્ગત આવતા સીતાનગર બ્રિજ નીચે પે એન્ડ પાર્ક ચલાવવાનો ઈજારો 17 ઓક્ટોબર 2025ના રોજ એક ખાનગી ઈજારદારને ફાળવવામાં આવ્યો હતો. ટેન્ડરની શરતો મુજબ, વર્ક ઓર્ડર મળ્યાના 15 દિવસની અંદર ઈજારદારે સિક્યોરીટી ડિપોઝીટ અને લાયસન્સ ફી પેટે કુલ રુ. 3,95,620 સુરત મહાનગરપાલિકામાં જમા કરાવવાના હતા. પરંતુ, નવાઈની વાત એ છે કે કોન્ટ્રાક્ટ મળ્યાને 4 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં અને 2 માર્ચ સુધીમાં ઈજારદારે પાલિકાના ખાતામાં એક પણ રૂપિયો જમા કરાવ્યો નથી. આટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં ઈજારદાર બેરોકટોક પાર્કિંગ ચલાવી રહ્યો છે અને જનતા પાસેથી ઉઘરાણું કરી રહ્યો છે. ‘વરાછા ઝોનના અધિકારીઓની કાર્યશૈલી પર શંકા’સામાન્ય રીતે જો કોઈ નાનો વેપારી કે નાગરિક પાલિકાનો વેરો ભરવામાં વિલંબ કરે તો તંત્ર તાત્કાલિક સીલિંગ કે દંડની કાર્યવાહી કરે છે. પરંતુ, આ કિસ્સામાં વરાછા ઝોનના અધિકારીઓની કાર્યશૈલી શંકા ઉપજાવે તેવી છે. ‘શું અધિકારીઓ જાણીજોઈને ઈજારદારને છાવરી રહ્યા છે?’કોર્પોરેટર વિપુલ સુહાગીયાએ આક્ષેપ કર્યો છે કે, જ્યારે ઈજારદારે નવેમ્બર મહિનામાં જ રકમ જમા કરાવી દેવાની હતી, ત્યારે તંત્રએ છેક સાડા ત્રણ મહિના પછી એટલે કે 2 ફેબ્રુઆરી, 2026ના રોજ પ્રથમ નોટિસ આપી હતી. આટલો લાંબો સમય કેમ રાહ જોવામાં આવી? શું અધિકારીઓ જાણીજોઈને ઈજારદારને છાવરી રહ્યા છે? અધિકારીઓની આ છત્રછાયાને કારણે પાલિકાની તિજોરીને સીધું આર્થિક નુકસાન પહોંચી રહ્યું છે. ‘જે ભાડું બાકી નીકળે છે, તે વ્યાજ દર સાથે તાત્કાલિક વસૂલવામાં આવે’આ મામલે આપના કોર્પોરેટર વિપુલ સુહાગીયાએ કમિશનરને લખેલા પત્રમાં ત્રણ મુખ્ય માંગણીઓ પર ભાર મૂક્યો છે જેમાં ઈજારદાર પાસેથી ઓક્ટોબર-2025થી આજ દિન સુધીનું જે પણ ભાડું બાકી નીકળે છે, તે પ્રવર્તમાન વ્યાજ દર સાથે તાત્કાલિક વસૂલવામાં આવે. જે અધિકારીઓએ સમયસર નોટિસ ન આપીને ઈજારદારને ફાયદો કરાવવાનો પ્રયાસ કર્યો છે, તેમની સામે ખાતાકીય તપાસ શરૂ કરી કડક પગલાં લેવામાં આવે.અને જો ઈજારદાર નિર્ધારિત સમયમાં રકમ જમા ન કરાવે, તો તેનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક રદ કરી તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવા તત્વો પાલિકાના કામો ન મેળવી શકે.
ભાવનગરમાં હોલિકાદહન:ભાવનગર મહાનગર ભાજપ અધ્યક્ષ કુમાર શાહ, મેયર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા
ભાવનગર શહેરમાં 2 માર્ચ, 2026ના રોજ વિવિધ વિસ્તારોમાં પાવનપર્વ હોલિકાદહન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના અધ્યક્ષ કુણાલભાઈ કે. શાહ (કુમારભાઈ શાહ) સહિત મેયર અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ અધ્યક્ષ કુમાર શાહે વિવિધ સ્થળોએ હાજરી આપી હોલિકા માતાના દર્શન કર્યા હતા. તેમણે શહેરના નાગરિકો સાથે શુભેચ્છા વિનિમય પણ કર્યો હતો.આ પ્રસંગે તેમણે હોળીના પાવન પર્વે સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને આનંદ વધે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમોમાં ભાવનગર મહાનગરના મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મહામંત્રીઓ, સંગઠનના હોદ્દેદારો, આઈ.ટી. અને સોશિયલ મીડિયા વિભાગના સભ્યો, કાર્યકર્તાઓ તેમજ ભાવનગરના નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.
વર્ષ 2020માં સચિન GIDC વિસ્તારમાં થયેલા ચકચારી મર્ડર કેસનો આરોપી જે લાજપોર જેલમાંથી વચગાળાના જામીન પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો, તેને મહારાષ્ટ્રના ધુલિયા ખાતેથી દબોચી લેવામાં આવ્યો છે. આ આરોપી છેલ્લા બે વર્ષથી પોલીસને થાપ આપી રહ્યો હતો. પકડાયેલો આરોપી સોયેબ ઉર્ફે સોનુ રીયાજુદ્દીન શેખે ધરપકડથી બચવા માટે અનોખો કીમિયો અપનાવ્યો હતો. પોલીસ માણસો તેને ઓળખી ન શકે તે માટે તેણે પોતાનો ચહેરો અને દેખાવ સંપૂર્ણપણે બદલી નાખ્યો હતો. તેણે લાંબી દાઢી અને મૂછો વધારી દીધી હતી જેથી જૂના રેકોર્ડ મુજબના ફોટા સાથે તેનો ચહેરો મેચ ન થાય. જોકે, ક્રાઈમ બ્રાન્ચની બાતમીદારોની જાળમાં તેનો આ પ્લાન નિષ્ફળ રહ્યો હતો. જામીન પર છૂટ્યા બાદ જેલમાં હાજર ન થયોઘટનાની વિગત એવી છે કે, આરોપી સોયેબ સચિન GIDC પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કલમ 302 (હત્યા) ના ગુનામાં લાજપોર જેલમાં બંધ હતો. એપ્રિલ 2024માં પરિવારને આર્થિક મદદ કરવાના બહાને તેણે 10 દિવસની વચગાળાની રજા મેળવી હતી. 29 એપ્રિલ 2024ના રોજ તેણે જેલમાં પરત હાજર થવાનું હતું, પરંતુ તે હાજર થવાને બદલે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો અને પોલીસ તેને શોધી રહી હતી. મહારાષ્ટ્રના ધુલિયામાં છુપાયો હતો આરોપીક્રાઈમ બ્રાન્ચની નાસતા ફરતા સ્કોડને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના દેવપુર વિસ્તારમાં ખાટકીવાડ સાઈબાબા મંદિર પાસે છુપાયેલો છે. આ માહિતીના આધારે સુરત પોલીસની ટીમે ત્યાં વોચ ગોઠવી હતી અને સ્થાનિક પોલીસની મદદથી તેને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો. આરોપીને પકડીને હવે ફરી લાજપોર મધ્યસ્થ જેલ સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. શું હતો વર્ષ 2020નો હત્યાનો મામલો?આ કેસની ફ્લેશબેક તપાસતા જાણવા મળે છે કે, 7 ઓક્ટોબર 2020ના રોજ ઉન સનામીલ પાસે જૂની અદાવત રાખીને સોયેબ અને તેના સાગરીતોએ ફિરોજ ઉર્ફે બબ્બા નામના વ્યક્તિને આંતર્યો હતો. આરોપીઓએ ફિરોજ પર ચાકુના ઉપરાછાપરી ઘા ઝીંકીને જાહેરમાં તેની નિર્મમ હત્યા કરી નાખી હતી. આ ગંભીર ગુનામાં પકડાયા બાદ તે જેલમાં હતો, જ્યાંથી તે રજા પર આવીને ફરાર થયો હતો.
માળીયા (મી) તાલુકાના ચિખલી ગામની સીમમાં પોલીસે દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં 200 લિટર દેશી દારૂ, 2800 લિટર આથો અને એક બોલેરો ગાડી સહિત કુલ 4.10 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જોકે, આરોપી સ્થળ પર હાજર ન હોવાથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને ચીખલી ગામના સીમમાં આવેલા કરાડિયા વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની ગુપ્ત બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, સ્થળ પરથી 200 લિટર તૈયાર દેશી દારૂ અને દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો 2800 લિટર આથો મળી આવ્યો હતો. આ ઉપરાંત, GJ 11 VV 5695 નંબરની એક બોલેરો ગાડી પણ જપ્ત કરવામાં આવી હતી. પોલીસે કાસમભાઇ અબ્દુલભાઈ સામતાણી (રહે. ચીખલી, તાલુકો માળીયા મીયાણા) વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ મહાપાલિકાની વર્તમાન બોડીની પાંચ વર્ષની ટર્મ 11 માર્ચે પૂર્ણ થાય તે પહેલા જ 5 માર્ચે સ્ટેન્ડિંગ કમિટીની અંતિમ બેઠક ચેરમેન જયમીન ઠાકર દ્વારા બોલાવવામાં આવી છે. જેમાં હાઇએસ્ટ 115 દરખાસ્તો મુકવામાં આવી છે. જેમાં કરોડો રૂપિયાના વિકાસ કામોની મંજૂરી આપવામાં આવશે. જેમાં વાવડીમાં શહેરનું પ્રથમ સ્પોન્ઝ ગાર્ડન અને લાયબ્રેરી,રૈયા ગામથી સ્માર્ટ સીટી સુધી 18.58 કરોડના નવા રોડ, કોસ્મોપ્લેક્સથી રીંગરોડ તરફ નો નવો રોડ, વોર્ડ નંબર 1 અને 3 માં નવું આરોગ્ય કેન્દ્ર, વોર્ડ નંબર 4 માં સ્પોર્ટ કોમ્પ્લેક્સ, વોર્ડ નંબર 15 માં નવું ફાયર સ્ટેશન, શાળા નંબર 69 માં બાસ્કેટ બોલ કોર્ટ, ભક્તિનગર સર્કલ પાસે શેઠ હાઈસ્કૂલમાં વોકિંગ ટ્રેક સહિતના કામો પર મંજૂરીની મહોર લગાવવામાં આવશે. રૈયા ગામથી સ્માર્ટ સીટી સુધી 18.58 કરોડના નવા રોડ, બ્રીજના ઇન્સ્પેકશન માટે સલાહકાર નિમવા, વોર્ડ નં.12 માં વાવડીમાં લાયબ્રેરી અને શહેરનો પ્રથમ સ્પોન્ઝ ગાર્ડન, વોર્ડ નં.7માં કનક રોડ ફાયર બ્રિગેડના નવા બિલ્ડીંગ, સેન્ટ્રલ અને ઇસ્ટ ઝોનમાં ડામર રોડના ખર્ચમાં વધારો, મનહરપુરમાં દવાખાનુ, વોર્ડ નં.4 માં 50 ફુટના રોડ પર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, વોર્ડ નં.9 માં કોસ્મોપ્લેકસથી 18 મીટરનો નવો રોડ, વેસ્ટ ઝોનમાં નવા ડામર કામ સહિતના કામોનો સમાવેશ થાય છે. તા.11 માર્ચના રોજ પાંચ વર્ષ માટે ચૂંટાયેલા 72 કોર્પોરેટરોની બોડીની મુદ્દત પૂરી થઇ રહી છે ત્યારે આજે સવારે ચેરમેને આ મીટીંગનો એજન્ડા બહાર પાડયો હતો. જેમાં વિક્રમી સંખ્યામાં દરખાસ્ત અને ખર્ચની રકમ સામેલ છે. જે અંગે ગુરૂવારે સવારે ભાજપ સંકલન અને તે બાદ સ્ટે.કમીટીમાં નિર્ણય લેવામાં આવશે. વોર્ડ નં.12 ના વાવડી વિસ્તારમાં તપન હાઇટસ સામે સ્પોન્ઝ ગાર્ડન બનાવવા 26.98 કરોડનું એસ્ટીમેટ બનાવી ટેન્ડર બહાર પડાયુ હતું. 34800 ચો.મી.માં બનનારા ગાર્ડનમાં વોટર રીટેન્શન પોન્ડ, યોગા સ્પેસ, સોલાર એનર્જી, મલ્ટી સ્પોર્ટ ગેમ કોર્ટ, રેઇન ગાર્ડન, કોમ્યુનિટી ફાર્મીંગ, ફેસ્ટીવલ ગેધરીંગ, પબ્લીક પરફોર્મન્સ એરીયા, ઘાટ, મેડીકલ પ્લાનટેશન, આઉટડોર જીમ, સેલ્ફી પોઇન્ટ, વોટર મ્યુઝીયમ, ફલાવર ગાર્ડન, વોક-વે, ટોયલેટ બ્લોક જેવી સુવિધા છે. આ કામ માટે શ્રીજી કૃપા પ્રોજેકટ લી.ના 11 ટકા ઓછા ભાવ આવતા 24 કરોડની રકમ અને જીએસટી સહિત 28.33 કરોડનો ખર્ચ કરવાની કાર્યવાહી થઇ છે જે અંગે સ્થાયી સમિતિમાં નિર્ણય લેવામાં આવશે. આ જ વોર્ડમાં વાવડી વિસ્તારમાં વ્રજ વિલા એપાર્ટમેન્ટ પાસે 18.97 કરોડના ખર્ચે લાયબ્રેરી બનાવવાની દરખાસ્ત આવી છે. 2591 ચો.મી.માં દુકાનો ઉપર આ લાયબ્રેરી બનાવવામાં આવશે. વોર્ડ નં.1માં રૈયા ગામથી રૈયા સ્માર્ટ સીટી સુધીનો 1.2 કિ.મી.નો રોડ, 2400 મીટરની ડીઆઇ પાઇપલાઇન, 7200 મીટર, 500 મીટરની અન્ય લાઇન, ફલાવર બેડ ડિવાઇડર, ફુટપાથ સહિતના કામ માટે 15.29 કરોડનું ટેન્ડર બહાર પડાતા ભવાની કંપનીએ 3 ટકા વધુ ઓનથી આ કામ કરવા તૈયારી દર્શાવી છે. જેમાં 18 ટકા જીએસટી સહિત 18.58 કરોડનો ખર્ચ થશે. વોર્ડ નં.9માં કોસ્મોપ્લેકસથી 150 ફુટ રીંગ રોડને જોડતા 18 મીટરના રોડનું કામ રાજ ચામુંડા કંપનીને 6.39 ટકા ઓછા ભાવે 3.15 કરોડમાં આપવાની દરખાસ્ત રજુ કરવામાં આવી છે. આ ઉપરાંત વોર્ડ નં.11માં મોટા મવા એનીમલ હોસ્ટેલ પાસે એનીમલ હોસ્પિટલ બનાવવા ટેન્ડર બહાર પડાયું હતું જેમાં સનરાઇઝ એન્ટરપ્રાઇઝ 1.73 કરોડમાં પશુઓ માટેની હોસ્પિટલ બનાવવી આપવા તૈયારી દર્શાવી છે. વોર્ડ નં.7 કોર્પો. કચેરી પાછળ કનક રોડ પર દાયકાઓ જુના ફાયર સ્ટેશનને તોડીને નવું ફાયર સ્ટેશન બનાવવા રી-ટેન્ડર કરાયા બાદ રૂ.12.23 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવશે. આ સિવાય સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.2, 3, 7, 13, 14, 17માં ડિઝાઇન રોડ સોસાયટીના રોડ સહિતના રસ્તાના કામ માટે 44 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. ગત એપ્રિલમાં 31.31 કરોડનો ખર્ચ મંજૂર થયો હોય, 12.67 કરોડના વધારાના ખર્ચ સહિતનું આ બજેટ મંજૂર કરવા દરખાસ્ત આવી છે. વેસ્ટ ઝોનના છ વોર્ડમાં 1.36 કરોડના ખર્ચે રસ્તાના કામો મંજૂર કરવા દરખાસ્ત મુકવામાં આવી છે. જ્યારે વોર્ડ નં.4 માં 50 ફુટ રોડ પર ડી માર્ટ પાછળ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ બનાવવા ટેન્ડર પ્રક્રિયામાં સાત પાર્ટી કવોલીફાય થઇ હતી. જેમાં ચિત્રા કંપની દ્વારા અઢી ટકા ઓછા ભાવમાં કામ ઓફર આવતા 29.38 કરોડના ખર્ચે કામ આપવા દરખાસ્ત આવી છે. વોર્ડ નં.3ના મનહરપુરમાં બે કરોડના ખર્ચે નવું આરોગ્ય કેન્દ્ર બનાવવા દરખાસ્ત આવી છે. તો વોર્ડ નં. 15 માં આજી ડેમ ટ્રાફિક પોલીસ સ્ટેશન પાછળના ખુલ્લા પ્લોટમાં નવું ફાયર સ્ટેશન બનાવવા 35.16 કરોડનો ખર્ચ મંજૂર કરવા દરખાસ્ત આવી છે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ કોર્પો.ને કુલ રૂ.515 કરોડની ગ્રાંટ મંજુર કરવામાં આવેલ છે. જેમાં આંતરમાળખાકીય વિકાસનાં કામો માટે રૂ.367 કરોડ, શહેરી સડક યોજના માટે રૂ. 68 કરોડ તથા આઉટગ્રોથ વિસ્તાર વિકાસ માટે રૂ. 80 કરોડ એમ કુલ મળીને રૂ. 515 કરોડની ગ્રાંટ ફાળવવામાં આવેલ છે. જે સામે સરકારની સુચના મુજબ બે ગણું આયોજન કરી મોકલવા જણાવેલ હતું, જે મુજબ ડબલ રકમની દરખાસ્ત મોકલાતા રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ.515 કરોડ મંજુર કરી ફાળવી આપેલ છે. વર્ષ 2025-26ને રાજ્ય સરકાર દ્વારા અર્બન ડેવલપમેન્ટ વર્ષ તરીકે જાહેર કરાયેલુ હોય કોર્પો. દ્વારા ઉપરોક્ત વિકાસ કામો હાથ ધરવા જરૂરી હતા. જે કામો હાથ પર લેતા મંજુર થયેલ રૂ.515 કરોડથી વધુ ખર્ચ થશે. જેને પહોચી વળવા રૂ.256.44 કરોડની વધારાની ગ્રાંટની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવેલ છે વેસ્ટ ઝોનના 150 ફુટ રીંગ રોડ-2 પર કાલાવડ રોડ અને જામનગર રોડ તરફના 150 ફુટ રીંગ રોડને જોડતા રસ્તા ફોર ટ્રેક બની રહ્યા છે. આ માટે ઓગષ્ટ માસમાં 120 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. જામનગર રોડથી કટારીયા, કણકોટ રોડ સુધી સીવીલ વર્ક અને ગાર્ડનીંગ વર્ક તેમાં કરવાનું છે. હવે સ્ટેટ ટેકનીકલ કમીટી દ્વારા કરાયેલી સ્ક્રુટીનીનો રીપોર્ટ મળ્યો છે. જેમાં 45 મીટરનું કામ સુચવાયું હોય 220 કરોડનો ખર્ચ થાય તેમ છે. જેથી આ માટે વધારાની ગ્રાન્ટ માંગવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીની મુખ્ય દરખાસ્તો ♦ અમીન માર્ગ કોર્નરની જમીનની હરાજી અંગે નિર્ણય♦ વોર્ડ નં.4 ભગવતીપરા-5 પાસે બેઠુ નાલુ બનાવાશે♦ પૂર્વ ઝોન સહિતના વિસ્તારોમાં નવી આંગણવાડીના કામ♦ વોર્ડ નં.12 પુનિતનગરમાં સ્લેબ કલ્વર્ટ વાઇડનીંગ♦ વોર્ડ નં.16 જંગલેશ્ર્વરમાં શાળા નં.70 પાસે વોંકળા પર સ્લેબ કલ્વર્ટ♦ વોર્ડ નં.12 વાવડીમાં તપન હાઇટસ સામે સ્પોન્ઝ ગાર્ડન♦ વોર્ડ નં.12 માં નવી વોર્ડ ઓફિસ અને વોર્ડ નં.1 નાણાવટી ચોકમાં નવી વોર્ડ ઓફિસ♦ વોર્ડ નં.12 વાવડીમાં વ્રજ વિલા એપાર્ટમેન્ટ પાસે લાયબ્રેરી♦ વોર્ડ નં.13 અંબાજી કડવા પ્લોટ શાળા નં.69માં બાસ્કેટ બોલ કોર્ટ♦ વોર્ડ નં.1 રૈયા ગામથી સ્માર્ટ સીટી સુધી નવો ડીપી રોડ♦ વોર્ડ નં.14 શેઠ હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં વોકિંગ ટ્રેક♦ જુદા જુદા બ્રીજના ઇન્સ્પેકશન તથા રીપોર્ટીંગ માટે સલાહકાર♦ 2025-26ના વર્ષ માટે રસ્તા, ડ્રેનેજ, મેશનરી, વોટર વર્કસના ઝોનલ કોન્ટ્રાકટ♦ વોર્ડ નં.11 મોટા મવા એનીમલ હોસ્ટેલ પાસે એનીમલ હોસ્પિટલ બનાવાશે♦ સ્વર્ણિમ જયંતિ યોજના અંતર્ગત અને ગ્રીન રોડ યોજના માટે સરકાર પાસે વધારાની ગ્રાન્ટ મંગાશે♦ વોર્ડ નં.15 ના સંસ્કાર અને આજી જીઆઇડીસીમાં ડામર કાર્પેટ♦ વોર્ડ નં.4 રાજલક્ષ્મી મેઇન રોડ પર અને ઓમ પાર્ક મેઇન રોડ પર બ્રીજનું કામ♦ વોર્ડ નં.7 સેન્ટ્રલ ઝોન કચેરી પાછળ કનક રોડના ભાગે નવા ફાયર સ્ટેશનનું કામ♦ સેન્ટ્રલ ઝોન અને વેસ્ટ ઝોનના મુખ્ય રોડ ડિઝાઇન રોડ, ડામર અને રી-કાર્પેટ કામ♦ રામવન ખાતે ફૂડ કોર્ટનું સંચાલન આપવા દરખાસ્ત♦ વોર્ડ નં.3ના મનહરપુરમાં નવું આરોગ્ય કેન્દ્ર♦ વોર્ડ નં.1 એસઆરપી કેમ્પસની સ્કુલ માટે છ રૂમ અને મધ્યાહન ભોજન ઇમારત♦ વોર્ડ નં.4 ડી માર્ટ રોડ પર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ બનાવાશે♦ વોર્ડ નં.9 કોસ્મોપ્લેકસથી 150 ફુટ રીંગ રોડ તરફ 18 મીટરનો નવો રોડ♦ વોર્ડ નં.1ના દ્વારકેશ પાર્ક પાસે નવું આરોગ્ય કેન્દ્ર♦ અલગ અલગ વોર્ડમાં સફાઇ અને કચરા એકત્રીકરણ કામગીરી♦ કોઠારીયા રોડના વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલના નવા ભાડા♦ કર્મચારીઓ, અધિકારીઓના તબીબી સહાયની નીતિમાં સુધારો♦ મિલ્કત વેરા-વોટર ચાર્જ પર ચડત વ્યાજ માફીની દરખાસ્ત♦ સેન્ટ્રલ-ઇસ્ટ ઝોનમાં ગાર્ડન જાળવણી, ટ્રી અને ગ્રીન સ્પેસ મોનીટરીંગનું કામ♦ જુદા જુદા વિસ્તારમાં પે એન્ડ પાર્કની જગ્યા ફાળવવા♦ જયુબીલી શાક માર્કેટ નવીનીકરણનું કામ♦ વોર્ડ નં.8 લક્ષ્મીનગર વીજ ઓફિસ સામે વેજીટેબલ માર્કેટ♦ વોર્ડ નં.15 આજી ડેમ પાસેના પ્લોટમાં ફાયર સ્ટેશનનું કામ♦ વોર્ડ નં.8 કાલાવડ રોડ-નાના મવા રોડ વચ્ચે, નિર્મલા રૈયા રોડ પર ડીઆઇ પાઇપલાઇન
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ કર્ણ દિવસ 2026ના અવસરે વિશેષ આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ (OPD)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ OPD તમામ 18 AAM UHSC અને AAM UHC કેન્દ્રો પર યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ OEEE (Open Ear and Ear Infection and Others) અભિયાનનો એક ભાગ હતો. આ અભિયાન દરમિયાન જાહેર જનતાને કાનની સંભાળ, બહેરાશની રોકથામ, વહેલી ઓળખ, સમયસર સારવાર, તેમજ અતિશય અવાજ અને ચેપ જેવા કારણો વિશે વિસ્તૃત જાગૃતિ અને શિક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ પહેલથી કુલ 1001 લાભાર્થીઓને સીધો ફાયદો થયો છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ નાગરિકોના સ્વાસ્થ્ય પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને આવા કાર્યક્રમો દ્વારા વધુને વધુ લોકો સુધી જાગૃતિ ફેલાવવાના પ્રયાસો ચાલુ રાખશે.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા દર વર્ષે 3 માર્ચે વિશ્વ કર્ણ દિવસ (World Hearing Day)ની ઉજવણી કરવામાં આવે છે. આ વૈશ્વિક અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય બહેરાશ અને કાનની સમસ્યાઓની રોકથામ તેમજ કાન અને સાંભળવાની સંભાળને પ્રોત્સાહન આપવાનો છે. વર્ષ 2026 માટે વિશ્વ કર્ણ દિવસની થીમ From communities to classrooms: hearing care for all children (સમુદાયથી શાળા સુધી: બધા બાળકો માટે સાંભળવાની સંભાળ) છે. આ થીમ હેઠળ બાળકોમાં ટાળી શકાય તેવી બહેરાશની રોકથામ અને કાન/સાંભળવાની સમસ્યાઓની વહેલી ઓળખ તથા સારવાર પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. સમુદાય અને શાળાઓને બાળકો, માતા-પિતા અને શિક્ષકો સુધી પહોંચવાના કુદરતી માધ્યમ તરીકે ઓળખીને, શાળા આરોગ્ય અને બાળ આરોગ્ય કાર્યક્રમોમાં સાંભળવાની સંભાળને સમાવેશ કરવાની જરૂરિયાત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. વિશ્વભરમાં 5 થી 19 વર્ષની વયના આશરે 90 મિલિયન બાળકો બહેરાશ સાથે જીવે છે, જેમાંથી 60% થી વધુ બાળકોની બહેરાશ સરળ અને ખર્ચ-અસરકારક જાહેર આરોગ્ય પગલાંઓ દ્વારા રોકી શકાય છે.
પહેલાં આપણે જોતાં હતા કે ગુજરાતના ગામડાંઓમાં તો ઠીક પરંતુ શહેરોમાં પણ વારંવાર વીજળી ડૂલ થઇ જવાના કિસ્સાંઓ બનતા હતા. તેનું કારણ એ હતું કે ગુજરાતની પ્રજાને જરૂરિયાત પ્રમાણેનો વીજ પુરવઠો ઉપલબ્ધ થતો ન હતો. પરંતુ તાજેતરમાં જ લોકસભામાં પાવર મંત્રી શ્રીપાદ નાઇકે રજૂ કરેલાં આકડાં જોઇએ તો ગુજરાતમાં એપ્રિલથી ડિસેમ્બર મહિનામાં 2025ના વર્ષમાં જરૂરિયાત મુજબનો 1,18,066 MU વીજ પુરવઠો પૂરો પાડવામાં ગુજરાત 100% સફળ રાજ્ય બન્યું છે. જેના કારણે પ્રજાનો વીજળી ડૂલ થવાની સમસ્યાથી છૂટકારો થયો હતો. લોકોને વીજળી ડૂલ થવાની સમસ્યાથી છૂટકારો આમ તો દેશમાં આવા ઘણાં રાજ્યો હશે જ્યાં આ ઝંઝટમાંથી પ્રજાને મુક્તિ મળી છે પરંતુ પશ્ચિમના રાજ્યોમાં વસ્તીની દૃષ્ટિએ વાત કરીએ તો તેમાં ગુજરાત અને રાજસ્થાને પણ 100% વીજ પુરવઠો પૂરો પાડ્યો હોવાથી ત્યાં પણ પ્રજાને વીજળી ડૂલ થવાની સમસ્યાથી છૂટકારો થયો હતો. 2025ના વર્ષમાં ગુજરાતે પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો જનરેટ કર્યો આમ તો 2024નું વર્ષ તો ઠીક પરંતુ માર્ચ-2025 સુધી જરૂરિયાત પ્રમાણેનો વીજ પુરવઠો ઉપલબ્ધ નહીં થવાથી ગુજરાતમાં ક્યાંક ક્યાંક પાવર કટ થવાની સમસ્યા હતી. 2025ના વર્ષમાં ગુજરાતે પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો જનરેટ કર્યો હોવાથી સમસ્યાનો નિકાલ થયો હતો.ગુજરાત ભારતમાં વીજ ઉત્પાદન અને વપરાશમાં અગ્રેસર છે અને હવે ઝીરો પાવર ડેફિસિટ રાજ્ય તરીકે ઊભર્યું છે એટલે કે રાજ્યમાં વીજળીની અછત લગભગ શૂન્ય થઇ ગઇ છે. નવીનીકરણીય ઊર્જા હોય કે પરંપરાગત વીજ ઉત્પાદન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે વીજ ઉત્પાદન ક્ષમતામાં સતત વધારો કર્યો છે. ટેક્નોલોજી અને સચોટ આયોજનથી વીજળીનું કાર્યક્ષમ સંચાલન રાજ્ય સરકારે સૌર અને આધુનિક ટેક્નોલોજી અને સચોટ આયોજન દ્વારા વીજળીનું કાર્યક્ષમ સંચાલનપવન ઊર્જા જેવા પ્રોજેક્ટ્સને વિશેષ પ્રોત્સાહન આપવાની સાથે નવા પાવર પ્લાન્ટ્સની સ્થાપના કરી છે અને ટ્રાન્સમિશન તથા ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કને વધુ સુદ્રઢ બનાવ્યું છે. કરવામાં આવ્યું છે, જેના પરિણામે નાગરિકો, ઉદ્યોગો અને કૃષિ ક્ષેત્રને અવિરત તથા વિશ્વસનીય વીજ પુરવઠો મળી રહ્યો છે. તાજેતરના આંકડા વીજ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાતનું સુદ્રઢ આયોજન અને અસરકારક અમલીકરણ દર્શાવે છે. એપ્રિલ 2022થી માર્ચ 2023 દરમિયાન ગુજરાતની વીજ માંગ 1,39,043 મિલિયન યુનિટ (MU) હતી, જેની સામે 1,38,999 મિલિયન યુનિટ (MU) સપ્લાય પૂરો પાડવામાં આવ્યો હતો, જેમાં માત્ર 44 મિલિયન યુનિટનો નજીવો તફાવત હતો. ત્યારબાદ એપ્રિલ 2023થી માર્ચ 2024 દરમિયાન વીજ માંગ વધીને 1,45,768 મિલિયન યુનિટ (MU) થઈ હતી, જેની સામે 1,45,740 મિલિયન યુનિટ (MU) સપ્લાય પૂરો પાડીને તફાવત ઘટાડી માત્ર 28 મિલિયન યુનિટ સુધી મર્યાદિત રાખવામાં આવ્યો હતો. આમ, વધતા જતાં વીજ વપરાશ સામે ગુજરાતે માંગ અને પુરવઠા વચ્ચે આદર્શ સંતુલન જાળવી રાખ્યું છે. એપ્રિલ 2024થી માર્ચ 2025 દરમિયાન 1,51,878 મિલિયન યુનિટ (MU) વીજ માંગ સામે રાજ્યમાં 1,51,875 મિલિયન યુનિટ (MU) વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવાયો હતો. વધુમાં, એપ્રિલ 2025થી ડિસેમ્બર 2025ના ગાળામાં ગુજરાતે 1,18,066 મિલિયન યુનિટની વીજ માંગ સામે સંપૂર્ણ પુરવઠો પૂરો પાડીને 'શૂન્ય વીજ અછત'ની સ્થિતિ પ્રાપ્ત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની દિશામાં અગ્રેસર છે, ત્યારે ગુજરાત પણ મજબૂત માળખાગત સુવિધાઓ, સુચારુ આયોજન અને વીજ માંગ-પુરવઠાના સચોટ સંતુલન દ્વારા આ સિદ્ધિમાં પોતાનું નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે.
રાજકોટ શહેરના કોઠારીયા સોલવન્ટમાં આવેલ KGN ચિકન શોપના માલિક અંસારી ભાઈઓ પર છરી-ધોકાથી થયેલ જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત થતાં બનાવ હત્યામાં પલ્ટાયો છે. ચિકન શોપ પર બાઈક મોડું આપવા બાબતે મિત્રને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં શખ્સોને સમજાવતાં બેફામ બન્યાં હતાં અને હથિયાર સાથે ઘસી આવી યુવકને માથાના ભાગે ધોકાના ઘા ઝીંકી ખોપડી ફાડી નાંખી હતી. બનાવ અંગે આજીડેમ પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરવાં તજવીજ હાથ ધરી છે. આશીફને છરી મારવાની ધમકી આપવા લાગ્યો હતો. રાજકોટમાં બરકતીનગર શેરી નં.11માં બાલાજી એપાર્ટમેન્ટ વાળી શેરીમાં રહેતાં ફૈજાન ઇસ્માઇલભાઇ અંસારી (ઉ.વ.19)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રાહુલ, ઇમરાન, મહેશ અને હરેશ નામના શખ્સોનું નામ આપતાં આજીડેમ પોલીસે હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ફૈજાનએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તે અને તેનો મોટો ભાઈ હૈદર બંને ગુલાબનગર શેરી નં.2 કોઠારીયા સોલવન્ટ ખાતે KGN ચિકન શોપ નામે નોનવેજની દુકાન ચલાવી પરીવારનુ ગુજરાન ચલાવે છે. ગઇકાલે રાત્રીના 8 વાગ્યાના આસપાસ યુવક અને તેનો ભાઈ હૈદર, મિત્ર આશીફ ત્રણેય ગત તા.26 ફેબ્રુઆરીના રોજ રાતે દુકાને હતા ત્યારે રાહુલ તથા ઇમરાન બંને આવી અને આશીફને કહેવા લાગ્યા કે, પરમ દીવસે બાઈક કેમ મોડુ પરત કર્યું હતું તેમ કહી આશીફને ગાળો આપી હતી જેથી ફરિયાદી અને તેના ભાઈએ ગાળો ન બોલવા સમજાવ્યા હતા. દરમ્યાન ઇમરાન ઉશ્કેરાઈને ચાલ્યો ગયો હતો બાદમાં છરી લઇને પરત આવી આશીફને છરી મારવાની ધમકી આપવા લાગ્યો હતો. દરમિયાન ફરીયાદી અને તેના ભાઈએ આરોપી ઈમરાનને પકડી સમજાવતા હતા એટલામાં ત્યા રાહુલના બીજા બે ભાઇ મહેશ તથા હરેશ હાથમા લાકડાનો ધોકો લઈને આવી બંને ભાઈઓને પણ ગાળો આપવા લાગ્યા હતાં. દરમ્યાન યુવકના પિતા પણ ત્યા આવી અને આ લોકોને ઝધડો ન કરવા બાબતે સમજાવતા હતા ત્યારે હરેશએ યુવકની પાસે આવી માથાના પાછળના ભાગે એક ફડાકો માર્યો હતો જયારે મહેશ અને રાહુલે ફરિયાદીના મોટાભાઇ હૈદરને ઘોકા વડે માર મારવા લાગ્યા હતાં જેથી યુવકના પિતા બંનેને મારવાની ના પાડતા હતા. દરમ્યાન હરેશ પણ ઉશ્કેરાઈ હૈદરને ધોકા વડે મારી નાખવાના ઇરાદે જોરથી મારતો હતો જેથી તે ચકકર ખાઈને પડી ગયો હતો. માણસો ભેગા થઇ જતા આરોપી ત્યાંથી ભાગી ગયા હતાં અને ઇજાગ્રસ્ત હૈદરને કાન તેમજ નાકના ભાગેથી લોહી નીકળતુ હોય જેથી તુરંત રીક્ષામા બેસાડી સારવાર અર્થે ખાનગી હોસ્પીટલ લઇ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબોએ માથામા ખોપરીમાં મલ્ટીપલ ફેકચરની ગંભીર ઇજા થયેલ હોવાનું જણાવ્યું હતું. યુવકે બનાવના કારણ અંગે જણાવ્યું હતું કે, ગઈ તા.24.02.2026ના સાંજના 5 વાગ્યે મિત્ર આસીફ રાહુલનુ બાઈક લઇને ગોંડલ ગયો હતો અને બાદ રાજકોટ પરત આવી રાહુલને તેનુ બાઈક બે કલાક મોડુ પરત કર્યું તે બાબતનો ખાર રાખી આરોપી છરી તેમજ ધોકા લઈને દુકાને આવી છરી બતાવી જાનથી મારી નાખવાની ઘમકી આપી જીવલેણ હુમલો કર્યો હતો. બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી બનાવ અંગેની ફરીયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી ત્રણ શખ્સોને પકડી પાડ્યા હતાં જ્યારે રાહુલ નામનો શખ્સ હજું પોલીસ પકડથી દૂર છે. હાલ સારવાર દરમિયાન હૈદરનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે જેથી પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હત્યાની કલમનો ઉમેરો કરી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મૃતક હૈદરને સંતાનમાં એક દોઢ વર્ષની દીકરી અને બે મહિનાનો પુત્ર હોવાનું સામે આવ્યું છે જેને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાઈ જવા પામ્યો છે.
હોળીની 'ગોઠ' ન આપતા બે યુવકો પર હુમલો:શહેરાના તાડવા પાટીયા પાસે પથ્થર-લાકડી વડે ઘાયલ કર્યા
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના તાડવા પાટીયા પાસે હોળીની 'ગોઠ' ન આપવા બદલ બે યુવકો પર હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં 8 થી 10 અજાણ્યા શખ્સોના ટોળાએ પથ્થર અને લાકડી વડે હુમલો કરી યુવકોને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, અક્ષય કુમાર વણઝારા નામના યુવક તેમના મિત્ર સાથે બાઇક પર પસાર થઈ રહ્યા હતા. તે સમયે માર્ગ પર ઉભેલા 8 થી 10 લોકોના ટોળાએ તેમનું બાઇક રોક્યું હતું અને હોળીની 'ગોઠ'ની માંગણી કરી હતી. યુવકોએ પોતાની પાસે છૂટા પૈસા ન હોવાનું જણાવતા મામલો બિચક્યો હતો. ત્યારબાદ ઉશ્કેરાયેલા ટોળાએ બળજબરીપૂર્વક બાઇકની ચાવી છીનવી લીધી હતી. ચાવી છીનવી લીધા બાદ ટોળાએ બંને યુવકો પર પથ્થર અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં બંને યુવકોને માથાના તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા બંને યુવકોને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
બોટાદ LCB પોલીસે બરવાળા નજીકથી રાજસ્થાનના એક યુવકને MD ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ. 3.36 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. LCB PI એમ. જી. જાડેજા અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે, બરવાળાના ધંધુકા-ભાવનગર રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન બાતમીદાર શખ્સ પ્રમોદસિંહ નાથુસિંહ ઇન્દા (ઉંમર 23, રહે. દિવાંદી ગામ, તા. રોહિત, જિ. પાલી, રાજસ્થાન)ને અટકાવીને તેની તલાશી લેવામાં આવી હતી. પોલીસે પ્રમોદસિંહ પાસેથી ગેરકાયદેસર રીતે રાખેલ 97 ગ્રામ 97 મિલીગ્રામ MD (મેફેડ્રોન) ડ્રગ્સ જપ્ત કર્યું હતું, જેની કિંમત રૂ. 2,93,910 આંકવામાં આવી છે. આ ઉપરાંત, 0.730 મિલીગ્રામ મેથાએમ્ફેટામાઇન પણ મળી આવ્યું હતું, જેની કિંમત રૂ. 7,300 છે. ડ્રગ્સ ઉપરાંત, પોલીસે 5 ખાલી પ્લાસ્ટિકની કોથળીઓ અને એક મોબાઇલ ફોન પણ કબજે લીધો હતો. આમ, કુલ રૂ. 3,36,210નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી પ્રમોદસિંહ ઇન્દા વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિને કારણે વિદેશમાં વસતા ગુજરાતીઓની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. ખાસ કરીને દુબઈમાં વ્યાપાર અર્થે ગયેલા મહેસાણાના વેપારીઓ અત્યારે ત્યાં ફસાઈ ગયા છે અને સુરક્ષિત રીતે ભારત પરત આવવા માટે સરકાર પાસે મદદની આજીજી કરી રહ્યા છે. યુદ્ધના સંકટ વચ્ચે વિમાન સેવાઓ ખોરવાતા અને ટિકિટના ભાવમાં તોતિંગ વધારો થતા વેપારીઓ અને તેમના પરિવારો ભારે ચિંતામાં મુકાયા છે. 28 હજારની ટિકિટ હવે 1 લાખને પાર કરી ગઈસ્થિતિની ગંભીરતા જણાવતા વેપારીઓએ વીડિયો કોલ મારફતે પોતાની વ્યથા ઠાલવી હતી. તેમણે જણાવ્યું હતું કે, યુદ્ધ પહેલા દુબઈથી ભારત આવવા-જવાની જે ટિકિટ અંદાજે 14થી 28 હજાર રૂપિયામાં મળતી હતી. તેના ભાવ અત્યારે આસમાને પહોંચી ગયા છે. કેટલીક એરલાઇન્સમાં ટિકિટનો દર 1 લાખ રૂપિયાને પાર કરી ગયો છે. તેને વધુમાં કહ્યું કે, આશ્ચર્યની વાત એ છે કે વેપારીઓ આટલો ઊંચો ભાવ ચૂકવવા તૈયાર હોવા છતાં ઓનલાઇન બુકિંગ કરતી વખતે ગણતરીની મિનિટોમાં જ 'સોલ્ડ આઉટ' બતાવે છે. જેના કારણે ટિકિટ મેળવવી અશક્ય બની ગઈ છે. 'દુબઈથી અમદાવાદ માત્ર એક તરફનું ભાડું 45 હજારથી 1 લાખ સુધી'મહેસાણાના વેપારી અલ્પેશ પટેલે ભાસ્કર સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, અત્યારે દુબઈમાં વિમાન સેવાઓ અનિશ્ચિત છે. ઓનલાઇન પોર્ટલ પર દુબઈથી અમદાવાદ આવવા માટે માત્ર એક તરફનું ભાડું 45 હજારથી 1 લાખ સુધી બતાવી રહ્યું છે. વળી, વૈકલ્પિક માર્ગ તરીકે ઓમાન (મસ્કત) થઈને ભારત આવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ ત્યાં વિઝાની સમસ્યાઓ નડી રહી છે. રાત્રિના સમયે થતા હવાઈ હુમલાના ડર અને વધતા આર્થિક નુકસાન વચ્ચે વેપારીઓ સુરક્ષિત અનુભવી રહ્યાં નથી. એર ટિકિટના દરો પર નિયંત્રણ લાવવાની માંગવેપારીઓએ ભારત સરકારને વિનંતી કરી છે કે, એર ટિકિટના દરો પર તાત્કાલિક નિયંત્રણ લાવવામાં આવે અને ખાસ ફ્લાઇટ્સની વ્યવસ્થા કરીને તેમને વહેલી તકે વતન પરત લાવવામાં આવે. હાલમાં મહેસાણામાં રહેતાં તેમના પરિવારો પણ ગભરાટના માહોલમાં છે અને સરકાર તરફથી કોઈ મક્કમ કાર્યવાહીની રાહ જોઈ રહ્યા છે.
હિંમતનગર રાજપુર પાટિયા પાસે યુવાનનો મૃતદેહ:જાદરના રમેશ સોલંકી તરીકે ઓળખ થઈ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાજપુર પાટિયા નજીક એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. મંગળવારે સાંજે આ ઘટનાની જાણ હિંમતનગર ગ્રામ્ય પોલીસને થતા, પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, હિંમતનગર-ઈડર સ્ટેટ હાઈવે પર રાજપુર પાટિયાથી રાજપુર ગામ તરફ જતા માર્ગ પર ગરનાળા પાસે ભરાયેલા પાણીમાંથી આ મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. તપાસ દરમિયાન મૃતકની ઓળખ ઈડર તાલુકાના જાદર ગામના રમેશભાઈ સોમાભાઈ સોલંકી (ઉંમર આશરે 35થી 40 વર્ષ) તરીકે થઈ છે. પોલીસે મૃતદેહનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મહીસાગર નદીમાં બે યુવાનો ડૂબ્યા, એકનું મોત:લુણાવાડા નજીક હાડોડ ગામે બની દુર્ઘટના
લુણાવાડા નજીક હાડોડ ગામેથી પસાર થતી મહીસાગર નદીમાં નાહવા પડેલા બે યુવાનોમાંથી એકનું ડૂબી જવાથી મોત થયું છે, જ્યારે બીજા યુવાનને બચાવી લેવાયો હતો. આ ઘટના જૂના બ્રિજ પાસે બની હતી. માહિતી અનુસાર, બંને યુવકો બપોરના સમયે નદીમાં સ્નાન કરવા ઉતર્યા હતા. અચાનક પાણીના વહેણ અને ઊંડાણને કારણે તેઓ પાણીમાં તણાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. તાત્કાલિક પ્રયત્નો બાદ એક યુવકને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો હતો, પરંતુ અન્ય યુવક નદીના પાણીમાં લાપતા થયો હતો. લુણાવાડા નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. કલાકોની શોધખોળ બાદ લાપતા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. લુણાવાડા મામલતદાર પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક યુવકનું નામ સુરેશભાઈ સબૂર ચામઠા છે, જ્યારે બચાવી લેવાયેલા યુવકનું નામ અજયભાઈ મોંઘીભાઈ ચામઠા છે. બંને લીંબડીયા, તાલુકો ખાનપુર, મહીસાગરના રહેવાસી હતા અને તેમની ઉંમર આશરે 27 થી 28 વર્ષ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવને કારણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિક પ્રશાસને નદીમાં સ્નાન કરવા પર પ્રતિબંધ મૂક્યો છે અને જોખમી સ્થળોએ ન જવા માટે લોકોને અપીલ કરી છે.

35 C