NSUIની માગ:એબીવીપીના કાર્યક્રમમાં થયેલા બોલિવુડ ગીત પર થયેલા ડાન્સ મામલે ફરિયાદની NSUIની માગ
એનએસયુઆઇએ યુનિ.માં એબીવીપીના કાર્યક્રમમાં થયેલા બોલીવુડ સોન્ગ પર ડાન્સના મુદ્દે ફરીયાદ કરવાની માંગ કરી હતી. કોઈ અન્ય સંગઠને આ કર્યું હોત, તો અત્યાર સુધી પોલીસ ફરિયાદો થઈ હોત તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. એનએસયુઆઇના આગેવાનો દ્વારા યુનિ.ના વીસીને આવેદન પત્ર આપીને જવાબદારો સામે પગલાં લેવા માટેની માંગણી કરી હતી. એનએસયુઆઇ ગુજરાત સેક્રેટરી સુઝાન લાડમેનએ ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે એબીવીપી સંસ્કૃતિના રક્ષક હોવાનો જે દંભ વર્ષોથી કરતું આવ્યું છે, તેનો અસલી ચહેરો કેમ્પસમાં રજૂ થયેલા અશ્લીલ નૃત્યોએ ઉઘાડો પાડી દીધો છે. યુનિ.ના વાઈસ ચાન્સેલર અને રજિસ્ટ્રારે જવાબ આપવો જોઈએ કે શું કેમ્પસમાં આવા પ્રદર્શનો માટે મંજૂરી આપવામાં આવી હતી. જો એબીવીપી સામે શિસ્તભંગના પગલાં નહીં ભરાય તો સાબિત થઈ જશે કે યુનિ. હવે વિદ્યાર્થી સંગઠનના ઇશારે કામ કરે છે. વિદ્યાર્થિનીએ વીડિયો પોસ્ટ કરી કહ્યું કે, મેં કોઇ દેશદ્રોહ નથી કર્યો, માત્ર ડાન્સ કર્યો છેયુનિ.ની વિદ્યાર્થીનીએ એબીવીપીના કલ્ચરલ ફેસ્ટમાં કરેલા ડાન્સનો વીડિયો દેશભરમાં વાઇરલ થયો છે. જેના પગલે વિદ્યાર્થીનીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે મે અશ્લીતતા ફેલાવી છે તેવું કહેવામાં આવી રહ્યું છે. મે તેમાં સાડી પહેરી હતી. મે જે ગીત પસંદ કર્યું તે ખોટું હતું તેના માટે હું માફી માંગુ છું. આ આટલી પણ મોટી વાત નથી કે તેને મોટી બનાવી દેવાઇ છે. મે કોઇ દેશદ્રોહ નથી કર્યો. હું એબીવીપી કે એનએસયુઆઇ વાળાને નથી જાણતી. મે એક ફેસ્ટમાં બોલીવુડ સોન્ગ પર ડાન્સ કર્યો છે. એનએસયુઆઇવાળાએ વીડિયો ફેલાવી દિધો છે પણ મારી મેન્ટલ હેલ્થ માટે વિચાર કર્યો નથી. દેશમાં આટલા મોટા મુદ્દાઓ હોવા છતાં આવી નાની બાબતને મુદ્દો બનાવ્યો છે. મારા પર શું વિતી રહી છે તેનો કોઈએ વિચાર કર્યો નથી. વિદ્યાર્થિનીનું ઇન્સ્ટાગ્રામ આઇડી સસ્પેન્ડ કરી દેવાયું, બીજું એકાઉન્ટ બનાવીને પક્ષ રજૂ કર્યોએબીવીપીના કાર્યક્રમમાં ડાન્સ કરનાર વિદ્યાર્થીનીનો વિડિયો વાઇરલ થયા બાદ ભારે વિવાદ સર્જાયો હતો. જેના પગલે વિદ્યાર્થીનીએ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ શેર કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. જોકે તેનું ઇન્ટાગ્રામ આઇડી સસ્પેન્ડ કરી દેવાયું હતું. વિદ્યાર્થીનીએ નવું ઇન્ટાગ્રામ આઇડી બનાવીને ફરીએક નવી પોસ્ટ કરી હતી. જેમાં એનએસયુઆઇ સામે આક્ષેપો કરતા કહ્યું હતું કે મે જે પોસ્ટ કરી તેનાથી એનએસયુઆઇ ગભરાઇ ગયું અને તેમના માસ મીડિયાએ ભેગા થઇને મારું આઇડી સસ્પેન્ડ કરાવી દીધું છે. તમે સાચા હોય તો સારી રીતે લડો. એક છોકરીનો અવાજ દબાવવા માટે આઇડી સસ્પેન્ડ કરાવી દિધી છે. છોકરી પોતાનો પક્ષ રજૂ કરી રહી છે. તમે રાજકારણ માટે ખોટો પ્રોપોગેન્ડા ફેલાવી રહ્યા છો.
માતા અને બાળકને રેડિયેશનથી સુરક્ષિત રાખવા માટે સ્માર્ટ ટેક્સટાઇલ સોલ્યુશન વિકસાવામાં આવ્યું છે. એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના ટેકસટાઇલ એન્જીનીયરીંગ વિભાગના વિદેશી વિદ્યાર્થીએ રીસર્ચ કરી ગર્ભવતી મહિલાઓને હાનિકારક રેડિયેશનથી સુરક્ષિત રાખવા સ્ટેનલેસ સ્ટીલ માઇક્રોફાઇબર મેટરનિટી બેલ્ટ તૈયાર કરાયો છે. તાજેતરમાં કરવામાં આવેલા એક મહત્વપૂર્ણ સંશોધનમાં ગર્ભવતી મહિલાઓને હાનિકારક ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનથી સુરક્ષિત રાખવા માટે નવીન ટેક્સટાઇલ આધારિત ઉકેલ વિકસાવવામાં આવ્યો છે. આ સંશોધન ડૉ. સત્યજીત ચૌધરીના માર્ગદર્શન હેઠળ સીરિયાના આંતરરાષ્ટ્રીય પીએચ.ડી. સંશોધક મુસ્તફા અલોથમેન એ કર્યું છે. મોબાઇલ ફોન, વાઇ-ફાઇ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોના વધતા ઉપયોગને કારણે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનનો પ્રભાવ ગર્ભવતી મહિલાઓ પર વધુ સંવેદનશીલ માનવામાં આવે છે, આ પ્રકારનું રેડિયેશન ગર્ભમાં રહેલા બાળકના વિકાસને અસર કરી શકે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સંશોધકોએ સ્ટેનલેસ સ્ટીલ માઇક્રોફાઇબર ધરાવતા વિશેષ કાપડથી બનેલો હલકો અને આરામદાયક મેટરનિટી બેલ્ટ વિકસાવ્યો છે. આ ટેક્સટાઇલ 99.9 ટકા કરતાં વધુ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનને અટકાવવામાં સક્ષમ છે. આ કાપડ નરમ, હવા પસાર થતું અને દૈનિક ઉપયોગ માટે ખૂબ અનુકૂળ છે. આ સંશોધન માતા અને બાળકના આરોગ્યની સુરક્ષા માટે સસ્તું અને અસરકારક ઉકેલ આપે છે. તેમજ ઊંચા રેડિયેશનવાળા ક્ષેત્રોમાં કામ કરતા લોકો માટે પણ લાભદાયક બની શકે છે. મેટરનિટી બેલ્ટથી સગર્ભાની સુરક્ષા અસરકારક સાબિત થઈ શકે મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોના વધતા ઉપયોગને કારણે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનનો ખતરો વધ્યો છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ માટે આ જોખમ વધારે છે. વિકસાવાયેલ મેટરનિટી બેલ્ટ તેમની સુરક્ષા માટે અસરકારક સાબિત થઈ શકે છે. > ડૉ. સત્યજીત ચૌધરી, એસોસીએટ પ્રોફેસર, ટેકસટાઇલ એન્જીનીયરીંગ વિભાગ બેલ્ટમાં મિશ્ર દોરાનો ઉપયોગ કરવામાં આવ્યો
ભગવાનની પંચવક્ર પૂજા કરાઈ:દશરથ ગામમાં એકલિંગજી મહાદેવના પાટોત્સવ નિમિત્તે શોભાયાત્રા નીકળી
દશરથ ચોર્યાસી મેવાડા બ્રહ્મ સમાજ દ્વારા ગામમાં ભગવાન એકલિંગજી મહાદેવના પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ. છોટાલાલ જોષી પરિવારના યજમાન પદે રવિવાર, 12 એપ્રિલે આ મહોત્સવ યોજાયો હતો. પાટોત્સવના પ્રારંભે ગામના મુખ્ય મંદિરેથી પૂજા સ્થળ બ્રાહ્મણ ફળિયા સુધી ભગવાન એકલિંગજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ઢોલ-નગારા અને વાજતે-ગાજતે નીકળેલી આ યાત્રામાં શ્રદ્ધાળુઓ ઉમળકાભેર જોડાયા હતા. પૂજા સ્થળે આકર્ષક મંડપ અને રંગોળી સાથે કુંડ તૈયાર કરવામાં આવ્યો હતો. મહેશ ગુરુજીના આચાર્ય પદે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે હોમાત્મક લઘુરુદ્ર અને ભગવાન એકલિંગજીની પંચવક્ર પૂજા કરવામાં આવી હતી. આ ઉપરાંત કુશ કંડિકા પૂજા દ્વારા સામગ્રી પવિત્ર કરી અગ્નિનું આવાહન કરાયું હતું. આ સત્કાર્યની પરંપરા જળવાઈ રહે તે હેતુથી, વર્ષ 2027ના પાટોત્સવ માટે હિરેનભાઈ કનૈયાલાલ જોષી પરિવાર યજમાન બનશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ આયોજન દશરથ ચોર્યાસી મેવાડા બ્રહ્મ સમાજ માટે એક નવી સંસ્કૃતિ અને ઈતિહાસનું પ્રતીક બન્યું છે.
માંજલપુર ખાતે જગદગુરુ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના પ્રાગટ્યોત્સવ નિમિત્તે વીવાયઓ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ ધાર્મિક મહોત્સવમાં હજારોની સંખ્યામાં વૈષ્ણવો ભક્તિભાવ પૂર્વક જોડાયા હતા.આ પ્રસંગે વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષી, ગુજરાત વિધાનસભાના દંડક બાલુ શુક્લ, મંત્રી મનીષાબેન વકીલ, સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા, ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની સહિત અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રાનો પ્રારંભ વ્રજરાજકુમારજી મહારાજે ધ્વજ ફરકાવીને કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, “સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં વલ્લભાચાર્યજી પાંચમાં જગદગુરુ આચાર્ય છે. તેમણે માયાવાદનું ખંડન કરી સાકાર બ્રહ્મવાદની સ્થાપના કરી હતી. મહાપ્રભુજીમાં કૃષ્ણ, સ્વામિજી અને ગુરુ એમ ત્રણેય સ્વરૂપોનો વાસ છે. વ્રજધામ સંકુલ ખાતે બિરાજમાન મહાપ્રભુજીના સાક્ષાત સ્વરૂપને વૈષ્ણવોએ કેસર સ્નાન કરાવ્યું હતું. ત્યારબાદ ભક્તોએ પુષ્પ વિતાન મનોરથના દર્શન કર્યા હતા. માંજલપુરમાં વીવાયઓ દ્વારા મહાપ્રભુજીની શોભાયાત્રા નીકળી, 10 હજારથી વધુ વૈષ્ણવો ઊમટ્યા શોભાયાત્રાનાં મુખ્ય આકર્ષણો
કોર્પોરેશન, જિ.પંચાયત, નગર પાલિકા, તાલુકા પંચાયતની ચૂંટણી 26 એપ્રિલે યોજાશે.ગત ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાઇ હતી, આ વખતે ભરઉનાળે મતદાન થશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 26 એપ્રિલે પારો 42 ડિગ્રી રહે તેવી શક્યતા છે. જ્યારે શાળાઓમાં વેકેશન હશે, જેની સીધી અસર મતદાન પર પડી શકે છે. નોંધનીય છે કે, શહેરમાં સોમવારે મહત્તમ પારો 41.4, લઘુતમ પારો 24 ડિગ્રી નોંધાયો હતો.આકરી ગરમીથી માર્ગો સૂમસામ બન્યા હતા. 26મીએ સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. 26મીએ ગરમીનો પારો 42 ડિગ્રી સુધી જવાની શક્યતા છે, જેની અસર મતદાન પર પડી શકે છે. વહેલી સવારે વધુ મતદાન થાય તેવા પ્રયાસ રાજકીય પક્ષો કરશે. જોકે રજા હોવાથી નોકરિયાત વર્ગ આરામના મૂડમાં હશે. ઉપરાંત શાળામાં વેકેશન હોવાથી લોકો બહાર જતા રહે તેવા કિસ્સામાં મતદાન પર અસર થશે. 2021ની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાઇ ત્યારે માત્ર 48 ટકા મતદાન થયું હતું, હવે કાળઝાળ ગરમી ઉમેદવારોના જીવ અધ્ધર કરી દે તેવી શક્યતા છે. આગામી દિવસોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ રહેશેશહેરમાં છેલ્લા 2 દિવસથી પારો 40 ડિગ્રીને પાર જઈ રહ્યો છે. તાપમાનમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે. એપ્રિલના છેલ્લા 8 થી 10 દિવસ પારો 40 ડિગ્રીની ઉપર રહેશે. > મુકેશ પાઠક, હવામાન નિષ્ણાત ભાસ્કર એક્સપર્ટપાલિકાની ચૂંટણી 26મીએ યોજાશે. આ દિવસે રવિવાર છે અને તાપમાન વધુ હોઈ શકે છે. જેથી મતદાનની ટકાવારી ઘટી શકે છે. આ તારીખને સકારાત્મક રીતે લેવી જોઈએ. કારણ દરેક વ્યક્તિ લોકશાહીના ઉત્સવમાં ભાગ લઈ શકે છે. મતદાતા તરીકેની તેમની ઓળખ અને ભારતને વધુ સારું બનાવવા તેની સાથે જોડાયેલી જવાબદારીને સમજવી જોઈએ. - વીરેન્દ્ર સિંહ, અધ્યાપક, સમાજશાસ્ત્ર વિભાગ આ 3 મોટાં ફેક્ટર્સ અસર કરશે
પાલિકાની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. શહેર કોંગ્રેસના પ્રભારી બિમલ શાહે ભાજપ પર ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, ભાજપના નેતાઓ ચૂંટણીમાં બિનહરીફ થવા શામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી રહ્યા છે. બે-ત્રણ દિવસથી ભાજપના નેતાઓ કોંગ્રેસના 3 ઉમેદવારોના ઘરે જઈ ચૂંટણી ન લડવા પ્રલોભન આપી રહ્યા હોવાની વિગતો સપાટી પર આવી છે. બિમલ શાહે જણાવ્યું હતું કે, કોંગ્રેસના તમામ 19 ઉમેદવારોના ફોર્મ મંજૂર થયાં છે, પરંતુ વોર્ડ નં. 15માં અધિકારીઓની મિલીભગતથી રાજેન્દ્ર બારોટનું ફોર્મ રદ કરાયું હતું. જેને કારણે હવે ડમી ઉમેદવાર હિતેશ માછીને સત્તાવાર ઉમેદવાર બનાવવાયા છે. કોંગ્રેસ પ્રભારીએ ભાજપના આંતરિક વિખવાદનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર લાખાવાલા જેવા સૌમ્ય નેતાએ પણ કબૂલ્યું છે કે ગત વર્ષોમાં શહેરમાં વિકાસ નહીં, માત્ર ભ્રષ્ટાચાર જ થયો છે. ઉપરાંત સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે પણ જાહેરમાં નારાજગી વ્યક્ત કરી છે કે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનની નિમણૂકમાં ચૂંટાયેલા પ્રતિનિધિની સલાહ લેવાતી નથી. તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસના ઉમેદવારો આર્થિક રીતે ભલે સામાન્ય હોય, પરંતુ તેઓ વેચાય તેવા નથી. ભાજપ ભૂતકાળની જેમ ધાક-ધમકી અને લાલચ આપી લોકશાહીનું હનન કરવાનો પ્રયાસ કરી રહી છે.
LCBની કાર્યવાહી:મોડાસાના વાટડા કાબોલામાંથી સગીરાને ભગાડી જનાર ઝબ્બે
મોડાસાના વાંટડા (કાબોલા)માંથી 10 દિવસ અગાઉ સગીરાનું અપહરણ કરી ભગાડી જનાર આરોપીને એલસીબીએ રાજેન્દ્ર નગર ચોકડી પાસેથી આરોપીને ભોગ બનનાર સાથે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો હતો. મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તા૨માં આવેલ વાંટડા (કાબોલા) ગામેથી આરોપી દિક્ષિતકુમાર લાલાભાઈ ખાંટ રહે.માધુપુર તા.મોડાસા સગીરાનું અપહ૨ણ ક૨ી ભગાડી ગયો હતો. આ અંગે મોડાસા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. અપ૨ણના ગુનાની ગંભી૨તાને ધ્યાને લઈ એલસીબીની ટીમ જિલ્લામાં આરોપી તથા ભોગ બનનાર સગીરાની તપાસમાં હતી. દરમિયાન એલસીબીને મળેલી ખાનગી માહિતીના આધારે ગંભીર ગુનાના આરોપી દિક્ષિતકુમાર લાલાભાઈ ખાંટને ભોગબનના૨ સગીરા સાથે ૨ાજેન્દ્રનગ૨ ચોકડી નજીકથી ઝડપી પાડ્યો હતો.
ધીમી કામગીરીથી લોકો હેરાન:ખેરોજથી કોટડા હાઈવેનું કામ 4 માસથી ધીમું
ખેરોજથી કોટડા હાઇવે પર મહત્વના લાંબાડીયાથી કોટડા વચ્ચે છેલ્લા ચાર મહિનાથી ચાલી રહેલું રોડ રિપેરિંગ અને ઢાળ દબાવવાનું કામ હવે વાહનચાલકો અને સ્થાનિક રહીશો માટે આશીર્વાદને બદલે આફત સમાન સાબિત થઈ રહ્યું છે. તંત્રની ઘોર બેદરકારી અને કોન્ટ્રાક્ટરની ઢીલી કામગીરીના કારણે આ માર્ગ પરથી પસાર થવું જોખમી બન્યું છે. સ્થાનિક રહીશો અશ્વિનભાઈ, કાંતિભાઈ વગેરેએ જણાવ્યું કે આ હાઇવે પર છેલ્લા ચાર મહિનાથી ઢાળ દબાવવાની કામગીરી ચાલુ કરાઇ છે. જોકે, લાંબો સમય વિતવા છતાં હજુ સુધી કામ પૂર્ણ થવાના કોઈ એંધાણ દેખાતા નથી. ખાસ કરીને ખેરોજ ગામનો ઢાળ, ટેબડા ગામના બે ઢાળ અને ખરણીયા ગામ પા સેના ઢાળ તોડી નાખવામાં આવ્યા છે, પરંતુ તેને વ્યવસ્થિત રીતે સમથળ કરી આગળની કામગીરી કરાતી નથી. ઢાળ તોડ્યા બાદ ત્યાં કપચીના ઢગલા અને રેતી માટીના થર ખડકી દેવામાં આવ્યા હોવાથી વાહનોની અવરજવરને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે પ્રમાણમાં ધૂળ અને માટી ઉડે છે. ધૂળની આ ડમરીઓના કારણે રસ્તાની આસપાસ રહેતા લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર પડી રહી છે. શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા જેવી ફરિયાદો ઉઠી રહી છે. તંત્ર દ્વારા આ કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અને જ્યાં સુધી કામ ચાલુ હોય ત્યાં સુધી ધૂળ પર નિયંત્રણ લાવવા માટે નિયમિત પાણીનો છંટકાવ કરવામાં આવે.
વલસાડ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે મામલતદાર કચેરીમાં હાઇ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. તાલુકા પંચાયતની વાસણ બેઠક પર ઉમેદવારી નોંધાવનાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર સવારે ઘરેથી નીકળી ચકાસણીનો દિવસ હોય મામલતદાર કચેરીમાં આવ્યા બાદ તેમનો કોઇ પત્તો ન મળતાં રહસ્ય સર્જાયું છે. આ મુદ્દે મામલતદાર કચેરીમાં આપના કાર્યકરોએ ભારે હોબાળો મચાવી દેતાં પોલીસ ટીમ ધસી આવી હતી. આપના કાર્યકરોએ ભાજપ પર આક્ષેપો કરતાં વાતાવરણ તંગ બની ગયું હતું. ગરીબ ઉમેવાદરને ઉંચકી જવામાં આવ્યા હોવાનું કહી એક મહિલા કાર્યકરે અમારો માણસ જોઇએ તેવી માગ કરી હતી. મામલતદાર કચેરીમાં ચકાસણીના દિવસ હોવાથી ભાજપના કાર્યકરો પણ હતા. દરમિયાન આપ કાર્યકરોએ શંકા ઉઠાવી ભાજપ પર તેમના ઉમેદવારને કથિત રીતે ઉંચકી જવાનો ગંભીર આક્ષેપ કરી મામલતદાર કચેરીમાં ભારે હોબાળો મચાવી દેતાં પોલીસ ધસી આવી હતી. ચકાસણીની તારીખ હતી ત્યારે સવારે આપના વાસણ બેઠકના ઉમેદવાર ભીખુ ખંડુભાઇ પટેલ કાર્યકરો સાથે મામલતદાર કચેરી ખાતે આવ્યા હતા. જ્યાં આમ આદમી પાર્ટીના પ્રભારી જિજ્ઞેશ ગોહિલ સહિત કાર્યકરો હાજર હતાં. દરમિયાન પ્રક્રિયા પૂરી થતાં ઉમેદવાર ભીખુભાઇ ઘરે જાઉં છું તેમ કહીને મામલતદાર કચેરીથી નિકળ્યા હતાં. બાદમાં મોબાઇલ ઉપર ફોન કરતાં સ્વીચ ઓફ આવ્યો હતો. અનેકવાર પ્રયાસ કરવા છતાં ફોન પર સંપર્ક નહિ થતાં આપના કાર્યકરો હોદ્દેદારોમાં ચિંતા પેઠી હતી અને કાર્યકરોએ ભાજપ શંકા ઉઠાવી આક્ષેપો કર્યા હતા. ફોન ચાલુ હતો તો કેમ સ્વીચ ઓફ આવ્યોવલસાડ આમ આદમી પાર્ટીના વાસણ બેઠકના ઉમેદવાર ભીખુભાઇ મામલતદાર કચેરીમાં ઉપસ્થિત કાર્યકરોને ઘરે જાઉં છું કહીને નિકળ્યા બાદ પરત ઘરે નહિ જતાં મામલો ગંભીર બન્યો હતો. પાર્ટીના પ્રભારીએ કાર્યકરોએ ફોન કર્યો તો મોબાઇલ સ્વીચ ઓફ આવ્યો હતો. મોબાઈલ સતત સ્વિચ ઓફ આવતા ઉમેદવારને ઊંચકી જવાની શંકા પેઠી હતી. કટોકત સમયે ઉદભવેલી આ સ્થિતિએ આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં આક્રોશ જોવા મળ્યો હતો. કચેરીમાંથી ઘરે જાઉં છુંકહીને નિકળ્યા હતામામલતદાર કચેરીએ ચકાસણી હતી એટલે તા.પં.ની વાસણ બેઠકના આપના ઉમેદવાર સાથે જહતા. પછી કચેરીએથી તેઓ ઘરે જાઉં છું કહીનેનિકળ્યા હતા. કાર્યકરો સાથે જ નિકળવાના હતાપરંતુ પછી ક્યાં ગયા તે ખબર નથી. ઘરે ફોન કર્યોતો પરિવારે ભીખુભાઇ ઘરે આવ્યા નથી તેવુંજાણવા મળ્યું હતું. વલસાડ સિટી પોલીસ મથકમાંઆપ પાર્ટીના ઉમેદવાર ભીખુભાઇ ખંડુભાઇપટેલનો ફોન સ્વીચ ઓફ આવે છે અને કોઇ પત્તોમળ્યો નથી તે બાબતની અરજી આપી છે. જેનાઆધારે પોલીસે તપાસની તજવીજ હાથ ધરી છે. >જિજ્ઞેશ ગોહિલ, પ્રભારી, વલસાડ, આપ પાર્ટી
નિમણૂક:રોટરી ક્લબ સિલ્વાસાના પ્રમુખ ભાવેશ પટેલ બન્યા
રોટરી ક્લબ ઓફ સિલવાસા, ડિસ્ટ્રિક્ટ 3060 એ વર્ષ 2026-27 માટે એક ભવ્ય અને ગૌરવપૂર્ણ ઉદ્ઘાટન સમારોહનું આયોજન કર્યું. આ પ્રતિષ્ઠિત 28 વર્ષ જૂના ક્લબે સેવા, નેતૃત્વ અને સમર્પણની સમૃદ્ધ પરંપરા ચાલુ રાખીને નવા પદાધિકારીઓનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવી, પ્રાર્થના અને રાષ્ટ્રગીત ગાવાથી થઈ હતી. મુખ્ય મહેમાન રોટરીયન વિપુલ પટેલ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર 2028-29, આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. તેમના પ્રેરણાદાયી સંબોધનમાં, તેમણે રોટરી મૂલ્યો અને સમાજ સેવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો, અને તમામ સભ્યોને 2026-27 ના સંદેશ: સ્થાયી અસર બનાવો’ અનુસાર કાર્ય કરવા પ્રેરણા આપી. રોટરીયન ભાવેશ ઉત્તમભાઈ પટેલે વર્ષ 2026-27 માટે પ્રમુખ તરીકે શપથ લીધા અને ક્લબને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો સંકલ્પ લીધો હતો. ડૉ. વિજય પરમારે સેક્રેટરી તરીકે પણ પોતાની ફરજો સંભાળી હતી. આ પ્રસંગે સહાયક ગવર્નર સ્તુતિ ગર્ગની હાજરી ખાસ કરીને નોંધપાત્ર હતી. રોટરીયન ધર્મેશ સિંહ ચૌહાણ, રોટરીયન અંકિતા પટેલ, રોટરીયન મુકેશ સોલંકી, રોટરીયન નરેન્દ્ર દેસાઈ અને રોટરીયન કુણાલ પરમાર સહિત અન્ય સભ્યો હાજર રહ્યા હતા. સમારંભ દરમિયાન, ક્લબમાં 12 નવા સભ્યોનો ઔપચારિક રીતે સમાવેશ કરવામાં આવ્યો, જેનાથી ક્લબની સેવા ક્ષમતા વધુ મજબૂત થઈ. વધુમાં, ડિરેક્ટર બોર્ડને શપથ ગ્રહણ કરાવાયા, જેમાં રોટરી ઇન્ટરનેશનલના સેવા સ્વ-ઉપર’ ના સૂત્રને અપનાવીને સામાજિક સેવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી હતી. કાર્યક્રમનો સમાપન આભારવિધિ સાથે થયો.
કાનૂની જાગૃતિ કાર્યક્રમ યોજાયો:ટોકરખાડા શાળામાં કાનૂની જાગૃતિ કાર્યક્રમ યોજાયો
ટોકરખાડા પ્રાઈમરી સ્કૂલ ખાતે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટી દ્વારા કાનૂની જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. પ્રધાન જિલ્લા ન્યાયાધીશ વિભા ઈગલેના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય મુખ્ય દંડાધિકારી જે.વાય. ધુલેના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં એડવોકેટ રાજ ભંડારીએ ‘ પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ' (ભ્રૂણ પરીક્ષણ નિષેધ) વિશે માહિતી આપી હતી. નીલાંગી તાંબડેએ બાળ વિવાહ, બાળ મજૂરી અને પોક્સો એક્ટ (2012) જેવી ગંભીર બાબતો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. એડવોકેટ અનિલ બાંગુલે બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર (RTE 2009) વિશે માર્ગદર્શન આપ્યું હતું. સભ્ય સચિવ જયદેવ ધુલેએ તમામ વિષયોનું વિસ્તૃત વિશ્લેષણ કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ અવસરે શાળાના આચાર્ય બ્રિજ ભૂષણ ઝા,શાળાના શિક્ષકો દાલસાના સહાયક અધિક્ષક અનિરુદ્ધ પંગડે સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વલસાડ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાટો વ્યાપી રહ્યો છે ત્યારે ચકાસણીના દિવસે વલસાડની માલવણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે.જ્યારે કોંગ્રેસે પણ ભાજપના ઉમેદવારે એફિડેવિટમાં રૂ.100ના બદલે રૂ.50નું સ્ટેમ્પ પેપર વાપરતાં વાંધા ફરિયાદ નોંધાવી છે. વલસાડ તાલૂકા પંચાયતની 32 બેઠક માટે 11 એપ્રિલના રોજ છેલ્લા દિવસે કોંગ્રેસ ભાજપે કટોકટ સમયની મર્યાદા વચ્ચે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરી હતી.જેની 13 એપ્રિલના રોજ ચકાસણીની તારીખ હોવાથી ઉમેદવારો વલસાડ મામલતદાર કચેરીમાં એકત્ર થયા હતા. દરમિયાન તાલુકા પંચાયતની કાંઠા વિસ્તારની માલવણ બેઠકના ઉમેદવારના ફોર્મમાં જાતિનો દાખલો નહિ મળે તેમ કહી મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા તેમનું ફોર્મ રદ કરી દીધું હતું. જેને લઇ કોંગ્રેસના કાર્યકરોને ભારે આંચકો લાગ્યો હતો. બીજી તરફ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ એમ.પટેલ અને માલવણના કોંગ્રેસના ઉમેદવાર તથા કાર્યકરો દ્વારા ચર્ચા કરી ભાજપના ઉમેદવારે પણ તેમના ફોર્મમાં એફિડેવિટ રૂ.100ના સ્ટેમ્પ પેપરના બદલે રૂ.50નું સ્ટેમ્પ પેપર વાપર્યું છે. જે ચૂંટણીના નિયમનો ભંગ હોવાનું કારણના આધારે ભાજપના ઉમેદવારનું ફોર્મ પણ રદ કરવા માગણી કરતી ફરિયાદ મદદનીશ ચૂંટણી અધિકારી સમક્ષ કરવામાં આવી હતી.આમ બંન્ને પક્ષે ગરમાટો વ્યાપી ગયો હતો.વલસાડ તાલુકા પંચાયતમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપે 5 બેઠક બિનહરીફ મેળવી હતી.
કરૂણાંતિકા:રાજકોટમાં આપઘાતનો સિલસિલો યથાવત્: 24 કલાકમાં ત્રણનાં મોત
રાજકોટમાં 24 કલાકમાં બે યુવક સહિત ત્રણ વ્યક્તિએ આપઘાત કરી જીવન ટુંકાવી લીધું હતું. પ્રથમ બનાવમાં ગોંડલ રોડ પર ખોડિયારપરા શેરી નં.7 ખાતે ભાડે રહેતા શિવમ આત્મારામ વિશ્વકર્માએ પોતાના રૂમમાં પંખા સાથે ગમછો બાંધી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. સાંજે મકાનમાલિકે દરવાજો ખટખટાવ્યો છતાં જવાબ ન મળતા તિરાડમાંથી જોતા યુવક લટકતો દેખાયો હતો. દરવાજો તોડી 108ને જાણ કરતા ઇએમટીએ તપાસી યુવકને મૃત જાહેર કર્યો હતો. મૂળ યુપીનો રહેવાસી શિવમ અહીં એકલો રહી કારખાનામાં મજૂરી કરતો હતો. તેની પત્ની અને એક વર્ષની દીકરી વતનમાં રહે છે. બનાવ અંગે માલવિયાનગર પોલીસ વધુ તપાસ કરી રહી છે. બીજા બનાવમાં ભગવતીપરા આવાસ ક્વાર્ટરમાં રહેતા અમુલ રામદાસ પાટીલએ પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.સાંજે પત્ની ઘરકામ પૂર્ણ કરી રૂમમાં જતાં પતિ લટકતો દેખાતા બૂમાબૂમ મચી ગઈ હતી. આસપાસના લોકો દોડી આવ્યા અને 108ને જાણ કરતા ઇએમટીએ યુવકને મૃત જાહેર કર્યો હતો. ત્રીજા બનાવમાં નારણકા ગામે રહેતા ધીરજીભાઈ જીવરાજભાઈ રોજમાળાએ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેમને પ્રથમ કોટડાસાંગાણી અને ત્યારબાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. યુનિવર્સિટી પોલીસે હોસ્પિટલમાં પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો.
ફરિયાદ:રોકાણના રૂ.92 હજાર ડૂબતાં મિત્રનો પરિવાર સાથે ઘરે ધસી જઈ હંગામો
રાજકોટના મવડી વિસ્તારમાં વિઝન હાઈટ એપાર્ટમેન્ટમાં રહેતા ચેતનભાઈ વલ્લભભાઈ વાછાણી(ઉં.વ.39)એ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ છેલ્લા ચાર વર્ષથી ઓનલાઈન એજ્યુકેશન એડવાઈઝર તરીકે કાર્યરત છે. જુલાઈ 2025 દરમિયાન ‘પ્રોગ્રેસ એલાયન્સ’ની મિટિંગમાં તેમની મુલાકાત વિજય ગઢિયા, સાગર પાનસુરિયા, સંજય કરથિયા અને ભાવેશ સેલડિયા સાથે થઈ હતી. આ દરમિયાન ચેતનભાઈએ સુરતની ‘ઓમ કોમ્યુનિટી’ નામની સોફ્ટવેર કંપનીમાં પોતે રોકાણ કર્યાનું જણાવતાં વિજય ગઢિયાએ પણ તેમાં રૂ.92 હજારનું રોકાણ કર્યું હતું. જોકે જાન્યુઆરી 2026માં કંપની અચાનક બંધ થઈ જતા રોકાણકારોના પૈસા અટવાઈ ગયા હતા અને સુરતમાં આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. કંપની બંધ થતાં વિજય ગઢિયાએ ચેતનભાઈ પાસે પોતાના પૈસાની ઉઘરાણી શરૂ કરી હતી. ગત 9 માર્ચની રાત્રે વિજય ગઢિયા, સાગર પાનસુરિયા, સંજય કરથિયા અને ભાવેશ સેલડિયા પોતાના પત્ની અને બાળકો સાથે ચેતનભાઈના ઘરે ધસી આવ્યા હતા. અહીં તેમણે ઉગ્ર બોલાચાલી કરી ગાળો આપી હંગામો મચાવ્યો હતો. બનાવ દરમિયાન આરોપી ભાવેશે ‘તને જોઈ લઈશ’ કહી ધમકી આપી હતી.
પોસ્ટર યુદ્ધ:ભાજપે મનપાની ચૂંટણીમાં પ્રજાપતિ સમાજને ટિકીટ ન ફાળવાતા સોશિયલ મીડિયામાં પોસ્ટરો વાઇરલ
પોરબંદર મનપાની ચૂંટણીમાં ભાજપ દ્વારા પ્રજાપતિ સમાજના ઉમેદવારોને પૂરતું સ્થાન ન મળતા સોસીયલ મીડિયામાં પોસ્ટરો વાઇરલ થઈ રહી છે. પ્રજાપતિ સમાજના રોષ સાથેના પોસ્ટર યુદ્ધ સોસીયલ મીડિયામાં શરૂ થયું છે. પોરબંદર મનપાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ટીકીટ વહેંચણીમાં ભેદભાવ કર્યો હોવાના અક્ષેપો સાથે વિવિધ સમાજમાં વિરોધ ઉઠ્યો હતો ત્યારે મનપાની ચૂંટણીમાં વર્ષોથી ભાજપ સાથે રહેલ પ્રજાપતિ સમાજને ટિકિટની વહેંચણી પૂરતું સ્થાન ન મળ્યું હોવા આક્ષેપો સાથે પ્રજાપતિ સમાજના આગેવાનો દ્વારા અગાઉ કેબિનેટમંત્રીને પણ ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી ત્યારે હવે પ્રજાપતિ સમાજના રોષ સાથેની પોસ્ટરો સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ છે.પ્રજાપતિ સમાજના રોષ સાથેના પોસ્ટર યુદ્ધ સોસીયલ મીડિયામાં શરૂ થયું છે.જેને લઈને શહેરના રાજકારણમાં પણ ગરમી આવી છે. વાઇરલ થયેલ પોસ્ટના શબ્દો હે ચેતનાબેન પ્રજાપતિ સમાજ સાથે અન્યાય કરવામાં તમને શું મળ્યું...? પ્રજાપતિ સમાજ કયાં નડયો...? પ્રજાપતિ સમાજ વધારાનો નથી હો... હવે યુધ્ધ સ્થાનીક મનમાની સાથે.... જવાબ હવે અમારા મત આપશે, તૈયારી રાખજો...
શિક્ષણ સાથે સંસ્કાર:વિદ્યાસભા સ્કૂલમાં 21 દિવસીય મહાયજ્ઞમાં અમરેલી જિલ્લા ખોડલધામ કમિટીની હાજરી
અમરેલીની અગ્રણી શૈક્ષણિક સંસ્થા શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ-વિદ્યાસભા ખાતે ભારતીય વૈદિક સંસ્કૃતિના સંવર્ધન અને વિદ્યાર્થીઓમાં સંસ્કારસભર જીવનમૂલ્યોના વિકાસના હેતુસર 21 દિવસીય વૈદિક મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાયજ્ઞ દરમિયાન દરરોજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ હાજર રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવમાં આવ્યું હતું. 21 દિવસીય આ મહાયજ્ઞના 20મા દિવસે અમરેલી જિલ્લા ખોડલધામ કમિટી અને ખોડલધામ મહિલા સમિતિના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ જણાવ્યું હતું કે યજ્ઞ દરમિયાન હનુમાનજી રક્ષા કવચ મંત્રના જપ સાથે 108 આહુતિઓ અર્પણ કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણમાં આધ્યાત્મિકતા, શાંતિ અને સકારાત્મક ઉર્જાનો અનોખો માહોલ સર્જાયો હતો. ઉપસ્થિત ખોડલધામ કમિટી તથા મહિલા સમિતિના આગેવાનોએ જણાવ્યું હતું કે સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરાના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી આ પહેલ વિદ્યાર્થીઓમાં નિયમિતતા, શિસ્ત, માતા-પિતા અને વડીલો પ્રત્યે આદરભાવ, સંયમ તથા ઉચ્ચ જીવનમૂલ્યોના વિકાસ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. સાથે સાથે કરાટે રમતગમતમાં ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને અમરેલી જિલ્લા ખોડલધામ કમિટી અને ખોડલધામ મહિલા સમિતિ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ખાંભા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.વી. ચુડાસમાની સૂચના મુજબ તા. 9 એપ્રિલના રોજ ખાંભા પોલીસ સ્ટાફ ડેડાણ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે એક શંકાસ્પદ કારની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટનો ઈંગ્લિશ દારૂની 6 બોટલો મળી આવી હતી. જેના આધારે કુલ રૂપિયા 2 લાખનો પ્રોહિબિશન મુદ્દામાલ કબ્જે કરીને મૂળ ભાવનગર જિલ્લાના જેસરમાં રહેતા ચિરાગભાઈ ગોબરભાઈ જાદવ (ઉ.વ.32) વિરુધ્ધ ખાંભા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આ શખ્સની પૂછપરછ દરમિયાન વધુ ચોંકાવનારી વિગતો સામે આવી હતી. ચિરાગ જાદવ નામનો આ શખ્સ સુરત અને અમદાવાદના નરોડા વિસ્તારમાં પોતાના સાગરીતો સાથે મળીને હનીટ્રેપ તેમજ મારામારીના ગુનાઓ કર્યા હોવાની પણ કબૂલાત આપી હતી. અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હનીટ્રેપના બનાવમાં તેણે પોતાના સાગરીતો સાથે મળીને ખોટું પોલીસનું આઈકાર્ડ બતાવી ફરીયાદી પાસેથી રૂપિયા 3 લાખ પડાવી લીધા હોવાની વિગતો પણ સામે આવી હતી. તેણે સ્ટીયરિંગ ઉપર લગાવેલી લાઇટ નીચે ગુપ્ત ખાનું બનાવેલું હોવાનું બહાર આવ્યું હતું. આ ગુપ્ત ખાનામાંથી પોતાના નામનું ખાખી કપડામાં બનાવેલું ગુજરાત પોલીસ લખેલું ખોટું પોલીસ આઈકાર્ડ મળી આવ્યું છે. જેના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમોનો ઉમેરો કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
યુદ્ધના કારણે ગેસ સિલિન્ડરની અવ્યવસ્થા સર્જાયા બાદ જિલ્લાના મોટાભાગના શહેરોમાં અને દરેક એજન્સીમાં હવે વ્યવસ્થા લગભગ સુધરી ગઈ છે, પરંતુ સાવરકુંડલા શહેરમાં પોલીસ ચોકીની નજીક આવેલ એરોગેસ એજન્સીમાં છેલ્લા દોઢમાંથી લોકો પરેશાન થઈ રહ્યા છે. અહીં વિતરણ વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. ગ્રાહકોને ગેસ સિલિન્ડર માટે એજન્સી પર આવવું પડે છે અને દરરોજ મર્યાદિત સંખ્યામાં ગ્રાહકને સિલિન્ડર મળતા હોય લોકો વહેલી સવારથી જ લાઈન લગાવી દે છે. એટલું જ નહીં બળબળતા તાપમાન બપોરના સમયે પણ લોકો અહીં ભીડ લગાવીને ઉભા રહે છે. શહેરના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ પણ બે દિવસ પહેલા અહીં એજન્સીની મુલાકાત લીધી હતી અને સંચાલકોને છાયડાની વ્યવસ્થા કરવા કહ્યું હતું. લોકો માટે કરાયેલી છાયડાની વ્યવસ્થા નામ માત્રની છે. દરમિયાન ઇન્ડિયન ગેસ એજન્સીના એરિયા મેનેજર ગુપ્તાજીએ સ્થાનિક પરિસ્થિતિ જાણવા માટે ગત શુક્ર અને શનિવારે અહીં રૂબરૂ મુલાકાત લીધી હતી. જોકે અહીં 1200 જેટલા સિલિન્ડરનો કોઈ હિસાબ મળતો ન હતો. એરીયા મેનેજર ગુપ્તાજીના જણાવ્યા મુજબ સિલિન્ડર વિતરણનો હિસાબ પ્રતિદિન સાંજે મળી જવો જોઈએ. જે ન મળતા સિલિન્ડરની નવી ગાડીની હાલમાં ડીલેવરી કરાતી નથી. એજન્સી જેટલો માંગે તેટલો જથ્થો આપવા કંપની તૈયાર છે પરંતુ વિતરણ વ્યવસ્થા અને હિસાબી વ્યવસ્થા અનિયમિત હોવાથી કંપની તરફથી નવા બાટલા મોકલાતાનથી. લોકોએ બધે જ ફરિયાદ કરી પણ કોઈ સાંભળવાવાળું નથીસાવરકુંડલાના લોકો ગેસ સિલિન્ડરના મુદ્દે પીડાઈ રહ્યા છે. આ મુદ્દે ગેસ કંપનીના એરિયા મેનેજર ઉપરાંત પ્રાંત અધિકારી, મામલતદાર અને ધારાસભ્ય સુધી રજૂઆતો કરાય છે, પરંતુ તેમની ફરિયાદો જાણે કોઈ સાંભળવા વાળું ન હોય તેમ પ્રશ્નનો ઉકેલ આવતો નથી.
પોલીસમાં રજૂઆત:મેથળી ગામે ચાલતા ખનિજ ડમ્પરથી અકસ્માતનો ભય
લાઠીના મેથળી નજીક આવેલા પથ્થરના ભરડિયામાંથી ખનીજ ભરેલા ડમ્પરો મોટર વાહન અધિનિયમની મર્યાદા વિરુદ્ધ ઓવરલોડ વાહનો ઓવર સ્પીડમાં દોડે છે, જેના કારણે માર્ગ પર વારંવાર અકસ્માતોની સ્થિતિ સર્જાઈ રહી છે. માર્ગ પર પૂરતા સંકેતો અને નિયંત્રણ વ્યવસ્થા ન હોવાના કારણે પણ લોકોમાં અસંતોષ ફેલાયો છે. ઉપરાંત ખનીજ ઉપાર્જન માટે થતા ભારે વિસ્ફોટોથી મેથળી ગામમાં અનેક ખાનગી મિલકતોને નુકસાન થતું હોવાનું પણ ગ્રામજનોએ જણાવ્યું છે. તેમજ ભરડીયામાંથી કેટલું ખનીજ કાઢવામાં આવે છે, તેની મર્યાદા, માપ અને નિયમો અંગે સ્પષ્ટતા ન હોવાથી સમગ્ર પ્રક્રિયા શંકાસ્પદ બની રહી છે. અને તંત્ર દ્વારા એકબીજા પર જવાબદારી ઠાલવવાની સ્થિતિથી પણ ગ્રામજનોમાં ભારે નારાજગી વ્યાપી છે. આથી ગ્રામજનોએ પોલીસ તેમજ ખાણ-ખનીજ વિભાગ અને વાહન વ્યવહાર તંત્રને ઓવરલોડ વાહનો, ગતિમર્યાદા અને ખનીજ ઉપાર્જન પર કડક નિયંત્રણ લાવવા માટે માંગ કરી છે.
તસ્કરી:અમરાપરામાં બંધ મકાનમાંથી દાગીના અને રોકડ સહિત 16.75 લાખની ચોરી
બાબરા તાલુકાના અમરાપરા ગામે બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ મોટી ચોરીની ઘટનાને અંજામ આપતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. તસ્કરો મકાનની પાછળની બારીના કાચ તોડી અંદર પ્રવેશ્યા હતા. બાદમાં લાકડાનો કબાટ તોડી લાખોના દાગીના અને રોકડ લઈ ગયા હતા. બાબરા તાલુકામાં તસ્કરોનો તરખાટ ફરી સામે આવ્યો છે. 9 એપ્રિલના રોજ મોડી રાત્રે અમરાપરા રામજી મંદિર પાસેના વેપારી રવીભાઈ વિનોદભાઈ રાજપોપટ (ઉ.વ.35)ના બંધ મકાનના પાછળના ભાગે આવેલી બારીનો કાચ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. બાદમાં બેડરૂમમાં રાખેલા લાકડાના કબાટનો દરવાજો તોડી તેમાં રહેલા દાગીના અને રોકડ રકમ ચોરી કરી લઈ ગયા હતા. જેમાં સોનાની લક્કી, ગીની, પેંડલ તેમજ ચાંદીની ઝાંઝરી વગેરે દાગીનાઓ જેની કિંમત રૂપિયા 13 લાખ 65 હજાર તેમજ 3 લાખ રોકડ મળી કુલ 16.75 લાખની મતા ચોરાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે રવીભાઈ વિનોદભાઈ રાજપોપટ દ્વારા જાણ કરાતા બાબરા પોલીસે ગુનો નોંધી અજાણ્યા તસ્કરોની શોધખોળ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય બની રહેશે કે, અમરેલી જિલ્લામાં દિન પ્રતિદિન ચોરીના બનાવો વધી રહ્યાં હોય પોલીસ પેટ્રોલીંગની માંગ ઉઠી છે.
ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલ રક્ષા શક્તિ ગુરુકુળ શાળામાં પર્યાવરણ સંરક્ષણ અને પક્ષી સંવર્ધન અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે એક અનોખું અને પ્રેરણાદાયક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓને ચકલી માટેના માળા તથા પાણી માટેના કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચલાલા ખાતે રક્ષા શક્તિ ગુરુકુળ શાળામાં યોજાયેલા આ અભિયાન મહેશભાઈ મહેતા, શીતલબેન મહેતા અને ડોક્ટર રતિદાદાના માર્ગદર્શન હેઠળ આગળ વધારવામાં આવી રહ્યું છે. તેમના પ્રેરક પ્રયાસોથી અત્યાર સુધીમાં પાંચ લાખથી વધુ ચકલીના માળાઓનું વિતરણ કરવામાં આવ્યું છે, જે પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાય છે. જેને લઈ વિદ્યાર્થીઓમાં વિશેષ ઉત્સાહ અને જાગૃતિ જોવા મળી હતી. શિક્ષકો દ્વારા પણ બાળકોને ચકલી જેવા નાના પક્ષીઓનું સંવર્ધન કરવા અને તેમને સુરક્ષિત આશ્રય અને પાણી ઉપલબ્ધ કરાવવાની પ્રેરણા આપવામાં આવી હતી. કારણકે, આધુનિક જીવનશૈલી અને શહેરીકરણના કારણે ચકલી જેવી ઘણી પક્ષી પ્રજાતિઓનું અસ્તિત્વ ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે. ત્યારે આવા પ્રયાસો માત્ર પક્ષીઓ માટે જ નહીં પરંતુ સમગ્ર પર્યાવરણ માટે પણ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે. આ આયોજનથી વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધવાની સાથે સમગ્ર સમાજમાં પણ પ્રકૃતિ સંરક્ષણનો સકારાત્મક સંદેશ પહોંચ્યો છે. આવા સેવાકીય પ્રયાસો આવનારી પેઢીને પ્રકૃતિ સાથે જોડવાનો ઉત્તમ પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.
આપઘાતનો પ્રયાસ:લુણીધાર ગામે યુવતીએ ઝેરી પાઉડર પીતા હોસ્પિટલ સારવારમાં ખસેડી
વડીયાના લુણીધાર ગામે 10 એપ્રિલની રાત્રે આશરે 10 વાગ્યાના સમયે એક યુવતીએ ઝેરી પાઉડર પી લીધો હતો જેની જાણ થતા પરિવાર દ્વારા તાત્કાલિક હોસ્પિટલે લઈ જતા સારવાર ચાલી રહી છે. વડિયાના લુણીધાર ગામે રહેતા કાંતિભાઈ ભીખાભાઈ મયાત્રા (ઉ.વ.51) દ્વારા બનાવ જાહેર કરવામાં આવ્યો હતો કે, તૃપ્તિબેન બાબુભાઈ મયાત્રા (ઉ.વ.18)ને ભણવામાં રસ ન હોવા છતાં માતા દ્વારા કોલેજમાં મોકલવા બાબતે દબાણ કરવામાં આવતું હતું. આ મુદ્દે ત્રણ દિવસ પહેલાં માતા અને દીકરી વચ્ચે બોલાચાલી થઈ હતી. આ વાત મનમાં લાગી આવતાં તૃપ્તિબેને પોતાની મેળે ધઉમાં નાખવાનો ઝેરી પાઉડર પી લીધો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનોએ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યાં હતાં. હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ચેકિંગ:આશાપુરા ચોકડી રોડ પર જાહેરમાં કચરો ફેંકનાર સર્વિસ સ્ટેશનને દંડ ફટકારાયો
પોરબંદર મહાનગર પાલિકાના સેનીટેશન વિભાગ દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવા સતત ચેકિંગ અને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે. શહેર સ્વચ્છ રહે તે માટે વિવિધ વિસ્તારોમાં નિયમિત દેખરેખ રાખવામાંઅ આવે છે ત્યારે આ અનુસંધાને આશાપુર ચોકડી રોડ પર કરેલ ચેકિંગ દરમિયાન સુઝુકી શોરૂમ પાસે આવેલ સર્વિસ સ્ટેશનના સ્ટાફ દ્વારા જાહેર માર્ગ પર પ્લાસ્ટિક કચરો ફેંકવામાં આવ્યો હોવાનું જણાયું હતું. આ કૃત્ય સ્વચ્છતા નિયમોનું ઉલ્લંઘન ગણાતા મનપાએ તાત્કાલિક કાર્યવાહી કરી સંબંધિત શોરૂમને રૂપિયા 2000 નો દંડ ફટકાર્યો હતો. નાગરિકોને જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા અપીલ સાથે નિયમોના પાલન માટે મનપા દ્વારા અપીલ કરવામાં આવી છે.તંત્રએ વધુમાં જણાવ્યું છે કે આવનારા સમયમાં પણ આવી કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે. મનપાના સેનિટેશન વિભાગ દ્વારા ગત તા.30 માર્ચના રોજ TVS મોટર કંપની તરફથી રિક્ષા મારફતે જાહેરાત કરવામાં આવતી વખતે પેમ્પલેટ તથા અન્ય સામગ્રી જાહેરમાં ઉડાડવામાં આવી રહી હતી, આ બાબતને ગંભીરતાથી લઈ નિયમોના ભંગ બદલ સંબંધિત પક્ષ સામે રૂ. 2,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
ધરપકડ:જિલ્લામાં 5 સ્થળેથી વિદેશી દારૂની 9 બોટલ અને 11 ચપટા સાથે આરોપીઓ ઝડપાયા
બાવળવાવ સિંહજર ગામે રહેતો રાજુ કાના કટારા નામના શખ્સને ગોઢાણા ચેક પરથી ચેકીંગ દરમ્યાન પોલીસે તપાસ કરતા આ શખ્સના કબ્જા માંથી વિદેશી દારૂની 9 બોટલ મળી આવતા પોલીસે શખ્સને ઝડપી લઇ રૂ.9,900નો મુદ્દામાલ કબ્જે કરી પુછપરછ કરતા આ દારૂ ધ્રામણીનેશનો લાખા સામત ઘેલીયા વેચાણથી પૂરો પાડતો હોવાની કબૂલાત આપી હતી. બીજા કેસમાં કુતિયાણાના ભરાડીયાવાસમાં રહેતો નિખિલ ભરત ભરાડીયાની પોલીસે શંકાના આધારે તલાસી લેતા આ શખ્સના કબ્જા માંથી વિદેશી દારૂના 8 ચપટા મળી આવતા પોલીસે તેને ઝડપી લઇ રૂ. 2 હજારનો મુદ્દામાલ કબ્જે કરી પુછપરછ કરતા આ દારૂ ચૌટા ગામનો મેરુ જગુ ખાંભલા પાસેથી વેચાતો લીધો હોવાની કબૂલાત આપી હતી. જ્યારે માધવપુર ગામે રહેતો નયન દેવશી માવદીયાની તલાસી લેતા વિદેશી દારૂની અડધી બોટલ મળી આવતા પોલીસે શખ્સને ઝડપી લઇ રૂપિયા 350નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ઉપરાંત ખાપટ વિસ્તારમાં રહેતો જય નાગા ખુંટીની તલાસી લેતા આ શખ્સના કબ્જા માંથી વિદેશી દારૂની ખૂલેલી બોટલ 700 એમએલ દારૂ મળી આવતા પોલીસે તેને ઝડપી લઇ રૂ. 600નો મુદ્દામાલ કબ્જે કરી પુછપરછ કરતા આ દારૂ રાણાવાવ સ્ટેશન વિસ્તારમાં બિંદુ કારાવદરા પાસેથી વેચાતો લીધો હોવાની કબૂલાત આપી હતી. જ્યારે બોખીરા આવાસ બ્લોક નંબર 7 રૂમ નંબર 9માં રહેતો સાહિલ મહેન્દ્ર ગોહેલને લકડીબંદર પુલ પાસે ચેકીંગ દરમ્યાન પોલીસે તલાસી લેતા આ શખ્સના કબ્જા માંથી વિદેશી દારૂના 3 ચપટા મળી આવતા પોલીસે તેને ઝડપી લઇ રૂ.600નો મુદ્દામાલ કબ્જે કરી પુછપરછ કરતા આ દારૂ અનિલ જાદવ જુંગી પાસેથી વેચાતો લીધો હોવાની કબૂલાત આપી હતી.
જાહેરનામું:જામનગરના 154 રેડ-યલો ઝોન, ડ્રોન ઉડાડવા પ્રતિબંધ
જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરીયાઈ સીમાએ આવેલ અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જામનગર જિલ્લાની હદમાં મીલીટરી સ્ટેશન, એરફોર્સ સ્ટેશન, જામનગર તથા સમાણા, આઈએનએસ વાલસુરા, એશીયાની સૌથી મોટી ઓઈલ રીફાઈનરી, થર્મલ પાવર સ્ટેશન સિક્કા, જી.એસ.એફ.સી. તથા અન્ય મોટા ઔદ્યોગિક એકમો જેવા સંવેદનશીલ વાઈટલ ઈન્સ્ટોલેશન્સ આવેલ છે. જામનગર જિલ્લા વિસ્તારમાં આવેલ કુલ-154 ક્રિટીકલ/ સ્ટ્રેટેજીકલ મહત્વ ધરાવતા ઇન્સ્ટોલેશન્સને રેડ ઝોન કે યલો ઝોનમાં વિભાજીત કરેલ છે જે પૈકી રેડ ઝોનમાં 112 તથા યલો ઝોનમાં 42 ઈન્સ્ટોલેશન્સ આવેલા છે. આથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.એમ.કાથડ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ જામનગર મહાનગરપાલિકા સહિતના સમગ્ર જામનગર જીલ્લાના રેડઝોન અને યલો ઝોન જાહેર કરાયેલા વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમજ આગામી તા.9-06-2026 સુધી આ જાહેરનામું અમલમાં રહેશે. આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિઓ શિક્ષાને પાત્ર થશે. તેમજ આ પ્રતિબંધિત ઝોન વિસ્તારોમાં કેમેરાઓ ઉડાડડવા માટે સરકારી તંત્રની મંજુરી મેળવવાની રહેશે.
વાતાવરણ:જામનગરમાં સૂર્યપ્રકોપ,અઢી ડિગ્રી વધીને પારો 38.5 ડિગ્રીએ પહોંચ્યો
ભાસ્કર ન્યૂઝ | જામનગર જામનગર સહિત હાલારભરમાં સતત ચોથા દિવસે મહતમ તાપમાન ઉંચકાતા ચૈત્ર માસના અંતિમ સપ્તાહમાં આકરીથી ગરમીથી જનજીવન પ્રભાવિત થયુ છે.છેલ્લા ચાર દિવસમાં દિવસનુ તાપમાન ક્રમશ: વધ્યો હતુ જેમાં એક જ દિવસમાં મહતમ તાપમાન 2.5 ડિગ્રી વધી 38.5 ડિગ્રીએ પહોચી જતા તિવ્ર ગરમીનો જનજીવને અહેસાસ કર્યો હતો.દશથી વીશ કિ.મિ.ની ઝડપે ફૂંકાયેલા પવનથી બપોરે લૂ વર્ષનો અહેસાસ રાહદારીઓ- વાહનચાલકોએ કર્યો હતો. જામનગર શહેર સહિત જીલ્લામાં ચૈત્ર માસના અંતિમ ચરણમાં ઉનાળો ઘીરે ધીરે આક્રમક સ્વરૂપ ધારણ કરી રહયો છે. ત્રણેક દિવસથી ગરમીનું મોજું હાલારમાં ફરી વળ્યું છે, જેમાં ખાસ કરી સાેમવારે અંગ દઝાડતા તાપ સાથે આકરી ગરમીનો અહેસાસ જનજીવને કર્યો હતો. બપોરના સુમારે માર્ગો પર ચહલ પહલ પણ પાંખી જોવા મળી હતી. લૂના પ્રકોપથી વાહનચાલકો ત્રસ્ત બન્યા હતાં. બે દિવસ હીટવેવની શક્યતા, અસહ્ય ઉકળાટ હાલાર સહિત રાજયના મોટા ભાગના વિસ્તારોમાં બે દિવસ હિટવેવની શકયતા હવામાન શાસ્ત્રીઓએ દર્શાવી હતી.જેમાં મહતમ તાપમાનમાં આંશિક વધારો થવાની શકયતા દર્શાવાઇ છે. ખાસ કરી રાજયના દરીયાકાંઠાળ વિસ્તારોમાં ભેજનુ પ્રમાણ ઉંચુ રહેવાની શકયતાના પગલે અસહ્ય ઉકળાટ સાથે બફારાની સંભાવના પણ વ્યકત કરાઇ છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને પારદર્શી વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પી.બી.પંડ્યાની ઉપસ્થિતિમાં શહેરના ટાઉનહોલ ખાતે પોલિંગ સ્ટાફને વિશેષ તાલીમ આપવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત કર્મચારીઓને જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટર પી.બી.પંડ્યાએ અત્યંત સરળ ભાષામાં ચૂંટણી કાર્યની ગંભીરતા અને તેની પવિત્રતા વિશે ઊંડાણપૂર્વક સમજણ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, લોકશાહીના આ મહાપર્વમાં પોલિંગ સ્ટાફની ભૂમિકા અત્યંત મહત્વની છે, તેથી દરેક કર્મચારીએ ઝીણામાં ઝીણી બાબતોનું ધ્યાન રાખીને સમગ્ર પ્રક્રિયા ક્ષતિરહિત રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ. તાલીમ દરમિયાન કલેક્ટરએ ચૂંટણી પ્રક્રિયામાં સામેલ અધિકારીઓ અને કર્મચારીઓને શું કરવું અને શું ન કરવું તે અંગે પણ તબક્કાવાર ટેકનિકલ અને વ્યાવહારિક જાણકારી પૂરી પાડી હતી. તેમણે ખાસ તાકીદ કરી હતી કે ચૂંટણીલક્ષી તમામ પ્રકારની વહીવટી અને ક્ષેત્રીય તૈયારીઓ મતદાનના એક દિવસ અગાઉ જ પૂર્ણ કરી લેવી જોઈએ, જેથી મતદાનના દિવસે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય. વધુમાં, જો કોઈ પણ સ્તરે મૂંઝવણ કે માર્ગદર્શનની આવશ્યકતા હોય, તો વિલંબ કર્યા વિના તુરંત જ ઉપરી અધિકારીનું ધ્યાન દોરી યોગ્ય માર્ગદર્શન મેળવી લેવા પણ તેમણે સૂચના આપી હતી. આ તાલીમ કાર્યક્રમમાં ચૂંટણી અધિકારી વિરલ માકડીયા સહિત વોર્ડ નંબર 5 થી 8 ના પોલિંગ ઓફિસરો તથા મોટી સંખ્યામાં મહિલા પોલિંગ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.
ફોર્મ ચકાસણી:મનપામાં 213, સિક્કા ન.પા.ના 80 અને જિ.પં.ના 76 ઉમેદવારી પત્રો માન્ય રહ્યા
જામનગર મહાનગરપાલિકાની 64 બેઠકો માટે 290 ઉમેદવારોએ 317 ફોર્મ ભર્યા હતા. જેમાં એક કોંગ્રેસના ઉમેદવાર સહિત 104 ફોર્મ રદ થયા છે અને 213 ફોર્મ માન્ય રહ્યા છે. જ્યારે વોર્ડનં-5માં એક કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતાં ભારે હોબાળો મચી ગયો છે. જે ફોર્મ ખેંચયા બાદ ચિત્ર સ્પષ્ટ થશે. સીક્કા નગરપાલીકાની 28 બેઠકો માટે 80 ઉમેદવારી પત્ર અને જિલ્લા પંચાયતની 24 બેઠકો માટે 76 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે. મનપાની 64 બેઠકો ઉપર ભાજપ, કોંગ્રેસ, આપ, બસપા સહિતના રાજકિય પક્ષો તેમજ 13 અપક્ષ ઉમેદવાર સહિત 290 ઉમેદવારોએ 317 ફોર્મ ભરવામાં આવ્યા હતા. જેન આજે સવારથી ચકાસણી શરૂ થઈ હતી. જેમાં શહેરના વોર્ડનં-5ના કોંગ્રેસના ઉમેદવારના મેઈનડેટમાં વાઈટરનો ઉપયોગ કર્યો હોવાથી વિરોધ કરાયો હતો, અને કોંગ્રેસનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. જેમાં વોર્ડનં-1માં 3, વોર્ડનં-2માં 1, વોર્ડનં-4માં 6, વોર્ડનં-5માં 5 તેમજ વોર્ડનં-6માં 9 તેમજ વોર્ડનં-7માં 4, વોર્ડનં-8માં 5, વોર્ડનં-9માં 8, વોર્ડનં-10માં 4, વોર્ડનં-11માં 4, વોર્ડનં-12માં 12, વોર્ડનં-13માં 5, વોર્ડનં-14માં 9, વોર્ડનં-15માં 11 અને વોર્ડનં-16માં 18 ફોર્મ રદ કરવામાં આવ્યા છે. જેથી સૌથી વધુ વોર્ડનં-16માં ફોર્મ રદ થયા છે. સિક્કા નગરપાલિકાની 28 બેઠકો માટે 91 ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. જેમાં ચકાસણી બાદ આજે 11 ફોર્મ રદ થતાં 80 ઉમેદવારી પત્રો માન્ય રહ્યા છે. સિક્કા ન.પા.માં કોંગ્રેસ-ભાજપ વચ્ચે જંગ છે, આપમાં માત્ર ત્રણ વોર્ડમાં જ 4-4 ઉમેદવારો છે અને એક વોર્ડમાં 1 ઉમેદવાર છે. આ ઉપરાંત જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠકો માટે 132 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જેમાં 56 ફોર્મ રદ થતાં 76 ઉમેદવારી પત્રો માન્ય રહ્યા હતા. જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી વચ્ચે સીધ્ધો જંગ જામશે. પરંતુ આગામી તા.15 એપ્રિલના રોજ ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખે ચિત્ર સ્પષ્ટ થશે. જેમાં કેટલા ઉમેદવારો મેદાનમાં રહેશે. તો હાલ તો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ગાબડા પાડવા માટે અપક્ષ ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચવા માટે મનાવવામાં આવી રહ્યા છે. શહેરના વોર્ડ નં-12માં બાર અને વોર્ડ નં. 16માં અઢાર ફોર્મ રદ્દ કરાયા છે જામનગર મહાનગરપાલિકાની ફોર્મ ચકાસણીમાં સૌથી વધુ ફોર્મ વોર્ડનં-16 અને 13માં રહ્યા છે. જેમાં વોર્ડનં-12માં 20 ઉમેદવારોએ 26 ફોર્મ ભર્યા હતા. જેમાં 12 ફોર્મ રદ થતાં હાલ 14 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે. તો વોર્ડનં-16માં 27 ઉમેદવારોએ 33 ફોર્મ ભર્યા હતા. જેમાં 18 ફોર્મ રદ થતા હાલ 15 ફોર્મ માન્ય રહ્યા છે. જામ્યુકોના વોર્ડનં-7ના ભાજપના ઉમેદવાર સામે વડી અદાલતમાં મંગાશે દાદ જામનગર મહાનગરપાલિકાની ચુંટણીમાં ઉમેદવારોની ફોર્મ ચકાસણી આજે સોમવારે કરાઈ હતી. જેમાં વોર્ડનં-7ના ભાજપના એક ઉમેદવારને ત્રણ સંતાન હોવા છતાં ઉમેદવારી પત્ર માન્ય રાખવામાં આવ્યું હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. જેથી આ અંગે કોંગ્રેસના શહેર પ્રમુખ દિગુભા જાડેજા આવતીકાલ મંગળવારે વડી અદાલત સમક્ષ દાદ માંગવામાં આવશે. તેઓ અમદાવાદ જવા માટે પણ નીકળી ગયા હોવાનું સામે આવે છે. જામનગર શહેરમાં ક્યાં પક્ષના કેટલા ઉમેદવારો હાલ છે મેદાનમાંજામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડના 64 ઉમેદવારો માટેની ચુંટણીમાં આજે ફોર્મ ચકાસણી બાદ ભાજપના 64, કોંગ્રેસના 62, બહુજન સમાજ પાર્ટીના 15 તેમજ સમાજવાદી પાર્ટીના 5, આમ આદમી પાર્ટીના 50 તેમજ ઓલ ઈન્ડીયા પક્ષમાંથી 4 અને અપક્ષના 13 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જે આગામી બુધવારના રોજ ચિત્ર સ્પષ્ટ થશે.
જાહેરનામું:આતંકવાદી-દેશદ્રોહી પ્રવૃત્તિઓ રોકવા જામનગરના 12 ટાપુઓ પર જવા પ્રતિબંધ
જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલ અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં કુલ 12 દરિયાઈ ટાપુઓ આવેલ છે. જે પૈકી માત્ર 1 પિરોટન ટાપુ પર માનવ વસાહત આવેલ છે. જયારે અન્ય ટાપુઓ માનવ વસાહત રહિત છે. આ નિર્જન ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલ છે. જે જગ્યાઓએ અવારનવાર ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થે માણસો અવર-જવર કરે છે. આ ટાપુઓ પર રાષ્ટ્રવિરોધી અને દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઈસમો સહેલાઈથી આ દરિયાઈ ટાપુઓ ઉપર આશ્રય મેળવે અથવા હથિયારો અને નશાકારક પદાર્થ છુપાવવા ઉપયોગ કરે તેવી પુરી સંભાવના છે. આથી રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈ તેમજ આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિને રોકવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.એમ.કાથડ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અન્વયે સમગ્ર જામનગર જિલ્લાના આ ટાપુઓ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પ્રવાસીઓને પિરોટન ટાપુ પર જવા-આવવાનું થાય ત્યારે નાયબ વન સંરક્ષક, મરીન નેશનલ પાર્ક, જામનગરની પૂર્વમંજૂરી મેળવી લેવાની રહેશે. જાહેરનામું આગામી તા.09-06-2026 સુધી અમલમાં રહેશે. પ્રતિબંધિત ટાપુઓ ખારા બેરાજા ગામ નજીકના ભેંસબીડ ટાપુ, સરમત ગામ નજીકના દંડીકા ટાપુ અને મુંડીકા ટાપુ તથા બેડી ગામ નજીકના ઝિન્દ્રા ટાપુ, પિરોટન ટાપુ, અમુડી બેલા ટાપુ, બડા બેલા ટાપુ, કોદરા બેડ ટાપુ, જુના બેલા ટાપુ, સોસબારી અને ઘાખડી (નોવાડા) તથા ધોરી ક્રિક આ ટાપુઓ પર પ્રવેશ અંગે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
ધરપકડ:જૂની બોટના નવા રજીસ્ટ્રેશન કોલ, લાયસન્સ કૌભાંડ: ફરાર શખ્સ ઝબ્બે
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા પંથકમાં બનાવટી બીલો રજુ કરી જુની માછીમારી બોટના નવા રજીસ્ટ્રેશન કોલ તથા લાયસન્સ મેળવવાના ચકચારી પ્રકરણમાં ઘણા સમયથી નાસતા ફરતા આરોપીને સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપે દબોચી લીઘો હતો.જેનો કબજો ઓખા પોલીસને સુપરત કરાતા સઘન પુછપરછ સાથે તપાસનો ધમધમાટ આગળ ધપાવાયો છે. દેવભૂમિ દ્વારકા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સુચના-માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઇ વી.એ. રાણા તથા પીએસઆઇ ડી.એ.વાળાના નેતૃત્વ હેઠળ પોલીસ ટુકડી ઓખામંડળ પંથકમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે વેળાએ પોલીસ ટીમને બાતમી મળી હતી કે, બોગસ બીલો રજુ કરી જુની માછીમારી બોટનુ નવુ રજીસ્ટ્રેશન કોલ, લાયસન્સ મેળવવાના કૌંભાડમાં ઘણા સમયથી નાસતો ફરતો એક આરોપી ઓખા નજીક સુદર્શન સેતુ પાસે મોરપીંછ સર્કલ પાસે આંટા ફેરા કરે છે જે બાતમીના આધારે પોલીસ ટુકડી ત્વરીત દોડી ગઇ હતી. પોલીસે ત્યાંથી આરોપી અલાના ઉર્ફે ફકીરો હસન અબ્દુલ્લા થૈમ (રે. બેટ દ્વારકા) નામના શખસને દબોચી લીઘો હતો. પોલીસે સકંજામાં સપડાયેલા આરોપીની પ્રાથમિક પુછપરછ કરતા આરોપીએ પોતાની જૂની બોટમાં પ્રાઇવેટ ફિશરીઝ એજન્ટ મારફતે નવી બોટ ખરીદીના ખોટા બિલો મેળવી તથા આ બિલો આધારે જૂની માછીમારી બોટમાં નવી માછીમારી બોટનું AL ARFAT રજી.નં.IND-GJ-37-MM- 4022 રજિસ્ટ્રેશન કરાવ્યા અંગે પોલીસ સમક્ષ કબૂલાત આપ્યાનુ સામે આવ્યુ છે. પોલીસે આરોપીની વિધિવત ધરપકડ કરી ઓખા પોલીસને સુપરત કરતા સધન પુછપરછ સાથે તપાસનો ધમધમાટ આગળ ધપાવવામાં આવી રહ્યો છે.
ભાસ્કર વિશેષ:હવે એસટીનો પાસ ઓનલાઇન નિકળશે
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા એસ.ટી. બસમાં રોજીંદી મુસાફરી કરતા લોકો માટે મહત્વની ઓનલાઇન સેવા શરૂ કરી છે. જૂનાગઢ સહિત રાજ્યભરમાં એસ.ટી. બસમાં રોજીંદી મુસાફરી કરતા લોકોમાં બસનો માસિક અને ત્રિ-માસિક મુસાફરી પાસ ફાયદાકારક બન્યો છે. જેથી હવે બસનો મુસાફરી પાસ ઓનલાઇન કઢાવવાની સવલત શરૂ કરી છે. હવે વિદ્યાર્થી- ધંધાર્થી સહિતના પાસવાળા મુસાફરોને લાઈનમાં ઊભા રહેવાથી મુક્તિ મળી છે. ગુજરાતમાં એસ.ટી. બસમાં દરરોજ અપડાઉન કરી નોકરી કરતા લોકો ઉપરાંત વ્યાપારીઓ કાયમ ટિકિટ લેવાની ઝંઝટમાંથી મુક્ત રહેવા મુસાફર પાસ કઢાવતા હોય છે. એસ.ટી. બસના મુસાફર પાસની માસિક અને ત્રિ-માસિક મુસાફર પાસની અવધિ પૂર્ણ થાય ત્યારે સંબંધિત એસ.ટી. ડેપોમાં નવો મુસાફર પાસ કઢાવવા લાઈનમાં ઊભા રહેવું પડતું હતું. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે ટેક્નિકલ પ્રશ્નોના નિરાકરણ સાથે નવું ઇનહાઉસ સોફ્ટવેર અમલી બનાવતા લોકો પોતાની વિગતો ભરી ઓનલાઇન પેમેન્ટ ચૂકવી આસાનીથી ઓનલાઇન મુસાફર પાસ કઢાવી શકશે. જૂનાગઢ ડિવિઝનમાંથી છેલ્લા 1 વર્ષમાં 38,373 લોકલ અને 13,688 એક્સપ્રેસના પાસ નિકળ્યા છે. જેમાં લોકલ પાસમાં વિદ્યાર્થીઓમાં એક મહિનાના કુલ 10,694, ત્રિ-માસિક 8809, ટર્મ 5523 જ્યારે એક્સપ્રેસમાં એક મહિનાના 3861, ત્રિ-માસિક 2449 અને ટર્મ 1450 પાસ નિકળ્યા છે. જ્યારે ફ્રી આઇટીઆઇ પાસમાં લોકલના એક મહિનાના 3012, ત્રિ-માસિક 7153 અને ટર્મ 3182 પાસ જ્યારે એક્સપ્રેસમાં એક મહિના માટેના 1120, ત્રિ-માસિકના 4013 અને ટર્મ 795 પાસ નિકળ્યા છે એમ વિભાગીય નિયામકે જણાવ્યુ છે.
સ્થાનિકોમાં રોષ:વિરાટનગરમાં રાત્રે છાનામાના પશુના મૃતદેહને દાટી જવાયા
શહેરના વિરાટનગર (વોર્ડ નંબર 6) વિસ્તારમાં આવેલ એક ખાનગી માલિકીના પ્લોટમાં અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે મૃત પશુઓને દાટવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે. સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવેલા આક્ષેપ મુજબ, ગઈકાલ રાત્રે પણ અહીં મૃત ગાયોને દાટવામાં આવી હતી. સ્થાનિક મનીષભાઈ જોરાએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા મૃત પશુઓના નિકાલ માટે અલગથી જગ્યાની ફાળવણી કરવામાં આવી હોવા છતાં, અહીં વસવાટની વચ્ચે આવેલા પ્રાઇવેટ પ્લોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પ્રવૃત્તિને કારણે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ છે અને આગામી દિવસોમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક આગેવાનોએ અગાઉ પણ આ બાબતે કોર્પોરેશનમાં લેખિત અરજીઓ કરી છે, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. જેથી આ વિસ્તારના રહીશોએ વિપક્ષના નગરસેવક જશવંતીબેન કેશવાલા અને પાલિકાના કમિશનરને આ ગેરકાયદે પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરાવવા માંગ કરી છે. રવિવારે રાત્રે અંધારામાં મૃત પશુને દાટવાની તજવીજ થતી હોવાનું જણાતા સ્થાનિકો એક્ઠા થઇ ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.
ભાસ્કર એક્સક્લૂઝિવ:વેપારીના અગ્નિસ્નાન કેસમાંડીવીઆરની ફોરેન્સિક તપાસ
જૂનાગઢના રાયજીબાગના ગેટ પાસે આવેલા શોપિંગ સેન્ટરના ત્રીજા માળે ચાલતા સ્ટડી સેન્ટરમાં જઈને 32 વર્ષિય વેપારી યુવકે પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્થ છાંટીને અગ્નિસ્નાન કરી લીધો હતો. આ ઘટનામાં સ્ટડી સેન્ટરની સંચાલિકા સાથેના તેના પ્રેમ સંબંધની વાત બહાર આવી હતી. પોલીસે શોપિંગ સેન્ટરના સીસીટીવી ચકાસ્યા હતા અને જે તે સમયે કબજે લીધેલા ડીવીઆર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલાયું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. શહેરના રાયજીબાગ શોપિંગ સેન્ટરમાં ત્રીજા માળે સ્ટડી સેન્ટર ચલાવતી ઓસ્ટ્રેલિયા રિટર્ન મહિલાના પ્રેમમાં પડેલા કપડાના વેપારીએ આપઘાત કરી લીધો હતો. ઢાલ રોડ પર ચિત્તાખાના ચોક પાસે રહેતા અને કપડાનો વેપાર કરતાં જાબીર ગુલામઅલી કાદરી નામના યુવકે ગત 4 ફેબ્રુઆરીના રોજ આ સ્ટડી સેન્ટરમાં જઈને જાતે જ પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્થ છાંટીને આગ ચાંપી દીધી હતી, જેમાં તેનું મૃત્યુ થયું હતું. આ કિસ્સામાં પોલીસે સ્ટડી સેન્ટરની સંચાલિકા અને તેના પતિ સહિતના લોકોના નિવેદન નોંધ્યા હતા. સીસીટીવી ફૂટેજ ચેક કરાયા હતા અને કબજે લીધેલ ડીવીઆર વધુ તપાસ માટે એફએસએલમાં મોકલાયુ હતુ. 7 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયાથી આવી હતીમૃતક યુવક પરિણીત અને 2 સંતાનોનો પિતા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. જે યુવતીના પ્રેમમાં તેણે અગ્નિસ્નાન કર્યું એ મહિલા પણ 14 વર્ષથી પરિણીત છે અને એક સંતાનની માતા પણ છે, એ મહિલા પતિની સાથે 7 વર્ષ અગાઉ જ ઓસ્ટ્રેલિયાથી પરત જૂનાગઢ આવી હતી.
ફરિયાદ:માળિયાનાં આછીદ્રા ગામે ભ્રષ્ટાચારની ફરિયાદ મુદ્દે સરપંચ સહિત 4નો હુમલો
આછીદ્રા ગામના ભ્રષ્ટાચારની ફરિયાદનો ખાર રાખી સરપંચ સહિત ચાર શખ્સોએ આધેડ, તેના પુત્રવધુ પર હુમલો કરી સોનાના ચેઈનની લૂંટ ચલાવી હતી. માળીયા હાટીના તાલુકાના આછીદ્રા ગામના વાડી વિસ્તારમાં રહેતા 53 વર્ષીય રામશીભાઈ રામભાઈ ચાંડેરાએ ગામના સરપંચ વિનુભાઈ વાસાભાઈ બારડ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અંગેની અરજીઓ કરી હતી. જેનુ મનદુઃખ રાખી શનિવારે બપોરે વિનુભાઈ વાસાભાઈ બારડ, પ્રવિણભાઈ વાસાભાઈ બારડ, પુનમબેન પ્રવિણભાઈ અને વાસાભાઈ કરશનભાઈ બારડે ધસી આવી પુત્રવધુ જયાબેન સાથે ઝઘડો કર્યો શરૂ કર્યો હતો. આ દરમિયાન પ્રવિણભાઈએ રામશીભાઈને કુહાડીના હાથા વડે હાથ પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી, જ્યારે અન્ય શખ્સોએ પ્લાસ્ટિકની પાઇપ વડે માર માર્યો હતો. પ્રવિણભાઈએ પુત્રવધૂ જ્યાબેનની છેડતી કરી તેના ગળામાં રહેલો રૂપિયા 1.20 લાખનો સોનાનો ચેઈન ઝૂંટવી લીધો હતો. હુમલાખોરોએ જતાં જતાં'આજે તો તું બચી ગયો છે, પણ હવે પછી આડો આવીશ તો જીવતો નહીં છોડીએ' તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઈજાગ્રસ્ત રામશીભાઈને સારવાર માટે જૂનાગઢ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ચોરવાડ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. વંથલીમાં યુવકને ડીસમીસ મારીવંથલીમાં હેઠાણ ફળી, ઘાંચીવાડમાં રહેતા તોસિફભાઇ અમીનભાઇ સોઢા ઉ.વ. 25 તેની પત્ની મહેકબેન બીમાર હોય જેથી રવિવારે રાત્રે પોતાની બાઇકમાં બેસાડી દવાખાને જતા હતા. દરમ્યાન ઘાંચી જમાતખાના પાસે સાંકડા રસ્તામા પહોંચતા સામેથી સલીમ સીદીકભાઇ સોખડા નામનો શખ્સ રીક્ષા લઇ આવતા, રસ્તો સાંકડો હોવાના કારણે યુવકે રીક્ષા પાછળ લેવા કહેતા રિક્ષા ચાલક સલીમ સીદીકે ઉશ્કેરાઇ જઈને ગાળો કાઢી પોતાની રીક્ષામાંથી ડીસમીસ લઇ યુવાનને પડખાના ભાગે તથા તેને બચાવવા વચ્ચે પડતા પત્નીને પણ પડખામા લાત મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ચૂંટણીનું સમીકરણ:સાબરકાંઠામાં 1161માંથી 276 ફોર્મ રદ, 885 ઉમેદવારો વચ્ચે ચૂંટણી
સાબરકાંઠા જિલ્લામાં આગામી તા. 26-04-2026 ના રોજ યોજાનાર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. શનિવારે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તંત્ર દ્વારા સોમવારે હાથ ધરવામાં આવેલી ફોર્મ ચકાસણી દરમિયાન કુલ ત્રણેય સંસ્થામાં કુલ 301 બેઠક માટે ભરાયેલ કુલ 1161 ફોર્મમાંથી 276 ફોર્મ રદ થયા હતા. જેમાં મોટા ભાગના ડમી અને અપક્ષ ઉમેદવારો કે જે જરૂરી સંખ્યામાં ટેકેદારો રજૂ કરી શક્યા ન હતા તેમનો સમાવેશ થાય છે. ફોર્મ ચકાસણી દરમિયાન બહાર આવેલી વિગતો મુજબ, રાજકીય પક્ષો દ્વારા આ વખતે ત્રણ ત્રણ ઉમેદવારોને ફોર્મ ભરવા સૂચના આપી દીધા બાદ મેન્ડેટ એક જ ઉમેદવારનું આવતાં આપોઆપ ફોર્મ અમાન્ય ઠર્યા હતા. આ ઉપરાંત અનેક અપક્ષ અને નાના પક્ષના ઉમેદવારોના ફોર્મમાં ટેકેદારોની નિર્ધારિત સંખ્યા પૂરી ન કરી શકવા અથવા ટેકેદારોની સહીમાં વિસંગતતા હોવાને કારણે ચૂંટણી અધિકારીઓ દ્વારા તે ફોર્મ અમાન્ય જાહેર કરવામાં આવ્યા છે. કેટલીક જગ્યાએ ક્ષતિગ્રસ્ત વિગતો અને અધૂરી માહિતી પણ ફોર્મ રદ થવા પાછળનું કારણ બની છે. જિલ્લા પંચાયત : હિંમતનગરમાં સૌથી વધુ ફોર્મ માન્ય, સૌથી વધારે રદ પોશીના તાલુકામાંજિલ્લા પંચાયતની 34 બેઠકો માટે કુલ 160 ફોર્મ ભરાયા હતા. જેની ચકાસણી બાદ 45 ફોર્મ રદ થતાં હવે 115 ફોર્મ માન્ય રહ્યા હતા. હિંમતનગરમાં 21માંથી 2 ફોર્મ રદ થઇને 19 માન્ય રહ્યા હતા. ખેડબ્રહ્મામાં 26માંથી 11 રદ થતાં 17, વિજયનગરમા 19માંથી 4 રદ થતાં 15, ઇડરમાં 22માંથી 4 રદ થતાં 18, તલોદમાં 14માંથી 2 રદ થતાં 12, પ્રાંતિજમાં 15માંથી 2 રદ થતાં 13, વડાલીમાં 10માંથી 4 રદ થતાં 6 તથા પોશીનામાં 31માંથી 16 ફોર્મ રદ થતાં 15 માન્ય રહ્યા હતા. જિલ્લા પંચાયતમાં સૌથી વધારે ફોર્મ હિંમતનગરમાં માન્ય રહ્યા હતા. સૌથી વધારે રદ પોશીનામાં થયા હતાં. તાલુકા પંચાયત : પ્રાંતિજ તાલુકામાં સૌથી ઓછા તો પોશીના તાલુકા પંચાયતમાં સૌથી વધારે ફોર્મ રદ8 તાલુકા પંચાયતોની 170 બેઠકો માટે કુલ 713 જેટલા ફોર્મ ભરાયા હતા. જેમાંથી 192 ફોર્મ રદ થતા 521 ફોર્મ માન્ય રહ્યા હતા. સૌથી વધારે 56 ફોર્મ પોશીના તાલુકામાંથી રદ અને 76 માન્ય રહ્યા હતા. જ્યારે સૌથી વધારે 78 ફોર્મ હિંમતનગર તાલુકામાં માન્ય તથા 16 ફોર્મ રદ થયા હતા. ઇડરમાં 102 ફોર્મમાંથી 26 રદ થઇને 76 માન્ય રહ્યા હતા. ખેડબ્રહ્મામાં 98 ફોર્મ ભરાયા હતા. જેમાંથી 34 રદ અને 64 માન્ય, વિજયનગરમાં 90માંથી 25 રદ 65 માન્ય, તલોદમાં 67માંથી 9 રદ અને 58 માન્ય, પ્રાંતિજમાં સૌથી ઓછા ફોર્મ રદ થયા હતા. અહીં કુલ 65માંથી 8 રદ અને 53 માન્ય રહ્યા હતા. વડાલીમાં 65માંથી 18 રદ તથા 47 માન્ય રહ્યા હતા. નગર પાલિકા : હિંમતનગરમાં સૌથી વધારે માન્ય તો ઇડરમાં સૌથી ઓછા ફોર્મ રદહિંમતનગર, ઈડર અને વડાલી નગરપાલિકાઓની વિવિધ બેઠકો પર 288 ફોર્મ ભરાયા હતા. જેમાંથી 39 રદ થતાં 249 ઉમેદવારો માન્ય રહ્યા હતા. હિંમતનગર ન.પા.માં 109 ફોર્મ ભરાયા હતા. જેમાંથી 18 રદ થતા 91 માન્ય રહ્યા હતા. ઇડર ન.પા.માં 97 ફોર્મમાંથી ફકત 6 રદ થતાં 91 માન્ય તથા વડાલી ન.પા.માં 82માંથી 15 રદ થતાં 67 માન્ય રહ્યા હતા. પ્રાંતિજ ન.પા.ની પેટાચૂંટણીમાં 4માંથી 1 ફોર્મ રદ થતાં 3 માન્ય રહ્યા હતા.
બ્રિટની સ્પીયર્સ નશાની આદત છોડાવવા હોસ્પિટલમાં દાખલ
30 દિવસ સુધી હોસ્પિટલમાં રહેશે નશામાં કાર ચલાવતાં પકડાઈ ગયા પછી કોર્ટ પર પોઝિટિવ છાપ સર્જવા નિર્ણય મુંબઈ - હોલીવુડ ગાયિકા બ્રિટની સ્પીર્યસ નશામાં કાર ચલાવતા પકડાઇ ગયા બાદ હવે પોતાની આદત છોડાવવા માટે એક ટ્રીટમેન્ટ સેન્ટરમાં દાખલ થઈ છે. ગઈ ચોથી માર્ચના રોજ બ્રિટની સ્પીયર્સને કૈલિફોર્નિયા હાઇવે પેટ્રોલના અધિકારીઓએ નશો કરી ગાડી ચલાવતી હોવાની શંકાએ પકડી હતી. જોકે, તેને તે જ દિવસે મુક્ત કરાયા બાદ મે મહિનામાં ે કોર્ટમાં ફરી હાજર થવાની સૂચના આપવામાં આવી હતી.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર હોર્મુઝને લઈને છે, ઈરાન અને અમેરિકા બંને અહીં ઘેરાબંધી કરવા પર અડગ છે. બીજી તરફ પાકિસ્તાનમાં આશા ભોંસલેનું ગીત વગાડવા બદલ વિવાદ સર્જાયો છે. હવે એ પણ જાણો કે બિહારમાં નવા મુખ્યમંત્રી બનવા માટે કયા પાંચ દાવેદારો છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી દેહરાદૂન-દિલ્હી એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કરશે. તેઓ પહેલા યુપી પછી ઉત્તરાખંડ જશે. 2. IPL 2026: ચેન્નઈ અને કોલકાતા વચ્ચે સાંજે 7.30 વાગ્યાથી ચેન્નઈમાં મેચ રમાશે. કાલના મોટા સમાચારો 1. હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાની નાકાબંધી શરૂ:ટોલ ચૂકવનારાને હોર્મુઝ પાર કરવાની મંજૂરી નથી, ઈરાને કહ્યું- ભારત પાસેથી કોઈ ટોલ વસૂલવામાં આવ્યો નથી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી ઈરાન પર લાદવામાં આવેલી દરિયાઈ નાકાબંધી શરૂ થઈ ગઈ છે. આ નિર્ણય સાંજે 7:30 વાગ્યે (અમેરિકી સમય મુજબ સવારે 10 વાગ્યે) થી અમલમાં આવ્યો છે. આ નિર્ણય હેઠળ જે પણ જહાજ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાનો પ્રયત્ન કરશે, તેને રોકીને તેની તપાસ કરવામાં આવશે. ખાસ કરીને એવા જહાજો પર નજર રાખવામાં આવશે જેમણે ઈરાનને ટોલ ચૂકવ્યો છે. ટ્રમ્પે ગઈકાલે જણાવ્યું હતું કે જે જહાજો ઈરાનને ગેરકાયદેસર ટોલ આપશે, તેમને સુરક્ષિત રસ્તો આપવામાં આવશે નહીં. આ પગલા દ્વારા ઈરાનની આર્થિક તાકાત ઘટાડવામાં આવશે. બીજી તરફ, ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહલીએ જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા ભારતીય જહાજો પાસેથી અત્યાર સુધી કોઈ ટોલ લેવામાં આવ્યો નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 2. નોઇડામાં હિંસક વિરોધ, 50 ફેક્ટરીઓમાં તોડફોડ:પોલીસે ભાસ્કર રિપોર્ટર સાથે મારઝૂડ કરી:કર્મચારીઓના પ્રદર્શનને કવર કરી રહ્યા હતા નોઇડામાં સોમવારે સવારે પગાર વધારાની માગણીને લઈને ફેક્ટરી કર્મચારીઓના હિંસક પ્રદર્શનનું કવરેજ કરી રહેલા પત્રકારો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ભાસ્કર રિપોર્ટર સાકેત આનંદ સાથે પણ પોલીસે મારઝૂડ કરી હતી. પત્રકારોએ ડીસીપી નોઇડા સેન્ટ્રલ સવ્યા ગોયલ સમક્ષ ઘટના અંગે નારાજગી વ્યક્ત કરી અને આરોપી પોલીસકર્મી જીતેન્દ્ર સિંહ વિરુદ્ધ FIR નોંધવાની માગ કરી. કર્મચારીઓએ અલગ-અલગ વિસ્તારોમાં 50થી વધુ ફેક્ટરીઓમાં પથ્થરમારો અને તોડફોડ કરી હતી. 150થી વધુ વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને લગભગ 50થી વધુ વાહનો સળગાવી દેવામાં આવ્યા હતા. હાથમાં લાકડીઓ લઈને સેંકડો કર્મચારીઓ સરઘસ કાઢી રહ્યા છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી તેઓ અટકશે નહીં. વાંચો સંપૂર્ણ સમાચાર 3. સંગીતની 'આશા' પંચમહાભૂતમાં વિલીન:'અભી ના જાઓ છોડકર...' ગાઈને સિંગરની વિદાય; પાકિસ્તાનમાં નિધનનું કવરેજ કરવા બદલ PAK. સરકારે Geo ન્યૂઝને નોટિસ ફટકારી ગાયિકા આશા ભોસલેના શિવાજી પાર્ક સ્મશાનગૃહ ખાતે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. સોમવારે સવારે, તેમના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે તેમના મુંબઈ સ્થિત નિવાસસ્થાન ‘કાસા ગ્રાન્ડે’ ખાતે રાખવામાં આવ્યા હતા. તેમને રાજકીય સમ્માન સાથે વિદાય આપવામાં આવી. તો બીજી તરફ, પાકિસ્તાન સરકારે આશાજીના અવસાન સંબંધિત સમાચારના કવરેજ અંગે પાકિસ્તાનના GEO ન્યૂઝને નોટિસ જારી કરી. દેશની મીડિયા નિયમનકારી સંસ્થા, PEMRA (પાકિસ્તાન ઇલેક્ટ્રોનિક મીડિયા નિયમનકારી ઓથોરિટી) એ જણાવ્યું છે કે ચેનલ દ્વારા પ્રસારિત થતું કન્ટેન્ટ નિયમોનું ઉલ્લંઘન કરી શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. કેજરીવાલ બોલ્યા- જજ RSS સાથે જોડાયેલા સંગઠનના કાર્યક્રમમાં ગયા:જસ્ટિસ સ્વર્ણકાંતાને હટાવવાના 10 કારણો ગણાવ્યા, લિકર પોલિસી કેસમાં પોતે જ દલીલ કરી અરવિંદ કેજરીવાલે સોમવારે હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માને દિલ્હી દારૂ કૌભાંડ કેસમાંથી હટાવવા (રિક્યુઝ)ની ફરી માગ કરી. તેમણે કોર્ટમાં દોઢ કલાક દલીલો રજૂ કરી. તેમણે કહ્યું, મને પહેલેથી જ દોષિત માનવામાં આવી રહ્યો છે. જસ્ટિસ શર્માના આદેશોમાં એક પેટર્ન દેખાય છે, જેમાં ED અને CBIની દરેક દલીલ સ્વીકારવામાં આવે છે. કેજરીવાલે કહ્યું- જસ્ટિસ શર્મા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા અખિલ ભારતીય અધિવક્તા પરિષદના કાર્યક્રમમાં 4 વખત સામેલ થઈ ચૂક્યા છે. આ સાથે જ દિલ્હીના પૂર્વ સીએમએ જસ્ટિસ શર્માને હટાવવાના કુલ 10 કારણો જણાવ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 5. આજે બિહારના નવા મુખ્યમંત્રીની જાહેરાત:NDAની બેઠકમાં નામ પર મહોર લાગશે, PM મોદીની હાજરીમાં 15 એપ્રિલે શપથ સમારોહ બિહારમાં નવી સરકારની રચનાને લઈને તૈયારીઓ તેજ બની ગઈ છે. શપથ ગ્રહણ સમારોહને લઈને રાજ્યપાલના સચિવ ગોપાલ મીણાએ સોમવારે પટનાના DM, SP, SSP સહિતના વરિષ્ઠ અધિકારીઓની બેઠક બોલાવી હતી. લોકભવનમાં યોજાયેલી આ બેઠકમાં શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ અંગે બ્રીફિંગ આપવામાં આવી હતી. આ પહેલા રાજ્યપાલના સચિવ ગોપાલ મીણા ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. બંને વચ્ચે લગભગ 30 મિનિટ મુલાકાત થઈ હતી. માહિતી અનુસાર, CM નીતિશ બપોરે 3.30 વાગ્યે રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કરી શકે છે. 15 એપ્રિલે સવારે 11 વાગ્યે શપથ સમારોહનું આયોજન કરવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ઈરાન યુદ્ધ વચ્ચે દરિયામાં ફસાયેલા માછીમારો 40 દિવસે વતનમાં આવ્યા:નજર સામે મિસાઈલો છૂટતી, આકાશ લાલચોળ થતું ને દરિયામાં ઘ્રુજારી છૂટતી;વલસાડમાં ફૂલહારથી સ્વાગત ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે મધદરિયે ફસાયેલા ગુજરાતના માછીમારો આખરે મોતના મુખમાંથી બચીને હેમખેમ વતન પરત ફર્યા છે. છેલ્લા 40 દિવસ સુધી દરિયાના મોજાં અને આકાશમાંથી વરસતી મિસાઈલો વચ્ચે જીવના જોખમે વિતાવેલી પળોનું વર્ણન કરતા માછીમારો ભાવુક બન્યા હતા. વલસાડ જિલ્લાના 72 સહિત દેશભરના 500થી વધુ માછીમારો સુરક્ષિત રીતે સ્વદેશ પરત ફર્યા છે. વતન પરત ફરેલા માછીમારોએ આપવીતી વર્ણવતા જણાવ્યું કે, જ્યારે અમે દરિયામાં બોટ લઈને જતા ત્યારે આકાશમાં યુદ્ધ વિમાનોનો ભારે ગણગણાટ સંભળાતો હતો. ઘણીવાર નજર સામે જ મિસાઈલો છૂટતી દેખાતી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 7. નવસારીમાં કોંગ્રેસને મોટો ફટકો:મેન્ડેટ 10 મિનિટ મોડા પડતા ગણદેવી નગરપાલિકાની 18 સહિત જિલ્લાની 32 બેઠકો ગુમાવી, ભાજપના વિજયની તૈયારી નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે જ કોંગ્રેસ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. પક્ષના સત્તાવાર મેન્ડેટ નિયત સમય મર્યાદામાં રજૂ ન કરી શકવાને કારણે જિલ્લાની કુલ 32 બેઠકો પરથી કોંગ્રેસે હાથ ધોવા પડ્યા છે. આ તમામ બેઠકો હવે સીધી રીતે ભાજપના ફાળે જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. ગણદેવી નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકો માટે કોંગ્રેસે 18 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. જોકે, ફોર્મ ભરવાના અંતિમ દિવસે શહેર કોંગ્રેસ પ્રમુખ બપોરે 3:10 કલાકે મેન્ડેટ લઈને પહોંચ્યા હતા. ચૂંટણી અધિકારીએ 3:00 વાગ્યાની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવાનું જણાવી મેન્ડેટ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. પરિણામે, ચકાસણી દરમિયાન કોંગ્રેસના તમામ 18 ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : મહારાષ્ટ્ર- થાણેમાં અકસ્માતમાં 11ના મોત:મૃતકોમાં 3 મહિલાઓ, 2ની હાલત ગંભીર; સિમેન્ટ મિક્સર ટ્રક વાન સાથે અથડાયો વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : રશિયાથી ઓઈલની આયાત પ્રતિ દિવસ 19 લાખ બેરલ પર પહોંચી:માર્ચમાં 2 વર્ષની સર્વોચ્ચ સપાટી, મિડલ ઇસ્ટના તણાવ પછી ભારતે ખરીદી વધારી વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : મોદીએ કહ્યું- ગૃહસ્થ નથી, પણ મને બધી ખબર છે:અમારી યોજનાઓએ મહિલાઓને આર્થિક રીતે શક્તિશાળી બનાવી, 16 એપ્રિલથી સંસદનું વિશેષ સત્ર વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : પાકિસ્તાનને ₹46,500 કરોડની મદદ આપશે સાઉદી-કતાર:આનાથી UAEનું ₹29,000 કરોડનું દેવું ચૂકવાશે, પૈસા પાછા આપવા માટે માત્ર 11 દિવસ બાકી વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : માર્ચમાં છૂટક મોંઘવારી વધીને 3.4% થઈ:ખાવા-પીવાની વસ્તુઓ મોંઘી થવાની અસર, ઈરાન યુદ્ધથી ભાવ હજુ પણ વધી શકે છે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : GT અને CSKની બે મેચના સ્થળો બદલાયા:26 એપ્રિલની મેચ ચેન્નઈમાં રમાશે, 21 મેની મેચ અમદાવાદમાં રમાશે વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : સોનાના સિક્કા કરતાં સંબંધોની કિંમત વધુ:બે ભાઈઓના નિઃસ્વાર્થ ત્યાગની અદભૂત કથા, જે દૃષ્ટિકોણ બદલી નાખશે વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ BMWમાં આંખના પલકારે બદલાઈ જાય છે નંબર પ્લેટ હૈદરાબાદમાં એક ડોક્ટરે પોતાની BMW કારમાં બટન દબાવતા જ બદલાઈ જાય તેવી નંબર પ્લેટ લગાવી હતી. પોલીસ ચેકિંગ દરમિયાન તેણે નંબર બદલી નાખ્યો હતો, પરંતુ તે પકડાઈ ગયો. કારમાં તેલંગાણા અને દિલ્હીના બે અલગ-અલગ નંબર હતા. ડોક્ટર નશાની હાલતમાં હતો, જેના કારણે પોલીસે કાર જપ્ત કરી ગુનો નોંધ્યો છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર સિરીઝ : પોલીસની એક હાકલથી આસારામ હાથ જોડીને જમીન પર બેસી ગયા: પોટેન્સી ટેસ્ટમાં સાબિત થયું, 72ના આસારામ સેક્સ કરવા માટે પૂરેપૂરા સક્ષમ હતા 2. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : મત ભલે ન મળે, કરોડોનું દાન મળવું નક્કી: ઉમરેઠની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસને પડકારનાર પાર્ટીને 923 કરોડનું દાન, દરેક ચૂંટણીમાં ડિપોઝિટ ડૂલ, જાણો BNJDની રાજકીય ‘કુંડળી’ 3. આજનું એક્સપ્લેનર: ઈરાને ઓઇલ ટેન્કરને નીકળવા દીધું, તો અમેરિકા રોકી લેશે, આખરે કેવી રીતે થશે હોર્મુઝની બેવડી નાકાબંધી; ભારત શું કરશે 4. Editor's View: એક કોડ અને ખેલ ખતમ: 1,800 કરોડનું સૌથી મોંઘું ડ્રોન રહસ્યમય રીતે ગુમ, અમેરિકાએ હોર્મુઝમાં નાકાબંધી શરૂ કરી, ઇરાને પણ આપી લાસ્ટ વોર્નિંગ 5. MATCH મસાલા : અર્શદીપની GF મિસ્ટ્રી ગર્લ કોણ?: ચહલના ‘CUTE’ મેસેજ ઉઘાડા પડી ગયા; મેચ પછી બેબોએ MIની ટીશર્ટ બદલી નાખી 6. પારકી પંચાત : 'ધક ધક કરને લગા' પર યુવા નેતાઓની મોજમજા: ચૂંટણી ટાણે જ MS યુનિવર્સિટીનો વીડિયો લીક થયો, સુરતમાં ખેસની ખેંચમખેંચ, ભાજપ-AAPના કાર્યકરોએ હદ કરી 7. મંડે મેગા સ્ટોરી : મુકુલ ચૌધરીને ક્રિકેટર બનાવવા પિતા જેલમાં ગયા: સૌથી ફાસ્ટ બોલ ફેંકનારા અશોક શર્મા ખેતી કરવા લાગ્યા હતા; IPLના 7 રાઇઝિંગ સ્ટાર્સના કિસ્સાઓ કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ મંગળવારનું રાશિફળ: કન્યા અને કુંભ રાશિના જાતકોનો ભાગ્યોદય, કર્ક-તુલા રાશિના લોકોને પ્રોપર્ટીમાં લાભ થશે વાંચો સંપૂર્ણ રાશિફળ
વડોદરાના કમાટીબાગ વિસ્તાર પાસે આવેલા માર્ગ પર રાત્રિના સમયે સ્પોર્ટ્સ બાઇક પર સ્ટંટ કરનાર યુવકને સયાજીગંજ પોલીસે ઝડપી પાડ્યો છે. યુવકે કાન પકડીને કહ્યું હતું કે, ગઈકાલે રાત્રે હું કમાટીબાગ રોડ પર બાઇક ચલાવી રહ્યો હતો. મેં ત્યાં બાઇક પર સ્ટંટ કર્યા હતા. મેં બાઇકને એક વ્હીલ પર ચલાવવાનો પ્રયાસ કર્યો હતો અને ઝડપી બાઇક ચલાવી હતી. મને મારી ભૂલનો અહેસાસ છે. મેં ઉતાવળમાં આ ભૂલ કરી દીધી હતી. હું માફી માંગુ છું. હું હવેથી ફરી આવું નહીં કરું. તા. 12 એપ્રિલ 2026ના રોજ રાત્રે આશરે 11 વાગ્યાના સમયે નરહરી સર્કલથી કાળાઘોડા તરફ જતા માર્ગ પર એક યામાહા R15 બાઇકચાલક બાઇક પર ઉભો રહી જોખમી સ્ટંટ કરી રહ્યો હતો. બેદરકારીપૂર્વક બાઇક હંકારતા તે પોતાની તેમજ અન્ય રાહદારીઓની જાનને જોખમમાં મૂકી રહ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વાયરલ વીડિયોની ગંભીર નોંધ લેતા પોલીસ કમિશનર નરસિંહા કોમાર, સંયુક્ત પોલીસ કમિશનર સુધીર દેસાઈ અને ઝોન-1ના નાયબ પોલીસ કમિશનર ડો. જગદીશ ચાવડાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મદદનીશ પોલીસ કમિશનર ડી.જે. ચાવડા તથા સયાજીગંજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે. પંડ્યા અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.કે. ગામારાની ટીમે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન વાયરલ વીડિયોમાં દેખાતી બાઇકનો નંબર GJ-06-LD-2823 હોવાનું સામે આવ્યું હતું. ઇ-ગુજકોપ એપ્લિકેશન મારફતે બાઇક માલિકની વિગતો મેળવી તેને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યો હતો. પોલીસે વીડિયો દર્શાવતા તેણે સ્ટંટ કર્યાની કબૂલાત કરી હતી. આ મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં આરોપી નીખીલભાઈ મણિલાલ જાદવ (રહે. સરસ્વતીનગર, ઓલ્ડ છાણી રોડ, ફતેગંજ, વડોદરા) સામે ભારતીય ન્યાય સંહિતા કલમ 281 તથા મોટર વાહન અધિનિયમ કલમ 177 અને 184 મુજબ ગુનો નોંધવામાં આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ત્રણેય મુખ્ય પક્ષના ઉમેદવારોએ ઉમેદવારી કરી દીધી છે. આ પહેલાં 9 એપ્રિલના રોજ સુરેન્દ્રનગર વિસ્તારમાં ખેડૂત નેતા તરીકે જાણીતા રાજુ કરપડા 9 એપ્રિલે ભાજપમાં જોડાયા હતા. આ સાથે જ તેમને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂળી-2 સીટ પરથી ટિકિટ આપી દેવામાં આવી હતી. ત્યાર બાદ 11 એપ્રિલે તેમણે ઉમેદવારી નોંધાવી દીધી હતી. આ સમયે તેમણે કરેલા સોગંદનામામાં જમીન, સોના અને વાહનોની વિગતો સામે આવી છે. માત્ર સાડા ત્રણ વર્ષના ગાળામાં રાજુ કરપડાની સંપત્તિમાં આશ્ચર્યજનક ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી સમયે રજૂ કરેલા સોગંદનામા મુજબ તેમની કુલ સંપત્તિ અંદાજે 61 લાખ હતી, જે વર્ષ 2026માં વધીને 3.12 કરોડે પહોંચી ગઈ છે. આમ તેમની મિલકતમાં 5 ગણો વધારો થયો છે. જ્યારે તેની પાસે રહેલી 55 વીઘા જમીનમાંથી અંદાજે 40 વીઘાનો વધારો થયો છે. જે તેમણે માત્ર વર્ષ 2023ના પ્રથમ પાંચ મહિનામાં જ ખરીદવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. સોના-ચાંદી અને વાહનોના કાફલામાં પણ વધારો નોંધાયોઆ ઉપરાંત, દંપતી પાસેના સોના-ચાંદીના દાગીનાની કિંમત ₹12.50 લાખથી વધીને ₹69 લાખ સુધી પહોંચી છે, જેમાં તેમની પત્ની પાસે ₹60 લાખની કિંમતનું 400 ગ્રામ સોનું હોવાનો ઉલ્લેખ છે. વાહનોના કાફલામાં પણ વધારો થયો છે, જેમાં હવે ઇનોવા ક્રિસ્ટા અને મારુતિ અર્ટિગા સહિત કુલ 5 વાહનોનો સમાવેશ થાય છે, જેની અંદાજિત કિંમત ₹28.50 લાખ છે. સંપત્તિની સાથે કોર્ટ કેસની સંખ્યામાં પણ વધારો થયોએફિડેવિટ મુજબ સંપત્તિની સાથે સાથે રાજુ કરપડા પરના દેવામાં પણ વધારો થયો છે. 2022માં વિવિધ બેંક લોન પેટે ₹24.97 લાખનું દેવું હતું, જે 2026માં વધીને ₹48.59 લાખ પર પહોંચ્યું છે. આ ઉપરાંત, કાયદાકીય મોરચે પણ તેમની મુશ્કેલીઓ વધી હોય તેમ જણાય છે; 2022માં તેમની વિરુદ્ધ નોંધાયેલા કોર્ટ કેસોની સંખ્યા 3 હતી, જે હવે વધીને 6 થઈ ગઈ છે. આવકના સ્રોત અંગે રાજકીય વિશ્લેષકોમાં અનેક ચર્ચાઓમાત્ર ચાર વર્ષના ટૂંકા ગાળામાં રોકડ રકમમાં ઘટાડો (₹1.54 લાખથી ઘટીને ₹62,170) થયો હોવા છતાં, સ્થાવર મિલકતો અને સોનામાં થયેલો આકસ્મિક અને જંગી વધારો લોકોમાં અનેક સવાલો ઉભા કરી રહ્યો છે. ખાસ કરીને જમીન ખરીદીના સોદાઓ અને આવકના સ્ત્રોતને લઈને રાજકીય વિશ્લેષકોમાં અનેક ચર્ચાઓ છે. આ આંકડાઓ આગામી ચૂંટણીમાં તેમના માટે કેવો માહોલ તૈયાર કરશે તે જોવું રહ્યું. કોણ છે રાજુ કરપડા? રાજુ કરપડા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દૂધઈ ગામના વતની છે. રાજુ કરપડા 2022 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ચોટીલા બેઠક પરથી આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડ્યા હતા, જેમાં તેમનો પરાજય થયો હતો. પાક વીમાની એક કંપની સામે ખેડૂત તરીકે છેતરપિંડી થયાની પોલીસ ફરિયાદ દાખલ કરાવીને રાજુ કરપડા સૌપ્રથમ લાઇમલાઇટમાં આવ્યા હતા. 2018 બાદ રાજુ કરપડા ખેડૂત આગેવાન સાગર રબારીની સંસ્થામાં જોડાયા હતા. તેમની સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ તરીકે નિમણૂક થઈ અને તેમણે ખેડૂતોના પ્રશ્નોને લઈને લડત સુરેન્દ્રનગરના મૂળી તાલુકાથી શરૂ કરી હતી .તેમણે શરૂઆતમાં જમીન માપણીના પ્રશ્નોના મુદ્દે આંદોલનો કર્યાં હતાં. તે ઉપરાંત પાક વીમા યોજનાના પ્રશ્નોને લઈને પણ તેમણે આંદોલનો કર્યાં, જે સુરેન્દ્રનગર જિલ્લા પૂરતાં જ હતાં. 2021-22માં રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. 2022માં તેમને આમ આદમી પાર્ટીએ ચોટીલા વિધાનસભાની ટિકિટ આપી હતી અને તેઓ 45937 મત મેળવીને બીજા સ્થાને રહ્યા હતા. 11 ફેબ્રુઆરી, 2026ના રોજ તેમણે રાજીનામું આપીને સૌને ચોંકાવી દીધા હતા.
વડોદરા મહાનગરપાલિકાનો જંગ શરૂઆતથી જ ગરમાવો પકડી રહ્યો છે. વડોદરા મહાગરપાલિકામાં સૌની નજર વોર્ડ 15 ઉપર છે કારણ કે આ વોર્ડમાં ભાજપમાંથી જ કોંગ્રેસમાં આવેલા અને હરણી બોટ દુર્ઘટના માટે લડત આપી રહેલા મજબૂત ઉમેદવાર ગણાતા આશિષ જોષીએ પેનલ ઉતારી છે તો સામે આ વિસ્તાર પર વર્ચસ્વ ધરાવતા ધારાસભ્ય માટે પણ પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે. ત્યારે આ વિસ્તારની સોસાયટીના રહીશોએ પોસ્ટર લગાવ્યા છે કે, આ સોસાયટી રામ ભક્તોની સોસાયટી છે અને અહીં કોંગ્રેસે પ્રવેશ કરવો નહીં. રામભક્ત સોસાયટીમાં કોંગ્રેસે પ્રવેશવું નહીંવોર્ડ 15માં આવેલી રણછોડપાર્ક સોસાયટીની બહાર રહીશો દ્વારા બેનરો લગાવવામાં આવ્યા છે. આ બેનરોમાં લખવામાં આવ્યું છે કે,રામભક્ત સોસાયટીમાં કોંગ્રેસે પ્રવેશવું નહીં. અસલમાં અહીં લડાઈ ભાજપ કોંગ્રેસની નથી પરંતુ ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા અને મજબૂત પેનલ બનાવનાર આશિષ જોષી સામે છે. લોકોનો રોષ પક્ષ પલટો કરનાર ઉમેદવાર સામે છે. સ્થાનિક રહીશ મુકુંદ ભાઈએ જણાવ્યું હતું કે, જે વ્યક્તિ ગત વખતે ભાજપમાંથી ચૂંટાયો અને ભગવાન રામની વિચારધારા સાથે સંકળાયેલો હતો તેને હવે સત્તા માટે કોંગ્રેસની વિચારધારા અપનાવી દીધી છે. આવા વ્યક્તિ પર વિશ્વાસ જ ન મૂકી શકાય અને તેથી અહીં કોંગ્રેસના એક પણ ઉમેદવારને પ્રવેશ આપવામાં નહીં આવે. તો અન્ય એક રહીશ રવિ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ તો માત્ર એક સોસાયટીએ કર્યું છે. આગામી દિવસોમાં અન્ય સોસાયટી પણ કરશે કારણ કે આ રામભક્તો છે. વોર્ડ 15 એ ધારાસભ્ય માટે પ્રતિષ્ઠાઓ જંગ?ગત ટર્મમાં વોર્ડ 15માં ભાજપ તરફે આશિષ જોષી અને તેઓની પેનલ જીતી હતી. આશિષ જોષી એ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના અંગત માનવામાં આવતા હતા. ગત ટર્મમાં શૈલેષ મહેતાએ તેઓના દીકરા માટે પણ ટિકિટ માંગી હોવાની ચર્ચા છે પરંતુ તેઓને ટિકિટ ન મળતા તેઓએ જ પોતાના એકદમ અંગત આશિષ જોષીને મેદાને ઉતાર્યા હતા. જોકે, પાંચ વર્ષમાં સમીકરણો બદલાયા અને હવે આશિષ જોષી એ ધારાસભ્યની જ સામે પડી ગયા છે, જેથી આ વોર્ડ એ ધારાસભ્ય માટે પણ પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે. હજુ તો ચૂંટણી પ્રચારની શરૂઆત થઇ છે એવામાં જ પોસ્ટર યુદ્ધ જામ્યું છે. કોંગ્રેસના એક ઉમેદવારનું ફોર્મ રદ થયુંડોર્મ ચકાસણી પ્રક્રિયા દરમિયાન વોર્ડ 15ના કોંગ્રેસના ઓબીસી ઉમેદવાર રાજેન્દ્ર બારોટનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. SIRની પ્રક્રિયા બાદ તેઓનું નામ મતદારયાદીમાં ઉમેરવામાં જ આવ્યું ન હોવાના કારણે તેઓનું ફોર્મ રદ થયું હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. આ વોર્ડમાં કોંગ્રેસે જેનું નામ જાહેર કર્યું હતું તે હવે ચૂંટણી નહીં લડી શકે અને જેને ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું એવા હિતેશ માછી ચૂંટણી લડશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ખરો રંગ હવે જામશેવડોદરા એ રાજકારણની પાઠશાળા કહેવાય છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ રાજકારણના કાવાદાવાઓ ચરમસીમા જોવા મળશે. હજુ તો માત્ર શરૂઆત છે આગામી દિવસોમાં વડોદરાનું રાજકારણ અલગ જ રંગે રંગાઈ જશે તેવું જુના જોગીઓનું માનવું છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં દરેક વોર્ડમાં રોજે રોજ નવા કીમિયા અને કાવાદાવાઓ જોવા મળે તો નવાઈ નહીં
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં સ્ક્રૂટિનીની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. ભાજપના 120, કોંગ્રેસના 119 અને આમ આદમી પાર્ટીના 111 ઉમેદવારોના ફોર્મ મંજૂર થયા છે. 30 વોર્ડની 120 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અન આપના કયા કયા ઉમેદવારો આમનેસામને છે તેની સંપૂર્ણ યાદી...
વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પ્રચાર દરમિયાન વોર્ડ નંબર 12માં સમાવિષ્ટ વિશ્વામિત્રી વિસ્તારની ચાલીઓમાં ભાજપના ઉમેદવારોને સ્થાનિકોના ભારે આક્રોશનો સામનો કરવો પડ્યો છે. ગટર અને અન્ય પાયાની સુવિધાઓના પડતર પ્રશ્નોને મુદ્દે રહીશોએ ઉમેદવારોને ઘેરીને સવાલો કર્યા હતા, જેના કારણે ચૂંટણી માહોલમાં ગરમાવો આવી ગયો હતો અને ઉમેદવારો માટે મતદારોની નારાજગી દૂર કરવી પડકારરૂપ બની રહી છે. સ્થાનિકોનો ઉગ્ર વિરોધ અને નેતાઓ સામે સવાલોવોર્ડ નંબર 12ના ભાજપના ઉમેદવારો સ્મિત અરદેશણા, શકુંતલાબેન વસાવા, રીટા સિંઘ અને સમીર વાઘેલા જ્યારે કાલિદાસ ચાલ અને પરમારની ચાલમાં પ્રચાર માટે પહોંચ્યા ત્યારે રહીશોએ લાંબા સમયથી વણઉકેલાયેલી સમસ્યાઓ અંગે રોષ ઠાલવ્યો હતો અને આ મુદ્દાઓ પર તાત્કાલિક ધ્યાન આપવાની માંગ કરવામાં આવી હતી. અમે કેવામાં રહે છીએ, તમને ખબર છે?આક્રોશ સાથે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અમારે આવામાં રહેવાનું?, બોલ તું કામ કરવાની બાહેંધરી આપે છે. અમે કેવામાં રહે છીએ, તમને ખબર છે? બરાબર છે ભાઈ કોઈ નેતા કામ કરતા નથી. તેવા વેધક સવાલો સાથે નેતાઓની કામગીરી પર શંકા વ્યક્ત કરી હતી. આ દરમિયાન ભાજપના કાર્યકરો અને વીડિયો ઉતારનાર રહીશો વચ્ચે દલીલો પણ થઈ હતી, જેમાં ભાજપનો એક કાર્યકર વીડીયો ઉતારવાની ના પાડે છે. તો વીડિયો ઉતારનાર કહે છે કે, કેમ વીડિયો નહીં ઉતારવાનો? ઉમેદવારનો ખુલાસો: ડ્રેનેજ લાઇનનો પ્રશ્ન અને મંદિરનો વિવાદઆ મામલે ભાજપના ઉમેદવાર સ્મિત અરદેશણાએ જણાવ્યું હતું કે, આ કોઈ મોટો રોષ નથી, પરંતુ માત્ર ચર્ચા હતી. તેમણે ખુલાસો કર્યો કે વિસ્તારની ડ્રેનેજ લાઇનનો પ્રશ્ન પહેલેથી જ પાસ કરી દેવામાં આવ્યો છે. આ કામગીરીમાં અવરોધ અંગે વિગત આપતા તેમણે જણાવ્યું કે, ડ્રેનેજ લાઇન નાખવા માટે નડતરરૂપ મંદિર તોડીને પોતાના ખર્ચે નવું મંદિર બનાવી આપવાની ખાતરી આપી હતી, પરંતુ મંદિરના સંચાલકો સહમત ન થતા હવે બ્રિજની નીચેથી લાઇન પાસ કરવાનો વૈકલ્પિક રસ્તો મંજૂર કરવામાં આવ્યો છે. બાકી અમારા વિસ્તારમાં ખૂબ કામો થયા છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત એમ તમામ સ્તરે ઉમેદવારોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો, જોકે સ્ક્રુટિની દરમિયાન મોટી સંખ્યામાં ફોર્મ રદ થતા હવે મર્યાદિત ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. તાલુકા પંચાયતમાં સૌધી વધુ ફોર્મ રદ થયાઉમેદવારીના આંકડાઓનું વિશ્લેષણ કરતા માલૂમ પડે છે કે સૌથી વધુ રસાકસી તાલુકા પંચાયત સ્તરે જોવા મળી છે. અહીં કુલ 20,000થી વધુ ઉમેદવારી પત્રો ભરાયા હતા, જેમાંથી દસ્તાવેજી કે ટેક્નિકલ ખામીઓને કારણે 5,000થી વધુ ફોર્મ રદ કરવામાં આવ્યા છે. બીજી તરફ, મહાનગરપાલિકાઓમાં ખાસ કરીને અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા મોટા શહેરોમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ છે.
અસારવા ગામનો ભવ્ય દરવાજો રોશનીથી ઝળહળી ઊઠ્યો હતો, અને તેની આકર્ષક ઝગમગાહટે સમગ્ર વાતાવરણને પ્રકાશમય બનાવી દીધું હતું. પ્રકાશની વચ્ચે દરવાજાની ભવ્યતા વધુ નિખરી ઊઠી હતી, જેને નિહાળી ગામજનોમાં આનંદ અને ગર્વની લાગણી છલકાઈ ઊઠી હતી. આ ઐતિહાસિક ક્ષણ અસારવા ગામના વિકાસ અને ગૌરવગાથામાં એક યાદગાર અધ્યાય બની રહેશે.અસારવા ગામનો તોરણ મહોત્સવ રંગેચંગે ઉજવાયો હતો. ગામના તોરણની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતીઆ અંગે અસારવા યુથ સર્કલ પ્રમુખ સંજય પટેલ અને ગામના મુખી હર્ષિલ પટેલે જણાવ્યું હતું કે, ગઈકાલે તા. 12મી એપ્રિલ ને રવિવારના રોજ અસારવા ગામના નવ નિર્માણ પામેલા દરવાજાને પરંપરાગત તોરણ મહોત્સવ ભવ્ય અને રંગેચંગે ઉજવાયો હતો. આ પ્રસંગે ગામના તોરણની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી. ધાર્મિક વિધિઓ સાથે ગામ ટોળાના માતાજી શ્રી માતર ભવાની માતાજીના મંદિરે વધામણું આપવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. મહોત્સવે ગામની એકતા, પરંપરા અને સાંસ્કૃતિક વારસાને વધુ મજબૂત બનાવ્યો આ ઉપરાંત તાજેતરમાં નિર્માણ પામેલા અસારવા ગામના હેરિટેજ દરવાજા પર પરંપરાગત રીતે ગામનું તોરણ બાંધી શુભ પ્રસંગને વિશેષ ગૌરવ આપવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક અને સાંસ્કૃતિક પ્રસંગે ગામના નાના-મોટા તમામ વયના ગ્રામજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગામમાં આનંદ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો. અસારવા ગામ પરિવાર દ્વારા આયોજિત આ મહોત્સવે ગામની એકતા, પરંપરા અને સાંસ્કૃતિક વારસાને વધુ મજબૂત બનાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણ વર્ષના સતત સંઘર્ષ, અનેક પડકારો અને લાંબા સમય સુધી ચાલેલા વાદ-વિવાદોની વચ્ચે અંતે અસારવા ગામનો ભવ્ય દરવાજો સફળતાપૂર્વક તૈયાર થઈ ગયો છે. આ દરવાજો માત્ર એક સ્થાપત્ય નથી, પરંતુ ગામજનોની એકતા, ધીરજ અને અડગ સંકલ્પનું પ્રતિક છે. અનેક અવરોધો છતાં સૌના સહકાર અને પ્રયત્નોથી આ કાર્ય પૂર્ણ થયું છે, જે અસારવા ગામ માટે ગૌરવની ક્ષણ સમાન છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. I/C SP વૈદિકા બિહાનીની અધ્યક્ષતામાં આ પેટ્રોલિંગ સુરેન્દ્રનગર, જોરાવરનગર અને વઢવાણ જેવા શહેરી વિસ્તારોમાં કરવામાં આવ્યું. આ કાર્યવાહી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે તે સંદર્ભમાં અને આંબેડકર જયંતિ પૂર્વે સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી હતી. પોલીસ કાફલાએ સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
ગરમી વધારે અને ચોમાસું નબળું! હવામાન વિભાગે જાહેર કર્યું ચિંતાજનક 'મોન્સુન એલર્ટ', અલ નીનો સર્જાશે
IMD Predicts, El Nio: દેશમાં આ વખતે ચોમાસાને લઈને હવામાન વિભાગે ચિંતાજનક એલર્ટ જાહેર કર્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ ચોમાસા અંગે ચિંતા વ્યક્ત કરી છે. IMDએ સંભાવના વ્યક્ત કરી છે કે 2026નું દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય કરતા નબળું રહી શકે છે. જેનો અર્થ એ છે કે વરસાદ ઓછો થશે. હવામાન વિભાગ (IMD) મુજબ, જૂન થી સપ્ટેમ્બર વચ્ચે દેશભરમાં વરસાદ લોંગ પીરિયડ એવરેજ (LPA)ના 92 ટકા રહેવાનો અંદાજ છે, જે 'બિલો નોર્મલ' (સામાન્યથી ઓછું) શ્રેણીમાં આવે છે. સાથે જ હવામાન વિભાગે અલ નીનો સર્જાવાની આશંકા પણ વ્યક્ત કરી છે, જેનાથી ચોમાસા પર વધુ દબાણ વધી શકે છે.
ગઢડામાં એક જ પરિવારના ચાર સભ્યોને વીજ કરંટ લાગ્યો:એક યુવકનું મોત, ત્રણને ઇજા થતાં હોસ્પિટલ ખસેડાયા
ગઢડા શહેરના સામાકાંઠા વિસ્તારમાં એક દુઃખદ ઘટના બની છે. અડતાળા રોડ પર એક જ પરિવારના ચાર સભ્યોને વીજ કરંટ લાગ્યો હતો, જેમાં એક યુવકનું મોત થયું છે અને અન્ય ત્રણ વ્યક્તિઓ ઘાયલ થયા છે. પ્રાથમિક માહિતી અનુસાર, ઇલેક્ટ્રિક કેબલ ક્રેક થયો હતો. જીમીતભાઈ બટુકભાઈ મકવાણા (ઉં. ૩૨) આ કેબલને ખસેડવા ગયા ત્યારે તેમને વીજ કરંટ લાગ્યો હતો. તેમને બચાવવાના પ્રયાસમાં પરિવારના અન્ય સભ્યોને પણ કરંટ લાગ્યો હતો. આ ઘટનામાં જીમીતભાઈ બટુકભાઈ મકવાણાનું કરંટ લાગવાથી મૃત્યુ થયું છે. જ્યારે ભરતભાઈ મકવાણા, હીનાબેન જીમીતભાઈ મકવાણા અને પરસોતમભાઈ મકવાણાને ઇજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે બોટાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની માહિતી ગઢડા રેફરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. મીલન ઘેવરીયાએ આપી હતી.
પંચમહાલમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી:જિલ્લા પંચાયતની 1, તાલુકા પંચાયતની 11 બેઠકો બિનહરીફ જાહેર
પંચમહાલ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ જિલ્લા પંચાયતની 1 અને તાલુકા પંચાયતની 11 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ આ ચિત્ર સ્પષ્ટ થયું છે. જિલ્લા પંચાયતની કુલ 38 બેઠકો પૈકી સાંપા બેઠક બિનહરીફ જાહેર થઈ છે, જ્યારે હાલોલ, કાલોલ અને શહેરા તાલુકા પંચાયતોની કુલ 11 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. જિલ્લા પંચાયતની 38 બેઠકો માટે કુલ 174 ઉમેદવારી ફોર્મ મળ્યા હતા. ચકાસણી પ્રક્રિયા દરમિયાન 115 ફોર્મ માન્ય જ્યારે 59 ફોર્મ અમાન્ય ઠર્યા હતા. આ પૈકી સાંપા બેઠક પર એકમાત્ર ઉમેદવાર હોવાથી તે બિનહરીફ જાહેર થઈ છે. તાલુકા પંચાયતોની કુલ 174 બેઠકો માટે 688 ફોર્મ ભરાયા હતા. ચકાસણીના અંતે 489 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા, જ્યારે 200 ફોર્મ અમાન્ય ઠર્યા હતા. કુલ 11 તાલુકા પંચાયત બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, જેમાં શહેરા તાલુકા પંચાયતની 7, હાલોલ તાલુકા પંચાયતની 3 અને કાલોલ તાલુકા પંચાયતની 1 બેઠકનો સમાવેશ થાય છે. ફોર્મ ખેંચવાની અંતિમ મુદત બાદ હવે બાકી રહેલી બેઠકો પર ખરાખરીનો જંગ જામશે. વહીવટી તંત્ર દ્વારા હાલમાં ચૂંટણીની બાકીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગોધરા નગરપાલિકાની વાત કરીએ તો, કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે 186 ઉમેદવારી પત્રો ઉપાડવામાં આવ્યા હતા અને 153 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ચકાસણીના અંતે 142 ઉમેદવારી પત્રો માન્ય જ્યારે 44 ઉમેદવારી પત્રો અમાન્ય ઠર્યા હતા. ગોધરા નગરપાલિકાના 11 વોર્ડ પૈકી 7 વોર્ડમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે, જ્યારે અન્ય 4 વોર્ડમાં અપક્ષ ઉમેદવારોનો રાફડો જોવા મળ્યો છે. કુલ 142 માન્ય ઉમેદવારી પત્રોમાંથી 77 અપક્ષ ઉમેદવારો માન્ય રહ્યા છે. સૌથી વધુ ઉમેદવારો વોર્ડ-9 માં નોંધાયા છે, જ્યાં 26 માન્ય ઉમેદવારી પત્રો છે. જ્યારે વોર્ડ-3 માં 7 ઉમેદવારી પત્રો માન્ય રહ્યા છે.
1200 કરોડનું બોગસ બિલિંગ કાંડ:રાજકોટની પ્રિયંકા સાડરિયાની ધરપકડ, 126 કરોડના ITC કૌભાંડમાં જેલ હવાલે
સુરતમાં ડાયરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સ દ્વારા આચરવામાં આવેલા રૂપિયા 1200 કરોડના મહાકૌભાંડમાં વધુ એક મોટી સફળતા મળી છે. અગાઉ સી.એ. બિપિન ભંડેરીની ધરપકડ બાદ હવે તપાસનો દૌર રાજકોટ સુધી પહોંચ્યો છે. DGGIએ રાજકોટમાં રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે જોડાયેલી પ્રિયંકા સાડરિયા નામની મહિલાની ધરપકડ કરી છે. આરોપી મહિલાને સુરત કોર્ટમાં રજૂ કરી 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલ ભેગી કરવામાં આવી છે. આ કૌભાંડની મોડસ ઓપરેન્ડી ચોંકાવનારી છે. તપાસમાં બહાર આવ્યું છે કે પ્રિયંકા સાડરિયા કુલ 23 પેઢીઓ સાથે સીધી રીતે સંકળાયેલી હતી. આ પેઢીઓના નામે મોટા પાયે ઈ-વે બિલ તો જનરેટ કરવામાં આવતા હતા, પરંતુ વાસ્તવિકતામાં માલની કોઈ જ હેરફેર કે ડિલિવરી થતી નહોતી. આ રીતે માત્ર કાગળ પર વ્યવહારો બતાવીને સરકારી તિજોરીને કરોડોનો ચૂનો લગાવવાનું વ્યવસ્થિત નેટવર્ક ચલાવવામાં આવતું હતું. 126 કરોડની બોગસ ITC પાસઓન કરીસમગ્ર કાંડમાં મુખ્યત્વે ત્રણ પેઢીઓ પાઠક એન્ટરપ્રાઇઝ, અબ્દુલ ટ્રેડર્સ અને રાધે એન્ટરપ્રાઇઝના નામે આખું કૌભાંડ રચવામાં આવ્યું હતું. આ પેઢીઓ દ્વારા કુલ 126 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ગેરકાયદેસર રીતે પાસઓન કરવામાં આવી હોવાનું તપાસમાં ખુલ્યું છે. પ્રાથમિક તબક્કે માત્ર 30 કરોડની ગેરરીતિ દેખાતી હતી, પરંતુ ઊંડાણપૂર્વકની તપાસમાં આ આંકડો સો કરોડને પાર કરી ગયો છે. ડેટા એનાલિસિસથી ઝડપાયું નેટવર્કDGGI દ્વારા કરવામાં આવેલા અત્યાધુનિક ડેટા એનાલિસિસમાં જાણવા મળ્યું હતું કે અનેક બોગસ પેઢીઓના જીએસટી રિટર્ન એક જ આઈપી એડ્રેસ અથવા એક જ સ્થળ પરથી ફાઇલ થઈ રહ્યા છે. રિટર્ન ચેક કરતા માલુમ પડ્યું કે, આરોપી મહિલા જ આ તમામ પેઢીઓની મહત્વની કડી હતી. તે રિટર્ન ભરવા માટેની તમામ વિગતો સી.એ. બિપિન ભંડેરી સુધી પહોંચાડતી હતી અને વ્યવહારો માટે જરૂરી તમામ ઓટીપી (OTP) પણ તેના જ મોબાઈલ પર આવતા હતા. કમિશનની લાલચમાં આચર્યું કૌભાંડધરપકડ બાદ પ્રિયંકા સાડરિયાએ અધિકારીઓ સમક્ષ કબૂલાત કરી હતી કે,તે કમિશન માટે આ કામ કરતી હતી. તેણે પોતાના નિવેદનમાં જણાવ્યું કે 'હાર્દિક' નામનો વ્યક્તિ તેને તમામ ડેટા પૂરો પાડતો હતો અને બદલામાં તેને મોટી રકમ કમિશન તરીકે મળતી હતી. જ્યારે તપાસ અધિકારીઓએ તેના ડિજિટલ પુરાવાઓ એટલે કે લેપટોપ અને મોબાઈલ ફોન વિશે પૂછ્યું, ત્યારે તેણે જણાવ્યું હતું કે તે સાહિત્ય હાલ અમદાવાદ DGGIની કસ્ટડીમાં છે. તપાસનો છેડો હવે 'પચ્ચીગર' સુધી પહોંચશેહાલમાં DGGI આ કેસમાં વધુ ઊંડા ઉતરી રહી છે અને મોટા માથાઓ સુધી પહોંચવાની તૈયારીમાં છે. પ્રિયંકાની પૂછપરછમાં 'પચ્ચીગર' નામની એક વ્યક્તિનું નામ સામે આવ્યું છે, જેની ભૂમિકા અત્યંત શંકાસ્પદ જણાઈ રહી છે. આ કૌભાંડમાં હજુ પણ અનેક લોકોની ધરપકડ થવાની શક્યતા છે. વિભાગ હવે એ દિશામાં તપાસ કરી રહ્યો છે કે આ બોગસ આઈટીસીનો લાભ મેળવનાર અન્ય વેપારીઓ કોણ કોણ છે.
સુરતના મોટા વરાછા વિસ્તારમાં સાંજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અબ્રામા ગામના ટાંકી ફળિયામાં રહેતા 47 વર્ષીય ટીનુબેન કિશોરભાઈ રાઠોડ તેમની બહેનપણીઓ હીનાબેન અને સંગીતાબેન સાથે મોટા વરાછા આઉટર રિંગરોડ પર આવેલા આસ્થા ફાર્મમાં કેટરિંગના કામ માટે ગયા હતા. લગ્ન પ્રસંગમાં કામ દરમિયાન ત્રણેય મહિલાઓ પગપાળા નજીકની દુકાને નાસ્તો લેવા નીકળી હતી. આ દરમિયાન પાછળથી આવતી એક બેફામ સ્કોર્પિયો કારે ત્રણેયને જોરદાર ટક્કર મારી હતી. જેમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અન્ય બેને ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્કોર્પિયો કાર પલટી મારીને રસ્તાની સાઈડમાં ઉતરી ગઈ હતી. એક મહિલાનું ઘટનાસ્થળે મોત, બે ઘાયલહરિહર કાઠીયાવાડી રેસ્ટોરન્ટ પાસે સર્જાયેલા આ અકસ્માતમાં ટક્કર એટલી પ્રચંડ હતી કે કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને સ્કોર્પિયો કાર રસ્તા પર જ પલટી મારી રસ્તાની બાજુમાં ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં ટીનુબેન રાઠોડને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેમની સાથે રહેલી અન્ય બે મહિલાઓ, હીનાબેન અને સંગીતાબેનને નાની-મોટી ઈજાઓ પહોંચતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને રજા આપવામાં આવી છે. 19 વર્ષીય કાર ચાલકની ધરપકડઅકસ્માત સર્જનાર કાર ચાલકની ઓળખ 19 વર્ષીય રોશન ચંદુભાઈ માલવિયા તરીકે થઈ છે. રોશન સરથાણાની યોગેશ્વર સોસાયટીમાં રહે છે અને કોસ્મેટિકનો ઓનલાઇન વેપાર કરે છે. ગફલતભરી રીતે ગાડી ચલાવી નિર્દોષ મહિલાનો જીવ લેવા બદલ ઉત્રાણ પોલીસે રોશન વિરુદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવીમૃતક ટીનુબેનના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ટીનુબેનના પતિનું અગાઉ અવસાન થઈ ચૂક્યું છે. પરિવારની આર્થિક સ્થિતિ સામાન્ય હોવાથી તેઓ કેટરિંગમાં મજૂરીકામ કરીને ઘર ગુજરાન ચલાવતા હતા. ટીનુબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેમનો પુત્ર ખેત મજૂરી કરીને પરિવારને મદદરૂપ થતો હતો ત્યારે માતાના અચાનક નિધનથી સંતાનોએ પોતાની છત્રછાયા ગુમાવી છે. રોશન માલવિયા તથા તેમના મિત્રો જય જાદવ, વિવેક ગાબાણી, પ્રિત તળાવિયા અને હેત માલવિયાએ એક દિવસના ભાડે સ્કોપિયો કાર લીધી હતી. પાંચેય મિત્રો અખો દિવસ કારમાં ફર્યા હતા. બાદમાં સાંજના સમયે મિત્રો કાર લઇ મોટા વરાછા આઉટર રીંગરોડ ઉપર ગયા હતા. આ દરમિયાન રોશન કાર ચલાવતો હતો ત્યારે આઉટર રીંગરોડ ઉપર પુરઝડપે કાર ચાલક ચલાવી પગપાળા જતી ત્રણ મહિલાને ટક્કર મારતાં કાર દૂર સુધી ફંગોળાઈ બે-ત્રણ વાર પલટી મારી ગઈ હતી. જેમાં ચાલક રોશનને સામાન્ય ઈજા પહોંચી હતી. જ્યારે અન્ય ચાર મિત્રોનો આબાદ બચાવ થયો હતો.
જૂનાગઢ જિલ્લાના કેશોદ નગરપાલિકાની ચૂંટણીનો જંગ અત્યારે ચરમસીમા પર છે પરંતુ, ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે જે નાટ્યાત્મક ઘટનાક્રમ સર્જાયો તેનાથી સમગ્ર પંથકના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કેશોદ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ લાડાણી દ્વારા આ મામલે કેશોદ નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ ચૂંટણી અધિકારીને આચારસંહિતા ભંગની ગંભીર ફરિયાદ સોંપવામાં આવી છે. આ ફરિયાદમાં ભાજપના ઉમેદવારો અને પાલિકાના જ એક સરકારી કર્મચારી સામે સત્તાનો દુરુપયોગ કરી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચાવવા માટે દબાણ કરવાના સનસનીખેજ આક્ષેપો કરવામાં આવ્યા છે. ઉમેદવારોને મેદાનમાંથી હટાવવા માટે સામ, દામ અને દંડની નીતિ સમગ્ર વિવાદની વિગતવાર વાત કરવામાં આવે તો કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર 3ના કોંગ્રેસના મહિલા ઉમેદવાર દક્ષાબેન અનિલભાઈ ચુડાસમા અને વોર્ડ નંબર 8ના કોંગ્રેસના ઉમેદવાર નરેન્દ્રભાઈ પોલાભાઈ જોરાએ અચાનક પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા કોંગ્રેસ છાવણીમાં આશ્ચર્ય ફેલાયું હતું. જોકે, કોંગ્રેસના આગેવાનોએ આ બાબતને સ્વેચ્છિક ગણાવવાને બદલે એક પૂર્વ આયોજિત કાવતરું ગણાવ્યું છે. ફરિયાદમાં જણાવાયું છે કે, આ બંને ઉમેદવારોને મેદાનમાંથી હટાવવા માટે સામ, દામ અને દંડની નીતિ અપનાવવામાં આવી છે. કોંગ્રેસનો આરોપ છે કે લોકશાહીના પર્વમાં મતદારોને વિકલ્પ આપવાને બદલે સત્તાધારી પક્ષના ઉમેદવારોએ ડરાવી-ધમકાવી તેમજ આર્થિક લાલચો આપીને આ ફોર્મ પરત ખેંચાવ્યા છે. સ્થાનિક વહીવટી તંત્ર પર પણ દબાણ વધી રહ્યું છેઆ આક્ષેપોમાં ખાસ કરીને વોર્ડ નંબર 3ના ભાજપના ઉમેદવાર હેતલબેન અનિલભાઈ માવદિયા અને તેમના પતિ લખનભાઈ ભરડા તેમજ વોર્ડ નંબર 8ના ભાજપના ઉમેદવાર મહેશભાઈ નારણભાઈ પરમારને સીધી રીતે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. કોંગ્રેસ પ્રમુખે પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે, આ તમામ વ્યક્તિઓએ ભેગા મળીને કોંગ્રેસના ઉમેદવારોના પરિવારજનો પર દબાણ કર્યું હતું અને ચૂંટણી લડતા અટકાવ્યા છે. આ પ્રકારનું કૃત્ય મુક્ત અને ન્યાયી ચૂંટણીની પ્રક્રિયા સામે પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરે છે, જેના કારણે સ્થાનિક વહીવટી તંત્ર પર પણ દબાણ વધી રહ્યું છે. આચારસંહિતાનો સીધો ભંગ હોવાનું કોંગ્રેસ પક્ષ માની રહ્યો છેઆ ઘટનામાં સૌથી મોટો વિવાદ નગરપાલિકાના એક કર્મચારીની ભૂમિકાને લઈને સર્જાયો છે. ફરિયાદ મુજબ કેશોદ નગરપાલિકાના રોશની વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી રાજેન્દ્રભાઈ આંત્રોલિયા જે સરકારી તિજોરીમાંથી પગાર મેળવે છે, તેઓ ખુલ્લેઆમ ભાજપના એજન્ટ તરીકે સક્રિય હોવાનો આરોપ મુકાયો છે. એવો આક્ષેપ છે કે, આ કર્મચારીએ પોતાના પદ અને સત્તાનો દુરુપયોગ કરી કોંગ્રેસના ઉમેદવારોને ફોસલાવીને અને ધાક-ધમકી આપીને ફોર્મ પરત ખેંચવા મજબૂર કર્યા હતા. સરકારી તંત્રનો કોઈ કર્મચારી રાજકીય પક્ષના સાથીદાર તરીકે કામ કરે તે આચારસંહિતાનો સીધો ભંગ હોવાનું કોંગ્રેસ પક્ષ માની રહ્યો છે. ઉમેદવારી રદ કરવાની માંગ પણ કરવામાં આવી છેકેશોદ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ લાડાણીએ આ મુદ્દે આક્રમક વલણ અપનાવતા ચીફ ઓફિસર સિવાય મુખ્ય ચૂંટણી પંચ, જિલ્લા કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટરને પણ લેખિતમાં પુરાવાઓ સાથે રજૂઆત કરી છે. તેમની મુખ્ય માંગણી એ છે કે આ સમગ્ર પ્રકરણમાં તટસ્થ તપાસ કરવામાં આવે અને જે પણ ઉમેદવારો કે વ્યક્તિઓએ ડરનું વાતાવરણ ઊભું કર્યું છે તેમની સામે આકરી પોલીસ કાર્યવાહી કરવામાં આવે. વધુમાં, નગરપાલિકાના વિવાદિત કર્મચારીને તાત્કાલિક અસરથી નોકરીમાંથી બરતરફ કરવાની અને જે ભાજપના ઉમેદવારો આ ગેરરીતિમાં સામેલ છે તેમની ઉમેદવારી રદ કરવાની માંગ પણ કરવામાં આવી છે. આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો આચારસંહિતા ભંગની આ ગંભીર ફરિયાદના પગલે કેશોદમાં રાજકીય સમીકરણોમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. શહેરમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને સોશિયલ મીડિયા પર પણ લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા એવી ચીમકી પણ આપવામાં આવી છે કે જો વહીવટી તંત્ર દ્વારા આ મામલે ન્યાયી પગલાં લેવામાં નહીં આવે તો તેઓ જનતાની અદાલતમાં જશે અને ચૂંટણી બાદ પણ આ લડતને કાયદાકીય રીતે ચાલુ રાખશે. હવે જોવાનું એ રહેશે કે ચૂંટણી અધિકારી અને પોલીસ તંત્ર આ ગંભીર આક્ષેપો પર કેવી કાર્યવાહી કરે છે.
રાજકોટ શહેરના ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ ખોડિયારપરા શેરી નંબર 7ના ખૂણે ભાડાની રૂમમાં રહેતો શિવમ આત્મારામ વિશ્વકર્મા (ઉ.વ.25)એ ગઈકાલે પોતાના ઘરે પંખામાં ગમછો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આજ રોજ નીચે રહેતા મકાન માલીક લક્ષ્મીબેન ઉપર જઈ દરવાજો ખખડાવતા હતા જો કે યુવક દરવાજો ન ખોલતા દરવાજો તોડી જોતા યુવક લટકતો જોવા મળ્યો હતો. બનાવ અંગે 108ને જાણ કરતા 108ના ઇએમટીએ તપાસી યુવકને મૃત જાહેર કર્યો હતો. શિવમ મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો રૂમ ભાડે રાખી એકલો રહેતો અને કારખાનામાં મજૂરી કામ કરતો હતો પત્ની એક વર્ષની દીકરી સાથે વતનમાં રહે છે. જો કે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા ન મળતા માલવિયાનગર પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી હતી. બીજા બનાવમાં રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં આવેલ આવાસ ક્વાર્ટરમાં રહેતા મૂળ મહારાષ્ટ્રના અમુલ રામદાસ પાટીલ (ઉ.વ.32)એ ગઈકાલે સાંજે 6 વાગ્યાં આસપાસ પોતાના ઘરે રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘરકામ પૂર્ણ કરી પત્નીએ રૂમમાં જોતા પતિ લટકતો જોવા મળ્યો હતો. બનાવ અંગે 108ને જાણ કરતા 108ના ઇએમટીએ તપાસી તેને મૃત જાહેર કર્યા હતા. મૃતક યુવાન અમુલ કારખાનામાં કામ કરતો હતો અને તેને સંતાનમાં 10 વર્ષનો પુત્ર છે જેને પીતાં છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. હાલ આપઘાતનું કારણ જાણવા માટે બી.ડિવિઝન પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટના સૂર્યારામપરામાં કીડીઓ મારવા માટે લાવેલ ઝેરી દવાથી કીડીઓ ન મરતા દવા કામ કરે છે કે નહીં તે ચેક કરવા યુવકે પોતે ઝેરી દવા ચાખત. ઝેરી અસર થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વિશાલ વિજયભાઈ કંટોડિયા (ઉં.વ.20) પોતે મેલડી માતાજીના મંદિર પાસે હતો ત્યારે રાત્રે 12 વાગ્યા આસપાસ ઝેરી દવા પી જતા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. વિશાલ પોતે ખેતી મજૂરી કરે છે તેમના માતા પિતા હયાત નથી. પોતે બે ભાઈમાં નાનો છે. ઘરમાં કીડીઓનો ઉપદ્રવ વધતા તેણે કીડીઓ મારવા ઝેરી દવા છાંટી હતી જોકે કીડીઓ પર આ દવાની કોઈ અસર દેખાઈ નહીં એટલે દવા કામ કરે છેકે નહીં તે જોવા થોડીક દવા વિશાલે પોતે ચાખી લીધી હતી જેથી તેને ઝેરી અસર થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા હાલ તે સારવાર હેઠળ છે.
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં વોર્ડ નંબર 29 (અલ્થાન-બમરોલી-વડોદ) ના કોંગ્રેસના ઉમેદવાર વંદના સાળુંકેના સોગંદનામાએ રાજકીય ખળભળાટ મચાવ્યો છે. દારૂબંધીના મુદ્દે સરકારને ઘેરતી કોંગ્રેસે પ્રોહિબિશન એક્ટ હેઠળ વર્ષ 2023 અને 2026માં બે વખત કોર્ટ દ્વારા સજા પામેલા ઉમેદવારને મેદાનમાં ઉતારતા નૈતિકતાના મુદ્દે ગંભીર સવાલો ઉભા થયા છે. સોગંદનામામાં પ્રોહિબિશનના બે ગુના સજા હોવાની કબૂલાતવોર્ડ નંબર 29ના 49 વર્ષીય ઉમેદવાર વંદના ભીમરાવ સાળુંકેએ પોતાના ચૂંટણી સોગંદનામામાં સ્વીકાર્યું છે કે તેમની સામે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ બે ગુના નોંધાયા હતા. આ કેસોમાં નામદાર કોર્ટે તેમને કલમ 65-એ, એ હેઠળ તકસીરવાર ઠેરવીને વર્ષ 2023 અને 2026માં સજા ફટકારી હતી. કોર્ટે તેમને 'કોર્ટ ઉઠતા સુધીની જેલ' અને કુલ 200 રૂપિયાનો દંડ કર્યો હતો. નોંધનીય છે કે, ઉમેદવારે આ સજા સામે કોઈ ઉચ્ચ અદાલતમાં અપીલ કરી નથી, જે તેમની સામેના ગુનાની પુષ્ટિ કરે છે. વિપક્ષના આકરા પ્રહાર અને જનતામાં ગણગણાટઆ ઘટસ્ફોટ બાદ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર પ્રહારો તેજ કર્યા છે. ભાજપ નેતા વિનોદ જૈને આક્ષેપ કર્યો છે કે એક તરફ કોંગ્રેસ રાજ્યમાં દારૂબંધીના કડક અમલની માંગ કરે છે અને બીજી તરફ દારૂના કેસમાં દોષિત ઠરેલા વ્યક્તિને જનપ્રતિનિધિ બનાવવા માંગે છે. અલ્થાન અને બમરોલી વિસ્તારના મતદારોમાં પણ કોંગ્રેસની કથની અને કરણી વચ્ચેના તફાવતને લઈ ભારે ચર્ચા જાગી છે. કોંગ્રેસનો બચાવ અને અનભિજ્ઞતાવિવાદ વધતા કોંગ્રેસના નેતા વિપુલભાઈએ ઉમેદવારનો બચાવ કરતા જણાવ્યું હતું કે, વંદનાબેન એક NGO ચલાવે છે અને જાણીતા સામાજિક કાર્યકર છે. તેમણે ભાજપ પર છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો, પરંતુ જ્યારે તેમને ઉમેદવારના પ્રોહિબિશન કેસોમાં મળેલી સજા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આ બાબતે કોઈ જાણકારી ન હોવાનું જણાવી મૌન સેવ્યું હતું.
સુરેન્દ્રનગરમાં નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ ટ્રસ્ટ દ્વારા 5 એપ્રિલે 56 વિધવા મહિલાઓ માટે ધાર્મિક દર્શનયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા યુવાન વયે વૈધવ્યનો ભોગ બનેલી વિવિધ જ્ઞાતિની મહિલાઓ માટે હતી. આ દર્શનયાત્રા સુરેન્દ્રનગરથી શરૂ થઈ હતી અને સોમનાથ, તુલસીશ્યામ, પ્રાચીપીપળો, સતાધારધામ (રાત્રી રોકાણ), બિલ્ખા, ચેલૈયાકુંવર ટેમ્પલ, જૂનાગઢ, ભવનાથ, પરબવાવ, કાગવડ, વીરપુરધામ અને સાયલામાં આવેલી લાલજીમહારાજની જગ્યા જેવા ધાર્મિક સ્થળોને આવરી લીધા હતા. યાત્રા સુરેન્દ્રનગર પરત ફરી હતી. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય વિધવા મહિલાઓના દુઃખને દૂર કરી તેમને ધર્મમય બનાવવાનો અને ભગવાન પ્રત્યેની આસ્થા વધુ દ્રઢ કરવાનો હતો. આ સમગ્ર આયોજન વિવિધ દાતાઓના આર્થિક સહયોગથી શક્ય બન્યું હતું. આ દર્શનયાત્રાને સફળ બનાવવા માટે સંસ્થાપક રાજેશ રાવલ, આનંદ રાવલ અને નિર્ધાર ટીમના સભ્યોએ સઘન પ્રયાસો કર્યા હતા. આ પ્રવૃત્તિ દ્વારા નિર્ધાર ટ્રસ્ટે વિધવા કલ્યાણના ક્ષેત્રમાં સમાજને એક વિશેષ સેવા પૂરી પાડી છે.
વર્ષ 2017માં રાજકોટ પોલીસે કેતન દવેની ઓફિસમાંથી 57.60 લાખની 2000ના દરની બનાવટી નોટો પકડી હતી. ત્યારબાદ સ્કોડા ગાડીમાંથી રૂપિયા 4 કરોડની બીજી 2000ના દરની બનાવટી નોટો પકડી હતી. જે અંગેનો કેસ પાછળથી NIA દ્વારા ઈન્વેસ્ટીગેટ કરવામાં આવ્યો હતો. જે અંગેનો કેસ NIA કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો છે. બચાવ પક્ષે સિનિયર એડવોકેટ રાજેશ મોદીએ દલીલો કરી હતી. ફરિયાદી નીતિનભાઈ બાવાભાઈની ફરિયાદને આધારે રાજકોટ પોલીસે આરોપી કેતન દવેની ઓફિસમાંથી 57.60 લાખની 2000ના દરની બનાવટી ચલણી નોટો ઝડપી પાડી હતી. ત્યારબાદ વર્ષ 2017માં જ સ્કોડા ગાડીમાંથી બીજી 4 કરોડ રૂપિયાની 2000ના દરની બનાવટી ચલણી નોટો ઝડપી પાડી હતી. આ કેસની તપાસ NIAને ટ્રાન્સફર કરવામાં આવી હતી. સાહેદોની જુબાનીમાં મટીરીયલ વિરોધાભાસીજેથી કેસ અમદાવાદની NIA સ્પેશિયલ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવેલો. ફરિયાદ પક્ષે કુલ 46 સાક્ષી તપાસ્યા જ્યારે બચાવ પક્ષે 6 સાક્ષી તપાસ્યા. બચાવ પક્ષની મૂળભૂત રજૂઆત એવી હતી કે મહત્વના સાક્ષીઓ તપાસ્યા નથી. તથા સાહેદોની જુબાનીમાં મટીરીયલ વિરોધાભાસી છે. તમામ પંચો કરિયાદીના પરિચિત છે. જેથી તેઓ ઇન્ટરેસ્ટેડ છે. બચાવ પક્ષની રજૂઆતો ધ્યાને લઈ NIA સ્પેશિયલ કોર્ટે તમામ 6 આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
ગાંધીનગર જિલ્લા પંચાયત તેમજ કલોલ, માણસા અને દહેગામ તાલુકા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીનો જંગ હવે રસપ્રદ વળાંક પર આવી પહોંચ્યો છે. ઉમેદવારી ફોર્મની ચકાસણીના અંતે જે ચિત્ર સામે આવ્યું છે તે કોંગ્રેસ માટે આંચકાજનક અને શાસક પક્ષ ભાજપ માટે વોક ઓવર એટલે કે આગળ વધો જેવી સ્થિતિ સર્જનારું સાબિત થયું છે. ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી ચકાસણીમાં કુલ 177 જેટલા ફોર્મ રદ થતા અનેક દિગ્ગજોના રાજકીય સપનાઓ રોળાયા છે. મેદાનમાં માત્ર 476 ઉમેદવારો બાકી રહ્યા છેગાંધીનગર જિલ્લાની કુલ 176 બેઠકો માટે ભરાયેલા 653 ફોર્મમાંથી 177 ફોર્મ ટેકનિકલ ખામીઓ, મેન્ડેટના અભાવ કે અયોગ્યતાને કારણે રદ કરવામાં આવ્યા છે. હવે મેદાનમાં માત્ર 476 ઉમેદવારો બાકી રહ્યા છે. આ આંકડાકીય ફેરફાર આગામી પરિણામો પર સીધી અસર પાડનારું રાજકીય પરિબળ છે. ખાસ કરીને મહત્વની બેઠકો પર કોંગ્રેસના મુખ્ય ઉમેદવારોના ફોર્મ રદ થતા વિપક્ષી છાવણીમાં સોપો પડી ગયો છે. ઉમેદવારની ખરાઈ કર્યા વગર જ ટિકિટ આપતા પક્ષની શિસ્ત પર સવાલો ઉઠ્યાકારણ કે, ગાંધીનગર જિલ્લા પંચાયતની પ્રતિષ્ઠાભરી ગણાતી માણસાની સમૌ બેઠક પર કોંગ્રેસના યશવંતભાઈ ચૌધરીનું ફોર્મ ત્રણ સંતાન હોવાના કારણે રદ થયું છે. આમ, જિલ્લા નેતૃત્વ પર આંધળો વિશ્વાસ રાખી કોંગ્રેસ પક્ષે ઉમેદવારની ખરાઈ કર્યા વગર જ ટિકિટ આપતા પક્ષની શિસ્ત પર સવાલો ઉઠ્યા છે. અહીં કોંગ્રેસના ઉમેદવારને ત્રણ સંતાનો હોવાનું સાબિત થતા તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. આમ ગાંધીનગર કોંગ્રેસ હજી પણ આંતરિક ખેંચતાણમાં વ્યસ્ત રહી ચૂંટણી નિયમોના પાઠ ભણી નહીં હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે. ચરાડા-2 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના ટેકેદારે જાણે અજાણે કરેલી ભૂલ પક્ષને ભારે પડીગુજરાતના સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કાયદા મુજબ બેથી વધુ સંતાનો ધરાવતા વ્યક્તિ ચૂંટણી લડી શકતા નથી. આ કાયદાકીય જોગવાઈએ કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડ્યું છે. હવે આ બેઠક પર ભાજપ, આમ આદમી પાર્ટી અને અપક્ષો વચ્ચે જ સ્પર્ધા બાકી રહી છે. જેનો સીધો ફાયદો ભાજપને મળવાની શક્યતા રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. એ જ રીતે માણસા તાલુકા પંચાયતની ચરાડા-2 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના ટેકેદારે જાણે અજાણે કરેલી ભૂલ પક્ષને ભારે પડી છે. આ બેઠક માટે ટેકેદાર તરીકે સહી કરનાર મતદાર અન્ય વિભાગના હોવાનું સામે આવતા ફોર્મ અમાન્ય ઠર્યું છે. આ નાટ્યાત્મક ઘટના સ્થાનિક કોંગ્રેસ પક્ષના આંતરિક સંકલન અને ફોર્મ ભરવાની ગંભીરતા પર સવાલો ઉભા કરે છે. કોંગ્રેસ ચૂંટણી જંગ શરૂ થાય તે પહેલા જ અનેક મોરચે પાછળ ધકેલાઈ ગઈબીજી તરફ દહેગામની ખાનપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અગાઉના એક ગુનામાં કોર્ટ દ્વારા સજા પામેલા હોવાથી તેમની ઉમેદવારી રદ થઈ છે. એક તરફ ભાજપ મજબૂત સંગઠન સાથે મેદાનમાં છે ત્યારે કોંગ્રેસના મજબૂત ગણાતા ઉમેદવારોના ફોર્મ રદ થવા તે પક્ષ માટે નામુશી સમાન છે. અનેક બેઠકો પર હવે મુખ્ય લડત ભાજપ અને અન્ય પક્ષો વચ્ચે મર્યાદિત બની ગઈ છે. જોકે, ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ બાદ ખરું ચિત્ર સ્પષ્ટ થશે પરંતુ, હાલના તબક્કે તો કોંગ્રેસ ચૂંટણી જંગ શરૂ થાય તે પહેલા જ અનેક મોરચે પાછળ ધકેલાઈ ગઈ હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે. ચૂંટણી તંત્રની આ કડક કાર્યવાહીએ તમામ પક્ષોને કાયદાકીય સજ્જતાના પાઠ ભણાવ્યા હોવાનું કહી શકાય. ઉમેદવારી પત્રો ખેંચવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ છે. ભાજપ દ્વારા હવે એ બેઠકો પર જોર લગાવવામાં આવી રહ્યું છે જ્યાં માત્ર બે જ ઉમેદવારો સામસામે છે. આવતીકાલ સાંજ સુધીમાં ખબર પડશે કે હજુ કેટલી બેઠકો બિનહરીફ થાય છે. હવે ગાંધીનગર જિલ્લા પંચાયતની 28 બેઠકો માટે હવે કુલ 84 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. તમામ 28 બેઠકો પર ભાજપના ઉમેદવારો મેદાનમાં છે જ્યારે કોંગ્રેસના 27 ઉમેદવારો રહ્યા છે. આમ આદમી પાર્ટીના 17 ઉમેદવારો મેદાનમાં છે.
ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ ફેમિલી કોર્ટનો આદેશને યથાવત રાખ્યો છે અને જણાવ્યું છે કે, છૂટાછેડા લીધેલી પત્ની જોડે LLBની ડિગ્રી હોવા માત્રથી તેને ભરણપોષણની ચૂકવણી કરવાનો ઇન્કાર કરી શકાય નહીં. આ સાથે જ હાઇકોર્ટે પતિને દર મહિને પત્નીને 10 હજાર રૂપિયા ભરણપોષણ પેટે ચૂકવવાનો ફેમિલી કોર્ટનો આદેશને માન્ય ઠેરવ્યો છે. વધુમાં આ મામલે હાઇકોર્ટે પત્નીની રિવિઝન અરજી રદ કરી હતી, જેમાં તેણે મહિને 10 હજારના ભરણપોષણની રકમને વધારીને 25 હજાર કરવાની દાદ માંગી હતી. પતિ દારૂની લતે ચઢ્યો હતો અને પત્ની સાથે ખરાબ વર્તન કરતોઆ કેસને વિગતે જોતા પતિ અને પત્નીના લગ્ન વર્ષ 2008માં થયા હતા. પત્નીનો એવા દાવો હતો કે પતિ ભારત અને વિદેશમાં સિંગિંગ અને મ્યુઝિકલ ઇવેન્ટ્સનું આયોજન કરતો હતો. જેના થકી તેને ખૂબ નોંધપાત્ર આવક થતી હતી. પરંતુ પાછળથી તે દારૂની લતે ચઢ્યો હતો અને પત્ની સાથે ખૂબ ખરાબ વર્તન કરતો હતો. લગ્નના છ મહિના બાદ તેનો પતિ અને સાસરિયા તેની સાથે ખરાબ વર્તન કરવા લાગ્યા હતા. તેને માનિસક અને શારીરિક ત્રાસ આપતાં હતા અને દહેજની માંગ પણ કરવા લાગ્યા હતા. વર્ષ 2016માં બંને પક્ષોએ છૂટાછેડા લીધા હતાત્યારબાદ વર્ષ 2013 ડિસેમ્બરથી પતિ અને પત્ની અલગ અલગ રહેવા લાગ્યા હતા. પરંતુ તેમ છતાંય પત્ની ઉપર માનસિક અને શારીરિક અત્યાચાર ગુજારવામાં આવતો હતો. જેના કારણે પત્ની પિયરે આવી ગઇ હતી. વર્ષ 2016માં બંને પક્ષોએ છૂટાછેડા લીધા હતા અને પતિએ બીજા લગ્ન કરી લીધા હતા. ફેમિલી કોર્ટે મહિને 10 હજારના ભરણપોષણનો હુકમ કર્યો વર્ષ 2016માં પત્નીએ ભરપણપોષણ મેળવવા માટે કાયદેસરની અરજી કરી હતી. જેમાં દર મહિને 2 હજાર રૂપિયા ચૂકવવાનો વચગાળાનો આદેશ કરવામાં આવ્યો હતો. જેમાં પાછળથી ફેમિલી કોર્ટે મહિને 10 હજાર રૂપિયાના ભરણપોષણનો હુકમ કર્યો હતો. ભરણપોષણની રકમ વધારી આપવાની માગ સાથે પત્નીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં એવી દલીલ કરવામાં આવી હતી કે 10 હજાર રૂપિયાની રકમ ખૂબ ઓછી છે. ફેમિલી કોર્ટે તેની તબીબી જરૂરિયાતો અને પતિની નોંધપાત્ર આવકનું મૂલ્યાંકન યોગ્ય રીતે કર્યું નથી. તેનો પતિ મ્યુઝિકલ શો કરીને સારું કમાય છે. બીજી તરફ પત્ની વકીલાતનો વ્યવસાય કરતી હતી અને પતિ રોજના 200થી 250 રૂપિયા જ કમાતો હોવાની દલીલ પતિએ કરી હતી. પત્નીને મહિને 10 હજાર રૂપિયાનું ભરણપોષણ યોગ્ય: હાઈકર્ટજો કે આ કેસમાં બંને પક્ષોની રજૂઆતોના અંતે હાઇકોર્ટે નોંધ્યું હતું કે, પત્નીને મહિને 10 હજાર રૂપિયાનું ભરણપોષણ યોગ્ય છે. પત્ની LL.Bની ડિગ્રી ધરાવે છે, માત્ર એ ભરણપોષણનો ઇનકાર કરવાનો આધાર બની શકે નહીં. આ મુદ્દો ફેમિલી કોર્ટે પણ ધ્યાને લીધો છે. પતિની મહિનાની આવક 33 હજાર રૂપિયા જેટલી હોવાનું દસ્તાવેજી પુરાવા દર્શાવે છે. આ સંજોગોમાં કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંત મુજબ પણ પતિ તેના બાળક અને પત્નીની જવાબદારીમાંથી છટકી શકે નહીં. તેણે તેની કાયદેસરની પત્ની અને બાળકોની જવાબદારી ઉઠાવવી જ પડે. હાઈકર્ટે પત્નીની રિવિઝન અરજી રદ કરી હતીહાઇકોર્ટે પત્નીની ભરણપોષણની રકમ વધારી આપવા માટેની રિવિઝન અરજી રદ કરી હતી. સાથે જ એમ પણ નોંધ્યું હતું કે જો ભવિષ્યમાં સંજોગો બદલાય અને ભરણપોષણની રકમમાં સુધારાની જરૂર જણાય તો પત્નીને કાયદેસરની અરજી કરવાની છૂટ છે.
સુરતમાં શ્રી સુરત સથવારા કડીયા સમસ્ત પંચ અને શ્રી વિશ્વકર્મા યુવા પ્રગતિ મંડળના સહયોગથી નવચંડી યજ્ઞ અને ચામુંડા માતાજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમ સંવત ૨૦૮૨ ચૈત્ર વદ દશમ, રવિવાર, ૧૨ એપ્રિલ ૨૦૨૬ ના રોજ શ્રી વિશ્વકર્મા ભવન, નાની કડીયા શેરી, સૈયદપુરા, સુરત ખાતે સંપન્ન થયો હતો. આ આયોજન અંતર્ગત ચામુંડા માતાજીની દિવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા સથવારા કડીયા સમાજની વાડીથી શરૂ થઈ પારસીવાડ, મોટી કડીયા શેરી, સિંદુરિયા ગણેશ મંદિર અને વાવશેરી માર્ગે વિહાર કરીને શ્રી વિશ્વકર્મા ભવન પરત ફરી હતી. માર્ગમાં ભક્તો દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લીધો હતો. શોભાયાત્રા બાદ નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. યજ્ઞમાં પચ્ચીસ યુગલોએ પૂજન-અર્ચન કર્યું હતું. આ ઉપરાંત, સત્તાવીસ કુંવારીકા કન્યાઓનું પૂજન કરીને તેમને ભેટ અર્પણ કરવામાં આવી હતી. આ યજ્ઞનો મુખ્ય હેતુ સમાજના સર્વે લોકોમાં સનાતન ધર્મનું પાલન, બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન અને સમાજમાં એકતા તથા સહકારની ભાવના મજબૂત કરવાનો છે. છેલ્લા છ વર્ષથી સતત નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આયોજક ચેતન પથ્થરવાલાએ આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સમાજજનો, દાતાઓ, સેવાભાવી કાર્યકરો અને ઉપસ્થિત ભક્તજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
સુરત શહેરમાં ઉનાળાના પ્રારંભે જ ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે ત્યારે આ ગરમીથી રાહત મેળવવા નદીમાં નહાવા પડવાનું એક યુવકને ભારે પડ્યું છે. ડીંડોલીનો 31 વર્ષીય યુવક મિત્રો સાથે ડભોલી બ્રિજ નીચે તાપી નદીના કિનારે ફરવા ગયો હતો. જ્યાં નહાવા પડતા તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ ઘટનાના બીજા દિવસે આજે તેનો મૃતદેહ મળી આવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મિત્રો સાથે ફરવા ગયો ને કાળ ભેટી ગયોમળતી માહિતી મુજબ, શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલી અમીધારા સોસાયટીમાં 31 વર્ષીય વિકાસ રાજુભાઈ નાયકા પરિવાર સાથે રહેતો હતો. વિકાસ ગૌરવ પથ રોડ પર આવેલા એક મોટર્સ વર્કશોપમાં નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. રવિવારે ૧૨મી એપ્રિલના રોજ નોકરીમાં રજા હોવાથી વિકાસ તેના મિત્રો સાથે ડભોલી બ્રિજ નીચે તાપી નદીના કિનારે ફરવા માટે ગયો હતો. 'બહુ ગરમી લાગે છે' કહી નદીમાં છલાંગ લગાવીબપોરના સમયે સખત ગરમી હોવાથી વિકાસે તેના મિત્રોને નહાવા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 'બહુ ગરમી લાગે છે, ચાલને થોડીવાર નદીમાં નહાઈ લઈએ' તેમ કહી વિકાસે તાપી નદીના પાણીમાં કૂદકો માર્યો હતો. જોકે, પાણીના પ્રવાહ અને ઊંડાઈનો અંદાજ ન રહેતા તે જોતજોતામાં મિત્રોની નજર સામે જ પાણીમાં ડૂબવા લાગ્યો હતો. મિત્રોએ બૂમાબૂમ કરી મૂકી હતી, પરંતુ વિકાસ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ફાયર બ્રિગેડે બીજા દિવસે મૃતદેહ બહાર કાઢ્યોઘટનાની જાણ થતા જ ફાયર ફાઈટરો અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. રવિવારે મોડે સુધી શોધખોળ કરવા છતાં વિકાસનો કોઈ પત્તો લાગ્યો નહોતો. દરમિયાન, આજે સોમવારે સવારે ફરી શોધખોળ હાથ ધરતા જે જગ્યાએ વિકાસ ડૂબ્યો હતો, તે જ સ્થળ નજીકથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાયરના જવાનોએ મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. પરિવારનો આર્થિક આધાર છીનવાયોવિકાસ મોટર્સ ગેરેજમાં કામ કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવવામાં મદદ કરતો હતો. જુવાનજોધ દીકરાના મોતના સમાચાર મળતા જ અમીધારા સોસાયટી અને તેના મિત્ર વર્તુળમાં સ્તબ્ધતા છવાઈ ગઈ છે. સિંગણપોર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી છે.
ગુજરાત હાઇકોર્ટમાં સાણંદની 19 વર્ષીય દુષ્કર્મ પીડિતા યુવતીએ પોતાના 21 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી કરી હતી. હાઇકોર્ટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના ગાયનેકોલોજી વિભાગના વડા અને ડોક્ટરોની પેનલને તેણીની તપાસ કરવા અને ગર્ભપાત કરવા માટેના જોખમી પરિબળો અંગે તેમનો અભિપ્રાય આપવા નિર્દેશ આપ્યા હતા. યુવતીને મેડિકલ રિપોર્ટના આધારે ગર્ભપાતની મંજૂરીજેના રિપોર્ટ મુજબ યુવતીને 21 સપ્તાહ અને 6 દિવસનો ગર્ભ છે. મેડિકલ રીતે તેનો ગર્ભપાત શક્ય છે. ગુજરાત હાઇકોર્ટે 13 માર્ચના રોજ યુવતીને મેડિકલ રિપોર્ટના આધારે ગર્ભપાતની મંજૂરી આપી છે. ગર્ભપાત કરતા પહેલા તેની સહમતિ લેવામાં આવશે. તેમાં રહેલ જોખમો વિશે તેને જણાવવામાં આવશે. તેના ગર્ભના DNA સેમ્પલ તપાસ અધિકારીને સોંપવામાં આવશે. પીડિતાની અગાઉ 4 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર કરાઈ હતીજો બાળક જીવિત જન્મે અને યુવતી તેને રાખવાના માંગે તો જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અગાઉ યુવતીએ ફરિયાદ કરી હતી કે હોસ્પિટલ તેને દાખલ કરી રહી નથી. સાણંદની આ 19 વર્ષીય દુષ્કર્મ પીડિતાની અગાઉ આ જ હોસ્પિટલમાં ચાર દિવસ સુધી સારવાર કરવામાં આવી હતી. જ્યારે તેણે ડોક્ટરોને તેનો 21 અઠવાડિયાનો ગર્ભ ગર્ભપાત કરવા વિનંતી કરી, ત્યારે હોસ્પિટલ સત્તાધીશોએ તેને સક્ષમ કોર્ટનો ઓર્ડર લાવવા જણાવ્યું હતું. ગર્ભપાત કરવાની માંગ કરતી અરજી હાઈકોર્ટમાં દાખલ કરી હતીત્યારબાદ તેણીને રજા આપી દેવામાં આવી હતી અને તેણે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટની જોગવાઈઓ હેઠળ ગર્ભપાત કરાવવા માટે હોસ્પિટલ સત્તાધીશોને નિર્દેશ આપવાની માંગ કરતી અરજી હાઈકોર્ટમાં દાખલ કરી હતી. જ્યારે આ અરજી સુનાવણી માટે આવી ત્યારે અરજદારના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે પીડિતા હોસ્પિટલમાં છે, પરંતુ હોસ્પિટલ સત્તાધીશો તેને દાખલ કરવાનો ઇનકાર કરી રહ્યા છે. તેને પેટમાં દુ:ખાવો થઈ રહ્યો હતો. ત્રણ વર્ષમાં 25 સગીરાએ ગર્ભપાતની મંજૂરી
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં જન્મદિવસની ઉજવણી દરમિયાન યોજાયેલી દારૂની મહેફિલ પર પોલીસે ત્રાટકીને 10 લોકોની ધરપકડ કરી છે. શ્રીનંદનગર વિ-1ના એફ બ્લોકમાં ભાડેથી રહેતી નાગાલેન્ડની યુવતી કુંધાલી તોસીવીના ઘરે આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેફિલ દરમિયાન વધુ પડતો અવાજ અને બૂમાબૂમ થતી હોવાથી પાડોશીઓએ પોલીસ કંટ્રોલરૂમને જાણ કરી હતી, જેના આધારે વેજલપુર પોલીસે દરોડો પાડ્યો હતો. દારૂની 3 બોટલ અને બિયરના 4 ટીન કબજે કર્યાપોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે યુવક-યુવતીઓ નશાની હાલતમાં ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી દારૂની 3 બોટલ અને બિયરના 4 ટીન કબજે કર્યા હતા. પકડાયેલા શખ્સોમાં રાજસ્થાનના મોહમદ ઝુબેર આલમ, મોહમદ સઝાદ અબ્બાસી, સાહીલ અલી, મોહમદ યુનુસ સબાંગ તથા નાગાલેન્ડ, આસામ અને થલતેજ વિસ્તારના અન્ય યુવક-યુવતીઓનો સમાવેશ થાય છે. પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, કુંધાલીનો જન્મદિવસ હોવાથી તેણે સેટેલાઇટ વિસ્તારના પિયુષ નામના વ્યક્તિ પાસેથી દારૂનો જથ્થો મંગાવ્યો હતો. પકડાયેલા તમામ લોકો સ્પા અને સલૂનના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને આ વિસ્તારમાં ભાડેથી રહે છે. હાલમાં પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત પોલીસ કમિશનર દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે. છેલ્લા 11 વર્ષથી પોલીસને થાપ આપી રહેલા અને જેની પર રાજસ્થાન પોલીસ દ્વારા ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું એવા આરોપી જહાંગીર મલેકને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની મોબાઇલ ચોરી સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આરોપી જહાંગીર ઇબ્રાહીમ હસન મલેક (ઉંમર વર્ષ 52) ને સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા ઇન્ડોર સ્ટેડિયમ પાસેથી દબોચી લેવામાં આવ્યો છે. ભીલવાડા પોલીસે 5 હજારનું ઈનામ જાહેર કર્યું હતુંઆરોપી જહાંગીર મલેકનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો છે, જેમાં વર્ષ 2015માં રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના ગુલાબપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ટોયોટા ઇટિયોસ ગાડીમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. આ ગુનામાં જહાંગીર મલેકની સંડોવણી ખુલતા તે ફરાર થઈ ગયો હતો. આ કેસમાં ભીલવાડા પોલીસ અધિક્ષકે તેના પર રૂપિયા 5,000નું ઇનામ જાહેર કર્યું હતું. આ ધરપકડથી બચવા માટે આરોપી પોતાનું મૂળ વતન ખરોડ (અંકલેશ્વર) છોડીને શરૂઆતમાં મહારાષ્ટ્રના થાણે ખાતે રહેવા જતો રહ્યો હતો અને ત્યારબાદ વડોદરાના તાંદળજા વિસ્તારમાં છુપાઇને રહેતો હતો. આ સિવાય આરોપીએ સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં વડીલોપાર્જિત ખેતીની જમીનના બોગસ દસ્તાવેજો બનાવી, સરકારી રેકોર્ડ પર ચેડાં કરી આર્થિક લાભ મેળવવાનો ગુનો પણ આચરેલો છે. આ કેસમાં તેની સામે સુરત ગ્રામ્યમાં ગુનો નોંધાયેલો છે.
પવિત્ર અમરનાથ યાત્રાએ જવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે. યાત્રીઓને એક જ સ્થળે તમામ સુવિધાઓ મળી રહે તે માટે તંત્ર દ્વારા અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સ્થળ અને સમયની વિગત જરૂરી દસ્તાવેજોની યાદીયાત્રાળુઓએ સર્ટિફિકેટ મેળવવા માટે નીચે મુજબના સાધનિક કાગળો સાથે રૂબરૂ હાજર રહેવું પડશે. તબીબી સુવિધા અને સ્ટાફયાત્રાળુઓની સુવિધા માટે ખાસ ટીમ તૈનાત કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. જિલ્લા કોંગ્રેસના મહામંત્રી સહિત પાટડી તાલુકાના અનેક હોદ્દેદારો અને કાર્યકરો ભાજપમાં જોડાયા છે. આ ઘટના સુરેન્દ્રનગરના નમો કમલમ કાર્યાલય ખાતે બની હતી. ભાજપમાં જોડાનારાઓમાં જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અને જિલ્લા પંચાયતની સવલાસ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ રબારી મુખ્ય છે. તેમની સાથે પાટડી તાલુકા પંચાયતના બે કોંગ્રેસ ઉમેદવારો અને પાટડી નગરપાલિકાના આઠ કોંગ્રેસ સદસ્યો પણ ભાજપમાં શામેલ થયા છે. ભાજપમાં જોડાયેલા નેતાઓએ જણાવ્યું કે, તેઓ વર્ષોથી કોંગ્રેસમાં રહીને અનેક લોકપ્રશ્નો અને સમસ્યાઓ માટે સંઘર્ષ કરતા રહ્યા હતા, પરંતુ પક્ષ દ્વારા તેમની નોંધ લેવામાં આવી ન હતી. આ કારણોસર તેમણે કોંગ્રેસનો સાથ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પાટડી તાલુકાના કોંગ્રેસના આટલા મોટા આગેવાનો અને ઉમેદવારો ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. કોંગ્રેસના આંતરિક વિખવાદના કારણે વર્ષો જૂના આગેવાનો પક્ષ છોડી રહ્યા હોવાથી પક્ષને મોટો ફટકો પડ્યો છે અને તેની અસર ચૂંટણી પર જોવા મળી શકે છે. આ ઘટના અંગે ભાજપ જિલ્લા પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા અને કોંગ્રેસ મહામંત્રી તથા સવલાસ જિલ્લા પંચાયત ઉમેદવાર વિક્રમભાઈ રબારીએ નિવેદનો આપ્યા હતા.
શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી, ડ્રેનેજ, જેવી પાયાની સુવિધા તેમજ વીજળી, ટેલિકોમ, ગેસ સહિત કોઈપણ યુટિલિટી સર્વિસીસને નુકસાન ન થાય તે પ્રકારે કાળજી રાખીને કામગીરી કરવા અને જો AMCની યુટિલિટી સર્વિસને નુકસાન થાય તો તેને તાકીદે કોન્ટ્રાકટર દ્વારા પુનઃ સ્થાપિત કરવાની રહેશે. પાણીની લાઈન/ડ્રેનેજ લાઈનના કનેકશન રીપેરીંગની કામગીરી 12 કલાકમાં પૂર્ણ કરવાની રહેશે. જો આ કામગીરીમાં વિલંબ થાય તો પેનલ્ટી કરવામાં આવશે. આ હેતુસર ટેન્ડરમાં શરતોનો સમાવેશ કરવા સૂચના આપવામાં આવી છે. બંછાનિધિ પાનીએ એક સર્ક્યુલર જાહેર કર્યોAMC કમિશનર બંછાનિધિ પાનીએ શહેરમાં રોડ પાણી અને ડ્રેનેજ લાઈન અને અન્ય લાઈનોને નુકસાન ન થાય તેને લઈને એક સર્ક્યુલર જાહેર કર્યો છે જેમાં પાણી, ડ્રેનેજ સહિતની યુટિલિટી સર્વિસીસને નુકસાન પહોંચાડરના કોન્ટ્રાક્ટર કે એન્જસી પાસેથી રીઈન્સ્ટેટનો તમામ ખર્ચ વસૂલવાનો રહેશે તેમજ AMC સિવાયની યુટિલિટી સર્વિસીસને નુકસાન થાય તેવા સંજોગોમાં સંબંધિત સર્વિસ એજન્સી સાથે સંકલન કરીને પુનઃ સ્થાપિત કરવાની કામગીરીમાં કોન્ટ્રાક્ટર/એજન્સીએ સહયોગ આપવાનો રહેશે. તમામ વિભાગમાં પ્રાથમિક સુવિધાના તેમજ વિવિધ કામોના ટેન્ડર તૈયાર કરતી વખતે AMCની યુટિલિટી સર્વિસને થયેલા નુકસાનને કોન્ટ્રાકટર દ્વારા તાકીદે પુનઃ સ્થાપિત કરવા અંગેના ક્લોઝનો સમાવેશ કરવાનો રહેશે . કોન્ટ્રાકટર, એજન્સી દ્વારા AMCની યુટિલિટી સર્વિસને નુકસાન થાયકોઈપણ કામગીરી શરૂ કરતાં પહેલાં સંલગ્ન ઝોન/વોર્ડનાં અધિકારીને તથા યુટિલિટી સર્વિસ એજન્સીના પ્રતિનિધિ સાથે સંકલન કરી કામ કરવાના સ્થળ પર હયાત યુટિલિટીની જાણકારી મેળવવાની રહેશે. ચાલુ કામગીરી દરમિયાન કોન્ટ્રાકટર, એજન્સી દ્વારા AMCની યુટિલિટી સર્વિસને નુકસાન થાય તો તુરંત તે જ દિવસે સંલગ્ન વિભાગ સાથે સંકલન કરી સમય મર્યાદામાં તેને રીપેર કરી તેને મૂળ સ્થિતિમાં લાવવાની રહેશે તેમજ મૂળ સ્થિતિમાં કરવા બાબતે વિલંબ થાય અથવા કામગીરી કરવામાં ન આવે તેવા સંજોગોમાં અમલીકરણ વિભાગ દ્વારા અ.મ્યુ.કો.ની યુટિલિટી સર્વિસને નુકસાન કરનાર કોન્ટ્રાકટર/એજન્સી/ટેન્ડરરના ખર્ચે અને જોખમે અન્ય કોન્ટ્રાકટર/એજન્સી/ટેન્ડરર પાસે તાકીદે રીઇન્સ્ટેટમેન્ટની કામગીરી કરવાની રહેશે અને રીઇન્સ્ટેટમેન્ટના ખર્ચ સંલગ્ન કામના કોન્ટ્રાકટર પાસેથી વસૂલવાની કાર્યવાહી કરવાની રહેશે.
ગુજરાત હાઇકોર્ટમાં બનાસકાંઠાથી સાયબાભાઈ ડુંગાસિયા દ્વારા જામીન અરજી મુકવામાં આવી હતી. જેમની સામે ડિસેમ્બર મહિનામાં અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ BNS અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ અંતર્ગત નોંધવામાં આવી હતી. તેઓ દાતાના પાડલીયા ગામના રહેવાસી છે. વન વિભાગના અધિકારીઓ પર 500 લોકોના હુમલોની ફરિયાદઆ કેસમાં વન વિભાગના અધિકારીઓ પોલીસ કર્મચારીઓ સાથે રોપા રોપવા માટે ખાડા ખોદવા ગયા હતા. જ્યાં 500 જેટલા આદિજાતિ લોકોએ તેમની ઉપર ફરિયાદમાં જણાવ્યા મુજબ ધારીયા, તીર, તલવાર, કુહાડી, લાકડી અને ધોકા જેવા સાધનો વડે હુમલો કર્યો હતો. જેમાં સરકારી વાહનોને નુકસાન પહોંચ્યું હતું, તેમજ અધિકારીઓને ઈજા થઈ હતી. ફરિયાદમાં સરકારી અધિકારી પાસેથી લૂંટ કરવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ અરજદારે ગામના લોકોને ઉશ્કેરવાનો આક્ષેપ કરવામાં આવેલ છે. શું પોલીસ ફાયરિંગ કરવાની મંજૂરી મેળવવા માંગતી હતી?આજે આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં વધુ સુનવણી યોજાઈ હતી. જેમાં હાઈકોર્ટના ગત આદેશ મુજબ વન વિભાગના અધિકારીઓ કોર્ટમાં હાજર રહ્યા હતા. હાઇકોર્ટે સરકારી વકીલને પ્રશ્ન કર્યો હતો કે વન વિભાગ છોડ વાવવા માટે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને સાથે કેમ લઈ ગયા હતા? શું પોલીસ આદિવાસીઓ ઉપર ફાયરિંગ કરવાની મંજૂરી મેળવવા માંગતી હતી? જે પણ પ્રશ્ન હતો તેને વહીવટી લેવલ ઉકેલ શોધવા પ્રયત્ન કેમ કરાયો નહોતો? જે જમીન ઉપર દાવો કરો છો તેના હક્ક માટે તમે શું કર્યું?અરજદારના વકીલે જણાવ્યું હતું કે, આ જંગલની જમીન છે. આ વિસ્તાર બાલારામ સેન્ચુરીમાં આવે છે. અહીં 172 આદિજાતિ લોકોએ ક્લેમ કર્યો છે, જેઓ અહીં ખેતી કરે છે. અહીં ફોરેસ્ટ એક્ટ લાગુ પડે છે. કોર્ટે તેમને પૂછ્યું હતું કે જે જમીન ઉપર તમે દાવો કરો છો તેના હક્ક માટે તમે શું કર્યું? અરજદારે જણાવ્યું હતું કે તેનો ક્લેમ કરવામાં આવ્યો છે અને સરકારના અનુમોદન માટે પેન્ડિંગ છે. પરંતુ તેમ છત્તા સરકારે આદિવાસીઓને ખેતી કરતા રોકવા ક્લેમ વાળી જમીન ઉપર રોપા રોપવાની કોશિશ કરી. એક વિધવા ઝૂંપડી બાંધીને આ જમીન ખેડતી હતીઅરજદારે વધુમાં જણાવ્યું હતું કે, આ મુદ્દો લોકસભામાં પણ ઉઠ્યો હતો. લોકસભામાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પ્રશ્ન કર્યો હતો કે જંગલની જમીન ઉપર આદિજાતિના કેટલા ક્લેમ આવ્યા છે? જેના જવાબમાં જાણવા મળ્યું હતું કે ગુજરાતમાંથી 10 હજાર ક્લેમ આવ્યા હતા. જેમાંના 7000 ક્લેમ મંજૂર કરાયા છે, જ્યારે 2869 ક્લેમ પેન્ડિંગ છે. જે જમીન ઉપર છોડ વાવવા તંત્ર આવ્યું હતું. ત્યાં એક વિધવા ઝૂંપડી બાંધીને આ જમીન ખેડતી હતી. તેઓને કાયદા મુજબ ખેતી કરવાનો અધિકાર છે, તમને ખસેડી શકાય નહીં. કોર્ટે આકરા વલણ સાથે અધિકારીઓને ઝાટક્યા હતાકોર્ટે સરકારી વકીલને પૂછ્યું હતું કે, અરજદારના વકીલ જે 172 ક્લેમની વાત કરી રહ્યા છે, તે પાડલીયા ગામના છે? જેનો જવાબ હકારમાં આવ્યો હતો. કોર્ટે આકરા વલણ સાથે અધિકારીઓને ઝાટક્યા હતા કે એક તરફ તમે ક્લેમ વાળી જમીન ઉપર છોડ વાવવા જાઓ છો અને સંસદને ગેરમાર્ગે દોરો છો કે અજાણતા આ ઘટના બની છે! કોણે આ જમીન ઉપર રોપા વાવવા હુકમ કર્યો હતો, જ્યારે તમે આદિજાતિઓ ઉપર પોલીસ ફરિયાદ કરી છે. આ અધિકારીઓને ઘરભેગા કરવા જોઈએસંસદને ગેરમાર્ગે દોરવા બદલ આ અધિકારીઓને ઘરભેગા કરવા જોઈએ. તમે આદિજાતિ વિસ્તારમાં જઈને રાજ્યની શક્તિ બતાવવા માંગતા હતા. જો પ્રશ્નો હતા તો ફોર્સ કેમ વાપરી? સિવિલ એડમિનિસ્ટ્રેશન સમક્ષ મુદ્દો કેમ ના મૂક્યો? એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની જરૂર કેમ પડી? ગોળી મારવા? આ બોર્ડર નહીં, તમારા નાગરિકો છે. સરકારી વકીલે કહ્યું હતું કે તેઓએ બે દિવસ પહેલા સમજાવ્યા આદિવાસીઓને સમજાવ્યા હતા. સંસદમાં કોણે જવાબ આપ્યો તે જણાવો?જો કે, કોર્ટે પ્રશ્ન પકડી રાખ્યો હતો કે ક્લેમ નક્કી કરતા પહેલા તમે કેમ છોડ વાવવા ગયા હતા? તેની જરૂર શું હતી? તમે ઘોડા આગળ ગાડું કેમ મૂક્યું? બંધારણીય કોર્ટ આંખો બંધ કરી શકે નહીં! સરકારી વકીલે કહ્યું હતું કે અરજદારે આદિવાસીઓને ઉશ્કેર્યા હતા, તેઓ બંધારણમાં અને વ્યવસ્થામાં માનતા નથી, તેઓ દેશને પોતાની માલિકીનો ગણાવે છે. RFO એ પણ તેઓને સમજાવવાની કોશિશ કરી હતી. તેઓ જંગલની બધી જમીન ઉપર હક્ક દાવો કરે છે. જો કે હાઇકોર્ટે કહ્યું હતું કે છોડ વાવવામાં આટલી ઉતાવળ શા માટે કરવામાં આવી? સંસદમાં કોણે જવાબ આપ્યો તે જણાવો? આ મુદ્દે વધુ સુનાવણી 16 એપ્રિલ નાખવામાં આવી છે.
વડોદરા શહેરમાં પનીર ઉત્પાદન કરતી એજન્સીઓમાં “એનાલોગ પનીર”ના વેચાણ અંગે તપાસ માટે વડોદરા શહેર SOG દ્વારા વડોદરા મહાનગર પાલિકાના ફૂડ એન્ડ સેફટી વિભાગ સાથે સંયુક્ત ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમરનાં માર્ગદર્શન હેઠળ શહેરમાં ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કાબૂમાં લેવા, “નશામુક્ત વડોદરા” અભિયાનને સફળ બનાવવા તેમજ નાગરિકોના આરોગ્યને ધ્યાને રાખી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાઓના આધારે એસ.ઓ.જી. પીઆઇ બી.ડી. જીતીયાના નેતૃત્વમાં વિવિધ ટીમો દ્વારા વડોદરા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન એસ.ઓ.જી.ના સ્ટાફ સાથે વડોદરા મહાનગર પાલિકાના ફૂડ એન્ડ સેફટી વિભાગના સિનિયર ફૂડ સેફટી ઓફિસર સહિતના અધિકારીઓ જોડાયા હતા. જેમાં સોમા તળાવ વિસ્તાર ખાતે ગિરિરાજ રેસિડન્સીમાં આવેલી શ્રી સાંઇનાથ મિલ્ક સપ્લાયર, સરદાર એસ્ટેટ વિસ્તારમાં આવેલી તાજ ડેરી તેમજ ગાયત્રી ફૂડ્સ પ્રોવેગન નામની પનીર ઉત્પાદન કરતી એજન્સીઓમાં તપાસ હાથ ધરી હતી. ચેકિંગ દરમિયાન પનીરના લેબલિંગ (મીડિયમ ફેટ, લો ફેટ વગેરે), દૂધની ખરીદી પ્રક્રિયા, ઉત્પાદન એકમની સ્વચ્છતા (હાઇજિનિક કન્ડિશન) તેમજ ડેરી એનાલોગ ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા કાચા માલની સઘન તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત એનાલોગ પનીરના વેચાણ બિલો તથા વેચાણ પેઢીઓની પણ ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન કોઈપણ એજન્સીમાં એનાલોગ પનીરનો ગેરઉલ્લેખ સાથે વેચાણ થતું હોવાનું સામે આવ્યું નથી. જોકે ફૂડ સેફટી વિભાગના અધિકારીઓ દ્વારા સંબંધિત એજન્સીઓને પનીરના પેકેજિંગ પર નિયમ મુજબ જરૂરી માહિતી દર્શાવવા સૂચનાઓ આપવામાં આવી છે.
પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ ભાજપને મોટી સફળતા મળી છે. વધુ પાંચ બેઠકો બિનહરીફ જાહેર થતાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. આ સાથે મનપાની કુલ 9 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. ફોર્મ ચકાસણી દરમિયાન વોર્ડ નંબર 10 માં બે બેઠકો અને વોર્ડ નંબર 11 માં ત્રણ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. અગાઉ વોર્ડ નંબર 12 માં ભાજપના ઉમેદવારો સામે એક પણ ફોર્મ ભરાયું ન હોવાથી ચાર બેઠકો બિનહરીફ થઈ હતી.ચૂંટણી પ્રચાર અને ફોર્મ પરત ખેંચવાના દિવસો બાકી છે તે પહેલા જ ભાજપે મનપાની કુલ 9 બેઠકો પર વિજય મેળવી લીધો છે. વોર્ડ નંબર 10 માં હેતલબેન સાણથરા અને દક્ષાબેન માવણી, જ્યારે વોર્ડ નંબર 11 માં ક્રિષ્નાબેન અનિલભાઈ કોટિયા, દેવીબેન દેવા કોડીયાતર અને વનરાજ પરબતભાઈ કેશવાલા બિનહરીફ ચૂંટાયા છે. આ વિજય બદલ કાર્યકરોએ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી અને શુભેચ્છાઓ પાઠવી ભવ્ય વિજયના વધામણાં કર્યા હતા.
રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટી (BJP) ના બે મહિલા ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. ચૂંટણી અધિકારી દ્વારા ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ કુલ 126 ફોર્મમાંથી 84 ફોર્મને માન્ય રાખવામાં આવ્યા છે, જ્યારે 42 ફોર્મ રદ કરાયા છે. વોર્ડ નંબર 4 માંથી ઓબીસી કેટેગરીના ભાજપના મહિલા ઉમેદવાર નિધિ આદિત્ય પંચાલ અને વોર્ડ નંબર 6 માંથી ઓબીસી કેટેગરીના ભાજપના મહિલા ઉમેદવાર શિવાની રાહુલ માછી સામે કોઈ અન્ય ઉમેદવારે ફોર્મ ભર્યું ન હતું. આથી, તેઓ ચૂંટણી પહેલા જ બિનહરીફ વિજેતા જાહેર થયા છે. રાજપીપળા નગરપાલિકાની કુલ 28 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ સહિત કુલ 126 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા. નર્મદા જિલ્લાની એકમાત્ર રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. પક્ષવાર ફોર્મની વિગતો જોઈએ તો, ભાજપમાંથી સૌથી વધુ 64 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 28 માન્ય રખાયા છે. કોંગ્રેસમાંથી 9 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 8 માન્ય થયા છે. જ્યારે આમ આદમી પાર્ટીમાંથી 22 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 21 માન્ય રખાયા છે. હવે રાજપીપળા નગરપાલિકાની 28 બેઠકોમાંથી 2 બેઠકો બિનહરીફ થતા, બાકીની 26 બેઠકો માટે ચૂંટણી યોજાશે. ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની અંતિમ તારીખ 15મી છે.
સુવિધા નહીં તો મત નહીં:ગોધરામાં જૈન સમ્રાટ સોસાયટીના રહીશોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવ્યાં
ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 3 માં આવેલા ભુરાવા વિસ્તારની જૈન સમ્રાટ સોસાયટીના રહીશોએ પાયાની સુવિધાઓના અભાવે ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો છે. તેમણે 'સુવિધા નહીં તો મત નહીં'ના બેનરો લગાવી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. સોસાયટીના રહીશોના જણાવ્યા અનુસાર, તેમની મુખ્ય સમસ્યાઓમાં રોડ-રસ્તા, પીવાનું સ્વચ્છ પાણી, સ્ટ્રીટ લાઈટ અને સાફ-સફાઈનો સમાવેશ થાય છે. નગરપાલિકા નિયમિતપણે વેરો ઉઘરાવે છે, પરંતુ સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે. આ અંગે મહિલા રહીશ અર્પણા રાઠોડે જણાવ્યું હતું કે, અહીં પાણી અને કચરાના નિકાલની મોટી સમસ્યા છે. નગરપાલિકા દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી, તેથી અમે આ વખતે મતદાન ન કરવાનો નિર્ણય લીધો છે. એક વૃદ્ધ રહીશે પોતાની વ્યથા વ્યક્ત કરતા કહ્યું કે, ચોમાસામાં રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે, જે સીધું અમારા ઘરોમાં ઘૂસી જાય છે. કચરો લેવા માટે ટ્રેક્ટર પણ નિયમિત આવતું નથી. સૌથી ગંભીર બાબત એ છે કે નળમાં આવતું પાણી સફેદ અને ગંદુ હોય છે, જે પીવાલાયક નથી. વોર્ડ નંબર 3 ના રહીશોનો આક્ષેપ છે કે નગરપાલિકા પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. 'સુવિધા નહીં તો મત નહીં'ના બેનરો સાથે જનતાએ સત્તાધીશો સામે મોરચો માંડ્યો છે. હવે જોવું રહ્યું કે ચૂંટણી પહેલા તંત્ર જાગૃત થાય છે કે પછી જનતા પોતાનો મિજાજ બતાવશે.
હાલમાં જ્યારે દેશભરમાં આઈપીએલનો ફીવર ચાલી રહ્યો છે, ત્યારે અનેક યુવાનો રાતોરાત લાખોપતિ બની જવાની લાલચમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાના રવાડે ચડીને બરબાદ થઈ રહ્યા છે. સટ્ટાની આ બદીને ડામવા માટે જૂનાગઢ પોલીસ સતર્ક બની છે, જેના ભાગરૂપે જૂનાગઢ ક્રાઈમ બ્રાંચે એક સફળ કામગીરી કરીને ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. જુનાગઢ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, વંથલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વાડલા ફાટક પાસે રાધિકા રેસીડેન્સીમાં રહેતો એક શખ્સ પોતાના મોબાઈલ ફોનમાં ક્રિકેટ મેચની આઈડી બનાવીને હારજીતનો જુગાર રમી રહ્યો છે.બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે વાડલા ફાટક પાસે દરોડો પાડતા ધરમ ઉર્ફે ધવલ મિઠીયા નામનો 24 વર્ષીય યુવાન ઓનલાઈન ક્રિકેટ આઈડી મારફતે આઈપીએલની ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ વચ્ચેની મેચ પર રન ફેર અને હારજીતનો સટ્ટો રમતા અને રમાડતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. આ શખ્સ હવાલા દ્વારા નાણાંની હારજીત કરતો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. પોલીસ દ્વારા તેની ધરપકડ કરી વંથલી પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ 12 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.આ દરોડા દરમિયાન પોલીસે આરોપી પાસેથી 500 રૂપિયાની રોકડ રકમ અને 40,000 રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન મળી કુલ 40,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ તપાસમાં અન્ય 6 શખ્સોના નામ પણ ખુલ્યા છે, જેમાં હિરેન કારીયા, આશિષ કુડડીયા, મૌલિક માણી, ધવલ ઉર્ફે આર્યન ડોલાસીયા, પરેશ પોપટ અને ભગીરથ ભેડાનો સમાવેશ થાય છે. આ તમામ શખ્સો હાલ પોલીસ પકડથી દૂર હોવાથી તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાંચની આ કામગીરીમાં કુશાલ એમ. પટેલ, ડી. પી. ભાટી, જદવભાઈ સુવા અને દેવનભાઈ સિંધવ સહિતની ટીમે નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. આ કામગીરીથી સટ્ટાબજારમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે પણ નાગરિકોને અપીલ કરી છે કે ટૂંકા રસ્તે પૈસા કમાવવાની લાલચમાં સટ્ટા જેવી લતથી દૂર રહે, જે પરિવાર અને કરિયર બંને માટે ઘાતક સાબિત થઈ શકે છે...
પાટડીમાં શ્રીમદ્દ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો 549મો પ્રાગટ્ય ઉત્સવ સોમવારે ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. આ પાવન પ્રસંગે મહાપ્રભુજી કાષ્ટ રથમાં બિરાજી રંગેચંગે નગરયાત્રાએ નીકળ્યા હતા. પાટડીની દ્વારકાધીશજી હવેલીને ભક્તો દ્વારા અનોખી રીતે શણગારવામાં આવી હતી. દ્વારકાધીશજી હવેલીએથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં ભજન મંડળીઓ દ્વારા ધૂનની રમઝટ બોલાવવામાં આવી હતી. શોભાયાત્રા દરબારી ચોક, મુખ્ય બજાર, ગાડી દરવાજા, ગણપતિ મંદિર અને પાંચહાટડી ચોક વિસ્તારમાંથી પસાર થઈ પરત દ્વારકાધીશની હવેલીએ પહોંચી હતી. યાત્રાના માર્ગમાં ગણપતિ યુવક મંડળ દ્વારા શોભાયાત્રીઓનું ઠંડા સરબતથી સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ ભવ્ય શોભાયાત્રામાં મહિલાઓ સહિત વિશાળ સંખ્યામાં ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા. આ ઉત્સવ પ્રસંગે દેસાઈ બિપીનભાઈ જયંતીભાઈ પરિવાર દ્વારા ઉપસ્થિત સર્વે વૈષ્ણવોને પાતર પ્રસાદ લેવડાવવામાં આવ્યો હતો. આ મનોરથ પાટડી વૈષ્ણવ સમાજ અને વૈષ્ણવ મહિલા મંડળ અમદાવાદ દ્વારા વલ્લભ કૃપાથી સંપન્ન થયો હતો. સર્વે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોએ એકજૂટ થઈને ધોલ પદ અને વધાઈ કીર્તનથી પ્રભુના આશીર્વાદ મેળવ્યા હતા.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકારણમાં મોટો ગરમાવો જોવા મળી રહ્યો છે. લોકસભામાં નિલેશ કુંભાણી પ્રકરણમાં જે રીતે કોંગ્રેસનો ગઢ ધરાશાયી થયો હતો, તેમાંથી બોધપાઠ લઈને પાર્ટીએ આ વખતે પોતાના 40 જેટલા મજબૂત ઉમેદવારોને અજ્ઞાત સ્થળો પર ખસેડી દીધા છે. હાઈકમાન્ડના આદેશથી આ ઉમેદવારોને શહેરથી દૂર 11 જેટલા સિક્રેટ લોકેશન પર રાખવામાં આવ્યા છે, જેથી વિરોધી પક્ષો તેમના સુધી પહોંચી ન શકે. અજ્ઞાત ગુપ્ત લોકેશન પર કોંગ્રેસની ‘કિલ્લેબંધી’કોંગ્રેસે જે બેઠકો પર જીત નિશ્ચિત માની છે, ત્યાંના ઉમેદવારો માટે ખાસ 'સેફ હાઉસ' તૈયાર કરવામાં આવ્યા છે. શહેરની બહાર આવેલા અજ્ઞાત અલગ-અલગ અજ્ઞાત સ્થળોએ આ ઉમેદવારોને રાખવામાં આવ્યા છે. આ સ્થળોની જાણકારી માત્ર ગણ્યાગાંઠ્યા પ્રદેશ નેતાઓને જ છે. ઉમેદવારોને બહારની દુનિયાથી સંપર્ક કાપી નાખવા માટે મોબાઈલ ફોન પણ જમા કરાવી દેવામાં આવ્યા છે. સંપર્ક તોડવા ફોન સ્વીચ ઓફ કરવાની સૂચનાજે ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે, તેમને કડક સૂચના આપવામાં આવી છે કે તેઓ પરિવાર કે અન્ય કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત નહીં કરે. નિલેશ કુંભાણી પ્રકરણમાં જે રીતે 'રમત' થઈ હતી, તેવું ફરી ન થાય તે માટે ઉમેદવારોના ફોન બંધ કરાવી દેવાયા છે. કોઈ પણ નેતા કે કાર્યકરને પણ આ અજ્ઞાત સ્થળોની મુલાકાત લેવાની મનાઈ ફરમાવવામાં આવી છે. સોશિયલ મીડિયા અને ઘર પર પણ ‘બાજ નજર’ઉમેદવારો ભલે અજ્ઞાત સ્થળે હોય, પરંતુ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને તેમના રહેઠાણ પર પણ પાર્ટીએ વોચ ગોઠવી છે. અજ્ઞાત સ્થળેથી કોઈ મેસેજ લીક ન થાય અને ઉમેદવારના ઘરે ભાજપના કોઈ નેતા સંપર્ક ન કરે તે માટે ખાનગીમાં બે કાર્યકરોને દરેક ઉમેદવારના ઘરની દેખરેખ માટે પણ તૈનાત કરી દેવાયા છે. દરેક ઉમેદવાર સાથે બે ગુપ્ત 'શેડો' કાર્યકરો તૈનાતઅજ્ઞાત સ્થળે રહેલા દરેક ઉમેદવાર સાથે કોંગ્રેસે બે વિશ્વાસુ અને ગુપ્ત કાર્યકરોને 'શેડો' તરીકે મૂક્યા છે. આ કાર્યકરો ઉમેદવારની તમામ જરૂરિયાતો પૂરી કરવાની સાથે તેમની હિલચાલ પર પણ નજર રાખશે. જો કોઈ ઉમેદવાર અજ્ઞાત સ્થળેથી બહાર નીકળવાનો પ્રયાસ કરે અથવા કોઈની સાથે સંપર્ક કરવાની કોશિશ કરે તો તાત્કાલિક હાઈકમાન્ડને રિપોર્ટ કરવાની સૂચના અપાઈ છે. હારના ડર અને 'કુંભાણી ફોબિયા'એ રણનીતિ બદલાવીસુરત કોંગ્રેસમાં અત્યારે સૌથી મોટો ડર નિલેશ કુંભાણી પ્રકરણના પુનરાવર્તનનો છે. જે રીતે લોકસભામાં ઉમેદવાર ગાયબ થઈ ગયા હતા અને ફોર્મ રદ થયા હતા એવું મનપામાં ન થાય તે માટે આ 'અજ્ઞાત લોકેશન' વાળી રણનીતિ અપનાવવામાં આવી છે. જીત પાકી હોય તેવા ઉમેદવારોને ચૂંટણીના દિવસ સુધી સુરક્ષિત રાખવા માટે કોંગ્રેસે અત્યાર સુધીની સૌથી મોટી કવાયત હાથ ધરી છે.
ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2માં કોંગ્રેસના ડબલ મેન્ડેટ વિવાદ પર ચૂંટણી તંત્રે મહત્વનો નિર્ણય લીધો છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ સમસાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાની ઉમેદવારી માન્ય રાખી છે. કોંગ્રેસ દ્વારા બે અલગ-અલગ સ્તરે મેન્ડેટ આપવામાં આવતા કુતબુદ્દીન પટેલ અને સમસાદ અલી સૈયદ વચ્ચે ગૂંચવણ સર્જાઈ હતી. આ મુદ્દે શહેર અને જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં છેલ્લા બે દિવસથી ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આજે સોમવારે ઉમેદવારી પત્રોની ચકાસણી દરમિયાન આ નિર્ણય લેવાયો હતો. આ સાથે કોંગ્રેસના ડબલ મેન્ડેટ કાંડને લઈને ચાલી રહેલી અનિશ્ચિતતાનો અંત આવ્યો છે. આ નિર્ણય બાદ વોર્ડ નંબર 2માં રાજકીય સમીકરણોમાં ફેરફાર થવાની શક્યતા છે. આથી ચૂંટણી વધુ રસપ્રદ બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
વડોદરા શહેરમાં મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ અંતર્ગત મહત્વપૂર્ણ કામગીરીને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ કમિશનરે વડસર બ્રિજ પર ટ્રાફિક ડાયવર્ઝન અને વૈકલ્પિક વ્યવસ્થાને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. એલ એન્ડ ટી દ્વારા હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટના C-4 પેકેજ હેઠળ સિવિલ વર્કની કામગીરી ચાલુ છે. આ કામગીરીના ભાગરૂપે તા. 15 અને 16 એપ્રિલ દરમિયાન વડોદરા શહેરના વડસર રેલવે ઓવર બ્રિજ પર ગર્ડર લોન્ચિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરી દરમિયાન સલામતીના હેતુસર વડસર રેલવે ઓવર બ્રિજ પરથી પસાર થતાં તમામ પ્રકારના વાહનો માટે અવરજવર સંપૂર્ણપણે પ્રતિબંધિત રાખવાનો નિર્ણય પ્રોજેક્ટ મેનેજર દ્વારા લેવામાં આવ્યો છે. વડોદરા શહેરના નાગરિકોને ઓછામાં ઓછી અસુવિધા થાય અને ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રીતે ચાલુ રહે તે માટે વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અમલમાં મુકવા પોલીસ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ, 1951ની કલમ 33(1)(બી) હેઠળ મળેલ સત્તાનો ઉપયોગ કરી તા. 15 એપ્રિલ 2026ના રોજ રાત્રે 23:30 કલાકથી તા. 16 એપ્રિલ 2026 ના રોજ સવારે 04:00 કલાક સુધી અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ટ્રાફિક નિયંત્રણ અમલમાં રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
ગોધરા નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 186 ઉમેદવારી પત્રોમાંથી 143 માન્ય અને 43 અમાન્ય ઠર્યા છે. ગોધરા તાલુકા શિક્ષણ વિભાગના નિવૃત્ત સિનિયર ક્લાર્ક સોલંકીએ વોર્ડ નંબર 10 માંથી ઉમેદવારી નોંધાવી હતી, મેન્ડેટ ગુમ હોવાના કારણે તેમનું ફોર્મ પણ રદ્દ કરવામાં આવ્યું છે. ગોધરા નગરપાલિકામાં ચૂંટણી અધિકારી દ્વારા ફોર્મ રદ કરવા પાછળનું મુખ્ય કારણ એ દર્શાવવામાં આવ્યું છે કે, ઉમેદવારી પત્ર સાથે પક્ષ દ્વારા આપવામાં આવતું અધિકૃત 'મેન્ડેટ' જોડવામાં આવ્યું ન હતું. જોકે, ઉમેદવાર કિરણભાઈ સોલંકીએ આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે અને તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે મીડિયાને જણાવ્યું કે, તેમણે ઉમેદવારી પત્ર રજૂ કરતી વખતે તમામ જરૂરી દસ્તાવેજો અને પક્ષનું મેન્ડેટ પણ રજૂ કર્યું હતું. કિરણભાઈ સોલંકીએ આરોપ લગાવ્યો કે મેન્ડેટ ન હોવાના બહાને તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે અને આ મામલે ન્યાયિક તપાસની માંગ કરી છે. બીજી તરફ, ચૂંટણી અધિકારી એન એલ મોદીએ ઉમેદવારના તમામ આરોપોને ખોટા ગણાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે ઉમેદવારી પત્ર સાથે મેન્ડેટ આપવામાં આવ્યું ન હતું, જેના કારણે નિયમ મુજબ ફોર્મ રદ કરવામાં આવ્યું છે.
વિધાનસભા અને મહાનગરપાલિકામાં વિપક્ષ તરીકે દબદબો બનાવવાનો પ્રયાસ કરતી આમ આદમી પાર્ટીમાં સુરતમાં મોટું ગાબડું પડ્યું હતું. શહેર મહિલા પ્રમુખ સહિત 8 ટોચના હોદ્દેદારોએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરી રાજીનામાં ધરી દેતા રાજકીય ગરમાવો આવી ગયો છે. મહિલા નેતાઓએ આરોપ લગાવ્યો છે કે પાર્ટીમાં વર્ષોથી લોહી-પરસેવો એક કરનારા પાયાના કાર્યકરોની કિંમત રહી નથી અને પૈસાના જોરે નિષ્ક્રિય લોકોને પદ અપાઈ રહ્યા છે. પ્રમુખ સહિત 8 મહિલા હોદ્દેદારો મેદાન છોડ્યુંસુરત મહિલા મોરચાના પ્રમુખ નીતાબેન પટેલની આગેવાનીમાં સંગઠનના પાયાના સ્તંભ ગણાતી મહિલાઓએ એકસાથે રાજીનામું આપી પક્ષની આંતરિક શિસ્તના લીરેલીરા ઉડાડ્યા છે. જેમાં ઉપપ્રમુખ જાસ્મિકા ડાવરા, ગીતાબેન લીંબાચીયા, સોનલબેન પાંડોલ અને પુનમબેન તિવારીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સંગઠન મંત્રી અલકાબેન પાંડે, ઈન્દિરાબેન અને નિતુંબેન ગુપ્તાએ પણ પક્ષ સાથે છેડો ફાડ્યો છે. પૈસા આપો અને હોદ્દો મેળવોનો આક્ષેપરાજીનામું આપનાર મહિલા નેતાઓએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પક્ષમાં હવે સિદ્ધાંતોની જગ્યાએ પૈસાનો વ્યવહાર ચાલી રહ્યો છે. જે લોકો ક્યારેય ગ્રાઉન્ડ પર દેખાયા નથી, તેમને રાતોરાત પૈસાના જોરે હોદ્દા અને ઉમેદવાર બનાવી દેવામાં આવ્યા હતા. પક્ષ માટે રાત-દિવસ દોડતી મહિલાઓની વારંવાર અવગણના થતી હોવાથી અંતે કંટાળીને આ નિર્ણય લેવો પડ્યો છે. વીડિયો જાહેર કરી રોષ વ્યક્ત કર્યોસામાન્ય રીતે રાજીનામાં પક્ષના કાર્યાલય પર અપાતા હોય છે. પરંતુ સુરતમાં આ મહિલા નેતાઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો સંદેશ જાહેર કર્યો છે. આ વીડિયોમાં તેઓની નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી છે. તેઓએ જણાવ્યું કે, અમે પાયાના કાર્યકરો છીએ, અમે પાર્ટીને ઉભી કરવા મહેનત કરી, પણ હવે પક્ષમાં કાર્યકરોની નહીં પણ વહાલા-દવલાની નીતિ ચાલે છે. ચૂંટણી પહેલા ‘આપ’ની મુશ્કેલી વધશે?મહાનગરપાલિકામાં ‘આપ’ના અનેક કોર્પોરેટરો અગાઉ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. ત્યારે હવે સંગઠન સ્તરે ખાસ કરીને મહિલા પાંખમાં પડેલું આ ગાબડું પક્ષ માટે ચિંતાનો વિષય છે. આગામી દિવસોમાં આ અસંતોષની જ્વાળા અન્ય વિસ્તારોમાં પણ ફેલાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. રાજીનામું આપનાર મુખ્ય ચહેરાઓનીતાબેન પટેલ, શહેર મહિલા પ્રમુખજાસ્મિકા ડાવરા, શહેર ઉપપ્રમુખગીતાબેન લીંબાચીયા, શહેર ઉપપ્રમુખસોનલબેન પાંડોલ, શહેર ઉપપ્રમુખઅલકાબેન પાંડે, સંગઠન મંત્રી(મહિલા વિંગ)
9 એપ્રિલનો એ દિવસ હતો. ફારસની ખાડીમાં 52 હજાર ફૂટની ઊંચાઇએ અમેરિકાનું સૌથી મોંઘું ડ્રોન ઊડતું હતું. અચાનક બે કોડ આવ્યા. પહેલો હતો 7400-એટલે કે, કમ્યુનિકેશન લિંક લોસનો. અને બીજો હતો 7,700-એટલે કે જનરલ ઇમર્જન્સીનો. બીજો કોડ આવતાં જ ગ્રાઉન્ડ સ્ટેશનમાં હાજર અધિકારીઓના જીવ પડિકે બંધાંઇ ગયા. બીજી જ મિનિટે વ્હાઇટ હાઉસમાં પણ દોડધામ થવા લાગી. દુનિયાની સૌથી શક્તિશાળી સેનાનું ગૌરવ ગણાતું હતું MQ-4C Triton ડ્રોન. 1850 કરોડનું ડ્રોન 10 મિનિટમાં 10 હજાર ફૂટ સુધી નીચે આવ્યું ને પછી ગાયબ થઈ ગયું. યુદ્ધમાં અમેરિકાને અત્યાર સુધીનો આ સૌથી મોટો ફટકો હતો. આ ડ્રોનને ગુમ કરવું એ ઇરાનનાં ગજાં બહારની વાત છે. તો શું આની પાછળ ચીન કે રશિયા છે? બીજી બાજું પાકિસ્તાનમાં 21 કલાક ચર્ચા કર્યા પછી પણ યુદ્ધ રોકવાની વાટાઘાટો ફેલ ગઈ છે. એટલું જ નહીં અમેરિકાએ ઈરાનના દરિયામાં નાકાબંધી કરીને યુદ્ધનું રણશિંગુ ફૂંક્યું છે. શું આ ત્રીજા વિશ્વ યુદ્ધનું ટ્રેલર છે? અને કેવી રીતે ચીન કે રશિયા અમેરિકા સામે યુદ્ધ લડવામાં ઈરાનની મદદ કરી રહ્યું છે? આજે આખી વાતનું પોસ્ટમોર્ટમ કરીશું. નમસ્કાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે બે બાજુથી ઘેરાયા છે. એકબાજુ તેમને ઈરાનને રોકવાનું છે અને બીજી બાજુ તેમને ચીન સામે આર્થિક મોરચો ખોલી રાખવાને છે. એવામાં ટ્રમ્પે ધમકી આપી છે કે જો ચીન ઈરાનને મદદ કરતા પકડાઈ જશે તો તે ચીની માલ પર 50 ટકાનો ટેરિફ લગાવી દેશે. પણ ચીન જાણે છે કે જો તે અત્યારે પાછું હટી જશે તો દુનિયામાં તેનું વર્ષોથી બનેલું ડોમિનેન્સ ઘટી જશે. યુદ્ધનો વળાંક હોર્મુઝના દરિયામાં નહીં આકાશમાં એવામાં આજે અમેરિકાએ ઈરાનના દરિયા કિનારે નાકાબંદીની જાહેરાત કરી છે. ત્યારે આજે સાંજે સાડા સાત વાગ્યા નજીક અમેરિકા ઈરાનના દરિયાઈ રસ્તા સીલ કરવા મથામણ શરુ કરશે. પણ યુદ્ધમાં વળાંક આ વખતે હોર્મુઝ સ્ટ્રેટ પર નહીં પણ ઈરાનના આકાશમાં આવ્યો. ઈરાનનાં આકાશમાં અમેરિકાનું ડ્રોન ગાયબ અમેરિકન નેવીનું સૌથી એડવાન્સ અને મોંઘુદાટ MQ-4C Triton નામનું સર્વેલેન્સ ડ્રોન ગાયબ થઈ ગયું છે. સામાન્ય રીતે કોઈ વિમાન 32 હજાર ફૂટની ઉંચાઈ પર ઉડતું હોય છે પણ આ ડ્રોન 50 હજાર ફૂટ ઉપર પણ જાદુઈ રીતે ઉડી શકે છે. આટલી ઉંચાઈ પરથી પણ તે જમીન પરની પળપળની માહિતી પર બાજ નજર રાખી શકે છે. જે ડ્રોનની આપણે વાત કરવી છે તે હમણા થોડા વર્ષો પહેલા જ એટલે કે વર્ષ 2018માં જ અમેરિકાની નેવીમાં શામેલ થયું હતું. રિપોર્ટ્સ કહે છે કે ત્યારથી અત્યાર સુધી ક્યારેય જમીન પર આવ્યું નથી અને તેમાં કોઈ ટેક્નિકલ પ્રોબ્લમ પણ નથી આવી. અમેરિકી ડ્રોન ધડામ દઈને નીચે પટકાયું પણ ઈરાનના આકાશમાં જે થયું તેણે અમેરિકાના ડિફેન્સ એક્સપર્ટ્સની ઉંઘ હરામ કરી દીધી છે. થયું કંઈક એવું કે આ ડ્રોનનો 7700 નંબરનો ઈમરજન્સી કોડ દેખાયો. આ કોડ ત્યારે દેખાય જ્યારે ડ્રોનમાં કોઈ પ્રોબ્લમ આવે કે કન્ટ્રોલ ન રહે. 52 હજાર ફૂટની ઉંચાઈથી આ ડ્રોન ધડામ દઈને 10 હજાર ફૂટની ઉંચાઈ પર પટકાયું અને રડારમાંથી ગાયબ થઈ ગયું છે. આ વિમાન 24 કલાક 7 દિવસ હવામાં રહી શકે છે અને 7,400 નોટિકલ માઈલના વિશાળ વિસ્તારમાં નજર રાખી શકે છે પણ ક્યાં ગાયબ થયું તેનો કોઈ અત્તોપત્તો નથી. ડ્રોન તોડી પાડવાનું કામ રશિયાનું કે ચીનનું? ડ્રોન ગાયબ થવાથી અમેરિકાનો 1 હજાર 850 કરોડ રૂપિયાનો બહુ મોટો આર્થિક ફટકો પડ્યો છે. આ રકમ એટલે અમેરિકાના સૌથી એડવાન્સ ગણાતા ફાઈટર જેટ F-35 કરતાં પણ બે ગણી થાય. આ ડ્રોન બનાવવા અમેરિકાએ દાયકાઓની મહેનત કરી હતી અને રિસર્ચ માટે અબજો-કરોડો ડોલર ખર્ચ્યા હતા. પણ સવાલ એ ઉઠે કે ગોળી ચલાવ્યા વગર આ વિમાન કેવી રીતે ઈરાનના આકાશમાંથી ગાયબ થઈ ગયું? અમેરિકાને આ રશિયા કે ચીનનું કામ લાગે છે કારણ કે ઈરાન પાસે તો આવી ટેક્નોલોજી જ નથી કે તે કરી શકે. જામિંગ ટેક્નોલોજીથી ગાયબ અમેરિકન શક્તિ અમેરિકાના ડિફેન્સ એક્સપર્ટ્સ માને છે કે આ ડ્રોનને કોઈ પાવરફુલ મિસાઈલથી પણ તોડવામાં નથી આવ્યું કારણ કે જો એવું થયું હોય તો અમેરિકાને ગરમીના સિગ્નલથી ખબર પડી ગઈ હોત. કહેવાય છે કે જામિંગ ટેક્નોલોજીથી ગ્રાઉન્ડ કન્ટ્રોલ તોડીને અમેરિકાના હાઈફાઈ ડ્રોનનો ખેલ પાડી દેવામાં આવ્યો છે. જો આ વિમાન કે તેનો કાટમાળ ઈરાનને મળી જાય તો તે રિવર્સ એન્જિનિયરિંગ કરીને ડ્રોનને સમજીને ફરી ડ્રોન બનાવી શકે છે. પણ અગાઉ વાત કરી તેમ ઈરાન એટલું એડવાન્સ છે જ નહીં કે તે આવું કરી શકે. માટે એવા રિપોર્ટ્સ છે કે ઈરાન આ ડ્રોનને સમજવા માટે ચીનને મોકલી શકે છે જેથી ચીન અમેરિકન ટેક્નોલોજીને સમજી શકે. અને જો ખરેખર આવું થઈ જાય તો અમેરિકાની વર્ષોની મહેનત પાણીમાં મળી જાય તેવી પૂરી શક્યતા છે. શું ચીન ઈરાનને મદદ કરી રહ્યું છે? કૂલ મળીને આ બધી જ વાત કરવાનો મતબલ એ છે કે ચીન ઈરાનને યુદ્ધ લડવામાં મદદ કરી રહ્યું છે તેવું એક્સપર્ટ્સનું કહેવું છે. જે મુજબ ચીન ઈરાનને અમેરિકાના વિમાનો અને જહાજોની રિયલ ટાઈમ લોકેશન ઈરાનને શેર કરી રહ્યું છે, જેથી ઈરાન અમેરિકા પર પળપળની નજર રાખી શકે. આ અમેરિકાના લશ્કરી દબદબાને ચીનની ખુલ્લી ચેલેન્જ છે. મિડલ ઈસ્ટમાં ચીનની ડિપ્લોમેટિક ગેમ આપણે સૌ જાણીએ છીએ કે ચીન મિડલ ઈસ્ટમાં દાયકાઓ સુધી એક વેપારી અને ગ્રાહક તરીકે પોતાને ઓળખાવતું રહ્યું પણ તેનો મતબલ તો કંઈક બીજો જ હતો. આજે ચીને પોતાની સ્ટ્રેટેજીને બિઝનેસ ફર્સ્ટથી ડિપ્લોમસી ફર્સ પર લાવી દીધી છે. જ્યારે ઈરાન યુદ્ધમાં અમેરિકા સૈનિકો-વિમાનો અને જહાજો ગોઠવવામાં જોતરાયેલું હતું ત્યારે ચીન મિડલ ઈસ્ટ દેશો સાથે સંબંધો વધારીને પડદા પાછળ મોટા ખેલ પાડી રહ્યું હતું. મધ્યસ્થીની ચીની માઈન્ડ ગેમ થોડા જ પાછળ જઈએ તો મોટો ધડાકો ત્યારે થયો જ્યારે 2023માં ચીને સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે દુશ્મનીને દોસ્તીમાં ફેરવી. અમેરિકા માટે આ ઝટકો હતો કારણ કે તેમનું માનવું હતું કે મિડલ ઈસ્ટની શાંતિ તેમનો ઠેકો હતી પણ બેજિંગ મેથડે તેમની ગેમ અને દબબદા પર પાણી ફેરવી દીધું. અમેરિકા જ્યારે હથિયારો અને હુમલાઓ કરીને વાત મનાવે છે ત્યારે ચીને માત્ર વાતચીતથી દુશ્મનોને એક ટેબલ પર લાવી દીધા. આજના સમયમાં તેહરાન-બેઈજિંગ-રિયાધ હોટલાઈન વોશિંગ્ટન માટે માથાનો દુઃખાવો બની ગઈ છે. પેટ્રો ડોલરના સામ્રાજ્યને ચીનનો પડકાર અત્યારના સમયમાં અમેરિકા માટે ચીન તરફથી મોટો ફટકો એ પણ છે કે તેમની પેટ્રો ડોલર સિસ્ટમને ચીને પેટ્રો યુઆન સિસ્ટમથી મોટો ફટકો માર્યો છે. ગયા વર્ષના એપ્રિલ મહિનાથી ચીન ઈરાન પાસેથી પોતાની યુઆન કરન્સીમાં જ ક્રુડ ઓઈલ ખરીદી રહ્યું છે. એક્સપર્ટસ કહે છે કે અમેરિકાની ફાઈનાન્શિયલ દેખરેખ અને સ્વિફ્ટ સિસ્ટમથી બચવા ચીને આ ખેલ પાડ્યો છે. જાણીને ચોંકી જશો કે ઈરાન જેટલું પણ તેલ વેચે છે તેમાંથી 90 ટકા તેલ તો ખાલી ચીન જ લઈ જાય છે. અને એ પણ ડોલરમાં નહીં, યુઆનમાં. જે હોર્મુઝ સ્ટ્રેટ બંધ છે ત્યાંથી જહાજો છોડાવવા જે ફી કે ટોલ ભરવો પડે છે તે પણ યુઆન કે ક્રિપ્ટો કરન્સીમાં ઈરાન ઉઘરાવી રહ્યું છે તેવા રિપોર્ટ છે. ચીન અને ઈરાનની દોસ્તીની દાસ્તાન ચીન અને ઈરાનની દોસ્તીની વાત કરીએ તો 2021માં બંને દેશ માટે 25 વર્ષની અતૂટ દોસ્તી માટે કરાર થયો છે. ચીને ઈરાનમાં 400 અબજ ડોલરના રોકાણની જુબાની આપી હતી. જેમાં ચીન ઈરાનમાં પોર્ટ્સ, રેલવે અને 5G ટેકનોલોજીનો વિકાસ કરવાનું હતું. આ દોસ્તી એટલી પાક્કી છે કે અમેરિકા ઈરાનને ઘૂંટણિયે લાવવા માગે તો પણ ચીનની હાજરી તેમને આવું કરતા રોકી દે છે. ઈઝરાયલ સાથે પણ ચીને સંબંધો રાખ્યા અને ચીન આપણે વિચારીએ છીએ તેનાથી પણ સ્માર્ટ છે. ચીનની ઈરાન સાથે દોસ્તી પણ છે અને ઈઝરાયલ સાથે ધંધાના સંબંધો પણ. ઈઝરાયલના હાઈફા પોર્ટ પર ચીનનો દબદબો આ વાતનું જીવતું જાગતું ઉદાહરણ છે. ઈઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદ પણ પોતાની જમીન પર ચીનની હાજરીથી પરેશાન છે. ઈઝરાયલના સમાજમાં જે ફાટા છે ચીન તેનો પણ ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યું છે. કારણ કે ચીને ઈઝરાયલ અને લેબનોન વચ્ચે પણ મધ્યસ્થી કરવાની ઓફર કરી હતી. ઈઝરાયલ અમેરિકાનું પાક્કું દોસ્ત છે પણ તેમાં પણ ચીને સેંધ પાડી છે. મૌન મોઢાનું માસ્ટર મેજીક 2023નું ગાઝા યુદ્ધ હોય, હમાસ હોય કે ઈરાન હોય કોઈ પણ વાત પર ચીને શાબ્દિક ટિપ્પણી નથી કરી. કહેવાય છે કે આ મૌન પાછળ ચીનની સીધી ગણતરી પોતાને ગ્લોબલ સાઉથના નેતા તરીકે ચીતરવાની છે. ચીને પોતાને પેલેસ્ટિનિયન મુક્તિના સપોર્ટર તરીકે રજૂ કરીને આરબ અને મુસ્લીમ દેશોમાં પોતાની પોપ્યુલારિટી વધારી છે. બીટવીન ધ લાઈન સમજીએ તો તે અમેરિકાને યુદ્ધખોર અને પોતાને વેપારી કે શાંતિદૂત તરીકે પોટ્રેઈટ કરવામાં સક્સેસફૂલ રહ્યું છે. ચીન બરોબર જાણે છે કે ટ્રમ્પના કારણે આખી દુનિયા પરેશાન છે જેનો તેમને ભરપૂર લાભ ઉઠાવવો જોઈએ. ચીની ડ્રોનના 80% પુરજા ચીની અત્યારના જમાનામાં પાયદળ કરતા માહિતી મહત્વની છે. માટે જ ચીને ઈરાનને પોતાની બેઈડોઉ સેલેટાઈલ નેવિગેશન સિસ્ટમની એક્સેસ આપી છે. જેના કારણે ઈરાની મિસાઈલ્સ અને ડ્રોન અમેરિકાના જહાજોની પર્ફેક્ટ લોકેશન જાણી શકે. ઈરાનનું શાહેદ નામનું એડવાન્સ ડ્રોન છે તેમાં પણ સેમિકન્ડક્ટર કે સેન્સર જેવા 80 ટકાથી વધુ પાર્ટ્સ ચીની જ છે. રિપોર્ટ્સ કહે છે કે ચીને ઈરાનને એવા રડાર આપ્યા છે જે કોઈ પણ સિગ્નલ છોડ્યા વગર અમેરિકન જહાજોને ટ્રેક કરી શકે છે. એટલે જ રડારને પકડવા અમેરિકા માટે લગભગ મિશન ઈમ્પોસિબલ જેવા છે. અફવા હોય કે હકિકત પણ એક વાત એવી પણ ફેલાઈ રહી છે કે યુદ્ધ લડવા માટે ચીને ઈરાનમાં 5 હજાર જેટલા ચીની એક્સપર્ટ્સ મોકલી આપ્યા છે જે ઈરાનને મદદ કરી રહ્યા છે. ચીન-રશિયા અને ઈરાનની ત્રિપુટી આજની પોલોરાઈઝ્ડ દુનિયામાં એકબાજુ અમેરિકા અને ઈઝરાયલ છે જ્યારે બીજી બાજુ ચીન રશિયા અને ઈરાનની ત્રીપુટી. જે માત્ર કાગળ પર નહીં પણ જમીન પર પણ જોવા મળે છે. ચીને ઈરાનને SCO એટલે કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન અને BRICS સામેલ કરીને તેને આંતરાષ્ટ્રીય મંચ પર કાયદેસરની ઓળખ અને સિક્યોરિટી આપી છે. રશિયા ઈરાનને એર ડિફેન્સ સિસ્ટમ આપે છે અને ટેક્નોલોજી અને નાણા ચીન પૂરા પાડે છે. આ ત્રણેય દેશોની નૌસેનાએ ગલ્ફ અને ઓમાનમાં કેટલી'ય વાર યુદ્ધાભ્યાસ કર્યો છે જે સીધો જ અમેરિકાની નાકાબંધીને પડકાર છે. વીટો વોટથી ચીનની ઈરાનને મદદ આવી પરિસ્થિતિ વચ્ચે અમેરિકા બીજા દેશની મદદથી ઈરાન સામે કોઈ લશ્કરી પ્રસ્તાવ લાવે છે ત્યારે ચીન તેને વીટો પાવરનો ઉપયોગ કરીને ઈરાનને બચાવી લે છે. 7 એપ્રિલ 2026ના ચીન અને રશિયાએ જ હોર્મુઝની ખાડીમાં બળજબરી કરાવવા સામે વીટો વાપર્યો હતો. જો આ લશ્કરી કાર્યવાહી થઈ હોત તો ઈરાનના હાથમાં હોર્મુઝની સ્ટ્રેટ આજના દિવસમાં ન હોત. તો હવે સવાલ એ થાય છે કે શું અમેરિકા ગોળી વગરના યુદ્ધ અને લશ્કરી શક્તિથી ઈરાનને પાડી દેશે? આ પ્રશ્નનો જવાબ આવનારા સમયમાં જ ખબર પડશે. 21 કલાક પાકિસ્તાનમાં મીટિંગ, પણ પાણી ફર્યું પણ વાત પાકિસ્તાનની પણ કરવી પડે કારણ કે હમણા જ મોટા ઉપાડે ત્યાં યુદ્ધ બંધ કરવા મીટિંગ થઈ હતી. અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ અને ઈરાનની સંસદના અધ્યક્ષ ઘાલીબાફ વચ્ચે 21 કલાક લાંબી મીટિંગ ચાલી. દુનિયાને એવું હતું કે પાકિસ્તાન યુદ્ધ રોકાવી દેશે પણ મંત્રણા ફેલ ગઈ. ઈરાને તેના યુરેનિયમના જથ્થાને સોંપી દેવાની અમેરિકાની માગને ફગાવી દીધી. ઈરાનનું કહેવું છે કે ન્યૂક્લિયર કાર્યક્રમ તેમનો અધિકાર છે. સામેની બાજુ અમેરિકાનું માનવું છે કે જો યુરેનિયમનો જથ્થો ઈરાન પાસે રહેશે તો તે ગમે ત્યારે અણુબોમ્બ બનાવી લેશે. છેલ્લે હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડીને આવેલા ટ્રમ્પના માણસોને ઘરે ખાલી હાથ પાછા ફરવું પડ્યું. લેબનોનમાં 2 હજારથી વધુ માસૂમોનાં મોત મીટિંગમાં એક વાત લેબનોનને લઈને પણ હતી. ઈઝરાયલી સેનાએ કહ્યું કે લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હુમલા ચાલુ રહેશે. દક્ષિણ લેબનોનમાં તેના જ કારણે અત્યાર સુધીમાં 2 હજારથી વધુ લોકોના મોત થયાના સમાચારો વહી રહ્યા છે. મારૂબ જેવા શહેરો પર થયેલા હુમલાઓએ સાબિત કર્યું છે કે ઈઝરાયલ કોઈ પણ કિંમતે નમતું જોખવા તૈયાર નથી. ઈઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહુએ મોસાદના ચીફ તરીકે મેજર જનરલ રોમન ગોફમેનને મૂકીને ચોખ્ખો મેસેજ આપી દીધો છે કે હવે તે વધુ જોરથી આક્રમણો કરશે. લોઈડ્સ લિસ્ટના રિપોર્ટમાં ધડાકો આ પરિસ્થિતિઓ વચ્ચે દુનિયાના સૌથી જૂના શિપિંગ ન્યૂઝ આઉટલેટ લોઈડ્સ લિસ્ટના રિપોર્ટે ધડાકો કર્યો કે હોર્મુઝની સ્ટ્રેટમાં અત્યારે જહાજોની અવરજવર લગભગ ઝીરો થઈ ગઈ છે. કેપ્ટન્સ અને શિપિંગ કંપનીઓ અમેરિકાની નાકાબંધી અને ઈરાનની ચેતવણીથી ડરી ગયા છે. કારણ કે ઈરાને ધમકી આપી છે કે જો કોઈ પણ જહાજ અહીંથી નીકળશે તો તેને દરિયામાં ડૂબાડી દેવામાં આવશે. આ બધા વચ્ચે ઈરાનમાં લગભગ 50 લોકોની જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે, જેમના પર અમેરિકા અને ઈઝરાયલને સિક્રેટ ઈન્ફોર્મેશન શેર કરવાનો આરોપ છે. જો અમેરિકા આજે જાહેરાત કરી છે તે મુજબની નાકાબંધીમાં સફળ થાય છે, તો ઇરાન તૂટી જશે. પણ જો ઇરાન કોઈ અમેરિકન જહાજને નુકસાન પહોંચાડવામાં સફળ રહ્યું, તો દુનિયા એક પાયમાલ કરનારા યુદ્ધ તરફ ધકેલાઈ જશે. અને છેલ્લે... જ્યારે એડવાન્સ ડ્રોન પણ અમેરિકાના સૈન્ય દબદબાને બચાવી શક્યું નથી, ત્યારે ટ્રમ્પે એક ફોટો શેર કર્યો છે જેમાં તે પોતાને મસીહા કે ઈસુ ગણાવી રહ્યા છે. ઈરાન સામે જ્યારે કોઈ પ્રેશર કે ધમકીની રણનીતિ કામ નથી આવી રહી, ત્યારે ધર્મ અને ચમત્કારોનો આ સહારો લેવો એ કદાચ મીડ ટર્મ ઈલેક્શન પહેલાનો છેલ્લો દાવ હોઈ શકે. આ માત્ર એક ફોટો નથી, પણ અમેરિકન લોકશાહીની ઉંડી અશાંતિનો અરીસો છે. સોમવારથી શુક્રવાર રોજ રાત્રે 8 વાગ્યે આપ જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
કોંગ્રેસ દ્વારા આજે અમદાવાદ મહાનગરપાલિકાની સંપૂર્ણ યાદી જાહેર કરી છે. અમદાવાદના 48 વોર્ડમાં વોર્ડ વાઈઝ ભાજપ સામે કોંગ્રેસના ઉમેદવાર સાથેની યાદી જુઓ…
વાપી મનપા ચૂંટણી:52 બેઠકો માટે 129 ઉમેદવારો, હવે ઉમેદવારી પરત ખેંચવાના દિવસ પર નજર
વાપી મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં હવે 52 બેઠકો માટે 129 ઉમેદવારો મેદાનમાં છે. ઉમેદવારી પત્રોની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ આંકડો સામે આવ્યો છે. હવે સૌની નજર ઉમેદવારી પરત ખેંચવાના દિવસ પર ટકેલી છે, જે ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ કરશે. વાપી મહાનગરપાલિકાની 13 વોર્ડની કુલ 52 બેઠકો માટે યોજાનારી આ ચૂંટણી માટે કુલ 179 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. આ સાથે રાજકીય માહોલ ગરમાયો છે. ઉમેદવારી પત્રોની ચકાસણી પ્રક્રિયા દરમિયાન ડમી ઉમેદવારો સહિત કુલ 50 ઉમેદવારોના ફોર્મ રદ્દ કરવામાં આવ્યા હતા. જેના પરિણામે હવે 129 ઉમેદવારો જ ચૂંટણી જંગમાં બાકી રહ્યા છે. આવતીકાલે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો મહત્વનો દિવસ છે. આ તબક્કે કેટલા ઉમેદવારો પોતાનું નામ પાછું ખેંચે છે, તેના પર સૌની નજર છે. પરત ખેંચણી પૂર્ણ થયા બાદ જ ચૂંટણીનું ચોક્કસ અને સ્પષ્ટ ચિત્ર સામે આવશે. રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોને જીતાડવા માટે અંતિમ રણનીતિ ઘડી રહ્યા છે. બીજી તરફ, બાગી અને અપક્ષ ઉમેદવારોની ભૂમિકા પણ પરિણામોને અસરકારક બનાવી શકે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં તેજ બની છે. ચકાસણી બાદ વોર્ડવાઈઝ ઉમેદવારોની સ્થિતિવોર્ડ 1 માં 13 માંથી 3 રદ્દ થતા 10 ઉમેદવાર, વોર્ડ 2 માં 14 માંથી 3 રદ્દ થતા 11 ઉમેદવાર, વોર્ડ 3 માં 11 માંથી 2 રદ્દ થતા 9 ઉમેદવાર, વોર્ડ 4 માં 17 માંથી 6 રદ્દ થતા 11 ઉમેદવાર, વોર્ડ 5 માં 12 માંથી 4 રદ્દ થતા 8 ઉમેદવાર, વોર્ડ 6 માં 12 માંથી 1 રદ્દ થતા 11 ઉમેદવાર, વોર્ડ 7 માં 12 માંથી 4 રદ્દ થતા 8 ઉમેદવાર, વોર્ડ 8 માં 16 માંથી 5 રદ્દ થતા 11 ઉમેદવાર, વોર્ડ 9 માં 14 માંથી 4 રદ્દ થતા 10 ઉમેદવાર, વોર્ડ 10 માં 10 માંથી 2 રદ્દ થતા 8 ઉમેદવાર, વોર્ડ 11 માં 15 માંથી 7 રદ્દ થતા 8 ઉમેદવાર, વોર્ડ 12 માં 19 માંથી 5 રદ્દ થતા 14 ઉમેદવાર (સૌથી વધુ જંગ), અને વોર્ડ 13 માં 14 માંથી 4 રદ્દ થતા 10 ઉમેદવાર બાકી રહ્યા છે. ચૂંટણીમાં હવે મુખ્ય ટક્કર ઉપરાંત બાગી અને અપક્ષ ઉમેદવારો કેવી અસર કરે છે અને પરત ખેંચણી પછી કયા વોર્ડમાં સીધી ટક્કર રહે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.
સુરતમાં એક શાતિર ગેંગે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાની લાલચ આપીને લોકોને છેતરવાનો ધંધો ચલાવ્યો હતો. માત્ર 7થી 10 હજાર રૂપિયામાં ઘરેબેઠા લાયસન્સ અપાવી આપવાનું વચન આપીને આ ટોળકીએ 50થી વધુ લોકોને લૂંટ્યા છે. સુરત SOGની ટીમે કાપોદ્રા વિસ્તારમાંથી આ ચાર મિત્રોના રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં બે આરટીઓ એજન્ટ પણ સામેલ છે. 13 નકલી લર્નિંગ લાઈસન્સ અને 4 મોબાઈલ જપ્તપોલીસે પ્રજેશ ઉર્ફે રઘુ માણીયા, ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ શેખડીયા, પ્રફુલ ઉર્ફે વિપુલ પટેલ અને રવિ જેઠાભાઈ ગાંગડીયાને ઝડપી પાડ્યા છે. આ તમામ આરોપીઓ વરાછા, મોટા વરાછા અને કામરેજ વિસ્તારના રહેવાસી છે. તેમની પાસેથી 13 નકલી લર્નિંગ લાયસન્સ અને 4 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. m-parivahan એપમાં ફોર્મ ભર્યાનો દેખાડો કરી વિશ્વાસ અપાવતોઆરોપીઓ વોટ્સએપ ગ્રુપ અને ફોન કોલ દ્વારા લોકોનો સંપર્ક કરતા હતા. તેઓ પોતાને આરટીઓના મોટા એજન્ટ તરીકે ઓળખાવતા અને કહેતા કે, તેમની RTOમાં મોટી વગ છે. વિશ્વાસ જીતવા માટે તેઓ m-parivahan એપ્લિકેશનમાં અધૂરું ફોર્મ ભરીને ગ્રાહકના મોબાઈલ પર OTP મંગાવતા. OTP મળતાં જ લોકોને લાગતું કે કામ સરકારી રીતે આગળ વધી રહ્યું છે. ગેંગે 30 જેટલા ડુપ્લિકેટ લાયસન્સ બનાવી લોકોને છેતર્યાઆ પછી મુખ્ય આરોપી પ્રજેશ માણીયા WPS એપ્લિકેશનનો ઉપયોગ કરીને લાયસન્સની સોફ્ટ કોપી એડિટ કરીને ગ્રાહકને મોકલી આપતો. આ રીતે કોઈ પરીક્ષા અપાવ્યા વગર અને સરકારી ફી ભર્યા વગર જ નકલી લર્નિંગ લાયસન્સ તૈયાર કરી આપવામાં આવતા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ગેંગે અત્યાર સુધીમાં 30 જેટલા ડુપ્લિકેટ લાયસન્સ બનાવીને લોકોને છેતર્યા છે. પ્રફુલ પટેલ અને રવિ ગાંગડીયા RTO એજન્ટ તરીકે ઓળખાવીને લોકોને ફસાવતા હતા, જ્યારે ધર્મેન્દ્ર OTP મેળવવાનું કામ કરતો હતો. મુખ્ય સૂત્રધાર પ્રજેશ અગાઉ 7 ગુનાઓમાં સામેલ હોવાનો પોલીસ રેકોર્ડ છે. અજાણ્યા એજન્ટોને ડોક્યુમેન્ટ કે OTP આપવાનું ટાળોસુરત SOGના DCP રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે, આ કેસમાં BNS કલમ 316(5) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે. પોલીસ હાલ આ રેકેટમાં વધુ આરોપીઓ અને અન્ય શહેરોમાં ચાલતા આવા કૌભાંડોની તપાસ કરી રહી છે. લોકોને અપીલ કરવામાં આવી છે કે, લાયસન્સ અથવા અન્ય કોઈ સરકારી કામ માટે માત્ર સત્તાવાર વેબસાઈટ અથવા કચેરીનો જ ઉપયોગ કરે અને અજાણ્યા એજન્ટોને OTP કે ડોક્યુમેન્ટ આપવાનું ટાળે.
કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ બોટાદ જિલ્લાના તરઘરા સ્થિત સુપ્રસિદ્ધ આઈ શ્રી મોગલધામની મુલાકાત લીધી હતી. તેમણે મંદિરમાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મોગલધામના દક્ષાબા દ્વારા કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન ભારતીય જનતા પાર્ટીના વનરાજસિંહ ડાભી અને અન્ય કાર્યકર્તાઓ પણ નિમુબેન બાંભણિયા સાથે ઉપસ્થિત રહ્યા હતા. સૌએ દર્શન કરીને આનંદ વ્યક્ત કર્યો હતો.
પાટણ શહેરના ગાયત્રી મંદિર પાસે આવેલા આનંદ સરોવર પાછળની ચિત્રકૂટ સોસાયટીના રહીશોએ વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કાયમી નિરાકરણની માંગ સાથે 'કામ નહીં તો વોટ નહીં'ના બેનરો લગાવ્યા છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને લગાવવામાં આવેલા આ બેનરોથી રાજકીય પક્ષોના ઉમેદવારોમાં સનસનાટી મચી ગઈ છે. સોસાયટી પરિવારે લગાવેલા બેનરમાં જણાવ્યું છે કે, છેલ્લા 20 વર્ષથી તેમની સોસાયટીમાં વરસાદી પાણી ભરાય છે. વરસાદી પાણી ભરાવાને કારણે આજુબાજુની સોસાયટીનો કચરો પણ અહીં આવે છે, જેનું આજદિન સુધી કોઈ નિવારણ થયું નથી. વધુમાં, સોસાયટીના રહીશો મધ્યમવર્ગના હોવાથી સોસાયટીનો અંદરનો રોડ પણ બનાવવામાં આવ્યો નથી. બાજુમાં આનંદ સરોવર આવેલું હોવાથી મચ્છરનો ઉપદ્રવ પણ ખૂબ વધ્યો છે, પરંતુ તેની સફાઈ કરવામાં આવતી નથી. આના કારણે સોસાયટીના બાળકો અને વડીલોને બીમારીઓનો સામનો કરવો પડે છે. સોસાયટી દ્વારા કલેક્ટરના સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે કલેક્ટરે ચાર માસનો સમય આપ્યો હતો. જોકે, આ વાતને આઠ માસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આથી, સોસાયટી પરિવારે ઉપરોક્ત સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ સાથે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈપણ રાજકીય પક્ષે તેમની સોસાયટીમાં વોટ માંગવા ન આવવું તેવો ઉલ્લેખ કર્યો છે. આ માહિતી સોસાયટી પરિવારના પ્રજાપતિ રમેશભાઈ, શૈલેષભાઈ નાયી અને કનુભાઈ સુથારે આપી હતી.
ભરૂચ નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. વોર્ડ નંબર 2 માં મેન્ડેટ વિવાદ બાદ કાર્યકરોએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓના બેનરો સળગાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ વિવાદની શરૂઆત વોર્ડ નંબર 2 માં બે ઉમેદવારોને મેન્ડેટ આપવાથી થઈ હતી. શરૂઆતમાં કુતુબુદ્દીન કરણ પટેલને સત્તાવાર ઉમેદવાર તરીકે મેન્ડેટ મળ્યું હતું. જોકે, બાદમાં સમસાદઅલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાએ પણ ઉમેદવારી નોંધાવતા ગૂંચવણ વધી હતી. ફોર્મ ચકાસણી દરમિયાન ચૂંટણી અધિકારીઓએ સમસાદઅલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાના ફોર્મ માન્ય રાખ્યા હતા, જ્યારે કુતુબુદ્દીન પટેલનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. આ નિર્ણયથી કુતુબુદ્દીન પટેલના સમર્થકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આક્રોશિત કાર્યકરોએ જંબુસર બાયપાસ ચોકડી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન દરમિયાન તેમણે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા સહિતના આગેવાનોના બેનરો સળગાવી જાહેરમાં અસંતોષ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાએ સ્થાનિક કોંગ્રેસ સંગઠનમાં ઊંડા આંતરિક વિખવાદને ઉજાગર કર્યો છે. ચૂંટણી પહેલાં ઊભેલા આ વિવાદની પક્ષના પ્રદર્શન પર શું અસર થશે તે જોવું રહ્યું.
કલોલના કોઠા ગામે હડકાઈ માતાના મંદિરે દર્શન કરીને ઘરે પરત જઈ રહેલા અમદાવાદના નોબલનગરના આધેડનું અડાલજ હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નરસિંહભાઈ મિત્ર સાથે માતાજીના દર્શને ગયા હતાઅમદાવાદના નોબલનગર વિસ્તારમાં રહેતા નરસિંહભાઈ ચૌહાણ 11 એપ્રિલના રોજ રાત્રિના સમયે પોતાના મિત્ર શિવાભાઈ પરમાર સાથે કોઠાડ હડકાઈ માતાના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. મોડી રાત્રે તેમણે ઘરે ફોન કરીને પોતે મંદિરે પહોંચ્યા હોવાની અને ત્યારબાદ પરત નીકળ્યા હોવાની જાણ પણ કરી હતી. પરિવારને પોલીસે અકસ્માતની જાણ કરીજોકે વહેલી સવાર સુધી તેઓ ઘરે ન પહોંચતા પરિવાર ચિંતામાં મુકાયો હતો.અને પરિવારજનો સતત નરસિંહભાઈનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ ફોન રિસીવ થતો ન હતો. આ દરમિયાન 13 એપ્રિલની સવારે જ્યારે ફરી પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે અડાલજ પોલીસ સ્ટેશનના કર્મચારીએ ફોન ઉઠાવી પરિવારને અકસ્માત અંગે જાણ કરી હતી. પોલીસે પરિવારને જણાવ્યું હતું કે, અડાલજથી કોઠા તરફ જતાં રોડ પર રામાપીરના મંદિર પાસે કોઈ અજાણ્યા વાહને નરસિંહભાઈને અડફેટે લીધા હતા.આ અકસ્માતમાં નરસિંહભાઈને માથાના તેમજ શરીરના અન્ય ભાગોમાં જીવલેણ ઇજાઓ પહોંચી હતી. જેમને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો.આ સાંભળી પરિવારજનો સિવિલ દોડી ગયા હતા. આ અંગે મૃતકના પત્ની રાધાબેન ચૌહાણની ફરિયાદના આધારે અડાલજ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
વડોદરાની પ્રતિષ્ઠિત મહારાજા સયાજીરાવ (MS) યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. યુનિવર્સિટીના સી.સી.મહેતા ઓડિટોરિયમમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા આયોજિત 'સંસ્કાર સંગમ' કાર્યક્રમમાં એક વિદ્યાર્થિનીનો 'ધક ધક' સોન્ગ પરના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા ખળભળાટ મચી ગયો હતો. જેને પગલે આજે વિદ્યાર્થિનીએ સોશિયલ મીડિયા ઉપર બે વીડિયો પોસ્ટ કર્યા કરી માફી માંગી હતી અને અનેક સવાલો પણ ઉઠાવ્યા હતા. વીડિયોમાં રડતા રડતા વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે, મેં અશ્લીલ કપડાં પહેર્યા નહોતા. માત્ર એક સિમ્પલ સાડી પહેરી હતી અને સ્ટેજ પર મારા આર્ટને રજૂ કરી રહી હતી. મેં કોઈ દેશદ્રોહ નથી કર્યો. હું એક સામાન્ય વિદ્યાર્થિની છું. આ ઉપરાંત અન્ય એક વીડિયોમાં અનેક સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, NSUI મારો વીડિયો વાઇરલ કરી રહ્યા હતા, ત્યારે તેમને વાંધો નહોતો, પણ જ્યારે આજે મેં મારો પક્ષ રજૂ કર્યો તો તેમણે મારી આઈડી જ સસ્પેન્ડ કરાવી દીધી. આ આખો મામલો NSUIએ ચગાવ્યો હતો. જો કે આ કોઈ અશ્લીલ સોંગ નહીં પણ માત્ર એક ફિલ્મનું સોંગ છે. જેના પર 'બેટા' ફિલ્મમાં માધુરી દીક્ષિત જેવી સુપરસ્ટાર એક્ટ્રેસ ડાન્સ કરી ચૂકી છે. 'હું એક સામાન્ય સાડી પહેરીને મારા આર્ટને રજૂ કરી રહી હતી'પહેલા વીડિયોમાં યુવતીએ રડતા રડતા કહ્યું હતું કે, જય શ્રી રામ... મેં આ વીડિયો એટલા માટે બનાવ્યો છે. કારણ કે, MSU કલ્ચરલ ફેસ્ટમાં મેં જે ડાન્સ કર્યો હતો, તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી રીતે વાઇરલ કરવામાં આવ્યો છે. લોકો કહી રહ્યા છે કે, મેં વડોદરાની સંસ્કારી નગરીની મર્યાદા ઓળંગી છે અથવા અશ્લીલતા ફેલાવી છે. હું એક સામાન્ય સાડી પહેરીને મારા આર્ટને સ્ટેજ પર રજૂ કરી રહી હતી. 'આ લોકોએ મારી 'મેન્ટલ હેલ્થ' વિશે વિચાર્યું પણ નથી'હા, કદાચ ગીતની પસંદગીમાં ભૂલ હોઈ શકે, જે બદલ હું માફી માંગું છું. પણ શું આ એટલી મોટી વાત છે કે તેને આટલો મોટો મુદ્દો બનાવવામાં આવે? મેં કોઈ દેશદ્રોહ નથી કર્યો. હું એક સામાન્ય વિદ્યાર્થીની છું. મારો વિરોધ એ વાતનો છે કે, આ લોકોએ મારી પરવાનગી વગર મારો પર્સનલ વીડિયો કેમ મૂક્યો? માત્ર રાજકીય રોટલા શેકવા માટે કે બીજી પાર્ટીને ટાર્ગેટ કરવા માટે એક છોકરીનો સહારો લેવો કેટલો યોગ્ય છે? આ લોકોએ મારી 'મેન્ટલ હેલ્થ' વિશે વિચાર્યું પણ નથી. 'લોકો મને ટાર્ગેટ કરી રહ્યા છે, દેશમાં બીજા ઘણા ગંભીર મુદ્દા છે'મારા પર શું વીતતી હશે એ કોઈ નથી સમજી રહ્યું. લોકો મને ટાર્ગેટ કરી રહ્યા છે. વડોદરામાં અને દેશમાં બીજા ઘણા ગંભીર મુદ્દાઓ છે, તેને છોડીને લોકોએ માત્ર મરચું-મસાલો મેળવવા માટે મને નિશાન બનાવી છે. શું આ પહેલા કોઈએ બોલિવૂડ સોંગ પર ડાન્સ નથી કર્યો? તો પછી મારા જ કેસમાં 'સંસ્કાર ભંગ'ની વાતો કેમ કરવામાં આવે છે? 'હું ગીતની પસંદગી માટે માફી માંગું છું'મારી વિનંતી છે કે, કોઈપણ વીડિયો શેર કરતા પહેલા એ વિચારો કે તે વ્યક્તિ પર શું અસર થશે. મેં કોઈ અશ્લીલ કપડાં નહોતા પહેર્યા, મેં માત્ર મારી કલા પ્રદર્શિત કરી હતી. મહેરબાની કરીને કોઈના માનસિક સ્વાસ્થ્ય સાથે ન રમો. હું ફરી એકવાર ગીતની પસંદગી માટે માફી માંગું છું, પણ મને જે રીતે ટ્રોલ કરવામાં આવી રહી છે તે ખોટું છે. 'મેં મારી વાત રજૂ કરી તો મારી આઈડી સસ્પેન્ડ કરાવી દીધી'યુવતી બીજા વીડિયોમાં કહે છે કે, એક તરફ NSUI વાળા 'મહિલા સશક્તિકરણ'ની મોટી-મોટી વાતો કરે છે, પરંતુ જ્યારે કોઈ છોકરી પોતાના પર લાગેલા ખોટા આરોપોને સાબિત કરવા માટે પોતાની આઈડી પર કોઈ પોસ્ટ મૂકે છે, ત્યારે તેમનો અસલી ચહેરો સામે આવે છે. તેઓ મારી એ પોસ્ટથી ડરી ગયા. તેમણે પોતાની પૂરી તાકાત લગાવી દીધી અને માસ મીડિયાના સંપર્કોનો ઉપયોગ કરીને મારી આઈડી સસ્પેન્ડ કરાવી દીધી. 'ગઈકાલે મારો વીડિયો વાઇરલ કરવામાં તેમને વાંધો નહોતો'જો તેઓ સાચા જ હતા, તો તેઓ ડર્યા કેમ? ગઈકાલે જ્યારે તેઓ મારો વીડિયો વાઇરલ કરી રહ્યાં હતાં, ત્યારે તેમને વાંધો નહોતો, પણ જ્યારે મેં મારો પક્ષ રજૂ કર્યો તો તેમણે મારી આઈડી જ બંધ કરાવી દીધી. હા, ચોક્કસ. આ તેમની માનસિકતા છતી કરે છે કે જ્યારે કોઈ છોકરી પોતાના માટે અવાજ ઉઠાવે છે કે પોતાનો પક્ષ રજૂ કરે છે, ત્યારે તેમને તેનાથી કોઈ લેવા-દેવા નથી હોતું. તેમને માત્ર પોતાનો પ્રોપેગન્ડા અને રાજનીતિ ફેલાવવામાં જ રસ છે. 'તમે સાચા હોવ તો મેદાનમાં આવીને લડો'એક છોકરીના અવાજને દબાવવા માટે તેની આઈડી સસ્પેન્ડ કરાવવી એ ખૂબ જ નીચું સ્તર છે. જો તમે સાચા હોવ તો મેદાનમાં આવીને લડો, આવી રીતે ડરીને કોઈનો અવાજ દબાવવાનો પ્રયત્ન ન કરો. આ બતાવે છે કે તમે અંદરથી ડરેલા છો. “ધક ધક કરને લગા” સોન્ગ પર યુવતીના ડાન્સનો વીડિયો વાઈરલઉલ્લેખનીય છે કે, એમ.એસ. યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીની એક વિદ્યાર્થિનીએ ABVPના ત્રિ-દિવસીય 'સંસ્કાર સંગમ' ફેસ્ટ દરમિયાન બોલિવૂડના જાણીતા ગીત “ધક ધક કરને લગા” પર ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું. આ ડાન્સનો વીડિયો વાઇરલ થતા જ લોકોએ તેને યુનિવર્સિટીની ગરિમા અને સંસ્કારી નગરીની ઓળખને લાંછન લગાડનારી ગણાવી હતી.
મહેસાણા શહેરના નાગલપુર હાઈવે પર સ્ટાર લાઈન કારના વર્કશોપમાં આજે 13 એપ્રિલે બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. કાર સર્વિસ સ્ટેશનના પેઈન્ટ સેક્શનમાં લાગેલી આગ આસપાસના વિસ્તારમાં પણ પ્રસરી ગઈ હતી. જેમાં સર્વિસ માટે આવેલી બે ગાડીઓ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે, આ ઘટના બપોરે બની હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયોહાઈવે પર આવેલા આ વર્કશોપમાં ગાડીઓ અને પેઈન્ટના મટીરિયલ વચ્ચે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂરથી પણ જોઈ શકાતા હતા. ઘટનાની જાણ થતા જ મહેસાણા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ સતત 14,000 લિટર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. અન્ય ચાર કારને કોઈ નુકસાન નહીંફાયર વિભાગની સતર્કતા અને ત્વરિત કામગીરીને કારણે વર્કશોપમાં પડેલી અન્ય ચાર જેટલી કિંમતી કારને આગની ઝપેટમાં આવતા બચાવી લેવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં બે ગાડીઓ બળીને ખાખ થઈ હોવાનું સામે આવ્યું છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. પરંતુ સમયસરની કામગીરીથી મોટી દુર્ઘટના ટળી હતી.
બોટાદમાં મહાકાળી માતાજીનો માંડવો યોજાયો:પારેવાની છત્રીના લાભાર્થે ખારા વિસ્તારમાં ભક્તો ઉમટ્યા
બોટાદ શહેરના ખારા વિસ્તારમાં આવેલી વિજય સોસાયટી, સહકાર નગર પાસે શ્રી મહાકાળી માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમ ૧૨ એપ્રિલ, ૨૦૨૬ના રોજ પારેવાની છત્રીના લાભાર્થે યોજાયો હતો. આ ધાર્મિક પ્રસંગે પંચના ભુવાઓ ઉપસ્થિત રહ્યા હતા. માંડવામાં થાંભલી વધાવવાનું મુહૂર્ત ૧૩ એપ્રિલ, ૨૦૨૬, સોમવારે સવારે ૭:૦૦ કલાકે રાખવામાં આવ્યું હતું. રાવળદેવ વિજયભાઈ શિવરાજપુરવાળા અને તેમનું સમગ્ર ગ્રુપ પણ આ માંડવામાં હાજર રહ્યું હતું. માતાજીના માંડવાના દર્શન કરવા, આશીર્વાદ લેવા અને મહાપ્રસાદ ગ્રહણ કરવા માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આ સમગ્ર આયોજન બોટાદના શ્રી મહાકાળી યુવક મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ જિલ્લામાં ખેતીના મુખ્ય આધારસ્તંભ ગણાતા ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓની ગુણવત્તાને લઈને હાલ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જિલ્લાના ખેડૂતોમાં નબળી ગુણવત્તાના કૃષિ ઇનપુટ્સને કારણે ભારે ચિંતા અને અસંતોષની લાગણી જોવા મળી રહી છે. ખેડૂત પ્રતિનિધિઓનો આક્ષેપ છે કે બજારમાં મોટા પાયે ઉપલબ્ધ ડુપ્લીકેટ અને નિમ્ન કક્ષાના ઉત્પાદનોને કારણે ખેતીની જમીન ધીમે ધીમે બંજર બની રહી છે અને દર વર્ષે પાક નિષ્ફળ જવાથી ખેડૂતો આર્થિક પાયમાલી તરફ ધકેલાઈ રહ્યા છે. આ માત્ર આર્થિક જ નહીં પણ આરોગ્યપ્રદ રીતે પણ નુકસાનકારક છે, કારણ કે નબળી દવાઓનો છંટકાવ ખેત પેદાશો મારફતે મનુષ્યના શરીરમાં જઈ કેન્સર જેવા ગંભીર રોગો નોતરી રહ્યો છે. આ ગંભીર ફરિયાદો વચ્ચે જૂનાગઢ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ગુણવત્તા નિયંત્રણ માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. વર્ષ 2025-26 ના આંકડા મુજબ, વિભાગ દ્વારા જિલ્લાભરમાંથી કુલ 1371 નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યા હતા. આ નમૂનાઓની લેબોરેટરીમાં ઝીણવટભરી તપાસ બાદ ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. કુલ લીધેલા નમૂનાઓ પૈકી 46 જેટલા નમૂનાઓ બિન-પ્રમાણિત એટલે કે નાપાસ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં જંતુનાશક દવાઓના 10, ખાતરના 29 અને બિયારણના 7 નમૂનાઓનો સમાવેશ થાય છે. આ આંકડો સ્પષ્ટપણે દર્શાવે છે કે ખેતી માટે વપરાતી પાયાની જરૂરિયાતોમાં મોટા પાયે ભેળસેળ થઈ રહી છે. ખેડૂત અગ્રણી મનસુખભાઈ પટોળીયાએ જણાવ્યું હતું કે ડુપ્લીકેટ ખાતર, દવા અને બિયારણના કારણે ખેડૂતોની મહેનત પાણીમાં જઈ રહી છે. જ્યારે ખેડૂત મોંઘા ભાવે ખરીદી કરે છે અને અંતે ઉત્પાદન મળતું નથી ત્યારે તેની આર્થિક કમર તૂટી જાય છે. તેમણે સરકારને નમ્ર અપીલ કરી છે કે જે કંપનીઓના સેમ્પલ ફેઈલ થયા છે, તેમને માત્ર નોટિસ આપીને સંતોષ ન માનવો જોઈએ. આવી કંપનીઓને કાયમ માટે બ્લેકલિસ્ટ કરી તેમના લાયસન્સ રદ કરવા જોઈએ જેથી અન્ય વિક્રેતાઓમાં કડક સંદેશ જાય અને ખેડૂતોના હિતોનું રક્ષણ થઈ શકે. ખેતીવાડી વિભાગના મદદનીશ ખેતી નિયામક એસ. એન. ગધેસરીયાએ જણાવ્યું હતું કે જ્યારે પણ કોઈ નમૂનો નાપાસ જાહેર થાય છે, ત્યારે તંત્ર દ્વારા તુરંત જ કડક પગલાં લેવામાં આવે છે. સૌ પ્રથમ, જે-તે વિક્રેતા અને ઉત્પાદક કંપનીને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવે છે. આ સાથે જ શંકાસ્પદ જથ્થાના વેચાણ પર 'સ્ટોપ સેલ'નો આદેશ આપી દેવામાં આવે છે, જેથી તે નબળું મટીરીયલ અન્ય કોઈ ખેડૂત સુધી ન પહોંચે. ત્યારબાદ આ તમામ પુરાવાઓ રાજ્ય કક્ષાએ મોકલીને મંજૂરી મેળવ્યા બાદ જવાબદાર વ્યક્તિઓ અને કંપનીઓ સામે ફોજદારી કોર્ટ કેસ દાખલ કરવાની તજવીજ હાથ ધરાય છે. આવા નમૂના નાપાસ થવાના ધોરણો દરેક વસ્તુ માટે અલગ-અલગ હોય છે. દવામાં કન્ટેન્ટની ટકાવારી મુજબ તેના માપદંડો નક્કી હોય છે, જ્યારે ખાતરમાં તેના પ્રકાર (વોટર સોલ્યુબલ, ઓર્ગેનિક કે નેનો ફર્ટિલાઇઝર) મુજબ લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવે છે. બિયારણમાં તેની ઉગવાની ક્ષમતા અને આનુવંશિક શુદ્ધતા તપાસવામાં આવે છે. આ એક નિરંતર ચાલતી પ્રક્રિયા છે, જેમાં વર્ષની શરૂઆતમાં થયેલા કેસોની કાર્યવાહી વર્ષના અંત સુધીમાં પૂર્ણ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. હાલમાં જૂનાગઢના ખેડૂતો અને જનતામાં એક જ માંગ ઉઠી રહી છે કે સરકાર માત્ર આંકડાકીય માહિતી ન આપે પરંતુ જે કંપનીઓ લોકસ્વાસ્થ્ય અને ખેડૂતોના નસીબ સાથે ચેડાં કરે છે તેની સામે દાખલારૂપ કાર્યવાહી કરે. જો સરકાર યોગ્ય રસાયણો અને શુદ્ધ બિયારણની ઉપલબ્ધતા સુનિશ્ચિત નહીં કરે, તો આગામી સમયમાં ખેતીના પાક અને જમીનની ફળદ્રુપતા બંને જોખમાઈ શકે છે. વહીવટી તંત્રની આ કામગીરી હાલ તો ખેડૂતોને આશ્વાસન આપી રહી છે, પરંતુ કાયદાકીય લડત ક્યારે અંજામ સુધી પહોંચે છે તે જોવું રહ્યું.
રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીને લઇ માહોલ ગરમાયો. આજે ફોર્મ ચકાસણી કાર્યવાહી પૂર્ણ થતા કોંગ્રેસ દ્વારા ફોર્મ પરત ખેંચવા સમય સુધી ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઇ જવા ફરજ પડી છે. રાજકોટ શહેર કોંગ્રેસના વર્તુળોમાં ચર્ચાતી વિગત મુજબ જેટલા જુના અને પીઢ કોંગ્રેસી આગેવાનોની ટિકિટ આપી છે, તેને બાદ કરતા બાકીના 25 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઇ જવામાં આવ્યા છે જેમને બુધવારે સાંજે પરત રાજકોટ લાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 15 એપ્રિલ છે. અમારા ઉમેદવારને દબાવવાના પ્રયાસ શરુ કરવામાં આવ્યા હતા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદિપસિંહ જાડેજાએ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રીના સમયે ભાજપના મોટા માથાઓ દ્વારા અમારા ઉમેદવારને દબાવવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. જેથી, તાત્કાલિક અમે અમારી કોંગ્રેસ અને યુથ કોંગ્રેસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ભાજપને દાદાગીરી ન કરવા જણાવ્યું હતું. ભાજપ હાર ભાળી ગઈ છે માટે તે કોઈ પણ હદ સુધી જઈ શકે તેમ છે માટે ખાસ અમે નિર્ણય કર્યો છે. એક પણ ઉમેદવારને ભાજપ ડરાવી ફોર્મ ખેંચાવી ન શકે એવી પૂરતી તૈયારીતેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં 72 ઉમેદવાર છે. અમારા કોંગ્રેસ પક્ષના જેમાં તમામ 72 ઉમેદવારને અજ્ઞાત સ્થળ પર નથી મોકલવામાં આવ્યા. પરબટુ વોર્ડવાઈઝ અમારા સક્ષમ ઉમેદવાર અને આગેવાનોને અમે જવાબદારી આપી છે. અમારા સક્ષમ ઉમેદવારો અને આગેવાનો અમારા બાકીના ઉમેદવારોનું ધ્યાન રાખશે. કોઈ જગ્યાએ ચાર ઉમેદવાર અજ્ઞાત સ્થળ પર ગયા છે તો કોઈ જગ્યાએ બે ઉમેદવાર વિસ્તારમાં પ્રચારમાં છે અને બે અજ્ઞાત સ્થળે છે. આ વર્ષે કોંગ્રેસ પક્ષના એક પણ ઉમેદવારને ભાજપ દબાવી ડરાવી ફોર્મ પરત નહિ ખેંચાવી શકે તે માટે અમે પૂરી તૈયારી કરી છે.

29 C