SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

26    C
...

સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા:સિંગણપોર બ્લ્યુબેલ જવેલ્સ અને મહિધરપુરામાં ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ; યુપીના જૌનપુરથી વેશ પલટો કરી 2 રીઢા તસ્કરોની ધરપકડ

સુરત શહેરના સિંગણપોર વિસ્તારમાં આવેલી 'બ્લ્યુબેલ જવેલ્સ' અને મહિધરપુરામાં આવેલી ઓફિસોમાં ત્રાટકી લાખોની મત્તા ચોરી જનાર ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશથી દબોચી લીધી છે. પોલીસે બે રીઢા આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી હીરા જડિત સોના-ચાંદીના દાગીના, મોજેનાઇટ ડાયમંડ અને વાહન મળી કુલ 11.73 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. કેવી રીતે ઓપરેશન પાર પાડ્યું? ગત તા. 21/02/2026 ના રોજ કતારગામ આંબા તલાવડી પાસે આવેલી જ્વેલર્સની દુકાનમાંથી 12.26 લાખની ચોરી થઈ હતી. આ ગુનાની તપાસમાં લાગેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસ દ્વારા બાતમી મળી હતી કે આરોપીઓ યુપીના જૌનપુર ભાગી ગયા છે. પોલીસે તાત્કાલિક ટીમ રવાના કરી વેશ પલટો કરી જૌનપુરના બરસઠી પોલીસ સ્ટેશન વિસ્તારના ચર્તુભુજપુર પુલ પાસેથી બંનેને ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓમાં કિશન કમલાશંકર દુબે (રહે. ગામ-ગહલી, જૌનપુર, યુપી), સુનીલ સંતોષભાઈ સાહુ (રહે. રાજમંદિર રેસીડેન્સી, તાતીથૈયા, કડોદરા) નો સમાવેશ થાય છે. ચોરીનો સામાન કબાટમાં છુપાવ્યો હતો પકડાયેલા આરોપી સુનીલ સાહુએ કબૂલાત કરી હતી કે ચોરી કરેલા મુદ્દામાલ પૈકીના કેટલાંક દાગીના તેણે કડોદરાના તાતીથૈયા ખાતે આવેલા તેના ઘરે લોખંડના કબાટમાં છુપાવ્યા છે. પોલીસે તેના ઘરેથી 23.58 ગ્રામ સોનાના દાગીના, 61.14 ગ્રામ ચાંદીના દાગીના અને ગુનામાં વપરાયેલી પલ્સર મોટર સાઇકલ રિકવર કરી છે. અન્ય કયા ગુનાના ભેદ ઉકેલાયા? મહિધરપુરા: 2025માં ઉતરાયણ વખતે સુમુલ ડેરી રોડ પર આવેલી બે ઓફિસોમાંથી 3 લેપટોપ અને 7 મોબાઈલની ચોરી. અડાજણ: 15 દિવસ પહેલા એક હોસ્પિટલમાંથી રોકડની ચોરી. અલથાણ: 2-3 મહિના પહેલા એક ઓફિસમાંથી સેમસંગ ફોલ્ડ મોબાઈલ અને રોકડની ચોરી. આરોપીઓનો ક્રિમિનલ ઇતિહાસ ઝડપાયેલો કિશન દુબે સુરતના અલગ-અલગ પોલીસ સ્ટેશન જેવા કે અમરોલી, વરાછા, ગોડાદરા, પુણા, ઉત્રાણ અને પાંડેસરામાં કુલ 10 ગુનાઓમાં સંડોવાયેલો છે અને અગાઉ પાસા હેઠળ જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે. જ્યારે સુનીલ સાહુ સામે ઉધના, ડિંડોલી અને સચિનમાં ચોરી તેમજ પ્રોહિબિશનના 6 ગુનાઓ નોંધાયેલા છે. 11.73 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો પોલીસે બંને આરોપીઓ પાસેથી 11.73 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જેમાં હીરા જડિત સોના-ચાંદીના દાગીના 8,54,000, મોજેનાઇટ ડાયમંડ 2,32,000, પલ્સર મોટર સાઇકલ 70,000, મોબાઈલ અને રોકડ 16,800નો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 9:28 pm

પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી:વાહન ધીમુ ચલાવવાનું કહેતા દંપતિ પર હૂમલો, ટુ વ્હીલર પર જતા વકીલને હડફેટે લઈ રિક્ષા ચાલક ફરાર

રાજકોટમાં પતિએ પત્ની સાથે ઝઘડો કરી તેને ઘરમાંથી કાઢી મૂક્યા બાદ તેના માતાના ઘરે જઈ ધમકી આપી કે આપની દીકરી હવે અમારા ઘરે પરત આવશે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જ્યારે બીજા બનાવમાં વાહન ધીમુ ચલાવવાનું કહેતા દંપતિ પર ટોળકીએ હૂમલો કરતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. શહેરના રેલનગરમાં શિવાલય ચોક પાસે સંકલ્પ સિધ્ધ એપાર્ટમેન્ટમાં રહેતા મિતલબેન વિસાણીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, પતિ જયદેવભાઈ નાની નાની બાબતોમાં માથાકૂટ કરે છે અને સાસુ ભાનુબેનની ચઢામણીથી ઝઘડાઓ કરે છે. ગત 24 ફેબ્રુઆરીના સાંજના સમયે પતિ જયદેવભાઈએ ઘરની બહાર કાઢી મૂકી અને આટલું ઓછું હોય તેમ પતિ પોતાના સાસુ એટલે કે પત્નીના માતાના ઘરે પહોંચ્યો અને પરત ઘરે આવશે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી. જેથી પત્નીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરવામાં આવી છે. શેરીમાંથી પૂર ઝડપે વાહન ચલાવવાની ના પાડતા દંપતી પર હુમલો શહેરમાં નજીવી બાબતમાં માથાકૂટ સામાન્ય બની છે. મોરબી રોડ ઉપર ખોડીયાર પાર્ક શેરી નંબર 2 માં રહેતા ક્રિષ્નાબેન બોરીચાએ બી ડિવિઝન પોલીસ મથકમાં શૈલેષભાઈ અને વર્ષાબેન સીપરીયા તથા અજાણ્યા 10 થી 12 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ ફરિયાદી ક્રિષ્નાબેનને ઉપરોક્ત આરોપીઓ પૈકી બે આરોપીઓને શેરીમાં વાહન પુરપાટ ઝડપે ચલાવવાની ના પાડતા મામલો ગરમાયો હતો અને ઝઘડો થયો હતો જેમાં આરોપીઓએ ફરિયાદી તેમજ જીલુભાઈ સોઢીયાના ઘર ઉપર પથ્થરમારો કર્યો હતો. જેમાં ફરીયાદીના પતિ વાલાભાઈને ઇજા પહોંચી હતી જ્યારે ક્રિષ્નાબેનને માથામાં પાઈપ મારી દીધો હતો. જેથી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રીક્ષા હડફેટે વકીલ ઇજાગ્રસ્ત શહેરના નવા થોરાળામાં ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા અને વકીલાત કરતા 54 વર્ષીય દિપકભાઈ બથવાર ગત 3 ફેબ્રુઆરીના જયુબેલી રોડ પર પોતાનું ટુ વ્હીલર લઈને જતા હતા ત્યારે ચંદુલાલ બુચ વન વે રોડ માંથી એક અજાણ્યો રિક્ષા ચાલક પુરપાટ ઝડપે આવ્યો હતો અને વકીલને હડફેટે લીધા હતા. જેથી વકીલને જમણા હાથના કાંડાના ભાગે ફ્રેકચર થયુ હતુ. જેથી વકીલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા રીક્ષા ચાલકને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 9:19 pm

અમરેલીમાં કાળજું કંપાવતો ભયાનક અકસ્માત:લીલીયાના ગુંદરણ પાસે અજાણ્યા વાહનને ઘડાકાભેર અથડાતાં 3ના મોત, બાઈક પર જઈ રહ્યા હતા

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ અને ઢાંગલા ગામ વચ્ચે ગત રાત્રિએ એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક જ મોટરસાઈકલ પર સવાર 4 લોકો આગળ જઈ રહેલા અજાણ્યા ભારે વાહન પાછળ ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 2 યુવાનો અને માત્ર 6 વર્ષના એક માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે 1 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. જેથી પરિવારજનોની હૈયાફાટ રૂદનથી વાતાવરણ ગમગીન બન્યું હતું. ભારે વાહન પાછળ બાઈક ઘૂસતાં હોનારતમળતી વિગતો મુજબ, અકસ્માત એટલો ભીષણ હતો કે બાઈક સવાર યુવાનોને સંભાળવાની તક પણ મળી નહોતી. મૃતકો ઢાંગલા ગામના કાંતિ ગોબર વિરડીયાની વાડીએ ભાગ્યા તરીકે કામ કરતા પરપ્રાંતીય ખેતમજૂરો હોવાનું જાણવા મળ્યું છે. રાત્રિના અંધકારમાં અજાણ્યા ભારે વાહનની પાછળ મોટરસાઈકલ ઘૂસી જતાં ચીસાચીસ મચી ગઈ હતી. ઘટનાને પગલે આસપાસના ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. બાઈક પર સવાર બાળકની તો આખી ખોપડી ફાટી ગઈ હતી અને ઉપરનો ભાગ અલગ થઈ ગયો હતો. પોલીસ કાર્યવાહી અને તપાસઅકસ્માત સર્જાયા બાદ અજાણ્યા વાહનનો ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ લીલીયા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. વિસ્તારમાં શોકનું મોજુંમાત્ર 6 વર્ષના માસૂમ બાળક સહિત 3 લોકોના અકાળે અવસાનથી સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી ફેલાઈ છે. લીલીયા પોલીસે આ મામલે ગુનો નોંધી, ફરાર વાહનચાલકની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 8:42 pm

જૂનાગઢ દામોદર કુંડ રાળ ઉત્સવ,વિરહની અગ્નિ અને આસ્થાનો સંગમ.:જૂનાગઢના પ્રાચીન રાધા દામોદરરાયજી મંદિરે ભવ્ય 'રાળ ઉત્સવ'ની ઉજવણી: ગોપીઓના વિરહભાવ અને વૈજ્ઞાનિક મહત્વ સાથે સેંકડો વૈષ્ણવો અબીલ-ગુલાલમાં રંગાયા.

ગીરનારની તળેટીમાં આવેલા પવિત્ર યાત્રાધામ જૂનાગઢના દામોદર કુંડ ખાતે રવિવારે 'શ્રી રાધા દામોદરજી ચેરિટેબલ ટ્રસ્ટ' દ્વારા પરંપરાગત 'રાળ ઉત્સવ'ની અત્યંત ભાવપૂર્વક અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. હોળાષ્ટક પૂર્ણ થયા બાદ અને ધૂળેટી પૂર્વે ઉજવાતા આ વિશિષ્ટ ઉત્સવમાં જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવો અને ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. રાધા દામોદરરાયજીના સાનિધ્યમાં આયોજિત આ ઉત્સવે સમગ્ર તીર્થક્ષેત્રને ભક્તિમય અને રંગીન વાતાવરણમાં તરબોળ કરી દીધું હતું. ​પુષ્ટિ સંપ્રદાયમાં રાળ ઉત્સવનું વિશેષ મહત્વ રહેલું છે. મંદિરના ટ્રસ્ટી વિરાટ ઠાકર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ ઉત્સવ ભગવાન શ્રીકૃષ્ણ અને ગોપીઓ વચ્ચેના પ્રેમ અને વિરહનું પ્રતીક છે. પૌરાણિક માન્યતા અનુસાર, જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ મથુરા છોડીને દ્વારકા પધાર્યા, ત્યારે રાધિકાજી અને ગોપીઓ મથુરામાં જ રહી ગયા હતા. પ્રભુના વિરહમાં ગોપીઓના હૃદયમાં જે વિરહની અગ્નિ પ્રજ્વલિત થઈ હતી, તેના પ્રતિબિંબ રૂપે આ રાળ ઉત્સવ મનાવવામાં આવે છે. ઉત્સવ દરમિયાન મંદિરના મુખ્યાજી દ્વારા મશાલ પ્રગટાવવામાં આવે છે અને તેના પર રાળ (એક પ્રકારના અનાજનો લોટ અથવા ઔષધીય દ્રવ્ય) ફેંકવામાં આવે છે. જ્યારે રાળ અગ્નિના સંપર્કમાં આવે છે, ત્યારે તેમાંથી પ્રચંડ જ્વાળાઓ અને ભડકા ઉત્પન્ન થાય છે. આ ભડકા ગોપીઓના હૃદયમાં પ્રભુ પ્રત્યેની વિરહની જ્વાળાઓનું સૂચન કરે છે. આ પ્રસંગે ભક્તો અને ભગવાન વચ્ચે રિસામણા-મનામણાના પદો અને રસિયાઓ ગાઈને વાતાવરણને જીવંત બનાવવામાં આવ્યું હતું. ​રાળ ઉત્સવ માત્ર ધાર્મિક આસ્થા જ નહીં, પરંતુ ઊંડું વૈજ્ઞાનિક મહત્વ પણ ધરાવે છે. હાલમાં જ્યારે શિયાળા અને ઉનાળાની મિશ્ર ઋતુ (ઋતુ પરિવર્તન) ચાલી રહી છે, ત્યારે વાતાવરણમાં હાનિકારક વિષાણુઓ અને જંતુઓનો ઉપદ્રવ વધતો હોય છે. રાળ ઉત્સવમાં વપરાતી રાળ અને તેનાથી ઉત્પન્ન થતો ઔષધિય યુક્ત ધુમાડો હવામાં રહેલા હાનિકારક બેક્ટેરિયા અને વાયરસનો નાશ કરવામાં મદદરૂપ થાય છે.આમ આ ઋષિ-મુનિઓ દ્વારા સ્થાપિત પરંપરા જનસ્વાસ્થ્યના રક્ષણનો પણ એક માર્ગ છે. ​આ વર્ષે રાળ ઉત્સવ દરમિયાન એક વિશેષ સંકેત પણ જોવા મળ્યો હતો. મશાલમાંથી નીકળતી રાળની જ્વાળાઓ પૂર્વ દિશા તરફ ગતિ કરતી જોવા મળી હતી. જ્યોતિષીય અને લોકમાન્યતા મુજબ, રાળની જ્વાળાનું પૂર્વ દિશામાં જવું એ આગામી વર્ષ સુખદ અને સમૃદ્ધ રહેવાના સંકેત આપે છે. આ સાથે જ પુરુષોત્તમ માસમાં સારા વરસાદની આગાહી પણ કરવામાં આવી છે, જેનાથી ખેડૂતો અને ભક્તોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ​ઉત્સવના અંતિમ ચરણમાં ભક્તોએ એકબીજા પર અબીલ, ગુલાલ અને વિવિધ રંગો છાંટીને હોળી-ધૂળેટીની પૂર્વ સંધ્યાએ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. જે રીતે બરસાનામાં હોળી ખેલાય છે, તેવો જ નજારો દામોદર કુંડના ઘાટ પર જોવા મળ્યો હતો. આધુનિક મશીનો દ્વારા હવામાં ઉડાડવામાં આવેલા રંગો અને ઠાકોરજીના સન્મુખ ખેલાયેલા ફૂલડોલ ઉત્સવે ઉપસ્થિત તમામ વૈષ્ણવોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. રાધા દામોદરજી મંદિર ખાતે સાત સ્વરૂપોની સેવા પુષ્ટિ પદ્ધતિથી કરવામાં આવે છે, જેમાં રાધિકાજીની કૃપા વગર પ્રભુની પ્રાપ્તિ અશક્ય હોવાનું માનવામાં આવે છે.​આમ આધ્યાત્મિક ભાવ, પરસ્પર પ્રેમ અને પ્રાચીન સંસ્કૃતિના જતન સાથે ઉજવાયેલા આ રાળ ઉત્સવે યાત્રાધામ જૂનાગઢમાં એક નવી જ ચેતના જગાડી હતી.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 8:41 pm

અમદાવાદમાં આજે ક્રાઈમ બ્રાન્ચની કોમ્બિંગ નાઇટ:દારુ પીધેલા અને ટ્રાફિક રુલ્સ તોડનારાઓને દબોચ્યા, હિસ્ટ્રીશીટર અને બુટલેગરોના ઘરે રેડ; 100થી વધુ SUV અને ફેન્સી બાઇકોનું ચેકિંગ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શહેરમાં વધતા અપરાધો અને અનિયમિત પ્રવૃત્તિઓ પર કડક કાબૂ મેળવવા માટે ખાસ 'કોમ્બિંગ નાઈટ'નું આયોજન કર્યું હતું. જેસીપી શરદ સિંગલ અને ડીસીપી અજીત રાજીયાણેના નેતૃત્વમાં સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ આખી રાત શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં વ્યાપક તપાસ અને પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. પોલીસે 100થી વધુ SUV, કાર અને ફેન્સી બાઇકોની તપાસ કરીઆ કોમ્બિંગ ડ્રાઇવ દરમિયાન પોલીસે 100થી વધુ SUV, કાર અને ફેન્સી બાઇકોની તપાસ કરી હતી. આમાંથી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા 54 વાહનચાલકો સામે કેસ નોંધવામાં આવ્યા હતા. નશામાં વાહન ચલાવતા 4 ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યારે દારૂ પીધેલા 10 વ્યક્તિઓના કેસ પણ નોંધાયા હતા. 42 માથાભારે શખસોને પોલીસ સ્ટેશને પૂછપરછ માટે બોલાવ્યાક્રાઈમ બ્રાન્ચે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાંથી 42 માથાભારે શખસોને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી તેમની પૂછપરછ કરી હતી. આમાંથી 10 વ્યક્તિઓ સામે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ હતી. ઉપરાંત, 43 હિસ્ટ્રીશીટર અને ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વોની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી. તેમની વર્તમાન પ્રવૃત્તિઓ અને શહેરમાં શાંતિ જોખમાય તેવી કોઈ ગતિવિધિ કરી રહ્યા છે કે કેમ તેની પણ તપાસ કરાઈ હતી. કુખ્યાત 22 બુટલેગરોના ઠેકાણાઓ પર રેડ કરવામાં આવીઆ ઉપરાંત, રાત્રે શહેરના વિવિધ વિસ્તારોમાં કુખ્યાત 22 બુટલેગરોના ઠેકાણાઓ પર રેડ કરવામાં આવી હતી. આ રેડમાંથી 4 સ્થળોએ પ્રોહિબિશન એક્ટ હેઠળ કેસ નોંધાયા હતા. અમદાવાદમાં વધી રહેલી ડ્રગ્સ અને હાઇબ્રિડ ગાંજાની હેરાફેરીને ધ્યાનમાં રાખીને ભૂતકાળમાં આવા કેસમાં ઝડપાયેલા 32 પેડલરોની પણ ચકાસણી કરવામાં આવી હતી અને તેઓ હાલ આ ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે કે કેમ તેની તપાસ ચાલુ છે. અગાઉ શહેરની શાંતિ જોખમાય તેવી પ્રવૃત્તિમાં સંડોવાયેલા 18 વ્યક્તિઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી અને તેઓ વર્તમાનમાં આવી કોઈ ગતિવિધિ કરી રહ્યા છે કે કેમ તેની પણ તપાસ કરાઈ હતી. આ કોમ્બિંગ નાઈટ દ્વારા અમદાવાદ પોલીસે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કડક અભિગમ અપનાવ્યો છે. જેસીપી શરદ સિંગલ અને ડીસીપી અજીત રાજીયાણેના નિર્દેશન હેઠળ આવા અભિયાનો નિયમિત રીતે ચાલુ રહેશે, જેથી નાગરિકોને સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણ મળી રહે.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 8:35 pm

વસ્ત્રાપુરમાં કારની ટક્કરે વૃદ્ધનું મોત:એસજી હાઈવે પર બાઈક ચાલકની ટક્કરે સિક્યુરિટી ગાર્ડ મોતને ભેટ્યો, પાર્ક ટ્રક પાછળ અથડાતા યુવકે જીવ ગુમાવ્યો

અમદાવાદ શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં થયેલા ત્રણ માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. વસ્ત્રાપુરમાં ઓવરસ્પીડ કારની ટક્કરે 84 વર્ષીય વૃદ્ધનું મોત નિપજ્યું છે. એસજી હાઈવે પર બાઈક ચાલકની અડફેટે 60 વર્ષીય સિક્યુરિટી ગાર્ડનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. વટવામાં પાર્ક કરેલી ટ્રક પાછળ અથડાતા 19 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. ત્રણેય બનાવમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. વસ્ત્રાપુરમાં કારની ટક્કરે વૃદ્ધનું મોતવસ્ત્રાપુર વિસ્તારમાં હિટ એન્ડ રનનો કરુણ બનાવ સામે આવ્યો છે. તક્ષશિલા ટાવરમાં રહેતા 84 વર્ષીય મહેશચંદ્ર રાંદેર ગત 25મી તારીખે બપોરે વસ્ત્રાપુરથી માનસી સર્કલ તરફ પગપાળા જઈ રહ્યા હતા. સુદર્શન કોમ્પલેક્ષ નજીક ઓવરસ્પીડમાં દોડતી કારે તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે તેઓ હવામાં ફંગોળાઈ જમીન પર પટકાયા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. શરૂઆતમાં દિકરીને વૃદ્ધ પિતા રસ્તા પર બેભાન થઈ ગયા હોવાની જાણ કરવામાં આવી હતી. પરંતુ તપાસમાં કાર અકસ્માતમાં મોત થયું હોવાનું સામે આવતા એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કારચાલક સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદ નોંધી કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. ગોતામાં બાઈક ચાલકની ટક્કરે સિક્યુરિટી ગાર્ડનું મોતગોતામાં ઓવરસ્પીડિંગનો વધુ એક જીવલેણ અકસ્માત સામે આવ્યો છે. મહાત્મા ગાંધી વસાહતમાં રહેતા 60 વર્ષીય સિદ્ધાસીંગ ચૌહાણ સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. ગત 28મી તારીખે સવારે એસજી હાઈવે પર ગોતાથી વૈષ્ણોદેવી સર્કલ તરફ જવા માટે નીકળ્યા હતા. વેદા હ્યુન્ડાઈ શોરૂમ નજીક રોડ ક્રોસ કરતી વખતે ઓવરસ્પીડમાં આવેલા ટુ-વ્હીલરે તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે હવામાં ફંગોળાઈ રસ્તા પર પટકાયા હતા. રસ્તા પર પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી સ્થાનિક લોકો તેમને સારવાર માટે લઈ ગયા હતા. જો કે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. જે બાદ એસજી હાઈવે ટ્રાફિક પોલીસે આરોપી જીગર જાડેજા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વટવામાં પાર્ક ટ્રક પાછળ અથડાતા યુવકે જીવ ગુમાવ્યોશહેરમાં વધુ એક બેદરકારીભર્યા અકસ્માતે યુવાનનો જીવ લીધો છે. નિકોલમાં રહેતા 19 વર્ષીય વિશાલ સિસોદીયા પાલડીની ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. રોજની જેમ 23મી તારીખે સવારે ટુ-વ્હીલર પર કામે નીકળ્યો હતો. વટવા એસપી રીંગ રોડ તરફ જતા સમયે બ્રિજ ઉતરી રોપડા ચાર રસ્તા નજીક પહોંચતા જ અચાનક રસ્તા પર પાર્કિંગ લાઇટ વિના ઉભેલા ટ્રક સાથે તેની બાઈક જોરદાર અથડાઈ હતી. ટક્કર બાદ વિશાલ રસ્તા પર પટકાતા તેમના માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી સ્થાનિક લોકોએ તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ ખેસેડ્યો હતો. તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છતાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં ટ્રક ચાલકની બેદરકારી સામે આવતા જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 8:14 pm

ટ્રમ્પની ધમકી બાદ ધ્રુજી ઉઠ્યું ઈરાન! 'પાવર સેન્ટર' પર ઈઝરાયલનો હુમલો, અનેક બિલ્ડિંગો ધ્વસ્ત

US-Israel Attacks On Iran : અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત સૈન્ય અભિયાનમાં ઈરાનમાં ભયાનક તબાહી સર્જાઈ છે. ઈઝરાયલી સેનાએ પ્રથમ વખત ઈરાનની રાજધાની તેહરાનના મધ્ય ભાગ એટલે કે 'તેહરાનના હાર્દ' પર સીધો હુમલો કર્યો છે. આ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામનેઈ ઉપરાંત આર્મી ચીફ ઓફ સ્ટાફ, સંરક્ષણ મંત્રી, રિવોલ્યુશનરી ગાર્ડના વડા અને ખામનેઈના ટોચના સુરક્ષા સલાહકાર પણ માર્યા ગયા હોવાની પુષ્ટિ થઈ છે.

ગુજરાત સમાચાર 1 Mar 2026 8:01 pm

વ્યાજખોરના ત્રાસથી યુવકે જિંદગી ટૂંકાવી:રણેલાના યુવકે ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી, મૃતકના ખિસ્સામાંથી બે પેજની સુસાઈડ નોટ મળી

મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના રણેલા ગામના એક યુવકે વ્યાજખોરોના અસહ્ય ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકીઓથી કંટાળીને ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ મામલે મૃતકના પિતાએ મોઢેરા પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. યુવકના ખિસ્સામાંથી બે પાનાની સુસાઈડ નોટ મળી હતીબેચરાજીના રણેલા ગામના વતની અને મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં ફરજ બજાવતા હસમુખભાઈ ડાહ્યાલાલ પટેલના મોટા પુત્ર સંદીપકુમારે ગત 27 ફેબ્રુઆરીના રોજ પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. પુત્રની હાલત લથડતા પરિવારજનો તેને તાત્કાલિક મહેસાણાની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. સારવાર દરમિયાન સંદીપના ખિસ્સામાંથી બે પાનાની સુસાઈડ નોટ અને દવાની ત્રણ ખાલી બોટલો મળી આવી હતી. સુસાઈડ નોટમાં ખુલાસો થયો છે કે,યુવરાજસિંહ પ્રવિણસિંહ રાજપુત, શક્તિસિંહ અને પ્રકાશસિંહ દરબાર નામના શખ્સો પાસેથી સંદીપે વ્યાજે નાણાં લીધા હતા. આ શખ્સો દ્વારા ઉંચા વ્યાજની કડક ઉઘરાણી કરવામાં આવતી હતી અને ફોન પર અવારનવાર જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી. મોઢેરા પોલીસ સ્ટેશનમાં ત્રણ વ્યાજખોર સામે ફરિયાદવ્યાજખોરોના સતત ડર અને માનસિક ત્રાસને કારણે આર્થિક ભીંસમાં મુકાયેલા સંદીપે આ અંતિમ પગલું ભર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.મૃતકના પિતા હસમુખભાઈએ આ ત્રણેય શખ્સો વિરુદ્ધ પુત્રને આત્મહત્યા કરવા મજબૂર કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે. મોઢેરા પોલીસે સુસાઈડ નોટ અને પુરાવા કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 7:53 pm

સચિન વિસ્તારના શુભમ કોમ્પ્લેક્સમાં આગ:લાખો રૂપિયાનું ગારમેન્ટ બળીને ખાખ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન

આજે સવારે શહેરના સચિન વિસ્તારમાં આવેલી એક તૈયાર કપડાંની દુકાનમાં ભીષણ આગ ફાટી નીકળતા 15 લાખ રૂપિયાનો માલ બળીને રાખ થઈ ગયો છે. સચિનની સરસ્વતી સ્કૂલ પાસે આવેલા શુભમ કોમ્પ્લેક્સમાં લાગેલી આ આગને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આર્થિક રીતે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કપડાના કારણે ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુંમળતી માહિતી અનુસાર, સચિન વિસ્તારમાં સરસ્વતી સ્કૂલની નજીક આવેલ શુભમ કોમ્પ્લેક્સમાં શ્રી સુનવાની ક્રિએશન નામની રેડીમેડ ગારમેન્ટની દુકાન આવેલી છે. આ દુકાનના માલિક મનોજભાઈ છે, જેઓ છેલ્લા એક વર્ષથી અહીં પોતાનો વ્યવસાય ચલાવી રહ્યા હતા. આજે સવારે આશરે 11 વાગ્યાના સુમારે જ્યારે કામકાજ ધમધમી રહ્યું હતું, ત્યારે અચાનક દુકાનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. જોતજોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું કે દુકાન અંદર રહેલો તમામ સામાન લપેટમાં આવી ગયો હતો. આસપાસના દુકાનદારો અને રહીશોએ તાત્કાલિક ધોરણે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાપડનો જથ્થો હોવાથી આગ ઝડપથી પ્રસરી ગઈ હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યું અનુમાનઆગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. દુકાનમાં ઈલેક્ટ્રિક વાયરીંગમાં અચાનક થયેલા સ્પાર્કને કારણે ગારમેન્ટના જથ્થાના કારણે આગ વધી હતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક અંદાજ મુજબ, આ આગમાં અંદાજે 15 લાખ રૂપિયાની કિંમતનો તૈયાર માલ, કાચું કાપડ અને અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો છે. મનોજભાઈ માટે આ એક મોટો આર્થિક ફટકો છે કારણ કે આ ગારમેન્ટ યુનિટ છેલ્લા એક વર્ષથી જ ચાલુ કર્યું હતું. દુકાનમાં રહેલા મશીન અને કપડા બળી ગયાસબ ફાયર ઓફિસર દીપક એમ. બારોટે જણાવ્યું હતું કે, આજ રોજ 11:50 કલાકે અમને ફાયર કંટ્રોલમાંથી કોલ આપવામાં આવેલ કે શુભમ કોમ્પ્લેક્સ, સચિન દુકાનમાં આગ લાગેલી છે. અમે તરત ઘટના સ્થળ માટે નીકળી ગયેલા અને ઘટના સ્થળે પહોંચ્યા, જોયું તો દુકાનમાંથી આગ ચાલુ હતી. અમે ઘટના સ્થળે પહોંચી ગયા અને ફાયર ફાઇટીંગ કરવાનું કામ ચાલુ કરી દીધું અને આગને કંટ્રોલમાં કરી અને કૂલિંગનું કામ કર્યું. આગળ તેઓએ જણાવ્યું હતું કે, બે દુકાનો હતી એમાં સિલાઈ મશીન હતા અને ત્રીજી જે દુકાન હતી જેમાં આગ લાગેલી હતી એમાં બે-ત્રણ મશીન હતા અને રો મટીરીયલ સિલાઈ કાપડનું રો મટીરીયલ પડેલું હતું, જે તમામ બળીને ખાખ થઈ ગયું છે. પાર્ટીના જણાવ્યા પ્રમાણે શોર્ટ સર્કિટથી આગ લાગેલી છે અને પાર્ટીના જણાવ્યા મુજબ એમનું એવું કહેવું છે કે અંદાજિત 15 લાખનું નુકસાન થયેલ છે.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 7:12 pm

4 લોકોએ પૈસા ડબલ કરવાની લાલચ આપી 3.24 કરોડ પડાવ્યા:વેચાણ દસ્તાવેજ ના કરી આપતા છેતરપિંડી, અમદાવાદમાં રોકાણ ને ઓનલાઇન વેપારના નામે છેતરપિંડીના ત્રણ બનાવ

અમદાવાદ શહેરમાં રોકાણ અને ઓનલાઇન વેપારના નામે મોટી છેતરપિંડીના ત્રણ બનાવો સામે આવ્યા છે. સેટેલાઈટ વિસ્તારમાં રહેતા જમીન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા જશ ભાટિયાને સહદેવ કેપિટોલ સ્કીમમાં રોકાણ કરી પૈસા ડબલ કરવાની લાલચ આપી 3.24 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. બીજી તરફ સહકારનગરના 24 વર્ષીય યુવક સાથે ટેલિગ્રામ મારફતે ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટના નામે છેતરપિંડી આચરવામાં આવી છે. વધુ નફાની લાલચ આપી ક્યૂઆર કોડ દ્વારા હપ્તાવાર રૂપિયા પડાવી કુલ 16 હજારથી વધુ રકમ ગેરકાયદેસર રીતે ઉપાડી લેવાઈ છે. જ્યારે ઘાટલોડિયામાં રહેતા એક વેપારી સાથે ઈન્ડિયા માર્ટ પર ઘી પ્રોડક્ટ વ્યાજબી ભાવે આપવાની લાલચ આપી 2.51 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. સેટેલાઈટના શખ્સ સાથે 4 લોકોએ 3.24 કરોડની છેતરપિંડી આચરીસેટેલાઈટ વિસ્તારમાં રહેતા જશ ભાટિયાને સહદેવ કેપિટોલ નામનો સ્કીમમાં રોકાણ કરવાનો લાલચ આપી 4 લોકોએ 3.24 કરોડની છેતરપિંડી આચરી છે. જશ ભાટિયા જમીન લે વેચનું કામ કરે છે. 2024માં જશ ભાટિયાના મિત્રએ માનવ મંદિર ચાર રસ્તા પાસે સહદેવ કેપિટોલ નામની સ્કીમમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લાલચ આપી હતી. પૈસા ડબલ થઈ જશે તેવી લાલચ આપી હોવાથી ફરિયાદીએ રોકાણ કરવાની સંમતિ દર્શાવી હતી. રોકાણ કરશો તો સારું વળતર મળશેની લાલચ ત્યારબાદ બાદ મનીષ રાઠોડ, પ્રતિક કેજરીવાલને જાણ કરી રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી પ્રતીક કેજરીવાલે સહદેવ કેપિટોલના માલિક નિકિન પટેલ સાથે મુલાકાત કરાવી હતી. નિકીન પટેલે વેજલપુરમાં સહદેવ કેપિટોલ નામની કોમર્શિયલ કોમ્પેક્સની સ્કીમ બનાવવાની કામકાજ ચાલુ હોવાનું જણાવ્યું હતું. તેમજ સ્કીમમાં સાતમા માણે યુનિટ ખાલી છે તેમાં રોકાણ કરશો તો સારું વળતર મળશે તેવી ફરિયાદીને લાલચ આપી હતી. 10 લાખ રૂપિયા રોકડા ટોકન સ્વરૂપે આપ્યાજેથી ફરિયાદીએ સાતમા માળે યુનિટ 708થી 714 સુધી અલગ અલગ સ્ક્વેર ફૂટની 7 ઓફિસ 4.77 કરોડમાં વેચાણ પર રાખવાનું નક્કી કર્યું હતું. જો કે ફરિયાદીને મનીષ રાઠોડ પાસેથી 3 કરોડ રૂપિયા લેવાના નીકળતા હતાં. જેથી વાતચીત દરમિયાન મનીષ રાઠોડે સહદેવ કેપિટોલના ભાગીદારી સંબંધ હોવાનું જણાવી 10 લાખ ટોકનના આપી બાકીના લેવાના નીકળતા 3 કરોડ રૂપિયા સહદેવ કેપિટોલમાં જમાં કરાવી દેવાની ખાતરી આપી હતી. તેમજ બાકી રહેતી રકમ ચેક મારફતે ચૂકવી આપવાનું કહેતા ફરિયાદીએ વિશ્વાસ રાખી 10 લાખ રૂપિયા રોકડા ટોકન સ્વરૂપે આપ્યા હતા. વેચાણ દસ્તાવેજ ના કરી આપતા છેતરપિંડીતેમજ મનીષ રાઠોડ પાસેથી લેવાના નીકળતા 3 કરોડ રૂપિયા સહદેવ કેપિટોલ નામની પેઢીમાં જમા કરાવ્યા હતા. પૈસા જમા થયા હોવાની સહદેવ કેપિટોલના માલિકે ફરિયાદીને જાણ કરી કાચી ડાયરીમાં નોંધ પણ કરી હતી. જો કે તે બાદ સ્કીમનો રેરામાં રજીસ્ટ્રેશન થયું હોવાનું કહી સાત યુનિટના બે બે લાખ લેખે 14 લાખ રૂપિયા સહદેવ કેપિટોલના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતાં. બ્લુ પરમિશન થયા બાદ વેચાણ દસ્તાવેજ કરી આપવાની ફરિયાદીને લાલચ આપી હતી. પરંતુ સહદેવ કેપિટોલના માલિક નિકિન પટેલ દ્વારા વેચાણ દસ્તાવેજ કરી આપેલ નહીં. જેથી ફરિયાદીએ મનીષ રાઠોડ, પ્રવિણા રાઠોડ, પ્રતિક કેજરીવાલ અને નિકિન પટેલ સામે 3.24 કરોડની સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. નફાની લાલચ આપી ક્યૂઆર કોડ દ્વારા 16 હજાર પડાવ્યાસહકારનગરમાં રહેતો 24 વર્ષીય મોહિતસિંહ ભદોરીયા ટેલિગ્રામ મારફતે ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટના નામે છેતરપિંડીનો ભોગ બન્યાની ફરિયાદ નોંધાવી છે. 23 ડિસેમ્બર 2024ના રોજ બપોરે ટેલિગ્રામ પર અજાણ્યા શખ્સે ઇન્વેસ્ટમેન્ટ સ્કીમમાં વધુ નફાની લાલચ આપતાં 2,000 ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ અલગ-અલગ QR કોડ મોકલી અનેક હપ્તામાં રૂપિયા ભરાવ્યા હતાં. સાયબર ગઠિયાઓએ ડિપોઝિટ અને કમિશનના નામે વધુ રકમ માંગતા વિશ્વાસમાં આવી 47,900 નફો બતાવી રકમ પાછી લેવા 20 ટકા કમિશન આપવું પડશે જેમાં 10 ટકા એડવાન્સ રકમ માંગવામાં આવી હતી. તેમજ એકાઉન્ટ વેરિફિકેશન કરાવવા QR કોડ મારફતે રૂપિયા પડાવ્યા હતા. નફાની લાલચ આપી અલગ અલગ ટ્રાન્જેક્શન કરાવી કુલ 16,550 રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવતા ફરિયાદીએ અજાણ્યા શખ્સો સામે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઘી પ્રોડક્ટ વ્યાજબી ભાવે આપવાની લાલચ આપી 2.51 લાખની છેતરપિંડી ઘાટલોડીયા વિસ્તારમાં રહેતા સચીનભાઈ પટેલે પણ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં 2.51 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. નવેમ્બર મહિનામાં ફરિયાદીએ ઈન્ડિયા માર્ટ પ્લેટફોર્મ પર ધી પ્રોડક્ટ લેવા માટે રિક્વેસ્ટ મોકલી હતી. જે બાદ એક વ્યક્તિએ ફોન કરીને ફરિયાદી સાથે ઘીની કોન્ટેટી અને કિંમત નક્કી કરી હતી. જે બાદ ફરિયાદીએ અડધું પેમેન્ટ 50,000 એડવાન્સ કરી દીધા હતા. મટીરિયલ તૈયાર હોવાનું કહેતા બાકીના 2.51 લાખ રૂપિયા પણ ફરિયાદીએ ટ્રાન્સફર કર્યા હતા. જે બાદ સાયબર ગઠિયાએ અલગ અલગ ટાઈમે પેમેન્ટ આવ્યું હોવાથી સિસ્ટમ એક્સેપ્ટ ન કરતું હોવાથી પેમેન્ટ પરત ટ્રાન્સફર કર્યા હોવાની રીસીપ્ટ ફરિયાદીને મોકલી આપી હતી. ફરિયાદીએ બેંકમાં જઈને ચેક કરતા કોઈપણ પેમેન્ટ ન આવ્યું હોવાનું સામે આવ્યું હતું. જે બાત ફરિયાદીએ ફોન કરીને સંપર્ક સાયબર ગઠિયાએ ફોન ઉપાડ્યો નહીં. જેથી શંકા જતા ઘી પ્રોડક્ટ વ્યાજબી ભાવે આપવાની લાલચ આપી 2.51 લાખની છેતરપિંડીની બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 7:11 pm

પાટણમાં વૃદ્ધની ₹1.40 લાખ રોકડ ભરેલી બેગ ગુમ:વિશ્વાસ પ્રોજેક્ટના CCTVથી ગણતરીના કલાકોમાં પરત મળી

પાટણમાં એક વૃદ્ધની ₹1.40 લાખ રોકડ ભરેલી બેગ રસ્તામાં પડી ગઈ હતી. પાટણ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની ટીમે 'વિશ્વાસ પ્રોજેક્ટ' અંતર્ગત લાગેલા સીસીટીવી કેમેરાની મદદથી ગણતરીના કલાકોમાં આ રકમ શોધી કાઢી અરજદારને પરત કરી હતી. માંડોત્રી ગામના રહેવાસી પટેલ છગનભાઈ ખોડીદાસ 26 ફેબ્રુઆરી, 2026ના રોજ બપોરે અઢી વાગ્યે તેમના પુત્ર સાથે મોટરસાયકલ પર પાટણ ગંજ બજારમાં આવેલી મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકમાંથી ₹1,40,000 ઉપાડીને નીકળ્યા હતા. લીલીવાડી ચાર રસ્તા પાસેથી પસાર થતી વખતે તેમના હાથમાં રહેલી રોકડ ભરેલી કાપડની થેલી રસ્તામાં પડી ગઈ હતી. બેગ ન મળતા છગનભાઈએ તાત્કાલિક નેત્રમ ટીમનો સંપર્ક કર્યો હતો. નેત્રમ ટીમે 'વિશ્વાસ પ્રોજેક્ટ' અંતર્ગત શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. ફૂટેજમાં એક અજાણ્યો વ્યક્તિ રસ્તા પર પડેલી થેલી ઉઠાવી પોતાની બેગમાં મૂકી ઇકો ગાડીમાં હારીજ તરફ રવાના થતો જોવા મળ્યો હતો. એલસીબી પીઆઈ આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે ટૂંક સમયમાં રોકડ ભરેલી બેગ શોધી કાઢી મૂળ માલિક છગનભાઈને પરત કરી હતી. ખોવાયેલી મોટી રકમ સુરક્ષિત રીતે પાછી મળતા અરજદારે પાટણ પોલીસ અને નેત્રમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કામગીરીમાં એલસીબી પીઆઈ આર.જી. ઉનાગર, રાધનપુર પીઆઈ આર.કે. પટેલ, નેત્રમ ઇન્ચાર્જ પીએસઆઈ એચ.એસ. પટેલ અને જે.એલ. રાજપુત સહિત રવિ ગંગારામભાઈ, મહેશકુમાર ભુદરભાઈ, હેતલબેન રામાભાઈ અને મુસ્તાકભાઈ રસુલભાઈ જેવા કર્મચારીઓ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 6:49 pm

મોરારિબાપુની ઉપસ્થિતિમાં ગૌશાળાનું ઉદ્ઘાટન:દુધરેજ વડવાળા ધામ ખાતે બે દિવસીય હોળી મહોત્સવ શરૂ

સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ વડવાળા ધામ ખાતે બે દિવસીય પરંપરાગત હોળી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન પ્રસંગે પ્રખ્યાત કથાકાર મોરારી બાપુ અને સંત-મહંતોની ઉપસ્થિતિમાં શીતલ ગાયની યાદમાં નિર્મિત ગૌશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવશે. મહોત્સવના પ્રથમ દિવસે, કોઠારીયા ગામથી વડવાળા દુધરેજ ધામ સુધી આશરે 12 કિલોમીટરની ભવ્ય ગૌયાત્રા યોજાઈ હતી. આ યાત્રા શીતલ ગાયની પવિત્ર પ્રતિમા સાથે પ્રસ્થાન કરી હતી.આ યાત્રા વઢવાણના કોઠારીયા ગામેથી શરૂ થઈને કેવલસાપીર વિસ્તાર, ભક્તિનંદન સરકાર એસી ફૂટ રોડ સહિત શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ દુધરેજ વડવાળા ધામ પહોંચી હતી. તેમાં મોટી સંખ્યામાં સંતો, મહંતો, માલધારી સમાજના આગેવાનો અને ભક્તો જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, આ પહેલા સુરત અને 27મી તારીખે કાસવા કાચી ધામ ગોગા મહારાજની જગ્યાએથી પણ શીતલ ગાયની પ્રતિમાની ગૌયાત્રા યોજાઈ હતી. આજે આ પ્રતિમાનું વઢવાણના કોઠારીયા ગામે ભવ્ય સ્વાગત થયા બાદ દુધરેજધામ ખાતે પ્રસ્થાન થયું હતું.શીતલ ગાયની સ્મૃતિમાં નિર્મિત આ ગૌશાળા સમાજ માટે સેવા, સંવેદના અને ગૌસેવાનો પ્રેરણાસ્ત્રોત બની રહેશે.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 6:47 pm

એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:પોલીસ સ્ટેશનમાં જ આરોપીની હત્યાનો પ્રયાસ, 60 કરતા વધુ અમદાવાદીઓ મક્કા મદીનામાં ફસાયા

દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 6:47 pm

બિલ્ડર જમણેરી તો જમણા કાન પાસેથી ગોળી કેવી રીતે નીકળી?:સુરતના તુષાર ઘેલાણી આત્મહત્યા કેસમાં સ્ત્રીમિત્ર પૂનમની જામીન અરજીની સુનાવણી દરમિયાન ચોંકાવનારી દલીલો

સુરતમાં ટોક ઓફ ધ ટાઉન બનેલા જોલી ગ્રુપના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીના આપઘાત કેસમાં રોજ રોજ નવા ફણગાઓ ફૂટી રહ્યાં છે. દુષ્પ્રેરણાના ગુના હેઠળ ધરપકડ કરાયેલી તુષાર ઘેલાણીની સ્ત્રીમિત્ર પૂનમ ભદોરીયાની જામીન અરજીમાં પણ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યાં છે. પૂનમના વકીલે કોર્ટમાં દલીલો કરતા હાજર સૌ કોઈ પણ ચોંકી ઉઠ્યા હતા. કારણકે મૃતક તુષાર ઘેલાણી જમણેરી હતા તો પછી જમણા કાન પાસેથી ગોળી બહાર કેવી રીતે નીકળે…? તેમજ પોલીસે તુષારભાઈના પરિવારના સભ્યોના નિવેદનો શા માટે નથી નોંધ્યા..? તેવા આક્ષેપો સાથે આક્ષેપિત પૂનમબેન તરફે જામીન અરજીની દલીલો કરવામાં આવી હતી. આ આખી ઘટના હત્યા હતી અને તેને આત્મહત્યામાં ફેરવવાના આક્ષેપો પણ થતા હાજર સૌકોઈ ચોંકી ઉઠ્યા હતા. સરકાર પક્ષે આ દલીલોનો જવાબ આપવા માટે મુદત માંગવામાં આવી હતી. તુષાર ઘેલાણીએ આત્મહત્યા કરી લેતા સ્ત્રીમિત્ર સામે ગુનો નોંધાયો હતોમળતી માહિતી પ્રમાણે, સિટીલાઈનની સંગમ સોસાયટીમાં રહેતા તુષાર હરજીભાઈ ઘેલાણીએ ગત 1 ફેબ્રુઆરીના રોજ ઘરમાં ગોળી મારી લીધી હતી અને હોસ્પિટલમાં સારવાર બાદ તા. 5મીના રોજ તેમનું મૃત્યુ થયું હતું. આત્મહત્યાને લઈને તુષારભાઈની પુત્રી તન્વીએ વેસુમાં રહેતી પૂનમ ભદોરિયાની વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે પૂનમની સામે આત્મહત્યાની દુષ્યેરણનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી. મૃતકને લાગેલી ગોળીની સાઈડને લઈ પૂનમના વકીલ દ્વારા સવાલ કરાયો પૂનમે જામીન મુક્ત થવા માટે એડવોકેટ વિનય શુક્લા મારફતે કોર્ટમાં અરજી કરી હતી. જેમાં વકીલ દ્વારા દલીલો કરાઈ હતી કે, તુષારભાઈ જમણેરી હતા અને તેઓ પોતાની રોજિંદી કામગીરી તેમજ લખાણ અને બીજા અન્ય કામો જમણા હાથે કરતા હતા. તો પછી તુષારભાઈને ડાબા કાનેથી ગોળી વાગીને જમણા કાન પાસેથી કેવી રીતે નીકળી? તે શંકા ઉપજાવે છે. ફરિયાદ પક્ષ દ્વારા જે મિલકતો પચાવી પાડવાની વાત કરાઈ છે, તેમાં રજિસ્ટ્રાર સમક્ષ તુષારભાઈએ પોતાની સ્વેચ્છાએ અને સાક્ષીઓની સ્વેચ્છાએ મિલકતો ટ્રાન્સફર કરી છે. પોલીસે ઘેલાણી પરિવારના સભ્યોના નિવેદન ન લીધાની રજૂઆતઆત્મહત્યાને લઈને તુષારભાઈના પરિવારમાં ફરિયાદી સિવાય અન્ય કોઈ વ્યક્તિ જેમ કે તેઓના ભાઈ, પિતા સહિતનાઓના નિવેદનો કેમ નથી લેવાયા? તુષારભાઈએ રાત્રે એક વાગ્યે આત્મહત્યા કરી તો તેઓને સૌથી પહેલા કોણ અને કેવી રીતે હોસ્પિટલ લઈ ગયું? તે અંગે પણ પોલીસે યોગ્ય તપાસ કરી નથી. અરજદાર પૂનમે તો ઘટનાને લઈને સૌપ્રથમ પોલીસને જાણ કરીને આ ઘટનાની યોગ્ય તપાસ કરવાની માંગ કરી હતી, અને ત્યારબાદ ત્રાહિત વ્યક્તિના કહેવાના કારણે તુષારભાઈની પુત્રીએ ફરિયાદ કરી અને પોલીસે ગુનો પણ નોંધી દીધો? જે શંકા ઉપજાવે છે. બચાવ પક્ષ દ્વારા સાંસદ મોહન ડેલકરના કેસનું ઉદાહરણ અપાયુંસ્કૂલ બાબતે જે આક્ષેપો થયા છે, તેમાં તુષારભાઈની સંમતિથી પાર્ટનરશિપ ડીડ બન્યા છે અને તેઓની મિલકતમાં જ તેઓ લાંબા સમય સુધી રહ્યા છે તો પછી મિલકત પચાવી પાડવાની વાત કેવી રીતે કહી શકાય? બચાવપક્ષ દ્વારા સાંસદ મોહન ડેલકર સહિતનાઓના આત્મહત્યાઓના ઉદાહરણો આપીને હત્યાની ઘટનાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાના આક્ષેપ કર્યા હતા અને અરજદાર પૂનમબેનને જામીન મુક્ત કરવાની માંગ કરાઈ હતી. બચાવપક્ષની દલીલો બાદ મુખ્ય જિલ્લા સરકારી વકીલ દ્વારા સમય માંગવામાં આવતા કોર્ટે અરજી મંજૂર કરીને આવતીકાલની મુદત આપી હતી. 'તુષારભાઈ પોતાના પરિવારના વર્તનથી દુઃખી હતા' પૂનમ ભદોરિયાએ પોતાની અરજીમાં દાવો કર્યો છે કે તે વર્ષ 2010થી તુષાર ઘેલાણીના સંપર્કમાં હતી. તેણે આક્ષેપ કર્યો છે કે તુષારભાઈ તેમના પરિવાર સાથે સુખી હોવાનો બહારથી દેખાવ કરતા હતા, પરંતુ હકીકતમાં તેઓ પરિવારના વર્તનથી ખૂબ જ દુઃખી હતા. પરિવાર તેમને માન-સન્માન આપવાને બદલે તેમની ઉપેક્ષા કરતો હોવાનું પૂનમે અરજીમાં જણાવ્યું છે. ‘એટીએમ’ તરીકે ઉપયોગ થતો હોવાનો દાવો પૂનમના જણાવ્યા અનુસાર, તુષાર ઘેલાણીનો પરિવાર તેમનો માત્ર એક ‘એટીએમ’ મશીન તરીકે જ ઉપયોગ કરતો હતો. તેમને માત્ર પૈસા કમાવવાના સાધન તરીકે જોવામાં આવતા હતા અને તેમની ભાવનાઓની કોઈ કદર કરવામાં આવતી નહોતી. આ બાબતની જાણ તુષારભાઈના પિતા અને બહેનને પણ હતી તેવો ગંભીર દાવો પૂનમે કર્યો છે. મોટી દીકરીના વર્તનને લઈ સવાલ ઉઠાવ્યા અરજીમાં સૌથી ચોંકાવનારો આક્ષેપ તુષારભાઈની મોટી દીકરી સામે કરવામાં આવ્યો છે. પૂનમના જણાવ્યા મુજબ, વિદેશથી અભ્યાસ કરીને આવ્યા બાદ દીકરી પિતા સાથે અત્યંત ખરાબ વ્યવહાર કરતી હતી. તે પિતાને પિતા તરીકે સન્માન આપવાને બદલે સામો જવાબ આપતી અને ઘરના અન્ય સભ્યોને પણ તેમના વિરુદ્ધ ઉશ્કેરતી હતી, જેના કારણે તુષારભાઈ માનસિક રીતે ભાંગી પડ્યા હતા. ચોંકાવનારા વ્હોટ્સએપ સ્ક્રીનશોટ રજૂ કર્યા પૂનમે પુરાવા તરીકે કોર્ટમાં કેટલાક સ્ક્રીનશોટ રજૂ કર્યા છે, જેમાં દીકરીએ પિતાને ‘મિસ્ટર તુષાર ઘેલાણી’ કહીને સંબોધ્યા છે. એક મેસેજમાં દીકરીએ લખ્યું હતું કે, ચિંતા ના કરશો, મારે મારી જાત વેચીને પણ તમારા રૂપિયા ચૂકવી દેવા પડશે તો કરી દઈશ, તમે હવે મજા લો અને ખુશ થાઓ. આ મેસેજ પિતા માટે અત્યંત આઘાતજનક હોવાનું પૂનમે જણાવ્યું છે. 'પિતાની દરેક મૂવમેન્ટ પર દીકરી દેખરેખ રાખતી હતી'પૂનમનો વધુ એક ગંભીર આક્ષેપ છે કે દીકરી તેના પિતાની દરેક મૂવમેન્ટ પર નજર રાખતી હતી. તુષારભાઈ કોની સાથે ફોન પર વાત કરે છે, કોની સાથે ચેટ કરે છે અને કાર લઈને ક્યાં જાય છે એ તમામ વિગતો મેળવીને તે પિતાને સંપૂર્ણપણે કંટ્રોલ કરવાનો પ્રયાસ કરતી હતી. આ સતત દેખરેખથી તેઓ ગૂંગળામણ અનુભવતા હતા. 300 બાળકનાં ભવિષ્યનો હવાલો પોતાના જામીન માટે પૂનમે દલીલ કરી છે કે તે વેસુ વિસ્તારમાં ‘બ્લૂ પેપિલોન’ નામની સ્કૂલ ચલાવે છે, જેમાં 250થી 300 નાનાં બાળકો અભ્યાસ કરે છે. આ બાળકોના શિક્ષણ અને શાળાના વહીવટની જવાબદારી તેના શિરે હોવાથી, જો તેને જામીન નહીં મળે તો શાળાનું સંચાલન ખોરવાઈ જશે અને સેંકડો બાળકોનું ભવિષ્ય જોખમાશે. આ સમાચાર પણ વાંચોઃઆ પણ વાંચો- દીકરીના કંકોત્રી લેખનના દિવસે જ પિતાનો ગોળી મારી આપઘાતનો પ્રયાસ, ઘરે મંડપ પણ રોપાઈ ગયાં હતાં આ પણ વાંચો- સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી બ્રેઇન ડેડ જાહેર, પરિવારની અંગદાનની જાહેરાત આ પણ વાંચો:- બિલ્ડર ઘેલાણીની 'મહિલામિત્ર'એ સ્કૂલ વહીવટમાં મોટો ખેલ પાડ્યો

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 6:45 pm

વિદેશી પશુ-પક્ષીઓના વેચાણનું રેકેટ ઝડપાયુ:મકાનમાં ગેરકાયદેસર રીતે ગોંધી રાખી પ્રજનન કરાવી લાખોમાં વેચતા, ક્રાઈમ બ્રાન્ચે રેડ કરી આરોપીને દબોચ્યો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નવરંગપુરામાં આવેલા એક મકાનમાંથી વિદેશી પક્ષીઓ અને પ્રાણીઓના પ્રજનન અને વેચાણનું રેકેટ ઝડપી પાડ્યું છે. પોલીસ મકાનમાંથી 46 પ્રાણીઓ અને 21 પક્ષીઓ ઝડપી પાડ્યા છે. મોટાભાગના પક્ષીઓ અને પ્રાણીઓની કિંમત લાખો રૂપિયા છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા સમગ્ર મામલે વન વિભાગ,કસ્ટમ વિભાગ અને AMCને પણ જાણ કરવામાં આવી છે. ગેરકાયદેસર પ્રાણી-પક્ષી લાવીને તેમનું પ્રજનન કરાવી લાખોમાં વેચતાક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે નવરંગપુરાના મકાનમાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન મકાનમાંથી મોટી સંખ્યામાં વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓ મળી આવ્યા હતા. આ મકાનમાં છેલ્લા ઘણા વર્ષોથી ગેરકાયદેસર રીતે પ્રાણીઓ અને પક્ષીઓ લાવીને તેમનું પ્રજનન કરાવી લાખો રૂપિયામાં વેચાણ કરવામાં આવતું હતું. જપ્ત કરવામાં આવેલા વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓની વિગતવિદેશી પ્રાણીઓ: જેમાં અત્યંત દુર્લભ રેડ હેન્ડ ટેમરીન (Red-handed Tamarin) વાંદરાનું બચ્ચું, પર્સિયન કેટ (Persian Cats) અને તેના બચ્ચાં (7), નાના-મોટા હૅમ્સ્ટર (Hamsters) (14), મીની લો (Mini Lop) સસલા (15) અને લેધર લેબ ડોફ (Leather Lab Dwarf) (9) જેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે. વિદેશી પક્ષીઓ: પક્ષીઓમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિંમત ધરાવતા આફ્રિકન ગ્રે પેરોટ (African Grey Parrot) (6), બ્લુ એન્ડ ગોલ્ડ મકાઉ (Blue and Gold Macaw) (5), એક્લેક્ટસ પેરોટ (Eclectus Parrot) (3), સન કોનીપોર (Sun Conure) (4), ગાલા કોકાટુ (Galah Cockatoo) (2), સલ્ફર કોકાટુ (Sulphur-crested Cockatoo) (1), તેમજ મોટી સંખ્યામાં આફ્રિકન લવ બર્ડ્સ, કોનીયોર્સ, કોકાટીલ, બજરીગર અને ફેનીપીક મળી આવ્યા છે. રહેણાંક મકાનનો ઉપયોગ વ્યવસાયિક સંવર્ધન માટે કરવો એ પણ ગંભીર નિયમભંગપોલીસે પ્રાણીઓ પક્ષીઓ સાથે એક આરોપીની અટકાયત કરી છે. આરોપી દ્વારા રજૂ કરવામાં આવેલા 'પરિવેશ' પોર્ટલના દસ્તાવેજો પ્રાથમિક દ્રષ્ટિએ અધૂરા અને શંકાસ્પદ જણાયા છે. ગીચ રહેણાંક વિસ્તારમાં કોઈપણ પ્રકારની બાયોસિક્યુરિટી કે વૈજ્ઞાનિક સુવિધા વિના આટલી મોટી સંખ્યામાં જંગલી અને વિદેશી જીવો રાખવા એ 'ઝૂનોટિક' (Zoonotic) રોગો ફેલાવવાનું મોટું જોખમ ઊભું કરે છે, જે સ્થાનિક રહીશોના સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે. રહેણાંક મકાનનો ઉપયોગ વ્યવસાયિક સંવર્ધન માટે કરવો એ પણ ગંભીર નિયમભંગ છે. AMC, વન વિભાગ અને કસ્ટમ્સ વિભાગને સત્તાવાર રીતે જાણ કરાશેઆ સમગ્ર મામલાની ગંભીરતા,આંતરરાષ્ટ્રીય વન્યજીવ વ્યાપારના નિયમો અને જાહેર આરોગ્યના જોખમોને ધ્યાને લેતા આ અંગેની વધુ તપાસ અને જરૂરી કાર્યવાહી અર્થે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, વન વિભાગ અને કસ્ટમ્સ વિભાગને સત્તાવાર રીતે જાણ કરવામાં આવશે. આ ત્રણેય વિભાગો સાથે મળીને દસ્તાવેજોની ખરાઈ, આયાતની કાયદેસરતા અને રહેણાંક વિસ્તારમાં આરોગ્યના જોખમો અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરશે.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 6:26 pm

અડિયામાં હિન્દુ સંમેલન યોજાયું:'નોકરીદાતા બનો', 'હિન્દુ સર્વે સહોદરા' ભાવના કેળવવા વક્તાઓની હાકલ

હારીજ તાલુકાના અડિયા ખાતે આવેલા દુધેશ્વર મહાદેવ મંદિરમાં રવિવારે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા હિન્દુ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં વક્તાઓએ 'હિન્દુ સર્વે સહોદરા' એટલે કે બધા હિન્દુઓ ભાઈ-ભાઈની ભાવના કેળવવા અનુરોધ કર્યો હતો. આ સંમેલનમાં અડિયા, તોરણીપુર, ચંદ્રુમાણા, ખાનપુર, માનપુર, ભલગામ અને કુરેજા ગામના હિન્દુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.શ્રી દુધેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી ગજાનંદ ગીરી મહારાજે જણાવ્યું હતું કે હિન્દુ પરિવારોનું ઘડતર યોગ્ય રીતે થયું નથી. તેમણે માતા-પિતાને નવી પેઢીને ધર્મ અને સંસ્કૃતિ શીખવવા પર ભાર મૂક્યો. મહારાજે આર્ય પ્રજાના ગુણો – ચારિત્ર્યવાન, નીડર અને બુદ્ધિમાન હોવા – પર પ્રકાશ પાડી, બધા હિન્દુઓને ભાઈ-ભાઈની ભાવના ઉજાગર કરવા હાકલ કરી.મુખ્ય વક્તા, પાટણ સાયન્સ કોલેજના અધ્યાપક અને સ્વદેશી જાગરણ મંચના કન્વીનર દેવેન્દ્રભાઈ પટેલે આરએસએસની સ્થાપના અને શાખાના મહત્વ વિશે વાત કરી. તેમણે કહ્યું કે શાખામાં જવાથી વ્યક્તિ અને રાષ્ટ્રનું નિર્માણ થાય છે અને સ્વયંસેવકો રાષ્ટ્રકાર્ય માટે તત્પર બને છે. તેમણે ઉમેર્યું કે સંઘની સ્થાપનાના સો વર્ષ પૂર્ણ થયા હોવા છતાં, ભવ્ય ઉજવણીને બદલે પંચ પરિવર્તન માટે ગામેગામ લોકજાગૃતિ લાવવાનું કાર્ય કરાઈ રહ્યું છે. દેવેન્દ્રભાઈએ પંચ પરિવર્તનના પાંચ મુદ્દાઓ – સામાજિક ભેદભાવ, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ, સ્વદેશી અને નાગરિક કર્તવ્ય – અંગે છણાવટ કરી. તેમણે જણાવ્યું કે સામાજિક ભેદભાવને કારણે હિન્દુ સમાજ વહેંચાયેલો છે અને એક થઈ શકતો નથી, જેનાથી પરધર્મી તાકતો હાવી થવાનો પ્રયાસ કરે છે. તેમણે સંતાનોમાં સંસ્કૃતિનું જ્ઞાન અને ઘડતર કરવા માટે વડીલોને કુટુંબ સાથે ભોજન કરવા સમજાવ્યું. યુવાનોને સ્વરોજગાર અપનાવવા પ્રોત્સાહિત કરતા તેમણે કહ્યું કે, નોકરી માત્ર બે ટકા છે, તેથી નોકરી કરનાર બનવાને બદલે નોકરી આપનાર બનવાની ક્ષમતા પ્રાપ્ત કરવી જોઈએ.વિશ્વ હિન્દુ પરિષદના કલ્પનાબેન નાયકે કુટુંબ પ્રબોધન પર ભાર મૂક્યો, જ્યારે દીક્ષિતાબેન પટેલે દીકરીઓ લવ જેહાદમાં ન ફસાય તે માટે ઘરમાંથી જ સંસ્કાર આપી ઘડતર કરવા જણાવ્યું.આ કાર્યક્રમમાં અગ્રણીઓ રમેશભાઈ સોની, નીતિનભાઈ વ્યાસ, વસંતજી ઠાકોર, રમેશભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, જયેન્દ્રસિંહ વાઘેલા અને હરિભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 6:22 pm

ગલ્ફ યુદ્ધ: સાંસદ ધવલ પટેલનું નિવેદન:કેન્દ્ર સરકાર ગુજરાતીઓની સુરક્ષા માટે એક્શન મોડમાં

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે ગલ્ફ દેશોમાં સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે, વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ગલ્ફમાં વસતા ભારતીયો, ખાસ કરીને ગુજરાતીઓની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર સંપૂર્ણપણે સક્રિય છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. સાંસદ ધવલ પટેલે ભૂતકાળમાં યુક્રેનમાંથી 'ઓપરેશન ગંગા' અને સુદાનમાંથી 'ઓપરેશન કાવેરી' દ્વારા ભારતીય નાગરિકોને સુરક્ષિત પરત લાવવાના ઉદાહરણો ટાંક્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, જો ગલ્ફમાં પરિસ્થિતિ વધુ વણસશે, તો ભારત સરકાર ત્યાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે વતન પરત લાવવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. વિદેશ મંત્રાલય ગલ્ફ દેશોમાં આવેલા ભારતીય દૂતાવાસો સાથે ચોવીસ કલાક સંપર્કમાં છે. ભારતીય નાગરિકોની મદદ માટે વિશેષ હેલ્પલાઇન નંબરો પણ કાર્યરત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, સરકારે યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ભાવ અને આયાત-નિકાસ પર સંભવિત અસરો અંગે પણ નજર રાખી છે અને તેને પહોંચી વળવા માટે આગોતરી તૈયારીઓ કરી રહી છે. સરકારે ગલ્ફ દેશોમાં વસતા ભારતીય નાગરિકો અને તેમના પરિવારોને કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ આપી છે. જો તમારા કોઈ સ્વજન ત્યાં હોય, તો વિદેશ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ પર તાત્કાલિક નોંધણી કરાવવી. સ્થાનિક ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવું અને સોશિયલ મીડિયાની અફવાઓ પર ધ્યાન આપવાને બદલે સરકાર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કરવું. યુદ્ધ લાંબુ ચાલે તો ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થવાની શક્યતા અંગે પણ સરકાર સજાગ છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વ્યુહરચના તૈયાર કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 6:13 pm

મહેસાણામાં 'રોમાન્સિંગ પ્રિન્ટ' સેમિનાર યોજાયો:નાના પ્રિન્ટર્સને આધુનિક ટેકનોલોજી અને સરકારી યોજનાઓનું માર્ગદર્શન અપાયું

પ્રિન્ટિંગ ઉદ્યોગમાં વધી રહેલી ગળાકાપ સ્પર્ધા અને ઘટતા નફાના પડકારો વચ્ચે નાના પ્રિન્ટર્સને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવાના ઉદ્દેશ્ય સાથે મહેસાણામાં એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ માસ્ટર પ્રિન્ટર્સ (AIFMP), નવી દિલ્હી દ્વારા પ્રાયોજિત અને મહેસાણા પ્રિન્ટર્સ એસોસિએશન દ્વારા હોસ્ટ કરાયેલા આ 'રોમાન્સિંગ પ્રિન્ટ' સેમિનારમાં મોટી સંખ્યામાં વ્યવસાયીઓએ ભાગ લીધો હતો. નાના પ્રિન્ટર્સને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવા સેમિનારમહેસાણા-ઊંઝા હાઇવે પર આવેલી હોટેલ ગ્રાન્ડ તુલસી ખાતે આજે યોજાયેલા આ કાર્યક્રમમાં મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત AIFMPના પશ્ચિમ ઝોનના ઉપપ્રમુખ ઉમેશ નેમાએ પણ ખાસ હાજરી આપી વ્યવસાયીઓને પ્રોત્સાહિત કર્યા હતાં. સેમિનારનો મુખ્ય હેતુ પરંપરાગત પ્રિન્ટિંગ વ્યવસાયને નવા વિચારો અને લેટેસ્ટ ટેકનોલોજી સાથે જોડીને તેને વધુ નફાકારક બનાવવાનો હતો. મુંબઈ, ઈન્દોર સહિતના સ્થાનિક નિષ્ણાતોએ નવું વિઝન આપ્યુંમહેસાણા પ્રિન્ટર્સ એસોસિએશનના પ્રમુખ અતુલ પંડિતે આ પ્રસંગે જણાવ્યું હતું કે, હાલના સમયમાં પ્રિન્ટિંગ ક્ષેત્રે સ્પર્ધા વધતા નાના પ્રિન્ટર્સ માટે ટકી રહેવું મુશ્કેલ બન્યું છે. આ સેમિનાર દ્વારા મુંબઈ, ઈન્દોર અને સ્થાનિક નિષ્ણાતોએ સ્ક્રીન પ્રિન્ટિંગ અને ડિજિટલ પ્રિન્ટિંગ સાથે સંકળાયેલા લોકોને બિઝનેસ વધારવા માટેનું નવું વિઝન આપ્યું હતું. સરકારી લાભો, સબસિડી અને બેંક લોન પ્રક્રિયા વિશે માહિતી અપાઈવ્યવસાયિક માર્ગદર્શનની સાથે સાથે આર્થિક સદ્ધરતા માટે સિડબી (SIDBI) બેંકના અધિકારીઓએ પણ વિસ્તૃત પ્રેઝન્ટેશન આપ્યું હતું. જેમાં MSME સ્કીમ હેઠળ મળતા સરકારી લાભો, સબસિડી અને બેંક લોન પ્રક્રિયા વિશે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી. જેથી નાના પ્રિન્ટર્સ આર્થિક સહાય મેળવી પોતાના એકમોને આધુનિક બનાવી શકે. આ સેમિનાર મહેસાણા અને આસપાસના વિસ્તારના પ્રિન્ટિંગ વ્યવસાયીઓ માટે નવી દિશા ખોલનારો સાબિત થયો હતો.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 6:12 pm

હોળી-ધુળેટી પર્વ માટે વધારાની બસોની વ્યવસ્થા:પાલનપુર ST વિભાગ દાહોદ, ઝાલોદ સહિતના રૂટ પર બસો દોડાવશે, મુસાફરોને રાહત

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર એસટી ડેપો દ્વારા હોળી-ધુળેટી પર્વને ધ્યાનમાં રાખીને મુસાફરો માટે વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ નિર્ણયથી વતન જતા હજારો મુસાફરોને રાહત મળશે. હોળી-ધુળેટીના તહેવારો નિમિત્તે ધંધા-રોજગાર અર્થે બહાર રહેતા લોકો મોટી સંખ્યામાં પોતાના વતન પરત ફરે છે. આ કારણે એસટી બસ સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ જોવા મળે છે. મુસાફરોની આ વધતી ભીડને પહોંચી વળવા ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા પાલનપુર ડેપો પરથી વિશેષ બસો દોડાવવામાં આવી છે. ખાસ કરીને, દાહોદ અને ઝાલોદ રૂટ પર 10 વધારાની બસો ફાળવવામાં આવી છે. આ ઉપરાંત, અંબાજી, પોશીના અને હડાદ જેવા રૂટ પર પણ 5 થી 6 વધારાની બસો મુકવામાં આવી છે. મુસાફરોએ જણાવ્યું હતું કે તેઓ 10 થી 15 દિવસની રજા લઈને પોતાના પરિવાર સાથે વતનમાં પર્વની ઉજવણી કરવા જઈ રહ્યા છે. આ વધારાની બસોને કારણે તેમને મુસાફરીમાં સરળતા રહેશે.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 6:11 pm

જૂનાગઢમાં દૂષિત પાણીનો પ્રકોપ:જૂનાગઢના ઓઘડનગરમાં પાઈપલાઈન લીકેજથી પીવાના પાણીમાં ભળી ગટરની ગંદકી: 45 લોકો ઝાડા-ઊલટીની ઝપેટમાં, આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સર્વે અને સારવાર શરૂ.

જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6 માં આવેલા ઓઘડનગર અને ભગતનગર વિસ્તારમાં પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ગટરનું ગંદુ પાણી ભળી જવાની ગંભીર ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વિસ્તારમાં ચાલી રહેલા રસ્તાના ખોદકામ દરમિયાન પાણીની મુખ્ય પાઈપલાઈન તૂટી ગઈ હતી. આ ક્ષતિગ્રસ્ત પાઈપલાઈનમાં નજીકની ગટરનું દૂષિત પાણી ભળી જતાં, આખાય વિસ્તારમાં ઝેરી અને અશુદ્ધ પાણીનો પુરવઠો પહોંચ્યો હતો. આ દૂષિત પાણીના વપરાશને કારણે જોતજોતામાં મોટો રોગચાળો ફાટી નીકળ્યો છે. ​ભગતનગરના રહીશ વિશ્રામભાઈ કુકવાવાએ આ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેમના વિસ્તારમાં આવેલી ડંકી (હેન્ડપંપ) અને પાણીની લાઈનોમાં અચાનક અત્યંત અશુદ્ધ પાણી આવવા લાગ્યું હતું. આ પાણી પીધા બાદ તેમના પોતાના પરિવારના જ 4 સભ્યોને ઝાડા-ઊલટીની અસર થઈ છે. વિશ્રામભાઈના જણાવ્યા મુજબ, સમગ્ર વિસ્તારમાં 40 થી 45 જેટલા લોકો આ દૂષિત પાણીના શિકાર બન્યા છે. તેમણે નગરપાલિકા પાસે માંગણી કરી છે કે પાણીની લાઈનોની તાત્કાલિક ચકાસણી કરવામાં આવે અને આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે. આ ઘટનાની જાણ થતા જ વિરોધ પક્ષના નેતા લલિતભાઈ પરસાણા અને વોર્ડના કોર્પોરેટર જ્યોતિબેન કેસવાલાએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. સામાજિક કાર્યકર અનિલભાઈ કેસવાલાએ જણાવ્યું કે, સ્થિતિ અત્યંત ગંભીર હતી, જેને પગલે તાત્કાલિક મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી. અનિલભાઈએ આક્ષેપ કર્યો હતો કે ગટરના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે આવી ઘટનાઓ વારંવાર બને છે. તેમણે તંત્રને અપીલ કરી છે કે લોકોના જીવ સાથે ચેડાં કરવાનું બંધ કરી યોગ્ય સર્વેક્ષણ કરવામાં આવે. ​આરોગ્ય વિભાગના અધિકારી ડૉ. હિરેન રૂપારેલિયાએ જણાવ્યું હતું કે પ્રદૂષિત પાણીને કારણે અંદાજે 45 જેટલા કેસો નોંધાયા છે. જે પૈકી 26 લોકો પ્રાથમિક સારવાર બાદ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા છે.2 વૃદ્ધ દર્દીઓ જેમને વધુ અસર હતી, તેઓને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ હાલ સ્થિર છે.1 દર્દી જેને ડીહાઈડ્રેશનની અસર વધુ હતી, તેને ટીંબાવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરી IV ફ્લુઈડ્સ (બાટલા) ચડાવવામાં આવી રહ્યા છે. ​આરોગ્ય વિભાગની 'રેપિડ રિસ્પોન્સ ટીમ' દ્વારા ઓઘડનગરના અંદાજે 150 ઘરોમાં બે વખત સર્વેલન્સ કરવામાં આવ્યું છે. ઘરે-ઘરે જઈને લોકોને ક્લોરીનની ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું છે અને પાણી ઉકાળીને પીવાની કડક સૂચના આપવામાં આવી છે. આ ઘટનાએ મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી અને પાઈપલાઈન જાળવણી પર સવાલો ઉભા કર્યા છે. હાલમાં કોર્પોરેટર અને સ્થાનિક આગેવાનો દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. બેક્ટેરિયાનો નાશ કરવા માટે પાણીને ગરમ કર્યા બાદ જ ઉપયોગમાં લેવા અને આરોગ્ય વિભાગની સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે. જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા લાઈન રિપેરિંગની કામગીરી યોગ્ય રીતે નહીં કરાય, તો આ રોગચાળો વધુ વકરે તેવી ભીતિ સ્થાનિકો સેવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 5:59 pm

યુદ્ધના કારણે 3000 ગુજરાતીઓ ફસાયા:દુબઇ અને અબુધાબીથી મદદની ગુહાર, ગરમી તમામ રેકોર્ડ તોડશે, માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રીએ પહોંચી શકે

3000 ગુજરાતીઓ દુબઇ અને અબુધાબીમાં ફસાયા ઈરાન-ઇઝરાયેલ વચ્ચે યુદ્ધની સ્થિતિને કારણે અંદાજે 3000 ગુજરાતીઓ દુબઈ અને અબુધાબીમાં ફસાયા છે. યુદ્ધના કારણે ઈરાન એરસ્પેસ પરના પ્રતિબંધો વચ્ચે દુબઈ સહિતની 410 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સુરતના ડાયમંડ-ટેક્સટાઇલ ઉદ્યોગ પર યુદ્ધની અસર ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે સુરતના ડાયમંડ અને ટેક્સટાઇલ જેવા ઉદ્યોગોને મોટો ફટકો પડ્યો છે. યુદ્ધની સ્થિતિના કારણે મોટુ નુકસાન થવાની શક્યતા છે. સાથે જ લાખો કામદારોની રોજી રોટી છીનવાશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો રેલવે સ્ટેશન પર પરપ્રાંતીય શ્રમિકોની લાઈનો લાગી સુરતના ઉધના રેલવે સ્ટેશન પર પરપ્રાંતીય શ્રમિકોની લાઈનો લાગી. હોળી-ધુળેટીના પર્વ પર વતન જવા માટે મોટી સંખ્યામાં લોકો રેલવે સ્ટેશન પહોંચતા રેલવે સ્ટેશન 'મિની બિહાર'માં ફેરવાઈ ગયું હોય તેવા દૃશ્યો જોવા મળ્યા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો બજારોમાં પિચકારી અને કલરની ખરીદીનો માહોલ ધૂળેટીના પર્વને લઈ બજારમાં હાલ પિચકારી, કલર તેમજ બલૂન્સની ખરીદીમાં રોનક જોવા મળી રહી છે. બજારમાં હાલ 20 રૂપિયાથી લઈ 4000 સુધીની પિચકારી ઉપલબ્ધ છે. આ વખતે ગુલાલ સિલિન્ડર અને ઇલેક્ટ્રિક પિચકારી ધૂમ મચાવી રહી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો હિન્દુ યુવક અને મુસ્લિમ યુવતીના લગ્નનો વિવાદ વકર્યો સુરતના હિન્દુ યુવક અને મુસ્લિમ યુવતીના લગ્નનો વિવાદ વકર્યો છે. યુવતીએ યશવી ફાઉન્ડેશન પર આક્ષેપ કરતા કહ્યું, TRP મેળવવા સંસ્થાએ અમારો ઉપયોગ કર્યો. અમારી જિંદગી બરબાદ કરવા માટે યશવી ફાઉન્ડેશનનો આભાર. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો અપહરણ-દુષ્કર્મના આરોપીનું યુવતીના ગામમાં જ સરઘસ ઉનામાં અપહરણ અને દુષ્કર્મના આરોપીનું પોલીસે યુવતીના ગામમાં જ સરઘસ કાઢ્યું. દુષ્કર્મ કેસમાં ઓળખ છૂપી રાખવાની જગ્યાએ પોલીસ આરોપીને યુવતીના ગામમાં જ નહીં પરંતુ છેક ભોગ બનનાર યુવતીના ઘર સુધી લઇ ગઈ. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ટ્રેક્ટર પાછળ બાઈક ઘૂસી જતા એક જ પરિવારના 3નાં મોત સુરતના વરાછા વિસ્તારમાં ઓવરબ્રિજ પર બંધ હાલતમાં ઉભેલા ટ્રેક્ટર પાછળ બાઈક અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં પિતા-પુત્ર અને ભત્રીજાનું કરુણ મોત થયું છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો આડા સંબંધની શંકાએ પત્નીની હત્યા ગીર સોમનાથના ઉના તાલુકાના સીમર ગામે પતિએ માથામાં દસ્તાના ઘા ઝીંકી પત્નીને મોતને ઘાટ ઉતારી. આરોપીના ભાઈના જણાવ્યા અનુસારઆડા સંબંધની શંકાએ આ ઘટનાને અંજામ આપ્યો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ડાકોર મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું ડાકોરમાં ફાગણી પૂનમના મેળાને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર મંદિરને આકર્ષક લાઈટોથી શણગારવામાં આવ્યું છે. લાઈટોના કારણે 3 કિલોમીટર દૂરથી મંદિર દેખાય છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો માર્ચમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે આ વર્ષે ગરમી તમામ રેકોર્ડ તોડે તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આજે ડીસામાં સૌથી વધુ 34.2 ડિગ્રી તાપમાન નોંધાયું. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 5:55 pm

શહેરાના જંગલમાંથી મળેલી નવજાત બાળકીનું મોત:ગોધરા સિવિલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા

પંચમહાલ જિલ્લાના શહેરાના જંગલ વિસ્તારમાંથી ગઈકાલે મળી આવેલી નવજાત બાળકીનું આજે ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. કાંટાળી ઝાડીઓ વચ્ચે લોહીલુહાણ હાલતમાં મળેલી આ બાળકીએ ટૂંકી સારવાર બાદ અંતિમ શ્વાસ લીધા હતા. ગઈકાલે શહેરાના જંગલ વિસ્તારમાંથી પસાર થઈ રહેલા કમલેશભાઈ નામના એક વ્યક્તિને ઝાડીઓમાંથી બાળકના રડવાનો અવાજ સંભળાયો હતો. તપાસ કરતા તેમને ત્યાંથી અત્યંત ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં એક નવજાત બાળકી મળી આવી હતી. બાળકીને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ફરજ પરના ડોકટરોની ટીમે બાળકીને બચાવવા માટે પ્રયાસો કર્યા હતા, પરંતુ ગંભીર ઇજાઓ અને નબળી તબિયતને કારણે આજે તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. શહેરા પોલીસે નવજાત શિશુના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી છે. જંગલના નિર્જન વિસ્તારમાં બાળકીને ત્યજી દેનાર વ્યક્તિની શહેરા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને હોસ્પિટલોમાં તપાસ તેજ કરી છે, જેથી આ કૃત્ય કરનાર સુધી પહોંચી શકાય.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 5:50 pm

એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:બંધ ટ્રેકટર પાછળ બાઈક ઘૂસી જતા ત્રણનાં મોત, ડીંડોલી લૂંટ કેસમાં જ્વેલર્સ માલિક જ માસ્ટરમાઈન્ડ નીકળ્યો

દિવ્ય ભાસ્કર એપ દ્વારા સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 5:40 pm

ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ સ્વદેશી મેળાનો પ્રારંભ કરાવ્યો:અમરેલી નગરપાલિકા દ્વારા આયોજિત શોપિંગ ફેસ્ટિવલ 2026 શરૂ

અમરેલી નગરપાલિકા દ્વારા 'વોકલ ફોર લોકલ' અભિયાનને પ્રોત્સાહન આપવા અને 'હર ઘર સ્વદેશી – ઘર ઘર સ્વદેશી'ના સંદેશને જનમાનસ સુધી પહોંચાડવાના હેતુસર 'સ્વદેશી મેળો – શોપિંગ ફેસ્ટિવલ 2026'નું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, કાયદો અને ન્યાય, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના હસ્તે આ મેળાનો પ્રારંભ થયો હતો. આ મેળા દ્વારા સખી મંડળની બહેનો દ્વારા ઉત્પાદિત વસ્તુઓને બજાર પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. મેળાના પ્રારંભ પ્રસંગે રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને બહેનોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સમગ્ર રાજ્યમાં સ્વદેશી મેળા દ્વારા લોકોને પોતાની પ્રોડક્ટનું પોતાના શહેરમાં વેચાણ કરવાની તક પૂરી પાડે છે. 'વોકલ ફોર લોકલ'ના સૂત્રને સાર્થક કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, અમરેલી શહેર અને જિલ્લાની બહેનોને આ મેળા થકી પોતાની પ્રોડક્ટના માર્કેટિંગ માટે એક મંચ મળશે. આ સ્વદેશી મેળામાં નગરપાલિકા દ્વારા 46 સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનો લાભ વેચાણ કરનાર બહેનોને થશે. આ પ્રસંગે મંત્રીએ અમરેલી નગરપાલિકાની ટીમને સ્વદેશી મેળાના સુચારુ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ સ્વદેશી મેળો તા. 01 માર્ચ 2026 થી તા. 10 માર્ચ 2026 સુધી દરરોજ સવારે 10:00 કલાકથી રાત્રે 10:00 કલાક સુધી સિનિયર સિટિઝન પાર્ક, સેન્ટર પોઈન્ટ, અમરેલી ખાતે યોજાશે. મેળામાં વિવિધ સ્વદેશી ઉત્પાદનો, સ્થાનિક હસ્તકલા, ઘરગથ્થુ વસ્તુઓ, કપડાં તથા અન્ય વિવિધ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે. કાર્યક્રમમાં રાજ્યમંત્રીના હસ્તે સ્વ સહાય જૂથોના મંડળોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ મેળા દ્વારા સખી મંડળ અને સ્વ સહાય જૂથની બહેનો દ્વારા ઉત્પાદિત અને વેચાણ કરવામાં આવતી પ્રોડક્ટ માટે એક સશક્ત માર્કેટિંગ મંચ ઉપલબ્ધ થશે. આ સાથે જ નાગરિકોને સ્વદેશી ઉત્પાદનો ખરીદવાની ઉત્તમ તક મળશે. અમરેલી નગરપાલિકા દ્વારા તમામ નગરજનોને આ સ્વદેશી મેળામાં ઉપસ્થિત રહી સ્થાનિક પ્રોડક્ટને પ્રોત્સાહન આપવા માટે હાર્દિક અનુરોધ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 5:35 pm

પોલીસ સ્ટેશનમાં જ આરોપીની હત્યાનો પ્રયાસ:મુસ્લિમ પરિવારની દીકરીને જય શ્રી રામ બોલવાનું કહેતા પોલીસની જીપમાંથી ઉતરતા જ ટોળાએ હુમલો કર્યો, પોલીસકર્મીને ઇજા

શહેરના કાગડાપીઠ વિસ્તારમાં મોડી રાત્રે એક પરિવાર જઈ રહ્યો હતો ત્યારે બાઈક પર આવેલા એક યુવકે પરિવારને જય શ્રી રામ બોલવાની દબાણ કર્યું હતું.પરિવારમાં યુવતી પણ હતી જેની છેડતી થતા પોલીસ આરોપીને લઈને દાણીલીમડા પોલીસ સ્ટેશન પહોંચી હતી.જયાં આરોપી અને પોલીસ પર ટોળાએ હુમલો કરતા એક પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા છે. સમગ્ર મામલે છેડતી કરનાર આરોપી અને ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. યુવકને રસ્તા વચ્ચે રોકી જય શ્રી રામ બોલવા દબાણ કર્યુંકાગડાપીઠ વિસ્તારમાં આવેલા ઝુડિયો પાસે મોડી રાત્રે 1 વાગ્યે એક પરિવાર પસાર થઈ રહ્યો હતો ત્યારે રાજદીપ નામના એક યુવકે પરિવારને રસ્તાની વચ્ચે રોક્યો અને જય શ્રી રામ બોલવા માટે દબાણ કર્યું હતું.જેથી પરિવાર ગભરાઈ ગયો અને થોડીક આગળ જઈને તેમના પરિચિત લોકોને આ અંગે જાણ કરી હતી. આ પ્રકારનો બનાવ બનતા મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. 70થી 80 લોકોના ટોળાએ પોલીસની ગાડીમાંથી આરોપી ઊતરતા જ હુમલો કર્યોપોલીસ સ્થળ પર પહોંચી ત્યારે આરોપી રાજદીપ ત્યાં હાજર હતો.ટ્રાફિક પોલીસની ટીમ આરોપીને પોલીસની ગાડીમાં લઈને દાણીલીમડા પોલીસ સ્ટેશન પહોંચી હતી.આરોપી પહોંચે તે પહેલા જ પોલીસ સ્ટેશનમાં 70થી 80 લોકોનું મોટું ટોળું ભેગું થયું હતું.આ ટોળાએ પોલીસની ગાડીને ઘેરી દીધી હતી.આરોપી રાજદીપ સામંતને નીચે ઉતરે હુમલો થાય તેવું જોખમ હતું છતાં પોલીસ દ્વારા આરોપીને પોલીસ સ્ટેશનમાં બંદોબસ્ત સાથે આરોપીને લઈ જવામાં આવી રહ્યો હતો. હુમલામાં એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયોહાજર ટોળાએ આરોપીને મારવાની કોશિશ કરી હતી.આ માથાકૂટ દરમિયાન એક હોમગાર્ડ જવાન ચિરાગને ઇજા પહોંચી છે અને આરોપીને પોલીસે સલામત રીતે અંદર લઈને પહોંચી હતી.આ સમગ્ર મામલે પોલીસે આરોપી રાજદીપ સામંત વિરુદ્ધ ધાર્મિક લાગણી દુભાય અને છેડતી મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. પોલીસે 7 લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધીજ્યારે ટોળાએ પોલીસ અને આરોપી રાજદીપ પર હુમલો કર્યો તે બદલ હત્યાનો પ્રયાસનો ગુનો નોધી તપાસ શરૂ કરી છે.પોલીસે ટોડામાંથી સાહિલ સૈયદ,સમીર શેખ,રિયાઝ ચાવડા,ગુલામ કાસમ,ફિરોજ સત્તર, માહિઝ અને અસલમ એમ કુલ સાત લોકો સામે નામ જોગ અને બાકી 75 લોકો વિરુદ્ધ ફરિયાદ નોધી છે.કાગડાપીઠ પોલીસે આરોપી રાજદીપ સમંતની ધરપકડ પણ કરી છે.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 5:32 pm

ચડ્ડી-બનિયાનધારી ચોર CCTVમાં કેદ:મોડાસાની સોસાયટીના મકાનમાં રાત્રે દિવાલ કૂદી ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ

અરવલ્લીના મોડાસા શહેરની માણેકબા સોસાયટીમાં મધરાતે તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. ચડ્ડી-બનિયાનધારી આ તસ્કર ટોળકી CCTV કેમેરામાં કેદ થઈ છે. માહિતી મુજબ, તસ્કરોએ રહેણાંક મકાનનો મુખ્ય ગેટ કૂદી ઘરમાં પ્રવેશ કર્યો હતો. તેઓએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સોસાયટીના રહીશો જાગી જતાં તસ્કરો ભાગી છૂટ્યા હતા. ખાસ કરીને ભાડે આપેલા અને હાલ બંધ પડેલા મકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયા છે. ટાઉન પોલીસને જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે, એક માસ અગાઉ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના એક મકાનમાં તસ્કરોએ પરિવારને બંધક બનાવી ચોરી કરી હતી. આવી સતત બની રહેલી ઘટનાઓને કારણે નાગરિકોમાં સુરક્ષાને લઈને ચિંતા વ્યાપી છે.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 5:28 pm

રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં:એક્સ-રે વિભાગમાં કર્મચારીઓ મનમાની કરી વ્હાલા- દવલાની નીતિથી વારો લેતા હોવાનો આરોપ, કલાકો લાઈનમાં ઉભા રહેવા છતાં વારો ન આવતા રોષ

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોમાં આવી છે. આ વખતે હોસ્પિટલના એક્સ-રે વિભાગમાં ચાલતી ગેરરીતિ અને કર્મચારીઓની બેજવાબદાર વર્તણૂકને કારણે સામાન્ય જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલના એક્સ-રે વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી કથિત મનમાની અને વ્હાલા-દવલાની નીતિને પગલે આજે હોસ્પિટલ સંકુલમાં દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. અને આરોપ લગાવ્યો કે અહીં નિયમોનું પાલન કરવાને બદલે લાગતા-વળગતા અને ઓળખાણ ધરાવતા લોકોના કામ વહેલા કરી આપવામાં આવે છે, જ્યારે લાંબી કતારોમાં ઉભેલા સામાન્ય દર્દીઓને કલાકો રાહ જોવડાવવામાં આવે છે. પ્રાપ્ત વિગતો મુજબ, એક્સ-રે વિભાગની બહાર વહેલી સવારથી જ દર્દીઓની લાંબી લાઈનો લાગેલી હતી. લાઈનમાં ઉભેલા એક જાગૃત નાગરિકે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, તેઓ બપોરે 12:00 વાગ્યાથી એક્સ-રે કઢાવવા માટે લાઈનમાં ઉભા છે, તેમ છતાં કલાકો વીતી જવા છતાં તેમનો વારો આવ્યો નથી. જ્યારે બીજી તરફ કર્મચારીઓ દ્વારા નિયમોને નેવે મૂકીને પાછળથી આવતા તેમના ઓળખીતા લોકોને સીધો પ્રવેશ આપીને એક્સ-રે કાઢી આપવામાં આવતા હોવાનું નજરે પડ્યું હતું. આ જોઈને લાઈનમાં ઉભેલા અન્ય દર્દીઓએ જ્યારે વિરોધ નોંધાવ્યો, ત્યારે કર્મચારીઓએ નમ્રતાથી જવાબ આપવાને બદલે ઉદ્ધત વર્તન કરી દાદાગીરી કરી હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં એક્સ-રે રિપોર્ટ માટે આવેલા મનોજભાઈ નામના દર્દીના સગાએ આક્રોશ ઠાલવતા જણાવ્યું કે, તેઓ તેમના ભાણેજને એક્સ-રે કરાવવા માટે બપોરે 12 વાગ્યાથી હોસ્પિટલમાં ધક્કા ખાઈ રહ્યા છે. અહીં 4 નંબરના એક્સ-રે રૂમમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની સમય મર્યાદા કે વારા અંગેની સ્પષ્ટતા કરવામાં આવતી નથી. પોતે છેલ્લા 3 કલાકથી ભૂખ્યા-તરસ્યા રાહ જોઈ રહ્યા છે, તેમ છતાં સ્ટાફ દ્વારા તેમને યોગ્ય જવાબ આપવાને બદલે એવું કહેવામાં આવ્યું હતું કે જો એક્સ-રે કરાવવો હોય તો કરાવો નહીંતર ફાઈલ લઈને રવાના થઈ જાઓ. વધુમાં તેમણે ગંભીર આક્ષેપ કરતા ઉમેર્યું હતું કે, હોસ્પિટલના સ્ટાફના સગા-વહાલા કે પરિચિતો આવે ત્યારે તેમને નિયમ વિરુદ્ધ જઈને પણ વચ્ચેથી જ અંદર બોલાવી લેવામાં આવે છે. સામાન્ય દર્દીઓને કયા નંબર પર વારો આવશે તેની કોઈ જાણકારી આપવામાં આવતી નથી અને કર્મચારીઓ દ્વારા અત્યંત ખરાબ વર્તન કરવામાં આવે છે. વ્યવસ્થિત લાઇન કે વારા પદ્ધતિનો અભાવ હોવાને કારણે દર્દીઓ અને તેમના સગાને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે આ માટે જે કોઈ જવાબદાર હોય તેની સામે પગલાં લેવાની માંગ તેઓએ કરી હતી. આ મામલે દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં સિવિલ હોસ્પિટલનાં મીડિયા કો-ઓર્ડીનેટર ડો. કમલ ડોડીયાએ સાવ ઉડાઉ જવાબ આપ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, આજે રવિવાર હોવાથી મારે પોતાની રજા છે. છતાં હું જાણીને કહીશ. હું સતત ત્યાં હાજર રહેતો નથી. મારી બીજી ડ્યુટી પણ હોય છે. આ અંગે જાણીને કહેવાનું કહેતા તેમણે જણાવ્યું કે, એવી કોઈ અરજન્સી નથી. આજે રવિવારે હું જાણી નહીં શકું, તમે ત્યાંથી તમારી રીતે જાણી લો. અત્યારે હું બહારગામ છું, એટલે મદદરૂપ નહીં થઈ શકું. આ મહત્વની જવાબદારી સંભાળતા હોદ્દેદારે આજે આ બાબતે કંઈપણ બોલવાનો ઇનકાર કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલમાં સારવાર લેવા આવતા મોટાભાગના દર્દીઓ ગરીબ અને મધ્યમ વર્ગના હોય છે, જેઓ દૂર-દૂરના ગામડાઓથી ભાડું ખર્ચી અહીં આવતા હોય છે. આવા સંજોગોમાં સરકારી તંત્ર દ્વારા અપાતી સુવિધાઓમાં જો આવુ પક્ષપાતી વલણ અપનાવવામાં આવે તો દર્દીઓની હાલાકીમાં વધારો થાય છે. આજે બનેલી આ ઘટનામાં દર્દીઓએ એવો પણ આક્ષેપ કર્યો કે એક્સ-રે વિભાગના અમુક કર્મચારીઓ પોતાની મનમાની ચલાવે છે અને સિનિયર સિટિઝન કે ગંભીર દર્દીઓની પણ દરકાર કરતા નથી. ઉચ્ચ અધિકારીઓની પાસે તો રવિવારે જવાબ આપવાનો પણ સમય નથી. ત્યારે આ મામલે જવાબદારો સામે કોઈ કાર્યવાહી થાય છે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 5:23 pm

VIDEO: 5 સેકન્ડમાં 2 આખા બિલ્ડિંગ નષ્ટ... ઈઝરાયલનો તેહરાન પર વધુ એક હુમલો, જુઓ દ્રશ્યો

Iran Israel Conflict: ઈઝરાયલની વાયુ સેનાએ ઈરાન પર સૌથી ભીષણ હુમલો કર્યો છે. મોટા સૈન્ય અભિયાનમાં તહેરાન અને પશ્ચિમી ઈરાનમાં સ્થિત અનેક ઈરાની ઠેકાણો પર ભારે બોમ્બ-ગોળો વરસાવવામાં આવ્યો છે. IDFએ વીડિયો પણ જાહેર કર્યો છે જેમાં હુમલાની ભયાવહતા જોઈ શકાય છે. શક્તિશાળી મિસાઈલોનો ઉપયોગ ઈઝરાયલની સેનાએ થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો રીલીઝ કરતાં કહ્યું છે કે, થોડી મિનિટો પહેલા જ તહેરાનમાં 'ઈરાની આતંકી શાસન'ના મુખ્યાલયને સટીક રીતે નિશાન બનાવવામાં આવ્યું.

ગુજરાત સમાચાર 1 Mar 2026 5:22 pm

ડિંડોલીમાં જ્વેલર્સમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો:માલિકજ નીકળ્યો માસ્ટરમાઈન્ડ, દેવું ચૂકવવા રચ્યું હતુ લૂંટનું નાટક; પોલીસે ડ્રાઈવરને દબોચી લીધો

ડિંડોલી વિસ્તારમાં 26 ફેબ્રુઆરીના રોજ ભરબપોરે મહાલક્ષ્મી જ્વેલર્સમાં થયેલી સનસનાટીભરી લૂંટનો ભેદ ઉકેલવામાં ડિંડોલી પોલીસને મોટી સફળતા મળી છે. આ કેસમાં આશ્ચર્યજનક વળાંક આવ્યો છે. આ લૂંટ કોઈ બહારના ગુનેગારોએ નહીં, પરંતુ જ્વેલર્સના માલિક નારાયણ પાલીવાલે જ પોતાના ડ્રાઈવર સાથે મળીને કરાવી હતી. પોલીસે રાજસ્થાનથી ડ્રાઈવરની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો છે. ચાંદીની 22 મૂર્તિ, સોનાની 24 જોડી બુટ્ટીઓની ચોરી થઈ હતી26 ફેબ્રુઆરી, 2026ના રોજ ડિંડોલી-કરાડવા રોડ પર આવેલી 'શ્રીનાથ રેસીડેન્સી'માં સ્થિત 'મહાલક્ષ્મી જ્વેલર્સ'માં બપોરના સમયે એક અજાણ્યો બુકાનીધારી શખ્સ ઘૂસી આવ્યો હતો. તેણે મેનેજરને ડરાવી-ધમકાવી દુકાનમાંથી ચાંદીની 22 મૂર્તિઓ અને સોનાની 24 જોડી બુટ્ટીઓ આશરે 35 ગ્રામ જેવી અંદાજે 5.47 લાખની મત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. પોલીસે આસપાસના 70થી 80 જેટલા CCTV ચેક કર્યાઘટનાની ગંભીરતા જોતા ડિંડોલી પોલીસની સર્વેલન્સ ટીમે તપાસ શરૂ કરી હતી. પોલીસે આસપાસના 70થી 80 જેટલા CCTV કેમેરા ચેક કર્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસને ચોક્કસ માહિતી મળી કે, લૂંટ કરનાર શખ્સ જ્વેલર્સના માલિકનો જ ડ્રાઈવર જીતેન્દ્ર ઉર્ફે કિશોર ડાંગી છે, જે લૂંટ બાદ મુદ્દામાલ સાથે રાજસ્થાન ભાગી ગયો છે. રતનપુર પાસેની હોટેલમાંથી જીતેન્દ્ર ડાંગીની ધરપકડમાહિતીના આધારે પોલીસની એક ટીમ તાત્કાલિક રાજસ્થાન રવાના થઈ હતી. ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર રતનપુર પાસેની એક હોટેલમાંથી જીતેન્દ્ર ડાંગીને લૂંટના મુદ્દામાલ સાથે દબોચી લેવામાં આવ્યો હતો. જોકે, જ્યારે મુદ્દામાલની તપાસ કરવામાં આવી ત્યારે ચોંકાવનારી વિગત સામે આવી કે લૂંટાયેલા ઘરેણાં સોનાના નહીં પણ માત્ર 'પીળી ધાતુ' નકલી સોનના ઘરેણા હતા. માલિકે કેમ રચી લૂંટની યોજના?પકડાયેલા ડ્રાઈવરની પૂછપરછમાં માલિક નારાયણ પાલીવાલના કાળા કરતૂતોનો પર્દાફાશ થયો હતો. પૂછપરછમાં સામે આવ્યું કે જ્વેલર્સના માલિક નારાયણ પર લેણદારોનું મોટું દેવું હતું. લેણદારો પાસેથી સમય મેળવવા અને પોતાની આર્થિક સ્થિતિ ખરાબ હોવાનું બતાવવા તેણે આ લૂંટનું નાટક રચ્યું હતું. માલિકે ડ્રાઈવર જીતેન્દ્રને આ કામ માટે 4થી 5 લાખ રૂપિયા આપવાની અને વતનમાં મકાન બનાવી આપવાની લાલચ આપી હતી. લૂંટ સાચી લાગે તે માટે માલિકે જાણી જોઈને તિજોરીમાં નકલી ઘરેણાં રાખ્યા હતા, જેથી ડ્રાઈવર તે લઈને ભાગી જાય અને પોલીસને એવું લાગે કે સાચું સોનું લૂંટાયું છે. ભર બપોરે જ્વેલરીના શોરૂમમાં લૂંટ થઈ હતીઃ ACPએસીપી એમ.પી ગોહિલે જણાવ્યું હતું કે, ડિંડોલી પોલીસ સ્ટેશનમાં શ્રીનાથ સોસાયટીમાં આવેલ મહાલક્ષ્મી જ્વેલર્સમાં તારીખ 26-02-2026ના રોજ બપોરે આશરે પોણા બે વાગ્યાની આસપાસ જ્વેલરીના શોરૂમમાં લૂંટનો એક ગુનો બનેલો હતો. જે અનુસંધાને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક અનડિટેક્ટ ક્રિમિનલ કેસ રજિસ્ટર કરવામાં આવેલો હતો. આ બનાવની વિગત એવી છે કે, આ ગુનાના ફરિયાદી એ મહાલક્ષ્મી જ્વેલર્સમાં સેલ્સમેન તરીકે છેલ્લા અઢી વર્ષથી ત્યાં નોકરી કરતા હતા. તેમના માલિક, જેનું નામ નારાયણ શંકર પાલીવાલ છે, તે છેલ્લા 15થી 20 દિવસથી તેમના વતન રાજસ્થાન ખાતે ગયાં હતા. લૂંટના દિવસે લોકર પણ ખુલ્લુ હતુંબપોરના સમયે આ સેલ્સમેન એટલે કે ફરિયાદી જ્યારે મહાલક્ષ્મી જ્વેલર્સમાં હાજર હતા, તે દરમિયાન આશરે બપોરના પોણા બે વાગ્યાની આસપાસ કાળા કલરના કપડાં અને માસ્ક પહેરી એક ઇસમ આવ્યો. તેણે ત્યાં એક ધારદાર સળિયા જેવું હથિયાર બતાવ્યું અને ડરાવી-ધમકાવીને મહાલક્ષ્મી જ્વેલર્સમાં ડિસ્પ્લેમાં પડેલી ચાંદીની 22 મૂર્તિઓ અને શોરૂમના પાછળના ભાગે એક લોકર હતું, જે તે વખતે ખુલ્લું હતું કારણ કે ડિસ્પ્લેના દાગીના ચેન્જ કરવાના હતા, તે લોકરમાંથી 24 સોનાની બુટ્ટીઓ જેવું ફરિયાદીએ જણાવ્યું હતું એમ મળીને કુલ રૂ. 3,57,000નો મુદ્દામાલ લૂંટીને ત્યાંથી નીકળી ગયો હતો. ઉઘરાણી કરતા માલિકે જ લૂંટનો પ્લાન ઘડ્યોજે તે વખતે ગુનો અનડિટેક્ટ હતો. ભરબજારે આ બનાવ બનેલો હોવાથી ગુનાની ગંભીરતા લઈ સુરત ક્રાઈમ બ્રાન્ચ અને ડિંડોલી પોલીસની ટીમોએ સંકલનમાં રહી અલગ-અલગ ટીમો બનાવી હતી. સ્થાનિક પોલીસ દ્વારા આશરે 70થી 80 અલગ-અલગ રૂટ પરના CCTV કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. જૂના બાતમીદારો અને અગાઉ આવા ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ટ્રેક કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ડિંડોલી પોલીસ સ્ટેશનના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર મસાણીને બાતમી મળી કે, આ મહાલક્ષ્મી જ્વેલર્સનો માલિક નારાયણ પાલીવાલ દેવામાં ડૂબેલો હતો અને ઘણા લોકો તેની પાસે ઉઘરાણી કરતા હતા. આથી, માલિકે જ આ આખું કાવતરું ઘડ્યું હતું. આ કાવતરામાં તેણે તેના ડ્રાઈવર જિતેન્દ્ર કુમાર ઉર્ફે કિશોર વગતરામ ડાંગીને સામેલ કર્યો હતો જેણે લૂંટ કરી હતી. લૂંટ કરનારની ધરપકડ, માલિક હજુ ફરારબાતમી મળી હતી કે, આ બંને રાજસ્થાનમાં બિછીવાડાની આસપાસ કોઈ હોટેલમાં રોકાયેલા છે, આથી ડિંડોલી પોલીસની ટીમે ત્યાં જઈ તપાસ કરી અને લૂંટ કરનાર આરોપી જિતેન્દ્ર કુમાર ડાંગીને પકડી પાડ્યો. તેની પૂછપરછમાં તેણે ગુનાની કબૂલાત કરી અને લૂંટનો મુદ્દામાલ પણ મળી આવ્યો. વધુ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે ફરિયાદીએ જે સોનાની બુટ્ટીઓ લૂંટાઈ હોવાનું જણાવ્યું હતું, તે ખરેખર સોનાની નહોતી પરંતુ નકલી બુટ્ટીઓ હતી, જેના પર માત્ર પીળો રંગ ચડાવેલો હતો. હાલમાં લૂંટ કરનાર આરોપી જિતેન્દ્રની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે માલિક નારાયણ પાલીવાલ હજુ ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 5:20 pm

ક્રાઈમ બ્રાંચે 8 ગુનામાં ફરાર આરોપીને દબોચ્યો:રીઢો ચેઈન સ્નેચર 19થી વધુ ગુનામાં સંડોવાયેલ હતો, સુરત-અમદાવાદના 8 કેસ ઉકેલાયા

ચેઈન સ્નેચીંગની ઘટનાઓ પર લગામ લગાવવા માટે સુરત ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે. સુરત અને અમદાવાદ શહેરમાં આતંક મચાવનાર અને 19થી વધુ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ એક રીઢા ગુનેગારને ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે દબોચી લીધો છે. આ ધરપકડ સાથે જ સુરત અને અમદાવાદના કુલ 8 જેટલા વણશોધાયેલ ચેઈન સ્નેચીંગના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. બાતમીના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યોઝડપાયેલ આરોપી મહાવીરસિંહ નટુભાઈ ચૌહાણ ઉંમર 25 વર્ષ, રહે. મહિયારી, તા. તારાપુર, જી. આણંદનો વતની છે. પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે કે, આરોપી તેના મિત્ર અશોક ઉર્ફે નિકુંજ ઉર્ફે નીકલો રહે. બેલદાર સાથે મળીને વર્ષોથી ગુજરાતના વિવિધ શહેરોમાં ચેઈન સ્નેચીંગના ગુના આચરતો હતો. તપાસ દરમિયાન ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સ દ્વારા મળેલી સચોટ બાતમીના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી 8 ગુનાઓનો ભેદ ઉકેલ્યો આરોપીની મોડસ ઓપરેન્ડી અત્યંત વ્યવસ્થિત હતી. તે 2025 માં જેલમાંથી છૂટ્યા બાદ ફરીથી સક્રિય થયો હતો. તે પોતાના વતનથી મોટરસાયકલ પર સવાર થઈ સુરત અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં આવતો હતો. અહીં તે મોર્નિંગ વોક પર નીકળતા પુરુષો અને મહિલાઓને ટાર્ગેટ કરી, ચાલુ વાહને સોનાના ચેઈન આંચકી ફરાર થઈ જતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી 8 ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે જેમાં અડાજણ પોલીસ સ્ટેશનના 2 ગુનાઓ અને અમદાવાદના રામોલ, કૃષ્ણનગર, ઓઢવ, નરોડા, શાહીબાગ અને રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચેઈન સ્નેચીંગના ગુના. આરોપી મહાવીરસિંહ માત્ર ચેઈન સ્નેચીંગ જ નહીં, પણ લૂંટ અને મારામારી જેવા ગંભીર ગુનાઓમાં પણ સંડોવાયેલો છે. તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેમાં વર્ષ 2019થી 2022 દરમિયાન સુરતના ખટોદરા, ઉમરા અને અડાજણ વિસ્તારમાં અનેક ચેઈન સ્નેચીંગના ગુના નોંધાયા છે. ખંભાત સીટીમાં લૂંટ IPC 394 અને ગાંધીનગરના ઇન્ફોસિટીમાં ભંગાર ચોરીના ગુના પણ તેના નામે નોંધાયેલા છે. વર્ષ 2024 અને 2025 માં પણ તેણે અડાજણ અને ઉત્રાણ વિસ્તારમાં સતત ગુનાખોરી ચાલુ રાખી હતી.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 5:18 pm

હરેકૃષ્ણ મંદિર ભાડજમાં ગૌર પૂર્ણિમા ઉજવાશે:ભગવાન ચૈતન્ય મહાપ્રભુની 540મી જન્મજયંતિ નિમિતે આયોજન

મંગળવાર, 3 માર્ચ, 2026ના રોજ હરે કૃષ્ણ મંદિર, ભાડજ ગૌર પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરશે. આ દિવસ ભગવાન ચૈતન્ય મહાપ્રભુના અવતરણનો શુભ દિવસ છે, જેમને ભગવાન શ્રીકૃષ્ણના ગુપ્ત અવતાર માનવામાં આવે છે. પૌરાણિક ગ્રંથો અનુસાર, સર્વશક્તિમાન ભગવાન શ્રીકૃષ્ણ ભક્ત સ્વરૂપે ચૈતન્ય મહાપ્રભુ તરીકે લગભગ 500 વર્ષ પહેલાં શ્રીધામ માયાપુરમાં (કોલકાતાથી 150 કિલોમીટર ઉત્તરે) પ્રગટ થયા હતા. તેમનો જન્મ ફાગણ સુદ પૂનમના શુભ દિવસે વર્ષ 1486માં જગન્નાથ મિશ્રા અને શ્રીમતી સચીદેવીના પુત્ર તરીકે થયો હતો. તેમણે કલિયુગમાં હરિનામ સંકિર્તનનો પ્રચાર કર્યો અને લોકોને ભગવાનના નામનું રટણ કરવા પ્રોત્સાહિત કર્યા, જેને કલિયુગનો યુગધર્મ માનવામાં આવે છે. શ્રી ચૈતન્ય મહાપ્રભુ પોતાની સુવર્ણ કાયાને કારણે 'ગૌરાંગા' તરીકે પણ પ્રખ્યાત છે.આ વર્ષે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુની 536મી જન્મજયંતિ છે. આ ઉત્સવ ગૌડીય વૈષ્ણવો માટે નવા વર્ષની શરૂઆતનો સંકેત આપે છે. આ દિવસે ભક્તો ચંદ્ર પૂર્ણપણે ખીલે ત્યાં સુધી ઉપવાસ રાખે છે. હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે આ ઉત્સવની ઉજવણી સાંજે 6 વાગ્યાથી શરૂ થશે. ઉત્સવના ભાગરૂપે શ્રી શ્રી નિતાઈ ગૌરાંગની મૂર્તિને સુંદર પુષ્પોથી સુશોભિત પાલખીમાં વિહાર કરાવવામાં આવશે. ભક્તો મહા સંકિર્તન કરીને ભગવાનને પ્રસન્ન કરશે.મંદિરનો દરેક ખૂણો હરેકૃષ્ણ મહામંત્રના જાપથી ગુંજી ઉઠશે, ભક્તિમય વાતાવરણ સર્જાશે.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 5:16 pm

વિશ્વ વિજ્ઞાન દિવસની ઉજવણી:વિદ્યાર્થીઓએ 60 સ્વનિર્મિત વિજ્ઞાન-ગણિત કૃતિઓ પ્રદર્શિત કરી

કવિશ્રી રમેશ પારેખ પ્રાથમિક શાળા 316માં 28 ફેબ્રુઆરી, 2026ના રોજ વિશ્વ વિજ્ઞાન દિવસ નિમિત્તે ભવ્ય વિજ્ઞાન-ગણિત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓએ વિવિધ વિષયો પર આધારિત 60 જેટલી સ્વનિર્મિત કૃતિઓ રજૂ કરી હતી. શાળા પરિસરમાં જ્ઞાનનો મેળો જામ્યો હોય તેવું પ્રેરણાદાયક વાતાવરણ સર્જાયું હતું. નાના વૈજ્ઞાનિકોએ પોતાના મોડેલ, પ્રયોગો અને કૃતિઓ દ્વારા અદભૂત સર્જનાત્મકતા પ્રદર્શિત કરી હતી. દરેક કૃતિ પાછળ વિદ્યાર્થીઓની મહેનત, વિચારશીલતા અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને પ્રદર્શનને જીવંત બનાવ્યું હતું. વર્ગશિક્ષકોએ વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન પૂરું પાડીને તેમનામાં વૈજ્ઞાનિક વૃત્તિ વિકસાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સમગ્ર વિજ્ઞાન-ગણિત પ્રદર્શનનું સંકલન જિજ્ઞાબહેન પટેલે આચાર્યશ્રી ઘનશ્યામભાઈ કણકોટિયાના માર્ગદર્શન હેઠળ સુવ્યવસ્થિત રીતે કર્યું હતું, જે પ્રદર્શનની સફળતાનો મુખ્ય આધાર બન્યું. કાર્યક્રમનું ઉદ્ઘાટન નરેશભાઈ એસ. ગોહિલના હસ્તે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, દાતાશ્રીઓ, વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને પ્રદર્શન નિહાળ્યું હતું અને વિદ્યાર્થીઓની પ્રતિભા જોઈને પ્રભાવિત થયા હતા. આ પ્રસંગે શાળાનું પરિસર જ્ઞાનની ગંગાથી પવિત્ર બન્યું હોય તેવું લાગતું હતું. પ્રદર્શિત દરેક કૃતિ વિજ્ઞાન છે તો વિકાસ છે નો સંદેશ આપી રહી હતી. કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપનાર તમામ મહાનુભાવો, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓનો અંતે હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 5:14 pm

કંપની સાથે ઉચાપત કરનાર પૂર્વ CEO ઝડપાયો:વડોદરામાં વોર્ડ વિઝાર્ડ મેડિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે રૂ. 28 કરોડની ઉચાપત કરનાર પૂર્વ CEOની ધરપકડ, અમદાવાદમાં SG હાઈવે પર ભાડેથી મકાન રાખીને રોકાયો હતો

બનાવટી દસ્તાવેજોના આધારે વોર્ડ વિઝાર્ડ મેડીકેર પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે પૂર્વ CEO દ્વારા રૂ.28 કરોડથી વધુ રૂપીયાની નાણાકીય ઉચાપત કરવામાં આવી હતી. ઉચાપત કરીને ફરાર થઈ ગયેલા આરોપીને અમદાવાદ ખાતેથી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના જેતલપુર વિસ્તારમાં આવેલી વોર્ડ વિઝાર્ડ મેડીકર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પૂર્વ CEO સંતોષકુમાર હરીભાઇ ગઢવી (રહે.અતુલપાર્ક સોસાયટી, કોરેગાંવ પાર્ક,પુના, મહારાષ્ટ્ર, હાલ રહે.નવજીવન મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ, બસ સ્ટેન્ડની બાજુમાં, કિંકલોડ તા.બોરસદ,જી.આણંદ)એ બનાવટી દસ્તાવેજો કંપનીના બેંક ખાતામાંથી નાણાંની ઉચાપત કરી હતી. આ ઉપરાંત ખોટા હિસાબો બનાવી કંપનીમાં રજુ કરી તથા અલગ અલગ બેન્કમાં ખોટા નામે એકાઉન્ટ ખોલાવી નાણાં ઉપાડી હલકી ગુણવત્તાના તથા આઉટડેટેડ મેડીકલ સાધનો મંગાવી તેના બદલામાં કંપનીમાંથી વધુ નાણા અલગ અલગ કંપનીઓને ચુકવી દીધા હતા અને તેમાંથી જુદી જુદી કંપનીમાંથી નાણાં સગેવગે કરીને28.47 કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી. જેની ફરિયાદ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેથી સંતોષ ગઢવી ધરપકડના ડરથી નાસતો ફરતો હતો. ગુનામાં સંડોવાયેલા આરોપીએ આગોતરા જામીન મેળવવા કોર્ટમાં અરજી કરી હતી પરંતુ આ આરોપીની આગોતરા અરજી કોર્ટ દ્વારા નામંજુર કરાઈ હતી. ત્યારબાદ પણ આ ગુનામાં સંડોવાયેલા આરોપીની શોધખોળ કરતા સંતોષ ગઢવી અમદાવાદ ખાતે એસ.જી.હાઇવે પાસે મકાન ભાડે રાખી આશ્રય લઇ રહ્યો હોવાની માહીતી મળી હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ અમદાવાદ ખાતે રવાના થઈ હતી અને નાસતા ફરતા આરોપીનાં રહેઠાણનાં સ્થળ પર વોચ ગોઠવી સંતોષ ગઢવીને મોડી રાત્રે ધરપકડ કરી હતી. વડોદરા લાવ્યા બાદ કોર્ટમાં રજુ કરી પોલીસ કસ્ટડીના રીમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 5:12 pm

સિલ્વર ઓક યુનિવર્સિટીનો ચોથો દીક્ષાંત સમારોહ યોજાયો:વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, સિદ્ધિઓને બિરદાવવામાં આવી

સિલ્વર ઓક યુનિવર્સિટીનો ચોથો દીક્ષાંત સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. આ સમારોહમાં વિવિધ શૈક્ષણિક ક્ષેત્રોમાંથી અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓ અને પ્રતિબદ્ધતાને બિરદાવવામાં આવી હતી. દીક્ષાંત પરેડ સાથે સમારોહનો પ્રારંભ થયો હતો. આ ભવ્ય સમારોહમાં ગુજરાત કેબિનેટ મંત્રી ડૉ. પ્રદ્યુમ્ન વાજા અને કેન્દ્રીય સહકારિતા રાજ્ય મંત્રી મુરલીધર મોહોલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય વર્લ્ડ કપ વિજેતા અન્ડર-19 ક્રિકેટ ટીમના ખેલાડી વેદાંત ત્રિવેદી પણ ખાસ અતિથિ તરીકે હાજર રહ્યા હતા, જેમણે નવયુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. યુનિવર્સિટીના નેતૃત્વ દ્વારા દીક્ષાંત સમારોહની અધ્યક્ષતા કરવામાં આવી હતી. જેમાં સિલ્વર ઓક યુનિવર્સિટીના પ્રમુખ શ્રી શીતલ અગ્રવાલ, એક્ઝિક્યુટિવ પ્રમુખ શ્રીમતી પૂનમ અગ્રવાલ, ઉપપ્રમુખ શ્રી જનક ખાંડવાલા, ઉપપ્રમુખ (શૈક્ષણિક) શ્રીમતી શ્વેતા ખાંડવાલા, વાઇસ ચાન્સેલર ડૉ. સૌરિન શાહ, સલાહકાર ડૉ. એમ. એન. પટેલ, વાઇસ પ્રોવોસ્ટ ડૉ. પીના ભટ્ટ અને રજીસ્ટ્રાર ડૉ. મિત શાહ સહિત યુનિવર્સિટીના વરિષ્ઠ શૈક્ષણિક અને પ્રશાસનિક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ ચોથા દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સ્નાતક, અનુસ્નાતક અને ડોક્ટરલ કાર્યક્રમોમાં ડિગ્રી પ્રદાન કરવામાં આવી હતી, જે તેમના શૈક્ષણિક જીવનનો એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન બની રહેશે. મુખ્ય અતિથિ ડૉ. પ્રદ્યુમ્ન વાજાએ વિદ્યાર્થીઓને તેમની સિદ્ધિઓ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને પદવીદાનની પ્રાચીન પ્રણાલીનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમણે અનુસ્નાતકોને સંબોધતા કહ્યું કે મહેનત અને સતતતાથી દરેક સિદ્ધિ શક્ય છે. મંત્રી મુરલીધર મોહોલે પણ પદવી મેળવનાર દરેકને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને જવાબદારી સાથે દેશના વિકાસ અને સેવા માટે કાર્યરત રહેવા પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે પ્રધાનમંત્રીના શિક્ષિત નવયુવાનો દ્વારા દેશને વિકાસના પંથે લઈ જવાના વિઝનનો ઉલ્લેખ કરતા યુવાનોને સતત શીખતા રહી નૈતિક નેતૃત્વ સાથે દેશના વિકાસમાં સકારાત્મક યોગદાન આપવા પર ભાર મૂક્યો હતો. શ્રી વેદાંત ત્રિવેદીએ પોતાની ક્રિકેટ સફર વિશે વાત કરતા કહ્યું કે ડર અને અનિશ્ચિતતા છતાં જે ટકી રહે છે તે હંમેશા સફળ થાય છે. આ સમારોહની ભવ્યતામાં વધારો કરતા આકાશમાં આકર્ષક ફાયરવર્ક પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ચોથો દીક્ષાંત સમારોહ ભવિષ્યની આશા અને નવા પ્રારંભનું પ્રતીક બની રહે તે માટે સફળ અને યાદગાર બનાવવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 5:08 pm

મુળધરાઈ શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી:વિદ્યાર્થીઓએ રમણ ઈફેક્ટ અને વૈજ્ઞાનિક મોડલ રજૂ કર્યા

મુળધરાઈ કેન્દ્રવર્તી શાળા ખાતે 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ'ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ભારતના નોબેલ વિજેતા વૈજ્ઞાનિક સર સી. વી. રમણ દ્વારા શોધાયેલી 'રમણ ઇફેક્ટ'ની યાદમાં યોજાયો હતો. તેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ અને જિજ્ઞાસા વૃત્તિ જાગૃત કરવાનો હતો. કાર્યક્રમની શરૂઆત શાળાના આચાર્ય જિતેન્દ્રસિંહ ચૌહાણ અને વિજ્ઞાન વિભાગના શિક્ષકો દ્વારા દીપ પ્રાગટ્ય અને સર સી. વી. રમણની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રદર્શન અને કાર્યક્રમનું આયોજન વિજ્ઞાન શિક્ષિકા દિપાલીબેન ભટ્ટ અને પ્રજ્ઞાબેન પંડ્યાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક થયું હતું. વિજ્ઞાન પ્રદર્શનમાં શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનતથી તૈયાર કરેલા વિવિધ વૈજ્ઞાનિક મોડલ્સ રજૂ કર્યા હતા, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ પ્રદર્શનમાં જવાળામુખી વિસ્ફોટ, વિદ્યુતના સુવાહક અને અવાહક, સોલાર પેનલ, હવાના દબાણ અને સ્ટેથોસ્કોપ જેવા મુખ્ય પ્રોજેક્ટ્સનો સમાવેશ થતો હતો. વિદ્યાર્થીઓએ રાસાયણિક પ્રક્રિયા દ્વારા જવાળામુખી કેવી રીતે ફાટે છે તેનું જીવંત નિદર્શન કર્યું હતું. તેમણે પ્રયોગો દ્વારા કયા પદાર્થોમાંથી વીજળી પસાર થઈ શકે છે અને કયામાંથી નહીં તે સરળતાથી સમજાવ્યું હતું. સૂર્યશક્તિનો ઉપયોગ કરીને વીજળી ઉત્પન્ન કરવાના ફાયદા અને હવાના દબાણના સિદ્ધાંતને સાબિત કરતા પ્રયોગો પણ રજૂ કરાયા હતા. વિજ્ઞાન શિક્ષિકા દિપાલીબેન અને પ્રજ્ઞાબેને દરેક પ્રોજેક્ટની રૂબરૂ મુલાકાત લઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને 'રમણ ઇફેક્ટ' વિશે ઊંડાણપૂર્વક સમજૂતી આપી હતી. કાર્યક્રમના અંતે આચાર્ય જિતેન્દ્રસિંહ ચૌહાણે પ્રાસંગિક પ્રવચન આપતાં જણાવ્યું હતું કે, “વિજ્ઞાન એ માત્ર વિષય નથી પણ જીવન જીવવાની એક પદ્ધતિ છે.”આચાર્યએ આ સુંદર આયોજન બદલ દિપાલીબેન, પ્રજ્ઞાબેન અને તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિજ્ઞાન મંડળના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 5:07 pm

મેઉ પગાર શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી:બાળ વૈજ્ઞાનિકોએ પવનચક્કી, સૌર ઊર્જા સહિતના પ્રાયોગિક નમૂનાઓ રજૂ કર્યા

મેઉ પગાર કેન્દ્ર શાળામાં ૨૮ ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવાનો હતો.કાર્યક્રમની શરૂઆત શાળાની પ્રાર્થનાસભાથી થઈ. વિજ્ઞાન શિક્ષિકા નિલમબેન પટેલે વિદ્યાર્થીઓને ભારતના વૈજ્ઞાનિક સી.વી. રમન અને તેમના યોગદાન વિશે માહિતી આપી. ત્યારબાદ શાળાના આચાર્ય સુનિલભાઈ પટેલે વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું મૂક્યું.આ પ્રદર્શનમાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓએ વિજ્ઞાન શિક્ષિકા ધારાબહેન સોની અને નિલમબેન પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રાયોગિક નમૂનાઓ રજૂ કર્યા. વિદ્યાર્થીઓએ પવનચક્કી, સૌર ઊર્જા, પાણીનું શુદ્ધિકરણ, 3D હોલોગ્રામ, ગતિના પ્રકારો, જીવ વિજ્ઞાનના નમૂનાઓ, પુષ્પના ભાગો, રેતઘડી, પિનહોલ કેમેરા, પ્રકાશનું પરાવર્તન અને ધ્વનિ તરંગો જેવા પ્રયોગો રજૂ કર્યા.ધોરણ 1ની બાળાઓએ શિક્ષક શૈલેષભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ પાણીના બબલ બનાવવા અને અદ્રશ્ય શાહીથી લેખન કરવાના પ્રયોગો પણ રજૂ કર્યા. બાલવાટિકાથી ધોરણ 8 સુધીના તમામ વિદ્યાર્થીઓએ આ પ્રદર્શન નિહાળ્યું.આ ઉપરાંત, વિજ્ઞાન દિવસની થીમ પર તૈયાર કરાયેલા 'સેલ્ફી પોઇન્ટ' પર વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ફોટોગ્રાફી કરી.શિક્ષક બિપીનભાઈ નાયીએ આ કાર્યક્રમની તસવીરો લીધી.કાર્યક્રમના અંતે, આચાર્ય સુનિલભાઈ પટેલે ભાગ લેનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા. શાળાના શિક્ષકોના માર્ગદર્શન અને પ્રયાસોથી આ ઉજવણી સફળ રહી.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 5:06 pm

વિરમગામમાં રમઝાન નિમિત્તે સહેરી અને ઇફતારની વ્યવસ્થા:અનામી દાતા અને યુવાનો દ્વારા નિઃશુલ્ક ભોજન સેવા

વિરમગામમાં રમઝાન માસ નિમિત્તે સુન્ની ખેડુવોરા જમાતના એક અનામી દાતા દ્વારા સહેરી અને ઇફતારના ભોજનની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થા પરોઢિયે સહેરી અને સાંજે ઇફતાર બંને સમય માટે ઉપલબ્ધ છે. આ સેવા ખાસ કરીને હોસ્ટેલ કે પી.જી.માં રહેતા રોઝેદાર ભાઈઓ-બહેનો, પરિવાર વગરના નોકરિયાત વ્યક્તિઓ અને વિરમગામની હોસ્પિટલોમાં દાખલ દર્દીઓના સગા-સંબંધીઓ માટે ગોઠવવામાં આવી છે. હોસ્પિટલમાં રહેતા દર્દીના સગા-સંબંધીઓને ભોજન પાર્સલ સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. સુન્ની ખેડુવોરા જમાત, વિરમગામના પ્રમુખ મુસ્તુફા ખેડુવોરાએ આ પહેલની સરાહના કરી છે. તેમણે અનામી દાતાનો આભાર વ્યક્ત કરીને તેમને અભિનંદન પાઠવ્યા હતા અને સૌ માટે પ્રાર્થના કરી હતી.જમીની સ્તરે આ સમગ્ર વ્યવસ્થાને સફળ બનાવવામાં યુવાનો સદ્દામ વોરા (સલીમ), તનવીર ખેડુવોરા અને અશરફ ખેડુવોરા તેમજ તેમના સહયોગીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પ્રમુખે પવિત્ર રમઝાન માસમાં પોતાના આરામનો ત્યાગ કરીને વિરમગામના વિવિધ વિસ્તારોમાં સેવા આપવા બદલ આ તમામ યુવાનોનો પણ આભાર માન્યો હતો.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 5:04 pm

ડીંડોલીમાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું:માતૃભૂમિ વિદ્યાલય અને સ્ટડી કેર સ્કૂલના વિદ્યાર્થીઓએ મોડેલ રજૂ કર્યા

સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી માતૃભૂમિ વિદ્યાલય અને સ્ટડી કેર ઇંગ્લિશ સ્કૂલ ખાતે 22 ફેબ્રુઆરીના રોજ ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં ધોરણ 5 થી 11ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ તેમની સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક અભિગમનો પરિચય કરાવ્યો હતો. ધોરણ 5ના નાના વિદ્યાર્થીઓથી લઈને ધોરણ 11ના વિદ્યાર્થીઓએ આધુનિક ટેકનોલોજી અને રોબોટિક્સનો ઉપયોગ કરીને વિવિધ પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા. આ પ્રદર્શનમાં ગણિત અને વિજ્ઞાનના 100થી વધુ વર્કિંગ અને સ્ટેટિક મોડેલ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. શાળાના વિજ્ઞાન અને ગણિત વિષયના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ આ પ્રોજેક્ટ્સ તૈયાર કર્યા હતા, જે પાઠ્યપુસ્તકના જ્ઞાનને વ્યવહારિક દુનિયા સાથે જોડે છે. શાળાના આચાર્ય અને ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે આવા પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં રહેલી જિજ્ઞાસાવૃત્તિને પ્રોત્સાહન આપવાનો અને તેમની વૈજ્ઞાનિક પ્રતિભાને બહાર લાવવાનો છે.આ પ્રદર્શનને નિહાળવા માટે મોટી સંખ્યામાં વાલીઓ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. વાલીઓએ વિદ્યાર્થીઓની મહેનત અને શાળાના આ પ્રયાસને બિરદાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 5:03 pm

બોટાદમાં 43 વર્ષથી ચાલતી ધુળેટી પર્વની પરંપરા:ભાવનગરથી ચોટીલા જતા પદયાત્રી સંઘનું ભવ્ય સ્વાગત

બોટાદ શહેરમાં ધુળેટી પર્વ નિમિત્તે ભાવનગરથી ચોટીલા જતા પદયાત્રી સંઘનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ પરંપરા છેલ્લા 43 વર્ષથી જાળવવામાં આવી રહી છે. ચામુંડા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બાવન ગજની ધજા સાથે આ સંઘનું આયોજન થાય છે. બોટાદ શહેરના લીમડા ચોક ખાતે જૈન વણિક જયંતીભાઈ હરગોવિંદભાઈ શાહના નિવાસસ્થાને દર વર્ષે આ સંઘનું સન્માન કરવામાં આવે છે. આ વર્ષે પણ સંઘનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું.પદયાત્રીઓ માટે ચા, પાણી, ઠંડા પીણાં અને ભોજન સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ સ્વાગત સમારોહમાં પરિવારના સભ્યો, કોર્પોરેટરો, સ્થાનિક આગેવાનો, શાળાના શિક્ષકો અને અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.શાહ પરિવાર દ્વારા ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 4:40 pm

કોળી સમાજના સંગઠનને તોડનારા તત્વોને બાવળિયાએ આડેહાથ લીધા:કહ્યું- કેટલાક લોકો પોતાને પ્રમુખ ગણાવી ભ્રમણા ફેલાવે છે, સુરતમાં અખિલ ભારતીય કોળી સમાજની બેઠક યોજાઈ

સુરતના આંગણે આજે અખિલ ભારતીય કોળી સમાજની એક અત્યંત મહત્વપૂર્ણ 'સંગઠન વિચાર વિમર્શ' બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમાજના અગ્રણી નેતા અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સમાજના ઉત્થાન અને સંગઠનની મજબૂતી પર ભાર મૂકવામાં આવ્યો હતો, સાથે જ સમાજમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણ અંગે બાવળિયાએ આકરા પ્રહારો કર્યા હતા. કેટલાક લોકો દ્વારા સંગઠનને તોડવાનો પ્રયાસ: કુંવરજી બાવળિયાબેઠકને સંબોધતા કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, હાલમાં કેટલાક તત્વો અખિલ ભારતીય કોળી સમાજની એકતાને ખંડિત કરવાનો અને સંગઠનને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે સમાજની ગરિમા સાથે રમત કરનારાઓને સાંખી લેવામાં નહીં આવે. કેટલાક લોકો મનસ્વી રીતે પોતાની જાતને પ્રમુખ તરીકે જાહેર કરી રહ્યા છે, જે ગેરબંધારણીય છે. આવા તત્વો ખોટી રીતે હોદ્દાઓ ધારણ કરી આખા કોળી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનું બાવળિયાએ જણાવ્યું હતું. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સંગઠનને મજબૂત બનાવી આવા તત્વોથી સમાજને સાવચેત કરવાનો હતો. સમાજનું હિત સંગઠનમાં છે, પરંતુ કેટલાક લોકો વ્યક્તિગત સ્વાર્થ માટે પોતાને પ્રમુખ ગણાવી ભ્રમણા ફેલાવે છે. કોળી સમાજે આવા તત્વોથી સાવધ રહેવાની જરૂર છે. બેઠકમાં ગુજરાત ઉપરાંત પાંચ રાજ્યના હોદેદારો ઉપસ્થિત રહ્યાકુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, સુરત ખાતે આજે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને દિલ્હી આ પાંચેય રાજ્યોમાંથી અખિલ ભારતીય કોળી સમાજના અમારા સંગઠનના હોદ્દેદારો અને ગુજરાતના અહીંથી ચંદ્રવદનભાઈ, સાંસદ ઉમેદભાઈ, ઉમેશભાઈ અને લગભગ બારેક જિલ્લાઓમાંથી સમાજના વરિષ્ઠ આગેવાનો અહીંયા સુરત ખાતે આજે મળવાનું થયું હતું. ખાસ કરીને સમાજના આ અખિલ ભારતીય કોળી સમાજના સંગઠનમાં ક્યાંક દ્વિધા ઉભી કરવા માટેના કોઈ થોડા લોકો પ્રયત્ન કરી રહ્યા છે. સંગઠનના બંધારણની જોગવાઈ મુજબ જે કંઈ અત્યારે દિલ્હી કોર્ટમાં અને રજિસ્ટ્રાર કચેરીમાં ચાલી રહ્યું છે એનો જે નિર્ણય આવે ત્યાં સુધી આ સંગઠન એ જે છે એ સ્થિતિમાં કામ કરી રહ્યું છે. ક્યાંક લોકો આ સંગઠનના નામે નવી નિમણૂકો આપીને આ સમાજને ગુમરાહ કરી રહ્યા છે એમાં કોઈ તથ્ય નથી. અત્યારે હું અને અમારી આખી ટીમ છે એ બધા કાર્યકારી અધ્યક્ષ તરીકે નવું સિલેક્શન અથવા ઇલેક્શન આ સંગઠનના બંધારણ મુજબ ન થાય ત્યાં સુધી આ જે છે એ સ્થિતિમાં કામ કરશે. પણ સમાજને તોડવાનો ક્યાંક પ્રયાસ થયો છે એ બધા આ સંગઠનના થોડા હોદ્દેદારો અને સમાજના વરિષ્ઠ આગેવાનોની આના માટે વિચાર વિમર્શ કરવા માટે આજે અમે મળ્યા હતા. બીજા રાજ્યોમાં પણ જે રીતે આ સંગઠન કામ કરી રહ્યું તેના પ્રતિનિધિઓ પણ આવ્યા હતા અને એ રીતે વહેલામાં વહેલી તકે જે કોર્ટમાં આ પ્રકરણ પેન્ડિંગ છે એનો ઉકેલ આવે અને એ કોર્ટના નિર્ણય મુજબ પછી આ સંગઠન આગળ વધે એનું પણ ચિંતન થયું. સાથે આગામી દિવસમાં અમે જે ગાંધીનગર ખાતે એક સમસ્ત કોળી સમાજનું એક ભવન બનાવવા માટે અમે જમીનને વગેરે કાર્યવાહી મોટાભાગે પૂર્ણ કરવા આવી રહ્યા છીએ અને એ જમીનનું પ્રકરણ પૂરું થાય એટલે એક સમસ્ત કોળી સમાજનું એક ગાંધીનગર ખાતે એક શિક્ષણનું ભવન, શિક્ષણનું ધામ બને એ માટેની પણ બધાએ સાથે મળીને આજે એ ચિંતન કર્યું અને આગામી દિવસમાં પૂરા ગુજરાતની અંદર એ આ બધા નાના મોટા સંગઠનોને સાથે જોડીને સામાજિક રીતે આ શિક્ષણ તરફ આ સમાજને કઈ રીતે લઈ શકાય દોરી શકાય. 'ગાંધીનગરમાં કોળી સમાજનું ભવન નિર્માણ કરાશે'સમાજનું આવતા દિવસોમાં ભવિષ્ય સમાજના દીકરા-દીકરીઓનું અથવા તો શિક્ષણ ક્ષેત્ર જે છે એને આગળ કઈ રીતે મદદરૂપ થઈ શકાય એ પણ આજે અહીંયા બધાની વચ્ચે મુદ્દા મુકાણા. આજે અમે અહીંયા થોડાક સિલેક્ટેડ લોકોને જેમને કહેવાય આ અખિલ ભારતીય કોળી સમાજના સંગઠન સાથે જોડાયેલા હતા એ ઉપરાંત સમાજના વરિષ્ઠ આગેવાનો સૌરાષ્ટ્રના એના અમે આજે સાથે મળ્યા અને હજુ પણ 3 વાગ્યે અમે સમાજના લોકોને આ શિક્ષણ ભવન અને શિક્ષણના ક્ષેત્રમાં સમાજને કઈ રીતે વિશેષ આગળ લઈ જઈ શકાય એની ચિંતન કરવા માટે અમે અત્યારે મળ્યા હતા. આજે કોઈ બીજી પોલિટિકલી વાત નહોતી પણ સમાજની ચિંતા કરવા માટે અને સામાજિક રીતે કઈ જે થોડા નાના મોટા દ્વિધા ઉભા કર્યા છે એ દ્વિધામાંથી મુક્ત કરવા માટે અથવા તો ચોખવટ કરવા માટેના ભાગરૂપે આજે અમે મળ્યા હતા હજીરામાં મજૂરોના ઘર્ષણ મામલે બાવળિયાનું નિવેદનશ્રમ રોજગાર અને કૌશલ્ય વિભાગ હું સંભાળું છું એમાં ત્રણેક દિવસ પહેલા જે અહીંયા મજૂરો અને ઇન્ડસ્ટ્રીઝની સાથેના એક નાનું ઘર્ષણ થયેલું એ ઘર્ષણના અનુસંધાને અમારા અધિકારીઓની પણ આજે સવારે મેં મીટિંગ રાખી હતી અને આગામી દિવસમાં મજૂર અને ઉદ્યોગો સાથે કઈ રીતે સંકલન સાધીને મજૂરોને પણ ખોટી રીતે ક્યાંય અન્યાય ન થાય અને ઉદ્યોગપતિઓને પણ ઇન્ડસ્ટ્રીઝને પણ ક્યાંય એમાં અડચણ ઉભી ન થાય એ રીતેનું કઈ રીતે આપણે ઉકેલ લાવી શકીએ એના ભાગરૂપે સવારે મારા વિભાગના અધિકારીઓની સાથે મેં મીટિંગ કરી અને એના ભાગરૂપે પણ હું અત્યારે મારા અધિકારીઓને બોલાવ્યા છે. આગામી દિવસોમાં પણ દક્ષિણમાં જે ઉદ્યોગો આજે દિન પ્રતિદિન નવા ઉદ્યોગો આવી રહ્યા છે એને અમે અમારા વિભાગના માધ્યમથી નવી સ્કીલ તરીકે યુવાનોને તૈયાર કરીને ઉદ્યોગોને પણ મદદરૂપ થઈ શકાય અને એની સામે જે કંઈ મજૂરો છે શ્રમિકો છે શ્રમિકોને પણ કઈ રીતે આપણે મદદરૂપ થઈ શકાય રાજ્ય સરકારની જોગવાઈઓ મુજબ એનું પણ આજે અમે વિચાર વિમર્શ કર્યો અને પરામર્શ કર્યો અને અધિકારીઓને પણ એ બાબતે સચેત કર્યા.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 4:35 pm

રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડાની ક્રાઈમ કોન્ફરન્સ:રોડ એકસ્માત, સાયબર ફ્રોડ જેવા મુદ્દાઓ પર ચર્ચા, રાજકોટનો રિસ્પોન્સ ટાઈમ 14 મિનિટથી ઘટી 7 થયો

રાજ્યના પોલીસ વડા કે. એલ. એન. રાવ દ્વારા આજે 1 માર્ચના સૌરાષ્ટ્ર રિજિયનની ક્રાઈમ કોન્ફરન્સ સંબોધવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં રાજકોટ, જૂનાગઢ, ભાવનગર રેન્જ સહિતના રેન્જ આઇજી, પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડા તેમજ DCP સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યાં હતાં. સૌરાષ્ટ્રના દરિયા કિનારેથી ઝડપાતા ડ્રગ્સ સહિતના નશાકારક પદાર્થો અંગે ચિંતા વ્યક્ત કરી વિશેષ ધ્યાન આપવા સૂચના અપાઈ હતી. તો સાયબર ફ્રોડના વધતા કેસો અટકાવવાની સાથે લોકોને ઝડપી રિકવરી મળે તે માટે ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન રૂ.50 કરોડ પરત અપાયા હોવાનું જાહેર કરાયું હતુ. આ ઉપરાંત રાજ્યમાં સરકારી કચેરીઓ, કોર્ટ અને સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના કેસોમાં આરોપીને પકડવા માટેના સોર્સ સુધી પહોંચી ગયાનું જાહેર કર્યું હતું, પરંતુ તે સોર્સ વિદેશમાં હોય તેના માટે સેન્ટર ઓફ એક્સેલન્સ અને હાઈએસ્ટ લેવલની ક્રાઇમ બ્રાન્ચની ટીમ કાર્યરત હોવાનું જણાવ્યુ હતુ. જ્યારે રાજકોટ શહેરમાં ક્રાઈમ થયા બાદ પોલીસમાં રિસ્પોન્સ ટાઈમ 14 મિનિટથી ઘટીને 7 મિનિટ થયાનું જાહેર કર્યું હતુ. નાર્કોટિક્સ, સાયબર ફ્રોડ અને રોડ એકસ્માત જેવા મુદ્દાઓ પર ચર્ચા રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા કે. એલ. એન. રાવે જણાવ્યુ હતુ કે, આજે સૌરાષ્ટ્ર ઝોનની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઇ હતી, જેમાં રાજકોટ, ભાવનગર અને જુનાગઢ રેન્જ સહિતના વિસ્તારોના આઈ. જી. તેમજ પોલીસ અધિક્ષક તેમજ DCP સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નાર્કોટિક્સ, સાયબર ફ્રોડ અને રોડ એકસ્માત જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ડાયલ 112 અંગે પણ જાગૃતિ આપવાની વાત કરવામાં આવી હતી. દરિયા કાંઠે થતી પ્રવૃતિ પર વિશેષ ધ્યાન દેવા સૂચનાઆ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરનો રિસ્પોન્સ ટાઈમ 12 અને 14 મિનિટ હતો, જે ઘટીને 7 મિનિટ થઈ ગયો છે. જ્યારે અન્ય રેન્જમાં પણ રિસ્પોન્સ ટાઈમ 50% ઘટી ગયો છે તે સારી વાત છે. રાજકોટ, જૂનાગઢ અને ભાવનગર રેન્જમાં દરિયાકિનારો છે, ત્યારે ત્યાંથી પકડાતા ડ્રગ્સ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃતિઓ બંધ થાય તે માટે વિશેષ ધ્યાન આપવાની સૂચના આપવામાં આવી છે. બોમ્બની ધમકી આપવા મામલે સોર્સ સુધી પહોંચ્યાનું જણાવ્યુંકોર્ટ, સ્કૂલો અને સરકારી કચેરીઓને બોમ્બની ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે, તેનાથી હું અવગત છું. ફેઇક આઇડી સહિતની બાબતો અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. ફોરેન આધારિત VPNના ઉપયોગથી ફેઇક કોલ કરતા હોય છે અને ઈમેલ મોકલતા હોય છે, જે માટે અમે સોર્સ સુધી પહોંચી ગયા છીએ. પરંતુ તે સોર્સ દેશની બહારનું હોય તો તે માટે સેન્ટર ઓફ એક્સેલન્સ અને હાઈએસ્ટ લેવલની ક્રાઇમ બ્રાન્ચની ટીમ કાર્યરત છે. સાયબર ફ્રોડમાં રિકવરી રેટ વધારવા તુરંત ફરિયાદ કરવા અપીલરાજ્યના લોકો સાથે થઈ રહેલા સાઇબર ફ્રોડ અને તેના રિકવરી રેટ બાબતે જણાવ્યું હતું કે, સાયબર ફ્રોડ થાય તેમાં ગોલ્ડન અવર્સ હોય છે. લોકોએ જેટલું બને તેટલું વહેલું 1930 પર ફરિયાદ કરવી જોઈએ તો નાણાનું ટ્રાન્ઝેક્શન રોકી શકીએ. જોકે રૂ.50 કરોડ પરત કર્યા હોવાનું જણાવ્યું હતું. વહેલી ફરિયાદ થાય તો એકાઉન્ટ ફ્રીઝ કરી શકાય અને જેની સાથે ફ્રોડ થયું હોય તેને નાણાં પરત આપી શકાય. લોન અને ઇન્વેસ્ટમેન્ટના ફ્રોડ માત્ર વ્યક્તિ પાંચ અથવા છઠ્ઠી મુદતમાં આવે છે અને કહે છે કે છેલ્લા પાંચ મહિનાથી રૂપિયા ભરું છું અને મારી સાથે હવે છેતરપિંડી થઈ છે. જ્યારે ઇઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાન પરના હુમલાને લીધે દુબઈ જતી ફ્લાઈટ બંધ કરી દેવામાં આવી છે અને ત્યાં ગુજરાતીઓ ફસાયા છે, ત્યારે આ બાબતે તેમણે જણાવ્યું હતું કે, મિનિસ્ટ્રી ઓફર્સ સહિતની એજન્સીઓ સાથે અમે સંકલનમાં છીએ.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 4:34 pm

નવસારીના ડ્રાઈવરના ખાતામાંથી 27 હજાર સાફ:ફેક લિંક ખોલી તરત જ રૂ. 27,150 ઉપડી ગયા; લાલપોર પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુધ ફરિયાદ નોંધી

નવસારી જિલ્લામાં ટ્રાફિક ચલણના નામે સાયબર ફ્રોડનો એક કિસ્સો સામે આવ્યો છે. જલાલપોર તાલુકાના ભીનાર ગામના એક ડ્રાઈવિંગ વ્યવસાય સાથે સંકળાયેલા યુવાનના બેંક ખાતામાંથી રૂ. 27,150 ઉપડી ગયા છે. ઠગબાજોએ 'mParivahan' એપની ફેક ફાઈલ મોકલીને આ છેતરપિંડી આચરી હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભીનાર ગામના પટેલ ફળીયામાં રહેતા 41 વર્ષીય અમીન યુનુસ શેખ છુટક ડ્રાઈવિંગ કરી ગુજરાન ચલાવે છે. તેમણે લગભગ 12 દિવસ પહેલા તેમના મિત્ર મોહસીન પાસેથી એક ઈક્કો ગાડી (GJ-21-CC-0852) ખરીદી હતી. ગાડી હજુ તેમના નામે ટ્રાન્સફર થઈ ન હોવાથી, રેકોર્ડ પર મિત્રનો મોબાઈલ નંબર જ રજિસ્ટર્ડ હતો. ગત 4 ફેબ્રુઆરીના રોજ ઠગબાજોએ મોહસીનના મોબાઈલ નંબર પર એક મેસેજ મોકલ્યો હતો. આ મેસેજમાં જણાવાયું હતું કે ગાડીએ 'રેડ લાઈટ જમ્પ' કરી છે અને રૂ. 5200નું ચલણ ફાટ્યું છે. પુરાવા જોવા માટે 'mParivahan.apk' નામની એક ફાઈલ પણ સાથે મોકલવામાં આવી હતી. મોહસીને આ મેસેજ અમીનભાઈને ફોરવર્ડ કર્યો હતો. અમીનભાઈએ જેવી આ .apk ફાઈલ ડાઉનલોડ કરી, કે તરત જ તેમના મોબાઈલ પર અનેક ટેક્સ્ટ મેસેજ આવવા લાગ્યા. તેઓ ગભરાઈ ગયા અને વોટ્સએપ બંધ કરી દીધું. જોકે, 8 ફેબ્રુઆરીના રોજ સવારે તેમના મોબાઈલ પર બેંકનો મેસેજ આવ્યો કે તેમના બેંક ઓફ બરોડા (વેરાવળ શાખા)ના ખાતામાંથી રૂ. 27,150 ઉપડી ગયા છે. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા અમીનભાઈએ તાત્કાલિક સાયબર ફ્રોડ હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરીને ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તેમણે જલાલપોર પોલીસ મથકે અજાણ્યા શખ્સ (મોબાઈલ નંબર- 9000312009) વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ-318(4) તથા આઈ.ટી. એક્ટની કલમ 66(ડી) મુજબ વિધિવત ફરિયાદ દાખલ કરાવી છે.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 4:34 pm

ગોધરા રાયોટીંગ કેસનો ફરાર આરોપી ઝડપાયો:પંચમહાલ પેરોલ ફ્લો સ્ક્વોડે જસીમ શેખની ધરપકડ કરી

પંચમહાલ પેરોલ ફ્લો સ્ક્વોડે ગોધરા રાયોટીંગ કેસના ફરાર આરોપી જસીમ ઉર્ફે જાસ્મીન ઝાકીર શેખને ઝડપી પાડ્યો છે. આરોપી ગોધરાના સાતપુલ ઓઢા વિસ્તારમાંથી પકડાયો હતો. આરોપી ગોધરા શહેર 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના રજી. નં. 0559/2025 (ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ રાયોટીંગનો ગુનો) માં વોન્ટેડ હતો. પંચમહાલ રેન્જ આઈ.જી.પી. સંદીપસિંહ અને પંચમહાલ એસ.પી. ડૉ. હરેશ દૂધાતની સૂચના મુજબ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત, પેરોલ ફ્લો સ્ક્વોડના પી.એસ.આઈ. બી.એમ. રાઠોડના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ વાઘજીભાઈને અંગત બાતમીદારો દ્વારા ચોક્કસ માહિતી મળી હતી. આ માહિતી અનુસાર, રાયોટીંગના ગુનામાં વોન્ટેડ આરોપી જાસીમ તેના ઘરે હાજર હતો. બાતમીના આધારે, ટીમે તાત્કાલિક દરોડો પાડી આરોપી જસીમ ઉર્ફે જાસ્મીન શેખને તેના નિવાસસ્થાનેથી ઝડપી લીધો હતો. પકડાયેલા આરોપીને આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી માટે ગોધરા શહેર 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 4:29 pm

બોટાદના યોગીનગર જૈન દેરાસરમાં ભાવયાત્રાનું આયોજન:શત્રુંજય મહાતીર્થની છ ગાઉની જાત્રાનો મહિમા વર્ણવાયો

બોટાદના પાળીયાદ રોડ પર આવેલા યોગીનગર જૈન દેરાસર ખાતે ફાગણ સુદ તેરસના પવિત્ર દિવસે શ્રી શત્રુંજય મહાતીર્થની છ ગાઉની ભાવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભાવયાત્રા પરમ પૂજ્ય મુનિરાજ ગીતાર્થરત્ન વિજયજીમહારાજ અને પન્યાસ શ્રી હિતાર્થરત્ન વિજયજીમહારાજ સાહેબની નિશ્રામાં યોજાઈ હતી. જૈન ધર્મમાં ફાગણ સુદ તેરસનું વિશેષ મહત્વ છે. આ દિવસે સુશ્રાવકો અને સુશ્રાવિકાઓ પાલીતાણા ખાતે છ ગાઉની જાત્રા કરતા હોય છે. આ પરંપરાના ભાગરૂપે બોટાદમાં ભાવયાત્રાનું આયોજન થયું હતું, જેમાં શત્રુંજય મહાતીર્થનો મહિમા વર્ણવવામાં આવ્યો. ભાવયાત્રા પૂર્ણ થયા બાદ, પાલીતાણાની છ ગાઉની જાત્રા પછી જેમ શ્રદ્ધાળુઓ પાલમાં આવે છે, તેવી જ રીતે યોગીનગર જૈન દેરાસર ખાતે પણ પાલની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સુશ્રાવકો અને સુશ્રાવિકાઓ જોડાયા હતા. શ્રી શત્રુંજયની આ ભાવયાત્રામાં ભાગ લઈને સૌ જૈનોએ ધન્યતા અનુભવી હતી.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 4:19 pm

હોળી-ધૂળેટી માટે નવસારી ST સજ્જ:દાહોદ, ઝાલોદ રૂટ પર મુસાફરોની ભીડ ટાળવા વધારાની બસો દોડાવાશે

હોળી-ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને નવસારી એસટી વિભાગે ખાસ આયોજન કર્યું છે. અન્ય જિલ્લાઓમાંથી નવસારીમાં રોજગારી માટે આવતા શ્રમિકો અને મુસાફરો પોતાના વતન સરળતાથી પહોંચી શકે તે માટે વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવાયો છે. આ બસો મુખ્યત્વે દાહોદ, ઝાલોદ, પંચમહાલ અને બારીયા તરફ જશે. હોળીના તહેવાર નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવસારીના બાંધકામ અને અન્ય ઉદ્યોગો સાથે સંકળાયેલા શ્રમિકો પોતાના વતન પરત ફરી રહ્યા છે. શ્રમિકો અને અન્ય મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને નવસારી એસટી ડેપો દ્વારા અગાઉથી જ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નવસારી એસટી વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં પાંચથી છ બસોનું ગ્રુપ બુકિંગ એડવાન્સમાં થઈ ચૂક્યું છે. ખાસ કરીને દાહોદ, ઝાલોદ, પંચમહાલ અને દેવગઢ બારીયા તરફ જનારા મુસાફરોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. આગામી રવિવાર અને સોમવારે મુસાફરોનો ભારે ધસારો જોવા મળવાની શક્યતા છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ડેપો મેનેજમેન્ટ દ્વારા જરૂરિયાત મુજબ વધારાની બસો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જેથી મુસાફરોને કોઈ અગવડ ન પડે. સામાન્ય દિવસોમાં નવસારી બસ સ્ટેશન પર દૈનિક 25 હજાર જેટલા મુસાફરોની અવરજવર રહે છે. જોકે, તહેવારના સમયે આ આંકડો વધીને 35થી 40 હજાર સુધી પહોંચી જાય છે. મુસાફરોની આ વધારાની ભીડને પહોંચી વળવા માટે એસટી તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 4:11 pm

'ન્યૂઝીલેન્ડમાં જોબ પાક્કી થઈ ગઈ, ટિકિટ લઈને આવી જજો':ભરૂચના યુવકને વડોદરાના 4 ભેજાબાજોએ વર્ક વિઝા અને નોકરીના નામે છેતર્યો, સિંગાપોર એરપોર્ટ પર ઈમિગ્રેશન લેટરની તપાસમાં ખુલાસો

ન્યૂઝીલેન્ડના વર્ક વિઝા અને નોકરી અપાવવાના નામે ભરૂચના યુવક પાસેથી એક મહિલા સહિત 4 ભેજાબાજોએ 21 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ મામલે માંજલપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ઈન્સ્ટાગ્રામ પર ન્યૂઝીલેન્ડમાં જોબની જાહેરાત જોઈ હતીભરૂચના 27 વર્ષીય યુવક હર્ષ પંડ્યાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ દહેજની કંપનીમાં નોકરી કરે છે. તા. 02/01/2024ના રોજ ઇન્સ્ટાગ્રામ પર શિવાની જોશી (રહે. વાઈટ સ્ક્વેર ઇન્ટરનેશનલ, માંજલપુર, વડોદરા) દ્વારા ન્યૂઝીલેન્ડમાં જોબની જાહેરાત જોઈ હતી. તેમણે શિવાની જોશીનો સંપર્ક કર્યો હતો અને પૂછપરછ કરી હતી. શિવાનીએ ડોક્યુમેન્ટ્સ અને બાયોડેટા માંગ્યો જે તા. 03/01/2024ના રોજ મોકલી દીધા હતા. ઝૂમ એપ પર ઓનલાઈન ઈન્ટરવ્યૂ લીધુત્યારબાદ શિવાની જોશીએ જણાવ્યું હતું કે, ન્યૂઝીલેન્ડમાં નીખીલ ઠક્કરની બર્ગર શોપમાં કિચન હેન્ડની જોબ માટે જગ્યા છે. જેના માટે 30 લાખ રૂપિયાનો ખર્ચ થશે. હર્ષે સંમતિ આપતા શિવાનીએ નીખીલ ઠક્કર સાથે વાત કરી હતી. તા. 05/01/2024ના રોજ ઝૂમ એપ પર હર્ષનું ઓનલાઇન ઇન્ટરવ્યુ લેવાયું હતું, જેમાં વિનીત શાહ (રહે. જેતલપુર રોડ, વડોદરા) પણ હાજર હતા. નીખીલ ઠક્કરે ઇન્ટરવ્યુ લીધું હતું અને સિલેક્ટ કર્યા હોવાનું જણાવ્યું હતું. જોબ પાક્કી થઈ ગઈ છે, તમે ટિકિટ લઈ આવોતા. 18/01/2024ના રોજ શિવાનીની ઓફિસમાં 10 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. ત્યારબાદ એમ્પ્લોયમેન્ટ કોન્ટ્રાક્ટ મળ્યો હતો. ત્યારબાદ તા. 07/02/2024ના રોજ 2 લાખ અને તા. 08/02/2024ના રોજ 8 લાખ રૂપિયા અંકિત ગોવિંદભાઇ રબારી (રહે. પ્રતાપનગર, વડોદરા)ને ઓનલાઇન ચૂકવ્યા, જે શિવાની અને વિનીતનો મિત્ર છે. નીખીલ ઠક્કરે બાકીના પૈસા વિનીત શાહને આપવાનું કહ્યું હતું. તા. 08/05/2024ના રોજ કોલ કરીને જણાવ્યું હતું કે, જોબ પાક્કી થઈ ગઈ છે, તમે ટિકિટ લઈ આવો. બાકીના 10 લાખમાંથી તા. 14/05/2024ના રોજ 3 લાખ રોકડ અને 2 લાખ RTGSથી શિવાનીને આપ્યા. આમ કુલ 25 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. ટિકિટ પોતાના ખર્ચે ખરીદી હતી. સિંગાપુર એરપોર્ટ પર ઇમિગ્રેશન લેટર ફેક હોવાનું જાણવા મળ્યુંહર્ષ મુંબઈથી ન્યૂઝીલેન્ડ જવા નીકળ્યા હતા. સિંગાપુર એરપોર્ટ પર ઇમિગ્રેશન લેટર ફેક હોવાનું જાણવા મળ્યું હતું. ઓકલેન્ડ એમ્બેસીમાંથી કોલ આવ્યો હતો અને પૂછપરછમાં ખોટા ડોક્યુમેન્ટ્સ છે તેમ કહીને ભારત પરત ફરવાનું કહ્યું હતું. 25 લાખ પૈકી 4 લાખ રૂપિયા હર્ષને પરત કર્યા હતા. જોકે, 21 લાખ રૂપિયા પરત કર્યા નથી. જેથી શિવાની જોશી, વિનીત શાહ, નીખીલ ઠક્કર અને અંકિત રબારી સામે છેતરપિંડીની ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 4:05 pm

શારદા શક્તિ ફાઉન્ડેશનની 'સ્વસ્થ પરિવાર-સુરક્ષિત સમાજ' ઝુંબેશ:1400થી વધુ આયુષ્માન કાર્ડ નવા કઢાયા તો 700 રિન્યૂ કરાયા, 25 હજાર કરોડના આરોગ્ય બજેટનો લાભ છેવાડે પહોંચ્યો

મહેસાણા શહેરના રાધનપુર રોડ પર 'સ્વસ્થ પરિવાર-સુરક્ષિત સમાજ'ના સંકલ્પ સાથે શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા આયુષ્માન કાર્ડ વિતરણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત 2000થી વધુ લાભાર્થીઓને વિનામૂલ્યે આયુષ્માન કાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જેનાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. 20થી 25 ફેબ્રુઆરી દરમિયાન 6 દિવસના વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુંશારદા શક્તિ ફાઉન્ડેશનના પ્રમુખ લાલભાઈ શક્તિ અને તેમની ટીમ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને સરકારની આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. પાંચોટ બાયપાસ પાસે આવેલા ફાઉન્ડેશનના કાર્યાલય ખાતે ગત 20થી 25 ફેબ્રુઆરી દરમિયાન 6 દિવસના વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં નોંધણી કરાયેલા લાભાર્થીઓને રવિવારે સન્માનપૂર્વક કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે 25,403 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છેઆ સેવાકીય પ્રકલ્પ અંતર્ગત ફાઉન્ડેશન દ્વારા કુલ 1400થી વધુ નવા આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે. જ્યારે 700થી વધુ જૂના કાર્ડને રિન્યુ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે 25,403 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે ત્યારે આવી સંસ્થાઓના માધ્યમથી સરકારી યોજનાઓનો સીધો લાભ સામાન્ય જનતા સુધી પહોંચે તે પ્રશંસનીય બાબત છે. સમગ્ર કેમ્પ દરમિયાન કોઈપણ પ્રકારની ફી લીધા વિના પારદર્શક રીતે કામગીરી કરવામાં આવી હતી, જે બદલ સ્થાનિક રહીશોએ ફાઉન્ડેશનનો આભાર માન્યો હતો. આ પ્રસંગે સંસ્થાના હોદ્દેદારો અને સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 3:42 pm

પાટણમાં જેનિસ ઇલેવન પ્રજાપતિ પ્રિમિયર લીગની ચેમ્પિયન બની:લાડુ ઇલેવન રનર્સઅપ, વિજેતા ટીમને ₹21,000 રોકડ પુરસ્કાર

પાટણ સ્થિત પદ્મનાભ મંદિર ટ્રસ્ટના સહયોગથી PPL ગ્રુપ દ્વારા આયોજિત પ્રજાપતિ પ્રીમિયર લીગ (PPL) ની ફાઈનલ મેચ રવિવારે રસાકસીભર્યા માહોલમાં રમાઈ હતી. પદ્મનાભ ભગવાનના હારિયા મેદાન ખાતે રમાયેલી આ નિર્ણાયક મેચમાં જેનિસ ઈલેવનની ટીમે શાનદાર પ્રદર્શન કરી લાડુ ઈલેવનને પરાજય આપી ચેમ્પિયનશીપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ફાઈનલ મેચમાં જેનિસ ઈલેવનના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો આક્રમક નિર્ણય લીધો હતો. નિર્ધારિત 12 ઓવરમાં ટીમે મજબૂત બેટિંગના જોરે પ્રતિસ્પર્ધી લાડુ ઈલેવન સામે 108 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. આ રનનો પીછો કરવા ઉતરેલી લાડુ ઈલેવનની ટીમ જેનિસ ઈલેવનની ચોકસાઈભરી બોલિંગ સામે ટકી શકી નહોતી અને 12 ઓવરમાં માત્ર 75 રન જ બનાવી શકી હતી. આમ, જેનિસ ઈલેવને 33 રનથી ભવ્ય વિજય મેળવ્યો હતો. મેચના સમાપન સમારોહમાં પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામી અને વિશ્વાસ હોસ્પિટલના ડૉ. સૌરભસિંહ ઠાકુર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિજેતા બનેલી જેનિસ ઈલેવન ટીમને ઝળહળતી ચેમ્પિયન ટ્રોફી અને 21,000 રૂપિયાનું રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું હતું. રનર્સઅપ રહેલી લાડુ ઈલેવન ટીમને પણ રનર્સ ટ્રોફી અને 11,000 રૂપિયાનું રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે PPL ગ્રુપના પ્રમુખ, મંત્રી અને ખજાનચી સહિતના સભ્યોએ દિવસ-રાત જહેમત ઉઠાવી હતી. રમતગમત દ્વારા સમાજમાં એકતા વધે તેવા ઉમદા હેતુ સાથે આ આયોજન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 3:38 pm

GMERS સોલામાં બે દિવસીય યોગ શિબિર યોજાઈ:વિદ્યાર્થીઓ અને સ્ટાફને યોગ દ્વારા સ્વાસ્થ્ય લાભ અપાયા

GMERS મેડિકલ કોલેજ, સોલા ખાતે 27 અને 28 ફેબ્રુઆરીના રોજ બે દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં મેડિકલ, ઇન્ટર્ન, BASLP અને નર્સિંગના વિદ્યાર્થીઓ તેમજ કોલેજ અને હોસ્પિટલના સ્ટાફ તથા ફેકલ્ટી સભ્યોએ ભાગ લીધો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ અલ્પેશભાઈ પટેલ દ્વારા શિબિરાર્થીઓને શારીરિક સૂક્ષ્મ ક્રિયાઓ, વિવિધ યોગાસનો, યોગિક જોગિંગ, સૂર્યનમસ્કાર અને પ્રાણાયામનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. તેમણે યોગાભ્યાસની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને શરીર પર થતા તેના સકારાત્મક પ્રભાવો વિશે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક સમજૂતી આપી હતી. શિબિર દરમિયાન સ્થૂળ શરીરને સક્રિય કરીને પ્રાણાયામ દ્વારા સૂક્ષ્મ શરીરને જાગૃત કરવાની પદ્ધતિઓ શીખવવામાં આવી હતી. આ ઉપરાંત, યોગનો ઇતિહાસ અને તેના આરોગ્યલક્ષી લાભો વિશે પણ વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. આશરે 200 જેટલા વિદ્યાર્થીઓ, ફેકલ્ટી સભ્યો અને સ્ટાફે યોગ અને પ્રાણાયામનો લાભ લીધો હતો. GMERS કોલેજ અને ફિઝિયોલોજી વિભાગ દ્વારા દર વર્ષે બે દિવસીય યોગ વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. કોલેજ દર વર્ષે 21 જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પણ એક સપ્તાહ સુધી ઉજવણી કરે છે. ફિઝિયોલોજી વિભાગના વડા ડો.લતાબેન ગુપ્તા યોગ અભ્યાસમાં ઊંડો રસ ધરાવે છે. તેઓ વિદ્યાર્થીઓ, સ્ટાફ અને ફેકલ્ટી સ્વસ્થ તથા નિરોગી રહે તે હેતુથી નિયમિતપણે યોગ વર્કશોપનું આયોજન કરતા રહે છે. આ વર્ષે પણ 21 જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વિશેષ કાર્યક્રમો સાથે કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 3:35 pm

ઈરાન-ઈઝરાયલ યુદ્ધથી સુરતના લાખો કામદારોની રોજી રોટી છીનવાશે:સુરતના ડાયમંડ-ટેક્સટાઇલ ને જેમ્સ એન્ડ જ્વેલરીને ગંભીર ફટકો, કાપડ ઉદ્યોગના જ 22 લાખ લોકોની રોજગારી પર મોટું સંકટ

ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વચ્ચેના યુદ્ધની સીધી અસર હવે સુરતના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન ટેક્સટાઇલ, હીરા અને જ્વેલરી ઉદ્યોગ પર પડવાની ભીતિ સેવાઈ રહી છે. એક તરફ કેન્દ્ર સરકાર દ્વારા ડાયમંડ જ્વેલરી પર ટેરિફમાં રાહત મળતા વેપારીઓમાં નવી આશા જન્મી હતી, પરંતુ યુદ્ધના ભણકારાએ આ આશા પર પાણી ફેરવી દીધું છે. આમ આ યુદ્ધ હવે સુરતના અર્થતંત્રને વેરવિખેર કરી નાંખે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. એરપોર્ટ પર કરોડો રૂપિયાનો તૈયાર માલ અટવાયોભારતમાંથી જેમ્સ એન્ડ જ્વેલરીનું વિશ્વમાં 100% એક્સપોર્ટ કરવામાં આવે છે. હાલમાં યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં સુરક્ષાના કારણોસર એર કાર્ગો ફ્લાઈટ્સ રદ કરી દેવામાં આવી છે. ટ્રાન્સપોર્ટ સુવિધા ઠપ થઈ જવાથી તૈયાર માલ વિદેશ મોકલી શકાતો નથી, જેના કારણે સુરત અને મુંબઈના બંદરો અને એરપોર્ટ પર કરોડો રૂપિયાનો તૈયાર માલ અટવાઈ પડ્યો છે. વેપારીઓને ડર છે કે જો આ સ્થિતિ લાંબો સમય ચાલશે તો પેમેન્ટ ફસાઈ જવાની મોટી સમસ્યા ઊભી થઈ શકે છે. ભારતની કુલ જ્વેલરી નિકાસમાંથી એકલા અમેરિકામાં 35% માલ મોકલવામાં આવે છે. અમેરિકા તરફથી આવતા ઓર્ડરમાં મોટો ઘટાડો થવાની ભીતિ સેવાઈ રહી છે. તાજેતરમાં જ ડાયમંડ જ્વેલરી પર ટેરિફ ઝીરો કરવામાં આવ્યો હતો, પરંતુ બજારમાં માંગ જ ન હોવાથી આ શૂન્ય ટકા ટેરિફનો લાભ લેવા માટે કોઈ લેવાલ નથી. 'રત્ન કલાકારોને છૂટા કરવાની નોબત આવી શકે'હીરાની નિકાસ અટકી પડતા હીરાના કારખાનાઓમાં કામ ઓછું થશે. તેમજ ઓર્ડર રદ થવાથી પેમેન્ટ અટકવાને કારણે રત્ન કલાકારોના વેતનમાં કાપ અથવા છૂટા કરવાની નોબત આવી શકે છે. 'બુરખાનું કાપડ અને સલવાર કમીઝની નિકાસને અસર'આ ઉપરાંત કાપડ ઉદ્યોગની પણ સ્થિતિ ચિંતાજનક બની ગઈ છે. સુરતનો કાપડ વેપાર મુખ્યત્વે દુબઈ મારફતે સંયુક્ત આરબ અમીરાત (UAE)ના અંદાજે 45 જેટલા દેશો સાથે જોડાયેલો છે. જો અખાતી દેશોમાં અસ્થિરતા આવે, તો આ આખી સપ્લાય ચેઈન ખોરવાઈ શકે છે. સુરતથી મોટા પાયે મેન-મેડ ફાઈબર (MMF), બુર્ખાનું કાપડ અને સલવાર કમીઝ જેવી પ્રોડક્ટ્સની નિકાસ આ દેશોમાં કરવામાં આવે છે. યુદ્ધની સ્થિતિમાં નૂર(માલસમાનની હેરફેર માટે ચૂકવાતો ચાર્જ) ભાડામાં વધારો અને શિપિંગમાં અવરોધ આવતા નિકાસ ઠપ્પ થઈ શકે છે. 'યુદ્ધને કારણે પેમેન્ટ અટવાઈ જવાની કે મોડું થવાની શક્યતા'સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના ઉપપ્રમુખ અશોક જીરાવાલાના જણાવ્યા અનુસાર, હાલની સ્થિતિમાં કોઈ ચોક્કસ આંકડાકીય અંદાજ બાંધવો મુશ્કેલ છે, પરંતુ ઉદ્યોગ જગતમાં ફફડાટ વ્યાપી ગયો છે. યુદ્ધને કારણે પેમેન્ટ અટવાઈ જવાની કે મોડું થવાની શક્યતા છે. વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે વિદેશી ખરીદદારો નવા ઓર્ડર આપતા ખચકાઈ રહ્યા છે. સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ જે પહેલાથી જ વિવિધ પડકારોનો સામનો કરી રહ્યો છે, તેના માટે ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ 'દુકાળમાં અધિક માસ' જેવી સ્થિતિ સર્જી શકે તેમ છે. જો સ્થિતિ વહેલી તકે થાળે નહીં પડે, તો હજારો શ્રમિકો અને વેપારીઓની રોજીરોટી પર તેની અસર પડશે. 'યુદ્ધની જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર પર અસર જોવા મળશે'ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ નૈનેષ પચ્ચીગરે જણાવ્યું હતું કે ઈરાન, ઈઝરાયલ, યુ.એસ. અને બીજા સંલગ્ન 10 દેશો સાથે જે યુદ્ધના સમાચાર આવ્યા છે, તેનાથી જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરમાં એની સીધી અસર જોવા મળશે. કારણ કે હાલમાં જ આપણા ટેરિફ ઓછો થયો અને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને જે રાહત મળી હતી, તેનાથી આશા બંધાઈ હતી કે હવે અમારું એક્સપોર્ટ પહેલાની જેમ ફુલફિલ થશે અને ઘણા વર્ષોથી મંદીના માહોલમાં રહેલી ડાયમંડ ઇન્ડસ્ટ્રીને રાહત મળી હતી. જેને પગલે નાના રત્નકલાકારોને પણ રોજીરોટી મળવાની સંભાવના હતી. હવે એવું લાગી રહ્યું છે કે યુદ્ધની અસરો અમારી જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર પર જોવા મળશે. શાંતિનો માહોલ બને તો જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનો એક્સપોર્ટ ફરીથી ધમધમવા લાગશે એવી આશા છે. 'ઇરાન અને ગલ્ફ કંટ્રીમાં 8થી 10 ટકા હીરાની નિકાસ'ઈરાન અને એમાં અત્યારે આપણી જે મેઈન ડાયમંડ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી, જેમ્સ એન્ડ જ્વેલરીનું એક્સપોર્ટ લગભગ આ 8 થી 10 ટકા જેવું થઈ રહ્યું છે. જે મેઈન ડાયમંડ, આપણે ડાયમંડના હબ તરીકે આજે સુરત વખણાય છે અને 10 માંથી 9 ડાયમંડ સુરતમાં બની રહ્યા છે અને તેનું ટોટલી આપણે મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ ઓલ ઓવર વર્લ્ડમાં આપણે થઈ રહ્યું છે, અને 8થી 10 ટકાનો હિસ્સો તો ઈરાન અને બીજી બધી ગલ્ફ કન્ટ્રીઓમાં થઈ રહ્યો છે. ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટુટેડ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, 24 કલાક પહેલા ઇઝરાયલ અને અમેરિકાના સંયુક્ત ઓપરેશનના માધ્યમથી ઇરાન ઉપર જે એટેક કરવામાં આવ્યો, એને કારણે વર્લ્ડવાઈડ એની ઇમ્પેક્ટ ખૂબ નેગેટિવ અત્યારે ઉભી થઈ છે. ઇરાને પણ વળતા હુમલાની અંદર ખાસ કરીને આરબ અમીરાતની જે નાની-નાની કન્ટ્રીઓ છે, એની ઉપર પણ ડ્રોન મારફતે અમેરિકન બેઝ જ્યાં છે એની ઉપર એટેક કર્યા. આ એટેકના કારણે દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પણ ડ્રોન દ્વારા એટેક થવાના કારણે ત્યાં અત્યારે એરપોર્ટ તાત્કાલિક બંધ કરવામાં આવ્યું છે. '60થી 65 ટકા રફ ટ્રેડિંગના ટેન્ડરિંગો દુબઈમાં થાય છે'આ એરપોર્ટ બંધ થવાના કારણે ખાસ કરીને ભારતના રફ ટ્રેડિંગ બિઝનેસ સાથે દુબઈનો ખૂબ મોટો નાતો છે. આજની તારીખમાં 60થી 65 ટકા રફ ટ્રેડિંગના ટેન્ડરિંગો દુબઈની અંદર થતા હોય છે. લોકોને આવવા-જવાની સરળતાના કારણે જ્યારે પણ ટેન્ડરનો ટાઈમ મળે એ દિવસે જ આ લોકો અહીંથી નીકળતા હોય છે કે જેથી કરીને ટાઈમ ન બગડે. આવા ઘણા લોકોનું ટેન્ડર સિસ્ટમમાં જે કંઈ એપોઇન્ટમેન્ટ લીધી હશે, એ ઇન્ડિયન એરવેઝની અને ઇન્ડિગોની ફ્લાઇટ રદ થતા એ લોકો ટાઈમે ત્યાં પહોંચી નહીં શકે. એપોઇન્ટમેન્ટ જે લીધી છે એ ટાઈમે ત્યાં નહીં જતાં એમને ફરી એપોઇન્ટમેન્ટ લેવી પડશે. આના કારણે રફ સપ્લાયની ચેઇનમાં થોડી મુશ્કેલી ચોક્કસ ઉભી થશે. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર હુમલા થયા અને ઈરાને વળતા હુમલા કર્યા. એક તરફ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનું યુદ્ધ ચાલી રહ્યું છે, રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે. આખા વિશ્વની અંદર જબરદસ્ત અશાંતિનો માહોલ છે. સોમવારે બજાર ખુલતાની સાથે જ એ ધરાશાયી થશે. વૈશ્વિક સ્ટોક બજાર પણ આજે ડિસ્ટર્બ થશે. પરંતુ સ્ટોક માર્કેટ આવા આંચકાઓથી ટેવાયેલી છે. 'કાપડ ઉદ્યોગ માટે આ મરણતોલ ફટકો હશે'તેઓ આગળ કહે છે કે, જે મૂળ ઉદ્યોગ છે, કે જેમાં ઉદ્યોગની ઘણી બધી ટકાવારીનો આધાર નિકાસ ઉપર હોય. જેમ-તેમ સેટલ થતું હતું. અમેરિકાનો ટેરિફ, અને આ વધારાની વિપરીત પરિસ્થિતિનો સામનો અત્યારે આપણે કરી રહ્યા છીએ. હું માનું છું કે કાપડ ઉદ્યોગ માટે આ મરણતોલ ફટકો હશે. ડાયમંડ ઉદ્યોગ તો પણ બચી જશે, એટલા માટે કારણ કે ડાયમંડ ઉદ્યોગ સીધો અમેરિકા સાથે વધારે વેપાર કરે છે. અને અમેરિકા સાથેની પરિસ્થિતિ એકંદરે શાંત છે, પણ અમેરિકા જ્યારે યુદ્ધની અંદર ફસાઈ ગયું હોય તેવા સંજોગોમાં સમય વર્તે સાવધાનીની નીતિ સૌથી બધા જ અપનાવશે. ફેડરેશન ઓફ ગુજરાત વીવર એસોસિએશનનો પ્રમુખ અને ચેમ્બર ઓફ કોમર્સનો વાઈસ પ્રેસિડેન્ટ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, જે રીતે યુદ્ધની પરિસ્થિતિ આખા વિશ્વમાં બની રહી છે. જેની સીધી અસર સુરત શહેરને થવાની છે. કારણ કે ટેક્સટાઈલ ઉદ્યોગનું હબ કહેવાય, સેકન્ડ લાર્જેસ્ટ પ્રોડક્શન કોઈ કરતું હોય તો ચાઈના પછી આખા વિશ્વમાં સુરત કરી રહ્યું છે. ‘યુદ્ધ લાંબું ચાલે તો ટેક્સટાઈલ અને સુરતની ઇન્ડસ્ટ્રીઝને મોટું નુકસાન થશે’જો યુદ્ધ લાંબું ચાલે, તો ખાસ કરીને અમારું મેઈન એપીસેન્ટર છે જ્યાંથી અમે 45 ગલ્ફ કન્ટ્રીની અંદર વેપાર કરીએ છીએ, એ છે દુબઈ. ઇરાને દુબઈ પર હુમલો કર્યો છે, ત્યારે અત્યારે એવું માની શકાય કે જો આ યુદ્ધ લાંબું ચાલે તો ટેક્સટાઈલને, સુરતની ઇન્ડસ્ટ્રીઝને મોટું એવું નુકસાન થશે. કારણ કે અમારું જે મેન-મેઇડ ફાઈબર છે - બુરખા અને સલવાર કમીઝનું ટોટલ કપડું ગલ્ફ કન્ટ્રીમાં, યુએસ પછી અમે મોટું જો એક્સપોર્ટ કરતા હોઈએ તો દુબઈથી અને દુબઈ વાયા 45 દેશોની અંદર કરતા હોઈએ. તો અત્યારે એવું લાગી રહ્યું છે કે જો યુદ્ધ લાંબું ચાલે તો નુકસાન મોટું થવાનું છે. અને યુદ્ધ જો અત્યારે... મને એવું લાગે છે કે જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પ... જે રીતે ખામૈનીને જે રીતે ખતમ કરી નાખ્યા છે, પછી એની દુશ્મનાવટ મારા ખ્યાલથી ખતમ થઈ ગઈ છે, પણ જો આ યુદ્ધ લાંબું ચાલે તો ટેક્સટાઈલ ઉદ્યોગને ખાસું એવું નુકસાન થશે એવી સંભાવના મને દેખાઈ રહી છે. મેન-મેઇડ ફાઈબરનું આપણું સારું એવું માર્કેટ યુએસ પછીનું દુબઈ છે. કારણ કે આપણે જ્યારે ગાર્મેન્ટનું માર્કેટ યુએસ છે, તો મેન-મેઇડ ફાઈબરનું માર્કેટ આપણું દુબઈથી વાયા 45 ગલ્ફ કન્ટ્રીની અંદર આપણે મોકલી રહ્યા છીએ. એટલે કરોડોનો કાપડનો વેપાર આપણો એમની સાથે છે. ‘નુકસાનનો આંકડો બહુ મોટો થઈ શકે’તો નુકસાનનો આંકડો બહુ મોટો થાય એવું કહી શકું કારણ કે જે MEG-PTA છે જે ક્રૂડમાંથી બનતી પ્રોડક્ટ છે, એ યાર્ન છે. યાર્ન એટલે મેન-મેઇડ ફાઈબર. જો એ પણ મોંઘું થશે, એક બાજુ યુદ્ધ પણ લાંબું ચાલશે, તો મોટી કમરતોડ ફટકો સુરત શહેરની ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીઝને લાગશે એવું કહું તો ખોટું નથી.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 3:29 pm

વડોદરામાં આરોગ્ય જાગૃતિ માટે પહેલ:ફૂડફાર્મર રેવંત હિમાત્સિન્કાએ કહ્યું: દેશમાં 30-40 વર્ષથી ઉપરના અડધા લોકો ડાયાબિટીસ કે પ્રી-ડાયાબિટીસની ઝપેટમાં આવી ગયા છે, જો સ્વાસ્થ્ય સુધારવું હોય તો ફેરફારો કરવા પડશે

વડોદરા શહેરની આદિકુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા આજે વાર્ષિક આરોગ્ય જાગૃતિ પહેલનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જાણીતા ફૂડફાર્મર રેવંત હિમાત્સિન્કા હાજર રહ્યા હતા અને હેલ્થ અવરનેશ વિશે માહિતી આપી હતી. જેમાં નાગરિકો, આરોગ્યસંભાળ વ્યાવસાયિકો અને સ્વસ્થ સમુદાયના નિર્માણ માટે પ્રતિબદ્ધ સુખાકારી હિમાયતીઓની ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ફૂડફાર્મર રેવંત હિમાત્સિન્કાએ જણાવ્યું હતું કે, આ ખરેખર ખૂબ જ પ્રશંસનીય પગલું છે. આદિક્યુરા હોસ્પિટલે જે આ 'પહેલ' ઇનિશિયેટિવ લીધો છે તે અદભૂત છે. મને લાગે છે કે માત્ર આદિક્યુરા જ નહીં, પણ દેશની દરેક હોસ્પિટલે આ પ્રકારના પ્રયાસો કરવા જોઈએ. હું આદિક્યુરાનો આભાર માનું છું કે તેમણે આ કાર્યક્રમનું આયોજન કર્યું. ભારતમાં અત્યારે સ્વાસ્થ્યને લઈને એક મોટું સંકટ ચાલી રહ્યું છે, જેના વિશે બહુ ઓછા લોકો વાત કરે છે. આદિક્યુરા જેવી હોસ્પિટલ જ્યારે આ મુદ્દાઓને આગળ લાવે છે, ત્યારે સમાજમાં એક જાગૃતિ ફેલાય છે. સામાન્ય રીતે હોસ્પિટલો આવા સામાજિક જાગૃતિના કાર્યક્રમો નથી કરતી હોતી, પણ આદિક્યુરાએ આ કરી બતાવ્યું છે જે ખૂબ મોટી વાત છે. તેઓએ વધુમાં કહ્યું કે, જો આપણે આંકડા જોઈએ તો 30-40 વર્ષથી ઉપરની અડધી વસ્તી ડાયાબિટીસ અથવા પ્રી-ડાયાબિટીસની ઝપેટમાં છે અને ઘણાને તો એ પણ ખબર નથી કે, તેમને આ બીમારી છે કારણ કે તેમણે ક્યારેય ચેકઅપ કરાવ્યું નથી. કેન્સર અને અન્ય ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. આપણું ખાનપાન પણ બદલાયું છે. પેકેજ્ડ ફૂડનો વપરાશ વધી રહ્યો છે. વાલીઓ બાળકોના ટિફિનમાં પણ મેગી જેવી વસ્તુઓ આપે છે. છેલ્લા 20-30 વર્ષોમાં આપણી હેલ્થ સુધરવાને બદલે બગડતી જઈ રહી છે. તેઓએ કહ્યું કે, જો આપણે સ્વાસ્થ્ય સુધારવું હોય તો ઘણા ફેરફારો કરવા પડશે. આપણે પેકેજ્ડ ફૂડનો ઉપયોગ જેટલો બને એટલો ઓછો કરવો જોઈએ. જો આપણે પેકેજ્ડ વસ્તુ ખાઈએ તો તેના લેબલ પર લખેલી વિગતો વાંચવાની ટેવ પાડવી જોઈએ. અત્યારે મોટાભાગની નોકરીઓ 'સીટીંગ જોબ' છે. લોકો આખો દિવસ લેપટોપ સામે બેસી રહે છે, જેના કારણે ડોક અને કમરના દુખાવા વધે છે. આપણે દરરોજ ઓછામાં ઓછા 8થી 10 હજાર ડગલાં ચાલવું જોઈએ. આ ઉપરાંત હવાના પ્રદૂષણની પણ મોટી સમસ્યા છે, જેનો હાલમાં એર પ્યુરિફાયર સિવાય કોઈ ખાસ ઉકેલ નથી.અંતે, જો આપણે ભારતને 'સુપરપાવર' બનાવવું હોય, તો તે ત્યારે જ શક્ય છે જ્યારે દેશનો દરેક નાગરિક સ્વસ્થ હોય. આપણે આપણા સ્વાસ્થ્યને ગંભીરતાથી લેવાની જરૂર છે. સીનિયર વાસ્ક્યુલર સર્જન ડૉ. વિજય ઠાકોરે જણાવ્યું હતું કે, આદિકુરા હોસ્પિટલ તરફથી 'પહલ' નામની એક વિશેષ પહેલ શરૂ કરવામાં આવી છે. સામાન્ય રીતે દરેક હોસ્પિટલનું કામ બીમાર દર્દીઓની સારવાર કરવાનું હોય છે, જે અમે કરીએ જ છીએ. પરંતુ, લોકો બીમાર જ ન પડે અને તેમને હોસ્પિટલ આવવાની જરૂર જ ન પડે તે માટે અમે શું કરી શકીએ? આ વિચારધારાને 'પ્રિવેન્ટિવ હેલ્થ' કહેવાય છે. 'પહલ' ના માધ્યમથી અમે સમાજમાં એવી પ્રવૃત્તિઓ કરવા માંગીએ છીએ જેનાથી લોકો જાગૃત થાય, સ્વસ્થ રહે અને હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવે. તેઓએ વધુમાં જણાવ્યું કે, ઘણી બધી બીમારીઓને અમુક અંશે અટકાવી શકાય છે. જો કે બધી જ બીમારીઓને માત્ર ખોરાક કે કસરતથી રોકી શકાતી નથી, તેથી હોસ્પિટલો ક્યારેય બંધ તો નહીં થાય. પરંતુ, ઘણી એવી બીમારીઓ છે જે આપણી જીવનશૈલી સાથે જોડાયેલી છે. સ્વસ્થ રહેવા માટે મુખ્ય ત્રણ બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે. પૌષ્ટિક અને સંતુલિત ખોરાક લેવો, નિયમિત શારીરિક પ્રવૃત્તિ કરવી અને પૂરતી ઊંઘ લેવી જરૂરી છે આ પહેલ વિશે બોલતા, આદિકુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ચેરમેન ડૉ. સુમિત કાપડિયાએ કહ્યું, “આદિકુરા ખાતે, અમારો પ્રયાસ અદ્યતન તબીબી સારવાર પૂરી પાડવાથી આગળ વધે છે. ‘આદિકુરા પહેલ’ જેવી પહેલ દ્વારા, અમે દરેક બરોડીયનને સક્રિયપણે સારું સ્વાસ્થ્ય અને તંદુરસ્તી લાવવાનો ધ્યેય રાખીએ છીએ. અમારું વિઝન ફક્ત બીમારીની સારવાર કરવાનું નથી પરંતુ જાગૃતિ, નિવારણ અને સ્વસ્થ જીવનશૈલી પસંદગીઓને પ્રોત્સાહન આપીને આપણા શહેરને ફિટ બનાવવા અને રાખવાનું છે.”

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 3:23 pm

વિધવા મહિલાની માનવસેવા:ખોખરાના પૂર્વ શિક્ષિકા નિરૂબેન દ્વારા ડાકોરના પદયાત્રીઓ માટે ફળ અને નાસ્તાની વ્યવસ્થા કરાઈ

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલ ગોરના કુવા પાસે કૃષ્ણા એપાર્ટમેન્ટમાં રહેતા 77 વર્ષના નિરાધાર વિધવા નિરૂબેન આજે માનવસેવાનું જીવતું જાગતું ઉદાહરણ બન્યા છે. ભાદરવી પૂનમ નિમિત્તે હજારો ભક્તો પગપાળા ડાકોર જઈ રહ્યા છે, ત્યારે આ પૂર્વ શિક્ષિકાએ પોતાના વિધવા પેન્શનની રકમમાંથી પદયાત્રીઓની સેવા કરવાનો સંકલ્પ લીધો છે. 'જન સેવા એ જ પ્રભુ સેવા'ના મંત્રને સાર્થક કરતા નિરૂબેન દર વર્ષે પોતાની જમાપુંજી રાજા રણછોડના ભક્તો પાછળ ખર્ચી દે છે. પેન્શનની રકમ પદયાત્રીઓના ચરણે જ્યાં આજના યુગમાં લોકો આર્થિક સંકડામણની ફરિયાદો કરતા હોય છે, ત્યાં નિરૂબેન પોતાના પેન્શનમાંથી પાણી, લીલી વરિયાળી, ફળફળાદી અને સુકા નાસ્તાની ઉત્તમ વ્યવસ્થા કરે છે. તેઓ ખાસ નજીકના ગામડાઓમાંથી મોટા પ્રમાણમાં લીલી વરિયાળી મંગાવે છે જેથી પદયાત્રીઓને ઠંડક મળી રહે. લાખોના ખર્ચે ચાલતા કેમ્પની સરખામણીએ આ વિધવા માતાની નિસ્વાર્થ સેવા અનેકગણી ઉમદા સાબિત થઈ રહી છે. ગણમાન્ય અગ્રણીઓ દ્વારા નિરૂબેનનું સન્માન નિરૂબેનની આ અવિરત સેવાને બિરદાવવા માટે શિક્ષણ વિભાગના GCERT ના નાયબ નિયામક ડો. પંકજ મિસ્ત્રી અને પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર જ્યોર્જ ડાયસના હસ્તે તેમનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજેશ વાળા, નરેન્દ્રભાઈ પાઠક, શેખર રાજપુત, દુરઇ સ્વામી ગ્રામીણ, દિશા સોનવણે, મહેશભાઈ ઝીલપે, રાજુ મિસ્ત્રી, ભીમરાવ સોનવણે, દેવા મરાઠી, સુંદર કૃષ્ણા સ્વામી અને સુરેશ વાધેલા સહિતના સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 3:21 pm

ગીર સોમનાથ એચટાટ સંઘ શૈક્ષિક સંઘથી છેડો ફાડશે:જનરલ બોર્ડમાં ઠરાવ પસાર કરાયો; શૈક્ષિક સંઘ સાથે જોડાનારનું સભ્યપદ રદ કરાશે

ગીર સોમનાથ જિલ્લા એચટાટ આચાર્ય સંઘની જનરલ બોર્ડ બેઠકમાં સંગઠનના ભવિષ્યને અસર કરતો એક મહત્વપૂર્ણ ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે. આંકોલવાડીના ભગીરથ ફાર્મ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં એચટાટ આચાર્યો હાજર રહ્યા હતા. બેઠકનો મુખ્ય એજન્ડા ગીર સોમનાથ એચટાટ શૈક્ષિક સંઘ સાથેના સંબંધો અંગેની ચર્ચા હતી. સભ્યોના મંતવ્યો અને સૂચનો બાદ, હાજર રહેલા તમામ આચાર્યોની બહુમતીથી શૈક્ષિક સંઘથી અલગ થવાનો ઠરાવ પસાર કરાયો હતો. આ નિર્ણયને સંગઠનની સ્વતંત્રતા અને એકતા જાળવવા માટેનું એક ઐતિહાસિક પગલું ગણાવવામાં આવી રહ્યું છે. ઉપસ્થિત આગેવાનોએ સ્પષ્ટ કર્યું કે ગીર સોમનાથ જિલ્લા એચટાટ સંઘ એ જિલ્લાનો માન્યતા પ્રાપ્ત અને કાયમી સંગઠિત સંઘ છે. આ સંઘ ભવિષ્યમાં પણ એચટાટ આચાર્યોના હિતો માટે મજબૂત રીતે કાર્યરત રહેશે. શૈક્ષિક સંઘથી અલગ થવાનો નિર્ણય સંગઠનની આંતરિક મજબૂતી અને એકજૂટતા વધારવા માટે લેવાયો છે. બેઠકમાં એક કડક નિર્ણય પણ લેવાયો છે કે જે કોઈ એચટાટ આચાર્ય શૈક્ષિક સંઘ સાથે જોડાશે, તેમનું ગીર સોમનાથ જિલ્લા એચટાટ સંઘમાંથી સભ્યપદ રદ કરવામાં આવશે. આ જોગવાઈ સંગઠનમાં શિસ્ત જાળવવા અને કોઈપણ પ્રકારની દ્વિધા ટાળવા માટે જાહેર કરાઈ છે. સભ્યોના મતે, આ નિર્ણય સંઘની એકતા જાળવવા, ગેરસમજો અટકાવવા અને તમામ આચાર્યોને એક મજબૂત મંચ હેઠળ સંગઠિત રાખવા માટે આવશ્યક હતો. બેઠકમાં સૌએ સંગઠન પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો અને ગીર સોમનાથ જિલ્લા એચટાટ સંઘ કાયમી રીતે સંગઠિત રહેશે તેવો દ્રઢ સંકલ્પ કર્યો. આ ઠરાવો સંઘની સ્પષ્ટ નીતિ, સંગઠનશક્તિ અને શિક્ષણક્ષેત્રે આચાર્યોના હિત પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 3:19 pm

દસાડાના આદરીયાણામાં હિન્દુ સંસ્કૃતિનો વિજયી શંખનાદ:નિજાનંદ બાપુએ સંતાનોને ડોક્ટર પહેલા સાચા હિન્દુ બનાવવા પર ભાર મૂક્યો; કલાકારોને સન્માન પત્ર અપાયાં

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં હિન્દુ સંમેલનોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ કડીમાં દસાડા તાલુકાના આદરીયાણા ગામે સાત ગામો વચ્ચે એક વિશાળ 'હિન્દુ સંમેલન' યોજાયું હતું. નવાગામ, રોજવા, ભલગામ, આદરીયાણા, પાડીવાડા અને સલી-ઝાડીયાણાના ગ્રામજનોએ નાત-જાતના ભેદભાવ ભૂલીને આ સંમેલનમાં એકતાના દર્શન કરાવ્યા હતા. ગોતરકા બ્રહ્મચારી આશ્રમના રાષ્ટ્રીય સંત નિજાનંદ બાપુએ આ પ્રસંગે પ્રેરક સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, વિશ્વની અનેક સંસ્કૃતિઓ સમય જતાં લુપ્ત થઈ ગઈ, પરંતુ હિન્દુ સંસ્કૃતિ આજે પણ જીવંત છે કારણ કે તે માત્ર મનુષ્યો જ નહીં, પણ મૂંગા પશુ-પક્ષીઓ અને સમગ્ર સૃષ્ટિનો વિચાર કરે છે. તેમણે ભાવુક ઉદાહરણ આપતા કહ્યું કે, જ્યારે કોઈ શ્વાન બચ્ચાને જન્મ આપે છે, ત્યારે હિન્દુ સમાજ તેને શીરો બનાવીને ખવડાવે છે, આ જ આપણી સંસ્કારિતા છે. તેમણે વાલીઓને ટકોર કરી હતી કે બાળકોને ડોક્ટર કે એન્જિનિયર બનાવતા પહેલા સાચા હિન્દુ બનાવજો. આ કાર્યક્રમની વિશેષતા એ રહી કે અહીં સમાજના સાચા સેવાભાવીઓનું સન્માન કરવામાં આવ્યું. સાત ગામોના મંદિરોના પૂજારીઓ, પ્રભાતફેરી દ્વારા જીવદયાનું કામ કરતા લોકો, કુતરાઓને લાડુ અને રોટલા ખવડાવતા સેવાભાવીઓ તેમજ ભજન અને રામામંડળ દ્વારા ધાર્મિક ભાવના જીવંત રાખતા કલાકારોને સન્માન પત્ર આપી નવાજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વક્તા તરીકે શ્રીમતી રેખાબેન ગજરે પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષમાં ઉઠાવવામાં આવેલા પાંચ મુદ્દાઓ, જેને 'પંચ પરિવર્તન' નામ આપવામાં આવ્યું છે, તેની વિગતવાર ચર્ચા કરી હતી. આ પંચ પરિવર્તનમાં સામાજિક સમરસતા (હિન્દુ સમાજમાં નાત-જાતના ભેદભાવ દૂર કરવા), કુટુંબ પ્રબોધન (હિન્દુ પરિવારોમાં પરસ્પર આદર-સન્માન અને ઘરમાં હિન્દુત્વનું પ્રગટીકરણ), પર્યાવરણ સંરક્ષણ (જલવાયુ પરિવર્તનને કારણે ઉભી થતી સમસ્યાઓ), સ્વદેશી જીવનશૈલી (સ્વનો બોધ) અને નાગરિક કર્તવ્ય જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં જાણીતા કથાકાર કમલેશભાઈ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સંયોજક હર્ષદભાઈ રથવી અને સંઘની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. અંતમાં, તમામ ભાવિકોએ નાત-જાતના ભેદભાવ વિના એકસાથે બેસીને બુંદી-ગાંઠિયાનો પ્રસાદ ગ્રહણ કરી સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 3:12 pm

વડોદરાના માંજલપુરમાં ગુજરાતની સૌથી મોટી હોળી:35 ફૂટ ઊંચી જ્વાળાઓ અને અગ્નિ ચારથી પાંચ દિવસ 4-5 દિવસ બાદ ઠરે છે; જાણો હોલિકા દહનનું મુહૂર્ત

અનિષ્ટ પર ઇષ્ટના વિજયના પ્રતીક સમાન હોળી પર્વની ઉજવણી કરવામાં આવશે. માંજલપુર ગામમાં ગુજરાતની સૌથી મોટી હોળી પ્રજ્વલિત કરવામાં આવે છે. ગામના યુવાનો, બાળકો, મહિલાઓમાં હોળી પર્વની ઉજવણી માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 15 દિવસ અગાઉથી જ હોળી પર્વની તૈયારીઓ શરૂ થઈ જાય છેમાંજલપુર ગામના યુવાનો અને બાળકોમાં દર વર્ષે હોળીની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે. 15 દિવસ અગાઉથી જ હોળી પર્વની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. બાળકો અલગ અલગ વિસ્તારોમાં જઈને લાકડા તેમજ અન્ય સામગ્રી ઉઘરાવી લાવે છે અને એકત્રિત કરે છે. ગ્રામજનો પણ બાળકોના ઉત્સાહને જોઈને લાકડાની ભંગાર ચીજવસ્તુઓ તેમજ અન્ય સામગ્રી આપે છે. માંજલપુર ગામમાં હોળીના દિવસે સાંજે રેલી નીકળેગામના આગેવાન રવિરાજસિંહ સોલંકીએ જણાવ્યું કે, માંજલપુર ગામમાં હોળીના દિવસે સાંજે રેલી કાઢવામાં આવે છે અને આ રેલી હોલિકા પાસે પહોંચે છે ત્યાર બાદ હોલિકા દહન કરવામાં આવે છે. આખુંયે ગામ હોલિકાનું પૂજા અર્ચન કરે છે અને પોતાનામાં રહેલી નકારાત્મકતા દૂર થાય તેવી પ્રાર્થના કરે છે. હોળીમાં નારિયેળ, ખજૂર, ધાણી, ચણા સહિતની સામગ્રી હોમવામાં આવે છે અને તેના ફેરા ફરવામાં આવે છે. હોળીની અગ્નિ ચારથી પાંચ દિવસ 4-5 દિવસ બાદ ઠરે છે રવિરાજ સોલંકીએ જણાવ્યું કે, આ હોળી માત્ર ગુજરાત જ નહી પરંતુ કદાચ સમગ્ર ભારતમાં સૌથી મોટી હોળી છે. તેની જ્વાળાઓ અંદાજે 32થી 35 ફૂટ ઊંચે જાય છે અને હોળીની અગ્નિ ચારથી પાંચ દિવસ સુધી પ્રજ્વલિત રહે છે. ત્યારબાદ તે ઠંડી પડે છે. સોમવારે હોળી, બુધવારે ધૂળેટીઆ વર્ષે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 3 માર્ચના રોજ હોવાના કારણે હોલિકા દહન માટે અસમંજસની સ્થિતિ ઉભી થઈ છે. ક્યાંક 2 માર્ચની ચર્ચા છે તો ક્યાંક 3 માર્ચને સાચી તારીખ ગણાવવામાં આવી રહી છે. હવે જ્યોતિષીય ગણતરીઓ અને પંચાંગ અનુસાર સ્પષ્ટ થયું છે કે વર્ષ 2026માં રંગોની હોળી 4 માર્ચ, બુધવારે ઉજવાશે. તે પહેલાં 2 માર્ચ, સોમવારની સાંજે હોળિકા દહન કરવામાં આવશે. 2 માર્ચે સાંજે પૂર્ણિમાની શરૂઆત થાય છે જેથી 2 માર્ચે હોળી પ્રજ્વલિત કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 2:49 pm

તાપીમાં ₹51.35 કરોડના ખર્ચે આદર્શ નિવાસી શાળાનું ખાતમુહૂર્ત:આદિજાતિ મંત્રી નરેશ પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના નાલોઠા ગામે આદર્શ નિવાસી મિશ્ર શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ શાળા અંદાજે ₹51.35 કરોડના ખર્ચે બનશે. આ પ્રસંગે આદિજાતિ બાબતોના મંત્રી નરેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નવી આદર્શ નિવાસી શાળાનો મુખ્ય હેતુ આદિજાતિ બાળકોને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરીય શિક્ષણ પૂરું પાડવાનો છે. આ શાળા દ્વારા બાળકોની સાક્ષરતા વધારવામાં મદદ મળશે. અહીં અભ્યાસ અર્થે આવનાર બાળકો માટે વિના મૂલ્યે રહેવા, જમવા અને શિક્ષણની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સુવિધાઓ બાળકોના શિક્ષણની સાથે તેમની અન્ય જરૂરિયાતો પણ સંતોષશે. ખાતમુહૂર્ત સમારોહમાં મંત્રી નરેશ પટેલ ઉપરાંત મંત્રી જયરામ ગામીત અને ધારાસભ્ય મોહન ધોળીયા સહિતના સ્થાનિક આગેવાનો પણ હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 2:42 pm

હિંમતનગરના મોતીપુરામાં ટેન્કરની ટક્કરે કિશોરનું મોત:મોપેડ સવારને ઈજા, અકસ્માત CCTVમાં કેદ

હિંમતનગરના મોતીપુરા નજીક નેશનલ હાઈવે 48 ના સર્વિસ રોડ પર આજે બપોરે એક અકસ્માત સર્જાયો હતો. દૂધના ટેન્કરે મોપેડને ટક્કર મારતા 12 વર્ષીય કિશોરનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે મોપેડ ચાલકને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ઝહીરાબાદના રહેવાસી 45 વર્ષીય ઝુનેદભાઈ ઇકબાલભાઈ મેમણ અને તેમની સાથે 12 વર્ષીય કિશોર રવિવારે બપોરના સમયે હિંમતનગરથી અમદાવાદ તરફ જતા સર્વિસ રોડ પર મોપેડ લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી આવી રહેલા દૂધના ટેન્કરે મોપેડને ટક્કર મારી હતી. ટક્કર વાગતા કિશોર રોડ પર પટકાયો હતો અને તેના પર વાહનનું ટાયર ફરી વળતા તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ઝુનેદભાઈને શરીરે ઈજાઓ થતા તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અકસ્માત અંગે હિંમતનગર એ ડિવિઝન પોલીસને જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર ઘટના કડીવાલા પેટ્રોલ પંપ સામેના સર્વિસ રોડ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેના ફૂટેજ હવે સામે આવ્યા છે. સીસીટીવીમાં દેખાય છે કે કેવી રીતે ટેન્કરે મોપેડને ટક્કર મારી અને કિશોરનું મૃત્યુ થયું.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 2:31 pm

હિંમતનગરમાં આવાસ યોજનામાંથી ગાંજો ઝડપાયો:6.413 કિલો ગાંજા સાથે એક પકડાયો, ત્રણ સામે ગુનો

હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં આવેલી આવાસ યોજનાના એક મકાનમાંથી પોલીસે મોટી માત્રામાં ગાંજો ઝડપી પાડ્યો છે. એ ડીવીઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી 6.413 કિલોગ્રામ ગાંજા સાથે એક આરોપીને ઝડપી લીધો હતો. હિંમતનગર વિભાગીય કચેરીના નાયબ પોલીસ અધિક્ષક એ.કે. પટેલ અને એ ડીવીઝન PI પી.એમ. ચૌધરીએ આ અંગે માહિતી આપી હતી. એ ડીવીઝન પોલીસ ડી સ્ટાફને મળેલી બાતમીના આધારે છાપરીયા આવાસ યોજનાના બ્લોક બી, મકાન નંબર 19 માં રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન, બે પ્લાસ્ટિકની થેલીઓમાંથી કુલ 6.413 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત આશરે રૂ. 3,20,650 થાય છે. આ ઉપરાંત, રૂ. 5,000 નો એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો, આમ કુલ રૂ. 3,25,650 નો મુદ્દામાલ કબજે લેવાયો હતો. પોલીસે શંકરભાઈ જીતેન્દ્રભાઈ સલાટ (મૂળ મોતીપુરા, સલાટવાસ, હાલ આવાસમાં રહેતા) ને ઝડપી પાડ્યો હતો. આ ગાંજો પોશીનાના સવાભાઈ અને ભરતભાઈએ આપ્યો હોવાનું ખુલ્યું છે. હિંમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં PSI એન.બી. વાઘેલાની ફરિયાદના આધારે, ફરાર સવાભાઈ અને ભરતભાઈ સહિત કુલ ત્રણ આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 2:31 pm

સુરતમાં સમૂહ લગ્નના બહાને TRP સ્ટંટ?:હિન્દુ-મુસ્લિમ યુગલે 'યશસ્વી ફાઉન્ડેશન' પર લગાવેલા ગંભીર આક્ષેપોનો વીડિયો વાયરલ, લગ્ન કરાવવાની ના પાડી દેતા વિવાદ વકર્યો

સુરત શહેરમાં સામાજિક સેવાના નામે ચાલતી સંસ્થાઓ સામે ફરી એકવાર સવાલો ઉઠ્યા છે. સુરતમાં 'યશસ્વી ફાઉન્ડેશન' દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં નોંધણી કરાવનાર એક આંતરધર્મીય (હિન્દુ-મુસ્લિમ) યુગલે સંસ્થા પર ગંભીર આક્ષેપો કરતા વીડિયો વાયરલ કરીને જણાવ્યું છે કે, સંસ્થાએ પોતાની પબ્લિસિટી અને TRP મેળવવા માટે તેમનો ઉપયોગ કર્યો છે અને હવે વિવાદ થતાં લગ્ન કરાવવાની ના પાડી હાથ અધ્ધર કરી લીધા છે. શું છે સમગ્ર મામલો? વાયરલ વીડિયોમાં દેખાતી યુવતી ફરહાએ જણાવ્યું હતું કે, તેણે અને તેના સાથીએ યશસ્વી ફાઉન્ડેશન દ્વારા આયોજિત સમૂહ લગ્ન માટે નોંધણી કરાવી હતી. તેમનો હેતુ કોઈ પણ સમાજની લાગણી દુભાવવાનો નહોતો, પરંતુ માત્ર લગ્ન ગ્રંથિથી જોડાવાનો હતો. સંસ્થા દ્વારા તેમનું ફોર્મ સિલેક્ટ કરી 14 માર્ચે લગ્ન કરાવવાની ખાતરી આપવામાં આવી હતી. સંસ્થા પર લાગેલા ગંભીર આરોપો યુગલના જણાવ્યા અનુસાર, 25 ફેબ્રુઆરીએ ડુમસ ખાતે પાનેતર વિતરણના કાર્યક્રમમાં તેમને બોલાવવામાં આવ્યા હતા. ત્યાં ગયા બાદ તેમને જાણ થઈ કે પ્રેસ કોન્ફરન્સ પણ રાખવામાં આવી છે. યુવતીનો આરોપ છે કે સંસ્થાના ગાયત્રીબેન નામના કર્મચારીએ તેમને દબાણ કર્યું કે, અમે તમારા માટે આટલું કરીએ છીએ તો તમારે એક ઇન્ટરવ્યુ આપવો પડશે. સંસ્થાએ પત્રકારોને સામેથી જણાવ્યું કે આ 'હિન્દુ-મુસ્લિમ' યુગલ છે, જેથી તેમને સારી ન્યૂઝ લીડ મળે. આ ઇન્ટરવ્યુ વાયરલ થયા બાદ યુગલને સોશિયલ મીડિયા પર ખૂબ જ નકારાત્મક ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો, જેના કારણે તેમનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. વિવાદ થતાં સંસ્થાએ પીછેહઠ કરી જ્યારે યુગલ આ નકારાત્મક પ્રતિસાદથી કંટાળીને સંસ્થાની ઓફિસે ગયું, ત્યારે સંસ્થાના સભ્યોએ જવાબદારી લેવાનો ઇનકાર કરી દીધો હતો. બાદમાં સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું કે, સંસ્થાએ વિવાદને કારણે તેમના લગ્ન કરાવવાની ના પાડી દીધી છે. ફરહા (પીડિત યુવતી) એ જણાવ્યું હતું કે, યશસ્વી ફાઉન્ડેશને માત્ર પોતાની TRP માટે અમારો ઉપયોગ કર્યો અને હવે જ્યારે અમે મુશ્કેલીમાં છીએ ત્યારે અમને એકલા છોડી દીધા છે. અમારી આબરૂ પર લાંછન લાગ્યું છે અને અમારી જિંદગી બરબાદ કરવા માટે અમે સંસ્થાનો આભાર માનીએ છીએ. અંગત ફાયદા કે TRP માટે અન્ય કોઈની જિંદગી સાથે રમત ન રમે યુવતીએ અન્ય યુવતીઓને પણ સાવચેત રહેવા વિનંતી કરી છે કે કોઈ પણ સંસ્થા પોતાના અંગત ફાયદા કે TRP માટે અન્ય કોઈની જિંદગી સાથે રમત ન રમે. હાલ આ મામલે સુરતના સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચાઓ જાગી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ યશવી ફાઉન્ડેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ સમૂહલગ્નમાં એક મુસ્લિમ દીકરી પણ પોતાના માતાની સંમતિથી હિન્દુ યુવક સાથે લગ્નગ્રંથિથી જોડાનાર હતી. યશવી ફાઉન્ડેશન દ્વારા બે દિવસ પહેલા કરાયેલો ખુલાસો પરંતુ 27 ફેબ્રુઆરી, 2026ના રોજ બંને યુવક યુવતીએ આવીને અમને જણાવ્યું હતું કે હવે મુસ્લિમ દીકરીના પરિવારજનો સામાજિક, પારિવારિક અને અંગત કારણોને ધ્યાનમાં રાખીને હવે આ લગ્ન માટે તૈયાર નથી. પરંતુ યુવક યુવતી લગ્ન માટે તૈયાર છે. જોકે તાજેતરમાં જ ફેરફાર થયેલા લગ્ન નોંધણી કાયદાનું સન્માન કરતા જયારે પ્રેમલગ્નમાં માતાપિતાની સંમતિ ન હોય તો એ લગ્ન માન્ય ગણી ન શકાય. આ જ બાબતને ધ્યાનમાં રાખીને કાયદાનું પાલન થઇ રહ્યું ન હોવાનું ધ્યાને આવતા અમે (યશવી ફાઉન્ડેશન ચૅરિટેબલ ટ્રસ્ટ) આ ફોર્મ રદ્દ કરવાનું જાહેર કરીએ છીએ. સેવાના કાર્યને વરેલું યશવી ફાઉન્ડેશન કોઇપણ ધર્મ કે સમાજની લાગણી દુભાય તેવું કાર્ય કરવા ઇચ્છતું નથી. આ ઉપરાંત આ કેસ આ પરિવારની અંગત મામલો હોય તેમની ગોપનીયતા સંયમ સાથે જળવાય તેવી વિનંતી.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 2:25 pm

મહેમદાવાદમાં પ્રગટશે 35 ફૂટની આયુર્વેદિક હોળી:પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે ગાયના છાણાં અને ઔષધિઓથી થશે હોળીનું દહન

અમદાવાદની નજીક આવેલ પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક દેવસ્થાન, મહેમદાવાદ દ્વારા આગામી 2/3/2026, સોમવારના રોજ પરંપરાગત અને વૈદિક પદ્ધતિથી હોળી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવ માત્ર ધાર્મિક આસ્થા જ નહીં, પરંતુ પ્રાચીન ભારતીય વિજ્ઞાન અને પ્રકૃતિ સાથેના જોડાણને પણ ઉજાગર કરશે. 35 ફૂટ ઊંચી હોળી બનશે આકર્ષણનું કેન્દ્ર દેવસ્થાન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિતના જણાવ્યા અનુસાર, ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષોથી શ્રદ્ધા અને સંસ્કાર સાથે આ ઉત્સવ ઉજવે છે. આ વર્ષે હોળીની ઊંચાઈ આશરે 35 ફૂટ રાખવામાં આવી છે, જે ભક્તોમાં વિશેષ આકર્ષણ જગાવશે. આટલી વિશાળ હોળી હોવા છતાં તેને સંપૂર્ણપણે શાસ્ત્રોક્ત વિધિથી પ્રગટાવવામાં આવશે. કેમિકલમુક્ત ‘ઇકો-ફ્રેન્ડલી’ હોળીનો સંદેશ આ મહોત્સવની સૌથી મોટી વિશેષતા તેની 'આયુર્વેદિક' પદ્ધતિ છે. સામાન્ય રીતે હોળીમાં વપરાતા કેમિકલ કે કૃત્રિમ પદાર્થોને તિલાંજલિ આપીને અહીં માત્ર ગાયના છાણાં, વિશિષ્ટ ઔષધિય લાકડાં અને જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રક્રિયા દ્વારા પર્યાવરણનું સંરક્ષણ કરવાની સાથે-સાથે વાતાવરણને શુદ્ધ અને આરોગ્યપ્રદ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. સકારાત્મક ઉર્જાનો સંકલ્પ હોળી દહન દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર અને વિધિવત પૂજન કરવામાં આવશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં શાંતિ, સદભાવ અને સકારાત્મક ઊર્જાનો ફેલાવો કરવાનો છે. ટ્રસ્ટ ઈચ્છે છે કે નવી પેઢી હોળીના સાચા ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વને સમજે. આ અનોખા મહોત્સવમાં સહભાગી થવા માટે તમામ શ્રદ્ધાળુઓને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 2:13 pm

જામનગરમાં વિજ્ઞાન દિવસે પ્લેનેટ પરેડ નિદર્શન યોજાયું:ખગોળપ્રેમીઓએ ટેલિસ્કોપથી ગ્રહો, સૂર્ય-ચંદ્રનું નિરીક્ષણ કર્યું; તારા, નક્ષત્રો વિશે જાણકારી અપાઈ

જામનગરના પ્રદર્શન મેદાનમાં 28 ફેબ્રુઆરી, શનિવારે વિજ્ઞાન દિવસ નિમિત્તે પ્લેનેટ પરેડ નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો. વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો અનેક ખગોળપ્રેમીઓએ લાભ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન, અત્યાધુનિક પાંચ ટેલિસ્કોપના માધ્યમથી વિવિધ ગ્રહો, ચંદ્ર અને સૂર્યનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું. આ સાથે, માઇક પર અવકાશી ગતિવિધિઓ વિશે વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી. આ નિદર્શન સાંજે 6:00 થી 8:30 કલાક દરમિયાન યોજાયું હતું. ખગોળ મંડળ જામનગર, રંગતાળી ગ્રુપ અને ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત એમ. ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આ અવકાશી નજારો નિહાળવા માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સૌપ્રથમ, સૂર્યાસ્ત પહેલાં ટેલિસ્કોપ પર ફિલ્ટર લગાવીને સૂર્ય અને તેમાં દેખાતા એકમાત્ર સૂર્યકલંકનું નિદર્શન કરાયું હતું. ત્યારબાદ, ચંદ્ર અને તેના પરના ક્રેટર્સ, ગુરુ ગ્રહ તેના ચાર ચમકતા ચંદ્ર અને ગ્રહ પરના બેલ્ટ ટેલિસ્કોપ દ્વારા બતાવવામાં આવ્યા હતા. શુક્ર અને શનિ ગ્રહો ક્ષિતિજ પર નીચા હોવા છતાં આકાશમાં પ્રત્યક્ષ બતાવવામાં આવ્યા હતા. એમ.ડી. મહેતા સાયન્સ સેન્ટર, ધ્રોલના ડો. સંજય પંડ્યાએ સૂર્યમાળાના ગ્રહો વિશે માહિતી આપી હતી, જ્યારે ખગોળ મંડળ જામનગરના કિરીટભાઈ શાહે આકાશમાં રહેલા તારા અને નક્ષત્રો વિશે જાણકારી પૂરી પાડી હતી. આ પ્લેનેટ નિદર્શન કાર્યક્રમમાં શહેર ભાજપના અધ્યક્ષ ડો. બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા સહિત શહેરના અન્ય મહાનુભાવો, વિવિધ સંસ્થાના અગ્રણીઓ અને બાળકો સહિત અનેક ખગોળપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ખગોળીય ઘટના હવે પછી 2040 માં જોવા મળશે. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા રંગતાળી ગ્રુપના સંજય જાની દ્વારા કરવામાં આવી હતી. ધ્રોલ એમ.ડી. મહેતા સાયન્સ સેન્ટરની ટીમ જેમાં પંકજભાઈ ડાંગર, રવિભાઈ ધ્રાંગધરીયા અને સદ્દામભાઈનો સમાવેશ થાય છે, તેઓ ધ્રોલથી ટેલિસ્કોપ લઈને જામનગર આવ્યા હતા અને નિદર્શન કરાવ્યું હતું. જામનગર ખગોળ મંડળના અમિતભાઈ વ્યાસ, કલ્પેશ સુરેલીયા, કપિલ સંઘવી, દીપાલી પંડ્યા તેમજ ખગોળપ્રેમીઓ કેવલ ચાવડા અને જયદીપ ચાવડા પણ અન્ય ટેલિસ્કોપ સાથે જોડાઈને નિદર્શનમાં સહભાગી થયા હતા.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 2:12 pm

રાજકોટમાં AAPની ‘કિસાન બચાવો યાત્રા’:પ્રવીણ રામનો કૃષિ મંત્રીને ખુલ્લો પડકાર, કહ્યું- યાત્રામાં આવીને જુઓ ખેડૂતોને કેટલી સમસ્યા છે, ક્યાં મોઢે 2027ની ચૂંટણી લડશો?, પડતર પ્રશ્નો મુદ્દે સરકારને ઘેરી

આમ આદમી પાર્ટી દ્વારા સોમનાથથી ગાંધીનગર સુધી 'કિસાન બચાવો યાત્રા' શરૂ કરવામાં આવી છે. આ યાત્રા આજે રાજકોટ પહોંચી હતી. જેને લઈને આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામ અને પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખિલ સહિત પદાધિકારીઓની પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં પ્રવીણ રામએ કૃષિ મંત્રીને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું કે, યાત્રામાં જાતે આવીને જુઓ ખેડૂતોને કેટલી સમસ્યા છે. ખેડૂતો આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને તેનો જવાબ આપશે. તો સિંચાઈની સમસ્યા, પાક વીમા અને નકલી બિયારણ સહિતના પડતર પ્રશ્નો મુદ્દે સરકારને ઘેરી હતી. પ્રવીણ રામે જણાવ્યું હતું કે, આ યાત્રા માત્ર એક રાજકીય કાર્યક્રમ નથી પરંતુ ગુજરાતના લાખો પીડિત ખેડૂતોનો અવાજ છે. 108 દિવસની જેલ ભોગવ્યા બાદ, ખેડૂતોના હક માટે ફરીથી મેદાનમાં ઉતરેલી આમ આદમી પાર્ટીનો આ પ્રથમ મોટો પ્રયાસ છે. સોમનાથની પવિત્ર ભૂમિથી શરૂ થયેલી યાત્રા હવે રાજકોટ પહોંચી છે, જ્યાં સ્થાનિક પદાધિકારીઓ અને જિલ્લાના આગેવાનો દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં આ યાત્રા રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં પરિભ્રમણ કરશે, જેનો મુખ્ય હેતુ છેવાડાના ખેડૂત સુધી પહોંચવાનો છે. રાજકોટમાં પ્રવીણ રામે સત્તાધારી પક્ષ અને કૃષિ મંત્રી પર આકરા પ્રહારો કર્યા હતા. કૃષિ મંત્રીએ અગાઉ આપેલા નિવેદન કે આ યાત્રામાં કોઈ ખેડૂતો જોડાઈ રહ્યા નથી તેના પર વળતો પ્રહાર કરતા પ્રવીણ રામે ખુલ્લો પડકાર ફેંક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, જો કૃષિ મંત્રીને ખરેખર જમીની હકીકત જાણવી હોય, તો તેમણે એસી ચેમ્બરમાંથી બહાર નીકળીને જાતે આ યાત્રામાં જોડાવું જોઈએ. કૃષિમંત્રી આ યાત્રામાં આવીને જુએ કે કેટલા ખેડૂતો સ્વયંભૂ રીતે જોડાઈ રહ્યા છે અને તેમના મનમાં સરકાર પ્રત્યે કેટલો પ્રચંડ રોષ અને અસંતોષ છે. સરકાર ખેડૂતોની સમસ્યાઓ ઉકેલવાને બદલે તેમની મજાક ઉડાવી રહી છે તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. ભાજપ કયા મોઢે 2027 ની ચૂંટણી ખેડૂતોના મુદ્દે લડવાની વાત કરે છે? જ્યારે વાસ્તવિકતામાં ખેડૂતોના એક પણ પાયાના પ્રશ્નનો ઉકેલ લાવવામાં સરકાર નિષ્ફળ રહી છે. ખેડૂતોની વેદનાને વાચા આપતા પ્રવીણ રામે અનેક ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે ખેડૂતોના ઉભા પાકમાં તેમની સંમતિ વિના વીજ લાઈનો નાખવામાં આવી રહી છે અને તેની સામે યોગ્ય વળતર પણ ચૂકવવામાં આવતું નથી. જો કોઈ ખેડૂત વિરોધ કરે તો તેના પર સરકારી તંત્ર દ્વારા દમન ગુજારવામાં આવે છે. આ ઉપરાંત, કુદરતી આફતો જેવી કે માવઠાના સમયે ખેડૂતોને જે સહાય મળવી જોઈએ, તેમાં પણ મોટી અનિયમિતતાઓ જોવા મળી રહી છે. સરકાર દ્વારા સહાયની મોટી મોટી જાહેરાતો તો કરવામાં આવે છે, પરંતુ પાયાના સ્તરે ખેડૂતોના બેંક ખાતા સુધી આ રકમ પહોંચતી નથી. સૌથી મોટો અને ગંભીર પ્રશ્ન સિંચાઈના પાણીનો છે. ડેમમાં પાણી હોવા છતાં ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી, જ્યારે ઉદ્યોગો અને મોટી કંપનીઓને પાણી પહોંચાડવામાં સરકાર વધારે રસ દાખવી રહી છે. આ અન્યાય સામે ખેડૂતો હવે જાગૃત થઈ રહ્યા છે. રાજકોટ જિલ્લામાં આ યાત્રા દરમિયાન અનેક લોકસંપર્ક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવીણ રામે માહિતી આપી હતી કે જિલ્લાના દરેક તાલુકામાં 'ચૌપાલ બેઠકો' અને 'રાત્રી સભાઓ' યોજવામાં આવશે. આ બેઠકોનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતો સાથે સીધો સંવાદ સાધવાનો અને તેમની સ્થાનિક સમસ્યાઓને સમજવાનો છે. અત્યાર સુધી સૌરાષ્ટ્રના જે વિસ્તારોમાંથી આ યાત્રા પસાર થઈ છે, ત્યાં ખેડૂતોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. ખેડૂતો પોતાની પીડા વ્યક્ત કરી રહ્યા છે અને સરકારની નીતિઓથી કંટાળી ગયા છે. આ યાત્રા 8 મી તારીખે ગાંધીનગર પહોંચવાની છે, જ્યાં ખેડૂતોના તમામ પ્રશ્નોને ઉજાગર કરીને સરકાર સામે મજબૂત લડત આપવામાં આવશે. આમ આદમી પાર્ટી ખેડૂતોના હક માટે કોઈ પણ પ્રકારનું બલિદાન આપવા તૈયાર છે અને તેમની લડતને છેક સુધી લડશે. પ્રવીણ રામે આગામી ચૂંટણીઓના સંદર્ભમાં સરકારને ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતો ભિખારી નથી પણ સ્વાભિમાન ધરાવતા નાગરિકો છે. તેઓ જે માંગી રહ્યા છે તે કોઈ ભીખ નથી પરંતુ તેમનો બંધારણીય હક છે. સરકારે અગાઉ ખેડૂતો પર લાઠીઓ વરસાવી છે અને તેમને હેરાન કર્યા છે, જેનો જવાબ ખેડૂતો આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચોક્કસ આપશે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ખેડૂતો પોતાના મતની શક્તિ બતાવીને ભાજપ સરકારને પાઠ ભણાવશે. તેમણે રાજકોટ જિલ્લાના તમામ ખેડૂત ભાઈઓને મોટી સંખ્યામાં આ કિસાન બચાવો યાત્રા માં જોડાઇને પોતાના હક માટે અવાજ ઉઠાવવા આવાહન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 2:11 pm

શ્વાનોને હડકવા સહિત 10 જીવલેણ બીમારીથી બચાવવા રસીકરણ કેમ્પ:પાલતૂ મળી 500થી વધુ કૂતરાને રસી મૂકાઈ; રખડતા શ્વાનને દત્તક લેવા લોકોને જાગૃતિ કરાશે

વડોદરા ખાતે રાખડતા શ્વાન તેમજ પાળતી શ્વાન માટે રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્વાનોને હડકવા તેમજ વિવિધ 10 જીવલેણ બીમારીઓ સામે રક્ષણ આપવા માટે નિઃશુલ્ક રસીકરણ કેમ્પ યોજવામાં આવ્યો હતો. 500થી વધુ શ્વાનને રસી અપાઈએનિમલ લવર્સ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં રખડતા શ્વાનને પકડીને લાવવામાં આવ્યા હતાં. ખાસ કરીને નાના બચ્ચાઓને રસી મૂકવામાં આવી હતી. તો શહેરના જે લોકો શ્વાનને પાળે છે, તેઓ પણ રસીકરણ માટે આવ્યા હતા. 500થી વધુ શ્વાનને રસી મૂકવામાં આવી હતી. રખડતા શ્વાનને દત્તક લેવા આયોજનવડોદરા શહેરમાં રખડતા શ્વાનને દત્તક લેવા માટે પણ આયોજન કરવામાં આવશે. કેમ્પમાં એનિમલ લવર સૃષ્ટિ પટેલે જણાવ્યું હતું કે, રખડતા શ્વાનને પણ દત્તક લેવા માટે લોકોમાં જાગૃતિ લાવવામાં આવશે. સામાન્ય રીતે ઘરની બહાર દરેક લોકો આ શ્વાનને ખોરાક આપતા જ હોય છે, પરંતુ તેઓ તેની જવાબદારી સ્વીકારે અને તેને જો કઈ થાય તો તેને સારવાર અપાવે તે માટે કેમ્પ યોજવામાં આવશે. જે લોકો રખડતા શ્વાનને દત્તક લેવા માગતા હશે તેઓને સમજ આપવામાં આવશે ગુજરાતમાં પ્રથમ વખત આવો કેમ્પ યોજાયોરખડતા શ્વાનના રસીકરણ માટેનો નિઃશુલ્ક કેમ્પ સૌપ્રથમ વખત આયોજિત કરવામાં આવ્યો હતો. સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત આવો કેમ્પ યોજાયો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનના હુમલાના ઘટનાઓ વધી છે. ત્યારે આવા કેમ્પ થકી માત્ર શ્વાન જ નહીં, પરંતુ નાગરિકોના જીવનું જોખમ પણ અટકશે તેવું આયોજકોનું માનવું છે.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 1:39 pm

જામનગરમાં વિશ્વ વિખ્યાત ઊંચું હોલિકા પૂતળું તૈયાર:ભોઈ સમાજ 70 વર્ષથી પરંપરા અકબંધ, વિશાળ પૂતળાના નિર્માણમાં અનેક કલાકારો અને સેવકોનો ફાળો

જામનગરમાં આગામી 2 માર્ચ, 2026 (ફાગણ સુદ પૂનમ)ના રોજ વિશ્વ વિખ્યાત હોલિકા મહોત્સવ ઉજવાશે. આ માટે ભોઈ સમાજ દ્વારા 25 ફૂટથી વધુ ઊંચા હોલિકાના પૂતળાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જે અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે. જામનગરનો ભોઈ સમાજ છેલ્લા 70 વર્ષથી આ પરંપરાગત હોલિકા દહન ઉત્સવનું ભવ્ય આયોજન કરી રહ્યો છે. શ્રી ભોઈજ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા આયોજિત આ મહોત્સવમાં આ વર્ષે કન્વીનર તરીકે હર્ષ મહેતા અને તેમની ટીમ જવાબદારી સંભાળી રહી છે. ભોઈ સમાજના સભ્યો એક મહિના અગાઉથી આ પૂતળું બનાવવાનું શરૂ કરે છે. પર્યાવરણને અનુકૂળ સામગ્રી જેવી કે ઘાસ, લાકડું, કોથળા, કાગળ અને કુદરતી રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. આ પૂતળાની ઊંચાઈ 25 ફૂટથી વધુ છે અને તેનું વજન અંદાજે 3 થી 4 ટન જેટલું છે. તેને ખાસ પ્રકારના આભૂષણો અને વસ્ત્રોથી શણગારવામાં આવે છે. આ વિશાળ પૂતળાના નિર્માણમાં અનેક કલાકારો અને સેવકોનો ફાળો છે. ભરતભાઈ ગોંડલીયા માર્ગદર્શન પૂરું પાડે છે, જ્યારે શનિભાઈ કુંભારાણા અને તેમની ટીમ આભૂષણો બનાવે છે. પી.ઓ.પી. આર્ટિસ્ટ રમેશભાઈ જેઠવા પણ આ કાર્યમાં જોડાયેલા છે. સમગ્ર ભોઈ સમાજના વડીલો અને યુવાનોના સહયોગથી આ કાર્ય પૂર્ણ થાય છે. તૈયાર થયેલા આ વિશાળ પૂતળાને વાજતે-ગાજતે ભોઈજ્ઞાતિની વાડીથી શહેરના સુભાષ માર્કેટ નજીક આવેલા હોલિકા ચોક ખાતે લાવવામાં આવશે. અહીં હજારો શ્રદ્ધાળુઓ તેના દર્શનનો લાભ લેશે. 2 માર્ચ, 2026ના રોજ સાંજે આમંત્રિત મહેમાનોના હસ્તે હોલિકા દહન કરવામાં આવશે, જે ભક્ત પ્રહલાદના બચાવ અને હોલિકાના દહન દ્વારા અસત્ય પર સત્યની જીત દર્શાવે છે. આ દિવ્ય ક્ષણના સાક્ષી બનવા માટે જામનગર અને આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડશે. જામનગરનો ભોઈ સમાજ આ ઉત્સવ દ્વારા સનાતન ધર્મના વિજયનો સંદેશ ફરી એકવાર વિશ્વભરમાં ગુંજતો કરશે.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 1:38 pm

પિતા-પુત્ર-ભત્રીજા સહિત એક જ પરિવારના 3ના મોત:સુરતના વરાછા ઓવરબ્રિજ પર ઉભેલા ટ્રેક્ટર પાછળ બાઈક ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત; ભાઈની સાસુનું અવસાન થતા મળીને પરત ફરતા નડ્યો અકસ્માત

સુરત શહેરના વરાછા વિસ્તારમાં એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. હીરાબાગથી કામરેજ તરફ જતા વરાછા ઓવરબ્રિજ પર બંધ હાલતમાં ઉભેલા એક ટ્રેક્ટર પાછળ મોટરસાયકલ અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક જ પરિવારના પિતા પુત્ર અને ભત્રીજા સહિત ત્રણ સભ્યોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. રાત્રે ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો મળતી માહિતી મુજબ, ગત તારીખ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ રાત્રે આશરે 11.30 વાગ્યાના સુમારે શૈલેષભાઈ માણીયા (રહે. પાસોદરા) પોતાની પત્ની કૃપાબેન અને પુત્ર મન અને ભાઈ વિજયનો પુત્ર મંત્ર સાથે વરાછા ઉમીયાધામ રોડ પર આવેલ સોના એપાર્ટમેન્ટથી પોતાના ઘરે જઈ રહ્યા હતા. તેઓ જ્યારે હીરાબાગથી કામરેજ તરફ જતા ઓવરબ્રિજ પર પહોંચ્યા, ત્યારે ત્યાં અંધારામાં કોઈ પણ પ્રકારના રિફ્લેક્ટર કે સાઈન બોર્ડ વગર એક ટ્રેક્ટર બંધ હાલતમાં ઉભું હતું. અંધારાને કારણે ટ્રેક્ટર ન દેખાતા શૈલેષભાઈની મોટરસાયકલ સીધી ટ્રેક્ટર પાછળ ધડાકાભેર અથડાઈ હતી. બે માસૂમ બાળકો અને પિતાનું મોત અકસ્માત એટલો ભયાનક હતો કે પરિવારના ચારેય સભ્યોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. રાહદારીઓની મદદથી તાત્કાલિક તમામને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મન અને મંત્ર બંને ભાઈઓને વધુ સારવાર માટે અન્ય ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન શૈલેષભાઈનું પણ ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. કૃપાબેન મૃતક શૈલેષભાઈના પત્ની હાલ ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ટ્રેક્ટર ચાલકે બેદરકારીપૂર્વક ઓવરબ્રિજ પર ટ્રેક્ટર ઊભું રાખી દીધું આ મામલે મૃતક શૈલેષભાઈના કાકા નાનજીભાઈ ગોગનભાઈ માયાણીએ અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ટ્રેક્ટર ચાલકે બેદરકારીપૂર્વક ઓવરબ્રિજ પર કોઈ પણ સુરક્ષા ચિહ્નો રાખ્યા વગર વાહન ઉભું રાખી બીજાની જિંદગી જોખમમાં મૂકી છે. પોલીસે ગુનો નોંધીને ફરાર ટ્રેક્ટર ચાલકની શોધખોળ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક જ પરિવારના બે કુળદીપકના મોતથી શોકનો માહોલ પરિવાર પાસેથી મળતી માહિતી પ્રમાણે, મૃતક શૈલેષભાઈ ના ભાઈ વિજયભાઈ ના સાસુનું અવસાન થઈ ગયું હોવાથી વરાછા ઉમિયાધામ ખાતે પરિવાર સાથે આવ્યા હતા. ત્યારબાદ શૈલેષભાઈ ની બાઈક પર પત્ની કૃપા પુત્ર મન અને ભાઈનો પુત્ર મંત્ર ને લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન અકસ્માત નડ્યો હતો અને એક જ પરિવારના ત્રણ લોકો એ જીવ ગુમાવ્યા હતા. બંને ભાઈઓ રત્નકલાકાર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. શૈલેષભાઈ ના પરિવારમાં એક પુત્ર બે પુત્રી છે. જ્યારે વિજયભાઈના પરિવારમાં એક પુત્ર અનેક પુત્રી છે. તેથી બંને ભાઈઓ ના એકના એક કુળદીપકના અવસાનથી શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. નવનિર્મિત બ્રિજના કામ અર્થે ટ્રેક્ટર ઊભું રાખ્યું હતું અશ્વિનીકુમાર પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગૌશાળા થી કાપોદ્રા સુધી નવા બ્રિજની કામગીરી કરવામાં આવી રહી છે. જેના કામ અર્થે ટ્રેક્ટરને વરાછા ઓવરબ્રિજ પર લઈ જવામાં આવ્યું હતું અને કામગીરી કરવામાં આવી રહી હતી. રાત્રિના સમયે બાઇક ચાલક પરિવાર બ્રિજ પર ઉભેલા આ ટ્રેક્ટર માં ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. હાલ તો ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ કરવામાં આવી છે. ભાઈના સાસુ અને એક જ પરિવારના ત્રણની અંતિમ યાત્રા એક દિવસમાં અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતક શૈલેષભાઈ ના ભાઈ વિજયભાઈ ના સાસુ નું અવસાન થયું હોવાથી રાત્રિના સમયે ગયા હતા અને ત્યાંથી પરત ફરતા અકસ્માત નડ્યો હતો. વિજયભાઈના સાસુની અંતિમયાત્રા આજે સવારે નીકળી હતી. જ્યારે શૈલેષભાઈ અને તેમના પરિવારની પણ અંતિમયાત્રા આજે નીકળે છે.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 1:29 pm

ચૂંટણીનાં બહિષ્કારની ચીમકી:રાજકોટનાં જામનગર રોડ પર 10 જેટલી સોસાયટીનો રસ્તો ગામડા જેવો, સ્ટ્રીટ લાઈટ પણ નથી, સિટિબસ સહિતની સુવિધા આપવાની માંગ સાથે સ્થાનિકોનો વિરોધ

સ્માર્ટ સિટી તરીકે ઉભરી રહેલા રાજકોટમાં હજુ પણ કેટલાક વિસ્તારો પાયાની સુવિધાઓથી પણ વંચિત છે. જેમાં જામનગર રોડ પર આવેલી અમી હાઇટ્સ તેમજ તેની આસપાસની 10 જેટલી સોસાયટીઓમાં જવા માટે રસ્તો ગામડા જેવો છે. તેમજ સ્ટ્રીટ લાઈટ જેવી સગવડ પણ નહીં હોવાને કારણે સિટિબસ અને એમ્બ્યુલન્સ પણ સમયસર આવતી નથી. લાંબા સમયથી પ્રાથમિક સુવિધાઓનાં અભાવ વચ્ચે જોવતા સ્થાનિકોએ આજે રસ્તા, સ્ટ્રીટ લાઈટ અને સફાઈની સમસ્યાઓને લઈને રોષ વ્યક્ત કર્યો હતો. અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા તેઓએ આગામી ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. રસ્તાઓની બદતર હાલત અને અન્ય સમસ્યાઓ પ્રાપ્ત વિગત મુજબ જામનગર રોડ પર આવેલી અમી હાઇટ્સ અને તેની આસપાસની 10 સોસાયટીઓના રસ્તાઓની હાલત ગામડાના કાચા રસ્તા જેવી થઈ ગઈ છે. સ્થાનિકોનું કહેવું છે કે, ચોમાસામાં તો આ રસ્તાઓ પર ચાલવું પણ મુશ્કેલ બની જાય છે. ખાડાઓ અને કાદવ-કીચડને કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે. આ ઉપરાંત, સ્ટ્રીટ લાઈટના અભાવે રાત્રિના સમયે અંધારપટ છવાયેલો રહે છે, જેના કારણે મહિલાઓ અને બાળકોમાં ભયનો માહોલ રહે છે. સફાઈ કામદારો પણ નિયમિત આવતા નથી, જેના કારણે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. સિટિબસની સુવિધા પણ આ વિસ્તારમાં ન હોવાથી લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારના લોકોનું કહેવું છે કે, અમે નિયમિત વેરો ભરીએ છીએ, છતાં અમને પાયાની સુવિધાઓ કેમ મળતી નથી? રશ્મિબેન ભટ્ટ નામનાં મહિલાએ દિવ્યભાસ્કર સમક્ષ જણાવ્યું હતું કે, અમે જામનગર રોડ પર અમી હાઈટ્સ પાસે રહીએ છીએ. અહીં છેલ્લા 10 વર્ષથી રોડ-રસ્તાની વિકટ સમસ્યા છે. રસ્તાઓ સાવ બિસ્માર હાલતમાં છે, જાણે કોઈ અંતરિયાળ ગામડામાં રહેતા હોય તેવો અનુભવ થાય છે. રાત્રે સ્ટ્રીટ લાઈટ ન હોવાને કારણે અંધારપટ છવાયેલો રહે છે, જેથી મહિલાઓ અને બાળકોને નીકળવામાં ડર લાગે છે. અમે અનેકવાર કોર્પોરેશનમાં રજૂઆત કરી છે પણ કોઈ સાંભળતું નથી. જો આ વખતે ચૂંટણી પહેલા રસ્તા અને લાઈટની સુવિધા નહીં મળે, તો અમારી 10 સોસાયટીના તમામ લોકોએ નક્કી કર્યું છે કે અમે ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરીશું. 'નો રોડ, નો વોટ' એ જ અમારો નારો છે. હેતલબેન રાવલ નામના અન્ય મહિલાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, અહીં સફાઈની કોઈ વ્યવસ્થા નથી અને ગંદકીના ગંજ ખડકાયેલા રહે છે. સૌથી મોટી તકલીફ સિટિબસની છે. અમારે મેઈન રોડ સુધી ચાલીને જવું પડે છે કારણ કે સોસાયટી સુધી કોઈ બસ આવતી નથી. રસ્તામાં એટલા ખાડા છે કે રિક્ષાવાળા પણ અંદર આવવાની ના પાડે છે. ચોમાસામાં તો હાલત વધુ ખરાબ થઈ જાય છે. અમે ટેક્સ પૂરેપૂરો ભરીએ છીએ તો અમને પાયાની સુવિધા કેમ નથી મળતી? જો અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો અમે એક પણ મત આપવા જવાના નથી. આ વિસ્તારમાં રહેતા શશીભાઈ કોઠીવાડે દિવ્યભાસ્કર સમક્ષ જણાવ્યું કે, ડ્રેનેજ અને પીવાના પાણીની લાઈનો નાખ્યા પછી રસ્તાનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું નથી. ધૂળની ડમરીઓ ઉડે છે જેના કારણે રહેવું મુશ્કેલ બન્યું છે. અધિકારીઓ ફક્ત મુલાકાત લઈને જાય છે પણ કામ આગળ વધતું નથી. જેને લઈ અમે હવે કંટાળી ગયા છીએ. આગામી ચૂંટણીમાં કોઈ પણ પક્ષનો નેતા પ્રચાર માટે આવશે તો અમે તેમને અટકાવીશું અને મતદાનનો બહિષ્કાર કરીશું. તંત્ર માત્ર વાતો કરે છે. સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે અમે નર્ક જેવી સ્થિતિમાં રહીએ છીએ. જ્યાં સુધી રસ્તા અને લાઈટની સુવિધા નહીં મળે ત્યાં સુધી અમે કોઈ પણ નેતાને અમારી સોસાયટીમાં પગ નહીં મૂકવા દઈએ. ઉલ્લેખનીય છે કે, આજે રવિવારે પણ સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. અને રહીશોએ ભેગા મળીને તંત્ર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેઓએ જણાવ્યું કે, જો ટૂંક સમયમાં આ સમસ્યાઓનો નિકાલ નહીં આવે તો તેઓ આગામી ચૂંટણીમાં મતદાન નહીં કરે. નો રોડ, નો વોટ ના નારા સાથે સ્થાનિકોએ પોતાની માંગણીઓ રજૂ કરી હતી. તેઓનું કહેવું છે કે, ચૂંટણી સમયે નેતાઓ વચનો આપી જાય છે, પરંતુ જીત્યા પછી કોઈ ડોકાતું નથી. અનેકવાર લેખિત રજૂઆતો કરી હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. હાલ રાત્રે અંધારામાં બહાર નીકળવું જોખમી બની ગયું છે. ત્યારે જો રસ્તો નહીં બને તો અમે ચોક્કસપણે ચૂંટણીનો બહિષ્કાર કરીશું. ત્યારે મનપા તંત્ર દ્વારા આ વિસ્તારના લોકોની સમસ્યા માટે ક્યારે અને શું પગલાં લેવાય છે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 1:28 pm

2030 સુધી 1 લાખ સંશોધકો તૈયાર કરવાનો સંકલ્પ:STI પોલિસી 2026-2031નો પ્રારંભ, ₹1000 કરોડના ‘સ્વદેશી અનુસંધાન ફંડ’ની રચના

મહાત્મા મંદિર ખાતે યોજાયેલી ગુજરાત સેમિકનેક્ટ કૉન્ફરન્સ 2026 દરમિયાન રાજ્યના મુખ્યમંત્રીએ ગુજરાત સરકારની મહત્ત્વાકાંક્ષી સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશન (STI) નીતિ 2026-2031નું અનાવરણ કર્યું. વિકસિત ગુજરાતથી વિકસિત ભારત @2047ના વિઝન સાથે જાહેર કરાયેલી આ નીતિ ગુજરાતને જ્ઞાન આધારિત અને ટેક્નોલોજીમાં આત્મનિર્ભર રાજ્ય બનાવવાની દિશામાં મોટું પગલું માનવામાં આવી રહી છે. નવી નીતિ હેઠળ ₹1000 કરોડના “સ્વદેશી અનુસંધાન ફંડ”ની રચના કરવામાં આવી છે. આ ફંડ દ્વારા કૃત્રિમ બુદ્ધિમત્તા (AI), સેમિકન્ડક્ટર, ક્વાન્ટમ ટેક્નોલોજી, બાયોટેકનોલોજી, ગ્રીન એનર્જી, ડિફેન્સ ટેક્નોલોજી અને અંતરિક્ષ ક્ષેત્રે સંશોધનને પ્રોત્સાહન મળશે. દર વર્ષે 100થી વધુ ગુણવત્તાસભર પ્રોજેક્ટ્સને સહાય આપવામાં આવશે. 2030 સુધી 1 લાખ કુશળ સંશોધકો તૈયાર કરવાનો સંકલ્પરાજ્યમાં “ગુજરાત રાજ્ય સંશોધન અને નવીનતા ક્લસ્ટર (GRRICO)”ની સ્થાપના કરવામાં આવશે. શરૂઆત ગાંધીનગર-અમદાવાદ વિસ્તારમાંથી થશે અને ત્યારબાદ વડોદરા-સુરત તેમજ રાજકોટ-ભાવનગર-જુનાગઢ-જામનગર સુધી તેનો વિસ્તાર કરવામાં આવશે. અદ્યતન લેબ, ટેસ્ટિંગ સુવિધા અને ઉદ્યોગ-શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સહકાર માટે RD હબ્સ ઉભા કરાશે.માનવ સંસાધન વિકાસ પર ખાસ ભાર મૂકતા 2030 સુધી 1 લાખ કુશળ સંશોધકો તૈયાર કરવાનો સંકલ્પ જાહેર થયો છે. દર વર્ષે 250 JRF/SRF/PDF ફેલોશિપ, “વુમન ઇન ઇનોવેશન” યોજના અને એકીકૃત ગુજરાત RD પોર્ટલ દ્વારા યુવાનોને સંશોધન ક્ષેત્રે પ્રોત્સાહન મળશે. STEM શિક્ષણને મજબૂત બનાવવા રાજ્યમાં STEM લર્નિંગ સેન્ટર્સનો વિસ્તાર કરાશે. જિલ્લા વિજ્ઞાન કેન્દ્રો અને સાયન્સ સિટીને વધુ સશક્ત બનાવવામાં આવશે, જ્યારે મોબાઇલ વિજ્ઞાન પ્રયોગશાળાઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં વિજ્ઞાન પહોંચાડવામાં આવશે. CSR દ્વારા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન મળશેIP ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા 200થી વધુ IP સુવિધા કેન્દ્રો સ્થાપિત કરવાનો લક્ષ્ય નક્કી થયો છે, જેથી દર વર્ષે 1000થી વધુ બૌદ્ધિક સંપત્તિ નોંધણીઓ અને ઓછામાં ઓછા 500 પેટન્ટ નોંધાય. આ સાથે રાજ્ય 2030 સુધી STI ક્ષેત્રે ખર્ચને GSDPના 1% સુધી વધારશે અને વિવિધ વિભાગોમાં 1% RD ફાળવણી ફરજિયાત બનાવશે. CSR દ્વારા પણ સ્ટાર્ટઅપ અને નવીનતા ઇકોસિસ્ટમને પ્રોત્સાહન મળશે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ નોડલ વિભાગ તરીકે કામ કરશે, જ્યારે GUJCOST અમલી એજન્સી રહેશે. ગુજરાત સ્ટેટ રિસર્ચ ફાઉન્ડેશન અને નિષ્ણાત સમિતિ માર્ગદર્શન આપશે. રાજ્યમાં સેમિકન્ડક્ટર અને અદ્યતન ટેક્નોલોજી ક્ષેત્રે મજબૂત પાયો બાંધવા આ નીતિ ઐતિહાસિક સાબિત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 1:26 pm

જવેલ્સ સર્કલ નજીક રિક્ષા પલટી જતાં યુવાનનું મોત:અન્ય ચાર લોકોને નાની-મોટી ઈજા પહોંચતા સરટીમાં ખસેડાયા

ભાવનગર શહેરના જવેલ્સ સર્કલ નજીક આજે સવારના સમયે રિક્ષા પલટી જતાં એક યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. આ અકસ્માતમાં અન્ય ચાર લોકોને પણ ઈજા પહોંચતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. કડીયા કામે જતા સમયે અકસ્માત થયોભાવનગર શહેરના જવેલ્સ સર્કલ નજીક આજરોજ સવારના સમયે રિક્ષા પલટી મારી જતાં અક્ષરપાર્ક રોડ ખારિયા હનુમાન પાસે કુંભારવાડામાં રહેતા મહેશ નાથુભાઈ ચૌહાણનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અકસ્માતમાં અન્ય ચાર લોકોને ઈજા થતાં તેમને સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, તમામ લોકો કડીયા કામ કરતા મજૂર હતા અને મજૂરીએ જઈ રહ્યા હતા, તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 1:12 pm

દિલ્હીથી નેપાળ પશુ પતિનાથ 28,000 કિમીની શિવ પદયાત્રા:પગપાળા ગૌરવ હાંડા પહોંચ્યા ગિરનારની ગોદમાં, 8,500 કિમીની સફર પૂર્ણ; 'માનવતા જ સાચું સનાતન'નો સંદેશ

કહેવાય છે કે જ્યારે સંસારના ભૌતિક સુખો માણસને શાંતિ નથી આપી શકતા, ત્યારે મહાદેવનો માર્ગ જ પરમ આનંદ તરફ દોરી જાય છે. આવો જ કંઈક કિસ્સો દિલ્હીના રહેવાસી ગૌરવ હાંડાનો છે. છેલ્લા દસ મહિનાથી ભારતભરના ચારધામ અને બાર જ્યોતિર્લિંગની પદયાત્રા પર નીકળેલા ગૌરવ હાંડા હાલ ગિરનારની પવિત્ર ધરતી જૂનાગઢ આવી પહોંચ્યા છે. અહીં તેમણે ભવનાથ મહાદેવ અને ગિરનારી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દસ મહિનામાં 8,500 કિમી ચાલ્યાપોતાની યાત્રા વિશે માહિતી આપતા ગૌરવ હાંડાએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા દસ મહિનાથી સતત પદયાત્રા કરી રહ્યા છે. દિલ્હીથી શરૂ થયેલી આ યાત્રા પંજાબ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ થઈને હવે ગુજરાતમાં પ્રવેશી છે. અત્યાર સુધીમાં તેમણે અંદાજે 8,500 કિલોમીટરનું અંતર પગપાળા કાપ્યું છે. મથુરા-વૃંદાવન ને ઓમકારેશ્વરના દર્શન કરીને ગિરનાર પહોંચ્યાતેમણે આ સફર દરમિયાન પંચ કેદાર, મણી મહેશ, કિન્નર કૈલાશ, બીજલી મહાદેવ, અંજની મહાદેવ અને નીલકંઠ મહાદેવ જેવા દુર્ગમ સ્થળોએ શિવ આરાધના કરી છે. આ ઉપરાંત મથુરા-વૃંદાવન અને ઓમકારેશ્વરના દર્શન કરીને તેઓ ગિરનાર પહોંચ્યા છે, જ્યાંથી તેઓ હવે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ચરણે જશે. બાર જ્યોતિર્લિંગોનું જળ એકત્રિત કરી રહ્યા છેગૌરવ હાંડાની આ યાત્રા માત્ર દર્શન પૂરતી મર્યાદિત નથી, પરંતુ એક મોટો ધાર્મિક સંકલ્પ છે. તેમણે ગંગોત્રીથી પવિત્ર જળ લીધું છે અને માર્ગમાં આવતા તમામ બાર જ્યોતિર્લિંગોનું જળ પણ તેઓ એકત્રિત કરી રહ્યા છે. પશુપતિનાથ મહાદેવના ચરણે યાત્રા પૂર્ણઆ પદયાત્રા હજુ 20,000 કિલોમીટર સુધી ચાલશે. યાત્રાના અંતિમ ચરણમાં તેઓ કાશી વિશ્વનાથ અને ત્યારબાદ નેપાળમાં પશુપતિનાથ મહાદેવના ચરણે તમામ જ્યોતિર્લિંગોમાંથી એકઠા કરેલા જળનો જળાભિષેક કરીને પોતાની યાત્રા પૂર્ણ કરશે. નાનપણથી જ ભોળાનાથના ઉપાસક રહ્યા છેગૌરવ હાંડાએ પોતાના ભૂતકાળ વિશે વાત કરતા જણાવ્યું કે, તેઓ નાનપણથી જ ભોળાનાથના ઉપાસક રહ્યા છે. 15 વર્ષ પહેલા તેમના માતા-પિતા બ્રહ્મલીન થયા બાદ તેમણે સંપૂર્ણ સાંસારિક જીવન જીવી લીધું હતું. જીવનમાં સુખ-શાંતિ મેળવવા તમામ પ્રયત્નો કર્યા, પરંતુ ક્યાંય આત્મિક સંતોષ ન મળ્યો. અંતે મહાદેવની પ્રેરણાથી તેમણે આ પદયાત્રાનો નિર્ણય લીધો. 'ગુજરાતના લોકો ખૂબ જ માયાળુ અને સેવાભાવી છે'ગુજરાત અને જૂનાગઢ વિશેના પોતાના અનુભવો શેર કરતા ગૌરવભાઈએ જણાવ્યું કે, ગુજરાતના લોકો ખૂબ જ માયાળુ અને સેવાભાવી છે. જૂનાગઢ પહોંચતા જ તેમને જરાય અજાણ્યું લાગ્યું નથી. અહીં ભવનાથ તળેટીમાં ગુરુ ગૌરક્ષનાથ શેરનાથ બાપુના આશ્રમે તેમને રોકાણ અને ભોજનની સુંદર વ્યવસ્થા મળી હતી. આખા ગુજરાતમાં તેમને જે આદર અને સન્માન મળ્યું છે તેનાથી તેઓ ભાવવિભોર થયા છે. મારા મતે સનાતનનો મૂળ આધાર 'માનવતા' છે- હાંડાસનાતન ધર્મ અંગે પોતાના વિચારો રજૂ કરતા ગૌરવ હાંડાએ જણાવ્યું હતું કે, સનાતન એ માત્ર ધર્મ નથી, પણ જીવન જીવવાની એક કળા છે. શિવ નિરાકાર છે, આદિ અને અનંત છે. મારા મતે સનાતનનો મૂળ આધાર 'માનવતા' છે. જો માણસના હૃદયમાં માનવતા નથી, તો ગમે તેટલા ધર્મો પાળે તે વ્યર્થ છે. 'કુદરતમાં માત્ર બે જ જાતિ છે - સ્ત્રી અને પુરુષ'તેમણે ઉમેર્યું કે, સનાતન ધર્મમાં જ્ઞાતિ-જાતિના ભેદભાવને કોઈ સ્થાન નથી. કુદરતમાં માત્ર બે જ જાતિ છે - સ્ત્રી અને પુરુષ. તેઓ દરેક જીવમાં, પ્રાણીમાં અને કણ-કણમાં શિવના દર્શન કરે છે. તેમણે લોકોને અપીલ કરી હતી કે, તમે ગમે તે સંપ્રદાય કે જાતિમાં માનતા હોવ, પણ જીવનમાં માનવતાને સર્વોચ્ચ સ્થાન આપજો, કારણ કે માનવતા હશે તો જ જીવનની 99% સમસ્યાઓનું નિરાકરણ આવી જશે.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 1:06 pm

ખેરગામમાં બસ-ટ્રક અકસ્માત, 11 મુસાફર ઘાયલ:બસ ચાલકે મોબાઈલ પર વાત કરતા કાબૂ ગુમાવ્યો; ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા; લોકોમાં રોષ

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના શામળા ફળિયા પાસે આજે એક લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બસમાં સવાર 11 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં બસ ચાલકની બેદરકારી સામે આવી છે. મળતી માહિતી મુજબ, આ લક્ઝરી બસ સુરતથી ધરમપુર આશ્રમ તરફ જઈ રહી હતી. ખેરગામના શામળા ફળિયા પાસેથી પસાર થતી વખતે આ અકસ્માત થયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બસનો ચાલક મોબાઈલ ફોન પર વાત કરી રહ્યો હતો, જેના કારણે તેણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને બસ ટ્રક સાથે અથડાઈ. અકસ્માતમાં ઘાયલ થયેલા 11 મુસાફરોમાં 6 મહિલાઓ, 2 પુરુષો અને 3 બાળકોનો સમાવેશ થાય છે. સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બસમાંથી મુસાફરોને બહાર કાઢવામાં મદદ કરી હતી. તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સદનસીબે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, બસ ચાલકની બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 1:04 pm

પ્રદેશ ભાજપ સદસ્ય જયેશ દરજીએ યાત્રાધામ વિકાસ મંત્રીને પત્ર લખ્યો:લોટેશ્વર મહાદેવ મંદિરના વિકાસ અને ધર્મશાળા સહિતની સુવિધાની માંગ કરી

પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના લોટેશ્વર ખાતે આવેલા પ્રાચીન લોટેશ્વર મહાદેવ મંદિરના વિકાસ માટે રજૂઆત કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ સદસ્ય, મીડિયા વિભાગના જયેશ દરજીએ પવિત્ર યાત્રાધામ વિકાસ મંત્રીને પત્ર લખીને આ મંદિરનો ગુજરાત યાત્રાધામ બોર્ડમાં સમાવેશ કરવા અને ધર્મશાળા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે. દરજીએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે, પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મુજપુર ગામ નજીક આવેલું લોટેશ્વર મહાદેવ મંદિર વર્ષો જૂનું અને પૌરાણિક છે. આ મંદિર પાંડવોના સમયનું હોવાનું મનાય છે અને તેને લોહેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક અદ્ભુત, અલૌકિક અને ઐતિહાસિક સ્થળ છે. આ મંદિરે આસપાસના તેમજ દૂર-દૂરના વિસ્તારોમાંથી ભક્તો પોતાની બાધા-માનતા પૂરી કરવા આવે છે. પૌરાણિક કથા અનુસાર, ઘણા લોકો પોતાના પ્રથમ બાળકની બાબરી (ચૌલક્રિયા) વિધિ કરાવવા પણ અહીં આવે છે. દર વર્ષે પાટણ શહેરનો તળ પાટણ દરજી સમાજ અને ઉત્તર ગુજરાતનો મોદી સમાજ પગપાળા સંઘો લઈને અહીં દર્શનાર્થે આવે છે. આ યાત્રાળુઓની સુવિધા માટે મંદિરમાં તમામ પ્રકારની આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે જયેશ દરજીએ રજૂઆત કરી છે.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 12:40 pm

108 સેવા એલર્ટ પર:હોળી-ધૂળેટીમાં મહેસાણામાં ઇમર્જન્સી કેસોમાં 44% સુધીના વધારાની ભીતિ

આગામી 3 અને 4 માર્ચના રોજ ઉજવનારા હોળી અને ધૂળેટીના પર્વને ધ્યાનમાં રાખીને મહેસાણા જિલ્લામાં ઇમર્જન્સી સેવાઓ સજ્જ કરવામાં આવી છે. EMRI-108 સેવા દ્વારા કરવામાં આવેલા ડેટા વિશ્લેષણ મુજબ આ વર્ષે તહેવારના દિવસો દરમિયાન સામાન્ય દિવસોની સરખામણીએ ઇમર્જન્સી કેસોમાં નોંધપાત્ર ઉછાળો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મહેસાણા જિલ્લો રાજ્યના એવા જિલ્લાઓમાં સામેલ છે, જ્યાં કેસોનું પ્રમાણ સૌથી વધુ વધવાની શક્યતા છે. તહેવાર પર ઇમર્જન્સી કેસોમાં વધારો થવાની સંભાવનાઆંકડાકીય વિગતો મુજબ, મહેસાણા જિલ્લામાં સામાન્ય રીતે પ્રતિદિન સરેરાશ 95 ઇમર્જન્સી કેસ નોંધાતા હોય છે. જોકે 3 માર્ચે હોળીના દિવસે આ આંકડો વધીને 137 સુધી પહોંચવાની ધારણા છે. જે સામાન્ય દિવસો કરતા 44.21 ટકા જેટલો જંગી વધારો દર્શાવે છે. તેવી જ રીતે 4 માર્ચે ધૂળેટીના દિવસે પણ કેસોમાં 28.42 ટકાનો વધારો થવાની શક્યતા સાથે 122 જેટલા ઇમર્જન્સી કેસ નોંધાઈ શકે છે. અકસ્માત સહિતના બનાવો વધવાની સક્યતાંનિષ્ણાતોના મતે તહેવાર દરમિયાન ખાસ કરીને રોડ અકસ્માત, જૂથ અથડામણ કે શારીરિક મારામારી, ઊંચાઈ પરથી પડવાને કારણે થતી ઈજા, ટ્રોમા અને અન્ય ગંભીર તબીબી ઇમર્જન્સીમાં વધારો થતો હોય છે. સમગ્ર રાજ્યમાં હોળી-ધૂળેટી દરમિયાન કેસોમાં 12થી 44 ટકાનો વધારો થવાનો અંદાજ છે, જેમાં મહેસાણા જિલ્લામાં આ વધારો ઉચ્ચ સ્તરે રહેવાની સંભાવના સેવાઇ રહી છે. નાગરિકોને સુરક્ષિત રહેવા અપીલ108 સેવા દ્વારા નાગરિકોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે, તેઓ તહેવારની ઉજવણી સુરક્ષિત રીતે કરે. ખાસ કરીને વાહન ચલાવતી વખતે ગતિ મર્યાદાનું પાલન કરવું અને કેમિકલયુક્ત રંગો કે અતિરેક રંગબાજીથી દૂર રહેવું જોઈએ. કોઈપણ અણધારી ઘટના કે તબીબી કટોકટીના સમયે સમય બગાડ્યા વિના તાત્કાલિક 108 નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે, જેથી ત્વરિત સારવાર પૂરી પાડી શકાય.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 12:40 pm

હનુમાનજીની પ્રતિમાના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો:કેશોદમાં ₹1 કરોડના ખર્ચે બનેલા બગીચામાં હનુમાનજીની પ્રતિમા મુદ્દે રાજકીય જંગ: વિપક્ષનો નબળા કામનો આક્ષેપ, નગરપાલિકા પ્રમુખે કહ્યું - 'મૂર્તિ મારા અંગત ખર્ચે છે'

કેશોદ શહેરમાં અંદાજે ₹1 કરોડના ખર્ચે નવનિર્મિત બગીચો અત્યારે જનતાના આકર્ષણનું કેન્દ્ર બનવાને બદલે રાજકીય વિવાદનું મેદાન બની ગયો છે. બગીચામાં સ્થાપિત કરવામાં આવેલી હનુમાનજીની ભવ્ય પ્રતિમાના કામમાં નબળી ગુણવત્તા અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે વિપક્ષે નગરપાલિકા સત્તાધીશોને આડેહાથ લીધા છે. બીજી તરફ, નગરપાલિકા પ્રમુખે આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી વળતો પ્રહાર કર્યો છે. ​ધર્મના નામે ભ્રષ્ટાચાર બંધ કરો : તાલુકા પંચાયત પ્રતિનિધિ ​અજાબ તાલુકા પંચાયતના પ્રતિનિધિ અને આમ આદમી પાર્ટીના અગ્રણી નિલેશભાઈ અઘેરાએ આ મામલે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે, કરોડોના ખર્ચે બનેલા બગીચામાં હનુમાનજીની મૂર્તિના પાયામાં અત્યંત નબળી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું છે. મૂર્તિના સિંહાસન પર લગાવવામાં આવેલી ટાઈલ્સ ટૂંકા જ સમયમાં ઉખડી ગઈ છે, જે સ્પષ્ટપણે ભ્રષ્ટાચારની સાક્ષી પૂરે છે.નગરપાલિકા પ્રમુખ એવો બચાવ કરી રહ્યા છે કે લાદી ઉખડી ન જાય તે માટે તેમણે પોતે ઉખેડી હતી, પણ વાસ્તવમાં આ કામ જ નબળું છે. સનાતન ધર્મમાં લોકોની અતૂટ આસ્થા જોડાયેલી હોય છે, ત્યારે આવા ધાર્મિક સ્થળોના નિર્માણમાં ગુણવત્તા સાથે બાંધછોડ કરવી એ શ્રદ્ધાનું અપમાન છે. ભ્રષ્ટાચાર કરવો હોય તો બીજે કરો, પણ ભગવાનના કામને તો બાકી રાખો. ​ભંડોળ સરકારી નથી, અંગત છે: નગરપાલિકા પ્રમુખ ​સામે પક્ષે કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયાએ મીડિયા સમક્ષ આવી તમામ આક્ષેપોનું ખંડન કર્યું છે. તેમણે પ્રતિમાના ખર્ચ અંગે મોટી સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, હનુમાનજીની આ પ્રતિમા અંદાજે ₹1,25,000 ના ખર્ચે તૈયાર કરવામાં આવી છે, પરંતુ આ માટે નગરપાલિકાના ભંડોળમાંથી એક પણ રૂપિયો લેવામાં આવ્યો નથી.આ પ્રતિમા મેં મારા અંગત (પ્રાઈવેટ) ખર્ચે સ્થાપિત કરાવી છે, તેથી ભ્રષ્ટાચારનો સવાલ જ ઊભો થતો નથી.ખંડિત સિંહાસન અને લાદીના વિવાદ પર તેમણે ખુલાસો કર્યો કે, નિરીક્ષણ દરમિયાન તેમને માર્બલમાં એક નાની તિરાડ દેખાઈ હતી. કામમાં ભવિષ્યમાં નુકસાન ન થાય તે માટે તેમણે પોતે જ કારીગરોને બોલાવીને તે ભાગ દૂર કરાવી નવેસરથી મજબૂત કામગીરી કરાવવાની સૂચના આપી હતી. ​રાજકીય ગરમાવો અને સનાતન ધર્મનો મુદ્દો ​મેહુલભાઈએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે શહેરમાં કુલ પાંચ પ્રતિમાઓનું અનાવરણ કરવામાં આવ્યું છે, જેમાં આખું શહેર ઉત્સાહભેર જોડાયું હતું. જે લોકો સનાતનની વાતો કરે છે તેઓ આવા કાર્યક્રમોમાં હાજર રહેતા નથી અને માત્ર ખોટા વિવાદો ઊભા કરે છે.આમ હાલમાં કેશોદમાં વિકાસના કામોમાં ગુણવત્તા અને શ્રદ્ધા વચ્ચેની આ લડાઈએ જોર પકડ્યું છે.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 12:36 pm

મોડાસાની માણેકબા સોસાયટીમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ:જાંપો કૂદી ચોર બંધ મકાનમાં ઘૂસ્યા, પાડોશી જાગી જતાં તસ્કરો ફરાર; ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

મોડાસા શહેરની માણેકબા સોસાયટીમાં ગત રાત્રિએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. તસ્કરો એક બંધ મકાનમાં પ્રવેશ્યા હતા, પરંતુ પાડોશીઓ જાગી જતાં તેઓ ભાગી છૂટ્યા હતા. પશ્ચિમ વિસ્તારમાં આવેલી માણેકબા સોસાયટીમાં ભાડુઆતનું એક બંધ મકાન નિશાન બન્યું હતું. તસ્કરો મકાનનો જાંપો કૂદીને અંદર પ્રવેશ્યા હતા.ઘરમાં ખખડાટ થતાં આસપાસના રહીશો જાગી ગયા હતા. બુમાબુમ થતાં તસ્કરો ચોરી કર્યા વિના જ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 12:31 pm

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર માનવ મહેરામણ ઉભરાયો:હોળી પર 18,000થી વધુ પરપ્રાંતીયો 5 સ્પેશિયલ ટ્રેનમાં વતન રવાના; રાત્રિના પણ લાંબી લાઈન

હીરાનગરી અને ટેક્સટાઈલ હબ તરીકે જાણીતું સુરત શહેર આજે ફરી એકવાર મિની ભારતનો નઝારો રજૂ કરી રહ્યું છે. હોળી અને ધુળેટીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સુરતમાં રોજગારી અર્થે વસતા પરપ્રાંતીય શ્રમિકો અને કારીગરોમાં પોતાના વતન પહોંચવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા અભૂતપૂર્વ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આજે 1 માર્ચને રવિવારના વહેલી સવારથી જ ઉધના રેલવે સ્ટેશન 'મિની બિહાર'માં ફેરવાઈ ગયું હતું. હજારોની સંખ્યામાં લોકો પોતાના પરિવાર અને સામાન સાથે વતન જવા માટે સ્ટેશન પર ઉમટી પડ્યા હતા. 'અંત્યોદય એક્સપ્રેસ'માં સૌથી વધુ ભીડ જોવા મળીશ્રમિક વર્ગ માટે આશીર્વાદ સમાન ગણાતી 'અંત્યોદય એક્સપ્રેસ'માં આજે સૌથી વધુ ભીડ જોવા મળી હતી. આ સંપૂર્ણ જનરલ કોચ ધરાવતી ટ્રેનમાં પગ મૂકવાની પણ જગ્યા નહોતી. તેવી જ રીતે, આધુનિક સુવિધાઓથી સજ્જ 'અમૃત ભારત' ટ્રેનમાં પણ મુસાફરોનો ભારે ધસારો રહ્યો હતો. રેલવે સુરક્ષા દળ અને જીઆરપીના જવાનોએ શાંતિપૂર્ણ રીતે લોકોને ટ્રેનમાં બેસાડવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. વધારાના કોચ અને સ્પેશિયલ ટ્રેનોનું આયોજનડી.આર.એમ. પંકજ સિંહે વધુમાં ઉમેર્યું હતું કે, અમે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. જો મુસાફરોની સંખ્યા હજુ વધશે, તો અમારી પાસે વધારાના કોચ (રેક) મેન્ટેનન્સ સાથે સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. જરૂર પડ્યે તાત્કાલિક ધોરણે વધારાની સ્પેશિયલ ટ્રેનો પણ દોડાવવામાં આવશે. સાંજના સમયે રક્સૌલથી આવતી ટ્રેનો જે અહીંથી પરત ફરવાની છે, તેમાં પણ મુસાફરોને વતન મોકલવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉધના સ્ટેશન પર પીવાના પાણી, પ્રાથમિક આરોગ્ય અને હેલ્પ ડેસ્ક જેવી સુવિધાઓ કાર્યરત કરવામાં આવી છે જેથી કરીને આ કાળઝાળ ગરમીમાં મુસાફરોને હાલાકી ન ભોગવવી પડે. તહેવાર તો પરિવાર સાથે જ ઉજવવાની મજા આવેઃ મુસાફરવતન જઈ રહેલા એક મુસાફરે જણાવ્યું કે, સુરત અમને રોજીરોટી આપે છે, પણ હોળીનો તહેવાર તો વતનમાં પરિવાર અને મિત્રો સાથે જ ઉજવવાની મજા આવે છે. ટ્રેનમાં ભીડ તો ઘણી છે, પણ રેલવેની આ સ્પેશિયલ ટ્રેનોને કારણે અમને ટિકિટ મળી ગઈ અને અમે ઘરે પહોંચી શકીશું તેનો આનંદ છે. રેલવેના પ્લાનિંગથી અંધાધૂંધી ટળીસુરતના કાપડ ઉદ્યોગ અને બાંધકામ ક્ષેત્રે જોડાયેલા હજારો શ્રમિકો દર વર્ષે હોળી પર સામૂહિક રીતે વતન જાય છે, જેના કારણે સુરત રેલવે સ્ટેશન અને ઉધના રેલવે સ્ટેશન પર દર વર્ષે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે. જોકે, આ વર્ષે રેલવે તંત્રએ એડવાન્સ પ્લાનિંગ કરીને અંધાધૂંધી ટાળવાનો પૂરો પ્રયાસ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળી અને છઠ પર જે રીતે મુસાફરોની લાઈનો લાગી હતી તેના પરથી બોધ પાઠ લઈને હોળી અને ધુળેટીના તહેવાર પર આગોતરું આયોજન કરીને રેલવે વિભાગે સરળતાથી લોકો અને પોતાના માર્ગરે વતન રવાના કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 12:19 pm

વેરાવળમાં ભૈરવનાથ દાદાની 30 ફૂટ ઊંચી પ્રતિમા ખુલ્લી મૂકાશે:ભોઈ સમાજ દ્વારા નિર્મિત થઈ રહી છે ઇકોફ્રેન્ડલી મૂર્તિ; સોમવારે સાંજથી દર્શન કરી શકાશે

વેરાવળમાં ભોઈ સમાજ દ્વારા હોળી પર્વ નિમિત્તે શ્રી ભૈરવનાથ દાદાની 30 ફૂટ ઊંચી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવે છે. 80 ફૂટ રોડ પર આવેલી શારદા (ભોઈ) સોસાયટીમાં આ પ્રતિમાના દર્શન માટે શહેર અને પંથકમાંથી હજારો લોકો ઉમટી પડે છે. કાલભૈરવનાથ ભગવાન શંકરનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે. આ વર્ષે પણ ભોઈ સમાજ દ્વારા તા. 1, રવિવારના રોજ પથ્થર, માટી અને કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને 30 ફૂટ ઊંચી ઇકો-ફ્રેન્ડલી પ્રતિમા બનાવવાની શરૂઆત કરવામાં આવશે. આ પ્રતિમા તા. 2, સોમવારની સવારથી લોકોના દર્શનાર્થે ખુલ્લી મુકવામાં આવશે. આ પરંપરા લગભગ 350 વર્ષ જૂની છે, જે ફાનસ યુગથી વેરાવળમાં હોળી અને ધુળેટીના તહેવાર નિમિત્તે ભૈરવનાથ દાદાની પ્રતિમા બનાવવામાં આવે છે. ભોઈ સમાજ પાસે આશરે 115 વર્ષ જૂના ભૈરવનાથ દાદાના ફોટા પણ તેના પુરાવા રૂપે ઉપલબ્ધ છે. લોકો ભૈરવનાથ દાદામાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે અને વિવિધ માનતાઓ રાખે છે, જેમાં નિઃસંતાન દંપતીઓ સંતાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે. ભોઈ સમાજની પેઢીઓ દ્વારા આ પરંપરા જાળવી રાખવામાં આવી છે. આધુનિક યુગમાં પણ સમાજના યુવાનો દ્વારા આ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ઉત્સવ નિમિત્તે યુવાનોની અલગ અલગ ટીમો બનાવીને તૈયારીઓની કામગીરી સોંપવામાં આવે છે. હોળીના આગલા દિવસથી પ્રતિમા બનાવવાની શરૂઆત થાય છે અને તૈયાર થયા બાદ તેને રંગબેરંગી કાગળોથી શણગારવામાં આવે છે. હોળીના દિવસે સવારથી ભૈરવનાથ દાદાની પ્રતિમા દર્શન માટે ખુલ્લી મુકાય છે, જ્યાં હજારો લોકો દર્શન કરી ધન્યતા અનુભવે છે અને મોડી રાત સુધી દર્શનાર્થીઓની લાંબી કતારો લાગે છે. સમાજ દ્વારા સમગ્ર વિસ્તારને રોશનીથી શણગારવામાં આવે છે. યુવાનો દ્વારા ઠેર ઠેર શરબત અને પ્રસાદીના સ્ટોલ પણ ગોઠવવામાં આવે છે. ભોઈ સમાજના પ્રમુખ હરગોવિંદ વાજા અને ઉપપ્રમુખ હસમુખ ડોલરીયાએ જણાવ્યું હતું કે, શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તેની તકેદારી રાખવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજની આગેવાની હેઠળ અલગ અલગ ટીમોને કામગીરી સોંપી ભવ્યતાથી હોલિકા ઉત્સવ મનાવવાનું આયોજન કરાયું છે.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 12:16 pm

જાહેરમાં જુગાર રમતા 5 ગેમ્બલરો ઝડપાયા:સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં હાર-જીતનો જુગાર રમતા હતા અને પોલીસે રેડ પાડી, જુગાર ધારાની કલમો હેઠળ ગુનો નોંધાયો

ભાવનગર વરતેજ પોલિસે શામપરા સીદસર નજીક પાળા પાસે દરોડો પાડી ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં હારજીતનો જુગાર રમતા 5 ગેમ્બલરોને પોલીસે રોકડ સહિત મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. તમામ વિરુદ્ધ વરતેજ પોલીસ મથકમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જાહેરમાં જુગાર રમતા જુગારીઓને રંગેહાથ ઝડપ્યાઆ અંગે વરતેજ પોલિસ મથકેથી મળતી માહિતી અનુસાર, વરતેજ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, વરતેજના શામપરા સીદસર નજીક પાળા પાછળ ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેર જગ્યામાં કેટલીક વ્યક્તિઓ જાહેરમાં ગંજીપત્તાના પાના વડે હાર-જીતનો જુગાર રમે છે. જે પોલીસને મળેલી બાતમી આધારે સ્થળ પર રેડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પવન પ્રવિણભાઇ મકવાણા, જીતુ પોપટભાઈ પરમાર, ઇરફાન અલીભાઈ શેખ, વશરામ બાબુભાઇ ગોહિલ, મુકેશ વલ્લભભાઈ પરમારને ગંજીપત્તા અને રોકડ રૂ. 12,700 સાથે ઝડપી પાડવામાં આવ્યા. કુલ 12,700નો મુદામાલ પોલીસે કબ્જે કરી અને શખ્સો વિરુદ્ધ વરતેજ પોલિસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 12:05 pm

બોટાદમાં સ્વદેશી મેળાનું આયોજન:2 માર્ચે રાજુ જીન પાસે યોજાશે, સખી મંડળની બહેનોને જોડાવવા નગરપાલિકાની અપીલ

બોટાદ નગરપાલિકા દ્વારા એક સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો 2 માર્ચ, 2026 ના રોજ યોજાશે. મેળાનું આયોજન બોટાદ શહેરના પાળીયાદ રોડ પર આવેલા જલમીન ટોકીઝ પાસે રાજુ જીન (ખાતે કરવામાં આવ્યું છે. નગરપાલિકાએ સ્વદેશી કલાકૃતિ બનાવનાર કલાકારો, સ્વદેશી વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓ અને સખી મંડળની બહેનોને આ મેળામાં જોડાવા માટે ખાસ અપીલ કરી છે. નાગરિકોને પણ મોટી સંખ્યામાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 12:02 pm

નવસારીમાં 26 કરોડના વિકાસકાર્યોનું ભૂમિપૂજન:ધારાસભ્ય આર.સી. પટેલની ગેરહાજરીથી ભાજપનો આંતરિક વિખવાદ છતો થયો

જલાલપોર ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે, આ સરકારી કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય અને નારાજ કાર્યકરોની ગેરહાજરીએ જિલ્લાના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક ગજગ્રાહ હવે જાહેરમાં આવતા સંગઠન સામે સવાલો ઊભા થયા છે. વિકાસકાર્યોની રૂપરેખા જલાલપોર તાલુકાના સર્વાંગી વિકાસ માટે કુલ 26 કરોડના ખર્ચે વિવિધ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, તાલુકા સેવા સદન: 8 કરોડના ખર્ચે નિર્માણ પામનાર નૂતન ભવનનું ભૂમિપૂજન. ખારાશ નિયંત્રણ: દરિયાઈ ખારાશ રોકવા માટે ચેકડેમ કમ ટાઇડલ રેગ્યુલેટર ડેમનું નિર્માણ. વિકાસ વાટિકા: વર્ષ 2024-25 ની સિદ્ધિઓ વર્ણવતી પુસ્તિકાનું મહાનુભાવો દ્વારા વિમોચન. આ કાર્યક્રમમાં રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ અને નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંગઠનમાં વિખવાદની સીધી અસરવિકાસના આ કાર્યક્રમ વચ્ચે જલાલપોર ભાજપમાં ચાલી રહેલો અસંતોષ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. સ્થાનિક ધારાસભ્ય આર.સી. પટેલ અને તેમના જૂથના કોઈ પણ સમર્થકો કે અગ્રણીઓ કાર્યક્રમમાં ડોકાયા નહોતા. ગેરહાજરીનું કારણ: જિલ્લા ભાજપ સંગઠનની નવી નિમણૂકોમાં પક્ષપાત થતો હોવાના આક્ષેપ સાથે કાર્યકરોએ મોરચો માંડ્યો છે. અગાઉ સામૂહિક રાજીનામાં આપનારા જલાલપોર તાલુકા પંચાયતના સભ્યો પણ આ કાર્યક્રમથી દૂર રહ્યા હતા, જે દર્શાવે છે કે પાયાના કાર્યકરો અને જિલ્લા સંગઠન વચ્ચેની ખાઈ વધુ ઊંડી થઈ છે. કેન્દ્રીય મંત્રીની હાજરીમાં જ સ્થાનિક નેતાગીરીના આ બહિષ્કારે આગામી દિવસોમાં રાજકીય ગરમાવો વધવાના સંકેત આપ્યા છે.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 11:44 am

રાજુ કરપડાએ સુરેન્દ્રનગરના ખાટડી ગામે સભા યોજી:આપમાંથી રાજીનામા બાદ બીજી 'કિસાન ક્રાંતિ સભા'; કયા પક્ષમાં જોડાવું તે અંગે સૂચનો માંગ્યા

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ખાટડી ગામે ખેડૂત આગેવાન રાજુ કરપડાએ મોડી રાત્રે કિસાન ક્રાંતિ સભા યોજી હતી. આમ આદમી પાર્ટી (AAP) માંથી રાજીનામું આપ્યા બાદ આ તેમની બીજી સભા હતી. આ સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. રાજુ કરપડા પોતાની શક્તિ પ્રદર્શન કરી રહ્યા હોય તેમ વારંવાર સભાઓ યોજી રહ્યા છે. આ પહેલા તેમણે મુળીના ગઢાડ ગામે પ્રથમ સભા યોજી હતી. સભા દરમિયાન રાજુ કરપડાએ ખેડૂતો પાસેથી કયા પક્ષમાં જોડાવું તે અંગે સૂચનો માંગ્યા હતા. જોકે, હાજર ખેડૂતોએ જણાવ્યું હતું કે તેઓ જે પક્ષમાં જાય તે તેમને મંજૂર છે. પોતાના પ્રવચન દરમિયાન રાજુ કરપડાએ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોની આલોચના કરી હતી. તેમણે સિંચાઈનું પાણી, ખેતરોમાંથી પસાર થતી હાઈ ટેન્શન લાઈનના થાંભલા માટે પૂરતું વળતર ચૂકવવું, સહિતના ખેડૂતોના અનેક પ્રશ્નો સરકાર સમક્ષ રજૂ કરવાની વાત કરી હતી. કરપડાએ જણાવ્યું હતું કે, જો ભાજપ સરકાર ખેડૂતોની માંગણીઓ નહીં સ્વીકારે તો તેઓ સતત આઠ વર્ષથી ભાજપ સામે લડ્યા છે અને આવનારા દિવસોમાં પણ પૂરી તાકાતથી લડશે. તેમણે એમ પણ કહ્યું કે જો સરકાર માંગણીઓ નહીં સ્વીકારે તો કોંગ્રેસ પક્ષમાં જઈને પણ લડત લડશે, અથવા બંને પક્ષોમાં નહીં જાય તો જગતના તાત ખેડૂતો સાથે રહીને સરકાર સામે લડશે. આવનારા સમયમાં રાજુ કરપડા ભાજપનો કેસરીયો ધારણ કરે છે કે પછી કોંગ્રેસનો પંજો પકડે છે, તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 11:37 am

સરકારે નગરપાલિકાઓ માટે જમીન માપદંડ નક્કી કર્યા:ટાઉનહોલ સહિત 11 સુવિધા માટે જમીનની જરૂરિયાત નિર્ધારિત

રાજ્ય સરકારે નગરપાલિકાઓ માટે ટાઉન હોલ (મલ્ટીપર્પઝ હોલ) સહિત 11 આવશ્યક નાગરિક સુવિધાઓ માટે જમીનના માપદંડો નક્કી કર્યા છે. શહેરી અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આ નિર્ણય લેવાયો છે, જેથી નગરપાલિકાઓ પાસે પોતાની માલિકીની જમીન ન હોવા અને જમીનની કિંમત ચૂકવવા ભંડોળની તંગી હોવા છતાં લોકહિતના વિકાસ કાર્યો અટકે નહીં. નવા માપદંડો મુજબ, ટાઉન હોલ માટે 500 લોકોની ક્ષમતા માટે 1000 થી 2000 ચોરસ મીટર, 750 લોકોની ક્ષમતા માટે 2000 થી 3000 ચોરસ મીટર અને 1000 લોકો સુધીની ક્ષમતા માટે 3000 થી 4000 ચોરસ મીટર જમીન જરૂરી છે. 'અ' વર્ગની પાટણ નગરપાલિકા જો કન્વેન્શન સેન્ટર બનાવવા માંગે તો 6500 થી 7000 ચોરસ મીટર જમીન હોવી જોઈએ. પાટણ શહેરના પશ્ચિમ વિસ્તારમાં નવા ટાઉન હોલની માંગણી ઉઠી છે, જેના માટે 3000 થી 4000 ચોરસ મીટર સરકારી પડતર જમીનની જરૂરિયાત છે. અગાઉ, પાટણના પૂર્વ વિસ્તારમાં રૂ. 16 કરોડના ખર્ચે ટાઉન હોલ બનાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને કામ શરૂ થવાની રાહ જોવાઈ રહી છે. સરકારના નિયમ મુજબ, પાટણ સહિતની નગરપાલિકાઓ ટાઉન હોલ અથવા કન્વેન્શન સેન્ટરના બાંધકામ પૈકી કોઈપણ એક હેતુ માટે જ દરખાસ્ત કરી શકશે. જોકે, 'અ' વર્ગની પાટણ નગરપાલિકા વધુમાં વધુ બે યુનિટ માટે દરખાસ્ત કરી શકે છે. મહેસૂલ વિભાગના ઠરાવ મુજબ, નગરપાલિકા વિસ્તારમાં 11 આવશ્યક નાગરિક સુવિધાઓ માટે સરકારી પડતર અથવા ગૌચર જમીન ફાળવવાનું નક્કી કરાયું છે. આ 11 હેતુઓમાં નગર સેવાસદન, ફાયર સ્ટેશન, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ભૂગર્ભ ગટર ડ્રેનેજ, વોટર સપ્લાય પ્રોજેક્ટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ, સ્ટ્રોમ વોટરની કામગીરી અને ટાઉન હોલનો સમાવેશ થાય છે. પાટણ પાલિકા પાસે ઉપરોક્ત તમામ 11 હેતુઓ લગભગ સંતોષાયેલા છે, પરંતુ પશ્ચિમ વિસ્તારમાં નવા ટાઉન હોલની માંગણી સંતોષવા માટે 1000 થી 5000 ચોરસ મીટર જમીનનો માપદંડ જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 11:31 am

'મક્કામાં ગયેલા 700થી વધુ ગુજરાતીઓ યુદ્ધની સ્થિતિ વચ્ચે ફસાયા':વડોદરાના યાત્રાળુએ વીડિયો સંદેશ મોકલી ચિંતા વ્યક્ત કરી; 'યુદ્ધ જલ્દી બંધ થાય તેવી પ્રાર્થના'

28 ફેબ્રુઆરીને શનિવારે સવારે (ભારતીય સમય મુજબ) ઇઝરાયલે ઇરાનની રાજધાની તેહરાન સહિત અનેક શહેરો પર હુમલો કર્યો. જેના વળતા જવાબમાં, ઇરાને ઇઝરાયલ પર બદલો લેવા માટે કતાર, બહેરીન અને કુવૈત જેવા સાત દેશો પર આશરે 400 મિસાઇલો છોડી હતી. બહેરીનમાં હાલ તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે. બહેરીનની રાજધાની મનામા અને તેની આસપાસના વિસ્તારોમાં થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટને કારણે ત્યાં રહેતા ગુજરાતીઓમાં ફફડાટ ફેલાયો છે. વડોદરાથી પવિત્ર રમઝાન માસ દરમિયાન મક્કા-મદીના ખાતે ઉમરાહની બંદગી કરવા ગયેલા ફારૂક સોનીએ 'દિવ્ય ભાસ્કર' સાથેની ખાસ વાતચીતમાં ત્યાંની પરિસ્થિતિ સાથે ચિંતા વ્યક્ત કરી હતી. ઈરાન એરસ્પેસ પરના પ્રતિબંધો વચ્ચે 410 ફ્લાઈટ્સ રદદુબઈ એરસ્પેસ બંધ થવાની અસર ભારત પર જોવા મળી છે. ઈરાન એરસ્પેસ પરના પ્રતિબંધો વચ્ચે 410 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. ભારતે પશ્ચિમ એશિયા એરસ્પેસ પરના પ્રતિબંધોને કારણે 400થી વધુ ફ્લાઈટ્સ રદ કરી. દુબઈ દરરોજ 2000થી વધુ ફ્લાઈટ્સ હેન્ડલ કરે છે. ગલ્ફ રિજન એશિયા-યુરોપ-આફ્રિકા-નોર્થ અમેરિકાને જોડતો એક મહત્વપૂર્ણ એવિએશન કોરિડોર છે. ઈન્ડિગોએ અલ્માટી, બાકુ, તાશ્કંદ, ત્બિલિસીની ફ્લાઈટ્સ રદ કરી છે. આ સસ્પેન્શન 28 માર્ચ સુધી લંબાવવામાં આવ્યું છે. રવિવારે સતત બીજા દિવસે પણ અમેરિકા અને ઇઝરાયલના ઇરાન પર હુમલા ચાલુ છે. ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે મિડલ ઈસ્ટમાં પરિસ્થિતિ ઝડપથી બગડી ગઈ છે. વિમાન સેવા બંધ થવાની અસર દુબઈથી ભારત સુધી અનુભવાઈ રહી છે. ગુજરાતના અંદાજે 700થી 800 લોકો મક્કામાં હાજરઆ દરમિયાન પવિત્ર રમઝાન માસ દરમિયાન મક્કા-મદીના ખાતે ઉમરાહની બંદગી માટે ગયેલા ગુજરાતના યાત્રાળુઓ હાલમાં યુદ્ધની ગંભીર સ્થિતિને કારણે ચિંતામાં મુકાયા છે. વડોદરાના યાત્રાળુ ફારૂકભાઈ સોનીએ મક્કાથી એક વીડિયો સંદેશ મોકલીને ત્યાંની વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપી હતી. હાલમાં ગુજરાતના અંદાજે 700થી 800 લોકો મક્કામાં હાજર છે, જેઓ યુદ્ધના કારણે સર્જાયેલા તણાવ અને મુસાફરીમાં આવતા અવરોધોને પગલે પોતાના વતનમાં રહેલા પરિવારજનો માટે પણ ચિંતિત છે. 'મક્કામાં ફસાયેલા લોકોના સગા વ્હાલા ચિંતિત છે'ફારૂક સોનીએ મક્કાથી મોકલેલા વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, અત્યારે પવિત્ર રમઝાન માસ ચાલુ છે અને હું બંદગી કરવા બે દિવસથી મક્કામાં આવ્યો છું. સાથે અહીં ગુજરાતના 700થી 800 લોકો છે અને બીજા જે આજે આવવાના હતા તે યુદ્ધની પરિસ્થિતિના કારણે આવી નથી શક્યા. હોટલની અંદર લોકો ચિંતિત છે, કોઈના સગા વ્હાલા આવવાના બાકી છે તેઓ તેમની દવા લઈને આવવાના હતા તે પણ આવી નથી. સાઉદીની મક્કામાં અત્યારે જલ્દી યુદ્ધ બંધ થાય અને લોકોને કોઈ મુશ્કેલી ન થાય તેવી દુઆઓ ચાલુ છે. યુદ્ધના કારણે અમે ખૂબ જ ચિંતિત અને ગભરાયેલા છીએઅન્ય ફસાયેલા એક ભારતીયએ વીડિયો સંદેશ આપતા જણાવ્યું હતું કે, મારું નામ ઇકરામ છે અને અમે મુંબઈથી આવ્યા છીએ. અમે અહીં પવિત્ર 'ઉમરાહ'ની યાત્રા પૂર્ણ કરવા માટે આવ્યા છીએ. અચાનક અમારી ફ્લાઈટ રદ્દ કરી દેવામાં આવી છે. આના કારણે અમે ખૂબ જ ચિંતિત અને ગભરાયેલા છીએ. હજુ ઘણા હાજ યાત્રીઓ આવવાના છે. જો ફ્લાઈટ સેવા આ રીતે જ બંધ રહેશે, તો આગળ શું થશે અને યાત્રીઓનું શું થશે, તે અંગે અત્યારે કંઈ જ સમજાતું નથી. અત્યાર સુધી અમને આ બાબતે કોઈ જ લેટેસ્ટ અપડેટ કે માહિતી મળી નથી, જેના કારણે અનિશ્ચિતતાનો માહોલ છે.​ મક્કા મુહમ્મદ પયગંબરનું જન્મસ્થળમક્કાજે સત્તાવાર રીતે મક્કા અલ-મુકરમાહ તરીકે ઓળખાય છેતે સાઉદી અરેબિયાના હેજાઝી પ્રદેશમાં આવેલું ઇસ્લામનું સૌથી પવિત્ર શહેર અને મુહમ્મદ પયગંબરનું જન્મસ્થળ છે. આ શહેર મક્કા પ્રાંતની રાજધાની છે અને દર વર્ષે લાખો મુસ્લિમો હજ યાત્રા માટે અહીં આવે છે. 'જેદાહ એરપોર્ટ પર ફસાયેલા લોકોને ભારત સલામત રીતે લાવવાની વ્યવસ્થા કરવામાં આવે'જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કહ્યું હતું કે, અમદાવાદ અને ગુજરાતના અન્ય શહેરોમાંથી રમઝાન ઉમરાહ માટે ગયેલા યાત્રીકો જેદાહ એરપોર્ટ પર ફસાયેલા છે. જેઓને પરત લાવવા માટે સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે. પીએમને હું વિનંતી કરું છું કે,તમે તાત્કાલીક વિદેશ મંત્રાલયનો સંપર્ક કરી તેઓને ભારત લાવવાની વ્યવસ્થા કરવામાં આવે. ત્યાં ફસાયેલા લોકો અને અહં તેના પરિવારજનો ચિંતિત છે.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 11:27 am

પ્રભાસ પાટણમાં 24 કલાકમાં 6 પ્રસુતિ, 3 ઓપરેશન:સામૂહિક આરોગ્ય કેન્દ્રની ટીમની સરાહનીય કામગીરી

સોમનાથ-પ્રભાસ પાટણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડોક્ટર નયન કછોટ અને તેમની ટીમે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. છેલ્લા 24 કલાકમાં અહીં 6 સલામત પ્રસુતિઓ અને 3 સ્ત્રીરોગ સંબંધિત ઓપરેશનો સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા છે. એક નાના આરોગ્ય કેન્દ્રમાં આટલી મોટી સંખ્યામાં કેસ સંભાળવા પડકારજનક હતા. તેમ છતાં, ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફે નોકરીનો સમય પૂર્ણ થયા બાદ પણ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક ચાલુ રાખી હતી. તેમણે દાખલ થયેલ બહેનોની કાળજી લીધી અને સુરક્ષિત સારવાર સુનિશ્ચિત કરી. આ સફળ કામગીરીને કારણે હોસ્પિટલના વોર્ડમાં નવજાત શિશુઓના કિલકિલાટ અને પરિવારજનોના ઉત્સાહથી ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. પ્રભાસ પાટણ જેવા નાના શહેરમાં આ પ્રકારની તાત્કાલિક અને ગુણવત્તાસભર સેવા ઉપલબ્ધ થવી સ્થાનિક નાગરિકો માટે અત્યંત લાભદાયી સાબિત થઈ છે. આ કામગીરીથી ગુજરાતના આરોગ્યતંત્રની સકારાત્મક છાપ ઊભી થઈ છે. દર્દીઓએ દવાખાનાની સેવાઓ પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો છે. ડોક્ટરો અને સ્ટાફે ફરજનિષ્ઠા, સેવાભાવ અને પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 11:23 am

'અમેરિકાની તાકાતનો પરચો જોવા તૈયાર રહેજો', ઈરાનની સૌથી મોટા હુમલાની ધમકી પર ટ્રમ્પનું રિએક્શન

Iran va Israel-US War Updates : મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ તણાવ અને ઈરાન દ્વારા અપાયેલી ઈતિહાસના સૌથી વિનાશક હુમલાની ધમકી બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યંત કડક શબ્દોમાં વળતો જવાબ આપ્યો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા દ્વારા ઈરાનને ખુલ્લી ચેતવણી આપી છે કે જો તેઓ હુમલો કરશે, તો અમેરિકા એવી તાકાતથી જવાબ આપશે જે વિશ્વએ પહેલા ક્યારેય જોઈ નથી. ડોનાલ્ડ ટ્રમ્પનો વળતો પ્રહાર ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈની વરણી અને ઈરાની સેના દ્વારા અમેરિકાના સૈન્ય બેઝ પર હુમલાની ધમકી બાદ પ્રમુખ ટ્રમ્પે આક્રમક વલણ અપનાવ્યું છે.

ગુજરાત સમાચાર 1 Mar 2026 11:15 am

માલવણમાં હિન્દુ સંમેલન યોજાયું:સમાજમાં એકતા જાળવી હિન્દુ વિરોધી ગતિવિધિઓનો પ્રતિકાર કરવા સંતો-વક્તાઓનું આહવાન

માલવણ મંડલ હિન્દુ સંમેલન સમિતિ દ્વારા માલવણમાં હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં પીપળી ધામ જગ્યાના મહંત ભક્તરાજ વાસુદેવ મહારાજ, ગેડીયા જગ્યાના ભાવી મહંત ભગવાનદાસ બાપુ અને અખિયાણા સતનામ જગ્યાના મહંત રણછોડદાસ બાપુ ઉપસ્થિત રહ્યા હતા. હિન્દુ જાગરણ મંચના સંયોજક અર્જુનસિંહ મકવાણા મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા હતા. પૂજ્ય સંતોએ સમાજ જાગરણ પર ભાર મૂક્યો હતો. તેમણે કુટુંબમાં એકતા, ધાર્મિક વાતાવરણનું નિર્માણ, જાતિગત ભેદભાવ દૂર કરવા, તેમજ દેશપ્રેમી અને પર્યાવરણપ્રેમી બનવા માટે સમાજને આહવાન કર્યું હતું. મુખ્ય વક્તા અર્જુનસિંહ મકવાણાએ સમાજને એકતા જાળવી રાખવા, શક્તિશાળી બનવા અને હિન્દુ વિરોધી તમામ ગતિવિધિઓનો એક બની પ્રતિકાર કરવા જણાવ્યું હતું. આ સંમેલનમાં માલવણ અને આસપાસના 10 ગામોમાંથી કુલ 1300 જેટલા લોકો, જેમાં માતાઓ, વડીલો, ભાઈઓ, બહેનો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉમા સંકુલ માલવણ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે, સૌએ સાથે મળીને ભારતમાતાની આરતી કરી અને ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 11:10 am

જામનગરમાં સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઇવ:831 વાહનોનું ચેકિંગ, 68,500 રૂપિયાનો દંડ વસૂલાયો;27 વાહનો ડિટેઇન કરાયા

જામનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના નિર્દેશ હેઠળ એક વિશેષ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત 28 ફેબ્રુઆરી, 2026ના રોજ યોજાયેલી આ ડ્રાઇવ દરમિયાન 831 વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને નિયમભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ ડ્રાઇવમાં મોટર વાહન અધિનિયમ (M.V. Act) કલમ-207 હેઠળ 27 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, કેફી પીણું પીધેલી હાલતમાં વાહન ચલાવતા 12 શખ્સો સામે કલમ-185 હેઠળ કેસ નોંધવામાં આવ્યા હતા. કારમાં બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગરના વાહનો અને ફેન્સી નંબર પ્લેટ ધરાવતા કુલ 123 કેસ કરવામાં આવ્યા હતા. મોટર વાહન અધિનિયમ હેઠળ 79 કેસમાં કુલ 68,500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત, હથિયારબંધીના જાહેરનામા ભંગના 5 કેસ અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ પણ ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. આ કામગીરીમાં મદદનીશ પોલીસ અધિક્ષક (લાલપુર વિભાગ), નાયબ પોલીસ અધિક્ષક (શહેર/ગ્રામ્ય), એલ.સી.બી., એસ.ઓ.જી., ટ્રાફિક શાખા તેમજ તમામ પોલીસ સ્ટેશનના પી.આઈ. અને પી.એસ.આઈ. સહિતનો સ્ટાફ જોડાયો હતો.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 11:04 am

ધીરજરામબાપાની 93મી જન્મજયંતી ઉજવાઈ:લીંબડીયાના સાત હનુમાન આશ્રમ ખાતે ભક્તોએ શ્રદ્ધાંજલિ અર્પી

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના લીંબડીયા ગામ નજીક આવેલા સાત હનુમાન આશ્રમ ખાતે આશ્રમના મહંત સ્વર્ગસ્થ ધીરજરામબાપાની 93મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે આશ્રમ દ્વારા રામધૂન અને સંતવાણીનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ધીરજરામબાપાને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ઉજવણીના ભાગરૂપે સંતો-મહંતો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં ધર્મસભા યોજાઈ હતી. આ સભામાં બાપાના જીવનચરિત્ર પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 11:00 am

ગઢડાના ઉગામેડી ગામે પાર્કિંગ વિવાદ બાદ મારામારી:પાવભાજી દુકાનદાર પર પાઈપથી હુમલો, જાનથી મારી નાખવાની ધમકી, ત્રણ સામે ગુનો નોંધી તપાસ શરૂ

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઉગામેડી ગામે બસ સ્ટેન્ડ પાસે પાર્કિંગ મુદ્દે મારામારીની ઘટના બની છે. ભૈરવનાથ પાવભાજીના દુકાનદાર રાજુભાઈ જાટ પર ત્રણ લોકોએ હુમલો કર્યો હોવાનો આરોપ છે. રાજુભાઈ જાટના જણાવ્યા અનુસાર, તેમની દુકાન સામે કાર પાર્ક કરવા બાબતે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી બાદ હિંમતભાઈ નાગજીભાઈ, તેમના પુત્ર લાલાભાઈ ઉર્ફે લાલો અને તેમની પત્નીએ મળીને તેમના પર હુમલો કર્યો હતો. આરોપ મુજબ, લાલાભાઈએ પ્લાસ્ટિકની પાઇપ વડે રાજુભાઈને માર માર્યો હતો, જ્યારે હિંમતભાઈએ તેમનો કાઠલો પકડીને લાફા માર્યા હતા. હુમલા દરમિયાન તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ ઘટના અંગે રાજુભાઈ જાટે ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બી.એન.એસ. કલમ 115(2), 352, 351(3), 54 તથા જી.પી. એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 10:56 am

યુદ્ધ વચ્ચે ઈરાન-ઈઝરાયલ સહિત 6 દેશોના વિદેશમંત્રીઓ સાથે જયશંકરની ટેલિફોનિક વાતચીત, તણાવ ઘટાડવા અપીલ

India Diplomacy: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધી રહેલા સૈન્ય સંઘર્ષે સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો કર્યો છે. મધ્ય પૂર્વમાં સર્જાયેલી આ ગંભીર સ્થિતિ વચ્ચે ભારત 'બેલેન્સિંગ એક્ટ' ની વ્યૂહરચના સાથે મેદાનમાં ઉતર્યું છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે છેલ્લા 24 કલાકમાં ઈરાન અને ઈઝરાયલ સહિત કુલ 6 દેશોના વિદેશ મંત્રીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી તણાવ ઘટાડવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે. ઈઝરાયલ અને ઈરાન સાથે સીધો સંવાદ

ગુજરાત સમાચાર 1 Mar 2026 10:36 am

‘મને કંઈપણ થશે, તેની જવાબદારી અનંત પટેલની રહેશે’:ધારાસભ્ય સામે જમીન પચાવી પાડવાનો આક્ષેપ; ફરિયાદીએ પરિવારને ધમકી મળ્યાનો દાવો કર્યો

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સિંણધઈ ગામે પૈતૃક જમીન વિવાદે જોર પકડ્યું છે. આ મામલે ફરિયાદી સાધના પટેલે પ્રદેશ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. સાધના પટેલે દાવો કર્યો છે કે તેમને અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. સાધના પટેલે એક વીડિયો જાહેર કરીને આક્ષેપ કર્યો છે કે તેમના દાદાની જમીન પહેલા તેમના સાવકા કાકાએ અને ત્યાર બાદ ધારાસભ્ય અનંત પટેલે પચાવી પાડી છે. ગઈકાલે આ વિવાદિત જમીન પર ધારાસભ્ય અનંત પટેલના પત્ની વૈશાલીબેન સફાઈ કરતા જોવા મળ્યા હતા. જ્યારે સાધનાબેને તેમને ત્યાં આવવાની મનાઈ કરી, ત્યારે વૈશાલીબેને જમીનના કાગળો બતાવવાનું કહ્યું. આ મામલે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. સાધના પટેલે વીડિયોમાં પ્રશ્ન ઉઠાવ્યો છે કે, જો ધારાસભ્ય અનંત પટેલે મામલતદાર સમક્ષ નિવેદનમાં સ્વીકાર્યું હોય કે આ જમીન કે ત્યાં બનેલું મકાન તેમનું નથી, તો પછી તેમના પત્ની વૈશાલી પટેલ વારંવાર તે જમીન પર શા માટે આવે છે અને ખેતી શા માટે કરે છે? આ બાબત અનેક શંકાઓ ઊભી કરે છે. આ વિવાદ હવે પોલીસ મથકે પહોંચ્યો છે. સાધના પટેલે વાંસદા પોલીસ સ્ટેશનમાં વૈશાલી પટેલ સહિત રાજુ, કલાવતી, હેતલ અને કિંજલ સામે વિધિવત ફરિયાદ નોંધાવી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. સાધના પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, જો ભવિષ્યમાં તેમને કે તેમના પરિવારને કંઈ પણ થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી ધારાસભ્ય અનંત પટેલની રહેશે.

દિવ્ય ભાસ્કર 1 Mar 2026 10:24 am