અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સાઇબર સંયુક્ત ઓપરેશન કરીને પશ્ચિમ બંગાળથી સ્કૂલ અને કોર્ટને બોમની ધમકી આપવા મામલે એક આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની તપાસમાં સામે આવ્યું કે, તે માત્ર જૂના મેઇલ આઈડીના પાસવોર્ડ બદલીને 100થી 200 રૂપિયામાં મુખ્ય આરોપીઓને વેચતો હતો. ઝડપાયેલા આરોપીની ઉપર પણ બે લેયરમાં અન્ય આરોપીઓ છે, જે હજુ પણ ફરાર છે. આ મુખ્ય આરોપીઓ વિદેશમાં હોવાની પૂરી શક્યતા છે. જ્યાં સુધી મુખ્ય આરોપીઓ નહિ પકડાઈ ત્યાં સુધી બોમ્બની ધમકી મળવાનું બંધ નહીં થાય તેવું સાયબર ક્રાઈમનું જ કહેવું છે. ધો.12 પાસ આરોપી બાંગ્લાદેશમાં સાયબર કેફે ચલાવતોઅમદાવાદ સહિત રાજ્યની સ્કૂલ અને નીચલી અદાલતોને છેલ્લા એક વર્ષથી ધમકી ભર્યા મેઇલ મળી રહ્યા હતાં, જે મામલે પોલીસે પશ્ચિમ બંગાળમાંથી સૌરભ વિશ્વાસ નામના આરોપીની પકડ કરી છે. આરોપી છેલ્લા પાંચ વર્ષથી ભારતમાં રહેતો હતો. બાંગ્લાદેશમાં સાયબર કેફે ચલાવતો હતો, જ્યાં નાના-મોટા કોર્સ પણ લોકોને શીખવતો હતો. આરોપીએ ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે, પરંતુ આરોપીએ સાયબરને લગતા ઓનલાઇન કોર્ષ પણ કર્યા છે. જુના મેઇલના ID પાસવર્ડ બદલી વેચતો હતોઆરોપીની તપાસમાં સામે આવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી વર્ષો જૂના અને બંધ પડેલા મેઇલ આઇડી વેચવાનું કામ કરતો હતો. જુના આઇડીના પાસવર્ડ બદલીને આરોપી ટેલિગ્રામના ગ્રુપમાં બલ્કમાં વેચી દેતો હતો. આરોપીને મેઇલ આઈડી વેચવા બદલ પ્રતિ મેઇલ 100થી 200 રૂપિયા મળતા હતા. આરોપીએ અત્યાર સુધી મેઇલ આઇડી ટેલિગ્રામ મારફતે વેચ્યા છે. મેઇલ આઇડી ખરીદનાર કોણ હતા? તેની જાણ હજુ આરોપીને પણ નથી. આરોપી પાસેથી 150 અલગ-અલગ ID મળીઆરોપી પાસેથી મેઇલ આઇડી ખરીદનાર વ્યક્તિએ જ ધમકી ભર્યા મેઇલ કર્યા હતા. પકડાયેલા આરોપી પાસેથી 150 અલગ-અલગ મેઇલ ID મળી આવ્યા છે, જેમાંથી 7 મેઇલ દ્વારા ગુજરાતમાં સ્કૂલ અને કોર્ટને ઉડાવાની ધમકી મળી હતી. આ મેઇલ આઇડી ખાલિસ્તાનના નામે કરવામાં આવ્યા હતા. આરોપીને પકડવામાં સાયબર ક્રાઈમ સાથે પણ ફ્રોડક્રાઈમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલે જણાવ્યું હતું કે, આરોપીની ધરપકડ કરવા સાયબર ક્રાઈમે ટ્રેપ ગોઠવી હતી. ડમી ગ્રાહક બનીને જે મેઇલ આઇડીથી મેઇલ આવ્યા હતા, તે મેઇલ આઇડી ખરીદવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ સાયબર ક્રાઈમ સાથે પણ ઠગાઈ થઈ હતી. 15 દિવસની મહેનત બાદ ટ્રેપ ગોઠવીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ સાયબર ટેરરિઝમના ગૂનો નોંધવામાં આવ્યો છે. આરોપીની અન્ય રાજ્યની એજન્સી પણ પૂછપરછ કરશેઆરોપી પાસેથી ઘણો બધો ડેટા મેળવવામાં આવ્યો છે, જેનાથી અન્ય રાજ્યોમાં પણ મેઇલ કરવામાં આવ્યા હતા. આરોપીની સેન્ટ્રલ એજન્સીઓ અને અન્ય રાજ્યોની એજન્સી દ્વાર પણ પૂછપરછ કરવામાં આવશે.
ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ હાઈકમાન્ડે રાજ્યસ્તરે વિવિધ કમિટીઓની રચના કરી છે. કોંગ્રેસ અધ્યક્ષની મંજૂરી બાદ આ કમિટીઓ તાત્કાલિક અસરથી અમલમાં મુકવામાં આવી હોવાનું ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી કે.સી. વેણુગોપાલે જાહેર કરેલા પ્રેસનોટમાં જણાવાયું છે. લાલજી દેસાઈને ઉપાધ્યક્ષ અને હેમંગ વસાવડાને કન્વીનર બનાવવામાં આવ્યાપાર્ટીએ ચૂંટણીની તૈયારીઓને ગતિ આપવા માટે સ્ટ્રેટેજી, કેમ્પેઈન, ઇલેકશન મેનેજમેન્ટ, પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન, મેનિફેસ્ટો, મીડિયા અને પબ્લિસિટી સહિત કુલ 7 મહત્વપૂર્ણ કમિટીઓ બનાવી છે. સ્ટ્રેટેજી કમિટીના અધ્યક્ષ તરીકે ભરતસિંહ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે લાલજી દેસાઈને ઉપાધ્યક્ષ અને હેમંગ વસાવડાને કન્વીનર બનાવવામાં આવ્યા છે. મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ તરીકે શૈલેશ પરમારને જવાબદારી સોંપાઈકેમ્પેઈન કમિટીના અધ્યક્ષ તરીકે શક્તિસિંહ ગોહિલ, ઇલેકશન મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ તરીકે સિદ્ધાર્થ પટેલ અને પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન કમિટીના અધ્યક્ષ તરીકે જગદીશ ઠાકોરની નિમણૂક કરવામાં આવી છે. મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ તરીકે શૈલેશ પરમારને જવાબદારી સોંપાઈ છે. રાજ્યમાં ચૂંટણી પ્રચાર, વ્યૂહરચના અને સંગઠનાત્મક કામગીરી મજબૂત બનાવવાનો પ્રયાસમીડિયા કમિટીના અધ્યક્ષ તરીકે ડૉ. અમી યાજ્ઞિક અને પબ્લિસિટી કમિટીના અધ્યક્ષ તરીકે કાદિરભાઈ પીરઝાદાની નિમણૂક કરવામાં આવી છે. કોંગ્રેસે આ કમિટીઓ મારફતે રાજ્યમાં ચૂંટણી પ્રચાર, વ્યૂહરચના અને સંગઠનાત્મક કામગીરી વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે.
સુરતના સચિન GIDC વિસ્તારમાં વર્ષ 1998માં થયેલી એક ચકચારી હત્યાના ગુનામાં છેલ્લા 28 વર્ષથી પોલીસને થાપ આપી નાસતા ફરતા મુખ્ય આરોપી વિજય ઉર્ફે બીજી સ્વાઈને ઓરિસ્સાના ગંજામ જિલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. 32 વર્ષનો જવાન લોહી ઉકાળે સામાન્ય ઝઘડામાં ખૂન કરી, મુંબઈથી સુરત ફરવા આવીને 'હત્યારો' બની ગયો હતો.60 વર્ષનો વૃદ્ધ, જેણે અડધી જિંદગી ભાગેડુ તરીકે વિતાવી, ઓળખ છુપાવી ઓરિસ્સામાં ખેતમજૂરી કરતો શાંત જીવન જીવતો હતો. સ્થાનિક વેશભૂષામાં રહી ઓપરેશન પાર પાડી આરોપીને દબોચી લીધોસુરત ક્રાઈમ બ્રાંચની 'ખૂન-ખૂનની કોશિશ તથા ધાડ-લૂંટ સ્કોડ' છેલ્લા ઘણા સમયથી પેન્ડિંગ ગુનાઓના આરોપીઓને શોધવા માટે કાર્યરત હતી. આ દરમિયાન પોલીસને સચોટ બાતમી મળી હતી કે, સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વર્ષ 1998ના હત્યાના ગુનાનો આરોપી વિજય ઉર્ફે બીજી કૃષ્ણ સ્વાઈ (ઉ.વ. 60) ઓરિસ્સાના ગંજામ જિલ્લાના પુરુષોત્તમપુર તાલુકાના સીકુલા ગામમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની એક ટીમ તાત્કાલિક ઓરિસ્સા રવાના થઈ હતી અને સ્થાનિક વેશભૂષામાં રહી ઓપરેશન પાર પાડી આરોપીને દબોચી લીધો હતો. શું હતી 1998ની એ રાતની ઘટના?ઘટનાની વિગત મુજબ વર્ષ 1998માં સચિન જીઆઈડીસી રોડ નંબર-84 પર પ્લોટ નંબર-868માં રાજુભાઈ હરિલાલ ગાંધીનું કાપડ વણાટનું કારખાનું આવેલું હતું. આ કારખાનાના રૂમ નંબર-4ની બાજુમાં આરોપીઓએ એક અજાણ્યા ઈસમ સાથે સામાન્ય બોલાચાલી બાદ ઉગ્ર ઝઘડો કર્યો હતો. ઉશ્કેરાયેલા આરોપીઓએ તે અજાણ્યા વ્યક્તિને ગંભીર માર મારી તેની ક્રૂર હત્યા કરી નાખી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ મામલે સચિન પોલીસમાં આઈપીસી કલમ 302, 114 મુજબ ગુનો નોંધાયો હતો. ત્રણ સાગરીતો પકડાયા પણ વિજય પોલીસને હાથતાળી આપતો રહ્યોઆ હત્યાના કેસમાં અગાઉ તપાસ દરમિયાન પોલીસે મુખ્ય આરોપીના સાગરીતો (1) સુજન ઉર્ફે શીવા બંસી સ્વાઈ, (2) બાબુલા ઉર્ફે વિકાસ અને (3) ફકીરા દંડાસી પ્રધાનની ધરપકડ કરી લીધી હતી. જોકે, વિજય ઉર્ફે બીજી સ્વાઈ પોલીસ પકડથી દૂર રહ્યો હતો. તેની ધરપકડ કરવા માટે નામદાર કોર્ટ દ્વારા સી.આર.પી.સી. કલમ 70 મુજબનું વોરંટ પણ ઈસ્યુ કરવામાં આવ્યું હતું. તેમ છતાં આરોપીએ પોતાની ઓળખ અને રહેઠાણ સતત બદલીને પોલીસને 28 વર્ષ સુધી દોડતી રાખી હતી. મુંબઈથી સુરત ફરવા આવ્યો અને હત્યાના ગુનામાં સંડોવાયોઆરોપી વિજયની પૂછપરછમાં સામે આવ્યું કે, 1998માં તે મુંબઈના મુલુંદ વિસ્તારમાં રહી મજૂરી કામ કરતો હતો. તેનો સગો ભાણેજ સુજન ઉર્ફે શીવા સચિનના પાલીગામમાં રહેતો હોવાથી તે તેને મળવા અને સુરત ફરવા માટે આવ્યો હતો. એક સાંજે વિજય, તેનો ભાણેજ અને અન્ય મિત્રો સચિન જીઆઈડીસીમાં ફરવા નીકળ્યા ત્યારે એક અજાણ્યા વ્યક્તિ સાથે સામાન્ય વાતમાં બોલાચાલી થઈ હતી. જે પરિણમી હત્યામાં અને વિજયનું જીવન હંમેશા માટે બદલાઈ ગયું. પકડાઈ જવાના ડરે પશ્ચિમ બંગાળની કોલસાની ખાણમાં મજૂરી કરીહત્યાને અંજામ આપ્યા બાદ વિજયને અહેસાસ થયો હતો કે પોલીસ તેને શોધી લેશે. ધરપકડથી બચવા માટે તે તાત્કાલિક ગુજરાત છોડીને પશ્ચિમ બંગાળ ભાગી ગયો હતો. ત્યાં તેણે લાંબો સમય સુધી કોલસાની ખાણોમાં મજૂરી કામ કર્યું હતું જેથી કોઈ તેને ઓળખી ન શકે. પશ્ચિમ બંગાળમાં સ્થિતિ થાળે પડી હોવાનું માની તે થોડા વર્ષો પહેલા પોતાના વતન ઓરિસ્સા પરત ફર્યો હતો અને ત્યાં ખેતમજૂરી કરવા લાગ્યો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોએ ખેલ પાડી દીધોસુરત પોલીસ કમિશનરની સૂચના મુજબ નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઈવ અંતર્ગત ક્રાઈમ બ્રાંચે જૂના રેકોર્ડ્સ તપાસ્યા હતા. આરોપીના વતનની વિગતો કઢાવી ત્યાં વોચ ગોઠવવામાં આવી હતી. 28 વર્ષ પછી આરોપીને એમ હતું કે હવે તેને કોઈ ઓળખશે નહીં, પરંતુ ક્રાઈમ બ્રાંચની ટીમે સચોટ ઓપરેશન દ્વારા તેને તેના વતનમાંથી જ ઝડપી પાડ્યો છે. હાલ આરોપીનો કબજો મેળવી તેને સચિન પોલીસ સ્ટેશનના તપાસ કરનાર અમલદારને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ભાવનગર-અમદાવાદ નેશનલ હાઈ-વે પર સનેસ ચોકડી નજીક આજે બપોરે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અસ્થિ વિસર્જન કરીને પરત ફરી રહેલા પરિવારની ઈકો કારમાં સવાર 65 વર્ષીય વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પરિવારના અન્ય પાંચ સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે. હ્યુન્ડાઈ કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયોપ્રાથમિક માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના હેબતપુર ગામના રહેવાસી અજુભાઈ ખોડુભાઈ પરમાર (65) તેમના સગા ભાઈના અસ્થિ વિસર્જન માટે ભાવનગરના કોળિયાક સ્થિત નિષ્કલંક મહાદેવ મંદિર ગયા હતા. અસ્થિ પધરાવીને પરિવારના 6 સભ્યો GJ-38-BF-6404 નંબરની ઈકો કારમાં પોતાના વતન હેબતપુર તરફ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અમદાવાદ તરફથી પૂર ઝડપે આવી રહેલી GJ-06-PE-6112 નંબરની હ્યુન્ડાઈ I-20 કારના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર ઈકો સાથે ધડાકાભેર અથડાઈ હતી. ઈકો કારમાં સવાર એકનું મોત બાકીના લોકો ઈજાગ્રસ્તઆ અકસ્માતમાં ઈકો કારમાં સવાર અજુભાઈ ખોડુભાઈ પરમારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત થયેલા અન્ય પાંચ લોકોમાં મૃતકના પુત્ર મહેન્દ્રસિંહ નારસિંગભાઈ પરમારની હાલત ગંભીર છે. બાકીના ઘાયલોને પણ શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે બંને વાહનો કબજે લઈને ચાલકની શોધખોળ શરૂ કરી આ ઘટનાની જાણ થતાં વેળાવદર ભાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પંચનામુ કરીને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે બંને વાહનો કબજે લઈને ચાલકની શોધખોળ શરૂ કરી છે. અકસ્માતનું કારણ ઝડપી ડ્રાઈવિંગ કે નિયંત્રણ ગુમાવવું હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ દુર્ઘટનાએ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. એક તરફ પિતાના અસ્થિ વિસર્જનની વિધિ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહેલા પરિવારને આઘાત લાગ્યો છે, તો બીજી તરફ પુત્રની હાલત ગંભીર હોવાથી પરિવારજનોમાં ભારે ચિંતાનો માહોલ છે. વેળાવદર ભાલ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને આરોપી ચાલકને ઝડપી પાડવાના પ્રયાસો ચાલુ રાખ્યા છે.
સંતોએ અનાવાડા ગૌશાળાના આયોજકોનું સન્માન કર્યું:સનાતન ધર્મ રક્ષા અને લોકજાગૃતિ પર ચર્ચા થઈ
હારીજ તાલુકાના માલસુંદ ગામે બુધવારે સંત મિલન યોજાયું હતું. આ પ્રસંગે સંતો દ્વારા અનાવાડા ગૌશાળા ખાતે યોજાયેલ ગૌ ભક્તિ મહોત્સવના આયોજકોનું સન્માન કરવામાં આવ્યું હતું. સંતોએ સનાતન ધર્મની રક્ષા અને લોકજાગૃતિ અંગે ચર્ચા કરી હતી. આ સંત મિલન માલસુંદ ગામના અગ્રણી નરેશભાઈ જોષીના ફાર્મ હાઉસ ખાતે યોજાયું હતું. પ્રકાશાનંદજી મહારાજ દ્વારા અનાવાડા ગૌશાળાના સંચાલક દિનેશભાઈ જોષી, મુખ્ય યજમાન ચેતનભાઇ વ્યાસ તેમજ અન્ય કાર્યકરોનું સાલ ઓઢાડી અને રુદ્રાક્ષની માળા પહેરાવી સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં અડિયા દુધેશ્વર મહાદેવના મહંત ગજાનંદ ગીરીજી મહારાજ, અનાવાડા ગૌશાળાના મુકુન્દ પ્રકાશજી મહારાજ, કચ્છના આદિપુર સ્થિત પંચમુખી હનુમાન મંદિરના મહંત પ્રકાશાનંદજી મહારાજ અને યુવા સંન્યાસી ધિરેનસ્વરૂપજી મહારાજ સહિતના સંતોએ ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા. સંતોએ સનાતન ધર્મની રક્ષા માટે આવશ્યક લોકજાગૃતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે ગૌભક્તિના કાર્યને પણ બિરદાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપના પૂર્વ સંગઠન મંત્રી ભાસ્કરભાઈ ઠાકર, પૂર્વ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર, ભરતભાઈ આર્ય, વિશ્વ હિન્દુ પરિષદના નીતિનભાઈ વ્યાસ, ચંદ્રુમાણાના અગ્રણી પ્રમોદભાઈ વ્યાસ, ભરતભાઈ રાવલ, મહેન્દ્રભાઈ દવે, પાટણવાડા બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ સુમનભાઈ વ્યાસ, નિયડ બ્રહ્મ સમાજના જીતેન્દ્ર જોષી અને વિરેશ વ્યાસ સહિત અન્ય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે સુરક્ષા દળ (RPF) દ્વારા ફેબ્રુઆરી મહિનામાં મુસાફરોની સુરક્ષા અને રેલવે સંપત્તિના રક્ષણ માટે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. 'સેવા હી સંકલ્પ' અભિયાન હેઠળ આરપીએફની ટીમે વિવિધ ઓપરેશન્સ દ્વારા રેલવે મુસાફરોને મોટી રાહત પહોંચાડી છે. ફેબ્રુઆરી માસ દરમિયાન ડિવિઝનલ સુરક્ષા આયુક્ત કમલેશ્વર સિંહના માર્ગદર્શન હેઠળ આરપીએફ દ્વારા અનેક મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરવામાં આવી છે. જેમાં 1 મહિનામાં મુસાફરોનો ગુમ થયેલો રૂ. 2.35 લાખનો સામાન પરત અપાવ્યો હતો. જ્યારે 10 આરોપીઓની ધરપકડ અને 5 બાળકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આરપીએફ દ્વારા 'ઓપરેશન અમાનત' હેઠળ કુલ 27 મુસાફરોનો અંદાજે રૂ. 2,35,867ની કિંમતનો ગુમ થયેલો સામાન શોધીને તેમને સુરક્ષિત રીતે પરત કરવામાં આવ્યો હતો. ઉપરાંત, 'ઓપરેશન નન્હે ફરિશ્તે' હેઠળ 5 બાળકોને રેસ્ક્યૂ કરી તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. જ્યારે 'ઓપરેશન ડિગ્નિટી' અંતર્ગત પરિવારથી વિખૂટા પડેલા 2 વ્યક્તિઓને મદદ કરી હતી. સાથે રેલવે સંપત્તિની સુરક્ષાનાં 'ઓપરેશન રેલ સુરક્ષા' હેઠળ ચોરીના કેસમાં 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ અકારણ ચેન પુલિંગના 28 કેસ નોંધી 21 વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ટ્રેન પર પથ્થરમારો કરનાર એક શખ્સને પણ ઝડપી લેવાયો હતો. વાહનોમાં પસંદગીનાં નંબર મેળવવાની તક રાજકોટ RTO દ્વારા ફેન્સી નંબર માટે રી-ઓક્શન કરાશે રાજકોટ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા હેવી ગુડઝ વ્હીકલ અને ત્રિચક્રી વાહનો માટે GJ-03-BZ તથા GJ-03-CUJ સીરીઝના ગોલ્ડન અને સિલ્વર નંબરોનું રી-ઓક્શન 10 માર્ચથી શરૂ કરવામાં આવશે. પસંદગીના નંબર મેળવવા ઈચ્છતા વાહન ચાલકોએ 10 થી 14 માર્ચ દરમિયાન parivahan.gov.in પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી અરજી કરવાની રહેશે. ઓકશનમાં બિડિંગની પ્રક્રિયા 14 થી 16 માર્ચના સાંજના 04:00 કલાક સુધી ચાલશે, ત્યારબાદ 17 માર્ચના રોજ કચેરીમાં જરૂરી ફોર્મ જમા કરાવવાના રહેશે. પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદી મુજબ, અરજદારે પોર્ટલ પર પબ્લિક યુઝર આઈડી બનાવી CNA ફોર્મ ભરી નિયત લઘુત્તમ ફી ભરવાની રહેશે. હરાજીમાં નંબર ફાળવાયા બાદ 05 દિવસમાં બાકીની રકમ ભરી RTO એપ્રુવલ મેળવવાનું રહેશે. વાહન ખરીદીના 07 દિવસમાં ઓનલાઇન અરજી કરવી ફરજિયાત છે અને સમયમર્યાદા બાદની કોઈ પણ અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઘઉં, ચણા અને ધાણા સહિત વિવિધ જણસીઓની મબલખ આવક સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઉનાળો વ્હેલો આવી ગયો હોય તેમ કેટલાંક દિવસોથી તાપમાનમાં નોંધપાત્ર વધારો થઈ જ ગયો છે. હવે હોળાષ્ટક પુરા થતા સાથે વાતાવરણ વધુ ગરમી પકડવા લાગશે. આ સાથે માર્કેટ યાર્ડોમાં શિયાળુ પાકની આવકોમાં મોટો વધારો થવા લાગ્યો છે. ધુળેટીની ગઈકાલની રજા બાદ આજે માર્કેટયાર્ડ ખુલતાની સાથે જ ઘઉંની 50,000 મણની આવક થઈ હતી. આવતા દિવસોમાં આવકમાં હજુ વધારો થવાની ગણતરીએ ભાવ નબળા હતા. આ જ રીતે ચણામાં 22000 મણ, તુવેરમાં 9000 મણ, રાયડાના 3000 મણ, મેથીમાં 4200 મણ, જીરૂમાં 17000 મણની આવક હતી. ધાણામાં જંગી માલ ઠલવાઈ ચુકયો હોય પ્રમાણમાં ઓછી આવક હતી. આ સિવાય મગફળી, સીંગદાણા, લસણ, તલની પણ નોંધપાત્ર આવક થઈ હતી.
ભાવનગર શહેરની જનતાની સુખાકારી અને સુવિધાઓમાં વધારો કરવાના ઉદ્દેશ્ય સાથે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આગામી તા.7 ને શનિવારના રોજ મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 87 ઠરાવોના અંદાજે રૂપિયા 114.20 કરોડના ખર્ચના વિવિધ વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવશે. મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડીયાની આ છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાશે, આ કામો માટે અમૃત ગ્રાન્ટ, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને સરકારની અન્ય વિવિધ ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં બેઠકમાં સૌથી મોટો પ્રોજેક્ટ દક્ષિણ સરદારનગર-અધેવાડા અને ઉત્તર સરદારનગર-તરસમિયા વોર્ડમાં મંત્રેશ કોમ્પ્લેક્સથી ટોપ-શ્રી સર્કલ સુધી રૂ.29.28 કરોડના ખર્ચે બનનારો આઇકોનિક રોડ છે, આ ઉપરાંત, તરસમિયા વિસ્તારમાં રૂ.15.95 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓ સાથેનું નવું ફાયર સ્ટેશન બનાવવાની દરખાસ્ત પણ મંજૂર કરવામાં આવશે, તેમજ વોર્ડ વાઈઝ વિકાસ કામોઓમાં કાળીયાબીડ-સીદસર-અધેવાડા વોર્ડ આ વિસ્તારમાં સૌથી વધુ કામો હાથ ધરાશે, જેમાં સીદસર-અધેવાડા સોસાયટીઓમાં વરસાદી પાણીના નિકાલ માટે RCC બોક્સ ડ્રેઇન રૂ.6.04 કરોડ, વિવિધ સોસાયટીઓમાં પેવર રોડ અને RCC રોડ રૂ.5.90 કરોડ અને રૂ.5.90, તેમજ હિલપાર્કથી ટબુડી તળાવ સુધી બિટૂમીન રોડના કામોનો સમાવેશ થાય છે, સરદારનગર-તરસમીયા વોર્ડ ટોપ-શ્રી સર્કલથી ડી-માર્ટ સુધીના રોડને 6-લેન વાઈડનીંગ રૂ.3.74 કરોડ, વિવિધ આંતરિક રસ્તાઓ પર મેટલ ગ્રાઉટીંગ અને પેવિંગ બ્લોકના કામો હાથ ધરાશે, ફુલસર અને હેમુ કાલાણી સર્કલ પાસે અંદાજે રૂ.9 કરોડથી વધુના ખર્ચે બે નવી લાઇબ્રેરી (રીડીંગ રૂમ) બનાવવામાં આવશે, ફુલસર ખાતે રૂ.6.07 કરોડના ખર્ચે નવા પાર્ટી પ્લોટનું નિર્માણ થશે, ઘોઘાસર્કલ-અકવાડા વોર્ડમાં માલેશ્રી નદી પર બોક્સ કલવર્ટ રૂ.3.21 કરોડ, કુંભારવાડામાં રેલવે લાઈન પાસે RCC રોડ, અને ભરતનગર તથા કાળીયાબીડ વિસ્તારમાં નવી પાણીની લાઇન નાખવાના કામોને બહાલી અપાશે.
વડોદરાના ચાંપાનેર દરવાજા, છીપવાડ ખાતે આવેલી નર્મદાબેન ખુશાલચંદ પ્રાથમિક શાળામાં સોલાર પાવર સિસ્ટમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. CSR ઉપક્રમે આ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી હતી, જેનું ઉદ્ઘાટન 5 માર્ચ, 2026ના રોજ થયું. આ પ્રસંગે FLUOR DENIEL INDIA PVT LIMITED ના જનરલ મેનેજર (ઇન્ડિયા ઓફિસ) સતીશ પિલ્લઇ, ઓપરેશનલ મેનેજર (વડોદરા ઓફિસ) ઋષિકેશ ત્રિવેદી, સપ્લાય ચેઇન ડિરેક્ટર (એશિયા સ્પેસિફિક) અજયસિંહ ઝાલા, CSR લીડ (વડોદરા) કેતન પટેલ, ઇવેન્ટ ચેમ્પિયન મિહિર દેસાઈ અને ઇવેન્ટ કો-ચેમ્પિયન શિલ્પી ચોરડિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે સોલાર સિસ્ટમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મહેમાનોએ નવીનીકરણીય ઊર્જાના ઉપયોગનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓને પર્યાવરણ સંરક્ષણ માટે પ્રેરણા આપી હતી. શાળામાં સ્થાપિત આ સોલાર સિસ્ટમથી વીજળીની સુવિધા વધુ સુદ્રઢ બનશે અને શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓને લાભ મળશે.
સરદાર પટેલ યુનિવર્સિટીના ફિઝિક્સ અને મટિરિયલ સાયન્સ વિભાગ દ્વારા 'નેશનલ કોન્ફરન્સ ઓન રિસન્ટ એડવાન્સિસ ઇન મટિરિયલ્સ' (NCRAM–2026) નું આયોજન કરાયું હતું. આ કોન્ફરન્સમાં દેશભરના 129 શિક્ષણવિદો, સંશોધકો અને ઉદ્યોગ નિષ્ણાતોએ ભાગ લીધો હતો. તેમણે મટિરિયલ્સ સાયન્સના ભવિષ્ય અને તેમાં થઈ રહેલા આધુનિક ફેરફારો પર ચર્ચા કરી. ઉદ્ઘાટન પ્રસંગે કોન્ફરન્સના ચેરમેન પ્રો. એમ. પી. દેશપાંડેએ અદ્યતન મટિરિયલ્સમાં આંતરશાખાકીય સંશોધનના મહત્વ પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમના મુખ્ય અતિથિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. આર. વી. જસરાએ નવીનીકરણીય ઉર્જા તરફ સંક્રમણ અને નવા મટિરિયલ્સની જરૂરિયાત વિષય પર સંબોધન કર્યું હતું. તેમણે ઉદ્યોગ અને શિક્ષણ જગત વચ્ચેના સહયોગ પર ભાર મૂક્યો. અન્ય સત્રોમાં SVNIT ના પ્રો. દેબેશ રોયે ઝેરી વાયુઓની ઓળખ માટે '2D મેટલ કાર્બાઇડ સેન્સર' વિશે માહિતી આપી હતી. પટિયાલાના પ્રો. ભૂપેન્દ્રકુમાર ચુડાસમાએ કેન્સરની સચોટ સારવાર માટે 'નેનોસ્ટ્રક્ચર્ડ મટિરિયલ્સ' ના ઉપયોગ વિશે વિશેષ રજૂઆત કરી હતી. બપોરના સત્રમાં ફિઝિક્સ વિભાગ ખાતે પોસ્ટર પ્રેઝન્ટેશન યોજાયું હતું, જેમાં કુલ 61 પોસ્ટર્સ રજૂ કરાયા. M.Sc.ના વિદ્યાર્થીઓ અને રિસર્ચ સ્કોલર્સે પોતાના નવા સંશોધનો પ્રદર્શિત કર્યા. સમાપન વિધિમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા. કુલપતિ પ્રો. નિરંજન પટેલે કોન્ફરન્સની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા. સમગ્ર આયોજનમાં કન્વીનર પ્રો. એસ. એચ. ચાકી, સહ-કન્વીનર પ્રો. જે. કે. વાળંદ, સેક્રેટરી પ્રો. એ. એન. પ્રજાપતિ અને ખજાનચી ડૉ. સ્વાતિ પંડ્યા સહિતની ટીમે મહત્વનું યોગદાન આપ્યું હતું.
વડોદરાના હરણી વિસ્તારમાં આવેલી અંબે અને જય અંબે વિદ્યાલય ખાતે રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના કે.જી. વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ભૂલકાંઓ અને વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉજવણી પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે ઇકો-ફ્રેન્ડલી રીતે કરવામાં આવી હતી. બાળકોની નાજુક ત્વચાને ધ્યાનમાં રાખીને કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ ટાળવામાં આવ્યો હતો. તેના બદલે, સુગંધિત ફૂલોની પાંખડીઓથી હોળી રમવામાં આવી હતી અને પરંપરાગત રીતે ગુલાલના તિલક કરીને ભાઈચારાની ભાવના વ્યક્ત કરાઈ હતી. આ રંગોત્સવ ૨૦૨૬ની ઉજવણી માત્ર એક તહેવાર પૂરતી સીમિત ન રહેતા, નવા શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭માં પ્લે સેન્ટરમાં પ્રવેશ મેળવનારા બાળકો માટે એક યાદગાર સ્વાગત કાર્યક્રમ બની રહી હતી. શાળા સંચાલન દ્વારા નવા પ્રવેશિત બાળકો અને તેમના વાલીઓને પણ ખાસ આમંત્રિત કરાયા હતા, જેથી તેઓ શાળાના પારિવારિક વાતાવરણથી પરિચિત થઈ શકે. પ્રી-પ્રાયમરી વિભાગના આચાર્યા દર્શનાબેન શાહના માર્ગદર્શન હેઠળ શિક્ષકો, બાળકો અને વાલીઓએ સંગીતના તાલે આ પર્વની ઉજવણી કરી હતી. તેમણે જણાવ્યું કે, તહેવારો બાળકોમાં સંસ્કાર અને સામાજિક એકતાના બીજ રોપે છે. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો સુરક્ષિત રીતે અને પ્રકૃતિની નજીક રહીને ભારતીય સંસ્કૃતિનો આનંદ માણે તે જ હતો. આ સમગ્ર આયોજન દ્વારા અંબે વિદ્યાલયે દર્શાવ્યું કે શિક્ષણની સાથે સાથે પરંપરાઓ અને માનવીય મૂલ્યોનું સિંચન પણ અનિવાર્ય છે. અંતે, સર્વે વાલીઓએ શાળાના આ સુંદર પ્રયાસની પ્રશંસા કરી હતી અને એકબીજાને ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી હતી.
જરાતના લોકપ્રિય પર્વ હોળી અને ધૂળેટી નિમિત્તે પોતાના વતન અને પરિવાર સાથે ઉત્સવ મનાવવા આતુર નાગરિકો માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) આશીર્વાદરૂપ સાબિત થયું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના સીધા માર્ગદર્શન હેઠળ આ વર્ષે નિગમે ગત વર્ષના તમામ રેકોર્ડ તોડીને મુસાફરોને શ્રેષ્ઠ અને સુદ્રઢ પરિવહન સેવા પૂરી પાડી છે. 27 ફેબ્રુઆરીથી 4 માર્ચ 2026 દરમિયાન આયોજિત આ વિશેષ કામગીરીમાં નિગમે પોતાની કાર્યક્ષમતાનો પરિચય આપ્યો છે. વધારાની 7400 ટ્રીપ અને મુસાફરોનો અભૂતપૂર્વ પ્રતિસાદમુસાફરોના ભારે ધસારાને પહોંચી વળવા માટે એસ.ટી. નિગમ દ્વારા આ વર્ષે કુલ 7400 જેટલી વધારાની (એક્સ્ટ્રા) ટ્રીપનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું હતું. આ વિશેષ આયોજનના ફળસ્વરૂપે રાજ્યના અંદાજે 3.14 લાખ મુસાફરોએ સલામત અને સમયસર મુસાફરીનો લાભ લીધો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે આંકડાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગત વર્ષે નિગમ દ્વારા 7100 ટ્રીપ દ્વારા 2.80 લાખ મુસાફરોને સેવા આપવામાં આવી હતી, જેની સામે આ વર્ષે ટ્રીપ અને મુસાફરો એમ બંને ક્ષેત્રે નવા શિખરો સર થયા છે. ડાકોરના શ્રદ્ધાળુઓ માટે વિશેષ સુવિધા હોળીના પર્વ પર ડાકોર સ્થિત રણછોડરાયજીના દર્શનનું વિશેષ આધ્યાત્મિક મહત્વ છે. આ બાબતને ધ્યાને રાખી નિગમ દ્વારા ડાકોર ખાતેથી સૌથી મોટું સંચાલન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓની સુવિધા માટે ખાસ 3600 ટ્રીપ ચલાવવામાં આવી હતી, જેના માધ્યમથી 1.32 લાખ દર્શનાર્થીઓએ ભગવાનના દર્શન માટે સુવિધાજનક મુસાફરી કરી હતી. આ સફળ આયોજનને કારણે શ્રદ્ધાળુઓને ભારે ધસારા વચ્ચે પણ કોઈ અગવડ પડી નહોતી. મુખ્ય શહેરો અને કેન્દ્રો પરથી ખાસ બસોનું સંચાલનરાજ્યના મહાનગરો અને મહત્વના કેન્દ્રો પરથી મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવા માટે માઈક્રો-પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે અમદાવાદમાં 687, હિમતનગરમાં 716, સુરતમાં 496, વડોદરામાં 255, જુનાગઢમાં 220, રાજકોટમાં 131 ટ્રીપ કરવામાં આવી આ ઉપરાંત સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દાહોદ, ગોધરા, દેવગઢ બારિયા, સંતરામપુર અને લુણાવાડા જેવા મહત્વના મથકો પરથી પણ પર્યાપ્ત સંખ્યામાં બસો દોડાવવામાં આવી હતી. કર્મચારીઓની કામગીરીને બિરદાવતા નાયબ મુખ્યમંત્રીનાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ સફળ આયોજન અને શ્રેષ્ઠ વ્યવસ્થાપન બદલ એસ.ટી. નિગમના અધિકારીઓ, ડ્રાઈવર અને કંડક્ટર સહિતના સમગ્ર સ્ટાફને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર તહેવારોના સમયે નાગરિકોને કોઈપણ પ્રકારની હાલાકી ભોગવવી ન પડે અને તેઓ સલામત રીતે પોતાના પરિવાર સુધી પહોંચી શકે તે માટે કટિબદ્ધ છે. એસ.ટી. નિગમની આ તત્પરતા અને સેવાભાવનાએ લાખો ગુજરાતીઓની દિવાળી જેવી જ હોળી સુધારી દીધી છે.
અમદાવાદના ભાડજ સ્થિત ઇસ્કોન હરેકૃષ્ણ મંદિરમાં મંગળવાર, 3 માર્ચ, 2026ના રોજ ગૌર પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ દિવસે શ્રી ચૈતન્ય મહાપ્રભુની 540મી જન્મજયંતિ મનાવવામાં આવી હતી, જે ગૌડીય વૈષ્ણવો માટે નવા વર્ષના પ્રારંભનું પણ પ્રતીક છે. શ્રી ચૈતન્ય મહાપ્રભુ, જેઓ પોતાની સુવર્ણ કાયાને કારણે ગૌરાંગા તરીકે પણ ઓળખાય છે, તેમનો જન્મ આ દિવસે થયો હતો. તેમણે જગતમાં હરિનામ સંકીર્તનનો પ્રારંભ કર્યો હતો અને ભક્તિમય સેવામાં કેવી રીતે સમર્પણ કરવું તેનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ભક્તો રાત્રે ચંદ્ર પૂર્ણપણે ખીલી ઉઠે ત્યાં સુધી ઉપવાસ રાખે છે. દિવસભર ભક્ત સમુદાય દ્વારા હરિનામ સંકીર્તનનું રટણ કરવામાં આવ્યું, જેનાથી મંદિરનો દરેક ખૂણો હરેકૃષ્ણ મહામંત્રના આધ્યાત્મિક ધ્વનિતરંગોથી ગુંજી ઉઠ્યો હતો. બપોરના સમયે, ભગવાનને 108 પ્રકારના વિવિધ વ્યંજનો સાથે રાજભોગ અર્પણ કરી આરતી ઉતારવામાં આવી. ત્યારબાદ ઉપસ્થિત સર્વ ભક્તોને રાજભોગનો પ્રસાદ આપવામાં આવ્યો. આ ઉપરાંત, શ્રી શ્રી નિતાઈ ગૌરાંગ (ભગવાન શ્રીચૈતન્ય અને શ્રી નિત્યાનંદા) ને સુંદર પુષ્પોથી સુશોભિત પાલખીમાં મંદિરના પરિસરમાં વિહાર કરાવવામાં આવ્યો. ચારે તરફનું વાતાવરણ હરેકૃષ્ણ મંત્રના નાદ અને ઢોલ-નગારાના અવાજથી ગુંજી ઉઠ્યું હતું, જે ભક્તોમાં ઉત્સાહ ભરી રહ્યું હતું. પાલખી ઉત્સવ બાદ ભગવાનનો ભવ્ય અભિષેક કરવામાં આવ્યો. આ અભિષેકમાં દૂધ, દહીં, ઘી, મધ, ગોળનું પાણી, ફળોના રસ અને 7 પવિત્ર નદીઓમાંથી એકત્ર કરેલા જળના 108 કળશનો ઉપયોગ થયો હતો. અભિષેક દરમિયાન ગૌર આરતી ભજન ગાઈને ખાસ આરતી ઉતારવામાં આવી. ત્યારબાદ ભગવાનને 108 પ્રકારના વિવિધ વ્યંજનો અને મિષ્ટાનનો ભોગ ધરાવવામાં આવ્યો. ભક્તોએ ભગવાન ગૌરાંગ મહાપ્રભુ અને નિત્યાનંદ પ્રભુ સમક્ષ હરિનામ સંકીર્તન કરી વિશ્વશાંતિ અને સર્વના કલ્યાણ માટે પ્રાર્થના કરી. ઉત્સવના અંતમાં અતિભવ્ય મહા આરતી કરવામાં આવી અને મહા અભિષેક દરમિયાન અર્પણ કરાયેલા ફૂલોને ભક્તો ઉપર પ્રસાદ રૂપે વરસાવી પુષ્પ હોળી પણ રમવામાં આવી, જેનો ભક્તોએ ખૂબ આનંદ લીધો.
ર્વ તટ રેલવેના ખુર્દા રોડ મંડળ હેઠળ આવતા પુરી સ્ટેશન પર હાલ પ્લેટફોર્મ અપગ્રેડેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ આધુનિકીકરણના કાર્ય માટે રેલવે તંત્ર દ્વારા 60 દિવસોનો મોટો બ્લૉક લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કામગીરીની સીધી અસર ગુજરાતથી ઓડિશા જતી ટ્રેનો પર પડશે, જેના કારણે ગાંધીધામ-પુરી અઠવાડિક એક્સપ્રેસ ટ્રેનો આગામી માર્ચથી મે મહિના સુધી આંશિક રીતે રદ રહેશે. સાક્ષી ગોપાલ સ્ટેશને ટ્રેન અટકશેરેલવે પ્રશાસનના જણાવ્યા મુજબ, ગાંધીધામથી ઉપડતી પુરી એક્સપ્રેસ ટ્રેનોને પુરી સ્ટેશન સુધી જવાને બદલે 'સાક્ષી ગોપાલ' સ્ટેશન પર જ ટૂંકાવી દેવામાં આવશે (શોર્ટ ટર્મિનેટ). તેવી જ રીતે, પરતમાં આ ટ્રેનો પુરીને બદલે સાક્ષી ગોપાલ સ્ટેશનથી જ ગાંધીધામ માટે રવાના થશે. ટ્રેન નંબર 12993/12994 ના ફેરફારો ગાંધીધામ-પુરી (12993): માર્ચ 13, 20, 27; એપ્રિલ 3, 10, 17, 24; મે 1, 8 (2026) ના રોજ સાક્ષી ગોપાલ પર શોર્ટ ટર્મિનેટ થશે. પુરી-ગાંધીધામ (12994): માર્ચ 16, 23, 30; એપ્રિલ 6, 13, 20, 27; મે 4, 11 (2026) ના રોજ સાક્ષી ગોપાલથી ઉપડશે. ટ્રેન નંબર 22973/22974 ના ફેરફારો ગાંધીધામ-પુરી (22973): માર્ચ 11, 18, 25; એપ્રિલ 1, 8, 15, 22, 29; મે 6, 13 (2026) ના રોજ સાક્ષી ગોપાલ સુધી જશે. પુરી-ગાંધીધામ (22974): માર્ચ 14, 21, 28; એપ્રિલ 4, 11, 18, 25; મે 2, 9, 16 (2026) ના રોજ સાક્ષી ગોપાલથી મુસાફરી શરૂ કરશે. મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ પોતાની યાત્રા આ ફેરફારોને ધ્યાનમાં રાખીને આયોજિત કરે. વધુ વિગતો માટે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઈટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવી.
દુબઈથી 200 ભારતીય મુસાફરોનું રેસ્ક્યુ:નડિયાદના BAPS મંદિરે રોકાણની વ્યવસ્થા, વહેલી સવારે પહોંચશે
દુબઈમાં ફસાયેલા આશરે 200 ભારતીય મુસાફરોને સુરક્ષિત રીતે ભારત પરત લાવવામાં આવ્યા છે. યોગી ઓવરસીઝ દ્વારા એર અરેબિયા સાથે સંકલન કરીને આ મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. યોગી ઓવરસીઝના નિશા ધનોચાએ આ માહિતી આપી હતી. આ મુસાફરો મુંબઈ એરપોર્ટ પર ઉતર્યા બાદ, ખાનગી બસો દ્વારા તેમને નડિયાદના પીપલગ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરે લાવવામાં આવશે. આવતીકાલે વહેલી સવારે તેઓ મંદિરે પહોંચશે, જ્યાં તેમના રોકાણ અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. નિશા ધનોચા અને તેમની ટૂર મેનેજર્સની ટીમ તેમજ તેમના પતિ હજુ પણ દુબઈમાં જ છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યાં સુધી દરેક મુસાફર સુરક્ષિત રીતે ભારત પરત ન ફરે ત્યાં સુધી તેઓ દુબઈમાં રહીને સમગ્ર કામગીરીનું સંચાલન કરશે. પેસેન્જરોને મુંબઈ એરપોર્ટથી નડિયાદ લાવવા માટે ખાસ વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વાહનોના ડ્રાઈવર ઈસ્માઈલ ભાઈ અને ઈઝહાર ભાઈ સતત સંપર્કમાં છે અને મુસાફરોને સુરક્ષિત રીતે પહોંચાડશે. નડિયાદના પીપલગ સ્વામિનારાયણ મંદિર ખાતે મુસાફરો આરામ કર્યા બાદ પોતપોતાના વતન જવા રવાના થશે. ખાનગી સંસ્થા અને એરલાઇન્સના સહયોગથી થયેલા આ સફળ ઇવેક્યુએશનને કારણે મુસાફરોના પરિવારજનોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. નડિયાદ અને આણંદ BAPS મંદિરના કોઠારી સ્વામીઓ તથા સંતોના આશીર્વાદથી યાત્રિકોને હિંમત મળી હતી. યુએઈ સરકાર, એર અરેબિયા એરલાઇન્સ અને સ્થાનિક હોટલ સ્ટાફે પણ આ કામગીરીમાં મહત્વનો સહકાર આપ્યો હતો.યોગી ઓવરસીઝની ટીમે દિવસ-રાત જોયા વગર યાત્રિકોની રહેવા-જમવાની સુવિધા જાળવી રાખી પરિવાર જેવી સંભાળ લીધી હતી. સંસ્થાના CEO કૌશલ ધામેચાએ જણાવ્યું હતું કે, આ સંજોગોમાં દરેક યાત્રિક સુરક્ષિત રહે તે તેમની પ્રાથમિકતા હતી.યાત્રિકોએ પણ અદ્ભુત શાંતિ અને એકતા દાખવી તંત્રને સહકાર આપ્યો હતો. સંસ્થાએ આ સફળ ઓપરેશન માટે મહંત સ્વામી મહારાજ, સંતો, ભારતીય દૂતાવાસ, યુએઈ સત્તાધીશો અને ગ્રાઉન્ડ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો છે.
આંગણવાડી બહેનોનો ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર:નવા મોબાઈલની માંગ સાથે આંગણવાડી બહેનો આંદોલનમાં ઉતરી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, ભરૂચ, ઝઘડીયા અને નેત્રંગ તાલુકાની આશરે 800 આંગણવાડી વર્કર બહેનોએ ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કર્યો છે. બાળકોના હિતને ધ્યાનમાં રાખીને માત્ર બાળકોની હાજરી ઓનલાઈન નોંધવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે, જ્યારે અન્ય ચાર પ્રકારની ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. આંગણવાડી વર્કરો વર્ષ 2022થી ઓનલાઈન કામગીરી માટે નવા મોબાઈલ ફોનની માંગ કરી રહ્યા છે. સરકાર તરફથી આ મુદ્દે કોઈ કાર્યવાહી ન થતાં વર્કરોમાં રોષ જોવા મળ્યો છે. આ પહેલા નેત્રંગ, ભરૂચ, ઝઘડીયા અને અંકલેશ્વર તાલુકાની આંગણવાડી વર્કર બહેનોએ સીડીપીઓ કચેરી ખાતે લેખિત રજૂઆત પણ કરી હતી. રજૂઆતમાં જણાવાયું હતું કે, વર્ષ 2019માં આપવામાં આવેલા મોબાઈલ ફોન હવે જૂના અને બિનઉપયોગી બની ગયા છે. તેમ છતાં પોષણ ટ્રેકર, પોષણસંગમ અને એવીટી જેવી એપ્લિકેશનો પર નિયમિત કામગીરી કરવા દબાણ કરવામાં આવે છે. પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં મોટી માત્રામાં માહિતી દાખલ કરવી પડે છે, જ્યારે ફેસ કેપ્ચર એપ્લિકેશન ઘણીવાર યોગ્ય રીતે કામ કરતી નથી. એવીટી એપ્લિકેશનમાં બાળકોની હાજરી વાસ્તવિક સંખ્યાથી ઓછી દર્શાવવામાં આવતી હોવાનો પણ આક્ષેપ છે. આ સમસ્યાને કારણે ઘણીવાર બાળકોની ખોટી હાજરી નોંધાય છે. તેના આધારે જ આહાર અને નાસ્તાના બિલ બનાવવા સૂચના અપાય છે. આવી સ્થિતિમાં બાકીના બાળકોને ભોજન કોણ આપશે તેવો સવાલ પણ વર્કર બહેનો દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. આંગણવાડી વર્કર બહેનોએ જણાવ્યું છે કે, જ્યાં સુધી સરકાર દ્વારા નવા મોબાઈલ આપવામાં નહીં આવે ત્યાં સુધી અન્ય ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર અનિશ્ચિત મુદત માટે ચાલુ રહેશે.
વડોદરા જિલ્લાની સહકારી ક્ષેત્રની અગ્રગણ્ય બરોડા ડેરીની ચૂંટણી માથે છે તેવામાં વર્તમાન પ્રમુખ અને ઉપપ્રમુખ સામે રાજ્યના સહકારી વિભાગ દ્વારા કારણદર્શક નોટીસ પાઠવવામાં આવી છે. છેલ્લા કેટલાક વર્ષોથી દૂધ ભરતી મંડળીઓની સંખ્યામાં સતત ઘટાડો થવા ઉપરાંત અન્ય દૂધ સંઘો પાસેથી દૂધ લેવામાં સતત વધારો થયો હોવાનું સહકારી વિભાગે નોંધ્યું છે. દાણ પ્લાન્ટના દૈનિક ઉત્પાદનમાં સતત ઘટાડોસંઘના ઇટોલા ખાતે આવેલા દાણ ઉત્પાદન પ્લાન્ટની દૈનિક ક્ષમતા 300 મે. ટન છે. જ્યારે તેની સામે વર્ષ 2022 - 23માં 30.64 ટકા, 2024 - 25માં 28.85 ટકા અને વર્ષ 2025 - 26માં 26.88 ટકા ઉત્પાદન થયું હતું. આમ વર્ષો વર્ષ દાણ ઉત્પાદનમાં સતત ઘટાડો થયો છે જેના કારણે સંઘ દ્વારા કરવામાં આવેલા રોકાણ ઉપર પૂરતું વળતર મળ્યું નથી.ઉપરાંત પશુપાલકોને પણ પૂરતું દાણ ન મળતું હોવાનું વિભાગે નોંધ્યું હતું. જેના માટે સંઘના પ્રમુખ - ઉપપ્રમુખે યોગ્ય કાર્યવાહી કરી નથી. દૂધ ભરતી મંડળીઓની સંખ્યામાં સતત ઘટાડોસંઘ અંતર્ગત દૂધ ભરતી સહકારી મંડળીઓમાં છેલ્લા ત્રણ વર્ષમાં સતત ઘટાડો થયો છે. આંકડા મુજબ વર્ષ 2022 - 23માં 1112, વર્ષ 2023-24માં 1103, અને વર્ષ 2024 - 25માં 1091 મંડળી રહી છે. દૂધ ભરતી મંડળીઓમાં સતત ઘટાડો થવાના કારણે અન્ય સંઘ પાસેથી દૂધની ખરીદીમાં અતિશય વધારો થયો હોવાનું જણાવવામાં આવ્યું છે. દૂધ ઉત્પાદન મંડળીઓને પ્રોત્સાહન આપવામાં નિષ્ફળતારાજ્યના સહકારી વિભાગે નોટિસ પાઠવી છે તેમ જણાવવામાં આવ્યું છે કે, વર્તમાન પ્રમુખ અને ઉપપ્રમુખ સંઘ સાથે સંકળાયેલી દૂધ ભરતી મંડળીઓને પ્રોત્સાહન આપવામાં તદ્દન નિષ્ફળ નીવડ્યા છે અને તેના કારણે દૂધ ભરતી મંડળીઓ સંઘ સાથે જોડાતી નથી. સામી ચૂંટણીએ રાજકારણ ગરમાયુંબરોડા ડેરીની ચૂંટણીઓ નજીક છે. અને હાલમાં વર્તમાન પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ જાહેર થયા છે ત્યારે સામી ચૂંટણીએ સહકારી વિભાગની કારણદર્શક નોટીસથી રાજકારણ ગરમાયું છે. સહકારી વિભાગ દ્વારા 76 (બી)(1) હેઠળ નોટિસ આપવામાં આવી છે.ત્યારે હવે આગામી દિવસોમાં ડેરીનું રાજકારણ કેવો રંગ પકડે છે તે જોવું રહ્યું.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
પાટણના ડિવાઈન મર્સી સ્ટડી સેન્ટર ખાતે સિલાઈ મશીન વિતરણ કાર્યક્રમમાં હોબાળો થયો હતો. જિલ્લા સામાજિક ન્યાય નિધિ અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં પદાધિકારીઓ મશીન આપ્યા વગર જ રવાના થઈ ગયા હોવાના આક્ષેપો થયા છે. મશીનનું વિતરણ ન થતાં લાભાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમ પાટણ-ઊંઝા હાઇવે પર આવેલી ઓક્સફર્ડ સ્કૂલ પાસેના ડિવાઈન મર્સી સ્ટડી સેન્ટર ખાતે જિલ્લા પંચાયતની સમાજ કલ્યાણ શાખા દ્વારા યોજાયો હતો. તેનો મુખ્ય હેતુ જિલ્લા સામાજિક ન્યાય નિધિ અંતર્ગત સિલાઈ મશીનનું વિતરણ કરવાનો હતો. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર અને જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નિકિતાબેન મહેશકુમાર પરમાર સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. શરૂઆતમાં તમામ હોદ્દેદારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે, લાભાર્થીઓના જણાવ્યા અનુસાર, સ્વાગત વિધિ પૂર્ણ થયા બાદ તરત જ જિલ્લા પંચાયતના તમામ હોદ્દેદારો અને સંબંધિત વિભાગના કર્મચારીઓ એક પણ સિલાઈ મશીનનું વિતરણ કર્યા વગર જ સ્થળ છોડીને જતા રહ્યા હતા. તંત્રની આ કાર્યવાહીથી મશીન મેળવવા આવેલા લાભાર્થીઓમાં નારાજગી ફેલાઈ હતી. મશીન ન મળતા અને અધિકારીઓ જતા રહેતા, તમામ લાભાર્થીઓ ડિવાઈન મર્સી સ્ટડી સેન્ટર ખાતે જ બેસી રહ્યા છે અને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. આ બાબતે દિવ્ય ભાસ્કરે જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલ બેન ઠાકોર અને જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નિકિતાબેન મહેશકુમાર પરમારનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે, તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.
બિન હથિયારી ભરતીનું ફાઈનલ રિઝલ્ટ જાહેર બિન હથિયારી PSI ભરતીનું ફાઈનલ પરિણામ જાહેર કરવામાં આવ્યું..472 ઉમેદવારોની પસંદગી કરાઈ. જ્યારે 95 ઉમેદવાર વેઇટિંગમાં છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ‘શું અમારે પ્રજા વચ્ચે આવીને મત માગવા યોગ્ય છે? ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ અમદાવાદમાં 97 કરોડના કામોનું લોકાર્પણ કર્યું..દરમિયાન તેમણે લોકો વચ્ચે જઈને મત માગવા પર સવાલ કર્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 15 દિવસમાં બીજી વાર વડોદરા -મહેસાણા કોર્ટને બોમ્બ થ્રેટ 15 દિવસમાં બીજી વાર વડોદરા અને મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી.. મકરપુરા એરફોર્સ સ્ટેશનમાં કેન્દ્રીય વિદ્યાલયને પણ બોમ્બ થ્રેટ આપવામાં આવી..કોર્ટ પરિસરમાં બોમ્બ અને ડોગસ્ક્વોડે સઘન ચેકિંગ હાથ ધર્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગ્રીન કોરિડોર બનાવી રાજકોટથી સુરત પહોંચાડ્યું લિવર રાજકોટના ખેડૂતનું લિવર સુરત પહોંચાડાયું.. ગ્રીન કોરિડોર બનાવી લીવર સુરત મોકલાવ્યું.. ખેડૂત અશોકભાઈ સાવલિયાએ 6 વર્ષથી કિડનીની બિમારીથી પીડાતા હતા. બ્રેઈન હેમરેજ થતા પરિવારે અંગદાનનો નિર્ણય કર્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 11 વર્ષની સગીરા પર પાડોશીએ આચર્યું દુષ્કર્મ ભરુચમાં 11 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું. આરોપી તેનો પડોશી જ નીકળ્યો..પીડિતાએ ફરિયાદ કરતા આરોપીના બુટલેગર ભાઈએ પરિવારને ધાકધમકી આપી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ફૂલસ્પીડમાં આવતા બાઈક ચાલકે લીધો નિર્દોષનો ભોગ સુરતના મોટા વરાછા રોડ પર બે બાઈક સામસામે અથડાતા એક યુવકનું મોત થયું.. ફૂલસ્પીડમાં આવતો બાઈક ચાલક શાંતિથી જઈ રહેલા બાઈક સાથે ભટકાયો, જેમાં નિર્દોષ યુવકે જીવ ગુમાવ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યા કરી લીધી. મહિલા કોન્સ્ટેબલે PSIની દોડની પરીક્ષા પાસ કરી હતી અને લેખિત પરીક્ષા માટે તૈયારી કરતા હતા. આપઘાતનું કારણ અકબંધ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સેવ બનાવવાની 3 ફેક્ટરીઓમાં આગ લાગી કાલુપુર બ્રિજ પાસે સેવ બનાવવાની 3 ફેક્ટરીઓમાં વિકરાળ આગ લાગી..જીવ બચાવવા ધાબા પરથી કૂદતા બે યુવકો ઈજાગ્રસ્ત થયા.. ફાયર બ્રિગેડે 5 કલાકે આગ કાબૂમાં લીધી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હત્યાની બે ઘટનાઓએ સંબંધો લજવ્યા રાજ્યમાં હત્યાની બે ઘટનાઓ સામે આવી.. સુરતમાં રમઝાનમાં મામાના ઘરે ગયેલા યુવકની તેના પિતરાઈએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી.. તો ઉનામાં ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી નાખી. ત્રણ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી દીધી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ન્યુઝીલેન્ડની ટીમ અમદાવાદ પહોંચી સાઉથ આફ્રિકાને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કરનારી ન્યૂઝીલેન્ડની ટીમ આજે અમદાવાદ પહોંચી. ટીમ આઈટીસી નર્મદામાં રોકાશે. 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી-20 વર્લ્ડકપનો ફાઈનલ મુકાબલો રમાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્યમાં તાપમાનનો પારો 39 ડિગ્રીએ પહોંચ્યો માર્ચ મહિનાની શરુઆતમાં જ ગરમી શરુ. 39 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું.. આગામી સમયમાં તાપમાન 40 ડિગ્રીને આંબે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
સાબરકાંઠા જિલ્લામાં ધોરણ-12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષા ચાર દિવસની રજા બાદ ગુરુવારે યોજાઈ હતી. હિંમતનગર અને ઈડર ઝોનમાં લેવાયેલી આ પરીક્ષામાં કુલ 7112 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. નોંધનીય છે કે, આ પરીક્ષા દરમિયાન એકપણ કોપી કેસ નોંધાયો નથી. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગુરુવારે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં મનોવિજ્ઞાનનું પેપર લેવાયું હતું. હિંમતનગર ઝોનમાં નોંધાયેલા 7192 વિદ્યાર્થીઓ પૈકી 102 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા, જ્યારે 7090 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ ઉપરાંત, અંગ્રેજી માધ્યમના મનોવિજ્ઞાનના પેપરમાં 22 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આમ, કુલ નોંધાયેલા 7214 વિદ્યાર્થીઓમાંથી 7112 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. હાજર રહેલા વિદ્યાર્થીઓમાં 31 દિવ્યાંગ વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.
સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સ, ગુજરાત પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા સાયબર ફ્રોડ અને માનવ તસ્કરીના નેટવર્ક પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સુરત ખાતે રહેતા કૌશિક અશ્વિનભાઇ પેથાણી અને ધ્રુવ કનુભાઇ ડોબરીયા નામના બે શખસની ધરપકડ કરવામાં આવી છે. આ બન્ને નિર્દોષ યુવાનોને વિદેશમાં ઉચ્ચ પગારવાળી નોકરીની લાલચ આપી કંબોડિયા અને મ્યાનમાર જેવા દેશોમાં સાયબર ગુલામીમાં ધકેલી દેતા હતા. બન્ને ચાઈનીઝ સાયબર માફિયાઓ સાથે મળી નેટવર્ક ચલાવતાવિદેશમાં ઊંચા પગારની લાલચ આપી નિર્દોષ ભારતીય યુવાનોને મ્યાનમાર, લાઓસ અને કંબોડિયા જેવા દેશોમાં બંધક બનાવી તેમની પાસે સાયબર ફ્રોડ કરાવતી આંતરરાષ્ટ્રીય ગેંગનો ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ મામલે ગુનો દાખલ કરી પોલીસે બે એજન્ટોની ધરપકડ કરી છે. આ શખસો ચાઈનીઝ સાયબર માફિયાઓ સાથે મળીને આ નેટવર્ક ચલાવતા હતા. યુવાનોને કેદ કરી ફ્રોડ કરવા મજબૂર કરતાપકડાયેલા આરોપીઓ કૌશિક પેથાણી અને ધ્રુવ ડોબરીયા સોશિયલ મીડિયા, વ્હોટ્સએપ અને ટેલિગ્રામ દ્વારા યુવાનોનો સંપર્ક કરતા હતા. તેઓ ટેલિગ્રામ પર જ નકલી ઇન્ટરવ્યુ અને ટાઇપિંગ ટેસ્ટ લઈ યુવાનોને આઈટી કંપનીમાં ડેટા એન્ટ્રીની નોકરીનો વિશ્વાસ અપાવતા હતા. એકવાર યુવાનો કંબોડિયા કે મ્યાનમાર પહોંચે એટલે આરોપીઓ તેમના પાસપોર્ટ અને મોબાઈલ ફોન છીનવી લેતા હતા. તેમને કેમ્પસમાં કેદ કરી દિવસના લાંબા કલાકો સુધી ક્રિપ્ટોકરન્સી સ્કેમ અને ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરવા મજબૂર કરવામાં આવતા હતા. જો કોઈ યુવાન કામ કરવાની ના પાડે તો તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જ્યોર્જિયા અને સાઉથ આફ્રિકામાં નેટવર્ક ફેલાવવાની તૈયારીમાં હતાંતપાસમાં સામે આવ્યું છે કે, આ આરોપીઓ અગાઉ દુબઈ, લાઓસ, થાઈલેન્ડ અને શ્રીલંકા જેવા દેશોમાં પણ આવી પ્રવૃત્તિ કરી ચૂક્યા છે. હાલમાં કંબોડિયામાં કડક કાર્યવાહી થતા તેઓ હવે જ્યોર્જિયા અને સાઉથ આફ્રિકામાં પોતાનું નેટવર્ક ફેલાવવાની તૈયારીમાં હતા. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી બે આઈફોન પણ કબજે કરવામાં આવ્યા છે, જેના થકી આગામી દિવસોમાં મોટા ખુલાસા થવાની શકયતા છે. નાગરિકોને 1930 પર સંપર્ક કરવા અપીલપોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, વિદેશમાં જોબ પ્લેસમેન્ટ મેળવતા પહેલા કંપનીની ખરાઈ કરવી અને વિઝાના પ્રકારની તપાસ કરવી અત્યંત આવશ્યક છે. જો કોઈ પણ વ્યક્તિ આ પ્રકારની પરિસ્થિતિમાં ફસાય તો તુરંત ભારતીય એમ્બેસી અથવા સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરવા જણાવાયું છે.
રાજસ્થાન હત્યા કેસ: આરોપીઓને ફાંસી આપવા માંગ:ધાનેરા નાઈ સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું
બનાસકાંઠાના ધાનેરામાં નાઈ સમાજના લોકોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. રાજસ્થાનના બિકાનેર જિલ્લાના રણજીતપુરા ગામમાં સેન સમાજની એક દીકરીની હત્યાના આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ સાથે આ રજૂઆત કરવામાં આવી હતી. રાજસ્થાનના બિકાનેરના રણજીતપુરા ગામમાં સેન સમાજની એક દીકરીની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના પડઘા ગુજરાતના ધાનેરા સુધી પડ્યા છે. ધાનેરા નાઈ સમાજે 'અપરાધીઓને ફાંસી આપો'ના નારા લગાવ્યા હતા. તેમણે માંગ કરી હતી કે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવીને આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે. નાઈ સમાજે ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું. રાજસ્થાનમાં બનેલી આ ઘટનાના કારણે સેન સમાજમાં અને અન્ય સમાજોમાં પણ ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે.
જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં એસટી નિગમના કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી ગંભીર બેદરકારી સામે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. મુસાફરોની સુરક્ષા સાથે ચેડાં કરનારા અને શિસ્તભંગ કરનારા બે ડ્રાઈવરોને જૂનાગઢ વિભાગીય નિયામક દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ કડક કાર્યવાહીથી નિગમના અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. જૂનાગઢથી વિસાવદર રૂટ પર બસ ચલાવતી વખતે ડ્રાઈવર દિલીપ આર. કોટીલા (બેજ નંબર 498) સતત મોબાઈલ ફોન પર વાતચીત કરવામાં મશગૂલ હતા. એક હાથે સ્ટીયરિંગ અને બીજા હાથે મોબાઈલ પકડીને બસ ચલાવતા ડ્રાઈવરની આ જોખમી હરકત જોઈ મુસાફરો ફફડી ઉઠ્યા હતા. કોઈ જાગૃત મુસાફરે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો, જેના આધારે વિભાગીય નિયામકે તપાસ કરાવી ડ્રાઈવરને સસ્પેન્ડ કરી પોરબંદર ડેપો ખાતે ખસેડી દીધા છે. બીજી તરફ, વેરાવળ ડેપોના ડ્રાઈવર રાજેશ જે. નિમાવત (બેજ નંબર 17427) સામે પણ શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે. ફરજ દરમિયાન ડેપો મેનેજર સાથે ગેરવર્તણૂક અને મિસબિહેવિયર કરવા બદલ તેમને પણ તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમને શિક્ષાત્મક પગલાં રૂપે વેરાવળથી ઉપલેટા ડેપો ખાતે મૂકી દેવામાં આવ્યા છે. આ બંને કેસમાં હવે નિગમ દ્વારા વધુ તપાસ કરી ખાતાકીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. જૂનાગઢ વિભાગીય નિયામક વી.બી. ડાંગરે આ અંગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે મુસાફરોની સલામતી સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં. અધિકારી, સુપરવાઈઝર કે કર્મચારી દ્વારા કરવામાં આવતી કોઈ પણ પ્રકારની અનિયમિતતા કે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન સાંખી લેવામાં આવશે નહીં. તમામ કર્મચારીઓએ ફરજ દરમિયાન નિયમોનું ચુસ્ત પાલન કરવું ફરજિયાત છે.
ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર, સંદીપ સાગલે (IAS) એ ગુજરાત રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી (CEO) તરીકે વિધિવત રીતે કાર્યભાર સંભાળી લીધો છે. પદભાર ગ્રહણ કર્યાના પ્રથમ દિવસથી જ તેમણે અત્યંત સક્રિયતા દાખવી છે. રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓ અને વહીવટી પ્રક્રિયાઓને ધ્યાનમાં રાખીને તેમણે CEO કચેરીના તમામ વિભાગો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. વિવિધ શાખાઓની સર્વગ્રાહી સમીક્ષાનવા મુખ્ય નિર્વાચન અધિકારીએ કાર્યભાર સંભાળતાની સાથે જ રાજ્યવ્યાપી ચૂંટણી તંત્રની વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે ચૂંટણી સંચાલન, સંકલન, મતદારયાદી સુધારણા, આઈ.ટી. વિભાગ, મીડિયા સેલ અને ફરિયાદ નિવારણ જેવી વિવિધ શાખાઓના અધિકારીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. દરેક વિભાગની કામગીરીની ઝીણવટભરી વિગતો મેળવી તેમણે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તાલીમ અને ટેકનોલોજી પર વિશેષ ભારસમીક્ષા બેઠક દરમિયાન સંદીપ સાગલેએ રાજ્યથી લઈને જિલ્લા સ્તર સુધીના તમામ કર્મચારીઓની તાલીમ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી કે તાલીમ પ્રક્રિયા માત્ર ઔપચારિક ન રહેતા વધુ અસરકારક બનવી જોઈએ. તાલીમ મોડ્યુલમાં રચનાત્મકતા લાવવા અને આધુનિક પદ્ધતિઓ અપનાવવા તેમણે તાકીદ કરી હતી. આગામી સમયમાં મતદાર યાદીના સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમો અને અન્ય ચૂંટણીલક્ષી આયોજનો માટે સમગ્ર સ્ટાફ નવા નેતૃત્વ હેઠળ સજ્જ જોવા મળી રહ્યો છે.
ગોધરામાં પરિવાર પર હુમલો કરી ઘરમાં તોડફોડ:સહજાનંદ સોસાયટીમાં 4 ઇજાગ્રસ્ત, 10 સામે ફરિયાદ નોંધાઈ
ગોધરાની સહજાનંદ સોસાયટીમાં એક પરિવાર પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘરની તોડફોડ થઈ હતી અને પરિવારના ચાર સભ્યોને ઈજા પહોંચી હતી. પોલીસ સૂત્રો અનુસાર, દસથી વધુ અજાણ્યા ઈસમો પાઈપ અને લાકડીઓ જેવા હથિયારો સાથે બાઈક પર સોસાયટીમાં ઘૂસી આવ્યા હતા. તેમણે કાછિયા પટેલ પરિવારના મકાનને નિશાન બનાવ્યું હતું. હુમલાખોરોએ ઘરમાં પ્રવેશીને ઘરવખરીના સામાનની વ્યાપક તોડફોડ કરી હતી. ઘરની બહાર પાર્ક કરેલી બે બાઈકોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ હુમલામાં ત્રણ મહિલાઓ અને એક યુવક સહિત કુલ ચાર સભ્યોને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, હુમલા પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ભોગ બનનાર પરિવારે આ મામલે પોલીસ દ્વારા કડક કાર્યવાહીની માંગ કરી છે. ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.વી. વસૈયાએ માહિતી આપી હતી કે, આ ઘટનામાં ગોધરાના પાવર હાઉસ પાસે રહેતા મનીષાબેન પરમાર, મંજુબેન પરમાર, નયનાબેન પરમાર, પિંકી પરમાર, મહેન્દ્ર પરમાર, જયંતી, જીતેશ, કાર્તિક જગદીશ, પરમાર રાજ ચોહાણ સહિત ચાર મહિલા અને છ પુરુષ એમ કુલ દસ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
ICC ટ્રોફીના ફાઈનલમાં પ્રવેશ કરનારી ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ આજે અમદાવાદ પહોંચી છે. સેમીફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ફાઈનલમાં પહોંચેલી કીવી ટીમ બપોરે ત્રણ વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર ઉતરી હતી. એરપોર્ટ પરથી સીધી ટીમ હોટલ ITC નર્મદા ખાતે પહોંચી, જ્યાં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ન્યૂઝીલેન્ડની ટીમના કેપ્ટન કેન વિલિયમ્સન સહિત તમામ ખેલાડીઓ અને સ્ટાફનું એરપોર્ટ અને હોટલ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. ટીમના આગમન સાથે અમદાવાદમાં ફાઈનલનો ઉત્સાહ વધુ વધી ગયો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આ મેચ માટે ટીમ આગામી દિવસોમાં નેટ પ્રેક્ટિસ અને તૈયારીઓ શરૂ કરશે. આ પહેલાં ન્યૂઝીલેન્ડે સેમીફાઈનલમાં શાનદાર પ્રદર્શન કરીને સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું, જેના કારણે ફાઈનલમાં તેમની એન્ટ્રી નિશ્ચિત થઈ હતી. હવે અમદાવાદમાં ફાઈનલની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટીમના આગમન બાદ હોટલ ITC નર્મદા ખાતે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ફાઈનલ મેચ પહેલાં ટીમની તમામ પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે. ક્રિકેટ ચાહકો હવે ફાઈનલના દિવસની રાહ જોઈ રહ્યા છે, જ્યાં ન્યૂઝીલેન્ડ ટીમ ટ્રોફી જીતવા માટે પૂરજોશમાં છે. આગામી દિવસોમાં ટીમની પ્રેક્ટિસ સેશન અને મીડિયા ઇન્ટરેક્શન પણ યોજાશે, જેના દ્વારા ફાઈનલનો માહોલ વધુ ગરમાશે.
ગુજરાતની સમૃદ્ધ આદિવાસી પરંપરા અને અનન્ય સાંસ્કૃતિક વારસાને હવે રાષ્ટ્રીય સ્તરે એક નવી ઓળખ મળી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે છોટાઉદેપુર જિલ્લાના પ્રસિદ્ધ ‘કવાંટ ગેર મેળા’ પર આધારિત વિશેષ ટપાલ ટિકિટ અને સ્પેશિયલ કવરનું ગરિમાપૂર્ણ અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે આ ઐતિહાસિક ટપાલ ટિકિટની પ્રથમ પ્રત મુખ્યમંત્રીને અર્પણ કરી હતી. સાંસ્કૃતિક વિરાસતને આંતરરાષ્ટ્રીય ફલક પર લઈ જવાનો પ્રયાસછોટાઉદેપુરના કવાંટ ખાતે દર વર્ષે હોળી પછી યોજાતો ‘કવાંટ ગેર મેળો’ એ માત્ર મેળો નથી, પરંતુ આદિવાસી સમુદાયના લોકજીવન, કલા અને પરંપરાઓનો જીવંત દસ્તાવેજ છે. આ ટપાલ ટિકિટના લોન્ચિંગથી ગુજરાતની આદિવાસી સંસ્કૃતિને દેશ અને દુનિયાના ખૂણે-ખૂણે પહોંચાડવાની દિશામાં એક મજબૂત પગલું ભરવામાં આવ્યું છે. રાજ્ય સરકારની આ પહેલ ‘વિરાસત ભી, વિકાસ ભી’ના મંત્રને સાર્થક કરતી જોવા મળી રહી છે. કાર્યક્રમમાં મહાનુભાવોની ઉપસ્થિતિગાંધીનગરમાં આયોજિત આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો સહભાગી થયા હતા. જેમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ ઉપરાંત છોટાઉદેપુરના લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય અભેસિંહ તડવી ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ છોટાઉદેપુરના કલેક્ટર ગાર્ગી જૈન, પ્રવર ડાક અધિક્ષક આર.બી. ઠાકોર અને રાઠવા આદિવાસી સમુદાયના અગ્રણી પ્રતિનિધિઓએ પણ આ ક્ષણને વધાવી લીધી હતી. શું છે ‘કવાંટ ગેર મેળા’નું મહત્વ?કવાંટનો ગેર મેળો એ પ્રકૃતિ અને માનવ વચ્ચેના અતૂટ જોડાણનું પ્રતિક છે. આ મેળામાં આદિવાસી સમુદાયના લોકો પરંપરાગત વેશભૂષા, શરીરે પીઠોરા ચિત્રકલા જેવી ચિત્રકારી અને વાજિંત્રો સાથે ઉમટી પડે છે. આ ઉત્સવ સામાજિક સમરસતા અને પેઢીઓથી ચાલી આવતી રૂઢિઓને જીવંત રાખવાનું કામ કરે છે. ટપાલ ટિકિટ પર આ મેળાને સ્થાન મળવાથી આદિવાસી કલાના સંરક્ષણ અને તેને નવી પેઢી સુધી પહોંચાડવામાં મોટી મદદ મળશે. આ ટપાલ ટિકિટ હવે માત્ર પત્રો પહોંચાડવાનું સાધન નહીં રહે, પરંતુ ગુજરાતના ગૌરવશાળી આદિવાસી ઇતિહાસની દૂત બનીને વિશ્વભરમાં ફરશે.
બિન હથિયારી PSI ભરતીનું ફાઈનલ પરિણામ જાહેર:472 ઉમેદવારોની પસંદગી, 95 ઉમેદવાર વેઇટિંગમાં; જુઓ લિસ્ટ
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ભરતી પ્રક્રિયાનું આખરી પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક GPRB/202324/1 અંતર્ગત કુલ 472 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 1 લાખ ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતીઆ ભરતી પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં 4 લાખ 60 હજારથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. જાન્યુઆરી-ફેબ્રુઆરી, 2025 દરમિયાન શારીરિક કસોટી યોજાઈ હતી, જેમાંથી લગભગ 1 લાખ જેટલા ઉમેદવારો લેખિત પરીક્ષા માટે લાયક ઠર્યા હતા. ત્યારબાદ 13 એપ્રિલ, 2025ના રોજ MCQ આધારિત 200 ગુણ અને સબજેક્ટિવ 100 ગુણ મળીને કુલ 300 ગુણની લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. PSI કેડરના પરીક્ષા નિયમો મુજબ, કુલ 1025 ઉમેદવારોના દસ્તાવેજ ચકાસણીની પ્રક્રિયા 5 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી, 2025 દરમિયાન પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ 23 ફેબ્રુઆરી, 2025ના રોજ પ્રોવિઝનલ પરિણામ જાહેર કરી ઉમેદવારો પાસેથી વાંધા-સૂચનો માંગવામાં આવ્યા હતા. યાદી જોવા ક્લિક કરો..... બિન હથિયારી PSI ફાઈનલ લિસ્ટ આગામી દિવસોમાં નિમણૂક પણ આપી દેવાશેવાંધા-સૂચનોની સમીક્ષા બાદ હવે ભરતી બોર્ડે અંતિમ પસંદગી યાદી જાહેર કરી છે, તેમાં કુલ 472 ઉમેદવારોની ફાઇનલ સિલેક્શન લિસ્ટ અને 95 ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. પસંદગી પામેલા ઉમેદવારોની નિમણૂક અંગેની આગળની કાર્યવાહી પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા હાથ ધરવામાં આવશે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ…
Chhota Udaipur News: છોટાઉદેપુરમાં એક તરફ સરકાર છેવાડાના માનવી સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાના દાવા કરી રહી છે, ત્યારે બીજી તરફ નસવાડી તાલુકાના કુકરદા ગામે 'વિકાસની ગુલબાંગો'ની પોલ ખોલી નાખી છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલી કુપ્પા પાણી પુરવઠા યોજના માત્ર સરકારી ચોપડે જ સફળ દેખાઈ રહી છે, જ્યારે વાસ્તવિકતામાં દીવા તળે અંધારું જેવો ઘાટ ઘડાયો છે. કુપ્પા પાણી પુરવઠા યોજના ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ દાવો થઈ રહ્યો છે. યોજના કરોડોની, પણ નળ ખાલીખમ સરકારે કુપ્પા પાણી પુરવઠા યોજના અંતર્ગત 82 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ફાળવી હતી.
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા મુખ્ય બજારમાં એક ચાલુ ઇલેક્ટ્રિક સ્કૂટીમાંથી અચાનક ધુમાડો નીકળ્યો હતો. આ ઘટનાથી બજારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્કૂટી ચાલકે ધુમાડો નીકળતાની સાથે જ વાહન સાઈડમાં કરી દીધું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે સ્કૂટી ચાલક બજારમાંથી પસાર થઈ રહ્યા હતા. ઇલેક્ટ્રિક સ્કૂટીમાં શોર્ટ સર્કિટ થવાને કારણે ધુમાડો નીકળ્યો હોવાનું અનુમાન છે. ધુમાડાની સાથે સ્કૂટીમાંથી તણખા પણ નીકળ્યા હતા. ઘટના બનતા જ આસપાસના લોકો તાત્કાલિક એકઠા થઈ ગયા હતા. લોકોએ સમયસૂચકતા વાપરીને આગને વધુ ફેલાતી અટકાવી અને તેને બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં ધુમાડો નીકળતો સ્પષ્ટપણે જોઈ શકાય છે.
સુરત મહાનગરપાલિકાની ટર્મ 11 માર્ચ 2026ના રોજ પૂર્ણ થાય છે, ત્યારે તેના આગલા દિવસે એટલે કે, 10 માર્ચના રોજ યોજાનારી વર્તમાન ટીર્મની છેલ્લી સામાન્ય સભામાં શહેરના વિકાસ અને જાહેર સુખાકારીને લગતા અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવશે. આ સભામાં સૌથી વધુ ધ્યાન ખેંચનારું કામ ગટર સમિતિ દ્વારા પોણા બે કરોડની કપૂર ગોટી ખરીદવા રજૂ કરવામાં આવ્યું છે. કારણ કે, 2000 જેટલા ડ્રેનેજ સફાઈ કામદારોના સ્વાસ્થ્ય અને કાર્યસ્થળની સ્થિતિમાં સુધારો કરવા આ મંજૂરી આપવામાં આવશે. ડ્રેનેજ સફાઈ કામદારો માટે 1.76 કરોડની કપૂર ગોટી ખરીદશેડ્રેનેજ વિભાગ હેઠળ ફરજ બજાવતા બે હજાર સફાઈ કામદારો માટે વહીવટી તંત્ર દ્વારા 1,76,50,000ના ગ્રોસ અંદાજને મંજૂરી આપવાની તૈયારી દર્શાવવામાં આવી છે. આ રકમનો ઉપયોગ સફાઈ પ્રક્રિયા દરમિયાન જરૂરી એવી કપૂર ગોટી પૂરી પાડવા માટે કરવામાં આવશે. આ કોન્ટ્રાક્ટ એક વર્ષ માટે આપવામાં આવ્યો છે. એટલે કે, એક વર્ષમાં ડ્રેનેજ સફાઈ કામદારો માટે પોણા બે કરોડની કપૂર ગોટી ખરીદવામાં આવશે. દરેક ઝોનવાળા પોતાના ટેન્ડર પ્રમાણે કીટ ખરીદતામેન્યુઅલ સ્કેવેન્જર્સ એક્ટ અંતર્ગત સફાઈ કામદારોની સુરક્ષા માટે બધી વસ્તુઓ ખરીદવી પડતી હોય છે. જેમાં કીટ હોય, હાથના મોજા સહિતની બધી વસ્તુ ખરીદવી પડતી હોય છે. અત્યાર સુધી આ વસ્તુ ખરીદતા જ હતા પણ દરેક ઝોનમાંથી અલગ અલગ ખરીદતા હતા. દરેક ઝોન ટેન્ડર પાડે અને દરેક ઝોનવાળા પોતાના ટેન્ડર પ્રમાણે ખરીદી કરતા હતા. હવે એક જ મેઇન રેન્જે બધું ખરીદી કરી લઈ અને પછી દરેક ઝોનની જરૂરિયાત પ્રમાણે એમાંથી વિતરણ થાય. આનાથી વહીવટી પ્રક્રિયામાં પણ સરળતા રહેશે. શા માટે કપૂર ગોટી ખરીદવામાં આવે છે?ગટર સફાઈનું કામ અત્યંત જટિલ અને જોખમી હોય છે. ડ્રેનેજ લાઈનોમાં એકઠા થતા ઝેરી ગેસ અને અસહ્ય દુર્ગંધને કારણે કામદારોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. કપૂર ગોટી કુદરતી રીતે જંતુનાશક અને સુગંધિત હોવાથી તે ગટરની અંદરની દુર્ગંધને ઘટાડવામાં મદદરૂપ થાય છે. હવામાં રહેલા હાનિકારક બેક્ટેરિયા સામે રક્ષણ આપે છે. કામદારોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર થતી વિપરીત અસરોને ઓછી કરે છે. ટર્મની છેલ્લી સામાન્ય સભાચૂંટણી પહેલા અને ટર્મ પૂરી થતી હોવાથી આ સભામાં અનેક અટકેલા કામોને વેગ આપવામાં આવી રહ્યો છે. ગટર સમિતિ દ્વારા રજૂ કરવામાં આવેલી આ દરખાસ્તને વિપક્ષ અને સત્તાધારી પક્ષ બંને તરફથી સકારાત્મક પ્રતિસાદ મળે તેવી પૂરેપૂરી શક્યતા છે.
ગાંધીનગર ખાતે આયોજિત એક ખાસ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “શેપિંગ ટુમોરોઝ સીટીઝ – ફ્રોમ ક્લાયમેટ રીસ્ક ટૂ ગ્રીન ઓપોર્ચ્યુનીટીઝ” પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ પુસ્તક આધુનિક સમયના વધતા જતાં શહેરીકરણને સમસ્યા તરીકે નહીં, પરંતુ સસ્ટેનેબલ અને ઇનોવેટીવ અર્બનાઇઝેશનની એક ઉત્તમ તક તરીકે રજૂ કરે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનને અનુસરીને, ગુજરાત ઉર્જા વિકાસ નિગમના મેનેજીંગ ડિરેક્ટર શાલિની અગ્રવાલે આ પુસ્તકમાં વિશ્વભરના શહેરી વિકાસના મોડેલ્સનું સચોટ વિશ્લેષણ કર્યું છે. આ લેખન દ્વારા ભવિષ્યના શહેરો કેવા હોવા જોઈએ અને તે કેવી રીતે ક્લાયમેટ રીઝીલિયન્ટ બની શકે તેનું સચોટ નિરૂપણ કરવામાં આવ્યું છે. શહેરીકરણ: પડકારો અને આગોતરું આયોજનવર્તમાન સમયમાં શહેરીકરણ એ સૌથી મોટી પરિવર્તનકારી પ્રક્રિયા છે. આ પુસ્તકમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વધતા શહેરીકરણને કારણે આવનારા સમયમાં પર્યાવરણીય અને સામાજિક પડકારો ઉભા થશે. આ માટે અત્યારથી જ યોગ્ય નીતિ નિર્માણ અને આગોતરા આયોજનની આવશ્યકતા છે. ખાસ કરીને વધતી એનર્જી ડિમાન્ડ, સંસાધનોનો વપરાશ અને ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનને નિયંત્રિત કરવા માટેના અસરકારક ઉપાયો આ પુસ્તકમાં વણી લેવાયા છે. 2047 ના ભારત માટે શહેરોની ભૂમિકાભારતમાં શહેરીકરણની ગતિ અત્યંત તેજ છે અને વર્ષ 2047 સુધીમાં તેમાં અભૂતપૂર્વ વધારો થવાની ધારણા છે. આ આર્થિક વિકાસયાત્રામાં શહેરો કરોડરજ્જુ સમાન સાબિત થશે. જોકે, વધતી વસ્તીને કારણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હાઉસિંગ અને પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓ પર દબાણ વધશે. આ દબાણને ખાળવા માટે શહેરોનું સુવ્યવસ્થિત આયોજન અને ટકાઉ વિકાસ કેટલો અનિવાર્ય છે, તેની ઊંડી છણાવટ આ પુસ્તકમાં જોવા મળે છે. ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફાઇનાન્સિંગ મોડેલટકાઉ વિકાસ માટે માત્ર યોજનાઓ જ નહીં, પણ ભંડોળ પણ એટલું જ જરૂરી છે. આ પુસ્તક ક્લાયમેટ રીઝીલીયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રોકાણ મેળવવાના વિવિધ માર્ગો દર્શાવે છે. જેમાં ગ્રીન બોન્ડ, પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP), કાર્બન માર્કેટ અને ક્લાઈમેટ ફાઈનાન્સ જેવા આધુનિક સાધનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની નાણાકીય ક્ષમતા મજબૂત બનાવવા અને મ્યુનિસીપલ ફાયનાન્સ સિસ્ટમને સુધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. શહેરો: સમસ્યા નહીં, પણ ઉકેલનું કેન્દ્રપુસ્તકનો મુખ્ય વિચાર એ છે કે શહેરો સમસ્યાઓનું મૂળ નથી, પરંતુ તે એક એવું પ્લેટફોર્મ છે જ્યાંથી સામાજિક અને પર્યાવરણીય સમસ્યાઓના ઉકેલ મળી શકે છે. આધુનિક ટેકનોલોજી અને સસ્ટેનેબલ પોલિસીઝ દ્વારા શહેરોને ગ્રીન ફ્યુચરના આધારસ્તંભ બનાવી શકાય છે. આ પુસ્તક નીતિ નિર્ધારકો અને અર્બન પ્લાનર્સ માટે એક મહત્વના માર્ગદર્શક તરીકે સાબિત થશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કથિત ભ્રષ્ટાચારના પ્રતીક સમાન હાટકેશ્વર છત્રપતિ શિવાજી મહારાજ ફ્લાય ઓવર બ્રિજની જોખમી હાલતને લઈ નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ જ્યોર્જ ડાયસ, રમીન્દ્રસિંહ બગ્ગા, યસ ચૌધરી અને દુરઇ સ્વામીએ એક સંયુક્ત નિવેદનમાં તંત્રની ઉદાસીનતા અને અક્ષમ્ય બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે જો આ મામલે ત્વરિત પગલાં નહીં લેવાય તો મોરબી જેવી જ મોટી હોનારત સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે. બ્રિજની નબળી ગુણવત્તાને કારણે ગણેશ કન્સ્ટ્રક્શન દ્વારા તેને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ હાલમાં બે મોટા અને અત્યંત વજનદાર સ્પાન માત્ર 3 ટેકા પર ટકેલા છે. IIT ગાંધીનગર દ્વારા આ સ્પાન તોડવાની મંજૂરી ન મળતા અને ડેપ્યુટી સીટી એન્જિનિયર દ્વારા સ્થાપિત હિતોને કારણે પેમેન્ટ અટકાવી દેવાતા કામ અધૂરું મૂકી દેવાયું છે. બ્રિજ તોડવાના વાઈબ્રેશનથી પિલરો નબળા પડ્યા છે અને સ્લેબમાં 6 થી 7 વખત ક્રશિંગ જોવા મળ્યું છે, જે દર્શાવે છે કે આ વિશાળ સ્પાન ગમે ત્યારે તૂટી પડી શકે તેમ છે. આ પ્રોજેક્ટમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. 40 કરોડના ખર્ચે બનેલા આ બ્રિજની ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ ફક્ત 1 વર્ષ રાખવા સામે પ્રશ્નો ઉઠ્યા છે. થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન અને કન્સલ્ટન્ટ દ્વારા આંખ આડા કાન કરી પેમેન્ટો રિલીઝ કરી દેવામાં આવ્યા હતા. હાલમાં કોન્ટ્રાક્ટરોને પ્રોત્સાહન આપવાને બદલે દંડની ધમકીઓ અપાઈ રહી છે, જેની નાગરિકોએ સખત શબ્દોમાં નિંદા કરી છે. બ્રિજનો અડધો ભાગ બંધ હોવાને કારણે આસપાસના રહીશો, વેપારીઓ અને વાહનચાલકોને અસહ્ય હાલાકી ભોગવવી પડી રહી છે. ટ્રાફિક જામની સમસ્યા રોજિંદી બની ગઈ છે. નાગરિકોના વિશાળ હિતમાં આ સ્પાન તાત્કાલિક ઉતારી લેવાની મંજૂરી આપવા અને અટકાવેલું પેમેન્ટ રિલીઝ કરવા માટે જ્યોર્જ ડાયસની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જો કોઈ દુર્ઘટના સર્જાશે અને નિર્દોષ લોકોનો ભોગ લેવાશે, તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
ભરૂચ શહેરના સી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે. પોલીસે સગીરાના પિતાની ફરિયાદના આધારે પડોશી આરોપી પિયુષ ઉર્ફે પિયા ઠાકોર પરમારની ધરપકડ કરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, સી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતી 11 વર્ષની સગીરા તેના માતા-પિતા સાથે તાડપત્રીથી બનેલા ઝૂંપડામાં રહે છે. આ ઝૂંપડામાં મુખ્ય દરવાજો કે પાછળની દીવાલ ન હોવાથી સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ન હતી. ઘટનાની રાત્રે મચ્છરોનો ઉપદ્રવ વધુ હોવાથી ઘરમાં ધુમાડો કરવામાં આવ્યો હતો, જેથી સગીરાના માતા-પિતા ધાબળો ઓઢીને સૂઈ ગયા હતા. આ દરમિયાન રાત્રે અંદાજે એકથી બે વાગ્યાના સમયગાળા દરમિયાન પડોશમાં રહેતો પિયુષ ઉર્ફે પિયા ઠાકોર પરમાર અંધારાનો અને ઝૂંપડામાં દરવાજો તથા વીજળી ન હોવાનો લાભ લઈ ઘરમાં ઘૂસી ગયો હતો. આરોપીએ સગીરા સાથે શારીરિક અડપલા કર્યા બાદ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ બૂમાબૂમ કરતા આરોપી અંધારાનો લાભ લઈ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જોકે, નજીકના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આરોપી કેદ થઈ ગયો હોવાનું પણ સામે આવ્યું છે. ઘટના અંગે સગીરાના પિતાએ તાત્કાલિક પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી પિયુષ ઉર્ફે પિયા ઠાકોર પરમાર સામે બળાત્કાર, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય તેમજ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડ્યો હતો. આરોપી બુટલેગરનો ભાઈ હોવાથી ફરિયાદ નોંધાયા બાદ કેટલાક અસામાજિક તત્વો પીડિત પરિવારના ઘરે પહોંચી ઝઘડો કરી ધમકી આપી હોવાની પણ ચર્ચા છે. જેને લઈને પીડિત પરિવારે રાત્રિના સમયે 112 પર ફોન કરીને પોલીસ પાસે મદદ માંગી હોવાનું જાણવા મળ્યું છે.
ભાવનગર શહેરમાં ચોરીના ગુનામાં સંડોવાયેલો અને પકડવાનો બાકી રહેલા આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં શખસને એલસીબીની ટીમે બાતમીના આધારે રંઘોળા ચોકડી પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ઉમરાળા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ બનાવ અંગે એલસીબી કચેરીથી મળતી માહિતી અનુસાર, ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી કે શહેરના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ચોરીના ગુનાના કામે પકડવાના બાકી આરોપી ભરતભાઈ ઉર્ફે મોરલો બાલાભાઈ પરમાર રંઘોળા ચોકડી પાસે રોડ ઉપર ઉભો છે. જે બાતમીના આધારે એલસીબીની ટીમ સ્થળ પર પહોંચી હતી. એલસીબીએ ભરત ઉર્ફે મોરલો બાલાભાઈ પરમાર (રહે. દેવળીયા રોડ, રંઘોળા તા. ઉમરાળા)ને ઝડપી લીધો હતો. ગુનાના કામે પકડવાનો બાકી આરોપી મળી આવતા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને ઉમરાળા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યો હતો. આ અંગે નિલમબાગ પોલીસ સ્ટેશન દ્વારા આરોપી વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ શહેરના અક્ષર માર્ગ વિસ્તારમાં રહેતાં અને રજપુતપરા મેઈન રોડ પર રમત ગમતના સાધનોનો વેપાર કરતા વેપારી સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. વેપારીને અજાણ્યા શખ્સે વ્હોટ્સએપ પર ટ્રાફિક ચલણની લિંક મોકલી વેપારીનો મોબાઈલ હેક કરી અને તેમના બેંક એકાઉન્ટમાંથી 10.87 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લેતાં સાબયર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર સામે અક્ષર માર્ગ પર હરિહર સોસાયટીમાં રહેતાં અને રજપૂતપરા મેઇન રોડ પર હાઉઝેટ સ્પોર્ટ કોર્નર નામે રમત ગમતના સાધનોનો વેપાર કરતાં સંદિપભાઇ પ્રવિણચંદ્ર ગાંધી (ઉ.વ.62)ની ફરિયાદ પરથી અજાણ્યા વ્હોટ્સએપ નંબરના ધારક સામે પોલીસે ગુનો નોંધ્યો છે. સંદિપભાઇને તારીખ 26.12.2025ના રોજ અજાણ્યા વ્હોટ્સએપ નંબર પરથી એક ‘RTO ટ્રાફિક ચલાન' નામની એપીકે ફાઈલ આવી હતી. માટે પોતાના વાહનનું ચલણ છે કે કેમ તે જોવા ફાઈલ ઓપન કરી ડાઉનલોડ કરતા તેમાં કંઈ દેખાયું ન હતું અને ફોન હેંગ થઈ ગયો હતો. ફોન હેક થયો હોવાની શંકા જતા તેઓ તુરંત તે ફાઈલમાંથી બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ તા.06.01.2026ના રોજ સંદીપભાઇ પોતાની દુકાનેથી HDFC બેંકમાં રૂ.41,000નો ચેક જમા કરાવીને પરત આવતા હતા ત્યારે તેમના મોબાઈલ પર રૂપિયા વિથડ્રોલનો મેસેજ આવતા તેઓ ચોંકી ગયા હતા અને બેંકમાં તપાસ કરતા જાણવા મળ્યું કે તેમની જાણ બહાર જ તેમના બે અલગ-અલગ ખાતાઓમાંથી કુલ રૂપિયા 10,87,790 ટ્રાન્સફર થઈ ગયા હતા. જેમાં HDFC એકાઉન્ટમાંથી રૂપિયા 99,990 અને 50,000 તેમજ કરંટ એકાઉન્ટમાંથી 4,40,000 અને 4,98,000ના વ્યવહારો થયા હતા. આટલી મોટી રકમ ઉપડી જતા સંદીપભાઇએ તુરંત જ બંને ખાતાઓ સ્ટોપ કરાવી દીધા હતા અને બેંક મેનેજરની સલાહ મુજબ તેમણે 1930 સાયબર હેલ્પલાઇન પર કોલ કરી અરજી નોંધાવી હતી. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી ઉજવણી થવા જઈ રહી છે. આગામી 8 માર્ચના રોજ શહેરમાં પ્રથમવાર વ્યાવસાયિક તમામ મહિલા સંગીતકારોના સમૂહની શરૂઆત સાથે “સ્વર શક્તિ” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે યોજાનારો આ કાર્યક્રમ સંગીત પ્રેમી જનતા માટે તદ્દન નિઃશુલ્ક રહેશે. પરંપરા અને આધુનિકતાનો સમન્વયભારતીય સંગીત પરંપરામાં સ્ત્રીઓના પ્રદાનને બિરદાવવા માટે આ મંચ તૈયાર કરાયો છે. આ કાર્યક્રમમાં શાસ્ત્રીય ગાયનથી લઈને ગઝલ, લોકસંગીત, સુગમ સંગીત અને વાદ્ય સંગીતની પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે, હાર્મોનિયમ, તબલા, ઢોલ અને વાયોલિન જેવા પરંપરાગત વાદ્યોના સથવારે મહિલા કલાકારો પોતાની કળા પ્રદર્શિત કરશે. અશીતા અને સચિન લીમયેનું વિઝનઆ મહત્વપૂર્ણ પહેલનું નેતૃત્વ અશીતા અને સચિન લીમયે દ્વારા કરવામાં આવ્યું છે. આ સમૂહમાં 15 થી 50 વર્ષથી વધુ ઉંમરની પ્રતિભાશાળી યુવતીઓ અને મહિલાઓ જોડાઈ છે, જેમાં વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ અને નોકરીયાત મહિલાઓનો સમાવેશ થાય છે. અશીતા લીમયેના જણાવ્યા મુજબ, આ પહેલનો મુખ્ય હેતુ વડોદરાનું પ્રતિનિધિત્વ કરી શકે તેવું એક વ્યાવસાયિક 'ઓલ-વુમન બેન્ડ' તૈયાર કરવાનો છે, જે ભવિષ્યમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી શકે. આ કાર્યમાં ChargeZone ના કિન્નરી હરીયાણી તરફથી પણ વિશેષ સહયોગ પ્રાપ્ત થયો છે. ઇન્ડિયન આઇડલ ફેમ કાવ્યા લીમયેનું આકર્ષણઆ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ઇન્ડિયન આઇડલની ફાઇનલિસ્ટ કાવ્યા લીમયે રહેશે. વડોદરાની આ ઉભરતી પ્રતિભા પોતાની ખાસ પ્રસ્તુતિ દ્વારા નવોદિત કલાકારોને પ્રેરણા આપશે. આ કાર્યક્રમ માત્ર સંગીતનો જલસો નથી, પરંતુ મહિલાઓના અવાજને મજબૂત કરવાની અને તેમને વ્યાવસાયિક મંચ પૂરું પાડવાની એક સક્ષમ સાંસ્કૃતિક ચળવળ છે.
હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા હોળી પર રાશન કીટ વિતરણ:એકાંકી અને જરૂરિયાતમંદ વડીલોને કરાઈ મદદ
હોળીના પવિત્ર તહેવાર નિમિત્તે હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ અને એકાકી વડીલોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલનો હેતુ આર્થિક રીતે નબળા વડીલોને તહેવારની ખુશીમાં સામેલ કરવાનો હતો. વિતરણ કરાયેલી રાશન કીટમાં રોજિંદા વપરાશની ખાદ્ય સામગ્રીનો સમાવેશ થાય છે. આનાથી વડીલોને થોડા દિવસો માટે અનાજની ચિંતામાંથી મુક્તિ મળે છે. ઘણા વડીલો એકલા રહે છે અથવા તેમના સંતાનો દૂર હોય છે, ત્યારે આવા સમયે સામાજિક સંસ્થાઓનો સહયોગ તેમને માનસિક આધાર પૂરો પાડે છે. હેલ્પ્સ ફાઉન્ડેશનનું આ કાર્ય માત્ર ભૌતિક સહાય પૂરતું સીમિત નથી. તે સમાજમાં દયા, કરુણા અને પરોપકારની ભાવનાને પ્રોત્સાહન આપે છે. તહેવારોના સમયે વડીલોની મદદ કરીને, સંસ્થા સમાજને સંદેશ આપે છે કે સાચી ઉજવણી સૌની ખુશીમાં છે. આ પ્રકારના સેવાકાર્યોથી જરૂરિયાતમંદ વડીલોને સામાજિક આધાર મળે છે અને તેઓ એકલતા અનુભવતા નથી. હેલ્પ્સ ફાઉન્ડેશનની આ પહેલ માનવતા, સેવા અને સહાનુભૂતિના મૂલ્યોને મજબૂત બનાવે છે, જે સમાજ માટે પ્રેરણાદાયક છે.
વડોદરાના ચાંપાનેર દરવાજા, છીપવાડ ખાતે આવેલી નર્મદાબેન ખુશાલચંદ પ્રાથમિક શાળા (સવાર) માં FLOUR DENIEL INDIA PVT LIMITED કંપનીના CSR ઉપક્રમે સ્થાપિત સોલાર પાવર સિસ્ટમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે FLOUR DENIEL INDIA PVT LIMITED ના Satheesh Pillai (જનરલ મેનેજર – ઇન્ડિયા ઓફિસ), Rushikesh Trivedi (ઓપરેશનલ મેનેજર – વડોદરા ઓફિસ), Ajaysinh Zala (સપ્લાય ચેઇન ડિરેક્ટર – એશિયા સ્પેસિફિક), Ketan Patel (CSR લીડ – વડોદરા), Mihir Desai (ઇવેન્ટ ચેમ્પિયન) અને Shilpy Chordiya (ઇવેન્ટ કો-ચેમ્પિયન) ઉપસ્થિત રહ્યા હતા. આ મહાનુભાવોના હસ્તે સોલાર સિસ્ટમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મહેમાનોએ નવીનીકરણીય ઊર્જાના ઉપયોગનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓને પર્યાવરણ સંરક્ષણ માટે પ્રેરણા આપી હતી. શાળામાં સ્થાપિત આ સોલાર સિસ્ટમથી વીજળીની સુવિધા વધુ સુદ્રઢ બનશે, જેનાથી શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓને સીધો લાભ મળશે. આ કાર્યક્રમના સફળ લોકાર્પણ માટે શાળા પરિવારે FLOUR DENIEL INDIA PVT LIMITED કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો.
એચ.એ. કોલેજમાં ત્રિદિવસીય બિઝનેસ ફેસ્ટ:વિદ્યાર્થીઓએ સ્ટાર્ટઅપ, માર્કેટિંગ સ્ટ્રેટેજી રજૂ કરી
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સ દ્વારા તેની સ્થાપનાના 70 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત, વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતા વિકસાવવા, માર્કેટિંગ અને ફાઇનાન્સ વિશેની માહિતી આપવા તેમજ બિઝનેસ સ્ટાર્ટઅપ્સ અંગે જાગૃતિ લાવવા માટે ત્રિદિવસીય બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ ફેસ્ટ યોજાયો હતો. આ ફેસ્ટમાં કોલેજના વિદ્યાર્થીઓએ અલગ-અલગ ટીમો બનાવી હતી. તેમણે વિવિધ પ્રોડક્ટ્સની પસંદગી કરી હતી અને તેના પ્રચાર-પ્રસાર માટેની વ્યાપારિક વ્યૂહરચનાઓ રજૂ કરી હતી. આ ઉપરાંત, વિદ્યાર્થીઓએ બિઝનેસ સ્ટાર્ટઅપ્સ અંગેના પ્રેઝન્ટેશન પણ આપ્યા હતા. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે જણાવ્યું હતું કે, કોમર્સના વિદ્યાર્થીઓને બિઝનેસ સ્ટ્રેટેજી, સ્ટાર્ટઅપ અને બેન્કિંગ સુવિધાઓ વિશેની વિસ્તૃત માહિતી હોવી જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને વ્યાપારિક આયોજન સંદર્ભે પણ જાણકારી મળે છે. ત્રિદિવસીય ચાલેલા આ કાર્યક્રમમાં કોલેજના કુલ 135 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિજેતા વિદ્યાર્થીઓને મેમેન્ટો અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન પ્રોફેસર મીનલ જોષીએ કર્યું હતું.
રાહી ફાઉન્ડેશન દ્વારા લાંભા સ્થિત જીવનધારા વૃદ્ધાશ્રમના 300થી વધુ વડીલોને સવારનો નાસ્તો અને નવા કપડાંની ભેટ આપવામાં આવી. આ કાર્યક્રમ કુણાલ જયેશ પરીખના સહયોગથી યોજાયો હતો. વડીલોને સવારના નાસ્તામાં મગ, ખાખરા, ચા, કોફી અને દૂધ પીરસવામાં આવ્યું હતું. આ ઉપરાંત, 150 ભાઈઓને નવા બ્રાન્ડેડ શર્ટ અને 150 બહેનોને નવી સાડીઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. આ પ્રસંગે રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, નિહારિકા પરીખ, સ્નેહા શાહ, શરદ જાદવ અને માર્કંડભાઈ સહિતના સભ્યો હાજર રહ્યા હતા. રાહી ફાઉન્ડેશને જીવનધારા વૃદ્ધાશ્રમના સંચાલક મંડળનો વડીલોની સેવાની તક આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
ક્લબ 60 પ્લસના મિત્રોની 56 વર્ષથી હોળી ઉજવણી:અમદાવાદના પ્રીતમનગરમાં અનોખી પરંપરા જાળવી રાખી
અમદાવાદના પાલડી પાસે આવેલા પ્રીતમનગરમાં 'ક્લબ 60 પ્લસ' નામના મિત્રોના જૂથે હોળી-ધૂળેટીની અનોખી ઉજવણીની પરંપરા છેલ્લા ૫૬ વર્ષથી જાળવી રાખી છે. આ જૂથ1970થી સતત એક જ સ્થળે હોળીનો તહેવાર ઉજવી રહ્યું છે. પ્રશાંત દેસાઈ અને તેમના 12 દંપતી મિત્રોનું આ જૂથ, જેને 'ક્લબ 60' તરીકે ઓળખવામાં આવે છે, તેઓ દર વર્ષે પ્રીતમનગર સોસાયટીમાં આવેલા હોળી ચકલા પાસે ભેગા મળીને હોળી પ્રગટાવે છે. વર્ષ 1970થી 2026 સુધી, એટલે કે લગભગ ૫૬ વર્ષથી, આ મિત્રોએ એક પણ વર્ષ છોડ્યા વિના આ પરંપરાને જીવંત રાખી છે. આ ઉજવણી દરમિયાન, તેઓ હોળીની જ્યોતમાંથી ચા બનાવવાની એક વિશિષ્ટ પ્રવૃત્તિ પણ કરે છે. પ્રશાંત દેસાઈ અને તેમના 'ક્લબ ૬૦' જૂથે હોળીના તહેવારને આ વિશિષ્ટ અને અવિરત રીતે ઉજવવાનો લહાવો હજુ પણ ચાલુ રાખ્યો છે.
અમદાવાદના મણિનગર સ્થિત સ્વામિનારાયણ મંદિર - કુમકુમ દ્વારા 5 થી 7 માર્ચ દરમિયાન સત્સંગ વિચરણનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત વાપી, સુરત અને ઉમરવા ખાતે સત્સંગ સભાઓ યોજાશે. આ સત્સંગ સભાઓનું આયોજન 5 માર્ચે ગુરુવારે વાપી, 6માર્ચે શુક્રવારે સુરત અને 7 માર્ચે શનિવારે ભરૂચ પાસેના ઉમરવા ખાતે કરાયું છે. આ પ્રસંગે કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજી અને મહંત શાસ્ત્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી ઉપસ્થિત ભક્તોને સંબોધશે. તેઓ જીવન ઉપયોગી આધ્યાત્મિક જ્ઞાનની સરવાણી વહાવશે. સત્સંગ સભા અને સ્વામિનારાયણ ભગવાનની પધરામણીનો લાભ લેવા ઈચ્છુકો ૯૬૦૧૧૮૦૫૧૫ નંબર પર સંપર્ક કરી શકે છે.
ઝાલાવાડી સઈ સુથાર સમાજ 35 વર્ષથી ધજા ચડાવે:ધૂળેટીએ સોલા ભાગવત મંદિરમાં પરંપરા જાળવી
ઝાલાવાડી સઈ સુથાર સમાજ પગપાળા સંઘ દ્વારા ધૂળેટીના દિવસે સોલા ભાગવત મંદિરમાં સતત 35 વર્ષથી ધજા ચડાવવાની પરંપરા જાળવવામાં આવી રહી છે. આ આયોજન દર વર્ષે સમાજના આગેવાનો અને જ્ઞાતિજનોના સહયોગથી થાય છે. સંઘ વાડજથી ધજા લઈને પ્રસ્થાન કરે છે અને સોલા ભાગવત મંદિર સુધી પગપાળા યાત્રા પૂર્ણ કરે છે. આ યાત્રામાં નાના બાળકો, યુવાનો, મહિલાઓ અને વડીલો સહિત સમાજના તમામ સભ્યો ઉત્સાહભેર જોડાય છે. ધજા ચડાવ્યા બાદ સમાજના સભ્યો એકત્રિત થઈ તહેવારની ઉજવણી કરે છે. આ પ્રસંગે સહભોજનનું પણ આયોજન કરવામાં આવે છે, જે સામાજિક એકતા દર્શાવે છે. ઝાલાવાડી સઈ સુથાર સમાજ પગપાળા સંઘ દ્વારા છેલ્લા 35 વર્ષથી આ પરંપરા જાળવવામાં આવી રહી છે. આ આયોજન સમાજમાં એકતા અને સંસ્કૃતિના મૂલ્યોને પ્રોત્સાહન આપે છે.
સરસપુરના બોમ્બે હાઉસિંગમાં ધુળેટીની ઉજવણી:રહેવાસીઓએ કુદરતી રંગોથી એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો
અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં આવેલા બોમ્બે હાઉસિંગ ખાતે ધુળેટી પર્વની આનંદમય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે વિસ્તારના રહેવાસીઓએ એકતા અને ભાઈચારા સાથે રંગોત્સવનો ભરપૂર આનંદ માણ્યો હતો. કાર્યક્રમ દરમિયાન, રહેવાસીઓએ એકબીજાને કુદરતી રંગો લગાવી શુભેચ્છાઓ પાઠવી હતી. પરંપરાગત સંગીતના તાલે નૃત્ય કરીને આ ઉત્સવને યાદગાર બનાવ્યો હતો, જે સામુદાયિક ભાવનાનું પ્રતિક બન્યો હતો. આ પ્રસંગે સમાજના આગેવાનો દ્વારા શાંતિ, સ્વચ્છતા અને સુરક્ષાનું ધ્યાન રાખીને તહેવાર ઉજવવા અપીલ કરવામાં આવી હતી. ખાસ કરીને પાણીનો બગાડ ન કરવા અને પર્યાવરણમિત્ર રંગોનો ઉપયોગ કરવા માટે વિનંતી કરવામાં આવી હતી. આ રીતે, બોમ્બે હાઉસિંગ, સરસપુર ખાતે ધુળેટી પર્વની ઉજવણી સૌહાર્દ અને એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
બધિર બાળકોએ ઓર્ગેનિક રંગોથી હોળી ઉજવી:પાટણની બહેરા મૂંગા શાળામાં રંગોત્સવ ઉજવાયો
પાટણની શ્રીમતી એમ.કે. વ્યાસ અને શ્રીમતી વાય.આર. સાંડેસરા બહેરા મૂંગા શાળામાં વિશ્વ શ્રવણ દિવસ નિમિત્તે બધિર બાળકોએ ઓર્ગેનિક રંગોથી હોળીની ઉજવણી કરી. આચાર્ય ઘેમરભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ આ રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં, સ્પેશિયલ શિક્ષક વર્ષાબેન જોષીએ બાળકોને હોળી-ધુળેટી તહેવારનું સામાજિક અને ધાર્મિક મહત્વ સમજાવ્યું. ત્યારબાદ, બધિર બાળકોએ એકબીજાને ઓર્ગેનિક રંગો લગાવી, નાચગાન સાથે ઉત્સાહપૂર્વક ઉજવણી કરી. પર્યાવરણની જાળવણી અને ભાઈચારાનો સંદેશ આપતા આ પર્વમાં બાળકોએ ધાણી અને ખજૂરનો સ્વાદ પણ માણ્યો હતો. શિક્ષકો પણ બાળકો સાથે આ ઉજવણીમાં જોડાયા અને એકબીજાને હોળીની શુભેચ્છાઓ પાઠવી. આ પ્રસંગે, 3 માર્ચ, વિશ્વ શ્રવણ દિવસ હોવાથી, શાળાના આચાર્ય દ્વારા શ્રવણશક્તિ ગુમાવનાર બાળકો માટે લોકજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો. તેમણે વહેલું નિદાન, સમાન તક, અવાજ પ્રદૂષણ, કાનની સંભાળ અને બહેરાશ નિવારણ વિશે માહિતી આપી. આચાર્યએ શ્રવણશક્તિ ગુમાવનાર બાળકો પ્રત્યેના પૂર્વગ્રહો છોડી, ટેકનોલોજી દ્વારા તેમને મુખ્ય પ્રવાહમાં જોડી શિક્ષણ અને રોજગારીમાં સમાન તકો આપવા પર ભાર મૂક્યો. આ ઉપરાંત, લાઉડસ્પીકર અને ડી.જે.ના મોટા અવાજથી થતા કાયમી નુકસાન, લાંબા સમય સુધી હેડફોન કે ઇયરબડ્સનો ઉપયોગ ટાળવા, તથા કાન સાફ કરવા માટે પીન, પેન્સિલ કે અણીદાર વસ્તુઓનો ઉપયોગ ન કરવા જેવી બાબતો પર ધ્યાન દોરવામાં આવ્યું. વારંવાર વાતચીત સ્પષ્ટ ન સંભળાય તો તરત જ ઓડિયોલોજીસ્ટની સલાહ લેવાની જરૂરિયાત સમજાવવામાં આવી, જેથી વહેલું નિદાન કરાવીને આગળનું નુકસાન અટકાવી શકાય.
જૈન સોશ્યિલ ગ્રુપ ગાંધીનગર દ્વારા રંગોત્સવ ઉજવાયો:130 સભ્યોની હાજરીમાં સ્નેહ મિલન કાર્યક્રમ સંપન્ન
જૈન સોશ્યિલ ગ્રુપ, ગાંધીનગર દ્વારા રંગોત્સવ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 130 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને તે સફળતાપૂર્વક સંપન્ન થયો. કાર્યક્રમની શરૂઆત તિલક હોળીથી થઈ હતી, જ્યાં સભ્યોએ એકબીજાને રંગોત્સવની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે ખજૂર, ધાણી, સિંગ અને ચણાનો સ્વાદ માણવામાં આવ્યો હતો. ત્યારબાદ નવકાર મંત્રના પઠન સાથે કાર્યક્રમનો વિધિવત પ્રારંભ થયો. ગ્રુપના કારોબારી સભ્યો મનવેશભાઈ, ભાવિનાબહેન શાહ અને તેમના પરિવારે સુંદર ગ્રુપ ગેમ્સનું આયોજન કર્યું હતું. મ્યુઝિક, મસ્તી અને ધમાલ કમાલના રાઉન્ડમાં દરેક સભ્યે ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પોતાની ટીમને વિજેતા બનાવવા પ્રયાસ કર્યો. મનોરંજનથી ભરપૂર રમતો માણ્યા બાદ, સભ્યો ભોજન માટે એકઠા થયા. ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ભોજનમાં પ્લેન/મસાલા ઢોસા, ઇડલી, મેંદુવડા, સંભાર, ચટણી અને દૂધીના હલવાનો સ્વાદ માણ્યો હતો. આ આયોજનને સફળ બનાવવા માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહકાર આપનાર દરેક કારોબારી સભ્યનો JSGના પ્રેસિડેન્ટ હિતેન્દ્રભાઈ અને સેક્રેટરી વીણાબહેને આભાર વ્યક્ત કર્યો હતો. JSGમાં વધુને વધુ જૈન સભ્યો જોડાય તેવા પ્રયત્નો કરવા ટીમ સભ્યોને જણાવવામાં આવ્યું હતું.
સુરત શહેરમાં S.O.G. અને મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પાંડેસરા વિસ્તારમાં ચાલતા એક શંકાસ્પદ પનીર બનાવવાના કારખાનાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે અહીંથી 1401 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો અને મશીનરી સહિત કુલ 28,44,170 નો મુદ્દામાલ કબજે કર્યો છે. તહેવારો ટાણે જ આટલી મોટી માત્રામાં બિનઆરોગ્યપ્રદ પનીર પકડાતા ચકચાર મચી ગઈ છે. ગુપ્ત બાતમીના આધારે SOG અને ફૂડ વિભાગનો સપાટોસુરત S.O.G.ને બાતમી મળી હતી કે, પાંડેસરાની ભીડભંજન સોસાયટીમાં ગાળા નંબર-278માં ગેરકાયદેસર રીતે અને આરોગ્ય સાથે ચેડાં થાય તે રીતે પનીર બનાવવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે SOGની ટીમે ફૂડ સેફ્ટી ઓફિસર જે.એસ. દેસાઈ અને ટી.એસ. પટેલને સાથે રાખી દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન કારખાનામાંથી મોટા પાયે બિન-બ્રાન્ડેડ લૂઝ પનીરનો જથ્થો મળી આવ્યો હતો, જે જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. 28.44 લાખનો મુદ્દામાલ અને મશીનરી જપ્તકારખાનામાં તપાસ કરતા પોલીસને 1401 કિલો શંકાસ્પદ પનીર મળ્યું હતું, જેની કિંમત આશરે 3,08,220 થાય છે. આ ઉપરાંત પનીર બનાવવા માટે વપરાતી આધુનિક મશીનરી જેવી કે પેશ્ચરાઈઝ મશીન, હોમોનાઈઝર અને સ્ટોરેજ પ્લાન્ટ પણ મળી આવ્યા હતા, જેની કિંમત આશરે 25,00,000 આંકવામાં આવી છે. ફક્ત આટલું જ નહીં, ત્યાંથી પામોલીન તેલના 28 ખાલી ડબ્બા અને 16 ભરેલા ડબ્બા તેમજ એસિડિક એસિડના કેન પણ મળી આવ્યા હતા. રાજસ્થાની સંચાલકની ધરપકડરેડ દરમિયાન કારખાનાના સંચાલક મહેશકુમાર પૂર્ણાશંકર શર્મા (ઉંમર 40) હાજર મળી આવ્યો હતો. મહેશકુમાર મૂળ રાજસ્થાનના ઉદયપુરનો વતની છે અને હાલ અલથાણ વિસ્તારમાં A-303, કેશવ હાઈટ્સમાં રહે છે. તેની કડકાઈથી પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તે છેલ્લા 2 વર્ષથી આ પ્રવૃત્તિ કરી રહ્યો છે. તે દરરોજ આશરે 400 કિલો પનીર બનાવીને શહેરની અલગ-અલગ ડેરીઓમાં જથ્થાબંધ અને છૂટક વેચાણ કરતો હતો. ‘એનાલોગ પનીર’ના નામે લોકોના આરોગ્ય સાથે ચેડાંતપાસમાં ખુલાસો થયો છે કે, આરોપી પનીર બનાવીને તેના પર “NON BRAND LOOS ANALOGUE PANEER” ના સ્ટીકર લગાવતો હતો. સ્થળ પરથી આવા 3000 સ્ટીકરો મળી આવ્યા છે. આ પનીર તે માત્ર 220 પ્રતિ કિલોના ભાવે વેચતો હતો. સામાન્ય રીતે શુદ્ધ પનીરના ભાવ કરતા આ ભાવ ઓછા હોવાથી અનેક લોકો છેતરાતા હતા. પોલીસે સ્થળ પરથી 1000 જેટલી પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત કરી છે. સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સ્થળ પરથી મળી આવેલા શંકાસ્પદ પનીરના જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. હાલમાં તમામ જથ્થો સીલ કરી દેવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, લેબોરેટરી રિપોર્ટમાં જો પનીર આરોગ્ય માટે હાનિકારક સાબિત થશે, તો સંચાલક વિરુદ્ધ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
વૃંદાવન-6 બંગ્લોઝમાં હોળી પર્વની ઉજવણી:સોલા ભાગવત ખાતે સોસાયટીના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો
અમદાવાદના સોલા ભાગવત વિસ્તારમાં આવેલા વૃંદાવન-6 બંગ્લોઝ ખાતે હોળી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં સોસાયટીના તમામ સભ્યો, જેમાં બાળકો, વડીલો, મહિલાઓ અને પુરુષોનો સમાવેશ થાય છે, તેઓએ ભાગ લીધો હતો. સભ્યોએ ડાન્સ અને મસ્તી સાથે હોળીના રંગોનો આનંદ માણ્યો હતો. બાળકો, વડીલો, મહિલાઓ અને પુરુષોએ પોતપોતાના ગ્રુપમાં જોડાઈને એકબીજા સાથે વાતો કરી અને આ પર્વને યાદગાર બનાવ્યો હતો. હોળીના ઉત્સવની ઉજવણી બાદ સાંજે સોસાયટીના સભ્યો માટે જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જમણવાર ન્યુ સાયન્સ સિટી વિસ્તારમાં આવેલી નેબેસા રેસ્ટોરન્ટ ખાતે યોજાયો હતો.
નાજ ગામમાં દિવ્યાંગ બાળકો સાથે ધૂળેટી ઉજવાઈ:ઉદય ફાઉન્ડેશન દ્વારા પીરાણા પાસે આશ્રમમાં આયોજન કરાયું
અમદાવાદના પીરાણા નજીક આવેલા નાજ ગામના એક આશ્રમમાં માનસિક દિવ્યાંગ બાળકો માટે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. ઉદય ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ ઉજવણીનો મુખ્ય હેતુ બાળકોને માનસિક આનંદ અને ઉત્સાહ પ્રદાન કરવાનો હતો. ડીજેના સંગીતની ધૂન પર બાળકોએ રંગો અને ગુલાલથી ધૂળેટીનો તહેવાર મનાવ્યો હતો. આ પ્રસંગે બાળકોનો ઉત્સાહ જોવા જેવો હતો. ઉદય ફાઉન્ડેશનની ટીમ અને બાળકોએ સાથે મળીને આ આનંદમય પળોની અનુભૂતિ કરી હતી. આ પ્રકારના કાર્યક્રમો દિવ્યાંગ બાળકોના જીવનમાં ખુશીઓ લાવવામાં મદદરૂપ થાય છે.
પાલની વીર એક્ઝોટિકા બિલ્ડિંગમાં ધુળેટી ઉજવાઈ:નાના ભૂલકાઓથી મોટા સભ્યોએ રંગોત્સવનો આનંદ માણ્યો
સુરતના પાલ વિસ્તારમાં આવેલી વીર એક્ઝોટિકા બિલ્ડિંગમાં ધુળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. હોળીકા દહન ૨ માર્ચે કરાયું હતું, જ્યારે ૪ માર્ચે રંગોત્સવ મનાવાયો હતો. આ ઉજવણીમાં બિલ્ડિંગના નાના બાળકોથી લઈને મોટા સભ્યો અને મહિલાઓ સહિત સૌ કોઈ ઉત્સાહભેર જોડાયા હતા. સવારથી બપોર સુધી સૌએ સાથે મળીને રંગોની હોળીનો ભરપૂર આનંદ માણ્યો હતો. રંગોત્સવની સાથે સાથે ખાણીપીણીનો પણ સ્વાદ માણવામાં આવ્યો હતો. સુરતીઓ કોઈપણ તહેવારની ઉજવણીમાં ખાણીપીણીની મજા માણવા માટે જાણીતા છે, અને આ પર્વમાં પણ તેની ઝલક જોવા મળી હતી.
ઘોડાસર ખાતે ધૂળેટી પર્વની ઉજવણી:નાના-મોટા સૌએ રંગોત્સવનો આનંદ માણ્યો
મહાદેવ સ્મિત ઘોડાસર ખાતે ધૂળેટી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે નાના-મોટા સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉપસ્થિત સૌએ એકબીજાને રંગો લગાવી રંગોત્સવનો ભરપૂર આનંદ માણ્યો હતો.
નટરાજ કલાસંસ્થાનો 16મો હોળી રંગારંગ કાર્યક્રમ:કલાકારોએ સંગીત-નૃત્ય સાથે ધમાકેદાર ઉજવણી કરી
નટરાજ કલાસંસ્થાના કલાકારોએ સતત 16મા વર્ષે સપરિવાર હોળી-ધૂળેટીના તહેવારની ઉજવણી કરી. આ કાર્યક્રમમાં સાદા કલર, સંગીત અને નૃત્ય સાથે ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીનું આયોજન કેતન આવસત્થી અને પિન્કીબેન દ્વારા કરવામાં આવ્યું હતું. પરંપરા મુજબ, કાર્યક્રમની શરૂઆત તેમના ઘરેથી થાય છે. ત્યારબાદ, કલાકારો વારાફરતી એકબીજાના ઘરે જાય છે અને બધાને સાથે લઈ છેલ્લા ઘરે ભેગા થઈને આનંદ માણે છે. કલાકારો આ તહેવારની ઉજવણી માટે ઉત્સાહપૂર્વક રાહ જોતા હોય છે.
ગઢડા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બપોરે 3.08 કલાકે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.4 નોંધાઈ હતી. આ આંચકો ગઢડા શહેર ઉપરાંત તાલુકાના અડતાળા, લાખણકા સહિતના ગામોમાં પણ અનુભવાયો હતો. ભૂકંપનો આંચકો આવતા જ લોકો ગભરાઈને પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. ગઢડા મામલતદાર કચેરી ખાતેથી મળતી માહિતી મુજબ, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ બોટાદથી ૨૮ કિલોમીટર દક્ષિણ દિશામાં નોંધાયું હતું.
આગામી 8 માર્ચના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના આયોજન માટે હિંમતનગરમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને આ બેઠકમાં વિવિધ કાર્યક્રમોના સુચારુ આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં મહિલા સશક્તિકરણ, મહિલા કલ્યાણ યોજનાઓનો વ્યાપ વધારવા અને જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું અસરકારક રીતે આયોજન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ 2026 માટે જાહેર કરાયેલી થીમ Rights. Justice. Action. For ALL Women and Girls હેઠળ આ વર્ષે મહિલાલક્ષી કાર્યક્રમો યોજાશે. જિલ્લા કલેક્ટરે સંબંધિત વિભાગોના અધિકારીઓને મહિલાઓના આરોગ્ય, શિક્ષણ, સ્વરોજગાર અને સુરક્ષા સંબંધિત કાર્યક્રમોનું અસરકારક આયોજન કરવા માર્ગદર્શન આપ્યું હતું. તેમણે મહિલા સ્વસહાય જૂથો, આંગણવાડી બહેનો અને વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે ખાસ કાર્યક્રમો ગોઠવવાની સૂચના આપી હતી. કાર્યક્રમ સ્થળે 181 અભયમ, આંગણવાડી પોષણ સ્ટોલ, ડિજિટલ સાક્ષરતા અને મહિલા સશક્તિકરણને લગતા વિવિધ માહિતીલક્ષી સ્ટોલ્સ ઊભા કરવા પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક કે.પી. પાટીદાર, મહિલા અને બાળ વિકાસ અધિકારી, નગરપાલિકા ચીફ ઓફિસર, મામલતદાર, આરોગ્ય, આઈ.સી.ડી.એસ. અને પોલીસ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શહેરના ચાંદખેડામાં રહેતી યુવતીએ પતિ અને સાસુ-સસરાના ત્રાસથી કંટાળીને ધાબા પરથી કૂદીને આપઘાત કર્યો છે. યુવતીનો પતિ અવારનવાર માર મારતો હતો અને સાસુ-સસરા ત્રાસ આપતા હતા. જેથી યુવતીએ કંટાળીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. ચાંદખેડા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પતિ અને સાસુ-સસરા અવારનવાર ત્રાસ આપતામહેસાણામાં રહેતા હરીશભાઈ પંડ્યાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમની દીકરી જાસુદના વર્ષ 2021માં લગ્ન થયા હતા. જાસૂદ અને તેના સાસુ બંને સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા હતા. જાસૂદને પતિ અને સાસુ-સસરા અવારનવાર માનિસક અને શારીરિક ત્રાસ આપતા હતા. પરિણીતાએ ધાબા પરથી કૂદી આપઘાત કર્યોજાસૂદનો પતિ મિનશ નાની-નાની વાતોમાં ઝઘડો કરીને દારૂ પીને માર મારતો હતો. જાસૂદ કંટાળીને પિયરમાં ગઈ હતી, ત્યારે પતિ મિનેશે ત્યાં જઈને પણ યુવતીને લાફો માર્યો હતો. અવારનવાર પતિના શારીરિક ત્રાસ અને સાસુ-સસરાના માનસિક ત્રાસથી કંટાળીને કેનાલમાં કૂદવા ગઈ હતી. જોકે, આપઘાત કર્યો નહોતો. જે બાદ અચાનક જાસૂદે ધાબા પરથી કૂદી આપઘાત કર્યો હતો. મૃતકના પિતાએ ત્રણેય વિરૂધ ફરિયાદ નોંધાવીજાસૂદના પિતાએ મેસેજ ચેક કરતા પતિ સાથે ઝઘડો થયો હતો. પતિ અને સાસુ-સસરાના ત્રાસથી કંટાળીને જાસૂદે આપઘાત કરતા પિતાએ ત્રણેય વિરૂદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આપઘાત માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.
રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે આવશ્યક દવાઓની યાદી (EDL)માં વધારો કરવામાં આવ્યો છે. વર્ષ 2025-26 માટે 150 નવી દવાઓનો ઉમેરો કરવામાં આવતા હવે કુલ દવાઓની સંખ્યા 1386થી વધીને 1479 થઈ ગઈ છે. સમીક્ષા દરમિયાન 57 બિનજરૂરી દવાઓને યાદીમાંથી દૂર પણ કરવામાં આવી છે. પ્રાથમિક કક્ષાની 378, સેકન્ડરીની 620 અને ટર્સરી કક્ષાની 1475 દવાનો સમાવેશઆ અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, રાજ્યના દરેક દર્દીને શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત સારવાર મળે તે સરકારની પ્રાથમિકતા છે. ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન દ્વારા દર વર્ષે એસેન્સિયલ ડ્રગ લિસ્ટની સમીક્ષા કરવામાં આવે છે, જેથી નવી અને અસરકારક દવાઓનો સમાવેશ થઈ શકે. રાજ્ય સરકાર દ્વારા આ યાદીમાં સમાવિષ્ટ તમામ દવાઓ અને સર્જિકલ આઈટમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોથી લઈને મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલોમાં દર્દીઓને વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે. યાદી મુજબ પ્રાથમિક કક્ષાની 378, સેકન્ડરી કક્ષાની 620 અને ટર્સરી કક્ષાની 1475 દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. શ્વસનતંત્રની દવામાં 11નો વધારોમુખ્ય રોગોની સારવાર માટે પણ દવાઓમાં વધારો કરવામાં આવ્યો છે. એન્ટી-ઇન્ફેક્ટિવ દવાઓ 202થી વધારીને 216, શ્વસનતંત્રની દવાઓ 29થી વધારીને 40, આંખની દવાઓ 51થી વધારીને 58 અને ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલની દવાઓ ૫રથી વધારીને 56 કરવામાં આવી છે. જ્યારે મેડિકલ ડિવાઈસીસની સંખ્યા 287થી વધારીને 349 સુધી પહોંચાડવામાં આવી છે. આરોગ્ય સેવાને વધુ સુદ્રઢ બનાવવા પ્રયાસઆ ઉપરાંત હૃદયરોગની 116, કેન્સરની 56, ન્યુરોલોજીકલ ડિસોર્ડર્સની 75 અને માનસિક રોગોની 43 દવાઓનો સમાવેશ કરીને આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ડ્રગ્સ ફોર્મ્યુલરીને અદ્યતન બનાવી દર્દીઓને આધુનિક સારવાર ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ગૌ આધારિત ઉદ્યોગો, વિજ્ઞાન, ટેક્નોલોજી, સંશોધન, નવીનતા અને ઉદ્યમિતાને વૈશ્વિક મંચ પૂરો પાડવાના હેતુથી GCCI (ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ-બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ) દ્વારા મહારાષ્ટ્ર ગૌ સેવા આયોગ અને આર.આર.કેબલના સહયોગથી આયોજિત ગૌ ટેક 2026 આંતરરાષ્ટ્રીય શિખર સંમેલન અને પ્રદર્શની તા. 20 થી 23 માર્ચ 2026 દરમિયાન પુનાના એગ્રીકલ્ચર કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યુ છે. ગૌ ટેક 2026માં દેશ વિદેશથી નીતિ નિર્માતાઓ, સમાજસેવકો, વૈજ્ઞાનિકો, ઉદ્યોગપતિઓ, સ્ટાર્ટ-અપ્સ, રોકાણકારો, ખેડૂતો, ગૌશાળાઓ, યુનિવર્સિટીઓ, સંતસમાજ, મહિલાઓ અને યુવાનો મોટી સંખ્યામાં ભાગ લેશે. જેમાં 300થી વધુ સ્ટોલ, 12થી વધુ ગૌ વિષય આધારિત સેમિનાર, વિશેષ સંમેલનો, B2B બેઠકો તથા વિદેશી પ્રતિનિધિઓની ભાગીદારી સાથે 5 લાખથી વધુ મુલાકાતીઓની હાજરીની સંભાવના છે. આ અંગે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી માહિતી આપવામાં આવી હતી. GCCIના સ્થાપક, પૂર્વ મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ ડૉ. વલ્લભ કથીરિયાએ જણાવ્યું કે ગૌમાતાનું દૂધ, ગૌમૂત્ર, ગોબર અને પંચગવ્યમાં આરોગ્ય, કૃષિ, ઊર્જા, પર્યાવરણ સંરક્ષણ અને ગ્રામિણ અર્થવ્યવસ્થાને સશક્ત બનાવવાની અદ્ભુત વૈજ્ઞાનિક તથા આર્થિક ક્ષમતા રહેલી છે. ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગના સલાહકાર અને GCCI ના જનરલ સેક્રેટરી મિત્તલ ખેતાણીએ જણાવ્યુ કે ગૌ ટેક 2026 માં જૈવિક ખાતર અને બાયો-ફર્ટિલાઇઝર, દૂધ તથા દૂધમાંથી બનેલા મૂલ્યવર્ધિત ઉત્પાદનો, ગૌમૂત્ર અને ગોબર આધારિત ઉત્પાદનો, પ્રાકૃતિક ખેતી, પશુચિકિત્સા કોલેજો અને યુનિવર્સિટીઓ, સીમેન લેબોરેટરી, સેક્સ-સોર્ટેડ સીમેન તથા એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી, સોલાર અને બાયો-એનર્જી, ચારો અને બીજ ઉદ્યોગ, ચારાગાહ વિકાસ મશીનરી, સરકારી અને ખાનગી બેંકો, સહકારી સંસ્થાઓ, દુગ્ધ સંઘો અને ફેડરેશનો, વિવિધ રાજ્યોના ગૌ સેવા આયોગો, એનિમલ ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સ, ઇનોવેટિવ સ્ટાર્ટ-અપ્સ, સંશોધન અને વિકાસ આધારિત ગૌ ઉત્પાદનો, ભારતીય દેશી ગૌ જાતિઓનું લાઇવ પ્રદર્શન તેમજ નેચરોપેથી, આયુર્વેદ અને પંચગવ્ય આધારિત સારવાર પદ્ધતિઓ સાથે જોડાયેલા બધી શ્રેણીઓના સ્ટોલ બુક થઈ ચૂક્યા છે, જે આ આયોજન પ્રત્યે દેશ-વિદેશથી મળી રહેલા વ્યાપક ઉત્સાહ અને વિશ્વાસને સ્પષ્ટ રીતે દર્શાવે છે. GCCI ના જનરલ સેક્રેટરી રમેશભાઈ ઘેટીયાએ જણાવ્યુ કે ગૌ ટેક 2026 આયોજન અંતર્ગત કુલપતિ સંમેલનનું આયોજન કરવામાં આવશે. જેનો હેતુ દેશની યુનિવર્સિટીઓમાં “કામધેનુ ચેરની સ્થાપના કરવાનો છે. જેથી ગૌ આધારિત શિક્ષણ, સંશોધન અને નવીનતાને શૈક્ષણિક સ્તરે સંસ્થાગત સ્વરૂપ મળી શકે. આ ઉપરાંત મહિલા સંમેલન દ્વારા ગૌ આધારિત મહિલા ઉદ્યમિતા, સ્વરોજગાર અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન મળશે, જ્યારે સંત સંમેલન દ્વારા ગૌ મહાત્મ્ય, આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક મૂલ્યો પર વ્યાપક ચર્ચા થશે. પંચગવ્ય ચિકિત્સા સંમેલન પણ યોજાશે. જેમાં દેશભરના પંચગવ્ય ચિકિત્સકો, આયુર્વેદાચાર્યો, નેચરોપેથી નિષ્ણાતો અને સંશોધકો ભાગ લેશે. સાથે ગૌશાળા સંમેલન પણ યોજાશે. જેમાં દેશભરની ગૌશાળાઓના પ્રતિનિધિઓ, સંચાલકો અને ગૌસેવકો ગૌશાળા વ્યવસ્થાપન, આર્થિક આત્મનિર્ભરતા, ટેક્નોલોજીકલ ઉન્નતિ અને સરકારી યોજનાઓ અંગે વિચારવિમર્શ કરશે. આ ઉપરાંત સ્ટાર્ટઅપ સંમેલનનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં ગૌ આધારિત નવીન સ્ટાર્ટઅપ્સ, યુવા ઉદ્યોગસાહસિકો, ટેક્નોલોજી ઇનોવેટર્સ અને રોકાણકારો ભાગ લેશે. ગૌ ટેક 2026 પ્રદર્શન દરમિયાન વિવિધ રાજ્યના ગૌ સેવા આયોગની ટીમો વિશેષ રીતે મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ પોતાના રાજ્યમાં ગૌસેવા, ગૌશાળા વિકાસ, ગૌચર સંરક્ષણ, દેશી ગૌવંશ સંવર્ધન, ગૌ આધારિત ઉદ્યોગો તથા ગ્રામિણ રોજગાર માટે અમલમાં રહેલી યોજનાઓ, નીતિઓ અને સફળ મોડેલ્સની માહિતી રજૂ કરશે. ગૌ સેવા આયોગની ટીમો પ્રદર્શનના માધ્યમથી રાજ્ય સરકારની સહાય યોજનાઓ, આર્થિક અનુદાન, તાલીમ કાર્યક્રમો, ટેકનોલોજીકલ સહાય, સંશોધન પહેલો અને નવી યોજનાઓ અંગે માર્ગદર્શન આપશે. જેથી ગૌશાળાઓ, ગૌસેવકો, ઉદ્યોગસાહસિકો અને સંશોધકોને સીધો લાભ મળી શકે. આ પરસ્પર સંવાદ દ્વારા રાજ્યોથી રાજ્ય વચ્ચે શ્રેષ્ઠ પ્રથાઓનું આદાન-પ્રદાન થશે અને સમગ્ર દેશમાં ગૌસેવા પ્રવૃત્તિઓને સંસ્થાગત, આત્મનિર્ભર અને દીર્ઘકાળીન સ્વરૂપ આપવા માટે મજબૂત પાયો રચાશે. ગૌ ટેક 2026નો ઉદ્ઘાટન સમારંભ 20 માર્ચ 2026ના રોજ યોજાશે. જેમાં દેશ-વિદેશના ગણમાન્ય મહેમાનો હાજર રહેશે. આ સમારંભ દ્વારા ચાર દિવસીય આંતરરાષ્ટ્રીય પ્રદર્શની અને સંમેલનનો ઔપચારિક આરંભ થશે. જ્યારે 23 માર્ચ 2026ના રોજ સમાપન સમારંભ યોજાશે. જેમાં ગૌ ટેક 2026ની સિદ્ધિઓ, કરાર, રોકાણ પ્રસ્તાવો અને ભવિષ્યની કાર્યયોજનાની જાહેરાત કરવામાં આવશે. આ સમાપન સમારંભ ગૌ આધારિત આંદોલનને આગળ વધારવાની નવી પ્રતિબદ્ધતાનું પ્રતિક બનશે. ગૌ ટેક 2026ના પરિસરમાં ગૌ પરિક્રમા માર્ગ અને મોડલ ગૌશાળા યુનિટની સ્થાપના કરવામાં આવશે. જ્યાં ભારતીય દેશી ગાયોના જીવંત દર્શન કરાવવામાં આવશે. આ જ પરિસરમાં વૈદિક પરંપરા અનુસાર અગ્નિહોત્ર ગૌ યશનું આયોજન પણ પ્રસ્તાવિત છે. આયોજનની પૂર્વ તૈયારી અંતર્ગત 15 માર્ચ 2026, રવિવારના રોજ ભવ્ય ભૂમિ પૂજન સમારંભ યોજાશે. જે આ ઐતિહાસિક આયોજનનો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક આરંભ ગણાશે. ગૌ ટેક 2026 અંતર્ગત યોજાનારા સેમિનારોમાં ગૌ પર્યટન, ગૌ આરોગ્ય, ગૌ આયુર્વેદ, ગૌ પ્રોડક્ટ પ્રોસેસિંગ, પંચગવ્ય ઉત્પાદનો, ગૌ ઊર્જા અને બાયો-ફ્યુઅલ, ગૌ ગ્રામ મોડલ, કામધેનુ નગર, ગૌ છાત્રાલય અને ગૌ ઉદ્યમિતા તાલીમ જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. આ સેમિનારો દ્વારા નીતિ, રોકાણ, નવીનતા અને જમીનસ્તરની અમલવારીને જોડીને ગૌ આધારિત અર્થવ્યવસ્થાને એક મજબૂત અને વ્યવહારુ સ્વરૂપ આપવામાં આવશે. ગૌ ટેક 2026ને મહારાષ્ટ્ર ગૌ સેવા આયોગનું વિશેષ સમર્થન પ્રાપ્ત છે તેમજ ભારત સરકારના MSME મંત્રાલય દ્વારા આ પ્રદર્શનીને ભાગીદારી માટે મંજૂરી આપવામાં આવી છે. જેના કારણે MSME અંતર્ગત ભાગ લેનારા ઉદ્યોગકારોને અનુદાનનો લાભ મળી શકશે.આ કાર્યક્રમ દરમિયાન ગૌ ઉદ્યોગસાહસિકતા તથા ગૌસેવા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે 20થી વધુ વિવિધ શ્રેણીઓમાં ગૌ ટેક એવોર્ડ આપવામાં આવશે. આ ઉપરાંત ગોબર અને ગોમૂત્ર આધારિત વ્યાવસાયિક તેમજ દૈનિક ઉપયોગી ઉત્પાદનો બનાવવાની લાઈવ તાલીમ પણ આપવામાં આવશે. જેના દ્વારા સ્વયં સહાય સમૂહો, મહિલાઓ, યુવાઓ તથા ગૌશાળા સંચાલકોને આત્મનિર્ભર બનવા માટે સશક્ત બનાવવામાં આવશે. ગૌ ટેક 2026ને માર્ગદર્શન આપવા તેના ચીફ પેટ્રન તરીકે પદ્મશ્રીથી સન્માનિત વૈજ્ઞાનિક વિજય ભાટકર, ભારત સરકારના પૂર્વ મંત્રી પ્રકાશ જાવડેકર, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા IFFCOના ચેરમેન દિલીપ સંઘાણીનું સાન્નિધ્ય પ્રાપ્ત થઈ રહ્યું છે. 4 દિવસીય આયોજન દરમિયાન મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ભારત સરકાર, મહારાષ્ટ્ર અને ગુજરાત સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, વરિષ્ઠ અધિકારીઓ તથા અનેક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળો આયોજન સ્થળની મુલાકાત લેશે.GCCI તરફથી તમામ ગૌપ્રેમીઓ, ગૌ આધારિત સ્ટાર્ટ-અપ્સ, મહિલા ઉદ્યોગકારો, જૈવિક ખેડૂતો, ગૌશાળાઓ, સંશોધકો અને ટેક્નોલોજીકલ નવીનકારોને “ગૌ ટેક 2026*માં સ્ટોલ બુક કરી તેમના ઉત્પાદનો, સેવાઓ અને વિચારોને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરવા આમંત્રિત કરવામાં આવ્યા છે.
આવતીકાલે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી યોજવા જઈ રહી છે. જેમાં 99 જેટલા ઉમેદવારો ભાગ લઇ રહ્યા છે. અમદાવાદમાં ગુજરાત હાઇકોર્ટ અને ગુજરાત યુનિવર્સિટી ખાતે મતદાન મથકો રાખવામાં આવ્યા છે. ઉમેદવારોએ અમદાવાદ ઉપરાંત ગુજરાતના જુદા જુદા ભાગોમાં જઈને વકીલોને મળીને પોતાનો પ્રચાર કર્યો છે. અમદાવાદના ભુવાલડીના વતની જે.પી.ઠાકોર પણ ઉમેદવારો પૈકી એક છે. જેઓએ LLBનો અભ્યાસ મોતીલાલ નેહરુ કોલેજમાંથી કરેલ છે. તેઓ સિવિલ કાયદાના નિષ્ણાત છે. તેઓ ભાજપ સરકારમાં મંત્રી, ગુજરાત રાજ્ય વિકાસ નિગમમાં ડિરેક્ટર, અમદાવાદ રેવન્યુ બાર એસોસિએશનમાં સેક્રેટરી અને સોનલ રેલવે યુઝર્સ કન્સલ્ટિવ કમિટીના મેમ્બર પદે રહી ચૂક્યા છે. આવતીકાલના મતદાનમાં વકીલો શાંતિ પૂર્વક અને વિચારીને મતદાન કરેતેઓએ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં પ્રચાર કરીને વિવિધ બાર એસોસિએશનના વકીલોને મળ્યા હતા તેમજ સૌરાષ્ટ્રમાં પણ મોટાભાગે વકીલોને મળ્યા હતા. જેમાં વકીલોનો સારો પ્રતિભાવ તેમને સાંપડ્યો હતો. તેઓએ કહ્યું હતું કે આવતીકાલના મતદાનમાં વકીલો શાંતિ પૂર્વક અને વિચારીને મતદાન કરે, કોઈના કહેવાથી કે પ્રલોભન માં આવીને મતદાન કરે નહીં. વકીલો એક પ્રબુદ્ધ નાગરિક અને બંધારણના રક્ષણ કર્તા છે. વિધાનસભા અને લોકસભાનુ કામ કાયદો ઘડવાનું છે. જ્યારે તેના અર્થઘટનનું કાર્ય વકીલો કરે છે. સરકાર સમક્ષ જમીનની માંગ કરીને બજેટમાં તેની ઉપર યોગ્ય બિલ્ડીંગ બનાવવાની માંગતેમને જણાવ્યું હતું કે ધારાસભ્યો, સાંસદો અને વહીવટી અધિકારીઓને ટોલ બુથ ઉપરનો પાસ મળતો હોય તો વકીલો પણ કોર્ટ ઓફિસર હોવાથી તેમને પણ પાસ મળવો જોઈએ. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું બિલ્ડીંગ તેના મુદ્દા મુજબનું હોવું જોઈએ. જેના માટે સરકાર સમક્ષ જમીનની માંગ કરીને બજેટમાં તેની ઉપર યોગ્ય બિલ્ડીંગ બનાવવાની માંગ કરવામાં આવશે. જેમાં નીચે વહીવટી ઓફિસો અને ઉપરના માળે વકીલો માટે ફ્રેશ થવા માટે રૂમ્સ બનાવવામાં આવે. છેલ્લા પાંચ વર્ષથી પ્રેક્ટિસ કરતા જુનિયર વકીલોને ઓફિસ, ફર્નિચર, કોમ્પ્યુટર, પુસ્તકો વગેરે લેવા માટે વગર વ્યાજની લોન અથવા તો ઓછા વ્યાજની લોન બેંકો આપે તે માટે સરકારને રજૂઆત કરવામાં આવશે. એડવોકેટ પ્રોટેકશન એક્ટ જેમ બને તેમ જલ્દી ધારાસભા માંથી પસાર થાય તેવી રજૂઆત બાર કાઉન્સિલ ઓફ ગુજરાત થકી રાજ્ય સરકાર અને ત્યાંથી કેન્દ્ર સરકારને કરવામાં આવશે. જુનિયર વકીલોને માર્ગદર્શન અને સ્ટાઇપેન્ડ મળી રહે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશેકેન્દ્ર કે રાજ્ય સરકાર કાયદા સંબંધિત જે પણ સૂચનો બાર કાઉન્સિલ પાસેથી માંગશે. તેમાં તમામ બાર એસોસિએશનનો અભિપ્રાય માંગવામાં આવશે. તમામ બાર એસોસિએશનમાં ડિજિટલ લાઇબ્રેરીની સ્થાપના કરવામાં આવશે. સિનિયર અને બીમાર વકીલો માટે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ઉપર કાર્ય કરવામાં આવશે. જુનિયર વકીલોને માર્ગદર્શન અને સ્ટાઇપેન્ડ મળી રહે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. લોટરી અને ઇસ્ટેમ્પિંગના લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા સરળતાથી થાય તેવું કાર્ય કરવામાં આવશે. વકીલોના જે કાંઈ પણ પ્રશ્નો ઊભા થશે, તેને વકીલો સાથે અને બાર સાથે રહીને નિરાકરણ લાવવામાં આવશે.
નવસારી જિલ્લામાં ધુળેટી પર્વની ઉજવણી દરમિયાન અફરાતફરીના દ્રશ્યો સામે આવ્યા હતા. શહેરના બી.આર. ફાર્મ ખાતે આયોજિત 'રંગ મેન્યા રંગોત્સવ'માં યુવાનોના બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ગ્રામ્ય પોલીસે આ મામલે મારામારી કરનાર યુવાનોની શોધખોળ શરૂ કરી છે. વાયરલ થયેલા વીડિયોના આધારે યુવાનોની ઓળખ કરવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ, આ યુવાનો વિજલપુરના હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર, ધુળેટીના દિવસે બી.આર. ફાર્મમાં મોટી સંખ્યામાં યુવાનો ઉત્સવ માણી રહ્યા હતા. આ દરમિયાન કોઈ અગમ્ય કારણોસર યુવાનો વચ્ચે ગેરસમજ ઊભી થઈ હતી, જે મારામારીમાં પરિણમી હતી. એક યુવાન પર અન્ય યુવાનોનું ટોળું તૂટી પડ્યું હોય તેવા દ્રશ્યો વીડિયોમાં જોવા મળે છે. મારામારીના દ્રશ્યો સર્જાતા કાર્યક્રમમાં હાજર લોકોમાં ભય ફેલાયો હતો. સ્થિતિને કાબૂમાં લેવા માટે આયોજકોએ તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો હતો. આ હોબાળાને કારણે આશરે 10 મિનિટ સુધી કાર્યક્રમ રોકી દેવામાં આવ્યો હતો, જોકે બાદમાં મામલો શાંત પડતા રંગોત્સવ ફરી શરૂ થયો હતો. આ ઘટના અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી. આયોજકો દ્વારા ઝઘડો કરનાર યુવાનોને ફાર્મની બહાર કાઢી મામલો થાળે પાડવાનો પ્રયાસ કરાયો હતો. નોંધનીય છે કે, આ માથાકૂટ અંગે હજુ સુધી કોઈ પણ પક્ષે પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવી નથી, તેમ છતાં ગ્રામ્ય પોલીસ વીડિયોના આધારે તપાસ કરી રહી છે.
મોરબીમાં 21 દીકરીઓના સમૂહ લગ્ન:ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા 27 એપ્રિલ 2026ના રોજ કરાયુ આયોજન
મોરબીના નવલખી રોડ પર રેલવે સ્ટેશન નજીક આવેલા શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા નવમો સમૂહ લગ્નોત્સવ યોજાશે. શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ, મોરબી દ્વારા આયોજિત આ કાર્યક્રમ 27 એપ્રિલ, 2026ના રોજ સોમવારે યોજાશે. આ પ્રસંગે હિન્દૂ સમાજની 21 દીકરીઓ લગ્નગ્રંથિથી જોડાશે. આ સમૂહ લગ્નમાં જોડાવા ઈચ્છુક પરિવારો 10 માર્ચ, 2026 સુધીમાં મંદિર ખાતેથી ફોર્મ મેળવી શકશે. ફોર્મ મેળવવાનો સમય સાંજે 4 થી 6 વાગ્યાનો રહેશે. માતા કે પિતા ગુમાવેલ દીકરીઓ તેમજ આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓને આ સમૂહ લગ્નમાં પ્રથમ પસંદગી અપાશે. આ સમૂહ લગ્નોત્સવમાં દાન આપવા ઈચ્છુક દાતાઓ મંદિરના ટ્રસ્ટીઓ ધનુભા જાડેજા, વિનુ ડાંગર અને શૈલેષ જાનીનો સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત, ધીરુભા જાડેજા, કિશોર અગ્રાવત, રમેશ સાણંદિયા અને ભાવેશ મહેતાનો પણ સંપર્ક કરવા વિનંતી કરાઈ છે.
રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી માટે તૈયારીઓ કોંગ્રેસ પક્ષ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ સામે મજબૂત રીતે લડી શકે તેવા સક્ષમ ઉમેદવારની શોધમાં કોંગ્રેસ આજથી જ કમર કસી રહી છે અને આ માટે આજથી બે દિવસ પ્રદેશ આગેવાન જેનીબેન ઠુંમર અને માનસિંગ ડોડીયા રાજકોટ આવી ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોને સાંભળવામાં આવી રહ્યા છે. જો કે વાસ્તવિકતા એ છે કે કોંગ્રેસને ઉમેદવારો મળતા નથી અને સામે ચાલી ઇચ્છુક ઉમેદવારોને બોલાવવામાં આવી રહ્યા હોવા છતાં સેન્સ આપવા માટે ગણ્યા ગાઠ્યા લોકોની હાજરી આજની આ સેન્સ પ્રક્રિયામાં જોવા મળી હતી. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને મજબૂત રણનીતિ સાથે કોંગ્રેસ પક્ષ ચૂંટણી મેદાનમાં ઉતરવાની છે. મનપાની ચૂંટણી લડવા ઇચ્છુક દરેક ઉમેદવારને ઉમેદવારી ફોર્મ સાથે સંગઠન દ્વારા વ્યક્તિગત રીતે સાંભળવામાં આવશે. આ માટે આજે અને આવતીકાલે એમ બે દિવસ પ્રદેશના આગેવાનો જેનિબેન ઠુંમર અને માનસિંગભાઈ ડોડીયાની ઉપસ્થિતિમાં ચૂંટણી લડવા ઇચ્છુક તમામ ઉમેદવારોને સાંભળવામાં આવશે. ગુરુ અને શુક્રવારના રોજ પ્રદેશના આગેવાનો દ્વારા રાજકોટના ઉમેદવારોના સૂચનો અને અભિપ્રાયો મેળવ્યા બાદ પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં ઉમેદવારોના નામ અંગે ચર્ચા વિચારણા કરી તે યાદી પ્રદેશ સમિતિને મોકલવામાં આવશે અને ત્યારબાદ અંતિમ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આજ રોજ સર્કિટ હાઉસ ખાતે સવારે 10થી 1.30 વાગ્યા સુધી વોર્ડ નં.1 થી 4 ત્યારબાદ બપોરે 3થી રાત્રે 8 વાગ્યા સુધી વોર્ડ નં.5 થી 9ના ઇચ્છુક ઉમેદવારને સાંભળવામાં આવશે. આ પછી બીજા દિવસે સવારે 10થી બપોરે 1.30 વાગ્યા સુધી વોર્ડ નં.10થી 14 અને બપોરે 3.30થી રાત્રે 8 વાગ્યા સુધી વોર્ડ નં.15 થી 18ના ઇચ્છુક ઉમેદવારોને સાંભળવામાં આવશે. આજે ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો પાસેથી એક ફોર્મ પણ લેવામા આવ્યું હતું જેમાં ઉમેદવારની પર્સનલ માહિતી, મોબાઈલ નંબર, સરનામું, જ્ઞાતિ, અભ્યાસ, વ્યવસાય, પાર્ટી સાથે કેટલા સમયથી જોડાયેલ છે તે માહિતી ઉપરાંત રાજકીય અનુભવ, અગાઉ ચૂંટણી લડ્યા છો કે કેમ.? ક્યાં વોર્ડમાંથી ચૂંટણી કડવા માંગો છો.? મતદારોની સંખ્યા જ્ઞાતિ આધારિત સમીકરણ, ચૂંટણી લડવાનું કારણ.? જીતવાની શક્યતા કેટલી.? સામાજિક સેવા કર્યો તેમજ કાયદાકીય કેસ અથવા વાદ વિવાદ સહીત ઝીણવટ ભરી માહિતી એકત્રિત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં કુલ 18 વોર્ડનો સમાવેશ થાય છે જે 18 વોર્ડમાં કુલ 72 એટલે કે એક વોર્ડમાં કુલ 4-4 ઉમેદવારોની પસંદગી કરવાની રહેતી હોય છે. આજે પ્રથમ દિવસે સવારના સમયે સેન્સ પ્રક્રિયામાં ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોની પાંખી હાજરી જોવા મળી હતી એટ ક્યાંક કોંગ્રેસના જ આંતરિક વર્તુળોમાં ચર્ચા શરૂ થઇ હતી કે કોંગ્રેસને ઉમેદવારો મળતા નથી સામે ચાલીને ચૂંટણી લડવા ઇચ્છતા લોકોં બોલાવવા છતાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માંગતાની સંખ્યા નહિવત જણાઈ રહી છે આમ કોંગ્રેસ સતા પર બેસવાની વાતો કરી રહી છે પરંતુ હાલની સ્થિતિમાં તેમને યોગ્ય ઉમેદવારો પણ મળતા ન હોવાનો ગણગણાટ કોંગ્રેસના આંતરિક જુથવાદના કારણે બહાર આવ્યો છે.
જામનગરમાં હોળી-ધૂળેટીના પર્વ પૂર્વે કલરના બાચકાની ચોરીનો બનાવ સામે આવ્યો છે. સુભાષ માર્કેટ વિસ્તારમાં એક દુકાનમાંથી ગુલાલના 110 જેટલા બાચકાની ચોરી થઈ છે. આ સમગ્ર ઘટના દુકાન પાસે લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, ગત તારીખ 3 માર્ચ, 2026 ના રોજ રાજકોટની 'પાટીદાર સીઝન્સ' ખાતેથી 10 કિલોના કુલ 200 નંગ ગુલાલના બાચકા મંગાવવામાં આવ્યા હતા. આ માલ ભરેલો ટેમ્પો રાત્રે આશરે 2:30 વાગ્યે જામનગરના સુભાષ માર્કેટ પાસે આવેલી દુકાને પહોંચ્યો હતો. ટેમ્પો ચાલક ગાડી પાર્ક કરીને દુકાનમાં સૂઈ ગયો હતો. આ તકનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ ટેમ્પોમાંથી 110 જેટલા ગુલાલના બાચકાની ચોરી કરી હતી. ચોરીની આ ઘટના દુકાનના CCTV કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ છે. આ ઉપરાંત, ઘટનાસ્થળની આસપાસ લાગેલા સરકારી CCTV કેમેરામાં પણ આરોપીઓ જે વાહન લઈને આવ્યા હતા તેના નંબર કેદ થયા હોવાની શક્યતા છે. વેપારીએ આ મામલે પોલીસમાં અરજી કરી યોગ્ય તપાસ કરવા, ચોરાયેલો માલ પરત મેળવવા અને તસ્કરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ગાંધીનગર જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ આચરતા અસામાજિક તત્વો સામે લોકલ ક્રાઈમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. અડાલજ અને કલોલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા એક રીઢા તસ્કરની પાસા હેઠળ અટકાયત કરી તેને ભુજની જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. LCB પોલીસનું અસામાજિક તત્વો સામે પાસાનું શસ્ત્રગાંધીનગર જિલ્લામાં વધતી જતી ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ ડી.બી.વાળા સહિતની ટીમ દ્વારા અસામાજિક તત્વો સામે પાસાનું શસ્ત્ર ઉઠાવવામાં આવી રહ્યુ છે. જે અન્વયે અડાલજ અને કલોલ વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુના આચરનાર 23 વર્ષીય રીઢા ચોર વિપુલ સતીષભાઇ વાદીને પાસા હેઠળ જેલ ભેગો કરી દેવાયો છે. કલોલમાં ઝુપડપટ્ટીમાં રહી ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતોઆ અંગે પોલીસે જણાવ્યું કે, આરોપી મૂળ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરનો વતની છે અને હાલ કલોલ શહેરની એક કોલેજ પાછળ આવેલી ઝુપડપટ્ટીમાં રહી ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતો હતો. આ આરોપીએ વર્ષ 2025 દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાં તરખાટ મચાવ્યો હતો. આરોપીને પાસા હેઠળ ભુજની જેલમાં ધકેલાયોજેના ગુનાહિત ઇતિહાસનો ગ્રાફ ઊંચો જઈ રહ્યો હોવાથી પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટને મંજુરી અર્થે મોકલી આપવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા વોરંટ ઈસ્યુ કરવામાં આવતા જ આરોપીની અટકાયત બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ પાલારા ખાસ જેલ ભુજ-કચ્છ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
બિહારથી ગુમ યુવાન ભરૂચમાં મળ્યો:પોલીસે અસ્થિર મગજના યુવાનનું પરિવાર સાથે મિલન કરાવ્યું
ભરૂચની સી ડિવિઝન પોલીસે બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લામાંથી ગુમ થયેલા એક અસ્થિર મગજના યુવાનને તેના પરિવાર સાથે મિલાવ્યો છે. પોલીસની સતર્કતા અને માનવીય અભિગમથી આ શક્ય બન્યું. ભરૂચમાં GNFC કંપની નજીક એક અજાણ્યો યુવાન શંકાસ્પદ હાલતમાં ભટકતો જોવા મળ્યો હતો. કંપનીના કર્મચારીઓએ પોલીસને જાણ કરતા સી ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તપાસમાં યુવાન બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાનો હોવાનું સામે આવ્યું. પ્રાથમિક પૂછપરછમાં યુવાન માનસિક રીતે અસ્થિર જણાયો હતો. પોલીસે ધીરજપૂર્વક તેની સાથે વાતચીત કરીને પરિવાર વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો. આખરે યુવાન પાસેથી તેના મોટાભાઈનો મોબાઈલ નંબર મળ્યો. પોલીસે બિહારમાં રહેતા યુવાનના ભાઈનો સંપર્ક કર્યો. ભાઈએ જણાવ્યું કે યુવાન છેલ્લા ચાર મહિનાથી માનસિક રીતે અસ્વસ્થ હતો અને 27 ફેબ્રુઆરી 2026ના રોજ ઘરેથી નીકળી ગયો હતો. વધુ તપાસમાં યુવાનનો ભાણેજ રાજસ્થાનના કોટામાં રહેતો હોવાનું જાણવા મળ્યું. પોલીસે તેનો સંપર્ક કરતા તે ભરૂચ પહોંચ્યો. પોલીસ સ્ટેશનમાં પોતાના મામાને સુરક્ષિત જોઈ ભાણેજ ભાવુક થઈ ગયો હતો. જરૂરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ પોલીસે યુવાનને તેના પરિવારજનોને સોંપ્યો.
શહેરના વડવા દેવજી ભગતની ધર્મશાળા રોડ અને શેખ ઝુબેરી મસ્જિદ સામેના વિસ્તારમાં અગાઉ હટાવવામાં આવેલી યુરિનરી ફરીથી બનાવવાની હિલચાલ શરૂ થતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આજે રહીશો મોટી સંખ્યામાં મહિલાઓ અને સ્થાનિકોએ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે પહોંચી કમિશનરને આવેદનપત્ર રજુઆત કરી આ કામગીરી પર બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ સ્થળે અગાઉ યુરિનરી આવેલી હતી, જે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ હતી, ત્યાં ન્યુસન્સ એટલું વધી ગયું હતું કે લોકોની રજૂઆત બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેને તોડી પાડવામાં આવી હતી જોકે, હવે અચાનક તંત્ર દ્વારા બે દિવસમાં જ ત્યાં ફરીથી યુરિનરી ઊભી કરી દેવાની સૂચના અપાતા વિવાદ વકર્યો હતો, કોંગ્રેસ કાર્યકર અતિક બેલિમે જણાવ્યું હતું કે, અગાઉ જ્યારે અહીં યુરિનરી હતી ત્યારે ત્યાં દારૂ અને સિરપની ખાલી બોટલો મળી આવતી હતી,અસામાજિક તત્વો ત્યાં અયોગ્ય કૃત્યો કરતા હતા, જેનાથી મહોલ્લાની શાંતિ જોખમાતી હતી, લોકોના વિરોધ પછી તે તોડી પડાઈ હતી, તો હવે ફરીથી તંત્રએ ત્યાં યુરિનરીના બદલે આંગણવાડી, ફ્રી ક્લિનિક કે ગાર્ડન જેવી લોકહિતની સુવિધાઓ બનાવવી જોઈએ, વિસ્તારની મહિલા રહીશ નીલોફર બેને પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે, ત્યાં ગંદકી અને મચ્છરોનો ભારે ત્રાસ છે આવારા તત્વો ગંદી હરકતો કરતા હોવાથી મહિલાઓનું ત્યાંથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે અમારી માંગ છે કે ત્યાંથી ઉકરડો અને મૂતણી કાયમી ધોરણે હટાવવામાં આવે, રહીશોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આ માંગણી સ્વીકારવામાં નહીં આવે અને કામગીરી અટકાવવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં સ્થાનિકો દ્વારા સ્થળ પર તેમજ BMC કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવશે.
ગુજરાત રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાની અધ્યક્ષતામાં સાયલા મામલતદાર કચેરી ખાતે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના વિકાસશીલ તાલુકાઓ ચોટીલા, સાયલા અને થાનગઢના વર્ષ 2025-26 અને 2026-27ના આગામી આયોજન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. મંત્રીએ વિવિધ વિભાગોને ફાળવવામાં આવતી ગ્રાન્ટ, પ્રગતિ હેઠળના કામો અને ભાવિ લક્ષ્યાંકોની ઝીણવટભરી સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બેઠક દરમિયાન પ્રભારી મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો પહોંચે અને માળખાગત સુવિધાઓ સુદ્રઢ બને તે સરકારની પ્રાથમિકતા છે. તેમણે શિક્ષણ, આરોગ્ય, આંગણવાડી, પશુપાલન, પીવાનું પાણી અને રસ્તાઓ જેવા પાયાના પ્રશ્નોને અગ્રતા આપી આગામી બે વર્ષનું સચોટ આયોજન કરવા અધિકારીઓને સૂચના આપી હતી. ખાસ કરીને વિકાસશીલ તાલુકા યોજના હેઠળની ગ્રાન્ટનો મહત્તમ અને અસરકારક ઉપયોગ કરવા પર તેમણે ભાર મૂક્યો હતો. મંત્રીએ શિક્ષણ ક્ષેત્રે દીકરીઓના શિક્ષણ અને સુવિધા પર વિશેષ ભાર મૂકતા જણાવ્યું કે, તમામ શાળાઓમાં દીકરીઓ માટે અલગ શૌચાલય અને પાણીની પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવી અનિવાર્ય છે. આરોગ્ય ક્ષેત્રે CHC સેન્ટરોની વહીવટી મુશ્કેલીઓ દૂર કરવા અને આંગણવાડીઓ માટે સરકારી જમીન સંપાદિત કરી નવા મકાનો બનાવવા માટે ગ્રાન્ટ ફાળવવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત, ગ્રામ્ય બહેનો પશુપાલન થકી આર્થિક રીતે સધ્ધર બને તે માટે વધુમાં વધુ બહેનોને આ વ્યવસાય સાથે જોડવા સૂચવ્યું હતું. સાયલા તાલુકાને 'વિકસિત તાલુકો' બનાવવાના નિર્ધાર સાથે મંત્રીએ જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2025-26 માટે રૂ. 2 કરોડ અને વર્ષ 2026-27 માટે રૂ. 2.50 કરોડ જેટલી ગ્રાન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગ્રાન્ટનો ઉપયોગ છેવાડાના ગામો સુધી પાયાની સુવિધાઓ પહોંચાડવા માટે આયોજનબદ્ધ રીતે કરવામાં આવશે. મંત્રીએ પર્યાવરણ જાળવણી માટે દરેક શાળાના કમ્પાઉન્ડમાં મહત્તમ વૃક્ષારોપણ કરવા પણ અપીલ કરી હતી. વિકાસ કાર્યોની ગુણવત્તા અને સમયમર્યાદા બાબતે મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે, પ્રજાલક્ષી કાર્યોમાં ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે જનપ્રતિનિધિઓ અને વહીવટી તંત્ર વચ્ચેના સંકલન પર ભાર મૂકતા જણાવ્યું કે, તેઓ આગામી છ મહિનામાં ફરીથી સમીક્ષા બેઠક યોજી કામગીરીની પ્રગતિ તપાસશે. આકાંક્ષી તાલુકાનાં જુદાજુદા પેરામિટર અન્વયે થયેલી કામગીરીની પણ વિસ્તૃત જાણકારી પ્રેઝન્ટેશન થકી મંત્રીએ મેળવી હતી. આ સમીક્ષા બેઠકમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા, શામજીભાઈ ચૌહાણ, જિલ્લા કલેક્ટર કે.એસ. યાજ્ઞિક, જિલ્લા આયોજન અધિકારી સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની ચેઇન સ્નેચિંગ સ્કોડને એક મોટી સફળતા મળી છે. અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 10 કરોડથી વધુની છેતરપિંડીના ગુનામાં છેલ્લા 8 વર્ષથી નાસતા ફરતા મુખ્ય સૂત્રધાર રૂશીયા લોકનાથ ગૌડાને ઓડિશાના ગંજામ જિલ્લામાંથી દબોચી લેવામાં આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, કરોડોની ઠગાઈ કરનાર આ કહેવાતો 'MD' પોલીસથી બચવા વતનમાં ખેતીકામ કરી સામાન્ય જીવન જીવી રહ્યો હતો. કરોડોની છેતરપિંડી કરી ખેતરોમાં છુપાયો આરોપીસુરતમાં કરોડોનું કૌભાંડ આચરીને ફરાર થયેલો આરોપી રૂશીયા ગૌડા (ઉ.વ. 48) ધરપકડ ટાળવા માટે સુરત છોડીને ભાગી ગયો હતો. તે છેલ્લા આઠ વર્ષથી પોતાના વતનની આસપાસના ગામડાઓમાં ઓળખ છુપાવીને રહેતો હતો. તાજેતરમાં તે પોતાના વતન બેલપુંજી ગામે આવીને ખેતીકામ કરવા લાગ્યો હતો. ક્રાઈમ બ્રાંચને ચોક્કસ બાતમી મળી હતી કે, આરોપી ખેડૂતના વેશમાં ત્યાં છુપાયેલો છે, જેના આધારે ટીમે ઓડિશા જઈ તેને દબોચી લીધો હતો. 'સિક્યોર લાઈફ'ના નામે છેતરાયા સેંકડો રોકાણકારોઆરોપી અને તેના સાથીદારોએ મળીને 'સિક્યોર લાઈફ ગ્રુપ ઓફ કંપનીઝ' અને 'સિક્યોર લાઈફ કેપિટલ લીમીટેડ' નામની પેઢીઓ શરૂ કરી હતી. અમરોલીના માનસરોવર સર્કલ પાસે ભવ્ય ઓફિસ બનાવી આરોપી પોતે કંપનીનો MD, ડાયરેક્ટર અને બ્રાન્ચ મેનેજર બનીને બેસતો હતો. રોકાણકારોને આકર્ષવા માટે તેણે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં શાખાઓ ખોલી હતી અને એજન્ટોનું મોટું નેટવર્ક ઉભું કર્યું હતું. લોભામણી સ્કીમો આપી ડબલ રૂપિયાની લાલચ આપીઆરોપીએ રોકાણકારોને લલચાવવા માટે અનેક સ્કીમો બહાર પાડી હતી. જેમાં ડેઈલી કલેક્શન, મંથલી અને ફિક્સ ડિપોઝિટનો સમાવેશ થતો હતો. કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, 2 વર્ષ માટે 9.75% વ્યાજ આપવું. 3 વર્ષ માટે 10% થી 12% વ્યાજની ખાતરી અને સાડા પાંચ વર્ષમાં નાણા ડબલ અને 9 વર્ષે ત્રણ ગણા કરી આપવાની લાલચ આપી હતા. આ સ્કીમોમાં વિશ્વાસ રાખી સેંકડો લોકોએ પોતાની પરસેવાની કમાણી રોકી હતી. 2010થી 2014 દરમિયાન 10 કરોડનું કૌભાંડ આચર્યુંતપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓએ વર્ષ 2010થી 2014 દરમિયાન રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા હતા. જ્યારે રોકાણકારોની સ્કીમ પાકતી મુદતે પહોંચી, ત્યારે કંપની રાતોરાત ઓફિસને તાળા મારીને ગાયબ થઈ ગઈ હતી. માત્ર એક ફરિયાદી અને તેમના સગાના 57 લાખ રૂપિયા ડૂબ્યા હતા, જ્યારે કુલ મળીને આશરે 10 કરોડથી વધુની રકમ હડપ કરી લેવામાં આવી હતી. કોર્ટે જાહેર કર્યું હતું ધરપકડ વોરંટઆરોપી આઠ વર્ષથી પોલીસને થાપ આપી રહ્યો હોવાથી નામદાર કોર્ટ દ્વારા તેની વિરુદ્ધ સી.આર.પી.સી. કલમ 70 મુજબનું ધરપકડ વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. અમરોલી પોલીસ સ્ટેશનમાં તેની સામે IPC કલમ 406, 409, 420, 120(B), 114 તથા GPID એક્ટ 2003ની કલમ 3 હેઠળ ગુનો નોંધાયેલો હતો. આખરે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તેને પકડી પાડવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્રના સ્વાદપ્રિય લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે કેરીની સીઝનનો જૂનાગઢમાં વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. જૂનાગઢના શાકભાજી અને ફળફળાદી સબ માર્કેટિંગ યાર્ડમાં ખાખડી આવક શરૂ થઈ છે. જોકે, આ વર્ષે કુદરતી પરિબળો અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે કેસર કેરીની સીઝન ગત વર્ષની સરખામણીએ અંદાજે 10 થી 12 દિવસ મોડી ચાલી રહી છે, પરંતુ માર્કેટમાં ખાખડી કેરીની આવકે અત્યારથી જ ધૂમ મચાવી છે. ખાખડી કેરીની આવકમાં મોટો ઉછાળો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા એક મહિનાથી ખાખડી કેરીની ધીમી આવક જોવા મળી રહી હતી, પરંતુ છેલ્લા 15 દિવસથી તેમાં નોંધપાત્ર વધારો થયો છે. યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરા એ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં અંદાજે 18 થી 20 હજાર કિલો જેટલી ખાખડી કેરી યાર્ડમાં આવી ચૂકી છે. જે વિસ્તારોમાં આંબા પર સારું ફ્લાવરિંગ થયું હતું, ત્યાંથી હવે ખેડૂતો ખાખડી કેરીનો ઉતારો કરીને માર્કેટમાં લાવી રહ્યા છે. ભાવ અને ગુણવત્તાનું ગણિત હાલ માર્કેટમાં આવતી કેરીની ગુણવત્તા મુજબ ભાવ નક્કી થઈ રહ્યા છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખાખડી કેરીના ભાવની સ્થિતિ નીચે મુજબ છે જેમાં સામાન્ય ખાખડીના ₹40 થી ₹50 પ્રતિ કિલો અને પ્રીમિયમ ક્વોલિટીના ₹70 થી ₹80 પ્રતિ કિલો બોલાય રહ્યા છે.બજારમાં પણ છૂટક વેપારીઓ પાસે ખાખડી કેરીનું ધોમ વેચાણ થઈ રહ્યું છે. અથાણાં અને અન્ય ઉપયોગ માટે લોકો અત્યારથી જ કેરીની ખરીદી કરી રહ્યા છે. કેરીની રાણી ગણાતી 'કેસર' માટે રસિકોએ હજુ થોડા દિવસો રાહ જોવી પડશે. ગત વર્ષે સીઝન વહેલી હતી, તેની સામે આ વર્ષે વાતાવરણના પ્રભાવે પાક થોડો મોડો તૈયાર થયો છે. હાલમાં કેસર કેરીની દૈનિક આવક અંદાજે 2000 કિલો જેટલી જ છે, જે ખૂબ જ મર્યાદિત ગણાય. જોકે, વેપારીઓ અને યાર્ડના સત્તાધીશોના મતે આગામી 20 થી 25 દિવસમાં કેસર કેરીની આવકમાં મોટો ઉછાળો આવશે. અંદાજે 40 થી 45 દિવસમાં જૂનાગઢનું માર્કેટિંગ યાર્ડ કેસર કેરીના બોક્સથી છલકાઈ ઉઠશે તેવી પૂરી શક્યતા છે. શરૂઆતમાં માવઠાં અને વાતાવરણના ફેરફારને કારણે ખેડૂતો ચિંતામાં હતા, પરંતુ હવે જે પ્રકારે આવક શરૂ થઈ છે તેનાથી ખેડૂતોમાં સારા ભાવ મળવાની આશા જાગી છે. જૂનાગઢ પંથકની પ્રખ્યાત કેસર કેરી જ્યારે ભરપૂર માત્રામાં બજારમાં આવશે ત્યારે ગૃહિણીઓના બજેટમાં પણ રાહત અને સ્વાદના શોખીનોને શુદ્ધ કેસરનો સ્વાદ માણવા મળશે.
અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિના ધજાગરા ઉડાડતી શહેરના નોબલનગર ટર્નિંગ પાસે મહિલા અને પુરુષ પર નિર્દયી રીતે લાકડીઓ વરસાવવાની ઘટના અને સરદાર નગર વિસ્તારમાં છારાનગર ખાતે કોલોનીમાં મહિલાની હત્યા કરી લૂંટ કરવાના કે 36 કલાક બાદ પણ શહેર પોલીસ આરોપીઓને ઝડપી શકી નથી. સ્થાનિક એરપોર્ટ-સરદારનગર પોલીસ, ઝોન-4 LCB ટીમ અને ક્રાઈમ બ્રાન્ચ સહિતની અલગ-અલગ એજન્સીઓના હાથમાં હજી સુધી આરોપીઓ આવ્યા નથી. લૂંટ અને મારામારી જેવી ગંભીર ઘટનામાં પણ ડિટેકશન કરનારા અધિકારીઓને પોલીસની ટીમ નબળી પડી છે. ભૂતકાળમાં ગુના નોંધાયેલા હોવા છતાં પણ આવા ગુનેગારને પકડવામાં પોલીસ ક્યાંક ઢીલું વલણ અપનાવી રહી હોવાની પણ ચર્ચા છે. ‘મને ન્યાય આપો, મારી સાથે થયું એવું બીજા સાથે ન થવું જોઈએ’ભોગ બનનાર વેપારી દીપક ખંડવાણીએ જણાવ્યું હતું કે, બે દિવસ પહેલાં કુબેરનગર ચાચર ચોકમાં જ્યારે હું ઉભો હતો ત્યારે જયેશ રબારી અન્ય ત્રણ લોકોને લઈને આવ્યો હતો અને મને ખૂબ માર્યો હતો. ડંડા વડે મને માર મારવામાં આવ્યો હતો. પોલીસને એટલી વિનંતી છે કે, મને ન્યાય આપો. ક્યારેય બીજા સાથે આવું ન થવું જોઈએ. પોલીસને બે હાથ જોડીને વિનંતી કરતાં કહ્યું હતું કે, તેમનો વરઘોડો કાઢવામાં આવે. ભોગ બનનાર વેપારીને જે રીતે માર મારવામાં આવ્યો છે. જે ઘટના બાદ બીજા દિવસે રાત્રે રોડ પર જાહેરમાં નિર્દય રીતે ફરીથી માર મારવામાં આવ્યો ત્યારે આ સમગ્ર મામલે પોલીસ હજી સુધી આરોપીઓ સુધી પહોંચવામા નિષ્ફળ રહી છે. જૂની અદાવતમાં ભાઈને માર મારવા માટે ગયા હતાશહેરના કુબેરનગર વિસ્તારમાં રહેતા દીપકભાઈ નામના કાપડના વેપારીએ સિંધી સમાજના તહેવાર એવા ચેટીચંદમાં જુલુસમાં અન્ય સમાજના માણસો આવતા હોવા અંગેનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેને લઈને તેમના જ સમાજના વ્યક્તિ અને જયેશ રબારી દ્વારા ઝઘડો કરવામાં આવ્યો હતો, જેની અદાવત રાખીને માર મારવામાં આવ્યો હતો. આ અંગે સરદાર નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી, જેની અદાવતમાં રાત્રે જ તેના ભાઈને માર મારવા માટે ગયા હતા. જોકે, નાસી ગયો હતો પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ થતા ઘટના સ્થળ પર પહોંચી હતીસરદારનગર પોલીસની ગાડી આવી હતી અને પગના ભાઈને બેસાડીને પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા માટે નીકળી હતી તેમની પાછળ બાઈક લઈને દિપકભાઈ તેમની માતા અને બહેન જઈ રહ્યા હતા ત્યારે જયેશ રબારી, પરેશ રબારી અને તેના સાગરીતો બાઈક પર પાછળ ગયા હતા અને જોર જોરથી બૂમો પાડી અટકાવ્યા હતા. નોબલનગર ટર્નિંગ પાસે ગાડી ઉભી રાખી અને નિર્દયી રીતે દીપકભાઈ અને તેમની માતા તેમજ બહેન પર લાકડીઓ વરસાવવામાં આવી હતી. જેમાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સરદાર નગર તેમજ એરપોર્ટ પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. 36 કલાક વીતી ગયા બાદ પણ એકેય આરોપી પકડાયો નથીસરદારનગર અને એરપોર્ટ પોલીસ બંને હદના વિવાદને લઈને સવાર સુધી ફરિયાદ લીધી નહીં અને બાદમાં છેવટે એરપોર્ટ પોલીસ દ્વારા ગુનો નોંધી અને કાર્યવાહી કરવામાં આવી છે. જોકે, હજી સુધી 36 કલાક વીતી ગયા બાદ પણ એક પણ આરોપીને ઝડપવામાં એરપોર્ટ પોલીસ કે એજન્સી સફળ થઈ શકી નથી. આરોપી જયેશ રબારી વિરુદ્ધ પણ અગાઉ ગુનો નોંધાઈ ચૂક્યો છે. અનેકોમાં ચર્ચા છે કે જયેશ રબારીના સગા પોલીસમાં ફરજ બજાવે છે જેથી તેને છાવરવામાં આવી રહ્યો છે. વૃદ્ધાના ઘરમાં જોયું તો વૃદ્ધા નીચે પડેલી હાલતમાં હતાસરદારનગરના છારાનગરમાં કોલોનીમાં રહેતા ભારતીબેન બજરંગી છેલ્લા કેટલાય સમયથી એકલા રહેતા હતા. 3 માર્ચે મોડી રાત્રે તેઓ જમી પરવારીને સુઈ ગયા હતા. આ દરમિયાનમાં વહેલી સવારે 3:30 વાગ્યાની આસપાસ સ્થાનિક વ્યક્તિ જ્યારે ત્યાંથી પસાર થયો ત્યારે તેમને વૃદ્ધાના ઘરમાં જોયું તો વૃદ્ધા નીચે પડેલી હાલતમાં હતા અને કઈ અજુગતું બન્યું હોવાનું જાણ થઈ હતી. જેથી, તેમણે તાત્કાલિક ધોરણે મહિલાના પરિવારજનોને જાણ કરી હતી. પરિવારજનો સ્થળ પર પહોંચ્યા હતા અને પોલીસને પણ જાણ કરી હતી. ઘરમાંથી દાગીના અને રોકડ ગાયબ હતીસરદારનગર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી ઘરમાં જ્યારે જઈને જોયું તો મહિલાની નીચે પડેલી હાલતમાં હતા. તેમના શરીર પર રહેલા દાગીના ગાયબ હતા અને ઘરની તિજોરી અને રોકડ રકમ સહિતની વસ્તુઓ પણ ગાયબ જોવા મળી હતી. મહિલાના શરીર પર ઇજાના નિશાન અને મોઢે વાગેલું હતું, જેથી તેમની હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. મોડી રાત્રે કોઈ અજાણી વ્યક્તિ દ્વારા ઘરમાં મહિલાની હત્યા કરી અને લૂંટ કરી હતી. સરદારનગર પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ મામલે પણ હજી સુધી આરોપીઓની પોલીસ પહોંચી શકી નથી.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આયોજિત વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં રાજકીય માહોલ ગરમાયો હતો. નવસારીના સાંસદ ધવલ પટેલે મંચ પરથી કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર આકરા પ્રહાર કર્યા હતા. ખાસ કરીને પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને બંધ કરાવવાના શ્રેય લેવાના મુદ્દે તેમણે કોંગી ધારાસભ્યની ઝાટકણી કાઢી હતી. સાંસદ ધવલ પટેલે જાહેરમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્ય પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટ બંધ કરાવવાની ખોટી ડંફાસો મારી રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ધારાસભ્ય પોતાના વતન ઉનાઈમાં હજુ સુધી એક પાણીની ટાંકી બનાવી શક્યા નથી. સાંસદે કહ્યું કે, જે વ્યક્તિ પોતાના ગામની પ્રાથમિક સુવિધા પૂરી પાડી શકતી નથી, તે મોટા પ્રોજેક્ટ્સ બંધ કરાવ્યાના દાવા કરે તે હાસ્યાસ્પદ છે. સાંસદ માત્ર પ્રોજેક્ટ મુદ્દે જ નહીં, પણ સ્થાનિક પ્રશ્નોને લઈને પણ આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ધારાસભ્ય અનંત પટેલ જે વિસ્તારમાં રહે છે, ત્યાં દર ચોમાસામાં પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સર્જાય છે. ધવલ પટેલે પડકાર ફેંકતા કહ્યું કે, ચોમાસામાં ભરાતા વરસાદી પાણીનો નિકાલ કરવાની ક્ષમતા તેમનામાં નથી. તેમણે સૂચવ્યું કે, પહેલા પોતાના વિસ્તારમાં ભરાતા પાણીનો નિકાલ કેવી રીતે કરવો તેની વાત કરવી જોઈએ, અને પછી મોટા પ્રોજેક્ટ્સ બંધ કરાવ્યાની ડંફાસો મારવી જોઈએ. વાંસદામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની રાજકીય ખેંચતાણ સ્પષ્ટપણે સપાટી પર આવી હતી. સાંસદના આ નિવેદન બાદ હવે ધારાસભ્ય અનંત પટેલ આ વ્યક્તિગત પ્રહારો અને વિકાસના સવાલો પર કેવો વળતો પ્રહાર કરે છે તે જોવું રહ્યું.
અમદાવાદના ભાડજ સ્થિત હરે કૃષ્ણ મંદિરમાં 3 માર્ચ, 2026ના રોજ ગૌર પૂર્ણિમાનો ઉત્સવ અત્યંત ભક્તિભાવ અને ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. જગતમાં હરિનામ સંકીર્તનનો પ્રસાર કરનાર ભગવાન ચૈતન્ય મહાપ્રભુના પાવન અવતરણની યાદમાં આ આયોજન કરાયું હતું. ભક્તોમાં 'ગૌરાંગ' તરીકે જાણીતા મહાપ્રભુની આ વર્ષે 540મી જન્મજયંતિ છે. ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય માટે આ દિવસ નવા વર્ષના પ્રારંભ સમાન હોય છે, તેથી ભક્તોએ આખો દિવસ ઉપવાસ રાખી રાત્રે ચંદ્રદર્શન બાદ પારણા કર્યા હતા. ભક્તિમય સંકીર્તન અને રાજભોગ અર્પણદિવસ દરમિયાન મંદિર પરિસર 'હરે કૃષ્ણ' મહામંત્રના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ સામૂહિક સંકીર્તન દ્વારા વાતાવરણને આધ્યાત્મિક બનાવી દીધું હતું. બપોરના સમયે ભગવાનને 108 પ્રકારના વિવિધ વ્યંજનો ધરાવીને રાજભોગ આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓએ પ્રસાદનો લાભ લીધો હતો. ચૈતન્ય મહાપ્રભુએ સ્વયં એક ભક્તના રૂપમાં અવતરીને વિશ્વને ભક્તિનો સાચો માર્ગ દર્શાવ્યો હતો, જેની ઝલક અહીં જોવા મળી હતી. પાલકી વિહાર અને ભવ્ય મહાઅભિષેકસાંજના સમયે નિતાઈ ગૌરાંગ (ચૈતન્ય મહાપ્રભુ અને નિત્યાનંદ પ્રભુ) ને ફૂલોથી શણગારેલી પાલકીમાં બિરાજમાન કરી મંદિર પરિસરમાં ભ્રમણ કરાવવામાં આવ્યું હતું. ઢોલ-નગારાના તાલે ભક્તો નૃત્યમાં લીન થયા હતા. ત્યારબાદ 7 પવિત્ર નદીઓના જળ ભરેલા 108 કળશ દ્વારા પ્રભુનો મહાઅભિષેક થયો હતો. આ અભિષેકમાં દૂધ, દહીં, ઘી, મધ, ગોળનું પાણી અને ફળોના રસનો ઉપયોગ કરાયો હતો. પુષ્પ હોળી અને વિશ્વ શાંતિની પ્રાર્થનાઉત્સવના અંતિમ ચરણમાં ભવ્ય મહાઆરતી યોજાઈ હતી. સૌથી આકર્ષક પાસું 'પુષ્પ હોળી' રહ્યું હતું, જેમાં ભગવાનને અર્પણ કરેલા ફૂલોની ભક્તો પર વર્ષા કરવામાં આવી હતી. ભક્તોએ વિશ્વ શાંતિ અને સર્વના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. આ ઉત્સવ દ્વારા ભક્તિ અને આનંદનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.
રશિયા-યુક્રેન અને મધ્ય પૂર્વમાં પ્રવર્તી રહેલી યુદ્ધની વૈશ્વિક પરિસ્થિતિની સીધી અસર હવે સુરતના અર્થતંત્રની કરોડરજ્જુ ગણાતા ટેક્સટાઈલ હબ પર જોવા મળી રહી છે. ખાસ કરીને ડાઈંગ અને પ્રોસેસિંગ સેગમેન્ટમાં વપરાતા કોલસાના ભાવમાં અચાનક આવેલા તોતિંગ ઉછાળાએ ઉદ્યોગપતિઓની ચિંતામાં મસમોટો વધારો કર્યો છે. માત્ર ચાર જ દિવસના ટૂંકા ગાળામાં કોલસાના ભાવમાં પ્રતિ ટન 800થી 1200ની વૃદ્ધિ નોંધાઈ છે, જેને અત્યાર સુધીનો સૌથી તેજ ઉછાળો માનવામાં આવી રહ્યો છે. પ્રોસેસિંગ ચાર્જમાં 15% સુધીના વધારાની શક્યતાઉદ્યોગના નિષ્ણાતો અને સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસિંગ એસોસિયેશન (SGTPA) ના અનુમાન મુજબ, જો કોલસાના ભાવની આ સ્થિતિ જળવાઈ રહેશે તો પ્રોસેસિંગ ચાર્જમાં 10થી 15 ટકા સુધીનો વધારો તોળાઈ રહ્યો છે. 'ગ્રે' કાપડને રંગબેરંગી 'ફિનીશ્ડ ફેબ્રિક'માં બદલતી મિલો માટે ઈંધણ એટલે કે કોલસો સૌથી મુખ્ય ઘટક છે. કોલસાના ભાવ વધતા હવે ઓર્ડર બુકિંગ અને પ્રાઈસ નેગોશિએશન પર ગંભીર અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. માત્ર 7 દિવસનો સ્ટોક બાકી, ઉદ્યોગ પર ઠપ્પ થવાનું જોખમસુરતની અંદાજે 400થી વધુ ડાઈંગ અને પ્રોસેસિંગ મિલો હાલમાં ગંભીર કટોકટીનો સામનો કરી રહી છે. ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા અનુસાર મોટાભાગની મિલો પાસે હવે માત્ર 7 દિવસનો કોલસાનો સ્ટોક જ બચ્યો છે. જો આગામી એક અઠવાડિયામાં પુરવઠો સામાન્ય નહીં થાય અથવા ભાવ પર અંકુશ નહીં આવે, તો અનેક મિલોએ પોતાના એકમો બંધ રાખવાની ફરજ પડી શકે છે. સ્ટોકની આ અછતને કારણે ઉત્પાદન ક્ષમતામાં પણ ઘટાડો કરવામાં આવી રહ્યો છે. આયાતી કોલસો મોંઘો થયોસુરતમાં વપરાતો મોટાભાગનો કોલસો ઈન્ડોનેશિયાથી આયાત કરવામાં આવે છે. દરિયાઈ માર્ગે આવતા આ કોલસા પર હવે શિપિંગ ચાર્જમાં પ્રતિ ટન 8 અમેરિકી ડોલરનો વધારાનો ભાર પડ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઈંધણના મૂળ ભાવમાં ભલે મોટો ફેરફાર ન થયો હોય પરંતુ, શિપિંગ અને લોજિસ્ટિક્સ ખર્ચ વધવાને કારણે ઈમ્પોર્ટર સ્તરે જ ભાવ વધી ગયા છે, જેની સીધી અસર સુરતના પ્રોસેસર્સ પર પડી રહી છે. દૈનિક 20,000 ટન કોલસાની જરૂરિયાતસુરતમાં કાર્યરત પ્રત્યેક મિલમાં સરેરાશ દૈનિક 40 થી 50 ટન કોલસાનો વપરાશ થાય છે. સમગ્ર સુરતની વાત કરીએ તો દરરોજ હજારો ટન કોલસાની જરૂર પડે છે. આ સ્થિતિમાં પ્રતિ ટન 1000નો વધારો પણ ઉદ્યોગના કુલ ખર્ચમાં કરોડો રૂપિયાનો વધારો કરી દે છે. આ વધારાનો બોજ આખરે તૈયાર કાપડ પર આવશે, જેનાથી સામાન્ય જનતા માટે કપડાં મોંઘા થઈ શકે છે. લોકલ લેવલે ઈમ્પોર્ટર્સ દ્વારા ભાવ વધારોસાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસિંગ એસોસિયેશનના પ્રમુખ જીતુભાઈ વખારિયાએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિનો હવાલો આપીને સ્થાનિક સ્તરે ઈમ્પોર્ટર્સ દ્વારા દામ વધારી દેવામાં આવ્યા છે. અમે હાલની પરિસ્થિતિનું અવલોકન કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં એસોસિયેશનના સભ્યો સાથે બેઠક કરી સંયુક્ત નિર્ણય લઈશું. ઉદ્યોગકારોમાં એવો પણ રોષ છે કે, આંતરરાષ્ટ્રીય ઉતાર-ચઢાવનો લાભ લઈને સ્થાનિક વેપારીઓ કૃત્રિમ અછત ઊભી ન કરે. કામદારોના રોજગાર પર પણ સંકટજો કોલસાના ભાવ ન ઘટે અને મિલો બંધ થાય તો સુરતના લાખો ટેક્સટાઈલ કામદારોના રોજગાર પર પણ અસર પડી શકે છે. કાપડ ઉદ્યોગમાં ડાઈંગ-પ્રોસેસિંગ એ સૌથી વધુ શ્રમ ધરાવતું ક્ષેત્ર છે. ઉત્પાદન ખર્ચ વધતા મિલ માલિકો શિફ્ટમાં કાપ મૂકવાનું વિચારી રહ્યા છે, જેની અસર સીધી કારીગરોના પગાર પર પડશે. 'ગ્રે' કાપડના ઉત્પાદકોમાં ફફડાટપ્રોસેસિંગ હાઉસ દ્વારા ભાવ વધારાની ચીમકી અપાતા વીવર્સ (ગ્રે કાપડ ઉત્પાદકો) માં પણ ફફડાટ ફેલાયો છે. જો પ્રોસેસિંગ ચાર્જ વધશે તો સુરતના કાપડની વૈશ્વિક અને સ્થાનિક બજારમાં સ્પર્ધાત્મકતા ઘટશે. રજનીકાંત મેશ્રામ જેવા નાના વેપારીઓ જણાવે છે કે, પહેલેથી જ માંગ ઓછી છે, તેમાં જો ખર્ચ વધશે તો ધંધો કરવો મુશ્કેલ બનશે. જીતુ વખારિયાએ જણાવ્યું હતું કે, ઉદ્યોગકારો અત્યારે કોલસો મેઇનલી ઇન્ડોનેશિયાથી જ બધો આવે છે અને તેમાં જે બધું આપણે મગદલ્લા જે એ છે તેમાં સ્ટીમરમાંથી બાજમાં અને બાજમાંથી ટ્રક દ્વારા દરેક મિલમાં ઠાલવવામાં આવે છે એટલે આ કોલસો જે 4,000 ની આસપાસ ભાવ હતો તેનો 5 થયો છે અને 5 છે તેનો લગભગ 1,100થી 1,200 રૂપિયા વધ્યો છે અને જે રીતે કાલે બજાર ચાલુ થાય ને જે રીતે યુદ્ધની અત્યારે જે એકદમ તીવ્રતા વધી છે એ જોતા લાગે છે કે બીજો 1,000-1,200 નો ભાવ વધારો આવનારા દિવસોમાં આવશે એવી અમને ભય છે.
હિલડ્રાઇવમાં રંગોત્સવનું આયોજન:વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં ઉજવાયો પર્વ
ભાવનગરના હિલડ્રાઇવ વિસ્તારમાં ફૂલવાડી ચોક ખાતે રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન કિરીટભાઈ (કિરીટ મામા) અને ચંદ્રશેખર સિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે અમિતભાઈ વાજા, રવિભાઈ મુંજપરા, ભારતીય જનતા પાર્ટીના શહેર આઈ.ટી. વિભાગ કન્વીનર પાર્થભાઈ વાજા, સોશિયલ મીડિયા કન્વીનર નચિકેતભાઈ દવે અને મિતભાઈ શાહ પણ હાજર રહ્યા હતા. આ ધૂળેટી પર્વે હિલડ્રાઇવ વિસ્તારમાં રહેવાસીઓમાં હર્ષોલ્લાસ ભેર આ એક બીજા ને રંગ લગાવી શુભેચ્છા પાઠવી હતી. આ રંગોત્સવના પર્વ નિમિત્તે રાષ્ટ્રવાદ, સાંસ્કૃતિક એકતા અને હિન્દુ સમાજની સંગઠિત શક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં કાર્યકરો અને યુવાનોએ એકતા, સમરસતા અને રાષ્ટ્રહિતના સંકલ્પ સાથે આ ઉત્સવની ઉજવણી કરી. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ હિન્દુ સમાજની એકતા જાળવી રાખવા અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.આ રંગોત્સવને માત્ર આનંદના તહેવાર તરીકે જ નહીં, પરંતુ સમાજને સંગઠિત કરીને રાષ્ટ્રનિર્માણ તરફ આગળ વધવાના પ્રેરણાદાયી અવસર તરીકે જોવામાં આવ્યો હતો.
ઇડરના લાલોડામાં શ્વાન કરડવાથી ભેંસનું મોત:દૂધ પીનારા 15 લોકોએ હડકવા વિરોધી રસી લેવી પડી
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના લાલોડા ગામે એક ભેંસને શ્વાન કરડ્યા બાદ તેનું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે ભેંસનું દૂધ પીનારા ગામના 15 જેટલા લોકોએ ઇડર સિવિલ હોસ્પિટલમાં હડકવા વિરોધી રસી લીધી હતી. લાલોડા ગામના વિશાલભાઈ પ્રભુભાઈ પટેલે જણાવ્યું હતું કે, લગભગ એક સપ્તાહ પહેલા તેમના વાડામાં ભેંસને એક શ્વાન કરડ્યું હતું. ત્યારથી ભેંસ બીમાર હતી અને આજે તેનું મોત થયું છે. વિશાલભાઈએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ આ ભેંસનું દૂધ ડેરીમાં ભરાવતા ન હતા, પરંતુ ગામમાં જ સ્થાનિક લોકોને આપતા હતા. શ્વાન કરડ્યા બાદ ભેંસનું મોત થતાં, સંભવિત હડકવાના ભયથી દૂધ પીનારા 15 લોકોએ સાવચેતીના ભાગરૂપે રસી લીધી હતી. ઇડર જનરલ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. સંજયભાઈ ચૌહાણે આ અંગે પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે, લાલોડામાં ભેંસને શ્વાન કરડવાથી તેનું મોત થયું છે. શ્વાન હડકાયું હોવાની આશંકાને કારણે ગુરુવારે ગામના 15 લોકોને હડકવા વિરોધી રસી આપવામાં આવી હતી.
ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધ બાદ મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ, જેના કારણે ઘણી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ સ્થગિત કરવાની ફરજ પડી છે. તે સમયે ઘણા ભારતીય મુસાફરો પણ વિદેશમાં ફસાયેલા હતા. ઉમરાહ કરવા ગયેલા ગુજરાતના ઘણા મુસાફરો વિદેશમાં ફસાયેલા હતા. ફ્લાઇટ રદ થવાથી તેમના પરિવારો માટે પણ તકલીફ ઉભી થઈ હતી. જોકે, આજે વહેલી સવારે 2:29 વાગ્યે જેદ્દાહથી મુસાફરોને લઈને એક ફ્લાઇટ ઈન્ડિગોની ફ્લાઇટ નંબર 6E 076 અમદાવાદ એરપોર્ટ પર આવી હતી. તેમના સ્વાગત માટે મોટી સંખ્યામાં પરિવારના સભ્યો એકઠા થયા હતા. ફ્લાઇટ રદ થવાને કારણે તેમને ત્યાં જ રોકાવું પડ્યુંપોતાના પરિવારના સભ્યો સલામત પરત ફરવાથી બધા પરિજનો ખુશ હતા. સુરક્ષિત રીતે પાછા ફરેલા મુસાફરોએ જણાવ્યું કે, ફ્લાઇટ રદ થવાને કારણે તેમને ત્યાં જ રોકાવું પડ્યું. જોકે, સરકારે તેમને મદદ કરી અને તેમને સુરક્ષિત રીતે ભારત લાવ્યા છે, જેના કારણે તેઓ અને તેમના પરિવારો ખુશ છે. બધા મુસાફરોએ સરકારનો આભાર માન્યો હતો. 170 મુસાફર સાથેની ફ્લાઇટ અમદાવાદ પહોંચીઈરાન અને ઈઝરાયેલ વચ્ચે થઈ રહેલા યુદ્ધને કારણે દુબઈમાં પણ તણાવની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન એર સ્પેસ બંધ હોવાથી સમગ્ર ભારત સહિત ગુજરાતના મુસાફરો પણ ત્યાં ફસાયા હતાં. આ મુસાફરો દ્વારા વતન પરત આવવા માટે સરકારને અપીલ કરવામાં આવી હતી. જેથી હવે દુબઈમાં ફસાયેલા મુસાફરોને લઈને ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી રહી છે. એરપોર્ટ પર મોડી રાત્રે 170 મુસાફરોને લઈને એક ફ્લાઈટ આવી હતી. આ ફ્લાઈટમાં આવેલા મુસાફરોએ સરકારનો આભાર માન્યો હતો. મુસાફરોએ કહ્યું હતું કે, સરકારે સંપૂર્ણ સહયોગ આપ્યો છે. દુબઈમાં અમે બે દિવસ ફસાયેલા રહ્યા હતાં. જ્યાં બોમ્બ અને મિસાઈલ ફૂટ્યા હતાં. ત્યાં રોકાયેલા દરેકને મફતમાં સુવિધા મળી હોવાનું પણ મુસાફરોએ કહ્યું હતું.
ગુજરાતમાં આગામી દિવસોમાં મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવાની છે, ત્યારે ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ચૂંટણીની જાહેર સભા અને પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને અમદાવાદના નિકોલ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માએ આજે 5 માર્ચના રોજ રૂ. 97 કરોડથી વધુના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. વિરાટનગર ખાતે 30 બેડની હોસ્પિટલ એવા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ગુજરાતની પ્રજા 30 વર્ષથી વિકાસને મત આપે છે: જગદીશ વિશ્વકર્માભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે, પ્રજાએ અમને મત આપ્યા છે, જેનો અમે ઋણ સ્વીકાર કર્યો છે. વિકાસના કાર્યો કર્યા છે, ત્યારે હવે પ્રજાએ ઋણ સ્વીકાર કાર્યક્રમ કરવાનો છે. જગદીશ વિશ્વકર્માએ જાહેર મંચ ઉપરથી કહ્યું હતું કે, શું અમારે પ્રજા વચ્ચે આવીને મત માગવા યોગ્ય છે? ગુજરાતની પ્રજા 30 વર્ષથી વિકાસને મત આપે છે, ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં પ્રજા વિકાસને જ મત આપશે. કરોડો રૂપિયાના વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે. ‘કોંગ્રેસના વાયદોઓમાં 75 વર્ષ નીકળી ગયો’ કોંગ્રેસ ઉપર આક્ષેપ કરતા જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે, કોંગ્રેસના રાજમાં ચૂંટણી આવે અને મત માંગવા જાય ત્યારે મોટી હોસ્પિટલ-રોડનું પ્લાનિંગ કર્યું છે, એવું કહે છે. પાંચ વર્ષ પૂરા થઈ જાય છે, ફરીથી આવે ત્યારે બીજા વાયદાઓ આપે છે. ચૂંટણી ઢંઢેરામાં લીધું છે અને વાયદો પૂરો કરીશું, બજેટ ફાળવી દીધું છે વગેરે જેવી મોટી મોટી વાતો કરીને પાંચ-પાંચ વર્ષ કાઢી નાખ્યા હતા અને આ જ રીતે 75 વર્ષ નીકળી ગયા છે. ભાજપના રાજમાં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત પણ ભાજપ જ કરે છે અને લોકાર્પણ ભાજપ દ્વારા જ કરવામાં આવે છે. વિરાટનગર કોમ્યુનિટી હેલ્થ સેન્ટર એવા 30 બેડની હોસ્પિટલ માત્ર 15 મહિનામાં ઉભી કરી દેવામાં આવી છે. ‘પૂર્વ વિસ્તારમાં 700 કરોડના ખર્ચે નવી હોસ્પિટલ બનશે’ભાજપ દ્વારા લોકોના આરોગ્યની સુવિધા ની ચિંતા કરવામાં આવે છે, જેથી આ 30 બેડની હોસ્પિટલ બનાવવામાં આવી છે. હેલ્થ ચેકઅપથી લઈને તમામ પ્રકારની અધ્યતન સુવિધાઓ વાળી આ હોસ્પિટલ બનાવવામાં આવી છે. હોસ્પિટલમાં તમામ પ્રકારની સારવાર અને દવાઓ પણ મફત આપવામાં આવશે, જેથી લોકોને સારી આરોગ્યની સારવાર મળી રહેશે. પૂર્વ વિસ્તારમાં નવી અધ્યતન હોસ્પિટલ બનાવવામાં આવનાર છે. રૂપિયા 700 કરોડના ખર્ચે આ હોસ્પિટલ બનશે, જેના માટે 50 કરોડ રૂપિયા ચાલુ વર્ષે બજેટમાં કોર્પોરેશન દ્વારા ફાળવવામાં આવ્યા છે. ‘ખારીકટ કેનાલમાં એક સમયે દીકરા-દીકરીનું સગપણ થતું નહોતું’ પૂર્વ વિસ્તારમાં વર્ષોથી ગંદકીથી ભરેલી ખારીકટ કેનાલના ડેવલોપમેન્ટને લઈને તેમણે જણાવ્યું હતું કે, ખારી કટ કેનાલ ઉપર જે લોકોના ઘર આવેલા છે, તેમના દીકરા-દીકરીની સગાઈ થતી નહોતી. ગંદકીથી ભરેલા અને મચ્છરોનાઓ થતા હતા, જેથી ખારીકટ કેનાલ પર ઘર આવેલું હોવાથી દીકરા-દીકરીનું સગપણ થતું નહોતું. જે તે સમયે 25,000માં પણ કોઈ મકાન લેવા માટે તૈયાર નહોતું, જે મકાન 10 લાખ રૂપિયામાં મળતું હતું, તેની કિંમત આજે એક કરોડ રૂપિયા ઉપર થઈ ગઈ છે. ખારીકટ કેનાલ ઉપર રોડ બની ગયો છે અને આઠ માર્ચે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા લોકાર્પણ કરવામાં આવશે. બરોડાથી વિન્ઝોલ અને એક્સપ્રેસવેથી ઘોડાસર સુધીની આ રીકટ કેનાલનું 2000 કરોડથી વધુના ખર્ચે ડેવલોપમેન્ટ થવા જઈ રહ્યું છે જેથી ભાજપ વિકાસના કામો કરે છે. વિરાટનગરના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું લોકાર્પણ પૂર્વ વિસ્તારમાં નિકોલ વિધાનસભામાં અંદાજિત રૂ.97.36 કરોડના ખર્ચે કુલ 31 વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં રૂ.17.67 કરોડના 2 કામોના લોકાર્પણ, રૂ.77.56 કરોડના 8 કામોના ખાતમુહૂર્ત અને રૂ.2.13 કરોડના 70:20:10ના 21 કામોના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે. વિરાટનગર ખાતે આવેલા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા અને સાંસદ હસમુખ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. નિકોલ વિધાનસભા વિસ્તારમાં વિધાનસભાના વિરાટનગર વોર્ડમાં રૂ.6.76 કરોડના ખર્ચે બનાવેલી વિરાટનગરની નવી સબ ઝોનલ ઓફિસ અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરને ડિમોલિશ કરી રૂ.10.91 કરોડના ખર્ચે બનાવેલા નવા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. 77.56 કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરાશેનિકોલ વિધાનસભા વિસ્તારમાં કુલ રૂ.77.56 કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેમાં નિકોલના ઓઢવમાં રૂ.1.99 કરોડના ખર્ચે તૈયાર કરાયેલો કરશનનગર શાળાથી રાજુ મોબાઈલ શોપ સુધીનો રોડ, રૂ.4.52 કરોડના ખર્ચે બનાવેલા આપા હોટેલથી શ્રીરંગ પે એન્ડ યુઝ સુધીનો રોડ, રૂ.3.13 કરોડના ખર્ચે તૈયાર કરેલા ઓઢવ દર્શનધાન સોસાયટીથી સ્મશાન ગૃહ સુધીનો રોડ, રૂ.18.68 કરોડના ખર્ચે બનાવેલા ઓઢવ વોર્ડના ફાયર સ્ટેશનથી એસ.પી રીંગ રોડ સુધીના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. વિરાટનગર વોર્ડમાં પણ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્તનિકોલના વિરાટનગર વોર્ડમાં રૂ.1.23 કરોડના ખર્ચે બનાવેલો માધવ બાગ સોસાયટીથી જીવન વાડી રોડ, રૂ.1.74 કરોડના ખર્ચે તૈયાર કરેલો તેજેન્દ્ર પ્રકાશ સોસાયટીથી ખોડીયાર જ્યોત સુધીનો રોડ, રૂ.2.25 કરોડના ખર્ચે બનાવેલો રતન પાર્ક, પતંજલી સોસાયટી, સરસ્વતી સ્કૂલથી કોઠીયા હોસ્પિટલ સુધીનો રોડ તેમજ ઓમ સર્કલ પાસે રૂ.44.02 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી પૂર્વ ઝોનની મેઈન ઝોનલ ઓફિસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. વિવિધ રસ્તાઓ પેવર બ્લોકથી મઢાશે વિરાટનગરમાં રૂ.2.13 કરોડના 70.20.10ના 21 કામો જેમાં વિરાટનગરની રતનપાર્ક સોસાયટી વિભાગ-2 પશ્ચિમ તરફ પેવર બ્લોક નાંખવાનું કામ, અવધપુરી સોસાયટીમાં ડ્રેનેજ લાઈન, ચંદ્રભાગાનગર સુરજનગરમાં પેવર બ્લોક અને ડ્રેનેજ લાઈન, ચામુંડાનગરમાં પેવર બ્લોક અને ડ્રેનેજ લાઈન, સ્વસ્તિક સરીતાનગરમાં પેવર બ્લોક, શિરોમણી ટેનામેન્ટના કોમન પ્લોટમાં તથા આર.સી.સી.રોડની સાઈડમાં પેવર બ્લોક,સદગુરુ પાર્ક સોસાયટીમાં પેવર બ્લોક, ગોકુલ એપાર્ટમેન્ટમાં પેવર બ્લોક, રાજરત્ન કો.ઓ.હા.સો. પર કોલેટીંગ વેલ બનાવવા, અષ્ટવિનાયક આઈકોન ફ્લેટમાં પેવર બ્લોક, નારાયણ રેસીડેન્સીમાં પેવર બ્લોક, મહાલક્ષ્મી એપાર્ટમેન્ટ બહાર આર.સી.સી રોડ અને પેવર બ્લોક, સત્તાધાર નગર વિભાગ-1નો આર.સી.સી રોડ અને પેવર બ્લોક, લક્ષ્મીનગરમાં આર.સી.સી રોડ અને પેવર બ્લોક તેમજ દ્વારકેશ સોસાયટીમાં પેવર બ્લોક નાંખવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગટર લાઈનની પણ કામગારી હાથ ધરાશેપૂર્વ ઝોનના ઓઢવ વોર્ડમાં વાલ્મિકીનગર ઘર નં.81થી 97માં 70:20:10 સ્વર્ણીમ યોજના અંતર્ગત સોસાયટીમાં હયાત જુની ગટર લાઈનની જગ્યાએ નવી ગટર લાઈન, અંબિકા સ્મૃતિ સોસાયટીમાં 70:20:10 સ્વર્ણીમ યોજના અંતર્ગત સોસાયટીમાં હયાત જુની ગટર લાઈનની જગ્યાએ નવી ગટર લાઈન, લક્ષ્મીનગર સોસાયટીમાં 70:20:10 સ્વર્ણીમ યોજના અંતર્ગત સોસાયટીમાં હયાત જુની ગટર લાઈનની જગ્યાએ નવી ગટર લાઈન તેમજ ઈન્દ્રવિહાર સોસાયટીમાં 70:20:10 સ્વર્ણીમ યોજના અંતર્ગત પેવર બ્લોક લગાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રસંગે મેયર પ્રતિભા જૈન, રાજ્યકક્ષાના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી દર્શનાબેન વાઘેલા, અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ, શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ, વિવિધ કમિટીના ચેરમેનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, પદાધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
માર્ચ મહિનાની શરૂઆત સાથે જ રાજ્યમાં ઉનાળાનો મિજાજ જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો સામાન્ય કરતા ઊંચો નોંધાઈ રહ્યો છે, જેના કારણે બપોરના સમયે કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકના આંકડાઓ પર નજર કરીએ તો, સૌરાષ્ટ્રના રાજકોટમાં મહત્તમ તાપમાન 39.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે રાજ્યનું સૌથી ઊંચું તાપમાન છે. બીજી તરફ, કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જ્યાં પારો 35થી 37 ડિગ્રીની વચ્ચે સ્થિર છે. 2 દિવસ દરમિયાન 2થી 3 ડિગ્રી ઘટાડો નોંધાવાની શક્યતાહવામાન વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, હાલમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 3થી 5 ડિગ્રી સેલ્સિયસ વધારે નોંધાઈ રહ્યું છે. આ અસામાન્ય વધારાને કારણે રાજ્યમાં વહેલી ગરમીની શરૂઆત થઈ હોય તેવું જણાય છે. હવામાન વિભાગે આગામી અઠવાડિયા માટે આગાહી કરતા જણાવ્યું હતું કે, આગામી 24થી 48 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે, જેનાથી ગરમીમાં આંશિક રાહત મળી શકે છે. ગરમીનો પારો ફરી 40 ડિગ્રીની નજીક પહોંચી શકેઆ બે દિવસના ઘટાડા બાદ, ફરીથી તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. એટલે કે, ગરમીનો પારો ફરી 40 ડિગ્રીની નજીક પહોંચી શકે છે. આગામી 7 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, જેથી રાત્રિના સમયે વાતાવરણ સામાન્ય રહેશે. સમગ્ર રાજ્યમાં હવામાન શુષ્ક રહેવાની આગાહી છે. વરસાદની કોઈ જ શક્યતા નથી. ગાંધીનગર અને અમદાવાદમાં પણ ગરમીનું જોર યથાવતહાલમાં ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 15થી 20 નોટ્સ રહેવાની સંભાવના છે. ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પવનની અસર વધુ જોવા મળશે. ગાંધીનગર અને અમદાવાદમાં પણ ગરમીનું જોર યથાવત છે. આજે આ બંને શહેરોમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે, જ્યારે આવતીકાલે લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સુધી રહી શકે છે. એટલે કે દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ શકે છે.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે આજે સાબરડેરીના મેનેજિંગ ડિરેક્ટર (MD) સુભાષભાઈ પટેલને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ આવેદનપત્ર નકલી દૂધના કથિત કૌભાંડ અને ડેરીમાં થતી ભેળસેળ અંગેની રજૂઆત માટે આપવામાં આવ્યું હતું. જોકે, સાબરડેરીના MDએ દાવો કર્યો હતો કે ડેરીમાં કોઈ પણ પ્રકારનું ભેળસેળયુક્ત દૂધ આવ્યું નથી. ગુરુવારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિનું પ્રતિનિધિમંડળ સાબરડેરીના MD સુભાષભાઈ પટેલને મળ્યું હતું. કોંગ્રેસના આગેવાનોએ સાબરડેરી દ્વારા ખરીદવામાં આવતા દૂધમાં ભેળસેળ થતી હોવાના અને ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના આક્ષેપો કર્યા હતા. તેમણે ડેરી દ્વારા કેટલું દૂધ સંપાદન કરવામાં આવે છે અને વિવાદ શરૂ થયા બાદ કેટલું દૂધ સંપાદિત થઈ રહ્યું છે તેની આંકડાકીય વિગતો પણ માંગી હતી. કોંગ્રેસે ચેતવણી આપી હતી કે જો આગામી દિવસોમાં યોગ્ય જવાબ અને કાર્યવાહી નહીં થાય તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. સાબરડેરીના MD સુભાષભાઈ પટેલે આ મામલે જણાવ્યું હતું કે, સાબરકાંઠા અને અરવલ્લી કોંગ્રેસ પ્રમુખ અરુણભાઈ પટેલ અને રામભાઈ પટેલ સાથે પ્રતિનિધિ મંડળ નકલી દૂધ બાબતે આવેદનપત્ર આપવા આવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે બનેલા બનાવ અંગે હાલ તપાસ ચાલી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ મીડિયા સમક્ષ સંપૂર્ણ વિગત રજૂ કરવામાં આવશે. MD પટેલે વધુમાં જણાવ્યું કે, હાલમાં સાબરડેરી, ફેડરેશન અને સરકાર એમ ત્રણ અલગ અલગ વિભાગો દ્વારા તપાસ ચાલી રહી છે. આ મામલે બે જવાબદાર સુપરવાઈઝરો સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે.
સાવરકુંડલા નગરપાલિકાનું ₹182 કરોડનું બજેટ મંજૂર:7 સભ્યોનો વિરોધ છતાં બહુમતીથી પસાર
અમરેલી જિલ્લામાં આવેલી સાવરકુંડલા નગરપાલિકાની સામાન્ય સભામાં નાણાકીય વર્ષ માટે ₹182 કરોડનું અંદાજિત બજેટ મંજૂર કરવામાં આવ્યું. નગરપાલિકા પ્રમુખ મેહુલ ત્રિવેદી દ્વારા આ બજેટ સભા સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું, જે 7 સભ્યોના વિરોધ છતાં બહુમતીથી પસાર થયું. બજેટ મુદ્દે ચર્ચા બાદ મતદાન કરવામાં આવ્યું હતું, જેમાં 22 મત સમર્થનમાં અને 7 મત વિરોધમાં પડ્યા હતા. આથી બજેટને બહુમતીથી મંજૂરી મળી. વિરોધ કરનારા સભ્યોમાં ભાજપના એક સદસ્ય, ભાજપના એક સસ્પેન્ડ સદસ્ય અને કોંગ્રેસના પાંચ સદસ્યોનો સમાવેશ થાય છે. બજેટ મંજૂર થવાથી શહેરના વિકાસકાર્યો, નાગરિક સુવિધાઓ અને આગામી પ્રોજેક્ટ્સને ગતિ મળશે તેવી અપેક્ષા છે. બજેટમાં સમાવિષ્ટ પાંચ અલગ-અલગ મુદ્દાઓને 22 સભ્યોની મંજૂરી મળી હતી. આ દરમિયાન, પાલિકાના પૂર્વ પ્રમુખ અને સદસ્ય ડી.કે. પટેલે બજેટ તથા સામાન્ય સભા દરમિયાન વિવિધ મુદ્દાઓ રજૂ કરીને વિરોધ નોંધાવ્યો હતો. વિપક્ષ નેતા નાસિર ચૌહાણે બજેટ પર સવાલ ઉઠાવ્યા હતા. નાસિર ચૌહાણે જણાવ્યું કે બજેટના પેરા નંબર એકમાં, 1 એપ્રિલ 2025 થી 31 ડિસેમ્બર 2025 (નવ માસ) માટે ₹45.18 કરોડનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. તેની સામે 1 જાન્યુઆરી 2026 થી 31 માર્ચ 2026 (ત્રણ માસ) માટે ₹72.17 કરોડનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. તેમણે આ ખર્ચના તફાવત પર પ્રશ્ન ઉઠાવ્યો અને કહ્યું કે નવ મહિનામાં ₹44 કરોડનો ખર્ચ અને ત્રણ મહિનામાં ₹72 કરોડનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. વિપક્ષે આ બજેટને માત્ર આંકડાકીય ગણાવીને તેનો સખત વિરોધ કર્યો હતો.
વાંસદામાં બ્લડ સ્ટોરેજ સેન્ટર કાર્યરત:દર્દીઓને લોહી માટે દૂર નહીં જવું પડે, લોકોના જીવ બચશે
વાંસદા અને આસપાસના વિસ્તારોના દર્દીઓ માટે રાહતના સમાચાર છે. લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે બ્લડ સ્ટોરેજ સેન્ટર વાંસદામાં કાર્યરત થઈ ગયું છે. આ સુવિધા શરૂ થવાથી હવે ઈમરજન્સીમાં લોહી મેળવવા માટે કલાકોનો સમય બચશે. અત્યાર સુધી વાંસદામાં બ્લડ બેંક કે સ્ટોરેજ સેન્ટર ન હોવાથી દર્દીઓને ચીખલી, બિલીમોરા, નવસારી કે વલસાડ જવું પડતું હતું. લોહી લાવવા-લઈ જવામાં ૩ થી ૪ કલાકનો સમય લાગતો હતો. અકસ્માત, જટિલ પ્રસૂતિ કે એક્ટોપિક રપ્ચર જેવી મેડિકલ ઈમરજન્સીમાં દર્દીને 15થી 20 મિનિટમાં લોહીની તાત્કાલિક જરૂર પડે છે. આવા સમયે લોહી મેળવવામાં થતો વિલંબ જીવલેણ સાબિત થતો હતો. એક સર્વે મુજબ, વાંસદા અને આસપાસના વિસ્તારોમાં દર મહિને આશરે 400 બ્લડ યુનિટની જરૂરિયાત રહે છે. વાંસદા હોસ્પિટલોનું કેન્દ્ર બની રહ્યું હોવાથી બ્લડ સ્ટોરેજ સેન્ટરની તાતી જરૂર હતી. આ સેન્ટર પાસે હાલમાં 80 બ્લડ બેગ સ્ટોર કરવાની ક્ષમતા છે. વપરાશ મુજબ વલસાડ બ્લડ બેંક દ્વારા લોહીનો જથ્થો ફરી ભરવામાં આવશે, જેથી કોઈ અછત ન સર્જાય. વલસાડ બ્લડ બેંક પર ભારણ ઘટાડવા માટે વાંસદામાં દર અઠવાડિયે એક રક્તદાન કેમ્પનું આયોજન પણ કરાશે. આ સુવિધા આદિવાસી વિસ્તારના અંતરિયાળ ગામડાઓના ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ડોકટર લોચન શાસ્ત્રી જણાવે છે કે વાંસદાને બ્લડ સ્ટોરેજ સેન્ટરની ખૂબ જ જરૂર હતી. ઘણા લાંબા સમયથી અમે અહીં બ્લડ સ્ટોરેજ સેન્ટર માટે અમે કોશિશ કરી રહ્યા હતા. કારણ કે વાંસદાથી જે પણ નજીકની બ્લડ બેંક છે, એ ચીખલી, બિલીમોરા, નવસારી અને વલસાડ છે. એટલે અહીંથી બ્લડ લઈને આવવા જવા માટે ત્રણથી ચાર કલાક જેટલો સમય નીકળી જતો હતો, જે દર્દીની જિંદગી માટે ખૂબ કિંમતી હતો.એક્સિડન્ટના કેસ છે કે માતા ડિલિવરીના કેસ હોય કે કોઈ એક્ટોપિક રપ્ચરના કેસ હોય, એવા બધા કેસોમાં આપણને પંદરથી વીસ મિનિટની અંદર બ્લડની જરૂર પડતી હોય છે. ત્યારે આપણે અહીં દર્દીને શિફ્ટ પણ નથી કરી શકીએ કે આપણે બ્લડ પણ નથી લાવી શકીએ. એ જોતા અમે અહીં બ્લડ સ્ટોરેજ સેન્ટરની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. અહીં જે વાંસદા અત્યારે હોસ્પિટલોનું હબ બનતું જાય છે પણ અહીં બ્લડ મળતું નથી. અમારા એક સર્વે પ્રમાણે એક મહિનાની અંદર 400 જેટલી બ્લડની રિક્વાયરમેન્ટ વાંસદાના એરિયામાં છે, એ જોતા અમે આ બ્લડ સ્ટોરેજ સેન્ટરની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. હાલમાં અમારી પાસે 80 બ્લડ બેગની સ્ટોરેજની ક્ષમતા છે, પણ અમે એને રિપ્લેસ કરી શકીએ છીએ એટલે એવી કોઈ લિમિટ અમારી પાસે નથી કે અમે બ્લડ આ મહિનામાં આટલી જ બોટલ લાવી શકીએ. પણ જેમ જેમ પતશે એ રીતે અમને વલસાડથી બ્લડની સુવિધા ઉપલબ્ધ થતી રહેશે. સાથે સાથે જ અમે દર અઠવાડિયે એક બ્લડ કેમ્પનું પણ આયોજન કરતા રહીશું, એટલે કે અમારી વલસાડ બ્લડ બેંકને પણ વધારે ભારણ નહીં પડે.
મોડાસા તાલુકાના દધાલિયા ગ્રામ પંચાયતના નવીન મકાનના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી અને મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહ પરમારના હસ્તે આ વિધિવત કાર્યક્રમ યોજાયો હતો. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા સ્થિત દધાલિયા ગ્રામ પંચાયતના નવા મકાનના બાંધકામ માટે શાસ્ત્રોક્ત વિધિ સાથે ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ભીખુસિંહ પરમારે ઉપસ્થિત રહી કાર્યક્રમનું શુભારંભ કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં દધાલિયા ગ્રામ પંચાયતના સરપંચ હિનાબેન હિતેન્દ્રકુમાર પટેલ, ઉપસરપંચ વસંતભાઈ પંડ્યા, કમિટી સભ્યો, ભાજપ કાર્યકર ડો. રમેશભાઈ પરમાર સહિત દધાલિયા ગામના અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે મોરબીના પેપરમીલ ઉદ્યોગ પર દેખાઈ રહી છે. વેસ્ટ પેપરનો જથ્થો જે આયાત કરવામાં આવે છે તેના જહાજો આવવાનું બંધ થઈ ગયું છે. ઇંધણ તરીકે વપરાતા કોલસાના ભાવમાં પણ મોટો વધારો થયો છે. આ કારણે, મોરબીની પેપર મિલોને અંદાજે 8 થી 10 દિવસમાં બંધ કરવી પડે તેવી શક્યતા છે. વિશ્વ કક્ષાના મોરબીના સિરામિક ઉદ્યોગ પર પણ યુદ્ધની અસર થઈ રહી છે, જેના કારણે ગેસ ન મળવાથી તે બંધ થવાની સંભાવના છે. પેપર મિલ ઉદ્યોગમાં ઉત્પાદન માટે મોટાભાગે આયાતી પેપર વેસ્ટનો ઉપયોગ થાય છે. યુદ્ધને કારણે વેસ્ટ પેપરના જહાજો (વેસલ) આવતા બંધ થઈ ગયા છે. અગાઉ $3600માં મળતું વેસ્ટ પેપરનું કન્ટેનર હવે $5600માં મેળવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. મોરબી પેપર મિલ એસોસિએશનના પ્રમુખ શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું કે, મોરબીની પેપર મિલોમાં તૈયાર થતો માલ મોટાભાગે સિરામિક ઉદ્યોગમાં વપરાય છે. સિરામિક ઉદ્યોગ બંધ થવાના કારણે પેપરમીલ ઉદ્યોગને પણ નાછૂટકે બંધ કરવો પડે તેવી શક્યતા છે. મોરબી અને આસપાસના વિસ્તારમાં કુલ 75 જેટલી પેપર મિલો આવેલી છે, જેમાંથી હાલમાં 54 જેટલી કાર્યરત છે. આ મિલોમાં પેપર ઉત્પાદન માટે બોઈલરમાં ઇંધણ તરીકે કોલસાનો ઉપયોગ થાય છે. નવલખી પોર્ટ પર આવતા ઇન્ડોનેશિયન કોલસાનો ઉપયોગ થતો હતો, પરંતુ દરિયાઈ માર્ગ બંધ થવાને કારણે કોલસાના ભાવમાં પણ વધારો થયો છે. પેપર મિલના માલિક બળદેવભાઈ પટેલે માહિતી આપી હતી કે, અત્યાર સુધી પ્રતિ ટન 5500 થી 7000 રૂપિયાના ભાવે મળતો કોલસો હવે 6500 થી 8000 રૂપિયા સુધી પહોંચી ગયો છે. જો પરિસ્થિતિ વધુ વણસે અને કોલસાની આવક બંધ થાય તો ભાવમાં મોટો વધારો આવી શકે છે. એટલું જ નહીં, કોલસો ન મળે તેવી સ્થિતિમાં બોઈલર બંધ કરવા પડે અને તેના કારણે વેસ્ટ પેપર ઉપલબ્ધ હોય તો પણ કારખાનાઓ બંધ કરવા પડે તેવી શક્યતાઓ છે.
વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહેતો યુવક તેના પોલીસ કર્મચારી સહિતના મિત્રો સાથે ધુળેટીના દિવસે અન્ય મિત્રોને રંગ લગાવવા માટે ગયો હતો. આ દરમિયાન મિત્ર નશાની હાલતમાં હોવાથી ગાળો બોલવા લાગ્યો હતો. જેથી યુવક ત્યાંથી નીકળીને દુમાડ ચોકડી પાસે પહોંચ્યો હતો ત્યારે તેના મિત્ર સહિતની ત્રિપુટી ત્યાં આવીને રંગ લગાવવાની અદાવતે ઝઘડો ઝઘડો કરી માર મારતા હતા. પોલીસ કર્મી યુવક અને પિતરાઈ મિત્રને છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા. ત્રિપુટી એ પોલીસ કર્મચારી અને તેના મિત્ર પર ચાકુથી હુમલો કર્યો હતો. સમા પોલીસે હુમલાખોર ત્રિપુટી ને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા જોયેલ નગરમાં રહેતા આશિષ અશોકભાઈ અગ્રવાલ મૂળ રાજસ્થાનના છે. હોળીનો તહેવાર હોવાથી તેઓ પિતરાઈ ભાઈ રાહુલ અગ્રવાલના ઘરે હોળી-ધુળેટીનો તહેવાર ઉજવવા માટે આવ્યા હતા. 4 માર્ચના રોજ ધુળેટીનો તહેવાર હોવાથી બપોરે આશરે ત્રણ વાગ્યે આશિષ અગ્રવાલ તેમના પિતરાઈ ભાઈ રાહુલ સાથે ધુળેટી રમવા માટે તેના મિત્ર પોલીસ કર્મી કુલદીપદાન ગઢવી અને નીશીત પરમાર સાથે રાહુલની કાર લઈ નીકળ્યા હતા. ધુળેટી રમતા રમતા તેઓ તેમના પિતરાઈ ભાઈના મિત્ર વિઠ્ઠલભાઈ ભરવાડની ઓફિસે વિઠલ ભરવાડને રંગ લગાડવા માટે ગયા હતા. ત્યારે કુલદીપદાન ગઢવી કારમાં બેઠેલા હતા. તે દરમિયાન યુવકના ભાઈના મિત્ર અનુજ ભદોરિયા તેમના અન્ય મિત્રો સાથે ત્યાં આવી પહોંચ્યા હતા. ત્યારબાદ રાહુલ અગ્રવાલ અનુજ ભદોરિયાને રંગ લગાડવા માટે ગયા હતા.ત્યારે રંગ લગાડવાની બાબતે અનુજ ભદોરિયા રાહુલને ગાળો બોલવા લાગ્યો હતો અને તે નશાની હાલતમાં લાગતો હતો. ત્યારબાદ આશિષ સહિતના મિત્રો નાસ્તો કરવા માટે સમા સાવલી પર પિઝા પાર્સલ કરાવવા માટે ઉભા હતા. આ દરમિયાન અનુજ ભદોરિયાએ રાહુલ અગ્રવાલને ફોન કરીને “તું ક્યાં છે?” એમ પૂછતાં રાહુલે સમા-સાવલી રોડ પર હોવાનો જવાબ આપ્યો હતો. થોડીવારમાં અનુજ ભદોરિયા તેના અન્ય સાથી મિત્રો સાથે ત્યાં આવી પહોંચ્યો હતો. ત્યારબાદ રાહુલ અગ્રવાલ સાથે ઝઘડો કર્યો હતો. તેઓ ત્યાંથી નીકળી દુમાડ રોડ તરફ પહોંચ્યા હતા. એક્ટિવા પર અનુજ ભદોરિયાના બે મિત્રો અમન ઠાકુર અને અંકિત પરમાર ઉર્ફે દાતરો ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે કાર સાઇડમાં ઉભી રાખાવી પથ્થર મારી ગાડીનો કાચ તોડી નાખ્યો હતો અને રાહુલ અગ્રવાલ સાથે મારામારી કરી હતી. તે સમયે કુલદીપદાન ગઢવી અને નીશીત પરમાર વચ્ચે પડતા હુમલાખોરોએ ચાકુ વડે આશિષ અગ્રવાલ તથા પોલીસ કર્મી કુલદીપદાન ગઢવી પર હુમલો કર્યો હતો. હુમલામાં બંને લોહીલુહાણ થઈ ગયા હતા. તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આશિષ અગ્રવાલ અને પોલીસ કર્મી કુલદીપદાન ગઢવીને ઘા વાગતા ટાંકા આવ્યા હતા. આ બનાવ અંગે આશિષ અગ્રવાલે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે હુમલાખોર ત્રિપુટીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઈજાગ્રસ્ત થયેલા પોલીસ કર્મચારી કુલદીપદાન ગઢવી જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવે છે.
રાજકોટ મહાપાલિકાના વર્તમાન શાસકોનો કાર્યકાળ પૂર્ણ થાય તે પૂર્વે આજે સ્ટેન્ડિંગ કમિટીની અંતિમ બેઠક મળી હતી. આ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ માટે કુલ 115 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી, જેમાંથી 106 દરખાસ્તોને મંજૂરીની મહોર મારવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂ. 470 કરોડનાં વિકાસકામોને બહાલી આપવામાં આવી છે, જ્યારે બિનજરૂરી હોય તેવા રૂ. 90 કરોડથી વધુના ખર્ચવાળા કામોને કમિટીના સભ્યો અને ચેરમેન દ્વારા અટકાવી દેવામાં આવ્યા છે. બેઠકમાં મુખ્યત્વે રૂ. 220 કરોડના ખર્ચે ગ્રીન રિંગરોડ, રૂ. 30 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન, જ્યુબિલી શાક માર્કેટનું રિનોવેશન, નવું આરોગ્ય કેન્દ્ર અને સ્પોર્ટ્સ સંકુલ સહિતનાં કામોને લીલીઝંડી આપવામાં આવી છે. જ્યારે કર્મચારીઓના હિતમાં તબીબી સહાયમાં ધરખમ વધારો કરવા જેવા મહત્વના નિર્ણયો લેવાયા છે. મુખ્યમંત્રી ગ્રીન રોડ યોજના અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર રાજકોટ શહેરના ટ્રાફિકના ભારણને હળવો કરવા અને પર્યાવરણની જાળવણી માટે વેસ્ટ ઝોન હેઠળના 150 ફૂટ રિંગ રોડ-2 ને જોડતા રસ્તાઓને ફોર લેન બનાવાનું આયોજન કરાયું છે. અગાઉ પ્રોજેક્ટ માટે રૂ. 120.79 કરોડની જોગવાઈ હતી, પરંતુ રાજ્ય સરકારના સૂચનો બાદ હવે રૂ. 220.82 કરોડના ખર્ચે આ ગ્રીન રિંગરોડ વિકસાવવામાં આવશે. આ ઉપરાંત, રૈયા ગામથી સ્માર્ટ સિટી સુધીના ડીપી રોડને રૂ. 18.58 કરોડના ખર્ચે ડેવલપ કરવાની દરખાસ્તને પણ મંજૂરી અપાઈ છે. શહેરના તમામ ઓવરબ્રિજ - અંડરબ્રિજના સમયાંતરે નિરીક્ષણ અને રિપેરિંગ માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવાનો નિર્ણય પણ લેવાયો છે. આજીડેમ પાસે નવું ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સ વોર્ડ નં. 15 માં આજીડેમ ટ્રાફિક પોલીસ સ્ટેશનની પાછળ મનપાના પ્લોટમાં રૂ. 30.16 કરોડના ખર્ચે નવું ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ માત્ર ફાયર સ્ટેશન પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં આધુનિક સુવિધાઓનો સમાવેશ કરાયો છે. બેઝમેન્ટમાં 27 કાર અને 65 ટુ-વ્હીલરનું પાર્કિંગ, ગ્રાઉન્ડ ફ્લોર પર 6 ફાયર ફાઈટર ગાડીઓ માટેની વ્યવસ્થા, વર્કશોપ અને કંટ્રોલ રૂમ બનશે. વધુમાં, આ જ બિલ્ડિંગના ઉપરના માળ પર અધિકારીઓ અને કર્મચારીઓ માટે 3-BHK ના 4 ફ્લેટ અને 2-BHK ના 64 ફ્લેટ બનાવવાનું આયોજન છે. કર્મચારીઓ માટે તબીબી સહાયમાં 200% નો વધારો મનપાના વર્ગ 1 થી 4 ના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લેતા તબીબી સહાયની મર્યાદા રૂ. 1 લાખથી વધારીને રૂ. 3 લાખ કરવામાં આવી છે. મોંઘી સારવારને પહોંચી વળવા માટે 21 પ્રકારની ગંભીર બીમારીઓમાં આ સહાય મળશે. હવે કર્મચારીઓ માત્ર સરકારી જ નહીં, પણ જિલ્લા કક્ષાએ નોંધાયેલી કોઈપણ માન્ય સિંગલ કે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર લઈ શકશે. જોકે, વ્યસનથી થતા રોગો, કોસ્મેટિક સર્જરી કે આત્મહત્યા જેવા કિસ્સાઓમાં આ સહાય મળવાપાત્ર રહેશે નહીં. જ્યુબિલી શાક માર્કેટનું રિનોવેશન અને સ્થળાંતર રાજકોટની ઐતિહાસિક એવી જ્યુબિલી શાક માર્કેટના રિનોવેશનની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. હાલમાં લાખાજીરાજ શાક માર્કેટના વેપારીઓને પણ અહીં ખસેડાયા હોવાથી, હવે આ બંને માર્કેટના વેપારીઓને અન્યત્ર કામચલાઉ જગ્યાએ સ્થળાંતરિત કરવામાં આવશે. સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે વેપારીઓના સ્થળાંતર માટે મનપા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે અને નજીકમાં જ યોગ્ય જગ્યાની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. વધારાની ગ્રાન્ટની માંગણી અને અન્ય કામો સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વર્ષ 2025-26 માટે મનપાને રૂ. 515 કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ છે. જોકે, વિકાસના કામોની ગતિ જોતા મનપાએ આંતરમાળખાકીય સુવિધાઓ માટે રૂ. 734 કરોડ અને અન્ય કામો મળી કુલ રૂ. 1030 કરોડનું આયોજન કર્યું છે. આથી, મંજૂર થયેલી ગ્રાન્ટ ઉપરાંત વધારાની રૂ. 256.44 કરોડની ગ્રાન્ટ મેળવવા માટે રાજ્ય સરકારને દરખાસ્ત મોકલવામાં આવી છે. સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરના જણાવ્યા અનુસાર આજની છેલ્લી બેઠકમાં રૂ. 470 કરોડનાં વિકાસકામો મંજુર કરવામાં આવ્યા છે. જોકે બિનજરૂરી જણાતા રૂ. 90 કરોડનાં કામો પેન્ડિંગ રાખીને કે નામંજૂર કરીને ખોટા ખર્ચાઓ અટકાવવામાં આવ્યા છે. અને વધારાનો ખર્ચ અટકાવીને અમે પ્રજાના પૈસાનો સદુપયોગ કર્યો છે. આ સહિતની તમામ સ્ટેન્ડિંગની બેઠકોમાં પ્રજાના નાણાનો દુરુપયોગ ન થાય તે માટે તમામ દરખાસ્તોનો ઝીણવટ પૂર્વક અભ્યાસ કરીને લોકો માટે અને રાજકોટનાં વિકાસ માટે જરૂરી હોય તેવા કામો મંજુર કરવામાં આવતા હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. આજની બેઠકમાં રિટેન્ડર કરાયેલી દરખાસ્તો રાજકોટનાં ભગવતીપરા પાસે બેઠું નાલું બનાવવાની દરખાસ્તઓમ પાર્ક મેઈન રોડ પર બ્રીજ બનાવવા માટેનું કામરાજકોટનાં સેન્ટ્રલ અને ઇસ્ટ ઝોનનાં બાગ-બગીચાનાં એક વર્ષનાં મેન્ટેનન્સ માટેની દરખાસ્તકાલાવડ રોડ અને નાનામૌવા રોડ વચ્ચેના વિસ્તારમાં ડીઆઈ પાઇપલાઇન નાખવાનું કામનિર્મલા રોડ, કાલાવડ રોડ અને સહકાર નગર વચ્ચેના વિસ્તારમાં ડીઆઈ પાઇપલાઇન નાખવાનું કામ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નામંજૂર કરાયેલી દરખાસ્તોની વાત કરીએ તો રાજકોટનાં ત્રણેય ઝોનનાં રસ્તાઓની બે વર્ષ જાળવણી કરવા માટેના ખર્ચને નામંજૂર કરાયો છે. અનેઘંટેશ્વર ફિલ્ટર પ્લાન્ટથી સૈનિક સોસાયટી સુધી 508 મીમી પાઇપલાઇન નાખવાનું કામ પણ નામંજૂર કરાયું હતું. આ સિવાય વોર્ડ નંબર 10માં નવી વોર્ડ ઓફીસ તેમજ રોશની શાખાનો સ્ટોર બનાવવાની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી. જ્યારે રાજકોટનાં જુદા જુદા સ્થળે પે એન્ડ પાર્કિંગ બનાવવાની દરખાસ્તમાં 4 સાઇટ મંજુર અને બાકીની 3 સાઇટ નામંજૂર કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આગામી 11 માર્ચના રોજ ભાજપનાં ચાલુ ટર્મનાં શાસકોનો કાર્યકાળ પૂર્ણ થનાર છે. તે પહેલાં આજે સ્ટેન્ડિંગ કમિટીની અંતિમ બેઠક મળી હતી. જેમાં અધધ 115 દરખાસ્તો આવી હતી. આ પૈકી આજે 106 જેટલી દરખાસ્તો મંજુર કરી દેવામાં આવી છે. ઉપરાંત શક્ય તેટલા વધુ ખાતમુહૂર્ત પણ શાસકો આગામી 11 માર્ચ પહેલા કરી નાખશે. આગામી ચૂંટણીમાં લાભ લેવા માટે છેલ્લી બે સ્ટેન્ડિંગમાં કરોડો રૂપિયાના વિકાસકામો મંજુર કરી દેવામાં આવ્યા છે. ત્યારે આ પૈકીનાં કેટલા કામો પુરા થાય છે તે તો આવનારો સમય જ બતાવશે.
નવસારી જિલ્લામાં ધૂળેટીના પર્વની ઉજવણી દરમિયાન અકસ્માતો અને બેદરકારીના કિસ્સાઓ નોંધાયા હતા. નવસારી સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં ધૂળેટીના દિવસે કુલ 36 કેસ દાખલ થયા હતા, જેના કારણે હોસ્પિટલ તંત્ર સક્રિય બન્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, ધૂળેટી રમતી વખતે ઈજાગ્રસ્ત થયેલા 21 લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, અન્ય 15 જેટલા લોકો જુદા જુદા સ્થળોએ પટકાવાના કારણે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને તાત્કાલિક તબીબી સારવારની જરૂર પડી હતી. ઈમરજન્સી વિભાગમાં ટૂંકા ગાળામાં કેસોની સંખ્યામાં વધારો થતાં, હોસ્પિટલના તબીબી સ્ટાફે ખડેપગે રહીને તમામ દર્દીઓને ઝડપથી સારવાર પૂરી પાડી હતી. સામાન્ય રીતે હોળી-ધૂળેટી જેવા તહેવારોમાં લોકોના ઉત્સાહને કારણે અકસ્માતો થતા હોય છે. નવસારી સિવિલમાં નોંધાયેલા આ કેસો દર્શાવે છે કે, તહેવાર દરમિયાન થોડીક બેદરકારી પણ ગંભીર ઈજામાં પરિણમી શકે છે. દર વર્ષે તહેવારોના દિવસોમાં ઈમરજન્સી કેસોમાં વધારો થવો એ આરોગ્ય અને વહીવટી તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં સિવિલ હોસ્પિટલ દ્વારા તમામ ઈજાગ્રસ્તોની યોગ્ય સારવાર ચાલી રહી છે અને પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
SVP Hospital Ahmedabad Controversy : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 800 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી અત્યાધુનિક SVP હોસ્પિટલની વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સોશિયલ મીડિયા પર ક્ષિતિશા સોની નામની યુવતીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેણે રડતા અવાજે હોસ્પિટલના ડોક્ટરો પર બેદરકારી અને આયુષ્માન કાર્ડના નામે દર્દીઓ પર 'પ્રયોગો' કરવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો છે. તેની માતા ગીરાબેન સોનીને અસ્થમા અને ડાયાબિટીસની તકલીફ હોવાથી SVP હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેમનું ગઈ કાલે બુધવારે રાત્રે સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. જેને કારણે આ વિવાદ વધુ વકર્યો છે.
ગારીયાધાર શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરનું ઘર મેળવવા માટે ગરીબ અને શ્રમિક પરિવારો છેલ્લા દોઢ-બે વર્ષથી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે, સ્થાનિક સ્તરે કોઈ સાંભળનાર ન હોવાથી અંતે કંટાળેલા લોકોએ આજે ભાવનગર વિકાસ વિસ્તાર સતા મંડળ ની કચેરી ખાતે દોડી આવી આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી, ભાવનગર જિલ્લા ના ગારિયાધાર તાલુકાના રહેવાસીઓ આવાસ યોજના હેઠળ ઘરનું ઘર મેળવવા માટે રજુઆત કરવા ભાવનગર વિકાસ વિસ્તાર સતા મંડળ ની કચેરી ખાતે દોડી આવ્યા હતા, રજૂઆત કરવા આવેલા આગેવાન રાકેશ પરમાર અને સ્થાનિકોએ જણાવ્યું કે, ગારીયાધારમાં મોટાભાગના લોકો હીરા ઘસવાનું કામ કરે છે અથવા ખેત મજૂરી કરીને દિવસના માંડ ટકનું કમાઇ ને ખાય છે અત્યારે હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીને કારણે સ્થિતિ વધુ કફોડી બની છે આવામાં ભાડાના મકાનમાં રહેવું અને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે, દોઢ વર્ષ પહેલા આવાસ માટે ફોર્મ ભર્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી, શ્રમિકોએ ગારીયાધાર નગરપાલિકાના વહીવટ સામે ભારે નારાજગી વ્યક્ત કરતા આક્ષેપ કર્યો હતો કે, નગરપાલિકા અને મામલતદાર કચેરીમાં વારંવાર રજૂઆત છતાં કોઈ પરિણામ મળ્યું નથી.ચીફ ઓફિસર કચેરીમાં હાજર હોતા નથી, જેના કારણે ગરીબ લોકોએ કલાકો સુધી ભૂખ્યા-તરસ્યા બેસી રહેવું પડે છે, મહિલાઓ પોતાના નાના બાળકોને ઘરે મૂકીને રજૂઆત માટે આવે છે, પરંતુ અધિકારીઓ તેમની પીડા સમજવા તૈયાર નથી, ભાવનગર ખાતેની રજૂઆત બાદ અધિકારીઓએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે, અધિકારીઓએ ગ્રામજનોને આશ્વાસન આપ્યું છે કે વહેલી તકે DPR તૈયાર કરવામાં આવશે અને આવાસના ફોર્મ પાસ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે. આ કામગીરી માટે વલભીપુરના અધિકારીને પણ જવાબદારી સોંપવામાં આવી હોવાનું જણાવ્યું હતું અને જો આગામી દિવસોમાં કામગીરી શરૂ નહીં થાય તો આગામી સમયમાં લડત વધુ તેજ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા દેશમાં ડોગ બાઈટના કેસો પર નિયંત્રણ માટે દેશની આરોગ્ય સંસ્થાઓમાં શ્વાનોની ગણતરી કરવાનો આદેશ અપાયો. જેની અમલવારી રૂપે ગુજરાત સરકાર દ્વારા રાજ્યની સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રમાં કેટલા શ્વાન છે તેનો રિપોર્ટ માંગવામાં આવ્યો. જેમાં રાજકોટ શહેર અને જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા સરકારને ઉલ્ટા ચશ્મારૂપ રિપોર્ટ આપ્યો હોવાનું સામે આવ્યુ છે. આશ્ચર્યજનક રીતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક પણ શ્વાન નથી તેવો રિપોર્ટ અપાયો. જોકે દિવ્યભાસ્કરના રિયાલિટી ચેકમાં આ રિપોર્ટ મનઘડંત હોવાનું સામે આવ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દિવ્ય ભાસ્કર ડિજિટલ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે સામે આવ્યું કે અહીં એક નહીં પરંતુ અનેક શ્વાન આંટાફેરા મારે છે. સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં તેમજ અલગ - અલગ વોર્ડ કે જ્યાં દર્દીઓ દાખલ થાય છે ત્યાં મોટી સંખ્યામાં રખડતા શ્વાન નજરે પડ્યા હતા. જેનાથી સૌરાષ્ટ્રની સૌથી મોટી આ હોસ્પિટલમાં ડોગ બાઈટનું જોખમ ઉભું થયુ છે. જોકે સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા સબસલામત હોય તેમ મનઘડંત રિપોર્ટ આપવામાં આવ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના મીડિયા કો - ઓર્ડીનેટર ડૉ.કમલસિંહ ડોડિયાએ જણાવ્યું હતું કે, અમારી પાસે જે સાધનો છે તેના દ્વારા ગણતરી કરવામાં આવી તો રાજકોટ સિવિલ હોસ્પિટલ અને જનાના હોસ્પિટલમાં એક પણ શ્વાન નથી. જોકે હાલ સિવિલ હોસ્પિટલમાં અમુક જગ્યાએ શ્વાન દેખાય છે તેવું પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે ટેકનિકલ માણસો દ્વારા આ ગણતરી કરવામાં આવી હશે. સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. મોનાલી માંકડિયાની સૂચનાથી સિવિલ હોસ્પિટલમાં એક પણ શ્વાન આંટાફેરા ન મારે તેની તકેદારી રાખવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ડોગ બાઈટ એ ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ પ્રશ્ન છે. શ્વાન પ્રેમીઓનો શ્વાન પ્રત્યેનો પ્રેમ યોગ્ય છે પરંતુ તે સમાજને કેટલું નુકસાન કરે છે અથવા તો ડોગ બાઈટ ના જે કિસ્સાઓ બને છે તે ન બને તે પણ એટલું મહત્વનું છે. શ્વાન જાહેર આરોગ્યને ભયરુપ થાય તે જરા પણ ચલાવી ન શકાય. જ્યારે રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી ફૂલમાડીએ જણાવ્યું હતું કે, જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા 84 આરોગ્ય કેન્દ્રમાં 23 શ્વાન છે. જેનો રિપોર્ટ સરકારને આપવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે શહેરના 31 આરોગ્ય કેન્દ્રમાં એક પણ શ્વાન નથી. જોકે શહેર અને જિલ્લાનો આ રિપોર્ટ સત્યથી વેગડો હોય તેવું લાગી રહ્યુ છે. રાજકોટ જિલ્લાનાં આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલમાં શ્વાનોના આંકડાં આરોગ્ય સંસ્થા - સંખ્યા -શ્વાન પીએચસી - 55 - 05સીએચસી - 12 -07યુપીએચસી - 12- 00સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ - 05- 11સિવિલ હોસ્પિટલ - 01 - 00શહેરના આરોગ્ય કેન્દ્રો - 31 -00

34 C