SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

31    C
...

વૉમૈયા બેઠક: કોંગ્રેસના 10 કાર્યકરો ભાજપમાં જોડાયા:ભાજપ કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે સિદ્ધપુરના ધારાસભ્યે ખેસ પહેરાવ્યો

સરસ્વતી તાલુકાની વોમૈયા જિલ્લા પંચાયત બેઠકના ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. NSUI ના શહેર મહામંત્રી જીગર દેસાઈ સહિત 10 થી વધુ કોંગ્રેસ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો, જેનાથી રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. આ કાર્યાલયનું ઉદ્ઘાટન સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતના હસ્તે કરવામાં આવ્યું હતું. આ બેઠક પર ભાજપના ઉમેદવાર દક્ષાબેન અશોકભાઈ પરમાર છે. ઉદ્ઘાટન પ્રસંગે જ કોંગ્રેસ પક્ષમાં ભડકો જોવા મળ્યો હતો. NSUI ના શહેર મહામંત્રી જીગર દેસાઈ અને અન્ય 10 થી વધુ સક્રિય કોંગ્રેસ કાર્યકરો ભાજપની વિચારધારાથી પ્રભાવિત થઈ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત અને પ્રભારી સત્યમ કુલાબકર દ્વારા આ તમામ કાર્યકરોને કેસરીયો ખેસ પહેરાવી પક્ષમાં વિધિવત રીતે આવકારવામાં આવ્યા હતા. ભાજપમાં જોડાનાર કાર્યકરોમાં બલોચ, દેસાઈ અને ઠાકોર સમાજના આગેવાનોનો સમાવેશ થાય છે. વમૈયા બેઠકના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે જ કોંગ્રેસના પાયાના કાર્યકરો ભાજપમાં જોડાતા વમૈયા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપની સ્થિતિ વધુ મજબૂત બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ચૂંટણી ટાણે જ એકસાથે 10 થી વધુ કાર્યકરો અને આગેવાનોએ પક્ષ છોડતા કોંગ્રેસને મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આ કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 3:57 pm

ટુ-વ્હીલરમાં તોડફોડ બાદ સળગાવી દીધી:નારોલમાં અંગત અદાવતમાં બે યુવકે દંડાથી બાઈક તોડી, ઘર પર તથ્થર માર્યો કર્યો; 6 સામે FIR

અમદાવાદમાં જાહેરમાં મારામારીના બનાવો સામાન્ય બની ગયા હોય તેમ હવે દિન-પ્રતિદિન મારામારીની ઘટના બની રહી છે. નારોલ વિસ્તારમાં બાગે કૌસર પાસે ગોસીયા પાર્કમાં રહેતો અને સેન્ટીંગનું કામકાજ કરતો સમસાદ અન્સારી નામનો યુવક 9 એપ્રિલના રોજ અલીફ નગર ખાતે બાઈક સર્વિસ કરાવવા ગેરેજમાં ગયો હતો. આ સમયે ઈમ્તિયાઝ નામનો વ્યક્તિ આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે, તું સંજયને એમ કહે છે કે ઈમ્તિયાઝ મારું શું ઉખાડી લેશે. જે બાબતે બોલાચાલી કરીને જતો રહ્યો હતો. સમસાદે સંજયને ફોન કરતા તેની પત્નીએ ફોન ઉપાડ્યો હતો, જેથી તેને કહ્યું કે, સંજય કેમ મારા વિશે ખોટી વાત કરે છે? જે બાદ ફોન મૂકી દીધો હતો. ફરિયાદી જીવ બચાવી ભાગ્યોબીજા દિવસે 10 એપ્રિલના રોજ સાંજના સમયે જ્યારે સમસાદ સાંજના સમયે તેના મિત્રનું બાઈક લઈને ગોશિયા પાર્ક પાસેથી પસાર થતો હતો, ત્યારે સંજયે તેને પથ્થર માર્યો હતો. સમસાદે ગાડી ઉભી રાખી હતી, તે દરમિયાનમાં તેનો ભાઈ નીસાર પણ આવી ગયો હતો અને અગાઉના ઝઘડાની અદાવત રાખીને બોલાચાલી થઈ હતી. બાદ બંને ભાઈએ તેને ગડદા-પાટુનો માર માર્યો અને લાકડાના ડંડા વડે માર મારતા પોતે ત્યાંથી જીવ બચાવીને ભાગી ગયો હતો. ઘરે પહોંચ્યા અને ઘરનો દરવાજો બંધ કરી બીજા માળે પહોંચી ગયો હતો. બાઈકમાં તોડફોડ બાદ સળગાવી દીધીનીસાર અને તેની સાથે બેથી ત્રણ માણસોએ પથ્થરો તેમજ લાકડા વડે બાઇક પર તોડફોડ કરવા લાગ્યા હતા. સમસાદે ઉપરથી બૂમો પાડીને તોડફોડ ન કરવા કહ્યું હતું, તેમ છતાં પણ તોડફોડ કરી હતી. ત્યારબાદ બડા બાબુ અને સંજય ક્યાંયથી જ્વલનશીલ પદાર્થ લાવી અને બાઈક પર છાંટી આગ લગાડી દીધી હતી. બીજી તરફ સંજયની પત્ની અને બીજા બેથી ત્રણ માણસો પણ આવ્યા હતા અને ઘરના દરવાજા પર પથ્થર અને લાકડી મારી નુકસાન કર્યું હતું. પોલીસ સ્થળે જતાં આરોપીઓ ફરારનાસિરે કહ્યું હતું કે, તારે જેને બોલાવવા હોય તો બોલાવી લે, હું તને જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી. ત્યારબાદ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા પોલીસ આવી પહોંચી હ,તી જેથી તમામ લોકો નાસી ગયા હતાં. સમગ્ર મામલે નારોલ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. જોકે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 3:55 pm

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ નેશનલ ફાયર સર્વિસ દિવસ ઉજવ્યો:ફાયર સેફ્ટી અને તૈયારીનું મહત્વ પ્રકાશિત કરાયું

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (SNMC) દ્વારા ૧૪ એપ્રિલે નેશનલ ફાયર સર્વિસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ફાયર અને ઇમર્જન્સી સર્વિસના કર્મચારીઓએ ફાયર સ્ટેશન ખાતે એકત્ર થઈને ફાયર સેફ્ટી અને તૈયારીના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. કાર્યક્રમમાં ફાયર ટ્રકો, રેસ્ક્યુ વાહનો અને અદ્યતન ફાયર ફાઇટિંગ સાધનોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એક વિશેષ ડિસ્પ્લે ટેબલ પર લાઇફ જેકેટ, હેલ્મેટ, ફાયર હોસ, લાઇફબોય જેવા સુરક્ષા સાધનો સાથે સજ્જ ફાયરફાઇટર મેનિકિનનું આકર્ષક પ્રદર્શન પણ યોજાયું હતું. ફાયર સર્વિસના કર્મચારીઓએ યુનિફોર્મમાં પોઝ આપીને ફોટો સેશનમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ફાયર સર્વિસ કર્મીઓના સમર્પિત સેવાભાવને માન આપવાનો તેમજ નાગરિકોમાં આગના જોખમ અને સુરક્ષા વિષયક જાગૃતિ વધારવાનો હતો. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ફાયર ઓફિસર દેવાંગ દૂધરેજીયાએ જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમો દ્વારા ફાયર સર્વિસની તૈયારીને વધુ મજબૂત બનાવી શકાય છે.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 3:55 pm

પંચમહાલ LCBએ ₹6.44 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો:દારૂબંધીના કડક અમલીકરણ હેઠળ બે સ્થળોએ દરોડા પાડ્યા

પંચમહાલ LCBએ દારૂબંધીના કડક અમલીકરણના ભાગરૂપે બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી કુલ રૂ. 6.44 લાખથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પ્રથમ કાર્યવાહી ઘોઘંબા તાલુકાના ઝબાણ ગામે કરવામાં આવી હતી. બાતમીના આધારે LCB ટીમે વિનોદ રાઠવા નામના બૂટલેગરના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. અહીંથી રૂ. 3.77 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી કાર્યવાહી ગોધરા તાલુકાના મોરડુંગરા ગામે થઈ હતી. પોલીસે બૂટલેગર અશ્વિન ગુલાબ પટેલીયાના કબજા હેઠળની એક ઓરડીમાં તપાસ કરતા રૂ. 2.67 લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ બંને મામલે પોલીસે બૂટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 3:51 pm

'પાંચ વર્ષ કંઇ કામ કર્યું નહીં અને હવે દેખાયા':વોર્ડ 7માં ભાજપ ઉમેદવાર શ્વેતા ચૌહાણ સામે લોકોમાં આક્રોશ, કહ્યું-કામો ફક્ત સો. મીડિયામાં જ થયા છે

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી દિવસેને દિવસે રંગ પકડી રહી છે. ઉમેદવારો જનસંપર્ક કરવા જઈ રહ્યા છે ત્યાં લોકોના આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના વોર્ડ 7માં આવેલા કોળી ફળિયામાં ભાજપના ઉમેદવાર શ્વેતા ચૌહાણ સામે ભારે વિરોધ જોવા મળ્યો. આ વોર્ડમાં મહિલા ઉમેદવારનો રીપીટ કરવામાં આવ્યા છે ત્યારે લોકોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતુંકે, પાંચ વર્ષ સુધી દેખાયા નહી અને હવે વોટ લેવા માટે પાછા આવી ગયા છે. 'અમારા વિસ્તારના પ્રશ્નોમાં કોઈ જવાબદારી નિભાવી નથી'સ્થાનિક રહીશોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમારા વોર્ડમાં અનેક સમસ્યાઓ છે. રહીશોએ શ્વેતા ચૌહાણના બેનરો બનાવી સોશ્યલ મીડિયામાં ફરતા કર્યા છે જેમાં લખ્યું છે કે, આ ઉમેદવાર અમારા માટે યોગ્ય નથી. અમારા વિસ્તારના પ્રશ્નોમાં કોઈ જવાબદારી નિભાવી નથી. જેથી તેઓએ આ વિસ્તારમાં આવવું નહીં અને અન્ય ઉમેદવારો પણ તેઓ સાથે આવશે તો તેઓએ પણ ગંભીર વિરોધનો ભોગ બનવું પડશે. ‘ફક્ત સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર બની ગયા છે’સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કામો સ્થળ ઉપર તો દેખાતા જ નથી માત્ર સોશિયલ મીડિયામાં દેખાય છે. આ ઉમેદવાર સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર બની ગયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. લોકોનો આક્રોશ જોતા ઉમેદવારોએ પણ ત્યાંથી જતા રહેવાનું મુનાસિબ સમજ્યું હતું. ડ્રેનેજ લાઇન અને પીવાના પાણીનો પ્રશ્ન છેસ્થાનિક રહીશોએ કહ્યું કે, અમારા વિસ્તારમાં વર્ષોથી પીવાના પાણી અને ડ્રેનેજ લાઇનનો પ્રશ્ન છે છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. અમે અનેકવિધ રજૂઆત કરી છે છતાં તેનો કોઈ ઉકેલ આવ્યો નથી તેથી અમારો વિરોધ છે. રજૂઆતોનો કાયમી નિકાલ લાવવાના પ્રયાસ કરીશું: આદિત્ય પટેલવોર્ડ 7ના ઉમેદવાર આદિત્ય પટેલે બચાવ કરતા જણાવ્યું હતું કે, જુના જનપ્રતિનિધિઓએ પણ આ વિસ્તારની સમસ્યા હલ કરવાના પ્રયાસ કર્યા છે. અમે ફેરણીમાં જઈએ તો આવકાર પણ મળે છે અને રજૂઆત પણ મળે છે. અમે આવનારા સમયમાં જે કઈ નાના મોટા કામો રહી ગયા હશે તેને પૂરા કરવાનો પ્રયત્ન કરીશું. લોકોનો આક્રોશ અમે સાંભળીએ છે અને તેઓના પ્રશ્નોનું નિરાકરણ ચોક્ક્સ લાવીશું.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 3:49 pm

હિંમતનગરમાં ડૉ. આંબેડકરની 135મી જન્મજયંતી:શોભાયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં લોકો જોડાયા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં મોટી સંખ્યામાં વડીલો, યુવાનો અને શહેરીજનો જોડાયા હતા. શોભાયાત્રાનું પ્રસ્થાન હિંમતનગરના શારદાકુંજ સોસાયટી પાસે આવેલા ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવનથી થયું હતું. આ યાત્રા ખેડ તસીયા રોડ, મહાવીરનગર ચાર રસ્તા અને ટાવર ચોક પરથી પસાર થઈ સિવિલ સર્કલ પહોંચી હતી. શોભાયાત્રા દરમિયાન 'જય ભીમ'ના નારા ગુંજ્યા હતા. સિવિલ સર્કલ ખાતે ડૉ. આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને શોભાયાત્રાનું સમાપન કરાયું હતું. આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક અગ્રણીઓએ બાબાસાહેબ આંબેડકરના સિદ્ધાંતોને જીવનમાં અપનાવવા અપીલ કરી હતી. તેમણે યુવાનોને શિક્ષણમાં આગળ વધવા અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રેરણા આપી હતી.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 3:48 pm

બે સગીર આરોપીને હાઈકોર્ટે જામીન આપ્યાં:એક પર ગેંગરેપ-હત્યાનો આરોપ અને બીજા પર હત્યાનો આક્ષેપ, આ ગુનાઓમાં અન્ય કિશોરોની પણ સંડોવણી

ગુજરાત હાઇકોર્ટે કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોરોને જામીન આપ્યા છે. એક કિશોર ઉપર ગેંગરેપ અને હત્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે બીજા કિશોર પર હત્યાનો આક્ષેપ થયેલો છે. પ્રોબેશન ઓફિસરે તેમનો ક્વાર્ટરલી રીપોર્ટ જુવેનાઇલ જસ્ટીસ બોર્ડને આપવાનો રહેશે અને જરૂર પડે મનોચિકિત્સકની સહાય આપવાની રહેશે. ગેંગરેપ-હત્યાના આરોપી સગીરની હાઈકોર્ટમા જામીન અરજીપ્રથમ કેસની પોલીસ ફરિયાદ કરજણ પોલીસ મથકે 2021માં નોંધાઈ હતી. જેમાં 14 વર્ષ અને 25 દિવસનો સગીર 37 વર્ષીય યુવતીના સામુહિક દુષ્કર્મ અને હત્યા કેસમાં સામેલ હોવાનો આક્ષેપ છે. વડોદરાની ચિલ્ડ્રન્સ કોર્ટે તેની જામીન અરજી ફગાવી દેતા તેના વાલી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. 'સહ આરોપીના નિવેદનને આધારે તેને આરોપી બનાવી દેવાયો'તેના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, સગીર ગુનાની ગંભીરતા અને તેનો પરિણામ સમજવા જેટલો પુખ્ત નહોતો. તેને ગુના વિશે કોઈ જાણ નહોતી માત્ર સહ આરોપીના નિવેદનને આધારે તેને આરોપી બનાવી દેવામાં આવ્યો છે. '2 સગીર સહિત 6 આરોપીએ યુવતી પર દુષ્કર્મ આચરીને હત્યા કરી નાખી'સામે સરકારી વકીલે દલીલ કરી હતી કે, સગીરની ઉંમરને લઈને તકરાર છે. તે ગેંગરેપ અને હત્યા જેવા ગંભીર ગુનામાં સામેલ છે. 37 વર્ષીય યુવતી પર 6 આરોપીઓએ ભેગા મળીને વારાફરથી દુષ્કર્મ આચર્યું હતું, જે પૈકીના બે આરોપીઓ સગીર છે. યુવતી ઉપર વારાફરતી ગેંગરેપ કર્યા બાદ તેના હાથ પગ પકડી રાખીને સહ આરોપીઓએ તેનું ગળું દબાવીને યુવતીની હત્યા કરી નાખી હતી. હાઈકોર્ટે રીપોર્ટના આધારે સગીરની જામીન અરજી મંજૂર કરીજો કે ગુજરાત હાઇકોર્ટે આક્ષેપ ઉપરાંત પ્રોબેશન ઓફિસરનો રીપોર્ટ ધ્યાનમાં લીધો હતો. જે મુજબ સગીર આ ઘટના વિશે જાણતો નથી. સહ આરોપીના નિવેદનને આધારે તેની પર આક્ષેપ મૂકવામાં આવ્યો છે. આ ગંભીર ઘટનાના પરિણામ સમજવા જેટલો તે પરિપક્વ નથી. ગુજરાત હાઇકોર્ટે કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરની જામીન અરજી મંજૂર કરી હતી. બીજો કેસ, તાપીમાં સગીરે શખસની હત્યા કરીકાયદાના સંઘર્ષમાં આવેલા એક સગીર સહિત અન્ય સગીર આરોપીઓ સામે વાપી ટાઉન પોલીસ મથકે માર્ચ, 2025માં 40થી 45 વર્ષના અજાણ્યા ઈસમની હત્યા કરવાનો ગુનો નોંધાયો હતો. વાપીના રિલાયન્સ કંપનીની માલિકીના ખુલ્લા પ્લોટમાંથી એક ભિખારીની નગ્ન હાલતમાં ઈજા થયેલી લાશ મળી આવી હતી. તેથી સિક્યુરિટી ગાર્ડે પોલીસને જાણ કરી હતી. પોલીસે સગીર આરોપીને ઝડપ્યો હતોપોલીસે તપાસ કરીને કેટલાક સગીર આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. તે પૈકી એક સગીર આરોપીએ એના વાલી મારફતે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. 'સગીરને ફસાવવાની કોશિશ કરવામાં આવી'સગીરના વકીલે જણાવ્યું હતું કે, સગીરને ફસાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. કેસમાં તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને ચાર્જશીટ ફાઇલ થઈ ચૂકી છે. જુવેનાઇલ જસ્ટિસ એક્ટનું મુખ્ય કાર્ય કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોમાં સુધાર અને તેમના પુનઃવસનનું છે. કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર શિવરાત્રીમાં ફુગ્ગા વેચવા આવેલો. તેની બહેન વાપીમાં રહેતી હોવાથી તે પરિવારને મદદ કરવા આવ્યો હતો. કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને પરિસ્થિતિજન્ય પુરાવાને આધારે આ કેસમાં સાંકળી લેવામાં આવી છે. સહ આરોપી એવા કાયદાના સંઘર્ષમાં આવેલા અન્ય સગીરને જામીન અપાયા છે. 'ઓળખ પરેડમાં કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરને ઓળખી બતાવ્યો'સામે સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આ એક હત્યાનો ગુનો છે. એક પુખ્ત વયના 40થી 45 વર્ષના અજાણ્યા માણસને ક્રૂરતાપૂર્વક મારીને તેની હત્યા કરી નાખવામાં આવી છે. વર્તમાન કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર ઉપરાંત સહ આરોપીઓ પણ કાયદાના સંઘર્ષમાં આવેલા 2 સગીર છે. લાકડું અને પથ્થર મારીને અજાણ્યા ઇસમને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. આંખો દેખ્યા સાક્ષીએ પણ ઓળખ પરેડમાં કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરને ઓળખી બતાવેલ છે. પહેલાં નીચલી અદાલતે સગીરની જામીન અરજી રદ કરીનીચલી અદાલતે જસ્ટિસ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ સામે સોસાયટીની સુરક્ષાને બેલેન્સ કરતા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની જામીન અરજી રદ કરી હતી .આ કેસમાં આશરે 14 વર્ષ અને 17 વર્ષના અન્ય સગીરો પણ કાયદાના સંઘર્ષમાં આવ્યા હતાં. 'લાકડી અને પથ્થરોથી માર માર્યો હતો'આંખો દેખ્યા સાક્ષીએ કહ્યું હતું કે, કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરો 40થી 45 વર્ષના વ્યક્તિને ખુલ્લા પ્લોટમાં ઉપાડી લાવ્યા હતાં. તેને ભીખ માંગવા કહ્યું હતું, તેને ના પાડતા તેમના કપડા કાઢી નાખ્યા હતા અને તેને લાકડી અને પથ્થરોથી માર માર્યો હતો. જ્યારે હાથે પગે ગંભીર ઈજાઓ થતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. હાઈકોર્ટે સગીરને જામીન આપ્યાજો કે હાઇકોર્ટે નોધ્યું હતું કે, મૃતક કોણ છે તેની ખબર નથી. પોલીસ તે જાણવામાં સફળતા મેળવી શકી નથી. કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર ધો.8માં ભણતો હતો અને નાસિકથી પોતાની બહેનના ઘરે આવ્યો હતો. આ ઘટનાના પ્રભાવથી તે માનસિક બીમાર થયો છે. આંખો દેખ્યા સાક્ષીની વાત શંકાસ્પદ છે, ત્યારે સગીરને જામીન આપવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 3:41 pm

ભાજપનો દાવો: પતિનિધિ પ્રથા નહીં ચાલે:મહિલા ગેરહાજરી પર ઉઠેલા સવાલો વચ્ચે ભાજપનું ડેમેજ કંટ્રોલ; મહિલા ઉમેદવારોને વહીવટમાં આગળ લાવવાનો સંદેશ

ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં મહિલા ઉમેદવારોની ગેરહાજરી મુદ્દે ઉઠેલા વિવાદે ચૂંટણીના માહોલને ગરમાવી દીધો છે. આ વિવાદ વચ્ચે ભાજપે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હવે પતિનિધિ પ્રથા નહીં ચાલે અને મહિલા ઉમેદવારો સક્રિય વહીવટમાં આગળ આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપ પર સીધો આરોપ લાગ્યો હતો કે મહિલાઓને માત્ર નામ પૂરતી ઉમેદવારી અપાઈ રહી છે અને વાસ્તવિક રીતે તેમના પતિઓ દ્વારા વહીવટ ચલાવવામાં આવે છે, જેને પતિનિધિ પ્રથા તરીકે ઓળખવામાં આવે છે. આ ટકોર વચ્ચે સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ રાજેશ ચુડાસમાએ મેદાને આવી સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે બેઠક દરમિયાન મહિલા ઉમેદવારો ગેરહાજર નહોતા, પરંતુ ફોર્મ ચકાસણી પ્રક્રિયામાં વ્યસ્ત હતા. જોકે, માત્ર આ સ્પષ્ટતા પૂરતી નહોતી. રાજકીય દબાણ વચ્ચે ભાજપે સીધો જ મોટો સંદેશ આપ્યો કે પતિનિધિ પ્રથા હવે નહીં ચાલે! આ નિવેદન દ્વારા પક્ષે મહિલાઓને સક્રિય ભૂમિકા ભજવવા પ્રોત્સાહિત કર્યા. ભાજપે દાવો કર્યો કે હવે મહિલાઓ માત્ર ઉમેદવાર તરીકે નહીં, પરંતુ સક્રિય વહીવટકાર તરીકે આગળ આવશે. પક્ષે મંચ પરથી મહિલાઓને પોતે નિર્ણય લેવા અને સત્તામાં સક્રિય ભૂમિકા ભજવવા માટેનો સંદેશ આપ્યો. આ નિવેદન પછી રાજકીય વર્તુળોમાં ચર્ચા ગરમાઈ છે કે શું આ ખરેખર મહિલા સશક્તિકરણનો દૃઢ સંકલ્પ છે કે પછી જાહેર ટકોર બાદનું ડેમેજ કંટ્રોલ? વિપક્ષે પણ આ મુદ્દે ભાજપને ઘેરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. વિરોધીઓનો આક્ષેપ છે કે ચૂંટણી પહેલા મહિલા સશક્તિકરણની વાતો માત્ર રાજકીય સ્ટંટ છે, જ્યારે હકીકતમાં સ્ત્રીઓને પાછળ રાખવામાં આવી રહી છે. એક તરફ ભાજપ વિકાસના મુદ્દે ચૂંટણી જીતવાનો દાવો કરી રહી છે, તો બીજી તરફ મહિલા પ્રતિનિધિત્વનો મુદ્દો હવે ચૂંટણીનો કેન્દ્રબિંદુ બની રહ્યો છે. મતદારો આ મુદ્દાને કેવી રીતે જુએ છે અને તે મતદાનમાં કેટલી અસર કરશે, તે જોવું રસપ્રદ રહેશે.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 3:40 pm

એક બેઠક ઉપર એક જ પક્ષના બે ઉમેદવાર:વોર્ડ 1માં સામાન્ય પુરુષ બેઠક ઉપરથી AIMIMના બે ઉમેદવારોએ ફોર્મ ભર્યાં, કોંગ્રેસના ઉમેદવારે કલેક્ટરને રજૂઆત કરી

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ 1માં પુરુષ સામાન્ય બેઠક ઉપર AIMIMના બે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જે અંગે આ વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર અમી રાવતે જિલ્લા કલેકટર કચેરી ખાતે જઈ રજૂઆત કરી હતી. પુરુષ સામાન્ય બેઠક ઉપર બે મેન્ડેડ અપાયા?વોર્ડ 1 માં AIMIMના બે ઉમેદવારો મહંમદ સલીમ મહંમદ સઈદ ખાન અને મિતેશ નગીનભાઈ મકવાણા એમ બે ઉમેદવારોએ સામાન્ય પુરુષની બેઠક ઉપર ઉમેદવારી નોંધાવી હતી. ફોર્મ ચકાસણી બાદ આ અંગેની જાણ વોર્ડ 1ના કોંગ્રેસના ઉમેદવાર અમી રાવતને થતા તેઓએ કલેકટર કચેરી ખાતે જઈને રજૂઆત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે નિયમ મુજબ એક બેઠક ઉપરથી પક્ષનો એક જ ઉમેદવાર લડી શકે ત્યારે આ બે ઉમેદવાર કેવી રીતે હોઈ શકે. તેઓની રજૂઆત બાદ યોગ્ય કરવા માટેનું આશ્વાસન જિલ્લા કલેક્ટર કચેરી તરફથી મળ્યું હતું. અમી રાવતનું નામ સામાન્ય સ્ત્રી બેઠક પર હતુંફોર્મ ચકાસણી બાદ વોર્ડ 1માં ઉમેદવારોનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું જેમાં અમી રાવતનું નામ સામાન્ય સ્ત્રી બેઠક ઉપર લખવામાં આવ્યું હતું. અસલમાં અમી રાવત એ સામન્ય પુરુષ બેઠક ઉપરથી લડી રહ્યા છે અને કોંગ્રેસ તરફથી સામાન્ય સ્ત્રી બેઠક તરફથી પુષ્પા વાઘેલા લડી રહ્યા છે ત્યારે તેઓના નામમાં પણ ફેરફાર કરવા માટેની રજૂઆત અમી રાવત દ્વારા કરવામાં આવી હતી. જે પણ સુધારો કરવા માટેની બાંયધરી મળી હતી. વોર્ડ 1માં સામાન્ય પુરુષ બેઠક ઉપર ખરાખરીનો જંગઆ વોર્ડમાં સામાન્ય પુરુષ બેઠક ઉપર કોંગ્રેસે સ્ત્રી ઉમેદવારને જાહેર કર્યા છે. અમી રાવતને સામાન્ય પુરુષની બેઠક ઉપરથી મેન્ડેડ મળતા નારાજ થયેલા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર હરીશ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે આ બેઠક ઉપર બાહુપાંખીઓ જંગ જોવા મળશે. વોર્ડ 1ની સામાન્ય પુરુષ બેઠકનું પરિણામ શું આવશે તેના ઉપર સૌની નજર રહેશે કારણ કે, હરીશ પટેલ એ સ્થાનિક છાણી ગામના રહીશ છે અને હાલમાં તેઓ સાથે આખુંયે ગામ સહાનુભૂતિ દર્શાવી રહ્યું છે. તેવામાં આ બેઠક ઉપર ખરાખરીનો જંગ જામે તેવી શકયતાઓ છે.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 3:22 pm

ATMમાંથી પૈસા ઉપાડતા સિનિયર સિટીઝનો સાવધાન:પીન નંબર જાણી બીજું કાર્ડ પધરાવી બેંક એકાઉન્ટ સાફ કરતી ગેંગનો પર્દાફાશ, સચીન GIDC પોલીસે બેને દબોચ્યા

સુરત શહેરના સચીન GIDC પોલીસ મથકની ટીમે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે એક મોટી સફળતા મેળવી છે. ATM કેબિન પાસે વોચ રાખી નાગરિકોના કાર્ડ સિફતપૂર્વક બદલી નાખી તેમના ખાતામાંથી નાણા ઉપાડી લેતી આંતરરાજ્ય ગેંગના બે રીઢા ગુનેગારને પોલીસે દબોચી લીધા હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી 54 એટીએમ કાર્ડ અને વાહન સહિત કુલ 1.10 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મદદના બહાને પીન નંબર જાણી લેતાઆ ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત વ્યવસ્થિત અને શાતિર હતી. તેઓ એવા ATM કેબિનને નિશાન બનાવતા હતા, જ્યાં ભીડ ઓછી હોય કે સિક્યોરિટી ગાર્ડ હાજર ન હોય. આ ગેંગના સાગરીતો એવા લોકોને ટાર્ગેટ કરતા જે મોટી ઉંમરના હોય અથવા જેમને ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં તકલીફ પડતી હોય. મદદ કરવાના બહાને તેઓ પીન નંબર જાણી લેતા અને નજર ચૂકવીને તેમની પાસે રહેલું તે જ બેંકનું બીજું નકામું કાર્ડ પધરાવી દેતા હતા. ત્યારબાદ ગણતરીની મિનિટોમાં જ તેઓ ઓરિજિનલ કાર્ડ દ્વારા ખાતું સાફ કરી નાખતા હતા. આરોપીઓ પાસેથી 54 ATM કાર્ડ જપ્તસચીન GIDC પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.એ. ગોહિલ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીદાર અને CCTV ફૂટેજના આધારે પોલીસને ચોક્કસ કડીઓ મળી હતી. પકડાયેલા આરોપીઓની ઓળખ નૌશાદઅલી શેખ (રહે. પલસાણા) અને અખિલેશ પાલ (રહે. ગોડાદરા) તરીકે થઈ છે. પોલીસે તેમની પાસેથી 54 નંગ ATM કાર્ડ, 45,000 રોકડ, એક બાઈક અને બે મોબાઈલ કબજે કર્યા છે. આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ, 17 કેસમાં સંડોવણીધરપકડ કરાયેલા આરોપીઓ સામાન્ય ગુનેગાર નથી, પરંતુ રીઢા ગુનેગારો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, નૌશાદઅલી સામે ઉત્તરપ્રદેશના વિવિધ પોલીસ સ્ટેશનમાં લૂંટ, ચોરી અને આર્મ્સ એક્ટ જેવા અગાઉ 13 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે અખિલેશ સામે પણ દુષ્કર્મ, એટ્રોસિટી અને છેતરપિંડીના 4 ગુના નોંધાયેલા છે. આ ધરપકડથી સુરતના સચીન GIDC અને કતારગામ પોલીસ મથકના કુલ ચાર ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસ ટીમને સફળતા અને નાગરિકોને ચેતવણીસચિન GIDC પોલીસ સ્ટેશનના સ્ટાફે આ ઓપરેશનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હાલ પોલીસે તમામ મુદ્દામાલ રિકવર કરી આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 318(4) અને આઈ.ટી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, ATMમાં ટ્રાન્ઝેક્શન કરતી વખતે અજાણ્યા વ્યક્તિની મદદ ન લેવી અને પોતાનો પીન નંબર કોઈને પણ જણાવવો નહીં.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 3:14 pm

ગોધરામાં શોભાયાત્રા પૂર્વે શોર્ટ સર્કિટ, અફરાતફરી મચી:શરાફ બજારમાં વીજ કેબલમાં આગ, મોટી દુર્ઘટના ટળી

ગોધરા શહેરના શરાફ બજાર વિસ્તારમાં સોમવારે મોડીરાત્રે શોર્ટ સર્કિટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL)ના કેબલમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા જ જોરદાર ભડાકા સંભળાયા હતા અને કેબલના તાર તૂટી પડ્યા હતા, જેના કારણે આસપાસ હાજર લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ ઘટના વૈષ્ણવ સમાજની શોભાયાત્રા આ જ માર્ગ પરથી પસાર થવાની હતી તે પૂર્વે બની હતી. શોભાયાત્રા પહોંચે તે પહેલાં જ આ ઘટના બનતા એક મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવે છે. જો શોભાયાત્રા દરમિયાન આ ઘટના બની હોત, તો જાનહાનિ થવાની શક્યતા વધી શકી હોત. ઘટનાની જાણ થતાં જ ગોધરા ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ઝડપથી આગ પર કાબૂ મેળવી સ્થિતિને નિયંત્રણમાં લેવામાં આવી હતી. સુરક્ષાના દ્રષ્ટિકોણથી, MGVCL દ્વારા સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો હતો, જેથી વધુ નુકસાન અથવા જોખમ ટાળી શકાય.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 3:11 pm

જીમટ્રેનરે પરિણીતાને પ્રેમજાળમાં ફસાવીને પતિ પાસે 5 લાખની ખંડણી માંગી:સુરતમાં શબ્બીરે કહ્યું, તારી પત્નીના અંગત વીડિયો વાયરલ કરી દઈશ; ગળે કાચ રાખી 50 હજાર લૂંટી લીધા, SOGએ દબોચ્યો

સુરતના પાલ વિસ્તારમાં રહેતી એક 45 વર્ષીય પરિણીત મહિલાને જીમ ટ્રેનરે પોતાની પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેલ કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપી જીમ ટ્રેનરે મહિલાના પતિને ધમકાવી 5 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સુરત શહેર SOGએ આ મામલે ત્વરિત કાર્યવાહી કરી આરોપી શબ્બીર અસગરભાઈ ટૂંકવાલાની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. જીમ ટ્રેનરે પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી લીધીઆ ઘટનાની વિગત મુજબ, ભોગ બનનાર મહિલા આજથી સાતેક વર્ષ પહેલાં સિટીલાઈટ વિસ્તારમાં આવેલા 'પુજા L1' જીમમાં જતી હતી. આ સમયે ત્યાં જીમ ટ્રેનર તરીકે કાર્યરત શબ્બીર અસગરભાઈ ટૂંકવાલાએ જીમ એક્ટિવિટી શીખવવાના બહાને મહિલા સાથે નિકટતા કેળવી હતી. આરોપીએ લોભ-લાલચ આપી મહિલાને પોતાની પ્રેમજાળમાં ફસાવી લીધી હતી. લગ્નજીવન બચાવવા મહિલાના પતિએ આરોપીનો સંપર્ક કર્યોઆ સંબંધોને કારણે મહિલાના સંસારમાં કંકાસ શરૂ થયો હતો. જ્યારે મહિલાના પતિને આ વાતની જાણ થઈ, ત્યારે તેમણે પોતાનું લગ્નજીવન બચાવવા આરોપીનો સંપર્ક કર્યો હતો, પરંતુ આરોપીએ સુધરવાને બદલે ખંડણીખોરનો અવતાર ધારણ કર્યો હતો. મહિલાના પતિ પાસે 5 લાખ માંગ્યા આરોપી શબ્બીર ટૂંકવાલાએ મહિલાના પતિને ધમકી આપી હતી કે તેની પાસે પત્નીના અંગત ફોટા અને વીડિયો છે. જો તે 5 લાખ રૂપિયા નહીં આપે તો આ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે. અઢી મહિના પહેલાં જ્યારે મહિલાનો પતિ ભૂલકા ભવન સ્કૂલ પાસે હતો, ત્યારે આરોપીએ તેને આંતરીને હુમલો કર્યો હતો. ગળે કાચ રાખી 50 હજાર લૂંટી લીધાઆરોપીએ પોતાની બાઈકનો કાચ તોડી તેના અણીદાર ટુકડાને પતિના ગળે રાખી મોતનો ડર બતાવ્યો હતો. આ ડરના મારે આધેડ વયના પતિએ આરોપીને 50,000 રૂપિયા આપી દીધા હતા, છતાં આરોપી વધુ પૈસા માટે સતત દબાણ કરતો હતો. સુરત પોલીસની 9 માર્ચે ચેતવણી છતાં જીમ ટ્રેનરો બેફામ?તાજેતરમાં જ 9 માર્ચ 2026ના રોજ સુરત SOGએ તમામ જીમ સંચાલકો અને ટ્રેનરોની એક મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી. આ મીટિંગમાં પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, જીમ ટ્રેનરોએ પોતાની મર્યાદામાં રહીને 'શિક્ષક' જેવું વર્તન કરવું જોઈએ. જીમમાં વોઈસ રેકોર્ડિંગ સાથેના સીસીટીવી રાખવાના રહેશે. જીમ ટ્રેનરની નિમણૂક કરતા પહેલા તેનું વેરિફિકેશન કરાવવાનું રહેશે. જીમમાં આવતી મહિલા-યુવતીઓને ટ્રેનર પર્સનલ મેસેજ કરી શકશે નહીં. જો પર્સનલ મેસેજ કરી કનડગત કરતા ઝડપાશે તો જીમ સંચાલક સામે પણ કાર્યવાહી કરાશે. (વાંચો સંપૂર્ણ સમાચાર) ભોગ બનનાર હિંમત કરી સામે આવ્યાસોશિયલ મીડિયા પર આ મીટિંગના વીડિયો અને જનજાગૃતિના સંદેશા જોઈને ભોગ બનનાર પતિને હિંમત મળી હતી. તેમણે SOGનો સંપર્ક કરી પોતાની આપવીતી જણાવી હતી, જેના આધારે પાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. SOGએ આરોપી શબ્બીર ટૂંકવાલાને દબોચી લીધોફરિયાદ નોંધાતા જ SOGની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં જ આરોપી શબ્બીર અસગરભાઈ ટૂંકવાલા (ઉ.વ. 42, રહે. રૂદરપુરા, સંગ્રામપુરા)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ BNSની કલમ 308(5) મુજબ 10 વર્ષની સજા થઈ શકે તેવો ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ આરોપીને આગળની તપાસ માટે પાલ પોલીસને સોંપવામાં આવ્યો છે. જીમ માલિકોને ડીસીપીની ચેતવણીસુરત ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે, જીમ માલિકોએ પણ પોતાના સ્ટાફ પર નજર રાખવી જરૂરી છે. જો અન્ય કોઈ મહિલા પણ આવી રીતે કોઈ ટ્રેનર કે અન્ય વ્યક્તિની જાળમાં ફસાઈ હોય અથવા કોઈ બ્લેકમેલ કરી રહ્યું હોય, તો ગભરાયા વગર નજીકના પોલીસ સ્ટેશન અથવા SOGનો સંપર્ક કરવો. પોલીસ આવી મહિલાઓની ઓળખ ગુપ્ત રાખીને તેમને આ ટ્રેપમાંથી બહાર કાઢવામાં પૂરી સહાય કરશે.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 3:11 pm

મત માંગવા જતા ઉમેદવારોને લોકોના રોષનો ભોગ બનવું પડ્યું:વડોદરામાં વિવિધ વોર્ડમાં લોકોમાં આક્રોશ, ક્યાંક બેનરથી તો ક્યાંક આમને સામને રોષ, પ્રાથમિક અસુવિધાઓને લઈ લોકોમાં રોષ

વડોદરા મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને શહેરભરમાં પ્રચાર અભિયાન તેજ બન્યું છે. વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા મતદારો સુધી પહોંચવા માટે ડોર-ટુ-ડોર કેમ્પેઇન સહિત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તે દરમિયાન કેટલાક વિસ્તારોમાં મતદારોનો અસંતોષ પણ સામે આવી રહ્યો છે. પ્રચાર અભિયાનમાં લોકોએ ક્યાંક ઉમેદવારોને ઘેરી લે છે તો ક્યાંક પોસ્ટર અને બેનર દ્વારા વિરોધ નોંધાવી રહ્યા છે. ગત મોડી રાત્રે શહેરના વોર્ડ નંબર 12 વિસ્તારમાં આવેલા વિશ્વામિત્રી વિસ્તારમાં કાલિદાસ ચાલ અને પરમારની ચાલમાં પ્રચાર માટે ગયેલા ભાજપના ઉમેદવારોને સ્થાનિક મતદારોના રોષનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હવે કોર્પોરેશનની ચૂંટણીમાં પોસ્ટર પોલિટિક્સ શરૂ થયું છે. વોર્ડ નંબર 15 માં પોસ્ટર લગાવી કોંગ્રેસનો વિરોધ થયો છે તો બીજી તરફ વોર્ડ નંબર 7 અને 12 માં ભાજપાના ઉમેદવારોનો વિરોધ જોવા મળી રહ્યો છે. પાલિકાના ઈલેક્શન વોર્ડ 15માં કોંગ્રેસ સામે વિરોધના બેનરો જોવા મળી રહ્યા છે. આ વિસ્તારમાં આવેલી રામભક્ત સોસાયટીમાં કોંગ્રેસે પ્રવેશવું નહિ તેવા બેનરો લાગ્યા છે. તો બીજી તરફ વાઘોડિયા રોડની સોસાયટીઓ બહાર પણ બેનર જોવા મળ્યા હતા. સાથે રાવપુરા વિસ્તારમાં આવેલ વોર્ડ 7 માં ભાજપાના ઉમેદવારોને ભીંસમાં લેતા વિસ્તારના મતદારોમાં નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિક લોકોએ અહીંયા ગટરો કેટલી ઉભરાય છે એવા સવાલો સાથે રાવપુરા કાપડિયા પોળમાં સ્થાનિકોએ ભાજપના ઉમેદવારોને આડે હાથ લીધા હતા. હાલમાં અહીંયા સત્તાધારી પક્ષ ભાજપ માટે ચૂંટણી લડવામાં કપરી પરિસ્થિતિ સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે વર્ષોથી રાવપુરા ભાજપનો ગઢ ગણાય છે ત્યારે આ વિસ્તારમાં સત્તા વિરોધી લહેર મળી જોવા મળી રહી છે. અહીંના સ્થાનિકોની માંગ છે કે વર્ષોથી ડ્રેનેજ અને શુદ્ધ પાણીનો પ્રશ્ન હલ થયો નથી. જેથી પાંચ વર્ષ સુધી પ્રજાના પાયાના કામો ન થતા વડોદરાની જનતામાં ભાજપ સામે નારાજગી હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે. ગઈકાલથી અત્યાર સુધી વોર્ડ 12,વોર્ડ 7, વોર્ડ 6 અને વોર્ડ 12માં મતદારોએ ભાજપા વિરુદ્ધ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 3:03 pm

જામનગરમાં વૈશાખી પર્વની ધામધૂમથી ઉજવણી:ગુરુદ્વારામાં શીખ અને સિંધી સમાજ મોટી સંખ્યામાં જોડાયો

જામનગરમાં ગુરુદ્વારા ખાતે વૈશાખી પર્વની ૩૨૭મી ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શીખ અને સિંધી સમાજના ભાઈઓ-બહેનો સહિત મોટી સંખ્યામાં સંગત જોડાઈ હતી. જામનગરના ગુરુદ્વારા ગુરુ સિંઘ સભામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વૈશાખી પર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ. આજરોજ ૧૪ એપ્રિલના રોજ સવારે ૧૦:૩૦ વાગ્યે સેહજ પાઠ અને ત્યારબાદ શબ્દ કીર્તનનું આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં ભક્તોએ ગુરુ ગ્રંથ સાહેબ સમક્ષ પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી. કાર્યક્રમ બાદ 'ગુરુ કા લંગર' પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ૧૪ એપ્રિલના રોજ વૈશાખી પર્વથી પંજાબના ખેડૂતો પોતાના ખેતરોમાં ઘઉંની લણણી શરૂ કરે છે. આ દિવસે ખેડૂતો ભગવાન સમક્ષ પ્રાર્થના કરે છે કે દેશના ખેડૂતો માટે આ વર્ષ સમૃદ્ધિદાયક રહે.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 2:52 pm

પોલીસને જોઈને ભગવાનો પ્રયાસ કર્યો પણ ચેઈન સ્નેચરને દબોચી લીધો:વડોદરામાં ચેઇન સ્નેચિંગ, વાહનચોરીના ગુનાઓમાં સંડોવાયેલ અને અમદાવાદમાં પોતાની જ પત્ની પર છરી વડે હુમલાના ગુનામાં વોન્ટેડ રીઢો આરોપી ઝડપાયો, 19 ગુના નોંધાયેલા છે

વડોદરા શહેરમાં ચેઇન સ્નેચિંગ, વાહનચોરીના ગુનાઓમાં સંડોવાયેલા અને અમદાવાદમાં પોતાની જ પત્ની પર છરી વડે હુમલાના ગુનામાં વોન્ટેડ રીઢા આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપી ચોરી કરેલી સુઝુકી એક્સેસ મોપેડ પર ફરી રહ્યો હતો અને ચોરીની સોનાની ચેઇન વેચવાના ઇરાદે ફરતો હતો, ત્યારે ઝાપડાઈ ગયો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે માહિતી મળી હતી કે અગાઉ ચેઇન સ્નેચિંગના ગુનામાં ઝડપાયેલ ફૈઝાન ઉર્ફે પંડિત શેખ (રહે. અમદાવાદ) હાલ વડોદરામાં છુપાયો છે અને તેની પાસે શંકાસ્પદ સોનાની ચેઇન અને મોપેડ છે. તે ભુતડીઝાંપા મેદાન પાસે બાલગોકુલમ નજીક રોડ પર ઉભો રહી ચેઇન વેચવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એસ.એમ. ગામેતી, પીઆઇ ડી.જે.ચુડાસમા અને પીઆઇ આર.એસ.ગોહીલના માર્ગદર્શન હેઠળ ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસને જોઈ આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતો હતો, પરંતુ ટીમે ઘેરીને તેને ઝડપી લીધો હતો. પકડાયેલ આરોપી ફૈઝાન ઉર્ફે પંડિત મહમંદહુસેન શેખ (ઉંમર 25, રહે. જીશાન રેસીડેન્સી, ફતેવાડી, વેજલપુર, અમદાવાદ, હાલ રહે. અલસુકુન એપાર્ટમેન્ટ, ફતેવાડી, અમદાવાદ)ની તપાસ દરમિયાન તેના પાસેથી તૂટેલી હાલતમાં સોનાની ચેઇન મળી આવી હતી. ચેઇન તથા મોપેડના દસ્તાવેજો માંગતા તે રજૂ કરી શક્યો ન હતો, જેથી પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછમાં ખુલ્યું હતું કે, આરોપીએ પોતાના બે સાગરીતો સાથે મળીને અકોટા-મુજમહુડા વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી સુઝુકી એક્સેસ મોપેડ ચોરી કરી હતી. ત્યારબાદ બીજા જ દિવસે સવારે કારેલીબાગ વિસ્તારમાં ચાલતા જતી મહિલાના ગળામાંથી સોનાની ચેઇન તોડી લૂંટી હતી. પોલીસને મળેલ મોપેડ તથા ચેઇન આ જ ગુનાની હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત આરોપી વિરુદ્ધ તા. 7 એપ્રિલ 2026ના રોજ અમદાવાદના વેજલપુર વિસ્તારમાં તેની પત્ની પર છરીથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. જે અંગે પણ ગુનો નોંધાયેલ છે, જેમાં તે ફરાર હતો. ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી કુલ રૂપિયા 1.35 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં રૂપિયા 1.05 લાખની સોનાની ચેઇન અને રૂપિયા 30 હજારની સુઝુકી એક્સેસ મોપેડનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી છેલ્લા ચાર વર્ષમાં અમદાવાદ, વડોદરા અને ભરૂચમાં ચેઇન સ્નેચિંગ, ખંડણી, મારામારી અને ચોરી જેવા કુલ 19 જેટલા ગુનાઓમાં સંડોવાયેલ છે. તેમજ તેની ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે તે બે વખત પાસામાં પણ મોકલાયો હતો.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 2:43 pm

કોંગ્રેસ બાદ હવે 'આપ' દ્વારા 40 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડાયા:વિપક્ષના આક્ષેપ સામે ભાજપે કહ્યું, વિકાસની રાજનીતિ કરી અમારી લીટી લાંબી કરવામાં અમને રસ છે બીજાની ભૂંસવામાં નહિ, અમારા કાર્યકર્તા દેવોથી દુર્લભ છે

રાજકોટ મહાનગપાલિકાની ચૂંટણીને લઇ મિશન અજ્ઞાત અંતર્ગત ગઈકાલે કોંગ્રેસ બાદ આજે આમ આદમી પાર્ટીના રાજકોટ શહેરના પ્રમુખ સહીત કુલ 40 ઉમેદવારોને અજ્ઞાત સ્થળ પર લઇ જવાની ફરજ પડી છે. આપ અને કોંગ્રેસ દ્વારા ભાજપ સામે આક્ષેપ કરી ભાજપ તોડજોડની રાજનીતિ કરી ઉમેદવારોને તોડવા મહેનત કરતી હોવાના આક્ષેપ સામે ભાજપે સ્પષ્ટ નિવેદન આપી આક્ષેપો પાયા વિહોણા ગણાવી અમે માત્ર વિકાસની રાજનીતિ કરીએ છીએ અમારી લીટી લાંબી કરવામાં અમને રસ છે બીજાની ભૂંસવામાં કોઈ રસ નથી. લોકો વચ્ચે રહેવાના સમયમાં વિપક્ષ અજ્ઞાત સ્થળે છે એ જ બતાવે છે કે વિપક્ષને હારનો સામનો કરી શકે તેવી પણ સ્થિતિ બચી નથી. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભાજપના મોટા માથાઓ દ્વારા અમારા ઉમેદવારને દબાવવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા જેથી તાત્કાલિક અમે અમારી કોંગ્રેસ અને યુથ કોંગ્રેસની ટિમ સ્થળ પર પહોંચી હતી અને ભાજપને દાદાગીરી ન કરવા જણાવ્યું હતું. ભાજપ હાર ભાળી ગઈ છે માટે તે કોઈ પણ હદ સુધી જઈ શકે તેમ છે માટે ખાસ અમે નિર્ણય કર્યો છે. રાજકોટમાં 72 ઉમેદવાર છે અમારા કોંગ્રેસ પક્ષના જેમાં તમામ 72 ઉમેદવારને અજ્ઞાત સ્થળ પર નથી મોકલવામાં આવ્યા પરબટુ વોર્ડ વાઈઝ અમારા સક્ષમ ઉમેદવાર અને આગેવાનોને અમે જવાબદારી આપી છે. અમારા સક્ષમ ઉમેદવારો અને આગેવાનો અમારા બાકીના ઉમેદવારોનું ધ્યાન રાખશે. કોઈ જગ્યાએ ચાર ઉમેદવાર અજ્ઞાત સ્થળ પર ગયા છે તો કોઈ જગ્યાએ બે ઉમેદવાર વિસ્તારમાં પ્રચારમાં છે અને બે અજ્ઞાત સ્થળે છે. આ વર્ષે કોંગ્રેસ પક્ષના એક પણ ઉમેદવારને ભાજપ દબાવી ડરાવી ફોર્મ પરત નહિ ખેંચાવી શકે તે માટે અમે પુરી તૈયારી કરી છે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવેએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજકોટ કોંગ્રેસ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા એ પાયા વિહોણા છે. અમારી પાર્ટી ખુબ જ મજબૂત છે જનતાનો સાથ અમારી સાથે છે અમારી સરકાર દ્વારા કરવામાં આવેલ કામોને લોકો જાણે છે. લોકોનો અમારા પર વિશ્વાસ અતૂટ છે અમારા કાર્યકર્તા દેવોથી પણ દુર્લભ છે. અમે કોઈ જ કોંગ્રેસના આગેવાન ઉમેદવાર કે કાર્યકર્તાનો સંપર્ક કર્યો નથી અને અમે સંપર્ક કરવામાં માનતા પણ નથી. આજે અમારા ઉમેદવાર અને કાર્યકર્તા લોકોની વચ્ચે છે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ અજ્ઞાત સ્થળે છે લોકોની સાથે અને લોકો વચ્ચે રહેવાના સમયે કોંગ્રેસ સંતાય ગઈ છે અને હાર સ્વીકારી ન શકતા અમારા ઉપર ખોટા આક્ષેપ કરી રહી છે. રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણીના ગરમાવા વચ્ચે કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારોને ભાજપના ડરથી સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી છે. આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ દિનેશ જોષીએ દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા અમારા ઉમેદવારોને ડરાવી-ધમકાવીને અથવા વિવિધ પ્રકારની લોભ-લાલચ આપીને ઉમેદવારી ફોર્મ પાછા ખેંચાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ પરિસ્થિતિને જોતા પક્ષ દ્વારા સાવચેતીના ભાગરૂપે 40 કરતા વધુ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આવતીકાલે સાંજે ફોર્મ પરત ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ જ આ તમામ ઉમેદવારોને પરત લાવવામાં આવશે. ભાજપ સત્તાના જોરે લોકશાહીનું હનન કરી રહ્યું હોવાનો આરોપ પણ તેમણે આ તકે લગાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 2:41 pm

વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીને ધમકીઓથી ત્રસ્ત યુવાને ગળેફાંસો ખાધો:ભાવનગરમાં કેટરિંગનો વ્યવસાય કરતો, કોલ રેકોર્ડિંગને વોટ્સએપ ચેટમાં ઉઘરાણીના પુરાવાનો ઘટસ્ફોટ; ચાર સામે ગુનો નોંધાયો

ભાવનગરના કૃષ્ણનગર ડેરી રોડ વિસ્તારમાં રહેતા અને કેંટરીગના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાને શખ્સો પાસેથી લીધેલા વ્યાજના નાણાંની પઠાણી ઉઘરાણી અને ધાકધમકીથી ત્રસ્ત થઈ સુભાષનગર વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. જેને લઇ ભારે ચકચાર મચી જવા પામી હતી. ઉક્ત મામલે મૃતકના ભાઈએ ચાર શખ્સો સામે ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. જ્યારે મૃતક યુવાનના મોબાઈલ ફોનમાંથી કોલ રેકોર્ડિંગ અને વોટ્સએપ ચેટ પણ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. યુવાને પઠાણી ઉઘરાણી અને ધમકીથી કંટાળીને આપઘાત કર્યોમળતી વિગતો અનુસાર, ભાવનગરના મહિલા કોલેજ કૃષ્ણનગર દેરીરોડ પાસે આવેલ સાઈજ્યોત ફ્લેટમાં ભાડેથી રહેતા અને સોનીકામ કરતા કૃણાલ ઉમેશભાઈ માંડલિયાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેના નાનાભાઈ મેહુલ ઉ.વ 34ને તેના કેટરીંગના ધંધામાં પૈસાની જરૂર પડતા પીન્ટુ ચસ્કામસ્કા વાળા તથા રવી ચંદુભાઈ ખોખર તથા તેના વતી વ્યાજ-મુદ્દલની ઉઘરાણી કરતા ગોપાલ તેમજ લાલા સાટીયા પાસેથી વ્યાજે પૈસા લીધેલ હતાં. એક્ટિવા બળજબરીથી પડાવી લીધુ, મકાન પડાવી લેવાની ધમકી આપીજેનું આ ચાર લોકો ઉંચુ વ્યાજ મેહુલ પાસેથી વસુલતા હોય અને મેહુલને વ્યાજ તેમજ મુદ્દલ નિયમીત ચુકવવા રૂબરૂ તેમજ ફોનથી સતત ધાકધમકીઓ આપી પઠાણી ઉઘરાણી કરી હતી. તેમજ લાલા સાટીયાએ કૃણાલનું એક્ટિવા સ્કુટર મેહુલ પાસેથી બળજબરીથી પડાવી લીધું હતું. અને રવી ખોખરે મેહુલ પાસે પૈસાની પઠાણી ઉઘરાણી કરી પૈસા નહી આપે તો ઘરના સભ્યોને બહાર કાઢી ઘરને તાળુમારી કબ્જો લઈ લેવા ગંભીર ધાકધમકી આપી હતી. નારોજ ગોડાઉનમાં યુવાને ગળેફાંસો ખાધોકૃણાલના નાનાભાઈ મેહુલને મરવા મજબુર કરતા ઉપરોક્ત લોકો તરફથી સતત મળતી ધમકીઓના કારણે તેઓનો નાનો ભાઈ મેહુલ ઉ.વ 34 જે કેટરિંગનો વ્યવસાય કરતો હતો. જેનું ગોડાઉન શહેરના સુભાસનગર ખાતે આવેલ અજયવાડી વિસ્તારમાં આવેલ હતું. જ્યાં ગત તા.6 એપ્રિલ, 2026 નારોજ ગોડાઉનમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. કોલ રેકોડીંગ તેમજ વોટ્સએપ ચેટથી ખૂલાસો થયોજ્યારે ઉક્ત ઘટનાને લઈ મૃતક યુવાનના ભાઈએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, તેઓના ભાઈએ કોની પાસેથી કેટલી રકમ કેટલા ટકા વ્યાજે લીધેલ છે તેની ખબર ન હોવાનું જણાવ્યું હતું. પરંતુ રવિ ખોખર રૂ.1,65,000ની ઉઘરાણી કરતો હોવાનું તેણે કૃણાલને રૂબરૂ જણાવ્યું હતું. તેમજ ઉપરોક્ત શખ્સોના મૃતક યુવકના ફોનમાં કોલ રેકોડીંગ તેમજ વોટ્સએપ ચેટ જોતા તેમાં પીન્ટુ ચસ્કા મસ્કા વાળા તેના ભાઈ પાસે રૂ.50,000 ની ઉઘરાણી કરતાં હોવાનું તેમજ લાલા સાટીયાએ મેહુલને કરેલ મેસેજ પરથી તે દરરોજનું રૂ.1000 વ્યાજ ઉમેરીને છેલ્લે તા.6 એપ્રિલ 2026 નારોજ રૂ.2,41,000 ની ઉઘરાણીનો મેસેજ કર્યો હોવાનું સામે આવ્યું હતું. 4 સામે ગુનો નોંધાયોજે ફરિયાદના અનુસંધાને ઘોઘારોડ પોલીસે પિન્ટુ ચસ્કામસ્કા વાળા, રવિ ચંદુભાઈ ખોખર, ગોપાલ અને લાલાભાઈ સાટિયા તમામ રહે ભાવનગરવાળાઓ સામે BNS કલમ 108, 308(4), 308(5), 352, 351(2), 54 મુજબ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 2:26 pm

નવસારીમાં હોર્સ ટ્રેડિંગના આક્ષેપ:કોંગ્રેસે વાંસદાના ઉમેદવારોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા, ભાજપ પર ધમકીનો આરોપ

નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપે 52 બેઠકો પર બિનહરીફ વિજય મેળવ્યા બાદ, કોંગ્રેસે ભાજપ પર ઉમેદવારોને ડરાવી-ધમકાવી ફોર્મ ખેંચાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આક્ષેપો બાદ કોંગ્રેસે પોતાના 100થી વધુ ઉમેદવારોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે જણાવ્યું હતું કે, ભાજપ સત્તાનો દુરુપયોગ કરી સરકારી તંત્ર અને પોલીસનો ઉપયોગ કરી રહી છે. તેમના ઉમેદવારોને પૈસાની લાલચ આપી અથવા જેલના કેસની ધમકી આપી બ્લેકમેલ કરવામાં આવી રહ્યા છે. વાંસદા તાલુકાના તમામ કોંગ્રેસી ઉમેદવારોને ભાજપના સંપર્કથી દૂર રાખવા સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે એક પીઢ આગેવાન પર એક્સપ્લોઝિવનો કેસ કરવાની ધમકી આપી તેમના સંબંધીનું જિલ્લા પંચાયતનું ફોર્મ ખેંચાવવામાં આવ્યું હતું. કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો છે કે અધિકારીઓ પર ફોર્મ રદ કરવા માટે ભારે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભમાં ઉમરગામના મામલતદારના આત્મહત્યાના કેસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે, એકતરફ કોંગ્રેસ ઉમેદવારોની સુરક્ષાની ચિંતા કરી રહી છે, ત્યારે બીજી તરફ ગઈકાલે સમયસર મેન્ડેડ ન પહોંચાડી શકનાર જિલ્લા કોંગ્રેસ પ્રમુખની કાર્યશૈલી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. વાંસદા પંથકમાં કાર્યકરોમાં પ્રમુખની આ બાબત અંગે ચર્ચાઓ ચાલી રહી છે. કોંગ્રેસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભાજપ ભલે ભ્રષ્ટાચાર અને ધાક-ધમકીથી બિનહરીફ થવા પ્રયાસ કરે, પરંતુ જનતા મોંઘવારી અને બેરોજગારીથી કંટાળી ગઈ છે. કોંગ્રેસના ઉમેદવારો મક્કમતાપૂર્વક ચૂંટણી મેદાનમાં લડત આપશે.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 2:07 pm

કતારગામના લડાયક પૂર્વ કોર્પોરેટર કિશોર રૂપારેલિયાનું AAPમાંથી રાજીનામું:ચૂંટણી પહેલાં જ ગઢમાં ગાબડું, સુરત 'આપ'માં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે સુરત આમ આદમી પાર્ટીમાં આંતરિક ખેંચતાણ અને રાજીનામાનો દોર અટકવાનું નામ નથી લઈ રહ્યો. મહિલા મોરચાના હોદ્દેદારોના રાજીનામાંની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં જ કતારગામ વિસ્તારના જાણીતા ચહેરા અને પૂર્વ કોર્પોરેટર ડો. કિશોર રૂપારેલિયાએ પક્ષને 'રામ-રામ' કરી દેતા રાજકીય ગરમાવો આવી ગયો છે. પારિવારિક કારણોનું બહાનું કે આંતરિક અસંતોષ?ડો. કિશોર રૂપારેલિયાએ પ્રદેશ પ્રમુખને મોકલેલા પત્રમાં જણાવ્યું છે કે, તેઓ પારિવારિક અને કુટુંબીક કારણોસર પક્ષની સેવા કરવામાં અસમર્થ છે. જોકે, રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ચૂંટણીના ટાણે જ પક્ષના પાયાના કાર્યકરો અને જનતામાં મજબૂત પકડ ધરાવતા નેતાઓ જે રીતે છેડો ફાડી રહ્યા છે, તેની પાછળ પક્ષની આંતરિક કાર્યપદ્ધતિ પ્રત્યેનો અસંતોષ હોઈ શકે છે. શાળાના વિવાદમાં ઉપવાસ કરી લાઈમલાઈટમાં આવ્યા હતાડો. કિશોર રૂપારેલિયા સુરત 'આપ'ના એવા કોર્પોરેટર રહ્યા છે જે હંમેશા આક્રમક મિજાજ માટે જાણીતા હતા. કતારગામ વિસ્તારની શાળાના પ્રશ્ને તેમણે તંત્ર સામે બાથ ભીડી હતી અને આમરણાંત ઉપવાસ પર બેસી ગયા હતા. તેમની આ લડતને કારણે તેઓ સમગ્ર સુરતમાં જાણીતા બન્યા હતા. વર્ષ 2021 થી 2024 દરમિયાન તેમણે મનપામાં અનેક લોકહિતના પ્રશ્નો ઉઠાવી સત્તાધારી પક્ષને ભીંસમાં લીધો હતો.. ચૂંટણી ટાણે જ પડતા પર પાટું જેવી સ્થિતિસુરતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે ભાજપને ટક્કર આપવાની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે જ એક પછી એક વિકેટ પડતા 'આપ' બેકફૂટ પર આવી ગઈ છે. ખાસ કરીને કતારગામ જેવો વિસ્તાર જે 'આપ'નો ગઢ ગણાય છે, ત્યાંથી જ મજબૂત નેતાનું રાજીનામું પડવું એ હાર-જીતના ગણિતમાં મોટો ફેરફાર લાવી શકે છે. વોટ્સએપ દ્વારા રાજીનામું મોકલ્યુંનોંધનીય છે કે ડો. કિશોર રૂપારેલિયાએ આ રાજીનામું વોટ્સએપના માધ્યમથી મોકલી આપ્યું છે અને તેમાં પક્ષના તમામ મિત્રોનો આભાર માન્યો છે. તેમણે પત્રના અંતે ખાતરી આપી છે કે પક્ષમાં ન હોવા છતાં જનતાના કામો તેઓ ઈમાનદારીથી કરતા રહેશે. હવે જોવાનું એ રહે છે કે આગામી દિવસોમાં સુરત 'આપ' આ ભંગાણને રોકવા માટે શું રણનીતિ અપનાવે છે.છે

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 2:07 pm

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર મીની બસ પલટી:બેડ ટોલનાકા પાસે અકસ્માતમાં બે મહિલા સહિત છ ઇજાગ્રસ્ત, દ્વારકા દર્શનાર્થે જતા હતા

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર બેડ ટોલનાકા પાસે ગઈકાલે રાત્રે એક ખાનગી મીની બસ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં બે મહિલા સહિત કુલ છ યાત્રાળુઓને નાની-મોટી ઈજાઓ થઈ હતી. GJ-1 ET 7800 નંબરની આ બસ જામનગરથી દ્વારકા તરફ યાત્રાળુઓને લઈને જઈ રહી હતી. બસ માર્ગ પર આડી પડી ગઈ હતી, જેના કારણે અકસ્માત સર્જાયો હતો. ઇજાગ્રસ્ત યાત્રાળુઓ અન્ય જિલ્લાના હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ દ્વારકા દર્શનાર્થે જઈ રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સ અને સિક્કા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તમામને રજા આપી દેવામાં આવી છે. જોકે, આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 1:54 pm

વાપી-ઉદવાડા વચ્ચે ટ્રેનમાંથી પટકાતા યુવકનું મોત:પરિવારે હત્યા કરાઈ હોવાનો આક્ષેપ કર્યો, દારૂના કારોબારનો વીડિયો બનાવ્યાનો દાવો, સાતેક શખસે ફેંકી દીધો

વાપી અને ઉદવાડા રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનમાંથી પડી જવાથી કાળુ ગબ્બા રાઠોડ નામના યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે આ અકસ્માત નથી, પણ હત્યા છે. કેવી રીતે બનાવ બન્યો?મૃતક કાળુ રાઠોડ સુરતથી કામ અર્થે વાપી ગયા હતા. પરત ફરતી વખતે ટ્રેનમાં અજાણ્યા શખ્સો સાથે તેમની બોલાચાલી થઈ હોવાનું જાણવા મળ્યું છે. પરિવારના જણાવ્યા અનુસાર, ટ્રેનમાં 6 થી 7 અજાણ્યા શખ્સોએ કાળુ પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ તેમને ચાલુ ટ્રેનમાંથી નીચે ફેંકી દીધા હતા. નીચે પટકાતા ગંભીર ઈજાઓ થવાથી તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. દારૂના કારોબારનો વીડિયો કારણભૂત હોવાનો દાવોપરિવારના સભ્યોએ સનસનીખેજ આક્ષેપ કરતા જણાવ્યું કે, ટ્રેનમાં મોટા પાયે દારૂની હેરાફેરી થઈ રહી હતી, જેનો વીડિયો કાળુએ પોતાના મોબાઈલમાં ઉતાર્યો હતો. આ વીડિયોના કારણે જ તેમની હત્યા કરવામાં આવી હોવાની શક્યતા છે. વધુમાં, પરિવારે દાવો કર્યો છે કે મોબાઈલમાંથી તે વીડિયો ડિલીટ કરી દેવામાં આવ્યો છે, જે પુરાવા નાબૂદ કરવાનો પ્રયાસ હોઈ શકે છે. પોલીસ તપાસ અને હોબાળોઘટનાની જાણ થતા રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે મોકલી આપ્યો હતો. જોકે, ન્યાયની માંગ સાથે મૃતકના પરિવારજનો અને સમાજના લોકોએ હોબાળો મચાવ્યો હતો. પરિવારે આ કાળા કારોબારમાં સ્થાનિક તત્વોની સંડોવણી હોવાની પણ શંકા વ્યક્ત કરી છે. કાળુએ દારૂની હેરાફેરીનો વીડિયો બનાવ્યો હતો, જે તેના મોબાઈલમાંથી ડિલીટ કરી દેવાયો છે. આ સ્પષ્ટપણે હત્યાનો મામલો છે અને અમે ન્યાયની માંગ કરીએ છીએ. - મૃતકના પરિવારજન હાલમાં રેલવે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. દારૂના કારોબારનો પર્દાફાશ કરવો યુવકને ભારે પડ્યો છે કે આ પાછળ અન્ય કોઈ કારણ છે, તે પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 1:50 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તોડજોડની રાજનીતિ ચરમસીમાએ:અમિત ચાવડાએ કહ્યું-30 લાખની લાલચ આપી ફોર્મ પરત ખેંચવા દબાણ કરાયા, તાકાત હોય તો સામે આવી ચૂંટણી લડો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોને તોડવા માટે ભાજપ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવારોને ડરાવી ધમકાવી ફોર્મ પરત ખેંચવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. ભાજપના નેતાઓ 20થી 30 લાખ રૂપિયા આપવાની લાલચ આપી કોંગ્રેસના ઉમેદવારોને ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો પણ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આક્ષેપ કર્યો છે. તો સત્તામાં બેઠેલા ભાજપના નેતાઓના ત્રાસથી કંટાળી ચૂંટણી અધિકારીએ આત્મહત્યા કરી હોવાનો પણ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ દાવો કર્યો છે. જેથી હવે અન્ય ઉમેદવારો ફોર્મ પરત ન ખેંચે તે માટે કોંગ્રેસ દ્વારા મથામણ કરવામાં આવી રહી છે. સરખેજ વોર્ડમાં કોંગ્રેસના બે ઉમેદવાર સંપર્ક વિહોણાસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના એક દિવસ પહેલા તોડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે સરખેજ વોર્ડમાં કોંગ્રેસના બે ઉમેદવાર સંપર્ક વિહોણા થયા છે. ગઈકાલે એક ઉમેદવાર ભરત ભરવાડે ફોર્મ પરત ખેંચી ભાજપને સમર્થન કર્યું હતું. તે બાદ અન્ય ઉમેદવારોને ફોર્મ પરત ખેંચી લે માટે ભાજપના ધારાસભ્યો પ્રયાસ કરી રહ્યા છે. કારણ કે ગઈકાલે ત્યારે સરખેજ વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર ભરત ભરવાડે ફોર્મ પરત ખેંચ્યા બાદ વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર સાથે વિડીયો બનાવી ભાજપને સમર્થન આપ્યું હતું. જે બાદ ઉમેદવાર કોંગ્રેસથી સંપર્ક વિહોણા થયા છે. કંચનબેન પ્રજાપતિ અને વારિસઅલી સૈયદ સંપર્ક વિહોણા થયા છે. કોંગ્રેસ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવા મથામણ શરૂ કરવામાં આવી છે. ‘કોંગ્રેસના ઉમેદવારોના ઘરે જઈને ડરાવી અને ધમકાવી રહ્યા છે’ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આખા ગુજરાતમાં પોલીસ અને પ્રશાસન સાથે મળીને ભાજપનું એજન્ટ હોય તે રીતે કામ કરી રહ્યું છે. કેટલાક અધિકારીઓએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો હોય તે રીતનું વર્તન કરી રહ્યા છે. પોલીસના જ અધિકારીઓ કોંગ્રેસના ઉમેદવારોના ઘરે જઈને ડરાવી અને ધમકાવી રહ્યા છે. કલોલ સુરત આણંદ સહિત અનેક જગ્યાએ કાર્યકર્તાઓ અને ઉમેદવારોને ધમકાવવામાં આવી રહ્યા છે. જે અધિકારીઓ ધમકાવી રહ્યા છે તેમના નામ સાથે ચૂંટણી પંચને અને DGPને ફરિયાદ આપી છે. તેમ છતાં ઉમેદવારોને 25 થી 30 લાખ રૂપિયા આપીને ખરીદવામાં આવી રહ્યા છે. ચૂંટણી અધિકારીઓ પણ પુરાવા ચેક કર્યા વગર ખોટી રીતે ફોર્મ રદ કરી રહ્યા છે. 'તાકાત હોય તો સામે આવીને ચૂંટણી લડો' પોલીસના અધિકારીઓ ધમકાવતા હોવાના આક્ષેપ સાથે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપના ઉમેદવારોના ફોર્મમાં અનેક ક્ષતિઓ હોવા છતાં તેમના ફોર્મ મંજૂર કરવામાં આવે છે અને ભેદભાવ કરવામાં આવે છે. ફ્રી અને ફેર ચૂંટણી યોજવામાં આવે તેવી અમે માંગ કરીએ છીએ. નેતાઓને પણ અમે કહેવા માંગીએ છીએ કે તાકાત હોય તો સામે આવીને ચૂંટણી લડો અધિકારીઓ અને પોલીસના જોડે ચૂંટણી લડવાનું બંધ કરી દો. ગુજરાતની જનતા હવે સમજી ગઈ છે અને સત્તાનો નશો હવે લાંબો સમય સુધી ચાલવાનો નથી. લોકશાહીમાં કોઈપણ વ્યક્તિને અથવા કોઈપણ પક્ષને ચૂંટણી લડવાનો અધિકાર છે. કોઈપણ અધિકારીઓના પ્રેશર વગર અને દાગ ધમકી વગર ચૂંટણી થવી જોઈએ. જનતા જેને મત આપે તે ચૂંટાઈને સત્તામાં બેસે પરંતુ તેના સામે પોલીસ અને પ્રશાસન ભારતીય જનતા પાર્ટી માટે ચૂંટણી લડી રહી હોય તેવું લાગી રહ્યું છે. 'ભાજપના નેતાઓ જનતા વચ્ચે જઈ શકતા નથી'વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓ જનતા વચ્ચે જઈ શકતા નથી. પ્રજા જાકારો આપી રહી છે જેથી સામ દામ દંડ ભેદ અપનાવી ચૂંટણી લડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ઉમેદવારોને ડરાવી ધમકાવી અને ફોર્મ રદ કરવામાં આવી રહ્યા છે. હજુ પણ અનેક જગ્યાએ અધિકારીઓ ઉમેદવારોને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અધિકારીઓને અમે કહેવા માંગીએ છીએ કે સરકારનો હાથો બનતા નહીં કોઈપણ સત્તા લાંબો સમય સુધી રહેવાની નથી. જનતા જાગૃત થશે તો તમને પણ ખુરશી પરથી ઉખાડી ફેકશે. 'ભાજપના નેતાઓના દબાણથી ચૂંટણી અધિકારીએ જ આત્મહત્યા કરવી પડી'ભાજપના નેતાઓના ત્રાસથી ચૂંટણી અધિકારીએ આત્મહત્યા કરી હોવાના આક્ષેપ સાથે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ઉમરગામમાં એક ઉમેદવારી ફોર્મ રદ કરાવવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એટલું બધું દબાણ કર્યું કે ચૂંટણી અધિકારીએ જ આત્મહત્યા કરવી પડી છે. સત્તાનો ઉપયોગ કરી ડરાવવાની અને ધમકાવવાના જે પ્રયાસ થઈ રહ્યા છે તે રોકવામાં નહીં આવે તો અધિકારીઓનો પણ અમે બહાર પાડીશું. ઉમેદવારી ફોર્મ રદ કરાવવા માટે ચૂંટણી અધિકારી પર એટલું બધું પ્રેશર કરાવવામાં આવ્યું કે વારંવાર ટોર્ચર કરવામાં આવતા માનસિક ત્રાસથી આત્મહત્યા કરવી પડી તેવી ત્યાંના લોકોને પ્રાથમિક રજૂઆત છે. સત્તામાં બેઠેલા ભાજપના નેતાઓ અધિકારીઓ પર પ્રેશર કરી રહ્યા છે. જેથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ત્રાસથી ચૂંટણી અધિકારીએ આત્મહત્યા કરવી પડી છે.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 1:49 pm

તાપી પોલીસની ચૂંટણી પહેલાં કાર્યવાહી:25 વર્ષથી નાસતા ફરતા આરોપી સહિત 5 ઝડપાયા, 196 પરવાનેદારે હથિયારો જમા કર્યા

તાપી જિલ્લા પોલીસે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026ને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા સઘન ઝુંબેશ શરૂ કરી છે. આ અંતર્ગત હથિયારો જમા લેવા, નાસતા-ફરતા આરોપીઓની ધરપકડ કરવા અને અટકાયતી પગલાં લેવા સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લામાં પરવાનાવાળા હથિયારો જમા લેવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. કુલ 245 હથિયારોમાંથી 196 જમા લેવાયા છે, 3 જપ્ત કરાયા છે, 17 રદ/કમી કરાયા છે અને 29ને મુક્તિ અપાઈ છે. હવે કોઈ હથિયાર જમા લેવાનું બાકી નથી. 1 એપ્રિલ, 2026થી અત્યાર સુધીમાં કુલ 192 નાસતા-ફરતા આરોપીઓમાંથી 5ને ઝડપી પાડવામાં આવ્યા છે. વાલોડ પોલીસે છેલ્લા 25 વર્ષથી ફરાર ઉત્તર પ્રદેશના ગીરીશચંદ્ર ઉર્ફે લલ્લુ મિશ્રાને પકડ્યો છે. સોનગઢ પોલીસે 12 વર્ષથી નાસતા ફરતા મહારાષ્ટ્રના શાંતારામ કોલીની ધરપકડ કરી છે. ઉચ્છલ, સોનગઢ અને ઉકાઈ પોલીસે પ્રોહિબિશન અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની પણ અટકાયત કરી છે. શાંતિપૂર્ણ માહોલ જાળવવા માટે કુલ 1584 વ્યક્તિઓ સામે અટકાયતી પગલાં લેવાયા છે. જેમાં BNSSની વિવિધ કલમો હેઠળ 1118થી વધુ લોકો સામે કાર્યવાહી કરાઈ છે, જ્યારે પ્રોહિબિશન કલમ 93 હેઠળ 431 લોકોની અટકાયત કરાઈ છે. આ ઉપરાંત, 4 તડીપાર દરખાસ્ત અને 1 પાસા હેઠળની દરખાસ્ત પણ કરવામાં આવી છે. ચૂંટણીલક્ષી ચેકિંગ દરમિયાન પોલીસે મોટા પાયે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. કુલ 216 પ્રોહિબિશન કેસ નોંધાયા છે, જેમાં 160 કેસ દેશી દારૂના (617 લીટર, કિંમત ₹1,23,400) અને 56 કેસ વિદેશી દારૂના (686 બોટલ, કિંમત ₹84,570) છે. તાપી પોલીસ દ્વારા લેવાયેલા આ કડક પગલાંને કારણે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બની છે.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 1:41 pm

રાજપીપળામાં આંબેડકર જયંતીની ઉજવણી, નેતાઓએ પુષ્પાંજલિ અર્પી:રોહિતવાસથી નીકળેલી રેલીમાં 'જય ભીમ'ના નારા ગુંજ્યા

નર્મદા જિલ્લામાં સંવિધાનના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. રાજપીપળા ખાતે પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો અને રાજકીય આગેવાનો ઉમટી પડ્યા હતા. રાજપીપળાના આંબેડકર ચોક ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, નર્મદા સુગર ચેરમેન ઘનશ્યામ પટેલ, કમલેશ પટેલ, પૂર્વ પ્રમુખ ધર્મિષ્ઠા પટેલ, જયંતીભાઈ વસાવા, મુળજીભાઈ રોહિત અને પૂર્વ પાલિકા પ્રમુખ ભરત વસાવા સહિત ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ 'બાબા સાહેબ અમર રહો'ના નારા લગાવ્યા હતા. આ ઉપરાંત, રાજપીપળાના રોહિતવાસ ખાતેથી દલિત આગેવાનો દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો ડો. બાબાસાહેબ આંબેડકરની તસવીરો સાથે 'જય ભીમ'ના નારા લગાવતા રાજપીપળાના મુખ્ય માર્ગો પર ફર્યા હતા. આગેવાનોએ બાબાસાહેબ આંબેડકરના વિચારો અને આત્મરક્ષણના સંદેશને લોકો સુધી પહોંચાડ્યો હતો. આ રેલી અને કાર્યક્રમો દ્વારા બાબાસાહેબના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 1:39 pm

બોટાદમાં આંબેડકર જયંતિ નિમિત્તે મહારેલી યોજાઈ:અનુસૂચિત સમાજ દ્વારા શહેરમાં ભવ્ય ઉજવણી કરાઈ, રેલીનું ફૂલહાર, પુષ્પવર્ષા સાથે સ્વાગત

બોટાદ શહેરમાં આજે અનુસૂચિત સમાજ દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે શહેરમાં એક વિશાળ મહારેલીનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉત્સાહભેર જોડાયા હતા. આ મહારેલી જ્યોતિગ્રામ સર્કલથી શરૂ થઈ હતી અને દિનદયાળ ચોક, પાળીયાદ રોડ, હવેલી ચોક, હાઈસ્કૂલ રસ્તા તેમજ ભાવનગર રોડ સહિતના મુખ્ય માર્ગો પર ફરી હતી. રેલી દરમિયાન દેશભક્તિપૂર્ણ અને સામાજિક એકતાના નારા ગુંજી ઉઠ્યા હતા, જેણે સમગ્ર વાતાવરણને ઉત્સાહિત બનાવ્યું હતું. રેલીનું શહેરના વિવિધ રાજકીય અને સામાજિક સંગઠનો તેમજ નગરજનો દ્વારા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ફૂલહાર, પુષ્પવર્ષા અને અભિનંદન દ્વારા રેલીને ભવ્ય આવકાર મળ્યો હતો. આ પ્રસંગે વક્તાઓએ ડો. આંબેડકરજીના વિચારોને જીવનમાં ઉતારવા અને સમાનતા, શિક્ષણ તથા હક્કો પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે અપીલ કરી હતી.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 1:36 pm

ગોધરામાં રાયોટિંગનો નાસતો ફરતો આરોપી ઝડપાયો:ચૂંટણી પહેલા પંચમહાલ પોલીસની કાર્યવાહી

ગોધરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા પોલીસ એક્શન મોડમાં આવી છે. રાયોટીંગના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપી અસ્ફાક અબ્દુલ બોકડાને પંચમહાલ પોલીસે ઝડપી પાડ્યો છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી, ગાંધીનગર દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે 'મેગા ડ્રાઈવ'નું આયોજન કરાયું છે. પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને પંચમહાલ પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાત દ્વારા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા કડક સૂચનાઓ અપાઈ હતી. આ સૂચનાના આધારે પેરોલ ફર્લો સ્ક્વોડ સક્રિય બની હતી. પેરોલ ફર્લો સ્ક્વોડના એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ જયરામસિંહને બાતમીદાર દ્વારા ચોક્કસ માહિતી મળી હતી કે, ગોધરા શહેર 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રાયોટીંગના ગુનાનો આરોપી અસ્ફાક અબ્દુલ બોકડા મોજે શીમલા વિસ્તારમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે, પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફે મોજે શીમલા ખાતે દરોડો પાડી આરોપી અસ્ફાક બોકડાને ઝડપી લીધો હતો. હાલમાં તેને કાયદેસરની કાર્યવાહી માટે ગોધરા શહેર 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. ચૂંટણી પહેલા પંચમહાલ પોલીસની આ સફળ કામગીરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 1:36 pm

મોરબીમાં ડો. આંબેડકરની 135મી જન્મજયંતી ઉજવાઈ:સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા વિશાળ રેલી યોજાઈ

મોરબીમાં બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરાયું હતું. આ રેલીમાં યુવાનો, મહિલાઓ અને વૃદ્ધો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને 'જય ભીમ'ના નારાથી મોરબીના માર્ગો ગુંજી ઉઠ્યા હતા. આ રેલી મોરબીના વીસી ફાટકથી શરૂ થઈ હતી. તે શક્તિ ચોક, ગેસ્ટ હાઉસ રોડ, પરાબજાર, શાક માર્કેટ ચોક અને હોસ્પિટલ ચોક થઈને પસાર થઈ હતી. રેલીનું સમાપન મોરબી મહાનગરપાલિકાના પટાંગણમાં આવેલી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને સલામી આપીને કરવામાં આવ્યું હતું. રેલીમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા, ગૌતમ બુદ્ધની પ્રતિમા અને ભીમા કોરેગાંવના આકર્ષક ફ્લોટ્સ પણ સામેલ હતા, જેણે ઉપસ્થિત લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ વાર્ષિક રેલીમાં મોરબી અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો ઉપરાંત અન્ય સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 1:31 pm

હિંમતનગરમાં IPL પર સટ્ટાબાજી કરતાં SOGએ 2ને પકડ્યા, એક ફરાર:રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સની મેચ પર સટ્ટો રમતાં, ₹20 હજારનો મુદ્દામાલ જપ્ત

સાબરકાંઠા SOGએ હિંમતનગરમાંથી IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા બે ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી રોકડ ₹10,000 અને બે મોબાઈલ ફોન સહિત કુલ ₹20,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે એક ફરાર આરોપી સહિત ત્રણ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. SOG સ્ટાફ ATS ચાર્ટર સંબંધિત કામગીરી માટે પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી બાતમીના આધારે, પોલોગ્રાઉન્ડ સ્થિત અંબર સિનેમા રોડ પરથી રાહુલ માનસિંગ પાલ અને પિન્ટુભાઈ મુનસીભાઈ પાલ નામના બે વ્યક્તિઓને ઝડપી લેવામાં આવ્યા હતા. તેઓ ઓનલાઈન IPL-2026 ક્રિકેટ મેચ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ) પર સટ્ટો રમી રહ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ₹10,000ની રોકડ, ₹10,000ની કિંમતના બે મોબાઈલ ફોન અને એક આધાર કાર્ડ કબજે લીધું હતું. આ અંગે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં રાહુલ માનસિંગ પાલ (રહે. અંબર સિનેમા પાછળ, પોલોગ્રાઉન્ડ, હિંમતનગર) અને પિન્ટુભાઈ મુનસીભાઈ પાલ (રહે. કેસર વિલાસ સામે, પોલોગ્રાઉન્ડ, હિંમતનગર)નો સમાવેશ થાય છે. નોંધનીય છે કે પિન્ટુભાઈ પાલ સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ બે વખત જુગારધારાના કેસ નોંધાયેલા છે. આ કેસમાં 'મહાદેવ બુક' નામના એક અન્ય આરોપીને પકડવાનો બાકી છે, જેનું પૂરું નામ અને સરનામું હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 1:26 pm

ઈસ્કોન ભાડજમાં 11મો પાટોત્સવ ઉજવાશે:17 થી 20 એપ્રિલ દરમિયાન ચાર દિવસીય કાર્યક્રમ

ઈસ્કોન હરે કૃષ્ણ મંદિર, ભાડજ તેના 11મા વાર્ષિક પાટોત્સવની ઉજવણી 17 એપ્રિલ, 2026 શુક્રવારથી 20 એપ્રિલ, 2026 સોમવાર દરમિયાન કરશે. આ ચાર દિવસીય ઉત્સવ મંદિરના વાર્ષિકોત્સવ અને ભગવાનના આગમનની યાદમાં ઉજવવામાં આવે છે. મંદિરનું ઉદ્ઘાટન 21 એપ્રિલ, 2015 ના રોજ અક્ષયતૃતીયાના શુભદિને કરવામાં આવ્યું હતું. આ ઉત્સવ શ્રી શ્રી રાધા માધવ, શ્રી શ્રી લક્ષ્મી-નરસિંહ ભગવાન અને શ્રી શ્રી નિતાઈ ગૌરાંગ (કૃષ્ણ-બલરામ સ્વરૂપ) ની મૂર્તિઓના સ્થાપના પ્રસંગને ચિહ્નિત કરે છે. પાટોત્સવની ઉજવણી દરરોજ સાંજે 6 વાગ્યાથી શરૂ થશે અને તેમાં વિવિધ કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમોમાં પાલખી ઉત્સવ, સ્વર્ણરથ ઉત્સવ, મંદિરના કુંડમાં નૌકા વિહાર, ગરુડ વાહન ઉત્સવ, હનુમદ વાહન ઉત્સવ, ગજ વાહન ઉત્સવ, મહાઅભિષેક, ઝૂલન ઉત્સવ અને શ્રી શ્રી રાધા માધવની શોભાયાત્રાનો સમાવેશ થાય છે. દરરોજ સવારે એક વિશેષ પાટોત્સવ યજ્ઞ પણ કરવામાં આવશે. 17 એપ્રિલ, 2026 શુક્રવારના રોજ પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે સાંજે 6 વાગ્યે અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 18 એપ્રિલ, 2026 ના રોજ સાંજે 6 વાગ્યે શ્રી શ્રી રાધા માધવની રથયાત્રા કાઢવામાં આવશે. આ રથયાત્રા મંદિર પરિસરની આસપાસ ખાસ બનાવેલા ગજ વાહન રથમાં નીકળશે. ભક્તો દ્વારા હરિનામ સંકીર્તન પણ કરવામાં આવશે. ત્યારબાદ શ્રી રાધા માધવને સુંદર પુષ્પોથી સુશોભિત નૌકામાં મંદિરના વિશાળ કુંડમાં વિહાર કરાવવામાં આવશે. આ કુંડ પુષ્પો અને રંગબેરંગી પ્રકાશથી સુશોભિત હશે.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 1:26 pm

એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો, હજી પણ લોકોના જીવ જોખમમાં:વડોદરાના ST ડેપોમાં બનેલી દુર્ઘટના બાદ સિટી બસ સ્ટેન્ડમાંથી ST બસોને એન્ટ્રી અપાઈ, સિટી બસમાં બેસવા દોડાદોડી કરતા મુસાફરો ST બસની અડફેટે આવી શકે

10 એપ્રિલના રોજ વડોદરા સેન્ટ્રલ બસ ડેપોમાં સર્જાયેલી ગંભીર દુર્ઘટના બાદ ડેપોમાં જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. જેને કારણે વૈકલ્પિક રસ્તા તરીકે સિટી બસ સ્ટેન્ડમાંથી બસોને એન્ટ્રી અને એક્ઝિટ આપવામાં આવી રહી છે. સિટી બસ સ્ટેન્ડમાં જગ્યા ઓછી હોવાથી જ્યારે એસટી બસો સિટી બસ સ્ટેન્ડમાં આવે છે, ત્યારે સિટી બસ અને એસટી બસની વચ્ચે મુસાફરો ફસાઇ જાય છે અને અકસ્માતનો ભય ઉભો થયો છે. જેને લઇને એસટી ડેપોમાં મેઇન્ટન્સનું કામ ઝડપથી પુરુ કરવાની માંગ ઉઠી છે, નહીં તો અકસ્માતમાં લોકોના જીવ જવાની ભીંતી સેવાઇ રહી છે. વડોદરા બસ ટર્મિનલ પર 10 એપ્રિલના રોજ બનેલી આ કરુણ દુર્ઘટનામાં અમદાવાદના ચાંદખેડા વિસ્તારના રહીશ નરસિંહભાઈ ગોવિંદભાઈ દવે (ઉં.વ. 72) નું કરુણ મોત નીપજ્યું હતું. અંદાજે 60 ફૂટ લાંબુ અને 20 ફૂટ પહોળું વિશાળ સ્ટ્રક્ચર 40 ફૂટની ઊંચાઈએથી ધરાશાયી થતાં જાનહાનિ થઈ હતી. ત્યારબાદ સ્ટ્રક્ચરને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જો કે, આ કામગીરી હાલ બંધ છે. આ દરમિયાન એસટી બસને વૈકલ્પિક રસ્તા તરીકે સિટી બસ સ્ટેન્ડમાંથી બસોને એન્ટ્રી અને એક્ઝિટ આપવામાં આવી રહી છે. જેથી સિટી બસ સ્ટેન્ડમાં પણ મુસાફરોને જીવનું જોખમ ઉભુ થયું છે. ત્યારે સ્ટ્રક્ચરને તોડવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરીને ત્યાંથી એસટી બસોને એન્ટ્રી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. વડોદરા વિનાયક સિટી બસના મેનેજર નરેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે, 10 એપ્રિલના રોજ ST બસ સ્ટેન્ડમાં જે અકસ્માત થયો હતો. જેમાં સ્ટ્રક્ચર ધરાશાયી થયું હતું, જેને લીધે એસટી ડેપોનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને અત્યારે ST બસો માટે સિટી બસ સ્ટેન્ડની અંદરનો રસ્તો ખોલવામાં આવ્યો છે. અત્યારે અમારે અહીંથી કુલ 130 સિટી બસો ચલાવવાની હોય છે, પરંતુ અમારી પાસે રસ્તાનો ફક્ત એક જ પટ્ટો ખાલી છે. જ્યાંથી ST બસો અહીંથી પસાર થાય છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમારા સિટી બસ સ્ટેશનમાં સિટી બસ આવે એટલે મુસાફરોના ટોળા તેમાં બેસવા માટે દોડાદોડી કરતા હોય છે. આ સમયે ST બસો આવે છે અને બીજી તરફ મુસાફરોની દોડાદોડી થાય છે. આ સ્થિતિમાં ગંભીર અકસ્માત થવાનો અને કોઈનો જીવ જોખમમાં મુકાવવાનો પૂરો ભય છે. અમારી તો એટલી જ માંગ છે કે, જો ST બસ સ્ટેન્ડનું સમારકામ વહેલી તકે પૂરું કરી દેવામાં આવે, તો આ રસ્તો ST બસો માટે બંધ કરી શકાય. મુસાફરોની સલામતી માટે આ ખૂબ જ જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 1:24 pm

ઝઘડિયામાં પરિણીત પ્રેમીપંખીડાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું:10 દિવસથી રહસ્યમય સંજોગોમાં 2-2 સંતાનના માતા-પિતા ગુમ હતા, પરિવારજનોની શોધખોળ, બંને મૃત મળ્યાં

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં પ્રેમ સંબંધના કારણે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પરિણીત પ્રેમી યુગલે ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મૃતક યુવક અને યુવતી બંને પરિણીત હતા અને બંનેને 2-2 સંતાનો હોવાનું જાણવા મળ્યું છે. યુવતી તેની માતા પાસે રહેતીમૃતક યુવકની ઓળખ રાજપારડીના સંજય નાગજી વસાવા તરીકે થઈ છે, જ્યારે યુવતી ઝઘડિયાની સુધા ચિરાગ રાઠોડ હોવાનું બહાર આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સુધાનો પતિ દારૂના વ્યસની હોવાથી તે છેલ્લા કેટલાક સમયથી પોતાની માતા સાથે રહેતી હતી. આ દરમિયાન સંજય અને સુધા વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. 4 એપ્રિલથી ગુમ હતાગત 4 એપ્રિલના રોજ આ યુગલ પોતપોતાના ઘરેથી રહસ્યમય સંજોગોમાં નીકળી ગયું હતું. પરિવારજનોએ શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન લાગતા ઝઘડિયા પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જોકે, પોલીસ તપાસ દરમિયાન પણ તેમની કોઈ ભાળ મળી નહોતી. પોલીસ કાર્યવાહીગઈકાલે રાત્રે ઝઘડિયામાં બેંક ઓફ બરોડા સામેથી બંનેના મૃતદેહ મળી આવતા સ્થાનિકોમાં ફાળ પડી હતી. ઘટનાની જાણ થતા જ ઝઘડિયા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે બંનેના મૃતદેહોનો કબજો મેળવી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસે આ અંગે બંને પક્ષના પરિવારજનોને જાણ કરી છે. બે પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે અને 4 બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવતા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 1:14 pm

ભરૂચમાં ડૉ. આંબેડકરની 135મી જન્મજયંતીની ઉજવણી:રાજકીય, સામાજિક સંસ્થાઓએ પુષ્પાંજલિ અર્પણ કરી

ભરૂચ શહેરમાં ડૉ. ભીમરાવ આંબેડકરની 135મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. શહેરના સ્ટેશન સર્કલ ખાતે આવેલી તેમની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, રેલી અને કેક કટિંગ જેવા કાર્યક્રમો પણ યોજાયા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં સામાજિક સંસ્થાઓ, રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા વિશેષ કાર્યક્રમો યોજાયા, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનોએ બાબાસાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. બીજી તરફ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ રેલવે સ્ટેશન ખાતે આવેલી પ્રતિમાને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બામસેફ અને અન્ય સામાજિક સંગઠનો દ્વારા પણ મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. ઈન્સાફના રાષ્ટ્રીય અધ્યક્ષ બેચર રાઠોડની આગેવાનીમાં લોકો ઉમટી પડ્યા હતા. સ્વયંસૈનિક દળ દ્વારા બાબાસાહેબને સલામી આપી શહેરમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં નાના બાળકોથી લઈને વડીલો સુધીના લોકો ઉત્સાહભેર જોડાયા હતા, જેના કારણે સમગ્ર શહેરમાં શ્રદ્ધા અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 1:12 pm

પાટણ નગરપાલિકા ચૂંટણી માટે વહીવટી તંત્ર સજ્જ:ચૂંટણી સ્ટાફને EVM સંચાલન અને કાયદાકીય પ્રક્રિયાની તાલીમ અપાઈ

પાટણ નગરપાલિકાની આગામી ચૂંટણીઓ માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને સુચારુ રીતે સંપન્ન થાય તે હેતુથી ચૂંટણી સ્ટાફની પ્રથમ તબક્કાની તાલીમ યોજાઈ હતી. આ તાલીમ શિબિર પ્રાંત અધિકારી હિરેન ચૌહાણની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણીલક્ષી વિવિધ જવાબદારીઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન EVM સંચાલન, મશીન સીલ કરવાની પ્રક્રિયા અને તેના ટેકનિકલ પાસાઓ વિશે પ્રાયોગિક સમજ પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, મતદાન મથક પર રાખવાના થતા વિવિધ રજિસ્ટર, કાયદાકીય ફોર્મ્સ ભરવાની પદ્ધતિ અને અન્ય દસ્તાવેજી પ્રક્રિયાની વિગતો પણ સમજાવવામાં આવી હતી. મતદાન મથક પર કાયદો અને વ્યવસ્થા જાળવીને શાંતિપૂર્ણ માહોલમાં શિસ્તબદ્ધ મતદાન કરાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. પ્રાંત અધિકારીએ જણાવ્યું કે, ચૂંટણી પ્રક્રિયામાં પ્રિસાઇડિંગ અને પોલિંગ ઓફિસરની ભૂમિકા અત્યંત મહત્વની હોય છે. કોઈ પણ પ્રકારની ક્ષતિ વગર કામગીરી પૂર્ણ થાય તે માટે આ તાલીમ અનિવાર્ય છે. વહીવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં અન્ય બાકી રહેલા સ્ટાફ માટે પણ તબક્કાવાર તાલીમનું આયોજન કરવામાં આવશે, જેથી ચૂંટણી પ્રક્રિયાને આખરી ઓપ આપી શકાય.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 1:07 pm

'મેયર હોય કે મોદી, મને શું ફરક પડે':'વારાણસીથી ટિકિટ આપે તો 2.51 લાખ મત ન લાવું તો રાજનીતિ છોડી દઈશ', સુરતથી AAP ઉમેદવાર અને સો.મીડિયા ઈન્ફ્લુએન્સરનો પડકાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે. ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર ભાવેશ ધામેલિયાને વોર્ડ નંબર-6થી મેદાને ઉતાર્યાં છે. એટલે કે ત્યાંથી ત્યારે ભાવેશ ધામેલિયા ઉર્ફે પાટીદારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભાવેશ ધામેલિયાએ જણાવ્યું હતું કે મેયર હોય કે નરેન્દ્ર મોદી, મારે શું ફરક પડે. આમ આદમી પાર્ટીની અંદર જો તાકાત હોય તો મને વારાણસીથી ટિકિટ આપે લોકસભાની તો હું નરેન્દ્ર મોદી સાથે પણ લડવા તૈયાર છું. વોર્ડ નંબર 6માંથી ઉમેદવારી નોંધાવીભાવેશભાઈએ વોર્ડ નંબર 6માંથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. વોર્ડ નંબર 6 એ સુરતના પૂર્વ મેયરનો મતવિસ્તાર છે, જે ભાજપનો મજબૂત ગઢ માનવામાં આવે છે. આ વખતે ભાજપે અહીંથી મજબૂત પેનલ મેદાનમાં ઉતારી છે. જેની સામે આમ આદમી પાર્ટીએ ભાવેશ ધામેલિયા પર પસંદગી ઉતારી છે. પૂર્વ મેયરની પેનલ સામે એક યુવા ચહેરાની પસંદગી થતા આ બેઠક પર સૌની નજર છે. હાર-જીતનો ફેંસલો જનતાના હાથમાંચૂંટણીના પરિણામો અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, હાર કે જીત જે પણ હોય, તેનો અંતિમ નિર્ણય 'જનતા જનાર્દન'ના હાથમાં છે. તેમણે વધુમાં ઉમેર્યું કે તેઓ પરિણામની ચિંતા કર્યા વગર પૂરી શક્તિથી ચૂંટણી લડશે અને લોકોના પ્રશ્નો માટે અવાજ ઉઠાવશે. વીડિયોના અંતમાં, એક સમર્થકે જ્યારે તેમને વ્યક્તિગત રીતે મત આપવાની વાત કરી, ત્યારે ભાવેશભાઈએ પક્ષ પ્રત્યેની નિષ્ઠા દર્શાવતા કહ્યું કે, માત્ર એક ઉમેદવારને નહીં પણ આમ આદમી પાર્ટીના ચારેય ઉમેદવારોને (આખી પેનલને) મત આપીને વિજયી બનાવવા જોઈએ. 5 લાખથી વધુ ફોલોઅર્સ અને મજબૂત ડિજિટલ પકડભાવેશ ધામેલિયા માત્ર એક ઉમેદવાર નથી. પરંતુ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 5 લાખથી વધુ ફોલોઅર્સ છે. તેમની આ લોકપ્રિયતા અને યુવા વર્ગમાં રહેલી પકડને જોતા આમ આદમી પાર્ટીને મોટી આશા છે. ભાવેશ ધામેલિયાના વીડિયો અને સામાજિક મુદ્દાઓ પરની તેમની રજૂઆતને કારણે તેઓ સુરતના મધ્યમ અને યુવા વર્ગમાં સારૂં એવું વર્ચસ્વ ધરાવે છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ભાવેશ ધામેલિયાને મતદારો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તેઓ ડોર-ટુ-ડોર કેમ્પેઈન અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચી રહ્યા છે. તેમનું માનવું છે કે જનતા હવે પરિવર્તન ઈચ્છે છે અને વોર્ડ નંબર 6માં AAPની પેનલ વિજય મેળવશે. નાના માણસો સાથે અન્યાય સામે અવાજ ઉઠાવ્યોભાવેશ ધામેલીયાએ જણાવ્યું હતું કે, મારું મૂળ વતન છે ભાવનગર પાસે સિદસર શામપરા. છેલ્લા 17 વર્ષથી હું સુરત શહેરની અંદર રહું છું. અને 2 વર્ષ વરાછા વિસ્તારમાં પણ રહ્યો છું અને 15 વર્ષથી કતારગામમાં રહું છું. મેં લગભગ 2019માં આ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. કોઈપણ જગ્યાએ કોઈ અત્યાચાર થતા હોય, અન્યાય થતો હોય, કોઈ નાના માણસો સાથે અન્યાય થતો હોય, કોઈ ગરીબ માણસો સાથે અન્યાય થતો હોય, કોઈ છેતરપિંડી થતી હોય, તો અમે શરૂઆતમાં એવા બધા વિડીયોઝ બનાવતા હતા. 'લોકો પીડાઈ રહ્યા હોવાથી વીડિયો બનાવ્યા'સરકારની અંદર ખૂબ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, અધિકારીઓ બેફામ બન્યા છે, કોઈની વાત સાંભળતા ન હોવાનો પણ ભાવેશ ધામેલિયાએ રોષ વ્યક્ત કર્યો હતો. વધુમાં જણાવ્યું કે નાના માણસો ધક્કા ખાઈ ખાઈને તૂટી જાય છે, તો એમની પણ વાત સાંભળવામાં નથી આવતી. એટલે અમને એમ થયું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તો એવા પણ વિડીયો બનાવીએ જેથી કરીને સરકારના નેતાઓ સુધી પહોંચે અને કદાચ એમની આંખ ઉઘડે કે નાના અને સામાન્ય માણસો, ખેડૂતો ખૂબ પીડાઈ રહ્યા છે. ‘પહેલા મિત્રના પેજ પર વીડિયો મૂક્યા’જે તે સમયે અમારા એક મિત્રના પેજ ઉપર અમે આ વિડીયો બધા અપલોડ કરતા, આદિત્ય દુબે નામ છે વડોદરામાં રહે છે, મૂળ યુપીના વતની છે પણ વર્ષોથી વડોદરામાં રહે છે. એ સમયે અમારા વિડીયો ખૂબ એટલે ખૂબ જ ચાલતા. લોકો વિડીયોની રાહ જોઈને બેઠા હોય. કે ભાઈ એ સમયે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ આવતી, તો અમે જનરલી 8:30 વાગ્યે વીડિયો પોસ્ટ કરતા. એટલે ઘણા બધા લોકો અમને કોમેન્ટમાં એવું કહેતા કે તમે 8:00 વાગ્યાનો સમય રાખો. અમારે તારક મહેતાય જોવું હોય અને તમારા વિડીયો પણ જોવા હોય, અમે તમારા વિડીયો કોઈ ચૂકતા નથી. એટલા સરસ હોય મજા આવે છે. પછી મારા મિત્રએ કામ છોડી દીધું અને પછી મેં પણ મારી દુકાન બંધ કરી અને હું આમ આદમી પાર્ટીમાં જોઈન થયો અને એ સમયે 2021ની સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી અને AAPના 27 કોર્પોરેટરો જીતીને આવ્યા અને ખૂબ સરસ કામગીરી કરતા હતા. એને લઈને પણ અમે સોશિયલ મીડિયામાં ખૂબ વીડિયો મૂક્યા, એ પણ વાયરલ થતા હતા. 'સરકાર સામે અધિકારીઓ બોલતા નથી'ભાવેશ ધામેલિયાએ વિસાવદરથી આપના ધારસભ્ય ગોપાલ ઈટાલિયાના પણ વખાણ કર્યાં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,એ સમયે ગોપાલ ઈટાલિયા આપમાં જોડાયા હતા. ત્યારે અમને એમ લાગ્યું કે લોકોના પ્રશ્નો તો ખૂબ છે. સરકાર સામે અધિકારીઓ સામે લોકો બોલી નથી શકતા. લોકો અમને વૉટ્સએપમાં મેસેજ કરતા અને તેમના ગામની સમસ્યાઓ મોકલી આપતા. અમારી પાસે માગ કરતા કે અમારો અવાજ બનીને વીડિયો બનાવશો? હાલમાં 5 લાખથી વધુ ફોલોઅર્સલગભગ ગુજરાતની અંદર હું કોઈ પણ ગામની અંદર તમે જાઓ તો લગભગ તમે એમ કહો કે ભાઈ સોશિયલ મીડિયામાં પેલા ભાવેશ ધામેલીયા છે, વીડિયો બનાવે એને ઓળખો છો? તો એક ગામમાંથી કમ સે કમ 40થી 50 લોકો તો નીકળે જ. છેક બનાસકાંઠા, સાબરકાંઠા સુધી લોકો પણ ઓળખી રહ્યા છે. મારું એક પેજ ડિસેબલ કરી દેવામાં આવ્યું, એમાં મારે 4,30,000 ફોલોઅર્સ હતા. પછી મેં બીજું પેજ એક્ટિવ કર્યું. જેમાં ત્રણ મહિનામાં સવા બે લાખ ફોલોઅર્સ એક્ટિવ થયા છે. અન્ય ફોલોઅર્સ મળીને અત્યારે હાલ પાંચ લાખથી વધુ ફોલોઅર્સ છે. જેમ જેમ લોકોને ખબર પડી કે મારું આગળનું પેજ બંધ થયું એટલે લોકો આમાં જોડાવા માંડ્યા છે. ખૂબ સારો એવો રિસ્પોન્સ પણ આપે છે અને નેગેટિવ કોમેન્ટ્સ તો આપવાવાળા આપે છે, અમે એના ઉપર બહુ કઈ ધ્યાન દેતા નથી. કારણ કે એના ઉપર ફોકસ કરીએ તો એ લોકો મોટા થાય.'વારાણસીમાં નરેન્દ્ર મોદી સામે લડવા તૈયાર'વોર્ડ-6થી ચૂંટણી લડવા અંગે ભાવેશ ધામેલિયાએ જણાવ્યું હતું કે, જ્યારે મને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી ત્યારે ઘણા બધાએ એમ કીધું મને કે ભાઈ આ તો મેયરનો વોર્ડ છે. ત્યાં ચૂંટણી ન લડવી જોઈએ. એટલે મેં ફૂલ કોન્ફિડન્સથી જવાબ આપ્યો કે, તાકાત લગાવીને કહ્યું કે ભાઈ મેયર હોય કે નરેન્દ્ર મોદી હોય, મારે શું ફરક પડવાનો છે. આજે પણ હું કહું છું કે આમ આદમી પાર્ટીની અંદર જો તાકાત હોય તો મને વારાણસીથી ટિકિટ આપે લોકસભાની, હું નરેન્દ્ર મોદી સાથે લડવા તૈયાર છું અને 2,51,000 વોટ ન લઈને આવું ને તો આજીવન હું રાજનીતિ છોડી દેવા માટે પણ તૈયાર છું. જ્યારે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હોઈએ ત્યારે કોણ મેયર, કોણ મુખ્યમંત્રી, કોણ મોદી એ અમારે નથી જોવાનું. અમારો સિદ્ધાંત, અમારો લક્ષ્ય એક જ છે કે આમ આદમી પાર્ટીને જીતાડવી છે અને વધુમાં વધુ આગળ વધારવી છે. 'સ્થાનિક મુદ્દા સાથે આગળ વધીએ છીએ' વધુમાં ભાવેશ ધામેલિયાએ જણાવ્યું હતું કે, મુદ્દાઓ ઘણા બધા છે પણ હાલ અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એટલે ખાસ કરીને ગટર, રોડ, રસ્તા, સારી સરકારી સ્કૂલો, સારી હોસ્પિટલની સુવિધાઓ, આ બધા મુદ્દાઓને લઈને અમે આગળ વધી રહ્યા છીએ. અને જે વોર્ડની અંદર મારે લડવાનું છે, એ જ વોર્ડની અંદર એવી સોસાયટીઓ છે કે જ્યાં છેલ્લા 25 દિવસથી પીવાના પાણીની અંદર ગટરનું પાણી ભળી ગયેલું છે. એમાં મેયરે કોઈ જાતની ત્યાં તસ્દી લીધી નથી. આજે એ સોસાયટીવાળા ખૂબ પીડાય છે. હવે જોવાનું એ રહેશે કે સોશિયલ મીડિયાની આ લોકપ્રિયતા મતના બોક્સમાં કેટલી પરિવર્તિત થાય છે અને ભાજપના આ મજબૂત કિલ્લામાં ભાવેશ ધામેલિયા ગાબડું પાડી શકે છે કે નહીં!

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 1:04 pm

ડૉ.બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની ઉજવણી:જૂનાગઢમાં 'જય ભીમ'નો નાદ ગુંજ્યો: 135મી આંબેડકર જયંતિએ ભવ્ય શોભાયાત્રા, કેક કટિંગ અને સિવિલ હોસ્પિટલમાં રક્તદાન શિબિર યોજાઈ.

ભારતીય બંધારણના શિલ્પી, ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની જૂનાગઢ શહેરમાં અત્યંત ભાવનાત્મક, સાંસ્કૃતિક અને ઉત્સાહપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરોનો નારો આપનાર મહામાનવને યાદ કરી જૂનાગઢના માર્ગો 'જય ભીમ'ના નાદથી ગુંજી ઉઠ્યા હતા. આ ઉજવણીમાં માત્ર અનુસૂચિત જાતિ જ નહીં, પરંતુ તમામ સમાજના લોકો અને રાજકીય પક્ષોએ જોડાઈને સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ​​જન્મજયંતિના પૂર્વ પર્વે ગત રાત્રિથી જ જૂનાગઢમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરના મધુરમ વિસ્તાર સહિત વિવિધ વિસ્તારોમાં રાત્રે 12 કલાકે બાબા સાહેબના જન્મદિવસની કેક કાપવામાં આવી હતી. ડીજેના તાલે યુવાનો અને વડીલો ઝૂમી ઉઠ્યા હતા અને આતશબાજી સાથે આ પવિત્ર દિવસને આવકાર્યો હતો. મધુરમ વિસ્તારના અનુસૂચિત જાતિ સમાજ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ​​જન્મજયંતિના દિવસે જૂનાગઢના કાળવા ચોક સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરવા માટે લોકમેદની ઉમટી હતી. ધારાસભ્ય સંજય કોરડીયા, બટુકભાઈ મકવાણા સહિતના અગ્રણીઓ અને વિવિધ રાજકીય પક્ષોના હોદ્દેદારોએ બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પી હતી. ઓબીસી, એસસી, એસટી અને લઘુમતી મોરચા દ્વારા એક વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેણે શહેરના મુખ્ય માર્ગો પર ભ્રમણ કર્યું હતું. આ તકે ઉપસ્થિત આગેવાનોએ બંધારણીય મૂલ્યોના રક્ષણ માટે પ્રતિજ્ઞા લીધી હતી. ​ધારાસભ્ય સંજય કોરડીયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, બાબાસાહેબ માત્ર એક વ્યક્તિ નહોતા, પરંતુ તેઓ મજબૂત લોકશાહીના સ્તંભ હતા. ભારત આજે આઝાદીના 75 વર્ષ પછી પણ જો ટકી રહ્યું હોય, તો તેનું શ્રેય બાબા સાહેબના સક્ષમ બંધારણને જાય છે. તેમની સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ ગણાશે જ્યારે આપણે તેમના વિચારોને જીવનમાં ઉતારી દેશ માટે કંઈક યોગદાન આપીશું. ​બટુકભાઈ મકવાણાએ બંધારણીય અધિકારો પર ભાર મૂકતા કહ્યું હતું કે, બાબાસાહેબે દલિતો, વંચિતો અને મહિલાઓને સમાન મતાધિકાર આપીને મોટો ઉપકાર કર્યો છે. આજે આપણે જે આઝાદીનો શ્વાસ લઈ રહ્યા છીએ તે તેમની દેન છે. અમે આજે પ્રતિજ્ઞા લીધી છે કે બંધારણ વિરોધી તત્વો સામે સંગઠિત થઈને લડત આપીશું. ​ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે એક વિશેષ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. કૃતાર્થ બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મેડિકલ કોલેજના વર્ગ-1 થી 4 ના તમામ કર્મચારીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. ​ડૉ. બ્રહ્મભટ્ટે આ પ્રસંગે જણાવ્યું કે, સિવિલમાં આવતી સગર્ભા માતાઓ અને થેલેસેમિયા પીડિત બાળકો માટે લોહીની જરૂરિયાત ખૂબ રહેતી હોય છે. તાજેતરમાં જ એક ગંભીર કેસમાં કોઈ પણ રિપ્લેસમેન્ટ વગર 20 યુનિટ લોહી પૂરું પાડી માનવતા મહેકાવી હતી. તેમણે ડોનેટ બ્લડ, સેવ લાઈવ્સ એન્ડ બી અ ચેમ્પિયનના મંત્ર સાથે લોકોને દર ત્રણ મહિને રક્તદાન કરવા અપીલ કરી હતી. ​બાબા સાહેબની 135મી જન્મજયંતિની આ ઉજવણી માત્ર એક દિવસનો કાર્યક્રમ બનીને ન રહેતા, સામાજિક ન્યાય અને સમાનતાના આદર્શોને મજબૂત કરવાનો એક યાદગાર અવસર બની રહી હતી. હારતોરા અને શોભાયાત્રાએ સાબિત કર્યું કે બાબા સાહેબના વિચારો આજે પણ એટલા જ પ્રાસંગિક છે. જૂનાગઢની જનતાએ આ દિવસને ભક્તિ, શક્તિ અને સેવાના ત્રિવેણી સંગમ તરીકે મનાવી નવી પેઢીને પ્રેરણા પૂરી પાડી છે.ભારતીય લોકશાહીના આ મહાન આદર્શનું જીવન લાખો લોકો માટે સમાનતા અને ન્યાયની મશાલ સમાન છે, જે હંમેશા સમાજને માર્ગદર્શન આપતી રહેશે.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 12:59 pm

મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ-2માં ભીષણ આગ:ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે

સુરતના વ્યસ્ત ગણાતા રિંગ રોડ વિસ્તારમાં આવેલી મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ-2માં ફરી આજે (14 એપ્રિલ) અચાનક આગ ફાટી નીકળી છે. માર્કેટની એક દુકાનમાં અચાનક આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગની જાણ થતા જ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે, પરંતુ કાપડના જથ્થાને કારણે આગ ઝડપથી ફેલાઈ હોવાની આશંકા છે. ફાયર ફાઈટરો દ્વારા અત્યારે આગ વધુ પ્રસરે નહીં તે માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, 20 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે પણ આગ લાગતા કાપડનો લાખો રૂપિયાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ…

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 12:51 pm

ડો.બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી:ભાજપ-કોંગ્રેસ સહિત વિવિધ સંગઠનો દ્વારા પદયાત્રા, પુષ્પાંજલી, સહિતના કાર્યક્રમો યોજાયા

આઝાદ ભારતના બંધારણ ના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકર ની 135મી જન્મજયંતિ નિમિતે વિવિધ રાજકીય પક્ષો અને સંગઠનો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેર ભાજપ દ્વારા કાર્યાલયથી જશોનાથ સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમાજ દ્વારા બાઈક રેલી, પ્રતિમાને પુષ્પાંજલી સાથે સંવિધાન પૂજા-શપથ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ, કૉંગ્રેસ તેમજ સમાજના હોદ્દેદારો તથા નાગરીકો બહોળી સંખ્યામાં જોડાયાં હતા. શહેર ભાજપ દ્વારા બાબાસાહેબની 135 મી જન્મજયંતિ નિમિત્તે શહેર ભાજપ કાર્યાલય થી જશોનાથ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ પ્રતિમાને પુષ્પાંજલી કરવામાં આવી હતી, આ પ્રસંગે શહેર પ્રમુખ કુમાર શાહ, કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા, કેબિનેટ મંત્રી ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, પૂર્વ ના ધારાસભ્ય સેજલબેન પંડ્યા તેમજ સંગઠનના હોદ્દેદારો, પૂર્વ કોર્પોરેટરો, આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, આઝાદ ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિતે શહેરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, શહેરના જશોનાથ ચોક ખાતે આવેલ બાબા સાહેબની પ્રતિમાને શહેર કૉંગ્રેસના SC સેલ વિભાગ દ્વારા પ્રતિમાને પુષ્પાંજલી તથા ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અંગે કોંગ્રેસ ના આગેવાન વિપુલ ખુમાણ એ જણાવ્યું હતું કે, ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઈ રહી છે આજે બાબાસાહેબ આંબેડકરને જન્મ જયંતિ નિમિત્તે કોટી કોટી વંદન અને નમન કરીએ છીએ. બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું યોગદાન આ દેશ માટે કાયમ યાદગાર અને ઐતિહાસિક રહ્યો છે ​બાબાસાહેબને અમુક તકવાદી લોકો આજે જન્મદિવસ નિમિત્તે માત્ર યાદ કરે છે, પરંતુ કોંગ્રેસ પક્ષની મહાન વિચારધારા બાબાસાહેબ આંબેડકરની મૂળ વિચારધારા સાથે કામ કરી રહી છે આજે તમે જોવો વર્તમાન સમયમાં તો ક્યાંક ને ક્યાંક છેવાડાના માનવીનો અવાજ દબાવવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક મૂળભૂત હક-અધિકારથી વંચિત રાખવામાં આવે છે, આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ, સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરો, આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 12:48 pm

ચારુસેટના ડો. ગાયત્રી દવેની આર્કટિક અભિયાન માટે પસંદગી:દેશના 7 વૈજ્ઞાનિકોમાં સ્થાન, 2026-27માં કરશે સંશોધન

ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (CHARUSAT) સંલગ્ન ફેકલ્ટી ઓફ સાયન્સીસના ડીન તથા પી. ડી. પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ એપ્લાઈડ સાયન્સીસ (PDPIAS) ના એસોસિયેટ પ્રોફેસર ડો. ગાયત્રી દવેની પ્રતિષ્ઠિત ભારતીય આર્કટિક અભિયાન 2026-2027 માટે પસંદગી કરવામાં આવી છે. તેમની રિસર્ચ પ્રપોઝલને બાયોલોજી થીમ હેઠળ ભારતના આર્કટિક રિસર્ચ સેન્ટર હિમાદ્રી ખાતે ફિલ્ડ એક્સેસ માટે મંજૂરી મળી છે. નેશનલ સેન્ટર ફોર પોલાર એન્ડ ઓશન રિસર્ચ (NCPOR) અંતર્ગત કાર્યરત આ રિસર્ચ સેન્ટર નોર્વેના એનવાય-એલેસન્ડ-સ્વાલબાર્ડ ખાતે આવેલું છે. 'હિમાદ્રી'નો અર્થ “બરફનું નિવાસસ્થાન” થાય છે અને તે ભારતનું પ્રથમ કાયમી આર્કટિક રિસર્ચ સેન્ટર છે, જે ઉત્તર ધ્રુવથી 1200 કિલોમીટરના અંતરે આવેલું છે. 1 જુલાઈ, 2008ના રોજ સ્થાપિત આ સેન્ટર વિશ્વના ઉત્તરીય ઇન્ટરનેશનલ રિસર્ચ સેન્ટરોમાંથી એક છે, જ્યાં ભારતીય વૈજ્ઞાનિકો હવામાન પરિવર્તન, પોલાર બાયોલોજી અને પર્યાવરણીય પ્રણાલીઓ પર મહત્વના સંશોધનો કરે છે. ડો. ગાયત્રી દવે આર્કટિક રિસર્ચ સેન્ટર જઈને ત્યાં રહેલી દુર્લભ પ્રજાતિનું જૈવિક સંશોધન કરશે. આ પ્રોજેક્ટ માટે સમગ્ર ભારતમાંથી માત્ર 7 વૈજ્ઞાનિકોની પસંદગી થઈ છે, જેમાં ડો. ગાયત્રી દવેનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું કે NCPOR દર વર્ષે રિસર્ચ પ્રપોઝલ મંગાવી સ્ક્રીનીંગ કરે છે, જેમાંથી પસંદ કરાયેલી પ્રપોઝલને રિસર્ચ પ્રેઝન્ટેશન માટે ગોવા આમંત્રિત કરવામાં આવે છે. ત્યારબાદ રીવ્યુ કમિટી મેરીટના આધારે રિસર્ચ પ્રપોઝલ પસંદ કરે છે. ડો. ગાયત્રી દવેનો પસંદ કરાયેલ રિસર્ચ પ્રોજેક્ટ ‘એસ્ટાબ્લીશમેન્ટ એન્ડ લોન્ગ-ટર્મ મોનીટરીંગ ઓફ આર્કટિક માઈક્રોબાયલ ઇકોસિસ્ટમ: એ વિનોગ્રેડસ્કી સિમ્યુલેશન ઓફ ધ માઈક્રોબાયલ કોમ્યુનીટી ડીરાઈવડ ફ્રોમ ક્રાયોકોનાઈટ, બ્રાઈન્સ અને શેલો સેડીમેન્ટસ’ વિષય પર આધારિત છે. આ અભ્યાસ આર્કટિકની અતિ કપરી પરિસ્થિતિઓમાં માઇક્રોબાયલ ગતિશીલતા સમજવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. વિનોગ્રેડસ્કી કોલમ એપ્રોચ દ્વારા માઇક્રોબાયલ કોમ્યુનીટીનું સિમ્યુલેશન અને લાંબા ગાળાનું મોનીટરીંગ કરવામાં આવશે, જે ઈકોસિસ્ટમના કાર્ય અને હવામાન પરિવર્તનના પ્રભાવ વિશે મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરશે. ડો. ગાયત્રી દવેને હિમાદ્રીમાં ફિલ્ડવર્ક માટે એક સમર બર્થ આપવામાં આવ્યો છે જેમાં ભારત સરકારના નિયમો મુજબ પ્રવાસ, નિવાસ તથા દૈનિક ભથ્થા સહીત સંપૂર્ણ આર્થિક સહાય ઉપલબ્ધ કરવામાં આવશે. ડો. ગાયત્રી દવેની આ પસંદગી તેઓને ભારત દેશના પસંદગીના વૈજ્ઞાનિકોના ગ્રુપમાં સ્થાન અપાવે છે, જેઓ પોલાર રિસર્ચ ફિલ્ડમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. ડો. ગાયત્રી દવે મે, 2026માં આર્કટિક રિસર્ચ સેન્ટર હિમાદ્રી ખાતે જશે, આર્કટિક રિસર્ચ સેન્ટરમાં 30 દિવસ રોકાશે અને જૂનમાં પરત આવશે.આ રિસર્ચ પ્રોજેક્ટ આર્કટિક માઇક્રોબિયલ ઇકોસિસ્ટમ અંગે, ખાસ કરીને ઝડપથી બદલાતા હવામાનની પરિસ્થિતિઓના સંદર્ભમાં મૂલ્યવાન માહિતી પ્રદાન કરશે.આ રિસર્ચ વૈશ્વિક બાયોજીઓકેમિકલ સાયકલની સમાજ વધારવામાં તેમજ પોલાર સ્ટડીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની વૈજ્ઞાનિક ઉપસ્થિતિને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ સાબિત થશે.ડો. ગાયત્રી દવેની આ સિદ્ધિ તેમની શૈક્ષણિક પ્રતિભા, સંશોધન પ્રતિબદ્ધતા અને વૈશ્વિક સ્તરે ભારતીય વૈજ્ઞાનિકોના વધતા પ્રભાવનું પ્રતિબિંબ છે તેમજ ઇન્ટરનેશનલ આર્કટિક સાયન્સ ઇનીશીયેટીવ તરફ ભારતીય સંશોધકોના વધતા જતા પ્રભાવને ઉજાગર કરે છે.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 12:21 pm

ઉમેદવારોને સેફ કરવા કોંગ્રેસનું 'ઓપરેશન અજ્ઞાત':નિલેશ કુંભાણી જેવો ઘા રોકવા 40 ઉમેદવાર નજરકેદ, 11 ગુપ્ત સેફ હાઉસમાં કિલ્લેબંધી કરી મોબાઈલ પણ લઈ લીધા

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે ચૂંટણી પ્રચારના શોરબકોર કરતાં વધુ ચર્ચા કોંગ્રેસની પડદા પાછળની રણનીતિની થઈ રહી છે. નિલેશ કુંભાણી પ્રકરણથી બોધપાઠ લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સુરત માટે એક અત્યંત ગુપ્ત અને આક્રમક પ્લાન અમલમાં મૂક્યો છે. જેને નામ આપવામાં આવ્યું છે મિશન અજ્ઞાત. આ મિશન અંતર્ગત પક્ષના 40 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. લોકસભા ચૂંટણી દરમિયાન સુરતમાં જે રીતે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોની સહીઓ અંગે વિવાદ થયો અને અંતે આખી બેઠક બિનહરીફ થઈ ગઈ હતી. તેનાથી કોંગ્રેસના પાયા હચમચી ગયા હતા. પક્ષના કાર્યકરો અને મતદારોમાં ભારે નિરાશા વ્યાપી હતી. આ ઘટનાએ કોંગ્રેસ હાઈકમાન્ડને વિચારવા મજબૂર કરી દીધું કે માત્ર લોકપ્રિયતા જ જીત માટે પૂરતી નથી, પરંતુ ઉમેદવારની સુરક્ષા અને તેની વફાદારી જાળવી રાખવી પણ એટલી જ અનિવાર્ય છે. કુંભાણી ફોબિયાએ કોંગ્રેસને આ વખતે રક્ષણાત્મક નહીં પણ અત્યંત સાવચેત રણનીતિ અપનાવવા મજબૂર કરી છે. 11 ફાર્મ હાઉસ, રિસોર્ટમાં ઉમેદવારોને 'સેફ' રખાયાસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શહેરથી અંદાજે 50થી 100 કિલોમીટરના અંતરે આવેલા ફાર્મ હાઉસ, રિસોર્ટ્સ અને ખાનગી બંગલાઓને સેફ હાઉસમાં ફેરવી દેવામાં આવ્યા છે. 11 અલગ-અલગ લોકેશન પર આ 40 ઉમેદવારોને વહેંચી દેવામાં આવ્યા છે. આ સ્થળોની પસંદગી એવી રીતે કરવામાં આવી છે કે જ્યાં સામાન્ય લોકો કે વિરોધી પક્ષના જાસૂસોની પહોંચ ન હોય.આ સેફ હાઉસની આસપાસ પણ પક્ષના અત્યંત વિશ્વાસુ કાર્યકરો દ્વારા ચોવીસ કલાક વોચ રાખવામાં આવી રહી છે. કોઈ પણ અજાણી વ્યક્તિ કે ગાડીને આ લોકેશનની આસપાસ ઊભા રહેવાની પણ પરવાનગી નથી. મોબાઈલ લઈ લીધા, ઈન્ટરનેટની સુવિધા નહીંકોંગ્રેસે તેના ઉમેદવારો માટે ડિજિટલ ડિજિટલ ડિટોક્સ ફરજિયાત બનાવ્યું છે દરેક ઉમેદવારના અંગત મોબાઈલ ફોન પક્ષ દ્વારા જમા કરી લેવામાં આવ્યા છે. ઉમેદવારોને તેમના પરિવારના સભ્યો સાથે પણ વાત કરવાની મનાઈ છે. જો કોઈ ઈમરજન્સી હોય, તો જ પક્ષના વરિષ્ઠ નેતા દ્વારા આપવામાં આવેલા સેટેલાઈટ ફોન કે ખાસ લાઈન પરથી ટૂંકી વાત કરી શકાય છે. સેફ હાઉસમાં વાઈ-ફાઈ કે ઈન્ટરનેટની સુવિધા પણ બંધ રાખવામાં આવી છે જેથી લોકેશન ટ્રેસ ન થઈ શકે. ઉમેદવારોની ગતિવિધિનો રિપોર્ટ નિરીક્ષકોને મળે છે આ મિશનની સૌથી ચોંકાવનારી વાત એ છે કે, પક્ષને માત્ર વિરોધીઓ પર જ નહીં, પણ પોતાના જ ઉમેદવારો પર શંકા હોવાનું જણાય છે. દરેક ઉમેદવાર સાથે બે શેડો કાર્યકરો તૈનાત કરવામાં આવ્યા છે. આ કાર્યકરોનું કામ ઉમેદવારની સેવા કરવાનું ઓછું અને તેમની પ્રત્યેક ગતિવિધિ પર નજર રાખવાનું વધુ છે. ઉમેદવાર કોને મળે છે, શું વાત કરે છે અને તેમનો મનોભાવ કેવો છે, તેનો રિપોર્ટ દર ત્રણ કલાકે શહેર કોંગ્રેસ પ્રમુખ અને પ્રદેશ નિરીક્ષકોને સોંપવામાં આવે છે. મિશન અજ્ઞાત માત્ર સેફ હાઉસ પૂરતું સીમિત નથી. સુરતમાં રહેતા આ ઉમેદવારોના પરિવારો અને તેમના ઘરો પર પણ પક્ષના આંતરિક આઈ.ટી. સેલ અને વોચર્સ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. ઉમેદવારના સોશિયલ મીડિયા હેન્ડલ્સ હાલમાં પક્ષની સ્પેશિયલ ટીમ ઓપરેટ કરી રહી છે. જેથી જનતામાં એવો સંદેશ જાય કે ઉમેદવાર હજુ પણ સક્રિય છે. સરકાર અને પોલીસ પર વિપુલ ઉધનવાલાના પ્રહારશહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનવાલાએ રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, સુરતમાં ઉમેદવારોને પોલીસ દ્વારા ફોન કરીને ડરાવવામાં આવી રહ્યા છે. પોલીસનું કામ ગુનેગારો, આતંકવાદીઓ અને ડ્રગ્સ માફિયાઓને પકડવાનું છે. પરંતુ હાલ પોલીસ સરકારના ઈશારે નાના સમાજસેવકો અને ઉમેદવારોને ધમકાવી લોકશાહીનું ગળું દબાવી રહી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, જે અધિકારીઓ ત્રણ વર્ષથી વધુ સમયથી એક જ સ્થાને ચીપકી રહ્યા છે અને ભાજપની ઓફિસથી કાર્યરત હોય તેમ વર્તી રહ્યા છે, તેમને ચૂંટણી પંચની વારંવારની ફરિયાદ છતાં સરકાર રક્ષણ આપી રહી છે. 'પોલીસ ડરનો માહોલ ઉભો કરી રહી છે'ઉધનવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી પંચની ઓફિસમાં સરકારી હથિયારો અને ગણવેશ વગરના પોલીસ કર્મીઓ ધમાલ મચાવી ડરનો માહોલ ઉભો કરી રહ્યા છે. ભાજપના નેતાઓ સાથે મળીને વિરોધ પક્ષને કચડવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. કારણ કે ભાજપને પોતાની હારનો ડર સતાવી રહ્યો છે. ઉમેદવારો અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, અમારા તમામ ઉમેદવારો અમારી સાથે જ છે, સુરક્ષિત છે અને જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે લોહીના અંતિમ ટીપા સુધી ભ્રષ્ટાચારી તંત્ર સામે લડત ચાલુ રહેશે અને સુરતની જનતા આ વખતે પરિવર્તન લાવવા મન બનાવી ચૂકી છે.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 12:12 pm

બોટાદમાં ડો. આંબેડકરની 135મી જન્મજયંતિ ઉજવાઈ:બાળકોને શિક્ષણ જાગૃતિ માટે ચોપડા, બોલપેનની ભેટ અપાઈ

બોટાદ શહેરના સૌગણ નગર વિસ્તારમાં ડો. ભીમરાવ આંબેડકરની 135મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આંબેડકર સાહેબના પૂતળાં પાસે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ દરમિયાન 400થી વધુ બાળકોને ભેટનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં ચોપડા, બોલપેન, આઇસ્ક્રીમ અને ચોકલેટ જેવી વસ્તુઓનો સમાવેશ થતો હતો. આ ભેટ વિતરણનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. આયોજકોનો હેતુ હતો કે દરેક વ્યક્તિ શિક્ષિત થાય અને ભવિષ્યમાં પોતાના પરિવારનો આધાર બને.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 11:58 am

સુરતની સરકારી સ્કૂલનો ક્રેઝ, ટોકન લેવા વાલીઓના ઉજાગરા:બે દિવસમાં 1500થી વધુ રજિસ્ટ્રેશન; 'ડ્રો પદ્ધતિ'થી 400 બાળકોને એડમિશન અપાશે

સામાન્ય રીતે વહેલી સવારે લાંબી લાઈનો કોઈ મોટા સેલ, ધાર્મિક સ્થળ કે પ્રાઈવેટ સ્કૂલના ફોર્મ માટે જોવા મળતી હોય છે, પરંતુ સુરતમાં દૃશ્યો કંઈક અલગ જ છે. શહેરના ઉત્રાણ વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં પોતાના સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓ રાત ઉજાગરા કરી રહ્યા છે. અહીં એડમિશન માટે વહેલી સવારે 5:00 વાગ્યાથી વાલીઓ લાઈન લગાવીને ઊભા રહી જાય છે, જે દર્શાવે છે કે હવે શિક્ષણનું સ્તર બદલાઈ રહ્યું છે. સવારના 5 વાગ્યાથી ટોકન મેળવવા વાલીઓની મથામણઉત્રાણ સ્થિત મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળાની બહાર અત્યારે મેળા જેવો માહોલ છે. વાલીઓ સવારે 5 વાગ્યાથી શાળાના ગેટ પર પહોંચી જાય છે. રસપ્રદ વાત એ છે કે, લાઈનમાં પોતાનો નંબર જળવાઈ રહે તે માટે વાલીઓએ બુટ અને ચપ્પલની લાઈન લગાવી દીધી છે. અડધા કિલોમીટર લાંબી આ લાઈન માત્ર એડમિશનનું ફોર્મ કે ટોકન મેળવવા માટે છે. વાલીઓનું કહેવું છે કે, જો મોડા પડીએ તો ટોકન મળતું નથી અને બાળક એક સારા શિક્ષણથી વંચિત રહી જાય તેવી બીક રહે છે. શિક્ષણ સાથે સંસ્કાર, પ્રિન્સિપાલ ચેતન હીરપરાનું શું કહેવું છે?નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળા ક્રમાંક 334ના પ્રધાનાચાર્ય ચેતન હીરપરા જણાવે છે કે, આ મહારાજા કેમ્પસમાં ત્રણ શાળાઓ કાર્યરત છે. અમે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ માત્ર માર્કશીટ નહીં પણ બાળકના જીવનના ગુણો ખીલે તેવા પ્રયાસો કરીએ છીએ. રમતગમતનું વિશાળ મેદાન, સંગીત અને ચેસ જેવી પ્રવૃત્તિઓમાં અમારા બાળકો મોખરે રહે છે. આ વર્ષે 1500 બાળકોએ ચેસમાં ભાગ લીધો હતો. આ સર્વાંગી વિકાસ જોઈને જ વાલીઓ વહેલી સવારથી લાઈન લગાવે છે. રજિસ્ટ્રેશનનો આંકડો 1500ને પાર, ડ્રો પદ્ધતિથી અપાશે પ્રવેશએડમિશન પ્રક્રિયાના માત્ર બે જ દિવસમાં રજિસ્ટ્રેશનનો આંકડો ચોંકાવનારો રહ્યો છે. પહેલા દિવસે 901 અને બીજા દિવસે અંદાજે 600થી 700 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયું છે. હજુ બે દિવસની પ્રક્રિયા બાકી છે. જોકે, શાળાની ક્ષમતા મુજબ આ વર્ષે માત્ર 400 જેટલા નવા બાળકોને જ પ્રવેશ આપી શકાય તેમ છે. વધુ પડતા ધસારાને કારણે શાળા પ્રશાસન દ્વારા નામ નોંધણી બાદ ડ્રો પદ્ધતિથી પારદર્શક રીતે એડમિશન આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પ્રાઈવેટની 18 હજાર ફી સામે સરકારીનું ઉત્તમ ભણતરલાઈનમાં ઉભેલા વાલી રવિ વસોયાએ જણાવ્યું હતું કે, મારે મારા બાળકનું ત્રીજા ધોરણમાં એડમિશન કરાવવું છે. અત્યારે અમે પ્રાઈવેટ સ્કૂલમાં 16થી 20 હજાર સુધીની ફી ભરીએ છીએ, પણ આ મહારાજા સ્કૂલ વિશે જે સાંભળ્યું છે તે પ્રાઈવેટ કરતા પણ શ્રેષ્ઠ છે. ગયા વર્ષે પણ અમે પ્રયત્ન કર્યો હતો પણ નંબર લાગ્યો નહોતો, એટલે આ વખતે વહેલી સવારથી લાઈનમાં ઊભા રહી ગયા છીએ જેથી બાળકને અહીં પ્રવેશ મળે અને તેનું ભવિષ્ય સુધરે. મધ્યમ વર્ગ માટે આશીર્વાદરૂપ: ઝાંવી પટેલઅન્ય એક વાલી જાનવી અમિતભાઈ પટેલે પોતાની સ્થિતિ વર્ણવતા કહ્યું કે, મારે એક બાળકને પહેલામાં અને બીજાને ત્રીજા ધોરણમાં એડમિશન અપાવવું છે. હાલમાં જે પ્રાઈવેટ સ્કૂલમાં બાળકો જાય છે, ત્યાં 18,000 રૂપિયા ફી છે, જે ભરવામાં આર્થિક રીતે તકલીફ પડી રહી છે. અમારા ઓળખીતાના બાળકો અહીં ભણે છે અને તેમનું પ્રોગ્રેસ જોઈને અમને ખાતરી થઈ છે કે આ શાળાના શિક્ષકો અને અહીંની પ્રવૃત્તિઓ ખરેખર પ્રશંસનીય છે. અમારું બાળક અહીં આગળ આવશે એવો અમને વિશ્વાસ છે. સુરતનું શિક્ષણ મોડેલ, અન્ય શહેરો માટે ઉદાહરણસુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં આવેલું આ પરિવર્તન સમગ્ર રાજ્ય માટે એક મોડેલ બની રહ્યું છે. હાઈટેક ક્લાસરૂમ, સ્માર્ટ બોર્ડ, અનુભવી શિક્ષકો અને ઈતર પ્રવૃત્તિઓના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓ હવે હિંમતભેર પ્રાઈવેટ સ્કૂલોને 'બાય-બાય' કહી રહ્યા છે. ઉતરાણની આ શાળાની લાઈન એ સાબિતી છે કે જો સરકારી સંસ્થાઓમાં દાનત અને સુવિધા હોય, તો જનતાનો વિશ્વાસ આપોઆપ જીતી શકાય છે.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 11:45 am

કાલુપુર રેલવે સ્ટેશનનો ક્લાર્ક રૂ.100ની લાંચ લેતા ઝડપાયો:ટિકિટ ઇસ્યૂ કરવા મુસાફર પાસેથી વધારાના પૈસા માગતો

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે અન્ય રાજ્યમાં જતા પેસેન્જર પાસે ટિકિટ કરનાર રેલવેના કર્મચારી દ્વારા ટિકિટના કાયદેસરના પૈસા સિવાય વધારાના 10થી લઈને 500 રૂપિયા સુધીની માંગણી કરી પેસેન્જરને ખોટી રીતે હેરાન કરતા હોવાની ફરિયાદ મળી હતી. આ ફરિયાદ મળતા જ ACB દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. ACBએ શિવકુમારની ધરપકડ કરીકાલુપુર રેલવે સ્ટેશન ખાતે ટિકિટ વિન્ડો ખાતે ફરજ બજાવતા શિવપ્રસાદ યાદવ પાસેથી એક ટિકિટ લેવામાં આવી હતી. જે ટિકિટ માટે ટિકિટ સિવાયના વધારાના 100 રૂપિયાની માંગણી કરી હતી. 100 રૂપિયા લેતા ACBએ શિવકુમાર યાદવને રંગે હાથ ઝડપી લીધો હતો. ACBએ શિવકુમાર સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 11:27 am

વિજાપુર-લાડોલ રોડ પર હિટ એન્ડ રન:અજાણ્યા વાહનની ટક્કરે શોભાસણના યુવકનું કરુણ મોત

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ચોગોદ-લાડોલ રોડ પર રવિવારે રાત્રિના સમયે હિટ એન્ડ રનની ઘટના બની હતી. અમદાવાદથી પોતાના વતન શોભાસણ જઈ રહેલા યુવકને કોઈ અજાણ્યા વાહનચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવી ટક્કર મારતા યુવકનું ગંભીર ઇજાઓના કારણે મોત નીપજ્યું છે. અમદાવાદથી ઘરે જતાં રસ્તામાં કાળ ભેંટ્યોમૂળ વડનગરના શોભાસણ ગામના વતની અને હાલ અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહી ખાનગી નોકરી કરતા અક્ષયભાઈ સંજયભાઈ પટેલ ગત 12 એપ્રિલના રોજ સાંજના સમયે પોતાના મિત્રનું TVS જ્યુપીટર (નંબર GJ-01-YA-6865) લઈને અમદાવાદથી વતન શોભાસણ જવા નીકળ્યા હતા. રાત્રિના પોણા નવેક વાગ્યાના અરસામાં જ્યારે તેઓ વિજાપુરથી શોભાસણ તરફ જઈ રહ્યા હતા, ત્યારે ચોગોદ અને લાડોલ વચ્ચે આવેલી સનરાઈઝ સ્કૂલ પાસે કોઈ અજાણ્યા વાહનચાલકે તેમના ટુ-વ્હીલરને જોરદાર ટક્કર મારી હતી. સારવારમાં ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યોઅકસ્માત એટલો ભયાનક હતો કે, અક્ષયભાઈને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ અમદાવાદ રહેતા તેમના મોટાભાઈ જૈમીનભાઈ તાત્કાલિક વિજાપુર સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતાં, જ્યાં ફરજ પરના તબીબોએ અક્ષયભાઈને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરીઆ મામલે મૃતકના મોટાભાઈ જૈમીનભાઈ પટેલે લાડોલ પોલીસ મથકે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 11:19 am

પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી: અનેક ઉમેદવારોના ફોર્મ રદ:AAP અને કોંગ્રેસને મોટો ફટકો, રાજકીય ગરમાવો વધ્યો

પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ફોર્મ ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ પ્રક્રિયા દરમિયાન પોરબંદર મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના અનેક ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી રાજકીય પક્ષોમાં હલચલ મચી ગઈ છે, ખાસ કરીને આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. પોરબંદર મહાનગરપાલિકામાં કુલ સાત ઉમેદવારોના ફોર્મ રદ થયા છે. આમાં સૌથી વધુ નુકસાન આમ આદમી પાર્ટી (AAP) ને થયું છે. વોર્ડ નંબર 3 માંથી ધર્મેશ લખુભાઈ મોરી અને ભાવેશભાઈ નારણભાઈ મકવાણા (બંને AAP) ના ફોર્મ રદ થયા છે. આ ઉપરાંત, વોર્ડ નંબર 7 માંથી જીવનભાઈ રણછોડભાઈ જુંગી, વસંતીબેન જિતેન્દ્ર જુંગી અને વર્ષાબેન રમેશભાઈ ગોહેલ (બધા AAP) ના ફોર્મ પણ રદ કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર 10 માંથી સોનલબેન નાથાભાઈ સોલંકી (AAP) અને વોર્ડ નંબર 11 માંથી બહુજન સમાજ પાર્ટીના હાજા લખમણ ઓડેદરાનું ફોર્મ પણ રદ થયું છે. જિલ્લા પંચાયતમાં ત્રણ બેઠકો પરથી ઉમેદવારોના ફોર્મ રદ થયા છે, જેમાં કોંગ્રેસ અને AAP ના મહત્વના ઉમેદવારોનો સમાવેશ થાય છે. બખરલા બેઠક પરથી મણીબેન માલદેભાઈ ચાવડા (કોંગ્રેસ), ચૌટા બેઠક પરથી કવિબેન કનાભાઈ નંદાણિયા (કોંગ્રેસ) અને મોઢવાડા બેઠક પરથી રામબેન ભીખુભાઈ પાંદવાદર (AAP) ના ફોર્મ રદ થયા છે. પોરબંદર તાલુકા પંચાયતની નાગકા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સુમરીબેન બેચર ચવાડાનું ફોર્મ રદ થતા કોંગ્રેસને અહીં પણ ફટકો પડ્યો છે. ફોર્મ રદ થવા પાછળ મુખ્યત્વે ટેકનિકલ ખામીઓ અને અધૂરી વિગતો કારણભૂત હોવાનું જાણવા મળ્યું છે. હવે આગામી દિવસોમાં ફોર્મ ખેંચવાની પ્રક્રિયા બાદ ચૂંટણીનું આખરી ચિત્ર વધુ સ્પષ્ટ થશે.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 11:12 am

SRP જવાન સચિવાલયના ગેટ નં-3 પાસે ઝાડ પર લટકી ગયો:આપઘાતનું કારણ અકબંધ, ડેડબોડીને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ ખસેડાઈ

પાટનગર ગાંધીનગરમાં સૌથી સુરક્ષિત ગણાતા સચિવાલય સંકુલમાં આજે એક અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. સચિવાલયના ગેટ નંબર-3 પાસે ફરજ પર તૈનાત સ્ટેટ રિઝર્વ પોલીસના એક જવાન રાજેન્દ્રસિંહ ગોહિલે અગમ્ય કારણોસર ઝાડ સાથે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પોલીસ બેડામાં અને સચિવાલયમાં ભારે ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ, રાજેન્દ્રસિંહ ગોહિલ સચિવાલયની સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત હતા. આજે ફરજ દરમિયાન જ તેઓએ ગેટ નંબર-3ની નજીક આવેલા એક ઝાડનો સહારો લઈ મોતને વહાલું કર્યું હતું. આ બનાવની જાણ આસપાસના કર્મચારીઓ અને અન્ય સુરક્ષાકર્મીઓને થતા જ સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ચાલુ ફરજે અને જાહેરમાં આ રીતે જવાને આપઘાત કરી લેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. આ અંગે જાણ થતા જ સેક્ટર-7 પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક જવાનના દેહને ઝાડ પરથી નીચે ઉતારી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળનું પંચનામું કર્યા બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે. જવાનના આ પગલાં પાછળ કોઈ કૌટુંબિક પ્રશ્ન છે કે માનસિક તણાવ તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.સચિવાલય જેવા અત્યંત વ્યસ્ત અને સુરક્ષિત વિસ્તારમાં બનેલી આ ઘટનાએ પોલીસ તંત્રની માનસિક સ્વાસ્થ્ય સ્થિતિ અને કામના ભારણ પર પણ પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કર્યા છે.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 11:08 am

નવસારીમાં 'ઓપરેશન લોટસ'થી રાજકારણ ગરમાયું:ભાજપનો 52 બેઠકો પર બિનહરીફ જીતનો દાવો, કોંગ્રેસના ધમકીના આક્ષેપ

નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ભાજપે 'ઓપરેશન લોટસ' હેઠળ 52 બેઠકો પર બિનહરીફ જીતનો દાવો કર્યો છે, જ્યારે કોંગ્રેસે ઉમેદવારોને ડરાવી-ધમકાવીને ફોર્મ ખેંચાવવાના ગંભીર આક્ષેપો કર્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે અત્યાર સુધીમાં જિલ્લાની વિવિધ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં કુલ 52 ઉમેદવારોના ફોર્મ રદ થતા અથવા ખેંચાતા ભાજપનો વિજય થયો છે. ગઈકાલે ગણદેવી નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકો પૈકી 21 બેઠકો બિનહરીફ થઈ હતી. આ ઉપરાંત ચીખલી જિલ્લા પંચાયતની 2 અને તાલુકા પંચાયતની 5 બેઠકો પર પણ ભાજપે કબજો જમાવ્યો છે. ભાજપનો લક્ષ્યાંક હવે ગણદેવીની બાકી રહેલી 3 બેઠકો પણ બિનહરીફ કરી આખી નગરપાલિકા બિનહરીફ કરવાનો છે, જેના માટે આજે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી ભારે રસાકસી જોવા મળી રહી છે. બીજી તરફ, કોંગ્રેસે ભાજપ પર વહીવટી તંત્રનો દુરુપયોગ કરવા અને ઉમેદવારોને ધાકધમકી આપી ફોર્મ ખેંચાવવા માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે. 'કોંગ્રેસને પોતાના જ ઉમેદવારો પર ભરોસો નથી' નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ કહે છે કે અમને પણ સમાચાર મળે છે કે કોંગ્રેસે પોતાના ઉમેદવારોને ક્યાંક આઈસોલેટ કરી દીધા છે, બધા ઉમેદવારોને બીજી કોઈ જગ્યા પર શિફ્ટ કરી દીધા છે. જો કોંગ્રેસને ખરેખર એના કાર્યકર્તાઓ પર, એના ઉમેદવારો પર ભરોસો હોય તો એને આ બધું કરવાની કોઈ જરૂર રહેતી નથી. પણ કાં તો કોંગ્રેસના આગેવાનોને ભરોસો નથી અથવા તો કોંગ્રેસને જ પોતાના કાર્યકર્તાઓ કે ઉમેદવારો પર ભરોસો નથી, જેને લઈને એમને આઈસોલેટ કરી દીધા છે. કોંગ્રેસનો આક્ષેપ: 'વિકાસની વાતો કરનારા નાના માણસોને ડરાવે છે' નવસારી શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક બારોટ જણાવે છે કે અમારા કોઈ ઉમેદવારોને અમારે સંતાડવા પડે એવું છે નહીં અને ભારતીય જનતા પાર્ટી જો નરેન્દ્ર મોદીની વિશ્વગુરુની પાર્ટી હોય, તો નાના માણસોને ઘેર જઈને દબડાવી-ધમકાવીને લાલચો આપી અને આ રીતનો જે ધંધો કરે છે એ લોકોએ નહીં કરવો જોઈએ.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 11:07 am

પાટણમાં ડો. આંબેડકરની 135મી જન્મજયંતીની ઉજવણી:ભાજપ, કોંગ્રેસ સહિત સંગઠનોએ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

પાટણ શહેર અને જિલ્લામાં બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બગવાડા દરવાજા પાસે સ્થાપિત બાબાસાહેબની પ્રતિમાને ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી (AAP) અને ભારત વિકાસ પરિષદ સહિતના વિવિધ અનુસૂચિત જાતિ સંગઠનો તથા પક્ષોના હોદ્દેદારોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ સમયે જબ તક સુરજ ચાંદ રહેગા, બાબા તેરા નામ રહેગા જેવા નારા ગુંજી ઉઠ્યા હતા. શહેર ભાજપ દ્વારા ડો. ભીમરાવ આંબેડકરના જન્મદિવસ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા પ્રમુખ રમેશ સિંધવ, શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, પૂર્વ પાલિકા પ્રમુખ હીરલબેન પરમાર, મનોજ પટેલ, ગૌરવ મોદી, દિલીપ પટેલ સહિત ચૂંટણી લડત ઉમેદવારો અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ 14મી એપ્રિલે ડો. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે બગવાડા દરવાજા પાસેની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, જિલ્લા પ્રમુખ ઘેમર દેસાઈ, શહેર પ્રમુખ દીપક પટેલ સહિત ચૂંટણી લડત ઉમેદવારો અને કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા. આ ઉપરાંત, ભારત વિકાસ પરિષદ અને તેની સિદ્ધહેમ શાખાના સભ્યો દ્વારા પણ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 11:01 am

સુરેન્દ્રનગરમાં SP વેદિકા બિહાનીની અધ્યક્ષતામાં ફૂટ પેટ્રોલિંગ:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કાયદો વ્યવસ્થા જાળવવા કવાયત

સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. ઇન્ચાર્જ SP વેદિકા બિહાનીની અધ્યક્ષતામાં A ડિવિઝન પોસ્ટેથી ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કવાયતનો મુખ્ય હેતુ શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવાનો છે. સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની ખાતરી કરવાનો છે. ફૂટ પેટ્રોલિંગ ઉપરાંત, પોલીસે ટ્રાફિક વ્યવસ્થાપનની કામગીરી પણ સઘન બનાવી છે. આ તમામ પગલાંઓ દ્વારા ચૂંટણી પ્રક્રિયા સુચારુરૂપે અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે. આ પેટ્રોલિંગમાં પોલીસ ઈન્સ્પેક્ટર (PI), પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) અને પોલીસ કોન્સ્ટેબલોની સંયુક્ત ટીમ જોડાઈ હતી. ટીમે શહેરના મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં પરિભ્રમણ કર્યું હતું. આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાનો છે. આનાથી અસામાજિક તત્વોમાં પોલીસનો ડર પેદા થાય અને સામાન્ય જનતામાં સુરક્ષાનો ભાવ જાગે તે પણ સુનિશ્ચિત કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 10:54 am

ગુજરાતનું સચિવાલય બન્યું સ્ટુડિયો! જનતાના દરબારમાં ગેરહાજર મંત્રીઓ સોશિયલ મીડિયા પર ‘હાજર’, રીલ્સ બનાવવાની હોડ

Gujarat Ministers Social Media Followers: ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીઓ ગ્રાઉન્ડ ઝીરોમાં કામ કરવામાં સક્ષમ નથી. આ કારણોસર પ્રજાના દરબારમાં ગેરહાજર મંત્રીઓ ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ હાજર દેખાઈ રહ્યા છે. લોકો વચ્ચે જવું અઘરું બન્યું છે પરિણામે મંત્રીઓને જાણે સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવાનું ઘેલું લાગ્યું છે. એટલું જ નહીં, ફોટા, નિવેદન, રીલ્સ બનાવી મંત્રીઓ જાણે ઇન્ફ્લુએન્સર બન્યા હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. સોશિયલ મીડિયામાં 'રૂપાળું ગુજરાત'

ગુજરાત સમાચાર 14 Apr 2026 10:46 am

સોસાયટી સમરાંગણ બની, LIVE દૃશ્યો:મહિલાઓ અને યુવકો વચ્ચે કપડાં ફાડી મારામારી; સરથાણામાં ઓનલાઇન બિઝનેસના મુદ્દે મહાસંગ્રામ

સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં આવેલી સંત દેવીદાસ સોસાયટી યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગઈ હતી. સોસાયટીમાં ભાડે રહેતા અને ઓનલાઇન વેપાર કરતા યુવકો તેમજ સ્થાનિક મહિલાઓ વચ્ચે નજીવી બાબતે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ધીંગાણામાં બંને પક્ષે કપડાં ફાડી નાખવા સુધીની હદ વટાવવામાં આવી હતી, જેના લાઈવ વીડિયો સામે આવ્યા છે. રહેણાંક વિસ્તારમાં વ્યવસાયિક પ્રવૃત્તિનો વિવાદમળતી માહિતી મુજબ, સંત દેવીદાસ સોસાયટીમાં કેટલાક યુવકો ભાડે મકાન રાખીને ઓનલાઇન વેપાર ચલાવે છે. સ્થાનિક રહીશોનો આરોપ છે કે આ વેપારના બહાને સોસાયટીમાં અજાણ્યા અને લુખ્ખા તત્વોની અવરજવર વધી ગઈ છે, જે સોસાયટીની શાંતિ ડહોળી રહ્યા છે. ગઈકાલે (13 એપ્રિલ) જ્યારે ઓનલાઇન માલની ડિલિવરી લેવા માટે કેટલાક શખ્સો આવ્યા ત્યારે મહિલાઓએ તેમને અટકાવ્યા હતા, જે વિવાદનું મુખ્ય કારણ બન્યું હતું. મહિલાઓ અને યુવકો સામસામે, ફિલ્મી દૃશ્યો સર્જાયાડિલિવરી બોયને રોકવા જતાં મામલો એટલો બિચક્યો કે વેપાર કરતા યુવકો અને સોસાયટીની મહિલાઓ વચ્ચે સામસામે ફિઝિકલ ફાઈટ શરૂ થઈ ગઈ હતી. આરોપ છે કે ઉશ્કેરાયેલા યુવકોએ મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરી તેમના કપડાં ફાડી નાખ્યા હતા. જેના વળતા જવાબમાં મહિલાઓએ પણ મેદાન સંભાળ્યું હતું અને યુવકોને મેથીપાક ચખાડી તેમના પણ કપડાં ફાડી નાખ્યા હતા. આ સમગ્ર હંગામો મોબાઈલ કેમેરામાં કેદ થયો હતો. મોડીરાત સુધી પોલીસ સ્ટેશનમાં હાઈવોલ્ટેજ ડ્રામા ચાલ્યોઘટનાની ગંભીરતા જોતા સરથાણા પોલીસનો કાફલો તાત્કાલિક સોસાયટીમાં દોડી આવ્યો હતો. શરૂઆતમાં પોલીસે સ્થાનિક સ્તરે જ મામલો થાળે પાડવા સમજાવટ કરી હતી, પરંતુ માહોલ વધુ ગરમાતા બંને પક્ષના લોકોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. સામસામે ફરિયાદ નોંધવાની તજવીજસરથાણા પોલીસે બંને પક્ષોની રજૂઆતો નોંધી છે. એક તરફ મહિલાઓની મર્યાદા ભંગ અને મારામારીનો મુદ્દો છે, તો બીજી તરફ યુવકોએ પણ વળતો આક્ષેપ કર્યો છે. હાલ પોલીસ સીસીટીવી અને વીડિયોના આધારે તપાસ કરી રહી છે અને બંને પક્ષે ક્રોસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 10:39 am

ઉમરગામ મામલતદારે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો:જાહેર મંચો પરથી લોકોને આપઘાત ન કરવા માર્ગદર્શન આપતા હતા; ચૂંટણીની કામગીરીમાં રાત-દિવસ વ્યસ્ત હતા

વલસાડ જિલ્લાના ઉમરગામના મામલતદાર દલપતભાઈ છોટુભાઈએ ગત રાત્રિના સુમારે ઉમરગામ રેલવે સ્ટેશન પર પુરપાટ ઝડપે આવતી ટ્રેન સામે ઝંપલાવીને પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. આ હૃદયદ્રાવક ઘટના રાત્રે 23:40 કલાકની આસપાસ બની હતી. નોંધનીય છે કે, મૃતક અધિકારી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જટિલ કામગીરીમાં રાત-દિવસ વ્યસ્ત હતા. અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવી રેલવે સ્ટેશનના ઉત્તર છેડે, સુતર તરફ પ્રયાણ કરતી ટ્રેન સામે તેમણે અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવી હતી. રેલવે કિલોમીટર નંબર 144 ના પોલ નંબર 14 અને 16 ની મધ્યમાંથી દલપતભાઈનો ક્ષત-વિક્ષત મૃતદેહ GRP (સરકારી રેલવે પોલીસ) ની ટીમને મળી આવ્યો હતો. ટ્રેનની ભયાનક અડફેટે આવતા અધિકારીના દેહના ટુકડા થઈ ગયા હતા. નિવેદનો નોંધવાની તજવીજ હાથ ધરાઇઆત્મહત્યા જેવા અંતિમ પગલાં પાછળનું ચોક્કસ અને સત્તાવાર કારણ હજુ પણ અકબંધ છે. GRP ની ટીમે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવ્યો હતો અને પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. હાલ પોલીસ દ્વારા પરિવારના સભ્યોના નિવેદનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેથી આ આપઘાત પાછળના રહસ્ય પરથી પડદો ઊંચકાઈ શકે. લોકોને હતાશામાં આપઘાત ન કરવા જાગૃત કરતા હતાવિડંબના તો એ છે કે, દલપતભાઈ અગાઉ અનેક જાહેર મંચો પરથી લોકોને હતાશામાં આપઘાત ન કરવા અને હિંમતથી જીવન જીવવા માટે જાગૃત કરતા હતા. જેઓ અન્યને માર્ગદર્શન આપતા હતા, તેમણે જ આ પ્રકારે આત્મઘાતી પગલું ભરતા સમગ્ર પંથકમાં આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે અને વહીવટી આલમમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 10:36 am

ભાજપે સુરેન્દ્રનગરમાં મધ્યસ્થ કાર્યાલય ખોલ્યું:મહાનગરપાલિકા ચૂંટણી માટે પ્રચારનો પ્રારંભ કર્યો

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર માટે ભાજપે મધ્યસ્થ કાર્યાલય ખોલ્યું છે. શહેરના વોર્ડ નંબર 3 માં આવેલા આ કાર્યાલયનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, શહેર ભાજપ પ્રમુખ દેવાંગ રાવલ અને સામાજિક કાર્યકરો દ્વારા રિબિન કાપીને કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નંબર 3 ના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન સાથે જ ચૂંટણી પ્રચારનો પ્રારંભ થયો હતો, જેમાં કાર્યકરો અને મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ જનસભાને સંબોધન કર્યું હતું. તેમણે વિકાસના કામો વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 10:26 am

મુંબઈ-અમદાવાદ NH પર કાર સાથેના અકસ્માતમાં બાઇક ચાલકનું મોત:આક્રોશમાં આવી લોકોએ ચક્કાજામ કર્યો, 2 કલાક સુધી હાઈવે પર મૃતદેહ પડ્યો રહ્યો

મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે 48 સુંદરપુરા પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળ પર મોત થયું છે. બાઈક પર બેઠેલા એક મહિલા અને એક બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતને પગલે સ્થાનિક લોકોએ હાઇવે ઉપર ચક્કાજામ કર્યા હતા. જેથી કપુરાઇ પોલીસ ઘટના પર દોડી આવી હતી. લોકોમા ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે એક કલાક સુધી ચક્કા જામ કરી દીધો હતો. માત્ર એટલું જ નહીં, 2 કલાક સુધી મૃતદેહ હાઈવે પર પડયો રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 10:26 am

ભાવનગર નંદાલય હવેલીમાં મહાપ્રભુજીનો પ્રાગટ્યોત્સવ ઉજવાયો:આનંદબાવાના માર્ગદર્શન હેઠળ ધાર્મિક કાર્યક્રમો, છબિલાજી પ્રભુના મનોરથનું આયોજન

ભાવનગરના સરદારનગર સ્થિત નંદાલય હવેલીમાં 13 એપ્રિલ 2026ના રોજ વલ્લભાચાર્યજી શ્રીમહાપ્રભુજીનો પ્રાગટ્યોત્સવ ઉજવાયો. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્સવ સંકલ્પ ભાવનગર વૈષ્ણવ સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમ નવનીતલાલજી મહારાજની આજ્ઞા અનેઆનંદબાવાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. 12 એપ્રિલ, રવિવારે સાંજે 5:30 થી 7:30 દરમિયાન નંદાલય કીર્તન ક્લાસ દ્વારા ધોળ પદ કીર્તન આધારિત અંતાક્ષરી યોજાઈ હતી. પુષ્ટિ કિડ્સ બાળ પાઠશાળાના બાળકોએ મહાપ્રભુજીના સ્વરૂપ પર વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ પૂજ્ય શાલિનીબેટીજી અને સખી મંડળ દ્વારા રાસની રમઝટ બોલાવવામાં આવી હતી. રવિવારના કાર્યક્રમના અંતે છબીલાજી પ્રભુના વિવાહ ખેલ મનોરથના દર્શન યોજાયા હતા. 13 એપ્રિલ, સોમવારે સવારે 6:15 વાગ્યે વલ્લભકુલ આચાર્યોના પાવન સાનિધ્યમાં ડંકા નિશાન અને કીર્તન મંડળી સાથે પ્રભાતફેરી નીકળી હતી. આ પ્રભાતફેરી નંદાલય હવેલીની પ્રદક્ષિણા કરીને પરત ફરી હતી. ત્યારબાદ હવેલી પર પૂજ્ય આચાર્યચરણના સાનિધ્યમાં સમૂહપાઠ ગાન અને મંગલા આરતીના દર્શન થયા હતા. સવારે 11 વાગ્યે ફૂલ મંડળી તથા છબીલાજી પ્રભુના તેમજ પાદુકાજીના તિલકના દર્શન યોજાયા હતા. સાંજે 5 થી 8 દરમિયાન આનંદબાવાના આશીર્વચન, વલ્લભ સાખી નું સમૂહ ગાન અને પાઠશાળાના બાળકોને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પૂજ્ય વલ્લભકુલ આચાર્યના પાવન સાનિધ્યમાં ડંકા નિશાન કીર્તન મંડળી સાથે મહાપ્રભુજીના સ્વરૂપને પધરાવી શોભાયાત્રા નીકળી હતી. આ પછી વધાઈ કીર્તન, નંદ મહોત્સવ અને શ્રી છબીલાજી પ્રભુના ઉસીર મહલ મનોરથના દર્શન સાથે સમગ્ર આયોજન સંપન્ન થયું.આ સમગ્ર આયોજનમાં નંદાલય હવેલી ઉત્સવ સંકલ્પ સમિતિના રમેશભાઈ મહેતા, વિજયભાઈ જગડ અને સર્વે વૈષ્ણવોએ જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 10:22 am

ચૂંટણીમાં રાજસ્થાનથી લવાયેલો 4 લાખનો દારૂ ઝડપાયો:નરોડામાં PCB ટીમે ફિલ્મી ઢબે દારૂ ભરેલી ગાડીનો પીછો કરી ઝડપી, કારનો કાચ તોડી ડ્રાઇવરને બહાર કાઢ્યો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પોલીસ નજર રાખી રહી છે. શહેર પોલીસ કમિશનરની પીસીબી સ્ક્વોડની ટીમે નરોડામાંથી ગઇકાલે(13 એપ્રિલ) મોડી રાત્રે ફિલ્મી ઢબે દારૂ ભરેલી ગાડીને ઝડપી પાડી હતી. રાજસ્થાનથી દારૂ ભરીને નરોડા લવાઈ રહ્યો હતો ત્યારે પીસીબીની ટીમે ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાર ચાલકે ગાડી ભગાવી હતી. પોલીસે ગાડીનો પીછો કરી કોર્ડન કરી કારમાં બેઠેલા શખસોને નીચે ઉતરવાનું કહેતા તેને કાચ ખોલ્યો નહીં અને ફરીથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસે કારનો કાચ તોડીને જોતા આખી ગાડી દારૂ ભરેલી મળી આવી હતી. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. નરોડા જીઇબીએ પોલીસે વોચ ગોઠવી હતીચૂંટણીમાં ખાસ કરીને દારૂની હેરાફેરી વધુ થતી હોવાના પગલે શહેર પોલીસ કમિશનરની પીસીબી સ્ક્વોડની ટીમ સક્રિય હતી. તે દરમિયાનમાં બાતમી મળી હતી કે રાજસ્થાનથી એક ક્રેટા ગાડીમાં દારૂનો જથ્થો આવવાનો છે જેના આધારે પીસીબીના મહાવીર સિંહ, દેવેન્દ્રસિંહ સહિતના પોલીસ કર્મચારીઓ મોડી રાત્રે નરોડા જીઇબી પાસે વોચમાં ગોઠવાઈ ગયા હતા. પોલીસને જોઈ ગાડી ભગાવી મૂકીબાતમીવાળી કાર નજીક આવતા પોલીસે તાત્કાલિક તેને રોકવા જરૂરી આડાશો કરી, પરંતુ કાર ચાલકે ગાડી રોકી નહી અને લોકોના જીવ જોખમમાં મૂકે એ રીતે ગાડી ભગાવી હતી. પોલીસે ખાનગી વાહનોમાં પીછો કરી સધી માતા મંદિર નજીક ચારે તરફથી કોડન કરી કાર ઉભી રખાવી હતી. પોલીસે ગાડીનો કાચ તોડી ડ્રાઇવરને પકડ્યોકારમાં બે શખસ બેઠા હતા, પોલીસે ચાલકને બહાર નીકળવાનું કહ્યું અને કાચ ઉતારવા કહ્યું, પરંતુ કાર ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેથી પોલીસે ડ્રાઇવર તરફનો કારનો કાચ તોડી નાખ્યો હતો અને તેને રોકી લીધો હતો. કારનો કાચ તોડતા ડ્રાઇવરને કાચ વાગતા ઇજા થઈ હતી. પોલીસે કારમાં જોતા આખી ગાડી વિદેશી દારૂના બોક્સ ભરેલી મળી આવી હતી. બંને આરોપીની પૂછપરછ કરતા તેમનું નામ કમલેશ રોત અને ગોવિંદરામ કટારા (રહે. રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. પોલીસને ગાડીમાંથી 1785 દારૂની બોટલો મળી આવી હતી. નરોડામાં ગાડીની ડિલીવરી આપવાની હતીબંને આરોપીઓએ જણાવ્યું હતું કે વિદેશી દારૂનો જથ્થો મૂળ રાજસ્થાનના ડુંગરપુર ખાતે રહેતા નિલેશ કલાલ નામના વ્યક્તિએ ભરીને આપ્યો હતો. અમદાવાદના નરોડા ખાતે શેલ્બી હોસ્પિટલ પાસે આ દારૂ ભરેલી ગાડી લઈને આવવાની હતી અને ત્યાંથી આ ગાડી પૃથ્વી નામનો વ્યક્તિ લઈ જવાનો હતો. ડ્રાઇવર કમલેશને એક ફેરાના 3000 અને તેની સાથેના વ્યક્તિને 1000 રૂપિયા આપતો હતો. પોલીસે આરોપીઓની ધરપકડ કરી દારૂ લેવા આવનાર પૃથ્વી નામના વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે પણ દારૂનો જથ્થો ઝડપ્યોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ નરોડા વિસ્તારમાંથી જ નરોડા પાટિયા પાસે અનુરાધા મેડિકલની બાજુમાં મકાનમાં દરોડો પાડીને વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસને અલગ અલગ 359 જેટલી દારૂની બોટલો અને બિયર પ્લાસ્ટિકના મોટા થેલામાં મળી આવી હતી. પોલીસે કુલ 58,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વિદેશી દારૂ વેચનાર મહિલા રેણુકા પરમાર વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 9:31 am

ટિકિટ મહિલાને, હાજરી પતિની!:વેરાવળ ભાજપના ઉમેદવાર પરિચય કાર્યક્રમમાં એકપણ મહિલા હાજર નહીં; સાંસદ-ધારાસભ્યની ટકોર: “બહેનોને ઘરની બહાર કાઢજો”

ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, ત્યારે વેરાવળના કાજલી માર્કેટયાર્ડ ખાતે યોજાયેલો ભાજપનો “વિજય વિશ્વાસ” કાર્યક્રમ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણની મોટી-મોટી વાતો વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી હતી. પક્ષે ટિકિટ તો મહિલાઓને આપી છે, પરંતુ કાર્યક્રમમાં તેમની ખુરશીઓ પર તેમના પતિઓ અને પ્રતિનિધિઓ બિરાજમાન જોવા મળ્યા હતા. મહિલા ઉમેદવારોની સૂચક ગેરહાજરી ભાજપ દ્વારા જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોનો પરિચય કરાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નવાઈની વાત એ હતી કે, જાહેર કરાયેલા મહિલા ઉમેદવારોમાંથી એકપણ મહિલા કાર્યક્રમમાં હાજર નહોતી. મંચ પરથી જ્યારે નારીશક્તિના ગુણગાન ગાવામાં આવી રહ્યા હતા ત્યારે, સામેની હરોળમાં મહિલા ઉમેદવારોના સ્થાને તેમના પતિઓ હાજરી આપી રહ્યા હતા. આ દૃશ્યે સાબિત કર્યું કે, આજે પણ ગ્રાઉન્ડ લેવલ પર 'સરપંચ પતિ' કે 'સભ્ય પતિ' જેવી પ્રથાઓ યથાવત્ છે. સાંસદ-ધારાસભ્યની ટકોર: “બહેનોને ઘરની બહાર કાઢજો” આ ગંભીર વિસંગતતાને જોઈને મંચ પર હાજર નેતાઓ પણ પોતાની જાતને રોકી શક્યા નહોતા. ધારાસભ્ય ભગવાન બારડ અને સાંસદ રાજેશ ચુડાસમાએ જાહેરમાં કાર્યકરો અને ઉમેદવારોના પતિઓને ટકોર કરી હતી. ભગવાન બારડે કહ્યું. ચૂંટણીમાં ઉમેદવારને એક-એક ગામ બતાવજો અને ખાસ બહેનોને સાથે લઈ જજો. 2029માં 33 ટકા અનામત આવી રહી છે, જો તેમને ધારાસભ્ય કે સાંસદ બનાવવા હોય તો અત્યારથી જ ઘરની બહાર કાઢજો. રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આજે મહિલા ઉમેદવારો હાજર નથી, જેમના ઘરવાળા આવ્યા છે તેમને વિનંતી છે કે, હવે બહેનોને સાથે લાવજો. આ ભાજપ છે, અહીં ક્યારે કોણ ધારાસભ્ય બની જાય તે નક્કી નથી હોતું. નેતાઓની આ ટકોર સમયે સભામાં હાસ્યની છોળો ઉડી હતી, પરંતુ તેની પાછળ એક કડવી સચ્ચાઈ છુપાયેલી હતી કે મહિલાઓ હજુ પણ સક્રિય રાજકારણથી દૂર છે. આંકડામાં સશક્તિકરણ, પણ વાસ્તવમાં શું? ગીર સોમનાથ જિલ્લામાં કુલ 284 બેઠકોમાંથી આશરે 140 બેઠક પર મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. ખાસ કરીને કોડીનાર, ઉના અને તાલાલામાં 50 ટકાથી વધુ પ્રતિનિધિત્વ મહિલાઓને અપાયું છે. પરંતુ વેરાવળની આ ઘટનાએ પ્રશ્ન ઊભો કર્યો છે કે: વેરાવળનો આ કિસ્સો રાજકીય વિશ્લેષકો માટે અભ્યાસનો વિષય બન્યો છે. મહિલાઓને માત્ર ટિકિટ આપી દેવાથી સશક્તિકરણ નથી થતું, પરંતુ તેમને જાહેર જીવનમાં આવવા માટે પ્રોત્સાહન અને તાલીમ આપવી પણ એટલી જ જરૂરી છે. આગામી ચૂંટણીમાં આ મહિલા ઉમેદવારો માત્ર 'કિંગમેકર' બનશે કે ખરેખર જનપ્રતિનિધિ તરીકે ઉભરી આવશે, તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 9:28 am

20 એપ્રિલ સુધી અમદાવાદીઓએ સાવધ રહેજો!:આજથી કાળઝાળ ગરમી, કોર્પોરેશનનો 'હીટ એક્શન પ્લાન' તૈયાર; વાંચો કયા વિસ્તારમાં સૌથી વધુ ગરમી પડશે

હવામાન વિભાગ દ્વારા 14થી 20 એપ્રિલ સુધી શહેરમાં આકરી ગરમીની આગાહી કરવામાં આવી છે. આગામી સાત દિવસ તાપમાનમાં સતત વધારો થશે. ખાસ કરીને આગામી ત્રણ દિવસમાં શહેરના લાંભા, ચાંદખેડા, નરોડા અને રામોલ નજીક આવેલા વાંચ ગામમાં તાપમાન 41 ડિગ્રીથી વધુ રહેવાની શક્યતા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જે તે વિસ્તારના મહત્તમ તાપમાનના આધારે 'હોટસ્પોટ' નક્કી કરવામાં આવ્યા છે, જેની માહિતી નાગરિકો વેબસાઇટ લિંક અને QR કોડ મારફતે મેળવી શકશે. આ ડેટા દર ત્રણ દિવસે અપડેટ કરવામાં આવશે. AMCનો હીટ પ્લાન: ORS અને પીવાના પાણીની સુવિધાહવામાન વિભાગના અનુમાન મુજબ, 20 એપ્રિલની સવાર સુધી શહેરમાં મહત્તમ તાપમાન 40થી 41 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 23થી 25 ડિગ્રી વચ્ચે રહેશે. વધતી ગરમીને પહોંચી વળવા AMC દ્વારા હીટ એક્શન પ્લાન અમલી બનાવાયો છે. હોટસ્પોટ વિસ્તારોની શાળાઓ, આંગણવાડીઓ, કન્સ્ટ્રક્શન સાઇટ્સ, ઉદ્યોગો અને કડિયાનાકા પર ORS તથા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. સેવાભાવી સંસ્થાઓના સહયોગથી શહેરમાં 1300થી વધુ પાણીની પરબ શરૂ કરવામાં આવી છે, જેમાંથી 200 જેટલી પરબ વધુ ટ્રાફિક ધરાવતા વિસ્તારોમાં છે. તમામ હેલ્થ સેન્ટરો અને હોસ્પિટલોમાં પણ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. હોસ્પિટલોમાં સ્પેશિયલ બેડ અને શાળાઓના સમયમાં ફેરફારAMC સંચાલિત હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં હીટ-સ્ટ્રોકના દર્દીઓ માટે અલગ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. બાળકોને ગરમીથી બચાવવા મોટાભાગની મ્યુનિસિપલ શાળાઓ સવારની પાળીમાં કરી દેવામાં આવી છે. દર દોઢ કલાકે 'વોટર બેલ' દ્વારા બાળકોને પાણી પીવા પ્રોત્સાહિત કરાશે. શહેરમાં 2074 જેટલી આંગણવાડીઓ, દરેક કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર ORS અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. 66 જેટલા કડિયાનાકા તથા 65 જેટલા શ્રમિકનાકા પર ORS તથા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. 19000થી વધારે ફિલ્ડ ડ્યુટી કરતા આરોગ્ય વિભાગ, ઈજનેર વિભાગ તથા સફાઈ કર્મચારીઓને ગરમીથી બચાવવા માટે સફેદ કેપ આપવામાં આવી છે. શહેરના બગીચાઓ મોડા સુધી ખુલ્લા રહેશેશહેરના 300થી વધારે બગીચાઓ સવારે 6થી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવે છે અને દરેક બગીચાઓમાં પીવાના પાણીની વ્યવસ્થા કરી છે. શહેરમાં 34 જેટલા શેલ્ટર હોમ ખાતે ORS તથા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. AMTS-BRTS દ્વારા પણ મુસાફરોની સલામતી માટે ખાસ વ્યવસ્થાAMTS દ્વારા શહેરના અલગ-અલગ બસ ડેપો તથા ટર્મિનલ પર જનતા માટે 25 એર કુલર અને 10 વોટર કુલર મુકવામાં આવ્યાં છે. BRTS દ્વારા શહેરના અલગ-અલગ 7 બસ ડેપો તથા 199 બસ સ્ટેશનો પર ORS અને વોટરજગની વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ દ્વારા નિરાંત ચાર રસ્તા, સી.ટી.એમ. ચાર રસ્તા, વિક્ટોરિયા ગાર્ડન ચાર રસ્તા, પુષ્પકુંજ ચાર રસ્તા, જવાહર ચોક ચાર રસ્તા, મેમ્કો ચાર રસ્તા પર ગ્રીન નેટ લગાવવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 9:10 am

અમરેલીમાં નકલી પોલીસ ID સાથે વોન્ટેડ આરોપી પકડાયો:કારમાંથી દારૂ અને બનાવટી ID મળ્યા, 4 દિવસના રિમાન્ડ મંજૂર

અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પેટ્રોલિંગ દરમિયાન ખાંભા પોલીસે એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. ડેડાણ વિસ્તારમાં એક કારની તપાસ કરતા તેમાંથી દારૂની 6 બોટલો અને ગુજરાત પોલીસનું બનાવટી ઓળખપત્ર (આઈકાર્ડ) મળી આવ્યું હતું. પકડાયેલ આરોપી 32 વર્ષીય ચિરાગ ગોબરભાઈ જાદવ અમદાવાદના હનીટ્રેપ કેસમાં મુખ્ય આરોપી હતો અને લાંબા સમયથી ફરાર હતો. પોલીસને કારમાંથી દારૂ મળતા શંકા ગઈ હતી, જેથી વધુ તપાસ હાથ ધરવામાં આવી. કારના સ્ટીયરિંગ પાસે બનાવેલા ગુપ્ત ખાનામાંથી ગુજરાત પોલીસનું બનાવટી આઈકાર્ડ મળી આવ્યું હતું. આ આઈકાર્ડમાં આરોપી ખાખી વર્દીમાં દેખાતો હતો, જેનો ઉપયોગ તે લોકોમાં ભય પેદા કરીને પૈસા પડાવવા માટે કરતો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ચિરાગ જાદવ અમદાવાદના નરોડા વિસ્તારમાં થયેલા હનીટ્રેપ કેસમાં મુખ્ય આરોપી હતો. તેણે પોતાના સાગરીતો સાથે મળીને નકલી પોલીસ બનીને એક વ્યક્તિ પાસેથી આશરે 3 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ ઉપરાંત, સુરત અને અમદાવાદમાં મારામારી અને લૂંટ સહિતના 6થી વધુ ગુનાઓમાં તેની સંડોવણી હોવાનું પણ જાણવા મળ્યું છે. ખાંભા પોલીસે આરોપી ચિરાગ જાદવની ધરપકડ કરીને અંદાજે 2 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેના આધારે પોલીસ હવે આ સમગ્ર રેકેટના અન્ય સાગરીતો અને તેની સાથે સંકળાયેલી કડીઓ શોધવા માટે વધુ તપાસ કરી રહી છે. ધારીના એએસપી જયવીર ગઢવીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ખાંભા પોલીસ ચૂંટણી પેટ્રોલિંગ દરમિયાન ડેડાણ નજીકથી એક શંકાસ્પદ કાર મળી આવી હતી. જેમાંથી 6 ઇંગ્લિશ દારૂની બોટલ અને ગુજરાત પોલીસનું બનાવટી આઈકાર્ડ મળી આવ્યું હતું. આરોપી ચિરાગ હનીટ્રેપ અને અમદાવાદના અન્ય ગુનાઓમાં પણ સંડોવાયેલો હતો અને ફરાર હતો.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 9:04 am

શાંતિ મંત્રણા પાર્ટ-2? પાકિસ્તાન ફરી યજમાની માટે તૈયાર, ટ્રમ્પે કહ્યું- ડીલ માટે ઈરાને સામેથી ફોન કર્યો

Trump Claims Iran Ready for Deal as Second Talks Planned : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા છ સપ્તાહ લાંબા સંઘર્ષને કાયમી વિરામ આપવા માટે ફરી એકવાર મંત્રણાના ટેબલ પર આવવાની તૈયારીઓ તેજ થઈ છે. પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં થયેલી પ્રથમ રાઉન્ડની વાતચીત નિષ્ફળ રહ્યા બાદ હવે બીજા રાઉન્ડ માટે પાકિસ્તાને જ ફરી યજમાન બનવાની દરખાસ્ત મૂકી છે. જોકે જોવાનું રહેશે કે શું ઈરાન અને અમેરિકા ફરી પાકિસ્તાનમાં જ શાંતિ મંત્રણા કરશે કે પછી આ વખતે કોઈ નવી જગ્યા નક્કી કરાશે. વેન્સનો દાવો- ઈરાનના નેતાઓ અમેરિકા સામે ઝૂક્યા અમેરિકી ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે, ઇસ્લામાબાદ મંત્રણામાં કેટલીક પ્રગતિ થઈ છે.

ગુજરાત સમાચાર 14 Apr 2026 9:00 am

ખરાત કેસમાં રુપાલી ચાકણકરની બહેન પ્રતિભાની 8 કલાક પૂછપરછ

પ્રતિભાના પુત્ર ચિન્મયનું પણ નિવેદન નોંધવામાં આવ્યું પ્રતિભાના નામનાં ખાતાં સહિત કુલ ૧૩૨ ખાતાંમાં ખરાત એકલો નોમિનીઃ ૬૨ કરોડથી વધુના વ્યવહારો મુંબઈ - ઢોંગી બાબા અશોક ખરાત દ્વારા બેંક ખાતાના કથિત ઉપયોગના સંદર્ભમાં સોમવારે અહિલ્યાનગર પોલીસે એનસીપી નેતા અને મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ રૃપાલી ચાકણકરની બહેન પ્રતિભાની અંદાજે આઠ કલાક પૂછપરછ કરી હતી,એમ એક અધિકારીએ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમના પુત્ર ચિન્મયના નિવેદનો પણ નોંધવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. અધિકારીએ ઉમેર્યું કે પ્રતિભા ચાકણકરની આજે સવારથી અહીંથી લગભગ ૨૫૦ કિલોમીટર દૂર અહિલ્યાનગર સ્થિત શિરડી પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવી હતી.

ગુજરાત સમાચાર 14 Apr 2026 7:55 am

તમે RSS ના કાર્યક્રમમાં ગયા છો, શું મને ન્યાય મળશે?, હાઈકોર્ટના જજ સામે કેજરીવાલનો સવાલ

Kejriwal Seeks Judge’s Recusal, Verdict Reserved : દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે લિકર પોલિસી કેસમાં હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણકાંતા શર્મા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કેજરીવાલે આરોપ લગાવ્યો કે જસ્ટિસ શર્મા RSS સાથે જોડાયેલ વકીલોની સંસ્થા 'અધિવક્તા પરિષદ'ના કાર્યક્રમોમાં ચાર વખત હાજરી આપી ચૂક્યા છે. કેજરીવાલે દલીલ કરી હતી કે તેઓ પોતે ભાજપ-આરએસએસની વિચારધારાના વિરોધી હોવાથી તેમને આ ન્યાયાધીશ પાસે નિષ્પક્ષ ન્યાય મળશે કે કેમ તે બાબતે શંકા છે. કેજરીવાલે કોર્ટમાં કહ્યું કે, એક કાર્યશીલ લોકશાહીમાં ધારણા ખૂબ મહત્વની હોય છે. જો કોઈ ન્યાયાધીશ કોઈ ચોક્કસ વિચારધારા સાથે જોડાયેલા કાર્યક્રમોમાં ભાગ લેતા હોય, તો વિરોધી વિચારધારા ધરાવતા આરોપીના મનમાં ડર પેદા થાય તે સ્વાભાવિક છે.

ગુજરાત સમાચાર 14 Apr 2026 7:51 am

ઈરાન વિરુદ્ધ ટ્રમ્પનું 'ઓપરેશન બ્લોકેડ'! અમેરિકાએ અરબ સાગરમાં ઉતાર્યા જંગી જહાજો, ઓઈલ અંગે ચિંતા વધી

US-Iran Tensions Surge as Trump Sends Navy to Arabian Sea : ઈસ્લામાબાદમાં થયેલી શાંતિ વાટાઘાટો નિષ્ફળ રહ્યા બાદ હવે અમેરિકાએ ઈરાન વિરુદ્ધ 'ઓપરેશન બ્લોકેડ' શરૂ કરી દીધું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશથી અરબ સાગર અને હોર્મુઝની ખાડીમાં અમેરિકી નૌકાદળના 15થી વધુ વિધ્વંસક જહાજો તૈનાત કરવામાં આવ્યા છે. આ નાકાબંધીમાં અમેરિકાના અત્યાધુનિક સ્ટીલ્થ ફાઈટર જેટ્સ F-35B આકાશમાંથી ઈરાની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે. USS ત્રિપોલી તૈનાત, કયા જહાજોને મળશે રસ્તો? અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, USS ત્રિપોલી (LHA 7) ને ખાસ કરીને હવાઈ હુમલા અને નાકાબંધી માટે અરબ સાગરમાં ઉતારવામાં આવ્યું છે.

ગુજરાત સમાચાર 14 Apr 2026 7:33 am

અખાતી દેશોમાંથી ભારતની ઉર્જા સુરક્ષા અકબંધ:હોર્મુઝની ખાડીમાં તણાવ વચ્ચે વધુ એક જહાજ ‘જગ વિક્રમ’ આજે કંડલામાં પ્રવેશશે

અખાતી પ્રદેશમાં અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધવિરામ બાદ ભારતીય દરિયાઈ વેપારમાં નવી ગતિ જોવા મળી રહી છે. 20,400 મેટ્રિક ટન લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) લઈને આવી રહેલું ભારતનું મહત્વનું જહાજ ‘જગ વિક્રમ’ આવતીકાલે 14 એપ્રિલના રોજ કંડલા બંદરે લાંગરશે. હોર્મુઝની ખાડીમાં સર્જાયેલી અસ્થિરતા વચ્ચે આ જહાજનું સુરક્ષિત આગમન કંડલા પોર્ટ અને સમગ્ર દેશની ઉર્જા સુરક્ષા માટે એક મોટી સિદ્ધિ ગણાય છે. હોર્મુઝની ખાડીમાં ભારે તણાવ હોવા છતાં, છેલ્લા એક મહિનામાં ગુજરાતના કંડલા, મુન્દ્રા, વાડીનાર અને દહેજ બંદરો પર વ્યૂહાત્મક રીતે મહત્વના જહાજો સફળતાપૂર્વક લાંગર્યા છે. કંડલા પોર્ટ પર 26 માર્ચે ‘MT જગ વસંત’ 47,600 મેટ્રિક ટન LPG ના વિશાળ જથ્થા સાથે અહીં સુરક્ષિત પહોંચ્યું હતું. તો મુન્દ્રા પોર્ટ પર 16 માર્ચે કતારથી રવાના થયેલું ‘MT શિવાલિક’ આશરે 46,000 મેટ્રિક ટન LPG લઈને મુન્દ્રા પહોંચ્યું હતું. દેશમાં ઇંધણની અછત ન સર્જાય તે માટે આ જહાજને ‘પ્રાયોરિટી બર્થિંગ’ આપવામાં આવ્યું હતું. તો વાડીનારની વાત કરવામાં આવે તો અગાઉ 17 માર્ચે ‘MT નંદા દેવી’ 46,500 મેટ્રિક ટન LPG અને ‘MT જગ લાડકી’ 81,000 મેટ્રિક ટન ક્રૂડ ઓઇલનો મસમોટો જથ્થો લઈને હોર્મુઝ પસાર કરીને સુરક્ષિત પહોંચ્યા હતા. 15 ભારતીય જહાજો હજુ પણ હોર્મુઝમાં અટવાયા, પરત લાવવા માટે કેન્દ્ર સરકારના પ્રયાસો તેજબંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના અધિક સચિવ મુકેશ મંગલે સોમવારે એક બ્રીફિંગમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, “અત્યારે પણ 15 જેટલા ભારતીય ધ્વજ ધરાવતા અને ભારતીય માલિકીના જહાજો હોર્મુઝની ખાડીમાં છે. વિદેશ મંત્રાલય સાથે સંકલન કરીને અમે આ તમામ જહાજો અને તેમાં સવાર ખલાસીઓને સુરક્ષિત પરત લાવવા કટિબદ્ધ છીએ.” ઉલ્લેખનીય છે કે ભારત તેની જરૂરિયાતનો90% LPG ગલ્ફ દેશોમાંથી આયાત કરે છે, તેથી આ ટ્રાન્ઝિટ રૂટ ભારત માટે અત્યંત મહત્વનો છે. હાલમાં કંડલા સહિત ભારતના તમામ પોર્ટ પર કામગીરી સામાન્ય ધોરણે ચાલી રહી છે અને ક્યાંય પણ જહાજોના ટ્રાફિક જામ (Congestion) ની સમસ્યા નથી.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 6:31 am

સરહદ ડેરીની સિદ્ધિ:સરહદ ડેરીના ટર્નઓવરમાં રૂ.1,264 કરોડની સર્વોચ્ચ સિદ્ધિ સાથે વિકાસનો નવો અધ્યાય

કચ્છ જિલ્લાના પશુપાલકો માટે આર્થિક કરોડરજ્જુ ગણાતી ‘સરહદ ડેરી’ (કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.)એ વર્ષ 2025-26ના નાણાકીય વર્ષમાં પ્રગતિના તમામ રેકોર્ડ તોડી એક નવો વિક્રમ સર્જ્યો છે. ડેરીએ વાર્ષિક ટર્નઓવરમાં રૂ.1,264 કરોડની ઐતિહાસિક સપાટી હાંસલ કરી છે, જે ગત વર્ષની તુલનાએ 4.64%નો વધારો દર્શાવે છે. આ સફળતા બદલ ચેરમેને તમામ પશુપાલકો, સભાસદો અને સરકારનો આભાર માન્યો હતો. સરહદ ડેરીની આ આગેકૂચ કચ્છના ગ્રામીણ અર્થતંત્રને નવી ઊંચાઈએ લઈ જઈ રહી છે. દૂધ સંપાદન અને પશુપાલકોનું સશક્તિકરણડેરીએ આ વર્ષે સરેરાશ 4.47 લાખ લિટર પ્રતિદિન દૂધ સંપાદન નોંધાવ્યું છે, જ્યારે મહત્તમ દૂધ સંપાદન 5.26 લાખ લિટર સુધી પહોંચ્યું હતું. આ આંકડા કચ્છના પશુપાલકોનો ડેરી પ્રત્યેનો અતૂટ વિશ્વાસ દર્શાવે છે. માત્ર આર્થિક વ્યવહારો જ નહીં, પરંતુ પશુઓના સ્વાસ્થ્ય માટે ‘કેટલ ફીડ’ના વેચાણમાં પણ 20%નો જંગી ઉછાળો જોવા મળ્યો છે. 1350 કરોડનો લક્ષ્યાંક : સરહદ ડેરી ચેરમેનચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું કે અમારો ધ્યેય પશુપાલકોની આવક બમણી કરવાનો છે. આગામી વર્ષે અમે રૂ.1,350 કરોડથી વધુના ટર્નઓવરના લક્ષ્ય સાથે આધુનિક ટેકનોલોજી અને નવા પ્લાન્ટ દ્વારા કચ્છના શ્વેત ક્રાંતિના આ અભિયાનને વધુ વેગ આપીશું. આઇસ્ક્રીમ માર્કેટમાં ‘સ્વીટ’ સફળતાડેરીએ આઇસ્ક્રીમ વિભાગમાં 80%થી વધુનો ગ્રોથ નોંધાવ્યો છે. ગત વર્ષના 24.52 લાખ લિટર સામે આ વર્ષે 44.25 લાખ લિટર આઇસ્ક્રીમનું વેચાણ થયું છે. અમૂલ મટકા કુલ્ફી અને આઇસ્ક્રીમ કેક જેવી નવી વેરાયટીઓના લોન્ચિંગ બાદ હવે આગામી વર્ષે 130થી વધુ વેરાયટી લાવવાનો લક્ષ્યાંક છે. ઊંટડીના દૂધમાં દેશભરમાં ડંકોસરહદ ડેરીએ ઊંટડીના દૂધના ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે. દૈનિક 5158 લિટર દૂધ સંપાદન સાથે ઊંટપાલકોને વાર્ષિક રૂ. 9.60 કરોડનું ચુકવણું કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 6:23 am

38 બેઠકોનું અંતિમ ચિત્ર હવે સ્પષ્ટ થયું:જિ. પં.ની 38 બેઠક પર 159 ફોર્મમાંથી 50 ફોર્મ રદ, 109 ઉમેદવારો મેદાનમાં

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કચ્છ જિલ્લા પંચાયતની સંપૂર્ણ 38 બેઠકોનું અંતિમ ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. ચૂંટણી પંચના સત્તાવાર આંકડાઓનું વિશ્લેષણ દર્શાવે છે કે, કચ્છમાં એક પણ બેઠક બિનહરીફ જાહેર થઈ શકી નથી અને આશ્ચર્યજનક રીતે કોઈ પણ ઉમેદવારે પોતાની દાવેદારી પાછી ખેંચી નથી. કુલ ભરાયેલા 159 ફોર્મમાંથી ચકાસણી દરમિયાન 50 ફોર્મ રદ થતાં હવે તમામ 38 બેઠકો પર કુલ 109 હરીફ ઉમેદવારો મેદાનમાં ટકી રહ્યા છે.જોકે હજુ 15 એપ્રિલ સુધી ફોર્મ પરત ખેંચી શકાય છે. જિલ્લા પંચાયતના કેટલાક વોર્ડમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે, જેના કારણે ચૂંટણી અત્યંત રસાકસીભરી બની રહેશે. જિલ્લાની 29-રતનાલ, 34-સુમરાસર શેખ અને 37-વાયોર એમ 3 બેઠકો પર સૌથી વધુ 5-5 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત 3-ભીમાસર (ભુટકીયા), 22-નલિયા, 23-નાના કપાયા, 25-નેત્રા અને 28-પાન્ધ્રો એમ કુલ 5 બેઠકો પર 4-4 ઉમેદવારો મેદાનમાં હોવાથી ત્યાં ચતુષ્કોણીય જંગ ખેલાશે. આધોઇ, માધાપર અને મોટી ભુજપુર સહિતની 14 બેઠકો એવી છે જ્યાં 3-3 ઉમેદવારો વચ્ચે ત્રિપાંખિયો મુકાબલો થશે. 9 તાલુકા પંચાયતોની 186 બેઠકો માટે 499 ઉમેદવારો મેદાનમાં: 196 ફોર્મ રદકચ્છની 9 તાલુકા પંચાયતોની કુલ 186 બેઠકો માટે ભરાયેલા ફોર્મની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ચૂંટણી પંચના સત્તાવાર આંકડાઓનું એનાલિસિસ કરતા સામે આવ્યું છે કે, આ 186 બેઠકો માટે કુલ 695 ફોર્મ ભરાયા હતા, જેમાંથી અધધ 196 ઉમેદવારી પત્રો રદ થવા પામ્યા છે. હાલની સ્થિતિએ એક પણ બેઠક બિનહરીફ જાહેર થઈ નથી અને 499 હરીફ ઉમેદવારો મેદાનમાં જોવા મળી રહ્યા છે. ઉમેદવારો વચ્ચેનો ખરાખરીનો જંગ અને ચૂંટણીનું ફાઇનલ ચિત્ર હજુ 15 એપ્રિલના રોજ સ્પષ્ટ થશે. તાલુકાવાર આંકડાઓ પર નજર કરીએ તો, ભુજ તાલુકા પંચાયતમાં સૌથી વધુ 32 બેઠકો છે, જેના માટે 102 જેટલા ફોર્મ ભરાયા હતા. ચકાસણીમાં 23 ફોર્મ રદ થતા હવે સૌથી વધુ 79 ઉમેદવારો અહીં મેદાનમાં છે. તેવી જ રીતે રાપરની 24 બેઠકો માટે 76 ફોર્મ ભરાયા હતા, જેમાં માત્ર 7 ફોર્મ રદ થતા 69 ઉમેદવારો વચ્ચે જંગ નિશ્ચિત છે. અબડાસાની 18 બેઠકો માટે 89 ફોર્મ આવ્યા હતા, જેમાંથી 28 રદ થતા હવે 61 ઉમેદવારો ટકી રહ્યા છે. ચકાસણી દરમિયાન કેટલાક તાલુકાઓમાં ઉમેદવારી પત્રો રદ થવાનો આંકડો ચોંકાવનારો છે. માંડવી તાલુકા પંચાયતની 20 બેઠકો માટે 82 ફોર્મ ભરાયા હતા, જેમાંથી સૌથી વધુ 35 ફોર્મ રદ થયા છે અને માત્ર 47 ઉમેદવારો બચ્યા છે. મુંદરામાં પણ 18 બેઠકો માટે આવેલા 82 ફોર્મમાંથી 33 ફોર્મ ટેકનિકલ કારણોસર કે ડમી હોવાથી રદ થયા છે અને 49 હરીફો મેદાનમાં છે. સરહદી લખપત તાલુકામાં 16 બેઠકો માટે 72 ફોર્મ આવ્યા હતા, જેમાંથી 30 ફોર્મ રદ થતા હવે 42 ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે. આટલા ફોર્મ રદબીજી તરફ ભચાઉ તાલુકા પંચાયતની 20 બેઠકો માટે 61 ફોર્મ ભરાયા હતા, જેમાંથી સૌથી ઓછા માત્ર 6 ફોર્મ જ રદ થયા છે અને 55 ઉમેદવારો મેદાનમાં છે. અંજારની 20 બેઠકો માટે 70 ફોર્મમાંથી 20 રદ થતા 50 ઉમેદવારો છે, જ્યારે નખત્રાણાની 18 બેઠકો પર 61 ફોર્મમાંથી 14 રદ થતા 47 ઉમેદવારો બાકી રહ્યા છે. 16 બેઠકો પર ઉમેદવારો વચ્ચે કાંટાની સીધી ટક્કરબીજી તરફ, જિલ્લા પંચાયતની 16 બેઠકો એવી છે જ્યાં માત્ર 2-2 ઉમેદવારો જ મેદાનમાં બચ્યા છે. 4-ભીમાસર (ચકાસર), 6-બિદડા, 8-ચોબારી, 9-દયાપર, 10-દીનારા, 11-ફતેહગઢ, 12-ગઢશીશા, 14-કેરા, 16-કોડાય, 17-કોટડા જડોદર, 26-નિરોણા, 27-પલાસવા, 32-સામખીયારી, 35-તલવાણા, 36-વરસામેડી અને 38-વિથોણ બેઠક પર સીધી અને કાંટાની ટક્કર જોવા મળશે. 3 બેઠકો પર સૌથી વધુ ફોર્મ રદ થયાફોર્મ ચકાસણીની પ્રક્રિયામાં 2-ભદ્રેશ્વર, 8-ચોબારી અને 21-મોટી ભુજપુર બેઠક પર સૌથી વધુ 3-3 ઉમેદવારી પત્રો રદ થવા પામ્યા છે. ફોર્મ રદ થવા પાછળ ડમી ઉમેદવારોના ફોર્મ અને ટેકનિકલ ખામીઓ મુખ્ય કારણ હોવાનું મનાય છે.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 6:22 am

પ્રજાજન પરેશાન:ભુજમાં કૃષ્ણાજી પુલ 4 વર્ષથી અધ્ધરતાલ, લોકો પરેશાન

ભુજના ઐતિહાસિક કૃષ્ણાજી પુલના નવનિર્માણ મુદ્દે 4 વર્ષથી ચાલતી ઉદાસીનતા હવે નાગરિકોમાં રોષ અને નિરાશા બંને જગાવી રહી છે. જર્જરિત હાલતને કારણે પુલ પર અવરજવર બંધ છે તથા દિવાલ બનાવી અને કોઈ પ્રવેશે નહીં તેની વ્યવસ્થા કરી છે, ત્રણેક વખત ટેન્ડર બહાર પડ્યા, પરંતુ પુનઃનિર્માણ માટેની પ્રક્રિયા કાગળો સુધી સીમિત છે. 30 ઓક્ટોબર 2022ના મોરબી પુલ હોનારત બાદ કૃષ્ણાજી પુલને જોખમી જાહેર કરી અવરજવર મર્યાદિત કરાઈ હતી ત્યારથી પુલના નવનિર્માણ માટેની ફાઈલ આર.સી.એમ. રાજકોટ, ગાંધીનગર અને આર એન્ડ બી વિભાગ વચ્ચે ફરતી રહી. અંતે 4.21 કરોડના ખર્ચે રિવાઈઝ્ડ પ્લાનને તાંત્રિક મંજૂરી મળી, ભુજ નગરપાલિકાએ અત્યાર સુધી ત્રણ વખત ટેન્ડર જાહેર કર્યા હોવા છતાં કોઈ કોન્ટ્રાક્ટર રસ દાખવતો ન હોવાથી પ્રક્રિયા અટકી છે. હવે ચોથી વખત ટેન્ડર બહાર પાડવાની તૈયારી છે, છતાં પ્રોજેક્ટ પ્રત્યેની અનિશ્ચિતતા યથાવત છે. વર્ષ 2026માં પણ કામ શરૂ થશે કે નહીં તે અંગે સવાલો ઊભા થયા છે. વિચારવા જેવી બાબત એ છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ઋષિકેશમાં આધુનિક કાચનો લક્ષ્મણ ઝુલા પુલ તૈયાર થઈ ગયો છે, જ્યારે ભુજનો ઐતિહાસિક પુલ હજુ પણ નવજીવન માટે તરસી રહ્યો છે. શહેરના જાગૃત નાગરિકો હવે માત્ર વચનો નહીં, પરંતુ કાર્યરત વિકાસની માગ ઉઠાવી રહ્યા છે. હયાત માર્ગ કટિંગનો વિકલ્પ વિચારી શકાયપુલની હાલત ગંભીર છે, ત્યારે બાજુમાંથી માર્ગ કરવાનો વૈકલ્પિક વિચાર જાગૃત નાગરિક ચંદુલાલ ગોરે આપ્યો છે. તેમના મતે પુલના લોખંડના ગર્ડર જંગ લાગવાથી નબળા બન્યા છે અને વચ્ચે નવા મજબૂત પિલર બનાવી તેને વધુ સુરક્ષિત બનાવવાની જરૂર છે. ફૂટપાથમાં કપાત કરી હાલ જે પુલનો ઉપયોગ થાય છે, તેમાં સુવિધા ઉભી કરી ટ્રાફિક વ્યવસ્થા સુધારી શકાય.ઉપરાંત સ્ટેચ્યૂનું સ્થળાંતર અને ગ્રીલના આકારમાં ફેરફાર કરવાથી વાહનવ્યવહાર સરળ બનશે.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 6:21 am

RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા:RTEના 3700 ફોર્મ ભરાયા,17 એપ્રિલ છેલ્લો દિવસ

શિક્ષણ વિભાગ દ્વારા આર્થિક રીતે નબળા અને વંચિત જૂથના બાળકોને ખાનગી શાળાઓમાં વિનામૂલ્યે શિક્ષણ આપવાની યોજના રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો ધમધમાટ શરૂ થયો છે. કચ્છમાં અત્યાર સુધીમાં 3700 જેટલા ફોર્મ ભરાઈ ચૂક્યા છે. વાલીઓ 17 એપ્રિલ સુધી રાત્રિના 12 વાગ્યા સુધી ઓનલાઇન અરજી કરી શકશે. જિલ્લામાં 353 ખાનગી શાળા આવેલી છે, જેમાં ધોરણ-1 માં 25 ટકા બેઠકો આરટીઈ હેઠળ અનામત રાખવામાં આવી છે. આ વર્ષે જિલ્લામાં કુલ 2539 બેઠકો પર પ્રવેશ અપાશે. ગત વર્ષે 2457 બાળકોને આ યોજના હેઠળ પ્રવેશ મળ્યો હતો. ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થયા બાદ શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઇન ભરાયેલા ફોર્મ અને ડોક્યુમેન્ટ્સની ચકાસણી કરાશે. જો કોઈ અરજીમાં વિગતો અધૂરી જણાશે, તો વાલીઓનો સંપર્ક કરીને તે પૂર્તતા કરાવવામાં આવશે. ત્યારબાદ તબક્કાવાર પ્રવેશ રાઉન્ડ જાહેર કરી બાળકોને શાળાઓ ફાળવવામાં આવશે. વાલીઓએ ઓનલાઇન ભરેલા ફોર્મની પ્રિન્ટ પોતાની પાસે રાખવાની રહેશે. હજુ 4 દિવસ બાકી હોવાથી અરજીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. ભાસ્કર એક્સપ્લેનર વાલીઓને મુંઝવતા પ્રશ્નોના જવાબ : 6 વર્ષની ઉંમર અને 6 લાખની આવક મર્યાદા 1. ફોર્મ ભર્યા બાદ ભૂલ જણાય તો શું કરવું?જવાબ : ફોર્મ ભર્યા બાદ ભૂલ જણાય તો નવું ફોર્મ ભરી શકશે. નવું ફોર્મ ભરતા જૂનું ફોર્મ આપોઆપ રદ થઈ જશે. 2. RTEમાં મેળવેલ પ્રવેશ રદ થઇ શકે ખરા?જવાબ : વાલીએ બાળકના રજુ કરેલા ડોક્યુમેન્ટ શંકાસ્પદ હોય, ખોટા રજુ કર્યા હોય, આવક મર્યાદા કરતા વધુ હોય છતાં પ્રવેશ લીધો હોય તેવા બીજા અનેક કિસ્સામાં પ્રવેશ રદ પણ થઇ શકે છે. 3. ભાડાનું મકાન હોય તો રહેઠાણનો પુરાવો કયો માન્ય રહેશે?જવાબ : આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ- પૈકી કોઈ એક હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી. 4. આંગણવાડીમાં ભણતા બાળક માટે કયું પ્રમાણપત્ર રજુ કરવું પડે?જવાબ : આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય તો આંગણવાડી વર્કર અથવા સક્ષમ અધિકારીનો પ્રમાણપત્ર દાખલો રજુ કરવાનો રહેશે. 5. શાળા પ્રવેશ આપવાની ના પાડે તો શું કરવું? જવાબ : તમે જરૂરી અધાર-પુરાવા રજૂ કરતા હોય તો પણ શાળા પ્રવેશની ના પાડે તો તાત્કાલિક જે તે જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી/ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી ખાતે રૂબરૂ જઈ વાંધા અરજી આપવાની રહેશે. 6. RTE પ્રવેશના પ્રથમ રાઉન્ડના અંતે અને બીજા રાઉન્ડ પહેલા શાળાની પસંદગીમાં ફેરફાર કરી શકાય? જવાબ : RTEના પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળ્યા બાદ કન્ફર્મ કરાવવો ફરજિયાત છે, અન્યથા પ્રવેશ રદ થશે. પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ જ બીજા રાઉન્ડ માટે ફરી શાળા પસંદ કરી શકશે, પ્રવેશ ફાળવણી થયેલા વિદ્યાર્થીઓ ફરી પસંદગી કરી શકશે નહીં. 7. RTE હેઠળ પ્રવેશ માટે વય મર્યાદા-આવક કેટલી હોવી જોઈએજવાબ : ધોરણ-1માં પ્રવેશ માટે વિદ્યાર્થીએ 1લી જૂનના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ. ગ્રામ્ય અને શહેરી વિસ્તાર બંને માટે રૂ. 6 લાખની આવક મર્યાદા છે. 8. મારે કેટલી શાળા પસંદ કરવી જોઈએ?જવાબ : વધુમાં વધુ શાળા પસંદ કરવી હિતાવહ છે. વધુ શાળા પસંદ કરવાથી પ્રવેશ મળવાની શક્યતા વધે છે. દા.ત. આપ જો કુલ 1 અથવા 2 શાળા પસંદ કરશો અને તેની સીટો ભરાઇ જશે તો આપ પ્રવેશથી વંચિત રહેશો. 9. પ્રવેશ મળ્યો છે તેની જાણ કેવી રીતે થશે? જવાબ : ફોર્મમાં દર્શાવેલ મોબાઇલ નંબર પર SMS દ્વારા જાણ કરાશે. નેટવર્ક પ્રોબ્લેમના કારણે કોઇવાર SMS ન પણ મળે તેથી વખતોવખત વેબપોર્ટલ https://rte.orpgujarat.com જોતા રહેવું. 10. મારા બાળકે ધો.1નો અભ્યાસ પૂર્ણ કર્યો છે, ફરીથી RTE હેઠળ ધો.1માં અરજી કરી શકાય? જવાબ : આપનું બાળક જો ધોરણ 1 માં અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલ હોય તો આપ અરજી કરી શકશો નહિ. જો નિયમ વિરુધ્ધ અરજી કરશો તો પ્રવેશ રદ થશે. 11. પ્રવેશ મળ્યા બાદ શાળામાં કોઇપણ પ્રકારની ફી ભરવી પડશે? જવાબ : પ્રવેશ તદ્દન નિઃશુલ્ક છે. શાળાને ચુકવવાપાત્ર રકમ સરકાર શાળાને સીધી ચુકવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને દર વર્ષે ડ્રેસ,બુટ,પુસ્તકો,પરિવહન ખર્ચ,સ્કૂલ બેગ અને અભ્યાસ માટેની વસ્તુઓ ખરીદવા વિદ્યાર્થીદીઠ રૂ.3000 લેખે સહાય મળશે. 12. વધુમાં વધુ કેટલી શાળા પસંદ કરી શકીએ?જવાબ : રહેઠાણથી 6 કિમી વિસ્તાર સુધીમાં આવેલી શાળાઓ પૈકી આપ ચાહો એટલી શાળા પસંદ કરી શકો છો.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 6:20 am

શિક્ષકોમાં ચિંતાની લાગણી:ગ્રાન્ટના અભાવે કચ્છના પ્રાથમિક શિક્ષકોનો માર્ચનો પગાર અટક્યો

કચ્છ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા હજારો શિક્ષકો માટે આ મહિનાનો પ્રારંભ આર્થિક ખેંચતાણ વાળો રહ્યો છે. સામાન્ય રીતે દર મહિનાની 5 થી 10 તારીખ સુધીમાં નિયમિત રીતે પગાર મેળવતા જિલ્લાના અંદાજે 8 હજાર જેટલા શિક્ષકોને એપ્રિલ મહિનાની 13 તારીખ થઈ ગઈ હોવા છતાં હજી સુધી પગાર ચૂકવવામાં આવ્યો નથી. પગારમાં થયેલા આ વિલંબને કારણે અનેક શિક્ષકોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે, કારણ કે મહિનાના મધ્યમાં લોન હપ્તા અને ઘરખર્ચના આયોજનો ખોરવાયા છે. ઉપરથી ગ્રાન્ટ ફાળવવામાં ન આવતા પગાર પ્રક્રિયા અટકી પડી છે. જોકે, આ મુદ્દે તપાસ કરતા જાણવા મળ્યું કે, સોમવારે મોડી સાંજે પગાર માટેની જરૂરી ગ્રાન્ટ આવી છે અને વહીવટી પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે. ચાલુ સપ્તાહના અંત સુધીમાં તમામ શિક્ષકોના બેંક ખાતામાં પગાર જમા કરી દેવામાં આવશે તેવી શકયતા છે. ઉલ્લેખનીય છે કે, અવાર નવાર આરોગ્ય, શિક્ષણ સહિતના વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓના પગાર વિલંબમાં મુકાય છે. સમયસર પગાર ન મળવાથી બેંકોના હપ્તા તેમજ અન્ય ખર્ચા ચુકવવામાં અગવડતા ભોગવવી પડે છે. બીજી તરફ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષકોને સમયસર પગાર થયાનું જાણવા મળ્યું હતું.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 6:14 am

LCBની કાર્યવાહી:કોંગ્રેસના ઉમેદવારને લૂંટનારો ખારીરોહરનો ઈસમ ઝડપાયો

તાલુકાના વરલી ગામે રહેતા અને કેરા જિલ્લા પંચાયતની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ગોવિંદભાઈ બરાડીયા પોતાના ઘરે જતા હતા ત્યારે હાજાપર-થરાવડા વચ્ચે રાત્રિના સમયે તેમને આંતરીને છરી બતાવી મોબાઈલ, દસ્તાવેજો પડાવી લેવાયા હતા. જે અંગે અજાણ્યા ઈસમો સામે ગુનો દાખલ કરાયો હતો. પદ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી લૂંટની આ ઘટનામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી લીધો છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરતા હકીકત મળી કે આ લૂંટમાં સંડોવાયેલો એક શખ્સ ભુજ-અંજાર હાઈવે પર રેલડી બસ સ્ટેશન પાસે ઉભો છે. પોલીસે સ્થળ પર પહોંચીને ગાંધીધામના ખારીરોહર વિસ્તારમાં રહેતા અબ્રાહીમ ઉર્ફે અનવર હુશેન કટીયાની અટકાયત કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી કે, તે તેના મોટા ભાઈ સકીલ ઉર્ફે ઉમર હુસેન કટિયા અને બનેવી નાગિયારીના જાવેદ લતીફ બાફણ સાથે હાજીપીરના મેળામાં જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન રાત્રિના સમયે રસ્તામાં એકલદોકલ મોટર સાયકલ સવારને જોઈને તેઓએ લૂંટનો પ્લાન બનાવ્યો હતો. જેથી ફરીયાદીને રોકી આરોપી સકીલે છરી બતાવીને ધાકધમકી આપી મોબાઈલ આંચકી લીધો હતો અને હાજીપીર તરફ નીકળી ગયા હતા. હાલમાં પોલીસે અબ્રાહીમને હસ્તગત કરી પધ્ધર પોલીસને સોંપ્યો છે, જ્યારે ફરાર આરોપીને પકડવા તપાસ તેજ કરી છે.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 6:13 am

ગુજરાત રાજ્ય ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર:પનીરને લગતી વાનગીઓમાં પારદર્શિતા ફરજિયાત, મેન્યૂમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવો જરૂરી

ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર દ્વારા 4 એપ્રિલે જાહેર કરેલ આદેશ મુજબ વિવિધ એકમોમાં પનીરની જગ્યાએ ‘એનાલોગ’ના ઉપયોગને લઈને માર્ગદર્શિકા અમલમાં મૂકાઈ છે. જે મુજબ દૂધની જગ્યાએ વેજિટેબલ ફેટ, સ્ટાર્ચ અથવા અન્ય વિકલ્પોથી તૈયાર કરાતા ઉત્પાદનોને પનીર તરીકે વેચવું કે રજૂ કરવું કાયદેસર ગુનો ગણાશે. જેને સ્પષ્ટ રીતે દર્શાવવું ફરજિયાત રહેશે. આ માર્ગદર્શિકાને લઈને કચ્છ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા છેલ્લા 7 દિવસમાં તપાસ કરાઈ હતી. જેમાં 64 હોટેલ,રેસ્ટોરન્ટ, ઢાબા, 12 રિટેલર અને હોલસેલર, 3 બલ્ક મિલ્ક સેન્ટર તથા 8 મેન્યુફેક્ચર એકમોની મુલાકાત લીધી હતી. તપાસમાં સંચાલકોને પેકેજ્ડ પનીર ખરીદી વખતે યોગ્ય લેબલિંગ જાળવવા અને એનાલોગનો ઉપયોગ થતો હોય તો ગ્રાહકોને તેની સ્પષ્ટ જાણ થાય તે માટે પનીરને લગતા નિયમો અંગે સૂચનાઓ અપાઈ હતી. મહત્વનું એ છેકે, હોટેલ કે રેસ્ટોરન્ટમાં જતાં ગ્રાહકોને તેઓ જે પનીરની વાનગી મંગાવે છે તેમાં ખરેખર પનીર છે કે એનાલોગ તેની સ્પષ્ટ જાણકારી માટે મેન્યુકાર્ડ અથવા નોટિસ બોર્ડ પર તેની સ્પષ્ટ નોંધ કરવી જોઈએ. નિયમ ભંગ કરનાર પર કાર્યવાહી થશેખાદ્ય સુરક્ષા અને સલામતી અધિનિયમ, 2006 હેઠળની કલમ 23, 24, 26, 27, 50, 51, 53 તથા 59 તેમજ ખાદ્ય ઉત્પાદન ધોરણ અને ખાદ્ય ઉમેરણોના નિયમો તથા FSS (લેબલિંગ અને પ્રદર્શન) નિયમો, 2018 મુજબ ખાદ્ય પદાર્થોમાં ગુણવત્તા જાળવવી અને લેબલિંગમાં પારદર્શિતા રાખવી ફરજિયાત છે. આ નિયમોનું પાલન ન કરનારની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે. વિભાગ દ્વારા સૂચના બાદ તપાસ હાથ ધરાઇ રહી છે અને નિયમિત નિરીક્ષણ અને સેમ્પલિંગ કરાશે જેમાં નિયમોના ઉલ્લંઘન સામે કાર્યવાહી કરવામાં આવશે. > મેહુલ પટેલ, ફૂડ ઇન્સ્પેકટર ભુજ

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 6:12 am

ઉમેદવારી પત્ર ચકાસણી પૂરી:109 ઉમેદવારો લડશે ચૂંટણી

ભુજ નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠક માટે કુલ 133 ઉમેદારી ફોર્મ ભરાયા હતા. જેની સોમવારે સવારથી ચકાસણી શરૂ કરાઈ હતી. ચૂંટણી આયોગના નિયમ મુજબ જરૂરી દસ્તાવેજોના બીડાણ સાથેની ખરાઈ કરવા માટે પ્રાંત અધિકારી અને મામલતદાર સ્ટેમ્પ ડ્યુટીને અનુક્રમે વોર્ડ નંબર 1 થી 6 અને 7 થી 11 ની તપાસ માટેની જવાબદારી સોંપાઈ હતી. સાંજે બંને વિભાગો તરફથી નાયબ મામલતદારે જાહેર કરેલી યાદી મુજબ અત્યાર સુધી 109 ઉમેદવારો ચૂંટણી જંગ લડશે. તારીખ 15 એપ્રિલે ફોર્મ પાછું ખેંચવાની અંતિમ તારીખ હોવાથી ત્યારે જો કોઈ ઉમેદવાર ખસી જાય તો હજુ સંખ્યા ઘટે. ભારતીય જનતા પાર્ટી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, એઆઈએમઆઈએમ અને અપક્ષ ના ઉમેદવારો ચૂંટણી લડશે. ભુજના 11 વોર્ડમાંથી સૌથી વધુ 15 ઉમેદવારો વોર્ડ એકમાં ચૂંટણીમાં ઉમેદવાર તરીકે દાવેદારી કરી છે, તો સૌથી ઓછા વોર્ડ નંબર 11 માં માત્ર પાંચ ઉમેદવારો છે. જ્યારે વોર્ડ નંબર સાતમાં છ ઉમેદવારો છે. આમ આ બંને વોર્ડમાં ચૂંટણીની રસાકસી દેખાશે નહીં. જ્યારે વોર્ડ નંબર 1, 2, 3, 6 અને 10 માં પ્રતિ વોર્ડ દસથી વધુ ઉમેદવારો હોવાથી ચૂંટણીની લડાઈ જામશે. કચ્છ રાજપૂત સમાજે વોર્ડ નંબર પાંચના ભાજપના ઉમેદવાર વિરુધ્ધ કરી રજૂઆતપાલિકાની વોર્ડ નંબર 5ની ચૂંટણીને લઈ સામાજિક વિવાદ ઉગ્ર બન્યો છે. જિલ્લાના વિવિધ તાલુકાઓના રાજપૂત સમાજના આગેવાનો, પ્રમુખ નીતિન હરીભાઇ મકવાણા અને હોદ્દેદારો દ્વારા ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપી ગંભીર આક્ષેપો કરાયા છે. આવેદન મુજબ, વોર્ડ નંબર 5ની બેઠક ઓબીસી (અનામત) હોવા છતાં, ‘ભુજ રાજપૂત સમાજ’ના પ્રમુખ હિરેન આર. રાઠોડે ઉમેદવારી નોંધાવી છે, જેને સમાજ દ્વારા વિશ્વાસઘાત ગણવામાં આવી રહ્યો છે. આક્ષેપ છે કે ઉમેદવારે પક્ષ પાસે ટિકિટ મેળવવા પોતે રાજપૂત સમાજના આગેવાન હોવાનો લાભ લીધો, પરંતુ ચૂંટણીમાં ઓબીસી વર્ગનું પ્રમાણપત્ર રજૂ કરીને ફોર્મ ભર્યું છે. કચ્છમાં રાજપૂત જ્ઞાતિ સામાન્ય વર્ગમાં આવે છે અને ઓબીસી અનામત માટે પાત્ર નથી, જેથી આ કૃત્ય છેતરપિંડી સમાન છે. આવેદનમાં માંગ કરાઇ છે કે ઉમેદવારના જાતિ પ્રમાણપત્રની તાત્કાલિક તપાસ થાય, ચૂંટણી સ્ક્રુટિની દરમિયાન ફોર્મ રદ કરાય અને રાજકીય પક્ષ દ્વારા તેમનો મેન્ડેટ પાછો ખેંચવામાં આવે. જો કાર્યવાહી નહીં થાય તો આંદોલન કરાશે. ઉમેદવારી ફોર્મ ચકાસણી કર્યા બાદ ભુજ પાલિકાના ઉમેદવારોની સંખ્યા વોર્ડ નંબર 4 ના જૈન મહિલા ઉમેદવારની માન્યતા બાબતે વિવાદવોર્ડ નંબર 4 માં ભાજપ તરફથી ચૂંટણી લડતા જૈન મહિલા ઉમેદવાર ડોલી ભાવેશ શાહની માન્યતા બાબતે કોંગ્રેસે વાંધો રજૂ કર્યો હતો. તેમના મતે મતદારની યાદીમાં ડોલી હેતલ કુમાર શાહ નામ હતું જ્યારે ભાજપના મેન્ડેટમાં ડોલી ભાવેશ શાહ. બંને પક્ષની દલીલો અને રજૂઆતો સાંભળ્યા બાદ પ્રાંત અધિકારીએ ઉમેદવારને માન્ય ઠેરવ્યા હતા. તેમણે જણાવ્યું કે, ઉમેદવારના ઘરના પુરાવા, ફોટોગ્રાફ સહિતના સાંયોગિક દસ્તાવેજો સાચા સાબિત થતા તેમને માન્ય રાખવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 6:08 am

15 એપ્રિલ સુધી ખેલાશે તોડજોડની રાજનીતિનો ખેલ:અમદાવાદમાં 427 ફોર્મ રદ્દ થતા હવે 1123 ઉમેદવારો મેદાનમાં, સુરત-રાજકોટમાં કોંગ્રેસે શરૂ કર્યું 'મિશન અજ્ઞાત'

ગુજરાતમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની આગામી ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ચૂંટણી અધિકારી દ્વારા હાથ ધરવામાં આવેલી ઉમેદવારી પત્રકોની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ચૂંટણીમાં કુલ 1553 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 427 ફોર્મ રદ્દ થયા છે અને 3 ફોર્મ પરત ખેંચાતા હવે 1123 ઉમેદવારો મેદાનમાં છે. નોંધનીય છે કે, સૌથી વધુ 24 ફોર્મ વસ્ત્રાલ વોર્ડમાંથી રદ્દ થયા છે. વડોદરા અને સુરતમાં કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ્દ થતા પક્ષને મોટો ફટકો પડ્યો ચકાસણી પ્રક્રિયા દરમિયાન રાજ્યના વિવિધ સ્થળોએ રાજકીય ખેંચતાણ અને વિવાદો પણ જોવા મળ્યા હતા. સુરત કલેક્ટર કચેરી ખાતે વિવિધ પક્ષોના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં એકબીજાના પક્ષના ખેસ પહેરાવવા અને અપમાનિત કરવા જેવી ઘટનાઓ બની હતી. વડોદરા અને સુરતમાં કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ્દ થતા પક્ષને મોટો ફટકો પડ્યો છે. બીજી તરફ, અમદાવાદમાં નાયબ કલેક્ટરની કેબિનમાં ભાજપના ધારાસભ્યની હાજરી મુદ્દે NSUI નેતા શાહનવાઝ શેખે વિરોધ નોંધાવતા હોબાળો મચ્યો હતો. ઉમેદવારો વચ્ચે તોડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ ચૂંટણી જંગમાં ફોર્મ પરત ખેંચવાની અંતિમ મુદત 15 એપ્રિલ છે ત્યારે ઉમેદવારો વચ્ચે તોડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. હરીફ ઉમેદવારોને બેસાડી દેવા માટે સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવવામાં આવી રહી છે. ખાસ કરીને સુરત અને રાજકોટમાં ભૂતકાળના 'નિલેશ કુંભાણી' જેવા કિસ્સાઓનું પુનરાવર્તન ન થાય તે માટે કોંગ્રેસ સતર્ક બની છે. પક્ષે પોતાના અંદાજે 65 જેટલા મજબૂત ઉમેદવારોની વફાદારી જાળવી રાખવા 'મિશન અજ્ઞાત' હેઠળ તેમને સુરક્ષિત અને ગુપ્ત સ્થળોએ ખસેડી દીધા છે. 15 એપ્રિલ બાદ જ સ્પષ્ટ થશે કે ફાઈનલ મેદાનમાં કેટલા ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 6:05 am

શૌચાલય ન હોવાથી સામળીના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું:રણોલી-સામળીના કોંગ્રેસના ઉમેદવારોના ઘરે શૌચાલય ન નહીં, ભાજપે વાંધો લીધો

જિલ્લા પંચાયતના ઉમેદવારોના ફોર્મની ચકાસણી દરમિયાન રણોલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના ઘરે શૌચાલય ન હોવા અંગે ભાજપના ઉમેદવાર કૈરવીબા વાઘેલાએ વાંધો ઉઠાવ્યો હતો. જેમાં સુનાવણી બાદ કોંગ્રેસના ઉમેદવારના ઘરે શૌચાલય હોવાનું સાબિત થતાં ફોર્મ મંજુરથયું હતું. બીજી તરફ કરજણ તાલુકા પંચાયતની સામળી બેઠકના ભાજપના ઉમેદવાર જ્યોત્સનાબેન રાજે દ્વારા કોગ્રેસના હેમલતાબેન વાસદિયાના ઘરે ટોયલેટ નહીં હોવાનો વાંધો રજૂ કરતા તેમનું ફોર્મ રદ કરવામાં આવતા ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા હતાં. જિલ્લા પંચાયતની રણોલી બેઠકના ભાજપના ઉમેદવાર કૈરવીબા વાઘેલાએ જણાવ્યું કે, અમે કોંગ્રેસના ઉમેદવાર વિરૂધ્ધ શૌચાલય છે જ નહી તે મુદ્દે વાંધા અરજી કરી હતી. જ્યારે અધિકારી તપાસ કરીને ચુકાદો જાહેર કરશે. બીજી તરફ કોંગ્રેસના મહિલા ઉમેદવારે ગીતાબેન ઠાકોરે જણાવ્યું કે, અમારા ઘરમાં શૌચાલય છે. આ પહેલા મે સરપંચની ચૂંટણી લડી હતી ત્યારે પણ મારા રહેઠાણનું સરનામું જ આપ્યું હતું. આ અંગે ચુંટણી અધિકારી સમક્ષ સુનાવણી થયા બાદ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ મંજુર થઈ ગયું હતું. કરજણ તાલુકા પંચાયતની સામળી બેઠકના ભાજપના ઉમેદવાર જ્યોત્સનાબેન રાજે કોંગ્રેસના હેમલતાબેન વાસદિયા સામે ટોયલેટ નહીં હોવાનો વાંધો રજૂ કર્યો હતો, પરંતું કોંગ્રેસના ઉમેદવારના ઘરે ટોયલેટ ન હોવાનું સાબિત થતાં ઉમેદવારનું ફોર્મ અમાન્ય કરવાનો હુકમ કરતા ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા હતાં. તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રીતેશ પટેલે આ હુકમને કોર્ટમાં પડકારવાનું જણાવ્યું હતું. પાલિકા સહિતની ચૂંટણી અંતર્ગત તંત્ર દ્વારા 1500થી વધુ શૌચાલય હયાતી અંગેના પ્રમાણપત્ર અપાયાંવડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા કે તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો માટે શૌચાલય હયાતીનું પ્રમાણપત્ર એક અનિવાર્ય દસ્તાવેજ છે. ‘ગુજરાત સ્થાનિક સત્તામંડળ કાયદા (સુધારા) અધિનિયમ, 2014’ મુજબ, જે વ્યક્તિના ઘરે શૌચાલયની સુવિધા ન હોય, તે ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવામાં આવે છે. તંત્ર દ્વારા 1500થી વધુ શૌચાલય હયાતીના પ્રમાણપત્રો આપવામાં આવ્યાં છે.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 6:04 am

અશાંતધારાની પરવાનગી રદ કરવા આવેદન અપાયું:અકોટાની સોસાયટીમાં મુસ્લિમ યુવક સાથે પરણેલી યુવતીએ અપરિણીત હોવાનું કહી અશાંતધારાનો દાખલો લઈ પ્લોટ ખરીદ્યો

અકોટાની અજીત કો-ઓપ હાઉસિંગ સોસાયટીના રહીશોએ સોસાયટીમાં મુસ્લિમએ મિલકત ખરીદી હોવા અંગે અશાંતધારાની પરવાનગી રદ કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. અજીત કો.ઓપ.હાઉસિંગ સોસાયટીના પ્રમુખ કમલનયન દેસાઈના જણાવ્યા અનુસાર, સોસાયટીના પ્લોટ નંબર 228માં રહેતા સભાસદ અંકિતા પ્રવિણસિંહ ગોહિલ તેમજ આનંદબેન પ્રવિણસિંહ ગોહિલે 20 જાન્યુઆરીએ સોસાયટીમાં જ આવેલા પ્લોટ નંબર 36ને ખરીદવા માટે તેના માલિક મહેન્દ્ર ચંદીરામાણી પાસેથી વેચાણ દસ્તાવેજ કરવા કલેક્ટર કચેરીમાંથી 3 દિવસમાં અશાંતધારા હેઠળની પરવાનગી મેળવી લીધી હતી. આ પ્લોટનો વેચાણ દસ્તાવેજ આનંદબેન પ્રવિણસિંહ ગોહિલના નામે કરવામાં આવ્યો હતો. જોકે સોસાયટીના રહીશોને જાણ થઈ હતી કે, આનંદબેન ગોહિલની દીકરી અંકિતા ગોહિલે ઓસ્ટ્રેલિયા ખાતે મૂળ ભારતીય અને વડોદરાના તાંદલજાના રહેવાસી જુનેદ શેખ સાથે 9 વર્ષ અગાઉ લગ્ન કર્યાં હતાં. અને તેમને એક દીકરો પણ છે. આ તમામ હકીકત અંકિતા અને તેમના પરિવારજનોએ ગુપ્ત રાખી હતી. અંકિતા મુસ્લિમ યુવકની પત્ની હોવાની હકીકત તેને નાયબ કલેક્ટર સમક્ષ જાહેર ન કરી પોતે અપરણીત હોવાનું જણાવ્યું હોવાના આક્ષેપ રહેવાસીઓએ કર્યાં છે. આ ઉપરાંત પિતાના નામનું ઓળખપત્ર અને ખોટા સોગંદનામાના આધારે 3 દિવસમાં અશાંતધારાની પરવાનગી મેળવી લીધી છે. જેથી રહીશોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને વેચાણ દસ્તાવેજ રદ કરવા માટે અરજી કરી છે. પૂર્વ કોર્પોરેટરના ભાઈએ સ્કીમ નાંખતા ભાજપ મહામંત્રીને રજૂઆત કરી હતીવોર્ડ નંબર-11માં ભાજપના પૂર્વ કોર્પોરેટર નરવીરસિંહ ચુડાસમાના ભાઈ રાજવીરસિંહ ચુડાસમાએ મુસ્લિમો સાથે ભાગીદારી કરીને તાંદલજામાં સ્કીમ નાખતા રહીશોએ ભાજપ કાર્યાલય તેમજ કોર્પોરેટરના ઘરે મોરચો કાઢી રામધૂન કરી હતી. જ્યારે આ સમગ્ર મામલે શહેર મહામંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી. રહીશોના આક્ષેપ બાદ અશાંતધારા આપવા માટે કોનો અભિપ્રાય હતો તેની તપાસ કરવામાં આવી રહી છે. મની લોન્ડરિંગના ટ્રાન્જેક્શન અંગે પણ તપાસ કરવા રહિશોની માગઅજીત કો-ઓપ હાઉસિંગ સોસાયટીના રહીશોએ આક્ષેપ કર્યો છે કે, સોસાયટીના પ્લોટ નંબર 36નો દસ્તાવેજ રૂા.1.61 કરોડમાં થયો છે. જ્યારે વર્ષોથી ઘરકામ કરતા આનંદબેન ગોહિલના બેંક ખાતામાં અંકિતા તથા જુનેદ શેખના મળતિયાઓએ વિદેશથી હિન્દુ વિસ્તારમાં મિલકત ખરીદવાના બદઈરાદે ફંડિગ કર્યું હોવાનું જણાઈ આવે છે. જેથી આ પ્રકારના ગેરકાયદે ઈરાદો પાર પાડવા આપવામાં આવેલા રૂપિયા બાબતે મની લોન્ડરિંગની તપાસ કરવા પણ રહીશોની માગ છે.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 6:02 am

આજે ડો.આંબેડકર જયંતી:ડો. આંબેડકરનો સામાન લાવતું જહાજ ડૂબી જતાં સયાજીરાવે વળતર આપ્યું હતું

પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે ભારત રત્ન ડો.આંબેડકરનો સામાન લઇ આવતું જહાજ યુદ્ધનો ભોગ બન્યું હતું. તે સમયે સયાજીરાવ ગાયકવાડે નુકસાની બદલ વળતર આપ્યું હતું. પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે સાલસાટી નામક જહાજ પર જર્મની તરફથી ટોર્પિડો હુમલો થયો હતો, જેમાં આ ઘટના બની હતી. 1917ના જુલાઇમાં ઇંગ્લિશ ચેનલમાંથી પસાર થતાં સાલસાટી નામક જહાજ પર જર્મની તરફથી ટોર્પિડો હુમલો થયો. જેમાં 15 લોકોનાં મોત થયાં હતાં. જહાજમાં ડો.આંબેડકરનો પીએચડી, પુસ્તકો સહિતનો સામાન હતો, જે ડૂબી ગયો હતો. તેમણે 1907માં મેટ્રિકની પરીક્ષા પાસ હતી. તે વખતે તેમના સન્માન સમારોહમાં આચાર્ય કૃષ્ણાજી અર્જુન કેલુસ્કરે કહ્યું કે, ભીમરાવે ઉચ્ચ અભ્યાસ કરવો જોઇએ. તેમણે ડો.ભીમરાવના ઉચ્ચ અભ્યાસ માટે વડોદરાના રાજવી સયાજીરાવ પાસેથી શિષ્યવૃત્તિ અપાવશે એવી હૈયાધારણ આપી હતી. તેમણે દર માસે રૂા.25ની શિષ્યવૃત્તિ આપી. બાદમાં વડોદરા રાજ્યમાં નોકરી શરૂ કરી. વડોદરામાં હાલમાં કોઠી કમ્પાઉન્ડમાં જે ઇમારત છે ત્યાં એક ઓરડામાં બેસી ડો. ભીમરાવ નોકરી કરતા હતા. આ દરમિયાન વસવાટ, ભોજન, જાતિગત તિરસ્કાર સહિતના ત્રાસદાયક કષ્ટ અને વિપત્તિથી નોકરી છોડી ગયા હતા. તેમણે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવાનો નિર્ણય કર્યો. તે સમયે મુંબઇના મલબારમાં સયાજીરાવનો ઉતારો હતો. જ્યાં બંનેની મુલાકાત થતાં સમગ્ર બાબતે જાણ કરાઇ. દરમિયાન વિદેશમાં અભ્યાસ અંગેની પણ ચર્ચા થઇ અને મહારાજા સહમત થયા. ડો. ભીમરાવને માસિક રૂા.150ના પગારે એકાઉન્ટન્ટ જનરલની ઓફિસમાં પ્રોબેશનર તરીકે રખાયા હતાહુકમમાં એવો ઉલ્લેખ વાંચવા મળે છે કે, માસિક રૂા.150ના પગારે ડો. ભીમરાવને એકાઉન્ટન્ટ જનરલની ઓફિસમાં પ્રોબેશનર તરીકે રખાયા હતા. સાથે અમેરિકાથી પરત ફરતી વેળાએ સામાન ડૂબી જવાથી થયેલા નુકસાન બદલ રૂા.300 ગિફ્ટ કવર તરીકે મંજૂર કર્યા હતા. 1913માં 11.5 પાઉન્ડની શિષ્યવૃત્તિ મંજૂર કરાઈ હતી1913માં પ્રતિ માસ 11.5 પાઉન્ડની શિષ્યવૃત્તિ મંજૂર કરાઈ હતી. તેઓ અમેરિકા અભ્યાસ કરવા ગયા હતા. જ્યાંથી અભ્યાસ પૂર્ણ કરી પરત આવતા હતા ત્યારે પ્રથમ વિશ્વ યુદ્ધ ચરમસીમા પર હતું. તેઓ અલગ જહાજમાં અને સામાન જુદા શિપમાં ભારત આવી રહ્યા હતા. તે સમયે હુમલાની ઘટના બની હતી.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 6:01 am

નવજાત બાળકી મળી આવતા ચકચાર મચી:ONGCમાં બંધાતી સાઈટના ત્રીજા માળે નવજાતને મૂકીને માતા ફરાર

મકરપુરા ઓએનજીસીમાં બંધાતી સાઈટ પરથી નવજાત બાળકી મળી આવતા મકરપુરા પોલીસ દોડતી થઈ હતી. માતા બાળકીને જન્મ આપી ફરાર થઈ હતી. જોકે સીસીટીવીના આધારે પોલીસે તેને ઓળખી કાઢી હતી. હાલમાં બાળકી સંપૂર્ણ રીતે સ્વસ્થ સયાજી હૉસ્પિટલના બાળરોગ વિભાગમાં તબીબોની નિગરાણી હેઠળ છે. મકરપુરા ઓનજીસીમાં હાલ બાંધકામ ચાલુ છે, જ્યાં શ્રમજીવીઓ ત્યાં કામ કરી રહ્યા છે. સોમવારે સવારે 10:15 કલાકે સિક્યુરિટીને જાણ કરાઈ હતી કે સાઈટના ત્રીજા માળ પરથી નવજાત શીશુ મળ્યું છે. જેથી ગાર્ડે અધિકારીઓને જાણ કરી ત્રીજા માળે પહોંચ્યા હતા. ઘટના વિશે મકરપુરા પોલીસ અને 108ને જાણ કરી બાળકીને સયાજી હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી.પોલીસને જાણવા મળ્યું કે, બાળકીની માતા પ્રસૂતિ બાદ ફરાર થઈ હતી. પોલીસે ઓએનજીસીના પરિસરમાં લાગેલા સીસીટીવીના માતા પકડી પોલીસ મથક લાવીને પૂછપરછ હાથ ધરી હતી. પ્રસૂતિ બાદ લોહી સાફ કરી પુરાવા નાશ કરવાનો પ્રયાસયુવતીએ સોમવારે બાથરૂમમાં બાળકીને જન્મ આપ્યો હતો. જે બાદ તેણે સ્થળ પરથી ફરાર થઈ જવાનું આયોજન કર્યું હતું. જેના ભાગરૂપે બાથરૂમમાંથી તમામ લોહી સાફ કરી દેવામાં આવ્યું હતું. ઉપરાંત બાળકીને સિમેન્ટની કોથળીમાં મૂકી તે ભાગી ગઈ હતી.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 6:00 am

ઘરના જ ઘાતકી બનતાં પંજો લાચાર!:કોઇએ મેન્ડેટ લઇ ફોર્મ ન ભર્યું તો કોઇએ પાછું ખેંચી લીધું, નેતાજીના કેસરિયાથી કોંગ્રેસનું દુઃખ છલકાયું

ઘરના જ ઘાતકી. આ કહેવત અત્યારે કોંગ્રેસે બરાબર લાગુ પડે એમ છે કેમ કે ગુજરાતના રાજકારણમાં નવો જ ટ્રેન્ડ સેટ થયો છે. ફોર્મ ભરવું કોંગ્રેસ કે આપમાંથી અને અંતિમ ઘડીએ દગો દઇને ભાજપના ઉમેદવાર બની જવું. દાહોદ હોય કે વાવ-થરાદ કે પછી અમદાવાદ જેવું મહાનગર કેમ ન હોય? ઉમેદવારોના વિશ્વાસઘાતથી કોંગ્રેસ લાચાર દેખાઇ રહી છે. કારણ કે જે નેતાજી સવારે કોંગ્રેસમાં હોય છે બપોર પડતાં જ તે ભાજપમાં આવી જાય છે. ઉમેદવારોના દગા બાદ કોંગ્રેસે પક્ષાંતર ધારાને ફોર્મની પ્રક્રિયા સાથે જોડી દેવાની માંગ કરી છે. દિવ્ય ભાસ્કરે પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયા સાથે વાતચીત કરી હતી. ઉમેદવાર એક, મેન્ડેટ ત્રણદાહોદ જિલ્લાના ધાનપુરમાં આવેલી પીપેરો જિલ્લા પંચાયતની બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભરતસિંહ વાખળા મૂળ કોંગ્રેસમાં હતા. તેમણે 2017માં દેવગઢ બારિયા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભાજપના બચુ ખાબડ સામે ચૂંટણી લડી હતી. જો કે હારી ગયા બાદ તેમણે આપનો ખેસ પહેર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તેમણે પીપેરો બેઠક પરથી આપનો મેન્ડેટ મેળવ્યો હતો. આના પછી તેમણે કોંગ્રેસને વિશ્વાસમાં લઇ કોંગ્રેસનો મેન્ડેટ મેળવ્યો હતો. છેલ્લે તેમણે ભાજપનો મેન્ડેટ પણ મેળવી લીધો હતો. આમ ત્રણેય પક્ષમાંથી ઉમેદવારી કરી હતી. જેના કારણે રાજ્ય ચૂંટણી પંચની યાદીમાં તેમના 3 નામ હતા. તેમાંથી તેમણે કોંગ્રેસ અને આપના ફોર્મ પાછા ખેંચીને આખરે ભાજપમાંથી ચૂંટણીમાં ઝૂંકાવ્યું છે. ખુલ્લેઆમ વિશ્વાસઘાત છે: કોંગ્રેસવાખળાના આ પગલાંને કોંગ્રેસે ખુલ્લેઆમ વિશ્વાસઘાત ગણાવ્યો છે. પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, કોંગ્રેસે 2017માં ભરત વાખળાને ટિકિટ આપી હતી ત્યાર બાદ તે આપમાં જોડાયા હતા. તેના ભાઇ પણ કોંગ્રેસમાં હોદ્દેદાર હતા. કોંગ્રેસે ભરત વાખળા પર વિશ્વાસ કર્યો હતો. એ સામેથી આવ્યા હતા અને કહ્યું હતું કે મારે કોંગ્રેસમાં જોડાવું છે. 'પાર્ટીને તેમના પર વિશ્વાસ થયો કે આ વ્યક્તિ બચુ ખાબડે કરેલા ભ્રષ્ટાચાર સામે લડવા માંગે છે. ભાજપની કટકી, કમિશન અને કમલમની સરકાર સામે લડવા માંગે છે એટલે કોંગ્રેસે તેમને મેન્ડેટ આપ્યો હતો. તેમણે કોંગ્રેસ સાથે ખુલ્લેઆમ વિશ્વાસઘાત કર્યો છે.' 24 મિનિટમાં કોંગ્રેસમાંથી ભાજપમાંવાવ-થરાદની ભોરોલ જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર જોગાજી રાજપૂતે પણ આવું જ કર્યું હતું. તેમણે પણ ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લાં દિવસે બપોરે 2 વાગ્યાના અરસામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું અને બપોરે 2-21 વાગ્યે કોંગ્રેસનો મેન્ડેટ રજૂ કર્યો હતો. ત્યારબાદ આશરે 2-45 કલાકે ભાજપમાંથી ફોર્મ ભર્યું હતું અને મેન્ડેટ રજૂ કર્યો હતો. 13મી તારીખે શરૂ થયેલી ફોર્મ ચકાસણી દરમિયાન કોંગ્રેસના ફોર્મમાં ટેકેદાર તરીકે સહી કરનાર વ્યક્તિએ પોતે સહી કરી નથી, મારા નામની ખોટી સહી છે તેવી એફિડેવિટ રજૂ કરતા કોંગ્રેસનું ફોર્મ રદ થયું હતું. જેથી હવે આ બેઠક પર અપક્ષ ઉમેદવારો અને ભાજપ વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. 'કોંગ્રેસ સાથે ગદ્દારી કરી'આ અંગે કોંગ્રેસે કહ્યું કે, જોગાજી રાજપૂત વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. કોંગ્રેસે અને ત્યાંના સાંસદ, જિલ્લા પ્રમુખે તેમના પર વિશ્વાસ મૂક્યો હતો પણ તે વ્યક્તિએ કોંગ્રેસ સાથે ગદ્દારી કરી. વાવ-થરાદ જિલ્લાના લોકો આ ગદ્દારી મુદ્દે થૂં થૂં કરી રહ્યાં છે. આ પ્રકારના લોકો માટે લોકશાહીમાં જગ્યા નથી. અમે વાવ-થરાદમાં કોઇ રસ્તો નીકળે તેનો પ્રયાસ કરીએ છીએ. મહાનગર અમદાવાદમાં કોંગ્રેસને કડવો અનુભવઅમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વાસણા વિસ્તારમાંથી કોંગ્રેસે ફાલ્ગુનીબેન રાવળને ટિકિટ આપી હતી. તેમને મેન્ડેટ પણ આપ્યો હતો પરંતુ તેઓ ફોર્મ ભરવા ગયા જ નહીં. સરખેજ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ભરત ભરવાડે ઉમેદવારી પત્ર પાછું ખેંચી લીધું હતું એટલે આ બેઠક પર હવે બાકી રહેલાં ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાય તેવી સ્થિતિ હાલ સર્જાઇ છે. ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ભરત ભરવાડના આ પગલાંને આવકાર્યું હતું અને કહ્યું હતું કે તેમના આવવાથી ભાજપ વધુ મજબૂત થશે. બીજીતરફ કોંગ્રેસનું માનવું છે કે આવું કરનારા ઉમેદવારોની દાનતમાં જ ખોટ હોય છે. પાર્થિવરાજસિંહે કહ્યું કે, કોંગ્રેસે ફાલ્ગુનીબેનની પસંદગી કરીને તેમને ઉમેદવારી પત્ર ભરવાનું કહ્યું હતું. તેમણે પાર્ટીને અંધારામાં રાખી અને બપોરે છેલ્લી ઘડીએ પહોંચ્યા નહીં. કોંગ્રેસના આગેવાનો તેમને ફોન કરતા રહ્યાં અને તેમણે આવીને કહી દીધું કે મારે ચૂંટણી નથી લડવી. જો તેમણે ચૂંટણી નહોતી લડવી તો વહેલા જાણ કરવાની જરૂર હતી. છેલ્લી ઘડીએ કહે એનો અર્થ એવો કે તેમની દાનતમાં ખોટ છે, તે કંઇક ખોટું કરવા માંગે છે. જનતા ભાજપને હાંકી કાઢશેઃ કોંગ્રેસકોંગ્રેસે પોલીસ પર ઉમેદવારોને ધમકાવવાનો આરોપ પણ લગાવ્યો. કઠવાડિયાએ જણાવ્યું કે, 2 પૂર્વ ધારાસભ્યો બળદેવજી ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતે ફરિયાદ કરવી પડી કે મહેસાણા અને વાવ-થરાદમાં પોલીસ તંત્ર ઉમેદવારોને ધમકાવે છે, દબાવે છે. વિશ્વની સૌથી મોટી પાર્ટીને શેનો ડર લાગે છે? મને લાગે છે કે ગુજરાતની જનતા ભ્રષ્ટાચારી શાસનથી ત્રસ્ત છે અને તેમને હાંકી કાઢવાની છે. 'આવી ઘટનાઓ ચિંતાજનક'કોંગ્રેસે આવી ઘટનાઓને ગંભીર ગણાવવાની સાથોસાથ મતદારોના અધિકાર પર તરાપ સમાન ગણાવી છે. તેમણે ઉમેર્યું કે, આ ઘટનાઓ લોકશાહી માટે ખૂબ જ ગંભીર અને ચિંતાજનક છે.ભાજપની નીતિ શામ, દામ, દંડ, ભેદની છે. ક્યાંક કોઇ પૈસાથી વેચાય છે, ક્યાંક કોઇ હોદ્દાથી વેચાય છે, ક્યાંક કોઇને ડરાવાય છે, ક્યાંક કોઇને ધમકાવાય છે. દુઃખ સાથે કહેવું પડે છે કે લોકશાહીની ધોળા દિવસે હત્યા થઇ રહી છે. પોતાની જાતને વિશ્વની સૌથી મોટી પાર્ટી (ભાજપા) માનતી પાર્ટીને ચૂંટણી લડવાથી શેનો ડર લાગે છે? કેમ ભાજપે ખરીદ વેચાણ કરવું પડે છે? કેમ ડરાવવા-ધમકાવવા પડે છે તે સૌથી મોટો સવાલ ઊભો થાય છે. ગુજરાતની જનતાએ આવી પાર્ટીને જાકારો આપવો પડશે.' મતદાન સુધી પક્ષપલટો ન થાય તેવો કાયદો બનાવોપોતાના જ ઉમેદવારોએ દગો દેતા કોંગ્રેસે પક્ષાંતર ધારાને ફોર્મ ભરવાની પ્રક્રિયા સાથે જોડી દેવાની માંગ કરી છે. કઠવાડિયાએ કહ્યું કે, કોઇ ઉમેદવાર ચૂંટાઇને પછી પક્ષપલટો કરે તો પક્ષાંતર ધારો છે પણ આ તો ચૂંટણી પહેલાં જ વેચાઇ જાય છે, મતદાન તો દૂરની વાત છે. ફોર્મ ભરવાના દિવસે જ વેચાઇ જાય છે. ‘હું માનું છું કે ચૂંટણી પ્રક્રિયા જાહેર થાય અને ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ પછી મતદાનનો જે છેલ્લો દિવસ હોય ત્યાં સુધી કોઇપણ ઉમેદવાર પક્ષપલટો ન કરી શકે, કોઇને ટેકો જાહેર ન કરી શકે તેવો કાયદો બનાવવો જોઇએ. કારણ કે જ્યારે કોઇ ઉમેદવાર ફોર્મ ભરતો હોય છે ત્યારે તે સભાનાવસ્થામાં હોય છે અને સભાનાવસ્થામાં એટલી તો ખબર હોવી જોઇએ કે આવનારા સમયમાં પોતે શું કરવા માંગે છો.’ કોંગ્રેસ ભલે કડક કાયદાની માંગ કરી રહી હોય પણ આ ચૂંટણીના પરિણામો જ બતાવશે કે જનતા ગદ્દારી કરનારા નેતાઓને સ્વીકારે છે કે જાકારો આપે છે.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 6:00 am

‘તું ગમે તે હોય બોલતો નહીં પાડી દઈશ’:રાજકોટમાં બા બગડ્યાં; ઈટાલિયાના શબ્દો સાચા પડ્યા, ભાજપ-કોંગ્રેસે પડ્યો બોલ ઝીલ્યો!

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 6:00 am

NSUIની માગ:એબીવીપીના કાર્યક્રમમાં થયેલા બોલિવુડ ગીત પર થયેલા ડાન્સ મામલે ફરિયાદની NSUIની માગ

એનએસયુઆઇએ યુનિ.માં એબીવીપીના કાર્યક્રમમાં થયેલા બોલીવુડ સોન્ગ પર ડાન્સના મુદ્દે ફરીયાદ કરવાની માંગ કરી હતી. કોઈ અન્ય સંગઠને આ કર્યું હોત, તો અત્યાર સુધી પોલીસ ફરિયાદો થઈ હોત તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. એનએસયુઆઇના આગેવાનો દ્વારા યુનિ.ના વીસીને આવેદન પત્ર આપીને જવાબદારો સામે પગલાં લેવા માટેની માંગણી કરી હતી. એનએસયુઆઇ ગુજરાત સેક્રેટરી સુઝાન લાડમેનએ ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે એબીવીપી સંસ્કૃતિના રક્ષક હોવાનો જે દંભ વર્ષોથી કરતું આવ્યું છે, તેનો અસલી ચહેરો કેમ્પસમાં રજૂ થયેલા અશ્લીલ નૃત્યોએ ઉઘાડો પાડી દીધો છે. યુનિ.ના વાઈસ ચાન્સેલર અને રજિસ્ટ્રારે જવાબ આપવો જોઈએ કે શું કેમ્પસમાં આવા પ્રદર્શનો માટે મંજૂરી આપવામાં આવી હતી. જો એબીવીપી સામે શિસ્તભંગના પગલાં નહીં ભરાય તો સાબિત થઈ જશે કે યુનિ. હવે વિદ્યાર્થી સંગઠનના ઇશારે કામ કરે છે. વિદ્યાર્થિનીએ વીડિયો પોસ્ટ કરી કહ્યું કે, મેં કોઇ દેશદ્રોહ નથી કર્યો, માત્ર ડાન્સ કર્યો છેયુનિ.ની વિદ્યાર્થીનીએ એબીવીપીના કલ્ચરલ ફેસ્ટમાં કરેલા ડાન્સનો વીડિયો દેશભરમાં વાઇરલ થયો છે. જેના પગલે વિદ્યાર્થીનીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે મે અશ્લીતતા ફેલાવી છે તેવું કહેવામાં આવી રહ્યું છે. મે તેમાં સાડી પહેરી હતી. મે જે ગીત પસંદ કર્યું તે ખોટું હતું તેના માટે હું માફી માંગુ છું. આ આટલી પણ મોટી વાત નથી કે તેને મોટી બનાવી દેવાઇ છે. મે કોઇ દેશદ્રોહ નથી કર્યો. હું એબીવીપી કે એનએસયુઆઇ વાળાને નથી જાણતી. મે એક ફેસ્ટમાં બોલીવુડ સોન્ગ પર ડાન્સ કર્યો છે. એનએસયુઆઇવાળાએ વીડિયો ફેલાવી દિધો છે પણ મારી મેન્ટલ હેલ્થ માટે વિચાર કર્યો નથી. દેશમાં આટલા મોટા મુદ્દાઓ હોવા છતાં આવી નાની બાબતને મુદ્દો બનાવ્યો છે. મારા પર શું વિતી રહી છે તેનો કોઈએ વિચાર કર્યો નથી. વિદ્યાર્થિનીનું ઇન્સ્ટાગ્રામ આઇડી સસ્પેન્ડ કરી દેવાયું, બીજું એકાઉન્ટ બનાવીને પક્ષ રજૂ કર્યોએબીવીપીના કાર્યક્રમમાં ડાન્સ કરનાર વિદ્યાર્થીનીનો વિડિયો વાઇરલ થયા બાદ ભારે વિવાદ સર્જાયો હતો. જેના પગલે વિદ્યાર્થીનીએ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ શેર કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. જોકે તેનું ઇન્ટાગ્રામ આઇડી સસ્પેન્ડ કરી દેવાયું હતું. વિદ્યાર્થીનીએ નવું ઇન્ટાગ્રામ આઇડી બનાવીને ફરીએક નવી પોસ્ટ કરી હતી. જેમાં એનએસયુઆઇ સામે આક્ષેપો કરતા કહ્યું હતું કે મે જે પોસ્ટ કરી તેનાથી એનએસયુઆઇ ગભરાઇ ગયું અને તેમના માસ મીડિયાએ ભેગા થઇને મારું આઇડી સસ્પેન્ડ કરાવી દીધું છે. તમે સાચા હોય તો સારી રીતે લડો. એક છોકરીનો અવાજ દબાવવા માટે આઇડી સસ્પેન્ડ કરાવી દિધી છે. છોકરી પોતાનો પક્ષ રજૂ કરી રહી છે. તમે રાજકારણ માટે ખોટો પ્રોપોગેન્ડા ફેલાવી રહ્યા છો.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 5:57 am

ભાસ્કર એક્સક્લુસિવ:MSUના વિદેશી વિદ્યાર્થીએ સગર્ભાને રેડિયેશનથી બચાવવા સ્ટેનલેસ સ્ટીલનો મેટરનિટી બેલ્ટ બનાવ્યો

માતા અને બાળકને રેડિયેશનથી સુરક્ષિત રાખવા માટે સ્માર્ટ ટેક્સટાઇલ સોલ્યુશન વિકસાવામાં આવ્યું છે. એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના ટેકસટાઇલ એન્જીનીયરીંગ વિભાગના વિદેશી વિદ્યાર્થીએ રીસર્ચ કરી ગર્ભવતી મહિલાઓને હાનિકારક રેડિયેશનથી સુરક્ષિત રાખવા સ્ટેનલેસ સ્ટીલ માઇક્રોફાઇબર મેટરનિટી બેલ્ટ તૈયાર કરાયો છે. તાજેતરમાં કરવામાં આવેલા એક મહત્વપૂર્ણ સંશોધનમાં ગર્ભવતી મહિલાઓને હાનિકારક ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનથી સુરક્ષિત રાખવા માટે નવીન ટેક્સટાઇલ આધારિત ઉકેલ વિકસાવવામાં આવ્યો છે. આ સંશોધન ડૉ. સત્યજીત ચૌધરીના માર્ગદર્શન હેઠળ સીરિયાના આંતરરાષ્ટ્રીય પીએચ.ડી. સંશોધક મુસ્તફા અલોથમેન એ કર્યું છે. મોબાઇલ ફોન, વાઇ-ફાઇ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોના વધતા ઉપયોગને કારણે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનનો પ્રભાવ ગર્ભવતી મહિલાઓ પર વધુ સંવેદનશીલ માનવામાં આવે છે, આ પ્રકારનું રેડિયેશન ગર્ભમાં રહેલા બાળકના વિકાસને અસર કરી શકે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સંશોધકોએ સ્ટેનલેસ સ્ટીલ માઇક્રોફાઇબર ધરાવતા વિશેષ કાપડથી બનેલો હલકો અને આરામદાયક મેટરનિટી બેલ્ટ વિકસાવ્યો છે. આ ટેક્સટાઇલ 99.9 ટકા કરતાં વધુ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનને અટકાવવામાં સક્ષમ છે. આ કાપડ નરમ, હવા પસાર થતું અને દૈનિક ઉપયોગ માટે ખૂબ અનુકૂળ છે. આ સંશોધન માતા અને બાળકના આરોગ્યની સુરક્ષા માટે સસ્તું અને અસરકારક ઉકેલ આપે છે. તેમજ ઊંચા રેડિયેશનવાળા ક્ષેત્રોમાં કામ કરતા લોકો માટે પણ લાભદાયક બની શકે છે. મેટરનિટી બેલ્ટથી સગર્ભાની સુરક્ષા અસરકારક સાબિત થઈ શકે મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોના વધતા ઉપયોગને કારણે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનનો ખતરો વધ્યો છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ માટે આ જોખમ વધારે છે. વિકસાવાયેલ મેટરનિટી બેલ્ટ તેમની સુરક્ષા માટે અસરકારક સાબિત થઈ શકે છે. > ડૉ. સત્યજીત ચૌધરી, એસોસીએટ પ્રોફેસર, ટેકસટાઇલ એન્જીનીયરીંગ વિભાગ બેલ્ટમાં મિશ્ર દોરાનો ઉપયોગ કરવામાં આવ્યો

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 5:54 am

ભગવાનની પંચવક્ર પૂજા કરાઈ:દશરથ ગામમાં એકલિંગજી મહાદેવના પાટોત્સવ નિમિત્તે શોભાયાત્રા નીકળી

દશરથ ચોર્યાસી મેવાડા બ્રહ્મ સમાજ દ્વારા ગામમાં ભગવાન એકલિંગજી મહાદેવના પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ​સ્વ. છોટાલાલ જોષી પરિવારના યજમાન પદે રવિવાર, 12 એપ્રિલે આ મહોત્સવ યોજાયો હતો. પાટોત્સવના પ્રારંભે ગામના મુખ્ય મંદિરેથી પૂજા સ્થળ બ્રાહ્મણ ફળિયા સુધી ભગવાન એકલિંગજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ઢોલ-નગારા અને વાજતે-ગાજતે નીકળેલી આ યાત્રામાં શ્રદ્ધાળુઓ ઉમળકાભેર જોડાયા હતા. ​પૂજા સ્થળે આકર્ષક મંડપ અને રંગોળી સાથે કુંડ તૈયાર કરવામાં આવ્યો હતો. મહેશ ગુરુજીના આચાર્ય પદે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે હોમાત્મક લઘુરુદ્ર અને ભગવાન એકલિંગજીની પંચવક્ર પૂજા કરવામાં આવી હતી. આ ઉપરાંત કુશ કંડિકા પૂજા દ્વારા સામગ્રી પવિત્ર કરી અગ્નિનું આવાહન કરાયું હતું. ​આ સત્કાર્યની પરંપરા જળવાઈ રહે તે હેતુથી, વર્ષ 2027ના પાટોત્સવ માટે હિરેનભાઈ કનૈયાલાલ જોષી પરિવાર યજમાન બનશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ આયોજન દશરથ ચોર્યાસી મેવાડા બ્રહ્મ સમાજ માટે એક નવી સંસ્કૃતિ અને ઈતિહાસનું પ્રતીક બન્યું છે.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 5:51 am

માંજલપુરમાં વીવાયઓ દ્વારા મહાપ્રભુજીની શોભાયાત્રા નીકળી:મહાપ્રભુજીના ષોડશ ગ્રંથ મનના વિકારો દૂર કરવાની ઔષધિ છે: વ્રજરાજકુમારજી

માંજલપુર ખાતે જગદગુરુ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના પ્રાગટ્યોત્સવ નિમિત્તે વીવાયઓ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ ધાર્મિક મહોત્સવમાં હજારોની સંખ્યામાં વૈષ્ણવો ભક્તિભાવ પૂર્વક જોડાયા હતા.આ પ્રસંગે વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષી, ગુજરાત વિધાનસભાના દંડક બાલુ શુક્લ, મંત્રી મનીષાબેન વકીલ, સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા, ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની સહિત અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રાનો પ્રારંભ વ્રજરાજકુમારજી મહારાજે ધ્વજ ફરકાવીને કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, “સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં વલ્લભાચાર્યજી પાંચમાં જગદગુરુ આચાર્ય છે. તેમણે માયાવાદનું ખંડન કરી સાકાર બ્રહ્મવાદની સ્થાપના કરી હતી. મહાપ્રભુજીમાં કૃષ્ણ, સ્વામિજી અને ગુરુ એમ ત્રણેય સ્વરૂપોનો વાસ છે. વ્રજધામ સંકુલ ખાતે બિરાજમાન મહાપ્રભુજીના સાક્ષાત સ્વરૂપને વૈષ્ણવોએ કેસર સ્નાન કરાવ્યું હતું. ત્યારબાદ ભક્તોએ પુષ્પ વિતાન મનોરથના દર્શન કર્યા હતા. માંજલપુરમાં વીવાયઓ દ્વારા મહાપ્રભુજીની શોભાયાત્રા નીકળી, 10 હજારથી વધુ વૈષ્ણવો ઊમટ્યા શોભાયાત્રાનાં મુખ્ય આકર્ષણો

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 5:50 am

સિટી એન્કર:પાલિકાની ચૂંટણીના દિવસે 42 ડિગ્રી ગરમીની આગાહી અને શાળાઓમાં વેકેશનથી મતદાન પર અસરની શક્યતા, ઉમેદવાર-કાર્યકરો દોડતા રહેશે

કોર્પોરેશન, જિ.પંચાયત, નગર પાલિકા, તાલુકા પંચાયતની ચૂંટણી 26 એપ્રિલે યોજાશે.ગત ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાઇ હતી, આ વખતે ભરઉનાળે મતદાન થશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 26 એપ્રિલે પારો 42 ડિગ્રી રહે તેવી શક્યતા છે. જ્યારે શાળાઓમાં વેકેશન હશે, જેની સીધી અસર મતદાન પર પડી શકે છે. નોંધનીય છે કે, શહેરમાં સોમવારે મહત્તમ પારો 41.4, લઘુતમ પારો 24 ડિગ્રી નોંધાયો હતો.આકરી ગરમીથી માર્ગો સૂમસામ બન્યા હતા. 26મીએ સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. 26મીએ ગરમીનો પારો 42 ડિગ્રી સુધી જવાની શક્યતા છે, જેની અસર મતદાન પર પડી શકે છે. વહેલી સવારે વધુ મતદાન થાય તેવા પ્રયાસ રાજકીય પક્ષો કરશે. જોકે રજા હોવાથી નોકરિયાત વર્ગ આરામના મૂડમાં હશે. ઉપરાંત શાળામાં વેકેશન હોવાથી લોકો બહાર જતા રહે તેવા કિસ્સામાં મતદાન પર અસર થશે. 2021ની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાઇ ત્યારે માત્ર 48 ટકા મતદાન થયું હતું, હવે કાળઝાળ ગરમી ઉમેદવારોના જીવ અધ્ધર કરી દે તેવી શક્યતા છે. આગામી દિવસોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ રહેશેશહેરમાં છેલ્લા 2 દિવસથી પારો 40 ડિગ્રીને પાર જઈ રહ્યો છે. તાપમાનમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે. એપ્રિલના છેલ્લા 8 થી 10 દિવસ પારો 40 ડિગ્રીની ઉપર રહેશે. > મુકેશ પાઠક, હવામાન નિષ્ણાત ભાસ્કર એક્સપર્ટપાલિકાની ચૂંટણી 26મીએ યોજાશે. આ દિવસે રવિવાર છે અને તાપમાન વધુ હોઈ શકે છે. જેથી મતદાનની ટકાવારી ઘટી શકે છે. આ તારીખને સકારાત્મક રીતે લેવી જોઈએ. કારણ દરેક વ્યક્તિ લોકશાહીના ઉત્સવમાં ભાગ લઈ શકે છે. મતદાતા તરીકેની તેમની ઓળખ અને ભારતને વધુ સારું બનાવવા તેની સાથે જોડાયેલી જવાબદારીને સમજવી જોઈએ. - વીરેન્દ્ર સિંહ, અધ્યાપક, સમાજશાસ્ત્ર વિભાગ આ 3 મોટાં ફેક્ટર્સ અસર કરશે

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 5:47 am

પાલિકાની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો:ભાજપના બિનહરીફ થવા માટે કાવાદાવા, કોંગ્રેસના 3 ઉમેદવારના સંપર્કમાં,પ્રલોભન આપતા હોવાનો આક્ષેપ

પાલિકાની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. શહેર કોંગ્રેસના પ્રભારી બિમલ શાહે ભાજપ પર ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, ભાજપના નેતાઓ ચૂંટણીમાં બિનહરીફ થવા શામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી રહ્યા છે. બે-ત્રણ દિવસથી ભાજપના નેતાઓ કોંગ્રેસના 3 ઉમેદવારોના ઘરે જઈ ચૂંટણી ન લડવા પ્રલોભન આપી રહ્યા હોવાની વિગતો સપાટી પર આવી છે. બિમલ શાહે જણાવ્યું હતું કે, કોંગ્રેસના તમામ 19 ઉમેદવારોના ફોર્મ મંજૂર થયાં છે, પરંતુ વોર્ડ નં. 15માં અધિકારીઓની મિલીભગતથી રાજેન્દ્ર બારોટનું ફોર્મ રદ કરાયું હતું. જેને કારણે હવે ડમી ઉમેદવાર હિતેશ માછીને સત્તાવાર ઉમેદવાર બનાવવાયા છે. કોંગ્રેસ પ્રભારીએ ભાજપના આંતરિક વિખવાદનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર લાખાવાલા જેવા સૌમ્ય નેતાએ પણ કબૂલ્યું છે કે ગત વર્ષોમાં શહેરમાં વિકાસ નહીં, માત્ર ભ્રષ્ટાચાર જ થયો છે. ઉપરાંત સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે પણ જાહેરમાં નારાજગી વ્યક્ત કરી છે કે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનની નિમણૂકમાં ચૂંટાયેલા પ્રતિનિધિની સલાહ લેવાતી નથી. તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસના ઉમેદવારો આર્થિક રીતે ભલે સામાન્ય હોય, પરંતુ તેઓ વેચાય તેવા નથી. ભાજપ ભૂતકાળની જેમ ધાક-ધમકી અને લાલચ આપી લોકશાહીનું હનન કરવાનો પ્રયાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 5:45 am

ભાસ્કર એનાલિસિસ:ભાજપ-કોંગ્રેસમાં 33 મહિલા સ્નાતક-અનુસ્નાતક,સૌથી યુવાન ઉમેદવાર 22 વર્ષની, એકની સંપત્તિ માત્ર 7 હજાર

વડોદરામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોનાં ઉમેદવારીપત્ર સાથે સોગંદનામામાં રસપ્રદ વિગતો સામે આવી છે. બંને પક્ષોના 53 ઉમેદવારો 41-50 વય જૂથના છે, જેમાં સૌથી યુવા ઉમેદવાર વોર્ડ 9ના 22 વર્ષનાં દિશા પારેખ (કોંગ્રેસ) છે, જ્યારે સૌથી વૃદ્ધ 75 વર્ષનાં વોર્ડ 16ના ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ (કોંગ્રેસ) છે. શિક્ષણની દૃષ્ટિએ 152માંથી 52 ઉમેદવારો ગ્રેજ્યુએટ કે તેથી વધુ ભણેલા છે. જ્યારે સંપત્તિની દૃષ્ટિએ 36 ઉમેદવારો કરોડપતિ છે. ભાજપના સ્મિત આરદેશણા 62 કરોડ સાથે સૌથી ધનિક છે, જ્યારે કોંગ્રેસના અલ્પેશ પારેખે માત્ર 7 હજારની સંપત્તિ દર્શાવી છે. મહિલા ઉમેદવારોમાં પણ શિક્ષણનું પ્રમાણ સારું છે, જેમાં 33 મહિલાઓ ઉચ્ચ શિક્ષિત છે. ઉંમર મુજબ ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર સૌથી નાની વય: સૌથી વધુ વય: વય જૂથ મુજબ વિગત: મહિલા ઉમેદવારોનું શિક્ષણ (કુલ 76 મહિલા ઉમેદવાર) ગ્રેજ્યુએટ / પોસ્ટ ગ્રેજ્યુએટ: 33 મહિલા (ભાજપ: 20, કોંગ્રેસ: 13) ધોરણ 11 થી 12 ભણેલાં: 19 મહિલા (ભાજપ: 7, કોંગ્રેસ: 12) ધોરણ 5 થી 10 ભણેલાં: 20 મહિલા (ભાજપ: 10, કોંગ્રેસ: 10) અભણ: કોંગ્રેસ વોર્ડ-4નાં ઉમેદવાર બરેસા માયાબેન અભણ છે. સંપત્તિ અને શિક્ષણની અન્ય વિગતો 152 ઉમેદવારમાંથી 36 કરોડપતિ: ભાજપના 22 અને કોંગ્રેસના 14 ઉમેદવાર. સૌથી ઓછું ભણેલા: ભાજપના વોર્ડ-2 અને 5ના દામજી પ્રજાપતિ અને કેશુ રાઠવાએ ધોરણ 7 સુધી અભ્યાસ કર્યો છે. ભાજેપે નિયમ તોડી 63 વર્ષનાં સરસ્વતી દેસાઈને ટિકિટ આપીભાજેપે ઉમેદવાર માટે 60 વર્ષની મર્યાદાની સીમા નક્કી કરી છે. તદુપરાંત ત્રણ ટર્મ અને પરિવારવાદનો પણ ક્રાઈટેરિયા મૂક્યો છે. જોકે પક્ષે વય મર્યાદાનો ક્રાઇટેરિયા તોડી વોર્ડ નંબર 16માં 63 વર્ષનાં સરસ્વતી દેસાઈને ટિકિટ આપી છે. તેઓના સોગંદનામામાં ઉંમર 63 વર્ષની હોવાનો ઘટસ્ફોટ થતાં વિવાદ થયો છે. બીજી તરફ વોર્ડ 9માં કોંગ્રેસના ઉમેદવાર અલ્પેશ પારેખે સોગંદનામામાં તેમની પાસે માત્ર 7 હાજર હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેમની પાસે માત્ર એક ટુ-વ્હીલર હોવાનો ઉલ્લેખ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 5:43 am

મહાન પાર્શ્વગાયિકા આશા ભોસલેનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન

- ચાહકોએ આશા અમર રહે... ના નારા ગજવ્યા - દાદી આશાની સાથે પડછાયાની જેમ રહેતી પૌત્રી ઝનાઈ ધુ્રસ્કે ધુ્રુસ્કે રડી પડી: સચિન તેંડુલકરની આંખમાં ચોધાર આંસુ - સ્મશાન યાત્રામાં પ્રમાણમાં ઓછી ભીડ: સમગ્ર સ્મશાન ગૃહને ફૂલોના સુશોભન તથા આશાજીની તસવીરોથી સજાવાયું

ગુજરાત સમાચાર 14 Apr 2026 5:35 am

LCBની કાર્યવાહી:મોડાસાના વાટડા કાબોલામાંથી સગીરાને ભગાડી જનાર ઝબ્બે

મોડાસાના વાંટડા (કાબોલા)માંથી 10 દિવસ અગાઉ સગીરાનું અપહરણ કરી ભગાડી જનાર આરોપીને એલસીબીએ રાજેન્દ્ર નગર ચોકડી પાસેથી આરોપીને ભોગ બનનાર સાથે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો હતો. મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તા૨માં આવેલ વાંટડા (કાબોલા) ગામેથી આરોપી દિક્ષિતકુમાર લાલાભાઈ ખાંટ રહે.માધુપુર તા.મોડાસા સગીરાનું અપહ૨ણ ક૨ી ભગાડી ગયો હતો. આ અંગે મોડાસા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. અપ૨ણના ગુનાની ગંભી૨તાને ધ્યાને લઈ એલસીબીની ટીમ જિલ્લામાં આરોપી તથા ભોગ બનનાર સગીરાની તપાસમાં હતી. દરમિયાન એલસીબીને મળેલી ખાનગી માહિતીના આધારે ગંભીર ગુનાના આરોપી દિક્ષિતકુમાર લાલાભાઈ ખાંટને ભોગબનના૨ સગીરા સાથે ૨ાજેન્દ્રનગ૨ ચોકડી નજીકથી ઝડપી પાડ્યો હતો.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 5:31 am

ધીમી કામગીરીથી લોકો હેરાન:ખેરોજથી કોટડા હાઈવેનું કામ 4 માસથી ધીમું

ખેરોજથી કોટડા હાઇવે પર મહત્વના લાંબાડીયાથી કોટડા વચ્ચે છેલ્લા ચાર મહિનાથી ચાલી રહેલું રોડ રિપેરિંગ અને ઢાળ દબાવવાનું કામ હવે વાહનચાલકો અને સ્થાનિક રહીશો માટે આશીર્વાદને બદલે આફત સમાન સાબિત થઈ રહ્યું છે. તંત્રની ઘોર બેદરકારી અને કોન્ટ્રાક્ટરની ઢીલી કામગીરીના કારણે આ માર્ગ પરથી પસાર થવું જોખમી બન્યું છે. ​સ્થાનિક રહીશો અશ્વિનભાઈ, કાંતિભાઈ વગેરેએ જણાવ્યું કે આ હાઇવે પર છેલ્લા ચાર મહિનાથી ઢાળ દબાવવાની કામગીરી ચાલુ કરાઇ છે. જોકે, લાંબો સમય વિતવા છતાં હજુ સુધી કામ પૂર્ણ થવાના કોઈ એંધાણ દેખાતા નથી. ખાસ કરીને ખેરોજ ગામનો ઢાળ, ટેબડા ગામના બે ઢાળ અને ખરણીયા ગામ પા સેના ઢાળ તોડી નાખવામાં આવ્યા છે, પરંતુ તેને વ્યવસ્થિત રીતે સમથળ કરી આગળની કામગીરી કરાતી નથી. ઢાળ તોડ્યા બાદ ત્યાં કપચીના ઢગલા અને રેતી માટીના થર ખડકી દેવામાં આવ્યા હોવાથી વાહનોની અવરજવરને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે પ્રમાણમાં ધૂળ અને માટી ઉડે છે. ​ધૂળની આ ડમરીઓના કારણે રસ્તાની આસપાસ રહેતા લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર પડી રહી છે. શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા જેવી ફરિયાદો ઉઠી રહી છે. તંત્ર દ્વારા આ કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અને જ્યાં સુધી કામ ચાલુ હોય ત્યાં સુધી ધૂળ પર નિયંત્રણ લાવવા માટે નિયમિત પાણીનો છંટકાવ કરવામાં આવે.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 5:30 am

હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો:વલસાડમાં આપના ઉમેદવાર ગાયબ, ગરીબ ઉમેવાદરને ઉંચકી જવાયો કહી અમારો માણસ જોઇએ તેવી માગ કરી

વલસાડ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે મામલતદાર કચેરીમાં હાઇ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. તાલુકા પંચાયતની વાસણ બેઠક પર ઉમેદવારી નોંધાવનાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર સવારે ઘરેથી નીકળી ચકાસણીનો દિવસ હોય મામલતદાર કચેરીમાં આવ્યા બાદ તેમનો કોઇ પત્તો ન મળતાં રહસ્ય સર્જાયું છે. આ મુદ્દે મામલતદાર કચેરીમાં આપના કાર્યકરોએ ભારે હોબાળો મચાવી દેતાં પોલીસ ટીમ ધસી આવી હતી. આપના કાર્યકરોએ ભાજપ પર આક્ષેપો કરતાં વાતાવરણ તંગ બની ગયું હતું. ગરીબ ઉમેવાદરને ઉંચકી જવામાં આવ્યા હોવાનું કહી એક મહિલા કાર્યકરે અમારો માણસ જોઇએ તેવી માગ કરી હતી. મામલતદાર કચેરીમાં ચકાસણીના દિવસ હોવાથી ભાજપના કાર્યકરો પણ હતા. દરમિયાન આપ કાર્યકરોએ શંકા ઉઠાવી ભાજપ પર તેમના ઉમેદવારને કથિત રીતે ઉંચકી જવાનો ગંભીર આક્ષેપ કરી મામલતદાર કચેરીમાં ભારે હોબાળો મચાવી દેતાં પોલીસ ધસી આવી હતી. ચકાસણીની તારીખ હતી ત્યારે સવારે આપના વાસણ બેઠકના ઉમેદવાર ભીખુ ખંડુભાઇ પટેલ કાર્યકરો સાથે મામલતદાર કચેરી ખાતે આવ્યા હતા. જ્યાં આમ આદમી પાર્ટીના પ્રભારી જિજ્ઞેશ ગોહિલ સહિત કાર્યકરો હાજર હતાં. દરમિયાન પ્રક્રિયા પૂરી થતાં ઉમેદવાર ભીખુભાઇ ઘરે જાઉં છું તેમ કહીને મામલતદાર કચેરીથી નિકળ્યા હતાં. બાદમાં મોબાઇલ ઉપર ફોન કરતાં સ્વીચ ઓફ આવ્યો હતો. અનેકવાર પ્રયાસ કરવા છતાં ફોન પર સંપર્ક નહિ થતાં આપના કાર્યકરો હોદ્દેદારોમાં ચિંતા પેઠી હતી અને કાર્યકરોએ ભાજપ શંકા ઉઠાવી આક્ષેપો કર્યા હતા. ફોન ચાલુ હતો તો કેમ સ્વીચ ઓફ આવ્યોવલસાડ આમ આદમી પાર્ટીના વાસણ બેઠકના ઉમેદવાર ભીખુભાઇ મામલતદાર કચેરીમાં ઉપસ્થિત કાર્યકરોને ઘરે જાઉં છું કહીને નિકળ્યા બાદ પરત ઘરે નહિ જતાં મામલો ગંભીર બન્યો હતો. પાર્ટીના પ્રભારીએ કાર્યકરોએ ફોન કર્યો તો મોબાઇલ સ્વીચ ઓફ આવ્યો હતો. મોબાઈલ સતત સ્વિચ ઓફ આવતા ઉમેદવારને ઊંચકી જવાની શંકા પેઠી હતી. કટોકત સમયે ઉદભવેલી આ સ્થિતિએ આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં આક્રોશ જોવા મળ્યો હતો. કચેરીમાંથી ઘરે જાઉં છું‎કહીને નિકળ્યા હતા‎મામલતદાર કચેરીએ ચકાસણી હતી એટલે તા.પં.‎ની વાસણ બેઠકના આપના ઉમેદવાર સાથે જ‎હતા. પછી કચેરીએથી તેઓ ઘરે જાઉં છું કહીને‎નિકળ્યા હતા. કાર્યકરો સાથે જ નિકળવાના હતા‎પરંતુ પછી ક્યાં ગયા તે ખબર નથી. ઘરે ફોન કર્યો‎તો પરિવારે ભીખુભાઇ ઘરે આવ્યા નથી તેવું‎જાણવા મળ્યું હતું. વલસાડ સિટી પોલીસ મથકમાં‎આપ પાર્ટીના ઉમેદવાર ભીખુભાઇ ખંડુભાઇ‎પટેલનો ફોન સ્વીચ ઓફ આવે છે અને કોઇ પત્તો‎મળ્યો નથી તે બાબતની અરજી આપી છે. જેના‎આધારે પોલીસે તપાસની તજવીજ હાથ ધરી છે.‎ >‎જિજ્ઞેશ ગોહિલ, પ્રભારી, વલસાડ, આપ પાર્ટી‎

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 5:30 am

નિમણૂક:રોટરી ક્લબ સિલ્વાસાના પ્રમુખ ભાવેશ પટેલ બન્યા

રોટરી ક્લબ ઓફ સિલવાસા, ડિસ્ટ્રિક્ટ 3060 એ વર્ષ 2026-27 માટે એક ભવ્ય અને ગૌરવપૂર્ણ ઉદ્ઘાટન સમારોહનું આયોજન કર્યું. આ પ્રતિષ્ઠિત 28 વર્ષ જૂના ક્લબે સેવા, નેતૃત્વ અને સમર્પણની સમૃદ્ધ પરંપરા ચાલુ રાખીને નવા પદાધિકારીઓનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવી, પ્રાર્થના અને રાષ્ટ્રગીત ગાવાથી થઈ હતી. મુખ્ય મહેમાન રોટરીયન વિપુલ પટેલ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર 2028-29, આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. તેમના પ્રેરણાદાયી સંબોધનમાં, તેમણે રોટરી મૂલ્યો અને સમાજ સેવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો, અને તમામ સભ્યોને 2026-27 ના સંદેશ: સ્થાયી અસર બનાવો’ અનુસાર કાર્ય કરવા પ્રેરણા આપી. રોટરીયન ભાવેશ ઉત્તમભાઈ પટેલે વર્ષ 2026-27 માટે પ્રમુખ તરીકે શપથ લીધા અને ક્લબને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો સંકલ્પ લીધો હતો. ડૉ. વિજય પરમારે સેક્રેટરી તરીકે પણ પોતાની ફરજો સંભાળી હતી. આ પ્રસંગે સહાયક ગવર્નર સ્તુતિ ગર્ગની હાજરી ખાસ કરીને નોંધપાત્ર હતી. રોટરીયન ધર્મેશ સિંહ ચૌહાણ, રોટરીયન અંકિતા પટેલ, રોટરીયન મુકેશ સોલંકી, રોટરીયન નરેન્દ્ર દેસાઈ અને રોટરીયન કુણાલ પરમાર સહિત અન્ય સભ્યો હાજર રહ્યા હતા. સમારંભ દરમિયાન, ક્લબમાં 12 નવા સભ્યોનો ઔપચારિક રીતે સમાવેશ કરવામાં આવ્યો, જેનાથી ક્લબની સેવા ક્ષમતા વધુ મજબૂત થઈ. વધુમાં, ડિરેક્ટર બોર્ડને શપથ ગ્રહણ કરાવાયા, જેમાં રોટરી ઇન્ટરનેશનલના સેવા સ્વ-ઉપર’ ના સૂત્રને અપનાવીને સામાજિક સેવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી હતી. કાર્યક્રમનો સમાપન આભારવિધિ સાથે થયો.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 5:30 am