SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

27    C
...

SIRની કામગીરી:નામ કમી થવા છતાં કલેક્ટર સમક્ષ માત્ર સાતે જ અપીલ કરી

એસઆઇઆરની પ્રક્રિયામાં જે મતદારોના નામ સુનવણી બાદ પણ કમી કરી દેવાયા તેઓને નામ જોડાવવા માટે પ્રથમ અપીલ અધિકારી તરીકે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ અપીલ કરવાનો એક મોકો મળે છે. અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ અત્યાર સુધી માત્ર સાત મતદારોએ નામ જોડાવવા માટે અરજી કરી છે. મતદારોએ નામ જોડાવવા માટે અપીલમાં નથી જતા તેનું મુખ્ય કારણ છે કે લોકોમા પ્રથમ અપીલના અધિકારને લઇને જાગરૂકતા ન હોવાના કારણે તેનો ઉપયોગ કરતા નથી. જો તેઓ પ્રથમ અપીલ અધિકારીના સુનાવણી પછી પણ સંતુષ્ટ ન હોઇ શકે અને બીજી વખત અપીલ કરવી હોય તો રાજ્ય ચૂંટણી અધિકારી સમક્ષ પણ અરજી કરી શકે છે. 17 ફેબ્લુઆરીએ ફાઈનલ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. શહેરમાં નામ કમી કરવા 34 હજારથી વધુ અરજી આવીશહેરની તમામ વિધાનસભામાં નામ કમી કરવા માટે 34 હજારથી વધુ અરજી આવી હતી. સૌથી વધુ દાણીલીમડા અંગેની અરજી મણિનગર વિધાનસભામાં સૌથી વધુ 3100થી વધુ અરજી આવી હતી. 17 ફેબ્રુઆરીએ ફાઇનલ ઇલેક્ટોરલ રોલ જાહેર કરાશે. ત્યારબાદ નામ જોડાવવા માટે અરજી કરી શકાશે. ફાઇનલ યાદી જાહેર થયા બાદ પણ લોકો પોતાનું નામ જોડાવવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ અરજી કરી શકશે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 5:21 am

હાઉસ લિસ્ટિંગ શરૂ કરાશે:એપ્રિલથી ઘરની ગણતરી, મકાન પોતાનું કે ભાડે એવાં પ્રશ્ન પુછાશે

વસતી ગણતરીની તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ સહિત રાજ્યભરમાં આગામી 1 એપ્રિલથી મકાનોની ગણતરી (હાઉસ લિસ્ટિંગ) શરૂ કરાશે. કલેક્ટર કચેરી દ્વારા આ પ્રક્રિયા માટે વહીવટી માળખું તૈયાર કરી દેવાયું છે, જેમાં બે નાયબ કલેક્ટર મોનિટરિંગ કરશે અને તેમના માર્ગદર્શન હેઠળ મામલતદાર તેમજ આસિસ્ટન્ટ ટીડીઓ કક્ષાના અધિકારીઓ સુપરવિઝન કરશે. આ કામગીરી માટે વિવિધ ઝોન બનાવીને કર્મચારીઓને માસ્ટર ટ્રેનિંગ અપાશે. પ્રથમ તબક્કામાં એપ્રિલથી સપ્ટેમ્બર સુધી માત્ર ઘરની ગણતરી કરાશે. આગામી વર્ષે ફેબ્રુઆરીથી બીજા તબક્કામાં વસતી ગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે. 1 એપ્રિલથી અમદાવાદ સહિત રાજ્યમાં પ્રક્રિયા શરૂ થશે આ પ્રકારના પ્રશ્નો પુછાશે

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 5:20 am

સિટી એન્કર:35 વર્ષ સુધી ભરણપોષણ ન આપનાર પતિને પત્ની પથારીવશ હોવાની જાણ થતાં ઘરમાં ICU બનાવ્યું, 27 મહિને કોમામાંથી બહાર આવી

ગુજરાત હાઈકોર્ટમાં જૂના કેસના ઝડપી નિકાલ માટે શનિવારે રજાના દિવસે પણ ન્યાયમૂર્તિઓ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન 18 વર્ષ જૂના એક પતિ-પત્નીના લગ્ન વિચ્છેદનો કેસ લગ્નનાં 35 વર્ષે સુખદ સમાધાન લઈને સામે આવ્યો છે. લગ્નનાં થોડાં વર્ષોમાં જ એકબીજાને છૂટાછેડા આપી દીધા બાદ પતિએ કોર્ટે નક્કી કર્યા મુજબ ભરણપોષણ આપવાનું બંધ કર્યું હતું. આથી પત્નીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ 18 વર્ષ સુધી પત્નીનો કોઈ પત્તો મળ્યો નહોતો. છેવટે 85 વર્ષીય પતિએ તેમની પત્નીને શોધવા પ્રયત્ન કરતા તે મહુવામાં જીવનમરણ વચ્ચે ઝોલા ખાતી હોવાની ભાળ મળી હતી. આથી પતિ તાત્કાલિક તેને ગાંધીનગરમાં પોતાના ઘરે લઇ આવ્યા હતા. ઘરે જ આઈસીયુ બનાવીને 24 કલાક માટે પત્નીની કાળજી રાખી શકે તેવી નર્સની વ્યવસ્થા કરી હતી. અંતે 27 મહિના સુધી કોમાની અવસ્થામાં રહ્યા બાદ અચાનક પત્ની ભાનમાં આવ્યાં હતાં. તેમની નજર સામે પતિને જોતા તે ચોધાર આસંુએ રડી પડ્યાં હતાં. છેવટે પત્ની સાજી થતાં તેમણે કોર્ટમાં સોગંદનામુ કરીને કેસ પાછો ખેંચવા દાદ માગી હતી. છેવટે હાઈકોર્ટે 18 વર્ષે લગ્ન વિચ્છેદના આ કેસનો નિકાલ કર્યો છે. પત્નીને ગાયે શીંગડું મારતા કોમામાં સરી પડી હતીગાંધીનગરમાં નિવૃત્ત સરકારી અધિકારીએ પત્ની સાથેના લગ્ન વિચ્છેદ બાદ કોર્ટના આદેશ મુજબ ભરણપોષણ આપવાનું પણ બંધ કરી દીધું હતું. તો બીજી તરફ પત્નીની આર્થિક સ્થિતિ બગડતા તેણે નોકરી કરવાનું શરૂ કર્યું હતું. પત્ની ગાંધીનગર છોડીને મહુવાના ગામમાં ખાનગી સ્કુલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી. થોડાં વર્ષો પછી એક દિવસ પત્નીને ગાયે શિંગડું મારતા તેમને પેરાલિસીસ થયો હતો. શરૂઆતમાં પત્નીએ પતિ પાસેથી ભરણપોષણ બંધ થતા હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસ 18 વર્ષથી હાઇકોર્ટમાં પડતર હતો, પરંતુ પત્ની હાલ હાઈકોર્ટના જૂના કેસના ઝડપથી નિકાલ થાય તેવા પ્રયાસના સ્વરૂપે આ કેસ સુનાવણી પર આવ્યો ત્યારે સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ થયો હતો. પતિ તરફે વકીલે કોર્ટને જાણ કરી હતી કે તેમની પત્ની ક્યાં રહે છે તે શોધતા અનેક પ્રયત્નો કર્યા, પરંતુ મળ્યાં નહોતાં. છેવટે પત્નીના ગામની કોઈ વ્યક્તિએ તેમની પત્ની જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી હોવાની જાણ કરી હતી. આથી પતિ 85 વર્ષીય પત્નીને પોતાને ઘરે લઈ આવ્યા હતા અને ઘરમાં જ સારવારની વ્યવસ્થા ઊભી કરી દીધી હતી.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 5:19 am

રાજ્યમાં પહેલી વાર લોંગ ડિસ્ટન્સ રોબોટિક સર્જરી:દિલ્હીમાં બેઠેલા ડોક્ટરે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ મહિલાનું પિત્તાશય દૂર કર્યું

શહેરના એક ગેસ્ટ્રો સર્જને રાજ્યમાં પ્રથમવાર ટેલી-રોબોટિક સિસ્ટમ દ્વારા અમદાવાદથી 1 હજાર કિલોમીટર દૂર દિલ્હીથી અમદાવાદની હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં રહેલી મહિલા દર્દીના પિત્તાશય દૂર કરવાની સફળ સર્જરી કરી છે. સ્વદેશી કંપની એસએસઆઈ મંત્રા વિકસિત 3.0 દ્વારા તૈયાર કરાયેલા રોબોટ પ્લેટફોર્મની મદદથી કરાઈ છે. આ સર્જરી સુરક્ષિત અને હાઈ-સ્પીડ ડેડિકેટેડ નેટવર્ક દ્વારા રિયલ-ટાઈમ ડેટા ટ્રાન્સમિશન સાથે કરાઈ હોવાનું ડોકટર જણાવી રહ્યાં છે. શહેરની કાઇઝેન હોસ્પિટલના ડિરેક્ટર અને ગેસ્ટ્રો સર્જન ડો. સંજીવ હરિભક્તિ જણાવે છે કે, અમે 20 મહિનામાં 250 રોબોટિક સર્જરી કરી છે, પરંતુ રાજ્યમાં પ્રથમવાર 11 ફેબ્રુઆરીએ દિલ્હીથી અમદાવાદની હોસ્પિટલમાં દાખલ દર્દીની લોન્ગ ડિસ્ટન્સ ટેલી-રોબોટિક સર્જરી કરાઈ છે. સર્જરીમાં ખાસ પ્રકારની તૈયાર કરાયેલી રોબોટિક ચેર અને કોન્સોલનો ઉપયોગ કરાયો હતો. જ્યારે અમદાવાદની હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં ઉપલબ્ધ રોબોટની મદદથી મહિલા દર્દીની 1 કલાકની સર્જરીમાં પિત્તાશય કઢાયું હતું. જોકે ટેલી-રોબોટિક સર્જરી પહેલાં 3 વાર ટ્રાયલમાં ઇન્ટરનેટ કંપની, હોસ્પિટલનો આઈટી સ્ટાફ, સર્જન-નર્સિંગ ટીમ હાજર રહ્યાં હતાં. ટેલી રોબોટિક સર્જરી કેવી રીતે થાય છે?ટેલી રોબોટિક સર્જરીમાં સર્જન દર્દી પાસે પ્રત્યક્ષ હાજર ન હોવા છતાં રોબોટિક સિસ્ટમની મદદથી દૂરથી ઓપરેશન કરે છે. ઓપરેશન થિયેટરમાં રોબોટિક મશીન દર્દી પાસે રખાય છે. જ્યારે સર્જન હોસ્પિટલથી બીજા શહેરમાંથી ખાસ કન્સોલ પર બેસીને થ્રી ડી કેમેરાથી મળતી ખાસ પ્રકારના નેટવર્ક ટુ વે ઇન્ટરનેટ ફાઇબરની મદદથી તસવીરો, વીડિયો જોઈને સર્જન પોતાના હાથની હલનચલનથી રોબોટને કંટ્રોલ કરીને સર્જરી કરે છે. આ સર્જરીમાં 1 સેમીથી નાના ચારથી પાંચ કી-હોલ કરાતા હોવાથી ઓછી ચીરફાડ, ઓછો રક્તસ્રાવ, ઓછો દુખાવો, ઇન્ફેક્શનનો દર નહિવત્ હોય છે. ભાસ્કર નોલેજટેલી રોબોટિક પ્રકારની સર્જરીમાં સમયનું ગણિત એટલે લેટન્સીદિલ્હીમાં બેઠેલા ડોક્ટર કોન્સોલની મૂવમેન્ટ કરે તે મુજબ અમદાવાદમાં રોબોટ હલનચલન કરે છે. આ બંને વચ્ચેનો સમય એટલે લેટન્સી. માનવ મગજ અને હાથ વચ્ચેનો પ્રતિક્રિયા આપવાનો સમય સામાન્ય રીતે 150–200 મિલીસેકન્ડ હોય છે, પરંતુ આ સર્જરીમાં લેટન્સી 100 મિલી સેકન્ડથી ઓછી રખાઈ હતી. જો આ વિલંબ 300 મિલી સેકન્ડથી વધે તો ડોક્ટરને ગભરાટ કે ડિજિટલ મોશન સિકનેસ થઈ શકે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 5:16 am

કલાયમેટ ચેન્જની અસર:ઉનાળાને એક મહિનાની વાર છતાં ગુજરાતના 14 શહેરમાં 32 ડિગ્રીથી વધારે ગરમી નોંધાઈ

રાજ્યમાં આ વર્ષે લા-નીનો, બે વાવાઝોડા સહિતના પરિબળોના કારણે ઉનાળાની શરૂઆત મોડી થશે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 15 માર્ચ પછી ઉનાળાની ગરમીનો પ્રારંભ થશે. જો કે હાલ શિયાળો હોવા છતાં શનિવારે રાજ્યના 14 શહેરમાં 14 ડિગ્રીથી વધારે ગરમી નોંધાઈ હતી. જેમાં રાજકોટમાં 36 તો સુરતમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદ સહિતના વિવિધ શહેરમાં પણ 34 ડિગ્રી આસપાસ તાપમાન રહ્યું હતું. ઓછી કે વધુ ઠંડી, ગરમી અને વરસાદ માટે લા-નીનો અને અલ-નીનો સિસ્ટમ જવાબદાર હોય છે. જેમાં લા-નીનોને કારણે ઠંડી એ વરસાદ વધુ તેમજ અલ-નીનોને લીધે ગરમી વધુ અને વરસાદ ઓછો પડતો હોય છે. ત્યારે હાલમાં પેસિફિક સમુદ્રમાં લા-નીનો સિસ્ટમ સક્રીય હોવાથી 15 માર્ચ પછી અમદાવાદ સહિત રાજ્યમાં ઉનાળો શરૂ થવાની શક્યતા છે. તેમજ મે મહિનામાં અમદાવાદમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા હોવાનું હવામાન વિશેષજ્ઞ જણાવી રહ્યાં છે.શનિવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તો લઘુત્તમ 17.3 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સૌથી વધુ ઠંડી માટે જાણીતા નલિયામાં પણ મહત્તમ 34 ડિગ્રી અને લઘુત્તમ 17 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ‘મે મહિનામાં પારો 45 ડિગ્રીને પાર થઈ શકે છે’આ વર્ષે લા-નીનોની અસરને કારણે અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સામાન્ય કરતાં મોડી થશે. લા-નીનોના કારણે આવતા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જેટ સ્ટ્રીમ અને ગેજાની તથા મીટચેલ વાવાઝોડાની અસરથી રાજ્યના શહેરોમાં સામાન્ય કરતાં વધુ ઠંડક અનુભવાશે. ખાસ કરીને સવાર અને સાંજના સમયે ઠંડક વધારે રહેશે, જ્યારે દિવસ દરમિયાન પણ ગરમીથી થોડું રાહત મળશે. આ ઠંડકની સ્થિતિ 15 માર્ચ સુધી જળવાઈ શકે છે. તેમ છતાં, એપ્રિલ અને મે મહિનામાં ગુજરાતમાં પરંપરાગત રીતે સૌથી વધુ ગરમી પડે છે, અને આ વર્ષે મે મહિનામાં પારો 45 ડિગ્રી કે તેથી વધુ પહોંચી શકે છે. હાલમાં લા-નીનો સિસ્ટમ સક્રિય છે. દરિયાની સપાટીનું તાપમાન પૂર્વ તરફ આગળ વધતા જ અલ-નીનો શરૂ થાય છે, જેથી 15 માર્ચ સુધી ગરમીથી રાહત રહેશે. - એ.ટી.દેસાઈ, હવામાન નિષ્ણાત ગરમી માટે જવાબદાર પરિબળોકલાયમેટ ચેન્જને કારણે વિશ્વકક્ષાએ પૃથ્વીનું સરેરાશ તાપમાન વધી રહ્યું છે. ગ્રીનહાઉસ ગેસ વધવાથી હીટવેવ વધુ તીવ્ર બને છે. અમદાવાદમાં અર્બન હીટ આઇલેન્ડ અસરથી કોંક્રીટ બાંધકામ વધ્યું અને હરિયાળી ઘટી, જેથી તાપમાન 2થી 4 ડિગ્રી વધારે રહે છે. પ્રી-મોન્સૂન વરસાદ ઘટતા જમીન ઝડપથી ગરમ થાય છે. શનિવારે રાજ્યમાં ક્યાં કેટલું તાપમાન (તાપમાનના આંકડા ડિગ્રી સેલ્સિયસમાં) એક્સપર્ટ

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 5:12 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:હાઈવે પર ઉતર્યું PM મોદીનું પ્લેન, PAK કેપ્ટને કહ્યું- મેચમાં જવાબ આપીશું; ઈરફાન પઠાણના વીડિયોથી ક્રિકેટ પોલિટિક્સમાં ગરમાવો

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર PM મોદીના પ્લેનના હાઈવે પર લેન્ડિંગ સાથે જોડાયેલા રહ્યા. પીએમએ વાયુસેનાના પ્લેનમાં મુસાફરી કરી. બીજા સમાચાર પાકિસ્તાની કેપ્ટનના એ નિવેદનના છે જેમાં તેમણે કહ્યું કે ભારતને હાથ ન મિલાવવાનો જવાબ મેદાનમાં આપીશું.⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. T20 વર્લ્ડ કપ 2026 માં પહેલીવાર ભારત-પાકિસ્તાન સામસામે આવશે. મેચ સાંજે 7 વાગ્યે શ્રીલંકામાં રમાશે. 2. વિશાખાપટ્ટનમમાં આંતરરાષ્ટ્રીય યુદ્ધજહાજ મહોત્સવ (MILAN 2026) નું ઉદ્ઘાટન થશે. જે 25 ફેબ્રુઆરી સુધી ચાલશે. 60થી વધુ દેશોના નૌકાદળો ભાગ લેશે. કાલના મોટા સમાચારો 1. મોદી વાયુસેનાના એરક્રાફ્ટથી આસામના હાઈવે પર ઊતર્યા:આવું કરનારા પ્રથમ PM, કહ્યું- કોંગ્રેસ તમારું ભલું કરી શકશે નહીં, દેશનું ખરાબ વિચારનારને કોંગ્રેસ ખભે બેસાડે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે આસામના પ્રવાસે પહોંચ્યા. આ દરમિયાન તેમણે ગુવાહાટીમાં કહ્યું, કોંગ્રેસે દેશને જોખમમાં ધકેલી દીધો હતો. કોંગ્રેસે જ્યારે પણ સેના માટે હથિયારો ખરીદ્યાં એનો અર્થ હજારો કરોડનું કૌભાંડ હતું. તેમણે કહ્યું- આજની કોંગ્રેસ એવા લોકો અને વિચારોને સાથ આપી રહી છે જે દેશ વિરુદ્ધ વિચારે છે. જે લોકો દેશના ભાગલા પાડવાની વાત કરે છે અથવા આવા નારા લગાવે છે તેઓ કોંગ્રેસ માટે સન્માનિત બની ગયા છે. પીએમ પહેલા ચાબુઆ એરફિલ્ડ પહોંચ્યા હતા. ત્યાર બાદ તેઓ વાયુસેનાના C-130 એરક્રાફ્ટથી ડિબ્રુગઢ પહોંચ્યા. પ્લેને અહીં મોરાન બાયપાસ પર ઇમર્જન્સી લેન્ડિંગ ફેસિલિટી (ELF) પર લેન્ડિંગ કર્યું. મોદી આવું કરનારા પ્રથમ વડાપ્રધાન બન્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 2. પાક. કેપ્ટને અત્યારથી પોતાનું ટ્રમ્પ કાર્ડ ઉતાર્યું:સલમાન આગાએ અભિષેક શર્મા માટે દુઆ માગી, સૂર્યકુમારે જવાબ આપ્યો- અભિષેક રમશે જ; શ્રીલંકામાં હાઈવોલ્ટેજ ડ્રામા T-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 14 ફેબ્રુઆરી રવિવારે ભારતીય સમય મુજબ સાંજે 7 વાગ્યે રમાશે. આ મહામુકાબલો શ્રીલંકાના કોલમ્બોમાં પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. પહેલાં કોલંબોમાં પ્રેસ-કોન્ફરન્સ યોજાઈ હતી. પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ કહ્યું હતું કે મેચ રમતગમતની ભાવનાથી રમવી જોઈએ. હેન્ડશેક વિવાદ પર તેણે સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો અને કહ્યું હતું કે એેનો જવાબ કાલે રવિવારે મળશે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અભિષેક શર્મા આ મેચમાં રમશે. સૂર્યાએ કુલદીપ યાદવને રમવાનો પણ સંકેત આપ્યો હતો. હાથ મિલાવવા વિશે પૂછવામાં આવતા, સૂર્યાએ કહ્યું, તમારે તેના માટે 24 કલાક રાહ જોવી પડશે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ભારતીય નિખિલ ગુપ્તા 24 વર્ષ સુધી જેલવાસ:ખાલિસ્તાની આતંકી પન્નુની હત્યાનું કાવતરું ઘડવાના કેસમાં અમેરિકાએ સજા ફટકારી, ન્યૂયોર્ક કોર્ટમાં ગુનો કબૂલ્યો ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાના કેસમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને 24 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. ANIના રિપોર્ટ અનુસાર, નિખિલે શુક્રવારે અમેરિકાના ન્યૂયોર્કની કોર્ટમાં પોતાનો ગુનો કબૂલી લીધો છે. 29 મેના રોજ સજાની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. અમેરિકી તપાસ એજન્સી FBIએ X પર પોસ્ટ કરીને નિખિલ ગુપ્તાના ગુનાની કબૂલાતની જાણકારી આપી. FBIએ ટ્વીટ કર્યું કે, ન્યૂયોર્ક શહેરમાં અમેરિકન નાગરિકની હત્યાનું કાવતરું ઘડવા બદલ ભારતીય નાગરિકને દોષિત ઠેરવ્યો. આનો સીધી અર્થ એવો થાય કે FBIએ ખાલિસ્તાની આતંકવાદી ગુરવંત સિંહ પન્નુ અમેરિકન નાગરિક છે એવું સ્વીકારી લીધું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ઇમામે કહ્યું- જ્યાં વંદે માતરમ્ ફરજિયાત, ત્યાંથી બાળકોને કાઢી નાખો:ઉજ્જૈનમાં કહ્યું- આ અમારી ધાર્મિક આઝાદી પર હુમલો છે; સરકાર નિર્ણય પાછો ખેંચે કેન્દ્ર સરકારે 28 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ને લઈને નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ મુજબ, હવે સરકારી કાર્યક્રમો, શાળાઓ કે અન્ય ઔપચારિક આયોજનોમાં ‘વંદે માતરમ્’ વગાડવામાં આવશે. આ દરમિયાન દરેક વ્યક્તિનું ઊભા રહેવું ફરજિયાત રહેશે. ઉજ્જૈનના ઇમામ મુફ્તી સૈય્યદ નાસિર અલી નદવીએ આ આદેશને ઇસ્લામ વિરોધી ગણાવ્યો છે. તેમણે કહ્યું- આ આદેશ અમારી ધાર્મિક આઝાદી પર હુમલો છે. ‘વંદે માતરમ્’માં કહેવામાં આવ્યું છે કે આપણે હિન્દુસ્તાનની ભૂમિની પૂજા કરીએ છીએ, પરંતુ મુસલમાન માટે એ બિલકુલ યોગ્ય નથી કે તે અલ્લાહ સાથે કોઈ બીજાને ભાગીદાર બનાવીને પોતાની પૂજામાં સામેલ કરે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. દાવો-અધિકારીઓ નિવૃત્તિ પછી 20 વર્ષ પુસ્તકો પ્રકાશિત નહીં કરાવી શકે:સરકાર આદેશ જાહેર કરી શકે છે; પૂર્વ આર્મી ચીફ નરવણેના અપ્રકાશિત પુસ્તક પર વિવાદ સરકાર નિવૃત્ત અધિકારીઓ માટે 20 વર્ષના કૂલિંગ-ઓફ પિરિયડ પર વિચાર કરી રહી છે. આ નિર્ણય પૂર્વ આર્મી ચીફ એમ.એમ. નરવણેના અપ્રકાશિત પુસ્તક પર થયેલા વિવાદ બાદ લેવામાં આવ્યો છે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, સરકાર નિવૃત્તિ પછી પુસ્તકો લખતાં પહેલાં મિલિટરી અધિકારીઓ સહિત શક્તિશાળી પદો પર બેઠેલા અધિકારીઓ માટે 20 વર્ષનો કૂલિંગ-ઓફ પિરિયડ શરૂ કરી શકે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવારે કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં નરવણેના પુસ્તક પર ચર્ચા થઈ. ઘણા મંત્રીઓનું માનવું હતું કે શક્તિશાળી પદો પરથી નિવૃત્ત થયેલા લોકો માટે એક કૂલિંગ-ઓફ પિરિયડ હોવો જોઈએ. વાંચો સંપૂર્ણ સમાચાર 6. જામતારા ગેંગ સાથે સંકળાયેલા 3 સુરતીઓ ઝડપાયા:227 ક્રેડિટ કાર્ડનો થપ્પો ને લાખોના ટ્રાન્ઝેક્શન, 10% કમિશને સિવિલ એન્જિનિયરનું કારસ્તાન; કાળું નાણું સફેદ કરવાનું કૌભાંડ આજના ડિજિટલ યુગમાં સાયબર અપરાધીઓ અવનવી રીતે લોકોને છેતરી રહ્યા છે. તાજેતરમાં સુરત સાયબર ક્રાઇમ સેલે એક મોટી સફળતા મેળવતા કુખ્યાત જામતારા ગેંગ સાથે સંકળાયેલા ગુજરાતના 3 શખ્સોની ધરપકડ કરી છે. જેમાં એક સિવિલ એન્જિનિયર પણ શામેલ છે. આ ગેંગ વોટ્સએપ પર નકલી RTO ઇ-ચલણની APK ફાઇલ મોકલી લોકોના મોબાઈલ હેક કરી બેંક ખાતા સાફ કરી નાખતી હતી. સુરતમાં જામતારા ગેંગ સાથે સંડોવણી ધરાવતા ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં આરોપીઓ પાસેથી 227 જેટલા ક્રેડિટ કાર્ડ અને 92.53 લાખના ટ્રાન્ઝેક્શનની વિગતો મળી આવી છે. આ ટોળકી જામતારા ગેંગના કાળી કમાણીના નાણાંને 10% કમિશન લઈને સફેદ કરવાનું કૌભાંડ ચલાવતા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 7. કિરણ મોરે ગ્રુપ સામે ઈરફાન પઠાણનો યોર્કર:BCAના ચૂંટણીને લઈને ઘમસાણ, ફાસ્ટ બોલરે કહ્યું, વડોદરા ક્રિકેટમાં હામાં હા કહો તો જ જોબ મળે બરોડા ક્રિકેટ એસોસિયેશન (BCA)ની ચૂંટણી માટે રવિવારે મતદાન યોજાવાનું છે. એ પહેલાં જ ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલઆઉન્ડર ઈરફાન પઠાણે ચૂંટણી મેદાનમાં યોર્કર ફેંકી જંગને રસપ્રદ બનાવી દીધો છે. બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણીમાં પૂર્વ વિકેટકીપર કિરણ મોરે અને દર્શન બેંકરના ગ્રુપ વચ્ચે ટક્કર થઈ રહી છે. ત્યારે ઈરફાન પઠાણે કિરણ મોરે અને તેના ગ્રુપ સામે સવાલો ઉઠાવ્યા હતા. બરોડા ક્રિકેટનો સ્તર નીચો જઈ રહ્યો હોવાની વાત કરી ઈરફાન પઠાણે કહ્યું કે બરોડા ક્રિકેટના કોચ અફઘાનિસ્તાન જઈ કોચિંગ કરી રહ્યા છે, પણ અહીં તેમને રિસ્પેક્ટ મળતી નથી. બરોડા ક્રિકેટમાં હામાં હા કરનારાઓને જ જોબ મળે છે. ઈરફાન પઠાણનો આ વીડિયો રોયલ સત્યમેવ જયતેના ગ્રુપમાં શેર કરાતાં ક્રિકેટ પોલિટિક્સમાં ગરમાવો આવ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : વિશ્વના સૌથી મોટા AI સમિટમાંથી પાકિસ્તાનની બાદબાકી:ભારતે 100 દેશોને બોલાવ્યા પાડોશીને આમંત્રણ નહીં, 16 ફેબ્રુઆરીથી AIનો મહાકુંભ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : તારિક રહેમાને કહ્યું- ભારત સાથેના સંબંધોમાં બાંગ્લાદેશનું હિત જરૂરી:ચીન વિકાસમાં સહયોગી, શેખ હસીનાની વાપસી પર બોલ્યા- કાયદો પોતાનું કામ કરશે વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : બ્રહ્મપુત્રા નદી નીચે ટ્રેન-વાહનો એકસાથે ચાલશે:ભારતની પહેલી અનોખી અંડરવોટર ટનલ, 6 કલાકની મુસાફરી માત્ર 20 મિનિટમાં; ₹18,662 કરોડનો પ્રોજેક્ટ મંજૂર વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ટ્રમ્પે કહ્યું- વેનેઝુએલામાં સીક્રેટ હથિયારનો ઉપયોગ કર્યો:રશિયા-ચીનની ડિફેન્સ સિસ્ટમ નિષ્ફળ ગઈ; કહ્યું- એક દિવસ બધી જ ખબર પડી જશે વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : સોનું આ અઠવાડિયે ₹687 મોંઘું થયું, ₹1.52 લાખ થયું:ચાંદી ₹2,496 સસ્તી થઈ, ₹2.42 લાખ પ્રતિ કિલો પર આવી વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : IND vs PAK મેચમાં વરસાદ મજા બગાડી શકે:કોલંબોમાં 24 કલાકની આગાહી; જો મેચ રદ થાય તો ભારત અને પાકિસ્તાનનું શું સમીકરણ હશે? વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : મહાશિવરાત્રિ પર કુંભ રાશિમાં 'ચતુર્ગ્રહી યોગ':શિવજી-શનિદેવ મેષ-વૃષભ સહિત 4 રાશિ પર વરસાવશે અપાર કૃપા, જાણો ચાર પ્રહરની પૂજાનાં મુહૂર્ત વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ દુનિયાનું સૌથી મોટું કાપડનું રમકડું સ્કોટલેન્ડની 22 વર્ષીય વિદ્યાર્થિની એમિલિયા ઈવાન્સ-મંટને આશરે 200 ફૂટ કાપડમાંથી દુનિયાનું સૌથી મોટું કાપડનું રમકડું બનાવ્યું છે. જેને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે. તેને ‘સોક-મંકી’ કહેવામાં આવી રહ્યો છે, તે 49 ફૂટ 6 ઈંચ લાંબો છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: પાકિસ્તાની 'માયાજાળ', બોલ ફેંકતા પહેલા થંભી જાય ને પછી મચાવે છે તબાહી; ભારત કોયડો ઉકેલી શકશે?, ધોનીની ફિલ્મે બદલ્યું નસીબ 2. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : વંદે ભારત–તેજસ ટ્રેનોમાં ગંધાતું લંચ–ડિનર: ફરિયાદ કરવા પર મુસાફરો સાથે ગેરવર્તન; એડવાન્સ પેમેન્ટ પછી પણ કેમ મળે છે ખરાબ જમવાનું? પર્દાફાશ 3. ધોલેરાનું એરપોર્ટ બ્રિટનને ટક્કર મારશે: 4 કિમી લાંબો રનવે, એકસાથે 4 પ્લેન ટેકઓફ-લેન્ડિંગ કરી શકશે, જુઓ ગુજરાતના સૌથી મોટા ઈન્ટરનેશનલ એરપોર્ટનો ડ્રોન વીડિયો 4. અજાણી મૂકબધિર, પ્રેગ્નન્ટ યુવતીનું આધારકાર્ડ બનાવવા જતાં અસલ ઓળખ થઈ: વીડિયો કોલમાં માતાને જોઈ આંખો છલકાઇ, 3 મહિના પહેલાં અમદાવાદ રેલવે સ્ટેશનથી મળી હતી 5. બાંગ્લાદેશથી ભાસ્કર : જમાતના સપોર્ટર બોલ્યા- અમને જાણીજોઈને હરાવ્યા, રાત્રે રિઝલ્ટ બદલ્યું: અવામી લીગના વોટર BNPની જીતથી ખુશ, હિન્દુ બોલ્યા- તારિક રહેમાન અમારા પાલક 6. દાલમંડી પર બુલડોઝર, શું BJPના 50,000 વોટ ઘટશે: વારાણસીના લોકો બોલ્યા, રોડ માટે ઘર-દુકાન તોડી, ચૂંટણીમાં જવાબ આપીશું ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ: મિથુન અને કન્યા રાશિની આર્થિક સ્થિતિ મજબૂત બનશે, ધન જાતકોએ ધંધામાં મોટો ફેરફાર કરવામાં ઉતાવળ ટાળવી વાંચો સંપૂર્ણ રાશિફળ

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 5:00 am

સગા ભત્રીજાએ કાકા પાસે માંગી ખંડણી:બોટાદમાં ભત્રીજાએ કાકાની ઘરે ધસી જઇ રિવોલ્વરની ધાકે 7 કરોડની ખંડણી માગી

બોટાદના નામચીન બિલ્ડર આરોપી દિલાવર હમીદે તેના સગા કાકાના ઘરે પીધેલી હાલતમાં રિવોલ્વર સાથે જઈ કાકાને ધમકી આપી રૂપિયા 7 કરોડની ખંડણી માંગ્યાની બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ છે. બોટાદમાં 402 યુવાન એપાર્ટમેન્ટ, કરીમનગર પાસે પાળીયાદ રોડ ખાતે રહેતા અને કન્ટ્રકશન અને રીયલ એસ્ટેટનો ધંધો કરતા ફરિયાદી મનસુરઅલી પ્યારઅલી હમીદ ( ઉ.વ.65) એ બોટાદના નામચીન બિલ્ડર તેના ભત્રીજા આરોપી દિલાવર મદદ અલી હમીદ વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, આરોપી દિલાવર મદદઅલી હમીદ ફરિયાદી મનસુરઅલી પ્યારઅલી હમીદનો સગો ભત્રીજો થાય છે. આરોપી ભત્રીજા દિલાવરે કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ રાખવા તથા અન્ય માલ સામાનની ચુકવણી કરવા ટુકડે ટુકડે રૂપીયા 4 કરોડ તેના કાકા મનસુરઅલી પાસેથી રોકડા લીધેલ હતા. જે રકમનો તેના કાકાને એલફેલ અને ઉડાઉ ખોટો હિસાબ આપેલ. ભત્રીજા દિલાવરની નીયત ખરાબ થતા તેના કાકા પાસે નાણાકીય તોડ કરવા સારૂ અવારનવાર મોટી રકમની માંગણી અને બાંધકામ શરૂ રાખવા ખંડણીની માંગણી કરેલ પરંતુ તેના કાકાએ તેને કોઈ રકમ આપેલ નહી તેથી આરોપી દિલાવર હમીર તેના ફરિયાદી કાકા તથા તેના પરીવારજનોને અવારનવાર ધાક ધમકી તથા બીભત્સ ગાળો આપતો હતો. ગત 13 ફેબ્રુઆરી 26ના રાત્રીના 3-00 વાગ્યે દિલાવર હમીદ કાકાના ઘરે રીવોલ્વર લઈને આવેલ અને ઘરના દરવાજાને લાત મારી બોલતો હતો કે ‘બહાર નીકળ, આજે તને પતાવી દેવો છે. આજે તારૂ પુરૂ કરી નાખવું છે’. આમ કહીને રૂપીયા 7 કરોડની ખંડણી માંગેલ અને જેમ ફાવે તેમ બિભત્સ ગાળો દેવા લાગેલ. આ વખતે પાડોશી અકબરભાઈ તથા અન્ય પાડોશીઓ જાગી જતા આ દિલાવર એપાર્ટમેન્ટના પાર્કીંગમાં નીચે જતો રહેલ. અને 112 નંબર ઉપર ફોન કરતા પોલીસની વાન આવી જતા આરોપી દિલાવર નાસી ગયેલ. આમ આરોપી ભત્રીજા દિલાવર હમીદે ગત રાત્રીના 3-00 વાગ્યાના સુમારે ઘરે દારૂ પીધેલી હાલતમાં આવી તેની રિવોલ્વર કાઢી ફરિયાદી કાકા મનસુર અલીને જાનથી મારી નાખવાની ધમકી આપી રૂપિયા 7 કરોડની ખંડણી માંગી ધમકી આપ્યાની બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પિતાના અવસાન બાદ 7 વર્ષનો હતો ત્યારથી કાકાએ ભત્રીજાનો ઉછેર કર્યો હતોપિતાનું સન-1988માં રાજકોટ મુકામે મર્ડર થયેલ ત્યારે આરોપી દિલાવર સાત વર્ષનો હતો ત્યારથી તે અને તેના બીજા ભાઈબહેનો ફરિયાદી મનસુર અલી સાથે રહેલા અને ઉછેર કરેલ છે. સને-2020 જાન્યુઆરી માસમાં મનસુર અલીને હાર્ટએટેક આવેલો અને બીમારીમાં સપડાઇ જતા તેઓએ એવું નક્કી કરેલ કે બોટાદમાં આવેલી તેઓની જમીનો તથા અન્ય મિલકતનો વહીવટ અને વેચાણ અને ડેવલપ કરી વેચાણે આપવા અને તેમાંથી જે નફો થાય તેના 20 % હિસ્સો આપવાનો પાવર ઓફ એટર્ની કરી બોટાદ, જસદણ તથા તાજપરની જે જમીનો હતી તે તેના હવાલે કરી આપેલ હતી.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:43 am

મંત્રી નરહરિ ઝિરવાળ નોટ- રીચેબલ થયા:કાર્યાલયનો લાંચિયો કારકુન ઝડપાતાં મંત્રી નોટ-રીચેબલ

રાજ્યના ખાદ્ય અને ઔષધ વહીવટ મંત્રી નરહરિ ઝિરવાળ નોટ- રીચેબલ થઈ ગયા છે. મંત્રાલયમાં લાંચ કેસ બાદ, વિપક્ષે ઝિરવાળના રાજીનામાની માગણી કરી છે. ઝિરવાળ નોટ-રીચેબલ બનતાં આ અંગે વિવિધ શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. શાસક રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને મંત્રી નરહરિ ઝિરવાળના કાર્યાલયમાં કારકુન રાજેન્દ્ર ધેરંગેની એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)ના અધિકારીઓએ 50,000 રૂપિયાની લાંચ લેવા બદલ ધરપકડ કરી છે. મંત્રી ઝિરવાળ આ બાબતમાં સ્પષ્ટતા કરી છે કે આ પ્રકરણમાં તેમનો કોઈ પણ રીતે સંબંધ બહાર આવે તો તાત્કાલિક રાજીનામું આપી દેશે. પરંતુ વિપક્ષ, ખાસ કરીને કોંગ્રેસે નૈતિક ધોરણે તેમના તાત્કાલિક રાજીનામાની માગણી કરી છે. આ અંગે મળતી માહિતી મુજબ, ઝિરવાળનો ફોન લાગતો નથી. તેઓ આજે કોઈને મળ્યા નથી. તો તેઓ ક્યાં ગયા છે? અને શું કરી રહ્યા છે? તે સ્પષ્ટ નથી. ધરપકડ કરાયેલા કારકુને દાવો કર્યો છે કે તેણે મંત્રી ઝિરવાળના અંગત સહાયકના નિર્દેશ પર લાંચ લીધી હતી. તેથી, એવું માનવામાં આવી રહ્યું છે કે ઝિરવાળ એસીબીના રડાર પર આવી ગયા છે. કદાચ તેથી જ તેઓ નોન- રીચેબલ બની ગયા છે. એવો આરોપ છે કે કારકુન રાજેન્દ્રએ સસ્પેન્ડ કરાયેલું મેડિકલ લાઇસન્સ પુનઃસ્થાપિત કરવા માટે લાંચ માગી હતી. 35 હજાર રૂપિયાની લાંચ લેતી વખતે, એસીબીએ તેને પકડી લીધો. બીજી તરફ, ઝિરવાળ સ્પષ્ટપણે કહ્યું છે કે તેમનો આ લાંચ કેસ સાથે કોઈ સંબંધ નથી. જો આ કેસ સાથે તેમનો કોઈ સંબંધ હોવાનું સાબિત થાય તો 100 ટકા રાજીનામું આપી દેશે. દરમિયાન ઝિરવાળની ઓફિસમાં કારકુનને લાંચ લેતાં પકડવો એ ભાજપનું રાજકીય ષડયંત્ર હોઈ શકે છે. વિરોધીઓ અને સાથીઓને બદનામ કરવા માટે સરકારી યંત્રણાનો ઉપયોગ કરવો એ તેમનો જૂનો ધંધો છે. જે સરકાર પોતે 'ટકાવારી'ના કાદવમાં ડૂબેલી છે તેણે બીજા પર કાદવ ન ફેંકવો જોઈએ. આ ટકાવારીની સરકાર છે. હવે આ બાબતો મંત્રાલયમાં પણ શરૂ થઈ ગઈ છે. કોઈ પણ ઓફિસમાં જાઓ અને ટકાવારીની ગણતરી થાય છે. હવે તે જાહેર થઈ ગયું છે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:23 am

હથિયાર મળી આવ્યું:સંભાજીનગરમાં વિધાનસભ્યના કાર્યાલયમાં બેગમાંથી પિસ્તોલ મળી

છત્રપતિ સંભાજીનગરમાં શનિવારે સવારે એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ક્રાંતિ ચોકની વચ્ચે આવેલા ભાજપના વિધાનસભ્ય સંજય કેનેકરના સંપર્ક કાર્યાલયમાં એક બેગમાંથી પિસ્તોલ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ શુક્રવાર સાંજે કોઈ અજાણી વ્યક્તિ બેગ ઓફિસમાં છોડી ગઈ હતી. શરૂઆતમાં, ઓફિસના કર્મચારીઓએ બેગ ત્યાં જ છોડી દીધી હતી, એવું વિચારીને કે કોઈ બેગ ભૂલી ગયું છે. જોકે, સવાર સુધી કોઈએ બેગ માટે સંપર્ક કર્યો ન હતો. તેથી, શંકાને કારણે બેગ ખોલવામાં આવી ત્યારે તેમાં પિસ્તોલ મળી આવી હતી. ઘટનાની માહિતી થતાં વિધાનસભ્ય સંજય કેનેકરે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો અને સમગ્ર ઘટનાની જાણ કરી. પોલીસે તાત્કાલિક ઓફિસમાં દોડી જઈને બેગ અને અંદરની વસ્તુઓ જપ્ત કરી લીધી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, પિસ્તોલ એર ગન છે. જોકે, પોલીસે સુરક્ષાની દ્રષ્ટિથી આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. એર ગન ઓફિસમાં કેવી રીતે અને ક્યારે લાવવામાં આવી, તે કોની છે અને તેનો હેતુ શું હોઈ શકે છે તે જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. છત્રપતિ સંભાજીનગરમાં શનિવારે સવારે એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ક્રાંતિ ચોકની વચ્ચે આવેલા ભાજપના વિધાનસભ્ય સંજય કેનેકરના સંપર્ક કાર્યાલયમાં એક બેગમાંથી પિસ્તોલ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ શુક્રવાર સાંજે કોઈ અજાણી વ્યક્તિ બેગ ઓફિસમાં છોડી ગઈ હતી. શરૂઆતમાં, ઓફિસના કર્મચારીઓએ બેગ ત્યાં જ છોડી દીધી હતી, એવું વિચારીને કે કોઈ બેગ ભૂલી ગયું છે. જોકે, સવાર સુધી કોઈએ બેગ માટે સંપર્ક કર્યો ન હતો. તેથી, શંકાને કારણે બેગ ખોલવામાં આવી ત્યારે તેમાં પિસ્તોલ મળી આવી હતી. ઘટનાની માહિતી થતાં વિધાનસભ્ય સંજય કેનેકરે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો અને સમગ્ર ઘટનાની જાણ કરી. પોલીસે તાત્કાલિક ઓફિસમાં દોડી જઈને બેગ અને અંદરની વસ્તુઓ જપ્ત કરી લીધી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, પિસ્તોલ એર ગન છે. જોકે, પોલીસે સુરક્ષાની દ્રષ્ટિથી આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. એર ગન ઓફિસમાં કેવી રીતે અને ક્યારે લાવવામાં આવી, તે કોની છે અને તેનો હેતુ શું હોઈ શકે છે તે જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. આ બાબતની ગંભીર નોંધ લેતાં, વરિષ્ઠ પોલીસ અધિકારી પંકજ અતુલકર ઘટનાસ્થળે પહોંચ્યા. કેનેકર સાથે સીધી ચર્ચા કરી અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી. ઓફિસ પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. બેગ ઓફિસમાં ક્યારે રાખવામાં આવી હતી, તેને કોણ રાખ્યું હતું તે શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઓફિસમાં આવતા-જતા લોકોના રેકોર્ડ અને સંબંધિત દસ્તાવેજોની તપાસ કરીને આગળની તપાસની દિશા નક્કી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:21 am

બાંગલાદેશીઓ ઝડપાયા:મલાડ, વર્સોવા, અંધેરીમાં 21 બાંગલાદેશીઓની ધરપકડ

ભારતમાં ગેરકાયદે રહેતા બાંગલાદેશી નાગરિકો વિરુદ્ધ મુંબઈના વર્સોવા પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. વર્સોવા પોલીસે અંધેરી પશ્ચિમમાં યારી રોડ અને માહિમ પરિસરમાં દરોડા પાડીને કુલ 21 બાંગલાદેશી નાગરિકોની ધરપકડ કરી હતી. આ બધા ગેરકાયદે ભારતમાં દાખલ થઈને કોલકાતાથી સીધા મુંબઈ શહેરમાં પહોંચ્યા હતા એવી માહિતી તપાસમાં જાહેર થઈ છે. દરમિયાન આ સંદર્ભમાં વર્સોવા પોલીસની એટીસી ટીમને બાંગલાદેશી નાગરિકો સંદર્ભે ગુપ્ત માહિતી મળી હતી. આ માહિતીના પગલે વર્સોવા પોલીસની એટીસી ટીમે અંધેરી પશ્ચિમ યારી રોડ પરિસર અને માહિમ પરિસરમાં દરોડા પાડીને 21 બાંગલાદેશી નાગરિકોની ધરપકડ કરી હતી. વર્સોવા પોલીસની આ કાર્યવાહીમાં 18 ટ્રાન્સજેંડર, એક મહિલા અને 2 પુરુષનો સમાવેશ છે. આ આરોપીઓ પાસેથી બાંગલાદેશી નાગરિક હોવાના ઘણાં પુરાવા પોલીસે મેળવ્યા હતા. આ આરોપીઓ સાથે હજી કેટલા બાંગલાદેશી નાગરિકો મુંબઈમાં દાખલ થયા છે, તેમને કોણ મદદ કરતું હતું એ સંદર્ભે પણ વધુ તપાસ જારી છે. બીજી તરફ મલાડ પૂર્વમાં કુરાર પોલીસે પણ આવી જ કાર્યવાહી કરી હતી. એમાં મલાડ પઠાણવાડી પરિસરમાં ચાર બાંગલાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી હતી. આ ચારેય ભારતમાં ગેરકાયદે દાખલ થઈને મુંબઈના મલાડ પઠાણવાડી પરિસરમાં કામ શોધવા આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:20 am

અજિત પવાર વિમાન દુર્ઘટના:અજિત પવારના મૃત્યુ અંગે શંકાઃ ઉડ્ડયન મંત્રી, અમિત શાહને મેઇલ

રાષ્ટ્રવાદી કોંગ્રેસ શરદચંદ્ર પવારના ધારાસભ્ય રોહિત પવારે અજિત પવારના વિમાન દુર્ઘટનામાં મૃત્યુની નિષ્પક્ષ તપાસની માગણી કરી છે. તેમણે આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, નાગરિક ઉડ્ડયન મંત્રી અને DGCA ને ઈમેલ મોકલ્યો છે. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે મને વિશ્વાસ છે કે અજિત પવારના મૃત્યુ અંગે મારા અને સમગ્ર મહારાષ્ટ્ર માટે ઊભા થયેલા અનેક પ્રશ્નોનો નિષ્પક્ષ રીતે ઉકેલ આવવો જોઈએ. ૨૮ જાન્યુઆરીના રોજ બારામતીમાં વિમાન દુર્ઘટનામાં અજિત પવારનું મૃત્યુ થયું હતું. રાજ્યના રાજકીય વર્તુળોમાં તેમના અકાળ મૃત્યુ અંગે અનેક શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને, રોહિત પવારે મહારાષ્ટ્ર અને રાજધાની દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને અજિત પવારના મૃત્યુની સંપૂર્ણ તપાસની માગણી કરી છે. આ સંદર્ભમાં તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ મળવાના હતા, પરંતુ મુલાકાત થઈ શકી નહીં. તેથી, તેમણે આ સંબંધમાં અમિત શાહ, નાગરિક ઉડ્ડયન મંત્રી અને ડીજીસીએને ઇમેઇલ કરીને આ બાબતે ફોલોઅપની માગણી કરી છે. રોહિત પવારે આ બાબતે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે, વિમાન દુર્ઘટના અંગે ઘણી શંકાઓ ઊભી થઈ છે અને આ શંકાઓ અને તથ્યો પત્રકાર પરિષદ દ્વારા જનતા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. અમે આ મુદ્દે ગૃહમંત્રી અમિત શાહ, નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ અને DGCAને મળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બેઠક થઈ શકી નહીં. તેથી, અમે ગૃહમંત્રી, નાગરિક ઉડ્ડયન મંત્રી અને DGCAને પ્રેઝેન્ટેશન સાથે અમારી બધી શંકાઓ સાથે એક ઈમેઈલ મોકલ્યો અને તેમને આ દુર્ઘટનાની સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસ કરવા અને તથ્યો જનતા સમક્ષ લાવવા વિનંતી કરી. મને વિશ્વાસ છે કે આ સંદર્ભમાં સકારાત્મક પ્રતિભાવ મળશે અને મારા સહિત સમગ્ર મહારાષ્ટ્ર સામેના ઘણા મુદ્દાઓનું નિષ્પક્ષ રીતે નિરાકરણ લાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:20 am

દુર્ઘટના સર્જાઈ:મુલુંડમાં નિમાર્ણાધીન મેટ્રો બ્રિજનો સ્લેબ તૂટી પડતાં એક વ્યક્તિનું મોત, ત્રણ ઘાયલ

મુલુંડ (પશ્ચિમ) વિસ્તારમાં લાલ બહાદુર શાસ્ત્રી (એલબીએસ) રોડ પર સ્થિત જોન્સન એન્ડ જોન્સન કંપની નજીક શનિવારે બપોરે 12.20 વાગ્યે મેટ્રો બ્રિજના પેરાપેટ વોલનો એક ભાગ તૂટી પડ્યો હતો. મુંબઈ ફાયર બ્રિગેડ (એમઅફબી) દ્વારા આ ઘટનાની માહિતી આપવામાં આવી હતી. આ દુર્ઘટનામાં એક જણનું મોત થયું હતું જ્યારે અન્ય 3 ઘાયલને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટના બાદ એમએમઆરડીએ દ્વારા કોન્ટ્રાક્ટરને રૂ. 5 કરોડનો અને કન્સલ્ટન્ટને રૂ. 1 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. દરમિયાન મેયર રિતુ તાવડેએ પણ ઘટનાસ્થળની અને ઘાયલોની મુલાકાત લીધી હતી અને કઠોર કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, મેટ્રો બ્રિજના પેરાપેટ વોલનો અંદાજે 6 ફૂટ બાય 4 ફૂટનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો. આ ભારે સિમેન્ટનો ભાગ નીચે પસાર થઈ રહેલી ઓટોરિક્ષ ા અને ખાનગી સ્કોડા કાર પર પડ્યો હતો, જેમાં બંને વાહનને ભાર નુકસાન થયું હતું. આ દુર્ઘટનામાં મૃત વ્યક્તિની ઓળખ રામધન યાદવ તરીકે કરાઈ છે, જ્યારે 45 વર્ષીય રાજકુમાર ઇન્દ્રજિત યાદવને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો અને તેની હાલત ગંભીર છે. અન્ય બે ઘાયલમાં મહેન્દ્ર પ્રતાપ યાદવ (52) અને દીપા રુહિયા (40)ની સ્થિતિ સ્થિર છે. એમએમઆરડીએએ જણાવ્યું હતું કે સ્લેબ તૂટી પડવાનું કારણ નક્કી કરવા અને બાંધકામ સલામતી પ્રોટોકોલ અને માળખાકીય સ્થિરતાનાં પગલાં તપાસવાનો આદેશ આપવામાં આવ્યો છે. દુર્ઘટનાની જાણ થતાં જ મુંબઈ ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ, મેટ્રો ઓથોરિટી, વોર્ડ સ્ટાફ અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાને કારણે તે વિસ્તારમાં ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. અધિકારીના જણાવ્યા અનુસાર આ ઘટના સમયે મેટ્રોનું બાંધકામ ચાલુ હતું ત્યારે પૂરતી સલામતી વ્યવસ્થા હતી કે નહીં તે અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. હાલ સંબંધિત વિભાગ દ્વારા દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવા અને સલામતીના નિયમોનું પાલન થયું હતું કે નહીં તેની તપાસ શરૂ કરવામાં આવી છે. એમએમઆરડીએની કડક કાર્યવાહી: દરમિયાન મુલુંડ ફાયર સ્ટેશન નજીક મેટ્રો લાઇન-4 (વડાલા–કસારવડવલી)ના બાંધકામ હેઠળના પિયર પી196 પાસે 14 ફેબ્રુઆરીની આ દુર્ઘટના પછી મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ જણાવ્યું છે કે ઘાયલોની સારવારનો સંપૂર્ણ ખર્ચ એમએમઆરડીએ દ્વારા ઉઠાવવામાં આવશે અને મૃતકના પરિવારને નિયમ મુજબ નાણાકીય સહાય પ્રાથમિકતાને આધારે આપવામાં આવશે. ઘટના બાદ તાત્કાલિક સ્થળને સીલ કરીને સુરક્ષા તપાસ શરૂ કરવામાં આવી છે, અને સંબંધિત વિસ્તારમાં બાંધકામ કામ તાત્કાલિક રોકી દેવામાં આવ્યું છે. ભવિષ્યમાં દુર્ઘટના ટાળવા પગલાં લેવાશેપ્રાથમિક જવાબદારીના આધારે એમએમઆરડીએએ કોન્ટ્રાક્ટર રાજવ મિલાન ઇન્ફ્રા પર રૂ.5 કરોડ અને જનરલ કન્સલ્ટન્ટ ડીબી એન્જિનિયરિંગ, હિલ ઇન્ટરનેશનલ અને લુઇસ બર્જર કન્સોર્શિયમ પર રૂ.1 કરોડનો દંડ ફટકાર્યો છે. તપાસ પૂર્ણ થયા બાદ વધુ કડક કાર્યવાહી, જેમાં બ્લેકલિસ્ટિંગનો પણ સમાવેશ થઈ શકે છે. એમએમઆરડીએએ સ્પષ્ટ કર્યું છે કે, જાહેર સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને જવાબદારી નક્કી કરીને ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા જરૂરી પગલાં લેવામાં આવશે. ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચનાએમએમઆરડીએના એડિશનલ મેટ્રોપોલિટન કમિશનર અશ્વિન મુદગલ સહિતના અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. ઉપરાંત, ડિરેક્ટર (પ્રોજેક્ટ્સ) બસવરાજ એમ. ભદ્રાગોંડની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવી છે, જે અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ કરશે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:19 am

સિટી એન્કર:પ. રેલવેમાં 337 કિમી પાટા પર અકસ્માત રોકવા સ્ટીલની જાળી

પશ્ચિમ રેલવે તરફથી વિરાર-અમદાવાદ દરમિયાનના માર્ગ પર રેલવે પાટા પર જાનવરો અને બીજી અડચણ આવવાની ઘટના રોકવા 337 કિમી અંતર પર સ્ટીલના પટ્ટાઓની મજબૂત જાળી ઊભી કરવામાં આવી છે. આ પ્રકલ્પ માટે લગભગ 119 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. રેલવે સુરક્ષા સહિત ટ્રેનના ટાઈમટેબલ પર થતી અસર ઓછી કરવાનો ઉદ્દેશ પ્રકલ્પનો છે એમ એક અધિકારીએ જણાવ્યું હતું. વિરાર સ્ટેશનથી આગળ પાટા નજીક જાનવરો ચરતા હોય છે. અજાણતા આ જાનવરો પાટા પર આવી જતા અકસ્માત થાય છે. અચાનક બ્રેક લગાડવી પડે છે. પરિણામે પ્રવાસીઓની સુરક્ષિતતા જોખમમાં મૂકાય છે. તેમ જ એક્સપ્રેસ ટ્રેન મોડી પડતા ટાઈમટેબલ પર અસર થાય છે. તેથી પશ્ચિમ રેલવેએ પાટા નજીક જાળી ઊભી કરવાની શરૂઆત કરી છે. લગભગ 300 કિલોમીટરના ભાગનું કામ પૂરું થયું છે અને બાકીના 30 કિમી અંતર પર જાળી ઊભી કરવાનું કામ અંતિમ તબક્કામાં છે. પાટા નજીક ઊભી કરવામાં આવેલી જાળી ગેલ્વેનાઈઝ્ડ સ્ટેનલેસ સ્ટીલમાંથી તૈયાર કરવામાં આવી છે. તેથી એને કાટ લાગતો નથી અને લાંબો સમય ટકી શકે છે. અધિકારીએ આપેલી માહિતી અનુસાર આ જાળીનું આયખુ લગભગ 60 વર્ષ સુધીનું છે. તેમ જ પાટાથી લગભગ ચારથી પાંચ ઉંચાઈ હોવાથી આ જાળી ઓળંગવી મુશ્કેલ હોવાથી જાનવરો પાટા પર આવી શકતા નથી. આ જાળી મીટર દીઠ 3400 રૂપિયા દરથી ઉપલબ્ધ છે. તેથી બાઉન્ડરી વોલ કરતા સસ્તી છે. ટ્રેન 160ની સ્પીડે દોડશેરેલવેની આ ઉપાયયોજનાને લીધે અકસ્માતની ઘટનામાં ઘટાડો થશે. તેમ જ જાનવરોના મૃત્યુ પણ ટાળી શકાશે. બાકીનું કામ વહેલાસર પૂરું કરીને ટ્રેનનું ટાઈમટેબલ સુધારશે અને પ્રવાસીઓની સુરક્ષિતતા વધવામાં મદદ થશે એમ રેલવે તરફથી જણાવવામાં આવ્યું છે. આ ઉપાયયોજનાને લીધે ભવિષ્યમાં આ રૂટ પર ટ્રેન કલાકે 160 કિમીની સ્પીડથી ચલાવવાનું લક્ષ્ય પાર પાડવામાં પણ મદદ થશે એમ અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું. અમારા આ માર્ગ પર ટ્રેનની સ્પીડ 160 કિમી રાખવા પાટા સુરક્ષિત કરવાનો અમારો પ્રયતન છે. આ પ્રકલ્પ એનો જ એક ભાગ છે. પાટા નજીક જાળી ઊભી થવાથી રેલવે સંચાલનમાં ઓછી મુશ્કેલી થશે અને જાનવરો પણ સુરક્ષિત રહેશે એમ પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:18 am

રેસ્ટોરન્ટ્સની મનમાની:બંધી છતાં રેસ્ટોરન્ટ દ્વારા 5 થી 10 ટકા સર્વિસ ચાર્જની વસૂલી ચાલું

કાયદાકીય બંધી હોવા છતાં મુંબઈની અનેક રેસ્ટોરન્ટમાં 5 થી 10 ટકા સર્વિસ ચાર્જ કરે છે. આ શુલ્ક અનેક વખત ધર્માદાય યોગદાન, કર્મચારી કલ્યાણ ભંડોળ અને કર્મચારી યોગદાન જેવા વિવિધ નામથી વસૂલ કરવામાં આવે છે. જો કે આ ગેરકાયદે છે અને એના પર તરત બંધી મૂકવી એવી માગણી મુંબઈ ગ્રાહક પંચાયતે કેન્દ્રિય ગ્રાહક સંરક્ષણ પ્રાધિકરણ સમક્ષ કરી છે.કર્મચારીઓની સેવા માટે સ્વેચ્છાએ આપવામાં આવે એ ટીપ છે. જો એ કાઢી નાખવી હોય તો કર્મચારીને એમ જણાવો, એમ સૂચિત કરવામાં આવે છે. જો કે આ સૂચના ઘણી ઝીણા શબ્દોમાં, સહેલાઈથી ન દેખાય, વાંચી ન શકાય એ પ્રમાણે છાપેલી હોવાથી ગ્રાહકોની નજરમાં આવતી નથી. કેટલીક રેસ્ટોરંટ્સ 5 થી 10 ટકા સર્વિસ ચાર્જ દેખાડે છે અને ગ્રાહકોને એના માટે વિકલ્પ આપવામાં આવતો નથી એમ ગ્રાહક પંચાયતે સ્પષ્ટ કર્યું છે. કેન્દ્રિય ગ્રાહક સંરક્ષણ પ્રાધિકરણે 4 જુલાઈ 2022ના જારી કરેલી માર્ગદર્શક સૂચના અનુસાર સર્વિસ ચાર્જ કોઈ પણ રીતે અથવા કોઈ પણ નામથી વસૂલ કરવી એ અનુચિત વેપારી પદ્ધતિ ઘોષિત કરીને એના પર સ્પષ્ટપણે બંધી મૂકી છે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:16 am

1,627 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ:મુંબઈ પાલિકાની ચૂંટણીમાં 66 ટકા ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત

મુંબઈ મહાપાલિકાની ચૂંટણીના મેદાનમાં ઉતરેલા કુલ 1700 ઉમેદવારોથી 1 હજાર 127 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ છે. એટલે કે 66 ટકા ઉમેદવારોને એટલા ઓછા મત મળ્યા કે તેમની અનામત રકમ પણ જપ્ત થઈ ગઈ. ડિપોઝીટ જપ્ત થયેલા ઉમેદવારોમાં 546 અપક્ષ છે તો રાજકીય પક્ષમાં સૌથી વધુ રાષ્ટ્રવાદી કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ છે. મુંબઈ મહાપાલિકાના 227 પ્રભાગ માટે તાજેતરમાં ચૂંટણી પાર પડી. એના પરિણામ પણ આવી ગયા. આ ચૂંટણીમાં કુલ 1700 ઉમેદવાર ઊભા હતા. એમાં 821 પુરુષ અને 879 મહિલાઓ હતી. ચૂંટણીમાં 29 વિવિધ પક્ષોએ પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા હતા. એમાં મુખ્ય લડત ભાજપ-શિવસેના (શિંદે) મહાયુતિ વિરુદ્ધ શિવસેના (ઠાકરે)-મનસે યુતિ વચ્ચે થઈ હતી. તેથી આ ચાર પક્ષ છોડીને બાકીના તમામ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ ગઈ છે. 227 પ્રભાગ માટે 1700 ઉમેદવાર ઊભા હોવાથી મોટા પ્રમાણમાં ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:12 am

ડિફોલ્ટર્સને મોકલવામાં આવી નોટિસ:મહાપાલિકા પાસે ટોપ 20 ડિફોલ્ટરના 276 કરોડનાં લેણાં, માલમતા જપ્તિની નોટિસ

મહાપાલિકાને મિલકતવેરો નિર્ધારિત સમયમાં ભરવામાં ટાળમટોળ કરતા તેમ જ આર્થિક ક્ષમતા હોવા છતાં મિલકતવેરો નહીં ભરનારા મોટા ડિફોલ્ટરે કલમ 203 અન્વયે માલમતા જપ્તિની નોટિસ ફટકારવામાં આવી છે. જો નોટિસમાં આપેલા સમયગાળામાં લેણાં ચૂકતે નહીં કરાય તો કલમ 204, 205, 206 અન્વયે સૌપ્રથમ માલમતા ચીજવસ્તુ જપ્ત કરીને લિલામ કરાશે. જો તેમાંથી પણ પૈસા વસૂલ નહીં થાય તો કલમ 206 અન્વયે લિલાવ કરવામાં આવશે, એમ નોટિસમાં જણાવવામાં આવ્યું છે.માલમતા કર મહાપાલિકાની આવકનો મુખ્ય સ્રોત છે. આ વેરાનું બિલ અપાયા પછી 90 દિવસમાં તે ચૂકતે કરવાનું હોય છે. જો તેવું નહીં કરતાં તબક્કાવાર કાર્યવાહી શરૂ કરવામાં આવે છે. કર નિર્ધારણ અને સંકલન વિભાગ દ્વારા પ્રત્યક્ષ સંપર્ક અને સંવાદ સાધીને માલમતા વેરો ભરવા માટે ફોલો-અપ કરાય છે. આમ છતાં વેરો નહીં ભરાય તો ડિમાંડ લેટર મોકલવામાં આવે છે. આ પછી માલમતા ધારકને 21 દિવસની અંતિમ નોટિસ અપાય છે, જે પછી માલતા જપ્તિ, લિલામ વગેરે કાર્યવાહી કરવામાં આવે છે. મહાપાલિકા કમિશનર ભૂષણ ગગરાણી, એડિશનલ કમિશનર ડો. અશ્વિની જોશી, જોઈન્ટ કમિશનર વિશ્વાસ શંકરવારના માર્ગદર્શનમાં વેરો વસૂલ કરવા વિવિધ પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ટોપ 20માં મ્હાડા, બિલ્ડરો પણ છેટોપ 20 ડિફોલ્ટરોમાં મ્હાડા પાસે સૌથી વધુ રૂ. 63.21 કરોડનાં લેણાં છે. મેસર્સ રાજહંસ એસોસિયેટ્સના રૂ. 46.05 લાખ, મેસર્સ વિમલ એસોસિયેટ્સના રૂ. 39.09 કરોડ, નેશનલ ઈન્ડસ્ટ્રિયલ કોર્પોરેશનના રૂ. 10.36 કરોડ, નેશનલ ઈન્ડસ્ટ્રિયલ કોર્પોરેશનના રૂ. 10.20 કરોડ, યશવંત એન જાધવ એસએસવી રિયાલ્ટર્સના રૂ. 9.94 કરોડ, અંબિકા સિલ્ક મિલના રૂ. 9.64 કરોડ, મહારાષ્ટ્ર શાસન ભોગવટાદાર સુશીલકુમાર સંભાજી શિંદે પ્રતિષ્ઠાન રૂ. 8.79 રકોડ, ધ વિકટોરિયા મિલ્સ લિ. પ્લાઝા પંચશીલ મિલના રૂ. 8.76 કરોડ, નેશનલ ઈન્ડસ્ટ્રિયલ કોર્પોરેશનના રૂ. 8.08 કરોડ, મહેમદ યુસુફ ખાનના રૂ. 7.64 કરોડ, એએચ વાડિયા ટ્રસ્ટ સ્કાયલિંક ડેવલપર્સના રૂ. 7.56 કરોડ, મેહરુનિસ્સા મહંમદ સહેબ ખતીબના રૂ. 7.33 કરોડ, ધ ન્યૂ સન મિલ કોમ લિ. શુભમ ફેબ્રિકના રૂ. 7.19 કરોડ, જય માતાદી કન્સ્ટ્રકશનના રૂ. 5.79 કરોડ, ટ્રાન્સકોન ટ્રાયમ્ફ ફેઝ 2 પ્રા. લિ.ના રૂ. 5.78 કરોડ, ટ્રાન્સકોન ટ્રાયમ્ફ ફેઝ 2 પ્રા. લિ.ના રૂ. 5.56 કરોડ, નેશનલ ઈન્ડસ્ટ્રિયલ કોર્પોરેશનના રૂ. 5.35 કરોડ, એલ્કો આર્કેડ કોઓફ હાઉસિંગ સોસાયટી ડી વિંગના રૂ. 4.81 કરોડ, ગોલ્ડન રોયલ ટોકીઝના રૂ. 4.22 કરોડનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:11 am

સન્ડે ફોટો સ્ટોરી:આંતરરાષ્ટ્રીય બાળપણ કેન્સર દિવસ પર જાગૃતિ કાર્યક્રમ

આંતરરાષ્ટ્રીય બાળપણ કેન્સર દિવસ નિમિત્તે નારાયણા હેલ્થ એસઆરસીસી ચિલ્ડ્રન્સ હોસ્પિટલ, મુંબઈ દ્વારા વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ખાસ કરીને વહેલું નિદાન, સમયસર ઉપચાર અને પરિપૂર્ણ સંભાળના મહત્ત્વ પર ભાર આપતાં કેન્સર સાથે સંઘર્ષ કરતા બાળકોના સાહસ અને કટિબદ્ધતાની ઉજવણી કરાઈ હતી. થીમ પાવર ચેમ્પ્સ- કેન્સરઃ ફ્રોમ ચેલેન્જ ટુ ચેન્જ રખાઈ હતી. એચઓડી ડો. પૂર્ણા કુરકુરેએ માર્ગદર્શન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:10 am

સિંધુદુર્ગમાં મતગણતરીમાં વિસંગતતા જોવા મળી:નોંધાયેલા મતની સંખ્યા અને મશીન પરના મતની સંખ્યા વચ્ચે તફાવત હોવાનું જણાયું

સિંધુદુર્ગ જિલ્લાના માટાણે મતવિસ્તારના એક મતદાન મથક પર મતગણતરીમાં વિસંગતતા જોવા મળી છે. નોંધાયેલા મતોની સંખ્યા અને મતદાન મશીન પર પડેલા મતોની સંખ્યા વચ્ચે વિસંગતતા જોવા મળતાં, રિટર્નિંગ ઓફિસર લક્ષ્મણ કાસેકરે ગણતરીના દિવસે સંબંધિત પાંચ કર્મચારીઓને કારણદર્શક નોટિસ ફટકારી છે. આ એક ગંભીર બાબત છે અને કાસેકરે તેમને તેમની સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ તે સમજાવવાનો આદેશ આપ્યો છે. રિટર્નિંગ ઓફિસર લક્ષ્મણ કાસેકર દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં જણાવાયું છે કે જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિ સામાન્ય ચૂંટણી 2026 નમૂના VM-3 (નોંધાયેલ મતોની ગણતરી)માં સચોટ એન્ટ્રીઓ કરવામાં આવી નથી. આ નોટિસ તમને જણાવે છે કે જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિ સામાન્ય ચૂંટણી 2026 (તાલુકો દોડામાર્ગ) માટે, મતદાન મથક પર કેન્દ્ર નં. 50/14 મતાને નિયુક્ત કરવામાં આવ્યા હતા. મતદાન પ્રક્રિયા 7 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થઈ હતી. 9 ફેબ્રુઆરીના રોજ, મતગણતરી દરમિયાન, જ્યારે ટેબલ નં. 6 અને કેન્દ્ર નં. 50/14 મતાને બીજા રાઉન્ડ દરમિયાન ગણતરી માટે આવ્યા, ત્યારે નમૂના VM-3 (નોંધાયેલ મતોની ગણતરી) માં નોંધાયેલા મતોની સંખ્યા અને મતદાન મશીન પર પડેલા મતોની સંખ્યા વચ્ચે વિસંગતતા જોવા મળી. આ મામલો ખૂબ જ ગંભીર છે અને તમારા વિરુદ્ધ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ની કલમ ૧૩૪ અને મહારાષ્ટ્ર જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિ અધિનિયમ, ૧૯૬૧ ની કલમ ૩૪ હેઠળ કાર્યવાહી કેમ ન કરવી જોઈએ? નોટિસ મળતાની સાથે જ આ અંગે લેખિત સમજૂતી મને સુપરત કરવી જોઈએ; અન્યથા, એ નોંધવું જોઈએ કે આગળની કાર્યવાહી એવી રીતે કરવામાં આવશે કે જાણે આ બાબતમાં તમારો કોઈ હાથ ન હોય, અધિકારીઓ દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં જણાવાયું છે. પાંચ કર્મચારીઓ લેખિત મંતવ્યો રજૂ કર્યાકાર્યવાહી અંગે વરિષ્ઠ અધિકારીઓ નિર્ણય લેશે અને ચૂંટણી કાર્યમાં બેદરકારી બદલ કાર્યવાહીનો સામનો કરી રહેલા પાંચ કર્મચારીઓએ લેખિતમાં પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. અમે તેમના મંતવ્યો જિલ્લા સ્તરે મોકલી દીધા છે. તેથી, આગળની કાર્યવાહીનો નિર્ણય વરિષ્ઠો દ્વારા લેવામાં આવશે, એમ સહાયક ચૂંટણી નિર્ણય અધિકારી પ્રજ્ઞા રાજમાને જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:09 am

થાણે કોસ્ટલ રોડનું કામ બન્યું ઝડપીઃ:થાણે કોસ્ટલ રોડનું આઠ મહિનામાં 50 ટકા પાયાનું કામ પૂર્ણ

થાણે કોસ્ટલ રોડનું કામ ઝડપભેર આગળ વધી રહ્યું છે. બાંધકામની શરૂઆત થઈને ફક્ત આઠ મહિનામાં જ થાણે કોસ્ટલ રોડ-1 મહત્ત્વનો તબક્કો પાર પાડ્યો છે. આ પ્રકલ્પના એલીવેટેડ માર્ગની પાયાભરણીના કામમાંથી 50 ટકાથી વધુ પૂર્ણ થયું હોઈ પિયર કેપ અને આય- ગર્ડર ઊભું કરવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. 13.45 કિમી લાંબો, છ લેન, પ્રવેશ નિયંત્રિત ગ્રીનફિલ્ડ માર્ગ અત્યાધુનિક એન્જિનિયરિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઊભો કરવામાં આવી રહ્યો છે. ભારતમાં પહેલી જ વાર ગ્રીનફિલ્ડ રોડ પ્રોજેક્ટમાં જમીન પર મોનોપાઈલ ફાઉન્ડેશન સાથે સિંગલ- પાઈલ, સિંગલ- પિયર પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ ડેડિકેટેડ માલપરિવહન કોરિડોર તરીકે વિકસિત કરવામાં આવી રહ્યો હોઈ ઘોડબંદર રોડ પર ટ્રાફિકની ગીચતા ઓછી કરવામાં અને થાણે ખાડી કિનારા પાસે એનએચ- 160 (મુંબઈ- નાશિક હાઈવે) અને ગાયમુખ વચ્ચે અખંડ રસ્તા જોડાણ ઉપલબ્ધ કરી આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પર્યાવરણની દ્રષ્ટિથી સંવેદનશીલ મેન્ગ્રોવ્સનું સંરક્ષણ કરવા માટે પ્રકલ્પનો મોટો ભાગ ફ્લાયઓવર પર અને પુલ દ્વારા બાંધવામાં આવી રહ્યો છે. ગાયમુખ ખાતે આ માર્ગ પ્રસ્તાવિત ગાયમુખ- ફાઉન્ટન હોટેલ બોગદા સાથે સીધો જોડવામાં આવશે. આ પ્રકલ્પને લીધે ઘોડબંદર રોડ પર ટ્રાફિક મોટે પાયે ઓછો થઈને થાણેની શહેરી ગતિશીલતામાં આમૂલ પરિવર્તન આવશે. આ જ રીતે વાઢવણ બંદર, જેએનપીટી, દક્ષિણ મહારાષ્ટ્ર અને કર્ણાટક પાસ જતું માલ પરિવહન વધુ સક્ષમ બનશે. કોરિડોર થાણે રિંગ મેટ્રો, થાણે કોસ્ટલ રોડ-2, સાકેત- આમણે એલિવેટેડ કોરિડોર અને કાસારવડવલી- ખારબાવ માર્ગ એમ મહત્ત્વના પાયાભૂત પ્રકલ્પો સાથે સીધો જોડવામાં આવી રહ્યો છે, જેને લીધે મુંબઈ મહાનગર પ્રદેશની આગામી પેઢીન સુલભ પરિવહન કનેક્ટિવિટીનો આધાર વધુ મજબૂત બનશે, એમ એમએમઆરડીએ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:07 am

લેન્ડ ગ્રેબિંગ:વર્ષો જૂના પાવર ઑફ એટર્નીનો દુરુપયોગ કરી કરોડોની જમીન હડપવાનો આરોપ

ગાંધીનગર જિલ્લાના દંતાલી ગામમાં ખેડૂતો દ્વારા વર્ષો પહેલા આપવામાં આવેલા પાવર ઓફ એટર્નીનો દુરુપયોગ કરી કરોડોની કિંમતની જમીન હડપવાનો કિસ્સો સામે આવ્યો છે. કાયદેસર રીતે ખરીદાયેલી જમીન પર ખોટું બાનાખત બનાવી અને પછી બીજો દસ્તાવેજ કરી વિવાદ ઉભો કરવાનો આરોપ બે શખ્સો પર લાગ્યો છે. અડાલજ પોલીસે તપાસ શરૂ કરી છે. અડાલજ વિસ્તારમાં આવેલા દંતાલી ગામમાં જમીન મામલે કૌભાંડ બહાર આવ્યું છે. ફરિયાદ મુજબ જીગરકુમાર રામભાઈ પટેલે વર્ષ 2019 માં સર્વે નંબર 231 (જૂનો 465) વાળી 8600 ચોરસ મીટર જમીન ખરીદવા ખેડૂતો સાથે વાતચીત શરૂ કરી હતી. આ જમીન સરકારી નિયમોમાં ફસાયેલી હોવાથી તેમણે કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને જમીન ખેતીલાયક કરાવી હતી. ખેડૂતોએ આ જમીન જીગરકુમાર અને તેમના ભાગીદારોને રૂપિયા 1 કરોડ 55 લાખમાં વેચવાનો નિર્ણય કર્યો હતો. જીગરકુમારે નક્કી મુજબની રકમ ચેક દ્વારા ચૂકવી જાન્યુઆરી 2022 માં દસ્તાવેજ નોંધાવ્યો હતો. આ દરમિયાન વર્ષ 2016માં જમીનનું કામ સંભાળતા જયંતિભાઈ અંબાલાલ પટેલ અને મયુરભાઈ બળદેવભાઈ પટેલ પાસે ખેડૂતોના જૂના નોટરાઈઝ્ડ પાવર ઓફ એટર્ની હતા. બંનેએ તેનો ઉપયોગ કરી સપ્ટેમ્બર 2020માં 88.15 લાખનું બાનાખત બનાવ્યુ હતું.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:03 am

ફરિયાદ નોંધાઈ:પતિએ મહિલા અધિકારીની જાસૂસી કરાવતાં ફરિયાદ

ગાંધીનગરમાં રહેતી એક મહિલા અધિકારીએ પોતાના પતિ વિરુદ્ધ જાસૂસી કરાવવાનો આરોપ લગાવી પોલીસ ફરિયાદ નોંધાવી છે. અલગ રહેતા પતિએ એક યુવકને પત્નીની હિલચાલ પર નજર રાખવા મોકલ્યો હોવાનો ખુલાસો થયો છે. પકડાયેલા યુવકના મોબાઈલમાંથી મળેલા મેસેજના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ગાંધીનગર શહેરમાં રહેતી અને અન્ય જિલ્લામાં તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતી એક મહિલા અધિકારીએ સેક્ટર-21 પોલીસ મથકમાં પોતાના પતિ અને એક યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહિલાના જણાવ્યા પ્રમાણે તેમના લગ્ન વર્ષ 2006માં થયા હતા, પરંતુ છેલ્લા એક વર્ષથી મતભેદોને કારણે તે અને તેનો પતિ જગદીશ બંને અલગ રહે છે અને તેઓ હાલ સેક્ટર-22 વિસ્તારમાં સગાંના ઘરે રહે છે. જગદીશભાઈ વિરુદ્ધ ઘરેલું હિંસા અને છૂટાછેડાના કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે. મહિલાનો આરોપ છે કે કાનૂની કેસમાં દબાણ લાવવા માટે પતિ દ્વારા તેમની સતત જાસૂસી કરાવવામાં આવતી હતી. એક દિવસ સવારે ઘરના નજીક શંકાસ્પદ રીતે ફરતા એક યુવકને પરિવારજનોને શંકા જતા પકડી પાડ્યો હતો. તેનુ નામ નગીન સુથાર છે. નગીન સુથાર નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી કારમાં આવી મહિલાની હિલચાલ પર નજર રાખતો હતો. પૂછપરછ દરમિયાન નગીન સુથારે જણાવ્યું કે મહિલાના પતિએ જ તેને પીછો કરવા મોકલ્યો હતો. પોલીસે તેના મોબાઈલની તપાસ કરતાં જગદીશભાઈ તરફથી મોકલાયેલ “નીકળી” લખેલો વોટ્સએપ મેસેજ મળ્યો હતો, જે જાસૂસીના આરોપને મજબૂત બનાવે છે. મહિલાએ પોલીસને જણાવ્યું કે લાંબા સમયથી તેમની દેખરેખ રાખવામાં આવતી હતી અને તેના કારણે સતત ભયમાં જીવવુ પડે છે. સેક્ટર-21 પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી પતિ અને યુવક વિરુદ્ધ તપાસ શરૂ કરી છે. સાથે જ આ ઘટનામાં અન્ય કોઈ ગુનાહિત ઇરાદો જોડાયેલો હતો કે નહીં તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. જોકે, પતિ અને પત્ની અલગ રહેતા હોવાથી અને કોર્ટ કેસ ચાલી રહ્યો હોવાથી પતિએ કેમ જાસૂસી કરાવી તે ચર્ચાનો વિષય બન્યો છે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:03 am

યુવાનનું રેસક્યૂ કરાયું:ભાટના યુવકે નદીમાં ઝંપલાવ્યા બાદ પોતે જ પોલીસને ફોન કરી મદદ માગી

અમદાવાદમાં વહેલી સવારે એક યુવાને ઇન્દિરા બ્રિજ પરથી સાબરમતી નદીમાં ઝંપલાવ્યુ હતુ, અને પછી તેણે જાતે જ ઇમરજન્સી નંબર પર ફોન કરીને જાણ કરી હતી,રાત્રે 3:35 વાગ્યે આ યુવકે પોતે જ 112 ઇમરજન્સી કંટ્રોલ રૂમમાં ફોન કરી જણાવ્યું હતું કે તેણે સાબરમતી નદીમાં ઝંપલાવ્યું છે અને તેને બહાર કાઢવામાં આવે. 112 કંટ્રોલ રૂમ દ્વારા ગાંધીનગર ફાયર કંટ્રોલને જાણ કરવામાં આવી કે ઇન્દિરા બ્રિજ નીચે એક વ્યક્તિ નદીમાં પડ્યો છે, જેથી તાત્કાલિક ફાયર ટીમ મોકલવામાં આવે. ભાટ ફાયર સ્ટેશનથી ટીમ ઘટના સ્થળે રવાના થઈ હતી. ફાયર ટીમે સમયસર પહોંચી કામગીરી હાથ ધરી અને યુવકને સાબરમતી નદીમાંથી હેમ-ખેમ રીતે બહાર કાઢ્યો હતો. બાદમાં તેને 108 એમ્બ્યુલન્સને વધુ સારવાર માટે સોંપવામાં આવ્યો. યુવકનું નામ કિશનભાઈ અરવિંદભાઈ ગુપ્તા (ઉંમર 24 વર્ષ) હોવાનું જાણવા મળ્યું છે. તે ભાટ વિસ્તારનો રહેવાસી છે, ટીમની કામગીરીને કારણે યુવાનનો જીવ બચી ગયો હતો.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:02 am

મીના બજારનું કરાશે કાયાપલટ:મીનાબજારને માણેક ચોકની પેટર્ન પર ડેવલપ કરાશે

છેલ્લા 45 વર્ષથી ગાંધીનગરમા જૂના સચિવાલય પાછળ ચાલતા મીના બજારની કાયાપલટ માટે મહાનગરપાલિકા દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. અત્યારસુધી મીનાબજાર ઓફિસ ટાઇમ પ્રમાણે સવારે 10થી સાંજે 7 વાગ્યા સુધી જ ધમધમતું રહે છે. શનિ- રવિ અને રજાના દિવસોમાં સુમસામ રહે છે ત્યારે માત્ર કર્મચારીઓ નહીં સમગ્ર શહેરીજનોને સુવિધા મળે અને મોડી રાત સુધી ધમધમતું રહે તે માટે તેને અમદાવાદના માણેકચોકની પેટર્ન પર વિકસાવવાનું આયોજન થઇ રહ્યું છે. દિવસ દરમિયાન ખરીદી અને મોડી રાત સુધી ખાણીપીણીની સુવિધા ઉપલબ્ધ થાય અને વેપારીઓના ધંધા- રોજગાર વધે તે હેતુથી મીનાબજારના રીડેવલપમેન્ટનો પ્લાન તૈયાર થઇ રહ્યો છે. પાટનગર હોવાથી અહીં સરકારી કર્મચારીઓની સંખ્યા વધારે છે. નવા- જૂના સચિવાલય અને આસપાસની કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને ચા- નાસ્તાની સુવિધા ઉપરાંત તેઓ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ ઓફિસ સમય દરમિયાન અથવા તો છૂટીને કરી શકે તે હેતુથી વર્ષ 1982માં મીના બજારની સ્થાપના કરવામાં આવી હતી. અહીં 300 જેટલી માઇક્રો શોપીંગની દુકાનો છે. એ ઉપરાંત સ્ટોલ ટાઇપ મંડપો અને લારી- ગલ્લા પણ આવેલા છે. પાટનગર યોજના વિભાગ દ્વારા અધિકૃત દુકાનો ફાળવાઇ હોય તેનો સરવે કરીને મહાનગરપાલિકા દ્વારા રીડેવલપમેન્ટનો પ્લાન તૈયાર કરાશે. આ બજાર માત્ર કચેરીના સમય પ્રમાણે ચાલે તેના બદલે રાત્રે મોડે સુધી ધમધમે તેમજ ખાણીપીણીની સુવિધા ઉપરાંત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ, કપડાં, પુસ્તકો સહિતની વસ્તુઓનું રજાઓના દિવસોમાં પણ વેચાણ ચાલું રહે તેવી વ્યસ્થા કરવામાં આવશે. મીના બજારમાં હાલ દુકાનો યોગ્ય રીતે નથી, પાર્કિંગની યોગ્ય સુવિધા નથી, સ્ટોલ પણ અવ્યવસ્થિત છે. ઘણી જગ્યા બિનઉપયોગી છે. જેથી તેને સુઆયોજિત બનાવાશે. અહીં પાર્કિંગ, બ્લોક, ફાઇન્ટેન સાથેનું ગાર્ડન, બેઠક વ્યસ્થા, ટોઇલેટ બ્લોક, ખાણીપીણીની દુકાનો માટે ટેબલ ખુરશી રહી શકે તેવી વ્યવસ્થા સાથેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. ગાંધીનગરની ઓળખ બને તે પ્રકારે વિકસાવાશેસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસે કહ્યું કે જેમ માણેક ચોક અમદાવાદની ઓળખ છે અને તેની અનોખી રોનક છે તેમ મીના બજાર પણ ગાંધીનગરની ઓળખ બને અને કર્મચારીઓ પુરતું સિમિત રહેવાને બદલે તમામ દિવસોમાં શહેરના વિવિધ વિસ્તારના નાગરિકો ખરીદી અને ખાણીપીણી માટે અહીં આવે તે પ્રકારે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:00 am

અકસ્માત સર્જાયો:ફીજી છાત્રાલય સામે સર્કલ પર કાર ચઢી જતા અકસ્માત સર્જાયો

પોરબંદરના સરકારી હોસ્પિટલ રોડ પર આવેલ ફીજી છાત્રાલય સામે સર્કલ પર ગઈકાલે શુક્રવારે રાત્રિના સમયે અકસ્માત સર્જાયો હતો. GJ 01 HW 9443 નંબરની કારના ચાલકે કોઈપણ કારણોસર સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર સર્કલ સાથે ટકરાઈ હતી અને કાર સર્કલ પર ચડી ગઈ હતી. અકસ્માત સર્જાતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઘટના સ્થળે પર પોલીસ આવી હતી અને ટોળાને વિખેર્યું હતું. નાની ક્રેન વડે સર્કલ પરથી કારણે દૂર ખસેડવામાં આવી હતી. સદનશીબે જાનહાનિ ટળી હતી. અકસ્માતના કારણ અંગે વધુ તપાસ કમલાબાગ પોલીસ ચલાવી રહી છે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:00 am

આરોપીને જેલ હવાલે કરાયો:મેમણવાડામાં બહેન દીકરીઓની છેડતી કરનાર આરોપી પાસાના પાંજરે પુરાયો

પોરબંદરમાં સગીરા અને યુવતીઓની છેડતી કરનાર આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી કરી, આરોપીની પાસા હેઠળ અટકાયત કરી આરોપીને અમદાવાદ જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યો છે. પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાંથી જાતિય સતામણીના ગુન્હાઓમાં પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધમાં પાસા હેઠળના અટકાયતી પગલા લેવા સુચના કરેલ હોય જે અનુસંધાને ડીવાયએસપી ઋતુ રાબાના માર્ગદર્શન હેઠળ કીર્તિમંદિર પોલીસ મથકે નોંધાયેલ પોકસો સહિતના જાતીય ગુન્હાનો આરોપી હીતેશ નાથાલાલ કોટીયા મેમણવાડામાં રાત્રીના સમયે સ્કૂટર પર આટાફેરા કરી સગીરવયની બહેન-દિકરીઓ સાથે અશ્લીલ ચેનચાળા કરી, તેમના શરીરે ટપલીઓ મારી ભાગી જઇ છેડતી કરતો હતો. આ શખ્સ સામે 4 ગુન્હા નોંધાયા હતા. આ શખ્સ વિરૂધ્ધમાં કીર્તિમંદિર પોલીસ મથકના પીઆઈ જે.જે.ચૌધરીએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક મારફત પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આ આરોપીને પાસા હેઠળ અમદાવાદ જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા એલસીબી પીઆઇ આર.કે.કાંબરીયાએ આરોપીની વોરંટની બજવણી કરી અટકાયત કરી અમદાવાદ જેલ ખાતે મોકલી દીધો છે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:00 am

માર્ગ-ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી આયોજન પર ટ્રેનિંગ સેશન યોજાયું:ટ્રેનિંગ સુધી વિકાસ સીમિત, પોરબંદર શહેરમાં વાસ્તવિક કામગીરી ક્યારે દેખાશે?

મનપા દ્વારા માર્ગ-ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શહેરી આયોજન પર ટ્રેનિંગ સેશન કરવામાં આવ્યું છે, પરંતુ તૂટેલા રસ્તા, ફૂટપાથ અને પાર્કિંગની સમસ્યા યથાવત છે ત્યારે જૂની સમસ્યાઓનું વહેલીતકે નિરાકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. પોરબંદર શહેરના વિકાસ માટે મનપા દ્વારા વારંવાર ટ્રેનિંગ અને બેઠકો યોજાઈ રહી હોવા છતાં ગ્રાઉન્ડ પર તો સમસ્યા યથાવત રહી છે. પોરબંદર મનપા દ્વારા તાજેતરમાં ઇજનેરો માટે ટ્રેનિંગ સેશન યોજાયું હતું. ભારતીય રાષ્ટ્રીય વારસા અને સાંસ્કૃતિક ધરોહર સંરક્ષણ ટ્રસ્ટ દ્વારા ટ્રેનિંગ કાર્યક્રમમાં માર્ગ-ઇન્ફ્રાસ્ટ્રક્ ચર, પાર્કિંગ, ફૂટપાથ અને બસ સ્ટેશન, જાહેર સુવિધાઓના આધુનિક આયોજન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ભવિષ્યના વિકાસ કાર્યો વધુ ગુણવતાપૂર્ણ બનશે તેવી આશા વ્યક્ત કરી હતી પરંતુ માત્ર પ્રેઝન્ટેશન અને માર્ગદર્શનથી વિકાસ શક્ય નથી, જમીન સ્તરેથી કામગીરી જરૂરી છે. શહેરમાં બસ સ્ટોપ, પાર્કિંગ ઝોન, બિસ્માર રસ્તા, અપૂરતી ફૂટપાથ સહિત ટ્રાફિક વ્યવસ્થાના મુદ્દાઓ લાંબા સમયથી બાકી છે. વારંવાર યોજાતી બેઠક અને ટ્રેનિંગ છતાં અમલમાં વિલંબ થતો હોવાના કારણે શહેરીજનો મુશ્કેલી વેઠી રહ્યા છે. વિકાસના મુદ્દે તાલીમ અને ચર્ચાના દાવાને બદલે વર્ષો જૂની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:00 am

શિવસેના માલધારી સેલની ઉગ્ર રજૂઆત:શહેરમાં રઝળતા પશુને ઘાસચારા માટે સત્તાવાર પોઈન્ટ નક્કી કરો

પોરબંદર શહેરમાં પશુઓ માટેના ઘાસચારા વેચાણ પર પ્રતિબંધ બાદ મુદ્દો ગરમાયો છે. શિવસેનાના માલધારી સેલ દ્વારા પોરબંદર મનપાને આવેદન પાઠવી ઘાસચારા માટે સત્તાવાર વેચાણ પોઈન્ટ નક્કી કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે. પોરબંદર શિવસેના માલધારી સેલના પ્રમુખ રામભાઈ કોડીયાતર સહિત આગેવાનોએ જણાવ્યું હતુ કે, જાહેરમાં ઘાસચારો ન નાખવા લોકોના હિત માટે પ્રતિબંધ યોગ્ય છે, પરંતુ શહેરમાં મોટી સંખ્યામાં રહેલા રખડતા પશુઓનો નિભાવ અત્યાર સુધી લોકો દ્વારા નખાતા ઘાસચારા પર જ થતો હતો, એકધારા પ્રતિબંધથી હજારો પશુઓ ભૂખ્યા રહેવાની સ્થિતિ સર્જાઈ છે. મનપા પાસે રખડતા પશુઓ માટે પૂરતી વ્યવસ્થા નથી, ઘાસચારા વેચાણ પર સીધો પ્રતિબંધ આવતા રઝળતા પશુઓને પૂરતો ઘાસચારો મળતો નથી, શહેરમાં અનેક એવા સ્થળો છે જ્યાં ઘાસચારો વેચાય તો કોઈને અડચણરૂપ બનતું નથી, તેથી શહેરમાં આવા સ્થળોનો સર્વે કરી પશુઓને ઘાસચારો આપવા માટે સત્તાવાર પોઈન્ટ નક્કી કરી પાણી સહિતની સુવિધા ઉભી કરવામાં આવે તેવી માંગ કરી છે. વધુમાં જણાવ્યું હતુ કે, આ મુદ્દો માત્ર પશુઓના આહારનો જ નહીં પરંતુ હિંદુ આસ્થા સાથે જોડાયેલો છે, સાથે જ ઘાસચારો વેચતા અનેક પરિવારોની આજીવિકાનો પણ પ્રશ્ન હોવાનું જણાવાયું હતું. શિવસેના માલધારી સેલે ચેતવણી આપી છે કે તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે, તેમજ જીવદયા પ્રેમી નાગરિકોને પણ આ મુદ્દે સાથ આવવા અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:00 am

દારૂનું દૂષણ વધ્યું:જિલ્લામાં 24 કલાકમાં દારૂ અંગેના 7 કેસ નોંધાયા

પોરબંદર જિલ્લામાં દારૂની બદી દૂર કરવા જિલ્લા પોલીસ દ્વારા પેટ્રોલિંગ, ચેકીંગ અને બાતમી આધારે દરોડા પાડવામાં આવે છે ત્યારે છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં દારૂ અંગેના 7 કેસ નોંધાયા હતા, જેમાં 3 શખ્સ નશો કરેલ હાલતમાં મળી આવતા, પોલીસે તેઓની સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે અન્ય 1 કેસમાં પોલીસે 2 લિટર દેશી દારૂનો જથ્થો કિંમત રૂ.400નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી સામે કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:00 am

ટ્રકે આગળ ઊભેલા ટ્રકમાં ટક્કર મારી:રાણાવાવ બાપયાસ પર થયેલા ટ્રક અકસ્માતમાં મૃતક સામે ગુનો નોંધાયો

રાણાવાવ બાયપાસ પર ઊભેલ એક ટ્રકમાં અન્ય ટ્રક ચાલકે પોતાનો ટ્રેક બેદરકારી રીતે ચલાવી ટ્રકમાં ભટકાવી દેતા ટ્રક અથડાવનાર ચાલકનું મોત થતા આ અંગે મૃતક સામે ગુન્હો નોંધાયો છે. રાણાવાવના રાણા કંડોરણા પુંજપરા ધારમાં રહેતા ફરીયાદી મોહન દેવાયત મોરીએ રાણાવાવ બાયપાસ પર GJ-12 U-9073 નંબરનો ક્રિષ્વ ઇન્ફ્રા રોડ મેન્ટેનશમા વિગવેગ લાઇટ વાળો ટ્રક સેફટી તથા રોડ પર આવતા વાહનોને લાઇટ દ્વારા ડાયરેકશન બતાવવાની લાઇટ ચાલુ રાખી અને રોડ પર જમણી સાઇડ રાખેલ હતો. ત્યારે MH-48-DC-6060 નંબરના ટ્રકના ચાલકએ મારંમાર તથા પુરઝડપે ગફલતભરી રીતે માનવજીંદગી જોખમાય તે રીતે ટ્રક ચલાવી કોઇપણ કારણોસર ઉભા રાખેલા ટ્રકમા પાછળની સાઇડ ભટકાડી દેતા ભટકાવનાર ટ્રકના ચાલકને શરીરે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. આ ટ્રક ચાલકની બેદરકારી બદલ મોહન દેવાયત મોરીએ ફરિયાદ નોંધાવતા પોલીસે MH-48-DC-6060 નંબરના ટ્રકના ચાલક સામે ગુન્હો નોંધી આગળની તપાસ રાણાવાવ પોલીસ ચલાવી રહી છે. અણુ રાજ્યનો ટ્રક ડ્રાઈવર હોવાથી હજુસુધી તેનું નામ જાણી શકાયું ન હોવાનું પોલીસે જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:00 am

શહેરના સર્વાંગી વિકાસ તરફ પ્રયાણ કરાયું:પોરબંદરના છાંયા વિસ્તારમાં ડેમેજ માર્ગોને ડામરથી મઢવાનું કામ શરૂ

પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસ માટે સતત અને સુવ્યવસ્થિત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ શહેરમાં વિવિધ વિકાસલક્ષી કામગીરી હાલ પ્રગતિ પથ પર છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પોરબંદર શહેરની શહેરી સડકોની સ્થિતિ વધુ સુદૃઢ અને સુવિધાજનક બનાવવા માટે માર્ગ સુધારણા તથા રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ યોજના હેઠળ પોરબંદર શહેરના અલગ અલગ વિસ્તારોમાં જ્યાં રસ્તાઓ ડેમેજ થયા છે ત્યાં તાત્કાલિક રીપેરીંગ કરવામાં આવી રહ્યું છે તેમજ જરૂરી સ્થળોએ રોડ રસ્તાઓને ડામરથી મઢવાની કામગીરી પણ ચાલી રહી છે. પોરબંદર મહાનગરપાલિકાની બાંધકામ શાખા દ્વારા છાંયા વિસ્તારમાં પણ આ સમગ્ર કામગીરી પૂરજોશમાં અને આયોજનબદ્ધ રીતે કરવામાં આવી રહી છે, રસ્તાઓની હાલની સ્થિતિ સુધરવાથી વાહનવ્યવહાર વધુ સરળ અને સુરક્ષિત બનશે તેમજ શહેરીજનોને રોજિંદા અવરજવર માટે વધુ સારી સુવિધા ઉપલબ્ધ થશે. આ સાથે સાથે શહેરના માર્ગોના સૌંદર્ય અને ગુણવત્તામાં પણ વધારો થશે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આવનારા સમયમાં પણ શહેરને વધુ સુવ્યવસ્થિત, સ્વચ્છ અને સુવિધાસભર બનાવવા માટે આવી વિકાસાત્મક કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે, તેવું જણાવવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:00 am

પરીક્ષા ખાસ:ધો-10 વિજ્ઞાનનું પેપર પાઠ્યપુસ્તકમાંથી જ પૂછાય છે, તેની પર છાત્રો ધ્યાન આપે

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પહેલા દિવસે વિદ્યાર્થીને અઘરા લાગતા વિષય ફિઝિક્સ( ભૌતિક વિજ્ઞાન)નું પેપર છે. વિદ્યાર્થીઓ ફિઝિક્સમાં સારા માર્ક્સ લાવી શકે તે માટે કેટલીક જરૂરી ટિપ્સ અત્રે પ્રસ્તુત છે. -વિભાગ A માં 50 પ્રશ્નો M.C.Q. પ્રકારના હોય છે તેના માટે 1 કલાકનો સમય હોય છે.જેમાં 10 થી 15 પ્રશ્નો ટ્વિસ્ટ કરેલ હોઈ શકે જ્યારે બાકીના પ્રશ્નો પાઠ્યપુસ્તકના આધારે હોય છે. પાઠ્યપુસ્તકમાં દરેક ચેપ્ટરમાં આવતા એકમ તથા પારિમાણિક સૂત્રો, આલેખ, ટૂંકી ગણતરીવાળા ઉદાહરણ તથા સ્વાધ્યાયના પ્રશ્નો છેલ્લા સમયમાં વાંચી લેવા જોઈએ. -M.C.Q. સોલ્વ કરતી વખતે 1 કલાકના સમયને ધ્યાનમાં રાખી શાંત ચિત્તે બિનજરૂરી ઉતાવળ કર્યા સિવાય પ્રશ્નો સોલ્વ કરવા જોઈએ. ટૂંકી ગણતરી અને સહેલા હોય તેવા પ્રશ્નો શરૂઆતમાં જ ટીક કરી દેવા જોઈએ જેથી બાકીનો સમય અન્ય પ્રશ્નોને આપી શકાય. {એમ.જે.ડાભી. ફિઝિક્સ ટીચર, માય ઓન હાઈસ્કૂલ, હિંમતનગર.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:00 am

સ્પેશલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય:19 ફેબ્રુ.થી અસારવા-આગ્રા કેન્ટ સ્પેશિયલ ટ્રેન દોડશે

પશ્ચિમ રેલવે દ્વારા આગામી હોળીને લઇ મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અસારવા અને આગ્રા કેન્ટ વચ્ચે સ્પેશલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલવે દ્વારા મળતી માહિતી અનુસાર ટ્રેન નં. 01920 અસારવા–આગ્રા કૅન્ટ સ્પેશિયલ 19 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2026 સુધી મંગળવાર અને બુધવાર સિવાય અસારવાથી દરરોજ 14:50 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 7:45 વાગ્યે આગ્રા કૅન્ટ પહોંચશે. એ જ રીતે, ટ્રેન નં. 01919 આગ્રા કૅન્ટ– અસારવા સ્પેશિયલ 18 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2026 સુધી સોમવાર અને મંગળવાર સિવાય આગ્રા કૅન્ટથી દરરોજ 18:10 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 11:10 વાગ્યે અસારવા એ જ રીતે પહોંચશે. આ ટ્રેન હિંમતનગર, શામળાજી રોડ, ડુંગરપુર, સેમારી, જાવર, ઉદયપુર સિટી, રાણા પ્રતાપ નગર, માવલી, ચંદેરિયા, માંડલ ગઢ, બૂંદી, કેશોરાય પાટણ, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, રૂપબાસ અને ફતેહપુર સીકરી સ્ટેશનો પર રોકાશે.આ ટ્રેનમાં એસી 3-ટિયર, સ્લીપર તથા સામાન્ય શ્રેણીના કોચ રહેશે. ટ્રેન નં. 01920ની બુકિંગ 14 ફેબ્રુઆરીથી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:00 am

મહાશિવરાત્રી:શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઊઠશે‎

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે મહાશિવરાત્રી પર્વને લઇને ભક્તોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. ત્યારે આ દિવસે જિલ્લાભરના શિવમંદિરોમાં ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં સતવારા સમાજ દ્વારા શોભાયાત્રા, મંદિરોમાં 4 પ્રહર પૂજન, ધોળીધજા ડેમે શિવરાત્રીનો મેળો યોજાશે. સુરેન્દ્રનગર જિલ્લામાં મોટી સંખ્યામાં શિવમંદિરો આવેલા છે. ધોળેશ્વર મહાદેવ સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ પર આવેલુ પૌરાણીક ધોળેશ્વર મહાદેવનું મંદિર અંદાજે 70 વર્ષ પુરાણુ છે. અહીં શિવરાત્રીના દિવસે દર્શનનું મહત્વ વધુ હોય છે. દર વર્ષની જેમ આ વર્ષ પણ અહીં શિવરાત્રીનો ભવ્ય મેળો યોજાશે. જ્યારે મંદિરે ભવ્યરોશની શણગાર કરી મહાદેવનું રાત્રીના 4 પહરનું વિશેષ પૂજન જેમાં અભિષેક, રૂદ્રીપાઠ, બિલિપત્રથી પૂજન કરવામાં આવશે તથા બ્રહ્મ કુમારીઝ-વઢવાણ 80 ફૂટ રોડ બ્રહ્મ કુમારીઝ સર્કલ પાસે બ્રહ્મકુમારી સેન્ટર ખાતે સુરેન્દ્રનગર બ્રહ્મા કુમારીઝ સેવા કેન્દ્ર 80 ફૂટ રોડ સુરેન્દ્રનગર દ્વારા 90માં શિવ જયંતિ મહોત્સવ ઉજવણી કરાશે. જેમાં લોકો વ્યસનમુક્તિ તથા શિવ શંકરની ચૈતન્યઝાંખી આધ્યાત્મિક પ્રદર્શન, રામેશ્વર મહાદેવ દર્શન, રામ રાજ્ય દર્શન તથા વિશાળ મહિલા સંમેલન યોજાશે. વઢવાણ ક્ષેકશંકર મહાદેવ ભોગાવા કાંઠે આવેલું પ્રાચીન અને ઐતિસિક સ્વયંભુ ક્ષેમશંકર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરાશે. જેમાં નંદી પર સવાર મહાદેવનું મહારૂદ્ર યજ્ઞ અને અભિક્ષેક મહાપૂજનનું આયોજન કરાયું છે. સિધ્ધનાથ મહાદેવ-વઢવાણના સિધ્ધનાથ મહાદેવ મંદિરેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન સતવારા સમાજ દ્વારા કરાયું છે. અણઘટનાથ મહાદેવ મંદિર-સુરેન્દ્રનગરના સૌથી પુરાણા માંના એક અને એક માત્ર પશ્ચિમ મુખી મહાદેવ મંદિરે શિવરાત્રી નિમિત્તે ભવ્ય ઉજવણી કરાશે. જેમાં મહાદેવના સવારે વિશેષ શણગાર, રાત્રી દરમિયાન 4 પ્રહરની વિશેષ આરતી પૂજન મહારૂદ્રી સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાશે. રાશિ મુજબ શિવ નામના આ જાપ કર મેષ : ઓમ લોકપાલાય નમઃ { વૃષભ : ઓમ વરદાય નમઃ { મિથુન : ઓમ કામાય નમઃ { કર્ક : ઓમ હરાય નમઃ { સિંહ : ઓમ મહાત્મને નમઃ { કન્યા : ઓમ પ્રભવે નમઃ { તુલા : ઓમ તરંગવિદે નમઃ { વૃશ્ચિક : ઓમ નિયમાય નમઃ { ધન : ઓમ ભવાયનમઃ { મકર : ઓમ ખચરાય નમઃ { કુંભ : કુંભ સ્થિરાય નમઃ { મીન : ઓમ દર્શનાય નમઃ મહાશિવરાત્રી અને વ્યતિપાતયોગ દિવસ અને મહાશુભયોગ 15 ફેબ્રુઆરી 2026ના રોજ જ્યોતિષશાસ્ત્ર મુજબ ઉત્તમ દિવસ અને મહાશુભયોગ કારણ કે મહાશિવરાત્રી અને વ્યતિપાતયોગ આજ દિવસે છે. ધર્મ શાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં ત્રણ રાત્રિનું અતિ મહત્વ દર્શાવેલ છે. મહાશિવરાત્રી, જન્માષ્ટમી અને દિવાળી. મહાશિવરાત્રીના દિવસે સવારમાં સૂર્યોદય સમયે અથવા નિશિથ કાળનો સમય 24:57થી 25:11 સુધી રુદ્રાભિષેક મહાપૂજા કરવી. પ્રથમ પ્રહર પૂજા 18:45થી, દ્વીતિય પ્રહર 21:50થી, તૃતીય પ્રહર 24 : 57થી, ચતુર્થ પ્રહર 28:08થી રુદ્રાભિષેક અને મહાપૂજા કરવી. બની શકે તો રુદ્રાભિષેક સવારમાં સૂર્યોદય સમયે અથવા સૂર્યાસ્ત પછી પ્રહર કાળમાં અથવા નિશિથ કાળમાં કરવો અતિ લાભદાયક રહેશે. { બંસલકુમાર જાની, જ્યોતિષ

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:00 am

મોડો શરૂ થયેલો શિયાળો વહેલો પૂરો થયો:10 વર્ષમાં 14મી ફેબ્રુઆરી સૌથી વધુ ગરમ‎

જિલ્લામાં ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં તાપમાનનો પારો સતત વધઘટ રહ્યો છે. જેમાં એક સપ્તાહમાં તાપમાન 4 ડિગ્રી ઘટ્યા બાદ ફરી વધી રહ્યું છે. ત્યારે 14 ફેબ્રુઆરી છેલ્લાં 10 વર્ષનો સૌથી ગરમ દિવસ બની જવા પામ્યો છે. આમ મોડે શરૂ થયેલો શિયાળા વહેલો પુરો થવા સાથે ગરમીની અસર વર્તાઇ રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષ શિયાળની શરૂઆત ધીમી ઠંડીની શરૂ આત થઇ હતી. જેમાં શરૂઆતમાં ઠંડી ઓછી પડ્યા બાદ કમોસમી માવઠાથી થોડો સમય ઠંડી રહ્યા બાદ ડિસેમ્બરના શરૂઆતના દિવસો પછી ફરી ઠંડી ઘટી હતી. આમ આ વર્ષ શિયાળાની શરૂઆત મોડી થઇ હતી. ત્યારે ઉત્તર પૂર્વમાં જમ્મુ કાશ્મીર રિજિયનમાં થોડા સમયથી બરફ વર્ષાને લઇ જતા ડિસેમ્બરના અંતિમ 4-5 દિવસ અને જાન્યુઆરીના પહેલા 10 દિવસ એમ 15 શિયાળાની શીતલહેર વધતા થોડા દિવસોથી ફરી ઠંડક અહેસાસ થયો હતો. અલનીનોની અસર પવનોની દિશા દક્ષિણ - પશ્ચિમ થતાં પારો વધ્યો આ વર્ષ પેસિફિક મહાસાગરમાં સમુદ્રની સપાટીનું તાપમાન વધવાની ઘટના (અલ-નીનો) હવામાન પર અસર કરે છે. અલ-નીનોના વર્ષમાં શિયાળો ટૂંકો રહે છે અને ઉનાળાની શરૂઆત વહેલી તેમજ વધુ ગરમી સાથે થાય છે. શિયાળામાં ઉત્તર ભારતમાંથી આવતા પશ્ચિમી વિક્ષેપને કારણે ઠંડા પવનો ફૂંકાય છે, જે તાપમાનને નીચું રાખે છે. આ વર્ષે આવા પવનોની ગેરહાજરી અથવા તેની દિશામાં ફેરફાર થવાથી ગરમ પવનોનું જોર વધ્યું છે. પવનોની દિશા ઉત્તર-પૂર્વને બદલે પશ્ચિમ અથવા દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનના રણ તરફથી થાય છે, ત્યારે તે પોતાની સાથે ગરમ હવા લાવે છે. આથી ફેબ્રુઆરીમાં જ તાપમાન 34 ડિગ્રીને પાર તયું છે.{ રમેશભાઇ ગોસાઇ, નિવૃત ડિઝાસ્ટર મામલતદાર

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:00 am

ગ્રાઉન્ડ રિપોર્ટ:સુરેન્દ્રનગર શહેરમાં 3 વર્ષમાં 85 હજાર વાહન વધ્યા સામે‎રસ્તા પહોળા થવાને બદલે સાંકડા થતા ઠેર ઠેર ટ્રાફિક જામ

સેતુગીરી ગોસ્વામીસુરેન્દ્રનગર ટ્રાફિકના ભરડામાં ફસાયું હોય તેમ છેલ્લા 3 વર્ષમાં 85 હજાર વાહનો વધતા રસ્તાઓ સાંકડા પડે છે. ઝાલવાડનું હૃદય ગણાતું સુરેન્દ્રનગર શહેર હવે ટ્રાફિકની ગંભીર સમસ્યાથી હાંફી રહ્યું છે. ખાસ કરીને વર્ષ 2025માં 35 હજાર નવા વાહનો રસ્તા પર ઉતરતા ટ્રાફિકે માઝા મૂકી છે. 2020 બાદ 9000 નવી કાર અને 65000 થી વધુ બાઈક વધતા શહેરના મુખ્ય માર્ગો હવે વાહનોના ભારણ સામે નાના પડી રહ્યા છે, જેના કારણે ટાકી ચોક, જવાહર ચોક, દુધરેજ રોડ, વઢવાણ, રતનપર, ટાવર રોડ સહિત અનેક રસ્તાઓ પર નાગરિકો ટ્રાફિક જામમાં ફસાય છે. ધ્રાંગધ્રા, લીંબડી, સાયલા અને ચોટીલામાં કોમર્શિયલ વાહનો વધ્યા વઢવાણ અને સુરેન્દ્રનગર શહેરમાં સૌથી વધુ ટુ-વ્હીલર અને લક્ઝરી કારની નોંધણી થાય છે. જ્યારે ધ્રાંગધ્રા અને લીંબડી હાઈવે નજીકના વિસ્તારો હોવાથી અહીં કોમર્શિયલ ટ્રક અને ટ્રાન્સપોર્ટ વાહનોની સંખ્યા નોંધપાત્રપણે વધી છે. ચોટીલા, સાયલા અને મૂળીમાં ટ્રેક્ટર અને ખેતીવાડીના સાધનોની નોંધણી વધુ થઈ હતી છેલ્લા 5 વર્ષમા નવા નોંધાયેલા વાહનો ની સંખ્યા વર્ષ. વાહનની સંખ્યા 2021 22,500 થી વધુ2022 28,000 થી વધુ 2023 26,500 થી વધુ 2024 29,000 થી વધુ 2025 30,500 થી વધુ સુરેન્દ્રનગર માં કયા પ્રકારના કેટલા ટકા વાહનો રસ્તા ઉપર ટુ-વ્હીલર 75% થી 80 ફોર-વ્હીલર 8% થી 10% ટ્રેક્ટર/ટ્રેલર 7% થી 8% ટ્રક/ટેમ્પો 3% થી 4% રીક્ષા/બસ/વગેરે 1% થી 2% કોરોના બાદ કારની સંખ્યામાં અચાનક વધારોકોરોના પહેલા એટલે કે વર્ષ 2020 પહેલા ઝાલાવાડમાં દર વર્ષે સરેરાશ 3000 થી 4000 નવી કારો નોંધાતી હતી.પરંતું 2021 પછી જિલ્લામાં કારની સંખ્યામાં અચાનકથી બમણો વધારો થઈને લગભગ 9000 નવી કાર રસ્તા પર આવી હતી જેને ટ્રાફિકજામનું મુખ્ય કારણ ગણી શકાય દબાણો દૂર થાય તો ટ્રાફિકજામ માંથી આંશિક રાહતસંખ્યાશહેરમાં જવાહર રોડ, ટાકી ચોક, બહુચર ચાર રસ્તા, દુધરેજ રોડ, રતનપર અને વઢવાણ સહિત ઘણા મુખ્ય રસ્તાઓ પર મનપા દ્વારા દૂર કરાયેલા દબાણો લારી અને ગલ્લા ફરીથી રસ્તાની બંને બાજુ ગોઠવાઈ જવાથી રસ્તા વધુ સાંકડા બન્યા છે. આ દબાણો દૂર થાય તો ટ્રાફિકજામ માંથી આંશિક રાહત મળી શકે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:00 am

ખેતીવાડીમાં હવે AI:આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા કરશે પાક સર્વેનું વેરિફિકેશન કરાશે

કૃષિ ક્ષેત્રમાં પારદર્શિતા લાવવા અને ખેડૂતોને મળતી સહાય વધુ સચોટ બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બોટ ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. ભારત સરકારની એગ્રીસ્ટેક યોજના અંતર્ગત ડિજિટલ ક્રોપ સર્વેની વિગતોને ક્રોસ-વેરિફાઈ કરવા માટે હવે ખેડૂતોનો ટેકનોલોજીના માધ્યમથી સીધો સંપર્ક કરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ દ્વારા ખેડૂતોને પારદર્શક સેવાઓ પૂરી પાડવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારત સરકારની એગ્રીસ્ટેક યોજના હેઠળ ખેતીમાં આધુનિકતા લાવવાના ઉદ્દેશ્યથી અમલી બનાવવામાં આવેલી ડિજિટલ ક્રોપ સર્વેની કાર્યપ્રણાલીને વધુ સચોટ અને પારદર્શક બનાવવા માટે હવે AI BOT આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બોટ સિસ્ટમ દ્વારા ડેટા વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ પ્રક્રિયા દરમિયાન ખેડૂતો પાસેથી તેમના ખેતર અને વાવેતર કરેલા પાક સંબંધિત માહિતીની પુષ્ટિ કરવામાં આવશે. ખેતી નિયામકની કચેરી દ્વારા ખેડૂતોને જ્યારે પણ તેમને આવા કોલ કે મેસેજ મળે, ત્યારે તેઓ પોતાના ખેતર અને પાકની સાચી અને સચોટ માહિતી આપી વેરિફિકેશનની કામગીરીમાં સહયોગ આપવા જણાવ્યું છે. આ એક સંપૂર્ણ સરકારી અને સુરક્ષિત ડિજિટલ પહેલ હોવાથી, ખેડૂતોએ કોઈ પણ પ્રકારની અફવાઓ અથવા ગેરમાર્ગે દોરનારી વાતોથી દૂર રહેવું. ખેતી સંબંધિત ડેટાને ડિજિટલ અને સચોટ બનાવવાથી ભવિષ્યમાં ખેડૂતોને સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ, પાક વીમો અને અન્ય લાભો સીધા અને ઝડપથી મળી શકશે. ડેટા વેરિફિકેશનની નવી પદ્ધતિ ખેડૂતોને આવશે ફોન અને વોટ્સએપ વર્તમાન રવિ ઋતુમાં સર્વેયરોએ ખેતરોની મુલાકાત લઈ જીઓ-ટેગ લોકેશન સાથેના ફોટા દ્વારા જે ડેટા મોબાઈલ એપમાં રેકોર્ડ કર્યો છે. તેનું હવે AI BOT દ્વારા ક્રોસ-ચેકિંગ કરાશે. આ પ્રક્રિયાથી ક્ષતિઓ દૂર કરી શકાશે. ખેડૂતો સાથે સીધો સંવાદ : જે ખેડૂતોનો ડિજિટલ સર્વે થઈ ચૂક્યો છે, તેમને સંપર્ક કરવામાં આવશે : ઓટોમેટેડ વોઈસ કોલ : ખેડૂતને ફોન આવશે. જેમાં પાકની વિગતોની પુષ્ટિ માંગવામાં આવશે. વોટ્સએપ દ્વારા પણ પાક અને ખેતર સંબંધિત માહિતીની ખાતરી કરાશે. પાક વીમાના ક્લેમ પાસ થવામાં વિલંબ નહીં થાય. સરકારી સહાય સાત બારના ઉતારે પાકની સાચી નોંધણીથી સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળશે.પારદર્શિતા વચેટિયાઓ કે ક્ષતિગ્રસ્ત ડેટાને કારણે થતો અન્યાય અટકશે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:00 am

ખાંભડા ગામની સીમમાં વાડીમાં ચાલતા જુગાર પર દરોડો‎:રોકડા, કાર સાથે 5 શખસ પકડાયા, 5 ફરાર, 6.77 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમ ધ્રાંગધ્રા ગ્રામ્ય વિસ્તારમાં હોવા દરમિયાન જુગાર અંગે બાતમી મળી હતી. આથી ખાંભડા ગામની સીમમાં વાડીમાં ચાલતા જુગાર પર દરોડો પાડતા 5 શખસ પકડાયા હતા. રોકડા, કાર, બાઇક સહિત રૂ.6,77,400નો મુદામાલ જપ્ત કરાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં વધતી જુગારની બદીને નાબૂદ કરવાની જિલ્લા પોલીસ વડાની સૂચનાને લઇ એલસીબી ટીમે એકશન પ્લાન બનાવી શહેર તથા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. ધ્રાંગધ્રા તાલુકા વિસ્તારમાં હોવા દરમિયાન મળેલી બાતમીના આધારે ધ્રાંગધ્રા રાજસીતાપુર ગામથી પથુગઢ પાટીયા તરફ જતા રોડપર ખાંભડા ગામની સીમમાં આવેલી વાડીમાં દરોડો કરાયો હતો. જ્યાં એરંડાની આડમાં જુગાર રમતા શખ્સોમાં નાશભાગ મચી હતી. દરમિયાન 5 શખસને ઝડપી પડાયા હતા. તેમની પાસેથી 1,76,900 રોકડા, મોબાઇલ 6 રૂ.40,500, બાઇક 5 રૂ.1,60,000, કાર 1 રૂ.3 લાખ એમ કુલ રૂ.6,77,400નો મુદામાલ જપ્ત કરાયો હતો. જ્યારે પકડાયેલા શખ્સોને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે જુગારધારા અંગે ગુનો નોંધાવાયો હતો. આ દરોડામા 5 શખસ ફરાર થઇ જતા તમામ સામે ગુનો નોંધાયો હતો. આ કાર્યવાહીમાં એલસીબી ટીમ જોડાઇ હતી. પકડાયેલ શખ્સો : ધ્રાંગધ્રા ગુજરવદી અંકીતભાઇ ડાયાભાઇ પટેલ, સંજયભાઇ પોપટભાઇ પરેસા, તળશીભાઇ મગનભાઇપટેલ, ધ્રાંગધ્રા કોંઢના સુરેશભાઇ હનુભાઇ ચૌહાણ, ધ્રાંગધ્રા કોંઢના સુભાષભાઇ રતુભાઇ ગોયલ પકડાયા હતા. ફરાર શખસો : ધ્રાંગધ્રા ખાંભડાના સુરપાલસિંહ ઉર્ફે સુરૂભા દાજીભા સોલંકી, GJ13AG 6547, GJ13AD7132, GJ6K M4944 બાઇકના ચાલક માલીક કાર GJ1KB3727ચાલક માલીક

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:00 am

આરોપીને દસાડા પોલીસને સોંપ્યો 1.75 લાખની મત્તા જપ્ત‎:ચાણસ્મા પોલીસે પકડેલી ગરાસિયા ગેંગે મહેસાણા મંદિરની ચોરી કબૂલી

મંદિરોને નિશાન બનાવી રહેલી આંતરરાજ્ય ગરાસિયા ગેંગનાં રાજસ્થાનના સાગરીતને ચાણસ્મા પોલીસે ચોરી માટે ઉપયોગમાં લેવાતા સાધનો સાથે ઝડપી પાડતાં સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા જૈન મંદિરની લૂંટનો ભેદ ઉકેલાયો છે, સાથે જ સમી શંખેશ્વર અને મહેસાણામાં થયેલી મંદિર ચોરીની ચોંકાવનારી કબૂલાત સામે આવી છે. જેમાં આ ગેંગના બીજા પાંચ શખ્શોની સંડોવણી ખુલી છે. ચાણસ્મા પોલીસની ટીમ પીઆઈ આર.એચ.સોલંકીના માર્ગદર્શન નીચે પેટ્રોલિંગમાં હતી તે વખતે પોલીસને બાતમી મળી કે એક સફેદ કલરની ક્રેટા ગાડી (RJ-17-CA-8659 )માં પરપ્રાંતીય શખ્સો ગુનાહિત પ્રવૃત્તિઓ કરે છે તે બાતમી આધારે પોલીસે RJ-17-CA-8659 નંબરની સફેદ ક્રેટા કારની વોચ રાખી તપાસ હાથ ધરી હતી. દરમિયાન કારના ચાલક રૂપારામ હરારામ ગરાસિયા (રહે. કુરન, તા.બાલી, જી.પાલી, રાજસ્થાન)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીની ગતિવિધિ શંકાસ્પદ જણાતા પોલીસે પૂછપરછ કરતા તેણે પોતાની સાથેના સાગરીતો સાથે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા વિસ્તારના જૈન મંદિરમાં લૂંટ અને તાજેતરમાં જ 13 દિવસ અગાઉ શંખેશ્વર હાઇવે પર મંદિરમાં તેમજ સમી હાઈવે નજીક મંદિરમાં તેમજ મહેસાણામાં રીંગ રોડ નજીક આવેલાં મંદિરમાં ચોરી કરી હોવાની કબુલાત કરતાં લૂંટ અને ચોરીના ગુનાઓનો ભેદ ખુલ્યો હતો.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:00 am

ફોટો સ્ટોરી:રાજસ્થાનમાં ગુજરાત બોર્ડર પરના મંડારમાં પહાડ પર 84 ફૂટ ઊંચા સ્વયંભૂ શિવલિંગની પૂજા થાય છે

રાજસ્થાનના શિરોહી જિલ્લાનાં મંડાર કસ્બામાં ચારેબાજુ હરિયાળીથી આચ્છાદિત પહાડી પર સ્થિત લીલાધરી મહાદેવ મંદિર દેશભરના ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં દર વર્ષે મહાશિવરાત્રીના પર્વે હજારો શ્રદ્ધાળુઓ ભગવાન ભોળેનાથના દર્શન કરવા આવે છે. પહાડીની ચોટી પર સ્થિત 84 ફૂટ ઊંચા સ્વયંભૂ શિવલિંગની પૂજા-અર્ચના કરી, મનોઇચ્છા પૂર્ણ થવા પર નાળિયેર ચઢાવવામાં આવે છે. મંદિરના ઉપરના ભાગમાં સ્થાપિત 84 ફૂટ ઊંચા શિવલિંગની ઊંચાઈ વધુ હોવાથી અત્યાર સુધી માત્ર બે જ વાર સંપૂર્ણ અભિષેક થઈ શક્યો છે. દર વર્ષે મહાશિવરાત્રીના દિવસે ભક્તો શિવલિંગના તળિયે જ પૂજા કરે છે. માન્યતા છે કે શિવલિંગ સહિત પહાડીને ભગવાન વિષ્ણુએ ગ્વાલા સ્વરૂપે આવી પોતાના હાથે સ્થાપિત કરી હતી. પુરાણોમાં પણ તેનો ઉલ્લેખ મળતો હોવાથી આખી પહાડી પવિત્ર માનવામાં આવે છે. પહાડી પર અનેક પ્રાકૃતિક ગુફાઓ આવેલ છે, મંદિરના પાછળના ભાગમાં આવેલી ગુફામાં લોકો દર્શન માટે આવે છે, પૂજારી છગન મહારાજ દ્વારા નિયમિત પૂજા કરવામાં આવે છે. મહાશિવરાત્રી બાદ ફાગણ સુદ ગ્યારસ, એટલે કે આમલકી ગ્યારસે લિલાધારી મહાદેવનો મેળો ભરાય છે,> શબ્બીર ભાટી મંડાર

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:00 am

પીકઅપ પોઇન્ટ માટે ટેન્ડર પ્રક્રિયા થશે:પાલનપુરના માર્ગો પર આજથી સીટી બસ દોડશે‎

પાલનપુરમાં ફરી એક વાર સિટી બસ સેવાનો મહાશિવરાત્રીથી આરંભ થવા જઈ રહ્યો છે.વર્ષો બાદ ફરી શરૂ થતી આ સેવા પ્રથમ તબક્કામાં 4થી6 બસો સાથે શરૂ થશે અને તબક્કાવાર કુલ 9 બસો 6 રૂટ પર દોડશે. નગરપાલિકા દ્વારા મહેસાણાની એજન્સીને ટેન્ડર ફાળવાયા બાદ આ વ્યવસ્થા અમલમાં આવી રહી છે. મિનિમમ ભાડું 2 કિલોમીટર સુધી 5 રૂપિયા નક્કી કરાયું છે. બસો સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધી દોડશે. દરેક બસમાં GPS સિસ્ટમ લગાવવામાં આવી હોવાથી મુસાફરો લાઈવ લોકેશન જાણી શકશે. ગુરુ નાનક ચોક ખાતે મુખ્ય કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે.નગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં બસ કયા સ્થળે ઉભી રહેશે તેની તપાસ કરી સત્તાવાર પિકઅપ પોઈન્ટ કરાશે. તેમજ સ્ટોપ નિશ્ચિત કરી ત્યાં સ્ટેન્ડ બનાવવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે. હોસ્પિટલ, કોલેજ, રેલ્વે સ્ટેશન અને હાઈવે વિસ્તારોને જોડતા રૂટ તૈયાર કરાયા છે, જેથી શહેર તથા 7 કિલોમીટર ત્રિજ્યાના ગ્રામ્ય વિસ્તારોને લાભ મળશે.મુસાફરો 100 રૂપિયા આપી એટીએમ જેવું કાર્ડ ખરીદી શકશે. ઓછામાં ઓછા 100 રૂપિયાનું રિચાર્જ ફરજિયાત રહેશે. પાસ દ્વારા મુસાફરીમાં 20 ટકા ડિસ્કાઉન્ટ મળશે. ફેમિલી પાસની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. જોકે આ સેવા શરૂ થતાં તંત્ર પર દર મહિને અંદાજે 35થી40 લાખ રૂપિયાનું આર્થિક ભારણ વધશે તેવી પણ ચર્ચા એ પણ વેગ પકડ્યું છે. ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન ભારતીબેન અંબાલાલ રંગવાની એ જણાવ્યું કે પાલનપુર શહેરના જુના આરટીઓ સર્કલ પરથી મુખ્યમંત્રી શહેરી બસ સેવાનો મહાશિવરાત્રીના રોજ મયંકભાઈ નાયક, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર પાલિકા પ્રમુખ ચીમનભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં આરંભ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:00 am

તંત્રને રજૂઆત કરવા છતાં કાર્યવાહી નહીં, ગ્રામજનોમાં રોષ‎:ઝેરડા ગામમાં જર્જરિત પાણીની ટાંકી ધરાશાયી થવાની આશંકાએ મકાન માલિકે ઘર ખાલી કર્યું

ડીસા તાલુકાના ઝેરડા ગામમાં છેલ્લા સાત વર્ષથી ઉભેલી પાણીની ટાંકી હાલ અત્યંત જર્જરિત હાલતમાં પહોંચી ગઈ છે. ટાંકીની દીવાલોમાં મોટા ભંગાણ દેખાઈ રહ્યા છે અને લોખંડની સરિયા બહાર નીકળી આવતાં ગમે ત્યારે ધરાશાયી થવાની ભીતિ ઊભી થઈ છે. ટાંકીની બાજુમાં જ મુખ્ય માર્ગ પસાર થતો હોવાથી વાહનચાલકો અને ગામલોકો માટે ગંભીર જોખમ સર્જાયું છે. ટાંકી નજીક રહેતા કાળુભાઈ સુથારે સંભવિત દુર્ઘટનાના ડરે પોતાનું મકાન ખાલી કરી પરિવાર સાથે ખેતરમાં રહેવા જવાનું પસંદ કર્યું છે. ગ્રામજનોએ અનેકવાર રજૂઆત કરવા છતાં હજી સુધી કોઈ ઠોસ કાર્યવાહી ન થતાં લોકોમાં રોષ ફેલાયો છે. ગ્રામ પંચાયતના જણાવ્યા મુજબ નવી ટાંકીમાંથી અલગ કનેક્શન આપી પાણી પુરવઠો શરૂ કર્યા બાદ જર્જરિત ટાંકી તોડી પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. હાલમાં ગ્રામજનો તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:00 am

માંગણી:ગેરકાયદે લાઇટ સામે પાલનપુર શહેર વિકાસ સમિતિ દ્વારા કાર્યવાહીની માંગ

પાલનપુરમાં કેટલાક વાહનોમાં લગાવવામાં આવતી અતિ તેજસ્વી સફેદ હાઈ-ઇન્ટેન્સિટી એલઇડી હેડલાઈટ,એચઆઇડી અને આફ્ટરમાર્કેટ એલઇડી કન્વર્ઝનને કારણે માર્ગ અકસ્માતોનું જોખમ વધતું હોવાની ફરિયાદ ઉઠી છે.આ મામલે પાલનપુર વિકાસ સમિતિ તથા યુવા જાગૃતિ અભિયાન દ્વારા વાહનવ્યવહાર વિભાગ અને આરટીઓ કચેરીને લેખિત રજૂઆત કરાઈ છે. રજૂઆતમાં જણાવાયું છે કે આવા અતિ તેજ પ્રકાશવાળા લાઇટ્સ સામે આવતા વાહનચાલકોની આંખોમાં ચમક પેદા કરે છે,જેના કારણે દ્રષ્ટિ પ્રભાવિત થાય છે અને અકસ્માતની શક્યતા વધી જાય છે.રજૂઆત કર્તાઓએ જણાવ્યું કે મોટર વ્હીકલ એક્ટની કલમ 1988 ની કલમ 52 મુજબ આ ગેરકાયદેસર છે. તેમજ કલમ 177, 184 અને 198A હેઠળ જોખમી ડ્રાઇવિંગ અને હાઈ બીમના દુરુપયોગ સામે દંડની જોગવાઈ છે.તે ઉપરાંત સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રુલ્સ 1989 જેવા ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ મુજબ લાઈટિંગ સ્ટાન્ડર્ડ અને કલર મર્યાદા નક્કી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા પણ 2025માં લ્યુમિનન્સ અને બીમ એંગલ અંગે કડક માર્ગદર્શિકા આપવામાં આવી હોવાનું રજૂઆતમાં ઉલ્લેખ કરાયો છે.માંગ કરવામાં આવી છે કે ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા ખાસ ડ્રાઈવ યોજી LED અને HID લાઈટ્સ દૂર કરાવવા, હાઈ બીમના અતિરેક ઉપયોગ પર કડક કાર્યવાહી કરવા તથા જનજાગૃતિ અભિયાન ચલાવવા તાત્કાલિક પગલાં લેવાં જોઈએ. સાથે સાથે મોડિફાઇડ સાયલેન્સર અને પ્રેશર હોર્ન જેવા નિયમવિરુદ્ધ સાધનો સામે પણ કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:00 am

બનાસકાંઠાના ના. મામલતદાર ઊંઝા મામલતદાર નિમાયા:જિલ્લામાં 14 નાયબ મામલતદારોની મામલતદારના પ્રમોશન સાથે બદલી

મહેસૂલ વિભાગ દ્વારા શુક્રવારે રાજ્યમાં 37 મામલતદારોની બદલી અને 165 નાયબ મામલતદારોને મામલતદારનું પ્રમોશન સાથે બદલી કરવામાં આવી છે. જે અંતર્ગત મહેસાણા જિલ્લામાં ફરજ બજાવતાં એક પણ મામલતદારની બદલી થઇ નથી, પરંતુ 14 નાયબ મામલતદારોની પ્રમોશન આપી બદલી કરાઇ છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતાં દિપક ગઢવીને પ્રમોશન આપી ઊંઝા મામલતદારની ફરજ સોંપાઇ છે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:00 am

રાહદારીઓને ટક્કર મારી રોંગ સાઈડમાં કારને અથડાઇ:લાડોલ રોડ પર રિક્ષાચાલકે બે રાહદારીને ટક્કર મારતાં ઇજા

વિજાપુરના ખરોડ- લાડોલ રોડ પર લોડીંગ રિક્ષાના ચાલકે ચાલતા જઈ રહેલા બે રાહદારીઓને ટક્કર મારી ઇજા પહોંચાડી હતી અને રોંગ સાઈડ જઈને કારને અથડાવી આગળના ભાગે નુકસાન પહોંચાડ્યું હતું. કારચાલકની ફરિયાદ આધારે લાડોલ પોલીસે રિક્ષાચાલક સામે ગુનો નોંધ્યો હતો. વિજાપુર તાલુકાના ખરોડ ગામના અશોકભાઈ ડાહ્યાભાઈ પટેલ ગુરુવારે સાંજે પત્ની સાથે કાર લઈ ખરોડથી લાડોલ તરફ જતા હતા. તે સમયે લાડોલ રોડ પર રોલિંગ મિલ આગળ લોડીંગ રિક્ષા (જીજે 02 વાયવાય 6034)ના ચાલકે ચાલતા જઈ રહેલા બે રાહદારીઓને ટક્કર મારી રોંગ સાઈડ આવી, તેમની ગાડીને આગળના ભાગે ટકરાવી હતી. તેમણે નીચે ઉતરીને જોતાં બે રાહદારીઓને ઇજા થઇ હતી. અકસ્માતને પગલે ઘટના સ્થળે ભેગા થયેલા લોકોએ 108 એમ્બ્યુલન્સની મદદથી બંને રાહદારીઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. અશોકભાઈની કારને આગળના ભાગે ટકરાવીને નુકસાન કરી રિક્ષા મૂકીને ચાલક ભાગી ગયો હતો.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:00 am

બ.કાં.માં સૌથી વધુ 1.79 લાખ હેક્ટર:ઉ.ગુ.ની સવા 4 લાખ હેક્ટર જમીનમાં ઉનાળું વાવેતર થવાનો અંદાજ

ઉત્તર ગુજરાતની 4,28,164 હેક્ટર જમીનમાં ઉનાળુ વાવેતર થવાનો કૃષિ વિભાગે અંદાજ મૂક્યો છે. જે પૈકી બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 1,79,092 હેક્ટરમાં વાવેતર થઇ શકે છે. એટલે કે, કુલ વાવેતર પૈકી 42 ટકા વાવેતર બનાસકાંઠા થશે. જ્યારે વાવ-થરાદ જિલ્લાની 1,28,664 હેક્ટરમાં વાવેતર થવાનો અંદાજ છે, જે કુલ વાવેતરનો 30 ટકા હિસ્સો છે. આ ઉપરાંત, મહેસાણામાં 44977 હેક્ટર, સાબરકાંઠામાં 30662 હેક્ટર અને અરવલ્લીમાં 17278 હેક્ટરમાં વાવેતર થઇ શકે છે. બીજી બાજુ, ઉત્તર ગુજરાતના 6 જિલ્લાના 53 તાલુકામાં સૌથી વધુ 60 હજાર હેક્ટર વાવેતર ડીસા તાલુકામાં થવાનો અંદાજ છે. જ્યારે સૌથી ઓછું 295 હેક્ટર વાવેતર શંખેશ્વરમાં થઇ શકે છે. બોક્સ : ઉનાળામાં કુલ વાવેતર વિસ્તાર પૈકી માત્ર 20 ટકા જમીનમાં જ વાવેતર થાય છે ઉત્તર ગુજરાતમાં 21.96 લાખ હેક્ટર જમીન એવી છે કે જેમાં વાવેતર કરી શકાય છે. જે પૈકી 4.28 લાખ હેક્ટર જમીનમાં ઉનાળું વાવેતર થવાનો અંદાજ છે. સવાલ: ઉનાળામાં કયા પ્રકારની જમીન કેવી રીતે ખેડવી જોઇએ. તેમજ જમીનને તપાવવાથી શું ફાયદા થઇ શકે છે ? આ વિષય પર ભાસ્કર એક્સપર્ટ સવાલ : કયા પ્રકારની જમીનને કેવી રીતે ખેડવી જોઈએ? જવાબ : કાળી અને મધ્યમ જમીનને એમ.બી. પ્લાઉથી 1 થી 1.5 ફૂટ ઊંડી ખેડ કરવી. રેતીલી જમીનમાં ડિસ્ક પ્લાઉથી 0.75 થી 1 ફૂટ સુધી ખેડ કરવી. જમીનમાં કઠોર પડ હોય તો સબ-સોઈલરથી 1.5 થી 2 ફૂટ ઊંડી ખેડ કરવી. સવાલ : ઉનાળામાં જમીન ખેડીને તપાવવી કેમ જરૂરી છે? જવાબ : ઉનાળાની ગરમીથી જમીનમાં રહેલા જીવાતોના ઇંડા, લાર્વા અને પ્યુપા નષ્ટ થાય છે, જેના કારણે તેમનું જીવનચક્ર અટકે છે. જમીનજન્ય રોગો અને ફૂગનો ઉપદ્રવ ઘટે છે. સપાટી પરના નીંદણના બીજ નીચે દબાઈ જતા આગામી સીઝનમાં નિંદામણ ઓછું થાય છે. ડૉ.રાજદીપસિંહ જાડેજા (સહ સંશોધક-KVK,ભચાઉ)

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:00 am

રાજસ્થાનથી આવતાં હાઇવે પર ટ્રકમાંથી ચોરી થયાની સ્ટોરી ઊભી કરી:3 લાખ હડપ કરવા ટ્રકચાલકે જ ચોરી થયાનું તરકટ રચ્યાનું ખૂલ્યું

મહેસાણા હાઇવે પર ઊભેલી ટ્રકમાંથી રૂ.3 લાખ રોકડની ચોરી મામલે ખુદ ડ્રાઇવરે જ ચોરીનું તરકટ રચ્યું હોવાનું પોલીસે પૂછપરછ દરમિયાન પકડી પાડ્યું હતું અને ચોરીની ફરિયાદ દાખલ થયા પહેલાં જ તેનો ભેદ ઉકેલાઈ ગયો હતો. અમદાવાદથી પ્લાસ્ટિકની ખુરશીઓની રાજસ્થાન ડિલિવરી આપી તેના રોકડા રૂપિયા લઈને અમદાવાદ જતો હતો ત્યારે શેઠના કહેવાથી મહેસાણા હાઇવે પર વાઈડ એંગલ નજીક રાત્રે ટ્રક ઉભી રાખીને સૂઈ ગયા બાદ ટ્રકના દરવાજાના લોક તોડી ચોરો પર્સમાં મુકેલ રૂ.3 લાખ રોકડા ચોરી હોવાની ફરિયાદ સાથે રાજસ્થાનનો ટ્રક ડ્રાઇવર શુક્રવારે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો હતો. ડી સ્ટાફને તેની વર્તણૂક ઉપર શંકા જતાં ખુરશીની રાજસ્થાનના વેપારીને ડિલિવરી આપ્યા પછી મળેલી રોકડ રકમથી લઇને મહેસાણા તને કોને રોકાવાનું કહ્યું ત્યાં સુધીની પૂછપરછ કરી હતી. ત્રણ-ચાર કલાકની ઉલટ તપાસ અને તેના ફોનની ડિટેઇલની તપાસમાં ચોરી થઈ હોવાનું જણાતું ન હતું. આથી પોલીસે તેના શેઠનો સંપર્ક કરતાં તેમણે ટ્રકનું લોક પહેલેથી જ તૂટેલું હોવાનું જણાવતાં પોલીસની શંકા પ્રબળ બની હતી. દરમિયાન, પોલીસ મથકે દોડી આવેલા શેઠ અને પોલીસ બંનેની તપાસમાં ડ્રાઇવરે જ રાજસ્થાનમાં ત્રણ લાખ તેના મિત્રને આપી દઈ ચોરીનું તરકટ રચ્યું હોવાનું કબૂલ્યું હતું.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:00 am

માતાજીને 7 વાર પગે લાગી દાનપેટીની ચોરી કરી, CCTV:ડીંડોલી વિસ્તારના મંદિરમાં તસ્કર ત્રાટક્યો, ચોરી પહેલા માતાજીને પગે લાગી કાન પકડ્યા

સુરત શહેરમાં ગુનાખોરીના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે, પરંતુ ડીંડોલી વિસ્તારમાં બનેલી ચોરીની એક તાજેતરની ઘટનાએ સૌ કોઈને અચંબામાં મૂકી દીધા છે. અહીં એક મંદિરમાં ચોરી કરવા આવેલા શખ્સે જે રીતે 'ભક્તિ' પ્રદર્શન કર્યું, તે જોઈને શ્રદ્ધાળુઓ અને પોલીસ બંને ચોંકી ગયા છે. આ સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જે હવે સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે. ડીંડોલી વિસ્તારમાં આવેલા મંદિરમાં ચોરીસીસીટીવી ફૂટેજ મુજબ, 11 ફેબ્રુઆરી ના રોજ સાંજે એક અજાણ્યો શખ્સ ડીંડોલી વિસ્તારમાં આવેલા માતાજીના મંદિરમાં પ્રવેશ કરે છે. મંદિરમાં પ્રવેશતાની સાથે જ તે કોઈ રીઢા ગુનેગારની જેમ નહીં, પરંતુ એક સાચા ભક્તની જેમ વર્તે છે. તે સૌથી પહેલા માતાજીની મૂર્તિ સમક્ષ નતમસ્તક થાય છે અને પગે લાગે છે. આટલેથી ન અટકતા, તે પોતાના કાન પકડીને જાણે કોઈ મોટી ભૂલ કરી રહ્યો હોય તેમ માતાજી પાસે માફી માંગતો પણ નજરે પડે છે. ત્યારબાદ આ ચોર માતાજીની મૂર્તિની બીજી બાજુ જાય છે. ત્યાં પણ તે ફરી એકવાર હાથ જોડીને પ્રાર્થના કરતો દેખાય છે. જોકે, આ પ્રાર્થના શ્રદ્ધાની નહીં પણ ડરની હોય તેવું જણાય છે, કારણ કે તે સતત આજુબાજુ નજર દોડાવતો રહે છે કે કોઈ તેને જોઈ તો નથી રહ્યું ને! મનમાં પાપ અને મોઢા પર પસ્તાવો હોય તેવા હાવભાવ સાથે તે થોડીવાર ત્યાં ઉભો રહે છે અને આખરે પોતાના અસલી ઈરાદા પર ઉતરી આવે છે. આસપાસ કોઈ ન દેખાતા દાનપેટીની ઉઠાંતરી કરીથોડી સેકન્ડોના આ હાઈ-વોલ્ટેજ ડ્રામા બાદ, જ્યારે તેને ખાતરી થાય છે કે આસપાસ કોઈ નથી, ત્યારે તે તુરંત જ માતાજીની પ્રતિમા પાસે રાખવામાં આવેલી ભારેખમ દાનપેટીને ઉચકે છે. જે હાથ થોડી વાર પહેલા પ્રાર્થનામાં જોડાયેલા હતા, તે જ હાથે દાનપેટી ઉઠાવી તે ગણતરીની સેકન્ડોમાં મંદિરની બહાર ફરાર થઈ જાય છે. ચોરી કરતા પહેલા ત્રણ વાર હાથ જોડવા અને કાન પકડવાની તેની આ પદ્ધતિએ લોકોમાં કુતૂહલ જગાડ્યું છે. સમગ્ર મામલે મંદિર સંચાલક દ્વારા ડીંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ફૂટેજમાં ચોરનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો હોવાથી પોલીસને આશા છે કે તે ટૂંક સમયમાં ઝડપાઈ જશે. જોકે, સ્થાનિકોમાં ચર્ચા છે કે ભલે ચોરે માતાજીની માફી માંગી હોય, પણ કાયદાના શિકંજામાંથી બચવું તેના માટે હવે અઘરું છે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 12:05 am

દક્ષિણ ગુજરાતમાં 4583 કરોડના ખર્ચે ફોરલેન હાઈવેને મંજૂરી:108 કિમીનો નવો હાઈવે સુરત, નર્મદા અને તાપી જિલ્લામાંથી પસાર થશે, આદિવાસી વિસ્તારને ફાયદો થશે

દક્ષિણ ગુજરાત માટે મહત્વપૂર્ણ નિર્ણય લેતાં કેન્દ્રીય કેબિનેટે નવા હાઈવે પ્રોજેક્ટને રૂ. 4583.64 કરોડની મંજૂરી આપી છે. પ્રોજેક્ટ અંતર્ગત 107 કિલોમીટર લાંબો 4 લેન હાઈવે બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટને PM Gati Shakti વિઝન હેઠળ મંજૂરી આપવામાં આવી છે, જે દેશભરમાં આધુનિક અને સંકલિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને ગતિ આપવાનો હેતુ ધરાવે છે.નવા મંજૂર કરાયેલા રસ્તાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા, તાપી અને સુરત જિલ્લાને ફાયદો થશે. પરિવહન ખર્ચ અને સમયમાં બચત થશેઆ નવા હાઈવેના નિર્માણથી દક્ષિણ ગુજરાતના આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોને મોટી રાહત મળશે. માર્ગ વ્યવસ્થા સુધરતા ઉદ્યોગ, કૃષિ અને વેપાર ક્ષેત્રને પ્રોત્સાહન મળશે તેમજ પરિવહન ખર્ચ અને સમય બંનેમાં ઘટાડો થશે. સ્થાનિક લોકો માટે રોજગારીના નવા અવસર ઉભા થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. નાયબ મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કેન્દ્રીય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ રાજ્યના સર્વાંગી વિકાસ માટે માઈલસ્ટોન સાબિત થશે. તેમણે ઉમેર્યું કે દક્ષિણ ગુજરાતને રાષ્ટ્રીય હાઈવે નેટવર્ક સાથે વધુ મજબૂત રીતે જોડવાથી વિસ્તારના આર્થિક વિકાસને નવી દિશા મળશે. હાઈવે પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ પ્રવાસ વધુ સલામત અને ઝડપી બનશે, સાથે જ પર્યટન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને પણ પ્રોત્સાહન મળશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેના સંકલનથી આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવાની દિશામાં પગલાં લેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 12:05 am

પ્લાસ્ટિકના ગોડાઉન અને ઉત્પાદકો સામે લાલ આંખ નહીં:અમદાવાદના ફેરિયા-વેપારીઓને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ માટે 1000થી 3,000નો દંડ કરવાની તૈયારી

સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ શાકભાજી અને ફ્રુટ બજાર સહિતની જગ્યા ઉપર પ્લાસ્ટિકની થેલીઓ પર અસરકારક પ્રતિબંધ લાવવા માટે આદેશ કર્યો છે જેના પગલે અમદાવાદ શહેરમાં હવે પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ રાખનાર ફેરિયાઓ-વેપારીઓની સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે જેના માટેની રકમ નક્કી કરવામાં આવી છે. પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગના ભંગ બદલ પ્રથમ વખત રૂ .1000, બીજી વખત રૂ. 3000 અને ત્રીજી વખત રૂ. 5000નો દંડ ફટકારવામાં આવશે. દુકાનને સીલ કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે. દંડની રકમ નક્કી કરવા અંગેની દરખાસ્ત સોમવારે મળનારી સોલીડ વેસ્ટ કમિટીમાં મૂકવામાં આવી છે. કપડાની થેલીની પ્રથા અમલમાં લાવવા આદેશ કરવામાં આવ્યો રાજયમાં વિવિધ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ સહિતના મુદ્દે દાખલ કરાયેલી જાહેર હિતની રિટ અરજી બાબતે ગુજરાત હાઇકોર્ટ દ્વારા કરાયેલ મહત્વનાં સૂચન મુજબ શાકભાજી બજાર અને ફ્રુટ બજાર સહિતના વિક્રેતાઓ પર પ્લાસ્ટિકની થેલીઓ પર અસરકારક પ્રતિબંધ લાદવા અને તેના બદલે કપડાની થેલીની પ્રથા અમલમાં લાવવા આદેશ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત અમદાવાદને પ્રતિબંધીત પ્લાસ્ટીક ફ્રી સિટી કરવા શહેરમાં વિવિધ સ્થળોએ આવેલા શાકભાજી માર્કેટ તથા ફુટ માર્કેટમાં તથા અન્યત્ર ધંધો-વેપાર કરતા તમામ ફેરિયાઓ અને ધંધાર્થીઓને પ્લાસ્ટીક વેસ્ટ રૂલ્સ-2016 અંતર્ગત 120 માઈક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટીકની થેલીઓ કે 60 Grams Per Square Meter (GSM)થી ઓછી જાડાઈની નોન-વુવન કેરી બેગનો વપરાશ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ બાબતે કાર્યવાહી કરવામાં આવે છે. ફેરિયાઓ અને ધંધાર્થીઓને નિયમભંગના કિસ્સામાં પેનલ્ટી લાગશેપ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ અંગેની કડક અમલવારી કરાવવા અને નિયમનો ભંગ કરતાં ફેરિયાઓ અને ધંધાર્થીઓને પ્રથમ વખતનાં ભંગનાં કિસ્સામાં રૂ. 1000, બીજી વખતનો કિસ્સામાં રૂ. 3000 અને ત્રીજી વખતનાં અને ત્યારબાદનાં કિસ્સામાં રૂ.5000ની રકમ પેનલ્ટી પેટે વસૂલ કરવામાં આવશે. ઝોન - સબઝોન વોર્ડ કક્ષાએથી અમલવારી કરવા તથા તે અંગે જરૂરી તમામ કાર્યવાહી કરવા સહિતની સત્તા મ્યુનિસિપલ કમિશનરને સોંપવા સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી માટેની દરખાસ્ત સોમવારે મળનારી સોલીડ વેસ્ટ કમિટીની બેઠકમાં લાવવામાં આવી છે, જેને મંજૂરી મળ્યા બાદ આગામી મહિનાથી દંડ વસૂલ કરવાની કાર્યવાહી કરવામાં આવી શકે છે. 16 લાખથી વધુ કાપડની થેલીઓનું વિતરણ શહેરીજનોને કરવામાં આવ્યું સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ હોવાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરેક નાગરિકો કોઈપણ ચીજવસ્તુ લેવા જાય ત્યારે ઘરેથી કાપડની થેલી સાથે લઈને જાય તેના માટે 16 લાખથી વધુ કાપડની થેલીઓનું વિતરણ શહેરીજનોને કરવામાં આવ્યું છે. બે વર્ષ પહેલાં પણ કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોર્પોરેશન દ્વારા નાગરિકોને ઘરે બે કાપડની થેલીઓ આપવામાં આવી છે અને લોકો પ્લાસ્ટિકની થેલીઓનું ઉપયોગ બંધ કરે તેના માટે જાગૃતિ લાવવામાં આવે છે. જોકે, કેટલાક વ્યાપારીઓ દ્વારા હજી પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ કરવામાં આવતું હોય છે ત્યારે આવા વેપારીઓ અને ધંધાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદમાં નાના વેપારીઓ અને ધંધાર્થીઓને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ દંડ કરવા માટે રકમ નક્કી કરવા માં આવ્યું હોવાની દરખાસ્ત લાવવામાં આવી છે જોકે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા જે દરખાસ્ત લાવવામાં આવી છે પરંતુ તેમાં માત્ર નાના વેપારીઓ અને ધંધાર્થીઓને જ દંડ કરવા માટે ની જોગવાઈ કરવામાં આવી છે. પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવતી ફેક્ટરીઓ અને ગોડાઉન પર કાર્યવાહી કરવી જોઈએ શહેરના અનેક વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થાનો સંગ્રહ કરતા અનેક ગોડાઉનો આવેલા છે અને તેનું ઉત્પાદન પણ કરવામાં આવે છે આવી ફેક્ટરીઓ અને ગોડાઉન ઉપર કાર્યવાહી કરવી જોઈએ પરંતુ તેનો કોઈ કડક અમલ થતો નથી. શહેરના કાલુપુર, પ્રેમ દરવાજા સહિતના હોલસેલ સહિતના વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોય છે ત્યારે આવા લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી માટેની દરખાસ્તની માંગ ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 12:05 am

કેડિયા બેટ પર ભયંકર આગ લાગતા વીડિયો વાયરલ:ફાયર વિભાગને આગ લાગવાનો નથી મળ્યો કોલ, અગાઉ SOGએ પકડ્યો હતો ગેરકાયદેસર બાયો-ડીઝલનો જથ્થો

સુરત શહેરમાં સોશિયલ મીડિયા પર એક ભયંકર આગનો વીડિયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સુરતના કેડિયા બેટ વિસ્તારનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, આ ઘટનામાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે સુરત ફાયર વિભાગે સ્પષ્ટતા કરી કે, આ વિસ્તારમાં આગ લાગવાનો કોઈ 'કોલ' તેમને મળ્યો નથી. આ વિરોધાભાસને કારણે હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે. વીડિયોમાં શું દેખાઈ રહ્યું છે?સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં રાત્રિના અંધકારમાં કેડિયા બેટ વિસ્તારમાં ભીષણ આગ લાગેલી જોવા મળે છે. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઊંચે સુધી ઉડતા દેખાય છે. પ્રાથમિક માહિતી મુજબ, સ્થાનિક લોકોએ પોતાના મોબાઈલ ફોનમાં આ દ્રશ્યો કેદ કર્યા હતા. સામાન્ય રીતે આવી ભીષણ આગની ઘટના બને ત્યારે ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચતી હોય છે. પરંતુ, આ કિસ્સામાં આશ્ચર્યજનક બાબત એ છે કે સુરત ફાયર વિભાગ પાસે આવી કોઈ ઘટનાની નોંધ જ નથી. ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, તેમને કેડિયા બેટ વિસ્તારમાંથી આગ અંગેનો કોઈ સંદેશ મળ્યો નથી, કે કોઈ પણ ફાયર ફાઈટર ત્યાં મોકલવામાં આવ્યા નથી. એસઓજીની અગાઉની કાર્યવાહીકેડિયા બેટ વિસ્તાર ભૂતકાળમાં પણ વિવાદોમાં રહ્યો છે. થોડા સમય પહેલા જ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ આ વિસ્તારમાં દરોડા પાડીને મોટા પ્રમાણમાં ગેરકાયદેસર બાયો-ડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઈંધણના સંગ્રહ અને વેચાણની પ્રવૃત્તિઓ ચાલતી હોવાનું અગાઉ પણ સામે આવ્યું છે. વીડિયો સામે આવ્યા બાદ ઉઠતા તર્ક-વિતર્ક આગનો વીડિયો વાયરલ થયા બાદ અનેક શંકા-કુશંકાઓ સેવાઈ રહી છે:

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 11:39 pm

ગુજરાત સ્ટેટ કમિશનનો ક્રાંતિકારી ચુકાદો:નિરક્ષર, વિધવા પશુપાલક મહિલાને વીમાકૃત ભેંસના મૃત્યુ બદલ 8% વ્યાજ સાથે વળતર અને 20,000 ખર્ચ આપવા વીમા કંપનીને આદેશ

ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશને એક ગ્રામ્ય વિસ્તારની નિરક્ષર, વિધવા પશુપાલક મહિલાને ન્યાય આપતો ગ્રાહકલક્ષી અને ગુણવત્તાલક્ષી ચુકાદો આપ્યો છે. સોજીત્રા તાલુકાના જનકબેન એચ. મહિડાએ અમૂલ ડેરીમાં દૂધ ભરીને ગુજરાન ચલાવતી વખતે નેશનલ ઇન્સ્યોરન્સ કંપનીમાં 38,000ની કેટર ઇન્સ્યોરન્સ પોલિસી લીધી હતી. વીમાકૃત ભેંસનું અચાનક ચકરી આવતાં મૃત્યુ થયું હતું, પરંતુ મૃત્યુ સમયે કાનમાં ટેગ (કડી) ન હોવાને કારણે વીમા કંપનીએ દાવો નકાર્યો હતો. આણંદ જિલ્લા ગ્રાહક કમિશને પણ પશુની ઓળખ સાબિત ન થતી હોવાનું કહીને ફરિયાદ રદ કરી હતી. જનકબેને ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખ મારફતે ગુજરાત રાજ્ય કમિશનમાં અપીલ કરી હતી. ઇન્ચાર્જ પ્રમુખ આઇ. ડી. પટેલ અને મેમ્બર ડો. જે. જી. મેકવાને ફરિયાદીની દલીલો ગ્રાહ્ય રાખીને આણંદ જિલ્લા કમિશનના તા. 19.01.2017ના હુકમને રદબાતલ ઠરાવ્યો છે. કમિશને ઠરાવ્યું છે કે, ભેંસનું મૃત્યુ તા. 16.12.2015ના રોજ વહેલી સવારે થયું હતું અને આગલા દિવસે કાનની કડી નીકળી ગઈ હતી. ફરિયાદીએ તાત્કાલિક બેંકને જાણ કરી ફ્રેશ એરટેગ મેળવ્યું હતું, પરંતુ નવી કડી રીફિક્સ કરવાનો સમય ન મળ્યો. મૃત્યુ સમયે ટેગ ન હોવા છતાં એનિમલ હેલ્થ સર્ટિફિકેટ, દૂધ ઉત્પાદક સોસાયટીના સર્ટિફિકેટ અને અન્ય દસ્તાવેજી પુરાવાઓથી ભેંસની ઓળખ સાબિત થાય છે. કમિશને વધુમાં ઉલ્લેખ કર્યો છે કે, ફરિયાદી ગ્રામ્ય વિસ્તારની નિરક્ષર અને વિધવા મહિલા છે, જેનું પરિવારનું ભરણપોષણ ભેંસના દૂધ પર નિર્ભર છે. આણંદ જિલ્લા કમિશને કેસની હકીકતો અને પુરાવાઓને ધ્યાનમાં લીધા વિના ફરિયાદ રદ કરી હતી. કમિશને નેશનલ ઇન્સ્યોરન્સ કંપનીને રૂ. 38,000ની વીમા રકમ વાર્ષિક 8 ટકા વ્યાજ સાથે તેમજ અલગથી રૂ. 20,000ના ખર્ચા ચૂકવવા આદેશ આપ્યો છે. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે આ ચુકાદાને ગ્રાહકલક્ષી અને ગુણવત્તાલક્ષી તરીકે યાદગાર તથા ક્રાંતિકારી ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે, 10 વર્ષની કાનૂની લડત બાદ આણંદ જિલ્લાની એક ગરીબ, નિરક્ષર, વિધવા પશુપાલક મહિલાને આખરે ન્યાય મળ્યો છે. અમૂલ ડેરીના 36 લાખ પશુપાલકોના અમૂલ્ય પરિવારમાંથી એક ગરીબ મહિલાને ન્યાય મળ્યો હોવાનો સંપૂર્ણ સંતોષ વ્યક્ત કરતાં તેમણે આ ચુકાદાને પ્રશંસનીય ગણાવ્યો છે. આ ચુકાદો ગ્રામ્ય વિસ્તારના નિર્બળ વર્ગના લોકો માટે આશાનું કિરણ બની રહેશે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 11:00 pm

26 વર્ષ જૂના ‘લીલ સફાઈ’ કૌભાંડમાં નિર્દોષ જાહેર:કર્મચારીએ સુરત પાલિકા સામે કાનૂની જંગ છેડ્યો, સર્વિસ લાભો ચૂકવવા નોટિસ

સુરત મહાનગરપાલિકામાં વર્ષ 1998માં ભારે ચર્ચાયેલા 'લીલ સફાઈ' કૌભાંડનો મામલો ફરી એકવાર ગરમાયો છે. આ કેસમાં 26 વર્ષ પહેલાં નોકરીમાંથી બરતરફ કરવામાં આવેલા ભૂતપૂર્વ કર્મચારી દેવાંશુ સુધિરચંદ્ર દેસાઈએ કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર થયા બાદ હવે પોતાના હક્કો માટે પાલિકા કમિશનરને કાયદેસરની લીગલ નોટિસ ફટકારી છે. 1998માં કૌભાંડમાં સંડોવણીના આરોપસર બરતરફ કરાયા હતાદેવાંશુ દેસાઈ જેમની નિમણૂક 29 માર્ચ 1988 ના રોજ ક્લાર્ક તરીકે થઈ હતી, તેમને 1998 માં આ કૌભાંડમાં સંડોવણીના આરોપસર કોઈ પણ પ્રકારની વિભાગીય તપાસ કે નિયમસરની ચાર્જશીટ આપ્યા વિના જ સીધા બરતરફ કરી દેવામાં આવ્યા હતા. આ કાર્યવાહી કાયદેસરની પ્રક્રિયાનું ઉલ્લંઘન હોવાનો દાવો કરીને તેમણે લાંબી કાનૂની લડત લડી હતી. 26 વર્ષ બાદ નિર્દોષ જાહેરઆ કેસમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે 13 સપ્ટેમ્બર 2024ના રોજ સેશન્સ કોર્ટે તમામ આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કર્યા હતા. એડવોકેટ હિરનેશ ભાવસાર મારફતે મોકલેલી નોટિસમાં જણાવાયું છે કે, જ્યારે બરતરફીનો પાયો ગણાતો ફોજદારી કેસ જ સાબિત થયો નથી, ત્યારે બરતરફીનો આદેશ આપોઆપ અમાન્ય ઠરે છે. નોટિસમાં વધુમાં ઉલ્લેખ કરાયો છે કે 1998 થી લેબર કોર્ટમાં ચાલતો ઉદ્યોગ વિવાદ હજુ પેન્ડિંગ છે અને અગાઉ પાલિકાની કેટલીક અરજીઓ પણ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓને ટાંકીને દલીલ કરવામાં આવી છે કે સમાન આધાર પર થયેલી કાર્યવાહીમાં જો કર્મચારી નિર્દોષ છૂટે તો તેને તમામ રાહતો મળવી જોઈએ. બરતરફીનો આદેશ રદ કરી બાકી લાભ આપવા માગહવે, આ લીગલ નોટિસ દ્વારા સુરત પાલિકા અને રાજ્ય સરકાર પાસે માંગણી કરવામાં આવી છે કે દેવાંશુ દેસાઈની બરતરફીનો 26 વર્ષ જૂનો આદેશ રદ કરવામાં આવે. આ સાથે જ તેમને વર્ષ 1998થી અત્યાર સુધીના તમામ બાકી રહેલા સર્વિસ લાભો, પેન્શન અને બેક વેજીસ (બાકી પગાર) તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે. આ કિસ્સાએ સાબિત કર્યું છે કે પાલિકા માટે લીલ સફાઈ કેસનો વિવાદ હજુ પણ પીછો છોડતો નથી અને આગામી દિવસોમાં વહીવટી તંત્ર માટે આ મામલો મોટી કાનૂની ગૂંચ ઉભી કરી શકે છે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 10:58 pm

રાજુલાના મોભીયાણા ગામે લગ્ન વરઘોડામાં પથ્થરમારો,:પ્રેમલગ્નને કારણે તણાવ, એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ; ભાવનગર ખસેડવામાં આવ્યો

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોભીયાણા ગામે એક લગ્ન વરઘોડા દરમિયાન પથ્થરમારાની ઘટના બની હતી. આ ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગામના એક યુવકે થોડા દિવસો પહેલાં એક યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આજે જ્યારે યુવકનો વરઘોડો ધામધૂમથી નીકળ્યો, ત્યારે યુવતીના પરિવારજનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ ઉગ્ર બનતા બે જૂથો સામસામે આવી ગયા અને પથ્થરમારો થયો હતો. પથ્થરમારામાં ભાવેશભાઈ ભીલ નામના યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને પ્રાથમિક સારવાર માટે રાજુલા હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યાંથી વધુ સારવાર અર્થે મહુવા હોસ્પિટલ રિફર કરાયા, પરંતુ સ્થિતિ વધુ ગંભીર જણાતા તેમને ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ ડુંગર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. હાલ પોલીસે આ મામલે ફરિયાદ નોંધવાની અને વધુ તપાસ હાથ ધરવાની કાર્યવાહી શરૂ કરી છે. ગામમાં હાલ તણાવપૂર્ણ પરંતુ નિયંત્રિત સ્થિતિ જોવા મળી રહી છે. સમગ્ર ઘટના અંગે એએસપી જયવીર ગઢવીએ જણાવ્યું કે, લગ્ન પ્રસંગ દરમિયાન આ ઘટના બની છે અને પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. ઘાયલોની વિગતો મેળવવામાં આવી રહી છે અને હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 10:37 pm

અઝરબૈજાનમાં આણંદના યુવક-યુવતીને બંધક બનાવવાનો મામલો:અપહરણ કરી રૂ.65 લાખની ખંડણી વસૂલનર મુંબઈના 3 એજન્ટની ધરપકડ

આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ એક આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી અને અપહરણના રેકેટનો પર્દાફાશ કર્યો છે. અમેરિકા મોકલવાની લાલચ આપી આણંદના બે નાગરિકોને અઝરબૈજાન લઈ જઈ, ત્યાં તેમને ગોંધી રાખી માર મારી રૂ. 65 લાખની ખંડણી વસૂલનાર મુંબઈના ત્રણ એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે ત્રણેય આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પકડાયેલા આરોપીઓ ફરિયાદ અનુસાર, આરોપીઓએ આણંદના ધ્રુવ અને સાહેદબેન નામના બે યુવકોને કેનેડા અથવા અમેરિકા મોકલવાના બહાને દિલ્હીથી અઝરબૈજાન મોકલ્યા હતા. અઝરબૈજાન પહોંચતા જ આરોપીઓએ બંનેનું અપહરણ કરી એક ગુપ્ત સ્થળે ગોંધી રાખ્યા હતા. યુવકોના હાથ-પગ બાંધી, મોઢામાં ડુચા મારીને તેમને અસહ્ય શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હતો. પરિવારજનોને વીડિયો કોલ પર યુવકોને માર મારતા બતાવી ડરાવવામાં આવ્યા હતા. આરોપીઓએ યુવકોની કિડની, આંખો અને લીવર કાઢીને વેચી દેવાની ધમકી આપી રૂ. 65 લાખની ખંડણી માંગી હતી, જે પરિવારજનો પાસેથી પડાવી લેવામાં આવી હતી. આણંદ પોલીસ અધિક્ષક શ્રી જી.જી. જસાણીના માર્ગદર્શન હેઠળ LCB ઇન્સ્પેક્ટર એચ.આર. બ્રહ્મભટ્ટ અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ કેસની તપાસ હાથ ધરી હતી. તપાસના છેડા મુંબઈ સુધી પહોંચતા, પોલીસે ત્યાં દરોડો પાડી ત્રણ મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં મુંબઈના થાણેના રહેવાસી મમતાબેન જીતેશ ગાવિત (ઉં.વ.49), દહીસર ઈસ્ટના કેતન રમેશ કાંતિલાલ સોની (ઉં.વ. 54) અને અંધેરી ઈસ્ટના ડેનિયલ બાપીસ્ટ મોન્ટેરો (ઉં.વ. 49) નો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 10:09 pm

ફ્લેટમાં શોર્ટ સર્કિટના લીધે આગથી ઘરવખરી ખાખ:રાજકોટના રેલનગરની મહર્ષિ દયાનંદ સરસ્વતિ ટાઉનશીપમાં છઠ્ઠા માળે બંધ ફ્લેટમાં આગ લાગી

રાજકોટના રેલનગર કર્ણાવતી સ્કૂલ પાછળ મહર્ષિ દયાનંદ સરસ્વતિ ટાઉનશીપમાં છઠ્ઠા માળે બ્લોક નં. બી-608માં રહેતાં મગનભાઈ રતિલાલ દવે (ઉ.વ.78) તેમના પરિવારજનો સાથે રહે છે. 14 દિવસ પહેલા મગનભાઈ દવે અને પરિવારના સદસ્યો ઘરને તાળા મારી હરિદ્વારની જાત્રાએ ગયા હતા ત્યારે શુક્રવારે રાતે તેઓ પરત આવ્યા અને ઘરે પહોંચ્યા ત્યારે દરવાજા નીચેથી ધૂમાડા નીકળતાં હોઈ આગ લાગ્યાનું જણાતાં 112માં જાણ કરતો ત્યાંથી રાજકોટ ફાયર બ્રિગેડને કોલ અપાયો હતો. જે બાદ પાણીનો મારો ચલાવી રાખ પણ કાબુ મેળવી લેવાયો હતો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે અને તેમાં ઘરવખરી જતા મોટું નુકસાન પહોંચ્યું હતુ. ફાયર બ્રિગેડ ટીમના સ્ટાફને જાણ થતા તુરંત પહોંચી છઠ્ઠા માળે લાગેલી આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી હતી અને 25 મિનીટ બાદ આગ સંપુર્ણ કાબુમાં લીધી હતી. ઘરધણી મગનભાઈ દવેના કહેવા મુજબ આગ શોર્ટ સરકીટથી લાગી હોવાની શક્યતા છે. બીજા રહેવાસીઓના કહેવા મુજબ બે દિવસ પહેલા લાઈનમાં ધડાકા થયા હતાં. આ ઘરમાં ડીસી સ્વીચમાં સ્પાર્ક થવાને કારણે તણખા નીકળ્યા હોઈ કદાચ તેના કારણે આગ લાગી હશે. આ આગમાં ઘરવખરી જેવી કે શેટી, ગાદલા ગોદડા એમ બધુ જ બળી ગયું હોઈ મોટી નુકસાની થઈ છે. પરિવારજનો 14 દિવસથી હરિદ્વાર હતા. ગત રાતે પરત આવ્યા ત્યારે જ આગ ભભુકી ઉઠતાં બીજા રહેવાસીઓ પણ મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતાં.સદ્દનસિબે કોઈ જાનહાની થઇ નથી. તેમ ફાયર બ્રિગેડના સુત્રોએ જણાવ્યું હતુ.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 9:51 pm

ભવનાથમાં શ્રદ્ધા અને શિક્ષણનો સંગમ:ભારતી આશ્રમમાં સૌરાષ્ટ્રના 40 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન, સંતોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ

​જૂનાગઢની પવિત્ર ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના પર્વે ભક્તિની સાથે શિક્ષણનો પણ મહિમા ગવાયો હતો. ભારતી આશ્રમ ખાતે પૂજ્ય સંત શ્રી હરિહરાનંદ બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી પસંદ કરાયેલા 40 જેટલા શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના નાણા અને પોલીસ હાઉસિંગ વિભાગના રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શિક્ષકોના કાર્યને રાષ્ટ્ર નિર્માણનું પાયાનું કાર્ય ગણાવ્યું હતું. શિક્ષકોને સતત પ્રોત્સાહન મળતું રહે તે માટે દર વર્ષે આયોજન કરાશેભારતી આશ્રમમાં આયોજિત આ સમારોહમાં પૂજ્ય સંત શ્રી હરિહરાનંદ બાપુ, રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલ અને ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાના હસ્તે શિક્ષણ ક્ષેત્રે નવીન પ્રયોગો કરનાર અને વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓમાં વિશેષ યોગદાન આપનાર શિક્ષકોને શાલ, મોમેન્ટો અને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે હરિહરાનંદ બાપુએ ભાવ વ્યક્ત કર્યો હતો કે, શિક્ષકોને સતત પ્રોત્સાહન મળતું રહે તે માટે દર વર્ષે શિવરાત્રીના પર્વે આવા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવશે. સંસ્કારવાન બનાવવાની જવાબદારી સંતો અને શિક્ષકોના ખભે છેરાજ્યમંત્રી કમલેશભાઈ પટેલે સન્માનિત શિક્ષકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, સંતોના આશીર્વાદ સાથે શિક્ષકોનું સન્માન થવું એ એક સૌભાગ્યની વાત છે. તેમણે ઉમેર્યું કે, જીવનમાં જો કક્ષા કેળવવામાં આવશે તો રક્ષા આપોઆપ થશે. સમાજમાં યુવાનોને વ્યસનમુક્ત કરવા અને સંસ્કારવાન બનાવવાની જવાબદારી સંતો અને શિક્ષકોના ખભે છે. આ તકે તેમણે ભારતી આશ્રમ સાથે જોડાયેલા પોતાના જૂના સંસ્મરણો પણ તાજા કર્યા હતા. સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓમાંથી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 5 થી 6 શિક્ષકોની પસંદગી​ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ પણ પ્રાસંગિક સંબોધન કરી રાષ્ટ્રના ઘડવૈયા સમાન શિક્ષકોના ઉત્સાહને વધાર્યો હતો. આ કાર્યક્રમમાં મહામંડલેશ્વર ભારતી બાપુની પ્રેરણાથી આયોજિત આ સન્માન વિધિમાં સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓમાંથી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 5 થી 6 શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. આ પ્રકારના આયોજનોથી શિક્ષણ જગતમાં નવો ઉત્સાહ સંચરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. અનેક સંતો-મહંતો અને મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યાસન્માન મેળવનાર અમરેલીની બહારપરા કન્યા શાળાના શિક્ષક નીતાબેને આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભવનાથ તળેટી જેવા પવિત્ર સ્થળે અને પૂજ્ય બાપુના આશ્રમ દ્વારા જે સન્માન મળ્યું છે તેનાથી અમે ગૌરવ અનુભવીએ છીએ. આ સન્માન અમને શિક્ષણ ક્ષેત્રે વધુ સારી કામગીરી કરવાની પ્રેરણા પૂરી પાડશે. આ પ્રસંગે અનેક સંતો-મહંતો અને મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 9:36 pm

6 માર્ચે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી:99 ઉમેદવારો વચ્ચે મુકાબલો, ઓછામાં ઓછી 5 મહિલા ઉમેદવારોની પસંદગી ફરજિયાત

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી આગામી 6 માર્ચે યોજાવાની છે. આ ચૂંટણી દ્વારા આગામી 5 વર્ષ માટે BCGની નવી કમિટીની રચના કરવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત કુલ 103 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી તપાસ બાદ 99 એડવોકેટ ઉમેદવારોના ફોર્મ માન્ય ઠરાવવામાં આવ્યા છે. બે ઉમેદવારોના ફોર્મમાં ખામીઓ હોવાને કારણે તે રદ્દ કરવામાં આવ્યા છે, જ્યારે બે ઉમેદવારોએ સ્વેચ્છાએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે. ચૂંટણીમાં ઓછામાં ઓછા 5 મહિલા ઉમેદવારોની પસંદગી ફરજિયાત આ રીતે હવે ચૂંટણીમાં 99 ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે. આ ચૂંટણીમાં ખાસ ધ્યાન ખેંચે એવી બાબત એ છે કે, 30 ટકા મહિલા ઉમેદવારોના પ્રતિનિધિત્વની ખાસ બાબત અમલમાં મૂકવામાં આવી છે. કુલ 23 સભ્યો માટેની ચૂંટણીમાં ઓછામાં ઓછા 5 મહિલા ઉમેદવારોની પસંદગી ફરજિયાત રહેશે. આ ઉપરાંત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા 5 મહિલા ઉમેદવારોની કો-ઓપ્શન મારફતે નિમણૂક કરવામાં આવશે. વકીલ મતદારોની સુવિધા વધુ મજબૂત બનાવવા માટે બે પોલિંગ સ્ટેશન ઉભા કરવાની સંમતિ અપાઈવકીલ મતદારોની સુવિધા વધારવા માટે આ વખતે પ્રથમ વખત બે અલગ-અલગ પોલિંગ સ્ટેશન પર મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. એક પોલિંગ સ્ટેશન ગુજરાત હાઇકોર્ટ ખાતે રહેશે, જ્યારે બીજું પોલિંગ સ્ટેશન ગુજરાત યુનિવર્સિટી કેમ્પસના અટલ કલામ હોલ ખાતે ઉભું કરવામાં આવશે. આ વ્યવસ્થાના કારણે શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી આવતા વકીલોને મતદાનમાં સરળતા મળશે.આ નિર્ણય 27 ડિસેમ્બર, 2025ના રોજ યોજાયેલી જનરલ બોડી મિટિંગમાં લેવામાં આવ્યો હતો, જેમાં વકીલ મતદારોની સુવિધા વધુ મજબૂત બનાવવા માટે બે પોલિંગ સ્ટેશન ઉભા કરવાની સંમતિ અપાઈ હતી. ચૂંટણી દિવસે સવારે 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. વકીલ સમાજમાં પ્રતિનિધિત્વ, પારદર્શિતા અને સમાનતા માટે મહત્વપૂર્ણ પગલુંરાજ્યભરમાંથી 76,579 હજારથી વધુ વકીલ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ ચૂંટણી પ્રક્રિયા સુપ્રીમ કોર્ટના 18 નવેમ્બર 2025ના ‘વરધાન વર્સેસ યુનિયન ઓફ ઇન્ડિયા’ તથા 18 ડિસેમ્બર 2025ના ‘યોગમાયા એમ.જી. વર્સેસ યુનિયન ઓફ ઇન્ડિયા’ના ચુકાદાઓના આધારે હાથ ધરવામાં આવશે. ખાસ કરીને મહિલા અનામત સંબંધિત આ જજમેન્ટને અનુસરીને ચૂંટણીની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આ ચૂંટણી માત્ર વહીવટી પ્રક્રિયા નહીં પરંતુ વકીલ સમાજમાં પ્રતિનિધિત્વ, પારદર્શિતા અને સમાનતા માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 9:29 pm

જમીન દલાલ અને બિલ્ડર હેમાંગ ભટ્ટ પર હુમલો:સ્વીફ્ટ કારમાં આવેલા બે અજાણ્યા શખસોએ ગાડીની ટક્કર મારી લોખંડની પાઇપથી હુમલો કર્યો, મારી નાખવાની ધમકી આપીને ફરાર

જમીન દલાલી અને ગેલેક્ષી ગ્રૂપ કન્સ્ટ્રક્શનના વેપાર સાથે સંકળાયેલા બિલ્ડર શેલા ખાતેના ઘરેથી મર્સીડીઝ કારમાં બેસીને ડ્રાઇવર સાથે ઓફિસે જવા નીકળ્યા હતા. ત્યારે તેમના ઘર નજીક જ એક કારમાં આવેલા શખસોએ ગાડી અથડાવીને બિલ્ડર પર લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો. જે બાદ અન્ય ગાડીમાં આવેલા શખ્સોએ પણ લાકડી અને પાઇપથી હુમલો કરીને બિલ્ડરને લોહીલુહાણ કરી નાખ્યા હતા. આ મામલે બોપલ પોલીસને જાણ કરાતા પોલીસે ગુનો નોંધી CCTVના આધારે આરોપીઓ સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા છે. સ્વીફ્ટ ગાડીના ચાલકે આવીને ગાડી ભટકાવી હતીશેલામાં આવેલા નંદનબાગમાં રહેતા હેમાંગ ભટ્ટ જમીન દલાલી અને ગેલેક્ષી ગ્રૂપ કન્સ્ટ્રક્શનના વેપાર સાથે સંકળાયેલા છે. 13 ફેબ્રુઆરીના સવારે મર્સીડીઝ કારમાં ડ્રાઇવર સાથે નરોડા ખાતેની ઓફિસે જવા નીકળ્યા હતા. ડ્રાઇવરે કાર સોસાયટીમાંથી બહાર કાઢી ત્યારે નંદનબાગ રોડ ચાર રસ્તા પાસે સ્વીફ્ટ ગાડીના ચાલકે આવીને ગાડી ભટકાવી હતી. સ્વીફ્ટ ગાડીમાંથી ઉતરેલા બે શખ્સોએ લોખંડની પાઇપથી હેમાંગભાઇ પર હુમલો કર્યો હતો. અજાણ્યા શખસો મારી નાખવાની ધમકી આપીને ફરાર થઇ ગયા આ દરમિયાનમાં અન્ય એક ગાડીમાં ચારેક શખસોએ આવીને લાકડી અને લોખંડની પાઇપથી હેમાંગભાઇને આડેધડ મારીને લોહીલુહાણ કરી નાખ્યા હતા. કેટલાક શખસોએ ડ્રાઇવરને પકડી રાખ્યો હતો અને ડ્રાઇવર શેઠને બચાવવા વચ્ચે પડતા આરોપીઓએ તેને પણ માર માર્યો હતો. ત્યાંથી પસાર થતા લોકો આવી જતા આ શખસો મારી નાખવાની ધમકી આપીને ફરાર થઇ ગયા હતા. હાલ બોપલ પોલીસે ગુનો નોંધી આસપાસના CCTV ને આધારે તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 9:21 pm

પિતાની મિલકતમાં દીકરીનો દાવો હાઈકોર્ટે ફગાવ્યો:કહ્યું- “હિન્દુ કાયદાના સંયુક્ત કુટુંબ અને જન્મસિદ્ધ અધિકારના ખ્યાલો મુસ્લિમ કાયદામાં લાગૂ પડતા નથી”

પિતાની મિલકતમાં હિસ્સો મેળવવાની મુસ્લિમ મહિલાની અરજી હાઇકોર્ટે ફગાવી દેતાં હાઇકોર્ટે એવું તારણ પ્રસ્તુત કર્યું છે કે, પૈતૃક મિલકત અને જન્મસિદ્ધ અધિકાર મુસ્લિમ કાયદામાં સંપૂર્ણપણે લાગૂ પડતા નથી. આ મામલે હાઈકોર્ટની સિંગલ જજની બેંચે ચુકાદો આપ્યો છે કે, હિન્દુ કાયદામાં વ્યાખ્યાયિત સંયુક્ત કુટુંબ મિલકત વારસાગત મિલકત અને જન્મસિદ્ધ અધિકાર જેવા ખ્યાલો મુસ્લિમ કાયદા હેઠળના વિવાદોમાં લાગુ કરી શકાતા નથી. એક મુસ્લિમ મહિલા દ્વારા કરવામાં આવેલી અપીલમાં નીચલી અદાલત દ્વારા આપવામાં આવેલા વચગાળાના મનાઈ હુકમને રદ કરતાં હાઇકોર્ટે ઉક્ત અવલોકન કર્યું છે. વડોદરામાં સ્થાવર મિલકતોના હિસ્સા અંગે ભાઈ-બહેનો વચ્ચે લાંબા સમયથી ચાલતા કૌટુંબિક વિવાદને લગતા આદેશો સામેની સિવિલ રિવિઝન અરજીઓ અને અપીલોના કેસની સુનાવણી બાદ હાઇકોર્ટે ઉપરોક્ત આદેશ કર્યો હતો. હિન્દુ કાયદાથી વિપરીત, મુસ્લિમ કાયદામાં વારસો ચઢતા ક્રમમાં હોતો નથીહાઇકોર્ટે ઠરાવ્યું હતું કે મુસ્લિમ કાયદો નેમો એસ્ટ હેરેસ વિવેન્ટિસ - જીવિત વ્યક્તિનો કોઈ વારસદાર હોતો નથી ના સિદ્ધાંત અથવા લેટિન શબ્દસમૂહને માન્યતા આપે છે. વારસદાર પછી ભલે તે પ્રત્યક્ષ હોય કે સંભવિત, તેને કોઈ વારસાગત અધિકારો નથી કે જેનાથી તે કબજેદાર દ્વારા કરવામાં આવેલા કોઈપણ વેચાણ અથવા ભેટ સામે વાંધો ઉઠાવી શકે. હિન્દુ કાયદાથી વિપરીત, મુસ્લિમ કાયદામાં વારસો ચઢતા ક્રમમાં હોતો નથી. મિલકતને પૂર્વજોની મિલકત તરીકે દાવો કરવા અંગે, વ્યક્તિએ જન્મસિદ્ધ અધિકારનો દાવો કરવો પડે છે તે વિચાર અથવા પ્રથા મુસ્લિમ કાયદાના સિદ્ધાંતો દ્વારા માન્ય નથી. આ વિચાર કે પ્રથા ઇસ્લામિક કાયદાના સિદ્ધાંતો દ્વારા માન્ય નથી. મુસ્લિમ કાયદા અનુસાર, કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિના વારસામાં તેના મૃત્યુ પછી જ ભાગ લઈ શકે છે. જેના અધિકારો અલગ અને વિશિષ્ટ છે અને જે વ્યક્તિનો તે વારસદાર છે તેના મૃત્યુ પછી તરત જ ઉદ્ભવે છે. જીવંત વ્યક્તિનો કોઈ વારસદાર નથીહાઇકોર્ટે આદેશમાં એમ પણ ઠરાવ્યું છે કે સંપત્તિ કે મિલ્કતના કિસ્સામાં મુસ્લિમ જન્મથી કોઈ હકનો દાવો કરી શકતા નથી, જેમ કે હિન્દુ લોકો કરી શકે છે. મુસ્લિમ પરિવારના સભ્યો વચ્ચેનો સંબંધ હિન્દુ પરિવારના સભ્યો કરતા અલગ છે. મુસ્લિમ પક્ષકારો વચ્ચેના કેસોનો નિર્ણય લેતી વખતે સંયુક્ત કુટુંબ, સંયુક્ત કુટુંબની મિલકત અથવા સંયુક્ત કુટુંબ ભંડોળ અંગે હિન્દુ કાયદાની ધારણાને સંપૂર્ણપણે ભૂલી જવી પડે. આમ, પૂર્વજોની મિલકતનો ખ્યાલ મુસ્લિમ કાયદાના સિદ્ધાંતથી સંપૂર્ણપણે અજાણ છે કારણ કે, મુસ્લિમ કાયદો જન્મથી અધિકારને માન્યતા આપતો નથી, પરંતુ તે સ્વીકારે છે કે જીવંત વ્યક્તિનો કોઈ વારસદાર નથી. તેવી જ રીતે સંયુક્ત કુટુંબનો ખ્યાલ મુસ્લિમ કાયદાથી અજાણ છે. સંયુક્ત પરિવારની વિભાવના ફક્ત એક જ પરિવારના ઘણા સભ્યોના સમૂહનું સુચન આપે છે, નહીં કે અલગ રહેતા લોકોના એક ગૃપનું. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં મૃત્યુ પામેલા માતાપિતાની એક પુત્રીએ તેના ભાઈઓના નામે રહેલી ઘણી મિલકતોમાં હિસ્સો મેળવવા માટે દાવો દાખલ કર્યો હતો. જેમાં દલીલ કરવામાં આવી હતી કે તે કૌટુંબિક આવકમાંથી જ ખરીદવામાં આવી હતી અને તેથી તેને સંયુક્ત કુટુંબ અને પૂર્વજોની મિલકત તરીકે ગણવામાં આવવી જોઇએ. આ મામલે ટ્રાયલ કોર્ટે તેમને વચગાળાની આંશિક રાહત પણ આપી હતી.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 9:13 pm

ઘોઘંબામાં સીમલીયા પ્રાથમિક શાળાના બાંધકામમાં ગેરરીતિના આક્ષેપ:હલકી ગુણવત્તાનો આક્ષેપ કરી ગ્રામજનોએ કામ અટકાવ્યું; ઉચ્ચ તપાસની માંગ

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના સીમલીયા ગામે નવનિર્મિત ગુજરાતી પ્રાથમિક શાળાના ઓરડાના બાંધકામમાં વ્યાપક ગેરરીતિના આક્ષેપ સાથે સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો. ગ્રામજનોએ બાંધકામની કામગીરી અટકાવી દીધી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે શાળાના ઓરડાના બાંધકામમાં અત્યંત હલકી ગુણવત્તાની સામગ્રી વાપરવામાં આવી રહી છે. આક્ષેપ મુજબ, બાંધકામમાં પ્લાન કરતા માત્ર 50% સ્ટીલનો જ ઉપયોગ થયો છે. એન્જિનિયરિંગ પ્લાન મુજબ જે બીમમાં 48 રિંગ હોવી જોઈએ, તેને ગ્રામજનોની હાજરીમાં તોડીને જોતા માત્ર 24 રિંગ જ મળી આવી હતી. સ્થળ પર હાજર એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરનો ગામના આગેવાનોએ ઉધડો લીધો હતો. બાળકોના ભવિષ્ય અને સુરક્ષા સાથે થઈ રહેલી આ ચેડાં સહન કરવામાં નહીં આવે તેવી ચીમકી સાથે હાલ બાંધકામની કામગીરી બંધ કરાવી દેવામાં આવી છે. સીમલીયા ગામના લોકોએ ઉચ્ચ કક્ષાએથી અધિકારીઓ દ્વારા આ બાંધકામની તપાસ કરવાની અને જવાબદાર કોન્ટ્રાક્ટર તેમજ ઇજનેર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 9:08 pm

સગીર યુવતીઓની છેડતી કરનાર આરોપી સામે કડક કાર્યવાહી:PASA હેઠળ અમદાવાદ જેલમાં ધકેલાયો

પોરબંદર જિલ્લામાં સગીર વયની યુવતીઓ સાથે અશ્લીલ ચેનચાળા અને છેડતીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ અનુસાર, આરોપીને P.A.S.A. (Prevention of Anti-Social Activities Act) હેઠળ અટકાયત કરી અમદાવાદ જેલ ખાતે મોકલવામાં આવ્યો છે. પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ રિતુ રાબાના માર્ગદર્શન હેઠળ શહેર વિભાગ દ્વારા આરોપી વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, આરોપી હિતેશ નાથાલાલ કોટીયા (ઉંમર 40), રહે. ખાપટ, મેરેડીયન સિનેમાવાળી ગલી, પોરબંદર, મેમણવાડા વિસ્તારમાં રાત્રિના સમયે ઇલેક્ટ્રિક મોટરસાયકલ પર આટાફેરા કરી સગીર વયની યુવતીઓ સાથે અશ્લીલ હરકતો કરતો હતો. તે યુવતીઓના શરીરે ટપલીઓ મારી ભાગી જતો અને સતત છેડતી કરતો હોવાની અનેક ફરિયાદો સામે આવી હતી. આ મામલે કિર્તીમંદિર પોલીસ સ્ટેશન ખાતે અલગ-અલગ ચાર ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. નોંધાયેલા ગુનાઓમાં BNS કલમ ૭૪, ૭૫(૧)(૧), ૭૮(૧)(૧) તેમજ POCSO Act, 2012 ની કલમ ૧૨નો સમાવેશ થાય છે. પોલીસ અધિક્ષક ભાગીરથસિંહ જાડેજાની સૂચના અનુસાર, કિર્તીમંદિર પોલીસ સ્ટેશનના પો. ઇન્સ્પેક્ટર જે.જે. ચૌધરીએ આરોપી વિરુદ્ધ P.A.S.A. હેઠળ દરખાસ્ત તૈયાર કરી હતી. આ દરખાસ્ત પોલીસ અધિક્ષક મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલવામાં આવી હતી. કેસની ગંભીરતા અને જાહેર શાંતિ-સુરક્ષાને ધ્યાને લઈ પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટે આરોપી સામે P.A.S.A. વોરંટ જારી કર્યો. ત્યારબાદ LCB ઇન્ચાર્જ પો. ઇન્સ્પેક્ટર આર.કે. કાંબરીયાએ P.A.S.A. વોરંટની બજવણી કરી આરોપીને કાયદેસરની અટકાયત હેઠળ અમદાવાદ જેલ ખાતે ધકેલી આપ્યો. પોલીસ વિભાગે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સગીર વયની બાળાઓ વિરુદ્ધ થતા ગુનાઓ બાબતે કોઈ પણ પ્રકારની સહનશીલતા દાખવવામાં નહીં આવે. આવા અસામાજિક તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી ચાલુ રહેશે અને સમાજમાં કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ પ્રતિબદ્ધ છે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 9:05 pm

CVM યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય પરિષદ 'સંવાદ-2026' સંપન્ન:વિદ્યાનગર ખાતે વૈશ્વિક વિદ્વાનોએ શિક્ષણ અને સંશોધન પર મંથન કર્યું

ચરોતર વિદ્યામંડળ (CVM) યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ આર્ટ્સ દ્વારા આયોજિત પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદ ‘SAMVĀDA 2026’ વિદ્યાનગર ખાતે સફળતાપૂર્વક સંપન્ન થઈ. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી સ્થાપિત આ યુનિવર્સિટીમાં યોજાયેલી આ પરિષદમાં ભારત અને વિદેશના વિદ્વાનોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ CVMના અધ્યક્ષ ભીખુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. રોમાનિયા અને મોલ્ડોવા જેવા દેશોના પ્રતિષ્ઠિત નિષ્ણાતોએ ઉપસ્થિત રહીને જ્ઞાનનું આદાન-પ્રદાન કર્યું હતું. પરિષદમાં મુખ્ય અતિથિ તરીકે રોમાનિયાના Dr. Nicolae Stanciu (એક્ઝિક્યુટિવ પ્રેસિડન્ટ, V.I.T.R.I.O.L. Arts Labs International) એ હાજરી આપી નૈતિક નવોચાર પર પ્રેરક ઉદબોધન આપ્યું હતું. વિશિષ્ટ અતિથિ તરીકે મોલ્ડોવા થી Dr. Liliana Staver (નેશનલ કોન્ટેક્ટ પોઇન્ટ, જ્વોઇન્ટ રિસર્ચ સેન્ટર) અને રોમાનિયા થી Dr. Virgil-Ștefan Nitulescu (સભ્ય, ઇન્ટરનેશનલ કાઉન્સિલ ફોર મ્યુઝિયમ્સ) એ સાંસ્કૃતિક જાગૃતિ અને આંતરરાષ્ટ્રીય સંશોધન સહકારના મહત્વ પર ભાર મૂક્યો હતો. કુલ 104 પ્રતિભાગીઓએ આ મંચ પર શિક્ષણમાં કૃત્રિમ બુદ્ધિ (AI) અને પર્યાવરણ ન્યાય જેવા આધુનિક વિષયો પર મંથન કર્યું હતું. રજિસ્ટ્રાર ડૉ. સંદીપ વાલિયા અને પ્રોવોસ્ટ ડૉ. ઇન્દ્રજીત પટેલના નેતૃત્વમાં આ આયોજન થયું હતું. આ અવસરે શ્રેષ્ઠ સંશોધનપત્ર માટે જયશ્રી રાજાભાઈ ચાવડાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. પરિષદના કન્વીનર ડૉ. અર્ચના નરહરીએ આ સંવાદને ભવિષ્યના નૂતન સમાજની રચના માટે મહત્વપૂર્ણ ગણાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 8:54 pm

ગઢડામાં હિન્દુ સંમેલન યોજાયું:શોભાયાત્રા, સંતો-મહંતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા

બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં હિન્દુ સમિતિ દ્વારા હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંમેલન પૂર્વે શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો જોડાયા હતા. સંમેલનની શરૂઆત સંતો-મહંતો અને રાજકીય આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ઉપરાંત ભારતમાતા પૂજન તેમજ વિશેષ વ્યક્તિઓના સન્માનનો કાર્યક્રમ પણ યોજાયો હતો. હિન્દુ સંમેલનમાં ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામી સહિત સંતો-મહંતોએ સનાતન ધર્મ, ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના જતન તથા રક્ષણ અંગે પ્રેરક ઉદબોધન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુ જેબલિયા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશ ગોધાણી, મધુસુદન ડેરીના ચેરમેન ભોળા રબારી, જયરાજ પટગીર, શહેર ભાજપ પ્રમુખ વિક્રમ બોરીચા, અર્જુન રાજ્યગુરુ, મુકેશ હિહોરીયા, વિપક્ષ નેતા મીત ડાંગર, અમરશી માણીયા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 8:33 pm

સેટેલાઈટ ATM મશીનમાંથી ડિપોઝિટ બોક્સ ખોલી 52 હજારની ચોરી કરી:પાવર સપ્લાય બંધ કરીને ગઠિયાઓએ ખેલ પાડ્યો, વસ્ત્રાપુરમાં ગાડીને હટાવવાનું કહેતા યુવક પર તૂટી પડ્યા

ગોતામાં રહેતા સુજેશભાઇ શાહ 132 ફુટ રિંગ રોડ પર આઇસીઆઇસીઆઇ બેંકમાં બ્રાંચ મેનેજર છે. થોડા દિવસ પહેલા એક ગ્રાહકે આવીને સીઆરએમમાં કેશ ડિપોઝિટ કરી હોવા છતાંય સામેવાળાના ખાતામાં રકમ ન મળી હોવાની ફરિયાદ કરી હતી. જેથી સીસીટીવી તપાસતા ચોર ટોળકીની હરકત કેદ થઇ હતી. મશીન સાથે મોબાઇલ લગાવીને ચેડા કર્યાંમળતી વિગત અનુસાર, 1 ફેબ્રુઆરીએ વહેલી સવારે બે શખ્સોએ આવીને મશીન સાથે ડિવાઇસ લગાવ્યુ હતું. ત્યારબાદ ત્રીજા શખ્સે મશીન પાસે આવીને મશીન સાથે મોબાઇલ લગાવીને કોઇપણ પ્રકારે ચેડા કરતો હતો. તે સમયે કેટલાક ગ્રાહકો નાણાં મશીનમાં જમા કરાવવા આવતા હતાં. ત્યારબાદ જ્યારે એક ગ્રાહકે આવીને નાણાં મશીનમાં જમા કરાવ્યા હતાં. ડિપોઝિટર બોક્સ ખોલીને 52 હજાર ચોરી લીધાજે બાદ વહેલી સવારે આવેલા શખ્સે અન્ય મશીન પાસે ઉભા રહ્યાનો ડોળ કર્યો હતો. જે બાદ આરોપીએ મશીનનો પાવર સપ્લાય બંધ કરી દીધો હતો અને સ્ક્રુ ડ્રાઇવર અને તારથી ડિપોઝિટર બોક્સ ખોલીને અટવાયેલા 52 હજાર ચોરી લીધા હતાં. આ મામલે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પાવર પ્લગ કાઢીને આરોપીઓ નાસી ગયાપ્રાથમિક તપાસમાં ગત તા.1ના રોજ આરોપીઓએ અનેક વાર મશીન બંધ કર્યુ હતું અને ચોરીને અંજામ આપીને પાવર પ્લગ કાઢીને આરોપીઓ નાસી ગયા હતા. પોલીસે સીસીટીવી આધારે તસ્કરો સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા છે. બીજો બનાવગાડીને હટાવવાનું કહેતા તૂટી પડ્યાભાવનગરનો 21 વર્ષીય મહાવીરસિંહ મોરી વસ્ત્રાપુરમાં રહે છે કાર ભાડે આપવાનો વેપાર કરે છે. ગત 13મીએ તે થાર ગાડી લઇને મિત્રો સાથે એક ટી સ્ટોલ ખાતે ગયો હતો. ત્યારે ત્યાં અડચણરૂપ ગાડીને હટાવવાનું કહેતા ગાડીમાંથી કેટલાક શખ્સોએ ઉતરીને લાકડીઓથી હુમલો કરીને ગાડીને ધોકા મારીને ગોબા પાડ્યા હતાં. મામલો સરખેજ પોલીસ સમક્ષ પહોંચતા બંને પક્ષે સમાધાન થયું હતું. ટોળું આવ્યુ ને છરા, ધોકા, પાઇપોથી હુમલો કર્યોત્યારબાદ બીજા દિવસે રાત્રે મહાવીરસિંહ તેમના ભાઇ સાથે ઓફિસ નીચે બેઠા હતાં. ત્યારે બે ગાડી અને બે ટુવ્હીલર પર આશરે પંદરેક શખ્સોનું ટોળું આવ્યું હતું. આ શખ્સોએ છરા, ધોકા, પાઇપોથી હુમલો કર્યો હતો. શખ્સોએ મહાવીરસિંહને છરાના ઘા માર્યા હતા અને લાકડીઓથી હુમલો કર્યો હતો. આ મામલે પોલીસને જાણ કરાતા વસ્ત્રાપુર પોલીસે પરેશ રબારી, લાલો ભરવાડ, મોન્ટુ ભરવાડ અને સુનિલ રબારી સહિતના લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 8:27 pm

બનાસકાંઠા LCBએ એક વર્ષથી ફરાર આરોપીને ઝડપ્યો:ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના ગુનામાં પાટણનો દિપાજી ઠાકોર પકડાયો

બનાસકાંઠા LCBએ ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનના એક ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી દિપાજી ધારસંગજી ઠાકોરને ઝડપી પાડ્યો છે. આરોપી પાટણ જિલ્લાના રાજપુરનો રહેવાસી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે કડક અમલવારી કરવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે LCB પાલનપુરના પોલીસ ઇન્સ્પેકટર એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. LCB સ્ટાફ ડીસા શહેર વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશન કલમ 65એઇ, 116(2), 98(2), 81 હેઠળના ગુનામાં ફરાર દિપાજી ધારસંગજી ઠાકોર ભોપાનગર ચાર રસ્તા પાસે છે. બાતમીના આધારે LCBની ટીમે દિપાજી ઠાકોરને ભોપાનગર ચાર રસ્તા પાસેથી રાઉન્ડ અપ કર્યો હતો. પકડાયેલા આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 8:25 pm

ગદાપુરા શાળામાં એડોલેશન પ્રોગ્રામ યોજાયો:વડોદરા નર્સિંગ કોલેજના સહયોગથી વિદ્યાર્થીઓને વિવિધ વિષયો પર તાલીમ અપાઈ

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત માઁ સરસ્વતી પ્રાથમિક શાળા (સવાર), શાખા નંબર 24, ગદાપુરા ખાતે 'એડોલેશન પ્રોગ્રામ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગવર્નમેન્ટ નર્સિંગ કોલેજ, વડોદરાના સહયોગથી યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓને વિવિધ વિષયો પર જાગૃતિ અને સમજ આપવામાં આવી હતી. જેમાં મોબાઈલ અવેરનેસ, ગુડ ટચ-બેડ ટચ, રોડ અકસ્માત જાગૃતિ, મલેરિયા-ડેન્ગ્યુ જાગૃતિ, અજાણ્યા લોકોથી બચવું, દૈનિક ક્રિયાની સારી અને ખરાબ ટેવો તથા માસિક ધર્મ સ્વચ્છતા જેવા મુદ્દાઓનો સમાવેશ થતો હતો. આ વિષયો પર ડ્રામા પ્રસ્તુતિ અને પ્રશ્નોત્તરી દ્વારા વિદ્યાર્થીઓને સરળતાથી સમજાવવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓનો અભિપ્રાય પણ લેવામાં આવ્યો હતો. તાલીમ બાદ તમામ વિદ્યાર્થીઓ માટે રિફ્રેશમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા પરિવારે સરકારી નર્સિંગ કોલેજના ચોથા વર્ષના વિદ્યાર્થીઓના આ સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 8:25 pm

જુહાપુરાની ન્યુ એવન હાઈસ્કૂલમાં વાર્ષિક મહોત્સવ ઉજવાયો:પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ સહિત મહાનુભાવો હાજર રહ્યા

અમદાવાદના જુહાપુરા સ્થિત ન્યુ એવન હાઈસ્કૂલમાં વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પૂર્વ ભારતીય ક્રિકેટર શ્રી મુનાફ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે BCA કોચ ઇમરાન ખાન પઠાણ અને નવરંગ સ્કૂલના ઇરફાન સર અરબ પણ હાજર રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો, ડાન્સ, રેમ્પ-વોક અને નાટકો રજૂ કરીને સુંદર પ્રદર્શન કર્યું હતું. વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.શાળાના મેનેજિંગ ટ્રસ્ટી નાઝીમા એમ. તીરમીઝીએ આ માહિતી આપી હતી.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 8:24 pm

પાટણની મુસ્કાન પ્રજાપતિ રાષ્ટ્રીય લોન ટેનિસમાં રનરઅપ:AITA ચેમ્પિયન્સ ટુર્નામેન્ટ અજમેરમાં યોજાઈ

પાટણની શેઠ એમ. એન. હાઇસ્કૂલની વિદ્યાર્થીની પ્રજાપતિ મુસ્કાન વિપુલભાઈએ તાજેતરમાં અજમેર ખાતે યોજાયેલી રાષ્ટ્રીય લોન ટેનિસ ટુર્નામેન્ટમાં રનરઅપનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ટુર્નામેન્ટ ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિએશન (AITA) દ્વારા આયોજિત ચેમ્પિયન્સ ટુર્નામેન્ટ હતી. આ રાષ્ટ્રીય કક્ષાની પ્રતિષ્ઠિત સ્પર્ધામાં દેશભરના પ્રતિભાશાળી ખેલાડીઓ ભાગ લે છે. મુસ્કાનની આ સિદ્ધિ માત્ર તેની વ્યક્તિગત સફળતા નથી, પરંતુ શેઠ એમ. એન. હાઇસ્કૂલ, પાટણ જિલ્લો અને સમગ્ર ઉત્તર ગુજરાત માટે ગૌરવની ક્ષણ બની છે. પ્રજાપતિ મુસ્કાન માત્ર રમતગમતમાં જ નહીં, પરંતુ અભ્યાસમાં પણ તેજસ્વી વિદ્યાર્થીની છે. તેણીએ અગાઉ પણ રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ લોન ટેનિસ સ્પર્ધાઓમાં ભાગ લઈને અનેક ચેમ્પિયનશિપ હાંસલ કરી છે. અભ્યાસ અને રમતગમત બંને ક્ષેત્રમાં સંતુલન જાળવીને સતત પ્રગતિ કરવી એ આજના યુવાનો માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે. શાળાના પ્રિન્સિપાલ ડૉ. ધનરાજભાઈ ઠક્કર સાથેની વાતચીતમાં મુસ્કાને જણાવ્યું હતું કે તે દરરોજ ૭ થી ૮ કલાક નિયમિત અને કઠોર પ્રેક્ટિસ કરે છે. ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું તેનું લક્ષ્ય છે. શાળાના પ્રિન્સિપાલ ડૉ. ધનરાજભાઈ ઠક્કર અને સમગ્ર શાળા પરિવારે પ્રજાપતિ મુસ્કાનને તેની આ સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. ડૉ. ઠક્કરે જણાવ્યું હતું કે, “મુસ્કાન જેવી પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓ શાળાનું સાચું ગૌરવ છે. આવી સિદ્ધિઓ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બને છે અને શાળા સંસ્કાર, શિસ્ત તથા પ્રગતિના માર્ગે આગળ વધી રહી છે તેનો જીવંત પુરાવો છે.” AITA જેવી પ્રતિષ્ઠિત સંસ્થાની ટુર્નામેન્ટમાં રનરઅપ બનવું એ ભવિષ્યમાં નેશનલ તેમજ ઇન્ટરનેશનલ સ્તરે સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે મજબૂત પાયા સમાન છે. મુસ્કાનની આ સિદ્ધિ સમાજ માટે સશક્ત સંદેશ આપે છે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 8:22 pm

પાટણની બી.ડી. શાળામાં પુલવામા શહીદોને શ્રદ્ધાંજલિ:વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શહીદોના બલિદાનને યાદ કર્યું

પાટણ જૈન મંડળ સંચાલિત બી ડી સાર્વજનિક વિધાલય, પાટણ ખાતે પુલવામા હુમલામાં શહીદ થયેલ ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત શાળાના પ્રાંગણમાં શહીદોની સ્મૃતિમાં બે મિનિટનું મૌન પાળીને કરવામાં આવી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો દ્વારા શહીદોના બલિદાનને યાદ કર્યું. શાળાના આચાર્ય ડૉ. બી.આર. દેસાઈએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપનાર જવાનો આપણા સાચા હીરો છે અને તેમના બલિદાનને ક્યારેય ભૂલવું ન જોઈએ. શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને દેશપ્રેમ, એકતા અને કર્તવ્યનિષ્ઠા અંગે માર્ગદર્શન આપ્યું. તેમણે શહીદોના આદર્શોને જીવનમાં ઉતારવા માટે પ્રેરણા આપી. વિદ્યાર્થીઓએ હાથમાં દીવા અને ફૂલ લઈને શહીદોની તસ્વીરો સામે નમન કરીને તેમની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી. આ કાર્યક્રમ દ્વારા સમગ્ર શાળા પરિવારે દેશ માટે બલિદાન આપનાર શહીદ જવાનો પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી અને દેશપ્રેમની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ કર્યો.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 8:21 pm

ધ્રાંગધ્રામાં જુગારધામ પર દરોડો, 5 ઝડપાયા:રૂ. 6.77 લાખનો મુદ્દામાલ જપ્ત, વધુ તપાસ શરૂ

સુરેન્દ્રનગર એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ધ્રાંગધ્રા તાલુકાના ખાંભડા ગામની સીમમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં પાંચ જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે રોકડ, મોબાઈલ ફોન, મોટરસાયકલ અને કાર સહિત કુલ રૂ. 6,77,400 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર, પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ. રાયમાના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવવામાં આવી હતી. ચોક્કસ બાતમીના આધારે, રાજસીતીપુર ગામથી પથુગઢના પાટિયા તરફ જતા રોડ પાસે ખાંભડા ગામની સીમમાં આવેલી એક વાડીમાં એરંડાના પાકની આડમાં ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમાતો હતો. પોલીસે સ્થળ પરથી રૂ. 1,76,900 રોકડા, 6 મોબાઈલ ફોન (કિંમત રૂ. 40,500), 5 મોટરસાયકલ (કિંમત રૂ. 1,60,000) અને 1 સ્વીફ્ટ કાર (કિંમત રૂ. 3,00,000) સહિત કુલ રૂ. 6,77,400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓમાં અંકિત ડાયાભાઈ પટેલ (રહે. ગુજરવદી), સંજયભાઈ પોપટભાઈ પરેસા (રહે. ગુજરવદી), તળશીભાઈ મગનભાઈ પટેલ (રહે. ગુજરવદી), સુરેશભાઈ હનુભાઈ ચૌહાણ (રહે. કોંઢ કંકેશ્વર વાડી વિસ્તાર) અને સુભાષભાઈ રતુભાઈ ગોયલ (રહે. કોંઢ મોરબીપરા) નો સમાવેશ થાય છે. આ તમામ ધ્રાંગધ્રા તાલુકાના રહેવાસી છે. આ ઉપરાંત, સુરપાલસિંહ ઉર્ફે સુરૂભા દાજીભા સોલંકી (રહે. ખાંભડા) સહિત કેટલાક અન્ય આરોપીઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. પોલીસે ત્રણ મોટરસાયકલ અને એક સ્વીફ્ટ ગાડીના અજાણ્યા ચાલકો/માલિકો વિરુદ્ધ પણ ગુનો નોંધ્યો છે. ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 8:21 pm

એસ.વી. કોલેજમાં વાર્તા કથન પર વિશેષ વ્યાખ્યાન:કનુ પટેલે સર્જનાત્મક શિક્ષણ પદ્ધતિના લાભો સમજાવ્યા

એસ.વી. કોલેજ ઓફ એજ્યુકેશન અને સૂરજબા કોલેજ ઓફ એજ્યુકેશન દ્વારા સંયુક્ત રીતે 10 ફેબ્રુઆરી, 2026 ના રોજ 'વર્ગખંડમાં વાર્તા કથન: એક સર્જનાત્મક અભિગમ' વિષય પર એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ગખંડ શિક્ષણને વધુ રસપ્રદ અને અસરકારક બનાવવાનો હતો. આ વ્યાખ્યાનમાં એસ.વી. હાઈસ્કૂલના શિક્ષક કનુ પટેલે વાર્તા કથનના શૈક્ષણિક મહત્વ અને વર્ગખંડમાં તેના લાભો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વાર્તા કથન વિદ્યાર્થીઓમાં કલ્પનાશક્તિ, સાંભળવાની ક્ષમતા, ભાષાકૌશલ્ય અને મૂલ્યશિક્ષણને અસરકારક રીતે વિકસાવવામાં મદદરૂપ થાય છે. કનુ પટેલે ઉદાહરણો સાથે સમજાવ્યું કે વર્ગખંડમાં વાર્તા કથન કેવી રીતે એક સર્જનાત્મક શિક્ષણ પદ્ધતિ તરીકે ઉપયોગી બની શકે છે. તેમણે તાલીમાર્થીઓને વાર્તા કથન માટે વ્યાવહારિક સૂચનો પણ આપ્યા, જેથી તેઓ તેને પોતાના શિક્ષણમાં અપનાવી શકે.તેમના વ્યાખ્યાનથી તાલીમાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે નવી દૃષ્ટિ અને ઉત્સાહ જોવા મળ્યો. આવા સર્જનાત્મક અભિગમ આધારિત કાર્યક્રમો શિક્ષક તાલીમમાં નવી ઊર્જા પૂરી પાડે છે અને ભવિષ્યના શિક્ષકોને અસરકારક શિક્ષણ માટે સજ્જ બનાવે છે.સમગ્ર કાર્યક્રમનું સંકલન પ્રિન્સિપાલ ડૉ. ભાવિક એમ. શાહના માર્ગદર્શન હેઠળ ડૉ. તેજસ ઠક્કરે કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 8:20 pm

દિવાન બલ્લુભાઈ એલ્યુમની એસોસિએશન દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો:ફ્યુઝન ફિયેસ્ટા 2026માં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું

દિવાન બલ્લુભાઈ એલ્યુમ્ની એસોસિએશન દ્વારા રવિવારે 'ફ્યુઝન ફિયેસ્ટા 2026' નામનો એક વૈવિધ્યસભર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શાળાના 1968 થી 2024 સુધીની બેચના આશરે 50 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમમાં વાંસળી અને તબલાવાદનની જુગલબંદી, ગુજરાતી ફિલ્મ સંગીત અને ગરબાની પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત, મહાન અભિનેતા-દિગ્દર્શક રાજકપૂરને શ્રદ્ધાંજલિ આપતી ડાન્સ પ્રસ્તુતિ, બોલિવૂડના કલાકારોની ઝાંખી દર્શાવતો 'બોલિવૂડ ફેશનિસ્ટા' અને દર્શકો માટે 'ઓપન માઇક' જેવા વિભાગો પણ સામેલ હતા. વિવિધ ડાન્સ અને ફિલ્મી ગીતોની પ્રસ્તુતિઓએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન, મંચ પરની પ્રસ્તુતિઓને અનુરૂપ LED સ્ક્રીન પર વિઝ્યુઅલ્સ દર્શાવવામાં આવ્યા હતા. આનાથી દર્શકોને એક સિનેમેટિક અનુભવ મળ્યો હતો. એસોસિએશન સાથે સંકળાયેલા પૂર્વ વિદ્યાર્થીઓ, જાણીતા ઉદ્ઘોષક રોહન શાહ અને કોરિયોગ્રાફર અમી પરીખે જણાવ્યું હતું કે, તમામ સહભાગીઓએ પોતાના વ્યવસાય અને દૈનિક કાર્યોની સાથે છેલ્લા બે મહિનાથી સઘન પ્રેક્ટિસ કરી હતી. આ સઘન પ્રેક્ટિસના પરિણામે એક વ્યાવસાયિક કાર્યક્રમ જેવું આયોજન શક્ય બન્યું હતું.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 8:18 pm

કાંકરિયા શાળામાં મહાશિવરાત્રીની ઉજવણી:વિદ્યાર્થીઓ, શિક્ષકોએ શિવલિંગ પૂજા કરી, મંત્રજાપ કર્યા

કાંકરિયા સ્થિત દીવાન-બલ્લુભાઈ પૂર્વ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) ખાતે મહાશિવરાત્રી પર્વની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સેવિકાબહેનોએ ભક્તિભાવપૂર્વક ભાગ લીધો હતો. ઉજવણીના ભાગરૂપે, દરેક વર્ગમાંથી પ્રતિનિધિ વિદ્યાર્થીઓ, શિક્ષકમિત્રો તથા સેવિકાબહેનો દ્વારા શિવલિંગની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ભગવાન શિવની આરતી કરવામાં આવી હતી અને ૧૦૮ વખત “ૐ નમઃ શિવાય” મંત્રનો જાપ કરાયો હતો. શિક્ષિકા રૂચિતાબહેન શાહે બાળકોને મહાશિવરાત્રીના પર્વનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ સરળ ભાષામાં સમજાવ્યું હતું. શિશુવર્ગ અને બાળવર્ગના વિદ્યાર્થીઓએ સુંદર શિવભક્તિ નૃત્ય રજૂ કરીને વાતાવરણને શિવમય બનાવ્યું હતું. આ સમગ્ર આયોજન ઇન્ચાર્જ શિક્ષિકા ભૂમિકાબહેન મહેતા અને રૂચિતાબહેન શાહના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયું હતું. સંગીત શિક્ષક હર્ષદભાઈ પટેલે કાર્યક્રમનું અસરકારક રીતે સંચાલન કર્યું હતું.અંતમાં, કાર્યકારી કો-ઓર્ડીનેટર પીનલબહેન રાવળે આ સુંદર આયોજન બદલ ઇન્ચાર્જ શિક્ષકો તથા તમામ સહભાગીઓને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 8:16 pm

આરોપી સંદીપ યાદવની જામીન અરજી નામંજૂર:વાપી કોર્ટે સરીગામ હત્યા કેસમાં આરોપીની જામીન અરજી ફગાવી

વલસાડ જિલ્લાની વાપી અદાલતે સરીગામ હત્યા કેસમાં પુરાવા નાશ કરવાના આરોપી સંદીપ ઉર્ફે રાકા શ્રીરામ યાદવની નિયમિત જામીન અરજી નામંજૂર કરી છે. એડિશનલ સેશન્સ જજ એચ. એન. વકીલે ગુનાની ગંભીરતા અને અન્ય સંજોગોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય આપ્યો હતો. આરોપી સંદીપ ઉર્ફે રાકા શ્રીરામ યાદવ (રહે. દેવરીયા, ઉત્તર પ્રદેશ) સામે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 302 (હત્યા), 201 (પુરાવાનો નાશ) અને 114 હેઠળ ભીલાડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આ કેસ વર્ષ 2015નો છે, જ્યારે સરોજ રામદરશ ચૌધરી સરીગામ ખાતેથી ગુમ થયા હતા. ગુમ થયાના થોડા સમય બાદ સરીગામ GEB ઓફિસ નજીક ઝાડીઓમાંથી તેમનો માનવ કંકાલ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, પૈસાની અદાવતમાં આરોપીઓએ તેમની હત્યા કરી હતી અને ગુનાને છુપાવવા માટે મૃતદેહ ફેંકી દીધો હતો. જામીન અરજીની સુનાવણી દરમિયાન સરકારી વકીલ અનિલ ત્રિપાઠીએ દલીલ કરી હતી કે આરોપી લાંબા સમય સુધી ફરાર હતો અને ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાથી ફરીથી ભાગી જવાની શક્યતા છે. તેમણે એમ પણ જણાવ્યું કે આરોપીને જામીન મળે તો તે કેસના સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે અથવા ધમકાવી શકે છે. અદાલતે નોંધ્યું કે આ ગુનો અત્યંત ગંભીર પ્રકૃતિનો છે. અગાઉ પણ સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આરોપીની જામીન અરજીઓ નામંજૂર કરવામાં આવી હતી. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને અદાલતે સંદીપ યાદવની નિયમિત જામીન અરજી ફગાવી દીધી.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 8:15 pm

રાહે સ્કૂલમાં મહાશિવરાત્રિની પૂજા:વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ કરી ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી

અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી રાહે પબ્લિક સ્કૂલમાં મહાશિવરાત્રિ પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણે શિવપૂજાનું આયોજન કર્યું હતું. સૌએ સાથે મળીને ભગવાન શિવની પૂજા-અર્ચના કરી હતી. આ ધાર્મિક કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ અને તહેવારોના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 8:15 pm

બોમ્બે મેટલ શાળામાં દ્વિવિધ કાર્યક્રમ યોજાયો:બાળકોને મોહનથાળ પીરસાયો, અંધશ્રદ્ધા નિવારણના પ્રયોગોથી જાગૃત કરાયા

ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં 13ફેબ્રુઆરીના રોજ દ્વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના બાળકોને મધ્યાહન ભોજનમાં મોહનથાળ પીરસવામાં આવ્યો હતો અને અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમ પણ યોજાયો હતો. શાળાના સેવિકા ભીલ રમીલાબેનના સુપુત્રના લગ્નની ખુશીમાં શાળાના તમામ બાળકોને મધ્યાહન ભોજનની સાથે સ્વાદિષ્ટ અને ચોખ્ખા ઘીનો મોહનથાળ પીરસવામાં આવ્યો હતો. આ ઉપરાંત, સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા અને તેમને વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને અંધશ્રદ્ધાનો શિકાર બનતા અટકાવવાનો હતો. આ કાર્યક્રમ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગાંધીનગર પ્રેરિત અખિલ આંજણા કેળવણી મંડળ – પાટણ સંચાલિત પુનભા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, પાટણ દ્વારા યોજાયો હતો. શ્રી દર્શનભાઈ ચૌધરીએ આ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિવિધ પ્રયોગો દ્વારા અંધશ્રદ્ધા પાછળના વિજ્ઞાનને સમજાવવામાં આવ્યું હતું. જેમાં કોરા કાગળ પર અક્ષરો છાપવા, પાણીને રંગીન કરવું અને તેનો રંગ દૂર કરવો, લાલ દોરાને કાળો કરવો, લીંબુમાંથી લોહી કાઢવું, સૂકા ઘાસમાં આગ લગાડવી, રૂમાલમાં આગ લગાડવી અને નાળિયેરમાંથી ચુંદડી કે લોહી કાઢવા જેવા પ્રયોગોનો સમાવેશ થાય છે. આ પ્રયોગો દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ આસપાસના લોકોને અંધશ્રદ્ધા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા અને તેમને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 8:14 pm

ગારીયાધારમાં યુવાન પર ત્રણ શખ્સોનો હુમલો:તું તારા મિત્ર સંજયની તરફદારી કેમ કરે છે તેમ કહી હથિયારો વડે તૂટી પડ્યા, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

ભાવનગર જિલ્લાના ગારીયાધાર શહેરમાં રહેતા એક યુવાનને તેના મિત્રની તરફદારી કરવાનું મોંઘું પડ્યું છે મિત્રની તરફદારીથી નારાજ ત્રણ શખ્સોએ યુવાન પર પાઇપ, લાકડી વડે હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઈજાગ્રસ્ત યુવાને ત્રણેય હુમલાખોરો વિરુદ્ધ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, આ બનાવ અંગે ગારીયાધાર પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ગારીયાધાર શહેરમાં જીવાણી શેરીમાં રહેતો અને હેર સલૂન માં કામ કરતો મિલન ચંદુલાલ વાજા ઉ.વ.40 ગઈકાલે બપોરના સમયે પચ્છેગામ રોડ પર આવેલ સેનરાજ હેર આર્ટ સલૂન બહાર ઉભો હોય એ દરમિયાન ગારીયાધાર શહેરમાં રહેતા મનીષ શાંતિલાલ ચૌહાણ, તેનો ભાઈ રાજદીપ શાંતિલાલ ચૌહાણ, અને અમરેલીનો પૃથ્વી વાઘેલા તેની પાસે લાકડી અને પાઇપ સાથે આવ્યા હતા અને મનીષે મિલનને કહેલ કે તું સંજય બગથરીયાની તરફદારી બોવ કરે છે તેમ કહી ગાળો આપતા મિલને ગાળો દેવાની ના પાડતા ઉશ્કેરાયેલ ત્રણેય શખ્સોએ મિલન પર પાઇપ લાકડી વડે હુમલો કરી લોહિયાળી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા, જ્યારે ઇજાગ્રસ્ત મિલનને સારવાર અર્થે ગારીયાધાર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, સારવાર બાદ તેણે ત્રણેય હુમલાખોરો વિરુદ્ધ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 8:14 pm

પત્નીએ પતિના ત્રાસથી કંટાળીને એસિડ પીને આપઘાત કરી લીધો:લગ્નના બે મહિના થયા'તા, નાની-નાની બાબતોમાં ઝઘડો કરીને ત્રાસ આપતો

અમદાવાદ શહેરના સરખેજમાં પતિના ત્રાસથી કંટાળીને પત્નીએ એસિડ પીને આપઘાત કર્યો છે. લગ્નના બે મહિના બાદ જ પતિ પત્નીને નાની-નાની બાબતોમાં ત્રાસ આપવા લાગ્યો હતો. ઘરખર્ચ અને દવાના રૂપિયા પણ આપતો ન હતો. પત્નીને ઘરમાંથી કાઢી મૂકવા ધમકી આપતો હતો. આ અંગે મૃતકની માતાએ જમાઈ સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. નાની-નાની બાબતોમાં ઝઘડો કરીને ત્રાસ આપતોવસ્ત્રાલમાં રહેતા પુનમબેન શાક્ય શાકભાજીનો ધંધો કરે છે. પૂનમબેનની 23 વર્ષીય પુત્રી સાક્ષીએ ત્રણ વર્ષ પહેલા સરખેજના કીશન ભરવાડ સાથે કોર્ટ મેરેજ કર્યા હતાં. લગ્નના બે મહિના સુધી પતિએ પત્નીને બરોબર રાખી હતી. બાદમાં તે નાની-નાની બાબતોમાં પત્ની સાથે ઝઘડો કરીને ત્રાસ આપવા લાગ્યો હતો. સાળીના લગ્નમાં પણ તે પત્નીને મૂકીને જતો રહ્યો હતો. ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપતોપતિએ પત્નીને તારા સાથે લગ્ન કરીને મારી સમાજમાં બદનામી થઇ છે હું તને ઘરે રાખવા માંગુ છુ તો હું અને મારા માતા-પિતા કહે તેમ કરવું પડશે નહિ, તો ઘરમાંથી કાઢી મૂકીશ તેવી ધમકી આપતો હતો. આટલું જ નહીં ઘરખર્ચના અને પુત્રોની દવાના રૂપિયા પણ પત્નીને આપતો ન હતો. પત્નીએ પતિના ત્રાસથી કંટાળીને એસિડ પીને આપઘાત કરી લીધોજેથી પરિણીતા પિયર જતી ત્યારે સમગ્ર હકીકત તેના માતા-પિતાને જણાવતી હતી. ત્યારે બે દિવસ પહેલા પુનમબેન ભત્રીજીની અસ્થિ વિર્સજન કરીને પુત્રી સાક્ષીને તેના ઘર પાસે ઉતારીને જતા રહ્યા હતા. ત્યારે બીજા દિવસે જ પત્નીએ પતિના ત્રાસથી કંટાળીને એસિડ પીને આપઘાત કરી લીધો હતો. આ અંગે મૃતકની માતાએ જમાઇ કીશન સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોધાવી છે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 8:13 pm

ધોરણ 10નો શુભેચ્છા સમારંભ યોજાયો:ઉત્તર બુનિયાદી વિદ્યાલય સેવાળામાં વિદ્યાર્થીઓને શુભેચ્છા અપાઈ

ઉત્તર બુનિયાદી વિદ્યાલય સેવાળા ખાતે તારીખ 13 ફેબ્રુઆરી, 2026 ના રોજ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વૈદિક વિચાર પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી ત્રિભુવનભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ગાંધી આશ્રમ ઝીલીયાના નિયામક ભલાભાઈ સાહેબ સહિત અન્ય આમંત્રિત મહેમાનો પણ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા માટે હાજર રહ્યા હતા. મહેમાનોએ ધોરણ 10 ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા અને શાળાનું પરિણામ ઉંચુ લાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. વિશેષરૂપે, ચેલાભાઈ દેસાઈ પરિવાર દ્વારા ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ભોજનદાતા તરીકે ભલાભાઈ સાહેબે સેવા આપી હતી. શાળાના આચાર્ય અલ્પેશભાઈ પટેલે પણ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષક અલ્કેશભાઈ દેસાઈ અને શાળા પરિવારે કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 8:11 pm

વીર નર્મદ યુનિવર્સિટીમાં ONOS અને INFLIBNET સેમિનાર:કુલપતિ ડૉ. ચાવડાએ ONOS યોજનાનું મહત્વ સમજાવ્યું

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે ONE NATION ONE SUBSCRIPTION (ONOS) તથા INFLIBNET SERVICE વિષય પર એક ઓફલાઈન સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારનું આયોજન મધ્યસ્થ ગ્રંથાલયના ઇ.ચા. ગ્રંથપાલ ડૉ. પારુલબેન આર. પટેલ અને જ્ઞાન સંસાધન કેન્દ્રના નિયામક ડૉ. પરેશ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં વક્તા તરીકે INFLIBNET Centre, ગાંધીનગરના વૈજ્ઞાનિક (લાઇબ્રેરી સાયન્સ) શ્રી પલ્લબ પ્રધાન અને STO-I (લાઇબ્રેરી સાયન્સ) ડૉ. રોમા અસનાની હાજર રહ્યા હતા. કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાએ કેન્દ્ર સરકારની One Nation One Subscription (ONOS) યોજનાની ઉપયોગીતા અને મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ, ડૉ. રોમા અસનાનીએ ONOS યોજનાના લાભો, કાર્યપદ્ધતિ અને તેના ઉપયોગ વિશે વિગતવાર માહિતી આપી હતી. પલ્લબ પ્રધાને INFLIBNET Centre દ્વારા ઉપલબ્ધ વિવિધ સેવાઓ અંગે વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના વિવિધ વિભાગોના વડાઓ, અધ્યાપકો, સંલગ્ન કોલેજોના આચાર્યો, ગ્રંથપાલો, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતે, આભારવિધિ સાથે સેમિનારનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 8:09 pm

જૂનાગઢ મીની કુંભમાં મંગલમય દીક્ષા મહોત્સવ ​:જગતગુરુ મહેન્દ્રાનંદગીરી મહારાજની નિશ્રામાં 108 શ્રદ્ધાળુઓએ સંસાર ત્યાગી સન્યાસની વાટ પકડી, પિંડદાન કરી સનાતન ધર્મ અને રાષ્ટ્રહિત કાજે જીવન સમર્પિત કર્યું.

​ગિરનારની પવિત્ર તળેટીમાં આયોજિત શિવરાત્રી મીની કુંભ મેળાનો ત્રીજો દિવસ એક ઐતિહાસિક અને આધ્યાત્મિક ઘટનાનો સાક્ષી બન્યો છે. જૂનાગઢના મુચકુંદ મહાદેવ મંદિર ખાતે આયોજિત ભવ્ય દીક્ષા મહોત્સવમાં દેશભરમાંથી આવેલા 108 થી વધુ સંસારી પુરુષો અને મહિલાઓએ માયાવી સંસારનો ત્યાગ કરી ભગવા વસ્ત્રો ધારણ કર્યા છે. ગગાચાર્ય પીઠાધીશ્વર જગતગુરુ મહેન્દ્રાનંદગીરી મહારાજની નિશ્રામાં અને શ્રી પંચદશનામ જૂના અખાડાની પ્રાચીન પરંપરા મુજબ આ તમામ મુમુક્ષુઓએ સન્યાસ દીક્ષા ગ્રહણ કરી સનાતન ધર્મના પંથે ચાલવાનો દ્રઢ સંકલ્પ કર્યો છે. ​સંસારથી સન્યાસ સુધીની કઠિન પ્રક્રિયા ​સનાતન ધર્મમાં સન્યાસ ધારણ કરવો એ કોઈ સામાન્ય ઘટના નથી, પરંતુ એક નવો જન્મ ગણાય છે. આ દીક્ષા મહોત્સવમાં જે 108 લોકોએ સન્યાસ લીધો છે, તેઓ છેલ્લા આઠ દિવસથી ભવનાથની તળેટીમાં કઠિન સાધના અને પ્રભુ ભક્તિમાં લીન હતા. સન્યાસ આપતા પૂર્વે અખાડાની પરંપરા મુજબ અનેક વિધિઓ કરવામાં આવી હતી. દીક્ષા લેનાર વ્યક્તિએ સૌ પ્રથમ પોતાનું પિંડદાન કરવું પડે છે, જેનો અર્થ એ છે કે હવે તે વ્યક્તિ પોતાના પરિવાર અને ભૂતકાળ માટે મૃત સમાન છે અને તેનો પુનર્જન્મ એક સાધુ તરીકે થયો છે. ત્યારબાદ વિધિવત મુંડન કરવામાં આવ્યું હતું અને પવિત્ર ગંગાજળ કે કુંડના જળથી સ્નાન કરાવીને તેમને સનાતન ધર્મના પ્રતીક સમાન ભગવા વસ્ત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. ભસ્મ ધારણ અને અલખનો આરાધ ​સન્યાસ ધારણ કરનાર દરેક સાધકના શરીર પર ગુરુ મહેન્દ્રાનંદગીરી મહારાજ દ્વારા પવિત્ર ભસ્મ ચોળવામાં આવી હતી. આ ભસ્મ એ વાતનું પ્રતીક છે કે મનુષ્યનું શરીર નાશવંત છે અને અંતે તે રાખમાં મળી જવાનું છે. ભસ્મ ધારણ કર્યા બાદ આ તમામ નવદીક્ષિત સન્યાસીઓએ જગતગુરુને પોતાના ગુરુ તરીકે સ્વીકારીને અલખના આરાધ માર્ગે ચાલવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ પવિત્ર અવસરે મુચકુંદ મહાદેવ મંદિરનું પરિણામ 'હર હર મહાદેવ' અને 'જય સનાતન'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જગતગુરુ મહેન્દ્રાનંદગીરી મહારાજ અત્યાર સુધીમાં 1300 થી વધુ લોકોને દીક્ષા આપી સનાતન માર્ગે વાળી ચૂક્યા છે. ​રાષ્ટ્રહિત અને સનાતન ધર્મની રક્ષાનો સંકલ્પ ​દીક્ષા મહોત્સવ દરમિયાન જગતગુરુએ નવદીક્ષિત સન્યાસીઓને સંબોધતા જણાવ્યું હતું કે સાધુનો મુખ્ય ધર્મ માત્ર માળા ફેરવવાનો નથી, પરંતુ સનાતન ધર્મની રક્ષા અને રાષ્ટ્રહિત માટે કાર્ય કરવાનો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જ્યારે પણ દેશને જરૂર પડે ત્યારે આ સન્યાસીઓએ રાષ્ટ્રધર્મને સર્વોપરી માનીને મેદાનમાં આવવા તત્પર રહેવું પડશે. સાધુ જીવનમાં તન, મન અને ધનથી સમાજની સેવા એ જ સાચી હરિભક્તિ છે. આજના ભૌતિકવાદી યુગમાં જ્યારે લોકો સંસાર પાછળ દોડી રહ્યા છે, ત્યારે ૧૦૮ લોકોએ એકસાથે સંસાર ત્યાગ કર્યો તે સનાતન ધર્મની જીવંતતાના દર્શન કરાવે છે. રાજકીય અને સામાજિક આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ ​આ આધ્યાત્મિક પ્રસંગે અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના નાણામંત્રી કમલેશ પટેલ, જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા, મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવી ઠાકર અને શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયાએ આ દીક્ષા મહોત્સવમાં હાજરી આપી નવદીક્ષિત સન્યાસીઓના આશીર્વાદ લીધા હતા.મહાનુભાવોએ પણ જણાવ્યું હતું કે ગિરનારની આ પવિત્ર ભૂમિ પર દીક્ષા લેવી એ પરમ સૌભાગ્યની વાત છે અને આ નવદીક્ષિત સન્યાસીઓ સમાજમાં ધર્મનો પ્રસાર કરશે તેવી આશા વ્યક્ત કરી હતી. ​શિવરાત્રીના મીની કુંભમાં એક તરફ લાખો ભાવિકો મેળાનો આનંદ માણી રહ્યા છે, ત્યારે બીજી તરફ ભવનાથની ગુપ્ત ગુફાઓ અને અખાડાઓમાં આ પ્રકારે આધ્યાત્મિક ક્રાંતિ સર્જાઈ રહી છે. આ 108 નવા સન્યાસીઓ હવે દેશભરમાં ભ્રમણ કરી સનાતન સંસ્કૃતિના મૂલ્યોનું જતન કરશે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 8:05 pm

માતરના રધવાણજમાં ₹1.60 કરોડની પ્રાથમિક શાળાનું લોકાર્પણ:સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે ઉદ્ઘાટન, ગ્રામ્યમાં શિક્ષણને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરી

ખેડા જિલ્લાના માતર તાલુકાના રધવાણજ ગામ ખાતે ₹ 1.60 કરોડના ખર્ચે નિર્મિત નવીન પ્રાથમિક શાળાના મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ઉદ્ઘાટન ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે થયું હતું.આ પ્રસંગે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, શિક્ષણ એ સમાજના વિકાસનો મજબૂત પાયો છે. આ નવી શાળા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ શાળા દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ગુણવત્તાસભર શિક્ષણને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. સાંસદ દેવુસિંહ ચૌહાણે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણની સાથે સંસ્કાર અને મૂલ્યોમાં પણ આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ અમિત મકવાણા, અમુલ ડેરીના ડિરેક્ટર ભગવતસિંહ પરમાર, સંગઠન પ્રમુખ મનોજસિંહ રાઠોડ, સરપંચ દીપકભાઈ, શિક્ષણગણ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 8:03 pm

કરદેજ અને રેવા શાળામાં 'વડીલ વંદના' કાર્યક્રમ:વિદ્યાર્થીઓએ વડીલોના ચરણ પ્રક્ષાલન સાથે આશીર્વાદ લીધા

ભાવનગર જિલ્લાની કરદેજ કુમાર શાળા અને રેવા સરકારી માધ્યમિક શાળા ખાતે 14 ફેબ્રુઆરી, 2026ના રોજ 'વડીલ વંદના' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને ઉજાગર કરવાનો અને વિદ્યાર્થીઓમાં વડીલો પ્રત્યે આદરભાવ વિકસાવવાનો હતો. કરદેજ કુમાર શાળામાં વિદ્યાર્થીઓ પોતાના દાદા-દાદી સાથે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વડીલોના ચરણ ધોઈ, કુમકુમ-અક્ષતથી તિલક કરી અને આરતી ઉતારી ભાવપૂર્વક વંદન કર્યું હતું. રેવા સરકારી માધ્યમિક શાળામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભ સાથે માતૃપિતૃ વંદના કાર્યક્રમ યોજાયો હતો. દીપપ્રજ્વલન અને પ્રાર્થનાથી કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. વિદ્યાર્થીઓએ શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને માતા-પિતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ મેળવ્યા હતા. શાળાના આચાર્ય ધ્રુવકુમાર દાણીધારિયાએ વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે મહેનત અને સંસ્કારના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપી હતી. કાર્યક્રમનું સંચાલન જયપાલસિંહ ચુડાસમાએ કર્યું હતું, જ્યારે આભાર વિધિ નિલેશભાઈ પટેલે કરી હતી. કાર્યક્રમના અંતે, વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 7:57 pm

માંડવી હોમગાર્ડ સભ્ય નીતિન ગામીતનું અવસાન:હોમગાર્ડ યુનિટ દ્વારા પરિવારને ₹13,800 ની આર્થિક સહાય

માંડવી હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા સભ્ય નીતિન ગામીત નું ૨૮ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ અવસાન થયું હતું. તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી, માંડવી હોમગાર્ડના અધિકારીઓ અને સભ્યો દ્વારા તેમને આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે. હોમગાર્ડ યુનિટના અધિકારીઓ અને સભ્યોએ સ્વૈચ્છિક રીતે ફાળો એકત્ર કર્યો હતો. આ પ્રયાસથી કુલ ₹13,800ની રકમ ભેગી થઈ હતી. આજે આ એકત્રિત રકમ નીતિન ગામીતના પરિવારને સુપરત કરવામાં આવી હતી. આ સહાયથી પરિવારને કપરા સમયમાં થોડી રાહત મળશે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 7:56 pm

સણાલી સ્કૂલને લાયન્સ ક્લબ-નડિયાદના સહયોગથી વોટર કૂલર મળ્યું:દાતા કનક સોનીએ વિદ્યાર્થીઓ માટે શુદ્ધ પાણીની વ્યવસ્થા કરી

મહુધાના સણાલી ખાતે આવેલી ધી ન્યૂ ઈંગ્લિશ સ્કૂલને લાયન્સ ક્લબ-નડિયાદના સહયોગથી દાતા કનક સોની દ્વારા વોટર પ્યુરીફાયર અને ચિલ્ડ વોટર કૂલર મશીનનું દાન કરવામાં આવ્યું છે. શાળાના વિદ્યાર્થીઓને શુદ્ધ અને ઠંડું પીવાનું પાણી મળી રહે તે હેતુથી આ મશીનનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ અનાવરણ પ્રસંગે દાતાઓ, લાયન્સ ક્લબના પ્રમુખ અને ગવર્નર, શાળાનું ટ્રસ્ટી મંડળ, આચાર્ય, સરપંચ, નડિયાદ તાલુકા પૂર્વ ભાજપ સંગઠન પ્રમુખ, શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના હાઈસ્કૂલના બાળકોને પીવાનું શુદ્ધ અને ઠંડું પાણી મળી રહે તે માટે સંસ્થાના સહયોગથી આ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. સણાલી ગામના વતની અને હાલ નડિયાદ નિવાસી મહેશ શર્માના પ્રયત્નો થકી આ સંસ્થાએ શાળાની પસંદગી કરી હતી, જેના માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 7:52 pm

મૂકબધિર યુવતી પર યુવકે દુષ્કર્મ આચર્યું:અંગત પળોના ફોટા ચોરી છુપીથી પાડીને વાયરલની ધમકી આપી, સુરતમા સાઇન લેંગ્વેજ એક્સપર્ટની મદદથી કડી મળી ને નવસારીથી નરાધામ પકડાયો

સુરતના ઇચ્છાપોર પોલીસ સ્ટેશનની હદમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી હતી. જેમાં એક મૂકબધિર યુવતીની લાચારીનો ફાયદો ઉઠાવી શખ્સે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી અભિષેકકુમાર મોતીલાલ શાહની પોલીસને સાઇન લેંગ્વેજ એક્સપર્ટની મદદથી મોટી કડી મળી ને ટેકનિકલ સર્વેલન્સ સહિતની મદદથી નવસારીના વેસ્મા ખાતેથી દબોચી લીધો છે. પોલીસે અત્યંત સંવેદનશીલતા દાખવી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ફોટા વાઇરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યુંકલ્પના કરો કે તમારી સાથે કંઈક અત્યંત ભયાનક ઘટી રહ્યું છે, તમે મદદ માટે બૂમ પાડવા માંગો છો પણ અવાજ નીકળતો નથી. તમે રડવા માંગો છો પણ તમારી વેદના કોઈ સમજી શકતું નથી. સુરતના ઇચ્છાપોરના ભટલાઇ ગામની એક મૂકબધિર યુવતી સાથે બરાબર આવું જ થયું. પણ આ મૌન વચ્ચે જ્યારે 'મૂકબધિર વિકાસ ટ્રસ્ટ' અને પોલીસની સંવેદનશીલતા ભળી, ત્યારે એક એવો ન્યાય તોળાયો જેની ચર્ચા આખા સુરતમાં છે. પ્રાપ્ત વિગતો અનુસાર, 21 વર્ષીય આરોપી અભિષેક શાહ છેલ્લા એક વર્ષથી ભોગ બનનાર યુવતીના પરિચયમાં હતો. ભોગ બનનાર યુવતી બોલી કે સાંભળી શકતી ન હોવાથી આરોપીએ તેની આ શારીરિક મર્યાદાનો ખોટો ફાયદો ઉઠાવ્યો હતો. આરોપીએ યુવતીના અંગત ફોટા પાડી લીધા હતા અને ત્યારબાદ તેને સોશિયલ મીડિયા પર વાઇરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. આ ધમકીના આધારે આરોપીએ યુવતી પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો અને ગુનો આચરી ફરાર થઈ ગયો હતો. સાઇન લેંગ્વેજ એક્સપર્ટની મદદથી પોલીસને મોટી કડી મળીઆ કેસમાં સૌથી મોટો પડકાર ભોગ બનનાર યુવતીની આપવીતી સમજવાનો હતો. યુવતી બોલી શકતી ન હોવાથી પોલીસ માટે ઘટનાની કડીઓ મેળવવી મુશ્કેલ હતી. આ સમયે પોલીસની મદદે મૂકબધિર વિકાસ ટ્રસ્ટ આવ્યું હતું. ટ્રસ્ટના મદદનીશ શિક્ષકની વિશેષ સહાય લેવામાં આવી હતી. જેમણે સાઇન લેંગ્વેજ દ્વારા યુવતી સાથે વાતચીત કરી હતી. આ અનુવાદના આધારે યુવતીએ પોતાની સાથે થયેલા અન્યાયની વિગતવાર વિગતો આપી હતી, જેના પગલે ઇચ્છાપોર પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આરોપીએ અંગત પળોના ફોટા ચોરીછુપીથી પાડી લીધાઆ ઘટનાની શરૂઆત એક વર્ષ પહેલા થઈ હતી. બિહારના સારણ જિલ્લાનો વતની અને શ્રમિક એવો અભિષેકકુમાર મોતીલાલ શાહ યુવતીના સંપર્કમાં આવ્યો હતો. યુવતી બોલી કે સાંભળી શકતી નહોતી, તેથી અભિષેકે તેની નિર્દોષતાનો ગેરફાયદો ઉઠાવી વિશ્વાસ જીત્યો. પરંતુ, આ મિત્રતા પાછળ એક રાક્ષસી ઈરાદો છુપાયેલો હતો. અભિષેકે યુવતીના અંગત પળોના ફોટા ચોરીછુપીથી પાડી લીધા હતા. યુવકે વારંવાર તેની પર બળાત્કાર ગુજાર્યોઆ ફોટાનો આરોપીએ યુવતીનું શોષણ કરવા માટે હથિયાર બનાવીને અડપલા કર્યાં. 'જો તું મારી વાત નહીં માને, તો આ ફોટા આખા ગામમાં અને સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દઈશ'-આ ધમકી તેણે ઈશારાઓ અને મેસેજ દ્વારા આપી યુવતીનું માનસિક શોષણ શરૂ કર્યું અને વારંવાર તેની પર બળાત્કાર ગુજાર્યો. આંખના ઇશારાઓએ એવી કહાની કહી જે સાંભળીને પોલીસ હચમચી ગઈજ્યારે આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો, ત્યારે સૌથી મોટો સવાલ એ હતો કે પીડિતા પોતાની વાત કહેશે કેવી રીતે? અહીં એન્ટ્રી થઈ મૂકબધિર વિકાસ ટ્રસ્ટના નિષ્ણાતોની. પોલીસે તાત્કાલિક ટ્રસ્ટના મદદનીશ શિક્ષકની મદદ લીધી હતી. રૂમમાં જ્યારે શાંતિ હતી, ત્યારે શિક્ષકના હાથના હલનચલન અને યુવતીના આંખના ઇશારાઓએ એક એવી કહાની કહી જે સાંભળીને પોલીસ પણ હચમચી ગઈ. તે માત્ર ઈશારાઓ નહોતા, પણ એક નરાધમની કરતૂતોનો જીવતો જાગતો પુરાવો હતો. શિક્ષકે યુવતીના દરેક સંકેતને શબ્દોમાં ઢાળ્યા અને પોલીસને સમજાવ્યું કે કેવી રીતે તેને 'ફોટા વાઇરલ' કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરવામાં આવતી હતી. નવસારીમાં છુપાયેલા આરોપીનું લોકેશન ટ્રેસ ને દબોચી લીધોટ્રસ્ટની મદદથી એકવાર હકીકત સામે આવી એટલે ઇચ્છાપોર પોલીસે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. આરોપી અભિષેક ગુનો કરીને નવસારીના વેસ્મા ખાતે નાસી છૂટ્યો હતો અને ત્યાં છુપાઈને રહેતો હતો. તેને એમ હતું કે મૂકબધિર યુવતી ક્યારેય કોઈને કંઈ કહી શકશે નહીં. પરંતુ પોલીસના ટેકનિકલ સર્વેલન્સ અને પીડિતાએ આપેલા વર્ણનના આધારે પોલીસે લોકેશન ટ્રેસ કર્યું. ઇચ્છાપોર પોલીસની ટીમે નવસારીમાં તવાઈ બોલાવી અને આરોપીને દબોચી લીધો. એક શ્રમિક યુવક જેણે માની લીધું હતું કે તે કાયદાના હાથમાંથી બચી જશે, તેને ટ્રસ્ટના એક શિક્ષકના 'સાઇન લેંગ્વેજ' ના જાદુએ જેલના સળિયા પાછળ ધકેલી દીધો. ‘યુવતી સાંભળી અને બોલી શકતી નથી’એસીપી શ્વેતા ડેનિયલે જણાવ્યું હતું કે, ઈચ્છાપોર પોલીસ સ્ટેશન દ્વારા એક યુવતી, જે ઈચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે તેની ફરિયાદ મળતા FIR નોંધીને જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે. આ યુવતી સાંભળી અને બોલી શકતી નથી. તેણે પોતાની સાથે દુષ્કર્મ થયું હોવાની ફરિયાદ ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં કરી હતી. આ પણ વાંચો યુવતી પર હોટલમાં દુષ્કર્મ આચર્યું, વીડિયો બનાવી ઇન્સ્ટાગ્રામમાં વાઇરલ કર્યોસુરત શહેરમાં રહેતી એક યુવતીને સોશિયલ મીડિયાના માધ્યમથી અજાણ્યા યુવક સાથે મિત્રતા કરવી ભારે પડી છે. યુવતીને લગ્નની લાલચ આપી યુવક સુરતની હોટલમાં લઈ ગયો હતો, જ્યાં દુષ્કર્મ આચરી અંગત પળોનો વીડિયો બનાવી લીધો હતો. બાદમાં યુવતી સાથે કોઈ કારણે સંબંધ તોડી નાખીને જે વીડિયો હતો એ ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરી દેતાં યુવતીએ પસ્તાવાનો વારો આવ્યો છે. આ મામલે યુવક સામે ફરિયાદ કરતાં પોલીસે મહેસાણાથી દબોચી લીધો હતો.(વાંચો સંપૂર્ણ સમાચાર) અંગત પળોનો વીડિયો બનાવ્યો, બ્લેકમેલ કરી બે મિત્ર-પિતરાઈને સોંપી:વર્ષ સુધી યુવતીને હવસનો શિકાર બનાવીસુરતમાં પત્ની-સંતાન હોવાની વાત છુપાવી યુવતીને પ્રેમજાળમાં ફસાવી યૌનશોષણ કર્યા બાદ અશ્લીલ વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી બે મિત્ર અને પિતરાઈ સહિત બીજા ત્રણને સોંપી દેનાર મુખ્ય સૂત્રધાર અશોક સીઢાને ભાવનગરના મહુવાથી દબોચી લેવાયો હતો. તેના બીજા સાગરીતને અમરેલીના ભારવડી ગામથી પકડવામાં આવ્યો હતો.(વાંચો સંપૂર્ણ સમાચાર) ફ્રેન્ડનો બર્થ-ડે ઉજવવા કોટાથી સુરત પહોંચીને યુવકે 20 દિવસ સુધી દુષ્કર્મ આચર્યુંસુરતમાં એક યુવતીને નશાકારક ઈન્જેકશન આપી બે શખસોએ વારંવાર દુષ્કર્મ આચર્યાનો ચકચારી બનાવ સામે આવ્યું છે. રાજસ્થાનના કોટાની યુવતીનો સોશિયલ મીડિયાના માધ્યમથી અમન નામના આરોપી સાથે સંપર્ક થયો હતો. અમને પોતાનો બર્થડે હોય સેલિબ્રેશન માટે યુવતીને સુરત બોલાવી હતી. અમનના મિત્ર મહંમદ તોહીદુલ પણ હિન્દુ નામ ધારણ કરી યુવતીના સંપર્કમાં આવ્યો હતો. અમને અને મહંમદે સુરત આવેલી યુવતીને નશાકારક ઈન્જેકશન આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે બંને આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.(વાંચો સંપૂર્ણ સમાચાર)

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 7:32 pm

રાજકોટમાં આપઘાતના બે બનાવ:મનહર પ્લોટમાં ન્યૂઝપેપર એજન્ટનો આર્થિકભીંસથી અને  નિવૃત ASIનો બીમારીથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત

રાજકોટ શહેરના મનહર પ્લોટમાં રહેતા આધેડે છતના હુકમાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જીતેન્દ્રભાઈ માણેકલાલ પતરિયા (ઉ.વ.45) નામના આધેડ આજે વહેલી સવારે પોતાના ઘરે હતા ત્યારે છતના હુકમાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક જીતેન્દ્રભાઈને સંતાનમાં બે દીકરી છે અને પોતે બે ભાઈ બે બહેનમાં નાનો હતો અને પોતે ન્યૂઝ પેપરના ફેરિયા અને એજન્ટ તરીકે કામ કરતો હતો. નિવૃત ASIનો ગળેફાંસો ખાઈ આપઘાત જામનગર રોડ ઉપર મોચીનગર શેરી નં.6માં રહેતા નિવૃત્ત ASI ઈકબાલભાઈ આમદભાઈ સુમરા (ઉ.વ.65)એ આજે વહેલી સવારે પોતાના ઘરે બારીમાં નાઈલોનની દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરિવારજનો સવારે જોતા ઈકબાલભાઈ લટકતી હાલતમાં મળી આવ્યા હતાં અને 108ને જાણ કરતા EMTએ તપાસી મૃત જાહેર કરી બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક ઈકબાલભાઈ અગાઉ પોલીસ હેડક્વાટરમાં ASI તરીકે ફરજ બજાવતા હતાં. હાલમાં તેઓ નિવૃત્ત હોય અને તેમને માનસીક બિમારી હતી જેનાથી કંટાળી આ પગલુ ભરી લીધાનું પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું છે. મૃતકને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. બહેનને ભગાડી જનાર યુવકની કાર ભાઈએ સળગાવી નાખી વિજય પ્લોટ શેરી નં.10માં રહેતા ચીરાગ બોદુભાઇ ધોરી (ઉ.વ.42)એ યુનિવર્સીટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નાણાવટી ચોક પાસે આવેલ આરએમસી કાવર્ટરમાં રહેતા વિમલ ઉર્ફે ભાયો સતીષભાઇ અગ્રાવતનું નામ આપ્યુ છે. તેણે 15 દિવસ પહેલા આરએમસી કવાર્ટરમાં રહેતા તેના ભત્રીજા રાજ ચૌહાણને તેની બ્રેઝા કાર હંકારવા માટે આપી હતી દરમ્યાન આજે વહેલી સવારે રાજનો તેને ફોન આવેલો અને આરોપી વિમલ અગ્રાવતે કાર સળગાવી નાખ્યાનું જણાવ્યુ હતુ જેથી તેઓ તાત્કાલીક દોડી જતા ફાયર બ્રિગેડ દ્વારા આગ બુઝાવી નાખી હતી. તેનો પુત્ર સાહીદ આરોપી વિમલ અગ્રાવતની બહેનને ભાગડી ગયો હતો જે બાબતનો ખાર રાખી ગત તા.9ના રોજ વિમલે તેમને વોટસએપ કોલ કરી જૂના કેસમાં સમાધાન કરી લે નહીતર છરીના ઘા ઝીંકી જાનથી મારી નાખીશ અને તારી કાર સળગાવી નાખશી તેવી ધમકી આપી હતી. દરમ્યાન આજે આરોપીએ RMC કવાર્ટરના પાર્કિંગમાં પડેલી તેમની કાર સળગાવી નાખી હતી આ અંગે યુનિવર્સીટી પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રિક્ષામાં મુસાફર તરીકે બેસાડી ઉલટી ઉબકાના બહાના કરી ખિસ્સા હળવા કરતી ગેંગ ઝડપાઈ રાજકોટના અયોધ્યા ચોક પાસે રીયા એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા મહેશભાઇ ધરતી (ઉ.વ.42) ગઇ તા.11 ના રોજ કેકેવી ચોકમાં આવેલી શોપથી ઘરે જવા માટે રિક્ષામાં બેઠા હતાં જેમાં અગાઉથી એક મહિલા અને પુરૂષ મુસાફર તરીકે બેઠા હતાં. રસ્તામાં પુરૂષ મુસાફરે ઉલ્ટી અને ઉબકાના નાટક કરતા રિક્ષાચાલકે મહેશભાઇને રામાપીર ચોકડી પાસે ભાડુ લીધા વગર ઉતારી દીધા હતાં. બાદમાં તેમને શંકા જતા ખિસ્સામાં જોતા રૂ.16 હજારની રોકડ સેરવી લીધાની જાણ થઇ હતી. જેથી તેમણે આ અંગે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ગાંધીગ્રામ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી બાતમીના આધારે જામનગર રોડ ઘંટેશ્વર 25 વારીયા ક્વાર્ટર પાસેથી રીક્ષા ગેંગને ઝડપી લીધી હતી. ઝડપાયેલ આરોપીઓમાં દિનેશભાઈ હીરાભાઈ કુંવરિયા (ઉ.વ.60) તેનો પુત્ર કિશન દિનેશભાઈ કુંવરિયા (ઉ.વ.35) અને પુત્રવધુ કાંતાબેન કિશનભાઇ કુવરિયા (ઉ.વ.32)નો સમાવેશ થાય છે. પોલીસે આરોપી પાસેથી રોકડ રૂ.15,000 અને રીક્ષા સહિત રૂ. 65,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપી દિનેશ રીક્ષા ચાલક હતો પરંતુ હાલમાં ધંધો બરોબર ચાલતો ન હોવાથી તેણે રીક્ષામાં મુસાફરને બેસાડી તેની પાસેથી રોકડ તફડાવી લેવાનું નક્કી કર્યું હતું અને આ માટે તેણે પુત્ર કિશન અને પુત્રવધુ કાન્તાને પણ સાથે રાખી ત્રણેય મળી મુસાફરને ખંખેરવાનો પ્લાન બનાવ્યો હતો. પેડક રોડ ઉપર આર્યનગરમાં મકાનના સેન્ટ્રીંગ કામ વેળાએ વીજશોકથી દાઝી જનાર પ્રૌઢનું મોત રાજકોટના પેડક રોડ પર આર્યનગર શેરી નં.12 માં રહેતા જગદીશભાઈ જીવણભાઈ ગોરવાડિયા (ઉ.વ.52) નામના પ્રૌઢ ગઈ તા.16જાન્યુઆરીના રોજ પોતાના ઘરે ત્રીજા માળે છતનું સેન્ટ્રીંગ કામ ચાલુ હતુ ત્યારે ત્યાંથી પસાર થતાં વીજતારને અકસ્માતે અડી જતાં વીજશોક લાગતા તેઓ ત્રીજા માળેથી નીચે પટકાયા હતાં જેમાં તેઓને પેટના ભાગે તથા છાતીના ભાગે ગંભીર રીતે દાજી જતાં તેમને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેઓનું ગઈકાલે તેમનું સારવારમાં મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં જગદીશભાઈ એક ભાઈ ત્રણ બહેનમાં વચેટ અને પાનની કેબીન ચલાવતા હતા.તેમને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળેલ છે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 7:32 pm

સાયબર ફોર્ડના ગુન્હામાં વિદ્યાર્થી ઝડપાયો:સાયબર ફ્રોડ અને ઠગાઈના ગુનામાં નાસતો-ફરતો તુલશી ઉર્ફે તુષાર ઝડપાયો

ભાવનગર જિલ્લામાં ગુનાખોરી ડામવા અને નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડને સફળતા મળી હતી, વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઠગાઈ તથા સાયબર ફ્રોડના ગંભીર ગુનામાં છેલ્લા સમયથી પોલીસને થાપ આપી રહેલા વિદ્યાર્થી તુલશી ઉર્ફે તુષારને મહુવા તાલુકાના નીચા કોટડા ગામેથી ઝડપી લઈ કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે એલસીબી કચેરીએથી મળતી માહિતી મુજબ એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડની ટિમ ના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, વડોદરાના સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલ આરોપી તુલશી ઉર્ફે તુષાર બાઘાભાઇ શિયાળ હાલ પોતાના વતન નીચા કોટડા ગામની જાદપર ચોકડી પાસે ઉભો છે, જે ​બાતમી મળતા જ પોલીસે વોચ ગોઠવીને શખ્સને ઝડપી પાડ્યો હતો, પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તે વડોદરા તાલુકા પોલીસ મથકના ગુનામાં વોન્ટેડ હતો, તુલશી ઉર્ફે તુષાર બાઘાભાઇ શિયાળ ઉં.વ.21 ઘંઘો-અભ્યાસ, રહે.નીચા કોટડા, ગ્રામ પંચાયતની બાજુમાં, તા. મહુવા, જી. ભાવનગર વાળાને ઝડપી લીધો હતો, વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ BNSS ની કલમો 317(2), 318(4), 61(2) તેમજ આઇ.ટી. એક્ટની કલમ 66(સી) અને 66(ડી) હેઠળનો ગુન્હો નોંધાયો હતો, ​ભાવનગર પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેને આગળની તપાસ અર્થે દાઠા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 7:29 pm

ચંદ્રુમાણામાં વિહત મેલડી માતાના નૂતન મંદિરની પ્રતિષ્ઠા:ત્રણ દિવસીય મહોત્સવમાં યજ્ઞ, રાસ ગરબા અને રમેણના કાર્યક્રમો યોજાયા

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે રબારી રામસી ભગુ પરિવારના કૂળદેવી શ્રી વિહત મેલડી માતાના નૂતન મંદિરનો ત્રણ દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી યોજાયો હતો. આ મહોત્સવમાં પ્રતિષ્ઠા યજ્ઞ, રમેણ, રાસ ગરબા અને ભક્તિ સંગીતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ચંદ્રુમાણા રબારી નેશમાં રહેતા રામસી ભગુ પરિવારના દીકરાઓ કરસનભાઈ, લાલજીભાઈ, દેવજીભાઈ અને ચેલાભાઈના પરિવારો દ્વારા આ ભવ્ય મંદિરનું નિર્માણ અંદાજે રૂપિયા 30 લાખના ખર્ચે કરવામાં આવ્યું છે. મંદિરમાં શ્રી વિહત માતા, મેલડી માતા, ચામુંડા માતા અને સિકોતર માતા સહિત દેવ પરિવારની સ્થાપના કરવામાં આવી છે. પ્રતિષ્ઠા યજ્ઞ હિતેશભાઈ કાનજીભાઈ દેસાઈના મુખ્ય યજમાન પદે સંપન્ન થયો હતો. આ યજ્ઞમાં 21 ભાઈઓના પરિવારના 11 સહ યજમાનો પણ સહભાગી થયા હતા. ચવેલીના ગુરુ બળદેવદાસ બાપુએ ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા હતા.રમેણ કાર્યક્રમમાં પરિવારના ભુવાજી ગેમરભાઈ, વિજયભાઈ તેમજ ગામના મફાભાઈ, હાર્દિકભાઈ અને જેરામભાઈ સહિત એકસો જેટલા ભુવાજીએ માતાજીને કાલાવાલા કર્યા હતા. આ ઉપરાંત, જાણીતા કલાકારો દ્વારા ભક્તિ સંગીતનો કાર્યક્રમ પણ યોજાયો હતો.આ પ્રસંગે સરપંચ કાજલબેન ચેતનભાઈ વ્યાસે પણ માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. મહોત્સવ દરમિયાન ભોજન પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 7:29 pm

અધેવાડા ગામેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ:ભરતનગર પોલીસે દેશી દારૂ, આથો, સાધનો સહિત કુલ રૂપિયા 82 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

ભાવનગર શહેરના ભરતનગર પોલીસ સ્ટેશનના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન અધેવાડા ગામે આવેલ દેવીપુજક વાસ માં રેડ કરી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી લીધી હતી જ્યારે રેડ દરમિયાન બુટલેગર ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે ભરતનગર પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ભરતનગર પોલીસ સ્ટેશનના જવાનો પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન ચોક્કસ માહિતી આધારે અધેવાડા ગામે દેવીપુજક વાસમાં રહેતા પોપટ ધારશી પરમારના ઘરે રેડ કરતા ઘર પાછળ આવેલ વાડાના નેરામાં ગેરકાયદે ધમધમથી દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હાલતમાં મળી આવી હતી, પોલીસ જવાનોએ સ્થળ પરથી તૈયાર દેશી દારૂ તથા દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો આથો અને દારૂ પાડવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો મળી કુલ રૂપિયા 82,850 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, જ્યારે રેડ દરમિયાન બુટલેગર પોપટ ધારશી પરમાર ફરાર થઈ જતા ભરતનગર પોલીસે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી દેશી દારૂ તથા આથાનો નાશ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 6:57 pm