SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

30    C
... ...View News by News Source

નશા બાદ યુવકનું ઊંઘમાં જ મોત:નશીલા પદાર્થનું સેવન બાદ યુવક ઊંઘમાંથી ઉઠ્યો જ નહીં, સારવાર માટે પિતા લઈ ગયા ત્યારે નાકમાંથી લોહી નીકળ્યું, યુવકનું મોત પરિવાર આઘાતમાં

વડોદરા શહેરના હાથીખાના વિસ્તારમાં આવેલા રહેમતનગર, મનસૂરી કબ્રસ્તાન પાસે રહેતા 25 વર્ષીય યુવક ફૈઝાન મુબીન શેખનું રાત્રે નશીલા પદાર્થનું સેવન કર્યા બાદ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે બધું તપાસ હાથ ધરી છે. પરિવારના જણાવ્યા અનુસાર, ગત રાત્રે ફૈઝાને ઘરે નશો કર્યા બાદ સૂઈ ગયો હતો. સવારે તે પથારીમાંથી ન ઉઠતા તેના પિતાએ અને અન્ય લોકોએ તેને ઉઠાવી તાત્કાલિક તેને સરકારી સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર થાય તે પહેલા જ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ યુવકે નશીલા પદાર્થનું સેવન કર્યું હોવાથી તેના પિતા ગંભીર સ્થિતિમાં સયાજી હોસ્પિટલમાં ખસેડે છે ત્યારે તેને લાવતી વખતે યુવકના નાકમાંથી લોહી નીકળી રહ્યું હતું તેમજ શરીર પર લાલ ચામઠાં (લાલ ડાઘ) જોવા મળ્યા હોવાનું સામે આવ્યું છે. મૃતક ફૈઝાનના લગ્ન માત્ર છ મહિના પહેલાં જ થયા હતા. તેની પત્ની હાલ ગર્ભવતી છે, જેની જાણ થતાં પરિવારમાં ભારે આઘાત સર્જાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ફૈઝાન ગત કેટલાક સમયથી નશીલા પદાર્થોનું સેવન કરતો હતો. તે છૂટક મંડપનું કામ કરતો હતો, જ્યારે તેના પિતા રિક્ષા ચલાવે છે. આ મામલે કુંભારવાડા પોલીસ સ્ટેશને વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 12:58 pm

સાંસદ રામ મોકરિયાએ પોરબંદરથી ફ્લાઇટની માગ કરી:રાજ્યસભામાં મુંબઈ-દિલ્હી માટે ઉડાન યોજના હેઠળ રજૂઆત

રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ સંસદના ઉપલા ગૃહમાં પોરબંદરથી મુંબઈ અને દિલ્હી માટે સીધી દૈનિક ફ્લાઇટ સેવા શરૂ કરવાની માંગ કરી છે. તેમણે 'ઉડાન' યોજના હેઠળ ગાંધીજી અને સુદામાજીની પવિત્ર નગરી પોરબંદરને દેશના મુખ્ય શહેરો સાથે જોડવા કેન્દ્ર સરકારને અપીલ કરી હતી. મોકરિયાએ જણાવ્યું હતું કે, પોરબંદર મહાત્મા ગાંધી અને સુદામાજીની જન્મભૂમિ તરીકે વિશ્વભરમાં ઓળખાય છે. આટલું ઐતિહાસિક મહત્વ હોવા છતાં, શહેર પૂરતી હવાઈ સેવાથી વંચિત છે. પોરબંદરથી દેશના આર્થિક પાટનગર મુંબઈ અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીનું સીધું જોડાણ શહેરના આર્થિક, સામાજિક અને પર્યટન વિકાસ માટે અત્યંત જરૂરી છે. હવાઈ સેવાના અભાવે ગંભીર દર્દીઓને ઈમરજન્સી સારવાર માટે મુંબઈ કે દિલ્હી જવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને નોકરિયાત વર્ગને પણ રોડ કે રેલ માર્ગે લાંબી મુસાફરી કરવી પડે છે, જેમાં સમય અને શક્તિનો મોટો વ્યય થાય છે. સાંસદે વધુમાં ઉમેર્યું હતું કે પોરબંદર સોમનાથ અને દ્વારકાની મધ્યમાં આવેલું છે, બંને તરફથી આશરે 100 કિલોમીટરના અંતરે. જો અહીં હવાઈ સેવા વધે તો લાખો યાત્રાળુઓને પણ સુવિધા મળી શકે છે અને પ્રવાસન ક્ષેત્રને વેગ મળશે. પોરબંદરમાં સુંદર દરિયાકિનારો અને પ્રાચીન મંદિરો જેવી ઐતિહાસિક ધરોહરો છે. યોગ્ય કનેક્ટિવિટીના અભાવે દેશી-વિદેશી પ્રવાસીઓ અહીં આવી શકતા નથી. સીધી ફ્લાઇટ શરૂ થવાથી પ્રવાસન ક્ષેત્રે ક્રાંતિ આવશે અને સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે. સરકારની 'ઉડાન' યોજના નાના શહેરોને જોડવા માટે જ છે, ત્યારે પોરબંદર જેવા મહત્વના શહેરને તેનો લાભ આપવો એ સમયની માંગ છે. આ રજૂઆતને પગલે હવે સરકાર આગામી દિવસોમાં કેવો નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 12:56 pm

ઓવરટેક કરવા જતાં BCAનો વિદ્યાર્થી વોલ્વો નીચે કચડાયો, CCTV:સુરતમાં પરિવારે એકનો એક પુત્ર ગુમાવ્યો; જે. ઝેડ. શાહ કોલેજથી ભણીને ઘરે જતો હતો ને મોપેડ સ્લીપ થયું

સુરત શહેરના વસ્તાદેવડી રોડ પર સોમવારે સાંજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. GSRTCની વોલ્વો બસને ઓવરટેક કરવાના પ્રયાસમાં મોપેડ સ્લીપ થતાં, જે. ઝેડ. શાહ કોલેજના BCAના બીજા વર્ષમાં અભ્યાસ કરતા 20 વર્ષીય વિદ્યાર્થીનું બસના ટાયર નીચે કચડાઈ જવાથી કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે પરિવારમાં એકના એક પુત્રની ખોટ પડતા શોકનું મોજું ફરી વળ્યું છે. કોલેજથી છૂટીને મોપેડ પર ઘરે પરત ફરતા અકસ્માત નડ્યોમળતી માહિતી મુજબ, જહાંગીરાબાદ કેનાલ રોડ પર આવેલી ‘શ્રીકોન વિંગ્સ’માં રહેતા ગીરીશભાઈ બુંદેલા, જેઓ સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે, તેમનો 20 વર્ષીય પુત્ર જશ બુંદેલા છાપરાભાઠા સ્થિત જે.ઝેડ. શાહ કોલેજમાં અભ્યાસ કરતો હતો. 9 ફેબ્રુઆરીની સાંજે આશરે 4.30 વાગ્યે વસ્તાદેવડી રોડ સહન રેસીડેન્સીની સામે જશ કોલેજથી છૂટીને પોતાના મોપેડ પર ઘરે પરત ફરી રહ્યો હતો. કેવી રીતે સર્જાયો અકસ્માત?જ્યારે જશ વસ્તાદેવડી રોડ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેની આગળ એક GSRTCની વોલ્વો બસ જઈ રહી હતી. જશે આ બસને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સામેથી એક બાઇક આવતું હોવાથી બ્રેક મારતા રસ્તા પર તેનું મોપેડ અચાનક સ્લીપ થઈ ગયું હતું. સંતુલન ગુમાવવાને કારણે જશ સીધો ચાલુ બસના પાછળના ટાયર નીચે આવી ગયો હતો. તાત્કાલિક સારવાર છતાં જીવ બચાવી ન શકાયોઅકસ્માત એટલો ભયાનક હતો કે જશને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને રાહદારીઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. લોહીલુહાણ હાલતમાં તેને સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ અકસ્માત અંગે મહીધરપુરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બસચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની તજવીજ શરૂ કરવામાં આવી છે. પરિવારનો માળો વિખેરાયોજશ તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. 20 વર્ષની ઉંમરે આશાસ્પદ વિદ્યાર્થીના મોતથી સમગ્ર જહાંગીરાબાદ વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ સાથે પરિવારમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો. કોલેજના મિત્રો અને સ્ટાફમાં પણ આ ઘટનાને લઈ ભારે શોક જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 12:55 pm

અમદાવાદ એરપોર્ટ પર એક સાથે 8 શખ્સોનો નમાજ પઢતો વીડિયો:સવારે 5:30 કલાકે બોર્ડિંગ પાસ લીધા બાદ ફ્લાઈટમાં જતી વખતે જાહેર જગ્યાએ નમાજ પઢતાં

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જાહેરમાં નમાઝ પઢવામાં આવી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. આ ઘટના વહેલી સવારે અંદાજે સાડા પાંચ વાગ્યાની આસપાસ બની હોવાનું સામે આવ્યું છે, જેમાં હજારો લોકોની અવરજવર હોય તેવી જગ્યાએ નમાજ પઢવામાં આવી હતી. આ સમયે એક મુસાફરે આ સમગ્ર દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા, જે હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે મુસાફરો દ્વારા બોર્ડિંગ પાસ મેળવ્યા બાદ અને ફ્લાઈટમાં બેસવા જતી વખતે નમાજ પઢવામાં આવી હતી. મહત્ત્વનું છે કે, આ પહેલાં પણ અમદાવાદમાં સહિત અને જિલ્લામાં જાહેર બાગ-બગીચા કે એસટી સ્ટેન્ડ પર નમાઝ પઢવાની ઘટનાઓ સામે આવતી હતી, પરંતુ હવે એરપોર્ટ જેવી અત્યંત સુરક્ષિત ગણાતી જગ્યાએ પણ આવો જ કિસ્સો જોવા મળ્યો છે. એક પેસેન્જર આયુષ મહેતાએ વિડિયો બનાવીને જણાવ્યું હતું કે, આજે સવારે એટલે કે, 10 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે અમદાવાદથી મુંબઈની ફ્લાઇટ હોવાથી 5:30 વાગ્યે એરપોર્ટ પર આવ્યો. સિક્યુરિટી ચેક પતાવીને જ્યારે હું ટર્મિનલ-1ના ફર્સ્ટ ફ્લોર પર આવ્યો, ત્યારે મેં અમુક ડિસ્ટર્બિંગ ઘટના જોઈ. કોઈ ગ્રુપ ત્યાં નમાઝ અદા કરી રહ્યું હતું. એ જોઈને તરત જ હું શોક થઈ ગયો અને મેં ત્યાં ઊભા રહીને તરત જ વીડિયો લીધો. પછી એમાંના એક વ્યક્તિને મેં એમના નમાઝ પત્યા પછી પૂછ્યું કે 'શું આ લીગલ છે? તમે આ કરી શકો છો?' તો તેમણે મને કોઈ જવાબ ના આપ્યો. તુરંત જ પછી હું નીચે જઈને CISFના ઇન્ચાર્જ ને વાત કરવા ગયો પણ ત્યાં કોઈ હતું નહીં. પછી એરપોર્ટ મેનેજર ને વાત કરવા ગયો. પરંતુ ત્યાં પણ કોઈ હાજર નહોતું. આ અંગે એરપોર્ટના સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, પેસેન્જર્સ મૂવમેન્ટ સ્મૂથ જ હતી. કોઈ પેસેન્જર્સને કોઈ પણ પ્રકારની તકલીફ પડી ન હતી. તેમની પાસે કોઈ પેસેન્જરની ફરિયાદ આવી નથી. CISFની ટીમમાં આ અંગે વાત કરી હતી તો CISFનું પણ એવું કહેવું હતું કે અમારી પાસે કોઈ પેસેન્જર ફરિયાદ લઈને આવ્યું નથી. એરપોર્ટ પર સુરક્ષામાં તૈનાત CISFને પણ આ અંગે જાણ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વીડિયોમાં માત્ર એક વ્યક્તિ જ નહીં પરંતુ એક આખો સમૂહ નમાજ પઢતો હોવાનું નજરે પડી રહ્યો છે. આ મામલે અત્યાર સુધી અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી કે કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી થઈ છે કે કેમ તેની વિગતો હજુ સામે આવી નથી. એરપોર્ટના સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, T1 એટલે કે ટર્મિનલ 1માં પ્રેયર રૂમ નથી. કેમકે ત્યાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે. T2 પર પ્રેયર રૂમ છે કારણકે 99 ટકા ફ્લાઇટ ત્યાંથી ઓપરેટ થતી હોય છે. જેદ્દાહ જેવી જગ્યા પર જવા માટેની 99% ફ્લાઇટ T2 પરથી ઓપરેટ થાય છે. અને T2 પર તો લોકો રેગ્યુલર્લી આ પ્રેયર રૂમનો ઉપયોગ કરતા હોય છે. કેમકે ત્યાંથી લોકો વધુ જેદ્દાહ અને એ તરફ ટ્રાવેલ કરતા હોય છે. હજયાત્રીઓ પણ ત્યાંથી જ પ્રેયર કરતા હોય છે. અને જ્યારે આ લોકો પ્રેયર કરી રહ્યા હતા ત્યારે અમારા કોઈ કર્મચારીએ જઈને તેઓને ડિસ્ટર્બ કર્યું ન હતું. કેમકે તેમની પ્રેયર ચાલુ થઈ ગઈ હતી.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 12:49 pm

લાલપુરના ધરમપુરમાં માતા-પુત્ર પર હુમલો:લગ્નમાં ન બોલાવતા પાંચ કુટુંબીઓ સામે ફરિયાદ

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ધરમપુર ગામમાં લગ્નમાં નિમંત્રણ ન મળતા પાંચ કુટુંબીઓએ માતા-પુત્ર પર હુમલો કર્યો છે. આ હુમલામાં 35 વર્ષીય મુકેશ જીણાંભાઈ ખરા અને તેમની માતા નાથીબેન ખરાને લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો, જેના કારણે બંનેના માથામાં ગંભીર ઇજાઓ થઈ હતી. ઇજાગ્રસ્ત માતા-પુત્રને તાત્કાલિક જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. બંનેના માથામાં ટાંકા લેવા પડ્યા હોવાનું જાણવા મળ્યું છે. મુકેશ ખરાએ આ મામલે પોતાના જ નજીકના કુટુંબીઓ સંજય જેસાભાઇ ખરા, મુકેશ ખીમાભાઈ ખરા, દિનેશ ખીમાભાઈ ખરા, ખીમાભાઈ દેવાભાઈ ખરા અને રાજેશ કરસનભાઈ ખરા સામે ફરિયાદ નોંધાવી છે. આ તમામ આરોપીઓ ખંભાળિયા તાલુકાના સગપર ગામના રહેવાસી છે. પોલીસ ફરિયાદ મુજબ, ફરિયાદી મુકેશભાઈના નાના ભાઈના તાજેતરમાં લગ્ન થયા હતા. આ લગ્નની કંકોત્રી આરોપીઓને મોકલવામાં ન આવતા, તેઓએ આ બાબતે રોષ વ્યક્ત કર્યો હતો અને અમને લગ્નમાં કેમ ન બોલાવ્યા તેમ કહીને હુમલો કર્યો હતો. લાલપુર પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ.પી. જાડેજા આ બનાવ અંગે વધુ તપાસ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 12:49 pm

SGFI નેશનલ કુરાશમાં અમરેલીની દીકરીઓએ જીત્યા 7 મેડલ:2 ગોલ્ડ મેડલ સાથે ધાંધલા વિધિ, પેથાણી કાવ્યા તુર્કિસ્તાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

અમરેલીના રમતવીરોએ ઉત્તર પ્રદેશના સહારનપુર ખાતે યોજાયેલી SGFI નેશનલ કુરાશ ચેમ્પિયનશીપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. શાંતાબેન હરિભાઈ ગજેરા વિદ્યાસભા કેમ્પસના ખેલાડીઓએ ગુજરાત અને અમરેલી જિલ્લાનું નામ રોશન કર્યું છે. આ સ્પર્ધામાં દેશના 29 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આશરે 800 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ગુજરાત રાજ્યને કુલ 14 મેડલ મળ્યા, જેમાંથી 7 મેડલ ગજેરા વિદ્યાસભા કેમ્પસ, અમરેલીના ખેલાડીઓએ જીત્યા. સંસ્થાના ખેલાડીઓએ 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ મેળવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. આ સિદ્ધિ સાથે અમરેલીની બે દીકરીઓ માટે આંતરરાષ્ટ્રીય મંચના દ્વાર ખુલ્યા છે. ગોલ્ડ મેડલ વિજેતા ધાંધલા વિધિ અને પેથાણી કાવ્યા હવે તુર્કિસ્તાન ખાતે યોજાનારી આંતરરાષ્ટ્રીય કુરાશ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. અમરેલીની વિદ્યાર્થીની વિધિ ધાંધલાએ જણાવ્યું કે તેમને 69મી નેશનલ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ મળ્યો છે અને ભવિષ્યમાં તેઓ તુર્કિસ્તાનમાં ઇન્ટરનેશનલ સ્પર્ધામાં રમવા જઈ રહ્યા છે. તેમણે આ સિદ્ધિ માટે તેમના માતા-પિતા, શિક્ષણ સ્ટાફ અને પરિવારના સહકારનો આભાર માન્યો. અમરેલી જિલ્લા શિક્ષણાધિકારી એમ.બી. ગોહિલે જણાવ્યું કે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં 29 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોના 800 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ગુજરાતના 14 વિદ્યાર્થીઓએ મેડલ મેળવ્યા, જેમાંથી ગજેરા વિદ્યાસભાના 7 મેડલ હતા, જેમાં 2 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. તેમણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનું પ્રતિનિધિત્વ કરવા બદલ ગૌરવ વ્યક્ત કર્યું. અમરેલી વિદ્યાસભા કેમ્પસના ડાયરેક્ટર વસંત પેથાણીએ જણાવ્યું કે નેશનલ કક્ષાએ કુરાશ રમતમાં ગોલ્ડ મેડલ મળવો એ અમરેલી માટે ગૌરવની વાત છે. તેમણે ઉમેર્યું કે બંને વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનું પ્રતિનિધિત્વ કરશે, જે અમરેલી માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 12:47 pm

સાળંગપુર હનુમાનજીને વૃંદાવનથી આવેલા વાઘાનો શણગાર:મોર ડિઝાઇનવાળા વાઘા અને રંગબેરંગી ફૂલોથી દાદા શોભાયમાન થયા

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ સ્થિત શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં મંગળવારે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી દાદાને વૃંદાવનમાં તૈયાર થયેલા વાઘા અને વિવિધ ફૂલોથી સજાવાયા હતા. આ શણગારમાં એમ્બ્રોઇડરી વર્ક અને મોરની ડિઝાઇનવાળા વાઘાનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત, રંગબેરંગી ઓર્કિડ અને શેવંતીના ફૂલોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનાથી દાદાનો દેખાવ અત્યંત ભવ્ય લાગતો હતો. મંદિરમાં સવારે 5:30 કલાકે મંગળા આરતી અને સવારે 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરાયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. ભક્તોએ મહાપ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 12:44 pm

સિલ્વર ઓક યુનિવર્સિટીમાં HR સિનર્જી મીટ યોજાઈ:150 થી વધુ HR પ્રોફેશનલ્સ ઉપસ્થિત રહ્યા

સિલ્વર ઓક યુનિવર્સિટીના ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ દ્વારા 'એચ.આર. સર્કલ'ના સહયોગથી 'એચ.આર. સિનર્જી મીટ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 150થી વધુ એચ.આર. પ્રોફેશનલ્સે ભાગ લીધો હતો. આ મીટનો મુખ્ય ઉદ્દેશ્ય ઉદ્યોગ અને શિક્ષણ જગત વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાનો હતો, જેથી વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ તકો મળી શકે. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ મેનેજિંગ ટેલેન્ટ એઝ વન કન્ટિન્યુઅસ જર્ની વિષય પરની પેનલ ડિસ્કશન હતી. નિષ્ણાતોએ ટેલેન્ટ મેનેજમેન્ટને એક અવિરત પ્રક્રિયા તરીકે વર્ણવી, જેમાં કર્મચારીઓની ભરતીથી લઈને કૌશલ્ય વિકાસ અને લાંબા ગાળાના વિકાસ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી. આ ચર્ચામાં ઝાયડસ ગ્રુપ, ગેટવે ગ્રુપ, વેલસ્પન, એક્સેન્ચર ઇન્ડિયા, હિતાચી, ટોર્નન્ટ પાવર અને વોડાફોન-આઈડિયા જેવી અગ્રણી કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મીટિંગથી યુનિવર્સિટી અને કોર્પોરેટ સેક્ટર વચ્ચેનું નેટવર્કિંગ મજબૂત બન્યું છે. આવા કાર્યક્રમોનો સીધો લાભ વિદ્યાર્થીઓને મળશે, કારણ કે તેમને શ્રેષ્ઠ માર્ગદર્શન, ઇન્ટર્નશીપ અને પ્લેસમેન્ટની તકોમાં વધારો થશે. આ પ્રસંગે, એચ.આર. સર્કલ દ્વારા સિલ્વર ઓક યુનિવર્સિટીના ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલના ડિરેક્ટર ડૉ. નિપેન એ. શુક્લાને શિક્ષણ અને ઉદ્યોગ ક્ષેત્રે તેમના યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. સિલ્વર ઓક યુનિવર્સિટી ભવિષ્યમાં પણ આવા અર્થપૂર્ણ કાર્યક્રમો અને સહયોગ ચાલુ રાખવા પ્રતિબદ્ધ છે.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 12:43 pm

હોળી પર્વ પર હિંમતનગરને સ્પેશ્યિલ ટ્રેનનું સ્ટોપેજ મળશે:આગરાકેંટ-અસારવા-આગરાકેંટ સ્પેશિયલ ટ્રેન 1 માર્ચથી ફરી શરૂ થશે, સપ્તાહમાં પાંચ દિવસ દોડશે

હોળી પર્વને ધ્યાનમાં રાખીને, આગરાકેંટ-અસારવા-આગરાકેંટ સ્પેશિયલ ટ્રેન 1 માર્ચથી ફરી શરૂ થશે. ઉત્તર પશ્ચિમ રેલવે (NWR) દ્વારા આ અંગેની માહિતી સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવી છે. આ ટ્રેન 1 માર્ચથી 30 માર્ચ સુધી ચાલશે અને સપ્તાહમાં પાંચ દિવસ સેવા આપશે. અપ-ડાઉન મળીને કુલ 42 ટ્રીપ કરશે. ટ્રેન નંબર 01919 આગરાકેંટ-અસારવા સ્પેશિયલ 1 માર્ચથી 29 માર્ચ સુધી દર બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારે એમ પાંચ દિવસ ચાલશે. આ ટ્રેન કુલ 21 ટ્રીપ કરશે. આગરાકેંટથી સાંજે 6.10 વાગ્યે ઉપડીને બીજા દિવસે સવારે 11.10 વાગ્યે અસારવા પહોંચશે. હિંમતનગર રેલવે સ્ટેશને સવારે 9.45 વાગ્યે આવશે અને 9.47 વાગ્યે અસારવા જવા રવાના થશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 01920 અસારવા-આગરાકેંટ સ્પેશિયલ 2 માર્ચથી 30 માર્ચ દરમિયાન દર સોમવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારે એમ પાંચ દિવસ ચાલશે. આ ટ્રેન પણ 21 ટ્રીપ કરશે. અસારવાથી બપોરે 2.50 વાગ્યે ઉપડીને બીજા દિવસે સવારે 7.45 વાગ્યે આગરાકેંટ પહોંચશે. હિંમતનગર રેલવે સ્ટેશન પર સાંજે 4.23 વાગ્યે આવશે અને 4.25 વાગ્યે આગરાકેંટ જવા ઉપડશે. આ સ્પેશિયલ ટ્રેનમાં કુલ 23 કોચ હશે, જેમાં 2 થર્ડ AC, 10 સેકન્ડ ક્લાસ, 9 જનરલ અને 2 ગાર્ડ કોચનો સમાવેશ થાય છે. આગરાકેંટથી અસારવા સુધીના રૂટ પર આ ટ્રેન કુલ 19 સ્ટેશનો પર ઉભી રહેશે. આ સ્ટેશનોમાં ફતેપુરસીકરી, રૂપવાસ, ગાંગાપુર સિટી, સવાઈ માધોપુર, કેશોરાય પાટન, બુંદી, માંડલ ગઢ, ચંદેરીયા, માવલી, રાણા પ્રતાપનગર, ઉદયપુર સિટી, જાવર, સેમારી, ડુંગરપુર, શામળાજી રોડ અને હિંમતનગરનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 12:41 pm

ગોત્રી હોસ્પિટલના ડોક્ટરોએ આપ્યું નવજીવન:જટિલ કોણી અને ઘૂંટણના રિપ્લેસમેન્ટ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડી માનવતા મહેકાવી

વડોદરાની ગોત્રી હોસ્પિટલ (GMERS) ખાતે માનવતા અને તબીબી કૌશલ્યનો અદભૂત સંગમ જોવા મળ્યો છે. હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. અનુપ ચંદાનીના માર્ગદર્શન હેઠળ ઓર્થોપેડિક વિભાગના ડો. ચિરાગ ઠક્કર અને તેમની ટીમે બે અત્યંત જટિલ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડીને દર્દીઓને નવી જિંદગી આપી છે. હીરાબેનનું સફળ એલ્બો રિપ્લેસમેન્ટ સાવલીના રહેવાસી હીરાબેન માટે કોણીના ભાગે થયેલું ગંભીર ફ્રેક્ચર આશીર્વાદ સમાન સાબિત થયું જ્યારે ડો. ચિરાગ ઠક્કરે તેમની કોણીનું સફળતાપૂર્વક રિપ્લેસમેન્ટ (Elbow Replacement) કર્યું. અગાઉ ગંભીર ઈજાને કારણે હીરાબેનનું રોજિંદું જીવન મુશ્કેલ બની ગયું હતું, પરંતુ હવે તેઓ પીડામુક્ત થઈ પોતાના હાથે જમી શકે છે અને ઘરકામમાં પણ મદદ કરી શકે છે. ગોધરાના યુવાનને મળી નવી ચાલબીજા એક કિસ્સામાં, ગોધરાના 45 વર્ષીય દર્દી જેઓ લાંબા સમયથી ઘૂંટણની તકલીફથી પીડાતા હતા, તેમને નવી આશા મળી છે. નાની ઉંમરે ચાલવાની અક્ષમતાને કારણે તેઓ લાચાર હતા, પરંતુ ડોક્ટરોની ટીમે અત્યાધુનિક પદ્ધતિથી ઘૂંટણનું રિપ્લેસમેન્ટ (Knee Replacement) કરીને તેમને ફરીથી પગભર કર્યા છે. સરકારી હોસ્પિટલમાં શ્રેષ્ઠ સુવિધાઆ બંને કિસ્સામાં ડો. ચિરાગ ઠક્કર અને તેમની મેડિકલ ટીમ દર્દીઓ માટે 'દેવદૂત' સાબિત થઈ છે. સુપ્રિટેન્ડેન્ટ ડો. અનુપ ચંદાનીએ આ સફળતા બદલ ટીમને બિરદાવતા જણાવ્યું કે, ગોત્રી હોસ્પિટલ સામાન્ય જનતાને ખાનગી હોસ્પિટલ જેવી જ શ્રેષ્ઠ અને અત્યાધુનિક સારવાર આપવા માટે હંમેશા કટિબદ્ધ છે. દર્દીઓએ પણ હોસ્પિટલના સેવભાવને ઈશ્વરના આશીર્વાદ ગણાવ્યા હતા

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 12:37 pm

માતા-પુત્રી બજારમાં ગયા ને 23 લાખની ચોરી:નવરંગપુરાના ફ્લેટમાં ચોરી; બે કલાકમાં તસ્કરો ઘરમાં ઘૂસી દાગીના-રોકડ લઈ પલાયન

શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા ફલેટમાંથી તસ્કરોએ 23 લાખની ચોરી કરી છે. પરિવારના સભ્યો 2 કલાક માટે બહાર ત્યારે તસ્કરોએ ઘરમાં ઘૂસીને દાગીના અને રોકડ સહિત કુલ 23 લાખ રૂપિયાની ચોરી કરી છે. જે મામલે નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદી માતા સાથે બજારમાં ગયાં હતાંનવરંગપુરા વિસ્તારના સી.જી.રોડ પર આવેલી નક્ષત્ર એપાર્ટમેન્ટમાં રહેતી શિતલ ઓમપ્રકાશ સોમાનીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તે ખાનગી કંપનીમાં ફર્મા કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. ગઈકાલે શીતલ તેની માતા રાજશ્રીબેન સાંજના સાડા પાંચ વાગ્યાની આસપાસ ઘરવખરીનો સામાન લેવા માટે બજારમાં ગયા હતા, ત્યારે તેના ભાભી સુનંદા ઘરે હાજર હતા. માતા-પુત્રી બન્ને કોમર્સ છ રસ્તા પહોચ્યા ત્યારે સુનંદાનો ફોન શીત્તલ પર આવ્યો હતો અને કહેવા લાગી હતી કે, હું ઘરનું તાળુ મારીને પિયર જઉ છું. સુનંદા ઘરને તાળુ મારીને જતી રહી હતી, ત્યારે શિતલ અને રાજશ્રીબેન સાંજે સાત વાગ્યાની આસપાસ ઘરે પરત આવ્યા હતા. શીતલે તાળુ ખોલવા જતા દરવાજાનો નકુચો ઢીલો હતો, જેથી તે બહાર આવી ગયો હતો. માત્ર બે કલાકમાં તસ્કરો ચોરી કરી ફરારઘરમાં માતા-પુત્રી પહોચ્યા ત્યારે સામાન વેરવિખેર હતો, જેથી તેઓ પોતપોતાના રૂમમાં ગયા હતા. રાજશ્રીબેન બેડરૂમમાં ગયા ત્યારે તેમનો વોડ્રોબનો દરવાજો ખુલ્લો હતો. રાજશ્રીબેન તરતજ વોડ્રોબ ચેક કર્યુ તો સોના-ચાંદીના દાગીના તેમજ વિદેશી અને ભારતીય ચલણી નોટો ગાયબ હતી. શિતલના ઘરમાંથી તસ્કરોએ 23 લાખ રૂપિયાની મત્તાના દાગીના અને વિદેશી ચલણી નોટો લઈને જતા રહ્યા છે. માત્ર બે કલાકમાં તસ્કરોએ શિતલના ઘરમાં પ્રવેશ્યા હતા અને લાખો રૂપિયાની ચોરી કરીને લઈ ગયા છે. પોલીસે શિતલની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 12:20 pm

રાજકોટ એરપોર્ટ પર 5 કરોડની ઘડિયાળ મૂળ માલિકને પરત મળી:CISF ઇન્સ્પેક્ટર નરપતસિંહ રાઠોડે ગણતરીની મિનિટોમાં ચોરને ઝડપ્યો; સાંસદોએ પ્રશંસા કરી

હિરાસર (રાજકોટ) ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મુંબઈ જઈ રહેલા એક NRI પેસેન્જરની 5 કરોડ રૂપિયાની કિંમતી ઘડિયાળ ચોરાઈ હતી. જોકે, CISFની સતર્કતાને કારણે ગણતરીના સમયમાં જ આ ઘડિયાળ પરત મળી ગઈ છે. ટ્રેમાંથી ગાયબ થઈ 5 કરોડની ઘડિયાળતારીખ 20/01/26 ના રોજ સવારે 8:35 વાગ્યે રાજકોટથી મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં લંડનના રહેવાસી અને ગોલ્ડ કાર્ડ મેમ્બર ઔમેશ મોઢવાડિયા બોર્ડિંગ કરી રહ્યા હતા. ચેકિંગ દરમિયાન તેમણે પોતાનો સામાન ટ્રેમાં મૂક્યો હતો, જેમાં 5 કરોડ રૂપિયાની કિંમતી ઘડિયાળ પણ હતી. થોડી જ વારમાં આ ઘડિયાળ ગાયબ જણાતા તેમણે તાત્કાલિક CISF ઇન્સ્પેક્ટર નરપતસિંહ રાઠોડને જાણ કરી હતી. CCTV ફૂટેજ અને 5 ટીમોનું સર્ચ ઓપરેશનઇન્સ્પેક્ટર નરપતસિંહ રાઠોડે તાત્કાલિક હરકતમાં આવી 5 અલગ-અલગ ટીમો બનાવી CCTV કેમેરા અને એરપોર્ટના વિવિધ વિસ્તારોમાં તપાસ શરૂ કરી હતી. પ્લેન ઉપડવાની તૈયારીમાં જ હતું ત્યારે CCTVમાં એક શંકાસ્પદ વ્યક્તિ ટ્રે પાસે હરકત કરતો જણાયો હતો. તપાસ કરતા જાણવા મળ્યું કે ધનંજય લક્ષ્મણ વાંબલે નામના પેસેન્જરે આ ઘડિયાળ ચોરી હતી. ચોર ઝડપાયો પણ ફરિયાદ ન થઈ CISF એ તાત્કાલિક આરોપીને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા ઘડિયાળ મળી આવી હતી, જે તેના મૂળ માલિક ઔમેશ મોઢવાડિયાને સુપ્રત કરવામાં આવી હતી. ઇન્સ્પેક્ટર દ્વારા પોલીસ ફરિયાદ કરવા માટે જણાવવામાં આવ્યું હતું, પરંતુ ઔમેશ મોઢવાડિયાએ મુંબઈથી લંડનની કનેક્ટિંગ ફ્લાઇટ પકડવાની હોવાથી ફરિયાદ કરવાનો ઇનકાર કર્યો હતો. સાંસદોએ કામગીરીને બિરદાવીઆ ઘટના સમયે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, જામનગરના સાંસદ પૂનમબેન માડમ અને જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા દિલ્હી જવા માટે એરપોર્ટ પર હાજર હતા. નરપતસિંહ રાઠોડે આ સમગ્ર ઘટનાની જાણ રામભાઈ મોકરીયાને કરતા, તેમણે ઇન્સ્પેક્ટરની સતર્કતા, કુનેહ અને નિષ્ઠાપૂર્વકની ફરજને બિરદાવી તેમને અભિનંદન પાઠવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 12:18 pm

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીને દિવ્ય શણગાર કરાયો:વૃંદાવનથી તૈયાર વાઘા, ઓર્કિડ અને શેવંતી ફૂલોથી સજાવટ; મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા

સાળંગપુરધામ ખાતે 10 ફેબ્રુઆરી 2026, મંગળવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. સ્વામી હરિપ્રકાશદાસ (અથાણાવાળા)ની પ્રેરણાથી આ શણગાર વૃંદાવનમાં તૈયાર કરાયેલા એમ્બ્રોઇડરી વર્ક અને મોરની ડિઝાઇનવાળા વાઘાથી કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, રંગબેરંગી ઓર્કિડ અને શેવંતીના ફૂલોનો પણ ઉપયોગ કરાયો હતો. મંદિરમાં સવારે 5:30 વાગ્યે મંગળા આરતી અને સવારે 7:00 વાગ્યે શણગાર આરતી યોજાઈ હતી. મંદિર પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા. તેમણે દર્શન અને મહાપ્રસાદનો લાભ લઈ આધ્યાત્મિક અનુભૂતિ કરી હતી.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 12:15 pm

પ્રગતિ ટાંક ચિત્રકલામાં રાજ્ય કક્ષાએ પ્રથમ:જામનગરની વિદ્યાર્થિનીએ ગુજરાત બાળ પ્રતિભા શોધમાં સિદ્ધિ મેળવી

જામનગરની વિદ્યાર્થિની પ્રગતિ ટાંકે મોરબી ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની 'ગુજરાત રાજ્ય બાળ પ્રતિભા શોધ- 2025-26' સ્પર્ધામાં ચિત્રકલા વિભાગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શહેરનું ગૌરવ વધાર્યું છે. ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સત્યસાંઈ વિદ્યાલય, જામનગરની વિદ્યાર્થિની પ્રગતિ પ્રતિકકુમાર ટાંકે ચિત્ર સ્પર્ધામાં પોતાની અદભૂત કલા અને મૌલિકતાનું પ્રદર્શન કર્યું હતું. રાજ્યભરમાંથી આવેલા અનેક પ્રતિભાશાળી સ્પર્ધકો વચ્ચે તેણે પોતાની ચિત્રકલાના જોરે સમગ્ર ગુજરાતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. પ્રગતિની આ વિશિષ્ટ સિદ્ધિ બદલ શાળા પરિવાર, જામનગરનું કલા જગત અને શિક્ષણ વિભાગ દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. બાળ પ્રતિભા શોધ જેવી સ્પર્ધાઓ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે એક મહત્વપૂર્ણ મંચ પૂરો પાડે છે. પ્રગતિની આ સફળતા અન્ય બાળકો માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 12:11 pm

ટંકારામાં યુવાનનું હાઈબીપીથી મગજની નસ ફાટતાં મોત:રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું

ટંકારાના 40 વર્ષીય યુવાન મોન્ટુભાઈ જીવરાજભાઈ અજાણાનું રાજકોટની એઇમ્સ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. હાઈ બ્લડ પ્રેશર (હાઈબીપી)ના કારણે તેમના મગજની નસ ફાટી જતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ગત 2 ફેબ્રુઆરીના રોજ સવારે 8:30 કલાકે મોન્ટુભાઈ તેમના ટંકારા સ્થિત ઘરે હતા ત્યારે હાઈબીપીને કારણે અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા. તાત્કાલિક તેમને રાજકોટની એઇમ્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર ચાલી રહી હતી તે દરમિયાન જ મોન્ટુભાઈ અજાણાનું અવસાન થયું હતું. મૃતકના સંબંધી સાગરભાઈ પાસેથી મળતી માહિતી મુજબ, મોન્ટુભાઈ અજાણા સ્કૂલ બસમાં ડ્રાઇવિંગનું કામ કરતા હતા. તેઓ અપરણિત હતા અને ચાર ભાઈઓમાં સૌથી નાના હતા. આ બનાવ અંગે હોસ્પિટલ દ્વારા ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 12:04 pm

આજે વિશ્વ કઠોળ દિવસની ઉજવણી:સ્વાસ્થ્ય માટે તેના ફાયદા જાણો; નાગરિકોને જંક ફૂડથી દૂર રાખવાનો અભિયાનનો ઉદ્દેશ્ય

વિશ્વભરમાં દર વર્ષે 10 ફેબ્રુઆરીના રોજ 'વિશ્વ કઠોળ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને તેમના દૈનિક આહારમાં જંક ફૂડનો ત્યાગ કરી કઠોળને પ્રાધાન્ય આપવા માટે જાગૃત કરવાનો છે.કઠોળમાં પ્રોટીન અને ફાઈબર ઉચ્ચ માત્રામાં હોય છે. કઠોળનું સેવન કરવાથી તેમાં રહેલા ફાઈબરને કારણે લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે, જે વારંવાર લાગતી ભૂખ અને બિનજરૂરી 'ક્રેવિંગ્સ'ને રોકીને વ્યક્તિને વધુ પડતું ખાવાથી બચાવે છે. કઠોળનો ગ્લાયસેમિક ઈન્ડેક્સ ઓછો હોવાથી તે લોહીમાં શર્કરાનું પ્રમાણ જાળવી રાખે છે, જે ચરબીના સંગ્રહને ઘટાડવામાં સીધી મદદ કરે છે.મગને સર્વશ્રેષ્ઠ સુપરફૂડ ગણવામાં આવે છે. પચવામાં હળવા એવા ફણગાવેલા મગ નાસ્તામાં લેવાથી મેટાબોલિઝમ રેટ વધે છે અને કેલરી બાળવાની પ્રક્રિયા ઝડપી બને છે. ચણા (કાળા અને કાબુલી)માં રહેલું ફાઈબર પાચનતંત્રને મજબૂત બનાવે છે અને શરીરમાં જામેલી જૂની ચરબીને ઓગાળવામાં મદદરૂપ થાય છે.તુવેર અને મસૂરની દાળનો રોજિંદા ભોજનમાં સમાવેશ સ્નાયુઓના બંધારણને મજબૂત કરે છે. વધુ પ્રોટીન મળવાથી શરીરની કાર્યક્ષમતા વધે છે અને નબળાઈ આવતી નથી. રાજમા અને ચોળામાં રહેલા જટિલ કાર્બોહાઇડ્રેટ્સ શરીરના ઉર્જા સ્તરને જાળવી રાખે છે, જેથી કસરત કરતી વખતે થાક ઓછો લાગે છે.ગુજરાતમાં મગ અને તુવેરનું મબલખ ઉત્પાદન થાય છે. રાજ્ય સરકાર ખેડૂતોને કઠોળના વાવેતર માટે પ્રોત્સાહિત કરી રહી છે, જેથી નાગરિકોને શુદ્ધ અને ઓર્ગેનિક કઠોળ સરળતાથી મળી રહે. ગુજરાત હંમેશા તેના પૌષ્ટિક આહાર માટે જાણીતું રહ્યું છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મગ-મઠ, તો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં તુવેર દાળનું વિશેષ મહત્વ છે.સરકાર દ્વારા આવનારી પેઢીને બાળપણથી જ મેદસ્વિતાના જોખમથી બચાવવાના પ્રયાસોરૂપે મધ્યાહન ભોજન યોજનામાં કઠોળનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના મેદસ્વિતામુક્ત અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને જંક ફૂડ અને તેલયુક્ત ખોરાકથી દૂર કરી કુદરતી પોષણ તરફ વાળવાનો છે. કઠોળમાં કોલેસ્ટ્રોલ નહિવત હોવાથી તે હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે.'સ્વસ્થ આહાર, સ્વસ્થ જીવન'ના મંત્ર સાથે જો આપણે દરરોજ ઓછામાં ઓછી એક વાટકી ફણગાવેલા પરંપરાગત કઠોળ કે દાળ આધારિત ભોજન તરફ વળીશું, તો મેદસ્વિતા જેવી જટિલ સમસ્યાઓથી ચોક્કસપણે મુક્તિ મેળવી શકાશે. આ 'વિશ્વ કઠોળ દિવસે' આપણે સૌ આપણા આહારમાં કઠોળને અચૂક સ્થાન આપી 'ફિટ ઇન્ડિયા' અને 'નિરોગી ગુજરાત'ના સંકલ્પને સાકાર કરીએ.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 11:59 am

અધેવાડામાં રહેણાંક મકાનના તાળા તોડી રૂ.85 હજારની ચોરી:પરિવાર સામાજિક પ્રસંગે રાજેસ્થાન ગયો ને તસ્કરોએ ઘરમાં હાથફેરો કર્યો

ભાવનગર શહેરના અધેવાડા વિસ્તારમાં રહેતો પરિવાર ઘર બંધ કરી સામાજિક પ્રસંગે રાજેસ્થાન ગયો હતો. આ દરમિયાન ઘરને નિશાન બનાવી અજાણ્યા ઇસમોએ દરવાજાના તાળા, નકુચા તોડી અંદર પ્રવેશ કરી સોનાચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂ.85 હજારની ચોરી કરી હતી. આ મામલે પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભાઈએ ફોન કરી ચોરી થયાની જાણ કરીઆ અંગે ભરતનગર પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી મુજબ, ભાવનગર શહેરના અધેવાડા વિસ્તારમાં આવેલ શ્રીવલ્લભ રેસિડેન્સીના, પ્લોટ નંબર 76માં રહેતા વિનેશકુમાર હરીરામજી પુરોહિતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓ પરિવાર સાથે 24 જાન્યુઆરી, 2026ના રોજ તેમના વતન રાજસ્થાન સામાજિક પ્રસંગે ગયા હતા. ત્યારબાદ 27 જાન્યુઆરીએ તેમના ભાઈ વિષ્ણુભાઈ હરીરામજી પુરોહિતે ફોન દ્વારા જાણ કરી હતી, કે ઘરના તાળા, નકુચા તૂટેલા છે અને ચોરી થયાની શંકા છે, જેથી તેઓ રાજસ્થાનથી પરત ફર્યા હતા. ભરતનગર પોલીસે તપાસ શરૂ કરી28 જાન્યુઆરીએ રાત્રિના સમયે ભાવનગર પરત આવ્યા હતા, ઘરે આવી તપાસ કરતા કોઈ અજાણ્યા ઇસમોએ રહેણાંક મકાનના મુખ્ય દરવાજાના તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી બેડરૂમમાં આવેલ લાકડાના ભીતકબાટના તાળા તોડી અંદર રાખેલ ડ્રોઅરમાંથી પ્લાસ્ટિકની ડબ્બીમાં રહેલા સોનાચાંદીના દાગીના કિં.રૂ.65,000 તથા રોકડા રૂ.20,000 મળી કુલ રૂ.85,000ની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. ફરિયાદ મોડી કરવાનું કારણ ઘરમાં જાતે તપાસ કરી હતી, પરંતુ કોઈ હકીકત ન મળતા મોડું થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદના આધારે ભરતનગર પોલીસે અજાણ્યા ઇસમ સામે BNS એક્ટ કલમ 331(8), 331(4) અને 305 મુજબ ગુનો નોંધાવી વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 11:58 am

સુરેન્દ્રનગર પોલીસે વાંકાનેરના નાસતા ફરતા આરોપીને પકડ્યો:રામનગર શિવ શક્તિ રેસીડેન્સી નજીકથી ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી

સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસે વાંકાનેર પોલીસ મથકે નોંધાયેલા ગુનાના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી મયંકભાઈ વાલાણીને રામનગર શિવ શક્તિ રેસીડેન્સી નજીકથી પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના ઇન્ચાર્જ એ.એસ.આઈ. ડી.જે. વાઘેલા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ ટીમમાં પો.હેડ.કોન્સ. વી.પી. પરમાર, રાજદિપસિંહ નારણભા, એમ.વી. બારડ, પો.કોન્સ. રાજુભાઇ જીવણભાઇ, મનસુખભાઇ માનસંગભાઇ, ધવલસિંહ ચંદુભા અને પ્રેમજીભાઇ ગલાભાઇનો સમાવેશ થાય છે. પેટ્રોલિંગ દરમિયાન, પો.હેડ.કોન્સ. વિજયસિંહ પ્રવીણસિંહ પરમારને ખાનગી રાહે બાતમી મળી હતી કે વાંકાનેર સિટી પોલીસ મથકમાં મોટર વાહન અધિનિયમની કલમ 184અને 177હેઠળ ગુનો નોંધીને નાસતો ફરતો આરોપી મયંકભાઈ લાલાભાઈ વાલાણી સુરેન્દ્રનગરના નવા જંકશન, રામનગર શિવ શક્તિ રેસીડેન્સી નજીક હાજર છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મયંકભાઈ વાલાણીને દબોચી લીધો હતો. ઝડપાયેલા આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે વાંકાનેર સિટી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 11:49 am

વાપીના ભડકમોરામાં યુવકની હત્યા કરાયેલી લાશ મળી:GIDC પોલીસે ઓળખ માટે સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ કર્યો

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ભડકમોરા વિસ્તારમાં સોમવારે એક લારી પાસે અજાણ્યા યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ ઘટના રાત્રિ દરમિયાન બની હોવાનું મનાય છે. મૃતક પાસેથી કોઈ મોબાઈલ ફોન, પાકીટ કે અન્ય ઓળખપત્ર મળ્યા ન હતા. જેના કારણે મૃતકની ઓળખ કરવી મુશ્કેલ બની છે. પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે યુવક કોણ હતો અને ભડકમોરા વિસ્તારમાં શા માટે આવ્યો હતો. વલસાડના ઇન્ચાર્જ SP ટી. સંદીપના માર્ગદર્શન હેઠળ DySP બી.એન. દવેના નેતૃત્વમાં LCB અને વાપી GIDC પોલીસની અલગ અલગ ટીમોએ તપાસ શરૂ કરી છે. એક ટીમ મૃતક યુવકની ઓળખ કરવાના પ્રયાસો કરી રહી છે, જ્યારે અન્ય ટીમો ઘટનાસ્થળની આસપાસના CCTV ફૂટેજ ચકાસી રહી છે. ટેકનિકલ સર્વેલન્સ ટીમ મોબાઈલ નેટવર્કના આધારે પણ તપાસ કરી રહી છે. વાપી GIDC પોલીસ મથકના PI અમીરાજસિંહ રાણાના નેતૃત્વમાં તેમની ટીમે મૃતક યુવકની ઓળખ અને તેના પરિવારજનોની શોધખોળ માટે સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ કર્યો છે. પોલીસે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં પોસ્ટર પણ બનાવ્યા છે. ભડકમોરા ચાર રસ્તા પાસેથી મોડી રાત્રે પસાર થયેલા વાહનચાલકોને શોધીને ઘટના અંગે ચોક્કસ માહિતી મેળવવામાં આવી રહી છે. વલસાડ પોલીસે હત્યારાઓનું પગેરું મેળવવા માટે ડોગ સ્ક્વોડ અને FSL ટીમની પણ મદદ લીધી છે.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 11:40 am

મોરબીમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી:આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી દ્વારા બાળકોને કૃમિનાશક ગોળી અપાઈ

મોરબી જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવની સૂચના હેઠળ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરના મેડિકલ ઓફિસર ડો. રાધિકાબેન વડાવિયા તથા સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસના માર્ગદર્શનથી આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત પાનેલી ગામમાં આયુષ્યમાન આરોગ્ય મંદિરના કર્મચારીઓ દિલીપ દલસાણીયા, ખુશ્બુબેન પટેલ, ભાવનાબેન ચાવડા અને આશા વર્કર બહેનો દ્વારા કૃમિનાશક ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. પાનેલી પ્રાથમિક શાળા, પાનેલી આંગણવાડી, ગીડચ પ્રાથમિક શાળા અને ગીડચ આંગણવાડીના બાળકો તેમજ શાળા-આંગણવાડીમાં ન જતા તમામ બાળકોને આ ગોળીઓ આપવામાં આવી હતી. બાળકોના આંતરડામાં કૃમિના સંક્રમણથી તેઓ કુપોષણનો શિકાર બને છે અને શરીરમાં લોહીની ઉણપ અનુભવે છે. આના કારણે બાળકોને વધુ થાક લાગે છે અને તેમનો શારીરિક તથા માનસિક વિકાસ અવરોધાય છે. ભૂખ ન લાગવી, સતત ઝાડા થવા અથવા એનિમિયા હોવો એ કૃમિ સંક્રમણના સંકેતો હોઈ શકે છે. આ સમસ્યાને દૂર કરવા માટે સરકાર દ્વારા વર્ષમાં બે વખત આલ્બેન્ડાઝોલની ગોળીઓ બાળકોને આપવામાં આવે છે, જેથી તેમના આંતરડામાંથી કૃમિનો નાશ થાય. ભારતમાં દર વર્ષે ૧૦મી ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ બાળકોને કૃમિના ચેપથી મુક્ત કરીને તેમને સ્વસ્થ બનાવવાનો છે. કૃમિના ચેપથી શરીરમાં આયર્નની ઉણપ થાય છે, જે પાંડુ રોગ (એનિમિયા) તરફ દોરી જાય છે. કૃમિનાશક દવા આપવાથી પાંડુ રોગનું પ્રમાણ ઘટાડી શકાય છે અને બાળકોના જીવનધોરણની ગુણવત્તામાં સુધારો લાવી શકાય છે.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 11:26 am

રાજસ્થાનની કુખ્યાત ગેંગના 2 ગેંગસ્ટર અમદાવાદથી ઝડપાયા:ક્રાઇમ બ્રાન્ચે 7 કલાકના ઓપરેશન બાદ રવિ ગોદારા ગેંગના બે આરોપીઓને ઝડપ્યા, ખંડણી નેટવર્ક માટે ટાર્ગેટ શોધતા હતા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનની કુખ્યાત રવિ ગોદારા ગેંગના બે ગેંગસ્ટરની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે સાત કલાકના ઓપરેશન બાદ બંને આરોપીઓની ધરપકડ કરી છે. બંને આરોપીઓ ખંડણી, હત્યાનો પ્રયાસ, ટાર્ગેટેડ શુટીંગ, આર્મ્સ એકટ સહિત 20થી વધુ ગુનાઓમાં સામેલ છે. અમદાવાદમાં પણ ખંડણીના નેટવર્ક માટે ટાર્ગેટ શોધી રહ્યા હતા જે પહેલા ક્રાઈમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગત(9 ફેબ્રુઆરી) માડીરાતથી ઓપરેશન ચાલું કર્યું હતું. આ દરમિયાન બંને આરોપીઓને આજે વહેલી સવારે વાસણા-વેજલપુર રોડ પરથી ઝડપી પાડ્યા છે. અમન ઉર્ફે બચ્ચા અને સુહેબ ઉર્ફ ચિન્ટુની ધરપકડઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના કોટાના અમન ઉર્ફે બચ્ચા અને સુહેબ ઉર્ફ ચિન્ટુ નામના ગેંગસ્ટરની ધરપકડ કરી છે. આ બંને રાજસ્થાનની કુખ્યાત રવિ ગોદારા ગેંગ સાથે જોડાયેલા હતા.આ બંને આરોપીઓએ ખંડણી, હત્યાનો પ્રયાસ, ટાર્ગેટેડ શુટીંગ, આર્મ્સ એકટ સહિતના ગુનામાં સામેલ હતા. 7 કલાકના આપરેશન બાદ ધરપકડક્રાઈમ બ્રાન્ચે સાત કલાકના લાંબા ઓપરેશન બાદ બંનેની ધરપકડ કરી છે. બંને આરોપીઓ ગુજરાતમાં તેમનું ખંડણી નેટવર્ક શરૂ કરવા માટે આવ્યા હતા. આરોપીઓ ખંડણી માટે તેમનો ટાર્ગેટ શોધી રહ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓની ધરપકડ કરી છે. તપાસ બાદ બંનેને કોટા પોલીસને સોંપવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 11:22 am

કાળમુખા મોત સામે સંતાન માટે વ્હાલની સરવાણી, Video:સિંહોએ વાછરડાનો શિકાર કર્યો, ગાયે મૃત્યુનો ડર ભૂલી સંતાનનો સાથ ન છોડ્યો; સિંહોની મિજબાની-માતાની વેદનાનો વીડિયો વાઇરલ

ગીરના જંગલની સરહદે આવેલા ગામોમાં વન્યજીવો અને પાલતુ પશુઓ વચ્ચેના સંઘર્ષની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે, પરંતુ કોડીનાર તાલુકાના સિંધાજ ગામે કુદરતનો એક એવો નજારો જોવા મળ્યો જેણે માનવીય સંવેદનાઓને હચમચાવી દીધી છે. અહીં આઠ સિંહના પરિવારે એક વાછરડાનો શિકાર કર્યો હતો, પરંતુ આ લોહિયાળ ખેલ વચ્ચે એક ગાયે પોતાના મૃત્યુનો ભય છોડીને માતૃત્વની જે મિસાલ પેશ કરી છે તે જોઈને પથ્થર હૃદયના માનવીની આંખો પણ ભીની થઈ ગઈ છે. સિંહોની મિજબાની અને માતાની વેદના, વીડિયો વાઇરલ ગત (9 ફેબ્રુઆરી) રાત્રિએ સિંધાજ ગામમાં આઠ સિંહનો પરિવાર ખોરાકની શોધમાં આવી ચઢ્યો હતો. ગામની શેરીઓમાં લટાર મારતાં આ સિંહ પરિવારે એક વાછરડાને પોતાનું નિશાન બનાવ્યું અને તેનું મારણ કર્યું. બે શક્તિશાળી સિંહ જ્યારે વાછરડાના દેહને ફાડી રહ્યા હતા, ત્યારે ત્યાં હાજર વાછરડાની માતા ગાયે ભાગવાને બદલે ત્યાં જ ઉભા રહીને પોતાના સંતાનનો સાથ નિભાવ્યો હતો. સામાન્ય રીતે સિંહને જોઈને વન્યજીવો કે પાલતુ પશુઓ જીવ બચાવવા ભાગતા હોય છે, પરંતુ અહીં માતૃત્વનો પ્રેમ મૃત્યુના ભય પર ભારે પડ્યો હતો. લોહિયાળ ખેલ વચ્ચે મૃત્યુનો ભય છોડી માતૃત્વની મિસાલ આ સમગ્ર ઘટનાના વીડિયો મોબાઇલ કેમેરામાં કેદ થયા છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, સિંહો વાછરડાનું મારણ કરી રહ્યા છે અને ગાયમાતા અત્યંત વ્યાકુળ અવસ્થામાં પોતાના સંતાન પાસે ઉભી છે. વાછરડાના લોહીલુહાણ દેહને ગાયમાતા વ્હાલ કરતી નજરે પડે છે. ગાયની આંખોમાં સંતાન ગુમાવવાનું દુઃખ અને સામે ઉભેલા મોતનો પડકાર—આ બંને વચ્ચે પણ માતૃત્વ અડગ રહ્યું હતું. આ હૃદયદ્રાવક દૃશ્યો હવે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. વન વિભાગની અપીલ ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ સિંધાજ ગામે પહોંચી હતી. વન વિભાગના ટ્રેકરો દ્વારા હાલ આ સિંહ પરિવાર પર સતત નજર રાખવામાં આવી રહી છે. વન વિભાગે ગ્રામજનોને અપીલ કરી છે કે: માતૃત્વનો અમર સંદેશ સિંધાજ ગામની આ ઘટના માત્ર વન્યજીવ શિકારની ઘટના નથી, પરંતુ તે જીવમાત્રમાં રહેલી સંવેદનાનું ઉદાહરણ છે. શિકારી સિંહો સામે એક લાચાર ગાયનું અડગ ઉભા રહેવું એ સાબિત કરે છે કે, માતૃત્વની લાગણી દુનિયાના દરેક ડર કરતાં મોટી હોય છે. ગ્રામજનોમાં પણ આ ઘટનાને લઈને ગાય પ્રત્યે માન અને સહાનુભૂતિ જોવા મળી રહી છે.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 11:18 am

રાજકોટ મનપાનું 2026-27નું 3604.90 કરોડનું બજેટ મંજુર:ચૂંટણીને ધ્યાનમાં રાખી મનપા કમિશનરે સૂચવેલ 95 કરોડનો કરબોજ ફગાવતી સ્ટેન્ડિંગ કમિટી, શહેરમાં પ્રથમ વખત 3 પીંક બસ શરૂ કરાશે, બિલ્ડરો અને ડેવલોપર્સ માટે રાહત

રાજકોટ મહાનગર પાલિકાનું નાણાકીય વર્ષ 2026-27નું 3595.70 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરા દ્વારા રજુ કરવામાં આવ્યું હતું જેનો અભ્યાસ કરી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આજે 3604.90 કરોડનું બજેટ મંજુર કરવમાં આવ્યું છે. આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખી મનપા કમિશનરે સૂચવેલા 95 કરોડના કરબોજને ફગાવી દેવા સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય કર્યો છે. આજના આ બજેટમાં ખાસ શહેરમાં મહિલાઓ માટે નવી 3 પિન્ક બસ શરૂ કરવા જાહેરાત કરવામાં આવી છે જેમાં ડ્રાઇવર અને કંડકટર બન્ને મહિલા હશે આ ઉપરાંત બસમાં મુસાફરી કરતા સમયે માતાની સાથ તેમન 12 વર્ષ સુધીનું સંતાન સાથ હશે તો તેમન mate નિઃશુલ્ક મુસાફરી આપવા નિર્ણય કરાયો છે. રાજકોટ મહાનગર પાલિકાનું નાણાકીય વર્ષ 2025-26નું રીવાઈઝ અને 2026-27નું બજેટ આજ રોજ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજુર કરવામાં આવ્યું છે. મ્યુ. કમિશનર દ્વારા કુલ 3595.70 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં અભ્યાસ કરી શાશકો અને સ્ટેન્ડિંગ કમિટીએ અભ્યાસ કરી 3604.90 કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું છે. મનપા કમિશનર દ્વારા 95 કરોડનો કરબોજ જનતા પર મુકવામા આવ્યો હતો જેને ફગાવી દઈ કરબોજ મુક્ત બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 11:16 am

'કાન્હા'ની ગુંજ, કાન્સ બાદ ગ્રેમી એવોર્ડ્સ 2026માં સુરતીનો ડંકો:ફેશન ડિઝાઈનર ટીના રાંકાએ વૈશ્વિક મંચ પર ભારતની આધ્યાત્મિક વિરાસતનો ધ્વજ લહેરાવ્યો

ભારતીય સંસ્કૃતિ જ્યારે સાત સમંદર પાર પોતાની ઓળખ પ્રસ્થાપિત કરે છે, ત્યારે દરેક ભારતીયનું મસ્તક ગર્વથી ઊંચું થઈ જાય છે. તાજેતરમાં યોજાયેલા વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત સંગીત એવોર્ડ શો ‘ગ્રેમી એવોર્ડ્સ 2026’માં કઈક આવું જ દૃશ્ય જોવા મળ્યું. સુરતની ખ્યાતનામ ફેશન ડિઝાઈનર ટીના રાંકાએ પોતાની અદભૂત કલા અને કોઠાસૂઝ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકાની ભવ્યતાને વૈશ્વિક રેડ કાર્પેટ પર જીવંત કરી દીધી છે. કપડામાં ભગવાન શ્રીકૃષ્ણ, પવિત્ર વૃંદાવન અને સુવર્ણ નગરી દ્વારકાની શ્રદ્ધાનો સંગમટીના રાંકાએ અગાઉ 2025માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની અનોખી ડિઝાઈનથી વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. હવે, કેલિફોર્નિયાના લોસ એન્જલસ ખાતે યોજાયેલા 2026ના ગ્રેમી એવોર્ડ્સના રેડ કાર્પેટ પર તેમના 'દિવ્ય કુટ્યોર' (Divya Couture) કલેક્શનની ચર્ચા ચારેકોર થઈ રહી છે. ગ્રેમી માટે નામાંકિત થયેલી જાણીતી ગાયિકા આરતી ખેતરપાલે ટીના રાંકા દ્વારા ખાસ ડિઝાઈન કરવામાં આવેલો આ અદભૂત પોશાક ધારણ કર્યો હતો. આ પોશાક માત્ર ફેશનનું પ્રતીક નહોતો, પરંતુ તે ભગવાન શ્રીકૃષ્ણ, પવિત્ર વૃંદાવન અને સુવર્ણ નગરી દ્વારકાની શ્રદ્ધાનો સંગમ હતો. 12 કિલોની પિત્તળની સાડીમાં કારીગરીનો અજોડ નમૂનોઆ સમગ્ર પોશાકનું મુખ્ય આકર્ષણ પિત્તળમાંથી બનાવવામાં આવેલી સાડી હતી. આ અદભૂત સાડીને તૈયાર કરવામાં કુશળ કારીગરોને અંદાજે 1,800 કલાક જેટલો સમય લાગ્યો હતો. આ સાડીનું વજન લગભગ 12 કિલો છે, જે પ્રાચીન સોનાની નગરી દ્વારકાના વૈભવનું પ્રતીક માનવામાં આવે છે. લાલ રંગના બ્લાઉઝ સાથે આ પિત્તળની સાડીનો સમન્વય પ્રેમ અને દિવ્ય ઉર્જાનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. આભૂષણોમાં જીવંત થઈ ‘કૃષ્ણ લીલા’માત્ર પોશાક જ નહીં, પરંતુ તેની સાથેના આભૂષણો પણ આધ્યાત્મિક અર્થોથી સભર હતા. આભૂષણોની દરેક ઝીણવટભરી વિગત ભારતીય સંસ્કૃતિની પવિત્રતા દર્શાવતી હતી, જેમાં સુદર્શન ચક્ર પ્રેરિત કંગન શક્તિ અને રક્ષણનું પ્રતીક છે. પોશાકમાં શ્રીરાધારાણીના ચરણચિહ્ન, કમળ, મોર, ગાય અને વાંસળી જેવા પવિત્ર ચિહ્નોને અત્યંત સૂક્ષ્મતાથી કંડારવામાં આવ્યા હતા. હારની ડિઝાઈન ભગવાન શ્રીકૃષ્ણના રથ જેવી રાખવામાં આવી હતી, જેમાં બાળ કૃષ્ણ સાક્ષાત બિરાજમાન હોય તેવો ભાસ થતો હતો. ટીના રાંકાનો ઉદ્દેશ્ય પ્રાચીનતા અને આધુનિકતાનો સંગમટીના રાંકાએ આ આંતરરાષ્ટ્રીય મંચ દ્વારા સાબિત કરી દીધું છે કે ભારતીય સંસ્કૃતિ માત્ર પ્રાચીન જ નથી, પરંતુ તે દરેક યુગમાં સુસંગત છે. તેમણે જણાવ્યું કે, તેમનો ઉદ્દેશ્ય ભારતીય આધ્યાત્મિક વારસાને આધુનિક ફેશન સાથે જોડીને વિશ્વ સમક્ષ રજૂ કરવાનો હતો. ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસો એટલો સમૃદ્ધ છે કે તેને જ્યારે કલા સાથે જોડવામાં આવે છે, ત્યારે તે વૈશ્વિક સ્તરે અજાયબી સર્જે છે. વૈશ્વિક સ્તરે ભારતની વધતી ધાકગ્રેમી જેવા મંચ પર જ્યાં હોલીવુડના મોટા ગજાના સિતારાઓ હાજર હોય, ત્યાં ભારતની દ્વારકા નગરીની કલાને આટલું માન મળવું એ ગૌરવની વાત છે. ગાયિકા આરતી ખેતરપાલે જ્યારે આ પોશાક સાથે રેડ કાર્પેટ પર વોક કર્યું, ત્યારે આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ આ 'મેટલ સાડી' અને તેના પાછળની કૃષ્ણ ભક્તિની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. સ્થાનિક કલાને વિશ્વફલક પર પહોંચતા કોઈ રોકી શકતું નથીસુરતની આ દીકરીએ પોતાની પ્રતિભાથી સાબિત કર્યું છે કે, જો વિચારમાં સ્પષ્ટતા અને સંસ્કૃતિ પ્રત્યે આદર હોય, તો સ્થાનિક કલાને વિશ્વફલક પર પહોંચતા કોઈ રોકી શકતું નથી. ગ્રેમી 2026માં 'કાન્હા'ના આ ગુંજ કલા જગતમાં લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે. મારા પોશાકમાં વૃંદાવનની ગાયો, રાધારાણી અને કૃષ્ણનો હાથઃ આરતી ખેતરપાલ ગાયિકા આરતી ખેતરપાલે જણાવ્યું હતું કે, ગ્રેમી એવોર્ડ્સમાં વૃંદાવનનું પ્રતિનિધિત્વ કરતાં, મેં મારા 'બાલ કૃષ્ણ'ને માત્ર હૃદયમાં જ નહીં પણ હૃદયની ઉપર (ઘરેણાં રૂપે) ધારણ કર્યા છે. આ હૃદય ચક્રને સક્રિય કરવા જેવું છે. મારા પોશાકમાં વૃંદાવનની ગાયો, રાધા રાણી અને કૃષ્ણના હાથ છે જે મને ટેકો આપી રહ્યા છે. આ ઉપરાંત કૃષ્ણની વાંસળી અને વૃંદાવન તથા વ્રજના દરેક તત્વો તેમાં સામેલ છે. અહીં શ્રીકૃષ્ણનો ચહેરો છે અને તેની ઉપર બાલ કૃષ્ણ બિરાજમાન છે. ‘વૃંદાવન અને ભારતનું પ્રતિનિધિત્વ કરવું એ એક સન્માન’વધુમાં જણાવ્યું હતું કે, કૃષ્ણ ગ્રેમી એવોર્ડ્સ કરતા પણ મોટા છે, પરંતુ વ્રજવાસી અને વૃંદાવનની દીકરી તરીકે, ગ્રેમીમાં ભગવાન કૃષ્ણને સાથે લઈ જવાનું મારું પરમ સૌભાગ્ય અને જવાબદારી છે. 'સાઉન્ડ્સ ઓફ કુંભ' માટે નોમિનેટ થવું એ મારા માટે ગર્વની વાત છે. વૃંદાવન અને ભારતનું પ્રતિનિધિત્વ કરવું એ એક સન્માન છે.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 11:14 am

માનસિક અસ્થિર પુત્રએ જનેતાની ક્રૂર હત્યા કરી:લોખંડની પરાઈના ઘા ઝીંકી માતાને પતાવી દીધી, લોહીના ખાબોચિયા ભરાયા; આરોપીની અટકાયત

વલસાડ જિલ્લાના ઉમરગામમાં એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં સામાન્ય બોલાચાલી બાદ માનસિક રીતે અસ્થિર પુત્રએ પોતાની સગી માતાની હત્યા કરી નાખી છે. ઘરમાં રાખેલી લોખંડની પરાઈ વડે પુત્રએ માતાના માથા પર એક પછી એક અનેક ઘા ઝીંકતા વૃદ્ધાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ હુમલો એટલો ભયાનક હતો કે, આખા ઘરમાં લોહીની નદીઓ વહી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા, જેને જોઈને સ્થાનિકો પણ સ્તબ્ધ થઈ ગયા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચારનો માહોલ ફેલાઈ ગયો છે. બનાવની જાણ થતા જ પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હત્યારા પુત્રની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માનસિક અસ્થિર પુત્રએ જનેતાની ક્રૂર હત્યા કરી મળતી માહિતી મુજબ, વલસાડ જિલ્લાના ઉમરગામ ટાઉનમાં આવેલા માહ્યાવંશી ફળિયામાં 9 ફેબ્રુઆરીના રોજ એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના બની હતી. અહીં 44 વર્ષીય પુત્ર કિરીટ ઉર્ફે કરણ માહ્યાવંશીએ પોતાની જ 61 વર્ષીય માતા પાર્વતીબેનની નિર્મમ હત્યા કરી નાખી હતી. માનસિક રીતે અસ્થિર જણાતા પુત્રએ અગમ્ય કારણોસર થયેલા ઝઘડા બાદ આ ભયાનક પગલું ભર્યું હતું. લોખંડની પરાઈના ઘા ઝીંકી માતાને પતાવી દીધી આ ઘટનામાં ઉશ્કેરાયેલા પુત્રએ ઘરમાં રહેલી લાકડાના હાથાવાળી લોખંડની પરાઈ વડે માતાના માથા પર ગંભીર હુમલો કર્યો હતો. હુમલો એટલો ઘાતકી હતો કે, પાર્વતીબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને ઘરમાં લોહીની નદીઓ વહી હોય તેવા ભયાનક દૃશ્યો સર્જાયા હતા. આ કિસ્સાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર જગાવી દીધી છે અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ઘરમાં લોહીની નદીઓ વહી હોય તેવા દૃશ્યો બનાવની જાણ થતાં જ ઉમરગામ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે આરોપી કરણની અટકાયત કરી તેની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી છે, જ્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસ હાલ આ હત્યા પાછળના ચોક્કસ કારણો અને અન્ય વિગતો જાણવા માટે વધુ તપાસ કરી રહી છે. પિતાની નજર સામે પુત્રની હત્યા સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં 7 ફેબ્રુઆરી રાત્રે નજીવી બાબતે થયેલા ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બાળકોના સામાન્ય વિવાદમાં સમજાવવા ગયેલા પિતા-પુત્ર પર પડોશીઓએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં 30 વર્ષીય ફરીદ બંબાવાલા નામના યુવકનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે તેના પિતા ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સંપૂર્ણ અહેવાલ વાંચો… આ પણ વાંચો, માતાએ અવારનવાર ઠપકો આપતાં પુત્રએ હત્યા કરી

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 10:53 am

અંગત પળોનો વીડિયો બનાવ્યો, બ્લેકમેલ કરી બે મિત્ર-પિતરાઈને સોંપી:વર્ષ સુધી યુવતીને હવસનો શિકાર બનાવી, વરાછાના ચકચારી દુષ્કર્મમાં મુખ્ય સૂત્રધાર બે સંતાનનો પિતા મહુવાથી ઝડપાયો

સુરતમાં પત્ની-સંતાન હોવાની વાત છુપાવી યુવતીને પ્રેમજાળમાં ફસાવી યૌનશોષણ કર્યા બાદ અશ્લીલ વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી બે મિત્ર અને પિતરાઈ સહિત બીજા ત્રણને સોંપી દેનાર મુખ્ય સૂત્રધાર અશોક સીઢાને ભાવનગરના મહુવાથી દબોચી લેવાયો હતો. તેના બીજા સાગરીતને અમરેલીના ભારવડી ગામથી પકડવામાં આવ્યો હતો. PGમાં એકલી બોલાવી વીડિયો બનાવી લીધોવરાછામાં રહેતી 20 વર્ષીય યુવતી જે મકાનમાં ભાડેથી રહેતી હતી, ત્યાં પીજીમાં રહેતા અશોક દરબારના સંપર્કમાં આવી હતી. અશોકે પોતાની પત્ની અને બે બાળકની વાત છુપાવી પીડિતાને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. અશોકે નવેમ્બર, 2024માં એક દિવસ યુવતીને પીજીમાં એકલી બોલાવી હતી અને તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી વીડિયો ઉતારી લીધો હતો. આરોપીએ યુવતીને બ્લેકમેલ કરી મિત્રોને સોંપી દીધીઅશોક પરિણીત હોવાની જાણ થતાં સંબંધ તોડવાની ધમકી આપનાર યુવતી સાથે અશોકે મક્કારીની તમામ હદો વટાવી હતી. વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી પોતે બળાત્કાર કરી બ્લેઇકમેઇલ કરી ઘરેથી દાગીના ચોરી કરવા મજબૂર કરી હતી. આ ઉપરાંત પોતાની સાથે પી.જી. રહેતા લાલા અને ભવદીપ ઉપરાંત પિતરાઈ ભાઈ રણજીતને પણ સોંપી દીધી હતી. વીડિયોનો ફાયદો ઉઠાવી પી.જી.ના માલિક દ્વારા પણ યુવતીની છેડતી કરવામાં આવતી હતી. પોલીસે મુખ્ય આરોપી સાથે પિતરાઈ પણ ધરપકડ કરીગત શુક્રવારે (6 ફેબ્રુઆરી) મામલો પોલીસ મથકે પહોંચતાં બેની ધરપકડ કરાઈ હતી, પરંતુ મુખ્ય સૂત્રધાર અશોક નાજ સીઢા તેના વતન ભાગી છૂટ્યો હતો. વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર આર. બી. ગોજીયાએ એક ટીમ ત્યાં રવાના કરી અશોકને ભાવનગરના મહુવા તાલુકાના વેડાગામથી દબોચી લીધો હતો. તેની સાથે જ ભાગેલો પિતરાઈ ભવદીપ દેવકુ મોભને પણ ખાંભા તાલુકાના ભારવડી ગામેથી ઝડપી લેવાયો હતો.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 10:41 am

માતાની દવા લેવા નીકળેલી યુવતીને કાળ ભરખી ગયો:કલોલ હાઈવે પર બુલેટની ટક્કરે ગંભીર ઈજાગ્રસ્ત યુવતીનું સારવાર દરમિયાન મોત, ચાલક વિરુદ્ધ ગુનો દાખલ

કલોલના અંબિકા હાઇવે પર શ્રીજી ગરનાળા પાસે રોડ ક્રોસ કરી રહેલી યુવતીને પૂરપાટ ઝડપે બુલેટ ચાલકે ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત 24 વર્ષીય યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજતા કલોલ શહેર પોલીસે બુલેટ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ‘માતાની દવા લેવા નીકળી હતી’કલોલના નાગોરીવાસ વિસ્તારમાં રહેતી સલમા રસુલભાઈ ઘાંચી 8 ફેબ્રુઆરીની રાત્રે નવેક વાગે ઘરેથી તેની માતાની દવા લેવા નીકળી હતી. દરમિયાન સાડા દસ વાગ્યાની આસપાસ શ્રીજી ગરનાળા પાસે અમદાવાદ-મહેસાણા હાઇવે ક્રોસ કરતી વખતે બુલેટ (નંબર GJ01PZ5443) ના ચાલકે તેને જોરદાર ટક્કર મારી હતી. સારવાર બાદ રજા અપાઈ હતીઅકસ્માત બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તે સમયે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જેને મોડી રાત્રે લિયાકતભાઈ ઘાંચી અને અન્ય બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત હાલતમાં રિક્ષામાં લઈને ઘરે ગયા ત્યારે પરિવારને અકસ્માતની જાણ થઈ હતી. ફરી દાખલ કરી અને સારવાર દરમિયાન મોતજોકે બીજા દિવસે સવારે તેને શરીરમાં અસહ્ય દુખાવો ઉપડતા પરિવારજનો સઇજ ખાતેની પી.એસ.એમ. હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ સલમાની ગંભીર હાલત જોતા તાત્કાલિક આઈસીયુ વોર્ડમાં દાખલ કરી હતી. જોકે સારવાર દરમિયાન તેની તબિયત વધુ લથડી પડતા તે અર્ધ બેભાન અવસ્થામાં સરી પડી હતી. અને ગઈકાલે સલમાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. આ અંગે મૃતકની માતા બીબીબેન ઘાંચીની ફરિયાદના આધારે કલોલ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 10:16 am

વડનગરના રામગઢ ગામે 3 મંદિરના તાળાં તૂટયા:તસ્કરો ચાંદીના નાગ, છતર, મુઘટ, રોકડ સહિત મળી 2 લાખની મતા ચોરી ફરાર

વડનગરના સિપોર નજીક રામગઢ ગામે 3 મંદિરને રાત્રિના સમયે તસ્કરોએ નિશાન બનાવ્યા હતા, જેમાંથી ચાંદી સહિતનો કિંમતી સામાન અને રોકડ મળી 1.98 લાખની મતા ચોરી થઈ હતી. વડનગર પોલીસે તસ્કરી મામલે ગુનો નોંધી ચોરોની તપાસ શરૂ કરી છે. ચોરોએ ત્રણ મંદિરને ટાર્ગેટ કર્યા વડનગર તાલુકાના સિપોર ગામે રહેતા શૈલેષસિંહ કનુંસિંહ રાણાની ફરિયાદ મુજબ, રામગઢ રોડ આવેલ તેઓના ખેતરમાં ગોગા મહારાજના મંદિર અને કુળદેવી હરસિદ્ધ માતાના 2 મંદિરના તાળાં તૂટયા હોવાનું અને અંદર ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. તો રામગઢ ગામે કશુભા પરિવારના કિરણજી જીવણજી ઠાકોરના ગોગા મહારાજના મંદિરમાં પણ ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી તસ્કરોની શોધખોળ શરૂ કરીત્રણેય મંદિરમાંથી ચાંદીના નાગ, છતર, મુઘટ, પારણા, મૂર્તિ અને દાનપેટીની રોકડ સહિત 1.98 લાખની મતા ચોરી થઈ હતી. જે અંગેની ફરિયાદ આધારે વડનગર પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી ઘટનાસ્થળે FSL, ડોગ સ્ક્વોડ અને ટેક્નિકલ સર્વેલન્સ ટીમો સહિતની મદદ લઇ તસ્કરોનું પગેરું શોધવા વધુ તજવીજ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 10:07 am

વિશ્વામિત્રી નદીમાં 417 મગરનો વસવાટ:નરહરિ હોસ્પિટલથી કાલાઘોડા વચ્ચે 2 કિમીમાં સૌથી વધુ 103 મગર દેખાયા, નિષ્ણાતે કહ્યું: 'વડોદરાને ક્રોકોડાઈલ સિટી જાહેર કરી શકાય'

વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં રહેલા મગરોની ગણતરી 7 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવી હતી. જેમાં વિશ્વામિત્રી નદીમાં 417 મગરો હોવાનું સામે આવ્યું છે. જેમાં નરહરિ હોસ્પિટલથી કાલાઘોડા વચ્ચેના 2 કિમીના વિસ્તારમાં સૌથી વધુ 103 મગરો જોવા મળ્યા હતા. 2025 કરવામાં આવેલી મગરની ગણતરીમાં 442 મગરોની ગણતરી કરવામાં આવી હતી. જોકે તે સમયે શહેરના તળાવોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વખતે તળાવોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. MS યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના ઝૂઓલોજી વિભાગના પ્રો. ડો. રણજીતસિંહ દેવકરે જણાવ્યું હતું કે, આ વખતે મગરોની જે ગણતરી થઈ તે ખૂબ જ અત્યંત ઝીણવટભરી અને સઘન હતી. આ વખતે પાકા પાયે અને વૈજ્ઞાનિક રીતે ગણતરી કરવામાં આવી છે. હાલમાં જ અમારી પાસે ડેટા શીટ્સ આવવાની શરૂઆત થઈ છે. જોકે તેનું સંપૂર્ણ એનાલિસિસ હજુ બાકી છે, પરંતુ પ્રાથમિક અંદાજ બહાર આવ્યો છે. જો આપણે આંકડાકીય રીતે જોઈએ તો, વર્ષ 2020 માં થયેલી ગણતરીમાં મગરોની સંખ્યા 212 હતી. જ્યારે 2025ના ગણતરીના અંતે આ આંકડો વધીને 442 સુધી પહોંચ્યો હતો. 2026માં તાજા આંકડાઓ સામે આવ્યા છે તે મુજબ આશરે 417 મગરો નોંધાયા છે, જે અગાઉના 442ના આંકડાની ખૂબ જ નજીક છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ડેટા મુજબ વડોદરાના નરહરિ હોસ્પિટલથી કાલાઘોડા વચ્ચેના વિસ્તારમાં મગરોની ડેન્સિટી એટલે કે ઘનતા સૌથી વધુ જોવા મળી છે. આ વિસ્તારમાં જ કુલ 103 મગરો નોંધાયા છે. જોકે, અન્ય વિસ્તારોનું એનાલિસિસ હજુ ચાલી રહ્યું છે, જેનો સંપૂર્ણ રિપોર્ટ આગામી 10 થી 15 દિવસમાં તૈયાર થઈ જશે. તેઓએ કહ્યું કે, વડોદરાને 'કલાનગરી' અને 'સંસ્કારનગરી' તરીકે તો ઓળખવામાં આવે જ છે, પરંતુ તેને 'મગરનગરી' અથવા 'ક્રોકોડાઈલ સિટી' તરીકે પણ જાહેર કરી શકાય. વિશ્વમાં વડોદરા એકમાત્ર એવું શહેર છે જ્યાં આટલી મોટી સંખ્યામાં મગરો લાખો લોકોની વચ્ચે, શહેરની મધ્યમાંથી પસાર થતી નદીમાં હેલ્ધી બ્રીડિંગ પોપ્યુલેશન ધરાવે છે. આ પ્રકારનું સહ-અસ્તિત્વ વિશ્વમાં બીજે ક્યાંય ભાગ્યે જ જોવા મળે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને લક્ષ્મી વિલાસ પેલેસ જેવા ટુરિઝામ સ્પેસ આપણી પાસે છે, જેથી આપણે ટુરિઝમ સર્કિટ તરીકે તેનો વિકાસ કરી શકીએ છીએ.તેઓએ વધુમાં કહ્યું કે, મેક્સિકો, નાઈલ નદી અને ઓસ્ટ્રેલિયામાં પણ મગરો જોવા મળે છે, પરંતુ મનુષ્યોના આટલા નજીકના સંપર્ક સાથે અને આટલી ગીચ વસ્તી ધરાવતા શહેરની વચ્ચે મગરોનું આટલું મોટું જૂથ હોવું તે વડોદરાની એક અજોડ વિશેષતા છે. ઉલ્લેખનીય છે કે, MS યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના ઝૂઓલોજી વિભાગ અને વન વિભાગ દ્વારા આ ગણતરી કરવામાં આવી હતી. જેમાં ઝૂઓલોજી વિભાગના 30 વોલિન્ટિયર, વન વિભાગના કર્મચારીઓ અને NGOના વોલિન્ટિયર પણ કામગીરીમાં જોડાયા હતા. જેમાં સવારે 9થી 11 વાગ્યા દરમિયાન ગણતરી કરવામાં આવી હતી અને ત્યારબાદ રાત્રે 8થી 10 વાગ્યા દરમિયાન ગણતરી કરવામાં આવી હતી. દિવસે ડાયરેક્ટ સાઈટીંગની મેથડ ગણતરી કરવામાં આવી હતી. જ્યારે રાત્રે ટોર્ચ મારીને મગરોની આંખો ચમકતી દેખાય તે રીતે ઓળખ કરીને ગણતરી કરવામાં આવી હતી. મગરની ગણતરી માટે વડોદરા શહેરના વિશ્વામિત્રીના 25 કિમીના પટને 10 ઝોનમાં વહેંચવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 10:00 am

LED લાઈટ બદલ 250 વાહનને 15 દિવસમાં રૂ.5 લાખનો દંડ:ચેકિંગ માટે વધારાની બે ટીમ બનાવી, લોકો જાગૃત નહીં થાય તો વાહનોના રજીસ્ટ્રેશન સસ્પેન્ડ થશેઃ RTO

રાજ્યમાં વાહનોના અકસ્માતોમાં આંખને આંજી દેતી જોખમી LED લાઇટ જવાબદાર હોવાનું સામે આવતા ગત 21મી જાન્યુઆરીના રાજ્યની વાહન-વ્યવહાર કમિશનર કચેરી દ્વારા એક પરિપત્ર જાહેર કરી તમામ જિલ્લાના RTOને અનઅધિકૃત રીતે વાહનોમાં લગાવવામાં આવતી વ્હાઈટ LED સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ મામલે રાજકોટ આરટીઓ એક્શન મોડમાં આવ્યું હોય તેમ 15 દિવસમાં જ 250થી વધુ વાહનચાલકોને દંડ ફટકારી રૂ.5 લાખની વસૂલાત કરવામાં આવી છે. રાજકોટ આરટીઓ અધિકારીએ જણાવ્યું કે, વાહનોમાંથી લોકો ગેરકાયદેસર LED લાઇટ દૂર કરે તે માટે આ ચેકિંગ સતત ચાલુ રહેશે. જે બાદ પણ લોકોમાં જાગૃતતા નહીં આવે તો વાહનોના રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરવાની કાર્યવાહી શરૂ કરાશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ગેરકાયદેસર LED લાઈટનું વેચાણ કરતા વેપારીનું દિવ્ય ભાસ્કર દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતુ, જેમાં વેપારીઓ બેરોકટોક આ પ્રકારની લાઈટનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું હતુ. ચેકિંગ માટે વધારાની બે ટીમ બનાવાઈઃ ઈન્દ્રજીત ટાંકરાજકોટ RTO ઈન્દ્રજીત ટાંકે વધુમાં જણાવ્યુ હતું કે, ગાંધીનગર વાહન-વ્યવહારની વડી કચેરીએથી પરિપત્ર આવ્યા બાદ RTOની ટીમ સતત રાત્રિના સમયે હાઈ-વે પર ચેકિંગ કરી રહી છે. રેગ્યુલર ટીમ ઉપરાંત વધારાની બે ટીમ બનાવવામાં આવી છે, જેમના દ્વારા રાત્રે ચેકિંગ કરવામાં આવે છે. દિવસ દરમિયાન પણ જો કોઈ વધારાની લાઈટ લગાવેલી નજરે પડે તો તેને રોકી દંડ કરવામાં આવે છે. ‘LED લાઇટ લગાવનારાના વાહન ડિટેઇન થઈ શકતા નથી’તેમણે જણાવ્યું હતું કે, LED લાઇટ લગાવનારાના વાહન ડિટેઇન તો થઈ શકતા નથી, પરંતુ વાહનનું રજીસ્ટ્રેશન સસ્પેન્ડ થઈ શકે છે. હાલ પ્રાથમિક તબક્કે લોકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. જો આ બાબતે કોઈ સુધારો નહીં આવે તો રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. કંપની દ્વારા જે LED 2 લાઈટો ફિટ કરવામાં આવે છે તે કેન્દ્ર સરકારની એજન્સીઓ દ્વારા અધિકૃત કરવામાં આવે છે. જ્યારે અન્ય અનઅધિકૃત LED લાઈટો ચાઈનાથી મંગાવી સસ્તામાં લગાવવામાં આવે છે. આવી અનઅધિકૃત લાઈટોનો પ્રકાશ દૂર સુધી સુધી પહોંચે છે, જેના કારણે સામેવાળા વાહનચાલકોને તકલીફ ઉભી થાય છે. બાઇક-કારમાં મોડીફાઇડ માટે અને બસ-ટ્રકમાં આવી વધારાની લાઈટો લગાવવામાં આવે છે. અધિકૃત LED લાઇટના ટેક્નિકલ લક્ષણો અનધિકૃત લાઇટના ટેક્નિકલ લક્ષણો અનઅધિકૃત LED લાઇટોની ગંભીર અસર1. ઉચ્ચ તીવ્રતાવાળી અનઅધિકૃત LED લાઇટ સામે આવતા વાહન ચાલકની આંખ પર સીધી ચમક પાડે છે. જેથી આંખે અંધારા આવી જાય છે અને રાત્રિના સમયે આ અસર વધુ ગંભીર બને છે. 2. દ્રશ્ય ક્ષમતા ઘટે છે. અચાનક તેજ પ્રકાશથી આંખોને એડજસ્ટ થવામાં 2 થી 5 સેકન્ડ જેટલો સમય લાગે છે. આ સમયગાળા દરમિયાન આગળનો રસ્તો, પગપાળા જતા લોકો કે વાહનો દેખાતા નથી.3. નિષ્ણાંતોના મત મૂજબ અનઅધિકૃત LED લાઈટના કારણે અકસ્માતોની સંભાવના 20 થી 30 ટકા વધી જાય છે. 4.લાંબા સમય સુધી આવી લાઇટ સામે ડ્રાઈવિંગ કરવાથી આંખમાં દુખાવો, માથાનો દુખાવો અને ડ્રાઇવર થાક અનુભવવા લાગે છે. જે નિર્ણય ક્ષમતાને અસર કરે છે. રાજયમાં ગેરકાયદે વ્હાઇટ એલઇડીવાળા 3094 વાહનચાલકો પાસેથી દંડ વસુલાયોરાજયના વાહન વ્યવહાર વિભાગે ગેરકાયદેસરરીતે વ્હાઇટ એલઇડી હાઇબીમ ધરાવતા વાહનોના માલિકો સામે કડકાઇ દાખવવાનો નિર્ણય લીધો હતો. જેના પગલે 22 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી દરમિયાન હાઇબીમ લાઇટ ધરાવતા વાહનોને ઝડપવા માટે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન રાજ્યના જૂદા-જૂદા જિલ્લાઓ મળીને કુલ 3094 વાહનચાલકોને દંડ ફટકારવવામાં આવ્યો હતો. સૌથી ‌વધારે વલસાડ જિલ્લામાંથી 288 વાહનચાલકો પાસેથી દંડ લેવાયોસૌથી વધારે દંડ વલસાડ જિલ્લામાં 288 વાહનોને કરવામાં આવ્યો હતો. વ્હાઇટ એલઇડી હાઇબીમ હેડલાાઇટ કંપની ફિટેડ હોય તો તે કાયદેસર ગણાય છે, પરંતુ કેટલાક વાહનચાલકો તેમના વાહનને મોડિફાય કરાવીને વ્હાઇટ એલઇડી હાઇબીમ હેડલાઇન નખાવે છે. આ લાઇટનો નિયમોનો ભંગ કરીને લગાડવામાં આવતી હોવાથી તેમાંથી ફેકાતો પ્રકાશ સામેના વાહનચાલકને નજર ચુકવે છે. આથી વાહન વ્યવહાર વિભાગે પાછળથી જે વાહનચાલકોએ એલઇડી હેડલાઇટ નખાવી છે, તેવા વાહનચાલકો સામે પગલા ભરવા માટે 22 જાન્યુઆરીએ પરિપત્ર કર્યો હતો. આ સાથે તપાસ ઝુંબેશ હાથ ધરી હતી. આંખો આંજી દેતી લાઇટનો કાળો કારોબાર, ભાસ્કરના કેમેરામાં ઘટસ્ફોટ વાહનોમાં લગાવવામાં આવતી નિયમ વિરુદ્ધની વ્હાઈટ લાઈટના કારણે અકસ્માત સર્જાતા હોવાથી ગાંધીનગરથી કાર્યવાહીના આદેશ છૂટ્યા છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતનાં શહેરોમાં RTOએ આંખે અંધારા લાવી દેતી લાઈટ્સ સાથેના વાહનચાલકો સામે કાર્યવાહી પણ શરૂ કરી છે, પરંતુ સૌથી ગંભીર બાબત એ છે કે એક તરફ RTOની ડ્રાઈવ ચાલી રહી છે તો બીજી તરફ સમગ્ર રાજ્યમાં બેરોકટોક ગેરકાયદે લાઈટ્સનું વેચાણ થઈ રહ્યું છે. દિવ્ય ભાસ્કરે રાજકોટ અને વડોદરા શહેરની બજારમાં રિયાલિટી ચેક કર્યું હતું. ભાસ્કરે કરેલા સ્ટિંગમાં રાજકોટ અને વડોદરાના વેપારીઓ કોન્ફિડન્સથી ગેરકાયદે વ્હાઈટ લાઈટનું વેચાણ કરતા જોવા મળ્યા. અમે જ્યારે RTOની કાર્યવાહીની યાદ અપાવી તો ક્હ્યું- દર વર્ષે થોડી ગરમાગરમી હોય, આ કોઈ દિવસ બંધ થવાનું જ નથી. (સંપૂર્ણ અહેવાલ માટે ક્લિક કરો) આ પણ વાંચો વાહનમાં પ્રતિબંધિત વ્હાઇટ LED લાઇટ હશે તો લાઇસન્સ રદ થશેગુજરાતમાં વધતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય વાહન-વ્યવહાર કમિશનરે વાહનોમાં ગેરકાયદે રીતે લગાવવામાં આવતી વધારે રોશનીવાળી વ્હાઈટ LED લાઇટ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. (વાંચો સંપૂર્ણ સમાચાર) લાઈટની તીવ્રતા માપવામાં જ RTOના અંધારામાં ફાંફાં, લક્સ મીટર વિના જ દંડવાનું શરૂવાહનવ્યવહાર કમિશનર દ્વારા વાહનોમાં ફિટ કરાતી ગેરકાયદે વ્હાઈટ LED સામે કાર્યવાહી માટે પરિપત્ર કરતાં RTOએ કાર્યવાહી શરૂ કરી દીધી છે, પરંતુ હાસ્યાસ્પદ બાબત એ છે કે વાહનમાં LED લાઈટની હાઈ ઇન્ટેન્સિટી (તીવ્રતા) માપવા માટે જે લક્સ મીટર જરૂરી છે એે જ હજી RTO ઓફિસને નથી અપાયાં. (વાંચો સંપૂર્ણ સમાચાર)

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 9:52 am

આવતીકાલે 15થી વધુ વિસ્તારોમાં ઓછું પાણી આવશે:કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ 8 કલાક બંધ રહેશે; બુધવારથી રાબેતા મુજબ પાણી મળશે

શહેરમાં પશ્ચિમ અને પૂર્વ વિસ્તારના કેટલાક ભાગોમાં પાણી પૂરું પાડતા કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને આજે (10 ફેબ્રુઆરી) સાંજે ચાર વાગ્યા સુધી મેન્ટેનન્સ માટે બંધ કરવામાં આવ્યું છે. આ કારણે આવતીકાલે 11 ફેબ્રુઆરીના રોજ સવારે આખા પૂર્વ અને પશ્ચિમના કેટલાક ભાગોમાં પાણી ખૂબ ઓછું આવશે. પાણી ઓછું આવવાના કારણે નાગરિકોએ પાણીની સમસ્યાનો સામનો કરવો પડશે. આવતીકાલે સવારે ઓછા પ્રેશરથી પાણી આવશેકોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી શહેરના પૂર્વ વિસ્તારના નરોડા, સરદારનગર, બાપુનગર ઠક્કરબાપાનગરથી લઈ નારોલ સુધી તેમજ ઓઢવ, વિરાટનગર, નિકોલ, સૈજપુર, શાહીબાગ, અસારવા, શાહપુર, દરિયાપુર, જમાલપુર ખાડિયા, મોટેરા, ચાંદખેડા, સાબરમતી અને સરદાર પટેલ સ્ટેડિયમ સહિતના વિસ્તારોમાં પાણી પૂરું પાડવામાં આવે છે. આજે સવારે પાણી આપ્યા બાદ શટ ડાઉન કરવામાં આવ્યું હોવાના કારણે આ વિસ્તારોમાં આવતીકાલે સવારે ઓછા પ્રેશરથી પાણી આવશે. કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે કામગીરીમ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર પ્રોડક્શન ખાતા હસ્તકના કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટસ ખાતે વીજ પુરવઠો પુરો પાડતી કંપની GETCO દ્વારા પાવર ફીડર-1 અને 2માં 10 ફેબ્રુઆરીના રોજ પ્રી-મોન્સુન એક્ટિવિટી અંતર્ગત મેઈન્ટેનનસ માટે સવારે 8થી સાંજના 4 વાગ્યા સુધી 8 કલાક માટે શટડાઉન લેવામાં આવ્યું છે. કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટસ 8 કલાક બંધ રહેશે, જેના લીધે ઉત્તર ઝોન, મધ્યઝોન, પુર્વ ઝોન, પશ્વિમ ઝોન, અને દક્ષિણ ઝોનના અમુક વિસ્તારમાં 11 ફેબ્રુઆરીના રોજ પાણીના ઉપલબ્ધ જથ્થા મુજબ પાણીનો પુરવઠો પુરો પાડવામાં આવશે. બુધવારથી રાબેતા મુજબ પાણી પુરવઠો પુરો પાડવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 9:08 am

ગુરુકુળ મહિલા કોલેજમાં સાડી ડે ઉજવાયો:વિદ્યાર્થીનીઓએ પરંપરાગત વસ્ત્રો પ્રત્યે ગૌરવ દર્શાવ્યું

ગુરુકુળ મહિલા કોલેજમાં વિદ્યાર્થીનીઓમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત વસ્ત્રો પ્રત્યે ગૌરવ તથા આત્મવિશ્વાસ વધારવા માટે સાડી ડે અને સાડી પરિધાન સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ ગીત-સંગીત-નૃત્ય ધારા હેઠળ યોજાયો હતો. કોલેજના આચાર્ય ડૉ. અનુપમ નાગર અને ઉપાચાર્યા પ્રો. રોહિણીબા જાડેજાના માર્ગદર્શન હેઠળ આ સ્પર્ધા યોજાઈ હતી. ગીત-સંગીત-નૃત્ય ધારાના અધ્યક્ષા ડૉ. શાંતિબેન મોઢવાડિયા અને સભ્યો ડૉ. કેતકીબેન પંડ્યા, પ્રો. અમીબેન પઢિયાર, પ્રો. અદિતિબેન દવેએ કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો. સાડી ડે નિમિત્તે કોલેજની તમામ વિદ્યાર્થીનીઓએ વિવિધ પરંપરાગત સાડીઓ પહેરી હતી. તેમણે ભારતીય નારીના સૌંદર્ય અને સંસ્કારનું પ્રદર્શન કર્યું, જેમાં અલગ-અલગ પ્રદેશોની સાડીઓ અને પહેરવાની શૈલીઓ દ્વારા સાંસ્કૃતિક વિવિધતા જોવા મળી. આ પ્રસંગે યોજાયેલી સાડી પરિધાન સ્પર્ધામાં કુલ ૩૬ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. સ્પર્ધાનું મૂલ્યાંકન સાડીની પસંદગી, પહેરવાની શૈલી, વ્યક્તિત્વ અને મંચ પ્રસ્તુતિના આધારે કરાયું હતું. અંગ્રેજી વિભાગના અધ્યક્ષા ડૉ. કેતકીબેન પંડ્યા અને કોમર્સ અંગ્રેજી માધ્યમના પ્રો. તન્વીબેન ગુર્જર નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધામાં બી.કોમ. ગુજરાતી, સેમેસ્ટર-4ની કવિશા લાલજીભાઈ પાંજરીએ પ્રથમ સ્થાન મેળવ્યું. બી.એ. ઇંગલિશ, સેમેસ્ટર-6ની ખુશી જીવનભાઈ સોલંકી દ્વિતીય અને વૈશાલી રાજેશભાઈ પરમાર તૃતીય ક્રમે રહ્યા. ચતુર્થ ક્રમ બી.કોમ. ગુજરાતી, સેમેસ્ટર-૨ની વામીની ભરતભાઈ હોદ્દારને મળ્યો, જ્યારે પાંચમો ક્રમ બી.એ. ઇંગલિશ, સેમેસ્ટર-6ની કિરણ નાગાભાઈ ઓડોદરાએ પ્રાપ્ત કર્યો. કાર્યક્રમ દરમિયાન કોલેજના પ્રાધ્યાપકોએ વિદ્યાર્થીનીઓને પરંપરાગત વસ્ત્રોના સંરક્ષણ અને સંસ્કૃતિ જાળવી રાખવાના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું. આયોજક સમિતિએ જણાવ્યું કે આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને વ્યક્તિત્વ ઘડતરમાં મદદરૂપ થાય છે. કાર્યક્રમના અંતે વિજેતા અને ભાગ લેનાર તમામ વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવી તેમના ઉત્સાહ અને સહભાગિતાની પ્રશંસા કરાઈ હતી. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 9:02 am

બગવદર પોલીસે મોઢવાડા સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી:હજારોનો મુદ્દામાલ જપ્ત, બે આરોપીઓ સામે ગુનો દાખલ

પોરબંદર જિલ્લામાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત બગવદર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે મોઢવાડા ગામની નાખડી સીમમાં દરોડો પાડી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી શોધી કાઢી હજારો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જુનાગઢ રેન્જ આઈજી નિલેશ જાંજડિયા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચનાથી જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ રોકવા માટે ડ્રાઈવનું આયોજન કરાયું હતું. નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ બગવદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.જી. ચુડાસમા અને સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે, મોઢવાડા ગામની નાખડી સીમમાં અર્જુન રાણાભાઈ મોઢવાડીયા અને રાણા ભીમાભાઈ મોઢવાડીયા પોતાના કબજાના મકાનમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 900 લિટર દેશી દારૂ બનાવવાનો આથો, દારૂ ભરવા માટેના પ્લાસ્ટિકના 3 બેરલ, પ્લાસ્ટિકના 3 કેરબા અને 2 પતરાના ડબ્બા સહિત કુલ રૂ. 24,320 /- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે, આ દરોડા દરમિયાન આરોપીઓ અર્જુન રાણાભાઈ મોઢવાડીયા અને રાણા ભીમાભાઈ મોઢવાડીયા હાજર મળી આવ્યા ન હતા. પોલીસે બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સફળ કામગીરીમાં પીએસઆઈ આર.જી. ચુડાસમા સાથે એએસઆઈ એચ.ડી. સીસોદીયા, હેડ કોન્સ્ટેબલ ડી.આર. સીસોદીયા અને કોન્સ્ટેબલ હિતેષ જશરાજભાઈ સહિતનો સ્ટાફ જોડાયો હતો.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 8:59 am

અમદાવાદમાં EDના દરોડા: ગેરકાયદે કોલ સેન્ટરોના 6 સ્થળો પર ત્રાટકી ટીમ, ક્રિપ્ટો-હવાલાનું મોટું કૌભાંડ!

(AI IMAGE) ED raids on illegal call centers in Ahmedabad: અમદાવાદ શહેરમાં ધમધમતા ગેરકાયદેસર કોલ સેન્ટર કૌભાંડ સંદર્ભે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની હૈદરાબાદ ઝોનલ ઓફિસ દ્વારા શહેરના છ વિવિધ સ્થળોએ દરોડા પાડી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.

ગુજરાત સમાચાર 10 Feb 2026 8:52 am

હિંમતનગરમાં વહેલી સવારથી ધુમ્મસ છવાયું:સાબરકાંઠા જિલ્લામાં ઠંડીનો અનુભવ; ખેડૂતો ચિંતામાં મુકાયા

હિંમતનગર સહિત સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં શિયાળાની સવારમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી જ હિંમતનગર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધુમ્મસ છવાયું હતું, જેના કારણે ઠંડીનો અનુભવ થયો હતો. હિંમતનગર શહેરમાં સવારે ઠંડીનું પ્રમાણ અગાઉના દિવસોની સરખામણીમાં ઓછું અનુભવાયું હતું. આકાશમાં ધુમ્મસ ભરાયેલું વાતાવરણ હતું, અને સૂર્યોદય પણ ધુમ્મસની વચ્ચેથી દેખાતા શિયાળાની સવારનું મનમોહક દૃશ્ય સર્જાયું હતું. છેલ્લા ત્રણ દિવસથી દિવસ દરમિયાન ગરમી અને સવારે તથા રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે મંગળવારે ધુમ્મસ સાથે બેઠી ઠંડીની અસર જોવા મળી હતી. હવામાનમાં આવેલા આ પલટાને કારણે આગામી દિવસોમાં માવઠું થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. વારંવાર ધુમ્મસભર્યા વાતાવરણને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. આ સ્થિતિમાં હવામાન વિભાગની આગામી આગાહી પર સૌની નજર ટકેલી છે.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 8:44 am

છાણી-ઉંડેરા વિસ્તારના રસ્તા આજથી બંધ:વરસાદી ગટરની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી અવરજવર પર પ્રતિબંધ; જાણો વૈકલ્પિક વ્યવસ્થા

વડોદરા મહાનગરપાલિકાની વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા દ્વારા શહેરના ઉંડેરા અને છાણી વિસ્તારોમાં વરસાદી ગટર (RCC સ્ટોર્મ વોટર ડ્રેઈન) અને અન્ય વિકાસલક્ષી કામગીરીને કારણે કેટલાક મુખ્ય રસ્તાઓ પર વાહન-વ્યવહાર માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કામગીરી દરમિયાન વાહન-વ્યવહાર અને રાહદારીઓને હાલાકી ન પડે તે માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા સૂચનાઓ આપવામાં આવી છે. કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી રસ્તો બંધ રહેશેશહેરના ઉંડેરા તળાવથી સહજ એવન્યુ થઈ લક્ષ્મીપુરા તળાવ સુધી RCC સ્ટોર્મ વોટર ડ્રેઈન બનાવવાની કામગીરી શરૂ થવાની છે. આ કામગીરી આજથી એટલે કે, 10 ફેબ્રુઆરીથી શરૂ થશે. ભારે મશીનરી અને મટિરિયલ્સને કારણે આ રસ્તો કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રહેશે. વૈકલ્પિક રસ્તાઓગોત્રી મેઈન રોડ વુડા: અહીંથી આવતા વાહનોએ 'લોટસ પ્લાઝા' થઈ 'આઈ.ટી.આઈ.' તરફના રોડનો ઉપયોગ કરવો.દર્શનમ ક્લબ લાઈફ: અહીંથી આવતા વાહનોએ 'પંચવટી કેનાલ' થઈ 'પંચવટી ચાર રસ્તા' તરફના રોડનો ઉપયોગ કરવો.કલ્પની સંગ-વુડ કેફે: આ તરફથી આવતા વાહનોએ 'અંકોડીયા કેનાલ' તરફના રોડનો ઉપયોગ કરવો. છાણી તળાવથી ન્યાસા થઈ કેનાલ સુધીના રસ્તાને પાકો કરવાની કામગીરીઆ સાથે શહેરના છાણી તળાવથી ન્યાસા થઈ કેનાલ સુધીના 24 મીટરના રસ્તે કાચા કાંસને પાકો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ માટે 18 મી./24 મી. રોડ જંક્શનથી STP (સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) સુધીનો રસ્તો કે જે દૂમાડ તરફ જાય છે, તેને તમામ પ્રકારના વાહનો માટે બંધ રાખવામાં આવ્યો છે. જનતાને પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ ન કરવા અપીલઆ કામગીરી દરમિયાન વૈકલ્પિક માર્ગ તરીકે કેનાલ બાજુનો સર્વિસ રોડ તથા અન્ય પેટા રસ્તાઓનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરી શકાશે. આ કામગીરી કામગીરી વધુ ઊંડાઈની હોવાથી જાહેર જનતાને પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ ન કરવા અને સુરક્ષિત અંતર જાળવવા અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 8:40 am

પાટણના કુલપતિ ડૉ. પોરીયાને ગોલ્ડ મેડલ મળ્યો:ગુજરાત સાયન્સ એકેડેમી દ્વારા તેમની 36 વર્ષની લાંબી શૈક્ષણિક કારકિર્દીને બિરદાવવામાં આવી

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના કુલપતિ ડૉ. કિશોર પોરીયાને ગુજરાત સાયન્સ એકેડેમી દ્વારા ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત સમારોહમાં તેમની 36 વર્ષની લાંબી શૈક્ષણિક કારકિર્દીને બિરદાવવામાં આવી હતી. ગુજરાત સાયન્સ એકેડેમી (GSA) એ ઇન્ડિયન સાયન્સ એકેડેમી જેવી રાજ્ય કક્ષાએ કાર્યરત સંસ્થા છે. તે દર વર્ષે ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં ગુજરાત સાયન્સ કોંગ્રેસનું આયોજન કરે છે. ચાલુ વર્ષે ગુજરાત સાયન્સ કોંગ્રેસનું આયોજન ગુજરાત યુનિવર્સિટીના અટલ-કલામ સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંશોધન કરતા વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ તેમના સંશોધનપત્રો રજૂ કર્યા હતા, જ્યારે વિવિધ વક્તાઓએ વિજ્ઞાનના જુદા જુદા વિષયો પર વક્તવ્ય આપ્યા હતા. ગુજરાત સાયન્સ એકેડેમીનો સમાપન સમારોહ પાટણ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોર પોરીયાની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે તેમની દીર્ઘ શૈક્ષણિક કારકિર્દીને બિરદાવવા માટે તેમને ગોલ્ડ મેડલ, મોમેન્ટો અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત સાયન્સ એકેડેમીના પ્રમુખ, સેક્રેટરી, માનદ સભ્યો, ઇસરો અને ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) ના વૈજ્ઞાનિકો તેમજ સમગ્ર ગુજરાતની યુનિવર્સિટીઓના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 8:38 am

વલસાડમાં વ્યાજખોરે ₹27 હજારના બદલે ₹91 હજાર વસૂલ્યા:₹50 હજારનો કોરો ચેક પડાવી જાનથી મારી નાખવાની ધમકી આપી

વલસાડ શહેરમાં ગેરકાયદે વ્યાજવટાવનો ધંધો કરતા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી ફરિયાદ નોંધાઈ છે, જેમાં એક મહિલા વ્યાજખોરે યુવતી પાસેથી ઉછીના આપેલા રૂપિયાના બદલામાં અનેકગણું વ્યાજ વસૂલ્યા બાદ પણ ધાક-ધમકી આપી માનસિક ત્રાસ આપ્યો હોવાનું સામે આવ્યું છે. શહેરના સિટી પેલેસ વિસ્તારમાં રહેતી અને જી.આર.ડી. (GRD) તરીકે ફરજ બજાવતી ભાવિનીબેન પટેલ નામની યુવતીને જાન્યુઆરી-2025માં નાણાંની જરૂર પડી હતી. તેણે વલસાડના નનકવાડા વિસ્તારમાં રહેતી નિલમબેન નિલેશભાઈ સુરતી પાસેથી ₹27,000 રોકડા વ્યાજે લીધા હતા. આ રકમ પર માસિક 33 ટકા જેવું તોતિંગ વ્યાજ નક્કી કરવામાં આવ્યું હતું. ફરિયાદ મુજબ, નિલમબેને ડરાવી-ધમકાવીને યુવતી પાસેથી બેંક ઓફ બરોડાનો ₹50,000નો સહી કરેલો કોરો ચેક જબરદસ્તી પડાવી લીધો હતો. યુવતીએ અત્યાર સુધીમાં ટુકડે-ટુકડે કુલ ₹91,000 જેટલી માતબર રકમ વ્યાજ પેટે ચૂકવી દીધી હતી, તેમ છતાં વ્યાજખોર મહિલાની માંગણીઓ ચાલુ રહી હતી. જ્યારે યુવતી વધુ પૈસા આપવામાં અસમર્થ બની, ત્યારે નિલમબેને ફોન પર બિભત્સ શબ્દો આપ્યા હતા. એટલું જ નહીં, ઘરે આવીને યુવતી તેમજ તેની બહેનને 'ઘસડીને મારી નાખવાની' ધમકી પણ આપી હતી. આ સતત માનસિક ત્રાસથી કંટાળીને અંતે યુવતીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને ગુજરાત નાણાંની ધીરધાર કરનારાઓ બાબત અધિનિયમ હેઠળ નિલમબેન નિલેશભાઈ સુરતી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 8:35 am

અમદાવાદમાં ગેરકાયદે 6 કોલ સેન્ટર પર EDના દરોડા:અકીબ ઘાંચીને ત્યાંથી 12,000 યુએસ ડોલર જેટલી ક્રિપ્ટોકરન્સી અને 13 લાખની રોકડ મળી; સંસ્થાઓના 13 બેંક ખાતા-લોકર ફ્રીઝ

યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના નાગરિકો સાથે છેતરપિંડી કરવામાં સામેલ મોટા પાયે ગેરકાયદેસર કોલ સેન્ટરોની તપાસનો રેલો અમદાવાદ સુધી પહોંચ્યો છે. હૈદરાબાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ અમદાવાદમાં છ સ્થળોએ તપાસ કરી છે. આ તપાસમાં અકીબ ઘાંચીના કબજામાંથી આશરે 12,000 યુએસ ડોલર જેટલી ક્રિપ્ટોકરન્સી અને 13.5 લાખ રૂપિયાની બિનહિસાબી રોકડ પણ મળી આવી હતી. આરોપીઓ અને તેમની સંસ્થાઓના 31 બેંક ખાતા અને એક બેંક લોકર ફ્રીઝ કરવામાં આવ્યા છે. 4 ફેબ્રુઆરીએ 6 સ્થળેથી ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયા હતાહૈદરાબાદ ઝોનલ ઓફિસના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ 4 ફેબ્રુઆરી, 2026ના રોજ અમદાવાદના છ પરિસરમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002ની જોગવાઈઓ હેઠળ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં વિદેશી નાગરિકો, મુખ્યત્વે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના નાગરિકો સાથે છેતરપિંડી કરવામાં સામેલ મોટા પાયે ગેરકાયદેસર કોલ સેન્ટર કામગીરીની તપાસનો સમાવેશ થાય છે. EDએ સાયબરાબાદ પોલીસ તેમજ CBI, IOD, નવી દિલ્હી દ્વારા સંગઠિત સાયબર છેતરપિંડી અને નકલ સંબંધિત નોંધાયેલી FIRના આધારે PMLA તપાસ શરૂ કરી હતી. તમામ કોલ સેન્ટરો એક જ જૂથ દ્વારા કાર્યરત EDની તપાસમાં બહાર આવ્યું છે કે, ગેરકાયદેસર કોલ સેન્ટર ઘણા આરોપીઓ જેમ કે, મોહમ્મદ અંસારી ઉર્ફે મોહમ્મદ ઇરફાન અંસારી, અકીબ ગુલામરસુલ ઘાંચી, વિકાસ કે. નિમાર, દિવ્યાંગ રાવલ, પ્રદીપ વી. રાઠોડ અને તેમના સહયોગીઓ દ્વારા સ્થાપિત અને સંચાલિત કરવામાં આવ્યા હતા. વિવિધ સ્થળોએથી કાર્યરત કોલ સેન્ટરો એક જ જૂથ દ્વારા સામાન્ય તકનીકી માળખા, પ્રશિક્ષિત માનવશક્તિ, કોલ સ્ક્રિપ્ટ્સ અને કેન્દ્રિયકૃત મની-હેન્ડલિંગ મિકેનિઝમનો ઉપયોગ કરીને નિયંત્રિત કરવામાં આવતા હતા. USના અધિકારીઓની ખોટી ઓળખ આપી લોકોને ડરાવ્યાં હતાંતપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, કોલ સેન્ટર ઓપરેટરોએ યુ.એસ. સરકારી એજન્સીઓના અધિકારીઓ અથવા ખાનગી કંપનીઓના પ્રતિનિધિઓનો ઢોંગ કર્યો હતો અને લોન બાકી રકમ, કર જવાબદારીઓ અથવા કાનૂની કાર્યવાહી ન કરવાના ખોટા આરોપો લગાવીને પીડિતોને ડરાવ્યા હતા. જેના કારણે તેમને ગિફ્ટ કાર્ડ ખરીદવા અથવા ડિજિટલ ચુકવણી કરવા દબાણ કરવામાં આવ્યું હતું. આ રીતે જનરેટ થયેલી ગુનાની રકમ મુખ્યત્વે એમેઝોન ગિફ્ટ કાર્ડ દ્વારા પ્રાપ્ત થતી હતી અને ત્યારબાદ તેને રિડીમ કરીને ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરવામાં આવતી હતી. ફ્રોડમાં વિદેશી નાગરિકોની પણ સંડોવણીબિટકોઇન સહિત, પેક્સફુલ અને અન્ય ગેરકાયદેસર ચેનલો જેવા ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા, ક્રિપ્ટોકરન્સીના રૂપાંતર અને લિક્વિડેશનને સરળ બનાવવામાં વિદેશી નાગરિકોની સંડોવણી સાથે ગુનાની રકમનો એક નાનો ભાગ ભારતીય બેંકિંગ ચેનલોમાંથી પસાર થતો હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે મોટાભાગની રકમ રોકડ અને ક્રિપ્ટોકરન્સી દ્વારા હેન્ડલ કરવામાં આવતી હતી. હવાલા ઓપરેટરો અને સ્થાનિક કાળા બજારો સહિત અનૌપચારિક ચેનલો દ્વારા રોકડ કરવામાં આવતી હતી. અકીબ ઘાંચીને ત્યાંથી 12,000 યુએસ ડોલર જેટલી ક્રિપ્ટોકરન્સી મળીતપાસ દરમિયાન, મુખ્ય આરોપીઓમાંથી એક, અકીબ ઘાંચીના કબજામાંથી આશરે 12,000 યુએસ ડોલર જેટલી ક્રિપ્ટોકરન્સી મળી આવી હતી, જે જપ્ત કરવામાં આવી છે અને EDના ક્રિપ્ટો વોલેટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. વધુમાં, 13.5 લાખ રૂપિયાની બિનહિસાબી રોકડ પણ મળી આવતા જપ્ત કરવામાં આવી હતી. શોધખોળ દરમિયાન મહત્વપૂર્ણ ડેટા ધરાવતા ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આરોપીઓના 31 બેંક ખાતા અને એક બેંક લોકર ફ્રીઝ વધુમાં, આરોપીઓ અને તેમની સંસ્થાઓના 31 બેંક ખાતા અને એક બેંક લોકર ફ્રીઝ કરવામાં આવ્યા હતા. શોધખોળ કામગીરીમાં એ પણ બહાર આવ્યું છે કે, આરોપીઓ ઘણા સમયથી આવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે અને ગુનામાંથી મળેલા ભંડોળનો ઉપયોગ કરીને પોતાના નામે તેમજ તેમના પરિવારના સભ્યો અને પ્રોક્સીઓના નામે નોંધપાત્ર સંપત્તિ એકઠી કરી છે. એ પણ બહાર આવ્યું છે કે, કાર્ટેલ હજુ પણ સમાન મોડસ ઓપરેન્ડી અપનાવીને સમાન છેતરપિંડીની પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે સામેલ છે, જેની વધુ તપાસ ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 8:12 am

1200 કરોડના કૌભાંડમાં ઢીલી તપાસ સામે રોકાણકારોનું આંદોલન

ગુજરાતમાંથી દંપતી સહિત ત્રણ આરોપી પકડાયા હતા માસિક ચાર ટકા વળતરની લાલચે ૧૧ હજાર લોકોને ભરમાવ્યાઃ ૧૫૦૦ પોલીસ કર્મચારીના પૈસા પણ ફસાયા મુંબઈ - થાણેમાં ૧૨૦૦ કરોડ રૃપિયાના રોકાણ કૌભાંડના સેંકડો પીડિતોએ પોલીસ કમિશનરની ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.આ કેસની ઝડપી તપાસ અને છેતરપિંડીના ભોગ બનેલા પૈસા પરત કરવાની માંગ કરી હતી. આથક ગુના શાખાએ ગયા મહિને મહારાષ્ટ્રભરમાંથી ૧,૫૦૦ પોલીસ કર્મચારીઓ સહિત ૧૧ હજારથી વધુ રોકાણકારો સાથે થયેલા કૌભાંડના સંબંધમાં ગુજરાતમાંથી દંપતી સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.

ગુજરાત સમાચાર 10 Feb 2026 7:45 am

એક હજારથી વધુ બાળકોએ આવડતને નિખારી:મોરબીમાં એક હજારથી વધુ બાળકોએ 13થી વધુ સ્પર્ધામાં પોતાની આવડતને નિખારી

મોરબી જિલ્લાના નાની વાવડી ખાતે આવેલી વેદાંત ગ્લોબલ સ્કૂલ ખાતે આજે કલા અને સંસ્કૃતિનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી ઉમટી પડેલા બાળ કલાકારોએ પોતાની પ્રતિભાના કામણ પાથર્યા હતા..બાલ પ્રતિભા શોધ સ્પર્ધામાં પ્રદેશ કક્ષાએથી પ્રથમ અને દ્વિતીય ક્રમે વિજેતા થયેલા અંદાજે 1 હજાર જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં કુલ 13 જેટલી વિવિધ કલાઓનો સમાવેશ કરાયોવામાં આવ્યો હતો, જેમાં મુખ્યત્વે લોકનૃત્ય અને લોકવાર્તા,દુહા, છંદ અને ચોપાઈ, ચિત્રકલા અને નિબંધ લેખન, એકપાત્રીય અભિનય , સર્જનાત્મક કારીગરી સહિતની કૃતિઓ રજૂ થઈ હતી.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 7:32 am

સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું:ધોરાજીના સુપેડીમાં આયોજિત સર્વરોગ નિદાન કેમ્પનો 400 દર્દીએ લીધો લાભ

ધોરાજી તાલુકાના સુપેડી ગામે સેવા અને સંવેદનાનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. સુપેડી સેવા મંડળ સંચાલિત ‘રાધે કૃષ્ણા ગૌશાળા’ દ્વારા તાલુકા પ્રાથમિક શાળા ખાતે ભવ્ય નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સુપેડી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના આશરે ૩૫૦ થી ૪૦૦ દર્દીઓ આવ્યા હતા અને નિષ્ણાત તબીબોના માર્ગદર્શન હેઠળ આરોગ્ય તપાસ કરાવી હતી. આ કેમ્પમાં રાજકોટ તેમજ ઉપલેટાના મળી કુલ ૧૧ ડોક્ટરોએ પોતાની સેવાઓ અર્પણ કરી હતી. જેમાં હૃદયરોગ, હાડકા, સ્ત્રી રોગ, બાળ રોગ અને કેન્સર જેવા ગંભીર રોગોના નિષ્ણાતો સામેલ હતા. ડો. અભિષેક ઠક્કર અને ડો. જયરાજ મહેતાએ દર્દનું સચોટ નિદાન કર્યું હતું. તપાસની સાથે જ દર્દીઓને જરૂરી દવાઓ, ઈ.સી.જી. અને ડાયાબિટીસ રિપોર્ટ પણ મફત કરી આપવામાં આવ્યા હતા. ગૌશાળાના મંત્રીએ ગૌરવ સાથે જણાવ્યું હતું કે, સંસ્થા હાલ ૨૦૦ જેટલી નિરાધાર ગાયોનો નિભાવ કરી રહી છે અને ગૌસેવાની સાથે માનવ સેવા પણ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 7:31 am

યુવતીએ કર્યો આપઘાત:મોરબીની યુવતીએ વેવિશાળ તૂટી ‎જવાના ડરથી ઝેરી દવા ગટગટાવી‎

મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલી હરિઓમ સોસાયટીના એક પરિવારની દીકરી તથા દીકરાની ચિત્રોડી ગામે રહેતા પરિવારના દીકરા અને દીકરી સાથે સામસામી સગાઈ કરાઇ હતી. પરંતુ અચાનક જ સગાઈ તોડવાનો વાત ઉડતી ઉડતી સામે આવી હતી. અને આ યુવતીએ સગાઈ તૂટી જવાના ડરથી ચિત્રોડી ગામ પાસે આવેલ તેઓની વાડીની ઓરડીમાં ઝેરી દવા પીને જીવનલીલા સંકેલી લીધી હતી. મૂળ હળવદ તાલુકાના ચિત્રોડી ગામના રહેવાસી અને હાલમાં મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ હરિ ઓમ સોસાયટીમાં રહેતા ધીરુભાઈ રાઠોડની દીકરી કિંજલબેન રાઠોડ (ઉ.વ.21)એ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે યુવતીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન આ યુવતીનું મોત નીપજ્યું હતું. આ બનાવની મૃતક યુવતીના પિતા ધીરુભાઈ રાઠોડ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં મૃતક કિંજલબેન તથા તેના ભાઈ કરણની સગાઈ હળવદના કોઈબા ગામે રહેતા દિલુભાઈ ચૌહાણના દિકરા અને દીકરી સાથે સામસામી કરવામાં આવી હતી. યુવતીને ભરથાર પસંદ હતો અને તેની સાથે લગ્ન કરવા હતા જેમણે દવા પીને મોત માગી લીધું એ યુવતીને જેની સાથે સગાઈ થઈ હોય તે યુવાન પસંદ આવી ગયો હોય અને એની સાથે સુખી લગ્નજીવન માણવાના સ્વપ્ન સેવ્યા હોવાથી સગાઈ તોડવા રાજી ન હોવાથી એટલા હતાશ થઈ ગઇ હતી કે, આ ભાવિ જીવનસાથી વગર જીવન જીવવું મુશ્કેલ લાગતા તેણીએ અંતિમ પગલું ભરી લીધું હતું.જેના પગલે કિંજલનો પરિવાર હતપ્રભ બની ગયો હતો.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 7:30 am

આંતરરાષ્ટ્રીય શૂટર સંભાજી પાટીલનું અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં મોત

અનેક સ્પર્ધામાં મેડલો જીત્યા હતા કાર કાબુ ગુમાવ્યા બાદ આગળનાં હેવી વ્હીકલ સાથે અથડાતાં કચ્ચરઘાણ મુંબઈ - મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર એક ભયાનક અકસ્માતમાં આંતરરાષ્ટ્રીય શૂટર સંભાજી પાટિલનું મુત્યુ થયું છે. આ અકસ્માત સોમવારે સવારે થયો હતો. સત્યાવીસ વર્ષના આંતરરાષ્ટ્રીય શૂટર સંભાજી પાટીલ હાલમાં બાલેવાડી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્પોર્ટ્સ ઓફિસર તરીકે કાર્યરત હતા.

ગુજરાત સમાચાર 10 Feb 2026 7:30 am

નવી બસોની સીટ પાછળ ક્ષોભજનક લખાણ:કોઈએ અટક તો કોઈએ છોકરીનું ચિત્ર દોરી નામ લખ્યું‎

સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકોટ એસટી નિગમ દ્વારા મુસાફરોની સુવિધા માટે નવી નક્કોર બસો દોડતી કરવામાં આવી છે. થોડા સમય પહેલા જ સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, ચોટીલા અને લીંબડી ડેપોમાં નવી બસો ફાળવવામાં આવી હતી. પરંતુ આ નવી બસો હવે અસામાજિક તત્વો અને શિસ્ત વગરના મુસાફરોનો ભોગ બની રહી છે. બસની સીટોની પાછળ પેન, બ્લેક બોર્ડમાં લખવાના ચોક અને ધારદાર વસ્તુઓ વડે ચિત્ર-વિચિત્ર ચિત્રામણ કરવામાં આવતા અન્ય મુસાફરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર ડેપોમાંથી 60થી વધુ બસો તેમજ ચારેય ડેપોમાંથી 120થી વધુ બસો દોડાવીને સંચાલન કરવામાં આવે છે. જેમાં નવી બસોનો પણ સમાવેશ થાય છે. ત્યારે નવી બસોમાં ચિત્રામણોની રાવ ઉઠી છે. જેમાં પોતાની અટક, છોકરીઓના નામ સહિતના ચિત્રો દોરવામાં આવે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવા વર્ગ દ્વારા પેન અને ચોકનો ઉપયોગ કરીને બસની કિંમતી રેક્ઝિન સીટોને ખરાબ કરવામાં આવી રહી છે. આ અંગે રોષ સાથે મગનભાઈ પરમાર, સાગરભાઇ મકવાણા વગેરે મુસાફરોએ જણાવ્યું હતું કે, પરિવાર સાથે મુસાફરી કરતા હોઈએ ત્યારે આવી સીટો પર બેસવું પણ શરમજનક લાગે છે. બસ એ જાહેર મિલકત છે, તેની જાળવણી કરવાની જવાબદારી આપણી છે. પરંતુ કેટલાક લોકો આવી પ્રવૃતિઓ કરીને સીટ કે તેના પાછળના ભાગને બગાડી નાખે છે. પેનની સ્યાહી, ચોકના ડાઘા જલ્દી જતા નથીએસટી તંત્ર દ્વારા બસોની સફાઈ કરવામાં આવે છે. પરંતુ શાહી અને ચોકના ડાઘા જલ્દી નીકળતા નથી. જેના કારણે નવી બસો પણ જૂની અને ભંગાર જેવી દેખાવા લાગે છે. મુસાફરોની માંગ છે કે બસમાં ચિત્રામણ કરનારા તત્વો સામે કડક દંડની કાર્યવાહી કરવામાં આવે. તેમજ બસ કંડક્ટર દ્વારા પણ આ બાબતે સતર્કતા રાખવામાં આવે. જો આ પ્રવૃતિ નહીં અટકે તો આવનાર સમયમાં બસો માત્ર ચિત્રપોથી બને તેવો ઘાટ સર્જાશે.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 7:25 am

માર્ગ સલામતી માટે પહેલ:સીટ બેલ્ટ, હેલ્મેટ નહીં પહેર્યું હોય તો સેન્સર ચાલકને મેસેજ મોકલશે, સ્પીકર પણ વાગશે

હાઈવે પર થતા અકસ્માતોને અટકાવવા અને લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવા માટે એક વિશેષ પ્રોજેક્ટ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. જેમાં કુલ 3 જિલ્લાની 12 પ્રાથમિક શાળાએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં નાવિયાણી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પોતાની આગવી સૂઝબૂઝથી તૈયાર કરેલા પ્રોજેક્ટ દ્વારા સૌના દિલ જીતી લીધા હતા. આ પ્રોજેક્ટની ખાસિયત એ છે કે આ પ્રોજેક્ટમાં સેન્સર અને કેમેરા આધારિત છે જે હાઇવે પર જ્યાં અકસ્માતની શક્યતા વધુ હોય ત્યાં જેવા કે ચાર રસ્તા, સ્કૂલ હોસ્પિટલ હોય ત્યાં લગાવાય વાહન કેવી રીતે ચલાવવું અને સ્પીડ બ્રેકર્સ શા માટે બનાવવામાં આવે છે. 4 રસ્તે સિગ્નલ લાઈટ શું સૂચવે છે. તેમજ હાઈવે ઉપર બાઈક ચલાવતી વખતે હેલ્મેટ પહેરીને અને ગાડી ચલાવતા સમયે સીટ બેલ્ટ પહેરીને જ ચલાવી વગેરે વિશે લોકોને જાણકારી આપે છે. મારુતિ સુઝુકી કંપની દ્વારા પ્રાથમિક શાળામાં માર્ગ સલામતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત હાઈવે પર થતા અકસ્માતો નિવારવા માટેના મોડેલ અને પ્રોજેક્ટ પ્રદર્શનની સ્પર્ધાનુ આયોજન કરાયું હતું. જેમાં અમદાવાદ, મહેસાણા, સુરેન્દ્રનગરની 12 શાળાએ પોતાના પ્રોજેક્ટ બનાવી હાઈવે ઉપર થતાં અકાસ્મતથી કેવી રીતે બચી શકાય તે વિશે સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં નાવિયાણી પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સરસ રીતે માહિતી આપી આ સ્પર્ધામાં શાળા દ્વીતીય સ્થાન પર આવી તે બદલ બાળકોને સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં તાલુકા મામલતદાર તથા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પરમાર તેમજ કંપનીના સીએસઆર કલ્પેશભાઇ તથા શિક્ષક સ્ટાફ ગણ સાથે સાથે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં માર્ગદર્શક તરીકે શાળાના આચાર્ય તથા શિક્ષક પૂનમબેન તેમજ એસ.ડી. મલેક જોડાયા હતા. સપ્તાહની મહેનત બાદ પ્રોજેક્ટ તૈયાર થયો પ્રોજેક્ટ અમો તથા શાળાના શિક્ષક પૂનમબેન તેમજ માર્ગદર્શન હેઠળ મુખ્ય ધોરણ 6ના 2 બાળક ઠાકોર ધર્મેશ અને પરમાર ધાર્મિક અને સહાયક તરીકે ધોરણ 8ના ઠાકોર યુવરાજ અને ઠાકોર હાર્દિક જોડાયા હતા. જેમાં ઇન્ટરનેટની મદદથી સર્ચ કરી અકસ્માત નિવારણ પ્રોજેકટ્ આઇડીયા મેળવ્યો અને આ પ્રોજેક્ટ એક સપ્તાહની મહેનતથી બનાવાયો હતો. - એસ.ડી. મલેક, શિક્ષક

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 7:22 am

SIRની કામગીરી:98 ટકા કામગીરી પૂર્ણ, 13.18 લાખ અરજીની સુનાવણી થઇ‎

સુરેન્દ્રનગર જિલ્લાની 5 વિધાનસભા વિસ્તામાં મતદાર યાદીમાં એસઆઇઆર પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં નવી મતદાર યાદી જાહેર કરાયા બાદ વાંધા અરજીઓ મંગાવાઇ હતી. વાંધા અરજીનો છેલ્લો દિવસ 18 જાન્યુઆરી હતો. 22 દિવસમાં 13,18,818 અરજી સુનાવણી થઇ હવે આજે છેલ્લો દિવસ 26,127 બાકી અરજી નિકાલ કરાશે. સુરેન્દ્રનગર જિલ્લાની દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા વિધાનસભાની મતદાર યાદીનું વિશેષ મેપિંગ કરાયું હતું. જેમાં ઇલેક્શન કમિશનર દ્વારા બે મહિના બુથ લેવ ઓફિસરને ડોર ટુ ડોર મોકલી ખરાઇ કરાવી હતી. જેમાં 13,44,945 મતદારોના રેકોર્ડમાં આધાર, ઉંમર, સરનામું અથવા 2002ની જૂની મતદાર યાદી સાથે મેળ ન બેસતા લોજીકલ ડિસ્ક્રિબંસી સામે આવી હતી. આ તમામ મતદારોને નોટિસ આપી મતદાર નોંધણી અધિકારી સમક્ષ સુનાવણી માટે બોલાવવામાં આવ્યા હતા. સુનાવણી બાદ અત્યાર સુધીમાં મતદારો પૂરતા પુરાવા રજૂ ન કરી શકતા ચૂંટણી તંત્ર દ્વારા તેમના નામ મતદાર યાદીમાંથી કમી કરવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે આજે મતદાર યાદી સુનવણીનો છેલ્લો દિવસ છે. અત્યાર સુધીમાં 13,18,818 અરજી સુનવણી પૂર્ણ થઇ છે. જેમાં મતદારોના કેસમાં સુનવણી બાકી છે તે26,127ની આજે છેલ્લા દિવસે સુનવણી થશે. ત્યારે સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થયે તા.17 ફેબ્રુઅરીના રોજ કેટલા નામ રદ થશે કેટલા નહીં તે જાહેર થશે. હિયરીંગમાં નામ ન આવે તો તેમને અપીલ કરવાની થાય અથવા તો ફોર્મ 6 ભરવાનું થાયફાઇનલ મતદાર યાદી 17 ફેબ્રુઆરીએ તંત્ર દ્વારા પ્રકાશિત કરાશે. જેમાં જે પણ મતદારોના નામ રદ થઈ ગયા હશે. આ મતદારો પૂરતા પુરાવા સાથે ફોર્મ નંબર 6 ભરીને પોતાનું નામ મતદાર યાદીમાં પુનઃ દાખલ કરવા માટે પ્રક્રિયા કરી શકશે. તંત્ર દ્વારા ચકાસણી કરી પુરાવા યોગ્ય હશે તો નામ દાખલ થઈ શકશે.- સુદીપ કુમાર શાહ, નાયબ ચૂંટણી અધિકારી

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 7:17 am

નળ સે જળ કે છળ?:રૂ. 42 કરોડ ખર્ચ કરવા છતાં પાણીના પોકારો

સુરેન્દ્રનગર મહાપાલિકાના વઢવાણ શહેરમાં 2024-2 025માં પાણીની પાઇપ લાઇન નાંખવા આવી હતી. જેમાં વઢવાણની શેરી મુખ્ય બજારમાં ઠેર ઠેર ખોદકામ થયું હતું. આ મોતના ખાડાઓને લીધે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વઢવાણ શહેર આખું ખોદી નાંખતા વઢવાણ નગર ખાડા નગર બની ગયું છે. કરોડોનો ખર્ચ પણ ઠેરઠેરખાડા વઢવાણ શહેરમાં અમૃત યોજના 2 હેઠળ રૂપિયા 42 કરોડથી વધુ ખર્ચ કરવામાં આવ્યો છે. જેનું લોકાપર્ણ મુખ્યમંત્રીએ બે દિવસ પહેલા કર્યું છે પરંતુ વઢવાણના લોકોને ફાયદો થયો નથી. વઢવાણમાં ઠેર ઠેર ખાડા, બિસ્માર રસ્તા, ગંદકી મળી છે. અમોને દરરોજ શુદ્ધ પીવાનું પાણી મળે તેવી લોકોની માંગ છે. તે તંત્રને અણઆવડત છતી થાય છે. આથી વઢવાણના લોકોને નિયમિત પાણી મળી રહે તે માટેની માંગણી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 7:15 am

ભાસ્કર બ્રેકિંગ:ટેક્સના નાણાંના સાતમા ભાગે વિકાસના MoU 3.60 કરોડમાં GIDCના 7 રસ્તા નવા બનશે

સુરેન્દ્રનગર મનપામાં આવતી વઢવાણ જીઆઇડીમાં રસ્તા સહિતની પાયાની સુવિધા ન મળતા ઉદ્યોગકારો, કારીગરોની સાથે વાહન ચાલકો વર્ષોથી મુશ્કેલી વેઠી રહ્યા છે. ત્યારે જીઆઇડીસી અને મનપા વચ્ચે તાજેતરમાં એમઓયુ થયા છે. જેમાં જીઆઇડીસી જે વર્ષે રૂ.4 કરોડનો ટેક્ષ ભરે છે તેનો સાતમો ભાગ વિકાસ માટે મનપા પરત આપશે. જેમાં 7 રસ્તા નવા બનાવશે. વઢવાણ જીઆઇડીસીમાં 750થી વધુ નાના મોટા ઉદ્યોગો ધમધમી રહ્યા છે. તેમાં કારીગરો અને ઉદ્યોગકારોની સાથે માલ લઇ જવા અને લાવવા માટે 21 હજારથી વધુ લોકો અને 25 હજારથી વધુ વાહનો અવર જવર કરી રહ્યા છે. પરંતુ છેલ્લા 4 વર્ષથી વધુ સમયથી જીઆઇડીસીના મોટા ભાગના રસ્તા ઉબડ ખાબડ બની ગયા છે. લાઇટ, પાણી, ગટરની પણ વ્યવસ્થા નથી. આ બાબતે જીઆઇડીસીના એસોસિયેશને અનેકવાર રજૂઆતો કરી હતી. પરંતુ સમસ્યા દૂર થતી ન હતી. ત્યારે મનપા થતા જીઆઇડીસી અને મનપાએ એમઓયુ થતાં હવે લોકોની સમસ્યા હળવી બનવાની આશા બંધાઇ છે. આ 7 મુખ્યા રસ્તા બનાવવામાં આવશે ટેન્ડર ગાંધીનગર મંજૂરી માટે મોકલવું પડશે જીઆઇડીસી દ્વારા 7 રસ્તા બનાવવા માટે ટેન્ડર બહાર પડાયું હતું. જેમાં વર્તમાન સમયે માત્ર એક જ ટેન્ડર આવ્યું છે. આથી નિયમ અનુસાર એકથી વધારે ટેન્ડર ન હોય તો તેને પાસ કરવા માટે ગાંધીનગર મોકલવું પડે છે. આમ ગાંધીનગરથી પાસ થઇને આવ્યા બાદ અંદાજે 15 દિવસ બાદ આગળની કાયવાહી થઇ શકશે. ટેક્ષમાંથી 75 ટકા રકમ વિકાસ માટે આપવા માંગ GIDCમાં સુવિધાની જવાબદારી સરકારની હોવાનું કહીને અમારી પાસે ટેક્ષ ઉઘરાવી લેવામાં આવતો હતો. આજે મનપાએ ટેક્ષમાંથી સાતમો ભાગ વિકાસ માટે આપવાનું આયોજન કર્યુ છે તે સારી બાબત છે. પરંતુ ટેક્ષની રકમમાંથી 75 ટકા વિકાસ માટે આપે તેવી અમારી માંગને લઇ બોડી બેઠા પછી લેવામાં આવશે. > સુમિત પટેલ, પ્રમુખ વઢવાણ જીઆઇડીસી

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 7:13 am

સખી વન સ્ટોપ સેન્ટરની સરાહનીય કામગીરી:ગુસ્સામાં ઘરેથી નીકળી ગયેલા યુપીના સુલતાનપુરના વૃદ્ધાનું પરિવારથી મિલન

ઉત્તરપ્રદેશના સુલતાનપુરાની વૃધ્ધા ગુસ્સામાં ટ્રેનમાં બેસીને નીકળી ગયા હતા. જેઓ ફરતાં ફરતાં થરાદ પહોચ્યા હતા. જ્યાંથી 181 અભયમની ટીમે પાલનપુર સખી વન સ્ટોપ સેન્ટરમાં મુક્યા હતા. ટીમે બે દિવસ કાઉન્સેલીંગ કરી વૃધ્ધાના પરિવારને શોધી તેમની સાથે સુખદ મિલન કરાવ્યું હતુ. વાવ થરાદ જિલ્લા 181 અભયમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સિલરે જણાવ્યું હતુ કે, થરાદ નજીક ઠંડીમાં વૃધ્ધા બેઠા હોવાનો કોલ મળતાં ટીમ સાથે ત્યાં પહોચ્યા હતા. પહેલા તો વાત કરવા જ તૈયાર નહોતા. પરંતુ પ્રેમથી શાંતિપૂર્વક અમે તમારી મદદ માટે આવ્યા છીએ. તમારા ઘર સુધી પહોંચાડીશું તેમ કહેતા વૃધ્ધાએ સુલતાનપુર (ઉત્તર પ્રદેશ)ની હોવાનું અને ગુસ્સામાં ઘેરથી નીકળતાં ટ્રેનમાં ગુજરાતમાં આવી ગઇ હોવાનું હવે ઘર મળતું નથી. મારે પાંચ બાળકો છે. મારે મારા ઘરે જવું છે. તેમ કહેતા પાલનપુર સખી વન સ્ટોપ સેન્ટરમાં મુકી હતી. આ અંગે સખીવન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલિકા નિલોફરબેને જણાવ્યું હતુ કે, બે દિવસના કાઉન્સિંગમાં વૃધ્ધાએ સુતલાનપુરનું નામ બોલતાં તેણીનો ફોટો ત્યાંના સખીવન સ્ટોપ સેન્ટરમાં મોકલ્યો હતો. તપાસના અંતે વૃધ્ધાના પરિવાજનો મળી આવ્યા હતા. વૃધ્ધાને ત્યાં લઇ જઇ પરિવારજનો સાથે મિલન કરાવ્યુું હતુ.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 7:06 am

ગોઝારો અકસ્માત સર્જાયો:સામઢી પાસે ડમ્પરની ટક્કરે યુવકનું મોત

જુના ડીસાથી સામઢી તરફ જતા માર્ગ પર સામઢી રાણાજીવાસ ચાર રસ્તા નજીક સોમવાર બપોરે રેતી ભરેલા ડમ્પરે યુવકને ટક્કર મારતા યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.અને ડ્રાઈવર વાહન મુકીને ફરાર થઈ ગયો હતો. પાલનપુર તાલુકાના સામઢી નાઢાણીવાસના રાહુલજી લીલાજી દૈદરા સોમવાર બપોરે સામઢી રાણાજીવાસ સરકારી દવાખાના નજીક આવેલ પોતાની ગેરેજથી નજીકની દુકાને પડીકી લેવા જતા હતા ત્યારે ચોકડી આગળ જુના ડીસાથી સામઢી તરફ ઓવરલોડ રેતી ભરીને જઈ રહેલા ડમ્પર નંબર જીજે-08-એયુ-1478 ના ચાલકે રાહુલજીને ટક્કર મારતા ટ્રકના નીચે આવી જતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતા આસપાસના લોકો ઘટનાસ્થળે એકત્ર થયા હતા અને ગઢ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી મૃતદેહનો કબજો લઈ લાશને ચંડીસર સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 7:04 am

સમૂહલગ્ન યોજાયા:અડસઠ- બારીશ પરગણા પ્રણામી વણકર ‎સમાજના સમૂહલગ્નમાં 41 યુગલો જોડાયા‎

અડસઠ - બારીશ પરગણા પ્રણામી વણકર સમાજનો 11મો સમૂહલગ્ન 14 ગામ તાબાના કુંપ ગામના સાનિધ્યમાં કરણપુરમાં યોજાયો હતો. જેમાં 41 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સમૂહલગ્ન સમિતિના પ્રમુખ પશાભાઇ વણકરે સર્વે યુગલો, મહેમાનો અને સમાજજનોનું સ્વાગત કર્યું હતું. સમિતિના મહામંત્રી ધનજીભાઈ વણકરે કામગીરીનો ચિતાર વર્ણવી મહેમાનોને આવકાર્યા હતા. આ સમૂહલગ્નમાં અધ્યક્ષ હિતેન્દ્રભાઇ પટેલ અને મયુરભાઈ પટેલે આશીર્વાદ આપ્યા હતા. ઉદ્ઘાટક મણીભાઈ વાઘેલા પૂર્વ ધારાસભ્ય વડગામે નવયુગલોને આ સમૂહલગ્નમાં જોડાવા બદલ અભિનંદન અને સુખી લગ્નજીવન માટે આશીર્વાદ આપ્યા હતા. સમાજની એકતા આવા પ્રસંગો થકી જળવાઈ રહે, યુવાનો ઉચ્ચ શિક્ષણ મેળવે, કુરિવાજો દૂર થાય, ખોટા ખર્ચા પર અંકુશ રાખવા સમાજને અપીલ કરી હતી. ડો. અનિતાબેન મહેન્દ્રપ્રસાદ વખારિયાએ મહિલાઓને શિક્ષણ મેળવી પગભર થવા હાકલ કરી હતી.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 7:03 am

સમૂહલગ્નનું આયોજન કરાયું:હિંમતનગરમાં રાજસ્થાની લુહાર સમાજના સમૂહલગ્નમાં 53 યુગલોએ નિકાહ પઢ્યા

હિંમતનગરમાં રાજસ્થાની લુહાર સમાજ વિકાસ ટ્રસ્ટના ઉપક્રમે સમાજનો સમૂહલગ્ન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે સમાજના કુલ 53 જોડાઓએ પરંપરાગત રીતિ-રિવાજ મુજબ લગ્નબંધનમાં બંધાઈને નવજીવનની શરૂઆત કરી હતી. સમૂહલગ્ન દ્વારા આર્થિક બચત સાથે સામાજિક એકતા મજબૂત બનતી હોવાનું મહેમાનોએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું. સમૂહલગ્નનું આયોજન ટ્રસ્ટના પ્રમુખ ઇકરામભાઈ (રાયગઢ) તથા અધ્યક્ષ સિરાજભાઈ (લુણાવડા)ના અધ્યક્ષસ્થાને કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન સમાજની એકતા, સંસ્કૃતિ અને સમરસતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. લગ્ન પ્રસંગે જોડાઓને આશીર્વાદ આપવા માટે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, તાલુકા ભાજપ મહામંત્રી ભવરસિંહ, સાબરકાંઠા જિલ્લા ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ રાજુભાઈ પંચાલ તેમજ પરબડા સરપંચ વિજાપુરા આકીબ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના કાર્યકરો તથા સમાજના આગેવાનોની નોંધપાત્ર ભૂમિકા રહી હતી.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 7:02 am

લવજેહાદનો પ્રયાસ:હિંમતનગરમાં જ્વેલરી શો રૂમના મુસ્લિમ કર્મચારીનો હિન્દુ નામ ધારણ કરી સગીરાને ભગાડી જવાનો કારસો નિષ્ફળ

હિંમતનગરના એક જ્વેલર્સમાં નોકરી કરતાં બે શખ્સોએ લગ્નની ખરીદી કરવા આવેલ પરિવારની બે દીકરીઓ પાસે ફીડબેક માટે ફોર્મ ભરાવ્યા બાદ આ પર્સનલ માહિતીનો દુરઉપયોગ કરી સગીરાને મેસેજ મોકલવાનું ચાલુ કરી વિવિધ બહાને ઘર સુધી પહોંચી જઈ સગીરાને જાળમાં ફસાવી હતી. સગીરાના 18 વર્ષ પૂરા થવાની રાહ જોઈ ઘેરથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી અજમેર જવા દબાણ કરવા દરમિયાન અજય તરીકે નામ આપનાર યુવાન મુસ્લિમ હોવાની ખબર પડતાં સગીરાએ તેના પરિવારમાં વાત કર્યા બાદ બ્લેકમેલિંગ કરી રહેલ યુવક અને તેના સાગરિતને સ્થળ પર જ પોલીસ બોલાવી પકડાવી દીધાનું અને મહેસાણા બ્રાન્ચમાં બદલી થયેલ ત્રીજાને મહેસાણાથી ઝડપી લેવાયો હતો. ​ હિંમતનગર તાલુકાનો એક પરિવાર સાતેક મહિના અગાઉ પોતાની દીકરીના લગ્નની ખરીદી માટે હિંમતનગર એક જવેલર્સ પર ગયો હતો. ખરીદી બાદ કંપનીના બે કર્મચારી મનીષ ગઢવી અને તેની સાથે અજય નામ આપનાર જેનું સાચું નામ મહંમદ શાકીર સરદાર મોહમ્મદ શેખ હતું બંને જણાએ ફીડબેક અને નવી સ્કીમની જાણકારી આપવાનું કહી સગીરા તેની બહેન તથા પરિવારના અન્ય સભ્યોના મોબાઈલ નંબર ઈમેઇલ આઈડી અને સરનામા મેળવી લીધા હતા. મનીષ ગઢવી અને શાકીર નામના યુવકે પોતાની ઓળખ છુપાવી હિન્દુ નામ ધારણ કરી સગીરા સાથે સંપર્ક વધારવાનું શરૂ કર્યુ હતું. બંનેએ સગીરા અને તેના પરિવારના સભ્યોને મેસેજ અને કોલ કરવાનું શરૂ કર્યું. વિવિધ ઉપહાર આપવાના બહાને ઘર સુધી પહોંચી ગયા હતા અને મિત્રતા કેળવ્યા બાદ સગીરાની હોસ્ટેલ પણ જઈ આવ્યા હતા. આ દરમ્યાન રેસ્ટોરન્ટમાં ચા નાસ્તો કરતી વખતે ફોટા પણ પાડી લીધા હતા. પોક્સો એક્ટ અને અન્ય કાયદાકીય પ્રક્રિયાથી બચવા મહંમદ શાકીર સરદાર મોહમ્મદ શેખે તા. 20-12-25 સુધી રાહ જોઈ હતી અને સગીરાને તેના ઘેરથી સોના ચાંદીના દાગીના લઈ તેની સાથે અજમેર જવા દબાણ કરવા દરમ્યાન અજય તરીકે ઓળખ આપનાર શખ્સ મહંમદ શાકીર સરદાર મોહમ્મદ શેખ (મૂળ રહે. ઉદેપુર રાજસ્થાન)એટલે કે મુસ્લિમ હોવાની ખબર પડી જતાં સગીરાએ ઇન્કાર કરતાં મહંમદ શાકીરે અલગ અલગ મોબાઈલ નંબરથી ઉઠાવી જવાની ધમકીઓ આપતાં ગભરાઈ ગયેલ યુવતીએ તેના પરિવારમાં વાત કરી હતી. આ બાદ સગીરાના પિતાએ તા. 6-02-26ના રોજ મહંમદ શાકીર સરદાર મોહમ્મદ શેખ(રહે. ઉદેપુર રાજસ્થાન) અને તેના સાગરિત મોહમદ સોહેલ સલીમ મોહમદ મકરાણી (રહે. મદની સોસાયટી આરટીઓ સર્કલ પાસે હિંમતનગર)ને હિંમતનગર મળવા જતાં તારી દીકરીના વીડિયો ફોટા વાયરલ કરી બદનામ કરી દઈશુની ધમકીઓ આપી રૂ.5 લાખની ખંડણી માંગતા પોલીસને જાણ કરી બંનનેે પકડી લેવાયા હતા. જ્યારે મનીષ ગઢવીને મહેસાણાથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ સાવચેતી રાખો પોલીસે મહંમદ શાકીર સરદાર મોહમ્મદ શેખ(રહે. ઉદેપુર ) તેના સાગરિત મોહમદ સોહેલ સલીમ મોહમદ મકરાણી (રહે. મદની સોસાયટી આરટીઓ સર્કલ પાસે હિંમતનગર) ને તા. 7-02-26 અને મનીષ ગઢવીને તા. 9-02-26 ના રોજ કોર્ટમાં રજૂ કર્યા બાદ ત્રણેયને જેલમાં મોકલી અપાયા હોવાનું એ ડિવિઝન પીએસઆઇ નારાયણસિંહ વાઘેલાએ જણાવ્યું હતું. પોલીસે તેમના મોબાઇલ જે તે દિવસે કબ્જે લઇ તપાસ માટે મોકલી આપ્યા છે. પીઆઇ પીએમ ચૌધરીએ જણાવ્યું કે આ ડેટા કેવી રીતે લીક થયો તેની વિગતો મંગાઇ છે. તે મળ્યા બાદ જવાબદારી ફિકસ કરાશે. કંપની જે હેતુ માટે ડેટા લે છે તેનો ઉપયોગ ફક્ત તેના માટે જ કરી શકે‎​જે કંપની કે સંસ્થા ડેટા મેળવે છે (જેમ કે મોલ કે દુકાન), તેને ડેટા ફિડ્યુશિયરી કહેવાય છે. કંપની જે હેતુ માટે ડેટા લે છે તેનો ઉપયોગ ફક્ત તેના માટે જ કરી શકે. તે ડેટાનો ઉપયોગ અન્ય કોઈ કામ માટે કે કર્મચારીઓ દ્વારા અંગત હેતુ માટે થઈ શકે નહીં. કંપનીએ ડેટા સુરક્ષિત રાખવા મજબૂત ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે જેથી ડેટા લીક ન થાય. ​જે વ્યક્તિનો ડેટા છે (જેમ કે સગીરા કે તેનો પરિવાર), તેને ડેટા પ્રિન્સિપલ કહેવાય છે. ડેટા લેતાં પહેલા વ્યક્તિની સ્પષ્ટ મંજૂરી લેવી ફરજિયાત છે. ગ્રાહક ઈચ્છે તો કંપનીએ તેનો ડેટા તેમના રેકોર્ડમાંથી ડિલીટ કરવો પડે. ​સગીરના કિસ્સામાં આ કાયદો અત્યંત કડક છે. ​ બાળકો કે સગીરોના ડેટાનો ઉપયોગ એવી રીતે ન કરી શકાય જેનાથી તેમના સ્વાસ્થ્ય કે સુરક્ષા પર જોખમ ઊભું થાય.​બાળકોના ડેટાના આધારે તેમને ટ્રેક કરવા કે ટાર્ગેટેડ એડવર્ટાઈઝિંગ કરવું પણ પ્રતિબંધિત છે. ડેટા ફિડ્યુસીયરી દ્વારા પાલન ન થવા બદલ ભારે નાણાકીય દંડ લાદે છે.... સિનિયર એડવોકેટ ઉર્વશીબેન ત્રિવેદીએ જણાવ્યું કે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન (DPDP) એક્ટ 2023 તાજેતરમાં અમલમાં આવ્યો છે. ડેટા ફિડ્યુસીયરી દ્વારા પાલન ન થવા બદલ ભારે નાણાકીય દંડ લાદે છે. ડેટા ફિડ્યુસીયર્સ દ્વારા યોગ્ય સુરક્ષા પાળવામાં નિષ્ફળતા માટે મહત્તમ 250 કરોડ સુધીનો દંડ લાગુ પડે છે. વ્યક્તિગત ડેટા ભંગ અને બાળકો સંબંધિત જવાબદારીઓના ઉલંઘન વિશે બોર્ડ અથવા અસરગ્રસ્ત વ્યક્તિઓને સૂચિત કરવામાં નિષ્ફળતા દરેકને 200 કરોડ સુધીનો દંડ થઈ શકે છે. ડેટા -ફિડ્યુસીયર્સ દ્વારા કાયદા અથવા નિયમોના કોઈપણ ઉલ્લંઘનમાં 50 કરોડ સુધીનો દંડ થઈ શકે છે. જેના માટે ડિજિટલ ડેટા પ્રોટેકશન બોર્ડ ઓફ ઇન્ડિયામાં ઓનલાઇન ફરિયાદ કરવાની રહે છે.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 7:01 am

પત્નીને ભરણ પોષણ ચૂકવવા કોર્ટનો હુકમ:જન્માષ્ટમી અને શ્રાવણીયા જુગારથી દાંપત્યમાં વિવાદ, મહિલાએ કહ્યું- તે શિક્ષિત પરિવારમાંથી, જુગાર રમશે નહીં

અમદાવાદ જિલ્લા અદાલતે રાજકોટના એક પુરુષ અને તેના પરિવારજનોને શ્રાવણ માસ દરમિયાન પત્નીને જુગારની પરંપરામાં ભાગ લેવા માટે મજબૂર કરીને તેને હેરાન કરવા બદલ દોષિત ઠેરવ્યા છે અને ઘરેલુ હિંસા અધિનિયમ હેઠળ પતિને માસિક ભરણપોષણ, ઘરભાડા માટે સહાય તથા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. મહિલાએ કહ્યું- તે શિક્ષિત પરિવારમાંથી, જુગાર રમશે નહીંકેસની વિગતો મુજબ હાલ નિકોલ વિસ્તારમાં રહેતી મહિલાએ જાન્યુઆરી, 2017માં રાજકોટના એક કરિયાણાની દુકાન ચલાવતા યુવક સાથે લગ્ન કર્યા હતા. શરૂઆતમાં બધું ઠીક હતું, પરંતુ શ્રાવણ માસ દરમિયાન તેના સાસરીયાઓએ ઘરમાં સૌ જુગાર રમતા હોવાથી તેને પણ જુગારમાં ભાગ લેવા માટે આગ્રહ કર્યો હતો. મહિલાએ પોતે શિક્ષિત પરિવારમાંથી આવતી હોવાને કારણે જુગાર નહીં રમે તેવું કહીને ઇનકાર કર્યો હતો. માતા-પિતાથી પૈસા લાવવા માટે દબાણ શરૂ કર્યુંજુગાર રમવાનો ઇનકાર કર્યા બાદ પરિવારના વર્તનમાં ફેરફાર આવ્યો હોવાનું તેણે જણાવ્યું છે. સાસરીયાઓએ પોતે જુગાર ન રમે તો પણ જુગાર માટે તેના માતા-પિતાથી પૈસા લાવવા માટે દબાણ શરૂ કર્યું હતું. તેના કહેવા મુજબ આ જુગારમાં માત્ર પરિવારજનો નહીં, પરંતુ ઓળખીતાઓ પણ સામેલ હતા. વિવાદ વધતા તેણે આક્ષેપ કર્યો હતો કે જો તે જુગાર નહીં રમે તો પતિ સાથે છૂટાછેડા લેવા જેવી પરિસ્થિતિ પરિવાર દ્વારા ઉભી કરવામાં આવી. અંતે તેણે 2019માં સાસરું છોડ્યું હતું. મહિલાની પતિ સહિત પાંચ સામે ઘરેલુ હિંસાની ફરિયાદતેણે સાસરું છોડ્યા બાદ સાસરીયાઓએ તેના વિરુદ્ધ છેતરપિંડી અને ઘરેણાં લઈ જવાનો આક્ષેપ કરતી FIR નોંધાવી હતી. ત્યારબાદ મહિલાએ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી JMFC કોર્ટમાં પતિ અને તેના પાંચ સગાંઓ વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ કરી હતી અને સાસરેથી કાઢી મુકવામાં આવી હોવાનું જણાવ્યું હતું. પતિને દર મહિને 5 હજાર ભરણપોષણ ચૂકવવા હુકમસાસરીયાઓએ આક્ષેપો ખોટા હોવાનું કહીને તેમના દ્વારા કરાયેલી પોલીસ ફરિયાદોને આધાર બનાવ્યા હતા. જો કે અદાલતે મહિલાની હેરાનગતિ અંગેની વાત સ્વીકારી હતી. પતિની આવક સાબિત ન થઈ શકતાં, અદાલતે સક્ષમ વ્યક્તિની સરેરાશ આવકના આધારે પતિને દર મહિને 5 હજાર ભરણપોષણ ચૂકવવાનો અને ઘરભાડા માટે વધારાના 2 હજાર રૂપિયા પ્રતિ મહિને ચૂકવવાનો આદેશ આપ્યો છે.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 7:00 am

મુસાફરો માટે રાહતના સમાચાર:ખેડબ્રહ્માથી નારાયણ સરોવર એસટી બસ શરૂ કરાતાં રાહત

ખેડબ્રહ્મા એસ.ટી.ડેપો દ્વારા ખેડબ્રહ્મા તાલુકામાં વસતા કચ્છી સમાજના લોકો તથા યાત્રાળુઓ માટે ખેડબ્રહ્માથી નારાયણ સરોવર એસટી બસ શરૂ કરાતાં ખેડબ્રહ્મા પાલિકા પ્રમુખ પ્રિયંકાબેન ખરાડીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. બસ સાંજના 6 કલાકે ઉપડી ઇડર હિંમતનગર વિજાપુર મહેસાણા રાધનપુર ભૂજ નખત્રાણા દયાપર પાનધ્રો થઈ નારાયણ સરોવર ખાતે સવારના 6 કલાકે પહોંચશે. જેનો શુભારંભ પંકજદાસ મહારાજના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે કચ્છી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખેડબ્રહ્માથી નારાયણ સરોવરનું ભાડુ 425 રૂપિયા રહેશે.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 6:56 am

આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી:સાબરકાંઠામાં ત્રણ વર્ષમાં 992 બાળકોમાં હૃદય, કિડની અને કેન્સરની બીમારી મળતાં નિદાન થયું

સાબરકાંઠામાં આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત બાળકોની તપાસ કરાય છે. આ દરમિયાન જિલ્લામાં વર્ષ 2023 થી દર વર્ષે લગભગ 4 લાખ કરતાં વધારે બાળકોનું સ્ક્રિનિંગ કરાયું હતું. જેમાંથી ત્રણ વર્ષ દરમિયાન 992 બાળકોને વિવિધ બીમારીઓ હોવાનું સામે આવ્યું હતું. ત્રણ વર્ષમાં હ્રદય સંબંધિત બીમારી હોય તેવા 584 બાળકો, કિડની સંબંધિત બિમારીના 146 બાળકો, કેન્સર સંબંધિત બીમારીના 93 બાળકો, થેલેસેમિયા સંબંધિત બીમારીના 2 બાળકો તથા અન્ય બીમારીના જેમાં દાંત, આંખને લગતાં, કાનની લગતાં બીમારી ધરાવતાં 167 બાળકો મળતાં નિદાન કરાયું હતું. વર્ષ 2023માં 249 બાળકો, વર્ષ 2024માં 187 બાળકો તથા વર્ષ 2025માં 152 બાળકોને હ્દય સંબંધિત બીમારી હોવાનું નિદાન કરી તેમની યોગ્ય સારવાર ચાલુ કરાઇ હતી. વર્ષ 2023માં કિડની સંબંધિત 57, વર્ષ 2024માં 48 તથા વર્ષ 2025માં 41 બાળકો મળ્યા હતા. કેન્સરના વર્ષ 2023માં 26, વર્ષ 2024માં 34 તથા વર્ષ 2025માં 33 બાળકોને કેન્સર હોવાનું નિદાન થયું હતું. જિલ્લામાં ​વર્ષ 2025 દરમિયાન આર.બી.એસ.કે. કાર્યક્રમ અંતર્ગત કુલ 29 ટીમો દ્વારા આંગણવાડીના બાળકોની વર્ષમાં બે વાર તેમજ અભ્યાસ કરતાં બાળકોની વર્ષમાં એક વાર ચકાસણી કરાય છે. ​હ્રદયરોગની બીમારીના 152 બાળકો શોધેલ જેમાંથી 53 બાળકોના ઓપરેશન થયા છે. ​ ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ વાળા 10 તેમજ રૂટિનોપેથી ઓફ પ્રિમેચ્યોરિટી હોય તેવા 12, જન્મજાત મોતિયો વાળા 7, જન્મજાત બધિરતા વાળા 9 બાળકો મળ્યા છે. ​જન્મજાત કપાયેલ હોઠની બીમારી વાળા 27 બાળકો અને ક્લબ-ફૂટની ખામી વાળા 23 બાળકોને શોધીને સારવાર કરાવાઇ હતી. ​અન્ય ગંભીર બીમારીઓવાળા 42 બાળકો મળીને કુલ 498 બાળકોને સુપર સ્પેશ્યલ સારવાર અપાવવા મંજૂરીપત્રો આપી સઘન સારવાર અપાઇ છે.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 6:53 am

SIRની કામગીરી:સાબરકાંઠા જિલ્લામાં 1.76 લાખ મતદારોની સુનાવણી પ્રક્રિયા પૂર્ણ

સાબરકાંઠામાં એસઆઈઆર પ્રક્રિયા હાથ ધરાવતા પ્રથમ તબક્કામાં 1 લાખ મતદારોનો ઘટાડો થયા બાદ હવે આખરી ચરણમાં નો મેપિંગ અને લોજિસ્ટિક એરર વાળા ફુલ 1,76,289 મતદારોએ રજૂ કરેલ પુરાવા આધારે વેરિફિકેશન અને સુનાવણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જે ના અનુસંધાને સક્ષમ અધિકારી દ્વારા નિર્ણય લેવાયા બાદ 17 ફેબ્રુઆરીએ જાહેર થનાર આખરી મતદાર યાદીમાં કોનો સમાવેશ થયો છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન શરૂ કરી મતદાન ગણતરી ફોર્મ વિતરણ અને એને પરત મેળવી ડિજિટાઇઝેશનની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં જિલ્લાના કુલ 11,61,128 મતદારો પૈકી 33,147 મૃત્યુ 44,988 કાયમી સ્થળાંતરિત 11,352 ગેરહાજર 9400 બે જગ્યાએ તથા 1000 થી વધુ મતદારો અન્ય કારણોસર જુની યાદીમાંથી રદ કરી ડ્રાફ્ટ એસઆઈઆર યાદી જાહેર કરાઈ હતી. જેમાં 10,61,218 મતદાર નોંધાયેલા હતા.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 6:52 am

પીવાના પાણીના ધાંધિયા:પાલનપુરના જુના લક્ષ્મીપુરા ગામમાં પીવાના પાણીની તંગીથી લોકો હેરાન

પાલનપુરના જુના લક્ષ્મીપુરા વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી ધરોઈનું પીવાનું પાણી આપવામાં આવતું ન હોવાને કારણે લોકો પાણી માટે બોરના ક્ષાર વાળા પાણીનો ઉપયોગ કરી રહ્યા છે.બીજી બાજુ પંચાયતના સંપમાં પાણી ના આવતા ધરોઈ વિભાગને જાણ કરવામાં આવી રહ્યું હોવાનું તંત્ર દ્વારાજાણવા મળ્યું છે. પાલનપુરના જુના લક્ષ્મીપુરા વિસ્તારના લોકો પાણી અને ગંદકી એમ બે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી ધરોઈનું પીવાનું પાણી બંધ રહેતા સ્થાનિકોને મજબૂરીવશ બોરવેલના ક્ષારવાળા પાણીનો ઉપયોગ કરવો પડી રહ્યો છે, જે આરોગ્ય માટે હાનિકારક હોવાનું જણાવી રહ્યા છે. બીજી તરફ છેલ્લા એક મહિનાથી વધુ સમયથી કચરો લેવા માટે ટ્રેક્ટર ન આવતા વિસ્તારમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. ગંદકી અને દુર્ગંધના કારણે રોગચાળાનો ભય ઊભો થયો છે. વારંવાર રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં ભારે અસંતોષ ફેલાયો છે અને તંત્ર તાત્કાલિક પગલાં ભરે તેવી માંગ ઉઠી છે. આ અંગે તલાટી મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, ધરોઈના પાણી થોડા દિવસથી પંચાયતના સંપમા ના આવતા ધરોઈ વિભાગને જાણ કરવામાં આવી છે. અને ગામમાં સફાઈ પણ રેગ્યુલર કરવામાં આવે છે. પરંતુ છતાં કોઈ વિસ્તારમાં અછત સામે આવશે તો રેગ્યુલર સફાઈ ચાલુ કરાવી દેશો.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 6:48 am

દારૂ ઝડપાયો:અમીરગઢ બોર્ડર પર લક્ઝરી માં દારૂ સાથે બે ઝડપાયા

અમીરગઢ પોલીસ ઇન્સ્પેક્ટર ભગીરથસિંહ ગોહિલ રવિવારે પોલીસ સ્ટાફ સાથે બોર્ડર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહ્યા હતા. ત્યારે રાજસ્થાનના આબુરોડ તરફથી આવતી કુલદેવી ટ્રાવેલ્સની બસ નંબર એમપી-44-ઝેડસી-9888 ને રોકી તપાસ કરતા ડ્રાઈવર સાઈડની બીજી અને ત્રીજી સીટની નીચે બનાવેલ ગુપ્તખાના માંથી રૂ.3.48 લાખની દારૂની 1248 બોટલ મળી આવી હતી. પોલીસે બસ સહિત રૂ.18.68 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બસના ચાલક અરવિંદ બિરમારામ નાયક (રહે. નાયકો કા વાસ, કાત્યાસણી, તા.રીયાબડી, જી. નાગોર રાજસ્થાન) અને કંડક્ટરને રામદેવ મુલચંદ પ્રજાપતી (રહે.અમરાજીનગર, ગલી નં.02, ભગવતી શાળા પાસે, નરોડા,અમદાવાદ)ને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 6:46 am

તેરા તુજકો અર્પણ કાર્યક્રમ:વાગડોદ પોલીસે સાયબર ફ્રોડમાં ગુમાવેલા રૂ. 10,503 અરજદારોને પરત અપાવ્યા

ભાસ્કર ન્યૂઝ |નાયતા વાગડોદ પોલીસે ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોને આર્થિક રાહત અપાવી છે. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પોલીસે NCCRP પોર્ટલ પર મળેલી ફરિયાદો પર ત્વરિત કાર્યવાહી કરી કુલ 10,503નું રિફંડ અપાવ્યું છે. એસપી, સિદ્ધપુર DYSP કે.કે. પંડ્યા અને PI પી.એમ. બોડાણાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કામગીરી દ્વારા અરજદારોને થયેલ આર્થિક નુકસાન અટકાવવામાં આવ્યું છે. પોલીસે લોકોને સાયબર ફ્રોડના કિસ્સામાં જાગૃત રહી તુરંત ફરિયાદ કરવા અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 6:44 am

દુર્ઘટના સર્જાતા સહેજમાં રહી ગઈ:પાલનપુર-અમદાવાદ હાઈવે પર અંડર પાસ નજીક બની રહેલી સાંઇવિલા બાંધકામ સાઈટ પર અંડરપાસના સર્વિસ રોડ નજીક માટી ધસી ગઈ

પાલનપુરમાં અમદાવાદ હાઈવે બ્રિજ નજીક બની રહેલી બાંધકામ સાઈટ પર અંડરપાસના સર્વિસ રોડ નજીક માટી ધસી જતા દુર્ઘટના સર્જાતા સહેજમાં રહી ગઈ ગઈ હતી. રોડ નીચેની માટી ધસતા જમીન નીચેની પાઇપલાઇન પણ દેખાવા લાગી હતી. બિલ્ડરે અમદાવાદ હાઈવે પર ના અંડર પાસ પાસેના રોડની બાજુમાં કેટલીક સોસાયટીને જોડતા સર્વિસ રોડ પરની અવરજવર બંધ કરાવવવા બેરીકેટ લગાવી દીધું હતું. બીજી તરફ સાઈવિલા કન્સ્ટ્રક્શન સાઈટના બિલ્ડરે જણાવ્યું કે અમે રીપેર કરાવી દઈશું.તો બીજીતરફ માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક એન્જિનિયરે જણાવ્યું હતું કે તાત્કાલિક અસરથી કામ બંધ કરાવીને એજન્સી પાસે રીપેરીંગ કરાવવા કહ્યું છે. નગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું કે સવારે સ્થળ તપાસ કરીને જરૂરી સૂચના આપીશું.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 6:38 am

વેધર રિપોર્ટ:દિવસે 32 ડિગ્રીના કારણે ગરમી અને રાત્રે 15.5 ડિગ્રી નીચા તાપમાનથી હળવી ઠંડી રહી

ઉત્તર ગુજરાતમાં સોમવારે દિવસ અને રાતના તાપમાનમાં પોણા ડિગ્રીથી લઈને દોઢ ડિગ્રી સુધીનો ઉતાર-ચઢાવ નોંધાયો હતો. તેમ છતાં, સવારે હળવી ઠંડી અને બપોરે ગરમીના અહેસાસ વચ્ચે બેવડી ઋતુનો અનુભવ યથાવત રહ્યો હતો. અનુમાન મુજબ, આવી સ્થિતિ આગામી સપ્તાહ સુધી યથાવત રહેવાની શક્યતા છે. છેલ્લા બે દિવસથી ઉત્તર ગુજરાતમાં સવારના સમયે ભેજનું પ્રમાણ ઘટતું જઈ રહ્યું છે, જ્યારે બપોરના સમયે તેમાં વધારો નોંધાઈ રહ્યો છે. ભેજમાં આવેલા આ ફેરફાર વચ્ચે સોમવારે દિવસ-રાતના તાપમાનમાં પોણા ડિગ્રી સુધીની વધ-ઘટ જોવા મળી હતી. ઠંડીનો પારો 15થી 15.5 ડિગ્રી વચ્ચે રહેતાં સવારના સમયે હળવી ગુલાબી ઠંડીનો અહેસાસ થયો હતો. બીજી તરફ, પોણા ડિગ્રીના ઘટાડા સાથે દિવસનું મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. બપોરના સમયે વધેલા ભેજના કારણે સતત બીજા દિવસે દિવસના તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. તેમ છતાં, હવામાનમાં બેવડી ઋતુનો અહેસાસ યથાવત રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 6:35 am

ભાસ્કર એક્સક્લુસિવ:મહાશિવરાત્રીથી પાલનપુરમાં સીટી બસ શરૂ થશે,પ્રથમ 2 કિલોમીટર સુધી 5 રૂપિયા ભાડું

મુખ્યમંત્રી શહેરી બસ સેવા અંતર્ગત મહાશિવરાત્રીથી પાલનપુર શહેરમાં સીટી બસ સેવા શરૂ થવાની છે, જે શહેરવાસીઓ માટે પરિવહનનું મહત્વપૂર્ણ અને રાહતરૂપ સાધન બનશે. આ યોજનામાં કુલ 9 બસો મુકવામાં આવશે,જેમાં ઉદઘાટનના દિવસે પ્રથમ તબક્કામાં 6 બસોથી સેવા શરૂ કરવામાં આવશે. મિનિમમ ભાડું અંદાજિત 2 કિલોમીટર સુધી માત્ર 5 રૂપિયા રાખવામાં આવ્યું છે,જેથી સામાન્ય નાગરિકો, વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ તેમજ વડીલોને સસ્તી અને સુલભ મુસાફરી મળી રહેશે. હાલમાં ગુરુનાનક ચોક ખાતે સીટી બસ સેવાનો મુખ્ય કંટ્રોલરૂમ કાર્યરત રહેશે. શહેરના ટ્રાફિકની સ્થિતિ, લોકોની અવરજવરનો સમય, મુસાફરોની માંગ તથા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને બસ રૂટ નક્કી કરવામાં આવશે. ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન ભારતીબેન અંબાલાલ રંગવાણીએ જણાવ્યું હતું કે સીટી બસ સેવા સંચાલન કરતી એજન્સીને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં 15 વર્ષનો અનુભવ છે તેમજ હાલ પાંચ શહેરોમાં સફળતાપૂર્વક સીટી બસ સેવા કાર્યરત હોવાનું પણ જણાવાયું છે. શહેર દિવસે ને દિવસે વિસ્તરી રહ્યું છે અને વધતા વાહનવ્યવહાર વચ્ચે સલામત તથા સુવિધાજનક સવારી માટે સીટી બસ સેવા અત્યંત મહત્વની સાબિત થશે. આ સેવા શરૂ થવાથી ખાનગી વાહનો પરનો ભાર ઘટશે, ટ્રાફિક સમસ્યામાં રાહત મળશે તેમજ પર્યાવરણ સંરક્ષણને પણ પ્રોત્સાહન મળશે. ભવિષ્યમાં જરૂરિયાત ઊભી થશે તેમ સીટી બસના રૂટ તેમજ બસોની સંખ્યા વધારવાની પણ યોજના છે. ઉલ્લેખનીય છે કે પાલનપુર શહેરમાં અગાઉ સીટી બસ સેવા બંધ થયા બાદ ઘણા વર્ષો પછી ફરી એકવાર જાહેર પરિવહન વ્યવસ્થા શરૂ થવા જઈ રહી છે. લાંબા સમયથી શહેરવાસીઓ દ્વારા સીટી બસની માંગ કરવામાં આવી રહી હતી, જે હવે સાકાર થતી જોવા મળી રહી છે. 100ના રિચાર્જમાં 20 ટકા ડિસ્કાઉન્ટસીટી બસમાં પાસ સિસ્ટમ પણ અમલમાં મુકવામાં આવશે. મુસાફરોને ₹100 આપી એટીએમ જેવું કાર્ડ ખરીદવું પડશે, ત્યારબાદ ઓછામાં ઓછા ₹100નું રિચાર્જ કરાવી પાસ મેળવવાનો રહેશે. આ પાસ દ્વારા મુસાફરીમાં 20 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે અને આ સુવિધાનો ઉપયોગ નાગરિક કરી શકશે.રૂટ પ્રમાણે આમ તો 2 કિલોમીટર સુધી 5 રૂપિયા ભાડું નિર્ધારિત કરાયું છે. જે 100ના રિચાર્જમાં 20 ટકા ડિસ્કાઉન્ટમાં ઉબલબ્ધ રહેશે.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 6:34 am

દબાણો દૂર કરીને રસ્તા પહોળા કરાશે:પાલનપુર ગોબરી રોડ નજીકના 10 દબાણો તોડી પડાશે‎

પાલનપુરમાં ગોબરીરોડ થી જગાણા વચ્ચેનો માર્ગ 10 મીટર પહોળો બનાવવામાં આવી રહ્યો છે.આ કામગીરીમાં કર્ણાવત હાઇસ્કુલથી માર્કેટયાર્ડના પ્રવેશ દ્વાર સુધીના માર્ગ ઉપર દબાણો દૂર કરવા માટે 10 દબાણકર્તાઓને સોમવારે આખરી નોટિસ આપવામાં આવી છે.જ્યાં ગુરૂવારથી પોલીસ રક્ષણ સાથે દબાણો ઉપર બુલડોઝર ફેરવવામાં આવનાર છે. પાલનપુર શહેરમાં એરોમા સર્કલના ટ્રાફિકમાં ન ફસાવવું પડે તે માટે મોટાભાગના સ્થાનિક વાહન ચાલકો જે માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે. તે ગઠામણ દરવાજા- ગોબરીરોડથી જગાણા, ગોબરી પુલના રસ્તાને માર્ગ અને મકાન પંચાયત પાલનપુર પેટા વિભાગ દ્વારા 10 મીટર પહોળો રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યાં કર્ણાવત હાઇસ્કુલથી માર્કેટયાર્ડના પ્રવેશ દ્વાર સુધીના માર્ગ ઉપરના હયાત માર્ગ ઉપર મોટી કપચી પાથરી દેવામાં આવી છે. જોકે, સાઇડોમાં 10 થી વધુ લોકોએ કાચા- પાકા દબાણો કરી દીધા હોવાથી કામ અટકી ગયું છે. આ અંગે માર્ગ અને મકાન પંચાયત પાલનપુર પેટા વિભાગના અધિકારી આશિષભાઇએ જણાવ્યું કે, દબાણ દૂર કરવા માટે અગાઉ નોટિસો અપાઇ હતી. જોકે, દબાણ કર્તાઓએ જાતે દબાણો દૂર કર્યા નથી. આથી તેમને સોમવારે આખરી નોટિસ આપવામાં આવી છે. ગુરૂવારે પોલીસ રક્ષણ સાથે 10થી વધુ કાચા- પાકા દબાણો દૂર કરી રસ્તો પહોળો બનાવવાની કામગીરી આગળ વધારવામાં આવશે. રૂપિયા 3.63 કરોડના ખર્ચે રોડ પહોળો થશે માર્ગ અને મકાન પંચાયત પાલનપુર પેટા વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયા થયા પછી ગોબરીરોડથી જગાણા સુધી રૂપિયા 3.63 કરોડના ખર્ચે 10 મીટર રોડ પહોળો બની રહ્યો છે. જ્યાં નગરપાલિકા અને માર્કેટયાર્ડને સામેલ કરી માર્કેટયાર્ડના પ્રવેશ દ્વાર નજીક સર્કલ બનાવી માસ લાઇટ લગાવાશે. આ માર્ગ પહોળો બનશે ત્યારે શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ, 100થી વધુ સોસાયટીના રહિશોને ટ્રાફિક અને ખાડા ખરબચડા માર્ગની સમસ્યાથી કાયમી મુક્તિ મળશે.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 6:32 am

બાળકોને અપાઈ બાળમજૂરીથી મુક્તિ:પાટણમાં સફાઈ નિરીક્ષણમાં નીકળેલા ચીફ ઓફિસરે શેરડીના કોલા પર મજૂરી કરતા બે બાળકોને મુક્ત કરાવ્યા

પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે સફાઈ નિરીક્ષણ દરમિયાન શેરડીના કોલા પર કામ કરતા બે બાળકો ધ્યાને આવતા મજૂરીમાંથી મુક્ત કરાવી બાળ સુરક્ષા ગૃહમાં મોકલાયા હતા. બન્ને બાળકો હોઇ તંત્ર દ્વારા વાલીઓને જાણ કરી સ્થળ ઉપર બોલાવી ઘરે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. તરૂણો અને બાળ મજૂરીએ રાખનાર શેરડીના કોલાવાળા સામે કાનૂની કાર્યવાહી કરવા તજવીજ શરૂ કરાઈ છે. પાટણ શહેરમાં નવા સર્કિટ હાઉસ પાસે ચાણસ્મા હાઇવે પર વહેલી સવારે સફાઈ કામગીરીના નિરીક્ષણ દરમિયાન ચીફ ઓફિસરને બે માસૂમો શેરડીના કોલા ઉપર બાર મજૂરી કરતા જોવા મળ્યા હતા. બાળપણ રોળાતું હોય તેમણે તાત્કાલિક 1098 પર કોલ કરી ટીમને બોલાવી હતી. પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી કે પરપ્રાંતીય બાળકને દૈનિક માત્ર રૂ.300 ના વેતને રાખવામાં આવ્યો હતો. ગણતરીની મિનિટોમાં બાળ સુરક્ષા વિભાગની ટીમે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. શ્રમ વિભાગે 2025માં 50 બાળકોને મજૂરમાંથી છોડાવ્યા પાટણ જિલ્લા શ્રમ અધિકારી મનસ્વી કથીરિયાએ જણાવ્યું હતું કે વર્ષ 2025માં વિભાગ દ્વારા 32 જેટલી રેડ પાડી કુલ 391 એકમોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન 50 તરુણ શ્રમિકો મજૂરી કરતા મળી આવ્યા હતા, જેમાંથી 22 કિસ્સામાં કોર્ટ કેસ અને એક કિસ્સો ગંભીર જણાતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી કેતનભાઈ પ્રજાપતિ અને પિયુષભાઈ દવે જણાવ્યું હતું કે બંને બાળકોને પાલડી સ્થિત બાળ સુરક્ષા ગૃહ ખાતે ખસેડાયા હતા. પાટણના સ્થાનિક બાળકને તેના વાલીની બાહેધરી બાદ મુક્ત કરાયો છે. જ્યારે, કાકા સાથે મજૂરી અર્થે આવેલા 14 વર્ષીય પરપ્રાંતીય કિશોર પાસે કોઈ દસ્તાવેજ ન હોવાથી તેને હાલ સંરક્ષણમાં રખાયો છે. તેના વાલી પુરાવા સાથે હાજર થયા બાદ અને વયની ખરાઈ થયા પછી જ સોંપવામાં આવશે. આ મામલે શ્રમ વિભાગને આગળની કાર્યવાહી માટે લેખિત જાણ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 6:26 am

રાણકી વાવની ભવ્યતા બેવડાઈ:રાણકી વાવ ત્રિરંગા રંગોની રોશનીમાં ઝળહળી ઉઠી

પાટણના 1281માં સ્થાપના દિવસ નિમિત્તે વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ એક અનોખા અંદાજમાં જોવા મળી હતી. આ ઐતિહાસિક અવસરે રવિવારે રાત્રે વાવને કેસરી, સફેદ અને લીલા એમ ત્રિરંગાના રંગોની મનમોહક રોશનીથી સજ્જ કરવામાં આવતા સ્થાપત્યની ભવ્યતા બેવડાઈ હતી. રાત્રિના સમયે ઝગમગી ઉઠેલી વાવને જોવા મોટી સંખ્યામાં પાટણવાસીઓ ઉમટી પડ્યા હતા. સ્થાપના દિવસ નિમિત્તે અહીં વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. જેમાં પાટણના ગૌરવશાળી ઈતિહાસ અને વારસાને યાદ કરવામાં આવ્યો હતો. જેને મોટી સંખ્યામાં શહેરીજનોએ માણ્યો હતો.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 6:24 am

ભાસ્કર ફોલોઅપ:ગાંધીધામ-આદિપુર વચ્ચે ફોરલેન ટ્રેક અને Y કનેક્ટિવિટીનું કામ પૂર્ણ

ગાંધીધામ–આદિપુર રેલખંડ વચ્ચે ચૌહરીકરણ (ફોરલેન ટ્રેક) તથા આદિપુર સ્ટેશન પર વાય કનેક્ટિવિટીનું મહત્વપૂર્ણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરાયું છે. આ ખંડનું 9 ફેબ્રુઆરીના પશ્ચિમ સર્કલ રેલ સુરક્ષા આયુક્ત (CRS) ઈ. શ્રીનિવાસ દ્વારા ટ્રોલી નિરીક્ષણ કરાયું હતું. નિરીક્ષણ ટીમમાં અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશ, મુખ્ય વહીવટી અધિકારી (નિર્માણ) પ્રદીપ ગુપ્તા, મુખ્ય ટ્રેક ઈજનેર, મુખ્ય સંચાલન પ્રબંધક (જી) તેમજ નિર્માણ અને ઓપન લાઇન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સામેલ હતા. ગાંધીધામ–આદિપુર બ્રોડગેજ રેલખંડ કંડલા અને મુન્દ્રા બંદરો સહિત ભુજ, વાયોર તથા અન્ય વિસ્તારોને દેશના વિવિધ ભાગો સાથે જોડતો એક અત્યંત મહત્વપૂર્ણ માલ પરિવહન માર્ગ છે. હાલમાં આ ખંડ અત્યંત વ્યસ્ત હોવાથી સંચાલન પર દબાણ રહે છે, જેને ઘટાડવા માટે બે વધારાની લાઇનોની જરૂરિયાત અનુભવાઈ રહી હતી. આ માર્ગ પરથી મીઠું તથા સામાન્ય માલની પણ મોટા પાયે હેરફેર થાય છે અને મુન્દ્રા બંદરની વધતી ક્ષમતાને ધ્યાનમાં લેતા ભવિષ્યમાં યાતાયાત વધુ વધવાની સંભાવના છે. ફોરલેનથી લાઇન ક્ષમતામાં વધારો થશે, જેના કારણે ટ્રેનોનું સંચાલન વધુ સુરક્ષિત, સમયબદ્ધ અને સુચારુ બનશે. પરિણામે મુસાફર ટ્રેનોની સમયપાલનમાં સુધારો થશે, પીક સમયમાં સંચાલન સરળ બનશે તેમજ નવી ટ્રેનો અથવા વધારાના ફેરાઓની શક્યતાઓ વધશે.આ પ્રોજેક્ટ કચ્છ વિસ્તારના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા, વેપાર, પર્યટન અને રોજગારના અવસર વધારવા તેમજ રોકાણ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવામાં સહાયક સાબિત થશે. 70 ગ્રોસ મિલિયન ટન લોડિંગઆ ખંડ અમદાવાદ મંડળનો સર્વાધિક GMT (ગ્રોસ મિલિયન ટન) લોડિંગ ધરાવતો સેકશન છે, જ્યાંથી દર વર્ષે 70થી વધુ GMT લોડિંગ થાય છે.આ પ્રોજેક્ટથી કંડલા તથા મુન્દ્રા બંદરો સાથે જોડાયેલા કન્ટેનર, પેટ્રોલિયમ, ખાતર, અનાજ તેમજ અન્ય માલના પરિવહનમાં ઝડપ આવશે. માલગાડીઓનો ટર્નઅરાઉન્ડ સમય ઓછો થશે, વેગનોનો વધુ સારો ઉપયોગ શક્ય બનશે તથા લોજિસ્ટિક ખર્ચમાં ઘટાડો થશે, જેના કારણે ઉદ્યોગો અને વેપારને સીધો લાભ મળશે. આ મહત્વપૂર્ણ કાર્યો થયાપ્રોજેક્ટ અંતર્ગત 17 કિમી ટ્રેક લિંકિંગ, 8 નાના પુલોના નિર્માણ તેમજ 2.60 લાખ ઘન મીટર અર્થવર્ક કરાયું છે. આદિપુર સ્ટેશન પર સિગ્નલ તથા ટેલિકોમ્યુનિકેશન અને ઓપરેટિંગ કન્ટ્રોલ બિલ્ડિંગનું નિર્માણ અને ચોથી લાઇન સહિત સમગ્ર સેકશનનું વિદ્યુતીકરણ પૂર્ણ થયું છે. ગાંધીધામ બી કેબિનમાં 16 નવા પોઇન્ટ્સ અને ક્રોસિંગ તેમજ આદિપુર સ્ટેશન પર 21 નવા પોઇન્ટ્સ અને ક્રોસિંગ સાથે 1 લૂપ લાઇન સહિત યાર્ડ રીમોડેલિંગના કાર્ય કરવામાં આવ્યા છે. અમદાવાદ તરફથી આવતી ટ્રેનોને હવે એન્જિન બદલવું નહીં પડેગોપાલપુરી નવા સ્ટેશનના નિર્માણથી અમદાવાદ તરફથી આવતી ગાડીઓને ભુજ જવા માટે ગાંધીધામમાં એન્જિન રિવર્સલ કરવાની જરૂર રહેશે નહીં, જેના કારણે આશરે 20–25 મિનિટનો સમય બચશે. આદિપુર સ્ટેશન પર ‘વાય’ કનેક્ટિવિટી ઉપલબ્ધ હોવાથી ટ્રેનોને દિશા પરિવર્તન કરવું પડશે નહીં, પરિણામે સમય અને ઇંધણ બંનેની બચત થશે અને સંચાલન વધુ સરળ બનશે.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 6:12 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:16 કરોડના ખર્ચે મુન્દ્રા સર્કલથી શિણાય રોડ ‘ચકાચક’

વર્ષ-2001 ના વિનાશક ભુકંપ બાદ આદિપુરના મુન્દ્રા સર્કલથી અંતરજાળ અને શિણાય તરફ જતા રસ્તા પર જેટ ગતિએ રહેણાક વિસ્તારનો વિકાસ થયો છે પરંતુ મુન્દ્રા તરફ જતા આ રસ્તાનું નવીનીકરણ વર્ષોથી થયું ન હોઇ બિસ્માર બન્યો હતો જે બાબતે અવાર નવાર રજુઆતો પણ થતી હતી. તેની વચ્ચે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુન્દ્રા સર્કલ થી શિણાય પોલીસ હેડ ક્વાર્ટર સુધીના 5 કિલોમીટર રસ્તાનું નવીનીકરણ કાર્ય શરૂ કર્યું જે પૂર્ણતાના આરે છે. આ રસ્તો નવો બનતા રહેવાસીઓને રાહત મળી છે પણ સાથે ટાગોર રોડની જેમ આ રોડ પણ અકસ્માત ઝોન ન બની જાય તેવા સવાલો પણ ઉભા થયા છે. ભૂકંપ બાદ જેત ગતિએ વિકસેલા આદિપુરના શિણાય વિસ્તારના લોકો માટે રાહતના સમાચાર છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આદિપુરના મુંદરા સર્કલથી શિણાય પોલીસ હેડ ક્વાર્ટર સુધીના 5 કિલોમીટરના રસ્તાનું રૂ.16 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે. વર્ષોથી વરસાદી પાણી અને ઉબડખાબડ રસ્તાની સમસ્યા ભોગવતા હજારો વાહનચાલકોને હવે સ્મૂધ ડ્રાઇવિંગનો અનુભવ મળશે,નાયબ કાર્યપાલક ઇજનેર પ્રવિણસિંહ મારવાડાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આ કામગીરીમાં ક્વોલિટી અને લેવલિંગ પર ખાસ ધ્યાન અપાયું છે, જરૂરિયાત મુજબ સીસી રોડ અને બાકીના ભાગમાં ડામર રોડ બનાવવામાં આવ્યો છે. ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે રસ્તાની સાઈડમાં ખાસ ડ્રેનેજ સિસ્ટમ વિકસાવવામાં આવી છે,રસ્તાનું લેવલિંગ એવી રીતે કરાયું છે કે જેથી વાહનોની અવરજવર સુગમ બને.નવો બનેલો રોડ વાહનચાલકો માટે આશીર્વાદરૂપ છે, પરંતુ ‘હિટ એન્ડ રન’ની ઘટનાઓ અટકાવવી એ મોટો પડકાર છે. ત્રણ રસ્તાઓ પાસે પોલીસ ચોકી જરૂરી બનીશિણાય તરફ જતા પહેલાં જ ત્રણ રસ્તા આવે છે જ્યાં 24 કલાક વાહન વ્યવહારનો ધમધમાટ રહે છે ત્યારે આવા ત્રણ રસ્તા પાસે સર્કલ બનાવી પોલીસની 24 કલાક હાજરી રહે તે માટે ચોકીનું નિર્માણ પણ અતિ જરૂરી છે. કારણ કે આ રસ્તા પર બેફામ ગતિને કારણે અવાર નવાર હિટ એન્ડ રનના બનાવો બની ચૂક્યા છે. 5 કિમી રોડમાં 25 કટ, અકસ્માતને આમંત્રણઆદિપુરના મુન્દ્રા સર્કલથી શિણાય પોલીસ હેડ ક્વાર્ટર સુધીના 5 કિમી રસ્તામાં 25 જગ્યાએ કટ આવેલા છે. દરેક સોસાયટીની આગળ, મંદિર, પેટ્રોલપમ્પ , હોટલોની સામે પણ કટ છે,વહેતો રસ્તો હોવાને કારણે કટમાંથી અવર જવર કરતી વેળાએ રસ્તા પર અનેક જગ્યાએ જોખમી કટ છે, જે અકસ્માતને નોતરે છે. ફક્ત જરૂરી કટ રાખી બાકીના બંધ કરવા જોઈએ. તુણા પોર્ટ ચાલુ થતા વાહનોની અવર-જવર વધશેઆદિપુર મુન્દ્રા સર્કલ થી શિણાય તરફ રસ્તા પર ગાંધીધામ થી મુન્દ્રા-માંડવી તરફની અવર જવર વધુ રહે છે , બીજું હવે ટુંક સમયમાં તુણા પોર્ટ શરૂ થશે જેના કારણે ભારે વાહનોની અવર જવર મોટા પ્રમાણમાં વધશે તે જોતા રોડની ગુણવત્તા એ મુજબની હશે તો ટકશે નહીંતર થોડા સમયમાં જ ફરી બિસ્માર રોડ જ લોકોના નસીબમાં રહેશે, વળી અનેક કટ તેમજ નવા રસ્તાને કારણે ગતિ મર્યાદા નહીં જળવાય તો ટાગોર રોડની જેમ આ રસ્તો પણ અકસ્માત ઝોન બની જશે એ પણ ચિંતાનો વિષય છે.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 6:09 am

કચ્છમાં બોર્ડર-2 ના રિયલ હીરોની એન્ટ્રી:સની દેઓલે ‘રોડ ટુ હેવન' પર માણી લક્ઝરી સફર

ભારતની સરહદોનું શૌર્ય પડદા પર જીવંત કરનાર સુપરસ્ટાર સની દેઓલ હાલમાં સરહદી જિલ્લા કચ્છની મુલાકાતે છે. તાજેતરમાં જ તેમની ફિલ્મ 'બોર્ડર-2' રિલીઝ થઈ છે, જે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે ત્યારે ફિલ્મી પડદે સરહદ સાચવતા આ હીરોએ રિયલ લાઈફમાં કચ્છની સરહદની શાંતિ અને પ્રકૃતિના અદભૂત નજારાને માણ્યો હતો. સની પાજી ખાસ લક્ઝરી પોશે (Porsche) કાર લઈને કચ્છના પ્રવાસે પહોંચ્યા હતા. ધોળાવીરા નજીક આવેલા રોડ ટુ હેવન તરીકે જાણીતા માર્ગ પર જ્યારે સની દેઓલની મોંઘેરી કાર પસાર થઈ, ત્યારે જાણે કોઈ ફિલ્મનું દ્રશ્ય ભજવાઈ રહ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો. બંને બાજુ ફેલાયેલા સફેદ રણની વચ્ચેથી પસાર થતાં આ નયનરમ્ય માર્ગનો વીડિયો તેમણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સોમવારે રાત્રે મૂક્યો કર્યો હતો. દિગ્ગજ કલાકાર દ્વારા શેર કરાયેલા આ વીડિયોના કારણે કચ્છના પ્રવાસનને વૈશ્વિક સ્તરે એક નવું પ્લેટફોર્મ મળ્યું છે. કચ્છની ધરા પર જ્યારે બોલિવૂડના સ્ટાર્સ પોતાની લક્ઝરી ગાડીઓ લઈને ફરે છે, ત્યારે તે સાબિત કરે છે કે ગુજરાતનું પ્રવાસન હવે આંતરરાષ્ટ્રીય ઊંચાઈઓ સર કરી રહ્યું છે. કચ્છમાં હાલ પ્રવાસન સીઝન પૂર્ણતાના આરે છે, ત્યારે સની દેઓલની મુલાકાતથી સ્થાનિક હોટલ ઉદ્યોગ અને ગાઈડ્સમાં ભારે ઉત્સાહ છે. ‘રોડ ટુ હેવન’ હવે માત્ર રસ્તો નથી રહ્યો, પરંતુ સેલ્ફ-ડ્રાઈવિંગ અને હાઈ-એન્ડ ફોટોગ્રાફીના શોખીનો માટે એક પ્રમુખ ‘ડેસ્ટિનેશન’ બની ગયું છે. ઉલ્લેખનીય છે કે, સની દેઓલે જે કાર સાથે વીડિયો મૂક્યો તે કોઈ સામાન્ય કાર નથી. તે Porsche 911 Turbo 50 Years એડિશન છે. પોર્શે કંપનીએ ‘911 ટર્બો’ મોડલના 50 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી રૂપે આ ખાસ લિમિટેડ એડિશન લોન્ચ કરી છે, જેના વિશ્વભરમાં માત્ર 1974 યુનિટ જ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં 3.7 લીટર ટ્વિન ટર્બો એન્જિન છે આશરે 650 હોર્સ પાવર અને માત્ર 2.7 સેકન્ડમાં 0 થી 100 કિમીની ઝડપ ધરાવે છે.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 6:07 am

PGVCL એક્શન મોડમાં:ભચાઉમાં વિશેષ ઝુંબેશમાં 72 વીજ ગ્રાહકના જોડાણો કપાયા

પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની ભચાઉ પેટા વિભાગીય કચેરી દ્વારા શહેરમાં બાકી વીજ બિલની વસૂલાત અર્થે મેગા ડિસકનેક્શન ડ્રાઇવ યોજવામાં આવી હતી. જે દરમિયાન બિલ ચૂકવણા બાકી હોય તેવા 72 ગ્રાહકના વીજ જોડાણ કાપવામાં આવ્યા હતા. વિશેષ મુખ્ય ઇજનેર એ. એસ. ચૌધરી અને કાર્યપાલક ઈજનેર જે. આર. ચૌહાણના માર્ગદર્શન હેઠળ નાયબ ઈજનેર જે. ટી. ગોસ્વામી દ્વારા હાથ ધરાયેલી કામગીરીમાં 74 લાખની બાકી રકમની વસૂલાત હાથ ધરાઈ હતી. હવે આ ઝુંબેશનો વ્યાપ વધારીને તમામ ગામડાઓમાં પણ આ પ્રકારે ડિસકનેક્શન ડ્રાઇવ કરવામાં આવશે. હવે પછીની ઝુંબેશ 13 ફેબ્રુઆરીના યોજવામાં આવશે. બાકી લેણાં ધરાવતા તમામ ગ્રાહકોને પોતાનું બાકી વીજ બિલ તાત્કાલિક ઓનલાઇન માધ્યમથી અથવા પેટા વિભાગીય કચેરી ખાતે રૂબરૂ જઈને ભરી દેવા જણાવાયું હતું. વીજ જોડાણ કપાયા બાદ ફરીથી જોડાણ મેળવવા માટે ગ્રાહકે રિકનેક્શન ચાર્જ અને બાકી રકમ બંને ભરવા પડશે, અને વધુ માં રી- કનેક્શન કરતા પહેલા ઈ.કે-વાયસી કરાવવું ફરજિયાત છે.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 6:05 am

તસ્કરોએ કર્યો હાથફેરો:બારોઇ રોડની સોસાયટીમાં બંધ મકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું

હાલ બંદરીય નગરી મુન્દ્રામાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ તાજેતરમાં નગરના પરા સમાન બારોઇ રોડ સ્થિત હિંગલાજ નગરના બંધ મકાનમાં 1.75 લાખની ચોરી બાદ હવે અન્ય સોસાયટીના બંધ મકાનને નિશાન બનાવ્યું હોવાના અહેવાલ સાંપડ્યા છે. બનાવ અંગે મળતી વિગત બારોઇ રોડ પર આવેલ કલાપૂર્ણ સોસાયટી સ્થિત મકાનના માલિક ગત 23/1 ના રોજ પોતાના વતન બિહારના દરભંગા ગયા હતા.ત્યારે અજાણ્યા તસ્કરે બંધ મકાનના ઘરના દરવાજાનું તાળું તોડી તેમાં પ્રવેશ કર્યો હતો.બાદમાં કબાટ માં પડેલ 25 હજાર રોકડ તેમજ સોનાની વીંટી,કાનના બુટિયાં તથા ચાંદીના ઝાંઝરનો હાથફેરો કર્યો હતો. બાદમાં વતન થી પરત ફરેલા વ્યક્તિએ ઘર ખોલતાં ચોરી થયાનું જણાઈ આવ્યું હતું.જોકે મોડી સાંજથી મુન્દ્રા પોલીસ મથકે બનાવ અંગેની વિધિવત ફરિયાદ નોંધાઈ નથી.ત્યારે સતત બંધ ઘરોમાં ચોરી થવાના બનાવો અંગે નગરનો પ્રબુદ્ધ વર્ગ દિવસ દરમ્યાન ચોક્કસ વિસ્તારોની આયોજનબદ્ધ રીતે રેકી કરાતી હોવાનો મત વ્યક્ત કરી શેરી મહોલ્લામાં ભંગાર કે કચરો વિણવા આવતા કે અન્ય કોઈ પણ બહાને કદમપેશી કરતા અજાણ્યા ઈસમોથી સતર્ક રહેવાનો અનુરોધ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 6:04 am

નિમણૂક:કચ્છ ભાજપ સંગઠનના હોદ્દેદારો વરાયા

કચ્છ જિલ્લા ભાજપ દ્વારા પ્રદેશ ભાજપ પ્રમુખ તથા મોવડી મંડળ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ કચ્છના હોદ્દેદારોની નિમણૂક કરાઇ હતી. જેમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મશરૂ રબારી, અશોક હાથી, મુળજી મ્યાત્રા, રેશ્માબેન ઝવેરી, પ્રફુલસિંહ જાડેજા, આશિકાબેન ભટ, સુરેશ વલ્લભજી સંઘાર અને વિકાસ મોહનલાલ રાજગોર, મહામંત્રી તરીકે ધવલ આચાર્ય, હિતેશ ખંડોર, ભીમજી જોધાણી, મંત્રી તરીકે પરેશ ભાનુશાલી, છાયાબેન ગઢવી, નયનાબેન પટેલ, ઉમેશ મુળજી સોની, રાજેશ પલણ, રૂપલબેન દેસાઇ, રસીલા બારી, કંચનબેન વાઘેલા, કોષાધ્યક્ષ સુરેશ ટાંક, કાર્યાલય મંત્રી હરેશ માવજી પટેલની નિમણૂક કરાઈ છે. તેમજ સોશિયલ મીડિયા વિભાગમાં પીયુષ જયંતિલાલ ભોજાણી, આઈ. ટી. વિભાગમાં ભૌમિક અરૂણ વચ્છરાજાની, મીડિયા વિભાગમાં સાત્વિકદાન મહેશદાન ગઢવી નિમાયા છે. જિલ્લા યુવા મોરચા પ્રમુખ તરીકે રામ ભીમશીભાઈ ગીલવા, મહામંત્રી ભાર્ગવ શશીકાંત શાહ અને રાહુલ સુરેન્દ્ર ગુંસાઈ, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ તરીકે પારૂલબેન રમેશભાઈ કારા, મહામંત્રી પારસબા કૃષ્ણસિંહ જાડેજા અને રચનાબેન પ્રણવ જોશી, કિસાન મોરચા પ્રમુખ તરીકે હિતેશ ડાયાલાલ પાંચાણી, મહામંત્રી રવિન્દ્ર મનજી ગામી, વિરમ રામજી આહીર, બક્ષીપંચ મોરચા પ્રમુખ હિતેશ જયેશભારથી ગોસ્વામી, મહામંત્રી ખેંગાર પબાભાઈ રબારી, બકુલ મયુર ઠાકોર, અનુસૂચિત જાતિ મોરચો પ્રમુખ રવિલાલ નારણ ગરવા, મહામંત્રી શામજી કરસન વાણીયા, પરસોતમ મગનલાલ મારવાડા, લઘુમતી મોરચામાં પ્રમુખ આકિબ દાઉદ બાયડ, મહામંત્રી મામદશા ઓસમાણ શેખ અને ઈમ્તિયાઝ ફકીર મામદ સોઢાની વરણી કરાઈ છે. સોશિયલ મીડિયામાં કથિત વિરોધ તે જળવાયા અને ગૃહમંત્રીના નજીકી એવા બાકાત રહ્યાકચ્છ ભાજપ દ્વારા વિવિધ સંગઠનોના હોદ્દેદારો જાહેર કરાયા, જેનામાં મોટા ભાગના જાણીતા જ નામો છે. આ વચ્ચે હાલે, જાહેર નામોમાં એક સક્ષમ હોદ્દેદાર વિરુદ્ધ સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર એક જાતિ પ્રત્યે કનડગતની ભાવના રાખી હોવાના આક્ષેપ કરાયા હતા અને તેમના બહિષ્કાર સુધીના સંદેશા વહેતા કરાયા હતા. તેમણે પોતાનો સ્થાન જાળવી રાખ્યું છે. યુવા મોરચાથી હાલના ગૃહમંત્રી સાથે જોડાયેલા અને નજીકના મિત્ર એવા હોદ્દેદાર બાકાત છે. સંગઠનમાં ખૂબ મજબૂત અને પ્રબળ એવા હોદ્દેદારની બાકાતી હાલ પૂરતી તો આશ્ચર્યજનક છે પણ આગામી સમયમાં જરૂર અલગ સમીકરણ જોવા મળી શકે છે. જિલ્લા યુવા મોરચાના પ્રમુખ અને મહામંત્રી કચ્છ યુનિ. શાહી કાંડના મુખ્ય સૂત્રધારભૂતકાળમાં પ્રાધ્યાપકનું મોઢું કાળું કરવાનું દુઃસાહસ દર્શાવી ચૂકેલા એબીવીપીના કાર્યકર્તાઓને જિલ્લા ભાજપે વિશેષ હોદ્દાઓ આપ્યા છે. કહેવાતી શિસ્ત અને આદર્શોને સમર્પિત પાર્ટીના યુવા મોરચાના જિલ્લાના પ્રમુખ અને મહામંત્રી તરીકે જ તેમની નિમણૂક કરાઈ છે. વર્ષ 2018માં એબીવીપીના કાર્યકરો દ્વારા કચ્છ યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેમાં સેનેટ ચૂંટણીમાં આક્ષેપો કરાયા સાથે સૂત્રોચાર કર્યા હતા. જેમાં એબીવીપીના કાર્યકરો રામ ગઢવી અને ભાર્ગવ શાહ દ્વારા ચૂંટણી અધિકારી અને કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસર ડો. ગીરીન બક્ષી પર હુમલો કરી પદાર્થ છાંટીને મોઢું કાળું કર્યું હતું. શામજી કરસન વાણીયા, પરસોતમ મગનલાલ મારવાડા, લઘુમતી મોરચામાં પ્રમુખ આકિબ દાઉદ બાયડ, મહામંત્રી મામદશા ઓસમાણ શેખ અને ઈમ્તિયાઝ ફકીર મામદ સોઢાની વરણી કરાઈ છે.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 6:03 am

ચાલુ મેચમાં MLAને ઉંઘ આવવા લાગી?:જિજ્ઞેશ કવિરાજ, માયાભાઈ આહીર અને જયરાજ આતા લગ્ન પ્રસંગમાં ખૂબ નાચ્યા, જુઓ VIDEO

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 6:00 am

મહિલા બાળકીને ઉઠાવી ગઈ પછી લોહી નીતરતી લાશ મળી:ટ્યૂબલાઈટના કાચથી ચીરા માર્યા, આંતરડા બહાર આવી ગયા, 5 વર્ષની માસૂમના મર્ડરમાં બીજા દિવસે થયો ઘટસ્ફોટ

નવસારી શહેરની નજીક આવેલું કબીલપોર નામનું એક ગામ જાન્યુઆરી 2015માં અચાનક જ ચર્ચામાં આવ્યું. 13 જાન્યુઆરીની સાંજ કંઈક અમંગળ સંકેતો લઈને આવી હતી. આકાશમાં સૂરજ આથમવાની તૈયારીમાં હતો અને ઉત્તરાયણ પૂર્વેની હલચલ હતી. પણ ધર્મેશભાઈ સલાટના ઘરે એક વિચિત્ર સન્નાટો પ્રસરેલો હતો. લગ્ન એ બે વ્યક્તિઓ વચ્ચેનો એવો રથ છે જે વિશ્વાસના પૈડાં પર ચાલે છે. પણ જ્યારે એ પૈડાં તૂટે, ત્યારે સર્જાય છે એક એવી ખાઈ, જેમાં ક્યારેક નિર્દોષ લોકો હોમાઈ જાય છે. ધર્મેશભાઈના બીજા લગ્ન પછીનો આ સંસાર માંડ પાટા પર ચડ્યો હતો, ત્યાં જ કુદરતે ક્રૂર વળાંક લીધો. ગુજરાત ક્રાઇમ ફાઇલ્સમાં વાત આજે એવા એક ક્રૂર હત્યાકાંડની, જેમાં વેરઝેરની ભાવનાનો માસૂમ ભોગ બની અને સંવાદનાના તમામ સીમાડા વટાવી દેવામાં આવ્યા હતા. “ગીતા… સંજના ક્યાં છે? ક્યારની દેખાતી નથી... ધર્મેશભાઈએ ફળિયામાં નજર દોડાવતા પૂછ્યું. ગીતાબેનના ચહેરા પર ચિંતા ઉભરી આવી. પાંચ વર્ષની માસૂમ સંજના ક્યારેય કહ્યા વગર ક્યાંય જતી નહોતી. સાંજનો સમય થવા આવ્યો હતો, અંધારું ધીમે-ધીમે વધતું જઈ રહ્યું હતું. પતિએ સવાલ કરતા હવે ગીતાબેનને પણ ચિંતા થઈ. તેઓ ઘરમાંથી ફટાફટ બહાર નીકળ્યા. સામે જ તેમના સગાભાઈ અર્જુન દેખાયા. ચલતા-ચાલતા તેઓ બહેનના ઘર તરફ જ આવી રહ્યા હતા. ભાઈ… તેં સંજનાને ક્યાંય જોઈ? સાંજ રમવા ગઈ પણ એ હજી ઘરે નથી આવી, આટલું બોલતા તો ગીતાબેનનું ગળું જાણે સુકાવવા લાગ્યું. મામા અર્જુનભાઈએ આજુબાજુ નજર કરી અને નકારમાં માથું ધુણાવ્યું, ના ગીતા, મેં તો એને બપોર પછી જોઈ જ નથી. ક્યાં ગઈ હશે આ છોકરી? દીકરીની ચિંતા હવે ડરમાં બદલાઈ રહી હતી. થોડી જ વારમાં વાત ફેલાઈ ગઈ કે ધર્મેશભાઈની દીકરી ગુમ થઈ ગઈ છે. ક્યારનીય મળતી નથી. આખું કુટુંબ કબીલપોરના અલગ-અલગ વિસ્તારોમાં ફરી વળ્યું. ગલીઓ, પરિચિતોના ઘર, મંદિરનો ચોરો... બધું જ તપાસ્યું, પણ સંજનાનો ક્યાંય પત્તો નહોતો. શોધખોળ દરમિયાન અર્જુનભાઈની નજર ઘરની નજીક આવેલા એક અવાવરું વાડા તરફ ગઈ. ત્યાં ઝાંખા અજવાળામાં કોઈ આકૃતિ જેવું દેખાયું. તેઓ દોડતા ત્યાં પહોંચ્યા અને જે જોયું એ જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. ઓ બાપ રે… આ શું... અર્જુનભાઈના ગળામાંથી ચીસ નીકળી ગઈ. ત્યાં જમીન પર લોહીના રેલો જોવા મળ્યો અને નજીકમાં જ પાંચ વર્ષની સંજના જીવન-મોત વચ્ચે ઝોલા ખાઈ રહી હતી. દૃશ્ય એટલું ભયાનક હતું કે કોઈ પથ્થર દિલના માણસનું કાળજું પણ કંપી જાય. માસૂમ બાળકીના ગળા પર ઊંડો ઘા હતો અને તેના પેટના ભાગે કોઈએ ક્રૂરતાપૂર્વક છેદ કર્યો હતો, આંતરડા બહાર નીકળી આવ્યા હતા. લોહી હજી તાજું હતું. પરંતુ સંજના બોલી શકવાની સ્થિતિમાં ન હતી. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે આ એ જ જગ્યા હતી જ્યાં થોડીવાર પહેલાં જ્યોત્સના નાનની મહિલા બેઠેલી જોવા મળી હતી. અર્જુનભાઈએ તરત જ બૂમ પાડી, ગીતા… મમ્મી… જલ્દી અહીં આવો... જુઓ સંજનાને શું થયું છે. પરિવારમાં આક્રંદ મચી ગયો. લોહીથી લથપથ સંજનાને ઉચકી અને તાત્કાલિક રિક્ષામાં મૂકવામાં આવી. સંજના આંખો ખોલી રહી ન હતી. પરિવારના લોકો હાંફળા-ફાંફળા થઈને નજીકમાં આવેલી મુલ્લાજીની હોસ્પિટલે પહોંચ્યા. ડોક્ટરે દીકરીની પ્રાથમિક સારવાર કરી પણ તેમનો અંદાજો આવી ગયો કે વધારે સમય અહીં રાખી શકાય એમ નથી. એટલે પરિવારને સલાહ આપી કે સંજનાને તરત જ નવસારી સિવિલ હોસ્પિટલ રિફર કરો. રાત પડતા સુધીમાં સંજનાને નવસારીની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી. પરંતુ અહીંયાંથી પણ સારા સમાચાર ન મળ્યા. સંજનાની હાલત મિનિટે-મિનિટે બગડતી જતી હતી. એટલે નવસારીથી વધુ સારવાર માટે તેને રાત્રે જ સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી. ઢળતી સાંજે સંજના સાથે કંઈક અજૂગતું બની ગયું હતું. તે કલાકો સુધી મોતને હાથ તાળી આપતી રહી. ત્રણ-ત્રણ હોસ્પિટલના ડોક્ટરોએ સંજનાનો જીવ બચાવવા માટે બરાબર મહેનત કરી. પરંતુ, કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. જે માસૂમ અત્યાર સુધી રમતી-કૂદતી હતી, તે સારવાર દરમિયાન જિંદગીની જંગ હારી ગઈ. અત્યાર સુધી પરિવારના લોકો દોડધામમાં હતા. પણ બાળકીના મોતના થોડા કલાકો બાદ સુરતની સિવિલ હોસ્પિટલના કોરિડોરમાં સન્નાટો હતો. હવે પરિવારના લોકોના મનમાં સવાલોનો વંટોળ ઉઠ્યો. એક પાંચ વર્ષની બાળકી સાથે આવી હેવાનીયત કોણ કરી શકે? શું આ કોઈ જૂની અદાવત હતી? કે પછી અણબનાવનું કોઈ કારણ હતું? સુરત સિવિલ હોસ્પિટલના શબઘરની બહાર ધર્મેશભાઈ જાણે કે પથ્થરની મૂર્તિ બનીને બેઠાં હતા. હજુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ આવ્યો ન હતો. એટલે મોત પાછળનું ચોક્કર કારણ જાણવા નહોતું મળ્યું. પરિવાર અને પોલીસના મનમાં ઘણા પ્રશ્નો હતા. નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ચૂકી હતી. તપાસનો દોર શરૂ થયો હતો પણ આ કોઈ સામાન્ય ગુનો નહોતો. આ કેસમાં એક માસૂમની નિર્મમ હત્યા હતી. પોલીસ ઇન્સ્પેક્ટરે ડાયરી ખોલી અર્જુનભાઈની પૂછપરછ શરૂ કરી. અર્જુનભાઈ એટલે મૃતક બાળકીના મામા, તેમણે જ સૌથી પહેલાં સંજનાને લોહીલુહાણ હાલતમાં જોઈ હતી. અર્જુનભાઈની આંખો સામે હજુ પણ 13 જાન્યુઆરીની એ સાંજ તરવરતી હતી. અર્જુનભાઈએ ધ્રૂજતા અવાજે નિવેદન આપવાનું શરૂ કર્યું. સાહેબ, એ દિવસે હું દેના બેંકની પાછળ હરી પાર્ક સોસાયટીની સામેના મેદાનમાં પતંગ ચગાવતો હતો. ઉત્તરાયણનો માહોલ હતો, મારી જેમ ઘણા બધા લોકો પતંગો ચગાવતા હતા. સાંજના છ વાગ્યા આસપાસ પતંગ ઉડાડતા-ઉડાડતા મારું ધ્યાન કંઈક અજૂગતી ઘટના પર ગયું. મેદાનની એક બાજુ આવેલા ઝાડી-ઝાંખરાવાળા વાડામાંથી મને કોઈના રડવાનો અવાજ આવ્યો. એ અવાજ કોઈ બાળકીનો હતો. પોલીસે સવાલ કર્યો, અવાજ આવતો હતો ત્યાં કોઈને જોયા હતા? તું ત્યાં કેમ ન ગયો? અર્જુને નિસાસો નાખ્યો, હા સાહેબ… મેં દૂરથી જોયું તો ત્યાં જ્યોત્સના બેઠેલી હતી. એ જગ્યા સાવ ખુલ્લી ન હતી. મને એમ લાગ્યું કે એ કદાચ શૌચક્રિયા માટે બેઠી હશે, એટલે મર્યાદા ખાતર હું ત્યાં ન ગયો. થોડીવારમાં મારો પતંગ કપાઈ ગયો અને હું મારી બેનના ઘરે પહોંચ્યો ત્યારે જાણવા મળ્યું કે ભાણી ગુમ છે. ઘરે પહોંચતા જ બહેન ગીતાના આક્રંદે અર્જુનને હચમચાવી દીધો. સંજના ગુમ હતી. આખું ફળિયું ખૂંદી વળ્યા પણ સંજના મળી હતી. આ સમયે અચાનક અર્જુનના મગજમાં પેલી બાળકીનો રડવાનો અવાજ ઝબક્યો. સાહેબ, મને બાળકી રડતી હતી એ ઘટના યાદ આવી. મનમાં ફાળ પડી કે કંઈક ખોટું થઈ રહ્યું છે. હું દોડતો એ વાડામાં ઝાડીઓ પાસે પહોંચ્યો અને... અર્જુનના ગળે ડૂમો ભરાઈ ગયો. તે આગળ એક શબ્દ પણ બોલી ન શક્યો. પોલીસની તપાસ હવે જ્યોત્સના રાઠોડ નામની મહિલા પર કેન્દ્રિત થઈ હતી. એ કોણ હતી? એ માસૂમ બાળકી સાથે ત્યાં શું કરી રહી હતી? તપાસ દરમિયાન પોલીસને વધુ એક મહત્વની કડી મળી. સ્થાનિક રણજીતભાઈ સલાટે પોલીસ સમક્ષ એક ભયાનક ખુલાસો કર્યો. સાહેબ, મેં જ્યોત્સનાને જોઈ હતી. રણજીતે હાંફતા-હાંફતા કહ્યું. ક્યાં? અને કઈ હાલતમાં? પોલીસે પૂછ્યું. રણજીતે આંગળી ચીંધીને જણાવ્યું, સાંજે જ્યારે મહોલ્લામાં દોડધામ ચાલતી હતી, ત્યારે જ્યોત્સના કબ્રસ્તાનના દરવાજામાંથી ઉતાવળી ચાલે બહાર નીકળી રહી હતી. સૌથી ડરામણી વાત એ હતી સાહેબ કે તેના કપડાં લોહીથી ખરડાયેલા હતા. પોલીસને અત્યાર સુધીમાં બે લોકોના નિવેદન મળી ચૂક્યા હતા અને બન્નેમાં એક જ નામ આવતું હતું, જ્યોત્સના રાઠોડ. જે તે સમયે ગામમાં એક અલગ જ પ્રકારનો અજંપો હતો. ખૂબ ઓછા લોકો આ કેસ વિશે વાત કરવા માગતા હતા. કોઈ ખુલીને બોલવા માટે તૈયાર ન હતું. એટલે જ જ્યારે બે લોકોએ પોલીસ સમક્ષ એક જ મહિલાનું નામ લીધું તો તપાસ અધિકારીઓએ પણ આ વાતના તમામ પાસા ચકાસ્યા. પોલીસને વાડામાંથી લોહીથી ખરડાયેલો ટ્યુબલાઈટનો ટુકડો મળ્યો હતો. એ કાચ પર હજી પણ માસૂમ સંજનાના લોહીના અંશ હતા. હવે પોલીસના મનમાં ઉઠેલા સવાલનો જવાબ માત્ર એક જ વ્યક્તિ એટલે કે જ્યોત્સના રાઠોડ જ આપી શકે એમ હતી. જ્યોત્સના કોણ છે અને આ કેસમાં તેનું નામ આવવા પાછળના કારણો શું છે? આ મહિલા ક્યાં જતી રહી? વાંચો આવતીકાલે ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના બીજા અને અંતિમ એપિસોડમાં મોટા ઘટસ્ફોટ.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 6:00 am

રૂમ સર્વિસના નામે પોલીસે રેડ પાડી:થાઇલેન્ડમાં બંધક બે ભારતીયોને ગુજરાતી વેપારીએ બચાવ્યા, ભાસ્કરને દિલધડક ઓપરેશનની વાત કહી

થાઇલેન્ડમાં અપહરણ કરાયેલા 2 ભારતીયોને એક ગુજરાતીએ બચાવ્યા છે અને તેમને હેમખેમ પાછા ભારત મોકલ્યા છે. જ્યારે થાઇલેન્ડ પોલીસે અપહૃતોને છોડાવવા માટે રેડ પાડી ત્યારે આ ગુજરાતી પણ તેમની સાથે રહ્યાં હતા. દિવ્ય ભાસ્કરે આ ગુજરાતી વેપારી તુષાર પટેલ સાથે વાત કરીને આ યુવાનોનું કેવી રીતે નોકરીની લાલચ આપીને અપહરણ કરાયું હતું તે આખી ઘટના જાણી હતી. 6 ફેબ્રુઆરી, 2026હરિયાણાના લોકલ પોલીસ સ્ટેશનમાંથી કોઇએ પરાગ નામના એક યુવકની માતાને થાઇલેન્ડમાં રહેતા તુષાર પટેલનો સંપર્ક કરવાનું કહ્યું હતું. તુષાર પટેલ ઇન્ડિયન એસોસિએશન ઇન પતાયાના વાઇસ પ્રેસિડેન્ટ છે. અગાઉ પોરબંદરના 19 યુવાનોને મૂકવા પણ એ જ આવ્યા હતા. તેઓ થાઇલેન્ડમાં સોશિયલ વર્કમાં એક્ટિવ છે અને કોઇને કામ હોય તો તેને મદદ કરે છે. માતાને વીડિયો કોલ કરીને 60 લાખ રૂપિયા માગ્યાપરાગના માતાએ તુષાર પટેલનો સંપર્ક કર્યો હતો અને કહ્યું કે મારા દીકરાને નોકરી માટે થાઇલેન્ડ બોલાવ્યો હતો પણ રૂમમાં પૂરી રાખીને આખી રાત એને માર માર્યો હતો અને વીડિયો કોલમાં આ બધું મને બતાવ્યું હતું. અપહરણકારોએ 60 લાખ રૂપિયા પણ માંગ્યા હતા અને જો બીજા દિવસે સાંજ સુધીમાં રૂપિયા નહીં આપે તો પરાગ અને તેના સાથી સરીનને મારી નાખવાની ધમકી આપી હતી. તુષાર પટેલે એસોસિએશનના પ્રેસિડેન્ટને વાત કરીને કહ્યું કે તમે લોકલ ઓથોરિટીને ઇન્ફોર્મ કરો. આના પછી થાઇ પોલીસને જાણ કરાઇ હતી. થાઇ પોલીસે રેડ પાડીથાઇ પોલીસે આ બંધકોને જ્યાં રખાયા હતા તે કોન્ડો (ફ્લેટ)માં રેડ પાડી હતી. આ સમયે તુષાર પટેલ પણ પોલીસની સાથે હતા. તુષાર પટેલે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, પૂરા ઓપરેશનમાં હું કો-ઓર્ડિનેટર તરીકે પોલીસ સાથે હતો. યુવાનોને છોડાવવાથી લઇને તેમણે ફરિયાદ કરી, આરોપીઓને જેલમાં નખાવ્યા, યુવાનોને પાછા હોટલ લઇ ગયા ત્યાં સુધી હું તેમની સાથે હતો. અમે પોલીસને જાણ કરી એટલે તેમણે અમને ઘટના સ્થળે પહોંચવાનું કહ્યું હતું. અમે ત્યાં ગયા ત્યારે અમારી પહેલાં થાઇ પોલીસ પહોંચી ગઇ હતી. પોલીસની સાથે જ અમે પણ ફ્લેટમાં ગયા હતા. થાઇ પોલીસનો રિસ્પોન્સ સુપર્બ હતો. રૂમ સર્વિસના નામે ડોરબેલ વગાડ્યો અને થાઇ પોલીસ રૂમમાં ઘૂસી'કદાચ આરોપીઓ પાસે હથિયાર હોય તો એ વિચારીને પોલીસે સૌ પ્રથમ નીચેના રૂમના અને લોબીના CCTV 3 કલાક સુધી તપાસ્યા હતા. એ ચેક કર્યા પછી લોકલ સિક્યોરિટીને સાથે રાખી હતી પછી રૂમ આગળ ગયા હતા. સિક્યોરિટીના હાથે 'રૂમ સર્વિસ'ના નામે ડોરબેલ વગાવડાવ્યો. દરવાજો ખૂલ્યો એટલે સીધી પોલીસ અંદર ઘૂસી ગઇ. ત્યાં 4 કિડનેપર મળી આવ્યા હતા. ગાંજાની હેરાફેરી માટે યુવાનો પર દબાણ કરાયું હતુંતેમણે કહ્યું કે, આ યુવાનો નોકરીની લાલચે સ્વેચ્છાએ ગયા હતા. બન્ને યુવાનોના દાવા મુજબ તેમને ગાંજો લઇને મોકલવાના હતા એટલે કે કરિયર તરીકે તેમણે કામ કરવાનું હતું. જોકે મારી પાસે એવો કોઇ પુરાવો નથી અને પોલીસને પણ હજુ એવું કઇ મળ્યું નથી. એ પછી યુવાનોએ કરિયર તરીકે કામ કરવાની ના પાડી એટલે મારવામાં આવ્યો અને રૂપિયા માંગવામાં આવ્યા હતા. 'એક યવાને તરત એના મમ્મીને મેસેજ કરીને કહી દીધું હતું કે અમને આ ફ્લેટમાં રાખ્યા છે સાથે એમ પણ કહી દીધું હતું કે તમે અમને વળતો કોઇ મેસેજ ન કરતાં, હું આ મેસેજ કરીને ડિલીટ કરું છું. પરિવારે એનો સ્ક્રીન શૉટ લઇ રાખ્યો હતો.' અપહરણકારો અને ભોગ બનનારા હરિયાણાના'જેમણે અપહરણ કર્યું એ પણ ભારતીયો જ હતા. કોઇ લોકલ થાઇ વ્યક્તિએ તેમનું અપહરણ નથી કર્યું. એ 4 કિડનેપર હરિયાણાના જ હતા. આ બન્ને યુવાનો પણ હરિયાણાના જ હતા.' 1 લાખના પગારવાળી નોકરીની લાલચ આપી હતીતેમણે ઉમેર્યું, મને મળેલી માહિતી અનુસાર એ બંને લગભગ 2-3 તારીખની આસપાસ થાઇલેન્ડ આવ્યા હતા અને પતાયામાં જ રોકાયા હતા. કોમ્પ્યુટર ઓપરેટર તરીકેની નોકરી માટે તેમને થાઇલેન્ડ બોલાવ્યા હતા. એજન્ટે તેમને કહ્યું હતું કે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી અને 1 લાખ રૂપિયા પગાર મળશે. 'અત્યારે તો યુવાનો એમના ઘરે પહોંચી ગયા છે. 6 તારીખે પકડીને 7 તારીખે રાતે એક-દોઢ વાગ્યે તેમને પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. 7 તારીખે સવારે બધું કામ પત્યું હતું. હોટલમાં એમને મૂક્યા પછી એ લોકો ઘરે જતાં રહ્યાં હતા.' આ યુવાનોને જે પ્રકારની નોકરીની લાલચ આપીને થાઇલેન્ડ બોલાવાયા હતા તેવી કોઇ નોકરી જ થાઇલેન્ડમાં નથી મળતી. ભારતીય કરતાં સ્થાનિકને નોકરી આપવી વધુ સસ્તી પડેતુષાર પટેલ કહે છે કે, અહીંયા એવી કોઇ નોકરી મળતી જ નથી. હું તમને એક ઉદાહરણ આપું છું. અહીંયા નોકરી માટે નોન બી (થાઇલેન્ડમાં કામ કરવા માંગતા વિદેશીઓ માટેના નોન ઇમિગ્રન્ટ બિઝનેસ વિઝા) લેવા પડે. જેનો ખર્ચો 25-30 હજાર થાઇ બાથ (થાઇ કરન્સી) હોય. વર્ક પરમિટ થાય એટલે 20 હજાર બાથનો ખર્ચો થાય. એ પછી એક વર્ષના વિઝાનો 25 હજાર બાથનો ખર્ચો થાય. જેથી ઓછામાં 75 હજાર બાથનો ખર્ચો થાય. દર મહિને સેલેરી ટેક્સ ઉપરાંત એક ભારતીય પાછળ 4 થાઇ લોકોને નોકરી આપવી પડે. એ દર મહિને 5-7 હજાર થાય. આમ વર્ષે 84 હજાર બાથ થયા એટલે સેલેરી આપ્યા વગર દોઢ લાખ બાથનો ખર્ચો થાય. હવે અહીં 10 હજાર બાથમાં લોકલ વ્યક્તિને આરામથી રાખી શકાય. તેને રહેવા, વિઝા વગેરેની કોઇ મગજમારી નથી. સસ્તું લોકલ લેબર અહીંયા મળે તો ભારતીયને કોઇ કેમ નોકરી આપે? હાલ તો આ ગેંગનો મુખ્ય આરોપી ફરાર થઇ ગયો છે અને થાઇ પોલીસ તેની શોધખોળ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 6:00 am

ટ્રાન્સપોર્ટરોને કરોડોનું નુકસાન:ભુજ-મુન્દ્રા માર્ગ બંધ થતા ટ્રાન્સપોર્ટરોને 3 હજાર સુધીનો વધારાનો બોજો પડ્યો

મુંદ્રા અદાણી પોર્ટને જોડતો સૌથી મહત્વનો મુંદ્રા-ભુજ રાજ્ય ધોરી માર્ગ કોમર્શિયલ વાહનો માટે બંધ કરી દેવાતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બ્રિજ નબળો હોવાનું કારણ ધરીને લાદવામાં આવેલા આ પ્રતિબંધને પગલે હજારો ટ્રકોએ 40 કિલોમીટરનો લાંબો ફેરો ખાવો પડે છે. આ મામલે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સે માર્ગ અને મકાન વિભાગના સચિવ પી.આર. પટેલીયાને ઉગ્ર રજૂઆત કરી માર્ગ તાત્કાલિક ખુલ્લો કરવા માંગ કરી છે. ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ તેજા કાનગડે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના ‘લોજિસ્ટિક ખર્ચ ઘટાડો’ના લક્ષ્ય સામે આ નિર્ણય વિરોધાભાસી છે. પ્રતિબંધને કારણે દરેક ટ્રકને 35 થી 40 કિમી વધારાનું અંતર કાપવું પડે છે.એક ટ્રક દીઠ રૂ. 2500 થી 3000 નો વધારાનો ખર્ચ થાય છે.ઇંધણનો બગાડ અને માનવશક્તિનો વ્યય થઈ રહ્યો છે.શિપિંગ લાઇન્સના ડેમરેજ અને ડિટેન્શન ચાર્જમાં વધારો થયો છે. ગાંધીધામ ચેમ્બરના માનદ્દ મંત્રી મહેશ તિર્થાણીએ જણાવ્યું કે, “મુંદ્રા પોર્ટ દેશના વિદેશ વેપારનું હૃદય છે. જો રિપેરિંગના કારણો હોય તો સમયબદ્ધ મેનેજમેન્ટ સાથે વૈકલ્પિક લેન શરૂ કરવી જોઈએ. આ માર્ગને ‘અતિ આવશ્યક લોજિસ્ટિક કોરિડોર’ જાહેર કરવો અનિવાર્ય છે. શિપિંગ કમિટીના સભ્ય નરેન્દ્ર રામાણીએ ઉમેર્યું કે, અન્ય માર્ગો પર ટ્રાફિક ડાયવર્ટ થવાને કારણે ભીડ વધી છે, જેનાથી અકસ્માતની શક્યતા વધી ગઈ છે. નાના ટ્રાન્સપોર્ટ ઓપરેટરોની નફાકારકતા તળિયે પહોંચી ગઈ છે, જેની સીધી અસર રાષ્ટ્રીય આવક પર પડી શકે છે. ચેમ્બરની મુખ્ય 3 માંગણીઓ

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 5:59 am

જાહેરનામું રદ કરવા માંગ કરાઈ:હાજીપીર-દેશલપર રોડના કામ વચ્ચે વૈકલ્પિક માર્ગ મુદ્દે ગ્રામજનોની કલેક્ટર સમક્ષ ફરિયાદ

હાજીપીરથી દેશલપર સુધીના માર્ગના નવીનીકરણના કારણે મીઠા (નમક)નું પરિવહન કરતા ભારે વાહનોને ઝારા, લાખાપર અને ઘડુલી માર્ગે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જોકે, તંત્રનો આ નિર્ણય હવે સ્થાનિક ગ્રામજનો માટે મુસીબત સમાન સાબિત થયો છે. સોમવારે ઝારા, ખટીયા અને ઘડુલી સહિતના ગામોના 100થી વધુ લોકોએ જિલ્લા કલેકટર કચેરીએ ઘસી જઈ આ રસ્તે ભારે વાહનોની અવરજવર તાત્કાલિક બંધ કરાવવા અને જાહેરનામું રદ કરવા ઉગ્ર રજૂઆત કરી હતી. આગેવાનો હુસેન રાયમા, જસુભા જાડેજા, નિતીન પટેલ, મોડ જાફર સુમરા અને રિઝવાન સુમરાએ કલેક્ટરને આવેદન આપતા જણાવ્યું હતું કે, વૈકલ્પિક તરીકે પસંદ કરાયેલો માર્ગ પંચાયત હસ્તકનો સિંગલ પટ્ટી રોડ છે. અહીં ડુંગરાળ વિસ્તારના કારણે ઊંચા ચઢાણો આવેલા છે, જે ચડવામાં નિષ્ફળ જતા ભારે ટ્રેલરોને કારણે રોજબરોજ અકસ્માતો સર્જાય છે. વળી, આ માર્ગ લાખાપર ગામની વચ્ચેથી પસાર થતો હોવાથી શાળાએ જતા નાના ભૂલકાઓનો જીવ તાળવે ચોંટેલો રહે છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, નમકના ટ્રેલરોમાંથી ઉડતી ખારાશયુક્ત ધૂળને કારણે ખેતરોમાં ઉભો પાક બળી રહ્યો છે. આ રસ્તાની લોડિંગ ક્ષમતા માત્ર 10 ટન છે, જ્યારે અહીંથી ઓવરલોડ વાહનો પસાર થઈ રહ્યા છે. તંત્રની મધ્યસ્થીઅગાઉ શુક્રવારે ગ્રામજનોએ મામલતદાર કચેરીએ ધરણાં અને શનિવારે લાખાપરમાં ચક્કાજામ કર્યો હતો. પોલીસ અને કંપનીના અધિકારીઓ સાથેની બેઠકમાં સોમવારે 11 વાગ્યા સુધી વાહનો બંધ રાખવાની બાંહેધરી અપાઈ હતી. જોકે, સોમવારથી પુનઃ ટ્રાફિક શરૂ થતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 5:58 am

લોકાર્પણ:નખત્રાણામાં ઘરે-ઘરેથી કચરો ઉપાડાશે 26.50 લાખના ખર્ચે ટ્રેક્ટરોનું લોકાર્પણ

ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનને વધુ અસરકારક બનાવવા અને ગામડાઓને ગંદકીમુક્ત કરવાના ઉદ્દેશ્ય સાથે નખત્રાણા તાલુકા પંચાયત દ્વારા મહત્વની પહેલ કરવામાં આવી છે. તાલુકાના પાંચ ગામોમાં ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન માટે રૂ. 26.50 લાખના ખર્ચે પાંચ નવા ટ્રેક્ટરોનું વિતરણ કરવામાં આવ્યું હતું. નખત્રાણા તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલા એક સાદા સમારોહમાં એટીવીટી યોજના અંતર્ગત 15મા નાણાપંચની ગ્રાન્ટમાંથી આ ટ્રેક્ટરો ફાળવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન પટેલ અને તાલુકા વિકાસ અધિકારી દીક્ષિતભાઈ ઠક્કરના હસ્તે પાંચેય ગામના સરપંચોને ટ્રેક્ટરની ચાવી અર્પણ કરવામાં આવી હતી. લાભાર્થી ગામોમાં ઉગેડી, કોટડા (રોહા), પલીવાડ, કલ્યાણપર અને મથલનો સમાવેશ થાય છે. આ પ્રસંગે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ સરકારની આ કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, ગામડાઓ સ્વચ્છ અને સુંદર બને તે માટે આધુનિક સાધનો ખૂબ જરૂરી છે. તેમણે તમામ સરપંચોને આ સાધનોનો મહત્તમ ઉપયોગ કરી ગ્રામજનોને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો હતો. આ પહેલથી હવે ગામડાઓમાં કચરાના નિકાલની સમસ્યા હળવી થશે અને પર્યાવરણ સુધરશે. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય નયનાબેન પટેલ, જયસુખભાઈ પટેલ, એટીવીટીના દિલીપ નરસિંગાણી, કારોબારી ચેરમેન ઉત્પલસિંહ જાડેજા, દિનેશ વાઘેલા, મનીષ મહેશ્વરી, હોતખાન મુતવા, હીરાસિંહ જાડેજા, કરણભાઈ રબારી, ધનગૌરીબેન ગોસાઈ, હુસેન ખલીફા, જયાબેન પટેલ, પાર્વતીબેન પટેલ, લાલજીભાઈ રામાણી સહિત પાંચેય ગામના સરપંચો, ઉપસરપંચો અને તલાટીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 5:53 am

ભાસ્કર એક્સક્લુસિવ:ટેટ-1 પાસ કરી છતાં કાયમી ભરતીથી વંચિત રહેવાનો ભય

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા ટેટ 1 પરીક્ષાના પરિણામમાં અનેક તેજસ્વી તાલીમાર્થીઓએ મેદાન માર્યું છે, પરંતુ ઉમેદવારો અત્યારે એક વિચિત્ર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જે તાલીમાર્થીઓ હાલ ડી.એલ.એડ. એટલે કે પી.ટી.સી.ના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે, તેમણે મહેનત કરીને ટેટ-1ની પરીક્ષા તો પાસ કરી લીધી છે, પરંતુ જો સરકાર અત્યારે જ કાયમી ભરતી પ્રક્રિયા શરૂ કરે તો તેઓ લાયક હોવા છતાં ઉમેદવારી નોંધાવી શકશે નહીં. આ સ્થિતિને પગલે કચ્છના શિક્ષિત બેરોજગારોમાં ચિંતા જોવા મળી રહી છે. શિક્ષક ભરતીના નિયમો મુજબ માત્ર ટેટ પરીક્ષા પાસ કરવી પૂરતી નથી, પરંતુ મેરિટની ગણતરીમાં એકેડેમિક ગુણ એટલે કે પી.ટી.સી.ના માર્કસ પણ મહત્વનો ભાગ ભજવે છે. હાલમાં પી.ટી.સી. દ્વિતીય વર્ષના તાલીમાર્થીઓની વાર્ષિક પરીક્ષા એપ્રિલમાં લેવાનાર છે અને પરિણામ મે અથવા જૂન માસમાં આવવાની સંભાવના છે. જો શિક્ષણ વિભાગ અત્યારે જ કાયમી ભરતી માટેના ફોર્મ મંગાવે, તો આ ઉમેદવારો પાસે અંતિમ વર્ષની માર્કશીટ ન હોવાથી તેઓ ભરતીની રેસમાંથી બહાર ફેંકાઈ જશે. કચ્છ જેવા જિલ્લામાં જ્યાં રોજગારીની તકો માટે યુવાનો રાત-દિવસ એક કરતા હોય છે, ત્યાં લાયકાત હોવા છતાં તક છીનવાઈ જવાની ભીતિ છે. તાલીમાર્થીઓ અને શિક્ષણ જગતના જાણકારો એવી રજૂઆત કરી રહ્યા છે કે, રાજ્ય સરકાર માનવીય અભિગમ અપનાવીને ડી.એલ.એડ.નું પરિણામ જાહેર થયા બાદ જ કાયમી ભરતી પ્રક્રિયા હાથ ધરે. અત્યારે જિલ્લાની શાળાઓમાં શિક્ષકોની અછત છે, જેના ઉકેલ તરીકે હંગામી ભરતી અથવા કરાર આધારિત જ્ઞાન સહાયકોની નિમણૂક કરવી જોઈએ. આમ કરવાથી શાળાઓમાં બાળકોનું શિક્ષણ નહીં બગડે અને પી.ટી.સી. પૂર્ણ કરનાર નવા ઉમેદવારોને કાયમી ભરતીમાં સમાન તક મળી રહેશે. તેજસ્વી તાલીમાર્થીઓ પર અન્યાયની તલવારગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તાજેતરમાં લેવાયેલી ટેટ-1 ની પરીક્ષામાં કચ્છ સહિત રાજ્યના અનેક તેજસ્વી તારલાઓએ સફળતા મેળવી છે, પરંતુ આ સફળતા મેળવ્યા બાદ હવે લાયકાતના પ્રમાણપત્ર મુદ્દે ઉમેદવારો ચિંતામાં મૂકાયા છે. રાજ્ય સરકારના સુધારેલા જાહેરનામા મુજબ તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટેટની પરીક્ષામાં બેસવાની મંજૂરી અપાઈ હતી, જેના કારણે પીટીસી કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પરીક્ષા આપી પણ હવે પ્રશ્ન એ ઊભો થયો છે કે આ ઉમેદવારોની પીટીસીની અંતિમ વર્ષની પરીક્ષા આગામી એપ્રિલ મહિનામાં યોજાવાની છે અને તેનું પરિણામ મે અથવા જૂન માસમાં જાહેર થશે. જો આ સમયગાળા દરમિયાન રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની કાયમી ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવે, તો મેરિટમાં સ્થાન ધરાવતા હોવા છતાં આ ઉમેદવારો પાસે ડિગ્રીનું મૂળ પ્રમાણપત્ર ન હોવાને કારણે તેઓ ભરતી પ્રક્રિયામાંથી વંચિત રહી શકે છે.ઉમેદવારોએ જણાવ્યું છે કે, જો સરકાર અત્યારે ભરતી કરવા માંગતી હોય તો ભલે હંગામી ધોરણે પ્રક્રિયા કરે, પરંતુ કાયમી ભરતીની કાર્યવાહી પીટીસીનું પરિણામ જાહેર થયા બાદ જ હાથ ધરવી જોઈએ.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 5:53 am

26મીથી બોર્ડ પરીક્ષાનો પ્રારંભ:166 દિવ્યાંગ વિદ્યાર્થી પણ આપશે કસોટી

કચ્છ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે આગામી 26 ફેબ્રુઆરીનો દિવસ ખૂબ જ મહત્વનો બની રહેશે કારણ કે આ દિવસથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. સમગ્ર રાજ્યમાં નોંધાયેલા ધો.10ના કુલ 9,07,175 વિદ્યાર્થીઓ પૈકી કચ્છ જિલ્લો આશરે 3 ટકા જેટલું પ્રતિનિધિત્વ ધરાવે છે. કચ્છમાં ધોરણ 10ની વાત કરીએ તો કુલ 27,305 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસશે, જેમાં 14,941 વિદ્યાર્થીઓ અને 12,364 વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. આ આંકડામાં 21,110 રેગ્યુલર વિદ્યાર્થીઓ છે, જ્યારે 2188 બાહ્ય વિદ્યાર્થીઓ છે જેઓ સીધી રીતે પરીક્ષા આપી રહ્યા છે. આ ઉપરાંત 914 આઇસોલેટેડ અને 2343 રિપીટર ઉમેદવારો પણ મેદાનમાં છે. ખાસ કરીને 161 દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા રેમ્પ, વ્હીલચેર, અલાયદો રૂમ અને લહિયા જેવી વિશેષ સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કચ્છ જિલ્લાના કુલ 15,420 વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ સંખ્યામાં 11,603 રેગ્યુલર વિદ્યાર્થીઓની સાથે 2738 બાહ્ય અને 310 રિપીટર ઉમેદવારોનો સમાવેશ થાય છે. વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો જિલ્લામાં કુલ 1567 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં બી ગ્રુપના 869 અને એ ગ્રુપના 566 વિદ્યાર્થીઓ મુખ્ય છે, જ્યારે 6 વિદ્યાર્થીઓ એવા છે જેઓ એ અને બી બંને ગ્રુપની પરીક્ષા આપશે. સંસ્કૃત વિષયમાં પણ આ વર્ષે વિદ્યાર્થીઓએ ઉત્સાહ દાખવ્યો છે, જેમાં પ્રથમ ભાષામાં 42 અને મધ્યમામાં 45 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના છે. જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાના સુચારુ સંચાલન માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 5:50 am

સગીરે કર્યો આપઘાત:હંગામી આવાસની મિલમાં બેહોશ મળેલા સગીરનું મોત

શહેરના જીઆઈડીસી વિસ્તારમાં હંગામી આવાસમાં આવેલા શિવાલય મિલમાં 17 વર્ષીય સગીર બેભાન મળી આવ્યા બાદ તેનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. જ્યારે શહેરની નજીકમાં આવેલા માધાપરમાં રહેતા 35 વર્ષીય યુવાને કોઈ કારણોસર ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ચોકીએથી મળેલી વિગતો મુજબ 17 વર્ષીય જીતેશ રામજી કોલી બેભાન હાલતમાં મળી આવ્યો હતો. બનાવ સોમવારે આઠ વાગ્યાના અરસામાં બન્યો હતો.હંગામી આવાસ વિસ્તારમાં આવેલ શિવાલય મિલમાં બેભાન હાલતમાં દેખાયો હતો.જેથી તાત્કાલિક તેને ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.બનાવને પગલે ભુજ શહેર બી ડીવીઝન પોલીસે ઘટના સબંધિત ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ માધાપર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ 35 વર્ષીય પ્રેમજીભાઈ નારણભાઈ મહેશ્વરીએ આત્મઘાતી પગલું ભરી લીધું હતું.બનાવ 8 ફ્રેબ્રુઆરીના દસ વાગ્યાથી અગિયાર વાગ્યાના અરસામાં બન્યો હતો.હતભાગી યુવાને કોઈ કારણોસર પોતાના ઘરે રૂમનો દરવાજો બંધ કરી બારીના પડદાથી ફાંસો ખાઈ લીધો હતો. બનાવ બાદ તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.હાલ સમગ્ર મામલે માધાપર પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી બનાવ સબંધિત વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 5:49 am

ઠગાઈનો મામલો આવ્યો સામે:ટ્રાન્સપોર્ટના વ્યવસાયકાર પાસેથી દંપતીએ 17.34 લાખ લીધા બાદ 13 લાખની ઠગાઈ

શહેરમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા વેપારી પાસેથી મિત્રતાના નાતે દંપતીએ રોકડ,બે કાર અને મોબાઈલ સહીત કુલ રૂપિયા 17.34 લાખનો મુદ્દામાલ મેળવી લીધા બાદ 4.32 લાખ પર આપી રૂપિયા 13 લાખની ઠગાઈ આચરી હતી.આરોપીએ રૂપિયા 10 લાખના ચેકમાં ખોટી સહી કરેલો ચેક પધરાવી દીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ન્યુ રાવલવાડી રીલોકેશન સાઈટ પર ટોપહીલ સોસાયટીમાં રહેતા ફરિયાદી પ્રશાંત નટવરદાન ગઢવીએ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે મુન્દ્રા રોડ પર સ્વામીનારાયણ નગરમાં રહેતા આરોપી નરેશ ખીમજી ભાનુશાલી અને મોનાલી નરેશ ભાનુશાલી સામે ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ જાન્યુઆરી થી એપ્રિલ 2025 સુધીના સમયગાળા દરમિયાન બન્યો હતો.આરોપીએ મિત્રતાના નાતે ધંધા માટે ઉછીના રૂપિયા માંગતા ફરિયાદીએ રોકડ રૂપિયા 1.98 લાખ આપ્યા હતા. તેમજ ટાટા કંપનીની રૂપિયા 5.90 લાખની ટીયાગો કાર નંબર જીજે 12 એફઈ 2625 તથા રેનોલ્ટ કંપનીની રૂપિયા 5 લાખની કાઈગર કાર નંબર જીજે 12 ઈઈ 7723 આરોપીને આપેલી હતી.ત્યાર બાદ આરોપીએ રૂપિયા 1.74 લાખના 5 મોબાઈલ લીધા હતા જેની રકમ ફરિયાદીએ ચૂકવી હતી. જે બાદ આરોપીનો નોકળ 1.16 લાખ 2 આઈફોન પણ લઇ ગયો હતો.અને 1.40 લાખના વધુ ૩ મોબાઈલ પણ આરોપીએ ફરિયાદી પાસેથી લીધા હતા.તેમજ રોકડ 16 હજાર સહીત કુલ રૂપિયા 17.34 લાખ ફરિયાદી પાસેથી મેળવી રૂપિયા 4.32 લાખ ચૂકવ્યા હતા. બાકી રહેતા 13 લાખ માટે આરોપીએ 10 લાખનો ચેક આપ્યો હતો.જે બેંકમાં જમા કરાવતા સહી ખોટી કરેલી હોવાનું સામે આવ્યું હતું અને આરોપી દંપતીએ રૂપિયા 13 લાખની ઠગાઈ આચરી હતી.જે મામલે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઠગાઈ આચરવા ૩ બેંકની ખોટી રસીદ બનાવીમિત્રતાના નાતે ઉછીના લીધેલા રૂપિયા મામલે ઠગાઈ આચરવા આરોપીએ એસબીઆઈ બેંકની રૂપિયા 1.99 લાખની એનઈએફટીની ખોટી રસીદ ફરિયાદીને મોકલાવી હતી તેમજ મોબાઈલ ડીલરને આઈડીબીઆઈની રૂપિયા 1.99 લાખ અને ઇન્ડસઇન્ડ બેંકની રૂપિયા 2 લાખની ખોટી રસીદ મોકલાવી હતી જેના રૂપિયા જમા થયેલા ન હતા.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 5:49 am

કલાકો સુધી ટ્રાફિક જામ:એરપોર્ટ રિંગ રોડનું કામ વાહનચાલકો માટે મુસીબત બન્યું

ભુજમાં ચાલી રહેલા રિંગ રોડ વિસ્તરણના કામ વચ્ચે એરપોર્ટ રોડ પર વધતા ટ્રાફિકને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હાલમાં રોડનું કામ ચાલુ હોવાના કારણે વાહન વ્યવહાર માટે સિંગલ રોડ જ ખુલ્લો રાખવામાં આવ્યો છે, જેના કારણે રોજબરોજ લાંબા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. દર શનિ અને રવિવારે એક કલાકથી વધુ સમય સુધી વાહનો ફસાઈ રહેતા લોકો પરેશાન થઈ રહ્યા છે, તો બે ત્રણ નાના મોટા અકસ્માત સર્જાયા છે. લોકમાંગ છે કે, એરપોર્ટ માર્ગનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી માત્ર મોટા વાહનોને જ આવન જાવનની મંજૂરી આપવામાં આવે. એરપોર્ટ રોડ પર ભાડાની કચેરીથી કોડકી ચાર રસ્તા સુધી બપોરે અને સાંજે સખત ટ્રાફિક હોય છે. સ્થાનિકોના મતે ભારે વાહનના ચાલકો અને નાના વાહન ચલાવનારા ડ્રાઈવરો સખ્ત અને ભારે ટ્રાફિકમાં ડ્રાઈવિંગ કરવા એટલા ટેવાયેલા નથી, જેના કારણે નાના અકસ્માતોની સંખ્યા વધી રહી છે. ખાસ કરીને મોટા ટ્રેલર અને ભારે વાહનોની અવરજવર દરમિયાન નાની કાર અને બાઈકચાલકોને અસલામતીનો અનુભવ થાય છે. નજરે જોનારા લોકોએ કહ્યું કે, ખરેખર તો દિવસના અહીં નો એન્ટ્રી કરવી જોઈએ એવી પરિસ્થિતિ હોય છે. આ વચ્ચે એરપોર્ટ રોડ પર પોલીસની હાજરી અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. કેટલાક લોકો આક્ષેપ કરી રહ્યા છે કે ટ્રાફિક નિયંત્રણ કરતાં વધુ ધ્યાન દંડ વસૂલવામાં આપવામાં આવે છે. સીસીટીવી ની રેન્જ બહાર દંડ ફટકારવામાં આવે છે તેવી પણ વાત આવે છે. એરપોર્ટ રોડ આસપાસની સોસાયટીઓમાં રહેતા રહેવાસીઓ દ્વારા એક મહત્વપૂર્ણ માંગ ઉઠાવવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ, જ્યાં સુધી માર્ગનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી માત્ર મોટા વાહનોને જ આવનજાવનની મંજૂરી આપવામાં આવે. દિવસ દરમિયાન નાના વાહનોની અવરજવર વધુ હોય છે, તેથી ભારે વાહનોને રાત્રિ દરમિયાન મોકલવાથી અકસ્માત અને ટ્રાફિકજામ બંનેમાં રાહત મળી શકે. રવિવારે તો આસપાસના રહેવાસીઓ ટ્રાફિક નિયમન કરે છેદર રવિવારે રેસ્ટોરન્ટની ઘરાકી, સિનેમા અને લોકો ફરવા નીકળતા હોય ત્યારે સાંજે બે કલાક વાહનોની લાંબી કતાર લાગી જાય છે. પોલીસનો તૈનાત સ્ટાફ ટૂંકો પડે છે. દરરોજ સાંજે નજીકની લાભશુભ સોસાયટી, કારીતાસ અને માધવ નગરના રહેવાસીઓ ટ્રાફિક નિયમનમાં જોડાઈ જાય છે. અકસ્માત અને બાદમાં ક્લેમમાં પણ મુશ્કેલીરવિવારે અકસ્માતનો ભોગ બનનાર સામાજિક કાર્યકર રાજેશ જોશીનું કહેવું છે કે આવી ઘટનાઓ બાદ વીમા ક્લેમ પાસ કરાવવા પણ ઘણી તકલીફો પડે છે, કારણ કે નુકસાન વારંવાર થતું હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 5:47 am

નકલી ડોલર્સનો વેપલો ઝડપાયો:ચીટરોએ ઠગાઈની હદ વટાવી, હવે નકલી ડોલરનો વેપલો

શહેરમાં રહેતા ચીટરોએ દેશના દરેખ ખુણામાં લોકોને પોતાની જાળમાં ફસાવ્યા છે અને કરોડો રૂપિયા પડાવી ચુક્યા છે.તેવામાં હવે છેતરપિંડીની સરહદ વટાવી રૂપિયાની સાથે નકલી ડોલરનો પણ વેપલો કરતા હોવાનું સામે આવ્યું છે. જેમાં એલસીબીએ ઇન્સ્ટાગ્રામમાં નકલી આઈડી બનાવી એકના ત્રણ અને સસ્તામાં સોનુ આપવાની લોભામણી જાહેરાત થકી છેતરપિંડીનો પ્રયાસ કરનાર શાંતીનગરના ઇસમને ઝડપી લઇ તેની પાસેથી રૂપિયા 500,200 અને અમેરિકન 100 ડોલરના નકલી બંડલો કબ્જે કર્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીના પીઆઈ એ.એમ.મકવાણાએ સોશિયલ મીડીયામાં ખોટી આઇડી બનાવી ભારતીય ચલણી નોટોનો અને સસ્તા સોનાના બિસ્કિટના વીડીયો બનાવી લોભામણી જાહેરાત કરતા ઈસમો સામે કાર્યવાહી કરવા ટીમને સુચના આપી હતી. એ દરમિયાન ટીમને બાતમી મળી હતી કે,સરપટનાકા બહાર શાંતિનગરમાં રહેતો આરોપી ફારૂક હુશેન સમા પોતાના કબ્જાના રહેણાક મકાનના આગણામાં આવેલ રૂમ પાસે હાજર છે.જે સોશિયલ મીડીયામાં ખોટા નામે આઈડી બનાવી રૂપીયા ત્રણ ગણા કરી આપવાની લોભામણી જાહેરાત મારફતે લોકો સાથે છેતરપીંડી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. બાતમીને આધારે તપાસ કરતા આરોપી હાજર મળી આવ્યો હતો.પોલીસે તેના મોબાઈલમાં તપાસ કરતા રાજેશ પટેલના નામની નકલી આઈડી બનાવેલી હતી.જેમાં રૂપિયા 500,200ની નોટાના બંડલો તેમજ 100 ડોલરના બંડલોના અલગ-અલગ વિડિયો તથા સોના જેવા લાગતા બિસ્કીટના વીડીઓ પોસ્ટ કરેલા હતા. જે આરોપીએ લોકોને વિશ્વાસમાં લઇ છેતરપીડી કરવાના ઇરાદે પોસ્ટ કરેલા હોવાની કબુલાત આપી હતી.જે મામલે ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બંડલની મશીનમાં ગણતરી,સ્ક્રીન પર નામ અને નંબરસોશિયલ મીડિયાને ઠગાઈ માટે હથિયાર બનાવનાર ચીટરોએ કરોડો રૂપિયાની ઠગાઈ આચરી લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે. એલસીબીએ ઝડપેલા ચીટરનો મોબાઈલ તપાસવામાં આવતા તેમાં અલગ અલગ વિડીયો પોસ્ટ કરેલા દેખાયા હતા.જેમાં એક વિડીયોમાં 500 ની નોટોના બંડલ પડેલા દેખાય છે અને સામે મશીનમાં તેની ગણતરી થતી હોય તેવું દેખાડવામાં આવ્યું હતું. જ્યારે ડોલરના બંડલના વિડીયોમાં આરોપીએ પોતાનો મોબાઈલ રાખેલો હતો જેની સ્ક્રીન પર નામ અને નંબર દેખાઈ રહ્યા છે.આ ઉપરાંત સોના જેવા દેખાતા બિસ્કીટનો વિડીયો પોસ્ટ કરેલો હતો. 190 બંડલમાંથી 100 ડોલરની 2 અને 500-200ની 40 નોટ સાચીએલસીબીએ આરોપીના કબ્જામાંથી નકલી નોટોના બંડલ કબ્જે કર્યા હતા.જેમાં ઉપર અને નીચેની નોટ સાચી અને અંદર ચિલ્ડ્રન બેંકની નોટો રાખેલી હતી.આરોપી પાસેથી 100 ડોલરના 90 બંડલ મળી આવ્યા હતા જેમાં માત્ર 2 નોટ સાચી હતી.જ્યારે રૂપિયા 500 અને 200 ના 50-50 બંડલ કબ્જે કરાયા હતા જેમાં 40 નોટ સાચી હતી બાકીની નકલી નોટો રાખેલી હતી.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 5:46 am

ભાસ્કર એક્સક્લુસિવ:ધો.12ની પરીક્ષા પહેલાં નવાં પ્રકરણો વાંચવાનું ટાળવું, બધાં મહત્વપૂર્ણ સૂત્રોની યાદી બનાવો

સીબીએસઇ બોર્ડ પરીક્ષાઓ 17 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહી છે. ધો.12ના વિદ્યાર્થીઓ માટે છેલ્લી ઘડીની તૈયારી ખૂબ મહત્વપૂર્ણ છે. વિષય નિષ્ણાતોના મતે યોગ્ય વ્યૂહરચના સાથે અભ્યાસક્રમમાં સુધારો કરવાથી તમને સારો સ્કોર કરવામાં મદદ મળી શકે છે. પુનરાવર્તનથી સારો સ્કોર પ્રાપ્ત કરી શકાય છે. વિષય નિષ્ણાત જૈમિની શાહે વિષયવાર માહિતી આપી હતી. ગણિત : એનસીઇઆરટીના ઉદાહરણો ઉકેલો, સૂત્રોની મદદથી આત્મવિશ્વાસ કેળવાશેસીબીએસઇની પરીક્ષા પહેલા નવા પ્રકરણો વાંચવાનું ટાળો, બધા મહત્વપૂર્ણ સૂત્રોની યાદી બનાવો, એનસીઇઆરટી ઉદાહરણો ઉકેલો અને પ્રશ્નોનો અભ્યાસ કરો, પહેલા સરળ અને મધ્યમ પ્રશ્નો ઉકેલો, પહેલા મુશ્કેલ પ્રશ્નો છેલ્લા ઉકેલો. ભૌતિકશાસ્ત્ર : દરેક પ્રકરણને સિદ્ધાંત અને વ્યુત્પત્તિમાં વિભાજિત કરીને વાંચોભૌતિકશાસ્ત્રમાં સફળતા મેળવવા માટે એનસીઇઆરટીને મુખ્ય પુસ્તક બનાવો, દરેક પ્રકરણને સિદ્ધાંત, વ્યુત્પત્તિ અને સંખ્યાત્મકમાં વિભાજિત કરીને વાંચો, સૂત્રો અને વ્યુત્પત્તિઓની અલગ નકલ બનાવો. રસાયણશાસ્ત્ર : કાર્બનિકમાં આલ્કોહલ અને એમાઈન્સમાં ધ્યાન કેન્દ્રિત કરોકાર્બનિક રસાયણશાસ્ત્રમાં પ્રતિક્રિયાઓને નામ આપો, આલ્કોહલ અને એમાઇન્સ પર ધ્યાન કેન્દ્રિત કરો અને નિષ્ણાતોના મતે તેમને નામ આપો. ભૌતિક રસાયણશાસ્ત્રમાં ઉકેલો, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી અને રાસાયણિક ગતિશાસ્ત્રની સમીક્ષા કરો. અકાર્બનિક રસાયણશાસ્ત્રમાં, ડી-એફ બ્લોક અને સંકલન સંયોજનો મહત્વપૂર્ણ છે. જીવવિજ્ઞાન : ઉચ્ચ ભારાંક પ્રકરણો, સમય વ્યવસ્થાપન પર ધ્યાન આપવુંપરીક્ષા પહેલાં સમય વ્યવસ્થાપન અને યોગ્ય એકમો પર ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જીવવિજ્ઞાનમાં સૌથી વધુ ગુણ જિનેટિક્સ અને ઇવોલ્યુશન, પ્રજનન, બાયોટેકનોલોજી અને બાયોલોજી અને માનવ કલ્યાણમાંથી આવે છે. વિદ્યાર્થીએ પહેલા છ દિવસમાં આ મુખ્ય એકમોનું પુનરાવર્તન કરવું જોઈએ. બાકીના દિવસોમાં ઇકોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સોશિયલ મીડિયા અને મોબાઇલથી દૂર રહેવું જરૂરી : વિદ્યાર્થીઓએ પરીક્ષા પહેલાં મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયાથી દૂર રહેવું જરૂરી છે. વિદ્યાર્થીને પરીક્ષા સમયે મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયાથી ધ્યાન ભટકી શકે છે. વિદ્યાર્થીઓએ હળવી કસરત, યોગા, વોકિંગ કરીને રીલેકસ થવું જોઇએ. બહારનું ખાવાનું પણ ટાળવું જોઇએ.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 5:38 am

સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો:86 ગામ વણકર સમાજના સમૂહ લગ્ન યોજાયા, વર-કન્યાનો વરઘોડો નીકળ્યો

શહેરના છાણી ખાતે 86 ગામ વણકર સમાજનો પાંચમો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો. જેમાં 12 યુગલે પ્રભૂતામાં પગલાં પાડ્યાં હતાં. સમાજના હેપી ગ્રૂપ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. સમાજનાં અગ્રણી કોર્પોરેટર રશ્મીકાબેન વાઘેલાએ જણાવ્યા મુજબ એક માત્ર સમૂહ લગ્નમાં વર-કન્યા બંનેને વરઘોડા દ્વારા લઇ જવામાં આવે છે. રવિવારે સવારે ફતેગંજ પોલીસ મથક પાસેથી વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જેમાં વર-કન્યાને છાણી લગ્ન સ્થળ સુધી લઇ જવાયાં હતાં. ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિના પ્રદેશ અધ્યક્ષ ભાજપના ડો.કિરીટ સોલંકી, વિધાનસભાના મુખ્ય દંડક બાળકુષ્ણ શુક્લ સહિત અગ્રણીઓે હાજર રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. યુગલને 150 વસ્તુ અપાઇ, કોર્પોરેટરે જમણવાર કર્યુંસમાજ દ્વારા યોજાયેલા લગ્નમાં નવદંપતીને ઘર વપરાશની અને જીવન જરૂરી 15 જેટલી વસ્તુ ભેટ આપવામાં આવી હતી. જ્યારે વોર્ડ 2નાં કોર્પોરેટર અને સમાજનાં અગ્રણી રશ્મીકા વાઘેલા દ્વારા લગ્નમાં 4 હજાર લોકોનું જમણવાર કરાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 5:35 am

વિદ્યામંદિરનાં બાળકોએ દંડવત યાત્રા યોજી:બીએપીએસના 221 વિદ્યાર્થીએ દોઢ કિમીની યાત્રામાં રોડ પર 45 હજારથી વધુ દંડવત કર્યા

વડોદરા સંસ્કારી નગરી તરીકે વિશ્વમાં ઓળખ ધરાવે છે. આ ઓળખ ઊભી કરવા માટે શહેરમાં થતાં અનેકવિધ સંસ્કારી કાર્યો કારણભૂત છે. આવું જ કાર્ય રવિવારે રાત્રે શહેરના રાજમાર્ગો પર થયું હતું. બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિર-અટલાદરાના ધો. 7થી 12ના વિદ્યાર્થીઓ દ્વારા શહેરમાં દંડવત યાત્રા યોજાઈ હતી. વિદ્યાર્થીઓ દ્વારા દંડવત દ્વારા ગુરુ ભક્તિ પ્રદર્શિત કરી હતી. તેમણે 45 હજાર દંડવત પ્રણામ ગુરુ ચરણે અર્પણ કર્યા હતા. અટલાદરા રોડ પર રવિવારે રાત્રે ભક્તિનો અનોખો નજારો જોવા મળ્યો હતો. બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિર, અટલાદરાના ધોરણ 7 થી 11ના 221 વિદ્યાર્થીઓએ ગુરુ મહંત સ્વામી મહારાજના ચરણે ઉત્તમ ગુરુ ભક્તિ રૂપ દંડવત યાત્રા યોજી હતી. શાસ્ત્રમાં દર્શાવ્યા અનુસાર દંડવત પ્રણામ એ અહંકાર મુક્તિ અને આદર ભાવનું સર્વોચ્ચ માધ્યમ છે. ગુરુ પ્રત્યે આદર અને સમર્પણ અર્થે રાત્રે 9 થી 1 વાગ્યા દરમિયાન યોજાયેલી આ યાત્રામાં દરેક વિદ્યાર્થીએ વ્યક્તિગત રીતે જાહેર માર્ગ પર 200-200 દંડવત કરી ગુરુ ભક્તિ અદા કરી હતી. કુલ 45 હજારથી વધુ દંડવત સાથે આ બાળકોએ અટલાદરા મુખ્ય માર્ગ પર શ્રદ્ધાનો સૈલાબ ઉમટાવ્યો હતો. આ દરમિયાન રોડ પર ટ્રાફિકનાં દૃશ્યો સર્જાયા હોવા છતાં બાળકોની આકરી તપશ્ચર્યા અને નિષ્ઠા જોઈને સૌ વટેમાર્ગુ પણ આશ્ચર્ય સહ ભાવવિભોર થયા હતા. સોમવારે પ્રાતઃ પૂજા દર્શનમાં મહંત સ્વામી મહારાજે આ બાળકોને આશીર્વાદ આપી તેમની ભક્તિ સ્વીકારીને બિરદાવી હતી. ફેક્ટ ફિગર

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 5:35 am

ઓટલાના દબાણ તોડી પડાયા:ગેંડીગેટથી વાડી સ્વામિનારાયણ મંદિર સુધી 20 ઓટલા તોડ્યા,3 ટ્રક ભરી સામાન જપ્ત

પાલિકાની દબાણ શાખાની બેદરકારીથી પાણીગેટ, મંગળબજાર, દૂધવાળા મહોલ્લો, પથ્થરગેટ સાઇકલ બજાર સહિતના વિસ્તારમાં દબાણ હટવાનું નામ નથી લેતાં. તેવામાં જમીન સંપાદન કરી રસ્તો ખુલ્લો કર્યાનાં વર્ષો બાદ ગેંડીગેટથી સ્વામિનારાયણ મંદિર સુધીના રોડ પર ઘરવખરી સહિતનાં દબાણોથી રોડ સાંકડો થયો હતો. જેથી વોર્ડ 14ની ટીમે દબાણ દૂર કરી 20 ઓટલા તોડ્યા હતા. ગેંડીગેટથી વાડી સ્વામિનારાયણ મંદિર રોડ સુધી વર્ષો અગાઉ જમીન સંપાદન કર્યા બાદ પણ રોડ પર ઘરવખરીનો સામાન, પાણીની પીપ, વાહનો અને લારી-ગલ્લાનાં દબાણો થતાં વોર્ડ 14ની ટીમે કાર્યવાહી કરી હતી. ટીમે 20 ઓટલા તોડવા સાથે લારી-ગલ્લા સહિત 3 ટ્રક સામાન જપ્ત કર્યો હતો. વાડી સ્વામિનારાયણ મંદિરથી હરણખાના રોડથી વોર્ડ 14ની ટીમ પાણીગેટ પહોંચી હતી. વોર્ડ ઓફિસર મહેશ રબારીએ લોકોની ધાર્મિક લાગણી ન દુભાય તે માટે મટન અને ચિકનનું વેચાણ કરતા વેપારીઓને પડદા રાખી વેચાણ કરવા ચેતવણી આપી હતી. મ્યુ. કમિશનરની વોર્ડ 14ની મુલાકાત બાદ ટીમો દોડતી થઈતાજેતરમાં મ્યુ. કમિશનર અરુણ મહેશ બાબુએ કાલુપુરા સ્થિત વોર્ડ 14ની કચેરીની ઓચિંતી મુલાકાત લેતાં અધિકારીઓ દોડતા થયા હતા. સ્થાનિક કાઉન્સિલરોની દબાણો દૂર કરવાની રજૂઆતને પગલે વોર્ડ 14ની ટીમે કાર્યવાહી હાથ ધરી છે. મંગળબજાર, ન્યાયમંદિરની ફરતેથી વાહનો, સુરસાગર ફરતે ખાણીપીણીનાં દબાણ હટાવ્યાં હતાં.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 5:32 am

વેરાની વસૂલાત માટે કડકાઈ:600 કોમર્શિયલ મિલકતોને સીલ કરાઈ

પાલિકાએ 2025-26 માટે 800 કરોડના વેરા વસૂલાતનો લક્ષ્યાંક મૂક્યો છે. જેની સામે અત્યાર સુધી 525 કરોડની વેરાની વસૂલાત થઈ છે. વેરાની કડક વસૂલાત માટે 19 વોર્ડ કચેરીએથી 600 બિન રહેણાક મિલકતોને સીલ કરી છે. જ્યારે 60 હજારથી વધુ રહેણાક મિલકતોને વેરો ભરવા નોટિસ ફટકારી છે. પાલિકાએ 2025-26માં વેરાથી 800 કરોડથી વધુની આવકનો લક્ષ્યાંક મૂક્યો છે. જેમાં ફેબ્રુઆરીની શરૂઆત સુધી 525 કરોડની વસૂલાત કરાઈ છે. હાલમાં પાલિકાએ 2003 પછી બાકી મિલકત વેરાના વ્યાજમાં રહેણાક મિલકત માટે 80 ટકા અને બિન રહેણાક મિલકત માટે 60 ટકા વ્યાજ માફીની યોજના શરૂ કરી છે. આ યોજના વચ્ચે બાકી વેરાની કડક વસૂલાત માટે 19 વોર્ડ કચેરીની ટીમોએ 600 જેટલી રહેણાક મિલકતોને સીલ કરી છે. આ સિવાય વેરો ન ભરનાર 60 હજાર રહેણાક ગ્રાહકોને પણ નોટિસ આપી છે. આગામી દિવસોમાં વેરાની ભરપાઈ લોકો કરી શકે તે માટે ફેબ્રુઆરી અને માર્ચના બીજા અને ચોથા શનિવાર તથા તમામ રવિવારે કચેરીને ખુલ્લી રખાશે.

દિવ્ય ભાસ્કર 10 Feb 2026 5:30 am