વલસાડમાં રામ નવમીની ઉજવણી પૂર્વે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા SP યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ શહેરમાં ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. SP યુવરાજસિંહ જાડેજાએ મીડિયાને સંબોધતા જણાવ્યું કે, આવતીકાલે વલસાડ જિલ્લામાં કુલ 14 સ્થળોએ રામ નવમીની શોભાયાત્રાનું આયોજન છે. તેમાંથી 3 શોભાયાત્રા વલસાડ શહેર વિસ્તારમાં અને 4 જેટલી યાત્રા ગ્રામ્ય વિસ્તારોમાં નીકળશે. આ ઉપરાંત 27મી તારીખે પણ 3 સ્થળોએ શોભાયાત્રાનું આયોજન છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા હાઈટેક નજર રાખવામાં આવશે. યાત્રાના રૂટ પર ડ્રોન કેમેરા દ્વારા આકાશમાંથી દેખરેખ રખાશે. CCTV કેમેરા અને પોલીસ જવાનોના બોડી વોર્ન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારા તત્વો પર સ્પેશિયલ ટીમ દ્વારા વોચ રખાઈ રહી છે. આ ફૂટ પેટ્રોલિંગમાં DySP એ.કે. વર્મા, સિટી PI ભાવિક જીતિયા સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા. પોલીસે શહેરના મુખ્ય માર્ગો પર ફરીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. SP યુવરાજસિંહ જાડેજાએ નગરજનોને અપીલ કરી છે કે, કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહી, કાયદાની મર્યાદામાં રહીને શાંતિપૂર્ણ રીતે રામ નવમીના તહેવારની ઉજવણી કરે.
ભાવનગર શહેર આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ સામે આવ્યો હતો, ભાવનગર મહાનગરપાલિકા ની સ્થાનિક સ્વરાજની ચૂંટણી ના પડગમ વાગી ચૂક્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના જુદા જુદા વોર્ડમાં 12 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે ભાવનગર શહેર આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખને ટિકિટ ન આપાતા તેને પોતાના કાર્યકરો સાથે રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે, આમ, આગામી સમયમાં રાજકીય પક્ષોમાં ઉલટ-ફેરફારો થશે. જેમાં શહેર ઉપપ્રમુખ ડી.એન. મારૂએ આજે પાર્ટીના તમામ હોદ્દાઓ અને સભ્યપદેથી પોતાની ટીમ સાથે રાજીનામું ધરી દેતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે તેમણે પાર્ટી પર ઉપેક્ષા અને જ્ઞાતિવાદના ગંભીર આક્ષેપો કર્યા છે, આ સાથે 30 થી 40 આપના કાર્યકરોએ રાજીનામું ધરી દેતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો, રાજીનામા પાછળના આપના ડી.એન. મારૂએ જણાવ્યું કે, છેલ્લા 5 વર્ષથી તેમણે રાત-દિવસ પાર્ટી માટે કામ કર્યું છે 2022ની વિધાનસભા અને 2024ની લોકસભા ચૂંટણીમાં 'સ્ટાર પ્રચારક' તરીકે ઘરે-ઘરે જઈને પ્રચાર કરવા છતાં પાર્ટીમાં તેમની અવગણના કરવામાં આવી રહી છે, તેમણે પત્રમાં ગંભીરતાપૂર્વક નોંધ્યું છે કે, હું દલિત (અનુસૂચિત જાતિ) હોવાથી મારી કદર કરવામાં આવતી નથી. સતત કામ લેવા છતાં યોગ્ય માન-સન્માન ન મળતું હોવાનું તેમણે જણાવ્યું હતું, વધુમાં તેમણે યાદ અપાવ્યું કે વિરોધ પ્રદર્શનો, કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા કે પોલીસ અટકાયત સહન કરવામાં તેઓ હંમેશા મોખરે રહ્યા છે જ્યારે વડાપ્રધાન કે ગૃહમંત્રીના આગમન સમયે પણ તેમણે જેલવાસ ભોગવ્યો છે, છતાં પાર્ટીએ તેની નોંધ લીધી નથી, બીજું હરિયાણા, વિસાવદર, રાજકોટ અને ચોટીલા જેવા વિસ્તારોમાં પ્રચાર માટે તેઓ પોતાના ખર્ચે જતા હોવા છતાં પક્ષમાં તેમની કોઈ ગણના થતી નહોતી, જ્યાં માન-સન્માન ન જળવાતું હોય ત્યાં રહેવાનો કોઈ અર્થ નથી. તેથી હું અને મારી ટીમ આજે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીએ છીએ, આ રાજીનામું ભાવનગર શહેર પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી, પ્રદેશ કાર્યાલય, અમદાવાદ ને સંબોધીને મોકલી આપવામાં આવ્યું છે, ચૂંટણીઓ નજીક છે ત્યારે ભાવનગરમાં 'આપ'ના પાયાના કાર્યકર અને હોદ્દેદારનું આ રીતે રાજીનામું પડવું એ પાર્ટી માટે મોટો ફટકો પડશે.
શહેરના વાસણામાં મધરાતે બહેનની સામે ભાઇની ઘાતકી હત્યા કરનાર આરોપીને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. દોઢ વર્ષ અગાઉ આરોપીના ભાઇની લાશ મળી હતી. જે હાલના મૃતકે કરી હોવાનું માનીને આરોપીએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ભાઇના મોતની શંકાનો બદલો લેનાર આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. બહેનની નજર સામે ભાઈને તીક્ષ્ણ હથિયારથી મોતને ઘાટ ઉતાર્યોવાસણા વિસ્તારમાં આવેલા ભરવાડ વાસમાં રહેતો 25 વર્ષીય હિતેશ મેઘવાલ 23 માર્ચની રાત્રે બે વાગ્યા આસપાસ ઘરની બહાર સૂતો હતો, ત્યારે હિતેશને અજાણ્યો વ્યક્તિ તીક્ષ્ણ હથિયાર માર મારતો હોવાથી હિતેશની બહેન જ્યોતિ જાગી ગઇ હતી. જ્યોતિએ જાગીને જોયું તો પાતળા બાંધાનો લાંબો શખસ ટોપી પહેરીને આવ્યો હતો અને તે હિતેશને માર મારીને તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતો હતો. જ્યોતિએ પ્રતિકાર કરતા જ શખસ ત્યાંથી ભાગી ગયો હતો. વાસણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનાને લઇને ક્રાઇમ બ્રાંચે પણ તપાસ હાથ ધરી હતી. ક્રાઈમ બ્રાન્ચે આરોપી વિકી રંગવાલની ધરપકડ કરીક્રાઈમ બ્રાન્ચે તપાસ કરીને 28 વર્ષીય વિનોદ ઉર્ફે વિકી રંગવાલની ધરપકડ કરી છે. આરોપીને વી.એસ. હોસ્પિટલના પાછળના ગેટ પાસેથી ઝડપી લઇ પૂછપરછ કરતા અનેક માહિતી સામે આવી છે. જેમાં સામે આવ્યું છે કે, દોઢ વર્ષ પહેલા આરોપી વિનોદના ભાઈ શ્રવણની ચંદ્રનગર બ્રિજ નીચેથી લાશ મળી હતી. જેથી વિનોદને શંકા હતી કે તેના ભાઈના મોત પાછળ હિતેશનો જ હાથ છે. આજ શંકા અને બદલાની આગમાં વિનોદે હિતેશને ખતમ કરવાનું કાવતરું ઘડ્યું હતું અને મોકો શોધીને હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે.
ભાવનગર પેરોલ-ફર્લો સ્કવોડે વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઇંગ્લિશ દારૂના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતા-ફરતા આરોપીને પંજાબમાંથી ઝડપી પાડ્યો છે. મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે ટેક્નિકલ તેમજ હ્યુમન સોર્સની મદદથી સફળ ઓપરેશન પાર પાડયુ હતું. અજાણ્યા શખસ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી બાદ તેને વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પેરોલ-ફર્લો સ્કવોડનો પોલીસ સ્ટાફ બાતમીવાળી જગ્યાએ પહોંચ્યો હતોઆ બનાવ અંગે પેરોલ-ફર્લો કચેરીથી મળતી માહિતી અનુસાર, ભાવનગર પેરોલ-ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફના માણસો નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા પ્રયત્નશીલ હતા. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, ભાવનગર જિલ્લાના વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ઇંગ્લિશ દારૂના ગુન્હાનો આરોપી નવિન્દરસિંઘ ભજનસિંઘ સંધુ, રહે, દુલ્લાસિંઘવાલા, તા. જીરા, પંજાબ, છેલ્લા સાત વર્ષથી નાસતો-ફરતો હતો, જે હાલ પોતાના ગામ દુલ્લાસિંઘવાલા ખાતે હોવાની પોલીસને માહિતી પ્રાપ્ત થઈ હતી. આ બાતમીના આધારે પેરોલ-ફર્લો સ્કવોડનો પોલીસ સ્ટાફ પંજાબ રાજ્યમાં બાતમીવાળી જગ્યાએ પહોંચ્યો હતો અને ટેક્નિકલ તેમજ હ્યુમન સોર્સની મદદથી તપાસ કરતા આરોપી નવિન્દરસિંઘ સંધુ મળી આવતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.
ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં સુરેન્દ્રનગરના દીપેન દવેએ ઐતિહાસિક હેટ્રિક જીત હાંસલ કરી છે. આ વિજય બાદ સુરેન્દ્રનગર શહેરમાં તેમનું ભવ્ય વિજય સરઘસ કાઢી સન્માન કરવામાં આવ્યું હતું.દીપેન દવેએ વકીલોના વિશ્વાસથી સતત ત્રીજી વખત આ ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. આ વખતે ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી હતી, તેમ છતાં તેમણે મજબૂત હરીફ સામે જીત હાંસલ કરી હતી.તેમની જીત પાછળ એડવોકેટ મિત્રોની દિવસ-રાતની મહેનત અને સહયોગ મુખ્ય કારણભૂત રહ્યા હતા. આ વિજય બદલ એડવોકેટ મિત્રો સહિત વેપારીઓ અને અગ્રણી આગેવાનો દ્વારા દીપેન દવેને ઠેર ઠેરથી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. દીપેન દવેની આ હેટ્રિક જીતથી સુરેન્દ્રનગર જિલ્લાનું ગૌરવ વધ્યું છે. આ પ્રસંગે દિગ્વિજયસિંહ ઝાલા, વિકાસ અડાલજા, મૌલિક પાઠક, નરેન્દ્રસિંહ અને કિશોરસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિદેશ જવાના સપના જોતા યુવાનોને નિશાન બનાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી ગેંગના એક મુખ્ય સાગરીતને સુરતની પાલ પોલીસે નોઈડાથી દબોચી લીધો છે. આરોપી અંકિત ઉર્ફે અક્ષિત ઉર્ફે રાજ ઉર્ફે રોકી પટેલ નામના 25 વર્ષીય યુવાને 23 જેટલા ક્લાયન્ટ્સ પાસેથી વર્ક પરમિટના બહાને 39 લાખ રૂપિયા પડાવ્યા હતા. પોલીસે આરોપી પાસેથી આઈફોન સહિતના મોબાઈલ જપ્ત કરી બે દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. વિદેશના વિઝા અપાવવાનું કામ કરતો હોવાની લાલચ આપીઆ કેસની વિગત મુજબ ફરિયાદી અંકુરભાઈ ગુણવંતભાઈ પટેલ પોતે વિઝા કન્સલ્ટન્સીનું કામ કરે છે. ગત વર્ષે આરોપી અંકિત પટેલે પોતાની ઓળખ 'રોકી પટેલ' તરીકે આપી વર્ચ્યુઅલ મોબાઈલ નંબર અને અલગ-અલગ ઈમેલ આઈડી દ્વારા અંકુરભાઈનો સંપર્ક કર્યો હતો. આરોપીએ પોતે વિદેશના વિઝા અપાવવાનું મોટું કામ કરતો હોવાની લાલચ આપી અંકુરભાઈને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ 23 ક્લાયન્ટ્સના અલ્બેનિયાના વિઝા કરાવવા માટે અલગ-અલગ સમયે દિલ્હી ખાતે આંગળિયા મારફતે કુલ 39 લાખ રૂપિયા મંગાવી લીધા હતા. એમ્બેસીના વેરિફિકેશનમાં ફૂટ્યો ભાંડોપૈસા પડાવ્યા બાદ આરોપીએ ક્લાયન્ટ્સને અલ્બેનિયાના વિઝા પૂરા પાડ્યા હતા. જોકે, જ્યારે આ વિઝાનું વેરિફિકેશન એમ્બેસીમાં કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું હતું કે તમામ વિઝા તદ્દન ફેક અને 'ફર્જી' હતા. છેતરપિંડીનો અહેસાસ થતા જ્યારે ફરિયાદીએ આરોપીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે આરોપીએ વાપરેલા તમામ વર્ચ્યુઅલ નંબરો અને ઈમેલ આઈડી બંધ કરી દીધા હતા. આખરે આ મામલે પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ પાછળ પડ્યાનો ખ્યાલ પડતાં જ આરોપીએ લોકેશન બદલીપાલ પોલીસની ટીમે સાયબર ક્રાઈમની મદદ લઈ ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપી ઉત્તર પ્રદેશના નોઈડા સેક્ટરમાં છુપાયો છે. પોલીસની ટીમ જ્યારે નોઈડા પહોંચી ત્યારે આરોપીને ખ્યાલ આવી ગયો હતો કે પોલીસ પાછળ પડી છે, જેથી તેણે તાત્કાલિક પોતાનું રહેઠાણ બદલી નાખ્યું હતું. જોકે, પાલ પોલીસે હાર માન્યા વગર આસપાસના રિસોર્સીસ અને સ્થાનિક નેટવર્કનો ઉપયોગ કરી આરોપીના નવા સરનામાનો પત્તો લગાવ્યો હતો. કલોલનો વતની નોઈડામાં ફ્રોડ નેટવર્ક ચલાવતો હતોઝડપાયેલો આરોપી અંકિત ઉર્ફે અક્ષિત મૂળ ગાંધીનગરના કલોલ તાલુકાના નારદીપુર ગામનો વતની છે. તે છેલ્લા કેટલાક સમયથી નોઈડાના શતાબ્દી વિહાર વિસ્તારમાં રહીને આ પ્રકારનું ફ્રોડ નેટવર્ક ચલાવતો હતો. ધરપકડ દરમિયાન તેની પાસેથી એક સફેદ રંગનો iPhone 13 Pro અને અન્ય એક કી-પેડ મોબાઈલ ફોન મળી આવ્યો છે. પોલીસના મતે આરોપી છેલ્લા એક વર્ષથી વધુ સમયથી આ રીતે લોકોને છેતરવાનું કામ કરી રહ્યો હતો. છેલ્લી ઘડીએ ટિકિટ કેન્સલનું બહાનું કાઢતોપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી અત્યંત શાતિર રીતે કામ કરતો હતો. જ્યારે કોઈ ક્લાયન્ટના વિદેશ જવાની તારીખ નજીક આવે ત્યારે તે પકડાઈ જવાની બીકે નવા નાટકો કરતો હતો. તે ક્લાયન્ટને ફોન કરીને કહેતો કે તમારી ટિકિટ ટેક્નિકલ એરરને કારણે કેન્સલ થઈ ગઈ છે અથવા એમ્બેસીમાં કોઈ પ્રશ્ન ઉભો થયો છે. આવા બહાના કાઢી તે સમય પસાર કરતો અને અંતે સંપર્ક કાપી નાખતો હતો. પોલીસે આરોપીને બે દિવસના રિમાન્ડ પર લીધોપાલ પોલીસ દ્વારા હાલ આરોપીના બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. પોલીસને આશંકા છે કે, અંકિત એકલો આ મોટું કૌભાંડ આચરી શકે નહીં. આ ફ્રોડમાં તેની સાથે દિલ્હી અને નોઈડાના અન્ય શખ્સો પણ સામેલ હોઈ શકે છે. તપાસ દરમિયાન એ પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે તેણે અત્યાર સુધીમાં ગુજરાતના અન્ય કેટલા યુવાનોને વિદેશ મોકલવાના બહાને લાખોનો ચૂનો લગાવ્યો છે. લોકોને પોલીસની અપીલએસીપી શ્વેતા ડેનિયલે જણાવ્યું હતું કે, વિઝા કે વર્ક પરમિટ માટે કોઈપણ અજાણી વ્યક્તિ કે સોશિયલ મીડિયા પર મળતી જાહેરાતો પર આંધળો વિશ્વાસ ન કરવો. વિઝાની પ્રક્રિયા હંમેશા અધિકૃત એજન્ટો અથવા એમ્બેસી દ્વારા જ કરવી અને નાણાકીય વ્યવહાર કરતા પહેલા ચોકસાઈ કરવી જરૂરી છે. હાલમાં પાલ પોલીસ સ્ટેશનમાં આરોપીની સઘન પૂછપરછ ચાલી રહી છે.
શહેરીજનોને આરોગ્યની સુવિધા વધુ સારી રીતે મળી રહે તેના માટે નવા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) બનાવવામાં આવી રહ્યાં છે. સૈજપુર બોઘા, લાંભા, મક્તમપુરા, રખિયાલ, ઘુમા અને માધુપુરામાં એમ વધુ પાંચ CHC તૈયાર કરવામાં આવશે. જેના માટેની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. આ વિસ્તારમાં કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બનવાના કારણે પાંચ લાખથી વધુ લોકોને આરોગ્યની સુવિધાઓનો લાભ મળશે. વિરાટનગર CHCમાં 4 ઓપરેશન થિયેટરની સુવિધામ્યુનિસિપલ કોર્પોરેશનના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં આરોગ્યની સેવાઓ જેમાં X-RAY, વિવિધ પ્રકારના બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે, ENT સર્જરી સહિત નાની મોટી સર્જરી કરવામાં આવે છે તથા મેટરનિટી, ગાઈનેક, નોર્મલ ડીલીવરી અને સિઝેરિયન પણ કરવામાં આવે છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં CHCમાં આ પ્રકારની તબીબી સુવિધા આપવામાં આવતી હોવાને પરિણામે AMC સંચાલિત LG, શારદાબેન, SVP, સહિતની હોસ્પિટલો પરનું ભારણ ઘટી ગયું છે અને મ્યુનિ. હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો ઓછો જોવા મળે છે. વિરાટનગર CHC તૈયાર થઈ ગયું છે અને વિરાટનગર CHCમાં 4 ઓપરેશન થિયેટરની સુવિધા છે. શહેરમાં બે વોર્ડ દીઠ એક કોમ્યુનિટી હેલ્થ સેન્ટરAMC મેડિકલ ઓફિસર ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, શહેરીજનોને પોતાના જ વિસ્તારમાં અને ઘરની નજીક તબીબી સુવિધાઓ પૂરી પાડવા માટે વિવિધ વિસ્તારોમાં CHC બનાવવામાં આવી રહ્યા છે અને આગામી સમયમાં વધુ પાંચ CHC બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શહેરમાં બે વોર્ડ દીઠ એક CHC તૈયાર કરવામાં આવે તો શહેરીજનોને વધુ સારી રીતે તબીબી સારવાર મળી શકે છે. બોડકદેવમાં બે માળનું નવું CHC તૈયાર કરાશેસાબરમતી વોર્ડમાં રામનગરમાં આવેલા CHC નાનું હોવાથી સ્વિમિંગ પૂલની બાજુમાં નવું CHC બનાવવામાં આવશે. જ્યારે રખિયાલ ચાર રસ્તા પાસે આવેલ CHC જૂનું અને જર્જરિત બની ગયું હોવાથી તેને તોડીને તે જ સ્થળે નવું CHC બનાવવામાં આવશે. કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ત્રણથી ચાર ઓપરેશન થિયેટરની સુવિધા ઉભી કરાશે. બોડકદેવમાં આવેલા હયાત અર્બન હેલ્થ સેન્ટરને પણ નજીકમાં આવેલી AMCની વોર્ડ ઓફિસના સ્થળે ખસેડીને બે માળનું નવું CHC તૈયાર કરવામાં આવશે. કન્સ્ટ્રક્શન સાઈટો પર ધ્યાન આપવા કમિશનરની સૂચનાઅમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની રીવ્યુ બેઠકમાં શહેરમાં વધતા જતા હવા પ્રદુષણને લઈને ચર્ચા થઈ હતી. એર ક્વોલિટી બાબતે કન્સ્ટ્રક્શન સાઈટો ઉપર ધ્યાન આપવા માટે કમિશનરે સૂચના આપવી પડી હતી. 140 જેટલી કન્સ્ટ્રકશન સાઈટો છે, પરંતુ તેમાં એક પણ જગ્યાએ કોઈ સ્ટેટસ હતું નહીં માત્ર ચાર જેટલી સાઈટોના નેગેટિવ રિપોર્ટ આપવા તેના સામે કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું. જેથી કમિશનરે કહ્યું હતું કે, માત્ર બે-ચાર સાઈટો પર કામ કરવાથી હવા પ્રદુષણ કંટ્રોલમાં નહીં આવે જેથી યોગ્ય રીતે કામ કરવા માટે જણાવ્યું હતું. હાઈરિસ્ક વિસ્તારની કામગીરી માટે ટેન્ડર બહાર પાડ્યાપાણીજન્ય રોગચાળા મુદ્દે પણ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આરોગ્ય વિભાગના અધિકારીને કહ્યું હતું કે દક્ષિણ ઝોન વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે જે ખૂબ જ ચિંતાનો વિષય છે. હાઈરિસ્ક વિસ્તારની કામગીરી માટે પણ ટેન્ડર બહાર પાડી દીધા છે. હિટ એક્શન પ્લાન અંતર્ગત જે પ્રમાણે ઈસરો સાથે મળી અને હોટસ્પોટ એરીયા નક્કી કરવામાં આવે છે, ત્યારે આ બાબતે કમિશનરે તેમની કામગીરી યોગ્ય ન હોવાનું કહી અને તમે બરાબર રીતે જાણતા નથી અને કરી રહ્યા નથી તેમ કહી અને બધી વ્યવસ્થા અને કરો છો પરંતુ તેની પાછળ કામગીરી જે કરવાની હોય છે તે કરી રહ્યા નથી તેમ કહ્યું હતું. ઇલેક્ટ્રિક બસો ચાર્જ કરવા પૂરતા EV ચાર્જિંગ સ્ટેશન ઊભા કરો1900 જેટલી ઈલેક્ટ્રીક બસો લાવવામાં આવશે એવી વાત કરવામાં આવી છે, પરંતુ બસોના ચાર્જિંગ સ્ટેશન બાબતે AMTS વિભાગના અધિકારીને તેઓએ પૂછ્યું હતું કે, શું આપણી પાસે આટલી બસોના ચાર્જિંગ સ્ટેશન પૂરતા પ્રમાણમાં છે કે નહીં. જેથી અધિકારીએ કહ્યું હતું કે, અત્યારે આપણી પાસે પૂરતી વ્યવસ્થા નથી પરંતુ આપણે તેના માટેની વ્યવસ્થા કરી રહ્યા છીએ. ભયજનક મકાનો પર મોટા બોર્ડ લગાવવા સૂચનાકોટ વિસ્તારમાં ભયજનક મકાનો પર મોટા બોર્ડ લગાવવા અને તેની આસપાસ બાઉન્ડ્રી લગાવવા માટે સૂચના આપી છે. મકાન ભયજનક હોવા અંગે લોકોને જાણ થાય તેના માટે મોટું બોર્ડ લગાવવું જોઈએ અને અન્ય ઝોનમાં પણ જનક મકાન હોય ત્યાં આ પ્રમાણેની કાર્યવાહી કરવા જણાવ્યું છે. કોટ વિસ્તારમાં જે મિલકતોમાં સળગી ઊઠે માલ સામાન રાખ્યો હોય મિલકતોનો સર્વે કરીને નોટિસ આપી છે અને ઝડપથી માલ ખાલી કરી દેવા માટેની સૂચના આપવામાં આવી છે.
વડોદરા શહેરમાં આવતીકાલે રામનવમી પર્વને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેને લઈને આજે વડોદરાના ભૂતડીઝાપા મેદાન ખાતે શહેર પોલીસ કમિશનરના અધ્યક્ષ સ્થાને એરિયા ડોમિનેશન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને સઘન પેટ્રોલિંગવડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં આજે ફ્લેગ માર્ચ અને સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આવતીકાલની ઉજવણી માટે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે પોલીસને ડ્રોન, સીસીટીવી કેમેરા અને બોડી વોર્ન કેમેરાથી સજ્જ કરવામાં આવી છે. ધાબા પોઇન્ટ તેમજ ડીપ ધાબા પોઇન્ટ પર ચેકિંગ વધુ કડક બનાવવામાં આવશે. શહેરમાં 23 સ્થળોએ શોભાયાત્રાઓ નીકશેપોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે, અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આવતીકાલે રામનવમીના શહેરમાં કુલ 23 સ્થળોએ શોભાયાત્રાઓ નીકળવાની હોવાથી, ડીસીપી, એસીપી સહિત મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત તૈનાત રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત મહાપ્રસાદ અને ભંડારા જેવા ધાર્મિક કાર્યક્રમો દરમિયાન પણ પોલીસ તંત્ર સંપૂર્ણ સતર્ક રહેશે અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે.
અમદાવાદના મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે સદ્ગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ ભગવાનની ૨૪૫મી જયંતી પ્રસંગે ત્રિદિવસીય મહોત્સવ ઉજવાશે. આ મહોત્સવ ૨૬ થી ૨૮ માર્ચ દરમિયાન યોજાશે. આ વર્ષે મહોત્સવનું મુખ્ય આકર્ષણ પરંપરાગત ભક્તિ-સત્સંગ સાથે આધુનિક ટેક્નોલોજીનો સમન્વય છે. મહોત્સવના પ્રથમ દિવસે, ૨૬ માર્ચના રોજ સાંજે ૬:૩૦ વાગ્યે એક વિશેષ પોડકાસ્ટ કાર્યક્રમ યોજાશે. આ પોડકાસ્ટમાં મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજી અને જાણીતા પ્રવક્તા પ્રો. અશ્વિનભાઈ આણદાણી શ્રી સ્વામિનારાયણ ભગવાનના જીવનના આદર્શો, સામાજિક સુધારા અને વર્તમાન સમયમાં આધ્યાત્મિકતાની પ્રસ્તુતતા અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આજના યુવાનોને તેમની ભાષામાં ભગવાનનો શાંતિ, સદાચાર અને નીતિમય જીવનનો સંદેશ સમજાવવાનો છે. ડિજિટલ માધ્યમ દ્વારા ભગવાનના સંદેશને વ્યાપક ફલક ઉપર પહોંચાડવાનો આ એક નવતર પ્રયોગ છે. આ કાર્યક્રમના પ્રારંભે સાંજે ૪:૩૦ થી ૬:૩૦ દરમિયાન સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવામાં આવશે. ૨૭ માર્ચના રોજ સવારે ૯:૩૦ થી ૧૧:૦૦ વાગ્યા સુધી ધૂન, કીર્તન અને પારાયણ વાંચન કરવામાં આવશે. બપોરે ૨:૩૦ થી રાત્રીના ૧૦:૦૦ વાગ્યા સુધી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન અને શ્રી હરિનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને પારણિયામાં ઝુલાવવામાં આવશે અને સંતો-ભક્તો દ્વારા સમૂહ આરતી કરવામાં આવશે. ૨૮ માર્ચના રોજ સવારે ૮:૩૦ થી ૧૧:૩૦ વાગ્યા સુધી કુમકુમ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજનો ૩૪મો પાટોત્સવ ઉજવાશે. આ પ્રસંગે ષોડશોપચારથી પૂજન, અર્ચન અને પુષ્પાભિષેક કરવામાં આવશે, ત્યારબાદ અન્નકૂટ ધરાવવામાં આવશે. આ ત્રિદિવસીય મહોત્સવ દરમિયાન શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી અને શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામી શ્રી સ્વામિનારાયણ ભગવાનના જીવન કવન ઉપર મહિમાગાન કરશે. આ પ્રસંગે ગુજરાતભરના અને દેશ-વિદેશના ભક્તો દર્શન અને સત્સંગનો લાભ લેવા પધારશે.
માર્ચ-2026ના ‘રાજ્ય સ્વાગત’ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ‘નાગરિક દેવો ભવઃ’નો ઉદારતમ અભિગમ અપનાવીને જનસમસ્યાઓના ત્વરિત નિવારણ માટે રાજ્યના વહીવટી તંત્રને સ્પષ્ટ અને કડક સૂચનાઓ આપી છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં 100થી વધુ નાગરિકોની રજૂઆતોનું સ્થળ પર જ સુખદ સમાધાન લાવવામાં આવ્યું હતું. વૃદ્ધ માતાની વહારે આવ્યા મુખ્યમંત્રીઆ કાર્યક્રમમાં એક અત્યંત સંવેદનશીલ કિસ્સો સામે આવ્યો હતો, જેમાં એક વૃદ્ધ માતાને તેમના જ પુત્ર અને પુત્રવધૂ દ્વારા ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ બાબતે મુખ્યમંત્રીએ અત્યંત સંવેદના દર્શાવી હતી. તેમણે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધીક્ષકને તાત્કાલિક ધોરણે નાયબ કલેક્ટરના હુકમનો અમલ કરવા અને વૃદ્ધાને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન થાય તે સુનિશ્ચિત કરવા દિશાનિર્દેશ આપ્યા હતા. 300 બાળકોના શિક્ષણ માટે મહત્વનો નિર્ણયશિક્ષણના હિતમાં મોટો નિર્ણય લેતા CM ભુપેન્દ્ર પટેલે બનાસકાંઠાની સરદાર કૃષિનગર યુનિવર્સિટી, દાંતીવાડામાં છેલ્લા 40 વર્ષથી ચાલતી પ્રાથમિક શાળાના પ્રશ્નનું નિરાકરણ લાવ્યું હતું. આ શાળામાં ભણતા 300 બાળકોના ભવિષ્યને ધ્યાને રાખીને, યુનિવર્સિટી દ્વારા તાત્કાલિક ધોરણે શાળાના પાકા બાંધકામ માટે મંજૂરી આપવાની પ્રક્રિયા હાથ ધરવા સૂચના આપી હતી. ખેડૂતોના પ્રશ્નોનું પ્રાથમિકતાના ધોરણે નિવારણ ખેડૂતોની સમસ્યાઓ બાબતે પણ મુખ્યમંત્રીએ મક્કમતા દાખવી હતી. દહેગામની ખારી નદીમાં બાવળ અને ઝાડી-ઝાંખરાને કારણે પાણીનું વહન અવરોધાતું હતું, જેનાથી ખેડૂતોની જમીનનું ધોવાણ થતું હતું. આ મુદ્દે તેમણે ‘સુજલામ સુફલામ યોજના’ અંતર્ગત તાત્કાલિક અવરોધો દૂર કરવા આદેશ આપ્યા હતા. આ ઉપરાંત, ખેતરોમાંથી પસાર થતી ભૂગર્ભ ગટર લાઈનના લીકેજ, પાકનું નુકસાન અને ખેતરમાં જવાના રસ્તા પરના દબાણો હટાવવા જેવા પ્રશ્નો અંગે પણ સ્થાનિક તંત્રને તાકીદે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. સ્વાગત કાર્યક્રમની ફલશ્રુતિ અને આંકડાકીય વિગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણના આ મજબૂત માધ્યમ દ્વારા રાજ્યભરમાં વ્યાપક પ્રતિસાદ મળ્યો છે: રાજ્ય સ્વાગત: 100 થી વધુ રજૂઆતો. જિલ્લા સ્વાગત: 1218 રજૂઆતો. તાલુકા સ્વાગત: 2294 રજૂઆતો. કુલ 3512 જેટલી રજૂઆતો પર યોગ્ય કાર્યવાહી હાથ ધરીને નાગરિકોનો રાજ્ય સરકાર પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બનાવવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, સચિવ ડૉ. અજય કુમાર, ઓએસડી ડી. કે. પારેખ, રાકેશ વ્યાસ સહિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને જિલ્લાના કલેક્ટર, એસ.પી. તથા ડી.ડી.ઓ. ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ વહીવટી તંત્રને સૂચના આપી હતી કે નાગરિકોના પ્રશ્નોનું સમયમર્યાદામાં, ન્યાયિક અને તટસ્થ રીતે નિરાકરણ લાવવું એ સરકારની પ્રાથમિકતા છે.
હાલમાં ઇઝરાયેલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિને વડાપ્રધાને સંસદમાં 'કોરોના જેવી મહામારી' સાથે સરખાવતા રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ દીપ્તિબેન સોલંકીની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા અનોખો અને આશ્ચર્યજનક વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર ઉતરી થાળી અને તાલી વગાડી સરકારની નીતિઓ સામે રોષ ઠાલવ્યો હતો. આજે અમે પેટ્રોલ-ડીઝલને 'બોલાવવા' માટે થાળી વગાડી રહ્યા છીએદીપ્તિબેન સોલંકીએ જણાવ્યું હતું કે, જે રીતે કોરોના કાળમાં વડાપ્રધાને થાળી, તાળી અને મંજીરા વગાડીને કોરોના ભગાડવાની અપીલ કરી હતી, તે જ રીતે આજે અમે પેટ્રોલ-ડીઝલને 'બોલાવવા' માટે થાળી વગાડી રહ્યા છીએ. ભાજપ સરકાર જ્યારથી આવી છે ત્યારથી લોકોને લાઈનમાં ઉભા રાખવા માટે જ જાણીતી બની છે; પહેલા નોટબંધી, પછી કોરોનામાં હોસ્પિટલની લાઈનો અને હવે પેટ્રોલ પંપ પર લાઈનો લગાવી રહી છે. સરકાર લોકોને 'આત્મનિર્ભર' રહેવાના નામે મૂર્ખ બનાવી રહી છેકોંગ્રેસે આક્ષેપ કર્યો કે, સરકાર પોતાની જવાબદારીમાંથી ભાગી રહી છે અને લોકોને 'આત્મનિર્ભર' રહેવાના નામે મૂર્ખ બનાવી રહી છે. આ કાર્યક્રમ દ્વારા જનતાને જાગૃત કરવામાં આવી હતી કે આગામી સમયમાં લાઈનોમાં ઉભા રહેવાને બદલે મતાધિકારનો યોગ્ય ઉપયોગ કરી ન્યાય મેળવે. આ વિરોધ પ્રદર્શનમાં રણજીત મુંધવા, રહીમભાઈ સોરા, જયાબેન ટાક અને વિભૂતિ ત્રિવેદી સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. 'રામવન'માં આવતીકાલે રામનવમી નિમિતે મુલાકાતીઓને મળશે નિ:શુલ્ક પ્રવેશરાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત અર્બન ફોરેસ્ટ રામવન ખાતે આવતીકાલે રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે મુલાકાતીઓ માટે પ્રવેશ નિ:શુલ્ક રાખવાની જાહેરાત કરવામાં આવી છે. વોર્ડ નં. 15માં આજી ડેમ પાસે, કિશાન ગૌ શાળા રોડ પર સ્થિત આ અર્બન ફોરેસ્ટ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના જીવન પ્રસંગોને આવરી લેતું સંપૂર્ણ કુદરતી વાતાવરણ ધરાવે છે. ગાર્ડન ડાયરેક્ટરનાં જણાવ્યા મુજબ, આવતીકાલે રામનવમીના દિવસે રામવનની મુલાકાત લેતા તમામ વય જૂથના નાગરિકો પાસેથી કોઈ પણ પ્રકારની એન્ટ્રી ફી લેવામાં આવશે નહીં. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ છે કે લોકો ભગવાન શ્રીરામના જીવનચરિત્રના વિવિધ પ્રસંગોથી પ્રેરણા મેળવે અને તેના પ્રત્યેના ભક્તિભાવથી અવગત થાય. રામવનમાં ભગવાન શ્રીરામના જીવન પ્રસંગોને આલેખતી વિશાળ પ્રતિમાઓ સહિતના અનેક આકર્ષણો તૈયાર કરવામાં આવ્યા છે. રાજકોટ મનપાનાં આ નિર્ણયથી શહેર અને આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં 'રામવન'નાં કુદરતી અને આધ્યાત્મિક વાતાવરણનો લાભ ઉઠાવી શકશે. મનપાની પ્રતિબંધિત પ્લાસ્ટિક-ગંદકી મામલે કાર્યવાહીરાજકોટ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના ત્રણેય ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ અને ગંદકી ફેલાવતા તત્વો સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ–2021 અન્વયે તારીખ 23/03/2026 અને 24/03/2026ના રોજ શહેરના મુખ્ય માર્ગો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ 2 દિવસની કામગીરી દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનારા કુલ 121 આસામીઓ સામે વહીવટી કાર્યવાહી કરીને રૂ. 33070નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ સાથે જ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સૂચના અને નાયબ મ્યુ. કમિશનરના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઇજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરોના સુપરવિઝનમાં કરવામાં આવી હતી. ઝુંબેશમાં આસિસ્ટન્ટ પર્યાવરણ ઇજનેર, સેનિટેશન ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટરો જોડાયા હતા. શહેરને સ્વચ્છ રાખવા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ અટકાવવા માટે આગામી દિવસોમાં પણ આ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. બેડી ટીપી સ્કીમ, ગવરીદળ અને બેડીના 77 સર્વે નંબર સાથેની વિકાસ યોજના જાહેરરાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા) દ્વારા બેડી વિસ્તારમાં સૂચિત મુસદારૂપ નગર રચના યોજના (ટીપી) નં. 39/2 (બેડી) બનાવવાનો ઈરાદો જાહેર કરવામાં આવ્યો છે. 202.69.36 હેક્ટર ક્ષેત્રફળ ધરાવતી આ યોજનામાં બેડી અને ગવરીદળના અંદાજે 77 જેટલા રેવન્યુ સર્વે નંબરોનો સમાવેશ થાય છે. આ સ્કીમ માટે ખાનગી એજન્સી પાસે માપણી કરાવ્યા બાદ ડી.આઈ.એલ.આર.ની કચેરી પાસેથી નીમતાણું મેળવી મુખ્ય નગર નિયોજકને પરામર્શ માટે મોકલવામાં આવ્યો છે. ટીપી સ્કીમની હદમાં ઉત્તરે ગવરીદળ અને મનહરપુર ગામના સર્વે નંબરો, દક્ષિણે સૂચિત ટીપી નં. 39/1, પૂર્વમાં બેડી ગામના અન્ય સર્વે નંબરો અને પશ્ચિમે આજી નદી આવેલી છે. સ્કીમમાં બેડીના સર્વે નંબર 148 થી 238 પૈકીના વિવિધ પ્લોટ્સ અને સરકારની માલિકીના સર્વે નંબર 261 પૈકીની ખરાબાની જમીનનો સમાવેશ કરાયો છે. રૂડા દ્વારા આ યોજનાનો નકશો કચેરી સમય દરમિયાન જાહેર જનતાના અવલોકન માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જેથી અસરગ્રસ્તો પોતાના વાંધા-સૂચનો રજૂ કરી શકશે.
બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય હેતુ રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃત્તિની આવક મર્યાદા 2.5 લાખથી વધારીને 6 લાખ કરવામાં આવી છે, તેની જાણકારી લોકો સુધી પહોંચાડવાનો હતો. આ કાર્યક્રમ ગઢડાના ભડલીના ઝાંપે યોજાયો હતો. આ માર્ગદર્શન શિબિરમાં પ્રદેશ ભાજપ અનુસૂચિત મોરચાના વક્તા પ્રવિણ મારું અને જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલે ઉપસ્થિત લોકોને સંબોધિત કર્યા હતા. તેમણે શિષ્યવૃત્તિના નવા નિયમો અને તેના લાભો વિશે વિગતવાર માહિતી આપી હતી. સમાજના આગેવાનોએ રાજ્ય સરકારના આ નિર્ણય બદલ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં બોટાદ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ દેવજી સોલંકી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પાલજી પરમાર, બક્ષીપંચ મોરચાના પ્રભારી પ્રતાપ છૈયા, ગઢડા શહેર ભાજપ પ્રમુખ વિક્રમ બોરીચા સહિત ભાજપના અનેક આગેવાનો, કાર્યકરો અને અનુસૂચિત સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
વડોદરા શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કામગીરીના કારણે અકોટા બ્રિજ બંધ રહેશે. આગામી 27 માર્ચથી 8 એપ્રિલ સુધી સંપૂર્ણપણે બંધ રહેશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામને કારણે વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. અકોટા બ્રિજના સ્થાને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવોજિલ્લા વહીવટી તંત્ર અને હાઈસ્પીડ રેલ કોર્પોરેશને વાહનચાલકોને અપીલ કરી છે કે આ સમયગાળા દરમિયાન અકોટા બ્રિજના સ્થાને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો. જેમાં અકોટા બ્રિજ બંધ રહેતા વાહનચાલકોને જેતલપુર બ્રિજ, જેતલપુર અંડરપાસ, વિશ્વામિત્રી બ્રિજનો ઉપયોગ કરવા જમાવવામાં આવ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કામગીરી દરમ્યાન કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થતા સોલર પેનલ અકોટા બ્રિજને ચાલુ કરવામાં આવશે.
શેરબજારમાં રોકાણ કરીને રાતોરાત અમીર બનવાની લાલચમાં ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં આવેલા અદાણી શાંતિગ્રામમાં રહેતા આધેડને સાયબર ગઠિયાઓએ 1 કરોડ 68 લાખ 40 હજારનો ચુનો લગાવામાં આવતા ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વોટ્સએપ ગ્રુપમાં એડ થયા બાદ શેરબજારમાં તગડો નફો થવાની લાલચ જાગી ગાંધીનગરના અદાણી શાંતિગ્રામમાં રહી પ્રાઇવેટ નોકરી કરતા રાજેશ સીરીગીરીશેઠ્ઠીની ફરિયાદ મુજબ ગત 28 જાન્યુઆરી, 2026ના રોજ તેમના મોબાઈલ નંબરને VIP5 STOCK SHARING GROUP નામના વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા. આ ગ્રુપમાં વિકાસ શર્મા નામના વ્યક્તિએ શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના મેસેજ મોકલ્યા હતા. ત્યારબાદ તેમને Victory Vanguards2 નામના અન્ય એક ગ્રુપમાં પણ એડ કરાયા હતા. અન્ય સભ્યોને રોકાણ સામે મોટો નફો મળતો હોવાના મેસેજ જોઈ તેમને પણ શેરબજારમાં તગડો નફો થવાની લાલચ જાગી હતી. આ ઠગાઈમાં સંડોવાયેલા ઠગોએ પૂર્વ આયોજિત કાવતરું રચી વિકાસ શર્મા અને બેંક એકાઉન્ટ મેનેજર માઈકલ કુલીન્સ તરીકેની ખોટી ઓળખ આપી હતી. IPO ખરીદવા માટે રૂ.1.48 કરોડની માંગણી કરી ત્યારે સાયબર ફ્રોડ બહાર આવ્યુંઆ ઉપરાંત તેમને પ્લે સ્ટોર પરથી Geosphere નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી વધુ વિશ્વાસ જીતવા માટે મુંબઈ ખાતે ટ્રેનિંગમાં નામ નોંધવાની પણ લાલચ આપી ફંડ ઇન્વેસ્ટ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેના પગલે 25 ફેબ્રુઆરીથી 13 માર્ચ 2026 દરમિયાન ઠગ ટોળકીએ તેમની પાસે અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ.1,68,40,000 અલગ અલગ બેંક ખાતામાં ભરાવડાવ્યા હતા. છેલ્લે જ્યારે ઠગોએ IPO ખરીદવા માટે વધુ રૂ.1.48 કરોડની માંગણી કરી ત્યારે રાજેશભાઈ પાસે નાણાં ન હોવાથી તેમણે પત્નીને વાત કરી હતી. જેના કારણે આ સમગ્ર સાયબર ફ્રોડ હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીઆઇ જે. કે. રાઠોડે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
માર્ચ 2026ના અંતિમ દિવસો ગણાઈ રહ્યા છે અને એવામાં દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધના ઉંબરે ઊભી છે. પર્શિયન ગલ્ફમાં ઈરાન અને ઈઝરાયેલની મિસાઈલો આકાશ ચીરી રહી છે, હોર્મુઝ સ્ટ્રેટ બ્લોક થતા દુનિયાની તેલ નસ દબાઈ ગઈ છે. આ ભયાનક પરિસ્થિતિ વચ્ચે, વિશ્વની કિસ્મતની ચાવી એક એવા દેશના હાથમાં આવી છે જે પોતે આર્થિક દેવાળિયાપણાની કગારમાં છે… આ દેશ એટલે પાકિસ્તાન! પાકિસ્તાન અમેરિકા અને ઈરાન વચ્ચે ગેરંટર બનવા જઈ રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પના ફેવરિટ ફિલ્ડ માર્શલ માનાતા પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની નજર નીચે ઈસ્લામાબાદ હવે વર્લ્ડ પોલિટિક્સના સૌથી ખતરનાક ખેલનું સેન્ટર બનવા જવાનું છે. આ ખાલી શાંતિની વાત નથી પણ તેલ-ગેસ-મોંઘવારી અને ભૂખમરાથી બચવાનો પાકિસ્તાનનો છેલ્લો પ્રયાસ છે. પાકિસ્તાનની મધ્યસ્થીથી થનાર આ સિક્રેટ મીટિંગ શું ઈતિહાસ બદલી દેશે? જો પાકિસ્તાન સફળ થાય તો કાશ્મીર વિવાદ વધુ વકરશે? આજે આપણે તેની વાત કરીએ. નમસ્કાર… સૌથી પહેલા તો આપણે સમજીએ કે પાકિસ્તાન પાસે આટલી મોટી જવાબદારી આવી તો આવી કઈ રીતે? તો વાત જાણે એમ છે કે ઈરાન દુનિયાનો સૌથી વધુ શિયા મુસ્લીમ પોપ્યુલેશનવાળો દેશ છે. તેના પછી સૌથી વધુ શિયા મુસલમાન કોઈ દેશમાં હોય તો તે છે પાકિસ્તાન. હાં... પાકિસ્તાન સુન્ની બહુમતિવાળો છે તે વાત અલગ છે. પણ અહીં જોવા જેવી વાત એ છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈ સીધી રીતે વાતચીત નથી થતી. ઈરાનને પોતાના પાડોશી મુસ્લિમ દેશો પર જે મિસાઈલનો મારો ચલાવ્યો ત્યારથી તે દેશો પણ ઈરાન સામે મોઢું ફૂલાવીને બેઠા છે. તો હવે ઈસ્લામિક દેશ તરીકે પાકિસ્તાન જ એવો દેશ બને જે ઈરાન અને અમેરિકા બંને સાથે મીડલમેન એટલે કે વચેટિયા તરીકે વાત કરી શકે. જો પાકિસ્તાન ઈસ્લામિક દેશ ન હોત તો તેની કોઈ હેસિયત નથી કે આટલા મોટા યુદ્ધમાં તે મધ્યસ્થી કરી શકે. પાકિસ્તાનને આટલી મોટી જવાબદારી કેમ? અગાઉ વાત કરી તેમ કતાર કે યુએઈ ઈરાનના એવા પાડોશીઓ અને ઈસ્લામિક ભાઈઓ છે જેમની પાસે અમેરિકન સૈન્ય મથકો છે. માટે જ તેને તબાહ કરવા માટે ઈરાને તેમના પર મિસાઈલ્સ છોડી હતી. પણ પાકિસ્તાનમાં અમેરિકાનું કોઈ સૈન્ય મથક નથી, માટે ઈરાને પાકિસ્તાન પર કોઈ મિસાઈલ નથી ચલાવી. પણ જો હોત તો ઈરાનની મિસાઈલ્સ પાકિસ્તાનના આકાશમાં પણ દેખાઈ હોત. આ સિવાય પાકિસ્તાન એકમાત્ર એવો ઈસ્લામિક દેશ છે જેની પાસે પરમાણુ તાકાત છે. માટે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ પણ પાકિસ્તાનની વાત સાંભળે તેવું છે. ટ્રમ્પના ફેવરિટ ફિલ્ડ માર્શલ મુનીર આ સિવાય એક ફેક્ટર એ છે કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીરના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સારો ઘરોબો છે. મુનીરને તો ટ્રમ્પે તેમના ફેવરિટ ફિલ્ડ માર્શલ પણ કહ્યા હતા. મુનીરની અમેરિકન ડિનર ડિપ્લોમસી પછી એવું કહેવાય રહ્યું છે કે અમેરિકા પાકિસ્તાન પર ઈરાન મામલે દાવ રમી શકે તેવો ઓપ્શન છે. હવે વાત કરીએ એ 15 મુદ્દાની જે અમેરિકાએ પાકિસ્તાનને વચ્ચે રાખીને ઈરાન સુધી પહોંચાડ્યા છે તેના વિશે. અમેરિકાએ ઈરાનને પ્રપોઝલ મોકલ્યો છે કે, ઈસ્લામાબાદની બેઠકમાં કોણ આવી શકે? જો ઈરાન આ બધી વાતો માની જાય તો પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા પર વાતચીત થઈ શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. વાતચીતમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ, જેરેડ કુશનર અને સ્ટીવ વિટકોફ શામેલ થઈ શકે છે. ઈરાન તરફથી તેમના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી અને સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના પ્રતિનિધિઓ ભાગ લે તેવી શક્યતા છે. પણ એવું કહેવાય છે કે આ 15 પોઈન્ટના પ્રસ્તાવમાં ઈરાને પાકિસ્તાન મારફતે અમેરિકાને પોતાનો પક્ષ પણ રાખ્યો છે. ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્લમાઈલ બાઘેઈએ પ્રસ્તાવના અમુક ભાગોને નકારી કાઢ્યા છે. અમેરિકાના પ્રપોઝલ પર ઈરાને જવાબ આપ્યો છે કે, યુદ્ધ ભૂખમરો અને અંધકાર લાવ્યું હવે વાત કરીએ પાકિસ્તાનની કારણ કે તેના માટે આ મધ્યસ્થી જીવન-મરણનો પ્રશ્ન છે. સમજીએ કઈ રીતે, પહેલા તો પાકિસ્તાન અત્યારે મોટી તેલ-ગેસની એનર્જી ક્રાઈસિસ સામે ઝઝૂમી રહ્યું છે. ઈઝરાયલ ઈરાન યુદ્ધ પાકિસ્તાન માટે ભૂખમરો અને અંધકાર લઈને આવ્યું છે. તેલ-ગેસના ભાવ વધતા પાકિસ્તાને પોતાની પાકિસ્તાન સુપર લીગમાં સરકારે સ્ટેડિયમમાં ભીડ ભેગી કરવાને બદલે વોચ ફ્રોમ હોમની વાત રાખી છે. યુદ્ધના કારણે પાકિસ્તાન પરેશાનપાકિસ્તાને પોતાની જરૂરતનું 85-90 ટકા જેટલું તેલ અને ગેસ બીજા દેશો પાસેથી ખરીદે છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બ્લોક કરી છે તેના કારણે પાકિસ્તાનની સપ્લાય ચેઈન ડખે ચઢી છે. પેટ્રોડ-ડીઝલના ભાવમાં સરેરાશ અંદાજે 200 ટકા જેટલો ભડકો થયો છે. જેના કારણે પાકિસ્તાન સરકારે શાળાઓ બંધ કરવી પડી છે અને કામકાજ માટે ફોર ડે વીક પ્લાન ઠોકી બેસાડ્યો છે. પાકિસ્તાન માટે ઈરાનની અસ્થિરતા એ બલૂચિસ્તાનમાં આતંકવાદ વધવાનું જોખમ છે. જો ઈરાન નબળું પડે, તો બલૂચ વિદ્રોહીઓ (BLA) વધુ સક્રિય થઈ શકે છે. આથી પાકિસ્તાન ઈચ્છે છે કે ઈરાનમાં શાસન સ્થિર રહે. આજની તારીખે સાઉદી અરેબિયામાં લાખો પાકિસ્તાનીઓ રહે છે અને કામ કરે છે. સાઉદીમાં અમેરિકાનું મિલેટરી બેઝ છે અને વિચારધારા અને યુદ્ધમાં સાઉદી અમેરિકા તરફ છે. પણ અહીં ઈન્ટ્રેસ્ટિંગ વાત એ છે કે જો સાઉદી અરેબિયા ઈરાનના કારણે પાકિસ્તાન પર કોઈ નિર્ણય લે તો ત્યાં કામ કરતા પાકિસ્તાનીઓને ઘરભેગા થવું પડે એવી પરિસ્થિતિ છે. પણ પાકિસ્તાને હોર્મુઝમાંથી પોતાના વેપારી જહાજો કાઢવા માટે ઓપરેશન મુહાભિજ ઉલ બહ્ર નામનું ઓપરેશન ચાલુ કર્યું છે જેથી તેની સપ્લાય ચેઈન ખોરવાય નહીં. ઈરાન સાઉદી પર હુમલો કરશે તો પાક.ના હાલ બેહાલ? ખાલી આટલું જ નહીં વર્ષ 2025ના સપ્ટેમ્બર મહિનામાં પાકિસ્તાને સાઉદી અરેબિયા સાથે SMDA નામની એક ડિલ પાર પાડી હતી. જેમાં એવી વાત છે કે પાકિસ્તાન પર હુમલો એટલે સાઉદી પર હુમલો અને સાઉદી પર હુમલો એટલે પાકિસ્તાન પર હુમલો ગણવામાં આવશે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે ઈરાન સાઉદી અરેબિયાની એનર્જી સેક્ટરને ટાર્ગેટ કરી રહ્યું છે. જો સાઉદીમાં ઈરાન મોટો હુમલો કરી દે તો ન ચાહતા હોવા છતા પાકિસ્તાનને પોતાની ન્યુટ્ર્લ પોઝિશન પર ચોકડી મારીને સાઉદી સાથે ઈરાન સામે બાંયો ચઢાવવી પડશે. દેશમાં ઓહાપોહ છતાં પાક.ના ડીંગા? આવું પાકિસ્તાન હરગીઝ નથી ઈચ્છતું. કારણ કે પાકિસ્તાનને અત્યારે ઈરાન જેવા દેશ સાથે દુશ્મની પોસાય તેમ નથી. બીજું કે પાકિસ્તાની શિયા મુસલમાનો સરકાર સામે મોરચો માંડી શકે છે. પાકિસ્તાન એટલા માટે વચેટિયું બન્યું છે કારણ કે ઈરાન-ઈઝરાયલનું યુદ્ધ એટલી હદે ન વકરે કે પાકિસ્તાનને સાઉદીનો સાથ આપીને ઈરાન સામે લડવું પડે. જ્યારે પાકિસ્તાન પોતે આર્થિક દેવાળિયા અને અફઘાન કે ભારત સરહદ પર તણાવમાં ફસાયું છે ત્યારે તેનું મધ્યસ્થી બનીને પશ્ચિમી દેશોને વ્હાલું થવું અતિ મહત્વનું અને મજબૂરી બની ગયું છે. જો આ થયું તો ભારતનું ટેન્શન વધી શકે જો પાકિસ્તાન ઈરાન અને અમેરિકા વચ્ચે મિડલમેન બનવામાં સક્સેસફૂલ જાય તો ભારત માટે ગ્લોબલ લેવલે ટેન્શન વધી શકે છે. કેન્દ્ર સરકારે પોતાની ઈમેજને વિશ્વગુરુ તરીકે પોર્ટ્રેઈટ કરી છે, પણ વિશ્વ ગુરુની ઈમેજ વચ્ચે કંગાળિયું પાકિસ્તાન બાજી મારી ગયું છે. ભારતની વિદેશનીતિ પાકિસ્તાનને ગ્લોબલ લેવલે એકલું પાડવાની રહી છે. પણ જો પાકિસ્તાન અમેરિકા અને ઈરાન જેવા દેશો સામે મધ્યસ્થી કરે તો ભારતની ફોરેન પોલિસી માટે આ મોટો લાલ લીટો બની શકે છે. જો પાકિસ્તાન ઈરાન સાથે સ્ટ્રોંગ રિલેશન બનાવી લે તો તે ભવિષ્યમાં ઈરાન સરકારને ભારત સામે ઉશ્કેરી શકે છે અને જો આવું થાય તો આપણા મિડલ ઈસ્ટ ઈન્ટ્રેસ્ટ પર મોટી નેગેટિવ અસર થઈ શકે તેમ છે. જો પાકિસ્તાન મિડલમેનની ભૂમિકામાં સફળ સાબિત થાય તો અમેરિકાનો પાકિસ્તાની પ્રેમ ફરી જાગી શકે છે અને અમેરિકા જેવી મહાશક્તિ પાકિસ્તાનને ફરી ફાઈનાન્શિયલ કે લશ્કરી સપોર્ટ આપવાનું પણ વિચારી શકે છે. ટ્રમ્પના ફેવરિટ ફિલ્ડ માર્શન મુનીરે ટ્રમ્પને નોબલ પીસ પ્રાઈઝ માટે નોમિનેટ કરવાની વાત કરી હતી, આનાથી ટ્રમ્પને ખૂબ જ ગલગલિયાં થયા હતા. આ બધી વાતો આપણે ભૂલવી બિલકુલ ન જોઈએ. આટ આટલા ફાયદા સાથે એક મુદ્દો અહીં ચર્ચા કરવો બને જે છે કાશ્મીરનો મુદ્દો. આપણે જાણીએ છીએ કે આવું બધું પાકિસ્તાન મફતમાં નથી કરી રહ્યું. એક્સપર્ટ્સનું કહેવું છે કે પાકિસ્તાનને અમેરિકા પાસેથી કાશ્મીર મામલે છૂટછાટની પણ આશા અપેક્ષાઓ જાગી શકે છે. જો કે આપણે એટલે કે ભારતે કાશ્મીર મામલે ત્રીજા દેશની મધ્યસ્થીનો હંમેશા ઈનકાર કર્યો છે. કતાર અને ઓમાનની જગ્યાએ પાક.ને કેમ ચાન્સ? આ યુદ્ધમાં એક નવો ટ્રેન્ડ જોવા મળ્યો છે. હંમેશા કતાર અને ઓમાન મિડલમેન તરીકેની ભૂમિકામાં નજરે પડ્યા છે, પણ આ વખતે એવું નથી થયું. કારણ કે ઈરાને કતારના ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાઓ કર્યા છે, જેના કારણે કતાર અમેરિકાના પક્ષમાં આવી ગયું છે અને મધ્યસ્થ મટી ગયું છે. ઈરાને કતારમાં આવેલા અલ ઉદેદ એરબેઝ પર પણ હુમલો કર્યો હતો. એટલે પાકિસ્તાનની પરિસ્થિતિ ઉજ્જળ ગામમાં એરંડો પ્રધાન જેવી સ્થિતિ છે. પાકિસ્તાન પાસે ઈરાન સાથે 900 કિલોમીટરની જમીની સરહદ છે અને ઈરાન ઈસ્લામિક ભાઈનો પણ સંબંધ છે. પાકિસ્તાને ઈરાન પર કોઈ સૈન્ય કાર્યવાહીમાં ભાગ નથી લીધો જે પાકિસ્તાનને ઓમાન કે કતાર કરતા વધુ ન્યુટ્રલ બનાવે છે. જો કે પાકિસ્તાન સિવાય આ યુદ્ધ પૂરું કરાવવા માટે તુર્કી અને ઈજિપ્ત પણ પ્રયાસો કરી રહ્યા છે, પણ પાકિસ્તાન પાસે જેવો ટ્રમ્પનો એક્સેસ છે તેવો તુર્કી કે ઈજિપ્તનો નથી. પાકિસ્તાન મધ્યસ્થીમાં સફળ જશે તો? એકવાત આપણે અહીં ધ્યાને લેવી જોઈએ કે જો પાકિસ્તાન મધ્યસ્થીમાં સફળ જાય તો ભલે આપણને ડિપ્લોમેટિક નુકસાન થાય પણ એક રીતે પૂરી દુનિયા ઈચ્છે છે કે ઈરાન-ઈઝરાયલ યુદ્ધ પૂરું થાય. આપણે પણ 80 ટકાથી વધુ તેલ-ગેસ હોર્મુઝ મારફતે મગાવીએ છીએ. જો યુદ્ધ લાંબુ ચાલે અને તેલ ગેસનો સપ્લાય રોકાય તો આપણે ત્યાં પણ મોંઘવારી આવતા વાર નહીં લાગે. નવી દિલ્લી અત્યારે વેઈટ એન્ડ વોચની સિચ્યુએશનમાં છે. પાકિસ્તાનની મધ્યસ્થી સફળ રહે તો નવી દિલ્લી ક્યારેય જાહેરમાં પાકિસ્તાનની વાહવાહી નહીં કરે પણ યુદ્ધ પૂરું થવાનો આકડકતો આર્થિક ફાયદો આપણને થશે તે નક્કી જ છે. મધ્યસ્થીની પળેપળની વિગત પર મુનીરની નજર એવી વાતો થઈ રહી છે કે બે દિવસ બાદ એટલે કે 27 માર્ચ 2026ના રોજ ઈસ્લામાબાદની સેરેના હોટલમાં મધ્યસ્થીની મીટિંગ થઈ શકે છે. આ હાઈપ્રોફાઈલ મીટિંગના કારણે પાકિસ્તાન સેનાએ આ વિસ્તારને રેડઝોન બનાવી દીધો છે. જો આ મીટિંગ થાય તો પાકિસ્તાન માત્ર યજમાન નહીં હોય પણ ટેબલ પર ગેરંટર તરીકે બેસશે. કારણ કે અગાઉ આપણે વાત કરી હતી કે અમેરિકાએ ઈરાનને ન્યૂક્લિયર શક્તિઓ ત્યાગ કરવા હાલક કરી છે પણ ઈરાનને બીક છે કે જો ઈઝરાયલ ફરી હુમલો કરે તો તકલીફ પડી શકે તેમ છે. સામેની બાજ પાકિસ્તાને કહ્યું છે કે ઈરાન પણ ઈઝરાયલ પર હુમલો ન કરે અને હિઝબુલ્લાહ જેવા તેમના પ્રોક્સી ગ્રુપ્સ શાંત રહે તેના માટે ઈરાન પર ગ્રાઉન્ડ લેવલનું વેરિફિકેશન કરશે અને અમેરિકાને પળેપળની માહિતી આપશે. ઈરાન ન્યૂક્લિયર જીદ છોડે અને ઈઝરાયલ તેના પર ફરી હુમલો ન કરે તેની જ જવાબદારી માટે પાકિસ્તાન ગેરંટર બનવા જઈ રહ્યું છે. કહેવાય છે કે ફિલ્ડ માર્શલ અસીમ મુનીરની આ વાટાઘાટો પર સીધી નજર છે. ઈન્ટરનેશનલ મીડિયામાં એવી વાતો પણ ચાલી રહી છે કે ઈરાન રશિયા કે ચીનના તાબામાં ન આવે તેની જવાબદારી પણ પાકિસ્તાને લીધી છે. અમેરિકા સાથે વાત કરવા તૈયાર! પણ લોકો? પણ પાકિસ્તાન માટે આ મીટિંગ આસાન નહીં હોય, કારણ કે માર્ચ મહિનાની શરૂઆતમાં પાકિસ્તાની નાગરિકોએ યુદ્ધ બાદ અમેરિકાનો વિરોધ કરવા કરાચીમાં યુએસ કોન્સ્યુલેટ પર હુમલો કર્યો હતો જેમાં 10 લોકોના મોત થયા હતા. આ મોતના કારણે જ લોકોમાં અમેરિકા વિરોધી લાગણી ચરમસીમા પર છે. આ સિવાય પાકિસ્તાની શિયા કોમ્યુનિટી પાકિસ્તાની સરકાર પર દબાણ લાવવાની ટ્રાય કરી રહ્યું છે કે પાકિસ્તાન ઈરાનનો પક્ષ છોડીને પૂરી રીતે અમેરિકાના ખોળામાં ન બેસી જાય. પણ પાકિસ્તાની લોકો માટે આ મીટિંગ થાય તેની સારી વાત એ છે જે તેલ અને ગેસના ભાવ આસમાને છે તે ફરી ધડામ થઈને નીચે આવી શકે તેમ છે. જો પાકિસ્તાન મીડલ મેનની ભૂમિકામાં સક્સેસફૂલ રહે તો ભવિષ્યમાં ઘણા ફેરફારો આપણને જોવા મળી શકે છે જેમ કે, પાકિસ્તાન આતંકવાદીમાંથી શાંતિદૂત? પાકિસ્તાન આ મધ્યસ્થી ખાલી શાંતિ માટે જ નથી કરતું પણ તેને પોતાની દાગથી અને લોહીથી ભરેલી છબી પણ સુધારવી છે. હમણા જ પાકિસ્તાને અફઘાનિસ્તાનના કાબુલના એક ડ્રગ રિહેબિલિટેશન સેન્ટર પર બોમ્બમારો કર્યો હતો, આ હુમલામાં અફઘાનિસ્તાનમાં 400 નિર્દોષોના મોત થતા દુનિયાએ પાકિસ્તાનને ભારે ફટકાર લગાવી હતી. જો મંત્રણા સફળ રહે તો જેમ ગંગામાં ડૂબકી લગાવ્યા પછી દાગ ધોવાય તેમ દુનિયા અમેરિકાએ 400 નિર્દોષોના જીવ લીધા તે પણ ભૂલી શકે તેમ છે. મધ્યસ્થીમાં ઈઝરાયલનું કેમ નામ નથી? હવે સૌથી ભયાનક વાત કરીએ. આપણે આટલી વાત કરી એમાં ઈઝરાયલનો કોઈ ઉલ્લેખ નથી. સવાલ થાય કેમ? તો વાત જાણે એમ છે કે પાકિસ્તાન સીધું ઈઝરાયલ સાથે વાત નથી કરતું તે અમેરિકા સાથે વાત કરે છે અને અમેરિકા ઈઝરાયલ સાથે. અમેરિકા ઈઝરાયલની વાત રાખશે અને પાકિસ્તાન ઈરાનની. પાકિસ્તાનની મીટિંગમાં પણ ઈઝરાયલી અધિકારીઓ હાજર નહીં હોય, એવી વાત છે કે ઈઝરાયલી સ્પાય એજન્સી મોસાદે પાકિસ્તાનની મધ્યસ્થી પર બાજ નજર છે. જો પાકિસ્તાન ઈરાનને ન્યુક્લિયર પ્રોગ્રામ અટકાવવા મનાવી લે, તો ઈઝરાયેલ તેને છૂપી રીતે આવકારશે. અને તેનાથી પણ ખતરનાક વાત એ છે કે પાકિસ્તાન ઈઝરાયલને એક દેશ નથી માનતું. અને છેલ્લે... આ પાકિસ્તાનની પહેલી મધ્યસ્થી નથી. 1971માં પાકિસ્તાને અમેરિકા અને ચીન વચ્ચે સિક્રેટ મિડલમેન તરીકે કામ કર્યું હતું. પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ યાહ્યા ખાને વચેટિયાની ભૂમિકા ભજવી અમેરિકાના રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સન અને ચીનના ઝાઉ એનલાઈ વચ્ચે સિક્રેટ મેસેજીસ શેર કર્યા હતા. આ મધ્યસ્થીનું નામ હતું ઓપરેશન માર્કો પોલો. જેમાં હેનરી કિસિંજરે ઈસ્લામાબાદથી PIAના વિમાનમાં છૂપી રીતે બેજિંગની મુસાફરી કરી હતી. આવું એટલે શક્ય બન્યું કારણ કે પાકિસ્તાનની ચીન અને અમેરિકા બંને સાથે દોસ્તી છે. જો કે આ મધ્યસ્થીના કારણે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં અમેરિકાએ પાકિસ્તાનની સાઈડ લીધી હતી. સોમવારથી શુક્રવાર રોજ રાત્રે 8 વાગે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
પ્રાંતિજના દલપુરમાં હેક્ઝોન ઇન્ટરકેમમાં મોકડ્રિલ:ગેસ ગળતર અને આગની ઘટનામાં તંત્રની સજ્જતા ચકાસાઈ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના દલપુર ગામ પાસે આવેલી હેક્ઝોન ઇન્ટરકેમ પ્રાઇવેટ લિમિટેડ ખાતે આજે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કવાયતનો મુખ્ય હેતુ ઉદ્યોગોમાં અકસ્માત કે કટોકટીના સમયે વહીવટી તંત્ર અને કંપનીના સુરક્ષા એકમોની કાર્યક્ષમતા અને સજ્જતા ચકાસવાનો હતો. આ મોકડ્રિલમાં પ્લાન્ટમાં મિથિલિન ઓક્સાઈડ ગેસ ગળતર સાથે આગ લાગવાની કાલ્પનિક ઘટના ઊભી કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ કંપનીના ઇમરજન્સી એલાર્મ વાગી ઉઠ્યા હતા અને તમામ કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તંત્ર, ફાયર બ્રિગેડની ટીમો અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર ફાઇટરો દ્વારા ગેસ ગળતર પર કાબૂ મેળવવા અને આગને બુઝાવવા માટે અદ્યતન સાધનોનો ઉપયોગ કરી સફળ કામગીરી કરવામાં આવી હતી. ડ્રિલ દરમિયાન કાલ્પનિક રીતે ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડવાની પ્રક્રિયાનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રિલમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ અને કંપનીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ મોકડ્રિલના અંતે કામગીરીનું મૂલ્યાંકન કર્યું હતું અને કટોકટીના સમયે પ્રતિસાદ આપવાનો સમય ઘટાડવા તેમજ સુરક્ષાના પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવા જરૂરી સૂચનો આપ્યા હતા. નેશનલ હાઈવે પર કાટવાડ પાટિયા સામે આવેલા આ ઔદ્યોગિક એકમમાં યોજાયેલી ડ્રિલથી આસપાસના વિસ્તારમાં સુરક્ષા પ્રત્યે જાગૃતિ ફેલાઈ હતી. આ પ્રસંગે DISH ફેક્ટરી ઇન્સ્પેક્ટર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખાના અધિકારી, હિંમતનગર અને પ્રાંતિજ મામલતદાર, જીપીસીબીના અધિકારી, 108 ઇમર્જન્સી સેવા ટીમ, ફાયર બ્રિગેડ ટીમ, પોલીસ તેમજ સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આવતીકાલે રામનવમીનો પવિત્ર તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવાશે. આ તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા નવસારી પોલીસ સતર્ક બની છે. જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલના નિર્દેશન હેઠળ, આજે નવસારી શહેર અને બીલીમોરામાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફૂટ પેટ્રોલિંગમાં DYSP સંજય રાય અને ભગીરથસિંહ ગોહિલે આગેવાની લીધી હતી. નવસારી એ ડિવિઝન હેઠળના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ અને પોલીસ કર્મચારીઓ પણ આમાં જોડાયા હતા. શહેરના મોટાભાગના વિસ્તારોમાં પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. ખાસ કરીને, નવસારી શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કાઢવામાં આવી હતી. આ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચમાં 5 ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને અંદાજે 100 જેટલા પોલીસ કર્મચારીઓ સામેલ થયા હતા. DYSP ભગીરથસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરાયું છે. લોકોમાં સુરક્ષાની ભાવના જાગે અને અસામાજિક તત્વોમાં પોલીસનો ડર રહે તે હેતુથી સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.
પાટણ પોલીસ દ્વારા રથયાત્રા રૂટ પર ફૂટ પેટ્રોલિંગ:સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી, અધિકારીઓ જોડાયા
પાટણ શહેરમાં ગુરુવારે નીકળનારી ભગવાન શ્રીરામની 39મી રથયાત્રાને લઈને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સજ્જ બન્યું છે. રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા ભક્તો ઉત્સાહપૂર્વક દર્શન કરી શકે તે હેતુથી પોલીસે વિશેષ આયોજન કર્યું છે. આજરોજ રામજી મંદિર ખાતેથી પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓના નેતૃત્વમાં રથયાત્રાના નિર્ધારિત રૂટ પર ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. આ પેટ્રોલિંગમાં ડીવાયએસપી કે.કે. પંડ્યા, એલસીબી પીઆઈ રાકેશ ઉનાગર અને એ-ડિવિઝન પીઆઈ કમલેશભાઈ ભોંય સહિતનો પોલીસ કાફલો જોડાયો હતો. પોલીસ કાફલાએ રથયાત્રા જે માર્ગો પરથી પસાર થવાની છે તેનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. રથયાત્રાના માર્ગમાં આવતા નડતરરૂપ દબાણોને તાત્કાલિક અસરથી હટાવવા માટે સંબંધિત લોકોને કડક સૂચનાઓ આપવામાં આવી હતી, જેથી રથયાત્રાના વહેણમાં કોઈ અવરોધ ન આવે. એકસાથે પોલીસ જવાનો અને વાહનોના કાફલાને માર્ગો પર ઉતરેલો જોઈ શહેરના નાગરિકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું અને સુરક્ષા પ્રત્યે વિશ્વાસ વધ્યો હતો. પાટણ પોલીસે રથયાત્રા શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.
ભરૂચમાં રામનવમી પૂર્વે પોલીસની ફ્લેગ માર્ચ:સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ જાળવવા પેટ્રોલિંગ કરાયું
ભરૂચ શહેરમાં રામનવમી પૂર્વે એ ડિવિઝન પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ યોજ્યું હતું. તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે સુનિશ્ચિત કરવા પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. શહેરના ડીવાયએસપી સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ આ ફ્લેગ માર્ચ યોજાયો હતો, જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સ્ટાફ જોડાયા હતા. ફ્લેગ માર્ચ એ ડિવિઝન વિસ્તારના સોનેરી મહેલથી શરૂ થઈ લલ્લુભાઈ ચકલા, હાજીખાના, ઊંડાઈ, ધોળીકુઈ માર્ગે કસક ગરનાળા સુધી પહોંચ્યો હતો. રામનવમીની શોભાયાત્રાના રૂટ પર વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ ફ્લેગ માર્ચમાં એ ડિવિઝન પીઆઈ આર.એમ. વસાવા, સેકન્ડ પીઆઈ ડી.એ. ક્રિશ્ચિયન સહિત પીએસઆઈ અને પોલીસ કર્મીઓ સામેલ હતા. પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. પોલીસ તંત્રના આ પ્રયાસોથી શહેરમાં રામનવમીનો તહેવાર શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાશે તેવી અપેક્ષા છે.
હિંમતનગરમાં આવતીકાલે રામનવમીની ભવ્ય શોભાયાત્રા યોજાવાની છે. આ પૂર્વે આજે સાંજે જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં છાપરિયા વિસ્તાર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ પેટ્રોલિંગમાં હિંમતનગર હેડ ક્વાર્ટરના DYSP પાયલ સોમેશ્વર, હિંમતનગર વિભાગીય કચેરીના DYSP એ.કે. પટેલ, હિંમતનગર એ ડિવિઝન પોલીસ, બી ડિવિઝન પોલીસ, એલસીબી અને એસઓજી સહિતનો પોલીસ કાફલો જોડાયો હતો. પોલીસે હિંમતનગર શહેરના એ ડિવિઝન, બી ડિવિઝન અને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન હેઠળ આવતા સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. ખાસ કરીને છાપરિયા વિસ્તાર, ન્યાય મંદિર, વણઝારાવાસ અને ઝાહીરાબાદ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવાના હેતુથી આ પેટ્રોલિંગ યોજાયું હતું. રામનવમીની શોભાયાત્રા છાપરિયા રામજી મંદિરથી નીકળશે.
વડોદરા શહેરમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી દરમિયાન અવારનવાર વિરોધ વચ્ચે પણ મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL) એ તેની કામગીરી ચાલુ રાખી છે. અત્યાર સુધીમાં MGVCLએ શહેરમાં અંદાજે 1.75 લાખ સ્માર્ટ મીટર લગાવી દીધા છે. શહેરમાં કુલ 8.20 લાખ વીજ ગ્રાહકો છે, જેમાંથી મોટા ભાગના ગ્રાહકોને સમજાવીને અને સમજૂતી આપીને જ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં સરકારી તમામ કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે. કંપનીનું આયોજન છે કે આ વર્ષના અંત સુધીમાં શહેરના તમામ વીજ ગ્રાહકોને સ્માર્ટ મીટરથી સજ્જ કરી દેવામાં તેવું આયોજન છે. જો કે, આ કામગીરી દરમિયાન અનેક વિસ્તારોમાં ગ્રાહકો તરફથી વિરોધ થઈ રહ્યો છે. વીજ વપરાશનું વધુ ચોક્કસ મોનિટરિંગ થશેશહેરમાં કેટલાક ગ્રાહકોને અચાનક ઊંચા બિલ આવવા અને અન્ય તકલીફોની ફરિયાદો સામે આવી છે. MGVCLના અધિકારીઓનું કહેવું છે કે, સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે અને તેનાથી વીજ વપરાશનું વધુ ચોક્કસ મોનિટરિંગ થશે. 2026ના અંત સુધીમાં તમામ ગ્રાહકોને આવરી લેવાનો લક્ષ્યાંકઆ અંગે સુપ્રીટેન્ડિંગ એન્જિનિયર પી એન થાનાવાલાએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં 8.20 લાખ ગ્રાહકો છે. અને પોણા બે લાખ જેટલા ગ્રાહકોના સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. આ સ્માર્ટ મીટર એડવાન્સ ટેકનોલોજી વાળા છે, જેમાં ડેટા યોગ્ય રીતે જોઈ શકાય છે. ઘણીવાર ગ્રાહકોને નવા સ્માર્ટ મીટરને લઈ અસંતોષ હોય છે, તેવા ગ્રાહકોને અમે બાજુમાં અન્ય ચેક મીટર લગાવતા હોઈએ છે. અમારો ટાર્ગેટ રહેશે કે વર્ષ 2026 ના અંત સુધીમાં બધાજ ગ્રાહકોને સ્માર્ટ મીટર લાગી જાય. ગ્રાહકોને જાગૃતતા લાવીને લગાવીએ છે.
રામનવમી પર્વને લઈ મહીસાગર પોલીસ સતર્ક:જિલ્લા પોલીસ વડાએ આયોજક સમિતિઓ સાથે સમીક્ષા બેઠક યોજી
આગામી રામનવમી પર્વને ધ્યાનમાં રાખીને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં થાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ વડા સફીન હસન અને જિલ્લા પોલીસ દ્વારા આયોજક સમિતિઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં મહીસાગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રામનવમીની ઉજવણી કરતા આયોજકોને માર્ગદર્શન અપાયું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે તહેવાર દરમિયાન કાયદાકીય નિયમોનું પાલન કરીને યોજવામાં આવે તેવું જણાવ્યું હતું. પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ખાસ પેટ્રોલિંગ, બંદોબસ્ત અને સઘન નિરીક્ષણની કામગીરી હાથ ધરવામાં આવશે. તહેવાર દરમિયાન લોકોમાં સૌહાર્દ અને એકતા જળવાઈ રહે તે માટે પણ અપીલ કરવામાં આવી છે.
અમદાવાદના દસક્રોઈ જિલ્લાના ધામતવાણ ગામના ભાજપના કાર્યકરના પત્ની એવા પૂર્વ મહિલા સરપંચ અને પૂર્વ તલાટી કમ મંત્રી વિરુદ્ધ સત્તાના પોતાના દુરુપયોગ બદલ રૂ.1.55 કરોડની ગેરરીતી મામલે એસીબી દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે.
આમ આદમી પાર્ટીની પ્રથમ યાદી જાહેર થઇ ગયા પછી વડોદરામાં ભડકો જોવા મળ્યો હતો. ખુદ શહેર પ્રમુખે રાજીનામુ આપ્યું હોવાની વાતો સામે આવી હતી. આ ઉપરાંત અનેક કાર્યકરોએ પણ કાર્યાલયની બહાર જ ખેસ લટકાવી વિરોધ નોંધાવ્યો હતો. દરમિયાન આજે અચાનક આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ પ્રગટ થયા હતા અને મેં કોઈ રાજીનામુ આપ્યું નથી, કદાચ વોટ્સએપ એ પર હતું ને આવી ગયું હશે એમ જણાવ્યું હતું. કાર્યકરોની નારાજગી એ પાર્ટીની અંદરની વાત છેઆમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અશોક ઓઝાએ આમ આદમી પાર્ટીની પ્રથમ યાદી જાહેર થયા બાદ રાજીનામુ ધરી દીધું હતું. જોકે, આ વાતનું ખંડન કરવા તેઓ આજે પ્રગટ થયા હતા. તેઓએ પત્રકાર પરિષદ યોજી હતી અને કોઈને ગળે ન ઉતરે એવી વાત કહી હતી. તેઓએ કહ્યું હતું કે, મેં રાજીનામુ આપ્યું નથી. સંજોગોવસાત કદાચ વોટ્સએપ પર હતું અને ત્યાંથી આવી ગયું હશે અથવા તો લખાઈ ગયું હશે. મારા કાર્યકરોએ પણ રાજીનામુ આપ્યું નથી. ત્યારબાદ તરત જ તેઓએ કહ્યું કે, તેઓએ રાજીનામુ આપ્યું હશે તો તેઓની અંગત નારાજગી હશે પરંતુ, એમને અમે માનવી લીધા છે. કાર્યકરોની નારાજગી એ પાર્ટીની આંતરિક વાત છે. યાદી જાહેર થયા બાદ પ્રમુખ ગાયબ હતાયાદી જાહેર થયા બાદ પ્રમુખે રાજીનામુ આપ્યાની વાત સામે આવતા તેઓનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરાયો હતો જો કે તેઓએ ફોન ઊંચકવાની તસ્દી આપી ન હતી. તેઓના રાજીનામાની વાતનું સમર્થન ખુદ તેઓના જ પાર્ટીના અગ્રીમ હરોળના આગેવાનોએ આપ્યું હતું. ત્યારે કદાચ મોવડી મંડળ દ્વારા તેઓને માનવી લેવામાં આવ્યા હશે અને તેથી તેઓ આજે તમામ ઉમેદવારો સાથે મીડિયા સામે પ્રગટ થયા હતા. મહાનગરપાલિકામાં અમારા મેયર બનશેઆમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝાએ દાવો કર્યો હતો કે, અમે આ વખતે મહાનગરપાલિકામાં 50થી 55 બેઠકો જંગી બહુમતીથી જીતીશું અને અમારા મેયર બનાવીશું. અમારા તમામ કાર્યકરો ઘણા વર્ષોથી પાર્ટી સાથે જોડાયેલા છે અને તેઓ આ વખતે પોતાના વિસ્તારમાં જંગી મતોથી જીતશે. હજુ બીજી યાદી જાહેર થશે તેમાં બાકીના કાર્યકરોનો સમાવેશ કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું.
ગોધરા શહેરના સોનીવાડ વિસ્તારમાં આવેલી એક જ્વેલર્સની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. ગ્રાહકના સ્વાંગમાં આવેલો એક અજાણ્યો શખ્સ દુકાનદારની નજર ચૂકવીને આશરે ₹3 લાખના સોનાના દાગીના લઈને ફરાર થઈ ગયો હતો. આ ઘટના 23 માર્ચના રોજ સાંજના સમયે માં કૃપા જ્વેલર્સ નામની દુકાનમાં બની હતી. અજાણ્યા શખ્સે દુકાનદાર હરીશ સોનીને સોનાની બુટ્ટીઓ બતાવવા કહ્યું હતું. દુકાનદાર બુટ્ટીઓ બતાવવામાં વ્યસ્ત હતા તે દરમિયાન, આ શખ્સે તકનો લાભ ઉઠાવીને આશરે 15 થી 20 ગ્રામ વજનની 5 થી 7 જેટલી સોનાની કડીઓ પોતાના ખિસ્સામાં સરકાવી લીધી હતી. ચોરી કર્યા બાદ તેણે પોતાની પત્નીને લઈને પાછા આવવાનું કહીને દુકાનમાંથી નીકળી ગયો હતો. થોડીવાર બાદ, દુકાનદાર હરીશ સોનીએ દાગીનાનો ડબ્બો તપાસતા સોનાની કડીઓ ગાયબ હોવાનું માલુમ પડ્યું હતું. તેમણે તરત જ દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા, જેમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલો શખ્સ દાગીના ખિસ્સામાં નાખતો સ્પષ્ટ દેખાયો હતો. આ બનાવ અંગે દુકાનદાર હરીશ સોનીએ ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ લેખિત અરજી આપી છે. પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરી તેને ઝડપવા પ્રયાસો શરૂ કર્યા છે.
ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં પેટ્રોલ પંપ પર બાઈક અને ફોરવ્હીલ વાહનો માટે અલગ લાઇનમાં ઉભા રહેવા બાબતે થયેલી બોલાચાલી બાદ વિવાદ ઉગ્ર બની મારામારીમાં ફેરવાયો હતો, જેમાં બાઈકમાં પેટ્રોલ પૂરાવવા ગયેલા આધેડ પર પંપના કર્મચારીઓએ ગાળો આપી ઢીકાપાટુ તેમજ લાકડીથી માર માર્યો હતો. આ ઘટનાના પગલે ભરતનગર પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આધેડ બપોરના સમયે પેટ્રોલ પુરાવવા પેટ્રોલ પંપે ગયા હતાઆ બનાવ અંગે ભરતનગર પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલ કૌશલ્ય પાર્કના રહેવાસી પ્રવીણસિંહ દિલુભા જાડેજા ઉ.વ 59 એ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ બપોરના સમયે પોતાની શાઇન બાઈક નં. GJ-04-FB-9379 માં પેટ્રોલ પૂરાવવા રીંગરોડ સ્થિત નાયરા પેટ્રોલ પંપે ગયા હતા, જ્યાં લાઇનમાં ઉભા રહેતા પંપ પર કામ કરતા અબ્બાસભાઈએ તેમને બીજી લાઇનમાં જવા કહ્યું હતું. મેનેજરને ફરિયાદ કરવા જતા ગાળો આપી ઢીકાપાટુ તથા લાકડીથી માર માર્યો હતોઆ મુદ્દે થયેલી બોલાચાલી બાદ આધેડ પ્રવીણસિંહ મેનેજરને ફરિયાદ કરવા જતા અબ્બાસભાઈએ ગાળો આપી ઢીકાપાટુ તથા લાકડીથી માર માર્યો હતો. ત્યારબાદ અન્ય ત્રણ કર્મચારીઓ પણ જોડાઈ તેમને માર માર્યો હતો. આ દરમિયાન એક શખ્સે હાથમાં કડું પહેરલ હતું તેને મોબાઇલ અને બાઈકની ચાવી છીનવી લીધી હતી, જે બાદમાં પરત અપાઈ હતી. આ બનાવ દરમિયાન આધેડ પ્રવીણસિંહે ભત્રીજાને બોલાવી 112 પર કોલ કરતા પોલીસ પહોંચી હતી અને તમામને ભરતનગર પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા, જે ફરિયાદના અનુસંધાને ભરતનગર પોલીસે જયરાજ સુરેશભાઈ પરમાર, હાર્દિક ભીમભાઈ આલગોતર, જલદીપ પીયૂષભાઈ પરમાર, અબ્બાસ સામે BNS કલમ 115(2), 352, 54 તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કેશોદ શહેરમાં વેપારીઓને વિશ્વાસમાં લઈને છેતરપિંડી કરતી ટોળકી ફરી એકવાર સક્રિય થઈ હોય એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરની સિવિલ કોર્ટ પાછળ ફાગરી રોડ પર આવેલી 'ઘનશ્યામ એન્ટરપ્રાઇઝ' નામની પેઢી ધરાવતા મનસુખભાઈ પરસોત્તમભાઈ ધોળુ સાથે રૂપિયા 13,60,485ની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. વર્ષ 2015થી સિંગદાણા અને મગફળીના વ્યવસાય સાથે સંકળાયેલા મનસુખભાઈને વલસાડના એક કથિત મોટા વેપારીએ દલાલની ઓળખાણનો લાભ લઈ શીંગદાણાના સોદામાં લાખોનો આર્થિક ફટકો માર્યો છે. આ મામલે કેશોદ પોલીસે તપાસ તેજ કરી આરોપીને ટ્રાન્સફર વોરંટથી કસ્ટડીમાં લીધો છે. જૂનાગઢના બે દલાલો મારફતે આ સોદો નક્કી થયો હતોઆરોપી કિશન મનોજભાઈ સવસાણી જે વલસાડમાં 'મધુસૂદન ટ્રેડિંગ' ના નામે પેઢી ચલાવતો હોવાનું જણાવી વેપારીઓના સંપર્કમાં આવ્યો હતો. જૂનાગઢના ભાનુ બ્રોકર અને રાકેશભાઈ કારિયા નામના દલાલો મારફતે આ સોદો નક્કી થયો હતો. દલાલોએ ભરોસો આપ્યો હતો કે કિશન વલસાડનો મોટો કારખાનેદાર છે અને તેની સાથે વ્યવહાર કરવામાં કોઈ જોખમ નથી. આ વિશ્વાસના આધારે મનસુખભાઈએ દૈનિક બજાર ભાવ મુજબ કુલ 13.60 લાખથી વધુની કિંમતના ખારી સિંગના દાણાનો માલ કિશનને મોકલી આપ્યો હતો. જોકે માલ મળ્યા બાદ આરોપીએ અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું હતું. કેશોદ સિવાય ગોંડલ-રાજકોટના વેપારીઓને પણ ચૂનો લગાડ્યોમાલની રકમ ચૂકવવા બાબતે જ્યારે મનસુખભાઈએ ઉઘરાણી શરૂ કરી ત્યારે આરોપી કિશન દ્વારા સતત વાયદાઓ કરવામાં આવતા હતા. 'આજે પેમેન્ટ થઈ જશે, કાલે ચોક્કસ મળી જશે' તેવા બહાના હેઠળ લાંબો સમય પસાર કર્યા બાદ આરોપીએ વેપારીનો ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. અંતે પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું સમજાતા મનસુખભાઈએ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ આરોપીએ માત્ર કેશોદ જ નહીં પરંતુ જૂનાગઢ, ગોંડલ, રાજકોટ અને જેતપુરના અન્ય અનેક વેપારીઓને પણ આ જ પધ્ધતિથી લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. કેશોદ પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે આરોપીની ધરપકડ કરીઆ ગંભીર છેતરપિંડી અંગે એસપી બી. સી. ઠક્કરે જણાવ્યું હતું કે, ગત 17 માર્ચ, 2024ના રોજ નોંધાયેલી આ ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં ખૂલ્યું હતું કે, આરોપી કિશન સવસાણી અગાઉ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના એક ગુનામાં પકડાયેલો હતો અને જેલમાં હતો. જેથી કેશોદ પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે તેનો જેલમાંથી કબજો મેળવી આ ગુનામાં તેની ધરપકડ કરી છે. હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ છેતરપિંડીમાં અન્ય કેટલા લોકો સામેલ છે અને આરોપીએ અન્ય કયા કયા વેપારીઓને નિશાન બનાવ્યા છે.
પશુ અત્યાચાર કેસનો વોન્ટેડ આરોપી ઝડપાયો:પંચમહાલ LCB એ ગોધરામાંથી ફરાર આરોપીને દબોચ્યો
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં પશુ અત્યાચારના ગુનામાં લાંબા સમયથી ફરાર વોન્ટેડ આરોપી ફુરકાન ફારૂક પટેલને LCBએ 25 માર્ચે ઝડપી પાડ્યો છે. આરોપીને સીમલા રોડ પર આવેલી તેની દુકાન પાસેથી દબોચી લેવામાં આવ્યો હતો. પંચમહાલ-ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને પોલીસ અધિક્ષક ડો. હરેશભાઈ દુધાત દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે LCB ની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. LCB ઇન્સ્પેક્ટર આર.એ. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ તપાસ કરી રહી હતી. આ દરમિયાન, LCB કોન્સ્ટેબલ નરેશકુમાર કાન્તીલાલને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પશુ સંરક્ષણ અને પ્રાણી ક્રૂરતા અધિનિયમ હેઠળ નોંધાયેલા ગુનાનો આરોપી ફુરકાન ફારૂક પટેલ (રહે. કેપ્સુલ પ્લોટ, ગોધરા) સીમલા રોડ પર તેની દુકાને હાજર હતો. આ બાતમીના આધારે, LCB ની ટીમે તાત્કાલિક વોચ ગોઠવી અને આરોપી ફુરકાન પટેલને તે જ સ્થળેથી ઝડપી પાડ્યો. આરોપીની અટકાયત કરીને તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરના દૂધેશ્વર પાસે 22 માર્ચની રાતે કોંગ્રેસના નેતા હિંમતસિંહ પટેલનો દીકરો દારૂ પીધેલી હાલતમાં અને દારૂ સાથે ઝડપાયો હતો. જોકે, આરોપીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો પરંતુ, કોલ કરનાર વ્યક્તિએ સમાધાન કરતા પોલીસે આરોપીને દારૂના કેસમાં છોડી દીધો હતો. વીડિયોના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરીઆ ઘટનાનો બીજા દિવસે સવારે વીડિયો વાયરલ થયો હતો, જેમાં હિંમતસિંહ પટેલનો દીકરો યુવરાજ અને તેનો મિત્ર શ્રીકાંત તોમર દારૂ પીધેલી હાલતમાં હતા અને તેમની ગાડીમાં દારૂની બોટલ હતો. વીડિયો વાયરલ થયા બાદ માધવપુરા પોલીસે આ અંગે બે અલગ-અલગ ગુના નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી છે.પોલીસે આરોપીઓ પાસેથી હેરિયર ગાડી પણ કબ્જે કરી છે. નવરંગપુરા વિસ્તારમાં આવેલા નૈમેષ પાર્ક સોસાયટીમાં રહેતા 66 વર્ષીય અલકાબેન શાહે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં રજની પરડવા વિરૂદ્ધ ધમકીની ફરિયાદ કરી છે. અલકાબેન સંયુક્ત પરિવારમાં રહે છે અને આશ્રમ રોડ પર આવેલા પ્રીમિયમ હાઊસમાં સુપર લોજિસ્ટીક નામનથી શીપીગ કંપની ધરાવીને ધંધો કરે છે. અલકાબેનનું નવરંગપુરામાં આવેલા આરોન રેસીડેન્સીમાં બીજુ મકાન છે, જે વર્ષ 2013માં તેમના દીકરા વત્સલના નામે ખરીદ્યુ હતું. તારા દીકરાને સમજાવી દે જે મારી કોઈ બાબતમાં પડે નહીઆરોન રેસીડેન્સીના છ ફ્લેટમાં રજની પરડવા નામનો યુવક PG ચલાવી રહ્યો છે. બે દિવસ પહેલા મહિલા તેમની ઓફિસમાં હતી ત્યારે રજનીએ વોટ્સએપ કોલ કર્યો હતો અને કહ્યુ હતું કે, તારા દીકરાને સમજાવી દે જે મારી કોઈ બાબતમાં પડે નહી, તારા દિકરાને મારી મારીને છોતરા કાઢી નાખીશ. ગઈકાલે અલકાબેનના ઘરની પાસે રજની આવ્યો હતો અને ધમકી આપી હતી કે મારે વત્સલ જોડે પાંચ લાખ રૂપિયા લેવાના છે જે મને નહી આપો ત્યા સુધી હું રોજ આવીશ. રજનીએ બે દિવસથી ધમાલ મચાવતા વૃદ્ધ મહિલાએ પોલીસ ફરિયાદ કરી છે.
રાજકોટમાં રિસામણે ગયેલા ભાભીને તેડવાં ગયેલા યુવાન પર હૂમલો થયો હતો. થોરાળામાં રહેતો પ્રકાશ પરમાર ખીજડીયા ગામમાં રિસામણે ગયેલા ભાભીને તેડવા માટે ગયા હતા ત્યારે ભાઈના સસરા સહિતાનાએ બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને બાદમાં છરીનો ઘા માર્યો હતો. જેથી ઈજાગ્રસ્ત હાલતમાં તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, પ્રકાશ ભલાભાઈ પરમાર (ઉં.વ. 22, રહે.થોરળા, રાજકોટ) 24 માર્ચના રાત્રે 8 વાગ્યાની આસપાસ પોતે ખીજડીયા ગામમાં હેમંતભાઈ મોહનભાઈ રાઠોડના ઘરે હતો ત્યારે સામેવાળા હેમંતભાઈ, બળવંતભાઈ સહિતનાએ ઝઘડો કરી છરી વડે માર મારતા પીઠના ભાગે ઇજાઓ થઈ હતી. પ્રકાશે જણાવ્યું કે, તે આઇટીઆઇમાં અભ્યાસ કરે છે. તેના ભાઈ નીતિનભાઈના પત્ની જાનકીબેન રિસામણે તેના માવતર ખીજડીયા ગામે હતા. ગઇકાલે તેડી જવાનો ફોન આવતા નિતીનભાઈ ત્યાં ગયા હતાં. તેમના સાસુ-સસરા હાજર ન હોવાથી સાંજે આવવાનું કહ્યું હતુ. દરમિયાન પ્રકાશે પણ અગાઉ ખીજડીયા પ્રસંગ વખતે ગેસનો બાટલો આપ્યો હોય તે પરત લેવાનો હોય એટલે પ્રકાશ પણ ત્યાં પહોંચ્યો હતો. પ્રકાશ ત્યાં પહોંચ્યો પછી નીતિનભાઈ પણ આવ્યા. આ દરમ્યાન બોલાચાલી થઈ હતી અને હુમલો કર્યો હતો. સિવિલ હોસ્પિટલમાં દાખલ પ્રકાશનું નિવેદન લઈને કુવાડવા રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. અપશબ્દો બોલવા મામલે મિત્રે જ મિત્રને છરી મારી દીધી શહેરના ઓમનગર સર્કલ અને રાજદીપ સોસાયટીમાં મિત્રો વચ્ચે અગાઉ અપશબ્દ કહેવા બાબતે થયેલ બોલાચાલીમાં આનંદે દીક્ષિતને છરીના ઘા ઝીંક્યા હતા.મળતી માહિતી અનુસાર, દીક્ષિત જગદીશભાઈ ડીમલીયા (ઉં.વ.18, રહે. 40 ફૂટ રીંગ રોડ, ઓમનગર સર્કલ પાસે, રાજદીપ સોસાયટી) 24 માર્ચના રાત્રે 11 વાગ્યા આસપાસ પોતે ઘર પાસે હતો ત્યારે સામેવાળા આનંદે ઝઘડો કરીને છરી વડે માર મારતા ગંભીર ઈજા થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ અંગે પરિવારે જણાવ્યું કે, પિતા સેન્ટીંગ કામ કરે છે. આનંદ અને દીક્ષિત બંને મિત્રો હતા અગાઉ અપશબ્દો બોલવા અંગે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી આ પછી ગઈકાલે રાત્રે દીક્ષિત ઘર પાસે બેઠો હતો ત્યારે આનંદ આવ્યો હતો અને મને અગાઉ કેમ ગાળો આપતો હતો તેમ કહીને ઝઘડાની શરૂઆત કરી હતી. બંને વચ્ચે બોલાચાલી થતાં આનંદે પોતાના પાસે રહેલી છરી કાઢીને દીક્ષિતને મારી દીધી હતી. બનાવની જાણ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનને થતા પોલીસ ત્યાં દોડી ગઈ હતી. માતાની કેન્સરની બીમારી માટે વ્યાજે લીધેલા નાણા ચૂકવ્યા બાદ પણ યુવાનને ધમકી રાજકોટ શહેર પોલીસે વ્યાજખોરો સામે ફરિયાદ માટે જન સંપર્ક સભા કર્યા બાદ માત્ર એક વ્યાજખોર સામે ગૂનો નોંધાયો છે. માતાને કેન્સરની બીમારીના કારણે મજૂરી કામ કરતા પુત્રએ વ્યાજે રૂ.1 લાખ લીધા હતા. તેના બદલામાં રૂ.2.40 લાખ ચૂકવી દીધા બાદ પણ વ્યાજખોર શબ્બીર મશીયા પરેશાન કરતો હોવાથી તેની સામે ભક્તિનગર પોલીસ મથકમાં ગૂનો નોંધાયો છે. શહેરના બાબરીયા મેઈન રોડ પર મોરારીનગરમાં રહેતાં દીપકભાઈ કાનજીભાઈ પેઢડીયા (ઉ.વ.45) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે શબ્બીર મશીયા નામના શખ્સનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓને અટીકા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર શેરી નં.09 મા આવેલ ઇશ્વર વોચ ગ્લાસ નામના કારખાનામા મજુરી કરે છે.તેમની માતાને કેન્સરની બીમારીની સારવાર ચાલુ હોય જેથી 3 વર્ષ પહેલા તે પટેલનગર શેરી નં. 2 માં એચ.કે. મેટલ્સમા કામ કરતો હતો ત્યારે ત્યા સાથે કામ કરતા શબ્બીર મશીયાને મમ્મીની સારવાર માટે પૈસાની જરૂરીયાત છે તેમ વાત કરતા મીત્ર વ્યાજનુ કરે છે. હુ તેની પાસેથી પૈસા લઈ આપુ તેમ વાત કરી હતી. જે બાદ બીજા દીવસે શબ્બીરે રૂ. 1 લાખ રોકડા આપી કહ્યુ હતુ કે, તેણે આ પૈસા તેના મિત્ર પાસેથી લીધા છે અને આ પૈસાનુ દર મહીનાનુ 10 ટકા વ્યાજ મને આપવું પડશે. જે બાદથી દર મહીને એક લાખનુ 10 હજાર વ્યાજ ચુકવતો હતો. પરીસ્થીતી ખરાબ હોવા છતા આ શબ્બીર અવાર નવાર પરાણે વ્યાજના પૈસા માંગતા અને તેને બે વર્ષ સુધી માસીક રૂ. 10 હજાર લેખે કુલ રૂ.2.40 લાખ રોકડ તેમજ ગુગલ પે દ્વારા ચૂકવ્યા હતા. ત્યારબાદ પરિસ્થિતિ ખરાબ થઇ જતા વ્યાજ ચુકવી શકુ તેમ ન હોય જેથી વ્યાજ ચુકવવાનુ બંધ કરી દીધેલ હતુ. જેથી આરોપી અવાર નવાર વ્યાજ તથા મુડી મળી કુલ રૂ.3 લાખ ચુકવવા પડશે તેમ કહી ગાળો આપતો હતો. જે અંગે ગૂનો નોંધાતા ભક્તિનગર પોલીસે તપાસ શરૂ કરી છે. ઘર કંકાશથી કંટાળી યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત, 2 દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી રાજકોટની ભાગોળે આવેલા વિરડા વાજડી ગામે ધરારનગરમાં રહેતા રાજેશભાઈ વાલજીભાઈ મકવાણા (ઉં.વ. 30)એ ગઈકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી લીધી હતી. બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો. હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ સહિતના એ તપાસ હાથ ધરી હતી.પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, રાજેશભાઈ પ્લમ્બિંગ કામ કરતા જતા. તેને સંતાનમાં બે દીકરી છે. ગઈકાલે તેઓએ પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. 108ના ઈએમટીએ સ્થળ ઉપર જ રાજેશભાઈને મૃત જાહેર કર્યા હતા. બનાવમાં કારણ જાણવા માટે પ્રયત્ન કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે, ઘર કંકાસ બાબતે પતિ અને પત્ની વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો. જે પછી રાજેશભાઈએ આ પગલું ભરી લીધું હતું. બે દીકરીઓએ પિતાની છત્ર છાયા ગુમાવતા પરિવારમાં આક્રંદ છવાયો હતો. પોલીસે કાગળ કાર્યવાહી કરીને મૃતદેહ પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પૈસા ન આપતા યુવાનને ધોકા - પાઇપ માર્યા રામાપીર ચોકડી રૈયાધાર રાણીમા રૂડીમા ચોક પાસે રહેતો મુકેશ અંબાભાઈ જખાણીયા (ઉં.વ. 25) ઘર પાસે આવેલા શૌચાલયે ગયો હતો ત્યારે સામેવાળા અજાણ્યા માણસોએ પૈસા માંગ્યા હતા. જે ન આપતાં ઝઘડો થયો હતો. બાદમાં ધોકા અને પાઇપ વડે માર મારતા માથે શરીરે ઈજા થઈ હતી. જેથી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો.બીજા બનાવમાં મોનુ મુસ્તાકભાઈ ખાન (ઉં.વ.25) રાત્રિના 1:00 વાગ્યાની આસપાસ ઉપરોક્ત સ્થળે સાઈબાબા સર્કલ પાસે હતો ત્યારે સામેવાળા અજાણ્યા માણસોએ કોઈ કારણોસર ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. તેને સિવિલમાં દાખલ કરાયો હતો.
વર્ષ 2023માં જૂનાગઢની યુવતીની હત્યા કરી લાશ સળગાવી નાખવાના કેસમાં સુરજ ભુવાજી સહિતના ચાર આરોપીઓને હાઈકોર્ટે જામીન આપ્યા હતા. જેની સામે ફરિયાદી અને સરકાર પક્ષે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરતા સુપ્રીમ કોર્ટે સુરજ ભુવાજી સહિત ચાર આરોપીઓના જામીન રદ કરી ટ્રાયલ કોર્ટ સમક્ષ સરેન્ડર કરવા આદેશ કર્યો છે. સાથે લીવઈનમાં રહેતી યુવતીની સુરજ ભુવાજી સહિતના આરોપીઓએ મળી હત્યા કરી લાશને સળગાવી નાખી હતી. સમગ્ર કેસને અમદાવાદ પોલીસે ઉકેલ્યો હતો. લીવઈનમાં રહેતી યુવતીની હત્યા કરી લાશ સળગાવી દેવાઈ હતીજુનાગઢ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ સુરજ ભુવાજીએ અમદાવાદની કોર્ટમાં ફરિયાદીની બહેનને લઈ જવાનું કહીને પોતાના ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં સહઆરોપી મિત શાહે તેનું ગળું દાબીને હત્યા કરી હતી. બાદમાં તેની બોડી ઉપર પેટ્રોલ છાંટીને તેની લાશ સળગાવી દીધી હતી. મૃતકના ભાઈ એવા ફરિયાદીને આરોપીએ જણાવ્યું હતું કે તેની બહેન અમદાવાદથી ક્યાંક જતી રહી છે. પહેલેથી જ પરિણીત સુરજ ભુવાજી ફરિયાદીની 22 વર્ષીય બહેન સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતો હતો. પરંતુ બંને વચ્ચે ખટરાગ સર્જાતા ફરિયાદીની બહેને સુરજ ભુવાજી સામે દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સૂરજ ભુવાજીએ ફરિયાદીની બહેનનો કાંટો કાઢી નાખવા માટે સહ આરોપીઓ સાથે મળીને કાવતરું રચ્યું હતું. જે મુજબ ફરિયાદીની બહેને કરેલા કેસ સંદર્ભે તેને અમદાવાદ જવાનું કહ્યું હતું. આરોપીઓ યુવતીને લઈને ગાડીમાં ગયા હતા. જ્યાં રસ્તામાં સુરજ ભુવાજીના ખેતરમાં ગાડીને ઉભી રાખી હતી. સીટની પાછળ બેસેલા મિત શાહે યુવતીનું દુપટ્ટાથી ગળું દબાવી દીધું હતું. તેનું મૃત્યુ નીપજતા તેને ખેતરમાં જ સળગાવી દેવામાં આવી હતી. તેના ભાઈને કહેવામાં આવ્યું હતું કે યુવતી અમદાવાદથી ક્યાંક ચાલી ગઈ છે. જ્યારે યુવતીની તો રસ્તા વચ્ચે જ હત્યા કરી દેવામાં આવી હતી. તપાસ મુજબ પોલીસની પકડથી દૂર રહેવા સહ આરોપીને મૃતક યુવતીનો દુપટ્ટો ઓઢાડીને આરોપીઓ અમદાવાદ આવ્યા હતા. વળી યુવતીને શોધવાનું નાટક અમદાવાદના રોડ ઉપરના CCTV કેમેરા સામે કરવામાં આવ્યું હતું. જ્યારે યુવતીના મોબાઈલથી સુરત ભુવાજીને વોટ્સએપ મેસેજ પણ કરવામાં આવ્યા હતા, બાદમાં મોબાઈલનો નાશ કરવામાં આવ્યો હતો. આ તમામ બાબતો પોલીસને ગેરમાર્ગે દોરવા કરવામાં આવી હતી. સહઆરોપી પકડાતા પોલીસ સમક્ષ વટાણા વેરી દીધા હતાસુરજ ભુવાજીએ યુવતીના ભાઈને ફોન કરીને જણાવ્યું હતું કે યુવતી અમદાવાદથી ક્યાંક જતી રહી છે. જે અંગે તેને ગુમ થયાની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. જો કે મિત શાહની પોલીસે કડક પૂછપરછ કરતા તેને વટાણા વેરી દીધા હતા. યુવતીના ભાઈ એવા ફરિયાદીને તપાસ અધિકારીએ સઘળી હકીકત જણાવતા આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. ગુજરાત હાઈકોર્ટે જામીન આપતા ફરિયાદી પક્ષ સુપ્રીમમાં ગયો હતોઉલ્લેખનીય છે કે આરોપીઓએ તપાસ એજન્સીને ખોટા નિવેદનો આપીને ચકરાવે ચઢાવી હતી. વળી યુવતીના કપડા, દુપટ્ટો અને પાકીટને અમદાવાદમાં બાળી નાખ્યા હતા. આ કેસમાં 70 જેટલા સાહેદો છે. ગુજરાત હાઇકોર્ટે આરોપીઓને તપાસ પૂર્ણ થતા અને ચાર્જશીટ ફાઇલ થતાં ટ્રાયલમાં વિલંબ થવાના કારણોસર શરતી જામીન આપ્યા હતા. જો કે સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે ગુનાની ગંભીરતાને જોતા તેમને જામીન આપી શકાય નહીં. જો ટ્રાયલ કોર્ટમાં ટ્રાયલ ચાલવામાં વધુ વિલંબ થાય તેઓ ન્યાયિક માર્ગ અપનાવી શકશે. ચારેય આરોપીઓએ 4 અઠવાડિયામાં ટ્રાયલ કોર્ટ સમક્ષ સરેન્ડર કરવું પડશેફરિયાદીએ એડવોકેટ કુલદીપસિંહ જાડેજા દ્વારા અને રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરતાં સુરજ ભુવાજીની સાથે સહઆરોપી મુકેશ સોલંકી, ગુંજન જોશી અને મીત શાહના જામીન રદ કરવામાં આવ્યા છે. તેઓએ 4 અઠવાડિયાની અંદર ટ્રાયલ કોર્ટ સમક્ષ સરેન્ડર કરવું પડશે. યુવતી અને સુરજ ભુવાજી લીવઈનમાં રહેતા હતામૃતક યુવતી અને સૂરજ લીવઈનમાં રહેતા હતા. સૂરજ તેના પરિવારને મળવા જાય તે યુવતીને પસંદ ન હતું. જેને લઇને યુવતી અને સુરજ વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા.યુવતીએ સૂરજ સામે ફરિયાદ પણ કરી હતી. પરંતુ તે કોર્ટમાં પ્રોસેસમાં હતી. બીજી તરફ સૂરજ પણ યુવતીથી છુટકારો મેળવવા માગતો હતો.પરંતુ હવે કરવું શું તે તેને ખબર ન હતી. એટલે તેણે તેના અનુયાયીઓને પોતાની સાથે લીધા અને તેના કહ્યા પ્રમાણે તેઓ કરતા રહ્યા. જેમાં એક નિર્દોષ યુવતીને સૂરજ અને મીત જૂનાગઢથી અમદાવાદ લાવી રહ્યા હતા. જોકે, તે પહેલા જ ચોટીલા પાસે વટાવલ ગામની સીમામાં તેઓએ કાર ઉભી રાખી હતી. જ્યાં ભુવાએ કહ્યું કે, હું થોડીવારમાં આવું છું મારે પૈસાની જરૂર છે. જોકે, તે સમયે કારમાં યુવતી સાથે મીત હાજર હતો. સૂરજ ધારાનું ગળું દબાવી હત્યા કરીમીત મૂળ અમદાવાદનો છે. તે યુવતી સાથે કારમાં બેઠો હતો તે દરમિયાન સૂરજ ભુવા અને તેના ભાઇઓ ત્યાં આવે છે અને યુવતી સાથે ઝઘડો કરે છે. થોડીવારમાં ઝઘડો ખૂબ જ વધી જાય છે અને સૂરજ યુવતીનું ગળું દબાવી મારી નાખે છે. ત્યારે સૂરજ અને તેની સાથે અન્ય લોકો ભેગા મળીને યુવતીની લાશને પેટ્રોલ અને લાકડાથી સળગાવી નાખે છે. ત્યારબાદ તેઓમાંથી એક વ્યક્તિ મૃતકના કપડા પહેરી અમદાવાદ આવે છે. એટલે કોઇને અમ ના લાગે કે ભુવા જોડે યુવતી અમદાવાદ આવી ન હતી. મીતની માતા અન્ય લોકો સાથે મુંબઇ પહોંચીઅમદાવાદ આવ્યા બાદ ભુવાના મિત્ર મીતે તેની માતાને પણ પ્લાનમાં સામેલ કરી. મીતે ઘરે આવીને તેની માતાને કહે છે કે અમે યુવતીને મારી નાખી છે અને હવે તારે યુવતીના કપડા પહેરી અંહીયાથી બોમ્બે તરફ જવાનું છે એટલે મીત અને સૂરજ બંને તે રાત્રે હોટલમાં રોકાયા હતા. બીજી તરફ સવારે યુવતીના કપડા પહેરી મીતની માતા ઘરેથી નીકળે છે એટલે લોકોને એવું લાગે કે યુવતી સવાર સવારમાં સૂરજને છોડીને ક્યાંક જતી રહી છે. આ સમયે યુવતીનો મોબાઇલ ફોન સ્વિચ ઓફ કરી દેવામાં આવે છે. મીતની માતા અન્ય લોકો સાથે મુંબઇના વસઇ પહોંચે છે. જ્યાં યુવતીનો મોબાઇલ સ્વિચ ઓન કરવામાં આવે છે. યુવતીની હત્યા કર્યા બાદ પોલીસ સમક્ષ ગુમ થયાની અરજી કરી હતીયુવતીની હત્યા નિપજાવ્યા બાદ સુરજ પ્લાન મુજબ અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસને જણાવ્યું હતું કે, યુવતી ક્યાંક જતી રહી છે. અમે તેને શોધી રહ્યા છીએ. અમારે આ સંદર્ભે અરજી આપવી છે. એટલામાં પ્લાન પ્રમાણે ભુવાના ફોનમાં એક મેસેજ આવે છે. જે યુવતીના ફોનમાંથી કરવામાં આવ્યો હતો. આ મેસેજમાં લખ્યું હોય છે કે, સૂરજ હવે તું મને શોધતો નહીં હું તારી જિંદગીમાંથી દૂર જઈ રહી છું અને આ મેસેજ ભુવા અને મીત પાલડી પોલીસ સ્ટેશનના પોલીસને બતાવે છે એટલે તે સમયે પોલીસે આ વાતને કદાચ માની લીધી હોય તેવું શક્ય છે પરંતુ આ પોલીસ સ્ટેશનમાં જે ચાલી રહ્યું હતું. તે પહેલા તો યુવતીની હત્યા થઇ ગઇ હતી અને તેની લાશનો નિકાલ પણ થઇ ગયો હતો. યુવતી ગાયબ છે તેમ જણાવી ફાઇલ બંધ કરી દેવાઇતો બીજી તરફ યુવતીના મોબાઇલ ફોન પર તેનો ભાઇ સતત ફોન કરતો હતો પણ યુવતીનો ફોન નોટ રીચેબલ આવતો હતો. એટલે સૂરજ ઉર્ફે ભુવાએ યુવતીના ભાઇને એક દિવસ ફોન કરીને કહ્યું હતું કે,તેની બહેન ગુમ થઇ ગઇ છે અને અમે તેની જાણ પાલડી પોલીસ સ્ટેશનમાં પણ કરી છે. આ વાતની જાણ થતા યુવતીનો ભાઇ અમદાવાદ આવી પહોંચે છે અને ત્યારબાદ પાલડી પોલીસ સ્ટેશન પહોંચી બહેન વિશે પૂછપરછ કરે છે. પરંતુ કોઇ કડી કે કોઇ ક્લુ ના મળતા યુવતી ગાયબ છે તેમ જણાવી ફાઇલ બંધ કરી દેવામાં આવે છે.
એસ.પી.ની તપાસમાં જેનું પણ નામ ખુલશે તેના પર કાર્યવાહી થશે - કલેક્ટર ડો.મનીષ બંસલ 10 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો ધરણા અને રામધૂનની ચેતવણી ભાવનગર શહેરમાં અશાંતધારા હેઠળ મિલકત ટ્રાન્સફરની પરવાનગી આપવામાં મોટાપાયે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થતો હોવાના ગંભીર આક્ષેપો સાથે હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. સંગઠન દ્વારા કરવામાં આવેલા આક્ષેપ મુજબ ભાવનગર પ્રાંત અધિકારીના ડ્રાઈવર દ્વારા મોટી રકમ લઈ અશાંતધારાની મંજૂરી અપાવી દેવાનો વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા અને ટીવી માધ્યમોમાં વાયરલ થયો હતો, આ બાબતે સંગઠનના હોદ્દેદારોએ અગાઉ કલેક્ટરને મળીને તપાસની ખાતરી મેળવી હતી, પરંતુ 10 દિવસ વીતી જવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે, આ સંગઠનની મુખ્ય માંગણીઓ છે કે, ભ્રષ્ટાચારી તત્વોએ સત્તાનો દુરુપયોગ કરીને પોલીસ અને મામલતદારના નકારાત્મક અભિપ્રાય હોવા છતાં જે પરવાનગીઓ આપી છે, તેની ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ S.I.T. દ્વારા તપાસ કરવામાં આવે, અશાંતધારાના કાયદાનો ચુસ્તપણે અમલ થાય અને જવાબદારો સામે કાયદેસરના શિક્ષાત્મક પગલાં ભરાય, આ પત્રની નકલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રભારી મંત્રી કૌશિક વેકરીયા, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા ધારાસભ્ય સેજલબેન પંડ્યા તથા પોલીસ અધિક્ષક ભાવનગર ઓને પણ રજુઆતની કોપી મોકલવામાં આવી છે, ભ્રષ્ટાચારીઓ દ્વારા કાયદા વિરુદ્ધ જઈને સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે જો તપાસમાં વિલંબ થશે તો કાયદાનું ગૌરવ જોખમાશે, આ રજૂઆત વખતે જિલ્લા અધ્યક્ષ ઉદયભાઈ દવે અને શહેર પ્રમુખ સંતોષભાઈ અરજાણી સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા હવે જોવાનું એ રહે છે કે તંત્ર દ્વારા આ ગંભીર વીડિયો પુરાવા અને રજૂઆત પર શું પગલાં લેવામાં આવે છે, પૂર્વ હિન્દુ યુવા સંગઠન જિલ્લા પ્રમુખ અશોક ગોહિલએ જણાવ્યું હતું કે, ભાવનગર હિન્દુ યુવા સંગઠન તેમજ વિવિધ સંગઠનો દ્વારા અને ભાવનગરની હિન્દુ પ્રજા દ્વારા ભાવનગરના કલેક્ટરને એક આવેદન આપવાનો કાર્યક્રમ રાખેલો હતો, આવેદનનો મુખ્ય હેતુ હતો, જે 2023 ની અંદર અશાંત ધારો ભાવનગરની અંદર લાગ્યો હતો, ત્યાર પછીની ભાવનગરની અંદર 3000 ફાઈલો જે બની છે, એ ફાઈલોની અંદર એનકેન પ્રકારે નાણાકીય વહીવટ કરીને, રાજકીય લાગવગ કરીને 1500 જેવી એવી ફાઈલો છે જે પૈસા આપી, વહીવટ કરી અને જે દસ્તાવેજો થયા છે તેની પૂર્ણ ચકાસણી થાય, આજથી 8 દિવસ પહેલા એક ભાવનગર કલેક્ટર કચેરીના ડ્રાઈવર દ્વારા 14 લાખ રૂપિયાની જે લાંચ લીધી હતી, કલેક્ટરએ એને છૂટો કરી અને ત્યાર પછી બીજા કોઈ પગલાં લીધા હોય એવા ભાવનગરની પ્રજાની સમક્ષ નથી, તો અમારી હિન્દુ સમાજની એવી માંગણી છે કે આ જે ડ્રાઈવર છે તેની ઉપર ગુનો દાખલ થાય, એમાં જે જે જોડાયેલા હોય ઓફિસના અધિકારીઓથી માંડીને રાજકીય આગેવાનો, લાંચ લેવાવાળા અને દેવાવાળા ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને એનો પણ ભાવનગરની અંદર વરઘોડો નીકળવો જોઈએ એવી હિન્દુ સંગઠન અને ભાવનગરની હિન્દુ પ્રજાની લાગણી અને માંગણી છે, જો નહીં થાય, તો આગામી 10 દિવસ પછી ભાવનગરની કલેક્ટર કચેરીએ ભાવનગરનો હિન્દુ સમાજ ધરણા પર બેસશે અને રામધૂનનો કાર્યક્રમ કરશે. આ અંગે ભાવનગર કલેકટર ડો.મનીષ બંસલએ જણાવ્યું હતું કે, હિન્દૂ યુવા સંગઠન આવેદનપત્ર આપીને ગયા છે જેમાં વીડિયોની ઓડિયો વગેરે જે ડ્રાઇવરના વાયરલ થયા હતા, તો એના પ્રમાણે જે કન્સર્ન SDM હતા, જેમના ઉપર એલિગેશન એટલે જેમના નામે મીન્સ કે આ ચાલતું હતું, એ એસ.પી.ને એપ્લિકેશન કરી છે અને આ તપાસ એસ.પી.ને ત્યાં ચાલુ છે અને એમાં જે પણ નું નામ આવશે તો એના ઉપર મીન્સ કે કાર્યવાહી થશે, વેરિફિકેશન એટલે કે કરવી પડે છે ને? પછી આ તપાસ થશે અને જે ડ્રાઈવરનો વીડિયો છે, તો ડ્રાઈવર તો આઉટસોર્સિંગનો હતો એટલા માટે છૂટો કરી દીધો છે આ કોઈ પરમેનેન્ટ સરકારી કર્મચારી હતો નહીં અને એમાં જે મીન્સ કે ડ્રાઈવરના બયાન લઈને, જે લાંચ આપનારના જે વીડિયો છે એનો બયાન લઈને જેનું પણ કોઈ નામ આવશે તો એના ઉપર કાર્યવાહી 100 ટકા થશે. વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ મીન્સ કે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અને એમાં ક્યાં સુધી પહોંચ્યા છે, તો હું આ એટલે કે પર્સનલી એસ.પી. સાથે વાત નથી કરી કે ક્યાં સુધી પહોંચ્યા છે, પણ એની સાથે કંટીન્યુઅસ અમે લોકો ટચમાં છીએ. અને આ કહે છે કે ભાઈ 10-15 દિવસમાં તપાસ પૂરી કરીને અને જે પ્રમાણે એને એફ.આઈ.આર. માં કન્વર્ટ કરવાનો થશે તો એફ.આઈ.આર. માં કન્વર્ટ કરવામાં આવશે.
હિંમતનગરના દેવીપૂજકનગરમાં ચૈત્ર નવરાત્રીના સાતમા દિવસે માતાજીની શોભાયાત્રા યોજાઈ હતી. આ યાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરીને પરત મંદિરે પહોંચી હતી. જૂની સિવિલ સર્કલ સામે આવેલા દેવીપૂજકનગરમાં ચૈત્ર નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે. બુધવારે બપોર બાદ 64 જોગણી માતાજીના મંદિરેથી માતાજીની ફોટો પ્રતિમા સાથે શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું. ડીજે સાથે નીકળેલી આ યાત્રા સિવિલ સર્કલ અને પાંચબત્તી થઈને ટાવર ચોકમાં પહોંચી હતી. ટાવર ચોકમાં ભક્તો માતાજીના ગરબે ઘૂમ્યા હતા. ત્યારબાદ, શોભાયાત્રા નવા બજાર, ગાંધી રોડ અને પોસ્ટ ઓફિસ પાસેથી પસાર થઈને જૂની સિવિલ સામે દેવીપૂજક નગરમાં આવેલા માતાજીના મંદિરે પરત ફરીને સંપન્ન થઈ હતી. શ્રી જગદંબા યુવક મંડળ દ્વારા આયોજિત ચૈત્ર નવરાત્રી મહોત્સવ અંતર્ગત આ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. તેમાં સ્થાનિકો, અગ્રણીઓ, યુવક-યુવતીઓ અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.
ગુજરાત હાઇકોર્ટમાં ગાંધીનગરથી જયમીન પટેલે UPSC દ્વારા લેવાયેલી સિવિલ સર્વિસીસ 2024 ની પ્રાથમિક પરીક્ષાના જનરલ સ્ટડીઝ પેપર-I ના એક પ્રશ્નના ખોટા મૂલ્યાંકન અંગે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. UPSCએ વિકલ્પ-C સાચો ગણાવ્યો, અરજદારે વિકલ્પ B સાચો હોવાની રજૂઆત કરીવિવાદિત પ્રશ્ન નંબર 25માં કેન્દ્રીય બજેટ અંગેના વિધાનો હતા. UPSCએ વિકલ્પ 'C- બંને વિધાનો સાચાને', સાચો જવાબ ગણ્યો હતો, જ્યારે અરજદારના મતે વિકલ્પ 'B- માત્ર વિધાન 2 સાચું' હોવાને સાચો જવાબ હોવાની રજૂઆત કરી હતી. પ્રશ્ન બંધારણની કલમ 112 મુજબ વાર્ષિક નાણાકીય બજેટ રાષ્ટ્રપતિ વતી રજૂ કરવામાં આવે છે, નહીં કે વડાપ્રધાન વતી તેવી અરજદારની રજૂઆત હતી. અરજદારને પ્રાથમિક પરીક્ષામાં 98.29 ગુણ મળ્યા હતા, જ્યારે કટ-ઓફ 100.35 ગુણનું હતું. જો આ એક પ્રશ્ન સાચો ગણાય, તો અરજદારને વધારાના 2.06 ગુણ મળે અને તે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરે તેમ હતું. 'UPSCનો જવાબ ખોટો જણાય છે'કોર્ટે પ્રથમ દ્રષ્ટિએ સ્વીકાર્યું કે, UPSCનો જવાબ ખોટો જણાય છે, કારણ કે બજેટ રાષ્ટ્રપતિ વતી રજૂ થાય છે. કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી કે UPSC ફાઈનલ રિઝલ્ટ પછી આન્સર-કી જાહેર કરે છે, જેના કારણે ઉમેદવાર પાસે કોઈ ઉપાય બાકી રહેતો નથી. 'UPSC અરજદારને IFSની મુખ્ય પરીક્ષામાં બેસવા દે'કોર્ટે વચગાળાનો આદેશ કર્યો હતો કે, UPSC અરજદારને વર્ષ 2025ની ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસની મુખ્ય પરીક્ષામાં બેસવા દે. અરજદારનું મુખ્ય પરીક્ષાનું પરિણામ સીલબંધ કવરમાં રાખવામાં આવે અને કોર્ટની પરવાનગી વગર ખોલવામાં આવશે નહીં. પરીક્ષામાં બેસવાની મંજૂરી મળવાથી અરજદારનો કોઈ કાયમી હક ઊભો થશે નહીં. SCએ હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી અરજી ફગાવી દીધીUPSCએ આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે તેમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી અરજી ફગાવી દીધી હતી. મુખ્ય પરીક્ષામાં ક્વોલિફાઇ જાહેર થયોહવે અરજદાર ઉમેદવારનું મુખ્ય પરીક્ષાનું પરિણામ સીલબંધ કવરમાં કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. જે પરિણામ મુજબ અરજદાર IFSની લેખિત મુખ્ય પરીક્ષામાં ક્વોલિફાઇ જાહેર થયો હતો. મૌખિક ઇન્ટરવ્યુમાં બેસવા મંજૂરીની મથામણઆથી અરજદાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે તેને લેખિત પરીક્ષા પાસ કરી હોવાથી, અરજદારને 06 એપ્રિલ, 2026 થી શરૂ થતા મૌખિક ઇન્ટરવ્યુમાં બેસવાની મંજૂરી આપવામા આવે. UPSCએ દલીલ કરી હતી કે, આ મંજૂરી કાયદેસર રીતે યોગ્ય નથી. કારણ કે અરજદાર 2024ની બેચ માટે હતો અને હવે તે 2025ની બેચના ઇન્ટરવ્યુમાં બેસશે, જેમાં તેની વયમર્યાદા વધી ગઈ હોઈ શકે છે. કોર્ટે મૌખિક ઇન્ટરવ્યુમાં બેસવા આદેશ કર્યોકોર્ટે નોંધ્યું કે જો અરજદારને ઇન્ટરવ્યુમાં બેસવા ન દેવામાં આવે તો અગાઉનો વચગાળાનો આદેશ નિરર્થક બની જશે. આથી કોર્ટે UPSCને આદેશ આપ્યો હતો કે અરજદારને 2025ની બેચ માટેના મૌખિક ઇન્ટરવ્યુમાં બેસવા દેવામાં આવે અને તેના માટે જરૂરી તમામ ફોર્મ સ્વીકારવામાં આવે. ઇન્ટરવ્યુનું પરિણામ સીલબંધ કવરમાં કોર્ટ સમક્ષ રજૂ કરવાનું રહેશેઅરજદારે એક અઠવાડિયામાં UPSCને લેખિતમાં બાંહેધરી આપવી પડશે કે ઇન્ટરવ્યુમાં બેસવાથી તેનો નોકરી માટેનો કોઈ કાયમી હક ઊભો થશે નહીં અને તે નિમણૂકનો દાવો કરી શકશે નહીં. તેના ઇન્ટરવ્યુનું પરિણામ ફરીથી સીલબંધ કવરમાં રાખવામાં આવશે અને જ્યારે અન્ય તમામ ઉમેદવારોના પરિણામ જાહેર થાય ત્યારે અરજદારનું પરિણામ કોર્ટ સમક્ષ રજૂ કરવાનું રહેશે. UPSCનો વિવાદિત પ્રશ્ન...• કેન્દ્રીય બજેટના સંદર્ભમાં, નીચેના વિધાનો ધ્યાનમાં લો :1. કેન્દ્રીય નાણા મંત્રી વડાપ્રધાન વતી સંસદના બંને ગૃહો સમક્ષ 'વાર્ષિક નાણાકીય નિવેદન' રજૂ કરે છે. 2. કેન્દ્રીય સ્તરે, ભારત પર રાષ્ટ્રપતિની ભલામણ સિવાય અનુદાન (grant) માટેની કોઈ માંગ કરી શકાતી નથી. ઉપર આપેલા વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચા છે?(a) માત્ર 1(b) માત્ર 2(c) 1 અને 2 બંને(d) 1 અથવા 2 પૈકી એક પણ નહીં
ભરૂચમાં પેન્શનર્સનો વિરોધ: નવા નિયમો સામે આવેદન:પોર્ટલ ખામીઓ અને સમાનતા મુદ્દે કલેક્ટરને રજૂઆત
રાજ્યમાં પેન્શન સંબંધિત નવા નિયમો અને ઓનલાઈન પોર્ટલ વ્યવસ્થા સામે નિવૃત્ત કર્મચારીઓમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે. આ મુદ્દે ભરૂચ જિલ્લા પેન્શનર્સ મંડળે આજે રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. પેન્શનર્સ મંડળના સભ્યો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને સરકારની નવી પેન્શન પોર્ટલ વ્યવસ્થા સામે રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં જણાવાયું છે કે, સરકાર દ્વારા અમલમાં મુકાયેલ પેન્શન પોર્ટલનો ઉદ્દેશ્ય નિવૃત્ત કર્મચારીઓને સરળતા, પારદર્શિતા અને સમયસર ચુકવણી સુનિશ્ચિત કરવાનો હતો, પરંતુ વર્તમાન સ્થિતિ તેનાથી વિપરીત છે. પેન્શનર્સના મતે, પોર્ટલમાં ટેકનિકલ ખામીઓને કારણે રજિસ્ટ્રેશન, દસ્તાવેજ અપલોડ અને માહિતી સુધારવા જેવી પ્રક્રિયાઓ મુશ્કેલ બની રહી છે. ખાસ કરીને વયસ્ક નિવૃત્ત કર્મચારીઓ માટે ઓનલાઈન પ્રક્રિયા વધુ જટિલ હોવાનું તેમણે જણાવ્યું. ઘણા પેન્શનર્સને સમયસર પેન્શન ન મળતા આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદો પણ છે. આવેદનપત્રમાં 1 સપ્ટેમ્બર 2025 પહેલા અને બાદમાં નિવૃત્ત થયેલા કર્મચારીઓ વચ્ચે પેન્શનની ગણતરી અને ચુકવણીમાં તફાવત હોવાનો ખાસ ઉલ્લેખ કરાયો છે. આના કારણે સમાનતાનો મુદ્દો ઉભો થયો છે. પેન્શનર્સ મંડળે સરકાર સમક્ષ તમામ નિવૃત્ત કર્મચારીઓને સમાન ધોરણે પેન્શન ચૂકવવાની માંગ કરી છે. પેન્શનર્સે સરકારને પોર્ટલમાં રહેલી ખામીઓ તાત્કાલિક દૂર કરી પ્રક્રિયાને સરળ બનાવવા તેમજ પેન્શન ચુકવણી વ્યવસ્થામાં પારદર્શિતા અને સમયબદ્ધતા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે.
રાજકોટમાં ભગવાન સ્વામિનારાયણના 245માં પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભક્તિ અને ઉત્સાહનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. શહેરના રાજમાર્ગો પર 1000 થી વધુ બાઇક અને વિન્ટેજ કારના કાફલા સાથે નીકળેલી 25 કિમી લાંબી 'સ્વામિનારાયણ સંદેશ યાત્રા'એ આકર્ષણ જમાવ્યું હતું. આ ભવ્ય સંદેશ યાત્રા દ્વારા વ્યસનમુક્તિ, ભ્રષ્ટાચાર નાબૂદી અને સામાજિક એકતાનો પ્રબળ સંદેશ જનતા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ તકે BAPS સ્વામિનારાયણ મંદિરનાં મહંત અપૂર્વમુનિસ્વામીએ જણાવ્યું હતું કે, માત્ર ભારત નહીં સમગ્ર વિશ્વમાં ભગવાન સ્વામિનારાયણનાં પ્રાગટય દિવસની ભવ્ય ઉજવણી થાય છે. કેસરીયા સાફા અને જય સ્વામિનારાયણના નાદથી ગુંજ્યું રાજકોટ આજે બપોરે 4:30 વાગ્યે રેસકોર્સનાં બલભાવન ખાતેથી આતશબાજીના ગડગડાટ સાથે રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રેલીમાં મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ કેસરીયા સાફા અને પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને જોડાયા હતા. 1000 થી વધુ બાઇકો અને આકર્ષક વિન્ટેજ કારનો કાફલો જ્યારે શહેરના માર્ગો પરથી પસાર થયો, ત્યારે વાતાવરણ 'જય સ્વામિનારાયણ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. મંદિરના મહંતો અને સેંકડો સંતોએ પણ આ સંદેશ યાત્રામાં જોડાઈને હરિભક્તોનો ઉત્સાહ વધાર્યો હતો. શહેરનાં રસ્તાઓ પર ભગવાન સ્વામિનારાયણના ભક્તિ ગીતોની સુરાવલીઓ વચ્ચે આ યાત્રાએ શહેરના મુખ્ય ચોકો પર ભવ્ય આકર્ષણ જમાવ્યું હતું. 25 કિમીનો લાંબો રૂટ અને જનજાગૃતિનો સંદેશઆ સંદેશ યાત્રા રેસકોર્સ મેદાનથી શરૂ થઈને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. યાત્રાનો રૂટ નીચે મુજબ રહ્યો હતો: * પ્રારંભ: રેસકોર્સ મેદાન * મુખ્ય પોઈન્ટ્સ: એરપોર્ટ ચોક, કિશાનપરા ચોક, અકિલા ચોક, યાજ્ઞિક રોડ, ત્રિકોણ બાગ, ભારત બેકરી, કોર્પોરેશન ચોક, બસ સ્ટેન્ડ, ભૂતખાના ચોક, નાગરિક બેંક, મક્કમ ચોક, ગુરુકુળ બ્રિજ, આનંદબંગલા ચોક, મવડી ફાયર સ્ટેશન, મવડી ચોક, 150 ફૂટ રીંગ રોડ, કે.કે.વી. હોલ અને કોટેચા ચોક. * પૂર્ણાહુતિ: BAPS સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ.આશરે 3 કલાક સુધી ચાલેલી આ 25 કિમી લાંબી રેલી રાત્રે 07:30 વાગ્યે મંદિર ખાતે સંપન્ન થઈ હતી. સમગ્ર રૂટ દરમિયાન ઠેર-ઠેર હરિભક્તો અને નાગરિકો દ્વારા રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશ્વભરમાં ઉજવણી અને 'માનવ ઉત્કર્ષ મહોત્સવ'નું આયોજન BAPS સ્વામિનારાયણ મંદિરના અપૂર્વમુનિસ્વામીએ આ અંગે જણાવ્યું હતું કે, ભગવાન સ્વામિનારાયણનો આવતીકાલે ચૈત્ર સુદ નોમ એટલે કે 245 મો પ્રાગટ્ય ઉત્સવ છે. આ પર્વ માત્ર રાજકોટ કે ગુજરાત પૂરતું મર્યાદિત નથી, પરંતુ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા લાખો ભક્તો દ્વારા અત્યંત દિવ્ય રીતે ઉજવવામાં આવી રહ્યો છે. અબુધાબી, જોહાનિસબર્ગ, પેરિસ અને અમેરિકા જેવા દેશોથી લઈને ભારતના આદિવાસી વિસ્તારો સુધી 'શ્રી હરિ પર્વ'ની ઉજવણી થઈ રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, BAPS સંસ્થાના ગુરુ મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી રાજકોટમાં 11 થી 17 એપ્રિલ દરમિયાન રેસકોર્સ મેદાન ખાતે 'માનવ ઉત્કર્ષ મહોત્સવ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવના ભાગરૂપે જ આજની સંદેશ યાત્રા યોજાઈ હતી, જેમાં યુવાનોએ સ્કૂટી અને એક્ટિવા પર સવાર થઈને સમાજ સુધારણાના શપથ લીધા હતા. સ્વામિનારાયણ સંદેશ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ભગવાન સ્વામિનારાયણના શિક્ષાપત્રીના આદેશોને જન-જન સુધી પહોંચાડવાનો છે. રેલીમાં ભ્રષ્ટાચાર મુક્તિ: 'લુન્ચા ગ્રાહિયા ન કસ્યચિત્' એટલે કે ક્યારેય લાંચ ન લેવી. અને વ્યસનમુક્તિ: યુવાધન નશાની ગર્તામાં ન ધકેલાય તે માટે જાગૃતિ તેમજ અહિંસા અને સદાચાર: 'હિંસા ન કર્તવ્ય'ના સંદેશ સાથે માંસાહારનો ત્યાગ, વ્યભિચારથી દૂર રહેવાની શીખ આપવામાં આવી હતી. એટલું જ નહીં લોકોને જીવનના મૂલ્યો સમજાવી આપઘાતનાં વિચારોને રોકવા માટે વિશેષ અભિયાન ચાલાવવામાં આવ્યું હતું. અપૂર્વમુનિએ આશા વ્યક્ત કરી હતી કે જો સમાજ આ આદેશોનું પાલન કરે, તો વિશ્વમાંથી યુદ્ધ અને આતંકવાદ જેવી સમસ્યાઓ દૂર થઈ શકે છે અને 'વસુધૈવ કુટુંબકમ'ની ભાવના સાચા અર્થમાં સાર્થક થઈ શકે છે. આ રેલી દ્વારા રાજકોટવાસીઓને એક વિશિષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે 'આપણું રાજકોટ' વ્યસનમુક્ત, ભ્રષ્ટાચાર મુક્ત, આત્મહત્યા મુક્ત અને હત્યા મુક્ત બને. હજારો કાર્યકર્તાઓ અને સંતોના સહયોગથી આયોજિત આ યાત્રાએ માત્ર ધાર્મિકતા જ નહીં, પરંતુ સામાજિક ઉત્તરદાયિત્વનો પણ પરિચય કરાવ્યો હતો. ભગવાન સ્વામિનારાયણના જન્મોત્સવે રાજકોટના રસ્તાઓ ભક્તિભાવની સાથે સુધારાવાદી વિચારોથી તરબોળ બન્યા હતા.
માણસા તાલુકામાં આશરે દસ વર્ષ પૂર્વે બનેલી પરણિત સગીરાના અપહરણ અને દુષ્કર્મની ચકચારી ઘટનામાં ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. સાસરીમાં ગયેલી 17 વર્ષીય સગીરાને લલચાવી-ફોસલાવી ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર માણસાના રાકેશ બાબુભાઈ ચૌધરીને કોર્ટે ગુનેગાર ઠેરવી 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સાસુ સાથે માણસા ખરીદી કરવા ગઈને યુવતી ગુમઆ કેસની વિગત મુજબ, ફરિયાદી ખેડૂતની 17 વર્ષીય દીકરીના લગ્ન વર્ષ 2016માં સામાજિક રીત-રિવાજ મુજબ કલોલ ખાતે થયા હતા. લગ્ન બાદ દીકરી સાસરીમાં પ્રસંગોપાત અવરજવર કરતી હતી. 30 ઓગસ્ટ, 2016ના રોજ દીકરી તેની સાસુ સાથે માણસા મુકામે ખરીદી કરવા ગઈ હતી. જ્યાંથી તે અચાનક ગુમ થઈ હતી. પરિવારજનોની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, તેમના જ ગામનો રાકેશ બાબુભાઈ ચૌધરી સગીરાને લલચાવીને ભગાડી ગયો હતો. સગીરા ઘરમાંથી 3 લાખ રોકડ અને સોનાના દાગીના પણ લઈ ગઈ હતીઆ ગુનામાં અન્ય કેટલાક શખ્સોએ મદદગારી કરી હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી.શરૂઆતમાં દીકરીના પિતાએ જ્યારે આરોપીના પિતાનો સંપર્ક કર્યો ત્યારે તેમણે બે દિવસમાં દીકરી શોધી આપવાની ખાતરી આપી હતી. પરિણામે સમાજમાં આબરૂ જવાની બીકે અને લોકલાજે પિતાએ તુરંત પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. જોકે નિર્ધારિત સમય વીતવા છતાં દીકરી પરત ન આવતા અને આરોપીના પરિવારે ધમકીઓ આપવાનું શરૂ કરતા આખરે કાયદાનો આશરો લેવામાં આવ્યો હતો. આ દરમિયાન સાસરી પક્ષે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, સગીરા ઘરમાંથી 3 લાખ રોકડ અને અંદાજે 100 ગ્રામ સોનાના બિસ્કિટ સહિતના દાગીના પણ સાથે લઈ ગઈ હતી. કોર્ટે આરોપીને 10 વર્ષની સજા અને 30 હજારનો દંડ ફટકાર્યો હતોમાણસા પોલીસે આ મામલે પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપી રાકેશ ચૌધરીની ધરપકડ કરી હતી અને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસની સુનાવણી ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટના બીજા એડિશનલ સેશન્સ જજ એસ.વી. શર્મા સમક્ષ ચાલી જતાં સરકારી વકીલ સુનિલ એસ પંડ્યાની ધારદાર દલીલો અને રજૂ કરાયેલા પુરાવાઓને ગ્રાહ્ય કોર્ટે આરોપી રાકેશ ચૌધરીને 10 વર્ષની સખત કેદની સજા અને 30 હજારનો દંડ ભોગવવાનો હુકમ કર્યો છે. ઉપરાંત પીડિતાને કાનૂની સેવા સત્તા મંડળ મારફતે 4 લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે.
સોમનાથ નજીક આવેલા 850 વર્ષ પ્રાચીન કનકાઈ માતાજી મંદિરે ચૈત્ર માસની આઠમ ભક્તિભાવપૂર્વક ઉજવાઈ. સોમનાથથી આશરે બે કિલોમીટર દૂર વાડી વિસ્તારમાં આવેલા આ ધામે નવચંડી યજ્ઞ, મહાપ્રસાદ, લોકડાયરો અને સંતવાણી જેવા કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. મોટી સંખ્યામાં ભક્તોએ નવચંડી યજ્ઞમાં ભાગ લીધો હતો અને ધાર્મિક વિધિઓ કરી હતી. દિવસ દરમિયાન યોજાયેલા મહાપ્રસાદમાં હજારો શ્રદ્ધાળુઓએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. કનકાઈ માતાજીને વિવિધ જ્ઞાતિના લોકો કુળદેવી તરીકે પૂજે છે. આથી સમગ્ર ગુજરાતમાંથી ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. મંદિર પાસેના ઐતિહાસિક કુંડ વિશે એવી લોકવાયકા છે કે માતાજી તેમાંથી પ્રગટ થયા હતા, જે આ સ્થળની ધાર્મિક મહત્તામાં વધારો કરે છે. ચૈત્ર આઠમના દિવસે અહીં મેળા જેવું વાતાવરણ સર્જાયું હતું. પ્રભાસપાટણ અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. સાંજે યોજાયેલા ભક્તિમય લોકડાયરા અને સંતવાણીના કાર્યક્રમોએ ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કનકાઈ માતાજી મિત્ર મંડળના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. મંદિરના પૂજારી મહેશગીરી શંભુગીરી ગૌસ્વામી સેવા આપી રહ્યા છે. કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લાના અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ કાનાભાઈ વાસાભાઈ ગઢીયા, તાલુકા પંચાયતના સભ્ય વાલજીભાઈ બામણીયા, દેવાભાઈ સહિત અનેક આગેવાનો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ રાજ્ય ચૂંટણી પંચની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. એક તરફ રાજ્યમાં 15 મહાનગરપાલિકા સહિત વિવિધ સ્થાનિક સંસ્થાઓમાં ચૂંટણી યોજાવાની તૈયારી ચાલી રહી છે અને એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. ત્યારે બીજી તરફ ચૂંટણી પંચ પાસે જ તાલુકા પંચાયત અને નગરપાલિકાની મુદ્દત પૂર્ણ થઈ છે તેની સંપૂર્ણ અને અપડેટ માહિતી ઉપલબ્ધ નથી તે ચોંકાવનારી હકીકત સામે આવી રહી છે. ચૂંટણી પંચનું મુખ્ય કાર્ય નિષ્પક્ષ અને સમયસર ચૂંટણી યોજવાનું હોય છે, પરંતુ ચૂંટણી નજીક આવી રહી હોવા છતાં આધારભૂત માહિતીનો જ અભાવ હોવો તંત્રની કાર્યક્ષમતા પર સીધો સવાલ ઉભો કરે છે. ખાસ કરીને કઈ સંસ્થાઓમાં ચૂંટણી બાકી છે અને ક્યાં સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ છે તેની સ્પષ્ટ માહિતી ન હોવી આયોજનમાં ગંભીર ખામી દર્શાવે છે. ઓક્ટોબર 2025માં રોટેશન જાહેર થયા બાદ પણ સાઈટ પર જૂનો ડેટાઆગામી સમયમાં થનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 27 ટકા ઓબીસી અનામત સાથે યોજાવાની છે. ચૂંટણી પંચ દ્વારા ઓક્ટોબર 2025માં જ 27 ટકા ઓબીસી અનામતની અમલવારી સાથે નવા રોટેશન જાહેર કરી ચૂકી છે. પરંતુ, સ્ટેટ ઈનલેકશન કમિશનની સાઈટ પર હજી પણ વોર્ડ વાઈઝ બેઠકની જૂની જ માહિતી દર્શાવવામાં આવી રહી છે. વેબસાઈટ પર પણ ગોટાળો: જૂનો ડેટા, નવો અપડેટ ડેટા નથીસ્થિતિ એટલી ચિંતાજનક છે કે રાજ્ય ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ પર પણ અપડેટેડ માહિતી ઉપલબ્ધ નથી. હાલ વેબસાઈટ પર જૂનો ડેટા જ જોવા મળે છે, જ્યારે નવી માહિતી અપલોડ કરવામાં આવી નથી. આ કારણે સામાન્ય નાગરિકો તેમજ રાજકીય પક્ષોને ચોક્કસ માહિતી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. તેની સામે, કેન્દ્રીય સ્તરે Election Commission of India દ્વારા દરેક માહિતી સમયસર અને પારદર્શક રીતે વેબસાઈટ પર અપડેટ કરવામાં આવે છે, જેની તુલનામાં રાજ્ય ચૂંટણી પંચની કામગીરી નબળી જણાઈ રહી છે. તંત્ર હજુ ડેટા એકત્રિત કરવામાં જ વ્યસ્તસૂત્રો મુજબ, હાલ પરિસ્થિતિ એવી છે કે ચૂંટણી તારીખો જાહેર થવાના આરે છે છતાં તંત્ર હજુ સુધી ડેટા એકત્રિત કરવામાં જ વ્યસ્ત છે. આ પરિસ્થિતિ ચૂંટણી પ્રક્રિયામાં વિલંબ સર્જી શકે છે તેવી શક્યતા પણ નકારી શકાય તેવી નથી. વિશ્લેષકોના મતે આયોજન વધુ મુશ્કેલ બનશેવિશ્લેષકો માને છે કે જો ચૂંટણી પંચ પાસે જ તાલુકા અને નગરપાલિકાની સમયમર્યાદાની ચોક્કસ માહિતી ન હોય, તો સમગ્ર રાજ્યમાં એકસાથે ચૂંટણી આયોજન કરવું વધુ મુશ્કેલ બની શકે છે. આવી સ્થિતિમાં તાત્કાલિક માહિતી વ્યવસ્થા મજબૂત કરવાની જરૂર છે. રાજકીય વર્તુળોમાં ગરમાવોઆ મુદ્દે રાજકીય વર્તુળોમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. વિરોધ પક્ષો દ્વારા ચૂંટણી પંચ અને રાજ્ય સરકારની કામગીરી પર પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે અને સંપૂર્ણ માહિતી જાહેર કરવાની માંગ ઉઠી રહી છે. આ પરિસ્થિતિએ હવે એક મોટો પ્રશ્ન ઉભો કર્યો છે — શું રાજ્ય ચૂંટણી પંચ ખરેખર ચૂંટણી માટે તૈયાર છે કે પછી ફરી એકવાર ગડબડ અને વિલંબનો સામનો કરવો પડશે?
દિવ્ય ભાસ્કર એપ અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી છે. બુટલેગરે 16 વર્ષીય સગીર અને યુવકને તું દારૂની કેમ બાતમી આપે છે એમ કહીને લાકડીઓ અને છરી વડે માર્યો હતો. આ મામલે સગીરના પિતા દ્વારા નિકોલ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ સ્ટેશનમાં રાતે ફરિયાદ કરવા ગયા હતા. જોકે, પોલીસે ફરિયાદ લેવાની જગ્યાએ પીઆઇ સાહેબને મળી લેજો કહ્યું હતું. પીઆઇને મળીને ફરિયાદ લેવા જાણ કરી હતી. જોકે, આ મામલે હજી સુધી નિકોલ પોલીસે ફરિયાદ નોંધી નથી. નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એસ. વાઘેલાએ જણાવ્યું હતું કે, 16 વર્ષીય સગીરને માર માર્યો હોવાનું મારા ધ્યાન પર આવ્યું છે. આ મામલે પોલીસ ફરિયાદ લેવાની તજવીજ ચાલી રહી છે. સગીરના મિત્રનો જન્મદિવસ હોવાથી સગીર ત્યાં ગયો હતોમળતી માહિતી મુજબ 16 વર્ષીય સગીર ઓઢવ વિસ્તારમાં તેના પરિવાર સાથે રહે છે. સગીર અગાઉ નિકોલ વિસ્તારમાં પારંતી ઔડા આવાસ યોજનાના મકાનમાં પરિવાર સાથે રહેતો હતો. હાલમાં તેનું મકાન ભાડે આપેલું છે. 16 વર્ષીય સગીર વર્ષો સુધી નિકોલ ખાતે જુના મકાનોમાં રહેલો હતો જેથી તેના મિત્રો ત્યાં હતા. ગઈકાલે 24 માર્ચના રોજ સગીરના મિત્રનો જન્મદિવસ હોવાથી સગીર ત્યાં ગયો હતો. સગીર તેના મિત્રો સાથે ત્યાં હાજર હતો. પોલીસકર્મીએ ફરિયાદ માટે પીઆઈ સાહેબને મળવા માટે કહ્યુંઆ દરમિયાન મોન્ટુ નામનો વ્યક્તિ ત્યાં આવ્યો હતો અને સગીરને તું દારૂની બાતમી કેમ આપે છે એમ કહીને માર માર્યો હતો. તેની સાથે એક મિત્ર પણ વચ્ચે પડ્યો હતો જે મિત્રને પણ છરી અને ડંડા વડે માર માર્યો હતો, જેના કારણે બંનેને ગંભીર ઇજાઓ થઈ હતી. ત્યારબાદ મોન્ટુ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ સગીરના પિતાને પણ કરવામાં આવી હતી, જેથી તેઓ પણ ત્યાં આવ્યા હતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે સગીરના પિતા ગયા હતા પરંતુ, હાજર પોલીસકર્મીએ તેમને પીઆઇ સાહેબને ફરિયાદ માટે મળી લેજો એવું કહ્યું હતું જે બાદ આજે સવારથી ફરિયાદ નોંધાવા માટે તેઓ પોલીસ સ્ટેશન જઈ રહ્યા છે. માર મારનાર બુટલેગર છે અને અગાઉ પણ તેની સામે ગુનામાં પાસા થઈ છેસગીરના પિતાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારો પુત્ર તેના મિત્રનો જન્મદિવસ હોવાથી નિકોલ ખાતે મારા જુના મકાને ગયો હતો ત્યાં મોન્ટુ નામનો વ્યક્તિ ત્યાં આવ્યો હતો અને દારૂની બાતમી કેમ આપે છે એમ કહી અને માર માર્યો હતો. માર મારનાર બુટલેગર છે અને અગાઉ પણ તેની સામે ગુનામાં પાસા થયેલા છે. પોલીસ સ્ટેશન ખાતે એટ્રોસિટીની કલમો હેઠળ ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા પરંતુ પીઆઇ સાહેબને મળીને ફરિયાદ આપવા પોલીસ કર્મી એ કહ્યું હતું જેના કારણે થઈને હજી સુધી ફરિયાદ નોંધવામાં આવી નથી.
ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે રામનવમીના આગામી તહેવાર નિમિત્તે સર્વ સમાજની એક બેઠક યોજાઈ હતી. આ બેઠક પીઆઈ એમ.યુ. મશીની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં રામનવમીની શોભાયાત્રાના સુચારુ આયોજન અને કાયદો-વ્યવસ્થા જાળવવાના હેતુથી આ બેઠક બોલાવવામાં આવી હતી. શોભાયાત્રાના આયોજકોને વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. ધ્રાંગધ્રા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને રામ બોલ મંદિર દ્વારા રામનવમી નિમિત્તે બે શોભાયાત્રાઓ કાઢવામાં આવે છે. આ શોભાયાત્રાઓના સંચાલકોને સુરક્ષા અને વ્યવસ્થા સંબંધિત જરૂરી નિર્દેશો અપાયા હતા. બેઠકમાં વિવિધ સમાજના આગેવાનો, શોભાયાત્રાના સંચાલકો અને મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા, જેમણે તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવવા સહયોગની ખાતરી આપી હતી.
વર્ષ 2000થી પોલીસને હાથતાળી આપી રહેલો અને સુરતના ટોપ-16 મોસ્ટ વોન્ટેડ આરોપીઓની યાદીમાં સામેલ સુનિલ ઝુંબર કાળે આખરે કાયદાના સકંજામાં આવ્યો છે. લિંબાયત પોલીસે ફિલ્મી ઢબે મહારાષ્ટ્ર-કર્ણાટક બોર્ડર પર આવેલા સાંગલીના ગાઢ જંગલોમાં વેશ પલટો કરીને આ રીઢા ગુનેગારને દબોચી લીધો છે. આરોપી પર સુરત પોલીસ કમિશનરે 40,000 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે, સુરતથી ભાગ્યા પછી પણ આરોપીની ગુનાહિત પ્રવૃત્તિઓ અટકી નહોતી. તેણે મહારાષ્ટ્રના સાંગલીમાં પણ એક મર્ડર (કલમ 302) કર્યું હતું. દુષ્કર્મ અને લૂંટનો આરોપી છેલ્લા 26 વર્ષથી ફરાર હતોવર્ષ 2000 અને 2003માં સુરતના લિંબાયત વિસ્તારમાં બનેલી લૂંટ અને દુષ્કર્મની ઘટનાઓએ શહેરને હચમચાવી દીધું હતું. આ ગુનાનો મુખ્ય સૂત્રધાર સુનિલ કાળે છેલ્લા 26 વર્ષથી ફરાર હતો. પોલીસ માટે આ કેસ એક મોટો પડકાર હતો, કારણ કે આટલા લાંબા સમયમાં આરોપીનો ચહેરો અને રહેઠાણ સંપૂર્ણપણે બદલાઈ ચૂક્યા હતા. જોકે, લિંબાયત પોલીસે હાર માન્યા વગર આધુનિક ટેકનોલોજી અને હ્યુમન સોર્સના આધારે તપાસ ચાલુ રાખી હતી. ખેડૂતના ઘરમાં ઘૂસી મારી નાખવાની ધમકી આપી લૂંટ ચલાવીઘટનાની વિગત મુજબ, 6 ઓગસ્ટ 2003ની મધરાતે આરોપી સુનિલ અને તેના સાથીદારોએ પરવતગામની સીમમાં આવેલા ધનશ્યામભાઈ ભાદાણીના ખેતરમાં ત્રાટક્યા હતા. ત્યાં રહેતા ઓધડભાઈ પટેલના પરિવારને મોતની ધમકી આપી, ઘરમાં ઘૂસીને સોના-ચાંદીના દાગીના અને રોકડની લૂંટ ચલાવી હતી. આટલેથી ન અટકતા આરોપીઓએ પરિવારની દીકરી પર તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું અને પત્ની સાથે અડપલાં કર્યા હતા. ઘરની મહિલાઓને એક રૂમમાં પૂરી તાળું મારી દીધુંલૂંટ અને દુષ્કર્મ આચર્યા બાદ આરોપીઓએ ક્રૂરતાની હદ વટાવી હતી. તેમણે ફરિયાદી અને ઘરની મહિલાઓને એક રૂમમાં પૂરી દીધા હતા અને બહારથી તાળું મારી દીધું હતું જેથી કોઈ મદદ માટે બહાર ન નીકળી શકે. આ ઘટના બાદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, જેમાં બે આરોપીઓ તે સમયે પકડાયા હતા, પરંતુ સુનિલ કાળે પોલીસને થાપ આપી મહારાષ્ટ્ર નાસી ગયો હતો. સાંગલીના જંગલોમાં પોલીસે લોકલ વેશપલટો કરી આરોપીને દબોચ્યોઆરોપી મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના પાચવા મૈલ વિસ્તારના જંગલોમાં છુપાયો હોવાની ચોક્કસ બાતમી મળતા લિંબાયત પી.આઈ. સુમિતાની આગેવાનીમાં એક ટીમ રવાના કરવામાં આવી હતી. જંગલ વિસ્તાર હોવાથી અને આરોપી રીઢો હોવાથી પોલીસે ત્યાંના સ્થાનિક લોકો જેવો વેશ ધારણ કર્યો હતો. સતત પાંચ દિવસ સુધી ટીમે જંગલમાં વોચ ગોઠવી હતી જેથી આરોપીને જરા પણ શંકા ન જાય. મહારાષ્ટ્રમાં મર્ડર કરી 10 વર્ષની સજા કાપી બહાર આવ્યો હતોતપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે, સુરતથી ભાગ્યા પછી પણ આરોપીની ગુનાહિત પ્રવૃત્તિઓ અટકી નહોતી. તેણે મહારાષ્ટ્રના સાંગલીમાં પણ એક મર્ડર (કલમ 302) કર્યું હતું. આ મર્ડર કેસમાં તે 10 વર્ષની જેલની સજા કાપીને માત્ર 6 મહિના પહેલા જ બહાર આવ્યો હતો. જેલમાંથી છૂટ્યા બાદ તે ફરીથી છૂટક મજૂરીના બહાને પોતાની ઓળખ છુપાવીને રહેતો હતો. 2000 કલાકની મહેનતે આરોપીનું લોકેશન ટ્રેસ થયુંઆ ઓપરેશન અંગે માહિતી આપતા ડીસીપી કાનન દેસાઈએ જણાવ્યું કે, 26 વર્ષ જૂના આરોપીને પકડવો એ સૌથી મોટો પડકાર હતો. આશરે 20 પોલીસ જવાનોની ટીમ છેલ્લા દોઢ મહિનાથી દિવસ-રાત આ કેસ પર કામ કરી રહી હતી. અંદાજે 2,000 કલાકની મહેનત, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્ક બાદ આરોપીનું લોકેશન ટ્રેસ કરવામાં પોલીસને સફળતા મળી હતી. ઓળખ બદલાવી નાખી છતાં પોલીસથી ન બચી શક્યોસમયની સાથે આરોપીની ઉંમર હવે 60 વર્ષની આસપાસ થઈ ગઈ છે. 26 વર્ષમાં તેના શારીરિક દેખાવમાં મોટો બદલાવ આવ્યો હતો. ફેસ રેકગ્નિશન કરવું મુશ્કેલ હતું, પરંતુ પોલીસે તેની જૂની કડીઓ જોડીને અને તેના વતનમાં થતી હિલચાલ પર નજર રાખીને તેને ઓળખી કાઢ્યો હતો. આરોપી સુરત પોલીસના 'ટોપ-20' વોન્ટેડ લિસ્ટમાં સામેલ હતો. સુરત પોલીસ કમિશનરે 40,000નું ઈનામ જાહેર કર્યું હતુંઆરોપી સુનિલ કાળે એટલો ખતરનાક હતો કે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા તેના પર 40,000 રૂપિયાનું રોકડ ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. પોલીસની આ સફળતાથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે કે ગમે તેટલા વર્ષો વીતી જાય, કાયદાના હાથ લાંબા હોય છે અને ગુનેગાર ક્યારેય બચી શકતો નથી. લિંબાયત પોલીસ મથકે નોંધાયેલા 3 ગંભીર ગુના પીડિત પરિવારને 26 વર્ષે ન્યાય મળ્યોઆ ધરપકડથી એ પીડિત પરિવારને આશ્વાસન મળ્યું છે જેમણે 26 વર્ષ પહેલા પોતાની દીકરી પર થયેલા અત્યાચારનું દુઃખ સહન કર્યું હતું. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે, જેથી તેની અન્ય ગુનાહિત કુંડળી પણ ખોલી શકાય.
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
File Pic | Image Source: IANS All-Party Meeting: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે બુધવારે ભાજપ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર દલીલો જોવા મળી. કેન્દ્ર સરકાર તરફથી બેઠક બોલાવવાના નિર્ણયને લઈને કોંગ્રેસ અને સાથી પક્ષો દ્વારા 'મોડા લેવાયેલો નિર્ણય' ગણાવ્યો.
મધ્ય ગુજરાતમાં કોમર્શિયલ ગેસની અછત:કેટરિંગ એસોસિએશને પુરવઠા અધિકારીને રજૂઆત કરી
મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં છેલ્લા બે અઠવાડિયાથી કોમર્શિયલ રાંધણગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે. આ સમસ્યાને પગલે, સ્થાનિક કેટરિંગ એસોસિએશન દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ગેસ પુરવઠો પૂરો પાડવા માંગ કરવામાં આવી છે. કેટરિંગ એસોસિએશનના સભ્યોના જણાવ્યા અનુસાર, છેલ્લા 15 દિવસથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો પુરવઠો ન મળવાને કારણે કેટરિંગનો વ્યવસાય સંપૂર્ણપણે ઠપ્પ થવાની આરે છે. હાલમાં લગ્નગાળો અને અન્ય શુભ પ્રસંગોની સીઝન ચાલી રહી હોવાથી મોટા પ્રમાણમાં ઓર્ડર મળેલા છે. જોકે, ગેસના અભાવે આ ઓર્ડર પૂરા કરવા અશક્ય બન્યા છે. આ અછતની સીધી અસર માત્ર વ્યવસાયના માલિકો પર જ નહીં, પરંતુ આ ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો શ્રમિકોની રોજગારી પર પણ પડી છે. કોર્પોરેટ ઇવેન્ટ્સ અને સ્થાનિક પ્રસંગોના ઓર્ડર રદ થવાને કારણે રોજગારીનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કેટરિંગ એસોસિએશને કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો જથ્થો તાત્કાલિક ધોરણે ફાળવવાની માંગ કરી છે.
મહેસાણા જિલ્લાના વડસ્મા ગામે થોડા સમય પૂર્વે બનેલી હૃદયદ્રાવક હત્યાની ઘટનામાં મહેસાણા સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. પારિવારિક ઝઘડામાં પોતાની જ પત્નીની ક્રૂરતાપૂર્વક હત્યા કરનાર નરાધમ પતિ રમેશભાઈને કોર્ટે તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રૂપિયા 5000નો દંડ ફટકાર્યો છે. દાતરડા અને ધોકા મારીને પત્નીને પતાવી દીધી'તીવડસ્મા ગામે આરોપી રમેશભાઈએ સામાન્ય ઘરકંકાસમાં ઉશ્કેરાઈ જઈ પોતાની પત્ની મીનાબેન પર દાતરડા અને ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘાતકી હુમલામાં ગંભીર ઈજાઓ થવાને કારણે મીનાબેનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસ ફરિયાદ બાદ કેસ મહેસાણા સેશન્સ કોર્ટમાં ચાલવા ઉપર આવ્યો હતો. 35 દસ્તાવેજી પુરાવાઓ અને 14 સાક્ષીઓની તપાસ સુનાવણી દરમિયાન મહેસાણા સેશન્સ કોર્ટના જજ એ.એલ. વ્યાસ સમક્ષ સરકારી વકીલ ભરતકુમાર જી. પટેલે ધારદાર દલીલો રજૂ કરી હતી. પ્રબળ પુરાવાઓ અને સાક્ષીઓની જુબાનીના આધારે સરકારી વકીલે આરોપીને સખત સજા થાય તે માટે કોર્ટનું ધ્યાન દોર્યું હતું. સમગ્ર ટ્રાયલ દરમિયાન કોર્ટ સમક્ષ 35 જેટલા મહત્વના દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા અને કુલ 14 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. આજીવન કેદની સજા ને દંડ ફટકાર્યોકોર્ટે બંને પક્ષોની દલીલો અને રજૂ કરાયેલા પુરાવાઓને ગ્રાહ્ય રાખીને અવલોકન કર્યું હતું કે પત્નીની હત્યાનો ગુનો અત્યંત ગંભીર છે. પરિણામે આરોપી પતિ રમેશભાઈને આજીવન કેદની સજાનો આદેશ કરવામાં આવ્યો છે. આ ચુકાદાથી સમાજમાં દાખલો બેસે અને ગુનેગારોમાં કાયદાનો ડર રહે તેવો મહત્વનો નિર્ણય ન્યાયતંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.
IG નિર્લિપ્ત રાય જામનગર પહોંચ્યા:SP કચેરીએ ગુનાઓની સમીક્ષા, શાંતિ સમિતિને કડક સૂચના
રાજકોટ રેન્જના નવનિયુક્ત આઈ.જી. નિર્લિપ્ત રાયે જામનગર જિલ્લા પોલીસ વડા કચેરીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી ગુનાઓની કામગીરીની સમીક્ષા કરી હતી. એસ.પી. રવિ મોહન સૈની, એ.એસ.પી. પ્રતિભા અને ડી.વાય.એસ.પી. જયવીરસિંહ ઝાલા સહિતના અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. આઈ.જી. નિર્લિપ્ત રાયની અધ્યક્ષતામાં જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ડી.વાય.એસ.પી. કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી. ત્યારબાદ, તેમણે વિવિધ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજી હતી. આ બેઠકમાં હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ, શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો અને વિવિધ જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય હેતુ શહેરમાં ભાઈચારો જળવાઈ રહે અને કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિને સ્થાન ન મળે તે સુનિશ્ચિત કરવાનો હતો. આઈ.જી. નિર્લિપ્ત રાયના આગમનથી શહેરના અસામાજિક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારાઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા શહેરના અનેક શંકાસ્પદ વ્યક્તિઓ અને અસામાજિક તત્વોને એસ.પી. કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા. આ કાર્યવાહીથી ગેરકાયદેસર ધંધા ચલાવનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
દ્વારકામાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ:અફવાઓથી દૂર રહી શાંતિ જાળવવા DySPની અપીલ
તાજેતરમાં વૈશ્વિક પરિસ્થિતિને કારણે ઇંધણ અંગે વિવિધ અફવાઓ ફેલાઈ રહી છે. આના પગલે દ્વારકા જિલ્લામાં નાગરિકો ગભરાટમાં આવી બિનજરૂરી રીતે પેટ્રોલ પંપ પર લાઈનો લગાવી રહ્યા હોવાનું ધ્યાને આવ્યું છે. આ પરિસ્થિતિને જોતા નાયબ પોલીસ અધિક્ષક વિસ્મય માનસતાએ જનતાને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. નાયબ પોલીસ અધિક્ષક માનસતાએ સ્પષ્ટતા કરી છે કે દ્વારકા જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ઇંધણ પુરવઠાની વ્યવસ્થા નિયમિત રીતે ચાલી રહી છે અને હાલ કોઈ પ્રકારની અછત કે પુરવઠામાં ખલેલ નથી. તેમણે નાગરિકોને ગભરાટમાં આવીને અનાવશ્યક રીતે પેટ્રોલ પંપ પર ભીડ ન કરવા અને દૈનિક ઉપયોગ મુજબ જ ઇંધણ ભરાવવા જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે કેટલાક અસામાજિક તત્વો દ્વારા સોશિયલ મીડિયા પર ખોટી માહિતી કે અફવાઓ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેનાથી સામાન્ય જનતામાં ગેરસમજ ફેલાઈ શકે છે. આવા સંદેશાઓને તપાસ્યા વગર આગળ મોકલવા કે તેના પર વિશ્વાસ કરવાને બદલે સત્તાવાર માહિતી પર જ ભરોસો રાખવા તેમણે અનુરોધ કર્યો છે. નાયબ પોલીસ અધિક્ષકે નાગરિકોને ખાતરી આપી છે કે પ્રશાસન અને સંબંધિત વિભાગો દ્વારા ઇંધણ પુરવઠા પર સતત નજર રાખવામાં આવી રહી છે. જરૂરિયાત મુજબ પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે તે માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર પણ સતર્ક છે. અંતે, નાયબ પોલીસ અધિક્ષક વિસ્મય માનસતાએ તમામ નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ પ્રકારની અફવાઓથી દોરવાયા વગર શાંતિ જાળવે, અનાવશ્યક ભીડ ન કરે અને જવાબદાર નાગરિક તરીકે સહકાર આપે, જેથી દ્વારકા જિલ્લામાં વ્યવસ્થા અને સુચારુ પુરવઠો યથાવત્ રહી શકે.
વલસાડ જિલ્લાના કપરાડામાં થોડા દિવસ અગાઉ ટ્રક સળગવાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ કોઈ અકસ્માત નહોતો, પરંતુ પ્લાસ્ટિકના દાણા બારોબાર વેચી દઈ પુરાવા નાશ કરવા માટે ટ્રકને જાણી જોઈને આગ ચાંપવામાં આવી હતી. આ મામલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. થોડા દિવસો પહેલા કપરાડાના કુંભઘાટ પાસે પ્લાસ્ટિકના દાણા ભરેલી એક ટ્રક રહસ્યમય સંજોગોમાં સળગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં કપરાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. શરૂઆતમાં ટ્રકના ડ્રાઇવરે પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેની વાતોમાં શંકા જણાતા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ કોઈ અકસ્માત નહીં પણ પૂર્વ આયોજિત કાવતરું હતું. કંપનીમાંથી પ્લાસ્ટિકના દાણા ભરીને નીકળેલી ટ્રકમાંથી આરોપીઓએ 900 જેટલી બેગ રસ્તામાં જ બારોબાર વેચી મારી હતી. બાકી રહેલી થોડી બેગ સાથે ટ્રકને કુંભઘાટ પાસે લઈ જઈ સળગાવી દેવામાં આવી હતી. આરોપીઓનો ઇરાદો કંપની અને પોલીસને એવું દર્શાવવાનો હતો કે તમામ માલ આગમાં નાશ પામ્યો છે, જેથી તેમના કૌભાંડનો પર્દાફાશ ન થાય. કપરાડા પોલીસે આ મામલે સઘન તપાસ કરી મનીષ મિસ્ત્રી નામના શખ્સની ધરપકડ કરી છે. આ કૌભાંડમાં સામેલ અન્ય આરોપી કમલેશ સરસિયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે આ ટોળકીએ અગાઉ પણ આવા કોઈ ગુના કર્યા છે કે કેમ.
ચીખલીના મુખ્ય માર્ગ પર બે આખલાઓ બાખડ્યા:અડધા કલાક સુધી ટ્રાફિક જામ, સ્થાનિકોએ પાણી છાંટી છૂટા પાડ્યા
નવસારી જિલ્લાના ચીખલીમાં મુખ્ય માર્ગ પર બે આખલાઓ વચ્ચે હિંસક લડાઈ થઈ હતી. જૂની ટેલિફોન એક્સચેન્જ પાસે અડધા કલાક સુધી ચાલેલા આ યુદ્ધને કારણે ટ્રાફિક જામ થયો હતો અને વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આખલાઓ અચાનક સામસામે આવી ગયા હતા અને જોતજોતામાં તેમની વચ્ચે ભયાનક યુદ્ધ શરૂ થયું હતું. લડાઈ એટલી ઉગ્ર હતી કે માર્ગ રણમેદાનમાં ફેરવાઈ ગયો હતો. બંને આખલાઓના કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ લોહીલુહાણ થયા હતા. જાહેર માર્ગ પર આખલાઓ બાખડતા વાહનવ્યવહાર થંભી ગયો હતો. રસ્તાની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી હતી. આસપાસના દુકાનદારો અને રાહદારીઓ પણ પોતાની સુરક્ષા માટે સલામત સ્થળે ખસી ગયા હતા. સ્થાનિક લોકોએ હિંમત દાખવી આખલાઓ પર પાણીનો મારો ચલાવી તેમને છૂટા પાડ્યા હતા. આખલાઓ દૂર થતા જ અટવાયેલો ટ્રાફિક ધીમે ધીમે પૂર્વવત થયો હતો. સ્થાનિકોએ તંત્ર પાસે રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે તાત્કાલિક કડક પગલાં લેવાની માંગ કરી છે.
શિહોરી પેટ્રોલ પંપ માલિક પર હુમલો:બાઈક ખસેડવા જેવી બાબતે મામલો બિચક્યો, પાઈપ વડે હુમલો કરાયો
બનાસકાંઠાના શિહોરી નજીક ડુંગરાસન પાસે આવેલા શૌર્ય પેટ્રોલ પંપ પર પંપ માલિક પર હિંસક હુમલો થયો છે. બાઈક સાઈડમાં ખસેડવા જેવી નજીવી બાબતે અજાણ્યા શખ્સોએ હુમલો કરી પંપ માલિક પાસેથી ₹5,000ની લૂંટ ચલાવી હોવાનો આક્ષેપ કર્યો હતો. હુમલામાં ઘાયલ થયેલા પંપ માલિક હાલ પાટણ ખાતે સારવાર લઈ રહ્યા છે. આ ઘટના શિહોરીના ડુંગરાસન પાસેના શૌર્ય પેટ્રોલ પંપ પર બની હતી. પંપના માલિક શૈલેષજી તેજાજી અટુંબીયાએ જણાવ્યું કે, સાંજે 7 વાગ્યાના સુમારે પંપ પરના એર મશીન પાસે એક બાઈક પડ્યું હતું. મોટી ગાડી આવતા રસ્તો કરવા માટે તેમણે આ બાઈકને સાઈડમાં ખસેડ્યું હતું. આ બાબતે બાઈકના માલિકે ઉશ્કેરાઈને ગાળાગાળી કરી હતી અને માણસો બોલાવી જોઈ લેવાની ધમકી આપી હતી. થોડી વાર બાદ, બે રિક્ષા અને એક ગાડીમાં સવાર થઈને આવેલા અજાણ્યા શખ્સોએ પંપ પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ટોમી અને પાઈપ જેવા હથિયારો વડે શૈલેષજીના પાછળના ભાગે ફટકા મારતા તેઓ નીચે પડી ગયા હતા. પંપ માલિકના જણાવ્યા અનુસાર, આ હુમલામાં દિનેશજી નામના વ્યક્તિ અને અન્ય સાથીદારો સામેલ હતા. હુમલાખોરોએ ઓફિસમાં પણ તોડફોડનો પ્રયાસ કર્યો હતો અને જતી વખતે પંપ માલિક પાસેથી ₹5,000 રોકડા લૂંટી લીધા હોવાનો આક્ષેપ કર્યો હતો. ઘટના બાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જોકે, પીડિત પંપ માલિકના મતે, પોલીસ દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી અને માત્ર લખાણ લેવાની કામગીરી ચાલી રહી છે. શૈલેષજી અટુંબીયા હાલ પાટણ ખાતે સારવાર હેઠળ છે.
હિંમતનગર, સાબરકાંઠા જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નાગરિકો દ્વારા કુલ 12 જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકારનો સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ છેલ્લા 20 વર્ષથી લોકશાહીને ધબકતી રાખી પ્રજાના કલ્યાણ માટે નિરંતર ચાલી રહ્યો છે. આ કાર્યક્રમ લોકો માટે એક આધારસ્તંભ બની ગયો છે. રજૂ કરાયેલા પ્રશ્નોમાં મુખ્યત્વે જમીનમાં દબાણ, ગામતળમાં પ્લોટની ફાળવણી, જમીનના 7/12 ઉતારામાં નામ સુધારા, જમીન માપણી, જમીન સર્વે નંબરમાં સુધારા, ગામમાં ગંદકી અને વીજ કનેક્શન સંબંધિત બાબતોનો સમાવેશ થતો હતો. કલેક્ટરે અરજદારોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી તેમના પ્રશ્નોનો ઝડપી નિકાલ આવે તે માટે સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો. તેમણે વહીવટી તંત્રના તમામ અમલીકરણ અધિકારીઓને લોકોના પ્રશ્નોને શાંતિથી સાંભળી યોગ્ય ઉકેલ લાવવાની દિશામાં કામગીરી કરવા પણ સૂચના આપી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, અધિક નિવાસી કલેક્ટર ક્રિષ્ના વાઘેલા, ડીવાયએસપી, તાલુકા વિકાસ અધિકારીઓ, અન્ય અમલીકરણ અધિકારીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
વલ્લભ વિદ્યાનગર ખાતે સી.વી.એમ. કોલેજ ઑફ ફાઇન આર્ટ્સ અને ઇપ્કોવાલા સંતરામ કોલેજ ઑફ ફાઇન આર્ટ્સ દ્વારા સંયુક્ત વાર્ષિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સી.વી.એમ. કોલેજનો 14મો અને ઇપ્કોવાલા સંતરામ કોલેજનો 62મો વાર્ષિક દિવસ ઉજવાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ પરંપરાગત દીપ પ્રજ્વલન સાથે થયો હતો. ભીખુભાઈ પટેલ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે પ્રતિષ્ઠિત કલાકાર અને ડિઝાઇનર કુમાર ચૌહાણ અને વિશિષ્ટ અતિથિ તરીકે ડૉ. એસ. જી. પટેલ હાજર રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે કલા માત્ર અભ્યાસનો વિષય નથી, પરંતુ તે જીવનમાં સંવેદનશીલતા, સર્જનાત્મકતા અને નવી દ્રષ્ટિ પ્રદાન કરે છે. તેમણે વિદ્યાર્થીઓને કલા ક્ષેત્રમાં નવીનતા અને ઉત્તમતા હાંસલ કરવા પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા ચિત્રો અને ડિઝાઇન પ્રોજેક્ટ્સનું કલા પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનને ઉપસ્થિત મહાનુભાવો અને મુલાકાતીઓએ ખૂબ સરાહના કરી હતી. આ પ્રસંગે સંસ્થાના નિયામક કનુ પટેલ, આચાર્ય કિશોર નખરડીવાળા, કાર્યક્રમના સંયોજકો નિતેશ પટેલ, ડો. દીપક ભટ્ટ, રંજન ભોઈ, કાર્યક્રમ સંચાલિકા શાલિની સિંહ, પ્રદર્શન સંયોજિકા રિયલ કનેરિયા અને ઇતિ મહેતાએ આયોજનમાં યોગદાન આપ્યું હતું. પ્રસિદ્ધ સાહિત્યકારો મણિલાલ એચ. પટેલ, અશોકપુરી ગોસ્વામી અને પરેશ પ્રજાપતિ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના શિક્ષક મંડળ અને વિદ્યાર્થીઓના સહયોગથી સફળતાપૂર્વક પૂર્ણ થયું. મોટી સંખ્યામાં મહેમાનો, વિદ્યાર્થીઓ અને કલાપ્રેમીઓ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ ઉજવણી દ્વારા સંસ્થાએ કલા ક્ષેત્રમાં પોતાની ઓળખ અને સર્જનાત્મક પરંપરાને ફરી એકવાર પ્રદર્શિત કરી.
બોટાદ જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP) એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ જાહેરાત બાદ પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. AAP દ્વારા બોટાદ જિલ્લા પંચાયતની ચાર બેઠકો અને તાલુકા પંચાયતની બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયતની ભીમદાડ બેઠક પર પરસોતમભાઈ રાઠોડ, કાનીયાડ બેઠક પર મંજુબેન ભુપતભાઈ જમોડ, નિગાળા બેઠક પર મમતાબેન બાવળીયા અને વાવડી બેઠક પર પૂરણબેન ડાભીના નામની જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારોના નામ જાહેર થયા બાદ, AAP ના જિલ્લા પ્રમુખ પરસોત્તમભાઈ રાઠોડ, તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઈ સાટીયા અને ભુપતભાઈ ડાભી સહિતના ઉમેદવારોએ હડદડ ગામે કુલદેવી ચામુંડા માતાજીના દર્શન કર્યા હતા. અહીં તેમણે કાર્યકર્તાઓ સાથે સંવાદ પણ કર્યો હતો. આ પછી, તરઘરા ગામે સિકોતર ધામ ખાતે સિકોતર માતાના દર્શન કરીને આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયતના ઉમેદવારોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાનીયાડ ખાતે ઝાંપડાદાદાના દર્શન કરવામાં આવ્યા હતા. અહીં કાર્યકર્તાઓ સાથે બેઠક યોજીને આગામી ચૂંટણીની રણનીતિ અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં બોટાદ આમ આદમી પાર્ટીના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે એકતા અને જીતના સંકલ્પ સાથે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
બોટાદનું કૃષ્ણસાગર તળાવ ₹10 કરોડના ખર્ચે વિકસાવાશે:ધારાસભ્ય ઉમેશ મકવાણાની રજૂઆત બાદ બજેટમાં જોગવાઈ
બોટાદના કૃષ્ણસાગર તળાવને ફરવાલાયક સ્થળ તરીકે વિકસાવવા માટે રાજ્યના બજેટમાં ₹10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાની વિધાનસભામાં રજૂઆત બાદ નાણા મંત્રીએ આ જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટથી બોટાદની જનતાને આધુનિક સુવિધાઓ સાથેનું મનોરંજન સ્થળ મળશે. ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વિધાનસભામાં વિનિયોગ વિધાયક નિયમ 238 અન્વયે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું કે બોટાદ શહેરની મધ્યમાં આવેલું કૃષ્ણસાગર તળાવ મહારાજા કૃષ્ણકુમારસિંહજી દ્વારા બનાવવામાં આવ્યું હતું. બોટાદની અંદાજે 4 થી 5 લાખની વસ્તીને ધ્યાનમાં રાખીને આ તળાવને ફરવાલાયક સ્થળ બનાવવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો. ધારાસભ્ય ઉમેશ મકવાણાએ અમદાવાદના કાંકરિયા તળાવ અને અન્ય મહાનગરોના તળાવોની જેમ કૃષ્ણસાગર તળાવને વિકસાવવાનું સૂચન કર્યું હતું. તેમણે ફૂડ ઝોન, ગેમ ઝોન, એડવેન્ચર પાર્ક, સ્પોર્ટ્સ સુવિધાઓ, વોક વે અને ચિલ્ડ્રન પાર્ક જેવી સુવિધાઓ ઉમેરવાની ભલામણ કરી હતી, જેથી બોટાદના લોકોને આધુનિક મનોરંજનનો લાભ મળી શકે. આ રજૂઆત બાદ નાણા મંત્રીએ વિધાનસભા ગૃહમાં 2026ના બજેટમાં બોટાદના કૃષ્ણસાગર તળાવને ₹10 કરોડના ખર્ચે વિકસાવવાની જોગવાઈની જાહેરાત કરી હતી. હાલ આ કામગીરી ડીપીઆર (ડિટેઈલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ) સ્તરે ચાલી રહી છે. ટૂંક સમયમાં જ બોટાદનું કૃષ્ણસાગર તળાવ ફૂડ ઝોન, ગેમ ઝોન, એડવેન્ચર પાર્ક, સ્પોર્ટ્સ સુવિધાઓ, વોક વે અને ચિલ્ડ્રન પાર્ક જેવી સુવિધાઓ સાથે લોકો માટે ફરવાલાયક સ્થળ બની રહેશે. આ સમગ્ર માહિતી ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા આપવામાં આવી હતી.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા પર ભાર મુકવામાં આવ્યો છે. શહેરને સ્વચ્છ બનાવવા માટેના વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે . શહેરીજનોમાં પણ સ્વચ્છતા આદત બની જાય તે માટે જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ મહાનગરપાલિકાએ વન ડે વન રોડ અભિયાન શરુ કર્યું છે. અભિયાન અંતર્ગત ઉમા ચાર રસ્તાથી પાણીગેટનો મુખ્ય માર્ગ લેવાયોવડોદરા શહેરને સ્વચ્છ, સુંદર અને ટ્રાફિકમુક્ત બનાવવાના હેતુ સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આક્રમક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ કવાયતના ભાગરૂપે, મ્યુનિસિપલ કમિશનરની સીધી દેખરેખ હેઠળ પૂર્વ ઝોનમાં વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.વોર્ડ નંબર-15માં સમાવિષ્ટ ઉમા ચાર રસ્તાથી પાણીગેટ સુધીના મુખ્ય માર્ગ પર ‘વન ડે વન રોડ’ અભિયાન અંતર્ગત વ્યાપક કામગીરી કરવામાં આવી હતી. રસ્તાઓ પર થતા ગેરકાયદેસર દબાણોને દૂર કરી વાહનવ્યવહારને અડચણ ઉભી ન થાય તેમજ શહેરની આંતરિક સફાઈ વ્યવસ્થાને વધુ મજબૂત થાય તે ઉદ્દેશ્યથી આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. કમિશનર અરુણ મહેશ બાબુએ પોતે સ્થળ પર હાજર રહીને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. પૂરજોશમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવીઆ ઝુંબેશ દરમિયાન રસ્તાઓની સાફ-સફાઈ, રોડ ડિવાઈડરો પર જામેલી ધૂળ અને કચરાનો નિકાલ તેમજ ફૂટપાથ પરના નડતરરૂપ દબાણોને JCB મશીનોની મદદથી દૂર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પૂર્વ ઝોનના વોર્ડ ઓફિસર, પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનો મોટો કાફલો હાજર રહ્યો હતો. માર્ગ પર ઉગી નીકળેલા બિનજરૂરી ઘાસ અને કચરાના ઢગલાઓ જોઈને કમિશનરે નારાજગી વ્યક્ત કરી હતી અને અધિકારીઓને સત્વરે સફાઈ કામગીરી પૂર્ણ કરવા આદેશ આપ્યા હતા. કેટલાક વિસ્તારોમાં ડિવાઈડરની સફાઈમાં જોવા મળેલી બેદરકારી અંગે પણ કમિશનરે કડક નોંધ લીધી હતી અને જવાબદારોને તાકીદ કરી હતી. નાગરિકોને સારી સુવિધા મળે તે પાલિકા માટે પ્રાથમિકતામ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, શહેરના નાગરિકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવી એ પાલિકાની પ્રાથમિકતા છે. તેઓએ જણાવ્યું કે, ગેરકાયદેસર દબાણ કરનારાઓ સામે લાલ આંખ કરવામાં આવશે. જો એકવાર દબાણ હટાવ્યા બાદ ફરીથી ત્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થશે, તો પાલિકા તંત્ર ફરીથી ત્રાટકશે અને કડક દંડનીય કાર્યવાહી કરશે. કમિશનરે નાગરિકોને પણ અપીલ કરી હતી કે તેઓ શહેરની સ્વચ્છતામાં સહભાગી બને અને જાહેર માર્ગો પર દબાણ ન કરે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ 2026ની પરીક્ષા યોજાશે. આગામી 29 તારીખે ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ-2026 લેવામાં આવશે. જે માટે ગુજરાત બોર્ડ દ્વારા ખાસ એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ વિશ્વાસપૂર્વક અને સારા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટેનું તમામ આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા કામગીરીના જાણકાર હોય એવા વર્ગ-2ના અધિકારીની ઝોનલ અધિકારી તરીકે નિમણૂક કરવાની પણ સૂચના બોર્ડ દ્વારા આપવામાં આવી છે. 29 તારીખે ગુજકેટની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ પછી ડિગ્રી એન્જિનિયરિંગ, ફાર્મસી અને મેડિકલ ફેકલ્ટીમાં પ્રવેશ લેવા માટે કોમન એન્ટરન્સ ટેસ્ટ લેવાનું આયોજન કરવામાં આવતું હોય છે. જેથી, આ વર્ષે પણ બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આગામી 29 તારીખે ગુજકેટની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત બોર્ડ દ્વારા એક્શન પ્લાન જાહેર કરી તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને તેનું પાલન કરવા માટેની સૂચના પણ આપવામાં આવી છે. ગુજકેટ-2026 માટે 36 ઝોનની રચના કરવામાં આવી છે. જે માટે 668 પરીક્ષા સ્થળો પર એક લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. પરીક્ષામાં ગેરરીતિ થતી અટકાવવા માટે CCTVની ચાંપતી નજર રહેશેજેથી, પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થાય તે માટે ગુજરાત બોર્ડ દ્વારા ખાસ એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવેલો છે. પરીક્ષામાં ગેરરીતિ થતી અટકાવવા CCTV કેમેરા હેઠળ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગરમીનું પ્રમાણ વધુ હોવાથી પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા અને આરોગ્ય ટીમ પણ તમામ પરીક્ષા કેન્દ્ર પર રાખવાની અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારીએ સૂચના આપી છે. ઝોનલ કચેરીઓ પરીક્ષાસ્થળોથી મધ્યમાં રાખવાની રહેશેપરીક્ષાસ્થળો પર સતત સીધી દેખરેખ રાખવા માટે ઝોન કચેરીની વ્યવસ્થા કરવામાં આવી છે. ઝોનની કચેરીએથી OMR/ પ્રશ્નપત્રો પરીક્ષાસ્થળ સુધી પહોંચાડવા માટે બોર્ડ દ્વારા વાહનની પૂરતી વ્યવસ્થા પણ કરાઈ છે. પ્રશ્નપત્રો તેમજ OMR ઉત્તરપત્રિકા ખાનગી રેકોર્ડ ગણાશે. ઝોનલ કચેરીઓ જિલ્લાના અને રાજ્યના કંટ્રોલરૂમ સાથે સતત સંપર્કમાં રહેશે. ઝોનલ કચેરીએથી પરીક્ષાને લગતું ખાનગી સાહિત્ય દરેક પરીક્ષાસ્થળ પર સરકારી પ્રતિનિધિ મારફતે મોકલવામાં આવશે અને બોર્ડની સૂચના મુજબ પરત મેળવશે. ઝોનલ કચેરી પરીક્ષાસ્થળોથી મધ્યમાં રાખવાની રહેશે. પરીક્ષા કામગીરીના જાણકાર હોય એવા ક્લાસ-2ના અધિકારીની ઝોનલ અધિકારી તરીકે નિમણૂક કરવાની પણ સૂચના બોર્ડ દ્વારા આપવામાં આવી છે. 27થી 29 તારીખ સુધી કંટ્રોલ રૂમ ચાલુ રાખવાની સૂચના આપવામાં આવી છેગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ખાતે રાજ્યકક્ષાનો રાઉન્ડ ધ ક્લોક ચાલતો સ્ટેટ કંટ્રોલરૂમ પણ કાર્યરત રહેશે. આગામી 28 તારીખથી રાજ્યકક્ષાનો સ્ટેટ કંટ્રોલરૂમ કાર્યરત થશે. તે માટે રાજ્યના તમામ જિલ્લાઓ સીધો સંપર્ક કરી અને સંકલન કરી શકશે તેમજ તમામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં પણ જિલ્લા કંટ્રોલરૂમ 27 તારીખથી શરૂ થશે. 27થી 29 તારીખ સુધી કંટ્રોલ રૂમ ચાલુ રાખવાની સૂચના આપવામાં આવી છે. કંટ્રોલરૂમ સવારે 7 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી કાર્યરત રહેશે. જ્યાંથી વિદ્યાર્થીઓ વાલીઓને અને શાળાઓને માર્ગદર્શન આપવામાં આવશે. જે માટે ઝોનના ઝોનલ અધિકારીની પણ નિમણૂક કરવામાં આવી છે. તેમજ પરીક્ષાનો ડર દૂર કરવા માટે કાઉન્સિલિંગ કેન્દ્ર પણ ચાલુ રહેશે. અમદાવાદ શહેરના 59 જેટલા બિલ્ડિંગમાં પરીક્ષા લેવાનું આયોજન કરાયું અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, એન્જિનિયરિંગ અને પેરામેડિકલના પ્રવેશ માટે લેવામાં આવતી ગુજકેટની પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરાયેલા એક્શન પ્લાનના આધારે જિલ્લા સ્તરે પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. અમદાવાદ શહેરના 59 જેટલા બિલ્ડિંગમાં પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે. જે માટે કેન્દ્ર સંચાલકોની મીટીંગ યોજીને તેમણે તાલીમ પણ આપવામાં આવી છે. ગરમી હોવાથી તમામ પરીક્ષા કેન્દ્ર પર પૂરતા પીવાના પાણીની વ્યવસ્થા કરવા અને આરોગ્ય ટીમ રાખવાની પણ સૂચના આપવામાં આવી છે.
વડોદરાની ખ્યાતનામ પારૂલ યુનિવર્સિટીએ GATE 2026ની પરીક્ષામાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી શિક્ષણ જગતમાં પોતાનું નામ રોશન કર્યું છે. આ અત્યંત સ્પર્ધાત્મક પરીક્ષામાં યુનિવર્સિટીના કુલ 69 વિદ્યાર્થીઓ ક્વોલિફાઇ થયા છે, જે સંસ્થાના ક્વોલિટી એજ્યુકેશન અને સચોટ માર્ગદર્શનની સાક્ષી પૂરે છે. ટોપ 1000માં 9 વિદ્યાર્થીઓનો સમાવેશઆ વર્ષે ઓલ ઇન્ડિયા લેવલે ટોપ 1000માં સ્થાન મેળવીને 9 વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે. એરોનોટિકલ એન્જિનિયરિંગમાં આદિત્ય પુમ્ભાડિયા (AIR 224), ધ્રુવ વ્રજલાલ અંબાલિયા (AIR 279), જય પંચાલ (AIR 715), દિશા કાર્વા (AIR 715), જય ઠાકર (AIR 745), નકુલ બિયાની (AIR 785) અને વૈભવ વસાણી (AIR 949) એ શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. આ ઉપરાંત પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાં આદર્શ મિશ્રાએ AIR 383 અને કમ્પ્યુટર સાયન્સમાં જય લક્કડે AIR 861 રેન્ક હાંસલ કર્યો છે. કોમ્પિટિટિવ એક્ઝામિનેશન સેલનું યોગદાનવિદ્યાર્થીઓની આ સફળતા પાછળ યુનિવર્સિટીના સ્પેશિયલ 'કોમ્પિટિટિવ એક્ઝામિનેશન સેલ'નો મોટો ફાળો રહ્યો છે. અહીં વિદ્યાર્થીઓને 1 અને 2 વર્ષના સ્પેશિયલ કોચિંગ પ્રોગ્રામ્સ તેમજ નિયમિત કરિયર કાઉન્સિલિંગ આપવામાં આવે છે. ખાસ કરીને GATE 2026 માટે આયોજિત વિનામૂલ્યે ક્રેશ કોર્સે અંતિમ સમયની તૈયારીઓમાં વિદ્યાર્થીઓને ખૂબ જ મદદ કરી હતી. પ્રેસિડેન્ટનો સંદેશઆ સફળતા બદલ ખુશી વ્યક્ત કરતાં યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડો. દેવાંશુ પટેલે જણાવ્યું હતું કે, આ પરિણામ વિદ્યાર્થીઓના સમર્પણ અને સુઆયોજિત મહેનતનું ફળ છે. અમારું લક્ષ્ય હંમેશા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ સંસાધનો અને માર્ગદર્શન પૂરું પાડી તેમને વૈશ્વિક સ્તરે સ્પર્ધા માટે તૈયાર કરવાનું છે.
હિંમતનગરમાં બુધવારે ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શનર ફેડરેશનના આદેશ અનુસાર પેન્શનરોએ જિલ્લા કલેક્ટર લલિત નારાયણસિંહ સાંદુને આવેદનપત્ર સુપરત કર્યું હતું. 25 માર્ચ, 2025ના રોજ લોકસભામાં પસાર કરાયેલા Validation Act 2025ને રદ કરવાની માંગ સાથે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેને 'બ્લેક ડે' તરીકે મનાવવામાં આવ્યો હતો. આ આવેદનપત્ર ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શનર ફેડરેશન, દિલ્હી દ્વારા સમગ્ર દેશમાં જિલ્લા મથકોએ કલેક્ટરને આવેદનપત્ર આપવાના આદેશના ભાગરૂપે આપવામાં આવ્યું હતું. પેન્શનરોએ કાળી પટ્ટી ધારણ કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. આ અંગે સાબરકાંઠા જિલ્લાના ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શનર ફેડરેશન, દિલ્હીના અધિક મહામંત્રી આર.એચ. પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લામાં કુલ 18 હજાર પેન્શનરો છે. જિલ્લાના પેન્શનર હોદ્દેદારો દ્વારા 18 હજાર પેન્શનરો વતી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં 8મા પગારપંચમાં જૂના પેન્શનરોને અન્યાય ન થાય તે માટે ઉક્ત Validation Act રદ કરવાની મુખ્ય માંગ કરવામાં આવી હતી.
અમદાવાદના વેજલપુર સ્થિત ઝાયડસ સ્કૂલ ફોર એક્સેલન્સ ખાતે તાજેતરમાં 24 અને 25 માર્ચના રોજ વાર્ષિક પ્રદર્શન 'ZyShow'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ બે દિવસીય કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ અભ્યાસની સાથે સાથે કેળવેલા વિવિધ જીવન કૌશલ્યો અને તેમની આંતરિક સર્જનાત્મકતાનું સુંદર પ્રદર્શન કર્યું હતું. શાળાના આ પ્રદર્શને સાબિત કરી દીધું કે શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું મર્યાદિત નથી, પરંતુ પ્રાયોગિક જ્ઞાન અને કૌશલ્ય વિકાસ એ આજના સમયની માંગ છે. હસ્તકલા અને આંતરિક સુશોભનમાં વિદ્યાર્થીઓની નિપુણતાપ્રદર્શનમાં મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણ નીડલવર્ક અને ક્રોશેટ-મેક્રેમ ક્લબની કૃતિઓ રહી હતી. વિદ્યાર્થીઓએ પોતાના હાથે બનાવેલા મોજાં, ભરતકામ કરેલા ઓશીકા, ગાદીના કવર, અને પેચવર્ક વોલ હેંગિંગ્સ રજૂ કર્યા હતા. આ ઉપરાંત, ક્રોશેટ વર્ક દ્વારા તૈયાર કરાયેલી કાનની બુટ્ટીઓ, હેર ક્લિપ્સ અને ટેબલ મેટ્સ જોઈને મહેમાનો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આંતરિક સુશોભન વિભાગમાં પોટ આર્ટ અને થ્રેડવર્ક દ્વારા વિદ્યાર્થીઓએ તેમની કલાત્મક દ્રષ્ટિનો પરિચય આપ્યો હતો. લાકડાની બનાવટો અને માટીકામનું અદભૂત પ્રદર્શનશાળાના વિદ્યાર્થીઓએ કાર્પેન્ટ્રી કૌશલ્યનો ઉપયોગ કરીને રોજિંદા જીવનમાં ઉપયોગી એવી ચીજવસ્તુઓ જેવી કે શૂ-રેક, રાઈટિંગ ટેબલ, ફ્રૂટ બાસ્કેટ અને પક્ષીઓ માટેના સુંદર ઘર તૈયાર કર્યા હતા. માટીકામ વિભાગમાં સિરામિક ગ્લેઝિંગ અને માટીના પરંપરાગત વાસણોએ જૂની કળાને જીવંત કરી હતી. આ પ્રદર્શનો દર્શાવે છે કે વિદ્યાર્થીઓ શ્રમનું મૂલ્ય અને રચનાત્મકતા બંને શીખી રહ્યા છે. પર્યાવરણ જાળવણી અને વિજ્ઞાન પ્રત્યે અભિગમબાગકામ વિભાગમાં વિદ્યાર્થીઓએ વિવિધ ઔષધીય છોડ અને મોસમી ફૂલોનું પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને, શાળાના ઓર્ગેનિક કચરામાંથી ખાતર બનાવવાની પ્રક્રિયા અને ખાતરના ખાડા વિશેની માહિતીએ પર્યાવરણ પ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું હતું. સાયન્સ ક્લબમાં વિદ્યાર્થીઓએ વિજ્ઞાનના સિદ્ધાંતો પર આધારિત વર્કિંગ અને નોન-વર્કિંગ મોડેલ્સ રજૂ કરી પોતાની વૈજ્ઞાનિક સૂઝબૂઝનો પરચો આપ્યો હતો. મનોરંજન અને સ્વાદનો સંગમકાર્યક્રમમાં માત્ર પ્રદર્શનો જ નહીં, પરંતુ જીવંત રજૂઆતો પણ કરવામાં આવી હતી. વક્તૃત્વ, નૃત્ય, નાટક અને સંગીત ક્લબના વિદ્યાર્થીઓએ સ્ટેજ પર પોતાની પ્રતિભા દર્શાવી વાતાવરણને ઉત્સાહથી ભરી દીધું હતું. બીજી તરફ, 'નોન-ફાયર કુકિંગ' ક્લબ દ્વારા તૈયાર કરવામાં આવેલી સ્વાદિષ્ટ વાનગીઓએ મુલાકાતીઓના દિલ જીતી લીધા હતા. આ ઉપરાંત આઈટી, ક્વિઝ અને લીડરશીપ ક્લબ દ્વારા ઇન્ટરેક્ટિવ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા. આ સફળ આયોજનમાં મોટી સંખ્યામાં વાલીઓ અને મહેમાનોએ હાજરી આપી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. શાળાના આ નવતર પ્રયોગની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની લાયબ્રેરી દ્વારા તાજેતરમાં વિદ્યાર્થીઓ અને બિન-શૈક્ષણિક સ્ટાફ માટે ગુજરાત સરકારની IT (ઇન્ફોર્મેશન ટેકનોલોજી) અને ITeS (IT ઇનેબલ્ડ સર્વિસીસ) ક્ષેત્રની વિવિધ કલ્યાણકારી યોજનાઓથી માહિતગાર કરવા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત ઈશ્વર પ્રાર્થનાથી થઈ હતી. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડો. કે. સી. પોરીયા, IQAC ડાયરેક્ટર ડો. સંગીતાબેન શર્મા અને અન્ય મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય વક્તા અને નોડલ ઓફિસર કનકબાલા જાનીએ ગુજરાત સરકારની IT નીતિ અને તેના અંતર્ગત મળતી વિવિધ સહાયો અને યોજનાઓ વિશે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તેમણે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ ક્ષેત્રમાં રહેલી કારકિર્દીની તકો અને સરકારી પ્રોત્સાહન વિશે ઊંડાણપૂર્વક સમજ આપી હતી. IQAC ડાયરેક્ટર ડો. સંગીતાબેન શર્માએ શિક્ષણ અને ગુણવત્તાના વિકાસમાં ટેકનોલોજીના મહત્વ પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી કુલપતિ ડો. કે. સી. પોરીયાએ પ્રેરણાદાયી ઉદબોધન આપતા જણાવ્યું હતું કે, બદલાતા સમય સાથે નવી ટેકનોલોજી અપનાવવી અનિવાર્ય છે અને વિદ્યાર્થીઓએ સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવો જોઈએ. કાર્યક્રમના અંતે આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. જયેશકુમાર મોદી દ્વારા વીડિયો પ્રસારણના માધ્યમથી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ શ્રી કનકબાલા જાની દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા અને ઉપયોગી માર્ગદર્શન મેળવ્યું હતું.
છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામમાં રસ્તાના અભાવે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આઝાદીના 78 વર્ષ બાદ પણ ગામમાં પાકા રસ્તા, પાણી, આરોગ્ય અને શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધાઓ પહોંચી નથી. અગાઉ રસ્તાના અભાવે એક પ્રસૂતા મહિલાનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ તંત્ર દ્વારા ગામમાં રસ્તા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી આ જાહેરાત માત્ર કાગળ પર જ રહી છે અને રસ્તા બન્યા નથી. ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે નર્મદા નદી કિનારે આવેલું તુરખેડા ગામ 2000થી વધુ વસ્તી ધરાવે છે. ગામ સુધી પહોંચવાનો રસ્તો અત્યંત ખરાબ હાલતમાં છે, જ્યાં મોટા પથ્થરો હોવાથી વાહનોના ટાયર ફાટી જવાનો ભય રહે છે. ગામમાં પહોંચ્યા પછી પણ આંતરિક રસ્તાઓના અભાવે વાહનોને ગામની બહાર પાર્ક કરીને પગપાળા જવું પડે છે. રસ્તાઓના અભાવને કારણે આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓ પણ ગામ સુધી પહોંચી શકી નથી. ગ્રામજનોના મતે, તંત્રના બે વિભાગના સંકલનના અભાવે ગામ રસ્તાથી વંચિત રહ્યું છે. આથી રોષે ભરાયેલા ગ્રામજનોએ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. ગ્રામજનો રસ્તા માટે લડી લેવાના મૂડમાં છે.
MGVCL એ 24,280 ગ્રાહકો પાસેથી 3.51 કરોડ વસૂલ્યા:બાકી વીજ બિલની વસૂલાત માટે મેગા ડ્રાઈવ યોજાઈ
મધ્ય ગુજરાત વીજ કંપની (MGVCL) દ્વારા બાકી વીજ બિલની વસૂલાત માટે એક મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ અંતર્ગત કુલ 24,280 ગ્રાહકો પાસેથી રૂ. 3 કરોડ 51 લાખ 33 હજારની રકમ વસૂલવામાં આવી છે. ગોધરા વર્તુળ કચેરી હેઠળ MGVCL દ્વારા બાકીદારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ માટે કુલ 1008 ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી હતી, જેમણે વિવિધ વિસ્તારોમાં જઈને સ્થળ પર વસૂલાત કરી હતી. આ ઝુંબેશ માત્ર ગોધરા પૂરતી મર્યાદિત ન રહેતા સમગ્ર વર્તુળ કચેરી હેઠળના વિસ્તારો જેવા કે ગોધરા, હાલોલ, લુણાવાડા અને દાહોદમાં વ્યાપક સ્તરે ચલાવવામાં આવી હતી. આ ચાર મુખ્ય કેન્દ્રોમાં કુલ 44,614 ગ્રાહકો પાસેથી રૂ. 5 કરોડ 99 લાખ 88 હજારની બાકી રકમ વસૂલવાનું આયોજન કરાયું હતું. વીજ કંપની દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારની વસૂલાત ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે. MGVCL એ ગ્રાહકોને સમયસર વીજ બિલ ભરી દેવા માટે અપીલ કરી છે.
પાટણ જિલ્લાના 300થી વધુ હજયાત્રીઓ માટે મદરેસા કંઝે મરગુબ ખાતે વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર વર્ષ 2026ની હજ યાત્રા માટે હતી. આ વર્ષે સુરક્ષાના ભાગરૂપે સરકાર દ્વારા હજયાત્રીઓને સ્માર્ટ વોચ આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય હજ સમિતિ અને હાજી ખિદમત કમિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કેમ્પમાં યાત્રીઓને હજ દરમિયાન રાખવાની તકેદારી અને લોજિસ્ટિક્સ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હનીફ પટેલ અને આરિફ સાહેબ દ્વારા યાત્રીઓને પ્રવાસના વ્યવસ્થાપન અને પવિત્ર યાત્રાની વિધિઓ અંગે વિસ્તૃત તાલીમ અપાઈ હતી. આ સ્માર્ટ વોચ યાત્રા દરમિયાન ભીડમાં કોઈ યાત્રી ગુમ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે આપવામાં આવશે. ટેકનોલોજીની મદદથી હજયાત્રીઓના લોકેશન અને સુરક્ષા પર દેખરેખ રાખી શકાશે. હજયાત્રીઓ એપ્રિલ મહિનાના અંતમાં મક્કાની યાત્રાએ રવાના થશે. હાજી ખિદમત કમિટી પાટણ દ્વારા છેલ્લા 28 વર્ષથી સતત હજયાત્રીઓની સેવા માટે આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
પાટણ અને સિદ્ધપુર શહેરમાં આવતીકાલે રામનવમીના પાવન પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પાટણમાં વિશ્વ હિન્દુ પરિષદ અને શ્રીરામ સેવા સમિતિ દ્વારા આયોજિત 39મી શોભાયાત્રા બપોરે 3 વાગ્યે છીંડિયા રામજી મંદિરથી પ્રસ્થાન કરશે. આ યાત્રામાં અનેક આકર્ષણો જોવા મળશે. આ વર્ષે પાટણની શોભાયાત્રામાં કેટલાક નવા આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે. શોભાયાત્રાનો પ્રારંભ ભગવાન રામની મહાઆરતીથી થશે. પાટણમાં પ્રથમવાર શ્રદ્ધાળુઓ બાહુબલી હનુમાનજીના દર્શન કરી શકશે. અયોધ્યામાં બિરાજમાન રામલલ્લાની આબેહૂબ પ્રતિકૃતિ અને ચાંદીની બનેલી રામલલ્લાની ચરણપાદુકા પણ નગરભ્રમણમાં સામેલ કરાશે. આ ઉપરાંત, અયોધ્યામાં ભગવાન રામે ધારણ કરેલા વસ્ત્રો પણ ભાવિકોના દર્શનાર્થે મૂકવામાં આવશે.સાંસ્કૃતિક અને મનોરંજનના ભાગરૂપે, શોભાયાત્રામાં રાજ કમલ બેન્ડ દ્વારા રામભજનોની પ્રસ્તુતિ કરાશે, જ્યારે પંજાબથી ખાસ પંજાબી બેન્ડને આમંત્રિત કરવામાં આવ્યું છે. શક્તિ પ્રદર્શન માટે દુર્ગાવાહિનીની 500 દીકરીઓ તલવારબાજીના દાવપેચ બતાવશે અને બજરંગદળના યુવકો વિવિધ સાહસિક કરતબો રજૂ કરશે. આ યાત્રામાં કુલ 15 જેટલી વિવિધ ઝાંખીઓ સામેલ થશે.શોભાયાત્રાના માર્ગમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. આ સમગ્ર આયોજન રાત્રે 9 કલાકે રામજી મંદિર પરિસરમાં પૂર્ણ થશે. સમરસતાના ભાવથી તમામ રામભક્તો માટે રાત્રે 9 વાગ્યે રામજી મંદિર પરિસર ખાતે રામખીચડીના પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો ખોરવાશે તેવી અફવાઓએ જોર પકડ્યું છે. પેટ્રોલ પંપો પર લાગતી વાહનોની લાંબી કતારો અને ઇંધણની અનિશ્ચિતતાથી કંટાળેલા સુરતીઓએ હવે કાયમી વિકલ્પ શોધવાનું શરૂ કર્યું છે. આ સ્થિતિનો સીધો ફાયદો ઇલેક્ટ્રિક વ્હીકલ સેક્ટરને મળ્યો છે. અછતની આશંકા વચ્ચે લોકો મોટા પાયે ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે, જેને કારણે શહેરના ઓટોમોબાઈલ માર્કેટમાં નવી તેજી જોવા મળી રહી છે. 5 દિવસમાં 343 વાહનોનું રેકોર્ડબ્રેક વેચાણઆંકડાકીય માહિતી મુજબ, સુરતમાં છેલ્લા માત્ર પાંચ દિવસના ટૂંકા ગાળામાં જ કુલ 343 ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું છે. શોરૂમ સંચાલકોના જણાવ્યા અનુસાર, અગાઉ સામાન્ય દિવસોમાં દરરોજ સરેરાશ 20થી 25 ગ્રાહકો પૂછપરછ માટે આવતા હતા, જે આંકડો છેલ્લા એક સપ્તાહમાં વધીને 45થી 50 સુધી પહોંચી ગયો છે. આમ, ઇલેક્ટ્રિક બાઇક અને સ્કૂટર માટેની ઇન્કવાયરીમાં સીધો 100 ટકાનો ઉછાળો નોંધાયો છે. કોમર્શિયલ સેક્ટરમાં લો-સ્પીડ વાહનોનો દબદબોબજારના ટ્રેન્ડ મુજબ, કુલ વેચાણ અને ઇન્કવાયરીમાં 80 ટકા હિસ્સો 'લો-સ્પીડ' વાહનોનો છે. ખાસ કરીને નાના વેપારીઓ, ડિલિવરી બોયઝ અને સ્થાનિક ફેરીયાઓ દ્વારા કોમર્શિયલ ઉપયોગ માટે આ વાહનોની માગ વધુ કરવામાં આવી રહી છે. હાઈ-સ્પીડ વાહનોની સરખામણીએ લો-સ્પીડ વાહનો સસ્તા હોવા ઉપરાંત તેમાં આરટીઓ રજિસ્ટ્રેશન કે ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર પડતી નથી, જે વ્યવસાયિક ઉપયોગ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે. બોર્ડની પરીક્ષા બાદ વિદ્યાર્થીઓમાં વધતું આકર્ષણબીજી તરફ, શૈક્ષણિક ક્ષેત્રે પણ ઇલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ વધ્યો છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થતા જ વાલીઓ પોતાના સંતાનોને ભેટ તરીકે ઇલેક્ટ્રિક સ્કૂટર અપાવી રહ્યા છે. ખાસ કરીને વિદ્યાર્થિનીઓમાં લો-સ્પીડ બાઇકની ડિમાન્ડમાં મોટો વધારો જોવા મળ્યો છે. પરીક્ષાના ટેન્શન બાદ હવે વેકેશન અને આગામી કોલેજ કાળ માટે સુરક્ષિત અને કરકસરભર્યા વાહન તરીકે EV પહેલી પસંદ બની રહ્યા છે. ખિસ્સાને પરવડે તેવું અને પર્યાવરણને અનુકૂળપેટ્રોલના સતત વધતા ભાવ અને પુરવઠાની અનિશ્ચિતતા વચ્ચે ઇલેક્ટ્રિક વાહન ચલાવવાનો ખર્ચ પ્રતિ કિલોમીટર માત્ર 15થી 20 પૈસા જેટલો આવે છે. સુરતમાં ચાર્જિંગ સ્ટેશનોની વધતી સુવિધા અને ઇકો-ફ્રેન્ડલી અભિગમને કારણે લોકો હવે માનસિક રીતે પેટ્રોલ એન્જિન છોડીને બેટરી સંચાલિત વાહનો અપનાવવા તૈયાર થયા છે. આગામી દિવસોમાં આ ડિમાન્ડ હજુ પણ વધે તેવી પૂરેપૂરી શક્યતા છે. ઈન્કવાયરી ડબલ થઈ ગઈપ્રશાંતભાઈ રાઠોડ (ઓનર શ્રી જલારામ ઇલેક્ટ્રિક ) એ જણાવ્યું હતું કે, અત્યારે જે તાજેતરની પરિસ્થિતિ ઉદભવી છે, જે ઇઝરાયેલ-ઈરાનનું યુદ્ધ છે, એના લીધે એવું છે કે ક્રૂડ ઓઈલના સપ્લાયમાં થોડું મોડું થાય છે. એના લીધે પેટ્રોલ પંપ પર જે અફવાઓને કારણે લાઈનો લાગી રહી છે, તેના લીધે અમારા ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ફીલ્ડમાં ઈન્કવાયરીમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે. સ્ટુડન્ટ સબસિડીન કારણે પણ ડિમાન્ડમાં વધારોકસ્ટમર પણ અત્યારે (ઇલેક્ટ્રિક વ્હીકલ) લેવા માટે વધારે ઈચ્છુક છે. તદુપરાંત, અત્યારે જે વેકેશન ચાલી રહ્યું છે અને ધો-10-12ની પરીક્ષાઓ હમણાં જ પૂર્ણ થઈ છે, તેને ધ્યાનમાં રાખીને સરકાર અત્યારે પ્રોત્સાહન સ્વરૂપે 12,000ની સ્ટુડન્ટ સબસિડી પણ આપી રહી છે. જેના કારણે માગમાં ખૂબ જ ખાસો વધારો જોવા મળી રહ્યો છે.
અમદાવાદ શહેરમાં પત્નીના અન્ય પુરુષો સાથેના આડા સંબંધો અને ઝઘડાથી કંટાળીને એક 42 વર્ષીય શખ્સે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. મૃતકે મરતા પહેલા એક સ્યુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં પત્નીના અન્ય પુરુષો સાથેના શારીરિક સંબંધોથી લઈને અને બાળકોના ભવિષ્ય અંગેની ચિંતા વ્યક્ત કરી અંગત જીવનની વેદના ઠાલવી હતી.સમગ્ર મામલે રાણીપ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ‘તું આ બધા ધંધા છોડી દે આપણા બાળકો છે’મૃતક ચિરિપાલ કંપનીમાં નોકરી કરતા હતા.એક મહિના પહેલા તેમને તેની પત્નીના કેટલાક પર પુરુષ સાથેના આડા શારીરિક સંબંધ હોવાની જાણ થઈ હતી. ત્યાર બાદ તેમણે પત્નીના મોબાઇલની કોલ ડીટેઇલ કઢાવતા પત્નીના ઘણા પુરુષો સાથેના આ સંબંધ હોવાનું જાણવા મળ્યું હતું.મૃતક પતિએ પત્નીને કહ્યું હતું કે તું આ બધા ધંધા છોડી દે આપણા બાળકો છે, સારું જીવન જીવીશું.જેથી તેણીએ પતિ સાથે ઝઘડો કર્યો અને તેના ભાઈઓના ઘરે જતા રહ્યા હતા. પતિને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી21 માર્ચના રોજ પત્ની અને તેમના ભાઈઓના ઘરે બે બાળકોને લઈને જતા રહ્યા હતા અને જતા જતા પતિને ત્રાસ આપવાના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. 22 માર્ચના રોજ મૃતક ચાંદખેડા સ્થિત તેમના ભાઈના ઘરેથી કહ્યા વિના નીકળી ગયા હતા. બાલ્કનીમાંથી જોયું તો બેડરૂમમાં પંખા સાથે લટકેલી હાલતમાં જોવા મળ્યાત્યાર બાદ મૃતકના ભાઈએ તેમના પડોશીને ફોન કરીને મૃતકના ઘરે મોકલ્યા હતા. જો કે મૃતકે ઘરનો દરવાજો પણ ખોલ્યો ન હતો. જેને પગલે તેના ભાઈઓ અને આસપાસના લોકો ઘરે ભેગા થયા હતા. ઘરની ગેલેરીમાંથી જોતા જ મૃતકે બેડરૂમમાં પંખા સાથે કપડાની ચાદરની પટ્ટી બાંધીને ગળે ફાંસો ખાધેલો હતો. ત્યાર બાદ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.જોકે તેનું સ્થળ પર જ મોત હતું. ‘25 લાખ વાપરી નાખ્યા’મૃતકના બેડરૂમમાં સોફા પરથી એક સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે હું આત્મહત્યા કરું છું, કારણકે મારી પત્નીના અનેક લોકો સાથે આડા સંબંધો હતા. જેના મેં તેના મોબાઈલ નંબર પરથી સ્ટેટમેન્ટ કાઢ્યા છે. મેં 25 લાખ વાપરી નાખ્યા તેમ છતાં હું સમાધાન કરીને તેને લઈ આવ્યો હતો, તેમ છતાં તેના ભાઈઓ આવીને લઈ ગયા છે. ‘હું મારા બાળકોને બહુ પ્રેમ કરું છું મને માફ કરજો’હું મારા બાળકોને બહુ પ્રેમ કરું છું. મને માફ કરજો. મારી મમ્મી અને ભાઈએ બહુ સહન કર્યું. મારા કારણે હવે હું બધાની માફી માગું છું. મારા પત્નીના સંબંધો મહેશ દેસાઈ, વિષ્ણુ દેસાઈ, મહેશ ઠાકોર, મહેશ ચૌધરીના દરેકના નંબર કોલ ડીટેઇલમાં અને વોટ્સએપમાં પણ છે. ‘બાળકોની સામે પરપુરુષો સાથે બેડરૂમમાં સહવાસ કરતી’મારી પત્નીએ એક વર્ષ સુધી મારા બાળકોને શાળાએ ના મૂક્યા અને તેમની સામે પરપુરુષો સાથે મારા બેડરૂમમાં સહવાસ કરતી હતી અને બાળકો બહાર હોલમાં ટીવી જોતા રહેતા હતા. તેમ છતાં હું બધું ભૂલી આગળ જિંદગી જીવવા માંગતો હતો. હું મારા પરિવાર સિવાય જિંદગીની કલ્પના કરી શકતો નથી. મારી પત્ની બે વર્ષથી બીજો મોબાઈલ પણ મારાથી સંતાડીને રાખતી હતી. ‘તેના અગણિત લફરા હતા’તેના અગણિત લફરા હતા. જે નંબરની સીડીઆરથી ખબર પડી જશે. હું મરું તો મારા બાળકો નાના ભાઈ અને મારી મમ્મીને સોંપજો, શક્ય હોય તો મારી પત્નીને સજા અપાવજો. મારા દીકરા-દીકરી માફ કરજો પપ્પા હવે નહીં જીવી શકે..અલવિદા. પત્ની સામે આત્મહત્યા માટે દુષ્પપ્રેરણાનો ગુનો દાખલઆ સ્યુસાઇડ નોટના આધારે રાણીપ પોલીસે મૃતકની પત્ની સામે આત્મહત્યા માટે દુષ્પપ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. રાણીપ પોલીસ સ્ટેશનના પીઆઇ કેતન વ્યાસે જણાવ્યું હતું કે સ્યુસાઇડ નોટ FSLમાં મોકલવામાં આવી છે,આરોપીની ધરપકડ કરવા પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરથી ખેડબ્રહ્મા રેલવે લાઇન પર ઇલેક્ટ્રિક લોકોનો સ્પીડ ટ્રાયલ સફળતાપૂર્વક કરવામાં આવ્યો હતો. આ ટ્રાયલ દરમિયાન, ઇલેક્ટ્રિક લોકો 40 મિનિટમાં ખેડબ્રહ્મા પહોંચ્યો હતો અને પરત હિંમતનગર 30 મિનિટમાં આવ્યો હતો. આ રેલવે લાઇનનું ઉદ્ઘાટન 31 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઈ-લોકાર્પણ દ્વારા કરવામાં આવશે. હિંમતનગરથી ખેડબ્રહ્મા સુધીની આ ગેજ પરિવર્તન રેલવે લાઇન પર ખેડબ્રહ્મા-હિંમતનગર-અસારવા મેમુ ટ્રેન સેવા શરૂ કરવાની પ્રાથમિક માહિતી સૂત્રો દ્વારા મળી છે. વડાપ્રધાન 31 માર્ચે વાવથી રેલવે વિભાગના વિવિધ પ્રોજેક્ટ્સનું ઈ-લોકાર્પણ કરવાના છે. બુધવારે સવારે અમદાવાદથી ઇલેક્ટ્રિક લોકો 12.40 વાગ્યે હિંમતનગર રેલવે સ્ટેશને પહોંચ્યો હતો. ત્યારબાદ, અમદાવાદ રેલવેના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (CAO) પ્રદીપ ગુપ્તા અને CPM એસ.આર. પ્રસાદ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ઇલેક્ટ્રિક લોકો ખેડબ્રહ્મા જવા રવાના થયો હતો. હિંમતનગર રેલવે સ્ટેશનથી બપોરે 1 વાગ્યે સ્પીડ ટ્રાયલ શરૂ થયો હતો. ઇલેક્ટ્રિક લોકો 90 કિમી પ્રતિ કલાકની ઝડપે 55 કિમીનું અંતર કાપીને 1.40 વાગ્યે ખેડબ્રહ્મા પહોંચ્યો હતો. ત્યાં 20 મિનિટના રોકાણ બાદ, બપોરે 2 વાગ્યે ખેડબ્રહ્માથી હિંમતનગર તરફ પરત પ્રયાણ કર્યું હતું. 110 કિમી પ્રતિ કલાકની ઝડપે 55 કિમીનું અંતર 30 મિનિટમાં કાપીને, ઇલેક્ટ્રિક લોકો બપોરે 2.30 વાગ્યે હિંમતનગર રેલવે સ્ટેશને પરત ફર્યો હતો.
આણંદમાં રહેતી યુવતીએ પરિવાર કેનેડાના PR વિઝા માટે વિઝા કન્સલ્ટીમાં ટુકડે-ટુકડે 40.85 લાખ રૂપિયા આપ્યા હતા.યુવતીને PR વિઝાની જગ્યાએ વર્ક પરમિટ વિઝા આપવામાં આવ્યા હતા. યુવતી પાસેથી પૈસા લઈને ઇમિગ્રેશન પ્રોફાઈલ બરબાદ કરી દેવાની ધમકી આપી હતી જે અંગે એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સો.મીડિયા મારફતે PR વિઝા માટે કન્સલટન્સીનો સંપર્ક કર્યો હતોઆણંદમાં રહેતી નેહા સિંધી નામની 36 વર્ષની યુવતીએ પતિ અને દીકરાના કેનેડા PR વિઝા માટે પરિમલ ગાર્ડન પાસે આવેલી વિઝા એક્સેપ્ટ નામની કન્સલ્ટન્સીના માલિક કવિશ કપૂરનો સોશિયલ મીડિયા મારફતે સંપર્ક કર્યો હતો. જે બાદ નેહા અમદાવાદ ખાતે મળવા પણ આવી હતી.કેનેડા PR વિઝા માટે 6થી 8 મહિનાનો સમય અને 42 લાખ રૂપિયાનો ખર્ચ થશે એવી વાતચીત થઈ હતી. કવિશે નેહા પાસેથી શરૂઆતમાં 4. 50 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. PRની પ્રોસેસ આવી જ હોય છે, ચિંતા ન કરોજે બાદ અલગ-અલગ પ્રોસેસના ખર્ચ પેટે લાખો રૂપિયા પડાવ્યા હતા. નેહાએ બેંક અને આંગડિયા મારફતે કુલ 40.85 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા.પૈસા જમવા કરાવ્યા તે બાદ નેહાને ત્રણ વર્ષના વર્ક પરમિટ વિઝા આપ્યા હતા. જેથી, નેહાએ કવિશ કપૂરને કહ્યું કે, આપણે PR માટે વાત થઈ હતી ત્યારે કવિશ કપૂરે કહ્યું કે PRની પ્રોસેસ આવી જ હોય છે, ચિંતા ન કરો. વધારે બોલશો તો તમારા પુરા પરિવારની ઇમિગ્રેશન પ્રોફાઈલ બરબાદ કરી નાખીશનેહાએ લાંબા સમય સુધી રાહ જોઈ પરંતુ કવિશે PRવિઝા અપાવ્યા નહોતા.જ્યારે નેહાએ પૈસા પરત માંગ્યા ત્યારે કવિશે કહ્યું કે વધારે બોલશો તો તમારા પુરા પરિવારની ઇમિગ્રેશન પ્રોફાઈલ બરબાદ કરી નાખીશ.લાખો રૂપિયા લઈને પીઆર વિઝાની જગ્યાએ વર્ક વિઝા આપતા નેહાએ કવિશ કપૂર સામે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
સુરત શહેરનાં ખજોદ ખાતે આવેલ ડમ્પિંગ સાઈટમાં ગતરોજ લાગેલી આગ પર કાબૂ મેળવવાનાં ફાયર વિભાગનાં હરસંભવ પ્રયાસો નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. ગઈકાલ બપોરથી આજે સુધી ફાયર વિભાગનાં જવાનોનાં ભારે પ્રયાસો વચ્ચે હજી પણ આગની જવાળાઓ અને ધુમાડાનાં ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળી રહ્યા છે. સફાઈ કૌભાંડનાં પાપે જવાબદારોને છાવરવા માટે આગ લગાવવામાં આવી હોવાની ચર્ચાઓ વચ્ચે હવે ખુદ ફાયર વિભાગ માટે પણ આ વિકરાળ આગ પર કાબુ મેળવવા માટે લોઢાનાં ચણાં ચાવવા જેવી સ્થિતિ સર્જાવા પામી છે. સેંકડો લિટર પાણીનો છંટકાવ કરવા છતાં ડમ્પીંગ સાઈટમાં જાણે દાવાનળ ફાટી નીકળ્યો હોય તેમ આગ પર કાબુ મેળવવામાં હજી સુધી ફાયર વિભાગને ધરાર નિષ્ફળતા સાંપડી રહી છે. કચરા કૌભાંડના કારણે સુરત મહાનગર પાલિકાની આબરૂનું પણ ધોવાણ થયું હતું સુરત મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશભરમાં પ્રથમ ક્રમાંક મેળવ્યા બાદ ખજોદ ડમ્પીંગ સાઈટ પરથી કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાને બદલે બારોબાર અંતરિયાળ વિસ્તારોમાં આવેલ ખેતરોમાં કચરાનો નાશ કરવાનાં પ્રકરણને પગલે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. કચરા કૌભાંડના કારણે સુરત મહાનગર પાલિકાની આબરૂનું પણ ધોવાણ થયું હતું અને જે તે સમયે ઈજારદાર સીડી ટ્રાન્સપોર્ટ કંપની વિરૂદ્ધ દંડાત્મક કાર્યવાહીની સાથે સાથે જવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી રૂપે બદલી પણ કરવામાં આવી હતી. જ કે, આ સમગ્ર પ્રકરણમાં તપાસ સમિતિ પણ રચવામાં આવી હતી અને હજી સુધી તપાસ સમિતિની ગોકળગાય તપાસ વચ્ચે માત્ર 52 દિવસમાં જ ડમ્પીંગ સાઈટમાં વધુ એક વખત આગ ફાટી નીકળતાં તરેહ તરેહની ચર્ચાએ જોર પકડ્યું છે. ફાયર વિભાગની ટીમ દ્વારા આગને અંકુશમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા ખાસ કરીને ડમ્પીંગ સાઈટ પર મોટા પ્રમાણમાં એકઠાં થયેલા કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાને બદલે છાશવારે આગ લગાડવામાં આવી રહી હોવાનાં આક્ષેપો પણ ઉઠવા પામ્યા છે. ગઈકાલે બપોરનાં સુમારે ડમ્પીંગ સાઈટ પર એક કિલોમીટર જેટલા વિસ્તારમાં ફેલાયેલી આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગ દ્વારા રીતસરનાં હવાતિયાં મારવામાં આવ્યા હતા. દુર -દુર સુધી આગનાં ગોટેગોટા દેખાતાં શહેરીજનોમાં પણ એક તબક્કે ગભરાટની લાગણી જોવા મળી હતી. જોકે, આખો દિવસ આગ પર કાબુ મેળવવાનાં પ્રયાસો બાદ રાત્રે પણ ફાયર વિભાગની ટીમ દ્વારા આગને અંકુશમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. અલબત્ત, વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચુકેલી આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગનાં હરસંભવ પ્રયાસો વામણાં પુરવાર થઈ રહ્યા છે અને હજી પણ ડમ્પીંગ સાઈટ પરથી વિકરાળ આગનાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે. 52 દિવસમાં જ બીજીવાર આગની ઘટનાએ આક્ષેપોનો દૌર શરુ કર્યોબે મહિના પહેલાં ખજોદ ખાતે આવેલ ડિસ્પોઝલ સાઈટ પરથી સાયન્ટીફિક રીતે કચરાનો નિકાલ કરવાને બદલે કોન્ટ્રાક્ટર સીડી ટ્રાન્સપોર્ટ દ્વારા મહુવા તાલુકાનાં કાંકરિયા ગામે અંદાજે 5 હજાર મેટ્રિક ટન કચરો ઠાલવી દેવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે સુરત મહાનગર પાલિકામાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા. તત્કાલીન કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા જવાબદાર એજન્સી વિરૂદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવાની સાથે-સાથે અધિકારીઓનાં પણ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. બીજી તરફ વિરોધ પક્ષ દ્વારા પણ આ ઘટનામાં પાલિકાનાં વહીવટી તંત્ર અને શાસકોની ભુંડી ભૂમિકા હોવાનાં આક્ષેપો વચ્ચે તપાસ સમિતિની નિમણૂંક કરવામાં આવી હતી. જો કે, બે મહિના બાદ પણ મંથરગતિએ ચાલી રહેલી તપાસને પગલે હવે જવાબદારોને બચાવી લેવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યાની ચર્ચાઓ ઉઠવા પામી છે. માત્ર 52 દિવસમાં જ ખજોદ ડમ્પીંગ સાઈટ ખાતે બીજી વખત ભીષણ આગની ઘટનાને પગલે વધુ એક વખત આક્ષેપોનો દૌર શરૂ થઈ ગયો છે.
શહેરમાં દિન પ્રતિદિન ખાણીપીણીની ચીજ વસ્તુઓમાંથી જીવાતો અથવા અન્ય કોઇ વસ્તુ નીકળવાની ઘટના સામે આવતી રહે છે, ત્યારે શહેરના સીજી રોડ ઉપર આવેલી BEEKEY BEKARS નામની બેકરીની નાનખટાઈમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. ગ્રાહક દ્વારા છૂટક ખરીદેલી નાનખટાઈમાંથી જીવાતો નીકળી હતી. ગ્રાહકના મિત્રએ નાનખટાઈ ખાઈ લીધી હતી જેને કારણે તેને ઉલટીઓ પણ થઈ હતી. ખરીદી કરવામાં આવેલી તમામ નાનખટાઈ ફેંકી દેવી પડી હતી. ગ્રાહક દ્વારા ફૂડ વિભાગ અને AMCના ફૂડ વિભાગમાં ઈમેલ મારફતે ફરિયાદ કરવામાં આવી હતી. બેકરીમાંથી નાનખટાઈ, ટોસ્ટ અને નટ બિસ્કીટ ખરીદ્યાગાંધીનગર વિસ્તારમાં રહેતા મૌલિક પ્રજાપતિએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા નવરંગપુરા વિસ્તારમાં આવેલા સીજી રોડ પરની BEEKEY BEKARS નામની બેકરીમાંથી નાનખટાઈ, ટોસ્ટ અને નટ બિસ્કીટ ખરીદ્યા હતા. તમામ ચીજ વસ્તુઓ ઘરે લાવ્યા બાદ તેમાં નાનખટાઈ છૂટક હતી, જેને પેકિંગ કરી બેકરી તરફથી આપવામાં આવી હતી. પેકેટ ખોલતા જ નાનખટાઈમાં જીવાત નીકળીજ્યારે ઘરે લાવી અમે પેકેટ ખોલીને જોયું ત્યારે નાનખટાઈમાં જીવાત નીકળી હતી. કેટલીક જીવિત અને કેટલીક મૃત હાલતમાં જીવાતો નીકળી હતી. જેથી તેનો ફોટો અને વીડિયો લીધો હતો. ખરીદવામાં આવેલી ચીજ વસ્તુઓમાંથી જીવાત નીકળી હતી, જેને પગલે પગલે બીજા દિવસે તેને ફેંકી દીધી હતી. મિત્રએ નાનખટાઈ ખાતા જ ઉલટીઓ થઈવધુમાં તેમણે જણાવ્યું હતું કે, નાનખટાઈમાંથી જીવાત નીકળી હતી. જે તેમની નાની દીકરીએ જોઈ હતી અને થોડી ખાઈ પણ લીધી હતી. જ્યારે તેમના મિત્રએ પણ આજ નાનખટાઈ ખરીદી હતી. તે ત્રણ નાનખટાઈ ખાઈ ગયો હતો. જેના કારણે તેને ઉલટીઓ પણ થઈ હતી. જેથી તાત્કાલિક ધોરણે તેમણે તમામ નાનખટાઈ ફેંકી દીધી હતી. અમે ફૂડ વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની હેલ્પલાઈનમાં જે ઇમેલ આઇડી આવેલું છે તેમાં ફરિયાદ કરી છે.
અમરાઈવાડી વિસ્તારમાં રિક્ષા પાર્કિંગ કરવા બાબતે એક યુવક સાથે બોલાચાલી અને મારામારીની ઘટના બની હતી. ત્રણ યુવકોએ ભેગા મળીને માર માર્યો તો જે મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી છે. અમરાઈવાડીમાં લુખ્ખા તત્વોએ બેફામ બની અને મારામારી કરી હોવાનો વીડિયો વાયરલ થયો હતો, જે બાદ પોલીસે સ્પષ્ટતા કરી અને રિક્ષા પાર્કિંગ બાબતે ઝઘડો થયો હતો અને અગાઉ પણ આ જ રીતે બનાવ બન્યો હતો. સમગ્ર મારામારીના CCTV અને વીડિયો વાયરલ થયા બાદ ગુનો નોંધી કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું છે. મારામારીનો વીડિયો સો.મીડિયામાં પણ વાયરલ થયો હતોમળતી માહિતી મુજબ અમરાઈવાડી નીતિ નગર પાસે મંઝિલ ચાલીમાં યુવક પર તલવાર અને લોખંડના પાઇપ વડે હુમલો કરાયો હોવાનો વીડિયો વાયરલ થયો હતો જેને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. સોનવીર બગેલ નામના યુવક પર હુમલો કરાયો હતો સોનવીર રિક્ષામાં બેઠો હતો ત્યારે આશિષ અને તેના અન્ય બે મિત્રોએ લોખંડના પાઇપ અને તલવાર વડે હુમલો કર્યો હતો. સોનવીરને ગંભીક ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મારામારીની ઘટના CCTVમાં પણ કેદ થઈ ગઈ હતી. મારામારીના આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરવામાં આવ્યા હતા. પોલીસે એક આરોપીની ધરપકડ કરીઅમરાઈવાડી પોલીસ સ્ટેશનના પી આઇ આર બી ચાવડાએ જણાવ્યું હતું કે, યુવક પર હુમલો કરવાનો જે વીડિયો વાયરલ થયો હતો. તેમાં સોનવીર નામના વ્યક્તિ પર આશિષ અને તેના બે મિત્રો દ્વારા હુમલો કરાયો હતો. રિક્ષા પાર્કિંગ કરવા બાબતે હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે અગાઉ પણ આ જ બાબતે બોલાચાલી થઈ હતી પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર નર્મદા નદી પર બનેલો 2.22 કિલોમીટર લાંબો 8-લેન 'એક્સ્ટ્રાડોઝ્ડ' બ્રિજ કાર્યરત થઈ ગયો છે. આ બ્રિજ શરૂ થવાથી દિલ્હી અને મુંબઈ વચ્ચેના મુસાફરી સમયમાં આશરે 10 થી 12 કલાકનો નોંધપાત્ર ઘટાડો થયો છે. આ અંગે એન.એચ.એ.આઈ.ના અધિકારીઓએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી. આ બ્રિજ ભારતનો પ્રથમ 8-લેન 'એક્સ્ટ્રાડોઝ્ડ' રિવર બ્રિજ છે, જે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-મનુબર સેક્શનમાં આવેલો છે. આધુનિક ઇજનેરી કૌશલ્ય અને અદ્યતન ટેક્નોલોજીથી નિર્મિત આ બ્રિજ દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. નર્મદા નદીના જળપ્રવાહ અને દરિયાઈ ભરતી-ઓટ જેવા પડકારો વચ્ચે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વિસ્તાર સિસ્મિક ઝોનમાં આવતો હોવા છતાં, ઇજનેરોએ 60 મીટરથી વધુ ઊંડા પાઈલ ફાઉન્ડેશન દ્વારા મજબૂત માળખું ઊભું કર્યું છે. નિર્માણ દરમિયાન બે વખત આવેલા પૂરથી કામચલાઉ માળખાને નુકસાન પહોંચ્યું હોવા છતાં, કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. બ્રિજના નિર્માણમાં આશરે 32,000 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ થયો છે, જે વિશ્વપ્રસિદ્ધ 'બ્રુકલિન બ્રિજ' કરતાં અંદાજે 2.5 ગણો વધુ છે. પાયલોન અને પાઈલ્સની ઊંચાઈ આશરે 29 માળની ઇમારત જેટલી છે. જર્મનીથી 700 મેટ્રિક ટનના વિશેષ 'સ્ટે કેબલ્સ' મંગાવવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટમાં 200 કરોડ રૂપિયાની આધુનિક મશીનરી તથા 150 ટન ક્ષમતા ધરાવતા 8 ગોલિયાથ ક્રેન્સની મદદથી 1,238 પ્રીકાસ્ટ સેગમેન્ટ્સ ગોઠવવામાં આવ્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના નિષ્ણાતોના મત અનુસાર, આ બ્રિજ આધુનિક ભારતની ઇજનેરી ક્ષમતા અને સંકલ્પશક્તિનું પ્રતિબિંબ છે. આ બ્રિજ ભરૂચ અને અંકલેશ્વર જેવા મહત્વપૂર્ણ ઔદ્યોગિક વિસ્તારો માટે ગેમ-ચેન્જર સાબિત થશે. દિલ્હી, વડોદરા, સુરત અને મુંબઈ વચ્ચે માલસામાનની ઝડપી હેરફેર થવાથી સમગ્ર કોરિડોરમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળશે અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વૃદ્ધિ થશે.
હિંમતનગર પાલિકાએ 27થી વધુ દબાણ હટાવ્યા:જે.પી. મોલથી પૂર્ણિમા રોડ પર કાર્યવાહી, બ્લોક લગાવાશે
હિંમતનગર નગરપાલિકાના દબાણ વિભાગે જે.પી. મોલથી પૂર્ણિમા રોડ પર દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી છે. બુધવારે આ કાર્યવાહી દરમિયાન 27થી વધુ પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ રોડ પર ઓટલા અને પગથિયાં જેવા 70થી વધુ પાકા દબાણો હોવાનું જાણવા મળ્યું છે. પાલિકા દ્વારા રોડની બંને તરફના દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે. હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, પૂર્ણિમાથી જે.પી. મોલ રોડ પર બંને તરફના દબાણો હટાવવામાં આવી રહ્યા છે. દબાણો દૂર થયા બાદ આ વિસ્તારમાં બ્લોક લગાવવાની કામગીરી પણ હાથ ધરાશે.
સુરત શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુ રાયકાના પુત્ર અને હાલના શહેર ઉપપ્રમુખ ઋષિન રાયકા વિરુદ્ધ કોંગ્રેસના જ કાર્યકર્તા દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમાં 1.95 કરોડની વ્યાજખોરી અને બળજબરીપૂર્વક મિલકત લખાવી લેવાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. શેરબજારના વેપારી દીપ નાયકે નોંધાવેલી આ ફરિયાદમાં આરોપ છે કે, રાયકાએ લાયસન્સ વગર વ્યાજનો ધંધો કરી વેપારીને પાયમાલ કરી દીધો છે. ઋષિન રાયકાએ મદદ કરવાને બદલે ઊંચા વ્યાજે નાણાં ધીરવાનું શરૂ કર્યુંફરિયાદી દીપ સુરેશભાઈ નાયક પોતે પણ 2023માં સુરત શહેર કોંગ્રેસ સમિતિમાં કાર્યકારી પ્રમુખ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. આરોપી ઋષિન રાયકા પણ શહેર ઉપપ્રમુખ હતા. બંને વચ્ચેના પક્ષીય અને મિત્રતાના સંબંધોનો લાભ ઉઠાવી, જ્યારે વેપારી આર્થિક સંકડામણમાં હતા, ત્યારે ઋષિન રાયકાએ મદદ કરવાને બદલે ઊંચા વ્યાજે નાણાં ધીરવાનું શરૂ કર્યું હતું. આ મામલો હવે પોલીસ ચોપડે ચઢતા કોંગ્રેસ છાવણીમાં સોંપો પડી ગયો છે. 1.05 કરોડ સામે 1.27 કરોડ ચૂકવ્યા છતાં વધુ 1.95 કરોડની માંગણીફરિયાદ મુજબ, સપ્ટેમ્બર 2018થી માર્ચ 2019 દરમિયાન વેપારીને જમીન પરના રિઝર્વેશનના કારણે નાણાંની જરૂર પડી હતી. ઋષિન રાયકાએ લાયસન્સ વગર ટુકડે-ટુકડે કુલ 1,05,00,000 (એક કરોડ પાંચ લાખ) 6%ના માસિક વ્યાજે આપ્યા હતા. વેપારીએ આજદિન સુધી વ્યાજ અને મૂડી પેટે કુલ 1,27,00,000 ચૂકવી દીધા હોવા છતાં, રાયકા હજુ પણ 1,95,63,000 બાકી હોવાનું જણાવી ધાક-ધમકી આપી રહ્યા છે. મનપાની ચૂંટણી પહેલા જ રાયકા પરિવારની મુશ્કેલી વધીસુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે જ આ ફરિયાદ નોંધાતા રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. ઋષિન રાયકા અગાઉ મનપાની ચૂંટણી લડી ચૂક્યા છે અને રાયકા પરિવાર સુરત કોંગ્રેસમાં મોટું કદ ધરાવે છે. ચૂંટણી ટાણે જ વ્યાજખોરીના ગંભીર આક્ષેપોને કારણે વિરોધ પક્ષોને પણ બેઠું ભાથું મળી ગયું છે, જેની અસર આગામી દિવસોમાં કોંગ્રેસના પ્રચાર પર પડી શકે છે. જમીનનું રિઝર્વેશન હટાવવાના નામે 40 લાખની છેતરપિંડીનો આક્ષેપફરિયાદી દીપ નાયકની ડિંડોલી-કરાડવા ખાતેની જમીન સરકારી રિઝર્વેશનમાં હતી. આરોપીએ એવી ઓળખાણ આપી હતી કે તેની સરકારી ખાતામાં ખૂબ જ સારી પહોંચ છે અને તે રિઝર્વેશન દૂર કરાવી દેશે. આ કામ માટે રાયકાએ વેપારી પાસેથી 40 લાખ પડાવી લીધા હતા. બાદમાં જાણવા મળ્યું હતું કે, રિઝર્વેશન તો સરકારી નિયમ મુજબ (GR) હટ્યું હતું, પરંતુ રાયકાએ પોતાની વગ બતાવી ખોટી રીતે આ રકમ પચાવી પાડી હોવાનો FIRમાં ઉલ્લેખ છે. કોરા ચેક મેળવી કોર્ટ કેસોની ધમકી આપી હોવાનો ઘટસ્ફોટનાણાં ધીરતી વખતે સિક્યોરિટીના નામે ઋષિન રાયકાએ દીપ નાયક પાસેથી 6 કોરા ચેક અને તેમની પત્ની તૃપ્તિબેનના નામે 1 કોરો ચેક મેળવી લીધો હતો. આ ચેકોમાં મનઘડત રકમો ભરીને રાયકાએ ચેક રિટર્ન કરાવ્યા હોવાનો આક્ષેપ છે. પત્નીના ચેક પર 15 લાખ અને વેપારીના ચેકો પર 1.80 કરોડની રકમ ભરીને નામદાર કોર્ટમાં કેસો દાખલ કરી માનસિક અને આર્થિક દબાણ ઊભું કરવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. બજાર કિંમત કરતા સસ્તામાં ફ્લેટ પચાવી પાડવાનો પ્રયાસફરિયાદમાં એવો પણ ચોંકાવનારો આક્ષેપ છે કે, જાન્યુઆરી-2023માં ઋષિન રાયકાએ દબાણ કરીને સુંદરમ એપાર્ટમેન્ટમાં આવેલા એક ફ્લેટની કબજા રસીદ માત્ર 8 લાખમાં લખાવી લીધી હતી. આ મિલકતની સરકારી જંત્રી મુજબની કિંમત 35 લાખ અને બજાર કિંમત 90 લાખથી પણ વધુ છે. વેપારીને ડરાવી-ધમકાવીને બળજબરીપૂર્વક આ સોદો કરાવી લેવાયો હોવાનું બહાર આવ્યું છે. વ્યાજખોરીના વિષચક્રમાં વેપારીનો પરિવાર હોમાયોફરિયાદી દીપ નાયક છેલ્લા એક વર્ષથી ભાડાના મકાનમાં રહેવા મજબૂર બન્યા છે. તેમની પત્ની ટ્યુશન ક્લાસ ચલાવે છે અને વૃદ્ધ માતા તેમજ 12 વર્ષની પુત્રીના ભરણપોષણની જવાબદારી તેમની પર છે. એક સમયે ગેસ એજન્સી અને ટ્રાન્સપોર્ટનો મોટો ધંધો ધરાવતો પરિવાર ઋષિન રાયકાના વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાઈને આર્થિક રીતે પાયમાલ થઈ ગયો હોવાની વ્યથા ફરિયાદમાં ઠાલવવામાં આવી છે. પોલીસ સ્ટેશનોમાં ખોટી અરજીઓ કરી હેરાનગતિનો આક્ષેપઆરોપી ઋષિન રાયકા પોતે રાજકીય વગ ધરાવતા હોવાથી, તેમણે વેપારીને વ્યાજના નાણાં વસૂલવા માટે અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં અરજીઓ કરીને હેરાન કર્યા હોવાનો પણ દાવો કરાયો છે. વેપારીને ખોટા કેસોમાં ફસાવી દેવાની અને જેલ ભેગા કરવાની ધમકીઓ આપી સતત ટોર્ચર કરવામાં આવતા હોવાથી અંતે તેમણે ઉમરા પોલીસના શરણે જવાનું નક્કી કર્યું હતું. ઉમરા પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યોવેપારીની ફરિયાદના આધારે ઉમરા પોલીસે ઋષિન બાબુભાઈ રાયકા વિરુદ્ધ ગુજરાત નાણાંની ધીરધાર કરનારાઓ બાબતનો અધિનિયમ (સેક્શન 33) અને બળજબરીપૂર્વક નાણાં કઢાવવા જેવી વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ પોલીસ આ મામલે પુરાવા એકત્ર કરી રહી છે અને રાયકાની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે.
રાજકોટની ધર્મપ્રેમી જનતા માટે આગામી દિવસો ભક્તિ અને આધ્યાત્મિકતાના પર્વ સમાન બની રહેશે. રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ પૂજ્ય સ્વામી સુહિતાનંદજી મહારાજ રાજકોટની મુલાકાતે પધારી રહ્યા છે. તેમની આ મુલાકાતને લઈને આશ્રમ પરિવાર અને હરિભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્વામીજીનું આગમન અને કાર્યક્રમની રૂપરેખાસ્વામી સુહિતાનંદજી મહારાજ ગુરુવાર, તા. 26 માર્ચના રોજ રાજકોટના આંગણે પધારશે. તેમના રોકાણ દરમિયાન વિવિધ સેવાકીય અને આધ્યાત્મિક પ્રકલ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. મહારાજશ્રીના સાનિધ્યમાં આયોજિત આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતા છે. રામનવમીના પવિત્ર દિવસે ‘સેવક ભવન’નું લોકાર્પણતા. 27 માર્ચના રોજ જ્યારે સમગ્ર દેશ રામનવમીની ઉજવણી કરતો હશે, ત્યારે રાજકોટ રામકૃષ્ણ આશ્રમ ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાશે. સવારે 10:30 વાગ્યે પૂજ્ય સ્વામીજીના હસ્તે આશ્રમ પરિસરમાં જ નવનિર્મિત ‘સ્વામી અખંડાનંદ સેવક ભવન’નું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ભવન આશ્રમના કર્મચારીઓના નિવાસ માટે તૈયાર કરવામાં આવ્યું છે, જે મહારાજશ્રીની હાજરીમાં લોકાર્પિત થશે. આશીર્વચન અને વિદાયતા. 28 માર્ચના રોજ સાંજે 7:30 વાગ્યે આશ્રમના ‘વિવેક હૉલ’માં એક વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પૂજ્ય સ્વામી સુહિતાનંદજી મહારાજ ઉપસ્થિત જનમેદનીને પોતાના પાવન આશીર્વચન અને માર્ગદર્શન પાઠવશે. આશ્રમ પરિવાર દ્વારા શહેરની જનતાને આ સભાનો લાભ લેવા ભાવભીનું આમંત્રણ અપાયું છે. પોતાની ત્રણ દિવસીય મુલાકાત પૂર્ણ કરી મહારાજ રવિવાર, તા. 29 માર્ચના રોજ સવારે રાજકોટથી પ્રસ્થાન કરશે.
NDPSના આરોપીને 3 વર્ષની કેદ:બાપુનગરમાં આરોપી પાસેથી 96 હજારનું MD ડ્રગ્સ મળ્યું
અમદાવાદના DCB પોલીસ મથકે અમદાવાદના રહેવાસી 22 વર્ષે આરોપી મોહમ્મદ આઝમ સામે NDPS એક્ટ અંતર્ગત ગુન્હો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી NDPSની વિશેષ અદાલતમાં ચાલી જતા કોર્ટે સરકારી વકીલ દિલીપસિંહ.એમ.ઠાકોરની દલીલો, સાહેદો અને પુરાવા તપાસીને આરોપીને 3 વર્ષની કેદ કરી છે. MD ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની બાતમી પોલીસને મળી હતીકેસને વિગતે જોતા આરોપી મોહમ્મદ આઝમ બાપુનગરમાં અજિતમીલ પાસે લાઈટના થાંભલા નીચે ઉભો રહીને MD ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસે બાતમી સ્થળે જઈને આરોપીને ઝડપી પાડ્યો હતો. કોર્ટના જજ વી.બી.રાજપૂતે 3 વર્ષની કેદ ઉપરાંત 1 લાખનો દંડ કર્યોઆરોપીની તપાસ કરતા તેને ખિસ્સામાંથી એક પારદર્શક પ્લાસ્ટિકની થેલીમાં 9.69 ગ્રામ જેટલું MD ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની બજારકિંમત 96 હજાર રૂપિયા જેટલી થતી હતી. આરોપીને વિશેષ NDPS કોર્ટના જજ વી.બી.રાજપૂતે 3 વર્ષની કેદ ઉપરાંત 1 લાખ રૂપિયાનો દંડ કર્યો છે.
કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં પસાર કરવામાં આવેલા 'વેલિડેશન એક્ટ 2025' ના વિરોધમાં સમગ્ર દેશમાં પેન્શનરોમાં રોષ જોવા મળી રહ્યો છે, આ કાયદાને પેન્શનરોના હકો પર તરાપ સમાન ગણાવ્યો હતો જેના ભાગરૂપે આજરોજ ભાવનગર જિલ્લા પેન્શનર સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઓલ ઈન્ડિયા સ્ટેટ પેન્શનર ફેડરેશન અને ગુજરાત પેન્શનર સમાજના આદેશ અનુસાર ભાવનગરના પેન્શનરોએ કલેક્ટર કચેરી ખાતે કાળી પટ્ટી ધારણ કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો, તેમજ ભાવનગર જિલ્લા કલેક્ટર મારફત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં આ કાયદાને તત્કાલ અસરથી પરત ખેંચવાની માંગ કરવામાં આવી છે, પેન્શનર સમાજ મુજબ આ કાયદો પેન્શનરો વચ્ચે ભેદભાવ ઉભો કરે છે, 7માં પગાર પંચની ભલામણો મુજબ તમામ પેન્શનરોને સમાન ગણવાને બદલે, નિવૃત્તિની તારીખના આધારે વર્ગીકરણ કરવું એ સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક 'નાકરા જજમેન્ટ' નું ઉલ્લંઘન છે, આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર પેન્શન એ કોઈ લ્હાણી નથી પણ સામાજિક સુરક્ષાનું પગલું છે વધતી જતી મોંઘવારીમાં જૂના પેન્શનરોને મળવાપાત્ર લાભો છીનવી લેવાથી તેમની આર્થિક સ્થિતિ વધુ કફોડી બનશે. પેન્શનર સમાજ ભાવનગર ના દિલીપ બારૈયાએ જણાવ્યું હતું કે, અમે લોકો આજે પેન્શનર સમાજ ભાવનગર વતી આજે કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. આ આવેદન પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને કરેલ છે જે આગળ ઉપર આઠમું પગાર પંચ નિયત થવા જઈ રહ્યું છે, તેમાં પેન્શનર સમાજ બાકાત ન રહી જાય, વંચિત ન રહી જાય તેની ખાસ પ્રકારની રજૂઆત આમાં કરવામાં આવેલ છે અને વેલીડેશન એક્ટ જે છે એ અમને નુકસાનકર્તા છે તે દૂર થવો જોઈએ એની ખાસ અમારી આ બાબતે માંગણી છે, ભાવનગર જિલ્લા પેન્શનર સમાજના પ્રમુખ અને મહામંત્રી અમુભાઈ પાઠકે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે, જો સરકાર આ 'કાળા કાયદા' ને પરત નહીં ખેંચે તો આગામી સમયમાં આંદોલનને વધુ તેજ બનાવવામાં આવશે, આજે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પેન્શનરો જોડાયા હતા અને સૂત્રોચ્ચાર દ્વારા પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.
દ્વારકા શહેરમાં ગેરકાયદેસર રીતે ઘરગથ્થુ ગેસ સિલિન્ડરનું રિફિલિંગ કરતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી કુલ ₹3,48,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં મોટી સંખ્યામાં ગેસ સિલિન્ડર અને રિફિલિંગના સાધનોનો સમાવેશ થાય છે. નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ, પી.આઈ. એ. એલ. બારસિયા અને સ્થાનિક પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. પી.એસ.આઈ. એન. એસ. ગોહિલ અને તેમની ટીમે રૂપેણબંદર વિસ્તારમાં શંકાસ્પદ ગતિવિધિ જોઈ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, ત્રણ શખ્સો જાહેરમાં કોઈપણ સલામતીના સાધનો વગર ભરેલા સિલિન્ડરમાંથી ખાલી સિલિન્ડરમાં ગેસ ભરવાનું જોખમી કામ કરતા રંગેહાથ ઝડપાયા હતા. પકડાયેલા આરોપીઓમાં રૂપેણબંદરના સહાદતહુસેન અલ્તાફહુસેન મલિક (ઉં.વ. 35), મોહમ્મદ મોહીનુદ્દીન રહીમ શેખ (ઉં.વ. 19) અને નજીર રહીમ શેખ (ઉં.વ. 21) નો સમાવેશ થાય છે. સહાદતહુસેન મલિક 'મલિક ગેસ એજન્સી' નામે ગેસ એજન્સી અને ગેસ ચુલા રિપેરિંગનું કામ કરે છે, જ્યારે અન્ય બે તેની એજન્સીમાં કામ કરે છે. આરોપીઓ દ્વારા જાહેર સ્થળે બેદરકારીપૂર્વક ગેસ સિલિન્ડરનું રિફિલિંગ કરાતું હોવાથી આગ લાગવા અથવા વિસ્ફોટ જેવી ગંભીર ઘટના સર્જાવાની શક્યતા હતી, જેનાથી આસપાસના લોકોના જાનમાલને પણ જોખમ ઊભું થતું હતું. પોલીસે સ્થળ પરથી જુદી જુદી કંપનીના કુલ 202 ખાલી અને ભરેલા ગેસ સિલિન્ડર, ચાર ઇલેક્ટ્રિક મોટર, વાયર, પાઇપ, રેગ્યુલેટર અને વજન કાંટો સહિતના સાધનો કબજે કર્યા છે. જપ્ત કરાયેલા સમગ્ર મુદ્દામાલની કિંમત ₹3,48,300 આંકવામાં આવી છે. આ મામલે પોલીસે ત્રણેય આરોપીઓ સામે બી.એન.એસ.ની કલમ 287 તેમજ વિસ્ફોટક અધિનિયમ અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર પ્રકરણની વધુ તપાસ પી.એસ.આઈ. એન. એસ. ગોહિલ કરી રહ્યા છે.
બનાસકાંઠાના ચંડીસર સ્થિત એચ.પી.સી.એલ. પ્લાન્ટ ખાતે જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ અને ફાયર વિભાગ દ્વારા સંયુક્ત મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય આપત્તિ વ્યવસ્થાપનની સજ્જતા ચકાસવાનો હતો. ગ્રામ્ય મામલતદાર શૈલેષ પ્રજાપતિની ઉપસ્થિતિમાં યોજાયેલી આ મોક ડ્રીલ દ્વારા કોઈપણ આકસ્મિક દુર્ઘટના સમયે તંત્રની સજ્જતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, પ્રતિભાવ સમય (Response Time) માં જરૂરી સુધારા-વધારા સૂચવવાનો પણ તેનો હેતુ હતો. આ મોક ડ્રીલમાં ફાયર બ્રિગેડ, આરોગ્ય વિભાગ, પોલીસ તંત્ર અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ તથા કર્મચારીઓ જોડાયા હતા. પ્લાન્ટમાં કટોકટીની કાલ્પનિક સ્થિતિ ઊભી કરીને વિવિધ વિભાગો વચ્ચેના સંકલનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મામલતદાર શૈલેષ પ્રજાપતિએ આ તકે જરૂરી સૂચનો આપી વહીવટી તંત્રની આપત્તિ વ્યવસ્થાપન ક્ષમતા વધુ સુદ્રઢ બનાવવા પર ભાર મૂક્યો હતો.
પંચમહાલ પોલીસે વિશ્વાસઘાત અને ભ્રષ્ટાચારના ગુનામાં બે વર્ષથી ફરાર આરોપી રિયાજ રફીક મન્સુરી (રહે. ગોધરા) ને ઝડપી પાડ્યો છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસની આ એક મોટી સફળતા માનવામાં આવે છે. આરોપી રિયાજ મન્સુરી શહેરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાત અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળના ગંભીર ગુનામાં સંડોવાયેલો હતો. પંચમહાલ રેન્જ આઈ.જી. વિધિ ચૌધરી અને એસ.પી. ડો. હરેશ દૂધાત દ્વારા આ આરોપીને પકડવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. પેરોલ ફ્લો સ્ક્વોડના પી.એસ.આઈ. બી.એમ. રાઠોડના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. રૂપસિંહ કલાભાઈને ખાનગી બાતમી મળી હતી કે આરોપી ગોધરાના સફારી પાર્ક વિસ્તારમાં છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી આરોપી રિયાજ મન્સુરીને તેના નિવાસસ્થાનેથી ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે શહેરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
ગુજરાતના ખેડૂતો અને પશુપાલકો માટે રાજ્ય સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રોત્સાહક જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના ખેતી અને પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, વર્ષ 2026-27 ના નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ ખેડૂતોને વિવિધ યોજનાકીય લાભો આપવા માટે સરકાર કટિબદ્ધ છે. આ હેતુસર આગામી 27 માર્ચથી એક મહિના માટે એટલે કે 26 એપ્રિલ, 2026 સુધી ‘આઈ-ખેડૂત’ પોર્ટલ ઓનલાઈન અરજીઓ સ્વીકારવા માટે ખુલ્લું મૂકવામાં આવશે. ઐતિહાસિક નિર્ણય: બજેટ બાદ તુરંત પોર્ટલ કાર્યરતસામાન્ય રીતે સરકારી યોજનાઓના અમલીકરણમાં સમય લાગતો હોય છે, પરંતુ આ વખતે કૃષિ વિભાગે નવો કીર્તિમાન સ્થાપ્યો છે. મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે, વિધાનસભામાં વર્ષ 2026-27 નું અંદાજપત્ર મંજૂર થયાના ગણતરીના દિવસોમાં જ ખેડૂતો માટે પોર્ટલ ખોલનારો કૃષિ વિભાગ સંભવતઃ રાજ્યનો પ્રથમ વિભાગ બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ખેડૂતોની આવક બમણી કરવાના અને ખેતીને આધુનિક બનાવવાના મક્કમ નિર્ધાર સાથે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કુલ 148 ઘટકો માટે સહાયની સુવિધાઆ વર્ષે ખેડૂતો અને પશુપાલકો વિશાળ શ્રેણીમાં સહાય મેળવી શકશે. જેમાં મુખ્યત્વે ત્રણ વિભાગોનો સમાવેશ થાય છે: ખેતીવાડી ખાતું: 42 વિવિધ ઘટકો બાગાયત ખાતું: 94 વિવિધ ઘટકો પશુપાલન ખાતું: 12 વિવિધ ઘટકો આમ, કુલ 148 જેટલા કૃષિ અને પશુપાલનલક્ષી ઘટકો હેઠળ ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે. કયા સાધનો અને સુવિધાઓ પર મળશે સહાય? આધુનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા ટ્રેક્ટર, કમ્બાઈન હાર્વેસ્ટર, રોટાવેટર, લેસર લેન્ડ લેવલર, પાવર ટીલર, ઓઈલ એન્જીન અને સ્માર્ટફોન જેવી ચીજવસ્તુઓની ખરીદી પર સબસીડી આપવામાં આવશે. આ ઉપરાંત, ખેત પેદાશોના રક્ષણ માટે કાંટાળા તારની વાડ, પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન), સોલાર પાવર યુનિટ અને પમ્પ સેટ્સ માટે પણ અરજી કરી શકાશે. બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે મીની ટ્રેક્ટર, નેટ હાઉસ, પોલીહાઉસ, કોલ્ડ સ્ટોરેજ તેમજ ફળ-ફૂલના વાવેતર માટે વિશેષ સહાયની જોગવાઈ છે. ખાસ કરીને ‘કમલમ’ (ડ્રેગન ફ્રૂટ) અને ઓઈલપામના વાવેતર માટે પણ પ્રોત્સાહન આપવામાં આવશે. પશુપાલકો માટેની યોજનાઓપશુપાલન ક્ષેત્રે સંકળાયેલા મિત્રો માટે કેટલ શેડ બાંધકામ, નવા ડેરી ફાર્મની સ્થાપના, મરઘાંપાલન તાલીમ માટે સ્ટાઈપેન્ડ, તેમજ પાડી-વાછરડી ઉછેર અને બકરાં એકમ સ્થાપવા માટે પણ સહાય જાહેર કરવામાં આવી છે. અરજી પ્રક્રિયા અને ઝડપી નિકાલખેડૂતો માટે અરજી કરવાની પ્રક્રિયા અત્યંત સરળ રાખવામાં આવી છે. ખેડૂતો આધાર કાર્ડ દ્વારા ઓથેન્ટિકેશન કરીને પોતે અથવા ગ્રામ પંચાયત સ્તરેથી ઓનલાઈન નોંધણી કરાવી શકશે. મંત્રીએ ખાતરી આપી છે કે અરજીઓની છેલ્લી તારીખની રાહ જોયા વગર, જેમ જેમ અરજીઓ આવશે તેમ તેમ તેની ચકાસણી કરીને પાત્રતા ધરાવતા ખેડૂતોને તુરંત સબસીડી ચૂકવવામાં આવશે. રાજ્યના તમામ ખેડૂતોને વહેલી તકે જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી આ યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
સંસ્કૃત ભાષા અને સંસ્કારોના જતન માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અનુસ્નાતક સંસ્કૃત ભવનના પીએચડી છાત્ર ઉત્તમ મારુએ અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. આગામી 28 માર્ચના રોજ ગાંધીનગર ખાતે યોજાનારા રાજ્યસ્તરીય ગીતા મહોત્સવમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે તેમને 'ગીતાભૂષણ:' અને 'શતસુભાષિતપંડિત:' જેવી પ્રતિષ્ઠિત પદવીઓથી સન્માનિત કરવામાં આવશે. કઠિન કસોટી બાદ મળી સિદ્ધિગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા અમલમાં મુકાયેલી 'યોજના પંચકમ્' અંતર્ગત આ સન્માન આપવામાં આવે છે. જે વ્યક્તિને શ્રીમદ્ ભગવદ્ ગીતાના તમામ 18 અધ્યાયના 700 શ્લોક મુખપાઠ હોય તેમને જિલ્લા અને યુનિવર્સિટી કક્ષાની આકરી સમીક્ષા બાદ 'ગીતાભૂષણ:'ની ઉપાધિ મળે છે. તેવી જ રીતે, 100 સુભાષિતો કંઠસ્થ કરનારને 'શતસુભાષિતપંડિત:' તરીકે નવાજવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં માત્ર 118 વ્યક્તિઓ આ સન્માન માટે પસંદ થઈ છે, જેમાં માત્ર 4 વ્યક્તિઓ જ એવી છે જેમને આ બંને પદવીઓ એકસાથે મળી રહી છે. ઉત્તમ મારુ આ ગૌરવશાળી યાદીમાં સ્થાન પામ્યા છે. શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે પ્રદાનઉત્તમ મારુ હાલમાં સંસ્કૃત ભવનના અધ્યક્ષ પ્રો. આર. એન. કાથડના માર્ગદર્શન હેઠળ માનવીય સમસ્યાઓ કે નિર્મૂલન મેં શ્રીમદ્દ ભગવદગીતા કા પ્રદાન વિષય પર પીએચડી કરી રહ્યા છે. નોંધનીય છે કે તેમણે તાજેતરમાં જ ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-2 ની પરીક્ષા પાસ કરી છે અને હાલ લાલપુરની સરકારી વિનયન કોલેજમાં સંસ્કૃતના અધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે. યુનિવર્સિટી પરિવારમાં આનંદની લહેરઆ રાષ્ટ્રીય કક્ષાની પ્રસિદ્ધિ બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ, કુલસચિવ તેમજ ભવનના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ઉત્તમ મારુને અભિનંદન પાઠવ્યા છે. સંસ્કૃત ભાષાને જન-જન સુધી પહોંચાડવાના ઉમદા હેતુ સાથેની તેમની આ મહેનત આજે રાજ્ય કક્ષાએ ઝળકી રહી છે.
વડોદરા શહેરના ઝોન-2ના 5 પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલ 16.53 લાખ રૂપિયાના વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો કોયલી ચેક પોસ્ટ ખાતે કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, DCP ઝોન-2ના માર્ગદર્શન હેઠળ વાઘોડિયા રોડ પર નિર્ધારિત સ્થળે પોલીસ તથા વહીવટી અધિકારીઓની હાજરીમાં જપ્ત દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનાઓમાં જપ્ત થયેલા કુલ 3 હજારથી વધુ બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો, જેની કિંમત 16 53 લાખ રૂપિયા છે. આ કામગીરી દરમિયાન પોલીસ અધિકારીઓ, પોલીસ સ્ટાફ તથા સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. DCP ઝોન-2 મંજીતા વણઝારાએ જણાવ્યું હતું કે, ઝોન-2 વિસ્તારમાં આવતા વિવિધ પોલીસ સ્ટેશનોમાં અવારનવાર અંગ્રેજી દારૂ પર દરોડા પાડવામાં આવતા હોય છે. આ દરોડા દરમિયાન જે મુદ્દામાલ જપ્ત થાય છે, તેની નિકાલની કાર્યવાહી સમયાંતરે કરવામાં આવે છે. આ વખતે ઝોન-2 વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનોનો થઈને કુલ રૂ. 16,53,000ની કિંમતનો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ એક કાયદેસરની પ્રક્રિયા છે, જેમાં અમારી સાથે ઝોન-2 ના ઇન્ચાર્જ અધિકારીઓ, ફાયર બ્રિગેડની ટીમ અને એસ.ડી.એમ. (SDM) પણ હાજર રહ્યા હતા. સરકારી ધારાધોરણો મુજબ આ સમગ્ર બિનવારસી અથવા જપ્ત કરાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશન વાઇઝ કોઈ અલગ વિભાજન હોતું નથી. જ્યારે પણ દરોડા પડે, ત્યારે કેસની પ્રક્રિયા ચાલતી હોય છે. ત્યારબાદ કોર્ટમાંથી સૂચના અને પરવાનગી મળ્યા પછી જ આ આખી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. મુખ્ય હેતુ એ હોય છે કે પોલીસ સ્ટેશનોમાં લાંબા સમય સુધી મુદ્દામાલ ભરાઈ ન રહે. તેથી, કોર્ટની મંજૂરી બાદ સંયુક્ત રીતે આ નિકાલની કામગીરી કરવામાં આવે છે.
8 મહિનાના ઈંતજાર બાદ મુંબઈની બે ફ્લાઈટ શરૂ, પર્યટન અને વેપારને મળશે વેગ 29મી માર્ચથી ભાવનગર-મુંબઈ વચ્ચે એર સુવિધા શરૂ થશે ભાવનગરના વિકાસમાં આખરે કનેક્ટિવિટીની પાંખો ઉમેરાઈ છે ત્યારે ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન ઓફ ભાવનગર દ્વારા આયોજિત ખાસ કાર્યક્રમમાં ભાવનગરના યુવરાજ જયવિરરાજસિંહ ગોહિલ અને એસોસિએશનના હોદ્દેદારોએ ભાવનગર-મુંબઈ વચ્ચે શરૂ થઈ રહેલી ઇન્ડિગોની હવાઈ સેવાને આવકારી હતી, લગભગ 8 મહિનાના લાંબા વિરામ બાદ 29 મી માર્ચ થી ફરી શરૂ થઈ રહેલી આ એર સેવા ભાવનગર માટે ગેમ-ચેન્જર સાબિત થશે. હેરિટેજ અને કોસ્ટલ ટુરિઝમનો નવો અધ્યાયઆ પ્રસંગે ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોઈપણ શહેરના વિકાસ માટે બેઝિક કનેક્ટિવિટી અનિવાર્ય છે. ભાવનગરની મુંબઈ સાથેની કનેક્ટિવિટી 1940-50ના દાયકાથી છે, ત્યારે એક વર્ષનો આ ગેપ ચિંતાજનક હતો, તેમણે ઉમેર્યું કે, સરકારે યોગ્ય સમયે ફ્લાઈટ રિસ્ટાર્ટ કરી છે હું મુંબઈ સ્થિત કાઠિયાવાડી ભાઈ-બહેનોને વિનંતી કરું છું કે તમે મુંબઈમાં કમાઓ અને ભાવનગરમાં આવીને ઉત્સવો-લગ્ન પ્રસંગો માણી અહીં ખર્ચ કરો, જેથી સ્થાનિક અર્થતંત્રને વેગ મળે, ભવિષ્યમાં ફરી ક્યારેય આવો એક વર્ષનો લાંબો ગેપ ન આવે તે માટે રાજકીય અને એરપોર્ટ તંત્ર સતર્ક રહે તેવી અપેક્ષા. ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન ઓફ ભાવનગર (TAAB) એ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ઇન્ડિગો દ્વારા એકસાથે બે ફ્લાઈટ સવાર અને સાંજ શરૂ કરવામાં આવી રહી છે, ત્યારે આ માત્ર મુંબઈ પૂરતું સીમિત નથી, પરંતુ ભાવનગરના પ્રવાસીઓને હવે મદુરાઈ, ચેન્નાઈ, બેંગ્લોર, ગોવા અને નોર્થ-ઈસ્ટ જેવા સ્થળો માટે 'સેમ-ડે કનેક્ટિવિટી' મળશે, પ્રવાસીઓ હવે 4 થી 8 કલાકમાં ભારતના કોઈપણ છેડે પહોંચી શકશે, ભાવનગર થી નવી મુંબઈ અને નવી મુંબઈ થી ભાવનગરની ડેઈલી ફ્લાઈટ, હેરિટેજ, કોસ્ટલ અને એજ્યુકેશનલ ટુરિઝમમાં વધારો થવાની આશા, TAAB દ્વારા મેમ્બરશીપ વધારીને ભાવનગરના પ્રવાસન નકશાને મજબૂત બનાવવાની નેમ.
પાવાગઢમાં ચૈત્રી નવરાત્રી પર્વ નિમિત્તે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. લાખો શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, ગોધરાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આ વિશેષ તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત, વિભાગની ચાર ટીમોએ પાવાગઢ તળેટી અને ડુંગર વિસ્તારમાં આવેલી વિવિધ ખાણી-પીણીની દુકાનો અને હોટલોમાં આકસ્મિક તપાસ કરી હતી. તપાસ દરમિયાન, તેલ, પાણી, મીઠું અને માવા જેવા પદાર્થોનું સ્થળ પર જ પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, તૈયાર ખોરાક અને મીઠાઈના કુલ 20 નમૂનાઓ મેળવીને તેમને પૃથક્કરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કે ગુણવત્તાનો અભાવ જણાશે, તો સંબંધિત વિક્રેતાઓ વિરુદ્ધ 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ' હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ચેકિંગ દરમિયાન, વેપારીઓને દુકાન અને રસોડામાં સંપૂર્ણ સ્વચ્છતા જાળવવા, ખોરાક બનાવતી અને પીરસતી વખતે સ્વચ્છતાનું ધ્યાન રાખવા, તેમજ ભવિષ્યમાં માત્ર શુદ્ધ અને ગુણવત્તાસભર ચીજવસ્તુઓનું જ વેચાણ કરવા સૂચના આપવામાં આવી હતી. આ ડ્રાઇવનો મુખ્ય ઉદ્દેશ્ય નવરાત્રી દરમિયાન માઈભક્તોને શુદ્ધ અને આરોગ્યપ્રદ આહાર મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.
જૂનાગઢ શહેરની કથિત 'સ્માર્ટ' ગણાતી મહાનગરપાલિકાની અણઆવડત અને વહીવટી નિષ્ફળતાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના વોર્ડ નંબર 6 માં આવેલા અંબિકા નગર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા સાડા ત્રણ મહિનાથી પાણીની ગંભીર સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. પાલિકાની હાલત ગામડાંઓ કરતા પણ બત્તર થઈ ગઈ હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. સ્થાનિક સ્તરે અનેક રજૂઆતો કરવા છતાં તંત્રના બહેરા કાને કોઈ જ અવાજ પહોંચતો નથી, જેને કારણે લોકો પાણીના વાંકે હેરાન પરેશાન થઈ રહ્યા છે. સ્થાનિક મહિલા અસ્મિતાબેન શર્મા એ જણાવ્યું હતું કે અમે સિંધીની વાડી, અંબિકા વાડીની પાછળ અને ડોક્ટર ભીમાણી વાળી ગલીમાં વસવાટ કરીએ છીએ, પરંતુ છેલ્લા સાડા ત્રણ મહિનાથી અમારા વિસ્તારમાં નર્મદાનું પાણી આવતું નથી. જ્યારે પણ અમે પાલિકામાં રજૂઆત કરવા જઈએ છીએ ત્યારે અધિકારીઓ અને કર્મચારીઓ માત્ર એક જ રટણ કરે છે કે 'રિપેર થઈ જશે... રિપેર થઈ જશે...', પરંતુ આજ દિન સુધી લાઈન રિપેર કરવાની તસ્દી કોઈએ લીધી નથી. અમારી ગલીમાં કામના બહાને આડેધડ ખાડા કરી નાખવામાં આવ્યા છે, જેના કારણે ખાનગી ટેન્કર વાળા પણ અંદર આવવાની ના પાડે છે. અગાઉ જે પાણી આવતું હતું તે પણ અત્યંત દૂષિત અને ગંદી વાસવાળું હતું. પાણી આવવાનો કોઈ સમય નિશ્ચિત નથી, ક્યારેક સવારે, ક્યારેક બપોરે તો ક્યારેક મધ્યરાત્રિએ પાણી આવે છે. બે-બે કે ત્રણ-ત્રણ દિવસ સુધી પાણીના દર્શન થતા નથી અને કોઈ જવાબ આપવા તૈયાર નથી. અમારી માંગ છે કે તાત્કાલિક ધોરણે આ લાઈન રિપેર કરવામાં આવે. આ પીડામાં સુર પુરાવતા અન્ય એક સ્થાનિક મહિલા પુષ્પાબેન પ્રિયાણી એ જણાવ્યું હતું કે પાણીની મુશ્કેલી તો સૌને પડે છે અને જો તમને પણ આવી સમસ્યા હોય તો ખબર પડે કે કેવી હાલત થાય. અમે બહારથી પાણીના ટાંકા મંગાવીએ છીએ પણ એ કાંઈ આખો દિવસ પૂરા થતા નથી. સ્થિતિ એવી છે કે અમારે બીજાના ઘરે જઈને 'બાપા થોડું પાણી આપો ને' એમ કહીને ભિખારીની જેમ પાણી માંગવા જવું પડે છે. થોડા દિવસ પહેલા તંત્ર દ્વારા એવું આશ્વાસન અપાયું હતું કે અહીં ગટરનું કામ ચાલતું હોવાથી સાત દિવસમાં પાણી આવી જશે. આસપાસના વિસ્તારોમાં રિપેરિંગ થઈ રહ્યું હોવાનું સાંભળીને અમે ખુશ થયા હતા કે હવે અમારો વારો આવશે, પણ અત્યાર સુધી કોઈ ડોકાયું પણ નથી. નર્મદાના પાણીનું તો કોઈ ઠેકાણું નથી અને ઉનાળો હોવાથી અમારા બોરમાં પણ પાણી ખેંચાઈ ગયું છે. મુશ્કેલી તો પૂરેપૂરી છે પણ તંત્ર જાણે નિદ્રાધીન હોય તેમ લાગે છે. સમસ્યાની ગંભીરતા રજૂ કરતા અંબિકા નગર વોર્ડ નંબર 6 ના સ્થાનિક ગીતાબેન ગુરબાણી એ જણાવ્યું હતું કે સાડા ત્રણ મહિનાથી પાણી વગર અમે ત્રાહિમામ પોકારી ગયા છીએ. રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા હોવાથી ટેન્કર વાળા આવવાની સ્પષ્ટ ના પાડી દે છે. મારી ઉંમર 61 વર્ષની છે, હવે આ ઉંમરે અમારે પાણી ભરવા ક્યાં જવું? રસ્તામાં ગારો અને કીચડ એટલો છે કે જો અમે પડી જઈએ તો અમારું ધ્યાન કોણ રાખશે ? અધિકારીઓ સવારે કહે છે કે માણસો આવશે પણ પછી ફોન ઉપાડવાનું બંધ કરી દે છે. અમારે ઘરમાં સાત સભ્યો છીએ અને રોજનો એક પાણીનો ટાંકો જોઈએ. એક ટાંકાના 300 રૂપિયા ચૂકવવા પડે છે, જે મધ્યમ વર્ગ માટે મોટો આર્થિક બોજ છે. વાલ્વ ઓપરેટરને કહીએ તો એ લાઈન તૂટી હોવાનું બહાનું કાઢે છે. આ લોકો લાઈન રિપેર કરવામાં સાડા ત્રણ મહિના કેમ લગાડે છે તે એક મોટો પ્રશ્ન છે. એક તરફ મહિલાઓ પાણીના એક-એક ટીપા માટે વલખાં મારી રહી છે, ત્યારે બીજી તરફ જૂનાગઢ મહાનગરપાલિકાના વોટર વર્ક શાખાના અધિકારી અલ્પેશ ચાવડાએ એસી ઓફિસમાં બેસીને આંકડાકીય માયાજાળ રચી લૂલો બચાવ કર્યો હતો. તેમને જનતાની તરસ કરતા ડેમના ફૂટમાં વધુ રસ હોય તેમ જણાયું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે શહેરને પાણી પૂરું પાડતા હસનાપુર, વિલિંગ્ડન અને આનંદપુર ડેમમાં અત્યારે પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. હસનાપુરમાં 29 ફૂટ અને વિલિંગ્ડનમાં પણ પાંચેક ફૂટ જેટલું ડિપ્લીશન લેવલ હોવા છતાં પાણીનો જથ્થો પૂરતો છે. તેમના મતે આગામી ઉનાળામાં કોઈ પાણી કાપની જરૂર નથી. જમીની હકીકત એ છે કે પાઈપલાઈનો તૂટેલી છે અને રિપેરિંગના નામે માત્ર કાગળ પર ઘોડા દોડાવાય છે. 'પર્યાપ્ત જથ્થો' હોવાની વાત એ લોકો માટે ક્રૂર મજાક સમાન છે જેઓ સાડા ત્રણ મહિનાથી નળમાં પાણીની પ્રતીક્ષા કરી રહ્યા છે. મહાનગરપાલિકાના અધિકારીઓના આવા બચાવ પરથી સ્પષ્ટ થાય છે કે તેમને લોકોની વેદના કરતા સરકારી ચોપડામાં બધું 'ઓલ ઈઝ વેલ' બતાવવામાં જ રસ છે. આ જોતા લાગે છે કે પાલિકાના શાસકો અને અધિકારીઓ જૂનાગઢને સ્માર્ટ સિટી બનાવવાના બદલે સમસ્યાઓનું શહેર બનાવી રહ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર બી.એ.પટેલના અધ્યક્ષ સ્થાને “પ્રાઇમ મિનિસ્ટર રોડ એક્સિડેન્ટ વિક્ટીમ્સ હોસ્પિટલાઇઝેશન એન્ડ એશ્યોર્ડ ટ્રીટમેન્ટ સ્કીમ (PM-RAHAT)” ના અમલીકરણ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ યોજના હેઠળ માર્ગ અકસ્માતના પીડિતોને 'ગોલ્ડન અવર'માં ત્વરિત સારવાર મળી રહે તે હેતુથી ₹1.5 લાખ સુધીની નિઃશુલ્ક સારવાર પૂરી પાડવામાં આવશે. પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી એમ.ડી. પાનશેરિયાએ પ્રેઝન્ટેશન દ્વારા જણાવ્યું હતું કે, અકસ્માતનો ભોગ બનનાર દર્દીને PMJAY આયુષ્માન કાર્ડ યોજના સાથે સંકળાયેલી હોસ્પિટલોમાં 7 દિવસ સુધી ₹1.5 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે મળશે. અન્ય ખાનગી હોસ્પિટલોમાં પણ પીડિતને જોખમમાંથી બહાર લાવવા માટે તાત્કાલિક 'સ્ટેબિલાઇઝેશન ટ્રીટમેન્ટ' મફત પૂરી પાડવામાં આવશે, જેથી આર્થિક સંકડામણને કારણે કોઈ વ્યક્તિ જીવ ન ગુમાવે. યોજનાની પારદર્શિતા માટે પોલીસ દ્વારા 'E-DAR' (ઇલેક્ટ્રોનિક ડિટેલ્ડ એક્સિડેન્ટ રિપોર્ટ) પર 'વિક્ટીમ આઇ.ડી.' જનરેટ કરવામાં આવશે. આ આઇડીને હોસ્પિટલની 'TMS' (ટ્રાન્જેક્શન મેનેજમેન્ટ સિસ્ટમ) સાથે લિંક કરાશે, જેનાથી સારવાર પ્રક્રિયા પેપરલેસ અને ઝડપી બનશે. અકસ્માતની જાણ 112 નંબર પર થતાં જ એમ્બ્યુલન્સ પીડિતને નજીકની હોસ્પિટલમાં ખસેડશે. વીમો ન ધરાવતા વાહનો કે 'હિટ એન્ડ રન'ના કિસ્સામાં સરકાર દ્વારા જિલ્લા કલેક્ટરની સત્તા હેઠળ સારવારની રકમની ચુકવણી કરવામાં આવશે. નિવાસી અધિક કલેક્ટર બી.એ. પટેલે આરોગ્ય વિભાગ, પોલીસ, RTO અને 108 ઇમર્જન્સી સેવા સહિતના તમામ સંબંધિત વિભાગોને યોજનાના અમલીકરણ માટે સંકલનમાં રહીને કામ કરવા અને જરૂરી તાલીમ પૂર્ણ કરવા સૂચના આપી હતી. આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક પાર્થ સી.પરમાર, ચીફ ડીસ્ટ્રીકટ મેડીકલ ઓફિસર ચૈતન્ય પરમાર, ચીફ ડીસ્ટ્રીકટ હેલ્થ ઓફિસર ડો. બી.જી.ગોહિલ, RCHO, RTO કચેરીના અધિકારીઓ, PMJAY હેઠળ નોંધાયેલ સરકારી તથા ખાનગી હોસ્પિટલોના મુખ્ય તબીબી અધિકારીઓ, 108 જિલ્લા કો-ઓર્ડીનેટર અને આયુષ્યમાન ભારત જિલ્લા પ્રોગ્રામ કો-ઓડીનેટર સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
બનાસકાંઠા પેન્શનર્સ એસોસિયેશનની કલેક્ટરને રજૂઆત:વેલિડેશન 2025 નાણા બિલ પરત ખેંચવા માંગણી
બનાસકાંઠા પેન્શનર્સ એસોસિયેશન દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી વેલિડેશન 2025 નાણા બિલ પરત ખેંચવા બાબતે રજૂઆત કરવામાં આવી છે. પેન્શનર્સ એસોસિયેશનના સભ્યોએ જિલ્લા સેવા સદન 2 ખાતેથી રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. કલેક્ટરને કરાયેલી લેખિત રજૂઆત મુજબ, કેન્દ્ર સરકારને તેના પેન્શનરોને વર્ગીકૃત કરવાનો અને તેમની વચ્ચે ભેદ જાળવવાનો અધિકાર છે તે સિદ્ધાંતને માન્ય કરતો કાયદો 25 માર્ચ, 2025 થી અમલમાં આવ્યો છે. આ કાયદો કોઈપણ પૂર્વ સૂચના વિના નાણાં બિલના ભાગરૂપે રજૂ કરવામાં આવ્યો હતો અને 25 માર્ચ, 2025 ના રોજ લોકસભા દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો. જો આ કાયદો અક્ષરશઃ અમલમાં મૂકવામાં આવે, તો પેન્શનરોની નિવૃત્તિની તારીખ પેન્શન હકદારીના સંદર્ભમાં ભેદ અને વર્ગીકરણનો આધાર બનશે. આનાથી કેન્દ્રીય પગારપંચના કાર્યકાળ પહેલાના પેન્શનરો પગાર પંચની ભલામણોના લાભો ગુમાવશે. હાલના પેન્શનરોને આ મુશ્કેલ સમયમાં પેન્શન વધારવાનો અધિકાર ન મળતા ભારે નુકસાન થશે. પેન્શનર્સ એસોસિયેશનનું કહેવું છે કે, આ કાયદો સરકારના જાહેર કરાયેલા ઇરાદાઓ વિરુદ્ધ છે, જે તેના તમામ નાગરિકોને ન્યાય અને સામાજિક સુરક્ષા પૂરી પાડવાનો પ્રયાસ કરે છે. આ ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયિક ચુકાદાઓની પણ વિરુદ્ધ છે. માનનીય સુપ્રીમ કોર્ટે ડી.એસ. નાકરા અને અન્ય વિરુદ્ધ ભારત સંઘના કેસ (નાકરા જજમેન્ટ તરીકે જાણીતો) માં અવલોકન કર્યું હતું કે, પેન્શન એ એક સામાજિક કલ્યાણકારી પગલું છે જે એવા લોકોને સામાજિક-આર્થિક ન્યાય આપે છે જેઓ તેમના જીવનના સૌથી મુશ્કેલ દિવસોમાં છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, પેન્શન યોજનાના ધ્યેયો પેન્શનરોને ગરીબીથી મુક્ત, શિષ્ટાચાર, સ્વતંત્રતા અને નિવૃત્તિ પહેલાના સ્તરે પ્રમાણભૂત સમકક્ષ જીવન જીવવા માટે ટેકો આપવાનો હતો. કોર્ટે એ પણ પ્રશ્ન કર્યો હતો કે શું સુધારેલી પેન્શન યોજના ફક્ત નિર્દિષ્ટ તારીખ પછી નિવૃત્ત થનારાઓ માટે જ પૂરતી હતી, જ્યારે પહેલાથી નિવૃત્ત થયેલા લોકોએ વધતી કિંમતો અને રૂપિયાની ઘટતી ખરીદ શક્તિનો ભોગ લીધો ન હતો. આ કાયદો હાલના પેન્શનરોને ન ભરવાપાત્ર નુકસાન પહોંચાડે છે. 7મા કેન્દ્રીય પગાર પંચ દ્વારા 01-01-2016 પહેલા નિવૃત્ત થયેલા અને 01-01-2016 ના રોજ અને તે પછી નિવૃત્ત થયેલા ભૂતકાળના પેન્શનરોમાં સમાનતા રાખવાની ભલામણ કરવામાં આવી હતી, જેને કેન્દ્ર સરકારે સ્વીકારી હતી. આ સંજોગોમાં, ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શનર્સ ફેડરેશન દ્વારા 25 માર્ચ, 2026 ના રોજ 'વિરોધ દિવસ' મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પેન્શનર્સ એસોસિયેશને કલેક્ટરને વિનંતી કરી છે કે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્શન) નિયમો અધિનિયમના માન્યતાને પાછી ખેંચવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે.

30 C