દહેગામ પોલીસે પૂર્વ બાતમીના આધારે વાસણા રાઠોડ ગામની સીમમાં લિસ્ટેડ બુટલેગર દશરથસિંહ ડોડીયાના ફાર્મ હાઉસમાં દરોડો પાડી ઘરના રસોડા અને ઘોડાના તબેલામાં બનાવેલા ગુપ્ત ભોયરામાંથી 57 હજારની કિંમતની વિદેશી દારૂની કુલ 44 બોટલો ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દશરથસિંહ ડોડીયાના ફાર્મ હાઉસમાંથી પોલીસના દરોડાઉત્તરાયણ પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પેટ્રોલિંગ કરી રહેલી દહેગામ પોલીસની ટીમે લિસ્ટેડ બુટલેગર ડોડીયાના નવા કિમિયાનો પર્દાફાશ કરી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. દહેગામ પોલીસ મથકના ઇન્સ્પેકટર મુકેશ દેસાઈ સહિત સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન પીઆઇ દેસાઈને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ગણેશપુરાથી વાસણા રાઠોડ જતા રોડ પર આવેલા 'વહાણવટી સિકોતર ફાર્મ' (ડોડીયા ફાર્મ) ખાતે રહેતા લિસ્ટેડ બુટલેગર દશરથસિંહ રણુભા ડોડીયા વિદેશી દારૂનો જથ્થો રાખીને તેનું વેચાણ કરી રહ્યો છે. ઘોડાના તબેલા અને રસોડામાં ભોયરું બનાવી દારૂ સંતાડ્યોઆ બાતમીના આધારે પોલીસે ફાર્મ હાઉસ પર ઓચિંતી રેડ પાડતા લિસ્ટેડ બુટલેગર દશરથસિંહના મોતિયા મરી ગયા હતા. બાદમાં પોલીસે વધુ તપાસ કરતા ઘરના પાછળના ભાગે પતરાના શેડની અંદર માટીમાં દબાયેલો એક ગુપ્ત ખૂણો અને રસોડામાં ખાસ રીતે તૈયાર કરેલું એક ભોયરું મળી આવ્યું હતું. આ બંને જગ્યાએ પોલીસે કોદાળી લઈને પથ્થર અને ટાઇલ્સ હટાવીને તપાસ કરતા રાજસ્થાન માર્કાની દારૂની કુલ 44 બોટલો મળી આવી હતી. પોલીસે દશરથસિંહ ડોડીયાની સ્થળ પરથી ધરપકડ કરીજેના પગલે પોલીસે દશરથસિંહ રણુભા ડોડીયાની સ્થળ પરથી ધરપકડ કરી લીધી હતી. જેની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આ દારૂનો જથ્થો દહેગામના ચામલા ગામના ફૂલસિંહ નેનસિંહ સોલંકી (ઠાકોર) દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હતો. આથી પોલીસે ફૂલસિંહ સોલંકીને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસને બંને જગ્યાએથી કુલ 44 દારૂની બોટલો મળીઆ અંગે પીઆઈ દેસાઈએ જણાવ્યું કે, દશરથસિંહના ફાર્મમાં દરોડો પાડતા ઘોડી રાખવા માટેના પતરાનો શેડ જોવા મળ્યો હતો. જ્યાં એક ખૂણે શંકાસ્પદ જગ્યા મળી આવી હતી. જેની માટી હટાવીને કોદાળી વડે તપાસ કરતા ગુપ્ત ભોંયરું મળી આવ્યું હતું. જ્યારે બીજું ભોંયરું રસોડાના વોશબેઝિન નીચેથી મળી આવ્યું હતું. બંને જગ્યાએથી કુલ 44 દારૂની બોટલો મળી આવી છે.
ગંભીર ગુનાના આરોપીનું ગેરકાયદેસર બાંધકામ તોડાયું:લાકડીયા પોલીસે ભચાઉમાં સરકારી જમીન પર કાર્યવાહી કરી
પૂર્વ કચ્છમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી ચાલી રહી છે. આ અંતર્ગત લાકડીયા પોલીસે ગંભીર ગુનાઓમાં સામેલ પંજાબ-હરિયાણાના આરોપી ગુલવતસિંઘ ઉર્ફે સની હજુરસિંઘ સરદારનું ભચાઉ તાલુકાના જુના કટારીયા સીમમાં આવેલું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું છે. આરોપી ગુલવતસિંઘ ઉર્ફે સની હજુરસિંઘ સરદાર (ઉંમર 44) મોરબી-સામખીયારી હાઈવે પર આવેલી સંધુ સરદાર હોટલ, જુના કટારીયા સીમ, તા. ભચાઉ, કચ્છનો રહેવાસી છે. તેનો ગુનાહિત ઇતિહાસ લાંબો છે, જેમાં એન.ડી.પી.એસ. એક્ટ, ખૂનની કોશિષ, મિલકત સંબંધી ગુનાઓ અને પ્રોહિબિશન એક્ટ હેઠળના ગુનાઓનો સમાવેશ થાય છે. આરોપીએ પોતાના આર્થિક ફાયદા માટે જુના કટારીયા સીમ, તા. ભચાઉની સરકારી જમીન પર આશરે 600 ચોરસ મીટર જગ્યામાં ગેરકાયદેસર રીતે રહેણાંક મકાનનું બાંધકામ કર્યું હતું. આ બાંધકામ મોરબી-સામખીયારી હાઈવે પર આવેલું હતું. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં લાકડીયા પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. જાડેજા, વહીવટી સ્ટાફ અને પોલીસ સ્ટાફ જોડાયા હતા.
પાલનપુરની શક્તિ વિદ્યાલય દ્વારા નીલમાધવ પાર્ટી પ્લોટ ખાતે વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ 'કલાંજલિ 2.0' નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 500થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જ્યારે 4000થી વધુ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ મંચ પર પોતાની સુષુપ્ત શક્તિઓનું અદભૂત પ્રદર્શન કર્યું હતું. રજૂ કરાયેલી વિવિધ કૃતિઓમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની ઝલક જોવા મળી હતી, જેણે ઉપસ્થિત સૌ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. શિયાળાની ઠંડી હોવા છતાં, અંદાજે 4000થી વધુ લોકોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. પ્રેક્ષકોએ કાર્યક્રમની વ્યવસ્થામાં સકારાત્મક સહકાર આપીને શાળા પરિવારનો ઉત્સાહ વધાર્યો હતો. આ કાર્યક્રમનું એક વિશેષ આકર્ષણ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ રહ્યા હતા. દેશ-વિદેશમાં એમ.બી.બી.એસ. અને એન્જિનિયરિંગ જેવા ઉચ્ચ અભ્યાસક્રમોમાં જોડાયેલા એલ્યુમની વિદ્યાર્થીઓએ વિડીયો સંદેશ દ્વારા ભાગ લેનાર નાના ભાઈ-બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમના અંતે, શાળાના આચાર્ય પરેશકુમાર પ્રજાપતિએ સુંદર આયોજન બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. શાળાના સંચાલકો એસ.પી. નાયી અને કે.કે. પટેલે બાળકો અને શિક્ષકોની મહેનતને બિરદાવી આશીર્વચન આપ્યા હતા અને ઉપસ્થિત વાલીગણને સંબોધિત કરીને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.
વલસાડ નગરપાલિકાના ઐતિહાસિક ટાવર બિલ્ડિંગને તોડી તેના સ્થાને નવું 'હેરિટેજ ટાવર' બનાવવાની યોજના સામે સ્થાનિક વેપારીઓએ મોરચો માંડ્યો છે. છેલ્લા 75 વર્ષથી અહીં વ્યવસાય કરતા વેપારીઓએ પાલિકાના આ પ્રોજેક્ટને કારણે સર્જાનારા આર્થિક બોજ અને આજીવિકાના સંકટ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો છે. વિવાદના કારણ કિંમત અંગે અસંતોષ: પાલિકા દ્વારા નવા નિર્માણ પામનારા બિલ્ડિંગમાં દુકાનો માટે પ્રતિ સ્ક્વેર ફૂટ 5400 રૂપિયાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. વેપારીઓએ આ ભાવને અતિશય ઊંચો અને અયોગ્ય ગણાવતા માગ કરી છે કે કિંમત સરકારના SOR (Schedule of Rates) મુજબ જ વસૂલવી જોઈએ. બિલ્ડિંગની સ્થિતિ: વેપારીઓનો દાવો છે કે વર્તમાન બિલ્ડિંગ હજુ પણ 40થી 50 વર્ષ સુધી ટકી શકે તેટલું મજબૂત છે, તેમ છતાં તેને તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાડાનો આર્થિક બોજ: જો બિલ્ડિંગ તોડવામાં આવે તો વૈકલ્પિક વ્યવસ્થા તરીકે વેપારીઓએ અન્યત્ર 40,000થી 60,000 રૂપિયા જેટલું ઊંચું ભાડું ચૂકવવું પડે તેમ છે. વર્તમાન હરિફાઈના યુગમાં આટલો મોટો ખર્ચ ઉઠાવવો વેપારીઓ માટે અશક્ય છે. સમય મર્યાદા પર શંકા: પાલિકાએ આ પ્રોજેક્ટ 18 મહિનામાં પૂર્ણ કરવાનું આશ્વાસન આપ્યું છે, પરંતુ વેપારીઓને નિર્ધારિત સમયમાં આટલો મોટો પ્રોજેક્ટ પૂરો થવા અંગે આશંકા છે. આગામી રણનીતિઆ મામલે તાજેતરમાં વેપારીઓ અને નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ તથા ચીફ ઓફિસર વચ્ચે એક બેઠક યોજાઈ હતી. જેમાં વેપારીઓએ પોતાની રજૂઆતો કરી હતી. વેપારી પ્રતિનિધિઓએ જણાવ્યું છે કે તેઓ આગામી 10 દિવસમાં ફરી એકવાર પાલિકા તંત્ર સાથે મુલાકાત કરશે. ઐતિહાસિક ટાવર સાથે જોડાયેલા સેંકડો વેપારીઓની રોજીરોટી પર સંકટ હોવાથી, હવે પાલિકા તંત્ર આ મામલે કોઈ વચલો રસ્તો કાઢે છે કે કેમ તેના પર સૌની નજર છે.
વડોદરાના અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે આજે (16 જાન્યુઆરી) બોચાસણવાસી શ્રીઅક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના વડા મહંત સ્વામી મહારાજ અમદાવાદથી વડોદરા પધાર્યા હતા. આશરે 1420 દિવસ બાદ તેમના આ આગમનને લઈને અટલાદરા સ્વામિનારાયણ મંદિર પરિસરમાં સાત હજારથી વધુ ભાવિક ભક્તોએ ભક્તિભાવપૂર્વક આવકાર્યા હતા. આ અદભૂત કાર્યક્રમનો ડ્રોન વીડિયો સામે આવ્યો છે. 92 બુલેટ બાઇકસવાર યુવાનોએ મંદિર પરિસર સુધી ભવ્ય એસ્કોર્ટ કર્યુંઆ અંગે અટલાદરા સ્વામિનારાયણ મંદિરના વિવેક નિષ્ઠ સ્વામીએ જણાવ્યું હતું કે, અમદાવાદથી વડોદરા આવેલા મહંત સ્વામી મહારાજનું 92 બુલેટ બાઇકસવાર યુવાનોએ મંદિર પરિસર સુધી ભવ્ય એસ્કોર્ટ કર્યું હતું. ઢોલ-શરણાઈના નાદ અને ફટાકડાની આતશબાજી વચ્ચે તેઓ મંદિરમાં પધાર્યા હતા. આ સાથે સૌપ્રથમ બિરાજમાન પ્રભુ પ્રતિમાઓના દર્શન કર્યા હતા. ત્યારબાદ સુશોભિત મંચ પર બિરાજમાન થયેલા સ્વામીને અટલાદરા મંદિરના પૂજ્ય સંતોએ પુષ્પહાર અર્પણ કરીને સન્માનિત કર્યા હતા. સ્વામીના આગમન પૂર્વે ભક્તોના 92 કલાકના નિર્જળ ઉપવાસઉલ્લેખનીય છે કે, મહંત સ્વામી મહારાજની આગામી 92મી જન્મજયંતી મહોત્સવ નિમિત્તે પધારેલા સ્વામીના સ્વાગતમાં ભક્તોએ અનેક વિશેષ તપ-વ્રતોનું આયોજન કર્યું હતું. જેમાં 47 બાળકો-યુવાનોએ 1420 દંડવત પ્રણામ કર્યા હતા. અનેક ભક્તોએ સ્વામીના આગમન પૂર્વે 92 કલાકના નિર્જળ ઉપવાસ રાખ્યા તેમજ પ્રમુખ એકેડેમીના વિદ્યાર્થીઓએ 153 પુસ્તકોના આશરે 45,000 પૃષ્ઠોનું વિશેષ વાંચન વ્રત પૂર્ણ કર્યું હતું. ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યોઆ ભક્તિભર્યા સ્વાગતથી મંદિર પરિસર ભક્તિ અને ઉત્સાહના સંચારથી ગુંજી ઊઠ્યું હતું. આ કાર્યક્રમ મહંત સ્વામી મહારાજની આગામી 92મી જન્મજયંતી મહોત્સવની શરૂઆતનું પ્રતીક બન્યો છે.
BMCમાં 10નો આંકડો પણ પાર ન કરી શકી રાજ ઠાકરેની MNS! 22 શહેરોમાં 0
(IMAGE - IANS) BMC Election Result 2026: મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો અને વલણોએ રાજ્યના રાજકારણમાં મોટો ઉલટફેર સર્જ્યો છે. મુંબઈ(BMC) સહિત રાજ્યની 29 મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી(BJP) અને એકનાથ શિંદેની શિવસેનાનું ગઠબંધન પ્રચંડ વિજય તરફ આગળ વધી રહ્યું હોય તેવું જણાય છે.
'કોઈને તો રિસ્ક લેવું જ પડશે, નુકસાન થશે તો મારું થશે...', સ્ટાર્ટઅપ ડે પર PM મોદીનું સંબોધન
National Startup Day: દિલ્હીના ભારત મંડપમ ખાતે 'રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ' (National Startup Day) નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના યુવા ઉદ્યોગસાહસિકોને સંબોધ્યા હતા. પીએમ મોદીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશનના 10 વર્ષની ઉજવણીના આ અવસરે ભારતના યુવાનોની જોખમ લેવાની ક્ષમતાના ભારોભાર વખાણ કર્યાં હતા અને પોતાના રાજકીય જીવનના અનુભવો પણ શેર કર્યા હતા. 'જોખમ લેવું એ મારી જૂની આદત છે' વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટાર્ટઅપના સ્થાપકો સાથે પોતાની સરખામણી કરતા જણાવ્યું કે, 'તમારી જેમ મને પણ જોખમ લેવાનું ગમે છે. મેં મારા રાજકીય ભવિષ્યને દાવ પર લગાવીને એવા નિર્ણયો લીધા છે જે રાષ્ટ્રીય હિતમાં હતા.
કોડીનાર ડેપોમાં ઓટોમેટિક બસ વોશિંગ મશીન શરૂ:બસ ધોવાનો સમય ઘટ્યો, નવી બસ સેવા પણ શરૂ થઈ
કોડીનાર એસટી બસ ડેપોમાં આધુનિક ઓટોમેટિક બસ વોશિંગ મશીન કાર્યરત કરવામાં આવ્યું છે. આ સાથે, કોડીનારથી ગીરગઢડા વચ્ચે નવી એસટી બસ સેવા પણ શરૂ કરવામાં આવી છે. આ પગલાંથી ડેપોની કાર્યક્ષમતા વધશે અને મુસાફરોને વધુ સારી સુવિધાઓ મળશે. નવી સુવિધાને કારણે બસ ધોવાનો સમય એક કલાકથી ઘટીને માત્ર 15થી 20 મિનિટ થયો છે. આનાથી બસોની સફાઈ વધુ ઝડપી અને અસરકારક બનશે, જેના પરિણામે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા મુસાફરોને ઉત્તમ સુવિધા પૂરી પાડવાના પ્રયાસોને વેગ મળશે. નિયમિત અને ઝડપી સફાઈથી બસોમાં સ્વચ્છતા જળવાશે, આરોગ્યલક્ષી વાતાવરણ મળશે અને મુસાફરોનો વિશ્વાસ વધુ મજબૂત બનશે. કોડીનારથી ગીરગઢડા વચ્ચે શરૂ થયેલી નવી એસટી બસ સેવા ખાસ કરીને ગીરગઢડાથી કોડીનાર આવતા વિદ્યાર્થીઓ, નોકરીયાતો અને સામાન્ય મુસાફરો માટે અત્યંત સુવિધાજનક સાબિત થશે. સમયસર અને સીધી બસ સેવા મળવાથી દૈનિક અવરજવરમાં સરળતા રહેશે અને સમય તથા ખર્ચ બંનેમાં રાહત મળશે. ઓટોમેટિક વોશિંગ મશીન અને નવી બસ રૂટનું લોકાર્પણ કોડીનાર નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એસટી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપપ્રમુખ સોલંકીએ જણાવ્યું હતું કે, આધુનિક સુવિધાઓ સાથે એસટી સેવાને વધુ લોકોપયોગી અને વિશ્વસનીય બનાવવાનો અમારો સતત પ્રયાસ છે. આ ઓટોમેટિક વોશિંગ મશીનથી બસોની નિયમિત અને ગુણવત્તાયુક્ત સફાઈ શક્ય બનશે, જેનાથી મુસાફરોને સ્વચ્છ, સલામત અને આરોગ્યદાયક મુસાફરીનો અનુભવ મળશે. કોડીનાર એસટી ડેપોમાં લેવાયેલા આ નિર્ણયો જાહેર પરિવહનને આધુનિક બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે અને ભવિષ્યમાં મુસાફરોને સંતોષકારક સેવા પૂરી પાડવામાં મદદરૂપ થશે.
સુરત મહાનગર પાલિકાનાં વહીવટી તંત્ર અને શાસકો માટે માથાનો દુ:ખાવો બની ચુકેલ કતારગામમાં શાળાનાં સ્થળ બદલવાનાં પ્રકરણમાં હવે સ્થાયી સમિતિ દ્વારા તાત્કાલિક અસરથી બ્રેક મારવામાં આવી છે. ગઈકાલથી આમ આદમી પાર્ટીનાં કોર્પોરેટરોનાં વિરોધ અને કડકડતી ઠંડીમાં આખી રાત ધરણાં પ્રદર્શન કર્યું હતું. આ સાથે આજે સવારથી પણ દંડવત વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું તે દરમિયાન માર્સલો સાથે ઘર્ષણ પણ સર્જાયું હતું. દરમિયાન આજે બપોરે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં રાજન પટેલ દ્વારા આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સિવાય હાલમાં જે સ્થળે શાળાનાં નિર્માણની કામગીરી ચાલી રહી છે તેને પણ તાત્કાલિક અસરથી અટકાવી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે. બીજી તરફ આ વિવાદનાં મુળ સુધી પહોંચવા માટે પણ તપાસ કરવામાં આવશે. ભાજપના કોર્પોરેટરે વિરોધ નોંધાવ્યો હતોછેલ્લા કેટલાક સમયથી કતારગામ ઝોનમાં વોર્ડ નં. 7માં જે સ્થળે સુમન શાળા મંજુરી થઈ હતી, તે સ્થળ રાતોરાત બદલાઈને નવા સ્થળે સુમન શાળાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આ અંગે સ્થાનિક ધારાસભ્ય દ્વારા ભલામણ કરવામાં આવી હતી અને જેને પગલે ભાજપનાં કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ દ્વારા શરૂઆતમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આખી રાત કડકડતી ઠંડીમાં ધરણા ચાલુ રાખ્યાઅલબત્ત, ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા પણ આ મુદ્દે વિરોધ કરતાં રાજકારણમાં પણ ગરમાટો આવી ગયો હતો અને આમ આદમી પાર્ટીનાં ભારે વિરોધ સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા હતાં આખી રાત કડકડતી ઠંડીમાં ધરણા ચાલુ રાખ્યા બાદ સવારથી દંડવત વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યો હતો. દરમિયાન માર્સલો સાથે આપના કાર્યકર્તાઓનું ઘર્ષણ પણ સર્જાયું હતું. દરમિયાન આજે સ્થાયી સમિતિની બેઠકમાં રાજન પટેલ દ્વારા આ વિવાદમાં તપાસનો આદેશ કરવામાં આવ્યો છે. નવા સ્થળે કોન્ટ્રાક્ટરે શાળાનું બાંધકામ શરૂ કરી દેતાં ભારે વિવાદ સર્જાયોઆ અંગે રાજન પટેલે જણાવ્યું હતું કે, ભાજપનાં કોર્પોરેટર દ્વારા કતારગામમાં સુમન શાળાની માંગણી કરવામાં આવી હતી. જો કે, જે સ્થળે શાળા મંજુર કરવામાં આવી હતી ત્યાં આસપાસમાં અન્ય શાળાઓ હોવાને કારણે અને અન્ય વિસ્તારમાં વધુ વિદ્યાર્થીઓ મળી રહે તે માટે ધારાસભ્ય વિનોદ મોરડિયા દ્વારા સુચન કરવામાં આવ્યું હતું. જો કે, આ સમગ્ર પ્રકરણમાં નવા સ્થળે કોન્ટ્રાક્ટર દ્વારા શાળાનું બાંધકામ શરૂ કરી દેતાં ભારે વિવાદ સર્જાવા પામ્યો હતો. જેને પગલે આજની સ્થાયી સમિતિમાં આ પ્રકરણની તપાસ સોંપવામાં આવી છે અને સાથે સાથે જે સ્થળે હાલમાં શાળાનું બાંધકામ ચાલી રહ્યું છે તેને પણ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો કે, સૌથી મોટો યક્ષ પ્રશ્ન એ છે કે, સ્થાયી સમિતિની મંજુરી વિના કોન્ટ્રાક્ટર દ્વારા કોના આદેશથી નવા સ્થળે શાળાનું બાંધકામ શરૂ કર્યું હતું. 'ધારાસભ્યની અડચણોને કારણે, ખરાબ નીતિથી આ શાળાનું સ્થળાંતર'વિરોધ પક્ષના નેતા પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 7માં સુમન શાળા મંજૂર થઈ હતી જેમાં ડોક્ટર કિશોરભાઈ અને સાથે દીપ્તિબેનની ખૂબ મહેનત હતી. શાળા મંજૂર થયા બાદ એ શાળાનું વર્ક ઓર્ડરનું કામ પણ અપાઈ ગયું હતું અને ટૂંક સમયની અંદર આ શાળા બનવાની હતી પરંતુ રાજકીય અડચણોના કારણે ત્યાંના ધારાસભ્યની અડચણોને કારણે, ખરાબ નીતિ-ખરાબ નજરથી આ શાળાનું સ્થળાંતર કરવાની નીતિ આ લોકો સ્ટેન્ડિંગ કમિટીની અંદર લાવ્યા હતા. 'શાળા શિફ્ટ કરી ત્યાં મંજૂરી વગર શાળાનું બાંધકામનું કામ ચાલુ કરાયું'જે જગ્યા પર શાળા મંજૂર થઈ હતી એ પ્લોટ ખૂબ સારો હતો, કરોડો રૂપિયાનો હતો અને આજુબાજુ ખૂબ મોટી સંખ્યામાં લોકોના બાળકો ભણી શકે એવો પ્લોટ હતો. પરંતુ ભાજપના મળતિયાઓની એમાં ખોટી નજર હોવાથી એ પ્લોટમાંથી એ શાળાને બીજી જગ્યા પર શિફ્ટ કરવામાં આવી હતી અને જે જગ્યા પર શાળા શિફ્ટ કરી ત્યાં વગર મંજૂરીએ શાળાનું બાંધકામનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું. 'જે જગ્યા પર શાળા મંજૂર થઈ છે એ જ જગ્યા પર શાળા બનાવવામાં આવે'થોડા સમય પહેલા ડોક્ટર કિશોરભાઈએ અને દીપ્તિબેન સાકરિયાએ ચીમકી પણ આપેલી હતી કે ધરણા કરીશું. તાત્કાલિક આ જે કંઈ ઠરાવો કરવાના છે એ બધા રદ કરવામાં આવે, અભિપ્રાયો કેન્સલ કરવામાં આવે અને જે જગ્યા પર શાળા મંજૂર થઈ છે એ જ જગ્યા પર શાળા બનાવવામાં આવે એવી સતત માંગ હતી. અને આ માંગની સાથે તમામ નગરસેવકો એમના સમર્થનમાં હતા. અને આજે અને ગઈકાલથી આમ આદમી પાર્ટીની શહેર સમિતિ, શહેરના તમામ કાર્યકર્તાઓ, હોદ્દેદારો તમામના સાથ-સહકાર અને અહીંયા વિરોધથી આજે ભાજપને ઝૂકવું પડ્યું, ભાજપના સત્તાધીશોએ ઝૂકવું પડ્યું અને આજની સ્ટેન્ડિંગ કમિટીમાં આ જે નિર્ણય છે એને મુલતવી રાખવામાં આવ્યો છે.
ગઢડાના જલાલપુર બેંક કર્મચારીએ કરી ઉચાપત:ખેડૂતોના ખાતામાંથી લાખો ઉપાડ્યા, પોલીસમાં અરજી
ગઢડા તાલુકાના જલાલપુર ગામમાં આવેલી ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાંથી લાખો રૂપિયાની ઉચાપતનો ગંભીર મામલો સામે આવ્યો છે. બેંકના કેશિયર પર ખેડૂત ખાતેદારોના ખાતામાંથી નાણાં ઉપાડી ઉચાપત કરવાનો આરોપ લાગ્યો છે. આ મામલે ખેડૂતો દ્વારા ઢસા પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી છે. ખેડૂત ખાતેદારોના જણાવ્યા અનુસાર, બેંકના કેશિયર આનંદભાઈ દ્વારા તેમના ખાતામાંથી 5 લાખ, 10 લાખ, 15 લાખ રૂપિયા અને તેનાથી વધુ રકમ ઉપાડી લેવામાં આવી છે. આ ઉચાપત ઘણા ખેડૂતોના ખાતામાંથી થઈ હોવાના આક્ષેપો છે. આ ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં ખેડૂત ખાતેદારો બેંક પર પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી. ત્યારબાદ ઢસા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપવામાં આવી હતી. કેટલાક ખેડૂતોએ જણાવ્યું કે તેમના સંતાનોના લગ્ન નક્કી થયા છે અને મહેનતથી ભેગા કરેલા પૈસા ગુમ થતાં તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોએ ઉચાપત કરનાર સામે કડક કાર્યવાહી અને રકમ પરત મળે તેવી માંગ કરી છે. આ મામલે જલાલપુર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના મેનેજર વિજયસિંહ પરમારે જણાવ્યું હતું કે, બેંક કર્મચારી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાંથી અરજી મળ્યા બાદ બેંક દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં 10 થી 15 સભાસદોના ખાતામાંથી નાણાં ઉપાડવામાં આવ્યા હોવાની માહિતી મળી છે. હેડ ઓફિસ દ્વારા તપાસ ચાલુ છે અને તે પૂર્ણ થયા બાદ કુલ કેટલી રકમની ઉચાપત થઈ છે તે સ્પષ્ટ થશે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. લાખો રૂપિયાની ઉચાપતના આ આરોપથી બેંકિંગ વ્યવસ્થાની વિશ્વસનીયતા સામે સવાલો ઊભા થયા છે. તપાસના અંતે શું તારણ નીકળે છે અને ખેડૂત ખાતેદારોને ન્યાય મળે છે કે કેમ તે જોવું રહ્યું.
આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીની સંશોધક વિદ્યાર્થિની વિધિ સિંહને 'પ્રાઇમ મિનિસ્ટર્સ ફેલોશિપ ફોર ડોક્ટરલ રિસર્ચ' (PM ફેલોશિપ) એનાયત કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા અપાતી આ પ્રતિષ્ઠિત ફેલોશિપ યુનિવર્સિટી, આણંદ જિલ્લો અને રાજ્ય માટે ગૌરવરૂપ છે. ભારત સરકારના CII-ANRF (કોનફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી - અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન) દ્વારા સંચાલિત આ ફેલોશિપ માટે ગત 22 નવેમ્બર, 2025ના રોજ એપેક્સ કાઉન્સિલની બેઠક મળી હતી. આ બેઠકમાં દેશભરના સંશોધકોમાંથી વિધિ સિંહની તેમની પ્રતિભા અને પ્રોજેક્ટની ઉપયોગિતાને આધારે પસંદગી કરવામાં આવી હતી, જેની સત્તાવાર જાહેરાત તાજેતરમાં થઈ છે. આ ફેલોશિપનો મુખ્ય હેતુ ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેના સહયોગને મજબૂત કરવાનો છે. આ યોજના હેઠળ વિધિ સિંહને ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓ બંનેનો સંયુક્ત અનુભવ મળશે. આનાથી એવા સંશોધનોને પ્રોત્સાહન મળશે જે સીધા ઉદ્યોગોની જરૂરિયાતોને પૂર્ણ કરશે અને દેશના વિકાસમાં ફાળો આપશે. આ સિદ્ધિ બદલ યુનિવર્સિટીના કુલપતિ નિરંજનભાઇ પટેલે વિધિ સિંહની મુલાકાત લીધી હતી અને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે વિધિની આ સફળતા યુનિવર્સિટી અને સંશોધન ક્ષેત્ર માટે ગૌરવની વાત છે અને અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક છે. ફેલોશિપના નિયમ મુજબ, વિધિ સિંહે યુનિવર્સિટી અને ઇન્ડસ્ટ્રી પાર્ટનર વચ્ચે 'મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ' (MoA) પર હસ્તાક્ષર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય છે. ત્યારબાદ વિધિ સિંહના સંશોધન કાર્યને સત્તાવાર રીતે વેગ મળશે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ગઠબંધનનો વિજય:ગોધરાના શ્રી કમલમ ખાતે વિજયની ઉજવણી
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને તેના સહયોગી પક્ષોના વિજયની ઉજવણી ગોધરાના શ્રી કમલમ ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે પંચમહાલ જિલ્લા ભાજપના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ મહારાષ્ટ્ર રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. જેમાં ભાજપ અને તેના ગઠબંધને બહુમતી મેળવી હતી. આ વિજયને પગલે ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. પંચમહાલ જિલ્લા ભાજપ દ્વારા મહારાષ્ટ્રમાં ભાજપના વિજયને હર્ષોલ્લાસ સાથે વધાવવામાં આવ્યો હતો. કાર્યકરોએ ફટાકડા ફોડી, એકબીજાને મીઠાઈ ખવડાવી અને વિજય ઉત્સવ મનાવી ખુશી વ્યક્ત કરી હતી. આ ઉજવણી પ્રસંગે પંચમહાલ ભાજપના પ્રમુખ મયંકભાઈ દેસાઈ, મહામંત્રી કુલદીપસિંહ સોલંકી, મંત્રી પરેશભાઈ ચૌહાણ, ઉપાધ્યક્ષ કકુલ પાઠક, શહેર ભાજપ પ્રમુખ નિર્મિતભાઈ દેસાઈ, બક્ષીપંચ મોરચાના મહામંત્રી સંજય રાણા અને પ્રદેશ કારોબારીના પવનભાઈ સોની સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા.
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાસણપુરા ગામના પ્રગતિશીલ ખેડૂત કશ્યપભાઈ હરિશ્ચંદ્ર રાયે પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં એક નવો રાહ ચીંધ્યો છે. વર્ષ 2019 થી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા કશ્યપભાઈ આજે માત્ર એક સફળ ખેડૂત જ નહીં, પરંતુ એક પ્રમાણિત ટ્રેનર પણ બની ચૂક્યા છે. હાલોલ સ્થિત ગુજરાત પ્રાકૃતિક ખેતી વિજ્ઞાન યુનિવર્સિટી હેઠળ તેમની 8 એકર જમીનને હવે જિલ્લા તાલીમ કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવી રહી છે, જે અન્ય ખેડૂતો માટે પથદર્શક બની રહી છે. કશ્યપભાઈ તેમના ‘જયશ્રી ઉપવાન’ નામના ફાર્મમાં પંચસ્તરિયા અને એગ્રો ફોરેસ્ટ્રી પદ્ધતિ અપનાવીને મિશ્ર ખેતી કરે છે. તેઓ સાગના 500 વૃક્ષોની વચ્ચે હળદર, આદુ, કપાસ, અને મસાલા જેવા પાકોનું મબલખ ઉત્પાદન મેળવે છે. આધુનિક મોડેલ દ્વારા તેઓ કેરી, જામફળ, ડ્રેગન ફ્રૂટ, લીચી અને સફરજન જેવા 20 થી વધુ પ્રકારના ફળોની સફળ ખેતી કરી રહ્યા છે. આ પદ્ધતિથી તેઓ વાર્ષિક અંદાજે 15 લાખ રૂપિયાની માતબર આવક મેળવી રહ્યા છે. આ ઉપરાંત, આગામી 10 વર્ષમાં એગ્રો ફોરેસ્ટ્રી દ્વારા વધુ 10 લાખની આવકની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. તેઓ આત્મા પ્રોજેક્ટ સાથે જોડાઈને સરકારની વિવિધ સહાયનો લાભ મેળવી રહ્યા છે. જેમાં FPO હેઠળ BRC પ્લાન્ટ માટે 1.20 લાખની સહાયનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં ગુજરાત અને અન્ય રાજ્યોના 2000 થી વધુ ખેડૂતો તેમના ફાર્મની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતીના પાઠ શીખી ચૂક્યા છે. કશ્યપભાઈનું મિશન રાસાયણિક ખેતી મુક્ત ગુજરાત બનાવવાનું છે, જેથી સમાજને ઝેરમુક્ત આહાર મળી રહે અને ખેડૂતો આર્થિક રીતે સદ્ધર બને.
જામનગર સાયબર ક્રાઈમ પોલીસે પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને અગ્રણી બિલ્ડરોને સોશિયલ મીડિયા પર બદનામ કરવાના કેસના મુખ્ય સૂત્રધાર વિશાલ કણસાગરાની ધરપકડ કરી છે. વિશાલ કણસાગરા નેપાળમાં બેસીને નાણાં પડાવવા માટે નેતા અને બિલ્ડરોની પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકીને તેઓને બદનામ કરતો હતો. આરોપીને આઠ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. આ કેસમાં જામનગરના બિલ્ડર જમન ફળદુ અને તેમના પુત્રએ સોશિયલ મીડિયા પર બદનામ કરવા બદલ બે આઈડી ધારકો સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આઈડી દ્વારા બદનામ કરવા બદલ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. અન્ય એક બિલ્ડર સ્મિત પરમારે પણ વિશાલ કણસાગરા નામની આઈડી ધારક સામે ખંડણી માંગવા અને સોશિયલ મીડિયા પર બદનામ કરવા અંગે ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણમાં અગાઉ હેમતલાલ કણસાગરા અને પરસોત્તમ પરમાર નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેઓ હાલ જેલ હવાલે છે. મુખ્ય સૂત્રધાર વિશાલ કણસાગરા, જે હેમતલાલ કણસાગરાનો પુત્ર છે, તે ફરાર હતો અને નેપાળથી સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને નાણાં પડાવતો હતો. તેના પિતાને જામીન પર છોડાવવા તે ભારતમાં જામનગર આવ્યો ત્યારે સાયબર પોલીસની ટીમે તેનું લોકેશન શોધીને તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે વિશાલ કણસાગરાનો મોબાઈલ ફોન કબજે કર્યો છે. તેણે તમામ પોસ્ટ ડીલીટ કરી દીધી હોવા છતાં, સાયબર સેલની ટીમે તમામ ડેટા રિકવર કરી લીધો છે. પોલીસ તે આઈડી દ્વારા લોકોને બદનામ કરવાના ષડયંત્ર સંબંધિત ડેટા કબજે કરવાની કાર્યવાહી કરી રહી છે. આ પ્રકરણમાં અન્ય કોઈ વ્યક્તિઓ સામેલ છે કે કેમ તે અંગેની ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે. વિશાલ કણસાગરાની ક્રાઈમ કુંડળીજામનગરનો વતની વિશાલ કણસાગરા સોશિયલ મીડિયાના માધ્યમથી અગાઉ પણ અનેક કારસ્તાન કરી ચૂક્યો છે, અને જામનગરના પોલીસ મથકમાં તેની સામે અત્યાર સુધીમાં સાયબર ફ્રોડ સંબંધી 11 ગુનાઓ દાખલ થઈ ચૂક્યા છે, અને તેમાં તે પકડાયો પણ છે. ઉપરાંત તેના પિતા હેમતલાલ કણસાગરા કે જેની સામે પણ સાઈબર ફ્રોડના અન્ય ચાર ગુનાઓ દાખલ થઈ ચૂકેલા છે. વિશાલ પોતે સોશિયલ મીડિયાના માધ્યમથી આઇડી વગેરે બનાવવાનું જાણતો હોવાથી બિલ્ડર સહિતના વ્યક્તિઓ પાસે નાણા પડાવાના બહાને આ કરતૂત કરતો હોવાનું પણ કબુલ્યું છે.
લીરબાઈ માતાજીનો 150મો નિર્વાણ દિવસ:રાણાકંડોરણામાં બે દિવસીય મહોત્સવ, 42 યુગલોના સમૂહ લગ્ન
આઈ લીરબાઈ માતાજીના 150મા નિર્વાણ દિવસની ભવ્ય ઉજવણી શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ અને સમાજની અન્ય સંસ્થાઓ દ્વારા રાણાકંડોરણા ખાતે કરવામાં આવી રહી છે. આ બે દિવસીય મહોત્સવ 19 અને 20 જાન્યુઆરી, 2026ના રોજ યોજાશે. મહોત્સવના પ્રથમ દિવસે, 19 જાન્યુઆરી, 2026ના રોજ મહેર સમાજના 42 નવદંપતીઓ માટે ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય લીરબાઈ માતાજીના સમાધિ સ્થળ રાણાકંડોરણા ખાતે બપોરે 2 વાગ્યાથી ઋષિ કુમારોના મુખેથી વેદોના મંત્રોચ્ચાર સાથે આ લગ્ન સંપન્ન થશે. દાતાઓ દ્વારા દીકરીઓ માટે અનેક પ્રકારના કરિયાવરની જાહેરાત કરવામાં આવી છે, તેમજ દાનવીર શ્રેષ્ઠીઓ દ્વારા લગ્ન સ્પોન્સર પણ કરવામાં આવ્યા છે. આ રીતે સમાજમાં એક જ મંડપ હેઠળ લગ્ન યોજી ખોટા ખર્ચાઓ ઘટાડી એક સુંદર ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ દિવસે સાંજે મહેર જ્ઞાતિના ભાઈ-બહેનો દ્વારા પરંપરાગત પોશાકમાં દાંડીયારાસ અને રાસડાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉજવણીના બીજા દિવસે, 20 જાન્યુઆરી, 2026ના રોજ મહાબીજના પવિત્ર અવસરે 1008 કુંડીના ચંડી યજ્ઞનું પણ આયોજન કરાયું છે. લીરબાઈ માતાજી આધ્યાત્મિક જગતમાં મહેર સમાજનું ગૌરવ અને આદરપાત્ર વ્યક્તિત્વ છે. તેમનું સમગ્ર જીવન અધ્યાત્મ અને સનાતન ધર્મને સમર્પિત હતું. તેમણે સમાજના દરેક વર્ગમાં આધ્યાત્મિકતાની જ્યોત પ્રગટાવી પ્રકાશ ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમના નિર્વાણ દિવસે આ 1008 કુંડી યજ્ઞનું આયોજન તેમના પ્રત્યે શ્રદ્ધા પ્રગટ કરવાનો એક અવસર છે. આ યજ્ઞમાં જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર સૌ કોઈ ભાગ લઈ શકશે. પૂજ્ય લીરબાઈ માતાજીએ સમાજમાં વ્યાપ્ત કુરિવાજો દૂર કરવા અને જનસેવાનું પણ ભગીરથ કાર્ય કર્યું હતું. માતાજીના ૧૫૦મા નિર્વાણ દિવસ નિમિત્તે સમાજમાં વ્યાપ્ત કુરિવાજોના નિર્મૂલન માટે પણ મહત્વપૂર્ણ ઘોષણાઓ કરવામાં આવશે. આ માટે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા ઘણા સમય પહેલા એક ડિજિટલ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં પ્રાપ્ત સૂચનાઓનું સંકલન કરી પૂખ્ત વિચારણા અને ચર્ચાઓ કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલની વિવિધ સમિતિઓના સદસ્યો, સમાજની અન્ય સંસ્થાઓના કાર્યકરો, જ્ઞાતિના ભાઈ-બહેનો તથા અન્ય જ્ઞાતિના સેવકગણ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આ બે દિવસીય મહોત્સવમાં પધારવા માટે પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરાએ સૌ લોકો તથા જ્ઞાતિજનોને હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારની જી.આઈ.ડી.સી. કોલોનીમાં અસામાજિક તત્વો દ્વારા ફરી એકવાર અરાજકતાનો માહોલ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં કેટલાક અજાણ્યા લોકોએ એક ઘરની બહાર પાર્ક કરેલી ઇલેક્ટ્રિક મોપેડની તોડફોડ કરી હોવાના લાઇવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ મામલે વાહન માલિકે માંજલપુર પોલીસ મથકમાં અરજી આપી તપાસની માગ કરી છે. આ મામલે માંજલપુર પોલીસ મથકના પીઆઈ એલ. ડી. ગમારાએ જણાવ્યું હતું કે, આ મામલે અમે ફરિયાદીની અરજી લીધી છે અને આ મામલે અમે તપાસ કરી રહ્યા છીએ. પાર્ક વાહનમાં તોડફોડથી સ્થાનિકોમાં ભયમકરપુરા જીઆઇડીસી કોલોની વિસ્તારમાં રાત્રિના સમયે અજાણ્યા આરોપીઓએ ઇલેક્ટ્રિક સ્કૂટર પર ઇટો અને પથ્થર ફેંકી નુકસાન પહોંચાડ્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાના દૃશ્યો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેમાં તોડફોડ કરતા આરોપીઓની હરકત સ્પષ્ટ દેખાઈ રહી છે. આ ઘટનાથી પીડિત પરિવારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. પરિવારના સભ્યો રાત્રે ઘરની બહાર વાહન પાર્ક કરવા ડરી રહ્યા છે. પીડિત પરિવારે આ અંગે સ્થાનિક પોલીસ મથકે અરજી આપી અજાણ્યા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડવાના પ્રયાસો ચાલુ છે. પથ્થરોથી ગાડી અને ઘરના દરવાજા પર હુમલો કર્યોઃ અતુલભાઈઆ અંગે ઇલેક્ટ્રિક સ્કૂટર માલિક અતુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે સવારે આશરે સાડા ચાર વાગ્યે જ્યારે હું માર્કેટ ગયો હતો, ત્યારે કેટલાક લોકોએ ઘરે કોઈ નથી તેમ જાણીને મોટા પથ્થરોથી અમારી ગાડી અને ઘરના દરવાજા પર હુમલો કર્યો હતો. તેમણે મારી ગાડી સંપૂર્ણપણે તોડી નાખી છે. સાથે ઘરના દરવાજા પર પણ પથ્થર માર્યા છે. આ સાથે અગાઉ પણ તેઓની ગાડીને નુકસાન પહોંચાડ્યું હતું. તે ગાડીને રિપેર માટે ખર્ચ આપવાનું કહ્યું હતું, પરંતુ લાંબા સમય સુધી ન આપી અન્ય ગાડી આપી હતી. જે સામે અરજી કરી અમે તેઓને તેઓની ગાડી આપતા નથી. અગાવના પૈસા ન આપી અન્ય ગાડીમાં પણ નુકસાન પહોંચાવ્યુંવધુમાં કહ્યું કે, આ બાબતે અમે તેઓની ગાડી પોલીસ મથકમાં જમા કરાવી હતી. બાદમાં કઈ થયું ન હતું. બાદમાં વચ્ચે રહેલા માણસોએ કઈ કર્યું નહીં અને અગાઉ ગાડીના નુકસાન બાબતે અમે પૈસા માગતા તેને ફરી એકવાર અમારા સ્કૂટરને નુકસાન કર્યું છે. આ માટે અમે પોલીસમાં અરજી કરી છે.
ચલાલા નગરપાલિકા પ્રમુખ તરીકે ભૂમિબેન વાળાની નિમણૂક:અગાઉના પ્રમુખના રાજીનામા બાદ સર્વાનુમતે વરણી કરાઈ
અમરેલી જિલ્લાની ચલાલા નગરપાલિકામાં પ્રમુખપદના વિવાદનો અંત આવ્યો છે. અગાઉના પ્રમુખ નયનાબેન વાળાના રાજીનામા બાદ, આજે ભૂમિબેન જયરાજભાઈ વાળાની સર્વાનુમતે પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ચલાલા નગરપાલિકામાં પ્રમુખપદને લઈને ભારતીય જનતા પાર્ટીના જ સભ્યો વચ્ચે ખેંચાખેંચી ચાલી રહી હતી. મહિલા પ્રમુખ નયનાબેન વનરાજભાઈ વાળા સામે કેટલાક સદસ્યોએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જિલ્લા કલેક્ટર સમક્ષ અગાઉ રાજીનામું આપ્યું હતું, જે કલેક્ટરે સ્વીકાર્યું ન હતું. ત્યારબાદ ભાજપના જ સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્તની તૈયારી કરતા નયનાબેન વાળાએ બીજી વખત કલેક્ટરને રાજીનામું સુપરત કર્યું હતું. આ રાજીનામા બાદ પ્રમુખપદ માટે ફરી ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. આજે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી, જેમાં 24 સદસ્યોમાંથી 18 ભાજપના સદસ્યો હાજર રહ્યા હતા અને 6 ગેરહાજર હતા. ભૂમિબેન વાળાએ પ્રમુખ તરીકે ફોર્મ રજૂ કરતા હાજર રહેલા તમામ સદસ્યોએ તેમને સમર્થન આપ્યું હતું, જેના પરિણામે તેમની સર્વાનુમતે નિમણૂક થઈ છે. ભૂમિબેન જયરાજભાઈ વાળાની પ્રમુખ તરીકે નિમણૂક થતા કાર્યકરો અને સમર્થકોએ તેમને ફૂલડે વધાવ્યા હતા અને મોં મીઠા કરાવી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય જે.વી. કાકડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક દાનમહારાજની જગ્યામાં મહિલા પ્રમુખ સહિતના આગેવાનોએ દર્શન કરી આશીર્વાદ લીધા હતા. નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ જયરાજ વાળાએ જણાવ્યું હતું કે, પ્રદેશ ભાજપ નેતૃત્વ અને ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ તેમના પર વિશ્વાસ મૂકીને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. તેમણે ગામનો વિકાસ કરવા, અધૂરા કામો વહેલી તકે પૂર્ણ કરવા અને ભાજપે મૂકેલા વિશ્વાસમાં 100 ટકા નિષ્ઠા અને જવાબદારીપૂર્વક કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. તેમણે 24 સભ્યોના સહકાર બદલ આભાર માન્યો અને આગામી દિવસોમાં ચલાલા નગરપાલિકા વિકાસના કામોને આગળ વધારશે તેમ જણાવ્યું.
રાજકોટ જિલ્લાના નાગરિકો માટે દીકરીઓના ઉત્કર્ષ અને સશક્તિકરણના હેતુથી સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. રાજ્ય સરકારની અત્યંત લોકપ્રિય વહાલી દીકરી યોજનાનો લાભ છેવાડાના ઘર સુધી પહોંચાડવા માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવો, સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવી, કન્યા શિક્ષણને વેગ આપવો અને સ્ત્રીઓના સામાજિક દરજ્જાને ઉન્નત બનાવવાનો છે. વર્ષ 2019 થી અમલમાં આવેલી આ યોજના હવે રાજકોટના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વધુ વેગવંતી બનાવવામાં આવશે. વહાલી દીકરી યોજના અંતર્ગત પાત્રતા ધરાવતી દરેક દીકરીને સરકાર તરફથી કુલ 1,10,000 ની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે, જે ત્રણ મહત્વના તબક્કાઓમાં વહેંચાયેલી છે. જ્યારે દીકરી પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવે છે, ત્યારે પ્રોત્સાહન રૂપે 4,000 ની સહાય આપવામાં આવે છે. ત્યારબાદ, શિક્ષણ પ્રક્રિયા ચાલુ રહે તે માટે ધોરણ 9 માં પ્રવેશ સમયે 6,000 ની બીજી સહાય મળે છે. સૌથી મહત્વનો તબક્કો દીકરી 18 વર્ષની ઉંમર પૂર્ણ કરે ત્યારે આવે છે, જેમાં તેને ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે એકીસાથે 1,00,000 ની મોટી રકમ ચૂકવવામાં આવે છે. આ આર્થિક ટેકો દીકરીના ભવિષ્યને સુરક્ષિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ યોજનાનો લાભ લેવા માટેની પ્રક્રિયાને અત્યંત સરળ બનાવવામાં આવી છે. અરજદારો ઓનલાઇન પોર્ટલ https://emahilakalyan.gujarat.gov.in/ પર જઈને જાતે જ અરજી કરી શકે છે. જે લોકો ડિજિટલ માધ્યમથી અરજી ન કરી શકે, તેઓ પોતાની નજીકની મામલતદાર કચેરી અથવા ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ VCE (વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર) પાસેથી ફોર્મ મેળવી શકે છે. અરજી સાથે દીકરીનું જન્મ પ્રમાણપત્ર, આધારકાર્ડ, માતા-પિતાનું લગ્ન નોંધણી પ્રમાણપત્ર અને આવકનો દાખલો જેવા જરૂરી દસ્તાવેજો જોડવાના રહેશે. રેશનકાર્ડમાં દીકરીનું નામ હોવું અનિવાર્ય છે. રાજકોટ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જણાવાયું છે કે, વાર્ષિક આવક મર્યાદા અને અન્ય નિયત શરતોનું પાલન કરતા પરિવારો આ તકનો મહત્તમ લાભ લે તે જરૂરી છે. વધુ વિગતો કે મૂંઝવણ માટે નાગરિકો જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના ફોન નંબર 0281 2448592 પર સંપર્ક કરી શકે છે. આ ઝુંબેશ દ્વારા રાજકોટ જિલ્લો દીકરીઓના શિક્ષણ અને સુરક્ષાના ક્ષેત્રે એક નવું સીમાચિહ્ન પ્રસ્થાપિત કરવા તરફ આગળ વધી રહ્યો છે.
ભિલોડાની આર.જી. બારોટ નર્સિંગ કોલેજના ટ્રસ્ટી દેવાંગ બારોટ દ્વારા એક આદિવાસી વિદ્યાર્થીને લાકડી વડે ઢોર માર મારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આદિવાસી સમાજ દ્વારા આપવામાં આવેલા બે દિવસીય બંધના એલાનને પગલે આજે ભિલોડા અને શામળાજીના બજારો સજ્જડ બંધ રહ્યા હતા. ભિલોડા અને શામળાજી તાલુકાના વેપારીઓએ સ્વયંભૂ બજારો બંધ રાખી આદિવાસી સમાજના વિરોધને ટેકો જાહેર કર્યો હતો. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી આરોપી ટ્રસ્ટી દેવાંગ બારોટની એટ્રોસિટી એક્ટ હેઠળ ધરપકડ કરી લીધી છે. સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનોએ રેલી યોજી મામલતદાર અને ડીવાયએસપીને આવેદન આપી આરોપી સામે કડક સજાની માંગ કરી છે. શું છે સમગ્ર મામલો? ઘટનાની શરૂઆત કોલેજ બસના ડ્રાઈવર પાસે પાણી માંગવા બાબતે થઈ હતી. ડ્રાઈવર અને વિદ્યાર્થી અભિષેક વચ્ચે બોલાચાલી થતા તેના મિત્ર દીપક બરંડાએ વચ્ચે પડી શાંતિ રાખવા જણાવ્યું હતું. આ બાબતની અદાવત રાખી ટ્રસ્ટી દેવાંગ બારોટે વિદ્યાર્થી દીપકને ક્લાસની બહાર બોલાવી જાતિવિષયક અપશબ્દો કહી લાકડી વડે બેરહેમીથી માર માર્યો હતો.
અરબી સમુદ્રમાં ભારતીય જળસીમાનું ઉલ્લંઘન કરી ઘૂસણખોરી કરનાર પાકિસ્તાની બોટ ‘અલ મદીના’ સાથે ઝડપાયેલા 9 પાકિસ્તાની નાગરિકો સામે સુરક્ષા એજન્સીઓએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ તમામ આરોપીઓ કરાચીના વિવિધ વિસ્તારોના રહેવાસી હોવાનું ખૂલ્યું છે. આ મામલે નવીબંદર પોલીસ મથકમાં ગુનો નોંધી તમામની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. સંયુક્ત તપાસનો ધમધમાટપકડાયેલા તમામ શખ્સો પોતે વ્યવસાયે માછીમાર હોવાનો દાવો કરી રહ્યા છે. જોકે, પ્રતિબંધિત જળસીમામાં તેમના પ્રવેશ પાછળનો હેતુ શંકાસ્પદ જણાતા ઇન્ટેલિજન્સ બ્યુરો (IB), કોસ્ટ ગાર્ડ અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ શખ્સો માત્ર રસ્તો ભટકીને ભારતીય સીમામાં આવ્યા હતા કે પછી કોઈ જાસૂસી અથવા ચોક્કસ મિશનના ઇરાદે ઘૂસણખોરી કરી હતી. હાલમાં પોરબંદર જેટી ખાતે બોટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને તમામ આરોપીઓને જેલ હવાલે કરવાની પ્રક્રિયા ગતિમાં છે. ઝડપાયેલા આરોપીઓ
વ્યારામાં રેન્જ આઈજીની હાજરીમાં લોક દરબાર યોજાયો:નાગરિકોએ ટ્રાફિક અને નશાબંધી મુદ્દે રજૂઆત કરી
વ્યારા પોલીસ મેદાન ખાતે દક્ષિણ ગુજરાતના રેન્જ આઈજી પ્રેમવીર સિંહની હાજરીમાં લોક દરબાર યોજાયો હતો. આ દરબારમાં નાગરિકોએ ટ્રાફિક સમસ્યા અને નશાબંધીના મુદ્દે રજૂઆતો કરી હતી. આ લોક દરબારમાં તાપી જિલ્લાના એસપી સહિત પોલીસ વિભાગના અન્ય અધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. નાગરિકોએ ખાસ કરીને શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા અને નશાના દૂષણને નિયંત્રિત કરવા માટે પોલીસ તંત્ર સમક્ષ માંગણીઓ મૂકી હતી. રેન્જ આઈજી પ્રેમવીર સિંહે નાગરિકોની રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળી હતી અને આ મુદ્દાઓ પર સકારાત્મક પરિણામ લાવવા માટે ખાતરી આપી હતી.
ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશભરમાં માર્ગ અકસ્માતોમાં થતા મૃત્યુ અને જાનહાનિને ઘટાડવાનો છે. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત 8થી 15 જાન્યુઆરી સુધીમાં વડોદરા ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમોના ભંગ બદલ 3583 વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી છે. રાજ્ય સરકાર અને વિવિધ વિભાગોના સહયોગથી સમગ્ર જાન્યુઆરી માસ દરમિયાન જન-જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વડોદરા શહેર પોલીસ કમિશનર અને અધિક પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખા દ્વારા એજ્યુકેશન, એન્ફોર્સમેન્ટ અને એન્જિનિયરિંગના ત્રણ મુખ્ય પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને તા. 8 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ ઉપરાંત રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત 8થી 15 જાન્યુઆરી દરમિયાન ટ્રાફિક નિયમોના ભંગ માટે એન્ફોર્સમેન્ટની કાર્યવાહી કરવામાં આવી હતી. વડોદરા ટ્રાફિક પોલીસે કરેલી કામગીરી - એક કરતાં વધુ વ્યક્તિઓને બેસાડવા : 665 - હેલ્મેટ વિના : 33 - દસ્તાવેજો વિના : 542 - પાર્કિંગ નિયમોનું ઉલ્લંઘન : 590 - સીટબેલ્ટ ન પહેરવું : 296 - મોબાઇલ ફોનનો ઉપયોગ : 194 - સત્તાધિકારીના આદેશનો અમલ ન કરવો : 174 - ડ્રાઇવર સીટ પર વધારાની વ્યક્તિ : 45 - ટ્રાફિક સિગ્નલ ભંગ : 159 - ડ્રાઇવિંગ લાઇસન્સ વિના : 48 - વીમા વિના : 61 - કાચ પર ડાર્ક ફિલ્મ : 23 - જોખમી રીતે વાહન ચલાવવું : 103 - નંબર પ્લેટ વિના : 520 - વધુ સ્પીડ : 4 - અન્ય કેસ : 25 - ડિટેન વાહનો : 101
જામનગરમાં લક્ષ્મીનારાયણ મંદિરનો 42મો પાટોત્સવ:આણદાબાવા સંસ્થા દ્વારા ભવ્ય શાકોત્સવનું આયોજન
જામનગરની આણદાબાવા સેવા સંસ્થા સંચાલિત લક્ષ્મીનારાયણ મંદિરમાં 42મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે લીમડાલાઇન સ્થિત સંસ્થાના અનાથાલય પરિસરમાં ભવ્ય શાકોત્સવનું આયોજન થયું હતું. સંસ્થાના મહંત દેવપ્રસાદજીની નિશ્રામાં સેંકડો ભક્તોએ મહાપ્રસાદની સામગ્રી તૈયાર કરી હતી. પૂજારીઓએ લક્ષ્મીનારાયણ ભગવાનને શાકભાજીમાંથી બનાવેલા આભૂષણોનો વિશેષ શૃંગાર અર્પણ કર્યો હતો. આ શુભ અવસરે ભગવાન લક્ષ્મીનારાયણને વિવિધ શાકભાજી, મીઠાઈઓ, ફળફળાદિ અને અન્નના વૈવિધ્યસભર અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યા હતા. બપોરે 12:00 થી 1:00 દરમિયાન અન્નકૂટ દર્શનનું આયોજન થયું હતું, જેમાં જામનગર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. બપોરે 12:15 કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભક્તોએ ભક્તિભાવપૂર્વક ભાગ લઈ સમગ્ર પરિસરને ભજન-કીર્તનથી ગુંજાયમાન કરી દીધું હતું. આરતી બાદ બપોરે 1:00 કલાકે મહાપ્રસાદનું વિતરણ થયું હતું, જેમાં હજારો ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. લક્ષ્મીનારાયણ મંદિરમાં દર વર્ષે પાટોત્સવ અને શાકોત્સવનું પરંપરાગત રીતે આયોજન કરવામાં આવે છે. આ ઉત્સવ ભક્તિ, શ્રદ્ધા અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમનું આયોજન આણદાબાવા સેવા સંસ્થા, જામનગર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના સેવાભાવી કાર્યકરોએ સુચારુ વ્યવસ્થા સંભાળી હતી.
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ 92 વર્ષની વયે પણ સત્સંગના પ્રસાર અને ભક્તોના કલ્યાણ માટે અવિરત વિચરણ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અબુધાબીમાં ભવ્ય શિખરબદ્ધ મંદિરનું નિર્માણ, અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ, મોટેરા સ્ટેડિયમ ખાતે કાર્યકર સુવર્ણ મહોત્સવ અને અમેરિકામાં અક્ષરધામ જેવા ઐતિહાસિક કાર્યો સંપન્ન કર્યા બાદ હવે તેઓ ભાવનગર પધારી રહ્યા છે. 7 વર્ષના લાંબા અંતરાલ બાદ પૂજ્ય સ્વામીશ્રીના આગમનને લઈને ભાવનગરના હરિભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહંતસ્વામી મહારાજ એપ્રિલ મહિનાની 2 થી 15 તારીખ સુધી ભાવનગરમાં રોકાણ કરી હરિભક્તોને સત્સંગનો લાભ આપશે. અક્ષરવાડી સ્વામિનારાયણ મંદિરમાં અત્યારથી જ દિવાળી જેવો ઉત્સવી માહોલ સર્જાયો છે. 2018 પછી પ્રથમવાર ભાવનગર પધારતા સ્વામીશ્રીના સ્વાગત માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં તેમના રોકાણ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કાર્યક્રમો યોજાશે, જેની વિગતવાર માહિતી સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવશે. આ રોકાણ દરમિયાન હરિભક્તો દર્શન અને આશીર્વાદનો લાભ લઈ ધન્યતા અનુભવશે.
રાજકોટમાં આયોજિત 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન'માં સુરેન્દ્રનગરના દેદાદરા ગામની 700 વર્ષ પ્રાચીન 'ટાંગલિયા' હસ્તકલા આકર્ષણનું કેન્દ્ર બની છે. રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા કલાકાર બળદેવ રાઠોડ દ્વારા પ્રદર્શિત આ કલા 'વોકલ ફોર લોકલ' અભિયાન અને રાજ્ય સરકારના પ્રોત્સાહનથી હવે વૈશ્વિક સ્તરે નામના મેળવી રહી છે. હોલીવુડ ફિલ્મ 'F1'માં ટાંગલિયા આર્ટનો વૈભવટાંગલિયા હસ્તકલાની ખ્યાતિ હવે માત્ર ભારત પૂરતી સીમિત રહી નથી. તાજેતરમાં હોલીવુડની ફિલ્મ 'F1' માં ટાંગલિયા આર્ટના શર્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની ડોક્યુમેન્ટ્રીમાં પણ આ કલાના મહત્વને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય ફેશન જગતમાં વધી રહેલી માંગ ગ્રામીણ કલાકારોની વર્ષોની તપસ્યાનું પરિણામ છે. GI ટેગ: નકલી બનાવટો સામે સુરક્ષા કવચટાંગલિયા કલાની મૌલિકતા જાળવી રાખવા માટે તેને ' જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન' (GI) ટેગ આપવામાં આવ્યો છે. આ કાયદાકીય સંરક્ષણના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના અધિકૃત કલાકારો સિવાય અન્ય કોઈ વ્યક્તિ આ કલાના નામે નકલી વસ્તુઓ વેચી શકશે નહીં. GI ટેગ મળવાથી વૈશ્વિક બજારોમાં ગ્રાહકોનો વિશ્વાસ વધ્યો છે અને વચેટિયાઓ દૂર થતા કલાકારોને સીધો આર્થિક લાભ મળી રહ્યો છે. જટિલ 'દાણા ગૂંથણી' પદ્ધતિટાંગલિયાની મુખ્ય વિશેષતા તેની અત્યંત જટિલ 'દાણા ગૂંથણી' વણાટ પદ્ધતિ છે. આ કોઈ મશીન વર્ક કે અલગથી કરેલું ભરતકામ નથી. હાથશાળ પર કાપડ વણતી વખતે જ દોરાની સાથે ઊન કે સૂતરના નાના મણકા જેવા 'ટાંકા' ગૂંથીને આકૃતિઓ તૈયાર કરવામાં આવે છે. આ કલાની ખાસિયત એ છે કે કાપડની બંને બાજુ ભાત એકસરખી જ દેખાય છે. પ્રદર્શનમાં મુલાકાતીઓ માટે લાઈવ 'ડેમો લૂમ' પણ રાખવામાં આવી છે. પરંપરા અને આધુનિકતાનો સમન્વયએક સમયે માત્ર ધાબળા પૂરતી સીમિત આ કલા હવે આધુનિક જીવનશૈલીમાં ભળી ગઈ છે. 'ગુજરાત રાજ્ય હસ્તકલા અને હાથશાળ વિકાસ નિગમ' (ગરવી ગુર્જરી) અને 'હસ્તકલા સેતુ યોજના' હેઠળ કલાકારોને નવી ડિઝાઇનિંગની તાલીમ આપવામાં આવી રહી છે. કલાકારોને નવી ડિઝાઇનિંગની તાલીમ જેવી પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવે છે, જે યુવા પેઢીમાં ખૂબ લોકપ્રિય બની છે. સરકારી પ્રોત્સાહનથી નવું જીવનકલાકાર બળદેવ રાઠોડના જણાવ્યા અનુસાર, ગુજરાત સરકારના હસ્તકલા પ્રોત્સાહન બોર્ડ દ્વારા ડિઝાઇનિંગ અને માર્કેટિંગ સપોર્ટ મળવાથી નવી પેઢી ફરી આ વ્યવસાય તરફ વળી છે. વાઇબ્રન્ટ ગુજરાત જેવા પ્લેટફોર્મ હજારો મુલાકાતીઓ અને ખરીદદારો સાથે સીધો સંવાદ કરવાની તક પૂરી પાડે છે, જેનાથી આ વિસરાતી જતી કલા હવે સંગ્રહાલયોને બદલે વૈશ્વિક ફેશન રેમ્પ સુધી પહોંચી છે.
ગાંધીનગર, 16 જાન્યુઆરી 2026: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર શહેરી વિકાસ અને નાગરિકોના ‘ઇઝ ઓફ લિવિંગ’ માટે સતત કાર્યરત છે. નવસારી મહાનગરપાલિકામાં નવા ભળેલા આઉટર વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે ₹112 કરોડના ખર્ચે અત્યાધુનિક પાણી પુરવઠા અને ડ્રેનેજ નેટવર્ક પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 1 જાન્યુઆરી 2025ના રોજ અસ્તિત્વમાં આવેલી આ મહાનગરપાલિકામાં એરુ, ધારાગીરી, દાંતેજ અને હાંસાપોર જેવા ચાર ગામોનો સમાવેશ કરાયો હતો, જ્યાં લાંબા સમયથી પીવાના પાણી અને ગંદા પાણીના નિકાલની સમસ્યા હતી.આ પ્રોજેક્ટ હેઠળ નવી પાઇપલાઇન્સ, ઓવરહેડ ટાંકી, અંડરગ્રાઉન્ડ સંપ, ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન અને નવો વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવી આધુનિક સુવિધાઓ ઊભી કરાશે. જેનાથી આશરે 25,000 થી વધુ નાગરિકોને સીધો લાભ થશે અને બાળકોના આરોગ્યમાં સુધારો આવશે. મનપા કમિશનર શ્રી દેવ ચૌધરીએ જણાવ્યું કે આ કામગીરી નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરી લોકોની સુખાકારીમાં વધારો કરવામાં આવશે. વર્ષ 2025 ને 'શહેરી વિકાસ વર્ષ' તરીકે ઉજવવાની રાજ્ય સરકારની નેમ અંતર્ગત નવસારીને સ્વચ્છ, સલામત અને આધુનિક બનાવવાની દિશામાં આ એક ઐતિહાસિક પગલું છે.
રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા નવા વર્ષથી કામગીરીમાં અભૂતપૂર્વ ઝડપ લાવવામાં આવી છે. શહેરમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાની સાથે સાથે નાગરિકો અને બિલ્ડરોને હાલાકી ન પડે તે માટે હવે ફાયર NOC આપવાની પ્રક્રિયા અત્યંત સરળ અને ઝડપી બનાવી દેવામાં આવી છે. ઓનલાઈન કામગીરી તેમજ સ્ટાફ વધતા કામગીરી પહેલા કરતા ખૂબ ઝડપી બની છે. છેલ્લા 21 દિવસમાં 12 ટેમ્પરરી સહિત 33 ફાયર NOC ઇશ્યુ કરવામાં આવી ચુક્યા છે. હાલ માત્ર 3 અરજીઓ પેન્ડિંગ છે જેનો આગામી 3-4 દિવસમાં નિકાલ કરવામાં આવશે. ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેએ જણાવ્યું હતું કે, જે પ્રક્રિયા માટે સામાન્ય રીતે 21 દિવસનો સમય નિર્ધારિત હોય છે, તે હવે મનપા દ્વારા માત્ર 1 સપ્તાહ કે તેનાથી પણ ઓછા સમયમાં પૂર્ણ કરવામાં આવી રહી છે. રાજકોટ મનપાના ફાયર વિભાગમાં તાજેતરમાં સ્ટાફની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે, જેના સીધા પરિણામો હવે જોવા મળી રહ્યા છે. સ્ટાફ વધવાને કારણે અરજીઓની ચકાસણી, સ્થળ તપાસ અને ડોક્યુમેન્ટેશનની કામગીરીમાં જે વિલંબ થતો હતો તે દૂર થયો છે. અમિત દવેના જણાવ્યા અનુસાર, ઓનલાઇન પોર્ટલના માધ્યમથી અરજીઓનું સતત નિરીક્ષણ કરવામાં આવે છે અને જો તમામ ટેકનિકલ માપદંડો સંતોષાયેલા હોય તો 5 દિવસની અંદર જ NOC ઇશ્યૂ કરી દેવામાં આવે છે. છેલ્લા 21 દિવસના આંકડાઓ પર નજર કરીએ તો ફાયર વિભાગે કુલ 33 જેટલી વિવિધ પ્રકારની ફાયર NOC મંજૂર કરી છે. જેમાં પ્રપોઝ ફાયર NOC અંગેની કુલ 22 અરજીઓ ઓનલાઇન મળી હતી, જેમાંથી 21 અરજીઓને મંજૂરી આપી દેવામાં આવી છે. માત્ર 1 અરજી હાલ પ્રક્રિયા હેઠળ છે. જ્યારે ફાઈનલ NOCની કુલ 14 અરજીઓ આવી હતી, જેમાંથી 12 NOC ઇશ્યૂ કરી દેવામાં આવી છે અને માત્ર 2 અરજીઓ પેન્ડિંગ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે 31 ડિસેમ્બર સહિતના વિવિધ અયોજનો માટે ટેમ્પરરી NOC લેવી ફરજિયાત હોય છે. છેલ્લા 21 દિવસમાં આવા નાના કાર્યક્રમો કે આયોજનો માટે મળેલી તમામ 12 ટેમ્પરરી NOCની અરજીઓ તાત્કાલિક ધોરણે મંજૂર કરવામાં આવી ચુકી છે. હાલ ટૂંકા સમયમાં જે 3 અરજીઓ પેન્ડિંગ છે, તેનું નિરાકરણ પણ આગામી દિવસોમાં આવી જશે. આમ, રાજકોટવાસીઓ માટે ફાયર વિભાગની આ કાર્યક્ષમતા નવા વર્ષમાં મોટી રાહત સમાન બની છે. ઊંચી ઇમારતો માટે કડક નિયમો સરકારના નવા પરિપત્ર મુજબ, 20 માળ કે 70 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી ઇમારતોમાં સુરક્ષાના ભાગરૂપે 24 કલાક ફાયર ઓપરેટર રાખવા ફરજિયાત કરવામાં આવ્યા છે. આ નિયમનો અમલ થાય તે માટે પણ ફાયર વિભાગ સતર્ક છે. ઓનલાઇન પોર્ટલ દ્વારા પારદર્શિતા આવતા ભ્રષ્ટાચારની શક્યતાઓ ઘટી છે, અરજદારોને પણ ઓનલાઈન માધ્યમ દ્વારા પોતાના કામની સ્થિતિ જાણવામાં સરળતા રહે છે.
પોરબંદરમાં શ્રી જે.એન. રૂપારેલ સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (MBA)ના 42 વિદ્યાર્થીઓ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU)ની સેમેસ્ટર-1ની પરીક્ષા આપી શક્યા નથી. કોલેજ સંચાલકોની ગંભીર બેદરકારી અને પ્રિન્સિપાલની ભૂલના કારણે વિદ્યાર્થીઓને હોલ ટિકિટ મળી ન હતી, જેનાથી તેમનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. GTU દ્વારા MBA સેમેસ્ટર-1ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જોકે, સ્વામિનારાયણ કોલેજના 42 વિદ્યાર્થીઓની હોલ ટિકિટ જ જનરેટ થઈ ન હતી. વિદ્યાર્થીઓ અને વાલીઓએ કોલેજ પર જઈ પૃચ્છા કરતા આ ગંભીર બેદરકારી સામે આવી હતી. કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ સુમિત આચાર્યએ પોતાની ભૂલ સ્વીકારી હતી. તેમણે જણાવ્યું કે, એડમિશન કમિટીમાં વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ સમયસર સબમિટ કરવાના હતા, જે તેમની વ્યક્તિગત ભૂલને કારણે મોડા સબમિટ થયા. આથી, એડમિશન કમિટીએ ફોર્મ સ્વીકાર્યા નહોતા અને GTU દ્વારા હોલ ટિકિટ જારી કરવામાં આવી ન હતી. આ ઘટનાને કારણે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા નથી, જેનાથી તેમનું છ મહિનાનું એક સેમેસ્ટર બગડવાની શક્યતા છે. વિદ્યાર્થીઓ છેલ્લા એક મહિનાથી કોલેજને હોલ ટિકિટ માટે રજૂઆત કરી રહ્યા હતા, પરંતુ અંતિમ ઘડી સુધી કોઈ ઉકેલ આવ્યો ન હતો. આ મામલે કોલેજ કેમ્પસમાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. વાલીઓએ આક્ષેપ કર્યો કે કોલેજની ફી ભરવા છતાં સંચાલકોની બેદરકારીને કારણે તેમના બાળકોનું ભવિષ્ય જોખમાયું છે. પ્રિન્સિપાલ દ્વારા માફી માંગવામાં આવી હોવા છતાં, વિદ્યાર્થીઓ અને વાલીઓ ન્યાયની માંગ કરી રહ્યા છે.
ગુજરાત હાઈકોર્ટે ખેડા જિલ્લામાં 2018માં 35 વર્ષીય વિવાહિત મહિલાના ગેંગરેપ અને હત્યા સાથે જોડાયેલા ત્રણ આરોપીને જેઓ મૃત્યુદંડની સજા પામ્યા હતા, તેમને નિર્દોષ જાહેર કર્યા છે અને તેમની તાત્કાલિક મુક્તિનો આદેશ આપ્યો છે. આરોપીઓ વતી તેમના કેસને એડવોક્ટ ભાવિક સમાણીએ રજૂ કર્યો હતો. હાઇકોર્ટે નોંધ્યું હતું કે, પ્રોસિક્યુશન પક્ષ આરોપીઓ વિરુદ્ધ તેનો કેસ વાજબી શંકાથી પરે પુરાવા આપવામાં સફળ રહ્યો નથી. કારણ કે તેઓ આરોપીઓની દોષસિદ્ધિ તરફ ઇશારા કરતી પૂર્ણ ચેઈન સ્થપતિ કરી શક્યા નથી. ફોરેન્સિક વિશ્લેષણથી બ્લડ અને સીમેન સેમ્પલ્સ આરોપીઓ સાથે મેચ થયા હોવાનું ટ્રાયલ કોર્ટની દોષસિદ્ધિનો મુખ્ય આધાર હતો, પરંતુ હાઈકોર્ટે સેમ્પલ્સના સંગ્રહ, જતન અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીને મોકલવા માટેની ફરજિયાત પ્રક્રિયાઓનું પાલન ન થવાને કારણે ફોરેન્સિક રિપોર્ટ્સના પુરાવાના મૂલ્યને નકારી કાઢ્યું હતું. સેમ્પલ્સ કઇ પરિસ્થિતિમાં હતાં તેનો કોઈ રેકોર્ડ નહિકોર્ટે નોંધ્યું હતું કે, સ્વીકાર્ય છે કે 14 દિવસના વિલંબ પછી સેમ્પલ્સને અમદાવાદ FSLને મોકલવામાં આવ્યા. આ વિલંબ કેમ થયો હતો અને આ સમયગાળા દરમિયાન સેમ્પલ્સ કઇ પરિસ્થિતિઓમાં જાળવી રાખવામાં આવ્યા હતા, તે રેકોર્ડ પર આવ્યું નથી. ફોરેન્સિક ટેક્નોલોજીના પ્રગતિઓ સાથે પણ પ્રોસિજરલ લેપ્સને કારણે આરોપીઓને નિર્દોષ જાહેર કરતા હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટનો ઉલ્લેખ કર્યો હતો. જેણે નોંધ્યું છે કે આવા પ્રગતિના સમયમાં હજુ પણ એવા કેસો જોવા મળે છે, જ્યાં પુરાવા ઉપલબ્ધ હોવા છતાં તેને નકારવા પડે છે. કારણ કે સંબંધિત વ્યક્તિઓ ડોક્ટરો કે તપાસકર્તાઓ આવા સંવેદનશીલ પુરાવાને હેન્ડલ કરવામાં બેદરકાર રહ્યા હોય છે. મહિલાનું ગેંગરેપ બાદ ગળુ દબાવી હત્યા કરાઈ હતીઓક્ટોબર, 2018માં પીડિતાને મોટી ઝેર ગામથી બળજબરીથી અપહરણ કરવામાં આવી અને તેને ખેડા જિલ્લાના નિર્મલી ગામ લઈ જઈને ગેંગરેપ કરવામાં આવ્યો અને પછી ગળું દાબી નાખીને હત્યા કરવામાં આવી. તેનો મૃતદેહ પછી એક ખેતરમાં ફેંકી દેવાયો હતો. જેના પછી પીડિતાના ભાઈએ FIR નોંધાવી હતી. પોલીસે આ કેસમાં ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. કપડવંજની સેશન્સ કોર્ટે તેમને 29 એપ્રિલ, 2022ના રોજ દોષી ઠેરવીને મૃત્યુદંડની સજા ફટકારીને અપરાધને રેરેસ્ટ ઓફ ધ રેર તરીકે ગણાવ્યો હતો. ડોક્ટરોના પુરાવાને આધાર આપવાનો કોર્ટે ઇનકાર કર્યોરાજ્ય સરકારે મૃત્યુદંડની પુષ્ટિ માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, કારણ કે ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલ મૃત્યુદંડની સજા માટે હાઈકોર્ટ દ્વારા ફરજિયાત પુષ્ટિ જરૂરી છે. દોષીઓએ પણ ટ્રાયલ કોર્ટના ચુકાદાને પડકાર્યા હતા. કેસની સુનાવણી પછી હાઈકોર્ટે કથિત અપરાધ સાથે જોડાયેલી મેડિકલ હિસ્ટરી રેકોર્ડ કરનારા ડોક્ટરોના પુરાવાને આધાર આપવાનો ઇનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે આવા પુરાવા કબૂલ થઈ શકે નથી. કોર્ટે નોંધ્યું કે, મેડિકલ સેમ્પલ્સ એકઠા કરતી વખતે આરોપીઓના નિવેદનો રેકોર્ડ કરવું ડોક્ટરનું કામ નથી.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોની એકદિવસીય કલેક્ટર કોન્ફરન્સ બોલાવી હતી. રાજ્યના મહેસૂલ તંત્રને વધુ અસરકારક બનાવવા માટે યોજાયેલી આ બેઠકમાં મહેસૂલ સંબંધિત મહત્વના મુદ્દાઓ પર વિશેષ સમીક્ષા હાથ ધરવામાં આવી રહી છે. i-ORA, ઈ-ધરા સહિતની કામગીરીની સમીક્ષાઆ બેઠકમાં રાજ્યના મહેસૂલ મંત્રી સંજયસિંહ મહીડા, મહેસૂલ વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી એસ. રવિ તેમજ રાજ્યના મુખ્ય સચિવ એમ.કે. દાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કોન્ફરન્સમાં i-ORA, ઈ-ધરા સહિતની સેવાઓની કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવશે તેમજ મહેસૂલ વિભાગ હેઠળ ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની પ્રગતિ અને ભાવિ આયોજન અંગે ચર્ચા થશે. લાંબા સમયથી પડતર કેસોના ઝડપી નિવારણ અંગે ચર્ચાસરકારી જમીનો ઉપર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા, જમીન માપણી સહિતના મુદ્દાઓ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કલેક્ટરોને સ્પષ્ટ માર્ગદર્શન આપશે. આ ઉપરાંત જમીન સંબંધિત કામગીરી, સંકલિત કાયદા અને સરકારના વિવિધ ઠરાવો તેમજ લાંબા સમયથી પડતર રહેલા કેસોના ઝડપી નિવારણ અંગે પણ વિગતવાર ચર્ચા હાથ ધરાશે. અધિકારીઓના ફોન બહાર મુકાવ્યાકોન્ફરન્સમાં ગંભીરતા અને સંપૂર્ણ ધ્યાન સાથે ચર્ચા થાય તે માટે તમામ કલેક્ટરોના મોબાઈલ ફોન જમા લેવાયા હતા અને બેઠક દરમિયાન મોબાઈલ લઈ જવાની મનાઈ રાખવામાં આવી હતી. રાજ્યના વહીવટીતંત્રમાં શિસ્ત અને જવાબદારી વધારવાનો આ નિર્ણય નોંધપાત્ર માનવામાં આવી રહ્યો છે.
સુરેન્દ્રનગર SOGએ સોશિયલ મીડિયા પર હથિયાર પ્રદર્શન કરવા બદલ બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. દસાડાના ઇમરાનખાન ગજનીખાન બ્લોચ અને આમિરખાન કેશરખાન રાઠોડ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચના મુજબ, સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર અને ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી હતી. આ અંતર્ગત, SOG સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ સાહિલભાઈ મહમદભાઈ સેલતને ખાનગી બાતમી મળી હતી. બાતમીના આધારે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હથિયાર સાથે પ્રદર્શન કરનાર ઇસમની તપાસ કરવામાં આવી. પૂછપરછ દરમિયાન, તે વ્યક્તિ ઇમરાનખાન ગજનીખાન બ્લોચ (ઉંમર 32, ધંધો-ખેતી, રહે. દસાડા પાંચ હાટડીયાવાસ) હોવાનું જણાયું. તેણે કબૂલ્યું કે તેણે આશરે ત્રણ વર્ષ પહેલા હથિયાર સાથે ફોટા પડાવી સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા. હથિયાર અંગે વધુ પૂછપરછ કરતા, ઇમરાનખાને જણાવ્યું કે તે હથિયાર આમિરખાન કેશરખાન રાઠોડ (ઉંમર 23, ધંધો-ખેતી, રહે. દસાડા તળાવની પાળ પાસે)નું હતું. આ બંને ઇસમો વિરુદ્ધ દસાડા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ કલમ 25(1-બી)એ, 29(બી), 30 મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં પીઆઈ બી.એચ. શીંગરખીયા, પીએસઆઈ એન.એ. રાયમા, પીએસઆઈ આર.જે. ગોહિલ, હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ દિલુભા ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ સાહિલભાઈ મહમદભાઈ સેલત અને પોલીસ કોન્સ્ટેબલ નિતીનભાઈ હરેશભાઈ ગોહિલ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ રોકાયેલા હતા.
ટ્રકના ગુપ્ત ખાનામાંથી દારૂ ઝડપાયો:શામળાજી પોલીસે 93 પેટી વિદેશી દારૂ સહિત આરોપીને ઝડપ્યો
અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસે આંતરરાજ્ય દારૂની હેરાફેરીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે એક ટ્રકમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. શામળાજી પોલીસ સ્ટેશનના PI એસ.એસ. માલને બાતમી મળી હતી કે રાજસ્થાન પાસિંગની બંધ બોડીની ટાટા ટ્રક (RJ-14 GE-9903) ગુપ્ત ખાનામાં સંતાડેલા વિદેશી દારૂ સાથે અણસોલ ચેકપોસ્ટ થઈ ગુજરાતમાં પ્રવેશવાની છે. આ બાતમીના આધારે પોલીસે ટ્રકને રોકીને તપાસ કરી હતી.પ્રાથમિક તપાસમાં ટ્રક ખાલી દેખાતી હતી, પરંતુ પોલીસની બારીક નજરે બુટલેગરોની ચાલાકી પકડી પાડી. પોલીસે ઇલેક્ટ્રિક કટર મંગાવીને ટ્રકની બોડીમાં ખાસ બનાવેલી લોખંડની ચાદર કાપી હતી. ગુપ્ત ખાનું ખોલતા તેમાંથી એક પછી એક વિદેશી દારૂની 93 પેટીઓ મળી આવી હતી, જેમાં કુલ 4176 બોટલો હતી.પોલીસે ₹ 12.62 લાખની કિંમતનો વિદેશી દારૂ અને ટ્રક સહિત કુલ ₹ 22.67 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં અમદાવાદના નરોડા વિસ્તારના દિનેશ મારવાડીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂ ભરી આપનાર જયપુરનો નાથજી હજુ ફરાર છે. શામળાજી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
મયુર બ્રિજ (પાડા પુલ) નીચે ઝૂંપડામાં રહેતા પરિવારો વચ્ચે લગ્નની વાતને લઈ લોહિયાળ જંગ ખેલાયો હતો. આ મારામારીમાં ગંભીર રીતે ઘવાયેલા 60 વર્ષીય વૃદ્ધનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો છે. સમગ્ર મામલો શું હતો ?બુધવારે ઉત્તયરાણની રાત્રે મયુર બ્રિજ નીચે ઝૂંપડામાં રહેતા પરિવારો તાપણું કરીને બેઠા હતા. આ દરમિયાન અજય રમેશ હઠીલા નામનો યુવક ત્યાં પહોંચ્યો હતો. તેને તે જ વિસ્તારમાં રહેતા કાસુ હોથી ચાડમિયાની દીકરી સાથે પ્રેમસંબંધ હોય, તેણે કાસુ અને તેના પુત્ર મનોજ સામે લગ્ન કરવાની દરખાસ્ત મૂકી હતી. આ વાતથી ઉશ્કેરાયેલા પિતા-પુત્ર અને અજય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. અજય હઠીલાએ તેના અન્ય 3 સાથીઓને બોલાવી કાસુ અને મનોજ પર પથ્થર અને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. આરોપીઓ કાસુ (60) ને ઢસડીને બાવળની જાળીમાં લઈ ગયા હતા અને તેમના સાથળના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા હતા. ગંભીર ઈજાઓને કારણે વૃદ્ધનું મોત નીપજ્યું હતું. સામસામી ફરિયાદ 1. પ્રથમ પક્ષની ફરિયાદ (હત્યાનો ગુનો): મૃતકના પુત્ર મનોજ કાસુ ચાડમિયા (22) એ અજય રમેશ હઠીલા, અજય ભનુ, બંટી ડામોર અને દીપુ અરજણ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે. 2. બીજા પક્ષની ફરિયાદ (મારામારીનો ગુનો): સામા પક્ષે અજય રમેશ હઠીલા (25) એ પણ મનોજ કાસુ, કાસુ ચાડમિયા, દિલીપ, ઘોઘા અને સવસી સામે ફરિયાદ નોંધાવી છે. અજયનો આક્ષેપ છે કે જ્યારે તે પ્રેમસંબંધની વાત કરવા ગયો ત્યારે આ શખ્સોએ તેને અને તેના સાથીઓને ઢીકાપાટુ તથા લાકડાના ધોકા વડે માર મારી માથામાં ઈજાઓ પહોંચાડી હતી.
આ વર્ષે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના બે દિવસ દરમિયાન પતંગની તીક્ષ્ણ દોરના કારણે ઘણા લોકોને ગંભીર ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં 40 જેટલા દર્દીઓને દોરીથી ઇજાઓના કારણે સારવાર આપવામાં આવી હતી. જે પૈકી પાંચ લોકોની ENT (કાન-નાક-ગળા) વિભાગમાં સર્જરી કરવામાં આવી હતી, જેમાં એક દર્દીની શ્વાસનળી કપાઈ જતા સર્જરી કરવાની ફરજ પડી હતી. યુવકની પતંગના દોરાથી શ્વાસ નળી કપાઈ ગઈવડોદરા જિલ્લાના ડેસર તાલુકાના શારદાપુર નગરીના દર્દી વિશાલ વસાવા (ઉં.વ.25) કે જેઓ ઘરનો સમાન લેવા ગયા હતા અને પરત ગામમાં આવ્યા તે દરમિયાન અચાનક દોરી આવી જતા તેઓની શ્વાસનળી કપાઈ ગઈ હતી. તેઓને તાત્કાલિક સારવાર માટે સરકારી સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સફળ સર્જરી કરી નવજીવન આપવામાં આવ્યું છે. મોટા ભાગના દર્દીઓને ચહેરા અને ગળાના ભાગે ઈજાઆ અંગે ENT વિભાગના સર્જન ડો. રાહુલ ગુપ્તાએ જણાવ્યું કે, આ બે દિવસમાં તેમની હોસ્પિટલમાં લગભગ 39 દર્દીઓ એવા આવ્યા હતા. જેમને પતંગની દોરથી વિવિધ પ્રકારની ઈજાઓ થઈ હતી. મોટા ભાગના દર્દીઓને ચહેરા અને ગળાના ભાગ પર ઈજા થઈ હતી. આ તમામ કેસમાં સ્ટેરાઈલ સાવચેતી સાથે ટાંકા લેવાની ફરજ પડી હતી. આ સર્જરીમાં દર્દીને 15 થી 20 ટાંકા લેવા પડે તેવા દર્દીઓ સામે આવ્યા હતા. 39 દર્દીમાંથી 5 દર્દીની હાલત ગંભીર હતીવધુમાં કહ્યું કે, આ 39 દર્દીમાંથી 5 દર્દીઓની હાલત ગંભીર હોવાને કારણે તેમને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા હતા. આ દર્દીઓમાં લોહીની ધમનીઓને રિપેર કરવાની જરૂર પડી હતી. ખાસ કરીને એક દર્દીની શ્વાસનળી લગભગ આખી કપાઈ ગઈ હતી. આ દર્દીને લગભગ 4 કલાકના લાંબા ઓપરેશન બાદ શ્વાસનળીની સફળ સર્જરી કરવામાં આવી હતી. હાલમાં તેને ગળામાં નીચે શ્વાસનળી નાખવામાં આવી છે જે દર્દી સ્વસ્થ થતા તે નીકળી દેવામાં આવશે. 95 ટકા દર્દીઓએ કોઈ પ્રકારનું પ્રોટેક્શન લીધું નહોતુંવધુમાં જણાવ્યું હતું કે, સારવાર માટે આવેલા 39 દર્દીઓમાંથી ખૂબ જ ઓછા લગભગ માત્ર 1 કેસમાં જ દર્દીએ ટુ-વ્હીલર પર પ્રોટેક્શનવાળું સ્ટેન્ડ બાંધ્યું હતું. બાકીના લગભગ 95 ટકા દર્દીઓએ કોઈ પ્રકારનું પ્રોટેક્શન લીધું નહોતું, ન તો હેલ્મેટ પહેર્યું હતું કે ન સ્ટેન્ડ બાંધ્યું હતું જેના કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
શિક્ષાપત્રી મંથન:માતા-પિતા અને જે રોગી માણસો હોય તેની સેવા જીવનપર્યંત કરવી
શ્રી સ્વામિનારાયણ મંદિર, કુમકુમ, મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ શિક્ષાપત્રીની ૨૦૦મી જયંતી નિમિત્તે માતા-પિતાના મહત્વ પર ભાર મૂક્યો છે. તેમણે જણાવ્યું કે, સફળતામાં પિતાનો મોટો હાથ હોય છે અને તેમનો સાથ ક્યારેય છોડવો ન જોઈએ. સાધુ પ્રેમવત્સલદાસજીએ કહ્યું કે, આપણે ઘણીવાર ભૂલો ભલે બીજું બધું પણ, મા-બાપને ભૂલશો નહિ જેવી પંક્તિઓ સાંભળીએ છીએ, પરંતુ યુવાન થયા પછી ઘણા લોકો આ પંક્તિઓનો અમલ કરતા નથી. તેઓ માતા-પિતાની જરૂરિયાત પૂરી થઈ ગઈ હોય તેમ વર્તે છે, જે યોગ્ય નથી. તેમણે સમજાવ્યું કે, આજે વ્યક્તિએ જે કંઈ પણ સિદ્ધિ મેળવી છે, તેનું કારણ પિતાનો સંઘર્ષ અને બલિદાન છે. પિતા દેવું કરીને પણ સંતાનોની કારકિર્દી ઘડવા માટે મહેનત કરે છે, જેના કારણે સંતાનો ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી શકે છે. સાધુ પ્રેમવત્સલદાસજીએ પિતાના આવા કુરબાનીના પ્રેરક દ્રષ્ટાંતો પણ આપ્યા હતા. આ સંદર્ભમાં, શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી ગ્રંથમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, માતા-પિતા અને જે રોગી માણસો હોય તેની સેવા જીવનપર્યંત કરવી. આ ઉપદેશ માતા-પિતા પ્રત્યેની આપણી ફરજને રેખાંકિત કરે છે. સાધુ પ્રેમવત્સલદાસજીએ પુત્રોને સાવધાન કરતા અપીલ કરી કે, માતા-પિતાની સાથે રહેવું જોઈએ અને તેમને એકલા અટુલા ઘરડાઘરમાં કે અલગ મકાનમાં મૂકી દેવા ન જોઈએ. જો આપણે શિક્ષાપત્રીના આ શબ્દોને જીવનમાં ઉતારીશું, તો માતા-પિતા અને શ્રી સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થશે અને આપણું જીવન સુખમય બનશે.
ભારતીય સંસ્કૃતિની 'વસુધૈવ કુટુંબકમ'ની ભાવનાને સાર્થક કરતો એક પ્રેરણાદાયી કિસ્સો મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના ચંદ્રોડા ગામે જોવા મળ્યો છે. ચંદ્રોડા ગામમાં મુસ્લિમ પરિવારના લગ્ન પ્રસંગમાં હિન્દુ સંતના આગમન અને તેમના ભવ્ય સન્માને સમગ્ર પંથકમાં કોમી એકતાની મિશાલ કાયમ કરી છે. ગામના સલીમભાઈ નાગોરીના ઘરે આયોજિત લગ્ન પ્રસંગમાં આશીર્વાદ આપવા માટે દેવ દરબાર મઠ (ઓગડનાથ મહારાજની ગાદી)ના મહંત બળદેવનાથજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમનું મુસ્લિમ સમાજ દ્વારા અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું હતું. વાજતે-ગાજતે આખા ગામમાં ભવ્ય શોભાયાત્રાચંદ્રોડા ગામની ભૌગોલિક અને સામાજિક સ્થિતિ જોઈએ તો અહીં આશરે 95 ટકા જેટલી મુસ્લિમ વસ્તી વસે છે. અહીં મુખ્યત્વે મૂળ રાજસ્થાનથી આવેલા મોલેસલામ દરબાર નાગોરી સમાજના લોકો વર્ષોથી સ્થાયી થયેલા છે. મુસ્લિમ બહુમતી ધરાવતા આ ગામમાં જ્યારે મહંત બળદેવનાથજી મહારાજ પધાર્યા ત્યારે સમગ્ર ગ્રામજનોએ જ્ઞાતિ-જાતિના ભેદભાવ ભૂલીને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. સંત પ્રત્યેના આદર અને સ્નેહના પ્રતિક રૂપે તેમને બગીમાં સવાર કરવામાં આવ્યા હતા અને વાજતે-ગાજતે આખા ગામમાં તેમની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ‘માનવતા અને સંતો પ્રત્યેનો આદર જ સાચી ભારતીય પરંપરા’એક તરફ જ્યારે નાની વાતોમાં વૈમનસ્ય ફેલાતું હોય છે, ત્યારે ચંદ્રોડા ગામમાં મુસ્લિમ બિરાદરો દ્વારા હિન્દુ સંત પ્રત્યે જે આસ્થા અને સન્માન દર્શાવવામાં આવ્યું તેનાથી આખું પંથક ગદગદિત થઈ ગયું હતું. સલીમભાઈ નાગોરીના આંગણે યોજાયેલા આ મંગલ પ્રસંગે કોમી એકતાના અનોખા દર્શન કરાવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું કે, ધર્મ ભલે અલગ હોય પરંતુ માનવતા અને સંતો પ્રત્યેનો આદર એ જ સાચી ભારતીય પરંપરા છે.
ગોધરા સ્થિત સાર્વજનિક કોમર્સ કોલેજના એનએસએસ (NSS) એકમ દ્વારા ઉત્તરાયણ પર્વ બાદ પશુ-પક્ષીઓ અને નાગરિકોની સુરક્ષા કાજે હાનિકારક પતંગના દોરા એકત્રિત કરવાનું સ્તુત્ય અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ અંતર્ગત કોલેજ કેમ્પસ, માર્ગો અને ઝાડ પર લટકતા જોખમી દોરાઓ એકઠા કરીને તેનો સુરક્ષિત નિકાલ કરવામાં આવ્યો હતો. આ અભિયાન દરમિયાન પ્રતિબંધિત ચાઈનીઝ દોરા મોટા પ્રમાણમાં મળી આવતા પ્રોગ્રામ ઓફિસર ડો. અરુણસિંહ સોલંકીએ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. 100થી વધુ સ્વયંસેવકોએ આ સેવાયજ્ઞમાં જોડાઈને પર્યાવરણ અને જીવસૃષ્ટિના રક્ષણનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ડો. અજીતસિંહ ચૌહાણે તમામ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ક્યારેય ચાઈનીઝ દોરાનો ઉપયોગ ન કરવા અંગેના શપથ લેવડાવ્યા હતા. પ્રિન્સિપાલ ડો. શૈલેન્દ્ર પાંડેના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ પ્રવૃત્તિએ લોકજાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સુરતમાં સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજના કાર્યક્રમમાં લોકસભા સાંસદ પરષોત્તમ રૂપાલાએ સમાજની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યના પડકારો અંગે ગંભીર અને મનનીય વિચારો વ્યક્ત કર્યા હતાં. આ સાથે જ જાહેર મંચ પરથી પાટીદાર સમાજને આકરી ટકોર કરી હતી. રૂપાલાએ પોતાના વક્તવ્યમાં સમાજમાં આવતા પરિવર્તનો, કુરિવાજો અને આંતરિક અનુશાસન પર વિશેષ ભાર મૂક્યો હતો. પરસોતમ રૂપાલાએ કહ્યું હતું કે, છૂટાછેડા પછી એના બાપા પૈસા ગણવા બેસે છે એ સમાજ માટે શરમજનક છે. બહુ મોડુ થઈ ગયું છે, આપણો સમાજ પાછળ રહી ગયો છે. 'આપણો સમાજ નિર્ણય કરતો અને બીજો સમાજ એને ફોલો કરતો'રૂપાલાએ જણાવ્યું હતું કે, આપણે ભવનો બનાવવાના છે, સાથે સાથે સમાજનું પણ ઘડતર કરવાની જરૂર છે. હવે આપણે સમાજમાં કોઈ નિયમો રાખ્યા છે? આપણું કોઈ બંધારણ છે? આપણે કોઈ નીતિ-નિયમ પ્રમાણે ચાલવું છે? એમાં હવે ખૂબ ગંભીરતાથી વિચારવાની આવશ્યકતા છે અને અન્ય સમાજો આપણા કરતા આગળ થઈ ગયા છે. પાંચ-પચ્ચીસ વર્ષ પહેલા એવો સમય હતો કે, આપણો સમાજ નિર્ણય કરતો અને બીજો સમાજ એને ફોલો કરતો. આજે બીજા સમાજોએ નિર્ણય કરી નાખ્યા અને આપણે તો હજી વિચારણા પણ નથી શરૂ કરી. આ ખૂબ ગંભીર મુદ્દો છે, એમાં આપણે વિચારવાની આવશ્યકતા છે. કેટલાય સમાજે નિર્ણય કર્યા. એક સમાજે તો એવો નિર્ણય કર્યો કે સોનાના દાગીના દેવાના જ નહીં. સામાજિક નિર્ણય છે, નિર્ણય થઈ ચૂક્યો છે. ઘણા સમાજની અંદર સમૂહ લગ્નોના નિર્ણય થઈ ગયેલા છે કે આખા સમાજના એક જ તારીખે લગ્ન થાય - કચ્છ આહીર સમાજ, એની એક જ તારીખ, એ તારીખે જ બધાના લગ્ન થાય. 'જાત-ભાતના વ્યવહારો વધી ગયા છે'રૂપાલાએ વધુમાં કહ્યું કે, આપણા સમાજે આવું કાંઈ વિચારવાની આવશ્યકતા છે? અને એટલું લગ્ન પૂરતું જ નહીં બીજા ખૂબ આપણા વ્યવહારો જાત-ભાતના વધી ગયા છે. એમાંથી જો આપણે સામાજિક બંધારણની કોઈ અસર નહીં આપીએ તો આ ભવનો એ સગવડતા આપણી વધારશે પણ સામાજિક પોત જે આપણું હતું, એ પોત ઘસાતું જાય છે. 'હમણાં થોડીક સુષુપ્તતા આવી ગઈ છે'સાંસદે જણાવ્યું કે, આપણે પ્રસંગોપાત એકત્રિત થઈએ છીએ અને પછીની આપણી કોઈ ગતિવિધિ નથી, એટલે આપણામાં હમણાં થોડીક સુષુપ્તતા આવી ગઈ છે. અને એને લીધે સામાજિક નિયંત્રણો રહ્યા નથી. હજી હું એવા કાર્યક્રમોમાં જાઉં તો નેતાનું ભાષણ ચાલતું હોય, પાછળથી હરિહરની થાળી પડી જાય તે પાછળનું પડાળ ખાલી થઈ જાય. નેટ ઊભા ઊભા ભાષણ કરતા હોય પણ પાછળ કોઈ વધ્યું ન હોય! આપણે પૂછીએ કે કેમ આમ થયું? તો કે જમણવાર ચાલુ થઈ ગયો! પણ તમે સમાજના કાર્યક્રમમાં આવ્યા છો, તો સમાજનો કાર્યક્રમ એને પણ સાયન્ટિફિક રીતે બનાવો. 4 વાગ્યે શરૂ થશે, 6 વાગ્યે પૂરો થઈ જશે. મહેમાન આવવાના હશે એ આવશે, નહીં આવવાના હોય મોડા આવે એ 6 વાગ્યે. 'આ બધા પ્રશ્નો થાય છે અને.....'રૂપાલુએ કહ્યું કે, કાર્યક્રમો હવેના સમય પ્રમાણે આપણે કરવા જોઈએ. ગમે ત્યારે શરૂ કરીએ, ભાઈ ગમે ત્યારે પૂરા કરીએ, એને લીધે આ બધા પ્રશ્નો થાય છે અને એને લીધે મંચની ગરિમા નથી રહેતી, સમાજની ગરિમા નથી રહેતી. આપણી ધાક હોવી જોઈએ કે ભાઈ આ સમાજનો કાર્યક્રમ છે એમાં ટાઈમસર પોગો, પછી ન્યા કંઈ નહીં હોય. 'શાખ ઘવાતી ઘવાતી ત્યાં સુધી ગઈ કે હવે દીકરા-દીકરી માનતા નથી!'વધુમાં સાંસદે જણાવ્યું હતું કે, પહેલા આપણા લગ્નમાં એવું થતું કે 12 વાગ્યા પછી કોઈ જમવાવાળા આવે તો પીરસનારા સામા મળે! એ આપણા સમાજની શાખ હતી, એ આબરૂ હતી. તે દી હારથીયા આપણે આ કરતા હતા, તે દિવસે આપણી આ શાખ હતી. હવે આ કેટરિંગ વાળાને સોંપ્યું છે એટલે ચાલ્યા રાખે છે! અને બગાડ પણ એટલો થાય છે. થાળીઓ એમ ને એમ ભરેલી ને એમ ને એમ ચાલ્યા રાખે બધું. આ બધી ચીજોમાં આપણા સમાજની શાખ ખોવાઈ રહી છે. મૂળ વિષય આ છે. અને એ શાખ ઘવાતી ઘવાતી પછી ત્યાં સુધી ગઈ છે કે હવે દીકરા-દીકરી માનતા નથી! પણ મારો બહુ સ્પષ્ટ મત છે કે એમાં દીકરા કે દીકરીઓનો વાંક નથી, આપણો વડીલોનો વાંક છે. આપણે એને ઘડતા નથી. પછી છેક અમારા સુધી ચાલે 'બટોગે તો કટોગે'રૂપાલાએ કહ્યું કે, આપણે હવે બધા બોલીએ છીએ કે સંગઠિત થવું જોઈએ, સંગઠન કરવું જરૂરી છે, તમે સંગઠિત નહીં હોવ તો આમ થશે ને તેમ થશે... અને પછી છેક અમારા સુધી ચાલે 'બટોગે તો કટોગે'. ત્યાં સુધી ચાલે અને એમાં તથ્ય છે. પણ ખરેખર સંગઠનની જરૂર છે ક્યાં? એવું તો કોઈક દિવસ પૂછો. સંગઠનની જરૂર છે આપણા ઘરમાં, આપણા કુટુંબમાં. પરષોતમભાઈએ કહ્યું હતું કે, કેટલી મોટી ગાંઠો આપણે હાથે કરીને ઉભી કરી રહ્યા છીએ. આખા જનરેશનો કપાઈ ગયા છે, એ સમાજના અસ્તિત્વ સામે પ્રશ્નો ઉભા થઈ ગયા છે. આ બધી બાબતોને સમાજે ગંભીરતાથી વિચારવી જોઈએ અને એ દિશામાં પ્રયાસો કરવા પડશે. એટલે મારી સમાજને વિનંતી છે કે આપણે આ મોટા કાર્યક્રમો ખૂબ સફળતાપૂર્વક કરીએ છીએ, કારોબારીઓ પણ આપણી છે, પણ હવે સમાજના શ્રેષ્ઠીઓએ ભેગા મળીને સમાજના થોડાક ધારા-ધોરણ નવા સમય પ્રમાણેના વિચારીને સમાજમાં અમલમાં આવે એના માટેના પ્રયાસો હવે કરવા પડશે. 'આપણા સમાજનું કોઈ માળખું જ ન હોય'તેને વધુમાં કહ્યું કે, હવે તમે જો નહીં કરો તો મોડું બહુ થઈ જશે. ઘણું મોડું થઈ ગયેલું જ છે ઓલરેડી. એવા સંજોગોમાં જો આપણે બધા સાથે મળીએ અને સમાજને નવી દિશા એની જરૂરિયાત પ્રમાણેની આપીએ. તક એવી સરસ ઉભી થઈ છે, વાતાવરણ એવું સરસ ઉભું થયું છે, વિશ્વમાં ભારતનો વટ પડી રહ્યો છે. ગ્લોબલ થઈ ગઈ છે દુનિયા, ગ્લોબલ વિલેજ બની ગયું છે અને આવી જ્યારે ઉમદા તકો ઉભી થઈ હોય ત્યારે આપણા સમાજનું કોઈ માળખું જ ન હોય અને મન ફાવે એવી રીતે આપણો સમાજ હાલે એ આપણા સમાજને પરવડે નહીં. 'હવે આપણી સંખ્યા થોડી વધી ગઈ છે'રૂપાલાએ કહ્યું કે, એટલા માટે એક તાંતણે, સૌથી પહેલો વહેલો આખા દેશમાં આપણે ત્યાં સમાજમાં રિવાજ હતો, અમારા વડીલો પાસેથી સાંભળ્યું હતું, બાર વર્ષે ઉંઝાથી એક જ તારીખ આવતી અને એમાં આખા રાજ્યના કડવા કણબી પરણી જતા. એક જ તિથિ આવતી બાર વર્ષે. હવે આપણી સંખ્યા થોડી વધી ગઈ છે એટલે બાર વર્ષવાળું ન પોસાય, પણ દર વર્ષે એક તો કરી જ શકાય છે. એક તારીખ આપણી નક્કી કરવાની આવશ્યકતા છે સમાજે, એટલે સમૂહ લગ્નવાળો પ્રશ્ન હલ થઈ જશે. 'સમાજને બંધારણની નવી તાકાત આપવાનો પ્રયાસ'સાંસદે કહ્યું કે, રાજકોટ જિલ્લાના કોઈક સમાજે નિર્ણય લીધો અને પ્રી-વેડિંગ બંધ કરી દીધું, એવો હમણાં ઠરાવ કર્યો.હવે હું એવું નથી કહેતો કે આ બધું બંધ કરો. પોસાય એમ હોય એ ભલે બધું કરે, પણ કંઈક સમાજની તો કોઈ દોરી હોવી જોઈએ ને? કે ભાઈ આ બાઉન્ડ્રીની બહાર નહીં જવાનું. પછી એમાં હું હોય તો પણભલે અને મારો ડ્રાઈવર હોય તો પણ ભલે. બંને જણા એક લાઈનમાં રહે, એનું નામ તો સમાજ કહેવાય. નહિતર તો સમાજનો મતલબ જ શું છે? એટલે સમાજને નવેસરથી આપણાં મકાનો અને સંસ્થાઓ તો આપણે ઘડીએ, પણ સાથે સાથે સમાજને પણ બંધારણની નવી તાકાત આપવાનો પ્રયાસ નવેસરથી કરવાની જરૂર છે. 'સમાજને બંધારણના ચોકઠાની અંદર વિકાસના ફળ પામવા'રૂપાલાએ કહ્યું કે, સમાજને નવા બંધારણની તાકાત આપો. એ બંધારણને અનુસરવા માટે નવી પેઢીને માર્ગદર્શન આપો અને સમાજને બંધારણના ચોકઠાની અંદર વિકાસના ફળ પામવા માટેના પુરુષાર્થમાં લગાડીએ એવી માના ચરણોમાં પ્રાર્થના. હું તો વાવું છું, એને ઉગવા દેવું કે ન ઉગવા દેવું એ માડીની ઈચ્છા હશે એ પ્રમાણે થશે. 'આપણા દીકરા અને દીકરીના ઉછેરમાં અમને ક્યાંક ખામી દેખાય છે'જેરામભાઈ વાંસજાળિયા (પૂર્વ પ્રમુખ સીદસર ઉમિયાધામ)એ જણાવ્યું હતું કે, ઉમિયા માતાજીની કૃપાથી સારી પ્રગતિ થઈ છે. હજી વધારેમાં વધારે આ પ્રગતિ કરવાની છે, અને એ પ્રગતિ કરવામાં તમારા સાથ અને સહકારની જરૂર છે. 'બહુ સમાજને મોટું નુકસાન એટલે હવે તમારે જાગૃત થવાનું છે'અમારી સગાઈ ક્યારે કરી ખબર નથી નાના ટેણિયા હતા ત્યારે સગાઈ થઈ જતી અમારી. અને પરણવા ગયા ત્યાં સુધી મોઢું પણ જોયું ન હતું. લગ્નને 55 વર્ષ થઈ ગયા, કોઈ તકલીફ ન પડી બોસ! અત્યારે સાત-આઠ વખત જોવા જાઓ... આખો પરિવાર જોવા જાય અને મહિના-છ મહિનામાં વાંધા પડે છે. આ શું માંડ્યું છે સમાજે? બહુ સમાજને મોટું નુકસાન થાય છે. એટલે હવે તમારે જાગૃત થવાનું છે. વાંસજાળિયા વધુમાં કહ્યું કે, આપણા સમાજના હવે તો એવો ઉપાડો લીધો છે ને રૂપાલા સાહેબ, ત્રણ-ત્રણ ચાર-ચાર દિવસ સુધી લગ્ન કરે અને ત્રણ-ત્રણ ચાર-ચાર દિવસ સુધી રોજ અલગ પાર્ટી પ્લોટ, ભાઈ... હવે આમાં એકને એક પાર્ટી પ્લોટમાં કરી લે તો વાંધો શું છે?
રતનપુર(કાં) ગામે પક્ષી-રક્ષણ અભિયાન શરૂ:ઉત્તરાયણ બાદ પતંગની દોરીઓ એકઠી કરી, પ્રતિ કિલો ₹220 ચૂકવાયા
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના રતનપુર(કાં) ગામે પક્ષીઓના રક્ષણ માટે એક અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ઉત્તરાયણ પર્વ પછી રસ્તાઓ, ધાબા અને ઝાડ પર પડેલી પતંગની દોરીઓથી પશુ-પક્ષીઓને થતા નુકસાનને અટકાવવાનો આ અભિયાનનો મુખ્ય હેતુ છે. ગામના વતની પરેશ એન. સુથારે વિવિધ ગ્રુપો, મિત્રો, ગામલોકો અને આસપાસના વિસ્તારોના યુવાનો, વડીલો, બાળકો તથા મહિલાઓને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી. તેમણે લોકોને રોડ, રસ્તા, ગલીઓ, ધાબા, બારી-બારણાં, વાયર અને ઝાડ પર પડેલી પતંગની દોરીઓ તથા તેના ગૂંચડા એકઠા કરીને આપવા જણાવ્યું હતું. આ માટે પ્રતિ કિલો દોરી દીઠ ₹220 ચૂકવવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય મૂંગા પશુ-પક્ષીઓને થતું નુકસાન અટકાવવાનો છે. પતંગની ઘાતક દોરીઓ પક્ષીઓની પાંખો અને ગળાના ભાગે ફસાઈ જવાથી તેમને ગંભીર ઈજાઓ થાય છે અથવા તેમનો જીવ પણ જઈ શકે છે. અભિયાનના ભાગરૂપે, 16 જાન્યુઆરી, 2026 ના રોજ ગામના યુવાનો, બાળકો અને વડીલો એકઠા થયા હતા. તેમણે આશરે 8 કિલો 400 ગ્રામ વજનની દોરી એકઠી કરી હતી. આ દોરીને બાદમાં સળગાવીને નાશ કરવામાં આવી હતી. આ ઉપરાંત, દરેક વ્યક્તિને પોતાના ધાબા પરથી સાંજે ઉતરતા પહેલાં સાફ-સફાઈ કરવાની પણ અપીલ કરવામાં આવી હતી, જેથી પક્ષીઓને કોઈ નુકસાન ન થાય. આ સેવાભગીરથ કાર્યમાં ભાગ લેનાર દરેક વ્યક્તિને નાસ્તો અને રોકડ રકમ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સુરેશભાઈ ચૌહાણે આ સેવા કાર્ય બદલ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવીને ધન્યવાદ વ્યક્ત કર્યા હતા.
માંગરોળના લોએજ ગામના 55 વર્ષીય ખેડૂત લખમણભાઈ નંદાણીયાએ સિઝનની મગફળી પલળી જતા આત્મહત્યા કરી. ઘઉંમાં નાંખવાના ઝેરી ટીકડા ખાઇ લઈ જિંદગી ટૂંકાવી લીધી છે. તેઓ સતત ચિંતામાં રહેતા હતા.
સુવિધાના અભાવને લઇ ભરૂચ પાલિકામાં AAPનો વિરોધ:10 દિવસમાં ઉકેલ નહીં તો ઉગ્ર આંદોલનની ચીમકી
ભરૂચ નગરપાલિકામાં નાગરિક સુવિધાઓના અભાવને લઈને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. AAPના કાર્યકરો અને આગેવાનોએ પાલિકા પ્રમુખની કેબિન બહાર બેસી સૂત્રોચ્ચાર કર્યા હતા. જો આગામી 10 દિવસમાં સમસ્યાઓનો નિકાલ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ભરૂચ નગરપાલિકાના વિવિધ વોર્ડમાં મૂળભૂત નાગરિક સુવિધાઓનો અભાવ હોવા અંગે AAP દ્વારા પાલિકામાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે. પાર્ટીનો આક્ષેપ છે કે ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા નાગરિકો પાસેથી પાણી વેરો, સફાઈ વેરો અને ઘર વેરો વસૂલવામાં આવે છે, તેમ છતાં ઘણા વિસ્તારોમાં ખુલ્લી ગટર, બંધ સ્ટ્રીટ લાઈટો અને પીવાના પાણીની અછત જેવી ગંભીર સમસ્યાઓ યથાવત છે. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલની આગેવાની હેઠળ કાર્યકરો અને આગેવાનો ભરૂચ નગરપાલિકા કચેરી પહોંચ્યા હતા. તેમણે પાલિકા પ્રમુખની કેબિન બહાર બેસી ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. પિયુષ પટેલે જણાવ્યું હતું કે અગાઉ પણ અનેક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તેનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. આજે વોર્ડ નંબર-2ના રહેવાસીઓ સાથે નગરપાલિકામાં ફરિયાદ નોંધાવીને 10 દિવસમાં લેખિત જવાબ સાથે યોગ્ય નિકાલ કરવાની માંગ કરવામાં આવી છે. જો નિર્ધારિત સમયમર્યાદામાં આ સમસ્યાઓનો ઉકેલ નહીં આવે તો નગરપાલિકા સામે ઉગ્ર આંદોલન, ધરણા-પ્રદર્શન અને જરૂર પડ્યે તાળાબંધી કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે.
ગોધરાના પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે પંચમહાલ પોલીસના સહયોગથી આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાપન થયું છે. આ ટુર્નામેન્ટમાં 'યાદગાર 11' ટીમે ફાઇનલ મેચ જીતીને ચેમ્પિયનશિપ ટ્રોફી પોતાના નામે કરી. ગોધરાના જાણીતા ક્રિકેટર સલમાન સમોલ (ભાણા), સંજય અને રાહુલ દ્વારા આયોજિત આ ભવ્ય ટુર્નામેન્ટમાં કુલ 64 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર શહેરમાં રમતગમતનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. ગત મોડી રાત્રે 'યાદગાર 11' અને 'આરુષી 11' વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી. આ રોમાંચક મુકાબલામાં 'યાદગાર 11' ટીમે શાનદાર પ્રદર્શન કરીને વિજય મેળવ્યો હતો. કડકડતી ઠંડી હોવા છતાં, મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ મેચ નિહાળવા ઉમટી પડ્યા હતા. ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે ગોધરા રેન્જ IG આર. વી. અસારી, DySP દેસાઈ, એ-ડિવિઝન PI અને ગોધરા નગરપાલિકાના પ્રમુખ જયેશભાઈ ચૌહાણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મેચના અંતે DySP સાહેબના હસ્તે વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, ટુર્નામેન્ટ દરમિયાન બેટિંગ અને બોલિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ખેલાડીઓને પણ ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. આ સફળ આયોજન બદલ આયોજક સલમાન સમોલ (ભાણા) અને તેમની ટીમને પોલીસ વિભાગ તથા નગરજનો તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
વ્યવસાયે વકીલ અને પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પાટીદાર પાઘડીવાળા પતંગ સ્ટોર્સના નામે દુકાનમાં ખરીદી કરવા આવેલા ગ્રાહકો સાથે માથાકૂટ બાદ માર મારતા અલ્પેશ કથિરીયા અને તેના ભાઈ સહિત ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ દુકાન ચલાવતાં અલ્પેશ કથીરિયાના ભાઈ સાથે ભાવને લઇ માથાકૂટ થઈ હતી. ત્યાર બાદ ભાઈનું ઉપરાણું લઈ અલ્પેશ, તેના ભાઈ સહિત ત્રણ શખ્સોએ ત્રણેય સાથે ઝઘડો કરી ધોલધપાટ અને ઢીક્કા પાટુનો માર માર્યો હતો. આ મારામારીને લઈ ચંદ્રેશ અને તેના ત્રણ મિત્રો સરથાણા પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં અલ્પેશ કથિરીયા સહિત ત્રણ વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 352, 115(2), 54 અંતર્ગત ગુનો નોંધાયો છે.
અમદાવાદના પંચવટી પાસે આવેલા એક એપાર્ટમેન્ટના ધાબે ચાલી રહેલી હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટી પર ગુજરાત યુનિવર્સિટી પોલીસે રેડ કરી હતી. આ રેડ દરમિયાન ચાર યુવતીઓ સહિત 16 નબીરાઓ મળી આવ્યા હતા. જ્યારે પાંચ યુવકો ત્યાંથી ભાગી ગયા હતા. જોકે બે કલાકમાં પાંચેય પોલીસ સમક્ષ હાજર થતા તમામને મહેફિલના સ્થળે જ લાવવામાં આવ્યા હતા. વેઇટર અને રસોઈયા સહિત કુલ 21 લોકો ધાબા પર હતા. જે બાદ તમામને પોલીસ સ્ટેશન અને ટેસ્ટ માટે લઈ જવાના હતા ત્યારે ઉપરથી નીચે આવતી વખતે પાંચ લોકો ગાયબ થઈ ગયા હતા. ધાબા પરથી 4 યુવતીઓ સહિત કુલ 16 લોકો ઝડપાયાપંચવટી પાસે આવેલા એપાર્ટમેન્ટના ધાબે એક હાઈ પ્રોફાઈલ દારૂ અને પાર્ટી ચાલી રહી હતી.જેમાં અલગ અલગ કાઉન્ટર પણ લાગ્યા હતા.આસપાસના લોકો ડીજે પાર્ટી અને ચાલી રહેલા દૂષણથી હેરાન થતા પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા ગુજરાત યુનિવર્સિટી પોલીસ ધાબા પર પહોંચી હતી. પોલીસે કોર્ડન કર્યું છતાં પાંચ જેટલા નબીરાઓ ભાગવામાં સફળ રહ્યા હતા. ધાબા પરથી ચાર યુવતીઓ સહિત કુલ 16 લોકો ઝડપાયા હતા. તમામને એક ખૂણામાં બેસાડીને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હતી. ભાગી ગયેલા 5 યુવકો ચમત્કારિક રીતે હાજર થયા, કેટલાકના સગા પણ પહોંચ્યારેડ દરમિયાન 3 યુવતીઓને બહાર બેસાડવામાં આવી હતી. જ્યારે એક યુવતીને અંદરના એક જીમમાં બેસાડવામાં આવી હતી. પોલીસની કાર્યવાહી દરમિયાન ભાગી ગયેલા બીજા પાંચ યુવકો ચમત્કારીક રીતે પોલીસ સમક્ષ હાજર થતા પોલીસ દ્વારા તમામને ધાબા પર લઈ જવામાં આવ્યા હતા. નબીરાઓ પૈકી કેટલાકના સગા પણ લિફ્ટમાં રેડના સ્થળે પહોંચી ગયા હતા. 4 યુવતી અને યુવક અચાનક જ ક્યાંય ગાયબપોલીસ દ્વારા ચાર કલાકની લાંબી પ્રક્રિયા બાદ કેટરિંગ અને વેઇટરના કર્મચારીઓ સહિત કુલ 16 લોકોને ઉપરથી નીચે લાવીને પોલીસની ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશન અને અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે ટેસ્ટ કરાવવા માટે લઈ જવામાં આવ્યા હતા. ચોંકાવનારી વાત એ હતી કે ઉપર 21 લોકો હાજર હતા જેમાંથી માત્ર 16 લોકોને જ લઈ જવામાં આવ્યા છે બાકીના 4 યુવતી અને યુવક અચાનક જ ક્યાંય ગાયબ થઈ ગયા હતા. ઉચ્ચ અધિકારીના અંગત માણસો પણ રેડના સ્થળે પહોંચ્યા હતાઆ સમગ્ર ઘટનામાં પોલીસ પર મોટા સવાલ થઈ રહ્યા છે. રેડ શરૂ થઈ ત્યારથી જ નબીરાઓ પૈકી કેટલાકના પિતાએ ભલામણનો દોર શરૂ કર્યો હતો. અન્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી પણ રેડના સ્થળ સુધી પહોંચ્યા હતા. ઉચ્ચ અધિકારીના અંગત માણસો પણ રેડના સ્થળે પહોંચ્યા હતા. યુનિવર્સિટી પોલીસ દ્વારા પણ સમગ્ર મામલે કંઈક ભીનું સંકેલવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું. યુવતીઓ મહેફિલમાં હાજર નહોતી: PIયુનિવર્સિટી પોલીસ સ્ટેશનના PI એસ.આર બાવાએ જણાવ્યું હતું કે આ યુવતીઓ ફ્લેટમાં હોબાળો થયો તેથી ઉપર આવી ગઈ હતી. તેઓ મહેફિલમાં હાજર નહોતી અને મેં તેમને સુંઘ્યા હતા, પરંતુ તેમના મોઢામાંથી કોઈ સ્મેલ આવી રહી નહોતી. યુવતીઓ હોબાળો થતાં ઉપર આવી તો આરોપીઓ સાથે કેમ બેસાડી?PIના નિવેદનને લઈને સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે યુવતીઓ હોબાળો થયો હોવાના કારણે ફ્લેટના ધાબા ઉપર આવી હતી તો તેમને દારૂ પીધેલા નબીરાઓની સાથે કેમ બેસાડવામાં આવી હતી. પોલીસ દ્વારા જ મીડિયાને નબીરાઓના ફોટા વીડિયો લેવાની પરવાનગી આપવામાં આવી હતી. તેમાં પણ યુવતીઓ સાથે બેસેલી હતી, એટલે કે સમગ્ર મામલે પોલીસ કંઈક છુપાવી રહી હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જોકે આ અંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ તપાસ કરવામાં આવશે. 'સેન્ટેરિયલ વિસ્ટા' બિલ્ડિંગના ધાબે રેડ, 4 યુવતી સહિત 21 ઝડપાયા ગઇકાલે(15 જાન્યુઆરી) અમદાવાદના પંચવટી વિસ્તારમાં આવેલા 'સેન્ટેરિયલ વિસ્ટા'ના ધાબા પર વાસી ઉત્તરાયણના દિવસે ચાલી રહેલી શરાબ, શબાબ અને હુક્કાની પાર્ટીમાં પોલીસે દરોડો પાડતા દોડધામ મચી હતી. ડીજે સાથે ચાલી રહેલી પાર્ટીના રંગમાં ભંગ પાડતા પોલીસને ઘટનાસ્થળેથી 4 યુવતીઓ અને 17 યુવકો સહિત 21 લોકો મળી આવ્યા હતા. આ ઉપરાંત ધાબા પર શરાબ, શબાબ અને હુક્કાની પાર્ટી માટે રખાયેલી દારૂની બોટલ, બાઈટીંગ અને વિવિધ ફ્લેવરના હુક્કા મળી આવ્યા હતા. કુશલ શાહ નામના વ્યકિતએ પાર્ટી આયોજીત કરી હોવાની વિગતો મળી આવી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર
અમરેલીની વિદ્યાસભા કોલેજના પૂર્વ નિયામક ગિરીશ ભીમાણી સામે વિદ્યાર્થિનીઓની છેડતીના ગંભીર આક્ષેપો મામલે આજે અમરેલી શહેરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા વિદ્યાસભા કોલેજ કેમ્પસનો ઘેરાવ કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આબુમાં થયેલી વિદ્યાર્થિનીઓની છેડતીના સીસીટીવી પણ ABVPએ આપ્યા છે અને ગિરીશ ભીમાણીએ એક જ દિવસમાં દોઢ લાખનો નશો કરીને વિદ્યાર્થિનીઓની છેડતી કરી હોવાના આક્ષેપ કર્યા છે. પહેલા જાણી લો કે સમગ્ર વિવાદ શું છે...અમરેલીની વિદ્યાસભા કોલેજની છાત્રાઓ આબુના પ્રવાસે ગઈ હતી ત્યારે કોલેજના નિયામક ગીરીશ ભીમાણીએ પાછળથી પોતાની કાર લઈ આબુ પહોંચી નશાની હાલતમાં છાત્રાઓની છેડતી કરી અડપલા કર્યા હોવાનો આક્ષેપ છે. જે બાદ 13 જાન્યુઆરીના રોજ સંકુલે ગિરીશ ભીમાણીને તેમના તમામ પદો પરથી તાત્કાલિક અસરથી દૂર કરી દીધા હતા. જે બાદ ગઇકાલે રાજકોટમાં NSUIના કાર્યકર્તાઓએ ગીરીશ ભીમાણીનું શાહીથી મોં કાળુ કર્યું હતું. જોકે, આ મામલે હજી સુધી કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. પોલીસે ફરિયાદ લેવાની ના પાડી: ABVPનો આક્ષેપઆજે અમરેલીમાં કોલેજ કેમ્પસનો ઘેરાવ કરી ABVPના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો છે કે, 12 જાન્યુઆરીના રોજ આબુ ખાતે ગિરીશ ભીમાણીએ વિદ્યાર્થિનીઓ સાથે છેડતી કરી હતી. આ ઘટનાનો વીડિયો પુરાવો પણ ABVP દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ABVPનો આરોપ છે કે આવા ગંભીર મામલે આજદિન સુધી કોઈ કાયદેસર કાર્યવાહી થઈ નથી. અમરેલી પોલીસે ફરિયાદ નોંધવાનો ઇનકાર કરીને આબુ ખાતે ફરિયાદ કરવા જણાવ્યું હતું, પરંતુ ત્યાં પણ ફરિયાદ લેવાની ના પાડવામાં આવી હોવાનો ABVPએ દાવો કર્યો છે. 'ગિરીશ ભીમાણી હાય હાય'ના નારા લગાવ્યાવિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓએ 'ગિરીશ ભીમાણી હાય હાય'ના નારા લગાવ્યા હતા અને રામધૂન પણ ગાઈ હતી. ABVPએ ગિરીશ ભીમાણી અને પોલીસ ફરિયાદ ન નોંધનાર પોલીસકર્મીઓ સામે પણ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સંગઠને ચેતવણી આપી છે કે જ્યાં સુધી ફરિયાદ દાખલ નહીં થાય અને આરોપી સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે. 'ભીમાણીએ એક જ દિવસમાં દોઢ લાખનો નશો કર્યો'આ અંગે વિદ્યાર્થી પરિષદના સંગઠનના મંત્રી નીતિન નકુમએ જણાવ્યું કે, પ્રવાસ નક્કી થયો ત્યારથી જ ગિરીશ ભીમાણીનો મનસૂબો છેડતી કરવાનો હતો. 3થી 4 વિદ્યાર્થીઓ રસ્તામાં બેસવાના હતા, પરંતુ ગિરીશ ભીમાણીએ કહ્યું રસ્તામાંથી નહીં તેમને અહીંયા બોલાવો. ત્યારબાદ પ્રવાસ રવાના થાય છે, 2 દિવસ પ્રવાસ ઉદયપુર રહે છે. 12 તારીખે પ્રવાસ આબુમાં પહોંચે છે એ સમયે ગિરીશ ભીમાણી પહોંચે છે અને એક જ દિવસમાં દોઢ લાખનો નશો કરે છે, જેના અમારી પાસે પુરાવા છે. જે બાદ ગિરીશ ભીમાણી પાંચ-છ વિદ્યાર્થિનીઓની છેડતી કરે છે, જેના અમારી પાસે પુરાવા છે. ભોગબનનાર પોલીસ સ્ટેશન નથી આવ્યા: DySP આ અંગે અમરેલી DySP ચિરાગ દેસાઈએ જણાવ્યું કે, ABVPના કાર્યકરો દ્વારા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજી સુધી કોઈ ભોગબનનાર પોલીસ સ્ટેશન આવ્યા નથી. જો કોઇ ફરિયાદ નોંધાવવા આવશે તો પોલીસ ચોક્કસ કાર્યવાહી કરશે. આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિનું શાહીથી મોં કાળુ કરાયું
વલસાડ 108 ટીમે એમ્બ્યુલન્સમાં સફળ ડિલિવરી કરાવી:ઇંટ ભઠ્ઠીમાં કામ કરતી મહિલા અને બાળક સુરક્ષિત
વલસાડ જિલ્લાના આધિયાવાડ વિસ્તારમાં ઇંટના ભઠ્ઠીમાં કામ કરતી 20 વર્ષીય મહિલાને 15 જાન્યુઆરી 2026ના રોજ અચાનક પ્રસૂતિ પીડા ઉપડી હતી. પરિવારના સભ્યોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદ માંગી હતી. વલસાડ 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઝોલી સ્ટ્રેચર દ્વારા મહિલાને એમ્બ્યુલન્સમાં બેસાડી હોસ્પિટલ તરફ રવાના થઈ હતી. રસ્તામાં નનકવાડા પાસે પહોંચતા મહિલાને અત્યંત તીવ્ર પ્રસૂતિ પીડા શરૂ થઈ, જેથી એમ્બ્યુલન્સને સાઈડમાં ઊભી રાખવી પડી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મહિલાનું હિમોગ્લોબિન ઓછું હોવાથી તેમની ગર્ભાવસ્થા હાઈ રિસ્ક હતી. સ્થિતિની ગંભીરતા જોતા EMT ચંદ્રાવતી પટેલ અને પાયલોટ જિગ્નેશ મકવાણાએ તાત્કાલિક નિર્ણય લીધો. પરિવારના સભ્યોના સહયોગથી એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવવી પડી હતી. થોડી જ વારમાં બાળકનો સફળતાપૂર્વક જન્મ થયો અને માતા-બાળક બંને સુરક્ષિત રહ્યા. 108ની ટીમની સમયસર મદદ મળવાથી માતા અને બાળકનો જીવ બચાવવામાં સફળતા મળી. ડિલિવરી બાદ ડોક્ટર રામાણીના માર્ગદર્શન મુજબ જરૂરી ઇન્જેક્શન, ઓક્સિજન અને બાળકને બેબી વોર્મિંગ તથા મધર કેર આપવામાં આવી. ત્યાર બાદ વધુ સારવાર માટે માતા-બાળકને સિવિલ હોસ્પિટલ, વલસાડ ખસેડવામાં આવ્યા. આ સફળ કામગીરી બદલ મહિલાના પરિવારજનોએ 108ના EMT અને પાયલોટનો આભાર વ્યક્ત કર્યો હતો.
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કોથમડી ગામમાં વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં આજે વહેલી સવારે એક દીપડો કેદ થયો હતો. છેલ્લા ઘણા સમયથી દીપડાના ભય હેઠળ જીવતા ગ્રામજનોએ આ ઘટનાથી રાહત અનુભવી છે. કોથમડી ગામના ખેતરો અને રહેણાંક વિસ્તારની આસપાસ દીપડો દેખાતો હોવાની ફરિયાદો છેલ્લા કેટલાક દિવસોથી ઉઠી રહી હતી. આ અંગે ગ્રામજનોએ નવસારી સામાજિક વનીકરણ વિભાગની સુપા રેન્જને જાણ કરી હતી. વન વિભાગના રાઉન્ડ ફોરેસ્ટર અમિષાબેન પટેલ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. ગામના ખાંજણ ફળિયામાં રહેતા વિજયભાઈ નવીનભાઈ પટેલના ઘરની પાછળ વાડામાં એક પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. આજે વહેલી સવારે શિકારની શોધમાં દીપડો વિજયભાઈના વાડા તરફ આવતા તે પાંજરામાં પુરાઈ ગયો હતો. દીપડો પાંજરે પુરાયો હોવાની જાણ થતા જ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. ફોરેસ્ટર અમિષાબેન પટેલ અને સ્ટાફના નવલભાઈ રાઠોડ દ્વારા દીપડાનો સુરક્ષિત રીતે કબજો લેવામાં આવ્યો હતો. વન વિભાગના જણાવ્યા અનુસાર, પકડાયેલો દીપડો આશરે 6 વર્ષની ઉંમરનો છે. દીપડો પકડાતા કોથમડી ગામના રહીશોએ છેલ્લા ઘણા દિવસોથી પ્રવર્તતા ભયના માહોલમાંથી મુક્તિ મેળવી હાશકારો અનુભવ્યો છે. હાલમાં વન વિભાગ દ્વારા દીપડાની જરૂરી તબીબી તપાસ કરવામાં આવી રહી છે, ત્યારબાદ તેને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
હિંમતનગર તાલુકાના હાથરોલ ગામે ચૌમુખ મહાદેવ મંદિર પરિસર નજીક આશરે રૂ. 1 કરોડના ખર્ચે નિર્માણ થનાર પ્રોટેક્શન દીવાલ અને ડેમના આનુસંગિક કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સાંસદ શોભનાબેન બારૈયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ અને હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટ અંતર્ગત બનનારી પ્રોટેક્શન દીવાલથી મંદિર પરિસર સુરક્ષિત બનશે. ધારાસભ્ય વી.ડી. ઝાલાએ આ પ્રસંગે ચૌમુખ મહાદેવ મંદિરના ઇતિહાસ વિશે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે આ દીવાલથી પાણી સંરક્ષણ, પૂર નિયંત્રણ અને મંદિરની સુરક્ષામાં નોંધપાત્ર સુધારો થશે. આ કામ પૂર્ણ થવાથી ગ્રામજનોને લાંબા ગાળે પાણી સંરક્ષણ અને પૂર નિયંત્રણના લાભ મળશે. ખાતમુહૂર્ત પ્રસંગે સરપંચ ગીતાબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, દિલીપસિંહ રહેવર, મહેન્દ્રભાઈ પટેલ, ભવરસિંહ ચૌહાણ, ચૌમુખ મહાદેવ મંદિરના ટ્રસ્ટીઓ સહિત અનેક આગેવાનો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.
વલસાડમાં વિદેશ મોકલવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર આરોપી મહંમદ અબ્બાસ ઉર્ફે ગુલામ અબ્દુલ મજીદ શેખની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. તેણે યુકે અને ન્યુઝીલેન્ડના વિઝા અપાવવાના નામે અનેક લોકો પાસેથી અંદાજે ₹76.39 લાખની ઠગાઈ કરી હતી. વલસાડ સિટી પોલીસે આરોપીને સાથે રાખીને મહારાષ્ટ્રમાં તપાસનો દોર લંબાવ્યો છે. આ છેતરપિંડીનો મામલો ગયા વર્ષે 25 ઓક્ટોબરે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. એક ફરિયાદીએ યુકેના વર્ક અને વિઝિટર વિઝા અપાવવાના બહાને આરોપીએ ₹10 લાખ એડવાન્સ લીધા હોવાની ફરિયાદ કરી હતી. આરોપીએ આ રકમ અલગ-અલગ ઇમિગ્રેશન એજન્સીઓના નામે ટ્રાન્સફર કરાવી હતી. ગુનો નોંધાયા બાદ પોલીસ તપાસમાં આરોપી દુબઈ ભાગી ગયો હોવાનું સામે આવ્યું હતું. વલસાડ પોલીસે તાત્કાલિક તેની સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી. 13મી તારીખે આરોપી મુંબઈ એરપોર્ટ પર ઉતરતા જ ઇમિગ્રેશન વિભાગે તેને રોકી લીધો હતો અને વલસાડ પોલીસને જાણ કરી હતી, જેના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીએ અત્યાર સુધીમાં અન્ય ચાર લોકો પાસેથી પણ છેતરપિંડી કરીને કુલ ₹76,39,000 પડાવ્યા છે. તેની કાર્યપદ્ધતિ (મોડસ ઓપરેન્ડી) મુજબ, તે સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા વિદેશ જવા ઇચ્છુક લોકોનો સંપર્ક કરતો હતો. વિઝાની ગેરંટી આપી પૈસા પડાવ્યા બાદ તે કોઈ કામગીરી કરતો ન હતો. આરોપીની પૂછપરછમાં તેણે આ પૈસા અન્ય લોકોને કામ માટે આપ્યા હોવાનું જણાવ્યું છે, અને પોલીસ આ કૌભાંડમાં અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં તપાસ કરી રહી છે. વલસાડ પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે, સોશિયલ મીડિયા પર વિદેશ જવા માટેની જાહેરાતો પર આંધળો વિશ્વાસ ન કરવો. કોઈપણ એજન્ટને પૈસા આપતા પહેલા તેની સંપૂર્ણ ખાતરી કરવી. જો કોઈ વ્યક્તિ આવી છેતરપિંડીનો ભોગ બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.
અમદાવાદ-મહેસાણા હાઈવે પર ઝુંડાલ ગામની સીમમાં 15 જાન્યુઆરીની સવારે એક ભયાનક અકસ્માત થયો હતો. જેમાં પૂરપાટ ઝડપે આવતી એક લાલ રંગની મર્સિડીઝના ચાલકે જ્યુપિટર પર જઈ રહેલા વૃદ્ધને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા હાલ તેઓ ખાનગી હોસ્પિટલના ICU વોર્ડમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી મુજબ, ઝુંડાલ ગામમાં ગ્રામ પંચાયતની સામે રહેતા રમણભાઈ મણીભાઈ પટેલ (ઉ.વ. 65) 15 જાન્યુઆરીના રોજ સવારે જ્યુપિટર (GJ-18-FJ-6218) લઈને ગુરુકુળ સ્કૂલ બાજુથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા.આ દરમિયાન પાછળથી આવતી એક લાલ કલરની મર્સિડીઝ ગાડી (નં. RJ19-CJ-5101)ના રમણભાઈના સ્કૂટરને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. મર્સિડિઝ ચાલક અને પાછળ બેસેલી મહિલા નાસી છૂટ્યાઆ અકસ્માત એટલો જોરદાર હતો કે રમણભાઈ રોડ પર પટકાયા હતા અને તેમને માથા તેમજ કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાના પગલે આસપાસના લોકો અને તેમના પિતરાઈ ભાઈ સુરેશભાઈ ઘટના સ્થળે દોડી ગયા હતા. જ્યારે મર્સિડીઝનો ચાલક તેમજ પાછળ બેસેલી મહિલા ગાડી મુકીને નાસી ગયા હતા. મોઢાના જડબા અને માથામાં ગંભીર ઈજાબાદમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં રમણભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદની કે.ડી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સીટી સ્કેન બાદ ડોક્ટરોએ રમણભાઈને માથામાં ગંભીર ઈજા ઉપરાંત મોઢાના જડબાના ભાગે ફ્રેક્ચર હોવાનું નિદાન કર્યું હતું. હાલમાં તેઓ બેભાન અવસ્થામાં ICUમાં સારવાર હેઠળ છે. આરટીઓમાંથી ગાડીની વિગતો મગાવાઈઆ અંગે રમણભાઈના મોટા ભાઈ અમૃતભાઈ મણીભાઈ પટેલે અકસ્માત સર્જનાર મર્સિડીઝ કારના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. અડાલજ પીઆઇ એલ. ડી. ઓડેદરાએ જણાવ્યું કે, અકસ્માત સર્જી મર્સિડીઝ મૂકીને ચાલક નાસી ગયો હતો. પ્રાથમિક તપાસમાં પાછલી સીટમાં મહિલા પણ બેઠેલી હોવાનું જાણવા મળ્યું છે. આરટીઓમાંથી ગાડીની વિગતો મંગાવવામાં આવી છે. જે પછી મર્સિડીઝ માલિક સહિતની વિગતો સામે આવશે. જુલાઈ, 2025માં સિટી પલ્સ રોડ પર પીધેલા કારચાલકે કાળો કેર વર્તાવ્યો હતોગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે(25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા સફારીના ચાલકે ગંભીર અકસ્માત કર્યો હતો. ટાટા સફારી કારના બેદરકાર ચાલક એવા હિતેશ વિનુભાઈ પટેલે રાહદારી અને વાહનચાલકોને અડફેટે લેતાં એક મહિલા સહિત 2નાં મોત થયાં હતા.
અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલી વિવાદાસ્પદ નૂતન સર્વોદય સોસાયટીમાં ગેરકાયદેસર બંગલાને મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલિશન કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. નવો બંગલો બનાવવા માટે બાંધકામ કર્યા હોવા અંગેની એસ્ટેટ વિભાગમાં કોઈ મંજૂરી લેવામાં આવી નહોતી, જેના પગલે એસ્ટેટની ટીમ દ્વારા નોટિસો આપવામાં આવી હતી, જે બાદ આજે 16 જાન્યુઆરીના રોજ સવારે પોલીસ બંદોબસ્ત સાથે બંગલો તોડવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે. સોસાયટીમાં બંગલાઓ લઘુમતી સમાજને વેચીને અશાંતધારાનો ભંગ કર્યો હોવાની ફરિયાદ સ્થાનિક એલિસબ્રિજના ભાજપના ધારાસભ્ય અમિત શાહ દ્વારા પણ કરવામાં આવી હતી. નોટિસો બાદ ડિમોલિશન કાર્યવાહીપશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ પાલડી વિસ્તારમાં નુતન સર્વોદય સોસાયટીમાં બંગલા નંબર 1માં સવારથી ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બંગલાનું બાંધકામ ગેરકાયદેસર હતું જે અંગે અવારનવાર નોટિસો આપવામાં આવી હતી, છતાં પણ કાર્યવાહી ન કરવામાં આવતા છેવટે આજે 16 જાન્યુઆરીના રોજ સવારે પોલીસ બંદોબસ્ત સાથે બે જેસીબી મશીન અને મજૂરોની મદદ લઈને બંગલો ડિમોલિશન કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અશાંત ધારાનો ભંગ કરી બંગલો વેચાયો હતોપાલડીના નૂતન સર્વોદય સોસાયટીમાં નવ જેટલા બંગલાઓ અશાંતધારાનો ભંગ કરીને વેચાણ કરી દેવામાં આવતા સ્થાનિક એલિસબ્રિજ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અમિત શાહ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં દિલીપ મોદી નામના વ્યક્તિનો બંગલો ગેરકાયદેસર રીતે ઉભો કરવા હોવા અંગેની પણ ફરિયાદ મળી હતી. મુસ્તફા માણેકચંદ નામના વ્યક્તિને બંગલો વેચાણ આપવામાં આવ્યો હતો અને ગેરકાયદેસર બાંધકામ હોવાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા આ બંગલો ડિમોલિશન કરવામાં આવ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકા તંત્ર દ્વારા આગામી વર્ષનું બજેટ બનાવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જોકે ગતવર્ષનાં રૂ. 3100 કરોડ રૂપિયાનાં બજેટમાંથી માત્ર રૂ. 1400 કરોડના વિકાસ કામો થયા છે. નાણાનાં અભાવને લઈને અનેક યોજનાઓ ફાઇલોમાંથી બહાર જ નીકળી શકી નથી. એટલું જ નહીં મનપા હાલમાં ઇતિહાસના સૌથી કપરા આર્થિક સમયગાળામાંથી પસાર થઈ રહી હોય તેમ તિજોરીના તળિયા દેખાતા આખરે અમૃત-2 યોજના સહિતના વિકાસલક્ષી કામોને વેગ આપવા માટે રૂ. 200 કરોડની લોન લેવાની ફરજ પડી છે. પ્રાપ્ત વિગત મુજબ ગત નાણાકીય વર્ષ 2025-26 નું વાર્ષિક અંદાજપત્ર રૂ. 3100 કરોડનું છે, પરંતુ ચાલુ નાણાકીય વર્ષ પૂરું થવાને હવે ગણતરીના બે મહિના જ બાકી છે ત્યારે તંત્ર દ્વારા માત્ર રૂ. 1400 કરોડનો જ ખર્ચ કરવામાં આવ્યો છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે નાણાંના અભાવે અનેક મહત્વાકાંક્ષી યોજનાઓ કાગળ પર જ રહી ગઈ છે અથવા તો તેનું 'બાળમરણ' થયું છે. સફાઈ ખર્ચમાં તોતિંગ વધારાએ તિજોરી સાફ કરી મહાનગરપાલિકાની આર્થિક કમર તોડવામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનો ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનનો નવો કોન્ટ્રાક્ટ મુખ્ય કારણભૂત માનવામાં આવે છે. અગાઉ જે કામ વાર્ષિક રૂ. 35 કરોડના ખર્ચે થતું હતું, તેમાં રૂ. 90 કરોડનો અધધ વધારો ઝીંકીને હવે વાર્ષિક ખર્ચ રૂ. 120 કરોડ પર પહોંચાડી દેવામાં આવ્યો છે. 10 વર્ષના આ લાંબા ગાળાના કોન્ટ્રાક્ટમાં દર વર્ષે 5% નો વધારો નક્કી કરવામાં આવ્યો છે, જે મુજબ આગામી વર્ષોમાં આ ખર્ચ રૂ. 900 કરોડના આંકડાને આંબી જશે. એકબાજુ તંત્રએ 115 ન્યુસન્સ પોઈન્ટ નાબૂદ કરવાની યોજનાને નાણાંના અભાવે અભેરાઈએ ચડાવી દીધી છે, ગયા વર્ષની કાગળ પર રહેલી યોજનાઓ ગતવર્ષના બજેટમાં વર્ષ 2024-25ની અનેક યોજના સામેલ કરવામાં આવી હતી. જોકે આ જાહેર કરાયેલી અનેક યોજનાઓ આજે પણ ફાઈલોમાં જ દબાયેલી છે. અધિકારીઓ પાસે પણ કદાચ આ યોજનાઓની પ્રગતિ અંગે કોઈ સ્પષ્ટ જવાબ નથી. આજી રિવરફ્રન્ટ, મોરબી રોડ પર નવું સ્મશાન ગૃહ, અને કિસાનપરા ચોકથી મહિલા કોલેજ સુધીનો વ્હાઇટ ટોપિંગ રોડ જેવી યોજનાઓ હજુ વનવાસ ભોગવી રહી છે. આ ઉપરાંતજન ભાગીદારી દ્વારા જળ સંવર્ધન અને ગ્રીન લાયબ્રેરી,, ત્રણ મહિલા હોકર્સ ઝોન અને પ્રાકૃતિક વેચાણ કેન્દ્ર, પીડીએમ ફાટક પાસે બ્રીજ અને સફાઈ કામદારો માટે કોમ્યુનિટી હોલ, રેસકોર્સ રિંગ રોડ પર LED લાઈટ અને આકર્ષક એન્ટ્રી ગેટ, આ તમામ યોજનાઓ કાં તો શરૂ થઈ નથી અથવા તો અધવચ્ચે લટકી પડી છે. પાણી વેરો અને આવક-ખર્ચનું અસંતુલન રાજકોટની જળ સમસ્યા પણ આર્થિક બોજમાં વધારો કરી રહી છે. આજી અને ન્યારી ડેમની ક્ષમતા વસ્તીના પ્રમાણમાં ઓછી હોવાથી મનપાએ વર્ષમાં બે વાર સૌની યોજના હેઠળ નર્મદાના નીર મંગાવવા પડે છે. રાજ્ય સરકારને મનપા પ્રતિ 1000 લીટરે રૂ. 6 ચૂકવે છે, જેની સામે પ્રજા પાસેથી વાર્ષિક માત્ર રૂ. 1500 પાણી વેરો વસૂલવામાં આવે છે. આ તફાવતને કારણે જળ વિતરણ વ્યવસ્થામાં મોટું આર્થિક ગાબડું પડી રહ્યું છે. પગાર ખર્ચ અને મિલકત વેરાની આવક હાલમાં મનપાની આર્થિક સ્થિતિ એટલી હદે નાજુક છે કે મિલકત વેરાનો રૂ. 454 કરોડનો લક્ષ્યાંક જો 100% પૂર્ણ થાય તો પણ તેમાંથી માત્ર કર્મચારીઓનો રૂ. 450 કરોડ વાર્ષિક પગાર જ નીકળી શકે તેમ છે. વિકાસ કામો માટે મનપાએ હવે અન્ય સ્ત્રોતો પર નિર્ભર રહેવું પડે તેમ છે. આગામી બજેટમાં કરબોજ વધવાની શક્યતા હાલની સ્થિતિ જોતા તિજોરી ભરવા માટે આગામી બજેટમાં પ્રજા પર તોતિંગ કરબોજ ઝીંકવા સિવાય કોઈ વિકલ્પ દેખાતો નથી. જોકે, આગામી વર્ષ ચૂંટણીનું વર્ષ હોવાથી રાજકીય શાસકો પ્રજાની નારાજગી વહોરવા તૈયાર થશે કે કેમ તે મોટો પ્રશ્ન છે. અગાઉના કમિશનરે સૂચવેલો રૂ. 150 કરોડનો કરબોજ શાસકોએ રદ કર્યો હતો, પરંતુ હવે લોન લેવાની અને મિલકતો વેચવાની નોબત આવતા શાસકો મૂંઝવણમાં મુકાયા છે. મનપાએ રૂ. 370 કરોડની કિંમતના 7 પ્લોટ વેચવા કાઢ્યા છે, જો આ પ્લોટ વેચાશે તો જ લોન લીધા વગર ગાડું ગબડશે, અન્યથા રાજકોટવાસીઓએ મોંઘવારીના જમાનામાં વધુ વેરા ભરવા માટે તૈયાર રહેવું પડશે. હવે જોવાનું એ રહેશે કે નવા બજેટમાં કમિશનર કેવા ક્રાંતિકારી પગલાં ભરે છે.
મકરસંક્રાંતિ પછી દરિયાકાંઠે ફેલાતા પતંગની દોરી, તૂટેલી પતંગો અને પ્લાસ્ટિક કચરાથી પક્ષીઓ, માછલાં અને કાચબા સહિતની અબોલ જીવસૃષ્ટિને થતું ગંભીર નુકસાન અટકાવવાના ઉદ્દેશ્ય સાથે વેરાવળ ચોપાટી ખાતે “Eco Club for Wetlands” ના શીર્ષક હેઠળ વિશાળ દરિયાકાંઠા સફાઈ અભિયાન યોજાયું. આ સેવાકાર્યમાં વિદ્યાર્થીઓ, સ્વયંસેવકો અને નગરજનો એકત્ર થઈ કરોડો અબોલ જીવોને બચાવવાનો પુણ્ય અવસર પ્રાપ્ત કર્યો. આ અભિયાન Gir Foundation ની પ્રેરણાથી હાથ ધરાયું હતું. સંસ્થાના સંયોજક ભાવેશ ત્રિવેદી અને પ્રો. સંજય ભુતે જણાવ્યું કે, મકરસંક્રાંતિ બાદ દરિયાકાંઠે છૂટક પડેલી પતંગની દોરી અને પ્લાસ્ટિકમાં અનેક પક્ષીઓ તથા દરિયાઈ જીવો ફસાઈને મૃત્યુ પામે છે. આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે પ્રકૃતિપ્રેમી વિદ્યાર્થીઓ અને નાગરિકોએ એકજુટ થઈ બીચ ક્લીનઅપ ડ્રાઈવ યોજી. વિશેષ વાત એ હતી કે આ કાર્યક્રમમાં કોઈપણ પ્રકારની ઔપચારિકતા—આમંત્રણ, સ્ટેજ, સ્વાગત કે પ્રોટોકોલ—રાખવામાં આવી નહોતી. સંપૂર્ણ સેવા ભાવ અને સામૂહિક જવાબદારી સાથે વિવિધ સંસ્થાઓ અને નાગરિકો ઉત્સાહભેર જોડાયા. સેવા અને સંવેદનાના આ અભિયાનથી પર્યાવરણ પ્રત્યેની સામાજિક જાગૃતિનો સશક્ત સંદેશો પ્રસારિત થયો. Gujarat Ecological and Research Foundation ના સહયોગથી યોજાયેલા આ સફાઈ અભિયાનમાં ગીર ફાઉન્ડેશનના કો-ઓર્ડિનેટર ભાવેશ ત્રિવેદી તથા મહિલા કોલેજના પર્યાવરણપ્રેમી પ્રો. સંજય ભૂતના માર્ગદર્શન હેઠળ વેરાવળ મહિલા કોલેજની 100થી વધુ વિદ્યાર્થિનીઓએ સક્રિય ભાગ લીધો. ઉપરાંત ચોકસી કોલેજ, જે.એમ. સાયન્સ કોલેજ, રોટરી ક્લબ, રેડક્રોસ સોસાયટી, એબીપીએસ સ્કૂલ, સનરાઈઝ સ્કૂલ, વેરાવળ વન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર સહભાગિતા નોંધાવી. નગરપાલિકા દ્વારા કચરાના સંગ્રહ, નિકાલ અને પરિવહનની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી, જેના કારણે સફાઈ કાર્ય અસરકારક રીતે પૂર્ણ થયું. અભિયાન દરમિયાન ખાસ કરીને નાગરિકોને પ્લાસ્ટિકનો નહીવત ઉપયોગ, એકલ-ઉપયોગી પ્લાસ્ટિકથી પરહેજ અને દરિયાઈ પર્યાવરણના સંરક્ષણ માટે વ્યક્તિગત સ્તરે જવાબદારી નિભાવવાની અપીલ કરવામાં આવી. વેરાવળ ચોપાટી પર યોજાયેલ આ દરિયાકાંઠા સફાઈ અભિયાન માત્ર એક દિવસનું કાર્યક્રમ ન રહી, પરંતુ અબોલ જીવોના રક્ષણ, પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક જાગૃતિનું પ્રેરક ઉદાહરણ બની રહ્યું—જે ભવિષ્યમાં વધુ સસ્ટેનેબલ અને પ્લાસ્ટિક-મુક્ત સમાજ તરફ માર્ગદર્શક સાબિત થશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટર ખાતે યોજવામાં આવેલો ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ 2026ને છેલ્લા બે વર્ષમાં મળતા પ્રતિસાદ કરતાં ચાલુ વર્ષે ખૂબ ઓછો પ્રતિસાદ મળ્યો છે. ગત વર્ષે ઉત્તરાયણના દિવસે 1.32 લાખ જેટલા લોકોએ એક જ દિવસમાં ફ્લાવર શોની મુલાકાત લેતા રેકોર્ડ સર્જાયો હતો, પરંતુ ચાલુ વર્ષે 2026માં માત્ર 78,000 જેટલા લોકોએ જ રજાના દિવસે ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. ઉત્તરાયણ પર 78,000 લોકોએ મુલાકાત લીધી, ગત વર્ષે 1.32 લાખ આવ્યા હતાસાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે. ચાલુ વર્ષે 20 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરી નાગરિકો માટે ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026 આયોજિત કરવામાં આવ્યો છે. જોકે ચાલુ વર્ષે ફ્લાવર શોને નાગરિકોનો પ્રતિસાદ મળતો ન હોય તેવું જોવા મળી રહ્યું છે. 14 જાન્યુઆરીના રોજ ઉત્તરાયણનો તહેવાર હોવાના પગલે માત્ર 78,000 જેટલા લોકોએ મુલાકાત લીધી હતી જ્યારે ગત વર્ષે ઉત્તરાયણના દિવસે 1.32 લાખ જેટલા લોકો આવતા રેકોર્ડ સર્જાયો હતો. 15 જાન્યુઆરીએ સાંજે 8 વાગ્યા સુધીમાં 65 હજાર ટિકિટો વેચાઈઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રીક્રીએશનલ કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ઉત્તરાયણના દિવસે 78 હજાર જેટલી ટિકિટો વેચાઈ હતી. જ્યારે બાળકો સાથે 85 હજાર લોકોએ મુલાકાત લીધી હતી, જ્યારે 15 જાન્યુઆરીએ સાંજે 8 વાગ્યા સુધીમાં 65 હજાર જેટલી ટિકિટો વેચાઈ હતી અને બાળકો સાથે 68થી 69 જેટલા લોકોએ મુલાકાત લીધી છે. અત્યાર સુધીમાં કુલ 4.81 લાખ ટિકિટોની મદદથી મ્યુનિસિપલ કોર્પોરેશનને 5.10 કરોડ રૂપિયાની આવક થઈ છે. વીઆઈપી સ્લોટમાં 4 હજાર જેટલા લોકોએ મુલાકાત લેતા 12 લાખ રૂપિયાની આવક નોંધાઈ છે. 1થી 15 જાન્યુઆરી સુધીમાં 5.50 લાખથી વધારે લોકોએ મુલાકાત લીધીજોકે ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026ને નાગરિકોનો ઓછો પ્રતિસાદ મળ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધીમાં 5.50 લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી છે. જેમાં પાંચ કરોડ સુધીની જ આવક થઈ છે. જ્યારે ગત વર્ષે 12 દિવસમાં 8 લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી હતી. જેનાથી 8 કરોડથી વધારેની આવક થઈ હતી. જેથી આ વર્ષે ગત વર્ષ કરતાં રોજના 20 હજાર આસપાસ લોકો ઓછા આવ્યા છે અને આવક પણ ઓછી થઈ છે. લોકોની ભીડ ઓછી આવતા સમય વધારવો પડ્યોસાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026માં નાગરિકોનો ઓછો પ્રતિસાદ જોવા મળતા ફ્લાવર શોના સમયમાં વધારો કરવાની ફરજ પડી છે. દર વર્ષે ફ્લાવર શોમાં લોકોની ભીડ હોવાના કારણે દરવાજા બંધ કરવા પડે અને લોકોને સમય થતાં ટિકિટ આપવાનું બંધ અને બહાર નીકળવાની ફરજ પડે છે, પરંતુ ચાલુ વર્ષે તો મ્યુનિસિપલ કોર્પોરેશનને સમય વધારવો પડ્યો છે કારણ કે લોકોની ભીડ ખૂબ ઓછી આવી રહી છે. રાત્રે 10નો VIP સ્લોટ બંધરાત્રે 10નો VIP સ્લોટ હોવાના કારણે લોકો ઓછા આવતા હોવાનું સામે આવતા લોકો મોડે સુધી આવીને ફ્લાવર શો જોવે અને કોર્પોરેશનને આવક થાય તેના માટે ફ્લાવર શોનો સમય વધાર્યો અને રાત્રે વીઆઈપી સ્લોટ બંધ કર્યો છે. ફ્લાવર શોમાં નબળો પ્રતિસાદ જોવા મળતા આ નિર્ણય લેવો પડ્યો હતો.
સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં માનવતાને કંપાવી દે તેવી ઘટનામાં પતિની સતત હિંસા અને અપમાનથી કંટાળી એક પરિણીતાએ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી છે. પતિએ બચાવવાને બદલે સળગતી પત્નીનો વીડિયો પણ બનાવ્યો હતો. પતિએ મારઝૂડ કરી ઘરમાં તેલ પડ્યું છે, મરી જા એવી ઉશ્કેરણી કરતા આવેશમાં આવી પત્નીએ શરીરે ડીઝલ છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું. પરિણીતાના આપઘાત કેસમાં ઈચ્છાપોર પોલીસે પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો. નાની-નાની વાતમાં પતિ ઝઘડો કરતો હતોબિહારના છપરા ખાતે રહેતા હરબંશ છબીલા સહા (64) ખેતીકામ કરે છે. સંતાનમાં 4 દીકરી અને બે દીકરા છે. 31 વર્ષીય દીકરી પ્રતિમાદેવીના લગ્ન રંજિત દિલીપ સહા સાથે થયા હતા અને તેઓ સુરતના ઇચ્છાપોર ખાતે જયરાજ સોસાયટીમાં રહે છે. રંજિત અને પ્રતિમાએ ભાગીને લગ્ન કર્યા હતા. તેઓને સંતાનમાં પુત્રી પ્રિયા, પુત્ર આદિત્ય અને અંકુશ છે. પતિ રંજિત નાની-નાની વાતે પ્રતિમા સાથે ઝઘડો કરતો હતો. રંજિત ગેરેજમાં નોકરી કરે છે. પરિણીતાએ પોતે સળગી હોવાનું ભાઈને જણાવ્યું હતુંગત 4 જાન્યુઆરીના રોજ પ્રતિમા સળગી ગઇ હતી. શરીરે ડીઝલ છાંટી અગ્નિસ્નાન કર્યુ હોવા છતાં રંજિતે અકસ્માતે દાઝી ગઈ હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું. ગંભીર રીતે દાઝી ગયેલી પ્રતિમાનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. દરમિયાન પ્રતિમાએ હોસ્પિટલના બિછાનેથી તેના ભાઈ જયપ્રકાશને પોતે સળગી ગઇ હોવાની વાત કરી હતી. બાળકોને લઈ પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતીત્યારબાદ બાળકોને પૂછતા એવું જાણવા મળ્યું કે, મકાનના ધાબા પર પડોશીએ ઘઉં સૂકવવા મૂક્યા હતા જે વેરવિખેર થઈ જતા બાળકો અંકુશ અને આદિત્યએ આ કરતૂત કરી હોવાની શંકા રાખી પિતાએ બંને બાળકોને ઠપકો આપી સ્કૂલે જવાનું બંધ કરી દેવાની ધમકી આપી હતી. પતિએ વીડિયો બનાવ્યો પત્નીને સળગવા દીધીપતિ રંજિતની બૂમાબૂમ સાંભળી પ્રતિમાએ વચ્ચે પડી છોકરાઓને કેમ ઠપકો આપો છો? એવું કહેતા રંજિતે પ્રતિમા પર ભારે ગુસ્સો કરી મારઝુડ પણ કરી હતી. આવેશમાં આવી પ્રતિમાએ મરી જવાની વાત કરી હતી. તે સમયે રંજિતે ઘરમાં તેલ પડયું છે, તે લઇ સળગી જા એવી ઉશ્કેરણી કરતા પ્રતિમા ડીઝલ શરીરે છાંટી સળગી મરી હતી. તે સમયે રંજિતે પત્નીને બચાવવાને બદલે વીડિયો ઉતાર્યો હતો અને તેણીને સળગવા દીધી હતી. સસરાએ જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવીગંભીર રીતે દાઝી ગયેલી પ્રતિમાદેવીને સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. ઘટનાને લઈ ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં પિતા હરબંશ છબીલા સાહની ફરિયાદના આધારે જમાઈ રંજિત દિલીપ સાહ (રહે. ઘર નં. એમ/30, જયરાજ સોસાયટી, ઈચ્છાપોર બસ સ્ટેન્ડ-3) વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આપઘાતની દુષ્પ્રેરણા સહિતની ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયોપોલીસે ઘટનાના તમામ પાસાંની તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું છે કે ઘટનાસ્થળેથી મળેલા પુરાવા, વીડિયો ક્લિપ તથા સાક્ષીઓના નિવેદનોના આધારે વધુ તપાસ હાથ ધરાઈ રહી છે. ઇચ્છાપોર પોલીસે રંજિત દિલીપ સહા સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
કચ્છ અને સૌરાષ્ટ્રની ઔદ્યોગિક ક્ષમતાને વૈશ્વિક ફલક પર લઈ જવા અને આ વિસ્તારને નિકાસનું પ્રમુખ કેન્દ્ર બનાવવાના ઉમદા હેતુ સાથે યોજાયેલી ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ (VGRC-2026) સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. આ કોન્ફરન્સના ફળસ્વરૂપે સમગ્ર કચ્છ-સૌરાષ્ટ્ર પંથકમાં કુલ Rs 5,78,330 કરોડના તોતિંગ રોકાણના લક્ષ્યાંક સાથે કુલ 5,492 પ્રોજેક્ટ્સ માટે એમ.ઓ.યુ. (Memorandum of Understanding) કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા આ તમામ દરખાસ્તોને મંજૂરી આપી દેવામાં આવી છે, જેનાથી આગામી સમયમાં અંદાજે 6,26,253 જેટલી નવી રોજગારીની તકો ઊભી થશે. મકરસંક્રાંતિના આ પર્વે આ ક્ષેત્રમાં સાચા અર્થમાં ‘વિકાસની સંક્રાંતિ’નો પ્રારંભ થયો છે. જિલ્લાવાર રોકાણની વિગતો: પ્રાપ્ત થયેલી સત્તાવાર માહિતી અનુસાર, રોકાણની દ્રષ્ટિએ કચ્છ જિલ્લો સમગ્ર રાજ્યમાં મોખરે રહ્યો છે. કચ્છમાં Rs 1,25,017 કરોડના ખર્ચે કુલ 458 પ્રોજેક્ટ્સ સાકાર થશે, જે 48,419 લોકોને રોજગાર આપશે. બીજા ક્રમે રહેલા ભાવનગર જિલ્લામાં Rs 60,176 કરોડના રોકાણ સાથે 306 એમ.ઓ.યુ. થયા છે, જેમાં સૌથી વધુ 1,84,606 રોજગારીનું સર્જન થવાની અપેક્ષા છે. ત્રીજા સ્થાને અમરેલી જિલ્લામાં Rs 36,275 કરોડના 62 પ્રોજેક્ટ્સ થકી 1,11,447 લોકોને કામ મળશે. રાજકોટ અને દેવભૂમિ દ્વારકાની સ્થિતિ: ઔદ્યોગિક હબ ગણાતા રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 2,921 પ્રોજેક્ટ્સ માટે Rs 23,160 કરોડના કરારો થયા છે, જે 39,423 રોજગારીની તકો ઉભી કરશે. જ્યારે દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠાના વિસ્તારમાં રોકાણકારોએ વિશેષ રસ દાખવતા Rs 34,439 કરોડના 85 સમજૂતી કરારો કર્યા છે, જેનાથી 11,514 લોકોને રોજગાર મળશે. અન્ય જિલ્લાઓનો પ્રદર્શન: જામનગર: Rs 15,300 કરોડના રોકાણ સાથે 357 કરારો (8,857 રોજગારી) પોરબંદર: Rs 9,089 કરોડના રોકાણ સાથે 447 પ્રોજેક્ટ્સ (9,954 રોજગારી) મોરબી: Rs 4,795 કરોડનું રોકાણ અને 191 કરારો (12,096 રોજગારી) જૂનાગઢ: Rs 3,324 કરોડના રોકાણ સાથે 228 પ્રોજેક્ટ્સ (4,305 રોજગારી) સુરેન્દ્રનગર: Rs 2,817 કરોડના રોકાણ માટે 193 કરારો ગીર સોમનાથ: Rs 1,353 કરોડના લક્ષ્ય સાથે 151 કરારો બોટાદ: Rs 291 કરોડના મૂલ્યના 34 એમ.ઓ.યુ. થયા છે આ ઉપરાંત, વિવિધ અન્ય ભૌગોલિક સ્થળોએ કુલ રૂ. 2,62,293 કરોડના રોકાણ માટે વધુ 59 એમ.ઓ.યુ. મંજૂર કરવામાં આવ્યા છે, જે અન્ય 1,81,143 લોકોને આજીવિકા પૂરી પાડશે. આ વિરાટ રોકાણ થકી સૌરાષ્ટ્ર અને કચ્છની આર્થિક તસવીર બદલાશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે.
ગોધરા સિવિલ હોસ્પિટલમાં 6 નવા ICU બેડ કાર્યરત:પંચમહાલ સહિત ત્રણ જિલ્લાના દર્દીઓને મળશે મોટી રાહત
પંચમહાલ જિલ્લાની ગોધરા જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. અહીં 6 નવા અત્યાધુનિક સર્જિકલ ICU બેડ તૈયાર કરીને કાર્યરત કરાયા છે. આ નવા યુનિટના પ્રારંભ સાથે હોસ્પિટલમાં ICU બેડની કુલ સંખ્યા 30 થી વધીને હવે 36 થઈ ગઈ છે. હોસ્પિટલમાં નિષ્ણાત તબીબોની સેવા અને ગુણવત્તાસભર સારવારને કારણે દર્દીઓનો ધસારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે. આ વધતી જતી જરૂરિયાતને પહોંચી વળવા માટે હોસ્પિટલ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. આશિષ ખરાડીએ જણાવ્યું હતું કે, નવા કાર્યરત થયેલા સર્જિકલ ICUમાં વેન્ટિલેટર, ઓક્સિજન તેમજ તમામ પ્રકારની અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હોસ્પિટલનો મુખ્ય ઉદ્દેશ્ય ગંભીર હાલતમાં આવતા દર્દીઓને અન્ય ખાનગી હોસ્પિટલ કે મોટા શહેરોમાં રિફર કરવાને બદલે સિવિલ હોસ્પિટલમાં જ સમયસર અને સચોટ સારવાર મળી રહે તેવો છે. આ નવી સુવિધા કાર્યરત થવાથી પંચમહાલ, મહિસાગર અને દાહોદ જિલ્લામાંથી આવતા ગરીબ તથા મધ્યમ વર્ગના તમામ દર્દીઓને સ્થાનિક સ્તરે જ ઉત્તમ આરોગ્ય સુવિધા ઉપલબ્ધ થશે. આ આધુનિકીકરણને કારણે ઇમરજન્સીના કિસ્સાઓમાં દર્દીઓને મોટી રાહત મળશે.
સાબરમતી રેલવે સ્ટેશન પર પુનર્વિકાસની કામગીરી અત્યંત ઝડપથી ચાલી રહી છે, જેમાં ધર્મનગર સાઈડના નવા સ્ટેશન બિલ્ડિંગનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. અન્ય વિકાસકાર્યોને ગતિ આપવા અને મુસાફરોની સુવિધા જાળવી રાખવા માટે રેલવે તંત્ર દ્વારા આગામી 20 જાન્યુઆરી 2026 થી 15 એપ્રિલ 2026 સુધી સ્ટેશન પર અવરજવર માટે નવી વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે. પ્રસ્થાન કરનાર મુસાફરો માટેની વ્યવસ્થા: ટ્રેન પકડવા આવતા મુસાફરોના વાહનોનો પ્રવેશ MMTS બિલ્ડિંગ (બુલેટ ટ્રેન સ્ટેશન) નજીક 'ગ્રીન લાઇન' થી કરવામાં આવશે. મુસાફરો નવનિર્મિત બિલ્ડિંગમાં પ્રવેશ કરી લિફ્ટ, એસ્કેલેટર કે સીડી દ્વારા Second Floor પર પહોંચી ત્યાંથી તમામ પ્લેટફોર્મ પર જઈ શકશે. વાહનોને ડ્રોપ કર્યા બાદ વર્તમાન પ્રવેશ દ્વારથી બહાર નીકળવાનું રહેશે. આગમન કરનાર મુસાફરો માટેની વ્યવસ્થા: સ્ટેશન પર ઉતરતા મુસાફરો માટે મહેસાણા સાઈડના ફૂટ ઓવર બ્રિજ નજીક 'પર્પલ લાઇન' થી નિકાસની વ્યવસ્થા કરાઈ છે. આજ સ્થળે પિક-અપ ઝોન અને તેની નજીક 2 સ્થળોએ પાર્કિંગ સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. પ્લેટફોર્મ અને બિલ્ડિંગ સુવિધાઓ: સ્ટેશનના PF-1 થી PF-7 સુધીના તમામ પ્લેટફોર્મ 2 ફૂટ ઓવર બ્રિજથી જોડાયેલા છે, જ્યાં લિફ્ટની સુવિધા પણ છે. નવી બિલ્ડિંગના Ground Floor પર UTS ટિકિટ, First Floor પર PRS બુકિંગ અને Second Floor પર પ્રતીક્ષાલયની સુવિધા કાર્યરત કરવામાં આવી છે. રેલવે પ્રશાસન દ્વારા તમામ મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આ સમયગાળા દરમિયાન સૂચક ચિહ્નો અને રેલવે કર્મીઓની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરે જેથી ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે.
નબીપુરમાં વહેલી પરોઢે DGVCLનું વીજ ચેકિંગ:20 ટીમોએ 300 જોડાણો તપાસ્યા, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
ભરૂચ જિલ્લાના નબીપુર ગામે આજે વહેલી પરોઢે DGVCL દ્વારા વ્યાપક વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં DGVCLની આશરે 20 ટીમોએ ગામના વિવિધ વિસ્તારોમાં 300 જેટલા વીજ જોડાણોની તપાસ કરી હતી. ચેકિંગ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હોવાનું જાણવા મળ્યું છે. વીજ ચોરી કે અન્ય કોઈ ગેરરીતિ સામે આવી છે કે કેમ તે અંગે સમાચાર લખાય છે ત્યાં સુધી કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી. જોકે, આ અચાનક કાર્યવાહીથી વીજ ગેરરીતિ કરનારાઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. નિયમિત વીજ ગ્રાહકોએ DGVCLની આ કાર્યવાહીને આવકારી સંતોષ વ્યક્ત કર્યો હતો, જ્યારે ગેરરીતિ કરનારાઓમાં ચિંતા વ્યાપી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
રાજકોટ ખાતે આયોજિત 5 દિવસીય 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન'માં ઉદ્યોગ સાહસિકો, શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓનો અભૂતપૂર્વ પ્રતિસાદ જોવા મળ્યો હતો. આ પ્રદર્શનમાં જાયન્ટ કોર્પોરેટ્સથી લઈને લઘુ ઉદ્યોગો, કૃષિ, આરોગ્ય અને સંરક્ષણ જેવા વિવિધ ક્ષેત્રોના સ્ટોલ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. બંસી દેવાણીના માર્ગદર્શન હેઠળ M.Tech. અને Ph.D. ના 41 વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, અહીં 'લોકલ ટુ વોકલ'ની વિભાવના સાકાર થતી જોવા મળી છે. ખાસ કરીને ખેતીમાં AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત સેન્સર્સ, સોઇલ હેલ્થ અને મોઇશ્ચર ડેટા એનાલિસિસના પ્રોજેક્ટ્સ વિદ્યાર્થીઓને ભવિષ્યના સંશોધનમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. બીજી તરફ, મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ઝિમ્બાબ્વેના વિદ્યાર્થી એક્સેલે હિન્દીમાં 'કૈસે હૈ આપ લોગ' કહી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. B.Tech. Electrical ના આ વિદ્યાર્થીએ બ્લ્યુ રિવોલ્યુશન અને ગ્રીન એનર્જી જેવા સેક્ટરમાં ઊંડો રસ દાખવ્યો હતો. તેણે આ ઇવેન્ટને ગુજરાત માટે 'ગેમ ચેન્જર' ગણાવી હતી અને ભવિષ્યમાં ગુજરાતમાં જ કરિયર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એક્સેલે વધુમાં ઉમેર્યું કે, આફ્રિકન દેશોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રત્યે ખૂબ જ આદર છે અને તેઓ હંમેશા આફ્રિકાના વિકાસ માટે તત્પર રહે છે. એક્ઝિબિશનમાં 6 વિશાળ ડોમમાં રિલાયન્સ, એસ્સાર, હિન્દુસ્તાન એરોનોટિક્સ અને વનતારા જેવા પ્રતિષ્ઠિત સંસ્થાનોના પેવેલિયન રાખવામાં આવ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમો, સેલ્ફી પોઈન્ટ્સ અને ગેમ ઝોન યુવા મુલાકાતીઓ માટે ખાસ આકર્ષણ રહ્યા હતા. આમ, આ એક્ઝિબિશને ઉદ્યોગ અને શિક્ષણ જગત વચ્ચે સેતુ બાંધવાનું મહત્વનું કાર્ય કર્યું છે.
શહેરના અત્યંત સુરક્ષિત ગણાતા વિસ્તારમાં અસામાજિક તત્વોએ કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવ્યા છે. જૂનાગઢ એલ.સી.બી. ઓફિસની સામે આવેલા પેટ્રોલ પંપ પર રિક્ષાચાલક નદીમભાઈ હિંગોળા પર બે શખ્સોએ છરી અને પાઈપ વડે જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. આ હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. રિક્ષા રીવર્સ લેતા જ થયો ડખ્ખો ફરિયાદી નદીમભાઈ હબીબભાઈ હિંગોળાએ સિવિલ હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાંથી નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત સાંજે પોણા સાતેક વાગ્યે તેઓ પોતાની ઓટોરિક્ષા લઈને એલ.સી.બી. ઓફિસ સામેના પેટ્રોલ પંપ પર ડીઝલ પુરાવવા ગયા હતા. પેટ્રોલ પંપના કર્મચારીએ રિક્ષા બીજી સાઈડ લેવાનું કહેતા નદીમભાઈએ રિક્ષા રીવર્સમાં લીધી હતી. આ સમયે પાછળ કાળા કલરના એક્ટિવા પર આવેલા બે શખ્સોએ 'દેખાતું નથી' તેમ કહી ગાળાગાળી શરૂ કરી દીધી હતી. એક્ટિવાની ડીકીમાંથી છરી કાઢી માથા અને પગમાં ઝીંકી દીધી ગાળાગાળી વધતા એક્ટિવા ચાલક નવાઝ ઉર્ફે બમ્પ પઠાણ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને પેટ્રોલ પંપ પર પડેલો પ્લાસ્ટિકનો પાઈપ લઈને નદીમભાઈને ફટકારવા લાગ્યો હતો. નદીમભાઈએ પોતાનો બચાવ કરવા હવાનું મશીન આડું રાખ્યું તો નવાઝના સાથીદાર સુલતાન કાસમભાઈ કટારીયાએ પણ પાઈપ વડે હુમલો કર્યો હતો. આટલેથી ન ધરાતા આરોપી નવાઝે એક્ટિવાની ડીકીમાંથી છરી કાઢી નદીમભાઈના માથાના ભાગે અને ડાબા પગના ગોઠણ ઉપર હુલાવી દીધી હતી. માથામાં ચાર ટાંકા આવ્યા, આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં નદીમભાઈને તેમનો મિત્ર સાહિલ શેખ રિક્ષામાં બેસાડી તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો, જ્યાં તેમને માથામાં ચાર ટાંકા આવ્યા છે. આરોપી નવાઝે જતી વખતે ધમકી આપી હતી કે મારી સામે બોલવામાં ધ્યાન રાખજે, બાકી જાનથી મારી નાખીશ નવાઈની વાત એ છે કે આરોપી સુલતાન કટારીયા પણ હોસ્પિટલમાં સારવારમાં દાખલ હોવાનું સામે આવ્યું છે.નદીમભાઈની ફરિયાદના આધારે જૂનાગઢ પોલીસે નવાઝ ઉર્ફે બમ્પ પઠાણ અને સુલતાન કાસમભાઈ કટારીયા વિરુદ્ધ ગંભીર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 17 થી 20 જાન્યુઆરી દરમિયાન બીસીસીઆઈ (BCCI) ની પ્રતિષ્ઠિત અન્ડર-19 કૂચ બિહાર ટ્રોફીની ફાઇનલ મેચ યોજાશે. આ મુકાબલો ગુજરાત અને મધ્ય પ્રદેશની ટીમો વચ્ચે રમાશે. વલસાડ ક્રિકેટના ઇતિહાસમાં આ મેચ અનેક રીતે ખાસ બની રહેશે. આ મેચમાં પ્રથમ વખત HOKAI કેમેરા અને DRS (Decision Review System) નો ઉપયોગ કરવામાં આવશે. મેચના જીવંત પ્રસારણ માટે મેદાન પર કુલ 18 કેમેરા ગોઠવવામાં આવશે, જે પ્રેક્ષકોને આંતરરાષ્ટ્રીય કક્ષાનો અનુભવ કરાવશે. આ ફાઇનલ મેચનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ ટીવી અને જિયો હોટસ્ટાર પર વિશ્વભરમાં કરવામાં આવશે. મેચ દરમિયાન ભારતીય જુનિયર ટીમના સિલેક્ટરો, બીસીસીઆઈના પદાધિકારીઓ અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો ખેલાડીઓનો ઉત્સાહ વધારવા ખાસ હાજરી આપશે. બલસાર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (BDCA) ના માનદ મંત્રી જનકભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વલસાડની ક્રિકેટ પ્રેમી જનતાને આ મેચ નિહાળવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વલસાડની ઉત્તમ પિચ અને ગ્રાઉન્ડની ક્ષમતાને ધ્યાનમાં રાખીને જ બીસીસીઆઈ દ્વારા આ મહત્વની જવાબદારી વલસાડને સોંપવામાં આવી છે. આથી એક રોમાંચક ક્રિકેટ મુકાબલો જોવા મળશે.
બોટાદ શહેરમાં આગામી ત્રણ દિવસ એટલે કે 17થી 19 જાન્યુઆરી સુધી પાણી પુરવઠો બંધ રહેશે. GETCO દ્વારા નાવડા હેડ વર્કસ ખાતે મેઈન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર છે, જેના કારણે આ નિર્ણય લેવાયો છે. બોટાદને પાણી પૂરું પાડતા GWIL હસ્તકના નાવડા હેડ વર્કસ ખાતે GETCO દ્વારા ત્રણ દિવસનો શટડાઉન અને મેઈન્ટેનન્સની કામગીરી કરવામાં આવશે. આ કામગીરીને કારણે ૧૭ જાન્યુઆરીથી ૧૯ જાન્યુઆરી સુધી બોટાદ શહેરમાં પાણી કાપ રહેશે. આ સમયગાળા દરમિયાન શહેરમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. બોટાદ નગરપાલિકાએ નાગરિકોને પાણીનો સંગ્રહ કરવા અને જરૂરી આગોતરી તૈયારી રાખવા જણાવ્યું છે. નગરપાલિકાએ નાગરિકોને બિનજરૂરી પાણીનો બગાડ ન કરવા અને કામગીરીમાં સહકાર આપવા અપીલ કરી છે. કામગીરી પૂર્ણ થયા બાદ નિયમિત પાણી પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવશે.
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં ગતરાત્રીના હત્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. સામાન્ય બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા પાંચ ઈસમોએ યુવાન પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી મોત નીપજાવ્યું છે. હુમલા બાદ યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતુ. પ્રાથમિક તપાસમાં એક્ટિવા માંગવા બાબત ઝઘડાનું કારણ હોવાનું સામે આવ્યું છે. બોરતળાવ પોલીસે 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. હાલ પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ અને શોધખોળ હાથ ધરાઈ છે. બોરતળાવ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ, કર્વાટર નંબર 63 સામે રહેતા સાહિલ જાહિદભાઈ સૈયદની નજીવી બાબતે નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ મામલે મૃતકના દાદાના દીકરા (ભાઈ) મોઈનભાઈ રસુલભાઈ સૈયદ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ ગત તા.15 જાન્યુઆરીના રોજ રાત્રિના આશરે સાડા બાર વાગ્યાના સમયે કાકા જાહીદભાઈના ઘરની નજીક હોબાળો થતા તેઓ ત્યાં પહોંચ્યા હતા, જ્યાં શેરીમાં રહેતા નદીમ મનસુરભાઈ સોરઠીયા, સલીમ કાસમભાઈ સોરઠીયા અને સાહિલ રસુલભાઈ શાહ સહિતના સાહીલ પર હુમલો કરતા જોવા મળ્યા હતા. નદીમ અને સલીમ પાસે છરી જ્યારે સાહિલ શાહ પાસે ધારિયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. હુમલામાં નદીમે સાહીલના છાતીના ભાગે છરીનો ઘા કર્યો હતો, સલીમે પડખામાં છરી ઘોંપી હતી અને સાહિલ શાહે માથાના ભાગે ધારિયાનો ઘા મારતા સાહીલ જમીન પર ઢળી પડ્યો હતો. ત્યારબાદ શાહનવાજ સલીમભાઈ સોરઠીયા અને સીદીક સલીમભાઈ સોરઠીયા લાકડાના ધોકા લઈને આવી સાહીલ પર આડેધડ માર માર્યો હતો તેમજ ઘરની ઉપર પથ્થરમારો કરી સાહીલની એક્ટિવા અને ફરિયાદીની રીક્ષામાં તોડફોડ કરી હતી. ગંભીર રીતે લોહી લુહાણ બનેલા સાહીલને પહેલા રીક્ષામાં અને બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે સર ટી હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી નદીમ દ્વારા એક્ટિવા માંગવામાં આવી હતી અને ઇનકાર કરતા આ ઝઘડો હત્યામાં ફેરવાયો હતો. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક બોરતળાવ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ બાદ પોલીસે આ બનાવમાં સંડોવાયેલા નદીમ મનસુરભાઈ સોરઠીયા, સલીમ કાસમભાઈ સોરઠીયા, સાહિલ રસુલભાઈ શાહ, શાહનવાજ સલીમભાઈ સોરઠીયા તથા સીદીક સલીમભાઈ સોરઠીયા વિરુદ્ધ BNS કલમ 103(1), 125(a), 125(b), 324(4), 54 તેમજ જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આજે(16 જાન્યુઆરી) રાજ્ય સરકારની મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજાવાની છે, જેમાં અનેક તાત્કાલિક અને વિકાસલક્ષી મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થવાની છે. ગાંધીનગરમાં ટાઈફોઈડની વર્તમાન પરિસ્થિતિને લઈ કેબિનેટમાં વિશેષ સમીક્ષા કરવામાં આવશે. આ મુદ્દે આરોગ્ય વિભાગ સાથે વિગતવાર ચર્ચા કરી જરૂરી પગલાં લેવા માટે સૂચનાઓ આપવામાં આવશે. અભિનંદન પ્રસ્તાવ પસાર કરાશેકેબિનેટ બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના તાજેતરના ગુજરાત પ્રવાસ તેમજ તેમના હસ્તે લોકાર્પણ થયેલા વિવિધ વિકાસ કામો બદલ અભિનંદન પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવશે. બજેટને લઈ તમામ વિભાગોને નવી યોજનાઓ-પ્રસ્તાવોની વિગતો રજૂ કરવાની સૂચના અપાશેરાજકોટ રિજનલ વાયબ્રન્ટ સમિટની સફળતા અંગે મુખ્યમંત્રી કેબિનેટ સમક્ષ વિસ્તૃત વિગતો રજૂ કરશે. સાથે સાથે આગામી રાજ્ય બજેટને ધ્યાનમાં રાખી તમામ વિભાગોને નવી યોજનાઓ અને પ્રસ્તાવોની વિગતો તાત્કાલિક રજૂ કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવશે. જૂના બજેટ અને નવા બજેટની સમીક્ષા પણ બેઠકમાં કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા વિકાસલક્ષી કામોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા કડક સૂચના અપાશેનાણાં વિભાગ સાથે મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી વિશેષ પરામર્શ કરશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા વિકાસલક્ષી કામોને ઝડપથી અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે મુખ્યમંત્રી તમામ વિભાગોને કડક સૂચનાઓ આપશે. ઉપરાંત પ્રાથમિક સુવિધાઓ સંબંધિત કામો પણ સમયસર પૂરા થાય તે માટે ખાસ તાકીદ કરવામાં આવશે. કેબિનેટ બેઠકમાં આરોગ્ય, વિકાસ, બજેટ અને કાયદો-વ્યવસ્થાને કેન્દ્રમાં રાખી મહત્વપૂર્ણ નિર્ણયો લેવાશેરાજ્યની પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે નાયબ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી હર્ષ સંઘવી કેબિનેટને વિગતવાર માહિતી આપશે. કુલ મળીને આજની કેબિનેટ બેઠકમાં આરોગ્ય, વિકાસ, બજેટ અને કાયદો-વ્યવસ્થાને કેન્દ્રમાં રાખી મહત્વપૂર્ણ નિર્ણયો લેવાય તેવી સંભાવના છે.
ભાવનગરમાં ગાડી ન આપતા યુવાનની હત્યા:કુંભારવાડામાં ઘાતક હથિયારોથી હુમલો, 5 સામે ગુનો નોંધાયો
ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં ગાડી આપવાની ના પાડવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલી બાદ એક યુવાનની હત્યા કરવામાં આવી છે. પાંચ શખ્સોએ ઘાતક હથિયારો વડે હુમલો કરીને યુવાનને મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આરોપીઓએ સાહિલ નામના યુવાન પાસે ગાડીની માંગણી કરી હતી. સાહિલે ગાડી આપવાની ના પાડતા નદીમ સોરઠીયા, સલીમ સોરઠીયા, શાહનવાઝ સોરઠીયા, મહમદ સદીક અને સાહિલ ઘાંચી નામના પાંચ શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા. આ પાંચેય શખ્સોએ છરી, તલવાર અને ધોકા જેવા ઘાતક હથિયારો વડે સાહિલ પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત સાહિલને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટના દરમિયાન આરોપીઓએ વાહનોમાં તોડફોડ અને પથ્થરમારો પણ કર્યો હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પાંચેય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
વડોદરા શહેરના ન્યૂ સમા રોડની નંદનવન સોસાયટીમાં ઉત્તરાયણના દિવસે 18 લાખની ચોરી થયાની ઘટના સામે આવી છે. ઉદ્યોગપતિના ઘરમાં ચોરી કરવા આવેલા તસ્કરો પર કોઈને શંકા ન જાય એટલે ઈન-શર્ટ કરી એક્ઝિક્યૂટિવ ડ્રેસમાં ચોરી કરવા આવ્યા હતા. વહેલી સવારની તસ્કરોની સમગ્ર હિલચાલ CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઉદ્યોગપતિ પરિવાર સાથે ઉદયપુર ફરવા જતાં તસ્કરોએ સોના-ચાંદીના દાગીના મળીને 18 લાખ રૂપિયાની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયાં હતાં. આ મામલે સમા પોલીસે ગુનો નોંધીને CCTVની મદદથી વધુ તપાસ હાથ ધરી છે. પરિવાર ફરવા જતાં તેનો લાભ લઈ તસ્કરો ઘરમાં ઘૂસ્યાવડોદરાના ન્યૂ સમા રોડ પર આવેલ નંદનવન સોસાયટીમાં રહેતા નરેશ પટેલ આર્યા એન્ટરપ્રાઇઝ નામથી ડામરની બાય પ્રોડક્ટ લે-વેચ કરે છે. સાથે જ તેઓ નંદેસરી સ્થિત ઓજાસ ટારમેક કંપનીના પ્રોડક્ટ મેનેજર છે. ગત 12 જાન્યુઆરીના રોજ તેઓ પરિવાર સાથે ઉદયપુર ફરવા ગયા હતા. ઉત્તરાયણના રોજ સવારે નરેશ પટેલના મિત્ર સંજય રાણા તેમના ઘરે ગયા હતા. આ સમયે તેઓએ જોયું કે, ઘરનો દરવાજ ખુલ્લો હતો. જેથી સંજય રાણાએ તુરંત જ નરેશભાઈને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, તમારા ઘરનો દરવાજો ખુલ્લો છે અને સામાન વિરવિખેર છે. ઉદ્યોગપતિએ ઘરની તપાસ બાદ પોલીસને જાણ કરીઉદયપુરથી આવ્યા બાદ નરેશ પટેલે ઘરમાં તપાસ કરતા 4 લાખ રોકડા, 4 કાંડા ઘડિયાળ અને 14 લાખના દાગીના ગાયબ હતા, જેને પગલે તેઓએ પોલીસને જાણ કરી હતી. સમા પોલીસ તેમના ઘરે પહોંચી હતી. તપાસ દરમિયાન ચોરી થયાનું માલુમ પડતા સમા પોલીસે ફરિયાદ નોંધી હતી. ઘટના સીસીટીવીમાં કેદ, પાડોશીઓએ પણ આ તસ્કરોને જોયાઘરમાં લગાવેલા સીસીટીવી ફૂટેઝની ચકાસણી કરતા ઇસ્ત્રી ટાઇટ કપડાંમાં આવેલા તસ્કરો કેદ થયા હતાં. એક વ્યક્તિ 2.11 વાગ્યે ઘરની બહાર આવે છે અને કમ્પાઉન્ડ વોલ કૂદીને ઘરની બહારની લાઇટ બંધ કરીને નિકળી જાય છે અને પછી થોડી વારમાં ફરી તસ્કરો ઘરમાં ઘૂસે છે. કોઈને શંકા ન જાય એટલે તસ્કરો ફોર્મલ કપડાંમાં આવ્યા હતા અને ઘરમાં બિન્દાસ્ત ફરતા હતા. એક તસ્કર ઘરની બહાર લાગેલી લાઈટ બંધ કરતો પણ દેખાય છે. એક વ્યક્તિ ઘરની બહાર ઊભો રહીને વોચ રાખતો હતો. બહાર અવાજ થતાં કમ્પાઉન્ડમાં બેસી ગયા હતા. બાદમાં દીવાલ કૂદી ભાગી ગયા હતા. આસપાસના લોકોએ પણ આ તસ્કરોને જોયા હતા. જોકે લોકોને કહેવા પ્રમાણે 3 તસ્કરો હતા, જેમાંથી બે તસ્કર ઘરમાં ઘૂસ્યા હતા અને એક તસ્કર ઘરની બહાર વોચમાં હતો. FSLની મદદથી ચોરોની શોધખોળસામાન્ય રીતે નરેશ પટેલ પોતાના ઘરના દાગીના બેંક લોકરમાં રાખે છે, પરંતુ થોડા દિવસ પહેલા સંબંધીના લગ્ન હોવાથી દાગીના ઘરે લાવ્યા હતા. હાલમાં આ મામલે સમા પોલીસે ફરિયાદ નોંધી એફએસએલની મદદથી વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, દિવાળી અને ઉત્તરાયણ જેવા તહેવારોમાં લોકો ફરવા માટે બહાર જતા હોવાથી તસ્કરો બંધ મકાનને ટાર્ગેટ બનાવતા હોય છે, ત્યારે પોલીસ તહેવારો દરમિયાન પેટ્રોલિંગ વધારે તો આ પ્રકારના બનાવો અટકાવી શકાય છે.
અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના જીથુડી ગામે રાજ્યના ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે રૂપિયા 26 લાખના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યોમાં મંદિર પાસે બ્લોક રોડ, સીસી રોડ, કોઝવે અને પાઇપલાઇન સહિતના માળખાકીય કામોનો સમાવેશ થાય છે. આ વિકાસકાર્યોનો મુખ્ય ઉદ્દેશ્ય જીથુડી ગામનો સર્વાંગી વિકાસ કરવાનો છે. આ કામો પૂર્ણ થવાથી ગામના નાગરિકોને આવાગમન, સુરક્ષા અને રોજિંદા જીવનમાં વધુ સુવિધાઓ પ્રાપ્ત થશે. આ પ્રસંગે ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. અમરેલી જિલ્લાનો સંતુલિત વિકાસ સરકારની પ્રાથમિકતા છે. તેમણે ઉમેર્યું કે, ગામડાઓ સુધી મૂળભૂત સુવિધાઓ પહોંચે, લોકોનું જીવનસ્તર ઊંચું આવે અને ગ્રામ્ય વિસ્તારો વિકાસની મુખ્ય ધારા સાથે જોડાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે. આવા વિકાસકાર્યોના અમલથી ગ્રામ્ય જીવનમાં સુખાકારી વધશે, યુવાનોને નવી તકો મળશે અને સમગ્ર ગામના આર્થિક તથા સામાજિક વિકાસમાં નોંધપાત્ર પ્રગતિ થશે. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, સરકારી અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ભારતીય સેનાના જવાન દિનેશભાઈ પાલાભાઈ લગારીયાને તેમની વીરતા અને કર્તવ્યનિષ્ઠા બદલ સેના મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. જામનગરમાં રહેતા અને મૂળ ખંભાળિયા તાલુકાના માધુપુર ગામના વતની દિનેશભાઈને જયપુરમાં આર્મી ડે નિમિત્તે આ સન્માન મળ્યું હતું. દિનેશભાઈએ 'ઓપરેશન સિંદૂર' દરમિયાન અદમ્ય શૌર્યનું પ્રદર્શન કર્યું હતું. તેમણે મિસાઈલનો ઉપયોગ કરીને આતંકવાદીઓના ઠેકાણાઓને સફળતાપૂર્વક ધ્વસ્ત કર્યા હતા. 12મી બટાલિયન ધ ગ્રેનેડિયર્સ રેજિમેન્ટમાં ફરજ બજાવતા લાન્સ હવાલદાર દિનેશભાઈ લગારીયાને મે 2025માં (મૂળ માહિતી મુજબ) આતંકવાદી મિસાઈલ હુમલો નિષ્ફળ બનાવવાનું કાર્ય સોંપવામાં આવ્યું હતું. સતત ગોળીબાર વચ્ચે, તેમણે એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલની મદદથી નિર્ધારિત લક્ષ્યને નષ્ટ કર્યું, જેનાથી દુશ્મનની ક્ષમતાઓને મોટો ફટકો પડ્યો અને તેમની યોજનાઓ નિષ્ફળ બની. તેમના આ અધિક સાહસ અને સંગઠન પ્રત્યેની અતૂટ નિષ્ઠા બદલ તેમને સેના મેડલ એનાયત કરવામાં આવ્યો છે. આ સિદ્ધિથી જામનગર અને સમગ્ર હાલાર પ્રદેશનું ગૌરવ વધ્યું છે.
અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા પહેલા પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પહેલી વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓમાં બોર્ડ પરીક્ષા અંગેનો ભય દૂર કરવો અને તેમને બોર્ડની પરીક્ષા પદ્ધતિથી સંપૂર્ણ રીતે વાકેફ કરાવવા માટે પ્રિ-બોર્ડ પરીક્ષા યોજવામાં આવી છે. આજથી આગામી 22 જાન્યુઆરી સુધી આ પરીક્ષા ચાલશે. જેમાં 47 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. વિદ્યાર્થીઓનું તિલક કરી મોઢું મીઠું કરાવીને પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓમાં તણાવ-ભયનો માહોલ દૂર કરવાનો પ્રયાસબોર્ડની પરીક્ષા નજીક આવતાં ધોરણ 10ના વિદ્યાર્થીઓમાં તણાવ અને ભયનો માહોલ જોવા મળતો હોય છે. ખાસ કરીને પહેલી વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે ડરના કારણે સરખી તૈયારી પણ કરી શકતા નથી. જેના કારણે તેઓ પોતાની તૈયારી હોવા છતાં સારું પ્રદર્શન પરીક્ષા સમયે કરી શકતા નથી. તેમજ બોર્ડની પરીક્ષાની બેઠક વ્યવસ્થા, સમય નિયંત્રણ, જવાબ લખવાની પદ્ધતિ જેવી બાબતો અંગે અજાણ હોવાના કારણે વિદ્યાર્થીઓ ઘણી ભૂલો કરતા હોય છે. આ તમામ સમસ્યાઓ દૂર કરવા માટે પ્રિ-બોર્ડ પરીક્ષા મહત્વપૂર્ણ સાબિત થાય છે. વિદ્યાર્થીઓને લિંક મોકલી હોલ ટિકિટ પણ ડાઉનલોડ કરાવડાવીપ્રિ-બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને લિંક મોકલી હોલ ટિકિટ પણ ડાઉનલોડ કરાવવામાં આવી હતી. જેથી બોર્ડની હોલ ટિકિટ કેવા પ્રકારની હોય છે તેનાથી વિદ્યાર્થીઓ પણ વાકેફ થઈ શકે. બારકોડ સ્ટીકર, ખાખી સ્ટીકર, હોલ ટિકિટ વિશે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. પરીક્ષાના પહેલા દિવસે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ હાજર રહીને વિદ્યાર્થીઓને ફુલ આપી મોઢું મીઠું કરાવીને આવકાર્યા હતા. બોર્ડની પરીક્ષા જેવો માહોલ પ્રિ-બોર્ડની પરીક્ષામાં જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓના ચહેરા પર બોર્ડની પરીક્ષાનો ડર દૂર થઈ ગયો હોય તેવું પણ લાગી રહ્યું હતું. બોર્ડની પરીક્ષા જેવી પદ્ધતિથી જ પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજનપ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન બોર્ડની પરીક્ષા જેવી જ પદ્ધતિથી કરવામાં આવ્યું છે. પ્રશ્નપત્રોની રચના, સમયગાળો, બેઠક વ્યવસ્થા અને પરીક્ષા શિસ્ત બોર્ડની જેમ જ રાખવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓે વાસ્તવિક બોર્ડ પરીક્ષાનો અનુભવ કરી શકે. અંગ્રેજી, ગુજરાતી, ગણિત (સ્ટાન્ડર્ડ અને બેઝિક), વિજ્ઞાન અને ટેક્નોલોજી તથા સામાજિક વિજ્ઞાન જેવા મુખ્ય વિષયોની પ્રિ-બોર્ડ પરીક્ષા લેવામાં આવી રહી છે. પ્રિ-બોર્ડની પરીક્ષાથી બોર્ડની પરીક્ષાનો ડર દૂર થશે: વિદ્યાર્થિનીધોરણ 10ની વિદ્યાર્થિની તન્વી ચુડાસમાએ જણાવ્યું હતું કે, પહેલી વખત બોર્ડની પરીક્ષા આપતા પહેલા પ્રિ-બોર્ડ પરીક્ષા આપવાથી અમને તેનો અનુભવ થશે. પ્રિ-બોર્ડ પરીક્ષાના કારણે અમને ઘણો ફાયદો થવાનો છે. જેથી અમે કોઈપણ માનસિક તણાવ વગર બોર્ડની પરીક્ષા આપી શકીશું. પરીક્ષામાં શું કરવું તેનો ડર રહેતો હોય છે. પ્રિ-બોર્ડ દ્વારા ખબર પડશે કે કેવી રીતે બોર્ડની પરીક્ષા આપી શકાય તેની પદ્ધતિ શું છે તેનો ખ્યાલ આવશે. વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવાનો પ્રયાસ: શહેર DEOઅમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં સતત ચોથા વર્ષે જે બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ આપતા હોય છે. તેમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે અમદાવાદ શહેરની 551 જેટલી શાળાઓમાં 47,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જેથી હવે અમદાવાદ સિવાય અન્ય જિલ્લાઓમાં પણ આ પ્રકારે વિદ્યાર્થીઓમાં ડર દૂર કરવા માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રિ -બોર્ડની પરીક્ષાના કારણે વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાનો ડર દૂર થતો હોય છે.
ગીરની સરહદે આવેલા ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હવે વનરાજાઓના આંટાફેરા સામાન્ય બન્યા છે. ખાસ કરીને ઉનાનું આમોદ્રા ગામ છેલ્લા ઘણા સમયથી સિંહો માટે અનુકૂળ રહેઠાણ બની ગયું હોય તેમ જણાય છે. આજે (16 જાન્યુઆરી) વહેલી સવારે આમોદ્રાની સીમમાં સિંહની ગર્જનાથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ડણક સાંભળી સિંહપ્રેમીઓ ઉમટ્યા સામાન્ય રીતે શાંત વાતાવરણમાં સિંહની ડણક 3 કિમીથી વધુ દૂર સુધી સંભળાતી હોય છે. આજે વહેલી સવારે જ્યારે સિંહે ડણક દીધી, ત્યારે સ્થાનિક સિંહપ્રેમીઓ લોકેશન ટ્રેક કરીને સિંહના દર્શન કરવા પહોંચી ગયા હતા. સિંહ જ્યારે ડણક આપે છે ત્યારે તે માત્ર અવાજ નથી કરતો, પરંતુ તે વિસ્તારમાં પોતાની સત્તા અને 'ટેરિટરી' પણ પ્રસ્થાપિત કરતો હોય છે. આ પણ વાંચો, ઉનાના ઝુડવડલીની સીમમાં સિંહ પરિવારના ડેરા:શિકારની શોધમાં 2 સિંહણ, 2 સિંહબાળ મળી 6 સિંહોનું મુક્ત વિચરણ ગ્રામ્ય વિસ્તારોમાં વધતી જતી સક્રિયતા ઉના તાલુકો જંગલ વિસ્તારને અડીને આવેલો હોવાથી હવે વનરાજો જંગલ છોડીને માનવ વસાહત અને રેવન્યુ વિસ્તાર તરફ વધુ આકર્ષાયા છે. આમોદ્રા ગામમાં સિંહોએ કાયમી વસવાટ જેવી સ્થિતિ બનાવી લીધી છે. ઘણીવાર શિકારની શોધમાં સિંહો ગામની અંદર પણ આવી ચડે છે અને પાલતુ પશુઓનું મારણ કરવાની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. આ પણ વાંચો, ઉનાના આમોદ્રામાં સિંહની દહેશત:ઘરઆંગણે ગાયનું મારણ કરી વનરાજાએ મિજબાની માણી માનવ-સિંહ સંઘર્ષની ભીતિ જ્યારે સિંહના લોકેશનની જાણ થાય છે ત્યારે મોટી સંખ્યામાં સિંહપ્રેમીઓ અને કુતૂહલવશ લોકો સિંહને જોવા દોડી જાય છે. આ સ્થિતિ સિંહ માટે ખલેલ સમાન બને છે. જ્યારે સિંહને પોતાના કુદરતી રહેઠાણમાં અડચણ અનુભવાય છે, ત્યારે તે વધુ આક્રમક બનીને ગામની અંદર અથવા માનવ વસાહત તરફ ધસી જાય છે, જે સંઘર્ષનું કારણ બની શકે છે. સ્થાનિકોની માગ આમોદ્રા વિસ્તારમાં સિંહોની કાયમી અવરજવરને જોતા સ્થાનિકોમાં બે પ્રકારની લાગણી છે. એક તરફ સિંહ હોવાનો ગર્વ છે, તો બીજી તરફ સુરક્ષાની ચિંતા છે. નિયમિત પેટ્રોલિંગ: વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં સતત મોનિટરિંગ કરવામાં આવે તેવી માગ ઉઠી છે. સલામતી: જો વન વિભાગ સક્રિય રહે તો સિંહની સલામતી પણ જળવાશે અને ગ્રામજનો સાથે થતો સંઘર્ષ અટકાવી શકાશે. વન્યપ્રાણી પ્રેમીઓને વિનંતી છે કે સિંહના લોકેશન પર જઈ તેમને ખલેલ ન પહોંચાડે, તે સિંહ અને માણસ બંને માટે જોખમી સાબિત થઈ શકે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોરે ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે સૌપ્રથમ બપોરના આશરે 2 વાગ્યા આસપાસ સરદારનગર ઓડિટોરિયમ ખાતે મહાનગરપાલિકાના રૂ.156 કરોડથી વધુના ખર્ચે વિવિધ જનહિતલક્ષી વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. ત્યારેબાદ બપોરે 4 આસપાસએ જવાહર મેદાન ખાતે કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી ભાવનગર-બોટાદ જિલ્લાના 2700 જેટલા દિવ્યાંગ મિત્રોને આત્મનિર્ભર બનાવવા માટે સાધન સહાય પૂરી પાડવામાં આવશે. 156 કરોડના 23 વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આશરે રૂ.156.01 કરોડના કુલ 23 વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે, જેમાં રૂ.150.45 કરોડના ખર્ચે 20 કામોના ખાતમુહૂર્ત અને રૂ.5.56 કરોડના 3 કામોના લોકાર્પણનો સમાવેશ થાય છે આ પ્રોજેક્ટ્સ 'સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના', 'અમૃત 2.0' અને 'SBM 2.0' જેવી મહત્વકાંક્ષી યોજનાઓ હેઠળ સાકાર થઈ રહ્યા છે, સ્માર્ટ અને લિવબલ સિટી તરફનું મક્કમ ડગલું ભાવનગરની ઐતિહાસિક ઓળખને આધુનિક માળખાકીય સુવિધાઓ સાથે જોડીને શહેરને વધુ જીવંત અને સુવિધાયુક્ત બનાવવાની દિશામાં મહાનગરપાલિકા દ્વારા 23 જેટલા કામો ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અને ‘અમૃત 2.0’ જેવી મહત્વકાંક્ષી યોજનાઓના માધ્યમથી શહેરના છેવાડાના વિસ્તારો સુધી સુવિધાઓ પહોંચાડવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે, પીવાના પાણીના પ્રશ્નોના નિવારણ માટે નવા ઈ.એસ.આર. (ટાંકી) અને પાઈપલાઈન નેટવર્કનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે, જેનાથી અકવાડા, રુવા અને અધેવાડા જેવા વિસ્તારોમાં પાણીનો પુરવઠો વધુ નિયમિત અને દબાણયુક્ત બનશે, ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે રેલવે અંડરબ્રિજ, ફોર-લેન પેવર રોડ અને સિદસર વિસ્તારને જોડતા અત્યાધુનિક પી.ક્યુ.સી. રોડનું આયોજન શહેરની પરિવહન વ્યવસ્થાને વેગ આપશે, પર્યાવરણની સુરક્ષા માટે CD વેસ્ટ પ્લાન્ટ અને સામાજિક વિકાસ માટે કમ્યુનિટી હોલ, ફૂડ પાર્ક તથા ફ્લાય ઓવર નીચે સ્પોર્ટ્સ એરિયા જેવા પ્રોજેક્ટ્સ ભાવનગરની સુંદરતામાં વધારો કરશે, આ વિકાસલક્ષી કાર્યો ભાવનગરને રહેવા માટે એક ઉત્તમ, સ્વચ્છ અને સ્માર્ટ શહેર બનાવવાની દિશામાં આગળ વધશે,. મુખ્યમંત્રીના હસ્તે વિવિધ સહાયક સાધનોનું વિતરણ ભારત સરકારના ADIP યોજના અંતર્ગત એલ્મિકો દ્વારા ભાવનગર અને બોટાદ જિલ્લામાં એસેસમેન્ટ કેમ્પોનું આયોજન કરી 2700 જેટલાં દિવ્યાંગજનોને 19 જેટલાં સાધન સહાય આપવાનું આયોજન કરવામાં આવ્યું છે, આ તમામ લાભાર્થીઓ આવી યોજનાનો પૂરતો લાભ લઈ શકે તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવા તેમણે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે, ભાવનગર જિલ્લામાં શિહોર અને પાલીતાણા તેમજ બોટાદ જિલ્લામાં ત્રણ કેમ્પોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં 825 દિવ્યાંગજનોને કુલ રૂ.121.20 લાખની કિંમતના 1577 સાધનો આપવામાં આવ્યા હોવાની જાણકારી આપી હતી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ.1,11,62,493 કિંમતના 1,017 દિવ્યાંગ લાભાર્થીઓને અંદાજે 1,637 જેટલાં વિવિધ સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવશે.
પાટણમાં પતંગ બાબતે બોલાચાલી: મહિલા પર હુમલો:જૂની અદાવતમાં લાકડીના ફટકા, ત્રણ સામે ફરિયાદ
પાટણ શહેરના ખાલકપુરા વિસ્તારમાં પતંગ પકડવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીનું વેર રાખીને એક મહિલા પર લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ઘટના 15 જાન્યુઆરી, 2026ના રોજ બની હતી, જ્યારે પાટણના ખાલકપુરામાં રહેતા મેનાબેન દેવસંગજી ઠાકોર પોતાના ઘર પાસે રસોઈ બનાવી રહ્યા હતા. હુમલાનું કારણ 14 જાન્યુઆરી, 2026ના રોજ મેનાબેનના પૌત્ર જયદીપના પતંગ લેવા બાબતે પડોશમાં રહેતા શખ્સો સાથે થયેલી બોલાચાલી હતી. આ જૂની અદાવત રાખીને 15 જાન્યુઆરીએ બપોરે ટીનાજી બેચરજી ઠાકોર લાકડી (ધોકો) લઈને આવ્યા હતા. તેમણે મેનાબેનના જમણા હાથના પંજા પર ફટકો માર્યો હતો. આ દરમિયાન યોગેશજી બેચરજી ઠાકોર અને બચીબેન બેચરજી ઠાકોર પણ ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે મહિલાને બિભત્સ ગાળો આપી હુમલામાં મદદગારી કરી હતી. મહિલાનો દીકરો વિજયજી ત્યાં આવી જતાં આરોપીઓ પોતાના ઘર તરફ જતા રહ્યા હતા. ઈજાગ્રસ્ત મેનાબેનને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ મામલે પાટણ સિટી પોલીસે મેનાબેન ઠાકોરની ફરિયાદના આધારે ટીનાજી ઠાકોર, યોગેશજી ઠાકોર અને બચીબેન ઠાકોર વિરુદ્ધ બી.એન.એસ.એસ.ની કલમ 115(2), 296(b), 54 તથા જી.પી.એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાના ભંગ બદલ પણ કાર્યવાહી હાથ ધરી છે. કેસની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશકુમાર શિવાભાઇ ચૌધરી કરી રહ્યા છે.
સોમનાથ સ્વાભિમાન પર્વની સંગીતમય પૂર્ણાહૂતિ:અલ્પા પટેલે શિવ આરાધનાથી શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કર્યા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 8 જાન્યુઆરીથી પ્રભાસ તીર્થ ખાતે શરૂ થયેલા 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ની સંગીતમય સંધ્યા સાથે પૂર્ણાહૂતિ થઈ હતી. આ પર્વ ભક્તિ, શૌર્ય અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમાન હતું, જે ઋષિ કુમારોના શંખનાદ અને 72 કલાકના ઓમકારની ગૂંજ વચ્ચે યોજાયું હતું. સોમનાથ પર ગઝનવીના આક્રમણના 1000 વર્ષ અને મંદિરના જીર્ણોદ્ધારના 75 વર્ષના સુભગ સમન્વય અંતર્ગત આયોજિત આ પર્વના અંતિમ દિવસે લોકગાયક અલ્પા પટેલે શિવ આરાધના રજૂ કરી હતી. તેમના કોકિલકંઠી સૂરોથી શ્રદ્ધાળુઓ મંત્રમુગ્ધ બન્યા હતા. અલ્પા પટેલે 'જય સોમનાથ'ના અભિવાદન સાથે 'સૌરાષ્ટ્રે સોમનાથ...', 'મુજે દર્શન દો ભોલેનાથ...', 'રામ સીયા રામ... જય જય રામ', 'શૈલશુંગ સમ વિશાલ, જટાજૂટ ચંદ્રભાલ...', 'આરંભ હૈ પ્રચંડ બોલે મસ્તકો કે ઝૂંડ...' અને 'હર હર શંભુ ભોળા...' સહિતની અનેક પ્રસ્તુતિઓ રજૂ કરી હતી. તેમણે વીરરસભર્યા લોકગીતો દ્વારા ભારતમાતાની રક્ષા કરતા શૂરવીર સૈનિકોને યાદ કર્યા હતા. આ ઉપરાંત, સોમનાથની રક્ષા કાજે લડેલા હમીરજી ગોહિલ જેવા યોદ્ધાઓ અને સોમનાથના જીર્ણોદ્ધારને શક્ય બનાવનાર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના વીર વ્યક્તિત્વોનું પણ ભાવસ્મરણ કર્યું હતું.
ભાજપ-શિંદેની જીત કે ઠાકરે બંધુઓનું કમબેક? મહારાષ્ટ્રની 29 નગર નિગમના પરિણામ આજે
Maharastra BMC and Other Municipal Corporation Election Results News : મહારાષ્ટ્રમાં ચાર વર્ષના લાંબા વિલંબ બાદ યોજાયેલી 29 નગર નિગમોની ચૂંટણીના પરિણામો આજે (શુક્રવાર) જાહેર થઈ રહ્યા છે. રાજ્યભરના 893 વોર્ડમાં કુલ 15,931 ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે થશે. મતોની ગણતરી સવારે 10 વાગ્યે શરૂ થઈ ગઈ છે અને બપોર પછી મુખ્ય પરિણામો આવવાની ધારણા છે. Maharastra BMC and Other Municipal Corporation Election Results LIVE UPDATES : BMC પર સૌની નજર, એક્ઝિટ પોલમાં મહાયુતિને સ્પષ્ટ બહુમતી
આખરે ડોનાલ્ડ ટ્રમ્પની ઈચ્છા પૂરી થઇ! મારિયા મચાડોએ નોબેલ પુરસ્કાર ટ્રમ્પને ભેટ કર્યો
Donald Trump Nobel Prize : વેનેઝુએલામાં ચાલી રહેલા ગંભીર રાજકીય સંકટ વચ્ચે, વિપક્ષી નેતા અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મારિયા કોરિના મચાડો અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાતે રાજકીય ગરમાવો વધારી દીધો છે. આ મુલાકાત બાદ મચાડોએ દાવો કર્યો કે તેમણે પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર મેડલ ટ્રમ્પને ભેટમાં આપ્યો હતો. આ ગિફ્ટ ડિપ્લોમસીએ વોશિંગ્ટનથી લઈને કરાકસ સુધી નવી રાજકીય અટકળોને જન્મ આપ્યો છે. આ બહુચર્ચિત બેઠક ગુરુવારે વ્હાઇટ હાઉસમાં લંચ પર યોજાઈ હતી, જે આ મહિનાની શરૂઆતમાં અમેરિકાની આગેવાની હેઠળના ઓપરેશનમાં પૂર્વ પ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ બાદ થઈ છે. એક કલાકથી વધુ ચાલેલી ચર્ચા બાદ જ્યારે મચાડો વ્હાઇટ હાઉસમાંથી બહાર નીકળ્યા, ત્યારે તેમના સમર્થકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
બોટાદ ARTOનો સપાટો:માર્ગ સલામતી ભંગ કરનારા વાહનચાલકો સામે લાલઆંખ
બોટાદ જિલ્લામાં માર્ગ સલામતીને વધુ મજબૂત બનાવવા માટે એઆરટીઓ બોટાદ દ્વારા સઘન વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અભિયાનનો મુખ્ય હેતુ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન પર અંકુશ લાવવાનો અને નાગરિકોમાં સુરક્ષિત વાહનવ્યવહાર અંગે જાગૃતિ ફેલાવવાનો હતોત. આ ચેકિંગ દરમિયાન માર્ગ સલામતી સંબંધિત અનેક ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી. ખાસ કરીને વાહનોમાં બ્લેક ફિલ્મ લગાવવી, ખોટી દિશામાં ડ્રાઇવિંગ કરવું, નૉ પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કરવું, તેમજ હેલ્મેટ અને સીટબેલ્ટ વિના વાહન ચલાવવું જેવા નિયમભંગ કરનારાઓ સામે દંડાત્મક પગલાં લેવામાં આવ્યાં હતાં. ઉપરાંત, વાહનોમાં ગેરકાયદેસર રીતે LED લાઇટ્સ લગાવીને ચાલતાં વાહનો પણ તપાસ દરમિયાન ઝડપાયા, જેમના સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા ડ્રાઇવરોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું મહત્વ સમજાવવામાં આવ્યું અને ભવિષ્યમાં આવા ઉલ્લંઘનો ન કરવા માટે સૂચના આપવામાં આવી હતી. એઆરટી ઓ બોટાદ દ્વારા હાથ ધરાયેલાં આ સઘન ચેકિંગ અભિયાનથી વાહનચાલકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ વધે તેમજ અકસ્માતોની સંભાવના ઘટે તે દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આ કામગીરી દ્વારા સુરક્ષિત અને વ્યવસ્થિત વાહનવ્યવહારનો સંદેશ જનતા સુધી અસરકારક રીતે પહોંચાડવામાં આવ્યો હતો.
સાળંગપુર ખાતે અખિલ ભારતીય મીડ ડે મીલ યોજના કર્મચારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્રસિંહ બી.ચુડાસમાની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના વિવિધ સંગઠનો અને કર્મચારીઓની એક મહત્વપૂર્ણ ચિંતન બેઠક યોજાઈ હતી. બોટાદ જિલ્લા સંઘ દ્વારા આયોજિત આ બેઠકમાં રાજ્યના 72 તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં સંચાલકો અને જિલ્લા-તાલુકાના હોદ્દેદારો ઉમટી પડ્યા હતા. બેઠકનો મુખ્ય સૂર સરકાર દ્વારા કરવામાં આવી રહેલા ખાનગીકરણના વિરોધમાં રહ્યો હતો. ખાનગીકરણથી સામાજિક સમરસતાને ખતરો બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે, ભારત સરકારના રાજપત્ર અને સુપ્રીમ કોર્ટના 2001ના ચુકાદા મુજબ શાળામાં જ ભોજન બનાવવાની સુવિધા હોવી જોઈએ. તેમ છતાં ગુજરાત સરકાર પોતાના બજેટમાંથી મૂડી ખર્ચ કરી, ગુજરાત બહારની ખાનગી સંસ્થાઓને 50 કિમીના અંતરે ‘સેન્ટ્રલ કિચન’ના પ્રોજેક્ટ સોંપી રહી છે. આ નિર્ણયથી સામાજિક સમરસતાના મૂલ્યો નષ્ટ થશે. ઉપર મુખ્ય માંગણીઓ અને આંદોલનની ચીમકી
સન્માન:જિલ્લાના 59 શિક્ષકોનું શિક્ષણક્ષેત્રે વિશિષ્ટ કામગીરી બદલ સન્માન કરાયુ
ધ સ્કૂલ ઓફ સાયન્સ અને નોલેજ વેલી ફાઉન્ડેશન દ્વારા આયોજિત સારસ્વત સન્માન 2026 કાર્યક્રમ અંતર્ગત શિક્ષણક્ષેત્રે ગુણવત્તાયુક્ત કામગીરી ગુજરાતના કરનાર સમગ્ર પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ગૌરવસભર કાર્યક્રમ પાલનપુર ખાતે યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમા શિક્ષણની ગુણવત્તા વધારવા, નવીન અભિગમ અપનાવવા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે નોંધપાત્ર કામગીરી બદલ ભાવનગર જિલ્લાના શિક્ષકોને પ્રમાણપત્ર, મેડલ અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા તથા તેમની ઉમદા કામગીરી બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ તમામ શિક્ષકોને પોતાની નિષ્ઠા સમર્પણ અને પ્રતિબદ્ધતા દ્વારા ભાવનગર જિલ્લાનું નામ ગૌરવ પૂર્વક રોશન કર્યુ. જેમાં સિહોર તાલુકાની ધ્રુપકા પ્રા. શાળાના હિંમતભાઇ એસ.રાઠોડ અને જિતેન્દ્રકુમાર દવે, અમરજિતસિંહ પરમાર(વલભીપુર), લીલાબેન ઠાકરડા(વલભીપુર)નું ગુજરાત સારસ્વત સન્માનથી સન્માન કરવામાં આવેલ.
આપઘાતનો મામલો આવ્યો સામે:સિહોર તાલુકાના વરલ ગામે પતિના ત્રાસથી કંટાળી પત્નિએ આપઘાત વ્હોરી લીધો
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વરલ ગામે રહેતી પરિણીતાએ તેના પતિના શારિરીક તેમજ માનસિક ત્રાસથી કંટાળી ગઇકાલે ઘરે એસીડ પી આપઘાત કરી લેતા પરિણીતાના પિયરમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. જેને લઇને મૃતકના ભાઇએ તેના બનેવી વિરૂદ્ધ સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે, પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ છુટાછેડા લીધા હતા અને બાદમાં ફરી પતિએ ફોસલાવી પરિણીતાને ત્રાસ નહીં આપે તેવી શરતે સાસરીમાં લઇ જઇ ફરી મારઝુડ કરતા પરિણીતાને મરવા મજબૂર કરી હોવાનું પોલીસ ફરિયાદમાં મૃતકના ભાઇએ જણાવ્યું હતું. બોટાદ જિલ્લાના ટીંબલા (બેલા) ગામે રહેતા રૂપલબેનના સને 2014માં સિહોરના વરલ ખાતે રહેતા લાલજીભાઇ રાજુભાઇ મકવાણા સાથે લગ્ન થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેમને સંતાન ન થતા હોય જેથી તેમના પતિ અવાર નવાર શારિરીક તેમજ માનસિક ત્રાસ આપતા હતા. જેથી તેઓ કંટાળી જઇને પતિ સાથે છુટાછેડા લઇ અન્ય યુવક સાથે બીજા લગ્ન કરી ગલસાણા ગામે રહેવા જતા રહ્યા હતા. જે દરમિયાન તેમના પૂર્વ પતિ લાલજીભાઇએ ફરી રૂપલબેનને ફોસલાવી, શારિરીક તેમજ માનસિક ત્રાસ નહીં આપે તેવી શરતે ફરી રૂપલબેન સાથે લગ્ન કરી, સાસરીયામાં લઇ આવ્યા હતા. જે બાદ ફરી રૂપલબેનને મારઝૂડ કરી ત્રાસ આપતા, રૂપલબેને ગઇકાલે પોતાના ઘરે જાતેથી એસીડ પી લેતા ગંભીર હાલતે સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતા રૂપલબેનના ભાઇ નિલેશભાઇ ભોરણીયાએ તેમના બનેવી લાલજી રાજુભાઇ મકવાણા વિરૂદ્ધ સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
આત્મનિર્ભર હણોલ મહોત્સવ:રાસાયણિક ખેતીના દુષ્પરિણામથી બચવા પ્રાકૃતિક કૃષિ અપનાવો : રાજ્યપાલ
રાસાયણિક ખેતીના દુષ્પરિણામોથી બચવા માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવી એ આજના સમયની અનિવાર્ય જરૂરિયાત છે. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઓછું મળે છે એવી માન્યતા સંપૂર્ણપણે ખોટી છે તેમ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના હણોલ ગામે આયોજિત આત્મનિર્ભર હણોલ મહોત્સવ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં સંબોધન કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતુ. રાજ્યપાલે જણાવ્યું હતું કે જો રાસાયણિક ખાતરોનો ઉપયોગ સમયસર ઘટાડવામાં નહીં આવે તો આવનારા સમયમાં જમીન બિનઉપજાઉ બની જશે. એક હેક્ટર જમીનમાં માત્ર 13 કિલો નાઈટ્રોજન નાખવાની ભલામણ કરી હતી, જ્યારે આજે યુરીયા અને ડીએપીના અતિશય વપરાશના કારણે જમીન અને પાણી પ્રદૂષિત થઈ રહ્યા છે તેમજ કેન્સર જેવા રોગોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. પ્રારંભમાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાએ સૌનું સ્વાગત કરતાં હણોલ તથા આસપાસના તમામ ગામોને પ્રાકૃતિક ખેતીમાં આગેવાની લેવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલના હસ્તે પ્રગતિશીલ ખેડૂતો અને ઉત્કૃષ્ટ ખેતાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.ગાંધી વિચારના પ્રચાર–પ્રસાર માટે આવેલા યુવાનો સાથે હણોલ ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ હૃદયસ્પર્શી સંવાદ સાધ્યો હતો. રાજ્યપાલે જણાવ્યું હતું કે, હણોલ ગામ સાચા અર્થમાં સમરસતા અને એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. આ ગામમાં 18 જેટલી જુદી-જુદી જ્ઞાતિના લોકો વસે છે, છતાં અહીં કોઈ ભેદભાવ વિના સૌ એક પરિવારની જેમ જીવન જીવતા જોવા મળે છે. આત્મનિર્ભર હણોલ મહોત્સવ અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અવસરે ગ્રામજનોને સંબોધતાં વૃક્ષારોપણ, સામાજિક સમરસતા, સ્વચ્છતા-સફાઈ અભિયાન અને નશામુક્ત સમાજના નિર્માણ માટે એકજૂટ થવાનો સંકલ્પ લેવા આહ્વાન કર્યું હતું. તાલુકા કક્ષાએ પ્રાકૃતિક ખેત ઉત્પાદનોના વેચાણ માટે અલગ બજાર ઊભું કરોરાજ્યપાલે સરકારી પ્રાથમિક શાળામાં રાત્રી રોકાણ કર્યુ અને આજે વહેલી સવારે રાજ્યપાલ હણોલના ગ્રામજનો સાથે પ્રભાત ફેરીમાં જોડાયા હતા તેમજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત જાતે ઝાડૂ લઈ સફાઈ કરી હતી. તાલુકા કક્ષાએ પ્રાકૃતિક ખેતીના ખેત ઉત્પાદનોના વેચાણ માટે અલગ બજાર વ્યવસ્થા ઊભી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. હણોલ ગામે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયોઆત્મનિર્ભર હણોલ મહોત્સવ અંતર્ગત યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમને રાજ્યપાલ સહિતનાએ રસપૂર્વક નિહાળ્યો હતો. ગામના કલાકારો, યુવક-યુવતીઓ તથા બાળકલાકારો દ્વારા લોકનૃત્ય, લોકસંગીત અને સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરતી વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી.
ભાવનગર | ભાવનગરથી દિલ્હીની કોઈ જ સીધી ટ્રેઈન નથી. થોડા સમય પહેલા ભાવનગરથી સકુરબસ્તી (દિલ્હી)ની ટ્રાયલ ઓન ડીમાન્ડ ટ્રેઈન શરુ કરેલી તે પણ અજ્ઞાત કારણોસર બંધ કરી દેવામાં આવી છે. માટે ભાવનગરથી દિલ્હીની સીધી ટ્રેઈન શરુ થાય તે ભાવનગરના નાગરીકો માટે જરૂરી છે. જે માટે સંસદ સભ્ય શક્તિસિંહ ગોહિલે રેલ્વે મંત્રીને પત્ર લખીને ભાવનગરથી દિલ્હીની રેલ્વે માટેની સુવિધાની માંગણી કરી છે. હાલમાં ભાવનગરથી અયોધ્યા વચ્ચે આવતી-જતી (કૂલરેક) ચાલતી ટ્રેઈન દરેક અઠવાડિયામાં માત્ર બે જ દિવસ ચાલે છે અને ચાર દિવસ સુધી બિલ્કુલ ફ્રી પડી રહે છે. આ જ ટ્રેઈન (રેક ) ને ઓછામાં ઓછા અઠવાડિયામાં એક વખત ભાવનગરથી દિલ્હીના કોઈપણ સ્ટેશન સુધી ચલાવી શકાય તેમ છે. આથી અઠવાડિયામાં એક ટ્રેઈન ભાવનગરને સીધી ભાવનગરથી દિલ્હીની મળી શકશે તેવી રજૂઆત શક્તિસિંહ ગોહિલે રેલવે મંત્રીને કરી છે. ભાવનગરથી વેરાવળ અને ભાવનગરથી પોરબંદર વચ્ચે ચાલતી ટ્રેઇનોમાં ઘણું લાંબુ અંતર થતું હોય તે ટ્રેઇનોને એક્સપ્રેસમાં અપગ્રેડ કરવી જરૂરી છે. ભાવનગર ટર્મિનસ ઉપર ટ્રેઇનોના ઇન્સ્પેકશન, સફાઈ અને સામાન્ય રીપેરીંગ માટે માત્ર બે જ પિટ લાઈન ઉપલબ્ધ છે, જે અપૂરતી છે. માટે બે વધારાની પીટ લાઈન્સ બનાવવી જરૂરી છે. આ બધી જ બાબતોને આવરી લઈને સંસદ સભ્ય શક્તિસિંહ ગોહિલે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને ભાવનગરથી દિલ્હીની રેલ્વે માટેની સુવિધાની માંગણી કરી છે.
મોરબીમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા અને માર્ગ સલામતી જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પોલીસ અધિક્ષકની સૂચના મુજબ મોરબી ટ્રાફિક શાખા દ્વારા નગર દરવાજા વિસ્તારમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા રિક્ષાચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. મોરબી શહેરમા મહાનગર પાલિકા દ્વારા ગાંધી ચોકથી વિજય સિનેમા સુધી રોડ નિર્માણ માટે ત્યાં તમામ પ્રકારના વાહનની અવર જવર બંધ કરવાના કારણે અન્ય રોડ પર ટ્રાફિક જામ સર્જાય છે આટલું ઓછું હોય તેમ કેટલાક વિસ્તારમાં રીક્ષા ચાલકો આડેધડ પાર્કિંગ કરતા હોય જેના કારણે અન્ય વાહન ચાલકોને થતી ફરિયાદને ધ્યાને રાખી મોરબી સીટી ટ્રાફિક પોલીસે મોરબીના વ્યસ્ત એવા નગર દરવાજાની આસપાસના વિસ્તારમાં મોટર વ્હીકલ એક્ટના નિયમોનો ભંગ કરતા રિક્ષાચાલકો પર ટ્રાફિક પોલીસે તરાપ મારી હતી. આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન કુલ ૬ રિક્ષાઓને એમ.વી. એક્ટની કલમ ૨૦૭ હેઠળ ડિટેન કરવામાં આવી છે.આ ઉપરાંત, અન્ય ૧૮ રિક્ષાચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરી, કુલ રૂપિયા ૯,૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે.
આજથી પ્રિલિમ પરીક્ષાનો પ્રારંભ:ભાવનગર સહિત રાજયભરમાં આજથી ધો.10-12ની પ્રિલિમ પરીક્ષાનો પ્રારંભ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને ધો.12ની બોર્ડની મુખ્ય પરીક્ષા પૂર્વે લિટમસ ટેસ્ટ ગણાથી પ્રિલિમ પરીક્ષાનો આવતી કાલ તા.16 જાન્યુઆરીને શુક્રવારથી આરંભ થશે. આ પરીક્ષાની સાથે ધો.9 અને ધો.11ની દ્વિતીય પરીક્ષાનો પણ પ્રારંભ થશે. બે દિવસ સુધી ધાબા પર પતંગોત્સવમાં મગ્ન રહેતા વિદ્યાર્થીઓ માટે 16મીની સવારથી જ પરીક્ષા ખંડમાં બેસવું માનસિક રીતે અઘરું સાબિત થઈ શકે છે. વાલીઓ અને વિદ્યાર્થીઓમાં આ ટાઈમ ટેબલને લઈને ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. વાલીઓનું માનવું છે કે, તહેવારના ગંભીર અને આનંદમય માહોલમાંથી અચાનક પરીક્ષાના દબાણ હેઠળ આવવું વિદ્યાર્થીઓના પ્રદર્શન પર અસર કરી શકે છે. શિક્ષકોના મતે, બોર્ડની પરીક્ષા પહેલાની આ પ્રિલિમ પરીક્ષા ખૂબ જ મહત્ત્વની હોય છે, તેથી વિદ્યાર્થીઓએ તહેવારમાં થોડો સંયમ રાખીને વાંચન પર ધ્યાન આપવું અનિવાર્ય બન્યું છે. શિક્ષણ વિભાગના શૈક્ષણિક કેલેન્ડર મુજબ, આગામી 16 જાન્યુઆરીથી રાજ્યભરની શાળાઓમાં ધોરણ 9થી 12ની પ્રિલિમિનરી (પ્રથમ પરીક્ષા) અને દ્વિતીય કસોટીઓનો પ્રારંભ થઈ રહ્યો છે. વાસી ઉત્તરાયણની પૂર્ણાહુતિના ગણતરીના કલાકોમાં જ પરીક્ષા શરૂ થતી હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા અને કચવાટની લાગણી જોવા મળી રહી છે. ખાસ કરીને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આ પ્રિલિમ પરીક્ષા અત્યંત મહત્ત્વની છે. કારણ કે, આ પરીક્ષાના આધારે જ તેમને બોર્ડની મુખ્ય પરીક્ષા માટેની પોતાની તૈયારીઓનો અંદાજ આવે છે. આ વર્ષે વિદ્યાર્થીઓ માટે પતંગ ચગાવવી અને પુસ્તકોમાં ધ્યાન પરોવવું એ બંને વચ્ચે સંતુલન જાળવવાનો પડકાર છે. ધોરણ 3થી 8ની પરીક્ષા 2 ફેબ્રુઆરીથી શરૂ થશેરાજકોટ સહિત તમામ માધ્યમની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓ માટે દ્વિતીય સત્રની ત્રિમાસિક કસોટીનું આયોજન 2 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી, 2026 દરમિયાન કરવામાં આવ્યું છે. આ કસોટીમાં દરેક વિષયના 40-40 ગુણ રહેશે. કસોટી તૈયાર કરવા માટે 15 જાન્યુઆરી સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવામાં આવશે. આ પરીક્ષામાં લર્નિંગ આઉટકમ્સ પર ભાર મુકાશે.
અરેરાટી:ભણતરના ભાર હેઠળ વધુ એક ફૂલ મૂરઝાયું, વિદ્યાર્થિનીએ લગાવી 11મા માળેથી છલાંગ
મોરબીમાં ભણતરના ભાર હેઠળ વધુ એક જીવન કચડાઈ ગયું હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. જેમાં મોરબીના રવાપર ઘૂનડા રોડ ઉપર આવેલ એપાર્ટમેન્ટમાં 11માં માળની છત ઉપરથી વહેલી સવારે જ એક વિદ્યાર્થિનીએ મોતની છલાંગ લગાવી દેતા તેણીનું કરુણ મોત નિપજતા તેણીના પરિવારમાં અરેરાટી મચી ગઈ છે. આ બનાવની પોલીસની પ્રાથમિક તપાસમાં ભણવામાં સતત તણાવગ્રસ્ત રહેતી હોવાથી માનસિક તણાવથી હતાશ થઈને વિદ્યાર્થિનીએ જીવનદોર જ કાપી નાખવા આ અંતિમ પગલું ભરી લીધાનું બહાર આવ્યું છે. જો કે તેણી કેટલા સમયથી અભ્યાસના ડિપ્રેશનમાં રહેતી હતી અને શાળામાં કે શિક્ષક સાથે આ બાબતે કોઇ ટીકા ટિપ્પણી થઇ હોવાનું સામે આવ્યું નથી. પરિવારજનોએ પણ દિમાગને શાંત રાખીને અભ્યાસમાં મન પરોવવા શીખ આપી હોવા છતાં તેણે બધા આરામમાં હતા ત્યારે વહેલી સવારે અગાસી પર જઇને આત્મઘાતી પગલું ભરી લીધું હતું. વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. મોરબીના રવાપર ધૂનડા રોડ ઉપર આવેલ કસોરા ઇલેવન નામના એપાર્ટમેન્ટના બ્લોક નંબર 503 માં રહેતા સુનિલભાઈ માલાસણાની 16 વર્ષીય પુત્રી દેવાંગીએ 11 માં માળની છત ઉપરથી વહેલી સવારે નીચે ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો જેથી ગંભીર ઇજાના પગલે તેણીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બાદમાં તેણીના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી. વધુમાં આ બનાવની પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત કરી લેનાર વિદ્યાર્થિનીને અભ્યાસનું સતત ટેન્શન રહેતું હતું અને તેના કારણે તેણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું હાલમાં સામે આવ્યું છે.
સિદ્ધિ:ગાર્ડી ગ્રુપ ઓફ કોલેજીસની B. COM. સેમ 5.માં સિદ્ધિ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી દ્વારા B. COM. સેમ 5નું પરિણામ જાહેર થયેલ છે. જેમાં એસ. એચ. ગાર્ડી કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની અવની પરમાર યુનિ.માં 4થો નંબર અને કોલેજમાં પ્રથમ નંબર, દ્રિતીય નંબર અસ્મિતા બાટીયા, તૃતીય નંબર હેતલ રાજાઈ પ્રાપ્ત કરેલ છે. આચાર્ય વિરભદ્રસિંહ જાડેજાભાઇ અને તમામ પ્રાધ્યાપકોએ આ સિદ્ધિને બિરદાવી છે. એમ.કે.બી યુનિવર્સિટીના બી.કોમના આ સેમેસ્ટર-5ના પરીણામમાં ગાર્ડી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીકક્ષાએ સફળતા મેળવી છે.
પતંગ પર્વની ઉજવણી:સવારે ઠુમકા બાદ બપોરથી પવને સાથ દેતા જમાવટ
પતંગ અને પુણ્યના તહેવાર મકર સંક્રાંતિની ઉજવણી ભાવનગર શહેરમાં પૂરા ઉમંગ અને ધર્મ ભાવના સાથે કરવામાં આવી હતી. સાથે પવનદેવે પણ સવારે 11 વાગ્યા બાદ સાથે દેતા વહેલી સવારે ઠુમકા મા્યા બાદ બપોર ણછી પતંગ પર્વ જામ્યું હતુ જો કે ભાવનગરમાં છવાયેલી મંદી અને મોંઘવારીનો ઓછાયો આ પર્વની ઉજવણીમાં પડ્યો હતો અને છેલ્લાં કેટલાક વર્ષોની તુલનામાં આ વર્ષે પતંગો ઓછા ચગ્યા હતા. જો કે મોડી સાંજે ફટાકડા અને આતશબાજી થાય છે તે યથાવત રીતે જોવા મળી હતી. મંગળવારે મોડી સાંજ સુધી પતંગ રસિયાઓએ પતંગ ચગાવવાની મોજ મન ભરીને માણી હતી બાદમાં આકાશમાં આતાશબાજી અને ફટાકડા ફોડીને પતંગ પર્વનું સમાપન કરતા મોડી સાંજે ભાવેણાનું ગગન દૈદિપ્યમાન થઇ ઝળહળ્યું હતુ. મોટેરાઓએ ગાય અને ગરીબોને ખીચડો, વસ્ત્રદાન અને તલનું દાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. તો લોકોએ અગાશીઓમાં અને ઘરે ઊંધિયાની જ્યાફત ઉડાવી આ પર્વને ચટાકેદાર બનાવ્યું હતું. સવારે શહેરમાં ફરસાણવાળાને ત્યાં ઉંધીયા, જલેબી, સમોસા, ઢોકળા વિગેરની ખપત પણ સારી રહી હતી. શહેરમાં ધાબા કે અગાશીમાં મ્યુઝિક સિસ્ટમ કે લાઉડ સ્પિકર પર સવારથી સાંજ સુધી ગીતો વગાડવામાં આવ્યા હતા. પ્રેરણા ફાઉ. દ્વારા 375 પક્ષીઓને બચાવાયાપ્રેરણા ફાઉન્ડેશનની ટીમે વન વિભાગ (ગુજરાત સરકાર) સાથે સંકલનમાં રહી ભારે જહેમત ઉઠાવી જીવદયાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતું. આ અભિયાન દરમિયાન માત્ર બે દિવસમાં અંદાજે 375થી વધુ પક્ષીઓનું રેસ્ક્યુ કર્યા આ સાથે ઉત્તરાયણના બીજા દિવસે શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ, રસ્તા, બિલ્ડીંગ, બ્રિજ તેમજ ઝાડ પરથી લટકતી પતંગની દોરી દૂર કરવા માટે ‘પતંગની દોરી દૂર કરો’ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું. પતંગની દોરી કોઈ જીવ માટે જોખમ ઊભું કરે તે પહેલાં તેને દૂર કરવાની ભાવનાથી આખો દિવસ શહેરના અનેક વિસ્તારોમાં ફરી દોરીનો મોટો જથ્થો એકત્રિત કરવામાં આવ્યો હતો. પતંગની દોરી કોઈની જિંદગી કાપે તે પહેલાં તેને દૂર કરો ના સંદેશ સાથે આ અભિયાન પ્રેરણા ફાઉન્ડેશનની ટીમ દ્વારા સફળતાપૂર્વક ચલાવવામાં આવ્યું હતું. આ જીવદયાના સેવાકાર્યમાં 150થી વધુ ભાઈ-બહેનો સ્વયંસેવક તરીકે જોડાયા હતા. કાચવાળી દોરીની ઝપટે 8 પક્ષીના મોતભાવનગર શહેરમાં વન વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉતરાયણમાં પક્ષીઓના બચાવ માટે અભિયાન ચલાવાયું હતુ. RFO દિવ્યરાજસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, સાંજ સુધીમાં 47 જેટલા જીવંત અને 8 જેટલા મૃત પક્ષીઓ નોંધાયા છે. જો કે સાંજના પાંચ કલાક બાદ રાત્રી સુધીમાં કુલ 87 જેટલા પક્ષીઓનો આંકડો સામે આવ્યો હતો. જેમાં કુલ 11 કબૂતર મળ્યા તેમાં એકનું મોત થયુ, ઉત્તરાયણમાં 32 પેઇન્ટેડ સ્ટોર્ક દોરીની ઝપટમાં આવ્યા તેમાં 5ના મોત થયા હતા. એક કાળી કાંકણસારનું મોત થયુ હતુ. ઘુવડ, કાજીયો, ટીટોડી, કોયલ, કલકલિયોનો સમાવેશ થાય છે.
કરોડોની સંપત્તિ નિષ્ક્રિય:RB ની નિષ્ક્રિયતાથી સર્કિટહાઉસનું નવું બિલ્ડીંગ તાળાબંધ
ભાવનગર શહેરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે મુલાકાતે આવી રહ્યા છે ત્યારે શહેરમાં એક ગંભીર અને શાસકીય રીતે ચિંતાજનક મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. માર્ગ અને મકાન વિભાગ (RB) ભાવનગરની અક્ષમ આયોજનશક્તિ અને સતત ચાલતી ઢીલાશના કારણે શહેરનું નવું સર્કિટહાઉસ એક વર્ષથી વધુ સમયથી તૈયાર હાલતમાં હોવા છતાં ઉપયોગમાં આવી શક્યું નથી. ઇમારતનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું હોવા છતાં ફર્નિચર, આંતરિક સુવિધાઓ અને અંતિમ કામગીરી અટવાઈ રહેતા કરોડોની સરકારી સંપત્તિ નિષ્ક્રિય બની પડી છે, જે સ્પષ્ટપણે શાસકીય બેદરકારીનું પ્રતીક બની છે. નવું સર્કિટહાઉસ કાર્યરત ન હોવાથી જિલ્લામાં ફરજ બજાવવા બહારથી આવતા અધિકારી ઓને રાત્રિ રોકાણ માટે ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. સરકારી વ્યવસ્થા ઉપલબ્ધ ન રહેતાં અધિકારીઓને ખાનગી હોટલોમાં રહેવા માટે વધુ ખર્ચ સહન કરવો પડે છે, જેના કારણે સરકારના ખર્ચમાં અનાવશ્યક વધારો થવા સાથે રોજિંદા વહીવટી કામકાજ પર પણ ખરાબ અસર જોવા મળી રહી છે. હાલ કાર્યરત સર્કિટહાઉસમાં રૂમ ફાળવણીને લઈને પણ ગંભીર અનિયમિતતાઓના આક્ષેપો ઊભા થયા છે. રાજકીય ભલામણના આધાર પર પસંદગીના લોકોને રૂમ ફાળવાતાં હોવાની ચર્ચા છે, જ્યારે ફરજ પર આવેલા ક્લાસ-વન અધિકારીઓને ઉચ્ચ અધિકારીના આગમનનું કારણ આપી રૂમ ન આપવાના બનાવો વારંવાર બનતા હોવાનો આક્ષેપ છે. અઠવાડિયા અગાઉથી લેખિત બુકિંગ કરાવ્યા બાદ પણ છેલ્લી ઘડીએ રૂમ રદ થવાના બનાવો સામાન્ય બની ગયા હોવાનું કહેવામાં આવ્યું છે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ સર્કિટહાઉસની વ્યવસ્થા એક નિવૃત્ત કર્મચારીના હવાલે રાખવામાં આવી છે, જે પોતાની મનમાનીથી કામગીરી ચલાવે છે અને અનેક અધિકારીઓને રૂમ ફાળવવામાં અણગમો દર્શાવે છે. લાંબા સમયથી ચાલતી આવી સ્થિતિ સામે જવાબદાર અધિકારીઓ સામે કોઈ કડક પગલાં લેવામાં ન આવતાં વહીવટી તંત્રમાં અસંતોષ વધુ ઘેરો બન્યો છે. આ સમગ્ર પરિસ્થિતિને લઈ હવે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળે છે. મુખ્યમંત્રીની આજની મુલાકાત દરમિયાન આ મુદ્દે તાત્કાલિક દખલ લઈ સર્કિટહાઉસની બાકી કામગીરી પૂર્ણ કરાવી તેને ઉપયોગમાં લેવા તેમજ રૂમ ફાળવણીમાં પારદર્શિતા અને ન્યાયસંગત વ્યવસ્થા અમલમાં મૂકવાની માગ તેજ બની છે.
કામગીરી:મોરબીમાં પતંગની કાતિલ દોરીથી 12 પક્ષીની જીવનની દોર કપાઇ ગઇ
મોરબીમાં ઉતરાયણે દરેક અગાશીથી આભની અટારીએ રીતસર પતંગ યુદ્ધ લડાયું હતું. જો કે પતંગ રસિયાઓ માટે પેચ લડવાનો આનંદ ગગનમાં વિહરતા પક્ષીઓ માટે મોતની સજા રૂપ બની ગયો હતો. જેમાં ઉતરાયણમાં પતંગની કાતિલ દોરીથી કુલ 72 પક્ષી ઘાયલ થયા હતા. તેમાંથી 12 પક્ષીઓના જીવનની પંતગની કાતિલ દોરીથી ડોર કપાઈ હોવાનું સામે આવ્યું છે. બાકીના 60 જેટલા પક્ષીઓની સઘન સારવાર કરવામાં આવી રહી છે. મોરબીમાં વર્ષોથી અબોલ પશુ-પક્ષીઓની વિનામૂલ્યે સેવા કરતા યુવાનોના કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ઉતરાયણ પર્વ પર પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓને તાત્કાલિક સારવાર આપી બચાવી શકાય એ માટે શહેરના રવાપર ચોકડી, અવની ચોકડી, સુપર માર્કેટ સામે, નજરબાગ સ્ટેશન પાસે, નાની કેનાલ રોડ નાકે, નવલખી રોડ , સેન્ટ મેરી સ્કૂલ પાસે કલેક્શન સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા. એટલે આ સ્થળેથી ઘાયલ પક્ષીઓને એકત્ર કરી મોરબીના રવાપર રોડ પર પટેલ મેડિકલ સામે તથા મહારાણા પ્રતાપ સર્કલ પાસે સારવાર કેન્દ્રમાં લઇ જઈ ચિકિત્સા કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઘાયલ પક્ષીઓની સારવાર માટે કર્તવ્ય જીવદયા કેન્દ્રના કુલ 100 કાર્યકર્તા અને 10 ડોક્ટરની ટીમ તૈનાત રાખવામાં આવી હતી. આ સંસ્થાના વીશું પટેલના જણાવ્યા મુજબ ઉત્તરાયણે કાતિલ દોરીથી આકાશમાં વિહરતા 72 પક્ષીઓ ઘાયલ હાલતમાં સારવાર માટે આવ્યા હતા.
મકરસંક્રાંતિના પર્વે નાના-મોટા અકસ્માતોની ભરમાર:સર ટી. હોસ્પિટલમાં પતંગની દોરીથી ઇજા થવાના 10 કેસ
ભાવનગરમાં મકરસંક્રાંતિ દિવસે નાના-મોટા અકસ્માતોની ભરમાર વચ્ચે 152 કેસ નોંધાયા હતા. મકરસંક્રાંતિના તહેવારમાં નાના-મોટા અકસ્માતોના કિસ્સામાં આવેલા ઉછાળાથી સર ટી. હોસ્પિટલનો ટ્રોમા સેન્ટર વિભાગ દર્દીઓની ચહલપહલથી ધમધમતો રહ્યો હતો. જેમાં પતંગની દોરીથી ચહેરાના ભાગે ગળા, આંખ અને કાનના ભાગે ઈજા થવાના 10 કેસ નોંધાયા હતા. જેમાં બરવાળામાં પતંગની દોરીથી ઘાયલ વ્યક્તિને બોટાદ બાદ વધુ સારવાર માટે ભાવનગર સર.ટી. હોસ્પિટલમાં ટાંકા લેવામાં આવ્યા હતા. મકરસંક્રાંતિના દિવસે પતંગની દોરીથી ઇજા થવા ઉપરાંત પતંગ ચગાવતી વખતે અગાસી પરથી નીચે પટકાવા અને માર્ગ અકસ્માતના નાના-મોટા બનાવો પણ બન્યા હતા. સર.ટી. હોસ્પિટલમાં પતંગની દોરીથી ઇજા થવા સહિતના 67 કેસ નોંધાયા હતા. 108માં વાહન સિવાયના અકસ્માતના 45 અને વાહન અકસ્માતના 40 બનાવોમાં દર્દીને સારવાર્થે ખસેડાયા હતા. ગત વર્ષની સરખામણીએ અકસ્માતના કેસોમાં વધારો થયો છે. ઉત્તરાયણમાં ગત વર્ષ કરતા અકસ્માતો વધ્યાઉત્તરાયણના પર્વમાં ગત વર્ષ-2025ની સરખામણીએ ઇમરજન્સી 108ને મળેલા એકંદરે તમામ કોલને ધ્યાનમાં લેતા 42 ટકા જેટલો વધારો થયો છે. ઇમરજન્સી 108માં વાહન સિવાયના અકસ્માતના અને વાહન અકસ્માતના બનાવોમાં 150 ટકાનો વધારો થયો છે.

29 C