SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

27    C
...

ગેસ સિલિન્ડરની અછત વચ્ચે વડોદરામાં ગેસ ચોરી ઝડપાઈ:ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી કોમર્શિયલ સિલિન્ડરમાં રિફિલ કરતા શખસને SOG પોલીસે ઝડપી પાડ્યો

તાજેતરમાં પશ્ચિમી એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે જીવન જરૂરી ચીજવસ્તુઓના પુરવઠામાં અછત સર્જાતા ગેસ સિલિન્ડરોની સંગ્રહખોરી તેમજ ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા વડોદરા શહેર એસ.ઓ.જી. ટીમે સતત પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. ગેરકાયદેસર સંગ્રહખોરી અને ગેસ રિફિલિંગ અટકાવવા SOGની વોચએસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર. ગામીત અને ટીમ દ્વારા શહેર વિસ્તારમાં ગેસ રિફિલિંગ, રીપેકિંગ તથા ગેરકાયદેસર સંગ્રહખોરી અટકાવવા માટે સત્તત વોચ રાખવામાં આવી રહી છે. દરમ્યાન બાતમી મળી હતી કે રામદેવ ગેસ એજન્સીનો ટેમ્પો ચાલક સાદુલભાઈ ભોપાભાઈ ભરવાડ એજન્સીમાંથી મળેલા ભરેલા ભારત ગેસના સિલિન્ડરોને ગ્રાહકો સુધી પહોંચાડવાના બદલે પોતાના રહેઠાણે લઈ જઈને તેના સીલ તોડી, પાઇપ દ્વારા કોમર્શિયલ ગેસના ખાલી સિલિન્ડરોમાં ગેસ ભરી રિફિલિંગ કરી ચોરી કરતો હતો અને તેને રીપેક કરીને છૂટકમાં વેચતો હતો. ઘરેલું સિલિન્ડરમાંથી ગેસ કોમર્શિયલમાં રિફિલ કરતો શખસ ઝડપાયોઆ બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમે હરણી વિસ્તારના ન્યુ વી.આઇ.પી. રોડ, રેવડીયા મહાદેવ મંદિર સામે આવેલા પ્લોટ નં. 06, ભરવાડવાસ ખાતે રેઇડ કરતા અહીંયાથી આરોપી સાદુલભાઈ ભોપાભાઈ ભરવાડ (ઉંમર 46) રંગે હાથે પકડાયો હતો. આરોપી રામદેવ ગેસ એજન્સી, હરણી રોડ, રૂપમ સિનેમા સામે, ચંદ્રગુપ્ત કોમ્પ્લેક્સમાં બજાજ અતુલ થ્રી-વ્હીલર ટેમ્પો ચલાવતો હતો અને એજન્સીમાંથી મળેલા 25 ભારત ગેસના ઘરેલુ સિલિન્ડરોને ગ્રાહકોને ડિલિવરી કરવાના બદલે પોતાના ઘરે લઈ જઈને ગેરકાયદેસર રીતે કોમર્શિયલ સિલિન્ડરોમાં ગેસ ટ્રાન્સફર કરતો હતો. પોલીસે 1.35 લાખનો મુદ્દામાલ કબજે કર્યોરેઇડ દરમિયાન સ્થળ પરથી કુલ રૂ. 1,35,264ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો, જેમાં ટેમ્પો, 25 ભારત ગેસ સિલિન્ડરો, અડધા ભરેલા 4 કોમર્શિયલ સિલિન્ડરો, 1 એચ.પી. ગેસ સિલિન્ડર, મોબાઇલ ફોન, દોરી-ઢાંકણા, વજન કાંટો, રિફિલિંગ સાધનો તથા ડિલિવરી ચલણ, આધારકાર્ડ અને લાઇટબિલની નકલોનો જપ્ત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 12:05 am

1500 કરોડના કૌભાંડીની સુરત એરપોર્ટ પર 'ફ્લાઈટ' લેન્ડ થતા દબોચાયો:આંતરરાષ્ટ્રીય સ્તરની ટ્રેડિંગ ગેંગના મુખ્ય સૂત્રધારને દુબઈથી સીધી ફ્લાઈટ ન મળી તો બેંગકોકનો રૂટ પકડ્યો

સુરત સાયબર ક્રાઇમ સેલે એક મોટી સફળતા હાંસલ કરતા આંતરરાષ્ટ્રીય સ્તરની ટ્રેડિંગ ગેંગના મુખ્ય સૂત્રધાર અલ્પેશ વઘાસીયાને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દબોચી લીધો છે. શેર ટ્રેડિંગ અને કરન્સી ટ્રેડિંગના નામે કરોડો રૂપિયાનું ફૂલેકુ ફેરવનાર આ આરોપી દુબઈમાં બેસીને નેટવર્ક ચલાવતો હતો. ચોંકાવનારી વિગત એ છે કે આરોપી માત્ર ધોરણ 9 સુધી જ ભણેલો છે, છતાં તેણે 1500 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન ધરાવતું આખું સાયબર સામ્રાજ્ય ઊભું કરી દીધું હતું. દુબઈમાં યુદ્ધની સ્થિતિથી ડરીને ભારત પરત ફર્યો ને ઝડપાયોઆરોપી અલ્પેશ વઘાસીયા છેલ્લા ઘણા સમયથી દુબઈમાં રહીને પોતાની છેતરપિંડીની ફેક્ટરી ચલાવતો હતો. જોકે, ત્યાંની વર્તમાન કફોડી પરિસ્થિતિ અને ખાસ કરીને યુદ્ધ જેવી સ્થિતિને કારણે તે દુબઈ છોડવા માંગતો હતો. માત્ર 9 ધોરણ ભણેલા અલ્પેશને અંગ્રેજી આવડતું નહોતું, જેના કારણે તેને વિદેશમાં રહેવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. આખરે તેણે ભારત પરત ફરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ તેને પકડવા માટે પોલીસે પહેલેથી જ લૂક આઉટ સર્ક્યુલર (LOC) જારી કરી દીધો હતો. બેંગકોક થઈને સુરત પહોંચવા માટે વારંવાર ફ્લાઈટ બદલીહમેશા પોલીસને ચકમો આપનાર માટે અલ્પેશ વઘાસીયાએ ત્રણ વખત સુરત આવવા માટે ફ્લાઈટ બુક કરાવી હતી, પરંતુ સંજોગોવશાત તે ફ્લાઈટ રદ થઈ ગઈ હતી. છેવટે, તે સીધો સુરત આવવાને બદલે પહેલા બેંગકોક ગયો હતો. બેંગકોકથી વાયા વાયા થઈને તે સુરત એરપોર્ટ પર ઉતર્યો ત્યારે સાયબર ક્રાઇમની ટીમે તેને કોર્ડન કરીને ઝડપી લીધો હતો. આ આરોપી મૂળ રાજકોટના ગોંડલનો વતની છે અને સુરતના વેલંજા વિસ્તારમાં આલીશાન બંગલામાં રહેતો હતો. બેંક એકાઉન્ટ્સમાં 1500 કરોડના વ્યવહારો મળ્યાઆ સાયબર કૌભાંડ કેટલું વિશાળ છે તેનો અંદાજ તપાસ દરમિયાન મળેલા આંકડાઓ પરથી લગાવી શકાય છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગના અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ. 15,36,30,08,975ના ટ્રાન્ઝેક્શન થયા છે. આ રકમનો આંકડો જોઈને તપાસકર્તા અધિકારીઓ પણ ચોંકી ગયા છે. આ નાણાં ક્યાંથી આવ્યા અને કોના ખિસ્સામાં ગયા તે દિશામાં હવે ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. IV Trade અને Sky Growth ના નામે MLM કૌભાંડઆરોપીઓએ ઉત્રાણ અને રાજકોટમાં લક્ઝુરિયસ ઓફિસો ખોલી હતી. સુરતમાં ‘IV Trade’ અને રાજકોટમાં ‘Sky Growth Wealth Management’ ના નામે લોકોને મલ્ટી લેવલ માર્કેટિંગ (MLM) ની સ્કીમોમાં ફસાવવામાં આવતા હતા. કોઈ પણ વેલિડ લાયસન્સ વગર તેઓ કરન્સી ટ્રેડિંગ અને શેર ટ્રેડિંગમાં ઉંચા વળતરની લાલચ આપતા હતા. રોકાણકારોના નાણાં આંગડિયા અને શેલ કંપનીઓના બેંક એકાઉન્ટ મારફતે સીધા દુબઈ મોકલી આપવામાં આવતા હતા. 35 ઇન્વેસ્ટરો સાથે 4.26 કરોડની છેતરપિંડીઅત્યાર સુધીની તપાસમાં 35 જેટલા સાક્ષીઓ અને રોકાણકારો સામે આવ્યા છે, જેઓ આ ટોળકીના શિકાર બન્યા છે. આરોપીઓએ આ રોકાણકારો પાસેથી કુલ રૂ. 4,26,86,550/- પડાવી લીધા હોવાનું સ્પષ્ટ થયું છે. હજુ પણ અનેક ભોગ બનનારા લોકો સામે આવે તેવી શક્યતા છે. ‘Hantec Markets’ જેવી ઓનલાઇન એપ્લિકેશનનો ઉપયોગ કરીને લોકોને એવું લાગતું કે તેમનું ટ્રેડિંગ થઈ રહ્યું છે, પણ હકીકતમાં તે માત્ર એક આંકડાકીય માયાજાળ હતી. અગાઉ ધરપકડ કરાયેલા 4 સાગરીતોની કબૂલાતસમગ્ર મામલે ડીસીપી બિશાખા જૈનએ જણાવ્યું હતું કે, આ કેસમાં સુરત સાયબર ક્રાઇમ દ્વારા અગાઉ ડેનીશ ઉર્ફે હેમલ ધાનક, જયસુખ પટોળીયા, યશ પટોળીયા અને અજય ઉર્ફે ગોપાલ ભિંડીની ધરપકડ કરવામાં આવી હતી. આ સાગરીતો સુરત અને રાજકોટમાં ઓફિસ હેન્ડલ કરતા હતા અને અલ્પેશને તમામ નાણાકીય રિપોર્ટ મોકલતા હતા. આ ચારેય આરોપીઓની પૂછપરછમાં જ અલ્પેશ વઘાસીયાના દુબઈ કનેક્શન અને રોકાણના મની ટ્રેઇલની વિગતો પોલીસને મળી હતી.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 12:05 am

2% કેસમાં એસિડ એટેક જરૂરી, ડોક્ટર પાસેથી મળી સનસનીખેજ ચિઠ્ઠીઓ:સુરત કોર્ટમાં પત્ની પર એસિડ ફેંકનાર વૃદ્ધે લખ્યું- 'પત્ની માનસિક રોગી, દીકરીઓ મને દુશ્મન ગણે છે’

સુરત શહેરની કોર્ટમાં પત્ની પર એસિડ ફેંકી પોતે ઝેરી દવા ગટગટાવનાર 70 વર્ષીય આયુર્વેદિક ડોક્ટર પાસેથી મળેલી ચિઠ્ઠીઓએ અનેક રહસ્યો ખોલ્યા છે. જેમાં ડોક્ટર દ્વારા પોતાની વર્ષોની પીડા, કૌટિંબિક વિખવાદ અને પત્ની-પુત્રીઓ પ્રત્યેનો રોષ ઠાલવ્યો હતો. ચિઠ્ઠીમાં તેમણે ચોંકાવનારું લખાણ લખ્યું છે કે, 'પત્ની માનસિક રોગી, દીકરીઓ મને દુશ્મન ગણે છે’ અને સમાજમાં થતા 98% એસિડ એટેક બિનજરૂરી, પરંતુ 2% કિસ્સોમાં જરૂરી હોઈ શકે. ઉલ્લેખનીય છે કે, પોલીસને ઘટનાસ્થળેથી કપડાની એક થેલી મળી આવી હતી, જેમાં 31 હજાર રૂપિયા રોકડા અને પાંચ અલગ અલગ કાગળના ટુકડાઓ (ચિઠ્ઠીઓ) મળી આવ્યા હતા. ડોક્ટરે પત્ની માનસિક રોગી હોવાનો દાવો કર્યોડોક્ટરે લખેલી ચિઠ્ઠઓમાં સૌથી વધુ આક્રોશ તેમની પત્ની વિરૂદ્ધ જોવા મળ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું કે, મારી પત્ની માનસિક રોગી છે (ડિસ્લેક્સીયા હાયપરએક્ટિવ + એડલ્ટ AHDH). વધુમાં લખ્યું હતું કે, જેટલા એસિડ એટેક થયા છે તેમાં 98% (લગભગ) બિનજરૂરી હોય છે, પરંતુ 2% જરૂરી હોઈ શકે. એક સજ્જન વ્યક્તિ જેના ખુબ જ ઉપકાર છે તેને બરબાદ કરીને પણ નહીં છોડે તેના માટે બીજું શું હોય. '75 વર્ષની વૃદ્ધ અવસ્થામાં મારા ઉપર ભરણપોષણનો ખોટો કેસ'ચિઠ્ઠીઓમાં ડોક્ટરે લખ્યું હતું કે, સમાધાનની પ્રમાણિક ફોર્મ્યુલા... મારા તરફથી કોઈપણ શરત નથી. મારી 75 વર્ષની વૃદ્ધ અવસ્થામાં મારા ઉપર ભરણપોષણનો ખોટો કેસ કરી મને આર્થિક, શારીરિક, માનસિક, સામાજીક અને કૌટુંબિક નુકસાન થયું છે અને ભરણપોષણના નામે લગભગ રૂપિયા 1.50 લાખ પડાવી લીધા છે. જે હું પાછા માંગવાનો નથી. ચિઠ્ઠીમાં વધુમાં લખ્યું હતું કે, તમારા તરફથી કોઈ શરત મુકવાની નથી. પૈસાની કોઈ ડિમાન્ડ કરવાની નથી. સામસામે કેસ પાછા ખેંચી લેવાના છે. 'મારી દીકરીઓ મારી સાથે એક દુશ્મનની જેમ વર્તે છે'ડોક્ટરે ચિઠ્ઠીઓમાં પોતાની પુત્રીઓ પર પણ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. તેમણે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, મને કંગાળ કરવામાં મારી પત્ની અને પુત્રીઓએ કંઈ બાકી રાખ્યું નથી. કોર્ટમાં પણ મારી દીકરીઓ મારી સાથે એક દુશ્મનની જેમ વર્તે છે અને મને નફરત કરે છે. 'થેલીમાં પૈસા છે મારી અંતિમવિધીના લાકડા માટે'અન્ય એક ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, આ રકમ રૂપિયા 31,700 મારી અંતિમવિધી લાકડા માટે છે, તે રકમ એડવોકેટ જયદેવસિંહ (વિજયભાઈ) ચૌહાણને આપશો. મારા મૃત્યુ પછી મારો કોઈપણ નિર્ણય તેઓ લઈ શકશે. થેલીમાં પૈસા છે લગભગ 25,000 રૂપિયા તે ચૌહાણ સાહેબને આપવાના છે. મારી અંતિમવિધીના લાકડા માટે. મારા વતી ઘણા બધા પૈસા ચૌહાણ સાહેબે ચૂકવ્યા છે, તેઓ મારા સર્વસવ છે. વધુમાં લખ્યું હતું કે, મારા કોર્ટ કેસની સચ્ચાઈ એડવોકેટ ચૌહાણ સાહેબ જાણે છે. તેઓએ હંમેશા કાયદામાં રહીને જ મને સલાહ આપી છે. શું છે સમગ્ર ઘટના?13 માર્ચ 2026ના રોજ 70 વર્ષીય આયુર્વેદિક ડોક્ટર થેલીમાં બધો જ સામાન લઈ કોર્ટમાં પહોંચ્યા હતા. ભરણપોષણના કેસમાં શરતો મંજૂર ન થતા ઉશ્કેરાયેલા ડોક્ટરે પત્નીનો ચોંટલો પકડી તેને પાછળ ખેંચી હતી અને બાદમાં ડાયરેક્ટ ચહેરા ઉપર એસિડ ફેંક્યો હતો. આ હુમલામાં પત્નીની ડાબી આંખમાં ગંભીર ઈજા થઈ છે. જ્યારે હુમલો કર્યા બાદ ડોક્ટરે તરત જ પોતાની પાસે રહેલી ઝેરી દવા ગટગટાવી લીધી હતી. પતિ-પત્ની બંનેની હાલત સ્થિરઉમરા પોલીસના જણાવ્યા અનુસાર, હાલમાં વૃદ્ધ ડોક્ટર વિનોદભાઈ અને તેમની પત્ની બંનેની તબિયત સ્થિર છે. ડોક્ટરને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. પોલીસે તેમની થેલીમાંથી મળેલી તમામ ચિઠ્ઠીઓ અને પુરાવાઓ કબજે કર્યા છે. વર્ષો જૂના પારિવારિક વિવાદનો આવો કરુણ અંજામ આવશે તેવી કલ્પના કોર્ટ પરિસરમાં હાજર કોઈએ કરી નહોતી. જ્યારે આરોપી ડોકટરની તબિયત ઠીક થશે ત્યારે તેની કાયદેસર ધરપકડ થશે. આ સમાચાર પણ વાંચો સુરત ફેમિલી કોર્ટમાં 10 હજારના ભરણપોષણમાં એસિડ-એટેકસુરત જિલ્લા સેવા સદનના એ-બ્લોકમાં આવેલા પાંચમા માળે આજે કાળજું કંપાવનારી ઘટના બની હતી. ફેમિલી કોર્ટમાં જ્યારે ભરણપોષણના કેસની કાર્યવાહી ચાલી રહી હતી, ત્યારે 75 વર્ષીય આયુર્વેદિક ડોક્ટરે પોતાની 61 વર્ષીય પત્ની પર અચાનક એસિડ ફેંકી દીધું હતું. જજની હાજરીમાં જ બનેલી ઘટનાને પગલે કોર્ટ રૂમમાં નાસભાગ મચી ગઈ હતી અને વકીલો સહિતના પક્ષકારો સ્તબ્ધ થઈ ગયા હતા. (વાંચો સંપૂર્ણ સમાચાર) 5 મહિના પહેલાં અમદાવાદમાં પત્નીએ પતિ પર એસિડ-એટેક કર્યો હતોઆજથી પાંચ મહિના પહેલાં અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં એસિડ-એટેકની ઘટના સામે આવી હતી. સામાન્ય રીતે પુરુષ દ્વારા મહિલા પર એસિડ-એટેકની ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ આ કિસ્સામાં તો પત્નીએ જ પોતાના પતિ પર એસિડ ફેંક્યું હતું. આરોપી મહિલાએ પતિના અન્ય સ્ત્રીઓ સાથે સંબંધની શંકા રાખી એસિડ-એટેક કર્યો હતો. આ એસિડ-એટેકમાં ભોગ બનનાર પતિ શરીરથી નીચેના ભાગે ગંભીર રીતે દાઝ્યો હતો. સેટેલાઈટ પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર)

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 12:05 am

ગિફ્ટ સિટીમાં હાઇબ્રિડ ગાંજાનું દુબઈ થાઇલેન્ડ કનેક્શન ખૂલ્યું:MBA થયેલા અંકિતે 54 ગ્રામ ગાંજો વેચી માર્યો, ઇન્ટરનેશનલ સિન્ડિકેટ ને સોશિયલ મીડિયા દ્વારા નશાનો કાળો કારોબાર

પાટનગર ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીના પોશ ગણાતા શોભા ડ્રીમ હાઈટ્સ ટાવરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે દરોડો પાડીને 26 લાખની કિંમતનો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કરી અંકિત કક્કડની ધરપકડ કરી રિમાન્ડ મેળવામાં આવ્યા હતાં. ત્યારે રિમાન્ડ દરમ્યાન અંકિત MBA ડિગ્રી ધારક ઉપરાંત સમગ્ર નશાના કારોબારના તાર દુબઈ અને થાઈલેન્ડ જેવા દેશો સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. આ એક ચોક્કસ ઇન્ટરનેશનલ સિન્ડિકેટ દ્વારા સોશિયલ મીડિયાથી નેટવર્ક ચાલતું હોવાનો એસઓજી પોલીસની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. ગિફ્ટ સિટીના લકઝુરિયસ ફલેટમાંથી કાળો કારોબાર ચલાવતોતાજેતરમાં ગાંધીનગર SOGના પી.આઈ. એચ.આઈ. ભાટી અને તેમની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે ગિફ્ટ સિટીના શોભા ડ્રીમ હાઈટ્સ ટાવરના 23મા માળે આવેલા ફ્લેટ નંબર 1235માં દરોડો પાડવામાં આવ્યો હતો. આ હાઈપ્રોફાઈલ ફલેટમાં પોલીસ ત્રાટકતા ચકચાર મચી ગઈ હતી. તપાસ દરમિયાન બેડરૂમમાં રાખેલી બ્રાન્ડેડ બેગમાંથી 0.746 કિલોગ્રામ લીલાશ પડતો વનસ્પતિજન્ય પદાર્થ મળી આવ્યો હતો. સોશિયલ મીડિયાનું માધ્યમ, દુબઈ અને થાઈલેન્ડથી નેટવર્ક ઓપરેટ ત્યારે FSLના સાયન્ટિફિક ઓફિસર દ્વારા સ્થળ પર કરવામાં આવેલા પરીક્ષણમાં આ પદાર્થ હાઈડ્રોપોનિક ગાંજો હોવાનું સાબિત થયું હતું, જેની બજાર કિંમત અંદાજે 26.11 લાખથી વધુ છે. પોલીસ તપાસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે આ રેકેટ માત્ર સ્થાનિક સ્તરે નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલું છે. ઝડપાયેલા આરોપી અંકિત રાજેશભાઈ કક્કડ (રહે. રાજકોટ/મોરબી) ની તપાસમાં બહાર આવ્યું છે કે આ સમગ્ર નેટવર્ક સોશિયલ મીડિયાના માધ્યમથી દુબઈ અને થાઈલેન્ડથી ઓપરેટ કરવામાં આવતું હતું. MBA કરેલો અંકિત 10 મહિનાથી નેટવર્ક ચલાવતો હતોઆ હાઈડ્રોપોનિક ગાંજાના મોંઘા નશાના સોદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થતા હતા. અંકિત છેલ્લા 10 મહિનાથી આ નેટવર્કમાં સક્રિય હતો અને સુરતથી માલ મંગાવી વડોદરામાં પણ વેચાણ કરતો હતો. આરોપી અંકિત કક્કડ MBA સુધીનો અભ્યાસ કરેલો છે. પરંતુ તે નશાના કાળા કારોબારમાં ગળાડૂબ હતો. 90,000થી વધુના તોતિંગ ભાડે ફ્લેટ રાખ્યો હતોતેણે પોલીસની નજરથી બચવા માટે ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ કંપની Airbnb એપ્લિકેશન દ્વારા માસિક 90,000થી વધુના તોતિંગ ભાડે ફ્લેટ રાખ્યો હતો. તે રોજના 3,000 ભાડું ચૂકવતો હતો અને તેનું પેમેન્ટ ગૂગલ પે દ્વારા ઓનલાઇન કરતો હતો. પોલીસે આરોપી પાસેથી બે મોંઘા આઇફોન, ડિજિટલ વજન કાંટો અને રોકડ સહિત કુલ 26.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 54 ગ્રામ જેટલો ગાંજો પડીકીઓ બનાવીને વેચ્યોત્યારે પ્રાથમિક પૂછતાછમાં અંકિતે કબૂલાત કરી હતી કે, તેણે આ જથ્થો વડોદરાના તાંદલજા વિસ્તારમાં અનિકેત રબારી નામના શખ્સ પાસેથી મેળવ્યો હતો. જેમાંથી 54 ગ્રામ જેટલો ગાંજો પડીકીઓ બનાવીને વેચાણ પણ નાખ્યો હતો. એકાઉન્ટ્સના ટેકનિકલ એનાલિસિસથી ગ્રાહકો સુધી તપાસઆ નેટવર્ક કેટલું ઊંડું છે તે જાણવા માટે એસઓજી પોલીસે હવે સુરત, વડોદરા અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પાસેથી પણ વિગતો મંગાવી છે. આરોપી અંકિતના મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના ટેકનિકલ એનાલિસિસ દ્વારા તેના ગ્રાહકો સુધી પહોંચવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ફિયાન્સીએ અંકિતને જામીન મુક્ત કરાવી લીધોબીજી તરફ અંકિત કક્કડની કરતૂતોથી ત્રસ્ત તેના પરિવારે પણ છેડો ફાડી દીધો છે. જેને બરોડાની યુવતી સાથે ગાઢ પ્રેમ સંબંધ છે. જેની સાથે તેણે સગાઈ પણ કરી લીધી છે. આ પ્રકરણમાં અંકિતની ફિયાન્સી અને મિત્રો એજ વકીલ સહિતની ગોઠવણ કરી છે. આજે ​રિમાન્ડ પૂરા થતા અંકિતને તેની ફિયાન્સીએ વકીલ મારફત જામીન મુક્ત પણ કરાવી લીધો છે. મોટા નામો અને પેડલર્સની ધરપકડ થાય તેવી સંભાવનાપરંતુ SOG પી.આઈ. ભાટી આ ઇન્ટરનેશનલ સિન્ડિકેટના મૂળ સુધી પહોંચવા માટે સીડીઆર અને સોશિયલ મીડિયા ડેટાની ગહન તપાસ કરી રહ્યા છે. આ કેસમાં આગામી દિવસોમાં અનેક મોટા નામો અને પેડલર્સની ધરપકડ થાય તેવી સંભાવના છે. શું હોય છે હાઇડ્રોપોનિક્સ ગાંજો હાઇડ્રોપોનિક્સ ગાંજાની કિંમત સામાન્ય ગાંજા કરતા અનેકગણી વધારે હોય છે. તેનું મુખ્ય કારણ તેની ખેતી પાછળનો ખર્ચ અને તેમાં રહેલો નશાનો ઊંચો ડોઝ છે.સામાન્ય રીતે ખેતરોમાં ઉગતો ગાંજો 2,000થી 5,000 પ્રતિ કિલો મળી રહેતો હોય છે. જ્યારે હાઇડ્રોપોનિક્સ ગાંજાની કિંમત પ્રતિ ગ્રામમાં ગણાય છે. દેશના બજારમાં 1 ગ્રામ હાઇડ્રોપોનિક્સ ગાંજાની કિંમત 2,000થી વધુ સુધીની હોય છે. વૈજ્ઞાનિક રીતે ઉગાડવામાં આવતા આ ગાંજામાં THC નું પ્રમાણ ઘણું વધારે હોય છે જે તેને સામાન્ય ગાંજા કરતા વધુ નશીલો બનાવે છે. જેની ખેતી મોટાભાગે બંધ રૂમમાં કરવામાં આવે છે, જ્યાં તાપમાન, ભેજ અને પ્રકાશને કૃત્રિમ રીતે નિયંત્રિત કરવામાં આવે છે. આ ખેતીમાં માટી ન હોવાથી મૂળિયાં પોષક તત્વોને વધુ ઝડપથી શોષી શકે છે, જેનાથી છોડનો વિકાસ સામાન્ય ખેતી કરતા 30-50% વધુ ઝડપી થાય છે. સામાન્ય ગાંજામાં THC નશાકારક તત્વ 3%થી 5% હોય છે. જ્યારે હાઇડ્રોપોનિક્સમાં તે 25થી 30% સુધી હોઈ શકે છે. તેથી જ તેનો એક કિલોનો ભાવ 35 લાખથી વધુનો હોતો હોય છે. ગિફ્ટ સિટીમાં ગમે ત્યાં દારૂ પીવાની છૂટ ગિફ્ટ સિટીમાં માત્ર ઓળખપત્ર બતાવી શરાબ પી શકશો, ગુજરાત બહારના લોકોને પરમિટમાંથી મુક્તિ. ગાંધીનગરના ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી (GIFT CITY)માં દારૂના સેવનના નિયમોમાં રાજ્ય સરકાર દ્વારા મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા. ગુજરાત બહારના પ્રવાસી અને વિદેશી નાગરિકો માટે ગિફ્ટ સિટીમાં દારૂના સેવન માટે કામચલાઉ પરમિટ ફરજિયાત હતી, જે હવે નાબૂદ કરવામાં આવી છે. હવે આવા પ્રવાસીઓ ફક્ત પોતાનું ઓળખપત્ર બતાવી દારૂ મેળવી શકશે. મહેમાનોની યજમાની કરવા માટે ટેમ્પરરી પરમિટ લેવાની રહેશે અને જે-તે કર્મચારીએ તેની સાથે હાજર રહેવાનું રહેશે. આ લોકોને ગાર્ડન એરિયા, પુલ સાઇડ અને ટેરેસ પર પીવાની છૂટ આપી છે. 2030માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવાનું છે. એે પહેલાં રાજ્ય સરકાર ગિફ્ટ સિટીમાં આપવામાં આવેલી છૂટછાટનો વ્યાપ વધારી શકે છે અને અમદાવાદમાં પણ છૂટ આપી શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 12:05 am

મિડલ ઈસ્ટમાં ‘ઓઈલ યુદ્ધ’ ! ખાર્ગ ટાપુ પર અમેરિકાના હુમલાના જવાબમાં ઈરાને UAEમાં તેલ ટર્મિનલ સળગાવ્યું

Middle East Oil War : મધ્ય-પૂર્વ એશિયામાં ચાલી રહેલું યુદ્ધ હવે વૈશ્વિક ઊર્જા સંકટ તરફ વળી રહ્યું છે. શનિવારે સંયુક્ત આરબ અમીરાતના એક વિશાળ ઓઈલ ટર્મિનલમાં ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટના અમેરિકા દ્વારા ઈરાનના વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના ગણાતા ખાર્ગ દ્વીપ પર કરવામાં આવેલા ભીષણ હુમલાના ગણતરીના કલાકોમાં જ બની છે. યુએઈના દરિયાકાંઠાના શહેર ફુજૈરા તરફથી આકાશમાં કાળા ધુમાડાના ગોટા ઉડતા જોવા મળ્યા હતા. ફુજૈરા શહેર એક મોટું બંદર છે અને તેલના વેપારમાં તેની ભૂમિકા ઘણી મહત્વની છે કારણ કે ત્યાં મોટું નિકાસ ટર્મિનલ આવેલું છે.

ગુજરાત સમાચાર 14 Mar 2026 11:21 pm

ભાવનગર SOGનો સપાટો:ચિત્રામાંથી 1920 બોટલ નશાકારક કફ સીરપના જથ્થા સાથે એક શખસ ઝડપાયો

ભાવનગર શહેરને નશામુક્ત બનાવવા માટે ચાલી રહેલા NO DRUGS IN BHAVNAGAR અભિયાન અંતર્ગત ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ ચિત્રા GIDC વિસ્તારમાંથી 1920 બોટલો કિંમત રૂપિયા આશેર 3 લાખથી વધુના પ્રતિબંધિત કફ સીરપના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે એસઓજી કચેરીએથી મળતી માહિતી મુજબ SOGના પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ચિત્રા GIDC પ્લોટ નંબર 339/1, શોપ નંબર 5 ખાતે દરોડો કરતા દરમિયાન પોલીસને ત્યાંથી ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી અને નશા માટે વપરાતી 'કોડીન ફોસ્ફેટ' યુક્ત કફ સીરપનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેમાં ​કુલ બોટલો 1920 ​કુલ કિંમત રૂપિયા 3,04,128 નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. ​પોલીસે આ ગેરકાયદેસર જથ્થા સાથે ભાવેશ અમોલખભાઈ દુધેલા ઉં.વ.50, રહે.દેવરાજનગર-1, પ્લોટ નં. બી/23 વાળાની ધરપકડ કરી છે, ​આ મામલે આરોપી વિરુદ્ધ NDPS એક્ટની જોગવાઈ મુજબ બોરતળાવ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 10:42 pm

અંબે સ્કૂલ હરણીમાં પ્રિ-પ્રાયમરી ગ્રેજ્યુએશન ડે ઉજવાયો:નાના ભૂલકાઓને સર્ટિફિકેટ આપીને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ અપાયા

વડોદરા: અંબે સ્કૂલ - હરણી (CBSE યુનિટ) ખાતે ૧૪ માર્ચ ૨૦૨૬, શનિવારના રોજ પ્રિ-પ્રાયમરી વિભાગના વિદ્યાર્થીઓ માટે 'ગ્રેજ્યુએશન ડે' (પદવીદાન સમારોહ) ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાના ભૂલકાઓના પ્રિ-સ્કૂલના પ્રવાસને બિરદાવી તેમને પ્રાથમિક શિક્ષણના નવા વિશ્વમાં પ્રવેશવા બદલ શુભેચ્છાઓ પાઠવવાનો હતો. આ ગૌરવશાળી પ્રસંગે અંબે ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન અમિત શાહ, અંબે સ્કૂલ - હરણીના ડાયરેક્ટર ભાવેશા શાહ અને મિત્તલ શાહ, શ્રી અંબે વિદ્યાલયના ડાયરેક્ટર આશિષ શાહ, તેમજ સીનિયર પ્રિન્સિપાલ અને CAO ધીરજ સિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. પ્રેપ-II (Prep II) ના વિદ્યાર્થીઓએ તેમનું પૂર્વ-પ્રાથમિક શિક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હોવાથી, તેમને મહાનુભાવોના હસ્તે 'ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ' એનાયત કરવામાં આવ્યા હતા. આ તકે ચેરમેન શ્રી અમિત શાહ અને અન્ય મહાનુભાવોએ બાળકોને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા. કાર્યક્રમની શરૂઆત પવિત્ર પ્રાર્થના ગીતથી થઈ હતી. ત્યારબાદ પ્રિ-સ્કૂલ અને પ્રેપ-I ના નાના બાળકોએ સુંદર પ્રેરણાત્મક ગીત રજૂ કરીને સૌના દિલ જીતી લીધા હતા. શાળાના આચાર્યશ્રીએ સંસ્થાનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો, જેમાં વર્ષ દરમિયાન થયેલી વિવિધ પ્રવૃત્તિઓ અને પ્રગતિની વિગતો દર્શાવવામાં આવી હતી. જ્યારે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ મંચ પરથી પોતાના અનુભવો વ્યક્ત કર્યા, ત્યારે સમગ્ર વાતાવરણ ભાવુક બની ગયું હતું. કાર્યક્રમના અંતે પ્રેપ-II ના બાળકોની વર્ષભરની સફરને દર્શાવતો એક મેમરી વીડિયો રજૂ કરવામાં આવ્યો, જે જોઈ વાલીઓ અને શિક્ષકો જૂની યાદોમાં ખોવાઈ ગયા હતા. આ યાદગાર સમારોહનું સમાપન શાનદાર ફિનાલે ડાન્સ સાથે થયું.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 10:28 pm

એચ.એ. કોલેજના પૂર્વ વિદ્યાર્થીએ 125મી વાર રક્તદાન કર્યું:60મા જન્મદિવસે કોલેજમાં ફરી રક્તદાન કરી અસાધારણ સિદ્ધિ મેળવી

અનિલ સિંહે પોતાના 60મા જન્મદિવસે એચ.એ. કોલેજમાં ૧૨૫મી વાર રક્તદાન કરીને એક અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સ દ્વારા આ પ્રસંગે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અનિલ સિંહે 1987માં એચ.એ. કોલેજના બીજા વર્ષના વિદ્યાર્થી તરીકે પ્રથમ વખત રક્તદાન કર્યું હતું. ત્યારથી તેઓ એક જવાબદાર નાગરિક તરીકે નિયમિતપણે રક્તદાન કરતા રહ્યા છે. ૪૦ વર્ષના ગાળામાં તેમણે કુલ 124 વખત રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે અનિલ સિંહની સમાજ પ્રત્યેની કૃતજ્ઞતા અને જવાબદારીની ભાવનાને બિરદાવી હતી. તેમણે જણાવ્યું કે 125 વાર રક્તદાન કરવું એ એક મોટી સિદ્ધિ છે. આ અસાધારણ સિદ્ધિ બદલ એચ.એ. કોલેજ દ્વારા અનિલ સિંહને સન્માનપત્ર અને મેમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પોતાનો પ્રતિભાવ આપતા અનિલ સિંહે જણાવ્યું હતું કે બાળપણથી જ તેમનું ધ્યેય સમાજ સેવા કરવાનું હતું. તેમની આ અવિરત સેવાને કારણે કોલેજના અનેક વિદ્યાર્થીઓ રક્તદાન કરવા માટે પ્રેરિત થયા છે.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રોફેસર ચેતન મેવાડાએ કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 10:26 pm

નિઃસ્વાર્થ સેવા આપનારાઓનું સન્માન:આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા ‘અનસંગ એવરીડે હીરોસ એવોર્ડ્સ’ની જાહેરાત

ગત 45 વર્ષોથી માનવતાની સેવા એ આર્ટ ઓફ લિવિંગની ઓળખ રહી છે. નક્સલ પ્રભાવિત ગામોમાં પ્રથમ શાળા શરૂ કરવાની પહેલ હોય, દુષ્કાળથી પીડિત વિસ્તારોમાં નદીઓનું પુનર્જીવન કરવાનો સંકલ્પ હોય, અથવા તણાવ, આઘાત અને કુદરતી આપત્તિઓથી પીડિત સમુદાયોને ફરી સંભાળવાની દિશા બતાવવાનો પ્રયાસ હોય — સંસ્થાના આ તમામ કાર્યોને આગળ વધારવામાં સામાન્ય લોકોની અસાધારણ પ્રતિબદ્ધતા અને સેવા ભાવનાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. માનવતાની સેવા ના આ ૪૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આર્ટ ઓફ લિવિંગ સંસ્થાએ ‘અનસંગ એવરીડે હીરોસ એવોર્ડ્સ’ નામની રાષ્ટ્રવ્યાપી પહેલની જાહેરાત કરી છે. આ પહેલનો હેતુ એવા વ્યક્તિઓને સન્માનિત કરવાનો છે જેમની નિઃસ્વાર્થ સેવા અને સમર્પણ દેશભરના સમુદાયોને સશક્ત બનાવી રહ્યા છે. ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીની પ્રેરણાથી શરૂ કરવામાં આવેલા આ પુરસ્કારોનો હેતુ એવા લોકોના કાર્યને પ્રકાશમાં લાવવાનો છે, જેમનું યોગદાન ઘણીવાર ચર્ચામાં આવતું નથી, પરંતુ જેમના પ્રયત્નોએ પેઢીઓ સુધી લોકોના જીવન પર સકારાત્મક અસર પેદા કરી છે. આ પુરસ્કારના પ્રથમ સંસ્કરણમાં યુવા નેતૃત્વ, રમતગમત ક્ષેત્ર અને ઉદ્યોગ/વ્યવસાય દ્વારા પરોપકાર અને સેવાભાવ (philanthropy) ક્ષેત્રમાં કાર્યરત એવા વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવશે, જે સત્યનિષ્ઠા, નિઃસ્વાર્થ સેવા અને શ્રેષ્ઠતાના મૂલ્યો દ્વારા સમાજને પ્રેરણા આપી રહ્યા છે. આ પહેલનો હેતુ સમાજમાં સકારાત્મકતા, સેવા અને માનવીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે વ્યાપક જનઆંદોલનને પ્રેરિત કરવાનો છે. સંસ્થાનો વિશ્વાસ છે કે જે કોઈ વ્યક્તિ પોતાના સમુદાયની સેવા કરે છે, તે ખરેખર એવો નાયક છે જેને સન્માન મળવું જોઈએ. આ એવોર્ડ માટે નીચે આપેલી લિંક દ્વારા આપ સમાજમાં જે લોકો આ રીતે નિઃસ્વાર્થ ભાવે સેવા આપે છે તેમને નામાંકિત (નોમિનેટ) કરી શકો છો, તેમજ આપ પોતાને પણ સેલ્ફ નોમિનેટ કરી શકો છો, અને આ પ્રક્રિયા સંપૂર્ણપણે નિઃશુલ્ક છે.https://awards.artofliving.org/india/nominate ૧૪ એપ્રિલથી ૩૦ એપ્રિલ ૨૦૨૬ દરમિયાન દેશભરના સમુદાયો એકત્ર થઈ આવા પરિવર્તનકારકોનું વિવિધ જિલ્લાઓ માં સન્માન કરશે. આ એવોર્ડ્સ સાથે સાથે આર્ટ ઓફ લિવિંગના વિવિધ ચેપ્ટર્સ દેશભરમાં અનેક સેવા પ્રવૃત્તિઓનું આયોજન પણ કરશે. તેમાં વૃક્ષારોપણ અભિયાન, મહોલ્લા સ્વચ્છતા અભિયાન, નિઃશુલ્ક આરોગ્ય શિબિર (ખાસ કરીને મહિલાઓના આરોગ્ય અને પોષણ પર કેન્દ્રિત), તેમજ નવચેતના અને બાળચેતના જેવી વર્કશોપ્સનો સમાવેશ થશે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 10:25 pm

રાહી ફાઉન્ડેશન દ્વારા અમરાઈવાડીમાં ખીચડી-છાશનું વિતરણ:800થી વધુ શ્રમજીવી પરિવારોને વેજીટેબલ ખીચડી-મસાલા છાશનો લાભ મળ્યો

રાહી ફાઉન્ડેશન દ્વારા અમરાઈવાડીના ઝટપટ હનુમાન મંદિર પાસે 800થી વધુ શ્રમજીવી પરિવારોને વેજીટેબલ ખીચડી અને મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું. આ ફાઉન્ડેશનના 218મા ખીચડી વિતરણ પ્રોજેક્ટ અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો. આ વિતરણ કાર્યક્રમમાં બાળકો અને મહિલાઓ સહિત 800થી વધુ શ્રમજીવી પરિવારોએ ભોજનનો લાભ લીધો હતો. આ કાર્યક્રમના સહયોગી રાજેશભાઈ અને બેલાબેન પરીખ પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, સ્નેહા શાહ, મહેન્દ્ર પટેલ, જગદીશ પીલુચિયા, વસંતરાવ, જ્યોત્સ્નાબેન, વિજય દલાલ, સ્વપ્નિલ અને બાબુલકાકા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિતરણ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 10:24 pm

બ્રાઇટ સ્કૂલનો રજત જયંતી વાર્ષિક મહોત્સવ યોજાયો:સર સયાજી નગર ગૃહ ખાતે 'અનંતમ કૃષ્ણમૂલ્ય' થીમ પર કાર્યક્રમનું આયોજન

ધ બ્રાઇટ સ્કૂલ દ્વારા તેના રજત જયંતી વર્ષ નિમિત્તે 'અનંતમ કૃષ્ણમૂલ્ય' થીમ પર વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ 14મી માર્ચના રોજ સર સયાજી નગર ગૃહ ખાતે યોજાયો હતો.મહોત્સવની શરૂઆત શાળાના સ્કૂલ રિપોર્ટની રજૂઆતથી થઈ, જેમાં ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન શાળાએ શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક ક્ષેત્રોમાં પ્રાપ્ત કરેલી વિવિધ સિદ્ધિઓ તથા યોજાયેલી પ્રવૃત્તિઓનો વિગતવાર પરિચય આપવામાં આવ્યો.ત્યારબાદ ઇનામ વિતરણ સમારોહ યોજાયો, જેમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને શાળાના પ્રમુખ શ્રી સૌમિલ શાહ અને શાળાના આચાર્યાના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓની મહેનત અને સિદ્ધિઓને વાલીઓ તેમજ ઉપસ્થિત મહેમાનો દ્વારા બિરદાવવામાં આવી હતી.કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલી રંગબેરંગી અને સર્જનાત્મક નૃત્ય પ્રસ્તુતિઓ હતી. આ પ્રસ્તુતિઓ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના શાશ્વત મૂલ્યો — જેમ કે સાહસ, નેતૃત્વ, સર્જનાત્મકતા, આનંદ અને જવાબદારી — ને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા, જે 'અનંતમ કૃષ્ણમૂલ્ય' થીમને જીવંત બનાવતા હતા.આ પ્રસંગે શ્રીમદ્ ભગવદ્ ગીતાના પ્રસિદ્ધ શ્લોક કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન નો સંદેશ પણ પ્રતિબિંબિત થયો. આ શ્લોક મનુષ્યને પોતાના કર્તવ્યનું નિષ્ઠાપૂર્વક પાલન કરવા અને ફળ પ્રત્યે આસક્તિ ન રાખવા પ્રેરણા આપે છે.કાર્યક્રમના અંતે આભારવિધિ બાદ રાષ્ટ્રીય ગાન સાથે સમાપન થયું. સમગ્ર મહોત્સવ દરમિયાન 'અનંતમ કૃષ્ણમૂલ્ય' — એટલે કે જીવનને માર્ગદર્શન આપતા શાશ્વત મૂલ્યો — જે ફાઉન્ડર જયેન્દ્ર શાહના જીવનમાં તેમજ બ્રાઇટ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે અમૂલ્ય છે, તેનું સિંચન છેલ્લા ૨૫ વર્ષથી સતત કરવામાં આવી રહ્યું છે અને ભવિષ્યમાં પણ તે ચાલુ રહેશે તેવો પ્રેરણાદાયક સંદેશ આપવામાં આવ્યો.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 10:23 pm

કડીની કોલેજમાં વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ઉજવાયો:'સેફ પ્રોડક્ટ્સ, કોન્ફિડન્ટ કન્ઝ્યુમર્સ' થીમ પર કાર્યક્રમ યોજાયો

એસ.વી. કોલેજ ઓફ એજ્યુકેશન અને સૂરજબા કોલેજ ઓફ એજ્યુકેશન, કડી ખાતે 14 માર્ચ, 2026 ના રોજ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી. આ વર્ષની થીમ Safe Products, Confident Consumers હતી. આ પ્રસંગે તાલીમાર્થીઓ દ્વારા ગ્રાહકના અધિકારો અને જવાબદારીઓ અંગે પ્રવચનો, લઘુ નાટિકાઓ, ડિબેટ અને કાવ્ય પઠન જેવી વિવિધ પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ડૉ. ભાવિકભાઈ એમ. શાહના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. તેમણે વિદ્યાર્થીઓને સજાગ ગ્રાહક બનવા અને ભવિષ્યમાં શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને ગ્રાહકોના અધિકારોથી વાકેફ કરવા શીખ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંકલન કોમર્સ વિષયના અધ્યાપકો ડૉ. અલકાબેન પંચાલ અને ડૉ. તેજસભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 10:21 pm

ઊંઝાની શ્રી વિ.મ.પટેલ શાળામાં વાલી સંમેલન યોજાયું:વાલીઓએ રમતોત્સવ માણ્યો, બાળકોને વિવિધ પ્રવૃત્તિના ઇનામ અપાયા

ઊંઝાની શ્રી વિ.મ.પટેલ પ્રાથમિક શાળામાં શુક્રવાર, ૧૩ માર્ચના રોજ વાલી સંમેલન અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નવા પ્રવેશ અંગે ચર્ચા અને બીજા સત્રની પ્રવૃત્તિઓની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય કેતનભાઈ પટેલે બીજા સત્ર દરમિયાન થયેલી બાળદિનની ઉજવણી, પિકનિક, પ્રવાસ, બાળમેળો, બાળસભા અને અન્ય શૈક્ષણિક બાબતો અંગે વાલીઓ સાથે ચર્ચા કરી હતી. વાલી સંમેલન બાદ દર વર્ષની પરંપરા મુજબ વાલીઓ માટે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોય-દોરો, કઠોળ વર્ગીકરણ અને દાણા ઉપાડ જેવી ત્રણ રમતોનો સમાવેશ થતો હતો. આ રમતોના વિજેતાઓને શાળા પરિવાર દ્વારા ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, 12 અને 13 માર્ચ એમ બે દિવસ દરમિયાન, વર્ષભરની વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે બાળસભા અને બાળદિનની ઉજવણીના વિજેતા બાળકોને પણ ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય અને સ્ટાફ મિત્રોના સહયોગથી સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 10:20 pm

VNSGU અંગ્રેજી વિભાગે બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજ્યો:'કન્ટેમ્પરરી ટ્રેન્ડ્સ ઇન ઇંગ્લિશ સ્ટડીઝ' વિષય પર ચર્ચા

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)ના અંગ્રેજી વિભાગ દ્વારા 10 અને 11 માર્ચના રોજ બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરાયું હતું. 'કન્ટેમ્પરરી ટ્રેન્ડ્સ ઇન ઇંગ્લિશ સ્ટડીઝ' વિષય પર યોજાયેલા આ પરિસંવાદમાં દેશ-વિદેશના વિદ્વાનો, સંશોધકો અને શિક્ષણવિદોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કુલપતિ ડૉ. કિશોરસિંહ એન. ચાવડાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. કાર્યક્રમનો પ્રારંભ અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડૉ. મહેશકુમાર ડેના સ્વાગત પ્રવચનથી થયો હતો. ત્યારબાદ પરિસંવાદના સમન્વયક ડૉ. સુનીલ શાહે પરિસંવાદના વિષય અને ઉદ્દેશ્ય અંગે પરિચય આપ્યો. કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાએ પોતાના પ્રેરક ઉદબોધનમાં અંગ્રેજી અભ્યાસક્ષેત્રમાં ઉભરી રહેલા નવા પ્રવાહો તથા આધુનિક ટેકનોલોજીના પ્રભાવ પર પ્રકાશ પાડી કાર્યક્રમ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. પરિસંવાદ દરમિયાન અનેક પ્રતિષ્ઠિત વિદ્વાનોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. ડૉ. ડેવિડ પેરોડિને “Rehumanizing English Studies in the Age of Artificial Intelligence” વિષય પર મુખ્ય પ્રવચન આપ્યું હતું. આ ઉપરાંત, ડૉ. દિલીપ બારડ, ડૉ. જેમ્સ સિમ્પસન અને ડૉ. આનંદ મહાનદે પ્લીનરી વ્યાખ્યાનો આપ્યા હતા. એચ.સી. ત્રિવેદી મેમોરિયલ લેકચર તરીકે ડૉ. કલ્પના પુરોહિતે “Retellings of Myth” વિષય પર વિશેષ વ્યાખ્યાન આપ્યું હતું. આ પરિસંવાદમાં હોંગકોંગ, થાઈલેન્ડ તેમજ ભારતના મધ્યપ્રદેશ, કેરળ અને ગુજરાત જેવા વિવિધ રાજ્યોમાંથી સંશોધકો જોડાયા હતા. આ વૈવિધ્યપૂર્ણ ઉપસ્થિતિના કારણે શૈક્ષણિક આદાન-પ્રદાનને નવી દિશા મળી અને ભારતીય તેમજ વૈશ્વિક સાહિત્યિક પરંપરાઓ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા થઈ. બે દિવસીય પરિસંવાદ દરમિયાન કુલ ૧૩૦ સંશોધનાર્થીઓ હાજર રહ્યા હતા, જેમાંથી ૧૦૩ સંશોધનાર્થીઓએ સંશોધનપત્રો રજૂ કર્યા હતા. રજૂ થયેલા સંશોધનપત્રોમાં રોજગારલક્ષી અંગ્રેજી, અંગ્રેજી શિક્ષણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ યુગમાં અંગ્રેજી, બહુભાષી સંદર્ભમાં ભાષા પ્રાપ્તિ, AI અને સાહિત્યિક પ્રકારોનો વિકાસ તથા સર્જનાત્મક લેખન માટે AI જેવા આધુનિક વિષયોનો સમાવેશ થયો હતો. ઉપરાંત ઉત્તર-સંસ્થાનવાદી સાહિત્યનું પુનઃવાંચન, તુલનાત્મક અને વિશ્વ સાહિત્ય જેવા વિષયો પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સમાપન સમારોહમાં ડૉ. મનીષ સિદ્ધપુરિયાએ અધ્યક્ષસ્થાનેથી સાહિત્ય અને ભાષા અભ્યાસની પ્રસ્તુતતા પર ભાર મૂક્યો અને સફળ આયોજન બદલ અંગ્રેજી વિભાગની પ્રશંસા કરી. કાર્યક્રમના અંતે ડૉ. સુનીલ શાહે આભારવિધિ કરી તમામ વક્તાઓ, સંશોધકો અને સહભાગીઓનો આભાર વ્યક્ત કર્યો. પ્રોફેસર સુનીલ શાહના સંકલન હેઠળ યોજાયેલ આ પરિસંવાદ સાહિત્ય, સંસ્કૃતિ અને ભાષા અભ્યાસ માટે એક મહત્વપૂર્ણ બૌદ્ધિક મંચ સાબિત થયો.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 10:19 pm

સંઘપ્રદેશમાં ગરમીનો પ્રકોપ, આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી:નવજાત શિશુઓ, વૃદ્ધો અને શ્રમજીવીઓ માટે ખાસ સૂચનો

સંઘપ્રદેશમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે, જે આગામી દિવસોમાં પણ યથાવત રહેવાની સંભાવના છે. આ વધતી ગરમી લોકોના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરી શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર ડિપાર્ટમેન્ટના જોઈન્ટ સેક્રેટરીએ લોકોને ગરમીથી બચવા માટે ખાસ તકેદારી રાખવા અપીલ કરી છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ, ગરમીની સૌથી વધુ અસર નવજાત શિશુઓ, બાળકો, સગર્ભા મહિલાઓ અને વડીલો પર થાય છે. આ ઉપરાંત, મજૂરો, ખેડૂતો, રસ્તા અને નિર્માણ કાર્યમાં જોડાયેલા કર્મીઓ, ખેલાડીઓ, સૈનિકો અને પોલીસ જવાનો જેવા જે વ્યક્તિઓ સીધા તડકામાં લાંબા સમય સુધી કામ કરે છે, તેમને પણ હીટસ્ટ્રોકનું જોખમ રહેલું છે. લાંબા સમય સુધી ગરમીના સંપર્કમાં રહેવાથી હીટસ્ટ્રોક થઈ શકે છે. તેના મુખ્ય લક્ષણોમાં શરીરનું તાપમાન ૧૦૪ ડિગ્રી ફેરનહીટથી ઉપર જવું, સખત માથું દુઃખવું, ચક્કર આવવા, પરસેવો ઓછો થવો, ત્વચા લાલ, ગરમ અને શુષ્ક થઈ જવી વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સ્નાયુઓમાં નબળાઈ, ઉબકા-ઉલટી, સુસ્તી, હૃદયના ધબકારા તેજ થવા, શ્વાસ ચઢવો, માનસિક ભ્રમ અને બેહોશી જેવા ગંભીર લક્ષણો પણ જોવા મળી શકે છે. ગરમીના પ્રકોપથી બચવા માટે પ્રશાસને કેટલાક સૂચનો કર્યા છે. જેમાં વધુ પ્રમાણમાં પાણી પીવું અને શક્ય હોય ત્યાં સુધી ઘરમાં અથવા છાંયડામાં રહેવાની સલાહ અપાઈ છે. જો બહાર નીકળવું અનિવાર્ય હોય તો છત્રી કે ટોપીનો ઉપયોગ કરવો. આછા રંગના, હલકા અને સુતરાઉ ઢીલા કપડાં પહેરવા તેમજ તડકાથી બચવા માટે માથું અને ચહેરો કપડાં કે સ્કાર્ફથી ઢાંકવો.ગરમીના દિવસોમાં લીંબુ પાણી, છાશ અથવા નારિયેળ પાણીનું વધુ સેવન કરવું જોઈએ. આહારમાં લીલા શાકભાજી અને ફળોનો ઉપયોગ વધારવાની પણ ભલામણ કરાઈ છે. આરોગ્ય વિભાગે લોકોને સોફ્ટ ડ્રિંક્સ, દારૂ અને અન્ય નશીલા પદાર્થોનું સેવન ટાળવા અપીલ કરી છે.ભરબપોરે કાળઝાળ ગરમીમાં ઘરમાંથી બહાર ન નીકળવું અને તડકામાં વધુ શારીરિક શ્રમવાળા કામ ટાળવા. ખાસ કરીને બાળકો, સગર્ભા મહિલાઓ અને વડીલોએ બપોરના સમયે ઘરની અંદર જ રહેવું હિતાવહ છે. આ સૂચનોનું પાલન કરીને આપણે પોતાને અને પરિવારને ગરમીની ગંભીર અસરોથી સુરક્ષિત રાખી શકીએ છીએ.સ્વાસ્થ્ય સંબંધિત વધુ માહિતી અથવા કટોકટી માટે ટોલ-ફ્રી નંબર ૧૦૪ પર સંપર્ક કરવા અથવા નજીકના સ્વાસ્થ્ય અધિકારીની સલાહ લેવા જણાવાયું છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 9:59 pm

ગોધરા સ્મશાનગૃહને ચાર મિત્રોએ ત્રણ નવી સગડીઓ અર્પણ કરી:તબીબ સહિતે સ્વખર્ચે સુવિધાઓ પૂરી પાડી

ગોધરા શહેરના બહારપૂરા વિસ્તારમાં આવેલા સ્મશાનગૃહને ચાર સેવાભાવી મિત્રો દ્વારા ત્રણ નવી લાકડાવાળી સગડીઓ અર્પણ કરવામાં આવી છે. આ મિત્રોએ પોતાના ખર્ચે આ સગડીઓ તૈયાર કરાવી સ્મશાનગૃહમાં સુવિધા વધારી છે. શહેરના પ્રકાશ દીક્ષિત, ડૉ. શ્યામસુંદર શર્મા, પપ્પીભાઈ અને તેમના એક અન્ય મિત્રએ સ્મશાનગૃહની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને આ પહેલ કરી હતી. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય અંતિમ વિધિ માટે આવતા પરિવારોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવાનો હતો. આ ચારેય મિત્રોએ માત્ર આર્થિક સહયોગ જ નહીં, પરંતુ પોતાની જાત મહેનતથી આ ત્રણ નવી લાકડાવાળી સગડીઓ તૈયાર કરાવી હતી. ત્યારબાદ, આ સગડીઓ સ્મશાનગૃહને અર્પણ કરવામાં આવી. આ નવી સુવિધાથી અંતિમ વિધિ માટે આવતા પરિવારોને પૂરતી સગવડ મળશે. આ ઉપરાંત, મૃતદેહનું સન્માન જળવાઈ રહેશે અને સ્મશાનગૃહમાં વ્યવસ્થા વધુ સુચારૂ બનશે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 9:57 pm

ગાંધીનગર લોક અદાલતમાં 21 હજારથી વધૂ કેસોનો નિકાલ:અકસ્માત વળતરમાં એક જ પરિવારને 1.20 કરોડ ચૂકવાયા, સંવેદનશીલ કેસોમાં પણ પક્ષકારોએ કડવાશ ભૂલીને સંમતિ સાધી

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના આદેશ અને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર જિલ્લામાં આયોજિત 'નેશનલ લોક અદાલત' ન્યાયિક ઇતિહાસમાં એક મહત્વની સાબિત થઈ છે. પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ આશિષ જે. એસ. મલ્હોત્રાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ અદાલતમાં પરસ્પર સમજાવટ અને મધ્યસ્થી દ્વારા એક જ દિવસમાં વિક્રમજનક 21,801 કેસોનો સુખદ અંત લાવવામાં આવ્યો છે. એક જ વર્ષના ટૂંકા ગાળામાં ન્યાય મળ્યોઆ લોક અદાલતની સૌથી મોટી સફળતા મોટર અકસ્માત વળતરના કિસ્સાઓમાં જોવા મળી હતી. ઉવારસદ પાસે આઈશર ટ્રકની અડફેટે જીવ ગુમાવનાર સેલ્સ મેનેજરના પરિવારને વર્ષ 2025માં નોંધાયેલા કેસમાં માત્ર એક જ વર્ષના ટૂંકા ગાળામાં ન્યાય અપાયો છે. 1.20 કરોડનો ચેક અર્પણ કરાયોજેમાં ટાટા એઆઈજી જનરલ ઇન્શયુરન્સ કંપની દ્વારા આ કેસમાં વારસદારોને એક કરોડ વીસ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. વકીલ એમ.જે. પરીખ અને એચ.બી. શાહના સક્રિય પ્રયાસોથી આટલી મોટી રકમનું સમાધાન શક્ય બન્યું હતું, જે ઝડપી ન્યાયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. સ્પેશિયલ સીટિંગ દ્વારા 3,585 ફોજદારી કેસોનો નિકાલસમગ્ર જિલ્લામાં વિવિધ શ્રેણીના કેસોમાં સમાધાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં લોક અદાલત પૂર્વેના 17,355 કેસો અને સ્પેશિયલ સીટિંગ દ્વારા 3,585 ફોજદારી કેસોનો નિકાલ કરાયો હતો. જ્યારે અકસ્માત વળતરના કુલ 275 કેસોમાં પક્ષકારો વચ્ચે કુલ રૂ. 6,05,47,000 ના વળતરની સમજૂતી થઈ હતી. સંવેદનશીલ કેસોમાં પણ પક્ષકારોએ કડવાશ ભૂલીને સંમતિ સાધી આ ઉપરાંત ચેક રિટર્ન, લગ્ન વિષયક વિવાદો અને જમીન સંપાદન જેવા સંવેદનશીલ કેસોમાં પણ પક્ષકારોએ કડવાશ ભૂલીને સંમતિ સાધી હતી. આમ ગાંધીનગર જિલ્લાના તમામ બાર એસોસીએશન, જ્યુડિશિયલ ઓફિસરો અને મીડિએટરોની અથાગ મહેનતને પરિણામે અદાલતી કાર્યવાહીમાં પક્ષકારોના સમય અને નાણાંની મોટી બચત થઈ છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 9:57 pm

સોના - ચાંદીના દાગીના ગાળવાની ભઠ્ઠીમાં આગ:રાજકોટના પેલેસ રોડ પરના કોમ્પલેક્ષના ત્રીજા માળે આગથી ભય, યુવાન દાઝી જતા હોસ્પિટલમાં દાખલ

રાજકોટ શહેરના પેલેસ રોડ પર આવેલા સિટી સેન્ટર કોમ્પ્લેક્સના ત્રીજા માળે સોના- ચાંદીના દાગીના બનાવનારા વેપારીને ત્યાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આગના કારણે એક વ્યક્તિના હાથ દાઝી ગયા હતા. જેથી તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. અહીં સોનુ ગાળવા માટેની ભઠ્ઠી હતી અને તેના માટે ગેસના સિલિન્ડરનો ઉપયોગ થતો હતો. જેમાં લીકેજના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. જોકે પોલીસે FSL ની મદદથી વધુ તપાસ હાથ ધરી છે. એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ બી. વી. બોરીસાગરે જણાવ્યું હતું કે, તા.14 માર્ચના સાંજના 7.30 વાગ્યાના અરસામાં સિટી સેન્ટર કોમ્પ્લેક્સના ત્રીજા માળે રવજીભાઈ ધાણક નામના વેપારીની પેઢીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. સમગ્ર ઘટનામાં વત્સલ ધાણક નામના વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર અર્થે 108 મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલાની જાણ કનક રોડ ફાયર બ્રિગેડ સ્ટેશનને થતા તાત્કાલિક અસરથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળ ખાતે દોડી આવ્યો હતો તેમજ તાત્કાલિક અસરથી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા એ ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળ ખાતે દોડી ગયો હતો. પેઢી ખાતે સોના ચાંદીના દાગીના બનાવવાનું કામકાજ થતું હતું. સોનુ ગાળવા માટે ભઠ્ઠી પણ કાર્યરત હતી ત્યારે કોઈ કારણોસર ગેસના બાટલામાં લીકેજના કારણે આગની ઘટના બની હોવાની શક્યતા સેવવામાં આવી રહી છે. પોલીસ દ્વારા એફએસએલની મદદ લઈ આગ લાગવા પાછળનું સાચું કારણ શું છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 9:57 pm

મેઘરજના ભાજપ નેતા મહેશ ઉપાધ્યાયનું નિધન:મોડાસાના શીણાવાડ પાસે માર્ગ અકસ્માતમાં મોત થયું

મોડાસાના શીણાવાડ GIDC પાસે માર્ગ અકસ્માતમાં મેઘરજના ભાજપ અગ્રણી મહેશ ઉપાધ્યાયનું નિધન થયું છે. તેઓ જિલ્લા યુવા ભાજપ મંત્રી અને પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય હતા. પ્રાથમિક માહિતી અનુસાર, મહેશ ઉપાધ્યાય પોતાના કામકાજ અર્થે એક્ટિવા પર મોડાસા ગયા હતા. શીણાવાડ GIDC નજીક તેમનું એક્ટિવા અચાનક ઝાડ સાથે અથડાયું હતું. આ ઘટનામાં તેમને કપાળમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને સ્થળ પર જ ઢળી પડ્યા હતા. અકસ્માતની જાણ થતાં આસપાસના વાહનચાલકો અને રાહદારીઓ ઘટનાસ્થળે એકઠા થયા હતા. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. જોકે, ફરજ પરના તબીબે મહેશ ઉપાધ્યાયને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં પરિવારજનો સહિત મોડાસા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોડાસા ખસેડ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ, ગરમીના કારણે ચાલુ એક્ટિવા પર ચક્કર આવી જતાં આ અકસ્માત સર્જાયો હોઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 9:48 pm

2026ની પ્રથમ લોક-અદાલત, 5.77 લાખ સમાધાન પાત્ર કેસોના નિકાલનો દાવો:ટ્રાફિક ઇ ચલણના 6.48 લાખ કેસોમાં 50.48 કરોડનો દંડ મળ્યો

વર્ષ 2026ના વર્ષની પહેલી રાષ્ટ્રીય લોક અદાલતનું સમગ્ર રાજ્યમાં આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ લોક અદાલતમાં, પેન્ડિંગ મોટર અકસ્માતના વળતરને લગતા, દિવાની દાવાઓ, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ચેક પરતને લગતી ફોજદારી તકરારો, માત્ર દંડની શિક્ષાપાત્ર કેસો, દાંપત્ય જીવનને લગતી તકરરો તથા ઔધ્યોગિક તકરરો વિગેરે સ્વરૂપના આશરે 6.67 લાખ જેટલા કેસો સમાધાન માટે મૂકવામાં આવેલ. જે પૈકી 5.77 લાખ જેટલા કેસોનો નિવેડો આવેલ અને આશરે રૂપિયા 3063 કરોડના એવોર્ડ દોરવામાં આવ્યા હતાં. કુલ 13.98 લાખ પૂર્વ અને પોસ્ટ-લિટિગેશન કેસોનો નિકાલ કરવામાં આવ્યો અને 3209 કરોડના એવોર્ડ પસાર કરવામાં આવ્યા હતા. ઇ-ચલણના કુલ 6.48 લાખ કેસો પૂરાઆ ઉપરાંત રાજ્યના કુલ 8.21 લાખ પ્રિ-લિટીગેશન કેસોમાં પણ લોક અદાલત થકી સમાધાન થયેલ છે અને રૂપિયા 116.78 કરોડના એવોર્ડ દોરવામાં આવેલ છે. ઇ-ચલણના કુલ 6.48 લાખ કેસો પૂરા થયા હતાં જેનાથી રૂપિયા 50.48 કરોડ વસૂલી શકાયેલ. રાજ્યભરની અદાલતોમાં પેન્ડિંગ દાંપત્ય જીવનને લગતી 3581 તકરારોનો પણ લોક અદાલતથી અંત આવેલ છે. 10 વર્ષ જૂના 764 કેસોનો સુખદ નિવેડો ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના કારોબારી અધ્યક્ષના અથાગ પ્રયાસના ભાગરૂપ રાજ્યભરની તમામ અદાલતોમાં યોજાયેલ મધ્યસ્થી એટલે કે કંસીલીએશનની વ્યવસ્થાના લાભના કારણે 10 વર્ષ જૂના 764 કેસોનો સુખદ નિવેડો આવેલ છે. ટારગેટેડ કુલ 6655 કેસો લોક અદાલતમાં ફેસલ કરવામાં આવેલા છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 9:44 pm

શું તમારા ઘરમાં LPG સિલિન્ડર છે કે ગેસ પાઈપલાઈન ? જાણો કેન્દ્ર સરકારે જાહેર કર્યા નવા આદેશ

New LPG-PNG Rules : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાનના યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાય પર ગંભીર સંકત ઉભું થયું છે. સ્થિતિ એવી છે કે, તેની અસર ભારત પર પણ જોવા મળી છે. કેન્દ્ર સરકાર વારંવાર કહી રહી છે કે, દેશ પાસે ક્રૂડ ઓઈલ અને ગેસનો પુરતો સ્ટોક છે, છતાં અનેક રાજ્યોમાં LPG સિલિન્ડર લેવા માટે નાગરિકો લાઈન લગાવી રહ્યા છે. એટલું જ નહીં જરૂર ન હોવા છતાં લોકો સિલિન્ડરનું બુકિંગ પણ કરાવી રહ્યા છે, જેના કારણે વર્તમાન સ્થિતિમાં બુકિંગના આંકડાઓમાં ધરખમ વધારો થયો છે. યુદ્ધના કારણે ગેસ સપ્લાય પર અસર થઈ છે, જોકે સરકાર તેની અસર ઘટાડવા માટે તમામ ઉપાયોગ કરી રહી છે. આ જ ક્રમમાં પેટ્રોલિયમ મંત્રાલયે LPG સિલિન્ડર અને ગેસ પાઈપલાઈન અંગે નવો આદેશ જાહેર કર્યો છે.

ગુજરાત સમાચાર 14 Mar 2026 9:43 pm

વીમા અધિકારી બની ગઠિયાએ વૃદ્ધ પાસેથી 19.5 લાખ પડાવ્યા:વિશ્વાસ જીતવા 8 મહિના સુધી 13 હજાર પેન્શન આપ્યું, રૂપિયા પરત ન કરતા વૃદ્ધે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી

અમદાવાદ શહેરમાં સાયબર ઠગાઈનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોલા વિસ્તારમાં રહેતા 75 વર્ષીય વૃદ્ધને ગઠિયાઓએ લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીના અધિકારી તરીકે ઓળખ આપી પહેલા 25 લાખની અનક્લેમ્ડ વીમા રકમ આપવાની લાલચ આપી હતી. બાદમાં IPOમાં રોકાણ કરાવવાના બહાને વિવિધ ચાર્જ, GST અને પ્રોસેસિંગ ફીના નામે કુલ 20.09 લાખ રૂપિયા પડાવ્યા હતા. જેમાંથી માત્ર 1.04 લાખ પરત આપ્યા બાદ ગઠિયાઓએ 19.05 લાખની છેતરપિંડી કરી હતી. જે બાદ રૂપિયા પરત ન મળતા વૃદ્ધને છેતરપિંડી થઈ હોવાની શંકા થઈ હતી. જેથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. સોલાના વૃદ્ધ સાથે 19.05 લાખની છેતરપિંડીસોલા વિસ્તારમાં રહેતા 75 વર્ષીય વૃદ્ધ સાયબર ઠગોનો ભોગ બન્યા છે. ગઠિયાઓએ લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીના અધિકારી તરીકે ઓળખ આપી પહેલા વિશ્વાસ જીત્યો અને બાદમાં IPOમાં રોકાણના બહાને લાખો રૂપિયા પડાવી લીધા. વૃદ્ધ કેમિકલના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. વર્ષ 2022માં તેમને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતે વીમા કંપનીમાંથી બોલતો હોવાનું કહી નવી વીમા પોલિસી અંગે માહિતી આપી હતી. વાતચીત દરમિયાન વૃદ્ધે વિશ્વાસ રાખીને પોલિસી લેવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી. થોડા સમય બાદ એક વ્યક્તિ તેમના ઘરે આવી જરૂરી ડોક્યુમેન્ટ તથા ચેક લઈ ગયો હતો. વીમા સલાહકાર અને ઉચ્ચ અધિકારી હોવાનું કહી ઓળખ આપી ફસાવ્યાવર્ષ 2023માં ફરી એકવાર વૃદ્ધને ફોન આવ્યો હતો. આ વખતે ફોન કરનાર શખ્સે પોતે સરકારના વીમા સલાહકાર અને ઉચ્ચ અધિકારી હોવાનું કહી ઓળખ આપી હતી. તેણે વૃદ્ધને જણાવ્યું હતું કે તેમના નામે અનક્લેમ્ડ વીમાની રકમ રિઝર્વ ફંડમાં પડી છે અને તે રકમ આશરે 25 લાખ રૂપિયા થાય છે. રકમ મેળવવા માટે પહેલા 10 ટકા ચાર્જ ભરવો પડશે તેવી વાત કરી ગઠિયાએ વૃદ્ધનો વિશ્વાસ જીત્યો હતો. દર મહિને આશરે 13 હજાર રૂપિયા પેન્શન આપ્યાત્યારબાદ વધુ નફો મળશે તેવી લાલચ આપીને IPOમાં રોકાણ કરવાની સલાહ આપી હતી. ગઠિયાઓની વાતોમાં આવીને વૃદ્ધે પૈસા ટ્રાન્સફર કરવાનું શરૂ કર્યું હતું. વૃદ્ધનો વિશ્વાસ જીતવા માટે ગઠિયાઓએ વૃદ્ધને દર મહિને આશરે 13 હજાર રૂપિયા પેન્શન તરીકે આપવાનું શરૂ કર્યું હતું. વૃદ્ધને છેતરપિંડી થઈ હોવાની જાણ ને ફરિયાદ નોંધાઈ8 મહિના સુધી રકમ મળતા વૃદ્ધને કોઈ શંકા ગઈ નહતી. પરંતુ બાદમાં IPO એલોટમેન્ટ, GST, પ્રોસેસિંગ ફી અને અન્ય વિવિધ કારણો બતાવીને ગઠિયાઓએ વારંવાર પૈસા માંગવાનું શરૂ કર્યું હતું. જુદી જુદી રીતે વૃદ્ધ પાસેથી કુલ 20.09 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જેમાંથી માત્ર 1.04 લાખ રૂપિયા પરત આપ્યા હતા જ્યારે બાકીના 19.05 લાખ રૂપિયા પરત ન મળતા વૃદ્ધને છેતરપિંડી થઈ હોવાની શંકા ગઈ હતી. જેથી વૃદ્ધે અજાણ્યા શખ્સો સામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 9:33 pm

વેપારીને પર્સનલ CA એ જ દગો દીધો:રાજકોટમાં મહાવીર પેઢીના સંચાલક સાથે રૂ.57.10 લાખની છેતરપિંડી, પિસ્તોલ - કારતૂસ સાથે શખ્સ ઝડપાયો, સાસરિયાના ત્રાસથી પરિણીતાનો આપઘાતનો પ્રયાસ

તમે તમારા પર્સનલ CA રાખ્યા હોય તો ચેતી જજો કારણકે રાજકોટમાં વેપારીને મળેલી લોનના રૂ.57.10 લાખ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે જ વાપરી નાખ્યાની ઘટના બની છે. મહાવીર ટ્રેડિંગ પેઢીના સંચાલકે પોતાના CA સામે પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. શહેરના કોઠારીયા રોડ પર રહેતાં નિતિનભાઈ સાવલીયા (ઉ.વ.42) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જતીન જાજલનું નામ આપતા જણાવ્યુ હતુ કે, પોતાને મહાવિર ટ્રેડીંગ કંપની નામથી પ્રોપરાઇટર પેઢી છે. જતીનભાઈ વર્ષ 2014 થી CA છે અને આઇટી રિર્ટન ફાઇલ કરવાનું નિયમીત રીતે કામ કરતા હતા. ફરીયાદી પોતાની પેઢીનાં રબ્બર સ્ટેમ્પ તથા લેટર પેડ તથા ડીજીટલ સીગ્નેચર,પરીવારના સભ્યોનાં પાનકાર્ડ, આધારકાર્ડ, બેન્ક ખાતાને લગતા જરૂરી દસ્તાવેજો આરોપી CA ની ઓફીસે વિશ્વાસથી રાખતા હતા.આ દરમિયાન વર્ષ 2020 માં નીતિનભાઈને કઠોળનો ઓટોમેટીક કલીનિંગ પ્રોસેસીંગ પ્લાન્ટ કરવાનો હોય જે બાબતે લોન કરવા માટે વાત કરી હતી. જે બાદ શહેરના રણછોડ નગરમાં આવેલી એક્સિસ બેન્ક ની બ્રાન્ચમાંથી રૂ.50 લાખ ટર્મ લોન તથા રૂ.20 લાખની સી.સી. લોન મંજુર થઈ હતી. જે બાદ ફરીયાદીનાં બેંક એકાઉન્ટમાંથી મશીનરીનાં રૂ.68 લાખ હાર્દીક ઇન્ડસ્ટ્રીઝના એકાઉન્ટમાં જમા થયા હતા. આમ છતા આ ફરીયાદીને કઠોળનો ઓટોમેટીક કલીનિંગ પ્રોસેસીંગ પ્લાન્ટની મશીનરી હાર્દીક ઇન્ડસ્ટ્રીઝમાંથી મળેલ નહીં. જેથી મશીનરી અપાવો અથવા લોન કેન્સલ કરાવો તેવું કહેતા CA એ કહ્યું કે, તમારા પત્ની ગીતાબેન તથા તમારા સાળા નિલેશભાઇ ગજેરાની એકાઉન્ટની જુની ઇન્કમટેકસની રૂ.50 લાખની એન્ટ્રી સુલટાવો બાદ તમને મશીનરી અપાવીશ. જેથી આરોપી જતીનના કહેવાથી ફરીયાદીએ પત્ની તથા સાળાની ઇન્કમટ્રેકસની જુની એન્ટ્રી સુલટાવવા સારૂ હાર્દીક ઇન્ડસ્ટ્રીઝના એકાઉન્ટમાંથી રૂ.57.50 લાખ જમા થયા હતા. જે બાદ તે રૂપીયામાંથી ફરીયાદીએ તેની પત્ની ગીતાબેનનાં એકાઉન્ટમાં રૂ.20 લાખ તથા સાળા નિલેશભાઈ ગજેરાનાં એકાઉન્ટમાં રૂ.16.60 લાખ જમા કરાવ્યા હતાં. જે રૂપીયા આરોપીનાં કહેવા મુજબ તેના અલગ અલગ પરીચીતો અને સબંધીઓનાં બેંક એકાઉન્ટમાં કટકે કટકે ટ્રાન્સફર કરેલ હતા. જે બાદ પણ વેપારીને મશીનરી અપાવી નહીં. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે વેપારીની અગાઉથી લીધેલી સહી વાળા કોરા કાગળોમાં બોગસ લખાણ લખ્યું હતું અને વેપારીની પેઢીનો સ્ટેમ્પ મારી કેન્સલેશન ઓફ મશીન ઓર્ડરનો બોગસ લેટર બનાવ્યો હતો. જે બનાવટી બોગસ દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કરી ફરીયાદીના લોનના રૂ. 57.10 લાખ ઓળવી ગયા. જે અંગે FIR નોંધાતા પોલીસે ભેજાબાજ CA ને ઝડપી લેવા તપાસ તેજ કરી છે. દેશી બનાવટની 2 પિસ્તોલ, 5 જીવતા કારતૂસ સાથે શખ્સની ધરપકડ રાજકોટમાં દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે એક શખ્સને SOG પોલીસે ઝડપી પાડ્યો છે. શહેરના કોઠારીયા રોડ ઉપર રહેતા અને ડ્રાઇવિંગ કરતા 45 વર્ષીય સંજય ભીખુ ભૂપ્તાને પોલીસે દેશી બનાવટની 2 પિસ્તોલ, 5 જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે. આ શખ્સ સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન, ભક્તિનગર અને ઉપલેટા પોલીસ મથકમાં ગૂનો નોંધાઈ ચૂક્યો છે. આ શખ્સે કોની પાસેથી આ હથિયાર લીધું અને શા માટે પોતાની પાસે રાખ્યું હતું ? કોને આ હથિયાર આપવાનો હતો તથા તેનો શા માટે ઉપયોગ કરવાનો હતો જે અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. પૂર્વ ભાગીદારે પ્રૌઢને ગેરેન્ટર તરીકે રાખી રૂ.25 લાખની લોન લીધી કેશોદમાં રહેતા પ્રૌઢે જસદણમાં રહેતા પૂર્વે ભાગીદાર વિરૂધ્ધ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પ્રૌઢની જાણ બહાર તેમની સહિ કરી ટોપઅપ લોનમાં તેમને ગેરેન્ટર તરીકે રાખી રૂ. 25 લાખની લોન લઇ લીધી હતી. હપ્તા ચૂકાઇ ગયાનો મેસેજ મળ્યા બાદ આ કારસ્તાનનો ભાંડાફોડ થયો હતો. કેશોદમાં રહેતા અને ત્યાં જ કમ્પ્યુટરની સંસ્થા ચલાવનાર બીપીનભાઈ જયંતીલાલ પંડ્યા (ઉ.વ.54) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જસદણના અક્ષર ઉર્ફે અક્ષય લાલજી છાયાણી અને રાજકોટમાં અયોધ્યા ચોક પાસે આવેલ જે.એમ. ફાઇનાન્સિયલ લી.ના જવાબદાર કર્મચારી તથા એજન્ટનું નામ આપી જણાવ્યું હતું કે, તેની પુત્રી રાજવી વડોદરામાં ગેમ એન્ડ ડિઝાઇનિંગનો અભ્યાસ કરતી હતી જેથી તે વડોદરા અવરજવર કરતા હતા. વડોદરામાં અશ્વિનભાઈની રેસ્ટોરન્ટે જતા ત્યારે અક્ષરની મુલાકાત થઈ હતી. જે પછી તેની સાથે મળી ભાગીદારીમાં એક બંગલો લઈ પીજી શરૂ કર્યું હતું. 2025 માં ભાગીદારી છૂટી કરી નાખી હતી. ભાગીદારી છૂટી કર્યાના થોડા દિવસો બાદ રાજકોટની જે.એમ. ફાઇનાન્સમાંથી અક્ષર હપ્તો ચૂકી ગયાનો મેસેજ આવ્યો હતો. આ બાબતે ફરિયાદી અક્ષરને પૂછતા તેણે કહ્યું હતું કે, ખાલી ઓળખાણમાં નામ આપ્યું છે. જોકે બાદમાં ફરિયાદીએ અમદાવાદ સ્થિત ફાઇનાન્સ કંપનીની બ્રાન્ચમાં તપાસ કરતા અક્ષર ઉર્ફે અક્ષય લાલજી છાયાણી,લાલજીએ તથા હંસાબેન છાયાણીએ પોતે લીધેલ લોનમાં ટોપઅપ લોન કરાવવા ગેરેન્ટર તરીકે ફરિયાદીની ખોટી સહીઓ તા. 2/8/2025 ના ડોક્યુમેન્ટ ફરિયાદીની જાણ બહાર જે.એમ. ફાઇનાન્સિયલની ઓફીસ ખાતે રજુ કર્યાનું માલુમ પડ્યું હતું. ફરિયાદીએ બાદમાં અયોધ્યા સર્કલ પાસે વિરલ હાઇટ્સમાં આવેલી જે.એમ.ફાઇનાન્સની ઓફિસે જઈ તપાસ કરતા રૂ.12.90 લાખ અને રૂ.12.10 લાખ મળી 25 લાખની લોન અક્ષરે આ ડોક્યુમેન્ટના આધારે લઈ લીધી હોવાનું માલુમ પડ્યું હતું.જેથી પ્રૌઢે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વડાળી ગામે બંધ મકાનમાંથી રૂ.4.07 લાખની ચોરી રાજકોટ-ભાવનગર રોડ પર આવેલા વડાળી ગામે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લોકરમાંથી રોકડ રૂ. 4 લાખ, બે ચાંદીના સિક્કા સહિત રૂ.4.07 લાખની મત્તા ચોરી કરી ગયાનો બનાવ બન્યો છે. ગોંડલ રોડ પર પુનિતનગર શેરી નંબર ત્રણ આશાપુરા નિવાસમાં રહેતા મૂળ વડાળી ગામના વતની વિરેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા (ઉ.વ.41) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે તેમને પિતાની માલિકીની જમીન વડાળી ગામે આવેલી છે. વાડીએ મકાન છે. ગત તા. 10/3 ના રોજ બપોરના તેઓ અહીં ગયા હતા ત્યારે તેમણે મકાનમા લોકરમાં ચાર લાખ રોકડ અને ગીફટમાં મળેલા ચાંદીના સિક્કા રાખ્યા હતા. બાદમાં 13 માર્ચે ફરિયાદી અહીં વડાળી ગામે આવેલા પોતાના ઘરે આવતા મકાનના તાળા તૂટેલા હતા. તપાસ કરતા લોકર તોડી તેની અંદર રાખેલ રોકડ રૂ.4 લાખ, બે ચાંદીના સિક્કા, એક ચાંદીનો હાથમાં પહેરવાનો પંજો, એક બલોયુ સહિત 25 ગ્રામ ચાંદી કિં.રૂ.1000 મળી કુલ રૂપિયા 4.07 લાખની મત્તા ચોરી થઈ ગઈ હતી. જેથી તેમણે આ અંગે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે કાર ઠોકરે રિક્ષામાં લગ્ન પ્રસંગથી પરત આવતા 5 ને ઈજા હીરાસર એરપોર્ટ પાસે રાજકોટ અમદાવાદ હાઇવે પર કારે રીક્ષાને ઠોકર મારી હતી. જેમાં લગ્ન પ્રસંગેથી પરત આવતા ઉમરસોડ ગામના પરિવારનાં પાંચ લોકોને ઈજા થઈ હતી.બામણબોર નજીમ ઉમરસોડ ગામે રહેતા જેસિંગભાઈ ભગાભાઈ બાવરીયા (ઉંમર વર્ષ 35), તેમના પત્ની શારદાબેન (ઉં.વ. 32), પુત્રી પ્રિયા (ઉં.વ. 14) શિલ્પા (ઉં.વ. 14) અને પુત્ર રોનક (ઉં.વ.9)ને ઈજા થઈ હતી.તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. પરિવારે જણાવ્યું કે, શારદાબેનના માસીના દીકરાના લગ્ન હતા. જેમાં માંડવાની વિધીમાં બધા ગયા હતા. જ્યાં હાજરી આપી પરત રિક્ષામાં બેસી ઉમરસોડ જતા હતા ત્યારે બનાવ બન્યો હતો. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. પતિએ તું મરી જા નહિંતર હું મારી નાખીશ તેવું કહેતા પત્નીએ ઝેરી દવા પીધી, સાસરિયા સામે ત્રાસની ફરિયાદ ઓમનગર સર્કલ નજીક ધરમનગરમાં રહેતી પરિણીતાએ પતિ સહિતના સાસરિયાએ શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. પતિ ઘરખર્ચના પૈસા આપતો ન હોય અને પૈસા માંગતા મારકૂટ કરી મરી જવાનું કહેતો હોય પરિણીતાએ ઘઉંમાં નાખવાના ટીકડા ખાઈ લેતા સારવાર અર્થે ખસેડાઈ હતી. જે અંગે તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો છે. શહેરના 150 ફૂટ રીંગ રોડ પર ઓમનગર સર્કલ નજીક રહેતી 32 વર્ષીય પરિણીતા સંગીતાબેન રમેશભાઈ મેરીયાએ આરોપી તરીકે પતિ રમેશ મેરિયા, સસરા વિનોદભાઈ, સાસુ મંજુબેન, જેઠ નરેશભાઈ અને દિલીપભાઈનું નામ આપી જણાવ્યું હતું કે, તેણી પતિ, સાસુ-સસરા, મોટા જેઠ નરેશભાઈ, જેઠાણી શિલ્પાબેન, તેનાથી નાના જેઠ દિલીપભાઈ તથા જેઠાણી શીતલબેન અને દીકરી માનસી (ઉં.વ.11) તથા દીકરો નિશાંત (ઉં.વ.09) સાથે રહે છે. તેણીના લગ્ન વર્ષ 2014 માં થયા હતા. સસરા વિનોદભાઈ ભૂગર્ભ ગટર પાઇપલાઇનનો કોન્ટ્રાકટ રાખે છે અને પતિ તેમાં મજૂરીકામ કરે છે. ઘરનો તમામ વહીવટ સાસુ-સસરા ચલાવે છે. જેથી ઘરમા પૈસાની જરૂરીયાત હોય ત્યારે તેમની પાસેથી માંગણી કરવાની રહે છે. લગ્નના આશરે 1 વર્ષ બાદથી જ પતિ વચ્ચે મનમેળ રહેતો ન હોય નાની નાની વાતમાં ઝઘડાઓ થતા રહે છે. પતિએ સસરા અને જેઠ સાથે કામ કરતા હોય તેમની પાસે કામના પૈસા માંગતા આપતા ન હતા. જેઠ દિલીપભાઈ માતાજીના ભુવા હોય જ્યારે તેની પત્ની માસિક સ્ત્રાવમા હોય ત્યારે તેના માટે રસોઈ બનાવવા માટે સાસુ શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા હતા જેથી રસોઈ બનાવવી પડતી હતી. છેલ્લા 5 વર્ષથી રસોઈ અલગ બનાવીએ છીએ. જે બાદથી મારા પતિએ તે અને તારા બાપે મને મારા મા-બાપથી અલગ કર્યો છે કહી અવારનવાર ઝઘડો કરીને માર મારે છે. માતા-પિતાને અપશબ્દો બોલે છે અને કહે છે કે, તારી છોકરીને લઈ જા મારે નથી જોઈતી. ગત તા.02 ના રોજ હોળીનો તહેવાર હોય પતિ પાસે સંતાનો માટે હોળીના રંગો અને પીચકારી લેવા માટે રૂપિયા માંગતા તેને કહેલ કે મારી પાસે અત્યારે પૈસા નથી. ત્યારબાદ બીજા દિવસે રૂપિયા માંગતા પતિએ ઢીકા પાટુનો માર માર્યો અને કહ્યું કે, તુ મરી જા નહીતર હુ તને મારી નાંખીશ. આ ઉપરાંત કહ્યુ કે, તુ દવા પી જા નહીતર હું તને દવા પીવડાવી દઈશ. જેથી પરિણીતાએ જિંદગીથી કંટાળી ગત તા. 04 ના સાંજના 5 વાગ્યે ઘઉંમા નાંખવાના ટીકડા પી લીધા હતા. જે અંગે ફરિયાદ નોંધાતા પોલીસે પતિ સહિતના સાસરિયા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. મુસાફરોની રોકડ સેરવી લેતો રિક્ષા ચાલક ઝડપાયો નાનામવા સર્કલ નજીકથી યુવાનને રિક્ષામાં બેસાડી રૂ.48 હજારની રોકડ સેરવી લેવાઈ હતી. બેંકમાં નાણાં જમાવી પરત ફરી રહેલા યુવકને રીક્ષામાં ડ્રાયવર સીટની બાજુમાં બેસાડી પાછળના ખિસ્સામાંથી રોકડ કાઢી લઇ યુવકને ઉતારી દઈ રીક્ષાચાલક નાસી ગયો હતો. જે મામલે તાલુકા પોલિસની ટીમે ગણતરીની કલાકોમાં જ રીક્ષાચાલકને દબોચી રોકડ રિકવર કરી હતી. બનાવ અંગે મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી અને હાલ મવડી-કણકોટ રોડ પર દિવાળીબાગ પાર્ટી લોન્સમાં રહેતા 23 વર્ષીય શ્રમિક યુવાન સુધાન્યા બિમલભાઈ મંડલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે છેલ્લા 4 મહીનાથી સુરજ મંડપ સર્વિસ દિવાળીબાગ પાર્ટી લોન્સમા મજુર તરીકે કામ કરે છે. ગેટ તા. 09 ના તેમને વતન જવાનુ હોવાથી શેઠ જીતુભાઈ પટેલ પાસેથી મજુર પીન્ટુ તથા ઇંદ્રજીત, રાજેશ, સુમને મજૂરી પેટે કુલ 1 લાખ મળ્યા હતા. જે રૂપિયા બીજે દિવસે તા.10 ના મિત્ર પિન્ટુના બેંક એકાઉન્ટમાં જમા કરાવવાં ગયો હતો. જ્યા એક લાખ એક સાથે જમા નહિ થતા માત્ર રૂ.29 હજાર પીન્ટુના ખાતામાં જમા કરાવ્યા હતા અને બાકીના રૂ.51 હજારમાથી રૂ.3 હજાર ખર્ચા માટે સાઈડમાં રાખી બાકીના રૂ.48 હજાર મે મારા પેન્ટના પાછળના ખીસ્સામા રાખ્યા હતા. જે બાદ રૂમે આવવું હોવાથી નાનામવા સર્કલથી ભીમનગર સર્કલ આવવા માટે રોડ ઉપર એક અજાણ્યા રિક્ષા ચાલકને હાથ ઉંચો કરી ઉભો રાખ્યો હતો. જે રિક્ષા ચાલકને ભીમનગર જવાનુ પુછતા તેણે મને હા પાડી રિક્ષામાં ડ્રાઈવરની બાજુની સીટમા આગળ બેસાડ્યો હતો. જ્યારે રિક્ષામા પાછળની સીટમાં અન્ય એક અજાણ્યો શખ્સ બેસેલ હતો. નાના મવા સર્કલથી થોડા આગળ જતા શ્રી રામ મસાલા માર્કેટ પાસે રિક્ષા ચાલકે રિક્ષા ઉભી રાખી મને જણાવેલ કે મારી રિક્ષા ભીમનગર નથી જતી કહી મને ઉતારી દીધો હતો. જે બાદ મેં મારા પેન્ટના પાછળના ખીસ્સામા જોતા રૂ. 48 હજાર મળ્યા ન હતા. જેથી રિક્ષા ચાલકને મારા પૈસા બાબતે પુછતા તેણે તેની રિક્ષા પુરઝડપે ત્યાથી ભગાડી મૂકી હતી. જે અંગે તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગે તાલુકા પોલીસે આરોપી ભરત મૂળજી ચંદ્રપાલ (ઉં.વ.20, રાજકોટ)ની ધરપકડ કરી રૂ. 29 હજારની રોકડ રીકવર કરી રીક્ષા કબ્જે કરી હતી. જૂની અદાવતમાં યુવાન પર છરીથી હૂમલો શહેરના લોધેશ્વરમાં જુની અદાવતમા શૈલેષ જરીયા પર અર્જુન ઉર્ફે મેરીયાએ છરીથી હુમલો કર્યો હતો. 30 વર્ષીય શૈલેષને છરીનો ઘા લાગી જતા રાજકોટ સિવિલમાં દાખલ કરાયો છે. જે અંગે માલવીયાનગર પોલીસે ગુનો દાખલ કર્યો છે. ફરિયાદમાં શૈલેષભાઈ ધનસીંગભાઈ જરીયા (લોધા) (ઉં.વ. 30)એ જણાવ્યું કે, હું ગોંડલ રોડ પર લોધેશ્વર સોસાયટી ખાતે મારા પરિવાર સાથે રહું છું. એક મહિના પહેલા મારા ઘરની સામે રહેતા અર્જુન ઉર્ફે મેરીયો સાથે માથાકૂટ થઈ હતી. જેથી ગત તા.13/03/2026ના રાત્રીના આશરે 10 વાગ્યેની આસપાસ હું તથા મારો મોટો ભાઈ શનિ ઘરની બહાર શેરીમાં ઊભા હતા ત્યારે અર્જુન ઉર્ફે મેરીયો અમારી પાસે આવ્યો અને જૂની બાબતનો ખાર રાખી મને ગાળો આપવા લાગ્યો. જેથી મેં તેને ગાળો દેવાની ના પાડતા તે ઉશ્કેરાઈ ગયો અને તેના પેન્ટના નેફામાંથી છરી કાઢી મને પેટના ભાગે છરીનો ઘા મારી દીધો હતો. જે બાદ મને કહ્યું કે, આજે તો તને જાનથી મારી નાખીશ. તે દરમિયાન આજુબાજુ માણસોનું ટોળુ ભેગું થઈ જતા આ અર્જુન ત્યાંથી નાસી ગયો હતો. યુવાનને ઇજા થતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 9:26 pm

બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસે શરબતનું વિતરણ કર્યું:ગરમીમાં રાહદારીઓ અને વાહનચાલકોને ઠંડક આપી

બોટાદ જિલ્લામાં ગરમી અને ઓરેન્જ એલર્ટની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા ટ્રાફિક પોલીસે એક માનવતાપૂર્ણ પહેલ કરી છે. બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસના પીએસઆઈ એ.એમ. રાવલ અને તેમની ટીમે શહેરના જ્યોતિગ્રામ સર્કલ પાસે રાહદારીઓ અને રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોને ઠંડક આપવા માટે વરીયાળી શરબતનું વિતરણ કર્યું હતું. આ સેવા કાર્ય ગરમીની તીવ્રતા વચ્ચે લોકોને રાહત મળે અને તેઓ હીટવેવથી બચી શકે તે હેતુથી હાથ ધરવામાં આવ્યું હતું. પસાર થતા અનેક વાહનચાલકો અને સ્થાનિક લોકોએ ટ્રાફિક પોલીસની આ પહેલને સરાહનીય ગણાવી હતી. આ પહેલ દ્વારા પોલીસે ગરમીના કપરા સમયમાં ટ્રાફિક વ્યવસ્થા ઉપરાંત લોકસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 9:23 pm

વેરાવળ પબ્લિક ગાર્ડનમાં મોબાઈલ ઉઠાંતરીની ઘટના CCTVમાં કેદ:નવીનીકરણ બાદ ખુલ્લો મુકાયા બીજા જ દિવસે વૃદ્ધના ખિસ્સામાંથી મોબાઈલ ચોરાયો, પોલીસ તપાસ તેજ

વેરાવળ શહેરમાં તાજેતરમાં નવીનીકરણ બાદ જનતા માટે ખુલ્લો મુકાયેલા પબ્લિક ગાર્ડનમાં મોબાઈલ ઉઠાંતરીની ઘટના સામે આવતાં શહેરમાં ચકચાર મચી છે. ડો. આંબેડકર પાર્ક વિસ્તારમાં બનેલી આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હોવાથી પોલીસ માટે તપાસમાં મહત્વપૂર્ણ સૂત્ર મળ્યા છે. મળતી માહિતી મુજબ બાબુભાઇ ગોહેલ નામના વૃદ્ધ વ્યક્તિ પબ્લિક ગાર્ડનમાં તેની પૌત્રી સાથે ફરવા આવ્યા હતા અને ત્યાંથી બહાર નીકળતા સમયે અજાણ્યા વ્યક્તિએ તેમના ખિસ્સામાંથી મોબાઈલ ફોન ઉઠાંતરી કરી લીધો હતો. આ ઘટના એટલી ચતુરાઈથી કરવામાં આવી કે શરૂઆતમાં વૃદ્ધને તેનો ખ્યાલ પણ આવ્યો નહોતો. થોડા સમય બાદ મોબાઈલ ન મળતા તેમને ચોરીની જાણ થઈ હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ તંત્ર સક્રિય બન્યું હતું અને પબ્લિક ગાર્ડનમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિ વૃદ્ધના નજીક આવી મોબાઈલ ઉઠાંતરી કરતો હોવાનો દ્રશ્ય કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થયો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં આ વ્યક્તિ ગઠીયા ગેંગનો સાગરીત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા CCTV ફૂટેજના આધારે આરોપીની ઓળખ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે અને તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે પબ્લિક ગાર્ડનમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાની સુવિધા ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ છે, કારણ કે તેના કારણે ઘટનાનો ખુલાસો ઝડપથી થઈ શક્યો છે. આ બનાવને કારણે શહેરના જાહેર સ્થળોએ સુરક્ષા વ્યવસ્થાની જરૂરિયાત ફરી એકવાર ચર્ચામાં આવી છે. જોકે CCTV કેમેરાની “ત્રીજી આંખ”ના કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર હવે કડક નજર રહેશે અને આવનારા સમયમાં આવા ગુનાઓને રોકવામાં મદદ મળશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાના ભોગ બનનાર વૃદ્ધ બાબુભાઈ ગોહેલએ જણાવ્યું હતું કે તેઓ પાર્કમાંથી બહાર નીકળતા હતા ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમની ખિસ્સામાંથી મોબાઈલ ઉઠાવી લીધો હતો. પોલીસે મામલે તપાસ શરૂ કરી છે અને આરોપીને ઝડપવા માટે પ્રયાસો ચાલુ રાખ્યા છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 9:22 pm

નવસારીમાં મોપેડને ટક્કર માર્યા બાદ કાર ચાલકની દાદાગીરી! VIDEO:ઈજાગ્રસ્તની મદદ કરવાના બદલે માર માર્યો, અપશબ્દો બોલી પર્સ-મોબાઈલ ઝૂંટવી લીધા

નવસારીના છાપરા રોડ પર અકસ્માતની એક ઘટના સામે આવી છે. જેમાં એક વેગનઆર કાર ચાલકે મોપેડ સવાર યુવકને ટક્કર મારી હતી. જેથી મોપેડ ચાલકને ઈજા પહોંચી હતી. જોકે, મોપેડ ચાલકને અડફેટે લીધા બાદ, તેની મદદ કરવાને બદલે કાર ચાલકે તેની સાથે મારપીટ કરી હતી. કારચાલકે યુવકનું પર્સ અને મોબાઈલ પણ ઝૂંટવી લીધા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સદનસીબે કારનું ટાયર યુવકના માથા પરથી પસાર થતા રહી ગયુંછાપરા રોડ પર વેગનઆર કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારની ટક્કર વાગતા મોપેડ ચાલક રોડ પર પટકાયો હતો. સદનસીબે, કારનું પાછળનું ટાયર યુવકના માથા પરથી પસાર થતા રહી ગયું હતું, જેના કારણે તેનો જીવ બચી ગયો. અકસ્માતમાં યુવકને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. મદદ કરવાને બદલે યુવકને લાફા માર્યાંઅકસ્માત બાદ સામાન્ય રીતે ઇજાગ્રસ્તને મદદ કરવામાં આવે છે, પરંતુ અહીં દ્દશ્ય અલગ હતું. કારચાલક અને તેનો મિત્ર કાર ઉભી રાખી ઇજાગ્રસ્ત યુવક પાસે આવ્યા હતા. મદદ કરવાને બદલે, કારચાલકે યુવકને લાફા મારવાનું અને અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. રાહદારીઓએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હોવા છતાં, કારચાલક સતત મારપીટ કરતો રહ્યો હતો. કારચાલકે અસંવેદનશીલતાની હદ વટાવી દીધી હતી. તેણે ઇજાગ્રસ્ત યુવકના ખિસ્સામાંથી પર્સ કાઢી લીધું અને તેનો મોબાઈલ પણ ઝૂંટવી લીધો હતો. કાર ચાલક સતત બૂમો પાડી રહ્યો હતો કે, તેની કારને થયેલા નુકસાનના પૈસા કોણ આપશે. એક તરફ યુવક માંડ બચ્યો હતો અને બીજી તરફ કારચાલકને માત્ર પોતાની ગાડીના નુકસાનની ચિંતા હતી. અકસ્માત કોની ભૂલથી થયો તે પોલીસ તપાસનો વિષયઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ કારચાલક પાછળથી મોપેડને ટક્કર મારતો દેખાઈ રહ્યો છે. અકસ્માત કોની ભૂલથી થયો તે પોલીસ તપાસનો વિષય છે. જોકે, અકસ્માત બાદ કારચાલકે કરેલા અમાનવીય વર્તનથી શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર મામલે કારચાલક દ્વારા નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં મોપેડ ચાલક ઈજાગ્રસ્ત યુવાન વિરુદ્ધ અરજી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે. કોઈપણ ઘટના બન્યા બાદ શહેરીજન કાયદો પોતાના હાથમાં લઈને સરેઆમ મારપીટ કઈ રીતે કરી શકે છે તે અંગે પણ પ્રશ્નાર્થ છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 9:20 pm

ઠાકરશી રબારીને દીકરી પરત અપાવવા ચૌધરી મા-બાપની વિનંતી:ભાભરના રૂણીની માતાએ કહ્યું,ઉણનો રબારી મારી દીકરીને ઉપાડી ગયો, કિંજલ રબારીને પરત સોંપાતા વીડિયો વાઈરલ કર્યો

રાજ્યમાં બહુચર્ચિત થયેલા કિંજલ રબારીના પ્રેમપ્રકરણમાં ઘીના ઠામમાં ઘી પડ્યુ છે. ત્યારે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં વીડિયો વાયરલ કરીને ચૌધરી માતા-પિતાએ દીકરીને પરત મેળવવા માટે ઠાકરશી રબારીને વિનંતી કરી છે. માતાએ રડતા-રડતા કહ્યું છે કે ઉણ ગામનો રબારીનો દીકરો ઉપાડી ગયો છે અને તેને ઘરે લાવી આપો. બનાવ શું છે?વાવ-થરાદના ભાભર તાલુકાના રૂની ગામેથી બે વર્ષ અગાઉ ચૌધરી સમાજની દીકરીને રબારી સમાજના દીકરો ભગાડી ગયાનો આરોપ લાગ્યો છે. દીકરીના પરિવારે પોલીસમાં જાણવાજોગ પણ ફરિયાદ આપી હતી. અને દીકરીને પરત મેળવવા માટે ઉણ ગામે પણ ગયા હતા. પણ તેમને સહકાર ન મળ્યાનું દીકરીના પિતાએ જાણાવ્યું છે. હવે ઠાકરજી રબારીએ એક દીકરીને તેના પરિવાર સાથે મિલન કરાવતા તેમને પણ તેમની દીકરી સાથે મિલન કરાવવા વિનંતી કરી છે. દીકરીના પિતાએ શું કહ્યું?દીકરીના પિતા જગમાલભાઈ ચૌધરીના જણાવ્યા પ્રમાણે, બે વર્ષ અગાઉ કાંકરેજના ઉણ ગામનો માદેવભાઈ રબારી તેમની સગીર દીકરીની ભગાડી ગયો છે. તેઓ સંબંધીના ત્યાં બેસણામાં ગયા ત્યારે ઘટના બની હોવાનું જણાવ્યું છે. સાથે તેઓ બે દિવસ ઉણ ગામે પણ ગયા પણ કોઈ સહકાર આપ્યો ન હોવાનો પર આરોપ લગાવ્યો છે. રબારી સમાજની દીકરીની અન્ય સમાજમાં આવતા તેને પાછી મોકલી છે. તો મારી દીકરીને પણ પરત મોકલી આપવા રબારી સમાજને વિનંતી કરી છે. દીકરીના પિતાની ઠાકરશીને વિનંતીજગમાલભાઈ ચૌધરીએ ઠાકરશી ભાઈને વિનંતી કરતા જણાવ્યું કે,તેઓ તેમના વીડિયો જોયા છે. અને બધાને મદદ કરે અને સેવાભાવી માણસ છે. તેઓને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે ઉણ ગામનો રબારી અમને ગાંઠતો નથી.અમારી જમીન પણ ગીરવે પડી છે. તો મહેરબાની કરીને અમને મદદ કરો. દીકરીની માતા હજુ પણ રડે છેદીકરીની માતાએ રડતા રડતા કહ્યું કે, તેઓ પિયરમાં સામાજિક પ્રસંગમાં હતા ત્યારે તેમની દીકરીને રબારી સમાજનો દીકરો ભગાડી ગયો છે. તો રબારી સમાજના આગેવાનો તેમને તેમની દીકરી પરત આપવામાં મદદ કરે તેવી વિનંતી કરી છે. 2024માં નોંધાઈ હતી ફરિયાદબે વર્ષ અગાઉ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, 31/03/2024ના રોજ જગમાલભાઈ ચૌધરી તેમના દીકરી અને દીકરા સાથે ઘરે હતા અને તેમના પત્ની પિયર ગયા હતા. રાત્રે તેઓ ઉંઘમાંથી જગ્યા તો તેમની દીકરી કંકુબેન ઘરમાં હાજર ન હતી. તેમને આસપાસ તપાસ કરી, પણ કંકુની ભાળ મળી ન હતી. આખરે તેમણે 01/04/2024ના રોજ ભાભર પોલીસ સ્ટેશનમાં 18 વર્ષની કુંકુબેનની ગુમ થયાની જાગવાજોગ ફરિયાદ આપી હતી.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 9:03 pm

બોટાદ ધારાસભ્યએ વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો:ગાળા ગામ ડેમનું કામ ક્યારે શરૂ થશે?, જવાબમાં, સંબંધિત મંત્રીએ કહ્યું- ટૂંક સમયમાં આ અંગેનો સંપૂર્ણ અહેવાલ મોકલીશું

બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ગઢડા તાલુકાના ગાળા ગામ ખાતે ડેમ બનાવવાની કામગીરી ક્યારે શરૂ થશે તે અંગે પ્રશ્ન પૂછ્યો હતો. ધારાસભ્ય મકવાણાએ જણાવ્યું હતું કે, ગાળા ગામ ખાતે ડેમ બનાવવાની યોજના અગાઉ સરકાર દ્વારા બંધ કરવામાં આવી હતી. જોકે, તેમની રજૂઆત બાદ આ યોજના ફરીથી શરૂ કરવામાં આવી છે. ત્યારે આ યોજનાની કામગીરી ક્યા તબક્કે પહોંચી છે અને ડેમ બનાવવાની કામગીરી ક્યારે શરૂ થશે? આ પ્રશ્નના જવાબમાં, સંબંધિત મંત્રીએ જણાવ્યું હતું કે ધારાસભ્ય ઉમેશ મકવાણાને ટૂંક સમયમાં આ અંગેનો સંપૂર્ણ અહેવાલ મોકલી આપવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 8:47 pm

સુરેન્દ્રનગરમાં 68.74 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:સાયલાના સુદામડા ગામે LCBએ દરોડો પાડ્યો, દારૂ સાથે બે આરોપીને ઝડપ્યાં

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા સાયલા તાલુકાના સુદામડા ગામની સીમમાંથી રૂ. 68.74 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સરકારી ખરાબામાંથી 9540 નાની-મોટી બોટલ વિદેશી દારૂ (કિંમત રૂ. 53.64 લાખ), એક ટ્રક (કિંમત રૂ. 15 લાખ) અને એક મોબાઈલ ફોન (કિંમત રૂ. 10,000) સહિત કુલ રૂ. 68,74,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા અને તેને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે LCBને સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે LCB ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ. રાયમાએ ટીમો બનાવી પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. બાતમીના આધારે સાયલાના સુદામડા ગામની સીમમાં આ દરોડો પાડવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીઓમાં સાજીદ અહેમદખાન અને હાકમખાન ઉમરમહમદખાનનો સમાવેશ થાય છે, જેઓ હરિયાણા રાજ્યના નુહ જિલ્લાના ફિરોઝપુર તાલુકાના શેખપુર ગામના રહેવાસી છે. આ ગુનામાં ટ્રકના માલિક, દારૂનો જથ્થો મોકલનાર ઇસમ, દારૂ મંગાવનાર ઉદયભાઈ દાદભાઈ કરપડા (રહે. કળમાદ, તા. મુળી) અને હોટલ ખાતે દારૂ ભરેલી ટ્રક પહોંચાડનાર અજાણ્યા ઇસમની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે. આ મામલે સાયલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કામગીરીમાં LCB ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ, પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ. રાયમા તથા સ્ટાફના પો.હેડ કોન્સ. અજયસિંહ ઝાલા, દેવરાજભાઈ જોગરાજીયા, પો.કોન્સ. કૃણાલસિંહ ઝાલા, વજાભાઇ સાનીયા, મહેન્દ્રભાઈ દાદરેસા, ગીરીરાજસિંહ જાડેજા, મેહુલભાઇ મકવાણા અને ડ્રા.પો. કોન્સ. પ્રધ્યુમસિંહ પરમાર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 8:33 pm

Explainer: ઈરાનનો 'કોહિનૂર' કેમ કહેવાય છે ખાર્ગ આઈલેન્ડ? જાણો અમેરિકાએ આ ટાપુ પર જ કેમ વરસાવ્યા બોમ્બ

US Attack On Iran's Kharg Island : અમેરિકાએ હવે પર્શિયન ગલ્ફમાં ઈરાન માટે કોહિનૂર ગણાતા ‘ખાર્ગ આઈલેન્ડ’ પર ભયાનક હુમલો કરીને મોટી તબાહી મચાવી છે. એવું કહેવાય છે કે, આ આઈલેન્ડ ઈરાનની આર્થિક જીવનરેખા સમાન છે. ઈરાન જે કુલ ક્રૂડ ઓઈલની નિકાસ કરતું હતું તેમાંથી 90થી 95 ટકા નિકાસ આ જ આઈલેન્ડ પરથી જુદા જુદા દેશોમાં થતી હતી. એટલે કે ઈરાન આ જ આઈલેન્ડ પરથી ક્રૂડ ઓઈલ વેંચીને મોટાભાગની કમાણી કરતું હતું અને તે જ નાણાંતી સરકારનો ખર્ચ ચાલતો હતો અને સેનાને પણ ફંડ મળતું હતું. ત્યારે હવે અમેરિકાએ ઈરાનના કોહિનૂર પર હુમલો કરતીને તેની આર્થિક કમર તોડી નાખી છે.

ગુજરાત સમાચાર 14 Mar 2026 8:28 pm

ધોલેરાથી ગુજરાતના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ લોન્ચિંગ:3 કિમીની ઊંચાઈ સુધી પહોંચ્યું, ખાનગી સ્પેસ સેક્ટરમાં રાજ્યએ રચ્યો ઇતિહાસ

અમદાવાદ નજીક ધોલેરાના બાવળીયારી ખાતે આજે ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણ સર્જાઈ, જ્યારે રાજ્યના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં અમદાવાદ સ્થિત સ્ટાર્ટઅપ ‘ઓમસ્પેસ રોકેટ એન્ડ એક્સપ્લોરેશન પ્રાઇવેટ લિમિટેડ’ (OSRE) દ્વારા આ સિદ્ધિ હાંસલ કરવામાં આવી. અવકાશ સંશોધન ક્ષેત્રે ગુજરાત માટે આ મહત્વપૂર્ણ પગલું ગણાઈ રહ્યું છે. મંત્રી મોઢવાડિયાએ લોન્ચિંગ સ્થળે હાજર રહી સમગ્ર પ્રક્રિયાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું અને યુવા વૈજ્ઞાનિકોની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. લોન્ચિંગ બાદ રોકેટ અંદાજિત 3 કિમીની ઊંચાઈ સુધી પહોંચ્યુંબાવળીયારી ખાતે નિર્મિત અસ્થાયી લોન્ચિંગ કોમ્પ્લેક્સ પરથી 14 માર્ચના રોજ બપોરે લગભગ 1 વાગ્યે આ સિંગલ-સ્ટેજ સબ-ઓર્બિટલ રોકેટે ઉડાન ભરી હતી. રોકેટ આશરે 3 કિલોમીટર જેટલી ઊંચાઈ સુધી પહોંચ્યું હતું અને આ દરમિયાન પ્રોપલ્શન સિસ્ટમ, એવિઓનિક્સ સિસ્ટમ તેમજ ઓટોનોમસ રિકવરી સિસ્ટમ જેવી મહત્વપૂર્ણ ટેક્નોલોજીનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. રોકેટમાં એક મીની સેટેલાઇટ પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યો હતો, જે હવામાન સંબંધિત મહત્વપૂર્ણ ડેટા એકત્ર કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે. આ પરીક્ષણ દ્વારા ભવિષ્યમાં વધુ આધુનિક અવકાશ મિશન માટે જરૂરી ટેક્નોલોજીની કસોટી કરવામાં આવી છે. મેક ઈન ઈન્ડિયા હેઠળ રોકેડની ડિઝાઈન અને નિર્માણ અમદાવાદમાં થયું‘મેક ઇન ઇન્ડિયા’ અભિગમ હેઠળ આ રોકેટનું ડિઝાઇનિંગ અને નિર્માણ અમદાવાદમાં જ કરવામાં આવ્યું છે. રોકેટનું એરફ્રેમ કાર્બન ફાઇબર અને એડવાન્સ કમ્પોઝિટ મટિરિયલનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યું છે, જેના કારણે તે હળવું અને વધુ મજબૂત બને છે. આ સમગ્ર પ્રોજેક્ટમાં યુવા વૈજ્ઞાનિકો અને ઇજનેરોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. રાજ્ય સ્પેસ ટેક્નોલોજી તરફ આગળ વધી રહ્યું છે- અર્જુન મોઢવાડિયાઆ પ્રસંગે મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની ‘ગુજરાત સ્પેસટેક પોલિસી 2025-2030’ અંતર્ગત ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની નીતિના કારણે આજે ગુજરાત અવકાશ સંશોધન ક્ષેત્રે નવી ઓળખ બનાવી રહ્યું છે. ખાનગી સ્પેસ સેક્ટરને મળતા સહયોગથી યુવા વૈજ્ઞાનિકોને નવી તકો મળી રહી છે અને રાજ્ય આત્મનિર્ભર સ્પેસ ટેક્નોલોજી તરફ આગળ વધી રહ્યું છે. ઓમસ્પેસના સ્થાપક અને CEO ડો. રવિન્દ્ર રાજે જણાવ્યું હતું કે આ સફળ લોન્ચિંગ ભવિષ્યના મોટા મિશન માટે મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે. આ સફળતા પછી ભારતના સંપૂર્ણ સ્વદેશી રિયુઝેબલ લોન્ચ વ્હીકલ ‘ઇન્ફિનિટી વન’ (Infinity One) બનાવવાનો માર્ગ વધુ સરળ બન્યો છે. તેમણે રાજ્ય સરકાર તથા સંબંધિત સંસ્થાઓનો સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ લોન્ચિંગ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI), ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને DGCA દ્વારા જરૂરી મંજૂરીઓ અને ટેકનિકલ સહયોગ આપવામાં આવ્યો હતો. આ મિશન IN-SPACe (ISRO) ની અધિકૃતતા હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય કાળુભાઈ ડાભી સહિત વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના અધિકારીઓ અને વૈજ્ઞાનિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 8:21 pm

ન્યાયિક પ્રક્રિયામાં ક્રાંતિકારી ફેરફાર લાવવા રાજ્ય કક્ષાનો કાયદાકીય સેમિનાર:પોલીસ, પ્રોસીક્યુશન તેમજ સરકારી તબીબોને કાયદાકીય સમજ અપાશે, આ પ્રકારની ટ્રેનિંગ માત્ર ગુજરાતમાં

ગુજરાત રાજ્યમાં ફોજદારી ન્યાય પ્રણાલીને વધુ સચોટ, પારદર્શક અને પરિણામલક્ષી બનાવવાના હેતુથી ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુશનના નેજા હેઠળ સુરત ખાતે આવતીકાલે 15 માર્ચ, 2026ના રોજ એક મહત્વપૂર્ણ કાયદાકીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે. રાજ્યના ગૃહ વિભાગ અને પોલીસ વિભાગના સંયુક્ત પ્રયાસોથી યોજાનારા આ સેમિનારમાં સરકારી વકીલો, પોલીસ અધિકારીઓ અને તબીબી નિષ્ણાતો એક મંચ પર એકઠા થઈને ક્રાઈમ ટુ કન્વિક્શનની પ્રક્રિયાને મજબૂત કરવા મંથન કરશે. તપાસની પદ્ધતિમાં વૈજ્ઞાનિક અભિગમોનો ઉપયોગ કરાશેઆ કોન્ફરન્સનો મુખ્ય એજન્ડા પોલીસ તપાસમાં ટેકનોલોજી અને વિજ્ઞાનનો મહત્તમ ઉપયોગ કરવાનો છે. અત્યાર સુધી પરંપરાગત પુરાવાઓના અભાવે અનેક રીઢા ગુનેગારો કાયદાની છટકબારીનો લાભ લઈને નિર્દોષ છૂટી જતા હતાં. આ સ્થિતિને બદલવા માટે આ સેમિનારમાં મેડિકલ રિપોર્ટ, ફોરેન્સિક સાયન્સ (FSL) ના અહેવાલો અને DNA ટેસ્ટિંગ જેવા અત્યંત મહત્વના વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે. નિષ્ણાતો દ્વારા સરકારી વકીલોને ટ્રેનિંગ આપવામાં આવશે કે કઈ રીતે કોર્ટમાં વૈજ્ઞાનિક પુરાવાઓને મજબૂતીથી રજૂ કરવા, જેથી ન્યાયાધીશ સમક્ષ ગુનાની સાંકળ સ્પષ્ટ રીતે સાબિત કરી શકાય. ખાસ કરીને પોક્સો અને નાર્કોટિક્સ જેવા સંવેદનશીલ કેસોમાં જ્યાં પીડિત પક્ષને ન્યાય અપાવવો અનિવાર્ય હોય છે, ત્યાં વૈજ્ઞાનિક પુરાવાઓની ભૂમિકા નિર્ણાયક સાબિત થાય છે. 36 મહિનામાં પોક્સો કેસમાં 400થી વધુને સજાનયન સુખડવાલા મુખ્ય જિલ્લા સરકારી વકીલે જણાવ્યું હતું કે, છેલ્લા 36 મહિનામાં સુરત પોલીસે અને સરકારી વકીલોની ટીમે સાથે મળીને 400થી વધુ પોક્સોના આરોપીઓને સખત સજા કરાવવામાં સફળતા મેળવી છે. આ આંકડો રાજ્યમાં એક ઉદાહરણ સમાન છે. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે પોલીસ તપાસ અને પ્રોસીક્યુશન વચ્ચે પૂરતું સંકલન હોય, ત્યારે ગુનેગાર ગમે તેટલો પ્રભાવશાળી હોય તો પણ તે બચી શકતો નથી. નવા ફોજદારી કાયદા અને અમલીકરણએ.આર. પટેલ ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશને જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા જૂના અને બ્રિટિશકાળના કાયદાઓમાં ધરખમ ફેરફાર કરીને જે નવા ફોજદારી કાયદાઓ (ભારતીય ન્યાય સંહિતા વગેરે) અમલમાં મૂકવામાં આવ્યા છે, તેના પર આ સેમિનારમાં વિશેષ ભાર મૂકવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જૂના કાયદાઓમાં રહેલી ક્ષતિઓને સુધારીને નવી કલમો ઉમેરવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકોને ઝડપી ન્યાય અપાવવાનો છે. ભારત સરકાર દ્વારા આ કાયદાઓના અમલીકરણનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી ન્યાયિક પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે. 'તપાસ અધિકારીઓ માટે આ એક સુવર્ણ તક છે'સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આ સેમિનાર અંગે જણાવ્યું હતું કે, આવતીકાલના કાર્યક્રમમાં શહેરના તમામ મહત્વના ઇન્વેસ્ટિગેશન ઓફિસરો (IO) હાજર રહેશે. તપાસ અધિકારીઓ માટે આ એક સુવર્ણ તક છે. સમાજ માટે હાનિકારક એવા ડ્રગ્સ માફિયાઓ અને મહિલાઓ-બાળકો વિરુદ્ધ ગુના આચરનારા તત્વોને કાયદાના શિકંજામાં કઈ રીતે જકડવા, તેની શીખ આ મંથનમાંથી મળશે. અમે તપાસની ગુણવત્તા એવી રાખવા માંગીએ છીએ કે નિર્દોષ વ્યક્તિને ક્યારેય અન્યાય ન થાય અને ગુનેગાર ક્યારેય છૂટી ન શકે. ગુજરાતભરમાં 12 ઝોનમાં ટ્રેનિંગ અભિયાનઆ પ્રકારની ટ્રેનિંગ માત્ર સુરત પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર રાજ્યના 12 ઝોનમાં આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતના મોટાભાગના ઝોનમાં આ કાર્યક્રમો પૂર્ણ થયા છે અને આવતીકાલથી દક્ષિણ ગુજરાતના ચાર મહત્વના જિલ્લાઓ માટે આ મંથન શરૂ થશે. સમગ્ર ભારતમાં આ પ્રકારની વ્યવસ્થિત ટ્રેનિંગ માત્ર ગુજરાતમાં જ આપવામાં આવી રહી છે, જે મોડેલ અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે. 'ફરિયાદથી લઇને કોર્ટમાં ચાર્જશીટ સુધી લોકોએ જાણવું જરૂરી'એ.આર. પટેલ ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશને જણાવ્યું હતું કે, અમે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન કચેરી તરફથી ફરિયાદ, તપાસ અને નિવારણ અંગેની એક જાગૃતિ પુસ્તિકા બનાવી છે. ફરિયાદ લખાય ત્યાંથી લઇને કોર્ટમાં ચાર્જશીટ થાય ત્યાં સુધી લોકોએ શું જાણવું જરૂરી છે એ અંગેની એક પુસ્તિકા તૈયાર કરી છે. આવતીકાલે અમે એનું વિમોચન કરશું અને આવી પુસ્તિકા અમે તૈયાર કરી, છપાવી અને પૂરા ગુજરાતમાં દરેકને વહેંચીશું કે ગરીબમાં ગરીબ માણસ સુધી એ પુસ્તિકા જાય એવો અમારો પ્રયત્ન રહેશે. તેને વધુમાં કહ્યું હતું કે, જેથી કરીને ફરિયાદ લખાય ત્યાંથી લઇને ધારો કે કોઈ પોલીસમાં ફરિયાદ લખાવવા કોઈ ફરિયાદી ગયો, પોલીસે ફરિયાદ નથી લીધી તો એને શું કરવું જોઈએ? એ લોકોને ખબર નથી હોતી. પોલીસે ફરિયાદ લીધી અને પછી તપાસ દરમિયાન પોલીસ શું કરે છે એ લગભગ કોઈને ખબર હોતી નથી, એટલે એ જાણવા માટે અમે આ પુસ્તિકા બનાવી છે. 'એક જાગૃતિ પુસ્તિકા બનાવી છે'તેને વધુમાં કહ્યું કે, પબ્લિક પ્રોસિક્યુટર કેટલા પ્રકારના હોય? પબ્લિક પ્રોસિક્યુટર શું કામગીરી કરે? કયા પબ્લિક પ્રોસિક્યુટર કઈ કોર્ટમાં કામ કરે? એ પણ લોકોને ખબર નથી હોતી, એટલે આના માટે એક જાગૃતિ પુસ્તિકા બનાવી છે. અમને આશા છે કે એ પુસ્તિકા વાંચવાથી ઘણા બધા લોકોને ખબર પડશે કે પ્રોસિક્યુશન શું છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 8:12 pm

સેવા અને શિસ્ત યુવાઓનો સાચો શણગાર:રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સ્કાઉટ્સ-ગાઈડ્સને રાષ્ટ્રનિર્માણ અને પ્રકૃતિની સેવામાં જોડાઈને તપસ્વી બનવા પ્રેર્યા

ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે ‘ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ્સ ગાઈડ્સ’ દ્વારા આયોજિત રાજ્ય સન્માન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઉપસ્થિત રહીને યુવા શક્તિને બિરદાવી હતી. તેમણે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા સ્કાઉટ્સ-ગાઈડ્સ અને રોવર-રેન્જર્સને પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે તેમણે યુવાઓને જીવનમાં સેવા, શિસ્ત અને સંસ્કારને આત્મસાત કરી રાષ્ટ્રનિર્માણના કાર્યોમાં સહભાગી થવા હાહવાન કર્યું હતું. મોબાઈલના આભાસી વિશ્વ સામે શિસ્તનો માર્ગરાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજના ટેકનોલોજી યુગમાં યુવા પેઢીની દિશા અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જ્યારે આજની પેઢી મોબાઈલ, ટીવી અને વિવિધ વ્યસનોના પ્રભાવ હેઠળ છે, ત્યારે સ્કાઉટ્સ-ગાઈડ્સની આ શિસ્તબદ્ધ ટીમમાં જોડાયેલા બાળકો ખરેખર ભાગ્યશાળી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, નાની ઉંમરે જ્યારે તમે વૃક્ષારોપણ, સ્વચ્છતા અને જળ સંરક્ષણ જેવા પર્યાવરણીય કાર્યો સાથે જોડાવ છો, ત્યારે તે માત્ર પ્રવૃત્તિ નથી રહેતી પણ તમારા જીવનનો કાયમી હિસ્સો અને સ્વભાવ બની જાય છે. શાસ્ત્રોના સંદર્ભે તેમણે ઉમેર્યું કે, બાળપણમાં જે સ્વભાવ ઘડાય છે તે જ આજીવન વ્યક્તિત્વની ઓળખ બનીને અંતિમ શ્વાસ સુધી ટકી રહે છે. કિશોરાવસ્થામાં વિવેકબુદ્ધિ અને લાગણીઓનું સંતુલન સાતમા ધોરણથી લઈને કોલેજ સુધીની ઉંમરને અત્યંત સંવેદનશીલ ગણાવતા રાજ્યપાલે માર્ગદર્શન આપ્યું હતું કે, આ ઉંમરે બાળકો હૃદયથી વધુ અને મગજથી ઓછું વિચારતા હોય છે. શારીરિક અને માનસિક પરિવર્તનોના આ ગાળામાં જે બાળક પોતાની લાગણીઓ અને ભાવનાઓ પર નિયંત્રણ રાખીને વિવેકબુદ્ધિથી નિર્ણયો લે છે, તે જ સમાજમાં અલગ તરી આવે છે અને સફળતાના શિખરો સર કરે છે. ભૂલ છુપાવવી એ અપરાધનું પ્રથમ પગલું બાળકોને નિર્ભય અને પારદર્શક બનવાની શીખ આપતા તેમણે એક ગંભીર પાસું સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું કે, મનુષ્ય હોવાને નાતે ભૂલ થવી સ્વાભાવિક છે, પરંતુ ભૂલને છુપાવવી એ અપરાધના માર્ગે જવાનું પ્રથમ પગલું છે. જે ક્ષણે બાળક પોતાની ભૂલ છુપાવે છે, તે ક્ષણે જ તેનામાં અપરાધી બનવાના બીજ રોપાય છે. તેમણે યુવાનોને અનુરોધ કર્યો કે કોઈ પણ ભૂલ થાય તો તરત જ માતા-પિતા કે ગુરુજનોને જણાવી દેવી જોઈએ, જેથી મનનો બોજ હળવો થાય અને ખોટા માર્ગે જવાથી બચી શકાય. આળસ ત્યજીને તપસ્વી જીવન જીવવાની જરૂરિયાત'કર્મ જ ધર્મ'ના સૂત્રને સમજાવતા આચાર્ય દેવવ્રતે આળસને મનુષ્યના શરીરનો સૌથી મોટો શત્રુ ગણાવ્યો હતો. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, જંગલના રાજા ગણાતા સૂતેલા સિંહના મોઢામાં હરણ પોતે આવીને પ્રવેશતું નથી, તેને પણ પેટ ભરવા માટે સખત પરિશ્રમ કરવો પડે છે. તેવી જ રીતે, જીવનમાં શૈક્ષણિક કે સામાજિક ક્ષેત્રે સફળ થવા માટે તપસ્વી જીવન અને સખત મહેનત સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. વૃક્ષારોપણ અને વ્યસનમુક્તિ: પરોપકારની ભાવના સ્વાસ્થ્ય અને પર્યાવરણ અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે, જની યુવા પેઢી જંક ફૂડ અને વ્યસનો તરફ વળી રહી છે, જે અંતે કેન્સર અને હાર્ટ એટેક જેવી જીવલેણ બીમારીઓને આમંત્રણ આપે છે. માતાના હાથે બનેલું શુદ્ધ ભોજન જ ઉત્તમ સ્વાસ્થ્યનો આધાર છે. વૃક્ષોના મહત્વ વિશે તેમણે કહ્યું કે, આપણે માત્ર 3 વર્ષ એક વૃક્ષને ઉછેરવાનું હોય છે, ત્યારબાદ તે વૃક્ષ આજીવન આપણને પ્રાણવાયુ (ઓક્સિજન) આપે છે. પથ્થર મારનાર વ્યક્તિને પણ મીઠાં ફળ આપનારા વૃક્ષો પાસેથી આપણે પરોપકારની ભાવના શીખવી જોઈએ. નીતિનભાઈ પટેલે રાજ્યપાલના સેવાકીય અભિગમને બિરદાવ્યોઆ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ્સ ગાઈડ્સના પ્રમુખ નીતિનભાઈ પટેલે રાજ્યપાલના કાર્યની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, રાજ્યપાલ માત્ર રાજભવનમાં સીમિત ન રહેતા આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં જઈને ખેડૂતો અને ગરીબો સાથે ભોજન લે છે અને સરકારી પ્રાથમિક શાળાઓમાં રોકાઈને પ્રાકૃતિક ખેતીનો જે પ્રસાર કરી રહ્યા છે તે અભૂતપૂર્વ છે. તેમણે વધુમાં માહિતી આપી હતી કે અમદાવાદ ખાતે સ્કાઉટ-ગાઈડના વિશાળ 'કોમ્યુનિટી હોલ'નું નિર્માણ થઈ રહ્યું છે, જે 'સૌનો સાથ, સૌનો વિકાસ'ના મંત્રને ચરિતાર્થ કરશે. પુરસ્કાર વિતરણ અને આંકડાકીય વિગતોરાજ્ય આયુક્ત (સ્કાઉટ) હસમુખભાઈ મોદીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં અંદાજે 40,000 જેટલા સ્કાઉટ્સ-ગાઈડ્સ કાર્યરત છે. વર્ષ 2025-26 માટે કુલ 1,872 સ્કાઉટ-ગાઈડ્સે રાજ્ય પુરસ્કાર મેળવ્યો છે, જેમાં 1,032 સ્કાઉટ્સ, 19 રોવર અને 799 ગાઈડ્સનો સમાવેશ થાય છે. આજના આ ભવ્ય સમારોહમાં 17 જિલ્લાના કુલ 815 બાળકોએ પ્રત્યક્ષ હાજરી આપી સન્માન સ્વીકાર્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય કમિશનર સવિતાબેન પટેલ, પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ કલ્પેશભાઈ ઝવેરી, અંજનાબેન ચૌધરી, દિલીપભાઈ ચૌધરી, ડાહ્યાભાઈ પટેલ અને છનાભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સ્કાઉટ્સ-ગાઈડ્સ દ્વારા દેશભક્તિ અને સંસ્કૃતિને ઉજાગર કરતી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 8:00 pm

રાજકોટમાં સિટિબસ ચાલકો બેફામ:જિલ્લા પંચાયત ચોકમાં એક્ટિવા ચાલકને અડફેટે લેતા ડ્રાઈવર વિરુદ્ધ નાગરિકનો ઉગ્ર રોષ, કહ્યું- 'બાપનો રોડ હોય તેમ બસ ચલાવે છે'

રાજકોટ શહેરમાં સીટી બસના ચાલકોની મનમાની અને બેદરકારીના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. આજે શહેરના વ્યસ્ત ગણાતા જિલ્લા પંચાયત ચોક પાસે ફરી એકવાર સીટી બસના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. પાછળથી પૂરઝડપે આવી રહેલી સીટી બસે એક એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો. જોકે સદનસીબે આ અકસ્માતમાં એક્ટિવા ચાલકનો બચાવ થયો હતો, પરંતુ આ ઘટનાને પગલે સ્થાનિકો અને ભોગ બનનાર નાગરિકમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ભોગ બનનાર નાગરિકે પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, સીટી બસના ડ્રાઈવરો રસ્તા પર એવી રીતે બસ હંકારે છે જાણે રસ્તો તેમના બાપનો હોય. તેમણે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, આ ચાલકોને ટ્રાફિકના નિયમોનું કોઈ ભાન નથી અને ગમે ત્યારે ગમે તે વાહનની માથે બસ ચડાવી દે છે. જો આ સમયે કોઈ મોટી જાનહાનિ થઈ હોત તો જવાબદાર કોણ? પોલીસ અને તંત્ર દ્વારા આવા ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને તેમના લાયસન્સ રદ કરવામાં આવે તેવી માંગ પણ તેણે કરી હતી. સમગ્ર મામલે મનપાનાં અધિકારી પરેશભાઈ અઢીયાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, આ અંગેની તપાસ કર્યા બાદ ડ્રાઇવરની બેદરકારી જણાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટમાં રાષ્ટ્રીય મેગા લોક-અદાલત યોજાઈ, કુલ 88,172 કેસોનો સફળ નિકાલ કરાયો નામદાર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ, ન્યુ દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ આજરોજ રાજકોટ જિલ્લાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય મેગા લોક-અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષ જે. આર. શાહના નેતૃત્વમાં યોજાયેલી આ લોક અદાલતમાં વિવિધ પ્રકારના કુલ 22,576 પેન્ડિંગ કેસો હાથ પર લેવામાં આવ્યા હતા. પક્ષકારોના ઉત્સાહપૂર્ણ પ્રતિસાદને કારણે મોટી સંખ્યામાં કેસોનો સ્થળ પર જ સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો. લોક-અદાલતમાં મોટર અકસ્માત વળતરના કુલ 401 કેસોમાં રૂ. 28,81,00,214 જેટલી માતબર રકમનું સમાધાન થયું હતું. આ ઉપરાંત ચેક રિટર્નના 5,090 કેસોમાં રૂ. 27,84,25,197.4 ની રકમનું સમાધાન કરવામાં આવ્યું હતું, જ્યારે લગ્ન વિષયક તકરારના 136 કેસોનો નિકાલ થયો હતો. સમગ્ર દિવસ દરમિયાન લોક અદાલતના 6,277 અને સ્પેશિયલ સિટિંગના 5,796 મળી કુલ 12,073 પેન્ડિંગ કેસો તેમજ 76,099 પ્રિ-લિટિગેશન કેસો મળીને કુલ 88,172 કેસોનો નિકાલ થયો હતો. સચિવ એચ. વી. જોટાણીયાએ પક્ષકારોને ભવિષ્યમાં પણ લોક-અદાલતનો લાભ લેવા અનુરોધ કર્યો છે. રાજકોટના મવડી વિસ્તારમાં તંત્ર દ્વારા ડિમોલિશન, રૂ. 15 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાઈ રાજકોટ શહેર અને જિલ્લામાં સરકારી જમીન પરના અનઅધિકૃત દબાણો હટાવવા માટે કલેક્ટર તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે શહેરના મવડીમાં ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. મવડી-કણકોટ રોડ પર આવેલા સરકારી સર્વે નં. 194 પૈકીની આશરે 4500 ચો.મી. જમીન પર ખડકાયેલા દબાણોને તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. ખુલ્લી કરાવવામાં આવેલી આ જમીનની અંદાજિત બજાર કિંમત રૂ. 15 કરોડ જેટલી છે. જિલ્લા કલેક્ટર ઓમપ્રકાશની સૂચના અને સીટી પ્રાંત-1 અધિકારી ચાંદની પરમારના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી. આ સ્થળે ઊભા કરવામાં આવેલા કાચા-પાકા મકાનો, ઝૂંપડાઓ અને ઈંટોના ચણતર સહિતના દબાણો દૂર કરાયા હતા. ઉલ્લેખનીય છે કે, આ દબાણકારોને અગાઉ નોટિસ આપી સુનાવણીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન રાજકોટ દક્ષિણના મામલતદાર, સર્કલ ઓફિસર, નાયબ મામલતદાર, તલાટી, વિજ કંપનીના અધિકારીઓ અને પોલીસનો કાફલો તૈનાત રહ્યો હતો. રાજકોટમાં ઉનાળાની શરૂઆતે જ રાહત, આજી અને ન્યારી ડેમ એપ્રિલ સુધીમાં છલોછલ ભરાશે રાજકોટમાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની માંગમાં વધારો થયો છે, ત્યારે શહેરના જળાશયોને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. મહાપાલિકાની ગણતરી મુજબ, માર્ચ મહિનાના અંત સુધીમાં આજી-1 ડેમ અને 10 એપ્રિલ સુધીમાં ન્યારી-1 ડેમને નર્મદાના નીરથી છલોછલ ભરી દેવામાં આવશે. આજી-1 ડેમમાં હાલ 752 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે અને દરરોજ 18 MCFT પાણી ઠાલવવામાં આવી રહ્યું છે, જે માર્ચના અંત સુધીમાં 900 MCFT સુધી પહોંચી જશે. તેવી જ રીતે, 800 MCFT ની ક્ષમતા ધરાવતા ન્યારી-1 ડેમમાં દરરોજ 14 MCFT પાણી ઉમેરીને 10 એપ્રિલ સુધીમાં કુલ 1000 MCFT પાણીનો સંગ્રહ કરવાનું આયોજન છે. બીજી તરફ, ભાદર-1 ડેમમાં હાલ 3000 MCFT પાણીનો જથ્થો છે, જે આગામી જુલાઈ મહિના સુધી શહેરની જરૂરિયાત પૂરી કરવા માટે પર્યાપ્ત છે. આમ, ત્રણેય મુખ્ય ડેમમાં 10 જૂન સુધી ચાલે તેટલો પાણીનો સંગ્રહ થઈ જશે, જેના કારણે આગામી ચૂંટણી દરમિયાન પાણીની કોઈ સમસ્યા સર્જાશે નહીં. જોકે, ભાદર ડેમની પાઈપલાઈન બદલવાનું મહત્વનું કામ નેશનલ હાઈવે ઓથોરિટીના NOCના અભાવે હજુ પણ અટવાયેલું છે. સરકાર અને તંત્ર દ્વારા ઉનાળામાં પાણી વિતરણ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અત્યારથી પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 7:49 pm

GCTOC હેઠળ સખત કાર્યવાહી:ભાવનગરના કુખ્યાત ભૂમાફિયા પથુભા ગોહિલને સુપ્રીમ કોર્ટમાંથી પણ કોઈ રાહત નહીં, જામીન અરજી નામંજૂર

ભાવનગર જિલ્લામાં જમીન પચાવી પાડવાનું નેટવર્ક ચલાવતી ટોળકી વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે GCTOC હેઠળ નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા આરોપીઓની મુશ્કેલીમાં વધારો થયો છે ખાસ કરીને આ ગેંગના સભ્ય પથુભા મેરૂભા ગોહિલની જામીન અરજી સુપ્રીમ કોર્ટ દ્વારા પણ ફગાવી દેવામાં આવી છે, આ અંગે ભાવનગર પોલીસ અધિક્ષકની કચેરીએથી મળતી માહિતી મુજબ ​ભાવનગર અને બોટાદ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી એક સંગઠિત ટોળકી સક્રિય હતી આ ટોળકી ગરીબ અને અભણ ખેડૂતોની જમીનોના બનાવટી કુલમુખત્યારનામા અને અન્ય નકલી દસ્તાવેજો તૈયાર કરતી હતી આ માટે તેઓ મૃતક નોટરીના સિક્કાનો પણ ઉપયોગ કરતા હતા, ​જ્યારે કોઈ અસલી ખરીદનાર જમીનનો સોદો કરે, ત્યારે આ ટોળકી વાંધા અરજીઓ કરી અથવા ખોટા દસ્તાવેજો બતાવી કરોડો રૂપિયાની ખંડણી માંગતી હતી, ખેડૂતો અને બિલ્ડરોને ધાકધમકી આપી પરેશાન કરવામાં આવતા હતા, ​GCTOC હેઠળ કાર્યવાહી ​ઘોઘા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનાની ગંભીરતા જોતા, પોલીસ અધિક્ષક દ્વારા આ કેસમાં ગુજસીટોક (GCTOC) ની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો હતો, જુલાઈ 2024 માં આ સંગઠિત ટોળકીના સભ્યોની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા, જેમાં મહાવીરસિંહ કનુભા ગોહિલ રહે.ચિત્રા, ભાવનગર, ચંદ્રકાંત પુરૂષોત્તમભાઈ સોલંકી રહે.રખિયાલ, અમદાવાદ પ્રદ્યુમનસિંહ ઉર્ફે પદુભા ખોરડી અજુભા ગોહિલ રહે.કાળીયાબીડ, રવીરાજસિંહ મહાવીરસિંહ ગોહિલ રહે.ચિત્રા, પથુભા મેરૂભા ગોહિલ રહે.શિક્ષક સોસાયટી, તથા રવિન્દ્રસિંહ તોગુભા ગોહિલ રહે.કાળીયાબીડ ધરપકડ કરી હતી, ​આ ટોળકીના સભ્યોએ અગાઉ સેશન્સ કોર્ટ, ગુજસીટોક કોર્ટ (રાજકોટ) અને ગુજરાત હાઇકોર્ટમાં જામીન મેળવવા પ્રયાસો કર્યા હતા, જે તમામ અરજીઓ નામંજૂર થઈ હતી, ત્યારબાદ આરોપી પથુભા મેરૂભા ગોહિલે સુપ્રીમ કોર્ટમાં જામીન માટે દાદ માંગી હતી, જોકે, સુપ્રીમ કોર્ટે પણ લાંબી દલીલોના અંતે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી તેમની જામીન અરજી ફગાવી દીધી છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 7:37 pm

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ટીટોડીએ ચાર ઈંડા મૂક્યા:લોકમાન્યતા મુજબ સારા ચોમાસાની આશા જાગી

ભરૂચ શહેરની સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવેલી ખુલ્લી જમીનમાં ટીટોડી પક્ષીએ ચાર ઈંડા મૂક્યા છે. આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં કુતૂહલ સર્જાયું છે. ચોમાસા પહેલાં ટીટોડીના ઈંડાને આધારે વરસાદ અંગે આગાહી કરવાની પ્રાચીન લોકમાન્યતા હોવાથી આ ઘટના ચર્ચાનો વિષય બની છે. પ્રાચીન સમયમાં, જ્યારે વિજ્ઞાન અને આધુનિક હવામાન અનુમાનની સુવિધાઓ ઉપલબ્ધ ન હતી, ત્યારે લોકો કુદરતી સંકેતોના આધારે વરસાદની આગાહી કરતા હતા. પૂર્વજો વિવિધ પક્ષીઓ, પ્રાણીઓ અને કુદરતી પરિબળોના અવલોકન પરથી ચોમાસા વિશે અંદાજ લગાવતા હતા. તેમાં ટીટોડીના ઈંડા સાથે જોડાયેલી લોકવાયકા પણ મહત્વની માનવામાં આવે છે. ટીટોડી સામાન્ય રીતે જમીન પર રહેતું પક્ષી છે અને મોટાભાગે ખુલ્લી જમીનમાં જ ઈંડા મૂકે છે. કહેવાય છે કે આ પક્ષી સામાન્ય રીતે ત્રણ ઈંડા મૂકે છે, પરંતુ ભરૂચની સિવિલ હોસ્પિટલના સંકુલમાં ચાર ઈંડા મુકાયા હોવાનું જોવા મળ્યું છે. લોકમાન્યતા મુજબ, ટીટોડી ચાર ઈંડા મૂકે તો ચોમાસાના ચાર મહિના સારા વરસાદની સંભાવના હોવાનું માનવામાં આવે છે. આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં સારા ચોમાસાની આશા વ્યક્ત થઈ રહી છે. આ ઉપરાંત, એવી પણ માન્યતા પ્રચલિત છે કે ટીટોડી જો ઊંચી જગ્યાએ ઈંડા મૂકે તો તે વર્ષે વરસાદનું પ્રમાણ વધારે રહેવાની શક્યતા રહે છે. જોકે, વરસાદ અંગે ચોક્કસ આગાહી માટે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અનુમાનને જ મહત્વ આપવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 7:35 pm

કરિયાણાની દુકાન ચલાવતા શખ્સે વાણંદ પર અસ્ત્રા વડે હુમલો કર્યો:લોહીથી લથપથ હાલતમાં યુવકનું મોત, વડોદરામાં એક જ દિવસમાં હત્યાનો બીજો બનાવ

વડોદરા શહેરમાં એક જ દિવસમાં હત્યાનો બીજો બનાવ બનતા ચકચાર મચી છે. શહેર નજીક આવેલા સુંદરપુરા પાટિયા વિસ્તારમાં કરિયાણાની દુકાન ચલાવતા કિરણભાઈ નામના શખ્સે અસ્ત્રા વડે હુમલો કરતા 36 વર્ષીય મિતેશકુમાર રમણભાઈ વાળંદ ગંભીર રીતે ઘાયલ થયા હતાં. લોહીથી લથપથ હાલતમાં યુવકને તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક યુવક મૂળ ભરૂચના માતર ગામનો વતની હોવાનું જાણવા મળ્યું છે. આ કરપીણ હત્યાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. કરિયાણાની દુકાન ચલાવતા શખ્સે યુવકને અસ્ત્રો મારીને પતાવી દીધોવડોદરા શહેરમાં જાણે એક બાદ એક હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. ગત મોડી રાત્રે પતિએ પત્નીની ચાકુના ઘા મારી હત્યા કરી નાખી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ત્યારે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. એક જ દિવસમાં બીજી કરપીણ હત્યાની ઘટના સામે આવી છે. આ વખતે શહેર નજીક આવેલા સુંદરપુરા પાટિયા વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો છે. મળતી માહિતી અનુસાર, શહેર નજીક અને કપુરાઈ પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલા સુંદરપુરા પાટિયા પાસે જી.ઈ.બી.ની બાજુમાં આવેલા ઓરનેટ વિલા કો-ઓપરેટિવ સોસાયટી નીચેની હેર કટિંગની દુકાન પાસે આ ઘટના બની છે. કરિયાણાની દુકાન ચલાવતા કિરણભાઈએ અચાનક અસ્ત્રા વડે હુમલો કર્યો હતો. લોહીથી લથપથ હાલતમાં યુવકનું મોતઘટનાસ્થળે લોહીથી લથપથ હાલતમાં મળી આવેલા યુવકને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, ત્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકની ઓળખ મિતેશકુમાર રમણભાઈ વાળંદ (ઉંમર 36 વર્ષ) તરીકે થઈ છે. આરોપીએ મૃતકને અસ્ત્રા વડે મોઢા અને ગળાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયોમૃતક મૂળ ભરૂચ જિલ્લાના માતરનો વતની હતો. આ હત્યાની ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી દીધી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે. આ હત્યા પાછળ મૂળ કરણ જાણી શકાયું નથી પરંતુ હત્યા સામાન્ય બોલાચાલીમાં થઈ હોવાનું હાલમાં જાણવા મળ્યું છે. આરોપીને ઝડપી પાડવા શોધખોળ શરૂકપુરાઈ પોલીસે હાલમાં યુવકની હત્યા કરનાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. યુવકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ આવતી કાલે કરવામાં આવશે. આ યુવકના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં કોલ્ડરૂમમાં મૂકવામાં આવ્યો છે. આ મામલે કપુરાઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ હત્યાના બનાવ માગે કપુરાઈ પોલીસ મથકમાં PI ડી. સી. રાઓલે જણાવ્યું હતું કે, આ હત્યાના બનાવમાં આરોપીને ઝડપી પાડવા સ્થાનિક પોલીસ, પીસીબી, ડીસીબી સહિતની ટીમો કામે લાગી છે. આ આરોપી હત્યા કરી ફરાર થઈ ગયો છે પોલીસે અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 7:35 pm

મહેસાણામાં હિટ એન્ડ રનની બે ઘટના, બેના મોત:રાધનપુર રોડ પર બાઈકચાલકે ટક્કર મારતા પિતાની નજર સામે દીકરીનું મોત, કાર અડફેટે ગાંધીનગર PDEUના વિદ્યાર્થીનો જીવ ગયો

મહેસાણા શહેરમાં હિટ એન્ડ રનની બે ઘટના સામે આવી છે. જેમાં બે લોકોના મોત થયા છે. આજે વહેલી સવારે પુરપાટ ઝડપે આવતા મોટરસાયકલ ચાલકે એક્ટિવાને અડફેટે લેતા 22 વર્ષીય યુવતીનું મોત નિપજ્યું છે, જ્યારે શુક્રવારની રાત્રિએ પુરપાટ આવતા કારચાલકે બાઈકને ટક્કર મારતા ગાંધીનગરની PDEU કોલેજમાં અભ્યાસ કરતા એક આશાસ્પદ વિદ્યાર્થીનું કરુણ મોત નિપજ્યું છે. દીકરીને પ્રવાસમાં મૂકવા પિતા એક્ટિવા પર નીકળ્યામહેસાણાના મોઢેરા રોડ પર આવેલી તિરૂપતિ સોસાયટીમાં રહેતા જયેશકુમાર શાંતિભાઈ પટેલ આજે વહેલી સવારે આશરે 4 વાગ્યાના સુમારે તેમની દીકરી નમસ્વીને ઉદેપુર પ્રવાસમાં મૂકવા માટે એક્ટિવા પર જઈ રહ્યા હતા. રાધનપુર રોડ પર આવેલા કાશી વિશ્વનાથ મંદિર પાસે જ્યારે તેઓ એક્ટિવા વળાવી રહ્યા હતા તે સમયે ડી-માર્ટ સર્કલ તરફથી પૂરઝડપે આવી રહેલા મોટરસાયકલ નંબર GJ 02 EH 1999 ના ચાલકે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. મોટરસાયકલે ટક્કર મારતા પિતા-પુત્રી રોડ પર પટકાયાઆ અકસ્માત એટલો ભયાનક હતો કે પિતા-પુત્રી બંને રોડ પર પટકાયા હતા. બંનેને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. 108 મારફતે તાત્કાલિક જયેશભાઈને લાયન્સ હોસ્પિટલ અને દીકરી નમસ્વીને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે સિવિલ હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તપાસ બાદ 22 વર્ષીય નમસ્વીને મૃત જાહેર કરી હતી. અકસ્માતમાં પિતા જયેશભાઈને પગે ફ્રેક્ચર અને માથાના ભાગે ઇજાઓ થઈ છે. જે હાલ સારવાર હેઠળ છે. દીકરીના મોતથી પરિવાર શોકમાં ગરકાવઘટના બાદ અકસ્માત સર્જનાર મોટરસાયકલ ચાલક પોતાનું વાહન સ્થળ પર જ મૂકીને નાસી છૂટ્યો હતો. મહેસાણા તાલુકા પોલીસે આ મામલે ગુનો નોંધી ફરાર બાઈક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આશાસ્પદ દીકરીના મોતના સમાચારથી પરિવાર અને પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મિત્રો બે મોટરસાઈકલ પર શહેરમાં ફરવા નીકળ્યાતો બીજી તરફ શુક્રવારની રાત્રે અન્ય એક અકસ્માતની ઘટનામાં એક વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. મહેસાણાના તિરૂપતિ બંગ્લોઝમાં રહેતા અને ગાંધીનગર PDEU કોલેજમાં B.Tech ના બીજા વર્ષમાં અભ્યાસ કરતા મયંકકુમાર ચૌધરીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમના કોલેજના મિત્રો યશવીરસિંઘ (લોનાવાલા), આયુષ મરચન્ટ (નવસારી) અને રોશનસિંઘ (રાજકોટ) મહેસાણા ખાતે તેમને મળવા આવ્યા હતા. રાત્રિના સમયે તમામ મિત્રો બે મોટરસાઈકલ પર સવાર થઈ મહેસાણા શહેર ફરવા નીકળ્યા હતા. પૂરપાટ આવતી કારે આયુષના બાઈકને ટક્કર મારી હતીરાત્રિના આશરે પોણા બાર વાગ્યાના સુમારે જ્યારે તેઓ પાંચોટ સર્કલથી પરત ફરી રહ્યા હતા, ત્યારે રાધનપુર રોડ પર કપિલા હનુમાન મંદિર અને રાજધાની ટાઉનશીપની સામે આ અકસ્માત સર્જાયો હતો. આગળ જઈ રહેલા આયુષ અને રોશનસિંઘના બાઈક GJ-01-YD-0304 ને સામેથી આવતી એક કાર GJ-02-DA-5573 ના ચાલકે અચાનક વળાંક લઈને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ કાર ચાલક ઘટનાસ્થળે ગાડી મૂકીને નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત રોશનસિંઘનું મોત નિપજ્યુંગંભીર રીતે ઘાયલ થયેલા બંને મિત્રોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે મહેસાણાની આયુષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન રાજકોટના રહેવાસી રોશનસિંઘને માથાના ભાગે ગંભીર ઈજાઓ હોવાથી ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે નવસારીના આયુષ મરચન્ટને મોઢા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા હાલ તેની સારવાર ચાલી રહી છે. વિદ્યાર્થીના મોતથી કોલેજના મિત્રો અને પરિવારમાં ભારે શોકમહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસે આ મામલે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક વિદ્યાર્થીના પરિવારજનો આવી પહોંચતા લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટનાથી કોલેજના મિત્રો અને પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 7:30 pm

પંચમહાલમાં ભૂમિ સીમાંકન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ:કલેક્ટર અજય દહીંયાએ અધિકારીઓને ઝડપી કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી

પંચમહાલ જિલ્લા સેવાસદન કચેરી ખાતે ભૂમિ સીમાંકન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર અજય દહીંયાએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં ભૂમિ સીમાંકન કામગીરીને વધુ ગતિશીલ અને અસરકારક બનાવવાનો હતો. બેઠકમાં જિલ્લામાં ચાલી રહેલી ભૂમિ સીમાંકન કામગીરીની વર્તમાન સ્થિતિ, પ્રગતિ અને બાકી રહેલ કામગીરી અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરે સંબંધિત અધિકારીઓ પાસેથી તાલુકાવાર અને વિસ્તારવાર હાથ ધરાયેલી કામગીરીની માહિતી મેળવી હતી. સીમાંકન પ્રક્રિયા દરમિયાન ઉપસ્થિત થતા પ્રશ્નો, વહીવટી અડચણો અને સ્થળ પરના વ્યવહારુ પડકારો અંગે પણ વિસ્તૃત ચર્ચા થઈ હતી. ખાસ કરીને જમીનના હક, સીમા નિર્ધારણમાં થતી ગેરસમજ, દસ્તાવેજી વિસંગતતા અને સ્થળીય સ્તરે આવતી મુશ્કેલીઓ જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. કલેક્ટર અજય દહીંયાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે ભૂમિ સીમાંકન જેવી મહત્વપૂર્ણ કામગીરીમાં બેદરકારી કે વિલંબ સહન કરવામાં આવશે નહીં. તેમણે અધિકારીઓને બાકી રહેલ પડતર કામગીરી સત્વરે પૂર્ણ કરવા અને કોઈ પણ પ્રશ્નોનો સમયસર ઉકેલ લાવવા સૂચનાઓ આપી હતી. જિલ્લામાં ભૂમિ સીમાંકન પ્રક્રિયા સુચારૂ રીતે પૂર્ણ થાય તે માટે સંબંધિત વિભાગો વચ્ચે સક્રિય સંકલન રાખવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી હતી. આ સમીક્ષા બેઠક દ્વારા જિલ્લા વહીવટીતંત્રે ભૂમિ સીમાંકન કામગીરીને પ્રાથમિકતા આપવાનો અને તમામ બાકી કામગીરી ઝડપથી પૂર્ણ કરવાનો સંદેશ આપ્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 7:28 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસનો બેઠકનો દોર:મુકુલ વાસનિકની બીજી વખત બેઠક, અમદાવાદમાં 7 સ્થળ પર દાવેદારોને સાંભળવાની સેન્સ પ્રક્રિયા શરૂ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક ફરી એક વખત ગુજરાત આવ્યા છે. મુકુલ વાસનિક બે દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે જાહેર કરાયેલી અલગ અલગ સમિતિઓના ચેરમેન, વાઇસ ચેરમેન અને કન્વીનર સાથે બીજી વખત બેઠક કરી છે. તેમજ રાજીવ ગાંધી ભવન પર અલગ અલગ કમિટીના સભ્યો સાથે પણ ચૂંટણીને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ અને પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકે ચર્ચા કરી હતી. તો બીજી તરફ અમદાવાદ શહેરમાં સેન્સ પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. મુકુલ વાસનિક દ્વારા દરેક કમિટી સાથે બેઠકગુજરાત કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને છેલ્લા ઘણા સમયથી તૈયારીઓ શરૂ દેવામાં આવી છે. રાજીવ ગાંધી ભવન બેઠકનો દોર પણ ચાલી રહ્યો છે. બે દિવસ ગુજરાતના પ્રવાસે આવેલા મુકુલ વાસનિક દ્વારા દરેક કમિટી સાથે બેઠક કરી હતી. જેમાં કમિટીને સોંપવામાં આવેલી કામગીરી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જનતાને આકર્ષવા માટે કાર્યક્રમ કરી શકાય તેની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ દરેક કમિટીને સોંપેલી કામગીરી યોગ્ય રીતે ચાલી રહી છે કે નહીં તેની પણ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકે બેઠકમાં સમીક્ષા કરી હતી. તેમજ મતદારને આકર્ષવા માટે શું કરી શકાય તે માટેના સૂચનો પણ કમિટીના સભ્યો પાસે માંગવામાં આવ્યા છે. 50થી ઓછી ઉંમરના ધરાવતા 50 ટકા લોકોને ટિકિટ આપવાનો નિર્ણયઅમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. શહેરના અલગ અલગ સાત જેટલા સ્થળો પર દાવેદારોને નિરીક્ષક દ્વારા સાંભળવામાં આવી રહ્યા છે. 50થી ઓછી ઉંમરના ધરાવતા 50 ટકા લોકોને ટિકિટ આપવાનો નિર્ણય કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. જોકે બિન રાજકીય લોકો કોંગ્રેસ સાથે જોડાઈને ચૂંટણી લડે તે માટે QR કોડ પણ જાહેર કરવામાં આવ્યો છે. જેના પર પણ ચૂંટણી લડવા ઇચ્છતા લોકો દાવેદારી નોંધાવી રહ્યા છે. લોકોને સાંભળવાની સેન્સ પ્રક્રિયા શરૂ અમદાવાદ શહેરમાં ચૂંટણી લડવા ઇચ્છતા હોય તેવા લોકોને સાંભળવાની સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ અલગ અલગ સ્થળ પોતાના વોર્ડમાં ચૂંટણી લડવા માટે નિરીક્ષક પાસે ફોર્મ ભરીને દાવેદારી નોંધાવી રહ્યા છે. સામાજિક અને આર્થિક બાબતોને ધ્યાનમાં રાખીને રિપોર્ટ તૈયારત્યાર બાદ તેમણે સાંભળ્યા બાદ બાયોડેટા એકત્ર કરીને તેમનો વિસ્તૃત રિપોર્ટ પણ તૈયાર કરી પ્રદેશ કોંગ્રેસ સંગઠનને મોકલવામાં આવશે. જેમાં સામાજિક અને આર્થિક બાબતોને ધ્યાનમાં રાખીને રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. દાવેદારોને સાંભળીને એક પેનલ પણ તૈયાર કરવામાં આવશે. જે બાદ પ્રદેશ સંગઠન દ્વારા ઉમેદવારોની પસંદગી યાદી જાહેર કરવામાં આવશે. 'સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને ભાજપે અડ્ડો બનાવી દીધો'ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, SIRની કામગીરી બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે. કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ સ્તરે સંગઠનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. અલગ અલગ યાત્રા કાઢીને 50 દિવસમાં 5000 કિલોમીટર ભ્રમણ કર્યું હતું. જેમાં સરકાર સામે લોકોની નારાજગી જોવા મળી હતી. તેમાં પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને ભાજપે અડ્ડો બનાવી દીધો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જ્યાં સુધી કમિશન કમલમ ના પહોંચે ત્યાં સુધી કોન્ટ્રાક્ટ આપવામાં આવતો નથી. બ્રિજ અને પાણીની ટાંકી તૂટી જાય છે. તેવા સંજોગોમાં ગૃહિણીઓ મોંઘવારીથી પરેશાન છે અને ગેસની બોટલ માટે લાઈનમાં ઊભા રહેવા મજબૂર બની છે. ગુજરાતની કોલેજો ડ્રગ્સનો અડ્ડો બની ગઈ છે. 'ચૂંટણીની જાહેરાત બાદ તરત જ ઉમેદવારોની પસંદગી જાહેર કરાશે'વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવી છે. બધી કમિટી સાથે પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક દ્વારા મિટિંગ કરવામાં આવી હતી. જેથી તમામનો અભિપ્રાય લઈને ચૂંટણી લડીશું. મહાનગરમાં પણ બધા લોકો કોંગ્રેસ સાથે જોડાય અને QR કોડથી અરજી કરી શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે તેમ જ તે લોકોને સાંભળવાની પણ પ્રક્રિયા ચાલી રહી છે. જે બાદ ચૂંટણીની જાહેરાત થયા પછી તરત જ ઉમેદવારોની પસંદગી યાદી પણ જાહેર કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 7:20 pm

મુખ્યમંત્રીના કાર્યક્રમ માટે પંચમહાલમાં બેઠક યોજાઈ:શહેરા ખાતેના કાર્યક્રમના આયોજનની ચર્ચા થઈ

પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ્' ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શહેરા ખાતેના કાર્યક્રમના આયોજન માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ કાર્યક્રમ આવતીકાલે, 15 માર્ચના રોજ યોજાવાનો છે. બેઠકમાં પંચમહાલ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રભારી હર્ષદ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ભાજપના પદાધિકારીઓએ પણ હાજરી આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજન, વ્યવસ્થાપન, સંકલન અને જવાબદારીઓના વિતરણ જેવા વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. પદાધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન કાર્યક્રમને સુચારુ અને ભવ્ય બનાવવા માટેની તૈયારીઓ અંગે સૂચનો પણ અપાયા હતા. જિલ્લા ભાજપ સંગઠન દ્વારા શહેરા ખાતેના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તત્પરતાપૂર્વક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 7:18 pm

AAPનો ગેસ બાટલાની અછત, મોંઘવારી મુદ્દે વિરોધ:સુરેન્દ્રનગરમાં ખીજડીયા હનુમાન નજીક પ્રદર્શન, પોલીસે અટકાયત કરી

સુરેન્દ્રનગર શહેરમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ગેસ સિલિન્ડરની અછત અને મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન ખીજડીયા હનુમાન ચોક વિસ્તારમાં યોજાયું હતું. AAPના આગેવાનો રમેશભાઈ મેર, મયુરભાઈ સાકરીયા, કમલેશભાઈ કોટેચા, માધવીબા સહિતના કાર્યકરોએ રેલી કાઢી હતી. પ્રદર્શનકારીઓએ લારીમાં ગેસના બાટલા મૂકીને જોરશોરથી વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં મહિલાઓએ ભાજપ વિરોધી નારા લગાવ્યા હતા. મેઈન રોડ પર રેલી કાઢવામાં આવતા ઘટનાસ્થળે પોલીસ કાફલો દોડી ગયો હતો. પોલીસે AAPના તમામ હોદ્દેદારો અને કાર્યકરોની અટકાયત કરી હતી.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 7:18 pm

મોરબી જેલ બહારથી ફેંકાયેલું પોટલું ઝડપાયું:મોબાઈલ, માવા, બીડી, ચૂનો મળ્યા; ફરિયાદની તજવીજ

મોરબી સબ જેલ બહારથી જેલની અંદર ફેંકવામાં આવેલું એક પોટલું જેલ સ્ટાફની સતર્કતાને કારણે ઝડપાઈ ગયું છે. આ પોટલામાંથી એક મોબાઈલ ફોન, માવા, બીડી અને ચૂનો મળી આવ્યા હતા. જેલ સત્તાવાળાઓ દ્વારા આ મામલે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સબ જેલના જેલર એચ.એ. બાબરીયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, સવારે જેલ સ્ટાફ દ્વારા જેલની બહારના ભાગમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન આ પોટલું મળી આવ્યું હતું, જેને સગેવગે કરવામાં આવે તે પહેલા જ કબજે કરી લેવાયું હતું. પોટલાની તપાસ કરતા તેમાંથી લાવા કંપનીનો એક મોબાઈલ ફોન, ચાર માવાના પેકેટ, બીડીની એક જુડી અને એક ચૂનાની ટોટી મળી આવી હતી. નોંધનીય છે કે, આશરે પોણા બે મહિના પહેલા અમદાવાદથી આવેલી જડતી સ્કવોડે મોરબી સબ જેલની જડતી લીધી હતી. તે સમયે બેરેક નંબર ૩ અને ૪ વચ્ચેના જનરલ સંડાસ-બાથરૂમમાંથી સીમકાર્ડ વગરના બે કીપેડ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. તે બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કેદી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો, જેની તપાસ પીએસઆઈ સી.એમ. કરકર કરી રહ્યા છે. આ અગાઉના મોબાઈલ કોના હતા અને તેનો ઉપયોગ કોણ કરતું હતું તે અંગેની વિગતો હજુ બહાર આવી નથી, ત્યાં ફરી એકવાર જેલમાં મોબાઈલ ઘુસાડવાનો પ્રયાસ થયો છે. હાલમાં ઝડપાયેલા મોબાઈલ ફોનના IMEI નંબરના આધારે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે. જેલ સ્ટાફની સતર્કતાને કારણે મોબાઈલ જેલમાં પહોંચાડવાનો આ પ્રયાસ નિષ્ફળ રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 7:14 pm

પાટણમાં રૂ. 17.70 કરોડના ખર્ચે ટાઉનહોલનું ખાતમુહૂર્ત:મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અટલ બિહારી વાજપેયી ટાઉનહોલ બનશે

પાટણ નગરપાલિકા વિસ્તારમાં ટી.પી-2 ના ફાઇનલ પ્લોટ નં. 170 ખાતે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની 'આગવી ઓળખ' ઘટક હેઠળ ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ટાઉનહોલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ માટે ₹17.70 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આ નવતર પ્રકલ્પનું વિધિવત ખાતમુહૂર્ત પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના સહયોગથી પાટણ શહેરના વિકાસમાં વધારો કરવાના હેતુથી આ ટાઉનહોલનું નિર્માણ હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ પાટણ નગરપાલિકા દ્વારા સંચાલિત છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાનો છે. ખાતમુહૂર્ત વિધિમાં પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોર ઉપરાંત પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન એ. પરમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર, કલેકટર તુષાર ભટ્ટ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, હર્ષભાઈ પટેલ તેમજ બાંધકામ શાખાના ચેરમેન મહેશભાઈ એમ. પટેલ હાજર રહ્યા હતા. આ પ્રસંગે નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર, શાસક પક્ષના નેતા દશરથજી એસ. ઠાકોર અને અન્ય સદસ્યો પણ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 7:13 pm

વાપીમાં 20 સિટી બસો શરૂ, 10 રૂટ પર દોડશે:ટૂંકા અંતર માટે રૂ. 5, લાંબા અંતર માટે મહત્તમ રૂ. 10 ભાડુ, મુસાફરોની સુવિધામાં વધારો

ઔદ્યોગિક નગરી વાપીમાં પરિવહન સુવિધાને વેગ આપવા માટે વાપી મહાનગરપાલિકાએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. લાંબા સમયની રાહ જોયા બાદ, શહેરના મુખ્ય 10 રૂટ પર 20 સિટી બસોની સેવા શરૂ કરવામાં આવી છે. આ બસોમાં મુસાફરીનો દર ટૂંકા અંતર માટે રૂ, 5 અને લાંબા અંતર માટે મહત્તમ રૂ, 10 રાખવામાં આવ્યો છે, જે સામાન્ય જનતા માટે રાહતરૂપ છે. વાપીમાં સતત વધતા ટ્રાફિક અને ખાનગી વાહનોના વધુ પડતા ઉપયોગ વચ્ચે આ નવી બસ સેવા આશીર્વાદરૂપ સાબિત થશે. રિક્ષાચાલકો દ્વારા વસૂલવામાં આવતા મનફાવે તેવા ભાડા અને કનેક્ટિવિટીના અભાવે પરેશાન થતા નોકરિયાતો અને શ્રમિક વર્ગને આનાથી મોટો ફાયદો થશે. આ બસ સેવા રેલવે સ્ટેશન, જીઆઈડીસી (GIDC) વિસ્તારો અને વિવિધ રહેણાંક વિસ્તારો વચ્ચે સીધી કનેક્ટિવિટી પૂરી પાડશે. આનાથી મુસાફરોના પૈસા અને સમય બંનેની બચત થશે. વાપી મહાનગરપાલિકા તંત્રએ જણાવ્યું કે, 'વાપીના નાગરિકોને સસ્તી અને સુવિધાયુક્ત પરિવહન સેવા મળે તે અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ બસ સેવા શરૂ થવાથી શહેરના આંતરિક વિસ્તારોમાં અવરજવર કરવી સરળ બનશે.'

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 7:11 pm

ટર્મ પૂર્ણ થવાના 3 દિવસ પહેલા મેંદરડા તા.પં. પ્રમુખનું રાજીનામું:અનુસૂચિત જાતિના હોવાથી ભેદભાવ રાખી અધિકારીઓ ફાઈલ અટકાવી રાખતા હોવાનો આક્ષેપ

જૂનાગઢ જિલ્લાના મેંદરડા રાજકારણમાં આજે મોટો ભૂકંપ આવ્યો છે. મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ જયકિશનભાઈ મનસુખભાઈ માકડીયાએ તાલુકા વિકાસ અધિકારી અને બાંધકામ શાખાના ઇજનેરના નકારાત્મક વલણ અને કથિત જ્ઞાતિવાદ આધારિત ભેદભાવથી કંટાળીને પોતાના પદ પરથી તાત્કાલિક અસરથી રાજીનામું ધરી દીધું છે. પ્રમુખે જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખીને ગંભીર આક્ષેપો કર્યા છે કે અધિકારીઓ દ્વારા લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રતિનિધિનું અપમાન કરવામાં આવે છે અને વિકાસના કામોમાં જાણીજોઈને અડચણો ઊભી કરવામાં આવે છે. જાતિવાદ અને સત્તાના દુરુપયોગના ગંભીર આક્ષેપો​રાજીનામા પત્રમાં જયકિશનભાઈએ અત્યંત આક્રોશ સાથે જણાવ્યું છે કે, હું અનુસૂચિત જાતિનો ચૂંટાયેલ પ્રતિનિધિ હોવાથી મારી સાથે ભેદભાવપૂર્ણ અને દબાણભર્યો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. આ માત્ર મારું વ્યક્તિગત અપમાન નથી, પરંતુ સમગ્ર દલિત સમાજના સ્વાભિમાન પર પ્રહાર છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં આક્ષેપ કર્યો છે કે તાલુકા વિકાસ અધિકારી સવર્ણ જ્ઞાતિના હોવાથી તેઓ અનુસૂચિત જાતિના પ્રમુખનું વર્ચસ્વ સ્વીકારી શકતા નથી અને તેમને કામ કરતા અટકાવી રહ્યા છે. ​ત્રણ વખત આયોજન સમિતિની બેઠક રદ કરાઈ​પ્રમુખે રાજીનામા માટેના મુખ્ય કારણોમાં વહીવટી તંત્રની મનસ્વીતા ગણાવી છે. જેમાં 9 સપ્ટેમ્બર, 2025ની બેઠકમાં અધિકારીઓ હાજર હોવા છતાં TDOએ મિનિટબુકમાં તેમની સહીઓ છેકી નાખી તેમને ગેરહાજર બતાવ્યા અને કોઈપણ ચર્ચા વગર બેઠક મુલત્વી રાખી હોવાનું ઠરાવ્યું. તા.26 ફેબ્રુઆરી-2026ની બેઠકમાં કોરમ પૂર્ણ હોવા છતાં, પંચાયત અધિનિયમની ઉપરવટ જઈને 'ઇજનેર હાજર નથી' તેવું મૌખિક બહાનું કાઢી બેઠક રદ કરવામાં આવી. 16 માર્ચ,2026ની આયોજન બેઠકમાં આગામી 16 માર્ચના રોજ નક્કી થયેલી બેઠક પણ ગઈકાલે ટેલિફોનિક જાણ કરી રદ કરી દેવામાં આવતા પ્રમુખનો ધીરજ ખૂટી ગઈ હતી. ​'નામનો પ્રમુખ બની રહેવું મંજૂર નથી: પ્રમુખ'​જયકિશનભાઈએ વધુમાં જણાવ્યું હતું કે પ્રજાએ મને વિકાસના કામો કરવા માટે મતો આપ્યા છે. પરંતુ જો TDO અને મદદનીશ ઇજનેર સતત ફાઈલો અટકાવતા હોય અને લોકહિતના નિર્ણયો અમલમાં ન આવવા દેતા હોય, તો માત્ર ખુરશી પર બેસી રહેવાનો કોઈ અર્થ નથી. મારું રાજકીય અસ્તિત્વ ખતમ કરવાના બદઈરાદાથી આ અધિકારીઓ કામ કરી રહ્યા છે. ​ઉચ્ચ સ્તરે રજૂઆત અને તપાસની માંગ​આ રાજીનામાની નકલ માત્ર જિલ્લા વિકાસ અધિકારીને જ નહીં, પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પંચાયત મંત્રી, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ-જનજાતિ આયોગ નવી દિલ્હી અને વિકાસ કમિશનરને પણ મોકલવામાં આવી છે. પ્રમુખે માંગ કરી છે કે જવાબદાર TDO અને ઇજનેર સામે નિષ્પક્ષ તપાસ કરી કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જો યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં પ્રજાને સાથે રાખી મોટા લોકશાહી આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. ​વહીવટી તંત્ર અને ચૂંટાયેલા જનપ્રતિનિધિ વચ્ચેના આ ગજગ્રાહને કારણે મેંદરડા તાલુકાના વિકાસના કામો હાલ અટકી પડ્યા છે.જેની સીધી અસર સ્થાનિક પ્રજા પર પડી રહી છે. હવે જોવાનું એ રહેશે કે જિલ્લા વહીવટી તંત્ર આ મામલે શું પગલાં ભરે છે. આ સમગ્ર મામલે મેંદરડાના તાલુકા વિકાસ અધિકારી સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, આગામી 17 માર્ચના તેમનો કાર્યકાળ પૂરો થાય છે. અને જે જ્ઞાતિ ભેદભાવની વાત કરવામાં આવી છે તે મામલે હું કંઈ જાણતો નથી કારણ કે હું અહીં થોડો સમય પહેલા જો ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યો છું.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 7:09 pm

રાષ્ટ્રીય લોક અદાલતમાં 17 હજારથી વધુ કેસોનો નિકાલ:અકસ્માત વળતરના એક કેસમાં રૂ.88.50 લાખનો ઐતિહાસિક હુકમ

ચેક રિટર્ન કેસો સહિત વિવિધ પ્રકારના સમાધાનલાયક કેસો રજૂ કરવામાં આવ્યાં ભાવનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આજરોજ જિલ્લામાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, આ લોક અદાલતમાં વિવિધ પ્રકારના સમાધાનલાયક કેસોના ઝડપી અને સુલભ નિકાલ માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા લોક અદાલત દરમિયાન કુલ 17,149 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો, જેમાં રૂ.14.04 કરોડથી વધુની સમાધાન રકમનો હુકમ કરવામાં આવ્યો હતો. ભાવનગર જિલ્લા ન્યાયાધીશ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ એચ.એસ. મુલીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લાની વિવિધ કોર્ટોમાં લોક અદાલત યોજાઈ હતી. જેમાં સમાધાનપાત્ર ફોજદારી કેસો, મોટર અકસ્માત વળતર અરજીઓ, ચેક રિટર્ન કેસો તેમજ દેવા વસુલાતને લગતા દિવાની કેસો સહિત વિવિધ પ્રકારના સમાધાનલાયક કેસો રજૂ કરવામાં આવ્યા હતા. લોક અદાલતમાં મોટર અકસ્માત વળતર સંબંધિત 34 કેસોનો નિકાલ કરી રૂ.3,69,00,000 નું વળતર મંજૂર કરવામાં આવ્યું હતું જેમાં એક ઉલ્લેખનીય કેસમાં સરકારી કર્મચારીના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયાના બનાવમાં મૃતકની પત્ની કાળીબેન કનૈયાલાલ ઘોઘારીને ચોથા એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ જે.જી. દામોદરાની કોર્ટ દ્વારા રૂ.88,50,000 નું વળતર ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો, આ ઉપરાંત 8468 પ્રિલીટીગેશન કેસોનો પણ સમાધાનથી નિકાલ કરી રૂ.1,22,74,435 નું વળતર નક્કી કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતને સફળ બનાવવા જિલ્લાના તમામ જ્યુડિશિયલ ઓફિસરો, બાર એસોસિએશનના પ્રમુખઓ, વકીલઓ, જિલ્લા પોલીસ અધિક્ષક નિતિશ પાંડે, નોડલ ઓફિસર ડામોર, નાયબ પોલીસ અધિક્ષક સિંઘાલ તથા જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડ્સે મહત્વપૂર્ણ સહકાર આપ્યો હતો, તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફુલ ટાઈમ સેક્રેટરી ડી.બી.તિવારી તથા કોર્ટના કર્મચારીઓએ લોક અદાલત સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી,

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 6:54 pm

કાળાબજારીયાઓને પકડાવો અને મેળવો રોકડ ઇનામ:વિશ્વ ગ્રાહક અધિકાર દિને ગેસ સંગ્રહખોરો વિરુદ્ધ રાષ્ટ્રીય જાગૃતિ અભિયાનનો શંખનાદ ફૂંકાયો

15 Marchના રોજ 'વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ' ઉજવવામાં આવે છે, પરંતુ આ વર્ષે ગ્રાહકો ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખના જણાવ્યા અનુસાર, ઈરાન-અમેરિકા અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધની સ્થિતિને કારણે તેલ અને ગેસ પુરવઠામાં કટોકટી સર્જાઈ છે. આ તકનો લાભ ઉઠાવીને સ્થાપિત હિતોએ જીવનજરૂરી ચીજવસ્તુઓમાં કૃત્રિમ ભાવવધારો ઝીંકી દીધો છે, જેના કારણે કરોડો અસંગઠિત ગ્રાહકો પિસાઈ રહ્યા છે. ફરસાણ અને ચાના ભાવમાં તોતિંગ વધારોબજારમાં નફાખોરી એટલી હદે વધી છે કે ફરસાણના ભાવમાં કિલોએ Rs. 100 સુધીનો વધારો ઝીંકાયો છે. જે દાળવડા અગાઉ સસ્તા હતા, તેના ભાવ હવે Rs. 300 થી Rs. 400 પ્રતિ કિલોએ પહોંચ્યા છે. સામાન્ય માણસની ચાના કપમાં પણ Rs. 5 થી Rs. 10નો વધારો કરીને વેપારીઓ ગ્રાહકોના ખિસ્સા હળવા કરી રહ્યા છે. ગેસ સિલિન્ડરના કાળાબજારમુકેશ પરીખે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, રસોઈ ગેસના બાટલાની વ્યાપક તંગી વચ્ચે સરકાર મૂકપ્રેક્ષક બની રહી છે. 14.200 kgનો ડોમેસ્ટિક ગેસ સિલિન્ડર, જેનો સરકારી ભાવ Rs. 920 છે, તેનું કાળાબજારમાં Rs. 2000માં વેચાણ થઈ રહ્યું છે. તેવી જ રીતે, Rs. 1720ના ભાવના 19 kgના કોમર્શિયલ બાટલા Rs. 3500 થી Rs. 4000માં વેચાઈ રહ્યા છે. આટલું જ નહીં, સીલબંધ બાટલામાંથી 3 થી 4 કિલો ગેસની ચોરી પણ કરવામાં આવે છે. ફરિયાદ કરનાર ગ્રાહકોને 1000નું ઇનામકાળાબજારીયાઓને નાથવા માટે સમિતિએ 'રાષ્ટ્રીય ગ્રાહક જાગૃતિ અભિયાન' શરૂ કર્યું છે. જે ગ્રાહક ચોક્કસ પુરાવા સાથે કાળાબજાર કરનારાઓને પકડાવશે, તેવા પ્રથમ 25 ગ્રાહકોને Rs. 1000નું ઇનામ આપવામાં આવશે. સમિતિએ માગ કરી છે કે દરેક એજન્સીએ સ્ટોક પત્રક પ્રદર્શિત કરવું અને બુકિંગના 48 કલાકમાં ફ્રી હોમ ડિલિવરી આપવી ફરજિયાત છે. સરકાર સમક્ષ કડક પગલાની માગઆ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર પાઠવવામાં આવશે. ગ્રાહક સુરક્ષા સમિતિએ માગ કરી છે કે જિલ્લા કલેક્ટર અને પુરવઠા વિભાગ હેઠળ 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવે. કાળાબજાર કરનારાઓ વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ ધારા અને P.B.M. એક્ટ હેઠળ F.I.R. કરીને જેલભેગા કરવાની તંત્રને તાકીદ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 6:52 pm

કોંગ્રેસનું છાણાં અને ગેસના બાટલા સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન.:​જૂનાગઢમાં મોંઘવારી સામે કોંગ્રેસની મહિલાઓ ઉગ્ર વિરોધ સાથે મેદાને 'હાય રે ભાજપ હાય હાય' ના નારા સાથે મહિલાઓએ છાણાં-કુકર લઈને નોંધાવ્યો વિરોધ.​

દેશભરમાં સતત વધી રહેલી મોંઘવારી અને રાંધણ ગેસના આસમાને પહોંચેલા ભાવને પગલે સામાન્ય જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રદેશ કોંગ્રેસના આદેશ અનુસાર, આજે જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના આઝાદ ચોક ખાતે ભાજપ સરકારની આર્થિક નીતિઓ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરો અને મહિલા પાંખે હાથમાં ગેસના બાટલા, કુકર અને તગારામાં છાણાં લઈને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. ​ગૃહિણીઓનું બજેટ ખોરવાયું: હેમાબેન રૂપારેલિયા ​જૂનાગઢ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ હેમાબેન રૂપારેલિયાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજે રાંધણ ગેસના બાટલાના ભાવ ₹920 સુધી પહોંચી ગયા છે, જે ₹1000 ની નજીક છે. મોંઘવારી કુદકે ને ભૂસકે વધી રહી છે, જેના કારણે મધ્યમ અને ગરીબ વર્ગની ગૃહિણીઓનું ઘરનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. સવારથી સાંજ સુધીની તમામ ચીજવસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થયો છે, છતાં સત્તાધીશો ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. ​સ્મૃતિ ઈરાની અને મોદી સરકાર પર આકરા પ્રહાર ​વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના અગ્રણીઓએ ભૂતકાળની યાદ અપાવતા કહ્યું હતું કે, જ્યારે યુપીએ સરકાર વખતે ગેસના ભાવ અત્યાર કરતા ઘણા ઓછા હતા, ત્યારે સ્મૃતિ ઈરાની રસ્તા પર ઉતરીને વિરોધ કરતા હતા. આજે જ્યારે ભાવ બેફામ વધ્યા છે ત્યારે સ્મૃતિજી અને મોદીજી ક્યાં છે? વિકાસની મોટી મોટી વાતો કરતી સરકાર સામાન્ય માણસની થાળીમાંથી રોટલો છીનવી રહી હોય તેવું ચિત્ર ઊભું થયું છે. મોંઘવારીની અસર: અન્નક્ષેત્રો અને મંદિરો પર સંકટ ​હેમાબેને વધુમાં ઉમેર્યું હતું કે, માત્ર ઘર જ નહીં પરંતુ વધતી મોંઘવારી અને ગેસ-તેલના ભાવ વધારાને કારણે અન્નક્ષેત્રો, હોટલો અને મંદિરોના રસોડા પણ પ્રભાવિત થયા છે. અનેક જગ્યાએ સેવાકીય પ્રવૃત્તિઓ બંધ થવાના આરે છે. જો સરકાર સત્વરે ગેસના બાટલા અને ખાદ્યતેલના ભાવમાં ઘટાડો નહીં કરે, તો આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. ​આજના આ વિરોધ પ્રદર્શનમાં જૂનાગઢ શહેર કોંગ્રેસના અનેક હોદ્દેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી અને ભાજપ સરકારના પૂતળા દહન જેવો માહોલ સર્જી 'હાય રે મોંઘવારી' ના નારા સાથે આખું વાતાવરણ ગજવી મૂક્યું હતું.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 6:48 pm

23 વર્ષથી નાસતા ફરતા બે લીસ્ટેડ આરોપીઓ ઝડપાયા:વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં પેરોલ ફર્લો સ્કવોડે પકડ્યા

સુરેન્દ્રનગર સિટી પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં છેલ્લા 23 વર્ષથી નાસતા ફરતા બે લીસ્ટેડ આરોપીઓને પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડ્યા છે. આ આરોપીઓને મહારાષ્ટ્રના પુણે ખાતેથી પકડી પાડવામાં આવ્યા હતા. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) દ્વારા રાજકોટ રેન્જના જિલ્લાઓમાં પેરોલ, ફર્લો, વચગાળાના જામીન, પોલીસ જાપ્તામાંથી તેમજ જેલમાંથી ફરાર આરોપીઓને પકડવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) એ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજાને અસરકારક કામગીરી કરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ અન્વયે, પેરોલ ફર્લો સ્કવોડ સુરેન્દ્રનગરના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમા અને એલ.સી.બી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણે એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડની અલગ અલગ ટીમો બનાવી હતી. આ ટીમોએ એક્શન પ્લાન બનાવી સુરેન્દ્રનગર જિલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને ફરાર આરોપીઓને શોધી કાઢવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરી હતી. આ ઝુંબેશ દરમિયાન, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમા, પોલીસ હેડ કોન્સ્ટેબલ અજયવીરસિંહ ઝાલા અને પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ માથુકિયાએ ટેકનિકલ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરીને સચોટ બાતમી મેળવી હતી. સુરેન્દ્રનગર સિટી પોલીસ સ્ટેશનના ફર્સ્ટ ગુ.ર.નં. 90/2002, આઈ.પી.સી. કલમ 406, 114 મુજબના ગુનામાં નાસતા ફરતા લીસ્ટેડ આરોપીઓ જીનેશભાઈ સુરેશભાઈ સંઘવી અને સુરેશભાઈ ડાયાલલ સંઘવીને મહારાષ્ટ્રના પુણે ખાતેથી પકડી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં (૧) જીનેશભાઈ સુરેશભાઈ સંઘવી, રહે. ફ્લેટ નં. 204, એકદંત એપાર્ટમેન્ટ, આમ્બેગાવ પઠાર, પુણે, મહારાષ્ટ્ર અને (૨) સુરેશભાઈ ડાયાલલ સંઘવી, રહે. ફ્લેટ નં. 204, એકદંત એપાર્ટમેન્ટ, આમ્બેગાવ પઠાર, પુણે, મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. કાયદેસરની કાર્યવાહી બાદ આરોપીઓનો કબજો સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ કામગીરીમાં રોકાયેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓમાં પીઆઈ જે.જે. જાડેજા, પીએસઆઈ એન.એ. રાયમા, પીએસઆઈ જે.વાય. પઠાણ, હેડ કોન્સ્ટેબલ અજયવીરસિંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ માથુકિયા, પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રવિજયસિંહ રાણા, પોલીસ કોન્સ્ટેબલ ગીરીરાજસિંહ જાડેજા અને પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ મકવાણાનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 6:47 pm

સરકારી વકીલ અનિલ ત્રિપાઠીએ 10 વર્ષમાં 100 ગુનેગારોને સજા અપાવી:પોક્સો સહિત ગંભીર કેસોમાં મજબૂત પુરાવા રજૂ કરી પીડિતોને ન્યાય અપાવ્યો

વલસાડ શહેરમાં ગુનેગારો સામે કાયદાનો ગાળિયો મજબૂત કરનાર સરકારી વકીલ (DGP) અનિલ ત્રિપાઠીએ એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. છેલ્લા દસ વર્ષના તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે સચોટ દલીલો અને મજબૂત પુરાવાઓના આધારે 100 જેટલા આરોપીઓને સખત સજા અપાવવામાં સફળતા મેળવી છે. ત્રિપાઠીએ પોતાના 10 વર્ષના કાર્યકાળમાં ગંભીર ગુનાઓ, ખાસ કરીને મહિલાઓ અને બાળકો વિરુદ્ધના અત્યાચારના કેસોમાં આક્રમક વલણ અપનાવ્યું છે. તેમની કાર્યશૈલીમાં ઝીણવટભરી તપાસ, સાક્ષીઓને સુરક્ષાનો ભરોસો આપી જુબાની અપાવવી અને લાંબા સમયથી ચાલતા કેસોમાં ઝડપી ન્યાય અપાવવા માટે ડે-ટુ-ડે હિયરિંગ કરાવવાનો સમાવેશ થાય છે. આ સફળતાની સાથે એક ચિંતાજનક પાસું પણ સામે આવ્યું છે. DGP ત્રિપાઠીએ ખુલાસો કર્યો છે કે, ખાસ કરીને પોક્સો (POCSO) ના કેસોમાં આરોપીઓ હવે પીડિત પરિવારને ડરાવવા માટે નવી પદ્ધતિ અપનાવી રહ્યા છે. સરકારી વકીલ અનિલ ત્રિપાઠીએ જણાવ્યું કે, જ્યારે આરોપીઓને લાગે છે કે તેઓ કાયદાકીય રીતે ફસાયા છે, ત્યારે તેઓ પીડિતોને ધમકી આપે છે કે જો કેસ પાછો નહીં ખેંચો તો તમારું અને તમારી દીકરીનું નામ છાપામાં આપીને બદનામ કરીશું. સમાજમાં બદનામીના ડરે ઘણા પરિવારો પીછેહઠ કરે છે. આવી ધમકીઓ છતાં, કાયદો પીડિતોના હિતોનું રક્ષણ કરે છે. અનિલ ત્રિપાઠીએ વધુમાં જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટ અને પોક્સો એક્ટની કડક જોગવાઈ મુજબ, કોઈપણ સંજોગોમાં પીડિતની ઓળખ જાહેર કરી શકાતી નથી. જો કોઈ આરોપી કે અન્ય વ્યક્તિ પીડિતનું નામ મીડિયામાં આપવાની ધમકી આપે, તો તે પણ એક ગંભીર ગુનો બને છે. સરકારી વકીલની આ કામગીરી ગુનેગારોમાં ફફડાટ પેદા કરનારી છે. પીડિત પરિવારોએ આવી ખોટી ધમકીઓથી ડરવાની જરૂર નથી, કારણ કે કાયદો તેમની ઓળખ ગુપ્ત રાખવા માટે કટિબદ્ધ છે અને આવા કૃત્યો સામે કડક કાર્યવાહીની જોગવાઈ છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 6:45 pm

શહેરામાં બે બાઇક અથડાઈ, વૃદ્ધ ગંભીર ઈજાગ્રસ્ત:ધમાઈ ગામના વૃદ્ધને સારવાર અર્થે ગોધરા સિવિલ ખસેડાયા

પંચમહાલના શહેરા તાલુકાની ધરોલા ચોકડી પાસે બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ધમાઈ ગામના એક વૃદ્ધ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ધમાઈ ગામે રહેતા પટેલ ભરતસિંહ તેમના પુત્ર પ્રવિણ સાથે બાઇક પર સવાર થઈને સાપા ગામે જઈ રહ્યા હતા. આ દરમિયાન ધરોલા ચોકડી પાસેથી પસાર થતી વખતે તેમની બાઇક અને અન્ય એક બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતની ટક્કર એટલી જોરદાર હતી કે ભરતસિંહ રોડ પર પટકાયા હતા. તેમને શરીરે અને ખાસ કરીને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં ફ્રેક્ચરની આશંકા છે. ઘટના સ્થળે આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત ભરતસિંહને તાત્કાલિક પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 6:43 pm

PGVCL પોરબંદર સર્કલ દ્વારા મેગા ડ્રાઈવ:25 કરોડની વસૂલાત માટે 280 ટીમો ઉતરશે મેદાનમાં

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) ના પોરબંદર સર્કલ દ્વારા બાકી વીજ બિલની વસૂલાત માટે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અધિક્ષક ઈજનેર સી. સી. ડામોરે જણાવ્યું હતું કે, પોરબંદર સર્કલ હેઠળના ચાર ડિવિઝન – પોરબંદર સિટી, પોરબંદર રૂરલ, કેશોદ અને માંગરોળમાં ગ્રાહકો પાસેથી કુલ 25 કરોડ રૂપિયાની રકમ વસૂલવાની બાકી છે. આ બાકી રકમ પૈકી, 1000 રૂપિયાથી વધુનું બિલ બાકી હોય તેવા 41,818 ગ્રાહકો પાસેથી અંદાજે 14 કરોડ રૂપિયા લેવાના નીકળે છે. જ્યારે અન્ય ગ્રાહકોની બાકી રકમ 1 થી 999 રૂપિયાની વચ્ચે છે. કોર્પોરેટ ઓફિસ અને પોરબંદર સર્કલ દ્વારા આગામી 17 તારીખે એક ‘મેગા ડ્રાઈવ’નું આયોજન કરવામાં આવ્યું છે. PGVCL એ ગ્રાહકોને અપીલ કરી છે કે, તેઓ 17 તારીખ પહેલાં પોતાના બાકી લેણાંની ચુકવણી કરી દે. અન્યથા, પોરબંદર સર્કલની 280 જેટલી ટીમો મેગા ડિસકનેક્શન ડ્રાઈવ અંતર્ગત સ્થળ પર જઈને વીજ કનેક્શન કાપી નાખશે. આ ડ્રાઈવ દરમિયાન સ્થળ પર કોઈ પણ પ્રકારના પૈસા સ્વીકારવામાં આવશે નહીં. કનેક્શન કપાયા બાદ ગ્રાહકોએ રિકનેક્શન ચાર્જ ભરીને જ ફરીથી વીજ જોડાણ મેળવવું પડશે. સરકારી કચેરીઓના બાકી બિલો અંગે પણ કોર્પોરેટ દ્વારા મળેલી સૂચના મુજબ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોરબંદર નગરપાલિકાએ પણ PGVCLને 1.8 કરોડ રૂપિયા ચૂકવવાની ખાતરી આપી છે. વીજ કંપનીના અધિકારીઓએ નોંધ્યું હતું કે, ઘણા ગ્રાહકો વર્ષે એકવાર બિલ ભરવા ટેવાયેલા હોય છે અથવા આળસને કારણે બિલ ભરતા નથી. હવે 5000 રૂપિયાથી વધુની બાકી રકમ ધરાવતા ગ્રાહકો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમના લેણાંની કુલ રકમ 3.8 કરોડ જેટલી થાય છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 6:43 pm

અમરેલીના રામપરા ગામમાં 125 CCTV કેમેરા સ્થાપિત:ઉદ્યોગના સહયોગથી સુરક્ષા વધી, બન્યું રાજ્યનું પ્રથમ ગામ

ગુજરાતના અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામમાં એકસાથે 125 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. 5 હજારની વસ્તી ધરાવતા આ ગામમાં રામપરા ગ્રામપંચાયત ઓફિસથી કન્ટ્રોલ રૂમ કાર્યરત કરીને સમગ્ર ગામને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે. આ પહેલથી ગામની સુરક્ષામાં નોંધપાત્ર વધારો થયો છે. આ પ્રોજેક્ટ એલએન્ડટી જીઓસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ (LT) કંપનીના સહયોગથી CSR ફંડ હેઠળ હાથ ધરવામાં આવ્યો છે. ઉદ્યોગ નજીક આવેલું હોવાથી, રામપરા ગામને CSR ફંડમાંથી વિકાસના કાર્યોનો સતત લાભ મળી રહ્યો છે. ગામની ચારે તરફ, શેરીએ શેરીએ, ગલીઓમાં, ચોકમાં અને જાહેર માર્ગો ઉપર સીસીટીવી ફૂટેજ કેમેરા લગાવીને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. આ સીસીટીવી કેમેરાનું લોકાર્પણ કાર્યક્રમ ગ્રામપંચાયત ખાતે ASP જયવીર ગઢવીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે PSI કે.ડી. હડિયા, RFO યોગેશ કળસરીયા, સરપંચ છનાભાઈ વાઘ, અરજણભાઈ વાઘ, ઘનશ્યામભાઈ વાઘ, તલાટીમંત્રી અને એલ.એન્ડ.ટી. કંપનીના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ASP જયવીર ગઢવીએ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં ચાલી રહેલા 'ઈગલ આઈ' પ્રોજેક્ટ અંતર્ગત રામપરા ગામે 125 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરા ગામમાં ચોરી, ઘરફોડ જેવા ગુનાઓને શોધી કાઢવામાં અને અટકાવવામાં ખૂબ જ મદદરૂપ થશે. તેમણે ઉમેર્યું હતું કે, અમરેલી જિલ્લામાં જેટલા પણ ગામોમાં સીસીટીવી લાગ્યા છે તેમાં રામપરા ગામમાં સૌથી વધુ 125 સીસીટીવી કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 6:42 pm

બરોડા ડેરીની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું:ચૂંટણી પહેલા પ્રેસર પોલિટિક્સ શરૂ થયું હોવાનો કુલદીપસિંહ રાઉલજીનો આક્ષેપ, કહ્યું- MLA કેતન ઇનામદાર કનડગત કરી રહ્યા છે

બરોડા ડેરીની ચૂંટણીમાં હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ડેસર બેઠક ઉપરનું રાજકારણ ગરમાયુ છે. આ બેઠક ઉપર એક તરફ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર પોતાના ઉમેદવારને જીતાડવા મથામણ કરી રહ્યા છે તો બીજી તરફ વર્તમાન ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી પણ ભાજપનો મેન્ડેડ ન મળવા છતાં પણ ચૂંટણી જંગ લડી રહ્યા છે. આ ચૂંટણીમાં ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા કનડગત કરવામાં આવતી હોવાનો આક્ષેપ કુલદીપસિંહ રાઉલજી દ્વારા કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, બરોડા ડેરીની ચૂંટણી 18 માર્ચે યોજાશે, ત્યારે તે પહેલા હજુ આવા અનેક કાવાદાવાઓ જોવા મળે તો નવાઈ નહીં. મારા ભાઈઓની બદલી કરાવી દબાણ લાવવાનો પ્રયાસકુલદીપસિંહ રાઉલજીએ આજે મીડિયા સમક્ષ આવી આક્ષેપ કર્યા હતા. તેઓએ કહ્યું હતું કે, મેં જ્યારથી ફોર્મ ભર્યું ત્યારથી આજદિન સુધી સાવલીના ધારાસભ્ય મને કનડગત કરી રહ્યા છે. મારા સગાભાઇ જેઓ જિલ્લા પંચાયતમાં નોકરી કરે છે તેઓની બદલી કરાવી પાદરા મુકાવી દેવાયા ત્યારબાદ મારા પિતરાઈ ભાઈ કે જેઓ બરોડા સેન્ટ્રલ કો ઓ બેંકમાં નોકરી કરે છે. તેઓને સાવલીથી બોડેલી બદલી કરી દીધી. એટલે એમને પ્રેસર પોલિટિક્સ ચાલુ કરી દીધી અને મારા ઉપર દબાણ લાવી મને કેવી રીતે હેરાન કરવો તેવા પ્રયાસ કરી રહ્યા છે. ધારાસભ્ય ખેલદિલીથી ચૂંટણી લડોકુલદિપસિંહે ધારાસભ્યને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ચૂંટણી ખેલદિલીથી લડો, મતદારો મારી સાથે છે અને પરિણામો મારા પક્ષમાં જ આવવાના છે. આ રીતે ખોટી રીતે હેરાનગતિ કરીને ચૂંટણી ના જીતો. તેઓએ એમ પણ જણાવ્યું હતું કે, ડેરીની ચૂંટણી ચાર ઝોનમાં થઇ રહી છે તેમ છતાં ડેસર ઝોનની જ દૂધ મંડળીઓને કેમ આપવામાં આવી? જિલ્લાની અન્ય ઘણી મંડળીઓનું ઓડિટ હજુ સુધી નથી થઇ. અમારા 25 મંડળીઓને માત્ર 9 મહિનાના ઓડિટની નોટિસ બજાવવામાં આવી છે. સરકારી મશીનરીનો દુરુપયોગ કરી રહ્યા છેકુલદિપસિંહે આક્ષેપ કર્યા હતા કે, હજુ માર્ચ મહિનો પૂર્ણ નથી થયો, ત્યારે અડધા નાણાકીય વર્ષમાં કેવી રીતે ઓડિટ કરી શકાય. માત્ર ત્રણ જ દિવસમાં સરકારી તંત્રએ મને ત્રણ નોટિસ આપી છે. ગઈકાલે દૂધ મંડળીઓ ઉપર ઓડિટ માટેની કાર્યવાહી બાદ આજે મને વોટ્સએપ દ્વારા નોટિસ મળી છે કે, દૂધ મંડળીમાં વહીવટદાર કેમ નહીં લાવવો તે અંગેની કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને મને 25 માર્ચના રોજ જવાબ આપવા બોલાવ્યો છે. માત્ર ત્રણ દિવસમાં જ ત્રણથી ચાર ઓર્ડર થઇ ગયા. ત્યારે સરકારી મશીનરીનો પણ દુરુપયોગ કરી રહ્યા છે. કેટલીક મંડળીઓના મતદારોને દબાવવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કુલદિપસિંહે કર્યો હતો. ક્યારેય ઝૂક્યો નથી અને ઝુકવાનો પણ નથીકુલદિપસિંહે જણાવ્યું હતું કે, હું ધારાસભ્યને કહેવા માંગુ છું કે જો તેઓને ભરોસો હોય તો ખેલદિલીથી ચૂંટણી લડો. તેઓએ એવો હુંકાર પણ કર્યો હતો કે, હું મારી મંડળીઓના પ્રમુખ - મંત્રીઓ સાથે અડીખમ ઉભો છું. તેઓનો વાળ પણ વાંકો નહીં થવા દઉં. હું ક્યારેય ઝૂક્યો નથી અને ઝુકવાનો પણ નથી. મંડળીઓ માટે શહિદ થવાનું થશે તો થઈશ. પણ હું ઝૂકીશ નહીં. તેઓએ એમ પણ આક્ષેપ કર્યો હતો કે, મારા પેટ્રોલ પમ્પ અને ફાર્મ હાઉસ ઉપર તેઓ ડ્રોન થકી નજર રાખી રહ્યા છે. મને કોણ મળવા આવે છે તે અંગેની ખબર રાખે છે. મેં જાતે તેઓના માણસને પકડ્યો હતો અને બાદમાં તે વ્યક્તિએ માફી માંગી હતી.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 6:32 pm

લોર્ડ્સ પ્લાઝામાં બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી દ્વારા સેમિનાર યોજાયો:ઉર્જા બચતની આધુનિક ટેકનોલોજી અને ટકાઉ શહેરી વિકાસ માટે માર્ગદર્શન અપાયું

સુરતના દિલ્હી ગેટ સ્થિત લોર્ડ્સ પ્લાઝા ખાતે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) દ્વારા 'શહેરી વિકાસમાં ઉર્જા કાર્યક્ષમતા' વિષય પર એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી, સુરત મહાનગરપાલિકા અને ઈકો એનર્જી સોલ્યુશનના સંયુક્ત સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ મહાનગરપાલિકાઓના અધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉર્જા બચત અને ટકાઉ શહેરી વિકાસ વિશે માર્ગદર્શનસેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય મ્યુનિસિપલ ઓફિસરોને ઉર્જા બચતની આધુનિક ટેકનોલોજી અને ટકાઉ શહેરી વિકાસની યોજનાઓ વિશે માર્ગદર્શન આપવાનો હતો. કાર્યક્રમ દરમિયાન BEE ના નિવૃત્ત સિનિયર એક્ઝિક્યુટિવ આર. એન. પંડ્યાએ ભારતના નેટ ઝીરો ટાર્ગેટ અને 'મિશન લાઈફ' વિશે વિસ્તૃત માહિતી આપી, પર્યાવરણ સંરક્ષણ માટે ઉર્જા બચતને સમયની માંગ ગણાવી હતી. સ્ટ્રીટ લાઈટિંગમાં LED આધારિત નવીન ઉકેલો વિશે માહિતી સેમિનારના વિવિધ ટેકનિકલ સત્રોમાં ઉર્જા બચતના વિવિધ પાસાઓ પર નિષ્ણાતોએ પ્રકાશ પાડ્યો હતો. કિર્લોસ્કરના જતિન શાહે મ્યુનિસિપલ વોટર પંપિંગ સિસ્ટમમાં સ્માર્ટ મોનિટરિંગ દ્વારા ઉર્જા બચતની શક્યતાઓ સમજાવી હતી, જ્યારે ઓરિએન્ટ ઈલેક્ટ્રિકના અબ્દુલે સ્ટ્રીટ લાઈટિંગમાં LED આધારિત નવીન ઉકેલો વિશે માહિતી આપી હતી. હ્યુમન એનર્જી અને વોટર યોગ સંવાદ વિશે સમજઆ ઉપરાંત, ઈકો એનર્જી સાથે સંકળાયેલા મારુતિ (Grundfos) એ એનર્જી ઓડિટ અને કન્ઝર્વેશનની પ્રાયોગિક વિગતો રજૂ કરી હતી. બપોર પછીના સત્રોમાં ડો. પારુલ પટેલે હ્યુમન એનર્જી અને વોટર યોગ સંવાદ વિશે પ્રસ્તુતિ આપી હતી, જ્યારે EESL ના સુરજ કાંતે ઉદ્યોગોમાં ESCO પ્રોજેક્ટના મહત્વ વિશે સમજ આપી હતી. સરકારી સેવાઓમાં ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગ અંગે ચર્ચાપાણી અને ઉર્જાના પરસ્પર સંબંધ પર ભાર મૂકતા CGWAના સૌરવ ગુપ્તાએ પાણી સંરક્ષણ અને વેસ્ટવોટર રિસાયકલિંગ દ્વારા ઉર્જા બચતની પદ્ધતિઓ સમજાવી હતી. ડિજિટાઈઝેશનના મહત્વને સમજાવતા સિમકોન ઓટોમેશન દ્વારા સરકારી સેવાઓમાં ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગ અંગે ચર્ચા કરવામાં આવી હતી. હાઈબ્રિડ અને ગ્રીન એનર્જીના વિકલ્પો વિશે માહિતીઅંતમાં, મિન્દ્રા ગ્રીન દ્વારા જાહેર પરિવહનમાં ઈલેક્ટ્રિક વાહનો અને ઈવી ચાર્જિંગ સ્ટેશનની જરૂરિયાત તથા કે.પી. એનર્જી દ્વારા હાઈબ્રિડ અને ગ્રીન એનર્જીના વિકલ્પો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ સેમિનાર દ્વારા મ્યુનિસિપલ અધિકારીઓને પર્યાવરણને અનુકૂળ અને કાર્યક્ષમ શહેરી માળખું તૈયાર કરવા માટે જરૂરી માર્ગદર્શન અપાયું હતું.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 6:31 pm

વિશ્વામિત્રી નદીમાં જીવના જોખમે મગરનું રેસ્ક્યૂ:ફાયર વિભાગના જવાનોએ જીવ જોખમમાં મૂકી સાડા ચાર ફૂટના મગરને બહાર કાઢ્યો

સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં મગરોની હાજરી હવે નવી વાત નથી. તાજેતરમાં નદીના પાણીમાં એક મગર મૃત અવસ્થામાં પડેલો હોવાની માહિતી મળતાં વન વિભાગે તાત્કાલિક વડીવાડી ફાયર સ્ટેશનની મદદ માગી હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યો હતો. ફાયર વિભાગના જવાનોએ જીવ જોખમમાં મુક્યોવિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગર જોવા મળતા હોય છે. ત્યારે નદીમાં ઉતરવું કોઈપણ વ્યક્તિ માટે જીવને જોખમ સમાન બની શકે છે. ત્યારે આજે ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે જોખમી પરિસ્થિતિ વચ્ચે પોતાની કામગીરીની પણ અગ્નિ પરીક્ષા જેવા મળી હતી. નદીના ઊંડા અને જોખમી ભાગમાં પડેલા મગરને બહાર કાઢવા માટે ફાયર વિભાગના બે જવાનોએ જીવની પરવા કર્યા વિના નદીમાં ઉતરીને ઓપરેશન હાથ ધર્યું હતું. મગરના મૃતદેહને વન વિભાગને સોંપાયોઆ કામગીરીમાં માનસિંગ સોલંકી અને ગણેશ નિઝામા નામના બંને જવાનોએ પોતાની બહાદુરીનો પરિચય આપ્યો હતો. બંનેએ ભારે જહેમત ઉઠાવીને મગરને સુરક્ષિત રીતે નદી કાંઠે લાવ્યા હતાં. રેસ્ક્યૂ પૂર્ણ થયા બાદ મગરને આગળની તપાસ માટે વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. ડિકમ્પોઝ હાલતમાં સાડા ચાર ફૂટનો મગર મળી આવ્યોઃ અધિકારીઆ અંગે વન વિભાગના રેન્જ ફોરેસ્ટ અધિકારી કરણરાજસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, આજે વિશ્વામિત્રી નદીમાં મૃત મગર દેખાતા અમારી ટીમ ત્યાં પહોંચી હતી. અહીંયાથી ડિકમ્પોઝ હાલતમાં સાડા ચાર ફૂટનો મગર મળી આવ્યો છે. હાલમાં વન વિભાગની પ્રોસિજર મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 6:25 pm

ગુજરાતના 500 ગામો બનશે ‘પ્રાકૃતિક ગ્રામ’:ક્લસ્ટર અભિગમથી ખેડૂતોને મળશે સીધું બજાર, પેકેજિંગ અને પરિવહન ખર્ચમાં થશે મોટો ઘટાડો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિને વેગ આપવા માટે એક ક્રાંતિકારી જાહેરાત કરવામાં આવી છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્યમાં હવે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે ‘ક્લસ્ટર બેઝ્ડ’ અભિગમ અપનાવવામાં આવશે. આ યોજના અંતર્ગત રાજ્યના 500 ગામોને પસંદ કરી તેમને ‘પ્રાકૃતિક કૃષિ ગ્રામ’ તરીકે વિકસાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. તાલીમથી લઈને ટેકનિકલ સહાય સુધીનું આયોજનપસંદ કરવામાં આવેલા 500 ગામોમાં જ્યાં પ્રાકૃતિક ખેતીની મહત્તમ શક્યતાઓ છે, ત્યાં તબક્કાવાર સમગ્ર વિસ્તારને રસાયણમુક્ત ખેતી હેઠળ આવરી લેવાશે. આ ગામોના ખેડૂતોને માત્ર મૌખિક સલાહ જ નહીં, પરંતુ પાયાના સ્તરે જઈને વિશેષ તાલીમ, માર્ગદર્શન અને જરૂરી ટેકનિકલ સહાય પૂરી પાડવામાં આવશે. સરકારનો ઉદ્દેશ્ય ખેડૂતોને આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો છે. સર્ટિફિકેશન અને બજાર વ્યવસ્થા પર ભારખેડૂતો દ્વારા ઉત્પાદિત પાકને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ્ય ઓળખ મળે તે માટે સર્ટિફિકેશનની પ્રક્રિયાને અત્યંત સરળ અને સુલભ બનાવવામાં આવશે. ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી આ ક્લસ્ટરોને સીધા જ બજાર સાથે સાંકળવામાં આવશે. જેનાથી વચેટિયાઓની ભૂમિકા ઘટશે અને ખેડૂતોની આવકમાં વધારો થશે. સામૂહિક ખેતીથી ખર્ચમાં ઘટાડો અને નફામાં વૃદ્ધિમંત્રી જીતુભાઈ વાઘાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, જ્યારે ખેડૂતો વ્યક્તિગત રીતે ખેતી કરવાને બદલે ક્લસ્ટર એટલે કે જૂથમાં પ્રાકૃતિક ખેતી અપનાવશે, ત્યારે પરિવહન, પેકેજિંગ અને વેચાણના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે. સામૂહિક શક્તિના કારણે ખેડૂતો બજારમાં વધુ સારી રીતે રજૂઆત કરી શકશે અને વધુ નફો મેળવી શકશે. આ નિર્ણયથી પર્યાવરણની જાળવણી સાથે નાગરિકોને શુદ્ધ આહાર પણ પ્રાપ્ત થશે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 6:23 pm

પંચમહાલમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કેસોની સમીક્ષા:કલેક્ટર અજય દહિયાએ કમિટી સભ્યો સાથે બેઠક યોજી

પંચમહાલ જિલ્લામાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબીશન એક્ટ-2020 હેઠળના કેસોના ઝડપી નિકાલ માટે જિલ્લા વહીવટીતંત્ર સક્રિય બન્યું છે. આ સંદર્ભે જિલ્લા કલેક્ટર અજય દહિયાએ જિલ્લા સેવાસદન કચેરી ખાતે કમિટીના સભ્યો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠક દરમિયાન, એક્ટ હેઠળ જિલ્લામાં રજૂ થયેલા વિવિધ કેસોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કમિટીના સભ્યો સાથે જમીન કબજા સંબંધિત રજૂઆતો, ફરિયાદો અને કાયદાકીય મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી. રજૂ થયેલા કેસોમાં પ્રાથમિક વિગતો, દસ્તાવેજી આધાર, સંબંધિત પક્ષોની સ્થિતિ તેમજ કાયદાની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને સરકારી, જાહેર કે ખાનગી મિલકતો પરના ગેરકાયદેસર કબજાના મુદ્દાઓને ગંભીરતાથી લેવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર અજય દહિયાએ સ્પષ્ટ કર્યું હતું કે, જમીન કબજા જેવી પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવવામાં આવશે. આવા કેસોમાં કાયદાની જોગવાઈઓ મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબીશન એક્ટ-2020નો મુખ્ય હેતુ ગેરકાયદેસર રીતે જમીન કબજે કરવાના બનાવોને રોકવાનો અને વાજબી હકોનું સંરક્ષણ કરવાનો છે. તેથી, આવા કેસોના નિકાલમાં પારદર્શિતા, કાયદાકીય ચોકસાઈ અને સમયબદ્ધતા જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે. બેઠકમાં કમિટીના સભ્યો દ્વારા પણ વિવિધ કેસોને લગતા મુદ્દાઓ પર પોતાના અભિપ્રાયો રજૂ કરવામાં આવ્યા હતા. દરેક કેસની સ્થિતિને આધારે ચર્ચા-વિચારણા બાદ સંબંધિત જોગવાઈઓ મુજબ નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા સ્તરે આ પ્રકારની બેઠકો દ્વારા પ્રકરણોની સતત સમીક્ષા થતી રહે છે, જેથી કોઈ કેસ બિનજરૂરી રીતે લાંબા સમય સુધી બાકી ન રહે. આ બેઠક દર્શાવે છે કે પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર જમીન કબજાના પ્રશ્નોને ગંભીરતાથી લઈને કાયદેસરની પ્રક્રિયા દ્વારા તેનું નિરાકરણ લાવવા પ્રતિબદ્ધ છે. આનાથી અરજદારોને ન્યાય મળે અને જમીન સંબંધિત ગેરરીતિઓ પર અસરકારક નિયંત્રણ લાવવામાં મદદ મળે તેવી અપેક્ષા છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 6:21 pm

કોડીનાર-ધારી રોડ પર બે બાઇક અથડાયા:રોણાજ નજીક અકસ્માતમાં ત્રણ ઘાયલ, બેની હાલત ગંભીર

ગીર સોમનાથ જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. કોડીનાર-ધારી રોડ પર રોણાજ ગામ નજીક બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા છે, જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, કોડીનાર-ધારી માર્ગ પર સાંજના સમયે બંને બાઇક સામસામે અથડાયા હતા. આ અથડામણ એટલી તીવ્ર હતી કે બાઇક ચાલકો અને પાછળ બેઠેલા વ્યક્તિઓ રોડ પર પટકાયા હતા, જેના કારણે તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ થોડા સમય માટે માર્ગ પર અવ્યવસ્થાનો માહોલ સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં જ આસપાસના ગામના લોકો અને ત્યાંથી પસાર થતા વાહનચાલકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે ઘાયલોને મદદ કરી અને 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. માહિતી મળતા જ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. 108 એમ્બ્યુલન્સ દ્વારા ત્રણેય ઘાયલ વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અર્થે કોડીનારની રાણા વાળા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના તબીબોએ તેમને પ્રાથમિક સારવાર આપી હતી. બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેમની સ્થિતિ ચિંતાજનક હોવાનું તબીબોએ જણાવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત કયા સંજોગોમાં બન્યો અને કોણ જવાબદાર છે તે અંગે પોલીસ દ્વારા વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 6:16 pm

સુરતમાં DGP કે.એલ.એન. રાવનું મહામંથન:એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનું નવું કેન્દ્ર ખુલશે, પોલીસ જવાનોના રિયલ ટાઈમ હેલ્થ મોનિટરિંગ માટે નવી એપ્લિકેશન લોન્ચ થશે

સુરત શહેર આજે રાજ્યની સુરક્ષા વ્યવસ્થાનું કેન્દ્રબિંદુ બન્યું હતું. અહીં આયોજિત પ્રાદેશિક ક્રાઈમ કોન્ફરન્સમાં સુરત શહેરના તમામ ઝોન અને સુરત રેન્જના પાંચ જિલ્લાઓના ટોચના પોલીસ અધિકારીઓએ હાજરી આપી હતી. બેઠકનો મુખ્ય એજન્ડા વર્ષ 2024 અને 2025ના ગુનાખોરીના આંકડાઓની સમીક્ષા કરવાનો હતો. DGP ડો. કે.એલ.એન. રાવના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં ખાસ કરીને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં બનેલી ઘટનાઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. વરિષ્ઠ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે વણશોધાયેલા ગુનાઓ ઉકેલવા એ હવે પ્રાથમિકતા રહેશે. પોલીસ હવે જૂની પદ્ધતિઓ છોડી આધુનિક ડેટા એનાલિસિસ દ્વારા ગુનેગારો સુધી પહોંચશે. 'કાળાબજારી કરનારાઓને પાતાળમાંથી પણ શોધી કાઢીશું'કોન્ફરન્સ દરમિયાન DGP ડો. કે.એલ.એન. રાવનો મિજાજ અત્યંત કડક જોવા મળ્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં બુટલેગરો અને કાળાબજારી કરનારા તત્વોને ચેતવણી આપી હતી કે ગુજરાત પોલીસ તેમને કોઈપણ સંજોગોમાં છોડશે નહીં. DGPએ જણાવ્યું કે, સંગઠિત ગુનાખોરી આચરતી ગેંગ પર નજર રાખવા માટે સ્પેશિયલ યુનિટ્સને સક્રિય કરવામાં આવ્યા છે. ખાસ કરીને જે લોકો કાયદાની છટકબારીનો ઉપયોગ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે, તેમના વિરુદ્ધ ગુજસીટોક અને પાસા (PASA) જેવા કડક કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસનો ઉદ્દેશ્ય માત્ર ગુનો ઉકેલવાનો જ નહીં, પરંતુ ગુનેગારોમાં કાયદાનો ભય પેદા કરવાનો પણ છે. ગેસ સિલિન્ડર સંગ્રહખોરો વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઈકસામાન્ય જનતાને સીધી અસર કરતા મુદ્દાઓ પર પણ આ કોન્ફરન્સમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. ગેસ સિલિન્ડરના સંગ્રહ અને કાળાબજાર રોકવા માટે સુરત પોલીસ હવે વિશેષ અભિયાન ચલાવશે. DGPએ સૂચના આપી છે કે લોકો સુધી સમયસર રાંધણ ગેસ પહોંચી રહે તે સુનિશ્ચિત કરવું એ પોલીસની જવાબદારી છે. ગેસનો ગેરકાયદેસર સંગ્રહ કરનારા તત્વોને શોધી કાઢી તેમના પર કાયદાનો ગાળિયો કસવામાં આવશે. સુરતના તમામ પોલીસ મથકના પીઆઈ (PI) ને આ બાબતે કડક કાર્યવાહી કરવા આદેશ અપાયા છે. પોલીસ હવે ગેસ એજન્સીઓ અને સપ્લાય ચેઈન પર નજર રાખશે જેથી સામાન્ય નાગરિકોને હાલાકી ન ભોગવવી પડે. ગેસના વાહનોને અવરોધ વિના પહોંચાડવા પોલીસ કરશે કામગીરીગેસ સિલિન્ડરની અછત ન સર્જાય તે માટે ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટેશન મેનેજમેન્ટ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ગેસ સિલિન્ડર ભરેલા ટ્રકો અને ટેમ્પોઝ ઝડપભેર એજન્સી સુધી પહોંચે તે માટે પોલીસ ખાસ કોરિડોર જેવી સુવિધા અથવા પ્રાથમિકતા આપશે. સુરત અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં ગેસની જરૂરિયાત વધુ હોવાથી, સપ્લાયમાં કોઈ અવરોધ ન આવે તે માટે પીઆઈ સ્તરના અધિકારીઓને દેખરેખ રાખવા જણાવાયું છે. ગેરકાયદેસર રિફિલિંગ કે ચોરીના કિસ્સામાં તુરંત ધરપકડ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ પગલાથી ગૃહિણીઓને ગેસ સિલિન્ડર મેળવવામાં પડતી મુશ્કેલીઓનો અંત આવશે તેવી આશા છે. રાજ્યમાં 39 પોલીસ સ્ટેશન અને નવા સેન્ટરવર્તમાન સમયમાં ડિજિટલ ફ્રોડ સૌથી મોટો પડકાર છે. DGPએ જણાવ્યું કે ગુજરાતમાં હાલ 39 સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન કાર્યરત છે. સાયબર ગુનેગારોને પકડવા માટે રાજ્ય સરકાર 'સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ' વિકસાવી રહી છે. આ પ્રોજેક્ટ હેઠળ ત્રણ એસપી (SP) અને એક આઈજી (IG) કક્ષાના અધિકારીઓ કાર્યરત રહેશે. સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા મેટ્રો શહેરોમાં 'રીજનલ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ' બનાવવામાં આવશે. આ કેન્દ્રો માત્ર ગુના ઉકેલવા પૂરતા સીમિત નહીં રહે, પરંતુ ભવિષ્યમાં થનારા હુમલાઓને રોકવા માટે એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરશે. સાયબર ફ્રોડના 60 કરોડ રૂપિયા પીડિતોને પરત અપાયાપોલીસની સૌથી મોટી સફળતા એ છે કે તેમણે સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોના નાણાં પરત અપાવ્યા છે. DGPએ ગર્વ સાથે જણાવ્યું કે 'તેરા તુજકો અર્પણ' અભિયાન હેઠળ અત્યાર સુધીમાં અંદાજે 50 થી 60 કરોડ રૂપિયા ભોગ બનનાર લોકોને પરત કરવામાં આવ્યા છે. હવે આ અભિયાનનું 2.0 વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે. બેંકો સાથે સંકલન સાધીને ફ્રીઝ થયેલા એકાઉન્ટ્સમાંથી રકમ મેળવી મૂળ માલિકને પહોંચાડવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. સાયબર ક્રાઈમ હેલ્પલાઈન અને ટેકનિકલ ટીમ હવે 24x7 કાર્યરત રહેશે જેથી નાણાં ટ્રાન્સફર થતાની સાથે જ તેને અટકાવી શકાય. આગામી 3 વર્ષમાં નશાના દૂષણને નેસ્તનાબૂદ કરાશેકેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત વિઝન મુજબ આગામી ત્રણ વર્ષમાં ગુજરાતને ડ્રગ્સ મુક્ત બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. DGPએ જણાવ્યું કે જે રીતે નક્સલવાદને ખતમ કરવાની નેમ લેવાઈ છે, તે જ રીતે માદક દ્રવ્યોના નેટવર્કને તોડી પાડવામાં આવશે. કચ્છના દરિયાકાંઠાથી લઈને સુરત અને ભરૂચ જેવા 'વલ્નરેબલ' ડિસ્ટ્રિક્ટ્સ (સંવેદનશીલ જિલ્લાઓ) પર વિશેષ નજર રાખવામાં આવશે. ડ્રગ્સ પેડલર્સ અને મોટા માફિયાઓ વચ્ચેની કડી તોડવા માટે એન્ટી નાર્કોટિક્સ યુનિટને વધુ સ્ટાફ અને આધુનિક સાધનોથી સજ્જ કરવામાં આવશે. સુરતમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની નવી ઓફિસનશાના વ્યવસાય સામે લડવા માટે સ્પેશિયલ 'એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ' (ANTF) ને મજબૂત કરવામાં આવી છે. રાજ્યના બજેટમાં આ માટે ખાસ જોગવાઈ કરવામાં આવી હતી. સુરતમાં પણ ટૂંક સમયમાં ANTFની રીજનલ ઓફિસ શરૂ કરવામાં આવશે, જેમાં એસપી લેવલના અધિકારીઓ તૈનાત હશે. આ ફોર્સ માત્ર રાજ્યની અંદર જ નહીં પરંતુ આંતરરાજ્ય ડ્રગ્સ સપ્લાય ચેઈન પર પણ ત્રાટકશે. યુવા પેઢીને નશાના ખપ્પરમાંથી બચાવવા માટે પોલીસ શાળાઓ અને કોલેજોની આસપાસ પણ વોચ રાખશે અને કડક પેટ્રોલિંગ કરશે. 112 હેલ્પલાઈનનો રિસ્પોન્સ ટાઈમ ઘટ્યોટેકનોલોજીના ઉપયોગથી પોલીસિંગને સ્માર્ટ બનાવવામાં આવી રહ્યું છે. DGPએ માહિતી આપી કે સુરતમાં 112 હેલ્પલાઈનનો રિસ્પોન્સ ટાઈમ ઘણો સુધર્યો છે. પહેલા જે મોબાઈલ પીસીઆર વાન ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચવા માટે 20 મિનિટ લેતી હતી, તે હવે માત્ર 10-12 મિનિટમાં પહોંચી જાય છે. શહેરી વિસ્તારોમાં તો પોલીસ માત્ર 7 થી 8 મિનિટમાં મદદ માટે પહોંચી રહી છે. આ ઉપરાંત, સાયબર ક્રાઈમ અને પોલીસ મોનિટરિંગ માટે નવી એપ્લિકેશન્સ ડેવલપ કરવામાં આવી રહી છે, જે પોલીસ જવાનોની કાર્યક્ષમતામાં વધારો કરશે. પોલીસ સ્વાસ્થ્ય અને ટ્રાફિકનું થશે ઓટોમેશનસુરત પોલીસ અને ખ્યાતનામ એન્જિનિયરિંગ કોલેજ SVNIT વચ્ચે 'સ્પંદન' પ્રોજેક્ટ હેઠળ સમજૂતી થઈ છે. આ પ્રોજેક્ટમાં બે મહત્વના પાસાઓ છે. પ્રથમ, પોલીસ કોન્સ્ટેબલોના સ્વાસ્થ્ય અને શારીરિક કસોટીના પેરામીટર્સ રિયલ ટાઇમમાં મોનિટર કરવા માટે એપ બનાવવી. બીજું, ટ્રાફિકના 'હોટસ્પોટ્સ' આઇડેન્ટિફાય કરી અકસ્માતો ઘટાડવા. આ એપ દ્વારા પોલીસ જવાનોની તબિયત પર નજર રાખી શકાશે, જેથી તેઓ માનસિક અને શારીરિક રીતે સજ્જ રહી શકે. ટ્રાફિક રેગ્યુલેશન માટે આ એકેડેમિક ઇનપુટ ખૂબ જ અસરકારક સાબિત થશે. વિપક્ષના આક્ષેપો પર પોલીસનો જવાબદારૂના વેપાર અને બુટલેગરો અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં DGPએ જણાવ્યું કે, તમામ જાણીતા બુટલેગરો પોલીસની રડારમાં છે. છેલ્લા કેટલાક સમયમાં કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, જે દર્શાવે છે કે પોલીસ વધુ સક્રિય બની છે. ક્રાઈમ બ્રાન્ચ, SOG અને સ્ટેટ લેવલની એજન્સીઓ સંકલનમાં રહીને કામ કરી રહી છે. જે લોકો સંગઠિત રીતે દારૂનો વેપાર કરે છે તેમના પર ગુજસીટોક જેવી કલમો લગાવી જેલ ભેગા કરવામાં આવશે. તડીપાર અને પાસાની કાર્યવાહીમાં કોઈ પણ પ્રકારની ઢીલ રાખવામાં આવશે નહીં. POCSO કેસમાં તાત્કાલિક ડિટેક્શનના આદેશકોન્ફરન્સના અંતે સામાજિક સુરક્ષા પર ભાર મુકતા DGPએ જણાવ્યું કે, POCSO અને મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં પોલીસ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવશે. ગંભીર ગુનાઓ જેવા કે ખૂન, ધાડ અને ઘરફોડ ચોરીમાં તાત્કાલિક ધરપકડ કરવા સૂચના અપાઈ છે. સુરત આર્થિક રાજધાની હોવાથી અહીં આર્થિક ગુનાઓ પણ વધુ બને છે, તેના માટે સ્પેશિયલ ઈકોનોમિક ઓફેન્સ વિંગને વધુ સતર્ક કરવામાં આવી છે. પોલીસ હવે માત્ર ફરિયાદ નોંધવા પૂરતી નહીં, પરંતુ ન્યાય અપાવવા સુધી પીડિતની સાથે ઉભી રહેશે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 6:02 pm

જૂનાગઢમાં પુત્રના લગ્નની કંકોત્રી વધાવતા જ માતા ઢળી પડ્યાં:લગ્ન ગીતો ગુંજવાની જગ્યાએ મરશિયા ગવાયા, સમાજની સમજાવટથી વરરાજા ભારે હૈયે વિધિઓ પૂર્ણ કરશે

કહેવાય છે કે, કુદરતની ગતિ ન્યારી છે, પણ ક્યારેક તે એવી ક્રૂર થપાટ મારે છે કે પથ્થર દિલના માનવીની આંખો પણ ભીની થઈ જાય. જૂનાગઢના વાળા પરિવારમાં પણ કંઈક આવું જ બન્યું. જે ઘર દીકરાના લગ્નની ખુશીઓથી મહેકી રહ્યું હતું અને જ્યાં ઢોલ-નગારાના તાલે મહેમાનો ઝૂમી રહ્યા હતા, ત્યાં અચાનક એવી કરુણતા છવાઈ ગઈ કે આખો પરિવાર અને સમાજ હેબતાઈ ગયો. પુત્રના લગ્નની કંકોત્રી વધાવવાના શુભ મુહૂર્તે જ માતાના પ્રાણ પંખેડું ઉડી જતાં ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. લગ્ન ગીતો વચ્ચે જ નીતાબેનને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યોજૂનાગઢમાં જમનભાઈ કેશવભાઈ વાળાના પુત્ર જીગ્નેશના લગ્નનો રૂડો અવસર હતો. ઘરમાં મહેમાનોની ચહલપહલ હતી અને પરંપરા મુજબ લગ્ન પત્રિકા વધાવવાની વિધિ ચાલી રહી હતી. માતા નીતાબેન વાળા પોતાના વહાલા સોયા દીકરાના લગ્નના હરખમાં ગળાડૂબ હતા. તેઓ મહેમાનોનું સ્વાગત કરી રહ્યા હતા અને હૃદયમાં અનેક કોડ ભરીને લગ્ન ગીતોની રમઝટ બોલાવી રહ્યા હતા. 13 માર્ચની રાત્રે અંદાજે સવા અગિયાર વાગ્યાની એ ક્ષણ હતી, જ્યારે આનંદ પરાકાષ્ઠાએ હતો અને બરાબર એ જ સમયે નીતાબેનને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો અને તેઓ ઢળી પડ્યા. થોડીવાર પહેલા પુત્રના લગ્નની વધામણી કરતા માતા સમાચારથી જૂનાગઢ સ્તબ્ધ​નીતાબેન અચાનક બેભાન થઈને ઢળી પડતા જ લગ્ન ગીતો ગાતી મહિલાઓના કંઠ રૂંધાઈ ગયા. હસતા-રમતા ચહેરાઓ પર ચિંતાની લકીરો ખેંચાઈ ગઈ. પરિવારજનો તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ દોડ્યા, પરંતુ વિધિના લેખ કંઈક જુદા જ હતા. તબીબોએ તેમને મૃત જાહેર કરતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું. હાર્ટ-એટેક એટલો જોરદાર હતો કે નીતાબેનને સારવારનો મોકો પણ ન મળ્યો. જે માતા થોડીવાર પહેલા પુત્રના લગ્નની વધામણી કરી રહી હતી, તેના મૃત્યુના સમાચાર સાંભળીને આખું જૂનાગઢ સ્તબ્ધ થઈ ગયું. ખુશીનો માહોલ હતો અને અચાનક બધું જ વિખેરાઈ ગયુંઃ પતિમૃતક નીતાબેનના પતિ જમનભાઈ વાળાએ ડૂસકાં ભરતા જણાવ્યું કે, મારે ત્રણ દીકરા છે સચિન, જીગ્નેશ અને પરાગ. આજે (13 માર્ચ) જીગ્નેશના લગ્ન હતા. સમાજના રીત-રિવાજ મુજબ અમે હળીમળીને પત્રિકા વધાવતા હતા, ખુશીનો માહોલ હતો, પણ અચાનક નીતાને એટેક આવ્યો અને બધું જ વિખેરાઈ ગયું. મૃતકના સગા દીપકભાઈ વાઢેરે પણ આ કરુણતા વર્ણવતા કહ્યું કે, માની મમતા કેવી હોય એ તો આજે જોવા મળ્યું. દુખની વાત છે કે, જે બહેન દીકરાના લગ્ન ગીતો ગાવા માટે આતુર હતા, આજે એમના જ મરશિયા ગાવાનો વારો આવ્યો છે. સમાજની સમજાવટ બાદ પ્રસંગ સાદગીથી પૂર્ણ કરવાની તૈયારી ​આભ ફાટી પડ્યું હોય તેવી આ પરિસ્થિતિમાં વાલ્મીકિ સમાજ પરિવારની વહારે આવ્યો છે. પુત્રના લગ્નનો રૂડો અવસર હોવાથી અને વિધિઓ અટકે નહીં તે માટે સમાજના આગેવાનો અને પટેલ દિનેશભાઈએ પરિવારને હિંમત આપી છે. પુત્ર જીગ્નેશે પણ ભારે હૈયે માતાની વિદાયના આઘાત વચ્ચે સામાજિક પરંપરા અને માતાના આશીર્વાદ સમજીને પ્રસંગને સાદગીથી પૂર્ણ કરવાની તૈયારી દર્શાવી છે. આવતીકાલે જીગ્નેશ અને ત્રણથી ચાર વ્યક્તિ જઈ લગ્નની વિધિઓ પૂર્ણ કરશે. હાલ સમગ્ર વાલ્મીકિ સમાજમાં આ કરુણ ઘટનાને પગલે શોકનું મોજું ફરી વળ્યું છે. ​જૂનાગઢમાં ગુંજ્યા મરશિયાગઈકાલે રાત્રે જ્યાં મંગળ ગીતો ગવાતા હતા, આજે ત્યાં સ્મશાનવત શાંતિ અને ડૂસકાંનો અવાજ સંભળાઈ રહ્યો છે. લગ્નના માંડવેથી જ માતાની અંતિમયાત્રા નીકળતા પથ્થર પણ પીગળી જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પુત્રને પરણાવીને જે માતાએ વહુના ઓવારણા લેવાના હતા, તે માતાના જ અંતિમ સંસ્કાર કરવાની નોબત આવતા કુદરતની આ કારમી થપાટે માનવજાતને હચમચાવી દીધી છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 5:56 pm

કાલાવડ રોડ પર કોસ્મોપ્લેક્સ સિનેમામાં આગ:સ્ક્રીન પાસેના દરવાજા ને બારીના ભાગે આગ લાગતા અફરાતફરી, આજના તમામ શો રદ્દ કરાયા

રાજકોટના પશ્ચિમ વિસ્તારના હાર્દ સમાન કાલાવડ રોડ પર આજે મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. અહીં આવેલા જાણીતા કોસ્મોપ્લેક્સ સિનેમામાં અચાનક જ બપોરે ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સ્ક્રીન પાસે આવેલા દરવાજા તેમજ બારીના ભાગે આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. જોકે ફાયર વિભાગે તરત જ દોડી જઇ ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવ્યો હતો. આ સમયે અંદર કોઈ પ્રેક્ષકો હાજર નહીં હોવાથી સદનસીબે જાનહાની ટળી છે. તો સાવચેતીનાં ભાગરૂપે આજના તમામ શો રદ્દ કરાયા છે. આ દુર્ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે. સ્ક્રીન પાસેથી ધુમાડાના ગોટેગોટા નીકળ્યાપ્રાપ્ત વિગત મુજબ, કોસ્મોપ્લેક્સ સિનેમામાં અચાનક સ્ક્રીન પાસે આવેલા દરવાજા અને બારીના ભાગે પ્રથમ ધુમાડાના ગોટેગોટા નીકળવાનું શરૂ થયું હતું. ત્યારબાદ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ અંગેની જાણ થતા જ કાલાવડ રોડ ફાયર સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. સિનેમાની લોબી અને અંદરના ભાગો સંપૂર્ણપણે કાળા પડી ગયાઆગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મવડી ફાયર સ્ટેશનથી પણ વધારાના ફાયર ફાઈટરોને મદદ માટે બોલાવવામાં આવ્યા હતા. આગ એટલી પ્રચંડ હતી કે સિનેમાની લોબી અને અંદરના ભાગો સંપૂર્ણપણે કાળા પડી ગયા હતા. છત (સીલિંગ)નો ભાગ પીગળીને નીચે લટકી રહ્યો છે અને POPના ટુકડાઓ ફ્લોર પર પડેલા જોવા મળ્યા હતાં. સંપૂર્ણપણે બળી જતા લાખોનું નુકસાન થયાનું અનુમાનજોકે કાલાવડ રોડ અને મવડી ફાયર વિભાગની ટીમો દ્વારા ધુમાડાથી ભરેલી ગેલેરીમાં પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસ શરૂ કરાયા હતા. અને ગણતરીની મિનિટોમાં આગ ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવાયો હતો. આ સમયે કોઈ પ્રેક્ષક નહીં હોવાથી કોઈ જાનહાની થઈ નથી. પરંતુ આ આગમાં લોબીની મોંઘી કાર્પેટ, સીલિંગ, લાકડાના દરવાજા અને દીવાલ પરનું ફિટિંગ સંપૂર્ણપણે બળી જતા લાખોનું નુકસાન થયાનું જણાઈ રહ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ આ અંગે તપાસ ચાલી રહી છે. તમામ સ્ટાફ અને ગ્રાહકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયાથિયેટરના માલિક અજયભાઈ બગડાઈના જણાવ્યા અનુસાર, દુર્ઘટનામાં અંદાજે રૂ. 10,00,000 જેટલું મોટું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે. દુર્ઘટના સમયે સિનેમાના કર્મચારીઓએ સમયસૂચકતા વાપરી હતી. સ્ટાફ દ્વારા પોતાની ફાયર સિસ્ટમનો ઉપયોગ કરીને પણ આગને ફેલાતી રોકવાનો પ્રયાસ કરાયો હતો. સદનસીબે આગ જે સમયે લાગી ત્યારે અંદર કોઈ પ્રેક્ષકો હાજર નહોતા. સિનેમામાં હાજર તમામ સ્ટાફ અને ગ્રાહકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. સિનેમા પાસે 31 ડિસેમ્બર 2026 સુધીનું માન્ય ફાયર સેફ્ટી સર્ટિફિકેટ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આજના દિવસના તમામ શો રદ્દ કરાયાઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા સાવચેતીના પગલાં રૂપે આજના દિવસના તમામ શો રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને ગ્રાહકોએ ઓનલાઇન કે ઓફલાઇન ટિકિટ બુક કરાવી હતી, તેમને ટિકિટના નાણાં પૂરેપૂરા પરત કરી દેવામાં આવ્યા હતા. આ સમગ્ર કામગીરીમાં ફાયર ઓફિસર અજીતસિંહ જાડેજા અને તેમની ટીમ જોડાઈ હતી. હાલ આગ લાગવાનું મૂળ કારણ શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 5:53 pm

અમદાવાદીએ શ્રીકૃષ્ણને સવા બે કિલો ચાંદીનો મુગટ અર્પણ કર્યો:ભાલકાતીર્થને યોગેશ પટેલે પરિવાર સાથે ભેટ ધર્યો, મુગટ બારીક મીનાકામ અને નકશીકામથી સુશોભિત

પ્રભાસ પાટણના પવિત્ર ભાલકા તીર્થ ખાતે ભગવાન શ્રીકૃષ્ણને સવા બે કિલો ચાંદીનો કલાત્મક મુગટ અર્પણ કરવામાં આવ્યો છે. અમદાવાદના યોગેશભાઈ પટેલના પરિવારે આ મુગટ ભેટ આપ્યો છે. આ મુગટ બારીક મીનાકામ અને કલાત્મક નકશીકામથી સુશોભિત છે, જે ભગવાનના નિત્ય શૃંગારમાં ઉપયોગમાં લેવાશે. ભાલકા તીર્થ ભગવાન શ્રીકૃષ્ણના જીવન સાથે સંકળાયેલું અત્યંત પવિત્ર સ્થળ છે. ધાર્મિક માન્યતા અનુસાર, આ જ સ્થળે ભગવાને પારધીને વૈકુંઠની પ્રાપ્તિ કરાવી હતી અને કર્મના સિદ્ધાંતનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ ભૂમિ દેશભરના હજારો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. ફાગણ વદ દશમ અને શનિવારના શુભ દિવસે આ મુગટ અર્પણ કરાયો હતો. આ ચાંદીનો મુગટ તૈયાર કરવામાં લગભગ ચાર મહિનાનો સમય લાગ્યો હતો. કારીગરોએ બારીક કારીગરી અને મીનાકામથી તેને અનોખી આકર્ષકતા આપી છે. દાતા પરિવારે ભક્તિભાવપૂર્વક અને વિધિવત રીતે આ મુગટ શ્રી સોમનાથ ટ્રસ્ટને સુપરત કર્યો હતો. આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રો. જે.ડી. પરમારે દાતા પરિવારનું સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો. આ મુગટ હવે ભગવાન શ્રીકૃષ્ણના વિશેષ શૃંગાર પ્રસંગોમાં ઉપયોગમાં લેવાશે. નવા મુગટ સાથે ભગવાનના દર્શન કરી ભક્તોએ આધ્યાત્મિક આનંદ અને ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે ભાલકા તીર્થ ખાતે ભક્તિ અને આસ્થાનું સુંદર વાતાવરણ સર્જાયું હતું.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 5:52 pm

સમગ્ર દેશમાં આજે લોક અદાલતનું આયોજન:અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે અકસ્માત વળતરના બે કેસોમાં 1 કરોડથી વધુનું વળતર ચૂકવાયું

સમગ્ર દેશમાં આજે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક અદાલતોમાં સમાધાનપાત્ર કેસોનો બંને પક્ષે સંતોષ થાય તેમ નિકાલ કરવામાં આવે છે. અમદાવાદમાં સિટી સિવિલ એન્ડ સેશન કોર્ટ ખાતે લોક અદાલતમાં વાહન અકસ્માત વળતરના 1 કરોડથી વધુના વળતરના બે કેસોમાં સમાધાન થયું હતું અને એક 60 લાખ રૂપિયાના વળતરના કેસમાં સમાધાન થયું હતું. તેમજ એક કેસમાં 18.80 લાખનું વળતર ચુકવાયુ હતું. અકસ્માતના વળતર કેસમાં મૃતકના પરિવારને 1 કરોડનું વળતરપીનલકુમાર પટેલ 39 વર્ષના હતા અને અમદાવાદ સ્થિત વાઘ બકરી ટી કંપનીની મુખ્ય શાખામાં સિનિયર સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. જ્યાં તેમનો માસિક પગાર 69,499 હતો. 12 જૂન, 2024 ના રોજ બપોરે જ્યારે તેઓ તેમના સહકર્મી સાથે ટુ-વ્હીલર પર વડોદરા જઈ રહ્યા હતા, ત્યારે મંજુસર GIDC પાસે એક ટ્રકે તેમના વાહનને ટક્કર મારી હતી, જેના પરિણામે પીનલકુમારનું મૃત્યુ નીપજ્યું હતું. કેસની ટ્રાયલ દરમિયાન અરજદાર અને SBI જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ વચ્ચે 1.10 કરોડ રૂપિયામાં સમાધાન થયું છે. આથી, આ કેસ આજની લોક અદાલતમાં પતાવવામાં આવ્યો છે અને તે મુજબ અરજદારને ચેક એનાયત કરવામાં આવ્યો છે. દોઢ વર્ષ લાંબી કાનૂની લડાઈ બાદ, સ્ટાફ સભ્યો, વકીલો અને કાનૂની અધિકારીઓની મહેનતથી મૃતકના પરિજનોને હક્ક પ્રાપ્ત થયો છે. છ વર્ષની કાનૂની લડત બાદ મૃતકના પરિવારને 1 કરોડનું વળતરરાજેશભાઈ ગોહેલ 59 વર્ષના હતા અને બેંક ઓફ બરોડાની અમદાવાદ રિજનલ ઓફિસમાં ચીફ મેનેજર તરીકે કાર્યરત હતા. જ્યાં તેમનો માસિક પગાર 1.19 લાખ જેટલો હતો. તારીખ 2 જૂન, 2019 ના રોજ રાત્રે જ્યારે તેઓ નહેરુનગર રોડ પર માણેકબાગ BRTS સ્ટેન્ડ પાસેથી ટુ-વ્હીલર પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી આવતા એક ડમ્પરે તેમને ટક્કર મારી હતી, જેમાં તેમનું કમનસીબ મૃત્યુ નીપજ્યું હતું. ટ્રાયલ દરમિયાન અરજદાર અને ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ 1.05 કરોડ રૂપિયામાં સમાધાન થયું છે. આથી આ કેસ આજની લોક અદાલતમાં પતાવવામાં આવ્યો છે અને તે મુજબનો ચેક અરજદારને આપવામાં આવ્યો છે. 6 વર્ષ કરતા વધુ લાંબી કાનૂની લડત અને સ્ટાફ તેમજ વકીલોના પરિશ્રમ બાદ આ કેસનો ભાવુક અને સુખદ અંત આવ્યો છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકને 60 લાખનું વળતર ચૂકવાયુંપ્રશાંત ઈટાલિયા 44 વર્ષના હતા, ત્યારે વ્યવસાય કરીને મહિને 38 હજાર રૂપિયા કમાતા હતા. 7 માર્ચ, 2021 ના રોજ ઉદયપુરથી અમદાવાદ તરફ મિત્રો સાથે મુસાફરી કરતી વખતે નેશનલ હાઈવે પર મોટા ચિલોડા પાસે તેમનું વાહન પલટી ખાઈ ગયું હતું. આ અકસ્માતમાં તેમને પાંસળીઓ, જમણા ખભા અને કરોડરજ્જુમાં ગંભીર ફ્રેક્ચર જેવી ઈજાઓ થઈ હતી. કમનસીબે તેઓ કાયમી વિકલાંગતાનો ભોગ બન્યા હતા અને ત્યારથી તેઓ પથારીવશ છે. ટ્રાયલ દરમિયાન અરજદાર અને SBI જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ વચ્ચે 60 લાખ રૂપિયામાં સમાધાન થયું છે. આથી આ કેસ આજની લોક અદાલતમાં પતાવવામાં આવ્યો છે અને અરજદારને રકમનો ચેક સોંપવામાં આવ્યો છે. સાડા ત્રણ વર્ષ લાંબી કાનૂની પ્રક્રિયા બાદ, આ કેસનો પણ હકારાત્મક અંત આવ્યો છે. રાજકોટના આધેડનું અકસ્માતમાં મોત, ઇન્સ્યોરન્સ કંપનીએ 18 લાખનું વળતર ચૂકવ્યું 62 વર્ષીય જમનભાઈ મધાણી તારીખ 7 ઓક્ટોબર, 2025ના રોજ કાલાવડ ફાલા રોડ પરથી ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે એક વાહને તેમને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી અને ત્યારબાદ કાલાવડ સરકારી હોસ્પિટલમાં જમનભાઈ મધાણીને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. અરજદાર દ્વારા આ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા FAR રિપોર્ટના આધારે, ટ્રાયલ દરમિયાન અરજદાર અને બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ વચ્ચે 18.80 લાખમાં સમાધાન થયું છે. આથી આ બાબત આજની લોક અદાલતમાં પતાવવામાં આવી છે અને તે મુજબની રકમનો ચેક અરજદારને એનાયત કરવામાં આવ્યો છે. ખૂબ ટૂંકા ગાળામાં જ આ કેસનો સુખદ અને ભાવનાત્મક અંત આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 5:48 pm

કોંગ્રેસ નેતાઓ ગીર સોમનાથમાં, જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે:આગામી ચૂંટણી માટે કાર્યકર્તાઓ સાથે રણનીતિ પર ચર્ચા થશે

કોંગ્રેસના નેતાઓ અમિત ચાવડા, તુષાર ચૌધરી અને ગુજરાત પ્રભારી આવતીકાલે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાત લેશે. તેઓ વેરાવળ બાયપાસ પાસે નવા જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે અને આગામી ચૂંટણીઓ માટે કાર્યકર્તાઓ સાથે રણનીતિ પર ચર્ચા કરશે. કાર્યક્રમ અનુસાર, સવારે 9:30 કલાકે નેતાઓ સોમનાથ મહાદેવના દર્શન કરશે. ત્યારબાદ સવારે 10:30 કલાકે વેરાવળ બાયપાસ, નમસ્તે ચોકડી પાસે નવનિર્મિત જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ઉદ્ઘાટન સમારોહ બાદ, કોંગ્રેસના નેતાઓ કાર્યકર્તાઓ સાથે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની આગામી ચૂંટણીઓ અંગે વાર્તાલાપ કરશે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઊંજાભાઈ વંશ દ્વારા ચૂંટણીની રણનીતિ તૈયાર કરીને તેની સમીક્ષા કરવામાં આવશે. સવારે 11 કલાકે જિલ્લા કાર્યાલયના ઉદ્ઘાટન પછી, જિલ્લાભરના કોંગ્રેસ વિચારધારા સાથે સંકળાયેલા લોકોની જનમેદનીને સંબોધવા માટે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 5:41 pm

ભાભીના રૂમમાંથી પ્રેમી પકડાતા મામલો બિચક્યો:બે મહિલાને ચાર શખ્સોએ ધોકાવાળી કરી ગાળો ભાંડી, ઘોઘાના સાણોદરમાં પ્રેમસંબંધના મામલે સામસામી મારામારી

ઘોઘા તાલુકાના સાણોદર ગામના નવાપરા વિસ્તારમાં મોડી રાત્રે ભાભીના રૂમમાંથી અજાણ્યા પુરુષનો અવાજ આવતા જાગી ગયેલી નણંદ અને મોટા બાએ તપાસ કરતા ગામનો જ શખ્સ રંગેહાથ ઝડપાઈ ગયો હતો. ત્યારબાદ સામા પક્ષના ચાર શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કરી યુવતીને ઈજા પહોંચાડી હતી. જ્યારે સામાપક્ષે એક યુવકને પણ ઈજા પહોંચી હતી. આ મામલે યુવતીએ ચાર શખ્સો વિરુદ્ધ નામજોગ ઘોઘા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ભાભીના રૂમમાંથી અજાણ્યા શખસનો અવાજ નણંદને સંભાળ્યોઆ બનાવ અંગે ઘોઘા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના સાણોદર ગામના નવાપરા વિસ્તારમાં રહેતી યુવતી ગત 7 માર્ચ, 2026ના રોજ રાત્રે તેના મોટા બાપુના ઘરે સુવા ગઈ હતી. રાત્રિના સમયે તેની ભાભી પોતાના રૂમમાં એકલા હતા, તે દરમિયાન યુવતી પાણી પીવા જાગતા ભાભીના રૂમમાંથી કોઈ પુરુષનો અવાજ સંભળાયો હતો. ​યુવતી અને તેના મોટા બાએ દરવાજો ખખડાવતા અંદરથી ગામનો જ શખસ મળી આવ્યો હતો. પકડાઈ જવાની બીકે શખ્સ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ચાર શખ્સોએ ગાળાગાળી કરી બા અને યુવતીને ધક્કે ચડાવ્યા હતાં​આ ઘટના બાદ દેકારો થતા ઘરમાં ઘૂસેલા શખસના પક્ષના ચાર શખ્સો શેરીમાં ધસી આવ્યા હતાં. આ શખ્સોએ ગાળાગાળી કરી બા અને યુવતીને ધક્કે ચડાવ્યા હતાં. જેમાં યુવકે નામના શખ્સે લાકડાના ધોકા વડે હુમલો કરતા યુવતીને જમણા હાથે ઈજા થઈ હતી. સામ-સામી મારામારીમાં યુવકને પણ માથાના ભાગે ઈજા પહોંચી હતી. આ ​બનાવ અંગે 112ને તેમજ 108 ફોન કરતા ટીમો દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડાયા હતાં. ચારેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈભોગ બનનાર યુવતીએ જણાવ્યું કે, અગાઉ 9 માર્ચના રોજ અરજી કરવામાં આવી હતી, પરંતુ સામા પક્ષના શખ્સો પાડોશમાં જ રહેતા હોય અને સતત ડરાવતા-ધમકાવતા હોવાથી અંતે હિંમત કરી પોલીસ મથકે યુવતીએ ચારેય વિરુદ્ધ બી.એન.એસની કલમ 115(2), 54, 352 તથા જી.પી.એક્ટ 135 મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 5:32 pm

ગેસ-LNG ભરેલા 7 ટેન્કર ભારત તરફ રવાના, 29 રાજ્યોમાં કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય ફરી શરૂ : કેન્દ્રએ આપી માહિતી

LPG Cylinder Crisis : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાનના યુદ્ધના કારણે ગેસનો સપ્લાય અસર થતા ભારતમાં રસોઈ ગેસની અછત ઉભી થવાની અફવાઓ ચાલી રહી છે. આ કારણે અનેક ગ્રાહકો જરૂર ન હોવા છતાં LPG સિલિન્ડરનું બુકિંગ કરી રહ્યા છે. હવે આ મામલે પેટ્રોલિયમ મંત્રાલયની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ છે, જેમાં સ્પષ્ટ કહેવાયું છે કે, મધ્ય-પૂર્વના દેશોમાંથી છ ટેન્કર અને એક LPG ભરેલા 22 ટેન્કર ભારત આવી રહ્યા છે. મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે, ભારત પાસે એલપીજીનો પૂરતો ભંડાર છે અને આ પરિસ્થિતિ વચ્ચે પણ ટેન્કરો ભારત આવી રહ્યા છે. આ સાથે મંત્રાલયે એમ પણ કહ્યું છે કે, 29 રાજ્યોમાં કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય ફરી શરૂ કરી દેવામાં આવી છે.

ગુજરાત સમાચાર 14 Mar 2026 5:25 pm

'હાર્દિક પંડ્યા અને ઈશાન કિશને રાષ્ટ્ર ધ્વજનું અપમાન કર્યું':'સ્ટેડિયમાં બિભત્સ વર્તન કર્યું', તિરંગાના અપમાન બદલ ફરિયાદ દાખલ કરવા વડોદરાના વકીલની અરજી

વડોદરાના સામાજીક આગેવાન દ્વારા ક્રિકેટર હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન વિરુદ્ધ રાષ્ટ્રધ્વજના અપમાન અને સ્ટેડિયમમાં બિભત્સ વર્તન કરવા બદલ પોલીસ સ્ટેશમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, રાષ્ટ્ર ધ્વજનું અપમાન અને અમદાવાદ સ્ટેડિયમાં બિભત્સ વર્તન કર્યાનો આક્ષેપ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા વિરુદ્ધ તિરંગાના અપમાનને લઈને અગાઉ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદ બેંગલુરુના શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં પુણેના વકીલ વાજીદ ખાન બિડકરે કરી હતી. તિરંગાનું સન્માન ન કરવાના આરોપ સાથે પોલીસમાં અરજીભારતની T20 વર્લ્ડકપ જીત બાદ અમદાવાદમાં ઉજવણી દરમિયાન પંડ્યા પર તિરંગાનું સન્માન ન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે આજે વડોદરામાં કારેલીબાગ પોલીસ મથકમાં કેટલાક સામાજિક આગેવાન દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવા અરજી આપવામાં આવી છે. આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, ટીમ ઈન્ડિયાની જીત બાદ મેદાન પર ઉજવણી કરતા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. એક વીડિયોમાં પંડ્યા પોતાના ખભા પર તિરંગો ઓઢીને મેદાન પર નાચતા અને દોડતા જોવા મળી રહ્યા છે. પોતાની ગર્લફ્રેન્ડ સાથે સ્ટેજ પર સૂતેલા જોવા મળ્યાઆરોપ છે કે ઉજવણી દરમિયાન પંડ્યા પોતાની ગર્લફ્રેન્ડ સાથે સ્ટેજ પર સૂતેલા જોવા મળ્યા હતા, જ્યારે તે સમયે પણ તેમના ખભા પર તિરંગો હતો. સાથે ઈશાન કિશને પણ તિરંગાનું અપમાન કર્યું છે ત્યારે બંને સામે ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગ કરી છે. જાગૃત નગરી અને સામાજિક આગેવાન રાજેશકુમાર ગોયલે આ મામલે જણાવ્યું હતું કે, આજે અમે કારેલીબાગ પોલીસ મથકમાં આવ્યા છીયે. ભારત દેશનો રાષ્ટ્રધ્વજ તિરંગાનું અપમાન કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 5:21 pm

ઉડ્ડયન ક્ષેત્રે ગુજરાતનો દબદબો:MRO Xpo India 2026માં ‘સ્ટેટ ઓફ ધ યર’ એવોર્ડથી સન્માનિત

નવી દિલ્હી ખાતે આયોજિત પ્રતિષ્ઠિત ‘MRO Xpo India 2026’માં ગુજરાતના ફાળે વધુ એક સુવર્ણ સિદ્ધિ આવી છે. ભારતના ઉડ્ડયન નકશા પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખતા ગુજરાતને ‘MRO સ્ટેટ ઓફ ધ યર’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. વિમાનની જાળવણી (Maintenance), સમારકામ (Repair) અને ઓવરહોલ (Overhaul) એટલે કે MRO ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે રાજ્ય સરકારે કરેલા અવિરત પ્રયાસોનું આ પરિણામ છે. વ્યૂહાત્મક આયોજન અને પ્રગતિશીલ નીતિઓમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કુશળ માર્ગદર્શન હેઠળ ગુજરાતે ઉડ્ડયન ક્ષેત્રે અનેક નવા આયામો સર કર્યા છે. રાજ્યની પ્રગતિશીલ નીતિઓ અને દીર્ઘદ્રષ્ટિ ધરાવતા આયોજનના કારણે આજે ગુજરાત સમગ્ર ભારતમાં MRO ઉદ્યોગ માટે એક ‘મોડેલ સ્ટેટ’ તરીકે ઉભરી આવ્યું છે. ગુજરાત સરકાર વતી ગુજરાત રાજ્ય એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (GUJSAIL) દ્વારા આ એવોર્ડ સ્વીકારવામાં આવ્યો હતો. GUJSAIL અને અમદાવાદ એરપોર્ટનું મહત્વનું યોગદાનઅમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર અત્યાધુનિક MRO હેંગરનો વિકાસ એ GUJSAILનું એક સીમાચિહ્નરૂપ યોગદાન છે. આ સુવિધાને કારણે વિવિધ એરલાઇન્સ અને MRO સંસ્થાઓને વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ થયું છે. આ પ્રકારની માળખાગત સુવિધાઓએ ગુજરાતને વૈશ્વિક રોકાણકારો માટે એરોસ્પેસ ક્ષેત્રે પ્રથમ પસંદગીનું સ્થળ બનાવ્યું છે. રોકાણકારો અને કુશળ માનવશક્તિનું કેન્દ્રગુજરાત પાસે હાલમાં સુવિકસિત એરપોર્ટ નેટવર્ક અને તકનીકી રીતે સજ્જ કુશળ માનવશક્તિનો વિશાળ સંગ્રહ છે. એરોસ્પેસ અને વિમાન જાળવણી ક્ષેત્રે નવીનતા લાવવા અને ઉદ્યોગો વચ્ચે સહયોગ વધારવા માટે સરકારની સતત પ્રતિબદ્ધતા આ એવોર્ડ દ્વારા સાબિત થઈ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ માન્યતા ભારતની ઉડ્ડયન ક્ષમતાઓને મજબૂત કરવાના અને ગુજરાતને ‘ગ્લોબલ એવિએશન હબ’ તરીકે સ્થાપિત કરવાના વિઝનને વધુ વેગ આપશે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 5:14 pm

દુબઈમાં દીકરાને કરિયાણું મોકલવા જતા વૃદ્ધ છેતરાયા:ઓનલાઇન કુરિયર કંપનીનો નંબર લઈ ફોન કર્યો, ગઠિયાએ 5 રૂપિયા ઓનલાઇન ટોકન પેટે મેળવ્યા; 5 ટ્રાન્જેક્શનથી 1.90 લાખ પડાવ્યા

અમદાવાદ શહેરમાં સાયબર ઠગાઈના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. સાયબર ગઠિયાઓ અલગ-અલગ મોડસ ઓપરેન્ડી અપનાવીને લોકોને નિશાન બનાવતા હોય છે. આવો જ એક બનાવ શહેરના વેજલપુર વિસ્તારમાં સામે આવ્યો છે, જેમાં દુબઇમાં રહેતા દીકરાને કરીયાણું મોકલવા જતા નિવૃત્ત વૃદ્ધ સાયબર ઠગોના શિકાર બન્યા હતા. વૃદ્ધે ઓનલાઇન કુરિયર કંપનીનો નંબર મેળવી ફોન કર્યો હતો. જે બાદ અચાનક વૃદ્ધના બેંક એકાઉન્ટમાંથી 1.90 લાખ ટ્રાન્સફર થઈ ગયા હતા. છેતરપિંડી થઈ હોવાનું સામે આવતા વૃદ્ધે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કુરિયર બુકિંગ માટે માત્ર 5 રૂપિયાનું ઓનલાઇન ટોકન ભરવા જણાવ્યુંશહેરના વેજલપુર વિસ્તારમાં રહેતા અને સિંચાઇ વિભાગમાંથી નિવૃત્ત થયેલા એક વૃદ્ધનો દીકરો દુબઇમાં રહે છે. દીકરાને કુરિયર મારફતે કરીયાણું મોકલવાનું હોવાથી વૃદ્ધે ગુગલ પર સર્ચ કરીને કુરિયર કંપનીનો નંબર મેળવ્યો હતો. આ નંબર પર સંપર્ક કરતા ફોન ઉપાડનાર શખ્સે પોતે સરખેજની કુરિયર કંપનીમાંથી બોલતો હોવાની ઓળખ આપી હતી. જે બાદ ગઠિયાએ કુરિયર બુકિંગ માટે માત્ર 5 રૂપિયાનું ઓનલાઇન ટોકન ભરવા જણાવ્યું હતું. જેથી વૃદ્ધે મોબાઇલ મારફતે 5 રૂપિયાનું પેમેન્ટ કરી દીધું હતું. ત્યારબાદ ગઠિયાએ તેમના ઘરે આવીને કુરિયર લઇ જવાની વાત કરી હતી. જોકે કોઈ પણ કુરિયર લેવા માટે તેમના ઘરે આવ્યું નહોતું. બે દિવસમાં 5 ટ્રાન્ઝેક્શન કરીને 1.90 લાખ ઉપાડી લીધાવૃદ્ધે 20 નવેમ્બરના રોજ પોતાના બેંક એકાઉન્ટમાં 2 લાખનો ચેક જમા કરાવ્યો હતો. ત્યારબાદ તેમના મોબાઇલ પર બેંકના ટ્રાન્ઝેક્શન સંબંધિત મેસેજ આવવાનું બંધ થઈ ગયું હતું. શંકા જતાં વૃદ્ધ બેંકમાં તપાસ કરવા પહોંચ્યા હતા. બેંકમાં તપાસ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી. તેમના બેંક એકાઉન્ટમાંથી 23 અને 24 નવેમ્બરના બે દિવસ દરમિયાન કુલ પાંચ ટ્રાન્ઝેક્શન કરીને 1.90 લાખ ઉપાડી લેવાયા હોવાનું સામે આવ્યું હતું. જેથી વૃદ્ધે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:55 pm

વેરાવળમાં 15 માર્ચે વિરાટ હિન્દુ સંમેલન યોજાશે:સનાતન સંસ્કૃતિના સંરક્ષણ અને સામાજિક એકતા હેતુ આયોજન

વેરાવળના 60 ફૂટ રોડ પર આવેલા અટલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ (સ્વિમિંગ પૂલ) ખાતે 15 માર્ચ, 2026 (રવિવાર) ના રોજ સાંજે 5 વાગ્યાથી વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનનો મુખ્ય હેતુ હિન્દુ સમાજને જાગૃત, સંગઠિત અને શક્તિશાળી બનાવવાનો તેમજ સનાતન સંસ્કૃતિનું સંરક્ષણ અને સામાજિક એકતા વધારવાનો છે. હિન્દુ સંમેલન સમિતિના ઉપાધ્યક્ષ એડવોકેટ મુકેશ મોરીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સંમેલનને સફળ બનાવવા માટે જાહેર જનતા, માતાઓ, બહેનો અને દીકરીઓને ખાસ ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેમણે તમામ હિન્દુઓને જાગૃત સનાતની તરીકે આ બેઠકમાં અચૂક હાજર રહેવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમની વ્યવસ્થાના ભાગરૂપે, બહેનો માટે અલગ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમિતિ વતી અનિસ રાચ્છે વધુમાં જણાવ્યું હતું કે, કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અલ્પાહારની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:53 pm

14 વર્ષથી સાથે રહેલા પેટ-ડોગના અંતિમક્રિયામાં આરોપીને ઉપસ્થિત રહેવા મંજૂરી:વીમા પોલીસી નોમિનીમાં પોતાનું નામ ઉમેરી પતિએ 17.69 લાખ લઈ લીધા, પત્નીએ ફરિયાદ નોંધાવી'તી

ફેબ્રુઆરી 2026માં સુરતના આઠવા લાઈન પોલીસ મથકે એક મહિલાએ પોતાના પતિ સહિત કેટલાક આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેને વર્ષ 2000માં 25 વર્ષની મુદતની 5 લાખની વીમા પોલિસી લીધી હતી. જેને પાકતી મુદતે રૂ. 19.87 લાખ મળવાના હતાં. ખોટી સહી કરી, લોન લઈને 17.69 લાખ ઉપાડી લીધાફરિયાદીએ નોમિનીમાં પોતાના પિતાનું નામ લખાવ્યું હતું. પરંતુ પતિએ પિતાના નામ ઉપર વ્હાઇટનર મારીને પોતાનું નામ લખી દીધું હતું. તેમજ ફરિયાદી પત્નીની ખોટી સહી પણ કરી હતી. આ વીમા પોલિસી પર લોન લીધી હતી અને રકમ ઉપાડીને કુલ 17.69 લાખ લઈ લીધા હતા. આરોપી પતિની ધરપકડજે સંદર્ભે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. તેને સુરતની કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે અરજદાર પતિની મનોરોગની સારવાર ચાલુ છે. વળી પતિએ 2 લાખ રૂપિયા તેની UK સ્થિત દીકરીને મોકલ્યા હતાં. પરંતુ સુરત કોર્ટે અરજદારની જામીન અરજી ફગાવી નાખી હતી. આરોપી પતિએ હાઇકોર્ટમાં જામીન અરજી કરીઆથી આરોપી પતિએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જામીન અરજીની પેન્ડન્સી દરમિયાન અરજદાર પતિનું પાલતુ શ્વાન જે 14 વર્ષથી તેની સાથે હતું, તેનું મૃત્યુ નીપજ્યું હતું. હાઈકોર્ટે પોલીસ જાપ્તા સાથે મંજૂરી આપી જેથી અરજદાર પતિ દ્વારા તેના અંતિમ ક્રિયા વિધિ કરવા માટે તેને હંગામી ધોરણે છોડવા હાઇકોર્ટ પાસે મંજૂરી માંગવામાં આવી હતી. હાઇકોર્ટે તેને પોલીસ જાપ્તા સાથે મંજૂરી આપી હતી. તેમજ રેગ્યુલર જામીન અરજી ઉપર આગામી સમયમાં વધુ સુનવણી રાખી છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:51 pm

પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ 300 વિદ્યાર્થિનીઓ સાથે ભોજન લીધું:વાંસદાની KGBV મુલાકાત લીધી, ઉનાઈ માતાજીના દર્શન કરશે

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે. વલસાડમાં બૂથ સ્તરના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યા બાદ તેઓ વાંસદા તાલુકાના જામલિયા ખાતે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV) પહોંચ્યા હતા. અહીં તેમણે 300 જેટલી વિદ્યાર્થિનીઓ સાથે મુલાકાત કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ વિદ્યાલયમાં એવી 300 દીકરીઓ અભ્યાસ કરે છે જેમણે પોતાના માતા કે પિતા અથવા બંને ગુમાવ્યા છે. ભાજપ સરકાર દ્વારા BPL પરિવારની આવી દીકરીઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે રહેવા-જમવાની ઉત્તમ વ્યવસ્થા સાથે આ સંસ્થા કાર્યરત છે. પ્રદેશ અધ્યક્ષે વિદ્યાર્થિનીઓ સાથે બેસીને ભોજન લીધું હતું અને સંસ્થાના સંચાલકો સાથે શિક્ષણલક્ષી ચર્ચાઓ કરી હતી. જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, તેમણે જવાબદારી સંભાળી ત્યારથી ફૂલહાર કે બુકેને બદલે પુસ્તકો સ્વીકારવાનો આગ્રહ રાખ્યો છે. અત્યાર સુધીમાં 11 લાખથી વધુ પુસ્તકો એકત્ર થયા છે, જે ગુજરાતના અંતરિયાળ અને ગરીબ વિસ્તારના બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા વિતરિત કરવામાં આવે છે. આ પ્રવાસ દરમિયાન પ્રદેશ અધ્યક્ષની સાથે સ્થાનિક આગેવાનો અને મંત્રીઓ પણ જોડાયા હતા. વાંસદા તાલુકાના સતીમાલી ગામે ₹1.20 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવનિર્મિત પ્રાથમિક શાળાના મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નેતાઓએ જણાવ્યું કે સરકારનો આ પ્રયાસ છેવાડાના માનવી સુધી શિક્ષણની સુવિધા પહોંચાડવાનો છે. પોતાના વ્યસ્ત પ્રવાસના અંતે જગદીશ વિશ્વકર્મા દક્ષિણ ગુજરાતના આસ્થાના કેન્દ્ર સમાન ઉનાઈ માતાજીના મંદિરે દર્શનાર્થે પહોંચશે. અહીં તેઓ સાંજની આરતીમાં સહભાગી થશે અને માતાજીના આશીર્વાદ મેળવી આગળના જિલ્લાના પ્રવાસ માટે રવાના થશે. ગણદેવીના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી નરેશ પટેલ જણાવ્યું હતું કે, ‘આજે વાંસદા તાલુકાના જામલિયા ખાતે ૩૦૦ જેટલી વિદ્યાર્થિનીઓ નિવાસ સાથે ભણે છે એવી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, જેનું બે માંથી કોઇનો એક પેરેન્ટ્સ હોય અથવા બંને ન હોય એવા બીપીએલ પરિવાર હોય છે, એવા પણ પરિવારને શોધી-શોધીને આવા પરિવારની દીકરીઓ શિક્ષણથી વંચિત ન રહી જાય તેનું ધ્યાન રાખીને અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારે વાંસદા જેવા ઊંડાણના તાલુકામાં ૩૦૦ જેટલી વિદ્યાર્થિનીઓના નિવાસ સાથે માતબર રકમ ખર્ચીને એની નિવાસની ચિંતા કરી, એની બીજી વ્યવસ્થાની ચિંતા કરીને આ જ્યારે અહીંયા વિદ્યાલય ચાલે છે.’ ‘આનંદની વાત એ છે કે અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ગઈ કાલથી દક્ષિણ ગુજરાતના વલસાડના પ્રવાસે હતા. આજે વલસાડના બૂથ લેવલના કાર્યકર્તા સાથેનું સંમેલન હતું, વાર્તાલાપ હતી. ત્યાંથી એમને એમ થયું કે વાંસદાના કાર્યકર્તાઓને પણ મળવું જોઈએ અને ખાસ કરીને એમનો સ્વભાવ એ પ્રકારનો છે કે જ્યારથી પ્રદેશ અધ્યક્ષ બન્યા છે તે પહેલા પણ મંત્રી હતા, એ હર હંમેશ માટે આવી કોઈ આશ્રમશાળા હોય, ગ્રાન્ટેડ હોસ્ટેલ હોય, કોઈ વિદ્યાલય હોય એવી જગ્યા પસંદ કરીને અચાનક જાય છે ત્યાં બાળકો સાથે ભોજન લે છે, સંસ્થાના લોકો સાથે પણ મુલાકાત લે છે અને ખૂબ પ્રોત્સાહિત કરવાના એમના પ્રયત્નો હોય છે.’ ‘બાળકોને પણ ખૂબ પ્રોત્સાહિત કરે છે. આનંદની વાત એ છે કે જ્યારથી પ્રમુખ બન્યા ત્યારથી એ બુકેથી નહીં, ફૂલહારથી નહીં પણ બુકથી, ચોપડાથી એમનું સ્વાગત થાય એ એમના પ્રયત્ન રહ્યા છે. આજે જ એમની વાતમાં એમણે કહ્યું કે અત્યાર સુધીમાં 11લાખથી પણ વધારે બુકો આવી છે અને એ બુકો ગુજરાતની અંદર જે આવો ગરીબ વિસ્તાર હોય એવા વિસ્તારો પસંદ કરીને વિદ્યાર્થીઓને એ બુકો આપવામાં આવે છે, પ્રોત્સાહિત કરવામાં આવે છે. એ પ્રકારના ખૂબ સારા વિચારો સાથે અમારા પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીનો વિસ્તાર વધે એ તો પ્રયત્ન કરે જ છે પણ ગુજરાતની પ્રજા પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સુખાકારી તરફ, ગરીબમાં ગરીબ શિક્ષણથી વંચિત ન રહી જાય એને ખૂબ સારું શિક્ષણ મળે એ પણ સતત ચિંતા કરતા આવ્યા છે.’ 'આજે અહીંયાથી ડાંગના પ્રવાસે ગયા છે અને સાંજે ફરી પાછા રિટર્નમાં આ જ વાંસદા તાલુકાની અંદર લોકોનું આસ્થાનું સ્થળ દક્ષિણ ગુજરાત નહીં પણ સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રના લોકોનું આસ્થાનું સ્થળ મા ઉનાઈ માતાજીના મંદિરે સાંજે રિટર્નમાં આવવાના છે. ત્યાં આરતીનો લાભ પણ લેવાના છે અને ત્યાં ભોજન લઈ આગળના જિલ્લામાં રવાના થશે એ પ્રકારનો આજનો એમનો કાર્યક્રમ હતો. અમને પણ અમારા અધ્યક્ષ ભૂરાભાઈ, અમારા પ્રભારી શંકરભાઈ આ બધા લોકોને સાથે રહેવાનો અવસર મળ્યો. આજે ૧ કરોડ ૨૦ લાખ રૂપિયાની પ્રાથમિક શાળા આ જ તાલુકાની અંદર સતીમાલીની અંદર એના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું, ત્યાં પણ જવાનું થયું. ફરીવાર આ બાળકો ૩૦૦ જેટલી દીકરીઓ જે અભ્યાસ કરે છે એને શુભકામના પાઠવું છું અને આપના માધ્યમ દ્વારા જે રીતે વાંસદાની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારે કાળજી રાખીને એના સર્વાંગી વિકાસ થાય, વ્યક્તિ વિકાસ નહીં પણ દરેક લોકોનો વિકાસ થાય એ દિશામાં પણ કામ કર્યું છે ત્યારે હું આજે જ્યારે અચાનક જગદીશભાઈનો અહીંયા પ્રવાસ થવાના કારણે આનંદની વાત છે'

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:50 pm

સિવિલમાં અંગદાનથી ચારને મળ્યું નવજીવન:ઝારખંડના યુવાને અંગો અને અમદાવાદના પ્રૌઢે આંખ-ચામડીનું દાન કર્યું

અમદાવાદની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર માનવતાના અનોખા ઉદાહરણ તરીકે ઉભરી આવી છે. છેલ્લા એક અઠવાડિયામાં થયેલા બે મહત્વપૂર્ણ અંગદાન અને પેશીદાનના કિસ્સાઓએ અનેક પરિવારોમાં ખુશીની લહેર લાવી દીધી છે. એક 21 વર્ષીય યુવાનના અંગદાનથી 4 લોકોને નવજીવન મળ્યું છે, જ્યારે બીજા કિસ્સામાં પરિવારે આંખો અને ચામડીનું દાન કરીને દર્દીઓને નવી આશા પૂરી પાડી છે. શ્રમિક યુવાનના અંગદાનથી 4 લોકોને જીવતદાનઝારખંડના રાંચીના વતની 21 વર્ષીય રાહુલ મુંડા પાવાગઢ પાસે હાલોલમાં એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા. બ્રેઈન હેમરેજ થતા 12 માર્ચે તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં 13 માર્ચે ડોક્ટરોએ તેમને 'બ્રેઈન ડેડ' જાહેર કર્યા હતા. દુઃખની આ ઘડીમાં અંગદાન ટીમની સમજાવટથી પિતા રામુભાઈએ દીકરાના અંગો દાન કરવાનો હૃદયસ્પર્શી નિર્ણય લીધો. રાહુલના અંગદાનથી 1 લીવર, 1 સ્વાદુપિંડ અને 2 કિડની પ્રાપ્ત થઈ છે, જેનું પ્રત્યારોપણ સિવિલ મેડીસિટીની કિડની હોસ્પિટલમાં કરવામાં આવશે. ગીતામંદિરના પરિવારે પેશીદાન કરી નિભાવી સામાજિક જવાબદારીઅન્ય એક કિસ્સામાં, અમદાવાદના ગીતામંદિર વિસ્તારના 52 વર્ષીય જયેશભાઈ ચાવડાનું સારવાર દરમિયાન અવસાન થયું હતું. કાઉન્સેલર જીતેન્દ્ર પુવાર અને પત્રકાર હિતેશ રાઠોડના માર્ગદર્શન હેઠળ પરિવારે સામાજિક જવાબદારી સ્વીકારી જયેશભાઈની 2 આંખો અને સ્કીન (ચામડી)નું દાન કર્યું. 12 માર્ચે લેવાયેલું આ દાન દાઝેલા દર્દીઓ અને દ્રષ્ટિહીન લોકો માટે આશીર્વાદરૂપ બનશે. તબીબી અધિક્ષક ડો. રાકેશ જોષીના જણાવ્યા મુજબ, સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 229 બ્રેઈન ડેડ વ્યક્તિઓ દ્વારા અંગદાનથી 736 દર્દીઓને નવું જીવન મળ્યું છે. હોસ્પિટલને અત્યાર સુધી કુલ 421 કિડની, 203 લીવર, 73 હ્રદય, 34 ફેફસા, 19 સ્વાદુપિંડ, 2 નાના આંતરડા, 6 હાથ, 41 સ્કીન અને 190 આંખો મળી કુલ 989 અંગ-પેશીઓનું દાન પ્રાપ્ત થયું છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:46 pm

CM ભૂપેન્દ્ર પટેલે ભરૂચને કરોડોના વિકાસકામોની ભેટ આપી:રૂ. 1350.68 કરોડના કુલ 139 વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું

CM ભૂપેન્દ્ર પટેલ આજે ભરૂચ જિલ્લાની મુલાકાતે આવ્યાં છે. ભરૂચના ઝાડેશ્વર સ્થિત સ્વામીનારાયણ મંદિર સંકુલ ખાતે આજે યોજાયેલા વિકાસ ઉત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અંદાજિત રૂ. 1350.68 કરોડના કુલ 139 વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત, માર્ગ અને મકાન, આરોગ્ય, શિક્ષણ, શહેરી વિકાસ, રમતગમત તથા મહેસૂલ વિભાગના વિવિધ પ્રકલ્પોને આ કાર્યક્રમમાં ગતિ આપવામાં આવી. જિલ્લા પંચાયત દ્વારા રૂ.309 કરોડના 95 વિકાસકાર્યો હાથ ધરાયા છે, જેમાં ગ્રામ્ય માર્ગો અને માયનોર બ્રિજના નિર્માણનો સમાવેશ થાય છે. તે ઉપરાંત નર્મદા પરિક્રમાર્થીઓ માટે 8 વિશ્રામ હોલ, રૂ. 16 કરોડના ખર્ચે 64 ગ્રામ પંચાયત ઘરો, શિક્ષણ ક્ષેત્રે નવા વર્ગખંડો તથા આરોગ્ય સેવાઓ માટે 8 પેટા આરોગ્ય કેન્દ્રોના મકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માર્ગ અને મકાન વિભાગ હેઠળ અંકલેશ્વર–રાજપીપલા હાઈસ્પીડ કોરિડોર અને અંકલેશ્વર એર સ્ટ્રીપ ફેઝ-2 સહિત કુલ રૂ.985 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. આ વિકાસકાર્યો દ્વારા ભરૂચ જિલ્લાના માળખાગત વિકાસને નવી ગતિ મળશે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:39 pm

સુરતમાં ધો.10 નાપાસ 'મુન્નાભાઈ MBBS' ઝડપાયો:પશ્ચિમ બંગાળથી સુરત આવ્યો, ડિગ્રી વગર 'આશા ક્લિનિક' ખોલી અડ્ડો જમાવ્યો; એલોપેથિક દવાઓથી લોકોના જીવન સાથે છેડછાડ

સુરત શહેર પોલીસ દ્વારા હાલમાં મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા નકલી ડોક્ટરો વિરૂદ્ધ એક વિશેષ અભિયાન છેડવામાં આવ્યું છે. આ કડીમાં સચિન પોલીસે બાતમીના આધારે વાંઝ ગામમાં દરોડા પાડીને એક એવા 'ડોક્ટર'ને ઝડપી પાડ્યો છે, જેની શૈક્ષણિક લાયકાત જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ કથિત ડોક્ટર ધો. 10 નાપાસ હોવા છતાં એલોપેથિક દવાઓ અને તબીબી સાધનો વડે ગંભીર બીમારીઓની સારવાર કરતો હતો. બાતમીના આધારે સચિન પોલીસે ઓચિંતો દરોડો પાડ્યોસચિન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વાંઝ ગામ ખાતે આવેલા આકાશ કોમ્પ્લેક્સમાં 'આશા ક્લિનિક' નામે એક દવાખાનું ચાલી રહ્યું છે. આ ક્લિનિકમાં કોઈપણ માન્ય ડિગ્રી વગર એક વ્યક્તિ એલોપેથિક દવાઓ અને મેડિકલ સાધનોનો ઉપયોગ કરી દર્દીઓની સારવાર કરી રહ્યો છે. આ બાતમીના આધારે સચિન પોલીસે આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસરોની ટીમ સાથે રાખીને આકાશ કોમ્પ્લેક્સના રૂમ નંબર 1માં ઓચિંતો દરોડો પાડ્યો હતો. ધો.10 નાપાસ 40 વર્ષીય સંજીત વિશ્વાસની ધરપકડપોલીસની તપાસમાં બહાર આવ્યું કે, આ ક્લિનિક ચલાવનાર વ્યક્તિનું નામ સંજીત નિલકોમલ વિશ્વાસ (ઉં.વ. 40) છે. તે મૂળ પશ્ચિમ બંગાળના નદીયા જિલ્લાના ધનતલાનો વતની છે. જ્યારે પોલીસે તેની પાસે મેડિકલ પ્રેક્ટિસ માટેની જરૂરી ડિગ્રીઓ માંગી, ત્યારે તે એક પણ કાગળ રજૂ કરી શક્યો નહોતો. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે, આ નકલી ડોક્ટર માત્ર ધોરણ 10માં પણ નાપાસ થયો છે, છતાં તે નિષ્ણાત ડોક્ટરની જેમ દર્દીઓને તપાસીને હાઈ-ડોઝ દવાઓ આપતો હતો. ક્લિનિકમાંથી એલોપેથિક દવાઓ અને તબીબી સાધનો મળ્યાસુરત શહેર પોલીસ કમિશનરની સૂચના મુજબ, નકલી ડોક્ટરો સામેની આ કાર્યવાહીમાં પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું. સચિન પોલીસ સ્ટેશનના સ્ટાફે સરકારી મેડિકલ ઓફિસરોની ટીમને સાથે રાખીને 'આશા ક્લિનિક' પર ત્રાટક્યા હતા. રેડ દરમિયાન ક્લિનિકમાંથી મોટી માત્રામાં એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન, સ્ટેથોસ્કોપ અને અન્ય તબીબી સાધનો મળી આવ્યા હતા, જે પોલીસે કબજે કર્યા છે. ડિગ્રી વગર માનવ જીવન સાથે ગંભીર છેડછાડપોલીસ તપાસમાં એ વાત સ્પષ્ટ થઈ છે કે, સંજીત વિશ્વાસ પાસે એલોપેથિક દવાઓ લખવા કે વાપરવા માટેનું કોઈ લાયસન્સ નહોતું. મેડિકલ ડિગ્રી વગર આ રીતે એલોપેથિક દવાઓનો ઉપયોગ કરવો એ દર્દીના જીવન માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. ખાસ કરીને ગ્રામ્ય અને શ્રમિક વિસ્તારના ભોળા લોકો ઓછી ફીના લોભમાં આવા નકલી ડોક્ટરો પાસે સારવાર કરાવતા હોય છે, જે ક્યારેક જીવલેણ પણ નીવડે છે. પશ્ચિમ બંગાળથી આવી સુરતમાં જમાવ્યો અડ્ડોઝડપાયેલો આરોપી સંજીત વિશ્વાસ મૂળ પશ્ચિમ બંગાળના બસ્તા માટપડા ગામનો વતની છે. તે સુરતના સચિન વિસ્તારમાં આવીને વસ્યો હતો અને ભાડાની જગ્યામાં ક્લિનિક ખોલી બેઠો હતો. સુરતના આ પટ્ટામાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો વસવાટ કરે છે, જેમને નિશાન બનાવીને આ નકલી ડોક્ટર પોતાનો કાળો કારોબાર ચલાવતો હતો. પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે તે કેટલા સમયથી અહીં પ્રેક્ટિસ કરી રહ્યો હતો અને તેની સાથે અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ. સચિન પોલીસની કાયદેસરની કાર્યવાહીઆ મામલે સચિન પોલીસે સંજીત નિલકોમલ વિશ્વાસ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. તેની વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ અને માનવ જિંદગી જોખમાય તે રીતે બેદરકારી દાખવવા બદલ વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:32 pm

જૂનાગઢમાં રાષ્ટ્રીય મેગા લોક અદાલત:જૂનાગઢમાં વર્ષ 2026ની પ્રથમ રાષ્ટ્રીય મેગા લોક અદાલત સંપન્ન; ફેમિલી કોર્ટમાં 243 સહિત હજારો કેસોમાં પક્ષકારો વચ્ચે સમાધાન

​ન્યાયતંત્રમાં વર્ષો સુધી ચાલતા કેસોના ભારણને હળવું કરવા અને પક્ષકારોને ઝડપી તેમજ સસ્તો ન્યાય મળી રહે તેવા હેતુથી, રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, ન્યુ દિલ્હીના આદેશાનુસાર આજે જૂનાગઢ ખાતે વર્ષ 2026ની પ્રથમ 'રાષ્ટ્રીય મેગા લોક અદાલત'નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના ઉપક્રમે અને હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ લોક અદાલતમાં હજારો પરિવારો માટે ન્યાયિક પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢ ફેમિલી કોર્ટ તથા તેની અંતર્ગત આવતી વંથલી, વિસાવદર અને કેશોદની ક્લસ્ટર ફેમિલી કોર્ટોમાં પારીવારિક વિવાદોના નિકાલ પર ભાર મૂકવામાં આવ્યો હતો. ફેમિલી જજ પી.એચ. સિંહના નેતૃત્વમાં યોજાયેલી આ અદાલતમાં કુલ 248 પારીવારિક કેસો મૂકવામાં આવ્યા હતા. જેમાંથી ન્યાયાધીશ અને સ્ટાફના હકારાત્મક અભિગમને કારણે 243 કેસોમાં પક્ષકારો વચ્ચે સમાધાન થયું હતું. આ પ્રક્રિયાથી અનેક તૂટતા પરિવારો ફરી એક થયા છે અને મહિલાઓને ભરણપોષણની રકમ સમયસર મળતી થઈ છે. જૂનાગઢ જિલ્લા અદાલત ખાતે ડિસ્ટ્રિક્ટ જજ દવેના માર્ગદર્શન હેઠળ વિવિધ કેસો માટે અલગ-અલગ બેન્ચો કાર્યરત કરવામાં આવી હતી. આ લોક અદાલતમાં પીજીવીસીએલના વીજ બિલના વિવાદો, રાષ્ટ્રીયકૃત બેંકોના લેણાં, દીવાની કેસો, ફોજદારી સમાધાન પાત્ર કેસો તેમજ પોલીસ દ્વારા કરવામાં આવેલા ટ્રાફિક અને વાહનને લગતા કેસોનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવ્યું હતું. ગત વર્ષે 2100 જેટલા કેસોનો નિકાલ થયો હતો, જેની સરખામણીએ આ વર્ષે વધુ કેસોના નિકાલનો અંદાજ છે. લોક અદાલતમાં પક્ષકારોએ કોર્ટના લાંબા સ્ટેજ જેવા કે જવાબ, પુરાવા કે દલીલોની પ્રક્રિયામાંથી પસાર થવું પડતું નથી. વધુમાં, લોક અદાલતમાં સમાધાન થતા પક્ષકારોને કોર્ટ ફી પેટે ભરેલી રકમ 100% રિફંડ મળે છે, જે પક્ષકારો માટે આર્થિક રીતે ફાયદાકારક સાબિત થાય છે. આજના આયોજનમાં એમ.એ.સી.પી. (મોટર અકસ્માત વળતર)ના 17 કેસોમાં કુલ ₹47,64,000 ની રકમના વળતરના ઓર્ડર કરવામાં આવ્યા હતા. આ આયોજનને સફળ બનાવવા જૂનાગઢ જિલ્લા બાર એસોસિએશન, પોલીસ અધિક્ષક અને તેમની ટીમ, તેમજ બેંક અને ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશનના અધિકારીઓએ જહેમત ઉઠાવી હતી. 'લીગલ સર્વિસીસ ઓથોરિટી એક્ટ' ની કલમ 19 હેઠળ થયેલું આ આયોજન સમાજમાં સુમેળ સ્થાપિત કરવામાં અસરકારક રહ્યું છે. વકીલો અને પક્ષકારોના પ્રતિસાદ બાદ ન્યાયતંત્ર દ્વારા આગામી લોક અદાલતોમાં પણ પક્ષકારોને સક્રિય ભાગ લેવા જણાવવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:31 pm

મોજશોખ માટે ચોરી:સાબરમતી રેલવે સ્ટેશનથી મણિનગર જતી મહિલાનું પર્સ ઝૂંટવી 19.43 લાખની ચોરી કરીને આરોપીઓ મુંબઈ અને અજમેર ફરવા ગયા

સાબરમતી રેલવે સ્ટેશનથી મણિનગર તરફ રીક્ષામાં જતા મહિલાનું પર્સ ઝૂંટવી 19.43 લાખના દાગીના અને રોકડ રકમ ચોરી કરનાર બે ચોરને ઝોન 2 ડીસીપીના એલસીબી સ્કોડે ઝડપી પાડ્યા છે.આરોપીઓ મોજશોખ માટે ચોરી કરતા હતા.આ ચોરી કરીને પણ આરોપીઓ મુંબઈ અને અજમેર ફરવા જતા રહ્યા હતા.આરોપીઓ પાસેથી 8.50 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. 24 ફેબ્રુઆરીના રોન વહેલી સવારે એક મહિલા તેમના દીકરા સા સાબરમતી રેલવે સ્ટેશનથી મણિનગર તેમના ઘરે રીક્ષામાં બેસીને જઈ રહ્યા હતા.મહિલા માધુપુરાના બારડોલપુરા પહોચ્યા ત્યારે એક ટુ વ્હીલર પર બે શખ્સ આવ્યા હતા જેમણે રીક્ષામાંથી મહિલાનું પર્સ ઝૂંટવી લીધું હતું.બંને મહિલાનું પર્સ લઈને નાસી ગયા હતા.પર્સમાં દાગીના,રોકડ અને મોબાઇલ સહિત 19.43 લાખનો સામાન હતો.બનાવ અંગે માધવપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ઝોન 2 ડીસીપી ભરત રાઠોડના એલસીબી સ્કોડના પીએસઆઈ કે.ડી પટેલ અને તેમની ટીમે 150થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા જેમાં બે શંકાસ્પદ આરોપી દેખાતા હતા.પોલીસે અગાઉના ગુનાના આધારે બે આરોપીઓની ઓળખ કરી હતી.અગાઉ રાણીપમાં પણ આ જ પ્રકારે ચોરી થઈ હતી તે આરોપી હાલ જામીન પર હતા જેથી પોલીસે તેની તપાસ કરતા બે આરોપીઓએ ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તારિક પટેલ (રહે - જુહાપુરા વેજલપુર) અને સોયેબ ઉર્ફે મામા રંગરેજ (રહે - બેરલ માર્કેટ દાણીલીમડા)ની ધરપકડ કરી હતી.આરોપીઓએ મુદ્દામાલમાંથી અડધો મુદ્દામાલ વેચવા ત્રીજા આરોપી અતીયાર શેખને આપ્યો હતો.હાલ ત્રીજો આરોપી ફરાર છે.પકડાયેલા આરોપીઓએ મોજશોખ માટે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.આરોપીઓ ચોરી કર્યા બાદ મુંબઈ અને અજમેર ફરવા માટે પણ ગયા હતા.બંને આરોપીઓ વિરુદ્ધ કુલ 12 જેટલા ગુના નોંધાયેલા છે

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:29 pm

ગોત્રીમાં કુમકુમ મંદિરના સંતોનો સત્સંગ યોજાયો:તણાવમુક્તિ માટે દવા નહીં, ધ્યાન જરૂરી: સાધુ પ્રેમવત્સલદાસજી

અમદાવાદના મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ દ્વારા વડોદરાના ગોત્રી વિસ્તારમાં એક સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજરી આપી હતી. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાન પર સંતો અને હરિભક્તો દ્વારા પુષ્પાભિષેક કરવામાં આવ્યો હતો. કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ સ્ટ્રેસ મેનેજમેન્ટ વિષય પર પ્રવચન આપ્યું હતું, જ્યારે શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ સત્સંગ સુખદાયી વિષય પર પ્રેરણાદાયી ઉદ્બોધન કર્યું હતું. સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આજે માનસિક તણાવને કારણે દર વર્ષે વિશ્વમાં બે કરોડ લોકો આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આપણે ક્યારેય આત્મહત્યા ન કરવી જોઈએ. જીવનમાં સુખ અને દુઃખ દિવસ-રાતની જેમ વારાફરતી આવતા રહે છે, ત્યારે દુઃખના સમયે ધીરજ રાખવી અત્યંત જરૂરી છે. તેમણે ઉમેર્યું કે ઘણા લોકો દુઃખી હોવાથી તણાવમાં રહે છે અને તેને ભૂલવા માટે રાત્રે ઊંઘની ગોળીઓ લે છે, છતાં તેમને ઊંઘ આવતી નથી. તણાવમુક્તિ માટે ગોળીઓની નહીં, પરંતુ ભગવાનનું ધ્યાન કરવાની જરૂર છે. શાંતિ મેળવવા માટે મેડિસિન નહીં, મેડિટેશનની આવશ્યકતા છે. સંત પ્રેમવત્સલદાસજીએ સૌને ભગવાનનું ધ્યાન કરવાની ટેવ પાડવા વિનંતી કરી. તેમણે કહ્યું કે સવારે ઉઠીને અને રાત્રે સૂતી વખતે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. આજના સમયમાં લોકો સવારે ઉઠતાની સાથે અને સૂતી વખતે મોબાઈલના દર્શન કરે છે, જેના કારણે માનસિક તણાવ વધે છે. તેના બદલે ભગવાનના દર્શન કરીને દિવસનો પ્રારંભ કરવો હિતાવહ છે. તેમણે વધુમાં જણાવ્યું કે પુરુષાર્થ અવશ્ય કરવો જોઈએ, પરંતુ પુરુષાર્થ કર્યા પછી વ્યવહારની ચિંતા ભગવાનને સોંપી દેવી જોઈએ. પિતા ક્યારેય પુત્રનું અહિત કરતા નથી, તેમ ભગવાન આપણું ક્યારેય અહિત નહીં કરે તેવો શ્રી સ્વામિનારાયણ ભગવાન પર વિશ્વાસ રાખવાથી માનસિક તણાવમાંથી મુક્ત થઈ શકાય છે. આ પ્રસંગે સાધુ પ્રેમવત્સલદાસજીએ વડોદરા શહેર સાથે શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંબંધોને યાદ કર્યા. તેમણે જણાવ્યું કે શ્રી સ્વામિનારાયણ ભગવાન ઈ.સ. ૧૮૧૦માં વડોદરા પધાર્યા હતા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ (બીજા)ને શ્રી હરિ પ્રત્યે અત્યંત ભાવ હતો અને તેમણે હાથીની અંબાડી પર શ્રી સ્વામિનારાયણ ભગવાનને બેસાડીને ભવ્ય શોભાયાત્રા કાઢી હતી. સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ વડોદરામાં સત્સંગના પ્રવર્તનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત, સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીએ વડોદરામાં વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કર્યો હતો, જે પ્રસંગ સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયો છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:27 pm

ગુજરાતમાં ગેસ પુરવઠો યથાવત હોવાનો સરકારનો દાવો:કોમર્શિયલ PNG કનેક્શનની સંખ્યા વધારાશે, સંગ્રહખોરી કરનારાઓ સામે કાર્યવાહી થશે

મધ્ય-પૂર્વ વિસ્તારમાં ઉભી થયેલી ભૂ-રાજકીય પરિસ્થિતિને કારણે વિશ્વસ્તરે ઊર્જા ક્ષેત્રમાં LPG અને LNGના પુરવઠા પર અસર જોવા મળી રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં ઘરેલુ ગેસ પુરવઠો ખોરવાઈ ન જાય તે માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર તેમજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા સંકલિત પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. રાજ્યમાં ઘરેલુ LPG સિલિન્ડરના વિતરણને સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત મોનિટરિંગ કરી રહી છે. બ્યુટેન અને પ્રોપેન ગેસનો મહત્તમ ઉપયોગ LPG ઉત્પાદન માટે વ્યવસ્થાકેન્દ્ર સરકારે 5 માર્ચ 2026ના ગેઝેટ નોટિફિકેશન દ્વારા LPGના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા બ્યુટેન અને પ્રોપેન ગેસનો મહત્તમ ઉપયોગ LPG ઉત્પાદન માટે થાય તે માટે નિયમનકારી વ્યવસ્થા અમલમાં મૂકી છે. આ ગેસ જાહેર ક્ષેત્રની ત્રણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ – IOCL, BPCL અને HPCLને જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પગલાંનો મુખ્ય હેતુ ઘરેલુ LPG સિલિન્ડરનો પુરવઠો અવિરત જાળવી રાખવાનો છે જેથી નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે. કુદરતી ગેસ પુરવઠામાં મર્યાદિત કાપ લાગુ કરાયોઆ ઉપરાંત 9 માર્ચ 2026ના નોટિફિકેશન દ્વારા ઘરેલુ PNG અને વાહનો માટેના CNGને પ્રાથમિકતા-1 ક્ષેત્રમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેના કારણે આ ક્ષેત્રોને 100 ટકા કુદરતી ગેસનો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. હાલની પરિસ્થિતિમાં માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર માટે કુદરતી ગેસ પુરવઠામાં મર્યાદિત કાપ લાગુ કરવામાં આવ્યો છે. રાજ્યમાં 37 લાખથી વધુ ઘરેલુ PNG ગ્રાહકો સરકારે જણાવ્યું છે કે આવનારા સમયમાં મધ્ય-પૂર્વ સિવાયના વિશ્વના અન્ય વિસ્તારોમાંથી LNGના નવા કાર્ગો ભારત પહોંચવાના હોવાથી ગેસ પુરવઠાની સ્થિતિ વધુ મજબૂત બનવાની સંભાવના છે. ગુજરાત દેશના ગેસ આધારિત ઊર્જા ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. રાજ્યમાં હાલમાં 1073 CNG સ્ટેશનો કાર્યરત છે અને 37 લાખથી વધુ ઘરેલુ PNG ગ્રાહકો છે. આ તમામ ગ્રાહકોને સતત અને વિશ્વસનીય ગેસ પુરવઠો મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા નિયમિત સમીક્ષા કરવામાં આવી રહી છે. ગેસ પુરવઠાની હાલની સ્થિતિ પર ચર્ચા કરાઈતા. 13 માર્ચ 2026ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગેસ પુરવઠાની પરિસ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યમાં ગેસ પુરવઠાની હાલની સ્થિતિ, વૈશ્વિક પરિસ્થિતિના પડકારો અને આગામી દિવસોમાં પુરવઠાની સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ ઘરેલુ LPG, PNG અને વાહનો માટેના CNGનો પુરવઠો નાગરિકોને વિના અડચણ મળી રહે તે માટે આગોતરા આયોજન અને કેન્દ્ર સરકારના માર્ગદર્શનોનું કડક પાલન કરવાની સૂચના આપી હતી. કોમર્શિયલ PNG કનેક્શનની સંખ્યા વધારાશેઆ બેઠકમાં સ્વચ્છ ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે રાજ્યમાં ઘરેલુ તથા કોમર્શિયલ PNG કનેક્શનની સંખ્યા વધારવા અને નવા વિસ્તારોમાં ગેસ નેટવર્કનું ઝડપી વિસ્તરણ કરવા પણ સૂચનાઓ આપવામાં આવી હતી. રાજ્યના ઊર્જા તથા પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલ, અન્ન-નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના મંત્રી રમણભાઈ સોલંકી તેમજ રાજય મંત્રીઓ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. નાગરિકોને ખોટી અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા માટે પણ અપીલ કરવામાં આવી છે. હોસ્ટેલો, રેસ્ટોરન્ટ જેવા ક્ષેત્રોને ગેસ પુરવઠો મળી રહેશેસરકારે જણાવ્યું છે કે ઘરેલુ LPG ઉપરાંત હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્ટેલો, અનાથાશ્રમો, વૃદ્ધાશ્રમો, મધ્યાહન ભોજન યોજના, આંગણવાડી તેમજ રેસ્ટોરન્ટ જેવા ક્ષેત્રોને પણ જરૂરી ગેસ પુરવઠો મળી રહે તે માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. સંગ્રહખોરી અથવા ગેરકાયદે પ્રવૃત્તિ કરનારાઓ સામે કડક કાર્યવાહી સાથે જ તમામ જિલ્લા કલેક્ટરો અને પોલીસ અધિક્ષકોને LPG વિતરણ એજન્સીઓ સાથે સંકલન કરીને વિતરણ વ્યવસ્થા સુચારૂ રાખવાની સૂચના આપવામાં આવી છે. LPG અને LNG આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ આવતાં હોવાથી તેની સંગ્રહખોરી અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા એક વ્યક્તિ દ્વારા બે LPG સિલિન્ડર બુકિંગ વચ્ચે શહેર વિસ્તારમાં 25 દિવસ અને ગ્રામ્ય વિસ્તારમાં 45 દિવસનું અંતર રાખવાની સૂચના પણ આપવામાં આવી છે. સરકાર અને સંબંધિત કંપનીઓએ નાગરિકોને વિશ્વાસ અપાવ્યો છે કે રાજ્યમાં ગેસ પુરવઠો જાળવવામાં કોઈ ખલેલ ન પડે તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:27 pm

મહેસાણામાં ગેસ સિલિન્ડર માટે લાંબી લાઈનો લાગી:એજન્સીઓ પર વહેલી સવારથી લાંબી કતારો, લોકોમાં ફેલાયેલા ડરને કારણે 'પેનિક બુકિંગ' વધ્યું

દેશભરમાં રાંધણ ગેસના પુરવઠાને લઈને સર્જાયેલી અસમંજસની અસર હવે મહેસાણા જિલ્લામાં પણ ઘેરી બની રહી છે. જિલ્લાની ગેસ એજન્સીઓ બહાર વહેલી સવારથી જ ગ્રાહકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ઉનાળાના આકરા તડકામાં લોકો પોતાનો ધંધો-રોજગાર છોડીને કલાકો સુધી ગેસ સિલિન્ડર મેળવવા માટે રાહ જોઈ રહ્યા છે, જેના કારણે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પેનિક બુકિંગ અને સર્વરની સમસ્યાગેસ એજન્સીના સંચાલક રાકેશ શાહના જણાવ્યા અનુસાર કંપની તરફથી પુરવઠો પૂરતા પ્રમાણમાં આવી રહ્યો છે.પરંતુ લોકોમાં ફેલાયેલા ડરને કારણે 'પેનિક બુકિંગ' વધી ગયું છે. અગાઉ જ્યાં દૈનિક 500-600 સિલિન્ડરની માંગ રહેતી હતી તેની સામે અત્યારે 1500થી વધુ લોકો ઉમટી રહ્યા છે. આ અચાનક વધેલા ધસારાને કારણે IVRS બુકિંગ સર્વર પણ ક્રેશ થઈ ગયું છે.જેનાથી ઓનલાઇન બુકિંગમાં મુશ્કેલી પડી રહી છે. જે ગ્રાહકો પાસે બે સિલિન્ડર છે તેઓ પણ ભવિષ્યની ચિંતામાં અત્યારથી જ લાઈનોમાં ઊભા રહી રહ્યા છે, જે ખરેખર જરૂરી નથી. કોમર્શિયલ ગેસનો સપ્લાય બંધ : હોટલ ઉદ્યોગ મુશ્કેલીમાંઘરેલું વપરાશના ગેસને પ્રાધાન્ય આપવા માટે હાલમાં કોમર્શિયલ ગેસ (વ્યાપારી વપરાશ) નું પ્રોડક્શન અને રિફિલિંગ બંધ કરી દેવામાં આવ્યું હોવાનું સંચાલકોએ સ્વીકાર્યું છે. આ નિર્ણયને કારણે હોટલો, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલા સંચાલકોને મોટો ફટકો પડ્યો છે. અનેક હોટલ માલિકોને ગેસના અભાવે એકમો બંધ કરવાની નોબત આવી છે. જનતાની હાલાકી: નોટબંધી જેવો માહોલસ્થાનિક ગ્રાહકોના જણાવ્યા મુજબ, બુકિંગ માટેના ફોન નંબર છેલ્લા એક અઠવાડિયાથી લાગતા નથી. સવારના 7-8 વાગ્યાથી લાઈનમાં ઉભા રહેવા છતાં બપોર સુધી વારો આવતો નથી. ખાસ કરીને જે પરિવારો પાસે માત્ર એક જ સિલિન્ડર છે, તેમના રસોડામાં ચૂલો સળગવો મુશ્કેલ બન્યો છે. લોકોએ આ સ્થિતિની સરખામણી નોટબંધી સમયની લાઈનો સાથે કરી છે. તંત્ર અને એજન્સીઓ દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. રોહિત પ્રજાપતિ એ જણાવ્યું કે હું સવારે 9:30 વાગ્યાનો અહીંયા આવ્યો છું.મારી મમ્મી માટે ગેસનો બાટલો લેવા માટે. અત્યારે પોણો એક થઈ ગયો છે.પણ હજી મારો નંબર આવ્યો નથી.બુકિંગ માટેનો જે ફોન નંબર છે તે છેલ્લા એક અઠવાડિયાથી બંધ છે.એટલે મેં એપ્લિકેશન દ્વારા બુકિંગ કરાવ્યું છે.પરિસ્થિતિ એવી છે કે નોટબંધીના સમયથી શરૂ થયેલી લાઈનો હવે રસોડા સુધી ગેસના બાટલા સુધી પહોંચી ગઈ છે. પ્રજા ખૂબ હેરાન થઈ રહી છે. લોકો સવારના 7 વાગ્યાથી આ ઉનાળામાં અને ધગધગતા તડકામાં લાઈનોમાં ઉભા છે અને પોતાના વારાની રાહ જોઈ રહ્યા છે. સૌથી મોટી તકલીફ એવા લોકોને છે જેમની પાસે માત્ર એક જ ગેસનો બાટલો છે. તેમને સમયસર ગેસ મળતો નથી જેના કારણે જમવાનું બનાવવામાં અને રસોઈ કરવામાં ખૂબ મુશ્કેલી પડે છે. રજનીકાંત ભાઈ જોષીએ જણાવ્યું કે અમે આઠ વાગ્યાના સાહેબ આવ્યા છીએ હજી નંબર આવ્યો નથી. અને આ બાટલાની લાઈન એટલી બધી છે અને પાછું કંઈક કાર્યવાહી કર્યા વગર તો આપતા નથી એટલે સમય ઘણો થઈ ગયો છે.આમાં કંઈક કારણ કે બધા કંઈક ને કંઈક કામ કરે,બધા પોતાનો ધંધો વ્યાપાર મૂકીને આવ્યા હોય એટલે થોડુંક બધાનું ધ્યાન રાખવું જોઈએ એ પ્રમાણે કંઈક કાર્યવાહી કરવી જોઈએ.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:23 pm

પ્રતાપનગર રેલવે યાર્ડમાં વર્કશોપ પાસે સ્ક્રેપમાં આગ લાગતા અફરાતફરી:અઢી કલાકની જહેમત આગ કાબૂમાં, વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે પણ કચરામાં આગ

વડોદરા શહેરના પ્રતાપનગર રેલવે યાર્ડમાં આવેલ વર્કશોપ પાસે સ્ક્રેપમાં આગનો બનાવ સામે આવ્યો હતો. આ આગના બનાવને લઈ દોડધામ મચી જવા પામી હતી. બનાવને લઈ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જો કે ફાયર વિભાગને આ સ્ક્રેપમાં આગ પર કાબૂ મેળવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. વર્કશોપ પાસે સ્ક્રેપના ગોડાઉનમાં વહેલી સવારે આગશહેરના પ્રતાપનગર ખાતે આવેલા રેલવે યાર્ડમાં આવેલ વર્કશોપ પાસે વહેલી સવારે આગનો બનાવ સામે આવ્યો હતો. આ આગ વર્કશોપ પાસે રહેલા સ્ક્રેપના ગોડાઉનમાં લાગી હતી. જેમાં પતરા, પાઇપ અને અન્ય સામાન ભરેલો હતો. આગ લાગતા અહીંયા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ અંગેની જાણ ગાજરાવાડી ફાયર સ્ટેશનને કરતા ટીમ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો. અઢી કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયોફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી સ્ક્રેપના ગોડાઉનમાં આગ પર નિયંત્રણ મેળવવા ભારે જહેમત ઉઠાવી પડી હતી. અહીંયા રહેલા ફાયરના સાધનો દ્વારા પણ આગ કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો જો કે આગ એટલી વિકરાળ બની કે ફાયર વિભાગની ટીમે સત્તત પાણીનો મારો ચલાવ્યો હતો. અહીંયા સમાન વધુ હોવાથી સમય વધુ લાગ્યો હતો. ફાયર વિભાગે અઢી કલાકની ભારે જહેમત આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગતા અહીંયા રહેલા કેટલાક ઝાડને પણ નુકસાન થયું છે. સાથે સ્ક્રેપમાં રહેલ મોટા ભાગનો સમાન બળીને ખાખ થઈ ગયો હતો. વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે કચરામાં આગ લાગી આ સાથે શહેરના માંજલપુર વિસ્તારમાં વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે કચરામાં આગ લાગી હતી. સાથે તાંદલજા વિસ્તારમાં ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા કેબલો બળી ને ખાખ થઈ ગયા હતા. સાથે જિલ્લામાં રામપુરા પાદરા પાસે ઇકો કારમાં આગ લાગતા કાર બળીને ખાખ થઈ ગઈ હતી.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:14 pm

વડોદરામાં 'ઊંટના નહીં, પાલિકાના અઢારે વાંકા':પાણીના વાલ્વના હોલમાં ઊંટનો પગ ફસાયો; લોકોએ કલાકોની ભારે જહેમત બાદ બહાર કાઢ્યો

ગુજરાતીમાં કહેવત છે કે ઊંટના અઢારે અંગ વાંકા, પરંતુ આ અઢારે વાંકા અંગ વાળું ઊંટ વડોદરા શહેરના રસ્તાઓ ઉપર ફસાઈ ગયું હતું. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રોડ વચ્ચે પાણીના વાલ્વના કાણામાં આ ઊંટનો પગ એવો ફસાયો કે તેને કાઢવામાં નાકે ફીણ આવી ગયું. સ્થાનિક રહીશો અને ઊંટના માલિકે મહામહેનતે આ ઊંટનો પગ બહાર કાઢ્યો. ત્યારે સ્થાનિકોમાં એવો પણ ગણગણાટ જોવા મળ્યો કે આ તો ઊંટના નહીં પરંતુ પાલિકાના અઢારે વાંકા છે. ઊંટનો પગ ગરક થઇ ગયો હતો અને તે રોડ ઉપર જ બેસી ગયુંવડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાંથી એક ઊંટલારી પસાર થઇ રહી હતી. સામાન્ય રીતે ઉનાળાના સમયમાં જ્યાં પાણીની અછત હોય છે તેવા પ્રદેશોમાંથી અનેક લોકો ઊંટ સાથે હિજરત કરે છે. તેવો જ એક પરિવાર પસાર થઇ રહ્યો હતો દરમિયાન અચાનક રોડ ઉપર પાલિકાની લાઈન ઉપરના લોખંડના ઢાંકણાની બાજુમાં વાલ્વના હોલમાં ઊંટનો પગ ગરક થઇ ગયો હતો અને તે રોડ ઉપર જ બેસી ગયું હતું. ઊંટ કણસતું રહ્યું અને લોકો બચાવવાનો પ્રયાસ કરતા રહ્યાં નાનકડા હોલમાં ઊંટનો પગ ફસાઈ જતા તેને અસહ્ય પીડા થઇ રહી હતી અને તે કણસતું રહ્યું હતું. શરૂઆતમાં તો ઊંટના માલિકે તેનો પગ બહાર કાઢવાના પ્રયાસો કર્યા ત્યાર બાદ અન્ય લોકો પણ તેઓની મદદે આવ્યા અને મહામહેનતે ઊંટનો પગ બહાર કાઢી તેને દર્દમાંથી મુક્તિ અપાવી હતી. ઊંટને પગના ભાગે ઇજા પણ પહોંચી હતી. જો કે એક તબક્કે આસપાસ લોકોની ભીડ જમા થઇ ગઈ હતી. લોકોની સુખાકારી વધારવામાં આવે તેવી પણ માગણી ઉઠીશહેરમાં અનેક વિસ્તારમાં રોડની વચોવચ જ આ પ્રકારના ઢાંકણા મૂકી દેવાયા છે. કેટલાક વિસ્તારોમાં તો સમારકામ બાદ તેને જો યોગ્ય રીતે પુરાણ ન કરવામાં આવે તો વાહનચાલકોએ ભારે હાલાકી વેઠવી પડી રહી છે. શહેરમાં અનેક સ્થળોએ હાલમાં ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી ના કારણે પણ ખાડાઓ ખોદી નાખવામાં આવ્યા છે. ત્યારે પાલિકા દ્વારા લોકોની સુખાકારી વધારવામાં આવે તેવી પણ માગણી ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:13 pm

ગાંધીનગરનો ચકચારી ઋષભ પટેલ આત્મહત્યા કેસ:ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર સહિત 3 વોન્ટેડ આરોપીઓનું નેપાળ કનેક્શન ખુલ્યું, પોલીસ હવે ઇન્ટરનેશનલ પ્લાનિંગ સાથે ધરપકડ કરશે

ગાંધીનગરના સુઘડમાં રહેતા સાનિધ્ય બિલ્ડરના 25 વર્ષીય ઋષભ પટેલના આપઘાત કેસમાં જાન્યુઆરી મહિનાથી વોન્ટેડ ત્રણ આરોપીઓ નેપાળમાં આશરો લઇ રહ્યા હોવાનું ઇન્ફોસિટી પોલીસની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. જેના પગલે હવે ગાંધીનગર પોલીસ આરોપીઓ સુધી પહોંચવા માટે નેપાળ પોલીસના સંલકનમાં રહી માઇક્રો પ્લાનિંગ સાથે તપાસનો ધમધમાટ શરૂ કરવાની છે. ઋષભ 25 જાન્યુઆરીએ સાઈટ પર જવાનું કહી ઘરેથી નીકળી ગયો હતોગાંધીનગર કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા 25 વર્ષીય ઋષભ પટેલની આત્મહત્યા કેસમાં ઇન્ફોસિટી પોલીસ સ્ટેશને મૃતકના પિતા પ્રવિણભાઈએ ચાર શખસોના નામજોગ આત્મહત્યા દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. સુઘડ ખાતે અપોલો હોસ્પિટલ નજીક આવેલા શિખર બંગ્લોઝમાં રહેતા ઋષભ પ્રવિણભાઈ પટેલના લગ્ન તા. 12 જાન્યુઆરીના રોજ થયા હતા. લગ્નના 13 દિવસ બાદ એટલે કે 25 જાન્યુઆરીના રોજ તે સાઈટ ઉપર જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. જોકે તે પરત નહીં ફરતા પરિવારજનો દ્વારા તેની શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ ઋષભનો ક્યાંય પત્તો લાગ્યો નહોતો. મૃતદેહ ઘરથી 39 કિમી દૂર કડી-નર્મદા કેનાલમાંથી મળ્યોદરમિયાન 26 જાન્યુઆરીના રોજ ઋષભની કાર રાયપુર નર્મદા કેનાલ પાસે બહુચર પાન પાર્લર નજીકથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. જેની અંદર તપાસ કરતા પરિવારને દાગીના, મોબાઈલ અને રોકડ રકમની સાથે બે પેજની અંતિમ ચિઠ્ઠી પણ મળી હતી. 28 જાન્યુઆરીના રોજ ઋષભનો મૃતદેહ ઘરથી 39 કિમી દૂર કડી નર્મદા કેનાલમાંથી મળી આવ્યો હતો. ઋષભે સ્યુસાઇડ નોટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર સહિત ચાર શખસના માનસિક ત્રાસથી કંટાળીને આ પગલું ભરી રહ્યો હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો. તો બીજી તરફ ઋષભે લખેલી સુસાઈડ નોટમાં પોતાની પત્નીને સંબોધીને લખ્યું હતું કે હેલી બેટા (પત્ની)… ખુશ રહેજે, મને તારા જ માણસોએ મરવા માટે મજબૂર કર્યો છે, તેમને સજા અપાવજે. ઋષભના મોત બાદ ત્રણેય આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયાપોલીસ ચોપડે ફરિયાદ દાખલ થતા જ કલ્પેશ ઉર્ફ તલાટી અંબાલાલ પટેલ (હાલ રહેવાસી એ/802, નેસ્ટ રેસીડન્સી, કેરાહેજા રોડ કોબા) મનિષ ઉર્ફ સ્પલેન્ડર સોમાભાઇ પટેલ (રહે. બી/101, શિખર રેસીડન્સી, નાના ચિલોડા), ક્રિશાલ અરવિંદભાઇ ઉર્ફ વિકમભાઇ પટેલ (રહે.સી/702, બેવરલી હિલ્સ, નાના ચિલોડા) અને મહિપાલસિંહ રાઠોડ (તાબુંલ પાર્ન પાર્લર બેવરલી કોમ્પલેક્ષ, રહે.નાના ચિલોડા) ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. ક્રિકેટ સટ્ટાના રૂપિયાની લેતીદેતીનું કારણ બહાર આવ્યુંબાદમાં પોલીસના હાથમાં મહિપાલસિંહ રાઠોડ આવી ગયો હતો. જેણે પોલીસ રિમાન્ડ દરમિયાન વટાણા વેરી દેતા સમગ્ર પ્રકરણ ક્રિકેટ સટ્ટા બેટિંગના રૂપિયાની લેતીદેતીનું હોવાનું બહાર આવ્યું હતું. જેમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર તારાબેન પટેલના પુત્ર મનીષ ઉર્ફે સ્પ્લેન્ડર, કલ્પેશ ઉર્ફે તલાટી અંબાલાલ પટેલ, ક્રિશાલ પટેલ દ્વારા સટ્ટાના 70થી 80 લાખની ઉઘરાણી કરવામાં આવતી હતી. મનીષ ઉર્ફે સ્પ્લેન્ડર અને સાણંદ ખાતે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતો કલ્પેશ ઉર્ફે તલાટી જે આઇડીથી ઋષભ સટ્ટો રમતો હતો એ આઇડી પાસવર્ડ આરોપીઓ તરફથી આપવામાં આવેલું હતું. જે સટ્ટા બેટિંગ પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હતી. મૃતકની પત્નીએ પતિના આપઘાત માટે જવાબદાર ન હોવાનો દાવો કર્યોજોકે ઋષભ પૈસા ચૂકવવામાં ગલ્લા તલ્લા કરતો હોવાથી તેને માર મારી ટોર્ચર કરાયો હતો. આખરે ઋષભે કેનાલમાં આપઘાત કરી લીધો હતો. ત્યારે પોલીસે ઋષભની પત્ની હેલીની પણ પૂછતાછ કરતાં પારિવારિક સંબંધોના લીધે કલ્પેશ ઉર્ફે તલાટીને તે મામા કહીને બોલાવતી હોવાનો ખુલાસો થયો છે. પોલીસ સમક્ષ હેલીએ મામા કલ્પેશ તલાટી પતિના આપઘાત માટે જવાબદાર નહિ હોવાનો પણ દાવો કર્યો હતો. બીજી તરફ ઋષભ પટેલ જે પૈસા સટ્ટામાં હારી ગયો હતો. એ પૈસા આગળ ચૂકવવા માટે કલ્પેશ ઉર્ફે તલાટીએ તેનું માણસા નું મકાન પણ અંદાજિત 65 લાખમાં વેચી માર્યું હતું. તેમ છતાં ઋષભ પૈસા પરત કરવાની કોઈ દરકાર કરતો નહોતો. વધુમાં પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છેકે ભૂતકાળમાં ઋષભ નકલી માર્કશીટ કેસમાં સંડોવાયેલો હતો. આરોપીઓ નેપાળમાં છુપાયું હોવાનું બહાર આવ્યુંજોકે આ સમગ્ર મામલે ગુનો દાખલ થતાં જ મનીષ ઉર્ફે સ્પ્લેન્ડર, કલ્પેશ ઉર્ફે તલાટી અને ક્રિશાલ પટેલને પકડવા ઇન્ફોસિટી પીઆઇ વી આર ખેરની ટીમોએ ત્રણેયના આશ્રય સ્થાનો પર દરોડા પાડી પરિવાજનોની પણ પૂછતાછ હાથ ધરી હતી. પરંતુ કોઈ ફળદાયી હકીકત મળી આવી હતી. ત્યારે પોલીસે એક પછી એક કડીઓ જોડીને તપાસનો દોર ચાલુ રાખતા આરોપીઓ નેપાળમાં છુપાયા હોવાનું બહાર આવ્યું છે. આ અંગે વિશ્વસનીય સુત્રોએ કહ્યુ કે, આરોપીઓ નેપાળમાં નજીકના પરિચિત મારફતે આશરો મેળવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. નેપાળ વિઝા ફ્રી હોવાથી ત્રણેય ત્યાં છુપાઈને બેસી ગયા છે. જેના પગલે નેપાળ પોલીસના સંકલનમાં રહીને ત્રણેયને ઝડપી લેવા તખ્તો ગોઠવામાં આવી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 4:04 pm

ડિસક્વોલિફાય લિસ્ટમાં નામ છતાં યુવતીને નિમણૂક પત્ર મળ્યો:જવાબોની એક ખાસ પેટર્ન ‘ABCD’ વાળી સ્ટાફ નર્સ વર્ગ-3ની ભરતી પ્રક્રિયા પર યુવરાજસિંહના ગંભીર આક્ષેપ

ગુજરાતમાં સ્ટાફ નર્સ વર્ગ-3ની ભરતી પ્રક્રિયા ફરી વિવાદના ઘેરામાં આવી છે, જેમાં આરોગ્ય વિભાગે ડિસક્વોલિફાય લિસ્ટમાં નામ હોવા છતાં એક યુવતીને નિમણૂક પત્ર આપી દીધાનો યુવરાજસિંહનો આક્ષેપ છે. આ ભરતીમાં જવાબોની એક ખાસ 'ABCD' પેટર્નનો ઉપયોગ થયો હોવાના વિગતો પણ સામે આવી હતી. આ સાથે જ, યુવરાજસિંહ જાડેજાએ બાકરોલ દૂધ મંડળીનું 300 લીટર દૂધ નકલી હોવાનો ગંભીર આક્ષેપ કરીને સવાલો ઉઠાવ્યા છે. આમ, એક તરફ સરકારી ભરતીમાં થતી ગેરરીતિઓ અને બીજી તરફ સામાન્ય જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી દૂધના કૌભાંડોએ રાજ્યમાં ચર્ચા જગાવી છે. 1903 જગ્યાઓ માટે ભરતી ને વિવાદયુવરાજસિંહ જાડેજાના જણાવ્યા મુજબ, આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયેલી સ્ટાફ નર્સ વર્ગ-3ની ભરતી (જાહેરાત ક્રમાંક COH/202425/1) પ્રક્રિયામાં ગંભીર ગડબડીઓ થઈ હોવાની શંકા છે. રાજ્યની સરકારી હોસ્પિટલો અને સામુહિક આરોગ્ય કેન્દ્રો માટે 1903 જગ્યાઓ માટે આ ભરતી જાહેર કરવામાં આવી હતી. 5 ઓક્ટોબર 2024 થી 3 નવેમ્બર 2024 સુધી ફોર્મ ભરાયા હતા અને 9 ફેબ્રુઆરી 2025ના રોજ લેખિત પરીક્ષા યોજાઈ હતી, જેમાં અંદાજે 53,500થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. સત્તાવાર મેરિટ લિસ્ટમાં નથી છતાં નિમણૂક પત્ર કેવી રીતે?જાડેજાના આક્ષેપ મુજબ સોશિયલ મીડિયામાં “શિવાનીબેન ભરતભાઈ ડાકી” નામની ઉમેદવારને સ્ટાફ નર્સ તરીકે નિમણૂક પત્ર મળ્યાની પોસ્ટ વાયરલ થઈ છે. પરંતુ સત્તાવાર મેરિટ લિસ્ટ તપાસતા આ ઉમેદવારનું નામ પસંદગી યાદીમાં જોવા મળતું નથી. ઉલટું તેઓ ડિસ્ક્વોલિફાઈડ ઉમેદવારોની યાદીમાં હોવાનું જણાય છે. તેથી પરીક્ષામાં નાપાસ થયેલી વ્યક્તિ પાસે આરોગ્ય વિભાગનો સહી-સિક્કાવાળો નિમણૂક પત્ર કેવી રીતે પહોંચ્યો તે ગંભીર પ્રશ્ન ઉભો થયો હોવાનું તેમણે જણાવ્યું છે. 'ઓર્ડર સાચો હોય તો ભરતી પ્રક્રિયામાં મોટી ગડબડ હોય શકે'યુવરાજસિંહ જાડેજાએ દાવો કર્યો છે કે જો આ ઓર્ડર સાચો હોય તો ભરતી પ્રક્રિયામાં મોટી ગડબડ થઈ હોવાનું સાબિત થાય છે અને જો ઓર્ડર નકલી હોય તો કોઈ ગેંગ દ્વારા લાખો રૂપિયામાં નકલી નિમણૂક પત્રો બનાવવાનો રેકેટ ચાલતો હોવાની સંભાવના નકારી શકાય નહીં. તેમણે આ મામલે તટસ્થ તપાસ કરવાની માંગ પણ ઉઠાવી છે. 'બાકરોલ દૂધ મંડળી દૂધ પીવાલાયક નથી'બીજી તરફ જાડેજાએ દૂધમાં ભેળસેળના મુદ્દે પણ સવાલો ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ અમૂલ ડેરીના ક્વોલિટી એસ્યોરન્સ રિપોર્ટમાં આણંદ જિલ્લાના બાકરોલ દૂધ મંડળીમાંથી લેવાયેલા કેટલાક દૂધના નમૂનાઓ ‘અસામાન્ય’ જાહેર થયા છે. રિપોર્ટ મુજબ મંડળીના 6 સભાસદોના દૂધના સેમ્પલમાં દૂધ સિવાયના અન્ય પદાર્થોની હાજરી જોવા મળી હોવાનું જણાવાયું છે. ભેળસેળમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવા માંગજાડેજાએ આ મુદ્દે કહ્યું કે દૂધમાં આવી ભેળસેળ ગ્રાહકોના આરોગ્ય માટે ગંભીર જોખમ બની શકે છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધો માટે આ સ્થિતિ ચિંતાજનક છે. તેમણે માંગ કરી કે ભેળસેળમાં સંડોવાયેલા લોકો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને સમગ્ર નેટવર્ક બહાર લાવવા માટે ઉચ્ચસ્તરીય તપાસ કરવી જોઈએ. તંત્ર શું કાર્યવાહી કરે છે તે પર સૌની નજર આ બંને ઘટનાઓએ રાજ્યના વહીવટી તંત્ર સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. એક તરફ નાપાસ ઉમેદવાર પાસે નિમણૂક પત્ર પહોંચે છે તો બીજી તરફ લાખો ગ્રાહકો સુધી પહોંચતા દૂધમાં ભેળસેળ પકડાય છે. આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા જેવી મહત્વની વ્યવસ્થાઓમાં આવી ગડબડ સામે આવતા હવે તટસ્થ તપાસ અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. જનતા અને યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલા આવા મામલાઓમાં જવાબદાર સામે કડક પગલાં લેવામાં આવશે કે નહીં તે હવે જોવા જેવું રહેશે.આક્ષેપો બાદ હવે બંને મુદ્દાઓને લઈને તંત્ર શું કાર્યવાહી કરે છે તે પર સૌની નજર છે. આ પણ વાંચો1903 નર્સિંગ સ્ટાફની ભરતી શંકાના દાયરામાં:આન્સર કીમાં ક્રમિક એબીસીડીમાં જવાબ રાજ્ય સરકાર દ્વારા 9 ફેબ્રુઆરીએ લેવામાં આવેલી નર્સિગ ભરતીની પરીક્ષાની આન્સર કી જાહેર કરવામાં આવતા જ વિવાદ સર્જાયો છે. આન્સર કીમાં દરેક પ્રશ્નના જવાબ એબીસીડી ક્રમમાં આવતા હોવાના કારણે પરીક્ષાર્થીઓએ સોશિયલ મીડિયામાં સવાલો ઉઠાવતા કોંગ્રેસે પણ આ મુદ્દે ઝંપલાવ્યું છે અને તપાસની માગ કરી છે. તો બીજી તરફ જીટીયુ દ્વારા આ મામલે સ્ટાફ નર્સ પરીક્ષાનું પેપર કાઢનાર એક્સપર્ટ પાસે મંગાયો જવાબ માગવામાં આવ્યો છે. (વાંચો સંપૂર્ણ સમાચાર)

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 3:55 pm

ભાણવડમાં ફ્લડ લાઈટ ચોરીનો ભેદ ઉકેલાયો:ગડુ ગામનો યુવાન ₹21,010ની લાઈટ સાથે ઝડપાયો

ભાણવડ તાલુકાના રૂપામોરા ગામ ખાતે આવેલી ગૌશાળામાંથી ફ્લડ લાઈટ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે ગડુ ગામના એક યુવાનને ઝડપી પાડી તેની પાસેથી ₹21,010ની કિંમતની ચોરાયેલી લાઈટો કબજે કરી છે. થોડા દિવસો પહેલા રૂપામોરા ગામની ગૌશાળામાંથી આશરે ₹21,010ની કિંમતની કુલ 15 ફ્લડ લાઈટોની ચોરી થઈ હતી. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા તપાસ શરૂ કરવામાં આવી હતી. આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ ભાણવડના ઈન્ચાર્જ ડીવાયએસપી વી.પી. માનસેતાના માર્ગદર્શન હેઠળ ભાણવડ પોલીસ મથકના પી.આઈ. સી.એલ. દેસાઈ અને તેમની ટીમે સઘન તપાસ હાથ ધરી હતી. ચોક્કસ બાતમીના આધારે પોલીસે ભાણવડ તાલુકાના ગડુ ગામના રહેવાસી અને ઈલેક્ટ્રીકની દુકાન ચલાવતા કૌશિક કિશોરભાઈ કારેણા (ઉ.વ. 26) ને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન ચોરીની ઘટનાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે તેની પાસેથી ચોરી કરેલી ₹21,010ની કિંમતની ફ્લડ લાઈટો તેમજ ₹15,000ની કિંમતનું એક મોટરસાયકલ કબજે કર્યું હતું. આમ, કુલ ₹36,010નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરીમાં ભાણવડ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નારણભાઈ બેલા, જીતુભાઈ જામ, કિશોરસિંહ જાડેજા અને લાલાભાઈ ખાટલીયા સહિતના પોલીસ કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 3:48 pm

પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સોમવારે પાટણના પ્રવાસે:APMC હોલ ખાતે કાર્યકર્તા સંમેલન, બુથ પ્રમુખના ઘરે ભોજન

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા આગામી સંગઠનાત્મક લક્ષ્યો અને પક્ષની મજબૂતી માટે સોમવારે, 16 માર્ચના રોજ પાટણ જિલ્લાના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ વિશ્વકર્માજીનો આ પાટણ જિલ્લાનો પ્રથમ પ્રવાસ છે. તેમના આ પ્રવાસને લઈને ભાજપ કાર્યાલય ખાતે એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ઉપસ્થિત જિલ્લા પ્રભારી સત્યેન કુલાબકરે જણાવ્યું હતું કે, પ્રદેશ અધ્યક્ષના પ્રવાસની શરૂઆત સવારે 9.45 કલાકે ચાણસ્મા શહેરથી થશે. તેઓ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી પિંપળેશ્વર મહાદેવના દર્શન કરશે. ત્યારબાદ સવારે 10 કલાકે ચાણસ્માની સુરાણી વાડી ખાતે 17-ચાણસ્મા વિધાનસભાના કાર્યકર સંમેલનને સંબોધિત કરી સંગઠનલક્ષી માર્ગદર્શન પૂરું પાડશે. બપોરે 12.30 કલાકે જગદીશભાઈ વિશ્વકર્મા પાટણ તાલુકાના બુથ નં. 240ના બુથ પ્રમુખના નિવાસસ્થાને સાદગીપૂર્વક ભોજન લઈ પાયાના કાર્યકરોનું મનોબળ વધારશે. બપોર બાદ પ્રદેશ અધ્યક્ષ પાટણ શહેરમાં વિવિધ કાર્યક્રમોમાં જોડાશે. જેમાં બપોરે 1.45 કલાકે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી હોલ ખાતે શહેરના બિન-રાજકીય પ્રતિષ્ઠિત નાગરિકો અને બૌદ્ધિકો સાથે વિશેષ સંવાદ યોજાશે. ત્યારબાદ બપોરે 2 કલાકે પાટણ APMC ખાતે 18-પાટણ વિધાનસભાના કાર્યકર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 4 કલાકે જિલ્લા ભાજપ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે સંગઠનના હોદ્દેદારો સાથે મહત્વની બેઠક યોજાશે. દિવસના અંતે તેઓ સાંજે 6.30 કલાકે વીર મેઘમાયા સ્મારક ખાતે દર્શન કરી વંદન કરશે. રાત્રે 7 કલાકે પાટણ શહેરના બુથ પ્રમુખના નિવાસસ્થાને ભોજન લઈ પ્રવાસ પૂર્ણ કરશે. આ મુલાકાત આગામી દિવસોમાં પાટણ જિલ્લામાં ભાજપના સંગઠનને વધુ વેગવંતુ બનાવશે તેમ માનવામાં આવી રહ્યું છે. આ બેઠકમાં જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધવ, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, મહામંત્રી સંજયભાઈ પટેલ, લાલજીભાઈ દેસાઈ, બાબુજી ઠાકોર, પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, લેશભાઈ રાજગરો અને મીડિયા કન્વીનર જયેશભાઈ દરજી સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 3:20 pm

5 વર્ષની બાળકી પર દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા યથાવત:સગીર હોવાનો દાવો કરવા આરોપીએ ખોટું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું; હાઈકોર્ટે અપીલ ફગાવી

ભરૂચની કોર્ટ દ્વારા મૂળ બિહારના 21 વર્ષીય આરોપી તબરેઝ અન્સારીને 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના કેસમાં વર્ષ 2018માં આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી. જેની સામે તેને ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જો કે હાઇકોર્ટે આ અપીલ ફગાવી દઈને ભરૂચની કોર્ટના હુકમને યોગ્ય ઠરાવ્યો છે. મોબાઇલમાં ગેમ બતાવવાની લાલચ આપીને ઘરના ધાબે લઈ ગયો હતોઆરોપી સામે બાળકીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ભરૂચની કોર્ટે 15 સાહેદ અને 30 પુરાવા તપાસીને આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. આરોપી ફરિયાદીના ઘરે કન્સ્ટ્રક્શનના કામે ગયો હતો. જ્યાં સામે જ ફરિયાદીના સસરાનું ઘર આવેલું હતું. આરોપી બાળકીને મોબાઇલમાં ગેમ બતાવવાની લાલચ આપીને ઘરના ધાબે લઈ ગયો હતો. જ્યાં બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આરોપીએ શાળા છોડ્યાનો ખોટું પ્રમાણપત્ર પણ રજૂ કર્યું હતુંઆરોપી તરફે પોતે સગીર હોવાની રજૂઆત કરવામાં આવી હતી. વળી તે સંદર્ભે શાળા છોડ્યાનો ખોટું પ્રમાણપત્ર પણ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ કોર્ટે તેની અસલ ઉમર જાણવા ઓસિફિકેશન ટેસ્ટ કરવાનો હુકમ કર્યો હતો. જે મુજબ આરોપીની ઉંમર 18 વર્ષથી વધુ, તેમજ 21 વર્ષની હોવાનું જાણવા મળ્યું હતું. કોર્ટે બાળકીની મૌલિક તપાસ કરી હતી જેમાં તેણે આરોપીને ઓળખી બતાવ્યો હતો. હાઇકોર્ટે આરોપીની દલીલ નકારી ભરૂચ કોર્ટે કરેલી સજા યથાવત રાખીઆરોપી પાસે બાળકી હોવાનું જાણતા બાળકીની દાદીએ આરોપીને બૂમ પાડી હતી, પરંતુ તેને બાળકીને છોડી નહોતી. બાદમાં બાળકીના દાદાએ આવીને હોકારો કરતા તેણે બાળકીને છોડી હતી. આરોપી તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, પ્રોસિફિકેશન શંકા રહિત કેસ સાબિત કરવામાં નિષ્ફળ્યું ગયું છે. જો કે હાઇકોર્ટે આરોપીની દલીલ નકારી નાખતા ભરૂચની કોર્ટ દ્વારા કરાયેલ સજા યથાવત રાખી હતી.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 3:17 pm

બીજી પત્નીને તબીબી લાભ નહીં આપવાના સરકારના પરિપત્રનો વિરોધ:ચૈતર વસાવાની પરિપત્ર રદ કરવા માંગ, કહ્યું- 'આદિવાસી અને મુસ્લિમ કર્મચારીઓ સાથે અન્યાય'

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પરિપત્રને લઈને રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા શરૂ થઈ છે. આ પરિપત્રમાં સરકારી કર્મચારીઓ માટે “કુટુંબ”ની વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે, જેમાં એકથી વધુ પત્ની હોય તેવી સ્થિતિમાં બીજી પત્નીને સરકારી તબીબી સારવારનો લાભ નહીં મળે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બીજી પત્નીને તબીબી સારવારનો લાભ નહીંઆ મુદ્દે આદિવાસી નેતા ચૈતર વસાવાએ સરકારના આ નિર્ણયનો વિરોધ નોંધાવ્યો છે. તેમણે જણાવ્યું કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે તાજેતરમાં 2015ના નિયમોમાં સુધારો કરીને નવો પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં ગુજરાત સરકારમાં સેવા આપતા કોઈપણ સરકારી અધિકારી અથવા કર્મચારીને એકથી વધુ પત્ની હોય તો બીજી પત્નીને તબીબી સારવારનો લાભ આપવામાં નહીં આવે એવી જોગવાઈ કરવામાં આવી છે. સામાજિક પરંપરાઓ મુજબ એકથી વધુ પત્ની રાખવાની માન્યતાચૈતર વસાવાના જણાવ્યા અનુસાર ગુજરાતમાં સરકારી સેવાઓમાં આદિવાસી તેમજ મુસ્લિમ સમુદાયના હજારો કર્મચારીઓ કાર્યરત છે. આ બંને સમુદાયોમાં તેમના વ્યક્તિગત કાયદા અને સામાજિક પરંપરાઓ મુજબ એકથી વધુ પત્ની રાખવાની માન્યતા છે. આવા સંજોગોમાં સરકારના આ પરિપત્રના કારણે મોટી સંખ્યામાં કર્મચારીઓ તથા તેમના પરિવારજનો સાથે અન્યાય થવાની શક્યતા છે. ઘણા પરિવારો મુશ્કેલીમાં મુકાઈ શકે છેતેમણે વધુમાં કહ્યું કે, બીજી પત્નીને તબીબી લાભ નહીં મળે તો તેમના બાળકો પર પણ તેની સીધી અસર પડશે. જેના કારણે ઘણા પરિવારો મુશ્કેલીમાં મુકાઈ શકે છે. ખાસ કરીને આદિવાસી સમુદાયના ઘણા કર્મચારીઓ હાલ નિવૃત્તિના આરે છે, ત્યારે આ પ્રકારનો પરિપત્ર તેમના માટે ગંભીર સમસ્યા ઉભી કરી શકે છે. ચૈતર વસાવાની પરિપત્ર રદ કરવા માંગઆ કારણે ચૈતર વસાવાએ સરકારને આ પરિપત્ર તાત્કાલિક પરત ખેંચવાની માંગ કરી છે. સાથે જ તેમણે જણાવ્યું કે, આગામી સમયમાં આ મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીનું ધ્યાન દોરવામાં આવશે અને આ પરિપત્ર રદ કરવાની માંગ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 14 Mar 2026 3:15 pm