SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

33    C
...

સ્વામિનારાયણ મંદિરમાં આપઘાત કરનાર બે કોલેજીયન ગર્લની ઈનસાઈડ સ્ટોરી:ડાબા હાથે એનેસ્થેસિયાના ઇન્જેક્શન માર્યા, 11 મહિના પહેલાની ઘટનામાંથી શીખી જીવન ટૂંકાવ્યું

સુરતમાં ડિંડોલી ખાતે રહેતી બી.કોમની બે વિદ્યાર્થિનીના સણિયા કણદે ખાતે આવેલા નવનિર્મિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી મૃતદેહ મળતા ચકચાર મચી ગઇ હતી. બહેનપણીઓના મૃતદેહ પાસેથી ઈન્જેક્શન અને એનેસ્થેસિયાની દવાની બોટલો મળી આવી હતી. પોસ્ટમોર્ટમ દરમિયાન બંનેએ એનેસ્થેસિયાના ઓવરડોઝ દવાના ઈન્જેક્શનો લઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. તેઓએ ક્યાં કારણોસર આપઘાતનું પગલું ભર્યું તે હાલ અકબંધ રહ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યા મુજબ બાથરૂમની અંદર પ્રવેશ કર્યા બાદ બંનેએ એનેસ્થેસિયાનું ઇન્જેક્શન ડાબા હાથ પર માર્યું હતું અને ત્યારબાદ રોશનીની ઉપર જ્યોત્સના ઢળી પડી હતી અને બંનેના મોત નીપજ્યા હતા.આ સમગ્ર ઘટનામાં 11 મહિના પહેલા બનેલી એક ઘટના પરથી બંને કોલેજીયન ગર્લ આપઘાત કરવાનું શીખી હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ જ્યોત્સનાની બેગમાંથી બંનેના ફોટોગ્રાફ પણ મળી આવ્યા છે. રોશનીના માતાપિતાની એક દિવસ પહેલા જ મેરેજ એનિવર્સરી હતી તેની ઉજવણીની અંતિમ તસવીર પણ સામે આવી છે. રોશની અને જોસના 6 તારીખે કોલેજ જવા નીકળ્યા બાદ ગુમ થઈ હતીમળતી માહિતી અનુસાર, મૂળ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના વતની અને હાલ ડીંડોલી વિસ્તારમાં આવેલ રામી પાર્કમાં રહેતી 18 વર્ષીય રોશની શરદભાઈ શિરશાઠ ઉધના ખાતે આવેલી સિટીઝન કોલેજમાં બી.કોમના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી. જ્યારે રો‌શનીના ઘર નજીક રહેતી બહેનપણી 20 વર્ષીય જોસના અતુલભાઈ ચૌધરી (રહે.શિવ વાટીકા, ડિંડોલી) અઠવાગેટ ખાતે આવેલી વાડિયા વુમેન્સ કોલેજમાં બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. ગત 6 માર્ચની સવારે નિત્યક્રમ મુજબ રોશની સ્કુટર લઈ જોસના સાથે કોલેજે જવા માટે નીકળી હતી. બાદમાં બપોરે કોલેજેથી ઘરે આવવાના સમયે બંને ઘરે નહી આવતા ચિંતામાં મુકાયેલા પરિવારે તેમને કોલ કર્યા હતા. ત્યારે આવીએ છીએ એવું જણાવ્યા બાદ તેમનો સંપર્ક જ થયો નહતો. બાદમાં પરિવારે શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેઓની કોઈ ભાળ મળી ન હતી. પરિવારે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ બંનેના મોબાઈલના લોકેશનના આધારે તપાસ કરતા સણિયા કણદે ખાતે આવેલા નવનિર્મિત આત્મીય સંસ્કારધામ સ્વામીનારાયણ મંદિરનું લોકેશન મળ્યું હતું. જેથી પોલીસે મદિરના પટાંગણમાં પ્રવેશ્તા રોશનીની મોપેડ દેખાઈ હતી. જેથી મંદિરમાં સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી હતી. મંદિરના બાથરૂમમાંથી બંને બહેનપણીઓના મૃતદેહ મળ્યાસીસીટીવી ફુટેજમાં બંને બહેનપણી બાથરૂમ તરફ જતી દેખાઈ હતી. જેથી પોલીસે તેમજ પરિવારના સભ્યોએ બાથરૂમમાં જઈને જોતા દરવાજો બંધ હતો. તેથી પરિવારના સભ્યોએ દરવાજો તોડીને અંદર જોતા બંને બેભાન અવસ્થામાં મળી આવી હતી. રોશની ઉપર જોસના પડી હતી અને મોઢામાંથી ફીણ નીકળેલી હાલતમાં હતી. જેથી રોશનીની સિવિલ હોસ્પિટલ અને જોસનાને સ્મીમેર હોસ્પિ.માં ખસેડાઈ હતી. જ્યાં બંનેને તબીઓએ બંનેને મૃત જાહેર કરી હતી. પોલીસને બાથરૂમમાંથી તેઓના મૃતદેહ પાસેથી ઈન્જેક્શન અને એનેસ્થીયાના ત્રણ દવાની બોટલ મળી આવી હતી. એક ખાલી અને બે ભરેલી બોટલ મળી હતી. પોલીસની તપાસમાં બંને બહેનપણીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. શું કહી રહ્યા છે તબીબ?એનેસ્થેસિયાનો ઓવરડોઝ લીધો હોવાની શક્યતા સ્મીમેર હોસ્પિટલના ડો. સંદિપ રાલોટીએ જણાવ્યુ હતું કે મૃતક પાસેથી એનેસ્થેસિયાનું અટ્રાક્યુરિયમ બેસીલેટ ઈન્જેક્શન મળી આવ્યું હતું. આ ઈન્જેક્શનના ઓવરડોઝથી વ્યક્તિનું મૃત્યું થઈ શકે. મૃતકે ઈન્જેક્શનનો ઓવરડોઝ લઈ આપઘાત કર્યો હોવાની શક્યતા છે. તમામ નમૂનાઓ લઈને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં વધુ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. બાથરૂમમાંથી મળી આવેલી બેગમાંથી અલગ અલગ વસ્તુઓ મળી આવીબંને બહેનપણી કોલેજ જવાના લીધે કોલેજ બેગ લઈને નીકળી ગઈ હતી. બાદમાં તેઓએ સણિયા કણદે ખાતે આવેલા સ્વામીનારાયણ મંદિરના બાથરૂમમાં જઈ બંનેએ પગલું ભરી લીધું હતું. જ્યાં બાથરૂમના વોશ બેસિન પર મુકેલ જોસનાના કોલેજ બેગમાંથી પૈસા, કેલ્ક્યુલેટર, દુપટ્ટો, મોબાઈલ ફોન તેમજ તેની સ્કુલ મિત્ર રોશની અને અન્ય મિત્ર સાથે પડાવેલ ફોટોગ્રાફની પાંચથી વધુ તસવીરો મળી આવી હતી. જ્યારે રોશનીના બેગમાંથી કેલ્ક્યુલેટર, મોબાઈલ ફોન, બુક, તેમજ હોળીના રંગ મળી આવ્યા હતા. આપઘાત પહેલા બંનેએ મોબાઈલમાં 'આપઘાત કેમ કરવો?' સર્ચ કર્યુંબંને બહેનપણીએ મોબાઈલમાં આપઘાત કરવા માટે સર્ચ કર્યું હતું. ચેટજીપીટી જેવા પ્લેટફોર્મ પર આપઘાત કઈ રીતે કરાઇ તે સર્ચ કરીને તેની જાણકારી પણ તેઓએ મેળવી હતી. તેમજ તેઓના ફોન ગેલેરીમાંથી ફોટોગ્રાફ મળ્યા હતા. તેમાં કઇ રીતે ઇન્જેક્શન મરાઈ તેની જાણકારીના ફોટો સેવ કરેલા હતા. બાદમાં બંને બહેનપણીએ એક સાથે અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસે એનેસ્થેસિયાની દવાની બોટલો તેમજ ઈન્જેક્શન ક્યાંથી ખરીધા તે દિશામાં તપાસ હાથ ધરી છે. રોશની અને જોસનાનું પોલીસ બનવાનું સપનું હતુંરોશની અને જોસના બંને ડીંડોલી ખાતે આવેલી માતૃભૂમિવિદ્યા સંકુલમાં ધોરણ-6 થી ધોરણ-12 સુધીનો સાથે અભ્યાસ કર્યો હતો. બંને બહેનપણી સ્કુલમાં હસી મજાક કરતા હતા અને અભ્યાસના સમયે અભ્યાસ કરતા હતા. બંનેને ધોરણ-12ની બોર્ડની પરીક્ષામાં આશરે 70 ટકાથી વધારે માર્ક આવ્યા હતા. તેમજ બંનેને પોલીસ બનવાનું સપનું હતું. બંને બહેનપણીએ કયા કારણોસર આપઘાતનું પગલું ભર્યું તે હાલ અકબંધ રહ્યું છે. મૃતક રોશનીના પિતાને વજન કાંટાનો વેપાર કરે છે. તેને અન્ય એક મોટો ભાઈ છે. જ્યારે જોસનાના પિતા સ્મીમેર હોસ્પિટલમાં લેબ ટેકનીશિયન છે. તેને અન્ય એક નાનો ભાઈ છે. આપઘાતના એક દિવસ પહેલા જ રોશનીના માતાપિતાની મેરેજ એનિવર્સરી હતીમૃતક રોશનનીના માતા-પિતાની ગત 5 માર્ચે એનિવર્સરી હોવાથી તેના મામા ઘરે આવ્યા હતા. રોશની અને તેના ભાઈએ કેક લાવી ઘરમાં એનિવર્સરીની ઉજવણી કરી હતી. બાદમાં સાંજે બધાએ જોડે બેસીને ઘરે જમ્યા હતા. તેના બીજા દિવસે 6 માર્ચે રોશનીએ તેની સ્કુલ મિત્ર જોસના સાથે ભરેલા આ અણધાર્યા પગલાથી બંને પરિવારમાં ગમગીનીનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. સંપૂર્ણ ઘટના ક્રમ 6 માર્ચ સવારે 7:00 : ઘરેથી બંને કોલેજ જવાનું કહીને નીકળી હતી. સવારે 7:44 : સણિયામાં આવેલા સ્વામી નારાયણ મંદિરના બાથરૂમમાં પહોંચી, એનેસ્થેસિયા લીધું. બપોરે 4:00 : દીકરીઓ ઘરે ન આવતા પરિવારજનો ડિંડોલી પોલીસ મથકમાં પહોંચ્યા રાત્રે 9:00 : લોકેશનના આધારે શોધખોળ કરતા મંદિર નજીક મોપેડ મળી આવ્યું. 7 માર્ચ રાત્રે 12:14 : બંનેના મૃતદેહ મંદિરના બાથરૂમમાંથી મળી આવ્યા હતા. કઈ ઘટના પરથી આપઘાત કરવાનું શીખી?આપઘાત કરનાર વિદ્યાર્થીનીના મોબાઇલમાંથી એક 11 મહિના પહેલા કરવામાં આવેલા આપઘાતનું પ્રેસ કટીંગ પણ મળી આવ્યું હતું. આપઘાતની ઘટના પરથી તેણે એનેસ્થેશિયાનું ઇન્જેક્શન લઈને આપઘાત કરવાનો નિર્ણય કર્યો હતો. જે સમગ્ર ઘટના એવી છે કે, ગત 7 એપ્રિલ 2025ના રોજ સુરતમાં કિરણ હોસ્પિટલની નર્સે ડીંડોલીની હોટલમાં એનેસ્થેસીયાનું જાતે ઈન્જેક્શન લઈ આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે નવી સિવિલમાં ખસેડાઈ હતી. જો કે તેણીનું હોસ્પિટલમાં સારવાર મળે એ પહેલા જ રસ્તામાં પ્રાણપંખેરુ ઉડી ગયાં હતાં. મૂળ તેલંગાણા રાજ્યનાં વારંગલ નગરનાં વતની શંકરભાઈ ગુડા હાલમાં સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલી ગ્રીન સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેઓ પોતે સંચા મશીન પર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની દીકરી 23 વર્ષીય શ્રુતિ કિરણ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે કામ કરતી હતી. શ્રુતિએ 7 એપ્રિલના રોજ બપોરે ડીંડોલીમાં જી-9 બિઝનેસ સેન્ટરમાં આવેલી વેલાન્ટાઈન ડોટલમાં જઈ જાતે જમણાં હાથમાં એનેસ્થેસીયાનાં ઓવર ડોઝનું ઈન્જેકશન લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. શ્રુતિએ આપઘાતનો પ્રયાસ કરતાં આસપાસના લોકોએ એમ્બ્યુલન્સને બોલાવી હતી. બાદમાં તેણીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરનાં તબીબે તેણીને મૃત જાહેર કરી હતી. મૃતક યુવતી હોટલમાં એકલી જ આવી હતી. અને બાદમાં તેણીએ એનેસ્થેસીયાનાં ઓવર ડોઝનું ઈન્જેકશન મારી લીધું હતું.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 12:24 pm

સાળંગપુર ફૂલદોલ ઉત્સવ પહેલા ગઢડા BAPS મંદિરે ભક્તો ઉમટ્યા:રાજ્યભરના શ્રદ્ધાળુઓએ ભગવાનના દર્શન કરી આશીર્વાદ લીધા

સાળંગપુર ખાતે યોજાનારા ફૂલદોલ ઉત્સવ પૂર્વે ગઢડા BAPS મંદિરે ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો છે. આજે સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડ્યા હતા. ગઢડા શહેરમાં ટેકરા પર આવેલા આ પ્રસાદીના BAPS મંદિરમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી તેમજ બહારગામથી હરિભક્તો પહોંચ્યા હતા. ભક્તોએ ભગવાનના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. મહત્વપૂર્ણ છે કે, સાળંગપુર ખાતે આજે બપોર બાદ BAPS સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં ભવ્ય ફૂલદોલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવમાં ભાગ લેવા આવેલા અનેક ભક્તો પહેલા ગઢડા મંદિર પહોંચીને દર્શન કરી રહ્યા છે. હાલ ગઢડા શહેરમાં ભક્તિમય માહોલ છવાયો છે અને શ્રદ્ધાળુઓ ઉત્સાહપૂર્વક દર્શનનો લાભ લઈ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 12:23 pm

સુરત પોલીસ કમિશનર કચેરીમાં દારૂ-ડ્રગ્સ પર ચર્ચા:વ્યસનના મૂળ કારણો અને યુવા માનસિકતા પર ભાર

સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે દારૂ અને ડ્રગ્સબંધી અંગે એક મહત્વપૂર્ણ ચર્ચા યોજાઈ હતી. આ ચર્ચામાં SOG ટીમના સભ્ય એ.પી. ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર પ્રતિબંધ મૂકવાને બદલે, વ્યસની વ્યક્તિઓની માનસિકતા અને વ્યસન પાછળના મૂળ કારણો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો હતો. ચર્ચા દરમિયાન, યુવાનો શા માટે આવા વ્યસનો તરફ આકર્ષાય છે અને તેમને દારૂ કે ડ્રગ્સ લેવાની જરૂર કેમ પડે છે તેવા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા. નશામાં એવી કઈ મજા છે જે તેમને સામાન્ય જીવનમાં નથી મળતી અને જો તેઓ નશો ન કરે તો તેમને શું થાય છે, તેવા પાસાઓ પર ઊંડાણપૂર્વક વિચારણા કરવામાં આવી. નિષ્ણાતોએ ભારપૂર્વક જણાવ્યું કે જો આ મૂળ કારણો પર કામ કરવામાં આવે તો જ દારૂ અને ડ્રગ્સના વ્યસનને અસરકારક રીતે અટકાવી શકાય છે. આજની યુવા પેઢી પાસે આટલી સુવિધાઓ હોવા છતાં તેઓ આટલી પીડામાં કેમ છે અને ખુશ કેમ નથી તેવા પ્રશ્નો પર પણ ગંભીરતાથી વિચારણા કરવામાં આવી. ચર્ચામાં એ પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો કે યુવાનો પરિવારમાં ખુલીને વાત કેમ નથી કરી શકતા. આજના શિક્ષણમાં એવું શું ઘટે છે જે તેમને માનસિક રીતે મજબૂત નથી બનાવી શકતું? વર્તમાન સમયમાં લગ્નજીવનના કિસ્સાઓ જોઈને યુવાનોને લગ્ન ન કરવાની ઈચ્છા કેમ થાય છે અને દીકરા-દીકરીઓને ઘરેથી ભાગીને લગ્ન કેમ કરવા પડે છે, તેવા સામાજિક મુદ્દાઓ પર પણ વિચાર વિમર્શ થયો. આ તમામ ગંભીર પ્રશ્નો પર SOG ટીમ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી, જેનાથી સમગ્ર બાબતને સમજવા માટે એક નવો અને સાચો દ્રષ્ટિકોણ મળ્યો. ચર્ચાના અંતે, પોલીસ કમિશનરે ખાતરી આપી કે જ્યાં પણ જરૂર પડશે ત્યાં પોલીસ વિભાગ સંપૂર્ણ સહયોગ આપવા તૈયાર છે.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 12:11 pm

વલસાડમાં સર્વાઈકલ કેન્સર સામે રસીકરણ કેમ્પ:કસ્તુરબા હોસ્પિટલ ખાતે દીકરીઓ માટે યોજાયો

વલસાડની કસ્તુરબા હોસ્પિટલ દ્વારા મહિલાઓમાં વધતા સર્વાઈકલ કેન્સરના જોખમને અટકાવવા માટે એક રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કિશોરીઓને ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ આપતી રસી આપવામાં આવી હતી. નિષ્ણાત તબીબોના મતે, સર્વાઈકલ કેન્સર મહિલાઓમાં થતા કેન્સરમાં બીજા ક્રમનું સૌથી સામાન્ય કેન્સર છે. જો 9 થી 14 વર્ષની દીકરીઓને સમયસર HPV વેક્સિન આપવામાં આવે, તો ભવિષ્યમાં આ જીવલેણ બીમારી સામે 90% થી વધુ સુરક્ષા મળી શકે છે. રસીકરણ કેમ્પમાં ઉપસ્થિત મહિલાઓને સમયસર બોડી ચેકઅપ કરવા અને સ્ત્રી રોગો અંગે જરૂરી માર્ગદર્શન અને માહિતીઓ આપવામાં આવી હતી. ગાયનેક ડોક્ટરે જરૂરી માહિતી આપી હતી આ કેમ્પ કસ્તુરબા હોસ્પિટલ, વલસાડ ખાતે યોજાયો હતો. તેનો મુખ્ય હેતુ 9 વર્ષથી વધુ વયની કિશોરીઓ અને યુવતીઓમાં જનજાગૃતિ ફેલાવવાનો અને તેમને સસ્તા દરે અથવા સરળતાથી રસી ઉપલબ્ધ કરાવવાનો હતો. કેમ્પ દરમિયાન હાજર તબીબોએ જણાવ્યું કે ભારતમાં દર વર્ષે હજારો મહિલાઓ આ કેન્સરને કારણે જીવ ગુમાવે છે. વેક્સિનેશન આ રોગને નાથવાનો સૌથી અસરકારક ઉપાય છે. વાલીઓએ પણ પોતાની દીકરીઓના સ્વસ્થ ભવિષ્ય માટે આ રસીકરણમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 12:08 pm

પાટડીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી:શ્રી સુરજમલજી પ્રાથમિક શાળામાં વિવિધ રમતોનું આયોજન કરાયું

8મી માર્ચ, 2026ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પાટડીની શ્રી સુરજમલજી પ્રાથમિક શાળામાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનીઓ અને મહિલાઓને વિવિધ ક્ષેત્રોમાં આગળ વધવા પ્રોત્સાહિત કરવાનો હતો. આ પ્રસંગે શાળાના પટાંગણમાં રસ્સા ખેંચ અને સંગીત ખુરશી જેવી રમતોનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધાઓનું આયોજન શાળાની બાળાઓ, શિક્ષિકા બહેનો, સ્પોર્ટ્સ શિક્ષક નીરજભાઈ પટેલ અને અન્ય સ્ટાફ મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું. આયોજકોએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સુનિશ્ચિત કરી હતી. સ્પર્ધાઓના સમાપ્તિ બાદ, શાળાના આચાર્ય દીપકકુમાર શર્મા અને સ્ટાફ મિત્રો દ્વારા ભાગ લેનાર દરેક બાળાઓને પ્રોત્સાહન રૂપે પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 12:04 pm

ઘાટલોડિયામાં પાણીની સમસ્યાનો આવશે અંત:મુખ્યમંત્રીએ 55.31 કરોડના ખર્ચે નવનિર્મિત આધુનિક વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું લોકાર્પણ કર્યું

અમદાવાદના વિકાસમાં વધુ એક સીમાચિહ્ન ઉમેરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા વોર્ડમાં નવનિર્મિત વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું ભવ્ય લોકાર્પણ કર્યું છે. શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવતા આ વિસ્તારના રહીશો માટે આ પ્રોજેક્ટ આશીર્વાદરૂપ સાબિત થશે. લાંબા સમયથી પાણીના પ્રેશર અને પુરવઠાની અપેક્ષા રાખતા નાગરિકો માટે આ સ્ટેશન હવે કાર્યરત થઈ ગયું છે. રૂ. 55 કરોડનું આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરઅમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન અંદાજે રૂ. 55.31 કરોડના માતબર ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટની વિશેષતા તેની વિશાળ સંગ્રહ ક્ષમતા છે. અહીં 250 લાખ લીટરની ક્ષમતા ધરાવતી પંપહાઉસ સાથેની ભૂગર્ભ ટાંકી (Underground Tank) બનાવવામાં આવી છે. આ ઉપરાંત, પાણીના વિતરણને વધુ સુદ્રઢ બનાવવા માટે 25 લાખ લીટરની ક્ષમતાવાળી ઓવરહેડ ટાંકી પણ ઉભી કરવામાં આવી છે. આ સુવિધાના કારણે હવે વિસ્તારમાં પાણીના સ્ટોરેજ અને પ્રેશરની સમસ્યા ભૂતકાળ બની જશે. સવા લાખની વસતીને થશે સીધો ફાયદોઆ નવું વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન અંદાજે 4 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલી આશરે 1,25,000 જેટલી વસતીને આવરી લેશે. અત્યાધુનિક પંપિંગ મશીનરીના કારણે હવે છેવાડાના ઘર સુધી પૂરતા પ્રેશરથી પાણી પહોંચાડવામાં આવશે. ખાસ કરીને ગરમીના દિવસોમાં જ્યારે પાણીની માંગ વધે છે, ત્યારે આ વિશાળ સંગ્રહ ક્ષમતા નાગરિકોને રાહત આપશે. કયા વિસ્તારોને મળશે પાણી?આ લોકાર્પણ બાદ ઘાટલોડિયા વિસ્તારના અનેક મુખ્ય રહેણાંક વિસ્તારોમાં પાણીનો પુરવઠો સુધરશે. જેમાંઘાટલોડિયા ગામતળ અને ઘાટલોડિયા બ્રિજ આસપાસનો વિસ્તાર, પાવાપુરી ચાર રસ્તા, લક્ષ્મણગઢ ચાર રસ્તા અને સત્તાધાર ચાર રસ્તા, ભૂયંગદેવ ચાર રસ્તા સુધીનો સંપૂર્ણ પટ્ટો, કર્મચારીનગર, સી.પી. નગર, અર્જુન ટાવર અને સંસ્કૃત ફ્લેટ જેવા ઘાટલોડિયા ટી.પી-2ના વિસ્તારોનો સમાવેશ થાય છે. મહાનુભાવોની ઉપસ્થિતિઆ લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીની સાથે અમદાવાદના મેયર પ્રતિભાબહેન જૈન, ધારાસભ્ય હસમુખ પટેલ અને ડેપ્યુટી મેયર જતિન પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી સહિત અન્ય મ્યુનિસિપલ પદાધિકારીઓ અને AMC કમિશનર બંછાનિધિ પાની સહિતના ઉચ્ચ અધિકારીઓએ પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક નાગરિકોએ પણ મોટી સંખ્યામાં હાજર રહી આ નવી સુવિધાને આવકારી હતી.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 12:04 pm

બોડકદેવમાં CMના હસ્તે સબ-ઝોનલ ઓફિસનું લોકાર્પણ:પશ્ચિમ અમદાવાદના રહીશોને ઘરઆંગણે મળશે ટેક્સ અને સિવિક સેન્ટર સહિતની સુવિધાઓ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારના નાગરિકોની સુવિધામાં વધારો કરવાના હેતુથી એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે બોડકદેવ ખાતે નવનિર્મિત સબ-ઝોનલ ઓફિસનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવું વહીવટી કેન્દ્ર કાર્યરત થવાથી પશ્ચિમ અમદાવાદના રહીશો માટે સરકારી કામકાજ વધુ સરળ અને ઝડપી બનશે. સ્વ. બંસીભાઈ પ્રાણલાલ પટેલના નામે નામાભિધાનલોકાર્પણ સમારોહ દરમિયાન આ નવનિર્મિત ભવનને ‘સ્વ. બંસીભાઈ પ્રાણલાલ પટેલ’ સબ-ઝોનલ ઓફિસ તરીકે નામ આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ તકતીનું અનાવરણ કર્યા બાદ ઉપસ્થિત મહાનુભાવો સાથે ભવનનું નિરીક્ષણ કર્યું હતું અને ઉપલબ્ધ સુવિધાઓની જાણકારી મેળવી હતી. નાગરિકોના સમય અને શક્તિની થશે બચતઅત્યાર સુધી બોડકદેવ અને તેની આસપાસના વિસ્તારના નાગરિકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનને લગતા વિવિધ કામો માટે મુખ્ય ઝોનલ ઓફિસ સુધી લાંબા થવું પડતું હતું. પરંતુ હવે આ સબ-ઝોનલ ઓફિસ શરૂ થવાથી સ્થાનિક રહીશોને વહીવટી કામકાજ માટે દૂર જવું પડશે નહીં. આ વ્યવસ્થાથી નાગરિકોના સમય અને શક્તિની મોટી બચત થશે અને વહીવટી પ્રક્રિયામાં પારદર્શિતા અને વેગ આવશે. અદ્યતન માળખાગત સુવિધાઓથી સજ્જ ભવનઆ નવનિર્મિત ભવનમાં નાગરિકો માટે તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અહીં મુખ્યત્વે નીચે મુજબની સેવાઓનો લાભ મળશે: ટેક્સ કલેક્શન: પ્રોપર્ટી ટેક્સ સહિતના વિવિધ વેરાઓની ચૂકવણી માટે ખાસ કાઉન્ટર્સ. સિવિક સેન્ટર: જન્મ-મરણના દાખલા, ગુમાસ્તાધારા અને અન્ય વહીવટી સેવાઓ. વહીવટી ઓફિસ: મ્યુનિસિપલ તંત્રને લગતી વિવિધ ફરિયાદો અને અરજીઓનો નિકાલ. મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિઆ લોકાર્પણ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભાબહેન જૈન, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની તેમજ સ્થાનિક ધારાસભ્યો અને સંગઠનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓની બહોળી હાજરીમાં આ ભવન જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ સુવિધા પશ્ચિમ અમદાવાદના વહીવટી માળખાને વધુ મજબૂત બનાવવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 11:57 am

CM ભૂપેન્દ્ર પટેલની અમદાવાદને ભેટ:હાઈટેક સબ ઝોનલ ઓફિસ અને શહેરની સૌથી મોટી પાણીની ટાંકીનું લોકાર્પણ, લોકો સાથે હાથ મિલાવી ખબર અંતર પૂછ્યાં

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણીના પડઘમ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રવિવારે પોતાના મત વિસ્તારમાં કરોડોના વિકાસ કામોની ભેટ ધરી છે. SG હાઈવે પર ગુરુદ્વારા પાસે પશ્ચિમ વિસ્તારના રહીશોની સુવિધા માટે સબ ઝોનલ ઓફિસનું લોકાર્પણ કરવાની સાથે ઘાટલોડિયામાં રૂ. 5.31 કરોડના ખર્ચે નવનિર્મિત શહેરની સૌથી મોટી 2.50 કરોડ લિટર ક્ષમતાની ભૂગર્ભ પાણીની ટાંકી જનતા માટે ખુલ્લી મૂકી છે. આ પ્રોજેક્ટથી ઘાટલોડિયા અને આસપાસના 1.25 લાખથી વધુ નાગરિકોને હવે પૂરતા પ્રેશરથી પીવાનું શુદ્ધ પાણી મળશે. લોકાર્પણ બાદ મુખ્યમંત્રીએ સ્થાનિક રહીશો સાથે રૂબરૂ મુલાકાત કરી તેમના ખબર-અંતર પૂછતા કાર્યકરો અને જનતામાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ગુરુદ્વારા ખાતે નવી સબ ઝોનલ ઓફિસ બનાવવામાં આવીસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને બોડકદેવ વોર્ડના કોર્પોરેટર દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, નાગરિકોને કોર્પોરેશનને લગતી સેવાઓનો વધુ સારી રીતે લાભ મળે અને તેમને નજીકમાં ઝોનલ ઓફિસ મળી રહે તેના માટે એસજી હાઇવે ગુરુદ્વારા ખાતે નવી સબ ઝોનલ ઓફિસ બનાવવામાં આવી છે. જેનું નામાભિધાન સ્વ બંસીભાઈ પ્રાણલાલ પટેલ રાખવામાં આવ્યું છે. કલેક્ટર સાથે સંકલન કરી વર્ષો જુના દબાણો દૂર કર્યા હતાડેપ્યુટી મેયર અને ઘાટલોડિયા વોર્ડના કોર્પોરેટર જતીન પટેલ તેમજ વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલીપ બગરીયાએ જણાવ્યું હતું કે, ઉતર-પશ્ચિમ ઝોનનાં ઘાટલોડીયા વોર્ડમાં આવેલી ગામતળ ટાંકી જર્જરિત થઈ ગયેલી હોવાથી અને લક્ષ્મણગઢ ટેકરા વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાંથી આપવામાં આવતો સ્ટેગર્ડ સપ્લાય બંધ કરવા નવું વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવું જરૂરી હતું. ઘાટલોડીયા વોર્ડમાં ટી.પી.-2 વિસ્તારમાં માળખાગત સુવિધાઓ માટે કોઈ પ્લોટ ઉપલબ્ધ ન હોવાથી ટી.પી.-2માં આવેલા ફાયનલ પ્લોટ નં.-51 જે કલેક્ટર હસ્તક હતો. તેનું પઝેશન મેળવવા કલેક્ટર સાથે સંકલન કરી તેમાંથી વર્ષો જુના દબાણો હતા જેને દૂર કર્યા હતા. 25 લાખ લીટર ક્ષમતાની ઓવરહેડ ટાંકી સાથે નવું વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનકલેક્ટર પાસેથી પઝેશન મેળવી નવું વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું. જેના માટે કલેક્ટર જોડેથી પ્લોટનું પઝેશન મેળવવા માટે રૂ. 1.26 કરોડ સીટી મામલતદાર ઘાટલોડીયા ખાતે જમા કરાવી દીધા હતા અને પજેશન મેળવ્યું હતું. ઘાટલોડીયા ટી.પી.-2. ફાયનલ પ્લોટ નં.-51માં રૂ. 55.31 કરોડના ખર્ચે અમદાવાદ શહેરમાં અત્યાર સુધી બનાવવામાં આવેલી ટાંકીઓ પૈકી મોટામાં મોટી ક્ષમતાની એટલે કે 250 લાખ લીટર ક્ષમતાની પંપહાઉસ સાથેની ભૂગર્ભ ટાંકી તથા 25 લાખ લીટર ક્ષમતાની ઓવરહેડ ટાંકી સાથે નવું વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવામાં આવ્યું છે. CMએ સ્થાનિકો સાથે હાથ મિલાવી ખબર અંતર પૂછ્યાસદર નવું વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન કાર્યરત થયેથી સ્ટેગર્ડ સપ્લાય બંધ થશે અને આશરે 4 કિલોમીટર વિસ્તારમાં આશરે 1.25 લાખ જેટલી વસ્તીને પુરતા પ્રેસરથી પાણી પૂરું પાડી શકાશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના મત વિસ્તારના ઘાટલોડિયાના સ્થાનિક નાગરિકોને પણ મળ્યા હતા. સ્થાનિક નાગરિકો સાથે તેમણે હાથ મિલાવ્યા હતા અને તેમના ખબર અંતર પૂછ્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 11:42 am

હિંમતનગરમાં શ્યામ ફાગ મહોત્સવ યોજાયો:ભક્તો ઉમટ્યા, ભજન સમ્રાટોએ ભક્તિમય માહોલ બનાવ્યો

હિંમતનગરના કાંકણોલ સ્થિત સ્વાગત પાર્ટી પ્લોટમાં શનિવારે રાત્રે શ્રી શ્યામ સરકાર દ્વારા શ્રી શ્યામ ફાગ મહોત્સવનું આયોજન કરાયું હતું. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્યામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવમાં રાજસ્થાનના સુપ્રસિદ્ધ ભજન સમ્રાટ ભગવતજી સુથાર અને નરેશજી ભગવત હાજર રહ્યા હતા. બંને ગાયકોએ શ્યામ ભજનો અને ફાગોત્સવના ગીતો રજૂ કર્યા હતા, જેનાથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. કાર્યક્રમમાં શ્યામ બાબાની આરતી, ફૂલોની હોળી, ઇત્ર વર્ષા, અખંડ જ્યોત અને ભક્તિ સંગીત જેવા આયોજનો કરાયા હતા. ભક્તોએ આ ધાર્મિક અવસરનો લાભ લીધો હતો. શ્રી શ્યામ ભજન મંડળના સભ્યો અને સેવાભાવી કાર્યકરો દ્વારા આ આયોજન માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 11:41 am

દોળા દિવસે માત્ર 5 કલાકના ગાળામાં 6 લાખની ચોરી:ગાંધીનગરના પોર ગામે ખેડૂત પરિવાર લગ્નપ્રસંગમાં ગયો ને તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું

ગાંધીનગરના પોર-કુડાસણ રોડ પર આવેલા તુલસી પાર્ટી પ્લોટ પાસે રહેતા એક ખેડૂત પરિવારના બંધ મકાનમાંથી અજાણ્યા તસ્કરો ગણતરીના કલાકોમાં સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા 6,85,000ની મત્તા ચોરી કરી ફરાર થઈ જતા અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હથ ધરી છે. પરિવાર ઘરે પરત ફરતા તાળુ તૂટેલું હતુગાંધીનગરના પોર ગામે રહેતા અને ખેતીકામ કરતા જશુજી પૂજાજી ઠાકોર 7 માર્ચના રોજ સવારે પોતાના પરિવાર સાથે જાસપુર ગામે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. સવારે આશરે 10 વાગ્યે તેઓ ઘરને તાળું મારીને નીકળ્યા હતા. બાદમાં લગ્ન વિધિ પતાવીને જ્યારે તેઓ બપોરે 3 વાગ્યાના અરસામાં પરત ફર્યા ત્યારે ઘરના મુખ્ય દરવાજાની જાળીનું લોક તૂટેલું જોવા મળતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. જશુજી અને તેમના પરિવારના સભ્યોએ ઘરમાં તપાસ કરતા તમામ સામાન વેરવિખેર હાલતમાં મળી આવ્યો હતો. ઘરમાં તપાસ કરતા દાગીના ગાયબ હતાં તસ્કરોએ ઘરના વચ્ચેના રૂમમાં રાખેલા પેટી પલંગ તેમજ છેલ્લા રૂમમાં રાખેલી લોખંડની તિજોરીને નિશાન બનાવી જશુજીના પુત્રવધૂના સોનાની કાનની બુટી અને શેર કિંમત રૂ.1.40 લાખ, સોનાનું બાજુબંધ લોકેટ કિંમત રૂ. 3.50 લાખ તેમજ અંદાજે 500 ગ્રામ વજનનો ચાંદીનો જુડો કિંમત રૂ. 1.20 લાખ તેમજ 75 હજારની રોકડ રકમ પણ ગાયબ હતી. ગણતરીની કલાકોમાં 6.85 લાખની મત્તા ચોરી ફરારમાત્ર પાંચ કલાકના ગાળામાં તસ્કરો ધોળા દિવસે મકાનમાંથી દાગીના અને રોકડ મળી કુલ રૂપિયા 6.85 લાખની મત્તાની ચોરીને અંજામ આપી નાસી જતા જશુજીએ પોલીસને જાણ કરી હતી. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 11:39 am

ભાજપ નેતાએ નશાની હાલતમાં બીભત્સ વર્તન કરતા લોકોએ મેથીપાક ચખાડ્યો:લથડીયા ખાતા ખાતા લોકોને ધમકાવ્યા, પોલીસ સ્ટેશનમાં પણ રોફ જમાવ્યો

અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં રાત્રિના સમયે ભાજપના યુવા નેતાઓ નશાની હાલતમાં બિભત્સ વર્તન કરતા લોકોએ એકઠા થઈ મેથીપાક ચખાડ્યો હતો. ભારે હંગામો મચતા પોલીસ પણ આવી પહોંચી હતી. વિકી ત્રિવેદી નામના નેતાએ પોલીસ સ્ટેશનમાં પણ પોલીસ પર રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પીધેલી હાલતમાં બીભત્સ વર્તન કરતા લોકોએ કાંઠલો પકડી મેથીપાક ચખાડ્યોશહેરના બાપુનગરના બોમ્બે હાઉસિંગમાં રહેતો વિકી ત્રિવેદી ભાજપમાં પ્રદેશ આમંત્રિત કારોબારી સભ્ય, ગીર સોમનાથ જિલ્લાના યુવા મોરચાનો સહ પ્રભારી અને શહેરમાં ટ્રાફિક કમિટીમાં પ્રમુખનો હોદ્દો ધરાવે છે.5 માર્ચના રોજ વિકી ત્રિવેદી ગાડી લઈને સરસપુર આવ્યો હતો જેમાં આગળ શહેર ટ્રાફિક કમિટીના પ્રમુખનું બોર્ડ પણ લાગ્યું હતું. સરસપુરના ખાવાડમાં વિકી દારૂ પીધેલી હાલતમાં બીભત્સ વર્તન કરી રહ્યો હતો. સ્થાનિકોએ રકઝક કરી છતાં વિકી બીભત્સ વર્તન કરી રહ્યો હતો. જેથી સ્થાનિકોએ વિકીને મેથીપાક ચખાડ્યો હતો એટલું જ નહીં પોલીસને પણ જાણ કરી હતી.શહેર કોટડા પોલીસ સ્થળ પર પહોચી હતી.પોલીસે સ્થળ પરથી વિકિની અટકાયત કરી હતી.વીકીને શહેર કોટડા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનમાં પોલીસ પર રોફ જમાવવાનો પ્રયાસ કર્યોપોલીસ સ્ટેશન પહોંચીને પણ વિકી પોલીસ સ્ટેશનમાં પોલીસની સામે બીભત્સ વર્તન કરી રહ્યો હતો.વિકીના મોઢામાંથી દારૂની ગંધ આવતી હતી.વિકી ભાનમાં પણ નહતો અને લથડિયા ખાતો હતો.પોલીસે વિકી સામે ગુનો નોધી ધરપકડ કરી હતી. આ સમાચાર પણ વાંચોઃપૂર્વ MLA હિંમતસિંહના ભાણિયાએ દારુ પીને ગાડી ચલાવી અકસ્માત કર્યો અમદાવાદ શહેરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલનો ભાણિયો વિશાલ ગુર્જર ગત(1 ફેબ્રુઆરી) રાત્રે દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો. મણિનગર પોલીસ સ્ટેશન પાસે વિશાલ ગુર્જરે દારૂ પીધેલી હાલતમાં ગાડી ચલાવી બે વાહનોને ટક્કર મારી હતી. લોકોના ટોળાએ વિશાલને મેથીપાક આપીને પોલીસને સોંપ્યો હતો.વિશાલ ગુર્જર યુથ કોંગ્રેસનો શહેર પ્રમુખ પણ રહી ચૂક્યો છે. જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 11:30 am

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી:ઓક્સિજન પાર્કમાં મહિલા શક્તિના સન્માનમાં ‘Walk For Her’ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ રહ્યા હાજર

આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલા ઓક્સિજન પાર્ક ખાતે ‘Walk For Her’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ વિશેષ ઉપસ્થિત રહી કાર્યક્રમને પ્રોત્સાહિત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સ્ત્રી એ માત્ર શબ્દ નથી પરંતુ સમગ્ર સૃષ્ટિની સર્જનકર્તા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર હંમેશા મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપી રહી છે. માતા, દીકરી અને બહેન જેવા વિવિધ સ્વરૂપો વગરના સમાજની કલ્પના અશક્ય છે. કેન્સર જાગૃતિ માટે સામૂહિક અપીલજગદીશભાઈ વિશ્વકર્માએ આ સુંદર આયોજન બદલ આશીર્વાદ ફાઉન્ડેશનને અભિનંદન પાઠવ્યા હતા. સંસ્થા દ્વારા મોટા પાયે કરવામાં આવી રહેલા બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનીંગના સઘન પ્રયાસોની તેમણે પ્રશંસા કરી હતી. તેમણે આ ગંભીર બીમારી સામે લડવા માટે સામૂહિક પ્રયાસો દ્વારા વધુ જાગૃતિ ફેલાવવા જનતાને અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં કર્ણાવતી મહાનગર ભાજપના અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ સહિત અનેક અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 10:58 am

સાવરકુંડલામાં શુદ્ધ પાણી માટે ઓપનવેલ પ્રોજેક્ટ:અમૃત-2.0 હેઠળ 55 લાખના કામનું MLA કસવાલાએ ખાતમુહૂર્ત કર્યું

અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ધારાસભ્ય મહેશ કસવાલાના હસ્તે અમૃત-2.0 યોજના હેઠળ રૂ. 55 લાખના ખર્ચે ઓપનવેલ બનાવવાના કામનો પ્રારંભ થયો. આ ઓપનવેલ શેલ દેદુમલ ડેમ પાસે બનાવવામાં આવશે. ગુજરાત સરકારના સહયોગ અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા શહેરના નાગરિકોને કાયમી અને શુદ્ધ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી આ પગલું ભરવામાં આવ્યું છે. આ પ્રસંગે ધારાસભ્ય મહેશ કસવાલાએ જણાવ્યું હતું કે, સાવરકુંડલા શહેરના નાગરિકોને વર્ષભર પૂરતું અને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે, અમૃત-2.0 યોજના હેઠળ હાથ ધરાયેલું આ કામ શહેરની પાણી પુરવઠા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે. આ પ્રોજેક્ટથી આવનારા સમયમાં નાગરિકોને પાણીની સમસ્યામાંથી મોટી રાહત મળશે. સાવરકુંડલા શહેર માટે આ ઓપનવેલ પાણી પુરવઠા વ્યવસ્થામાં એક મહત્વપૂર્ણ કડી સાબિત થશે અને શુદ્ધ પીવાના પાણીની કાયમી સુવિધા સુનિશ્ચિત કરશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકાના હોદ્દેદારો, સદસ્યો, અધિકારીઓ, શહેર ભાજપના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 10:48 am

બોટાદમાં કલેક્ટરથી તલાટી સુધી મહિલાઓનું નેતૃત્વ:મહત્વના વહીવટી અને પોલીસ પદો પર નારી શક્તિનો દબદબો

બોટાદ જિલ્લો મહિલા સશક્તિકરણનું જીવંત ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે. જિલ્લામાં કલેક્ટરથી લઈને ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ અને ગામના તલાટી સુધીના અનેક મહત્વપૂર્ણ પદો પર મહિલાઓ ફરજ બજાવી રહી છે. વહીવટી અને પોલીસ તંત્રમાં મહિલાઓનું નોંધપાત્ર યોગદાન જોવા મળે છે. જિલ્લા કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, પીઆઈ અને પીએસઆઈ જેવા ઉચ્ચ પદો પર મહિલા અધિકારીઓ કાર્યરત છે. આ ઉપરાંત, ગ્રામીણ સ્તરે પણ મહિલાઓ સક્રિય ભૂમિકા ભજવી રહી છે. અનેક ગામોમાં તલાટી તરીકે મહિલાઓ સેવા આપી રહી છે, જે ગ્રામ વિકાસમાં તેમનું મહત્વ દર્શાવે છે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં પણ મહિલાઓનું પ્રભુત્વ સ્પષ્ટ છે. જિલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ અને અનેક ગ્રામ પંચાયતોમાં સરપંચ તરીકે મહિલાઓ નેતૃત્વ સંભાળી રહી છે. આ રીતે, બોટાદ જિલ્લો મહિલાઓની ક્ષમતા, નેતૃત્વ અને સશક્તિકરણનું પ્રેરણાદાયક ચિત્ર રજૂ કરે છે.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 10:36 am

જામનગરમાં મહિલા હોમગાર્ડ્સે પરેડનું નેતૃત્વ કર્યું:આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જામનગર જિલ્લા હોમગાર્ડ્ઝ દળ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલાઓએ રક્ષણ અને નેતૃત્વના ક્ષેત્રે પોતાની ભૂમિકા દર્શાવી હતી. આ દિવસનું મુખ્ય આકર્ષણ હોમગાર્ડ્ઝ દ્વારા યોજાયેલી પરેડ હતી. આ પરેડની તમામ પ્લાટુનનું નેતૃત્વ મહિલા સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. આ પરેડ દ્વારા સુરક્ષા ક્ષેત્રે મહિલાઓની સમાન ભાગીદારી પ્રદર્શિત થઈ હતી. પરેડ બાદ જિલ્લા હોમગાર્ડ્ઝ કચેરી ખાતે એક સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જેમાં મહિલા હોમગાર્ડ્ઝના હસ્તે કેક કટિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહિલા કર્મચારીઓના સમર્પણ અને સેવાની પ્રશંસા કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાએ મહિલાઓને આત્મનિર્ભર બનવા અને સમાજમાં સમાન ભાગીદારી નોંધાવવા બદલ શુભકામનાઓ પાઠવી હતી. સ્ટાફ ઓફિસર પ્રેક્ષાબેન ભટ્ટે મહિલા શક્તિના મહત્વ પર ભાર મૂક્યો હતો અને તેમને દરેક ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમમાં સીટી યુનિટના અધિકારીઓ, હોમગાર્ડ્ઝના સભ્યો તેમજ મોટી સંખ્યામાં મહિલા હોમગાર્ડ્ઝ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 10:31 am

વાપી મહાનગરપાલિકા ₹650 કરોડનું બજેટ રજૂ કરશે:પંચાયતમાંથી મહાનગર બન્યા બાદ પ્રથમ ઐતિહાસિક બજેટ

વાપી મહાનગરપાલિકા નાણાકીય વર્ષ 2026-27 માટે આશરે ₹650 કરોડનું બજેટ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. કમિશનર યોગેશ ચૌધરીની ટીમ આ બજેટને અંતિમ સ્વરૂપ આપી રહી છે. અગાઉ પાલિકા કાળમાં ₹150 કરોડનું બજેટ હતું, તેની સરખામણીમાં આ બજેટનું કદ ચાર ગણું વધવાની શક્યતા છે. આગામી દિવસોમાં વહીવટદાર ભવ્ય વર્મા સમક્ષ વાપી મહાનગરપાલિકાનું બજેટ રજૂ કરાશે, જેમાં લોકો માટેની જોગવાઈઓની જાહેરાત કરવામાં આવશે. વાપી મહાનગરપાલિકામાં ચણોદ, ડુંગરા, બલીઠા અને સલવાવ સહિત કુલ 13 ગામોનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં હજુ પણ પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળે છે. નવા બજેટમાં આ ગામો માટે ગટર લાઈન, સ્ટ્રીટ લાઈટ અને પાકા રસ્તાઓ જેવી સુવિધાઓ માટે નોંધપાત્ર ફાળવણી થવાની શક્યતા છે. શહેરમાં GIDC ચાર રસ્તા અને મુખ્ય બજારોમાં ટ્રાફિકની સમસ્યા એક મોટો પડકાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બજેટમાં નવા ફ્લાયઓવર અથવા અંડરપાસ માટે મોટી જોગવાઈ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત, ઉનાળામાં પાણીની સમસ્યા હલ કરવા માટે નવા વોટર ટાંકા અને ફિલ્ટર પ્લાન્ટ પર પણ ભાર મૂકવામાં આવશે. બજેટ રજૂ થાય તે પહેલાં જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) એ આ બજેટ અંગે આક્રમક વલણ અપનાવ્યું છે. કોંગ્રેસના અગ્રણી સાગર બોગાએ જણાવ્યું હતું કે, મહાનગર બન્યા બાદ લોકોની અપેક્ષાઓ ઘણી ઊંચી છે, પરંતુ તંત્ર માત્ર કાગળ પર આંકડા દર્શાવે છે. રસ્તાઓ ખરાબ છે અને લાઈટો બંધ છે. જનતા પર વધારાનો આર્થિક બોજ ન લાદવો જોઈએ. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જીતુભાઈ દેસાઈએ કહ્યું હતું કે, વાપી એશિયાનું સૌથી મોટું ઔદ્યોગિક હબ હોવા છતાં સુવિધાઓમાં પાછળ છે. જો આ બજેટ ભ્રષ્ટાચારને પોષવા માટે હશે, તો અમે તેનો સખત વિરોધ કરીશું. આ બજેટમાંથી શહેરીજનોને ઘણી અપેક્ષાઓ છે. જેમાં ટ્રાન્સપોર્ટ માટે આઈકોનિક રોડ અને જંકશન ડેવલપમેન્ટ, સ્માર્ટ સિટી અંતર્ગત ફ્રી વાઈ-ફાઈ અને CCTV નેટવર્ક, પર્યાવરણ માટે 5 નવા ઓક્સિજન પાર્ક અને ગાર્ડનનું નિર્માણ, આરોગ્ય માટે હાઈટેક મ્યુનિસિપલ હોસ્પિટલ અને સ્માર્ટ સ્કૂલ્સ, તેમજ સફાઈ માટે ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનનું આધુનિકીકરણ મુખ્ય છે. આ ઉપરાંત, સિટી બસ નેટવર્કમાં વધારો અને નવા બસ સ્ટેન્ડ બનાવવાની પણ અપેક્ષા રાખવામાં આવી રહી છે. વેરા વધારાની તલવાર લટકી રહી છે?​સામાન્ય નાગરિકોમાં સૌથી મોટો ભય ‘કોર્પોરેશન ટેક્સ’નો છે. મહાનગરપાલિકા બન્યા પછી વહીવટી ખર્ચ વધશે, જેને પહોંચી વળવા નવા વેરા ઝીંકવામાં આવે તેવી ભીતિ છે. જોકે, ભાજપ શાસિત પાલિકા ચૂંટણીલક્ષી ગણતરીઓ માંડીને વેરામાં રાહત આપે છે કે કેમ તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 10:13 am

ધ્રોલ હોસ્ટેલમાં ધો-11ની વિદ્યાર્થિનીએ ફાંસો ખાધો:જી.એમ. પટેલ સ્કૂલની 17 વર્ષીય વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યું; આપઘાતનું કારણ અકબંધ

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલી જી.એમ. પટેલ કન્યા વિદ્યાલયની હોસ્ટેલમાં એક વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી છે. ધોરણ-11 સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકની હિરલ નામની આ વિદ્યાર્થિની ધ્રોલની જી.એમ. પટેલ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. તે શાળાની જ હોસ્ટેલમાં રહેતી હતી. ગત રોજ હિરલે હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો હતો, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં જ હોસ્ટેલ સંચાલકો અને ધ્રોલ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે પ્રાથમિક પંચનામું કરી વિદ્યાર્થિનીના મૃતદેહને વધુ તપાસ અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. ધ્રોલ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે હોસ્ટેલના રૂમની તલાશી લીધી છે અને તેની સાથે રહેતી અન્ય વિદ્યાર્થિનીઓ તેમજ સ્ટાફના નિવેદનો લેવાની કાર્યવાહી હાથ ધરી છે. ભણવામાં તેજસ્વી એવી હિરલે આત્મઘાતી પગલું કેમ ભર્યું તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી છે કે કેમ તે અંગે પણ પોલીસે સત્તાવાર પુષ્ટિ કરી નથી.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 10:08 am

આણંદમાં મહિલા અધિકારીઓ વિકાસકાર્યોને ગતિ આપી રહી છે:વિવિધ સરકારી વિભાગોમાં રાજ્ય સરકારની યોજનાઓનો અમલ; મહિલા દિન વિશેષ

આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે, આણંદ જિલ્લામાં વિવિધ સરકારી વિભાગોમાં ફરજ બજાવતી મહિલા અધિકારીઓ જિલ્લાના વિકાસ અને લોકકલ્યાણના કાર્યોમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. તેઓ રાજ્ય સરકારની યોજનાઓને અસરકારક રીતે અમલમાં મૂકી વહીવટીતંત્રને નવી દિશા આપી રહી છે. જિલ્લા પંચાયતમાં, જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતીના માર્ગદર્શન હેઠળ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી રૂબી સિંહ રાજપુત અને કિંજલ દેસાઈ વહીવટ સંભાળી રહ્યા છે. ગ્રામીણ શિક્ષણમાં અર્ચનાબેન પ્રજાપતિ, કુપોષણ મુક્ત આણંદ માટે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર તેજલબેન ગોસ્વામી, સમાજ કલ્યાણમાં વંદનાબેન સુતરીયા અને આરોગ્ય ક્ષેત્રે ડો. પૂર્વી નાયક સક્રિય છે. આંકડાકીય અને હિસાબી કામગીરીમાં કોકિલાબેન અંકોલીયા અને વર્ષાબા ઝાલા પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. જિલ્લાના વિકાસના મુખ્ય કેન્દ્ર સમાન કલેકટર કચેરીમાં પણ મહિલા અધિકારીઓનો સિંહફાળો છે. નાયબ કલેકટર હેતલબેન ભાલીયા અને જિલ્લા પુરવઠા અધિકારી જીજ્ઞા શાહ લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે કાર્યરત છે. ચૂંટણી પ્રક્રિયા અને એસ.આઈ.આર. જેવી જટિલ જવાબદારી અનિતાબેન લાછુન કુશળતાપૂર્વક નિભાવી રહ્યા છે. શિક્ષણ જગતમાં કામિનીબેન ત્રિવેદી અને રોજગાર ક્ષેત્રે મીનાક્ષી ચૌહાણ યુવાનોના ભવિષ્ય ઘડવામાં સતત કાર્યરત છે. વન વિભાગમાં એસીએફ પ્રિયંકાબેન જોષી અને આર.એફ.ઓ હેમાંગી મોદી પર્યાવરણના જતનનું કાર્ય કરી રહ્યા છે. નિલેશ્વરીબા ગોહિલ મહિલા અને બાળ વિકાસ માટે કાર્યરત છે. બાગાયત વિભાગમાં સ્મીતાબેન પિલ્લઈ, મત્સ્યોદ્યોગમાં બિંદિયા ઠક્કર, લેન્ડ રેકોર્ડ કચેરીમાં અવનીબેન ચૌહાણ અને એકતાબેન પટેલ તેમજ તિજોરી કચેરીમાં નિશાબેન સુવાગિયા જેવા મહિલા અધિકારીઓ તેમની કુશળતા સાબિત કરી રહ્યા છે. આણંદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નાયબ પોલીસ અધિક્ષક રિદ્ધિ ગુપ્તે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. ઇજનેરી ક્ષેત્રે માર્ગ અને મકાન વિભાગમાં કૃતિબેન જોશી અને નગરપાલિકાના વહીવટમાં નીલમબેન રોય કામગીરી કરી રહયાં છે. રાજ્ય વેરા કમિશનર ધૃતિબેન સોની અને તાલુકા વિકાસ અધિકારી જેનીબેન ગઢવી જેવા અધિકારીઓ મહેસૂલ અને વિકાસના કાર્યોને ગતિ આપી રહ્યા છે. આ તમામ મહિલા અધિકારીઓ ફિલ્ડ પર રહીને લોકકલ્યાણના કામોને વેગ આપી રહી છે. તેમની સક્રિયતા અને સમર્પણ ભાવના આણંદ જિલ્લામાં મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડે છે, જે દર્શાવે છે કે નારી શક્તિ પ્રત્યેક ક્ષેત્રમાં પોતાનું સામર્થ્ય પ્રસ્થાપિત કરી શકે છે.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 10:02 am

સોશિયલ મીડિયા પર 'પનોતી'ની અફવા વચ્ચે ફેન્સનો લીંબુ-મરચાંનો તોડ:નરેન્દ્ર મોદી સ્ટેડિયમની કોઈએ આરતી કરીને ઘંટડી વગાડી તો કોઈએ નજર ઉતારી, કહ્યું- 'આજે ઇન્ડિયા જ જીતશે'

અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની અફવાઓ અને રીલ્સ વાઇરલ થઈ રહી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી ફાઈનલ મેચ પહેલા કેટલાક લોકો સ્ટેડિયમને 'પનોતી' કહી રહ્યા છે, જેના કારણે ચાહકોમાં થોડીક ચિંતા પણ જોવા મળી રહી છે. આ વચ્ચે કેટલાક ક્રિકેટ પ્રેમીઓ પોતાના અંદાજમાં સ્ટેડિયમની નજર ઉતારતા વીડિયો બનાવી રહ્યા છે. કોઈ લીંબુ-મરચાંથી નજર ઉતારી રહ્યાં છે તો કોઈ આરતી કરીને ઘંટડી વગાડીને વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે. તુલિપ નામના એક ક્રિકેટ ચાહકે પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે લીંબુ-મરચાંથી નજર ઉતારતો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમણે વધુમાં કહ્યું કે હાલ સોશિયલ મીડિયા પર હિસ્ટ્રી રીપીટ, હિસ્ટ્રી ડિફીટ જેવી ટેગલાઇન ચાલી રહી છે. ભારત ફાઈનલમાં પહોંચીને હિસ્ટ્રી રીપીટ કરી રહ્યું છે અને જીત્યા પછી હિસ્ટ્રી ડિફીટ પણ કરશે તેવી આશા છે. 'બોલિંગમાં જસપ્રીત બુમરાહ ટીમ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે'મેચ વિશે પોતાની આગાહી આપતા તુલિપે કહ્યું કે, આ વખતે બેટિંગમાં અભિષેક શર્મા, સંજુ સેમસન અને હાર્દિક પંડ્યા મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જ્યારે બોલિંગમાં જસપ્રીત બુમરાહ ટીમ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે. ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, ફિન એલનથી થોડો ડર છે કારણ કે તેણે પહેલા 33 બોલમાં સદી ફટકારી હતી. સાથે જ સેન્ટનર, સાઈફર્ટ અને ડેરીલ મિચેલ પણ સારા ખેલાડી છે, પરંતુ આશા છે કે તેઓ ભારત સામે ખાસ પ્રદર્શન નહીં કરે. 'સ્ટેડિયમની લીંબુ-મરચાંથી નજર ઉતારી તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીશ'તુલિપે જણાવ્યું કે, તેઓ બાય પ્રોફેશન નોકરી કરે છે અને ક્રિકેટનો તેમને ખૂબ જ ક્રેઝ છે. તેમના ફેવરિટ ખેલાડીઓમાં પહેલા રાહુલ દ્રવિડ, પછી વિરાટ કોહલી અને હાલ હાર્દિક પંડ્યા તથા જસપ્રીત બુમરાહ છે. IPLમાં તેમની ફેવરિટ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ છે. તેઓ સ્ટેડિયમ પનોતી છે એવી વાતમાં માનતા નથી, પરંતુ સોશિયલ મીડિયાના કારણે લોકોના મનમાં ડર ઉભો થયો છે. મારો અને લોકોનો આ નાનકડો ડર દૂર કરવા માટે જ મેં સ્ટેડિયમની લીંબુ-મરચાંથી નજર ઉતારી છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીશ.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 9:56 am

વિશ્વ મહિલા દિવસ : રબારી સમાજની દીકરીની પ્રેરણાદાયી સફર:દેવીબેન ચાવડાનો શિક્ષિકાથી GPSC પાસ કરી નગરપાલિકા ચીફ ઓફિસર સુધીનો પ્રવાસ

વિશ્વ મહિલા દિવસના અવસરે મહિલાશક્તિના અનેક પ્રેરણાદાયી ઉદાહરણો સામે આવે છે. તેવી જ એક સંઘર્ષ અને સફળતાની ગાથા ગીર સોમનાથ જિલ્લામાં નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા દેવીબેન ચાવડાની છે. રબારી માલધારી સમાજમાંથી આવતી દેવીબેન ચાવડાએ પોતાના અડગ મનોબળ, મહેનત અને પરિવારના સહકારથી આજે સમાજમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. દેવીબેન ચાવડાએ ધોરણ 4 થી 12 સુધીનો અભ્યાસ પોરબંદરના ગુરુકુળમાં કર્યો હતો. તેઓ પરિવારની મોટી દીકરી હોવાથી નાની ઉંમરથી જ જવાબદારીઓનો ભાર તેમના ખભા પર આવી ગયો હતો. તે સમય એવો હતો કે રબારી સમાજમાં દીકરીઓને વધુ ભણાવવા કરતાં ઘર અને સામાજિક જવાબદારીઓ તરફ આગળ વધારવાની માન્યતા વધુ હતી. પરિણામે ધોરણ 12 પછી તેમના પિતાએ તેમને આગળ અભ્યાસ ન કરવાની સલાહ આપી અને દેવીબેનને અભ્યાસમાંથી વિરામ લેવો પડ્યો. પરંતુ ભણવાની જિદ્દ ધરાવતી દેવીબેને પોતાના સપનાઓ છોડ્યા નહીં. આ સંઘર્ષભર્યા સમયમાં તેમની માતાએ તેમને ખૂબ મોટો સહકાર આપ્યો અને પિતાને સમજાવી તેમના આગળના અભ્યાસ માટે માર્ગ ખુલ્લો કર્યો. ત્યારબાદ દેવીબેને BA, B.Ed તેમજ LLB સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો. વર્ષ 2015માં દેવીબેન સરકારી સેવાઓ સાથે જોડાયા અને અમદાવાદ સ્કૂલ બોર્ડમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવવાની શરૂઆત કરી. અમદાવાદના શાહપુર વિસ્તારમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા તેઓ માત્ર શિક્ષણ સુધી સીમિત રહેવા માગતા નહોતા. જીવનમાં પોતાની આગવી ઓળખ ઉભી કરવાની મક્કમતા સાથે તેમણે શિક્ષક તરીકેની ફરજ સાથે GPSC પરીક્ષાની તૈયારી શરૂ કરી. ખંતપૂર્વકના અભ્યાસના પરિણામે વર્ષ 2018માં તેમણે GPSC પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી અને રાજ્ય સરકારમાં નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે નિયુક્ત થયા. ચોરવાડ નગરપાલિકા થી શરૂ થયેલી તેમની સફર આજે તાલાલા નગરપાલિકાના રેગ્યુલર ચીફ ઓફિસર તેમજ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકામાં ઇન્ચાર્જ ચીફ ઓફિસર સુધી પહોંચી છે. દેવીબેન કહે છે કે, “નિશાન ચૂક માફ… પરંતુ નહીં માફ નીચું નિશાન” તેમની આ વિચારધારા જ તેમને સતત આગળ વધવા પ્રેરણા આપે છે. વિશ્વ મહિલા દિવસના અવસરે તેઓ દીકરીઓને સંદેશ આપે છે કે કોઈ પણ દીકરીએ ક્યારેય પોતાને ઓછું ન આંકવું જોઈએ. મક્કમતા અને મહેનતથી દરેક સપનું સાકાર થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 9:50 am

પોલીસે CCTVની મદદથી મહિલાની ખોવાયેલી બેગ પરત કરી:પાટણમાં રોકડ અને મોબાઈલ ભરેલી બેગ નેત્રમ પ્રોજેક્ટથી મળી

પાટણ પોલીસે વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળના સીસીટીવી કેમેરાની મદદથી એક મહિલાની ખોવાયેલી રોકડ અને મોબાઈલ ફોન ભરેલી બેગ શોધી કાઢી પરત કરી છે. આ બેગમાં ₹7,500 રોકડા અને એક મોબાઈલ ફોન હતો, જે મહિલાના એક્ટિવા પરથી પડી ગયો હતો. પાટણના સાંઈપ્લાઝા, ગીતાંજલી છાપરા પાછળ રહેતા ઈન્દિરાબેન ઠક્કર 5 માર્ચ, 2026ના રોજ સાંજના સમયે પોતાનું એક્ટિવા લઈને આદર્શ ટેલર્સ ખાતે જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમના એક્ટિવા પર રાખેલી બેગ રસ્તામાં ક્યાંક પડી ગઈ હતી. બેગ ન મળતા તેમણે પાટણ સીટી બી ડિવિઝન પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે તાત્કાલિક નેત્રમ ટીમની મદદ લીધી અને વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સ્થાપિત સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા. ફૂટેજમાં એક અજાણ્યા વ્યક્તિને આ બેગ મળેલી હોવાનું સ્પષ્ટપણે દેખાયું હતું. આ માહિતીના આધારે, બી ડિવિઝન પોલીસની ટીમે સઘન તપાસ હાથ ધરી અને ગણતરીના સમયમાં રોકડ અને મોબાઈલ સાથેની બેગ શોધી કાઢી. પોલીસે આ બેગ અરજદાર ઈન્દિરાબેનને પરત કરી હતી. પોતાની ખોવાયેલી વસ્તુઓ પાછી મળતા તેમણે પોલીસ અને નેત્રમ ટીમનો આભાર માન્યો હતો. આ સફળ કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી.મકવાણા, નેત્રમ ઇન્ચાર્જ પીએસઆઈ એચ.એસ.પટેલ, એએસઆઈ રાજાભાઇ રેવાભાઇ, હેડ કોન્સ્ટેબલ રાજેશભાઇ લાલાભાઇ અને નેત્રમ ટીમનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 9:45 am

પાટણ કોર્ટે ચેક રિટર્ન કેસમાં સજા રદ કરી:રૂ. 30 લાખના ચેક રિટર્ન કેસમાં સમાધાન બાદ સજા રદ

પાટણ: ચેક રિટર્ન કેસમાં સજા પામેલા આરોપી અને મૂળ ફરિયાદી વચ્ચે સમાધાન થતાં પાટણની સેસન્સ કોર્ટે સજા રદ કરી છે. આરોપીને ચેકની રકમના પાંચ ટકા પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ (DLSA)માં જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સેસન્સ કોર્ટના જજ એમ.એ. શેખે સજા પામેલા આરોપી કમલેશ પટેલ દ્વારા સજા રદ કરવા માટે કરાયેલી અપીલને મંજૂર કરી હતી. કમલેશ પટેલે DLSAમાં ચેકના પાંચ ટકા રકમ જમા કરાવ્યા બાદ તેમને નિર્દોષ છોડવાનો હુકમ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાંથી મુક્ત કરવાનો અને પાટણ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા અપાયેલો સજાનો ચુકાદો રદ કરવાનો આદેશ આપ્યો હતો. જો આરોપીએ દંડ ભર્યો હોય તો તે ચકાસણી બાદ પરત આપવા પણ જણાવાયું હતું. આ કેસ 2014માં પાટણના કમલેશભાઈ પટેલ અને સરસ્વતીના ભીલવણના હમીદભાઈ વચ્ચે થયેલા જમીન સોદા સાથે સંબંધિત છે. વાગડોદ ખાતેની જમીનનો સોદો રૂ. 1 કરોડમાં થયો હતો. આ સોદા પેટે કમલેશભાઈ પટેલે અને તેમના ભાઈએ હમીદભાઈને રૂ. 30 લાખનો ચેક આપ્યો હતો. આ ચેક 4 જૂન, 2015ના રોજ અપૂરતા ભંડોળના અભાવે રિટર્ન થયો હતો. ચેક રિટર્ન થતાં હમીદભાઈએ કમલેશભાઈને નોટિસ આપી હતી અને બાદમાં પાટણ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. પાટણની જ્યુડિશિયલ કોર્ટે 12 ડિસેમ્બર, 2024ના રોજ કમલેશ પટેલને દોઢ વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ રૂ. 30 લાખ દંડ તરીકે 30 દિવસમાં ચૂકવવાનો આદેશ આપ્યો હતો. દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા ભોગવવાનો પણ આદેશ હતો. આ સજા વોરંટના આધારે કમલેશ પટેલ જેલમાં ગયા હતા. જેલમાં ગયા બાદ કમલેશભાઈએ એડવોકેટ પંકજ બી. વેલાણી મારફત સેસન્સ કોર્ટમાં અપીલ કરી હતી. અપીલકર્તા અને મૂળ ફરિયાદી વચ્ચે સમાધાન થઈ ગયું હોવાથી અને રકમ અંગે કોઈ વિવાદ ન હોવાથી, સેસન્સ કોર્ટે નીચલી કોર્ટના ચુકાદા અને આદેશને રદ કરીને કમલેશ પટેલને નિર્દોષ જાહેર કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 9:43 am

પાનોલી GIDCમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર:10 કિમી દૂર સુધી ધુમાડાના ગોટેગોટા, 10થી વધુ ફાયર ફાયટરે સાડા ત્રણ કલાક બાદ કાબૂ મેળવ્યો

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં આવેલી પાનોલી GIDC (ગુજરાત ઔદ્યોગિક વસાહત)માં રવિવારે (8 માર્ચ) સવારે એક ભીષણ આગની ઘટના બની હતી. પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ પ્રાઈવેટ લિમિટેડ નામની કેમિકલ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કંપનીનું નામ: સંઘવી ઓર્ગેનિક્સ પ્રાઈવેટ લિમિટેડ, પાનોલી GIDC. આગનું સ્વરૂપ: આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના કાળા ગોટેગોટા 5 થી 10 કિલોમીટર દૂરથી પણ જોઈ શકાતા હતા. આગને પગલે તંત્ર દ્વારા 'મેજર કોલ' જાહેર કરવામાં આવ્યો હતો. કારણ: પ્રાથમિક માહિતી મુજબ, કંપનીમાં રહેલા અત્યંત જ્વલનશીલ કેમિકલ (ટોલ્વિન)ના ટેન્કમાં આગ લાગ્યા બાદ તે ઝડપથી સમગ્ર પ્લાન્ટમાં ફેલાઈ ગઈ હતી. કામગીરી અને બચાવ આગની જાણ થતા જ પાનોલી, અંકલેશ્વર અને ભરૂચના વિવિધ ફાયર સ્ટેશનોથી 10થી વધુ ફાયર ફાયટર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ લગભગ સાડા ત્રણ કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ ઓલવવા માટે પાણીની સાથે મોટા પ્રમાણમાં ફોમ (Foam)નો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. નુકસાન અને જાનહાની ભયનો માહોલ રવિવારની રજા હોવાથી કંપનીમાં કર્મચારીઓની સંખ્યા ઓછી હતી, જે મોટી દુર્ઘટના ટળવાનું એક કારણ માનવામાં આવે છે. છતાં, આગ દરમિયાન થયેલા પ્રચંડ ધડાકાઓને કારણે આસપાસના રહીશો અને અન્ય ઉદ્યોગકારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. હાલમાં ફાયર વિભાગ અને પોલીસ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 8:23 am

SP યુનિવર્સિટીમાં નારી શક્તિનું સન્માન:જસ્ટિસ એસ. વી. પિંટો સહિત ચાર મહિલાઓને 'મણિબેન પટેલ નારી રત્ન એવોર્ડ' એનાયત

વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના વુમન્સ સેલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગના ઓડિટોરિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન આપનાર મહિલાઓને 'મણિબેન પટેલ નારી રત્ન એવોર્ડ -2026' થી સન્માનિત કરવામાં આવી. એવોર્ડ વિજેતાઓમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એસ. વી. પિંટો (ન્યાય ક્ષેત્ર), નિમિષાબેન પંચાલ (મીડિયા ક્ષેત્ર), અને સેવા ક્ષેત્રમાંથી સુધાબેન પઢિયાર તેમજ નંદાબેન સોઢા પરમારનો સમાવેશ થાય છે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી કુલપતિ પ્રો. નિરંજન પટેલે જણાવ્યું હતું કે, મહિલાઓ રાષ્ટ્રની ધરી છે અને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે નારી શક્તિનું યોગદાન અનિવાર્ય છે. આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રાધ્યાપકો દ્વારા લિખિત સંશોધન લેખોના પુસ્તક “Her વિશ્લેષણ: Vision to વ્યવહાર”નું વિમોચન કરવામાં આવ્યું. આ પુસ્તકમાં AI અને સાયબર સુરક્ષા, શિક્ષણ, રાજકારણ અને સ્વાસ્થ્ય જેવા વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેમાં 21મી સદીમાં AI દ્વારા મહિલા સશક્તિકરણ, NEP 2020 માં સ્ત્રીઓની સ્થિતિ અને રાજકારણમાં મહિલાઓની બદલાતી ભૂમિકા વિશે ગહન વિશ્લેષણ રજૂ કરાયું છે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઇરમાના પ્રો. માધવી મહેતાએ મહિલા ઉદ્યોગસાહસિકતા પર વિશેષ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત, “Women Leading the World” વિષય પર એક પેનલ ડિસ્કશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાતોએ મહિલા ઉદ્યોગસાહસિકતાના પડકારો અને સફળતા વિશે સંવાદ કર્યો. શ્રીમતી આશાબેન દલાલે મહિલાઓ માટે AI દ્વારા ઊભા થતા પડકારો વિશે વિસ્તૃત માહિતી આપી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વુમન્સ સેલના સંયોજિકા પ્રોફેસર દર્શના દવેના માર્ગદર્શન હેઠળ ડૉ. કોમલ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમે યુનિવર્સિટીની યુવતીઓને સમાજમાં આગળ વધવા માટે નવું પ્રોત્સાહન પૂરું પાડ્યું.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 7:57 am

T20 ફાઈનલ મેચને લઈ અમદાવાદ એરપોર્ટ પર સેલિબ્રિટીનો જમાવડો:ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે મહામુકાબલો; રિકી માર્ટિન, સુખવીર અને ફાલ્ગુની પાઠક ક્લોઝિંગ સેરેમનીમાં પરફોર્મ કરશે

8 માર્ચ, 2026એ દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ICC T20 વર્લ્ડ કપની ફાઈનલ રમાવાની છે, ત્યારે આ ફાઈનલ મેચ જોવા દેશના ખૂણેખૂણેથી ક્રિકેટ ફેન્સ, બોલિવૂડ સેલિબ્રિટી, દિગ્ગજ ક્રિકેટરો અને ઉદ્યોગપતિઓ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે. ઉલ્લેખનીય છે કે, બોલિવૂડ એક્ટર જોન અબ્રાહમ એક દિવસ પહેલા જ અમદાવાદ આવી પહોંચ્યા હતા અને તેઓ આજે મેચ નિહાળવા મોદી સ્ટેડિમય પહોંચી જશે. તો બીજી તરફ મોટી સંખ્યામાં ક્રિકેટરસિકો મોદી સ્ટેડિયમ પહોંચશે જેને લઇને મોદી સ્ટેડિમય ક્રિકેટ ફેન્સથી હાઉસફૂલ થવાની શક્યતા છે. જોકે, ઈન્ટરનેશનલ પૉપ સુપરસ્ટાર રિકી માર્ટિન, પંજાબી પૉપ સિંગર સુખવીર અને ગરબા ક્વિન ફાલ્ગુની પાઠક T20 વર્લ્ડ કપની ક્લોઝિંગ સેરેમનીમાં પરફોર્મ કરશે. આ પરફોર્મન્સ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ પહેલાં થશે.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 7:00 am

લૂંટની ઘટના:ગંગાજળિયા સીટી બસ સ્ટેન્ડ પાસે ચા પીવા આવેલ યુવકને લૂંટી લેવાયો

શહેરના રાણીકા ભાંગના કારખાના પાસે રહેતા અને ભાવનગર મહાનગરપાલિકાની બાજુમાં આવેલ ગીતાંજલિ કોમ્પલેક્ષની પાસે બહારના ભાગે લોકોના જન્મ મરણ નોંધ અંગેના ફોર્મ ભરવાની કામગીરી કરતા જીતુભાઈ રવજીભાઈ યાદવ તેના મિત્ર મયુરભાઈ પડાયા સાથે ગંગાજળિયા તળાવ સીટી બસ સ્ટેશન પાસે તેને મળી ચા પીતા હતા. ત્યારે એક અજાણ્યા ઇસમે તેની પાસે આવી તેને પકડી લઈ છરી ગળે મૂકી દઈ તેને ગાળો આપી તેની પાસે જે હોય તે આપી દેવાનું કહી મારી નાખવાની ધમકી આપી તેની પાસે રહેલ રૂપિયા 8000 ની કિંમત નો મોબાઇલ તથા રોકડા રૂપિયા 250 બળજબરીપૂર્વક કઢાવી લઈ નાસી ગયો હતો. બાદમાં તેમને આ વ્યક્તિ અજય ઉર્ફે તકિયા રાજુભાઈ વાઘેલા હોવાનું જાણવા મળ્યું હતું.જે અંગેની ફરિયાદ ગંગાજળિયા પોલીસમાં નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 6:14 am

સ્વદેશી મેળાનું આયોજન કરાયું:ગારિયાધારમાં સ્વદેશી મેળાનો પ્રારંભ

ગારિયાધાર શહેરના વેપારીઓ અને સ્વદેશી ઉત્પાદકોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ગારિયાધાર નગરપાલિકા દ્વારા સાપ્તાહિક સ્વદેશી મેળાનું આયોજન કરાયું છે. ગારિયાધાર તાલુકા શાળાના મેદાનમાં તા.7મી થી તા.13મી માર્ચ-2026 સુધી ચાલનારા સ્વદેશી મેળાને ગારિયાધાર નગરપાલિકાના મહિલા પ્રમુખે રીબીન કાપી ખુલ્લો મુક્યો હતો. ગારિયાધાર તાલુકા શાળાના મેદાનમાં સાપ્તાહિક સ્વદેશી મેળાના ઉદ્દઘાટન સમારોહમાં ગારિયાધાર નગરપાલિકાના પ્રમુખ મીનાબેન શૈલેષભાઈ બારૈયાના વરદ હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ગારિયાધાર ખાતેના સાપ્તાહિક સ્વદેશી મેળામાં ગારિયાધાર શહેરના વ્યાપારીઓના જુદા જુદા 30 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે. ગારિયાધારમાં સ્વદેશી મેળો સવારે 10 કલાક થી રાત્રે 10 કલાક સુધી ચાલુ રાખવામાં આવશે. સ્વદેશી મેળો-2026ના ઉદ્દઘાટન સમારોહમાં ગારીયાધાર નગરપાલિકા પ્રમુખ મીનાબેન શૈલેષભાઈ બારૈયા ઉપરાંત પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, જિલ્લા ભાજપ મહામંત્રી વી.ડી.સોરઠીયા , શહેર પ્રમુખ નિલેશભાઈ રાઠોડ સહિત ગારિયાધાર નગરપાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 6:13 am

PGVCL એક્શન મોડમાં:પાલિતાણા ડિવિઝનમાં વીજચોરોને રૂ.38.67 લાખનો દંડ

ભાવનગર જિલ્લામાં ચાલુ સપ્તાહમાં GUVNLની કોર્પોરેટ ડ્રાઈવમાં પાંચમા દિવસે પાલિતાણા, ગારિયાધાર અને તળાજા તાલુકામાં વીજ ચેકિંગની કડક કાર્યવાહી કરવામાં આવી હતી. PGVCL ભાવનગર સર્કલમાં આવતા ગઈકાલે મહુવા ડિવિઝન બાદ આજે પાલિતાણા ડિવિઝનમાં PGVCLની કોર્પોરેટ ટીમોનો સપાટો બોલાવી વીજચોરોને રૂ.38.67 લાખનો દંડ ફટકાર્યો હતો. PGVCLના 125થી કર્મચારીઓના જંગી કાફલા સાથે વીજ ચેકિંગના દરોડામાં 89 વીજ જોડાણમાંથી ગ્રાહકોને વીજચોરી કરતા રંગેહાથ ઝડપી લેવાયા હતા. PGVCL ભાવનગર સર્કલમાં કોર્પોરેટ ડ્રાઈવમાં પાલિતાણા ડિવિઝન નીચેના ગારિયાધાર-1, ગારિયાધાર-2, ઘોડીઢાળ ,પાલિતાણા ટાઉન અને તળાજા-2 સબ ડિવિઝન નીચેના ગામોમાં સવારથી જ વીજ ચેકિંગની કડક કાર્યવાહીમાં રૂ.38.67 લાખની વીજચોરી પકડી પડાઇ હતી. વીજ ચેકિંગના દરોડામાં 263 રહેણાંકી અને 21 વાણિજ્ય શ્રેણીના મળી કુલ 284 વીજ જોડાણની ચકાસણીમાં 84 રહેણાંકી અને 5 વાણિજ્ય શ્રેણીના ગ્રાહકોને વીજચોરી કરતા પકડી પાડવામાં આવ્યા હતા. પાલિતાણા ડિવિઝન નીચેના વિસ્તારોમાં PGVCLની કોર્પોરેટની 10, GUVNLની 8 અને સ્થાનિકની 24 ટીમો મળી કુલ 42 ટીમોના જંગી કાફલા સાથે ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ગારિયાધાર તાલુકાના ગારિયાધાર ટાઉન, સાતપડા, નાનીમાળ અને જાળીયામાં પાલિતાણા ટાઉન ઉપરાંત તળાજા તાલુકામાં ધારડી અને બપાડા ગામમાં વીજ ચેકિંગની કાર્યવાહી કરાઈ હતી. દંડની રકમ ન ભરે તો ફોજદારી કાર્યવાહીPGVCL ભાવનગર સર્કલ નીચેના વિસ્તારોમાં PGVCL કોર્પોરેટ ટીમોએ ચાલુ સપ્તાહમાં પાંચ દિવસની કાર્યવાહીમાં રૂ.150 લાખ જેટલી રકમની વીજચોરી પકડી છે. વીજ ચેકિંગની કાર્યવાહીમાં કુલ 389 ગ્રાહકોને દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં વીજચોરી કરનાર વ્યક્તિ કે ગ્રાહક વીજચોરીની દંડની રકમ ન ભરે તો ફોજદારી કાર્યવાહી થશે. > યશપાલસિંહ જાડેજા, અધિક્ષક ઈજનેર, પી.જી.વી.સી.એલ. ભાવનગર વર્તુળ કચેરી

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 6:11 am

સ્વરા પ્રોજેક્ટના શ્રીગણેશ કરાયા:યુવતિઓમાં સ્વરક્ષણ અને સાયબર સુરક્ષા માટે ભાવનગર પોલીસ દ્વારા સ્વરા પ્રોજેક્ટનો પ્રારંભ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે ભાવનગર પોલીસ દ્વારા યુવતીઓમાં જાગૃતિ અને સશક્તિકરણ લાવવા માટે સ્વરા પ્રોજેક્ટ નામની નવી પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત ભાવનગરની ગાંધી મહિલા કોલેજમાં વિદ્યાર્થીનીઓ માટે વિશેષ સ્વરક્ષણ અને જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રોબેશનર એસપી મૌસમ મેહતા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવતીઓમાં આત્મવિશ્વાસ વધારવો, સાયબર જગતમાં સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવી તેમજ અજાણ્યા લોકો પર વિશ્વાસ કરતી વખતે સાવચેતી રાખવાની સમજણ આપવાનો હતો. કાર્યક્રમ દરમિયાન વ્યક્તિગત સીમાઓ નક્કી કરવાની જરૂરિયાત, સોશિયલ મીડિયા પર દેખાતી દુનિયા અને વાસ્તવિક જીવન વચ્ચેનો તફાવત તથા ડિજિટલ યુગમાં ઉભા થતા જોખમો અંગે પણ વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. વ્યાખ્યાન દરમિયાન વિદ્યાર્થીનીઓને સોશિયલ મીડિયા પર થતી ઓનલાઈન છેતરપિંડી, ફેક પ્રોફાઇલ, ભાવનાત્મક પ્રભાવ અને વિવિધ પ્રકારના સાયબર ફ્રોડ વિશે સરળ ભાષામાં માહિતગાર કરવામાં આવ્યા હતા. ‘સ્વરા’ એટલે કોઈ એક વ્યક્તિ નહીં, પરંતુ એવી દરેક સામાન્ય મહિલા કે જે પોતાના સ્વરક્ષણ માટે સજાગ રહે છે અને અન્યાય સામે અવાજ ઉઠાવવાની હિંમત ધરાવે છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ યુવતીઓને પોતાના હકો માટે અવાજ ઉઠાવવા પ્રેરિત કરવાનો તેમજ આત્મવિશ્વાસ અને સશક્તિકરણ તરફ દોરી જવાનો છે.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 6:05 am

વીજ કર્મીઓના પડતર પ્રશ્નો બાબતે લડતનો આરંભ:અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘનું PGVCL સામે આંદોલન

અનફે૨ લેબ૨ પ્રેક્ટિસ સહિતના કર્મચારીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નો સત્વરે ઉકેલવા ગુજરાત વિદ્યુત કામદાર સંઘ લાંબા સમયથી લડત આપી રહ્યું છે. PGVCLના કર્મચારીઓના પોલિસી લેવલના પ્રશ્નો અંગે AGVKS દ્વારા સમયાંતરે PGVCL કોર્પોરેટ ઓફિસના તંત્રવાહકોને ઢંઢોળી યોગ્ય કરવા અત્યાર સુધીમાં રજૂઆતો કરાઈ છે. કર્મચારીઓના અનફે૨ લેબ૨ પ્રેક્ટિસ સહિતના લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નો બાબતે કામદાર સંઘે PGVCL સામે આરપારની લડાઈ આદરી 16મી માર્ચ સુધી વર્ક ટુ રૂલ્સ સહિતના આંદોલનાત્મક કાર્યક્રમોનું એલાન કર્યું છે. PGVCLને જુદા-જુદા મુદ્દાઓ પર તાજેતરમાં 10થી વધુ લેખિત રજૂઆતો બાબતે કોઈ નક્કર ઉકેલ આવ્યો ન હોવાથી આંદોલનની નોટિસથી આખરી અલ્ટીમેટમ આપ્યું હતું. જે અનુસંધાને અણઉકેલ રહેલા પડતર પ્રશ્નોનો કોઈ ઉકેલ ન આવતા વર્ક ટુ રૂલસ મુજબ વધારાની કામગીરીનો બહિષ્કાર કરી આંદોલનનો આજથી પ્રારંભ કરી દીધો હતો ત્યારે AGVKS સાથે જોડાયેલ કર્મીઓ વર્ક ટુ રૂલસ મુજબ કામગીરી કરી PGVCLની વધારાની કામગીરીથી અલગ રહ્યા હતા. આંદોલનમાં 13 હજાર કર્મચારીઓ જોડાશેPGVCLને કર્મચારીઓના વ્યક્તિગત પ્રશ્નોથી લઈ પોલિસી લેવલના પ્રશ્નો અંગે અત્યાર સુધીમાં વારંવાર રજૂઆતો કરી છે. જોકે તેમ છતાં પ્રશ્નો ધ્યાને ન લેવાતા આંદોલનનું એલાન કરાયું છે ત્યારે ગુજરાત વિદ્યુત કામદાર સંઘના PGVCL સામેના આંદોલનમાં 13 હજાર કર્મચારીઓ જોડાશે. > બળદેવભાઈ પટેલ, સિનિયર સેક્રેટરી જનરલ, અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ AGVKSના આંદોલનમાં તબકકાવાર કાર્યક્રમોPGVCL વિરુદ્ધ આંદોલનાત્મક કાર્યક્રમોમાં PGVCLની વિવિધ કચેરીઓમાં તા.7 થી 15મી માર્ચ સુધી કચેરી સમય સિવાય અને રજાના દિવસોમાં વર્ક ટુ રૂલ્સ કામગીરી કરી રવિવારે વિન્ડો કલેકશન અને નોન ટેક કર્મચારીઓ ફિલ્ડ કલેકશનની કામગીરીથી દૂર રહેશે. તેમજ કચેરીઓમાં તા.11 થી 14મી માર્ચ સુધી વર્ક ટુ રૂલ્સ કામગીરી સાથે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરાશે. છેલ્લા દિવસે તા.16મી માર્ચના PGVCL રાજકોટ કોર્પોરેટ કચેરીમાં ધરણા સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 6:03 am

અભ્યાસક્રમની મજાક:યુનિમાં બે જુદા જુદા સેમ.માં એક સમાન કોર્સ

એમકેબી યુનિ.એ જાણે અભ્યાસક્રમને મજાક સમાન બનાવી દીધો હોય તેમ બી.કોમ. સેમેસ્ટર-4 અને સેમેસ્ટર-6માં ઇન્ડસ્ટ્રીયલ ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટ કોર્સને સમાન અભ્યાસક્રમ સાથે બન્ને સેમેસ્ટરમાં ચાલુ રાખવામાં આવ્યો હોવાનું ખુલતા એબીવિપિ દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આ મામલે આગામી બે દિવસમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ કુલપતિને રજૂઆતના સમયે આપવામાં આવી હતી. આ મુદ્દે વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ બંને સેમેસ્ટરમાં એકસરખો વિષય અને એકસરખો અભ્યાસક્રમ રાખવામાં આવતા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડાછેડી થતી હોવાની લાગણી વ્યક્ત થઈ રહી છે અને અભ્યાસક્રમને મજાક સમાન બનાવી દેવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. સાથે સાથે નવી શિક્ષણ નીતિ મુજબ (NEP) કેટી (KT) પરીક્ષા વર્ષમાં બે વખત લેવાય તેવી જોગવાઈ હોવા છતાં યુનિવર્સિટીમાં કેટી પરીક્ષાનું આયોજન યોગ્ય રીતે કરવામાં આવતું નથી તેવી પણ ફરિયાદ ઉઠી છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે ઘણા કિસ્સાઓમાં કેટી પરીક્ષા વર્ષ દરમિયાન લેવાતી નથી અને આગામી વર્ષે નિયમિત પરીક્ષાઓ સાથે જ લેવામાં આવે છે, જે નવી શિક્ષણ નીતિના નિયમો વિરુદ્ધ હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી યુનિવર્સિટી કેમ્પસમાં અસામાજિક તત્વોનું આવાગમન વધી ગયું હોવાની પણ ફરિયાદો સામે આવી રહી છે. કેમ્પસ વિસ્તારમાં દારૂ અને ગાંજા જેવા નશીલા પદાર્થોનો ઉપયોગ થતો હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેમ્પસમાં તાત્કાલિક ધોરણે સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવી વધુ સિક્યુરિટી ગાર્ડોની નિમણૂક કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. આ મુદ્દાઓને લઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી પ્રશાસનને તાત્કાલિક નિર્ણય લેવા રજૂઆત કરવામાં આવી છે. સાથે ચેતવણી આપવામાં આવી છે કે જો બે દિવસમાં આ મુદ્દાઓ પર યોગ્ય અને સંતોષકારક નિર્ણય લેવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેના માટેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 6:01 am

શોલેના જય-વીરુ જેવી અમદાવાદના મંદાકિની અને ઉષાબહેનની જોડી, VIDEO:87 વર્ષની ઉંમરે બિન્દાસ્ત મોટરસાયકલ ચલાવે, ઈન્સ્ટામાં biker.dadiથી ફેમસ

'ઉંમર કદાચ શરીરને થોડું ધીમું બનાવી શકે, પરંતુ મનનો ઉત્સાહ ક્યારેય ધીમો પડવો જોઈએ નહીં' આ શબ્દો છે અમદાવાદમાં રહેતા અને 87 વર્ષની ઉંમરે પણ શહેરના ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર શોલેના જય-વીરુની જેમ મોટરસાયકલ પર ફરતા મંદાકિનીબેન શાહના. જેઓ આજે પણ મોટી ઉંમરના કારણે ઘરે બેસી રહેવાના બદલે નવી નવી જગ્યાએ ફરવાનું અને અન્ય લોકોને પ્રોત્સાહિત કરવાનું પસંદ કરી રહ્યા છે. biker.dadiથી ઈન્સ્ટાગ્રામમાં ફેમસ બંને બહેનો પોતાના વીડિયો બનાવી અપલોડ કરતા રહે છે.તેઓ ઈન્સ્ટાગ્રામ પર 7000થી વધુ ફોલોઅર્સ ધરાવે છે. અનેક મહિલાઓ માટે પ્રેરણારુપ બનેલા મંદાકિની બહેન શાહ સાથે મહિલા દિવસ નિમિતે દિવ્ય ભાસ્કરે વાતચીત કરી હતી. સ્કૂટર ચલાવતી સમયે ચહેરા પર લાગતો પવન યુવાનીનો અહેસાસ કરાવે- મંદાકિનીબહેનઅમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા અને 87 વર્ષની ઉંમરે પણ બહેન સાથે મોટરસાયકલ ચલાવતા મંદાકિની બહેન શાહે દિવ્ય ભાસ્કર સાથે પોતાના સંઘર્ષમય જીવનની વાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, તેમને આજે પણ પોતાની નાની બહેન ઉષા સાથે અને તેમના વિશ્વાસુ સ્કૂટર પર સાહસિક મુસાફરી કરવી ખૂબ ગમે છે. તેઓ કહે છે કે,સ્કૂટર ચલાવતી વખતે ચહેરા પર લાગતો પવન તેમને ફરીથી યુવાનીનો અહેસાસ કરાવે છે. આ જ ઉત્સાહ તેમને આજે પણ જીવન જીવવાની નવી ઊર્જા આપે છે. પિતા ફ્રિડમ ફાઈટર, પાંચ ભાઈ-બહેનોમાં સૌથી મોટામંદાકિનીબેનનો જન્મ અને ઉછેર અમદાવાદમાં થયો છે. તેઓ પાંચ બહેનો અને એક ભાઈ વચ્ચે સૌથી મોટા હતા. ઘરમાં સૌથી મોટા હોવાને કારણે જવાબદારી શું હોય છે તેની સમજ તેમને બાળપણથી જ થઈ ગઈ હતી. પરિવારની પરિસ્થિતિ સામાન્ય હતી અને આર્થિક સંજોગો હંમેશા મજબૂત નહોતા.તેમના પિતા ફ્રીડમ ફાઈટર હતા. દેશને આઝાદી મળ્યા પછી તેમનું સપનું પોતાનો વ્યવસાય શરૂ કરવાનો હતો. પરંતુ આર્થિક પરિસ્થિતિ મજબૂત ન હોવાને કારણે તે સપનું પૂર્ણ થઈ શક્યું નહોતું. ઘરમાં પૈસાની હંમેશા તંગી રહેતી. આવી સ્થિતિમાં તેમની માતાએ આખા પરિવારને સંભાળ્યો અને બાળકોને ઉછેર્યા. વધુમાં તેઓએ જણાવ્યું કે, તેમણે પોતાની માતાને રોજિંદા સંઘર્ષ કરતા જોયા અને તેમાંથી જ તેમને શીખ મળ્યું કે જીવનમાં સ્વાવલંબન કેટલું મહત્વનું છે. તેમણે નક્કી કર્યું કે જીવનમાં કોઈપણ પરિસ્થિતિ આવે, તેમને પોતાના પગ પર ઉભા રહેવું છે. નબળી આર્થિક સ્થિતિના કારણે કોલેજ સુધી અભ્યાસ ન થઈ શક્યોપરિસ્થિતિઓને કારણે મંદાકિનીબેન કોલેજ સુધી અભ્યાસ કરી શક્યા નહોતા. શાળા પૂર્ણ થતાં જ તેમણે કામ શરૂ કરી દીધું. માત્ર 16 વર્ષની ઉંમરે તેમણે બાલ મંદિરમાં મોન્ટેસરી શિક્ષિકા તરીકે કામ શરૂ કર્યું. તે સમયે તેમને અંગ્રેજી ભાષાના ઘણા શબ્દો પણ સારી રીતે આવડતા નહોતા, પરંતુ તેમની અંદર કામ કરવાની ઇચ્છા અને જવાબદારીનો ભાવ હતો. શિક્ષિકા તરીકે કામ કરતી વખતે તેમણે બાળકો સાથે જોડાવાની અને તેમને શીખવવાની ખાસ કળા વિકસાવી. આ કામ દ્વારા તેમને સમાજ સાથે વધુ નજીકથી જોડાવાની તક મળી. મહિલાઓને પગભર કરવા હંમેશા સક્રિય રહ્યામંદાકિનીબેન સામાજિક કલ્યાણના અનેક પ્રોજેક્ટ્સ સાથે જોડાયા. તેઓ ગામડાઓમાં મહિલા મંડળોની બેઠકમાં ભાગ લેતા, પંચાયતની ચર્ચાઓમાં હાજરી આપતા અને સ્ત્રીઓને તેમના અધિકારો વિશે સમજાવતા. તેઓ મહિલાઓને આત્મવિશ્વાસ સાથે જીવવાની પ્રેરણા આપતા. આ કામ દરમિયાન તેમને ઘણીવાર ધૂળિયા રસ્તાઓ પર મુસાફરી કરવી પડતી અને લોકો સાથે કલાકો સુધી ચર્ચાઓ કરવી પડતી. પરંતુ આ બધું તેમની માટે માત્ર કામ નહોતું, પરંતુ સમાજ માટે કંઈક કરવાનું એક મિશન હતું. 62 વર્ષની ઉંમરે મોપેડ ચલાવતા શીખ્યા આજે 87 વર્ષે પણ ચલાવે છેજીવનમાં નવી બાબતો શીખવાની તેમની ઉત્સુકતા ક્યારેય ઓછી થઈ નથી. 62 વર્ષની ઉંમરે તેમણે મોપેડ ચલાવવાનું શીખ્યું. ત્યારબાદ જીપ ચલાવવાનું પણ શીખ્યા. અંતે તેમણે એક સેકન્ડ-હેન્ડ સ્કૂટર ખરીદ્યું, જે આજે પણ તેમની સાથે જીવનની અનેક સફરોમાં સાથી છે. સમાજમાં ઘણીવાર લોકોને તેમની જીવનશૈલી વિશે પ્રશ્નો પૂછતા. લોકો વારંવાર પૂછતા કે શું તેઓ લગ્ન કર્યા નથી અથવા શું તેઓ વિધવા છે. ઘણા લોકો માટે એકલી સ્ત્રી એટલે અધૂરી કહાની. પરંતુ મંદાકિનીબેન માટે તેમની પોતાની જીવનકથા સંપૂર્ણ અને સુંદર હતી. તેઓ કહે છે કે દરેક દિવસ સાથે તેમની જીવનકથા વધુ ખીલી રહી છે. એક સમયે તેમને પણ લગ્ન કરવાની ઇચ્છા હતી, પરંતુ જીવનના રસ્તાઓ અલગ રીતે વળી ગયા. તેમણે જીવનને જે રીતે મળ્યું તે રીતે સ્વીકાર્યું અને આગળ વધ્યા. આજે પણ જ્યારે તેઓ સ્કૂટર ચલાવે છે ત્યારે ઘણીવાર ટ્રાફિક પોલીસ તેમને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે અને મજાકમાં પૂછે છે, “બા, તમે સ્કૂટર કેમ ચલાવો છો?” લોકો ઘણીવાર તેમની નકલ પણ કરે છે. જ્યારે લોકો તેમને અને તેમની બહેન ઉષાને સ્કૂટર પર એકસાથે જતા જુએ છે ત્યારે તેઓ આશ્ચર્યથી ભરાઈ જાય છે. પરંતુ મંદાકિનીબેન માત્ર સ્મિત કરે છે અને કોઈ જવાબ આપતા નથી. તેઓ કહે છે કે આ આનંદને શબ્દોમાં સમજાવવો મુશ્કેલ છે. સ્કૂટર ચલાવતી વખતે ચહેરા પર લાગતો પવન આજે પણ તેમને 16 વર્ષની ઉંમરની યાદ અપાવે છે. જીવનમાં ખુશી જાળવવા હાસ્ય અને રમતો ખૂબ જરુરી- મંદાકિનીબહેનમંદાકિનીબેનનો દિવસ આજે પણ ખૂબ સક્રિય રીતે પસાર થાય છે. તેઓ દરરોજ પોતાના મિત્રોને મળવા જાય છે. મિત્રો સાથે તેઓ ગીતો ગાય છે, ભોજન કરે છે અને વિવિધ રમતો રમે છે. તેમને ખાસ કરીને લોકોને રમતો શીખવવી ખૂબ ગમે છે. તેઓ માને છે કે રમતો અને હાસ્ય જીવનમાં ખુશી જાળવી રાખવા માટે ખૂબ જરૂરી છે. ઉંમર કદાચ શરીરને થોડું ધીમું બનાવી શકે, પરંતુ મનનો ઉત્સાહ ક્યારેય ધીમો પડવો જોઈએ નહીં, એવું તેઓ માને છે. તેમને આજે પણ કામ કરવું, લોકો સાથે મળવું અને નવી વસ્તુઓ શોધવી ગમે છે. મંદાકિની શાહનું જીવન સમાજ માટે એક સંદેશ છે કે પરિસ્થિતિઓ કેટલીય કઠિન હોય, જો મનમાં હિંમત અને આત્મવિશ્વાસ હોય તો જીવનને પોતાની રીતે જીવવું શક્ય છે. તેઓ કહે છે કે તેમણે એવું જીવન જીવ્યું છે જેની સમાજે કદાચ તેમના માટે કલ્પના પણ નહોતી કરી. પરંતુ તેમણે ક્યારેય સમાજના બંધનોને પોતાના સપનાઓ પર હાવી થવા દીધા નથી. આજે 87 વર્ષની ઉંમરે પણ તેઓ થાક્યા નથી. તેમની આંખોમાં હજુ પણ નવી સફરો અને નવા અનુભવો માટેનો તેજ જોવા મળે છે. મંદાકિનીબેનની આ કથા માત્ર એક વ્યક્તિની નથી, પરંતુ એ દરેક માટે પ્રેરણા છે જે જીવનમાં પોતાના સપનાઓને સાચા કરવા ઈચ્છે છે. તેમની જીવનયાત્રા એ સાબિત કરે છે કે હિંમત, આત્મવિશ્વાસ અને જીવન પ્રત્યેનો પ્રેમ હોય તો દરેક દિવસ નવી શરૂઆત બની શકે છે.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 6:00 am

ગિરનારના દુર્ગમ જંગલોમાં મહિલા સંશોધકોનું અદમ્ય સાહસ:જંગલના અભેદ્ય માર્ગ ખૂંદી ભાગ્યશ્રીનું વનસ્પતિ પર સંશોધન, લુપ્ત થતી વન્ય પ્રજાતિઓ પર સંશોધન કરતી સખીની સાહસિક સફર

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે જ્યારે સમગ્ર વિશ્વ સ્ત્રી શક્તિના ગુણગાન ગાઈ રહ્યું છે, ત્યારે જૂનાગઢના ગિરનારની ગોદમાં પ્રકૃતિ અને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે કાર્યરત મહિલાઓની સાહસિક ગાથા ખરેખર પ્રેરણાદાયી બની રહી છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના 'સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વાઈલ્ડ લાઈફ'માં સંશોધન કરતી દીકરીઓએ સાબિત કરી દીધું છે કે સંકલ્પશક્તિ મજબૂત હોય તો જંગલના દુર્ગમ રસ્તાઓ પણ સરળ બની જાય છે. પરંપરાગત સીમાડાઓ ઓળંગીને આજે આ મહિલાઓ વન્યજીવ સંરક્ષણ માટે વિજ્ઞાન અને સાહસનો સમન્વય કરી રહી છે. ​ભાગ્યશ્રી ડાંગરની સંઘર્ષથી 'ગિરનારના GPS' સુધીની સફરઆ ગાથામાં સૌથી મોખરે નામ આવે છે ભાગ્યશ્રી ડાંગરનું. જેઓ 'સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વાઈલ્ડ લાઈફ એન્ડ કન્ઝર્વેશન સ્ટડીઝ'માં જુનિયર રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 4 વર્ષથી તેઓ ગિરનાર વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરીના ઊંડાણપૂર્વકના વિસ્તારોમાં લાઈકેન અને શેવાળ જેવી અત્યંત દુર્લભ દ્વિઅંગી વનસ્પતિઓ પર સંશોધન કરી રહ્યા છે. આ વનસ્પતિઓ પર્યાવરણની શુદ્ધતા માપવા માટે કુદરતી સૂચક તરીકે કામ કરે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કોરોનાકાળ અને પૂર જેવી કુદરતી આફતોમાં પણ ગિરનારના જંગલોમાં રહીને ડેટા એકત્રિત કરવાની તેમની ધગશ જોઈને આજે સૌ કોઈ તેમને માનથી 'ગિરનારનું GPS' કહે છે. તેમની પાસે ગિરનારના એવા વિસ્તારોની ભૌગોલિક જાણકારી છે જે ભાગ્યે જ કોઈ પાસે હોય. લુપ્ત થતી વન્ય પ્રજાતિઓ પર સંશોધન કરતી સખીબીજી તરફ, WCB રિસર્ચ ફાઉન્ડેશનના વાઈલ્ડ લાઈફ માઇક્રોબાયોલોજિસ્ટ સખીએ એક અનોખો રાહ કંડાર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે લોકો માનતા હોય છે કે માઈક્રોબાયોલોજીના વિદ્યાર્થીઓ માત્ર લેબોરેટરી કે પેથોલોજી સેન્ટર સુધી જ સીમિત રહેવા જોઈએ, પરંતુ તેમણે આ રૂઢિચુસ્ત માનસિકતાને ફગાવી દીધી છે. સખીએ વધુમાં જણાવ્યું હતું કે, તેઓ હાલમાં લુપ્ત થતી વન્ય પ્રજાતિઓ, ખાસ કરીને રીંછના આંતરડાના સૂક્ષ્મ જીવાણુઓ (Gut Microbiota) પર ગહન સંશોધન કરી રહ્યા છે. વન્ય જીવોના સ્વાસ્થ્ય અને તેમના સંરક્ષણ માટે સૂક્ષ્મ જીવાણુઓનો અભ્યાસ કેવી રીતે મદદરૂપ થઈ શકે, તે દિશામાં તેમનું મૌલિક કાર્ય આજે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આજના યુગમાં દીકરીઓ દીકરાઓની સમકક્ષ: ડો. નિષિધ ધારૈયાભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ડાયરેક્ટર ડો. નિષિધ ધારૈયાએ મહિલાઓના આ પ્રદાનને બિરદાવતા જણાવ્યું હતું કે, આજના યુગમાં દીકરીઓ દીકરાઓની સમકક્ષ જ છે. ગુજરાત સરકાર દ્વારા પ્રાપ્ત 'સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વાઈલ્ડ લાઈફ'ના માધ્યમથી અનેક દીકરીઓ વહેલી સવાર કે મોડી રાત સુધી જંગલના જટિલ વિસ્તારોમાં જઈને સેમ્પલ કલેક્શન અને ટ્રેકિંગ જેવા સાહસિક કાર્યો કરી રહી છે. દીકરીઓના આ આંતરરાષ્ટ્રીય સ્તરના સંશોધનો યુનિવર્સિટીનું ગૌરવ વધારી રહ્યા છે. વન વિભાગ સંશોધક બહેનોને પ્રોત્સાહન પૂરું પાડવા તત્પરઆ સાથે જ જૂનાગઢ વન વિભાગના ACF સુનિલ પ્રજાપતિએ વન્યજીવ સંરક્ષણમાં આ સંશોધનોની અગત્યતા સમજાવતા જણાવ્યું હતું કે, વર્ષ 2008માં ગિરનારને અભયારણ્ય જાહેર કરાયા બાદ તેના સંરક્ષણ માટે વૈજ્ઞાનિક ડેટા ખૂબ જરૂરી છે. જ્યારે મહિલા સંશોધકો દુર્ગમ વિસ્તારોમાં જઈને રિસર્ચ પેપર્સ તૈયાર કરે છે, ત્યારે વન વિભાગને જંગલના વ્યવસ્થાપન અને દુર્લભ વનસ્પતિઓના જતન માટે સચોટ માર્ગદર્શન મળે છે. વન વિભાગ હંમેશા આવી સંશોધક બહેનોને પ્રોત્સાહન પૂરું પાડવા તત્પર રહે છે. 'સ્ત્રીએ ક્યારેય પોતાની ક્ષમતા પર શંકા ન કરવી'આ તમામ મહિલા સંશોધકોનો એક જ સૂર છે કે સ્ત્રીએ ક્યારેય પોતાની ક્ષમતા પર શંકા ન કરવી જોઈએ. ભાગ્યશ્રીએ અંતમાં સંદેશ આપતા જણાવ્યું હતું કે, કોઈપણ કાર્ય ત્યારે જ શક્ય બને છે જ્યારે તમે તેની નીડરતાથી શરૂઆત કરો છો. તેવી જ રીતે સખીએ પણ સ્ત્રીઓને મક્કમ રહીને પોતાના લક્ષ્ય તરફ આગળ વધવા પ્રેરણા આપી હતી. કુદરતના અગોચર રહસ્યોને ઉકેલવા એ સ્ત્રી માટે અશક્ય નથીગિરનારની આ દીકરીઓ સાબિત કરી રહી છે કે જો મનમાં અતૂટ શ્રદ્ધા અને અડગ ઈચ્છાશક્તિ હોય, તો કુદરતના અગોચર રહસ્યોને ઉકેલવા એ સ્ત્રી માટે અશક્ય નથી. આજે આ મહિલાઓ માત્ર સંશોધન જ નથી કરી રહી, પરંતુ આવનારી પેઢીની દીકરીઓ માટે સાહસ અને વિજ્ઞાનનો એક નવો માર્ગ મોકળો કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 6:00 am

મોટી સ્ક્રીન પર મેચ જોવા પ્રોજેક્ટર ખૂટ્યા, અમદાવાદમાં 'ક્રિકેટ કાર્નિવલ':થિયેટરો મૂવી ઉતારી ફાઈનલ દેખાડશે, મોડે સુધી બસ-મેટ્રો મળશે; મેચ જોવા જતા પહેલા આ વાંચતા જજો

આજે 8 માર્ચ, 2026 (રવિવાર)એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી T-20 વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈને આખું અમદાવાદ ક્રિકેટમય બની ગયું છે. આખા અમદાવાદમાં ક્રિકેટ કાર્નિવલ જામ્યો છે. ફ્લાઈટના ભાડામાં 3થી 4 ગણો ઉછાળો છે, તો મુંબઈ-અમદાવાદ વચ્ચે 4 સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો દોડશે. સેલિબ્રિટીઝનો જમાવડો રહેવાથી શહેરમાં VVIP મુવમેન્ટમાં ધસારો જોવા મળશે. ક્રિકેટને ક્રેઝ એટલો જોરદાર છે કે અમદાવાદના મલ્ટીપ્લેક્સ, સિનેમાહોલ અને કેફેમાં મેચ જોવા માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે. તો ગ્રુપ મેચ જોવાના ક્રેઝને લઈને શહેરમાં પ્રોજેક્ટરની અછત સર્જાઈ છે. આ મહામુકાબલા પૂર્વે એક ભવ્ય મેગા ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરાયું છે, જે દર્શકો માટે એક અનોખો અનુભવ બની રહેશે. ગ્લોબલ પોપ સ્ટાર રિકી માર્ટિન પ્રથમ વખત અમદાવાદના આંગણે પરફોર્મ કરશે, જ્યારે ગુજરાતની ગરબા ક્વિન ફાલ્ગુની પાઠક અને પંજાબી સિંગર સુખબીર સિંહ પોતાના અવાજથી સ્ટેડિયમમાં જોશ ભરશે. અંદાજિત 1.25 લાખ પ્રેક્ષકોની હાજરીમાં લેસર શો અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ટુર્નામેન્ટનું ભવ્ય સમાપન થશે. જો તમે મેચ જોવા માટે જવાના હોવ તો તમારે શું ધ્યાન રાખવું, કઇ વસ્તુ સાથે લઈ જવી, પોતાની ગાડી કે ટુ-વ્હીલર ક્યા પાર્કિંગ કરવું અને જો મેટ્રોમાં જવાના હોવ તો ટાઇમિંગ અને પ્રતિબંધિત કે વૈક્લિપક રૂટ વિશેની તમામ માહિતી આજે તમને દિવ્ય ભાસ્કર એપ પર જાણવા મળશે. સ્ટેડિયમ ગેટ નંબર-1થી 100 મીટર દૂર બેરિકેડ મૂકી પ્રવેશ અપાશે.નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગેટ નંબર 1 પાસે ધક્કામુક્કી ન થાય તે માટે 100 મીટર આગળ બેરિકેડ્સ મૂકી ત્યાંથી જ પ્રવેશ અપાશે. સ્ટેડિયમમાં પ્રેક્ષકો પર નજર રાખવા સ્પેશિયલ કંટ્રોલ રૂમ બનાવાયો છે, જેમાં બેઠેલી ટીમ 270 કેમેરાથી સતત મોનિટરિંગ કરશે. સ્ટેડિયમમાં 4 બોમ્બ સ્ક્વોડ, NDRFની ટીમ પણ તહેનાત રહેશે. મેચને પગલે સ્ટેડિયમની અંદર-બહાર લોખંડી બંદોબસ્ત રહેશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વીઆઈપી સહિત 1 લાખથી વધુ લોકો આવવાના હોવાથી શહેર પોલીસે સુરક્ષાનો એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે. સ્ટેડિયમમાં 8 ગાડી સાથે 55 ફાયર અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશેસ્ટેડિયમના ચારેય ગેટ પાસે ફાયરનું એક વાહન તથા પાર્કિંગ પ્લોટમાં પણ ફાયરનાં વાહન ઊભાં રખાશે. આ સાથે જ સ્ટેડિયમની અંદર 55 ફાયર અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે. મેચને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગે ફાયર સેફ્ટી સર્ટિફિકેટનું ઓડિટ કર્યું છે. સાથે જ ઈમર્જન્સીમાં ત્યાંના સ્ટાફે શું કરવું જોઈએ તેની ટ્રેનિંગ પણ આપી છે. બિલ્ડિંગની અંદર ઇલેક્ટ્રિક સમસ્યાનો સામનો કરવા માટે ફાયર એક્સ્ટીંગ્વિશર, ફાયર ફાયટિંગ હાઈડ્રન પોઈન્ટ, વોટસ સ્પ્રિંક્લર ફિક્સ કરેલા છે. ટ્રાફિક જનપથ ટી-મોટેરા ગામ રોડ સવારે 10થી બંધમેચને પગલે જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટથી કૃપા રેસિડન્સીથી મોટેરા ગામ સુધીનો આવવા-જવાનો રસ્તો વાહનોની અવરજવર માટે સવારે 10 વાગ્યાથી મોડી રાત્રે 2 વાગ્યા સુધી બંધ રહેશે. વાહનચાલકો વૈકલ્પિક માર્ગ તરીકે તપોવન સર્કલથી વિસતથી જનપથ થઈ પાવર હાઉસ, પ્રબોધ રાવળ સર્કલ તથા કૃપા રેસિડન્સીથી ભાટ કોટેશ્વર રોડ, એપોલો સર્કલ તરફ અવરજવર કરી શકશે. ટ્રાફિકના એક જેસીપી, ત્રણ ડીસીપી, પીઆઈ, પીએસઆઈ સહિત કુલ 800 અધિકારી-કર્મચારીઓ હાજર રહેશે. શો માય પાર્કિંગ એપ ઉપરથી પાર્કિંગ બુકિંગ કરાવવાનું રહેશેT-20 વર્લ્ડ કપની ફાઈનલ જોવા એક લાખથી વધુ લોકો સ્ટેડિયમમાં આવશે ત્યારે જે લોકો વાહન લઈને સ્ટેડિયમ આવવાના છે તેમના માટે પાર્કિંગના અલગ અલગ લોકેશન નક્કી કરવામાં આવ્યા છે. લોકોએ શો માય પાર્કિંગ એપ ઉપરથી પાર્કિંગ બુકિંગ કરાવવાનું રહેશે જે બુક કરાવ્યા બાદ તેઓ પોતાનું વાહન ત્યાં પાર્કિંગ કરી જઈ શકશે. એપ કે વેબસાઇટ પરથી પાર્કિંગ બુક થશેદેશ-વિદેશમાંથી હજારો ક્રિકેટપ્રેમીઓ અમદાવાદ આવી રહ્યા છે. ત્યારે પ્રેક્ષકોને પાર્કિંગ અંગે કોઈ મુશ્કેલી ન પડે, ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને પાર્કિંગ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે SHOW MY PARKING દ્વારા આધુનિક અને નવીનતમ ટેકનોલોજી સાથે સુવ્યવસ્થિત પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રેક્ષકોએ Show My Parking એપ ડાઉનલોડ કરીને અથવા સીધા વેબસાઇટ પરથી સરળતાથી પાર્કિંગ બુક કરી શકે છે. કુલ 5,000 વાહનો પાર્ક થઈ શકશેસ્ટેડિયમ આસપાસ કુલ 8 અલગ-અલગ પાર્કિંગ સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ફોર-વ્હીલર માટે 6 પાર્કિંગ સ્થળો અને ટુ-વ્હીલર માટે 4 પાર્કિંગ સ્થળો છે. ફોર-વ્હીલર માટે 2,000 વાહનો અને ટુ-વ્હીલર માટે 3,000 વાહનો એમ કુલ 5,000 વાહનો પાર્ક થઈ શકે છે. વર્લ્ડ કપ ફાઇનલ જોવા મેટ્રોમાં જવું સરળ પડશેવિશ્વનું સૌથી મોટું ગણાતા એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારે વર્લ્ડ કપની મેચ રમાવાની છે ત્યારે લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે. પણ શું તમે સ્ટેડિયમ ખાતે ઝડપી અને એકદમ સરળતાથી પહોંચવા માગો છો? જો હા તો તમારે મેટ્રોની સવારી કરવી પડશે. કારણ કે જો તમે તમારું પોતાનું વાહન લઈને જશો તોય તમારે 1થી 2 કિમી ચાલવું તો પડશે જ, પણ જો તમે મેટ્રો ટ્રેનમાં જશો તો માત્ર 100 મીટર ચાલવું પડશે, જી હા સ્ટેડિયમ પહોંચવામાં એકદમ સરળ અને નજીકનો રસ્તો મોટેરા મેટ્રો સ્ટેશનથી છે. તો આવો...જાણીએ કે કયા વિસ્તારમાંથી તમે કયા મેટ્રો સ્ટેશનની મદદથી સ્ટેડિયમ ખાતે પહોંચી શકશો... મેટ્રો રાતે 12.30 સુધી દોડશે, રૂ.50માં એડવાન્સ ટિકિટમેચ પૂરી થયા પછી સ્ટેડિયમથી પરત ફરનારા મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને મેટ્રો સેવા રાત્રે 12.30 વાગ્યા સુધી કાર્યરત રહેશે. સ્ટેડિયમથી એપીએમસી સુધી મેટ્રો રાત્રે 10થી 12.30 વાગ્યા સુધી દોડશે. ઉપરાંત જૂની હાઈકોર્ટ ઇન્ટરચેન્જથી વસ્ત્રાલ ગામ અને થલતેજ ગામ તરફની સેવાઓ પણ રાત્રે 12.50 વાગ્યા સુધી રહેશે. ગાંધીનગરના મુસાફરો માટે સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી રાત્રે 11.40 અને 12.10 વાગે બે વધારાની ટ્રેન દોડાવાશે. પેસેન્જર રૂ. 50ની એડવાન્સ ટિકિટ પણ લઈ શકશે. આ બંને રૂટ ઉપરથી મોટેરા સ્ટેડિયમ પહોંચી શકાયજો તમે પૂર્વ વિસ્તારમાં રહો છો તો વસ્ત્રાલથી થલતેજ તરફ જતી મેટ્રો ટ્રેનમાં બેસીને સ્ટેડિયમ તરફ જઈ શકો છો. જો પશ્ચિમ વિસ્તારમાં રહો છો તો થલતેજથી વસ્ત્રાલ જતી મેટ્રો ટ્રેન અને વાસણા એપીએમસીથી મોટેરા સ્ટેડિયમ સુધી જતી મેટ્રો ટ્રેનમાં બેસીને પહોંચી શકો છો. આ બંને રૂટ ઉપરથી મોટેરા સ્ટેડિયમ પહોંચી શકાય છે. મોટેરા તરફ જતી ટ્રેનમાં બેસવું પડશે પૂર્વ વિસ્તારમાંથી વસ્ત્રાલથી થલતેજની મેટ્રો ટ્રેનમાં બેસીને મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચવું હોય તો તેના માટે ઇન્કમટેક્સ મેટ્રો સ્ટેશન ખાતે ટ્રેન બદલવી પડશે. ઇન્કમટેક્સ મેટ્રો સ્ટેશનથી મોટેરા સ્ટેડિયમ તરફ જતી ટ્રેનમાં તમારે બેસીને જવું પડશે. જો એસજી હાઈવે, બોપલ, બોડકદેવ, હેલ્મેટ ચાર રસ્તા, મેમનગર, આનંદનગર, પ્રહલાદનગર તરફથી જો તમે આવવા માંગતા હોવ તો થલતેજની મેટ્રો ટ્રેનમાં બેસી અને તમારે ઇન્કમટેક્સ ખાતે ટ્રેન બદલવી પડે અને મોટેરા તરફ જતી ટ્રેનમાં બેસવું પડશે. ઇન્કમટેક્સ સ્ટેશનથી ટ્રેન બદલવી પડશે જો સરખેજ, વેજલપુર, વાસણા, પાલડી, નવરંગપુરા સરખેજ અને મોટેરા સ્ટેડિયમ જવા માગો છો તો સીધી મોટેરા સ્ટેડિયમ જતી મેટ્રો ટ્રેનમાં બેસીને સ્ટેડિયમ પહોંચી શકાશે, પરંતુ જો પૂર્વ વિસ્તારમાંથી અને એસજી હાઇવે તરફના વિસ્તારમાંથી આવો છો તો ઇન્કમટેક્સ સ્ટેશનથી ટ્રેન બદલવી જ પડશે અને મોટેરા સ્ટેડિયમ જતી ટ્રેનમાં બેસીને સ્ટેડિયમ સુધી પહોંચી શકાશે. ફાઇનલ મેચને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે વધુ ચાર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવશેઅમદાવાદમાં ફાઇનલ મેચને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવેએ વધુ ચાર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવાની જાહેરાત કરી છે. આ ટ્રેનો બાંદ્રા ટર્મિનસ–અમદાવાદ, અમદાવાદ–છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ તથા અમદાવાદ–પુણે વચ્ચે વિશેષ ભાડા સાથે દોડાવાશે. બાંદ્રા ટર્મિનસ–અમદાવાદ વચ્ચે એસી સુપરફાસ્ટ સ્પેશિયલ તરીકે દોડાવાશે. અમદાવાદ–છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સુપરફાસ્ટ એસી સ્પેશિયલ, અમદાવાદ-પુણે સુપરફાસ્ટ પણ દોડાવાશે. એડવાન્સ બુકિંગ 7 માર્ચથી તમામ રિઝર્વેશન કાઉન્ટર, આઈઆરસીટીસી પર શરૂ કરાશે. અમદાવાદ-મુંબઈ તેજસ સ્પે.માં વધારાના 4 એસી કોચ જોડાશેમુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એસી સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેનમાં એક સેકન્ડ એસી અને 3 થર્ડ એસી કોચ ઉમેરાશે. આ વધારાના 4 નવા કોચ ઉમેરવાથી ટ્રેનમાં 268 સીટનો વધારો થશે. આ નવી વ્યવસ્થા સાથે ટ્રેન 7 માર્ચે મુંબઈ સેન્ટ્રલથી ઊપડશે અને અમદાવાદથી 9 માર્ચે ઊપડશે.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 6:00 am

આ વખતે ભારત જીતશે ને અનલકી સ્ટેડિયમનો દાગ હટશે, VIDEO:હાર્દિક પંડ્યા ધૂમ મચાવશે, મિચેલ સેન્ટનર પરેશાન કરી શકે; ક્રિકેટ્સ ફેન્સે આપ્યા અવનવા જવાબો

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાવાની છે. આ ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. હાલ સોશિયલ મીડિયામાં પનોતી સ્ટેડિયમના ટેગ સાથે પોસ્ટ વાઈરલ થઈ રહી છે, ત્યારે આ સ્ટેડિયમ ખરેખર પનોતી છે કે નહીં તે જાણવા દિવ્ય ભાસ્કર ક્રિકેટરસિકો વચ્ચે પહોંચ્યું હતું. ક્રિકેટરસિકોએ જણાવ્યું હતું કે, અમે આવી ગયા છીએ હવે પનોતી હટી જશે. અન્ય એકે કહ્યું જો એવું હોય તો એક વર્લ્ડકપ હારી ચૂક્યા છે તો એ કર્ઝ પૂરૂ થઈ ગયું છે. હવે ફાઈનલી ઇન્ડિયા જ જીતશે. અન્ય એક ફેન્સે કહ્યું કે, વર્ષ 2023થી લોકોને લાગે છે પણ ઇન્ડિયા જીતશે અને આ દાગ હટી જશે. જાણો અન્ય ક્રિકેટ્સ ફેન્સે કેવા કેવા જવાબો આપ્યા.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 6:00 am

'દર્દીઓ જોઈને કહેતા-મેડમ તમે સર્જરી કરી શકશો?':8000થી વધુ કેન્સર પીડિતોની લાઈફલાઈન બનેલા રાજકોટના ડૉ. ખ્યાતિની ભાસ્કર સાથે વાતચીત, કહ્યું- 'દરેક મહિલામાં ક્રિએશનનો પાવર'

આજે વિશ્વ મહિલા દિવસ છે ત્યારે રાજકોટના એક એવા મહિલાની વાત કરવી છે કે, જેમણે છેલ્લા એક દાયકાની અંદર ખૂબ જ મોટી નામના મેળવી છે અને તેમના લક્ષ્ય સુધી પહોંચવા માટે કરેલી અથાગ મહેનતનું પરિણામ પણ મળ્યું છે. આ મહિલા એટલે બીજું કોઈ નહિ પરંતુ, રાજકોટના એકમાત્ર મહિલા ઓન્કોસર્જન ડો. ખ્યાતિ વસાવડા. ડો.ખ્યાતિ જાનીમાંથી સુપર સ્પેશિયાલિસ્ટ ડો. ખ્યાતિ વસાવડા લોકો માટે લાઈફલાઈન બની ચુક્યા છે. અત્યાર સુધીમાં લગભગ 8000થી વધુ કેન્સર પીડિતોની સર્જરી કરીને જીવનદાન આપનાર ડૉ. ખ્યાતિ વસાવડાએ પોતાની મહિલા ઓન્કો સર્જન બનવાનો સંઘર્ષપૂર્ણ કિસ્સો દિવ્ય ભાસ્કર સાથે શેર કર્યો. નાનપણથી જ ડોકટર નહિ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર બનવાની ઈચ્છારાજકોટમાં શિક્ષક પરિવારમાં જન્મેલા ખ્યાતિ જાનીમાંથી ડો.ખ્યાતિ વસાવડા સુધીની તેમની સફર વિશે જણાવતા કહ્યું કે, નાનપણથી જ તે સર્જન બનવાની મહત્વકાંક્ષા ધરાવતા હતા અને તેમના આ સપનાને પ્રેરણા આપી પિતા ડૉ. કમલેશ જાની અને માતા જયશ્રીબેન જાનીએ તેમને રાજકોટની PDU મેડિકલ કોલેજથી અભ્યાસ કરાવ્યો. જ્યાં તેમને MBBS અને MSની ડિગ્રી તો મેળવી પણ સ્વપ્ન હિમાલયની ટોચે પહોંચવાનું હતું એટલે કે તેમને માત્ર ડોકટર નહિ પરંતુ, સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર બનવાની ઈચ્છા હતી. પ્રેગ્નન્ટ હોવા છતાં MCH માટે કોચીની સફર ખેડીસુપર સ્પેશિયાલિસ્ટ સુધીની સફરમાં માતા-પિતા ઉપરાંત પતિ ન્યુરો સર્જન ડો. હાર્દ વસાવડા અને સસરા ડો.હેમાંગ વસાવડા તેમજ સાસુ અમિતાબેન સહિતના પરિવારજનોએ સાથ આપ્યો હતો. MCH માટે કોચીની વિશ્વપ્રસિદ્ધ અમૃતા હોસ્પિટલમાં એડમિશન મેળવ્યું હતું. આ સમયે હેડ એન્ડ નેક ઓન્કોસર્જરી માટે આખા દેશમાં 6 સીટ જ હતી. તે સમયે પ્રેગ્નન્ટ હોવા છતાં ઘર-પરિવારથી દૂર એક અજાણ્યા શહેરમાં જ્યાં જમવાથી લઈ વાતાવરણ સુધી અનેક પડકારો હતા તો પણ અર્જુનની જેમ એક લક્ષ્ય હતું કે, મારે થાકવું કે હારવું નથી બસ, સુપર સ્પેશિયાલિસ્ટ બનીને લોકો માટે લાઈફલાઈન બનવું છે. ‘નારી પુરુષ સમોવડી નહી, પુરુષ-સ્ત્રી બંને એકબીજાના પૂરક’રાજકોટના શિક્ષક પરિવારમાં જન્મેલી ખ્યાતિ જાનીથી ડો.ખ્યાતિ વસાવડા સુધીની સફર સંકલ્પ અને સંઘર્ષથી ભરપૂર છે. ડો. ખ્યાતિ વસાવડાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પુરુષ સમોવડી નારી આવું કહેવામાં આવે છે પરંતુ, મારા મતે પુરુષ અને સ્ત્રી બન્ને એકબીજાના પૂરક છે. એમાં કોઈ કોમ્પિટિશન નથી, કોઈને ઉપર કે નીચે દેખાડવાની વાત નથી બંનેનો પોતાનો અલગ રોલ છે. જેમ શિવ અને શક્તિની વાત કરીએ તો શિવ એ મસ્ક્યુલાઇન એનર્જી છે અને શક્તિ એ ફેમિનાઈન એનર્જી છે. આ બંને શક્તિ એકબીજાની પૂરક બને ત્યારે એક એવા વિશ્વનું નિર્માણ થાય કે જે બધું જ કરવા માટે કેપેબલ છે. મહિલામાં અનેક પ્રતિભાઓ સાથે બધું જ મેનેજ કરવાની ક્ષમતા હોવાના કારણે આપણે વુમન્સ ડે ઉજવી રહ્યા છીએ. દરેક મહિલામાં ક્રિએશનનો પાવર છે એ જ વિશ્વનું સર્જન કરે છે. વુમન પાવર થકી સમાજમાં સકારત્મક બદલાવ લાવી શકાય છે. કારકીર્દીની શરુઆતમાં દર્દીઓ કહેતા- મેડમ તમે સર્જરી કરી શકશો?હું હેડ એન્ડ નેક કેન્સર સર્જન છું. મેં MBBS પછી MS અને પછી MCH કર્યું છે. મારા આ કાર્યકાળ દરમિયાન મેં 8થી 10 હજાર જેટલી કેન્સર સર્જરી કરી છે. મેં જયારે કેન્સર સર્જન તરીકે કામ કરવાની શરૂઆત કરી ત્યારે ઘણા દર્દી મને પૂછતાં હતા કે મેડમ તમે સર્જરી કરી શકશો અને આજે હવે દર્દી એવું કહે છે મેડમ તમે સર્જરી કરો તો જ સર્જરી કરાવી છે એટલે કે મેડમ તમારી પાસે જ સર્જરી કરાવી છે. આ ખુબ મોટો તફાવત આજ જોવા મળી રહ્યો છે. આ બદલાવ આવ્યો છે અને અત્યારે બદલાવનો સમય છે. સ્ટ્રેન્થ ને કોઈ ઉંમર, કલર કે જેન્ડર હોતો નથી સ્ટ્રેન્થ એ તમારી અંદર હોય છે. આજે રાજકોટની નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલમાં 210 ફિમેલ સ્ટાફ કામ કરે છે. તમામ ખુબ એફિસિએંસીથી આ હોસ્પિટલમાં કામ કરી રહ્યા છે. મેડિકલ ડાયરેક્ટર તરીકે મારા માટે આ એક ગર્વ લેવા જેવી વાત છે કે, આ કેન્સર હોસ્પિટલમાં ખૂબ સરસ સારવાર થઇ રહી છે. મિટિંગમાં 400-500 સર્જન વચ્ચે ઓન્કો મહિલા સર્જન હું એક માત્ર હતીવધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મે જયારે સર્જીકલ બ્રાન્ચમાં પ્રવેશ મેળવ્યો પછી રાજકોટ સર્જન એસોસિએશનની મિટિંગમાં જવાનું પણ થતું પણ આ સમય મારા માટે ગર્વ લેવા જેવી બાબત અને ગર્વ લેવા જેવી ક્ષણ એ હતી કે, મિટિંગમાં 400-500 સર્જન વચ્ચે ઓન્કો મહિલા સર્જન હું એક માત્ર હતી. એવું કહેવાય છે કે, અ ગુડ સર્જન શુડ હેવ ફિમેલ હેન્ડ અને જયારે ફિમેલ જ સર્જન હોય ત્યારે દર્દીઓને સારી રીતે ટ્રીટ કરી શકે આવું લોકો કહે ત્યારે ખુદ પર ખૂબ ગર્વ થાય છે. 20 દિવસના બાળકને માતાનું બ્રેસ્ટ ફીડિંગ છોડાવી ઓપરેશન કર્યુંયાદગાર કિસ્સો કહેતા તેમને કહ્યું કે, ડિલિવરીના 20મા દિવસે હોસ્પિટલમાં એક મહિલા દર્દી આવે છે જેને ગલોફાનું કેન્સર થયું હતું. 20 દિવસના બાળકને માતાનું બ્રેસ્ટ ફીડિંગ છોડાવી મહિલાનું ઓપરેશન કરવાનું હતું. આવા દર્દીની સારવાર કરીને માર સમાજમાં સાચો મેસેજ શું આપવો એ સવાલ થતો હતો પણ હું ખાસ એ કહેવા માંગુ છું કે, આવી સ્થિતિનું નિર્માણ ન થાય માટે તમાકુ, માવો, સિગરેટ, ગુટકા જેવા પદાર્થોનું સેવન ન જ કરવું જોઈએ. આ બધા વ્યસનોથી દૂર રહેવું કારણ કે આ વ્યસન હાનિકારક છે. રાજકોટ કેન્સર કેપિટલ બની રહ્યું છે માટે દરેક નારીને મારી વિનંતી છે કે, તેમની આ મુખ્ય જવાબદારી છે તે પોતે અને પોતાના પરિવારને વ્યસનથી દૂર રાખી શકે તેમ છે માટે દરેક સ્ત્રી પોતે વ્યસનથી દૂર રહે અને પરિવારને વ્યસનથી દૂર કરે તેવી મારી અપીલ અને વિનંતી છે. મહિલાઓ વ્યસનથી દૂર રહે તે મારી વિનંતીકલેપ કલેપ કલેપ, બધું જ બદલાઈ રહ્યું છે વર્ષ સાથે. આજના દિવસે મહિલાઓને ખાસ કહેવા માગીશ કે તમે તમારી રહેલી શક્તિને ઓળખો. એવી શક્તિ કે જેને વિશ્વનું નિર્માણ કર્યું છે. મહિલાઓ વ્યસનથી દૂર રહે તે મારી વિનંતી છે. બહેનોમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ ખુબ વધી ગયું છે માટે સમયસર બ્રેસ્ટનું સ્ક્રીનિંગ કરાવવું જોઈએ રેગ્યુલર ચેકપ કરાવવું જોઈએ. મહિલાઓ પોતાની સાથે સાથે પરિવારનું ધ્યાન રાખતી હોય છે માટે ખાસ અપીલ કે બધાનું ધ્યાન રાખવા સાથે સાથે પોતાનું ધ્યાન પણ ચોક્કસ રાખવું જોઈએ.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 6:00 am

જાણો મિડલ ઇસ્ટની લડાઇ તમને કેવી રીતે નડશે?:એક્સપર્ટે કહ્યું- ક્રૂડ ઓઇલ 100 ડોલરને પાર જશે તો જ ભાવ વધશે, દુબઇના બદલે બાલી-થાઇલેન્ડ તરફ વળ્યા ગુજરાતીઓ

જો તમે એમ માનતા હો કે હજારો કિલોમીટર દૂર ઇરાન અને ઇઝરાયલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી મને કંઇ ફેર ન પડે તો તમારી આ માન્યતા ખોટી છે કેમ કે ફક્ત તમારા ખિસ્સાંને જ નહીં પરંતુ તમારી આસપાસના ઉદ્યોગો અને વેપાર ધંધાને પણ મિડલ ઇસ્ટમાં ફાટી નીકળેલા આ યુદ્ધની અસર થશે. ગેસ સિલિન્ડર, ડ્રાયફ્રૂટ્સથી લઇને સુરતના હીરા ઉદ્યોગ અને ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઇન્ડસ્ટ્રી સુધી આ યુદ્ધની અસર થઇ રહી છે. આજની સન્ડે બિગ સ્ટોરીમાં જાણો કે ક્યા ઉદ્યોગના શ્વાસ અદ્ધર થઇ ગયા છે. હજુ તો શનિવારના દિવસનો સૂરજ ઊગી જ રહ્યો હતો કે ત્યાં સમાચાર આવ્યા કે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો થયો છે. સરકારે દેશની તમામ ઓઇલ રિફાઇનરી કંપનીઓને LPG ઉત્પાદન વધારવાનો પણ આદેશ આપ્યો છે. બીજીતરફ અમરેલી, જૂનાગઢ જેવા જિલ્લાઓમાં પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ-ડીઝલ ખરીદવા લાંબી લાઇનો લાગી હતી. યુદ્ધના કારણે પેટ્રોલ-ડીઝલની તંગી સર્જાશે તેવી અફવા ફેલાતા આવી પરિસ્થિતિ ઊભી થઇ હતી. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર એસોસિએશનના ઉપપ્રમુખ મેહુલ પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે, યુદ્ધ લાંબુ ચાલે તો પણ ક્રૂડ ઓઇલનો જથ્થો આપણને મળી રહેશે એટલે તેના માટે પેનિક કરવાની કોઇ જરૂર નથી. ગ્રાહકો કોઇપણ સંજોગમાં પેનિક થઇને ખરીદી ન કરે. જેટલું જરૂરી હોય તેટલું જ પેટ્રોલ ડીઝલ લે. ક્રૂડ ઓઇલ 100 ડોલરને પાર થશે તો જ ભાવ વધશેતેમણે પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાની શક્યતાનો પણ છેદ ઉડાડી દીધો અને જણાવ્યું કે, મારું અંગત ગણિત કહે છે કે પેટ્રોલ-ડીઝલના સપ્લાયમાં કોઇ તકલીફ નથી પડવાની. સરકાર તકેદારી રાખી રહી છે કે લોકોને પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો મળી રહે. જ્યાં સુધી ક્રૂડનો ભાવ 100 ડોલર ઉપર ન વધે ત્યાં સુધી ભારતમાં ભાવ વધારાની શક્યતા પણ નહીંવત છે. આખા દેશ માટે પેટ્રોલ ડીઝલનો ઓછામાં ઓછો 45 દિવસનો જથ્થો પડ્યો છે.મેહુલ પટેલ કહે છે કે, ગુજરાતમાં આશરે 7 હજાર પેટ્રોલ પંપ છે. તેમાં CNG સ્ટેશન પણ આવી જાય. CNGને પણ અસર થઇ શકે છે. દર મહિને આપણો 21.77 લાખ KL (1 KL= 1 હજાર લીટર) લીટર ઉપયોગ છે. હાલમાં મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ તરફથી જે લેટેસ્ટ ન્યૂઝ મળ્યા છે તે પ્રમાણે આખા દેશ માટે આપણી પાસે ઓછામાં ઓછા 45 દિવસનો પેટ્રોલ અને ડીઝલનો રિઝર્વ જથ્થો પડ્યો છે. સાઉદી અરબથી આવતા ક્રૂડ ઓઇલ પર અસર થશેતેમણે આગળ કહ્યું, આ યુદ્ધના કારણે દુનિયાના ઓઇલ અને ક્રૂડ રિઝર્વ પર અસર પડી છે. ભારત તટસ્થ દેશ છે. છેલ્લા કેટલાક સમયથી આપણું મોટા ભાગનું ક્રૂડ રશિયા પાસેથી આવતું હતું. હવે અમેરિકા સાથે એગ્રિમેન્ટ થયો છે એટલે કદાચ અમેરિકા પાસેથી ક્રૂડ આવશે. ભારત સાઉદી અરબ પાસેથી 20થી 25% ક્રૂડ ઓઇલ ખરીદતું હતું. જેના પર કદાચ અસર પડશે. ટુરિઝમ પર અસરઇરાન અને ઇઝરાયલ-અમેરિકા યુદ્ધની અસર દુબઇમાં જોવા મળી હતી. એરપોર્ટ બંધ કરાતા ભારતીયો ત્યાં ફસાયા હતા. જો કે આવી પરિસ્થિતિમાં હવે ગુજરાતથી દુબઇ ફરવા જનારા મુસાફરોમાં પણ થોડો ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. જેથી તેઓ પોતાનું પ્લાનિંગ થોડું મોડું કરી રહ્યાં છે અથવા તો કેન્સલ કરાવી રહ્યાં છે. વર્ષોથી ટુરિઝમ વ્યવસાય સાથે સંકળાયેલા અજય મોદીએ દિવ્ય ભાસ્કરને કહ્યું, અચાનક જે રીતે દુબઇને ટાર્ગેટ કરવામાં આવ્યું તેના કારણે ત્યાંના ટુરિઝમ પર તેની અસર જોવા મળી રહી છે. દુબઇ ફરવા જનારા પ્રવાસીઓમાં ડરનો માહોલ બની ગયો હતો. દુબઇના બદલે બાલી, થાઇલેન્ડનું પ્લાનિંગતેમણે કહ્યું, આવી પરિસ્થિતિમાં ડર લાગે એટલે કેટલાક પર્યટકો દુબઇ જવાને બદલે બાલી, થાઇલેન્ડ સહિતના સ્થળોએ જવાનું પ્લાનિંગ કરી રહ્યાં છે. અમારે ત્યાંથી અમેરિકા અને કેનેડા જનારા લોકોના બુકિંગ છે. તેમને અમે ડાયરેક્ટ દિલ્હી અને મુંબઇથી જ ફ્લાઇટ મળી જાય તે રીતની ટિકિટ બુક કરી આપીએ છીએ. જેથી બીજો કોઇ ઇશ્યુ હજી સુધી આવ્યો નથી. જો આ યુદ્ધ 2 મહિના લાંબુ ચાલ્યું તો ડ્રાયફ્રૂટના ભાવ પણ વધી શકે છે. જો કે હાલમાં પૂરતો જથ્થો છે અને લોકો ગભરાવાની જરૂર નથી. હિરેન ગાંધી IBF (ઇન ગ્લોબલ બિઝનેસ ફાઉન્ડેશન)ના સેક્રેટરી છે. તેમણે ડ્રાયફ્રૂટ, બાસમતી ચોખા અને સિરામિક ઇન્ડસ્ટ્રીના ગેસ સપ્લાય વિશે વાત કરી. ભારતનું ડ્રાયફ્રૂટ માર્કેટ 35 હજાર કરોડનુંહિરેન ગાંધીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, મારી પાસે ઉપલબ્ધ સીએનજીના રિપોર્ટ અનુસાર આપણે દોઢથી પોણા બે લાખ ટન માલ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. ટોટલ ડ્રાયફૂટના વેપારનું માર્કેટ 35 હજાર કરોડનું છે. તેમાંથી 80-90% આપણે આયાત કરીએ છીએ એટલે કે 28 થી 30 હજાર કરોડનું આપણે ઇમ્પોર્ટ કરી રહ્યાં છીએ. યુદ્ધના કારણે મામરો બદામના ભાવમાં વધારો થયો છે. હિરેન ગાંધી કહે છે કે, પહેલાં હોલસેલ માર્કેટમાં મામરો બદામનો ભાવ પ્રતિ કિલોએ 1800થી 2 હજાર રૂપિયા હતો જે હવે પ્રતિ કિલોએ 2800થી 2900 થઇ ગયો છે. મામરો બદામમાં 4થી 5% ઇમ્પોર્ટ હશે. બાકી 95% બદામ અમેરિકાથી આવે છે. જે અમેરિકન બદામ છે. આરોગ્યની દૃષ્ટિએ મામરો બદામ સારામાં સારી હોય છે. ઇરાનના પિસ્તા ડોડી સારા હોય છે. અફઘાનિસ્તાનના અંજીર સારા હોય છે. બદામનું ઇમ્પોર્ટ અમેરિકાથી, અખરોટનું મોટું ઇમ્પોર્ટ ચીલી અને અમેરિકાથી, પિસ્તાનું ઇમ્પોર્ટ ઇરાન તેમજ અમેરિકાથી થાય છે. જલદારૂ ઇરાન, ઇરાક અને UAEથી આવે છે. સાઉદી અરેબિયા અને UAE ખજૂરનું મોટું સપ્લાયર છે. સાઉદી અરેબિયા, યમન અને UAEમાંથી પ્રિમિયમ ખજૂર આવે છે. તેમાં તેમની મોનોપોલી છે. જેની સાથે સ્પર્ધા ન થઇ શકે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં એક્સપોર્ટ-ઇમ્પોર્ટનો ખર્ચ પણ વધ્યો છે. આની પાછળનું કારણ જણાવતાં હિરેન ગાંધીએ કહ્યું કે, ભારતનો 20% વેપાર હોર્મુઝની ખાડીમાંથી અને 35% વેપાર મિડલ ઇસ્ટમાંથી થાય છે. સ્વભાવિક છે કે યુદ્ધના કારણે આ વેપાર ડિસ્ટર્બ થયો છે. ઘણા બધા જહાજ દરિયામાં વેઇટિંગમાં છે. ક્લીયરન્સ વગર પડ્યાં છે. એક્સપોર્ટ-ઇમ્પોર્ટ માટે ભારતે પોતાનો રૂટ બદલવો પડે. જો નવો રૂટ આફ્રિકામાંથી શરૂ થાય તો તે મોંઘો પણ પડે અને માલ પહોંચવામાં મોડું પણ થાય. કંપનીઓએ ભાડાં વધારવાની સાથોસાથ વીમો પણ વધારી દીધો છે જેથી એક્સપોર્ટ-ઇમ્પોર્ટની ચેઇનની કોસ્ટિંગ વધી ગઇ છે. ડ્રાયફ્રૂટના ભાવ હમણાં નહીં વધેભારતમાં દર વર્ષે 30થી 35 હજાર કરોડ રૂપિયાના ડ્રાયફ્રૂટ્સ-નટ્સનું ઇમ્પોર્ટ થાય છે. ઇરાન, સાઉદી અરેબિયા, ઇરાક, UAE, ઓમાન જેવા દેશો મુખ્ય સપ્લાયર છે. તેઓ કહે છે કે, 20મી તારીખ સુધીનો માલ તો આપણી પાસે છે એટલે ડ્રાયફ્રૂટ્સના ભાવમાં બહુ ફેર નહીં પડે. નવું ઇમ્પોર્ટ અત્યારે અટકી જશે. હાલ પૂરતું કોઇ પેનિક નથી કેમ કે હાલ ડ્રાયફૂટની ડિમાન્ડ ઓછી છે. જે ભાવ વધારો આવવાનો હતો તે આવી ગયો છે. હવે કોઇ ભાવ વધારો નહીં આવે. જો આ યુદ્ધ 2 મહિના લાંબુ ચાલ્યું તો ડ્રાયફ્રૂટના ભાવમાં વધારો થવાની શક્યતા છે. હિરેન ગાંધી કહે છે કે, મે-જૂન મહિનામાં ડ્રાયફ્રૂટ્સની ફ્રેશ ખરીદી ચાલુ થશે. જો એ સમયે સપ્યાલ ચેઇન ડિસ્ટર્બ હશે તો ભાડું, પ્રિમિયમ વધશે. ઉપરાંત ડોલરના ભાવની અસર પણ આયાત ખર્ચ ઉપર થશે. ડ્રાયફ્રૂટ્સની માગ શિયાળામાં વધુ હોય છે. રમઝાન મહિનામાં ખજૂરનો વધુ ઉપયોગ થાય છે. જેની ડિમાન્ડ અત્યારે પૂરી થઇ ગઇ છે. આ સ્થિતિમાં ડ્રાયફ્રૂટ્સનો સ્ટોક તો પૂરતો છે એટલે પેનિક થવાની જરૂર નથી. યુદ્ધની અસર ફક્ત ઇમ્પોર્ટ પર જ નહીં પણ એક્સપોર્ટ ઉપર પણ થશે. તેમણે જણાવ્યું કે, આપણા બાસમતી ચોખાનું મોટામાં મોટું ગ્રાહક ઇરાન છે. 6 ખાડી દેશોમાં ભારત બાસમતી ચોખાના 40% એક્સપોર્ટ કરે છે. કિચન મસાલા અને સ્પાઇસિસ પણ ઇરાન અને ખાડી દેશોમાં એક્સપોર્ટ કરીએ છીએ. તેના પર આ યુદ્ધની અસર દેખાશે. એક્સપોર્ટમાં 10 થી 12% ઘટાડો થશે તેવું લાગે છે. તેમણે પ્રજાને અપીલ કરતાં કહ્યું કે, પેનિક થવાની કોઇ જરૂર નથી. છેલ્લા 5-6 વર્ષમાં ભારતે 7-8 દેશો સાથે કરાર કર્યા છે. અમેરિકા સાથે નવી ટ્રેડ ડીલ કરી છે. આ પરિસ્થિતિમાં ઇરાનથી થતાં એક્સપોર્ટ-ઇમ્પોર્ટમાં બહુ ફેર નથી પડતો. ટ્રેડ રૂટ ડિસ્ટર્બ થવાના કારણે આપણા વેપાર-ઉદ્યોગને અસર થઇ છે. હોર્મુઝ સ્ટ્રેટમાં 350થી વધુ જહાજો અટકી ગયાયુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો અટકી જતાં મોરબીના સિરામિક ઉદ્યોગને મળતાં ગેસના પુરવઠા પર અસર થઇ છે.સિરામિક ઇન્ડસ્ટ્રી અંગે તેમણે કહ્યું કે, સિરામિક ઇન્ડસ્ટ્રીનો ગેસ ખાડી દેશોમાંથી ઇમ્પોર્ટ થાય છે. મારા મત પ્રમાણે હોર્મુઝ સ્ટ્રેટમાં ઓછામાં ઓછા 350થી 400 જહાજો અટકી ગયા છે. જેથી મોટાભાગની ઇન્ડસ્ટ્રીનો સપ્લાય બંધ થઇ ગયો છે. ગેસ બહુ સ્ફોટક હોય છે, જો નાનું ડ્રોન પડે તો પણ આખું જહાજ બ્લાસ્ટ થઇ જાય એટલે કોઇ રિસ્ક લેવા તૈયાર નથી. 'સિરામિક ઉદ્યોગનો 90% બિઝનેસ મોરબી આસપાસ છે. આ ઇન્ડસ્ટ્રી માટે ગેસના ઇમ્પોર્ટમાં તકલીફ થઇ છે જ્યારે બીજીતરફ માલ બનાવીને વેચવો હોય તો તે માટેનું વાતાવરણ પર ડિસ્ટર્બ છે. ગેસના સપ્લાયના કારણે અસર થઇ છે તે 100% સાચી વાત છે પણ વિશ્વમાં પહેલેથી ડિસ્ટર્બન્સ તો હતું જ. ટેરિફના પ્રોબ્લેમ્સ હતા. ' તેમણે ચીન અને ઇરાનની સ્ટ્રેટેજી વિશે પણ વાત કરી.તેઓ કહે છે કે, ઇન્ડિયન ઇકોનોમી જેમ એનર્જી પર ડિપેન્ડેબલ છે તેમ ચીન હાઇએસ્ટ ઇમ્પોર્ટ ઇરાનથી અને બીજા દેશોમાંથી કરે છે. ચીન ભલે અત્યારે કોઇ રિએક્શન નથી આપતું પણ ભવિષ્યમાં કંઇક તો રિએક્શન આપશે જ. અત્યારે બધા દેશો ઇરાન વિરૂદ્ધ છે અને અમેરિકા સક્ષમ છે. ખાડી દેશો થોડા સ્ટ્રોંગ થયા છે. મને એવું દેખાય છે કે નજીકના સમયમાં કોઇ ઉકેલ આવશે. આવી સ્થિતિ લાંબો સમય નથી રહેવાની. 'ઇરાન ગમે ત્યાં હુમલો કરે છે. ખાડી દેશોમાં રહેલા અમેરિકાના સૈન્ય બેઝ પર હુમલો કરે તો આખા વિશ્વની સપ્લાય ચેઇન ડિસ્ટર્બ થઇ જાય અને અમેરિકા-ઇઝરાયલ પર યુદ્ધ અટકાવવાનું પ્રેશર બને. આ જિઓપોલિટિકલ ટેન્શન છે, 3 દેશો વચ્ચેની લડાઇ છે. ભારત ફક્ત ગલ્ફ કન્ટ્રી કે ઇરાનમાંથી જ ઓઇલ ઇમ્પોર્ટ કરે છે તેવું નથી. આપણે કુલ 40 દેશોમાંથી ઓઇલ ઇમ્પોર્ટ કરીએ છીએ. જેથી બીજા વિકલ્પો તપાસી રહ્યાં છે.' મિડલ ઇસ્ટના યુદ્ધની અસર ગુજરાતના હીરા ઉદ્યોગ પર થઇ છે. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન સાથેનું એક્સપોર્ટ-ઇમ્પોર્ટ અટકી ગયું છે. ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડિયાએ યુદ્ધ પુરૂં થયા બાદ હીરાની ડિમાન્ડ વધતાં ઘરે ઘરે રત્ન કલકારને શોધવા જવા પડશે તેવી આશા વ્યક્ત કરી છે. રફ ટ્રેડિંગનું સૌથી મોટું માર્કેટ દુબઇતેમણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, સુરતની વાત કરીએ તો જેમ્સ એન્ડ જવેલરી સેક્ટર સાથે ડાયરેક્ટ 8થી 10 લાખ લોકો જોડાયેલાં છે. સમગ્ર ગુજરાતમાં લગભગ 17થી 18 લાખ લોકો જોડાયેલા છે. કટ એન્ડ પોલીશ નેચરલ ડાયમન્ડના લેબર વર્ક માટેનું રો મટિરિયલ રશિયા, આફ્રિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાંથી સપ્લાય થાય છે. મુખ્યત્વે રશિયાનો ફાળો છે, જે 30% જેટલો છે.ડીટીસી (ડાયમંડ ટ્રેડિંગ કંપની)નો સપ્લાય પર 45% કન્ટ્રોલ છે. અત્યારે દુબઇ રફ ટ્રેડિંગ માટેનું સૌથી મોટું માર્કેટ બન્યું છે એટલે અત્યારે રો મટિરિયલનું મેઇન સપ્લાયર દુબઇ છે. 6 મહિનામાં આખા વર્ષ જેટલું એક્સપોર્ટદુબઇમાં હીરાનો સારો કારોબાર છે. એપ્રિલ-2024થી માર્ચ-2025ની વાત કરીએ તો 7868.16 મિલિયન ડોલરનું આપણું એક્સપોર્ટ હતું. ચાલુ વર્ષની વાત કરીએ તો એપ્રિલ-2025થી ફેબ્રુઆરી-2026 સુધીમાં 7680 મિલિયન ડોલરનું એક્સપોર્ટ કર્યું છે. ગયું આખું વર્ષ જેટલું એક્સપોર્ટ કર્યું તેટલું એક્સપોર્ટ આ 6 મહિનાના ક્વાર્ટરમાં જ કરી દીધું છે. દુબઇથી જે રફ હીરા ઇમ્પોર્ટ થાય છે તે એપ્રિલ-2024થી માર્ચ-2025 સુધીમાં 11 હજાર 51.38 મિલિયન ડોલરનું હતું અને એપ્રિલ-2025થી ફ્રેબ્રુઆરી-2026 સુધીમાં 9151 મિલિયન ડોલરનું ઇમ્પોર્ટ હતું. ગોલ્ડ અને રફ ડાયમંડનું ઇમ્પોર્ટ ત્યાંથી વધુ થાય છે. નાવડિયાએ જણાવ્યું કે, આ યુદ્ધની અસર ચોક્કસપણે આપણને થશે. રફ હીરાનું ઇમ્પોર્ટ અને કટ એન્ડ પોલીશનું એક્સપોર્ટ વાયા દુબઇ, કતાર અથવા કુવૈત થાય છે. મોટાભાગે દુબઇથી રફ હીરાનું ઇમ્પોર્ટ થાય છે, બાકી યુરોપિયન દેશો જેવા કે બેલ્જિયમ અને બોસ્વાનામાંથી પણ ઇમ્પોર્ટ થાય છે. ત્રણેય દેશો સાથેનું એક્સપોર્ટ-ઇમ્પોર્ટ અટકી ગયું'હું માનું છું કે આ યુદ્ધના કારણે આપણને અસર ચોક્કસ થઇ છે. જે લોકો ચીન પાસેથી ખરીદી કરતાં તે ભારત તરફ વળ્યાં છે એટલે આપણું માર્કેટ અત્યારે ગ્રો કરે છે પણ જો યુદ્ધ લાંબું ચાલશે તો તેની નેગેટિવ ઇફેક્ટ ડાયમંડ ઇન્ડસ્ટ્રી પર ચોક્કસ પડશે જ. ઇઝરાયલ, ઇરાન અને અમેરિકા સાથે જે એક્સપોર્ટ-ઇમ્પોર્ટ થાય છે તે 100% અટકી ગયું છે. છેલ્લાં 2 દિવસના ન્યૂઝ રિપોર્ટ જોઇએ તો ઇરાન તેલ અવીવ પર મિસાઇલ હુમલા કરી રહ્યું છે. જેથી ત્યાંનું માર્કેટ ડિસ્ટર્બ થયું જ હોય.' જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની ખપતનું સૌથી મોટું માર્કેટ અમેરિકા છે. વિશ્વનું 75% માર્કેટ એકલું અમેરિકા છે. અમેરિકાનું ટોટલ માર્કેટ 90 બિલીયન ડોલરનું છે. ઇઝરાયલ સાથે પણ સારો વેપાર થાય છે. એપ્રિલ-2024થી માર્ચ-2025 સુધીમાં ઇઝરાયલમાં આપણું એક્સપોર્ટ 548.87 મિલિયન ડોલર હતું. અમેરિકન ટેરિફમાં રાહત થતાં અને બાકીના ઓપ્શન મળતાં એપ્રિલ-2025થી ફેબ્રુઆરી-2026 સુધીમાં ઇઝરાયલમાં 514 મિલિયન ડોલરનું એક્સપોર્ટ કર્યું હતું. ગયા આખા વર્ષમાં જે એક્સપોર્ટ કર્યું તે આ વર્ષે 6 મહિનામાં જ કરી દીધું છે. ઇઝરાયલના લોકો જે હીરાની ચીનમાંથી ખરીદી કરતા તેને પણ યુદ્ધની અસર થઇ છે. દિનેશ નાવડિયાએ કહ્યું, નેચરલ ડાયમંડના ફેન્સી કલરનું સૌથી મોટું માર્કેટ ઇઝરાયલમાં છે. સોલિટેડ ડાયમંડ (ઉચ્ચ ગુણવત્તાવાળા હીરા)નું ખૂબ સારૂં માર્કેટ પણ ત્યાં છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી યહૂદી પ્રજા ચીનમાંથી ખૂબ સારી ખરીદી કરતી. તેમનું વર્લ્ડ વાઇડ માર્કેટિંગ પણ ખૂબ સારૂં હતું. યુદ્ધના કારણે તેમાં પણ ડિસ્ટર્બન્સ થયું છે. 'દુબઇ એરપોર્ટ ચાલુ છે. અત્યારે 3 દિવસથી મુંબઇ-દુબઇની ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ચાલુ છે. કાર્ગોના પાર્સલ આવવા લાગ્યા છે અને અહીંથી જવા પણ લાગ્યા છે. દુબઇની સરકાર અત્યારે બહુ સ્ટ્રોંગ છે. તેમણે ત્યાં ઔદ્યોગિક મુવમેન્ટ ચાલુ કરી દીધી છે. એ આપણાં માટે રાહતના સમાચાર છે.' લેબગ્રોન ડાયમંડનું માર્કેટ વધ્યુંભારતમાં લેબગ્રોન ડાયમંડનું નવું માર્કેટ ઊભું થયું છે. લેબગ્રોન ડાયમંડનું 70થી 75% મેન્યુફેક્ચરિંગ ભારતમાં થાય છે. કામદારો માટે કામના નવા રિસોર્સ ઊભા થયા છે. લોકો ઘરે ઘરે રત્ન કલાકારો શોધવા જશેતેઓ કહે છે કે, ટેરિફ હટવાના કારણે નેચરલ ડાયમંડની ડિમાન્ડ વધતી જતી હતી સાથે લેબગ્રોન ડાયમંડ પણ ધીરે ધીરે ગ્રોથ પર છે. હું તો વર્કર માટે એવું જોઇ રહ્યો છું કે તેમના માટે સુવર્ણ કાળ આવશે. યુદ્ધ પૂરૂં થયું અને ડિમાન્ડ વધી તો આપણી પાસે વર્કફોર્સ તો એટલો જ છે. લોકો ઘરે ઘરે કારીગરો ગોતવા માટે જશે. આ પરિસ્થિતિ હું જોઇ રહ્યો હતો ત્યાં યુદ્ધ આવી ગયું એટલે થોડું અટક્યું પણ યુદ્ધ લાંબુ નહીં ચાલે એવું બધાં લોકો અનુમાન કરી રહ્યાં છે. તેમણે રત્ન કલાકારો માટે જણાવ્યું હતું કે, હું ચોક્કસથી કહીશ કે તેમના માટે સારો પીરિયડ આવી રહ્યો હતો પણ એક વિધ્ન આવ્યું છે. આપણે સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ કે આ વિધ્ન તાત્કાલીક દૂર થાય. અત્યારે ગ્રાહકો માટે પણ ગોલ્ડન પીરિયડ છે. નેચરલ ડાયમંડ, લેબગ્રોન ડાયમંડની પ્રાઇઝ એકદમ ડાઉન છે. આ પરિસ્થિતિમાં કોઇ ગ્રાહક એમ ઇચ્છે કે મારે નેચરલ ડાયમંડની જ્વેલરી કે લેબગ્રોન ડાયમંડની જ્વેલરી પહેરવી છે તો તેના માટે આ સારો મોકો છે.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 6:00 am

કેરીસિલ મેરેથોન માટે 5 હજાર લોકોએ નોંધણી કરાઈ:ભાવનગરમાં બોલિવૂડ અભિનેત્રીઓની હાજરીમાં કેરીસિલ મેરેથોન દોડ યોજાશે

ભાવનગરના આંગણે બોલિવૂડની સેલિબ્રિટીઓની ઉપસ્થિતિ વચ્ચે રવિવારે વહેલી સવારે કેરીસિલ મેરેથોન યોજાનાર છે, જેના માટે અત્યાર સુધીમાં 5000થી વધુ લોકો નોંધણી કરાવી ચૂક્યા છે. આ મેરેથોનના રેસ ડિરેક્ટર લિહાસ ત્રિવેદીના જણાવ્યા મુજબ,દોડ માટે 3 કિ.મી., 5 કિ.મી., 10 કિ.મી. અને 21.5 કિ.મી. જેવા અલગ-અલગ રૂટ રાખવામાં આવ્યા છે. જવાહર મેદાન ખાતેથી વહેલી સવારે 4.30થી સ્પર્ધા શરૂ થઇ જશે અને 9.30 કલાક સુધી અલગ અલગ સ્પર્ધા ચાલશે. તમામ રૂટ પર દોડવીરો માટે હાઈડ્રેશન સુવિધા ઉપલબ્ધ રહેશે. દોડવીરોની સુરક્ષા અને આરોગ્યને ધ્યાનમાં રાખીને તમામ રૂટ પર મેડિકલ પોઇન્ટ રાખવામાં આવ્યા છે અને દોડવીરોને મદદ કરવા માટે 50 ફિઝિઓથેરાપિસ્ટ પણ હાજર રહેશે. સાથે સાથે 3 ICU on Wheel ની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. આ મેરેથોનમાં અત્યાર સુધીમાં 5000 થી વધુ લોકો નોંધણી કરાવી ચૂક્યા છે. ભારતના વિવિધ રાજ્યો જેમ કે આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાંથી પણ દોડવીરો આ મેરેથોનમાં ભાગ લેવા માટે ભવનગર આવી રહ્યા છે. ભાવનગરના ઈતિહાસમાં પ્રથમ વખત આ મેરેથોનમાં જાણીતી અભિનેત્રીઓ ઈશા દેઓલ, કરિશ્મા તન્ના અને ડાયના પેન્ટી તેમજ આર.જે. મેઘા ઉપસ્થિત રહેશે. નાગરિકોના સ્વાસ્થ્યને મેરેથોન સાથે જોડાયુકેરીસિલ લિમિટેડના સીએમડી ચિરાગ પારેખના મતે, ભાવનગરના લોકો કોઇપણ સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા રહે, સ્વસ્થ રહે અને શહેરને પણ સ્વચ્છ રાખે તેવા હેતુથી કેરીસિલ લિમિટેડ દ્વારા મેરેથોન દોડનું આયોજન કરાયું છે.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 5:59 am

નિમણૂક:કોર્પોરેશનના 11મા વહીવટદાર તરીકે આઈએએસ હર્ષદ પટેલ

ભાવનગર મહાનગરપાલિકાની વર્તમાન ટર્મની આગામી 9મી માર્ચ અંતિમ દિવસ છે, જેથી 10 ની માર્ચ પછીથી જ્યાં સુધી નવી બોડી આવે નહીં ત્યાં સુધી સરકારે ભાવનગર કોર્પોરેશનના એડમિનિસ્ટ્રેટર તરીકે પૂર્વ કલેકટર અને રાજ્ય સરકારના સેક્રેટરી આઈએએસ હર્ષદકુમાર પટેલની નિયુક્તિ કરી છે. ભાવનગર કોર્પોરેશનના ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓની આગામી 9મી માર્ચે મુદ્દત પૂર્ણ થશે. 9મી માર્ચે વર્તમાન સભ્યોની અંતિમ સાધારણ સભા મળશે. ત્યારબાદ કોર્પોરેશનની ચૂંટણી યોજાયા બાદ પ્રથમ સાધારણ સભા સુધી એડમિનિસ્ટ્રેટર તરીકે હર્ષદકુમાર પટેલની રાજ્ય સરકાર દ્વારા નિયુક્તિ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીએ છે કે, આઈએએસ હર્ષદકુમાર પટેલ હાલમાં સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી તરીકે છે. જેઓ ભાવનગર કલેકટર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. ભાવનગર કોર્પોરેશનમાં 1982 થી 2026 સુધીમાં કુલ 10 વહીવટદારો નિયુક્ત થયા હતા અને હવે હર્ષદ પટેલ 11 મા વહીવટદાર આવશે. જેથી ભાવનગર કોર્પોરેશનમાં કમિશનર તરીકે આઈએએસ ઓફિસર ડો. નરેન્દ્રકુમાર મીના અને વહીવટદાર તરીકે આઈએએસ હર્ષદ પટેલ ફરજ બજાવશે.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 5:57 am

વેધર રિપોર્ટ:ગરમીમાં વધઘટ, શહેરમાં બપોરે તાપમાન વધીને 35 ડિગ્રી થયુ

ભાવનગર શહેરમાં ગરમીમાં વધઘટ થઇ રહી છે. માર્ચના પ્રથમ સપ્તાહના અંતે મહત્તમ તાપમાન વધીને 35 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા બપોરે ગરમી વધી છે. જ્યારે રાત્રે ઉષ્ણતામાન ઘટીને 20.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. પવનની ઝડપ પણ ઘટીને આજે 6 કિલોમીટરથી 8 કિલોમીટર નોંધાઇ હતી. આગામી દિવસોમાં ગરમીનો પારો ઉચકાતા બપોરે તાપમાન પુન: 37 ડિગ્રી સેન્ટીગ્રેડ થાય તેવી શક્યતા છે. આજે લઘુત્તમ ઉષ્ણતામાન ઘટ્યું હતુ. 24 કલાક અગાઉ શહેરમાં રાતનું ઉષ્ણતામાન 21.2 ડિગ્રી હતુ તે આજે ઘટીને 20.8 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ. આજે બપોરનું તાપમાન સામાન્યથી 1.5 ડિગ્રી વધુ નોંધાયુ હતુ જ્યારે રાતનું તાપમાન પણ 1.3 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયુ હતુ. ખાસ તો ઉત્તર પશ્ચિમ દિશાના પવનની ઝડપ પણ ઘટી ગઇ હતી. આજે સવારે પવનની ઝડપ 8 કિલોમીટર હતી તે સાંજે વધુ ઘટીને 6 કિલોમીટર નોંધાઇ હતી. બપોરે તાપમાનમાં વધઘટ રાત્રે તાપમાનમાં વધઘટ

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 5:56 am

સન્ડે બિગ સ્ટોરી:ઈલેકશન હોય કે સિલેકશન, એક જ સૂર, રાજકીય હાથો નહીં મહાજનનો બુલંદ અવાજ બને ચેમ્બર

ભાવનગરના વેપારીઓ અને ઉદ્યોગ ધંધાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે બનેલું સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ છેલ્લા લાંબા સમયથી મહાજનનો અવાજ નહીં પરંતુ રાજકીય હાથો બની ગયું છે. ત્યારે આગામી 21મી માર્ચે યોજાનાર ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં ઇલેક્શન થાય કે સિલેક્શન તેમાં મહાજનોને રસ નથી, પરંતુ તેઓની સમસ્યાઓ અને ભાવનગર શહેરના ઉદ્યોગ ધંધાના વિકાસ માટે ચેમ્બર તટસ્થ રીતે સ્ટેન્ડ લે તેવી મહાજનોમાં માંગ ઉઠી છે. ભાવનગરના મહાજનોના પ્રતિનિધિઓના સંગઠન એવા સૌરાષ્ટ્ર ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની મેનેજિંગ કમિટી અને પ્રમુખ ઉપપ્રમુખની બે વર્ષની આગામી 30મી જૂનના રોજ મુદ્દત પૂર્ણ થાય છે. પરંતુ ચેમ્બરની કાર્યપદ્ધતિ મુજબ ત્રણ મહિના અગાઉ ચૂંટણી કરવામાં આવશે. શહેરના જુદા જુદા ક્ષેત્રના વેપારીઓ અને ઉદ્યોગ ધંધા સાથે સંકળાયેલા 1100થી વધું સભ્યો ચેમ્બર ઓફ કોમર્સ સાથે જોડાયેલા છે. તેમના પ્રતિનિધિઓ તરીકેના મેનેજિંગ કમિટીના સભ્યો તેમજ પ્રમુખ, ઉપપ્રમુખની આગામી 21મી માર્ચના રોજ ચૂંટણી યોજાનાર છે. આગામી 9મી માર્ચે ફોર્મ ભરવાના અંતિમ દિવસે દાવેદારોના ફોર્મ ભરાશે. જોકે, 12મી માર્ચના રોજ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ચેમ્બરની પ્રણાલી મુજબ સેક્રેટરી હોય તે ઉપપ્રમુખ પદે અને ઉપપ્રમુખ હોય તે પ્રમુખ પદે ચૂંટણી વગર નિયુક્ત કરતા હોય છે. અને ચૂંટણી નહીં કરવા માટેના જ સતત પ્રયાસો રહેતા હોય છે. મેનેજિંગ કમિટીમાં જે સભ્ય સંખ્યા ગત ટર્મ સુધી 30ની હતી, તે આ વખતે 40 ની થઈ ગઈ છે. ભાવનગરના વેપારીઓ અને ઉદ્યોગકારોને ચૂંટણી કે બિનહરીફમાં રસ નથી, પરંતુ તેઓના પ્રશ્નો અને સમસ્યાનો ખોખારો ખાઈ રાજ્ય કે કેન્દ્ર સરકાર સુધી અવાજ પહોંચાડે તેવા સંગઠનની આવશ્યકતા છે. છેલ્લા લાંબા સમયથી ચેમ્બર ઓફ કોમર્સ રાજકીય હાથો બની રઔપચારિકતા વચ્ચે રાજકીય આગેવાનોના સન્માન અને જીહજુરીમાં વ્યસ્ત રહે છે. ત્યારે રાજકીય આગેવાનો અને પ્રજાના પ્રતિનિધિઓ સામે આંખ ઉંચી કરી ભાવનગરના અનેક પડતર પ્રશ્ન નિરાકરણ સુધી પહોંચાડે તેવી મહાજનોમાં પ્રબળ માંગ ઉઠી છે. નેતાઓની લાજ કાઢવાથી ઉદ્યોગોનું હિત જોખમમાં, આટલી રજૂઆત નજરઅંદાજસૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ભાવનગરના જુદા જુદા પ્રશ્ને સરકારમાં રજૂઆત કરાઈ છે. પરંતુ નેતાઓની લાજ કાઢવાના કારણે આ રજૂઆતો માત્ર ઔપચારિક બની રહે છે, સરકાર હૈયાધારણા આપે એટલે બેસી જાય છે. માઢીયા GIDCમાં વ્હીકલ સ્ક્રેપ યાર્ડ બનાવવું, ખેતા ખાટલીમાં 10 લાખ ચોરસ મીટર જગ્યામાં કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ બેઝ GIDCની સ્થાપના, પોર્ટ ડેવલોપમેન્ટ, નિયમિત કનેક્ટિવિટી સહિતના મુદ્દા સરકારે નજરઅંદાજ કર્યા છે. ફ્લાઇટ, GIDC, GST સહિતના પ્રશ્ને રજૂઆત કરી હતીભાવનગર તથા સમગ્ર સૌરાષ્ટ્રના વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રના પ્રશ્નોને પ્રાથમિકતા આપી ચેમ્બર દ્વારા ભાવનગરમાં એર કનેક્ટિવિટી. જીએસટી, પોર્ટ, ધોલેરા અને જીઆઇડીસી સહિતના વિવિધ પ્રશ્ને રજૂઆતો કરાઈ હતી. ચેમ્બર દ્વારા વેપારીઓ અને ઉદ્યોગકારોના હિતોને ધ્યાનમાં રાખી વિવિધ સરકારી વિભાગો સાથે સંવાદ સાધવામાં આવ્યો છે. > પ્રકાશભાઈ ગોરસીયા, પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ કનેક્ટિવિટી, નવા ઉદ્યોગ માટેના નિષ્ફળ પ્રયત્નોભાવનગર શહેરમાં નવા ઉદ્યોગ ધંધા આવે અને ખાસ કરીને કનેક્ટિવિટી મળી રહે તે માટે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રયત્ન હોવા જોઈએ. છેલ્લા ઘણા સમયથી ભાવનગરમાં કોઈ નવા ઉદ્યોગ ધંધા શરૂ તો થતા નથી પરંતુ છે તે પણ બંધ થતા જાય છે. તેમજ હવાઈ અને રેલવે કનેક્ટિવિટીના પણ પ્રશ્ન કાયમી ઉકેલ આવ્યો નથી. છ ઉદ્યોગકારો અને વેપારીઓ અપુરતી હાજરીના કારણે ડિસક્વોલિફાઈડ થઈ શકે છેચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીમાં યોજાતી બેઠકો દરમિયાન સભ્યોને ફરજિયાત 50% હાજરી હોવી જોઈએ. પરંતુ વર્તમાન મેનેજિંગ કમિટીમાં નિયમ મુજબ મિટિંગમાં 50% હાજરી નથી તેવા બે થી ત્રણ ઉદ્યોગકારો અને ચારથી પાંચ વેપારીઓ ડિસક્વોલિફાઈડ થઈ શકે છે. જેઓ સભ્યપદ ગુમાવશે.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 5:55 am

મહિલા દિન વિશેષ:પતિને કેન્સર મટાડીને લેખિકા અને મોટીવેશનલ સ્પીકર બન્યા

કેન્સર બીમારીનું નામ સાંભળીને ભલભલાને ડર લાગી જાય, પરંતુ હવે સમાજમાં એવા કેટલાય વ્યક્તિઓ એવા જોવા મળે છે કે જે આ બીમારીનો સામનો કરીને પોતે પણ કેન્સરને હરાવી દે છે અને બીજાને પણ હરાવી દેવામાં મદદરૂપ થાય છે.આવા જ એક વ્યક્તિ ભાવનગરના વર્ષાબેન જાની છે. જોકે તેમને પોતાને નહીં પણ તેમના પતિ નિલેશભાઈને કેન્સરની બીમારી હતી. પરંતુ વર્ષાબેને તેમને તો ઉગારી જ લીધા ઉપરાંત હવે કેન્સર પીડિતોને બચાવવા સાથે પોતે રચનાત્મક માર્ગે વળીને લેખક અને મોટીવેશનલ સ્પીકર બની ગયા છે.તેઓ એક એવા સંઘર્ષશીલ મહિલા છે કે જેમણે વિપરીત પરિસ્થિતિમાં અનેક સંઘર્ષો વચ્ચે પોતે સફળતાનો માર્ગ બનાવ્યો છે. ભાવનગરના મહિલા લેખિકાઓમાં અને કવિયત્રીઓમાં વર્ષાબેનનું નામ સંઘર્ષશીલ નારી તરીકે આદરથી લેવામાં આવે છે. તેમણે સંસ્કૃત અને ગુજરાતી વ્યાકરણના પુસ્તકો લખવા સાથે કેન્સરથી બચી પણ શકાય છે અને તેને મટાડીને અટકાવી પણ શકાય છે તે પ્રકારે પુસ્તકો લખીને સન્માનો મેળવ્યા છે.15 વર્ષ પહેલા જ્યારે પતિને આ પ્રકારની બીમારીની જાણ થઈ ત્યારે તેમણે હારીને થાકવાને બદલે લડવાનો રસ્તો પસંદ કર્યો અને હિંમતપૂર્વક સામનો કરીને પતિને બચાવી લીધા છે.એ વાતને પણ આજે એક દસકો થઈ ગયો છે. તેઓ માત્ર એ રીતે જ સફળ નથી થયા પરંતુ પોતાની કારકિર્દી પણ સુંદર રીતે ઘડી છે.હાલ તેઓ કોઈને પણ કેન્સર થાય તો તેમના કાઉન્સેલિંગ માટે વિના મૂલ્ય સેવા આપે છે અને સાથે સાથે મોટીવેશનલ સ્પીકર તરીકે તેમના વક્તવ્ય ગોઠવાતા રહે છે.એક નારી કઈ રીતે સબળા બની શકે તેનું ઉત્તમ ઉદાહરણ વર્ષાબેન જાની છે. પ્રથમ પુસ્તક છપાવવા માટે પૈસા નહોતા..એક સમયે પુસ્તકોનું લખાણ તો તૈયાર કરી દીધું હતું પરંતુ તેને છપાવવા માટેનો ખર્ચ પરવડે તેમ નહોતો.એ તેમનું પહેલું પુસ્તક હતું પરંતુ દાતાઓના માધ્યમથી પ્રથમ પુસ્તક પ્રકાશિત થયું અને પછી તેમની કલમ અટકી નથી. બાળપણથી જ તેમને લેખન અને કલામાં રસ રુચિ હતા.ધોરણ નવમાં સૌ પ્રથમવાર કવિતા લખેલી અને કોલેજકાળ દરમિયાન સૌ પ્રથમ લઘુ કથા લખી હતી. પછી ઘરની જવાબદારીઓ અને તેમના પતિને કેન્સરની બીમારીને કારણે વચ્ચેનો સમય ગાળો મુશ્કેલીરૂપ બન્યો હતો.પરંતુ તે મુશ્કેલીઓને તેમણે રચનાત્મક માર્ગે વાળીને આજે લેખિકા તરીકેનું સ્થાન મેળવી લીધું છે

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 5:54 am

ભાસ્કર એક્સક્લુસિવ:મહિલા ITI સહિત પાંચ ITI હાઇટેક બનાવાશે, મજૂરાગેટ બનશે હબ

આજે વિશ્વ મહિલા દિવસ છે, ત્યારે સુરતની દીકરીઓ માટે ટેકનિકલ શિક્ષણના ક્ષેત્રમાં સુવર્ણ યુગના મંડાણ થયા છે. કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી PM SETU યોજના હેઠળ સુરત જિલ્લાની 5 સરકારી ITI પસંદગી કરાઇ છે. આ પ્રોજેક્ટ હેઠળ મજુરાગેટ ITI ને ‘હબ’ બનાવાશે. જ્યારે તેની સાથે સંકલન કરી ભીમરાડ મહિલા ITI, સચિન મહિલા ITI, હજીરા ITI અને બારડોલી ITI ‘સ્પોક’ સંસ્થાઓ તરીકે કાર્યરત રહેશે. આ પાંચેય ITI હવે ‘આત્મનિર્ભર ભારત’ની આધુનિક વર્કશોપ તરીકે ઓળખાશે. વર્ષો જૂના અભ્યાસક્રમોને સ્થાને સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ, ડ્રોન ટેકનોલોજી અને રોબોટિક્સ જેવા નવા 10 કોર્સ શરૂ કરાશે. ઉદ્યોગો સાથે આ સંસ્થાઓ જોડાઈને વિદ્યાર્થીઓને ‘રેડી-ટૂ-વર્ક’ ટ્રેનિંગ આપશે. શું છે PM SETU યોજના?કૌશલ્ય વિકાસ માળખાને વૈશ્વિક સ્તરનું બનાવવા ‘પીએમ સેતુ’ યોજના માટે 60 હજાર કરોડનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે. આ યોજના હેઠળ દેશમાં ‘હબ એન્ડ સ્પોક’ મોડેલ અમલી બનશે, જેમાં પસંદગીની સંસ્થાઓને અત્યાધુનિક લેબ્સ સાથે સજ્જ કરવામાં આવશે. મારા કામની વાત વિદ્યાર્થીઓને શું સીધો ફાયદો થશે?

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 5:48 am

ગેરકાયદેસર બાંધકામનો મામલો ગરમાયો:15 દિવસ મેયર-કમિશનરે દબાણો દૂર કરાવ્યા, ફરી ‘જૈસે થે’ થઈ ગયું

મહાપાલિકા ખાતે શનિવારે સંકલન બેઠકમાં ગેરકાયદેસર બાંધકામોના મુદ્દે ભારે હોબાળો થયો હતો. કરંજ વિસ્તારના ધારાસભ્ય પ્રવીણ ઘોઘારીની ઉગ્ર રજૂઆત બાદ મહાપાલિકા કમિશનર એક્શન મોડમાં આવી જવાબદાર કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવા તેમજ ગેરકાયદે બાંધકામો તોડી પાડવા પણ સૂચના આપી છે. અગાઉ મેયર-કમિશનરે દબાણો દૂર કર્યા હતા, ફરીથી ‘જૈસે થે’ થઈ ગયું. રેસિડેન્સિયલ ઝોનમાં ઇન્ડસ્ટ્રી બની જાય છે : કાનાણીવરાછા ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, રેસિડેન્શિયલ ઝોનમાં જે ઇન્ડસ્ટ્રિયલ બની જાય છે ગોડાઉનો બની જાય છે તેથી ત્યાં રહેતાં લોકો ની હાલત કફોડી થાય છે તેથી તાત્કાલિક ધોરણે બંધ થવું જોઈએ અને રેસિડેન્ટ સોસાયટીઓમાં બનેલી ઇન્ડસ્ટ્રિઝ સામે કડક કાર્યવાહી કરાવી જોઈએ. જ્યારે વરાછાથી સરથાણા બ્રિજ નીચે ફરી દબાણો,ન્યૂશન્સ ખડકાઈ ગયા હોવાની રજુઆતો કરી હતી. બસ ચાલકો બેફામ, ફોન પર વાત કરતા બસ ચલાવે છેસુરત ઉત્તરના ધારાસભ્ય કાંતિ બલરે જણાવ્યું હતું કે, બીઆરટીએસ રૂટો પર બેફામ બસ ચલાવાય છે ડ્રાઈવરો ડ્રાઈવિંગ કરતાં ફોન પર વાતો કરતા હોય છે. તેમના વિસ્તારમાં ટ્રાફિક દબાણો વધી ગયા નો પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમજ ગાર્ડનોમાં સિક્યુરિટી ગાર્ડ અસામાજિક તત્ત્વોને ગાર્ડનોમાં દારૂ પીવા દે છે. તેના બદલામાં પોતાનો હિસ્સો લઈ લે છે.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 5:43 am

અવરોધરૂપ મકાનો હટાવાશે:MMTH પ્રોજેક્ટમાં નડતા 300 મકાનો તોડવામાં આવશે

મહાનગરપાલિકા દ્વારા સુરત રેલવે સ્ટેશન રિ-ડેવલપમેન્ટ અંતર્ગત બની રહેલા મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ (MMTH) પ્રોજેક્ટને આગળ વધારવા માટે અવરોધરૂપ બાંધકામો દૂર કરવાની કાર્યવાહી સાથે અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ ફાળવવાની તૈયારી હાથ ધરાઈ છે. આ માટે પાલિકા ખાસ પોલિસી બનાવશે જેથી પ્રોજેક્ટથી અસર પામતા કુટુંબોને પાલિકા સંચાલિત અલથાણ, ગોટાલાવાડી અને આંજણા ટેનામેન્ટમાં ઉપલબ્ધ વધારાના આવાસો નક્કી ભાવે ફાળવી શકાશે. પાલિકાના એફોર્ડેબલ હાઉસિંગ સેલે કહ્યું કે, MMTH પ્રોજેક્ટ માટે સંપાદન કરાયેલી જમીનમાં હાલમાં લગભગ 300 મકાનો અવરોધરૂપ હોવાનું સર્વે દરમિયાન સામે આવ્યું છે. પ્રોજેક્ટના અમલ દરમિયાન અસરગ્રસ્તોને સુરત મહાનગરપાલિકા પાસે વિવિધ રી-ડેવલપમેન્ટ ટેનામેન્ટમાં ઉપલબ્ધ વધારાના આવાસોમાં સ્થાન આપવા SITCO દ્વારા માંગ કરાઈ હતી. જરૂર પડી તો પાલિકા અસરગ્રસ્તોને અલથાણ, ગોતાલાવાડી અને આંજણામાં મકાન ફાળવશે.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 5:42 am

બેંક ખાતા ફ્રિઝ મામલે નવી SOP:સાયબર ક્રાઈમમાં એફઆઇઆર વિના પોલીસ બેન્ક ખાતુ ફ્રિઝ નહીં કરી શકે

કેન્દ્રના મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા સાયબર ફ્રોડના કેસોમાં બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા મામેલ નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરી છે. જીજેઈપીસીના ચેરમેન જયંતી સાવલિયા અને ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટીટ્યુટના ચેરમેન દિનેશ નાવડિયાએ કહ્યું હતું કે, ‘ઘણી વખત સાયબર ફ્રોડની ચેઇન ટ્રાન્ઝેક્શનના કારણે નિર્દોષોના ખાતા ફ્રીઝ થઈ જતા હતા. નવી SOPથી હવે માત્ર શંકાસ્પદ રકમ પર હોલ્ડ મુકાતા દૈનિક ટ્રાન્ઝેક્શન ચાલુ રાખી શકાશે.પારદર્શક પ્રક્રિયાથી ડિજિટલ પેમેન્ટમાં લોકોનો વિશ્વાસ વધશે. ભાસ્કર એનાલિસીસ

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 5:41 am

શર્મજનક ઘટના પ્રકાશમાં આવી:‘પોલીસ ફરિયાદ કરી છે તો દીકરીના ન્યૂડ ફોટો વાઇરલ કરી સગપણ તોડાવી નાખીશ,’ કહી સગા મોટા કાકીની ધમકી

શહેરમાં પારિવારિક સંબંધોમાં આશ્ચર્ય પમાડે એવી એક શર્મજનક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં શહેરના વિમલનગર વિસ્તારમાં રહેતા એક મુસ્લિમ પરિવારની દીકરીના જૂનાગઢ રહેતા સગા મોટા કાકીએ જ દીકરીની બદનામી કરતા ફોટો કુટુંબમાં ફરતા કરી દીધા હતા. મામલો થાણે પહોંચતા જૂનાગઢમાં રહેતા દંપતી વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. આ બનાવમાં શહેરના વિમલનગર મેઈન રોડ પાસે રહેતા અને બેંકમાં નોકરી કરતા પ્રૌઢે યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે તેના જ સગા મોટા ભાઈ સલીમ હાલા અને ભાભી નાઝીમા હાલાના નામ આપ્યા હતા. પ્રૌઢ ફરિયાદમાં જણાવે છે કે, ગત તા.04/03/2026ના રોજ બપોરના સમયે તેનાથી મોટા ભાઈ ઈસ્માઈલનો તેને કોલ આવ્યો હતો કે, નાઝીમા ભાભીએ તારી દીકરીના અન્ય યુવક સાથેના ફોટા તેના ફોનમાં મોકલેલ છે અને મેસેજમાં નીચે લખેલ છે કે, “તમે મારી દીકરીના કેસમાં ખોટી દખલગીરી કરતા બંધ થાવ નહીંતર હજુ બીજા ફોટા પણ મોકલીશ તો તમારે દવા પીવાનો વારો આવશે’. ત્યારબાદ અન્ય મોટાભાઈનો પણ તેના પર કોલ આવ્યો કે, તારી દીકરીના ફોટા નાઝીમા ભાભીએ મને પણ મોકલીને ડિલીટ કરી નાખ્યા છે. જે બાદ દીકરીના પિતાએ એ જ ફોટો દીકરીને મોકલ્યા તો તેણીએ કહ્યું કે, આ એ જ જૂનાગઢવાળો છોકરો છે જેની સાથે મેં પરિચય કેળવ્યો બાદમાં હકીકત માલૂમ પડતાં સંબંધ તોડી નાખ્યો હતો. ત્યારબાદ ગત તા.5/03ના સાંજના છ વાગ્યે દીકરીના મામાનો પણ દીકરીના પિતા પર કોલ આવ્યો અને તેણે પણ એ જ જણાવ્યું કે, તમારા ભાભીનો મારા પર કોલ આવ્યો’તો અને તેણીએ દીકરીના ફોટા પણ મોકલ્યા હતા. જે બાદ કોલમાં એમ કહ્યું હતું કે, તમારી ભાણીના બધે ફોટા વાઇરલ કરી દઈશ મારા ઘરની આઘી પાછી કરી છે તો, ભાણીનું ક્યાંય સગપણ થશે તો પણ ન્યૂડ ફોટા મોકલી સગપણ તોડાવી નાખીશ. જે બાદ યુવતીના પિતાએ તેના ભાઈ અને ભાભી વિરુદ્ધ દીકરી તથા પરિવારની ગરિમાને ઠેંસ પહોંચાડી માનસિક ત્રાસ આપી હેરાન પરેશાન કરતા હોવાનું યુનિવર્સિટી પોલીસને જણાવતા પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 5:33 am

જૂની માથાકૂટનો ખાર રાખી હુમલો કરાયો:મેટોડામાં મહિલા સરપંચના પતિ-પુત્ર સહિત 4નો માજી સરપંચની પત્ની, પુત્રી પર હુમલો

શહેરની ભાગોળે આવેલા મેટોડામાં રહેતા માજી સરપંચ અને તેના પરિવારજનો પર હાલના મહિલા સરપંચના પતિ-પુત્ર સહિત ચારે અગાઉના ઝઘડાનો ખાર રાખી હુમલો કરી ધમકી આપી હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મેટોડામાં રહેતી અને બ્યુટી પાર્લર ચલાવતી મનસ્વીબેન શૈલેષભાઈ વેકરિયાએ મેટોડા પોલીસ મથકમાં મહિલા સરપંચના પતિ જેન્તીભાઈ અમરશીભાઈ સભાયા, તેનો પુત્ર પાર્થ, મૌલિક અને રાજેશ ગોરધન સભાયા વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.6ના તેણી માતા સાથે હેરિયર કાર લઈ નાસ્તો કરવા જતા હતા, દરમિયાન હનુમાન મંદિર પાસે પહોંચતા કારના ટાયરમાં હવા ઓછી હોય જેથી તેણીએ ગાડી ઊભી રાખી તેની માતાને તપાસવા નીચે ઉતરવાનું કહ્યું હતું. જે દરમિયાન ચારેય આરોપી તેના ઘર પાસે બેઠા હતા. અગાઉ તેણીના પિતા શૈલેષભાઈ ગામના માજી સરપંચ હોય અને હાલમાં જેન્તીભાઈના પત્ની ગામના સરપંચ હોય જેથી અગાઉ તેની સાથે થયેલા ઝઘડાનો ખાર રાખી તેણીની માતાને ગાળો ભાંડવા લાગ્યા હતા. જેથી તેણીએ કારમાંથી ઉતરી ગાળો ન બોલવાનું કહેતા આ રાજેશે ઉશ્કેરાઈને તેણીને લાફો ઝીંકી તેમજ પાર્થે માતા-પુત્રીને ધમકી આપી ઝપાઝપી કરી તેણીનું ટીર્શટ ખેંચી માર માર્યો હતો. જે બાદ તેણીએ તેના પિતા-ભાઈને જાણ કરી બોલાવતા પિતા-પુત્ર અને રાજેશ દોડીને ઘરમાંથી ધોકો લઈ આવી કારના પાછળના ભાગે તેણીની ગાડીના કાચ તોડી નાખી તેમાં નુકસાન કર્યું હતું. બાદ તેણીના પિતા-ભાઈને પણ ધોકો મારી ધમકી આપ્યાનું જણાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 5:32 am

પોલીસ આવી પહોંચતા મોટી બબાલ ટળી:મોરબી રોડ પર ઝઘડો કરી રહેલા શખ્સની કારમાંથી ધારિયા, છરી અને કાચની ખાલી બોટલોનો જથ્થો મળ્યો

રાજકોટમાં કાયદો-વ્યવસ્થા મજબૂત બનાવવા અને પારદર્શક કામગીરી માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા લેવાતા પ્રયત્નો નોંધપાત્ર રહ્યા છે. જ્યારે બીજીબાજુ બી-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે નજર સામેથી બે શખ્સ હાથમાં ધારિયું લઈને નાસી છૂટ્યા હતા, પણ પોલીસે તેનો પીછો સુદ્ધા ન કરી ઘટનાસ્થળે હાજર તેમજ માથાકૂટમાં જ સામેલ એક યુવકને ફરિયાદ નોંધાવી હોય તો પોલીસ મથકે પહોંચી જવું તેમ કહ્યું અને પોલીસ કારને પોલીસ મથકે લઈને આવી પહોંચી હતી. બાદમાં પાર્કિંગમાં રાખેલી કારની તલાશી લેતા તેમાંથી ઘાતક હથિયારો અને સોડાની ખાલી બોટલો મળી આવતા બી-ડિવિઝન પોલીસ મથકમાં પોલીસે જ ફરિયાદી બની બે શખ્સ સામે ગુનો નોંધ્યો છે. ગત તા.05/03 રાત્રે 11 વાગ્યે બી-ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મોરબી રોડ જકાતનાકા નજીક એક સિલ્વર કલરની ઓડી કાર પાસે કેટલાક ઇસમો જોરજોરથી દેકારો કરતા જોવા મળ્યા હતા, જેમાંથી એક ઇસમના હાથમાં ધારિયું જોવા મળ્યું હતું. પોલીસને જોઈને બે શખ્સ ત્યાંથી નાસી છૂટ્યા હતા, જ્યારે સ્થળ પર હાજર નૈમિષ ગોહેલ નામના યુવકે જણાવ્યું હતું કે, તેની સાથે હર્ષદીપ ખાચર અને અન્ય એક અજાણ્યો શખ્સ ઝઘડો કરી રહ્યા હતા. યુવકના જણાવ્યા મુજબ, આ કાર હર્ષદીપ ખાચર લઈને આવ્યો હતો. વધુમાં ફરિયાદમાં જણાવ્યા મુજબ તા.06/03/2026ના સાડા ત્રણેક વાગ્યા આસપાસ આ નૈમિષ ગોહેલ રૂબરૂ પોલીસ મથકે આવ્યો હતો બાદમાં નૈમિષે પોલીસને જણાવ્યા મુજબ તે કોઈ ફરિયાદ નોંધાવવા ઈચ્છતો ન હોય તેની આ હર્ષદીપ ખાચર સાથે સમાધાનની વાત ચાલી રહી હોવાનું જણાવી તે પોલીસ સ્ટેશનેથી જતો રહ્યો હતો. બાદમાં પોલીસે 6 તારીખે જ રાત્રે સાડા આઠેક વાગ્યા આસપાસ જપ્ત કરેલી ઓડી કારની તલાશી લેતા કારમાંથી બે ધારિયા, ત્રણ સ્ટીલની છરીઓ, 48 કાચની ખાલી બોટલો અને કારની નંબર પ્લેટ મળી આવી હતી. બાદમાં પોલીસે જ ફરિયાદી બની હથિયારબંધી, જાહેરનામાના ભંગ અને ખોટી નંબર પ્લેટ લગાડવા બદલ ગુનો નોંધ્યો હતો. પોલીસનું માનવું છે કે, આ શખ્સો કોઈ ગંભીર ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપવાના ઇરાદે નીકળ્યા હતા, પરંતુ પોલીસ સમયસર આવી પહોંચતા મોટી માથાકૂટ ટળી હતી.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 5:30 am

ધમકી આપી:સોશિયલ મીડિયા પર વીડિયો મૂકતા પત્રકારને ફોનમાં ધમકી

રાજકોટના એક પત્રકારને સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોને પોસ્ટ કરવાના મુદ્દે મોબાઇલ ફોન પર ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે પોલીસે આબીદ નામના એક શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 150 ફૂટ રિંગ રોડ પર શીતલપાર્ક સર્કલ પાસે રવિરાંદલ પાર્ક શેરી નં.3માં રહેતા મયૂરસિંહ કિરીટસિંહ જાડેજાએ ફરિયાદ નોંધાવી છે. તેઓ એક અખબારના સંચાલન સાથે જોડાયેલા હોવાનું જણાવાયું છે. ગત તા.5 માર્ચ 2026ના રોજ તેઓ જાગનાથ વિસ્તારમાં હતા ત્યારે તેમને ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતે આબીદ હોવાનું કહી સોનીબજારના વેપારીઓ હિરેન લોઢિયા, નિલેશ કુંભાણી અંગેનો વીડિયો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર મૂકીને પોતાની બદનામી કરવામાં આવી હોવાનું કહ્યું હતું. ફરિયાદીએ જવાબમાં જણાવ્યું હતું કે વીડિયો પહેલેથી જ સોશિયલ મીડિયામાં ફરતો હતો અને તેમની પાસે પહોંચતા પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વાતથી ઉશ્કેરાયેલા આબીદે “તમને જોઈ લઈશ, ક્યાંય મળશો તો જોવા જેવી થશે” કહી ગર્ભિત ધમકી આપ્યાનો આક્ષેપ છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 5:29 am

રાજકોટ કોંગ્રેસમાં ખળભળાટ:પૂર્વ MLA રાજ્યગુરુની અચાનક જ નિવૃત્તિ,

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના માહોલ વચ્ચે કોંગ્રેસને રાજકોટમાં મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. રાજકોટ-68ના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના લડાયક નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ અચાનક રાજકીય તથા સામાજિક નિવૃત્તિ જાહેર કરતા પાર્ટીમાં ખળભળાટ મચ્યો છે. કોર્પોરેટરથી લઈને શહેર પ્રમુખ અને ધારાસભ્ય સુધીની જવાબદારી નિભાવનારા રાજ્યગુરુના આ નિર્ણયને રાજકીય વર્તુળોમાં “હીટવેવ” સમાન ગણાવવામાં આવી રહ્યો છે. રાજ્યગુરુ છેલ્લા સાડા ત્રણ દાયકાથી જાહેર જીવનમાં સક્રિય રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, 1991થી રાજકારણ અને સમાજસેવામાં જોડાયેલો રહ્યો છું અને હવે 36 વર્ષ બાદ વ્યક્તિગત જીવન જીવવાનો સમય આવ્યો છે. તેઓએ સ્પષ્ટ કર્યું કે, હવે કોઈ રાજકીય સભા, સરઘસ કે સામાજિક કાર્યક્રમમાં હાજરી નહીં આપે. કોર્પોરેશન સહિત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક હોય ત્યારે લેવાયેલો આ નિર્ણય અનેક અટકળોને જન્મ આપી રહ્યો છે. તાજેતરમાં કોંગ્રેસ હાઈકમાન્ડે ચૂંટણી તૈયારી માટે વિવિધ સમિતિઓની રચના કરી હતી, પરંતુ તેમાં રાજ્યગુરુ અથવા તેમના સમર્થકોને સ્થાન ન મળ્યું હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. “હવે જીવનના શોખ પૂરાં કરવાની ઈચ્છા”રાજ્યગુરુએ જણાવ્યું હતું કે, 60 વર્ષની ઉંમરે હવે વ્યક્તિગત જીવનનો આનંદ લેવા ઈચ્છા છે. મને કૂકિંગનો શોખ છે તે પૂરો કરીશ. તેમજ દરરોજ પ્રાણાયમ કરીશ. હિમાલય સહિત કુદરતી સ્થળોએ ફરવાનો તેમને ખાસ શોખ છે. છેલ્લા બે મહિનાથી તેઓ કોઈ સામાજિક કે રાજકીય કાર્યક્રમમાં હાજર રહ્યા નથી અને હવે સંપૂર્ણ વિરામ લેવાનો નિર્ણય કર્યો છે.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 5:27 am

ભાસ્કર બ્રેકિંગ:નવા વર્ષે ધો.6ના 4 વિષયનાં પાઠ્યપુસ્તક બદલાશે

નવી નેશનલ એજ્યુકેશન પોલિસી મુજબ શિક્ષણ પદ્ધતિમાં ફેરફારોનો અમલ હવે ગુજરાતમાં પણ ઝડપથી શરૂ થવા જઈ રહ્યો છે. એનસીઇઆરટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2024-25માં ધોરણ-6ના પાંચ વિષયના પાઠ્યપુસ્તકો બદલ્યા બાદ હવે જીસીઇઆરટી દ્વારા તેના અનુવાદ અને રાજ્ય માટે અનુકૂલન કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. પરિણામે નવા શૈક્ષણિક વર્ષ 2026-27થી રાજ્યની શાળાઓમાં ધોરણ-6ના ગણિત, વિજ્ઞાન, સોશિયલ સાયન્સ અને અંગ્રેજીના પાઠ્યપુસ્તકો બદલવાની કવાયત હાથ ધરાઈ છે. નવા અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓના સ્કિલ ડેવલપમેન્ટ, વિચારશક્તિ અને ગ્રૂપ ડિસ્ક્શન દ્વારા શીખવાની પદ્ધતિને ખાસ પ્રાથમિકતા આપવામાં આવી છે. રાજ્યભરમાં અંદાજે 10 લાખથી વધુ વિદ્યાર્થીને નવા અભ્યાસક્રમ મુજબ અભ્યાસ કરવાની તક મળશે. ઉચ્ચતર પ્રાથમિક શાળાના શિક્ષકોના જણાવ્યા મુજબ ગણિતનું પુસ્તક હવે ‘ગણિત પ્રકાશ’, વિજ્ઞાનનું પુસ્તક ‘કુતૂહલ (વિજ્ઞાન)’ અને સોશિયલ સાયન્સનું પુસ્તક ‘સમાજની શોધયાત્રા : ભારત અને તેનાથી આગળ’ નામે ઓળખાશે. નવા ગણિત પ્રકાશના પુસ્તકમાં ચર્ચા આધારિત પ્રશ્નો બોક્સમાં આપવામાં આવ્યા છે જેથી વિદ્યાર્થીઓ વચ્ચે ચર્ચા વધે અને તર્કશક્તિ વિકસે. ‘ બીજુ પ્રયત્ન કરો’ વિભાગમાં ઓપન-એન્ડેડ પ્રશ્નો મુકાયા છે જેમાં ગ્રૂપ ડિસ્ક્શન દ્વારા એકથી વધુ જવાબો યોગ્ય બની શકે છે. આ ઉપરાંત દરેક પાઠમાં ગેમ્સ, પેટર્ન અને પ્રવૃત્તિઓનો સમાવેશ કરાયો છે. બેથી ત્રણ ગેમ્સ અને પેટર્ન દ્વારા વિદ્યાર્થીઓ પોતે શીખે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરાયું છે. નવી પદ્ધતિમાં પરંપરાગત સ્વાધ્યાય આધારિત શિક્ષણને ઓછું મહત્ત્વ અપાયું છે. સીબીએસઇમાં હવે ધો.8ના પુસ્તકો બદલાશેકેન્દ્રીય બોર્ડ સાથે જોડાયેલી સ્કૂલોમાં શૈક્ષણિક વર્ષ 2024-25માં ધો.6 અને 2025-26માં ધો.7ના પાઠ્યપુસ્તકો બદલાયા હતા. હવે 2026-27ના શૈક્ષણિક વર્ષથી ધોરણ-8ના પાઠ્યપુસ્તકોમાં પણ ફેરફાર થવાની તૈયારી ચાલી રહી છે. વિજ્ઞાન અને સોશિયલ સાયન્સમાં પણ પ્રયોગ આધારિત અભ્યાસ‘કુતૂહલ (વિજ્ઞાન)’ પુસ્તકમાં વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા વધે તે માટે પ્રયોગ આધારિત પાઠનો સમાવેશ કરવામાં આવ્યો છે. કુદરતી પરિસ્થિતિઓમાં થતા ફેરફારોને સમજવા માટે વિદ્યાર્થીઓ ઘરે ઉપલબ્ધ નાના સાધનો વડે પ્રયોગ કરી શકે તે પ્રકારની પ્રવૃત્તિઓ ઉમેરવામાં આવી છે. સોશિયલ સાયન્સના નવા પાઠ્યપુસ્તકમાં સમાજ, ઇતિહાસ અને ભૌગોલિક વિષયો વિદ્યાર્થીઓને અનુભવ આધારિત રીતે સમજાય તે માટે કેસ સ્ટડી અને ચર્ચા આધારિત મુદ્દાઓ પણ ઉમેરવામાં આવ્યા છે. જૂનથી અમલમાં આવનારા નવા વિષયો

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 5:26 am

આજે વિશ્વ મહિલા દિવસ:આજની મહિલા... પુરુષ સમોવડી નહીં, તેનાથી શ્રેષ્ઠ બની રહી છે

દેવી મહાત્મયમ કે જેને દુર્ગા સપ્તશતી અથવા ચંડીપાઠ પણ કહેવામાં આવે છે. તેના બીજા અધ્યાયમાં આદ્યશક્તિ મા દુર્ગાનું વર્ણન છે. ઉપરોક્ત શ્લોક સાથે મહિલાના તેજ સાથે સરખાવીએ તો અત્યારે નહિ પહેલાથી મહિલાઓ પુરુષો કરતા શ્રેષ્ઠ હતી પણ હવે બદલતા કાર્યક્ષેત્ર અને જમાનામાં મહિલાઓ પોતાની ફરજ ઉપરાંત એવા ક્ષેત્રોમાં આગળ વધી રહી છે જ્યાં પુરુષો છે અને તેનાથી વધુ ચડિયાતી સાબિત થઈ રહી છે. જેમને સશક્તિકરણ નહિ મજબૂત મનોબળની જ જરૂર હતી. મહિલા દિવસે એ પૈકીની રાજકોટની સફળ અને સંઘર્ષ કરતી મહિલાઓના આ છે સબળ અને શ્રેષ્ઠ ઉદાહરણ. શક્તિના પ્રતીકને કદી સશક્તિકરણની જરૂર જ પડી નથી, જરૂર હતી મનોબળની, રાજકોટની આ મહિલાઓ તેની છે સાબિતી ફ્લાઈટ ઇન્સ્ટ્રક્ટરથી શરૂ થયેલી નિધિની સફર વિદેશી ઉડાનો સુધી પહોંચી છે. હાલ રાજકોટની સૌ પ્રથમ ઇન્ટરનેશનલ મહિલા પાઇલટ તરીકે અત્યાર સુધીની ઉડાનનો 7000થી વધુ કલાકોનો અનુભવ છે. પુણેથી હૈદરાબાદ સુધી ભારતની પ્રથમ વેક્સિન ફ્લાઇટનું સંચાલનની કામગીરી નિભાવી હતી. મેં ખુબ સંઘર્ષ કરીને માતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું. શ્રમિકોના 62 બાળકોને ભણાવવા માટે યોગદાન આપનારા મિનલબા ગોહિલને ગૌરવ પુરસ્કાર એનાયત કરાયો છે. હાલ થોરાળા, પાંજરાપોળ જેવા વિસ્તારમાં બાળકોને ભણાવે છે, જે વૃદ્ધોને સંતાન ન હોય તેમના ઘરે અનાજ પહોંચાડવું, પીડિત મહિલાઓ કે દીકરીઓનું નિ:શુલ્ક માર્ગદર્શન આપે છે. ઉપરાંત અનેક સેવાકાર્યો કરે છે. તૃપ્તિ જાની છેલ્લા 20 વર્ષથી બ્યુટી અને શિક્ષણ ક્ષેત્રમાં કાર્યરત છે. આ સમયગાળા દરમિયાન હજારો વિદ્યાર્થીઓને તાલીમ આપવાનો અને માર્ગદર્શન આપવાનો મોકો મળ્યો છે. આ સફરે મને શીખવ્યું છે કે જ્યારે સ્ત્રીને યોગ્ય તક, હુન્નર અને આત્મવિશ્વાસ મળે છે, ત્યારે તે અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે. આજે મારો સંદેશ છે કે દરેક સ્ત્રી પોતાની શક્તિને ઓળખે. રાજયોગિની બ્રહ્માકુમારી ભારતીદીદીએ 12 વર્ષની ઉંમરે બ્રહ્માકુમારી સંસ્થામાં જીવન સમર્પિત કરી દીધું હતું. વર્તમાન ગુજરાત ઝોન ડાયરેક્ટર તરીકે સેવામાં ઉપસ્થિત છે. તેઓના માર્ગદર્શન હેઠળ અનેક વિકાસના કાર્યોમાં 10,000થી વધુ મહિલાઓને સાક્ષર બની, સીલાઇ મશીન વિતરણ, સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ સહિત સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 5:23 am

SIR ઇફેક્ટ:રાજકોટમાં મતદારો ઘટશે અને મતદાન મથકો વધશે

રાજ્ય ચૂંટણી આયોગે સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી યોજવા તડામાર તૈયારીઓ શરૂ કરાવી મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોને SIR બાદ તૈયાર થયેલી મતદાર યાદીના આધારે પોતાની મતદાર યાદી તૈયાર કરવા સૂચના આપી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાનું ચૂંટણી તંત્ર બરાબરનું ધંધે લાગ્યું છે. વર્ષ 2021ની ચૂંટણીમાં રાજકોટ શહેરના 18 વોર્ડમાં 10,93,991 મતદાર નોંધાયેલ હતા જેની સામે SIR બાદ શહેરની ત્રણ વિધાનસભા બેઠકમાં જ 1.73 લાખથી વધુ મતદાર ઘટી ગયા હોવાની સાથે વાંકાનેર અને રાજકોટ ગ્રામ્યમાં પણ મતદારો ઘટ્યા હોવાથી કોર્પોરેશનની ચૂંટણીમાં SIR ઇફેક્ટ હેઠળ મતદારો ઘટવાની શક્યતા જોવાઈ રહી છે. મનપાની મતદાર યાદી તૈયાર કરવામાં હાલ તમામ તાકાત કામે લગાવવા છતાં 11મી પહેલાં મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ માટે તંત્રને 24 કલાક કામ કરવું પડે તેવી સ્થિતિ હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. વર્ષ 2021ની રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 5,67,001 પુરુષ, 5,26,970 મહિલા, 20 થર્ડ જેન્ડર સહિત કુલ 10,93,991 મતદાર નોંધાયેલ હતા. જે અંતર્ગત 18 વોર્ડની ચૂંટણીમાં દરેક મતદાન મથકમાં 1104 મતદારનો સરેરાશ સમાવેશ કરવામાં આવતા કુલ 991 મતદાન મથક પર મતદાન પ્રક્રિયા યોજવામાં આવી હતી. બીજીતરફ ચૂંટણી પંચે SIR પ્રક્રિયા હાથ ધરાતા જિલ્લાની કુલ આઠ વિધાનસભા બેઠકમાં નોંધાયેલ કુલ 23,91,027 મતદાર પૈકી 2,95,211 મતદારનો ઘટાડો થતા હવે જિલ્લામાં મતદારોની સંખ્યા ઘટીને 20,95,816 થઈ છે. તે જોતા રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવતી 68-રાજકોટ પૂર્વ, 69-રાજકોટ પશ્ચિમ અને 70 રાજકોટ દક્ષિણ બેઠકમાં જ 1,73,815 મતદાર ઘટી ગયા છે. આ ઉપરાંત શહેર વિસ્તારમાં 67 -વાંકાનેર બેઠક તેમજ 71 રાજકોટ ગ્રામ્ય બેઠકનો હિસ્સો પણ સમાવિષ્ટ થયેલ હોય આ બન્ને બેઠકમાં પણ મતદારો ઘટ્યા છે. હાલમાં કોર્પોરેશનનું ચૂંટણી તંત્ર મતદાર યાદીની ડેટા એન્ટ્રીમાં ધંધે લાગ્યું છે. જોકે, 11મી માર્ચ સુધીમાં ડેટા એન્ટ્રી કરી મતદાર યાદી તૈયાર કરવામાં તંત્રને ધોળે દિવસે તારા દેખાઈ રહ્યા છે. જો કે કેન્સલ થયેલા નામો સંદર્ભે હજુ હજારોની સંખ્યામાં લોકોએ ફોર્મ ભરીને મતદાર યાદીમાં પોતાના નામ નોંધાવવા માટે કવાયત કરી છે. ત્યારે ચૂંટણી સુધીમાં રદ નામોનો આંકડો થોડો ઘટે તેવી પણ સંભાવના છે. જિલ્લા પંચાયતમાં મતદાન મથકો 1200 આસપાસ રહેશેરાજકોટ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી શાખાના સૂત્રોના મતે જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 1200 જેટલા મતદાન મથક રહેવાની ધારણા છે, ગત જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં 1079 જેટલા મતદાન મથક પર મતદાન થયું હતું જેથી આ વખતે 12ઓ જેટલા મતદાન મથક વધવાની શક્યતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. મુખ્ય વિધાનસભા બેઠક દીઠ મતદારોની સ્થિતિ

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 5:18 am

ચોંકાવનારી વિગત સપાટી પર આવી:જંગલેશ્વરમાં સરકારી જમીન પરના મકાનોમાં પાણી માટે 150થી વધુ વાલ્વ ડુપ્લિકેટ ચાવીથી ખોલાતા હતા

રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં થોડા સમય પહેલાં હાથ ધરાયેલા મેગા ડિમોલિશન બાદ હવે એક ચોંકાવતો ખુલાસો સામે આવ્યો છે. ગેરકાયદે બાંધકામો તોડી પાડ્યા બાદ કાટમાળ ખસેડવાની કામગીરી દરમિયાન અનેક મકાનોમાંથી પાણીના વાલ્વ ખોલવાની ડુપ્લિકેટ ચાવીઓ મળી આવતા મહાનગરપાલિકાના અધિકારીઓ પણ આશ્ચર્યચકિત બની ગયા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ વિસ્તારમાં અંદાજે 150 જેટલા મકાનધારકોએ મહાનગરપાલિકાની પાણીની પાઇપલાઇનમાંથી જરૂરિયાત મુજબ પાણી મેળવવા માટે વાલ્વ ખોલવાની ડુપ્લિકેટ ચાવીઓ બનાવી લીધી હતી. રાજકોટના સૌથી વધુ ચર્ચિત અને પંકાયેલા વિસ્તારોમાં ગણાતા જંગલેશ્વરમાં વર્ષોથી ગેરકાયદે પ્રવૃત્તિઓનું નેટવર્ક ચાલતું હોવાની ચર્ચા હતી. આ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો તેમજ અન્ય પ્રવૃત્તિઓને કારણે કાયદો અને વ્યવસ્થાને પડકાર ઊભો થતો હતો. આવી સ્થિતિમાં શહેર પોલીસ અને મહાનગરપાલિકાએ સંયુક્ત આયોજન કરીને મોટા પાયે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ કમિશનર બ્રજેશ ઝા અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ લગભગ ત્રણથી ચાર મહિનાની તૈયારી બાદ એક પખવાડિયા અગાઉ મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું. આ કાર્યવાહી દરમિયાન કુલ 1489 જેટલા ગેરકાયદે મકાનો કોઈ મોટી માથાકૂટ વગર ધરાશાયી કરવામાં આવ્યા હતા. હાલમાં આ વિસ્તારમાં તોડફોડ કરાયેલા મકાનોનો કાટમાળ ખસેડવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન મકાનોના અવશેષોમાંથી પાણીના વાલ્વ ખોલવા માટે ઉપયોગમાં લેવાતી ડુપ્લિકેટ ચાવીઓ મળી આવતા અધિકારીઓ ચોંકી ગયા હતા. મહાનગરપાલિકાના સૂત્રો મુજબ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ વિસ્તારમાં પાણીની ચોરી વર્ષોથી સંગઠિત રીતે ચાલી રહી હતી. રાજકોટ મહાનગરપાલિકા શહેરના 18 વોર્ડમાં પાણી વિતરણ માટે ચોક્કસ સમયપત્રક અનુસાર વ્યવસ્થા ચલાવે છે. દરેક વિસ્તારમાં પાણીના વાલ્વ ખોલવા અને બંધ કરવા માટે વાલ્વમેનની નિમણૂક કરવામાં આવે છે. સામાન્ય રીતે દર વિસ્તારમાં લગભગ 20 મિનિટ માટે પાણીનું વિતરણ કરવામાં આવે છે, પરંતુ જંગલેશ્વર વિસ્તારમાં કેટલાક માથાભારે તત્ત્વોએ પાણીના વાલ્વની ડુપ્લિકેટ ચાવીઓ બનાવી લીધી હતી અને જ્યારે જરૂર પડે ત્યારે વાલ્વ ખોલીને પાઇપલાઇનમાંથી સીધું પાણી મેળવી લેતા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ ખાસ કરીને કોઈ ધાર્મિક પ્રસંગ, સામાજિક કાર્યક્રમ કે પરિવારના લગ્ન-પ્રસંગ જેવા સમયે પાણીની વધારે જરૂરિયાત રહેતી ત્યારે આ ડુપ્લિકેટ ચાવીઓનો ઉપયોગ કરીને પાણી ઉપાડવામાં આવતું હતું. આ સમગ્ર ગેરકાયદે વ્યવસ્થા ઘણા વર્ષોથી ચાલતી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ડિમોલિશન દરમિયાન કેટલાક મકાનોમાંથી વીજપુરવઠા માટે ગેરકાયદે જોડાણ એટલે કે “લંગરિયા” પણ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેના આધારે આ વિસ્તારમાં વીજચોરી પણ મોટા પાયે થતી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અત્રે નોંધનીય છે કે, મહાનગરપાલિકાએ અગાઉ શહેરમાં પાણી માટે મીટર આધારિત વિતરણ પ્રથા અમલમાં મૂકવાની જાહેરાત કરી હતી, પરંતુ જંગલેશ્વર વિસ્તારમાં વિવિધ કારણોસર આ પ્રથા અમલમાં આવી શકી ન હતી. જેના કારણે વર્ષોથી પાણીના ગેરકાયદે ઉપયોગની શક્યતાઓ વધતી રહી હતી. દર વર્ષે કરોડો રૂપિયાની પાણીચોરી થતી હોવાની આશંકામનપાના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ જંગલેશ્વર વિસ્તારમાં ડુપ્લિકેટ ચાવીની મદદથી વર્ષોથી પાણીની ચોરી થતી હતી. આ ચોરીના કારણે દર વર્ષે કરોડો રૂપિયાના પાણીનું નુકસાન થતું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે આ નુકસાનનો ચોક્કસ આંકડો હાલમાં નક્કી કરવો મુશ્કેલ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે, કારણ કે વર્ષોથી આ ગેરકાયદે પ્રવૃત્તિ ગુપ્ત રીતે ચાલતી હતી.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 5:06 am

સિટી એન્કર:રાજકોટ મનપાની ટેક્સની ગાડી ધીમી, 455ના ટાર્ગેટ સામે 389 કરોડ જ વસૂલી શકાયા

મહાનગરપાલિકાએ 31 માર્ચ સુધી રૂ.5 હજારની મર્યાદામાં વ્યાજમાફીની યોજના જાહેર કર્યા છતાં મિલકતવેરાની વસૂલાતની ગાડી હજુ ધીમી ગતિએ આગળ વધી રહી છે. ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માટે ટેક્સ વિભાગે રૂ.455 કરોડનો લક્ષ્યાંક નક્કી કર્યો છે, પરંતુ તા.7 માર્ચ સુધીમાં કુલ રૂ.389.29 કરોડની જ વસૂલાત થઈ છે. પરિણામે હવે વર્ષ પૂર્ણ થવામાં બાકી રહેલા લગભગ 23 દિવસમાં મનપાને રૂ.66 કરોડ જેટલો વેરો ઉઘરાવવાનો મોટો પડકાર ઊભો થયો છે. મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખા દ્વારા નોન-રેસિડન્સ, રેસિડન્સ, કોમર્સિયલ તેમજ સરકારી મિલકતોના બાકી મિલકતવેરા માટે ઝુંબેશ હાથ ધરાઈ છે. બાકીદારોને વેરા બિલ મોકલી ચૂકવણી કરવા સૂચના આપવામાં આવી રહી છે.મનપાએ ચાલુ વર્ષે વ્યાજમાફીની સ્કીમ જાહેર કરી છે. તેમાં બાકી મિલકતવેરાની સંપૂર્ણ ભરપાઈ કરનારને મિલકતવેરાના વ્યાજ પર રૂ.5,000 તથા પાણીવેરાના વ્યાજ પર રૂ.5,000 એમ કુલ રૂ.10,000 સુધીની રાહત મળે છે. આ યોજના 31 માર્ચ સુધી અમલમાં રહેશે. ટેક્સ વિભાગના આંકડા મુજબ સરકારી કચેરીઓ દ્વારા સવા મહિનામાં કુલ રૂ.2.64 કરોડની ચૂકવણી કરવામાં આવી છે. તેમાં ફેબ્રુઆરી માસ દરમિયાન ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજે રૂ.58.61 લાખ, પીજીવીસીએલે રૂ.45.37 લાખ, સ્પોર્ટ્સ વિભાગે રૂ.30.95 લાખ, જૂની કોર્ટ દ્વારા રૂ.17.36 લાખ, યાંત્રિક ભવન દ્વારા રૂ.11 લાખ, નાયબ નિયામક કચેરી દ્વારા રૂ.14.18 લાખ, મામલતદાર કચેરી (દક્ષિણ) દ્વારા રૂ.6.43 લાખ, પી.ડબલ્યુ.ડી. દ્વારા રૂ.65.47 લાખ અને ઇન્કમટેક્સ વિભાગે રૂ.27.82 હજાર ભરપાઈ કરી હતી. આમ કુલ રૂ.2.49 કરોડ વસૂલાયા હતા. ચાલુ માર્ચ માસમાં સિવિલ હોસ્પિટલ દ્વારા રૂ.74.65 લાખ, જી.એમ.એસ.સી.એલ. દ્વારા રૂ.4.85 લાખ, પોસ્ટલ ડેપો દ્વારા રૂ.17.22 લાખ અને સેન્ટ્રલ જી.એસ.ટી. કચેરી દ્વારા રૂ.17.65 લાખ ચૂકવાતા કુલ રૂ.1.14 કરોડની આવક નોંધાઈ છે. પરંતુ બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રેલવે, સમરસ હોસ્ટેલ અને પાણી પુરવઠા બોર્ડ સહિતના વિભાગોના લગભગ રૂ.100 કરોડ જેટલા લેણા હજી બાકી છે. જુદા જુદા હિસાબી વિવાદો અને કાયદાકીય કારણોસર વર્ષોથી આ લેણાં ઉઘરાતા નથી. ટેક્સ વિભાગના સૂત્રો અનુસાર માર્ચ એન્ડમાં સરકારી વિભાગો દ્વારા મોટી ચૂકવણી થતી હોવાની આશા છે.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 5:03 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:હાશ! ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ નહીં વધે; UPSC રિઝલ્ટમાં મોટો વિવાદ, આજે અમદાવાદમાં IND-NZ વચ્ચે T20 ફાઈનલ જંગ

નમસ્તે, આજના મોટા સમાચારો જોઈએ તો, ઈરાને મીડલ ઈસ્ટના પાડોશી દેશોને ધરપત આપી છે કે તે તેના પર હુમલા નહીં કરે. અત્યાર સુધીમાં જે હુમલા થયા તેની માફી પણ માગી છે. બીજી તરફ યુદ્ધના કારણે પાકિસ્તાનમાં પેટ્રોલ ડિઝલના ભાવ અને ભારતમાં ગેસના ભાવમાં વધારો થયો છે. UPSC રિઝલ્ટ પછી નવો વિવાદ શરૂ થયો છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. અમદાવાદમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-20 વર્લ્ડ કપ ફાઈનલ મેચ 2. AAP નેતા અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં, ગાંધીનગરમાં જનસભા 3. પીએમ મોદી દિલ્હીમાં 33,500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે કાલના મોટા સમાચારો 1. ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે, હોર્મુઝ રૂટ બંધ થતાં સરકારે નવા રસ્તાઓથી ક્રૂડ ઓઇલની સપ્લાય 10% વધારી મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમત વધવાની ચિંતા ટળી ગઈ છે. કારણ કે, હોર્મુઝ રૂટ બંધ થયા પછી સરકારે કુલ આયાતના 10% ક્રૂડ ઓઇલ નવા રૂટથી મંગાવવાનું શરૂ કરી દીધું છે. સરકારે આ નિર્ણય સપ્લાય હોર્મુઝ રૂટ પ્રભાવિત થવાને કારણે લીધો છે. સૂત્રો અનુસાર, સરકારનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઉતાર-ચઢાવ છતાં ભારત પાસે તેલનો પર્યાપ્ત ભંડાર છે અને સ્થિતિ નિયંત્રણમાં છે. જોકે, હોર્મુઝ રૂટ બંધ થવાને કારણે છેલ્લા 8 દિવસમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ 27% સુધી વધી ગયા છે. સરકારી સૂત્રોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે નહીં. આજે અમે દેશને ફરીથી ખાતરી આપીએ છીએ કે કિંમતોમાં કોઈ વધારો થશે નહીં. વાંચો સંપૂર્ણ સમાચાર 2. બંગાળમાં કોન્ફરન્સનું સ્થળ બદલવા પર રાષ્ટ્રપતિ નારાજ:તેમણે કહ્યું- રાજ્ય સરકાર આદિવાસીઓનું ભલું નથી ઈચ્છતી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંગાળમાં કાર્યક્રમનું સ્થળ બદલવા બદલ શનિવારે નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું- મને લાગે છે કે બંગાળ સરકાર આદિવાસીઓનું ભલું નથી ઈચ્છતી. મમતા બેનર્જી મારી નાની બહેન જેવી છે. હું પણ બંગાળની દીકરી છું. રાષ્ટ્રપતિએ કહ્યું... નોર્થ બંગાળના પ્રવાસે ન તો મુખ્યમંત્રી કે ન તો કોઈ રાજ્ય મંત્રી તેમને રિસીવ કરવા આવ્યા. મને ખબર નથી કે મમતા મારાથી નારાજ છે કે નહીં. જોકે, તેનાથી કોઈ ફરક પડતો નથી. તમે બધા સ્વસ્થ રહો. તેમણે કાર્યક્રમનું સ્થળ બદલવા બદલ કહ્યું કે જો કાર્યક્રમ બિધાનનગરમાં હોત તો સારું થાત. ત્યાં ઘણી જગ્યા છે અને ઘણા લોકો આવી શક્યા હોત. પરંતુ મને ખબર નથી કે રાજ્ય પ્રશાસને ત્યાં મીટિંગની પરવાનગી કેમ ન આપી. આ અંગે પીએમ મોદીએ કહ્યું કે આ શરમજનક છે, આવું પહેલા ક્યારેય બન્યું નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ઈરાને પાડોશી દેશો પાસે માફી માગી, ટ્રમ્પ બોલ્યા- ઈરાન પાડોશી પાસે ઝૂક્યું; ઈરાનનો અમેરિકાની THAAD ડિફેન્સ સિસ્ટમ પર હુમલો:₹22,000 કરોડની જોર્ડનવાળી સિસ્ટમ નષ્ટ આજે અમેરિકા-ઇઝરાયલ-ઇરાન યુદ્ધનો આઠમો દિવસ છે. ઈરાને છેલ્લા અઠવાડિયામાં સાઉદી અરેબિયા, UAE અને જોર્ડનમાં તહેનાત યુએસ ટર્મિનલ હાઇ અલ્ટીટ્યુડ એરિયા ડિફેન્સ (THAAD) સિસ્ટમને નિશાન બનાવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જોર્ડનના મુવફ્ફાક સાલ્ટી એર બેઝ પર THAAD રડાર સિસ્ટમ હુમલામાં નષ્ટ થઈ છે. આ રડાર THAAD સિસ્ટમનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને દુશ્મન બેલિસ્ટિક મિસાઇલોને શોધવા અને ટ્રેક કરી શકે છે. અમેરિકા પાસે ફક્ત 7-8 THAAD સિસ્ટમ છે, તેથી આ એક મોટું લશ્કરી નુકસાન માનવામાં આવે છે. એક THAAD સિસ્ટમની કિંમત ₹22,000 કરોડ સુધીની હોય છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. UPSC રિઝલ્ટમાં મોટો વિવાદ:301 રેન્ક પર બે ‘આકાંક્ષા’નો દાવો; બંનેના એક જ રોલ નંબર, એક યુપી તો બીજી બિહારની; QR સ્કેન કરતા નીકળી ગડબડ UPSC સિવિલ સર્વિસ પરીક્ષાના પરિણામ 2025માં એક જ રેન્ક પર બે ઉમેદવારોએ દાવો કર્યો છે. UPSC દ્વારા જાહેર કરાયેલી મેરિટ લિસ્ટમાં AIR 301 પર આકાંક્ષા સિંહ છે, જેમનો રોલ નંબર 0856794 છે. આ પસંદગી પર બિહાર અને યુપીમાંથી 2 અલગ-અલગ વિદ્યાર્થિનીઓએ દાવો કર્યો છે. આ બંને ઉમેદવારોનું નામ આકાંક્ષા સિંહ છે. ભાસ્કરે આ મામલાની તપાસ માટે બંને ઉમેદવારોના એડમિટ કાર્ડ તપાસ્યા. યુપીના ગાઝીપુરની આકાંક્ષાના ઇન્ટરવ્યુ કોલ લેટર પર નોંધાયેલ રોલ નંબર 0856794 છે. આ એડમિટ કાર્ડ પર દેખાતા QRને સ્કેન કરવા પર પણ આ જ રોલ નંબર દેખાય છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. બાદશાહના 'ટટીરી' ગીત વિરુદ્ધ FIR:વિદ્યાર્થિનીઓને સ્કૂલ બેગ ફેંકતી બતાવી, અશ્લીલ શબ્દોનો ઉપયોગ કર્યો, મહિલા આયોગે સમન્સ પાઠવ્યું બોલિવૂડ રેપર-સિંગર બાદશાહના નવા હરિયાણવી ફોક સોંગ 'ટટીરી'ને લઈને હરિયાણાના પંચકુલાના સાયબર ક્રાઈમ અને જીંદના સિવિલ લાઈન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. જોકે, હજુ સુધી અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધાયો છે. રેપની લાઇન ‘આયા બાદશાહ ડોલી ચઢાને…’, છોકરીઓને સ્કૂલના યુનિફોર્મમાં બેગ ફેંકવા અને જીંદ ડેપોની હરિયાણા રોડવેઝની બસનો પરવાનગી વગર ઉપયોગ કરવાના આરોપો છે. બીજી તરફ, પાણીપતની 'નારી તું નારાયણી' સંસ્થાના અધ્યક્ષ સવિતા આર્યા અને 'શિવ આરતી ફાઉન્ડેશન'ના પ્રમુખ શિવ કુમારની ફરિયાદ પર હરિયાણા રાજ્ય મહિલા આયોગે બાદશાહને સમન્સ જારી કર્યું છે. જેમાં બાદશાહને પોતાનો પક્ષ રજૂ કરવા માટે 13 માર્ચે આયોગ સમક્ષ હાજર થવા જણાવ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી:અફવાએ મચાવી દોડધામ, જૂનાગઢમાં 1 કિમી સુધી વાહનોના થપ્પા; ખેડૂતો મોટા બેરલ લઈને ખરીદવા પહોંચ્યા ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પેટ્રોલ પંપ પર કેટલાંક જિલ્લામાં લાંબી લાઈનો લાગી છે. જેમાં જૂનાગઢના કેશોદ તાલુકાના અજાબ ગામમાં આજે વહેલી સવારથી જ પેટ્રોલ પંપ પર લાંબી લાઈનોના દ્રશ્યો જોવા મળ્યા હતાં. સોશિયલ મીડિયા અને લોકમુખે વહેતી થયેલી 'ડીઝલની તંગી'ની અફવાને કારણે ખેડૂતો અને વાહનચાલકોમાં ભારે ગભરાટ ફેલાયો ને દોડધામ મચી હતી. જેના પરિણામે અજાબના પેટ્રોલ પંપ પર લગભગ એક કિલોમીટર જેટલી લાંબી વાહનોની કતારો લાગી હતી. જેમાં ખાસ કરીને ટ્રેક્ટર, રિક્ષા અને અન્ય ખેતીવાડીના વાહનોની સાથે ખેડૂતો મોટા બેરલ લઈને પેટ્રોલ - ડિઝલ ખરીદવા પહોંચ્યા હતાં. વાંચો સંપૂર્ણ સમાચાર 7. પનીર બનાવવા ઇન્ડસ્ટ્રીયલ એસિડનો ઉપયોગ થયાનો ઘટસ્ફોટ:1400 કિલો જથ્થો ઝેર નીકળ્યો, ફેક્ટરીનું લાયસન્સ મહારાષ્ટ્રનું અને કાળો કારોબાર સુરતમાં સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં SOG દ્વારા 3 માર્ચના રોજ પાડવામાં આવેલા દરોડામાં પનીરના નામે પીરસાઈ રહેલા ધીમા ઝેરનો પર્દાફાશ થયો હતો. હાલ SOGની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, આ ફેક્ટરીમાં પનીર બનાવવા જે એસિટિક એસિડનો ઉપયોગ થતો હતો, તે ખાદ્ય પદાર્થો માટેનું (Food Grade) નહીં, પરંતુ કારખાનાઓમાં વપરાતું 'ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ' એસિડ હતું. આ પનીર સુરતની અનેક ડેરીઓમાં સપ્લાય થતું હતું. આ ઉપરાંત SOGની તપાસમાં એ પણ ખુલ્યું છે કે, મુંબઈના એડ્રેસ પર FSSAI લાયસન્સ લઈ સુરતમાં ફેક્ટરી ચલાવવામાં આવતી હતી. SOGએ 1400 કિલો પનીરનો જથ્થો તો જપ્ત કર્યું પણ આ ઝેર અનેક લોકો આરોગી ગયા હશે તેના સ્વાસ્થ્યને લઈ ચિંતા ઉભી થઈ છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : UPના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ:2000 ફૂટની ઊંચાઈએ અચાનક ડિસ્પ્લે બંધ થયું, લખનઉ એરપોર્ટ પર ઉતારાયું વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : પેટ્રોલ 336 અને ડીઝલ 321 રૂપિયા પ્રતિ લિટર થયું:પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 55 રૂપિયાનો વધારો, અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધની અસર વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ઘરેલુ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો:ઈરાન યુદ્ધથી રાંધણ ગેસની અછતની શક્યતા; સરકારે LPG ઉત્પાદન વધારવાનો આદેશ આપ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : દાવો- ઈરાનનું એક યુદ્ધ જહાજ હાલ ભારતમાં:183 નૌસૈનિકો હાજર, ટેકનિકલ ખામી બાદ મદદ માગી, 4 માર્ચે કોચી પહોંચ્યું વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : 50 હજારનું ડિજિટલ ફ્રોડ થાય તો એક કોલથી રિફંડ:તરત ફરિયાદથી 85% રકમ પાછી મળશે; RBI બનાવી રહી છે નવી ગાઈડલાઈન વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : સેમસન પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બની શકે છે:ICCએ 8 ખેલાડીઓ સાથે શોર્ટલિસ્ટ કર્યા; ન્યૂઝીલેન્ડના 2 ખેલાડીઓ સામેલ વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : 'હું સમસ્યાઓમાં ઘેરાઈ ગયો છું, શું કરું?':દુઃખી શિષ્યને મુશ્કેલીઓમાંથી બહાર આવવા સંતે આપી અમૂલખ શીખામણ વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ બાળકના લીવર, આંતરડાં ખસીને છાતી તરફ આવી ગયા જયપુરમાં 11 વર્ષના છોકરાનું લીવર અને આંતરડા તેમની મૂળ સ્થિતિથી જમણી છાતી તરફ ખસી ગયા. તપાસમાં જાણવા મળ્યું કે બાળકને જન્મથી જ ડાયાફ્રેમેટિક હર્નીયા હતો. આ સ્થિતિ પેટ અને છાતીને અલગ કરતા પટલમાં જગ્યા બની જાય છે. જોકે, ડોકટરોએ સર્જરી કરી છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભારતને ગાળો આપનાર બાલેન PM બનવાની નજીક:લોકો બોલ્યા- ઈન્ડિયા સાથે સંબંધો સુધારો, પાર્ટીની સ્પષ્ટતા- રોટી-બેટીનો સંબંધ જળવાઈ રહેશે 2. ભાસ્કર એક્સપ્લેનર : નીતિશે 3 મહિનામાં જ સીએમની ખુરસી કેમ છોડી:ચૂંટણી પહેલાં ભાજપે લખી સ્ક્રીપ્ટ; ચિરાગને વધારે સીટ, નીતિશ માટે કેમ્પેન 3. પારકી પંચાત : નીતિન પટેલે રકાબીમાં ચાનો સબડકો લીધો:કાકા બોલ્યા, ‘કડી યાર્ડ જેવી ચા ગુજરાતમાં ક્યાંય ના થાય’; AMCના નેતાઓ અધિકારીઓ સામે મેચ હારી ગયા 4. મેડિકલ ઇમરજન્સીમાં AIની સલાહ જીવલેણ સાબિત થશે!:ગંભીર બીમારીના કેસમાં ChatGPTએ 52% ખોટી સલાહ આપી, જાણો નેચર મેડિસિનનો ચોંકાવનારો રિપોર્ટ 5. બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો દહીં ખાઓ!:રોગપ્રતિકારક શક્તિ વધારશે, મોટાપાથી રાહત મળશે, જાણો 12 સ્વાસ્થ્ય લાભો; કોને ન ખાવું જોઈએ? ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ: મેષ અને ધન રાશિના જાતકોને ધનવર્ષા થશે, વૃશ્ચિક રાશિને પૂર્વજોની મિલકતના પ્રશ્નો ઉકેલાશે વાંચો સંપૂર્ણ રાશિફળ

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 5:00 am

સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતિ લાવવા રેલી યોજાઈ:વાંકાનેરની દોશી કોલેજમાં મહિલા દિવસ નિમિત્તે વોક ફોર હર' કાર્યક્રમ યોજાયો

વાંકાનેરની એચ એન દોશી આર્ટસ એન્ડ આર.એન.દોશી કોમર્સ કોલેજના એન.એસ.એસ.યુનિટે 8મી માર્ચ વિશ્વ મહિલા દિવસના અનુસંધાને આશીર્વાદ ફાઉન્ડેશન અમદાવાદ તથા દોશી કોલેજના સંયુક્ત ઉપક્રમે Walk For Her કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા 300 જેટલી કોલેજની વિદ્યાર્થીની બહેનો દ્વારા મહિલાઓને થતા બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતિ લાવવા માટે રેલીનું આયોજન એન.એસ.એસ યુનિટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ ડો. વાય.એમ.ચુડાસમા એન.એસ.એસ. ડ્રિસ્ટિક કો-ઓર્ડીનેટર ડૉ.મયુર જાની, ડૉ. ઉર્મિલા પટેલ, ડૉ.અર્ચના પરમાર. પ્રો.ધવલ દાવડા, હેતલ ખીમસુરીયા, આશીર્વાદ ફાઉન્ડેશન અમદાવાદના પ્રજ્ઞાબેન હાજર રહ્યા હતા. આ ઉપરાંત સેશન -2 માં કોલેજમાં થતી અન્ય પ્રવૃત્તિ ફિનિશિંગ સ્કૂલ ઇનોવેશન ક્લબ કોમ્પ્યુટર કોડિંગ ટીચિંગ એન્ડ ફેશન ડિઝાઇનીંગ ઇન્ડિયા ટ્રેડિશનલ ડે વગેરે તેમજ અન્ય શૈક્ષણિક અને વ્યક્તિત્વ વિકાસ કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમના ઉદઘાટક તરીકે મોરબી જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી જલ્પાબેન ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ઉમેશ સુજાન, રણધીર સોનારા, નમ્રતાબેન મહેતા તથા આશીર્વાદ ફાઉન્ડેશનના પ્રજ્ઞાબેન હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 4:50 am

મનપા એક્શન મોડમાં:મોરબીમાં વેરો ન ભરનારા 1275‎ આસામીને વોરંટ, 108 મિલકત સીલ‎

મોરબીમાં માર્ચ મહિનો પૂર્ણ થાય તે પૂર્વે મહાનગરપાલિકા દ્વારા વેરા ઉઘરાણી તેજ ગતિએ વધારી દીધી છે. મનપાએ રૂ. 10 હજાર કે તેથી વધુ વેરો બાકી હોય તેવા આસામીઓને વોરંટ ફટકારી વેરો ભરવા તાકીદ કરી છે લાંબા સમયથી વેરો ન ભરનાર 108 મિલકત સીલ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત 2 મકાનના નળ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં હજારો બાકીદારોને વોરંટ ફટકારવામાં આવ્યા છે અને અનેક મિલકતોને સીલ મારી દેવામાં આવ્યા છે. મોરબી મહાનગર પાલિકાની મિલકત વેરા શાખાએ અત્યાર સુધીમાં કુલ 1275 બાકીદારને વોરંટ ઇસ્યુ કર્યા છે. જેમાંથી 108 મિલકતોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ સીલ થયેલી મિલકતમાંથી 42 આસામીએ તુરંત વેરો ભરપાઈ કરતા તેમના સીલ ખોલી નાખ્યા છે, જ્યારે 64 મિલકતો હજુ પણ સીલ છે. રહેણાંક મિલકતોમાં જેનો વેરો બાકી છે તેવા 2 આસામીના નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. તંત્રએ મિલકતનો વેરો 10,000 થી વધુ બાકી હશે, તેમના નળ અને ડ્રેનેજ કનેક્શન કાપી નખાશે. આ કડક ઝુંબેશને કારણે શહેર વિસ્તારમાંથી રૂ. 27.37 કરોડ અને ગ્રામ્ય/ક્લસ્ટર વિસ્તારોમાંથી રૂ. 2.57 કરોડ મળી કુલ કરોડોની આવક પાલિકાની તિજોરીમાં જમા થઈ છે. મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે આ સીલિંગ અને વોરંટની પ્રક્રિયા 31 માર્ચ 2026 સુધી સતત ચાલુ રહેશે.જો નિયત સમય મર્યાદામાં વેરો ભરવામાં નહીં આવે તો બાકી રકમ પર 18% વ્યાજ વસુલાશે. ભાસ્કર નોલેજક્યાં અને કેવી રીતે વેરો ભરી શકાશે?‎નાગરિકોની સુવિધા માટે પાલિકાએ નીચે મુજબની વ્યવસ્થા કરી છે.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 4:46 am

સન્ડે ફોટો સ્ટોરી:વાંકાનેરના ગંગાબહેન રોજ સવારે પ્રસૂતાઓને ચોખ્ખા ઘીનો શીરો ખવડાવવા પહોંચે

વાંકાનેરના મહિલાએ છેલ્લા 15 વર્ષથી સેવાનો નવો અધ્યાય શરૂ કર્યો છે અને પ્રસુતાઓ તેમજ ભાવિ પેઢીના સશક્તિકરણ માટે દરરોજ નિસ્વાર્થભાવે પુરુષાર્થ કરી રહી છે. વાંકાનેરના ભીમગુડા ગામના વતની અને વાંકાનેરમાં પરણીને સ્થાયી થયેલા ગંગાબેન કાનાભાઇ ગમારાનો જીવ નાનપણથી જ શ્રધ્ધાળુ અને પરોપકારવાદી ખરો. પરણીને સાસરે આવ્યા અને સંતાનોને ભણાવવા, ગણાવવાની જવાબદારીમાંથી પરવારીને તેમણે નક્કી કર્યું કે દરરોજ ચોખ્ખા ઘીમાંથી ઘઉંના લોટનો શીરો બનાવવો અને ગરમ ગરમ જ પ્રસુતાઅોને પહોંચાડવો. ઘરે જ લાકડાની મદદથી અગ્નિ પેટાવી ડ્રાયફ્રુટ સભર શીરો ગંગાબહેન બનાવે અને પતિ સાથે સિવિલ સહિતની ત્રણથી ચાર હોસ્પિટલે આપવા નીકળી પડે. એમાં એક પણ દિવસની ચૂક ન થાય અને જો સંજોગવશાત તેઓ ગામમાં હાજર ન હોય તો તેમના પતિ કે દીકરા વહુ આ જવાબદારી નિભાવે. મહિલા સશક્તિકરણની વાતો આજે અનેક થશે, આવું સેવાનું કામ મૂક ભાવે કરનારા ગંગાબહેન પણ મહિલા સશક્તિકરણની મિસાલ જ છે ને!

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 4:41 am

કલેક્ટરે શૈક્ષણિક કામગીરીની કરી ચકાસણી:બાલપુર પ્રાથમિક શાળામાં કલેક્ટરની અચાનક મુલાકાત

વ્યારા તાલુકાના બાલપુર ગામ સ્થિત પ્રાથમિક શાળાની તાપી જિલ્લા કલેક્ટર ડૉ. વીપીન ગર્ગ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન કલેક્ટરે શાળામાં ચાલી રહેલી શૈક્ષણિક કામગીરીનું નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓના અભ્યાસ અને શિક્ષણની ગુણવત્તા અંગે માહિતી મેળવી હતી. કલેક્ટરે વિવિધ ધોરણના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી તેમને અભ્યાસ સંબંધિત પ્રશ્નો પૂછ્યા હતા. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક જવાબ આપતા તેમની તૈયારી અને અભ્યાસ પ્રત્યેની લગન સ્પષ્ટ જણાઈ આવી હતી. કેટલાક વિદ્યાર્થીઓએ પણ પોતાની શંકાઓ રજૂ કરતાં કલેક્ટરે સરળ ભાષામાં સમજ આપી તેમના પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું. આ ઉપરાંત કલેક્ટરે શિક્ષકો સાથે ચર્ચા કરી શિક્ષણની ગુણવત્તા વધુ મજબૂત બને તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે માટે શિક્ષકોનું સમર્પિત યોગદાન મહત્વપૂર્ણ હોવાનું તેમણે જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 4:22 am

આરોગ્ય સુવિધાઓ વધુ સુદ્રઢ બનશે:કડોદરામાં 1.30 કરોડના ખર્ચે અર્બન હેલ્થ સેન્ટરનું ખાતમુહૂર્ત

કડોદરા નગરપાલિકા વિસ્તારમાં આરોગ્ય સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી 15માં નાણાપંચની યોજના અંતર્ગત અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર (UPHC)ના નવા મકાનનો ખાતમુહૂર્ત કાર્યક્રમ શાસ્ત્રોક્ત વિધિ સાથે સંપન્ન થયો હતો. આ પ્રોજેક્ટ સુરત જિલ્લા પંચાયતને પ્રાપ્ત થયેલ અંદાજિત રૂપિયા 1.30 કરોડ ના અનુદાનમાંથી સાકાર કરવામાં આવશે. ​આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરભાઈ આર. પરમાર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવો દ્વારા ભૂમિ પૂજન અને ખાતમુહૂર્તની વિધિ વિધિવત રીતે કરવામાં આવી હતી. આ અવસરે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન એ. પટેલ, આરોગ્ય સમિતિના અધ્યક્ષ રોશનકુમાર એ. પટેલ તેમજ કડોદરા નગરપાલિકાના પ્રમુખ નારાયણી શર્મા તેમજ સુરત જિલ્લા ભાજપના મહામંત્રી અંકુરભાઇ દેસાઈ સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા. નવા બનનારા આ હેલ્થ સેન્ટરથી સ્થાનિક રહીશોને ઘર આંગણે આધુનિક અને સસ્તી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે, જે સમગ્ર વિસ્તાર માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 4:19 am

શિક્ષણ:29મી માર્ચે ગુજકેટના લીધે હવે એચ-ટાટ 12મી એપ્રિલે યોજાશે

ગુજરાત માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી), ગાંધીનગર દ્વારા 29મી માર્ચે ગુજકેટ (ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) લેવામાં આવનારી હતી. જેના પગલે એચ-ટાટ (હાયર સેકન્ડરી એપ્ટિટ્યુડ ટેસ્ટ-શિક્ષક અભિરુચિ કસોટી- ટાટ)ની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડે કરેલા ફેરફાર અનુસાર હવે આ એચ-ટાટ 12મી એપ્રિલે યોજાશે. રાજ્ય પરીક્ષા બોર્ડના નિર્ધારિત જાહેરનામા અનુસાર પરીક્ષાને લગતી સબંધિત વિગતોથી સતત માહિતગાર કરવા માટે http://www.sebexam.org વેબસાઈટની ચકાસણી કરવા માટે જણાવાયું છે. આ ટેસ્ટ ગુજરાતી, અંગ્રેજી, હિન્દી માધ્યમમાં લેવાશે.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 4:00 am

ભાસ્કર એક્સક્લૂઝિવ:ઉદ્યોગનગર ફાટક પાસેનો વૈકલ્પિક બિસ્માર‎રસ્તો મનપાએ 5 માસમાં પણ રિપેર કર્યો નહીં‎

પોરબંદરમાં ઉદ્યોગનગર ફાટક બંધ થતા સ્થાનિકોને 3 થી 4 કિમી ઓવરબ્રિજ માંથી પસાર થવું પડે છે ત્યારે વિરોધનો વંટોળ ઊઠ્યો હતો, વૈકલ્પિક રસ્તો અતિ બિસ્માર છે અને કલેક્ટરે રસ્તો રિપેર કરવા માટે કામચલાઉ તા. 31/5 સુધીમાં ફાટક ખોલી આપવા લેટર લખ્યો હતો જેથી રેલવે તંત્રે ફાટક ખોલ્યું છે પરંતુ 5 માસ દરમ્યાન મનપા દ્વારા રિપેર કામગીરી શરૂ કરવામાં પણ આવી નથી અને રેવન્યુ વિભાગ હસ્તકના દબાણ દૂર કરાયા નથી તેવા સંજોગોમાં રેલવે તંત્ર દ્વારા બોર્ડ લગાવી જાહેર કર્યું છે કે તા.31/5ના રાત્રિના 12 વાગ્યે ફાટક બંધ કરી દેવામાં આવશે. આ બોર્ડ જોઈને સ્થાનિકો રોષે ભરાયા છે. પોરબંદરમાં ઉદ્યોગનગર રેલવે ફાટકનો પ્રશ્ન ફરી ઉકળતો ચરૂ બન્યો છે. તાજેતરમાં પશ્ચિમ રેલવે ભાવનગર મંડળ દ્વારા ઉદ્યોગનગર ફાટક પાસે બોર્ડ મારી સૂચના આપી છે કે તા. 31/5/2026ના રોજ રાત્રિના 12 વાગ્યાથી આ ફાટક સંપૂર્ણ બંધ કરી દેવામાં આવશે. આ બોર્ડને જોઈને સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ઉલ્લેખનીય છે કે, નરસંગ ટેકરી થી રોકડિયા હનુમાન આવતી અને જતી વખતે વચ્ચે ઉદ્યોગનગર ફાટક આવે છે. આ ફાટક આસપાસ અનેક સોસાયટીઓ આવેલ છે અને અંદાજે 30 થી 35 હજાર સ્થાનિકો ઉપરાંત અન્ય લોકો આ ફાટક માંથી પસાર થાય છે. ફાટક બંધ કરી દેવામાં આવતા સ્થાનિકોએ ઉગ્ર વિરોધ અને આંદોલન કર્યા હતા જેને પગલે ફાટક ખોલવામાં આવ્યું હતું પરંતુ હવે ફરીથી ફાટક બંધ થવાનું બોર્ડ લગાવવામાં આવતા સ્થાનિકોનો રોષ ચરમ સીમાએ પહોંચ્યો છે. ઉલ્લેખનીય એ છે કે, ફાટક પાસેથી વૈકલ્પિક રસ્તો આવેલ છે અને આ રસ્તો અતિ બિસ્માર છે તેમજ ચોમાસામાં પાણી ભરાઈ છે. ફાટક બંધ થાય તો સ્થાનિકોને વૈકલ્પિક રસ્તેથી પસાર થવું પડે અને આ વૈકલ્પિક માર્ગ પર છેક હાઈવે પર નીકળે જ્યાં મોટો ઢાળ ચડવો પડે અને રોંગ સાઈડમાં જવું પડે અથવા લાંબુ અંતર કાપવું પડે, જો આ રસ્તાનો ઉપયોગ ન કરે તો સ્થાનિકોને ઓવરબ્રિજ ચડીને 3 થી 4 કિમીનું અંતર વધુ કાપવું પડે. વૈકલ્પિક રસ્તો બિસ્માર હોવાથી જિલ્લા કલેક્ટર દ્વારા રેલવે તંત્રને તા.17/10/2025ના રોજ લેટર લખ્યો હતો જેમાં મનપા દ્વારા રોડનું સમારકામ અને ઢાળ રિપેર કરવાનો અને સીસીરોડ બનાવવાની કામગીરી મનપા દ્વારા કરવામાં આવશે અને 6 માસમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે જેથી આ ફાટક તા.31/5/2026 સુધી તાત્કાલિક ખોલી આપવામાં આવે તેવું લેટરમાં લખ્યું હતું. મહત્વની વાત એ છે કે મનપા દ્વારા બિસ્માર વૈકલ્પિક રસ્તાનું સમારકામ 5 માસ દરમ્યાન કરવામાં જ આવ્યું નથી. રોડ મોટો કરવા માટે રેવન્યુ વિભાગની જગ્યામાં દબાણ છે તે દૂર કરવામાં આવ્યું નથી. હવે મંજૂરી લેવામાં અને ટેન્ડર પ્રક્રિયા કરવા માંજ મનપાને 3 માસ જેટલો સમય લાગી શકે તેમ છે. વૈકલ્પિક માર્ગ રાત્રિના સમયે જોખમી: સ્થાનિકો સ્થાનિકોને પૂછતા સ્થાનિકે જણાવ્યું હતુ કે, વૈકલ્પિક માર્ગ બિસ્માર તો છે જ સાથોસાથ અહીં દારૂની બદી જોવા મળે છે. આ રોડ પર રાત્રીના સમયે નશો કરેલ હાલતમાં આવારા તત્વો લથડિયા ખાતા જોવા મળે છે. સ્થાનિકોએ જણાવ્યું હતુ કે, ઓવરબ્રિજ પર પણ કેટલાક તત્વો નશો કરેલ હોય છે અને બર્થડે પાર્ટી કરે છે, ફાટક અંડર બ્રિજ કરી આપે તો 35 હજાર સ્થાનિકોની મુશ્કેલીનો અંત આવી શકે. શા માટે ફાટક બંધ કરવામાં આવશે ?ભાસ્કરે તપાસ કરતા રેલવે તંત્રએ જણાવ્યું હતુ કે પ્રધાનમંત્રી મોદી દ્વારા ફાટક મુક્ત ભારત કરવાની જાહેરાત કરવામાં આવી હતી, અને ફાટક પાસે વૈકલ્પિક રસ્તો પણ કાઢી આપવામાં આવેલ છે જેથી ફાટક મુક્ત ભારત જાહેરાત અનુસંધાને ઉપરી અધિકારીઓની સુચના મુજબ આ ફાટક બંધ કરવામાં આવશે અને અન્ય સ્થળે જ્યાં ફાટક છે ત્યાં પણ ઓવર અથવા અંડર બ્રિજ અથવા વૈકલ્પિક રસ્તો કાઢી ફાટક બંધ કરી ફાટક મુક્ત રોડ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 4:00 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ગ્રામ્ય પંથકના રેલ્વે સ્ટેશનમાં પાયાની સુવિધા અને ટિકીટ વેન્ડરનો અભાવ

રેલ્વે વિભાગ દ્વારા માત્ર શહેરના મોટા રેલ્વે સ્ટેશનના આધુનિકરણ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે મોટા સ્ટેશનોને આધુનિક બનાવવાની જાહેરાત વચ્ચે પોરબંદર વાંસજાળીયા રેલ્વે ટ્રેક વચ્ચે આવતા ત્રણ જેટલા ગ્રામ્ય રેલ્વે સ્ટેશન પર પાયાની સુવિધા ઉપરાંત ટીકીટ વિતરણ માટે ટીકીટ વેન્ડરનો પણ વર્ષોથી અભાવ જોવા મળી રહ્યો છે.તરસાઈ,સખપુર,રાણા બોરડી સહિતના ગામોના સ્ટેશનના રેલ્વે સ્ટેશનમાં ટીકીટ વિતરણ બંધ હોવાથી મુસાફરોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે તેમજ આ સ્ટેશનમાં મુસાફરો માટે પાયાની પણ સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારના રેલ્વે વિભાગ દ્વારા સુરત,અમદાવાદ સહિતના મેટ્રો સીટી તેમજ અન્ય સ્ટેશનોને આધુનિકરણ માટે કરોડો રૂપિયાની જાહેરાત કરવામાં આવે છે. પોરબંદરના રેલ્વે સ્ટેશનનું પણ આધુનિકરણ માટે થોડા વર્ષો પૂર્વે જાહેર કર્યા બાદ રીનોવેશન હાથ ધરવામાં આવ્યું હતું.રેલ્વે વિભાગ દ્વારા શહેરના રેલ્વે સ્ટેશનોને આધુનિક બનાવી રહી છે પરંતુ ગ્રામ્ય પંથકના રેલ્વે સ્ટેશન મરણ પથારીએ જોવા મળી રહ્યા છે.પોરબંદરના રેલ્વે સ્ટેશન ખાતેથી અનેક ટ્રેઈનો દિવસ દરમ્યાન ઉપડે છે. આ ટ્રેઇનમાં ગ્રામ્ય પંથકના લોકો પણ મોટી સંખ્યામાં મુસાફરો મુસાફરી કરતા હોય છે. પરંતુ પોરબંદર વાંસજાળીયા રેલ્વે ટ્રેક વચ્ચેના રાણા બોરડી,સખપુર,તરસાઈ સહિતના રેલ્વે સ્ટેશનોમાં છેલ્લા ઘણા વર્ષોથી ટીકીટ વેન્ડરનો અભાવ જોવા મળી રહ્યો છે જેને લઈને મુસાફરોને ટ્રેનમાં સફર કરવા માટે ફરજિયાત ટ્રેઈનમાં રહેલ ગાર્ડ પાસેથી ટીકીટ લેવા જવું પડી રહ્યું છે તો અમુક રેલ્વે સ્ટેશન ખાતે સ્ટોપ થતી ટ્રેનમાં ગાર્ડ દ્વારા ટીકીટ પણ આપવામાં આવતું નથી અને આગળના સ્ટોપ પર ટીકીટ આપવામાં આવશે તેવું મુસાફરોને જણાવી દેવામાં આવે છે. ટિકિટ વેચાણમાં કમિશન ઓછું ‎હોવાથી વેન્ડરો મળતા નથી‎પોરબંદર વાંસજાળીયા રેલ્વે ટ્રેક વચ્ચેના રાણા બોરડી,સખપુર,તરસાઈ સહિતના રેલ્વે સ્ટેશનોમાં મુસાફરો માટે પાયાની સુવિધાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે.આ તમામ સ્ટેશનમાં ચોતરફ ઝાડી ઝાંખરા તેમજ બેઠક વ્યવસ્થાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે તો પીવાના પાણી તેમજ સોચાલય સહિતની સુવિધાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. મુસાફરોને દંડ મળી રહ્યો છે‎ટિકિટ વેચાણમાં કમિશન ઓછું હોવાથી વેન્ડરો મળતા નથી પોરબંદર વાંસજાળીયા રેલ્વે ટ્રેક પર રાણા બોરડી,સખપુર,તરસાઈ સહિતના રેલ્વે સ્ટેશન ખાતે ભૂતકાળમાં ટીકીટ વેન્ડર હતા પરંતુ રેલ્વે દ્વારા ટીકીટ વિતરણ માટે કમિશનના દરમાં ઘટાડો કરી નાખવામાં આવ્યો છે જેને લઈને ટીકીટ વેન્ડર માટે કોઈ તૈયાર નથી.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 4:00 am

મહિલા દિવસ:રૂપાળીબા બાગ આજે પણ મહિલાશક્તિનું પ્રતીક

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે પોરબંદર શહેરના મધ્યમાં આવેલો ઐતિહાસિક રાજમાતા રૂપાળિબા બાગ મહિલાઓના સશક્તિકરણ અને સમાજમાં મહિલાઓને અપાયેલા માન- સન્માનનું અનોખું પ્રતિક બની રહ્યો છે. વર્ષો પહેલા મહિલાઓ અને બાળકોને મનોરંજન તથા આરામ માટે સુરક્ષિત અને અનુકૂળ સ્થળ મળે તે હેતુથી આ બાગનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તે સમય માટે આ એક પ્રગતિશીલ અને અનોખી પહેલ ગણાતી હતી. આજે પણ મોટા શહેરોમાં મહિલાઓ માટે સંપૂર્ણપણે અનામત બગીચા ઓછા જોવા મળે છે, ત્યારે દાયકાઓ પહેલા પોરબંદરમાં મહિલાઓ માટે ખાસ ગાર્ડનની વ્યવસ્થા કરાવવી રાજમાતા રૂપાળિબાની આગાહી વિચારસરણીનું ઉત્તમ ઉદાહરણ છે. મહિલાઓ નિર્ભય રીતે મનોરંજન કરી શકે અને બાળકો સાથે સમય વિતાવી શકે તે માટે શહેરના મધ્યમાં આ સુંદર બાગ ભેટરૂપે આપવામાં આવ્યો હતો.હાલમાં આ ઐતિહાસિક બગીચાની જાળવણી પોરબંદર મનપા દ્વારા કરવામાં આવે છે. ગાર્ડન વિભાગના માર્ગદર્શન હેઠળ સફાઈ અને સુરક્ષાની વ્યવસ્થા રાખવામાં આવી છે. બગીચામાં વર્ષો જૂના ઘટાદાર વૃક્ષો, હરિયાળી અને બાળકો માટે રમતગમતના સાધનો ઉપલબ્ધ હોવાથી મહિલાઓ અને બાળકો માટે આ સ્થળ આરામદાયક બન્યું છે. માત્ર મહિલાઓ માટે અનામત હોવાને કારણે અહીં સમયાંતરે સામાજિક, સાંસ્કૃતિક અને જાગૃતિ કાર્યક્રમો પણ યોજાય છે. શહેર માટે ગૌરવરૂપ આ બગીચો આજે પણ પોરબંદરની ઓળખ બની રહ્યો છે. આગામી સમયમાં બગીચામાં લાઇટિંગ ડેકોરેશન, ગ્લોઇન એનિમલ અને લાઇટિંગ ટ્રી જેવી સુવિધાઓ ઉમેરવાનું મનપાનું આયોજન છે. ઐતિહાસિક બાગનો ઇતિહાસરાજમાતા રૂપાળિબા બાગના નિર્માણ માટે પોરબંદરના દાતા શેઠ નાનજીભાઈ કાલિદાસ મહેતાએ રૂપિયા 51,000નું દાન આપ્યું હતું, જ્યારે સૌરાષ્ટ્ર સરકારે રૂપિયા 34,000નો ખર્ચ કર્યો હતો. કુલ રૂપિયા 85,000ના ખર્ચે બનેલા આ બાગનું લોકાર્પણ વિક્રમ સંવત 2005માં શ્રીકૃષ્ણ જન્મજયંતિના દિવસે, તા. 17 ઓગસ્ટ 1949ના રોજ કરવામાં આવ્યું હતું. પોરબંદરની ઐતિહાસિક ઓળખ તરીકે ઓળખાય છે.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 4:00 am

આવક ઓછી રહેતા ડિમાન્ડ વધતા જ ભાવ વધ્યા‎:પોરબંદર જિલ્લામાં ઉનાળાનો પ્રારંભ થતાની સાથે લીંબુના ભાવ પ્રતિ કિલોએ રૂ.100થી વધી 160 થયા

પોરબંદર જિલ્લામાં ઉનાળાના પ્રારંભ થતાની સાથે જ ગરમીમાં પણ વધારો થયો છે.જેથી લીંબુની ડિમાન્ડ વધી છે. લીંબુની આવક ઓછી રહેતા અને ડિમાન્ડ વધતા જ 10 દિવસમાં લીંબુના ભાવમાં પ્રતિકીલોએ રૂ.100નો વધારો થયો છે. 10 દિવસ અગાઉ લીંબુના ભાવ પ્રતિકીલોના રૂ.40 હતા ત્યારે હાલ લીંબુના પ્રતિકીલોના રૂ.140 થી 160 થઈ ગયા છે. સમગ્ર રાજ્ય સહિત પોરબંદર જિલ્લામાં હોળી-ધુળેટીના તહેવાર બાદ ગરમીમાં પણ વધારો થયો છે.ત્યારે ગરમીમાં વધારો થતાની સાથે જ લીંબુ સરબત, સહિતના ઠંડા પીવાનું વેચાણ પણ વધ્યું છે ત્યારે પોરબંદર પણ ગરમીમાં વધારો થયો છે.ગરમીમાં વધારો થતાની સાથે જ શહેરની શાકમાર્કેટ લીંબુની આવકમાં ઘટાડો થયો છે.હાલ લીંબુની આવક ઘટતા તેમજ લગ્ન પ્રસંગ તેમજ બજારમાં લીંબુની ડિમાન્ડ વધતા જ શાકમાર્કેટ લીંબુના ભાવમાં આસમાને પહોંચ્યા છે. પોરબંદરની શાકમાર્કેટના 10 દિવસ અગાઉ લીંબુમાં ભાવ પ્રતિકીલોના રૂપિયા 40 ભાવ હતો ત્યારે હાલ લીંબુના ભાવ પ્રતિકિલોના 140 થી 160 પહોંચ્યા છે. પોરબંદરના શાકમાર્કેટમાં છેલ્લા 10 દિવસમાં લીંબુના ભાવ પ્રતિકિલોના રૂપિયા 100 ભાવ વધારો નોંધાયો છે. એકાએક ભાવ વધારો થયો સામાન્ય રીતે દર વર્ષે લીંબુના ભાવ ઉનાળાના પ્રારંભ બાદ એક થી દોઢ માસ બાદ વધારો જોવા મળતો હોય છે ત્યારે આ વર્ષે ઉનાળાના પ્રારંભે જ લીંબુના ભાવમાં પ્રતિકિલોએ રૂપિયા 100 ભાવ વધારો થતાં ગૃહિણીઓ મુશ્કેલીમાં મુકાઇ હતા.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 4:00 am

છેતરપિંડી:પોરબંદરના યુવાનને લંડનમાં વિઝા કરાવી આપવાનું કહી અમદાવાદના 4 શખ્સે રૂ.30.75 લાખની છેતરપિંડી આચરી

પોરબંદરના છાંયા રતનપર પર રહેતા એક યુવાનને લંડનમાં વિઝા કરાવી આપવાનો વિશ્વાસ અપાવી અમદાવાદના 4 શખ્સે રૂ.30.75 લાખની રકમ યુવાન પાસેથી મેળવી લીધી હતી અને વિઝા અપાવ્યા ન હતા. આ છેતરપિંડી અંગે યુવાને ફરિયાદ નોંધાવી છે. પોરબંદરના છાંયા રતનપર રોડ પર રહેતા દીપક લખમણ ઓડેદરા નામના યુવાનને અમદાવાદ રહેતા આરોપી સોમીલ અશ્વિન સોની અને પાર્થ સોનીએ પી.એસ.કન્સલ્ટન્ટ નામથી લંડનમાં વિઝા કરાવી આપવાનો વિશ્વાસ અપાવ્યો હતો. યુવાન પાસેથી અલગ-અલગ તારીખે આરોપી રોનીત અશ્વીન સોનીના ગુગલ પે એકાઉન્ટમાં ઓનલાઇન તથા સાક્ષી ભાવેશભાઇ બાપોદરાના હવાલા મારફત અને આરોપી અશ્વીન સોનીને આપેલ રોકડ મળી કુલ રૂ. 30,75,500 જેટલી માતબર રકમ મેળવી લીધી હતી અને યુવાનને લંડનની વિઝા કરાવી આપ્યા ન હતા તેમજ આરોપીઓએ અલગ-અલગ બહાના બનાવી યુવાનને મેસેજ વડે ગાળો કાઢી હતી તેમજ અશ્વીન સોનીએ ફોન પર મારી નાખવાની ધમકી આપી આરોપીઓએ અગાઉથીજ ગુન્હાહીત કાવતરૂ રચી યુવાન સાથે છેતરપીંડી-વિશ્વાસધાત કર્યો હતો. આ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે અમદાવાદના ચારેય આરોપી સામે ગુન્હો નોંધી આગળની તપાસ કમલાબાગ પોલીસ ચલાવી રહી છે.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 4:00 am

મહિલા દિવસ નિમિત્તે મહિના સુધી શિબિર:સિવિલની મહિલા કર્મીઓ માટે ચેક અપ કેમ્પ યોજાશે

વર્લ્ડ વુમન્સ ડે નિમિત્તે સિવિલ હૉસ્પિટલમાં શનિવારે મહિલા તબીબો, નર્સિંગ સ્ટાફ, રેસિડેન્ટ ડૉક્ટરો, ફાર્માસિસ્ટ, ટેક્નિશિયન, વહીવટી સ્ટાફ, સિક્યુરિટી તેમજ વર્ગ-૪ સહિત વિવિધ વિભાગોમાં કાર્યરત તમામ મહિલા કર્મચારીઓએ ભાગ લીધો હતો. મહત્ત્વનું છે કે કેમ્પસની તમામ મહિલા કર્મચારીઓ માટે સોમવારથી 1 મહિના સુધી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું છે. આ માટે કર્મચારીએ ગૂગલ ફોર્મથી નોંધણી કરાવવાની રહેશે. સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે 3 દિવસમાં 400 મહિલાના બોન ડેનસીટી ટેસ્ટ કરાયા છે. મહિના સુધી 1200થી વધુ મહિલા કર્મચારીઓના બોન ડેનસીટી, સર્વાઇકલ કેન્સરના નિદાન માટેનો પેપ સ્મિયર અને મેમોગ્રાફી તેમજ યુરીન-લોહીની તપાસ સાથે હેલ્થ ચેકઅપ કરાશે ગૂગલ ફોર્મથી નોંધણીહેલ્થ એકઅપ માટે હૉસ્પિટલતંત્ર દ્વારા ગુગલ ફોર્મ બનાવાયું છે, આ ફોર્મ ભરનારી મહિલા કર્મચારીની સુવિધાને ધ્યાનમાં રાખીને વિવિધ ટેસ્ટ કરાશે, જેમાં ઓપીડીમાં બ્લડ-યુરીન ટેસ્ટ, રેડિયોલોજી વિભાગમાં મેમોગ્રાફી અને ગાયનેક વિભાગમાં મહિલામાં સર્વાઇકલ કેન્સરના નિદાન માટેનો પેપ સ્મિયર ટેસ્ટ કરાશે. કર્મચારીની 14 વર્ષથી નાની દીકરીને HVP રસી પણ અપાશે.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 4:00 am

ભાસ્કર એક્સક્લુઝિવ:બચત મંડળીથી 1500 મહિલા રોજ 300 રૂપિયા કમાય છે

વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મંગળ નવકાર ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. લાલ રંગની સાડીમાં સજ્જ 500થી વધુ મહિલાએ એકસાથે હાથ ઊંચા કરીને આર્થિક સ્વતંત્રતાનો ઉત્સવ ઉજવ્યો હતો. 2 વર્ષમાં આ સંસ્થાના માધ્યમથી સેટેલાઇટ અને વાસણા વિસ્તારની 500થી વધુ મહિલા પગભર થઈ છે. સંસ્થાના પરિસરમાં જ કેટલીક મહિલાઓ કાપડની થેલીઓ બનાવવાનું કામ કરે છે. પ્લાસ્ટિક મુક્ત અભિયાન સાથે જોડાયેલી આ પ્રવૃત્તિ દ્વારા મહિલાઓ સન્માનજનક આવક મેળવી રહી છે. મંગળ નવકાર ટ્રસ્ટે 500 મહિલાને રોજગારી અપાવી સેટેલાઇટ અને વાસણાની 1500 બહેનો બચત-ધિરાણ મંડળી ચલાવી રહી છે. આ કારણે પ્રત્યેક મહિલા સરેરાશ રોજની 300 રૂપિયાની આવક ઊભી કરવામાં સફળ રહી છે. 2 વર્ષમાં સંસ્થા દ્વારા ચલાવવામાં આવતા સિવણ ક્લાસ અને મહેંદી ક્લાસમાં 640 જેટલી મહિલાઓએ તાલીમ લીધી છે. આ તાલીમ માત્ર પ્રમાણપત્ર પૂરતી સીમિત નથી રહી, પરંતુ તેમને રોજગાર મળે તે માટે સંસ્થાએ 250 જેટલા સિલાઈ મશીન નિઃશુલ્ક આપ્યાં છે.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 4:00 am

બાર કાઉન્સિલ:જિલ્લામાંથી 76.50% મતદાન‎, 8 કોર્ટના કુલ 1297 મતદારોમાંથી 992એ મતદાન કર્યું

ગુજરાત રાજ્યની બાર કાઉન્સિલની ચૂંટણીમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી 3 ઉમેદવારે આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. જેમાં તા.6 માર્ચે 8 કોર્ટના નોંધાયેલા વકીલોએ પ્રતિનિધિ તરીકે ચૂંટણી માટે મતદાન કર્યું હતું. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામંથી કુલ 76.50 ટકા મતદાન થયું હતું. ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના હોદ્દેદારોની ચૂંટણી માટેની જાહેરાત કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં 8 કોર્ટ આવેલી હોવાથી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. આમ ચૂંટણીની જાહેરાત કરયા બાદ ઉમેદવારી ફોર્મ વિતરણ પ્રક્રિયા હાથ ધરાતા જિલ્લામાંથી 3 ઉમેદવાર દિપેનભાઇ દવે, પ્રશાંતભાઇ ભટ્ટ, અને અશોકભાઇ ચાવડાએ ફોર્મ ભર્યું હતું. આથી પ્રચાર પ્રસાર હાથ ધરાયો હતો. ત્યારે આજે 6-3-2026ના રોજ સવારે 10થી સાજે 6 કલાક સુધી જિલ્લાની 8 કોર્ટમાં મતદાન હાથ ધરાયું હતું. જેમાં સુરેન્દ્રનગર કોર્ટમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં સુરેન્દ્રનગર બાર એસોસીએશનના ચૂંટણી કમિશનર કે. કે. રામાનુજ તથા દેવેન્દ્રસિંહ બી. રાણા તથા ડી.એન. ઝાલા, શૈલેષભાઈ એન. સોલંકી, યુવરાજસિંહ પરમાર હતા.સાથો સાથ જિલ્લાની દરેક 8 કોર્ટમાં મતદાન હાથ ધરાયું હતું. જેમાં સાંજ સુધીમાં કુલ 1297 મતદારોમાંથી 992 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં સૌથી વધુ સુરેન્દ્રનગર કોર્ટમાં અને સૌથી ઓછુ સાયલા કોર્ટમાં મતદાન થયું હતું. ત્યારે હવે મતદાન પૂર્ણ થતા હવે પરિણામની રાહ જોવાઇ રહી છે. જિલ્લામાં સૌ પ્રથમવાર મતદાનનું લાઇવ રેકોર્ડિંગ, સીસીટીવી કેમેરા બાર કાઉન્સિલની ચૂંટણીમાં આ વખત સૌ પ્રથમવાર મતદાનનું લાઇવ રેકોર્ડિંગ કરાયું હતું. જ્યારે સીસીટીવી કેમેરાની નીગરાની પણ રાખવામાં આવવા સાથે વકીલોએ મતદાન કર્યું હતું. જેમાં પોલિંગ ઓફિસરોની પણ નિમણૂંક કરવામાં આવી હતી. તાલુકાવાઇઝ થયેલું મતદાનસુરેન્દ્રનગર - 446 મતદાન, લીંબડી - 106, ધ્રાંગધ્રા - 99, વઢવાણ - 185, ચોટીલા - 50, થાનગઢ - 55, સાયલા - 51. આમ કુલ 992એ મતદાન કર્યું.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 4:00 am

NA કાંડ:સસ્પેન્ડેડ જિલ્લા કલેક્ટરના‎માતાના નામે એક જ બેંકમાં 12 ખાતા‎

તત્કાલિન કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ અને તેમના મળતિયાઓ દ્વારા જમીન એન. એ પ્રકરણમાં આચરવામાં આવેલા ભ્રષ્ટાચાર કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અદાલતમાં રજૂ કરાયેલી ચાર્જશીટમાં અનેક ગેરરીતિઓના ઘટસ્ફોટ કર્યા છે. તેમના નાણાકીય વ્યવહારોની તપાસમાં અનેક ગેરરીતિ પ્રકાશમાં આવી છે. રાજેન્દ્ર પટેલના માતાના નામના 12 જેટલા એકાઉન્ટ મળી આવ્યા છે. તેમની પત્નીના નામે 2 અને ખૂદ તેમના નામે ત્રણ અલગ અલગ બેંકમાં 3 એકાઉન્ટ મળી આવ્યા છે. ચાર્જશીટમાં થયેલા ખુલાસા મુજબ જશુમતીબહેન મહેન્દ્રભાઇ પટેલના નામે બી.ઓ.બી માં જ અલગ અલગ 12 નંબરના એકાઉન્ટ છે. એક જ બેંકમાં આ પ્રકારે આટલી મોટી સંખ્યામાં ખાતા ખોલાવી શકાય કે કેમ તે અંગે એક બેંકરે નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, વ્યક્તિ ગમે તેટલા ખાતા ખોલાવી શકે છે તેમાં કોઇ મર્યાદા નથી. દરમિયાન સસ્પેન્ડેડે કલેક્ટરના નામે એચ ડી એફ સી બેંકમાં, આઇ સી આઇ સી આઇ બેંકમાં અને બી ઓ બીમાં 1 - 1 એકાઉન્ટ છે. પોતાના, પરિવારજનોના નામે કરોડોની મિલ્કતડો. રાજેન્દ્ર પટેલ, તેમના પત્નીના નામે કરોડોની પ્રોપર્ટી મળી છે. એવું કહેવાય છે કે તેમની બેનંબરી આવકનો વહીવટ તેમનો સાળો કરતો હતો. તપાસમાં ખૂલ્યા મુજબ સસ્પેન્ડેડ કલેક્ટરના નામે ગાંધીનગર - છારોડી ખાતે 1.85 કરોડની કિંમતનો ફ્લેટ છે. ઉપરાંત અમદાવાદના ગોતા વિસ્તારમાં પણ 54 લાખની કિંમતનો એક ફ્લેટ છે. તેમની પત્ની મોનિકા પટેલના નામે કુહા ખાતે એક ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ કે જેની કિંમત 81 લાખ મનાય છે અને ઝુંડાલમાં 43 લાખની કિંમતની દુકાન ખરીદી છે. ભ્રષ્ટાચારની સિંગલ વિન્ડો સિસ્ટમ એટલે જયરાજસિંહ એન એ બ્રાન્ચના ક્લાર્ક મયુરસિંહ ગોહિલે સ્વીકાર કર્યો કે તત્કાલિન કલેક્ટરના પી. એ. જયરાજસિંહ ઝાલા લાંચની રકમ ઉઘરાવવા માટેનો પ્રથમ પોઇન્ટ હતો. જે રકમ આવી હોય તે જે તે કર્મચારી - અધિકારીને પહોંચાડવાની જવાબદારી જયરાજસિંહની હતી. તેમણે એવો પણ એકરાર કર્યો કે, ક્યારેક હું પણ વચેટિયા અને દલાલો પાસેથી નાની મોટી રકમ લાંચ સ્વરુપે સ્વીકારી તે ચંદ્રસિંહ મોરીને પહોંચાડતો હતો.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 4:00 am

જિલ્લામાં 12 વર્ષથી 181 હેલ્પલાઇન કાર્યરત:અભયમ ટીમ એક વર્ષમાં જિલ્લાની 675 મહિલાની વ્હારે આવી જ્યારે 389 કેસનું સ્થળ પર જ સમાધાન

સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલાઓને તાત્કાલિક મદદરૂપ થવા 181 ટીમ કાર્યરત કરાઇ છે. જેમાં 12 વર્ષમાં 38,128 મહિલાને મદદ પહોંચાડી છે. 1 વર્ષમાં 675 મહિલાની વ્હારે અભયમ ટીમ આવી હતી. જેમાં 262 ગંભીર કિસ્સામાં સહાય કેન્દ્ર સખી વન સ્ટોપ સેન્ટરની મદદ અપાવી હતી. મહિલા હેલ્પલાઇનની સુવિધા ગુજરાત રાજ્ય સહિત જિલ્લામાં 8 માર્ચ 2015થી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શરૂ કરાઇ હતી. જિલ્લામાં 181 ટીમે 12 વર્ષમાં કુલ 38,128 મહિલાને જરૂરીયાત સમયે સલાહ, સૂચન, માર્ગદર્શન બચાવની મદદ પૂરી પાડી છે. જ્યારે તાકીદની સ્થિતિમાં સ્થળ પર જઇ 6700 મહિલાને મદદ પૂરી પાડી છે. જેમાં મહિલા સાથે થતી હિંસા શારીરિક, જાતીય, માનસિક, આર્થિક, કાર્યના સ્થળે, પ્રજોત્પત્તિને લગતી બાબતો, શારીરિક તેમજ માનસિક આરોગ્યને લગતી સેવાઓ, લગ્ન જીવન તેમજ અન્ય સંબંધોના વિખવાદો, જાતીય તેમજ બાળ જન્મને લગતી બાબતો, કાનૂની જોગવાઈઓની પ્રાથમિક માહિતી ,આર્થીક ઉપાર્જન, વ્યવસાયને લગતા પ્રશ્નો સહિતના પ્રશ્નો ધ્યાને લેવાયા હતા. મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર વૈશાલીબેન મકવાણાએ જણાવ્યું કે જિલ્લામાં વર્ષમાં અભયમ હેલ્પલાઇનમાં 675 પીડીત મહિલાઓને ઘટના સ્થળે મદદ પહોંચાડી છે. જેમાં 389 કેસમાં કાઉન્સેલિંગ થકી સ્થળ પર સમાધાન કારી નિર્ણયો લેવાયા છે. જેમાં 262 કિસ્સામાં પીડીતા ગંભીર પ્રકારની સમસ્યા જણાતા પોલીસ સ્ટેશન, મહિલા સહાયતા કેન્દ્ર, સખી વન સ્ટોપ સેન્ટર સહિત મહિલા સંસ્થાની મદદ અપાવી હતી. ગત વર્ષની સરખામણીએ કેસમાં ઘટાડો અભયમ ટીમને 2025માં 675 કેસ સામે આવ્યા હતા. જેમાં 389 મહિલાને કાઉન્સેલિંગ તથા 262 ગંભીર કિસ્સાઓમાં સખી વનસ્ટોપ સેન્ટરની મદદ અપાવી હતી. જ્યારે 2024માં 781 કેસ સામે આવ્યા હતા જેમાં 509 મહિલાને કાઉન્સેલિંગ તથા 272 ગંભીર કિસ્સાઓમાં મહિલા સહાય કેન્દ્ર સખી વનસ્ટોપ સેન્ટરની મદદ અપાવી હતી. કુલ કેસમાં 106નો ઘટાડો થયો છે. જેમાં કાઉન્સેલિંગના 120 અને ગંભીર કિસ્સામાં 10નો ઘટાડો થયો છે.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 4:00 am

નારી તું નારાયણી:તહેવારોમાં જરૂરિયાતમંદોને ફરસાણ, મીઠાઈ સહિતની વસ્તુ અને પાંજરાપોળમાં પશુઓ માટે લાડવા આપે છે

તા.8 માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. તેવામાં આ મહત્વના દિવસે લખતરના એક એવા મહિલા મંડળની વાત કરીએ કે, જે સેવા પ્રવૃત્તિ માટે હંમેશા અગ્રેસર રહે છે. આ વાત છે લખતરના મહિલાઓના ગોપી મંડળની. જે ગોપી મંડળ તાલુકામાં અનેક સેવાપ્રવૃતિઓ માટે હંમેશા અગ્રેસર રહે છે. તહેવારોમાં પણ મહત્વનું સેવાકાર્ય કરે છે. લખતરના બુટ ભવાની મંડળ દ્વારા દિવાળીનાં તહેવારોમાં જરૂરિયાત મંદ લોકોને ફરસાણ, મીઠાઈ સહિતની વસ્તુઓનું વિતરણ કરવામા આવે છે. જેના ફૂડ પેકેટ તૈયાર કરવા માટે તહેવારોમાં પરિવાર અને કામકાજમાંથી સમય કાઢી રાત્રે ગોપી મંડળની મહિલાઓ એકઠી થઈને તે તૈયાર કરે છે. તો મકરસંક્રાંતિનાં દિવસે પાંજરાપોળમાં પશુઓને લાડવા આપવામાં હોય છે. તો તે અંતર્ગત પણ ઉત્તરાયણ(મકરસંક્રાતિ )ની પૂર્વ રાત્રિએ મહિલાઓ સાથે મળીને મોટા પ્રમાણમાં લાડવા વાળે છે. તો જન્માષ્ટમીના તહેવાર પૂર્વે પણ લાડવા તૈયાર કરે છે. કોરોનામાં મોક્ષધામ માટે 30 હજાર છાણા થાપ્યા કોરોના કાળ દરમિયાન લખતરના મોક્ષધામમાં છાણાની અછત ઊભી થઈ હતી. તેવા સમયે લખતર પાંજરાપોળમાંથી મળેલ છાણમાંથી માત્ર દસેક દિવસમાં ત્રીસેક હજાર કરતાં વધુ છાણા થાપીને છાણાની અછતને દૂર કરી લોકોની મુશ્કેલી દૂર કરી હતી. આટલું જ નહીં, પરંતુ મોક્ષધામમાં ખવાય નહીં તેવી અંધ શ્રધ્ધાને દૂર કરી છાણા થાપતા સમયે ત્યાં જ ભજીયા, સમોસા સહિતનો નાસ્તો તેમજ અંતિમ દિવસે પૂરી, શાક સહિતનો જમણવાર પણ મોક્ષધામમાં કરી અંધશ્રધ્ધાને તિલાંજલિ આપવાની દિશામાં પગલું ભર્યું હતું.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 4:00 am

ચૂંટણી પૂર્વે કોંગ્રેસ એક્શનમાં‎:લખતરમાં સેન્સ પ્રક્રિયા યોજાઈ 30થી વધુએ દાવેદારી નોંધાવી

સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પાર્ટી દ્વારા સંગઠનાત્મક સ્તરે તૈયારીઓ તેજ બનાવવામાં આવી છે. તે અંતર્ગત લખતર તાલુકામાં સંભવિત ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. શનિવારે તા. 7 માર્ચના રોજ બપોરે 2થી 4 વાગ્યા દરમ્યાન લખતર સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા આ સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની આવનારી ચૂંટણીને લઈ કાર્યકરો તથા આગેવાનો પાસેથી સંભવિત ઉમેદવારો અંગે અભિપ્રાય લેવામાં આવ્યો હતો. આ સેન્સ પ્રક્રિયામાં ગુજરાત કોંગ્રેસ મહામંત્રી પંકજસિંહ વાઘેલા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકી, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી શક્તિસિંહ રાણા, લખતર તાલુકા કોંગ્રેસ પ્રમુખ પરસોત્તમભાઈ દેવથળા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ સેન્સ પ્રક્રિયા દરમિયાન તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી 30થી વધુ સંભવિત ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. કોંગ્રેસના આગેવાનો દ્વારા કાર્યકરો સાથે ચર્ચા કરી સ્થાનિક સ્તરે મજબૂત અને જીતની શક્યતા ધરાવતા ઉમેદવારો અંગે સૂચનો મેળવવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 4:00 am

ચૂંટણીની તૈયારી:વઢવાણ તાલુકા કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાઈ

ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે. વઢવાણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ચૂંટણીના જંગમાં મજબૂત પકડ જમાવવા માટે ઉમેદવાર પસંદગીની કવાયત હાથ ધરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસના નિરિક્ષકની હાજરીમાં સંભવિત દાવેદારોના અભિપ્રાયો મેળવી, યોગ્ય અને જીતી શકે તેવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવા અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને વઢવાણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉમેદવાર પસંદગી માટેની સેન્સ પ્રક્રિયાની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ તરફથી નિરિક્ષક તરીકે પંકજસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમિયાન સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સંભવિત ઉમેદવારો પાસેથી અભિપ્રાય અને દાવેદારી અંગે માહિતી લેવામાં આવી હતી. સંગઠનને વધુ મજબૂત બનાવવું અને જીતાડુ તેમજ યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે વઢવાણ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ સાથે પદુભા પરમાર, મહેન્દ્ર પરમાર, મહાવીરસિંહ પરમાર, શિશુપાલસિંહ અને ઝરણાબેન ઝાની નિલેશ સોલંકી હાજર રહ્યા હતા. તેમજ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સેવા દળના પ્રમુખ પ્રતાપભાઈ ચૌહાણ, વસ્તડી જિલ્લા પંચાયત સીટના પ્રભારી રાજભા મકવાણા અને વઢવાણ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા કાલીયા વનરાજભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી કરવાની ઈચ્છા ધરાવતા કાર્યકરો અને આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં કાર્યકરોના સૂચનો અને અભિપ્રાયો સાંભળી આગળની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 4:00 am

આજે અહીં ધબકશે દેશનું દિલ:ટી-20 વર્લ્ડ કપ ફાઈનલ આજે અમદાવાદમાં; જીત્યા તો બનાવીશું 3 વર્લ્ડ રેકોર્ડ

અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આજે ક્રિકેટના સૌથી મોટા ઉત્સવ માટે તૈયાર છે. આજે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઈનલ મેચ છે. જો ભારત જીતશે તો ત્રીજીવાર જ્યારે ન્યૂઝીલેન્ડ જીતશે તો પ્રથમવાર ચેમ્પિયન બનશે. આ મેદાન હવે ફક્ત એક સ્ટેડિયમ નહીં, પરંતુ 140 કરોડ ભારતીયના ધબકારનું કેન્દ્ર બની સમગ્ર દેશનું દિલ અહીં ધબકશે. પીચ રિપોર્ટ મુજબ, અમદાવાદની પીચ સામાન્ય રીતે બેટિંગ માટે અનુકૂળ મનાય છે. જોકે 2019 અને આફ્રિકા સામેની મેચમાં મળેલી હારને જોતા, આ વખતે લાલ અને કાળી માટીની મિશ્ર પીચ જોવા મળી શકે છે. ભારત પાસે આ રેકોર્ડ બનાવવાની તક 1.ત્રણ ટી20 વર્લ્ડ કપ જીતનાર વિશ્વનો પહેલો દેશ બનશે. ભારત અગાઉ 2007માં અને 2024માં ટી-20 વર્લ્ડકપ જીતી ચૂક્યું છે. 2. 2007થી શરૂ થયેલા ટી20 વર્લ્ડ કપના ઇતિહાસમાં અત્યાર સુધી કોઈ પણ યજમાન દેશ વર્લ્ડ કપ જીતી શક્યું નથી. 3.પહેલીવાર કોઈ દેશ સતત બે ટી20 વર્લ્ડ કપ જીતશે: 2024માં જ ભારતે આ ખિતાબ જીત્યો હતો. ભારત માટે મોટો પડકાર નિર્ણાયક રહેશે ટોસ

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 4:00 am

ધરપકડ:24 કલાક પછી ગરમીનો પારો 39 ડિગ્રીએ પહોંચવાની શક્યતા

ઉત્તર ભારતમાં સક્રિય થયેલાં સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી શનિવારે શહેરમાં ભેજ અને ઠંડા પવનનું જોર વધ્યું હતું. જેથી શહેરનું લઘુતમ તાપમાન દોઢ ડિગ્રી ગગડ્યું હતું. આગામી 24 કલાક શહેરના તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નહિવત છે, એ પછી ગરમીનો પારો વધીને 39 ડિગ્રીએ પહોંચવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન શુક્રવારની સરખામણીએ 1.3 ડિગ્રી વધીને 37.6 ડિગ્રી અને લઘુતમ તાપમાન દોઢ ડિગ્રી ગગડીને 20 ડિગ્રીએ નોંધાયું હતું. હવામાન નિષ્ણાત એ.ટી. દેસાઇએ કહ્યું કે, વાતાવરણમાં ભેજ વધવાની સાથે પવનની દિશામાં ફેરફાર થયો છે. જો કે, 24 કલાક બાદ આ સિસ્ટમ નબળી પડવાથી તાપમાન વધશે.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 4:00 am

ટી 20 વર્લ્ડ કપ ફાઇનલ:આજે ફાઇનલ મેચને પગલે એરપોર્ટ પર 350 ફ્લાઇટમાં 45 હજારની અવરજવર, સ્ટેડિયમમાં 3 વાગ્યાથી પ્રવેશ અપાશે

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી 20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને પગલે રવિવારે સવારથી બપોરે 6 વાગ્યા સુધીમાં 50 જેટલી સીધી ફ્લાઇટ બુક થઈ ગઈ છે. પેસેન્જર ટ્રાફિકને પહોંચી વળવા ઇન્ડિગો, અકાસા, સ્પાઇસ જેટ, એરઇન્ડિયા અને એરઇન્ડિયા એક્સપ્રેસ એરલાઇન અમદાવાદથી વધારાની 30 ફ્લાઇટ ઓપરેટ થશે, જેમાં મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, બેંગલુરુ સહિત વિવિધ રૂટની 5400 સીટ વધારવામાં આવી છે અને તેની 80 ટકા સીટો બુક થઈ છે. રવિવારે ડોમેસ્ટિક-ઇન્ટરનેશનલ શેડ્યુલની 260, ડોમેસ્ટિકની વધારાની 30, ઉદ્યોગપતિ-સેલિબ્રિટીઝના 80 પ્રાઇવેટ જેટ મળી કુલ 350થી વધુ ફ્લાઇટની મૂવમેન્ટથી એરપોર્ટ વ્યસ્ત રહેશે. એક જ દિવસમાં 45 હજાર પેસેન્જરોની અવરજવર નોંધાય તેવી શક્યતા છે. સામાન્ય દિવસોમાં 260 ફ્લાઇટમાં 36 હજાર પેસેન્જરની અવરજવર નોંધાય છે. જોકે કોલ્ડ પ્લે વખતે 48 હજાર પેસેન્જર, વર્લ્ડ કપ ફાઇનલ વખતે 40 હજાર પેસેન્જરની અવરજવર નોંધાઈ હતી. ભાસ્કર એક્સપ્લેનર ; દર 7 મિનિટે મેટ્રો, 12થી 15 મિનિટે સિટી બસ મળશે સ્ટેડિયમમાં એન્ટ્રી કેટલા વાગ્યાથી? 3 વાગ્યાથી એન્ટ્રી મળશે. 5થી 10 મિનિટ ચેકિંગમાં જશે. પ્રવેશ કર્યા પછી સીટ સુધી પહોંચવામાં બીજી 25 મિનિટ લાગશે. સ્ટેડિયમમાં કઈ વસ્તુ લઈ જઈ શકાશે? ટિકિટ, ફોન, પર્સ, ચશ્માં, કેપ, જરૂરી દવા, લાકડી-પ્લાસ્ટિકની ડંડી વિનાના ધ્વજ કઈ કઈ વસ્તુઓ લઈ જઈ શકાશે નહિ? ફટાકડા, પાણીની બોટલ, લેપટોપ, સોફ્ટ ડ્રિંક, માચિસ, લાઇટર, છત્રી , હેલમેટ, પાવરબેંક, સેલ્ફી સ્ટિક, લેસર લાઇટ, હોર્ન તથા મોટી બેગ જેવી વસ્તુ પ્રતિબંધિત છે. પાર્કિંગ માટે ક્યાં જવું? જગ્યા મળશે? ટુવ્હીલર, ફોરવ્હીલર માટે સ્ટેડિયમથી દોઢથી 2 કિમી દૂર અલગ અલગ 8 પેઇડ પાર્કિંગ પ્લોટ છે. ઉપરાંત સ્થાનિક રહેવાસીઓએ પોતાના પ્લોટ, ઘરની સામે હંગામી ચાર્જેબલ પાર્કિંગ બનાવ્યાં છે. પાર્કિંગ માટે તમે ‘શો માય પાર્કિંગ’ એપથી ઓેનલાઇન સ્લોટ બુક કરી શકાશે. મેટ્રો-BRTSમાં કેવી રીતે જઈ શકાશે? કોઈ પણ મેટ્રો સ્ટેશનથી તમે સ્ટેડિયમના ગેટ નંબર 1થી 300 મીટર સુધી પહોંચી શકો છો. મેટ્રો ટ્રેન દર સાત મિનિટે મળશે અને મોડી રાત સુધી ચાલુ રહેશે. દર 12થી 15 મિનિટે બીઆરટીએસ, એએમટીએસ બસો પણ મળી રહેશે. બસમાં ઊતરીને 1થી દોઢ કિલોમીટર ચાલીને જવું પડશે. ગેટ પરથી સ્ટેડિયમમાં કેવી રીતે જવાશે? સ્ટેડિયમમાં પ્રવેશ પહેલાં ગેટથી 100 મીટર દૂર ટિકિટ તથા સિક્યોરિટી ચેકિંગ કરાશે. મેટલ ડિટેક્ટરમાંથી પસાર થવાનું રહેશે. જો વચ્ચે કોઈ ટિકિટ માગે તો બતાવવી પડશે. મેચ પૂરી થયા પછી કેવી રીતે જવું? રાત્રે 2 સુધી લોકલ ટ્રાન્સપોર્ટ ઉપલબ્ધ છે. વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગ : તપોવન સર્કલથી એપોલો સર્કલ માટે અલગ રૂટ લેવો પડશે 2000 પોલીસ અધિકારી-કર્મચારી 800 ટ્રાફિક પોલીસ કર્મચારી 4 બોમ્બ સ્કવોડ 8 ફાયર બ્રિગેડની ગાડીઓ 55 ફાયરનો સ્ટાફ 6 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 4:00 am

આરોપીઓ ઝડપાયા:હિંમતનગરમાં ત્રણ મકાનો તોડનાર આંતરરાજ્ય ગેંગના 3 શખ્સો ઝબ્બે

મહેસાણાના નાગલપુર વિસ્તારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલતી વખતે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલી આંતરરાજ્ય ગેંગે મહેસાણામાં તરખાટ મચાવતા પહેલા હિંમતનગરમાં પણ એક જ દિવસમાં ત્રણ બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા. આ રીઢા ગુનેગારો જે તે શહેરમાં પહોંચી પહેલા બાઇકની ચોરી કરતાં અને તેના દ્વારા રેકી કરીને બંધ મકાનોમાં ચોરીને અંજામ આપતા હતા. જોકે, હિંમતનગરના ત્રણ મકાનોના તાળાં તોડ્યા હોવા છતાં ત્યાંથી તેમને કોઈ મોટી રકમ હાથ લાગી ન હોતી. મહેસાણા બી ડિવિઝન પોલીસે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ચીખલીકર ગેંગના ત્રણ શખ્સોને ઝડપી જ્યારે અન્ય બે વોન્ટેડને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા. આ ગેંગ પોતાની કારની ઓળખ છુપાવવા માટે આગળની નંબર પ્લેટ પર એલઇડી લાઇટ લગાવતી અને પાછળની નંબર પ્લેટ તોડી નાખતી હતી. પોલીસે આરોપીઓ પાસેથી સોનાના દાગીના અને કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે આ મામલે બે વોન્ટેડ ચોરોને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા. પકડાયેલા આરોપીઓ રાજસિંહ ઈશ્વરસિંહ બરનારા, (ચીખલીકર સરદાર) મનમોહનસિંહ ઉર્ફે છોટે ઈકબાલસિંહ બંને રહે. ગંધવાની બારીયા મધ્ય પ્રદેશ {પર્વતસિંહ જામસિંહ ચીખલીકર રહે. ગલીયાકોટ રાજસ્થાન બે વોન્ટેેડ આરોપીઓ લડ્ડુસિંહ પર્વતસિંહ સરદાર રહે. ગલીયાકોટ અને નિર્મલ સિંહ રહે. રાજસ્થાન

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 4:00 am

આજે મહિલા દિન:જન્મથી એક હાથ નથી, છતાં બીજા હાથે રોટલી બનાવે છે; લોકો કહેતા કમ્પ્યુટર તારા માટે નથી તો MCA થઈ કીબોર્ડ પર આંગળીઓ દોડાવે છે

બહુચરાજી તાલુકા પંચાયત કચેરીમાં કમ્પ્યુટરના સ્ક્રીન પર ફાઈલો એક પછી એક ખુલી રહી છે અને કીબોર્ડ પર એક હાથથી ઝડપથી ટાઈપિંગ થઈ રહ્યું છે. શરીરમાં માત્ર એક કિડની હોવા છતાં ચહેરા પર અદ્દભૂત શાંતિ અને આત્મવિશ્વાસ દેખાય છે. આ યુવતી છે શિલ્પાબેન હીરાભાઇ રાઠોડ. મહેસાણામાં રહેતી આ 29 વર્ષિય યુવતીનું જીવન સંઘર્ષ અને હિંમતની કહાની છે. જન્મથી જ એક હાથ ઓછો હોવા છતાં તેમણે જીવનની દરેક કસોટી સામે હિંમતથી લડીને સફળતા મેળવી છે. જરૂર પડી ત્યારે તેમણે નાના ભાઈને એક કિડની દાન કરી નવી જિંદગી આપી છે. તો એક હાથે રોટલી બનાવતાં અને કમ્પ્યુટર શીખી આત્મ નિર્ભર બની છે. બાળપણથી જ વિકલાંગતાને કારણે તેમને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો. અન્ય બાળકો બંને હાથથી રમતા અને લખતા ત્યારે તેમને દરેક કામ માટે વધારે મહેનત કરવી પડતી. ધો.1-4 ફઈના ઘરે ભણ્યાં. અભ્યાસ દરમિયાન ક્યારેક મશ્કરીનો સામનો પણ કરવો પડ્યો, છતાં તેમણે ક્યારેય હિંમત હારી નહીં. ધોરણ 8-12 ફુલપુરા ગામથી સિદ્ધપુર શહેરમાં અભ્યાસ કર્યો, તે સમયે રોજ 3 થી 4 કિમી પગપાળા શાળાએ જવું પડતું હતું. એક હાથથી લખવું સરળ નહોતું, છતાં તેમણે કમ્પ્યુટર ક્ષેત્ર પસંદ કર્યું અને BCom, PGDCA તથા MCA સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો. કમ્પ્યુટર શિક્ષક તરીકે નોકરી શરૂ કરી. વર્ષ 2010માં જીવનમાં જ્યારે સ્થિરતા આવી ત્યારે પરિવાર પર આફત આવી. નાના ભાઈ અમિતની કિડની ફેલ થઈ ગઈ. ડોક્ટરોએ ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી ત્યારે આ હિંમતી બહેને જરા.. હવે લોકોને અંગદાન કરવા સમજાવે છે પરિવારની મનાઈ હોવા છતાં શિલ્પાબેને પોતાના ભાઈને કિડની દાન કરી હતી. સફળ ઓપરેશન બાદ ડોક્ટરોએ તેમની હિંમતને બિરદાવી હતી. અઆજે હોસ્પિટલ જવાનું થાય કે અન્ય સ્થળે જ્યાં પણ તક મળે અંગદાન કરવાની વાત સમાજ વચ્ચે મૂકે છે.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 4:00 am

ટ્રાફિકને હળવો કરવા મહાનગરપાલિકાની બેઠકમાં નિર્ણય:રાધનપુર ચોકડી સર્કલ હજુ નાનું કરાશે પાંચોટ તરફનું ST સ્ટેન્ડ દૂર લઇ જવાશે

મહેસાણાની રાધનપુર ચોકડી સિવાય શહેરના અલગ અલગ વિસ્તારોમાં સર્જાતી ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા મહાનગરપાલિકા દ્વારા શનિવારે પોલીસ અને આરટીઓ સહિતના તંત્ર સાથે ટ્રાફિકની બેઠક કરી મહત્વના નિર્ણયો લીધા હતા. જેમાં રાધનપુર ચોકડી પર માથાના દુ:ખાવા સમાન બની ગયેલી ટ્રાફિક સમસ્યા હળવી કરવા હયાત સર્કલને તોડી નાનું કરવા તેમજ ડેરી રોડ પર આવેલી બ્લડ બેન્કનો નવો રસ્તો ખોલવા સહિતની બાબતોની ચર્ચા કરાઇ નિર્ણય કરાયો હતો. મહાનગરપાલિકાના વહીવટદાર અને જિલ્લા કલેક્ટર શૈલેશભાઈ પ્રજાપતિની અધ્યક્ષતામાં મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખટાલે, એસપી હિમાંશુ સોલંકી, આરટીઓ અધિકારીઓ સહિતની બેઠક યોજાઇ હતી. રાધનપુર ચોકડી પર નવા નખાયેલા સિગ્નલની સમીક્ષાની સાથે આ ચોકડી ઉપર ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માર્ગ- મકાન વિભાગના અભિપ્રાય બાદ ચોકડી પરનું હયાત સર્કલ નાનું કરવાનો નિર્ણય કર્યો હતો. સાથે ટ્રાફિકને લગતી કેટલીક બાબતોની ચર્ચા કરાઈ હતી. રિક્ષા-ઇકોનાં સ્ટેન્ડ નક્કી કરાશે1. માર્ગ- મકાન વિભાગના અભિપ્રાય બાદ રાધનપુર ચોકડી હયાત સર્કલ નાનું કરાશે. 2. રાધનપુર રોડ પર પાંચોટ તરફનું એસટી પીકઅપ સ્ટેન્ડ આગળ ખસેડવામાં આ વશે. 3. રિક્ષા અને ઇકો એસોસીએશન સાથે ચર્ચા કરી, યોગ્ય જગ્યાએ તેનું પાર્કિંગ કરાવવું. 4. ડેરી રોડ પર આવેલી બ્લડ બેન્ક નજીક સહિતના અલ્ટર રસ્તા ખોલવામાં આવશે. 5. મુખ્ય હાઇવે પર ડફેર દંગાની બંને સાઈડ, સર્કિટ હાઉસ આગળ દબાણો દૂર કરવા. 6. તમામ રોડ ઉપર પટ્ટાથી માર્કિંગ કરવું.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 4:00 am

ભાસ્કર ફોલોઅપ:લકઝરી બસના નંબર જ નહીં, ચેસીસ અને એન્જિન નંબરમાં પણ ચેડાં ખૂલ્યાં

મહેસાણા આરટીઓએ ઝડપેલી લકઝરી બસના 20.55 લાખ રૂપિયાના ટેક્સચોરી કૌભાંડમાં દિવ્ય ભાસ્કરની તપાસમાં વધુ ચોંકાવનારી વિગતો સામે આવી છે. મહેસાણાથી ઝડપાયેલી લકઝરી બસમાં માત્ર નંબર પ્લેટ જ નહીં, પરંતુ તેના ચેસીસ નંબર અને એન્જિન નંબર સાથે પણ ચેડાં કરાયા હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત, બસનો વીમો, પીયુસી અને ફિટનેસ પણ 1 થી 2 વર્ષ પહેલાં પૂર્ણ થઇ ગયા હોવા છતાં બસ દોડતી રહી હતી. આરટીઓ દ્વારા ઝડપાયેલી RJ 46 PA 1527 નંબરની લકઝરી બસ માત્ર નંબર બદલીને ચલાવાતી ન હતી. સુવ્યવસ્થિત રીતે ટેક્સચોરી કરવા માટે રાજસ્થાનમાં ફરતી RJ 46 PA 1527 નંબરની બીજી બસના એન્જિન અને ચેસીસ નંબરની વિગતો આ બસમાં ફેરફાર કરીને લગાવી હતી. એટલું જ નહીં, RJ 46 PA 1527 નંબરની બસના સત્તાવાર દસ્તાવેજોની તપાસ કરવામાં આવી ત્યારે અનેક ગેરરીતિઓ સામે આવી. બસનું ફિટનેસ સર્ટિફિકેટ 24 મે, 2024ના રોજ પૂરું થઇ ગયું હતું. એટલે કે, ફિટનેસ ચકાસણી કર્યા વગર બસ લગભગ પોણા બે વર્ષથી રાજસ્થાનથી ગુજરાત સુધીના લાંબા રૂટ પર દોડતી રહી હતી. બસનો વીમો પણ છેલ્લા એક વર્ષથી લીધો નથી. તેમજ 20 ઓક્ટોબર, 2024ના રોજ પીયુસીની મુદત પૂરી થઇ હતી.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 4:00 am

આજે મહિલા દિવસ:જિલ્લા પંચાયતમાં પ્રમુખ, ડીડીઓ સહિત પાંચ મહિલા અધિકારી, બધાએ કહ્યું ધાર્યાથી વધુ સન્માન મળે છે

દેવેન્દ્ર તારકસજિલ્લા પંચાયતમાં પ્રમુખ, ડીડીઓ, બે નાયબ ડીડીઓ અને આઈસીડીએસ પ્રોગ્રામ અધિકારી જેવા પાંચ મહત્વના હોદ્દા પર મહિલા અધિકારી ફરજ બજાવી રહ્યાં છે. 8 માર્ચે આંતરાષ્ટ્રીય મહિલા દિવસ પર આ મહિલા અધિકારીઓ જોડે વાતચીતમાં તમામે સ્વીકાર્યું કે, મહેસાણા જિલ્લામાં મહિલા અધિકારીઓને ધાર્યા કરતાં વધુ સન્માન મળે છે. કામગીરી અને વહીવટમાં મહિલા-પુરૂષનો કોઈ ભેદભાવ નથી. કર્મચારીઓ સંયમ અને મર્યાદામાં રહીને વાતચીત કરે છે. મહિલાઓ પાસે ગ્રાઉન્ડ લેવલની ઊંડી સમજ‎મહિલા નેતૃત્વની શક્તિ પર ભાર મૂકતાં તેમણે કહ્યું, મહિલાઓ પાસે ગ્રાઉન્ડ લેવલની ઊંડી સમજ હોય છે, જે વહીવટી અને વિકાસના કામોમાં ખૂબ જ સરળતા લાવે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, આ પદ પર હોય ત્યારે સ્ત્રી-પુરુષનો કોઈ ભેદભાવ ન હોવો જોઈએ. કારણ કે, પદની ગરિમા સર્વોપરી છે. મહિલા પ્રતિનિધિ હોવાના કારણે સામાન્ય મહિલાઓ પોતાની રજૂઆતો અને સમસ્યાઓ વધુ નિઃસંકોચ અને ખુલીને કરી શકે છે. .>તૃષા પટેલ (પ્રમુખ જિલ્લા પંચાયત) સ્ત્રીઓમાં નિર્ણય લેવાની ક્ષમતા જન્મજાત‎સ્ત્રીઓમાં નિર્ણય લેવાની ક્ષમતા જન્મજાત હોય છે. જો પરિવાર દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અને આગળ વધવાની પાંખો આપે, તો તેઓ વહીવટી તંત્રથી લઈને ટેકનોલોજી સુધીના દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે છે. તેમણે પિતૃસત્તાક માનસિકતાના સ્થાને પરસ્પર આદર અને સહયોગની ભાવના પર ભાર મૂકતાં કહ્યું કે, જ્યારે સ્ત્રી આત્મનિર્ભર બને છે ત્યારે આખો પરિવાર અને સમાજ પ્રગતિ કરે છે.>ડૉ. હસરત જેસ્મીન (ડીડીઓ) મહિલાઓને ધાર્યા કરતાં વધારે સન્માન મળે છે‎કામગીરીમાં સરળતા રહે છે. મહિલા અધિકારી સાથે મહિલાઓ વધારે ખુલ્લા મને વાત કરે છે. સહુથી સારી બાબત છે કે બહુ જ મર્યાદામાં રહી કર્મચારીઓ વર્તન કરે છે. હું એવું કહી શકું કે ધાર્યા કરતાં વધારે સન્માન મળે છે. મહેસાણા જિલ્લામાં મહિલા -પુરૂષ જેવો ભેદભાવ કામગીરીમાં બિલકુલ નથી દેખાતો.>હર્ષનિધિ શાહ (નાયબ ડીડીઓ) મહિલાઓ ઘર અને ઓફિસ નિભાવી શકે છે‎નોકરી કરતી દરેક મહિલાની ઘર અને ઓફિસ બંને જવાબદારી હોય છે. ગમે તે હોદ્દા પર હોય ઘરે પહોંચ્યા પછી અમુક કામો તો મહિલાઓને કરવા જ પડે છે. મહિલાઓ પ્રત્યે અન્ય કર્મચારીઓનો સોફ્ટ કોર્નર પણ હોય છે. એટલે ઘર અને ઓફિસ બંને જવાબદારી સારી રીતે નિભાવી શકીએ છે. મહેસાણા જિલ્લો કામ કરવા માટે બહુ જ સારો છે. .>ભક્તિકુંવરબા રાઠોડ (નાયબ ડીડીઓ) મહિલાઓ પાસે ગ્રાઉન્ડ લેવલની ઊંડી સમજ‎આ જિલ્લામાં મહિલા તરીકે કામ કરવું અત્યંત ગૌરવપૂર્ણ અને સુરક્ષિત છે. વહીવટી કામગીરીમાં પુરુષો અને અન્ય કર્મચારીઓ તરફથી ઘણું સન્માન મળે છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોની મહિલાઓ મહિલા અધિકારીઓ સાથે વધુ સહજતાથી વાત કરી શકે છે, જેના કારણે કુપોષણ નિવારણ અને અન્ય યોજનાઓનું અમલીકરણ વધુ પ્રભાવશાળી બન્યું છે .>જિજ્ઞા દવે (પ્રોગ્રામ ઓફિસર આઈસીડીએસ)

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 4:00 am

ઇન્ટરવ્યુમાં નિષ્ફળતા મળી છતાં હાર ન માની:સાંતલપુરના વિપુલ ચૌધરીએ ગત વર્ષે IPS આ વર્ષે 115મા રેન્ક સાથે IAS પાસ કરી

સરહદી સાંતલપુરના હમીરપુરા ગામના વિપુલ કરમણભાઈ ચૌધરીએ UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં સતત બીજા વર્ષે ઝળહળતી સફળતા મેળવી આખા પંથકનું નામ રોશન કર્યું છે. ગત વર્ષે 2024માં 348મો રેન્ક મેળવી IPS બનનાર વિપુલે પોતાની જિદ્દ છોડી નહીં અને આ વર્ષે 2025માં 115મો રેન્ક હાંસલ કરી IASનું ગૌરવવંતું પદ મેળવ્યું છે. વિપુલના પિતાની ઈચ્છા હતી કે દીકરો મામલતદાર બને, પરંતુ વિપુલના કંઈક મોટું કરવાનો સંકલ્પ હતો. સરહદી વિસ્તારમાં ખેડૂતો, સામાન્ય લોકોની હાડમારી જોઈ તેણે UPSCની તૈયારી શરૂ કરી. સતત 18 કલાકનું વાંચન અને 5-5 પ્રયત્નો છતાં હિંમત હાર્યા વગર તેણે આ મુકામ હાંસલ કર્યો છે. ઇન્ટરવ્યુમાં ઓછા માર્ક્સ આવવા છતાં હતાશ થયા વગર પોતાની ભૂલ સુધારી તે આજે IAS બન્યા છે. વિપુલ ચૌધરીએ જણાવ્યું હતું કે UPSC ક્લિયર કરવીએ મેરેથોન દોડ જેવી છે. શરૂઆત સહેલી લાગે પણ અંત સુધી ટકી રહેવું અઘરું છે. નિષ્ફળતા તમારી મહેનતમાં રહેલી ખામી બતાવે છે, તમારી કાબેલિયત નહીં.મેં પાંચ પ્રયત્ન કર્યા, ઇન્ટરવ્યુમાં ફેઈલ થયો, પણ મેં મારી ભૂલો સ્વીકારી. જો તમે લક્ષ્ય નક્કી કરી, મહેનતને જ મંત્ર બનાવશો, તો સફળતા ચોક્કસ તમારું સરનામું શોધતી આવશે. IPSની ટ્રેનિંગ પણ જોઈન નહોતી કરીવિપુલનું માનવું છે કે IPS તરીકે કાયદો-વ્યવસ્થાની જવાબદારી હોય છે, પરંતુ IAS બનીને તે સીધા જ ખેડૂતો અને છેવાડાના માનવીના જીવનધોરણને ઊંચું લાવવા માટે નીતિવિષયક નિર્ણયો લઈ શકશે. આ જ ઉમદા હેતુથી તેમણે IPSની ટ્રેનિંગ પણ જોઈન નહોતી કરી અને રજા લઈને IASની તૈયારીમાં લાગી ગયા હતો.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 4:00 am

પાટણ,ચાણસ્મા, સિદ્ધપુર અને રાધનપુરની 4 વિધાનસભામાં 11.19 લાખ મતદારો:જિલ્લામાં 40થી વધુ ઉંમરના મતદારોમાં મહિલાઓ વધારે, 2.92 લાખ પુરષો સામે 2.94 લાખ સ્રીઓ

ખાસ સઘન મતદાર સુધારણા કાર્યક્રમ બાદ પાટણ જિલ્લામાં આવેલી ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર અને રાધનપુર વિધાનસભા ક્ષેત્રોમાં કુલ 11,19,525 મતદારો નોંધાયા છે. તેમાં 40 વર્ષથી વધુ ઉંમરના મતદારોની સંખ્યા 5,87,542 હોવાને કારણે આ વર્ગ હવે આગામી ચૂંટણીમાં સત્તાનું સુકાન કોના હાથમાં જાય તે નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. જિલ્લામાં નોંધાયેલા કુલ મતદારોમાં 40 વર્ષથી વધુ ઉંમરના 5,87,542 મતદારો છે.જેમાં મહિલા મતદારોની સંખ્યા 2,94,580 છે.જ્યારે પુરુષ મતદારો 2,92,953 છે. આમ આ વર્ગમાં પુરુષ કરતાં 1627 મહિલાઓ વધુ છે. પરિણામે મહિલાઓનો મતદાનમાં પડતો પ્રભાવ પણ આગામી ચૂંટણીમાં મહત્વનો બની શકે છે. બીજી તરફ 18 થી 39 વર્ષના યુવા મતદારોની સંખ્યા 5,31,983 છે.જિલ્લાની રાજકીય દિશા નક્કી કરવામાં મુખ્ય આધાર બની શકે છે. યુવા મતદારોમાં 2,89,932 પુરુષ અને 2,42,042 મહિલાઓનો સમાવેશ થાય છે.વયગત રીતે જોવામાં આવે તો જિલ્લામાં 18થી 19 વર્ષના 23,084 મતદારો, 20થી 29 વર્ષના 2,61,107, 30થી 39 વર્ષના 2,47,792 અને 40 વર્ષથી વધુ ઉંમરના 5,87,542 મતદારો નોંધાયા છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે રાજકીય પક્ષોએ વયગત મતદાર ગણિત ગોઠવવાનું શરૂ કરી દીધું છે. ‘40 પ્લસ’ મતદારો પર પક્ષોની નજર રહેશેજિલ્લામાં 40 વર્ષથી વધુ ઉંમરના મતદારોની સંખ્યા સૌથી વધુ હોવાથી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આ વર્ગ રાજકીય પક્ષો માટે નિર્ણાયક બની શકે છે.સામાન્ય રીતે આ વયના મતદારો વિકાસ, સુવિધા અને સ્થિરતા જેવા મુદ્દાઓને વધુ મહત્વ આપે છે, જેના કારણે ઉમેદવારો માટે આ વર્ગને રીઝવવું મહત્વપૂર્ણ બની રહેશે. બીજી તરફ 18 થી 39 વર્ષના યુવા મતદારો પણ મોટી સંખ્યામાં હોવાથી રોજગાર, શિક્ષણ અને વિકાસ જેવા મુદ્દાઓ પર તેમની પસંદગી રાજકીય દિશા નક્કી કરવામાં મહત્વનો ફેક્ટર બની શકે છે. સાથે 40થી વર્ષ ઉપરના લોકો જવાબદારી વાળા લોકો હોય છે. મેચ્યુરીટી આવી હોય છે.જેથી રોજબેરોજના જીવન જરૂરિયાતના પ્રશ્નો અને સમસ્યાઓ આધિન મતદાન તરફ વળતા હોય છે.નવા મતદારો ભાવનાત્મક હોય છે. ટ્રેન્ડ પ્રમાણે ખેંચાય છે.> સિનિયર પ્રોફેસર ડૉ.ડી.સી.પટેલ, રાજકીય વિશેષજ્ઞ

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 4:00 am

ગામેગામ રથના સામૈયા, પૂજન-અર્ચન અને આરતીના વિશેષ આયોજનો કરાયા:સિદ્ધપુરમાં ઉમિયા માતાનો રથ 15થી વધુ ગામોમાં ચાર દિવસ સુધી ફરી સુખ-શાંતિનો સંદેશ ફેલાવશે

સિદ્ધપુર પાટીદાર સમાજની કુળદેવી અને કરોડો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમાન જગતજનનીમાં ઉમિયાનો રથ શનિવારે પાટણ જિલ્લામાં મંગલ પ્રવેશ કર્યો છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ રથયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં એકતા, સુખ અને શાંતિનો સંદેશ પ્રસરાવવાનો છે. સિદ્ધપુર પંથકમાં આજથી સતત ચાર દિવસ સુધી મા ઉમાનો રથ પરિભ્રમણ કરશે. ગામેગામ રથના સામૈયા, પૂજન-અર્ચન અને આરતીના વિશેષ આયોજનો કરાયા છે. ભક્તોની સુવિધા માટે રથના રૂટની વિગતો જાહેર કરી છે. પ્રથમ દિવસે આજે રથ ચંદ્રાવતી, લીંડી, કનેસરા, ખળી અને ગણેશપુરા ગામોમાં આશીર્વાદ આપશે. બીજા દિવસે રવિવારે માધુપુરા, તાવડીયા, ઠાકરાસણ, નાંદોત્રી અને કુંવારા ગામે રથનું આગમન થશે. ત્રીજા દિવસે સોમવારે ઉમરૂ, સુજાણપુરા, ગાંગલાસણ અને આંકવી ગામના ભક્તો દર્શનનો લાભ લઈ શકશે. રથયાત્રાના અંતિમ દિવસે એટલે કે મંગળવારે રાજપુર ગામે ભવ્ય સમાપન કાર્યક્રમ યોજાશે. આ રથયાત્રા માત્ર ધાર્મિક પ્રસંગ નથી, પરંતુ સામાજિક સંગઠન અને આસ્થાનું પ્રતીક બની રહેશે. ઠેર-ઠેર પાટીદાર સમાજના અગ્રણીઓ અને ગ્રામજનો દ્વારા રથના ભવ્ય વધામણાં કરવાની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. ચાર દિવસ સુધી સિદ્ધપુર પંથક ''જય ઉમિયા'' ના નાદથી ગુંજી ઉઠશે. શ્રદ્ધાળુઓને ગામના નિર્ધારિત સમયે દર્શનનો લાભ લેવા અને રથના સ્વાગતમાં જોડાવા આહવાન કરાયું છે.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 4:00 am

જીમખાના ખાતે પેવર બ્લોક, સ્ટેજ, શૌચાલય અને નવીન દીવાલ બનશે:પાટણના 29 વિસ્તારોમાં 2.23 કરોડના ખર્ચે સીસી રોડ અને પેવર બ્લોક બનશે

પાટણ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ 29 વિસ્તારોમાં સીસી રોડ અને પેવર બ્લોકના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું.સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વર્ષ યુડીપી 88ની વર્ષ 2025-26ની ગ્રાન્ટમાંથી કુલ 2.23 કરોડના ખર્ચે વિકાસકાર્યોનું આયોજન કરાયું છે.જેનો શુભારંભ શનિવારે કરાયો હતો. શહેરના બારોટના કસારવાડામાં 7.14 લાખના ખર્ચે સીસી રોડ, જીમખાના ખાતે 20.91 લાખના ખર્ચે પેવર બ્લોક, કાર્યક્રમનું સ્ટેજ, શૌચાલય અને નવીન દીવાલ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ ઉપરાંત અયોધ્યા નગરથી ટેલિફોન એક્સચેન્જ નાળા સુધી બંને બાજુ સીસી રોડ માટે 5.94 લાખના કામનો પ્રારંભ કરાયો હતો.​ આ કાર્યક્રમોમાં ભાજપ જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધવ, પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર,જિલ્લા મહામંત્રી સંજયભાઈ પટેલ તથા શહેર ભાજપ પ્રમુખ હર્ષભાઈ પટેલ સહિતના પદાધિકારીઓ અને સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 4:00 am

કાર્યવાહી:જાળીલા ગામનો યુવક વિદેશી દારૂની બોટલો સાથે ઝડપાયો

બોટાદ એલસીબી પોલીસે પૂર્વ બાતમીને આધારે રાણપુર તાલુકાના જાળીલા ગામના યુવકને મોડી રાત્રીના બોટાદ ખસ રોડ શિવમ પાન સેન્ટર પાસે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તેમજ બીયર ટીનના જથ્થા સાથે ઝડપી પાડી બોટાદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિ.એકટ મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. બોટાદ એલસીબી શાખામાં અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વનરાજભાઈ ડાયાભાઈ તથા સ્ટાફના માણસો 6 માર્ચના નાઈટ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બોટાદ-ખસ રોડ પહોંચતા બાતમી રાહે હકીકત મળેલ કે, રોહીતભાઈ અરવિંદભાઈ બાવળીયા (ઉ.વ.23 રહે.જાળીલા) પોતાના કબજામાં વિદેશી દારૂનો જથ્થો લઈને ખસ ટી પોઈન્ટ તરફથી શિવમ પાન સ્ટોર તરફ આવનાર છે. જેણે લાલ કલરનો લાઇનીંગ વાળો શર્ટ તથા જીન્સનું પેન્ટ પહેરેલ છે જેથી શિવમ પાન સેન્ટર પાસે વોચમાં હતા, તે દરમ્યાન તેના હાથમાં એક થેલો હોય જેથી તેના ઉપર શક વહેમ જતા તેને અટકાવી થેલામાં ચેક કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ-3 કિ.રૂ. 2100 તથા બીયરના ટીન નંગ-4 કિ.રૂ.1000 મળી કુલ 3100નો મુદ્દામાલ મળી આવતા તેને ઝડપી લઇ તેના વિરુદ્ધ પ્રોહી એક્ટ મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્ય વાહી હાથ ધરેલ છે.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 4:00 am

વર્ષો જૂની આધાર કીટ ખરાબ થઈ ગઈ હોવાનું કારણ:સાબરકાંઠા ICDSમાં એક થી પાંચ વર્ષના ‎બાળકની આધાર નોંધણી એક વર્ષથી બંધ‎

સાબરકાંઠામાં 1 થી 5 વર્ષના બાળકોના આધારકાર્ડની કામગીરી આઇસીડીએસમાં કરાતી હતી. પરંતુ છેલ્લા એક વર્ષથી આધારકાર્ડ નોંધણી બંધ કરી દેવામાં આવી છે. નાના બાળકોને લઇ નોંધણી કરાવવા આવતાં અરજદારો રોજના ધરમધક્કાને લઇ ત્રાહીમામ પોકારી ચૂકયા છે. કચેરીના કર્મીઓ ઉડાઉ જવાબ આપી રહ્યાનો આક્રોશ વ્યકત થઇ રહ્યો છે. આઈસીડીએસ વિભાગમાં છેલ્લા લાંબા સમયથી આધાર એનરોલમેન્ટ કામગીરી બંધ થઈ ગઈ છે. હિંમતનગર ઘટકના જૂની જિલ્લા પંચાયતના બિલ્ડીંગમાં કાર્યરત કચેરીમાં જોવા મળ્યું કે બાળકોના આધારકાર્ડ માટેની કામગીરી ચાલતી હતી તે છેલ્લા એકાદ વર્ષથી બંધ છે. પ્રતિદિન બાળકો લઈને આવતાં અરજદાર માતાપિતા નિરાશ થઈ પરત જવા મજબૂર બની રહ્યા છે. ઓનલાઇન આધાર એનરોલમેન્ટ કામગીરી બંધ કરી દેવાઇ છે. થોડા સમય અગાઉ ઓનલાઇન નોંધણી પ્રક્રિયા ચાલુ થતાં અરજદારોને પ્રિન્ટર, સ્કેનર કામ કરતાં નથી નો જવાબ આપી પરત મોકલાઇ રહ્યા છે. આગામી સમયમાં નવા શૈક્ષણિક સત્રની કામગીરી ચાલુ થતી હોઇ અને એડમિશન માટે આધારકાર્ડ જરૂરી હોવાથી નાના બાળકોને લઇને પહોંચતાં માતાપિતાને ધરમધક્કાનો અનુભવ થઇ રહ્યો છે. આઇસીડીએસ વિભાગના સીડીપીઓ ધ્રુતિબેન પુરોહિતે જણાવ્યું કે આધાર કીટ જૂની હોવાથી એરર આવતાં કામગીરી બંધ થઇ છે. આધાર કીટની ખરીદી રાજ્ય સરકાર કરતી હોય છે. પરંતુ પ્રથમ વખત સરકારે જિલ્લા કક્ષાએ ખરીદી કરવા પરવાનગી આપતાં લેપટોપ બેઈઝડ આધારકીટ માટે ટેન્ડરીંગ કર્યુ છે. આગામી બે એક માસમાં ખરીદીની સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઇ જશે અને નવા સત્રમાં કોઇને સમસ્યાનો સામનો કરવો નહીં પડે.

દિવ્ય ભાસ્કર 8 Mar 2026 4:00 am