SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

25    C
... ...View News by News Source

કિંજલ દવેની સગાઈના INSIDE PICS:બે દિવસ ચાલી એંગેજમેન્ટ સેરેમની, આમિર મીરની મહેફીલે જમાવટ કરી દીધી

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ તાજેતરમાં બિઝનેસમેન અને અભિનેતા ધ્રુવીન શાહ સાથે સગાઈ કરીને તેમના ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. ગાયિકાએ ખૂબ જ સાદાઈથી અને પરિવારજનોની હાજરીમાં આ વિધિ સંપન્ન કરી હતી, જેની સુંદર તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમજ અંદરના વીડિયો પણ સામે આવ્યા છે. બે દિવસ સુધી ચાલી એંગેજમેન્ટ સેરેમની5 ડિસેમ્બરા, 2025ના રોજ રાત્રે કિંજલ દવેની મહેંદી અને આમિર મીરની મહેફીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરિવારા અને અંગત સંબંધીઓ જ હાજર રહ્યા હતા. ત્યારબાદ 6 ડિસેમ્બરના રોજ સવારે કિંજલ દવે અને ધ્રુવીન શાહ ની સગાઈ કરવામાં આવી હતી. અને 6 ડિસેમ્બર સાંજના સમયે એંગેજમેન્ટ નું રિસેપ્શન કહો કે કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બે દિવસના પ્રસંગમાં સંગીતની દુનિયાના સેલિબ્રિટીઓ પણ હાજર રહ્યા હતા. સાદાઈ અને પારિવારિક માહોલમાં સગાઈકિંજલ દવે અને ધ્રુવીન શાહની સગાઈની વિધિ કોઈ ભવ્ય સમારંભના બદલે ખૂબ જ સાદાઈ અને અંગત માહોલમાં યોજાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ સમારોહમાં માત્ર બંને પરિવારોના નજીકના સભ્યો અને અત્યંત અંગત મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. કિંજલે પોતાના જીવનના આ નવા પ્રકરણની શરૂઆત ધામધૂમથી દૂર, પ્રેમ અને આશીર્વાદના વાતાવરણમાં કરવાનું પસંદ કર્યું હતું. સગાઈની વિધિ પૂર્ણ થયા પછી કિંજલ દવેએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા આ ખુશખબરની જાહેરાત કરી હતી. ચાહકો માટે, જેમણે આ સુંદર ક્ષણો લાઈવ જોવાનું ચૂકી ગયા છે, તેમના માટે કિંજલે સગાઈ સમારોહનો ખાસ આલ્બમ પણ શેર કર્યો છે. આ તસવીરોમાં કિંજલ અને ધ્રુવીનનો ખુશીથી છલકાતો ચહેરો સ્પષ્ટપણે જોઈ શકાય છે, જેણે ચાહકોમાં ઉત્સાહ જગાવ્યો છે. ધ્રુવીન શાહ એક્ટર અને બિઝનેસમેનકિંજલ દવેના ભાવિ જીવનસાથી ધ્રુવીન શાહની વાત કરીએ તો, તે માત્ર એક સફળ બિઝનેસમેન જ નહીં, પરંતુ એક અભિનેતા પણ છે. ધ્રુવીન શાહ અગાઉ પણ કિંજલ દવે સાથે કેટલાક પ્રોજેક્ટ્સમાં જોવા મળ્યા હતા. આ જોડીને સગાઈના બંધનમાં બંધાતી જોઈને તેમના લાખો ચાહકોએ શુભકામનાઓ પાઠવી છે. આ સગાઈ ગુજરાતના મનોરંજન જગત માટે એક મોટો પ્રસંગ બની રહી છે, અને ચાહકો હવે આ લોકપ્રિય જોડીના લગ્ન ક્યારે થશે તેની રાહ જોઈ રહ્યા છે. કિંજલના પિતા હીરાઘસુ હતા કિંજલના પિતા લલિત દવે હીરા ઘસવાની સાથે સાથે ગીતો લખવાનો પણ શોખ ધરાવતા હતા અને તે મિત્ર સાથે મળીને ગીતો પણ લખતા હતા. પિતા અને મનુ રબારીના પ્રયાસોથી નાની ઉંમરે કિંજલને ‘જોનડિયો’ લગ્નગીત આલ્બમમાં ગાવાનો મોકો મળ્યો. આ લગ્નગીત થોડાં જ સમયમાં સમગ્ર ગુજરાતમાં હિટ રહ્યું હતું અને પછી કિંજલ આખા ગુજરાતમાં લોકપ્રિય થઈ ગઈ હતી.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 12:05 am

'બાળકીનો હાથ કાપવો પડશે', અમદાવાદ સિવિલના ડૉક્ટરની વાતથી પરિવાર ચોંક્યો:વિસનગરની પાર્થ હોસ્પિટલ સામે પિતાનો આક્ષેપ, કહ્યું- ડૉક્ટરની ભૂલના કારણે બાળકીનો હાથ કાળો પડ્યો

માત્ર 11 દિવસની નવજાત બાળકીનો હાથ ગેંગરીનથી કાળો પડી જતાં મહેસાણાના વિજાપુરનો પરિવાર અસમંજસમાં મૂકાયો છે. પરિવારે વિસનગરની પાર્થ હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે, અહીંના ડૉક્ટરની સારવારમાં બેદરકારીના કારણે મારી દીકરીનો હાથ કાળો પડ્યો છે, તેની સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરો અને અમને ન્યાય અપાવો. આ આક્ષેપ અંગે હોસ્પિટલ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી અને ડૉક્ટરનો સંપર્ક કરતા પછી જવાબ આપવા કહ્યું. “બાળકીનો હાથ કાળો પડી ગયો છે, તમે અહીંથી લઈ જાઓ”મહેસાણા જિલ્લાના વિસનગરની પાર્થ હોસ્પિટલમાં માત્ર 11 દિવસની નવજાત બાળકીનો હાથ ગેંગરીનથી કાળો પડી જતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. બાળકીના પિતા અંકિત રાવળે જણાવ્યું કે, 25 નવેમ્બરે મારી પત્નીને કાશીબા હોસ્પિટલમાં દાખલ કરી હતી અને ત્યાં સિઝેરિયન કરીને ડિલિવરી કરાવી હતી. મારી દીકરીનું વજન માત્ર 1.3 કિલો હોવાથી આયુષ્માન કાર્ડ યોજના હેઠળ પાર્થ હોસ્પિટલમાં બાળકીને 7 દિવસ માટે ઇન્ક્યુબેટર (પેટી)માં રાખવામાં આવી હતી અને રોજ ઇન્જેક્શન-દવા આપવામાં આવતા હતા પરંતુ, સાતમા દિવસે હોસ્પિટલ તરફથી ફોન આવ્યો કે, “બાળકીનો હાથ કાળો પડી ગયો છે, તમે અહીંથી લઈ જાઓ.” “માતા, ફોઈ કે દાદીએ હાથ દબાવ્યો હશે એટલે આવું થયું”વધુમાં તેઓએ જણાવ્યું કે, બાળકીનો હાથ કાળો પડતાં પાર્થ હોસ્પિટલના ડોક્ટરને પૂછ્યું તો જવાબ મળ્યો કે, “માતા, ફોઈ કે દાદીએ હાથ દબાવ્યો હશે એટલે આવું થયું”. ઇમરજન્સી જોઈને પરિવારે બાળકીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જતાં ડોક્ટરોએ ગેંગરીન જાહેર કરી હાથ કપાવવાની સલાહ આપી. હાથ કપાવવા તૈયાર ન થતાં પરિવારે આજે બાળકીને વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડી છે, જ્યાં ડોક્ટરોએ 50 ટકા રિકવરીની આશા આપી છે. આવા ડોક્ટર સામે પગલાં લેવા જોઈએ, હોસ્પિટલે એક જ કાગળ આપ્યો છે, કઈ દવા આપી કે કયા રિપોર્ટ કર્યા એની કોઈ માહિતી આપી નથી. અમારી એક જ માંગ છે – અમારી બાળકી સાજી થઈ જાય. ડોક્ટરની ભૂલના કારણે જ આજે અમારી બાળકીને ગેંગરીન થઈ ગયું બાળકીની ફૂઈ સુહાની રાવળે ભાવુક થઈને જણાવ્યું કે, “ભાભીને કાશીબા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને ત્યાં ઓપરેશન કરીને ડિલિવરી કરાવી. તરત જ બાળકીને વજન ઓછું હોવાથી પાર્થ હોસ્પિટલમાં પેટીમાં રાખવામાં આવી. પાંચ દિવસ સારવાર ચાલી અને રોજ સોઈ લગાવવામાં આવી. એ જ સોઈની ભૂલથી બાળકીનો હાથ કાળો પડી ગયો છે. ડોક્ટરની ભૂલના કારણે જ આજે અમારી 11 દિવસની નાનકડી બાળકીને ગેંગરીન થઈ ગયું છે. અમે બાળકીનો હાથ કપાવવા તૈયાર નથી – એ અમારી એક જ માંગ છે.” બાળકીને આજે સવા બાર વાગ્યે અમારી હોસ્પિટલમાં દાખલ કરાઈવડનગર સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. હર્ષિત પટેલે જણાવ્યું કે, “આજે સવા બાર વાગ્યાની આસપાસ વિસનગરની એક ખાનગી હોસ્પિટલમાંથી ડિલિવરી થયા બાદ 11 દિવસની નવજાત બાળકી અમારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેના એક હાથનો ભાગ એકદમ કાળો પડી ગયો છે. પ્રાથમિક તપાસમાં ગેંગરીનની શક્યતા લાગી રહી છે. આ સ્થિતિમાં હાથના છેવાડાના ભાગમાં બ્લડ સપ્લાય બંધ થઈ જાય ત્યારે આવું થાય છે. અમે પીડિયાટ્રિક સર્જનનો અભિપ્રાય લેવા માગ્યો હતો, પરંતુ અમારી હોસ્પિટલમાં રેગ્યુલર પીડિયાટ્રિક સર્જન ઉપલબ્ધ નથી. તેથી RBSK ટીમ દ્વારા બાળકીને વધુ મોટી હોસ્પિટલમાં રિફર કરવાની કાર્યવાહી ચાલુ છે અને જિલ્લા વિકાસ અધિકારી સાથે પણ આ અંગે વાત થઈ છે.” “હું હાલ બહાર છું, તમને પછી જવાબ આપીશ” આ સમગ્ર ઘટના અંગે વિસનગરની પાર્થ હોસ્પિટલના ડૉ. પાર્થને વધુ વિગતો જાણવા સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે ભાસ્કરને જણાવ્યું, “હું હાલ બહાર છું, તમને પછી જવાબ આપીશ” એમ કહી ફોન કાપી નાખ્યો હતો.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 12:05 am

VIDEO: 'ફટાકડા ફોડતા લાગી આગ...', ગોવાના નાઇટ ક્લબમાં અગ્નિકાંડ મામલે CMનો મોટો ખુલાસો, 4 અધિકારીની ધરપકડ

Goa Night Club Fire : ગોવાના બાઘા વિસ્તારમાં પ્રખ્યાત 'બિર્ચ બાય રોમિયો લેન' નાઈટ ક્લબમાં શનિવાર-રવિવારની વચલી રાત્રે લાગેલી ભીષણ આગની ઘટનામાં 25 લોકોનાં મોત થવાની ઘટનામાં ક્લબના માલિકો પર એફઆઈઆર નોંધવા ઉપરાંત ચાર મોટા અધિકારીઓની ધરપકડ કરી છે. ફટાકડાના કારણે આગ લાગી : મુખ્યમંત્રી ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું કે, ‘પ્રાથમિક તપાસ મુજબ, નાઈટ ક્લબનાં ડાન્સ ફ્લોર પર ભીડ ઉમટી હતી, તેમાં કોઈએ જોશમાં આવીને ફટાકડા ફોડ્યા હતા, જેના કારણે ભયાનક આગી લાખી હતી.’ આ પહેલા એવી માહિતી સામે આવી હતી કે, સિલિન્ડર બ્લાસ્ટના કારણે આગ લાગી હતી.

ગુજરાત સમાચાર 7 Dec 2025 11:39 pm

ATSએ ખેતર વચ્ચે ચાલતી MD ડ્રગ્સની ફેક્ટરી પર દરોડો પાડ્યો:40 કિલો લિક્વિડ MD અને 6 આરોપી ઝડપાયા; આંતરરાષ્ટ્રીય રેકેટની આશંકા

ગુજરાત ATSની અને રાજસ્થાન પોલીસ સાથે સંયુક્ત રાજસ્થાન જોધપુર જિલ્લાના સોઇંત્રા ગામની સીમમાં ચાલતી MD ડ્રગ્સની ફેક્ટરી પર દરોડો પાડી 40 કીલો MD ડ્રગ્સ ઝડપી લીધુ છે. આ ફેક્ટરી ચલાવતા છ યુવાનોને પણ ઝડપી લેવામાં આવ્યા છે. હાલ આ સમગ્ર પ્રકરણની તપાસ રાજસ્થાન પોલીસ કરી રહી છે.જોકે, તપાસમાં ઇન્ટરનેશનલ રેકેટ પણ સામે આવે એવી સંભાવના છે. ગુજરાત ATSના ચોપડે નોંધાયેલા ડ્રગ્સના એક કેસમાં વોન્ટેડ આરોપી મોનુને ઝડપી લેવા માટે ATSની ટીમ રાજસ્થાન જોધપુર ગઇ હતી. પોલીસ પહોંચી તો ખેતરમાં તેનું પ્રોપર લોકેશન મળ્યું ગુજરાત ATS દ્વારા 38 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપ્યું હતું. ડ્રગ્સ કેસની તપાસમાં એક આરોપી મોનુ વોન્ટેડ હતો.જેને પગલે ATSના અધિકારીઓ મોનુ પર સર્વેલન્સ રાખીને બેઠા હતા, તેના માટેની બાતમીઓ પણ એકત્રિત કરી રહ્ય હતા.SP શંકર ચૌધરીની ટીમને બાતમી મળી હતી કે, મોનુ હાલ રાજસ્થાન જોધપુર આજુબાજુ ફરી રહ્યો છે. જોધપુર ગ્રામ્યની હદમાં આવેલા સોઇંત્રા ગામમાં મોનુનું લોકેશન મળ્યું હતું. જેને લઇને ATSની જુદી-જુદી ટીમ જોધપુર પહોંચી હતી. જ્યાં સોઇંત્રા ગામમાં મોનુંને પકડવા માટે પોલીસ પહોંચી તો એક ખેતરમાં તેનું પ્રોપર લોકેશન મળ્યું હતુ. ખેતરની વચ્ચે એમ ડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ધમધમતી હતીપોલીસ ખેતરમાં પહોચી તો શેડ નાંખીને એક ફેકટરી બનાવવામાં આવેલી નજરે પડતી હતી. જ્યાં ત્રાટકીને પોલીસે મોનું તો ઝડપી લીધો પરંતુ ત્યાં એમ ડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ધમધમતી હતી. જેને પગલે ATS દ્વારા સ્થાનિક પોલીસની મદદ લઇ મોનું સહિત કુલ 6 આરોપીઓને ઝડપી લઇ ફેકટરીમાંથી 40 કીલો લિક્વીડ એમ.ડી. ડ્રગ્સ ઝડપી લીધું હતું. જ્યારે મોટા પ્રમાણમાં રો-મટીરીયલ પણ કબજે કરવામાં આવ્યું છે. ઇન્ટરનેશનલ ડ્રગ રેકેટનો પર્દાફાશ થવાની સંભાવના છ પેડલરો ડ્રસનો વેપલો કરતા હતા.હવે આ પેડલરો - સપ્લાયરો સાથે સંકળાયેલા લોકોની વિગતો ચકાસવામાં આવી રહી છે.ઇન્ટરનેશનલ ડ્રગ રેકેટનો પર્દાફાશ થવાની સંભાવના અધિકારીઓ જોઇ રહ્યા છે.જોકે મોનુંને લઇને ગુજરાતના ડ્રગ્સ કેસનું કનેક્સન પણ જોધપુર ડ્રગ્સ કેસ સાથે જોડાયેલું હોવાનું સાબિત થઇ રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 10:57 pm

ઘરમાં આગ લાગવાની ઘટનામાં 3 વર્ષના બાળકનું મોત:ઉંદરે દીવાની દીવેટ ખેંચીને પાડતા કપડાં અને ગાદલામાં આગ લાગી, માતા-મામા ગંભીર રીતે દાઝ્યા

સરસપુરની પતરાવાળી ચાલીમાં રાત્રે ઘરમાં પ્રગટાવેલા દીવાની દીવેટ ઉંદરે ખેંચીને નીચે પાડી દીધી હતી, જેના કારણે કપડાં અને ગાદલામાં આગ લાગી અને સમગ્ર ઘરમાં ઝડપથી આગ ફેલાઈ ગઈ. આ દુર્ઘટનામાં 35 વર્ષીય રેખાબેન દંતાણી, તેમનો ત્રણ વર્ષીય પુત્ર શ્રેયાંશ અને 70 વર્ષીય મામા નરોત્તમભાઈ દંતાણી ગંભીર રીતે દાઝી ગયા હતા. સારવાર દરમિયાન ત્રણ વર્ષના શ્રેયાંશનું મોત નીપજ્યું છે, જ્યારે રેખાબેન અને તેમના મામા હજુ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. દરવાજો અંદરથી બંધ હોવાથી ખુલતો ન હતોમળતી માહિતી મુજબ રેખાબેનનો પરિવાર છેલ્લા 15 વર્ષથી લાઇટબિલ ભરતો ન હોવાથી ઘરમાં વીજળી નથી. રાત્રે થોડું અજવાળું રહે તે માટે પથ્થર પર દીવો પ્રગટાવીને સૂતા હતા. 1 ડિસેમ્બરની રાત્રે પણ આ જ રીતે દીવો પ્રગટાવીને ત્રણેય સૂઈ ગયા હતા. રાત્રે ઉંદરે દીવેટ ખેંચીને નીચે પાડી દીધી અને ક્ષણોમાં કપડાં-ગાદલામાં આગ લાગી ગઈ. ઘરમાં ધુમાડો ફેલાતાં ત્રણેય જાગી ગયા પરંતુ, દરવાજો અંદરથી બંધ હોવાથી ખુલતો ન હતો. બૂમાબૂમ કરતાં આસપાસના લોકોએ દોડી આવીને લાતો મારીને દરવાજો તોડ્યો અને ત્રણેયને બહાર કાઢ્યા, પરંતુ ત્યાં સુધીમાં ત્રણેય ગંભીર રીતે દાઝી ચૂક્યા હતા. પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતોસ્થાનિકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયરની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. દાઝી ગયેલા ત્રણેયને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ત્રણ વર્ષીય શ્રેયાંશનું મોત થયું હતું. આ ઘટના અંગે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધાઈ ગયો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર ગરીબ વિસ્તારોમાં વીજળીની મૂળભૂત સુવિધાના અભાવે થતા જોખમો પર પ્રશ્નો ઉભા કર્યા છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 10:46 pm

સ્ટાર્ટઅપ ફેસ્ટ ગુજરાત 3.0 યોજાશે:13 અને 14 ડિસેમ્બરના રોકાણકારો માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે, 106 જેટલા સ્ટોલ અને AI હેઠળના જોડાણ રજૂ કરવામાં આવશે

અમદાવાદમાં સ્ટાર્ટઅપ ફેસ્ટ ગુજરાત 3.0નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 13 અને 14 તારીખના દિવસે સ્ટાર્ટઅપ ફેસ્ટ ગુજરાત 3.0 યોજવામાં આવશે. સ્નેહશીલ્પ ફાઉન્ડેશન અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. સ્ટાર્ટઅપ ફેસ્ટ ગુજરાત 3.0માં 106 જેટલા સ્ટોલ તૈયાર કરવામાં આવશે. પહેલી વખત AI સંકલિત સ્ટાર્ટઅપનું પણ આયોજન કરવામાં આવ્યું છે. માસ્ટરક્લાસ, સ્થાપક-રોકાણકારોના સંવાદો, ઉત્પાદન પ્રદર્શનો, પિચ ઇન્ટરેક્શન અને થીમ આધારિત નેટવર્કિંગ ઝોન રજૂ કરવામાં આવશે. AI સંકલિત સ્ટાર્ટઅપ ફેસ્ટ તેની આવૃત્તિઓની નોંધપાત્ર સફળતા પર આધારિત106 સ્ટોલ અને AI નેતૃત્વ હેઠળના જોડાણ સાથે બે દિવસીય ઇનોવેશન શોકેસ તૈયાર કરવામાં આવશે. સ્ટાર્ટઅપ ફેસ્ટ ગુજરાત 3.0 ભારતનો પ્રથમ સંપૂર્ણપણે AI સંકલિત સ્ટાર્ટઅપ ફેસ્ટ તેની આવૃત્તિઓની નોંધપાત્ર સફળતા પર આધારિત છે. જેમાં સામૂહિક રીતે 350 કરતા વધુ સ્ટાર્ટઅપ્સ, 260 કરતા વધુ રોકાણકારો, 24,000થી વધુ ઉપસ્થિતો, 87 કરોડ કરતા વધુ LOI પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ટકાઉપણું, ફિનટેક, હેલ્થટેક, એગ્રીટેક, EV ઇનોવેશન અને સર્જનાત્મક ક્ષેત્રોના લીડર્સની ભાગીદારી હતી. ગઈ સીઝનમાં પણ વક્તાઓની પ્રભાવશાળી લાઇન-અપ જોવા મળી હતી જેમાં અશ્નીર ગ્રોવર, સોનુ સૂદ, સંદીપ એન્જિનિયર, સ્નેહ દેસાઈ, ચિરંજીવ પટેલ, હિરવ શાહ, ડૉ. રાજુલ ગજ્જર જેવા દિગ્ગજનો સમાવેશ થાય છે. જેમણે ઉદ્યોગસાહસિક વિકાસ માટે ભારતના સૌથી પ્રભાવશાળી પ્લેટફોર્મ પૈકીના એક તરીકે ફેસ્ટની પ્રતિષ્ઠાને મજબૂત બનાવી હતી. ફેસ્ટમાં AI-સક્ષમ મેચમેકિંગ દર્શાવવામાં આવશે2025ની ત્રીજી આવૃત્તિમાં ટેકનોલોજી, ટકાઉપણું, ફિનટેક, કૃષિ, સર્જનાત્મક ઉદ્યોગો અને ઉભરતા ક્ષેત્રોમાં 106 સ્ટોલ ધરાવતું ઉચ્ચ-ઉર્જા નવીનતા પ્રદર્શન યોજાશે. આ કાર્યક્રમમાં હજારો સ્થાપકો, રોકાણકારો, કોર્પોરેટ્સ, વિદ્યાર્થીઓ અને ઇકોસિસ્ટમ લીડર્સ આકર્ષાશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ કાર્યક્રમ ગુજરાતના ઉદ્યોગસાહસિક શ્રેષ્ઠતાના કેન્દ્ર તરીકેના વધતા કદને વધુ મજબૂત બનાવશે. અસરકારક નેટવર્કિંગ, ક્યુરેટેડ શિક્ષણ અનુભવો અને ભાગ લેનારા સ્ટાર્ટઅપ્સ માટે વ્યૂહાત્મક વ્યવસાયિક સંપર્ક પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ફેસ્ટમાં AI-સક્ષમ મેચમેકિંગ દર્શાવવામાં આવશે. જે સ્ટાર્ટઅપ્સને સંબંધિત રોકાણકારો અને માર્ગદર્શકો સાથે લક્ષિત, અર્થપૂર્ણ વાતચીતો માટે જોડવા માટે રચાયેલ આવ્યું છે. 13 અને 14 ડિસેમ્બર, 2025ના રોજ સ્ટાર્ટઅપ ફેસ્ટ ગુજરાત 3.0માં માસ્ટરક્લાસ, સ્થાપક-રોકાણકારોના સંવાદો, ઉત્પાદન પ્રદર્શનો, પિચ ઇન્ટરેક્શન અને થીમ આધારિત નેટવર્કિંગ ઝોન રજૂ કરવામાં આવશે, જે સહયોગ, માન્યતા અને દૃશ્યતા માટે એક વ્યાપક પ્લેટફોર્મ બનાવશે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 10:33 pm

ઘાંચી સમાજમાં મેનેજરે 18 વર્ષમાં 39 લાખની ઉચાપત કરી:દસ્તાવેજોનો નાશ કરી હિસાબમાં ગોટાળા કર્યા, જનરલ સેક્રેટરીએ શાહપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી

અમદાવાદના સરખેજ વિસ્તારમાં ગુજરાત સમસ્ત મુસ્લીમ ઘાંચી સમાજની સંસ્થામાં 18 વર્ષથી મેનેજર તરીકે કામ કરતા નિવૃત્ત શિક્ષક નુરમહંમદ મીનાપરાએ રૂ. 39 લાખથી વધુની ઉચાપત કરી હોવાનો આરોપ લાગ્યો છે. સંસ્થાના જનરલ સેક્રેટરી સલીમભાઈ અગોલીયાએ જણાવ્યું કે, કર્મચારીઓના પગારમાં રૂ. 9 લાખ, ખરીદીના ખોટા વાઉચરોમાં રૂ. 12 લાખ, રિપેરિંગના ખોટા બિલમાં રૂ. 14 લાખ તથા પરચૂરણ ખર્ચમાં રૂ. 4 લાખ સહિત કુલ રૂ. 39 લાખની ગેરરીતિ સામે આવી છે. આ ઉપરાંત મેનેજરે મહત્વના દસ્તાવેજો અને રેકર્ડનો પણ નાશ કર્યો હતો. આંતરિક તપાસ દરમિયાન ગેરરીતિઓ સામે આવતાં ફેબ્રુઆરી-2024માં નુરમહંમદે રાજીનામું આપી દીધું હતું, જૂના કર્મચારીઓને પણ હટાવી નવી ભરતી કરવામાં આવી હતી, તેમ છતાં આઠ સભ્યોની તપાસ સમિતિએ ભ્રષ્ટાચારની પુષ્ટિ કરી હતી. આ મામલે સલીમભાઈ અગોલીયાએ શાહપુર પોલીસ સ્ટેશનમાં નુરમહંમદ મીનાપરા સામે છેતરપિંડી અને ઉચાપતની ફરિયાદ નોંધાવી છે. પશુઓની ગેરકાયદે હેરાફેરી કરીશહેર કોટડામાં પોલીસને બાતમી મળી હતી કે, માઘુભાઇ મીલ કમ્પાઉન્ડમાં આવેલ મહેબુબભાઈ શેખની ઓરડી ખાતે કેટલાક શખ્સો જીવતા પશુઓની ગેરકાયદે હેરાફેરી કરી તેમને પાણી કે ઘાસચારો આપ્યા વિના અત્યંત ક્રૂરતાપૂર્વક બાંધીને, કતલ કરી માંસનું વેચાણ કરી રહ્યા હતા. જેને પગલે પોલીસે દરોડો પાડીને ફકરૂદીન પઠાણ, આસીફ શેખ, મોહમંદ ઇકબાલ કુરેશી, સાકીર શેખ, એજાઝ હુસેન શેખ, ફૈસલ શેખ અને અજય પટણીને રંગેહાથ ઝડપ્યા છે. પોલીસે કુલ રૂપિયા 3,93,340નો મુદ્દામાલ કબ્જે કર્યો છે તેમજ એક જીવતો બળદ અત્યંત ક્રૂરતાપૂર્વક બાંધેલો મળી આવ્યો હતો તેનો પોલીસે બચાવ્યો હતો. આરોપી એજાઝ હુસેન અલીહુસેન પીરમોહમંદ શેખે ઓરડી ભાડે રાખી હતી. આરોપીઓએ કબૂલ્યું કે, તેઓ ખેડૂત પાસેથી ખેતી કરવાના બહાને બળદો ખરીદીને લાવ્યા હતા. એક બળદ વીજાપુરના લાડોલ ગામથી અને બીજો પાટણથી લાવવામાં આવ્યો હતો. આ પશુઓને ડ્રાઇવર રાકેશભાઇની બોલેરો ડાલામાં ભરીને અહીં લાવવામાં આવ્યા હતા. ત્યારે એક આરોપી અમીન કુરેશી ફરાર છે. જેમાં અમીને દાવત માટે માંસનો જથ્થો મંગાવ્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે. BRTS બસચાલકે મહિલાને અડફેટે લીધાનારોલમાં રહેતા હિતેશકુમાર કાપડીયા વટવા પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે નોકરી કરે છે. ગત 6 ડિસેમ્બરે તેમની 59 વર્ષીય માતા પુષ્પાબેન રાત્રીના સમયે પુત્રવધુ સાથે દાણીલીમડા સંબંધીના ઘરે જવા નીકળ્યા હતા. તેઓ ચંડોળા બેરલમાર્કેટ પાસે BRTS બસ સ્ટેન્ડ પાસેથી ચાલતા રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે પૂરઝડપે આવી રહેલ BRTS બસચાલકે પુષ્પાબેનને અડફેટે લેતા તેઓ રોડ પર પટકાતા ગંભીર ઇજાઓ પહોચી હતી. અકસ્માત થતા આસપાસના લોકો આવીને ઇજાગ્રસ્ત પુષ્પાબેનને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમ્યાન પુષ્પાબેનનું મોત નિપજ્યુ હતુ. આ અંગે હિતેશકુમારે બીઆરટીએસ બસચાલક સામે કે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. પોલીસે બસચાલક રમણભાઇ ચૌધરીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 10:18 pm

રાજકોટમાં વધુ એક હત્યા:ઘર કંકાસના કારણે 27 વર્ષીય પરિણીતાની કરપીણ હત્યા, પત્નીને છરીના 5 જેટલા ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા બાદઆરોપી પતિ ફરાર

રાજકોટમાં ગુનાખોરીની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે ફરી એકવાર એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં પતિએ જ પોતાની પત્નીની નિર્મમ હત્યા કરી નાખી છે. આ હૃદયદ્રાવક બનાવ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા દૂધસાગર રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડ, શેરી નંબર 10 ખાતે આવેલા એક મકાનમાં બન્યો હતો. 27 વર્ષીય નિલેશ્વરી બોરીચા નામની પરિણીતાની તેના જ પતિ યોગેશ બોરીચા દ્વારા છરીના 5 જેટલા ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતાં જ થોરાળા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આરોપી પતિ યોગેશની શોધખોળ હાથ ધરી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ પારિવારિક ઝઘડા એટલે કે ઘર કંકાસ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર, મૃતક નિલેશ્વરી અને આરોપી યોગેશના લગ્ન આશરે 4 વર્ષ પૂર્વે થયા હતા. નિલેશ્વરી મૂળ અમદાવાદની રહેવાસી છે. પાંચ વર્ષ પૂર્વે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram ના માધ્યમથી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. પરિચય ગાઢ બનતાં તેમની વચ્ચે મિત્રતા અને ત્યારબાદ પ્રેમ સંબંધ બંધાયો હતો. આખરે, બંને પરિવારોના રાજીપા સાથે નિલેશ્વરી અને યોગેશે લગ્ન કરીને પોતાનું નવું જીવન શરૂ કર્યું હતું. જોકે, તેમનું લગ્નજીવન લાંબુ સુખદ રહ્યું નહીં. લગ્નના થોડા સમય બાદ જ પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ શરૂ થઈ ગયા હતા. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે પતિ યોગેશ બોરીચા કંઈ કામ-ધંધો કરતો ન હતો, જેના કારણે પરિવારમાં આર્થિક સંકડામણ રહેતી હતી. આ ઉપરાંત, યોગેશને નશો કરવાની પણ ખરાબ ટેવ હતી. આ બંને કારણોસર પતિ-પત્ની વચ્ચે અવારનવાર તીવ્ર ઝઘડાઓ થતા રહેતા હતા. આ ઘર કંકાસ એટલો વધી ગયો કે રાજકોટના ભગવતી પરા વિસ્તારમાં આવેલી બોરીચા સોસાયટીમાં પોતાના સાસરીયામાં રહેતી નિલેશ્વરીએ છેલ્લા 4 દિવસથી પોતાના પતિનું ઘર છોડી દીધું હતું. તે દૂધસાગર રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતી તેની બહેનપણી જલ્પાના ઘરે રહેવા જતી રહી હતી. રવિવારે સવારના આશરે 12:30 વાગ્યાના અરસામાં યોગેશ બોરીચા પોતાની પત્ની નિલેશ્વરી જે જગ્યાએ રોકાઈ હતી, તે તેની બહેનપણી જલ્પાના ઘરે પહોંચ્યો હતો. ઘરમાં આવતાની સાથે જ પતિ-પત્ની વચ્ચે ફરી ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. આ ઝઘડાએ એટલું મોટું સ્વરૂપ ધારણ કર્યું કે ઉશ્કેરાયેલા યોગેશે પોતાની પાસે રહેલી છરી કાઢી અને 5 જેટલા ઘા પોતાની પત્ની નિલેશ્વરીને ઝીંકી દીધા. લોહીલુહાણ હાલતમાં નિલેશ્વરી ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. પત્ની પર જીવલેણ હુમલો કર્યા બાદ આરોપી યોગેશ સ્થળ પરથી તરત જ ફરાર થઈ ગયો હતો. ઘટના બન્યા બાદ નિલેશ્વરીની બહેનપણી જલ્પા દ્વારા તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ગંભીર ઈજાઓને કારણે નિલેશ્વરીની હાલત નાજુક હતી. જ્યાં હોસ્પિટલ ખાતે તબીબો દ્વારા તેની સઘન સારવાર કરવામાં આવી રહી હતી, પરંતુ સાંજના આશરે 5:30 વાગ્યા આસપાસ સારવાર દરમિયાન તેણીનું કરૂણ મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. બનાવને પગલે પરિવાર સહિત સોસાયટીમાં ગમગીની છવાઈ ગઈ છે અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. હાલ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરીમૃતદેહનો કબજો લઈને પોલીસે તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ કરપીણ હત્યા સંદર્ભે થોરાળા પોલીસ સ્ટેશન ખાતે ફરાર આરોપી યોગેશ બોરીચા વિરુદ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો દાખલ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે આસપાસના લોકોના નિવેદનો લેવાની તેમજ આરોપીને શોધવા માટે જુદી જુદી ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 9:54 pm

મહિલા હિંસા નાબૂદી માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો:છાંયા રામેશ્વર મહિલા મંડળમાં માર્ગદર્શન કેમ્પ

પોરબંદરમાં આજે ( 7 ડિસેમ્બર )ના રોજ છાંયા રામેશ્વર મહિલા મંડળમાં મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત એક વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય જાતિગત હિંસા સંબંધિત મુદ્દાઓ અંગે મહિલાઓમાં જાગૃતિ લાવવાનો હતો. મહિલા મંડળના પ્રમુખ મંજુબેન ડાકીએ આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહે તે માટે વિશેષ પ્રયત્નો કર્યા હતા. તેમની પહેલથી અનેક મહિલાઓએ આ માર્ગદર્શન કેમ્પનો લાભ લીધો હતો.કાર્યક્રમ દરમિયાન, ઉપસ્થિત OSC–181 ટીમ દ્વારા બહેનોને મહિલાઓ માટે ઉપલબ્ધ વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સખી વન સ્ટોપ સેન્ટર પોરબંદર અને ઇમરજન્સી સેવા 181 વિશે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. બહેનોને આ યોજનાઓનો લાભ કેવી રીતે લેવો, મુશ્કેલીના સમયે કઈ સેવાઓનો સંપર્ક કરવો અને કાયદાકીય સહાય કેવી રીતે મેળવવી તે અંગે મહત્વપૂર્ણ જાણકારી પ્રાપ્ત થઈ હતી.આ કાર્યક્રમ મહિલા સશક્તિકરણ અને તેમની સુરક્ષાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયો હતો, જેણે મહિલાઓને તેમના અધિકારો અને ઉપલબ્ધ સહાય વિશે માહિતગાર કર્યા.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 9:19 pm

'તારી સાસુ કાચનું વાસણ છે ગમે ત્યારે મરી જશે':​સસરાએ પુત્રવધૂ પાસે 'શારીરિક સંબંધો'ની માંગણી કરી,મહિલાએ પતિ,સાસુ,સસરા અને દિયર સામે નોંધાવી પોલીસ ફરિયાદ.

​ગુજરાતમાં મહિલાઓ પર થતા દહેજના માનસિક ત્રાસ અને ઘરેલુ હિંસાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, જેમાં વિવાહિત જીવનના પવિત્ર સંબંધોને પણ લજવતા ગંભીર બનાવો સામે આવી રહ્યા છે. આ જ પ્રકારની એક એક ઘટનામાં જુનાગઢ ખાતે રહેતી 21 વર્ષીય ફરિયાદી મહિલા પરિણીતાએ તેના અમદાવાદના સાસરિયાઓ વિરુદ્ધ જૂનમહિલા પોલીસ સ્ટેશનમાં ગંભીર ફરિયાદ નોંધાવી છે. પરણિતાએ પતિ, સાસુ અને દિયર પર દહેજ માટે ત્રાસ આપવાનો, તથા સસરા પર શારીરિક સંબંધોની માંગણી કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આક્ષેપ કર્યો છે. લગ્નના વીસ દિવસમાં જ માનસિક ત્રાસ શરૂ ​ફરિયાદી મહિલાએ ફરિયાદમાં અજમાવ્યા મુજબ પરિણીતાના નિકાહ તા. 24/04/2025 ના અમદાવાદ, જમાલપુર લેન્ડમાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા જેદ તોફીકભાઈ શેખ સાથે મુસ્લિમ ધર્મના રીતરિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ તે પતિ જેદ શેખ, સસરા તોફીકભાઈ શેખ, સાસુ સીતારાબેન અને દિયર રેહાનભાઈ સાથે સંયુક્ત કુટુંબમાં રહેતી હતી. ​માત્ર વીસેક દિવસ સારી રીતે રાખ્યા બાદ,પતિ જેદ શેખ કોઈ કામધંધો કરતા ન હોવાથી અને ઘરખર્ચ ન આપતા હોવાથી સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.સાસુ સીતારાબેન અને દિયર રેહાનભાઈ દ્વારા વારંવાર મેણા-ટોણા મારવામાં આવતા હતા: તારો ઘરવાળો કાંઈ કામ કરતો નથી, એટલે તારે કામ કરવા જવું પડશે.તારા બાપે કાંઈ કરીયાવર આપેલ નથી, તારા બાપને કહે કે કરીયાવર અને પૈસા મોકલે. તેમજ તારો વર કે તું કાંઈ કમાતા નથી, તો મફતનું થોડી ખાવા મળે તેમ કહીને અપમાનિત કરતા હતા. જ્યારે પરિણીતા આ દુઃખની વાત પતિને કરતી, ત્યારે તેઓ તેમના માતા-પિતાનો જ સાથ આપતા હતા. જોકે, ઘરસંસાર ચલાવવા માટે તે બધું મુંગા મોઢે સહન કરતી રહી. ​સસરા દ્વારા શારીરિક માંગણી અને ધમકી ​ તા. 17/09/2025 ના સબંધોને લજવાતી ઘટના બની હતી.જેમાં જ્યારે પતિ કામથી વડોદરા ગયા હતા અને દિયર દુકાને હતા, ત્યારે પરિણીતા અને સસરા તોફીકભાઈ શેખ ઘરે એકલા હતા. તે સમયે ઘરકામ કરી રહેલી પુત્રવધૂ પાસે આવીને સસરાએ અત્યંત હીનતાભર્યા શબ્દોમાં વાત કરી કે તારો ઘરવાડો કાંઈ કમાતો નથી પણ હું તને બધું જ આપીશ, તું પાણી માગીસ તો તને દૂધ આપીશ. અને તારી સાસુ તો કાચનું વાસણ છે, ઈ તો ક્યારે મરી જ જાય, આ બધું તારું જ છે. તું મારી સાથે શારીરીક સંબંધ રાખ, મારા છોકરાને મૂકી દે. આપડા બંને વચ્ચે જે કાઈ થસે તે કોઈને નહી ખબર પડે. તારો ઘરવાડો બીજે મોઢા મારે છે, તને શું ખબર પડવાની. હું તને ખુશ રાખીશ. ​પરિણીતાએ સસરાને હાથ જોડીને ના પાડી અને સમજાવ્યા કે તેઓ તેના બાપ સમાન છે અને જો તે આ વાત તેમના દીકરાને કહેશે તો તેમની ઈજ્જત જશે. તેના જવાબમાં સસરાએ ઉદ્ધતતાપૂર્વક કહ્યું કે, તારે જેને કહેવું હોય તેને કહેજે, કોઈ તારી વાત નહી માને, કેમ કે મારા ઘરના મારું જ સાંભળશે, તારું નહીં. અને જો આ વાત તું કોઈને કહીસ તો તને જાનથી મારી નાખીસ. આ ધમકીથી ડરીને પરિણીતાએ શરૂઆતમાં આ વાત કોઈને નહોતી જણાવી. ​સાસરિયાઓ ફરવા ગયા અને પુત્રવધૂને છોડી દીધી ​તા. 23/09/2025 ના રોજ, સસરા, સાસુ, દિયર અને પતિ બધા જ બગદાદ (ઈરાન) ફરવા જવાના હતા. તે જ દિવસે સાંજે 5:00 વાગ્યાની એસ.ટી. બસમાં પતિ તેને બેસાડી ગયા, અને તે એકલી તેના પપ્પાના ઘરે જુનાગઢ પરત આવી ગઈ હતી.પંદર દિવસ બાદ સાસુએ ફોન કરીને તેને અમદાવાદ આવી જવા કહ્યું. જ્યારે પરિણીતાએ સસરાના શારીરિક માંગણી અને દુર્વ્યવહારની વાત કરી, ત્યારે સાસુએ આ વાતને નકારી કાઢી અને કહ્યું કે મારા પતિ આવું ક્યારેય ના કરે, તું ખોટું બોલે છે. અને ધમકી આપી કે તું અમારા ઘરે હવે ના આવતી, અમે અમારા છોકરાને બીજે લગ્ન કરાવી દેશું. ​ખોટી ફરિયાદો અને માનસિક ત્રાસ ​નાછૂટકે, પરિણીતાએ તા. 15/10/2025 ના રોજ મહિલા પોલીસ સ્ટેશન, જુનાગઢ ખાતે અરજી કરી હતી, જેમાં સમાધાનની વાત થઈ હતી, પરંતુ પતિ તેને લેવા ન આવતા. ત્યાર બાદ સાસરિયાઓએ ઊલટાનું વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન અને જમાલપુર પોલીસ સ્ટેશનમાં અરજીઓ કરી કે પરિણીતા દાગીના અને રોકડ લઈને જતી રહી છે. ​તા. 01/12/2025 ના રોજ જમાલપુર પોલીસ સ્ટેશનથી ફોન આવતા પરિણીતાને જાણ થઈ કે તેના પતિએ અરજી કરી છે કે તે દાગીના અને રૂપિયા લઈ ગઈ છે અને સાસરે આવવા માંગતી નથી. સતત ખોટી અરજીઓ અને માનસિક ત્રાસથી કંટાળીને, ફરિયાદી મહિલા પરિણીતાએ આજે તેના ભાઈ સાથે મહિલા પોલીસ સ્ટેશન ખાતે પતિ, સાસુ, દિયર સામે દહેજ અને ત્રાસ, સસરા વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ નોંધાવી છે..

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 9:12 pm

ગોધરા પોલીસે કાંસુડીમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો:4.51 લાખની 3177 બોટલો સાથે એક ઝડપાયો, અન્ય વોન્ટેડ.

ગોધરા શહેર એ ડિવિઝન પોલીસે કાંસુડી ગામના એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. 6 ડિસેમ્બરના રોજ બપોરના સુમારે કરાયેલી આ કાર્યવાહીમાં પોલીસે 4.51 લાખ રૂપિયાની કિંમતની 3177 વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે. પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેમને બાતમી મળી હતી કે ગોધરા તાલુકાના કાંસુડી ગામના ટેકરા ફળિયામાં રહેતો ક્રિષ્ના સોલંકી નામનો યુવાન પોતાના ઘરમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો રાખે છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે ક્રિષ્ના સંજયભાઈ સોલંકીના ઘરે છાપો માર્યો હતો. પોલીસ રેડ દરમિયાન ક્રિષ્ના સંજયભાઈ સોલંકી મળી આવ્યો હતો. પોલીસે તેને સાથે રાખીને મકાનમાં તપાસ કરતા ઘરના અલગ અલગ રૂમમાંથી 4.51 લાખ રૂપિયાની કિંમતનો 3177 વિદેશી દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો. પૂછપરછ દરમિયાન ક્રિષ્નાએ જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો તેણે વેજલપુર પાસે આવેલી ધારા હોટેલવાળા પ્રકાશ ઉર્ફે ભયલુ ગણપતભાઈ પટેલ પાસેથી મેળવ્યો હતો. પોલીસે પકડાયેલા આરોપી ક્રિષ્ના સંજયભાઈ સોલંકી અને દારૂનો જથ્થો આપનાર પ્રકાશ ઉર્ફે ભયલુ ગણપતભાઈ પટેલ એમ બંને ઇસમો સામે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસમથકે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 9:07 pm

સોમનાથ મંદિરમાં અતિરુદ્ર મહાયજ્ઞનો પ્રારંભ:108 બ્રાહ્મણો 5 દિવસમાં 24 લાખ આહુતિ અર્પણ કરશે

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં આજથી અતિરુદ્ર મહાયજ્ઞનો શુભારંભ થયો છે. મંદિરની યજ્ઞશાળામાં આયોજિત આ મહાયજ્ઞ પાંચ દિવસ સુધી ચાલશે. જેમાં ૧૦૮ બ્રાહ્મણો દ્વારા ૯ યજ્ઞકુંડોમાં કુલ ૨૪ લાખ આહુતિઓ અર્પણ કરવામાં આવશે. શિવ આરાધનાનું સૌથી મોટું અનુષ્ઠાન ગણાતા આ અતિરુદ્ર યજ્ઞનું આયોજન શિવકૃપા અને પ્રસાદ પ્રાપ્તિ અર્થે કરવામાં આવે છે. આ યજ્ઞ પૂર્વજન્મના સંચિત કર્મોના ફળની પ્રાપ્તિ કરાવે છે અને જન્મ-જન્માંતરના પુણ્ય પ્રાપ્ત થાય છે. આ પુણ્ય માત્ર યજમાન પૂરતું સીમિત નથી, પરંતુ જીવમાત્રના કલ્યાણના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. યજ્ઞ દ્વારા આત્માની શુદ્ધિ થાય છે અને આકાશમંડલમાં યજ્ઞમાંથી નીકળતો ધૂપ પણ શુદ્ધતા પ્રદાન કરે છે, જેનાથી આભામંડળની પણ શુદ્ધિ થાય છે. સોમનાથ તીર્થ દ્વાદશ જ્યોતિર્લિંગોમાં પ્રથમ સ્થાન ધરાવે છે અને તે એક પુણ્યભૂમિ છે. ચંદ્રમાએ પણ પોતાના દોષોના નિવારણ માટે પ્રભાસ તીર્થમાં આવીને તપ કર્યું હતું અને ભગવાન સોમનાથને પ્રસન્ન કર્યા હતા. આવી પવિત્ર ભૂમિ પર જે કોઈ શિવભક્ત યજ્ઞ, જપ, અભિષેક અથવા અન્ય ધર્મ કાર્યો કરે છે, તેમની મનોકામનાઓ તત્કાલ પૂર્ણ થાય છે અને સોમનાથ મહાદેવ તેમના પર પ્રસન્ન થાય છે. અતિરુદ્ર યજ્ઞ કરવો એ મહાન પુણ્ય આપનારું કાર્ય છે, પરંતુ જ્યારે યજ્ઞ થતો હોય ત્યારે તેના માત્ર દર્શન કરવાથી પણ મોટું પુણ્ય અર્જિત થાય છે. શાસ્ત્રોમાં યજ્ઞને સાક્ષાત્ નારાયણનું સ્વરૂપ માનવામાં આવેલ છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ મહાદેવના દર્શને આવનાર પ્રત્યેક ભક્તોને આ પાવન યજ્ઞના દર્શનનો લાભ લેવા આમંત્રિત કરે છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 9:04 pm

પોરબંદરમાં નેવી ડેની ભવ્ય ઉજવણી:ચોપાટી પર યુદ્ધ જહાજો, ડોનિયર, ડ્રોનનું શક્તિ પ્રદર્શન

ભારતમાં દર વર્ષે 4 ડિસેમ્બરે નેવી ડે ઉજવાય છે. આ વર્ષે પોરબંદર ચોપાટી પર નેવલ હેડ ક્વાર્ટર દમણ અને દીવ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત ભારતીય નૌસેનાના 4 યુદ્ધ જહાજો, 3 ડોનિયર એરક્રાફ્ટ અને ડ્રોન દ્વારા સમુદ્ર વિસ્તારમાં આકર્ષક કૌવત પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ દૃશ્યો જોવા માટે ચોપાટી પર જનસમુદાય ઉમટી પડ્યો હતો. ભારતમાં 4 ડિસેમ્બર, 1971ના ભારત-પાક યુદ્ધ દરમિયાન ભારતીય નૌસેના દ્વારા કરાયેલા ઐતિહાસિક ઓપરેશન ટ્રાઇડન્ટની યાદમાં નેવી ડે ઉજવાય છે. 4 ડિસેમ્બર, 1971ની રાત્રે ભારતીય મિસાઈલ બોટ્સે કરાચી બંદર પર અચાનક હુમલો કર્યો હતો, જેમાં પાકિસ્તાની નૌસેનાને ભારે નુકસાન થયું હતું. આ શૌર્ય અને સાહસિકતાની યાદમાં આ દિવસ સમગ્ર દેશમાં ઉજવાય છે. પોરબંદરની ચોપાટી પર યોજાયેલા કાર્યક્રમમાં ઇન્ડિયન નેવીના જવાનો દ્વારા માર્ચ પાસ્ટ, ડી.અઝ.ડી જવાનોની પરેડ, એન.સી.સી. અને સી કેડેટ્સના પ્રદર્શનો રજૂ કરાયા હતા. મહિલા અગ્નિવીર અને જવાનોએ હથિયારો સાથે કરતબો પણ દર્શાવ્યા હતા. નેવલ બેન્ડના દેશભક્તિપૂર્ણ સૂરોએ વાતાવરણને દેશભક્તિમય બનાવ્યું હતું. આ કાર્યક્રમમાં નેવીના ફોગના રીઅર એડમિરલ તન્નુ ગુરુ અને નોએક ગુજરાતના કોમોડોર સૌરવ રસ્તોગી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ પણ અનેક કૌવતો રજૂ કરીને કાર્યક્રમની શોભા વધારી હતી.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 8:59 pm

સોલા ભાગવત નજીક ક્લોરિન ગેસ લીકેજથી હડકંપ:અજાણ્યો શખસ બાટલો ફેંકીને ફરાર, ફાયર જવાનો સહિત લોકોને આંખ-શ્વાસની તકલીફ; બે જવાન હોસ્પિટલમાં દાખલ

અમદાવાદના એસજી હાઈ-વે પર સોલા ભાગવત નજીક ક્લોરિન ગેસ લીકેજ થયો છે. માધવ ઔડા ગાર્ડન નજીક કોઈ અજાણી વ્યક્તિ ક્લોરિનનો બાટલો ફેંકીને જતું રહ્યું, જે બાટલામાંથી ગેસ લીકેજ થતા આસપાસના લોકોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડી. ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી. ક્લોરિન ગેસને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા, જેમાં બે ફાયર બ્રિગેડના જવાનોને અસર પહોંચી હતી, જેના પગલે તેઓને તાત્કાલિક સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની બે ગાડીઓ દ્વારા હાલ ક્લોરિન ગેસ પર પાણીનો મારો ચલાવી તેને બંધ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. ગેસ વધુ હવામાં ન ફેલાય તેના માટે પ્રયાસ હાથ ધર્યાફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા મુજબ હાલમાં ક્લોરિન ગેસનો બાટલો લીકેજ થયો છે, જેમાંથી ગેસ બહાર નીકળી જવા દેવો પડે એવી સ્થિતિ છે. જેથી, પાણીનો મારો તેના પર ચલાવવામાં આવી રહ્યો છે અને જ્યા સુધી તમામ ગેસ બહાર ન નીકળી જાય ત્યા સુધી પાણીનો મારો ચલાવવામાં આવશે. જેથી, ગેસ વધુ હવામાં ફેલાઈ નહીં.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 8:57 pm

વડોદરા ક્રાઇમ ન્યૂઝ:રામનાથ ગામમાં બંધ મકાનમાં રાત્રે તસ્કરો ત્રાટક્યાં, 7.30 લાખ રૂપિયાના દાગીનાની ચોરી, પિતા પુત્ર રાજસ્થાન ગયા, માતા અન્ય પુત્રને ઘરે જતા તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું

વડોદરાના રામનાથ ગામે આવેલા રહેતા પિતા અને પુત્ર ગાડીમાં સામાન ભરીને રાજસ્થાન બિકાનેર ખાતે સામાનની ડિલિવરી આપવા માટે ગયાં હતા. ત્યારે માતા તેમનું ઘર બંધ કરીને અન્ય પુત્ર તથા પુત્રવધૂ પાસે ઉંઘવા માટે ગયા હતા. ત્યારે તેમના બંધ મકાનને મોડી રાત્રે નિશાન બનાવી તસ્કરોએ રૂ.7.30 લાખના સોના ચાંદીના દાગીનાના ચોરી કરી ફરાર થઇ ગયાં હતા. જેથી સવારે ચોરીની જાણ થતા યુવકે વરણામાં પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોધાવી છે. વડોદરા જિલ્લાના રામનાથ ગામે રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા બીપીનભાઇ પ્રભાતસિંહ પઢિયાર ગાડીઓ જીઆઈડીસીમાં ભાડેથી ચલાવે છે. ગત 5 ડિસેમ્બરના રોજ સવારમાં તેમના પિતા પ્રભાતસિંહ તથા નાનોભાઈ જૈમિન બે ગાડીઓમાં માંગલેજ ખાતેથી કંપનીનો માલ ભરીને બિકાનેર (રાજસ્થાન) ખાતે ખાલી કરવા માટે ગયા હતા. ત્યારે યુવકની માતા તેમના ઘરને તાળુ મારીને પુત્ર બિપિનના ઘરે સુવા માટે આવી ગયા હતા. રાતના દસેક વાગ્યાની આસપાસ ઘરમાં યુવક માતા અને પત્ની સાથે ઉંઘતો હતો. સવારે સાત વાગ્યે યુવકની માતા ડેરીમાં દુધ ભરવા માટે જતા હતા. તે વખતે તેઓએ બીજા ઘરને મારેલુ તુટેલુ તથા દરવાજો ખુલ્લો જોતા દુધ ભરવાનુ રહેવા દઈને ઘરે પાછા આવી ગયા હતા અને પુત્રને જગાડીને બીજા ઘરનો દરવાજો ખુલ્લો હોવાની વાત કરી હતી. ત્યાબાદ પુત્ર અને તેની પત્ની સાથે ઘરમાં તપાસ કરવા માટે ગયાં હતા. ત્યારે સામાન વેરવિખેર પડેલો હતો તથા તીજોરીમાં વર્ષો જુના સોના-ચાંદીના દાગીના મળી રૂ. 7.30 લાખની મતાની ચોરી કરી તસ્કરો પલાયન થઇ ગયાં હતા. જેથી યુવકે વરણામા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી તસ્કરોનું પગેરુ મેળવવા તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 8:56 pm

સચીનમાં ISICના દવાખાનામાં ઈન્વેટરમાં બ્લાસ્ટ બાદ આગ ભભુકી:આગના લીધે ઇન્વેટર, ટી.વી, કોમ્પ્યુટર, ફર્નિચર, પંખા, જરૂરી દસ્તાવેજ, વાયરીંગ સહિત વસ્તુઓ ખાખ, એક કલાકે આગ કાબૂમાં આવી

સુરતના સચીન વિસ્તારમાં કામદાર રાજ્ય વીમા યોજના (ઈ.એસ.આઈ.સી)ના દવાખાનામાં આજે ઇન્વેટરમાં જોરદાર બ્લાસ્ટ થયા બાદ આગ ફાટી નીકળતા ત્યાં અફડાતફડી અને નાશભાગ થઇ જવા પામી હતી. ફાયર વિભાગે એક કલાકની જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગમાં ઇન્વેટર, ટી.વી, કોમ્પ્યુટર, ફર્નિચર, પંખા, જરૂરી દસ્તાવેજ, વાયરીંગ સહિત વસ્તુઓ બળીને ખાખ થઈ ગયું હતું. મળતી માહિતી પ્રમાણે, સચીન મેઇન રોડ પર નવા ફળિયા ખાતે આવેલા ચાર માળની બિલ્ડીંગમાં પહેલા માળે કામદાર રાજ્ય વીમા યોજના (ઈ.એસ.આઈ.સી)ના દવાખાનનું આવેલુ છે. જોકે દવાખાનામાં આજે ઇન્વેટરમાં શોર્ટ સર્કિટ થતા પ્રચડ ધડકા સાથે બ્લાસ્ટ થયો હતો. બાદમાં ત્યાં આગ ફાટી નીકળતા વધુ પ્રમાણમાં ધુમાડો નીકળવા માંડ્યો હતો. જેના લીધે ત્યાં હાજર લોકો ગભરાટ ફેલાઈ જતા ત્યાં અફડાતફડી અને નાશભાગ થઇ જવા પામી હતી. કોલ મળતા ફાયર લાશ્કારોનો કાફલો ઘટના સ્થળે ધસીને સતત પાણીનો મારો ચલાવતા એક કલાકમાં આગ પર કાબુ મેળ્યો હતો. જોકે સમયસર આગ ઓલાવતા ત્યાં અન્ય રૂમ તથા ગ્રાઉન્ડ ફલોર બચી ગયો હતો. એટલુ નહી પણ દવાખાનામાં મુકલા ગેસ સિલિન્ડરમાં પણ આગની ગરમી લાગી હતી. પણ આગ બુઝાવતા સિલિન્ડર બ્લાસ્ટ નહી થતા મોટી દુર્ઘટના થઇ નહી હોવાનું ફાયર ઓફિસર દિપક બારોટે જણાવ્યુ હતું. જયારે આગના લીધે ઈન્વેટર,ટી.વી, કોમ્પ્યુટર, ફર્નિચર, પંખા, જરૂરી દસ્તાવેજ, વાયરીંગ સહિત ચીજ વસ્તુઓમાં નુકશાન થયુ હતું. આ બનાવમાં કોઇ ઇજા કે જાનહાનિ થઇ નથી.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 8:55 pm

ખેડૂતની જમીનમાં વીજ થાંભલો મુદ્દે 5 સામે છેતરપિંડીનો ગુનો:માળીયાના મોટા દહીસરામાં પાક નુકસાન કરી વળતર અન્યને ચૂકવાયું

માળીયા (મી.) તાલુકાના મોટા દહીસરા ગામમાં ખેડૂતની જમીનમાં વીજ લાઇનનો થાંભલો ઉભો કરવા અને વળતર અન્યને ચૂકવવા બદલ જેટકો કંપનીના અધિકારીઓ સહિત પાંચ વ્યક્તિઓ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. વૃદ્ધ ખેડૂતની ફરિયાદના આધારે માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટમાં રહેતા મૂળ મોટા દહીસરાના જયસુખભાઈ રામજીભાઈ અવાડીયા (ઉં.વ. 61) એ આ ફરિયાદ નોંધાવી છે. તેમણે જેટકો કંપનીના જવાબદાર અધિકારી, કર્મચારી, અધિકારી જે.એમ. વિરમગામ અને પંચક્યાસમાં સાક્ષી તરીકે સહી કરનાર બે વ્યક્તિઓ સહિત કુલ પાંચ લોકો સામે ગુનો દાખલ કરાવ્યો છે. ફરિયાદીએ જણાવ્યું કે, મોટા દહીસરા ગામની સીમમાં તેમની કબજા ભોગવટાવાળી સર્વે નંબર 576/1 પૈકી 2 વાળી ખેતીની જમીનમાં તેમની મંજૂરી વગર પ્રવેશ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ખેતરના દરવાજા અને ખેતીના પાકને નુકસાન પહોંચાડીને જેટકો કંપની દ્વારા 132 કેવી વીજ લાઇનનો AP-4 થાંભલો ખેતરના પ્રવેશદ્વાર પર ઉભો કરવામાં આવ્યો હતો. આ થાંભલા માટેનું વળતર ફરિયાદીને ચૂકવવાના બદલે, પંચક્યાસના બે સાક્ષીઓએ ખોટી સહીઓ કરીને ફરિયાદી સાથે વિશ્વાસઘાત કર્યો હતો. ફરિયાદીની જમીન સર્વે નંબર 576/1 પૈકી 2 હોવા છતાં, સર્વે નંબર 576/1 પૈકી 1 ના માલિક કચરા લાખાભાઈને ₹2,66,915 નું વળતર ચૂકવી દેવામાં આવ્યું હતું. આમ, ફરિયાદી સાથે ₹2,66,915 ની છેતરપિંડી અને વિશ્વાસઘાત આચરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ફરિયાદી જયસુખભાઈ દ્વારા વર્ષ 2018 થી 2025 દરમિયાન આ મામલે અનેક લેખિત અને મૌખિક રજૂઆતો, આરટીઆઈ હેઠળ માહિતી માંગણી અને કાનૂની પ્રક્રિયાઓ કરવામાં આવી હતી. આટલા લાંબા સંઘર્ષ બાદ તેમની ફરિયાદ પોલીસ વિભાગ દ્વારા નોંધવામાં આવી છે. પોલીસે હવે આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 8:53 pm

લૂંટેરી દુલ્હન ગેંગ પકડાઈ:સાપુતારા પોલીસે ગણતરીના કલાકોમાં પકડી, લાખોનો મુદ્દામાલ રિકવર

સાપુતારા પોલીસે લૂંટેરી દુલ્હન તરીકે ઓળખાતી છેતરપિંડી કરતી ગેંગને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી છે. ડાંગ-આહવાના પોલીસ અધિક્ષક અને આહવા વિભાગના નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ, સાપુતારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના નંબર 11219030250389/2025, ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 3(5), 61, 318(4) હેઠળના ગંભીર ગુનાના આરોપીઓને પકડવા માટે વિશેષ ટીમો બનાવવામાં આવી હતી. આ ગેંગ લગ્ન કરાવવાના બહાને ભોગ બનનારને છોકરી બતાવીને તેમની પાસેથી લગ્ન ખર્ચ તરીકે ₹2,00,000 પડાવી લેતી હતી. આ જ ઇરાદા સાથે છેતરપિંડી કરીને ગુનાહિત કાવતરું રચવામાં આવ્યું હતું. 6 ડિસેમ્બર, 2025ના રોજ ગુનો નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે તાલુકાવાર અને આંતરરાજ્ય સ્તરે તપાસ હાથ ધરી હતી. આખરે, ડાંગ જિલ્લાના શામગહાન, કડમાળ અને પીપલ્યામાળ ગામોમાંથી આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગમાં મહિલાઓ ઉપરાંત સ્થાનિક પુરુષો પણ સંડોવાયેલા હતા. પકડાયેલા આરોપીઓમાં નિકીતાબેન ઉર્ફે જિયા રમેશભાઈ (પળશી – ઔરંગાબાદ, હાલ ગંગાપુર), જ્યોતીબેન ઉર્ફે સંગીતા ધર્માભાઈ (જાલના, હાલ ગંગાપુર), વિજયભાઈ બાળુભાઈ ભોયે (પીપલ્યામાળ, ડાંગ), રમેશભાઈ રાજુભાઈ જાદવ (કડમાળ, ડાંગ) અને સોમનાથભાઈ સદુભાઈ પવાર (ચીચધરા, ડાંગ)નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી ₹1,30,000 રોકડા, આશરે ₹3,00,000ની કિંમતનું ફોર વ્હીલર અને ₹13,000ની કિંમતના મોબાઈલ ફોન સહિત કુલ ₹4,43,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર પી.ડી. ગોંડલીયા અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. આ ટીમમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ અને વુમન કોન્સ્ટેબલ સહિત 10 જેટલા જવાનોનો સમાવેશ થતો હતો. તેમની ઝડપી કામગીરી, તકેદારી અને ખંતભર્યા શોધખોળ ઓપરેશનથી સાપુતારા પોલીસે પીડિતને ન્યાય અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. સાપુતારા પોલીસની આ કાર્યવાહી ડાંગ જિલ્લામાં ગુનાખોરી રોકવા અને આવા છેતરપિંડી કરનારાઓ માટે ચેતવણીરૂપ સાબિત થઈ છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 8:41 pm

'કોઈ ગેંગ બનાવશો તો પોલીસ મારી મારીને લાંબા કરી નાખશે'.:ગુજસીટોક' કેસમાં મોટું પગલું: ગેંગ લીડર દિલીપ ઉર્ફે દિલા છેલાણાની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી, વધુ 3 વોન્ટેડ.

જુનાગઢ જિલ્લામાં સંગઠિત ગુનાખોરી અને માથાભારે તત્વોના અસ્તિત્વને જડમૂળથી નાશ કરવાના ભાગરૂપે, પોલીસ તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને સંગઠિત ગુનાહિત ઈતિહાસ ધરાવતી 5 આરોપીઓની ગેંગ વિરુદ્ધ ગુજસીટોક-2015 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં આ ગુનાને મુખ્ય સૂત્રધાર દિલીપ ઉર્ફે દિલા છેલાણાની ધરપકડ કરીઅલગ અલગ જગ્યાએ લઈ જઈને ગુનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પોલીસની કડક કાર્યવાહી અને પૂછપરછના કારણે લંગડાતી હાલતમાં જોવા મળેલા આરોપી દિલીપ છેલાણાએ જાહેરમાં પોતાનો પસ્તાવો વ્યક્ત કરતા અને અન્ય ગુંડા તત્વોને ચેતવણી આપતા જણાવ્યું કે, હવે કોઈ ગેંગ બનાવશો નહીં કે કોઈ દારૂ, જુગાર કે રેતીના ગેરકાયદેસર ધંધા કરતા નહીં. બંધ કરી દેજો ,આવું જો કોઈ આવું કરશો તો પોલીસ મારી મારીને લાંબા કરી નાખશે. સંગઠિત ગુનાખોરી સામે કાયદાનો ડર અને પોલીસની આકરી કાર્યવાહીનું આ નિવેદન જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. ક્રાઈમ બ્રાન્ચની આ કાર્યવાહીથી સંગઠિત ગુનાખોરી કરનારા તત્વોમાં કાયદાનો ડર સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. ગેંગના અસ્તિત્વને નાબૂદ કરવાના ક્રાઈમ બ્રાન્ચ પી.આઈ કે.એમ. પટેલ દ્વારા 5 આરોપીઓના ગુનાહિત ઇતિહાસ સહિતના મજબૂત પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વિગતવારનો રિપોર્ટ જુનાગઢ વિભાગના પોલીસ મહાનિરીક્ષક પાસેથી મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો. આ મંજૂરી મળતાં જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુજસીટોક ગુનો રજીસ્ટર કરવામાં આવેલો. આ ગુનાની વધુ તપાસ જુનાગઢ રૂરલ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ પરમારને સોંપવામાં આવેલી છે ​ગેંગ લીડર દિલીપ છેલાણાની ધરપકડ ​ગુનો દાખલ થયા બાદ પોલીસ દ્વારા આરોપીઓને પકડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ કેસમાં અગાઉ આરોપી નંબર કરશન ગલ્લાભાઈ મોરીની ધરપકડ કરવામાં આવી હતી. જોકે અન્ય આરોપીઓ પોતાની ધરપકડ ટાળવા સારુ નાસતા-ફરતા હતા, તેમના ઘરે અને સંભવિત ઠેકાણાઓ પર ખાનગી રાહે તપાસ હાથ ધરવામાં આવી હતી. નાસતા-ફરતા આરોપીઓ વિરુદ્ધ રાજકોટ કોર્ટમાંથી B.N.S.S. કલમ-72 મુજબનું બિનમુદતી વોરંટ પણ કઢાવવામાં આવ્યું હતું. આ બહોળી પ્રસિદ્ધિ વચ્ચે, જુનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ અને કર્મચારીઓને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે આજે ગેંગના મુખ્ય આરોપી અને લીડર દિલીપ ઉર્ફે દિલા ભગાભાઈ છેલાણાને ઝડપી પાડવા આવ્યો હતો. પકડાયેલો આરોપી દિલીપ ઉર્ફે દિલા છેલાણા વિઠલેશ ધામ, ઝાંઝરડા રોડ, જુનાગઢ ખાતે રહે છે. ​ગેંગના સભ્યો: પકડાયેલા અને વોન્ટેડ આરોપીઓ ​ગુજસીટોક ધારા હેઠળ નોંધાયેલા આ સંગઠિત ગુનામાં પકડાયેલા અને વોન્ટેડ આરોપીઓમાં અગાઉ કરશન ગલ્લાભાઈ મોરી અને આજે પકડાયેલ ગેંગનો મુખ્ય આરોપી દિલીપ ઉર્ફે દિલા ભગાભાઈ છેલાણાની ધરપકડ કરવામાં આવી છે.જ્યારે આ ગુનાના કામે અન્ય 3 આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર અને વોન્ટેડ છે, જેમાં ભાવેશ ઉર્ફે ભાવીન ખોડાભાઈ બઢ (રહે. સરગવાડા ગામ), નિલેશ ઉર્ફે નીલુ ખોડાભાઈ બઢ (રહે. સરગવાડા ગામ), અને જાદવ ઉર્ફે લાખો સાંગાભાઈ હુણ (રહે. કોયલી) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આરોપીઓ સાથે સંકળાયેલા અન્ય સભ્યો અંગેની તપાસ DySP રવિરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ ચાલુ છે. ​ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર કે.એમ. પટેલ, હેડ કોન્સ. વનરાજસિંહ બનેસિંહ, આઝાદસિંહ મુળુભાઈ, ઇન્દ્રજીતસિંહ રણવિરસિંહ, પો.કોન્સ. ચેતનસિંહ જગુભાઈ સહિતના પોલીસ સ્ટાફે સાથે રહીને આ મહત્વની કામગીરી સફળતાપૂર્વક પાર પાડી છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 8:38 pm

મનસુખ વસાવાનો નામ લીધા વિના ચૈતર પર તોડપાણીનો આરોપ:PM મોદીના કાર્યક્રમના ખર્ચનો સંકલનમાં પ્રશ્ન ઉઠાવી એજન્સીના નંબર લીધા, ₹75 લાખ માંગ્યા, આક્ષેપથી રાજકારણ ગરમાયું

નર્મદા જિલ્લા સહિત રાજ્યના આદિવાસી વિસ્તારોમાં ચાલી રહેલા વિકાસના કામો ચાલી રહ્યા છે. તાજેતરમાં સંકલન સમિતિની મળેલી બેઠકમાં તપાસની માંગણી કરીને આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓ મોટી તોડપાણી કરી છે. એવાનો ગંભીર આક્ષેપ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ લગાવતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. સાંસદ મનસુખ વસાવાએ ભલે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું નામ લીધા વગર આ આરોપો લગાવ્યા હોય, પરંતુ તેમનો ઈશારો કોની તરફ છે તેવો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. 'એજન્ટ' પ્રકારના લોકો અને 'ચોર-શાહુકાર'ની પરિસ્થિતિમનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના નેતાઓ રાજ્યમાં પ્રવાસ કરે છે, આ લોકો એજન્ટ પ્રકારના લોકો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ટ્રાઇબલ જિલ્લામાં થતા વિકાસના કામોમાં 'આપ'ના લોકો 'ચોર શાહુકારને ડંડે' તેવી પરિસ્થિતિ ઊભી કરે છે. તેઓ સંકલનની મીટિંગોમાં તપાસની માંગણી કરે છે અને ત્યારબાદ અધિકારીઓ તેમજ એજન્સીઓ પાસેથી તોડપાણી કરતા હોય છે. સાંસદ વસાવાનો દાવો છે કે આ નેતાઓ ટ્રાઇબલ વિસ્તારમાં ચાલતા કામોમાં લાખો રૂપિયાનો તોડ કરે છે. 75 લાખની માંગણીનો સનસનીખેજ આરોપસાંસદ વસાવાએ વધુ એક સનસનીખેજ આરોપ લગાવતા જણાવ્યું કે, નર્મદા જિલ્લામાં પ્રધાનમંત્રીના બે મોટા કાર્યક્રમોમાં થયેલા ખર્ચ મુદ્દે સંકલનની બેઠકમાં પૂછાયેલા પ્રશ્ન બાબતે એજન્સીના નંબર મેળવીને આમ આદમી પાર્ટીના નેતાએ તેમની પાસેથી રૂ. 75 લાખની માંગણી કરી હતી. આપના લોકોને તોડપાણી કરવામાં કોઈપણ જાતની શરમ લાગતી નથી, તેમ તેમણે ઉમેર્યું. તેમણે ભરૂચમાં ચાલતી ઇન્ડસ્ટ્રીઝમાં પણ 'આપ'ના લોકો તોડપાણી કરતા હોવાનું જણાવ્યું હતું. ગરુડેશ્વર મ્યુઝિયમ અને ભ્રષ્ટાચાર મુદ્દે કડક વલણમનસુખ વસાવાએ ગરુડેશ્વરમાં આદિવાસી મ્યુઝિયમમાં બે આદિવાસી વ્યક્તિઓના મૃત્યુના કિસ્સાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં મરનારના પરિવારને તો વળતર મળ્યું, પણ રાજકીય નેતાઓએ એજન્સી પાસેથી પણ તોડ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક વલણસાંસદે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક વલણ અપનાવતા કહ્યું કે, મારી સાથે ફરતો વ્યક્તિ પણ જો ભ્રષ્ટાચાર કરતો હોય તો હું એને પણ નહીં છોડું. આવી રીતે જો તોડપાણી ચાલશે તો ગુજરાતનો વિકાસ રૂંધાઈ જશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભ્રષ્ટાચાર બાબતે કોઈ પણ પક્ષના લોકો હોય, તેમને ખુલ્લા પાડવા પડશે. લોકોને ડરાવવાના અને ધમકાવાના ધંધા ટ્રાઇબલ વિસ્તારમાં ચાલી રહ્યા છે, તે ચલાવી લેવાશે નહીં, તેમ કહી તેમણે ચેતવણી આપી હતી.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 8:37 pm

નેશનલ હાઈવે 48 પર ટ્રક પલટી:વેસ્મા નજીક અકસ્માતથી ટ્રાફિક જામ, પોલીસ પહોંચી

નેશનલ હાઈવે નંબર 48 પર વેસ્મા ગામ નજીક એક ટ્રક પલટી ખાઈ ગયો હતો. મુંબઈથી અમદાવાદ તરફ જતા માર્ગ પર ઓવરબ્રિજ ઉતરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો, જેના કારણે હાઈવે પર ભારે ટ્રાફિક જામ થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, ટ્રક ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક હાઈવે પર પલટી મારી ગયો હતો. અકસ્માતને કારણે ટ્રકમાં ભરેલો સામાન હાઈવે પર વેરવિખેર થઈ ગયો હતો. આ ઘટનાને પગલે મુખ્ય માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.ઘટનાની જાણ થતા જ ગ્રામ્ય પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે ટ્રાફિકને નિયંત્રિત કરવા અને પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 7:50 pm

ઈન્ડિગો ફ્લાઈટ સંકટ વચ્ચે ભારતીય રેલવેની મોટી જાહેરાત, 3 દિવસમાં 89 સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

Indian Railways 89 Special Train : ઈન્ડિગો એરલાઈન્સ હાલ ભારે સંકટનો સામનો કરી રહ્યું છે. છેલ્લા ચારથી પાંચ દિવસમાં એરલાઈન્સની 2000થી વધુ ફ્લાઈટો કેન્સલ થઈ થતા ભારે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે મુસાફરોના હિતમાં ભારતીય રેલવેએ ત્રણ દિવસમાં 100થી વધુ રૂટો પર 89 સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. દેશના તમામ મુખ્ય ઝોનમાં દોડાવાશે વિશેષ ટ્રેન રેલવે અધિકારીઓએ કહ્યું છે કે, આ વિશેષ ટ્રેનો દેશના તમામ મુખ્ય ઝોનમાં દોડાવવામાં આવશે. સેન્ટ્રલ, વેસ્ટર્ન, ઈસ્ટર્ન, સાઉથ ઈસ્ટર્ન, નોર્ધન અને સાઉથ સેન્ટ્રલ રેલવે સહિતના ઝોને વધારાના રેક અને કોચની વ્યવસ્થા કરી છે.

ગુજરાત સમાચાર 7 Dec 2025 7:40 pm

ગઢડા હિટ એન્ડ રન બાદ ફરાર ફરાર કારચાલક ઝડપાયો:CCTVના આધારે પોલીસે પાંચ દિવસની મહેનત બાદ આરોપીને પકડ્યો, 2 યુવકના મોત થયા હતા

ગઢડાના બોટાદ રોડ પર આવેલા CNG પંપ નજીક 1 ડિસેમ્બરની રાત્રે બાઈક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ ઘટનામાં ગઢડાના યુવાન યાશીનભાઈ ભટ્ટીનું ઘટનાસ્થળે જ અવસાન થયું હતું, જ્યારે અન્ય યુવાન સલમાન પઠાણનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જી કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ ગઢડા પોલીસે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ શરૂ કરી હતી. ગઢડા શહેરમાં મુખ્ય માર્ગો પર CCTV કેમેરા ન હોવાથી પોલીસ માટે પડકાર હતો. તેમ છતાં, પોલીસ ટીમે છેલ્લા પાંચ દિવસ દરમિયાન રોડ પર તેમજ વાડી વિસ્તારમાં આવેલા અનેક ખાનગી CCTV ફૂટેજની ઝીણવટભરી તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન, એક બલેનો કાર શંકાસ્પદ જણાતા પોલીસે તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું. CCTV ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે પોલીસને જાણ થઈ કે આ બલેનો કાર ગઢડાના પીપળ ગામની હતી અને સંજયભાઈ નારણભાઈ ચૌહલા નામના વ્યક્તિ તેને ચલાવી રહ્યા હતા. ગઢડા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કારનો કબજો લીધો હતો અને સંજયભાઈ ચૌહલાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર તપાસમાં ગઢડા પોલીસે સતર્કતા, મહેનત અને ટેકનિકલ કુશળતાનો ઉપયોગ કરીને આરોપીને શોધી કાઢ્યો હતો. પોલીસની આ કાર્યક્ષમતાની પ્રશંસા થઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 7:11 pm

મંગલધામ-3 માં 20 દિવસથી દીપડાનો આતંક:20 દિવસથી દીપડાના આતંક વચ્ચે મંગલધામ-૩માં ભયનો માહોલ; વન વિભાગે દિવાલ પાછળ પાંજરું મૂકી સંતોષ માન્યો, દીપડાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

ગીરનારના જંગલની નજીક આવેલું જુનાગઢ શહેર અને તેનો આસપાસનો વિસ્તાર હંમેશા વન્યજીવોના હુમલાના જોખમમાં રહે છે. ગીરનારનું ગીચ જંગલ દીપડા, સિંહ અને અન્ય હિંસક પ્રાણીઓનો આશ્રયસ્થાન છે. શિકારની શોધમાં આ હિંસક પ્રાણીઓ ઘણીવાર રહેણાંક વિસ્તાર અથવા રેવન્યુ વિસ્તારમાં ઘૂસી જાય છે, જે સ્થાનિકોમાં ભય પેદા કરે છે. છેલ્લા 20 દિવસથી જુનાગઢના મધુરમ વિસ્તારમાં આવેલી મંગલધામ-૩ સોસાયટીના રહેવાસીઓ આવા જ એક દીપડાના આતંકના કારણે ફફડાટમાં જીવી રહ્યા છે. સીસીટીવી ફૂટેજ વાયરલ: ગલુડિયાનો શિકાર કરી નાસ્યો હતો મંગલધામ-3 સોસાયટીમાં દીપડાની અવરજવર છેલ્લા ત્રણ અઠવાડિયાથી વધી છે. સમય પહેલા જ, એક સીસીટીવી કેમેરામાં દીપડાની અવરજવર કેદ થઈ હતી, જેમાં દીપડો સોસાયટીના ફળિયામાંથી એક ગલુડિયાનો શિકાર કરીને નાસી જતો સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. આ ફૂટેજ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા હતા. તેમ છતાં, દીપડાના આટાફેરા અટક્યા નથી.ગઈકાલે મોડી રાત્રે પણ ફરી એક વખત દીપડો સોસાયટીમાં દેખાયો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં ગંભીર ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દીપડાની આ સતત હાજરી સ્પષ્ટપણે દર્શાવે છે કે તે હવે આ રહેણાંક વિસ્તારને પોતાનો શિકાર વિસ્તાર માની રહ્યો છે. પાંજરાની ગોઠવણમાં બેદરકારી: વન વિભાગ સામે રોષ દીપડાના સતત આતંકની જાણ સ્થાનિકોએ વન વિભાગને કરી હતી. જોકે, વન વિભાગ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તેનાથી સ્થાનિકોમાં અસંતોષ અને રોષ જોવા મળે છે. વન વિભાગે સોસાયટીમાં પાંજરું તો મૂક્યું છે, પરંતુ તે દીવાલની પાછળ મૂકીને માત્ર પોતાની કામગીરીનો સંતોષ માની લીધો છે. સ્થાનિકોનું માનવું છે કે પાંજરું એવી જગ્યાએ મૂકવામાં આવ્યું છે જ્યાં કોઈ પણ સંજોગોમાં દીપડો પુરાય તેવી પરિસ્થિતિ નથી. મંગલધામ-૩માં રહેતા રહીશ જાગૃતિબેન સોસાએ આ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં દીપડાની ખૂબ જ રંજાડ છે. છેલ્લા ૨૦ દિવસથી સોસાયટીમાં દીપડાના આંટાફેરા વધ્યા હોવા છતાં વન વિભાગ ધ્યાન આપતું નથી. અહીં નાના બાળકો રમતા હોય છે, ત્યારે અમને સતત ડર લાગે છે. ફળિયામાં રખડતા શ્વાન અને ગલુડિયાઓનો દીપડો વારંવાર શિકાર કરે છે. જો અહીં દીપડો કોઈ શિકાર કરશે કે કોઈ અઘટિત ઘટના બનશે તો તેની જવાબદારી કોણ લેશે ? પાંજરા મૂકી સંતોષ માન્યો, આતંક યથાવત અન્ય રહીશ વિમલભાઈ સાંખલાએ પણ આ બાબતે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, છેલ્લા ૨૦ દિવસથી દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે, પરંતુ વન વિભાગ દ્વારા માત્ર પાંજરા મૂકીને પોતાની કામગીરીથી સંતોષ માની લેવામાં આવ્યો છે. મોડી રાત્રે સોસાયટીમાં દીપડો આવે છે અને ગલુડિયાઓનો શિકાર કરી નાસી જાય છે. વારંવારની જાણ છતાં પાંજરું યોગ્ય જગ્યાએ મૂકાયું નથી અને હજુ સુધી દીપડો પાંજરે પુરાયો નથી. આ હિંસક પ્રાણીના કારણે સ્થાનિક રહીશોમાં સતત ફફડાટ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોની વન વિભાગ પાસે સ્પષ્ટ માંગ છે કે તેઓ વહેલી તકે પાંજરાની જગ્યા બદલીને અથવા અન્ય યોગ્ય કાર્યવાહી કરીને દીપડાને પાંજરે પૂરે, જેથી સોસાયટીમાં શાંતિ અને સુરક્ષાનો અનુભવ થઈ શકે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 7:08 pm

LCB પોલીસે છ આરોપીઓને પકડ્યા:કાલાવડના દંપતિ પર હુમલો કરી લૂંટ કરનાર ટોળકી ઝડપાઈ, 6.47 લાખનો મુદ્દામાલ કબજે

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં બનેલી લૂંટની ઘટનામાં, એલસીબી પોલીસે છ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આ આરોપીઓએ એક વૃદ્ધ દંપતિ પર હુમલો કરીને લૂંટ ચલાવી હતી. ગત ૩૦ નવેમ્બર, ૨૦૨૫ના રોજ રાત્રિના સમયે કાલાવડના મોટા પાંચદેવડા ગામમાં હીરુબેન કાનાભાઈ અને કાબાભાઈ ભીખાભાઈ અજુડિયા નામના વૃદ્ધ દંપતિ પોતાની વાડીએ સૂતા હતા. તે સમયે કેટલાક લૂંટારુઓએ તેમના પર હુમલો કર્યો હતો. હીરુબેનના કપાળના ભાગે પથ્થર મારી લોહી કાઢી, તેમના કાનમાંથી આશરે 60,000 રૂપિયાની કિંમતના બે તોલા સોનાના કાપ (બુટી) ખેંચી લીધા હતા. આ ઉપરાંત, લૂંટારુઓએ ઘરની અંદર રહેલી તિજોરીનો લોક તોડી તેમાંથી આશરે 5000 રૂપિયાની કિંમતની એક ચાંદીની વીંટી અને બે ચાંદીની બંગડી પણ ચોરી લીધી હતી. આમ, કુલ 65,000 રૂપિયાના દાગીનાની લૂંટ ચલાવીને તેઓ નાસી છૂટ્યા હતા. આ ઘટના અંગે વીરાંગભાઈ અજુડિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ લૂંટના બનાવની તપાસ દરમિયાન, એલસીબી સ્ટાફને બાતમી મળી હતી. કમાન્ડ કંટ્રોલ રૂમની મદદથી, કાલાવડ તાલુકાના મોટા પાંચદેવડા ગામે લૂંટ કરનાર અને તેમાં મદદ કરનાર છ પુરુષો લૂંટના મુદ્દામાલ સાથે નાઘેડી ગામ, જી.આઈ.ડી.સી. વિસ્તાર, જામનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળના કોમ્યુનીટી હોલ સામે ઊભેલા હોવાની માહિતી મળી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તમામ આરોપીઓને પકડી પાડ્યા હતા અને તેમની પાસેથી લૂંટનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે કુલ 6.47 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પકડાયેલા આરોપીઓમાં નારણભાઈ ઉર્ફે નાયાભાઈ જગાભાઈ અરજણભાઈ વારોતરીયા (ઉંમર ૫૬, રહે. નાઘેડી ગામ, જામનગર), ગોવિંદભાઈ કરસનભાઈ નારણભાઈ કનારા (રહે. નાઘેડી ગામ, જામનગર), નારણભાઈ વિરાભાઈ હુણ (રહે. મોટા પાંચદેવડા ગામ, કાલાવડ), મુન્નાભાઈ અમરૂભાઈ ભાભર (રહે. મોડપર ગામ, લાલપુર, મૂળ મધ્યપ્રદેશ), સાગરસિંગ રાયસીંગ અલાવા (રહે. મોડપર ગામ, લાલપુર, મૂળ મધ્યપ્રદેશ) અને પંકજભાઈ ભારતભાઈ બિલવાલ (રહે. મોડપર ગામ, લાલપુર, મૂળ મધ્યપ્રદેશ) નો સમાવેશ થાય છે. પોલીસે વધુ કાર્યવાહી માટે આ આરોપીઓને કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનને સોંપ્યા છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓ - બીલાલ રકસીંગભાઈ વસુનીયા (રહે. છોટીઉરી ગામ, આલીરાજપુર), ભવાનભાઈ જીથરાભાઈ ધાવડ (આદિવાસી, રહે. ભુજ, મૂળ મધ્યપ્રદેશ) અને અશોકભાઈ બાવાભાઈ વસોયા (રહે. તરઘડીયા ગામ, રાજકોટ) ને પકડવા માટે પોલીસે શોધખોળ ચાલુ રાખી છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 7:01 pm

ગઢડાના સામાકાંઠા ચાર રસ્તા પાસે ખેતરમાં મહિલાની હત્યા:બોથડ પદાર્થના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારાઈ, શંકાની સોય ફરાર પતિ સામે

ગઢડાના સામાકાંઠા ચાર રસ્તા પાસે આવેલી હજારીયાની વાડીના એક રૂમમાંથી હત્યા કરાયેલી હાલતમાં એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં મહિલાને બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મૃતક મહિલાની ઓળખ ચંપાબેન સતીષભાઈ વસાવા તરીકે થઈ છે. ચંપાબેન તેમના પતિ સતીષ વસાવા સાથે આ વાડીમાં ભાગ્યા તરીકે મજૂરી કામ કરતા હતા. ઘટનાની જાણ થતાં ગઢડા પીઆઈ ડી.બી. પલાસ, પીએસઆઈ જી.જે. ગોહિલ અને પીએસઆઈ જયદેવ હેરમા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે તપાસ કરતા મૃતક મહિલાનો પતિ સતીષ વસાવા સ્થળ પર હાજર ન હોવાથી પોલીસને તેના પર હત્યાની શંકા છે. પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 7:00 pm

ભરૂચ SOGએ આંતરરાજ્ય નશા રેકેટનો પર્દાફાશ કર્યો:ત્રણની ધરપકડ, અફીણ અને મેફેડ્રોનનો જથ્થો જપ્ત

ભરૂચ SOGએ જિલ્લામાં ચાલી રહેલા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઈન અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે. ભરૂચના ચાવજ ગામ સીમા વિસ્તારમાં એક ફ્લેટમાંથી નશાકારક પદાર્થોનો જથ્થો રાખી વેચાણ કરતી ત્રણ વ્યક્તિઓની ધરપકડ થતાં આંતરરાજ્ય નશા રેકેટનો પર્દાફાશ થયો છે. ભરૂચ SOG ઇન્સ્પેક્ટર એ.વી. પાણમીયા અને તેમની ટીમે આ સ્પેશિયલ ઓપરેશન હાથ ધર્યું હતું. એ.એસ.આઈ. રવિન્દ્રભાઈ નુરજીને મળેલી ચોક્કસ બાતમીના આધારે 'અનુજ રેસીડેન્સી'ના ફ્લેટ A-304 પર દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન શ્રવણકુમાર મનોહરરામ બિશ્નોઇ, મહિપાલ કૃષ્ણારામ બિશ્નોઇ અને પ્રદીપ રાજુરામ બિશ્નોઇને તેમના ભાડાના મકાનમાંથી ગેરકાયદેસર મેફેડ્રોન (MD) અને ઓપીએટ (અફીણ)ના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપીઓ રાજસ્થાનના લોહાવટ વિસ્તારમાં રહેતા સંજય બિશ્નોઇ પાસેથી નશાકારક પદાર્થો મેળવી ભરૂચમાં છૂટક વેચાણ કરતા હતા. સંજય બિશ્નોઇ હાલ વોન્ટેડ છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 1,90,350 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 35.27 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ (કિંમત રૂ. 1,05,810), 27.28 ગ્રામ ઓપીએટ (અફીણ) (કિંમત રૂ. 13,640), પાંચ મોબાઈલ ફોન (કિંમત રૂ. 55,000) અને રૂ. 15,700 રોકડાનો સમાવેશ થાય છે.આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ભરૂચ શહેર 'C' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(c), 22(b), 18(c) અને 29 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 6:59 pm

ભાલ પંથકવાસીઓ માટે 2 વર્ષથી હોડી જ સહારો:2023માં બનાવેલો કોઝ-વે માત્ર ત્રણ માસમાં જ તૂટ્યો, ત્રણ ગામના લોકો જીવના જોખમે નદી પાર કરવા મજબૂર

ભાવનગર જિલ્લાનાં ભાલ પંથકમાં આવેલ ભાણગઢ ગામનો મુખ્ય કોઝ-વે તૂટી ગયો છે, જેના કારણે ગ્રામજનો લાંબા સમયથી હોડીનો ઉપયોગ કરીને રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે. ભાણગઢ ગામથી પાળીયાદ જવાના માર્ગ ઉપર કોઝ-વે તૂટી જતા કાળુભાર નદીનું પાણી આવતા આ પરિસ્થિતિ સર્જાઈ છે. ભાણગઢ ગામની વસ્તી 500થી વધુ છે, જેઓ પાળીયાદ, દેવળીયા, વલ્લભીપુર જવા માટે તરાપા હોડીનો ઉપયોગ કરી રહ્યા છે. ભાવનગર જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ હેઠળ આવતો આ કોઝ-વે હતો. આ બાબતે જિલ્લા પંચાયતના માર્ગ મકાનના અધિકારી જણાવ્યું હતું કે, હવે ટૂંક જ સમયમાં 3 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાની કામગીરી શરૂ થઈ જશે. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં આવેલા ભાનગઢ તેમજ ભાલ પંથકના દેવળીયા પાળીયાદ સહિતના ત્રણ ગામ ચોમાસા દરમ્યાન સંપર્ક વિહોણા બને છે, ઘાંઘળીથી ભાનગઢ વચ્ચે ખારી અને રંઘોળી નદી તેમજ ભાણગઢ અને પાળીયાદ વચ્ચેથી કાળુભાર નદી વહી રહી છે.ભારે વરસાદના કારણે નદીના ભારે વહેણ આજુબાજુના વિસ્તારોમાં પથરાઈ જતા રસ્તા પર પાણી ફરી વળે છે, જેના કારણે ઘાંઘળીથી ભાણગઢ જવાનો માર્ગ બંધ થઈ જાય છે, જયારે એજ સ્થિતિ હાલ ભાણગઢ અને પાળિયાદ વચ્ચેથી વહેતી કાળુભાર નદીના કારણે સર્જાય છે. આજુબાજુના ગામના લોકો હોડીના સહારે અવરજવર કરવા મજબુર બન્યાવર્ષ 2023માં બનાવવામાં આવેલો કોઝ-વે નબળી કામગીરીના કારણે ત્રણ માસ જેવા સમયગાળામાં જ ભારે વરસાદ વરસતા ધસમસતા પાણીના વહેણમાં ધોવાઈ ગયો, જે બાદ તંત્ર દ્વારા કામચલાઉ રીપેરીંગ કરવામાં આવતા 2025 દરમિયાન ફરી ભારે વરસાદી પાણીના વહેણ ને લઈને માટીનું ધોવાણ થઈ જતા બાકી બચેલા કોઝ-વે પણ પાણીમાં ગરકાવ થઈ જતા આજુબાજુના ગામના લોકો હાલ માત્ર તરાપા જેવી હોડીના સહારે જીવના જોખમે અવરજ્વર કરવા મજબુર બન્યા છે, સામે કાંઠે ખેતરો ધરાવતા ખેડૂતોને દિવસમાં 3થી 4 વાર નદી પાર જવું પડે છે, જયારે આજુબાજુના ગામમાંથી અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને પણ શાળાએ જવા માટે તરાપા જેવી હોડીના સહારે નદી પાર કરી જવું પડી રહ્યું છે. બ્રિજ બને એ પૂર્વે વહેલી તકે અમને અહીં ડાયવર્ઝન બનાવી આપેઆ અંગે ભાણગઢ ગામના રહેવાસી કાળુભાઈ બારૈયાએ જણાવ્યું હતું કે, હાલ જે આ રસ્તો છે. તે અમારા માટે મુખ્ય માર્ગ છે, પાળીયાદ, દેવડીયા, રાજપરા અને અનંતપર જવા માટે તેનો ઉપયોગ કરી રહ્યા છીએ પરંતુ, નદીમાં પાણીની ઊંડાઈ વધારે હોવાના કારણે લોકોને અહિંથી પસાર થવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. જેના કારણે તરાપા જેવી બોટના સહારે જવું પડે છે. સરકારને વારંવાર અપીલ કરવા છતાં પણ આ કોઝ-વેનું નિર્માણ કરવામાં આવ્યું નથી. વરસાદના કારણે ધોવાણ થઈ ગયા બાદ કોઝ-વે તોડી પાડવામાં આવ્યો છે અને ડાયવર્ઝન પણ પાણી આવવાના કારણે ધોવાઈ ગયો છે. તેની કામગીરી પણ હાથ ધરવામાં આવી નથી. ત્યારે અમે સરકારને અપીલ કરીએ છીએ કે બ્રિજ બને એ પૂર્વે વહેલી તકે અમને અહીં ડાયવર્ઝન બનાવી આપે, જેથી અવરજવર કરવામાં મુશ્કેલી ના પડે. અમારે નીકળવું ક્યાંથી?પાળીયાદ ગામના રહેવાસી સુરેશભાઈ એ જણાવ્યું હતું કે, હવે આ હોડકામાં ઉતરીએ ત્યારે બીતા બીતા ઉતરીએ છીએ અને અહીંયા બે-ચાર જણા ડૂબી પણ ગયા છે. અમારે સિહોર જવું હોય ધાંઘળી જવું હોય તો છેક 20- 25 કિમી ચમારડી થઈને ફરી ફરીને જવુ પડે છે, અહીં ક્યાંય સારા રસ્તા નથી. નાળા કર્યા એ પણ અધૂરા રાખ્યા તો એનું કરવું શું. બીજું તો અહીં પાણી જુઓ તો બે-બે ત્રણ-ત્રણ છોકરાઓ લઈ ઉતરવું, સીમમાં વાવવા જવું હોય તો અમે કઈ રીતે જઈએ. વાવી નથી શકતા સરકાર જ્યાં હોય ત્યાં એમ કહે છે કે, અહીંયા નાળા બાંધી દીધા, અહીંયા બાંધી દીધા. એકેય જગ્યાએ નાળા નથી થતા તો કરવું શું. અમારે નીકળવું ક્યાંથી? ત્રણ ગામોમાં માવઠા પછી હજુ સુધી પાણી ઉતર્યું નથીઆ અંગે જિલ્લા પંચાયતના માર્ગ અને મકાનના અધિકારી અજીત ઝા એ જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાં ભાલ પંથકના ત્રણ ગામોમાં માવઠા પછી હજુ સુધી પાણી ઉતર્યું નથી. જેના કારણે ત્યાં ત્રણ ગામમાં ભાણગઢ, દેવડીયા અને પાળીયાદ જે ગામોમાં અવરજવર માટે મુશ્કેલી પડે છે. તંત્ર દ્વારા ત્યાં અંદાજે ત્રણ કરોડનો બ્રિજ મંજૂર કરવામાં આવેલ છે. જે 60 મીટર પહોળો છે. અને એનો વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે. હવે પાણી નીચે ઉતરતા અને સુકાશે એવું જ એ કામગીરી હાથ ધરવામાં આવશે. અને તાત્કાલિક એ પુલનું કામગીરી પૂરી કરીને પંથકોને તકલીફ ઓછી પડે એ પ્રમાણે અમે લોકો વ્યવસ્થા કરી રહ્યા છીએ.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 6:47 pm

સુરેન્દ્રનગર ગુરુકુલમાં ગીતા જયંતીની ઉજવણી:વિદ્યાર્થીઓમાં સંસ્કાર સિંચન માટે કાર્યક્રમ યોજાયો

સુરેન્દ્રનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ ખાતે ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સંતો, વિદ્યાર્થીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ વૈદિક મંત્રોચ્ચાર અને ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં દીપ પ્રાગટ્યથી થયો હતો. ત્યારબાદ ગીતાજીનું પૂજન અને આરતી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ભગવદ્ ગીતાના શ્લોકોનું ગાન કર્યું હતું. આ ઉપરાંત, ગીતા મહાત્મ્યનું વાચન અને ગીતા પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરાયા હતા. ગુરુકુલના આચાર્યે ગીતાને જીવન જીવવાની કળા શીખવતો ગ્રંથ ગણાવ્યો હતો. આ પ્રસંગે ગીતા પારાયણ, ધ્યાન, ભજન-કીર્તન અને પ્રવચનો દ્વારા આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. ગુરુકુલના સંચાલક પૂ. આનંદપ્રયસ્વામીજીએ નિષ્કામ કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ પર પ્રવચન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે ગીતા યુવાનોને યોગ્ય નિર્ણય લેવા અને મુશ્કેલીઓમાં સ્થિર રહેવાની શક્તિ પ્રદાન કરે છે. કાર્યક્રમના સમાપનમાં, ગુરુકુલના આચાર્યે વિદ્યાર્થીઓને ગીતાના ઓછામાં ઓછા એક શ્લોકને જીવનમાં અપનાવવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલની આ પ્રકારની ધાર્મિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થાય છે. આ કાર્યક્રમમાં સુરત ગુરુકુલના સંત શ્રી શ્વેત વૈકુંઠ દાસજી સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગીતાના જીવનમાં ઉપયોગીતા વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. 800થી વધુ વિદ્યાર્થીઓ અને તમામ કર્મચારીઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા. ગીતા જયંતી અને એકાદશી એક જ દિવસે હોવાથી 700થી વધુ બાળકોએ ઉપવાસ કર્યો હતો. કાર્યક્રમનું સમાપન સમૂહ આરતી અને પ્રસાદ વિતરણ સાથે થયું હતું.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 6:46 pm

ગોધરામાં ચોરી, ઘરફોડ, મારામારીના ત્રણ ગુના:પોલીસે અલગ અલગ કેસ નોંધી તપાસ શરૂ કરી

ગોધરા શહેરમાં ગુનાખોરીના ત્રણ અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. જેમાં મુસ્લિમ સોસાયટીમાંથી મોબાઈલ ચોરી, ભુરાવાવમાં જન્માષ્ટમીની અદાવતમાં મારામારી અને માણેક પાર્ક સોસાયટીમાં ૭૨ હજારથી વધુની ઘરફોડ ચોરીનો સમાવેશ થાય છે. આ ત્રણેય મામલે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે ગુના નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલી મુસ્લિમ સોસાયટીમાં છૂટક વેપાર કરતા મોહમ્મદ સહદ ફારૂકના ઘરેથી મોબાઈલ ચોરીનો બનાવ બન્યો હતો. ગત તા. ૦૧/૧૨/૨૦૨૫ ના રોજ રાત્રિના સમયે કોઈ અજાણ્યો તસ્કર તેમના રૂ. ૮,૦૦૦ ની કિંમતના રેડમી નોટ ૧૩ મોડલના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ચોરાયેલા મોબાઈલમાં એરટેલ અને જીઓ કંપનીના સીમકાર્ડ હતા. ફરિયાદીએ મોબાઈલની શોધખોળ કર્યા બાદ પણ પત્તો ન લાગતા આખરે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા ચોર ઈસમ સામે ગુનો નોંધી હેડકોન્સ્ટેબલ ભારતસિંહ બુધાભાઈ વધુ તપાસ ચલાવી રહ્યા છે. બીજો બનાવ ગોધરા શહેરના ભુરાવાવ એસ.ટી. નગરમાં બન્યો હતો, જ્યાં જન્માષ્ટમી પર્વની જૂની અદાવત રાખીને પાડોશમાં રહેતા દંપતીએ ફરિયાદીના પુત્રવધૂ સાથે તકરાર કરી હુમલો કર્યો હતો. આ મામલે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે બે ઈસમો સામે ગુનો નોંધાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ, રેખાબેન મહેન્દ્રભાઈ રાવલના પુત્રવધૂ ગત તા. ૦૨/૧૨/૨૦૨૫ ના રોજ બપોરના સમયે ઘરે હતા ત્યારે પાડોશી નિરૂબેન શાંતિલાલ વણકર અને શાંતિલાલ વણકર તેમના ઘરે આવ્યા હતા. ડોરબેલ વગાડતા પુત્રવધૂ બહાર આવતા જ નિરૂબેન ઉશ્કેરાઈ ગયા હતા અને જન્માષ્ટમી વખતનો ગુસ્સો હોવાનું કહી અપશબ્દો બોલવા લાગ્યા હતા. મામલો ઉગ્ર બનતા નિરૂબેને પુત્રવધૂનો ચોટલો પકડીને ગડદાપાટુનો માર માર્યો હતો. જ્યારે સાથે આવેલા શાંતિલાલે ધમકી આપતા કહ્યું હતું કે, તમે હજુ સુધી કેમ ઘર ખાલી કરી અહીંથી ગયા નથી જો નહીં જાઓ તો જાનથી મારી નાખીશું. રેખાબેન રાવલે આ અંગે ફરિયાદ નોંધાવતા વુમન હેડ કોન્સ્ટેબલ ગીતાબેન વધુ તપાસ હાથ ધરી છે. ત્રીજો બનાવ ગોધરાના બામરોલી રોડ પર આવેલી માણેક પાર્ક સોસાયટીમાં નોંધાયો છે. અહીં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. કુલ રૂ. ૭૨,૭૫૦ ની મતા ચોરાઈ હોવાનું સામે આવ્યું છે. હીનાબેન સુલક્ષિસ ચૌહાણના મકાનમાં કોઈ અજાણ્યા ચોર ઈસમે પ્રવેશ કરી તિજોરીમાં મુકેલા દાગીના અને રોકડ રકમની ઉઠાંતરી કરી હતી. ચોરાયેલા મુદ્દામાલમાં સોનાની બે બંગડી (રૂ. ૧૫,૦૦૦), સોનાની બે કડી (રૂ. ૨૫,૦૦૦), ચાંદીના છડા, વેડ, પાયલ, કડલી અને વીંટી જેવા દાગીના તેમજ રોકડા રૂ. ૨૦,૦૦૦ નો સમાવેશ થાય છે. આ બનાવ અંગે હીનાબેન ચૌહાણે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધી પી.એસ.આઈ. આર.એસ. દેવરે વધુ તપાસ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 6:44 pm

એબી સ્કૂલ વાર્ષિકોત્સવમાં વિદ્યાર્થીઓએ આપ્યો સામાજિક સંદેશ:બે નાટકો દ્વારા 'કર્મ' અને 'પર્યાવરણ'નું મહત્વ સમજાવ્યું

નવસારીની એબી સ્કૂલમાં વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 1 થી 6 ના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા સમાજને સકારાત્મક સંદેશ આપ્યો હતો. આ વાર્ષિક સમારોહનું મુખ્ય આકર્ષણ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા બે નાટકો હતા: 'અસ્તિત્વ કી ખોજ' અને 'કર્મ કી ગુંજ'. 'કર્મ કી ગુંજ' નાટક દ્વારા વિદ્યાર્થીઓને જીવનમાં કર્મનું મહત્વ સમજાવવામાં આવ્યું. આ નાટકે સારા કાર્યો કરવા અને તેના પરિણામોનો અનુભવ કરવાનો સંદેશ આપ્યો. 'અસ્તિત્વ કી ખોજ' નાટક પર્યાવરણના અસ્તિત્વને બચાવવા અંગે જાગૃતિ લાવવા પર કેન્દ્રિત હતું. તેણે કુદરતી વાતાવરણનું રક્ષણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. આ નાટકોમાં ભાગ લેવાથી નાના વિદ્યાર્થીઓએ માત્ર મંચ પર પ્રદર્શન જ ન કર્યું, પરંતુ આ સામાજિક સંદેશાઓનું મહત્વ પણ સમજ્યા અને દર્શકો સુધી પહોંચાડ્યું. એબી સ્કૂલના પ્રિન્સિપાલ તેજલ પારેખે વાર્ષિકોત્સવના આયોજન પાછળનો હેતુ સ્પષ્ટ કર્યો. તેમણે જણાવ્યું કે બાળકોને 'આમ ન કર' કે 'તેમ ન કર' કહેવાને બદલે, જો તેઓ વસ્તુઓ જાતે અનુભવે તો વધુ સારી રીતે શીખી શકે છે. આ કાર્યક્રમનો હેતુ બાળકોને માત્ર માર્ક્સ નહીં, પરંતુ પોતાની જાતને ઓળખવા અને તેમના ભાવનાત્મક વિકાસને પણ મહત્વ આપવાનો હતો. શાળાના ટ્રસ્ટી ભાવના બોડાએ એબી સ્કૂલની 15 વર્ષની સફળતા પર ખુશી વ્યક્ત કરી. તેમણે શાળાની 15 વર્ષની સફળતા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ભાર મૂક્યો.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 6:28 pm

વડોદરામાં વિધવા મહિલા પાસેથી 10 લાખની છેતરપિંડી:વ્યવસાયમાં ભાગીદાર બનાવવાના નામે જૂના પડોશીએ વિધવા મહિલા પાસેથી નાણાં પડાવ્યા, પછી ધંધો શરૂ ન કર્યો અને નાણાં પણ પરત ન કર્યા

વડોદરાના સમતા વિસ્તારમાં રહેતી વિધવા મહિલા પ્રેમીલાબેન ઉપાધ્યાયે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી છે. તેમાં તેઓએ આરોપ મૂક્યો છે કે, તેમના જૂના પડોશી મહેન્દ્રભાઈ રમણલાલ સોનીએ તેમને વ્યવસાયમાં ભાગીદાર બનાવવાના બહાને 10 લાખ રૂપિયા પડાવી લીધા હતા અને છેતરપિંડી કરી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રેમિલાબેને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, પ્રેમીલાબેન અગાઉ વડોદરાના સુલતાનપુરા ગોલવાડ લહેરીપુરા રોડ પર રહેતા હતા. તે સમયે મહેન્દ્રભાઈ સોની, જેઓ અંકુર મશીનરી સ્ટોર્સના માલિક છે અને હનુમાન ફળીયા ચાર રસ્તા, લહેરીપુરા ન્યુ રોડ પર રહે છે, તેમના પડોશમાં રહેતા હતા. બંને વચ્ચે ભાઈ-બહેન જેવા સંબંધો હતા. મહેન્દ્રભાઈ મશીનરી પાર્ટ્સનો વેપાર કરે છે અને તેઓ અવારનવાર પ્રેમીલાબેનના ઘરે આવતા-જતા રહેતા હતા. 5 જૂન 2020ના રોજ તેમના પતિને હાર્ટ એટેક આવ્યો અને તેમનું અવસાન થયું હતું. ત્યારબાદ, વર્ષ 2020માં તેઓ સમતા વિસ્તારમાં રહેવા ગયા હતા. આ સમયે મહેન્દ્રભાઈ તેમને અવારનવાર મળવા આવતા હતા અને વિધવા હોવાના કારણે તેમના જીવનની મુશ્કેલીઓ વિશે વાત કરતા હતા. તેઓ તેમને વિવિધ રોકાણની સ્કીમો સમજાવતા અને મહેન્દ્ર ભાઈ પૂછતા હતા કે, તમારી પાસે કેટલા પૈસા છે? હું તમને મારા વ્યવસાયમાં ભાગીદાર બનાવીશ અને આપણે સાથે મળીને ધંધો કરીશું. તા. 2 ઓક્ટોબર 2021ના રોજ મહેન્દ્રભાઈ તેમના ઘરે આવ્યા અને વ્યવસાયમાં ભાગીદાર બનાવવાનો વિશ્વાસ અપાવ્યો હતો. તેઓએ મહિલા પાસેથી અલગ-અલગ 3 ચેકથી 10 લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ, તેઓએ આણંદમાં એક દુકાન ભાડે લીધી હતી, પરંતુ તેમાં કોઈ સામાન ભર્યો નહોતો અને દુકાન ખાલી જ રાખી હતી. પ્રેમીલાબેને ત્યાં બેસીને સમય વેડફ્યો હતો, પરંતુ મહેન્દ્ર ભાઈએ કોઈ વ્યવસાય શરૂ કર્યો નહોતો. જ્યારે પ્રેમીલાબેને પોતાના પૈસા પરત માંગ્યા, ત્યારે મહેન્દ્રભાઈએ થોડા-થોડા કરીને પરત આપવાનું વચન આપ્યું. તા. 5 ફેબ્રુઆરી 2022ના રોજ તેઓએ એક કરાર કર્યો, જેમાં વ્યવસાયમાં ભાગીદારીની વાત હતી, પરંતુ તે કરારમાં કોઈ શરતો પાળવામાં આવી નહીં અને તેને નોટરી પણ કરાવવામાં આવી નહીં. ત્યારબાદ, મહેન્દ્રભાઈએ બેંક વ્યાજ જેટલી રકમ દર મહિને આપવાનું કહ્યું હતું અને થોડા-થોડા કરીને કુલ 1,80,000 રૂપિયા પરત આપ્યા હતા, પરંતુ 10 લાખની મુડી પરત કરી નથી. જેથી મહિલાએ આ મામલે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં મહેન્દ્રભાઈ રમણલાલ સોની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 6:03 pm

શંખેશ્વરમાં ખેતરમાં મહિલાની છેડતી:કાકા સસરા સામે FIR, હાથ પકડી બળજબરીપૂર્વક ખેંચવાનો પ્રયાસ કર્યો, જાનથી મારી નાખવાની ધમકી આપી

પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના એક ગામમાં એક મહિલાની છેડતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ તેના કાકા સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના ગામની સીમમાં આવેલા એક ખેતરમાં બની હતી. શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ, 5મી ડિસેમ્બર, 2025ના રોજ બપોરના સમયે ફરિયાદી 26 વર્ષીય મહિલા ખેતરમાં આવેલા છાપરામાં એકલા ઘરકામ કરી રહ્યા હતા. તેમના પતિ અને પુત્ર જીરાના પાકમાં નાખવાની દવા લેવા માટે મોટરસાયકલ લઈને ગામમાં ગયા હતા. આ દરમિયાન, ગામના રહેવાસી અને મહિલાના કુટુંબી કાકા સસરા છાપરા પાસે આવ્યા અને મહિલાના પતિ ક્યાં છે તે પૂછ્યું. મહિલાએ તેમના પતિ અને પુત્ર ગામ ગયા હોવાનું જણાવતા, આરોપી છાપરાની આગળ બેસી ગયો. જ્યારે મહિલા છાપરામાં ઘરકામ કરી રહી હતી, ત્યારે આરોપીએ છાપરામાં પ્રવેશ કર્યો. તેણે મહિલાની એકલતાનો લાભ લઈને તેમનો હાથ પકડી બળજબરીપૂર્વક ખેંચવાનો પ્રયાસ કર્યો. મહિલાએ તેમને રોકતા અને પોતે તેમના કાકા સસરા થતા હોવાનું યાદ અપાવતા પણ આરોપીએ બાથ ભીડવાનો પ્રયાસ કર્યો. મહિલાએ ધક્કો મારી બુમાબુમ કરતા તે છાપરા બહાર નીકળી ગઈ અને જોરજોરથી રડવા લાગી. બુમાબુમ સાંભળીને આરોપી ત્યાંથી જતો રહ્યો. જતા પહેલા તેણે મહિલાને ધમકી આપી હતી કે આ વાતની જાણ કોઈને કરીશ તો જાનથી મારી નાખીશ. મહિલાએ તાત્કાલિક તેમના પતિને ફોન કરીને ખેતરે બોલાવ્યા. પતિના આવ્યા બાદ મહિલાએ તેમને સમગ્ર ઘટનાની જાણ કરી. ત્યારબાદ તેમણે આ બનાવ બાબતે તેમના સસરાને પણ જાણ કરી. ખેતરમાં કામ હોવાથી અને રાત્રે મોડું થતાં, બીજા દિવસે 6ઠ્ઠી ડિસેમ્બરના રોજ મહિલા તેમના પતિ અને કુટુંબી કાકા સસરા સાથે શંખેશ્વર પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા પહોંચ્યા. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 74, 351(3), અને 329(3)(i) હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 5:55 pm

2036 ઓલમ્પિક્સને લઈને અમિત શાહનો દાવો:અમદાવાદીઓને તૈયાર રહેવા હાકલ કરી, ભરતીનું પાણી એકાએક વધ્યું અને બોટ પલટી, ઈન્ડિગો ક્રાઈસિસ વચ્ચે રેલવે આવ્યું મુસાફરોની વ્હારે

ઓલમ્પિકની યજમાની પણ અમદાવાદને મળવાનો દાવો અમદાવાદ આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 2036 ઓલમ્પિક્સ માટે અમદાવાદને તૈયારી રાખવા હાકલ કરી.. તેમણે અમદાવાદને 1507 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એરપોર્ટ પરથી જ કરી શકાશે ટ્રેનની ટિકિટ બુક પાછલા ચાર દિવસથી ચાલી રહેલા ઈન્ડિગો ક્રાઈસીસ વચ્ચે હવે ભારતીય રેલવે મુસાફરની વ્હારે આવ્યું.. અમદાવાદ એરપોર્ટ પરથી જ મુસાફરો ટ્રેનની ટિકિટ બુક કરી શકશે. આ માટે એરપોર્ટ પર આજથી ત્રણ દિવસ માટે IRCTCનું હેલ્પડેસ્ક શરુ કરાયું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે સમાધાન ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે ઘણા સમયથી ચાલી રહેલા કોલ્ડવોરનો અંત આવ્યો. ખોડલધામમાં યોજાયેલા કાર્યક્રમમાં બંને હળવા મુડમાં સાથે દેખાયા. જયેશ રાદડિયાએ કહ્યું, ખોડલધામ સમાજનું ગૌરવ છે, રાદડિયા હોય કે ન હોય , ખોડલધામ રહેવાનું જ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 9 પાસ ભેજાબાજ નકલી ફોન પે એપથી છેતરતો જૂનાગઢમાં એટીએમ પાસે લોકો પાસે કેશ લઈ તેમને ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરી આપવાનું કહી છેતરતો યુવક ઝડપાયો.9 પાસ ભેજાબાજ કેશ લઈ, નકલી ફોન પેથી પૈસા ટ્રાન્સફર કરતો અને પેમેન્ટ સકસેસફૂલ થયાનો ફેક મેસેજ બતાવી પૈસા પડાવતો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નકલી કિન્નર બનીને આવેલા બે પુરુષો ઝડપાયા બારડોલીમાંથી પકડાયા બે નકલી કિન્નર. શંકા જતા સ્થાનિકોએ અસલી કિન્નરોને બોલાવતા બે પુરુષોને મેથીપાક ચખાડી, પોલીસને સોંપ્યા. લગ્નપ્રસંગમાં પૈસા પડાવવા રાજકોટના પુરુષો નકલી કિન્નર બન્યા હતા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સૂર્યકિરણ ટીમના એર-શોએ લોકોને દંગ કર્યા રાજકોટમાં આજે સૂર્યકિરણ ટીમનો એર-શો યોજાયો. જેમાં આકાશગંગાના જવાનો 8000 ફૂટની ઊંચાઈથી કૂદ્યા તો ગરુડ કમાન્ડોએ હેલિકોપ્ટરમાંથી રેસ્ક્યૂનો ડેમો આપ્યો જે જોઈને રાજકોટવાસીઓ દંગ રહી ગયા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચપ્પુના 5 ઘા મારી યુવકની હત્યા કરી દેવાઈ સુરતમાં સચિન GIDCમાં યુવકની ચપ્પુના 5 ઘા મારી હત્યા કરી, ગેટ આગળ ફેંકી દીધો.. પિતાએ હૈયાફાટ રુદન કરતાં કહ્યું મારી દુનિયા તો ખતમ થઈ ગઈ, એક જ કમાનારો હતો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રિવરફ્રન્ટ પર BAPSનો 'પ્રમુખ વરણી મહોત્સવ અમદાવાદ રિવરફ્રન્ટ પર આજે યોજાવા જઈ રહ્યો છે BAPSનો 'પ્રમુખ વરણી મહોત્સવ'..પ્રમુખ સ્વામી મહારાજને સંસ્થાના પ્રમુખ તરીકેની પદવી મળ્યાનાં 75 વર્ષ પૂર્ણ થતા આ મહોત્સવનું આયોજન કરાયું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 150 ફૂટ ઊંડાઈએ ફસાયેલા યુવકનો મૃતદેહ મળ્યો ભૂજના કુકમામાં શનિવારે બોરવેલમાં 150 ફૂટ ઊંડાઈએ ફસાયેલા યુવકનો 9 કલાકે મૃતદેહ મળ્યો.,ગરગડીથી યુવકના કપડામાં હુક ભરાવી તેને બહાર તો કઢાયો, પણ તેને બચાવી ન શકાયો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભરતીનું પાણી વધી જતા બોટ પલટી ભરુચના જંબુસરના આસરસા ગામ નજીક એક બોટ પલટી ખાઈ ગઈ. ભરતીનું પાણી વધી જતા 5 સેકન્ડમાં જ બોટ ઊંધી વળી ગઈ. બોટ પર 23 કામદાર સવાર હતા.ઘટનામાં બોટ માલિકનું મોત થયું છે, જ્યારે એક કામદાર લાપતા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 5:55 pm

અમરેલીમાં AAPની પ્રથમ કિસાન મહાપંચાયત યોજાઈ:ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, સુધીર વાઘાણી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા

અમરેલી શહેરમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પ્રથમ વખત કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. સેન્ટર પોઈન્ટ ખાતે યોજાયેલી આ સભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને બોટાદના ધારાસભ્ય સુધીર વાઘાણી સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર સહિત આસપાસના જિલ્લાઓ અને તાલુકા મથકો પરથી આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભાજપનો ગઢ ગણાતા અમરેલીમાં AAPની આ પ્રથમ સભાથી રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. સભા દરમિયાન મોટાભાગના નેતાઓએ બોટાદ કડદાકાંડ મુદ્દે સરકારને ઘેરી હતી. તેમણે સત્તાધારી પક્ષ સામે આક્રમક રીતે અવાજ ઉઠાવ્યો હતો અને વિવિધ આક્ષેપો કરીને સંવાદ કરતા જોવા મળ્યા હતા. ઉપસ્થિત રહેલા અન્ય મુખ્ય નેતાઓમાં મનોજ સોરઠીયા, રાજુ સોલંકી, બ્રિજરાજ સોલંકી અને જિલ્લા AAP પ્રમુખ નિકુંજ સાવલિયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તાલુકા મથકના AAPના વિવિધ હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 5:50 pm

ગેસ સિલિન્ડર લીકેજ બાદ થયેલા ધડાકાએ બેનો ભોગ લીધો:સુરતના સચિનમાં ગેસ લીકેજ બાદ ફ્લેશ ફાયરથી દાઝેલી બે યુવતીના સારવાર દરમિયાન મોત, એકની હાલત ગંભીર

સુરતના સચિન ગભેણી વિસ્તારમાં ચાર દિવસ પહેલા ઘરમા ગેસ સિલિન્ડર લીકેજ બાદ અચાનક ફ્લેશ ફાયર થતા ઘરમાં આગ લાગતા દાઝી ગયેલા બે બહેન સહિત ચાર વ્યકિત દાઝી ગયા હતા. ચાર પૈકી બે યુવતીના સારવાર દરમિયાન સિવિલ હોસ્પિલટમાં મોત થયા હતા. જેના પગલે બે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. ગંભીર રીતે દાઝી ગયેલી બે યુવતીઓના સારવાર દરમિયાન મોતસચિનના ગભેણી રોડ પર બરફ ફેકટરી પાસે ગુરુકૃપા સોસાયટીમાં રહેતી 22 વર્ષીય ભાગ્યશ્રી હરીભાઈ પોલાઈ ગત 2 ડિસેમ્બરે સવારે ઘરમાં ગેસના ચુલા ઉપર રસોઈ બનાવવા જઈ રહી હતી. દરમિયાન ગેસ સિલિન્ડર લીકેજ થતા ફ્લેશ ફાયર થયા બાદ જોરદાર ભડકો થતા આગ લાગી હતી. જેમાં ભાગ્યશ્રી, તેની બહેન રિન્કી (ઉ.વ-19) તથા પડોશી સાલુ રામકિશોર પાલ (ઉ.વ-22) આગની ઝપેટમાં આવતા વધુ દાઝી ગયા હતા અને હરીઓમ સામાન્ય દાઝયો હતો. વધુ દાઝેલી બે બહેન અને એક યુવતનીને સારવાર માટે 108 મારફત નવી સિવિલ હોસ્પિટલમાં લાવતા દાખલ કર્યા હતા. જયાં સારવાર દરમિયાન શાલુ અને રિન્કીનું મોત નીંપજયું હતું. તે મુળ ઓડિશાના ગંજામની વતની હતા. આ અંગે સચીન જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરી છે. બંને યુવતીઓના મોતના પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. 2 ડિસેમ્બરે સવારના સમયે બનાવ બન્યો હતોસચિન ગભેણી રોડ ખાતે આવેલ ગુરુકૃપા સોસાયટીના પ્લોટ નંબર 327ના ત્રીજા માળે રૂમ નંબર 32માં ગેસ સિલિન્ડર લીકેજના કારણોસર ગત 2 ડિસેમ્બર સવારે ફ્લેશ ફાયર થયું હતું. જોત જોતામાં ઘરની અંદર ધડાકા સાથે આગ લાગી ગઈ હતી.આગ એટલી ઝડપી બની હતી કે ઘરના સભ્યોને બહાર નીકળવાનો પૂરતો સમય મળ્યો નહોતો, જેના કારણે ત્રણ યુવતી ગંભીર રીતે અને એક પુરુષ સામાન્ય દાઝી ગયા હતા. અચાનક બનેલા આ બનાવના પગલે સોસાયટીમાં ભાગદોડ મચી ગઈ હતી. ગુરુકૃપા સોસાયટીમાં હરિભાઈ પોલાઈ તેની બે પુત્રી ભાગ્યશ્રી (ઉ.વ.22) અને રિન્કી (ઉં.વ.19) સાથે રહે છે અને સંચા ખાતામાં કામ કરી ગુજરાન ચલાવે છે. દરમિયાન ગત 2 ડિસેમ્બર સવારે બંને બહેન જમવાનું બનાવતી હતી, ત્યારે મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતી શાલુરામ મોહન (ઉ.વ.22) આવી હતી. ત્રણેય યુવતી જમવાનું બનાવતી હતી, ત્યારે ઘરમાં ગેસ સિલિન્ડર લીકેજના કારણોસર ફ્લેશ ફાયર થયું હતું. આગ લાગવાની આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. ત્રણેય યુવતી શરીરે ગંભીર રીતે દાઝી ગઈ હતી અને એક પુરુષને સામાન્ય ઇજા થઇ હતી. અચાનક બનેલા આ બનાવના પગલે સોસાયટીમાં ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને પણ કરવામાં આવી હતી. સાથે જ દાઝેલી ત્રણેય યુવતીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. બનાવના પગલે સ્થળ પર પહોંચેલી ફાયર વિભાગની ટીમે સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. બંને બહેન સહિત ત્રણેય યુવતી ગંભીર રીતે દાઝી ગઈ હતી. સાલુ અને રિન્કી 60થી 70 ટકા જેટલી દાઝી હતી. જ્યારે ભાગ્યશ્રી 40થી 50 ટકા જેટલી દાઝી છે. સાલુ અને રીન્કી શરીરે વધારે દાઝી હોવાથી સ્થિતિ નાજુક હતી. જેથી સિવિલમાં બન્સ વોર્ડમાં સારવાર ચાલી રહી હતી. દરમિયાન ચાલુ અને રીન્કી નું મોત નીપજ્યું હતું. જ્યારે હાલ ભાગ્યશ્રી ની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 5:39 pm

ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટના ભાજપ-કોંગ્રેસનું જોઇન્ટ એક્શન:રાજકોટમાં કેજરીવાલના આગમન પૂર્વે AAPના MLA ગોપાલ રાયે કહ્યું - ગુજરાત જોડો યાત્રાથી બંને પાર્ટી ડરી ગઈ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલના ત્રિ-દિવસીય રાજકોટ પ્રવાસ પૂર્વે દિલ્હીના પૂર્વ મંત્રી તથા AAP ધારાસભ્ય ગોપાલ રાય રાજકોટ પહોંચ્યા હતા અને તેમણે મોટું એલાન કર્યું કે, આગામી મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં દરેક બેઠક પર આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ચૂંટણી લડશે. ભાજપ-કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતાવિસાવદર પેટાચૂંટણીની જીત બાદ રાજ્યમાં 13 હજારથી વધુ સભાઓ કરીને પાર્ટીએ નવો જોશ ભર્યો છે અને 2027માં ગુજરાતમાં પરિવર્તન આવશે એવો વિશ્વાસ વ્યક્ત કરતાં તેમણે ભાજપ-કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે વિસાવદરમાં ગોપાલ ઇટાલીયા પર જૂતું ફેંકવાની ઘટનાને ભાજપની પોલીસ અને કોંગ્રેસનું સંયુક્ત ષડયંત્ર ગણાવ્યું હતું. AAP દ્વારા ગુજરાત જોડો યાત્રા અને કિસાન આંદોલન કરાઈ રહ્યું છેઆમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ આજે રાજકોટ પધારવાના છે ત્યારે દિલ્હીના AAPના ધારાસભ્ય ગોપાલ રાયે જણાવ્યું હતું કે, ગુજરાતમાં મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા પંચાયત સહિતની સીટો ઉપર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટણી લડશે. AAP દ્વારા ગુજરાત જોડો યાત્રા અને કિસાન આંદોલન કરવામાં આવી રહ્યું છે. આવતીકાલે આંદોલનકારી જેલમાંથી છૂટીને બહાર આવ્યા તેનો સન્માન કાર્યક્રમ હડદડમાં ખેડૂત આંદોલન બાદ 85 લોકો ઉપર FIR દાખલ કરવામાં આવી. જેથી, રાજકોટ આવી રહેલા અરવિંદ કેજરીવાલ આ લોકોને મળશે. જે આંદોલનકારી જેલમાંથી છૂટીને બહાર આવ્યા છે, તેનો સન્માન કાર્યક્રમ કાલે રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજુ કરપડા અને પ્રવીણ રામ જેવા આંદોલનકારીઓ કે જેઓ જેલમાં છે તેમના પરિવારજનોને અરવિંદ કેજરીવાલ મળશે. પેટા ચૂંટણીમાં ભાજપને હરાવવાની તાકાત બતાવી તેમણે જણાવ્યું હતું કે, હાલ ગુજરાતમાં જે રીતે ભાજપ અને કોંગ્રેસ બંને ડરી ગયું છે. વિસાવદરની ચૂંટણીમાં AAPના ગોપાલ ઇટાલીયા જીત્યા બાદ ગુજરાતમાં એક નવો જ મહોલ ઉભો થયો છે. અત્યાર સુધી એવું હતું કે ભાજપ કોંગ્રેસના નેતાઓને તોડે અને ચૂંટણી જીતી જાય પરંતુ, પ્રથમ વખત પેટા ચૂંટણીમાં એવું બન્યું કે ભાજપને આમ આદમી પાર્ટી હરાવવાની તાકાત બતાવી છે. વિસાવદર બાદ પુરા ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા 13000 જેટલી સભાઓ કરવામાં આવી. ભાજપ-કોંગ્રેસમાં હોડ કોણ AAPને વધુ ગાળો આપશેબોટાદના હડદડમાં કિસાન સભા દરમિયાન લાઠી ચાર્જ થયો, આંસુ ગેસ છોડવામાં આવ્યા, લોકોના ઘરના દરવાજા તોડવામાં આવ્યા અને ખેડૂતોને જેલમાં પૂરવામાં આવ્યા પરંતુ ત્યારબાદ ખેડૂત આંદોલન વધુ મજબૂત બન્યું છે. જે બાદ સુદામડા ગામમાં ખેડૂતો ખુલીને સામે આવ્યા અને સરકારનો વિરોધ કર્યો. હાલ એક તરફ આમ આદમી પાર્ટી ગુજરાત છોડો આંદોલન કરી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંનેમાં એવી હોડ લાગી છે કે કોણ સૌથી વધુ ગાળો આમ આદમી પાર્ટીને આપશે. જનતા વર્ષ 2027માં પરિવર્તન લાવશે તે નક્કી છેતેમણે જણાવ્યું કે, તે નર્મદામાં અમારા જિલ્લા અધ્યક્ષ પર હૂમલો થયો. ત્યારબાદ ભરૂચ અને મહેસાણામાં અમારા કાર્યકર્તાઓ ઉપર હુમલો કરવામાં આવ્યો પરંતુ, જામનગરમાં ભાજપની પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાનું જોઇન્ટ એક્શન જોવા મળ્યું. રાહુલ ગાંધી જે રીતે કહે છે કે, અડધી કોંગ્રેસ ભાજપની છે. આ રીતે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી મળીને કઈ રીતે આમ આદમી પાર્ટીને રોકી શકાય તે માટેનું ષડયંત્ર રચી રહી છે પરંતુ, જનતા વર્ષ 2027માં પરિવર્તન લાવશે તે નક્કી છે. ગુજરાત સરકાર ખેડૂતોને વળતર નહીં આપે તો આ કિસાન આંદોલન ઉગ્ર બનશેતેમણે જણાવ્યું કે, પંજાબમાં ખેડૂતોનું જે નુકસાન થયું તે બદલ તમામ ખેડૂતોને ₹50,000 પ્રતિ હેક્ટર આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવે છે. જોકે, ભાજપ સરકારે પેકેજ તો આપ્યું જ નહીં પરંતુ જે સહાયની વાત છે એ પણ ખેડૂતોને મળી નથી. ખેડૂતો લાઈનોમાં ઊભા છે અને હેરાન થઈ રહ્યા છે. ગુજરાત સરકાર ખેડૂતોને વળતર નહીં આપે તો આ કિસાન આંદોલન ઉગ્ર બનશે. જ્યારે SIRની કામગીરી ઈમરજન્સીમાં શા માટે કરવામાં આવી રહી છે શિક્ષકો દબાવમાં છે અને આપઘાત કરી રહ્યા છે તે યોગ્ય નથી.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 5:37 pm

ગોધરામાં કોંગ્રેસ કાર્યકરોએ બૂથ મુલાકાત લીધી:અમિત ચાવડાની સૂચનાથી મતદાર સુધારણા અભિયાન અંતર્ગત ASD યાદી ચકાસી

ગોધરા વિધાનસભા વિસ્તારમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ મતદાર સુધારણા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. લોકશાહીના પર્વને વધુ મજબૂત અને પારદર્શક બનાવવાના હેતુસર, કોંગ્રેસના કાર્યકરોએ વિવિધ બૂથ મથકોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, કાર્યકરોએ બૂથ લેવલ ઓફિસરો (BLO) સાથે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે BLO દ્વારા તૈયાર કરાયેલી પ્રિ-ડ્રાફ્ટ યાદી અને ખાસ કરીને ASD (એબસન્ટ, શિફ્ટેડ, ડેડ) યાદીની ઝીણવટભરી ચકાસણી કરી હતી. આ ચકાસણીનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાર યાદીને ક્ષતિરહિત બનાવવાનો હતો. કોંગ્રેસના કાર્યકરોએ એક જાગૃત નાગરિક તરીકે મતદારો અને સ્થાનિક પ્રશાસનને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. નોંધનીય છે કે, લોકશાહીના હિતમાં પક્ષપાતથી ઉપર ઉઠીને, કોંગ્રેસના કાર્યકરોએ ત્યાં ઉપસ્થિત અન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે પણ લોકશાહીને સુદ્રઢ બનાવવા અંગે ઉપયોગી અને સકારાત્મક ચર્ચાઓ કરી હતી.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 5:23 pm

જામનગરમાં ક્રિકેટ રમતા યુવાનનું હૃદય બંધ પડ્યું:32 વર્ષીય રાહુલ ચૌહાણનું અચાનક અવસાન, પરિવારમાં શોક

જામનગરમાં રવિવારે ગીતામંદિર નજીકના ખુલ્લા મેદાનમાં ક્રિકેટ રમી રહેલા 32 વર્ષીય યુવાન રાહુલ રમેશભાઈ ચૌહાણનું હૃદય બંધ પડી જવાથી મૃત્યુ થયું હતું. આ ઘટનાથી વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગીતામંદિર નજીકના ખુલ્લા મેદાનમાં રવિવારની રજાના દિવસે કેટલાક યુવાનો ક્રિકેટ રમી રહ્યા હતા. રાહુલ ચૌહાણ પણ પોતાના મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યો હતો ત્યારે તેને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો અને તે બેભાન થઈ ગયો હતો. રાહુલને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાય તે પહેલાં જ તેનું હૃદય બંધ પડી ગયું હતું, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કરાયું હતું. આ બનાવને પગલે તેના મિત્રો અને આસપાસના લોકોમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી. પરિવારના એકમાત્ર આધારસ્તંભ એવા રાહુલ ચૌહાણના અકાળે અવસાનથી તેના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. સમગ્ર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 5:02 pm

વલસાડ LCBએ રૂ.13.91 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો:ટ્રકમાંથી દારૂ ઝડપાયો, બે આરોપી પકડાયા, એક વોન્ટેડ

વલસાડ એલસીબીએ વાપી નજીક નાકાબંધી દરમિયાન ₹13.91 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દમણથી ગેરકાયદેસર રીતે દારૂ ભરીને જઈ રહેલી એક ટાટા ટ્રકને અટકાવી હતી. આ કાર્યવાહીમાં ટ્રકના ચાલક અને ક્લીનર સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂ સપ્લાય કરનાર એક વ્યક્તિ ફરાર છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચનાથી, એલસીબી પીઆઈ ઉત્સવ બારોટના નેતૃત્વ હેઠળની ટીમે વાપી ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. બાતમીના આધારે, બલીઠા નજીક વાપીથી સુરત તરફ જતી GJ-20-V-7785 નંબરની ટ્રકને રોકવામાં આવી હતી. ટ્રકની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. એલસીબીની ટીમે ટ્રકમાંથી કુલ 3432 બોટલ વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો, જેની કિંમત ₹8,90,880/- આંકવામાં આવી છે. આ ઉપરાંત, ₹5 લાખની કિંમતની ટ્રક અને ચાલક પાસેથી એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આમ, કુલ ₹13,91,380/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે ટ્રક ચાલક નાસીરખાન શરીફખાન પઠાણ (ઉંમર 70) અને ક્લીનર હર્ષદભાઈ શાંતીલાલ મારવાડી (ઉંમર 34) – બંને આણંદના રહેવાસીઓને ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે બંને આરોપી દમણમાંથી વિનુભાઈ (રહે. વરમખેડા, દાહોદ) નામના વ્યક્તિ પાસેથી દારૂનો જથ્થો ભરીને આણંદ લઈ જઈ રહ્યા હતા. વિનુભાઈ હાલ ફરાર છે અને પોલીસ તેને વોન્ટેડ જાહેર કર્યો છે. વલસાડ એલસીબીએ બંને આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કેસની વધુ તપાસ ડુંગરા પોલીસને સોંપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 4:51 pm

સુરતમાં કેફે માલિકનું અપહરણ કરી માર મરાયો, VIDEO:કેફેના 8000ના બાકી બિલની ઉઘરાણીમાં યુવાન પર હુમલો, માર મારતા વીડિયો પણ બનાવ્યા; પહેલા લાતો અને પછી તમાચા ઝીંક્યા

સુરતના વેસુ વિસ્તારમાં પૈસાની લેવડદેવડને લઈને એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 8000 રૂપિયાનું બાકી બિલ ન ચૂકવવા બદલ એક કેફે માલિકનું અપહરણ કરી તેને બે યુવાનો દ્વારા બેફામ માર મારવામાં આવ્યો હતો. અપહરણ અને માર મારતા સમયનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો. 8000ના બાકી બિલની ઉઘરાણીએ ગયેલા કેફે માલિક સાથે મારામારીઆ ઘટના સુરતના વેસુ વિસ્તારમાં આવેલ મેડિનિયન કેફેના માલિક સાથે બની હતી. 23 વર્ષીય કેફે માલિક જસ્મિન વાગાણીએ આ મામલે વેસુ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર FIR નોંધાવી છે. પોલીસ ફરિયાદ મુજબ, આરોપીઓમાંનો એક યુવાન, વિવેક જૈન, છેલ્લા બેથી ત્રણ મહિનાથી કેફેનું આશરે ₹8,000નું બિલ ચૂકવ્યા વિના બાકી રાખતો હતો. જસ્મિન વાગાણી છેલ્લા ઘણા દિવસોથી વિવેકને ફોન કરીને આ બાકી રકમ ચૂકવી દેવા વિનંતી કરી રહ્યા હતા. આરોપીઓ માર માર્યો અને તેનો વીડિયો પણ બનાવ્યોબિલની ઉઘરાણી કરવાથી ગુસ્સે ભરાયેલા વિવેક જૈને પોતાના મિત્ર દીપક જૈન સાથે મળીને એક યોજના બનાવી. બંને યુવાનોએ જસ્મિન વાગાણીનું અપહરણ કર્યું હતું. અપહરણ બાદ, બંને આરોપીઓએ જસ્મિનને બેફામ માર માર્યો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ, પહેલા લાતો મારી અને ત્યારબાદ ગાલ પર તમાચા માર્યા હતા. આ દરમિયાન, આરોપીઓ એટલા હિંમતવાન હતા કે તેઓ પોતે માર મારતા હતા તેનો વીડિયો રેકોર્ડિંગ પણ કરી રહ્યા હતા. આ ગંભીર ઘટના બાદ કેફે માલિક જસ્મિન વાગાણીએ તાત્કાલિક વેસુ પોલીસ સ્ટેશનમાં વિવેક જૈન અને દીપક જૈન વિરુદ્ધ અપહરણ અને હુમલાની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. વેસુ પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો છે અને ખાસ કરીને માર મારતા હોવાના વીડિયો રેકોર્ડિંગના આધારે આરોપીઓ વિરુદ્ધ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે વીડિયોને મુખ્ય પુરાવા તરીકે લઈ બંને આરોપીઓને ઝડપી પાડવા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટેની તજવીજ શરૂ કરી દીધી છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 4:46 pm

સરદાર પટેલની150મી જન્મજયંતિ યુનિટી માર્ચમાં પંચમહાલના યુવાનો:કરમસદથી કેવડિયા સુધીની પદયાત્રામાં ગોધરાના 120 સ્વયંસેવકો જોડાયા

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત રાષ્ટ્રીય સ્તરની 'યુનિટી માર્ચ – સરદાર@૧૫૦' પદયાત્રામાં પંચમહાલ જિલ્લાના યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કરમસદથી શરૂ થયેલી આ યાત્રામાં ગોધરાના 'માય ભારત' સંગઠનના ૧૨૦ સ્વયંસેવકો જોડાઈને રાષ્ટ્રીય એકતાનો સંદેશ ફેલાવ્યો હતો. આ પદયાત્રાનો પ્રારંભ ગત ૨૬ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ આણંદના કરમસદથી થયો હતો. સરદાર પટેલના એકતા, અખંડિતતા અને શિસ્તના સંદેશને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરના વિવિધ રાજ્યોના યુવા સ્વયંસેવકો જોડાયા હતા. યાત્રાના અંતિમ ચરણમાં ગોધરાના ૧૨૦ યુવા સ્વયંસેવકો સહભાગી બન્યા હતા. આ યુવાનોએ રાજપીપળાથી કેવડિયા સુધી પદયાત્રા કરીને પોતાનો દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો. પદયાત્રા દરમિયાન માર્ગમાં આવતા ગામો અને શહેરોમાં યુવાનો દ્વારા જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ યાત્રાનું સમાપન કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક સમારોહ સાથે કરવામાં આવ્યું, જ્યાં મુખ્ય અતિથિએ યુવાનોને સરદાર સાહેબના આદર્શો જીવનમાં ઉતારવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે 'માય ભારત' ગોધરાના જિલ્લા યુવા અધિકારી વિઠ્ઠલભાઈ ચોરમેલે પદયાત્રામાં જોડાઈને દેશપ્રેમ વ્યક્ત કરવા બદલ પંચમહાલ જિલ્લાના તમામ યુવાનોને અભિનંદન પાઠવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 4:45 pm

મિત્રતા, શરીર સંબંધ, સ્પાય વીડિયો, બ્લેકમેઈલ અને ખંડણીનો ખેલ:સુરતના બિલ્ડરને હનીટ્રેપમાં ફસાવનાર યુવતી અને વકીલ 20 લાખની ખંડણી લેતા રંગેહાથ ઝડપાયા

સુરતમાં એક બિલ્ડરને હનીટ્રેપમાં ફસાવી યુવતી અને વકીલે 50 લાખ રૂપિયાની ખંડણી માગતા ચકચાર મચી છે. બિલ્ડર પાસે 20 લાખ રૂપિયાનો પ્રથમ હપતો લેવા આવેલી યુવતી અને વકીલને સુરત ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા હતા. શહેરના બિલ્ડરને હનીટ્રેપમાં ફસાવી યુવતી દ્વારા ન્યૂડ વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી 50 લાખી ખંડણી માગવામાં આવી હતી. જો પૈસા ન આપે તો દુષ્કર્મ કેસમાં ફીટ કરી દેવાની પણ ધમકી આપવામાં આવી હતી. અંતે રૂ. 42.50 લાખ આપવાનું નક્કી થયું હતું. આ મામલે બિલ્ડરે ફરિયાદ કરતા સુરત ક્રાઈમ બ્રાંચે ટ્રેપ ગોઠવી હતી. જેમાં 20 લાખ રૂપિયાનો પ્રથમ હપતો લેવા આવેલી યુવતી હેતલ અને વકીલ અભિષેક શેઠીયા રંગેહાથ ઝડપાયા હતા. બિલ્ડર સાથે મિત્રતા, શરીર સંબંધ , બ્લેકમેઈલ અને ખંડણીસુરતમાં રહેતા બિલ્ડરનો વર્ષ 2022માં હેતલ બારૈયા નામની યુવતી સાથે સંપર્ક થયો હતો. ત્યારબાદ તેઓ એકબીજાને હળતા મળતા હતા. હેતલને લાગ્યું કે, બિલ્ડર પૈસા પાત્ર છે તો તેના પાસેથી સારી એવી રકમ પડાવી શકાય તેમ છે. હેતલને આવેલા આ વિચાર બાદ હનીટ્રેપની શરૂઆત થઈ. હેતલ દ્વારા બિલ્ડર સાથે વાતચીત દરમિયાન સામાન્ય વીડિયો કોલ અને ન્યૂડ વીડિયો કોલ કર્યા. બિલ્ડરની જાણ બહાર કોલ રેકોર્ડીંગ કરી લીધા અને પછી ખંડણીનો ખેલ શરૂ કર્યો. ન્યૂડ વીડિયો વાઈરલ કરવાની અને દુષ્ક્રમ કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી બિલ્ડર પાસે 50 લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવી. જો ફરિયાદ ન કરવી હોય તો અંતે રૂ. 42.50 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા. 20 લાખનો પ્રથમ હપતો લેવા આવેલી યુવતી અને વકીલ રંગેહાથ ઝડપાયાહેતલ અને તેના સાગરિત વકીલ અભિષેક શેઠીયાએ બિલ્ડરને 20 લાખ રૂપિયાનો પ્રથમ હપતો આપવા માટે VR મોલમાં આવેલા ફૂડ ઝોનમાં બોલાવ્યો હતો. બિલ્ડરે હનીટ્રેપ મામલે પોલીસ ફરિયાદ કરતા પોલીસની ટીમ પણ એક્ટિવ હતી. ફૂડ ઝોનમાં બિલ્ડર પાસેથી રૂપિયા 20 લાખ રૂપિયા લઈને હેતલ અને અભિષેક શેઠિયા નીકળે તે પહેલા જ સુરત ક્રાઈમ બ્રાંચે બંનેને 20 લાખની રોકડ સાથે દબોચી લીધા હતા. આરોપીઓ પાસેથી રૂ. 20.85 લાખનો મુદ્દામાલ કબજે કરાયોસુરત ક્રાઈમ બ્રાંચે હનીટ્રેપના આ કેસમાં હેતલ વિઠ્ઠલભાઈ બારૈયા અને તેની સાથે રહેલા વકીલ અભિષેક સંજય શેઠીયાની ધરપકડ કરી લીધી છે. જ્યારે ટોળકીમાં સામે અન્ય બે આરોપીઓ વોન્ટેડ હોય તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી રૂ. 20.85 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ડીસીપએ કહ્યું- લોકો સાવચેત રહે અને ભોગ બને તો ફરિયાદ કરતા ન ડરેહેતલ અને વકીલ અભિષેકને ખંડણી સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધા બાદ ડીસીપી ભાવેશ રોઝીયાએ જણાવ્યું હતું કે, હેતલ અને બિલ્ડર અઢી વર્ષથી બંને એકબીજાના સંપર્કમાં હતા. બંને વચ્ચે થયેલા ન્યૂડ વીડિયો કોલનું હેતલે સ્કીન રેકોર્ડીંગ કરી લીધું હતું. આ ઉપરાંત અમૂક જગ્યાએ બોલાવી તેના વીડિયો શૂટ કરી લીધા હતા. ત્યારબાદ બિલ્ડર પાસે 50 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. લોકોએ સૌ પ્રથમ તો આ પ્રકારની ગેંગનો ભોગ ન બને તે માટે સાવચેતી રાખવી જોઈએ અને જો ભૂલથી ગેંગનો ભોગ બની જાય તો નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી મદદ મેળવવી જોઈએ. હેતલે આ પહેલા આ રીતે કોઈને ફસાવ્યા છે કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 4:21 pm

NH-48 પર અતુલ બ્રિજ પાસે 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ:વાહનોની લાંબી કતારો જોવા મળી, કેટલાક વાહન ચાલકો રોંગડાઈડ વાહનો હંકારતા જોવા મળ્યા

વલસાડ જિલ્લાના અતુલ બ્રિજ પાસે નેશનલ હાઈવે-48 પર રવિવારે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. NHAI દ્વારા રસ્તાની મરામત અને ડામર કામગીરી હાથ ધરાતા વાહનચાલકો અટવાયા હતા. આ કામગીરીને કારણે અંદાજે 3 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. અચાનક શરૂ કરાયેલી આ કામગીરીથી અતુલથી પારડી ચાર રસ્તા સુધી હાઈવે પર સતત જામની સ્થિતિ જોવા મળી હતી. મુંબઈથી સુરત તરફ જતાં અનેક વાહનચાલકો કલાકો સુધી માર્ગમાં અટવાઈ ગયા હતા. કેટલાક વાહનચાલકો રોંગ સાઈડથી વાહન દોડાવતા જોવા મળતા ટ્રાફિક વ્યવસ્થા વધુ વણસી હતી. વરસાદને કારણે બિસ્માર બનેલા હાઈવે પર NHAIની ટીમ દ્વારા ખાડાઓ ભરવાની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરીને કારણે 3 કિલોમીટરથી વધુ લાંબો જામ જોવા મળ્યો હતો, જેના પરિણામે ઇંધણ અને સમયનો બગાડ થયો હતો. વારંવારના ટ્રાફિક જામથી વાહનચાલકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. લાંબા સમય સુધી વાહનો બંધ રહેતા પર્યાવરણ અને આરોગ્ય પ્રત્યે પણ ચિંતાઓ વ્યક્ત થઈ હતી. સ્થાનિક લોકોએ માંગ કરી છે કે NHAIના કોન્ટ્રાક્ટરો દ્વારા ગુણવત્તાપૂર્વક અને ટકાઉ મટીરીયલનો ઉપયોગ કરીને હાઈવેનું યોગ્ય રીતે નિર્માણ કરવામાં આવે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 4:20 pm

જામનગરમાં કારચાલકે TRB જવાનને 10 મીટર ઢસડ્યો:જવાનને ગંભીરઈજા પહોંચી, હોઠ પર પાંચ ટાંકા લેવા પડ્યા, ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાયો

જામનગરમાં ટ્રાફિકની ફરજ બજાવી રહેલા ટીઆરબી (ટ્રાફિક બ્રિગેડ) જવાનને એક કારચાલકે 10 મીટર સુધી ઢસડ્યો હતો. આ ઘટના ખોડીયાર કોલોની વિસ્તારમાં બની હતી, જેમાં જવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ફરજમાં રૂકાવટ અને હુમલા બદલ કારચાલક સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ બનાવ પરમદિવસે બપોરે દોઢ વાગ્યાના અરસામાં બન્યો હતો. ડ્રીમ સિટી શેરી નંબર-2 માં રહેતા 22 વર્ષીય ટીઆરબી જવાન જીલ રમેશભાઈ બગડા ખોડીયાર કોલોની વિસ્તારમાં ટ્રાફિક નિયમન કરી રહ્યા હતા. તે દરમિયાન જી.જે.-3 એન.બી. 9080 નંબરની એક કાર ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે માર્ગ પર પાર્ક કરવામાં આવી હતી. જીલ બગડાએ કારચાલકને વાહન સાઈડમાં લેવા અને ટ્રાફિક અધિકારી બોલાવે છે તેમ જણાવ્યું હતું. કારચાલક સૌપ્રથમ મસાલો ખાવા નીચે ઉતર્યો હતો, પરંતુ ત્યારબાદ અચાનક કાર ચાલુ કરીને ભાગવા લાગ્યો હતો. જીલ બગડાએ કાર રોકવાનો પ્રયાસ કરતા કારચાલકે તેમને કાર સાથે 10 મીટર દૂર સુધી ઢસડ્યા હતા. આ ઘટનામાં ટીઆરબી જવાન જીલ બગડાને હોઠ, માથા, હાથ-પગ સહિત શરીરના અનેક ભાગો પર છાલ-છોલ સહિતની નાની-મોટી ઈજાઓ થઈ હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમના ફાટેલા હોઠ પર પાંચ ટાંકા લેવા પડ્યા હતા. આ મામલે જીલ બગડાએ સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં જી.જે.-3 એન.બી. 9080 નંબરની કારના ચાલક નિર્મળસિંહ ગુલાબસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે. મહિલા પીએસઆઈ એમ.વી. દવેએ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 121-1, 221, 285 તેમજ એમવી એક્ટ કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધી કાર કબજે કરી છે અને કારચાલકને નોટિસ પાઠવી છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 3:54 pm

બાલારામ અભયારણ્ય ખાતે પ્રકૃતિ જાગૃતિ અભિયાન:સ્વચ્છતા-પર્યાવરણ સંરક્ષણ પર ભાર, પ્લાસ્ટિકના દુરુપયોગથી થતા પ્રદૂષણ અને પ્રકૃતિને થતા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરાઈ

રાજ્યના વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર અને ક્લાયમેન્ટ ચેન્જના રાજ્યમંત્રી પ્રવીણ માળીના અધ્યક્ષસ્થાને બનાસકાંઠાના બાલારામ અભયારણ્ય ખાતે પ્રકૃતિ જાગૃતતા અને સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીએ પ્રકૃતિનું રક્ષણ કરવું એ સૌની નૈતિક જવાબદારી હોવાનું જણાવી, આવનારી પેઢીને ઇકો-ફ્રેન્ડલી જીવનશૈલી આપવા પર ભાર મૂક્યો હતો. બનાસકાંઠા વન્યજીવ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ધાર્મિક સ્થળોને સ્વચ્છ બનાવવા અભિયાન ચલાવી રહી છે, ત્યારે દર્શનાર્થીઓને સ્વચ્છતા માટે જાગૃત કરવા જરૂરી છે. તેમણે પ્લાસ્ટિકના દુરુપયોગથી થતા પ્રદૂષણ અને પ્રકૃતિને થતા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. મંત્રીએ સૌને ઘર, શેરી, ગામડાં, ધાર્મિક સ્થળો અને જંગલોને પ્લાસ્ટિક મુક્ત બનાવવા આહ્વાન કર્યું હતું. મંત્રી પ્રવીણ માળીએ વન્યજીવો માટે જંગલ જ તેમનું કુદરતી ઘર હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે ઉપસ્થિત લોકોને વન્યજીવોને બહારનો ખોરાક ન આપવા સૂચન કર્યું, કારણ કે તેઓ કુદરતી સંતુલન સાથે જીવે છે અને જંગલમાં જ તેમને ખોરાક મળી રહે છે. તેમણે બનાસકાંઠા જિલ્લાની ભૌગોલિક વિશેષતાઓ અને જંગલ, પાણી, રણ, ખનીજ જેવી કુદરતી સંપત્તિનું રક્ષણ કરવાની જવાબદારી પર પણ પ્રકાશ પાડ્યો હતો. મંત્રીએ જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લો ભવિષ્યમાં ઇકો ટુરિઝમનું હબ બને તે દિશામાં કામગીરી ચાલી રહી છે. આ અભિયાન અંતર્ગત બાલારામ અભયારણ્યને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે સ્વચ્છતા અભિયાન ચલાવી પ્લાસ્ટિકનો કચરો એકઠો કરીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંત્રી પ્રવીણ માળીના હસ્તે ઈકો ટુરિઝમ ડેવલપમેન્ટ સોસાયટી ચિત્રાસણીને વિકાસ કાર્યો માટે રૂ. 10 લાખનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે જણાવ્યું હતું કે, હિન્દુ સંસ્કૃતિમાં પીપળ અને તુલસીની પૂજા કરીને પ્રકૃતિના રક્ષણને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના યાત્રાધામના વિકાસ માટે કાર્યો થઈ રહ્યા છે ત્યારે તમામ યાત્રાધામ પ્લાસ્ટિક મુક્ત બને તે માટે સહિયારા પ્રયત્નો કરવા જોઈએ. બનાસકાંઠાના નાયબ વન સંરક્ષક ચિરાગ અમીને જણાવ્યું હતું કે, પ્લાસ્ટિક પર્યાવરણ માટે રાક્ષસ સમાન છે. જંગલ વિસ્તારમાં ખાખરાના પાન જેવા વિકલ્પોનો ઉપયોગ કરવો જોઈએ અને કચરો નિર્ધારિત ડસ્ટબિનમાં જ નાંખવો જોઈએ. મંત્રી ધારાસભ્ય સહિત મહાનુભાવો અને અધિકારીઓએ બાલારામ અભયારણ્ય સ્થિત મહાદેવ મંદિરના દર્શન કરીને એક પેડ માઁ કે નામ અભિયાન હેઠળ જંગલ વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી હતી. આ સ્વચ્છતા અભિયાનમાં પ્લાસ્ટિકને એકઠું કરાયું હતું જેનો ટ્રેક્ટરની ટ્રોલી મારફત નિકાલ કરવામાં આવ્યો હતો. આજરોજ બનાસકાંઠા વન વિભાગ, ક્રેડાઈ ગ્રુપ સહિતની વિવિધ સંસ્થાઓ અને ગ્રામ્ય લોકોના સહયોગથી કુલ 50થી વધુ ટ્રેક્ટર પ્લાસ્ટીકનો કચરો એકઠો કરીને તેનો નિકાલ કરાશે. આ કાર્યક્રમમાં બનાસકાંઠા નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, પી.જી.ગાર્ડી સહિતના વન વિભાગના અધિકારીઓ, ચિત્રાસણી સરપંચ, વિવિધ સંસ્થાઓના પ્રમુખઓ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો અને વન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 3:40 pm

ATM કાર્ડ બદલી લાખોની ઠગાઈ કરનાર રીઢો આરોપી ઝડપાયો:આરોપી સામે કુલ 39 ગુના, રાજ્યના વિવિધ શહેરોના 12 કેસનો ભેદ ઉકેલાયો

એટીએમમાં પૈસા કાઢવા આવતા નાગરિકોને મદદ કરવાના બહાને કાર્ડ બદલી નાખી લાખો રૂપિયા પડાવી લેનાર રીઢા આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આ આરોપીએ વડોદરા ઉપરાંત ભરૂચ, ડાકોર અને સુરતમાં પણ આવી જ રીતે ઠગાઈ અને ચોરી આચર્યા હતા. આરોપી પકડાતા 12 ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. પૈસા કાઢવામાં મદદ કરું એવું કહીને પીન નંબર જાણી લેતોઆરોપીની પૂછપરછમાં ખુલ્યું કે, તે ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને એટીએમનો ઉપયોગ કરવામાં મૂંઝવણ અનુભવતા નાગરિકોને ટાર્ગેટ કરતો હતો. પૈસા કાઢવામાં મદદ કરું એવું કહીને પીન નંબર જાણી લેતો અને હાથચાલાકીથી અસલ કાર્ડની જગ્યાએ પોતાનું ડમી કાર્ડ આપી દેતો હતો. પછી પીડિત એટીએમમાંથી બહાર નીકળે કે તરત જ અસલ કાર્ડથી પૈસા ઉપાડી લેતો હતો. ડીટેક્ટ થયેલા મુખ્ય ગુનાઓશહેરના ફતેગંજ પોલીસ સ્ટેશના 5 , ભરૂચના 2, ડાકોર પોલીસ સ્ટેશનના એક ગુનાનો ભેદ ઉકેલાયો છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતાં તે 2014થી સતત આવા ગુનાઓમાં સંડોવાયેલો છે. તેની સામે વડોદરા, આણંદ, ભરૂચ, સુરત, નડીયાદ તથા મહારાષ્ટ્રના પોલીસ સ્ટેશનોમાં IPC 406, 420, 379 તેમજ BNSની જુદી જુદી કલમો હેઠળ 39થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. આરોપી તુષાર અનીલભાઈ કોઠારી (ઉં.વ.36), રહે. ભાયલાલ દાદાની ચાલી, ચરોતર બેંક પાસે, આણંદ, મૂળ રહે. હાથીપોળ, રાજમહેલ રોડ, વડોદરા) છે. તેની પાસેથી 10 એટીએમ કાર્ડ તથા એક ઓપ્પો મોબાઇલ ફોન મળી આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 3:34 pm

જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયાની ઘટનાનો વિરોધ:પાટણમાં AAPના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો, કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યાં

જામનગરમાં આમ આદમી પાર્ટી (AAP)ની જાહેરસભા દરમિયાન કોંગ્રેસના એક કાર્યકર દ્વારા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું હતું. આ ઘટનાને પગલે આમ આદમી પાર્ટીએ પાટણ શહેરમાં બગવાડા દરવાજા ખાતે કોંગ્રેસ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. 'આપ' દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ભાજપના ઈશારે કોંગ્રેસ કામ કરી રહી છે. વિરોધ પ્રદર્શન દરમિયાન 'આપ'ના હોદ્દેદારો અને કાર્યકરોએ કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આમ આદમી પાર્ટીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, લોકશાહીમાં આવી હિંસક ઘટનાઓને કોઈ સ્થાન નથી. 'આપ'ના હોદ્દેદારોએ વધુમાં ઉમેર્યું હતું કે, કોંગ્રેસ મહાત્મા ગાંધીની વિચારધારા ભૂલીને હિંસાનો માર્ગ અપનાવી રહી છે. આ વિરોધ પ્રદર્શનમાં 'આપ' પાટણ વિધાનસભા પ્રભારી સ્વયંભાઈ સાલવી, પાટણ જિલ્લા ખજાનચી મનુભાઈ ઠક્કર, પાટણ વિધાનસભા કિસાન સેલ પ્રમુખ લક્ષ્મણભાઈ રબારી, વામૈયા જિલ્લા પંચાયત ઈન્ચાર્જ વિનુભાઈ સોલંકી, રણુંજ જિલ્લા પંચાયત ઈન્ચાર્જ દિલીપજી રાજપૂત, પાટણ શહેર સહ પ્રભારી નિર્મલભાઈ સોલંકી, પાટણ શહેર એસ.સી સેલ પ્રમુખ જે. ડી પરમાર, ગમનજી ઠાકોર, સુમિતભાઈ દેસાઈ, રાજુજી ઠાકોર, વિપુલજી ઠાકોર, મુકેશસિંહ ડાભી અને વિજયસિંહ ડાભી સહિતના અનેક કાર્યકરો હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 3:23 pm

22મો સમૂહ લગ્નોત્સવ-સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર સમારોહ:17 નવદંપતિ ઓએ પ્રભૂતામાં પગલાં પાડ્યા ,15 બટુકોએ જનોઈ ધારણ કરી, ચિત્રા-ફૂરસદ બ્રહ્મ ઉત્કર્ષ મંડળ દ્વારા આયોજન

માનવસેવા તથા કેળવણી સહાય ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે ચિત્રા-ફૂલસર બ્રહ્મ ઉત્કર્ષ મંડળ ભાવનગર પરા દ્વારા આજરોજ ચિત્રા ગાયત્રી મંદિર ખાતે 22મો સમસ્ત બ્રહ્મ સમાજ સમૂહ લગ્નોત્સવ તથા સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર સમારોહ યોજાયો. આ લગ્નોત્સવમાં 17 નવદંપતિઓએ પ્રભૂતામા પગલાં પાડ્યાં અને 14 બ્રહ્મ બટુકોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત બ્રહ્મ સમાજની નિશ્રામાં જનોઈ ધારણ કરી હતી. 17 નવદંપતીઓ લગ્નગ્રંથીથી જોડાયા, 15 બટુકોએ જનોઈ ધારણ કરી ચિત્રા ફુલસર બ્રહ્મ ઉત્કર્ષ મંડળ દ્વારા દર વર્ષે પરા વિસ્તારમાં આવેલ ગાયત્રી મંદિર ખાતે ડિસેમ્બર માસમાં સમૂહ લગ્નોત્સવ તથા સમૂહ યજ્ઞપવિત સુંદર આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ 7 ડિસેમ્બરને રવિવારના રોજ 22માં સમૂહ લગ્નોઉત્સવ તથા સમૂહ યજ્ઞોપવિતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 17 નવદંપતીઓએ લગ્નગ્રંથીથી જોડાયા હતા અને 15 બ્રહ્મ બટુકોએ યજ્ઞ નારાયણની સાક્ષીએ તેમજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત બ્રહ્મઋષિ પરિવારની ઉપસ્થિતિમાં જનોઈ ધારણ કરી હતી. અલગ અલગ દાતાઓના આર્થિક અનુદાન તેમજ અન્ય અનુદાન થકી લગ્નગ્રંથિ જોડાનાર દીકરીઓને કરિયાવર પણ આપવામાં આવ્યો હતો. વિવિધ મહાનુભાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાંસમગ્ર કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના આગેવાનો અને સાધુ સંતો મહંતો તેમજ જ્ઞાતિ શ્રેષ્ઠિઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપત્તિઓને આશીર્વાદ પાઠવવા સાથે યજ્ઞોપવિત ધારણ કરનાર બ્રહ્મ બટુકોને આશીર્વાદ આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમને લઈને બ્રહ્મ ઉત્કર્ષ મંડળના ડોક્ટર મહેન્દ્ર મહેતા, અતુલભાઇ જોશી, ધર્મેશ પંડ્યા, રાજુ પંડ્યા બાબુલાલ જાની, ભદ્રેશ ભટ્ટ, રમણલાલ જોશી, અજય પંડ્યા, મનીષ મહેતા, રક્ષા બહેન પંડ્યા, શોભનાબેન ભટ્ટ,જયશ્રીબેન મહેતા, સહિતનાઓ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 3:22 pm

દેવગઢ બારીયા પાલિકામાં હંગામી જમીન ભાડા મુદ્દે મોટો વિવાદ:પાર્કિંગ જગ્યા પર ગેરકાયદે કબજો, પ્રમુખની તપાસમાં ભાડામાં ગેરરીતિ ઝડપાઈ, બાકી નાણા વસુલ કરવા વેપારીને નોટીસ

દેવગઢ બારીયા નગરપાલિકામાં હંગામી જમીન ભાડા મામલે મોટો વિવાદ સર્જાયો છે. નગરપાલિકા પ્રમુખ નીલ સોનીએ ટાવર નજીક આવેલી ફાયદા બજાર સેલની રૂબરૂ તપાસ હાથ ધરી હતી. કાપડના વેપારીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ થયેલી આ તપાસમાં મહત્વની ગેરરીતિઓ પ્રકાશમાં આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, એક વેપારીએ 3133 એટલે કે 1,023 ચોરસ ફૂટ જેટલી પાર્કિંગ જગ્યા ગેરરીતે કબજે કરી પતરાવાળો શેડ ઉભો કર્યો હતો. પાવતી રજીસ્ટર મુજબ વેપારી દ્વારા ફક્ત રૂ. 72,000 જમા કરાવાયા હતા, જ્યારે 25 માર્ચ 2025ના ઠરાવ અનુસાર હંગામી જગ્યા માટે રૂ. 50 પ્રતિ ચોરસ ફૂટના દરે કૂલ રૂ. 4,09,200ની રકમ ભરવાની થાય છે. તપાસ દરમિયાન વેપારીના પિતા વાસુદેવ સુંદરણીએ જણાવ્યું કે, નગરપાલિકાના સદસ્ય વિશાલ બાલવાણી તેમના સગા છે અને તેમની ભલામણથી સ્ટોર આપવામાં આવ્યો હતો. આ નિવેદનનો વીડિયો વાયરલ થતાં રાજકીય હલચલ વધી ગઈ હતી. પંચકેસ પર સહી ન કરતા વેપારીને નગરપાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસરના રૂમમાં લઈ જવાયા હતા, જ્યાં પૂર્વ પ્રમુખ ધર્મેશ કલાલ તથા અન્ય સદસ્યોની હાજરીમાં વેપારી પાસેથી ફરિયાદ વિરુદ્ધ લખાણ કરાવવામાં આવ્યું હતું. આ દરમિયાન વિશાલ બાલવાણી અને પ્રમુખ નીલ સોની વચ્ચે “પંચકેસ કેમ કરવામાં આવ્યો?” તે મુદ્દે વાદ વિવાદ થયો હોવાની માહિતી સૂત્રો આપી રહ્યા છે. પ્રમુખ નીલ સોનીએ સત્તાના હકથી સ્પષ્ટ આદેશ કર્યો છે કે, વેપારી પાસેથી બાકી રકમ વસૂલ કરવામાં આવે અને પાર્કિંગ જગ્યા પરથી હંગામી દુકાન તાત્કાલિક દૂર કરાય. આ ઘટનાથી રાજકીય દબાણ, સત્તાનો દુરુપયોગ અને નગરપાલિકાને આર્થિક નુકસાન પહોંચાડવા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. પૂર્વ પ્રમુખ ધર્મેશ કલાલની અધ્યક્ષતામાં પસાર થયેલ ઠરાવ છતાં તેમની ટીમના સગા વેપારીને ઓછી રકમ ભરાવી દેવામાં આવી હોવાના આક્ષેપો રાજકીય ગરમાવો વધારી રહ્યા છે. હવે નગરમાં એ મુદ્દે ચર્ચા છે કે બાકી નીકળતી રૂ. 4,09,200ની રકમ વેપારી અથવા ભલામણ કરનાર સદસ્ય જમા કરશે કે નહીં, નગરપાલિકા ક્યારે સત્તાવાર રીતે દબાણ દૂર કરવાની કાર્યવાહી અમલમાં મૂકે છે અને સત્તાના દુરુપયોગ મામલે શી સજા થાય છે. સમગ્ર પ્રકરણને કારણે દેવગઢ બારીયાનું રાજકારણ ગરમાયું છે અને આગામી પગલાં પર સૌની નજર છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 3:18 pm

સુરતમાં યુવકની 5 ચપ્પુના ઘા મારી હત્યા:પિતાએ હૈયાફાટ રુદન કરતાં કહ્યું, કોઈએ ચાકુ માર્યું ને ગેટની આગળ ફેંકી દીધો, મારી દુનિયા તો ખતમ થઈ ગઈ, એક જ હતો કમાનારો

ઔદ્યોગિક નગરી સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે. સુરતના સચિન GIDC વિસ્તારમાં મોડી રાત્રે એક ગંભીર હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં માત્ર 21 વર્ષીય યુવકને ફોન કરીને બોલાવ્યા બાદ ક્રૂરતાપૂર્વક પતાવી દેવાયો છે. યુવકને 5થી વધુ ચપ્પુના ઘા માર્યામળતી માહિતી મુજબ, મૃતક યુવકનું નામ ગગનકુમાર મહાનંદ દાસ છે, જેની ઉંમર માત્ર 21 વર્ષ હતી. હત્યારાઓએ ગગનકુમારને મોડી રાત્રે કોઈ બહાને ફોન કરીને સુરતના સચિન GIDC વિસ્તારમાં બોલાવ્યો હતો. અહીં અજાણ્યા હુમલાખોરોએ યુવક પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. ગગનકુમારને 5થી વધુ ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું. હત્યા બાદ તેના મૃતદેહને ફેંકી દેવામાં આવ્યો હતો. પિતાનું હૈયાફાટ રુદનઆ ઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. મૃતક ગગનકુમાર જ તેના પરિવારનો એકમાત્ર કમાનારો સભ્ય હતો. પુત્રની હત્યાના સમાચાર મળતા જ તેના પિતાનું હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું. પરિવારજનોના આક્રંદથી સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી. 'મારી દુનિયા ખતમ...'શોકમગ્ન પિતાએ કહ્યું, મારી દુનિયા તો ખતમ થઈ ગઈ છે. મારા માટે હવે કંઈ નથી બચ્યું. એક જ છોકરો હતો મારો, જે કમાઈને અમને ખવડાવતો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમમાં ખસેડાયો ઘટનાની જાણ થતાં જ સચિન GIDC પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસે હાલમાં હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હત્યારાઓને ઝડપવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યાપ્રાથમિક તપાસમાં પોલીસ હત્યા પાછળનું કારણ જાણવા પ્રયાસ કરી રહી છે. હત્યા જૂની અદાવતને કારણે થઈ છે કે કેમ, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હત્યારાઓને ઝડપી પાડવા માટે પોલીસે જુદી જુદી ટીમો બનાવી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી શરૂ કરી છે. વધુ વિગતો અને હત્યારાઓની ધરપકડ બાદ જ હત્યાના આ બનાવ પરનો ભેદ ઉકેલાશે. 'ત્યાં કેમેરા લાગેલા છે, કેમેરા પર ચેક કરીને ખબર પડી શકે છે'મુકેશ કુમાર (ભાઈ) એ જણાવ્યું હતું કે, ગગન કુમારની નાઈટમાં ડ્યુટી હતી. તેના પિતા 10 વાગ્યે તેને જમવાનું આપીને આવ્યા. 11:00-11:30 વાગ્યે ફોન આવ્યો કે કોઈએ તેને ચાકુ મારી દીધું છે. ત્યારબાદ અમે ઘટનાસ્થળ પર પહોંચ્યા, ત્યાં તે મૃત્યુ પામ્યો હતો. કોને ચપ્પુ માર્યું તેની જાણકારી નથી. ત્યાં કેમેરા લાગેલા છે, ત્યાં કેમેરા પર ચેક કરીને ખબર પડી શકે છે. મારનાર સાથે શું પ્રોબ્લેમ હતો, તે કોઈની સાથે શેર પણ નહોતો કરતો. 'અમે બે છોકરાઓને અહીંથી જતા જોયા'પિતાએ જણાવ્યું હતું કે, હું બિહારનો રહેવાસી છું. હું જ્યારે ડ્યુટી પરથી ગયો, તો છોકરાઓ મોં-હાથ ધોઈને ડ્યુટી પર ગયા હતા. તેઓએ હંગામી રૂપે ખાવાનું બનાવ્યું હતું. પછી મેં ખાવાનું બનાવ્યું. બટાકા-ચણાનું શાક અને રોટલી. ટિફિન લઈને ગયા. મેં તેને ટિફિન આપ્યું. પછી તેણે કહ્યું કે અમે ખાઈ લઈશું, તમે જાઓ પપ્પા. હું જતો રહ્યો. પછી અમે બે છોકરાઓને અહીંથી જતા જોયા. જેને અમે ઓળખીએ છીએ, જેને જોયો તે તેનો નજીકનો મિત્ર હતો. તેની સાથે શું છે, તે મને ખબર નથી. 'તેને કોઈએ ચાકુ માર્યું ને ત્યાં ગેટની આગળ ફેંકી દીધો હતો'વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે હું રોટલી વગેરે ખાઈને સૂઈ ગયો. ત્યારે લગભગ સાડા અગિયાર વાગ્યે ભાઈ મને બોલાવવા આવ્યા હતા કે ગગન સાથે કોઈ મારપીટ થઈ છે, ચાલો. અમે દોડીને દોડીને ગયા તો જોયું કે તેને કોઈએ ચાકુ માર્યું છે ત્યાં ગેટની આગળ ફેંકી દીધો હતો. હવે કોણે માર્યો, નથી માર્યો, એ તો અમને ખબર નથી. ત્યાં સીસીટીવી કેમેરા છે, ફૂટેજ છે, એ તમે ચેક કરી ખબર પડશે. લડાઈ કરનારો છોકરો ન હતો, તેને કોઈ ફોન કરીને તેને બોલાવ્યો છે, જે 1172માં કામ, 1272માં કામ કરે છે, તેને 753 કે 24 નંબરના ખાતામાં લાવીને તેને મારવામાં આવ્યો છે. દૂર લાવીને મારવામાં આવ્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે, મને ન્યાય જોઈએ. જે મારનાર છે, તેને સજા જોઈએ. મારી દુનિયા તો ખતમ થઈ ગઈ છે. હવે મારા માટે કંઈ નથી બચ્યું. એક જ છોકરો હતો કમાનારો, તેનાથી ઘર ચાલતું હતું. હું મજૂર છું. હું બીકે કંપનીમાં મજૂરી કરું છું, હેલ્પરનું કામ કરું છું.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 3:18 pm

હિંમતનગરના રાયગઢ-અડપોદરા રોડ પર દીપડો દેખાયો:વીડિયો વાઈરલ થતાં વન વિભાગે તપાસ કરી, બે દિવસ પહેલાં દેખાયાની પુષ્ટિ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાયગઢથી અડપોદરા રોડ પર બે દિવસ પહેલા રાત્રિના સમયે એક દીપડો જોવા મળ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાઈરલ થતાં વન વિભાગે તપાસ હાથ ધરી હતી. વન વિભાગે પુષ્ટિ કરી છે કે આ વીડિયો બે દિવસ જૂનો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાયગઢથી અડપોદરા રોડ પર રેલવે સ્ટેશન વિસ્તાર નજીક ઝાડીઓમાં દીપડો દેખાયો હતો. એક કાર ચાલકે દીપડાનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો, જે બાદમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. આ અંગે રાયગઢના RFO અનિરુદ્ધસિંહ સિસોદિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા દીપડો જોવા મળ્યો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ માહિતી મળતા જ વન વિભાગની ટીમે તે વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યું હતું, પરંતુ દીપડો ફરીથી જોવા મળ્યો ન હતો. તેમણે ઉમેર્યું હતું કે આ વિસ્તાર જંગલની નજીક હોવાથી દીપડો રોડ તરફ આવી ગયો હોઈ શકે છે. જોકે, પેટ્રોલિંગ દરમિયાન તેની હાજરી જણાઈ નથી.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 3:14 pm

અમદાવાદના આંગણે BAPSનો 'પ્રમુખ વરણી મહોત્સવ':રિવરફ્રન્ટ પર ભવ્ય કાર્યક્રમનું આયોજન, પ્રમુખ સ્વામીના પ્રદાનની સ્મૃતિ કરાવતા ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા

બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ (BAPS) સંસ્થાના પ્રમુખ સ્વામી મહારાજને સંસ્થાના પ્રમુખ તરીકેની પદવી મળ્યાનાં 75 વર્ષ પૂર્ણ થતાં સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રમુખ વરણી અમૃત મહોત્સવ કાર્યક્રમ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજવામાં આવી રહ્યો છે. આજે સાંજે રિવરફ્રન્ટ ખાતે યોજાનારા ભવ્ય સમારોહમાં પ્રમુખ સ્વામી મહારાજનાં માનવસેવામાં સમર્પિત અસંખ્ય કલ્યાણકારી યશસ્વી કાર્યોને વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા તેમના જન્મદિને ભાવાંજલિ આપવામાં આવશે. સાબરમતી નદીમાં 75 જેટલી ડેકોરેટિવ ગ્લો લાઈટિંગ સાથેની રાખવામાં આવેલી ફ્લોટિંગ હોડી આકર્ષણનું કેન્દ્ર બની છે. આજે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ 8 અને 9 ડિસેમ્બરે પણ આ ડેકોરેટિવ હોડીઓ રાખવામાં આવશે. અમદાવાદના આંગણે યોજાઈ રહેલા આ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, મોટી સંખ્યામાં હરિભક્તો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો હાજરી આપશે. 75 વર્ષ પૂર્ણ થતાં પ્રમુખ વરણી મહોત્સવ આયોજન કરવાનો નિર્ણયBAPS સંસ્થાના અક્ષરવત્સલ સ્વામીએ કાર્યક્રમ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજને BAPS સંસ્થાના પ્રમુખ તરીકે 75 વર્ષ પૂર્ણ થયાં છે. સંતોના વારસાને જાળવી રાખવા માટે અને નવી પેઢી સુધી પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય જીવન અંગેની ઝાંખી દર્શાવવામાં આવશે. પ્રમુખ સ્વામી મહારાજને અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી આંબલીવાળી પોળમાં BAPS સંસ્થાના સ્થાપક શાસ્ત્રીજી મહારાજ દ્વારા સૌપ્રથમ સંસ્થાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. પ્રમુખ તરીકે 75 વર્ષ પૂર્ણ થતાં પ્રમુખ વરણી મહોત્સવ આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રમુખ સ્વામીનાં જીવનકાર્યને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા પ્રસ્તુત કરાશેપ્રમુખ સ્વામી મહારાજના પ્રમુખ તરીકેની વરણીનાં 2025માં 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર વર્ષ દરમિયાન હજારો ભક્તોએ આંબલીવાળી પોળ સુધી પદયાત્રા કરીને, ચાદર ઓઢાડીને વિવિધ રીતે ભક્તિ-અર્ઘ્ય અર્પણ કર્યું હતું. પ્રમુખપદ ગ્રહણ કરતી વખતે પ્રમુખ સ્વામી મહારાજે લીધેલી પ્રતિજ્ઞાઓને તેમના જીવનનાં 95 વર્ષ સુધી સાકાર થયેલી લાખો લોકોએ અનુભવી છે. પ્રચંડ પુરુષાર્થ દ્વારા સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મની મહાન પરંપરાઓને વિસ્તારીને તેમણે વિરાટ સ્વરૂપ આપ્યું. પ્રમુખ વરણી અમૃત મહોત્સવમાં સૌને સમર્પિત આ ભવ્ય અને દિવ્ય જીવનકાર્યને અનેકવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. 50,000 આમંત્રિતો ભવ્ય કાર્યક્રમ નિહાળશેસાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આજે સાંજે યોજાનારા સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતામંત્રી અમિત શાહ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો અને 300થી વધારે સાધુ-સંતો ઉપસ્થિત રહેશે. રિવરફ્રન્ટ ખાતે યોજાનારા કાર્યક્રમમાં માત્ર આમંત્રિતોને જ બોલાવવામાં આવ્યા છે, જેથી શહેરના વિવિધ વિસ્તારોમાંથી અંદાજે 50,000 જેટલા આમંત્રિતો ભવ્ય કાર્યક્રમ નિહાળવા માટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવશે. આમંત્રિતો સિવાય દેશ-વિદેશના લાખો ભક્તો-ભાવિકો પોતાના ઘરે અથવા મંદિરોના સભાગૃહોમાં જીવંત પ્રસારણ દ્વારા આ કાર્યક્રમને માણશે. આસ્થા ભજન ચેનલ અને live.baps.org તથા અન્ય પ્રસાર માધ્યમો દ્વારા આ અભૂતપૂર્વ કાર્યક્રમને ઘેરબેઠાં માણી શકશે લોકોને કાર્યક્રમ સ્થળ સુધી લાવવા 500થી વધુ બસો મૂકવામાં આવીસાંજે યોજાનારા ભવ્ય કાર્યક્રમને લઈને અમદાવાદમાં જ રહેતા હરિભક્તોને આમંત્રણ આપવામાં આવ્યું હોવાથી દરેક વિસ્તારમાં સ્વામિનારાયણ સંસ્થા દ્વારા AMTS બસો મૂકવામાં આવી છે. દરેક વિસ્તારમાં જે લોકોને આમંત્રણ કાર્ડ આપવામાં આવ્યાં છે તેમને કાર્યક્રમ સ્થળ સુધી લાવવા માટે 500થી વધુ બસો મૂકવામાં આવી છે. દરેકના વિસ્તાર નક્કી કરવામાં આવ્યા છે, જ્યાંથી બસમાં તેમને લેવા આવશે અને પરત તેમના સ્થાન સુધી લઈ જવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટ પર ચારથી વધુ જગ્યાએ પાર્કિંગ રાખવામાં આવેલાં છે, જેમાં સ્વયંસેવકો રહેશે. છેલ્લા બે મહિનાથી આ કાર્યક્રમને લઈ તૈયારીઓ કરવામાં આવી છે. આ કાર્યક્રમ માટે કુલ 20 જેટલા સેવા વિભાગો અને 5000 જેટલા સ્વયંસેવકો રહેશે. વાહનોના પાર્કિંગ માટે રિવરફ્રન્ટ આગળ ટ્રાફિક નિયમન કરવા સ્વયંસેવકો રહેશે. 21 મે, 1950માં પ્રમુખ સ્વામીને BAPSના આજીવન પ્રમુખ તરીકે નિમાયાBAPSના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે વિક્રમ સંવત 2006 (21 મે, 1950)ના જેઠ સુદ 4ના દિવસે રવિવારે અમદાવાદના શાહપુર વિસ્તારમાં આંબલીવાળી પોળમાં આવેલા નાના એવા મંદિરમાં સાંજે 5 વાગ્યે પોતાની સાધુતા અને પવિત્ર પ્રતિભાથી સત્સંગીઓના પ્રીતિપાત્ર, સંતોના આદરપાત્ર અને ગુરુ શાસ્ત્રીજી મહારાજના કૃપાપાત્ર બનેલા નવયુવાન સંત શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસજીને, સંસ્થાની વ્યવસ્થાપક કમિટીના સભ્યોની ઉપસ્થિતિમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના આજીવન પ્રમુખ તરીકે - નિયુક્ત કર્યા હતા. બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનું દીક્ષિત નામ તો શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસજી હતું, પરંતુ શાસ્ત્રીજી મહારાજે તેમને સંસ્થાના પ્રમુખપદે નિયુક્ત કર્યા ત્યારથી તેઓ ‘પ્રમુખ સ્વામી મહારાજ’ના વહાલસોયા નામથી કરોડો લોકોના હૃદયમાં બિરાજમાન થઈ ગયા. પ્રમુખ સ્વામી મહારાજે જીવનભર દેહની પરવાહ કર્યા વિના સેવાકાર્યો કર્યાં​​શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસજીએ(પ્રમુખ સ્વામી મહારાજે) વિનમ્રતાપૂર્વક પ્રતિજ્ઞા લીધી હતી કે “મારા દેહની પરવા કર્યા વિના હું મારું કર્તવ્ય બરાબર બજાવી આપનો કૃતકૃત્ય બનીશ.” આ પ્રતિજ્ઞા મુજબ તેઓ જીવનભર દેહની પરવા કર્યા વિના સેવામય રહ્યા હતા અને હજારો લોકસેવાનાં અભિયાનો કરી અનેક પ્રદાનો આપ્યાં હતાં. 1939માં પ્રમુખ સ્વામી મહારાજને 18 વર્ષે પાર્ષદ દીક્ષા આપી હતીBAPS સ્વામિનારાયણ સંસ્થા આજે વિશ્વવ્યાપી આધ્યાત્મિક-સામાજિક સંગઠન તરીકે ઊભરી રહી છે. આ સંસ્થાના વિકાસમાં જ્યાં ખૂબ મહત્ત્વના નિર્ણયો લેવાયા છે, એવું મહાપ્રાસાદિક સ્થાન એટલે આંબલીવાળી પોળ-યજ્ઞપુરુષ પોળ છે. 1938માં BAPSના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અહીંથી સંસ્થાના અદ્વિતીય ગુજરાતી સામાયિક ‘સ્વામિનારાયણ પ્રકાશ’ નો આરંભ કરીને એક આંતરરાષ્ટ્રીય પ્રકાશન પ્રવૃત્તિનું બીજારોપણ કર્યું હતું. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આ જ સ્થાનમાં 1939માં પ્રમુખ સ્વામી મહારાજને 18 વર્ષે પાર્ષદ દીક્ષા આપી હતી. અમદાવાદમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાનું સૌપ્રથમ હરિમંદિર 1940માં આંબલીવાળી પોળમાં કરવામાં આવ્યું હતું. પ્રમુખ સ્વામીના જન્મ શતાબ્દી વર્ષે આંબલીવાળી પોળનું નવીનીકરણ કરાયું હતુંબ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે 1942માં બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજને તેમની 20 વર્ષની ઉંમરે અહીં સંસ્કૃત વિદ્યાભ્યાસ કરવાની આજ્ઞા કરી હતી. ઉપરાંત 1949માં પણ શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજને અહીં રહીને પુનઃ સંસ્કૃત વિદ્યાભ્યાસની આજ્ઞા કરી હતી. આ આંબલીવાળી પોળમાંથી બી.એ.પી.એસ.ના ગઢડા મંદિર નિર્માણ તથા અમદાવાદના શાહીબાગ ખાતેના મંદિર નિર્માણ અંગેના નિર્ણયો લેવાયા છે. 2022માં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી વર્ષે આંબલીવાળી પોળનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 2:51 pm

નારણપુરા ફાટક અને મકરબામાં ચોરીની ધટના:મહિલાના એક્ટિવાની ડેકીમાંથી ATM ચોરી ચોરે 65 હજાર ઉપાડી લીધા, કારમાંથી કાળા કલરનો થેલો તસ્કરો લઈને ફરાર

અમદાવાદમાં ચોરીની બે ઘટના બની છે. જેમાં મકરબા ઓડા ગાર્ડન ખાતે ચાલવા માટે ગયેલા મહિલાના એક્ટિવા ટુ વ્હીલરની ડેકીમાંથી ATM ચોરી ચોરે 65 હજાર ઉપાડી લીધા હતાં. જ્યારે બીજ બનાવમાં નારણપુરા ફાટક પાસે કારમાંથી કાળા કલરનો થેલો તસ્કરો લઈને ફરાર થયા હતા. મકરબા ઓડા ગાર્ડન પાસે ટુ વ્હીલરની ડેકીમાંથી ચોરીઅમદાવાદના વેજલપુરમાં રહેતા મિતલબેન રાઠોડ રામોલ ખાતે આવેલી બેંકમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. 12 નવેમ્બરે સાંજે નોકરી પરથી પરત ફર્યા બાદ એક્ટિવા લઈને મકરબા ઓડા ગાર્ડન ખાતે ચાલવા માટે ગયા હતા.મિતલબેને તેમની એક્ટિવા ટુ વ્હીલર પાર્કિંગની જગ્યાએ પાર્ક કરી હતી. સાંજે 6.55 વાગ્યે મિતલબેન ગાર્ડનમાંથી બહાર આવીને એક્ટિવા લઈને વેજલપુર પોલીસ ચોકી પાસે આવેલી ઝેરોક્ષની દુકાને પહોંચ્યા, ત્યારે તેમને ખબર પડી કે એક્ટિવાની ડેકી ખુલ્લી છે અને અંદર મૂકેલું પર્સ ગાયબ છે.પર્સમાં 10,000 રોકડા હતા. 75 હજારની ચોરીની ફરિયાદ નોંધાઈઆ ઉપરાંત પર્સમા એટીએમ કાર્ડ,બે મેમ્બરશીપ કાર્ડ, ઈલેક્શન કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને એક્ટિવાની આર.સી. બુક હતી.ચોરે એટીએમ કાર્ડનો ઉપયોગ કરીને રૂપિયા 25,000 અને 40,000 ઉપાડી લીધા હતા. કુલ 75 હજારની ચોરી મામલે સરખેજે પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે. નારણપુરા ફાટક પાસે ચોરીસાબરમતીમાં રહેતા અલ્પેશ સુખડિયા નવરંગપુરામાં 'કેપિટલ ટ્રાવેલ્સ' નામની ઓફિસ ચલાવે છે.અલ્પેશભાઈ નારણપુરા ફાટક પાસે કપિલકુંજ સોસાયટી પાસેથી કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે મોટરસાયકલ પર સવાર બે શખ્સે તેમની કારને પાછળના ભાગે સામાન્ય ટક્કર મારી હતી. જે બાદ તરત જ આ ઈસમો કારના કાચ ઉપર જોર જોરથી હાથ મારીને અલ્પેશભાઈ સાથે ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યા હતા. 2.50 લાખ રોકડા લઈને તસ્કરો ફરારજ્યારે અલ્પેશભાઈએ કારનો ડાબી બાજુનો કાચ ખોલ્યો, ત્યારે મોટરસાયકલ પર પાછળ બેઠેલા શખ્સે નજર ચૂકવીને કારની આગળની સીટમાં મૂકેલો કાળા કલરનો થેલો ચોરી લીધો હતો. ચોરી થયેલા કાળા થેલામાં રોકડા રૂપિયા 2,50,000, ચેક બુક, પાનકાર્ડ, આધારકાર્ડ, ડેબીટ કાર્ડ, અને ઓફિસની ચાવીઓ જેવા મહત્વના દસ્તાવેજો અને વસ્તુઓ હતી.આ અંગે નારણપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 2:33 pm

જેલ ખાતે આવાસોનું લોકાર્પણ:જુનાગઢ જિલ્લા જેલ ખાતે ₹11.30 કરોડના ખર્ચે નવનિર્મિત 43 આવાસ અને મહિલા બેરેકનું મંત્રી કમલેશ પટેલે લોકાર્પણ કર્યું.

જુનાગઢ જિલ્લા જેલ ખાતે જેલ,પોલીસ હાઉસિંગ, ગૃહ રક્ષક દળ,અને નશાબંધી વિભાગના મંત્રી કમલેશ પટેલના હસ્તે પોલીસ આવાસ નિગમ દ્વારા નવનિર્મિત જેલ કર્મચારીઓના આવાસ સંકુલ અને જેલના પરિસરમાં તૈયાર કરાયેલી આધુનિક મહિલા બેરેક સહિતની વિવિધ સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ, મહાનગરપાલિકાના મેયર અને ડેપ્યુટી મેયર, સ્થાનિક ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ, જિલ્લા પોલીસ તંત્ર, વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી કમલેશ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગૃહ વિભાગ અને જેલ કર્મચારીઓના પરિવાર માટે આ સુખદ અવસર છે. સરકારનો હંમેશા પ્રયાસ રહ્યો છે કે પોલીસ અને જેલ વિભાગના કર્મચારીઓના પરિવારોને સુખ-સુવિધાઓથી સજ્જ સારા આવાસોમાં રહેવાનો લાભ મળે. તેમણે ઉમેર્યું હતું કે, ગૃહ મંત્રીના સક્રિય નેતૃત્વ હેઠળ સરકાર દ્વારા પોલીસ આવાસના મકાનો અને નવા ભવનો વહેલી તકે બને અને તેના લોકાર્પણ થાય તે દિશામાં તમામ સુવિધાઓના કામો પૂરજોશમાં કરવામાં આવી રહ્યા છે. જુનાગઢ જિલ્લા જેલ અધિક્ષક જે.આર. સિસોદિયાએ આ કાર્યક્રમ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, આજે કુલ 43 આવાસ અને અન્ય બિન-રહેણાંકીય મકાનો તેમજ વહીવટી કામગીરી માટેના ભવનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કુલ ₹11.30 કરોડના ખર્ચે 43 થી વધુ આવાસોનું નિર્માણ થયું છે, જે કર્મચારીઓના રહેણાંકની સમસ્યા હળવી કરશે. આ તમામ સુવિધાઓનો ઉદ્દેશ્ય જેલ કર્મચારીઓની કામગીરી અને તેમના જીવનધોરણને સુધારવાનો છે. આ લોકાર્પણ સમારોહમાં હાજર રહેલા તમામ સ્થાનિક અગ્રણીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 2:23 pm

ઈન્ડિગો સંકટ: અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો માટે રેલવેએ શરૂ કર્યું વિશેષ કાઉન્ટર

(IMAGE - IANS) IRCTC have set up a helpdesk counter at Ahmedabad Airport: ઈન્ડિગોની સેંકડો ફ્લાઇટ્સ રદ થવાને કારણે હવાઈ મુસાફરોને થઈ રહેલી ભારે પરેશાની વચ્ચે ભારતીય રેલવેએ એક મોટી પહેલ કરી છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોની મદદ માટે રેલવેએ એક વિશેષ હેલ્પડેસ્ક કાઉન્ટર શરૂ કર્યું છે.

ગુજરાત સમાચાર 7 Dec 2025 2:14 pm

બોટાદના પીપળીયા ગામેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો:પોલીસે ₹5.17 લાખની 1872 બોટલ જપ્ત કરી, તપાસ શરૂ

બોટાદ જિલ્લાના પીપળીયા ગામેથી પાળીયાદ પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹5,17,248 ની કિંમતની 1872 બોટલ જપ્ત કરી છે.પાળીયાદ પોલીસ નાઈટ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પીપળીયા ગામમાં પ્રતાપભાઈ કાથડભાઈ ખાચરના વંડામાં આવેલા ઢાળિયામાં દારૂનો આ જથ્થો સંતાડવામાં આવ્યો હતો.ઝડપાયેલા દારૂમાં રોયલ ચેલેન્જર ફાઇન રિઝર્વ વ્હીસ્કીની 1392 બોટલ અને મેક ડોલ્સ નં-1 ઓરિજિનલ બ્લેન્ડેડ વ્હિસ્કીની 480 બોટલનો સમાવેશ થાય છે. આમ, કુલ 1872 બોટલ જપ્ત કરવામાં આવી છે.પોલીસે દારૂનો જથ્થો અને અન્ય મુદ્દામાલ જપ્ત કરીને ગુનો નોંધ્યો છે. આ કેસમાં વધુ તપાસ PI પી.ડી. વાંદા દ્વારા હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 2:13 pm

પ્રધાનમંત્રી આવાસના મકાન અપાવવાના નામે ઠગાઈ:વડોદરાના 4 લોકો પાસેથી અમદાવાદમાં રહેતા ઠગ એજન્ટે 1.78 લાખ રૂપિયા પડાવ્યા, સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા પ્રધાનમંત્રી આવાસના મકાનો અપાવવાનું કહી ઠગ એજન્ટ દ્વારા 4 લોકો પાસેથી રૂપિયા 1.78 લાખ પડાવ્યા હતા. સરકારી કામમાં તેને મોટા સાહેબ ઓળખે છે અને ચોક્કસ તમને મકાન અપાવીશ, તેમ કહીને લોકોનો વિશ્વાસ કેળવ્યો હતો. પરંતુ આ એજન્ટે મકાન નહીં અપાવતા તેની સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ નરહરિ હોસ્પિટલ પાછળ કમાટીપુરા ખાતે રહેતા ગુલાબસિંગ ઉદેસીંગ જાદવને વડોદરા શહેરના સમા વિસ્તારમાં બનેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન ખરીદવું હતું, જેથી તેઓ મકાન મેળવવા માટે જુલાઈ-2024મા માહીતી તથા જરૂરી દસ્તાવેજ ભેગા કરતા હતા. તેમની પાડોશમાં રહેતા કીર્તિબેન કહારે તેમની પત્ની પદમાનો સંપર્ક કર્યો હતો અને જણાવ્યુ હતું કે, તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન મેળવવા માટે ફોર્મ ભરેલું છે. ફોર્મ ફરવાની પ્રોસેસ સંજય રાજુભાઈ પ્રજાપતિ મારફતે છે. સંજય પ્રજાપતિ પ્રધાનમંત્રી આવાસ યોજનાના એજન્ટ તરીકે કામ કરે છે અને તેઓની કોર્પોરેશની ઓફિસમાં પહોંચ હોવાથી ગેરેન્ટીથી મકાન અપાવી શકે છે તેમ જણાવતા દંપતીને સંજય પ્રજાપતિ થકી ફોર્મ ભરાવવાનુ નક્કી કર્યું હતું. સંજય પ્રજાપતિ દંપતીના ઘરે ગયો3 હતો. તેમને સરકારી કામમાં તેને મોટા સાહેબ ઓળખે છે અને ચોક્કસ તમને મકાન અપાવીશ તેવો વાયદો કર્યો હતો અને ઉપર સાહેબને રૂ.50 હજાર આપવા પડશે તેમ જણાવ્યુ હતુ. સંજય પ્રજાપતિ ઉપર વિશ્વાસ કરીને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લઈ મકાન મેળવવા માટેનું ફોર્મ ભરવાનુ નકકી કર્યું હતું અને જરૂરી ડોક્યુમેન્ટ આપ્યા હતા. ત્યારબાદ સંજય પ્રજાપતિએ તેમને ફોન કરીને ફાઈલ ચાર્જ અને સાહેબને આપવાના છે, તેમ કહીને ગુલાબસિંગ જાદવ પાસે રૂપિયા માંગ્યા હતા, જેથી તેમણે સંજય પ્રજાપતિને 59 હજાર રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ એક માસ પછી સંજય પ્રજાપતિનો સંપર્ક કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે, આજકાલમાં તમારા ઘરે લેટર આવશે. પરંતુ કોઈ મકાન મળ્યું હોવાનો લેટર આવ્યો ન હતો અને પરંતુ કોઈ આવાસનું મકાન અપાવ્યું ન હતું. સંજય પ્રજાપતિ અલગ અલગ વ્યક્તિઓ પાસેથી પ્રધાનમંત્રી આવાસ યોજના મકાન અપાવવાના બહાને પૈસા લીધા હોવાની હકિકત જાણવા મળી હતી. જેમાં પાડોશી સતિષ ખાનવીલકર પાસેથી પણ રૂપિયા 54 હજાર તથા પટેલ મયંક પાસેથી 39 હજાર તેમજ કીર્તિબેન પાસેથી 32 હજાર મળી કુલ રૂપિયા 1.78 લાખ પડાવ્યા હતા. પરંતુ કોઈને મકાન અપાવ્યું ન હતું. જેથી ગુલાબસિંગ જાદવે સંજય પ્રજાપતિ સામે ઠગાઈની ફરિયાદ નોંધાવતા પોલીસે તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. આરોપી સંજય રાજુ પ્રજાપતિ (રહે.ચંદ્રભાડા હાઉસિંગ બોર્ડ, નવાવાડજ, અમદાવાદ અને સમા, જલારામ મંદિર પાસે, વડોદરા)એ ગુલાબસિંગ જાદવને પ્રધાનમંત્રી આવાસ યોજનાનુ ફોર્મ ભરી આપી ચોક્કસ મકાન મળી જશે. તેઓ પાકો વિશ્વાસ આપી મારી પાસેથી રૂ. 59 હજાર મેળવી લીધા હતા. મકાન નહી મળે તો પરત રૂ.32 હજાર મળી જશે તેમ જણાવ્યુ હતું. તે પ્રમાણે મકાન નહીં અપાવતા તેણે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો ચેક રૂ.32 હજારનો ચેક લખીને આપ્યો હતો. જે ગુલાબ સિંગ જાદવે પોતાના ખાતામાં જમા કરાવવા બેંકમા જતા બંધ એકાઉન્ટનો ચેક હોવાનું જાણવા મળ્યું હતું.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 2:08 pm

બાળવિદ્વાનોએ સમૂહ પૂજા:પ્રમુખ સ્વામી મહારાજનાં જન્મદિવસે 350 થી વધુ બાળ વિદ્વાનોએ સમૂહ પૂજા કરી

BAPS સ્વામિનારાયણ સંસ્થાના બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનાં તારીખ પ્રમાણેના જન્મદિવસ નિમિત્તે આજે ભાવનગર અક્ષરવાડી BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે એક ભક્તિમય અને અદભુત કાર્યક્રમ યોજાયો હતો. સત્સંગ દીક્ષાના શ્લોકપાઠ કરનાર બાળ વિદ્વાનો ​મંદિર પરિસરમાં વહેલી સવારે 350 કરતાં પણ વધારે બાળવિદ્વાનોએ ભગવાનની સમૂહમાં વ્યક્તિગત પૂજા કરી હતી. આ એવા બાળકો છે જેમણે મહંત સ્વામી મહારાજ લિખિત 'સત્સંગ દીક્ષા' ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકોનો મુખપાઠ કર્યો છે. આટલી મોટી સંખ્યામાં બાળ વિદ્વાનોનું એકસાથે પૂજન દૃશ્યમાન થતાં વાતાવરણમાં અનેરી આધ્યાત્મિકતા છવાઈ ગઈ હતી. આધ્યાત્મિક અભિગમનું સિંચન ​બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ દ્વારા સ્થાપિત અને બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા સંવર્ધિત આ બાળ મંડળના બાળકોએ તેમની પ્રતિભાથી સૌને પ્રભાવિત કર્યા હતા. મહંત સ્વામી મહારાજે બાળકોની અંત:શક્તિને બહાર લાવીને તેમનામાં આધ્યાત્મિક અભિગમ વિકસાવ્યો છે. ​આ સંસ્કાર સિંચન દ્વારા બાળકોને કળિયુગમાં વ્યસન અને દુષણોથી દૂર રાખીને સુસંસ્કાર તરફ વાળીને સમાજને એક બહુ મોટી ભેટ આપવામાં આવી છે. આ પ્રવૃત્તિ બાળકો અને સમગ્ર સમાજને એક નવી અને ઉત્કૃષ્ટ રાહ ચીંધે છે. ​ભાવનગરમાં સંતો અને બાળ કાર્યકર્તાઓ દ્વારા અનેક વિવિધ પ્રવૃત્તિઓ સાથે બાળ મંડળો ચાલી રહ્યા છે. આજે જ્યારે આ બાળકો તેમની કાલી ઘેલી ભાષામાં ભગવાન સમક્ષ વ્યક્તિગત પૂજામાં લીન થયા હતા, ત્યારે સર્જાયેલું દૃશ્ય અત્યંત મનમોહક હતું. જાણે સાક્ષાત ભગવાન પોતે જ તેમની બાળભક્તિથી પ્રસન્ન થઈ દર્શન દેવા પધાર્યા હોય તેવું અલૌકિક વાતાવરણ ખડું થયું હતું.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 2:07 pm

અડાલજ-ખોરજ નજીકની નર્મદા કેનાલમાં વૃદ્ધની મોતની છલાંગ:ફાયર ટીમે બહાર કાઢી CPR આપી જીવ બચાવ્યો, વૃદ્ધના પેટમાં પાણી જતા અર્ધબેભાન હતા

ગાંધીનગરના અડાલજ-ખોરજ નજીક આવેલી નર્મદા કેનાલમાં અમદાવાદના છારોડી વિસ્તારના એક 54 વર્ષીય વૃદ્ધે અગમ્ય કારણોસર પડતું મૂકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે કેનાલના ધસમસતા પ્રવાહમાં તણાઈ રહેલા વૃદ્ધને ગાંધીનગર ફાયર બ્રિગેડના 11 જવાનોની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી બહાર કાઢીને સમયસર CPR આપીને તેમનો જીવ બચાવી લેવાયો હતો. નર્મદા કેનાલમાં વૃદ્ધે મોતની છલાંગ લગાવીગાંધીનગરના અડાલજ-ખોરજ નજીક આવેલી નર્મદા કેનાલમાં અમદાવાદના છારોડી વૈષ્ણોદેવી સર્કલ પાસે એક સોસાયટીમા રહેતા 54 વર્ષીય વૃદ્ધે છલાંગ લગાવ્યા બાદ બચવાના નિરર્થક પ્રયાસો શરૂ કર્યા હતા. જોકે તેઓ કિનારા તરફ પહોંચવાને બદલે કેનાલની વચોવચ પહોંચી ગયા હતા અને જીવન-મરણના ઝોલા ખાઈ રહ્યા હતા. પાણીના ધસમસતા પ્રવાહમાં વૃદ્ધ વચોવચ ફસાયા હતાદરમિયાન કેનાલમાં કોઈ વ્યક્તિ ડૂબી રહ્યું હોવાનું જોઈને રાહદારીઓ એકઠા થયા હતા અને તાત્કાલિક ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ત્યારે સિનિયર ફાયર ઓફિસરની ગેરહાજરીમાં જ પ્રથમ સરગાસણ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જોકે ઉપરથી શાંત દેખાતી કેનાલના નીચેના પાણીનો પ્રવાહ ખૂબ જ ધસમસતો હોવાથી અને વૃદ્ધ વચોવચ ફસાયેલા હોવાથી વધુ મદદની જરૂર પડી હતી. વૃદ્ધને અર્ધબેભાન હાલતમાં જીવતા બહાર કાઢ્યાજેના તાત્કાલિક સેક્ટર 17 ફાયર બ્રિગેડની ટીમને પણ કેનાલ પર રવાના કરવામાં આવી હતી. બાદમાં સરગાસણ અને સેક્ટર 17 ફાયર બ્રિગેડની કુલ 11 જવાનોની ટીમે ભારે જહેમત બાદ વૃદ્ધને અર્ધબેભાન હાલતમાં કેનાલમાંથી જીવતા બહાર કાઢી લીધા હતા. કેનાલમાં પડવાના કારણે વૃદ્ધના પેટમાં પાણી પણ જતું રહ્યું હતું. ફાયર ટીમે વૃદ્ધને CPR આપી જીવ બચાવ્યોઆમ વૃદ્ધની નાજુક સ્થિતિ પારખીને ફાયર બ્રિગેડના જવાનોએ તુરંત CPR આપવાનું શરૂ કર્યું હતું. અને ફાયર જવાનોના સમયસરના આ પગલાથી વૃદ્ધનો જીવ બચી ગયો હતો. બાદમાં વૃદ્ધને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. દરમિયાન વૃદ્ધ ના દીકરાને આ ઘટનાની જાણ થતાં તે પણ હોસ્પિટલ પહોંચી ગયો હતો. આ મામલે પોલીસે વૃદ્ધે કયા કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો તે જાણવા માટે આગળની કવાયત શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 2:06 pm

AAPના વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોની અટકાયત:નેતાઓ પર હુમલાના વિરોધમાં ભરૂચમાં કાર્યવાહી; કાર્યકરોએ હાથમાં બેનરો લઈને સૂત્રોચ્ચાર કર્યા

ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા તેમના નેતાઓ પર થઈ રહેલા હુમલાઓના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે AAPના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી. આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ પર સતત થઈ રહેલા હુમલાઓ તેમજ જામનગરમાં ગોપાલ ઈટાલિયા સાથે બનેલી તાજેતરની ઘટનાના વિરોધમાં ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં AAP દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ હાથમાં બેનરો લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ મામલે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું હતું કે, જામનગરમાં કોંગ્રેસના ત્રણ કોર્પોરેટરો AAPમાં જોડાયા બાદ ભાજપ-કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ મળીને રાજકીય ષડયંત્ર રચ્યું હતું. તેમણે AAP કાર્યકરો પર જૂતું ફેંકાવવાનો પ્રયાસ કર્યો હોવાનો AAP દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. પક્ષનું કહેવું છે કે આ પ્રવૃત્તિઓ રાજકીય દમન અને વિરોધીઓને દબાવવાનો પ્રયાસ છે. આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેઓ આ અપ્રત્યક્ષ હુમલાઓ, રાજકીય દમન અને દબાવની રાજનીતિ સામે ઝૂકશે નહીં. આના વિરોધમાં રાજ્યના તમામ જિલ્લા મથકો પર વિશાળ વિરોધ પ્રદર્શન યોજવાની જાહેરાત કરવામાં આવી છે. ભરૂચના રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ દરમિયાન એ ડિવિઝન પોલીસે વિરોધ કરી રહેલા આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 1:59 pm

કચ્છમાં ખનીજ ચોરી રોકવા ટાસ્કફોર્સની રચના:કલેક્ટરે ટાસ્ક ફોર્સમાં વિવિધ વિભાગના અધિકારીઓનો સમાવેશ કર્યો, હેલ્પલાઇન નંબર જાહેર

કચ્છમાં ખનીજ ચોરી અટકાવવા માટે કચ્છ કલેક્ટર આનંદ પટેલે જિલ્લા ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ ટાસ્ક ફોર્સમાં ખાણ ખનીજ, રેવન્યુ અને ડીએલઆઈઆરના સર્વેયર સહિતના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, આ ટાસ્ક ફોર્સ ખનીજ ચોરીના સ્થળ પર જ માપણી કરી શકે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. છેલ્લા દસ દિવસમાં ટાસ્ક ફોર્સ દ્વારા 15 જેટલી કાર્યવાહી કરીને 20 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. આ વાહનો સામે દંડની કાર્યવાહી માટે આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ખનીજ ચોરી અંગે નાગરિકો માહિતી આપી શકે તે માટે કચ્છ વહીવટી તંત્ર દ્વારા બે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મો.8758979966 અને 7016315455 આ નંબર પણ નાગરિકો માહિતી આપી શકે છે. કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, નાગરિકો મુક્તપણે ખનીજ ચોરીની માહિતી આપી શકે છે અને માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 1:57 pm

યુવકનું સગીરા પર દુષ્કર્મ, કાકાને જાણ થતા છરીથી પતાવી દીધા:અમદાવાદમાં હત્યારાએ જ કપડા બદલી મૃતકને હોસ્પિટલમાં ખસેડ્યો

અમદાવાદના મેઘાણીનગરમાં 1 નવેમ્બરના પ્રેમી યુવકે જાહેરમાં સગીરાના કાકાની છરીના ઘા મારીને હત્યા કરી હતી. આ મામલે પોલીસે ગુનો નોધીને આરોપીની ધરપકડ કરી હતી. જેમાં આરોપીએ સગીરા સાથે પ્રેમસંબંધ હોવાથી તેની સાથે દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી દવા આપી સારવાર કરાવી હતી. તેની જાણ સગીરાના કાકાને થતા હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ અંગે મેઘાણીનગર પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ આરોપી સામે બીજો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. 1 નવેમ્બરની મોડીરાતે અમદાવાદ પ્રેમી સગીરાના કાકાની હત્યાઅમદાવાદ મેઘાણીનગરમાં આવેલા ભાર્ગવ રોડ પર ચાલતા ચાલતા મિત્ર સાથે જઈ રહેલા કાકાની 1 નવેમ્બરની મોડીરાતે હત્યા કરવામાં આવી હતી. કાકા સંયુક્ત પરિવારમાં રહેતો અને નોકરી કરીને ગુજરાન ચલાવતો હતો. કાકા ચાલતો હતો ત્યારે રામકુમારસિંગ ઉર્ફે છોટુ આવ્યો હતો અને પીઠ પર છરીના આડેધડ ઘા ઝીંકીને ફરાર થઈ ગયો હતો. સગીરાના કાકા લોહીથી લથબથ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલ ખસેડાતા તેનું સારવારમાં મોત થયું હતું. પીઠ પર છરીના આડેધડ ઘા ઝીંકનાર ઝડપાયોમેઘાણીનગરમાં 1 નવેમ્બરના કાકાની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે પીઆઇ વી.કે.દેસાઇની બાતમીના આધારે આરોપી રામકુમારસિંગ ઉર્ફે છોટુ રામનરેશસિંહ તોમરની ધરપકડ કરી હતી. સગીરા પર આરોપીએ દુષ્કર્મ આચરતાં ગર્ભવતી થઇ ત્યારબાદ પોલીસે આરોપીની પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યું કે 16 વર્ષીય સગીરા પર ઓગસ્ટ 2025માં દુષ્કર્મ આચર્યું હોવાની જાણ થઇ હતી.જેના કારણે સગીરા ગર્ભવતી થઇ હતી. જો કે, રામકુમારસિંહે દવા આપી સારવાર કરાવી દીધી હતી. આ ઉપરાંત આરોપી અવાર નવાર સગીરાને જુદી જુદી જગ્યાએ લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો. દુષ્કર્મની કાકાને ખબર પડતા આરોપીએ કાકાને પતાવી દીધાઆ મામલે સગીરાની માતાની પોલીસે પુછપરછ કરતા સગીરાએ સમગ્ર મામલે ઘટસ્ફોટ કર્યો હતો અને આરોપીએ અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાનું સામે આવ્યું હતું. તેમજ સગીરાના કાકાને આ અંગે જાણ થતા રામકુમારસિંગે તેની હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. પોક્સો, બળાત્કાર સહિતની કલમ હેઠળ ફરિયાદઆ અંગે સગીરાની માતાએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં આરોપી સામે પોક્સો, બળાત્કાર સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, હાલ તો આરોપીની હત્યા કેસમાં પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. જો કે, તે કેસમાં કસ્ટડી થયા બાદ બળાત્કાર કેસમાં પોલીસ આરોપીની ટ્રન્ફર વોરંટના આધારે ધરપકડ કરી તપાસ કરાશે. 'આરોપી છરી લઈને અગાઉથી મૃતકની રાહ જોઈને ઊભો હતો'પીઆઈ વિજય દેસાઈએ જણાવ્યું હતું કે, આરોપી રીક્ષા લઈને હત્યાના દિવસે આવ્યો હતો. આરોપીએ છરી લઈને બનાવ સ્થળ પર અગાઉથી મૃતકની રાહ જોઈને ઊભો હતો. મૃતક આવતા પાછળથી છરો માર્યો હતો જે મૃતકને પાઠથી છાતી તરફ આરપાર થઈ ગયો હતો. હત્યા બાદ આરોપી ફરીથી રીક્ષા પાસે પહોંચી ગયો હતો અને સ્વેટર બદલીને હત્યાના સ્થળે પહોંચ્યો હતો. આરોપીને એમ્બ્યુલન્સ બોલાવીને મૃતકને હોસ્પિટલ સુધી પણ પહોચાડ્યા હતા. પીઆઈએ વધુમાં જણાવ્યું હતું કે,આરોપીએ બીએસસી મેથેમેટીક્સ ભણેલો હોવાથી પોલીસથી બચવા મિનિટોની ગણતરી કરીને પોલીસને ગોઠે ચઢાવતો હતો. પરંતુ પોલીસે સીસીટીવી અને અન્યથી આરોપીની સઘન પૂછપરછ કરતા તેને ગુનાની કબૂલાત કરી હતી.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 1:44 pm

ધ્રાંગધ્રાના રાજગઢમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા:અગાઉના ઝઘડાના મનદુઃખે યુવકને રહેંસી નાખ્યો, આરોપીઓ ફરાર, પોલીસ તપાસ શરૂ

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાજગઢ ગામે એક યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. અગાઉ થયેલી બોલાચાલીના મનદુઃખને કારણે આ ઘટના બની હતી. હત્યા બાદ આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. મૃતક યુવકનું નામ મુલાડીયા વિપુલભાઈ વજાભાઈ (ઉંમર 28 વર્ષ) છે. રાજગઢ ગામના જ બે યુવકો વચ્ચે અગાઉ ઝઘડો થયો હતો. આ મનદુઃખ રાખીને કેટલાક અજાણ્યા શખ્સોએ રામદેવપુર ગામની સીમમાં વિપુલ પર છરી વડે હુમલો કર્યો હતો. તેમને અંદાજે છરીના ત્રણથી ચાર ઘા મારવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ ભોગ બનનારના પરિવારજનોને થતાં તેમણે પોલીસને જાણ કરી હતી. ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ટીમ, ડીવાયએસપી અને પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હત્યારાઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર ધ્રાંગધ્રા પંથકમાં ચકચાર મચી ગઈ છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 1:41 pm

ફેક PhonePe એપથી સ્કેન કરી ટ્રાન્જેક્શન કરતો, લાઈવ ડેમો:ATMમાં લોકો પાસેથી કેશ લઈ ઓનલાઈન ટ્રાન્સફરનો ફેક મેસેજ બતાવતો, ખબર પડે ત્યાં ખેલ કરી છૂમંતર થઈ જતો

તમે કોઈ ATMમાં પૈસા ઉપાડવા ગયા હોવ અને ત્યાં આગળ કોઈ તમને કહે કે મારે કેશની જરૂર છે, હું તમને ઓનલાઈન પૈસા બેંકમાં ટ્રાન્સફર કરી દઉં તો ભોળવાતા નહીં, નઈ તો તમે પણ નકલી ટ્રાન્જેક્શન સ્કેમનો ભોગ બની જશો. ​આવો જ એક કિસ્સો જૂનાગઢ સી-ડિવિઝન પોલીસના ધ્યાને આવ્યો હતો. તેમણે એક રીઢા આરોપીને પકડી પાડીને એક મોટી સફળતા મેળવી છે. આ ઠગ 'બંટી બબલી' ફિલ્મ જેવી સ્ટાઈલ અપનાવીને ખોટી PhonePe જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરી સામાન્ય લોકો પાસેથી રોકડ રકમ મેળવતો અને ફેક મેસેજ બતાવીને છેતરપિંડી આચરતો હતો. પોલીસે કઈ રીતે છેતરપિંડી આચરતો તેનો લાઈવ ડેમો પણ આરોપી પાસે કરાવ્યો હતો. આરોપીએ સુરત, અમદાવાદ સહિત 4 શહેરોમાં 12 ગુનાની કબૂલાત કરી છે. ​જુનાગઢના ATM પાસે 19,000ની છેતરપિંડીથી પોલીસે તપાસ શરૂ કરી​આ સમગ્ર મામલો જુનાગઢ સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે સામે આવ્યો હતો. 16 નવેમ્બરના જુનાગઢના બહાઉદ્દીન કોલેજ સામે આવેલા બેંક ઓફ બરોડાના ATM પાસે રોકડ જમા કરાવવા આવેલા બે નાગરિકો ભોગ બન્યા હતા. વંથલીના દૂધના વેપારી સહિતના એક નાગરિક પાસેથી 12,000 રોકડા મેળવ્યા બાદ ઠગે પોતાના મોબાઇલમાં ખોટી PhonePe એપ દ્વારા ઓનલાઇન ટ્રાન્જેક્શન સફળ થયું હોવાનો ખોટો મેસેજ બતાવ્યો હતો. આ જ પ્રકારે, સાક્ષી રોહિતભાઈ પાસેથી પણ ATMમાં જમા કરાવવાના 7000 રોકડા લઈ ઠગાઈ કરવામાં આવી હતી. કુલ 19000 આ છેતરપિંડી બાદ સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો તથા IT એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ​ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે 20 વર્ષીય આરોપી ઝડપાયો​Dy.SP હિતેશ ધાંધલ્યાએ આ એનડિટેકટ ગુનાને તાત્કાલિક શોધી કાઢવા માટે સી-ડિવિઝન પીઆઈ એ.બી. ગોહિલને સૂચના આપી હતી. તાત્કાલિક સર્વેલન્સ સ્ટાફની ટીમ બનાવી અને ગુના નિવારણ શાખાને સક્રિય કરી હતી. ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને બાતમી મેળવવામાં આવી હતી. આ બાતમીના આધારે આખરે ઠગાઈ આચરનાર મૂળ અમરેલીનો અને હાલ સુરત રહેતા 20 વર્ષીય આરોપી રૂદ્ર અશોકભાઇ સાવજને એક મોબાઇલ અને બે ATM કાર્ડ સાથે પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે લાઈવ ડેમો કરાવ્યો કઈ રીતે આરોપી ઠગતો હતો​પોલીસ તપાસમાં આરોપીએ ગુનાની એમ.ઓ કબૂલી હતી અને પોલીસ સામે જ તેને ડેમો બતાવી કહ્યું કે, તે કેવી રીતે છેતરપિંડી આચરતો હતો. તેણે પોલીસ સામે ઓરિજીનલ દેખાતી ફેક PhonePe એપ્લિકેશન ખોલી. પોલીસે જ્યારે પોતાના ફોનથી QR સ્કેન કરવા આપ્યું તો, આરોપીએ પોતાની ફેક એપ્લિકેશનમાંથી સ્કેન કરી અને 2000 ટ્રાન્સફર કરવા એમાઉન્ટ નાખી અને પાસવર્ડમાં કોઈપણ રેન્ડમ નંબર નાખ્યો. આરોપીએ કબૂલ્યું કે, ટ્રાન્સફર કરવાની એમાઉન્ટ નાખ્યા પછી પાસવર્ડ માગવામાં આવે છે, ત્યારે કોઈપણ નંબર આપણે પાસવર્ડ તરીકે નાખી શકીએ છીએ. અને જેવું તમે પાસવર્ડ નાખીને ક્લિક કરશો એટલે ટ્રાન્જેક્શન સક્સેસફુલનો મેસેજ આવશે. પોલીસે અલગ અલગ રકમ નાખવા આરોપીને કહ્યું તો આરોપીએ 50 લાખ સુધીની એમાઉન્ટ ટ્રાન્સફર કરી બતાવી. તો એ પણ એક ક્લિક પર થઈ ગઈ હતી. 'ફેક PhonePe' એપનો ઉપયોગ કરી વિશ્વાસઘાતની મોડસ ઓપરેન્ડીઆ કામનો આરોપી રૂદ્ર સાવજ PhonePe જેવી જ દેખાતી એક ખોટી/ફેક એપ્લીકેશનનો ઉપયોગ કરતો હતો. તે જાણી જોઈને અલગ અલગ બેન્કોના ATM પાસે ઊભો રહેતો. જ્યારે નાગરિકો રોકડ રકમ ATMમાં જમા કરાવવા આવતા, ત્યારે તે તેમને વિશ્વાસમાં લેતો કે તે તેમની રોકડ રકમ લઈ પોતાના ખાતામાંથી ઓનલાઈન ટ્રાન્સફર કરી આપશે. નાગરિકો પાસેથી રોકડ લીધા બાદ, તે તેમનું Google Pay/PhonePe સ્કેનર માંગતો અને સ્કેન કરતો. જોકે, તે ખરેખર ટ્રાન્સફર કરવાને બદલે, તેની ફેક એપ દ્વારા સક્સેસફુલ ટ્રાન્જેક્શનનો ખોટો મેસેજ બતાવીને નાગરિકોને ભોળવી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરતો હતો. આ પદ્ધતિના કારણે ભોગ બનનારને તુરંત ખ્યાલ આવતો નહોતો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. ઠગે સુરત, અમદાવાદ, રાજકોટ અને જૂનાગઢમાં 12 ગુનાની કબૂલાત કરી​પોલીસની પૂછપરછમાં આરોપી રૂદ્ર સાવજે કબૂલાત કરી હતી કે તેણે માત્ર જૂનાગઢમાં જ નહીં, પરંતુ ગુજરાતના ચાર મુખ્ય શહેરોમાં આ મોડસ ઓપરેન્ડી દ્વારા કુલ 12 ગુનાઓ આચર્યા છે, જેમાં અત્યાર સુધીમાં તેણે કુલ 80,500ની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. આ ગુનાઓ મુખ્યત્વે ATMની બહાર રોકડ જમા કરાવવા આવતા લોકો સાથે આચરવામાં આવ્યા હતા. તેણે સુરત, અમદાવાદ, રાજકોટ અને જુનાગઢ અત્યાર સુધીમાં કુલ 80,500ની ઠગાઈની કબૂલાત કરી છે. આ કબૂલાત દર્શાવે છે કે આ ઠગ એક વિસ્તારમાં ગુનો આચરીને તરત જ અન્ય શહેરોમાં જતો રહેતો હતો. ​આરોપી વિરુદ્ધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ​આ 12 ગુનાઓમાં, જૂનાગઢના બહાઉદ્દીન કોલેજ પાસેની 12000ની છેતરપિંડી ઉપરાંત, જૂનાગઢના કાળવા ચોક પાસે SBI ATMમાં 7000 અને સર્કલ ચોક પાસે BOI ATMમાંથી 3500ની ઠગાઈનો પણ સમાવેશ થાય છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ હવે કાયદેસર ગુનો નોંધીને વધુ તપાસ સી-ડિવિઝન પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 1:40 pm

નીરા વેચાણ કેન્દ્રના વિવાદનો અંત આવ્યો:મંડળીના માફી પત્ર બાદ નશાબંધી વિભાગે નીરા વેચાણ કેન્દ્રોને મંજૂરી આપી, સાત સ્થળોએ વેચાણ શરૂ

વલસાડમાં નિરા વેચાણ કેન્દ્રોને આખરે નીરા વેચવાની મંજૂરી મળી ગઈ છે. વલસાડ તાલુકા નીરા તાળ ગોળ ઉત્પાદન સહકારી મંડળી દ્વારા જરૂરી કાર્યવાહી અને માફી પત્ર સુપરત કર્યા બાદ નશાબંધી વિભાગે આ પરવાનગી આપી છે. આ સાથે નીરા વેચાણને લઈને ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. અગાઉ, મંડળીએ આ વર્ષે નીરા વેચાણ માટે નશાબંધી વિભાગ પાસે પરવાનગી માંગી હતી. જોકે, જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા અધૂરી હોવાને કારણે નશાબંધી વિભાગે નીરા કેન્દ્રને તાત્કાલિક સીલ કરી દીધું હતું. આ કાર્યવાહીથી મંડળીના અગ્રણીઓ અને સંચાલકોમાં અસંતોષ ફેલાયો હતો. મંડળીના અગ્રણીઓએ નશાબંધી વિભાગ પર ખોટી રીતે કનડગત કરવા અને 15 દિવસ અગાઉ અરજી કરવા છતાં મંજૂરી ન આપવાનો આરોપ લગાવ્યો હતો. તેના જવાબમાં, નશાબંધી વિભાગની ટીમે મંડળીના સંચાલકો દ્વારા કરવામાં આવેલી ભૂલો સ્પષ્ટ કરી હતી. આ પછી, વલસાડ તાલુકા નિરા તાળ ગોળ ઉત્પાદન સહકારી મંડળીના સંચાલકોએ નશાબંધી વિભાગને માફી પત્ર લખીને સમજૂતી કરી હતી. નશાબંધી વિભાગે કડકાઈપૂર્વક ટકોર કરીને મંડળીના સંચાલકોને નિરા વેચાણ કરવા માટે નોટિસ આપી હતી. મંડળીએ નશાબંધી વિભાગ સમક્ષ વારંવાર રજૂઆતો કરી અને અધૂરા દસ્તાવેજો અંગે માફીપત્ર સહિતની તમામ જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરી. આના આધારે, નશાબંધી વિભાગે માર્ગદર્શન પૂરું પાડીને નિરાનું વેચાણ શરૂ કરવા માટે અધિકૃત મંજૂરી આપી. પરવાનગી મળતાની સાથે જ, વલસાડ તાલુકા નિરા તાળ ગોળ ઉત્પાદન સહકારી મંડળીએ વલસાડના મુખ્ય નીરા કેન્દ્ર સહિત શહેરના કુલ સાત સ્થળોએ નિરાનું વેચાણ શરૂ કર્યું છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 1:31 pm

આણંદ જિલ્લાના મંદિરોમાં સ્વચ્છતા અભિયાન:વલાસણ, પીપળાવ, રાલજ મંદિરોમાં ગ્રામજનોએ સફાઈ ઝુંબેશ હાથ ધરી

આણંદ જિલ્લાના વલાસણ, પીપળાવ અને રાલજ ગામના મંદિરોમાં સામૂહિક સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશમાં ગ્રામજનો, સખી મંડળો અને શૈક્ષણિક સંસ્થાઓ સહિત વિવિધ જૂથોએ સક્રિયપણે ભાગ લીધો હતો. આ અભિયાન જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી દેવાહૂતિ દ્વારા શરૂ કરાયેલા વ્યાપક સ્વચ્છતા કાર્યક્રમનો એક ભાગ છે. તેમણે તાલુકા વિકાસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને જિલ્લાના યાત્રાધામો અને પ્રવાસન સ્થળોએ સ્વચ્છતા સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. આ બેઠકમાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા સૂત્રને સાકાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ગામડાઓમાં ઘન અને પ્રવાહી કચરાનો સુવ્યવસ્થિત નિકાલ થાય તે સુનિશ્ચિત કરવા માટે ગ્રામ્ય કક્ષાએ કામગીરી હાથ ધરવા જણાવાયું હતું. આ માટે ગામના આગેવાનો, આરોગ્ય કર્મચારીઓ, સખી મંડળો, યુવાનો અને શૈક્ષણિક સંસ્થાઓનો સહયોગ મેળવવા આહ્વાન કરાયું હતું. આ આહ્વાનના ભાગરૂપે, વલાસણ મેલડી માતાજી મંદિર, પીપળાવ આશાપુરી માતાજી મંદિર અને ખંભાત તાલુકાના રાલજ સિકોતર માતાજી મંદિરે સામૂહિક સફાઈ ઝુંબેશ યોજાઈ હતી. જેમાં ગામના આગેવાનો, કર્મચારીઓ, સખી મંડળો, યુવાનો અને શૈક્ષણિક સંસ્થાઓના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લઈ ધાર્મિક સ્થળોને સ્વચ્છ બનાવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 1:26 pm

સુરતની પહેલી આયુર્વેદિક હોસ્પિટલ બનીને તૈયાર:લોકાર્પણ પહેલા જ ઓપીડી સેવા શરૂ, શહેરીજનોને મળશે આયુર્વેદિક-હોમિયોપેથિક સારવારનો લાભ

સુરતવાસીઓ માટે આનંદના સમાચાર એ છે કે, સુરતના ચોકબજાર ખાતે આગામી દિવસોમાં નવી આયુર્વેદિક સરકારી હોસ્પિટલ શરૂ થવા જઈ રહી છે. શહેરીજનોને આયુર્વેદિક સારવારનો લાભ મળે એ માટે લોકાર્પણ ન થાય અને હોસ્પિટલ સંપૂર્ણ કાર્યરત ન થાય ત્યાં સુધી હાલપૂરતી ઓ.પી.ડી.સેવા શરૂ કરવામાં આવી છે. શહેરીજનો સવારે 9.00થી 1.00 અને બપોરે 3.00થી 5.00 વાગ્યા દરમિયાન ઓ.પી.ડી.નો લાભ લઇ વિવિધ રોગોના વિનામૂલ્યે નિદાન અને સારવાર મેળવી શકશે. દક્ષિણ ગુજરાતની આ પ્રથમ સરકારી આયુષ હોસ્પિટલમાં આયુર્વેદિક સાથે હોમિયોપેથિક દવાઓ અને સારવાર પણ અપાશે. પાંચ માળની અદ્યતન નવી સરકારી આયુર્વેદિક હોસ્પિટલજિલ્લા આયુષ અધિકારી વૈદ્ય મિલન દશોંદીએ જણાવ્યું હતું કે, સુરત શહેરમાં એક પણ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ન હતી, ત્યારે હવે ચોકબજાર ખાતે આવેલી જૂની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કેન્દ્રીય આયુષ મંત્રાલય તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પાંચ માળની અદ્યતન નવી સરકારી આયુર્વેદિક હોસ્પિટલ નિર્માણ પામી છે, જે આગામી દિવસોમાં શરૂ થનાર છે. અહીં ઓ.પી.ડી. શરૂ કરી દેવામાં આવી છે. જેમાં આઉટડોર દર્દીઓને આયુર્વેદિક સારવાર મળી રહેશે. શરીર અને મનને તંદુરસ્ત રાખવા આ હોસ્પિટલ મહત્વ પૂર્ણવૈદ્ય મિલન દશોંદીએ ઓ.પી.ડી.નો વધુમાં વધુ શહેરીજનો લાભ લેવા અનુરોધ કરતા કહ્યું કે, શરીર અને મનને તંદુરસ્ત રાખવા માટે આ હોસ્પિટલ સમગ્ર શહેર સહિત દક્ષિણ ગુજરાત માટે એક મહત્વનું આયુર્વેદિક સાથે હોમિયોપેથિક સ્વાસ્થ્ય કેન્દ્ર બનશે. વિનામૂલ્યે ઓ.પી.ડી.સેવાનો લાભ લેવા અપીલઆયુર્વેદિક હોસ્પિટલના હેડ અને વૈદ્ય (પંચકર્મ) તુષાર શાહે જણાવ્યું કે, સુરતમાં 50 બેડની નવી સરકારી આયુર્વેદિક હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. આયુર્વેદની વિવિધ સારવાર તબક્કાવાર શરૂ કરવામાં આવશે, ત્યારે હાલ દર્દીઓ માટે શરૂ કરવામાં આવેલી વિનામૂલ્યે ઓ.પી.ડી.સેવાનો લાભ લેવા સુરતવાસીઓને જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 1:25 pm

દાહોદ LCBએ દેશી કટ્ટા સાથે એક શખ્સને ઝડપ્યો:સીગવડના નાનીવાવ ગામેથી ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપાયેલા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ રણધીકપુર પોલીસ સ્ટેશન વિસ્તારના નાનીવાવ ગામેથી એક શખ્સને દેશી હાથ બનાવટના કટ્ટા સાથે ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી રોકવા માટે કરવામાં આવી હતી. પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ LCB ટીમ મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડર પર ગેરકાયદેસર હથિયારોની આવનજાવન અટકાવવા સતત ચેકિંગ અને વોચ ગોઠવી રહી હતી. આ દરમિયાન ટીમને ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે નાનીવાવ ગામે પાડલિયા તરફ જતા માર્ગ પર નાકાબંધી ગોઠવવામાં આવી હતી. શંકાસ્પદ શખ્સને રોકીને તપાસ કરતા તેની પાસેથી દેશી હાથ બનાવટનો કટ્ટો મળી આવ્યો હતો. ઝડપાયેલા આરોપીનું નામ અશ્વિન રમેશ નીનામા છે, જે નાનીવાવ ભાભોર ફળિયું, તા. સિંગવડ, જિ. દાહોદનો રહેવાસી છે. પોલીસે તેની પાસેથી આશરે બે હજાર રૂપિયાની કિંમતનો દેશી કટ્ટો જપ્ત કર્યો છે. આરોપીને તાત્કાલિક કસ્ટડીમાં લઈ રણધીકપુર પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 1:23 pm

બોગસ સર્ટિફિકેટ કૌભાંડનો મુખ્ય આરોપી ઝડપાયો:16 વર્ષથી ફરાર આરોપીની નવસારી LCBએ અમદાવાદથી ધરપકડ કરી, કૌભાંડમાં અન્ય કડીઓ ખૂલવાની શક્યતા

નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ 'બોગસ સર્ટિફિકેટ' કૌભાંડના મુખ્ય આરોપીની અમદાવાદથી ધરપકડ કરી છે. આ આરોપી છેલ્લા 16 વર્ષથી પોલીસને હાથતાળી આપી ફરાર હતો. આ કૌભાંડ વાંસદા તાલુકાના ખાટાઆંબા ગામની સરકારી શાળામાં સંગીત શિક્ષક તરીકે નોકરી મેળવવાના મામલે સામે આવ્યું હતું. આ કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે રાજીબેન પરબતભાઈ બોરખતીયા નામના મહિલાએ વાંસદાની ખાટાઆંબા સરકારી શાળામાં સંગીત શિક્ષક તરીકે નોકરી મેળવવા માટે બોગસ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. શાળા દ્વારા સર્ટિફિકેટની ખરાઈ કરવામાં આવતા તે નકલી હોવાનું બહાર આવ્યું હતું. મહિલા શિક્ષિકાની ધરપકડ અને પૂછપરછ બાદ તેણે કબૂલ્યું કે, આ બોગસ સર્ટિફિકેટ તેણે નવસારીના રમેશ પ્રજાપતિ પાસેથી બનાવડાવ્યું હતું. આ હકીકતના આધારે, રમેશ પ્રજાપતિ વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2009માં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, ગુનો દાખલ થયા બાદથી તે ફરાર હતો. નવસારી LCBના PI એસ.વી.આહીર, PSI વાય.જી.ગઢવી, PSI એમ.બી.ગામીત અને સ્ટાફને ફરાર આરોપીઓને પકડવા સૂચના અપાઈ હતી. ખાનગી બાતમીદારો દ્વારા તપાસ ચાલી રહી હતી. અ.હે.કો લાલુસિંહ ભરતસિંહ અને અ.પો.કો મનોજકુમાર સમાધાનભાઈને બાતમી મળી હતી કે, આરોપી રમેશભાઈ મેરાજભાઈ પાટડીયા (પ્રજાપતિ), ઉંમર 49, હાલ અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં સંસ્ક્રુત રેસીડેન્સી, ગંગોત્રી સર્કલ પાસે રહી ડ્રાઈવિંગનું કામ કરે છે. આ બાતમીના આધારે, LCBની ટીમે અમદાવાદ જઈને આરોપી રમેશ મેરાજભાઈ (પાટડીયા) પ્રજાપતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 16 વર્ષ બાદ આરોપી ઝડપાતા આ કૌભાંડની અન્ય કડીઓ પણ ખૂલવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 1:20 pm

નવસારીના વિજય કોમ્પલેક્ષમાં વીજ મીટરમાં આગ લાગી:શોર્ટ સર્કિટથી ભીષણ આગ લાગી, તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરાયો, ફાયર વિભાગે 20 મિનિટમાં કાબૂ મેળવ્યો

નવસારીના વિજય કોમ્પલેક્ષમાં આજે વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે મીટર પેટીમાં ભીષણ આગ લાગી હતી. શાંતાદેવી નગરપાલિકા સ્કૂલ પાસે આવેલા આ એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં સવારે આશરે 6:10 કલાકે આ ઘટના બની હતી. શોર્ટ સર્કિટ થતાં બે થી ત્રણ વીજ મીટરોમાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે, તેમાંથી તણખલા ઉડી રહ્યા હતા. રવિવારની સવાર હોવાથી એપાર્ટમેન્ટના રહેવાસીઓ ઊંઘમાં હતા ત્યારે આ ઘટના બની હતી. આગની ઘટનાને પગલે સમગ્ર એપાર્ટમેન્ટમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જાગૃત નાગરિકોએ તાત્કાલિક મહાનગરપાલિકાના ફાયર વિભાગનો સંપર્ક કર્યો હતો. સવારે 6:12 કલાકે નવસારી ફાયર વિભાગને કોલ મળ્યો હતો. ગણતરીની મિનિટોમાં જ પાંચ સભ્યોની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ટીમે સત્વરે કાર્યવાહી કરીને માત્ર 20 મિનિટની અંદર આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટનાને પગલે વીજ કંપની દ્વારા તાત્કાલિક અસરથી તે વિસ્તારનો પાવર પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. હાલમાં વીજ કંપની શોર્ટ સર્કિટના નુકસાનનું આકારણી કરીને સમારકામની કામગીરી હાથ ધરી રહી છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 1:03 pm

છોટા ઉદેપુરમાં રૂ.3.19 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:મુઠઈ વસાહત પાસેથી છકડામાં લઈ જવાતો હતો દારૂ, એક ઝડપાયો

છોટા ઉદેપુર જિલ્લા LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) એ બોડેલી તાલુકાના મુઠઈ વસાહત પાસેથી રૂ. 3,19,386/- ની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. છોટા ઉદેપુર એક સરહદી જિલ્લો હોવાથી, પરપ્રાંતમાંથી વિદેશી દારૂની હેરાફેરી અવારનવાર થતી રહે છે. જિલ્લા પોલીસ આવી પ્રવૃત્તિઓને રોકવા સતત પ્રયાસ કરી રહી છે. LCB ટીમે દારૂની વધુ એક ખેપને નિષ્ફળ બનાવી છે. LCB ટીમ બોડેલી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે, મુઠઈ વસાહત પાસેથી એક અતુલ શક્તિ છકડામાં વિદેશી દારૂ લઈ જવામાં આવનાર છે. આ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન, મુઠઈ વસાહત ગામ તરફથી આવતા અતુલ શક્તિ છકડા નંબર GJ 23 AD 2634 ને રોકવામાં આવ્યો હતો. તપાસ કરતાં છકડામાંથી રૂ. 3,19,386/- ની કિંમતની વિદેશી દારૂની 1158 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ, અતુલ શક્તિ છકડો, મોબાઈલ અને રોકડ સહિત કુલ રૂ. 5,25,186/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે છકડા ડ્રાઈવર વહાબભાઈ આરીફભાઈ મેમણ (રહે. કોહિનૂર સોસાયટી, જકાત નાકા પાસે, ભાલેજ રોડ, આણંદ) ની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 1:01 pm

પંચમહાલ ખાણ ખનીજ વિભાગનો ઘોઘંબામાં સપાટો:બે દિવસમાં 5 ટ્રેક્ટર, 2 ટ્રક સાથે ₹80 લાખનો મુદ્દામાલ જપ્ત

પંચમહાલ જિલ્લાના ખાણ ખનીજ વિભાગે ઘોઘંબા તાલુકામાં ગેરકાયદેસર ખનીજ વહન સામે સપાટો બોલાવ્યો છે. છેલ્લા બે દિવસમાં વિભાગની ટીમે પાંચ ટ્રેક્ટર અને બે ટ્રક સહિત કુલ સાત વાહનો જપ્ત કર્યા છે. આ કાર્યવાહીમાં ₹80 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને સાત લોકોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચોક્કસ બાતમીના આધારે, ખાણ ખનીજ વિભાગની ટીમે ઘોઘંબા તાલુકાના સીમલીયા ગામે પસાર થતી નદીના પટમાં દરોડો પાડ્યો હતો. અહીં ગેરકાયદેસર રીતે રેતી ઉલેચીને ભરી રહેલા ત્રણ પાવડાવાળા ટ્રેક્ટર, એક ટ્રોલીવાળું ટ્રેક્ટર અને અન્ય એક ટ્રેક્ટર મળી કુલ પાંચ ટ્રેક્ટરની અટકાયત કરવામાં આવી હતી. આ ટ્રેક્ટરોમાંથી ₹30 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ ઉપરાંત, ઘોઘંબા તાલુકાના ગોદલી ગામેથી બે ટ્રકમાં બિનઅધિકૃત રીતે રેતી અને બ્લેક ટ્રેપ ભરીને વહન કરવામાં આવી રહ્યાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગની ટીમે ગોદલી ગામ પાસેથી બે ટ્રકની અટકાયત કરી હતી. આ ટ્રકોમાંથી ₹50 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આમ, પંચમહાલ જિલ્લાના ખાણ ખનીજ વિભાગે ઘોઘંબા પંથકમાં ગેરકાયદેસર રેતી અને બ્લેક ટ્રેપનું વહન કરતા કુલ પાંચ ટ્રેક્ટર અને બે ટ્રક સાથે સાત ઈસમોની અટકાયત કરી છે. જપ્ત કરાયેલા કુલ ₹80 લાખના મુદ્દામાલને ગોધરા કલેક્ટર કચેરી ખાતે સીઝ કરીને રાખવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 12:59 pm

જગુદણ-લીંચ રોડ પરથી ચાઈનીઝ દોરીના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા:પ્રતિબંધિત દોરીની 50 નંગ રીલ સાથે બંનેને પોલીસે દબોચ્યા,જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

ઉત્તરાયણ પર્વ નજીક આવતા જ પોલીસ દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ અને હેરફેર પર કડક વલણ અપનાવવામાં આવ્યું છે. આ ઝુંબેશના ભાગરૂપે મહેસાણા તાલુકા પોલીસે બાતમીના આધારેજગુદણથી લીંચ જતા રોડ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થતા બે શંકાસ્પદ ઈસમોની તપાસ કરતા તેમની પાસેથી જીવલેણ ગણાતી પ્રતિબંધિત નાઈલોન/ચાઈનીઝ દોરીના 50 નંગ રીલ મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ. 30,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી બંને ઈસમોની અટકાયત કરી છે. આ મામલે પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચાઈનીઝ દોરી અને તુક્કલના વેચાણ પર પ્રતિબંધ આગામી ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને મહેસાણા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જીવલેણ ચાઈનીઝ દોરી અને તુક્કલના વેચાણ પર પ્રતિબંધ મુકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાના કડક અમલ અને અસરકારક કામગીરી માટે મહેસાણા પોલીસ ઇન્સ્પેક્ટર ડી.જી. બડવાએ આપેલી સૂચનાના આધારે મહેસાણા પોલીસે સઘન પેટ્રોલીંગ હાથ ધર્યું હતું. જે અંતર્ગત મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. આર.આર. રાઠોડ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન આ.પો.કોન્સ. ચેતનભાઇ સોમાભાઇ તથા અ.પો.કોન્સ. ગૌરવકુમાર બાબુભાઇને સંયુક્ત બાતમી મળી હતી. પ્લાસ્ટિકની થેલીમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો હતોબાતમી મુજબ બે ઈસમો જગુદણ-કોચવા બ્રિજ નીચેથી લીચ તરફ જતા રોડ પર બાઈક પર પ્લાસ્ટિકની થેલીમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો લઈને પસાર થવાના છે.બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળા બે ઈસમો બાઈક પર આવતા તેમને રોકી તપાસ કરતા તેમની પાસેથી WELYN MENO GERMAN TECHNOLOGY ફોર ઇન્ડસ્ટ્રીયલ યુજ ઓન્લી ના માર્કાવાળી પ્રતિબંધિત નાઈલોન,ચાઈનીઝ દોરીની 50 રીલ મળી આવી હતી. બંને આરોપીઓની અટકાયતપોલીસે જાહેરનામાનો ભંગ કરવા બદલ બંને આરોપીઓની અટકાયત કરી છે અને તેમની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 223, 54 તથા ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ 131 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 80 હજારનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યોપોલીસે હાલમાં રાવળ સહદેવ વાસુભાઇ (ઉ.વ. 21) રાવળ કરણકુમાર અશોકભાઇ (ઉ.વ. 20) બંને રહે. પરબતપુરા રાવળવાસ, તા. માણસા, જિ. ગાંધીનગર વાળાને ઝડપી તેઓની પાસેથી નાઈલોન ચાઈનીઝ દોરીના રીલ નંગ-50 કિંમત રૂ 30 હજાર,હિરો સ્પ્લેન્ડર પ્લસ બાઈક કિંમત 50 હજાર મળી કુલ 80 હજારનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 12:36 pm

હિંમતનગર અષ્ટવિનાયક મંદિરમાં સંકટ ચતુર્થીની ઉજવણી:ગણપતિદાદાને 21 કિલો સંતરા અર્પણ કરાયા

હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં આવેલા વિનાયકનગરના અષ્ટવિનાયક ગણપતિ મંદિરમાં રવિવારે સંકટ ચતુર્થીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ગણપતિદાદાને 21 કિલો સંતરા અર્પણ કરીને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. ઉજવણીના ભાગરૂપે, સવારે 5:30 કલાકે ગણપતિદાદાનો અભિષેક કરાયો હતો. ત્યારબાદ સવારે 6:15 કલાકે આરતી યોજાઈ હતી. યજમાન મયંક ભરતભાઈ ભોઈ દ્વારા સવારે 6:45 કલાકે પૂજન-અર્ચન સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. દિવસભર ભક્તોએ ગણપતિદાદાને કરાયેલા ફળોના શણગારના દર્શન કર્યા હતા. મંદિરમાં સાંજે 6:45 કલાકે આરતી કરવામાં આવી હતી. રાત્રે 8:35 કલાકે ચંદ્રદર્શનનો વિશેષ સમય રહ્યો હતો, જેમાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 12:18 pm

હિંમતનગરના અંબાવાડામાં ખેડૂતના ઘરમાં આગ:બે ફાયર ફાયટર વડે આગ બુઝાવી, સરસામાન બળીને ખાખ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના અંબાવાડા ગામે શનિવારે રાત્રે ખેડૂત જુજારસિંહ બાપુસિંહ મકવાણાના મકાનમાં આગ લાગી હતી. આ ઘટનામાં ઘરનો સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો, જોકે પરિવારના સભ્યો સમયસર સુરક્ષિત બહાર નીકળી ગયા હતા. આગની જાણ થતાં જ હિંમતનગર ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે એક બ્રાઉઝર અને એક મિની ટેન્ડર સહિત બે ફાયર ફાઈટરનો ઉપયોગ કર્યો હતો. ફાયર ફાઈટરો દ્વારા કુલ ૧૩,૫૦૦ લિટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. અંદાજે સાડા ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. હિંમતનગર ફાયર વિભાગના મયંકભાઈ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાય છે. આ ઘટનાથી ખેડૂત પરિવારને મોટું નુકસાન થયું છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 12:16 pm

સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2025: ગુજરાતનાં 3 નોડલ સેન્ટર પસંદ:સ્વામિનારાયણ યુનિવર્સિટી, કાલોલનો સમાવેશ; દેશભરમાં 60 કેન્દ્રો પર આયોજન

ભારત સરકારના શિક્ષણ મંત્રાલય અને AICTE દ્વારા આયોજિત દેશનો સૌથી મોટો ઇનોવેશન મહોત્સવ, સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન (SIH) 2025 ગ્રાન્ડ ફિનાલે આ વર્ષે રાષ્ટ્રીય સ્તરે યોજાશે. આ હેકાથોન હાર્ડવેર અને સોફ્ટવેર એમ બંને એડિશનમાં ઉજવાશે. આ રાષ્ટ્રીય સ્તરીય હેકાથોન માટે દેશભરના 78 વિવિધ મંત્રાલયો અને વિભાગો દ્વારા પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ્સ આપવામાં આવ્યા છે. હેકાથોન સમગ્ર ભારતમાં 60 નોડલ સેન્ટર્સ પર એકસાથે યોજાશે. ગુજરાતમાંથી AICTE દ્વારા માત્ર 3 નોડલ સેન્ટર્સ પસંદ કરવામાં આવ્યા છે, જેમાં કાલોલ સ્થિત સ્વામિનારાયણ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. સ્વામિનારાયણ યુનિવર્સિટીને આ વર્ષે કુલ 4 પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ્સ સોંપવામાં આવ્યા છે. તેમાંથી 3 પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ્સ મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ દ્વારા અને 1 પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી – GUJCOST દ્વારા આપવામાં આવ્યું છે. દરેક પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ માટે 5 ટીમો, એટલે કે કુલ 20 ટીમો 7 ડિસેમ્બર 2025ના રોજ સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં પહોંચશે. સમગ્ર દેશમાંથી સ્ટેટ-રીજનલ રાઉન્ડ જીતીને આવેલી આ ટીમો 36 કલાક સુધી સતત ચાલનારી આ કોડિંગ મેરેથોનમાં ભાગ લેશે. આ ગ્રાન્ડ ફિનાલેનું ઉદ્ઘાટન 8 ડિસેમ્બર 2025ના રોજ સવારે 9:00 વાગ્યે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના વર્ચ્યુઅલ સંબોધન સાથે થશે. હેકાથોન સતત ચાલુ રહી 9 ડિસેમ્બર 2025ના દિવસે સમાપ્ત થશે. સ્વામિનારાયણ યુનિવર્સિટીએ વિવિધ ટીમોના રહેઠાણ, ટેક્નિકલ સેટઅપ, મેન્ટરશિપ અને 36-કલાકના નોન-સ્ટોપ કોડિંગ માટે તમામ જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરી છે. આ ઇવેન્ટ યુવા ઇનોવેટર્સને રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા દર્શાવવા માટે એક મંચ પૂરો પાડે છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 11:58 am

અમદાવાદ RTO પાસે બે યુવકે દારૂના નશામાં આતંક મચાવ્યો, VIDEO:એમ્બ્યુલન્સ રોકી પોલીસ સાથે પણ ઝપાઝપી કરી, પોલીસે બંનેની અટકાયત કરી

અમદાવાદના RTO પાસે રીક્ષા ચાલક અને બાઇક ચાલક વચ્ચે તકરાર થઈ હતી જે બાદ રીક્ષા ચાલક અને તેના સાથીએ રોડ પર આતંક મચાવ્યો હતો. રસ્તે જતા લોકો સાથે ઝપાઝપી કરી હતી. એમ્બ્યુલન્સ જતી હતી તેને પણ રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસ પહોચતા પોલીસકર્મી સાથે પણ ઝપાઝપી કરી હતી. રાણીપ પોલીસે બંને યુવકોની અટકાયત કરી હતી. રીક્ષા ચાલક અને તેના સાથીએ યુવક સાથે મારામારી કરીRTO પાસેથી સાંજના સમયે એક બાઇક ચાલક પસાર થઈ રહ્યો હતો ત્યારે એક રીક્ષા ચાલક ઓવરટેક કરવા જઈ રહ્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. રીક્ષા ચાલકે રીક્ષામાં બેઠેલા તેના સાથી સાથે મળીને બાઇક ચાલક સાથે મારામારી કરી હતી. લોકો છોડાવવા વચ્ચે પડતા રીક્ષા ચાલક અને તેના સાથીએ નશાની હાલતમાં લોકો સાથે પણ ઝપાઝપી કરી હતી. એમ્બ્યુલન્સ રોકવાનો પ્રયત્ન કર્યોએટલું જ નહીં રીક્ષા ચાલકે રસ્તા પરથી જઈ રહેલી 108 એમ્બ્યુલન્સની આગળ આવીને એમ્બ્યુલન્સ રોકવાનો પણ પ્રયત્ન કર્યો હતો. અન્ય વાહન ચાલકોને પણ નુકસાન કરવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસકર્મી સાથે પણ રીક્ષા ચાલકે ઝપાઝપી કરીબનાવની જાણ થતા રાણીપ પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે પોલીસકર્મી સાથ પણ રીક્ષા ચાલકે ઝપાઝપી કરી હતી. પોલીસે રીક્ષા ચાલક અને તેના સાથીની અટકાયત કરી હતી. 'બાઇક ચાલકે ફરિયાદ નોંધાવી નથી'-PIરાણીપ પોલીસ સ્ટેશનના PI કેતન વ્યાસે જણાવ્યું હતું કે, બનાવ બાબતે બાઇક ચાલકે ફરિયાદ નોંધાવવી ન્હોતી, જેથી બંને યુવકને અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતાં. બંને યુવક સામે 151 મુજબ અટકાયતી પગલા લેવામાં આવ્યાં હતા.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 11:49 am

સુમિટોમો એકસેલ એકસપ્રેશન:લોકગીત, સાયન્સ એન્ડ ટેકનોલોજી ના મોડેલો, સમહુગીત તથા શીઘ્ર વકૃત્વ સ્પર્ધા યોજાઈ, ત્રણ દિવસ દરમ્યાન 40થી વધુ શાળાના 1400થી વધુ બાળકોએ ભાગ લીધો

સાયન્સ એન્ડ ટેકનોલોજી સ્પર્ધામાં અકસ્માત ને લગતા, આધુનિક ખેતી, ગ્રીન હાઉસ, ફ્લાવર્સ પોર્ટસમાં પાણી ઘટે નહિ સહિતના મોડેલો છવાયો સુમિટોમો કેમીકલ ઇન્ડિયા લિમિટેડ ભાવનગર દ્વારા શિશુવિહાર સંસ્થા ખાતે સુમિટોમો એકસેલ એકસ્પ્રેશન 2025 અંતર્ગત ત્રણ દિવસીય દરમ્યાન 10થી વધુ કૃતિઓમાં 40 શાળાઓના 1400થી વધારે બાળકોએ પોતાના કલા નો ઓજાશ પાર્થયા હતા, શિશુવિહાર સંસ્થા ખાતે સતત 27 વર્ષથી એકસેલ એકસ્પ્રેશનનું આયોજન કરવામાં આવે છે જેમાં ત્રણ દિવસ દરમ્યાન જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે તા.5 ના રોજ બપોરે 2 થી 5 તત્કાલ ચિત્ર સ્પર્ધામાં 198 વિદ્યાર્થીઓએ અદભુત ચિત્રો દોરી નિર્ણાયકોના મન જીતી લીધા હતા. ત્યાર બાદ સામાન્યજ્ઞાન સ્પર્ધામાં 178 વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. પછી છેલ્લે નિબંધ સ્પર્ધામાં 195 વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો આમ, સ્પર્ધામા પ્રાથમિક વિભાગની કુલ 40 સ્કુલોના કુલ 571 વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. તા.6 ડિસેમ્બર ના રોજ ફિલ્મીગીતથી સ્પર્ધાની શરૂઆત થઈ જેમાં 68 સ્પર્ધકોએ સારૂ પ્રદર્શન રજુ કર્યુ. ત્યાર પછી તત્કાલ ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ રમણીય ચિત્રો દોર્યા. જેમાં 163 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જયારે શિઘ્ર વકતૃત્વ સ્પર્ધામાં અસલ કાઠિયાવાડી બોલીમાં 41 સ્પર્ધકોએ નિર્ણાયકોના મન રોમાચિત કરી દીધા. જયારે સમાચાર વાંચનની સ્પર્ધામાં વિદ્યાર્થીઓનો બહોળો ઉત્સાહ જોવા મળેલ જેમાં 47 સ્પર્ધકોએ ભાગ લીધેલ. તેમજ સેન્ટ્રલ ડોમ ખાતે લોકનૃત્યની સ્પર્ધામાં 13 ટીમોએ ઉત્કૃષ્ટ કૃતિઓ રજુ કરી જેમાં 158 સ્પર્ધકોએ ભાગ લીધેલ. જયારે સામાન્યજ્ઞાન સ્પર્ધામાં વિદ્યાર્થીઓનો બહળો ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં 99 સ્પર્ધકોએ ભાગ લીધેલ. પ્રાથમિક વિભાગની સ્પર્ધા યોજેલ હતી.જે સુમિટોમો પ્રાથમિક વિભાગ ની સ્પર્ધા ની શરૂઆત કરી હતી. આજરોજરોજ લોકગીત થી સ્પર્ધાની શરૂઆત થઇ જેમાં 75 સ્પર્ધકોએ સારૂ પ્રદર્શન ૨જુ કર્યુ. ત્યાર પછી સેન્ટ્રલ ડોમ ખાતે સાયન્સ એન્ડ ટેકનોલોજીની 19 ટીમોએ જેમાં 97 વિદ્યાર્થીઓએ ભાગે લીધેલ અને ટેકનોલોજીના આવનારા યુગમાં ઉત્કૃષ્ટ મોડેલો રજુ કરેલ. જેમાં ખાસ અકસ્માત ને લગતા, આધુનિક ખેતી, ગ્રીન હાઉસ, ફ્લાવર્સ પોર્ટસમાં પાણી ઘટે નહિ સહિત ના અનેક વિવિધ મોડલો રજૂ કર્યા હતા, ત્યારબાદ શિઘ્ર વકતૃત્વ સ્પર્ધામાં અસલ કાઠિયાવાડી બોલીમાં 26 સ્પર્ધકોએ નિર્ણાયકોના મન રોમાચિત કરી દીધા. જયારે બપોરે સમાચાર વાંચનની સ્પર્ધામાં 36 સ્પર્ધકોએ ભાગ લેશે, તેમજ ગ્રુપસોંગ ની સ્પર્ધામાં 10 ટીમોમાં 78 સ્પર્ધકોએ ભાગ લેશે, આમ, આ સફળ આયોજનમાં પ્રત્યેક શાળાઓના આચાર્ય તથા નિર્ણાયક ટીમનો સહયોગ ખુબ સુંદર મળ્યો હતો, જયારે પ્રાથમિક વિભાગ, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ ના કુલ 40 સ્કુલો ના 1459 વિદ્યાર્થીઓ જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લઈ પોતાનું ઓજાસ પાર્થસે, આ કાર્યક્રમને સફળ બનાવવા સંજયભાઈ શર્મા (એ.જી.એમ)નું સતત માર્ગદર્શન મળેલ અને તેમની રાહબરી નીચે પ્રોજેકટ કોર્ડીનેટર્સ વનરાજસિંહ ચાવડા તથા તેમજ સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી..

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 11:41 am

મોરબીમાં ₹1.98 લાખની ચોરી:રાજકોટના બે શખ્સ ઝડપાયા, રીવાઇન્ડિંગ દુકાનમાંથી મુદ્દામાલની ચોરીનો ભેદ ઉકેલાયો

મોરબીના પટેલ ચેમ્બર કોમ્પ્લેક્સમાં આવેલી એક રીવાઇન્ડિંગ દુકાનમાંથી ₹1.98 લાખથી વધુના મુદ્દામાલની ચોરીના કેસમાં એલસીબી ટીમે રાજકોટના બે શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે કુલ ₹64,700નો મુદ્દામાલ કબજે કર્યો છે. મોરબીના કેનાલ રોડ પર રહેતા મનીષભાઈ રામજીભાઈ મેરજા (ઉં.વ. 40)એ આ અંગે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, લખધીરપુર રોડ પર આવેલ પટેલ ચેમ્બર કોમ્પ્લેક્સમાં તેમની 'ન્યુ પટેલ રીવાઇન્ડિંગ' નામની દુકાન આવેલી છે. તસ્કરોએ દુકાનનું શટર ઊંચકાવી પ્રવેશ કર્યો હતો. દુકાનમાંથી 280 કિલો નવો કોપર વાયર, 100 કિલો સબમર્સિબલ મોટરનો નવો વાયર, 60 કિલો કોપર વાયરનો ભંગાર, 12 ઇલેક્ટ્રિક મોટરની બોડી, એક ઇલેક્ટ્રિક પાવર ટ્રાન્સફોર્મર, સીસીટીવી કેમેરા અને તેનું ડીવીઆર સહિત કુલ ₹1,98,200ની કિંમતનો મુદ્દામાલ ચોરાયો હતો. આ ગુનાની તપાસ સ્થાનિક પોલીસ અને એલસીબી ટીમ કરી રહી હતી. એલસીબીને મળેલી બાતમીના આધારે મોરબીના ધરમપુર રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબની જૂની નંબર પ્લેટ વગરની છકડો રિક્ષા પસાર થતાં તેને રોકવામાં આવી હતી. રિક્ષાની તપાસ કરતાં તેમાંથી 100 કિલો તાંબાનો વાયર (કિંમત ₹39,700) અને ₹25,000ની રિક્ષા મળી, કુલ ₹64,700નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે રાજકોટના સંજય ઉર્ફે અભલો ગીરીશભાઈ સોલંકી અને સંજય ઉર્ફે સંજલો શંભુભાઈ ડાભીની ધરપકડ કરી હતી. બંને આરોપીઓને વધુ તપાસ માટે બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. આ કામગીરી એલસીબી પીઆઈ એમ.પી. પંડ્યાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 11:27 am

ગોપાલ ઇટાલીયા પર હુમલાનો વડોદરામાં વિરોધ:આપે ધરણા-રેલી કરીને ઉગ્ર વિરોધ કર્યો, ભાજપ-કોંગ્રેસ હાય હાયના નારા લગાવ્યા કહ્યુ: બન્નેની સમજૂતી એક્સપ્રેસ છે, પરંતુ, હવે ગુજરાતની જનતાનો આત્મા જાગી ગયો છે

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા પર જૂતાથી થયેલા હુમલાના વિરોધમાં વડોદરા શહેર આમ આદમી પાર્ટીએ શહેરના ગાંધીનગર ગૃહ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ભાજપ સરકાર સામે સૂત્રોચારો કર્યા હતા. સાથે સાથે ભાજપ કોંગ્રેસના હાય હાય અને ગુંડાગર્દી બંધ કરો નારા પણ લગાવ્યા હતા. અને ગાંધીનગર ગૃહથી રેલી કાઢીને વિરોધ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત ધરણા પર બેસીને રામધૂન પણ બોલાવી હતી. આ સમયે ગાંધીનગર ગૃહ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વડોદરાના આમ આદમી પાર્ટીના લોકસભા પ્રમુખ વિરેન રામીએ જણાવ્યું હતું કે, જામનગરમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર જે રીતે હુમલો કરવામાં આવ્યો છે, એ ભાજપ અને કોંગ્રેસ – બંનેની સંપૂર્ણ મિલીભગતથી થયેલો હુમલો છે, જે દિવસથી વિસાવદરની બેઠક આમ આદમી પાર્ટીએ જીતી છે, એ જ દિવસથી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પક્ષોને આમ આદમી પાર્ટી કણાની માફક ખૂંચી રહી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, એક બાજુ આમ આદમી પાર્ટીનો વ્યાપ આખા ગુજરાતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે, ત્યારે એને રોકવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને ભેગા મળીને આમ આદમી પાર્ટીને ટાર્ગેટ કરી રહ્યા છે. અમારી સભાઓ ન થાય, રેલીઓ ન થાય, કોઈ પણ કાર્યક્રમ ન થઈ શકે, એ માટે આ પ્રકારના હુમલા કરવામાં આવી રહ્યા છે. આ હુમલાની અમે કડકમાં કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ અને એની સામે આજે અમે અહીં ધરણાં-પ્રદર્શન કરીને વિરોધ નોંધાવીએ છીએ. તેઓએ કહ્યું હતું કે, ભાજપ સત્તામાં છે. જ્યારે કાયદો અને વ્યવસ્થા કથળી જાય ત્યારે લોકો સ્વાભાવિક રીતે સત્તાધારી પક્ષ પાસે જ જાય છે. અમે વિરોધ પક્ષ છીએ, અમે જનતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ આવા સમયે ભાજપ અને કોંગ્રેસના કેટલાક આગેવાનો મળીને આમ આદમી પાર્ટીના નેતાઓને ટાર્ગેટ કરે છે. એનો અમે સખત વિરોધ કરીએ છીએ. તેઓએ ઉમેર્યું હતું કે, ગોપાલ ઇટાલીયા પર થયેલા હુમલામાં છત્રસિંહ જાડેજા નામનો કોંગ્રેસનો કાર્યકર્તા હોવાની ઓળખ થઈ છે. વિસાવદરની ચૂંટણી દરમિયાન પણ કોંગ્રેસે આમ આદમી પાર્ટીના નેતાઓને ખરીદવાના પ્રયાસો કર્યા હતા, અને એ પૈસા કોના હતા? ભાજપના હતા, એટલે ભાજપ કોંગ્રેસને પૈસા આપે અને કોંગ્રેસ આમ આદમી પાર્ટીના નેતાઓને ખરીદે. આ બંને પક્ષોની સમજૂતી એક્સપ્રેસ છે. એમને એમ છે કે ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ ભેગા મળીને આમ આદમી પાર્ટીને હરાવી દેશે, પરંતુ હવે ગુજરાતની જનતાનો આત્મા જાગી ગયો છે અને આ વખતે જનતા જ પરિણામ બતાવનાર છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જામનગરમાં આમ આદમી પાર્ટીની જન સભામાં કોંગ્રેસના કાર્યકરે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતા હોબાળો થયો હતો. જે બાદ આદમી પાર્ટીના કાર્યકરોએ કોંગી કાર્યકરને માર મારતા મામલો બિચક્યો હતો. મહત્વનું છે કે, ગોપાલ ઇટાલિયાએ વર્ષ 2017માં તત્કાલીન ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પર જૂતાનો ઘા કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 11:25 am

ફ્લાઇટ રદ્દ થતા ટ્રેનની માગ વધી, 3 દિવસમાં 89 વિશેષ-ટ્રેન:મુંબઈ, દિલ્હી, પુણે, હાવડા, હૈદરાબાદ આવતા અને જતા મુસાફરોની ભીડ ઘટાડવા માટે 89 ટ્રેનની 100 ટ્રિપ્સ, દિલ્હી અને મુંબઈ વચ્ચે 6 ટ્રિપ્સ દોડાવશે

ભારતીય રેલ્વે આગામી 3 દિવસમાં 89 વિશેષ ટ્રેનની 100થી વધુ ટ્રિપ્સ દોડાવશે. મોટા શહેરો જેમ કે મુંબઈ, દિલ્હી, પુણે, હાવડા, હૈદરાબાદ વગેરેમાં આવતા અને જતા મુસાફરોની ભીડ ઘટાડવા માટે વિશેષ ટ્રેનો; ઉત્તર પૂર્વીય રેલ્વે (NER) દિલ્હી અને મુંબઈ વચ્ચે 6 ટ્રિપ્સ દોડાવશે ભારતીય રેલ્વેએ શિયાળાની ઋતુ દરમિયાન વ્યાપક ફ્લાઇટ રદ્દીકરણ અને વધારાની ભીડના સંદર્ભમાં મુસાફરીને સરળ બનાવવાનું શરૂ કર્યું છે. આજે શરૂ કરીને, આગામી ત્રણ દિવસમાં અનેક ઝોનમાં 89 વિશેષ ટ્રેન સેવાઓ (100 થી વધુ ટ્રિપ્સ) દોડાવવામાં આવશે. આનાથી સરળ મુસાફરીમાં મદદ મળશે અને રેલ મુસાફરીની વધતી માંગ વચ્ચે પૂરતી કનેક્ટિવિટી સુનિશ્ચિત થશે. મધ્ય રેલ્વે દ્વારા 14 વિશેષ ટ્રેનનું સંચાલનમધ્ય રેલ્વે મુસાફરોની વધેલી માંગને પહોંચી વળવા માટે 14 વિશેષ ટ્રેન સેવાઓનું સંચાલન કરશે. આમાં 6 અને 7 ડિસેમ્બરના રોજ ટ્રેન નંબર 01413/01414 પુણે–બેંગલુરુ–પુણે; 7 અને 9 ડિસેમ્બરના રોજ 01409/01410 પુણે–હઝરત નિઝામુદ્દીન–પુણે; 7 અને 8 ડિસેમ્બરના રોજ 01019/01020 લોકમાન્ય ટિલક ટર્મિનસ (LTT)–માડગાંવ–LTT; 6 અને 7 ડિસેમ્બરના રોજ 01077/01078 છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)–હઝરત નિઝામુદ્દીન–CSMT; 6 અને 7 ડિસેમ્બરના રોજ 01015/01016 LTT–લખનૌ–LTT; 6 અને 7 ડિસેમ્બરના રોજ 01012/01011 નાગપુર–CSMT–નાગપુર; 7 અને 9 ડિસેમ્બરના રોજ 05587/05588 ગોરખપુર–LTT–ગોરખપુર; અને 10 અને 12 ડિસેમ્બરના રોજ 08245/08246 બિલાસપુર–LTT–બિલાસપુરનો સમાવેશ થાય છે. દક્ષિણ પૂર્વીય રેલ્વે દ્વારા વિશેષ ટ્રેનનું સંચાલન દક્ષિણ પૂર્વીય રેલ્વેએ તાજેતરના ફ્લાઇટ રદ્દીકરણ પછી માંગમાં વધારો થવાને સંભાળવા માટે વિશેષ ટ્રેનોનું આયોજન કર્યું છે. આમાં ટ્રેન નંબર 08073/08074 સાન્ત્રાગાછી–યેલહંકા–સાન્ત્રાગાછીનો સમાવેશ થાય છે, જેમાં 08073 સાન્ત્રાગાછીથી 7 ડિસેમ્બરે ઉપડશે, અને 08074 યેલહંકાથી 9 ડિસેમ્બરે પરત ફરશે. ટ્રેન નંબર 02870/02869 હાવડા–CSMT–હાવડા સ્પેશિયલ દોડશે, જેમાં 02870 હાવડાથી 6 ડિસેમ્બરે પ્રસ્થાન કરશે, અને 02869 CSMT થી 8 ડિસેમ્બરે પ્રસ્થાન કરશે. ટ્રેન નંબર 07148/07149 ચેરલાપલ્લી–શાલીમાર–ચેરલાપલ્લીનું સંચાલન કરવામાં આવશે, જેમાં 07148 ચેરલાપલ્લીથી 6 ડિસેમ્બરે પ્રસ્થાન કરશે, અને 07149 શાલીમારથી 8 ડિસેમ્બરે પ્રસ્થાન કરશે. મુસાફરોની વધારાની ભીડનું સંચાલન કરવા માટે, દક્ષિણ મધ્ય રેલ્વે આજે, 6 ડિસેમ્બર 2025 ના રોજ ત્રણ વિશેષ ટ્રેનોનું સંચાલન કરી રહી છે. ટ્રેન નંબર 07148 ચેરલાપલ્લીથી શાલીમાર, ટ્રેન નંબર 07146 સિકંદરાબાદથી ચેન્નઈ એગમોર, અને ટ્રેન નંબર 07150 હૈદરાબાદથી મુંબઈ LTT આજે પ્રસ્થાન કરી ચૂકી છે. પૂર્વીય રેલ્વે દ્વારા વિશેષ ટ્રેનનું સંચાલનપૂર્વીય રેલ્વે હાવડા, સીલદહ અને મુખ્ય સ્થળો વચ્ચે વિશેષ ટ્રેન સેવાઓનું સંચાલન કરશે. ટ્રેન નંબર 03009/03010 હાવડા–નવી દિલ્હી–હાવડા સ્પેશિયલ દોડશે, જેમાં 03009 હાવડાથી 6 ડિસેમ્બરે પ્રસ્થાન કરશે, અને 03010 નવી દિલ્હીથી 8 ડિસેમ્બરે પ્રસ્થાન કરશે. ટ્રેન નંબર 03127/03128 સીલદહ–LTT–સીલદહ સ્પેશિયલનું સંચાલન કરવામાં આવશે, જેમાં 03127 સીલદહથી 6 ડિસેમ્બરે ઉપડશે, અને 03128 LTT થી 9 ડિસેમ્બરે પ્રસ્થાન કરશે. પશ્ચિમ રેલ્વે દ્વારા સાત વિશેષ ટ્રેનોનું સંચાલનપશ્ચિમ રેલ્વે મુસાફરીની વધેલી માંગને પહોંચી વળવા માટે સાત વિશેષ ટ્રેનોનું સંચાલન કરશે. આમાં ટ્રેન નંબર 09001/09002 મુંબઈ સેન્ટ્રલ–ભિવાની સુપરફાસ્ટ સ્પેશિયલ (દ્વિ-સાપ્તાહિક)નો સમાવેશ થાય છે, જે 9 અને 30 ડિસેમ્બર વચ્ચે મુંબઈ સેન્ટ્રલથી દર મંગળવાર અને શુક્રવારે અને 10 અને 31 ડિસેમ્બર વચ્ચે ભિવાનીથી દર બુધવાર અને શનિવારે ચાલશે, કુલ 14 ટ્રિપ્સ. માર્ગમાં આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, રતલામ, મંદસૌર, નીમચ, ચિત્તોડગઢ, ભિલવાડા, બિજયનગર, નસીરાબાદ, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, બાંદીકુઈ, અલવર, રેવાડી, કોસલી અને ચરખી દાદરી સ્ટેશનો પર રોકાશે. ટ્રેન નંબર 09003/09004 મુંબઈ સેન્ટ્રલ–શકુર બસ્તી સુપરફાસ્ટ સ્પેશિયલ 8 અને 29 ડિસેમ્બર વચ્ચે મુંબઈ સેન્ટ્રલથી મંગળવાર અને શુક્રવાર સિવાય દરરોજ, અને 9 અને 30 ડિસેમ્બર વચ્ચે શકુર બસ્તીથી બુધવાર અને શનિવાર સિવાય દરરોજ દોડશે, કુલ 32 ટ્રિપ્સ, જેનું બુકિંગ 6 ડિસેમ્બરના રોજ ખુલશે. ટ્રેન નંબર 09730/09729 બાંદ્રા ટર્મિનસ–દુર્ગપુરા સુપરફાસ્ટ સ્પેશિયલ 09730 સાથે 8 ડિસેમ્બરના રોજ બાંદ્રા ટર્મિનસથી પ્રસ્થાન કરશે અને 09729 સાથે 7 ડિસેમ્બરના રોજ દુર્ગપુરાથી પ્રસ્થાન કરશે, જેનું બુકિંગ 6 ડિસેમ્બરના રોજ ખુલશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી - 2 ટાયર, એસી - 3 ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે. મુસાફરોની વધેલી માંગના પ્રતિભાવમાં, ભારતીય રેલ્વે ગોરખપુરથી વધારાની સેવાઓનું સંચાલન કરશે. ટ્રેન નંબર 05591/05592 ગોરખપુર–આનંદ વિહાર ટર્મિનલ–ગોરખપુર બે ટ્રિપ્સ માટે દોડશે, જેમાં 7 અને 8 ડિસેમ્બરના રોજ ગોરખપુરથી અને 8 અને 9 ડિસેમ્બરના રોજ આનંદ વિહાર ટર્મિનલથી પ્રસ્થાન થશે. ટ્રેન નંબર 05587/05588 ગોરખપુર–LTT–ગોરખપુર 7 ડિસેમ્બરના રોજ ગોરખપુરથી અને 9 ડિસેમ્બરના રોજ LTT થી પ્રસ્થાન સાથે દોડશે. બિહારથી વિશેષ ટ્રેનોનું સંચાલનબિહારથી શિયાળુ મુસાફરીની સુવિધા માટે, પૂર્વ મધ્ય રેલ્વે પટના અને દરભંગાથી આનંદ વિહાર ટર્મિનલ સુધી વિશેષ ટ્રેનોનું સંચાલન કરશે. ટ્રેન નંબર 02309/02310 પટના–આનંદ વિહાર ટર્મિનલ–પટના 6 અને 8 ડિસેમ્બરના રોજ પટનાથી અને 7 અને 9 ડિસેમ્બરના રોજ આનંદ વિહાર ટર્મિનલથી પ્રસ્થાન સાથે દોડશે. ટ્રેન નંબર 02395/02396 પટના–આનંદ વિહાર ટર્મિનલ–પટનાનું સંચાલન કરવામાં આવશે, જેમાં 02395 પટનાથી 7 ડિસેમ્બરના રોજ અને 02396 આનંદ વિહાર ટર્મિનલથી 8 ડિસેમ્બરના રોજ ઉપડશે. ટ્રેન નંબર 05563/05564 દરભંગા–આનંદ વિહાર ટર્મિનલ–દરભંગા 7 ડિસેમ્બરના રોજ દરભંગાથી અને 9 ડિસેમ્બરના રોજ આનંદ વિહાર ટર્મિનલથી પ્રસ્થાન સાથે દોડશે. એક-ટ્રિપના આધારે બે સ્પેશિયલ ફેર સ્પેશિયલ ટ્રેનોનું સંચાલનઉત્તર પશ્ચિમ રેલ્વે આગામી મુસાફરીના સમયગાળા દરમિયાન મુસાફરોની વધારાની ભીડ દૂર કરવા માટે એક-ટ્રિપના આધારે બે સ્પેશિયલ ફેર સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન કરશે. ટ્રેન નંબર 04725 હિસાર–ખાડકી સ્પેશિયલ 7 ડિસેમ્બર 2025 ના રોજ હિસારથી પ્રસ્થાન કરશે, જ્યારે પરત સેવા, ટ્રેન નંબર 04726 ખાડકી–હિસાર સ્પેશિયલ, 8 ડિસેમ્બર 2025 ના રોજ ખાડકીથી પ્રસ્થાન કરશે. ઉત્તર પશ્ચિમ રેલ્વે એક-ટ્રિપ સ્પેશિયલ ફેર સ્પેશિયલ ટ્રેન નંબર 09729 દુર્ગપુરા–બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ પણ દોડાવશે, જે 7 ડિસેમ્બર 2025 ના રોજ દુર્ગપુરાથી પ્રસ્થાન કરશે. પરત સેવા, ટ્રેન નંબર 09730 બાંદ્રા ટર્મિનસ–દુર્ગપુરા સ્પેશિયલ, 8 ડિસેમ્બર 2025 ના રોજ બાંદ્રા ટર્મિનસથી ઉપડશે. પ્રયાગરાજ અને નવી દિલ્હી વચ્ચે વિશેષ ટ્રેનોમુસાફરોની સુવિધા માટે, ઉત્તર મધ્ય રેલ્વે પ્રયાગરાજ અને નવી દિલ્હી વચ્ચે વિશેષ ટ્રેનોનું સંચાલન કરશે. ટ્રેન નંબર 02417 6 અને 8 ડિસેમ્બરના રોજ પ્રયાગરાજથી પ્રસ્થાન કરશે, અને 7 અને 9 ડિસેમ્બરના રોજ ટ્રેન નંબર 02418 તરીકે નવી દિલ્હીથી પરત ફરશે, જેમાં દરેક દિશામાં કુલ બે ટ્રિપ્સ થશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 02275 7 ડિસેમ્બરના રોજ પ્રયાગરાજથી પ્રસ્થાન કરશે, અને 8 ડિસેમ્બરના રોજ ટ્રેન નંબર 02276 તરીકે નવી દિલ્હીથી પરત ફરશે, જેમાં દરેક દિશામાં એક-એક ટ્રિપનું સંચાલન થશે. ઉત્તર અને પશ્ચિમ વચ્ચે લાંબા અંતરની અવરજવરની સુવિધા માટે વિશેષ ટ્રેનો ઉત્તરીય રેલ્વે 6 ડિસેમ્બર 2025 ના રોજ 02439 નવી દિલ્હી–શહીદ કેપ્ટન તુષાર મહાજન ઉધમપુર વંદે ભારત દોડાવશે, તેની સાથે તે જ તારીખે અનુરૂપ 02440 ઉધમપુર–નવી દિલ્હી વંદે ભારત પણ દોડાવશે, જે રાષ્ટ્રીય રાજધાની અને જમ્મુ અને કાશ્મીર વચ્ચે ઝડપી અને વધુ આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરશે. ઉત્તર અને પશ્ચિમ વચ્ચે લાંબા અંતરની અવરજવરની સુવિધા માટે, 04002 નવી દિલ્હી–મુંબઈ સેન્ટ્રલ ટ્રેન 6 ડિસેમ્બર 2025 ના રોજ દોડશે, જ્યારે પરત સેવા 04001 મુંબઈ સેન્ટ્રલ–નવી દિલ્હી 7 ડિસેમ્બર 2025 ના રોજ દોડશે. ઉત્તરીય રેલ્વે 04080 હઝરત નિઝામુદ્દીન–તિરુવનંતપુરમ સેન્ટ્રલ સ્પેશિયલ દ્વારા પણ દિલ્હીને દક્ષિણ રેલ્વે સાથે જોડશે, જે 6 ડિસેમ્બર 2025 માટે નિર્ધારિત છે. દક્ષિણ મધ્ય રેલ્વે નેટવર્કમાં પ્રાદેશિક ગતિશીલતાને મજબૂત કરતા, 07703 ચલિપલ્લી–જલિમાર ટ્રેન 7 ડિસેમ્બર 2025 ના રોજ દોડશે. શિયાળુ ભીડનું સંચાલન કરવા માટે, દુર્ગ અને હઝરત નિઝામુદ્દીન વચ્ચે એક વિશેષ ટ્રેન દોડશે. ટ્રેન 08760 7 ડિસેમ્બર 2025 ના રોજ દુર્ગથી પ્રસ્થાન કરશે, અને ટ્રેન 08761 8 ડિસેમ્બર 2025 ના રોજ હઝરત નિઝામુદ્દીનથી પ્રસ્થાન કરશે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 11:21 am

અમદાવાદમાં સિને પ્રાઈડ-મિરાજ મલ્ટિપ્લેક્સ અને હોસ્પિટલ સહિત 8 મિલકતો સીલ:10 મલ્ટિપ્લેક્સમાં અને 103 હોસ્પિટલમાં ચેકિંગ, બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી ના હોય તેને નોટિસો

અમદાવાદમાં બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાની મિલકતો જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય તેને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં નિકોલ અને હાથીજણમાં આવેલા કુલ ત્રણ મલ્ટિપ્લેક્સ તેમજ વસ્ત્રાલ અને ઓઢવ વિસ્તારમાં આવેલી કુલ પાંચ જેટલી હોસ્પિટલોને સીલ મારવામાં આવી છે. બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટીને લઈને નોટિસ આપવામાં આવી હોવા છતાં પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા છેવટે પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. બીયુ પરમિશન અને ફાયર સેફ્ટીને લઈને મિલકતોમાં ચેકિંગરાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા બીયુ પરમિશન અને ફાયર સેફ્ટીને લઈને કડક પગલાં ભરવા માટેની સૂચના આપી હતી ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિલકતોમાં ચેકિંગ કરી નોટિસ આપી કાર્યવાહી કરી હતી પરંતુ ફરી એકવાર 50થી વધારે લોકો જાય એક સાથે ભેગા થતા હોય એવી બિલ્ડીંગોમાં તપાસ કરી છે જેમાં હોસ્પિટલો અને મલ્ટિપ્લેક્સ વગેરે જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે. 10 મલ્ટિપ્લેક્સમાં અને 103 હોસ્પિટલમાં ચેકિંગAMC પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા 103 હોસ્પિટલમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં 13 હોસ્પિટલોમાં માન્ય બી.યુ. રજુ કરવા નોટિસો આપવામાં આવી હતી. જે હોસ્પીટલ બિલ્ડીંગ પાસે માન્ય વપરાશ પરવાનગી ન હોય તેવી 5 હોસ્પિટલ બિલ્ડીંગોને સીલ કરવામાં આવેલી છે. પૂર્વ વિસ્તારમાં 10 જેટલા મલ્ટિપ્લેક્સમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ મલ્ટિપ્લેક્સને માન્ય બી.યુ. રજુ કરવા નોટિસો આપવામાં આવી છે. જે મલ્ટિપ્લેક્સ બિલ્ડીંગ પાસે માન્ય વપરાશ પરવાનગી ન હોય તેવા 3 મલ્ટિપ્લેક્સને સીલ કરવામાં આવી છે. આ 8 મિલકતો સીલ

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 11:13 am

ભુજમાં બોરવેલમાં ખાબકેલા યુવકનો 9 કલાક બાદ મૃતદેહ હાથ લાગ્યો:150 ફૂટ ઊંડાઈએ ફસાયેલા યુવકને લોખંડના હૂકને દોરડા વડે બાંધી બહાર કઢાયો; પારિવારિક ઝઘડા બાદ કૂદકો માર્યો હોવાની શંકા

ભુજ નજીક કુકમામાં બોરવેલમાં ખાબકેલા ઝારખંડના 20 વર્ષીય યુવકને નવ કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે, તેને બચાવી શકાયો ન હતો અને ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના ગત સાંજે 6.38 વાગ્યાની આસપાસ બની હતી. પારિવારીક ઝગડાથી કંટાળી આવેશમાં આવી બોરવેલમાં પડતું મૂક્યું મૂળ ઝારખંડ રાજ્યનો વતની રૂસ્તમ શેખ નામનો આ યુવક કુકમા સ્થિત આશાપુરા ટેકરી પાસે ગોપાલભાઈની વાડીમાં ખેતમજૂરી કરતો હતો. પારિવારીક ઝગડાથી કંટાળી આવેશમાં આવીને તેણે બોરવેલમાં પડતું મૂક્યું હતું. એક ફૂટ પહોળાઈ ધરાવતા આ બોરવેલમાં યુવક લગભગ 150 ફૂટ ઊંડાઈએ ફસાયો હતો. ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્રના અધિકારીઓ અને ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. ગત સાંજથી વહેલી સવાર સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યુંભુજ ફાયર વિભાગના ફાયરમેન કમલેશ મતિયાએ જણાવ્યું કે, યુવકને સુરક્ષિત બહાર કાઢવા માટે ગત સાંજથી વહેલી સવાર સુધી સતત કામગીરી ચાલી હતી. આશરે નવ કલાક સુધી ચાલેલી આ કામગીરીમાં આર્મીના જવાનો, સ્થાનિક બોરવેલ બનાવતા યુવકો અને ફાયર ટીમના 15 સભ્યો જોડાયા હતા. યુવક જીવિત રહે તે માટે બોરવેલની અંદર પાઇપલાઈન મારફતે સતત ઓક્સિજન પૂરો પાડવામાં આવતો હતો અને કેમેરાની મદદથી તેની સ્થિતિ પર નજર રાખવામાં આવતી હતી. યુવકને કેવી રીતે બહાર કઢાયો?રાત સુધી સફળતા ન મળતા, અંતે દેશી પદ્ધતિ અપનાવવામાં આવી હતી. લોખંડના હૂકને દોરડા વડે બાંધી ગરગડી મારફતે બોરવેલની અંદર ઉતારવામાં આવી હતી. આ હૂક યુવકના કપડામાં ફસાવી તેને બહાર ખેંચી કાઢવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે હાજર 108ની ટીમે યુવકને તાત્કાલિક ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોસ્ટમોર્ટમ સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવીઆ અંગે પધ્ધર પોલીસનો સંપર્ક કરતા, મથકના ફરજ પર હાજર પીએસઓ (પોલીસ સબ ઓફિસર) એ જણાવ્યું કે, યુવકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો, પરંતુ ફરજ પરના તબીબ દ્વારા તેને મૃત જાહેર કરાયો હતો. હાલ તેના પોસ્ટમોર્ટમ સહિતની વહીવટી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ભુજ પ્રાંત અધિકારી ઘટનાસ્થળે સતત માર્ગદર્શન આપતા રહ્યા હતા. આ પણ વાંચો- ઝારખંડનો યુવક ભુજમાં બોરવેલમાં ખાબક્યો, 150 ફૂટની ઊંડાઈએ ફસાયો

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 10:31 am

શોભાયાત્રામાં ચેઇન સ્નેચરોને મોકળુ મેદાન મળ્યું!:કલોલના છત્રાલમાં નીકળેલી યાત્રામાં બે મહિલાના ગળામાંથી 3.50 લાખના બે સોનાનાં ચેઈનની ચીલઝડપ

કલોલ તાલુકાના છત્રાલ ગામમાં તાજેતરમાં ત્રિ-દિવસીય રામજી મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો. આ મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને જાણીતા કલાકારોનો લોક ડાયરો પણ યોજાયો હતો. ત્યારે મહોત્સવના ભાગરૂપે નીકળેલી ભવ્ય શોભાયાત્રામાં ભીડનો લાભ લઈને કોઈ અજાણ્યા ચોર ઇસમે બે મહિલાના ગળામાંથી રૂ. 3.50 લાખની કિંમતના બે સોનાનાં દોરાની ચિલઝડપ તેમજ અન્ય લોકોના ખિસ્સા કાપ્યા હોવાની પણ ઘટના કલોલ તાલુકા પોલીસ મથકના ચોપડે નોંધવામાં આવી છે. મહિલાને ગળામાં ચેઈન ન હોવાની જાણ થતાં શોધખોળછત્રાલ ભગત નિવાસ સોસાયટીમાં રહેતા 72 વર્ષીય વૃદ્ધા હસુમતીબેન ગોવિંદભાઈ ધનજીદાસે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત 4 ડિસેમ્બરના રોજ સવારે નવેક વાગ્યે ગામમાં શોભાયાત્રા શરૂ થઈ હતી. આશરે 11 વાગ્યાની આસપાસ તેમના ઘર પાસેથી શોભાયાત્રા નીકળી ત્યારે તેઓ પણ તેમાં જોડાયા હતા. આ દરમિયાન આશરે 11.30 વાગ્યે શોભાયાત્રા દુધસાગર ડેરી નજીક આવેલા હરસિદ્ધ માતાના મંદિર પાસે પહોંચી, ત્યારે હસુમતીબેનને ખ્યાલ આવ્યો કે તેમના ગળામાં પહેરેલી બે લાખની કિંમતની આશરે બે તોલાની સોનાની મગમાળા ગાયબ છે. જેથી તેમણે ભીડની વચ્ચે શોધખોળ આદરી હતી. અન્ય લોકોને પણ તસ્કરોએ નીશાન બનાવ્યાંએવામાં તેમને જાણવા મળ્યું હતુ કે, આ જ શોભાયાત્રામાં ગાયત્રી સોસાયટીમાં રહેતા પન્નાબેન અરવિંદભાઈ પટેલના ગળામાંથી પણ દોઢ લાખની કિંમતનો સોનાના દોરાની ચિલઝડપ થઇ છે. આ ઉપરાંત અન્ય બે વ્યક્તિઓના રોકડા રૂપિયા પણ ચોરાયા હોવાની બુમરાણ ઉઠી હતી. આ અંગે કલોલ તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 10:20 am

ભાવનગર LCBનો સપાટો:ઓનલાઈન યંત્ર પર જુગાર રમતાં નોકરિયાત, રીક્ષા ડ્રાઈવર, વેપારી, વિદ્યાર્થી સહિત 12 શખ્સો ઝડપાયા, 3 ફરાર

ઓનલાઇન જુગારનો પર્દાફાશ રૂ.1.92 લાખના મુદ્દામાલ ઝડપી લીધો ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરના આડોડિયા વાસ વિસ્તારમાં ચાલતા એક મોટા ઓનલાઇન હારજીતના જુગારના અખાડા પર દરોડો પાડીને કુલ 12 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી રોકડ, કોમ્પ્યુટર સિસ્ટમ, મોબાઇલ ફોન અને જુગારમાં વપરાતા અન્ય સાધનો મળીને કુલ રૂ.1,92,600 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે અન્ય ત્રણ ને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે. ​ભાવનગર LCB સ્ટાફને બાતમી મળી હતી કે, ભીખાભાઇ કનુભાઇ પરમાર રહે.આડોડિયાવાસ તેમના કબજા હેઠળની આડોડિયા વાસની બે દુકાનોમાં અને જીતેશ ઉર્ફે વિવેક દિલીપભાઇ રાઠોડ રહે.આડોડિયાવાસ) તેમની બાજુની પતરાવાળી દુકાનમાં આર્થિક લાભ માટે જુગારનો અખાડો ચલાવે છે. ​આ શખ્સો બહારથી માણસોને બોલાવી દુકાનમાં રાખેલ મશીન પર યંત્રોના ચિત્રો પર રોકડ રકમ લગાવી હારજીતનો જુગાર રમાડતા હતા. વિજેતાને લગાડેલી રકમ કરતાં દસ ગણી રકમ ચૂકવીને નસીબ આધારિત આ જુગાર ચાલતો હતો. ઓનલાઇન જુગારની મોડસ ઓપરેન્ડી (MO) ​પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ 'ઓનેસ્ટ-1' અને 'સેફરોન' નામની ઓનલાઇન ફ્રેન્ચાઇઝી અને યંત્રોનું વેચાણ કરવાના બહાને આ જુગાર રમાડતા હતા. ગ્રાહકો યંત્રના ચિત્રો પર રૂ.11, રૂ.22, રૂ.33 વગેરે જેવી રકમો લગાડતા હતા. દર પાંચ મિનિટે ઓનલાઇન એક યંત્ર વિજેતા જાહેર થતું હતું. લગાડેલ રકમના નવ ગણા રૂપિયા (દા.ત., રૂ.11 લગાવનારને રૂ.99 આપવામાં આવતા હતા. ​યંત્રો પર લગાવેલી રકમ જતી રહેતી હતી. ​પોલીસના જણાવ્યા અનુસાર, આ પ્રવૃત્તિ વરલી મટકાના જુગાર જેવી જ છે, જ્યાં આંકડાને બદલે યંત્રનું ચિત્ર વિજેતા જાહેર થાય છે. આ જુગારમાં ગ્રાહકોને કોઈ યંત્ર કે સિક્કા આપવામાં આવતા નહોતા. નોકરિયાત, રીક્ષા ડ્રાઈવર, વેપારી, વિદ્યાર્થી સહિત ઝડપાયા ઝડપાયેલા આરોપીઓ અને ફરાર શખ્સો​પોલીસે સ્થળ પરથી જુગાર રમી-રમાડતા કુલ 12 શખ્સોને દબોચી લીધા હતા, ઝડપાયેલા ક્રિશ વીક્કીભાઇ રાઠોડ ઉ.વ.20 ધંધો-પ્રા.નોકરી રહે.અખાડા પાસે, આડોડીયાવાસ, સરફરાઝ નિજામભાઇ શેખ ઉ.વ.30 ધંધો- રી.ડ્રા. રહે.ઇકબાલ પાન હાઉસ પાસે, બાપેસરા કુવા પાછળ, વડવા, નિશાંત ઉર્ફે ભોલો મહેશભાઇ ઉર્ફે ચંદુ રાઠોડ ઉ.વ.26 ધંધો- ઓરકેસ્ટ્રા પાર્ટી રહે.આડોડિયાવાસ, વિરેન હરેશભાઇ રૂપડા ઉ.વ.36 ધંધો-મજુરી રહે.પ્લોટ નં.11, સત્યનારાયણ સોસાયટી, ગાયત્રીનગર, નકુલ સંદિપભાઇ પરમાર ઉ.વ.19 ધંધો- નોકરી રહે.રજની પાન પાછળ, આડોડિયા વાસ, ખોડીદાસ વાલજીભાઇ રાઠોડ ઉ.વ.36 ધંધો-મજુરી રહે.મ.નં.99/ઇ, 50 વારીયા, લંબે હનુમાન પાછળ, ઘોઘા જકાતનાકા, સચાનંદ રેવાચંદ મંગલાણી ઉ.વ.55 ધંધો- ફ્રુટનો વેપાર રહે.યોગેશભાઇ મિસ્ત્રી ના મકાને, 14 નાળા,મીની બજાર, ઘોઘા રોડ, ભાવનગર ગુરુ નાનક મંદિરના પુજારી, વઘાશીયા ચોરા પાસે, ધોરાજી જી.રાજકોટ, મીલન હિતેશભાઇ પંડયા ઉ.વ.24 ધંધો-મજુરી રહે.પ્લોટ નંબર-11, શેરી નંબર-8, મુંબઇવાળાની ચાલી, નિર્મળનગર, જગદીશભાઇ શંભુભાઇ ગૌસ્વામી ઉ.વ.58 ધંધો- ફ્રુટનો વેપાર રહે.મફતનગર, હનુમાન ગલી, શહેર ફરતી સડક, દેવરાજ નગર સામે, માનવ પંકજભાઇ પરમાર ઉ.વ.20 ધંધો-અભ્યાસ રહે.મેલડીમાના મંદીર પાસે, આડોડીયા વાસ, જીતેશ ઉર્ફે વિવેક દીલીપભાઇ રાઠોડ ઉ.વ.38 ધંધો-વેપાર રહે.વાલ્મીકી વાસ સામે, આડોડિયા વાસ, મીલન નરેશભાઇ પરમાર ઉ.વ.25 ધંધો-ડ્રાયવીંગ રહે.સોનલ પાન પાસે,આડોડિયાવાસ વાળાને ઝડપી લીધા હતા જ્યારે ત્રણ શખ્સોઓ ભીખાભાઇ કનુભાઇ પરમાર રહે.આડોડીયાવાસ, સિધ્ધાર્થ સતિષભાઇ પરમાર રહે.આડોડીયાવાસ તથા રવિરાજસિંહ રહે.ભાવનગર ત્રણેય ઈસમો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, જેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા, તમામ ઈસમો વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમો હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 10:06 am

દિવ્ય ભાસ્કર સ્કૂલ એડમિશન ફેરનો આજે છેલ્લો દિવસ:તમારા બાળક માટે અમદાવાદની બેસ્ટ સ્કૂલમાં સરળતાથી એડમિશન મેળવવાની આજે છેલ્લી સુવર્ણ તક

આજના સમયમાં બાળકો માટે યોગ્ય સ્કૂલ પસંદ કરવી વાલીઓ માટે એક મોટો અને જવાબદારીભર્યો નિર્ણય બની ગયો છે. આવા સમયમાં વાલીઓને પૂર્ણ માર્ગદર્શન મળે, વિવિધ સ્કૂલોને એક જ સ્થળે નજીકથી સમજવાનો મોકો મળે અને સરખામણી આધારિત યોગ્ય પસંદગી કરી શકે એવા ઉમદા હેતુ સાથે દિવ્ય ભાસ્કર દ્વારા સ્કૂલ ફેરનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અહીં વાલીઓને વિવિધ સ્કૂલોના પ્રતિનિધિઓ સાથે સીધી વાતચીત કરવાની, તેમની શિક્ષણ પદ્ધતિ જાણવાની અને પોતાના બાળક માટે શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવાની અનોખી તક મળે છે. અમદાવાદની નામાંકિત સ્કૂલોએ ફેરમાં જોડાઈઆલ્ફા ઈન્ટરનેશનલ સ્કૂલ, એશિયા સ્કૂલ, જીનિવા લિબરલ સ્કૂલ, H3 પ્રિ-સ્કૂલ, સત્યમેવજયતે ઈન્ટરનેશનલ સ્કૂલ, ધી એચ.બી.કાપડિયા ન્યૂ હાઈસ્કૂલ વગેરે જેવી અમદાવાદની નામાંકિત સ્કૂલો દિવ્ય ભાસ્કર દ્વારા આયોજિત સ્કૂલ એડમિશન ફેરમાં ભાગ લઈ રહી છે. સ્કૂલ એડમિશન ફેરમાં એન્ટ્રી તદ્ન ફ્રી છે. આ ફેરમાં તમને GSEB, CBSE, IB, ICSE Cambridge Boardની સ્કૂલો એક સાથે એક જ સ્થળે મળી રહેશે. તેમે ફ્રી રજિસ્ટ્રેશન માટે 91900 00090 નંબરનો સંપર્ક કરી શકો છે. બાળકોની સેફ્ટી અને યોગ્ય વાતાવરણ મળે તે જરૂરીબાળકના ભવિષ્યનો મજબૂત પાયો તેની યોગ્ય સ્કૂલથી જ બંધાઈ શકે છે. આધુનિક સમયમાં શિક્ષણ હવે ફક્ત પુસ્તકીય જ્ઞાન સુધી મર્યાદિત નથી. આજના બદલાતા શૈક્ષણિક માળખામાં માત્ર સારી બિલ્ડિંગ કે ઊંચી ફી એટલે સારી સ્કૂલ નહીં, પરંતુ શિક્ષણની ગુણવત્તા, સેફ્ટી, શિક્ષક–વિદ્યાર્થી રેશિયો, એક્ટિવિટીઝ અને બાળકને યોગ્ય વાતાવરણ મળે છે કે નહીં આ બધું ખૂબ મહત્વનું બની ગયું છે. આ જરૂરિયાતને પૂર્ણ કરવા માટે આધુનિક સ્કૂલોને વધુ પસંદ કરવામાં આવી રહી છે. શ્રેષ્ઠ સ્કૂલો ફક્ત અભ્યાસ માટેનું કેન્દ્ર નથી, પરંતુ એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં વિદ્યાર્થીઓનો માનસિક, શારીરિક, સામાજિક અને ભાવનાત્મક વિકાસ સમાન રીતે થાય છે. તેથી વાલીઓએ સ્કૂલ પસંદ કરતી વખતે સમજદારીપૂર્વક વિવિધ મુદ્દાઓનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. ત્યારે તમને પણ એક વાલી તરીકે સ્કૂલ પસંદગી કરવામાં સરળતા રહે તેવા ઉમદા હેતુ સાથે દિવ્ય ભાસ્કર દ્વારા સ્કૂલ એડમિશન ફેર 2026-27નું આયોજન કરવામાં આવ્યું છે. સ્કૂલ એડમિશન ફેરમાં ઉત્કૃષ્ટ પરિણામ આપતી સ્કૂલો, અભ્યાસની ઉત્તમ ગુણવત્તા સાથે શ્રેષ્ઠ શિક્ષકગણ, સુવિધાસભર અને સલામત સ્કૂલો, સુરક્ષિત ટ્રાન્સપોર્ટ સુવિધા ઉપલબ્ધ, ફુલ્લી ડિજિટલ એન્હેસ્ન્ડ કેમ્પસ વગેરે જેવી સ્કૂલો એક જ સ્થળે ઉપલબ્ધ મળી રહેશે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 9:59 am

જંબુસરના દરિયામાં બોટ પલટી જવાના લાઈવ દ્દશ્યો કેમેરામાં કેદ:ભરતીનું પાણી વધી જતા 5 સેકન્ડમાં જ બોટ ઊંધી વળી ગઈ, 30 કામદારોને બચાવી લેવાયા, એકનું મોત

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના આસરસા ગામ નજીક ગત સાંજે ONGCના ઓઇલ સર્વે માટે જઈ રહેલી બોટ દરિયામાં પલટી ગઈ હતી. જેના લાઈવ દ્દશ્યો સામે આવ્યાં છે. આ દુર્ઘટનામાં એક કામદારનું મોત થયું છે, જ્યારે એક કામદાર લાપતા છે. તેમજ 30 કામદારોને બચાવી લેવામાં આવ્યાં છે. ભરતીનું પાણી વધી જતા 5 સેકન્ડમાં જ બોટ ઊંધી વળી ગઈ હતી. ઓઈલના સર્વે માટે કામદારોને લઈ બોટ જઈ રહી હતીદુર્ઘટના બાદ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પલટી ગયેલી બોટમાંથી 30 શ્રમિકોને બચાવી લેવામાં આવ્યા હતા. તેમને સારવાર માટે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યારે એક કામદારનું મોત થયું છે. ONGC કંપનીના ઓઈલના સર્વે માટે કામદારોને લઈ બોટ જઈ રહી હતી. એશિયન એનર્જી કંપનીના કોન્ટ્રાક્ટના કામદારોની બોટ પલટી હતી. બોટ પલટી જતા મજૂરો પાણીમાં ખાબક્યાજંબુસરના આસરસા ગામે ગતરોજ મોટો અકસ્માત સર્જાયો હતો. બોટ પલટી જતા મજૂરો પાણીમાં ખાબક્યા હતા. આ ઘટનામાં રોહિત મકવાણાનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ મળી છે. જ્યારે નરેશ રાઠોડ લાપતા હોવાની માહિતી મળી રહી છે. આ લોકો દરરોજ આસરસાથી સામેના કાંઠે ગાંધાર–મુલેર તરફ બોટ દ્વારા અવર જવર કરતા હતા. બોટ નિકળવાની તૈયારીમાં હતી ત્યારે જ અચાનક પલટી ગઈઆ અંગે બોટમાં સવાર ગોપાલ દાસ નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે, બોટ નિકળવાની તૈયારીમાં હતી. ત્યાર બોટ અચાનક હલવા લાગી હતી. લંગર લેવાની તૈયારી હતી તે દરમિયાન જ અચાનક બોટ પલટી ગઈ હતી. બોટમાં 10 થી 15 લોકો સવાર હતા. બધાને બચાવી લેવામાં આવ્યા હતા. જોકે, મને વધારે કઈ ખબર નથી. બોટમાં ગુજરાતી, આસામ અને બંગાળના લોકો સવાર હતા. પાણીની ભરતી આવી એટલે 50થી 60 લોકો બોટમાં ચઢી ગયાંઃ મૃતકનો પુત્રઆ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. મૃતકના પુત્ર પ્રતીકે જણાવ્યું હતું કે, પાણીની ભરતી આવી એટલે 50થી 60 લોકો બોટમાં ચઢી ગયાં હતા, જેથી બોટ પલટી જ ગઈ હતી. જેમાં મારા પિતાનું મોત થઈ ગયું છે. હજી તો બે દિવસથી જ કામ શરૂ થયું છે. કોઈએ લાઈફ જેકેટ પહેર્યા ન હતા. બીજા એક અમારા ગામના નરેશ રાઠોડ પણ મળી રહ્યા નથી. ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય ડી.કે. સ્વામી હોસ્પિટલ પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે બચાવ કામગીરી અને આગળની કાર્યવાહી અંગે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 9:45 am

અમદાવાદ એરપોર્ટ પરથી ટ્રેનનું બુકિંગ કરી શકાશે:ફ્લાઇટ કેન્સલ થતા ટ્રેનની માગ વધી, 3 દિવસમાં 89 વિશેષ ટ્રેનની 100થી વધુ ટ્રિપ્સ

છેલ્લા 4 દિવસથી સતત ઈન્ડિગો એરલાઈન ક્રાઈસીસમાંથી પસાર થઈ રહી છે. તેના કારણે અનેક મુસાફરો હેરાન પરેશાન થઈ રહ્યા છે. હજારો મુસાફરો અમદાવાદ એરપોર્ટ પર હોબાળો મચાવતા પણ જોવા મળ્યા હતા અને ઘણા મુસાફરો રડતા પણ જોવા મળ્યા હતાં. જ્યારે આજે પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ એરપોર્ટ પર RCTC નું કાઉન્ટર ખૂલતા મુસાફરોને હવે ટ્રેન બુકિંગ માટેનો ઓપ્શન મળી રહેશે. 89 વિશેષ ટ્રેનની 100થી વધુ ટ્રિપ્સભારતીય રેલ્વે આગામી 3 દિવસ (7,8 અને 9 ડિસેમ્બર)માં 89 વિશેષ ટ્રેનની 100થી વધુ ટ્રિપ્સ દોડાવશે. મોટા શહેરો જેમ કે મુંબઈ, દિલ્હી, પુણે, હાવડા, હૈદરાબાદ વગેરેમાં આવતા અને જતા મુસાફરોની ભીડ ઘટાડવા માટે વિશેષ ટ્રેનો; ઉત્તર પૂર્વીય રેલ્વે (NER) દિલ્હી અને મુંબઈ વચ્ચે 6 ટ્રિપ્સ દોડાવશે ભારતીય રેલ્વેએ શિયાળાની ઋતુ દરમિયાન વ્યાપક ફ્લાઇટ રદ્દીકરણ અને વધારાની ભીડના સંદર્ભમાં મુસાફરીને સરળ બનાવવાનું શરૂ કર્યું છે. આજે શરૂ કરીને આગામી ત્રણ દિવસ(9 ડિસેમ્બર સુધી)માં અનેક ઝોનમાં 89 વિશેષ ટ્રેન સેવાઓ (100થી વધુ ટ્રિપ્સ) દોડાવવામાં આવશે. આનાથી સરળ મુસાફરીમાં મદદ મળશે અને રેલ મુસાફરીની વધતી માંગ વચ્ચે પૂરતી કનેક્ટિવિટી સુનિશ્ચિત થશે. અમદાવાદમાં 32 ફ્લાઇટ કેન્સલત્યારે આજે પણ એટલે કે 7 ડિસેમ્બરના રોજ સવારે 6 વાગ્યા સુધીમાં ઇન્ડિગોની કુલ 32 ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. જેમાં ડિપાર્ચર 17 અને અરાઇવાલ 15 જેટલી ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. એરપોર્ટ પર IRCTC નું નવું કાઉન્ટર શરૂત્યારે પશ્ચિમ રેલવેએ અમદાવાદ એરપોર્ટ પરના મુસાફરો માટે આ સમયગાળા દરમિયાન કામચલાઉ રીતે આજથી નવું કાઉન્ટર શરૂ કર્યું છે. IRCTC નું કાઉન્ટર ખૂલતા મુસાફરોને હવે ફ્લાઇટ કેન્સલ થતાં રેલવેમાં બુકિંગ માટેનો તરત ઓપ્શન મળી રહેશે. લાખો મુસાફરો અલગ અલગ એરપોર્ટ પર રઝળ્યાદેશની સૌથી મોટી એરલાઇન્સ કંપની ઈન્ડિગો હાલમાં સૌથી મોટા ક્રાઈસીસમાંથી પસાર થઈ રહી છે. નવા પાયલટ રુલ્સના કારણે 2 હજારથી પણ વધારે ફ્લાઈટ્સ કેન્સલ થઈ છે. લાખો મુસાફરો દેશના અલગ અલગ એરપોર્ટ પર રઝળી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટની વાત કરીએ તો છેલ્લા 4 દિવસમાં હજારો મુસાફરો હેરાન પરેશાન થઈ રહ્યા છે. મુસાફરોને મુશ્કેલી પડી રહીઘણા મુસાફરોને આજની ફ્લાઇટ હતી તેવા લોકોને આવતીકાલ માટે રિ-શિડ્યુલ કરીને ટિકિટ આપવામાં આવી રહી છે. જેથી મુસાફરોને મુશ્કેલી પડી રહી છે. કોઈ પોતાની મિટિંગ પોસ્ટપોન્ડ કરી રહ્યું છે કોઈનું ઇન્ટરવ્યુ કેન્સલ થઈ રહ્યું છે. કોઈ પોતાના જ લગ્નના રિસેપ્શનમાં પહોંચી નથી શકતું. ત્યારે હવે અમદાવાદ એરપોર્ટના મુસાફરો માટે પશ્ચિમ રેલવેએ એરપોર્ટ પર જ કાઉન્ટર ઊભું કરીને મુસાફરોને ઓપ્શન આપ્યો છે. સ્પેશિયલ ટ્રેનનું બુકિંગ પણ થઈ જશેપશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના PRO અજય સોલંકીએ જણાવ્યું હતું કે, હમણાં યાત્રીઓની ફ્લાઇટ મિસ થઈ રહી છે અથવા તો કેન્સલ થઈ રહી છે એના માટે જ તેમણે હેલ્પડેસ્ક બનાવ્યું છે, કે જે હમણાં ત્યા IRCTCનું કાઉન્ટર પણ ખોલી દીધું છે. આપણે જેમ વેસ્ટર્ન રેલ્વે સ્પેશિયલ ટ્રેન ચલાવી રહ્યા છીએ, તો જો કોઈને જો બુકિંગ કરવું હોય તો કરવી શકે. IRCTCના કાઉન્ટર પરથી ટ્રેન ટિકિટ મળી શકશેતેને વધુમાં કહ્યું કે, જો કોઈની ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ હોય અને તેને દિલ્હી જવું હોય કે મુંબઈ જવું હોય, તો ત્યાંથી જ તે IRCTCના કાઉન્ટર પરથી પોતાની ટિકિટ બુક કરી શકે છે, ઑન ધ સ્પોટ. ત્યાં એક કાઉન્ટર ખુલ્લું છે. ટિકિટ બુક કરીને અને સ્ટેશન જઈને પોતાની ટ્રેન લઈ શકે છે, એટલે કે સાબરમતી કે અમદાવાદ જઈને. તો એના માટેની સવલત માટે તેમણે આ હેલ્પડેસ્ક ખોલ્યો છે. મધ્ય રેલ્વે દ્વારા 14 વિશેષ ટ્રેનનું સંચાલનમધ્ય રેલ્વે મુસાફરોની વધેલી માંગને પહોંચી વળવા માટે 14 વિશેષ ટ્રેન સેવાઓનું સંચાલન કરશે. આમાં 6 અને 7 ડિસેમ્બરના રોજ ટ્રેન નંબર 01413/01414 પુણે–બેંગલુરુ–પુણે; 7 અને 9 ડિસેમ્બરના રોજ 01409/01410 પુણે–હઝરત નિઝામુદ્દીન–પુણે; 7 અને 8 ડિસેમ્બરના રોજ 01019/01020 લોકમાન્ય ટિલક ટર્મિનસ (LTT)–માડગાંવ–LTT; 6 અને 7 ડિસેમ્બરના રોજ 01077/01078 છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)–હઝરત નિઝામુદ્દીન–CSMT; 6 અને 7 ડિસેમ્બરના રોજ 01015/01016 LTT–લખનૌ–LTT; 6 અને 7 ડિસેમ્બરના રોજ 01012/01011 નાગપુર–CSMT–નાગપુર; 7 અને 9 ડિસેમ્બરના રોજ 05587/05588 ગોરખપુર–LTT–ગોરખપુર; અને 10 અને 12 ડિસેમ્બરના રોજ 08245/08246 બિલાસપુર–LTT–બિલાસપુરનો સમાવેશ થાય છે. દક્ષિણ પૂર્વીય રેલ્વે દ્વારા વિશેષ ટ્રેનનું સંચાલનદક્ષિણ પૂર્વીય રેલ્વેએ તાજેતરના ફ્લાઇટ રદ્દીકરણ પછી માંગમાં વધારો થવાને સંભાળવા માટે વિશેષ ટ્રેનોનું આયોજન કર્યું છે. આમાં ટ્રેન નંબર 08073/08074 સાન્ત્રાગાછી–યેલહંકા–સાન્ત્રાગાછીનો સમાવેશ થાય છે, જેમાં 08073 સાન્ત્રાગાછીથી 7 ડિસેમ્બરે ઉપડશે, અને 08074 યેલહંકાથી 9 ડિસેમ્બરે પરત ફરશે. ટ્રેન નંબર 02870/02869 હાવડા–CSMT–હાવડા સ્પેશિયલ દોડશે, જેમાં 02870 હાવડાથી 6 ડિસેમ્બરે પ્રસ્થાન કરશે, અને 02869 CSMT થી 8 ડિસેમ્બરે પ્રસ્થાન કરશે. ટ્રેન નંબર 07148/07149 ચેરલાપલ્લી–શાલીમાર–ચેરલાપલ્લીનું સંચાલન કરવામાં આવશે, જેમાં 07148 ચેરલાપલ્લીથી 6 ડિસેમ્બરે પ્રસ્થાન કરશે, અને 07149 શાલીમારથી 8 ડિસેમ્બરે પ્રસ્થાન કરશે. મુસાફરોની વધારાની ભીડનું સંચાલન કરવા માટે, દક્ષિણ મધ્ય રેલ્વે 6 ડિસેમ્બર 2025 ના રોજ ત્રણ વિશેષ ટ્રેનોનું સંચાલન કરી રહી છે. ટ્રેન નંબર 07148 ચેરલાપલ્લીથી શાલીમાર, ટ્રેન નંબર 07146 સિકંદરાબાદથી ચેન્નઈ એગમોર, અને ટ્રેન નંબર 07150 હૈદરાબાદથી મુંબઈ LTT આજે પ્રસ્થાન કરી ચૂકી છે. પૂર્વીય રેલ્વે દ્વારા વિશેષ ટ્રેનનું સંચાલન પૂર્વીય રેલ્વે હાવડા, સીલદહ અને મુખ્ય સ્થળો વચ્ચે વિશેષ ટ્રેન સેવાઓનું સંચાલન કરશે. ટ્રેન નંબર 03009/03010 હાવડા–નવી દિલ્હી–હાવડા સ્પેશિયલ દોડશે, જેમાં 03009 હાવડાથી 6 ડિસેમ્બરે પ્રસ્થાન કરશે, અને 03010 નવી દિલ્હીથી 8 ડિસેમ્બરે પ્રસ્થાન કરશે. ટ્રેન નંબર 03127/03128 સીલદહ–LTT–સીલદહ સ્પેશિયલનું સંચાલન કરવામાં આવશે, જેમાં 03127 સીલદહથી 6 ડિસેમ્બરે ઉપડશે, અને 03128 LTT થી 9 ડિસેમ્બરે પ્રસ્થાન કરશે. પશ્ચિમ રેલ્વે દ્વારા સાત વિશેષ ટ્રેનોનું સંચાલન પશ્ચિમ રેલ્વે મુસાફરીની વધેલી માંગને પહોંચી વળવા માટે સાત વિશેષ ટ્રેનોનું સંચાલન કરશે. આમાં ટ્રેન નંબર 09001/09002 મુંબઈ સેન્ટ્રલ–ભિવાની સુપરફાસ્ટ સ્પેશિયલ (દ્વિ-સાપ્તાહિક)નો સમાવેશ થાય છે, જે 9 અને 30 ડિસેમ્બર વચ્ચે મુંબઈ સેન્ટ્રલથી દર મંગળવાર અને શુક્રવારે અને 10 અને 31 ડિસેમ્બર વચ્ચે ભિવાનીથી દર બુધવાર અને શનિવારે ચાલશે, કુલ 14 ટ્રિપ્સ. માર્ગમાં આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, રતલામ, મંદસૌર, નીમચ, ચિત્તોડગઢ, ભિલવાડા, બિજયનગર, નસીરાબાદ, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, બાંદીકુઈ, અલવર, રેવાડી, કોસલી અને ચરખી દાદરી સ્ટેશનો પર રોકાશે. ટ્રેન નંબર 09003/09004 મુંબઈ સેન્ટ્રલ–શકુર બસ્તી સુપરફાસ્ટ સ્પેશિયલ 8 અને 29 ડિસેમ્બર વચ્ચે મુંબઈ સેન્ટ્રલથી મંગળવાર અને શુક્રવાર સિવાય દરરોજ, અને 9 અને 30 ડિસેમ્બર વચ્ચે શકુર બસ્તીથી બુધવાર અને શનિવાર સિવાય દરરોજ દોડશે, કુલ 32 ટ્રિપ્સ, જેનું બુકિંગ 6 ડિસેમ્બરના રોજ ખુલશે. ટ્રેન નંબર 09730/09729 બાંદ્રા ટર્મિનસ–દુર્ગપુરા સુપરફાસ્ટ સ્પેશિયલ 09730 સાથે 8 ડિસેમ્બરના રોજ બાંદ્રા ટર્મિનસથી પ્રસ્થાન કરશે અને 09729 સાથે 7 ડિસેમ્બરના રોજ દુર્ગપુરાથી પ્રસ્થાન કરશે, જેનું બુકિંગ 6 ડિસેમ્બરના રોજ ખુલશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી - 2 ટાયર, એસી - 3 ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે. મુસાફરોની વધેલી માંગના પ્રતિભાવમાં, ભારતીય રેલ્વે ગોરખપુરથી વધારાની સેવાઓનું સંચાલન કરશે. ટ્રેન નંબર 05591/05592 ગોરખપુર–આનંદ વિહાર ટર્મિનલ–ગોરખપુર બે ટ્રિપ્સ માટે દોડશે, જેમાં 7 અને 8 ડિસેમ્બરના રોજ ગોરખપુરથી અને 8 અને 9 ડિસેમ્બરના રોજ આનંદ વિહાર ટર્મિનલથી પ્રસ્થાન થશે. ટ્રેન નંબર 05587/05588 ગોરખપુર–LTT–ગોરખપુર 7 ડિસેમ્બરના રોજ ગોરખપુરથી અને 9 ડિસેમ્બરના રોજ LTT થી પ્રસ્થાન સાથે દોડશે. બિહારથી વિશેષ ટ્રેનોનું સંચાલનબિહારથી શિયાળુ મુસાફરીની સુવિધા માટે, પૂર્વ મધ્ય રેલ્વે પટના અને દરભંગાથી આનંદ વિહાર ટર્મિનલ સુધી વિશેષ ટ્રેનોનું સંચાલન કરશે. ટ્રેન નંબર 02309/02310 પટના–આનંદ વિહાર ટર્મિનલ–પટના 6 અને 8 ડિસેમ્બરના રોજ પટનાથી અને 7 અને 9 ડિસેમ્બરના રોજ આનંદ વિહાર ટર્મિનલથી પ્રસ્થાન સાથે દોડશે. ટ્રેન નંબર 02395/02396 પટના–આનંદ વિહાર ટર્મિનલ–પટનાનું સંચાલન કરવામાં આવશે, જેમાં 02395 પટનાથી 7 ડિસેમ્બરના રોજ અને 02396 આનંદ વિહાર ટર્મિનલથી 8 ડિસેમ્બરના રોજ ઉપડશે. ટ્રેન નંબર 05563/05564 દરભંગા–આનંદ વિહાર ટર્મિનલ–દરભંગા 7 ડિસેમ્બરના રોજ દરભંગાથી અને 9 ડિસેમ્બરના રોજ આનંદ વિહાર ટર્મિનલથી પ્રસ્થાન સાથે દોડશે. એક-ટ્રિપના આધારે બે સ્પેશિયલ ફેર સ્પેશિયલ ટ્રેનોનું સંચાલનઉત્તર પશ્ચિમ રેલ્વે આગામી મુસાફરીના સમયગાળા દરમિયાન મુસાફરોની વધારાની ભીડ દૂર કરવા માટે એક-ટ્રિપના આધારે બે સ્પેશિયલ ફેર સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન કરશે. ટ્રેન નંબર 04725 હિસાર–ખાડકી સ્પેશિયલ 7 ડિસેમ્બર 2025 ના રોજ હિસારથી પ્રસ્થાન કરશે, જ્યારે પરત સેવા, ટ્રેન નંબર 04726 ખાડકી–હિસાર સ્પેશિયલ, 8 ડિસેમ્બર 2025 ના રોજ ખાડકીથી પ્રસ્થાન કરશે. ઉત્તર પશ્ચિમ રેલ્વે એક-ટ્રિપ સ્પેશિયલ ફેર સ્પેશિયલ ટ્રેન નંબર 09729 દુર્ગપુરા–બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ પણ દોડાવશે, જે 7 ડિસેમ્બર 2025 ના રોજ દુર્ગપુરાથી પ્રસ્થાન કરશે. પરત સેવા, ટ્રેન નંબર 09730 બાંદ્રા ટર્મિનસ–દુર્ગપુરા સ્પેશિયલ, 8 ડિસેમ્બર 2025 ના રોજ બાંદ્રા ટર્મિનસથી ઉપડશે. પ્રયાગરાજ અને નવી દિલ્હી વચ્ચે વિશેષ ટ્રેનોમુસાફરોની સુવિધા માટે, ઉત્તર મધ્ય રેલ્વે પ્રયાગરાજ અને નવી દિલ્હી વચ્ચે વિશેષ ટ્રેનોનું સંચાલન કરશે. ટ્રેન નંબર 02417 6 અને 8 ડિસેમ્બરના રોજ પ્રયાગરાજથી પ્રસ્થાન કરશે, અને 7 અને 9 ડિસેમ્બરના રોજ ટ્રેન નંબર 02418 તરીકે નવી દિલ્હીથી પરત ફરશે, જેમાં દરેક દિશામાં કુલ બે ટ્રિપ્સ થશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 02275 7 ડિસેમ્બરના રોજ પ્રયાગરાજથી પ્રસ્થાન કરશે, અને 8 ડિસેમ્બરના રોજ ટ્રેન નંબર 02276 તરીકે નવી દિલ્હીથી પરત ફરશે, જેમાં દરેક દિશામાં એક-એક ટ્રિપનું સંચાલન થશે. ઉત્તર અને પશ્ચિમ વચ્ચે લાંબા અંતરની અવરજવરની સુવિધા માટે વિશેષ ટ્રેનોઉત્તરીય રેલ્વે 6 ડિસેમ્બર 2025 ના રોજ 02439 નવી દિલ્હી–શહીદ કેપ્ટન તુષાર મહાજન ઉધમપુર વંદે ભારત દોડાવશે, તેની સાથે તે જ તારીખે અનુરૂપ 02440 ઉધમપુર–નવી દિલ્હી વંદે ભારત પણ દોડાવશે, જે રાષ્ટ્રીય રાજધાની અને જમ્મુ અને કાશ્મીર વચ્ચે ઝડપી અને વધુ આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરશે. ઉત્તર અને પશ્ચિમ વચ્ચે લાંબા અંતરની અવરજવરની સુવિધા માટે, 04002 નવી દિલ્હી–મુંબઈ સેન્ટ્રલ ટ્રેન 6 ડિસેમ્બર 2025 ના રોજ દોડશે, જ્યારે પરત સેવા 04001 મુંબઈ સેન્ટ્રલ–નવી દિલ્હી 7 ડિસેમ્બર 2025 ના રોજ દોડશે. ઉત્તરીય રેલ્વે 04080 હઝરત નિઝામુદ્દીન–તિરુવનંતપુરમ સેન્ટ્રલ સ્પેશિયલ દ્વારા પણ દિલ્હીને દક્ષિણ રેલ્વે સાથે જોડશે, જે 6 ડિસેમ્બર 2025 માટે નિર્ધારિત છે. દક્ષિણ મધ્ય રેલ્વે નેટવર્કમાં પ્રાદેશિક ગતિશીલતાને મજબૂત કરતા, 07703 ચલિપલ્લી–જલિમાર ટ્રેન 7 ડિસેમ્બર 2025 ના રોજ દોડશે. શિયાળુ ભીડનું સંચાલન કરવા માટે, દુર્ગ અને હઝરત નિઝામુદ્દીન વચ્ચે એક વિશેષ ટ્રેન દોડશે. ટ્રેન 08760 7 ડિસેમ્બર 2025 ના રોજ દુર્ગથી પ્રસ્થાન કરશે, અને ટ્રેન 08761 8 ડિસેમ્બર 2025 ના રોજ હઝરત નિઝામુદ્દીનથી પ્રસ્થાન કરશે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 9:36 am

અમદાવાદનું નવુ ‘સરદાર’ગ્રામ રેલવે સ્ટેશન બન્યું દારૂડિયાનો અડ્ડો:પરિસરમાં દારૂ-બિયરની અનેક બોટલો જોવા મળી; સ્થાનિકે કહ્યું-100 મીટર દૂર જ વેચાણ, રાત્રે મહેફિલ થાય છે

ગાંધીના ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના વેચાણને લઈને કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા સરકાર અને પોલીસને દરેક કાર્યક્રમમાં ઘેરવામાં છે. ગુજરાતમાં ઠે- ઠેર દારૂના અડ્ડા ચાલતા હોવાને લઈને નાગરિકો હેરાન થઈ રહ્યા છે, ત્યારે અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલું સરદારગ્રામ રેલવે સ્ટેશન દારૂડિયાઓનો અડ્ડો બની ગયું છે. નવા બનેલા રેલવે સ્ટેશન પરિસરમાં દારૂ અને બિયરની ખાલી બોટલો પડેલી જોવા મળી છે. સરદારગ્રામ રેલવે સ્ટેશનથી 100 મીટર દૂર જ સરદારનગરનું છારાનગર આવેલું, જ્યાં બેફામ દારૂ અને બિયરનું વેચાણ થતું હોવાનું સ્થાનિકોનું કહેવું છે અને ત્યાંથી લોકો રેલવે સ્ટેશનમાં આવીને દારૂની મહેફીલ માણતા હોવાનું જાણવા મળ્યું છે. રેલવે પરિચરની તપાસ કરતા ઠેર-ઠેર દારૂ-બીયરની બોટલો જોવા મળીદિવ્ય ભાસ્કર દ્વારા સરદારગ્રામ રેલવે સ્ટેશનનો ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ નવા નકોર રેલવે સ્ટેશનના પરિસરમાં વેઇટિંગ રૂમની આગળના ભાગે વિશાળ ખુલ્લી જગ્યા આવેલી છે. વેઇટિંગ રૂમની આગળના ભાગે જ આ જગ્યામાં રાત્રે કેટલાક લોકો દારૂની મહેફિલ માણતા હોય તેમ દારૂની અને બિયરની ખાલી બોટલો જોવા મળી હતી. નવા બનેલા રેલવે સ્ટેશનમાં જવાનો રસ્તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કુબેરનગર વોર્ડ ઓફિસની સામેના ભાગે આવેલો છે. રેલવે સ્ટેશનના ભાગમાં જવા માટે કોઈ ગેટ રાખવામાં આવ્યો નથી. સરદારગ્રામ રેલવે સ્ટેશન ધૂળ ખાધેલી પરિસ્થિતિમાંરેલવે સ્ટેશનના પરિસરમાં અંદર જતાની સાથે જ ડાબી અને જમણી તરફ ખુલ્લી જગ્યા આવેલી છે, જેમાં જમણી તરફ રેલવે સ્ટેશનમાં જઈ શકાય છે. નવું બનાવવામાં આવેલું સરદારગ્રામ રેલવે સ્ટેશન અત્યારે ધૂળ ખાધેલી પરિસ્થિતિમાં જોવા મળ્યું હતું. રેલવે સ્ટેશનના વેઇટિંગ રૂમને તાળું મારેલું છે અને બહારના ભાગે ત્રણથી ચાર ખાલી દારૂની અને બેથી ત્રણ બિયરની બોટલો જોવા મળી હતી. આ દૃશ્યો સાબીત કરે છે કે, અહીં રાત્રિના દારૂની મહેફિલ થાય છે. પ્રજાના પૈસે દારૂડિયાઓ માટે અડ્ડો બન્યો હોય તેવો ઘાટ ઘડાયો એક જગ્યાએ તો બિયરની કાચની ખાલી બોટલ પણ ત્યાં મૂકી દેવામાં આવેલી હતી. આ સાથે રેલવે સ્ટેશન પરિસરમાં ઠેર-ઠેર ગંદકી જોવા મળી છે, જેથી અહીં સફાઈ કરવામાં ન આવતી હોવાના પણ દૃશ્યો જોવા મળ્યા હતા. પ્રજાના પૈસે ખર્ચ કરીને નવું સરદાર ગ્રામ રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે, પરંતુ આ રેલવે સ્ટેશન સરદારનગર નજીક દારૂડીયાઓ માટેનું અડ્ડો બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. છારાનગરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છેઃ સુત્રોસરદારગ્રામ રેલવે સ્ટેશન સરદારનગરના છારાનગરથી માત્ર 100 મીટર દૂર આવેલું છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, સરદારનગર વિસ્તારના છારાનગરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોય છે. અમદાવાદમાં દારૂ અને બીયરના વેચાણ માટે સરદારનગર ખૂબ જ જાણીતી જગ્યા છે. તાજેતરમાં જ નરોડા વિસ્તારમાં દારૂ અને બિયરની બોટલો રોડ ઉપર જોવા મળી હોવાના દૃશ્યો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતાં. જે દારૂ સરદારનગર વિસ્તારમાં લઈ જવામાં આવતો હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારે નરોડા અને સરદારનગર જેવા વિસ્તારોમાં દારૂનું વેચાણ થતું હોવાથી જ રેલવે સ્ટેશન જેવા પરિસર દારૂડિયાઓ માટે અડ્ડો બની ગયા છે. રાત્રિના અંધારામાં લોકો દારૂ પીવે છેઃ સ્થાનિકસ્થાનિક લોકોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં રેલવે સ્ટેશનથી 100 મીટર આગળ પાછળ દેશી દારૂ અને વિદેશી દારૂનું વેચાણ થાય છે. કેટલાક લોકો નજીકમાંથી દારૂ લાવીને આજ રેલવે સ્ટેશનના પરિસરમાં બેસીને પીવે છે. રાત્રે કોઈપણ વ્યક્તિ આ રેલવે સ્ટેશનમાં અવરજવર કરતું હોય છે, ક્યાંય કોઈપણ સુરક્ષાકર્મી હોતા નથી. નજીકમાં જ દારૂ મળી જતો હોવાથી લોકો ત્યાંથી લઈ અને આ જગ્યામાં કોઈ રાત્રે અંધારામાં પીવા આવે છે. સામે પણ ખુલ્લેઆમ ઝાડીઓમાં જઈને દેશી દારૂ પીવા લાગે છે. રેલવે સ્ટેશન દારૂડિયાનો અડ્ડો બનતા રેલવે-પોલીસ તંત્રની કામગીરી સામે સવાલઉલ્લેખનીય છે કે, નવું બનાવવામાં આવેલું સરદારગ્રામ રેલવે સ્ટેશન નાગરિકો માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું નથી. રાજસ્થાનના ઉદયપુર અને હિંમતનગર તરફ જવા માટેની ટ્રેનો સરદારગ્રામ રેલવે સ્ટેશન થઈને જતી હોય છે, ત્યારે આ રેલવે સ્ટેશન તાજેતરમાં જ નવું બનાવવામાં આવ્યું છે. પરંતુ સરદારનગર વિસ્તારમાં આ રેલવે સ્ટેશન દારૂડિયાઓનો અડ્ડો બની ગયું હોય તેવી સ્થિતિ જોવા મળી છે. ત્યારે સ્થાનિક સરદારનગર પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. રેલવે સ્ટેશનથી એકદમ નજીક જ્યારે દારૂનું વેચાણ થતું હોય ત્યારે પોલીસની આ વિસ્તારમાં સદંતર નિષ્ક્રિયતા હોવાના કારણે નવું બનેલું રેલવે સ્ટેશન જો દારૂડિયાઓનો અડ્ડો બની ગયું તો મુસાફરો માટે પણ આ જોખમ બની શકે તેમ છે. બહારથી દારૂ લાવી લોકો પીતા હોય તેવું બની શકેઃ RPFઆ મામલે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના PRO અજય સોલંકીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સરદારગ્રામનું રેલવે સ્ટેશન બનાવવામાં આવેલું છે, જે હાલ બંધ હાલતમાં છે. ત્યાં લોકો દારૂ પીવે છે તે અંગે તપાસ કરાવી લેશું. તો વધુમાં RPF અમદાવાદના અધિકારીએ જણાવ્યું હતું કે, ત્યાં સિક્યુરિટી રાખવામાં હોય છે, પરંતુ સ્થાનિક પોલીસની પણ જવાબદારી છે. બહારથી દારૂ લાવીને ત્યાં લોકો પીતા હોય તેવું બની શકે, પરંતુ સિક્યુરિટી ત્યાં રાખીશું.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 9:33 am