અમદાવાદના અસલાલી-બારેજા રોડ પર આવેલા એકતા હોટલની સામેની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી. અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 10 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. થીનર હોવાના કારણે આગ વધુ ફેલાઈ ગઈ હતી. જો કે, ફાયર બ્રિગેડની ટીમે મહામહેનતે આગ ઉપર કાબૂ મેળવ્યો છે. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આગ કાબૂમાં આવ્યા બાદ કુલિંગની કામગીરી હાથ ધરાઈફાયર બ્રિગેડ કન્ટ્રોલ રૂમના જણાવ્યા મુજબ, અસલાલી-બારેજા રોડ ઉપર ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી. થીનર ફેક્ટરીમાં આગ હતી જેથી વધારે ગાડીઓ મોકલવામાં આવી હતી. આગ હાલ સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ છે અને કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે.
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર દોરવામાં મધુનગરના ટીપી 55-એના 18 મીટર રોડ લાઈનમાં આવતા કાચા પાકા છાપરાવાળા 37 મકાનોનો સફાયો સ્થાનિક પોલીસ, જીઈબી, એમ્બ્યુલન્સ અને ફાયર સ્ટાફના સહયોગથી દબાણ શાખા દ્વારા કરવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં ઠેક ઠેકાણે જ્યાં જુઓ ત્યાં કાચા પાકા દબાણો જોવા મળી રહ્યા છે. જેના કારણે શહેરમાં ટ્રાફિક સમસ્યા વધી છે. ક્યારેક સરકારી મિલકતો અને રોડની જગ્યાએ અનેક દબાણો જોવા મળી રહ્યા છે, જેના કારણે વાહન પાર્કિંગ અને અન્ય સમસ્યાઓ સર્જાઈ છે. ત્યારે આજે દબાણ શાખા દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોરવા મધુનગર ખાતે ટીપી 55-એ માંથી 18 મીટર રોડ લાઈન પસાર થાય છે, પરંતુ આ વિસ્તારમાં અનેક કાચા પાકા અને પતરાવાળા મકાનો ગેરકાયદે બની ગયા હોવાની વિગતો બહાર આવી હતી. જેથી પાલિકા તંત્ર દ્વારા આ ગેરકાયદે બાંધકામો દૂર કરવા દબાણ શાખાને કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આજે દબાણ શાખાની ટીમ દ્વારા ગેરકાયદે બનેલા 37 કાચા પાકા અને પતરાવાળા મકાનો સ્થાનિક ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, વીજ નિગમનો સ્ટાફ, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ઉપસ્થિતિમાં હટાવવાની કાર્યવાહી દબાણ શાખા દ્વારા શરૂ કરાઈ હતી. આ કાર્યવાહીમાં ચાર બુલડોઝર અને એક ડોઝરનો ઉપયોગ દબાણ શાખા દ્વારા કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન સ્થાનિક લોકોના ટોળેટોળા એકત્રિત થયા હતા. પરંતુ પોલીસ કાફલાએ લોકોને આ કાર્યવાહી સ્થળેથી દૂર ખસેડ્યા હતા. આ સ્થળે કોઈ આકસ્મિક કે અઘટિત ઘટના ન સર્જાય એ માટે એમ્બ્યુલન્સ અને ફાયર વિભાગની ટીમ પણ જોવા મળી હતી. સાથે વીજ કંપનીના સ્ટાફ દ્વારા તમામ કાચા પાકા અને છાપરાવાળા ગેરકાયદે મકાનોના યેનકેન મેળવાયેલા વીજ કનેક્શન દબાણ શાખાની કાર્યવાહી અગાઉ જ કાપી નાખવામાં આવ્યા હતા.
મહેસાણા મહાનગરપાલિકા દ્વારા નવા અને જૂના વિસ્તારોમાં કરોડો રૂપિયાના ખર્ચે નવીન 21 સ્માર્ટ આંગણવાડી અને 32 જૂની આંગણવાડીઓને રિનોવેશન કરવા સાથે સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવનાર છે. જેમાં અત્યારસુધીમાં ઋતુરાજ, ટી.બી.રોડ, સેંધાપરામાં સ્માર્ટ આંગણવાડીની કામગીરી પૂર્ણ થઈ હોવાનું નાયબ કમિશનરે જણાવ્યું હતું. 'છ મહિનામાં 53 સ્માર્ટ આંગણવાડીઓનું કામ પૂરુ થશે'નાયબ કમિશનર દર્શનસિંહ ચાવડાએ કહ્યું હતું કે, આગામી છ મહિનામાં જ તમામ 53 સ્માર્ટ આંગણવાડીઓનું કામ પૂરુ કરવામાં આવશે. મહેસાણા મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવવાના પગલે મ્યુનિ.તંત્રમાં સમાવિષ્ટ નવા અને જૂના આશરે 120 ચો. કિમી. હદ વિસ્તારમાં કુલ 53 આંગણવાડીઓને રિનોવેશન સાથે સ્માર્ટ આંગણવાડીમાં તબદીલ કરવાની કામગીરી વાર્ષિક કોન્ટ્રાક્ટ મુજબ શરૂ કરવામાં આવી છે. નવીન 21 સ્માર્ટ આંગણવાડી બનશેૠતુરાજ, ટી.બી.રોડ, સેંધાપરા વિસ્તારમાં 3 સ્માર્ટ આંગણવાડી અત્યાર સુધીમાં તૈયાર થઈ ગઈ છે. જ્યારે 12 નવીન સ્માર્ટ આંગણવાડી નિર્માણનું કામ પ્રગતિમાં છે. શહેરમાં વધુ નવીન 21 સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવનાર છે. જે પૈકીની પાંચ સ્માર્ટ આંગણવાડીની કામગીરી ચાલી રહી હોવાનું નાયબ કમિશનર દર્શનસિંહ ચાવડાએ જણાવ્યું હતું. આંગણવાડીઓના રિનોવેશન સાથે સ્માર્ટમાં રૂપાંતરણતેમના જણાવ્યા મુજબ મહેસાણા મ્યુનિ.કોર્પોરેશન હદ વિસ્તારમાં કુલ 53 આંગણવાડીઓને રિનોવેશન સાથે સ્માર્ટ આંગણવાડીમાં રૂપાંતરણ કરવામાં આવનાર છે. જેમાં ૠતુરાજ ફ્લેટ, ટી.બી.રોડ, સેંધાપરા, નાગલપુરમાં-2, પાલાવાસણામાં-4, કસબામાં-1, ઊંડી ફળી-1 વગેરે વિસ્તારો મળી કુલ 21 સ્માર્ટ આંગણવાડીઓના નિર્માણ પાછળ અંદાજે રૂ.4 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે, એક સ્માર્ટ આંગણવાડી બનાવવા માટે અંદાજીત રૂ.20 લાખના ખર્ચને અંદાજવામાં આવ્યો છે
વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા કર્ણાવતી મહાનગર પશ્ચિમના ભાગવત વિભાગના નારણપુરા પ્રખંડમાં નિધિ એકત્રિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સંગઠન માટે ભંડોળ એકત્ર કરવાનો હતો. આ નિધિ એકત્રીકરણ અભિયાનમાં ઉત્તર ગુજરાત પ્રાંતના સહ-સંયોજિકા ચંદ્રિકાબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીએ કાર્યક્રમને વધુ વેગ આપ્યો હતો. આ પ્રસંગે ભાગવત વિભાગના રંજનબેન અને માતૃશક્તિ નારણપુરાના જિલ્લા સંયોજિકા હેતલબેન સહિતના અન્ય અગ્રણી કાર્યકરો પણ હાજર રહ્યા હતા. તેમણે કાર્યક્રમના સુચારુ સંચાલનમાં સહયોગ આપ્યો હતો.
રેલવેમાં મોટાભાગના લોકો મુસાફરી કરતા હોય છે ત્યારે પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ગાંધીનગર હાઈવેથી માણસા વચ્ચે આવેલ રાંધેજા રેલવે ફાટક નં.15 માર્ગ વાહન વ્યવહાર માટે તાત્કાલિક રૂપે બંધ રહેશે. આવતીકાલે એટલે કે 13 નવેમ્બરના રોજ રાત્રે 11 વાગ્યાથી બીજા દિવસે સવારે 3 વાગ્યા સુધી બંધ રહેશે. આવતીકાલે 4 કલાક રાંધેજા રેલવે ફાટક નં.15 બંધ રહેશેઆ ફાટક આવતીકાલે(13 નવેમ્બર)ની રાત્રે 11 વાગ્યાથી 14 નવેમ્બરની વહેલી સવારે 3 વાગ્યા સુધી, એટલે કે કુલ 4 કલાક માટે બંધ રહેશે. આદરજ મોટી–વિઝાપુર રેલવે લાઇનના ગેજ પરિવર્તન પ્રોજેક્ટ હેઠળ મશીન ટેમ્પિંગ કાર્ય પૂર્ણ કરવા માટે આ ફાટક બંધ રાખવામાં આવશે.
લોહપુરુષ સરદાર વલ્લભ પટેલની ૧૫૦મી જન્મ જ્યંતી પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્રને ઉજાગર કરતા ભારત પર્વ-૨૦૨૫ની ઐતિહાસિક ઉજવણીમાં તા.૧૧ નવેમ્બરને મંગળવારના રોજ મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુ પટેલ એકતાનગરની મુલાકાત લઈ સહભાગી થયા હતા. આ અવસરે મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રીઓ રાજેન્દ્ર શુક્લા અને જગદીશ દેવડા, મધ્યપ્રદેશના સાંસ્કૃતિક અને પ્રવાસન મંત્રી ધર્મેન્દ્રસિંહ લોધી અને ગુજરાતના રાજ્યમંત્રી કૌશિક વેકરિયા પણ આ મુલાકાતમાં સામેલ થયા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીની એકતાનગરની પાવન ધરતી એ ગર્વનું પ્રતિક છે એમ જણાવતા રાજ્યપાલ મંગુ પટેલે કહ્યું હતું કે, રાષ્ટ્રીય એકતાના તીર્થ ખાતે રાષ્ટ્રીય ગૌરવ સરદારને નમન કરવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. આપણે ભારત પર્વની ઉજવણી કરવા સક્ષમ બન્યા છે તેનો આધાર સરદારे સ્થાપ્યો છે. અહીં એકતા અને અખંડિત્તાનો ઉજાસ પ્રસરે છે. ભારત પર્વનું આયોજન ભારતની એકતા, અખંડિતતા અને આત્મગૌરવની ભાવના જગાડવાનો અને સામૂહિક વિકાસયાત્રાને આગળ ધપાવવાનો ઉત્તમ પ્રયાસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના કાર્યો દ્વારા સંવિધાનની મૂળ ભાવના, વિવિધતામાં એકતા ને જીવંત કરી છે. વધુમાં રાજ્યપાલએ કહ્યું હતું કે, સરદાર પટેલની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા નિર્માણ કરાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ગૌરવમાં વધારો કર્યો છે. ભારતની સાચી શક્તિ દેશની એકતા અને વિવિધતા છે એ સરદાર પટેલ અને ભગવાન બિરસા મુંડાનો જીવન સંદેશ છે. સાથે જ, ભગવાન બિરસા મૂંડાની ૧૫૦મી જન્મજયંતીની ભવ્ય ઉજવણીના આયોજન બદલ ગુજરાત સરકારને અભિનંદન પાઠવું છું. રાજ્યપાલએ એકતાનગર સ્થિત આરોગ્ય વનની મુલાકાત લઈ ઔષધિય વનસ્પતિઓ વિષે વિસ્તૃત માહિતી મેળવી હતી. બાદમાં તેમણે જંગલ સફારીની પણ મુલાકાત કરી પ્રવાસીઓ સાથે સંવાદ કર્યો હતો. રાજ્યપાલએ લોહપુરુષ સરદાર વલ્લભ પટેલની અતિભવ્ય પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. મહાનુભાવોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત દરમિયાન સરદાર પટેલના જીવનકવનને જાણવા ફોટો પ્રદર્શની તેમજ શોર્ટ ફિલ્મ નિહાળી હતી. તેમણે વ્યુઇંગ ગેલેરી ખાતેથી સરદાર સરોવર ડેમ અને આસપાસના કુદરતી નજારાનો આનંદ પણ માણ્યો હતો. સાથે સાથે પ્રતિમાના આંતરિક બાંધકામની પણ માહિતી મેળવી હતી. તમામ મહાનુભાવોએ ભારત દર્શન પેવેલિયનની મુલાકાત લઈ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પર્યટન સ્થળો, કલા, હસ્તકળા અને સંસ્કૃતિ દર્શન પ્રદર્શનોનો અને સ્ટોલની મુલાકાત કરી માહિતી મેળવી હતી. ફુડ સ્ટોલ્સ અને લાઇવ કિચન સ્ટુડિયોની મુલાકાત કરી વિવિધ પરંપરાગત વાનગીઓનો સ્વાદ માણ્યો હતો. ત્યારબાદ રાજ્યપાલએ ભારત પર્વ 2025ના સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિતિ આપી હતી. આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશ, મણિપુર અને નાગાલેન્ડ સહિત અન્ય રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિને ઉત્સાહભેર નિહાળી હતી.રાજ્યપાલની મુલાકાત દરમિયાન સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના ચેરમેન મુકેશપુરી સહિત વિવિધ રાજ્યોના વરિષ્ઠ સનદી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય કેફેના મહિલા કર્મીના આરોગ્યની જાણકારી મેળવી મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુ પટેલે આરોગ્ય વનની મુલાકાત કરી વિવિધ આરોગ્યલક્ષી ઔષધિઓ વિષે વિસ્તૃત માહિતી મેળવી હતી. આ દરમિયાન આદિવાસી મહિલા સખી મંડળ દ્વારા સંચાલિત આરોગ્ય કેફેની મુલાકાત કરી કાર્યપ્રણાલી અને આવક અંગેની માહિતી મેળવી હતી. તે દરમિયાન કેફેની યુવા કર્મચારીને તેમના આરોગ્ય અને સિકલસેલ એનિમિયા વિષે જાણકારી મેળવી યોગ્ય દાક્તરી તપાસ કરાવી સારવાર લેવા જણાવ્યું હતું.
જામનગરમાં BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના દિવ્ય સાનિધ્યમાં બાળ દિનની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે 'મિશન રાજીપો' કાર્યક્રમ અંતર્ગત હજારો બાળકો અને બાલિકાઓ ઉપસ્થિત રહ્યા હતા. મહંત સ્વામી મહારાજે સર્વ શાસ્ત્રના સાર સ્વરૂપે લખેલા 'સત્સંગ દીક્ષા' ગ્રંથના 315 શ્લોકો 10,000 બાળકો અને બાલિકાઓ મુખપાઠ કરે તેવો સંકલ્પ કર્યો હતો. તેમના આશીર્વાદ, સંતો, કાર્યકરો, વાલીઓ અને બાળ-બાલિકાઓના અપાર પુરુષાર્થથી BAPS સંસ્થામાં 3 થી 13 વર્ષ સુધીના કુલ 15,366 બાળ-બાલિકાઓએ આ શ્લોકો મુખપાઠ કરીને વિશ્વવિક્રમ સર્જ્યો છે. આ સિદ્ધિમાં જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારના 150 જેટલા બાળ-બાલિકાઓએ પણ સત્સંગ દીક્ષાના શ્લોકો મુખપાઠ કરીને યોગદાન આપ્યું છે. વિશેષરૂપે, જામનગરના જન્મથી અંધ બાળકે પણ મહંત સ્વામી મહારાજને પ્રસન્ન કરવા માટે સંસ્કૃતમાં સત્સંગ દીક્ષાના 315 શ્લોક મુખપાઠ કર્યા હતા. અભ્યાસની સાથે સંસ્કૃતના 315 શ્લોકો મુખપાઠ કરનાર બાળકોને પાલખીમાં બિરાજમાન કરીને સંતોએ તેમના પર પુષ્પવર્ષા કરી હતી. આ રીતે બાળકોના પુરુષાર્થને બિરદાવવામાં આવ્યો હતો. 92 વર્ષીય મહંત સ્વામી મહારાજે બાળકો સાથે ક્વિઝ, શબ્દ પરથી અને ચિત્ર પરથી શ્લોક પૂછીને તેમની કસોટી કરી હતી. તેમણે ઉપસ્થિત બાળકો અને બાલિકાઓને આશીર્વાદ આપતા જણાવ્યું કે, પુનરાવર્તન કરતા રહો, ન કરો તો ભૂલી જવાય. માટે દરરોજ 46 શ્લોકનું પુનરાવર્તન કરવું, તો મુખપાઠ તાજો અને તાજો જ રહેશે. તેમણે મુખપાઠ કરનાર તમામ બાળ-બાલિકાઓને આપેલી ભેટ વસ્તુઓને પ્રસાદીભૂત કરી હતી. આજના ટીવી, મોબાઈલ, સોશિયલ મીડિયા અને વ્યસનોના આક્રમણ વચ્ચે શિક્ષણ, સંસ્કાર અને સનાતન ધર્મથી દૂર થઈ રહેલા બાળકો અને યુવાનો માટે મહંત સ્વામી મહારાજે નાના બાળકો અને બાલિકાઓને સંસ્કૃતના 315 શ્લોકો કંઠસ્થ કરાવીને સંસ્કાર, સદાચાર અને સનાતન સંસ્કૃતિ સાથે જોડવાનું ભગીરથ કાર્ય કર્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની ટીમને ગેરકાયદેસર રેતી ખનન રોકવા જતાં ધમકી અને ફરજમાં રૂકાવટનો સામનો કરવો પડ્યો છે. આ મામલે ટીમના સુપરવાઈઝર વિનયભાઈ ડોડીયાએ વઢવાણ તાલુકાના નાના કેરાળા ગામના વાલાભાઇ અને એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી વિનયભાઈ ડોડીયા (ખાણ ખનીજ વિભાગ, માઈન્સ સુપરવાઈઝર, સુરેન્દ્રનગર) તેમના ડ્રાઈવર યુવરાજસિંહ ગોહિલ અને બે સિક્યુરિટી ગાર્ડ ગુલાબભાઈ પરમાર તથા જયદીપસિંહ રાઠોડ સાથે સરકારી બોલેરો ગાડીમાં ગેરકાયદેસર ખનન, વહન અને સંગ્રહની તપાસ માટે નીકળ્યા હતા. તપાસ દરમિયાન, નાના કેરાળા ગામ પાસે 'પપ્પુના ચીલા' તરીકે ઓળખાતા રસ્તે ભોગાવા નદીના કાંઠે ગેરકાયદેસર રેતી ખનન થતું જોવા મળ્યું હતું. ત્યાં એક સફેદ ડમ્પર (નંબર પ્લેટ વગરનું) અને એક લોડર રેતીનું વહન કરી રહ્યા હતા. ટીમને જોઈને વાહનચાલકો ભાગવા લાગ્યા હતા. ટીમે ડમ્પર અને લોડરને ઉભા રાખવાનો પ્રયાસ કર્યો. ડમ્પર ચાલકે વાહન ઉભું રાખ્યું, પરંતુ લોડર ચાલક લીંબડી હાઈવે શેડ તરફ ભાગી ગયો. સિક્યુરિટી ગાર્ડ ગુલાબભાઈ પરમારને ડમ્પર પાસે ઉભા રાખી, બાકીની ટીમે સરકારી ગાડી વડે લોડરનો પીછો કર્યો. લોડરને આડું મૂકી ઉભું રખાવવામાં આવ્યું. સિક્યુરિટી ગાર્ડ જયદીપસિંહ રાઠોડને લોડરમાં બેસાડી ડમ્પર પાસે પાછા લાવવા જણાવ્યું. ત્યારબાદ સરકારી ગાડી ડમ્પરની આગળ આડી મૂકી ડ્રાઈવર પાસેથી ચાવી લઈ લેવામાં આવી. આ સમયે હાઈવે તરફથી દેકારો થતાં ટીમના સભ્યો ત્યાં પહોંચ્યા. ત્યાં બે અજાણ્યા ઈસમો સિક્યુરિટી ગાર્ડ જયદીપસિંહ રાઠોડ સાથે બોલાચાલી કરી ગાળો આપી રહ્યા હતા. લોડર ચાલક ફરીથી લોડર લઈને ભાગી ગયો અને આગળ જઈને ઉભો રાખ્યો. એક ઈસમે પોતાનું નામ વાલાભાઈ અને નાના કેરાળા ગામનો હોવાનું જણાવી, ડમ્પર અને લોડર પોતાના હોવાનું કહ્યું. તેણે ચાવી પાછી આપવા ધમકી આપી અને ગાળો ભાંડી. તેણે ચાવી ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો અને ધમકી આપી કે જો તે ડમ્પરનો ડ્રાઈવર હોત તો ફરિયાદી પર ડમ્પર ચડાવી દેત. વિનયભાઈએ તરત જ મોબાઈલમાં વીડિયો ઉતારવાનું શરૂ કર્યું અને 100 નંબર પર ફોન કર્યો. થોડીવારમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. આ ઘટનામાં કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવા બદલ આ બંને ઈસમો વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
દેશની રાજધાની દિલ્હીમાં તાજેતરમાં બનેલી કાર બ્લાસ્ટની ઘટનાના પગલે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. આ તંગ માહોલ વચ્ચે સુરત શહેરના રાંદેર વિસ્તારમાં એક ગણેશ મંદિરની માત્ર 10 મીટરના અંતરે એક બિનવારસી સુટકેસ મળી આવતા શહેર પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, બોમ્બ સ્ક્વોડ દ્વારા તકેદારીપૂર્વક તપાસ કર્યા બાદ સુટકેસમાંથી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. કંટ્રોલ રૂમમાં ફોન રણકતા જ પોલીસ એલર્ટ બની આ ઘટનાક્રમની શરૂઆત આજે સવારે આશરે 11:00 વાગ્યે થઈ હતી. સુરત પોલીસના કંટ્રોલ રૂમને એક કોલ મળ્યો હતો કે રાંદેર વિસ્તારમાં ગણેશ મંદિરની બરાબર સામે સિગ્નલ નજીક એક કાળા રંગની શંકાસ્પદ સુટકેસ લાંબા સમયથી બિનવારસી હાલતમાં પડી છે. ધાર્મિક સ્થળની નજીક અને દેશમાં હાલ પ્રવર્તી રહેલા સુરક્ષાના માહોલને ધ્યાનમાં રાખીને, આ કોલને ગંભીરતાથી લેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ રાંદેર પોલીસ સ્ટેશનના PI આર. જે. ચૌધરી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. કોઈપણ પ્રકારનું જોખમ ન રહે તે માટે વિસ્તારને કોર્ડન કરીને જાહેર જનતાની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. BDDS અને સ્નિફર ડોગ દ્વારા સઘન તપાસસ્થિતિની ગંભીરતાને જોતાં તાત્કાલિક બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને સ્નિફર ડોગ્સની ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. તકેદારીપૂર્વક સ્નિફર ડોગ અને BDDS સ્ક્વોડની મદદથી સુટકેસની પ્રાથમિક તપાસ કરવામાં આવી. ત્યારબાદ સુરક્ષાના ભાગરૂપે બેગને અવાવરુ જગ્યાએ લઈ જવામાં આવી હતી, જ્યાં તેને સ્કેન કરીને ખોલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી.આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન પોલીસ અધિકારીઓ અને સ્થાનિક લોકોમાં ભારે તણાવ જોવા મળ્યો હતો. બેગમાંથી સ્વસ્તિક અને કુમકુમ, શંકાસ્પદ કશું નહીંલાંબી અને સઘન તપાસ બાદ જ્યારે સુટકેસ ખોલવામાં આવી ત્યારે અંદરથી કોઈપણ વિસ્ફોટક કે શંકાસ્પદ સામગ્રી મળી ન આવતાં પોલીસે હાશકારો અનુભવ્યો હતો. રાંદેર પીઆઇ આર.જે ચૌધરીએ આ મામલે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું હતું કે, બેગમાંથી કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી નથી. BDDS સ્ક્વોડ દ્વારા સ્કેનિંગ અને તપાસ પૂર્ણ કરવામાં આવી છે, જેમાં કોઈ જોખમ જણાયું નથી. જોકે, તપાસ દરમિયાન એક ચોંકાવનારી વિગત પણ સામે આવી હતી. ખાલી સુટકેસની અંદરની બાજુએ લાલ રંગના કુમકુમથી સ્વસ્તિકનું નિશાન બનાવવામાં આવ્યું હતું. આ ધાર્મિક નિશાનને કારણે સુટકેસ કોણે અને શા માટે મૂકી, તે અંગેનું રહસ્ય વધુ ઘેરું બન્યું છે. સીસીટીવીના આધારે તપાસ શરૂહાલમાં રાંદેર પોલીસ દ્વારા આ સુટકેસ કોણે મૂકી હતી, તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ હવે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે, જેથી બેગ મૂકી જનાર વ્યક્તિની ઓળખ થઈ શકે. પોલીસે સ્પષ્ટ જણાવ્યું છે કે, જો કોઈ ટીખળખોરીના ઇરાદે કે પછી જાણી જોઈને લોકોમાં ડર ફેલાવવાના હેતુથી આ બેગ મૂકી ગયું હશે, તો તેમની સામે કાયદેસરના કડક પગલાં ભરવામાં આવશે. હાલમાં આ મામલે વધુ તપાસ ચાલુ છે.
મુન્દ્રાના બારોઈ રોડ પર આજે સવારે એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત થયો હતો. મોર્નિંગ વોક પર નીકળેલા મુન્દ્રા લોહાણા મહિલા મંડળના પ્રમુખ વૈશાલીબેન ઠક્કરને ટેમ્પોએ ટક્કર મારતા તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટનાથી મુન્દ્રા તાલુકા સહિત જિલ્લાના લોહાણા સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, આજે સવારે સવા છ વાગ્યે વૈશાલીબેન અને તેમના સહેલી અરુણાબેન દૈનિક મોર્નિંગ વોક માટે બારોઈ રોડ પર નીકળ્યા હતા. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવેલા ટેમ્પોએ તેમને ટક્કર મારી હતી. 47 વર્ષીય વૈશાલીબેન ભુપેનભાઈ ઠક્કરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં વૈશાલીબેનના સહેલી અરુણાબેન અનિલભાઈ ઠક્કરને પણ ઈજા પહોંચી હતી. તેમને સારવાર માટે મુન્દ્રા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે ગાંધીધામ રિફર કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ ટેમ્પો ડ્રાઇવર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે પ્રાથમિક ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વૈશાલીબેન મુન્દ્રા તાલુકા લોહાણા સમાજના મહિલા મંડળમાં પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા હતા. તેમની આકસ્મિક વિદાયથી સમાજમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. બપોરે નીકળેલી તેમની અંતિમ યાત્રામાં લોહાણા સમાજ સહિત અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. વૈશાલીબેનના પતિ શાકભાજીનો જથ્થાબંધ વ્યવસાય ધરાવે છે અને તેમને એક પુત્ર અને એક પુત્રી છે.
શહેરના સાબરમતી વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા જવાહર ચોકથી ભુત બંગલા સુધીનો 500 મીટર રોડ નવો બનાવવામાં આવી રહ્યો છે. જોકે છેલ્લા કેટલાય દિવસથી આ રોડ બનાવવાની કામગીરી બંધ કરી અધૂરી છોડી દેવામાં આવી છે. રોડ પરના દબાણો દૂર કરી રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા ઉતાવળે રોડ બનાવવાની કામગીરી કરી દેવામાં આવી હતી. જો કે રોડની વચ્ચે આવેલો મોબાઈલ ટાવર દૂર કરવામાં આવ્યો નથી જેના કારણે પણ કામગીરી અટકી પડી છે. રોડ પ્રોજેક્ટ વિભાગ અને એસ્ટેટ વિભાગના સંકલનના અભાવે હાલ રોડની કામગીરી અધુરી છે. રોડ એક સરખો હતો એની જગ્યાએ અનઇવન રોડ બની ગયો છે. અધિકારીઓની કામગીરી સામે ભાજપ કોર્પોરેટરોએ જ સવાલ ઉઠાવ્યાસાબરમતી વોર્ડના ભાજપના કોર્પોરેટર ચેતન પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યારે છ મહિના પહેલા રોડ બનાવવાની કામગીરી કરવાની હતી ત્યારે જ અધિકારીઓને અમે જાણ કરી હતી કે જે પણ યુટીલીટી અને અડચણ દૂર કરવાની હોય તે કામગીરી પહેલા કરી દેજો. જે રોડની વચ્ચે ઝાડ આવેલા છે તેને પણ રી પ્લાન્ટ કરવા માટેની સૂચના આપી છે. છતાં પણ ત્યાં ડિવાઈડર બનાવી દેવામાં આવ્યા છે જ્યારે કોર્પોરેટર રમેશભાઈ રાણાએ પણ જણાવ્યું હતું કે, આ રોડ બનાવવા બાબતે કોઈપણ સંકલન કરવામાં આવેલું નથી ત્યાં દબાણો દૂર કરવામાં આવ્યા ત્યારે એક ગટર લાઈન પણ તૂટી ગઈ હતી જેના કારણે લોકો હેરાન થયા હતા આ બાબતે અધિકારીઓ સાથે વાત કરી છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ પ્રોજેક્ટ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે કામગીરી ચાલુ છે અને મોબાઈલ ટાવર હટાવવા માટેની પ્રક્રિયા કરવામાં આવી છે કે કેમ તે અંગે પણ તપાસ કરીશું 6 મહિના પહેલા દબાણ દૂર કરાયા પણ ટાવર દૂર ન થતા કામગીરી અટકીઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા રોડ બનાવવા માટે કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટરોને આપી દેવામાં આવે છે પરંતુ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓ દ્વારા કામગીરી ઉપર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી જેનું સ્પષ્ટ ઉદાહરણ શહેરના સાબરમતી વોર્ડમાં જવાહરચોકથી ભૂત બંગલા સુધી બનાવવામાં આવી રહેલા રોડમાં જોવા મળ્યું છે. ભાજપના કોર્પોરેટરો દ્વારા રોડ પરના દબાણો દૂર કરીને પહોળો કરવા માટેની રજૂઆત બાદ છ મહિના પહેલા રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. રોડ પરના દબાણો દૂર કર્યા બાદ રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા રોડ બનાવવા માટે RKC ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ નામના કોન્ટ્રાક્ટર દ્વારા રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી જે કામગીરી કોઈપણ પ્રકારના સંકલન અને આયોજન વિના કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. 500 મીટરના રોડ પર મોબાઇલ ટાવર, ઝાડ અને અન્ય યુટીલીટી માટે કોઈપણ આયોજન કરવામાં આવ્યું નહી. આડેધડ કામગીરી કરી દેવાતા અકસ્માતનો ભયરોડ ઉપર સ્વામિનારાયણ મંદિર પાસે એક મોબાઈલ ટાવર આવેલો છે જે મોબાઈલ ટાવર હજી સુધી દૂર કરવામાં આવ્યો નથી. કોન્ટ્રાક્ટર દ્વારા ત્યાં માત્ર આડશ મૂકી દેવામાં આવી છે. દબાણો દૂર કર્યા પહેલા જ્યાં રોડ પરથી લોકો જતા હતા ત્યાંથી જ થઈને જવું પડે છે. આ ઉપરાંત રોડ પરની ડિઝાઇન પણ અલગ પ્રકારની બનાવી દેવામાં આવી છે. રોડ પર આવેલા ઝાડની આજુબાજુમાં ડિવાઇડર બનાવી દેવામાં આવ્યા છે પરંતુ વચ્ચે જગ્યા વધારે છે જેનાથી પહોળા છે કે, રોડ વધારે સાંકડો બની ગયો હોય એવો બની ગયો છે. રોડ ઉપર ટેકરાના દવાઓ હતા જે પણ કેટલાક દૂર નથી કરવામાં આવ્યા જેના કારણે થઈને ખૂબ જ અનઇવન પ્રકારનો રોડ બની ગયો છે. ગટરની ચેમ્બરો ની આજુબાજુ પણ ખાડા છે જેના કારણે કોઈપણ વાહન ચાલકનું ટાયર તેમાં ફસાય તો પડી જાય તેવી સ્થિતિ છે. રોડ પહોળો કર્યો પણ લોકોની તકલીફ ઘટવાના બદલે વધીમ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા રોડ બનાવવાની કામગીરી માટે સ્થળ પર યોગ્ય રીતે તપાસ કર્યા વિના જ કયા પ્રકારના અડચણ અને યુટીલીટી દૂર કરવી પડશે તેનો કોઈપણ તલસ્પર્શી અભ્યાસ કર્યા વિના ઉતાવળે રોડ બનાવવાની કામગીરી કરી દેવામાં આવી અને હવે છેલ્લા 15 દિવસથી કામગીરી બંધ છે. રોડ પર ડિવાઈડર બનાવી દેવામાં આવ્યા છે પરંતુ ત્યાં કોઈ કામગીરી પૂરી કરવામાં આવેલી નથી તો બીજી તરફ આ રોડ ઉપર વાહનોના દબાણો જ યથાવત છે જેથી અગાઉ લોકોને જેટલી તકલીફ વધારે નહોતી પડતી એના કરતાં વધારે તકલીફ આ રોડ પહોળો કર્યા બાદ પડી રહી છે.
રાજકોટનાં નાનામૌવા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ દરમિયાન વીડિયો કોલમાં વ્યસ્ત રહીને નાના બાળકનું રસીકરણ કરવાની ગંભીર બેદરકારી દાખવનાર ફીમેલ હેલ્થ વર્કર એકતાબેન શિંગાળીયા સામે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલિક અને કડક પગલાં લેવામાં આવ્યા છે. દિવ્યભાસ્કર દ્વારા આ ઘટના સામે લાવવામાં આવ્યા બાદ મનપાના આરોગ્ય અધિકારી દ્વારા ત્વરિત તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન નર્સની બેદરકારી સાબિત થતાં તેની બદલી અને ફિક્સ પગારનાં સમયમાં વધારો જેવી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. બેદરકારીનો વાયરલ વીડિયો અને તપાસઆ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે તા. 10ના સવારે 10:30 કલાકે નાનામૌવા આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા FHW એકતાબેન શિંગળીયાનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં તેઓ રસીકરણની સંવેદનશીલ કામગીરી દરમિયાન તેના અંગત મોબાઈલ ફોન પર વીડિયો કોલમાં પોતાના સ્વજન સાથે વાતચીત કરવામાં મશગૂલ હોવાનું સ્પષ્ટપણે જોવા મળ્યું હતું. તેમનું ધ્યાન કામગીરીને બદલે ફોન પર હોવાથી બાળકના રસીકરણની સુરક્ષા અને ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા હતા. આ વીડિયો વાયરલ થતા જ આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ આ ગંભીર બેદરકારીને તાત્કાલિક ધ્યાનમાં લીધી હતી. અને ખાતરી આપી હતી કે, તપાસમાં બેદરકારી સામે આવશે તો નર્સ સામે નિયમ મુજબ શિસ્તભંગના કડક પગલાં લેવામાં આવશે. તપાસ કમિટીનું ગઠન અને ઘટનાની પુષ્ટિઆરોગ્ય અધિકારીના આદેશ બાદ તાત્કાલિક ધોરણે એક તપાસ કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું, જેમાં RCH અધિકારી, CTTB ઓફિસર અને મેનેજરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કમિટી દ્વારા તપાસ પૂર્ણ કરવામાં આવી છે. તપાસ કમિટીએ ઘટના સમયે હાજર તમામ સ્ટાફના નિવેદનો નોંધ્યા હતા. જેમાં ફીમેલ હેલ્થ વર્કર એકતાબેન શિંગળીયાનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું. નિવેદનો અને પુરાવાઓના આધારે, તપાસ કમિટીએ એ વાતને સમર્થન આપ્યું હતું કે ખરેખર નર્સ દ્વારા રસીકરણની કામગીરી દરમિયાન વીડિયો કોલમાં પોતાના સ્વજન સાથે વાતચીત કરવામાં આવી રહી હતી. આથી, ફરજ પ્રત્યેની બેદરકારી અને શિસ્તભંગની ઘટના સાબિત થઈ હતી. બેદરકારી બદલ લેવાયેલા પગલાંઆરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ જણાવ્યું કે, આ ઘટના સાબિત થતાં આરોગ્ય શાખા દ્વારા તાત્કાલિક શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે. જેમાં ફીમેલ હેલ્થ વર્કર એકતાબેન શિંગળીયાની તાત્કાલિક અસરથી નાનામૌવા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી મોરબી રોડ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત તેઓ કાયમી કર્મચારી છે અને 5 વર્ષના ફિક્સ પગારના સમયગાળામાં હતા. જોકે આ બેદરકારી બદલ, તેમનો ફિક્સ પગારનો સમયગાળો 5 વર્ષથી વધારીને 6 વર્ષ કરવા માટેની ભલામણ વહીવટી શાખાને કરવામાં આવી છે. આગામી સમયમાં મેઈન શાખા દ્વારા આ અંગેનો આદેશ જારી કરીને અમલ પણ કરવામાં આવશે. આ પ્રકારે કામગીરીના સમય દરમિયાન બેદરકારી દાખવવી એ ફરજ પરની ગંભીર બેદરકારી ગણાય છે, જેને કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, રસીકરણ જેવી સંવેદનશીલ પ્રક્રિયા દરમિયાન વીડિયો કોલમાં મશગૂલ રહેવું એ બાળકની સુરક્ષા પર મોટો સવાલ ઊભો કરે છે. ઇન્જેક્શન આપતી વખતે જો નર્સનું ધ્યાન વિડીયો કોલમાં હોય તો ડોઝની માત્રા, ઇન્જેક્શન આપવાની જગ્યા અથવા પ્રક્રિયામાં ભૂલ થવાની સંભાવના રહે છે, જે બાળકના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. જોકે, તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને અન્ય કર્મચારીઓ માટે પણ એક દાખલો બેસાડવામાં આવ્યો છે કે સરકારી ફરજોમાં કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં.
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક મેટ્રો સ્ટેશન પાસે કારમાં થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ સમગ્ર દેશમાં ચકચાર મચી છે. કોઈ આતંકવાદી ઘટના ન બને તે માટે દેશભર સહિત ગુજરાતમાં પણ મહત્વના સ્થળોએ પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત, ગોધરામાં 2002ના ટ્રેન હત્યાકાંડમાં 59 કાર સેવકોના મોત થયા હતા તે સાબરમતી એસ/6 ડબ્બાનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. વડોદરા પશ્ચિમ રેલવેની બીડીડીએસ (બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ) અને સ્થાનિક પોલીસની મદદથી આ ચેકિંગ હાથ ધરાયું હતું. બીડીડીએસ ટીમના પોલીસકર્મીઓએ એન્ટી-સબોટેજ પદ્ધતિ દ્વારા ડબ્બાની ઝીણવટભરી તપાસ કરી હતી. ત્યારબાદ, ગોધરા રેલવે સ્ટેશન પર પણ વ્યાપક ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું. જીઆરપી (સરકારી રેલવે પોલીસ) અને આરપીએફ (રેલવે પ્રોટેક્શન ફોર્સ)ની મદદથી બીડીડીએસ ટીમે મુસાફરખાના, પાર્કિંગ, રેલવે પ્લેટફોર્મ, ટ્રાફિક વિસ્તાર, ઓટો રિક્ષા, વેઇટિંગ રૂમ અને પાર્સલ ઓફિસની તપાસ કરી હતી. આ ઉપરાંત, આવતી-જતી ટ્રેનો અને શંકાસ્પદ મુસાફરોના સામાનનું પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
તાપીમાં પિતાએ પોતાની દોઢ વર્ષની દીકરીને પોતાની દીકરી ન હોવાના વહેમમાં પાણીની ટાંકીમાં નાખી હત્યા કરી નાખી હતી. આરોપીની ધરપકડ બાદ તેણે તાપી કોર્ટ અને ત્યાર બાદ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. જો કે, તપાસમાં આરોપીને વારંવાર ખેંચ આવતી હોવાથી માનસિક રીતે અસ્વસ્થ હોવાનું ખુલ્યું હતું. જેથી ફરિયાદી પત્ની અને તેના વકીલે આરોપીને જામીન આપવામાં કોઈ વાંધો ન હોવાનું જણાવ્યું હતું, જ્યારે હાઇકોર્ટે કહ્યું હતું કે, જામીન મળે તો અમને વાંધો છે. દોઢ વર્ષની માસૂમની પાણીની ટાંકીમાં નાખી હત્યા કરી નાખીચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં તાપીના સોનગઢ પોલીસ મથકે 21 વર્ષીય પરિણીત યુવતીએ અજાણ્યા વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, તેની દોઢ વર્ષની દીકરીને કોઈએ ઘરમાંથી ઉંચકીને તેના ઘરની સામેના આવેલા ધાબા ઉપરના પાણીના ટાંકીમાં ડુબાડીને તેની હત્યા કરી નાખી છે. બનાવના દિવસે ફરિયાદીના સસરાએ તેને પૂછ્યું હતું કે, તેની દોઢ વર્ષની પૌત્રી ક્યાં છે ? જે ઘરમાં મળી નહીં આવતા તેની શોધખોળ કરવામાં આવી હતી. હત્યા કરનાર દીકરીનો પિતા હોવાનું સામે આવ્યુંત્યારે ફરિયાદીના ઘરના સામેના ધાબાના માલિકે ઉપર જઈને પાણીની ટાંકી ચેક કરતા તેમાં ફરિયાદીની દોઢ વર્ષની દીકરી મરણ ગયેલી જણાઈ હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ કરતા હત્યા કરનાર દીકરીનો પિતા હોવાનું સામે આવ્યું હતું, જેથી તેની ધરપકડ કરવામાં આવી હતી. ખરેખરમાં પિતાને વહેમ હતો કે આ દીકરી તેની નથી. આથી દીકરી જ્યારે ઊંઘતી હતી ત્યારે પિતાએ તેને સામેના ઘરના મકાન પર આવેલ પાણીના ટાંકીમાં ડુબાડીને તેની હત્યા કરી નાખી હતી. હાઈકોર્ટે જામીન અરજીમાં અમને વાંધો છે કહી અરજી ફગાવીચાર્જશીટ બાદ આરોપી પિતાએ તાપી કોર્ટ અને ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં જણાવાયું હતું કે, તે માનસિક રીતે અસ્વસ્થ છે તેને વારંવાર ખેંચ આવે છે. આથી તેને જામીન આપવા જોઈએ. બીજી તરફ ફરિયાદી એટલે કે મૃતક દીકરીની માતા અને આરોપીની પત્ની વતી ઉપસ્થિત થયેલા વકીલે જણાવ્યું હતું કે, જો આરોપીને જામીન મળે તો તેને કોઈ વાંધો નથી. જો કે કોર્ટે જણાવ્યું હતું કે, વાંધો અમને છે. આમ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવવાનું વલણ ધરાવતા અરજી પરત ખેંચવામાં આવી હતી.
જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે ધ્રોલ તાલુકાના પ્રવાસ દરમિયાન શાળાએ જઈ રહેલા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે રસ્તામાં વાહન રોકાવી બાળકો સાથે શિક્ષણ અને પોષણ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. કલેક્ટર કેતન ઠક્કર જિલ્લાના વિકાસ કાર્યો અને વહીવટી કામગીરીના નિરીક્ષણ અર્થે ધ્રોલ તાલુકાના પ્રવાસે હતા. આ દરમિયાન તેમને માર્ગમાં શાળાએ જતા વિદ્યાર્થીઓનો સમૂહ મળ્યો હતો, જેના પગલે તેમણે વાહન થોભાવી બાળકો સાથે વાતચીત શરૂ કરી હતી. આ સંવાદમાં કલેક્ટરે બાળકોને શાળામાં અપાતા શિક્ષણ, શિક્ષકોનો સહકાર અને તેમના મનપસંદ વિષયો વિશે પૂછપરછ કરી હતી. તેમણે શાળામાં થતી અભ્યાસ પ્રવૃત્તિઓ અને અભ્યાસેતર પ્રવૃત્તિઓ વિશે પણ માહિતી મેળવી, જેથી શિક્ષણની ગુણવત્તાનું નિરીક્ષણ થઈ શકે. વધુમાં, કલેક્ટરે ભારત સરકારની મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ શાળામાં અપાતા ભોજનની ગુણવત્તા અને સ્વાદ અંગે સીધી માહિતી મેળવી હતી. તેમણે બાળકોને ભોજન પૂરતું મળે છે કે કેમ અને મેનૂ મુજબ ભોજન અપાય છે કે કેમ તે વિશે પણ પૂછપરછ કરી હતી. આ મુલાકાત દરમિયાન બાળકોએ પણ ખચકાટ વગર પોતાના અનુભવો કલેક્ટર સમક્ષ રજૂ કર્યા હતા. કલેક્ટરે બાળકોને પ્રોત્સાહિત કર્યા અને તેમને નિયમિત શાળાએ જવા તથા પોતાના સપના પૂરા કરવા માટે મહેનત કરવા પ્રેરણા આપી હતી. કલેક્ટર કેતન ઠક્કરની આ પહેલ દર્શાવે છે કે, જિલ્લા વહીવટી તંત્ર માત્ર કાગળ પરની સમીક્ષામાં જ નહીં, પરંતુ જમીની સ્તરે ઉતરીને બાળ કલ્યાણ અને શિક્ષણની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે પણ પ્રતિબદ્ધ છે.
બગસરામાં તસ્કરોએ દુકાનોને નિશાન બનાવી:કરિયાણાની દુકાન અને બ્યુટી પાર્લરનું શટર તોડી 75,000ની ચોરી
અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. મુખ્ય બજારમાં આવેલી એક કરિયાણાની દુકાન અને બ્યુટી પાર્લરના શટર તોડી તસ્કરો રૂ. 75,000ની રોકડ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પારસ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં ચોરી થઈ હતી. તસ્કરોએ ડાબી બાજુમાં આવેલા બ્યુટી પાર્લરના શટરના બંને તાળા તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. દુકાનના કાઉન્ટરના ખાનામાં રાખવામાં આવેલા રૂ. 500, 200, 100, 50 અને 20ના દરની કુલ રૂ. 75,000ની રોકડ રકમ ચોરી લીધી હતી. આ મામલે મુનિરભાઈ મહંમદહુસેન ત્રવાદઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. શિયાળાની ઋતુ શરૂ થતાં જ અમરેલી જિલ્લામાં તસ્કરો સક્રિય બન્યા હોય તેમ નાના-મોટા ચોરીના બનાવો સામે આવી રહ્યા છે. બગસરા શહેરમાં થયેલી આ ચોરીના કારણે સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. ચોરીની ફરિયાદ નોંધાયા બાદ બગસરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે સ્થાનિક વેપારીઓ અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરી છે. તસ્કરોનું પગેરું શોધવા માટે રાત્રિના સમયે શહેરના મુખ્ય માર્ગો અને અવરજવરના રસ્તાઓ પરના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે.
સાધુ પ્રેમવત્સલદાસજી,સપના અને સંબંધો બદલાય છે:ભગવાન અને સંતો સાથે જોડાવાની જરૂર
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ દુનિયાની વાસ્તવિકતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે, જીવનમાં આપણે આખો દિવસ સૌને રાજી કરવા દોડીએ છીએ, પરંતુ સાથે ભગવાન અને સંતોને યાદ કરવા પણ જરૂરી છે. સાધુ પ્રેમવત્સલદાસજીએ ભારપૂર્વક કહ્યું કે, સપનાં અને આપણાં ગમે ત્યારે બદલાઈ શકે છે, તેને બદલાતા વાર લાગતી નથી. તેમણે મોબાઈલ ફોનના ઉદાહરણ દ્વારા સમજાવ્યું કે, ખરા સમયે કેટલા લોકો ખરેખર મદદરૂપ થાય છે તેની જાણ ત્યારે જ થાય છે. તેથી, વ્યવહારમાં સારા થવા પાછળ દોડવાને બદલે ભગવાન અને સંતો આપણા થાય તે માટે પ્રયત્ન કરવો જોઈએ. જો આપણે ભગવાન માટે અને સંતોના સમાગમ માટે સમય કાઢીશું, તો તેઓ ખરા સમયે આપણી સાથે ઊભા રહેશે, આપણી રક્ષા કરશે અને ભગવદ્ ધામની પ્રાપ્તિ કરાવશે. તેમણે ઉમેર્યું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાન અને ગોપાળાનંદ સ્વામી સાથે જોડાવાથી આપણું કાર્ય સિદ્ધ થશે. શાસ્ત્રોમાં ગોપાળાનંદ સ્વામીએ અનેક દુઃખીયાઓને સુખી કર્યા હોવાના ઘણા પ્રસંગો જોવા મળે છે. આજે પણ રાજકોટમાં કાંટા વિનાની બોરડી જોવા મળે છે, જે ગોપાળાનંદ સ્વામીના મુખમાંથી સરેલા શબ્દોને કારણે પોતાના કાંટા ખેરવી નાખ્યા હતા. આવા સમર્થ ગોપાળાનંદ સ્વામીના 218મા દીક્ષાદિને તેમના ચરણોમાં કોટી કોટી વંદન કરવામાં આવે છે.
જામનગર: શાળા નંબર 51ના શિક્ષિકા પૂર્ણિમાબેન પંડ્યાની ગુજરાતી બાળસાહિત્ય ક્ષેત્રે અપાતા સર્વોચ્ચ સન્માન અંજુ નરશી બાળસાહિત્ય પારિતોષિક – 2025 માટે બાળસાહિત્ય સંશોધક તરીકે પસંદગી કરવામાં આવી છે. આ જાહેરાત બુધવાર, 12/11/2025ના રોજ કરવામાં આવી હતી. આ પ્રતિષ્ઠિત સન્માન પરબધામ (તા. ભેસાણ, જી. જુનાગઢ) ખાતે એક વિશેષ સમારોહમાં અર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરીયા અને પૂર્વ કેબિનેટ મંત્રી રાજેશ રાદડિયા ઉપસ્થિત રહેશે.પૂર્ણિમાબેન પંડ્યાનું બાળસાહિત્ય ક્ષેત્રેનું યોગદાન શિક્ષણ જગત માટે પ્રેરણાદાયક ગણાય છે. તેમણે બાળકોમાં જ્ઞાન પ્રગટાવવા માટે સતત પ્રયાસો કર્યા છે. શાળા નંબર 51 પરિવાર વતી આચાર્ય કૌશિકભાઇ ચુડાસમા અને નગર પ્રાથમિક શિક્ષક સંઘના રાજ્ય કક્ષાના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ખાખરીયાએ પૂર્ણિમાબેન પંડ્યાને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. સમગ્ર શિક્ષણજગતે બાળસાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમના ભાવિ સર્જનકાર્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.
ભરૂચ જિલ્લાના પ્રસિદ્ધ તીર્થસ્થળ શુકલતીર્થ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગુજરાતમાંથી અંદાજે 4 થી 5 લાખ યાત્રિકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. મેળા દરમિયાન યાત્રિકોને સુવિધા મળી રહે તે માટે શુકલતીર્થ ગ્રામ પંચાયત દ્વારા ખાણીપીણી, મનોરંજન સહિતની વિવિધ વ્યવસ્થાઓ સુચિત રીતે કરવામાં આવી હતી. યાત્રાળુઓને ભરૂચથી શુકલતીર્થ સુધી પહોંચવા માટે ભરૂચ એસટી વિભાગ દ્વારા વિશેષ આયોજન હેઠળ ત્રણ દિવસ માટે વધારાની બસોની ફાળવણી કરવામાં આવી હતી. કુલ 52 બસો દ્વારા 380 ટ્રીપ કરવામાં આવી, જેના માધ્યમથી અંદાજે 11 હજાર મુસાફરોએ મુસાફરી કરી લાભ લીધો હતો. ત્રણ દિવસ દરમિયાન આ બસોએ કુલ 9 હજાર કિલોમીટરના અંતર કાપીને રૂ. 4 લાખની આવક નોંધાવી હતી. જોકે, ગત વર્ષે આ મેળામાં 21 હજાર જેટલા મુસાફરોએ એસટી સેવાનો લાભ લીધો હતો, જેના મુકાબલે આ વર્ષે આશરે 47.62 ટકા મુસાફરોનો ઘટાડો નોંધાયો છે. મેળાની અવધિ દરમિયાન વધારાની બસ સેવાઓનું આયોજન ભરૂચ ડિવિઝન અને ભરૂચ ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક અમલમાં મુકાયું હતું, જેનાથી મેળામાં આવતા યાત્રિકોને સહેલાઈથી પરિવહન સુવિધા મળી શકી હતી.
શહેરમાં શ્વસન સિન્સિટીયલ વાયરસ એટલે કે RSVના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. આ વાયરસ બાળકોમાં વાયરલ ન્યુમોનિયાનું મુખ્ય કારણ બની રહ્યો છે. ખાસ કરીને બે વર્ષથી નાના બાળકોમાં આ ચેપના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. 12 નવેમ્બરના વિશ્વ ન્યુમોનિયા દિવસના અવસરે તબીબી નિષ્ણાતો ન્યુમોનિયા અને RSV વિશે વધુ જાગૃતિ લાવવાની જરૂરિયાત પર ભાર મૂકી રહ્યા છે. RSV વાયરસ અને માયકોપ્લાઝમાના કેસોમાં 5થી 10 ટકા જેટલો વધારોડિવાઇન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાઇલ્ડ હોસ્પિટલના ડૉ. હાર્દિક પટેલે જણાવ્યું કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં ખાસ કરીને નાના બાળકોમાં ન્યુમોનિયાના કેસોમાં વધારો થયો છે. તેમણે જણાવ્યું કે, 10 વર્ષથી નાના બાળકોમાં ન્યુમોનિયા સામાન્ય રીતે જોવા મળે છે, પરંતુ ખાસ કરીને પાંચ વર્ષથી નાના બાળકોમાં એ વધુ જોવા મળે છે. જ્યારે બે વર્ષથી નાના બાળકોમાં તો તેનો ખતરો વધુ ગંભીર હોય છે. આ વર્ષે એકથી બે વર્ષના બાળકોમાં RSV વાયરસ અને માયકોપ્લાઝમાના કેસોમાં સામાન્ય કરતા 5થી 10 ટકા જેટલો વધારો નોંધાયો છે. આ પરિબળો જવાબદારડૉ. પટેલના જણાવ્યા મુજબ તહેવારોના સમયમાં ઓવરક્રાઉડિંગ, ફરવાનો ટ્રેન્ડ, અને સ્કૂલોમાં ક્રોસ ઇન્ફેક્શન જેવા પરિબળો પણ આ વધારો માટે જવાબદાર છે. આપણે ત્યાં બાળકોમાં ઈમ્યુનિટી ઓછી હોય છે, ઉપરાંત જંક ફૂડ ખાવાની ટેવ અને વેક્સિનેશન પ્રત્યેની ગેરજવાબદારીને કારણે પણ ન્યુમોનિયાના કેસો વધી રહ્યા છે. ચોમાસાના ભેજયુક્ત વાતાવરણમાં ન્યુમોનિયાની અસર વધુ જોવા મળે છે. શરદી, ખાંસી અને તાવ જેવા લક્ષણોતેને વધુમાં કહ્યું કે, શરૂઆતમાં શરદી, ખાંસી અને તાવ જેવા લક્ષણો દેખાય છે, પરંતુ જો યોગ્ય સારવાર ન લેવાય તો શ્વાસ લેવામાં તકલીફ, હાંફ ચઢવી અને ભાન ઓછું પડવું જેવા ગંભીર લક્ષણો વિકસે છે. બાળકમાં ન્યુમોનિયાના લક્ષણો દેખાય તો ડૉક્ટરનો સંપર્ક કરોઆવી સ્થિતિમાં બાળકોને ઓક્સિજન કે વેન્ટિલેટર સપોર્ટની જરૂર પડે છે. ડૉ. હાર્દિક પટેલે પેરેન્ટ્સને અપીલ કરી છે કે જાતે દવા ન આપવી, ફાર્મસીમાંથી બિનજરૂરી દવાઓ ન ખરીદવી, અને બાળકમાં ન્યુમોનિયાના લક્ષણો દેખાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
હિંમતનગર: સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં યોજાનાર વિવિધ કાર્યક્રમોના આયોજન માટે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક જિલ્લાના પ્રભારી મંત્રી અને સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુએ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે, રાષ્ટ્રીય એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે 'એક ભારત આત્મનિર્ભર ભારત'ના સૂત્ર સાથે સાબરકાંઠા જિલ્લામાં 16થી 22 નવેમ્બર દરમિયાન ભવ્ય પદયાત્રા યોજાશે. આ પદયાત્રા અંતર્ગત દરેક વિધાનસભા દીઠ એક પદયાત્રાનું આયોજન કરાશે. જિલ્લા કક્ષાની મુખ્ય પદયાત્રા હિંમતનગર ખાતે યોજાશે. આ દરેક પદયાત્રામાં વિવિધ સામાજિક સંસ્થાઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાશે તેવી અપેક્ષા છે. જિલ્લા કક્ષાની પદયાત્રા પૂર્વે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત, સરદાર સ્મૃતિવનની સ્થાપના કરાશે અને 'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ 562 વૃક્ષો વાવવામાં આવશે. અન્ય કાર્યક્રમોમાં સખી મંડળના સ્ટોલ્સ, આરોગ્ય કેમ્પ, મહાનુભાવોની પ્રતિમાઓની સફાઈ, સ્વચ્છતા અભિયાન, વ્યસનમુક્તિ અભિયાન અંતર્ગત પ્રતિજ્ઞા, તેમજ યોગ અને આરોગ્ય શિબિરોનો સમાવેશ થાય છે. યુવાનોને જોડવા માટે 'સરદાર150 યંગ લીડર ક્વિઝ', 'સરદાર150 નિબંધ સ્પર્ધા' અને 'રાષ્ટ્રીય રીલ પ્રતિયોગિતા' જેવી સ્પર્ધાઓ યોજાશે. આ સ્પર્ધાઓ માટે My Bharat પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી શકાશે. મંત્રી ડૉ. વાજાએ આ આયોજનમાં વધુમાં વધુ નાગરિકો ભાગ લે તે પ્રકારનું સુચારુ આયોજન કરવા માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે જિલ્લાના પદાધિકારીઓ સાથે સંકલનમાં રહીને કામગીરી કરવા પણ સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, નગરપાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પાટીદાર, તમામ પ્રાંત અધિકારીઓ સહિત સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્ય સરકાર દ્વારા ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ 'જનજાતિય ગૌરવ વર્ષ' તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે. આ અંતર્ગત આણંદ જિલ્લામાં પણ 14 નવેમ્બર, 2025ના રોજ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીના સુચારુ આયોજન માટે આણંદ કલેકટર કચેરી ખાતે કલેકટર પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કાર્યક્રમના વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કલેકટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું કે, ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિની ઉજવણી અમૂલ ડેરી ખાતે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાના આદિજાતિ સમાજના રમતવીરો અને તેજસ્વી વિદ્યાર્થીઓ સહિતના વિશેષ વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવશે. તેમણે સંબંધિત વિભાગના અધિકારીઓને સોંપવામાં આવેલી ફરજો નિષ્ઠાપૂર્વક બજાવવા સૂચના આપી હતી. આણંદ જિલ્લામાં રહેતા જનજાતિય સમાજના લોકોને આ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવશે. ઉજવણીના ભાગરૂપે, કોલેજો ખાતે ભગવાન બિરસા મુંડાજીના જીવનચરિત્ર પર વક્તૃત્વ અને ચિત્ર સ્પર્ધા યોજવામાં આવશે. આ ઉપરાંત, વક્તાઓ દ્વારા તેમના જીવન અને યોગદાન પર પ્રવચનો પણ આપવામાં આવશે. આ બેઠકમાં કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેકટર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આજરોજ શહેરના લાકડીયા પુલ પાસે આવેલ કાલભૈરવ મંદિર ખાતે કાલભૈરવ જયંતિ ઉત્સવ નિમિત્તે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, કારતક માસના વદ પક્ષની આઠમના દિવસે મધ્યાહ્ન કાળમાં ભગવાન કાલ ભૈરવજીનું અવતરણ થયું હતું. તેથી આ દિવસે કાલ ભૈરવ જયંતી મનાવવામાં આવ છે. જેના ભાગરૂપે આજરોજ દાદાને રાત્રે 158 કિલો નો લાડુ અર્પણ કરવામાં આવશે, ભાવનગર શહેરના જુનાબંદર સ્થિત આવેલ ભૈરવધામ આશ્રમ ખાતે કાળભૈરવ દાદાનું મંદિર ખાતે કાલભૈરવ જયંતિ નિમિત્તે અનેક ધાર્મિક કાર્યક્રમમાં નું આયોજન કરવામાં આવ્યું હતું, આજરોજ સવારે 8 વાગે કાળભૈરવ દાદાનો યજ્ઞ, બપોરે 12 વાગે શ્રીફળ હોમ, સાવરે 8 થી રાત્રે 10 સુધી અન્નકૂટના દર્શન તેમજ સાંજે 6 વાગે ભજન સંધ્યા સહિતના ધાર્મિક કાર્યકમોનું આયોજન કરવામાં આવ્યું હતું, મંદિરના મહંત યોગી હરનાથબાપુ દ્વારા જણાવ્યું હતું કે, દાદાની જયંતિ ઉત્સવ નિમિતે સવારથી ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે અને આજે સાંજે દાદાને 56 ભાગ નો અન્નકૂટ ધારાવવામાં આવ્યો હતો તેમજ 158 કિલો નો લાડુ અર્પણ કરવામાં આવ્યો હતો, આ સાથે અન્નકૂટ દર્શન, મહાઆરતી તથા રાત્રે 158 કિલોના લાડુ અર્પણ તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભકતોએ કાલભૈરવદાદાના અલૌકિક દર્શન કરી ધન્ય થયા હતા. આ પ્રસંગે મંદિરનાં મહંત દ્રારા લોકોને કાલભૈરવ દાદાની જયંતી નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી,
પૂર્વ કરજણ શહેર ભાજપ ઉપપ્રમુખ આમ આદમી પાર્ટીમાં જોડાતા કરજણના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હિરેનસિંહ સિંધા વડોદરા જિલ્લા આપના પ્રમુખપદે નિમણૂક કરવામાં આવી છે. હિરેનસિંહ સિંધાએ આક્ષેપ કર્યા છે કે ભાજપમાં જુના કાર્યકરોની અવગણના કરવામાં આવી રહી છે અને પાર્ટીની વિચાર ધારા બદલાઈ ગઈ છે, જેથી ભાજપ છોડીને આપમાં જોડાયો છું. કરજણ શહેર આપ પ્રમુખે ખેસ પહેરાવીનેહિરેનસિંહ સિંધાનું સ્વાગત કર્યું હતું. આપ પાર્ટીના નેતાઓ દ્વારા વડોદરા જિલ્લા પ્રમુખ તરીકે હિરેનસિંહ સિંધાની જાહેરાત કરવામાં આવી છે. કરજણ શહેર ભાજપના પૂર્વ ઉપ પ્રમુખે ભાજપને રામરામ કરી આપમાં જોડાતા રાજકીય ગરમાવો આવી ગયો છે. હિરેનસિંહ સિંધાએ જણાવ્યું હતું કે, 2005થી હું ભાજપમાં કાર્યકર હતો. 2007માં હું કોર્પોરેશનની ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યો હતો. 2012માં હું કરજણ શહેર ઉપપ્રમુખ રહી ચૂક્યો છું. 2012માં ભાજપને વિધાનસભા બેઠક જીતાડવામાં પણ મારો મહત્વનો ફાળો રહ્યો છે, તેમ છતાં પણ જૂના કાર્યકર્તાઓની આ લોકોએ હર ઘડીએ અવગણના કરી છે. આગળ વધવાનો કોઈ ચાન્સ કોઈને આપતા નથી. પ્રજાનું કોઈ કામ થતું નથી, સાંભળતા નથી. એટલા માટે એની વિચારધારા પણ ભાજપની બદલાવા લાગી છે. એ જ વિચારધારા જે સારી હતી અને આમ આદમી સારી પાર્ટી છે. એની વિચારધારા સારી લાગી હતી. એટલે અમે વિચાર્યું કે આ પાર્ટીમાં જાવું સારું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રજાલક્ષી કોઈપણ કામ હશે, તો અમે કરવા માટે તૈયાર છીએ. તાલુકા અને જિલ્લાના જે પ્રશ્નો દબાઈ રહ્યા છે. એ પ્રશ્નોને અમે આગળ લાવીશું અને આંદોલન કરવાનું થશે તો આંદોલન પણ અમે કરીશું. આજે કરજણથી વડોદરા જવું હોય તો માણસને માથાનો દુખાવો થઈ ગયો છે. આખો રોડ ખરાબ થઈ ગયો છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આ ઉપરાંત ટોલ નાકાના પ્રશ્નો લઈને અમે આગળ આંદોલન કરીશું. હું ડભોઈ, પાદરા, વાઘોડિયા, સાવલી અને ડેસર બધા તાલુકાના ભાજપના 200થી 300 કાર્યકર લઈને આપમાં જોડાયો છું. અને મને આપ પાર્ટીએ જિલ્લા પ્રમુખની જવાબદારી સોંપી છે. હું તન-મન-ધનથી કામ કરીશ. અમે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસ અને ભાજપને જડબાતોડ જવાબ આપીશું.
અમદાવાદના વાળીનાથ ચોક પાસે ગત મોડી ધક્કો મારતા આધેડનુ મોત થયું છે.બે યુવકોએ ધક્કો મારતા આધેડનુ મોત થયું હતું.નાથુસિંહ રાઠોડ નુ ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતું.પ્રતાપસિંહ અને રાજેન્દ્રસિંહ નામના બે ભાઈઓએ ધક્કો માર્યો હતો.સમગ્ર બનાવ ના સીસીટીવી પણ સામે આવ્યા છે.મૃતકના પરિવારજનો મૃતદેહ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા છે.ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.ક્યા કારણોસર બનાવ બન્યો તે અંગે તપાસ ચાલુ છે. 'પેસેન્જર ભરવા બાબતે માથાકૂટ થઈ હતી'મૃતક નાથુસિંહના પુત્ર ભરતસિંહે જણાવ્યું હતું કે અમારા સમાજના લોકો ન્યાય માટે આવ્યા છીએ.અમારે 30 વર્ષથી બુકિંગનો બિઝનેસ ચાલુ છે.આરોપી આર્ટિગા ગાડીમાં પેસેન્જર ભરતો હતો ત્યારે મારા પિતાએ આગળ જઈને ભરવાનું કહ્યું હતું.આરોપીએ કહ્યું કે હું ગુજરાતનો દાદા છું.મારા પિતાએ દુકાનમાં બોલાવતા તે લોકો અમારી.દુકાનમાં આવ્યા હતા.આરોપીઓએ ગળું પકડીને માર પિતાને રોડ પર ફેંકી દીધા હતા જેથી તેમનું સ્થળ પર જ મોત થયું હતું.આરોપી રાજેન્દ્રસિંહ અને પ્રતાપસિંહ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધવામાં આવે તેવું માંગ છે
ગેરકાયદે ખનીજ ખનન અને વહન અટકાવવા નીકળેલા જૂનાગઢ ખાણ ખનીજ વિભાગના અધિકારી પર રોયલ્ટી માફિયાઓએ હુમલો કર્યાની અને સરકારી ફરજમાં રૂકાવટ કર્યાની ઘટના સામે આવી છે. ઝાંઝરડા ચોકડી નજીક ગેરકાયદે રેતી ભરેલું ડમ્પર રોકવાનો પ્રયાસ કરતાં ડમ્પર માલિક અને ડ્રાઇવરે ઇન્સ્પેક્ટર અને સિક્યુરિટી ગાર્ડ સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ડ્રાઇવર અને માલિક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદી અને જૂનાગઢ ખાણ ખનીજ વિભાગમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જયદીપભાઈ રાજેશભાઇ ગેડીયાએ પોલીસને જણાવ્યું હતું કે સવારે 10:30 વાગ્યે સિક્યુરિટી ગાર્ડ ભાવેશભાઈ હિંમતલાલ ત્રિવેદી અને ડ્રાઇવર સંજયભાઈ ભીખાભાઈ લોલાડીયા સાથે સરકારી બોલેરો ગાડી લઈને પેટ્રોલીંગમાં નીકળ્યા હતા.એ સમયે જૂનાગઢ ઝાંઝરડા ચોકડી નજીક આવેલ અક્ષર વે બ્રિજ પાસે પીળા કલરનું અશોક લેલેન્ડ કંપનીનું ડમ્પર રેતી ખનીજ ભરેલું જોવા મળ્યું હતું. રોયલ્ટી ઇન્સ્પેક્ટરે ડ્રાઇવર પાસે રોયલ્ટી પાસ માંગતા તેણે ન હોવાનું જણાવ્યું હતું. 'જીઓ માઇન' નામની એપ્લિકેશનમાં તપાસ કરતા પણ આ નંબર પર કોઈ રોયલ્ટી પાસ નીકળ્યો ન હોતો. ડ્રાઇવરે પોતાનું નામ જનકભાઈ ચોરવાડા અને ગાડીના માલિકનું નામ રૈયાભાઈ ભનુભાઈ ભારાઇ (રહે. વધાવી) જણાવ્યું હતું. એટલી વારમાં જ ડમ્પર માલિક રૈયાભાઈ ભારાઇ ત્યાં આવી ગયા હતા. તેમણે ડ્રાઇવરને સૂચના આપી કે તું ગાડી પાછળ લઈને ઉલાળી નાખ. રૈયાભાઈએ જાતે જ ગાડીના પાછળના ફાલકાની પીનો ખોલી નાખી હતી. ઇન્સ્પેક્ટરની ના પાડવા છતાં ડ્રાઇવર જનકભાઈએ રેતી ભરેલું ડમ્પર વે બ્રિજ પરથી રિવર્સ લઈને રેતી ખાલી કરી દીધી હતી. રેતી ખાલી કર્યા બાદ ડમ્પર ભગાડવાનો પ્રયાસ થતાં સિક્યુરિટી ગાર્ડ ભાવેશભાઈએ ગાડી રોકવાની કોશિશ કરી હતી.આ સમયે ડમ્પર માલિક રૈયાભાઈએ ભાવેશભાઈનું ટી-શર્ટ પકડીને તેમની સાથે ઝપાઝપી કરી હતી અને તેમને માર મારવા લાગ્યા હતા.ફરિયાદી જયદીપભાઈ જ્યારે આ ઘટનાનો વીડિયો પોતાના મોબાઇલમાં ઉતારવા લાગ્યા, ત્યારે રૈયાભાઈએ તેમને પણ પકડી લીધા હતા. રૈયાભાઈએ જેમ ફાવે તેમ ગાળો બોલીને ધમકી આપી હતી કે આજે તો તમને જાનથી પતાવી દેવા છે. ઝપાઝપી કરીને તેમણે ડ્રાઇવરને ગાડી ભગાડી જવાનું કહ્યું હતું.ડ્રાઇવર ડમ્પર લઈને ભાગી છૂટતા, ઇન્સ્પેક્ટર જયદીપભાઈ અને સિક્યુરિટી ગાર્ડ ભાવેશભાઈએ તેમની સરકારી બોલેરો ગાડીમાં ડમ્પરનો પીછો કર્યો હતો. બનાવની જગ્યાએથી આશરે 200 મીટર આગળ જઈને તેમણે બોલેરો આડી કરીને ડમ્પરને રોકાવી દીધું હતું. જોકે, ડ્રાઇવર અને માલિક બંને ડમ્પર ગાડી મૂકીને ત્યાંથી ભાગી ગયા હતા.ત્યારબાદ ઇન્સ્પેક્ટરે 112 નંબર પર ફોન કરીને પોલીસને બોલાવી હતી અને ડમ્પરને તાલુકા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યું હતું. ડમ્પરમાંથી વીવો કંપનીનો એક એન્ડ્રોઈડ મોબાઇલ પણ મળી આવ્યો હતો, જે પોલીસને સુપરત કરવામાં આવ્યો છે. આ મામલે ડ્રાઇવર જનકભાઈ ચોરવાડા અને માલિક રૈયાભાઈ ભનુભાઈ ભારાઇ સામે સરકારી ફરજમાં રૂકાવટ, ધમકી અને માર મારવા બદલ કાયદેસરની ફરિયાદ નોંધીને પોલીસે તપાસ શરૂ કરી છે.
રાજકોટ શહેર ભાજપ નેતા વિજય પાડલિયાના પરિવારના ડેન્ટલ ક્લિનિકને ગેરકાયદે બાંધકામની નોટિસ અપાતા રાજનીતિ ગરમાઈ છે. મહત્વનું છે કે, 27મી સપ્ટેમ્બરે આ ક્લિનિકનું ઉદઘાટન કેન્દ્રીય મંત્રી અને બે સાંસદો સહિત ભાજપના નેતાઓની ઉપસ્થિતિમાં કરાયું હતું. સાત દિવસમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવાની નોટિસ અપાતા પાડલિયાએ કહ્યું હતું કે, સંગઠનની રચના ચાલી રહી છે અને કોર્પોરેશનની ચૂંટણી આવી રહી હોય ભાજપનું એક જૂથ મારી પાછળ પડ્યું છે. અમારા તરફથી કોઈ ગેરકાયદે બાંધકામ કરાયું નથી. જો કે, વેસ્ટ ઝોનના TPOએ કહ્યું હતું કે, પાર્કિંગમાં દબાણ થયેલું છે. શું છે સમગ્ર મામલો?મહાનગરપાલિકાના વેસ્ટ ઝોનના એટીપીઓ દ્વારા તા. 11 નવેમ્બર, મંગળવારના રોજ વિજય પાડલિયાને નામજોગ નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસમાં સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો છે કે, પ્લાન વિરુદ્ધનું જે વધારાનું બાંધકામ છે તે 7 દિવસની અંદર દૂર કરીને મહાનગરપાલિકાને જાણ કરવી. જો 7 દિવસમાં આ બાંધકામ દૂર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં 260(2) મુજબની અંતિમ નોટિસ આપ્યા બાદ મનપા દ્વારા આ ગેરકાયદે વધારાનું બાંધકામ તોડી પાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ હોસ્પિટલનું ઉદઘાટન થયાને લગભગ દોઢ માસ જેટલો સમય વીતી ગયો છે. જેમાં ડો. ચાર્મી પાડલિયા છજલાની, ડો. આશિષ છજલાની જૈન, અને ડો. ધૈર્ય પાડલિયા સંચાલિત હોવાનું આમંત્રણ પત્રિકામાં દર્શાવાયું હતું, જેમાં વિજય પાડલિયાનું નામ શુભેચ્છક તરીકે લખવામાં આવ્યું હતું. ભાજપનું એક જૂથ મારી પાછળ પડી ગયું છે- વિજય પાડલિયામનપાની નોટિસ અંગે ભાજપ નેતા વિજય પાડલિયાએ જણાવ્યું હતું કે, આ 280 વાર જગ્યા અમે કાયદેસરના દસ્તાવેજો સાથે લીધેલી છે. કોર્પોરેશનમાં પ્લાન પણ મૂકેલો છે અને પ્લાન મુજબનું જ બાંધકામ કર્યું છે. અમે 15 લાખ રૂપિયા ભરીને એફએસઆઈ (FSI) લીધેલી છે, જેના તમામ રેકોર્ડ કોર્પોરેશન પાસે ઉપલબ્ધ છે. આ સંપૂર્ણપણે રાજકીય સ્ટંટ ચાલી રહ્યો છે. અત્યારે સંગઠનનું રાજકારણ ચાલી રહ્યું છે અને કોર્પોરેશનની ટિકિટ પણ મળતી નથી. આથી, મારા અમુક વિરોધીઓ છે, તે લોકોએ આખું ષડયંત્ર ઊભું કરીને મને ડેમેજ કરવા માટે કરેલું છે. આ માત્ર એક ડેમેજ કરવાની વાત છે કે જે કામ કરતા હોય તેમને સાઈડમાં કરવા માટે આ કૃત્ય થયું છે. તેમણે વધુમાં સ્પષ્ટતા કરી કે, અમારું આ ડેન્ટલ ક્લિનિક પહેલા રિંગ રોડ ઉપર હતું. અહીં અમે માલિકીની જગ્યા લીધા પછી પેશન્ટોને તકલીફ ન પડે તે માટે માત્ર ઓપીડી ક્લિનિક ચાલુ કરી દીધું છે. બાકી આ કોઈ અનલીગલી કે ખોટું કામ નથી. હું ગ્રીનફિલ્ડ ટ્રસ્ટ ચલાવું છું, ગૌશાળા ચલાવું છું, એટલે અમે કોઈ એલફેલી કે એવા કામ કરતા નથી, કે કરવું પણ નથી. આ તો એક રાજકીય જૂથ છે જે મારી પાછળ પડ્યું છે. કોર્પોરેશનની જે પણ ક્વેરી હશે તે પૂર્ણ કરાશે- વિજય પાડલિયામનપા દ્વારા નોટિસ આપવામાં આવી તે અંગે વિજય પાડલિયાએ જણાવ્યું કે, કોર્પોરેશનમાં એક ભાઈએ ફરિયાદ આપી હતી કે અહીંયા ગેરકાયદે બાંધકામ છે. એટલે કોર્પોરેશનને જ્યારે ફરિયાદ મળે ત્યારે તેને વિધિ કરવી પડે એટલે મને નોટિસ આપી. અમે કોર્પોરેશનની જે કંઈ ક્વેરી હશે, તે તમામ દસ્તાવેજો સાથે પૂરી પાડીશું. બાકી કાગળો તો તેમની પાસે ઓલરેડી છે જ, જેમ કે FSI લીધી હોય, પ્લાન મૂક્યો હોય એ બધું જ હોય છે. જોકે, તેમણે આ આખાય મામલાને રાજકીય ગણાવ્યો હતો અને કહ્યું હતું કે આ રાજકીય દ્વેષભાવના કારણે હેરાનગતિ કરવામાં આવી રહી છે. બે માળનું કામ બાકી હોવાથી કમ્પલીશન મળ્યું નથીરાજકોટમાં એવા કેટલાય મકાનો છે જેમાં તો બેડવાળી હોસ્પિટલો ચાલે છે, જ્યારે અમારી તો ડેન્ટલ હોસ્પિટલ છે. ડેન્ટલ હોસ્પિટલમાં કોઈ બેડ ન હોય, એપોઇન્ટમેન્ટ ઉપર ચાલતી હોય છે. તેમનું ક્લિનિક કોમર્શિયલ નથી, પણ રેસિડેન્સ પ્લાન પર આધારિત છે, જ્યાં નીચે ક્લિનિક અને ઉપર રહેવાની વ્યવસ્થા છે. આ બાંધકામ કોર્પોરેશનમાં પાસ થયેલા પ્લાન મુજબ કરવામાં આવ્યું છે. આગળની જગ્યા પણ મુકેલી છે. હાલમાં ઉપરના બે માળનું કામ બાકી હોવાથી કમ્પ્લીશન આવ્યું નથી, પરંતુ કમ્પ્લીશન આવતા જ કોર્પોરેશન અને મીડિયાને બધી વિગતો રજૂ કરવામાં આવશે. રાજકોટ મનપાના અધિકારીએ કહ્યું- 'પાર્કિંગમાં દબાણ છે'સમગ્ર મામલે વેસ્ટ ઝોન એટીપીઓ શૈલેષ સીતાપરાએ દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, એસીપી ડેન્ટલ ક્લિનિકમાં ગેરકાયદે બાંધકામ હોવાની અરજી મ્યુ. કમિશ્નર મારફત અમોને મળી હતી. જેના આધારે સ્થળ તપાસ કરતા પાર્કિંગમાં દબાણ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેને લઈને નોટિસ આપવામાં આવી છે. જોકે બિલ્ડીંગનું કન્સ્ટ્રક્શન ચાલુ હોવાથી કમ્પ્લીશન ન હોય એ સ્વાભાવિક છે. હાલ તો પાર્ટીને 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે. ત્યાં સુધીમાં જો જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં નહીં આવે તો નિયમ મુજબ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદથી એક પતિએ ફેમિલી કોર્ટના ચુકાદા સામે અપીલ દાખલ કરી છે. જેમાં જણાવ્યા મુજબ અમદાવાદ ફેમિલી કોર્ટે પતિની છૂટાછેડાની અરજી નકારી નાખી છે. જેમાં જણાવ્યું છે કે, પતિએ ક્રૂરતાના આધાર પર પત્નીથી ડિવોર્સ માંગ્યા છે. તેને કહ્યું 01 એપ્રિલે પત્રકાર પત્નીએ RJ સાથે મળી ચારિત્ર્ય પર પ્રેન્ક કર્યો હતો, તે શેરીના કૂતરા ઘરે લાવે છે જે મને કરડ્યા છે. પતિએ એલમની માટે 15થી 20 લાખ રૂપિયાની ઓફર કરી હતી, પરંતુ પત્ની બે કરોડ રૂપિયા માંગી રહી છે. પતિ ખાનગી નોકરી કરે છે અને પત્ની પત્રકાર છેપતિ અને પત્ની બંનેની ઉંમર ઉંમર 40 અને 41 વર્ષની આસપાસ છે. જો તેમના છૂટાછેડા ગ્રાહ્ય રાખવામાં આવે તો આ ઉંમરે તેઓ બીજા લગ્ન કરી શકે. પતિએ ક્રૂરતાના ગ્રાઉન્ડ ઉપર છૂટાછેડા માંગ્યા છે, જો કે પત્ની છૂટાછેડા આપવા માંગતી નથી. પતિ એક ખાનગી કંપનીમાં સિનિયર એક્ઝિક્યુટિવ છે. જે મહિને 60 થી 65 હજાર કમાય છે, જ્યારે પત્ની પત્રકાર છે. અમદાવાદની ફેમિલી કોર્ટે પતિના છૂટાછેડાની અરજી એ આધાર ઉપર ફગાવી દીધી હતી કે પતિ પોતાની પત્ની સામે ક્રૂરતા પુરવાર કરી શક્યો નથી. RJ સાથે મળીને પત્નીએ પતિ સાથે પ્રેન્ક કર્યોપતિ તરફથી જણાવાયું છે કે તેના દ્વારા મુકાયેલા ક્રૂરતાના ગ્રાઉન્ડ સબ્જેક્ટિવ છે. આવા બે બનાવ પતિએ હાઈકોર્ટ સમક્ષ ટાંક્યા હતા. પહેલા બનાવમાં જણાવ્યું હતું કે 01 એપ્રિલના રોજ એક ખાનગી રેડિયોના RJ સાથે મળીને તેની પત્નીએ તેની સાથે પ્રેન્ક કર્યો હતો. જેમાં પતિના કામના સ્થળે તેને કહેવાયું હતું તેનું કોઈની સાથે અફેર છે. શેરીના કૂતરા ઘરે લાવે છે જે પતિને કરડ્યાબીજું પત્ની પશુ પ્રેમી છે અને શેરી કૂતરાઓને ઘરમાં લાવે છે, તે કૂતરા પતિને કરડ્યા હતાં. કોર્ટે પૂછ્યું હતું કે શું તમે રસી લીધી હતી ? પહેલો બનાવ વર્ણવતા અરજદાર પતિએ જણાવ્યું હતું કે 01 એપ્રિલે પત્નીનો બર્થ ડે હોય છે. પરંતુ પતિ રજા નહોતો લઈ શકતો, તે એક ખાનગી સંસ્થામાં કામ કરે છે, પત્ની ઇચ્છતી કે તે દિવસે પતિ તેની સાથે જ રહે. પતિનું લગ્ન બાહ્ય અફેર છે તેમ કહીને કીચડ ઉછળ્યુંઆથી પત્નીએ એક રેડિયો જોકી સાથે તેના કામના સ્થળ ઉપર એક પ્રેન્ક કર્યો હતો. જે અંતર્ગત પતિનું લગ્ન બાહ્ય અફેર છે એમ જણાવીને તેના ચારિત્ર ઉપર કીચડ ઉછાવામાં આવ્યું હતું. આ પ્રેન્કનું રેડિયો ઓફિસમાં લાઇવ રેકોર્ડિંગ કરાયું હતું. ત્યારબાદ તેનું પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. પ્રેન્ક માટે તેની પત્નીએ જ એક બનાવટી વાર્તા ઘડી હતી જે મુજબ પતિને એક જેની નામની યુવતી સાથે લગ્ન બાહ્ય સંબંધો હોય છે. તે તેની સાથે લગ્ન કરવા તેની ઉપર દબાણ કરે છે અને પોતાના માતા પિતા સાથે તેના ઘરે આવવા ધમકી આપે છે. આથી ગભરાયેલ પતિ પોલીસને લઈને ઘરે પહોંચે છે, ત્યારે ખબર પડે છે કે આ એપ્રિલ ફૂલનો એક પ્રેન્ક હતો. પરંતુ આ ઘટનાથી અરજદાર પતિ ખૂબ ગભરાઈ ગયો હતો. 'પતિએ ખોટા અક્ષેપો કરીને છૂટાછેડાની માંગ કરી'પત્નીએ પોતે પણ પ્રેન્કનો સ્વીકાર કર્યો હતો. પત્નીએ તેની ઉપર દહેજ માંગવાના આક્ષેપ કર્યા છે, જે ખોટા છે. પત્નીએ તેને ધમકી આપી હતી કે જો પતિ તેને છોડીને જતો રહ્યો તો તેની ઉપર દહેજનો કેસ કરશે. પત્ની મોડી રાત સુધી ઘરની બહાર રહેતી હતી. એટલું જ નહીં સ્ટ્રીટ ડોગની એક મેટરમાં પોલીસે તેને અરેસ્ટ કરી હતી. સામે પત્નીએ જણાવ્યું હતું કે પતિએ ખોટા અક્ષેપો કરીને છૂટાછેડાની માંગ કરી છે, તેની ઉપર કોઈ ક્રૂરતા આચરવામાં આવી નથી. પતિની એલીમની માટે 15થી 20 લાખની ઓફર, પત્નીની બે કરોડની માગપતિએ જણાવ્યું હતું કે, તે અને તેની પત્ની વર્ષ 2006થી 2011 સુધી અલગ અલગ રહ્યા છે. હાઇકોર્ટે પૂછ્યું હતું કે શું સેટલમેન્ટ માટે ચાન્સ છે? જેના જવાબમાં પતિએ જણાવ્યું હતું કે, તે પત્ની સાથે હવે રહી શકે તેમ નથી. પતિ એલીમની માટે 15થી 20 લાખ રૂપિયાની ઓફર કરી હતી, પરંતુ પત્ની બે કરોડ રૂપિયા માંગી રહી છે. પત્નીએ કહ્યું હતું કે પતિનો વિદેશમાં રિસોર્ટ છે, જે વાત છુપાવી છે. જો કે પતિએ કહ્યું હતું કે તેની માતા અને તેને એક ભાઈ છે. તે પ્રોપર્ટી તેના નામે નથી. તેના પિતાનું મૃત્યુ થઈ ચૂક્યું છે અને તેમના વીલમાં પિતાએ તેને કશું આપ્યું નથી. 'તમે વર્કિંગ જર્નલિસ્ટ તો પતિ ઉપર શા માટે નિર્ભર છો?'કોર્ટે પત્નીને પ્રશ્ન કર્યો હતો કે તમે પણ વર્કિંગ જર્નલિસ્ટ તો પતિ ઉપર શા માટે નિર્ભર છો? પત્ની તરફથી જણાવ્યું હતું કે પહેલા કોર્ટે તેને મહિને 05 હજાર રૂપિયા ભરણ પોષણ આપ્યું હતું. બાદમાં તેને વધારીને 15 હજાર રૂપિયા કરવામાં આવ્યું. જેનો પતિએ વિરોધ કર્યો હતો. પત્ની 06 વર્ષ પહેલા મહિને 40 હજાર રૂપિયા કમાતી હતી. જો કે કોર્ટે બંને પક્ષોના વકીલોને પોતાના અસીલોની સલાહ લઈને વધુ કાર્યવાહી 01 ડિસેમ્બરના રોજ રાખી છે.
સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા વિધાનસભાના નવલગઢ ગામે રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભા એસઆઈઆર (ખાસ સઘન મતદાર યાદી સુધારણા) કાર્યક્રમ અંતર્ગત યોજાઈ હતી. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી આ સભામાં ગામના સરપંચ, તલાટી, તમામ બીએલઓ અને ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા. સભા દરમિયાન, એસઆઈઆરની સંપૂર્ણ પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ગામજનોને ખોટી અફવાઓથી દૂર રહીને માત્ર સાચી અને વિશ્વસનીય માહિતી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ભારપૂર્વક અપીલ કરવામાં આવી હતી. એસઆઈઆર સંબંધિત ભ્રમણાઓ, મૂંઝવણો અને પ્રશ્નોને સાચી તથા સ્પષ્ટ માહિતી દ્વારા દૂર કરવાના પ્રયાસો કરાયા હતા. સભાના અંતે, ગ્રામજનોએ તેમની મતદાર યાદી સાથે જોડાયેલી તમામ શંકાઓ અને પ્રશ્નોનું સંતોષકારક નિવારણ મેળવ્યું હતું. ગામલોકોએ આ મહત્ત્વપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા માટે વહીવટી તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી પણ આપી હતી.
પાલેજ પોલીસે લક્ઝરી બસમાંથી દારૂ ઝડપ્યો:બે આરોપીઓની ધરપકડ, રૂ.7.34 લાખનો મુદ્દામાલ જપ્ત
ભરૂચની પાલેજ પોલીસે એક લક્ઝરી બસમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને કુલ ₹7.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પાલેજ પોલીસ મથકના પીઆઈ એ.એ. ચૌધરીને ગુપ્ત માહિતી મળી હતી કે, 'શિવ લહેરી ટ્રાવેલ્સ' નામની લક્ઝરી બસ (નંબર GJ-12 BX-7583) નવસારીથી મોરબી તરફ જઈ રહી છે. આ બસનો ડ્રાઈવર અને ક્લીનર સુરતથી વિદેશી દારૂનો જથ્થો મોરબી લઈ જઈ રહ્યા હતા. આ માહિતીના આધારે, પોલીસે નેશનલ હાઈવે નંબર 48 નજીક ન્યુ બલવાસ હોટલ પાસે વોચ ગોઠવી હતી. બસ આવતા તેને રોકવામાં આવી અને તેની ડેકીમાં તપાસ કરતા વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી દેવા કાનાભાઈ બાળા (આહિર) અને જેન્દ્ર નરસિંહભાઈ પટેલ નામના બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ₹25,610ની કિંમતનો દારૂ અને બિયર, ₹5,500ના બે મોબાઈલ ફોન, ₹2,900 રોકડા અને ₹7,00,000ની લક્ઝરી બસ સહિત કુલ ₹7,34,010નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પાલેજ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સાબરકાંઠા LCBએ હિંમતનગરના મોતીપુરા નેશનલ હાઈવે 48 પરના ઓવરબ્રિજ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજસ્થાનથી ગુજરાતમાં લાવવામાં આવી રહેલા રૂ. 2.57 લાખના વિદેશી દારૂ સાથે કારચાલક સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કુલ રૂ. 7.67 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. સાબરકાંઠા LCB ટીમ હિંમતનગર ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન મોતીપુરા ખાતે મળેલ બાતમીના આધારે નેશનલ હાઈવે 48 પરના ઓવરબ્રિજ પર નાકાબંધી ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબની કાર આવતા તેને રોકવામાં આવી હતી, જેમાં ચાલક સહિત બે શખ્સો સવાર હતા. કારની તલાશી લેતા તેમાંથી રૂ. 2,57,906 ની કિંમતની વિદેશી દારૂની 178 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ ઉપરાંત રૂ. 5,00,000 ની સ્વીફ્ટ કાર અને રૂ. 10,000 ના બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 7,67,906 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં (1) શંકર સ/ઓ હોમાજી લખમાજી ડામોર (મીણા), મૂળ રહે. વેસાકીયા (આંજણી ગામ પંચાયત), તા. લસાડીયા, જી. સલુમ્બર (રાજસ્થાન) અને હાલ રહે. અગડ, પીપલા ખૂણા ફળો, તા. લસાડીયા, જી. સલુમ્બર (રાજસ્થાન) તથા (2) કાળુ સ/ઓ નારૂજી કાલીયાજી બુંજ (મીણા), રહે. અગડ, પીપલા ખૂણા ફળો, તા. લસાડીયા, જી. સલુમ્બર (રાજસ્થાન) નો સમાવેશ થાય છે. આ ગુનામાં અન્ય ચાર આરોપીઓ ફરાર છે. જેમાં (1) પ્રકાશ કલાલ, રહે. રાજસમંદ (જેણે મુદ્દામાલ ભરી આપ્યો હતો અને પાયલોટિંગ કર્યું હતું), (2) પાયલોટિંગમાં સાથે રહેનાર એક અજાણ્યો ઈસમ, (3) પાયલોટિંગમાં સાથે રહેનાર બીજો અજાણ્યો ઈસમ અને (4) પ્રોહિબિશનનો મુદ્દામાલ મંગાવનાર અજાણ્યો ઈસમનો સમાવેશ થાય છે. પોલીસ આ ફરાર આરોપીઓને ઝડપી પાડવા તપાસ ચલાવી રહી છે.
9 નવેમ્બરે રાત્રિના રાજકોટના કાલાવડ રોડ ઉપર પૂરપાટ ઝડપે દોડતી BMW કારના ચાલક અને ઉદ્યોગપતિ આત્મન પટેલે એકટીવા પર જતા અભિષેક નાથાણીને હડફેટે લેતા કાર 10 ફૂટ ઉછળી અને અભિષેક 50 ફૂટ ફંગોળાયો અને તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યુ. જે ઘટનામાં આરોપીને એક જ દિવસમાં જામીન મળી જતા મૃતક યુવાનના પરિવારજનો પોલીસ અને સરકાર સમક્ષ ન્યાયની માગણી કરતા દિવ્યભાસ્કરના કેમેરામાં નજરે પડે છે. પરિવારનું કેવું છે કે આ ઘટનામાં હિટ એન્ડ રન કે મનુષ્યવધ ની કલમ શા માટે લગાવવામાં ન આવી? લાયસન્સ શા માટે સસ્પેન્ડ ન કરાયું? જેલમાં શા માટે ન પૂરવામાં આવ્યો ? મૃતક યુવાનના માતા અને ભાભુએ આરોપીને ફાંસીની સજા મળે તે માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ વિભાગ સમક્ષ માંગણી કરી છે. અભિષેક નાથાણીના માતા વિલાસબેને જણાવ્યું હતું કે, મારા દીકરાની ચિતાની આગ ઠંડી નથી થઈ તે પહેલા જ અકસ્માત કરતા કાર ચાલક આરોપીને જામીન કઈ રીતે મળી ગયા ? તેની ઉપર હિટ એન્ડ રનની કલમ કેમ લગાડવામાં આવી નથી. તેને સાદી કલમ લગાવી કેમ છોડી દેવામાં આવ્યો. ? આરોપીને ફાંસીની સજા થવી જોઈએ. અને આ શખ્સને જો છોડી મૂક્યો તો આજે મારો દીકરો ગયો છે કાલે બીજાનો દીકરો પણ જશે. પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી પૈસા ખાઈ ગઈ છે. સામેવાળા પૈસાવાળા છે એટલે પૈસા આપીને દીકરાને છોડાવી લીધો છે. સરકાર સમક્ષ અમારી ન્યાયની માંગણી છે. આ કાળ બનીને આવ્યો અને મારા દીકરાને ખાઈ ગયો છે. આ પ્રકારના વ્યક્તિઓને વાહન ચલાવવા આપવું જ ન જોઈએ. મૃતક અભિષેકના ભાભુ તારા બેને જણાવ્યું હતું કે, આજે અમે અમારો દીકરો ગુમાવ્યો છે તેનું ખૂબ જ દુઃખ છે. અમારો સુરજડૉ આથમી ગયો છે અને તેથી અમારી એક જ માગણી છે તે તો સરકારના કાયદામાં જોગવાઈ હોય તો આવા શખ્સોને ફાંસીની સજા આપો. પોલીસ દ્વારા આરોપીનું મોં છુપાવવામાં આવે છે. અન્ય કોઈ હોય તો તેને પોલીસ કુકડા બનાવે છે. આ અકસ્માત નહીં પરંતુ હત્યા છે કારણ કે ગુનેગારનું એવું છે કે મેં બ્રેક ઉપર પગ જ રાખ્યો નથી. આ પ્રકારના ગુનેગારોને પકડવામાં આવે અને કડક સજા કરવામાં આવે તો જ આ પ્રકારના ગુનાઓ સમાજમાં અટકશે મારી ગૃહ મંત્રી હર્ષ સંઘવીને વિનંતી છે કે તમે આમાં કંઈક કરો કારણ કે આજે એક રાતમાં અમારો એક દીકરો ગયો છે. આવા દસ જશે તો ભારતની અર્થવ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા પડી ભાંગશે. ગૃહ મંત્રી અને પોલીસ ખાતાવાળા ને મારું કહેવું છે કે જો તમારા દીકરા સાથે આવું થયું હોય તો તમે શું કરો? આ પ્રકારના શખ્સોને સમાજ સામે ખુલ્લો કરવો જોઈએ. અંતમાં તેમણે સવાલ કર્યો હતો કે, લર્નિંગ લાઇસન્સ ન હોય તો તેના માતા-પિતાને સજા થાય છે તો આવડો મોટો ગુનો કરે તો તેને કોઈ જ સજા ન થાય ? તારાબેને વધુમાં જણાવ્યું હતું કે, જે વ્યક્તિ દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે તેમના પરિવારમાંથી છ થી સાત પુરુષો ગઈકાલે અમારે ત્યાં આવ્યા હતા. શરૂઆતમાં તેઓ અમારા બધા સાથે બેઠા હતા. કોઈ વાતચીત થઈ ન હતી. તે વખતે અમે બધા મહિલાઓએ અકસ્માત સર્જનારના પિતાને કહ્યું કે દીકરાને આવા સંસ્કાર ન આપવા જોઈએ. જોકે તેની સાથે આવેલા એક શખ્સે કહ્યું કે આ તો અમે મળવા આવ્યા નહીંતર તમે શું કરી લેવાના હતા ? આજે અમને નાની ધમકી આપીને ગયા છે કાલે સવારે અમને મોટી ધમકી આપશે. ધમકી આપીને અમારું મોઢું બંધ કરવા માંગે છે. જે બાદ તેમના ભાભુ ચોધાર આંસુએ રડવા લાગ્યા હતા. અભિષેકની પિતરાઈ બહેન શ્વેતાએ જણાવ્યું હતું કે, અમે અમારો છે ભાઈ ખોયો છે તેને ન્યાય મળવો જોઈએ. અકસ્માત સર્જનાર વ્યક્તિ ઝડપાઈ ગયો છે તે અંગે પોલીસ દ્વારા અમને કોઈપણ જાતનું અપડેટ મળ્યું નથી. તેનું નામ શું છે તેની પણ જાણ કરવામાં આવી નથી. પોલીસવાળાએ પૈસા લીધા છે કે શું છે તે અમને ખબર નથી. આ માટે હવે સમાજે અવાજ ઉઠાવવો જોઈએ. ઘટના સ્થળે જ્યારે પહોંચ્યા ત્યારે પણ તે વ્યક્તિને પોલીસ ક્યાંથી લઈ ગઈ હતી અને મોઢું પણ છુપાવવામાં આવ્યું છે ત્યારે આ પ્રકારના વ્યક્તિને ખુલ્લા કરવામાં આવે અને ખરેખર તે જ વ્યક્તિને પકડ્યો છે કે કેમ તે પણ જાહેર કરવામાં આવે. અમને પણ પોલીસે તે વ્યક્તિના મોઢે રૂમાલ બાંધેલો જ દેખાડવામાં આવ્યો હતો. અભિષેકના ભાઈજી હરીભાઇએ જણાવ્યું હતું કે, અમારો દીકરો ગયો છે તો અમને ન્યાય મળે તેવી જ અમારી માંગણી છે. આ બનાવમાં પોલીસની બેદરકારી છે તેમના દ્વારા કોઈ કલમ જ લગાવવામાં આવી નથી. હિટ એન્ડ રન કે માનવ વધની કલમ લગાવવામાં આવી નથી. આરોપીને 24 કલાક પહેલા જ જામીન મળી ગયા તે દુઃખદ ઘટના કહેવાય. અકસ્માત સર્જનારને એહસાસ થવો જોઈએ કે બીજી વખત તે કોઈનો જીવ ન લે. અભિષેક ના પિતા દેવેન્દ્રભાઈને ફર્નિચરનું કારખાનું છે અને વાલ્વની બિમારી છે. અકસ્માત કરનારા છૂટી જાય છે તે સરકારની બેદરકારી છે આ પ્રકારના વ્યક્તિને જેલમાં જ રાખવો જોઈએ અને તેને અહેસાસ કરાવવો જોઈએ કે તે વ્યક્તિએ કોઈનો જીવ લીધો છે. સરકારે તેનું લાયસન્સ સસ્પેન્ડ કરી દેવું જોઈએ.
કૅટલ બાયોટેક અંડર-16 (મલ્ટીડે) પ્લેઈંગ ટીમ સ્કૂલ ટુર્નામેન્ટ - 2025-26ના ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં માધવ એજ્યુકેશન કેમ્પસે શ્રેયસ ફાઉન્ડેશનને ઇનિંગ્સ અને 1 રનથી હરાવી સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. શ્રેયસ ફાઉન્ડેશનની ટીમે પ્રથમ બેટિંગ કરતા 71 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. બીજી ઇનિંગ્સમાં ટીમે 96 રન બનાવ્યા હતા. માધવ એજ્યુકેશન કેમ્પસે 168 રનનો સ્કોર કરીને મોટી લીડ મેળવી હતી. આ મેચમાં નિવ આર. પાંદવે 51 રન બનાવ્યા હતા, જ્યારે સમારિયા જોયે 5 વિકેટ ઝડપી હતી. ટીમના આ શ્રેષ્ઠ પ્રદર્શન પાછળ જી.આર.પી. સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા આપવામાં આવેલી તાલીમનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે.
રાહી ફાઉન્ડેશન દ્વારા નરોડા-મુઠીયા વિસ્તારમાં 300થી વધુ શ્રમજીવી જરૂરિયાતમંદોને ગરમ અને સુતરાઉ કપડાં, ચાદર તથા રમકડાંનું વિતરણ કરવામાં આવ્યું. આ વિતરણ કાર્યક્રમ અંતર્ગત પેન્ટ, શર્ટ, સાડી, લેડીઝ ડ્રેસ, સ્વેટર, બાળકોના કપડાં, ચણીયા ચોળી અને ચાદર જેવી વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. રાહી ફાઉન્ડેશનના જયેશ પરીખ, નિહારિકા પરીખ, શરદ જાદવ, વિજય દલાલ અને માર્કંડભાઈએ આ વિતરણ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. કાર્યક્રમનું સંકલન રાકેશ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.
અમદાવાદના રખિયાલમાં રહેતી સોશિયલ મીડિયા ક્રિએટર યુવતીના નામનું ખોટું ફેસબુક આઇડી બનાવી અજાણ્યા વ્યક્તિએ યુવતી અને તેના પતિના તથા યુવતી અને તેના મિત્રના વીડિયો એડિટ કરીને બીભત્સ ચેનચાળા કરતા વીડિયો અપલોડ કર્યા હતાં. આ અંગે યુવતીને જાણ થતા રખિયાલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. યુવતીના નામે ખોટું ફેસબુક આઇડી, ગંદા બીભત્સ વીડિયોની પોસ્ટ કરીરખિયાલમાં રહેતી 30 વર્ષની યુવતી સોશિયલ મીડિયા ક્રિએટર છે. તે છેલ્લા ત્રણ મહિનાથી ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર અલગ અલગ વીડિયો બનાવીને મૂકે છે. યુવતીના 40થી 50 હજાર જેટલા ફોલોવર્સ પણ છે. યુવતી તેમના પડોશમાં રહેતા મિત્ર સાથે પણ વીડિયો બનાવે છે. 21 સપ્ટેમ્બરના રોજ યુવતી ઘરે હાજર હતી તે વખતે યુવતીના પતિએ યુવતી ને કહ્યું હતું કે તેના નામનું ફેસબુકમાં આઈડી બન્યું છે. જેમાં યુવતી અને તેના પતિના વીડિયોને એડિટ કરીને વીડિયો મુકવામાં આવ્યા છે જે બાદ આઈડી ચેક કરતા તેમાં યુવતીના મિત્ર સાથેના પણ વીડિયોને એડિટિંગ કરીને ગંદા બીભત્સ ચેનચાળા કરતા વીડિયો પણ અપલોડ કરવામાં આવ્યા હતાં. યુવતીએ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ રખિયાલ પોલીસમાં ફરિયાદ નોંધાઈઆ ઘટનાના 15 દિવસમાં જ એક અજાણ્યા આઈડી પરથી યુવતીના અને તેના મિત્રને ફેસબુકના વીડિયોનું એડિટિંગ કરીને બીભત્સ કોમેન્ટ બોલતા હોય તેવા 10થી 12 વીડિયો અપલોડ કરવામાં આવ્યા હતાં. જેમાં બદનામ કરવા અને ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા હતાં.જેથી યુવતીએ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફેક આઇડી બનાવી એડિટ કરીને ખોટા વીડિયો અપલોડ કરવા બદલ ફરિયાદ નોંધાવી છે.
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સ દ્વારા 'વંદેમાતરમ્' ગીતને 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે એક વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે ગીતના મહત્વ વિશે વાત કરી હતી. પ્રિન્સિપાલ સંજય વકીલે જણાવ્યું હતું કે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત આ ગીત સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન એક શક્તિશાળી સૂત્ર બન્યું હતું. સાહિત્યના નોબેલ પુરસ્કાર વિજેતા રવીન્દ્રનાથ ટાગોરે પણ આ ગીતની પ્રશંસા કરી હતી. આઝાદીની ચળવળમાં 'વંદેમાતરમ્' રાષ્ટ્ર ચેતનાનું પ્રતીક બની ગયું હતું અને અંગ્રેજોના અત્યાચાર સામે સ્વાતંત્ર્ય સેનાનીઓને જુસ્સો પૂરો પાડતું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે બાલ ગંગાધર તિલક અને શ્રી અરવિંદ ઘોષે આ ગીતને રાષ્ટ્ર મંત્ર અને રાષ્ટ્રીય પ્રાર્થનાનો દરજ્જો આપ્યો હતો. મહાત્મા ગાંધીએ પણ 'વંદેમાતરમ્'ને રાષ્ટ્રગીત તરીકે અપનાવ્યું હતું. બંકિમચંદ્રએ તેમની નવલકથા 'આનંદમઠ'માં આ ગીત રજૂ કર્યું હતું, જેનો ઉદ્દેશ 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં સાધુ-સંતોના યોગદાનને દર્શાવવાનો હતો. આ ગીત રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રચેતના અને રાષ્ટ્રભક્તિને ઉજાગર કરે છે. કાર્યક્રમના અંતે, કોલેજના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા શપથ લેવામાં આવ્યા હતા. શપથમાં કહેવામાં આવ્યું હતું કે, હું મારી માતૃભૂમિ ભારતને હૃદયપૂર્વક નમન કરી દેશની એકતા, અખંડિતતા તથા સમૃદ્ધિ માટે પ્રયત્નશીલ રહીશ. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
ગારિયાધાર તાલુકા કક્ષાનો ખેલમહાકુંભ સુરનગર હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો. આ સ્પર્ધામાં શિવેન્દ્રનગર કેન્દ્રવર્તી શાળાના 22 વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. આ ખેલમહાકુંભમાં એથ્લેટિક્સ વિભાગમાં દોડ, ફેંક અને કૂદની વિવિધ ગ્રુપ મુજબની સ્પર્ધાઓ યોજાઈ હતી. શિવેન્દ્રનગર શાળામાંથી ભાઈઓ અને બહેનોના અંડર-9, અંડર-11 અને અંડર-14 એમ ત્રણેય વયજૂથના બાળકોએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ દોડ, ઊંચી કૂદ, લાંબી કૂદ, ગોળાફેંક, ચક્રફેંક અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ જેવી એથ્લેટિક્સ સ્પર્ધાઓ ઉપરાંત ચેસ અને યોગાસનમાં પણ ભાગ લીધો હતો. કુલ 22 બાળકોએ આ સ્પર્ધાઓમાં વિજેતા બની શાળાનું નામ રોશન કર્યું. આ વિજેતા વિદ્યાર્થીઓને સરકાર તરફથી રોકડ પુરસ્કાર પણ મળશે. તેઓ હવે જિલ્લા કક્ષાના ખેલમહાકુંભમાં ભાગ લેવા જશે. શાળા પરિવારે આ સિદ્ધિ બદલ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આવતીકાલે 13 નવેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના હતા. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ બુક ફેર અને ફૂડ ફેસ્ટિવલના ઉદ્ઘાટનની સાથે મહેસાણાના બોરીયાવી ખાતે સ્કૂલ તેમજ ઓર્ગેનિક પ્લાન્ટના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજર રહેવાના હતા. જોકે દિલ્હી ખાતે થયેલા બોમ્બ વિસ્ફોટ કેસને લઈને ગૃહ મંત્રી દ્વારા વ્યસ્ત હોવાને લઈને ગુજરાત પ્રવાસ રદ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ગૃહ વિભાગ સાથે સતત બેઠકોમાં વ્યસ્તભાજપના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે 12 નવેમ્બરના રોજ રાત્રે અમદાવાદ આવવાના હતા. આવતીકાલે 13 નવેમ્બરના રોજ અમદાવાદ અને મહેસાણા ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હતા. જોકે દિલ્હી બોમ્બ વિસ્ફોટ કેસમાં કેન્દ્ર સરકાર ખૂબ જ ગંભીરતાથી આ બાબત પર ધ્યાન રાખી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો યોજી અને આ કેસ પર ધ્યાન આપી રહ્યા છે ત્યારે ગુજરાત પ્રવાસ રદ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. બોમ્બ બ્લાસ્ટ કેસની તપાસ પર સતત નજર13 નવેમ્બરના રોજ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ઇન્ટરનેશનલ બુક ફેર અને ફૂડ ફેસ્ટિવલ નું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન અને નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રદાન સહિતના નેતાઓ ઉપસ્થિત રહેવાના હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી મહેસાણાના બોરીયાવી ખાતે પણ સૈનિક સ્કૂલ અને ઓર્ગેનિક પ્લાન્ટનું લોકાર્પણ કરવાના હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી દિલ્હીમાં થયેલા હુમલા કેસની તપાસ પર સતત નજર રાખી રહ્યા છે ત્યારે તેઓ દ્વારા આ કાર્યક્રમ રદ કરી અને માત્ર તેના ઉપર જ ધ્યાન આપવામાં આવી રહ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ દેશભરમાં એલર્ટ છે ત્યારે ગુજરાતમાં પણ એલર્ટને લઈને પોલીસ એકશન મોડમાં છે. અમદાવાદ પોલીસે ગઈકાલે(11 નવેમ્બરે) શહેરની મોટાભાગની હોટલો અને ભાડુઆતના મકાન અને દુકાનમાં સરપ્રાઈઝ ચેંકીગ કર્યુ હતું. ગેરકાયદેસર ભાડે રહેતા અને હોટલના માલિક દ્વારા પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરીને પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ભંગ કર્યો હોવાથી અમદાવાદમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 20થી વધુ ગુના નોંધવામાં આવ્યા છે. શહેરની હોટલોમાં સર્ચ, શંકાસ્પદ લોકોની પોલીસ દ્વારા પુછપરછભૂતકાળમાં ઝડપાયેલા આતંકીઓ હોટલમાં નામ બદલીને રહેતા હોવાથી પોલીસે ગઈકાલે શહેરની મોટાભાગની હોટલો પર સર્ચ કર્યુ હતું. સ્થાનિક પોલીસ, લોકલ ક્રાઈમ બ્રાંચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, ક્રાઈમ બ્રાંચની વિવિધ ટીમોએ શહેરની હોટલોમાં સર્ચ કર્યુ હતું અને શંકાસ્પદ રીતે રહેતા લોકોની પણ પુછપરછ કરી હતી. આ સિવાય જે હોટલના સંચાલકોએ પથીક સોફ્ટવેરમાં ગેસ્ટની એન્ટ્રી ના કરી હોય તેવા વિરૂદ્ધ કાર્યવાહી પણ કરી હતી. એલીસબ્રીજ પોલીસે હોટલના માલિક સામે ગુનો નોંધ્યોએલીસબ્રીજ પોલીસની ટીમે ગઈકાલે(11 નવેમ્બરે) એલીસ હોટલમાં સર્ચ કર્યુ હતું. જેમાં પથીક સોફ્ટવેર ચેક કર્યુ હતું. હોટલના કર્મચારીઓએ ગેસ્ટની એન્ટ્રી પથીક સોફ્ટવેરમાં કરી હતી નહી જેના કારણે પોલીસે કાર્યવાહી કરી હતી. એલીસબ્રીજ પોલીસે હોટલના માલીક પૃથ્વીસિંહ રાવ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. અમદાવાદમાં પાંચ હજારથી વધુ હોટલો અને ગેસ્ટ હાઉસ આવેલા છે જેમાં પોલીસે ઘણી હોટલોમાં સરપ્રાઈઝ ચેંકીગ કર્યુ હતું. ભાડા કરાર વગર દુકાન અને મકાન ભાડે આપતા માલિકો વિરૂદ્ધ કાર્યવાહી26 જુલાઈના રોજ અમદાવાદમાં જ્યારે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા ત્યારે ઈન્ડિયન મુજાહુદ્દીનના આતંકીઓએ અમદાવાદમાં મકાન ભાડે રાખીને રહેતા હતાં. આ ઘટના બાદ મકાન માલીકે ભાડા કરાર કરાવુ ફરજિયાત થઈ ગયુ હતું. બે દિવસ પહેલા ફરિદાબાદમાં સુરક્ષા એજન્સીએ એક મકાનમાં રેડ કરી હતી જ્યાંથી હથિયાર તેમજ વિસ્ફોટકો મળી આવ્યા હતાં. આ મકાન આતંકવાદી ડો. મુઝમ્મિલ ગનીએ ભાડેથી લીધુ હતું. મકાન માલિકને મુઝમ્મિલે સામાન રાખવા માટે ભાડે રાખ્યું હોવાની કબુલાત કરી હતી. આતંકવાદીઓ મકાન અને દુકાનો ભાડે રાખીને પોતાની આતંકી ઘટનાને અંજામ આપતા હોવાથી પોલીસ દ્રારા તે દીશામાં પણ તપાસ કરાઈ હતી. પોલીસે અમદાવાદમાં ભાડા કરાર વગર દુકાન અને મકાન ભાડે આપતા માલીકો વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. શહેરમાં 20 જેટલી ફરિયાદ નોંધાઈદરિયાપુર વિસ્તારમાં આવેલી એક દુકાન ભાડા કરાર વગર ભાડે આપતા માલિક અકબર શેખ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. આ સિવાય દરિયાપુર પોલીસે મુખ્તીયાર કોઠાવાલા નામના વ્યકિત વિરૂદ્ધ પણ ગુનો દાખલ કર્યો છે, જેમણે પોતાની દુકાન ભાડે આપી હતી. પીપળજ પીરાણા રોડ પર આવેલુ એક ગોડાઉનનો પણ ભાડા કરાર નહી કરાવતા નારોલ પોલીસે હબીબખાન પઠાણ વિરૂદ્ધ ફરિયાદ કરી છે. હબીબખાન પઠાણે ગોડાઉન ભાડે આપ્યુ હતું. પરંતુ ભાડા કરાર રીન્યુઅલ કરાવ્યો હતો નહી. વેજલપુર પોલીસે પણ ભાડા કરાર વિના ભાડે મકાન આપનાર મકાન માલિકો સામે ફરિયાદ નોંધી છે. આમ સમગ્ર અમદાવાદ શહેરમાં 20 જેટલી ફરિયાદ નોંધવામાં આવી છે.
અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના અરજણસુખ ગામમાં સાળા સહિત કેટલાક તેના મિત્રોએ યુવક પર જીવલેણ હુમલો કરી પગ કાપી નાંખતા સારવાર દરમિયાન યુવકનું મોત થયું છે. જીવલેણ હુમલો કરી કુહાડીથી પગ કાપીમળતી માહિતી મુજબ અરજણસુખ ગામમાં રહેતાં ભરતભાઇ નામના સગાને ત્યાં ગોંડલના દિશેનભાઇ સોલંકી નામનો યુવક આવ્યો હતો. જ્યાં તેમના સાળા સહિત કેટલાક લોકોએ અંગત અદાવતમાં જીવલેણ હુમલો કરી કુહાડીથી પગ કાપી નાખતા દિનેશભાઇને સારવાર અર્થે અમરેલી બાદ રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન દિનેશભાઇનું મોત થયું છે. પોલીસે આગળની તપાસ હાથ ધરીઘટનાની જાણ થતાં જ અમરેલી ડિવિઝન DySP ચિરાગ દેસાઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. DySP ચિરાગ દેસાઈએ જણાવ્યું કે, વડિયાના અરજણસુખ ગામમાં રહેણાંક મકાનમાં દિનેશભાઈ પર હુમલો થયો હતો. દિનેશભાઇનું સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટના કયા કારણોસર બની તે જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. હુમલાખોરોને પકડવા અને ઘટના પાછળનું કારણ શોધવા માટે કાર્યવાહી ચાલી રહી છે.
દિલ્હી બ્લાસ્ટ બાદ દેશભરમાં એલર્ટ:હિંમતનગર રેલવે સ્ટેશન પર GRP-RPF દ્વારા સઘન ચેકિંગ
બે દિવસ પહેલા દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ દેશભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ એલર્ટના પગલે હિંમતનગર સહિત સમગ્ર સાબરકાંઠા જિલ્લાનું તંત્ર સક્રિય બન્યું છે. પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ ઉપરાંત દિવસ અને રાત્રિ દરમિયાન વિવિધ સ્થળોએ વાહન ચેકિંગ સહિતની સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ સુરક્ષાના ભાગરૂપે, હિંમતનગર રેલવે સ્ટેશન પર ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા સઘન તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. GRP ટ્રેનોમાં ચેકિંગ કરી રહી છે, જ્યારે RPF રેલવે સ્ટેશન પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહી છે. હિંમતનગર રેલવે સ્ટેશન પર દિવસ દરમિયાન જયપુરથી અસારવા, અસારવાથી ઉદયપુર, અસારવાથી કોટા, ઇન્દોરથી અસારવા અને અસારવા-ચિત્તોડગઢ મેમુ સહિતની અનેક ટ્રેનોની અવરજવર રહે છે. એલર્ટને કારણે સતર્કતાના ભાગરૂપે, સ્ટેશન પર આવતી તમામ ટ્રેનોમાં GRP દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આજે સવારે ઇન્દોરથી અસારવા જતી ટ્રેનમાં GRP દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જ્યારે RPF દ્વારા રેલવે સ્ટેશનના અલગ-અલગ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.
જામનગરમાં મચ્છર નગર વિસ્તારમાં બળીયા હનુમાન મંદિર પાસે મુખ્ય રોડ પર પાર્ક કરેલી એક અર્ટીગા કારમાં અચાનક આગ લાગી હતી. ભરતગીરી ગોસ્વામીની માલિકીની GJ 10 TX 8024 નંબરની આ કારમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખી કાર ભડકે બળી ગઈ હતી. ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. કોઈ વ્યક્તિએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર શાખાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરકર્મીઓએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી, પરંતુ ત્યાં સુધીમાં કારનો મોટાભાગનો હિસ્સો બળીને ખાખ થઈ ગયો હતો. સદભાગ્યે, આગ લાગી ત્યારે કારમાં કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. ઇલેક્ટ્રિક વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું અનુમાન ફાયર વિભાગ દ્વારા કરાયું છે.
દાહોદના મલવાસી ગામે SOGની રેડ:વખતપુરા ચોકડી પાસેથી દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો
દાહોદ SOG એ ચાકલીયા પોલીસ સ્ટેશન વિસ્તારના મલવાસી ગામે વખતપુરા ચોકડી પાસેથી એક ઈસમને ગેરકાયદેસર દેશી તમંચા સાથે ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીથી ગેરકાયદેસર હથિયાર રાખનારાઓમાં ખળભળાટ મચી ગયો છે. ઝડપાયેલા આરોપીનું નામ કમલેશ દિનેશ ડાંગી (ઉં.વ. ૩૦, રહે. પીપલેટ, જાજના ફળિયા, તા. ગરબડા-લીમડી, જિ. દાહોદ) છે. તેની પાસેથી આશરે રૂ. ૫,૦૦૦ ની કિંમતનો એક દેશી હાથબનાવટનો તમંચો મળી આવ્યો હતો. એસ.ઓ.જી.ના પો.ઈન્સ્પેક્ટર એસ.જે. રાણા અને પો.સબ ઈન્સ્પેક્ટર એમ.એમ. માળીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ કરી રહેલી ટીમને આ.પો.કો. રાજેન્દ્ર મનસુખ દ્વારા ગુપ્ત બાતમી મળી હતી. બાતમી હતી કે કમલેશ ડાંગી ગેરકાયદેસર તમંચા સાથે વખતપુરા ચોકડી પાસે હાજર છે. આ બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમે તુરંત ઘટનાસ્થળે પહોંચી રેઇડ કરી હતી. પંચોની હાજરીમાં આરોપીની અંગઝડતી લેતા તેના કમરેથી દેશી તમંચો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આરોપી પાસે હથિયાર રાખવાની કોઈ માન્ય પરવાનગી ન હતી. એસ.ઓ.જી.એ હથિયાર કબજે કરી આરોપી વિરુદ્ધ ચાકલીયા પોલીસ સ્ટેશનમાં હથિયાર અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહીમાં પો.ઈન્સ્પેક્ટર એસ.જે. રાણા, પો.સબ ઈન્સ્પેક્ટર એમ.એમ. માળી તેમજ કર્મચારીઓ પ્રદીપ ભિખુ, દિનુ ધીરુ, જીતેન્દ્ર સુબા, ગણપત મિઠલુ અને રાજેન્દ્ર મનસુખની મહત્ત્વની ભૂમિકા રહી હતી.
પાટણમાં 1.21 લાખનું શંકાસ્પદ તેલ સીઝ:જૂના ડબ્બામાં પેકિંગ થતા 265 ખાલી ડબ્બાનો નાશ કરાયો
પાટણ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ M/S. ગણેશ ટ્રેડર્સ, જી.આઈ.ડી.સી. ખાતેથી આશરે રૂ. 1.21 લાખની કિંમતનો શંકાસ્પદ તેલનો જથ્થો સીઝ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન જૂના ડબ્બામાં તેલનું પેકિંગ થતું હોવાનું જણાતા 265 ખાલી ડબ્બાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અટકાવવા માટેના અભિયાન અંતર્ગત, તા. 10/11/2025 ના રોજ ફૂડ સેફટી ઓફિસર પી. આર. ચૌધરી અને એલ. એન. ફોફની ટીમે પાટણ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલ M/S. ગણેશ ટ્રેડર્સ, સી–11, વૃંદાવન એસ્ટેટ ખાતે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, આશરે 913 કિલોગ્રામ શંકાસ્પદ તેલનો જથ્થો મળી આવ્યો હતો, જેની અંદાજિત બજાર કિંમત રૂ. 1,21,429/- થાય છે. તંત્રએ આ સમગ્ર જથ્થો સીઝ કર્યો હતો. સ્થળ પરથી રિફાઇન્ડ પામોલિન તેલ અને રિફાઇન્ડ સોયાબીન તેલના નમૂના લઈ લેબોરેટરીમાં પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા છે. પેઢી દ્વારા તેલનું પેકિંગ જૂના ડબ્બા (ટીન) માં કરવામાં આવતું હોવાનું ધ્યાને આવતા, તંત્રએ તાત્કાલિક 265 ખાલી ડબ્બાનો સ્થળ પર નાશ કરાવ્યો હતો. નાગરિકોને શુદ્ધ અને ભેળસેળ મુક્ત ખોરાક મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે આવી ચકાસણીઓ નિયમિત રીતે ચાલુ રાખવામાં આવશે, તેમ તંત્રએ જણાવ્યું હતું.
મહેસાણા શહેરના માર્ગો પર ગઈ કાલે(11 નવેમ્બરે) બપોરના સમયે એક બેફામ સ્વીફ્ટ ગાડીના ચાલકે રોડ પર બેફામ ગાડી ચલાવતા લોકોના જીવ અધ્ધર કરી મુક્યા હતાં.ગાડી ચાલકને ઝડપવા ટ્રાફિક પોલીસે પીછો પણ કર્યો હતો. જોકે ગોપીનાડા પાસેના ટ્રાફિક પોઈન્ટ પર આ ગાડી આવતા ટ્રાફિક પોલીસે ગાડી કબ્જે કરી હતી. આ દરમિયાન ગાડી ચાલક પોલીસને હાથ તાળી આપી ફરાર થઇ ગયો હતો. સમગ્ર ઘટનામાં આખરે મહેસાણા ટ્રાફિક પોલીસે ગાડી ચાલક સામે ફરિયાદ નોંધાવી વધુ તપાસ આદરી છે. મગપરા રોડ પર બેફામ સ્પીડમાં ગાડી દોડાવી લોકોના જીવ અધ્ધર કર્યામહેસાણામાં ગઈ કાલે બપોરના સમયે GJ27CM4080 નંબરની સ્વીફ્ટ ગાડી પાલનપુર બાજુથી આવી રહી હતી. ટ્રાફિક પોલીસને ગાડી શંકાસ્પદ લાગતા તેઓએ હાથ લાંબો કરી ગાડી રોકવા પ્રયાસ કર્યો હતો. જોકે ગાડી ચાલકે ગાડી ઉભી રાખવાને બદલે મહેસાણા શહેરના મગપરા રોડ પર બેફામ સ્પીડમાં ગાડી દોડાવી હતી.આ દરમિયાન ટ્રાફિક પોલીસ કર્મીઓ સરકારી બાઇક લઈ આ ગાડીનો પીછો કર્યો હતો.અને આગળના ટ્રાફિક પોઈન્ટ પર ગાડીની માહિતી આપી હતી. ગાડી કબ્જે કરી અજાણ્યા ગાડી ચાલક સામે ફરિયાદ નોંધાઈઆ દરમિયાન ગાડી ગોપીનાડા પાસેના ટ્રાફિક પોઈન્ટ પાસે આવતા ત્યાં ઉભેલા ટ્રાફિક પોલીસ કર્મીઓએ ગાડી કોર્ડન કરી પકડી પાડી હતી.જોકે આ દરમિયાન ગાડી ચાલક પોલીસ ને હાથ તાળી આપી ભાગી ગયો હતો.સમગ્ર ઘટના માં પોલીસે 3 લાખ કિંમતની ગાડી કબ્જે કરી અજાણ્યા ગાડી ચાલક સામે કલમ 281 થતા એમ.વી.એકટ કલમ 177,184,134 મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ આદરી છે.
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની નાણાં સમિતિની બેઠક કુલપતિ ડો. કે.સી. પોરીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો કે, યુનિવર્સિટી દ્વારા નવા એક્ટ અને નેશનલ એજ્યુકેશન પોલિસી મુજબ પ્રથમવાર ફી રેગ્યુલેશન કમિટી (FRC)નું ગઠન કરવામાં આવશે. આ કમિટી યુનિવર્સિટી અને તેની સંલગ્ન કોલેજોમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમો માટે ફીનું ધોરણ નક્કી કરશે. આ ઉપરાંત, બેઠકમાં અગાઉની બેઠકોમાં મંજૂર કરાયેલા વિવિધ બિલોને બહાલી આપવામાં આવી હતી અને પેન્ડિંગ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરીને મંજૂરી અપાઈ હતી. કુલપતિ ડો. કિશોર પોરિયાએ જણાવ્યું હતું કે, આગામી વર્ષ 2026-2027 થી કેટલી ફી લેવી તે નક્કી કરવા માટે ફી નિર્ધારણ કમિટી (FRC) ની રચના કરવાનો નિર્ણય કરાયો છે. આ માટે યુનિવર્સિટીના કુલપતિ દ્વારા છ સભ્યોની ફી નિર્ધારણ સમિતિનું ગઠન કરવામાં આવશે. ફી રેગ્યુલેશન કમિટીમાં સભ્ય તરીકે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના નિવૃત્ત જજ, રાષ્ટ્રીયકૃત બેંકના જનરલ મેનેજર કક્ષાના નિવૃત્ત અધિકારી, નિવૃત્ત કુલપતિ, વર્તમાન કુલપતિ અને રજિસ્ટ્રાર તેમજ મુખ્ય હિસાબી અધિકારી એમ કુલ છ સભ્યોનો સમાવેશ થશે. આ કમિટી વિવિધ વિષયો અને અભ્યાસક્રમ મુજબ કેટલી ફી લેવી તે નક્કી કરશે. ઉલ્લેખનીય છે કે ફી નિર્ધારણ કમિટી અંગે યુનિવર્સિટીના સ્ટેચ્યુટમાં જોગવાઈ છે. આ કમિટી યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ ફાઇનાન્સ કોલેજો અને યુનિવર્સિટીની ફીનું ધોરણ નક્કી કરશે. તે ફી સંબંધિત રજૂઆતો પણ સાંભળશે અને તેનું નિરાકરણ લાવશે. બેઠકમાં કુલપતિ કે.સી. પોરીયા, રજિસ્ટ્રાર રોહિત દેસાઈ, કમિટી મેમ્બર દિલીપ ચૌધરી અને જે.કે. પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
લગ્નસરાની સિઝન શરૂ થતાની સાથે જ ખાણી-પીણીમાં થતી ભેળસેળ અને નકલી ખાદ્ય પદાર્થોનું દૂષણ માઝા મૂકે છે. પરંતુ આ વખતે સુરત પોલીસે આ અસામાજિક તત્વોને તેમની ભાષામાં જવાબ આપવા માટે કમર કસી લીધી છે. સ્વાદના શોખીન સુરતીઓનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા કેટરીંગ સંચાલકો અને ખાદ્ય પદાર્થો બનાવનારાઓ પર હવે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની બાજ નજર છે. ભેળસેળીયાઓ પર 'ઓપરેશન શુદ્ધિ' હેઠળ SOGની રેડ થશેનકલી ઘી અને ત્યારબાદ નકલી પનીરનો પર્દાફાશ થયા બાદ SOG સંપૂર્ણપણે એલર્ટ મોડમાં આવી ગયું છે. હવે પ્લાનિંગ એવું છે કે જ્યાં પણ મોટા પ્રસંગો, ખાસ કરીને લગ્ન સમારોહમાં જમણવારનું આયોજન હશે ત્યાં SOGની ટીમ અચાનક જ દરોડા પાડશે. પોલીસ દ્વારા સુરતના તમામ કેટરર્સ અને ખાદ્ય પદાર્થ બનાવનારાઓની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. જમણવારની જગ્યાએ જ રેડ કરીને ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવાશેઆ યાદીના આધારે, જમણવારની જગ્યાએ જ રેડ કરીને ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવશે. જો સેમ્પલ તપાસમાં ભેળસેળયુક્ત કે નકલી સાબિત થશે, તો જવાબદાર લોકો સામે કડકમાં કડક પગલાં લેવા માટે SOGએ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.સૌથી વધારે ભેળસેળયુક્ત અને નકલી ખાદ્ય પદાર્થોનો વપરાશ લગ્નસરા અને અન્ય મોટા પ્રસંગોમાં થતો હોય છે. આ કારણે જ આ વખતે ઓપરેશન ગ્રુપની બાજ નજર તમામ પ્રસંગો ઉપર રહેવાની છે. આ પણ વાંચો:સુરતીઓ રોજ 200 કિલો નકલી પનીર ઝાપટતાં, સુરભિ ડેરીનો ભાંડો-ફૂટ્યો:955 કિલો જપ્ત, માલિકે સ્વીકાર્યું કે નકલી હતું:DCP, અસલી-નકલી પનીર વિશે જાણો 'અમે ચેતવણી આપી રહ્યા છીએ કે સુધરવું હોય તો સુધરી જાય'સુરત પોલીસ કમિશનર કચેરીના SOGના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ રાજદીપસિંહ નકુમે આ મામલે સખત ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે, આવનાર દિવસોમાં જે પણ ભોજન સમારોહ હશે, ત્યાં પનીર સહિતની અન્ય ચીજ-વસ્તુઓના નમૂનાઓ લેવામાં આવશે અને નકલી પદાર્થોનો પર્દાફાશ કરવામાં આવશે. DCP નકુમે રેસ્ટોરન્ટ્સ અને કેટરર્સને સીધો સંદેશ આપતા કહ્યું, અમે લોકોને ચેતવણી આપી રહ્યા છીએ કે સુધરવું હોય તો સુધરી જાય. રસોડાની મરામત કરાવી હોય તો કરાવી લે. જે પણ ચીજ-વસ્તુઓ નકલી છે, તેનું નાશ કરી દે. જો ભવિષ્યમાં આવા લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવશે, તો પાસા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે. શહેરના કેટરર્સ અને હોટેલ સંચાલકો માટે પોલીસની લાલ આંખ તેમણે ઉમેર્યું કે કેટલાક શંકાસ્પદ ઘી, પનીર અને બટરનો વપરાશ થઈ રહ્યો હોવાની માહિતી છે, જેના પગલે પોલીસ હવે મીડિયા સાથે લાઈવ રેડ પણ કરી શકે છે.સુરત પોલીસની આ કડક કાર્યવાહીનો હેતુ માત્ર કાયદાનું પાલન કરાવવાનો નથી, પરંતુ નાગરિકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરવાનો પણ છે. લગ્ન જેવા પવિત્ર પ્રસંગોમાં મહેમાનોને નકલી અને સ્વાસ્થ્ય માટે હાનિકારક ભોજન પીરસવું એ એક મોટો ગુનો છે. સમગ્ર શહેરના કેટરર્સ અને હોટેલ સંચાલકો માટે આ એક છેલ્લી તક છે કે તેઓ પોતાની સિસ્ટમ સુધારી લે, નહીં તો પોલીસની લાલ આંખ તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેશે.
પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોડે શહેરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં ફરાર આરોપી અને ભોગ બનનારને શોધી કાઢ્યા છે. આ કાર્યવાહી પંચમહાલ રેન્જ આઈજીપી અને એસપીની સૂચના બાદ કરવામાં આવી હતી. પંચમહાલ રેન્જના આઈજીપી આર.વી. અસારી અને એસપી ડૉ. હરેશભાઈ દુધાતે વધુમાં વધુ ફરાર આરોપીઓને પકડવા માટે સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. આ સૂચનાના આધારે પેરોલ ફર્લો સ્કવોડ સક્રિય બની હતી અને આરોપીઓને પકડવા માટે કવાયત હાથ ધરી હતી. શહેરા પોલીસ સ્ટેશનમાં પાર્ટ નં. 11207061260420/2025 બી.એન.એસ. કલમ 87, 137(2) તથા પોક્સો એક્ટ કલમ 12 હેઠળ અપહરણનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં વિનોદ ઉર્ફે રંગાભાઈ રેવાભાઈ ઉર્ફે રવજીભાઈ નાયક, રહે. રજાયતા મંદિર ફળિયું, તા. મોરવા(હ), જિ. પંચમહાલ, ફરાર હતો. પેરોલ ફર્લો સ્કવોડના પી.એસ.આઈ. બી.એમ. રાઠોડે આરોપીને પકડવા માટે બાતમી હકીકત મેળવી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપી હતી. જેના આધારે આ.પો.કો. વિપીનભાઈ ભાથીભાઈએ ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસ દ્વારા ખાનગી રાહે માહિતી મેળવી હતી. બાતમીના આધારે તપાસ કરતા આરોપી વિનોદ ઉર્ફે રંગાભાઈ નાયક તેના ઘરે રજાયતા, તા. મોરવા(હ), જિ. પંચમહાલ ખાતેથી મળી આવ્યો હતો. આ ગુનામાં ભોગ બનનાર પણ મળી આવતા, આરોપી અને ભોગ બનનારને આગળની કાયદેસરની કાર્યવાહી માટે શહેરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
ચૂંટણીમાં ખૂબ ઓછા વોટ મેળવનારા પક્ષોને રજીસ્ટર્ડ અનરેગ્નાઈઝ્ડ(અમાન્ય) કહેવામાં આવે છે. આ પક્ષ ચૂંટણી પંચમાં રજીસ્ટર્ડ તો હોય છે પરંતુ ઓછા મતોને કારણે માન્યતા પ્રાપ્ત ગણતા નથી. ગુજરાતમાં રજીસ્ટર્ડ થયેલા આવા પાંચ પક્ષોને છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી બે લોકસભા અને એક વિધાનસભા ચૂંટણીમાં કુલ 22 હજાર મત મળ્યા હતા. તેમને રાજ્યમાં કુલ 17 ઉમેદવાર ઊભા રાખ્યા હતા. એડીઆરના રિપોર્ટ મુજબ, 2019-20થી 2023-24 દરમિયાન આ 5 પક્ષોની કુલ આવક 2316 કરોડ છે. જ્યારે એક વર્ષની આવક 1158 કરોડ છે. દેશના આવા ટોપ-10 કમાણી કરતાં પક્ષોમાં ગુજરાતના 5 પક્ષ છે. જે પૈકી ભારતીય નેશનલ જનતા દળ 957 કરોડની આવકની દૃષ્ટિએ ટોપ ઉપર છે. ભારતીય નેશનલ જનતા દળના સ્થાપક સંજય વિઠ્ઠલભાઈ ગજેરા ગાંધીનગર સેકટર 26 કિસાન નગર ખાતે રહે છે. આજે સવારે વહેલી પરોઢિયે ઇન્કમ ટેક્સના અધિકારીઓની પાંચ ગાડીઓ સાથેની ટીમે તેમના ઘરે દરોડો પાડતા ચકચાર મચી ગઈ છે. આ સિવાય આઇટીની ટીમે સંજય ગજેરાની સેકટર 11 મેઘ મલ્હાર કોમ્પલેક્ષ ખાતે આવેલી ઓફિસ તેમજ ડ્રાઈવરના ગ્રીન સિટીના મકાને પણ દરોડો પાડવામાં આવ્યો છે. હાલમાં સંજય ગજેરાના ઘરે આઇટી ની ટીમ ધ્વારા દસ્તાવેજોની ચકાસણી, સ્થાવર અને જંગમ મિલકત સહિતના પુરાવાઓની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. ઉપરાંત બે ચાર પાડોશીને પણ પંચ તરીકે બોલવામાં આવ્યા છે. સવારથી સોસાયટી મા પોલીસ બંદોબસ્ત સાથે આઇટી ટીમ ત્રાટકતા સ્થાનિકોમાં પણ કુતૂહલ સર્જાયું છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
અમદાવાદ શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીપીપી ધોરણે રૂ. 4.5 કરોડના ખર્ચે ગાર્ડન બનાવવામાં આવ્યો છે. નાગરિકોને વોકિંગ અને બાળકો માટે રમતગમતની સાથે મનોરંજન મળી રહે તેના માટે 11,600 ચોરસ મીટરની જગ્યામાં બનાવેલા ગાર્ડનમાં ખાસ કરીને બાળકો માટે જૂની રમતોની અલગ જગ્યા બનાવવામાં આવી છે. નાના બાળકો માટે રમતગમતના સાધનો લગાવવામાં આવ્યા છે. સિનિયર સિટીઝનોને બેસવા માટે ગજેબો અને લોકો માટે ચાલવાનો અલગથી વોકિંગ ટ્રેક બનાવવામાં આવ્યો છે. આવતીકાલે 13 નવેમ્બરના રોજ આ ગાર્ડન નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવશે. કોમ્પ્યુટર યુગમાં ભૂલાયેલી જૂની રમતો માટે અલગ વિભાગસાઉથ બોપલ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇલેક્ટ્રોથર્મ કંપની સાથે પીપીપી ધોરણે ગાર્ડનના ફરતે અને વચ્ચે ચાલી શકે તેવા વોકિંગ ટ્રેક બનાવવામાં આવેલા છે. સવારના સમયે લોકો કસરત કરી શકે તેના માટે ઓપન જીમ પણ બનાવવામાં આવેલું છે. ગાર્ડનમાં નાના તળાવ જેવું પણ બનાવવામાં આવેલું છે જેથી તળાવની ફરતે ચાલતા હોય તેવી અનુભૂતિ થાય અને લોકોને ગાર્ડનમાં ચાલવાની મજા પડશે. ગાર્ડનમાં ખાસ કરીને નાના બાળકોને આજના કોમ્પ્યુટર યુગમાં ભુલાઈ ગયેલી જૂની રમતોને યાદ અપાવે એવી રમતો રમી શકે તેના માટેનો વિભાગ બનાવવામાં આવ્યો છે. બાળકો માટે રમતના બે અલગ વિભાગબાળકો રમત રમી શકે તેના માટે રમતના બે અલગ વિભાગ બનાવવામાં આવ્યા છે. જેમાં છ વર્ષથી લઈ 13 વર્ષના બાળક માટે અને 18 વર્ષ સુધીના બાળક માટે એમ બંને વિભાગમાં અલગ અલગ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 10 વર્ષથી ઉપરના બાળકો રમી શકે તેના માટે સાપસીડી, પગથીયા સહિતની રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે 6 વર્ષથી લઈ 10 વર્ષના નાના બાળકો રમે તેના માટે લપસણી, હીચકા સહિતની રમતો મૂકવામાં આવી છે. રમતો રમવા માટે બાળકોને શારીરિક શ્રમ કરવો પડે તેના માટેની પણ રમતો બનાવવામાં આવેલી છે. સવારે 6થી રાત્રે 10 વાગ્યા સુધી ગાર્ડન ખુલ્લો રહેશેસાઉથ બોપલ વિસ્તારમાં બનાવવામાં આવેલા આ ગાર્ડનમાં ફુવારો પણ બનાવવામાં આવેલો છે જેનાથી આ ગાર્ડનની શોભા ખૂબ વધશે. સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ગાર્ડન નાગરિકો માટે ખુલ્લો રહેશે. ગાર્ડનમાં અંદાજિત 21 પ્રકારના મોટા વૃક્ષ અને 14 પ્રકારના ફળ અને ફૂલોના છોડ વાવવામાં આવ્યા છે. કુલ 1200 મોટા વૃક્ષ અને 1800 નાનાં ઝાડ છે. આ ગાર્ડનમાં સૌથી વધારે લોકોને ચાલવા અને બેસવાની મજા પડી જશે અને રાત્રિના સમયે પણ ગાર્ડન ઝળહળી ઊઠે એવી લાઈટ રહેશે
હવામાન વિભાગે આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી છે. સૌથી ઓછું તાપમાન અમરેલી નોંધાયું હતું. અમરેલીમાં ન્યૂનતમ તાપમાન 13.2 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. જેથી રાજ્યમાં સૌથી વધુ ઠંડુ અમરેલીમાં પડી હતી. જ્યારે અમદાવાદમાં વહેલી સવારે ગુલાબી ઠંડીમાં લોકો યોગ અને કસરત કરતા જોવા મળ્યા હતાં. ગાંધીનગરમાં 14.5 ડિગ્રી ને અમદાવાદમાં 15.5 ન્યૂનતમ તાપમાન નોંધાયુંરાજ્યમાં સૌથી ઓછું ઠંડુ દ્વારકા રહ્યું હતું. ત્યાં ન્યૂનતમ તાપમાન 20.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન 31.6 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન 15.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે વડોદરામાં ન્યૂનતમ તાપમાન 15.8 ડિગ્રી સેલ્સિયસ, નલિયામાં પણ 15.8 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 14.8 ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગરમાં 14.5 ડિગ્રી સેલ્સિયસ ન્યૂનતમ તાપમાન નોંધાયું હતું. વહેલી સવારે ગુલાબી ઠંડીનો માહોલ, કસરત, યોગા અને પ્રાણાયામ શિયાળાની ઋતુએ હવે શહેરમાં પોતાની હાજરી નોંધાવી છે. વહેલી સવારે ગુલાબી ઠંડીનો માહોલ છવાયો છે, અને લોકો પણ આ ઠંડીની મજા માણતા જોવા મળી રહ્યા છે. શહેરના વિવિધ બગીચાઓ અને ખુલ્લા મેદાનોમાં લોકોને કસરત, યોગા અને પ્રાણાયામ કરતા જોવા મળ્યા છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ તંદુરસ્તી માટે વહેલી સવારે બહાર નીકળી રહ્યા છે. કોઈ દોડ કરી રહ્યા છે તો કોઈ સૂર્યનમસ્કાર કરી દિવસની શરૂઆત કરી રહ્યા છે. ઠંડીની આ સવારમાં આરોગ્ય સાથે આનંદ લેતા નજરે પડ્યા હતા.
બોટાદમાં ટ્રક વીજપોલ સાથે અથડાયો, 4 ઘાયલ:ગઢડા કોંગ્રેસ પ્રમુખ સહિત ચારને ઈજા, મોટી દુર્ઘટના ટળી
બોટાદ-ગઢડા માર્ગ પર નાગલપર ગામ નજીક ગત રાત્રિએ એક ટ્રક વીજપોલ સાથે અથડાયો હતો. આ અકસ્માતમાં ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોર વેલાણી સહિત ચાર લોકોને ઈજાઓ થઈ હતી. સદનસીબે, કોઈ મોટી જાનહાનિ ટળી હતી. પ્રાથમિક માહિતી મુજબ, બોટાદથી ગઢડા જઈ રહેલા ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે ટ્રક રસ્તાની બાજુમાં આવેલા ૧૧ કેવી લાઈનના વીજપોલ સાથે અથડાયો હતો. આ અથડામણ એટલી જોરદાર હતી કે ટ્રક પલટી ગયો અને બે વીજપોલ તૂટી પડ્યા હતા. ટ્રકમાં સવાર કિશોર વેલાણી સહિત ચાર ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. સ્થાનિક પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ટ્યુશન ક્લાસમાંથી ઘરે જતી વખતે ગુમ થયેલી સગીર વયની બાળકીને કારેલીબાગ પોલીસે માત્ર ગણતરીના કલાકમાં શોધી કાઢીને તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે. જેને પગલે પરિવારે પોલીસનો આભાર વ્યકત કર્યો હતો. વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં વિનોદભાઈ નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમની સગીર દીકરી ખાનગી ક્લાસીસમાં બપોરે 12.30થી 3 વાગ્યા દરમિયાન ટ્યુશનમાં ગઈ હતી. ક્લાસમાં હાજર શિક્ષકને પથરીના દુખાવાનું કારણ જણાવીને બાળકી બપોરે દોઢ વાગ્યે ઘરે જવા નીકળી ગઈ હતી. જોકે, તે ઘરે પરત ફરી નહોતી અને પરિવારજનોને પણ મળી નહોતી. બાળકી ન મળતા પરિવારે કારેલલીબાગ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને પીઆઈ એન એમ ચૌધરીએ તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી હતી. સીસીટીવી ફૂટેજ તપાસવા સાથે ટેક્નિકલ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરીને બાળકીને ઝડપથી શોધી કાઢવામાં આવી હતી. તેને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં લઈ જઈને પૂછપરછ કરતાં ખબર પડી કે, પરીક્ષામાં ઓછા માર્ક્સ આવવાના ડરથી તેણે કોઈને કહ્યા વિના ઘર છોડી દીધું હતું. પોલીસે બાળકીનું કાઉન્સેલિંગ કરીને તેને પરિવારને સોંપી હતી અને પરિવારજનોને બાળકીનું સારી રીતે ધ્યાન રાખવા સમજાવ્યું હતું. આ કાર્યવાહીથી બાળકીનું પરિવાર સાથે સુખદ મિલન થયું છે. પરિવારે પોલીસનો આભાર માન્યો હતો.
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં પ્રાકૃતિક કૃષિ તાલીમ કેન્દ્રનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ પ્રસંગે ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કૃષિ નિષ્ણાતો અને જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. ખેતી પર નિર્ભર તાપી જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે હેતુથી આ તાલીમ કેન્દ્રનો શિલાન્યાસ સમારોહ યોજાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ વેળાએ પ્રાકૃતિક ખેતીના ફાયદા અંગે ટેકનિકલ માહિતી આપી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે રાસાયણિક ખેતીથી જમીન બંજર બની રહી છે અને ખેતી ખર્ચાળ બની રહી છે. તેનાથી માનવ સ્વાસ્થ્ય પર પણ વિપરીત પરિણામો આવે છે. આવા સમયે, પ્રાકૃતિક ખેતી એકમાત્ર વિકલ્પ તરીકે ઉભરી રહી છે. સરકાર પણ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે દિશામાં ગંભીરતાથી પ્રયાસો કરી રહી છે. આ માટે અલગ યુનિવર્સિટીઓ પણ સ્થાપવામાં આવી રહી છે. એક દિવસ અગાઉ, રાજ્યપાલ ઉચ્છલના માણેકપોર ગામે ગયા હતા. ત્યાં તેમણે જાતે દેશી ગાયનું દૂધ દોહી, પ્રાકૃતિક ખેતી કરી અને શેરડી કાપીને ખેડૂતોનો ઉત્સાહ વધાર્યો હતો. તેમના વક્તવ્યમાં તેમણે સાદગીપૂર્ણ અને પ્રકૃતિને અનુરૂપ કાર્યો કરવા અંગે માહિતી આપી હતી.
7 વર્ષથી નાસતો ફરતો હુમલાનો આરોપી ઝડપાયો:ઉદ્યોગનગર પોલીસે સુરેન્દ્રનગરથી પકડ્યો
ઉદ્યોગનગર પોલીસે સાત વર્ષથી નાસતા ફરતા હુમલાના આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી સુરેન્દ્રનગર જિલ્લાના અડાણા ગામમાંથી કલરકામ કરતો હોવાની બાતમીના આધારે પકડાયો હતો. ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક જૂના હુમલાના ગુનામાં લાલચંદ તીલકસીંગ કુશવાહ (મૂળ રહે. મેહરા ગામ, તા. મહેંગાવ, જિ. ભીંડ, મધ્યપ્રદેશ) છેલ્લા સાત વર્ષથી ફરાર હતો. તે નરસંગ ટેકરી, સુદામા પરોઠા હાઉસ પાછળ રહેતો હતો. ફરિયાદ મુજબ, આરોપીએ અગાઉના મનદુઃખને કારણે ફરિયાદી સાથે ઝઘડો કર્યો હતો. તેણે ફરિયાદીને છરી વડે માર મારી જમણા ગાલ અને હાથના કાંડા પર ઇજા પહોંચાડી હતી. આ હુમલા બાદ આરોપી ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. તાજેતરમાં પોલીસને બાતમી મળી હતી કે લાલચંદ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના અડાણા ગામમાં આવેલી જુનીપર પ્રાઇવેટ લિમિટેડના પાવર હાઉસમાં કલરકામ કરી રહ્યો છે. આ માહિતીના આધારે એએસઆઇ મુકેશ માવડીયા, હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણ ઓડેદરા અને વીરેન્દ્રસિંહ પરમારની ટીમે સુરેન્દ્રનગર જઈ આરોપીને શોધી કાઢ્યો. પોલીસે આરોપી લાલચંદ ઉર્ફે લાલસિંહ તીલકસિંહ કુશવાહ (ઉંમર ૩૬)ને Cr.P.C. કલમ ૪૧(૧)(આઈ) હેઠળ અટકાયત કરી. તેને વધુ પૂછપરછ માટે એલ.સી.બી. ઓફિસ લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના અધિકારીઓને સોંપવામાં આવ્યો. આ કાર્યવાહીથી વર્ષોથી પેન્ડિંગ રહેલો ગુનો ઉકેલાયો છે.
ભરુચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલી સાયખા GIDCમાં આવેલી વિશાલ ફાર્મા કંપનીમાં મોડી રાત્રે લગભગ 2.30 વાગ્યાની આસપાસ કંપનીનું બોઇલર ફાટતાં પ્રચંડ ધડાકો થયો હતો, જેના પગલે આસપાસનો આખો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. એકનું મોત, 24 ઘાયલઆ ભયાનક બ્લાસ્ટના કારણે કંપનીમાં કામ કરી રહેલા એક કર્મચારીનું મોત થયું છે, જ્યારે 24 જેટલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આસપાસની કંપનીઓને પણ નુકસાનબોઇલર બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે તેની અસર વિશાલ ફાર્મા કંપની પૂરતી સીમિત ન રહેતા, આસપાસની 4થી 5 જેટલી અન્ય કંપનીઓના સ્ટ્રક્ચર્સને પણ વ્યાપક નુકશાન થયું છે. ઘટનાની જાણ થતા જ વહીવટી તંત્ર સફાળું જાગ્યું હતું. કાટમાળ હટાવવાની કામગીરી ચાલુચારથી પાંચ જેટલા ફાયર ટેન્ડરો સાથે ફાયર વિભાગની ટીમો અને વહીવટી અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. હાલમાં પણ ઘટના સ્થળે બચાવ અને રાહતની કામગીરી ચાલી રહી છે, અને કાટમાળ હટાવવાની કામગીરી સાથે મૃત્યુઆંક વધવાની શક્યતા જોતાં સર્ચ ઓપરેશન ચાલુ છે.
ગીર સોમનાથ જિલ્લા માહિતી કચેરી અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, વેરાવળ ચેપ્ટર દ્વારા પત્રકારો માટે નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 'ફીટ ઈન્ડિયા' સંકલ્પના હેઠળ આ કેમ્પ ડાભોર રોડ સ્થિત ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે યોજાયો હતો. આ કેમ્પનો પ્રારંભ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન અતુલ કાનાબાર, સેક્રેટરી ગીરીશ ઠક્કર અને કીરીટ ઉનડકટ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના કુલ 26 પત્રકારોએ આ કેમ્પમાં પોતાના આરોગ્યની નિઃશુલ્ક તપાસ કરાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્રકારોના આરોગ્યની ચિંતા વ્યક્ત કરતાં ગત વર્ષથી રાજ્યભરમાં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી આવા આરોગ્ય કેમ્પ શરૂ કરાવ્યા હતા. આ વર્ષે આ ઉપક્રમનું બીજું વર્ષ છે, જે 'ફીટ ઈન્ડિયા, ફીટ મીડિયા' અભિયાન અંતર્ગત યોજાય છે. આ આરોગ્ય તપાસ અભિયાનમાં બ્લડ પ્રેશર મોનિટરિંગ, બ્લડ ટેસ્ટ, ઈ.સી.જી., એક્સ-રે, બોડી પ્રોફાઈલ સહિતના પ્રારંભિક ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, લીવર અને કિડની ફંક્શન ટેસ્ટ, થાઈરોઈડ સ્ક્રીનિંગ અને ડાયાબિટીસ માર્કર જેવા જરૂરી પરીક્ષણો પણ આવરી લેવાયા હતા. આ હેલ્થ ચેકઅપ કેમ્પનો મુખ્ય હેતુ પત્રકારોના આરોગ્યનું સમયસર મૂલ્યાંકન કરવાનો હતો. આ સુવિધાઓ પૂરી પાડીને પત્રકારોની સ્વાસ્થ્ય સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવામાં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગીર સોમનાથના અનિષ રાચ્છ અને તેમની ટીમે સહયોગ આપ્યો હતો. અમદાવાદથી આવેલી મેડિકલ ટીમે પણ સેવાઓ પૂરી પાડી હતી, જ્યારે જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓએ જરૂરી વ્યવસ્થા ગોઠવી હતી.
થાનગઢમાં ટ્રકમાંથી મગફળીની બોરીઓની લૂંટ:બેલ્ટ તૂટતા હાઈવે પર ઢોળાયેલી મગફળી લોકોએ લૂંટી
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં એક ટ્રકમાંથી મગફળીની બોરીઓ રસ્તા પર ઢોળાઈ જતાં સ્થાનિક લોકો દ્વારા તેની લૂંટ ચલાવવામાં આવી હતી. આ ઘટના થાનગઢ બાયપાસ પર ધોળેશ્વર રેલ્વે ફાટક નજીક બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, થાનગઢના હિટરનગરમાં આવેલા FCI મગફળીના ગોડાઉનમાંથી ટેકાના ભાવે ખરીદેલી મગફળીનું વેચાણ ચાલી રહ્યું છે. મગફળી ભરેલો ટ્રક FCI ગોડાઉનથી શ્રીરામ વે-બ્રિજ પર વજન કરાવી ચોટીલા તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન ધોળેશ્વર રેલ્વે ફાટક પાસે ટ્રકમાં મગફળીને બાંધેલો બેલ્ટ તૂટી ગયો હતો. જેના કારણે મગફળીની બોરીઓ નીચે પટકાઈ હતી. બોરીઓ રસ્તા પર ઢોળાતા જ સ્થાનિક લોકોએ તેની લૂંટ ચલાવવાનું શરૂ કર્યું હતું. ટ્રક ડ્રાઈવર અને FCI ગોડાઉનના કર્મચારીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી જતાં લૂંટ કરતા લોકોને રોકવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે થોડા સમય માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં 8 નવેમ્બરે એક દર્દીએ બારીમાંથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 65 વર્ષીય દયાનંદ બાબુરાવ પવારનું આજે SICUમાં સી યુનિટમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. દર્દી ગત તારીખ 5 નવેમ્બરના રોજ ન્યૂ સર્જિકલ બિલ્ડિંગના પ્રથમ માળ પરના ડી-વન વોર્ડમાં સારવાર હેઠળ દાખલ કરાયા હતા. જ્યાં AC યુનિટ માટે કપાયેલા સળિયાવાળી સ્પેશિયલ રૂમની બારીમાંથી તેમણે કુદકો મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પહેલા માળે ડી વન વોર્ડમાં સ્પેશિયલ રૂમની બારીમાંથી કૂદકો માર્યો વડોદરા શહેરના ખોડિયારનગર ન્યૂ વીઆઇપી રોડ વ્રજધામ સોસાયટીમાં રહેતા 65 વર્ષીય દયાનંદ બાબુરાવ પવાર નામના દર્દી ઓર્થો બી 1 યુનિટમાં સારવાર હેઠળ હતા. તેઓએ સવારે પોતાનો દીકરો ઘરે ગયો હતો. તે દરમિયાન સર્જિકલ બિલ્ડીંગમાં પહેલા માળે ડી વન વોર્ડમાં સ્પેશિયલ રૂમની બારીમાંથી કૂદકો માર્યો હતો. સદનસીબે દર્દીનો આબાદ બચાવ થયો હતો. ઘટના બાદ સ્પેશિયલ રૂમને તાળા લગાવી દેવામાં આવ્યાઆ ઘટના બાદ સયાજી હોસ્પિટલના તે વોર્ડમાં આવેલા સ્પેશિયલ રૂમને તાળા લગાવી દેવામાં આવ્યા હતા. જેથી કોઈ અંદર પ્રવેશી ચકાસણી ન કરે. આ રૂમ પર દિવ્ય ભાસ્કર પહોંચ્યું હતું અને જે બારીમાંથી કૂદકો માર્યો હતો તે જગ્યાનો તાગ મેળવ્યો હતો. આ જગ્યા પર એસી યુનિટ માટે બારીના સળિયા કાપ્યા બાદ વર્ષોથી ફિટ ન કરતા દર્દીને મોકો મળ્યો હતો. આ આપઘાતનો પ્રયાસ કેમ કર્યો તે હજુ જાણવા મળ્યું નથી. ત્યારે હોસ્પિટલ તંત્રની બેદરકારી પણ છતી થઈ છે. પોલીસ તપાસ ચાલુ છે જેથી દર્દીની વિગત આપી શકું નહીંતે સમયે સયાજી હોસ્પિટલના RMO ડૉ. હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે, આ દર્દી ઓર્થો વિભાગમાં સારવાર અર્થે આવ્યા હતા અને દર્દીએ સારવાર વાળી જગ્યાએથી કૂદી આત્મહત્યા કરવાની કોશિશ કરી છે. દર્દીની સ્થિતિ હાલમાં સારવાર હેઠળ છે અને પોલીસ તપાસ ચાલુ છે જેથી દર્દીની વિગત આપી શકું નહીં. આ દર્દી અકસ્માત કેસમાં સારવાર લઈ રહ્યો હતો. PIU વિભાગ પર દોષનો ટોપલો ઢોળી RMO છટક્યાવધુમાં કહ્યું કે, સેફ્ટી અંગેના પ્રશ્નને લઈ પિઆઇયુ વિભાગની જવાબદારી છે. તે બાબતે તેઓજ ચોક્કસ જવાબ આપી શકશે. આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની થશે તો તેઓની સામે પણ જરૂર કરીશું. આ મેન્ટેનન્સ કામ PIU વિભાગનું હોવાનું કહી સયાજી હોસ્પિટલના આરએમઓ ડો હિતેન્દ્ર ચૌહાણ છટક્યા હતા. ત્યારે હવે આ દર્દીઓની સલામતી રામભરોસે હોય તેવું લાગી રહ્યું છે.
કોંગ્રસના રાષ્ટ્રીય નેતૃત્વએ ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફાર કર્યા છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા ગુજરાત સહિત કેટલાક રાજ્યમાં સહ પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેમાં ગુજરાતમાં પણ બે સહ પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે. દેવેન્દ્ર યાદવ અને બી.વી. શ્રીનિવાસની ગુજરાત કોંગ્રેસના સહ પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસના અગાઉના સહ પ્રભારી ઉષા નાયડુ અને ભૂપેન્દ્ર મારવીને અન્ય પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે. દેવેન્દ્ર યાદવ-બી.વી. શ્રીનિવાસને ગુજરાત કોંગ્રેસના સહ પ્રભારી તરીકે જવાબદારીઆગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટા ઉલટફેર કરવામાં આવ્યા છે. ગુજરાત પ્રદેશના પ્રભારી તરીકે યુવા અને આક્રમક બે નેતાઓની તાત્કાલિક અસરથી નિમણૂક કરવામાં આવી છે. રાહુલ ગાંધીની નજીકના બે નેતાઓને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સહ પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. ઓલ ઇન્ડિયા વર્કિંગ કમિટીના સભ્ય દેવેન્દ્ર યાદવની અને અખિલ ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂકેલા બી.વી. શ્રીનિવાસને ગુજરાત કોંગ્રેસના સહ પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. અગાઉના સહ પ્રભારી ઉષા નાયડુને મધ્યપ્રદેશમાં સહ પ્રભારી તરીકે જવાબદારીગુજરાત કોંગ્રેસના અગાઉના સહ પ્રભારી ઉષા નાયડુને મધ્યપ્રદેશમાં સહ પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ ભૂપેન્દ્ર મારવીને ઝારખંડના સહ પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ગાંધીનગર ખાતે આજે રાજ્ય મંત્રીમંડળ (કેબિનેટ)ની બેઠક યોજાવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં થનારી આ બેઠકમાં રાજ્યના કાયદો અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવશે. હાઈએલર્ટને પગલે પોલીસ વિભાગે હાથ ધરેલી કામગીરીની સમીક્ષાતાજેતરમાં રાજ્યમાં જાહેર કરાયેલા હાઈએલર્ટને પગલે પોલીસ વિભાગ દ્વારા હાથ ધરાયેલી કામગીરીની વિગતવાર સમીક્ષા પણ આ બેઠકમાં થશે. સુરક્ષા દૃષ્ટિએ જરૂરી સૂચનો અને આગળની કામગીરી અંગે પણ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.તે ઉપરાંત, કૃષિ રાહત પેકેજ અંતર્ગત ખેડૂતોને આપવામાં આવેલી સહાય અને પ્રાપ્ત થયેલી અરજીઓની સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આવનારી ડેડીયાપાડા મુલાકાતને લઈને તૈયારીઓની સમીક્ષા પણ આજની બેઠકનો મહત્વપૂર્ણ એજન્ડા રહેશે. મુખ્ય મુદ્દા
આયોજન:મોરવામાં જનજાતીય ગૌરવ યાત્રાનું પરંપરાગત સ્વાગત
બિરસા મુંડાની 150મી જન્મજયંતીના અવસરને જનજાતિય ગૌરવ તરીકે ઉજવવાના ભાગરૂપે રાજ્યમાં આયોજિત જનજાતિય ગૌરવ રથ યાત્રાનું આયોજન કરાયું છે. મોરવા હડફ ખાતે જનજાતિય ગૌરવ યાત્રા આવી પહોંચતા સ્વાગત કરાયું હતું. જેમા જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ, મોરવા-હના ધારાસભ્ય નિમીષાબેન સુથાર અને પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ સહિત સ્થાનિક જનપ્રતિનિધિઓ, કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બિરસામુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા હતા. આ ગૌરવ રથમાં ભગવાન બિરસા મુંડાના જીવન અને આદિવાસી સંસ્કૃતિને દર્શાવતી ઝાંખીઓ મૂકાઇ હતી. રથ યાત્રાનું આગમન થતાં જ સ્થાનિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આદિવાસી ભાઈઓ-બહેનો પરંપરાગત વેશભૂષા અને વાદ્યો સાથે ઉમટી પડ્યા હતા. તેમણે ઢોલ-નગારાના તાલે પરંપરાગત નૃત્ય કરીને યાત્રાનું સ્વાગત કર્યું હતું.
ભાસ્કર ઈનસાઈડ:અભલોડમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવક સામે જ ગુનો નોંધાયો
અભલોડના ઝરલા ફળિયામાં પાટાડુંગરી રોડ ઉપર જીજે-બીએલ-4278 નંબરની બાઇક ચાલકે પૂરઝડપે વાહન હંકારી લાવી જીજે-20- એસી-1344 નંબરની પ્લેટીના બાઇકને સામેથી ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં પ્લેટીના બાઇક ચાલક 20 વર્ષીય સંકેતભાઈ ગવરસિંહ પસાયાનું મોત નિપજ્યું હતું. પોલીસે અકસ્માતવાળી જગ્યાનું પંચનામું કરી તપાસ આગળ વધારી. ત્યારે આરટીઓ કચેરીમાંથી બાઇક નંબર GJ-20-AC-1344ની તપાસ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. ત્યારબાદ મૃતક સંકેતના ઘરે જઈને પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે, તે આ પ્લેટીના ગાડી તેના મામા મુકેશભાઈ પ્રતાપભાઈ બારીયા રહે.ગાંગરડાના ઘરેથી લાવ્યો હતો. પોલીસે મુકેશભાઈના ઘરે તપાસ કરતાં તેમની માતા રમીલાબેન બારીયાએ પોલીસને જણાવ્યું કે, તેમના પુત્ર મુકેશે 6 વર્ષ પહેલાં આ પ્લેટીના બાઇક રૂા.15,000 ભરીને ખરીદી હતી. પરંતુ 4 વર્ષ પહેલાં કેન્સરની બીમારીના કારણે મુકેશનું મૃત્યુ થઈ ગયું હતું. ઘરે અન્ય કોઈ ફેરવનાર ન હોવાથી આ બાઇક તેમની દીકરી રેખાબેન ગવરસિંગ પસાયાના પુત્ર સંકેતભાઈને 1 વર્ષ પહેલા ફેરવવા માટે આપી હતી. તપાસમાં સ્પષ્ટ થયું કે, મૃતક સંકેત પાસે બાઇકનું RTO દ્વારા ઇસ્યુ થયેલું કોઈ રજિસ્ટ્રેશન નંબર ન હોવા છતાં તેણે ઇરાદાપૂર્વક બીજી બાઇકનો ખોટો નંબર લગાવી ગુનો કર્યો હતો. ગરબાડા પો.કો. ઉમેશભાઈએ આ બાબતે મૃતક તેમના પૌત્ર સંકેત પસાયા સામે ફરિયાદ નોંધી છે. એક્ટિવાનો નંબર લગાવી દીધોઅકસ્માતગ્રસ્ત પ્લેટીના બાઇકનો આ નંબર હકીકતમાં હરમલસિંહ બારીયાના નામે નોંધાયેલી એક્ટિવાનો હતો. વધુ તપાસમાં પોલીસે બજાજ શોરૂમમાં પૂછપરછ કરી, જ્યાંથી પ્લેટીના બાઇક ગાંગરડાના મુકેશ બારીયાને વેચાણ આપ્યાનું જાણવા મળ્યું હતું. મુકેશભાઈએ આ બાઇકનું RTO રજિ. કરાવ્યું ન હોવાનું સામે આવ્યુ હતું.
ભાસ્કર ઈનસાઈડ:ગોધરામાં મતદાર યાદીમાં નામ ઉમેરવા, મૃતકોનારદ કરવા જન્મ-મરણના દાખલા મેળવવા પડાપડી
પ્રતિક સોની રાજ્યભરમાં એસઆઇઆરની કામગીરીનો પ્રારંભ થઇ ગયો છે. જેમાં મતદારોને નામ નીકળી જવાનો ફફડાટ પણ છે. બીએલઓ ઘરે આવે ત્યારે મતદાર યાદીમાં નામ ન હોય તેને દાખલ કરવા અલગ ફોર્મ અને દસ્તાવેજો અને મૃતકોના નામ યાદીમાંથી કમી કરાવવા માટે અલગ ફોર્મ અને દસ્તાવેજો આપવાના હોય છે. ત્યારે પંચમહાલના ગોધરા ખાતે મતદાર યાદીમાં નામ દાખલ કરવા અને મૃતકોના નામ કમી કરાવવા માટે સૌથી અગત્યના મનાતા જન્મ અને મરણના દાખલા માટે પડાપડી થઇ રહી છે. સામાન્ય રીતે રોજના 150 અરજીઓ આવતી હતી તેની સામે હવે એસઆઇઆર આવતાં જ આ આંકડો બેવડાઇને 300ની ઉપર પહોંચી ગયો છે. રાજ્યમાં એસઆઇઆર મુજબ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 4 નવેમ્બરથી શરૂ કરી દેવામાં આવ્યો છે. જેમા બીએલઓ ઘરે ઘરે જઇને મતદારોને ફોર્મ આપીને વિગતો મેળવી રહ્યા છે. મતદાર યાદીમાં મૃતકોના નામ કમી થયા નથી. તેમજ એસઆઇઆરમાં વર્ષ 2002 પછીના મતદારોને જન્મના દાખલા આપવાના હોય છે. ત્યારે ગોધરા નગર પાલીકામાં જન્મ અને મરણના દાખલા કઢાવવા ધસારો વધી ગયો છે. રોજીંદા દિવસોમાં 150 જેટલી અરજીઓ આવતી હતી. પરંતુ એસઆઇઆર શરૂ થતા ચાર દિવસથી રોજની 300 થી વધુ અરજીઓ આવવા લાગી છે.છેલ્લા ચાર દીવસમાં 1000 કરતા વધુ અરજીઓ મરણના દાખલા માટે કચેરીમાં આવી છે. ગોધરાના બૂથ 235માં 6 મૃતકોના નામ મતદાર યાદીમાંમતદાર યાદી સુધારણા શરૂ થતા વર્ષોથી મતદાર યાદીમાં મૃતકોના નામ કમી કરાવ્યા ના હોય તેઓના સગાઓ મરણના દાખલા કઢાવવા કચેરીઓ ખાતે આવી રહ્યા છે. જેવી રીતે ગોધરા વિભાગ સભા વિસ્તારના વાવડી બુઝર્ગ-2ના 235 બુથમાં 6 થી વધુ મૃતકોના નામ મતદાર યાદીમાં છે. એક મતદાર તો વર્ષ 2010 માં મરણ પામ્યા હોવા છતા તેઓનુ નામ વર્ષ 2024 અને વર્ષ 2025 ની મતદાર યાદીમાં ચાલે છે. વર્ષ 2002 પછીના જન્મ થયેલ મતદારોને ફરજીયાત જન્મના દાખલા આપવાના થતાં હવે દાખલા માટે પડાપડી કરી રહ્યા છે. પૂરતા પુરાવા હોય તો અમે દાખલો આપીએ છીએસામાન્ય દીવસમાં 150 જેટલી જન્મ અને મરણની અરજી આવતી હતી. એસઆઇઆર આવતા અરજીઓ બમણી થઇ ગઇ છે. કચેરીમાં જન્મ અને મરણના દાખલા માટે અરજદારો આવે છે. પુરતા પુરાવા હોય તો દાખલો આપીએ છીએ. - નિશાર મન્સુરી, જન્મ મરણ વિભાગ અધિકારી, ગોધરા પાલિકા. જન્મ દાખલામાંહોસ્પિ. નોંધણી કેમેજિ.નો હુકમ જોઇએજન્મનો દાખલો લેવા જન્મ થયેલહોય તે હોસ્પીટલની નોંધણી હોવીજરૂરી છે. હોસ્પીટલની નોંધણી નાહોય તો મામલદાર કચેરીમાં અરજીકરીને મેજીસ્ટ્રેટ કોર્ટનો હુકમલાવવાનો હોય છે. તેની સાથેઆધારકાર્ડ અને ફોર્મ ભરીનેપાલીકામાં આપતા જન્મનોદાખલો મળી જશે. જો મરણનાદાખલાની જરૂર હોય તો પાલીકાનીજન્મ મરણ કચેરીમાં સ્મશાનનીઅંતિમ સસ્કારની પાવતી, મૃતકનુંઅાધારકાર્ડ અને રેશનકાર્ડ તેમજદાખલો કઢાવવા આવનારનુંઆધારકાર્ડ અને રેશનકાર્ડની કોપીસથે ફોર્મ ભરીને આપતા મરણનોદાખલો મળી જાય છે.
કાર્યવાહી:હમીરપુર પાસે નદીના ધસમાંથી 93 કિલો માંસનો જથ્થો પકડાયો
ગોધરાના હમીરપુર રોડ પર સ્કૂલની પાછળ નદીના ધસમાં પોલીસે છાપો મારીને 93 કિલોનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગોધરાના હમીર પુર રોડ ઉપર આવેલી એમ.ઇ.ટી.સ્કૂલની પાછળ નદીની ધસ પાસે શહેર બી ડિવિઝન પોલીસે છાપો માર્યો હતો. પોલીસે અજાણ્યા બાઇક ચાલકે કયાંથી ગાૈવંશને લાવીને કટીંગ કરેલો 93 કિલો જેટલો માંસ મટનનો જથ્થો સાથે બાઇકને પકડી પાડયો હતો. પોલીસ રેઇડ દરમ્યાન અજાણ્યા ઇસમો નાસી ગયા હતા. પોલીસે માંસનો જથ્થો અને બાઇક મળીને કુલ 38 હજારનો મુદ્દામાલ કબજે કરીને માંસ ગૌ માંસ છે કે નહિ તેની ચકાસણી કરવા માંસના સેમ્પલને પરીક્ષણ માટે મોકલી આપ્યો છે.
ભાસ્કર એનાલિસિસ:દાહોદ જિલ્લામાં ગત વર્ષ કરતાં વાવેતરમાં 54%નો ઘટાડો
દાહોદ જિલ્લાના ખેડૂતોને તાજેતરમાં પડેલા કમોસમી માવઠાના કારણે થયેલા ભારે નુકસાનની અસર હવે રવિ સિઝનના વાવેતર પર દેખાઈ રહી છે. નવેમ્બરની શરૂઆતના આંકડાઓની સરખામણી કરતાં જણાય છે કે વર્ષ 2025માં કુલ રવિ વાવેતરમાં ગયા વર્ષની તુલનામાં 54.08% જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. જે જગતના તાત માટે ચિંતાનો વિષય બન્યો છે. કૃષિ વિભાગના 11 નવેમ્બર સુધીના આંકડાઓની સરખામણી કરાય તો 2024માં 1777 હેક્ટરમાં રવિ વાવેતર થયુ હતું. તેની સામે 2025માં 818 હેક્ટરમાં જ વાવેતર થયુ છે. વાવેતરમાં 54.08%નો ઘટાડો નોંધાયેલો જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોએ વાવણી માટે જમીન તૈયાર કરવામાં વિલંબ થઇ રહ્યો છે. આ ઉપરાંત કેટલાંક કિસ્સામાં ચોમાસુ પાકના નુકસાનથી આર્થિક સંકટમાં મુકાતા હાલ વાવેતર અટક્યુ છે. જિલ્લામાં ખેતરોની હાલની સ્થિતિ જોતા જુવાર અને શાકભાજીના વાવેતરમાં ખેડુતોની પીછેહઠ જોવા મળી રહી છે. ઓક્ટોબરના અંતમાં પડેલા માવઠાને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયું હતું અને ભેજનું પ્રમાણ વધી ગયું હતું. આનાથી જુવાર જેવા પાકોનું વાવેતર 996 હેક્ટર જેટલું ઓછું થયું છે. ચોમાસુ પાકોને ભારે નુકસાન થતા ખેડૂતો બિયારણ અને ખાતરની ખરીદી માટે સંઘર્ષ કરી રહ્યા છે. જોકે, નિરાશાજનક ચિત્ર વચ્ચે ઘઉંના વાવેતરમાં ગયા વર્ષની તુલનામાં 117 હેક્ટરનો વધારો નોંધાયો છે. 2024 માં 126 હેક્ટરની સરખામણીએ 2025 માં 243 હેક્ટર ઘઉંનું વાવેતર થયું છે. ઉલ્લેખનિય છે કે, દાહોદ જિલ્લામાં વર્તમાન સારા ચોમાસાના કારણે ખેતી સારી થઇ હતી. અને ખેડૂતો ખુશ હતાં. પરંતુ કમોસમી માવઠાએ ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો ઝૂંટવી લીધો હતો. અને ખેડૂૈતોને પારાવાર નુકસાન થયુ હતું. ડાંગર પકવતા ખેડૂતોને ભારે નુકસાન થયુ હતું_. ત્યારે આગામી પાક સારો થાય તેવી આશા સેવી રહ્યા છે. 11 નવેમ્બર સુધી બે વર્ષના રવી વાવેતરની સરખામણી. પાક----- વર્ષ 2024 ----- વર્ષ 2025 . જુવાર -- 1464 હેક્ટર - 468 હેક્ટર. શાકભાજી -- 66 હેક્ટર -- 0 હેક્ટર. ચણા -- 22 હેક્ટર -- 18 હેક્ટર. ઘાસચારો -- 99 હેક્ટર -- 89 હેક્ટર
આગની ઘટના:ગોધરાના સીમલા કબાડી માર્કેટમાં 4 સ્ક્રેપ ગાડીમાં આગ
ગોધરાના સીમલા કબાડી માર્કેટમાં ખુલ્લામાં મુકેલી સ્ક્રેપ ગાડીઓમાં કોઇ કારણસર આગ લાગતા ચાર જેટલી ગાડીઓ આગની ચપેટમાં આવી હતી. ગોધરા ફાયર વિભાગની ટીમોએ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. ગોધરાના સીમલા કબાડી માર્કેટમાં ખુલ્લી જગ્યામાં સ્ક્રેપની ગાડીઓ મોટી સંખ્યામાં રાખી હતી. મંગળવારે મોડી સાંજ સ્ક્રેપ ગાડીમાં કોઇ કારણસર આગ લાગી હતી. જોકે આગ લાગી હતી ? તે રહસ્ય હજુ અકબંધ છે. એક ગાડીમાં આગ બાદ આસપાસની 4 થી વધુ ગાડીને આગે ચપેટમાં લીધી હતી. આગ લાગતા સ્થાનિકોએ આગને બુજાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ આગ બેકાબુ થતા ગોધરા ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર ની ટીમોએ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. આગ લાગવાથી 4 જેટલી સ્ક્રેપ ગાડીઓ બળીને ખાખ થઇ હતી. આગને લઇને ટોળાં ઉમટયા હતા.સ્ક્રેપની ગાડીઓમાં આગ કયા કારણોસર લાગી તેનું કારણ બહાર આવ્યુ નથી.
ખાડાના રીપેરિંગની માંગ:માલસર પુલથી વડીયા મંદિર અને ઉમલ્લા સુધી રોડ પર ખાડા જ ખાડા
વડોદરા અને ભરૂચ જિલ્લાને જોડતો મા નર્મદા નદિ પર માલસર - અશા બ્રિજ બનાવાયો છે. પરંતુ માલસર બ્રિજની સામે કિનારે આવેલ માલસર બ્રિજથી વડીયા મંદિર સુધી ખૂબ જ મોટા ખાડા પડી ગયા છે. રોડ પર ચિલા પડી ગયા છે. જેના કારણે વાહનચાલકોને ખુબ જ તકલીફ પડતી હોય છે. વાહનચાલકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ ખાડા તાત્કાલિક પૂરવામાં નહીં આવે તો વાહન વ્યવહાર બંધ થઇ શકે તેમ છે. આ રૂટ પર ફક્ત એક જ બસ ચાલતી હતી તે પણ બંધ કરી દેવાઇ છે. અંકલેશ્વર - અંબાજીની બસ બંધ થવાથી આખા રૂટના મુસાફરોને તકલીફ પડે તેમ છે. વડીયાથી ઉમલ્લા સુધીના રોડ પર ખૂબ મોટા મોટા ખાડા પડી ગયા છે. ગુજરાત સરકાર દ્વારા કરોડોના ખર્ચે બ્રિજ બનાવાયો પરંતુ હજી સુધી રોડના ઠેકાણા નથી. આ અંગે રજૂઆત કરવા છતાં કાર્યવાહી કરાતી નથી. ભરૂચ માર્ગ-મકાન વિભાગે રોડના ખાડા ન પુરતા વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખાડામાં વાહન પડતાં નુકસાન થાય છેબ્રિજ પર ખાડામાં પાણી ભરેલું હોવાથી વાહનચાલકોને ખાડાનો અંદાજ આવતો નથી. ખાડામાં વાહન પડવાથી વાહનોને પણ મોટું નુકસાન થતું હોય છે. ખરાબ રસ્તાના કારણે ડેપો મેનેજર દ્વારા આ રૂટની કેટલીક બસો બંધ કરી દેવાઇ છે. જેનાથી મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ રોડ પર પડેલા ખાડા માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમયસર નહીં પૂરાય તો કોઇ નિર્દોષ માણસનો ભોગ લેશે તેમ લોક મુખે ચર્ચાઇ રહ્યું છે.
અટકાયત:એકના ડબલ કરવાનું કહી નાણાં પડાવવાના બનાવમાં વધુ એક આરોપીની અટકાયત કરી
શિનોર તાલુકામાં બોડેલીના વેપારીને વિશ્વાસમાં લઈ એકના ડબલ કરી આપવાની લાલચ આપી રૂપિયા 30 લાખની ઉઠાંતરી કરનાર નોંધાયેલ ગુનામાં વધુ એક આરોપીને શિનોર પોલીસે ઝડપી પાડેલ છે. શિનોર તાલુકાના પોઇચા પુલ પાસે બોડેલીના વેપારી નિલેશ ઓમ પ્રકાશ અગ્રવાલને વિશ્વાસમાં લઈને એકના ડબલ કરી આપતી ગેંગના અગાઉના આરોપી ગોપીનાથ બાબા ઉર્ફે ઐયુબ બેલીમ પાનસોરા, તાલુકો ઉમરેઠ તથા નાના કરાળાના જાકીર તથા દક્ષેશ ઠાકર ત્રણ જણા ઝડપાઈ ગયા હતા. તેમના તા.17 નવેમ્બર સુધી રિમાન્ડ મંજૂર થયા છે. જ્યારે ભૌમિક ઠાકર ભાગી ગયો હતો. તા.10મીએ શિનોર એએસઆઇ કંચનભાઇ રાઠવાની પણ આ ગુનામાં અટકાયત કરાઈ હતી અને કોર્ટમાં રજૂ કરાતાં તેમના પણ તા.13 નવેમ્બર સાંજના 4 કલાક સુધીના રિમાન્ડ મંજૂર થયા હતા. મંગળવારે આ ગુનામાં ગોપીનાથ બાબા ઉર્ફે ઐયુબ બેલીમના પુત્ર ઇફાકત ઐયુબ બેલીમની પણ શિનોર પોલીસે મદદગારીમાં ધરપકડ કરી છે. જ્યારે પોલીસ દ્વારા રૂા.27 લાખ ઉપરાંતની રકમ કબજે કરાઇ છે. પરંતુ ભાગી ગયેલ ભૌમિક ઠાકર તથા પુલ ઉપરથી રૂપિયા 30 લાખ લઈ જનાર અજાણ્યો ઇસમ હજુ પકડવાનો બાકી છે.
નિશાચરોનું શિયાળુ સત્ર:બે બાઇક ચોરીને પોલીસને દોડતી કરી મૂકી
વાંકાનેર અને આસપાસના પંથકમાં છેલ્લા કેટલાક સમયથી બાઇક ચોરીના બનાવોની વણઝાર અટકી નથી રહી, જેના કારણે સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે. તસ્કરો બેફામ બની રહ્યા હોય તેવા માહોલ વચ્ચે, વાંકાનેરના હસનપર ગામેથી વધુ બે મોટરસાયકલની ચોરીનો બનાવ સામે આવ્યો છે. હસનપર ગામે રહેતા અજયભાઈ ભુપતભાઈ પરસોંડાએ આ ચોરી અંગે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અજયભાઈના ઘર પાસે પાર્ક કરેલા અને તેમની માલિકીના બે બાઇક કોઈ અજાણ્યા તસ્કરો એક સાથે ચોરી કરીને લઈ ગયા હતા.જેના પરથી ફલિત થાય છે કે ચોર એક નહીં જ હોય, બે અથવા તો તેનાથી વધુ જ હશે. પોલીસે આસપાસના ફૂટેજ ફંફોળવાનું શરૂ કર્યું છે. શિયાળો શરૂ થતાં જ નિશાચરો સક્રિય બની ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ચોરો બાઇક ચોરી કરે છે પરંતુ બાઈક ઉઠાવવામાં સફળતા ન મળે તો સાયકલ પણ મૂકતા નથી ત્યારે સતત વધી રહેલા ચોરીના બનાવોને ધ્યાને લઈને પોલીસ દ્વારા રાત્રિનું પેટ્રોલિંગ કરવું આવશ્યક બની ગયું છે. એક જ સ્થળેથી બે બાઈકની ચોરીની ઘટનાથી લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. વાંકાનેર સિટી પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધીને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
કિસાનસંઘની રજૂઆત:ફોર્મની માથાકૂટમાં પડ્યા વગર આધાર કાર્ડ પર રાહત પેકેજ આપવા માંગ
મોરબી સહિત રાજ્યભરમાં માવઠાના પગલે ખેડૂતોને મોટા આર્થિક સંકટમાં આવી ગયા છે. આવા સંજોગોમાં સરકારે ખેડૂતોને રાહત આપવા રાહત પેકેજ આપવાની જાહેરાત કરી છે. ત્યારે ખેડૂતોને આ સહાય ઝડપથી અને સહેલાઈથી મળે તે બાબતે ભારતીય કિસાન સંઘ મોરબી જિલ્લાના પ્રમુખ બાબુલાલ એલ. સીણોજીયાએ કૃષિમંત્રીને રજૂઆત કરી છે કે ફોર્મ ભરવાની માથાકૂટ વગર ખેડૂતોના ખાતામાં આધાર કાર્ડ ઉપર રાહત પેકેજની સહાય ચુકવવામાં આવે. આજના ડિજિટલ યુગમાં સરકાર બધું ડિજિટલ કરવા માગતી હોય તો ખેડૂતોની સહાયમાં કેમ નહિ. હાલમાં સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે. તેમાં ફોર્મ ભરવાની માથાકૂટ વગર ખેડૂતોના ખાતામાં આધાર કાર્ડ ઉપર ચૂકવવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે. સરકારની જાહેરાત પ્રમાણે 2 હેક્ટરની મર્યાદા એટલે કે 12 વિઘા જમીન ધરાવતા હોય તેવા કિસ્સામાં એક જ ખાતેદાર પાસે પાંચ પાંચ વિઘાના અલગ અલગ જમીન ધરાવતા હોય તેને સહાય ખાલી એક જ ખાતાની મળે છે અને બીજું ખાતું વેબસાઈટની અંદર લેતું નથી અને એ ગામના ખાતેદાર હોય તેવા ખેડૂત ખાતેદાર ફોર્મ માત્ર એક જ ગામમાં આધાર કાર્ડ લેતું હોવાથી ત્યાં બીજા ગામની જમીન સાથે બીજા ગામની જમીન પોર્ટલ પર ઉમેરવાનું ઓપ્શન આપવામાં આવે તો ખેડૂત પોતે પૂરો લાભ લઇ શકે જેથી કરીને ખેડૂતોને નુકસાની ભોગવવી ન પડે. આ ડિજિટલ યુગમાં ખેડૂતો પાસેથી 7-12, 8અ ના ઉતારા લેવામાં આવે છે. જો 8 અ એક જ લેવામાં આવે તો ખેડૂતોને ફાયદો થાય બીજું કે ટૂંક સમયગાળા દરમિયાન ખેડૂતોને અરજી કરવાની હોય તો તે સમય દરમિયાન 7-12, 8અ નું સર્વર સાવ ડાઉન થઈ જાય છે તો તે પણ અગાઉ આયોજન કરવા ભારતીય કિસાન સંઘ મોરબી જિલ્લા દ્વારા માંગ કરાઈ છે.
આપઘાત:સગપણ થયું તેની સાથે પરણવું નહોતું, યુવાને અંતિમ વાટ પકડી
મોરબીમાં યુવાને ફાંસો ખાઈને જીવનનો અંત આણી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનની જ્યાં સગપણ થયું હતું તેની સાથે લગ્ન કરવા માંગતો ન હતો. આથી તેણે આ આત્મઘાતી પગલું ભરી લીધાનું ખુલ્યું છે. જો કે સાચી બાબત તો પોલીસની તપાસ બાદ જ સામે આવશે તેમ સુત્રોએ ઉમેર્યું હતું. મોરબી તાલુકાના ગાળા ગામે આવેલ સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહીને ત્યાં જ મજૂરીકામ કરતા મુળ મધ્યપ્રદેશના અપરણીત યુવાને કારખાનાના કમ્પાઉન્ડ વોલ ખાતે કોઈ કારણોસર ફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજયું હતું. પોલીસના જણાવ્યા મુજબ મૃતક અનિલભાઈ બાબુલાલ પાલ નામનો 27 વર્ષનો યુવાન મજૂરીકામ કરતો હતો તે લાપતા થયો હતો અને શોધખોળના અંતે કારખાનાના કમ્પાઉન્ડ વોલ ખાતે તેનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. તાલુકા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે,મૃતક યુવાનની જયાં સગાઈ થઈ હતી. ત્યાં તે લગ્ન કરવા માંગતો ન હતો. જેથી તેણે આ અંતિમ પગલુ ભરી લીધું હતું. જો કે આ યુવકને અન્ય કોઇ યુવતી સાથે લગ્ન કરવા હતા કે કેમ અથવા તો પરિવારજનો દબાણ કરતા હતા એ સહિતની તપાસ ચાલી રહી છે.
તસ્કરોનો આતંક:મોરબીમાં મંદિરમાંથી કિંમતી વસ્તુ નહીં મળતાં ચોરે દીવો - ધુપેલિયું ઉપાડી લીધા
મોરબીમાં ઠંડીની શરૂઆત થતા જ તસ્કરો સક્રિય બન્યા છે અને તેના પુરાવા પણ ચોરીના વધતા આંક આપી રહ્યા છે. જેમાં મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં આવેલા મંદિરમાંથી કોઈ કિંમતી કે મૂલ્યવાન વસ્તુઓ હાથ ન લાગતાં તસ્કરે માતાજીની પૂજા અર્ચનાની સામગ્રીને પણ ન છોડી અને ધુપેલીયું અને દીવા સહિતની વસ્તુની ચોરી કરી ગયો હતો. એક શખ્સ થેલીમાં મંદિરમાંથી આ વસ્તુઓની ચોરી કરીને નીકળી જતો હોવાનું સીસીટીવીમાં કેદ થતાં પોલીસે એ ફૂટેજના આધારે ચોરની ભાળ મેળવવા તજવીજ હાથ ધરી છે. ઠંડીની મોસમ શરૂ થતાં જ ચોરોને ભાન થઇ જતું હોય છે કે પોલીસને ઠંડી ચડવાની અને તેનો લાભ ઉઠાવી લેવાય તેમ માનીને મંદિરમાં ખાતર પાડવા પહોંચ્યા હતા પરંતુ ખાસ કશું ન મળતાં મામૂલી ચીજો પણ છોડી ન હતી. મોરબીના મહેન્દ્રપરા-2માં આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં લગાવેલા સીસીટીવી કેમેરા સ્થાનિકોએ ચેક કરતા આ મંદિરમાંથી ચોરીની ઘટના સામે આવી હતી. આ સીસીટીવી ફૂટેજ મુજબ આ મંદિરમાં વહેલી સવારે એક શખ્સ દર્શન કરવાના બહાને થેલી લઈને ચોરીના ઇરાદે આવ્યો હતો. જો કે મંદિરમાંથી કોઈ કિંમતી વસ્તુઓ હાથ ન લાગતા આ શખ્સે માતાજીની પૂજા માટેની સામગ્રીને પણ ન છોડી અને મંદિરમાંથી પીતળનું ધુપેલિયુ અને દીવાની ચોરી કરીને થેલીમાં નાખી પોબારા ભણી ગયો હતો. આ આખી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. અત્રે નોંધનીય છે કે, સ્થાનિક રહીશોના કહેવા મુજબ આ જ મંદિરમાં બે વર્ષ અગાઉ પણ ચોરી થઈ હતી. તે સમયે તસ્કર સોનાના ઘરેણાંની ચોરી કરી ગયો હતો. બાદમાં પોલીસે આરોપીને ઝડપી ઘરેણાંને પણ કબ્જે કર્યા હતા.અને એ ઘરેણાં ભગવાનને ધરાવાતા પણ હતા. ત્યારે ફરી એકવાર ચોરીની ઘટના બની છે, જેનાથી ભાવિકોની લાગણી દુભાઇ છે.
ભાયાવદરમાં રેલવે સ્ટેશન રોડથી સાગર ચોક સુધીમાં ત્રણ પુલ આવેલા છે, અને આ બધા પુલ ઘણા વર્ષો પહેલાં બનેલા હોઇ, તે જર્જરિત બની ગયા હોઇ, ભારે વાહનો માટે દુર્ઘટના સર્જી શકે તેમ હોવાથી હાઇકોર્ટની તાકીદ અને કલેક્ટરના જાહેરનામા બાદ આ પુલ પરથી ભારે વાહનો પસાર થવા દેવામાં આવતા ન હતા, જો કે ડાઇવર્ઝનનો મુદો પાલિકા અને આર એન્ડ બી વિભાગ માટે અહમનું કારણ બની જતાં કામગીરી ખોરંભે પડી હતી અને ભારે વાહનો આ ત્રણે પુલ પરથી પસાર થવા લાગ્યા હતા. જો કે હવે માર્ગ અને મકાન વિભાગે ડાઇવર્ઝન માટેની કામગીરી કે જે ખોરંભે પડી હતી તે શરૂ કરાવી છે. ભાયાવદરમાં રેલ્વે સ્ટેશન રોડથી સાગર ચોક સુધીમાં આવેલા ત્રણ પુલ પરથી જ મોટી પાનેલી, સીદસર, જામજોધપુર, ભાણવડ અને જામનગર જવાય છે અને આ ત્રણે પુલ પર સ્કૂલ બસ, એસટી અને ભારે વાહનોની અવરજવર મોટા પ્રમાણમાં રહેતી હતી.ગંભીરા પુલ દુર્ઘટના બાદ આ ત્રણ પુલમાંથી બે પુલ જર્જરીત હાલતમાં હોવાથી કલેકટરના જાહેરનામા ના હુકમ મુજબ આર એન્ડ બી વિભાગ દ્વારા પુલની બંને સાઇડ એંગલ મારીને ભારે વાહનો માટે પ્રવેશ બંધ કરી દીધો હતો અને એક ડાઇવર્ઝન 1 કિલોમીટર દૂર કઢાયું હોવાથી બીજું ડાઇવર્ઝન નજીક કાઢવા માટે પાલિકાએ માં ઉમિયાના રથનું બહાનું બતાવીને પુલની બંને સાઈડના એંગલ જેસીબી મારીને ઉખેડીને ફેંકી દીધા હતા અને આ બને તંત્રની અવળચડાઈના લીધે બને પુલ સાવ ખુલ્લી હાલતમાં હતા અને બીજા ડાઇવર્ઝનની કામગીરી ખોરંભે ચડી હતી ત્યારે કલેકટરના જાહેરનામાનો ભંગ થતો હોય અને એના અહેવાલો અખબારમાં આવતા આજે 57 માં દિવસે આર એન્ડ બી વિભાગે પુલ પાસે બેરિકેડ લગાવી, રાઉન્ડ ધ ક્લોક હોમગાર્ડના જવાનનો બંદોબસ્ત ગોઠવી દીધો છે. ડાયવર્ઝનની કામગીરી શરૂ થતાં નજીકના ભવિષ્યમાં ભારે વાહનના ચાલકોએ બહુ લાંબો ફેરો નહીં ફરવો પડે. { રાજુ ખાંભલા
સરવે:મોરબીમાં શિક્ષણથી વંચિત બાળકોના શૈક્ષણિક પુનર્વસન માટે સરવે કરાશે
સમગ્ર શિક્ષા અંતર્ગત દર વર્ષે જુદા જુદા કારણોથી શાળા બહાર રહેલા 06 થી 18 વર્ષની વય જૂથના બાળકો અને જેવો પોતાનું ધોરણ 1 થી 12 નું શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી તેવા શાળા બહારના બાળકો (આઉટ ઓફ સ્કુલ ચિલ્ડ્રન) સહિતના તમામ બાળકોનો સર્વે કરી તેમની ઓળખ, નામાંકન અને મુખ્ય ધારામાં જોડાણ અને શૈક્ષણિક પુનર્વસન માટેની કામગીરી કરાઇ રહી છે. મોરબી જિલ્લામાં શાળા કક્ષાએ 14/11/2025 થી 23/11/2025 સુધી સર્વે હાથ ધરનાર છે. જેમાં સરકારના તમામ વિભાગો, એનજીઓ, જાહેર જનતા તેમજ સામાજિક સંસ્થાઓને પણ સહભાગી થવા માટે સમગ્ર શિક્ષણ જગત દ્વારા અપીલ કરાઇ છે. આવા કોઈ શાળા બહારના બાળકો મળી આવે તો સરકારી શાળામાં, ક્લસ્ટરમાં અને તાલુકા કક્ષાએ બીઆરસી ભવન પર જાણ કરવા અને તેવા બાળકોનું શૈક્ષણિક પુનર્વસન થાય તે માટે સહયોગ આપવા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને શિક્ષાના જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડીનેટરે જણાવ્યું હતું.
મોરબી જિલ્લામાં નવેમ્બર અડધો વીતવા આવ્યો હોવા છતાં શિયાળુ પાકનું વાવેતર થઇ શક્યું નથી અને આગામી બે સપ્તાહ સુધી વાવણી થઇ શકે તેવી સંભાવના પણ જણાતી નથી ત્યારે જિલ્લાની 1.90 લાખ હેક્ટર જમીનમાં હજુ વાવણી થઇ શકી નથી. ગત વર્ષે આ જ સમયગાળામાં 1800 હેક્ટરમાં વાવેતર થઇ ગયું હતું અને તેની અગાઉના વર્ષે 2500 હેક્ટરમાં વાવણી થઇ ગઇ હતી. જ્યારે આ વર્ષે હજુ સુધી વાવેતરની શરૂઆત જ નથી થઇ. અને વાવણી શરૂ કરાતાં સહેજે 15 દી’ નીકળી જાય તેમ સુત્રોએ જણાવ્યું હતું. મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસું પાક તૈયાર થયેલો પડયો હતો અને માવઠાંએ ત્રાટકીને ખેડૂતોની ચાર મહિનાની મહેનત ધોઇ નાખી હતી. હજુ પણ ધરતીપુત્રો માટે સ્થિતિ અત્યંત કઠણાઈ ભરી બની રહી છે, કારણ કે એક તરફ આ વરસાદે ચોમાસું પાકને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું હતું હવે તેની અસર શિયાળુ પાક પર પણ જોવા મળી રહી છે, કારણ કે મોરબી જિલ્લામાં ઓક્ટોબર - નવેમ્બરના કમોસમી વરસાદને પગલે હાલ જમીનમાં બિયારણને અંકુરિત થવા જેટલો ભેજ જોઇએ તેના કરતા વધુ ભેજ હોવાથી હાલ શિયાળુ પાકનું વાવેતર થઈ શકે તેમ નથી. ખેતરમાં બે પાક વચ્ચે ખેડૂતો સામાન્ય રીતે 15 થી 20 દિવસનું અંતર રાખતા હોય છે અને જ્યારે જમીને પૂરતો સૂર્ય પ્રકાશ મળતા વાવણી માટે અનુકૂળ થઈ જાય છે. સામાન્ય રીતે ઓક્ટોબર મહિનાના પ્રથમ પખવાડિયામાં વરસાદ વિરામ લઈ લેતો હોય છે બાદમાં ખેડૂતો પાક ઉતારી લે છે. ખાસ કરીને ચોમાસુ પાકનું આગોતરું વાવેતર કરનાર ખેડૂતોનો દિવાળી પહેલા પાક લેવાયો હોવાથી દિવાળી બાદ રવિ પાકનું વાવેતર શરૂ કરે છે. જો કે ચાલુ વર્ષે શિયાળુ પાકનું વાવેતર લગભગ 10 થી 15 દિવસ જેટલું પાછળ ઠલવાયું છે. સામાન્ય રીતે નવેમ્બરના બીજા સપ્તાહમાં વાવણી શરૂ થઈ જતી હોય છે . ઘઉં, ચણા, જીરું વાવવા નવેમ્બર યોગ્ય સિઝનનવેમ્બરના 10 દિવસ વીતવા છતાં હજુ ખેડૂતો ચોમાસુ પાકની વાવણી કરી શકે તેવી સ્થિતિ બની નથી તેમજ જ્યાં વાવણી થઈ શકે તેવી સ્થિતિ છે ત્યાં ચોમાસુ પાકમાં થયેલી નુકશાની બાદ ખેડૂત સહાયની રાહમાં છે. આવી સ્થિતિમાં ચાલુ વર્ષે શિયાળુ પાકનું વાવેતર 2 વર્ષની સરખામણીમાં 15 દિવસ મોડુ થાય તેવી સંભાવના છે. વાવેતર મોડું થશે તો પણ જીરું,વરિયાળીને નુકસાન થવાની શક્યતા ચાલુ વર્ષમાં ચોમાસુ પાકનું નુકશાન થયું છે, બીજી તરફ ખેતરમાં જે સ્થિતિ છે તેના કારણે હાલ કયા પાકનું વાવેતર કરવું તે મૂંઝવણભર્યું છે , કારણ કે શિયાળુ પાકનો સમય 70 થી 120 દિવસ હોય છે. સામાન્ય રીતે 15 નવેમ્બર પહેલા પાકનું વાવેતર થઈ જાય છે. જો મોડુ વાવેતર થાય તો જ્યારે પાક લેવાનો સમય આવે તે પહેલા તાપ જરૂરિયાત કરતા વધુ પડે છે અને તેના કારણે જીરું, વરિયાળી જેવા પાકને નુકશાન થાય છે. ઘઉંનો પાક પણ સૌથી છેલ્લે તૈયાર થાય છે અને તેને વધુ સમય જોઈએ છે તેમ કૃષિ એક્સપર્ટ ડૉ. ગનીભાઈ શેરસિયાએ જણાવ્યું હતું.
ધરતીપુત્રોને રાહત:નર્મદામાં માવઠાથી 62 હજાર હેકટરમાં પાકને નુકસાન
નર્મદામાં માવઠાથી 62 હજાર હેકટરમાં પાકને નુકસાન થયું છે. તાજેતરમાં રાજય સરકારે જાહેર કરેલા રાહત પેકેજમાંથી જિલ્લાના ખેડૂતોને 1,364 કરોડની સહાય મળશે ચોમાસાની વિદાય બાદ દરિયામાં સિસ્ટમ સક્રિય થતા ઓકોટબર અને નવેમ્બર મહિનામાં વરસાદ પડ્યો હતો. વરસાદે કપાસ, તુવેર,ડાંગર, મકાઈ અને જુવાર સહિતના પાકોને વ્યાપક નુકસાન થયું સત્તા પક્ષ અને વિપક્ષ બંને સરકારમાં રજૂઆત કરી સહાય પેકેજની માંગણી કરી હતી.સરકારે રાજયના ખેડૂતો માટે 10 હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે નર્મદા જિલ્લામાં ખેતીવાડી શાખા તરફથી સર્વે કરવામાં આવતા 62 હજાર હેક્ટર માં વાવેતર ને નુકસાન થયું હતું જેમાં ખાસ ડાંગર, કપાસ તુવેર, મકાઈ જુવાર સહિતના પાકોને નુકસાન થયું હોવાની વિગતો સામે આવી હતી નર્મદા જિલ્લા ખેતીવાડી શાખાએ અહેવાલ મોકલતા તમામ ખેડૂતને પેકેજ મળે એવી સાકયતા જાહેર કરશે અને જેનાથી ખેડૂતોને આર્થિક લાભ થશે. નુકસાનીનું પૂરેપૂરું સહાય તો નહિ પણ ખેડૂતોની ચિંતા ટાળી કહેવાય. સરકારની મંજૂરી મળશે એટલે સહાય આપીશું ખેતીવાડી આધિકારી વિનોદ પટેલે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં 62 હાજર હેક્ટર થી વધુ જમીનોમાં તૈયાર કપાસ, તુવેર,ડાંગર, મકાઈ અને જુવાર જેવા પાકો ને વ્યાપક નુકસાન જેનો અહેવાલ સરકાર ને મોકલેલ છે હજુ સહાય આવી નથી. સરકાર મંજુર કરે એટલે ખેડૂત ને મળશે. એક હેક્ટર દીઠ 22000 રૂપિયા મંજૂર કર્યા છે. એવી રીતે જેટલું નુકસાન એ મુજબ સહાય મળશે.. > વિનોદ પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી, નર્મદા
કેમ્પ:ભરૂચ જિલ્લામાં 4 દિવસ મતદારયાદી સુધારણા કેમ્પ
ભરૂચ જીલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન કોઇ મતદાર એન્યુમરેશન ફોર્મ મેળવવા કે પરત આપવામાં બાકી રહી ગયા હોય એમના 15 અને 16 નવેમ્બર અને 22 અને 23 નવેમ્બર દરમિયાન ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બી.એલ.ઓ. સંબંધિત બુથ પર સવારે 9 કલાકથી બપોરે 1 કલાક દરમિયાન હાજર રહેશે.
ભાસ્કર નોલેજ:એઆઈ બેઝ સિસ્ટમની કામગીરીને લઈને 14 મી સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ કરાયો
ભરૂચ આરટીઓમાં એઆઈ બેઝ સિસ્ટમ લગાવવા ની કામગીરીને લઈને હાલ 14મી સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ટેસ્ટ માટે બંધ રહેશે. ડ્રાઇવિંગ ટ્રેક બંધ રહેતા 80 થી અરજદારો ના ડ્રાઇવિંગ ટેસ્ટ રીસીડયુલ કરવામાં આવ્યું છે. જેથી અરજદારોને આરટીઓ સુધીનો ખોટો ધક્કો ખાવો નહીં પડે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આરટીઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ ટ્રેક બનાવવાની કામગીરી ડિસેમ્બર મહિના સુધી પૂરી કરવામાં આવશે. ત્યાર બાદ ભરૂચ આરટીઓમાં એઆઇ બેઝ ડ્રાઈવીંગ ટેસ્ટ લેવામાં આવશે.જેમાં પ્રથમ સિવિલ કામગીરી કરવામાં આવી હતી. જે કામગીરી દરમિયાન ટ્રેક 6 દિવસ માટે બંધ કરવામાં આવ્યો હતો. ફરી જૂની પદ્ધતિથી ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાનું શૂરું કરી દેવામાં આવ્યું હતું ત્યાર બાદ હવે એ આઈ બેઝ કેમેરા સહિતની સિસ્ટમ લગાવવાની કામગીરી ચાલુ કરવામાં આવતા હાલ 14 મી સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ કરવામાં આવ્યો છે. ટ્રેક બન્યા બાદ નાની ભૂલ થશે તો પણ એ આઈ તેને ડ્રાઈવિંગ ટેસ્ટમાં ફેલ કરશે. એઆઈ નાની- નાની ક્ષતિઓ પણ પકડી લેશે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર લગાડવામાં આવેલા 18 કેમેરા વાહનની દરેક નાની-મોટી હલનચલન પર ખાસ નજર રાખશે. એઆઈ સિસ્ટમ લગાવ્યા બાદ આ પ્રકારની ક્ષતિઓ નહીં થાય. એઆઈ નાની નાની ક્ષતિઓ પણ પકડી લેશે.
ભાસ્કર ઈનસાઈડ:3 દિ'માં 52 બસે 9 હજાર કિમી અંતર કાપી 11 હજારને મુસાફરી કરાવી
ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામે દર વર્ષેની જેમાં આવર્ષે પણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં સમગ્ર ગુજરાતમાં થી અંદાજિત 4થી 5 લાખ યાત્રીઓ દર્શન અર્થે મેળામાં ઉમટી પડે છે. જેની મનોરંજનથી માડી ખાણી-પીણી સહિતની તમામ વ્યવસ્થા શુકલતીર્થ ગ્રામ પંચાયત થકી કરવામાં આવે છે. આ મેળામાં બહારગામથી આવતા લોકોને મેળા સુધી લાવવા અને લઈ જવા માટે ભરૂચ એસટી વિભાગ થકી આયોજન કરીને ત્રણ દિવસ માટે વધારાની બસો ની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં ત્રણ દિવસ દરમિયાન આવવા જવા માટે 52 બસ થી 380 ટ્રીપ કરી હતી જેમાં મેળામાં જવા અને આવવા માટે 11 હજાર મુસાફરોએ લાભ લીધો હતો. આમ ત્રણ દિવસમાં બસોએ 9 હજાર કિમીનું અંતર કાપીને રૂપિયા 4 લાખની આવક એસટી વિભાગને થઈ હતી. ઉલેખનીય છે કે, ગત વર્ષે શુકલતીર્થ મેળામાં જવા આવવા માટે 21 હજાર જેટલા મુસાફરોએ લાભ લીધો હતો જ્યારે આ વર્ષે તેમાં અંદાજે 47.62 ટકા મુસાફરોનો ગત વર્ષ કરતાં ઘટાડો નોંધાયો છે. મેળામાં આવતા લોકોની સુવિધાઓ માટે ભરૂચ ના ડીવીઝન અને ભરૂચ ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાના માર્ગદર્શન હેઠળ વધારાની બસ નું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી ચગડોળને મંજૂરી નહી મળતાં લોકોની સંખ્યા ઘટી ભરૂચના શુકલતીર્થ ગામમાં દર વર્ષે મેળાનું આયોજન કરવામાં આવે છે જેના માટે એસટી વિભાગ મેળામાં જવા માટે મુસાફરો માટે વધારાની બસ નું આયોજન કરે છે પણ આ વર્ષે ઘણા ઓછાં લોકો મેળામાં આવ્યા હતા, જેનું મુખ્ય કારણ માવઠાને કારણે તેમજ મેળામાં વિવિધ ચકડોળ ને પરમિશન નહીં મળતા બંધ રાખવામાં આવી હતી. જેથી લોકોએ મેળામાં નહીં જતા એસટી બસનો ઓછો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે છેલ્લા દિવસોમાં નાના ચકડોળ ચાલુ કરવામાં આવતા લોકોની સંખ્યા થોડી વધી હતી. આમ ઓછાં એસટી બસ ના ઉપયોગના કારણે ગત વર્ષના પ્રમાણે મુસાફરો ઘટતા આવકમાં ઘટાડો થયો છે.
રાજસ્થાની કલાકારો આકર્ષણનું કેન્દ્ર બન્યાં:કઠપૂતળીની કળા પ્રસારનું માધ્યમ બની
મૂળ રાજસ્થાનના નાગોર જિલ્લાના અને હાલ અમદાવાદમાં વસતા પવન ભાટ તથા તેમના કાકા મહિપાલ ભાટ છેલ્લા પચ્ચીસ વર્ષથી કઠપુતળી કળાને જીવંત રાખી રહ્યા છે. પવન જાટે જણાવ્યું કે, દાદા- પરદાદાના સમયથી કઠપુતળી કળા અમારી ઓળખ છે.પહેલા ગામે ગામે જઈ લોકોનું મનોરંજન કરતા હતાં આજે સરકારની યોજનાઓ પ્રચાર- પ્રસારનું માધ્યમ બની ગઈ છે. કઠપુતળીનો ખેલ માત્ર મનોરંજન નહીં, પરંતુ સામાજિક સંદેશ આપતું જીવંત માધ્યમ છે. આ કળા દ્વારા કલાકારો ગામડાંમાં સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય અને સરકારની યોજનાઓ અંગે જાગૃતિ આપી રહ્યાં છે. તેઓ કહે છે કે, આ કળા એ લોકો સુધી પહોંચવાનો સૌથી સહજ માર્ગ છે કારણ કે કઠપુતળીની ભાષા દરેક સમજે છે. 2 હજાર વર્ષ જૂની માનવામાં આવે છેકઠપુતળી કળા તે સમયના ટેલિવિઝન કે મોબાઇલ વિહોણા યુગમાં લોક મનોરંજનનું મુખ્ય સાધન હતી. આજના ટેકનોલોજી યુગમાં ભલે મનોરંજનના સાધનો બદલાયા હોય, પરંતુ કઠપુતળી કળાએપોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. હવે આ કળા પપેટ થિયેટરના સ્વરૂપમાં શૈક્ષણિક અને સામાજિક સંદેશઆપવા માટે ઉપયોગમાં લેવાય છે. ભારતમાં કઠપુતળીની કળા આશરે બે હજાર વર્ષ જૂની માનવામાં આવે છે. રાજસ્થાનની ધરતી આ કળાની જનની ગણાય છે. પાતળી દોરીથી નચાવવામાં આવતી કઠપુતળીઓ દ્વારા કલાકારો મહારાણાપ્રતાપ, અમરસિંહ રાઠોડ જેવા શૂરવીરોની શૌર્યગાથા અને લોકપ્રસંગોની જીવંત પ્રસ્તુતિ કરે છે.
પ્રવાસીઓનું સઘન ચેકીંગ:પ્રવાસીના વાહનોની સઘન તપાસ બાદ જ કેવડિયામાં અપાતો પ્રવેશ
કેવડિયામાં દરેક વાહનની સઘન તપાસ બાદ જ પ્રવેશ આપવામાં આવી રહયો છે. દિલ્હીમાં બોંબ ધડાકા બાદ એસઓયુ સહિતના પ્રોજેકટની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ પણ હાઈ એલર્ટ પર મુક્યા હોવાથી પ્રવાસીઓનું સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. નર્મદા જિલ્લાની હાલની સ્થિતિની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ભારત પર્વની ઉજવણી કરવામાં આવી રહ્યા છે. ભારત પર્વની ઊજવણીમાં રોજે રોજ અલગ અલગ રાજ્યોમાં મુખ્યમંત્રીઓ, રાજ્યપાલો તથા મંત્રીઓ સહિતના વિવિઆઈપી મહેમાનો આવી રહ્યા છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ સહિત આસપાસના વિસ્તારોમાં ડોગ સ્ક્વોર્ડ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાઈ રહ્યું છે. નર્મદા જિલ્લો મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલો જિલ્લો છે. આગામી 15 મી નવેમ્બરે પીએમ મોદીનો ડેડિયાપાડા ખાતે મોટો કાર્યક્રમ પણ હોવાને લીધે અન્ય રાજ્યોમાંથી કોઈ ઘૂસપેઠના થાય એને લઈને પણ સઘન વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. વાહનોની સઘન તપાસ બાદ જ પ્રવાસીઓને કેવડિયામાં પ્રવેશ અપાઇ રહ્યો છે.
શું તમે લગ્ન કે અન્ય શુભ પ્રસંગ માટે પ્રાઈવેટ પાર્ટી પ્લોટ કે હોલના દોઢ-બે લાખ રૂપિયાના ભાડાથી ટેન્શનમાં છો? તો હવે ચિંતા છોડો. જે ક્વોલિટી માટે તમે લાખો ચૂકવો છો, તે જ સુવિધા સરકારી કોમ્યુનિટી હોલમાં ખાલી 2000થી 50,000 હજાર રૂપિયા સુધીમાં મળી શકે છે. લગ્નની સિઝનમાં વેન્યૂ પાછળ થતો મોટો ખર્ચ બચાવવાનો આ સૌથી સરળ અને સ્માર્ટ રસ્તો છે. સરકારી હોલની સુવિધા શું છે? ગુજરાત સરકાર દ્વારા રાજ્યની 8 મહાનગરપાલિકાઓ અને 159 નગરપાલિકાઓમાં 300થી વધુ કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ હોલ તમે તમારા બજેટ અને જરૂરિયાત મુજબ બુક કરી શકો છો. ભાડું સામાન્ય રીતે ₹2000થી શરૂ થઈને ₹50,000 સુધીનું હોય છે, જેનો આધાર ત્રણ બાબતો પર છે: ઓનલાઈન બુકિંગની સ્માર્ટ ટ્રિક જો તમે મહાનગર સિવાયના નાના શહેરો કે નગરપાલિકા વિસ્તારમાં હોવ, તો બુકિંગ પ્રક્રિયા ખૂબ જ સરળ છે: મોટા શહેરોના લોકોએ શું કરવું? ઘણા લોકોને મૂંઝવણ થાય છે કે eNagar પર અમદાવાદ, રાજકોટ કે સુરતના હોલ કેમ દેખાતા નથી? ધ્યાન રાખો કે મોટા શહેરોની મહાનગરપાલિકાઓના પોતાના અલગ પોર્ટલ છે. આટલું ખાસ યાદ રાખો વધુ વીડિયો જોવા નીચે ક્લિક કરો
ભાસ્કર નોલેજ:પ્રાકૃતિક ખેતી માટે બાયો ઈનપુટ ખરીદવા388 ખેડૂતને 15.56 લાખની સહાય મળી
ભરૂચ જિલ્લામાં 21934 જેટલાખેડૂતો પ્રાકૃતિ ખેતી કરી રહ્યા છ.ત્યારે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધેતે માટે આત્મા પ્રોજેક્ટ સતતપ્રયત્ન કરી રહ્યું છે. પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાય આધારિત તૈયારથતા બીજામૃત, જીવામૃત,ઘનજીવામૃત, વગેરે બાયોઇનપુટ્સ પાયા ની જરૂરિયાતછે. પરંતુ ઘણા ખેડૂતો પાસે દેશીગાય ન હોય તો તેમણે પણપ્રાકૃતિક ખેતી કરવા માટેબીજામૃત, જીવામૃત ઘનજીવામૃત જેવા બાયો ઇનપુટ્સ તેમજપ્રાકૃતિક કૃષિ માં રોગ જીવાત નિયંત્રણ માટે નિમાસ્ત્ર,અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, દશપર્ણીઅર્ક વગેરે સરળતાથી મળી રહેતે માટે ગૌ આધારિત બાયો ઇનપુટ્સ સહાય યોજના નું અમલીકરણ કરવામાં આવીરહ્યું છે. જેમાં સામાન્ય કેટેગરીમાં આવેલા ખેડૂતો ને 50 ટકામહત્તમ રૂપિયા 4 હજાર નીમર્યાદા માં અને અનુસૂચિતજાતિ અનુસૂચિત જનજાતિનાખેડૂતો ને 75 ટકા મહત્તમ 5હજારની મર્યાદામાં સહાયઆપવામાં આવી રહી છે. જેમાંજિલ્લામાં 388 લાભાર્થીખેડૂતોને રૂપિયા 1556930જેટલી સહાય અપાય છે. બાયો ઈનપુટ કોને કહેવાય અને ક્યાં મળશેબાયો ઈનપુટ એટલે પ્રકૃતિ માંથી મળેલા એવા તત્વો જે ખેતીને સ્વસ્થ સજીવ અને રાસાયણિક મૂક બનાવે છે. જેમાં દેશી ગાય આધારિત તૈયાર થતા બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત વગેરેનો સમાવેશ કરી શકાય છે. પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતોને સૌથી વધુ બાયો ઈન્પુટ ની જરૂરિયાત પડે છે. સાથે રોગ જીવાત નિયંત્રણ માટે નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, દશપર્ણી અર્ક વગેરે સરળતાથી મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આમ જીલ્લામાં 5 બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટર કાર્યરત છે
ઠંડીનો અનુભવ:ભરૂચમાં તાપમાન ઘટ્યું ત્રણ દિવસથી ઠંડીનો અનુભવ
ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી તાપમાન 30 ડિગ્રી રહ્યું છે જ્યારે રાત્રિનું તાપમાન ઘટતા રાત્રે અને વહેલી સવારે ઠંડી અનુભવાય રહી છે, આમ જિલ્લાનું મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ 23 થી 47 ટકા અને પવનની ગતિ ઘટીને 11 કિમી પ્રતિ કલાકની રહી હતી. આમ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 31 ડિગ્રી સીધી થવાની શક્યતા સેવાઇ રહી છે. ઉલેખનીય છે કે માવઠા બાદ તાપમાન અચાનક ઓછું થતાં ઠંડીનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ભરૂચમાં કેટલીક શાળામાં હાજરી પૂરી શિક્ષકો બીએલઓ કામ કરવા મજબૂર
ભરૂચ જિલ્લામાં હાલ 700 જેટલા પ્રાથમિક શિક્ષકો બીએલઓની કામગીરી કરી રહ્યા છે. ત્યારે શિક્ષકોને સમય મર્યાદામાં બીએલઓની કામગીરી કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે. જેથી બીએલઓની કામગીરી માટે ઓડર કરવામાં આવેલા તમામ શિક્ષકો ફોર્મ વિતરણ સહિતની કામગીરી કરી રહ્યા છે. સાથે શિક્ષકોને બીએલઓ સિવાયની અન્ય કામગીરી પણ સોંપવામાં આવી છે. ત્યારે શિક્ષકોને સમજાતું નથી કે કઈ કામગીરીને પૂરો ન્યાય આપી શકે ત્યારે બીજી તરફ વધારાની કામગીરીને કારણે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર પડી રહી છે. ત્યારે ભાસ્કરની ટીમે શાળાની મુલાકાત અને બીએલસો સાથે વાતચીત કરીને કામગીરી દરમિયાન પડતી સમસ્યા જાણવાનો પ્રયત કર્યો છે. જેમાં બીએલઓ શિક્ષકોએ જોવાયું હતું કે, હાલ બીએલઓ સહિતની અન્ય કામગીરી પણ સોંપાઇ છે. વિદ્યાર્થીઓનો પણ અભ્યાસ બગડી રહ્યો છે. કિસ્સો 1: મારા પતિને રસોઈ બનાવવી પડે છેઘણા લોકો સ્થળાંતર કરીને આવે તેમજ અન્ય જગ્યાએ ગયા હોય છે. તેથી 2002 ની યાદીમાં નામ જ નથી મળતા તેથી ટકાવારી પણ ઓછી બોલાઈ છે. આ કામગીરીને કારણે મારા છોકરાને 3 દિવસ શાળાએ પણ મોકલ્યા નથી કેમ કે સવારે કામગીરીમાં જવાના કારણે તેને તૈયાર કરવાનો સમય પણ મળતો નથી. મારી પાસે જમવાનું બનાવવાનો પણ ટાઈમ મળતો નથી છતાં મે રોટલી બનાવી દઉં છે ત્યારે મારા પતિ જમવાનું સહિતની ઘરની કામગીરી કરીને નોકરી પર જાય છે. હાલ રાત્રિના સમયે ફોર્મ વિતરણ કરવા જવાય તેમ નથી જેથી દિવસે ફોર્મ આપ્યા બાદ રાત્રિના 1 વાગ્યા સુધી તમામ માહિતી ઓનલાઈન કરવી પડે છે. અમે માનસિક રીતે હેરાન થઈ ગયા છે. કિસ્સો 2: પતિની કાળજી રાખવાનો સમય નથીહાલ શાળા પૂરી થયા બાદ 5 વાગ્યા પછી બીએલઓની કામગીરી માટે ગામમાં જાઉં છું અને રાત્રિ દરમિયાન પણ ઘરે ઘરે જઈને ફોર્મ ભરાવવાની કામગીરી કરવા જવું પડે છે. ઘણી વાર તો લોકો ઘરે પણ મળતા નથી અને મળે તો તેમની પાસે પુરાવા હોતા નથી જેથી બીજા દિવસે પાછું ત્યાં જવું પડે છે. ઘણા લોકો પહેલા એવું કહે છે કે અમારા ગામનો રસ્તો બનાવ્યો નથી જેવી ફરિદાય સાંભળવી પડે છે. મારા પતિનું હાલમાં જ ઓપરેશન કરવામાં આવ્યું છે તેમની કાળજી લેવા માટે પણ સમય મળતો નથી કિસ્સો 3: સરકારનું કામ છે એટલે કરવું પડે છેશાળાના સમય બાદ એટલે કે સવારે અથવા સાંજે 5 વાગ્યા બાદ બીએલઓની કામગીરી કરવી પડી રહી છે. હાલ હુ સાંજના 6:30 સુધી કામગીરી કરી રહી છુ. જેના કારણે મારે ઘરેથી 6 થી 7 કિમી જવું પડે છે અને રાત્રીના પાછું ફરવું પડે છે જેથી આવવા જવા દરમિયાન ડરતો લાગે છે. ત્યાર બાદ ઘર કામ સહિતની કામગીરી કરવી પડી રહી છે. ઉપરથી કેટલાક લોકો પાસે પુરાવા નહીં હોવાના કારણે બીજા દિવસે ફરી ધક્કો ખાવો પડે છે. અને ફોર્મ પણ અમારે જ ભરી આપવું પડે છે શાળાના બાળકો પર આ કામગીરીના કારણે ધ્યાન અપાતું નથી ઘણા વાલીઓ શાળાએ પણ કામગીરી માટે આવે છે. અત્યારે તકલીફ વેઠીને પણ સરકારનું કામ છે એટલે કરવું પડે છે.
અમદાવાદના પાલડી સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે 13 નવેમ્બરથી 16 નવેમ્બર 2025 સુધી ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ 'ફૂડ ફોર થોટ ફેસ્ટ' યોજાશે. જ્યારે વાંચે ગુજરાત 2.0 અંતર્ગત 13 નવેમ્બરથી 23 નવેમ્બર 2025 સુધી 'અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2025'નું યોજવામાં આવશે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 13 નવેમ્બરના રોજ અમદાવાદ ફૂડ ફેસ્ટિવલ અને બુક ફેરનું ઉદ્ધાટન કરશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાઉથ એશિયન એસોસિએશન ફોર ગેસ્ટ્રોનોમી (SSG) દ્વારા ફૂડ ફેસ્ટિવલ તેમજ નેશનલ બુક ટ્રસ્ટ ઈન્ડિયાના સહયોગથી હેરિટેજ સિટી અમદાવાદને સાહિત્ય અને પુસ્તક પ્રકાશન ક્ષેત્રે વિશ્વ ફલક પર પહોંચાડવાના ઉદ્દેશ્યથી બુક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. QR કોડ સ્કેન કરો અને ફૂડની પ્રાઈઝ મેળવોસાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનાર ફૂડ ફેસ્ટિવલમાં કોઈપણ પ્રકારની એન્ટ્રી ફ્રી રાખવામાં આવી નથી. ફૂડ ફેસ્ટિવલમાં જે ફૂડ પેવેલિયન અને સ્ટોલ રાખવામાં આવ્યા છે તેમાં મળતી ખાવા-પીવાની વસ્તુઓનો ચાર્જ ચૂકવીને ભોજનનો આનંદ લોકો માણી શકશે. ઓનલાઈન વેબસાઈટ બુક માય શો ઉપર ટિકિટ બુકિંગ કરાવી શકાશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફૂડ ફેસ્ટિવલના મેનુ અને પ્રોગ્રામની માહિતી માટે QR કોર્ડ જાહેર કર્યો છે જે સ્કેન કરવાથી ફૂડનું મેનું અને ભાવ મળી રહશે. લક્ઝરી પેવેલિયનમાં પીરસાશે સ્પેશિયલ વાનગીઓમેયર પ્રતિભા જૈન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, 'A Taste of Luxury' અને 'The Regional Flavours' એમ બે પ્રકારની થીમ પર ફૂડ કોર્ટ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલમાં ત્રણ અનોખા પેવેલિયન્સ પણ તૈયાર કરાશે. લક્ઝરી પેવેલિયનમાં Taj Soulinaireના ખાસ મેનૂ સહિત ફેમસ હોટેલ દ્વારા તેમની સ્પેશિયલ વાનગીઓ પીરસવામાં આવશે. લક્ઝરી પેવેલિયનમાં લંચ અને ડિનર રૂપિયા 2,500 અને હાઈ ટી રૂપિયા 1,000 રહેશે. ફૂડ ફેસ્ટિવલમાં સ્પિરિચ્યુઅલ પેવેલિયનમાં પુરીના જગન્નાથ મંદિરમાં આપવામાં આવતો 'ભોગ પ્રસાદ' મળશે. જે મૂળ મંદિરના બ્રાહ્મણ રસોઇયાઓ દ્વારા જ બનાવવામાં આવશે. અમદાવાદીઓને પુરી મંદિર જેવી જ પવિત્રતા, પરંપરા અને સ્વાદ મળશે. આ ફેસ્ટિવલમાં ભગવાન શ્રી કૃષ્ણનાં જીવનપ્રસંગો પર આધારિત 'લીલા' નામનું વિશેષ નૃત્ય પ્રદર્શન પણ રજૂ થશે. જેમાં પુરીના દૈતાપતિ કુટુંબના વરિષ્ઠ પુત્રની ઉપસ્થિતિમાં આ પૌરાણ કરે પરંપરાગત કાર્યક્રમ યોજાશે. સ્પિરિચ્યુઅલ પેવેલિયનમાં 2,100 રૂપિયાનું ડિનર રહેશે, જ્યારે 13 નવેમ્બરના રોજ લંચ 1,600 રૂપિયાનું રહેશે. કોફી પેવેલિયનમાં લાઈવ કોફી, રોસ્ટિંગ અને બૂઇંગ ટેક્નિક્સફેસ્ટિવલમાં આ વર્ષે પ્રથમ વખત રજૂ થતો 'કોફી પેવિલિયન વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. અહીં કોફીના છોડથી લઈને કાચા બીન્સ, તેમની કાપણી, રોસ્ટિંગ અને બૂઇંગ સુધીની સમગ્ર પ્રોસેસ લાઈવ રજૂ કરાશે. અરાબિકા અને રોબસ્ટા વચ્ચેના તફાવતો, તેમની સુગંધ અને સ્વાદ કેવી રીતે બદલાય છે તેની સમજ આપશે. મુલાકાતીઓને ફ્રેશ તૈયાર કોફીનો સ્વાદ માણવાની તક સાથે રોસ્ટિંગ અને બૂઇંગ ટેક્નિક્સ અંગે જાણકારી મળશે. નેપાળ, સ્પેન, નેધરલેન્ડ જેવા દેશોના શેફ ફેસ્ટિવલમાં ભાગ લેશેફૂડ ફેસ્ટિવલમાં ભારત ઉપરાંત નેપાળ, સ્પેન, નેધરલેન્ડ જેવા દેશોના શેફ પણ ભાગ લેશે. ખાસ કરીને સ્પેનના વલ્લાડોલિડ (જે અમદાવાદનું સિસ્ટર સિટી કહેવાય છે) માંથી મિશેલિન સ્ટાર રેસ્ટોરાંના સેલિબ્રિટી શેફ અલ્વાર હિનોજલ કેસ્પો પ્રથમ વખત અમદાવાદમાં પોતાની પ્રસિદ્ધ શાકાહારી વાનગીનો ડેમો આપશે. ફેસ્ટિવલ દરમિયાન દરરોજ સાંજે 5:30 વાગ્યાથી 8:00 વાગ્યા સુધી લાઈવ ડેમો, કુકિંગ સેશન્સ, ચર્ચાઓ, ફૂડ ટેસ્ટિંગ અને કલ્ચરલ પ્રોગ્રામ્સ યોજાશે. તેમાં પ્રસિદ્ધ શેફ રણવીર બ્રાર, સુવીર સરણ, વિક્કી રત્નાની, માસ્ટર શેફ અભિજિત સાહા, લેખિકા રશ્મી ઉદયસિંહ, પદ્મશ્રી ડો. પુષ્લેશ પંત તથા અનેક રાજવી અને સંસ્કૃતિ નિષ્ણાંતો હાજરી આપશે. ટેસ્ટી ફૂડ અને ઇનોવેશનને એવોર્ડથી સન્માનિત કરાશેઆ વર્ષે બે પ્રતિષ્ઠિત એવોર્ડ ફંક્શન યોજાશે. જેમાં 'હોસ્પિટાલિટી હોપ એવોર્ડ' જે સ્થાનિક રેસ્ટોરાંને તેમની ગુણવત્તા અને પરંપરાના સંવર્ધન માટે આપવામાં આવશે. તે 14 નવેમ્બરે શેફ રણવીર બ્રાર દ્વારા આપવામાં આવશે. જ્યારે 'SAAG-AMC Award' 16 નવેમ્બરે લેજેન્ડરી શેફ મંજિત ગિલ દ્વારા આપવામાં આવશે. જે લક્ઝરી ફૂડ કોર્ટમાં ભાગ લેનારી હોટેલ્સને ઇનોવેશન અને ગુણવત્તા માટે પ્રોત્સાહિત કરશે. ફૂડ એજ્યુકેશન, હેલ્ધી ઇટિંગ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા'ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025' ખાસ કરીને ફૂડ લવર્સ, ફૂડ બ્લોગર્સ, ઉદ્યોગ નિષ્ણાંતો, ક્યુલિનરી વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો બધા માટે સમાન રીતે ઉપયોગી અને આનંદદાયક બની રહેશે. અહીં ફૂડ એજ્યુકેશન, હેલ્ધી ઇટિંગ, સસ્ટેનેબલ ક્યુલિનરી પ્રેક્ટિસિસ અને ભારતીય ગેસ્ટ્રોનોમીની વિશ્વકક્ષાએ ઓળખ જેવા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. આ ઉપરાંત ફૂડ ફોટોગ્રાફી સેશન્સ, કુકિંગ કોમ્પિટિશન્સ અને ઇન્ટરેક્ટિવ એક્ટિવિટીઝ ફેસ્ટિવલને વધુ લાઈવ બનાવશે. વાંચે ગુજરાત 2.0 અંતર્ગત તા. 13 નવેમ્બરથી 23 નવેમ્બર 2025 સુધી 'અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025' યોજાશે. 'બુક ફેસ્ટિવલ'માં 300થી વધુ ઇવેન્ટ્સ અને દરેક યુવા માટે એક સ્ટેજઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પ્રિન્સિપાલને આ 11 દિવસના જ્ઞાન મહાકુંભમાં જોડાવવા ખાસ આહ્વાન કર્યું છે. એક લાખથી વધુ ચોરસ ફૂટ વિસ્તારમાં 'અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2025'નું આયોજન થયું છે. આ 11 દિવસ સુધી ચાલનારા 'બુક ફેસ્ટિવલ-2025'માં 300થી વધુ ઇવેન્ટ્સ અને દરેક યુવા માટે એક મુખ્ય સ્ટેજ તૈયાર છે. આ ઉપરાંત ફ્રી અન્ટ્રી રાખી છે અને કાર્યક્રમ સ્થળ પાસેના ગ્રાઉન્ડમાં ફ્રી પાર્કિંગ સુવિધા કરવામાં આવી છે. આ બુક ફેસ્ટિવલ માત્ર એક પુસ્તક મેળો નથી, પરંતુ ગુજરાતનો સૌથી મોટો ક્લાસરૂમ છે, જ્યાં કોઈ દીવાલો નથી. ધોરણ 1થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ ફ્રી નોંધણી કરાવીને આ ફેસ્ટિવલને તેમની વાર્ષિક શૈક્ષણિક યાત્રા બનાવી શકે છે. આ ઉપરાંત કોલેજના વિદ્યાર્થીઓને જાણીતા આચાર્ય પ્રશાંત, ગુરચરણ દાસ, નિતિન સેઠી, કુલપ્રીત યાદવ જેવા મહાનુભાવોને મળવાનો અવસર મળશે. એઆઈ, ક્રાઇમ જર્નાલિઝમ, ગાંધી-મંડેલા લેગસી પર લાઇવ સેશન યોજાશે. આ ઉપરાંત પ્રકાશકો સાથે સ્થળ પર જ ઇન્ટર્નશિપ અને કન્ટેન્ટ-રાઇટિંગની તકો મળશે. આ કાર્યક્રમમાં કેવી રીતે જોડાઈ શકશો1. તમારી સમગ્ર શાળા/કોલેજ માટે એક જ Google ફોર્મ ભરો.2. તમારી અનુકૂળ તારીખ અને ઝોન પસંદ કરો.3. કન્ફર્મ થયેલા બસ-પાર્કિંગ સ્લોટ અને શિક્ષક પાસ રિટર્ન મેઇલ દ્વારા મેળવો.4. યુનિફોર્મમાં આવેલા વિદ્યાર્થીઓ અને સાથ આપતા શિક્ષકો (1.15ના રેશિયોમાં) માટે પ્રવેશ ફ્રી છે. કૃપા કરીને આઈડી કાર્ડ સાથે રાખો. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વાંચન અને સાહિત્યના સુયોગ્ય પ્રસાર થકી આવનારી પેઢી બૌદ્ધિક રીતે સક્ષમ બને અને સશક્ત સમાજનું નિર્માણ થાય તેવા ઉમદા ઉદ્દેશ સાથે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં 'વાંચે ગુજરાત' અભિયાનની શરૂઆત કરાવી હતી. જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશન દ્વારા પ્રતિ વર્ષ 'અમદાવાદ નેશનલ બુક ફેર' નામથી રાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવે છે, જેને વર્ષ-2024થી ‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ’ નામકરણ કરાયું છે.
ભારતીય અવકાશ યાત્રી શુભાંશુ શુકલા ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. તેઓ ગયા મહિને મહેસાણા આવ્યાં હતા જેના એક મહિના જેટલા ટૂંકા સમય પછી ગાંધીનગર અને અમદાવાદની મુલાકાતે આવ્યાં છે. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શુભાંશુ શુકલાની આ મુલાકાત દરમિયાન તેમણે ઈસરો, NIDના કેમ્પસની મુલાકાત લીધી હતી. NID કેમ્પસમાં હાંડવો અને રબડી જલેબીની લિજ્જત માણીશુભાંશુ શુકલાની NID અમદાવાદની મુલાકાત દરમિયાન કેમ્પસના અલગ અલગ ડિપાર્ટમેન્ટની મુલાકાત લઈને માહિતી મેળવી હતી. સાથે જ અહીં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે એક લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિદ્યાર્થીઓએ તેમની સાથે ફોટો પડાવવા માટે પડાપડી કરી હતી. એટલું જ નહીં ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુકલાએ NID અમદાવાદ કેમ્પસમાં ડિનર પણ કર્યું હતું. જેમાં તેમણે હાંડવો અને રબડી જલેબીની લિજ્જત માણી હતી. શુભાંશુ શુકલા સ્પેસમાં પોતાની સાથે ગુજરાતી બાંધણી લઇ ગયા હતા, જુઓ અમદાવાદ NIDએ બનાવેલી 16 વસ્તુઓ કઇ હતી? શુભાંશુ શુકલા પોતાની સાથે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં 16 જેટલી વસ્તુ લઇ ગયા હતા. આ વસ્તુઓ NID અમદાવાદના વિદ્યાર્થીઓએ તૈયાર કરી હતી. જેમાં ભારતની સંસ્કૃતિને દર્શાવતી કૃતિઓની સાથે લીંપણ અને કચ્છી ક્રાફ્ટની થીમ પર બનાવાયેલો ભારતનો મેપ તેમજ સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા શબ્દો લખેલી ગુજરાતી બાંધણી પણ હતી. આ વસ્તુઓમાંથી કેટલીક વસ્તુઓ સંભારણારુપે ઇન્ટનેશનલ સ્પેસ સ્ટેશનમાં રાખવામાં આવી છે. ઇતિહાસમાં પહેલીવાર આવી ઘટના બની છે. NIDના અમદાવાદ, ગાંધીનગર અને બેંગલુરુ કેમ્પસની કુલ 55 વિદ્યાર્થી ટીમે ISRO અને NASAના આ સંયુક્ત પ્રોજેક્ટ માટે 200થી વધુ ડિઝાઇન અને વસ્તુઓ મોકલી હતી, જેમાંથી 16ની પસંદગી કરાઈ હતી. આ દરેક વસ્તુ 20થી 25 ગ્રામની જ હતી, જે સર્જનાત્મક અને સારી ડિઝાઇન કરેલી હતી. એમાં ભારતીય સંસ્કૃતિ, હસ્તકલા અને ભારતની અવકાશયાત્રાની પ્રેરણાદાયી વાતો દર્શાવાઇ હતી. જ્યારે આ કૃતિઓ શુભાંશુ શુકલાને મળી ત્યારે તેઓ પણ આશ્ચર્ય પામ્યાં હતા. પ્રોડક્ટ ડિઝાઇનમાં અભ્યાસ કરતા પૃથુ ચિત્રે અને એક્ઝિબિશન ડિઝાઇનમાં અભ્યાસ કરતા શાનિકા જોષીએ પણ બાંધણી અને વૂડ કાર્વિંગની પ્રોડક્ટ તૈયાર કરી હતી. ગુજરાતી બાંધણી તૈયાર કરીપૃથુ ચિત્રેએ દિવ્ય ભાસ્કરને કહ્યું, અમે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે અમને એક્ઝિઓમ-4 મિશનનો હિસ્સો બનવાની તક મળી. અમે 20થી 25 આઇડિયા આપ્યા હતા, જેમાંથી અમારા 3 આઇડિયા પસંદ કરવામાં આવ્યાં હતા. એ બાદ અમે કોન્સેપ્ટ પર કામ કરીને એને તૈયાર કર્યું હતું. અમારી પ્રોડક્ટને શુભાંશુ શુકલા સ્પેસમાં લઇ ગયા હતા. પૃથુ ચિત્રે અને શાનિકા જોશીએ તૈયાર કરેલી ગુજરાતી બાંધણી'અમે બન્નેએ બાંધણીની પેટર્ન પર ક્રાફ્ટ તૈયાર કર્યું હતું, જે યુનિટી ઓફ ઇન્ડિયાની થીમ પર હતું. બીજી પ્રોડ્ક્ટ અમે વૂડ કાર્વિંગ પર તૈયાર કરી હતી. જ્યારે ત્રીજી પ્રોડક્ટ લીંપણ આર્ટ ઓફ ઇન્ડિયા પર હતી, જેમાં અમે લીંપણનો ઉપયોગ કરીને એમાં આભલાં ચોંટાડીને ભારતના મેપ પર ક્રાફ્ટવર્ક તૈયાર કર્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે આ બધા જ ક્રાફ્ટવર્ક અમે 20 ગ્રામથી ઓછામાં અને પાંચ બાય પાંચની સાઇઝમાં તૈયાર કર્યાં હતાં.' NIDમાં પ્રોડક્ટ ડિઝાઇનમાં માસ્ટર ડિગ્રીમાં અભ્યાસ કરતા મેઘ મલ્હાર સહાએ ધ ડોકરા વિલેજ એસ્ટ્રોનોટ પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેણે કહ્યું હતું કે અમારી મહેનત રંગ લાવી. મેઘમલ્હાર સહાએ દિવ્ય ભાસ્કરને કહ્યું, ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સ્પેસ સ્ટેશનમાં જવાના હતા. એ પહેલાં કલ્પના કરવામાં આવી હતી કે તેમની સાથે કેટલાક સોવેનિયર મોકલવામાં આવે, જે ભારતના ડેવલપમેન્ટને રિપ્રેઝન્ટ કરે. NIDના સ્ટુડન્ટ્સ માટે આ ઓપન કોલ હતો. આમાં ઘણા બધા સ્ટુડન્ટ્સે ભાગ લીધો હતો. મારી ફાઈનલ સોવેનિયર માટે પણ પસંદગી થઇ હતી, જેમાં મેં ધ ડોકરા વિલેજ એસ્ટ્રોનોટ તૈયાર કર્યો હતો, જે બાદ અમે જાન્યુઆરી 2025 સુધીમાં તૈયાર કરીને મોકલી આપ્યા હતા. જ્યાં બાળપણ વીત્યું ત્યાંનું ક્રાફ્ટ બનાવ્યુંતેણે કહ્યું, અમને જે બ્રીફ આપવામાં આવી હતી એ ખૂબ જ મહત્ત્વની હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તમારે ભારતીય ક્રાફ્ટની જ પ્રોડક્ટ તૈયાર કરવાની છે, જે ભારતના એસ્પિરેશનને દર્શાવતી હોય. હું બંગાળી છું અને મારું બાળપણ દુર્ગાપુરમાં વીત્યું છે. હું ક્રાફ્ટ કલ્ચરને જોઇને જ મોટો થયો છું, એટલે મેં વિચાર્યું કે હું સોવેનિયર માટે ડોકરા ક્રાફ્ટનો ઉપયોગ કરીશ. આ ક્રાફ્ટમાં કોઈ પણ વસ્તુ મોલ્ડમાંથી તૈયાર નથી થતી, દરેક વસ્તુને હાથથી જાતે તૈયાર કરવી પડે છે. એ માટે પહેલા વેક્સ પર કામ કરવું પડે છે. મેં ડોકરા ક્રાફ્ટ થકી એક એસ્ટ્રોનોટ તૈયાર કરવાનું નક્કી કર્યું હતું. કારીગરોને સમજાવવા માટે વીડિયો બતાવ્યા'આ તૈયાર કરવા માટે હું બિકના ગયો હતો, જ્યાં ડોકરા આર્ટના કારીગરો સાથે મેં એક અઠવાડિયા જેટલો સમય વિતાવ્યો હતો. એના પછી સોવેનિયર તૈયાર કર્યું હતું. જ્યારે મેં પહેલીવાર એ કારીગરોને કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં માણસો જાય છે અને આ પ્રોડક્ટ તેમના માટે તૈયાર કરવાની છે ત્યારે તેઓ પણ ખૂબ જ શોક થઇ ગયા હતા. તેમને કંઇ ખબર જ નહોતી પડતી કે હું તેમને શું કહી રહ્યો છું. એ પછી તેમને સમજાવવા માટે મેં કેટલાક વીડિયો બતાવ્યા અને એ પછી કહ્યું કે સ્પેસ સ્ટેશનમાં જ્યારે કોઇ જાય છે ત્યારે આવાં કપડાં પહેરતાં હોય છે, આવી તૈયારીઓ કરતા હોય છે. એ પછી તેમના મગજમાં થોટ્સ પ્રોસેસ શરૂ થઇ. પછી મેં તેમને મારી પ્રોડક્ટ વિશે કહ્યું કે આપણે ડોકરા એસ્ટ્રોનોટ બનાવવાનો છે.' પડકાર શું હતો?પડકારોની વાત કરતાં તેણે કહ્યું હતું કે અમારા માટે સૌથી મોટી ચેલેન્જ એ હતી કે એને 20 ગ્રામમાં તૈયાર કરવાનું હતું. આ માટે વેક્સમાંથી 2.5 ગ્રામ સોવેનિયર તૈયાર કરવામાં આવ્યું હતું. એ બાદ એના પર કાર્વિંગ કરવામાં આવ્યું હતું. એમાં તાર જોડીને કારીગરોએ કામગીરી કરી હતી. 'હું ખૂબ જ ગૌરવ અનુભવું છું કે ભારત જે ઇતિહાસ રચી રહ્યું છે એમાં મારું પણ નાનકડું યોગદાન છે. મને આવા પ્રોજેક્ટમાં કામ કરવાની તક મળી. જ્યારે શુભાંશુ શુક્લા અમેરિકામાં હતા ત્યારે અમારી તેમની સાથે વીડિયો કોલ પર વાત થઇ હતી. આ દરમિયાન અમે તેમની સાથે અમારી પ્રોડક્ટના કોન્સેપ્ટથી લઇને તૈયાર થવા સુધી ઓપન ચર્ચા કરી હતી. એ બાદ તેઓ ખૂબ જ ખુશ થયા હતા અને તેમણે અમારી કામગીરીને બિરદાવી હતી. જ્યારે તેમને આ બધી પ્રોડક્ટ મળી અને તેમણે તેમના સાથી અવકાશયાત્રીઓને બતાવી તો તેઓ પણ ખૂબ જ ખુશ થયા હતા. જે ખુશી તેમના ચહેરા પર દેખાતી હતી.' NID અમદાવાદના ડાયરેક્ટર ડૉ. અશોક મોંડલે જણાવ્યું હતું કે સ્પેસ અને આઉટર સ્પેસ જેવાં ક્ષેત્રમાં દેશને જે જરૂરી હોય એવી ડિઝાઇન સોલ્યુશન આપવા માટે NID તેના ફેકલ્ટી મેમ્બર્સ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે છે, જેથી કરીને ડિઝાઇન ક્ષેત્રમાં દેશ આત્મનિર્ભર બને. આ સોવેનિયર ભારતના સ્પેસ હીરો માટે એક નાનકડું પગલું છે. આ પ્રોજેક્ટમાં સ્ટુડન્ટને ગાઇડન્સ આપવાથી લઈને કો-ઓર્ડિનેશનની કામગીરી કરનારા અને NIDના સિનિયર ફેકલ્ટી મેમ્બર વિપુલ વિંઝુડાએ દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમારી પ્રોડક્ટ જોઈને અવકાશયાત્રી શુભાંશુ શુકલા આશ્ચર્ય પામ્યા હતા. વિપુલ વિંઝુડાએ દિવ્ય ભાસ્કરને કહ્યું, ISROએ NID સ્ટુડન્ટ અને ફેકલ્ટીને ઓક્ટોબર 2024માં સ્પેસને લગતો એક પ્રોજેક્ટ આપ્યો હતો, જેમાં 250થી વધુ કોન્સેપ્ટ અને સ્કેચિસ તૈયાર કરવામાં આવ્યાં હતાં. આ પ્રોજેક્ટ માટે ઇસરોએ બ્રીફ પણ આપી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે આપણા અવકાશયાત્રી સ્પેસ મિશન માટે જવાના છે. તેમના માટે કેટલીક યાદગાર ડિઝાઇન તૈયાર કરવાની છે, જે તેમની સાથે સ્પેસમાં મોકલવાની છે. 20થી 25 ગ્રામ વજન'ડિઝાઇન એવી રીતે તૈયાર કરવામાં આવે કે એ તેમને ભારતની અને કલ્ચરની યાદ અપાવે. અમને એવું કહેવાયું હતું કે તમે જે ક્રાફ્ટ તૈયાર કરો એ માત્ર 20થી 25 ગ્રામના જ હોવા જોઇએ અને એની સાઇઝ 5 સેન્ટિમીટર કે પર્ટિક્યુલર ડાયમેન્શનમાં જ હોવી જોઇએ, સાથે જ સરળતાથી તૂટી જાય એવા મટીરિયલના ન હોવા જોઇએ.' 'આ પ્રોજેક્ટમાં અમદાવાદ, ગાંધીનગર અને બેંગાલુરુ એમ ત્રણેય કેમ્પસમાંથી અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના સ્ટુડન્ટે 200થી વધુ આઇડિયા સબ્મિટ કર્યા હતા. આમાંથી ઇસરોની ટીમ સાથે મળીને કેટલાક આઇડિયા અને કોન્સેપ્ટને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 16 નક્કી કરાયા હતા, એટલે ટોટલ 16 જેટલા ઓબ્જેક્ટ શુભાંશુ શુક્લા સાથે અવકાશમાં ગયા હતા.' લીંપણ અને કચ્છી ક્રાફ્ટની થીમ પર ભારતનો મેપશુભાંશુ શુક્લા જે 16 પ્રોડક્ટ લઇને ગયા હતા એમાંથી ગુજરાતની કલાને પ્રેઝન્ટ કરતી એક પ્રોડક્ટ વિશે વાત કરતાં તેમણે કહ્યું, બે સ્ટુડન્ટ દ્વારા લીંપણ અને કચ્છી ક્રાફ્ટની થીમ પર ભારતનો મેપ તૈયાર કર્યો હતો. આ ઉપરાંત ગુજરાતની બાંધણીમાં ટ્રાય કલરનો પણ સારી રીતે ઉપયોગ કરીને સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાં લખીને તૈયાર કર્યું હતું. આ મિશનમાં નોર્થથી સાઉથ, ઇસ્ટ ટુ વેસ્ટમાં આપણી જે ક્રાફ્ટની ડાઇવર્સિટી છે તેની ઝાંખી પણ આ 16 પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવામાં આવી છે. શુભાંશુએ વિદ્યાર્થીઓ સાથે વાત કરીતેમણે વધુમાં કહ્યું કે, જ્યારે શુભાંશુ શુક્લા પાસે NIDના સ્ટુડન્ટ્સે તૈયાર કરેલી આ પ્રોડક્ટ પહોંચી ત્યારે તેઓ એકદમ સરપ્રાઈઝ પણ થયા અને સાથે ખૂબ જ ખુશ પણ થયા હતા, કેમ કે પહેલીવાર કોઇ સ્ટુડન્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલી આવી વસ્તુઓ કોઇ એસ્ટ્રોનોટ પોતાની સાથે અવકાશમાં લઇ જઇ રહ્યા હતા. શુભાંશુ શુક્લા જ્યારે સ્પેસમાં જવાના હતા એ પહેલાં તેમણે આ વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે ડિઝાઇન આવનારા સમયમાં સ્પેસ સાયન્સમાં ઘણુંબધું કરી શકશે. હાલમાં તો શુભાંશુ શુક્લા સ્પેસ સ્ટેશનમાંથી પરત ફર્યા છે, પરંતુ હજુ પણ કેટલાક સોવેનિયર્સ ત્યાં જ છે, જે આવનારા સમયમાં પરત લાવવામાં આવશે. 'NID માટે આ ખૂબ જ ગૌરવની વાત છે, કેમ કે જે ઉત્સાહ સાથે આ પ્રોજેક્ટમાં કામ કરવામાં આવ્યું છે અને જે રીતે સ્ટુડન્ટ્સે ક્રિએટિવિટી બતાવી છે એ ખરેખર બિરદાવવાલાયક છે. અમે ખૂબ જ ગૌરવ અનુભવી રહ્યા છીએ. આ ઉપલબ્ધિ બાદ અમને આશા છે કે આ ડિઝાઇન આવનારા સમયમાં સ્પેસ સાયન્સમાં વધુ સારી ઉપલબ્ધિ મેળવી શકશે.'
કોઈ ફિલ્મ જોઇને રડી રહ્યું છે તો કોઈ લાલાને લઈ થિયેટરમાં નાચી કૂદી રહ્યું છે. ક્યાંક થિયેટરમાં ગરબા થઈ રહ્યા છે તો ક્યાંક લાલાના જયઘોષ સાથે ભક્તિ અને મનોરંજનનો અદભુત સંગમ જોવા મળી રહ્યો છે. ભારતમાં જ્યાં જ્યાં કૃષ્ણ નગરી છે ત્યાં બધે જ હર્ષોઉલ્લાસનો માહોલ છે. ત્યારે હવે લાલો ફિલ્મે જાણે કે થિયેટરોને કૃષ્ણ નગરી બનાવી દીધી હોય તેમ હર્ષોઉલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે. કોઈ ભભકાદાર પબ્લિસિટી કે જાણીતા પ્રસિદ્ધ કલાકારો વગરની ધીમા વાયરે શરૂ થયેલી ગુજરાતી ફિલ્મ લાલો શરૂઆતમાં અમદાવાદમાં માત્ર 2 કે 3 થિયેટરમાં અને તે પણ મિનિપ્લેક્સમાં શો હતા. પણ હવે આ ફિલ્મ જાણે કે વાવાઝોડાનું રૂપ ધારણ કર્યું હોય તેમ તમામ રેકોર્ડ તોડવા છલાંગ લગાવી રહી છે. ‘લાલો, શ્રી કૃષ્ણ સદા સહાયતે’ આ ફિલ્મનું ટાઇટલ જ કોઈ ચમત્કારથી ઓછું નથી. આમ પણ ગુજરાતમાં જયશ્રી કૃષ્ણ બોલવાનું ચલણ છે અને તેમાં પણ દ્વાપર યુગની દ્વારિકા નગરી, ભક્ત બોડાણાથી પ્રસિદ્ધ ડાકોર અને શામળાજીમાં બિરાજમાન ભગવાન ગુજરાતના પશ્ચિમ કાંઠેથી છેક ઉત્તર સુધી ગુજરાતીઓ પર આર્શિવાદ વરસાવી રહ્યા છે. આ ફિલ્મ જોવી એ જાણે કે કોઈ ધાર્મિક ઉત્સવમાં ભાગ લીધો હોય તેવી અનુભૂતિ હોય તેમ લોકો સહકુટુંબ પરિવાર સાથે ફિલ્મ જોવા ઉમટે છે. સ્થિતિ તો એવી છે કે ગુજરાતના થિયેટરોમાં લાલો ધૂમ મચાવી રહ્યો છે અને દર્શકો મનોરંજન સાથે ભક્તિના રંગે રંગાઇ રહ્યા છે. ત્યારે દિવ્ય ભાસ્કરે પણ ગુજરાતના થિયેટરોમાં લાલો મૂવી જોઈ બહાર નીકળેલા લોકો સાથે વાત કરી તેમના અનુભવો જાણ્યા હતા. તો આવો સાંભળીએ તેમના મોઢેથી જ તેમના અનુભવો..... આવો શરૂઆત કરીએ સંસ્કારી નગરી વડોદરાથી...વડોદરાના સિનેમાઘરોમાં લાલો મૂવીને લઈ ખૂબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. વારસિયા વિસ્તારમાંથી મૂવી જોવા આવેલા વનિતા પવારે જણાવ્યું હતું કે, લાલો મૂવી ખુબજ સરસ છે, જોવા જેવું છે અને જે પિતા હોય તેઓ માટે સમજવા જેવું છે. પરિવાર સાથે લોકો જોઈ શકે તેવું મૂવી છે, આ સમજવા જેવું છે અને જે સમજે તેના માટે લાઇફ સુધારી જાય છે. આ મૂવી જોઈ 70 ટકા લોકો અન્યને મદદ કરશે: દીપ પટેલઅન્ય એક દર્શક દીપ પટેલે વખાણ કરતા કહ્યું કે ખૂબ સરસ અને જોરદાર મૂવી ઘણા વર્ષો પછી જોવા મળ્યું છે. કૃષ્ણ ભગવાન સદા સહાયતે કે ભગવાન તમને કોઈ પણ અવતારમાં મદદ કરે છે. લોકો એક બીજાની મદદ કરે અને જો તમે મદદ કરશો તો ભગવાન તમને મદદ કરશે. આજની જનરેશન લોકોને મદદ કરવાનું ભૂલી ગઈ છે તે આ મૂવી જોઈ 70 ટકા લોકો લોકોની મદદ કરશે. ચોક્કસ એકવાર આ મૂવી જોવો તો ખબર પડી જશે કે કેવી મૂવી છે અને આ મૂવી માટે અપરથી લઇ લોઅર સીટો ફૂલ છે. કળિયુગમાં ભગવાન આ રીતે લોકોને સમજાવે છે: જતીનભાઈમૂવી જોઈને આવેલા જતીનભાઈએ જણાવ્યું કે, મૂવી જે સમજી શકે તેના માટે ખૂબ સારું છે. પહેલા પણ આજ હતું અને આજે પણ આજ છે, પહેલા ભગવાનને બધા માનતા હતા આજે કળિયુગમાં ભગવાન આ રીતે લોકોને સમજાવે છે. જે લોકો સમજી શકે છે તે સમજી શકે, જે ટાઈમ પાસ કરવા આવે તે ટાઈમ પાસ કરે, જેને સમજવાનું છે તે સમજે. હવે આ ફેમિલીને સમજાવવું-દેખાડવું જરૂરી છે. હાલમાં ફાસ્ટ લાઇફ ચાલી રહી છે, આ બધું ભૂલી ગયા છે, એટલે ભગવાન રીપીટ કરે છે. મૂવી જોઈ યુવાઓ-વડીલોની આંખમાં આંસુ આવી જાય છે: ડૉ. ભૂમિકાતો રંગીલા રાજકોટના દર્શક કેમ લાલો જોવામાં પાછળ પડે તેમ મૂવી જોવા આવેલા એક દર્શક ડૉ.ભૂમિકાએ જણાવ્યું કે, લાલો મૂવી સરસ છે. તેમાં જે કૃષ્ણનું પાત્ર બતાવવામાં આવ્યું છે એ ખૂબ જ સારું છે. અત્યારના સમય પ્રમાણે શું સમજવા જેવું છે તે તેમાં આપવામાં આવેલું છે. જે આજની યુવા પેઢીએ શીખવા અને સમજવા જેવી બાબત છે. ધર્મને મોર્ડન રીતે સમજાવવાનો ખૂબ જ સારો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મૂવી જોઈને યુવાઓ અને વડીલોની આંખમાં આંસુ આવી જાય છે. એક્ટરે ભગવાનનો રોલ ખૂબ જ સારો કર્યો છે: રમેશ સોનાગ્રાફિલ્મની કાસ્ટ વિશે વાત કરતા દર્શક રમેશ સોનાગ્રાએ જણાવ્યું હતું કે, લાલો ફિલ્મ લોકોને ખૂબ જ પ્રેરણા પૂરી પાડે છે અને કર્મના સિદ્ધાંત પર વિશ્વાસ રાખવાની વાત કરે છે. પ્રભુના રોલમાં જે આવે છે તે આપણને ઇન્સ્પાયર કરે છે કે સૌએ પોતાના ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. ગુજરાતી ભાષામાં આ પ્રકારની ફિલ્મ બનતી રહે તે ખૂબ જ જરૂરી છે. દાદાના જન્મદિવસે બા પરિવાર સાથે ફિલ્મ જોવા પહોંચ્યાદાદાના જન્મદિવસે પરિવાર સાથે ફિલ્મ જોવા આવેલા બા જશુબેન શાહે જણાવ્યું હતું કે, આ ફિલ્મ ખુબ જ સારી છે અને તેમાં કર્મનો સિદ્ધાંત સમજાવવામાં આવે છે. કચ્છથી રાજકોટ ફિલ્મ જોવા આવ્યા છીએ: હરદીપસિંહ જાડેજાકચ્છથી રાજકોટ લાલો ફિલ્મ જોવા માટે આવેલા હરદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, લાલો એ ખુબ જ સારી ગુજરાતી ફિલ્મ છે. આજના કળિયુગમાં લોકો પાસે ભાગવત ગીતા વાંચવાનો સમય નથી ત્યારે આ ફિલ્મ જોઈને આજના સમયમાં ગીતાની શીખ કેટલી જરૂરી છે તે જાણી શકાય છે. જેવા કર્મો કરો એવા ફળ મળશે: પ્રતિક્ષાબેનતો સુરતીઓ આ મૂવી જોવામાં કેમ પાછળ રહી જાય. લાલો મૂવી જોવા આવેલા પ્રતિક્ષાબેને જણાવ્યું કે મૂવી બહુ સરસ હતું. એમાં કહેવા માંગે છે કે જેવા કર્મો કરો એવા ફળ મળશે. એટલે જોવાની મજા આવી ગઈ અને કનૈયાનો જે અવતાર હતો, બહુ સુંદર જ હતો. તમારે તમારો રસ્તો પોતે શોધવો જોઈએ: દિવ્યામૂવી જોવા આવેલી દિવ્યાએ કહ્યું કે બહુ જ ફાઇન મુવી હતી એટલી મસ્ત શીખ આપી હતી કૃષ્ણ ભગવાને કે તમારે તમારો રસ્તો પોતે શોધવો જોઈએ બહુ જ ફાઇન મુવી છે. મન અને આત્મા અંદરથી ખુશ થઈ જાય છે: ભાવનાબેનદર્શક ભાવનાબેને કહ્યું કે મૂવી બહુ જ ફાઇન છે. મન અને આત્મા અંદરથી ખુશ થઈ જાય છે અને સમજાવે છે કે આપણે જે કરેલા કર્મો છે એ ભોગવવા પડે છે. મૂવી બહુ ફાઇન છે. નિકિતાએ કહ્યું લાલો મૂવી બહુ સારી મૂવી છે. ભગવાન બીજે ક્યાંય નથી, તમારા હૃદયની અંદર જ છે, અને બીજી વાર મૂવી જોવા ચોક્કસ પાછા આવવું પડશે એટલી બધી મને ગમી છે. અને જે એમાં છે એવું મારી સાથે થયેલું પણ છે કે ભગવાન આપણા હૃદયની અંદર જ છે. ડિમાન્ડ વધતી ગઈ તો અમે શો વધાર્યા: ટિંકુ દુબેરૂંગટા સિનેમાના ટિંકુ દુબેએ જણાવ્યું હતું કે અમારા અહીંયા 'લાલો' ગુજરાતી મૂવી 3 તારીખથી આવી છે. એના પછી ડે બાય ડે એનો શો ઇન્ક્રીઝ કર્યા છે. અમારી પાસે જો 150ની કેપેસિટી છે તો હર શોમાં ઓલમોસ્ટ 140-145 જેવી કેપેસિટી આવી રહી છે. હાલની જનરેશનના લોકોએ લાલો મૂવી જોવી જોઇએ: સુરુચિબેનતો હેરિટેજ સિટી અમદાવાદમાં પણ લાલો ફિલ્મને લઇ દર્શકો ભાવૂક જોવા મળ્યા હતા. ફિલ્મ જોઈ બહાર નીકળેલા સુરુચિબેને જણાવ્યું હતું કે, બહુ જ સરસ મૂવી છે. એટલું બધું ઇમોશનલ છે, ખરેખર જાણે લાલાનો આપણે અનુભવ કરતા હોઇએ એવું હાર્ટ ટચ થઈ ગયું હતું. હાલની જનરેશનમાં મોટાભાગે લોકો ભગવાનને નથી માનતા, તો જો આ લાલો દરેક જણા જુએ તો તેમને ખબર પડશે કે ખરેખર ભગવાનને આપણે પૂજવા જ જોઈએ. આ જનરેશનમાં તો આવા મૂવીની તો બહુ જ જરૂર છે. ભગવાન શીખવાડે છે કે હું ખાલી તમને રસ્તો બતાવીશ, મહેનત તમારે કરવાની: સાક્ષીતો ભગવાનનો સાક્ષાત અનુભવ કરનાર દર્શક સાક્ષીએ જણાવ્યું કે લાલો મૂવીમાં બધા તીર્થધામ બતાવ્યા છે અને આજની જનરેશન દારૂને બધું પીવે છે, એ લોકો માટે એવું શીખવાડવામાં આવ્યું છે કે તમે આ ધંધા બંધ કરીને સારા ધંધા કરો. જેમ કે ઉધાર લઈને તમે તમારા ફેમિલીને જે રીતે હેરાન કરો છો, એ રીતે ન કરો. અને એમાંથી એવું શીખવાડવામાં આવ્યું છે કે ભગવાન હોય જ છે આપણી જોડે. આપણને એવું છે કે નથી, પણ હોય જ છે ભગવાન. પણ ભગવાન એમાંથી એવું શીખવાડવા માંગે છે કે, હું ખાલી તમને રસ્તો બતાવીશ, મહેનત તમારે કરવાની. ખાસ કરીને અત્યારની જનરેશનને એવું છે કે તેમને બેઠા-બેઠા બધું જોઈએ છે, એ ના મળે. ભગવાનનું એવું કહેવું છે કે એ તમને રસ્તો બતાવે પણ મહેનત તો તમારે જ કરવાની, તો તમારું કર્મનું ફળ મળે. બધા કહે છે ભગવાન નથી, પણ ભગવાન ખરેખર છે: બેનીકાબેનમૂવી જોઈને આવેલા બેનીકાબેને જણાવ્યું કે, બહુ જ સરસ મૂવી હતું. બહુ જ મજા આવી, એન્જોય કર્યું. દરેક જણે આ મુવી જોવું જોઈએ. મુવીની અંદર એવું બતાવ્યું છે કે ભગવાન છે. બધા કહે છે ભગવાન નથી, પણ ભગવાન ખરેખર છે. વિશ્વાસ નથી પણ વિશ્વાસ કરવો જોઈએ. સારા મૂવી આપણે જોઇશું, છોકરાઓને જોવડાવીશું તો કલ્ચર થોડું સુધરશે: નેહાબેનતો અન્ય એક દર્શક નેહાબેને ગુજરાતી ફિલ્મના પ્રોગેસની વાત કરતા કહ્યું કે લાલો મૂવી જોયું, બહુ સારું લાગ્યું. ભગવાનના મૂવી આમ લોકો ઓછો જોવા જાય છે. આ રીતે જ આપણે થોડું એ લોકોના મગજમાં પણ નાખી શકીશું. તમે ઘરે બેસીને છોકરાઓને ભગવાનની બુકો આપશો તો એ નહી વાંચે, પણ મૂવી થ્રુ બાળકોના મગજમાં ઉતારીશું તો તે લોકોને રિયાલિટીનો ખ્યાલ આવશે. મને લાગે છે કે આપણે હવે કલ્ચર સાઇડ થોડું વધારે વળવું જોઈએ. GEN-Z માટે આ મૂવી બહુ સરસ છે: પૂર્વીબેનદર્શક પૂર્વીબેને જણાવ્યું કે, લાલો બહુ જ સુપર મૂવી છે. અત્યારની જનરેશન આ મૂવી જુએ તો એનાથી એને ઘણું બધું શીખવા મળે એમ છે. GEN-Z માટે તો આ મૂવી બહુ જ સરસ છે. કારણ કે ધાર્મિકતા અને ભગવાન શું છે એ આ મૂવીમાંથી ઘણું બધું જાણવા મળે છે.
ગુજરાત ક્રાઇમ ફાઇલના ગઈકાલના પહેલા એપિસોડમાં તમે વાંચ્યું કે સુરતના ઓલપાડ નજીક એક ખેતરમાંથી અજાણી યુવતીની લાશ મળી હતી. લાશની નજીક સીમકાર્ડ, ભોજનનું પાર્સલ અને બીજો કેટલોક સામાન વેરવિખેર પડ્યો હતો. જેમાં દવાના પર હોસ્પિટલનું નામ પણ હતું. એટલે પોલીસે હોસ્પિટલમાં તપાસ કરતા ખબર પડી કે મૃતક યુવતીનું નામ સોનલ છે. 12 વર્ષના લગ્નજીવન બાદ સોનલ શોએબ નામના એક યુવક સાથે ભાગી ગઈ હતી. (પહેલો ભાગ વાંચવા માટે અહીં ક્લિક કરો.) શોએબ તેની પ્રેમિકા સોનલ સાથે પોતાના મિત્ર વલ્લભના ઘરે રહેતો હતો. શરૂઆતમાં શંકાના ઘેરામાં શોએબ જ હતો. પોલીસે સોનલની હત્યાના ગણતરીના કલાકોમાં જ આકાશ-પાતાળ એક કરીને તેના પ્રેમી શોએબ તેમજ પ્રેમીના મિત્ર વલ્લભ તેમજ રાહુલને ઝડપી પાડ્યા હતા. પરંતુ ધરપકડ બાદ આરોપીઓએ આપેલા પ્રાથમિક નિવેદન અને ઇન્વેસ્ટિગેશન દરમિયાન મળી આવેલા પુરાવા એકબીજાથી વિપરિત કહાની તરફ ઇશારો કરી રહ્યા હતા. એટલે હજુ સુધી મર્ડરનું સત્ય સામે આવ્યું ન હતું. હવે આગળનું ઇન્વેસ્ટિગેશન વાંચો…અગાઉ વલ્લભ પોતાના ઘરે બૂમો પાડતો પહોંચ્યો હતો કે મેં સોનલનું મર્ડર કર્યું છે. પરંતુ પોલીસ કસ્ટડીમાં વલ્લભ કે રાહુલ સ્વીકારતો જ ન હતા કે તેમણે સોનલની હત્યા કરી છે. પોલીસને આ વાત ખૂબ અજુગતી લાગી. આ ઘટનાક્રમમાં ઘણી બાબતો એવી હતી જે હજુ સુધી ખુલ્લી નહોતી પડી. એટલે પોલીસે હવે પોતાની સ્ટાઇલમાં પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી. પોલીસે બન્ને આરોપીઓને પૂછ્યું કે સોનલના મર્ડર પહેલાના ત્રણ દિવસોમાં શું-શું થયું હતું? એ વાત ડિટેલમાં જણાવો. પછી તો ધાર્યું ન હતું એવી હકીકત સામે આવી. આ પ્રકરણની શરૂઆત નવરાત્રિના સાતમા નોરતાથી થઈ. પ્રેમમાં અંધ બનીને ભાગીને આવેલા શોએબ અને સોનલ વલ્લભના ઘરે રોકાયા હતા. પરંતુ એક ઘટના એવી બની જેના કારણે વલ્લભની પત્નીને વાંધો પડ્યો. સાતમા નોરતાની રાત્રે વલ્લભની પત્ની અને તેનો દીકરો ગરબા જોઈને ઘરે આવ્યા. ત્યારે વલ્લભ અને સોનલ બન્ને વાતો કરતા હતા. વલ્લભની પત્નીથી આ જોઈને રહેવાયું નહીં અને વલ્લભનો ઉધડો લઈ લીધો. તેણીને શંકા ગઈ કે વલ્લભ અને સોનલ વચ્ચે અફેર ચાલે છે. અડધી રાત્રે વલ્લભની પત્નીએ ઝઘડો કર્યો હતો. ઝઘડો એટલો મોટો થયો કે શોએબ પોતાની પ્રેમિકા સોનલને લઈને રાત્રે જ વલ્લભના ઘરેથી નીકળી ગયો. બીજા દિવસની સવાર પડી અને ફરી એકવાર આ મુદ્દે વલ્લભ અને તેની પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. મુદ્દો એ જ હતો કે વલ્લભ અને સોનલ વચ્ચે શું ચાલી રહ્યું છે? પત્નીના ઝઘડાથી કંટાળીને સવારે વલ્લભ પણ ઘર છોડીને નીકળી ગયો. હવે શોએબ, સોનલ, અનવર અને રાહુલ એમ ચારેય લોકો એકસાથે વડોદરાથી સુરત સુધીના અલગ-અલગ રેલવે સ્ટેશન અને આ રૂટ પર ફરતી ટ્રેનમાં ચોરી કરતા અને રેલવે પ્લેટફોર્મ પર જ સુઈ જતા હતા. સોનલના મર્ડરની ઘટના બની એના એક દિવસ પહેલાં એટલે કે 2 ઓક્ટોબરે વલ્લભ કોઈક કારણોસર જોર જોરથી ગાળો બોલવા લાગ્યો હતો. નજીકમાં જ સોનલ બેઠી હતી. તેણે વલ્લભને કહ્યું કે તું ગાળો ન બોલીશ. છતાં વલ્લભે સોનલની વાત ધ્યાને ન લીધી અને બબડવાનું ચાલુ રાખ્યું. રોષે ભરાયેલી સોનલે વલ્લભને ધડાધડ બે તમાચા ઝીંકી દીધા. આ તમાચાની ગૂંજ તો શાંત પડી ગઈ પણ વલ્લભને હવે સોનલથી જાણે નફરત થઈ ગઈ હતી. એ ગમે એમ બદલો લેવા માગતો હતો. વલ્લભનો રોષ ઠંડો નહોતો પડ્યો ત્યાં તો 3 ઓક્ટોબરે બીજી એક ઘટના બની, જેણે ચારેય ચોરની ટોળકીમાં ફાંટા પાડી દીધા. વલ્લભની પત્ની બાદ હવે શોએબને પણ શંકા ગઈ કે સોનલ અને વલ્લભ વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. બન્નેને અફેર હોવાની શંકા રાખીને શોએબે ઝઘડો કર્યો અને બેફામ રીતે ગાળો બોલવા લાગ્યો હતો. એટલું જ નહીં, શોએબ તેના સાગરીત રાહુલ પર પણ ગુસ્સે થઈ ગયો અને માર માર્યો. કારણ કે થોડા દિવસ પહેલાં આ ચારેય લોકો પાલેજ હતા ત્યારે રાહુલે સોનલની શારીરિક છેડતી કરી હતી. એ બાબતે બાદમાં સમાધાન થઈ ગયું હતું. પણ વલ્લભ સાથે ઝઘડો થયો એ જ દિવસે એટલે કે 3 તારીખે જૂની વાત યાદ કરીને શોએબે ફરી એ વાત યાદ અપાવી અને રાહુલને માર માર્યો. શોએબના પ્રેમ પ્રકરણમાં હવે તેના મિત્રો વલ્લભ વસાવા તથા રાહુલ વિલન બની ગયા હતા. સોનલ સાથે અફેર હોવાની શંકા રાખીને તે અવારનવાર ઝઘડા કરવા લાગ્યો હતો. જેના કારણે વલ્લભ અને રાહુલ પણ કંટાળ્યા હતા. આ બન્નેએ ભેગા મળી શોએબને પતાવી નાખવા પ્લાન બનાવ્યો. આ ઝઘડો થયો એ પહેલાં 2 ઓક્ટોબરે જ કોસંબા રેલવે સ્ટેશન નજીકથી વલ્લભ અને રાહુલે શોએબની હત્યા માટે છરો ખરીદી લીધો. પરંતુ 3 તારીખે સાંજના સમયે શોએબે કીમ રેલવે સ્ટેશન પર તેની પ્રેમિકા સોનલ સાથે ઝઘડો કર્યો. એ સમયે રોષે ભરાયેલા શોએબે સોનલને માર મારતા તે લથડી પડી હતી. પછી શોએબે જ 108 પર ફોન કરીને એમ્બ્યુલન્સને બોલાવીને સોનલને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો. જ્યાં ફરજ પરના ડૉક્ટરે જોયું કે તેણે નશો કર્યો છે. એટલે પોલીસને જાણ કરવી પડશે તેવી વાત કરતાં શોએબ તેની પ્રેમિકા સોનલને હોસ્પિટલમાં મૂકીને બહાર નીકળી ગયો. સારવાર પૂરી થઈ જતાં કોઈને જાણ કર્યા વગર થોડીવાર પછી સોનલ પણ હોસ્પિટલની બહાર આવી ગઈ. પોલીસના ડરથી શોએબ નજીકમાં જ સંતાયેલો હતો પણ સોનલને ખબર નહોતી. સોનલ બહાર આવી ત્યારે તેણીને વલ્લભ વસાવા તથા રાહુલ હોસ્પિટલની બહાર જ મળી ગયા. આ બન્નેએ સોનલને કહ્યું કે, શોએબ તને બોલાવે છે. પરંતુ શોએબે મારપીટ કરી હતી, એટલે સોનલ શોએબથી હજુ પણ નારાજ હતી. સોનલે શોએબ સાથે જવાની ચોખ્ખી ના પાડી દીધી. હવે આ પરિસ્થિતિમાં વલ્લભ અને રાહુલે બીજી યુક્તિ અપનાવી. તેમણે સોનલને સાથે રાખી ચોરી કરવાનું બહાનું કરીને મનાવી લીધી. હકીકતમાં વલ્લભ અને રાહુલના મનમાં કંઈક બીજું જ ષડયંત્ર ચાલી રહ્યું હતું. સોનલને તેમણે રિક્ષામાં બેસાડી તેમની સાથે લઇ ગયા. પછી થોડે આગળ જઈને રિક્ષા રોકાવીને રાહુલ નીચે ઉતર્યો. રસ્તામાંથી ત્રણેય માટે જમવાનું પાર્સલ લઈ લીધું. કેટલાક કિલોમીટર બાદ અંતરિયાળ વિસ્તાર આવતા રિક્ષામાંથી ત્રણેય ઉતરી ગયા અને પરીયા ગામની સીમમાં ખેતર તરફ જવાના રસ્તે ચાલવા લાગ્યા. કાચા રસ્તા પર થોડા સમય ચાલ્યા બાદ ત્રણેય એક જગ્યાએ રોકાયા અને પછી ત્યાં પાર્સલ ખોલીને જમવા બેસી ગયા. જમવાનું પૂરું થતાં જ રાહુલના મનમાં સળવળાટ થયો અને તે સોનલની એકદમ નજીક પહોંચી ગયો. કોઈ પણ જાતની શેહશરમ રાખ્યા વગર રાહુલે સોનલ પાસે શારીરિક સંબંધ બાંધવાની માટે માગણી કરી દીધી. સોનલ આ સાંભળીને એકદમ ડઘાઈ ગઈ. કારણ કે અઠવાડિયામાં આ બીજી ઘટના હતી, જ્યારે રાહુલે અભદ્ર માગણી કરી હોય. સોનલ ગુસ્સે થઈ ગઈ અને કહી દીધું, તું મારાથી દૂર જતો રહે. નહીં તો હું બધી વાતની જાણ પોલીસને કરી દઈશ. પોલીસનું નામ સાંભળતા જ રાહુલને ગુસ્સો આવી ગયો. તેની પાસે શોએબનું મર્ડર કરવા માટે ખરીદેલો છરો હતો. પળભરમાં રાહુલે છરો કાઢ્યો અને સોનલ પર હુમલો કરી દીધો. સોનલના પેટમાં છરો વાગતા જ લોહીની ધાર વહી અને ચીસ નીકળી ગઈ. પણ રાહુલને માથે ઝનૂન સવાર હતો એટલે તેણે છરાથી ઘા મારવાના ચાલુ જ રાખ્યા. સોનલના ગળામાં તેમજ બંને હાથે કાંડા પાસે, પેટમાં તથા થાપાના ભાગે ઘા મારી દીધા. અચાનક હુમલો થતાં સોનલ પોતાનો બચાવ પણ ન કરી શકી. જ્યારે વલ્લભ આ બધું જોતો રહ્યો. તેણે સોનલને મદદ પણ ન કરી. રાતના અંધારામાં સોનલની ચીસો કોઈ સાંભળી ન શક્યું અને થોડા સમય સુધી તડફડિયાં માર્યા બાદ સોનલનો જીવ જતો રહ્યો. ત્યાર બાદ વલ્લભ અને રાહુલ સોનલની ડેડબોડીને હત્યાના સ્થળથી દસેક ફૂટ દૂર ઢસડી ગયા. લાશનું શું કરવું એ તેમની સમજમાં ન આવ્યું, કોઈ આવી જાય એનો પણ ડર હતો. એટલે લાશ પર ધાબળો નાખી દીધો અને ત્યાંથી નાસી છૂટ્યા. રાતના સમયે જ બન્ને દેલાડ ગામ પહોંચ્યા. જ્યાં બાંધકામની સાઇટ ચાલતી હતી. મર્ડર કર્યા બાદ રાત્રે કોઈ મજુરના ઝુપડીમાં ચાર્જ કરવા મૂકેલો મોબાઇલ ફોન ચોરી કરી લીધો. સવારે બન્ને રખડતા-રખડતા સાયણ રેલવે સ્ટેશને પહોંચ્યા હતા. જ્યાં અચાનક તેમને શોએબ મળી ગયો હતો. શોએબને ખબર ન હતી કે સોનલ છેલ્લે આ બન્ને લોકો સાથે ગઈ હતી. એટલે તે સોનલની ભાળ મેળવવા માટે આમતેમ ભટકતો હતો. શોએબે વલ્લભ અને રાહુલને પૂછ્યું, સોનલ ક્યાં છે? કંઈક ખબર છે? રાત્રે જ તેનું મર્ડર કરીને આવેલા બંનેએ ઠંડા કલેજે જવાબ આપ્યો, અમને ખબર નથી. પછી સોનલને શોધવાના બહાને ત્રણેય ત્યાંથી છૂટા પડી ગયા. બપોર સુધીમાં પરિયા ગામ નજીક એક યુવતીની હત્યા થઈ હોવાની વાત વીજળી વેગે બધે પહોંચી ગઈ હતી. લાશના ફોટા પણ સોશિયલ મીડિયા પર ફરતા થઈ ગયા. વલ્લભની પત્ની ઓળખી ગઈ કે આ તો સોનલ છે. વલ્લભ કેટલાય દિવસોથી ઘરે નહોતો ગયો. એટલે તેની પત્નીને વલ્લભની ચિંતા થવા લાગી. જેથી તેણી પોલીસ સ્ટેશને ગઈ. આ દરમિયાન વલ્લભ તેના સાગરીત રાહુલને લઈ પોતાના ઘરે ગયો. ત્યાં જઈને બૂમાબૂમ કરી કે… મેં સોનલને મારી નાખી છે. બીજી તરફ સોનલનો ક્યાંય અતોપતો ન મળતા શોએબ થાક્યો હતો. તેણે સાંભળ્યું કે એક યુવતીની લાશ મળી છે. એ લાશ સોનલની છે કે કેમ આ વાતની જાણકારી મેળવવા માટે શોએબ જાતે જ પોલીસ સ્ટેશન પહોંચી ગયો. એક સમયે પોલીસને જેના પર હત્યાની શંકા હતી એ જ શખસ પોલીસની સામે ઉભો હતો. જેથી તેણે હત્યા કરી હોવાથી થિયરી નબળી પડી ગઈ. પોલીસે શોએબની પૂછપરછ શરૂ કરી. પ્રેમિકા ગુમ હોવાથી શોએબ પાસે સત્ય બોલવા સિવાય છૂટકો ન હતો. તેણે આગલી સાંજે સોનલ સાથે થયેલો ઝઘડો, 108માં હોસ્પિટલ લઈ જવાથી લઈને હોસ્પિટલમાંથી ભાગી જવા સુધીનો ઘટનાક્રમ કહ્યો. પોલીસે તેની અગાઉની હિસ્ટ્રી પણ પૂછી લીધી હતી. આમ, થોડી જ વારમાં સ્પષ્ટ થઈ ગયું કે શોએબે નહીં પણ વલ્લભ અને રાહુલે મળીને અથવા તો બેમાંથી કોઈ એકે જ સોનલની હત્યા કરી હોવી જોઈએ. એક તરફ શોએબની પૂછપરછ ચાલી રહી હતી એ અરસામાં વલ્લભ અને રાહુલ ભરૂચ પહોંચી ગયા હતા. રેલવે સ્ટેશનથી ચાલતા-ચાલતા બંને એક ગુરુદ્વારામાં પહોંચ્યા અને બપોરનું જમી લીધું. પછી ત્યાં જ પડ્યા રહ્યા અને સાંજનું પણ ભોજન ગુરુદ્વારામાં લઈને ઊંઘી ગયા હતા. 5 તારીખે સવારે બન્ને પાછા પાલેજ પહોંચ્યા. જ્યાં વલ્લભને એની મા મળી ગઈ. તેણીએ કહ્યું કે બેટા, પોલીસ તને શોધતી-શોધતી ઘરે આવી હતી. પોલીસ શોધતી હોવાની જાણ હોવા છતાં આ બન્ને આરોપીઓ આખો દિવસ પાલેજની બજારમાં ફરતા રહ્યા હતા. આરોપીની ઓળખ પણ થઈ ગઈ હતી. જેથી વલ્લભ અને રાહુલની ગતિવિધિની જાણ પોલીસને પણ થઈ. તેઓ આરોપીઓને શોધતા-શોધતા પાલેજની બજારમાં પહોંચ્યા અને બન્નેને ઝડપી લીધા હતા. છેલ્લા બન્નેએ પોલીસ સામે ગુનો કબુલી લીધો કે અમે જ સોનલની હત્યા કરી છે.

32 C