અમદાવાદના સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ અંતે તોડી પડાશે. શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતા સુભાષ બ્રિજનું અલગ અલગ નિષ્ણાતો પાસે ટેસ્ટિંગ કરાવવામાં આવ્યું હતું. જેમાં કન્સલ્ટન્ટ એજન્સીઓએ બ્રિજને તોડી પાડવાની સલાહ આપી હોવાનું જાણવા મળ્યું છે. બ્રિજનું 50 વર્ષથી વધુનું આયુષ્ય, જૂની ટેક્નોલોજી અને ટ્રાફિકના વધતા ભારણના કારણે આ બ્રિજને તોડવાનો જ બેસ્ટ વિકલ્પ છે. આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાશીધો આજે 24 ડિસેમ્બર, બુધવાર બપોરે સત્તાવાર જાહેરાત કરશે. ગઈ 4 ડિસેમ્બરના રોજ અમદાવાદના સુભાષબ્રિજમાં તિરાડ હોવાનો અને સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના સામે આવી હતી. જે બાદ તંત્ર દ્વારા બ્રિજને બંધ કરીને તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશને અમુક એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ એજન્સીઓને બ્રિજની મજબૂતાઈ ચકાસવાનું તેમજ રિપેરિંગ માટેના રસ્તા સૂચવવાનું કામ સોંપ્યું હતું. આ ઉપરાંત IIT રૂડકી, IIT મુંબઈ તેમજ SVNIT જેવી સંસ્થાઓ પાસે ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. કન્સલ્ટન્ટ એજન્સીઓએ રિપોર્ટમાં ત્રણ વિકલ્પ સૂચવ્યાદરમિયાન કન્સલ્ટન્ટ એજન્સીઓએ 23 ડિસેમ્બર, મંગળવારે તેમનો રિપોર્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપ્યો હતો. જેમાં મુખ્ય ત્રણ પ્રકારના સોલ્યુસન સૂચવવામાં આવ્યા છે. જેમાં એક વિકલ્પ બ્રિજને તોડી પાડવાનો છે. જ્યારે બીજો વિકલ્પ બ્રિજનો જે ભાગ ક્ષતિગ્રસ્ત થયો છે તે સ્પાનની નીચે વધારાનો એક પિલ્લર ઉભો કરીને મજબૂતાઈ આપવાનો છે. જ્યારે ત્રીજો વિકલ્પ બ્રિજનું ઉપરનું તમામ સ્ટ્રક્ચર નીચે ઉતારી સ્ટીલનું સ્ટ્રક્ચર બનાવી બ્રિજને ચાલુ કરવાનો છે. જોકે નાગરિકોની સલામતી અને શહેરના વિકાસને ઘ્યાનમાં રાખી લાંબાગાળા પ્લાનિંગ મુજબ જૂના બ્રિજને તોડી નવો બ્રિજ બનાવવાનો જ બેસ્ટ વિકલ્પ છે. આ પણ વાંચો:- અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના સ્પાનનો ભાગ બેસી ગયો, વાહનચાલકોએ દધીચિ બ્રિજનો ઉપયોગ કરવો નવો સુભાષ બ્રિજ મોટો અને પહોળો બનાવાશેસૂત્રોના જણાવ્યા મુજબ કન્સલ્ટન્ટ એજન્સીઓએ સૂચવેલા ત્રણેય વિકલ્પમાં તંત્રને સૌથી સારો વિકલ્પ બ્રિજને તોડી પાડવાનો લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. કેમ કે સુભાષ બ્રિજ જૂની ટેક્નોલોજીથી બનેલો છે અને આયુષ્ય 50 વર્ષનું થઈ ચૂક્યું છે. આ ઉપરાંત ડિઝાઈન પણ નવા જમાનાનાં ટ્રાફિકને અનુરૂપ નથી. આવી સ્થિતિમાં રિપેરિંગ કરવા કરતા સુભાષ બ્રિજને હવે મોટો અને પહોળો બનાવવામાં આવશે. રાજ્ય સરકાર કે કોર્પોરેશન જોખમ કે જવાબદારી લેવા તૈયાર નથીઆ ઉપરાંત રાજ્ય સરકાર અને ભાજપના સત્તાધીશો મોરબી અને ગંભીરા દુર્ઘટના બાદ બ્રિજમાં કોઇ દુર્ઘટના સર્જાય નહીં તે માટે સુભાષબ્રિજને પણ રિપેર કરાવવાનું જોખમ કે જવાબદારી લેવા તૈયાર નથી. તેની જગ્યાએ નવો અને હયાત જગ્યાનો ઉપયોગ કરીને ફોરલેન સુભાષ બ્રિજ બનાવવામાં આવે આવી શકે છે. કોમનવેલ્થ અને ઓલિમ્પિક ગેમ્સને જોઈને લાંબા ગાળાનું આયોજનઅમદાવાદ વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા જઈ રહ્યું છે. તેમજ વર્ષ 2036માં ઓલિમ્પિક ગેમ્સની યજમાન પદ માટે દાવેદારી કરી રહ્યું છે ત્યારે લાંબા ગાળાનું આયોજન જરૂરી છે. બ્રિજને હાલ રિપેરિંગ કરીને કામ ચલાવી લેવામાં આવે અને ભવિષ્યમાં ન કરે અને કોઈ દુર્ઘટના સર્જાય તો અમદાવાદની શાખ પર મોટી અસર થઈ શકે તેમ છે. આ માટે તંત્ર લાંબાગાળાના આયોજનને લઈને જૂના બ્રિજને તોડી પાડવાના મૂડમાં છે. સાબરમતી નદીના પાણીમાં નવો બ્રિજ બનાવતા દોઢ-બે વર્ષ લાગી શકેનવો બ્રિજ બનાવવામાં સૌથી મોટી ચેલન્જ પાણીની આવવાની છે. સાબરમતી રિવરફ્રન્ટમાં બારે માસ પાણી ભરેલું હોય છે. પાણી વચ્ચે બ્રિજ બનાવવો સૌથી મોટી ચેલેન્જ છે. સૂત્રોના જણાવ્યા મુજબ નવો બ્રિજ નવી ટેક્નોલોજીથી બનાવવામાં આવશે અને તેમજ પહોળો અને નવા ટ્રાફિકના ફ્લો મુજબનો હશે. શું છે સમગ્ર મામલો?અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતો અને શહેરનો પ્રવેશ દ્વારા કહેવાતા એવા 52 વર્ષ જૂના સુભાષ બ્રિજને 4 ડિસેમ્બરની સાંજે 6 વાગ્યા આસપાસ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાંચ દિવસ માટે બંધ કરવામાં આવ્યો હતો. બ્રિજના બંને તરફનો એક સ્પાનનો ભાગ બેસી જવાને કારણે બ્રિજ મધ્ય ભાગમાંથી બેસી જવા અને તિરાડ પડવાને કારણે તાત્કાલિક ધોરણે બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો. જોકે, રાજ્ય સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર તપાસ હાથ ધરી હતી. જોકે, AMCના અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના અચાનક સાંજે છ વાગ્યાની આસપાસ પીક અવર્સમાં જ બ્રિજ બંધ કરાતા નારાયણ ઘાટ અને સુભાષ બ્રિજ સર્કલ પાસે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને મિલકત સંબંધી ગુનાઓ ઉકેલવામાં મોટી સફળતા મળી હતી જેમાં સોનગઢ અને અમદાવાદ શહેરમાં થયેલી લાખોની ઘરફોડ ચોરીના બે વણઉકેલાયા ગુનાઓનો ભેદ ઉકેલી પોલીસે બે શખ્સોને કુલ રૂ.11,71,600 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે, આ બનાવ અંગે એલસીબી કચેરીએથી મળતી માહિતી મુજબ LCBની ટીમ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, અગાઉ ચોરીના ગુનામાં સંડોવાયેલા શખ્સો સોનગઢ-જીંથરી રોડ પર તોરણ હોટલ પાસે શંકાસ્પદ હાલતમાં ઉભા છે પોલીસે રેઈટ કરી વિનોદ ઉર્ફે ઇગુડો ઉર્ફે ગોવિંદ સરવૈયા મુખ્ય આરોપી, જેની સામે અગાઉ રાજકોટ, અમદાવાદ ગ્રામ્ય, ભાવનગર, બનાસકાંઠા અને ગીર સોમનાથમાં 9 જેટલા ગુના નોંધાયેલા છે જયારે કિશન ઉર્ફે મુંગો મુકેશભાઇ પરમાર, હિરૂબેન ગુમાનભાઇ પરમાર મુદ્દામાલ છુપાવવામાં અને વેચવામાં મદદ કરનાર (મહિલા આરોપી)ને હાજર થવા સમજ આપી હતી. ચોરી કરવાની પદ્ધતિ (Modus Operandi) પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપીઓ બપોરના સમયે અથવા રાત્રે બંધ મકાનોની રેકી કરતા હતા. સોનગઢમાં બપોરે બંધ મકાનનું તાળું તોડી ચોરી કરી હતી, જ્યારે અમદાવાદના સોલા વિસ્તારમાં બંગલાની બારી તોડીને અંદર પ્રવેશ કરી રોકડ અને દાગીનાની ચોરી કરી હતી.કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલપોલીસે આરોપીઓ પાસેથી સોનાના દાગીના, રોકડ અને વાહન સહિતની ચીજવસ્તુઓ જપ્ત કરી છે: પોલીસે રોકડ રૂ. 1,42,000, સોનાના દાગીના ઓમાં મંગળસુત્ર, સોનાની પહોંચી, બુટ્ટી, વીંટી અને સોનાનો ઢાળીયો મળી કુલ કિંમત આશરે રૂ.9.76 લાખ, મોટર સાયકલ હોન્ડા શાઇન કિંમત રૂ. 50,000, મોબાઇલ ફોન કિં.રૂ.500 તથા ફાસ્ટટ્રેક ઘડિયાળ કિં.રૂ.3,000 સહિતનો કુલ રૂપિયા 11,71,600 નો મુદ્દામાલ ઝડપી લીધો હતો, આરોપીઓએ ચોરીના દાગીના પાલીતાણાના એક શખ્સ પાસે ઓગળાવી નાખ્યા હતા. હાલમાં ભાવનગર LCB દ્વારા તમામ આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સોનગઢ પોલીસને સોંપવામાં આવ્યા છે અને અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં પણ આ અંગે જાણ કરવામાં આવી છે.
આજના ટેકનોલોજીના યુગમાં હવે ગુનેગારો માટે બચવું મુશ્કેલ બન્યું છે, તાજેતરમાં પોલીસે જુગાર રમતા શખ્સોને પકડવા માટે જે રીતે ડ્રોન કેમેરાનો ઉપયોગ કર્યો, તે જોઈને આસપાસના લોકોમાં પણ કુતૂહલ સર્જાયું હતું. જાણે કોઈ એક્શન ફિલ્મનો સીન ચાલતો હોય તેમ પોલીસે આધુનિક ટેકનોલોજીની મદદથી જુગારીઓને દોડાવ્યા હતા, પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમુક ઈસમો મોતીતળાવ ગ્રાઉન્ડની પાછળ આવેલી દિવાલ પાસેના ખાર વિસ્તારમાં જુગાર રમી રહ્યા છે પોલીસ ટીમે સીધી રેડ કરવાને બદલે પક્ષીની નજર રાખવા માટે આકાશમાં ડ્રોન વહેતું કર્યું હતું જેવો આકાશી કેમેરો જુગારીયાઓ પર મંડાયો, કે તરત જ ત્યાં નાસભાગ મચી ગઈ હતી, ફિલ્મી સીન જેવો નજારો ત્યારે જોવા મળ્યો જ્યારે કેટલાક જુગારીઓ ઉભી પૂંછડીએ પાળા પર દોડવા લાગ્યા, તો કેટલાક પકડાઈ જવાની બીકે સીધા પાણીના પાળામાં કૂદીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો અંતે ત્રણ ઈસમો ઝડપાયા હતા જયારે 5 નાસી છૂટવામાં સફળ રહ્યા હતા,ગત તા.22/12/2025 ના રોજ ભાવનગર એલ.સી.બી.નો સ્ટાફ શહેરના વિસ્તારોમાં નાઇટ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે, મોતીતળાવ ગ્રાઉન્ડની પાછળ આવેલી દિવાલ પાસેના ખાર વિસ્તારમાં રેઇડ કરવામાં આવી હતી અહીં કેટલાક ઇસમો ગંજીપત્તાના પાના-પૈસા વડે 'હાર-જીત'નો હાથકાંપનો જુગાર રમી રહ્યા હતા, પોલીસે સ્થળ રેઇટ કરતા પોલીસને જોઈ જુગારીઓ ભાગો... પોલીસ...આવી ભાગો કરતા જુગાર રમતા ત્રણ ઇસમોની ઝડપાયા હતા જેમાં જાહિદ ઉર્ફે મૌલાના અલીભાઇ સીદાતર ઉ.વ.36, રહે.નવાપરાદિલીપ મફાભાઇ થારતિયા ઉ.વ.47, રહે.કુંભારવાડા તથા ઇમ્તિયાઝ રસુલભાઇ શમા ઉ.વ.26, રહે.વડવા નેરા વાળાઓને ઝડપી લીધા હતા જયારે 5 ઈસમો નાસી છૂટ્યા હતા જેમાંઇરફાન ઉર્ફે પાનીયો અશરફભાઇ સુમરા, અકરમ ઉર્ફે ભોપો અશરફભાઇ સુમરા, નજીર રહીમભાઇ શેખ, આરીફ ઉર્ફે ચીનો બકાલી તથા યાસીન ઉર્ફે બાવકો તૈયબાણી પોલીસ ને જોઈ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, જેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા, જુગાર ના પટ માંથી પોલીસે રોકડા રૂપિયા 37,900 તથા અન્ય સામગ્રીમાં ગંજીપત્તાના પાના અને લીલા કલરની નેટ ઝડપી લઈ તમામ આરોપીઓ વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારા હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
રોકાણના નામે લોકો પાસેથી પૈસા પડાવનાર ઠગોએ નવો કીમિયો અપનાવી યુવક પાસે પૈસા પડાવ્યા છે. shaadi.com પર જીવનસાથીની શોધ કરી રહેલા યુવકને સાઇબર ઠગ મળ્યા હતા. યુવતીના પ્રોફાઇલના આધારે વિશ્વાસમાં લઈ શેરબજારમાં રોકાણ કરાવ્યું અને અંતે યુવક પાસેથી કુલ 16 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી. આ મામલે અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. યુવકે યુવતી સાથે વાતચીત કરી ને ફસાયોગોતામાં રહેતા અર્પણ સોની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)માં નોકરી કરે છે. તે શેરબજારની સારી સમજ ધરાવતા હોવાથી તેમાં રસ રાખતો હતો. તેના લગ્ન ન થયા હોવાથી તેઓ shaadi.com પર યોગ્ય જીવનસાથીની શોધ કરી રહ્યા હતા.shaadi.com પર સર્ચ દરમિયાન અર્પણને ‘રાશી’ નામની યુવતીની પ્રોફાઇલ મળી હતી, જે પ્રીમિયમ મેમ્બર તરીકે દર્શાવવામાં આવી હતી. તેથી અર્પણે તેને રિક્વેસ્ટ મોકલી હતી. બાદમાં બંને વચ્ચે સંપર્ક શરૂ થયો હતો. 16 લાખ રૂપિયાનું રોકાણ કરાવીને છેતર્યોવાતચીત દરમિયાન રાશીએ શેરબજારમાં વધુ નફો કમાવાની વાતો કરી અર્પણને રોકાણ માટે જણાવ્યું હતું. તેની વાતોમાં આવી ગયેલા અર્પણે કુલ 16 લાખ રૂપિયાનું રોકાણ કરી દીધું હતું. બાદમાં જ્યારે અર્પણે પોતાના પૈસા ઉપાડવા માટે રિક્વેસ્ટ કરી ત્યારે બીજી એક યુવતીએ સંપર્ક કરી જણાવ્યું હતું કે રકમ ઉપાડવા માટે 20 ટકા સર્વિસ ચાર્જ ભરવો પડશે. આ શરત સાંભળતા જ અર્પણને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાની શંકા ગઈ હતી. ત્યારબાદ તેણે તાત્કાલિક અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરી ડામવા માટે ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં આજરોજના સવારે ઘોઘા તાલુકાના ભીકડા ગામની સીમમાં સરકારી જમીન પર થતા ગેરકાયદેસર મોરમ ખનન પર તપાસ ટીમે આકસ્મિક દરોડો પાડી મોટી કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગે વરતેજ પોલીસ મથકે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. સરકારી જમીનમાંથી ગેરકાયદેસર સોફ્ટ મોરમનું ખોદકામ ચાલતું હતુંઆ અંગે ભૂસ્તરશાસ્ત્રી બી. એમ. જાળોંધરાના જણાવ્યું હતું કે, ભીકડા ગામની સીમમાં ગેરકાયદેસર રીતે મોરમ ખનીજનું ખોદકામ થતું હોવાની ફરિયાદ મળતા ભાવનગર ભૂસ્તરશાસ્ત્રીની કચેરી સક્રિય થઈ હતી, તપાસ ટીમ દ્વારા સ્થળ પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવતા, સરકારી જમીનમાંથી ગેરકાયદેસર સોફ્ટ મોરમનું ખોદકામ ચાલતું હોવાનું માલૂમ પડ્યું હતું. 25 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયોઝડપાયેલ મશીન તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી એક JCB મશીન નં. GJ-36-S-2206 ખોદકામ કરતા મળી આવ્યું હતું, માલિકી આ મશીન જયપાલસિંહ ચંદુભા ગોહિલની માલિકીનું હોવાનું જાણવા મળ્યું છે કિંમત તપાસ ટીમ દ્વારા અંદાજે રૂપિયા 25 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે જપ્ત કરાયેલ JCB મશીનને તાત્કાલિક અસરથી વરતેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યું છે.
સરકારી વીમાં કંપની-ઓરીએન્ટલ ઈન્સ્યોરન્સ કંપનીના સુરેન્દ્રનગરના બ્રાન્ચ મેનેજર સંકેત વાઘેલાએ કંપનીના ખાતામાંથી સાડા છ કરોડ રુપિયાના માતબાર રકમને પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી છે. આટલી મોટી ઉચાપત થયાની જાણ થયા બાદ કંપનીએ આ અધિકારીને સસ્પેન્ડ કરી દીધો છે. જો કે, સૌથી વધુ આશ્ચર્ય અને આંચકાજનક વાત એ છે કે, તેમને સસ્પેન્ડ કરાયો એના માત્ર એક દિવસ પહેલા જ તેમને સારા પરફોર્મન્સ માટે ટ્રોફી અપાઈ હતી. બ્રાન્ચ મેનેજરે સાડા છ કરોડને પોતાના ખાતામાં નાખ્યાસંકેત વાઘેલા ઘણા સમયથી સુરેન્દ્રનગરની ઓરીએન્ટલ ઈન્સ્યોરન્સ કંપનીમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. ગત 4થી ઓક્ટોબરે તેમને કંપનીના સીએમડીના હસ્તે તેમના સારા પરફોર્મન્સ માટે ટ્રોફી અપાઈ હતી તેમજ તેમનુ જાહેરમાં સન્માન કરાયુ હતુ. અન્ય કર્મચારીઓે તેમના આ સન્માનને તાલીઓના ગડગડાથી વધાવી લીધુ હતુ. ટ્રોફી સન્માનના ફોટા પણ સોસિયલ મીડિયા ઉપર મુકાયા હતાં. 4થી તારીખે શુનીવાર હતો. રવિવારે જાહેર રજા હતા. શનિવારે બેસ્ટ પરફોર્મન્સ માટે ટ્રોફી, મંગળવારે જ સસ્પેન્શનસોમવારે વાઘેલા નિયમિત રીતે ફરજ પર પણ આવ્યા હતા. ત્યાર બાદ મંગળવારે જ તેમને એકાએક સસ્પેન્ડ કરી દેવાયા હતા. આ કાર્યવાહી પાછળનુ કારણે એવુ હતુ કે, બ્રાન્ચ મેનેજરે ઓરીએન્ટલ ઈન્સ્યોરન્સ કંપનીના ખાતામાં જમા પૈકીમાંથી સાડ છ કરોડ રુપિયાની માતબાર રકમ પોતાના અંગત ખાતમાં ટ્રાન્સફર કરી દીધી હતી.જો કે, એ સિવાય આ અધિકારી સામે પોલીસ કેસ સહીતના અન્ય કોઈ કાર્યવાહી કરી હોવાની કોઈને ખબર નથી. ટ્રોફી આપ્યાના એક દીવસ પછી આ અધિકારી કૌભાંડી હોવાની ખબર પડીબ્રાન્ચ મેનેજરને સસ્પેન્ડ કરાયાની જાણ થયા બાદ કંપનીના અધિકારીઓ-કર્મીઓ એકબીજા સાથે ચર્ચા કરી રહ્યા હતા કે,સાર પરફોર્મન્સ માટે ટ્રોફી આપી સન્માન કર્યાના બીજા જ દિવસે ખબર પડી કે આ બ્રાન્ચ મેનજર તો કૌભાંડીયો છે. ખુદ કંપનીના સીએમડી તેમનુ સન્માન કરવા આવ્યા હતા. શું આટલો ટાઈમમ કોઈને પણ તેના કૌભાંડ અંગે ખબર કેમ ન પડી તેવા પ્રશ્નો તેઓ એકબીજાને પૂછી રહ્યા છે. કંપનીના સીએમડીનું ઉચાપતના મુદ્દે ભેદી મૌનઓરીએન્ટલ ઈન્સ્યોરન્સ એ સરકારની કંપની છે. તેમાં જમા થતા નાણા નાગરીકોના છે. બ્રાન્ચ મેનેજર કક્ષાની વ્યક્તિ સાડા છ કરોડ જેટલી રકમ બારોબાર પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી રહ્યો હોય અને છત્તા કંપનીના અન્ય જવાબદાર અધિકારીઓને કોઈ ખબર જ ન પડે તે બાબત પણ શંકા ઉપજાવે તેવી છે. નાણાની ઉચાપત બહાર આવ્યા બાદ મેનેજરને સસ્પેન્ડ કરાયો પરંતુ પોલીસ કેસ સહીતની અન્ય કોઈ જ કાર્યવાહી કરાઈ નથી. આ સંદર્ભમાં કંપનીના સીએમડી દીવ્યા તેહલરામનનો અમે સંપર્ક સાધવાના અનેક પ્રયત્નો કર્યા પરંતુ તેઓએ ફોન ઉઠાવવાની કે કોઈ જ જવાબ આપવાની તસ્દી લીધી નથી. આ સંદર્ભમાં તેમને મેસેજ કરીને જવાબો પૂછ્યા હતા પરંતુ તેઓએ તેના કોઈ જ જવાબ આપવાની તસ્દી લીધી નહોતી.
ભરૂચમાં સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અસરકારક બન્યો:11 મહિનામાં 396 ફરિયાદોનું નિરાકરણ થયું
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ અસરકારક રીતે અમલમાં મુકવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ ગુજરાત સરકારના “સરકાર પ્રજાના દ્વારે” મંત્રને સાકાર કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયા વિઝનને અનુરૂપ, આ કાર્યક્રમ દ્વારા છેવાડાના નાગરિકોના પ્રશ્નોનું સીધું અને પારદર્શક નિવારણ શક્ય બન્યું છે. નાગરિકો પોતાના પડતર પ્રશ્નો સીધા જિલ્લા વહીવટીતંત્ર સમક્ષ રજૂ કરી શકે છે. આ કાર્યક્રમની અસરકારકતાનું એક જીવંત ઉદાહરણ જંબુસર તાલુકાના કાવી ગામના રહેવાસી ઈમ્તિયાઝ અહમદનો કિસ્સો છે. તેમનો લાંબા સમયથી પેન્ડિંગ રહેલો પ્રશ્ન કલેક્ટરની હાજરીમાં ઉકેલવામાં આવ્યો હતો. પ્રશ્નના નિવારણ બાદ ઈમ્તિયાઝ અહમદે સંતોષ વ્યક્ત કરતા જિલ્લા વહીવટી તંત્રનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે વર્ષ 2025 ના જાન્યુઆરીથી નવેમ્બર માસ દરમિયાન ભરૂચ જિલ્લામાં સ્વાગત કાર્યક્રમ હેઠળ કુલ 396 ફરિયાદો પ્રાપ્ત થઈ હતી. આ તમામ ફરિયાદોનો અસરકારક રીતે નિકાલ કરવામાં આવ્યો છે. સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ દ્વારા ભરૂચ જિલ્લામાં લોકાભિમુખ, પારદર્શક અને જવાબદાર વહીવટનું મજબૂત મોડેલ ઉભું થયું છે. આનાથી નાગરિકોમાં વહીવટી તંત્ર પ્રત્યેનો વિશ્વાસ વધારવામાં મદદ મળી રહી છે.
બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ-2026 અંતર્ગત 11 હેલ્પ ડેસ્ક કમ ડોક્યુમેન્ટ કલેક્શન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. આ સેન્ટરો No Mapping અને Uncollectable (EF) કેટેગરીના મતદારોના પુરાવા જમા કરાવવા તેમજ ફોર્મ 6, 6અ, 7 અને 8 સંબંધિત માર્ગદર્શન પૂરું પાડશે. જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ આ સેન્ટરો કાર્યરત કરાયા છે. કુલ 11 સેન્ટરો પૈકી એક પાલનપુર કલેક્ટર કચેરી ખાતે, એક થરાદ કલેક્ટર કચેરી ખાતે અને બાકીના નવ સેન્ટરો મતદાર નોંધણી અધિકારીઓની કચેરીઓ ખાતે કાર્યરત રહેશે. આ સેન્ટરો સવારે 10 થી સાંજે 6.10 વાગ્યા સુધી જાહેર રજાઓ સિવાયના દિવસોમાં ખુલ્લા રહેશે. પાલનપુર કલેક્ટર કચેરી ખાતેના ડોક્યુમેન્ટ કલેક્શન સેન્ટર કમ હેલ્પ ડેસ્ક સેન્ટરનું ઉદ્ઘાટન નિવાસી અધિક જિલ્લા કલેક્ટર સી.પી. પટેલે રીબીન કાપીને કર્યું હતું. બનાસકાંઠાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી બી.જી. નિનામાએ જણાવ્યું કે, આ સેન્ટરો દ્વારા No Mapping અને નવા મતદારો પોતાના દસ્તાવેજો જમા કરાવી શકશે. SIR (Special Intensive Revision) સંબંધિત કોઈપણ મૂંઝવણ માટે પણ અહીંથી માહિતી અને માર્ગદર્શન મળી રહેશે. બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના નવ વિધાનસભા વિસ્તારોમાં કુલ 26,24,952 મતદારો નોંધાયેલા છે. ડ્રાફ્ટ રોલમાં 24,05,325 મતદારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 2,19,627 ASD (Absent, Shifted, Dead) મતદારો નોંધાયા છે, જેમાં 65,122 મૃત્યુ, 21,291 ગેરહાજર અને 1,11,744 મતદારોનું કાયમી સ્થળાંતર થયું છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ પણ પાત્રતા ધરાવતો મતદાર યાદીમાંથી રહી ન જાય અને કોઈ પણ પાત્રતા ન ધરાવતો મતદાર યાદીમાં સામેલ ન થાય.
વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારુતર વિદ્યામંડળ (CVM)ના ચેરમેન અને CVM યુનિવર્સિટીના સ્થાપક પ્રેસિડેન્ટ ભીખુ પટેલના 75માં જન્મદિન નિમિત્તે એક મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરને 'અમૃત પર્વ' તરીકે ઉજવવામાં આવ્યો હતો. આ રક્તદાન શિબિરનું આયોજન CVM યુનિવર્સિટી, રેડ ક્રોસ સોસાયટી અને એ. ડી. ગોરવાલા કરમસદ બ્લડબેન્કના સંયુક્ત ઉપક્રમે 22 અને 23 ડિસેમ્બર 2025 દરમિયાન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારોહમાં રેડક્રોસ સોસાયટીના પદાધિકારીઓ દેવેન્દ્ર પટેલ, હેમંત પટેલ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના વાઇસ પ્રેસિડેન્ટ શૈલુ પટેલ સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટીના ગવર્નિંગ બોડીના સભ્યો, પ્રોવોસ્ટ પ્રોફેસર ડૉ. ઇન્દ્રજીત પટેલ અને રજિસ્ટ્રાર પ્રોફેસર ડૉ. સંદીપ વાલિયાએ જણાવ્યું હતું કે, ભીખુભાઈ પટેલે હંમેશા સમાજસેવા અને શિક્ષણને પ્રાધાન્ય આપ્યું છે. તેમના 75માં જન્મદિને રક્તદાન જેવા પવિત્ર કાર્ય દ્વારા તેમની સેવાકીય ભાવનાને બિરદાવવાનો આ એક પ્રયાસ છે. સહ મંત્રી મેહુલ પટેલે માહિતી આપી હતી કે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ 'ગિફ્ટ અ લાઈફ ઓન અ માઈલસ્ટોન બર્થડે' ના સૂત્ર સાથે શાસ્ત્રી મેદાન અને એડીઆઈટી કોલેજ ખાતે યોજવામાં આવ્યો હતો. શિબિરના પ્રથમ દિવસે બંને સ્થળોએથી કુલ 1050 યુનિટ રક્ત એકત્રિત થયું હતું. CVM યુનિવર્સિટીની તમામ કોલેજના પ્રિન્સિપાલ, અધ્યાપકો, બિનશૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આ શિબિરમાં જોડાયા હતા.
પાટણ શહેરના વ્યસ્ત સીટી પોઈન્ટ માર્કેટમાં જોખમી મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરવામાં આવ્યો છે. માર્કેટના પ્રથમ માળે સીડીઓ પાસે ઈન્જેક્શન, હેન્ડ ગ્લોઝ અને લોહીવાળા કોટનનો જથ્થો મળી આવતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. રખડતા શ્વાનોએ ડસ્ટબીન ફેંદતા આ મામલો સામે આવ્યો હતો. માર્કેટના પ્રથમ માળે સીડીઓ નજીક વપરાયેલા ઈન્જેક્શન, હેન્ડ ગ્લોઝ અને લોહીવાળા કોટન સહિતનો જોખમી કચરો રઝળતી હાલતમાં જોવા મળ્યો હતો. કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા આ મેડિકલ વેસ્ટ ડસ્ટબીનમાં નાખવામાં આવ્યો હતો, જેને રખડતા શ્વાનોએ બહાર કાઢ્યો હતો. આના કારણે ગંદકી અને રોગચાળો ફેલાવવાનો ભય ઊભો થયો છે. જાહેર સ્થળ પર આ પ્રકારે મેડિકલ વેસ્ટ ફેંકવો એ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન છે. આનાથી માર્કેટમાં આવતા ગ્રાહકો અને વેપારીઓના સ્વાસ્થ્ય પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. આ ઘટના બાદ પાટણ જિલ્લા આરોગ્ય વિભાગ સામે સવાલો ઉઠી રહ્યા છે. મેડિકલ વેસ્ટના નિકાલ માટે ચોક્કસ માર્ગદર્શિકા હોવા છતાં તેનું પાલન થતું નથી. સ્થાનિકો દ્વારા આરોગ્ય વિભાગને તાત્કાલિક તપાસ કરવા અને માર્કેટના CCTV ફૂટેજ ચકાસવા માંગ કરવામાં આવી છે. જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરાઈ છે.
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચાર અને એક હિન્દુ યુવકની નિર્મમ હત્યાના વિરોધમાં પાટણ શહેરમાં પ્રદર્શન યોજાયું હતું. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના કાર્યકર્તાઓએ નવજીવન સર્કલ ખાતે પૂતળા દહન કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાના વિરોધમાં VHP અને બજરંગ દળના નેજા હેઠળ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પાટણના નવજીવન સર્કલ ખાતે એકત્રિત થયા હતા. તેમણે બાંગ્લાદેશમાં થઈ રહેલા અમાનવીય કૃત્યો સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રદર્શનકારીઓએ હિન્દુઓ પર થતા અત્યાચાર રોકવા અને જવાબદારો સામે કડક પગલાં ભરવાની માંગ કરી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન સંગઠનના કાર્યકર્તાઓએ પૂતળા દહન કર્યું હતું. આ કાર્યક્રમમાં સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને હિન્દુ સમાજના લોકો ઉમટી પડ્યા હતા, જેના કારણે નવજીવન સર્કલ વિસ્તારમાં ભીડ જોવા મળી હતી. પાટણના માર્ગો પર બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ સાથે પ્રચંડ આક્રોશ જોવા મળ્યો હતો.
વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં આવેલી બે સોસાયટીઓના રસ્તાનો 45 વર્ષ જૂનો પ્રશ્ન ફરી ચર્ચામાં આવ્યો છે. આ રસ્તો કાગળ પર અસ્તિત્વ ધરાવે છે, પરંતુ વાસ્તવિકતામાં બંધ છે. રહીશોએ 'પ્રહરી ચેરિટેબલ ટ્રસ્ટ'ના માધ્યમથી વલસાડ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રસ્તો ખુલ્લો કરાવવા ઉગ્ર રજૂઆત કરી હતી. રજૂઆતકર્તાઓના જણાવ્યા અનુસાર, આ રસ્તો વર્ષોથી વપરાશમાં હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો દ્વારા તેને બંધ કરી દેવામાં આવ્યો છે. રસ્તો બંધ હોવાને કારણે સોસાયટીના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને, કટોકટીના સમયે એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડ જેવા વાહનો સોસાયટી સુધી પહોંચી શકતા નથી. અગાઉ, તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવ્યા બાદ રસ્તો ખુલ્લો કરાયો હતો, પરંતુ ફરીથી તે બંધ થઈ ગયો છે. આ બાબત વહીવટી તંત્રની ઉદાસીનતા દર્શાવે છે તેમ રહીશોએ જણાવ્યું હતું. ટ્રસ્ટના પ્રતિનિધિએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, જિલ્લા કલેક્ટર, એસ.પી. અને નગરપાલિકાના સી.ઓ. સમક્ષ હકારાત્મક રજૂઆત કરવામાં આવી છે. જો આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે, તો સોસાયટીના રહીશો અને મહિલાઓ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની તેમજ ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.
વલસાડ જિલ્લાના ધરમપુરના એડિશનલ સેશન્સ જજ એમ.એ. મિર્ઝાએ પત્નીની હત્યાના કેસમાં આરોપી જીતેશ ચંદુભાઈ કુંવરને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે પબ્લિક પ્રોસિક્યુટર અનિલ ત્રિપાઠી અને એ.પી.પી. એન.ડી. પ્રજાપતિની દલીલોને ગ્રાહ્ય રાખી આ ચુકાદો આપ્યો હતો. ફેબ્રુઆરી–2024માં બનેલી એક હૃદયદ્રાવક ઘટનામાં ધરમપુરની અદાલતે કડક અને સંવેદનશીલ બંને પ્રકારનો મહત્વનો ચુકાદો આપ્યો છે. ધરમપુરના એડિશનલ સેશન્સ જજ એમ. એ. મિર્ઝાએ પત્નીની નિર્દય હત્યા કરનાર આરોપી જીતેશ ચંદુભાઈ કુંવરને ભારતીય દંડ સંહિતા કલમ 302 હેઠળ દોષિત જાહેર કરી આજીવન કેદની સજા સંભળાવી છે. સાથે જ આરોપીને રૂ. 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે, દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા પણ હુકમમાં સમાવિષ્ટ છે. આરોપી જીતેશ કુંવરને ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 302 હેઠળ દોષિત ઠેરવી આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. આ ઉપરાંત, તેને રૂપિયા 10 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જો આરોપી દંડ ભરવામાં નિષ્ફળ જશે, તો તેને વધુ 6 માસની સાદી કેદ ભોગવવી પડશે. આ કેસમાં કોર્ટે એક મહત્વપૂર્ણ માનવીય આદેશ પણ કર્યો છે. મૃતક મહિલાને ચાર માસનું બાળક હોવાથી, કોર્ટે બાળકના દેખરેખ, કાળજી અને અભ્યાસ માટે ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને જરૂરી આદેશો આપ્યા છે. વધુમાં, ગુજરાત વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ બાળકના નજીકના સગાને વાલી તરીકે નિમણૂક કરાવી યોગ્ય વળતર ચૂકવવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સેક્રેટરીને ભલામણ કરતો હુકમ પણ નામદાર કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
રાજકોટની સમરસ બોયઝ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ ફરી વિરોધ કર્યો હતો. શાકમાં જીવાત, રબ્બર જેવી રોટલી, પાણી જેવી છાશ મામલે 1000 વિદ્યાર્થીઓ પરેશાન છે, ત્યારે તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની સમસ્યા સાંભળવામાં ન આવતા તેમના દ્વારા X પર પેજ બનાવવામાં આવ્યું છે. ગત 19મી ડિસેમ્બરના વિદ્યાર્થીઓનો પ્રશ્ન દિવ્યભાસ્કર ડિજિટલ દ્વારા ઉજાગર કરવામાં આવ્યો હતો. જે બાદ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર દ્વારા તપાસ કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ પણ પ્રશ્નનું નિરાકરણ ન આવતા આજે કોંગ્રેસની આગેવાનીમાં વિદ્યાર્થીઓ હોસ્ટેલ પાસે એકત્ર થયા હતા અને ખરાબ ભોજનના પોસ્ટર બતાવી વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જ નારેબાજી કરી ન્યાય આપવાની માંગણી કરી હતી. સમરસ બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને ખરાબ ભોજનસૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, રાજકોટની સમરસ બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને ખૂબ જ ખરાબ ભોજન આપવામાં આવે છે. નાસ્તા અને ભોજનમાંથી વારંવાર જીવાત નીકળે છે. જેને કારણે વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાય છે આ ઉપરાંત અહીં સ્વચ્છતાનો પણ સ્વતંત્ર અભાવ જોવા મળે છે. જેથી આજે અહીંના 100થી વધુ વિદ્યાર્થીઓને સાથે રાખી વિરોધ નોંધાવ્યો છે. જેથી વિદ્યાર્થીઓનો પ્રશ્ન તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી માંગણી છે. અંતમાં તેમણે જણાવ્યું હતું કે અહીં જે સમાજ કલ્યાણ અધિકારી છે તેઓ પોતાની બદલી રહ્યા છે જેને કારણે વિદ્યાર્થીઓને કનડગત કરવામાં આવી રહ્યું છે. 'અહીં ખરાબ ભોજન આપવામાં આવે છે. અહીં હાઈજીન જળવાતું નથી'જ્યારે વિદ્યાર્થી મિત્ર આહિરે જણાવ્યું હતું કે, આ હોસ્ટેલમાં મારું ચોથું વર્ષ છે. જોકે અહીં ખરાબ ભોજન આપવામાં આવે છે. અહીં હાઈજીન જળવાતું નથી. ટોયલેટ તૂટેલી હાલતમા છે અને સફાઈનો અભાવ જોવા મળે છે. આજે અમે ધરણા પર બેસી વિરોધ નોંધાયો છે અને જ્યાં સુધી અમારો પ્રશ્ન દૂર નહીં થાય ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. આ પણ વાંચો:શાકમાં ઈયળો, રબ્બર જેવી રોટલી, પાણીમાં છાશ ઉલ્લેખનીય એ છે કે ગત 19મી ડિસેમ્બરે જ ,રાજકોટમાં સમરસ બોયઝ હોસ્ટેલમાં ભોજનમાં કીડા, મકોડા અને જીવાત, રબ્બર જેવી રોટલી અને પાણી જેવી છાશને કારણે 1000 વિદ્યાર્થીઓ ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. અહીં ભોજનના વાસણની બાજુમાં જ એંઠવાડનું વાસણ રાખવામાં આવે છે. ટોયલેટ બ્લોક તૂટેલી હાલતમાં તો લિફ્ટ વારંવાર બંધ થઈ જાય છે જેને લઈને આજે વિદ્યાર્થીઓએ ઉગ્ર નારેબાજી કરી હતી અને ત્રણ મહિનાથી સમાજ કલ્યાણ અધિકારીથી લઈને મુખ્યમંત્રી સુધી ઈમેલ મારફત રજૂઆત કરવામાં આવી પરંતુ સમસ્યાઓનું નિરાકરણ આવ્યુ નથી. જેથી વિદ્યાર્થીઓ દ્વારા પોતાની સમસ્યાઓને વાચા આપવા માટે X પર Inside samras hostel નામનું પેજ બનાવવાની ફરજ પડી છે.
હિંમતનગરમાં પોન્ઝી સ્કીમથી 4 લાખની છેતરપિંડી:ત્રણ સંચાલકો સામે વધુ એક ફરિયાદ નોંધાઈ
હિંમતનગરના ટાવર રોડ પર આવેલા એક કોમ્પ્લેક્સમાં રોકાણકારોને ઊંચા વ્યાજની લાલચ આપી શેરબજારમાં રોકાણ કરાવવાના મામલે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. 'બિગબુલ ફેમિલી' નામની કંપની ખોલી ત્રણ સંચાલકોએ આશરે રૂ. 4 લાખની છેતરપિંડી કરી હોવાનો આરોપ છે. પાકતી મુદતે રકમ પરત ન આપતા હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોન્ઝી સ્કીમના સંચાલકો વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ હિંમતનગર તાલુકાના જામળા ગામના વિશ્વજીતસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડે નોંધાવી છે. તેમણે જણાવ્યું કે 9 માર્ચ 2024 થી અત્યાર સુધીના સમયગાળામાં જગદિશગીરી ગોવિંદગીરી ગોસ્વામી, શીતલબેન જગદિશગીરી ગોસ્વામી (બંને રહે. જામળા) અને સરોલી ગામના વિપુલસિંહ બાદરસિંહ ચૌહાણે 'બિગબુલ ફેમિલી' નામની કંપની ખોલી હતી. આ ત્રણેય આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી વિશ્વજીતસિંહ રાઠોડને લાલચ આપી હતી કે તેમની કંપની શેરબજારમાં રોકાણ કરીને સારો નફો કમાય છે. તેમણે વિશ્વજીતસિંહને ડિપોઝિટ પર માસિક 5 ટકા વ્યાજ આપવાનું અને મુદત પૂરી થયે રોકાણ કરેલી રકમ પરત આપવાનું વચન આપ્યું હતું. આરોપીઓએ વિશ્વજીતસિંહને વિશ્વાસમાં લીધા હતા કે 'બિગબુલ ફેમિલી' પોન્ઝી સ્કીમ રાષ્ટ્રીયકૃત બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ કરતાં વધુ ઊંચો વ્યાજદર આપે છે. જોકે, પાકતી મુદતે સંચાલકોએ વિશ્વજીતસિંહ રાઠોડને ડિપોઝિટની રકમ અને વળતર પરત ન આપી છેતરપિંડી કરી હતી. ઉલ્લેખનીય છે કે આ ત્રણેય સંચાલકો વિરુદ્ધ અગાઉ પણ ફરિયાદો નોંધાઈ ચૂકી છે. જગદિશ ગોસ્વામી સામે પ્રથમ ફરિયાદ નોંધાયા બાદ તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે.
ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના 13 વોર્ડમાં જુદાજુદા સ્થળોએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જાહેરમાં પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા, જાહેરમાં ગંદગી કરતા, જાહેરમાં થુંકતા, ડસ્ટબીન ન હોઈ, ઘાસચારાનું વેચાણ કરતા વેપારીઓ પાસેથી રૂપિયા 37,100 જેટલી દંડની વસુલાત કરવામાં આવી છે. સાથે સોલિડવેસ્ટ વિભાગ દ્વારા શહેરીજનોએ પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ નહી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. 207 આસામીઓને 37 હજારનો દંડ ફટકાર્યોમહાનગર પાલિકાના સોલિડ વેસ્ટ વિભાગની આજરોજ શહેરના 13 વોર્ડમાં સ્વચ્છતા નથા પ્લાસ્ટીક નાબુદી ઝુંબેશ દરમ્યાન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 28 આસામીઓ પાસેથી 32.6 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરીને કુલ રૂપીયા 17,700 દંડ તથા જાહેરમાં ગંદકી કરતા 112 આસામીઓને દંડીત કરીને કુલ રૂપીયા 9,550 દંડ, શહેરની કંસારા નદીમાં કચરો ફેંકીને ગંદકી ફેલાવતા કુલ 16 આસામીઓને દંડીન કરીને કુલ રૂપીયા 4,250 દંડ, જાહેરમાં થુંકતા 14 આસામીઓને દંડીત કરીને રૂપીયા 3,500નો દંડ, જાહેરમાં અને ડસ્ટબીન ન હોવા બાબતે 8 આસામીઓ દંડીત કરીને તેઓની પાસે રૂ.1600 દંડ અને ઘાસચારાના પુળા વેચાણ કરતા 29 આસામીઓ પાસેથી 117 પૂળાએ જપ્ત કરીને કુલ રૂપીયા 500નો દંડ વસુલ કરવામાં આવેલ. આમ કુલ 207 આસામીઓ પાસેથી કુલ રૂપીયા 37,100ના દંડની વસુલાત કરવામાં આવેલ પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરવા મનપાની અપીલમનપાના સોલિડ વેસ્ટ મેનેજેમેન્ટ વિભાગ દ્વારા શહેરમાં પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરવા માટેની ઝુંબેશ અને ડ્રાઇવ આગામી દિવસોમાં શરૂ રહેવાની હોઈ જેથી શહેરીજનોએ પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ નહી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.અને શહેરને સ્વચ્છ સુંદર બનાવવા માટે તમામ નાગરીકો સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
વડોદરા શહેરના મકરપુરા GIDCમાં આવેલી બે કંપનીમાં મોડી રાત્રીના સમયે તસ્કરો ત્રાટક્યાં હતા અને એક્યુરેટ એન્જિનિયર્સ નામની કંપનીમાં બે તસ્કરો 1.68 લાખની કિંમતના કોપરના 16 નંગની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. જેથી કંપની માલિકે ચોરીની ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. જોકે ચોરી કરવા માટે આવેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયાં હતા. બીજી તરફ મકરપુરા જીઆઇડીસીની વર્મા એન્જિનિયરિંગ કંપનીમાંથી સ્ટીલની રિંગ અને સ્ટીલની સાફ્ટિંગ મળી રૂ. 1.67 લાખના સામાનની ચોરી કરી પલાયન થઇ ગયાં હતા. જેથી કંપની માલિકે ચોરીની ફરિયાદ નોંધાવી છે. મકરપુરા GIDCમાં એક્યુરેટ એન્જિનિયરિંગ કંપનીમાં કામ કરતા કામદાર મનોજભાઈએ જણાવ્યું હતું કે, 'મેં શટર ખોલીને બૂમ પાડી, તો ચોર મારી તરફ દોડ્યો હતો અને મને ધક્કો મારી રૂમની અંદર ધકેલી દીધો હતો. તેને મને ધમકી આપીને કહ્યું હતું કે, તું વધારે બોલીશ તો તેને જાનથી મારી નાંખીશ' વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં વાહન તથા ઘરફોડ ચોરીના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે વધુ બે ચોરીના બનાવ સામે આવ્યાં છે. વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં મકરપુરા રેલવે ફાટક પાસે આવેલી રાજનગર સોસાયટીમાં રહેતા પ્રહલાદભાઇ સુરેન્દ્રભાઇ કુસવાહ મકરપુરા જીઆઇડીસીમાં આવેલા એક્યુરેટ એન્જિનિયર્સ નામની કંપની ધરાવે છે, ત્યારે ગત 22 ડિસેમ્બરે સાંજના સમયે તેમની કંપની બંધ કરીને તેઓ તથા તેમને ત્યાં કામ કરતા કર્મચારીઓ ઘરે ગયા હતા. તે દરમિયાન મોડી રાત્રીના સમયે ગેટ પરથી બે તસ્કર કદીને કંપનીમાં પ્રવેસ્યાં હતા. ત્યારબાદ કંપનીમાં મુકેલી જોબ વર્ક બનાવવા માટેના કોપરના રોડ એકની કિંમત રૂપિયા 12 હજાર મળી 16 કોપરના રોડ કિંમત રૂ. 1.68 લાખની ચોરી કરી ફરાર થઇ ગયાં હતા. બીજા દિવસે કંપની ખોલવા માટે આવેલા સંચાલક પ્રહલાદભાઇ કુસ્વાહને ચોરી થઇ હોવાની જાણ થતા તેઓએ ચોરીની ફરિયાદ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. જોકે ચોરી કરવા માટે આવેલા તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયાં હોય પોલીસ ફુટેજના આધારે તેમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. વર્મા એન્જિનિયરિંગ કંપનીમાંથી રૂ. 1.67 લાખની ચોરી બીજી તરફ મકરપુરા એરફોર્સ સ્ટેશન પાછળ આમ્રપાલી સોસાયટીમાં રહરેતા નરેશભાઇ બચ્ચુપ્રસાદ મંહતોની જીઆઇડીસીમાં આવેલી વર્મા એન્જિનિરિંગ વર્કસ કંપનીના શટરને મારેલા તાળો તોડી બે તસ્કરો કંપનીમાં પ્રવેશ્યાં હતા. ત્યારબાદ સ્ટીલની રિંગ 74 કિંમત રૂપિયા 48 હજાર તથા સ્ટીલની સાફ્ટિંગ રૂ. 15 હજાર મળી રૂ. 1.67 લાખની સામાની ચોરી કરી ફરાર થઇ ગયાં હતા. જેથી કંપની માલિક નરેશભાઇ મંહતોએ ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. મકરપુરા GIDCમાં એક્યુરેટ એન્જિનિયરિંગ કંપનીમાં કામ કરતા કામદાર મનોજભાઈએ જણાવ્યું હતું કે, હું રાત્રે સૂતો હતો ત્યારે અચાનક બહારથી અવાજ આવતા જાગી ગયો હતો. મેં જ્યારે સીસીટીવી કેમેરામાં જોયું ત્યારે ખબર પડી હતી કે, એક અજાણ્યો માણસ અંદર ઘૂસી આવ્યો હતો અને ત્યાંથી માલની ચોરી કરીને તેને બહાર ફેંકી રહ્યો હતો, જ્યારે મે બહાર આવીને શટર ખોલ્યું અને બૂમ પાડી ત્યારે પેલો ચોર મારી તરફ દોડી આવ્યો અને મને ધક્કો મારીને રૂમની અંદર ધકેલી દીધો હતો. ચોરે મને ધમકી આપી હતી કે, જો તું વધારે કંઈ બોલીશ તો તેને જાનથી મારી નાંખીશ. ત્યારબાદ ચોરે આ મને ખૂણામાં બેસાડી દીધો હતો અને શટર બંધ કરી દીધું અને તેનો મોબાઈલ ફોન પણ લઈ લીધો હતો. જોકે, થોડી વાર પછી ત્યાં હાજર ફાઈટર નામનો વ્યક્તિ શટર ખોલીને મને મોબાઈલ પાછો આપી દીધો હતો. મકરપુરા GIDCમાં વર્મા એન્જિનિયરિંગ વર્ક્સ કંપનીના માલિક નરેશ મહંતોએ જણાવ્યું હતું કે, અમારી કંપની છેલ્લા 30-35 વર્ષથી ચાલે છે અને આટલા વર્ષોમાં પ્રથમ વખત ત્યાં ચોરીની ઘટના બની છે. 20 ડિસેમ્બરે વહેલી સવારે ચોરીની ઘટના બની હતી. જ્યારે હું રિંગ શોધવા ગયો, ત્યારે તેમને ચોરી વિશે જાણ થઈ હતી. મેં તરત જ મેં માંજલપુર પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને મેં સીસીટીવી ફૂટેજ પણ સોંપ્યા છે.
પોરબંદરમાં વાસી ખોરાકનો નાશ કરાયો:ચેકિંગમાં 15 કિલો બટેટા, મકાઈ, મંચુરિયનનો અખાદ્ય જથ્થો પકડાયો
પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા જાળવવા માટે વ્યાપક ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત નવા ફુવારા, એસ.ટી. સ્ટેન્ડ સામે, રાણીબાગ, જયુબેલી રોડ, એસ.વી.પી. રોડ, માણેકચોક, છાયા ચોકી રોડ અને એમ.જી. રોડ જેવા વિસ્તારોમાં રેસ્ટોરન્ટ, નાસ્તાગૃહ, ભોજનાલય, મીઠાઈ-ફરસાણ તથા ફાસ્ટફૂડની દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન ખાદ્યપદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી નિયમોના પાલન અંગે વિગતવાર તપાસ કરાઈ હતી. ધંધાર્થીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ પણ અપાઈ હતી. ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન ન કરનારા 40 ધંધાર્થીઓ (જેમાં લારીઓ, દુકાનદારો અને રેસ્ટોરન્ટ સંચાલકોનો સમાવેશ થાય છે) પાસેથી કુલ રૂ.11,500/- નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. આ અભિયાનમાં આરોગ્ય માટે હાનિકારક એવા વાસી બાફેલા બટેટા, મકાઈ, સ્પ્રિંગ રોલ, મંચુરિયન અને મીઠાઈ સહિતનો કુલ 15 કિલો અખાદ્ય જથ્થો જપ્ત કરીને નાશ કરવામાં આવ્યો હતો. ખાદ્યપદાર્થોની ગુણવત્તાની વધુ તપાસ માટે કુલ 10 નમૂનાઓ લઈ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે શહેરના નાગરિકોને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તે માટે આવા ચેકિંગ અભિયાન નિયમિત રીતે ચાલુ રહેશે. તમામ ધંધાર્થીઓને ફૂડ સેફ્ટીના નિયમોનું કડક પાલન કરવા અને સ્વચ્છતા જાળવવા પણ અપીલ કરવામાં આવી છે.
સુરતના ફાલસા વાડી પોલીસ સ્ટેશનની સામે ચાલી રહેલા MMTH પ્રોજેક્ટની કામગીરી દરમિયાન પાણીની મુખ્ય લાઈન ક્ષતિગ્રસ્ત થતા મોટું લિકેજ સર્જાયું છે. આ ટેકનિકલ ખામીને કારણે આગામી 26મી ડિસેમ્બરના રોજ સેન્ટ્રલ ઝોનના ઉત્તર વિસ્તારનો સાંજનો પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. MMTH પ્રોજેક્ટની કામગીરી દરમિયાન પાણીની મુખ્ય લાઈન ક્ષતિગ્રસ્ત થતા મોટું લિકેજ મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગના અંદાજ મુજબ, મુખ્ય લાઈનમાં થયેલા આ નુકશાનને કારણે શહેરના હાર્દ સમાન વિસ્તારોની અંદાજે 4 લાખ જેટલી વસ્તીને પાણી કાપનો સામનો કરવો પડશે. આ લિકેજની મરામત માટે મનપા દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે. મરામતની કામગીરી 24મી ડિસેમ્બર, શુક્રવારે સવારે 9 વાગ્યાથી શરૂ થશે જે સતત ચાલીને બીજા દિવસે શનિવારે સવારે 5 વાગ્યા સુધી પૂર્ણ કરવામાં આવશે. રિપેરિંગ પૂર્ણ થયા બાદ લાઈનને ફરી કાર્યરત કરવા અને પાણીનું દબાણ સામાન્ય કરવામાં સમય લાગે તેમ હોવાથી રવિવારે સાંજનો પુરવઠો ખોરવાશે. આથી તંત્ર દ્વારા નાગરિકોને મુશ્કેલીથી બચવા અગાઉથી જરૂરી પાણીનો સંગ્રહ કરી લેવા સૂચન કરવામાં આવ્યું છે. આ વિસ્તારોને પાણીકાપની અસરપાણી કાપને કારણે દિલ્હી ગેટથી ચોક બજાર સુધીનો મુખ્ય રાજમાર્ગ અને તેની ઉત્તર તરફના વિસ્તારો જેવા કે મહિધરપુરા, રામપુરા, હરીપુરા, સૈયદપુરા, ધાસ્તીપુરા, શાહપોર અને નાણાંવટ પ્રભાવિત થશે. આ ઉપરાંત રેલ્વે સ્ટેશન અને સુમુલ ડેરી જેવા મહત્વના સ્થળોએ પણ પાણી પુરવઠો સદંતર બંધ રહેવાનો છે. આટલી મોટી વસ્તીને અસર થતી હોવાથી પાલિકાના હાઇડ્રોલિક વિભાગે કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે પૂરતી તૈયારીઓ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ જ સ્થળે એક મહિના અગાઉ પણ કામગીરી દરમિયાન લાઈનમાં નુકશાન થયું હતું. તે સમયે કોન્ટ્રાક્ટર પાસે પાઈપ જોડવા માટે જરૂરી સાધન 'કોલર' ઉપલબ્ધ ન હોવાથી મનપાએ કામચલાઉ સમારકામ કર્યું હતું. કોન્ટ્રાક્ટરની આ ગંભીર બેદરકારીને પગલે ફરીવાર તે જ જગ્યાએથી લિકેજ શરૂ થતા લોકોએ પાણી કાપ વેઠવાની નોબત આવી છે. હવે કોલરની વ્યવસ્થા થઈ જતાં આ મરામત કાયમી ધોરણે કરવામાં આવશે.
ફિલ્મ સ્ટાર બોબી દેઓલ આજે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. રાજકોટના યાજ્ઞિક રોડ તેમજ 150 ફૂડ રિંગ રોડ પર એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યાં બોબી દેઓલને રાજકોટવાસીઓએ ખુબ આવકાર આપ્યો હતો અને તાળીઓ તેમજ ચિચિયારી સાથે તેમનું સ્વાગત કર્યું હતું. આ તકે બોબી દેઓલે રાજકોટવાસીઓને કેમ છો મજામાં પૂછીને કહ્યું કે, સાલ ખતમ હોને આયા જપ નામ જપ નામ. વર્ષો પહેલાં પપ્પા અને ભાઈ સાથે અપને ફિલ્મના શૂટિંગ માટે આવ્યો ત્યારે પણ તમે ખુબ જ પ્રેમ આપ્યો હતો. આજે પણ આપો છો. આપ સૌનો ખુબ ખુબ આભાર. ખાનગી જ્વેલર્સના શોરૂમના લોન્ચિંગ કાર્યક્રમમાં હાજરી આપીબોલિવૂડ એક્ટર બોબી દેઓલ આજે મુંબઇથી રાજકોટ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ રાજકોટ શહેરની કાલાવડ રોડ પર સયાજી હોટલમાં રોકાયા હતા. બાદમાં સાંજે 5 વાગ્યે તેઓ શહેરના યાજ્ઞિક રોડ પર ખાનગી જ્વેલર્સના શોરૂમ ખાતે લોન્ચિંગ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જ્યાં તેઓના આગમન પહેલા મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ તેમના સ્વાગત માટે પહોંચી ગયા હતા. બોબી દેઓલ આવતાની સાથે જ લોકોએ તાળીઓ અને ચિચિયારી સાથે સ્વાગત કર્યું હતું. સાલ ખતમ હોને આયા હૈ, જપ નામ જપ નામરાજકોટ આવેલા બોબી દેઓલે જણાવ્યું હતું કે, સાલ ખતમ હોને આયા હૈ. જપ નામ જપ નામ. કેમ છો રાજકોટ મજામાં? મને વધારે ગુજરાતી આવડતું નથી. આપ સૌનો ખુબ ખુબ આભાર. નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. નવું વર્ષ શરૂ થાય એ પહેલા આપ સૌને ખુબ ખુબ શુભેચ્છા અને બધા જ લોકો માટે આવતું વર્ષ ખુબ સારૂં જાય તેવી પ્રાર્થના. વર્ષો પહેલા હું મારા પિતા, મારા ભાઈ સાથે અપને ફિલ્મના શૂટિંગ માટે આવ્યો ત્યારે આપ બધા રાજકોટવાસીઓએ ખુબ પ્રેમ આપ્યો હતો. આજે પણ પ્રેમ આપી રહ્યા છો. આપ સૌનો ખુબ ખુબ આભાર.
અમદાવાદ શહેરમાં આવેલાં અસારવા ગામના દરવાજાને લઇને અસારવા ગામના રહીશો દ્રારા છેલ્લાં બે વર્ષથી લડત ચલાવવામાં આવતી હતી. આ લડતના ભાગરૂપે અસારવા ગામના મુખ્ય દ્રાર પર નવા તૈયાર કરવામાં આવનાર હેરીટેજ ગેટનું ગઇકાલ 22મી ડિસેમ્બરના રોજ શહેરી વિકાસ મંત્રી અને શહેરી ગૃહ નિર્માણના રાજયકક્ષાના મંત્રી તથા અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા દ્રારા કરવામાં આવ્યું હતું. ત્યારે અસારવા ગામના બીજા દરવાજાનું ખાતમૂર્હુત કયારે કરવામાં આવશે તેવો પ્રશ્ન અસારવા ગામના રહીશો દ્રારા ઉઠાવવામાં આવ્યો છે. આમ દરવાજાને લઇને અસારવા વિસ્તારમાં ભારે કાગારોળ મચી છે. ગામને હેરિટેજ દરવાજા ની ભેટ સાંપડીજયારે આ ખાતમૂર્હૂત પ્રસંગ અંગે અસારવા યુથ સર્કલ ના પ્રમુખ સંજય પટેલે જણાવ્યું છે કે છેલ્લા બે વર્ષથી અસારવા ગામના દરવાજા અંગે સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટર વચ્ચેની હૂંસાતૂંસીના કારણે કામગીરી અટવાઇ હતી. પરંતુ, સ્થાનિકોએ છેક વડાપ્રધાન સુધી પોતાની માંગણી રજૂ કરી હતી. તેના પ્રત્યુત્તર રૂપે મુખ્યમંત્રીના વિશેષ બજેટમાંથી ગામને હેરિટેજ દરવાજાની ભેટ સાંપડી છે તેને આવકારી હતી. 'બીજા ગામના દરવાજાનું ક્યારે મુહૂર્ત થશે'જો કે આ દરવાજા પ્રકરણ અંગે તેમણે વધુમાં કહ્યું કે, સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટરો વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. જેનાથી પ્રજાના વિકાસલક્ષી કામો અટવાય છે. સૌ પ્રથમ સ્થાનિક કોર્પોરેટરોએ 2024-25 અને 2025-26 એમ બે વર્ષ માં 25 લાખ રૂપિયાનું બજેટ ફાળવ્યું હતું. જેમાં અસારવા ગામના બે દરવાજા બનાવવાના હતા. 1.જુના અસારવા ગામનો અને બીજો નવા અસારવા ગામનો દરવાજો બનાવવાનો હતો. એક ગામનો દરવાજાનું ખાત મુહૂર્ત કરવામાં 2 વર્ષનો સમય લાગ્યો છે તો બીજા ગામના દરવાજાનું ક્યારે મુહૂર્ત થશે, એમ સ્થાનિક નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું છે. બીજા ગામના દરવાજાનું પણ ખાતમુહૂર્ત સત્વરે થાય એવી ગ્રામજનોની માગણી છે. હેરિટેજ ગેટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુઅમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા મધ્ય ઝોનના અસારવા વોર્ડમાં, અસારવા ગામનાં મુખ્ય દ્વાર પર નવા તૈયાર કરવામાં આવનાર ભવ્ય હેરિટેજ ગેટનું શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા અને સાંસદ દિનેશભાઈ મકવાણાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે અમદાવાદનાં મેયર પ્રતિભા જૈન ઉપસ્થિત રહ્યાં હતાં. હેરિટેજ ગેટની જાળવણી અને સ્વચ્છતા રાખવા માટે ગ્રામજનોને મંત્રીની અપીલઆ પ્રસંગે મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી દ્વારા ગામતળના વિકાસ માટે ફાળવવામાં આવેલા વિશેષ બજેટ અંતર્ગત આ હેરિટેજ ગેટનું નિર્માણ થઈ રહ્યું છે. આ ઉપરાંત, વણઉકેલાયેલા પ્રશ્નો જેવા કે, ઓમનગર અંડરબ્રિજના પ્રશ્ને રેલવે વિભાગ સાથે સફળ વાટાઘાટો કરી કામ પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે. આ વિસ્તારની ઐતિહાસિક માતર ભવાનીની વાવ અને દાદા હરિની વાવના પુનઃવિકાસ માટે નેશનલ ઓથોરિટી સાથે સંકલન સાધીને કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. સાથોસાથ અસારવા ચાલી વિસ્તારની વર્ષો જૂની ડ્રેનેજ લાઈનો બદલવાની કામગીરી પણ ટૂંક સમયમાં હાથ ધરાશે. નવનિર્મિત હેરિટેજ ગેટની જાળવણી અને સ્વચ્છતા રાખવા માટે ગ્રામજનોને તેમણે અપીલ કરી સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી. ચમનપુરા બાજુ નવો ગેટ બનાવવાની રજૂઆત આ કાર્યક્રમમાં ઉપસ્થિત અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, અસારવા વિધાનસભા વિસ્તારમાં સ્થાનિક પ્રશ્નોના ઉકેલ માટે જનપ્રતિનિધિઓ સતત કાર્યરત છે, જેમાં અસારવા રેલવે સ્ટેશન ખાતે ચમનપુરા બાજુ નવો ગેટ બનાવવાની રજૂઆત તેમના દ્વારા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સમક્ષ લોકસભામાં કરવામાં આવી છે. આ ઉપરાંત, વિસ્તારના અંડરબ્રિજની સમસ્યાના નિરાકરણ માટે અધિકારીઓ સાથે બેઠક કરી આગામી સપ્તાહમાં સ્થળ મુલાકાતનું આયોજન પણ હાથ ધરાયું છે. અસારવા ગામમાં બની રહેલા હેરિટેજ ગેટની કામગીરી અને કોર્પોરેશન દ્વારા થતા રોડ, ગટર તથા પાણીના પ્રશ્નોના ઝડપી નિકાલ અંગે તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો. પાણી-ડ્રેનેજ લાઈન અને રોડ પેવિંગ માટે 456 કરોડના કામો મંજૂરઑમેયર પ્રતિભાબેન જૈને પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ અસારવા વિધાનસભાને સુવિકસિત બનાવવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે. મધ્ય ઝોનમાં પ્રદૂષણ નિવારણ અને માળખાગત સુવિધાઓ જેવી કે પાણી-ડ્રેનેજ લાઈન અને રોડ પેવિંગ માટે કુલ રૂ. 456 કરોડના કામો મંજૂર કરાયા છે. અસારવા વોર્ડમાં મંગળદાસ હોલ અને વિઠ્ઠલદાસ પટેલ કોમ્યુનિટી સેન્ટરનું નવીનીકરણ તેમજ નવા અર્બન હેલ્થ સેન્ટરનું પણ નિર્માણ થઈ રહ્યું છે. આ ઉપરાંત, અસારવા વિસ્તારમાં અન્ય વિવિધ વિકાસ કામોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ તમામ કાર્યોનો ઉદ્દેશ્ય અસારવા વિધાનસભાના નાગરિકોને ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવાનો છે. આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ, રિક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદી, હેલ્થ કમિટી ચેરમેન જશુ ઠાકોર, મટીરીયલ કમિટીના ચેરમેન બળદેવભાઈ, કાઉન્સિલર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા.
સુરતના જુનાગામ ખાતે આવેલા નવચેતન અદાણી વિદ્યાલય ખાતે તા. 22 અને 23 ડિસેમ્બર 2025 દરમિયાન ખેડૂત દિવસની ઉજવણી વિવિધ શૈક્ષણિક અને જાગૃતિસભર કાર્યક્રમો સાથે કરવામાં આવી હતી. પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ એ હજીરા વિસ્તારની વિશેષતા ધરાવતી પ્રાકૃતિક શાકભાજીના ખેતરની રૂબરૂ મુલાકાત લીધી હતી અને બીજા દિવસે ખેતી જાગૃતિના કાર્યક્રમ યોજાયા હતા. ખેડૂત દિવસની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી આધારિત ખેતરની મુલાકાત કરાવવામાં આવી હતી. પાપડી, રીંગણ, કોબીજ, ફૂલકોબી, શક્કરિયા, મરચાં, ટામેટાં, લસણ અને મેથી જેવી શાકભાજી પ્રાકૃતિક પદ્ધતિથી કઈ રીતે ઉગાડવામાં આવે છે એનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો. વિદ્યાર્થીઓને જીવામૃત, નિમસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને અગ્નિસ્ત્ર જેવી પ્રાકૃતિક દવાઓ તથા ખાટી છાશના ફૂગનાશક ઉપયોગ વિશે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. આજે નવચેતન અદાણી વિદ્યાલય પરિસરમાં વાલી ખેડૂત મિત્રો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. પ્રગતિશીલ પ્રાકૃતિક ખેડૂત કૈલાશબેન દ્વારા પ્રાકૃતિક ખેતીની ઉપયોગીતા, ખાતર–જંતુનાશક દવાઓ અને સરકારશ્રીની યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી. ટેક્નોલોજી સાથે પ્રાકૃતિક ખેતી શક્ય છે તે દર્શાવતા અભિનયગીત અને પ્રયોગો રજૂ કરાયા. નવચેતન વિકાસ મંડળના સહમંત્રી બીપીનભાઈ પટેલએ હજીરા વિસ્તારની ખેતીની સમૃદ્ધિ અને આજના યુગમાં પ્રાકૃતિક ખેતીની આવશ્યકતા પર પ્રકાશ પાડ્યો. આ ઉજવણીનો હેતુ વિદ્યાર્થીઓમાં ખેડૂત પ્રત્યે સન્માન અને કૃતજ્ઞતા વિકસાવવી, પ્રાકૃતિક ખેતી અંગે જનજાગૃતિ ફેલાવવી, પર્યાવરણ સંરક્ષિત ખેતીને પ્રોત્સાહન આપવું અને આત્મનિર્ભર ભારતના વિચારને મજબૂત બનાવવાનો હતો.
31 ડિસેમ્બર આવી રહી છે ત્યારે દારૂ અને ડ્રગ્સ પાર્ટીને રોકવા માટે શહેર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવી ગઈ છે. ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સના દૂષણને રોકવા તપાસ શરૂ કરતા ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. તેમજ કેટલા ડ્રગ્સ માફીઆઓ ક્રાઈમ બ્રાન્ચના ડરથી અંડર ગ્રાઉન્ડ થવા લાગ્યા છે. 4 દિવસમાં ક્રાઈમ બ્રાન્ચે 11 સ્થળો પર દરોડા પાડી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્પેશિયલ ટીમ બનાવી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ડ્રગ્સના ત્રણ અલગ અલગ કેસ નોંધવામાં આવ્યા છે. તેમજ ક્રાઈમ બ્રાન્ચ હવે ડ્રગ્સના કેસમાં છેતરપિંડીની કલમનો પણ ઉમેરો કરવાની છે. ક્રાઈમ બ્રાંચે ગઈકાલે કરેલા ત્રણ કેસમાં 2.36 લાખનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. નરોડામાંથી ચરસના જથ્થા સાથે એકને દબોચ્યોનરોડા વિસ્તારમાં આવેલા સ્વામીનાયારણ ઉધ્યાનની સામે જાહેર રોડ પર કૃણાલસિંહ રાજપુત નામના યુવક પાસે ચરસનો જથ્થો હતો. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ તાત્કાલીક નરોડા પહોંચી ગઈ હતી અને કૃણાલસિંહ રાજપુતની ધરપકડ કરી લીધી હતી. કૃણાલની ધરપકડ કર્યા બાદ તેની ઝડતી કરી હતી તો તેની પાસેથી 45 ગ્રામ ચરસનો જથ્થો મળ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે કૃણાલની ધરપકડ કરીને પુછપરછ કરી હતી. તો પુછપરછમાં તેણે કબુલાત કરી હતી કે નરોડા વિસ્તારમાં રહેતા અંકિત રાજપુત નામના યુવક પાસેથી તેણે ચરસનો જથ્થો ખરીદી કર્યો હતો. અંકિત રાજપુત ઘણા સમયથી કોઈ વ્યકિત પાસેથી મોટી માત્રામાં ચરસનો જથ્થો ખરીદી રહ્યો હતો. કૃણાલ છેલ્લા ત્રણ મહિનાથી અંકિત પાસેથી ચરસ ખરીદતો હતો અને છુટક વેચાણ કરતો હતો. ક્રાઈમ બ્રાન્ચે કૃણાલની ધરપકડ કરીને 11 હજારથી વધુની કિંમતનુ ચરસ જપ્ત કર્યુ છે. નરોડા સૈજપુર પાસેથી યુવક પાસેથી ગાંજાનો જથ્થો જપ્ત કર્યોક્રાઈમ બ્રાન્ચની બીજી ટીમે પણ નરોડા સૈજપુર પાસેથી સચિન તમંચે નામના યુવક પાસેથી ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે સચિન તમંચે નામના શખ્સ પાસે ગાંજાનો જથ્થો છે, જેથી તેની અટકાયત કરી લીધી હતી અને બાદમાં તેની તપાસ કરતા ગાંજો મળી આવ્યો હતો. જેથી ક્રાઈમ બ્રાન્ચે FSLને જાણ કરી હતી. FSLની ટીમ ઘટના સ્થળે પહોંચી સચિન પાસેથી મળી આવેલા પદાર્થનું ટેસ્ટીંગ કરતા તે ગાંજો હોવાનું સામે આવ્યુ હતું. જેથી ક્રાઈમ બ્રાન્ચે સચિનની ધરપકડ કરીને પુછપરછ શરૂ કરી હતી. સચિને જણાવ્યુ હતું કે છારા નગરમાં રહેતા એક વ્યકિત પાસેથી ગાંજાનો જથ્થો લાવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ સચિનની 96,500ના ગાંજા સાથે ધરપકડ કરી હતી. તેના વિરૂદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તેના સાગરીતને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા હતા.લાલ દરવાજા પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયોલાલ દરવાજા સીદી સૈયદની જાળી પાસેથી પણ ક્રાઈમ બ્રાંચે એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમ ડ્રગ્સના કેસો કરવા માટે હ્યુમન સોર્સીસ એક્ટીવ કર્યા હતા ત્યારે તેમને બાતમી મળી હતી. દરીયાપુર વિસ્તારમાં આવેલા સુપર રોયલ ફ્લેટમાં રહેતા માહીરહુસૈન સૈયદ પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો હતો. બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમ ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને માહીર હુસૈનની ધરપકડ કરી હતી. માહીર હૂસૈન પાસેથી ક્રાઈમ બ્રાંચે 1.30 લાખ રૂપિયાનો એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. માહીર હૂસૈને કબુલાત કરી છે કે આ ડ્રગ્સ જથ્થો શાહનવાઝ ઉર્ફે શાનુ પાસેથી લાવીને વેચવાનો હતો. ક્રાઈમ બ્રાંચે બે વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ત્રણ દિવસમાં 30થી વધુ ડ્રગ્સ પેડલર્સની અટકાયત30થી વધુ ડ્રગ્સ પેડલર્સની કડક પુછપરછ કરાઈ હતી. ડ્રગ્સ માફિયાઓની ચેઈનને તોડવા માટે ક્રાઈમ બ્રાંચ આક્રમક મુડમાં આવી ગઈ છે. ક્રાઈમ બ્રાંચે છેલ્લા ત્રણ દિવસમાં 30થી વધુ ડ્રગ્સ પેડલર્સની અટકાયત કરીને તેમની પુછપરછ કરી હતી. ડ્રગ્સ પેડલર્સ હાલમાં શુ એક્ટીવી કરી રહ્યા છે અને તેમનુ બેકગ્રાઉન્ડ શૂ છે તે જાણવા માટે તપાસ હાથ ધરાઈ હતી. આ સિવાય ડ્રગ્સ ઉપરાંત ગોગો કિટ અને ઈ-સિગારેટના પ્રતિબંધીત વસ્તુઓ મામલે પણ પુછપરછ કરાઈ હતી. નાર્કો ફાઈન્નાસ અને ડિજિટલ છેતરપીંડીને રોકવા ક્રાઈમ બ્રાંચે બે ફરિયાદ નોંધી નાર્કો ફાઈનાન્સ પર ક્રાઈમ બ્રાંચની વોચ ડ્રગ્સ ટ્રેડના લોજિસ્ટિક્સને તોડવા માટે ક્રાઈમ બ્રાંચે ખાસ નાર્કો ફાઈન્નાસ પણ ધ્યાન કેન્દ્રીત કર્યુ. નાર્કો ફાઈન્નાસ અને ડિજિટલ છેતરપીંડીને રોકવા માટે ક્રાઈમ બ્રાંચે બે જાણવા જોગ ફરિયાદ નોંધી હતી. ક્રાઈમ બ્રાંચની તપાસમાં સામે આવ્યુ છે કે પેડલર્સ પોલીસ સંકજામાં આવે નહી તે માટે ડમી સીમકાર્ડ અને બીજાના નામે બેંક એકાઉન્ટ ખોલાવીને નાણાકીય ટ્રાન્જેક્શન કરી રહ્યા છે. ડ્રગ્સના કેસોમાં હવે છેતરપીંડીની કલમોનો પણ ઉમેરો કરાશે. ડ્રગ્સ પર વારના અભિયાનમાં ક્રાઈમ બ્રાંચે અમદાવાદીઓ પાસે મદદ માંગી ક્રાઈમ બ્રાંચે શરૂ કરેલા અભિયાનમાં અમદાવાદીઓ પાસે પણ મદદ માંગી હતી. પોલીસ વિભાગ નાગરિકોને સતર્ક રહેવા અને નશાકારક પદાર્થોના વેચાણ અથવા વિતરણ સંબંધિત કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ કરવા અપીલ કરી છે.
ભાવનગર મહાનગર પાલિકા દ્વારા વર્ષ 2013થી કાર્પેટ એરિયાથી કરપદ્ધતિ લાગુ કરવામાં આવી છે, જેમાં શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મિલકત વેરો ચડત થઇ રહ્યું છે. તેમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સંપૂર્ણ વ્યાજ માફી આપવામાં આવે તે અંગે મનપા કમિશનરને શહેર કોગ્રેસે લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. મિલકત વેરામાં વ્યાજ માફી આપવા કમિશનરને લેખિત રજુઆતભાવનગર શહેર કોગ્રેશ પ્રમુખ દ્વારા મનપાના મેયરને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે, જેમાં સમગ્ર ગુજરાત સાથે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કાર્પેટ એરીયા પદ્ધતિથી મિલ્કતોની આકારણી 1 એપ્રિલ 2013થી અમલમાં લાવ્યા બાદ આ પદ્ધતિ હેઠળ આકારણી થયેલ મિલ્કતો માટેના ચડત કરમાં ક્યારેય વ્યાજ માફીની સ્કીમ કરદાતાઓને આપવામાં આવેલ નથી. જે છેલ્લા 12 વર્ષમાં અનેક ગરીબ અને મધ્યમ વર્ગના મિલ્કત ધારકો 2 વર્ષથી 12 વર્ષના બાકી વેરાની રકમ ઉપરાંત ઉંચા વ્યાજની રકમના કારણે બાકી વેરો ભરી શકતા નથી. જેને પગલે આ બાબતે ભાવનગર શહેરના ગરીબ અને મધ્યમવર્ગના લોકોને મિલકત વેરામાં વ્યાજ માફી આપવામાં આવે તે અંગે શહેર કોગ્રેસ પ્રમુખે મહાનગર પાલિકા કમિશનરને લેખિત રજુઆત કરવામાં આવી છે. ગરીબ અને મધ્યમવર્ગના લોકોને મનપા રાહત આપે તેવી માગઆ અંગે શહેર કોગ્રેસ પ્રમુખ મનોહરસિંહ ગોહિલએ જણાવ્યુ હતુ કે, છેલ્લા 2013થી કાર્પેટ એરિયાથી ભાવનગર મહાનગર પાલિકા દ્વારા કર પદ્ધતિ લાગુ કરવામા આવી છે. એમા ગરીબ અને મધ્યમવર્ગના લોકોનું અત્યાર સુધી ચડત જે થઈ રહ્યું છે, તો એમાં ભાવનગરની જનતા ગરીબ અને મધ્યમવર્ગના લોકોને લાભ મળે એ હેતુથી શહેર કોગ્રેસ પક્ષ દ્વારા મનપા કમિશનરને લેખિત રજુઆત કરવામા આવી કે આમાં સંપૂર્ણ વ્યાજ માફી આપે. જેથી કરીને ભાવનગરની જનતાને જે ચડત વ્યાજ ચડેલું છે, જે લોકો ભરી શકતા નથી, ટેક્ષની ભરપાઈ નથી કરી શકતા, એને રાહત મળે અને એને રાહત આપવાનું કામ કોર્પોરેશન નું જ છે. 'વ્યાજ માફી ન મળે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ મુખ્ય એજન્ડા રહેશે'તેને વધુમાં કહ્યું કે, તમે અત્યારે ચાલુ વર્ષ દરમિયાન અમદાવાદ મહાનગર પાલિકા એ 1 જાન્યુઆરી થી ત્રણ મહિના માટે સંપૂર્ણ વ્યાજ માફી અમલીકરણ કર્યું હોય, તો ભાવનગર ના ભારતીય જનતા પાર્ટીના શાસકો શુ કામ અમલવારી ન કરે, ભાવનગરની જનતા સાથે સુકામ ભેદભાવની નીતિ રાખે છે એ સમજાતું નથી. એટલે જો ભાવનગરની જનતા સાથે તમને વ્હાલ હોય, તો વહેલી તકે વ્યાજ માફીની સ્કીમ જાહેર કરો, તો જ ભાવનગરની જનતા સાથેનો તમારો વ્હાલ સાબિત થશે. એવું મારું માનવું છે. જો આ માંગણી સ્વીકારવામાં નહિ આવે, તો જન-જન સુધી આ વાત કોગ્રેસ પક્ષ દ્વારા પહોચાડવામાં આવશે અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે, તો એમાં કોગ્રેસ પક્ષનો મુખ્ય એજન્ડા આ રહેશે કે સંપૂર્ણ ચડતની વ્યાજ માફી કોગ્રેસ પક્ષ લાવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રહેણાંક અને કોમર્શિયલ પ્લોટ વેચાણ કરીને કરોડો રૂપિયાની આવક ઊભી કરવામાં આવી રહી છે. શહેરનાં પશ્ચિમ વિસ્તારમાં ગોતા, મોટેરા, થલતેજ, બોડકદેવ અને મકરબા સહિતના વિસ્તારોમાં આવેલા રેસીડેન્સિયલ અને કોમર્શિયલ હેતુ માટેના કુલ 15 પ્લોટ જાહેર હરાજીથી વેચાણ કરવાનો નિર્ણય AMCએ લીધો છે. આ પ્લોટના વેચાણથી રૂ. 1823 કરોડ જેટલી આવક મ્યુનિસિપલ કોર્પોરેશનને થાય તેવી શક્યતાઓ છે. આગામી જાન્યુઆરી મહિનામાં જાહેર હરાજી કરવામાં આવશે. મોટેરા, ગોતા, સિંધુ ભવન રોડ અને મકરબાના 15 જેટલા પ્લોટનું વેચાણસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રિઝર્વ પ્લોટ જે કોમર્શિયલ અને રેસીડેન્સિયલ હેતુ બંને માટે હોય છે તેના વેચાણથી કરોડો રૂપિયાની આવક ઊભી થઈ શકે તેમ છે જેના કારણે પશ્ચિમ વિસ્તારમાં આવેલા 15 જેટલા પ્લોટોને વેચાણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડિસ્પોઝલ ઓફ લેન્ડ અધર પ્રોપર્ટી અંતર્ગત આવનાર રચિત કમિટી દ્વારા કડિયાની કિંમતો નક્કી કરવામાં આવી છે અને જે મુજબ ભાવ નક્કી કરીને પ્લોટને જાહેર હરાજીથી વેચાણ કરવામાં આવશે. 6 જાન્યુઆરીના રોજ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને ત્યારબાદ 8, 9 અને 12 ડિસેમ્બરના રોજ જાહેર હરાજી કરવામાં આવશે. સોલા ભાડજ હેબતપુરનો 142 કરોડના ભાવના પ્લોટસૌથી મોટા ક્ષેત્રફળ ધરાવતા અને મોંઘા પ્લોટમાં શહેરના સાયન્સ સીટી રોડ પર કોમર્શિયલ હેતુનો સોલા - થલતેજ TP 42 FP 273 નો રૂ. 345 કરોડ અને રેસીડેન્સીયલ હેતુનો સોલા - થલતેજ TP 42 FP 258 નો રૂ. 306 કરોડનો ભાવ મૂકવામાં આવ્યો છે. સોલા ભાડજ હેબતપુર TP 40 FP 38નો પ્લોટ પણ રૂ. 142 કરોડના જ્યારે ગોતા વિસ્તારમાં પણ રૂ. 140 કરોડનો ભાવનો પ્લોટ વેચાણ માટે મૂકવામાં આવ્યો છે. 1800 કરોડથી વધુની આવક થવાની શકયતાઅમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશનને વિવિધ વિસ્તારોમાં પાણી, ગટર, રોડ, લાઇટ, સ્ટોર્મ વોટર લાઇન, બાગબગીચા, લાયબ્રેરી, સિવિક સેન્ટર, ફાયર સ્ટેશન વગેરે માળખાકીય સુવિધા પૂરી પાડવા તેમજ વિકાસનાં કાર્યો કરવા ટીપી સ્કીમ અંતર્ગત પ્રાપ્ત થયેલા કોમર્શિયલ અને રેસીડેન્સીયલ હેતુના પ્લોટને વેચાણ કરવામાં આવતાં હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્લોટનું વેચાણ કરી 1800 કરોડથી વધુની આવક ઊભી કરવામાં આવનાર છે.
અમદાવાદના મેઘાણીનગર પોલીસ મથક વર્ષ 2024 માં આરોપી અજય તળપદા સામે IPC અને પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો. જે સંદર્ભની ટ્રાયલ અમદાવાદમાં ચાલી જતા જજ એ.બી.ભટ્ટે સરકારી વકીલ દિલીપસિંહ.એમ.ઠાકોર અને કે.જી.જૈનની દલીલોને આધારે તેમજ 09 સાહેદ અને 20 પુરાવા તપાસીને આરોપીને દોઢ વર્ષની સજા અને 20 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સગીરા સામે અશ્લીલ ચાળા કરનારને સજાકેસને વિગતે જોતા ભોગ બનનાર સગીરાની ઉંમર સાડા દસ વર્ષની છે. તે પોતાના પિતાની દુકાને બેઠી હતી. ત્યારે આરોપી 100 રૂપિયાના છૂટ્ટા લેવા આવ્યો હતો. પરંતુ સગીરાએ છૂટા નહીં હોવાનું જણાવ્યું હતું ત્યારે આરોપીએ દુકાન સામે જ રિક્ષા ઉભી રાખીને સગીરા સામે અશ્લીલ ચાળા કર્યા હતા તેમ જ પોતાના ફોનમાં પોર્નોગ્રાફીક કન્ટેન્ટ બતાવ્યું હતું. આરોપીના મોબાઈલમાંથી પોર્ન વેબસાઈટની URL મળી આવી હતીસગીરા ભાગીને પોતાના ઘરે ગઈ હતી અને પોતાની માતાને જાણ કરી હતી. આરોપીએ સગીરાનો પીછો પણ કર્યો હતો. આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. દુકાનના CCTV ફૂટેજ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. FSLમાં આરોપીના મોબાઈલમાંથી પોર્ન વેબસાઈટની URL મળી આવી હતી. મેજિસ્ટ્રેટ સમક્ષ ભોગ બનનાર સગીરાનું નિવેદન લેવામાં આવ્યું હતું. આરોપીને ઉપરોક્ત સજા સંભળાવવામાં આવી હતી.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે આવેલા જીવાપર ગામ નજીક અજગર દેખાતા આસપાસના ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ ગામમાં જ વન વિભાગનો કંટ્રોલરૂમ છે ત્યારે આજે (23 ડિસેમ્બર) ના બપોરે સાપ દેખાયો હોવાનો ફોન આવ્યો હતો જોકે ત્યાં જઈ વન વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા તે અજગર હોવાનું સામે આવ્યું હતું. જેથી અજગરનું રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યો હતો. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક અજગર મળી આવ્યો હતોરાજકોટ - અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે આવેલા હીરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક અજગર મળી આવ્યો હતો જેને લીધે અહીંથી પસાર થતાં હવાઈ મુસાફરો અને સ્થાનિક ગ્રામજનોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. અહીં આવેલા જીવાપર ગામમાં સાપ દેખાયો હોવાનો ફોન વન વિભાગને કરવામાં આવ્યો હતો જોકે વન વિભાગના RFO સહિતની ટીમ જ્યારે ત્યાં પહોંચી ત્યારે જાણવા મળ્યું કે તે સાપ નહીં પરંતુ અજગર છે. અજગરનું રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત જગ્યાએ ખસેડાયોજેથી વન વિભાગની ટીમ દ્વારા અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જીવાપર ગામના સરપંચ દ્વારા જ વન વિભાગને ફોન કરી જાણ કરવામાં આવી હતી, જે બાદ ટીમ દ્વારા અજગરનું રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવામાં આવ્યો હતો જોકે કોઈ જાનહાનિ ન થતા વન વિભાગ અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં મંગળવારે સાંજે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગદળ દ્વારા આતંકવાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા દમન અને એક હિન્દુ યુવાનની હત્યાના વિરોધમાં યોજાયું હતું. બાંગ્લાદેશમાં દીપુદાસ નામના હિન્દુ યુવાનની ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા કરાયેલી બર્બરતાપૂર્ણ હત્યાના કારણે હિન્દુ સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ ઘટનાના વિરોધમાં હિંમતનગરમાં મહાવીરનગર ચાર રસ્તે પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા. આક્રોશિત હિન્દુ સમાજે હાઈવે પર પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ચક્કાજામ કર્યો હતો. આ પ્રદર્શન દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રાંત મંત્રી નલિનભાઈ પટેલ, RSSના રમેશભાઈ સોરઠીયા, પરિમલભાઈ પંડિત, જિલ્લા બજરંગદળ સંયોજક સંજય ભોઈ, રાજ કનોજીયા, શેખર ભાટ, જીતુ ગોસ્વામી, કિરણ દેસાઈ સહિત દુર્ગાવાહિની અને માતૃશક્તિના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.
રાજ્યના બાળકો અને યુવાનોના આરોગ્ય માટે એક મહત્વપૂર્ણ પહેલરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે 24 ડિસેમ્બર 2025ના રોજ ગાંધીનગર ખાતેથી “ટાઈપ-1 ડાયાબીટીસ (જુવેનાઈલ ડાયાબીટીસ) નિયંત્રણ કાર્યક્રમ”નો રાજ્યવ્યાપી શુભારંભ કરશે. દર્દીઓને નિ:શુલ્ક ઇન્સ્યુલિન અને જરૂરી સારવાર મળી રહેેશેેઆ વિશેષ કાર્યક્રમ હેઠળ ટાઈપ-1 ડાયાબીટીસ ધરાવતા તમામ દર્દીઓને નિ:શુલ્ક ઇન્સ્યુલિન અને જરૂરી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે. મુખ્યમંત્રીનું કહેવું છે કે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય દર્દીઓને વહેલી ઓળખ, યોગ્ય સારવાર અને લાંબા ગાળાની સંભાળ પૂરી પાડી તેમને કોમ્પ્લીકેશન મુક્ત અને ગુણવત્તાયુક્ત જીવન આપવાનું છે. ડાયાબીટીસ ધરાવતા બાળકો અને પરિવાર માટે રાહતઅધિકારીઓએ જણાવ્યું કે ટાઈપ-1 ડાયાબીટીસ એ ઓટો ઇમ્યુન રોગ છે, લાઈફસ્ટાઈલ સાથે સંબંધિત નથી, અને જેમાં શરીરનો સ્વાદુપિંડ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવામાં અસમર્થ થાય છે. પરિણામે, દર્દીઓ માટે જીવનભર ઇન્સ્યુલિન લેવું જરૂરી બની જાય છે. આ કાર્યક્રમ રાજ્યના દરેક હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રો દ્વારા લાગુ કરવામાં આવશે અને તે ડાયાબીટીસ ધરાવતા બાળકો અને પરિવાર માટે મહત્વપૂર્ણ રાહત પુરી પાડશે.
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ ગામે 'અરવલ્લી બચાવો' અંતર્ગત એક આદિવાસી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત આ સભામાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સ્થાનિકોને સંબોધિત કર્યા હતા. અરવલ્લીની ગિરિમાળાઓના રક્ષણના વિવાદ દરમિયાન ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, આદિવાસીઓના ઘરમાં રાખેલા તીર-કામઠાં અને ભાલા માત્ર શણગાર માટે નથી. જો અરવલ્લીના પહાડો પર કોઈ જોખમ આવશે, તો જરૂર પડ્યે તેનો ઉપયોગ કરવામાં આવશે. તેમણે આગામી ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડશે તેવી ચેતવણી પણ આપી હતી. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અરવલ્લીની ગિરિમાળાઓના રક્ષણ માટે એક ચળવળ શરૂ થઈ છે. ચૈતર વસાવાએ આ મુદ્દે સભાઓ યોજીને આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે ઉત્તર ગુજરાતના આદિવાસીઓ સહિત સ્થાનિક લોકોને ખાતરી આપી હતી કે તેઓ એકલા નથી અને પોતે તેમની સાથે છે. તેમણે જંગલ અને અરવલ્લીના પહાડોના રક્ષણ માટે આગામી દિવસોમાં જિલ્લા, તાલુકા અને રાજ્ય કક્ષાએ દેખાવો કરવાની હાકલ કરી હતી. વસાવાએ આક્ષેપ કર્યો હતો કે અરવલ્લીની ગિરિમાળાઓને ઉદ્યોગપતિઓને ખનન માટે આપવાનો માર્ગ મોકળો કરવામાં આવી રહ્યો છે. તેમણે ચેતવણી આપી હતી કે, 'જેમની નજર આદિવાસીની જમીનો પર કે પહાડો પર પડશે, તેમની આંખ કાઢી લેવા તૈયાર હશું.' તેમણે ફરીથી ભારપૂર્વક કહ્યું કે ઘરમાં રાખેલા તીર-કામઠાં અને ભાલા શણગાર માટે નથી, પરંતુ સમય આવ્યે અરવલ્લીના રક્ષણ માટે આદિવાસીઓ તેનો ઉપયોગ કરશે. ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, આવનારા વિધાનસભા સત્ર દરમિયાન ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં લોકો ગાંધીનગર ઉમટી પડશે અને અરવલ્લીના રક્ષણ માટે વિરોધ પ્રદર્શન કરશે. જરૂર પડ્યે, રાજસ્થાન અને હરિયાણાના આગેવાનોની હાકલ પર ગુજરાતમાંથી પણ હજારો લોકો દિલ્હી પહોંચશે. તેમણે દિલ્હીના આગેવાનો સાથે સંપર્કમાં હોવાનું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત, સાંસદ મનસુખ વસાવા દ્વારા 75 લાખ રૂપિયાના આક્ષેપને લઈને પણ ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે સાંસદના મળતીયાઓની એજન્સીઓએ લાખોના કામ કર્યા છે અને આ તેમનો બચાવ કરવાનો પ્રયાસ છે. ચૈતર વસાવાએ મનસુખ વસાવાને પડકાર ફેંક્યો હતો કે, 'સરકાર અને તંત્ર તમારું છે, તેના મારફતે તપાસ કરાવી શકો છો. જો સાત દિવસમાં આ અંગેનો કોઈ પુરાવો નહીં આપો, તો હું સાંસદ સામે કાયદેસરની કાર્યવાહી કરીશ.' પોશીના તાલુકા પંચાયતના ભાજપના સદસ્ય આપમાં જોડાયાપોશીના તાલુકા પંચાયતના ભાજપના તાલુકા સદસ્ય આજે અરવલ્લી બચાવો સભામાં આપ માં જોડાયા હતા.આપ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વાસાવાની ઉપસ્થિતિમાં આપ નો ખેસ પહેર્યો હતો.પોશીના તાલુકા પંચાયતમાં દંત્રાલ 1 બેઠકના ભાજપના સદસ્ય મુકેશભાઈ ચંદુભાઈ ડાભી સાથે ગ્રામજનો જોડાયા હતા.ગઈ કાલે ભાજપના સદસ્ય મુકેશભાઈ ડાભીએ રાજીનામુ પોશીના તાલુકા વિકાસ અધિકારીને આપ્યું હતું.
12 ડિસેમ્બરે બાંગ્લાદેશના યુવા નેતા ઉસ્માન હાદીના માથામાં ગોળી વાગી, તેના બરાબર 10 દિવસ પછી વધુ એક યુવા નેતા મોતાલેબ સિકદરના માથામાં ગોળી મારવામાં આવી. બંનેમાં ફરક એટલો કે એકના માથાં સોંસરવી ગોળી જતી રહી અને બીજાને અડી અને જતી રહી. કોમન વાત એ છે કે બંને બનાવ અને તેની ચોકસાઈ જોતાં કહી શકાય કે લગભગ આ કોઈ પ્રોફેશનલ હિટમેનનું જ કામ હોઇ શકે. આ વાત આપણે એટલા માટે કરવી જરૂરી છે કારણ કે આપણા પાડોશી દેશમાં ટારગેટેડ કિલિંગનું નવું મોડલ શરૂ થયું છે. સવાલ થાય કે શું બાંગ્લાદેશ આપણા દક્ષિણ એશિયાનું નવું સીરિયા કે બલુચિસ્તાન બનવા જઈ રહ્યું છે? વાત કરીએ બાંગ્લાદેશમાં લાગેલી જેન-ઝી આગની અને સમજીશું કે ભારત કે કોઈ બીજો દેશ વચ્ચે નહીં પડે તો કટ્ટરતાની પરાકાષ્ઠા ક્યાં પહોંચી શકે એમ છે.... નમસ્કાર..... આજના દિવસની સવારે બાંગ્લાદેશના હવામાનમાં ખાલી ઠંડી ન હતી પણ થીજી ગયેલી હતી. શેખ હસીના પાસેથી હાઈજેક કરેલી સત્તા ક્રાંતિ તો જગાવી ગઈ પણ ઉથલપાથલ પણ સર્જી ગઈ છે. બાંગ્લાદેશમાં યુવા નેતાઓને વીણી વીણીને મારવામાં આવી રહ્યા છે. બાંગ્લાદેશના ઢાકા અને ખુલનામાં જે બન્યું તે ચોંકાવનારું છે. એક જ સ્ટાઈલથી નેતા પર ગોળીબાર 12 ડિસેમ્બરે ઈન્કલાબ મંચના સંયોજક અને વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીને ગોળી મારવામાં આવી. સિંગાપોરમાં સારવાર ચાલી પણ તે બચી ન શક્યો. ત્યાર બાદ 22 ડિસેમ્બર એટલે કે ગઈકાલે બાંગ્લાદેશના ખુલનામાં નેશનલ સિટિઝન પાર્ટીના નેતા મોતાલેબ સિકદર પર પણ એ જ સ્ટાઈલથી મોટરસાઈકલ પર આવેલા શૂટર્સે માથામાં ગોળી મારી. તેમના સદનસીબ કે સિકદર બચી ગયા છે. હાદીની હત્યા યુનુસ સરકારનું ષડયંત્ર? આ ઘટનાઓએ નોબલ પીસ પ્રાઈઝ વિજેતા અને વચગાળાની સરકારના સર્વેસર્વા મોહમ્મદ યુનુસના અસ્તિત્વ પર જ સવાલ ઉભા કરી રહ્યા છે. કે હજુ સુધી તેઓ હાદીના હત્યારાને પકડી કેમ નથી શક્યા? બાંગ્લાદેશ એવો માહોલ ઉભો કરી રહ્યું છે કે આ બધુ ભારતે કરાવ્યું છે પણ કાઉન્ટર સવાલ એ પણ થાય કે તેમણે જ આવું કરાવ્યું હોય શકે કારણ કે બાંગ્લાદેશની ઈન્ટેલિજન્સ એટલી તો નબળી નહીં જ હોય કે રસ્તે ચાલતા કોઈ મોટા નેતાને ગોળી વાગી જાય અને કોણે મારી તે તેમને ખબર પણ ન પડે. ખેર, જેમની વાત આપણે કરી રહ્યા છીએ તે બંને નેતા કોણ છે તે પણ જાણી લઈએ કોણ છે મોતાલેબ સિકદર? અગાઉ આપણે ઉસ્માન હાદી વિશે વાત કરી ચૂક્યા છીએ માટે આજે ફરી તેમનો નાનો પરિચય મેળવી લઈએ.... કોણ હતો ઉસ્માન હાદી? આ ઘટનાને સમજવા માટે આપણે 15 ઓગસ્ટ 1975માં જવું પડશે. જ્યારે શેખ મુજીબુર રહેમાનની હત્યા કરવામાં આવી ત્યારે પણ બાંગ્લાદેશમાં આવી જ અસ્થિરતા હતી. ત્યારે પણ કટ્ટરપંથી તત્વોએ માથું ઊંચક્યું હતું. આજે 2024 શેખ હસીનાના પતન પછી બીજી આઝાદીના નારા લાગ્યા છે. મુજીબૂર રહેમાનમાં દેશ વિભાજન થયું હતું તો શું આ વખતે પણ એવું થશે? એ એક મોટો સવાલ પણ બને... બાંગ્લાદેશ ક્રાંતિ યુવાનોને ગળી ગઇ હાદી જેવા નેતાઓ એ કડી હતા જેઓ શેખ હસીના સરકારનું પતન ઈચ્છતા હતા, પણ ઈતિહાસ ફરી પોતાને દોહરાવી રહ્યો છે... ક્રાંતિ પોતાના જ સંતાનોને ગળી રહી છે. 1789માં ફ્રેન્ચ ક્રાંતિમાં સત્તાને પલટાવનાર નેતાને જ ગિલોટીન નામના મોતના મશીન પર ચઢાવાયા હતા; અહીં પણ એવું જ થઈ રહ્યું છે. ફરક એટલો છે કે ત્યાં ગિલોટીન હતું અને અહીં પ્રોફેશનલ હિટમેનની બુલેટ છે. મોહમ્મદ યુનુસ રાજનેતા તરીકે નિષ્ફળ! આજે ગ્રાઉન્ડ ઝીરો પર સ્થિતિ એ છે કે ઢાકા યુનિવર્સિટીના કેમ્પસથી લઈને રાજકીય ગલીઓ સુધી ફફડાટ છે. મોહમ્મદ યુનુસ ઈકોનોમિસ્ટ કે બિઝનેસમેન તરીકે સફળ રહ્યા પણ બાંગ્લાદેશમાં હાલ જે ચાલી રહ્યું છે તેના પરથી કહીએ કે યુનુસ રાજનેતા તરીકે એકદમ નિષ્ફળ સાબિત થયા તો એ અતિશયોક્તિ ન કહેવાય. આ વાતને બે રીતે સમજીએ... 1) 18-19 ડિસેમ્બરે બાંગ્લાદેશની ધ ડેઈલી સ્ટાર અને પ્રથમ આલો નામની મોટી મીડિયા ઓફિસિઝને ટોળાએ સળગાવી. મોબાઈલમાં વીડિયો જોઈએ તો બધાના ચહેરા સ્પષ્ટ દેખાય છે છતાં અસામાજીક તત્વો સામે સરકાર કંઈ ન કરી શકી. 2) બાંગ્લાદેશ સેના બે ભાગમાં વહેંચાયેલી છે અને રસ્તા પર પોલીસનું અસ્તિત્વ નહિવત છે. જે વિદ્યાર્થીઓએ હસીનાને હટાવ્યા હતા, તેઓ હવે પોતે જ શિકાર બની રહ્યા છે. છતાં કોઈ કંઈ કરી શકે એવી પરિસ્થિતિ નથી. પાકિસ્તાન-બાંગ્લાદેશનો સિક્રેટ પ્લાન? સૂત્રોના જણાવ્યા મુજબ, બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે 'મ્યુચ્યુઅલ ડિફેન્સ મેકેનિઝમ' સાઈન થઇ છે. આનો સીધો અર્થ એ છે કે જો ભવિષ્યમાં કોઈ દેશ પાકિસ્તાન પર એટેક કરશે, તો બાંગ્લાદેશ આર્મી તેને રોકશે. એટલે કે જો કંઈ થાય તો ભારતે પશ્ચિમ અને પૂર્વ બંને મોરચે લડવું પડશે. નવી ચૂંટાયેલી સરકાર આવ્યા પછી આ ડીલ સત્તાવાર રીતે વેગ પકડશે. બાંગ્લાદેશ અશાંતિ પર રશિયાનું સ્ટેન્ડ ઉસ્માન હાદીના મોત પર યુરોપ અને અમેરિકાના દૂતાવાસે સોશિયલ મીડિયા પર માનવીય સંવેદનાઓ વ્યક્ત કરી છે, પણ રશિયાનું વલણ અલગ છે. બાંગ્લાદેશમાં રશિયાના એમ્બેસેડર એલેક્ઝેન્ડર ખોજીને સ્પષ્ટ કહ્યું છે કે, જો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ધાર્મિક અને સંરક્ષણ સ્તરે શાંતિ રહેશે, તો જ દક્ષિણ એશિયા સુરક્ષિત રહેશે. રશિયા આ મામલે 'ન્યુટ્રલ' રહેવા માંગે છે અને ચૂંટણી નિષ્પક્ષ થાય તેમાં રસ ધરાવે છે. આ મામલે ભારતનું સ્ટેન્ડ વિદેશ મંત્રાલયે 14 ડિસેમ્બરે સ્પષ્ટ કર્યું હતું કે, બાંગ્લાદેશની ચૂંટણી શાંતિપૂર્ણ, મુક્ત, ન્યાયી, સમાવેશી અને વિશ્વસનીય ચૂંટણીઓ હોવી જોઈએ. અહીં એક શબ્દ છે ‘ઈન્ક્લુઝીવ’ એટલે કે સમાવેશી. જેનાથી બીટવીન ધ લાઈન્સ ભારતનો સંકેત હતો કે શેખ હસીનાની અવામી લીગ પાર્ટીને પણ ચૂંટણી લડવા દેવી જોઈએ. પરંતુ બાંગ્લાદેશની વચગાળાની સરકારે હસીનાની પાર્ટી પર જ ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે અને ભારતને વળતો જવાબ આપ્યો છે કે, પાડોશી દેશ અમને સલાહ ન આપે કે ચૂંટણી કેવી રીતે કરવી. આ કડવાશ એટલી વધી છે કે બાંગ્લાદેશે દિલ્હી અને સિલિગુડીમાં વિઝા સર્વિસ સ્થગિત કરી દીધી છે. બે દેશના આર્મી ચીફ વાત કરે એટલે સમજવું... સામાન્ય રીતે દેશો વચ્ચે સર્વોચ્ચ નેતાઓ વાત કરતા હોય છે, પણ જ્યારે બે દેશના આર્મી ચીફ વચ્ચે સીધી વાત થાય, ત્યારે સમજવું કે સ્થિતિ અતિ ગંભીર છે. ભારત અને બાંગ્લાદેશના આર્મી ચીફ વચ્ચે બંને દેશોની સુરક્ષા મામલે વાતચીત થઈ છે. જોકે બાંગ્લાદેશી આર્મીએ ભારતીયોની સુરક્ષાની ગેરંટી આપી છે, પણ જમીની હકીકત અલગ છે. સરહદ પર ભારતીય જવાન વેદ પ્રકાશ સાથે બનેલી ઘટના એ પુરાવો છે કે સ્થિતિ ગમે ત્યારે વણસી શકે છે. ભારતનું સ્ટેન્ડ ક્લિયર છે: બાંગ્લાદેશના લઘુમતી સમાજ અને ભારતીય સંસ્થાનો પર આંચ ન આવવી જોઈએ. હાદી-મોતાલેબ: પોલિટિકલ ક્લીન્ઝિંગ? રાજનીતિના ચશ્મા પહેરીને આને સમજીએ તો બની શકે કે આ હત્યાઓ વ્યક્તિગત અદાવત ન પણ હોય. શું ખબર કોઈ પોલિટિકલ ક્લીન્ઝિંગ પણ હોય શકે? બની શકે કે જે નેતાઓ ભાવિ સરકારને નડતા હોય તેમને હટાવવામાં પણ આવી રહ્યા હોય. વેપારીઓ ભાગ્યા! નિકાસ ઠપ્પ? બાંગ્લાદેશની હાલની આર્થિક સ્થિતિ અને અત્યારે બની રહેલી ઘટનાઓને જોડીએ તો ગારમેન્ટ ઉદ્યોગ, જે બાંગ્લાદેશની કરોડરજ્જુ છે, તે લોહીલુહાણ થઈ રહ્યો છે. નિકાસમાં 30%નો ઘટાડો થયો છે. કારણ કે જ્યારે દેશમાં અરાજકતા હોય છે ત્યારે વિદેશી રોકાણકારો પણ માઈગ્રેશન પ્રવાસીની જેમ ઉડી જાય છે. હાદીની હત્યા અને 127 કરોડનું કાવતરું! આ વિવાદમાં સૌથી મોટી વાત જે બાંગ્લાદેશની CIDના તપાસમાં સામે આવી છે તે છે 127 કરોડ ટાકા (90 કરોડ ભારતીય રૂપિયા)ના કાવતરાની વાત. સીઆઈડીએ 21 ડિસેમ્બર રવિવારે જણાવ્યું હતું કે, ઉસ્માન હાદીની હત્યાના મુખ્ય શંકાસ્પદ આરોપી ફૈઝલ કરીમ મસૂદ (શૂટર) અને તેના સાથીદારોના બેંક ખાતાઓમાં 127 કરોડ ટાકાના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. આને બિગર પિક્ચરમાં જોઈએ તો સમજાય છે કે હાદીની હત્યા વ્યક્તિગત દુશ્મનાવટ નહીં હોય પણ તેની પાછળ કોઈ મોટું નાણાકીય સિન્ડિકેટ પણ કામ કરતું હોય શકે. જે હશે તે ટૂંક સમયમાં સામે આવશે. બાંગ્લાદેશની ભારતને ખુલ્લી ધમકી આ જ મુદ્દે બાંગ્લાદેશના હસનત અબ્દુલ્લા જેવા નેતાઓ ખુલ્લે આમ ભારતના સેવન સિસ્ટર એટલે કે સાત રાજ્યોને અલગ કરવાની ધમકી આપી રહ્યા છે. બની શકે કે શબ્દો તેમના હોય, સ્ક્રિપ્ટ ISI કે બેઈજિંગથી આવી હોય. પણ ભારતની સાર્વભૌમત્વ પર આ એક મોટો ઘા છે. કોમી હિંસા ફાટશે તો... બાંગ્લાદેશની હિંસાને રાજકીય રમત જ ન કહી શકાય કારણ ઘટનાઓની ક્રોનોલોજી સમજીએ તો ખબર પડે છે કે આ ઉહાપો કોમી રંગ પણ પકડી રહ્યો છે. બાંગ્લાદેશના લઘુમતી સમાજને ટાર્ગેટ કરવાના પણ સમાચારો સામે આવ્યા છે. શેખ હસીના સરકારના પતન પછી ભારત-બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો ઈતિહાસના સૌથી નીચલા સ્તરે છે. વિઝા સર્વિસ બંધ છે, વેપાર બંધ છે, સરહદ પર ભારતીય સૈનિકો તહેનાત કરી દેવાયા છે અને બાકી પણ ઘણું થઈ રહ્યું છે. ચઢતા લોહીને શાંત કરવા મથામણ! સામેની બાજુ જેન-ઝીનો આક્રોશ શાંત કરવા માટે સરકાર ઉસ્માન હાદી કેસને સ્પીડી ટ્રાયલ ટ્રિબ્યુનલમાં ચલાવવાની જાહેરાત કરી છે. જેથી સરકાર ગંભીર છે તેવું લાગે પણ જમીન પર ચિત્ર અલગ ઉપસી આવે છે. અને છેલ્લે... અમેરિકાના પેન્સિલવેનિયાના ચૂંટણી મંચ પર ડોનાલ્ડ ટ્રંપના કાનને અડીને નીકળેલી એ ગોળી બાદ તેમની સરકાર બની હતી. ખુલનાના ગીચ રસ્તા પર આ જ મેથડ મોતાબેલ સિકદર સાથે પણ બની છે. ગોળી તેમને માથામાં વાગી છે પણ ચામડી ચીરાઈ છે. આ આંતરાષ્ટ્રીય ઘટનાની સમાનતા બીટવીન ધ લાઈન્સ એક મોટો સંદેશ પણ આપી જાય છે. ટ્રંપનો બનાવ સાક્ષાત ઉદાહરણ છે કે બુલેટનો પ્રહાર બેલેટ પર મોટો અસર કરીને જાય છે. બાંગ્લાદેશમાં પણ શરૂઆતમાં ચૂંટણી આવી રહી છે. શું આ લોહીલુહાણ ખેલ નવા શાસકને જન્મ આપશે કે પછી બાંગ્લાદેશને કાયમી અંધકારમાં ધકેલી દેશે? સોમવારથી શુક્રવાર રોજ રાત્રે 8 વાગ્યે દિવ્ય ભાસ્કર એપ પર જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર ((રિસર્ચ- સમીર પરમાર))
અમદાવાદ એરપોર્ટ પરથી આવતી–જતી ફ્લાઈટોના સંચાલન પર આજે ભારે અસર જોવા મળી હતી. દેશભરમાં પડી રહેલી કડક ઠંડી અને ધુમ્મસના કારણે અમદાવાદ એરપોર્ટ પર કુલ ચાર ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હતી, જ્યારે લગભગ 20 જેટલી ફ્લાઈટો કલાકો સુધી મોડે ચાલતી રહી, જેના કારણે મુસાફરો ભારે પરેશાન બન્યા હતા. અમદાવાદથી વારાણસી, ભુવનેશ્વર અને જયપુર જતી ફ્લાઈટ રદઅમદાવાદથી વારાણસી જતી અને વારાણસીથી અમદાવાદ આવતી ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હતી. ઉપરાંત અમદાવાદથી ભુવનેશ્વર અને જયપુર જતી ફ્લાઈટ પણ કેન્સલ થતાં એરપોર્ટ પર પહોંચી ગયેલા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. જેદ્દાહથી અમદાવાદ આવતી ફ્લાઈટ ચાર કલાક લેટબીજી તરફ, અનેક ફ્લાઈટો ધુમ્મસના કારણે લેટ પડી હતી. અમદાવાદથી ચેન્નાઈ જતી ફ્લાઈટ સવારે 6 વાગ્યે રવાના થવાની હતી, પરંતુ તે બપોરે 12 વાગ્યા સુધી ટેકઓફ થઈ શકી નહોતી. આખરે ફ્લાઈટ છ કલાકની મોડી રવાના થતા મુસાફરોએ એરપોર્ટ પર રોષ વ્યક્ત કરી હોબાળો કર્યો હતો. જેદ્દાહથી અમદાવાદ આવતી ફ્લાઈટ પણ તેના નિયત સમય કરતાં ચાર કલાક લેટ પહોંચતાં મુસાફરોને મુશ્કેલી પડી હતી. લેટ આવતી ફ્લાઈટોના કારણે અમદાવાદથી આગળની ફ્લાઈટો પણ મોડે રવાના થઈ, જેના કારણે આખું શિડ્યૂલ ખોરવાઈ ગયું હતું. અનેક એરલાઇન્સ ડીલે થતા મુસાફરોએ રોષ વ્યક્ત કર્યોધુમ્મસના કારણે પૂરતી વિઝિબિલિટી ન મળતાં પાઇલોટોને ટેકઓફ અને લેન્ડિંગ દરમિયાન મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને વહેલી સવારે અને મોડી સાંજે ફ્લાઈટ ઓપરેશનમાં ડીલે થઈ રહ્યો હોવાનું એરલાઈન સૂત્રો જણાવી રહ્યા છે. ફ્લાઈટ રદ અને વિલંબના કારણે મુસાફરો એરપોર્ટ પર લાંબા સમય સુધી અટવાઈ રહ્યા હતા અને અનેક એરલાઇન્સ ડીલે થવાને કારણે મુસાફરો પણ રોષે ભરાયા હતા.
વાપીની થર્ડ એડિશનલ સેશન્સ કોર્ટે પત્નીની હત્યા કરનાર પતિને ફાંસીની સજા ફટકારી છે. આ કેસમાં આરોપીએ 29 વર્ષીય પત્નીનું માથું ધડથી અલગ કરી નાળામાં ફેંકી દીધું હતું. કોર્ટે આ ઘટનાને અત્યંત ક્રૂર ગણાવી છે. કેસની વિગતો અનુસાર, વાપીના ડુંગરી ફળિયામાં યાદવની ચાલીમાં ભાડાના રૂમમાં રહેતા લક્ષ્મીકાન્ત ઉર્ફે ભોલા મુચકુંદલાલ વિશ્વકર્મા તેની પત્ની સાધનાદેવી (ઉંમર 29) પર શંકા રાખી વારંવાર ઝઘડા કરતો હતો. 16 સપ્ટેમ્બર 2021ના રોજ રાત્રે 1 થી 2 વાગ્યાની વચ્ચે તેણે મોટા છરા વડે પત્નીનું ગળું કાપી માથું ધડથી અલગ કરી હત્યા કરી હતી. ઓળખ છુપાવવા માટે તેણે માથું નજીકના મચ્છી માર્કેટના નાળામાં ફેંકી દીધું હતું. ઘટના સમયે રૂમમાલિક ચંદ્રકેશ ખુશાલ યાદવ અને તેમની પત્ની અવાજ સાંભળી જાગી ગયા હતા. તેમણે આરોપીને એક હાથમાં લોહીલુહાણ માથું અને બીજા હાથમાં છરો લઈને નાળા તરફ જતા જોયો હતો. તાત્કાલિક 100 નંબર પર જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે નાળામાંથી માથું અને રૂમમાંથી ધડ શોધી કાઢ્યું હતું. ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં ટ્રાયલ દરમિયાન સરકારી વકીલ રાકેશ ચાંપાનેરિયાની દલીલોને ધ્યાનમાં રાખીને ન્યાયાધીશ પુષ્પા સૈનીએ આરોપીને દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે IPC કલમ 302 હેઠળ મૃત્યુદંડ (ફાંસી) અને 5,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો દંડ ન ભરાય તો બે વર્ષની સાદી કેદનો હુકમ કરાયો છે. આ ઉપરાંત, IPC કલમ 201 હેઠળ પુરાવા નષ્ટ કરવા બદલ પાંચ વર્ષની સખત કેદ અને 1,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. દંડ ન ભરાય તો છ મહિનાની સાદી કેદની સજાનો આદેશ અપાયો છે. આ ચુકાદો મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ સામે કડક સંદેશો આપે છે.
મહેસાણા જિલ્લામાં ચોરીનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. સતલાસણા તાલુકામાં આવેલા હિમતપુરા ગામે રહેતા વ્યાપારી પોતાના પરિવાર સાથે ખેતરમાં ગયા એ દરમિયાન અજાણ્યા તસ્કરો મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના રોકડા મળી કુલ 6.37 લાખના મત્તાની ચોરી કરી તસ્કરો રફુચક્કર થઈ ગયા હતા. સમગ્ર ચોરીની ઘટના અંગે સતલાસણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. તસ્કરોએ તિજોરી તોડી 6.37 લાખની મત્તા લઈને ફરારસતલાસણા તાલુકામાં આવેલા હિંમતપુરાના ચૌધરી વાસમાં રહેતા કાનજીભાઈ ચૌધરીએ સતલાસણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, 22 ડિસેમ્બરના રોજ બપોરના સમયે પિતા, માતા અને પત્ની સાથે ઉમરેચા ગામની સીમમાં આવેલા ખેતરમાં ગયા હતા અને સાંજે પરત ઘરે આવ્યા એ દરમિયાન લાકડાના દરવાજા જાળીનું તાળું તૂટેલ હાલતમાં હતું. ત્યારબાદ ઘરમાં તપાસ કરતા બધો સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. તસ્કરોએ તિજોરી તોડી એમાં રહેલા દાગીના અને ભેંસ વેચી હતી એના રૂપિયા મળી કુલ 6 લાખ 37 હજાર 772ના મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. સમગ્ર ચોરીની ઘટના અંગે સતલાસણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
સુરત શહેરના ભીમરાડ વિસ્તારમાં આવેલી એક રહેણાંક સોસાયટીમાં આજે અચાનક વોશિંગ મશીનમાં ધડાકો થતા નાસભાગ મચી ગઈ હતી. સુમન સ્મિત આવાસના બીજા માળે એક ફ્લેટમાં વોશિંગ મશીન ફાટવાને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. જોકે, ફાયર વિભાગની સતર્કતાને કારણે મોટી જાનહાની ટળી છે. ધડાકા સાથે આગ ફાટી નીકળી મળતી માહિતી મુજબ, ભીમરાડ ગામ નજીક આવેલા સુમન સ્મિત આવાસના બીજા માળે એક ફ્લેટમાં આ ઘટના બની હતી. ફ્લેટના પાછળના ભાગમાં રાખેલા વોશિંગ મશીનમાં અચાનક જોરદાર ધડાકો થયો હતો. ધડાકો એટલો પ્રચંડ હતો કે જોતજોતામાં આગની જ્વાળાઓ ફેલાઈ ગઈ હતી અને ઘરના ઇલેક્ટ્રિક વાયરીંગમાં પણ આગ પ્રસરી ગઈ હતી. ફાયર વિભાગની તાત્કાલિક કાર્યવાહી ઘટનાની જાણ થતા જ સ્થાનિકોમાં ફાળકો પડી ગયો હતો અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોઈને ભીમરાડ અને વેસુ ફાયર સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર ઓફિસર પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે, અમને કોલ મળતા જ અમારી ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી. ફ્લેટના પાછળના ભાગે વોશિંગ મશીનમાં ધડાકા સાથે લાગેલી આગને કારણે વાયરીંગ પણ બળી ગયું હતું. અમે તાત્કાલિક પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. આગની સમગ્ર ઘટનામાં જાનહાની નહીં આ દુર્ઘટનામાં વોશિંગ મશીન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું છે અને ઘરના અમુક હિસ્સામાં વાયરીંગને નુકસાન થયું છે. સદનસીબે, ફાયર વિભાગની સમયસૂચકતા અને ત્વરિત કામગીરીને કારણે આગ વધુ પ્રસરે તે પહેલા જ બુઝાવી દેવામાં આવી હતી, જેને પગલે કોઈ પણ પ્રકારની જાનહાની નોંધાઈ નથી. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટથી ધડાકો બાદ આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
સુરત શહેરમાં ચર્ચાસ્પદ બનેલી સાત વર્ષની બાળકીની દીક્ષાનો મામલો હવે ફરી એકાએક ગરમાયો છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે, પિતાની કોર્ટમાં કરાયેલી અરજીને પગલે દીક્ષા પ્રક્રિયા અટકી છે, પરંતુ હવે આ કેસમાં માતાના પક્ષે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. માતાના વકીલ કેતન રેશમવાલાએ સ્પષ્ટ કર્યું છે કે માતાએ પોતે જ દીકરીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને એફિડેવિટ કર્યું છે. માતાએ જ કોર્ટમાં એફિડેવિટ કરી દીક્ષા અટકાવીઆ કેસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે જાણવા મળ્યું કે, બાળકીની માતાએ પોતે જ કોર્ટમાં એક સોગંદનામું રજૂ કર્યું છે. આ એફિડેવિટમાં માતાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે તે અત્યારે પોતાની સાત વર્ષની દીકરીને દીક્ષા આપવા માંગતી નથી. આમ, દીક્ષા રોકાવા પાછળ કોઈ કાયદાકીય સ્ટે નહીં પરંતુ માતાની પોતાની અસંમતિ મુખ્ય કારણ છે. 'પિતાએ પબ્લિસિટી સ્ટંટ કર્યાનો વકીલનો આક્ષેપવકીલ કેતન રેશમવાલાએ પિતા પર ગંભીર આક્ષેપો કર્યા છે. વકીલના જણાવ્યા અનુસાર, પિતાએ માતાને બદનામ કરવા અને ખોટી લોકપ્રિયતા મેળવવા માટે આ અરજી કરીને પબ્લિસિટી સ્ટંટ કર્યો છે. હકીકતમાં જ્યારે માતા પોતે જ દીક્ષાની વિરુદ્ધમાં એફિડેવિટ કરી ચૂકી છે, ત્યારે પિતા દ્વારા કરવામાં આવેલી અરજીનો કોઈ અર્થ રહેતો નથી. પુખ્ત વયની થયા બાદ જ દીક્ષાનો નિર્ણય?માતાએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી પિતાની સંપૂર્ણ સંમતિ નહીં હોય ત્યાં સુધી દીક્ષાની પ્રક્રિયા આગળ વધશે નહીં. અથવા તો દીકરી પોતે પુખ્ત વયની 18 વર્ષની ન થાય અને પોતાનો નિર્ણય લેવા સક્ષમ ન બને ત્યાં સુધી તેને દીક્ષા આપવામાં આવશે નહીં. 2 જાન્યુઆરીએ અંતિમ નિર્ણય સામે આવશેઆ પારિવારિક અને ધાર્મિક વિવાદ હવે કાયદાના આંગણે પહોંચ્યો છે. દીક્ષા મામલે થયેલી અરજી અને માતાની એફિડેવિટ બાદ હવે કોર્ટ આ મામલે શું વલણ અપનાવે છે તેના પર સૌની નજર છે. આ કેસની વધુ સુનાવણી આગામી 2 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે, જેમાં બાળકીના ભવિષ્ય અંગે મહત્વનો નિર્ણય આવી શકે છે.
ગુજરાત હાઇકોર્ટના સિંગલ જજે ચિરિપાલ ટ્રસ્ટ સંચાલિત અમદાવાદમાં આવેલ શાંતિ બિઝનેસ સ્કૂલની રિકોલ અરજી ફગાવી નાખી હતી. કારણ કે તે 584 દિવસના વિલંબથી કરવામાં આવી હતી. જેના હુકમને ડબલ જજની બેન્ચ સમક્ષ પડકારતા તેઓએ પણ શાંતિ બિઝનેસ સ્કૂલની અરજી નકારી નાખી છે. મૂળ આ કેસમાં શાંતિ બિઝનેસ સ્કૂલ પાસે તત્કાલીન સમયે યોગ્ય મંજૂરીઓ ન હોવા છતાં 249 જેટલા વિધાર્થીઓને BBA કોર્સમાં એડમિશન આપ્યું હતું અને મોટી ફી વસૂલવામાં આવી હતી. જેમાં વિધાર્થીઓની ડિગ્રીની માન્યતા બાબતે પ્રશ્ન સર્જાતા રાજ્ય સરકારે ગુજરાત યુનિવર્સિટીની કમિટી બેસાડી હતી. જેઓએ શાંતિ બિઝનેસ સ્કૂલને વિધાર્થીઓને દોઢ ગણી ફી પરત ચૂકવવા હુકમ કર્યો હતો. વિધાર્થીઓને જે તે સમયે છેતરવામાં આવ્યા હતાઆશ્ચર્યજનક રીતે ફુલ ટાઇમ BBA કોર્સમાં પ્રવેશ આપવાનું કહીને શાંતિ બિઝનેસ સ્કૂલ દ્વારા છતીસગઢની સી.વી.રમન યુનિવર્સિટી દ્વારા ડિસ્ટન્સ લર્નિંગ કોર્સ કરાવી દેવાતો હતો. આમ વિધાર્થીઓને જે તે સમયે છેતરવામાં આવ્યા હતા. સી.વી. રમન યુનિવર્સિટી છત્તીસગઢની હદ બહાર આવો કોઈ ડિસ્ટન્સ લર્નિંગ કોર્સ ચલાવી શકતી નહોંતી કે ના SBS ના કોર્સને UGCની મંજૂરી હતી. 100 ટકા રિફંડ તેમજ 50 ટકા દંડ ચૂકવવાનો આદેશ આપ્યો હતોશાંતિ બિઝનેસ સ્કૂલ ગુજરાત યુનિવર્સિટીના નિર્ણય સામે હાઇકોર્ટ પહોંચી હતી અને જણાવ્યું હતું કે યુનિવર્સિટીએ તેમને સાંભળ્યા વગર એક તરફી ચુકાદો આપ્યો છે. જેમાં ગુજરાત યુનિવર્સિટીએ નોંધ્યું હતું કે સંસ્થાએ ગંભીર અનિયમિતતાઓ આચરી છે. જેના કારણે વિદ્યાર્થીઓને નુકસાન અને તકલીફ પહોંચી છે. તેથી SBSને વિદ્યાર્થીઓએ ભરેલી ફીનું 100 ટકા રિફંડ કરવા તેમજ 50 ટકા દંડ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ડિલે-કમ-રિસ્ટોરેશન અરજી દાખલ કરી હતીSBS એ હાઇકોર્ટમાં કરેલી અરજી વર્ષ 2019માં સ્વીકારવામાં આવી હતી. પરંતુ SBSને યુનિવર્સિટીના આદેશ પર સ્ટે મળ્યો નહોતો. વળી વર્ષ 2022 માં SBS તરફે કેસ લડતા વકીલ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે પસંદગી પામ્યા હતા. ત્યારબાદ SBS દ્વારા નવો વકીલ રોકવામાં આવ્યો નહોતો. આથી કોર્ટે કેસ વર્ષ 2022 માં જ કાઢી નાખ્યો હતો. વર્ષ 2024માં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ગુજરાત યુનિવર્સિટીના આદેશના અમલ માટે અલગ અરજી દાખલ કર્યા બાદ SBSએ અચાનક લગભગ 1.5 વર્ષની વિલંબ સાથે ડિલે-કમ-રિસ્ટોરેશન અરજી દાખલ કરી હતી. 'SBS દ્વારા વિલંબ માટે કોઈ પૂરતું કારણ રજૂ કરવામાં આવ્યું નથી'વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી હાજર રહેલા એડવોકેટ ઓમ કોટવાલે આ અરજીનો વિરોધ કરતા દલીલ કરી હતી કે SBS બોનાફાઇડ ધરાવતું નથી અને વિદ્યાર્થીઓ તથા વાલીઓ દ્વારા યુનિવર્સિટીના આદેશના અમલ માટે અરજી દાખલ થયા બાદ જ ન્યાયમાં અવરોધ ઊભો કરવા માટે આ અરજી કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે SBS દ્વારા વિલંબ માટે કોઈ પૂરતું કારણ રજૂ કરવામાં આવ્યું નથી. સિંગલ જજે અને હાઇકોર્ટના ડબલ જજની બેન્ચ અપીલ નકારી છેસિંગલ જજે SBSની વિલંબ અને પુનઃસ્થાપના અરજીઓ રદ કરી દીધી હતી. ત્યારબાદ SBSએ મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતામાં આવેલી ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલ દાખલ કરી હતી. જેને પણ નકારી નાખવામાં આવેલ છે. વિધાર્થીઓના એડવોકેટ ડો.ઓમ કોટવાલે અદાલતને જાણ કરી હતી કે છેલ્લા 08 વર્ષથી કોઈ સ્ટે ન હોવા છતાં SBSએ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આદેશિત 100 ટકા ફીનું રિફંડ કે 50 ટકા દંડ એક રૂપિયો પણ હજી સુધી વિધાર્થીઓને ચૂકવ્યો નથી.
દાવતે ઇસ્લામી ઇજતેમામાં 200થી વધુ દર્દીઓનું નિદાન:ડૉ. કિરણ જયસ્વાલે વિના મૂલ્યે તપાસ કરી દવાઓ આપી
વડોદરામાં આજરોજ તાંદલજા વિસ્તારમાં દાવતે ઇસ્લામીની વડોદરા શાખા દ્વારા બે દિવસીય ઇજતેમાનું આયોજન કરાયું હતું. કિસ્મત ચોકડી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શહેર અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ ઇજતેમા દરમિયાન જાણીતા સ્પાઇન સર્જન ડૉ. કિરણ જયસ્વાલ અને તેમની ટીમે સતત બે દિવસ સુધી ૨૦૦થી વધુ દર્દીઓનું વિના મૂલ્યે ચેકઅપ કરી દવાઓ પૂરી પાડી હતી.દાવતે ઇસ્લામી ઇન્ડિયાના વડા નિગારા હાજી સાજિદ ભાઈએ તબીબી સારવાર કેમ્પમાં સેવા આપવા બદલ ડૉ. કિરણ જયસ્વાલ અને તેમની ટીમને બુકે આપી સન્માનિત કર્યા હતા. નિગારા હાજી સાજિદ ભાઈએ યુનિટી યુથ ફાઉન્ડેશનના પ્રમુખ સાજિદ પઠાણનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. પઠાણે આ ધાર્મિક કાર્યક્રમમાં સર્વરોગ નિદાન મેડિકલ કેમ્પ યોજવાનું સૂચન કર્યું હતું અને ડૉ. કિરણ જયસ્વાલની ટીમને સેવા આપવા માટે તૈયાર કર્યા હતા. આ સર્વરોગ નિદાન કેમ્પ એક નવતર અભિગમ હતો, જેમાં 200થી વધુ લોકોએ તબીબી તપાસનો લાભ લીધો હતો. કેમ્પના લાભાર્થીઓને જરૂરિયાત મુજબ સ્પાઇનિટિક હોસ્પિટલ દ્વારા વિના મૂલ્યે દવાઓ પણ પૂરી પાડવામાં આવી હતી. દૂર દૂરથી આવેલા અને ખુલ્લા આકાશ નીચે 48 કલાક વિતાવનારા લોકોને આકસ્મિક માંદગી વખતે કેમ્પમાં પ્રાથમિક સારવાર મળતા તેઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો. આયોજકો દ્વારા વ્યસ્ત સમયમાંથી સમય કાઢીને સતત 48 કલાક સુધી સેવા આપનાર ડૉ. કિરણ જયસ્વાલ અને તેમની ટીમનો જાહેર આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ગુજરાત હાઇકોર્ટમાં ગાંધીનગરથી બે અરજદારોએ તાજેતરમાં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘ધુરંધર’માં બલોચ સમુદાય સામે અશ્લીલ, અપમાનજનક અને અવમાનનાસ્પદ ભાષાનો ઉપયોગ કરીને બદનામ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરીને ફિલ્મમેકર આદિત્ય ધાર, જીયો સ્ટુડિયો, CBFC, બોલિવૂડ અભિનેતા સંજય દત્ત વગેરેને પક્ષકાર બનાવીને અરજી દાખલ કરી છે. અરજદાર પૈકી એક ઉતર ગુજરાત બલોચ સમાજ ટ્રસ્ટના ઉપપ્રમુખ છે. ફિલ્મનો ડાયલોગ બલોચ સમુદાય માટે અપમાનજનકઅરજદારે સંજય દત્તના પાત્ર SP ચૌધરી અસલમ દ્વારા બોલાયેલા એક સંવાદ પર વાંધો ઉઠાવ્યો છે, જેમાં કહેવામાં આવે છે, “તમે મગર પર ભરોસો રાખી શકો, પરંતુ બલોચ પર નહીં.” અરજદારોએ ફિલ્મમાં બોલાયેલા અન્ય કેટલાક સંવાદોનો પણ ઉલ્લેખ કર્યો છે અને આક્ષેપ કર્યો છે કે તે બલોચ સમુદાયને અપમાનજનક અને તિરસ્કારભર્યા રૂપમાં રજૂ કરે છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કોઈ સમુદાય સામે જાણી જોઈને અશ્લીલ અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવો એ દ્વેષપ્રેરિત ભાષણ સમાન છે, જે સામાજિક અસમંજસતા ફેલાવે છે અને સમાનતા, ગૌરવ અને સન્માનના મૂળભૂત સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે. આપણ વાંચો: 'ધુરંધર'ના ડાયલોગ સામે ગુજરાતના બલોચ સમાજે બાંયો ચઢાવી, PM મોદીને પત્ર લખ્યો ફિલ્મમેકરો જાહેર માફી માગેઅરજીમાં ફિલ્મમેકરો પાસેથી જાહેર માફી માંગવાની માંગ કરવામાં આવી છે. સાથે જ માગ કરવામાં આવી છે કે, “ફિલ્મ ‘ધુરંધર’માંથી, તેમાંના ટ્રેલર્સ, પ્રમોશનલ સામગ્રી અને ઓનલાઈન કન્ટેન્ટ સહિત, બલોચ સમુદાય સામેના તમામ બદનામક, અશ્લીલ અને અપમાનજનક સંદર્ભો દૂર કરવામાં આવે, ડિલીટ કરવામાં આવે અથવા સેન્સર કરવામાં આવે. વાણી સ્વતંત્રતાનો દુરુપયોગ કરી શકાય નહીં. આ અંગે 24 ડિસેમ્બરના રોજ હાઇકોર્ટમાં સુનાવણી યોજાશે. ફિલ્મમાં શું બતાવ્યું છે?ફિલ્મની સ્ટોરી 1999માં થયેલા IC-814 વિમાન અપહરણ અને 2001ના ભારતીય સંસદ હુમલાની પૃષ્ઠભૂમિથી પ્રેરિત છે. સ્ટોરીની શરૂઆત ભારતીય ગુપ્તચર એજન્સીના પ્રમુખ અજય સાન્યાલ (આર માધવન)થી થાય છે, જે પાકિસ્તાનમાં ચાલી રહેલા આતંકવાદ અને અંડરવર્લ્ડ નેટવર્કને ખતમ કરવાની યોજના બનાવે છે. આ માટે તેમને એક એવા યુવકની જરૂર હોય છે, જેની કોઈ ઓળખ ન હોય અને જે કોઈ ગુનામાં ફસાયેલો હોય. તેમની શોધ પંજાબના 20 વર્ષના હમઝા (રણવીર સિંહ) સુધી પહોંચે છે, જે જેલમાં બંધ છે. હમઝાને વિશેષ તાલીમ આપવામાં આવે છે અને મિશન માટે પાકિસ્તાન મોકલવામાં આવે છે. આ પણ વાંચો: 'ધુરંધર' ફિલ્મ સામે ગુજરાતમાં વિરોધની ચિનગારી ઊઠી, જૂનાગઢનો બલોચ સમાજ આકરાપાણીએ પાકિસ્તાનમાં હમઝાનો સામનો લ્યારીના ખતરનાક અંડરવર્લ્ડ સાથે થાય છે, જ્યાં તેને ગેંગસ્ટર રહેમાન ડાકુ (અક્ષય ખન્ના) અને કરાચીના એસપી ચૌધરી અસલમ (સંજય દત્ત) જેવા ખતરનાક લોકો સાથે કામ પાર પાડવું પડે છે. ફિલ્મનો પહેલો ભાગ ગેંગસ્ટર દુનિયા, અપરાધ અને હિંસા દર્શાવે છે, જ્યારે ફિલ્મનો બીજો ભાગ જાસૂસી, છેતરપિંડી અને ષડયંત્રથી ભરેલો છે. સ્ટોરી દર્શકોને અંત સુધી ઉત્સુક રાખે છે કે શું હમઝા તેના મિશનમાં સફળ થાય છે અને કેવી રીતે તે અંડરવર્લ્ડનો સફાયો કરે છે. કોણ છે બલોચ?બલૂચિસ્તાનના કલાત રજવાડાના છેલ્લા શાસક મીર અહેમદ યાર ખાને તેમના પુસ્તક 'ઇનસાઇડ બલૂચિસ્તાન'માં લખ્યું છે કે બલોચ પોતાને પયગંબર ઇબ્રાહિમના વંશજ માને છે. તેઓ સિરિયાના વિસ્તારમાં રહેતા હતા. વરસાદના અભાવ અને દુષ્કાળને કારણે આ લોકોએ સ્થળાંતર કરવાનું શરૂ કર્યું. સિરિયા છોડ્યા પછી આ લોકોએ ઈરાનના પ્રદેશમાં પડાવ નાખ્યો. તત્કાલીન ઈરાની રાજા નુશેરવાનને આ ગમ્યું નહીં અને તેમણે આ લોકોને અહીંથી ભગાડી દીધા. આ પછી આ લોકો એ વિસ્તારમાં પહોંચ્યા, જેનું નામ પાછળથી બલૂચિસ્તાન રાખવામાં આવ્યું. જ્યારે બલોચે ઈરાન છોડ્યું ત્યારે તેમનો નેતા મીર ઇબ્રાહિમ હતા. જ્યારે તેઓ બલૂચિસ્તાન પહોંચ્યા ત્યારે તેમની જગ્યાએ મીર કમ્બર અલી ખાન આવ્યા. આ કુળને પયગંબર ઇબ્રાહિમના નામ પરથી બ્રાહીમી કહેવામાં આવતું હતું, જે પાછળથી બ્રાવી અથવા બ્રોહી બન્યું. બલોચે મુઘલોને હિન્દુ રાજવંશ હટાવવામાં મદદ કરીબલોચ લોકો આ વિસ્તારમાં સ્થાયી થયા. ઘણાં વર્ષો પછી જ્યારે મુઘલોએ ભારત પર શાસન કર્યું ત્યારે તેઓ બલોચ લોકોના સાથી બન્યા. આ દરમિયાન બલૂચિસ્તાનના કલાત વિસ્તારમાં સેવા (Sewa) વંશનું શાસન હતું, જેને હિન્દુ રાજવંશ માનવામાં આવે છે. આ રાજવંશના એક પ્રખ્યાત શાસક રાણી સેવી (Rani Sewi) હતાં, જેમના નામ પરથી પાછળથી સિબી પ્રદેશનું નામ પડ્યું. સેવા રાજવંશ મુખ્યત્વે કલાત અને એની આસપાસના વિસ્તારોમાં શાસન કરતો હતો અને એ સમયે આ રાજવંશ હિન્દુ પરંપરાઓનું પાલન કરતો હતો. ભારતના મુઘલ સમ્રાટ અકબરે 1570ના દાયકામાં બલૂચની મદદથી કલાત પર આક્રમણ કર્યું અને સેવા વંશ પાસેથી તેનું નિયંત્રણ છીનવી લીધું. 17મી સદીના મધ્યમાં મુઘલોનું શાસન નબળું પડવા લાગ્યું અને બલૂચ જાતિઓએ બળવો શરૂ કર્યો. મુઘલોએ 18મી સદી સુધી અહીં શાસન કર્યું, પરંતુ બલૂચો દ્વારા તેમને હાંકી કાઢવામાં આવ્યા. અહીંથી બલોચોએ કલાતમાં પોતાના રાજ્યનો પાયો નાખ્યો અને બલૂચિસ્તાનમાં બલોચોનું શાસન શરૂ થયું.
હિંમતનગરના ગઢોડામાં સાત દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ:પોથીયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
હિંમતનગર તાલુકાના ગઢોડા ગામમાં આવેલા બ્રહ્માણીનગર ખાતે સાત દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો છે. આ કથા 23થી 29 ડિસેમ્બર સુધી બપોરે 12 થી સાંજે 5.30 કલાક દરમિયાન યોજાશે. આચાર્ય હર્ષદ જોષી વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે. કથાના પ્રારંભે ગઢોડા ગામના રામેશ્વર મંદિર ખાતેથી ભવ્ય પોથીયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મુખ્ય યજમાન રમેશ પટેલ પરિવાર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. ગઢોડા ગામના વિવિધ માર્ગો પરથી પસાર થતી પોથીયાત્રાનું ભક્તો દ્વારા ઠેરઠેર પુષ્પવર્ષા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. કથા દરમિયાન શુક્રદેવ પ્રાગટ્ય, કપિલ ભગવાન અવતરણ, નૃસિંહાવતાર, વામન અવતાર, ગોવર્ધન લીલા, અન્નકૂટોત્સવ, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર, એકાદશ સ્કંધ અને પરીક્ષિત મોક્ષકથા જેવા પ્રસંગોનું વર્ણન કરવામાં આવશે. આ ઉપરાંત, 30 ડિસેમ્બરના રોજ આચાર્ય કુશકુમાર જોષી દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિષ્ણુયાગ કરવામાં આવશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં આચાર્યો, ભૂદેવો, સંતો-મહંતો અને ગ્રામજનો ઉપસ્થિત રહેશે. ગઢોડાના બ્રહ્માણીનગરમાં રમેશ પટેલ, રમીલાબેન પટેલ, રાજીવકુમાર પટેલ, રિદ્ધિબેન પટેલ સહિત પટેલ પરિવાર દ્વારા આયોજિત આ શ્રીમદ ભાગવત જ્ઞાન સપ્તાહમાં સર્વ ભક્તોને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કથા શ્રવણ બાદ ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
વેરાવળના સશક્ત નારી મેળામાં રૂ. 12.15 લાખની આવક:મહિલા ઉદ્યોગસાહસિકોના સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ થયું
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે આયોજિત ત્રિ-દિવસીય ‘સશક્ત નારી મેળા’નું સમાપન થયું છે. આ મેળામાં સ્વદેશી ઉત્પાદનોના વેચાણથી કુલ રૂ. 12.15 લાખથી વધુની આવક નોંધાઈ હતી. ત્રણ દિવસ દરમિયાન આશરે 10,251થી વધુ લોકોએ મેળાની મુલાકાત લીધી હતી. વેરાવળના ખારવા ક્રિકેટ મેદાનમાં યોજાયેલો આ મેળો ‘લોકલ ફોર વોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ની થીમ પર આધારિત હતો. તેનો મુખ્ય ઉદ્દેશ મહિલા સશક્તિકરણ અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો હતો. મેળામાં જિલ્લાની મહિલા ઉદ્યોગસાહસિકો દ્વારા તૈયાર કરાયેલા વિવિધ સ્વદેશી ઉત્પાદનો અને હસ્તકલા સામગ્રીનું પ્રદર્શન અને વેચાણ થયું હતું. કુલ 60 સ્ટોલ્સ ઊભા કરાયા હતા, જેમાં હેન્ડિક્રાફ્ટ, જ્વેલરી, મુખવાસ, હર્બલ અને આયુર્વેદિક પ્રોડક્ટ્સ, વુડન ટોયઝ, ડેરી પ્રોડક્ટ્સ, મિલેટ્સ, ખાખરા, પાપડ, અથાણાં અને મસાલા જેવી ચીજવસ્તુઓ લોકપ્રિય બની હતી. આવકના આંકડા મુજબ, હસ્તકલા વિભાગમાંથી રૂ. 9.05 લાખ અને ફૂડ સ્ટોલમાંથી રૂ. 3.10 લાખની આવક થઈ હતી. ખાસ કરીને મુખવાસ, સુશોભન સામગ્રી અને ઘર વપરાશની ચીજવસ્તુઓ પ્રત્યે મહિલાઓએ વિશેષ રસ દાખવ્યો હતો, જેના કારણે અનેક મહિલા ઉદ્યોગસાહસિકોને સારો પ્રતિસાદ મળ્યો. આ મેળામાં વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓ દ્વારા સ્ટોલ્સ ઊભા કરાયા હતા. જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના 22, કૃષિ વિભાગના 7, મહિલા આર્થિક વિકાસ નિગમના 10, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના 10, કો-ઓપરેટિવ વિભાગના 4, વન વિભાગના 1 અને વેરાવળ–પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા 6 સ્ટોલ્સનો સમાવેશ થાય છે. જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલાબહેન મૂછાર દ્વારા આ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યો ભગવાનભાઈ બારડ, વિમલભાઈ ચુડાસમા, નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની, જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોષીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ અને કર્મચારીઓએ આ મેળાને સફળ બનાવવા માટે સક્રિય યોગદાન આપ્યું હતું. વેરાવળનો આ ‘સશક્ત નારી મેળો’ મહિલાઓને આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપવા સાથે જિલ્લામાં સ્વદેશી ઉત્પાદનોની ખરીદી માટેનું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે.
ગાંધીનગરના શાહપુર પાસે સાબરમતી નદીના પટમાં ખનિજ માફિયાઓ વિરુદ્ધ ખાણ-ખનિજ વિભાગની ત્રણ મહિલા અધિકારીની ટીમે મધરાત્રે એક સાહસિક ઓપરેશન પાર પાડ્યું છે. આ ઓપરેશન દરમ્યાન મહિલા અધિકારીઓએ 500 મીટર દોડીને 2.50 કરોડના મશીનો અને ડમ્પરો ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઓપરેશનમાં ત્રણ મહિલા સામેલગાંધીનગર કલેક્ટર મેહુલ દવેના માર્ગદર્શન અને મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી પ્રણવસિંહની સૂચના હેઠળ ગાંધીનગર ખનિજ વિભાગની ટીમે શાહપુર ખાતે સાબરમતી નદીમાં ચાલતા ગેરકાયદે ખનન પર મોટી કાર્યવાહી કરી છે. આ ઓપરેશનમાં સામેલ ત્રણ મહિલા અધિકારીઓ રોયલ્ટી ઇન્સ્પેક્ટર મેહુલા સભાયા, દેવયાનીબા જાડેજા અને માઈન્સ સુપરવાઈઝર સગુણા ઓઝાએ સાહસિકતાનો પરિચય આપ્યો હતો. ભૂમાફીયાઓ નાસી છૂટવાનો પ્રયત્ન કર્યોઆ મહિલા ટીમ દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી સતત વોચ રાખ્યા બાદ ગત રાત્રે આશરે 3:30 કલાકે ઘોર અંધારામાં આકસ્મિક દરોડો પાડવામાં આવ્યો હતો. દરમ્યાન ખાણ ખનીજ વિભાગની ટીમને જોતા જ ખનિજ ચોરીમાં સંકળાયેલા ભૂમાફીયાઓ નાસી છૂટવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આ મહિલા અધિકારીઓએ હાર માન્યા વગર સાબરમતીના નદીપટ્ટમાં અડધો કિલોમીટર સુધી દોડીને ભાગતા વાહનોનો પીછો કર્યો હતો અને 2 એસ્કેવેટર મશીન તથા 5 ડમ્પરોને રંગેહાથ પકડી પાડ્યા હતા. આ અંગે વિભાગના સૂત્રોએ કહ્યું કે,આ ઓપરેશન દરમિયાન જેસિંગ ચતુરભાઈ પટેલ, નવઘણ ભરવાડ, અરવિંદ વણઝારા અને અન્ય વાહન માલિકોની સંડોવણી બહાર આવી છે. એક વર્ષ પહેલા પણ અહીં રેડ કરવામાં આવી હતીમહિલા અધિકારીઓએ ઘટનાસ્થળેથી એક પીળા કલરનું હિટાચી એસ્કેવેટર અને એક સન્ની એસ્કેવેટર મશીન જપ્ત કર્યું છે, જે ચાલુ હાલતમાં બિનઅધિકૃત ખોદકામ કરી રહ્યા હતા. આ ઉપરાંત પાંચ ડમ્પરો પણ ઝડપાયા છે, જેમાંથી કેટલાક રેતી ભરીને નજીકના સ્ટોક વિસ્તારમાં જઈ રહ્યા હતા. આ જપ્ત કરાયેલા કુલ 7 મશીનો અને વાહનોની કિંમત આશરે 2.50 કરોડ છે. હાલમાં રેતીના જથ્થાની માપણી કરી દંડકીય વસૂલાતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને તમામ વાહનોને કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ તેમજ ઘણપ ચેકપોસ્ટ ખાતે સીઝ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે આ જ સ્થળે એક વર્ષ પહેલા પણ રેડ કરવામાં આવી હતી જેમાં 70 લાખની ખનિજ ચોરી બદલ ડભોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
ગુજરાત વિધાનસભા સચિવાલયની ખાતરી સમિતિના સભ્યોએ જૂનાગઢના પ્રવાસે પહોંચીને શહેરના બે મુખ્ય પર્યટન સ્થળો, ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા અને એશિયાના જાણીતા સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી ખાતરીઓનું પાલન અને પ્રવાસીઓ માટેની સુવિધાઓનું નિરીક્ષણ કરવાનો હતો. ઉપરકોટના નવીનીકરણથી સભ્યો પ્રભાવિત સમિતિના પ્રમુખ અને ધારાસભ્ય કિરીટસિંહ રાણાની આગેવાનીમાં સમિતિના સભ્ય ભગવાનભાઈ બારડ, કિરીટસિંહ ડાભી, સુખાજી ઠાકોર અને કિરીટભાઇ પટેલે ઉપરકોટ કિલ્લાની મુલાકાત લીધી હતી. કરોડોના ખર્ચે થયેલા કિલ્લાના રિનોવેશન અને તેની જાળવણી જોઈને સમિતિના તમામ સભ્યો અભિભૂત થયા હતા. કિલ્લાની ઐતિહાસિક કળા, પ્રાચીન ગુફાઓ અને અડી-કડી વાવ જેવી સાંસ્કૃતિક વિરાસતોનું સમિતિએ ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ વિરાસતને જે રીતે જાળવવામાં આવી છે તેનાથી સભ્યોમાં સંતોષ જોવા મળ્યો હતો. સક્કરબાગમાં પ્રવાસીઓની સુવિધાઓની સમીક્ષા કિલ્લા બાદ સમિતિના સભ્યો ગુજરાતના ગૌરવ સમાન સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય પહોંચ્યા હતા. અહીં તેમણે વન્યજીવોના સંરક્ષણ અને પાંજરાઓની વ્યવસ્થાની સાથે સાથે મુલાકાતીઓ માટે પીવાના પાણી, છાંયડો, બેઠક વ્યવસ્થા અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓની તપાસ કરી હતી. પ્રાણીસંગ્રહાલયના અધિકારીઓ સાથે બેઠક યોજીને સમિતિએ વન્યજીવોના સ્વાસ્થ્ય અને પર્યટકોની સુરક્ષા અંગે ચર્ચા કરી હતી. મુલાકાત દરમિયાન સમિતિના સભ્યોએ ઉપરકોટ અને સક્કરબાગમાં આવેલા પ્રવાસીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. મુલાકાતીઓને કોઈ મુશ્કેલી પડી રહી છે કે કેમ અને સુવિધાઓમાં કયા પ્રકારના સુધારાની જરૂર છે તે અંગે ફીડબેક મેળવ્યા હતા. સમિતિએ નોંધ્યું હતું કે જૂનાગઢમાં દર વર્ષે લાખો પ્રવાસીઓ આવતા હોય છે, ત્યારે પર્યટકોને શ્રેષ્ઠ અનુભવ મળે તે માટે વ્યવસ્થાઓ હજુ પણ વધુ સુદ્રઢ બનાવવાની જરૂર છે. ખાતરી સમિતિના સભ્યોએ સ્થળ પર હાજર રહેલા વન વિભાગ અને પુરાતત્વ વિભાગના અધિકારીઓ સાથે ટેકનિકલ ચર્ચાઓ કરી હતી. સમિતિએ ખાસ કરીને ભીડના સમયે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાનું નિરાકરણ લાવવા અને પ્રવાસીઓને માર્ગદર્શન આપતા સાઈન બોર્ડ્સ યોગ્ય જગ્યાએ મૂકવા જેવા મહત્વના સૂચનો કર્યા હતા. સરકાર દ્વારા વિધાનસભામાં આપવામાં આવેલી ખાતરીઓ મુજબ જ કામગીરી થાય તે માટે અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. સાંસ્કૃતિક ગૌરવની જાળવણી પર ભાર પ્રવાસના અંતે સમિતિએ જણાવ્યું હતું કે, જૂનાગઢ એ ઐતિહાસિક અને કુદરતી સંપત્તિથી સમૃદ્ધ શહેર છે. ઉપરકોટ અને સક્કરબાગ જેવા સ્થળો ગુજરાતના પ્રવાસન ક્ષેત્રમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ સ્થળોની પવિત્રતા અને મર્યાદા જળવાઈ રહે તે સાથે જ તેને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓથી સજ્જ કરવા સરકાર કટિબદ્ધ છે. સમિતિના આ અચાનક નિરીક્ષણથી સરકારી તંત્રમાં પણ ગતિશીલતા જોવા મળી હતી.
સુરત શહેરના ઉત્રાણ વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. સામાન્ય બાબતમાં આવેશમાં આવી જઈને એક રહેવાસી અને તેના પિતાએ સોસાયટીના વૃદ્ધ વોચમેન પર લાકડીઓ વડે હુમલો કરી ઢોરમાર માર્યો હતો. આ સમગ્ર હિંસક ઘટનાના દ્રશ્યો સોસાયટીના CCTV કેમેરામાં કેદ થયા છે, જેના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી પુત્રની ધરપકડ કરી પિતાની શોધખોળના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. શું હતી સમગ્ર ઘટના? ઉત્રાણ વિસ્તારમાં આવેલી વેદાંત સિટી સોસાયટીમાં હિંમતભાઈ ચૌહાણ નામના વૃદ્ધ વોચમેન તરીકે ફરજ બજાવે છે. ઘટનાના દિવસે સોસાયટીમાં રહેતા મનીષ પાનસુરીયા અને તેના પિતા જયસુખ પાનસુરીયા સાથે હિંમતભાઈનો વિવાદ થયો હતો. વિવાદનું કારણ માત્ર એટલું જ હતું કે હિંમતભાઈએ તેઓને ખુરશી સરખી રીતે મૂકવા માટે જણાવ્યું હતું. આ નજીવી વાતથી પિતા-પુત્ર ઉશ્કેરાઈ ગયા હતા. પ્રાથમિક તબક્કે પુત્ર મનીષે હિંમતભાઈને બિભત્સ ગાળો આપી લાફા ઝીંકી દીધા હતા. વાત આટલેથી ન અટકતા, પિતા જયસુખ પાનસુરીયાએ લાકડી વડે વૃદ્ધ પર હુમલો કર્યો હતો. વૃદ્ધને દોડાવી-દોડાવીને માર માર્યો પોતાનો જીવ બચાવવા માટે હિંમતભાઈ સોસાયટીમાં ભાગ્યા હતા, પરંતુ ઉન્મત્ત બનેલા પિતા-પુત્રએ તેમનો પીછો કર્યો હતો. પિતા-પુત્રએ હિંમતભાઈને આંતરીને લાકડાના ફટકા અને લાકડીઓ વડે બેરહેમીપૂર્વક ઢોરમાર માર્યો હતો. વૃદ્ધ વોચમેન લોહીલુહાણ હાલતમાં મદદ માટે બૂમો પાડતા રહ્યા છતાં આરોપીઓનો ગુસ્સો શાંત થયો નહોતો. CCTV ફૂટેજ અને પોલીસ કાર્યવાહી આ હુમલાની તમામ હરકતો સોસાયટીના CCTVમાં કેદ થઈ ગઈ હતી. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે પિતા-પુત્ર એક લાચાર વૃદ્ધ પર તૂટી પડ્યા હતા. ઘટનાની જાણ થતા જ ઉત્રાણ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ભોગ બનનાર હિંમતભાઈની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય આરોપી મનીષ પાનસુરીયાની ધરપકડ કરી લીધી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને અન્ય આરોપી વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં આવેલી નગનાથ સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં ગેસ સિલિન્ડર ફાટતાં ભીષણ આગ લાગી હતી. રસોઈ બનાવતી વખતે બનેલી આ ઘટનામાં મકાન માલિક ઇન્દ્રકાંતભાઈ જોષી ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના ઇન્દ્રકાંતભાઈ જોષીના મકાનમાં બની હતી. સિલિન્ડર ફાટવાના પ્રચંડ અવાજથી સમગ્ર સોસાયટીમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને લોકો મદદ માટે દોડી આવ્યા હતા. વિસ્ફોટ બાદ મકાનમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર ટીમે પાણીનો સતત મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો, જેના પગલે સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ફાયર ટીમ ઉપરાંત પીજીવીસીએલ (PGVCL) ની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી હતી. સાવચેતીના ભાગરૂપે આ વિસ્તારનો વીજપુરવઠો થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા ક્ષતિગ્રસ્ત મકાનનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાને કારણે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ હિન્દુ લઘુમતી સમાજ પર થઈ રહેલા જીવલેણ હુમલા અને ઈસ્લામિક જેહાદીઓના ક્રૂર અત્યાચારના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ગાંધીનગર શહેરના ઘ 3 સર્કલે ઉગ્ર વિરોધ પ્રદર્શન અને પૂતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હિન્દુ સંગઠનોમાં ભારે રોષ, ઘ 3 સર્કલે ઉગ્ર વિરોધ પ્રદર્શનબાંગ્લાદેશમાં હિન્દુ મહિલાઓ, બાળકો અને પુરુષો સાથે કરવામાં આવી રહેલા અમાનવીય કૃત્યો સામે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શ્રમિક દીપુ દાસની નિર્દયતાપૂર્વક હત્યા અને તેને જાહેરમાં જીવતો સળગાવવાની બર્બરતાપૂર્ણ ઘટનાએ સમગ્ર વિશ્વના હિન્દુ સમાજને હચમચાવી દીધો છે. આ આતંક અને હિંસા સામે અવાજ ઉઠાવવા માટે ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓની સુરક્ષા નિશ્ચિત કરવા માગવિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ગાંધીનગરના તમામ કાર્યકર્તાઓ, હિન્દુ વિચારધારા ધરાવતા સંગઠનો અને સમગ્ર હિન્દુ સમાજને આ કાર્યક્રમમાં જોડાયા હતા.આ કાર્યક્રમ થકી સંગઠનનો મુખ્ય હેતુ ભારત સરકાર અને આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ લાવી બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓની સુરક્ષા નિશ્ચિત કરવાનો અને ગુનેગારોને કડક સજા અપાવવાનો છે. કડકમાં કડક કાર્યવાહી કરવાની માગઆ અંગે ગાંધીનગર જિલ્લા બજરંગ દળ સંયોજક ધર્મેન્દ્ર પટેલે કહ્યું કે , આજે અમે ગાંધીનગર જિલ્લા બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે બાંગ્લાદેશની અંદર વિધર્મીઓ દ્વારા દીપુ ચંદ્રદાસની નિર્મમ હત્યા કરવામાં આવી છે એના વિરોધમાં ધરણા પ્રદર્શન કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય બાંગ્લાદેશની સરકારને ધર્મને આધારે કોઈ વ્યક્તિની નિર્મમ હત્યા થાય એના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરે.
અમદાવાદ શહેરમાં વસ્તુ લીધા બાદ પેમેન્ટનો ખોટી મેસેજ બતાવી છેતરપિંડી આચરવામાં આવી રહી છે. સિંધુભવન રોડ પર ફટાકડાના સિઝનેબલ વેપારી છેતરપિંડીનો ભોગ બન્યા છે. વેપારીની ફટાકડાની દુકાન પર ત્રણ લોકો ફટાકડા ખરીદવા માટે આવ્યા હતા. જેમાંથી એક વ્યક્તિએ મોટી માત્રામાં ફટાકડાનો જથ્થો પણ ખરીદ્યો હતો. વેપારીએ 2.30 લાખની ફટાકડાની ખરીદી સામે 49 હજારનું ડિસ્કાઉન્ટ પણ આપ્યું હતું. વેપારીને 1.81 લાખ રૂપિયા પેમેન્ટ ચૂકવવાનું થતું હતું. જે બાદ ગઠિયાએ 1.81 લાખના પેમેન્ટનો ખોટો મેસેજ મોકલી વેપારી સાથે છેતરપિંડી આચરી હતી. વેપારીને છેતરપિંડી થઈ હોવાનું સામે આવતા બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મોટી માત્રામાં ફટાકડા લેવાનું કહી વેપારીનો વિશ્વાસ કેળવ્યોગઠિયાઓ છેતરપિંડી આચરવા નવ નવા નુસ્ખા અપનાવી રહ્યા છે, ત્યારે ઘોડાસરમાં રહેતા હિતેશભાઇ નેહલા પણ તેનો ભોગ બન્યા છે. હિતેશભાઇ નેહલાની સિંધુભવન રોડ પર આવેલા રાધીકા પાર્ટી પ્લોટ પાસે ફટાકડાનો સ્ટોલ છે. જ્યાં ત્રણ લોકો મોડી રાત્રે ફટાકડા ખરીદવા માટે આવ્યા હતા. મોટી માત્રામાં ફટાકડા લેવાના હોવાનું કહી વેપારીનો વિશ્વાસ કેળવ્યો હતો. જેમાંથી ઋષિલ શાહ નામના ગઠિયાએ મોટી માત્રામાં ફટાકડા લીધા હતા. 2.30 લાખના ફટાકડા ખરીદવામાં આવ્યા હતા. વેપારીએ બેલેન્સ ચેક કરતા ભાંડો ફૂટ્યો જે બાદ મોટી માત્રામાં ફટાકડા લીધા હોવાનું કહી વેપારી પાસેથી ડિસ્કાઉન્ટ માંગવામાં આવ્યું હતું. જેથી વેપારીએ 2.30 લાખના ફટાકડાની ખરીદી સામે 49 હજારનું ડિસ્કાઉન્ટ આપ્યું હતું. જે બાદ ઋષિલે 1.81 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાનો મેસેજ બતાવ્યો હતો. તેમજ પૈસા ટ્રાન્સફર થઈ ગયા હોવાનો સ્ક્રીનશોટ બતાવી ત્રણેય લોકો ત્યાંથી રવાના થઈ ગયા હતા. જે બાદ વેપારીએ બેલેન્સ ચેક કરતા રૂપિયા ખાતામાં ન આવ્યા હોવાનું સામે આવ્યું હતું. વેપારી પાસે ફોન નંબર હોવાથી ફોન કરીને રૂસીલ પાસે પૈસા માંગવામાં આવ્યા હતા. પરંતુ ઋષિલે ખોટા વાયદા કરીને વેપારી સાથે ખેતરપિંડી આચરતા બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ફરિયાદ વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં આવેલી સ્વાગત રેસીડેન્સીમાં માનવતાને શરમાવે તેવી લૂંટની બની હતી. આ જ બિલ્ડિંગમાં પાંચમા માળે રહેતા 22 વર્ષીય જતીનસિંગ ચૌધરીએ પોતાની પડોશમાં રહેતી સાત મહિનાની સગર્ભા મહિલાને નિશાન બનાવી હતી. આરોપીએ પૂર્વ આયોજિત કાવતરા મુજબ મહિલા ઘરે એકલી હોવાનો લાભ ઉઠાવી, દરવાજો ખોલાવીને તેમની આંખમાં લાલ મરચાનો પાવડર નાખી દીધો હતો. આ ક્રૂર હુમલા બાદ આરોપીએ સગર્ભા મહિલાને ઢીકા-મુક્કીનો માર મારી સ્ક્રુ ડ્રાઇવરના ઘા ઝીંક્યા હતા, જેના કારણે મહિલા બેભાન થઈ ગઈ હતી. મહિલા બેભાન થતા જ આરોપી જતીને કબાટમાંથી રૂપિયા 2,26,300 ની કિંમતના સોના-ચાંદીના ઘરેણાંની લૂંટ ચલાવી હતી. લૂંટ બાદ આરોપી પોતાનું એક્ટિવા લઈને નાસી છૂટ્યો હતો અને રેલ્વે સ્ટેશન પર વાહન મૂકી ટ્રેન વાટે ફરાર થઈ ગયો હતો. લૂંટની આ ઘટના બાદ ઇચ્છાપોર પોલીસે જ્યારે તપાસ શરૂ કરી ત્યારે આરોપીએ પોતાનો મોબાઈલ ફોન બંધ કરી દીધો હોવાથી તેને પકડવો પડકારજનક હતો. જોકે, ડિજિટલ યુગમાં ગુનેગાર ભલે ફોન બંધ રાખે, પણ તેની આર્થિક લેવડદેવડ ક્યાંકને ક્યાંક પૂરાવા છોડી જતી હોય છે. પ્રેમિકાના એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરી મનાલી પહોંચ્યોઆરોપી જતીન લૂંટના માલને સગેવગે કરી તેની ગર્લફ્રેન્ડ સાથે હિમાચલ પ્રદેશના મનાલીમાં મોજ-મજા કરવા માંગતો હતો. લૂંટ કર્યા બાદ તેણે સૌથી પહેલું કામ પોતાની અમદાવાદની ગર્લફ્રેન્ડના બેંક એકાઉન્ટમાં 35,000 ટ્રાન્સફર કરવાનું કર્યું હતું. આ નાણાંનો ઉપયોગ મનાલીના વેકેશન અને ગર્લફ્રેન્ડના ખર્ચ માટે કરવાનો તેનો ઈરાદો હતો. તેને લાગ્યું હતું કે તે સુરતથી હજારો કિલોમીટર દૂર પહાડોમાં છુપાઈ જશે તો પોલીસ તેને ક્યારેય શોધી શકશે નહીં. 35,000ના ટ્રાન્ઝેક્શને મનાલીનું લોકેશન પકડાયુંઇચ્છાપોર પોલીસની સર્વેલન્સ ટીમે જ્યારે આરોપીના બેંક એકાઉન્ટની ઝીણવટભરી તપાસ કરી, ત્યારે અમદાવાદની એક યુવતીના એકાઉન્ટમાં થયેલું ટ્રાન્ઝેક્શન શંકાસ્પદ જણાયું હતું. પોલીસે તાત્કાલિક તે યુવતીની ડિટેલ્સ મેળવી અને તેના મોબાઈલ નંબરનું લોકેશન ટ્રેક કર્યું. આશ્ચર્યજનક રીતે તે લોકેશન છેક મનાલી હિમાચલ પ્રદેશનું આવ્યું હતું. આ એક મહત્વની કડી હતી જેનાથી પોલીસને ખાતરી થઈ ગઈ કે લૂંટારો જતીન પોતાની પ્રેમિકા સાથે મનાલીમાં વેકેશન મનાવી રહ્યો છે. સુરત પોલીસે મનાલીથી આરોપીને દબોચ્યોઇચ્છાપોર પોલીસની એક વિશેષ ટીમ તાત્કાલિક મનાલી પહોંચી હતી. ત્યાં લોકેશન વાળા વિસ્તારમાં પોલીસે સ્થાનિક પ્રવાસી બનીને વિવિધ હોટલોમાં તપાસ શરૂ કરી હતી. પોલીસે અત્યંત સાવધાનીપૂર્વક આરોપી અને તેની ગર્લફ્રેન્ડની રેકી કરી હતી. જેવો જતીન તેની ગર્લફ્રેન્ડ સાથે હોટલની બહાર ફરવા નીકળ્યો, કે તરત જ સાદા ડ્રેસમાં તૈયાર ઉભેલી સુરત પોલીસે તેને દબોચી લીધો હતો. ગર્લફ્રેન્ડના મોહમાં આરોપીએ કરેલી એક ભૂલે તેની મનાલીની ટ્રીપને જેલની મુલાકાતમાં ફેરવી દીધી હતી. 120 CCTV અને ટેકનિકલ સર્વેલન્સની તપાસ કરાઈ હતીઆ કેસને ઉકેલવા માટે સુરત પોલીસે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. આરોપી સુરતમાંથી કેવી રીતે અને કયા માર્ગે ભાગ્યો તે જાણવા માટે શહેરના અલગ-અલગ વિસ્તારોના 129 સીસીટીવી કેમેરા ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. આ ફૂટેજ પરથી જ ખબર પડી હતી કે તે એક્ટિવા (GJ-05-TZ-9946) રેલ્વે સ્ટેશન પર મૂકીને 'તુતિકોરીન-ઓખા' ટ્રેનમાં બેસી નાસી છૂટ્યો હતો. સીસીટીવી ફૂટેજ અને બેંક ટ્રાન્ઝેક્શનના આધારે પોલીસે આખા કેસનું કોયડું ઉકેલી નાખ્યું હતું. પકડાયેલા આરોપી જતીનસિંગ ચૌધરી સામે અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે દિશામાં હવે પોલીસ તપાસ કરી રહી છે.
26 સિનિયર IAS અધિકારીની ટ્રાન્સફર:સંજીવ કુમારની CMOમાં પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂંક
26 IAS અધિકારીની ટ્રાન્સફરનો ઓર્ડર આવ્યો છે. સંજીવ કુમારની CMOમાં પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂંક કરાઈ છે. તેઓ પહેલા ફોરેસ્ટ વિભાગમાં સંજીવ કુમારને વન-પર્યાવરણના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે ટ્રાન્સફર કરીને મુખ્યમંત્રી પ્રિન્સિપલ સેક્રેટરી બનાવ્યા છે. આ ઉપરાંત સંજીવ કુમાર પાસે ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકેનો વધારાનો હવાલો પણ રહેશે. આમ તેઓ મુખ્ય સચિવ એમ.કે.દાસને રિલિવ કરશે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
જામનગરમાં ઉદ્યોગપતિ વિશાલ મહેન્દ્રભાઈ મોદી સામે નોંધાયેલા દુષ્કર્મ કેસ મામલે પીડિતાને ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ મામલે પીડિતાએ આરોપીના ભાઈ અમર મહેન્દ્ર મોદી સામે સિટી-બી પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી નોંધાવી છે. ઘટના 22 ડિસેમ્બર, 2025 ના રોજ રાત્રે આશરે 8:30 વાગ્યે બની હતી. પીડિતા પોતાના પુત્ર સાથે બહાર નાસ્તો કરવા ગઈ હતી. તે સમયે આરોપી વિશાલ મોદીનો ભાઈ અમર મહેન્દ્ર મોદી પોતાની કાર લઈને ત્યાં આવ્યો હતો. અમર મોદીએ પીડિતાની નજીક આવીને હાથથી ખરાબ ઈશારા કરીને તેને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તે પોતાની ગાડી લઈને ત્યાંથી નાસી ગયો હતો. આ ઘટનાથી ગભરાયેલી પીડિતા તાત્કાલિક સિટી-બી પોલીસ સ્ટેશન પહોંચી હતી. તેણે સિટી-બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર સમક્ષ સમગ્ર ઘટનાની લેખિત રજૂઆત કરી હતી. પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, તેણે અમર મોદીના ભાઈ વિશાલ મોદી સામે દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકી અંગે સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેની તપાસ ચાલી રહી છે. આ ફરિયાદનો ખાર રાખીને અમર મોદીએ તેને ધમકાવી છે. પીડિતાએ પોલીસને જણાવ્યું કે, તેને અમર મોદી અને તેના પરિવારથી જીવનું જોખમ છે અને તેથી ધોરણસરની કાર્યવાહી કરવા વિનંતી કરી છે. આ ઘટનાથી ખળભળાટ મચી ગયો છે.
માંડવી તાલુકાના લાખ ગામમાં સરકારી શિક્ષક દ્વારા ચાલતા ગેરકાયદેસર ધર્માંતરણના મામલે હવે વન વિભાગે લાલ આંખ કરી છે. આ પ્રકરણમાં મુખ્ય આરોપી રામજીભાઈ ચૌધરીની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે, કારણ કે હવે તેમની માતાના નામે મળેલી વન વિભાગની જમીન -સનદ છીનવાઈ જવાની તલવાર લટકી રહી છે. વન વિભાગે આ મામલે સત્તાવાર નોટિસ ફટકારી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ધર્માંતરણના મુદ્દે જે સનસનાટી મચી છે, તેમાં હવે વન વિભાગના કડક વલણને કારણે નવો વળાંક આવ્યો છે. સરકારી શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા રામજીભાઈ ચૌધરી દ્વારા લાખ ગામમાં ગેરકાયદેસર ધર્માંતરણ પ્રવૃત્તિ ચલાવવામાં આવતી હોવાની પોલીસ ફરિયાદ બાદ હવે વન વિભાગે જમીન વિવાદ અંગે નોટિસ જારી કરી છે. શું છે જમીનનો મુખ્ય વિવાદ?વર્ષ 2012માં વન વિભાગ દ્વારા રામજીભાઈ ચૌધરીના માતા ઝીનિકાબેન ચૌધરીને ખેતીકામ દ્વારા ગુજરાન ચલાવવા માટે 0.96 હેક્ટર જમીન સનદ તરીકે આપવામાં આવી હતી. વન અધિકાર અધિનિયમ હેઠળ મળેલી આ જમીન માત્ર ખેતીના હેતુ માટે જ વાપરવાની શરત હતી. જોકે, તપાસમાં બહાર આવ્યું છે કે આ જમીન પર માત્ર ખેતી જ નહીં, પરંતુ રહેણાંક મકાન અને તેની પાછળ પતરાના મોટા શેડ બનાવી દેવામાં આવ્યા હતા. આ શેડનો ઉપયોગ ખેતીના ઓજારો રાખવાને બદલે 'પ્રાર્થના સભા' યોજી લોકોનું ધર્માંતરણ કરાવવા માટે કરવામાં આવતો હતો. વન વિભાગની આરોપીને નોટિસ પોલીસ ફરિયાદ બાદ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ હરકતમાં આવ્યા છે. વન વિભાગના અધિકારી પુનિત નૈયરે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, રામજી ચૌધરી સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ અમને જાણવા મળ્યું છે કે તેમની માતાના નામે આપેલી સનદની જમીન પર શરતભંગ થયો છે. જમીન પર મકાન અને શેડ બનાવી ત્યાં પ્રાર્થના સભા યોજવામાં આવતી હતી. આ બાબતની ગંભીરતાને જોતા અમે કારણદર્શક નોટિસ ફટકારી છે. જમીનની સનદ રદ્દ થઈ શકે છેવન વિભાગના જણાવ્યા અનુસાર, સનદની જમીન પર જે હેતુ માટે મંજૂરી આપવામાં આવી હોય તે સિવાયની કોઈપણ પ્રવૃત્તિ કરવી એ કાયદેસરનો ગુનો અને શરતભંગ ગણાય છે. ખેતીની જમીન પર મોટા પાયે બાંધકામ અને ધાર્મિક સભાઓનું આયોજન નિયમ વિરુદ્ધ છે. જો તપાસમાં શરતભંગની પુષ્ટિ થશે, તો ઝીનિકાબેન ચૌધરીના નામે મળેલી સનદ રદ્દ કરવામાં આવશે અને જમીનનો કબજો વન વિભાગ પરત લઈ લેશે. સરકારી આચાર્યની સંડોવણીથી ચકચારનોંધનીય છે કે રામજી ચૌધરી પોતે એક સરકારી શાળામાં આચાર્ય જેવી જવાબદાર પોસ્ટ પર હોવા છતાં, ગેરકાયદેસર ધર્માંતરણની પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાનું સામે આવતા શિક્ષણ જગતમાં પણ ફિટકારની લાગણી જન્મી છે. પોલીસ અને વન વિભાગની આ સંયુક્ત ભીંસને કારણે હવે આગામી દિવસોમાં ધર્માંતરણના આ આખા રેકેટ પર મોટી તવાઈ આવવાની શક્યતા છે.
રેશ્મા સાદીદભાઈ શેખ (ઉં.વ.23)એ ગઈકાલે રાત્રે 11 વાગ્યા આસપાસ ભગવતીપરા સદગુરુ પાર્કમાં પોતાના પિતાના ઘરે ચુંદડી વડે ગળેફાંસો ખાવાની કોશિશ કરી હતી બનાવ અંગે પિતા હબીબભાઈને જાણ થઈ જતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી જેથી બી. ડિવિઝન પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી દરવાજો તોડી નાંખ્યો રેશ્માને ગળાફાંસો ખાતા અટકાવી હતી. ચૂંદડી બાંધી હોવાથી તેનું દબાણ ગળા પર પડ્યું હોવાથી રેશ્માને સારવાર માટે પોલીસે 108 મારફત સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. બનાવ અંગે રેશ્માના પરિવારે જણાવ્યા મુજબ, 4 વર્ષ પહેલા પોપટપરામાં રહેતા સાજીદ શેખ સાથે રેશ્માના લગ્ન થયા હતા. લગ્ન જીવન દરમ્યાન પતિ ત્રાસ આપતો હોવાથી રેશ્મા છેલ્લા 3 વર્ષથી રિસામણે છે જેનો કોર્ટ કેસ પણ ચાલુ છે. પોલીસે આ મામલે નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાર્ટ એટેકથી શ્રમિક યુવાનનું મોત નીપજ્યું વિનોદકુમાર અર્જુનભાઈ પ્રસાદ (ઉં.વ.34) ગઈકાલે બપોરે 12 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતો ત્યારે બેભાન થઈ જતા પ્રથમ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જે પછી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. વિનોદકુમાર મૂળ ઉત્તરપ્રદેશનો વતની હતો તેને 3 સંતાનો છે જે પત્ની સાથે વતનમાં રહે છે. પોતે કોઠારીયા સોલવંટમાં કારખાનામાં મજૂરી કરતો હતો અને ત્યાંની ઓરડીમાં રહેતો હતો. ગઈકાલે તે કામ પર ગયો ન હતો અને પોતાની ખોલીમાં અન્ય શ્રમિકો સાથે હતો. એક માળ ચડી ઉપર પોતાની ખોલીમાં પહોંચ્યો ત્યાં તેને ગભરામણ થવા લાગી હતી અને ખૂબ પરસેવો છૂટવા લાગ્યો હતો જે બાદ તે અર્ધ બેભાન જેવો થઈ જતા સાથી શ્રમિકોએ કારખાનાના માલિકને જાણ કરી હતી જેથી તત્કાલ વિનોદકુમારને ખાનગી હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતા આજીડેમ પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી જેમાં પ્રાથમિક રિપોર્ટ મુજબ યુવકનું હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું છે. ગુજસીટોકના આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી વર્ષ 2023માં રમેશ રાણા મકવાણા સહિતની ટોળકી વિરૂધ્ધ ગુજસીટોક અંગે ફરીયાદ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી. જેમાં રમેશ રાણા મકવાણા મુખ્ય આરોપી છે. તેના સાગ્રીતો હીરા પમાભાઈ સાગઠીયા અને ભરત દાનાભાઈ મુછડીયા તેમજ અન્ય વ્યકિતઓ સાથે ટોળકી બનાવી છેલ્લા 10 વર્ષમાં સંગઠીત ગુન્હાઓ આચરવામાં આવ્યા છે. દરમિયાન 06.10.2025ના રોજ ભરત મુછડીયાની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યો હતો જેલમાંથી આરોપી ભરત મુછડીયાએ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. સરકાર તરફે દલીલ કરવામાં આવી હતી કે આરોપી 2023થી ફરાર રહી પોલીસ પકડથી દુર રહ્યા છે, તેના વિરૂધ્ધ હાલ ચાર્જસીટ પણ થયેલ નથી. જો જામીન મુકત કરવામાં આવશે તો તે ફરીથી ભાગી જશે. આમ સ્પે.પી.પી. દ્વારા કરવામાં આવેલ દલીલો તેમજ રજુ થયેલ ચુકાદાઓને ધ્યાને લઈ સેશન્સ કોર્ટ દ્વારા આરોપી ભરત દાનાભાઈ મુછડીયાની રેગ્યુલર જામીન પર મુકત થવાની અરજી રદ કરી છે. આ કેસમાં સરકાર તરફે સ્પે.પી.પી. તરીકે ભગીરથસિંહ ડોડીયા રોકાયેલ હતા. રાજકોટ રેલવે સ્ટેશનના પાર્કિંગમાંથી દારૂ સાથે બે ઝડપાયા પશ્ચિમ રેલવે એલસીબીની ટીમે રાજકોટ રેલવે સ્ટેશન પરથી પ્રિન્સ જગબિર (ઉ.વ.18)ને રૂ.19086ની કિંમતની 18 બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો જ્યારે રેલવે એલસીબીની ટીમે અન્ય દરોડામાં નેપાલસિંહ ઉદયસિંહ પવાર (ઉ.વ.20)ને રૂ.20267ની કિંમતની 18 બોટલ દારૂ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલ બંને શખ્સો પાણીપતથી દારૂનો જથ્થો લઈ આવ્યા હતા અને પાણીપતના બુટલેગર વોટ્સએપ કોલથી જણાવે તેને દારૂ પહોંચાડવાનો હતો. જો કે, તે પહેલા જ તે બંને દારૂના જથ્થા સાથે ઝડપાઈ ગયા હતા.
ગુજરાત સરકારની મહત્વની ગણાતી નાણાકીય સમિતિઓ પૈકીની એક એવી 'અંદાજ સમિતિ' દ્વારા રાજ્યના વન વિભાગની કામગીરી અને વિકાસ કામોની સમીક્ષા કરવા માટે ત્રણ દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને આ સમિતિએ જામનગર, દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લાના વિવિધ વન્યજીવ પ્રકલ્પોની મુલાકાત લઈ વહીવટી અને નાણાકીય પારદર્શિતાની તપાસ કરી હતી. જામનગરના ‘વનતારા’ અને દ્વારકા મરીન નેશનલ પાર્કની મુલાકાત તપાસ સમિતિના સભ્ય અને માંગરોળના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠીયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ગત 16 ડિસેમ્બરના રોજ સમિતિએ જામનગર ખાતે આવેલા વનતારા વિભાગની મુલાકાત લઈ ત્યાં ચાલી રહેલી વન્યજીવ સંવર્ધનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ 17 ડિસેમ્બરે દ્વારકા તાલુકાના મરીન નેશનલ પાર્કની મુલાકાત લેવામાં આવી હતી. અહીં સમુદ્રી જીવસૃષ્ટિના સંરક્ષણ માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થયો છે કે કેમ તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. સાસણ અને બરડા અભયારણ્યમાં સિંહ સંવર્ધનની સમીક્ષાપ્રવાસના અંતિમ દિવસે 18 ડિસેમ્બરે સમિતિ ગીર સાસણ ખાતે પહોંચી હતી. અહીં નેચર પાર્ક અને સિંહોના સંવર્ધન માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને બરડા અભયારણ્યમાં સિંહોના સ્થળાંતર અને ત્યાં કરવામાં આવેલા વિકાસના કામોનું સમિતિએ જાત-નિરીક્ષણ કર્યું હતું. સમિતિએ પશુ-પક્ષીઓના સંવર્ધન અને વન્યજીવોના જતન માટે વન વિભાગ દ્વારા લેવામાં આવેલા પગલાઓની પ્રશંસા કરી હતી. ગ્રાન્ટના સદુપયોગ બદલ વન વિભાગની કામગીરી બિરદાવીઆ તપાસ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ સરકાર દ્વારા ફાળવવામાં આવતા નાણાંનો યોગ્ય જગ્યાએ અને નિયમ મુજબ વપરાશ થાય છે કે નહીં તેનો રિપોર્ટ તૈયાર કરવાનો હોય છે. ત્રણ દિવસની તપાસ બાદ સમિતિએ નિષ્કર્ષ કાઢ્યો હતો કે વન વિભાગને પશુ-પક્ષી સંવર્ધન અને વિકાસ કાર્યો માટે જે ગ્રાન્ટ આપવામાં આવી હતી તેનો પૂરો સંતોષકારક અને યોગ્ય રીતે ઉપયોગ થયો છે. તપાસ કમિટીના ચેરમેન અને સભ્યોએ વન વિભાગની કાર્યશૈલીના વખાણ કરી અધિકારીઓને શુભકામનાઓ પાઠવી હતી.
રાજ્યની શાળાઓમાં બીજું સત્ર પૂર્ણ થવા આવ્યું છતાં હજુ સુધી શાળાઓને જ્ઞાન સહાયક મળ્યા નથી. શાળાઓને કાયમી શિક્ષકોની ખાલી જગ્યા પર પૂરતા જ્ઞાન સહાયક મળ્યા જ નથી. પહેલું આખું સત્ર માત્ર જ્ઞાન સહાયકની ભરતી કરવામાં પૂર્ણ થઈ ગયું હતું. શાળા સંચાલકો અને વિદ્યાર્થીઓને આશા હતી કે બીજા સત્ર દરમિયાન પૂરતા શિક્ષકો મળી જશે પરંતુ આશા પર પાણી ફરી વળ્યું છે. રાજ્યમાં અંગ્રેજી વિષયની 700 જેટલી જગ્યા સામે એક પણ જ્ઞાન સહાયક માટે અરજી આવી નથી. તો મનોવિજ્ઞાનની 300 જગ્યાઓ માટે પણ એક પણ જ્ઞાન સહાયક મળ્યા નથી. જ્ઞાન સહાયકની જાહેરાત છતાં અરજી નહીબીજા સત્રમાં સમાજશાસ્ત્રની 417 જગ્યા સામે 4, ભૂગોળની 257 જગ્યા માટે 2, અર્થશાસ્ત્રમાં 295 જગ્યા સામે 24 જ્ઞાન સહાયક જ મળ્યા છે. તો અમદાવાદ શહેરની કાયમી શિક્ષકોની ખાલી પડેલી જગ્યા પર 472 જ્ઞાન સહાયકની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં બીજું સત્ર અડધું પૂર્ણ થઈ ગયું તે બાદ પણ માત્ર 250 જ જ્ઞાન સહાયક મળ્યા છે. એટલે કે હજુ પણ 200 કરતા વધુ શિક્ષકો શાળાઓને મળ્યા નથી. કાયમી શિક્ષકોની ભરતી ન થતા ઉમેદવારો જ્ઞાન સહાયક બનવા માટે તૈયાર નથીરાજ્ય સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. શાળાઓમાં જે પણ કાયમી શિક્ષકોની જગ્યા ખાલી થાય ત્યાં જ્ઞાન સહાયક આપવામાં આવતા હોય છે. પરંતુ હવે કાયમી શિક્ષકોની ભરતી ન થતા ઉમેદવારો જ્ઞાન સહાયક બનવા માટે તૈયાર નથી. આખું સત્ર ભરતી ચાલે છે છતાં પણ 50 ટકા જ્ઞાન સહાયક મળી શક્યા નથી. અંગ્રેજી, આંકડાશાસ્ત્ર સહિતના શિક્ષકો શાળાઓને મળ્યા નથી. શિક્ષકો વગર શાળાઓમાં વિદ્યાર્થીઓએ કઈ રીતે અભ્યાસ કર્યો હશે?એક આખું સત્ર વિદ્યાર્થીઓએ શિક્ષકો વગર જ પૂર્ણ કરી દીધું હતું. બીજા સત્ર અડધું પૂર્ણ થયું તે બાદ પણ શાળાઓને પૂરતા શિક્ષકો મળ્યા નથી. જેથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર તેની ચોક્કસથી અસર થઈ છે. ત્યારે શિક્ષકો વગર શાળાઓમાં વિદ્યાર્થીઓએ કઈ રીતે અભ્યાસ કર્યો હશે તે પણ વિચારવા જેવું છે. તેમાં પણ હવે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આવશે તેમાં શિક્ષકો વગર અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ શું લખશે તે પણ મોટો સવાલ છે. જો કે હવે ફરી સરકારે જાહેરાત આપી છે તેમાં પૂરતા શિક્ષકો શાળાઓને મળે છે કે નહીં તે પણ જોવાનું રહેશે.
ગુજરાતમાં રાજકીય પરિવર્તનનો સંકલ્પ લઈને કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલી 'જન આક્રોશ યાત્રા' ના દ્વિતીય ચરણનો ગત તારીખ 20 ડિસેમ્બરના રોજ ખેડા જિલ્લાના ફાગવેલથી પ્રારંભ થયો છે. ત્રણ દિવસ સુધી ખેડા જિલ્લાના વિવિધ ગામ-શહેરોમાં પરિભ્રમણ કર્યાં બાદ આજરોજ બોરીયાવી ખાતેથી આ 'જન આક્રોશ યાત્રા' એ આણંદ જિલ્લામાં પ્રવેશ કર્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં નીકળેલી આ 'જન આક્રોશ યાત્રા' બોરીયાવી, લાંભવેલ થઈ આણંદ શહેરમાં આવી પહોંચી હતી. બાંધણી ચોકડી ખાતે આવેલ લીમ્બચ માતાના મંદિર ખાતે સભા યોજવામાં આવી હતી. જેમાં અમિત ચાવડાએ વર્તમાન ભાજપ સરકાર ઉપર આકરાં પ્રહાર કર્યાં હતાં. મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, દારૂ-ડ્રગ્સ ની બદી સહિતના વિવિધ મુદ્દા ઉપર રાજ્ય તેમજ કેન્દ્રની ભાજપ સરકારને ઘેરી હતી. અંગ્રેજો જેવું શાસન ગાંધીનગર અને દિલ્હીમાં ચાલે છેપ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, અત્યારે કોઈ ચૂંટણી નથી, કોઈના મત પણ નથી લેવાના. પણ આખા ગુજરાતમાં આ સરકારે ભયનો માહોલ ઉભો કર્યો છે. કોઈ બોલી ના શકે, કોઈ સરકાર વિરૂદ્ધ લખી ના શકે, કોઈ આંદોલન ના કરી શકે, સરકારમાં થતાં ભ્રષ્ટાચાર કે ગેરવહીવટ સામે કોઈનો અવાજ ના ઉઠવો જોઈએ એવું અંગ્રેજો જેવું શાસન ગાંધીનગર અને દિલ્હીમાં ચાલે છે. ચરોતરની ભૂમિ પરના સરદાર પટેલ જેવા વિરલ નેતૃત્વ કે જેણે ગોરા અંગ્રેજોને પણ દેશ છોડવાની ફરજ પાડી, આ જ ગાંધી-સરદારની ગુજરાતની ધરા પરથી જો આ નવા કાળા અંગ્રેજોને ચેલેન્જ આપવામાં નહીં આવે તો, આ ગુલામીના દિવસો અંગ્રેજો કરતાં પણ ખરાબ આવશે. માટે જ ગુજરાતની પ્રજાની તકલીફ, પીડા, દર્દ અને આક્રોશને વાચા આપવા માટે આ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતમાં સતત દશ દિવસ કમોસમી વરસાદ પડ્યો અને ખેડૂતોનો બધો જ ઉભો પાક બરબાદ થઈ ગયો. ખેડૂતો નિરાશ થઈ ચૌધાર આંસુએ રડતાં હતાં. આ ખેડૂતોનો અવાજ બનવા માટે કિસાન આક્રોશ યાત્રા કોંગ્રેસે શરૂ કરી. ગૃહમંત્રી અમિત શાહના મત વિસ્તારમાં જ દારૂની રેલમછેલઆ જન આક્રોશ યાત્રા દરમિયાન પ્રજાએ અમને જણાવ્યું કે, ગુજરાતના તમામ ગામોમાં દારૂ મળે છે અને બધી જ જગ્યાએ પોલીસ બૂટલેગરો પાસેથી હપ્તા ઉઘરાવે છે. દેશના ગૃહમંત્રી અમિત શાહના મત વિસ્તારમાં આજે એક ગાડી પલ્ટી ખાઈ ગઈ, આ ગાડીમાંથી પાણી, પેટ્રોલ કે ડિઝલ ના ઢોળાયું. પરંતુ આ ગાડીમાંથી જાણે દારૂ વહેતો હોય તેમ દારૂની બોટલો તૂટી પડી. તેમછતાં આ સરકારના પેટનું પાણી હાલતું નથી. એટલા માટે ગુજરાતની મહિલાઓનો અવાજ છે કે, દારૂબંધી થવી જોઈએ, ડ્રગ્સ બંધ થવો જોઈએ, યુવાનો બરબાદ થતાં અટકવા જોઈએ, બહેન-દિકરીઓ વિધવા થતી અટકવી જોઈએ. સાયકલના ઠેકાણા ન હોય તેવા ભાજપના નેતાઓ પાસે અત્યારે મોંઘીદાટ કાર છેગુજરાતમાં ચારેય તરફ ભ્રષ્ટાચાર છે. ગામના તલાટીથી લઈને મુખ્યમંત્રીની ઓફિસ સુધી વ્યવહાર વિના કોઈના કામ થતાં નથી. 5 થી 10 વર્ષ પહેલા ભાજપના નેતાઓ પાસે સાયકલ કે સ્કૂટરના ઠેકાણા ન હતા અને આજે એ જ નેતાઓ અને તેમના મળતીયાઓ મોંઘીદાટ ગાડીઓ લઈને ફરે છે. ચારેય બાજુથી થતો ભ્રષ્ટાચાર એ ભાજપના મળતીયાઓ અને તેમના માણસો કરી લૂંટ ચલાવે છે. અમૂલમાં નોકરીનો ભાવ 35 લાખ રૂપિયા થઈ ગયોમોંઘુ શિક્ષણ લીધાં પછી પણ યુવાનોને નોકરી મળતી નથી. મેં ફાગવેલમાં બધાને પુછ્યું કે, અમૂલમાં અને બીજે બધે નોકરીઓનો ભાવ 15-20 લાખ ચાલે છે ? તો ઓડિયન્સમાંથી કહ્યું 15-20 લાખ નહીં, પરંતુ હવે તો 35 લાખ રૂપિયા થઈ ગયાં છે. પૈસા આપ્યાં વગર હવે નોકરીઓ નથી મળતી. સરકારી પરીક્ષા આપે તો પેપર ફુટી જાય છે, GPSCના ઈન્ટરવ્યુમાં નામ અને જાતિ જોઈને માર્ક્સ આપવામાં આવે છે. નોકરી મળે તો ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગના નામે શોષણ થાય છે. આણંદ શહેરના સો ફૂટના રોડ પર આવેલ ઇન્દિરા ગાંધી સ્ટેચ્યુ પાસે કોંગી કાર્યકરોએ આ 'જન આક્રોશ યાત્રા' નું સ્વાગત કર્યું હતું. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને તુષાર ચૌધરીએ ઇન્દિરા ગાંધીની પ્રતિમાને હાર પહેરાવી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતાં. જે બાદ આ યાત્રા વિદ્યાનગર, કરમસદ, વલાસણ થઈ બાંધણી ચોકડી પહોંચી હતી. દરમિયાન આ યાત્રામાં સ્થાનિક કોંગી નેતાઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતાં.
LRD ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરાયા લોકરક્ષક દળમાં પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કર્યા.. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 1,607 ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કર્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બે દિવસીય રાજ્યસ્તરીય ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન ગાંધીનગરમાં આજથી બે દિવસીય ક્રાઈમ કોન્ફરન્સનો પ્રારંભ થયો. મુખ્યમંત્રીએ પોલીસ કર્મીઓને જનતાનો ભરોસો જીતવા ટકોર કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો જૂની અદાવતમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ કરાયું દાહોદના કસ્બા વિસ્તારમાં એક જ કોમના બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું.બે વ્યક્તિઓને ગોળી વાગતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.જૂની અદાવતમાં ફાયરિંગ કરાયું હોવાનું સામે આવ્યુ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 47 વર્ષ જૂના સરદાર ભૂવનનું ડિમોલીશન નડિયાદમાં 47 વર્ષ જૂના સરદાર ભૂવનનું ડિમોલીશન હાથ ધરાયું..અહીં 48 જેટલી દુકાનો આવેલી છે. જો કે તે જર્જરિત હાલતમાં હોવાથી હટાવવાનો નિર્ણય લેવાયો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગેરકાયદે પાર્કિંગ કરનારાઓ સામે કાર્યવાહી અમદાવાદમાં ચાલી રહેલી ગેરકાયદે પાર્કિંગ ડ્રાઈવમાં દબાણો દૂર કરવાની સાથે સાથે પોતાનું પાર્કિંગ બંધ રાખનારા 378 એકમને નોટિસ ફટકારાઈ છે. તો આગામી સમયમાં 59,000 વાહનો પાર્ક થઈ શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નિર્માણાધીન બ્રિજનો સ્લેબ બેસી ગયો રાજકોટના નવા રીંગરોડ પર નિર્માણાધીન બ્રિજનો સ્લેબ બેસી ગયો..કોન્ટ્રાક્ટરે સ્લેબને તોડી કાટમાળ દૂર કર્યો.તો RUDAના અધિકારીએ મામલો છાવરતા કહ્યું કે અમે જ તોડવાની સૂચના આપી હતી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આઈસરમાંથી રસ્તા પર પથરાઈ દારુની બોટલ્સ 31st પહેલા દારુની રેલમછેલ.સાણંદમાં આઈસર પલટી જતા રસ્તા પર દારુની બોટલો પથરાઈ ગઈ. તો કેટલાંક લોકો બોટલ્સ લઈને જતા જોવા મળ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 2.34 કરોડની ચાઈનીઝ દોરી જપ્ત કરાઈ અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ દાદરાનગર હવેલીમાં ચાઈનીઝ દોરીનું ઉત્પાદન કરતી ફેક્ટરી સીલ કરી.. ફેક્ટરીમાંથી કુલ 2.34 કરોડ રૂપિયાનો ચાઈનીઝ દોરીનો જથ્થો મળી આવ્યો હતો.અગાઉ સાણંદમાંથી મળેલી ચાઈનીઝ દોરી અહીંથી સપ્લાય કરાઈ હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 48 દિવસની સારવારના અંતે RFO પત્નીનું મોત સુરતમાં પતિએ કરાવેલા ફાયરિંગમાં આરએફઓ પત્નીનું આજે અમદાવાદમાં 48 દિવસે મોત થયું.. પત્નીએ તેના આરટીઓ ઈન્સપેક્ટર પતિને પરસ્ત્રી સાથે પકડી લેતા પતિએ મિત્ર પાસે ગોળી મરાવી હતી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ક્રાઉડ મેનેજમેન્ટ માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરાશે અમદાવાદમાં 25 થી 30 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ યોજાશે. આ વખતે ક્રાઉડ મેનેજમેન્ટ માટે એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર હેડ કાઉન્ટ કેમેરા લગાવાશે.. આ સિવાય ડ્રોન શો, પેટ ફેશન શો, જગલર શો, લાઈટ એન્ડ સાઉન્ડ શો અને દુબઇમાં યોજાતો પાયરો શો (આગ સાથે ડાન્સ) થશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આદિવાસી સમાજનું મોટા પાયે ધર્માંતરણ થઈ રહ્યું હોવાના ગંભીર આક્ષેપો સાથે સ્થાનિક રાજકારણ અને સામાજિક ક્ષેત્રે ગરમાવો આવ્યો છે. આગામી ૨૫મી ડિસેમ્બરે નાતાલ પર્વની ઉજવણી થવાની છે, તે પૂર્વે જ રાષ્ટ્રીય આદિવાસી મંચ દ્વારા ડેડિયાપાડા પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી ધર્માંતરણ રોકવા કડક માંગ કરવામાં આવી છે. ધર્માંતરણ વિરોધી કાયદાના અમલીકરણ સામે સવાલગુજરાતમાં ધર્માંતરણ વિરોધી કાયદો અમલમાં હોવા છતાં નર્મદા જિલ્લામાં આ પ્રવૃત્તિઓ કેમ ચાલી રહી છે? તેવો પ્રશ્ન આદિવાસી મંચ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. મંચના આગેવાનો અને હિન્દુ ધર્મના સંતોએ એકઠા થઈને આક્ષેપ કર્યો છે કે ડેડિયાપાડા, સાગબારા અને ચિકદા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કાચા-પાકા ચર્ચો બનાવી આદિવાસીઓને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરવામાં આવી રહ્યા છે. પાષ્ટરો અને ખ્રિસ્તી કાર્યકરો દ્વારા લાલચ કે અન્ય માધ્યમોથી મોટા પાયે ધર્માંતરણ ચાલી રહ્યું છે. બિન-અધિકૃત ઉજવણીઓ પર પ્રતિબંધની માંગરાષ્ટ્રીય આદિવાસી મંચ ગુજરાત પ્રાંતના સંગઠન મંત્રી સોનજીભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, સરકારી રેકોર્ડ પર આ વિસ્તારમાં ખ્રિસ્તીઓની સંખ્યા નહિવત હોવા છતાં નાતાલના કાર્યક્રમો માટે પરવાનગી કેવી રીતે આપવામાં આવે છે? જો આ બિન-અધિકૃત કાર્યક્રમો બંધ કરવામાં નહીં આવે અને ધર્માંતરણ નહીં અટકે, તો આગામી સમયમાં મોટું આંદોલનકરવામાં આવશે. દેશની એકતા અને અખંડિતતા સામે જોખમરજૂઆત કરવા આવેલા સંતોએ જણાવ્યું હતું કે આ પ્રકારની પ્રવૃત્તિઓથી આદિવાસી સમાજની સુલેહ-શાંતિ જોખમાઈ રહી છે. તેમના મતે આદિવાસી વિસ્તારોમાં અનુસૂચિ 5 લાગુ હોવાથી સાંસ્કૃતિક રક્ષણ થવું જોઈએ. ધર્માંતરણ કરાવતા કાર્યકરો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. આવા પ્રયાસો દેશની એકતા અને અખંડિતતાને તોડવા સમાન છે. રાષ્ટ્રીય આદિવાસી મંચ દ્વારા ધર્માંતરણ કરાવતા તત્વો વિરુદ્ધ તાત્કાલિક ગુનો નોંધવા, નાતાલ પર્વ નિમિત્તે થતી બિન-અધિકૃત ઉજવણીઓની મંજૂરી રદ કરવા અને અંતરિયાળ ગામોમાં ચાલતી શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર તંત્રની કડક નજર રાખવા માંગ કરવામાં આવી છે.
સુરતમાં આમ આદમી પાર્ટીના મહિલા કાર્યકર્તા હની પટેલે રાજીનામુ આપ્યું છે. અંગત કારણોસર હની પટેલે પોતાનું રાજીનામું આપ્યું. હની પટેલે લખ્યું, હું આમ આદમી પાર્ટીમાં કામ કરવા ઈચ્છતી હતી પરંતુ પર્સનલ કારણો અને ફેમિલી ની જવાબદારી મારા પર હોવાથી આમ આદમી પાર્ટીમાં કામ કરી શકુ તેમ નથી. હની પટેલ આપમાં જોડાયા ત્યારથી અનેક ચર્ચાઓ સોશિયલ મીડિયામાં જોવા મળી હતી. અગાઉ હની પટેલ અમદાવાદ એરપોર્ટ પર હાઇબ્રીડ ગાંજા સાથે પણ ઝડપાઈ હતી. આ બાબતને લઈને સોશિયલ મીડિયામાં તેની ઘણી ટીકાઓ થઈ હતી. તમામ તર્ક વિતર્ક વચ્ચે એકા એક જ હની પટેલે પોતાનું રાજીનામું આપ્યું. લગ્ન, બેંગકોક, ગાંજો, જેલ અને રાજનીતિના મેદાનમાં મોડલ હની પટેલ, પતિથી છૂટી પડી FIR કરી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને મોડેલ હની પટેલે સુરતમાં AAPનો ખેસ ધારણ કરતાં જ સોશિયલ મીડિયામાં વિવાદ છેડાયો હતો. AAPમાં એન્ટ્રી કરતાં જ સોશિયલ મીડિયા પર હની પટેલના બિયરના ગ્લાસ ભરતા અને સિગારેટના કશ મારતા વીડિયો વાઈરલ થવા લાગ્યા હતાં. આ પહેલાં હાઇબ્રિડ ગાંજાના કેસમાં અમદાવાદ એરપોર્ટ પરથી હની પટેલની ધરપકડ થતાં બે મહિના સુધી જેલમાં રહેવું પડ્યું હતું, જે મુદ્દો પણ હાલ ઊછળ્યો હતો. આ તમામ વિવાદની વચ્ચે હની પટેલે ભાસ્કર સાથેની વાતચીતમાં અનેક ધડાકા કર્યા હતાં. તેના પતિ તુષાર ગજેરા અને તેના મિત્ર બગસરા તાલુકા ભાજપના પ્રમુખ પ્રદીપ ભાખર સામે ગંભીર આક્ષેપ કર્યા હતાં. આ બંનેએ મળીને તેને ગાંજાના કેસમાં ફસાવી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. એપ્રિલ, 2025માં લગ્ન, બેંગકોક ટૂર, ગાંજા મળવો, જેલવાસ અને હવે AAPમાં એન્ટ્રી. છેલ્લા આઠ મહિના દરમિયાન શું થયું એની તેણે સિલસિલાબંધ વિગતો જણાવી હતી. પોતાનો જે ભૂતકાળ છે એની જાણ કરીને જ તેણે આમ આદમી પાર્ટી જોઈન કરી હોવાનો દાવો પણ કર્યો હતો. (સંપૂર્ણ અહેવાલ માટે ક્લિક કરો) આ સમાચાર પણ વાંચોઃ અમદાવાદ એરપોર્ટ પરથી હની પટેલ પાસેથી 19 કરોડની કિંમતનો ગાંજો મળ્યો હતો
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાડા ગામ પાસે આવેલ બાયપાસ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.પુરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો ગાડીના ચાલકે ઈકો ગાડીને અડફેટે લેતા ગંભીર અકસ્માત થયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે ઈકો ગાડી રોડની બાજુમાં આવેલ અંદાજે 30થી 40 ફૂટ ઊંડા ખાડામાં ફંગોળાઈ ગઈ હતી.અકસ્માત થતા જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઈકો ગાડીમાં સવાર છ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઈજાઓ ગંભીર હોવાને કારણે ફરજ પરના તબીબોએ પ્રાથમિક સારવાર આપી તમામ છ ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કર્યા હતા. બનાવની જાણ થતા જ શહેરા પોલીસ મથકના પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને ઈજાગ્રસ્તોની પૂછપરછ હાથ ધરી કાયદેસરની કાર્યવાહીની તજવીજ શરૂ કરી હતી. અકસ્માતના ઈજાગ્રસ્ત1. બામણીયા જયદીપસિંહ અભેસિંહ2. ડાભી રણજીતસિંહ લક્ષ્મણસિંહ3. ખાટ ગણપતસિંહ અમરસિંહ4. ભાભોર સંગીતભાઈ નરવતભાઈ5. ડાભી ભુપતસિંહ કાળુભાઈ6. ખાટ જશવંતસિંહ પુજાભાઈ
બનાસકાંઠાના પાલનપુર ખાતે ઠાકોર સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક સાંસદ ગેનીબેન ઠાકોર અને ધારાસભ્ય કેસાજી ઠાકોરની આગેવાની હેઠળ મળી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના રીતરિવાજોમાં સુધારા લાવવા અને કુરિવાજો તેમજ અંધશ્રદ્ધાને દૂર કરવા અંગે ચર્ચા કરવાનો હતો. ચર્ચાના મુખ્ય મુદ્દાઓમાં સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર કરવી, ભાગીને લગ્ન કરનારા દીકરા-દીકરીઓના કિસ્સામાં માતા-પિતાની સહી ફરજિયાત બનાવવી, તેમજ લગ્નમાં વાસણ પ્રથા અને ઓઢમણા પ્રથા જેવી પ્રથાઓને બંધ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, મરણમાં જમણ પ્રથા બંધ કરવા સહિતના વિવિધ મુદ્દાઓ પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે અંધશ્રદ્ધાને લઈને એક બિલ પણ પસાર કર્યું છે. સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, કોઈપણ દેવ કે દેવી ઉપર તમારી શ્રદ્ધા હોઈ શકે પણ અંધશ્રદ્ધા નહીં. અંધશ્રદ્ધા એટલે શું? તો વર્ષો પહેલા ભૂતકાળમાં દીકરીઓને દૂધ પીતી કરવાની પ્રથા હતી તો એ પ્રથા કોઈ બુદ્ધિજીવી અને ક્રાંતિકારી લોકોએ દૂર કરી. વધુમાં જણાવ્યું કે, બહુપત્નીત્વનો રિવાજ હતો તો 1951ના બંધારણમાં હિન્દુ એક્ટની અંદર અનેક સુધારાઓ કરવામાં આવ્યા. બંધારણીય રીતે આપણને અંધશ્રદ્ધાથી કદાચ મદદ મળે કે ન મળે પણ ગુજરાત સરકારે વર્તમાન સમયમાં અંધશ્રદ્ધા નાબૂદી માટે વિધાનસભામાં બિલ પસાર કર્યું છે. આ બિલમાં તમામ પ્રકારની અંધશ્રદ્ધાઓથી બચવા માટે અનેક કલમોનો ઉમેરો કરી ફોજદારી ગુનાની જોગવાઈ કરવામાં આવી છે. સાંસદ ગેનીબેને જણાવ્યું કે, તમામ દેવી-દેવતાઓના આશીર્વાદ અને પૂજા-પાઠ જરૂરી છે પણ અંધશ્રદ્ધાના નામે બાળકોને ડામ આપવા, પરિવારમાં ઝગડા ઉભા કરવા, નિસંતાન હોય એમને વહેમમાં રાખવા, મિલકત માટે વહેમ ઉભા કરવા અને આર્થિક શોષણ કરવું એ ખોટું છે. જ્યારે કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય ત્યારે એ કઈ પણ માનવા મજબૂર હોય છે અને એની મજબૂરીનો ફાયદો ઉઠાવી એને આર્થિક રીતે બરબાદ ન કરાય અને પરિવાર વેરવિખેર ન થાય એના માટે અંધશ્રદ્ધાથી દૂર રહેવું જોઈએ. ઠાકોર સમાજ આગેવાન ડોક્ટર જગદીશ ઠાકોરે જણાવ્યું કે, જૂના રીત-રિવાજ પ્રમાણે જે ખોટા ખર્ચા થઈ રહ્યા છે, ધારો કે લગ્નમાં જે 'ઓઢામણા' પ્રથા છે. ઘણીવાર ઓઢામણામાં સાડી પાછળ જે ધોતિયું કે આપણે પેન્ટ-પીસ આપીએ છીએ તો એ ઘણા 100-200 રૂપિયાના આપણે આપતા હોઈએ છીએ અને એનો ક્યાંય ઉપયોગ થતો નથી હોતો. અહીંયાથી ઓઢામણું આપીને બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ ઓઢામણું જતું હોય છે. એટલે એ ઓઢામણા પ્રથા બંધ કરવી. વધુમાં જણાવ્યું કે, વાસણ પ્રથા બંધ કરવી. જરૂરિયાત પ્રમાણે દીકરીને જેટલું જરૂર હોય એટલું વાસણ પોતે ઘરધણી આપે, મરણ પાછળ જે ખોટો ખર્ચો કરવામાં આવે છે તે બંધ કરવા. બીજા સમાજમાં દીકરા-દીકરીઓના લગ્ન થાય છે અથવા કોઈપણ જગ્યાએ ક્યાંક કોઈ બેન-દીકરી સમાજની વિરોધમાં જઈને લગ્ન કરી દે છે, તો એની અંદર પણ થોડો અંકુશ આવે એ માટે મા-બાપની પરમિશન સાથે મેરેજ કરે એ પણ ફોકસ કરવામાં આવશે.
બોટાદ જિલ્લામાં 'દીકરી બચાવો અભિયાન'ને વેગ આપવા માટે કલેક્ટર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં જાતિ પરીક્ષણ કરતા તબીબો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો છે. આ બેઠક ધી પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ-૧૯૯૪ અંતર્ગત જિલ્લા એડવાઇઝરી કમિટીની હતી. DDO અક્ષય બુડાનિયાએ સ્પષ્ટ સૂચના આપી હતી કે જિલ્લામાં ગેરકાયદે ગર્ભપાત અને જાતિ પરિક્ષણ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં. અને જાતિ પરિક્ષણ ઝડપાવા પર કડક કાર્યવાહી કરવામાં આવશે બોટાદ જિલ્લામાં સ્ત્રીઓની સંખ્યા વધારવા અને સામાજિક સંતુલન જાળવવા માટે આરોગ્ય શાખાને સક્રિય રહેવા પણ DDOએ જણાવ્યું છે બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભારતીબેન ધોળકીયાએ કાયદાકીય જોગવાઈઓ અને જિલ્લાની વર્તમાન સ્થિતિ વિશે વિગતવાર માહિતી રજૂ કરી હતી. આ પ્રસંગે બોટાદ, ગઢડા, રાણપુર અને બરવાળાના તાલુકા હેલ્થ ઓફિસર, સબડિસ્ટ્રીક્ટ એપ્રોપ્રીએટ ઓથોરીટીના સભ્યો, જિલ્લા એડવાઇઝરી કમિટીના તજજ્ઞ સભ્યો અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો અને માટી ખનનનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. સંતરામપુર બાયપાસ નજીક નરસિંગપુર વિસ્તારમાં આવેલી સર્વે નંબર 43અની સરકારી પડતર જમીન પર ભૂમાફિયાઓ દ્વારા JCB મશીનથી ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં માટી ખનન સાથે વૃક્ષો કાપીને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હતું. તંત્રના ધ્યાનમાં આ બાબત આવતા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. મામલતદાર પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગેરકાયદેસર ખોદકામ અને વૃક્ષછેદન સ્પષ્ટ થતાં, તંત્ર દ્વારા સ્થળ પર જ JCB મશીન જપ્ત કરવામાં આવ્યું હતું. સરકારી પડતર જમીનમાં ગેરકાયદેસર ખોદકામ, માટી ખનન અને વૃક્ષો કાપી સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાના આરોપસર સંતરામપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે JCB ચાલક સુરેશભાઈ પ્રતાપભાઈ ગોલ, અફઝલભાઈ કોઠારી, શંકરભાઈ પારગી, જશવંતભાઈ મછાર અને ઉસ્માનભાઈ સહિત કુલ પાંચ વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. તંત્ર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે સરકારી જમીન પર કબજો કે ગેરકાયદેસર ખનન જેવી પ્રવૃત્તિઓ સહન કરવામાં આવશે નહીં અને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે આજે NSUI સંગઠન દ્વારા વિધાર્થીઓને આપવામાં આવતા આઈ કાર્ડને લઈ વિવિધ મુદ્દાઓ અંગે અનેકવાર રજૂઆત છતાં કોઈ પગલાં લેવામાં ન આવતા આખરે આજે તાળાબંધી અંગેનો કાર્યક્રમ રાખ્યો હતો. યુનિવર્સિટીની હેડ ઓફિસના તાળાબંધી કરે તે પહેલા જ પોલીસની ટીમો તૈનાત હતી અને 20 જેટલા NSUI ના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. રજૂઆત માટે આવેલા NSUIના કાર્યકર્તાઓ દ્વારા પહેલા ઉગ્ર બની હેડ ઓફિસ ખાતે ભારે સુત્રોચાર કરવામાં આવ્યા હતા. બાદમાં તેઓ હેડ ઓફિસના દરવાજાને તાળાબંધી કરે તે પહેલા જ પોલીસે એક એક કાર્યકર્તાને ટીંગાટોળી કરી ઉચકી પોલીસ વેનમાં બેસાડી અટકાય કરી હતી. આ મામલે સામાન્ય ઘર્ષણના દૃશ્યો પણ સર્જાય હતા. આઈ કાર્ડના કારણે મારામારી અને ચોરીના બનાવોઃ NSUIઆ અંગે NSUIના પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું હતું કે, આજે એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે તાળાબંધી કરવામાં આવી છે. એમ. એસ. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના આઇ.ડી કાર્ડની સોફ્ટકોપી આપવામાં આવે છે. જ્યારે અન્ય યુનિવર્સિટીમાં આઇડી કાર્ડ એક હાર્ડ કોપીમાં પ્રોફેશનલ રીતે આપવામાં આવે છે. યુનિવર્સિટીમાં બહારથી પણ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ માટે આવે છે, ત્યારે આઈ કાર્ડના કારણે મારામારી અને ચોરીના બનાવો સામે આવતા હોય છે. ત્યારે અમારી માંગ છે કે, એનએસયુઆઇ દ્વારા આઈ કાર્ડને લગતા મુદ્દાઓ અંગે રજૂઆતને સ્વીકારવામાં આવે અને વિદ્યાર્થીઓને સોફ્ટ કોપીની જગ્યાએ હાર્ડ કોપીમાં એકાદ આપવામાં આવે. યુનિવર્સિટી હંમેશા વિદ્યાર્થીઓના હિતમાં કામ કરે છેઃ PROઆ અંગે એમ. એસ. યુનિવર્સિટીના પીઆરઓ લકુલેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, કેટલાક સંગઠન દ્વારા હાર્ડ કોપીમાં આઈ કાર્ડના મુદ્દાને લઇ રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા છે. પરંતુ યુનિવર્સિટી હંમેશા વિદ્યાર્થીઓના હિતમાં કામ કરે છે. આજના આ ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓને પણ આઈકાર્ડ પોતાના લોગીનમાં ડિજિટલ મળી રહે તે હેતુથી યુનિવર્સિટી દ્વારા આ આઈકાર્ડ ડિજિટલ ફોર્મમાં આપવામાં આવ્યું છે.
ભાવનગર શહેરના અકવાડા નજીક અકવાડા લેક ફેઝ-1માં 12 કરોડના ખર્ચે ગાર્ડન બનાવવામાં આવ્યું હતું, ત્યાર બાદ વર્ષ 2023માં અકવાડા લેક ફેઝ-2માં વવિધ સુવિધા જેવી કે સાયન્સ સિટી, ઓડિટોરિયમ બિલ્ડીંગ, ફિઝ બિલ્ડીંગ સહિત અનેક સુવિધાથી સજ્જ અકવાડા લેક ફેઝ-2ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે કામની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ, પરંતુ કામ પૂર્ણ નહિ થતા કોન્ટ્રાકટર દ્વારા સમય વધારી આપવા માગ કરવામાં આવી હતી. મનપાએ માગને ધ્યાનમાં લઈને વધુ 10 માસની સમય મર્યાદા વધારી દીધી હતી, તેમ છતાં આજદિન સુધીમાં કામ પૂર્ણ નથી થયું અને માત્ર 60 ટકા જ કામ પૂર્ણ થયું છે, ત્યારે આ બાબતે શહેર કોંગ્રેસ પ્રમુખે શાસકો પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે જનતાના ટેક્સના રૂપિયાનું કેમ પાણી થાય, એવું જ આ ભાજપના શાસકો વિચારી રહ્યા છે. 15,000 ચો.મીમાં 16 કરોડથી વધુના ખર્ચે અકવાડા લેક ફેઝ 2નું કામ શરૂ કરાયું હતુંશહેરીજનોને વાર તહેવારે હરવા ફરવા મળી શકે એ માટે ભાવનગર શહેરના અકવાડા નજીક આવેલા તળાવને આવરી લઈને મનપા દ્વારા અકવાડા લેક ફેઝ-1માં 14,000 ચોરસમીટરમાં 12 કરોડથી વધુના ખર્ચે રમત ગમતના સાધનો, હીંચકા, મીની ટ્રેન, ફૂડ કોર્ટ સહિતની સુવિધા સાથેનું અકવાડા લેક બનાવવામાં આવ્યું છે અને જેના થોડા સમય બાદ અકવાડા લેકમાં બાકી રહેતી જગ્યામાં 15,000 ચોરસમીટરમાં 16 કરોડથી વધુના ખર્ચે અકવાડા લેક ફેઝ 2નું કામ શરૂ કરવામાં આવ્યું હતું. ટાઇમ લિમિટ ઉપરાંત બે મહિના વીતવા છતાં 60 ટકા જ કામ થયુંવર્ષ 2023માં શરૂ થયેલા ફેઝ 2ના કામમાં 18 માસની સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી, પરંતુ સમય મર્યાદામાં આ કામ પૂર્ણ ન થતા કોન્ટ્રાક્ટરને વધુ 10 મહિનાની ટાઈમ લિમિટ આપવામાં આવી હતી. ટાઇમ લિમિટ ઉપરાંત બે મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં 60 ટકા જ કામ થયું હોવાનું અધિકારી જણાવી રહ્યા છે. ‘કોન્ટ્રાક્ટરો પર એક્શન લીધા હોય, પેનલ્ટી કરી હોય કે બ્લેકલિસ્ટ કર્યા હોય એવો દાખલો નથી’આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ મનોહરસિંહ ગોહિલે શાસકો પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે આપણે જોઈએ એમ દરેક કોન્ટ્રાક્ટની વાત હોય, આ શાસકો દ્વારા કોઈ કોન્ટ્રાક્ટ સમયસર પૂર્ણ થતો નથી એના અલગ અલગ ઘણા બધા નમૂના છે. પણ કોઈ કોન્ટ્રાક્ટરો ઉપર એક્શન લીધા હોય, એમને પેનલ્ટી કરી હોય કે એમને બ્લેકલિસ્ટ કર્યા હોય એવો દાખલો નથી. ખાસ અકવાડા લેકની વાત છે ત્યારે ફેઝ-1ની કામગીરી પૂર્ણ કરી તેને ઘણા વર્ષો થઈ ગયા એ કામગીરી પણ લોલમલોલ ચાલી છે. 18 મહિનાનો કોન્ટ્રાક્ટ, 10 મહિનાનું એક્સટેન્શન તો પણ કામ બાકીફેઝ-2ની કામગીરીની વાત કરીએ તો તે 18 મહિનાનો કોન્ટ્રાક્ટ હતો અને એક વખત તેને દસ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું, છતાં આજદિન સુધી એ કામ પૂર્ણ નથી થયું. તો ભાવનગરની જનતાના ટેક્સના રૂપિયાનું કેમ પાણી થાય, એવું જ અત્યારે આ ભાજપના શાસકો વિચારી રહ્યા છે. એનું ઉત્તમ ઉદાહરણ એટલે આ અકવાડા લેક છે. મોટીમોટી વાહવાહી કરવી, મોટીમોટી વાતો કરવી, પણ સમયસર કામ ન પૂર્ણ કરવું, એ જ આ ભારતીય જનતા પાર્ટીના શાસકોનું કામ છે. અમુક કારણોસર કામ સમય મર્યાદામાં થઈ શક્યું નહોતું: કાર્યપાલક ઇજનેરઆ ગાર્ડનના કામમાં થતા વિલંબ બાબતે બિલ્ડીંગ વિભાગના કાર્યપાલક ઇજનેર આર.એમ.લીંબોલાએ જણાવ્યું હતું કે અકવાડા લેક પાસે અકવાડા લેક ફેઝ-1ની કામગીરી અંદાજિત વર્ષ 2018માં શરૂ કરી હતી, જે 12 કરોડના ખર્ચે કરી હતી, તે પૂર્ણ કરી છે. ત્યારબાદ ફેઝ-2 માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી 4 માર્ચ, 2023માં એજન્સીને વર્ક ઓર્ડર આપ્યો હતો અને તે કામની સમયમર્યાદા 18 માસની હતી. અમુક કારણોસર કામ સમય મર્યાદામાં થઈ શક્યું નહોતું. ‘ઝડપી કામગીરી પૂર્ણ કરવા એજન્સીને નોટિસો આપી’ત્યાર પછી એજન્સીની સમય મર્યાદા વધારી. 31 ઓક્ટોબર, 2025 સુધીની ટાઈમ લિમિટ હતી, જે પૂર્ણ થઈ ગઈ છે અને હાલ એજન્સીને કડક શબ્દોમાં સૂચના આપી છે, નોટિસો પણ આપી છે, કે ઝડપથી આ કામગીરી પૂર્ણ કરી આપવી, જેથી આ ફેઝ-2નું કામ ઝડપથી પૂર્ણ થઈ શકે. આ કામગીરીમાં ઓડિટોરિયમ બિલ્ડીંગ, સાયન્સ બિલ્ડીંગ, ફિઝ બિલ્ડીંગ તેમજ ગાર્ડન વચ્ચે પ્લે એરિયા, ચિલ્ડ્રન પાર્ક, એડવેન્ચર ગેમો સહિતની સુવિધા સાથે સજ્જ થશે.
અમદાવાદ શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં વાઇરલ થયેલા ત્રણ વીડિયો સામે આવ્યા છે. જેમાં એક વીડિયોમાં સિંધુભવન રોડ ઉપર એક બાઈક પર બે યુવકો જોખમી સ્ટંટ કરતા નજરે પડ્યા હતા. જ્યારે સિંધુભવન રોડ પરના બીજા વીડિયોમાં યુવતીઓ વચ્ચે કોઈ બાબતને લઈને મારામારી થઈ હતી. જ્યારે ત્રીજા વીડિયોમાં એક એક્ટિવા પર યુવકે જોખમકારક રીતે યુવતીને બેસડાઈ વાહન ચલાવી રહ્યો હતો. ડીસીપી (પશ્ચિમ) ભાવના પટેલે જણાવ્યું હતું કે, આ ત્રણેય વાઈરલ વીડિયો મામલે તપાસ કરવામાં આવી રહી છે. ચાલુ બાઈકે ઉભા થઈ યુવકનો જોખમી સ્ટંટઅમદાવાદના સિંધુભવન રોડ ઉપર જ્યાં રાતના સમયે યુવાઓની અવરજવર વધુ રહે છે, ત્યાં જ સ્પોર્ટ્સ બાઈક ઉપર એક યુવકનો સ્ટંટ કરતો વીડિયો વાઈરલ થયો છે. બાઇક ઉપર બે યુવકો બેઠા હતા. જેમાંથી બાઈકચાલક ચાલુ ગાડીએ બાઈકની સીટ ઉપર ઉભો થઈ ખુલ્લા હાથે બાઈક ચલાવતો જોવા મળ્યો હતો. આ વીડિયો સિંધુભવન રોડની શરૂઆતનો જ છે. વીડિયોના આધારે ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી છે. સિંધુભવન રોડ પર યુવતીઓની જાહેરમાં મારામારીસિંધુભવન રોડની શરૂઆતનો જ અન્ય એક વીડિયો પણ વાઈરલ થયો છે. 31 ડિસેમ્બરને લઈ સિંધુભવન રોડ પર રોશની કરવામાં આવી છે. જેને લઈને અહીં મોટી સંખ્યામાં લોકો ફોટા પડાવવા આવતા હોય છે. ત્યારે સિંધુભવન રોડ પર જ ચાર યુવતીઓ વચ્ચે મારામારીની ઘટના બની હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે બે યુવતીઓ ઝઘડી રહી હતી જેમાં એક યુવતીએ અન્ય યુવતીના વાળ પકડીને ખેંચી રહી હતી. આ દરમિયાન અન્ય બે-ત્રણ યુવતીઓ ત્યાં પહોંચે છે અને તે યુવતીને વાળ પકડીને માર મારે છે. યુવતીને આગળ બેસાડી યુવકે જોખમી ડ્રાઈવિંગ કર્યુંઅમદાવાદના એસજી હાઈવે પરનો જ અન્ય એક વીડિયો પણ વાઈરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક કપલ એક્ટિવા પર જઈ રહ્યું હતું. જેમાં યુવતીને આગળની તરફ પોતાની બાજુએ મોઢુ રખાવી યુવક જોખમી રીતે એક્ટિવા ચલાવી રહ્યો હતો. યુવકના આ જોખમી ડ્રાઈવિંગને કારણે અન્ય વાહનચાલકોને પણ જોખમ રહેલું છે. યુવકનો આ વીડિયો વાઈરલ થતાં ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી છે.
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો અને તાજેતરમાં થયેલી હિન્દુ દીપુ ચંદ્ર દાસની નિર્મમ હત્યાના પડઘા હવે ગુજરાતમાં પણ પડી રહ્યા છે. આ ઘટનાના વિરોધમાં ભાવનગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બાંગ્લાદેશના ઝંડાને રસ્તા પર મૂકી પગ તળે કચડી ઝંડાને સળગાવી વિરોધ નોંધાવ્યો હતો, બજરંગ દળ ભાવનગર શહેર પ્રમુખ જય ટાંકોલિયાએ જણાવ્યું હતું કે, જ્યારથી બાંગ્લાદેશમાં સત્તા પલટ થઈ અને ઇસ્લામિક કટ્ટરપંથીઓની સરકાર જ્યારથી અમલમાં આવી છે, ત્યારથી હિન્દુઓને ટાર્ગેટ કરી અનેક વખત હિન્દુઓ પર હુમલા કરાયા છે અને હાલમાં દીપુભાઈ કરીને એક હિન્દુની જાહેરમાં હત્યા કરવામાં આવી અને તેના પર બાંગ્લાદેશની કટ્ટરપંથી સરકાર દ્વારા પણ કોઈ પગલાં લેવાયા નથી, જ્યારે પણ આવી ઘટના બનતી હોય છે ત્યારે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર મંચ પણ પોતાનું મંતવ્ય આપતું હોય છે, પરંતુ જ્યારે હિન્દુઓની સુરક્ષાની વાત આવે છે ત્યારે તેઓ પણ મૌન ધારણ કરી લે છે. બાંગ્લાદેશમાં જે અલ્પસંખ્યક હિન્દુઓને પ્રતાડિત કરવાની ઘટનાઓ વારંવાર બની રહી છે, તેમાં બાંગ્લાદેશની સરકાર પણ તેના પર કાર્યવાહી કરે એવા હેતુ સાથે આજ બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ શહેરના ઘોઘા ગેટ ખાતે રાખવામાં આવ્યો છે. આ વિરોધ પ્રદર્શન વેળાએ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઇન્દોર, મુંબઈ, અમદાવાદ, ચેન્નાઈ અને દુબઈમાં વ્યાપક ગેરકાયદેસર ડબ્બા વેપાર અને ઓનલાઈન સટ્ટાબાજી પ્રવૃત્તિઓમાં રોકાયેલા એક સિન્ડિકેટ સામે એન્ફોર્સમેન્ટ ડિરેકટરોરેટ (ED)સ્પેશિયલ કોર્ટ (PMLA), ઇન્દોર સમક્ષ ફરિયાદ દાખલ કરી છે. EDની તપાસમાં ટેકનોલોજીકલ રીતે હેરાફેરી કરાયેલ ઇકોસિસ્ટમનું અસ્તિત્વ બહાર આવ્યું છે. જેમાં રિગ્ડ ટ્રેડિંગ પ્લેટફોર્મ, ગેરકાયદેસર સટ્ટાબાજી વેબસાઇટ્સ અને ક્રોસ-બોર્ડર લોન્ડરિંગ મિકેનિઝમનો સમાવેશ થાય છે. વિશાલ અગ્નિહોત્રીને મુખ્ય ઓપરેટર તરીકે ઓળખવામાં આવ્યા છે, જેની સહાય તરુણ શ્રીવાસ્તવ દ્વારા કરવામાં આવી છે. જે રોજિંદા નાણાંકીય કામગીરી અને ખચ્ચર ખાતાઓનું સંચાલન કરતા હતા અને શ્રીનિવાસન રામાસ્વામી જેમણે ખોટા ટ્રેડિંગ પરિણામો ઉત્પન્ન કરવા માટે રચાયેલ હેરાફેરી કરાયેલ MT5 સર્વર્સને ગોઠવ્યા હતા. ગ્રાહકોને V Money અને 8Stock Height પ્લેટફોર્મના ટ્રેડ્સ બતાવાયાવધુમાં, સમાંતર સટ્ટાબાજી નેટવર્કમાં ધવલ દેવરાજ જૈન ભૂગર્ભ પ્લેટફોર્મ LotusBook247 ચલાવતા હતા. જ્યારે ધર્મેશ રજનીકાંત ત્રિવેદીએ ઓફશોર એન્ટિટી iBull Capitalનું સંચાલન કર્યું હતું અને નિધિ ચંદનાનીએ દુબઈ સ્થિત માળખા દ્વારા ભંડોળની હિલચાલ અને સ્તરીકરણને સરળ બનાવ્યું હતું. તપાસમાં પુષ્ટિ મળી છે કે, ગ્રાહકોને V Money અને 8Stock Height જેવા પ્લેટફોર્મ પર માન્ય સ્ટોક એક્સચેન્જો સાથે કોઈપણ જોડાણ વિના સિમ્યુલેટેડ ટ્રેડ્સ બતાવવામાં આવ્યા હતા. જ્યારે LotusBook247 અને 11Starss જેવા સટ્ટાબાજી પ્લેટફોર્મ ગુપ્ત રીતે અનામી એકાઉન્ટ્સ, એન્ક્રિપ્ટેડ કોમ્યુનિકેશન અને રોકડ-આધારિત સમાધાનોનો ઉપયોગ કરીને સંચાલિત કરતા હતા. 404.46 કરોડ રૂપિયાના ગુનામાંથી રકમ મેળવીતપાસમાં હેરાફેરી કરેલા ટ્રેડિંગ પ્લેટફોર્મ, ગેરકાયદેસર સટ્ટાબાજી વેબસાઇટ્સ અને અનિયંત્રિત વ્હાઇટ લેબલ એપ્લિકેશન્સમાંથી મેળવેલા 404.46 કરોડ રૂપિયાના ગુનામાંથી મળેલી રકમ ઓળખવામાં આવી છે. આ જથ્થા ઉપરાંત, તપાસમાં 2025ના PAO નંબર 24 હેઠળ 34.26 કરોડ રૂપિયાની સંપત્તિની કામચલાઉ જપ્તી કરવામાં આવી હતી, જેમાં 28.60 કરોડ રૂપિયાની સ્થાવર મિલકતો, 3.83 કરોડ રૂપિયાની સ્થાવર મિલકતો અને બેંક અથવા ડીમેટ ખાતાઓમાં 1.83 કરોડ રૂપિયાની બેલેન્સનો સમાવેશ થાય છે. EDએ દાગીના અને લક્ઝરી ઘડિયાળો જપ્ત કરીસર્ચ કાર્યવાહી દરમિયાન કરવામાં આવેલી મુખ્ય જપ્તીઓમાં 5.21 કરોડ રૂપિયાથી વધુ રોકડ, 59.9 કિલોગ્રામ ચાંદીના બાર અને 100 ગ્રામ સોનાનો બારનો સમાવેશ થાય છે. EDએ લગભગ 1.94 કરોડ રૂપિયાના દાગીના અને 4.77 કરોડ રૂપિયાની લક્ઝરી ઘડિયાળો સહિત ઉચ્ચ મૂલ્યની લક્ઝરી વસ્તુઓ પણ જપ્ત કરી હતી. તેમજ 0.41 કરોડ રૂપિયાથી વધુની સ્થિર ક્રિપ્ટોકરન્સી હોલ્ડિંગ્સ પણ જપ્ત કરી હતી. આ મિલકતો સિન્ડિકેટના સભ્યો દ્વારા તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દ્વારા જનરેટ અને કબજામાં લેવામાં આવેલી ભૌતિક આવકનું પ્રતિનિધિત્વ કરે છે. પોલીસે ચાર્જશીટ દાખલ કરીભારતીય ન્યાય સંહિતા, 2023ની વિવિધ કલમો 319(2) અને 318(4) હેઠળ ગુનાઓ માટે EDએ ઇન્દોર પોલીસ દ્વારા નોંધાયેલ FIRના આધારે તપાસ શરૂ કરી હતી, જે IPC, 1860ની કલમ 419 અને 420ને અનુરૂપ છે. વધુ તપાસમાં જાણવા મળ્યું કે, FIR નં. 041/2025 સાથે સંકળાયેલા/જોડાયેલા વ્યક્તિઓને સંડોવતા ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી રેકેટ સંબંધિત FIR નં. 0136/2021, મુંબઈના N.M. જોશી માર્ગ પોલીસ સ્ટેશનમાં IPC કલમ 419, 420, 465, 468, 471, મહારાષ્ટ્ર જુગાર પ્રતિબંધ અધિનિયમ અને IT કાયદાની કલમ 66(C) અને 66(D) હેઠળ નોંધવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ ઉપરોક્ત FIRમાં ચાર્જશીટ દાખલ કરી છે. શું કાળજી રાખવી?
ગોધરા પાસે ₹15.47 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:કોટન વેસ્ટની આડમાં લઈ જવાતો જથ્થો જપ્ત, બેની ધરપકડ
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે ગોધરાના ઓરવાડા પાસેથી કોટન વેસ્ટની આડમાં લઈ જવાતો રૂ. 15.47 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. થર્ટી ફર્સ્ટની ઉજવણી પૂર્વે કરાયેલી આ કાર્યવાહીમાં હરિયાણાના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે દારૂ, આઈસર ટ્રક અને રોકડ મળી કુલ રૂ. 39.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગાંધીનગર SMCના અધિકારીઓને બાતમી મળી હતી કે, ગોધરા તરફથી આવી રહેલી એક આઈસર ટ્રક (નં. MH-43-BG-4654)માં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે. આ બાતમીના આધારે SMCની ટીમે ગોધરા-અમદાવાદ હાઈવે પર ઓરવાડા ત્રણ રસ્તા સામેના સર્વિસ રોડ પર વોચ ગોઠવી હતી. બાતમીવાળી ટ્રક આવતા તેને રોકવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં ટ્રકમાં માત્ર કોટન વેસ્ટ (રૂ)ની ગાંસડીઓ જ દેખાતી હતી. જોકે, પોલીસે ઝીણવટભરી તપાસ કરતા આ ગાંસડીઓની પાછળ અને નીચે છુપાવેલી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળેથી કુલ રૂ. 39,85,546નો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં રૂ. 15,47,355ની કિંમતનો વિદેશી દારૂ (નાની-મોટી બોટલ અને ક્વાર્ટર નંગ-7197), રૂ. 15,00,000ની કિંમતની આઈસર ટ્રક, રૂ. 9,15,501ની કિંમતનો કોટન વેસ્ટ (ગાંસડી નંગ-73), રૂ. 20,000ની કિંમતના બે મોબાઈલ ફોન, અંગજડતીમાંથી મળેલ રોકડ રૂ. 1,690 તથા રૂ. 1,000ની તાડપત્રીનો સમાવેશ થાય છે. આ રેડ દરમિયાન પોલીસે આઈસર ટ્રક ડ્રાઈવર ગુરમીતસિંગ મઘનસિંગ મજબીશીખ અને ક્લીનર બોબીસિંગ જોગીંદરસીંગ મજબીશીખ (બંને રહે. નિલોખેડી, જિ. કરનાલ, હરિયાણા)ની અટકાયત કરી હતી. દારૂનો જથ્થો મોકલનાર દિલ્હીના રાણા, પાણીપતના ટ્રાન્સપોર્ટર સુમીત કૌસીક અને અમદાવાદ ખાતે માલ મંગાવનાર અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ નારણસિંહની ફરિયાદના આધારે ગોધરા તાલુકા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ઢાંકલીયા તળાવમાં એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત થયું છે. 45 વર્ષીય ઉમેદસિંહ ભેંસોને બચાવવાના પ્રયાસમાં તળાવમાં ઉતર્યા હતા ત્યારે આ ઘટના બની. મળતી માહિતી મુજબ, ઉમેદસિંહ તળાવના પાણીમાંથી ભેંસોને બહાર કાઢવા માટે અંદર ગયા હતા. આ દરમિયાન તેઓ પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને લુણાવાડા નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી ઉમેદસિંહનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના કુબેરનગર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર કામિનીબેન ઝા અને NCP પ્રદેશ પ્રમુખ તેમજ વર્ષ 2021ની ચૂંટણીમાં કોંગ્રેસના મેન્ડેટથી ચૂંટાયેલા ઉમેદવાર નિકુલસિંહ તોમર વચ્ચે વિવાદ દિન પ્રતિદિન વધી રહ્યો છે. કોંગ્રેસના કોર્પોરેટર કામિનીબેન દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને માગ કરવામાં આવી છે કે, નિકુલસિંહ તોમર દ્વારા ગઈકાલે 22 ડિસેમ્બરના રોજ મીડિયામાં અમારા જે પત્રો બતાવવામાં આવ્યા છે તે ક્યાંથી તેમના સુધી પહોંચ્યા તે અંગે ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે અને આ બાબતે નિકુલસિંહ તોમર સામે પણ કાર્યવાહી કરવા પણ જણાવ્યું છે. જો તેમણે લગાવેલા આક્ષેપ સાચા થાય તો અમારી સામે મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યવાહી કરી શકે છે. પૈસા ઉઘરાવતાનો આક્ષેપ થતાં કામિનીબેન ઝા દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્રકુબેરનગર વોર્ડના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કામિનીબેન ઝા દ્વારા તેમના જ સાથી કોર્પોરેટર અને એનસીપીના પ્રમુખ નિકુલસિંહ તોમરના માણસો દ્વારા ધમકી આપવામાં આવી હોવા અંગેની મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી. જે બાદ નિકુલસિંહ તોમર દ્વારા કામિનીબેન વોર્ડમાં કોન્ટ્રાક્ટરો પાસેથી પૈસા ઉઘરાવતા હોવા અંગેનો આક્ષેપ કર્યો હતો. કામિનીબેન દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટરોની માહિતી અને તેમની કામગીરીના પત્રો લખવામાં આવ્યા હોવાનું મીડિયામાં દર્શાવ્યું હતું. જે બાબતે આજે 23 ડિસેમ્બરના રોજ કામિનીબેન ઝા દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે. અહીં ક્લિક કરીને વાંચો શું છે સમગ્ર મામલો 'પત્રો કોના દ્વારા લીક કર્યા અને કોને નિકુલસિંહને આપ્યા તે અંગે તપાસ કરવામાં આવે'મ્યુનિસિપલ કમિશનરને લખવામાં આવેલા પત્રમાં તેમણે જણાવ્યું છે કે મેં એક જન પ્રતિનિધિ તરીકે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામગીરી માટે પત્રો લખ્યા હતા. આ પત્રો કોના દ્વારા લીક કરવામાં આવ્યા અને કોને નિકુલસિંહને આપ્યા તે અંગે તપાસ કરવામાં આવે. જો કોન્ટ્રાક્ટર પાસે અમે પૈસા માંગ્યા હોય તો આ બાબતે ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે અને જો અમે તેમાં સાબિત થઈએ તો મ્યુનિસિપલ કોર્પોરેશન અમારી સામે કાર્યવાહી કરી શકે છે. જો આ બાબતે અમે નિર્દોષ સાબિત થઈશું તો નિકુલસિંહ તોમર વિરુદ્ધમાં માનહાનિનો પણ દાવો કરીશું. એક પ્રજાના પ્રતિનિધિ તરીકે આ રીતે નિકુલસિંહ તોમર દ્વારા જે કરવામાં આવ્યું છે તે યોગ્ય નથી. જેથી તેના માટે ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશન સામે પણ આરોપ છે.
વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજમાં થયેલી મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. બાદમાં આ મામલે આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા મામલો ડીન ઓફિસે પહોંચ્યો હતો અને બાદમાં સમાધાન થયું હતું. આજે આ મામલે ABVPએ આક્ષેપ કર્યો છે કે, વિદ્યાર્થીઓ ઉપર હુમલો કરનાર વિદ્યાર્થીઓ NSUIના કાર્યકર્તાઓ હતા. તેઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માગ છે. મારામારીનો વીડિયો પણ વાઈરલ થયોમહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજમાં તાજેતરમાં મારામારીની ઘટના બની હતી. આ મારામારીના વીડિયો વાઇયરલ થયા હતા. આ વીડિયોમાં વિદ્યાર્થીઓનુ એક જૂથ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ધમકાવી લાફા ઝીંકી રહ્યા હોવાનું જણાતું હતું. આ ઘટનાએ કેમ્પસમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી. આ ઘટના અંગે આજે ABVP દ્વારા પોલિટેનીક કોલેજના ડીનને રજૂઆત કરવામાં આવી હતી. એબીપીએ લેખિત રજૂઆત સાથે વાઇલ ફોટો અને વીડિયો બતાવવામાં આવ્યા હતા. આ મારામારીમાં NSUIના કાર્યકર્તાઓ હોવાનો આક્ષેપ કરી પગલાં ભરવા રજૂઆત કરી હતી. ડીન દ્વારા કોઇ ઠોસ કાર્યવાહી કરાતી નથીઃ ABVPએબીવીપીના કાર્યકરે જણાવ્યું હતું કે, ત્રણ દિવસ પહેલા NSUIના કાર્યકરોએ પહેલા વર્ષના વિદ્યાર્થીને મારમાર્યો હતો, જેના વિરોધમાં અમે ડીનને રજૂઆત કરવા આવ્યા છીએ. ડીન દ્વારા કમિટી બનાવવાના ઠાલા વચનો આપવામાં આવે છે, પરંતુ કોઇ ઠોસ કાર્યવાહી કરવામાં આવતી નથી. NSUIના તત્વો ચાલીસ પચાસનું ટોળું લઈને આવે છે અને મારામારી કરે છે. યોગ્ય પગલાં નહીં લેવાય ત્યાં સુધી અમારો સખત વિરોધ રહેશે. વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરીશુંઃ ફોરમ પ્રજાપતિએબીવીપીના કાર્યકર ફોરમ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, બે દિવસ પહેલાં ફસ્ટ ઇયરના વિદ્યાર્થીઓ ઉપર હુમલો કરનાર NSUIના વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરી છે. જો વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. બહેનો બગીચામાં બેસેલી હોય છે ત્યારે હેરાન પરેશાન કરવામાં આવે છે. NSUIના કાર્યકર્તા છોકરીઓ સાથે અભદ્ર વર્તન કરે છેઃ શ્રૃતી ગીરીએબીવીપી કાર્યકર શ્રૃતી ગીરીએ જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા ઘટના બની તે નિંદનીય છે. કોલેજમાં આવતા વિદ્યાર્થીઓનું આઇકાર્ડ ચેક કરવામાં આવે તો આવી ઘટનાઓનું પુનરાવર્તન થશે નહીં. NSUIના કાર્યકર્તા છોકરીઓ સાથે અભદ્ર વર્તન કરે છે. આ કોલેજમાં જે અભ્યાસ કરે છે તેને જ પ્રવેશ આપવામાં આવે તેવી અમારી માગ છે.
ગુજરાતમાં ઘરફોડ ચોરી કરતી સંગઠિત ટોળકી ઝડપાઈ:પોરબંદર પોલીસે 10 વર્ષથી સક્રિય 9 આરોપીઓને પકડ્યા
પોરબંદર પોલીસે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા દસ વર્ષથી સક્રિય ઘરફોડ ચોરી કરતી એક સંગઠિત ટોળકીને ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં કુલ નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે હિતેશ દિલીપભાઈ ચૌહાણ, આતીશ ઉર્ફ વિશાલ બહાદુરભાઈ રાઠોડ, જેસિંગ દિલીપભાઈ ચૌહાણ, રાહુલ બહાદુરભાઈ રાઠોડ, કિશન નવલસિંગ રાઠોડ, ભગત ભરતભાઈ ચૌહાણ, દીપક સોનિયાભાઈ ચૌહાણ, કવર ઉર્ફ કડકસિંગ નવલસિંગ રાઠોડ અને અરુણ ધમાભાઈ ચૌહાણ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ સમાન ગુનાહિત ઇરાદાથી ભેગા મળી હિતેશ દિલીપભાઈ ચૌહાણની આગેવાની હેઠળ એક સંગઠિત ગુના સિન્ડિકેટ બનાવ્યું હતું. આ ટોળકીએ છેલ્લા દસ વર્ષ દરમિયાન ગુજરાત રાજ્યના આણંદ, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, સાબરકાંઠા, જામનગર, રાજકોટ ગ્રામ્ય, સુરત ગ્રામ્ય અને પોરબંદર જિલ્લામાં દિવસ-રાત અનેક ઘરફોડ ચોરીના ગુનાઓ આચર્યા હતા. પોલીસે જણાવ્યું કે આરોપીઓએ ચોરીને જીવનનિર્વાહ અને મુખ્ય આવકનું સાધન બનાવી આર્થિક લાભ મેળવવા માટે સતત ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી. હાલ તમામ આરોપીઓ સામે સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને અન્ય ગુનાઓ અંગે પણ વધુ તપાસ ચાલુ હોવાનું પોલીસે ઉમેર્યું હતું.
લાલો ફિલ્મની ટીમે દ્વારકાના સર્કિટ હાઉસ ગ્રાઉન્ડમાં ફિલ્મ પ્રદર્શન દરમિયાન ડ્રોન કેમેરાથી શૂટિંગ કર્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જાહેર શાંતિ અને સુરક્ષાના હેતુથી 24/01/2026 સુધી ડ્રોન ઉડાડવા પર સખત પ્રતિબંધ છે, તેમ છતાં આ નિયમનો ભંગ થયો હતો. આ પ્રતિબંધ અધિક કલેક્ટરના જાહેરનામા દ્વારા જાહેર કરાયો છે. જિલ્લામાં સુરક્ષા જાળવવાના હેતુથી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે સામાન્ય નાગરિકો માટે કડક નિયમોનું પાલન કરાવતું તંત્ર, વીઆઈપી કાર્યક્રમો કે ફિલ્મી ટીમો સામે કેમ આંખ આડા કાન કરે છે. સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાતા વિસ્તારમાં પ્રતિબંધિત ડ્રોન ઉડાડવાથી સુરક્ષા એજન્સીઓ સામે પડકાર ઊભો થયો છે. આ મામલે ફિલ્મ ટીમ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. હવે જોવું રહ્યું કે આ સમગ્ર મામલે યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે છે કે પછી માત્ર માફી મંગાવીને કે દંડ ફટકારીને સ્થાનિક તંત્ર સંતોષ માની લે છે.
વડોદરા શહેરના સન ફાર્મા રોડ પર આવેલી આમ્રપાલી સોસાયટી સહિતની સોસાયટીઓના રહીશોએ પીવાના પાણીની સમસ્યાને લઈ મહાનગરપાલિકા તંત્ર વિરુદ્ધ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. વોર્ડ નંબર 11માં આવતા આ વિસ્તારના રહીશો પ્રાથમિક સુવિધા સમાન પાણીથી વંચિત રહેવાની ફરિયાદ લઈને વોર્ડ કચેરીએ પહોંચ્યા હતાં, જ્યાં અધિકારીઓએ તેમની રજૂઆત સાંભળી ન હોવાનો આક્ષેપ કરીને તેઓ પાલિકા કચેરીએ પહોંચ્યા હતાં. 'કેટલું પાણી આપ્યું કે કેટલું પ્રેશર તેની ક્લેરિટી નહીં'રજૂઆત અર્થે આવેલ સ્થાનિક તેજસ પટેલે જણાવ્યું હતું કે, પાણી એક બેઝિક જરૂરિયાત છે અને દરેકના માટે જે પાણીનું કેમ્પેઈન દરેક ક્રોસિંગ ઉપર જે દરેક જગ્યાએ તમે ગવર્મેન્ટ જોતી હશે તો અત્યારે સ્ક્રીનિંગ (હોર્ડિંગ્સ) લાગેલા છે અને એની પર આંકડા બતાવવામાં આવે છે કે આટલા કનેક્શન અમે લોકોએ આપ્યા. પણ એ કનેક્શનમાં કેટલું પાણી આપ્યું કે કેટલું પ્રેશર મળી રહ્યું છે એની કોઈ ક્લેરિટી અંદર નીચે લખેલી નથી. 'અમને નળ તો મળી ગયા પણ પાણી નથી મળી રહ્યું' વધુમાં કહ્યું કે, મારી પ્રાથમિક રજૂઆત એ છે કે તમે આટલા કનેક્શન આપો તો એ કનેક્શનને પ્રોપર અને પૂરતું પાણી મળે એની પણ જવાબદારી જે તે અધિકારીઓની છે. જેથી કરીને એક તમારું જે પ્રેઝન્ટેશન, જે ગવર્મેન્ટનું ફોકસ છે એ થોડું ઘણું સાબિત થઈ શકે. અત્યારે ખાલી આંકડા બતાવવાથી કામ નથી થઈ રહ્યું. આંકડા ઉપર તો આખી ગવર્મેન્ટ ચાલી જ રહી છે. પણ આંકડાની વધારામાં પાણીની એક મેઈન સમસ્યા છે કે અમને નળ તો મળી ગયા પણ પાણી નથી મળી રહ્યું અને એના માટે અમારે બે-બે વર્ષ સુધી ધરમધક્કા ખાવા પડે એ યોગ્ય નથી લાગી રહ્યું. 'અમે લોકો પાણીના પ્રશ્નને લઈને ત્રાશી ગયેલા છીએ'વધુમાં કહ્યું કે, અધિકારીઓ ખોટા વાયદા કરે છે. એમાં બે વર્ષથી મુકેશ પરમાર દ્વારા અમને વાયદા ઉપર વાયદા મળી રહ્યા છે, પણ એમાં આગળ કોઈ સોલ્યુશન મળી નથી રહ્યું. આજે કચેરીએ અમને લેખિતમાં એક આમંત્રણ આપેલું હતું કે ભાઈ આ વસ્તુને લઈને તમે 1 વાગ્યે આવી શકો છો. એટલે અમારે તો શું છે કે ત્યાં વોર્ડ નંબર 11માં જવાનું હતું પણ અમે લોકો પાણીના પ્રશ્નને લઈને એટલા ત્રાશી ગયેલા છીએ કે અમારે જે વ્યક્તિની સામે ફરિયાદ કરવાની છે એટલા માટે જ અત્યારે મુખ્ય કચેરી ઉપર અમે હાજર થયા છીએ. 'કોર્પોરેટર ચેટિંગ મોકલે કે આ મારો વોર્ડ નથી, મત લેવા આવશે તો તેજ ચેટિંગ તેને બતાવીશું 'સ્થાનિક કાઉન્સિલરો તો ખાલી એવો રિસ્પોન્સ આપી રહ્યા છે કે, તેનું મારી પાસે વોટ્સએપ ચેટિંગ પણ છે - એમનો એવો જ જવાબ છે કે આ મારો વોર્ડ નથી. પણ જ્યારે વોટિંગ માટે આવે છે ત્યારે એમનો વોર્ડ દેખાય છે. એટલે આ વખતે અમને જ્યારે પણ વોટિંગ માટે આવશે તે વખતે એમને એમનું ચેટિંગ એમને બતાવીશું કે આ તમારા શબ્દો છે.
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગેરકાયદેસર ધર્માંતરણ અને તેના કારણે આદિવાસી અનામતના હક છીનવાઈ રહ્યા હોવાનો મુદ્દો અત્યંત ગરમાયો છે. આજે દેવ બિરસા સેનાના નેજા હેઠળ આદિવાસી સમાજના લોકોએ સુરત કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. સમાજના અગ્રણીઓએ આક્ષેપ કર્યો છે કે, ધર્મ પરિવર્તન કરનારા લોકો એકસાથે બે લઘુમતી અને આદિવાસી એમ બે પ્રકારના લાભો મેળવી રહ્યા છે, જે મૂળ આદિવાસી સમાજ સાથે અન્યાય છે. 'અમર' અને 'એન્થની'ની બેવડી ઓળખનો વિવાદઆદિવાસી આગેવાન અરવિંદ વસાવાએ કલેક્ટર સમક્ષ રજૂઆત કરતા એક તીખો કટાક્ષ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ધર્માંતરણ કરનારા લોકો પોતાની ઓળખ બદલી નાખે છે. તેઓ ક્યારેક 'અમર' બની જાય છે તો ક્યારેક 'એન્થની' બની જાય છે. આ રીતે તેઓ આદિવાસી યુવક-યુવતીઓના હકનું અનામત છીનવી રહ્યા છે. જો ધર્માંતરણ કાયદેસર રીતે નોંધાયેલું હોય, તો તેઓને મળતો અનામતનો લાભ બંધ થાય અને સાચા આદિવાસીઓને ન્યાય મળે. સરકારી અને વન વિભાગની જમીન પર અતિક્રમણઆવેદનપત્રમાં સૌથી ગંભીર મુદ્દો સરકારી મિલકતો પરના દબાણનો છે. દેવ બિરસા સેનાએ કલેક્ટરને 50થી વધુ ફોટોગ્રાફ્સ અને સર્વે નંબર સાથેની યાદી સોંપી છે. જેમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે દક્ષિણ ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં વન વિભાગની અને સરકારી પડતર જમીનો પર ગેરકાયદેસર રીતે કાચા-પાકા ચર્ચ બાંધી દેવામાં આવ્યા છે. આદિવાસી આગેવાનોના મતે, આ માત્ર ધાર્મિક સ્થળો નથી, પરંતુ ધર્માંતરણના કેન્દ્રો બની ગયા છે, જે સરકારી જમીનો પર ગેરકાયદેસર રીતે ઊભા કરાયા છે. શુદ્ધિકરણના નામે સરકારી મશીનરીનો દુરુપયોગ?આવેદનમાં માંડવી તાલુકાના લાખી ડેમનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આક્ષેપ છે કે, એક સરકારી શાળાના આચાર્ય રામજીભાઈ દ્વારા લોકોને આ ડેમ પર લઈ જઈ, પાણીમાં ડુબાડી શુદ્ધિકરણની પ્રક્રિયા (Baptism) કરાવી ધર્માંતરણ કરાવવામાં આવે છે. આદિવાસી સમાજમાં આ વાતને લઈને ભારે રોષ છે કે સરકારી હોદ્દા પર બેઠેલા લોકો જ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી રહ્યા છે. કાયદેસર ધર્માંતરણની માગઅરવિંદ વસાવા અને અન્ય આગેવાનોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અમે ઇચ્છીએ છીએ કે જે પણ ધર્માંતરણ થાય તે સંપૂર્ણપણે કાયદેસર રીતે અને વહીવટી તંત્રની જાણ હેઠળ થાય. જો કોઈ વ્યક્તિ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે છે, તો તેની સત્તાવાર નોંધણી થવી જોઈએ, જેથી તે આદિવાસી સમાજને મળતા અનામત અને અન્ય લાભો લેવાનું બંધ કરે. જ્યારે આ પ્રક્રિયા કાયદેસર થશે, ત્યારે જ આદિવાસી સમાજના મૂળ યુવાનોને શિક્ષણ અને નોકરીમાં વધુ લાભ મળશે. ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારીઆદિવાસી સંગઠને ચીમકી આપી છે કે, જો સરકારી અને વન વિભાગની જમીન પરથી આ ગેરકાયદે બાંધકામો હટાવવામાં નહીં આવે અને ધર્માંતરણના નામે ચાલતી અનામતની લૂંટ બંધ નહીં થાય, તો આગામી દિવસોમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વડુ ગામે આવેલી અને 25 વર્ષ અગાઉ બનેલી પાણીની ટાંકી જર્જરિત થઈ જતા સ્થાનિક રહેવાસીઓની સલામતીને ધ્યાને લઈને તંત્ર દ્વારા ધરાશાયી કરાઈ છે. ત્યારે એકત્ર થયેલા ગ્રામજનોએ ચીચીયારી પાડી ખુશી વ્યકત કરી હતી. અનિચ્છનીય બનાવને પોલીસ ટીમે બંદોબસ્ત જાળવ્યો હતો. આ ટાંકી ચાર સેકન્ડમાં જ કડકભૂસ થઈ જતા આસપાસ ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી. આ અંગેનો લાઇવ વિડિઓ સામે આવ્યો છે. ચાર સેકન્ડમાં જ ટાંકી કડકભૂસ થઈ જતા આસપાસ ધૂળની ડમરીઓ ઉડશહેર નજીક પદરા તાલુકાના વડુ ગામે ગ્રામજનોને નિયમિત પાણી મળે એ અંગે ટાંકી બનાવવામાં આવી હતી. 25 વર્ષ અગાઉ બનેલી પાણીની ટાંકી લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતી. ટાંકીના ભાગોમાં તિરાડો પડી જવા, કોંક્રિટ ખસવા અને લોખંડના સળિયા બહાર દેખાવા જેવી પરિસ્થિતિ સર્જાતાં સ્થાનિક રહેવાસીઓમાં ભયની લાગણી ફેલાઈ હતી. કોઈ અનિચ્છનીય અકસ્માત સર્જાય તે પહેલાં પ્રશાસન દ્વારા સલામતીને ધ્યાને લઈ આ પાણીની ટાંકી ધ્વસ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ટાંકી ઉતારવાની કાર્યવાહી દરમિયાન પાણીની ટાંકી નજીક મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર એકત્ર થયા હતા. જ્યારે ટાંકી ચાર સેકન્ડમાં જ કડડભૂસ થઈ જતા આસપાસ ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી. જર્જરિત ટાંકી દૂર થતાં ગામલોકોએ ખુશી વ્યક્ત કરીવર્ષોથી ભયનું કારણ બનેલી જર્જરિત ટાંકી દૂર થતાં ગામલોકોએ ચીચીયારી પાડી ખુશી વ્યક્ત કરી હતી. આ સમગ્ર કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ ટીમ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને ઘટના સ્થળે એકત્ર ગ્રામજનોના ટોળાને સલામત અંતરે રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સલામતીના વધારાના પગલાં રૂપે ફાયર બ્રિગેડની ટીમ, એમ્બ્યુલન્સ વાન તેમજ વીજ કંપનીના કર્મચારીઓને પણ હડે પગે તૈનાત રાખવામાં આવ્યા હતા.
જામનગરની એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએટ (PG) અભ્યાસક્રમોમાં કુલ 28 બેઠકોનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. નેશનલ મેડિકલ કમિશન (NMC) અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સતત પ્રયાસોને કારણે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે, જે સંસ્થાના શૈક્ષણિક અને આરોગ્ય સુવિધાઓના સ્તરમાં નોંધપાત્ર સુધારો કરશે. આ વધારામાં, MD-એનેસ્થેસિયોલોજીમાં 5 બેઠકો વધીને 22 થઈ છે, જ્યારે MD-જનરલ મેડિસિનમાં 9 બેઠકો વધીને 30 થઈ છે. MD-કોમ્યુનિટી મેડિસિન અને MD-રેડિયો ડાયગ્નોસિસમાં પણ 3-3 બેઠકોનો વધારો થતાં કુલ બેઠકો 15-15 થઈ છે. આ ઉપરાંત, સાયકિયાટ્રી વિભાગમાં 2 બેઠકો અને માઈક્રોબાયોલોજી, ઓપ્થેલ્મોલોજી, ENT તથા સ્કીન વિભાગમાં 1-1 બેઠકનો વધારો કરાયો છે. કોલેજના ડીન ડો. નંદિની દેસાઈએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સેન્ટ્રલ આઈસીસીયુ માટે નિર્ધારિત ગાઈડલાઈન મુજબ સંસ્થાને પૂરતું માનવબળ મળી રહે તે માટે આ બેઠક વધારો અત્યંત લાભદાયી સાબિત થશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, નેશનલ મેડિકલ કમિશનના 'ડિસ્ટ્રિક્ટ રેસીડેન્ટ પ્રોગ્રામ' હેઠળ આ ડોકટરોને તબક્કાવાર ત્રણ માસ માટે છેવાડાના વિસ્તારોમાં પોસ્ટિંગ આપવામાં આવે છે. બેઠકો વધવાને કારણે જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓને ઘરઆંગણે જ નિષ્ણાત ડોકટરોની શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ થશે. આ મહત્વપૂર્ણ શૈક્ષણિક અને આરોગ્યલક્ષી સિદ્ધિ બદલ ડીન ડો. નંદિની દેસાઈએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
ગાંધીનગર જિલ્લાના ચિલોડા ગામની સીમમાં આવેલી કરોડોની કિંમતની ખેતીની જમીન પચાવી પાડવા માટે કૌટુંબિક મામા અને અન્ય સગાંઓએ મળીને મૃત નાનીના નામે અને ખોટી સહી-અંગૂઠા કરી બોગસ પેઢીનામુ બનાવી કોભાંડ આચર્યું હોવાનું જિલ્લા જમીન તકેદારી આયોગની તપાસમાં બહાર આવતા ચિલોડા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. ચિલોડાની સીમમાં નાનાની માલિકીની જમીન હતીગાંધીનગરના લવારપુર ગામના રહેવાસી દિપકભાઈ ઈશ્વરભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, ચિલોડાની સીમમાં બ્લોક નં. 130, 129 અને 100વાળી જમીન તેમના નાના જીવાભાઈ પરષોત્તમભાઈ પટેલની માલિકીની હતી. જીવાભાઈના અવસાન બાદ આ જમીન તેમના વારસદારો એટલે કે દિપકભાઈના નાની ચંચળબેન અને માતા કોકિલાબેનના નામે થઈ હતી. વર્ષો સુધી અનાજ મોકલીને મામાઓ વિશ્વાસ જીતતા રહ્યાજોકે પરિવાર સાસરીમાં રહેતો હોવાથી આ જમીન દેખરેખ માટે કૌટુંબિક મામા જેસિંગભાઈ ચતુરદાસ પટેલ અને નારણભાઈ ચતુરદાસ પટેલને આપી હતી. વર્ષો સુધી આ મામાઓ અનાજ મોકલીને વિશ્વાસ જીતતા રહ્યા હતા .પરંતુ અંદરખાને જમીન પોતાના નામે કરવાનું કાવતરું ઘડી કાઢ્યું હતું. તલાટીને આપેલી અરજીમાં નાનીનો બોગસ અંગૂઠો અને માતાની ખોટી સહીજ્યારે વર્ષ 2017માં વારસાઈ કરાવવા માટે દિપકભાઈએ રેકર્ડ ચેક કરાવ્યું ત્યારે જાણવા મળ્યું હતું કે, તેમના નાની અને માતાએ વર્ષો પહેલા જ પોતાનો હક જતો કર્યો છે. વધુ તપાસમાં બહાર આવ્યું કે, મામાઓએ તલાટી સમક્ષ આપેલી અરજીમાં દિપકભાઈના નાનીનો બોગસ અંગૂઠો અને માતાની ખોટી સહીઓ કરી હતી. 3 દીકરીઓના નામ જાણીજોઇને છુપાવ્યાહકીકતમાં તેમના માતા કાયમ ટૂંકી સહી કરતા હોવા છતાં અરજીમાં આખી સહી કરીને રેકર્ડ સાથે ચેડાં કરવામાં આવ્યા હતા. ઉપરાંત પરિવારની ત્રણ દીકરીઓના નામ જાણીજોઈને છુપાવ્યા હતા જેથી જમીનનો હિસ્સો અન્ય કોઈને ન જાય. પ્રાંત અધિકારી સમક્ષ અપીલ કરતા વર્ષ 2018માં ખોટી નોંધ રદઆ છેતરપિંડી સામે દિપકભાઈએ પ્રાંત અધિકારી સમક્ષ અપીલ કરતા વર્ષ 2018માં આ ખોટી નોંધ રદ કરવામાં આવી હતી અને મૂળ માલિકોના નામ ફરી દાખલ થયા હતા. જોકે આરોપીઓએ હજુ પણ આ જમીન પર પોતાનો હક્ક હોવાના દાવા ચાલુ રાખ્યા છે. જમીન તકેદારી આયોગમાં ફરિયાદ થતા ચિલોડા પોલીસે ગુનો નોંધ્યોઆખરે સમગ્ર મામલે જમીન તકેદારી આયોગમાં ફરિયાદ કરવામાં આવતા તપાસના અંતે ગુનાહિત કાવતરું સાબિત થયું હતું. જેના પગલે ચિલોડા પોલીસે જેસિંગભાઈ ચતુરભાઈ પટેલ, અમૃતભાઈ નારણભાઈ પટેલ, શકરીબેન, નર્મદાબેન, જશીબેન અને સુશીલાબેન વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા લેવામાં આવેલા ઘી અને પનીરના બબ્બે નમૂના ફેઈલ જાહેર થયા છે. શહેરના અમીન માર્ગ રોડ ઉપર આવેલ પ્રખ્યાત પાયલ પંજાબી ફૂડ પાર્સલ અને કોઠારીયામાં પંગત રેસ્ટોરન્ટમાંથી પનીર તો મોરબી રોડ ઉપર શ્રીરામ ડેરી તેમજ ગ્રીનલેન્ડ ચોકડી પાસે જય બજરંગ ડેરી ફાર્મમાંથી ઘી ના નમૂના સબ સ્ટાન્ડર્ડ એટલે કે ફેલ જાહેર થયા છે. હવે આ વેપારીઓ સામે એજ્યુડીકેશન હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. જેમાં એડિશનલ કલેકટર સમક્ષ ચાલશે અને ત્યારબાદ દંડનું એલાન થશે. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મોરબી રોડ ઉપર અભિરામ પાર્ક મેઇન રોડ પરના શ્રીરામ ડેરી ફાર્મમાંથી શુધ્ધ ઘી (લુઝ)નો નમૂનો તપાસ માટે લેવામાં આવ્યો હતો. જોકે લેબોરેટરી પૃથ્થકરણ રિપોર્ટમાં B.R. READING AT 400 C અને આયોડિન વેલ્યૂ ધારાધોરણ કરતાં વધુ તથા રીચર્ટ વેલ્યૂ એટલે કે ફેટી એસિડ (ચરબીનું પ્રમાણ) ધારાધોરણ કરતા ઓછું હોવાથી નમૂનો સબસ્ટાન્ડર્ડ એટલે કે ફેઇલ જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ગ્રીન લેન્ડ ચોકડી પાસે શિવનગર મેઇન રોડ પર જય બજરંગ ડેરી ફાર્મમાંથી લેવામાં આવેલ શુધ્ધ ઘી (લુઝ)નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં B.R. READING AT 400 C અને આયોડિન વેલ્યૂ ધારાધોરણ કરતાં વધુ, રીચર્ટ વેલ્યૂ ધારાધોરણ કરતાં ઓછી તથા ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ)ની હાજરી હોવાથી નમૂનો ફેઇલ જાહેર કરાયો છે. જે અંગે પણ એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ફૂડ વિભાગ દ્વારા કોઠારીયા સોલવન્ટ રોડ પર રામદુલારે સોસાયટી પાસે આવેલા પંગત રેસ્ટોરેન્ટમાંથી પનીર (લુઝ) તેમજ અમીન માર્ગ રોડ પર પ્રખ્યાત પાયલ પંજાબી ફૂડ પાર્સલમાંથી પનીર (લુઝ) નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં B.R. READING AT 400 C ધારાધોરણ કરતાં વધુ તથા રીચર્ટ વેલ્યૂ ધારાધોરણ કરતાં ઓછી મળી આવેલ હોવાથી નમૂનો ફેઇલ જાહેર થયો છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે. એટલે કે એડિશનલ કલેક્ટર સમક્ષ કેસ ચાલશે અને ત્યારબાદ દંડ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના હરિધવા મેઇન રોડ, કોઠારીયા રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 19 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 07 ધંધાર્થિઓને લાયસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી. જ્યારે ખાધ્ય ચીજોના કુલ 15 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન ફૂડ લાયસન્સ વિના વેપાર કરતા રધુવંશી ખમણ, શ્રી બાપા સિતારામ સ્વીટ, પટેલ વડાપાઉં, સપના ડ્રાયફ્રૂટ ગોલા, નઝર લાઈવ ચીકી, બાલાજી સેલ્સ એજન્સી, શ્રી જય મંદિર કોલ્ડ્રિંક્સને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી.
વડોદરા શહેરના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આગામી 11 જાન્યુઆરીના રોજ ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે વન ડે ઇન્ટરનેશનલ મેચ યોજાનાર છે. જેને લઈને ટિકિટ બુક કરાવવા માટે ફેક વેબસાઇટની લિંક વાયરલ થઈ છે, જેને લઈને બરોડા ક્રિકટ એસોસિએશન દ્વારા ક્રિકેટ રસિકોને આવી ફેક અને ફ્રોડ લિંક અને વેબસાઇટથી ટિકિટ બુકિંગ ન કરાવવા માટે અપીલ કરી છે અને આવનાર દિવસોમાં ટિકિટ બુકિંગને લઈને BCA દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. વડોદરા શહેરના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત ન્યૂઝીલેન્ડ વનડે મેચને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેચ રમવા માટેવિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સ્ટાર ખેલાડીઓ આવનાર છે. જેથી ફેન્સ તેમના સ્ટાર ખેલાડીઓને જોવા માટે ઉત્સુક છે.આવા સમયે લોકોને છેતરવા માટે ભેજાબાજો સક્રિય થઈ ગયા છે. કેટલીક નકલી વેબસાઈટ બનાવીને ફ્રોડ ટિકિટ વેચી રહ્યા છે અને લોકો તેમાં છેતરાઈ રહ્યા છે, જેને પગલે બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે. વડોદરામાં બરોડા ક્રિકેટ એસોસિએશનના ટ્રેઝરર શિતલ મહેતાએ જણાવ્યું હતું કે BCA દ્વારા કોટંબી ખાતે એક ભવ્ય સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્યું છે. આ નવા સ્ટેડિયમમાં આગામી 11 જાન્યુઆરીએ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વન-ડે ઇન્ટરનેશનલ (ODI) મેચ રમાવાની છે. વડોદરામાં લાંબા સમય પછી આંતરરાષ્ટ્રીય મેચ યોજાઈ રહી હોવાથી ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ, આ ઉત્સાહનો ગેરલાભ ઉઠાવવા માટે કેટલાક તત્વો ખોટી લિંક્સ અને નકલી વેબસાઈટ દ્વારા ટિકિટ બુકિંગના બહાને લોકોને છેતરી રહ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મારી BCA વતી ક્રિકેટ રસિકોને આવી ફેક લિંકથી ટિકિટ બુક ન કરે,BCA દ્વારા બે થી ત્રણ દિવસમાં સત્તાવાર જાહેરાત આપવામાં આવશે. સત્તાવાર ટિકિટ બુકિંગ માટે BCAએ 'બુક માય શો' સાથે જોડાણ કર્યું છે. આગામી બે-ત્રણ દિવસમાં જ ટિકિટના ભાવ અને બુકિંગની પ્રક્રિયા અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. તેઓએ ઉમેર્યું હતું કે, સભ્યોને મળનારા કોમ્પ્લીમેન્ટરી પાસ વિશે પણ વિગતવાર માહિતી ટૂંક સમયમાં જાહેર થશે. ત્યાં સુધી કોઈ પણ અજાણી લિંક કે વેબસાઈટ પર ટિકિટ બુક ન કરો અને ફસાસો નહીં અને છેતરપિંડીથી બચવા માટે ક્રિકેટ રસિકોને નમ્ર અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં 11 જાન્યુઆરીએ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વન-ડે ઇન્ટરનેશનલ મેચ રમવાની છે, ત્યારબાદ WPLની મેચો પણ રમાશે, જેને લઈને ફ્રોડ કરનારા તત્વો સક્રિય થયા છે.
વડોદરાના આર્યન સિંહે નેશનલ શૂટિંગમાં ગોલ્ડ જીત્યો:118ના સ્કોર સાથે નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો
નવી દિલ્હી ખાતે આયોજિત 68મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ સ્પર્ધા – 2025માં વડોદરાના યુવા શૂટર આર્યન સિંહે ઇતિહાસ રચ્યો છે. તેમણે ISSF ટ્રેપ યુથ મેન્સ ઇન્ડિવિજ્યુઅલ સ્પર્ધામાં ૧૨૫માંથી ૧૧૮નો સ્કોર નોંધાવી નવો રાષ્ટ્રીય રેકોર્ડ સ્થાપ્યો અને સુવર્ણ પદક જીત્યું. આ સાથે તેઓ ભારતના નવા રાષ્ટ્રીય ચેમ્પિયન બન્યા છે. 'ખેલો ઇન્ડિયા' એથ્લીટ આર્યન સિંહ દિલ્હીની ડૉ. કરણી સિંહ શૂટિંગ રેન્જ અને વડોદરાના સાવલી તાલુકા રાઇફલ એસોસિએશન ખાતે સઘન તાલીમ મેળવી રહ્યા છે.આર્યનની સફળતા પાછળ 2012 ઓલિમ્પિકના ગોલ્ડ મેડલિસ્ટ પીટર વિલ્સનનું ટેકનિકલ માર્ગદર્શન અને ઓલિમ્પિયન પી. એન. પ્રકાશની માનસિક તૈયારીઓ માટેની તાલીમ મુખ્ય રહી છે. તેમના પિતા ઈશ્વર સિંહે જણાવ્યું કે, આ સિદ્ધિમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (SAI), નેશનલ અને સ્ટેટ રાઇફલ એસોસિએશન તેમજ વડોદરા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ કમિશનર કચેરીનો પણ સહયોગ મળ્યો છે. આર્યન સિંહની આ જીતથી વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં ખુશીનો માહોલ છે. રાષ્ટ્રીય સ્તરે રેકોર્ડ બ્રેક સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીતવું એ રાજ્યના અન્ય ઉભરતા ખેલાડીઓ માટે પ્રેરણાદાયક છે.
દાદરાનગર હવેલીમાં ચાઈનીઝ દોરી બનાવતી ફેક્ટરી સીલ:અમદાવાદ, આણંદમાંથી ₹2.34 કરોડનો જથ્થો જપ્ત
SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા ચાઈનીઝ દોરી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દાદરાનગર હવેલી ખાતે ચાઈનીઝ દોરીનું ઉત્પાદન કરતી વંદના ફેક્ટરીને સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત, અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા, કોઠ અને આણંદ જિલ્લામાંથી કુલ ₹2.34 કરોડનો પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સાણંદના રણમલ ગઢ ગામની સીમમાંથી 1872 રીલ ચાઈનીઝ દોરી જપ્તસાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારના રણમલ ગઢ ગામની સીમમાં આવેલા અમૃતભાઈ રબારીના ફાર્મ હાઉસની ઓરડીમાંથી 39 બોક્સમાં 1872 રીલ ચાઈનીઝ દોરી મળી આવી હતી, જેની કિંમત ₹7,48,800/- હતી. આ મામલે ભીખાભાઈ શાંતિલાલ રાણા, રાજુભાઈ ભીખાભાઈ રાણા, અશોકભાઈ મૂળજીભાઈ ઠાકોર અને ભરતભાઈ ઉર્ફે ભોગીલાલ દોલતરામ ગંગવાણી (રહે. કડી, જિ. મહેસાણા)ની ધરપકડ કરવામાં આવી હતી. બાવળા-આદરોડા રોડ પર ફેક્ટરીમાંથી 3864 નાની-મોટી ફીરકીઓ જપ્તબાવળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાવળા-આદરોડા રોડ પર આવેલી ગણેશ કોટન પ્રેસિંગ ફેક્ટરીમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 3864 નાની-મોટી ફીરકીઓ જપ્ત કરવામાં આવી હતી, જેની કિંમત ₹12,91,200/- હતી. આ ગુનામાં સમીરશા નબીરશા સુલતાનશા ફકીર (રહે. સાંતમ સોસાયટી, બાવળા)ની ધરપકડ કરવામાં આવી હતી. વટામણ ચોકડી નજીક 2400 ફીરકી ચાઈનીઝ દોરી જપ્તકોઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વટામણ ચોકડી નજીકથી GJ-23-AW-4030 નંબરની આઈશર ગાડીમાંથી 2400 ફીરકી ચાઈનીઝ દોરી (કિંમત ₹9,60,000/-), એક મોબાઈલ ફોન (કિંમત ₹5,000/-) અને આઈશર ગાડી (કિંમત ₹2,50,000/-) સહિત કુલ ₹12,15,000/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કેસમાં ઈરફાન હુસૈનભાઈ બ્લોચ અને સમીર યુસુફ પરમાર (બંને રહે. ચિત્રાવડ, જિ. ગીર સોમનાથ)ની ધરપકડ કરવામાં આવી હતી. આણંદમાંથી 672 ફીરકી ચાઈનીઝ દોરી જપ્તઆણંદ જિલ્લાના આણંદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સ્થાનિક પોલીસની મદદથી 672 ફીરકી ચાઈનીઝ દોરી (કિંમત ₹2,01,600/-) જપ્ત કરવામાં આવી હતી. આ મામલે રસીદશા ઉર્ફે ભૂરિયો મહેબુબશા દિવાન (રહે. આણંદ)ની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. સપ્લાયર મુખ્ય આરોપીની દાદરાનગર હવેલીમાં ફેક્ટરી સીલજુદી જુદી જગ્યાઓ પરથી મળી આવેલી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી મોકલનાર મુખ્ય આરોપી વિરેનકુમાર બાબુભાઈ પટેલ (રહે. વાપી)ને પકડવાનો બાકી હતો. તેની વંદના ઇન્ડસ્ટ્રીઝ દાદરા (દાદરાનગર હવેલી) ખાતે ચાઈનીઝ દોરી (સિન્થેટિક દોરી) બનાવવાની કંપની આવેલી હોવાની હકીકતના આધારે SOG ટીમે દાદરાનગર હવેલી જઈ સ્થાનિક પોલીસની મદદથી ગેરકાયદેસર રીતે ચાઈનીઝ દોરીનું ઉત્પાદન કરતી કંપની વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી દરમિયાન કંપનીમાંથી આશરે ₹1.50 કરોડની 43,192 રીલ ચાઈનીઝ દોરી, ₹50 લાખની મશીનરી અને અન્ય કાચો માલ સહિત કુલ ₹2 કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. દાદરાનગર હવેલી, સાણંદ, બાવળા, કોઠ અને આણંદ ટાઉન પોલીસ દ્વારા સંયુક્ત રીતે કુલ 52,000 ફીરકી ચાઈનીઝ દોરી (આશરે ₹1,82,01,600/-), કાચો માલ, મશીનરી, વાહનો અને મોબાઈલ સહિત ₹52,50,000/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આમ, કુલ ₹2.34 કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બાંગ્લાદેશમાં એક નિર્દોષ હિંદુ યુવકની નિર્મમ હત્યાની ઘટનાના પડઘા હવે ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે. આ અમાનવીય ઘટનાના વિરોધમાં આજે મહેસાણા શહેરમાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ રસ્તા પર ઉતરી આવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો, જેના કારણે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકનો માહોલ સર્જાયો હતો. કાર્યકરોએ બાંગ્લાદેશ મુર્દાબાદના નારા લગાવ્યામહેસાણાના મોઢેરા સર્કલ પાસે મોટી સંખ્યામાં એકઠાં થયેલા કાર્યકરોએ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે પૂતળા દહન કર્યું હતું. બાંગ્લાદેશમાં હિંદુ સમાજ પર થઈ રહેલા અત્યાચારો બંધ કરવાની માગ સાથે બાંગ્લાદેશ મુર્દાબાદના નારા કાર્યકરોએ લગાવ્યા હતાં. ટાયરો સળગાવી વિરોધ કર્યોબીજી બાજુ ડી-માર્ટ સર્કલ પાસે કેટલાક કાર્યકરોએ રસ્તાની વચ્ચે ટાયરો સળગાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વિરોધ કરી રહેલા કાર્યકરો માર્ગ પર જ બેસી ગયા હતા અને 'શ્રી રામ જય રામ જય જય રામ'ની ધૂન બોલાવી રસ્તો બ્લોક કરી દીધો હતો. રસ્તા પર આ પ્રકારે ધરણાં અને ટાયર સળગાવવાના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરી રસ્તા પરથી દૂર કર્યા ઘટનાની જાણ થતા જ મહેસાણા તાલુકા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. પોલીસે રસ્તા પર બેસેલા કાર્યકરોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાર્યકરો ન ખસતા આખરે પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરી રસ્તા પરથી દૂર કર્યા હતાં. પોલીસની આ કાર્યવાહી બાદ રસ્તો ખુલ્લો થયો હતો અને વાહનવ્યવહાર ફરી ખુલ્લો કરવામાં આવ્યો હતો. કડક કાર્યવાહી કરવાની માગ કરીબાંગ્લાદેશમાં હિંદુઓ પર વધી રહેલા અત્યાચારોના વિરોધમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મહેસાણાના હિંદુ સંગઠનોના અસંખ્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને વૈશ્વિક સ્તરે આ મુદ્દે કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી.
પાલનપુર સ્થિત 35 ગુજરાત બટાલિયન એનસીસી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ડિસેમ્બર 2025 દરમિયાન વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં આયોજિત કાર્યક્રમોમાં કુલ 360 એનસીસી કેડેટ્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉજવણી અંતર્ગત મોડેલ સ્કૂલ નીલપુર, ગાયત્રી વિદ્યાલય થરાદ, જી.વી. આર્ટ્સ કોલેજ દિયોદર, જેગોલ સ્કૂલ અને કોદરામ સ્કૂલ સહિતની સંસ્થાઓમાં કાર્યક્રમો યોજાયા હતા. એનસીસી કેડેટ્સે સરદાર પટેલના રાષ્ટ્રનિર્માણમાં યોગદાન, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના વિચારોનો સંદેશ આપ્યો હતો. જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે બ્લોક અને જિલ્લા સ્તરે પદયાત્રાનું આયોજન કરાયું હતું. કેડેટ્સે શિસ્તબદ્ધ કૂચ દ્વારા રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને દેશભક્તિનો સંદેશ આપ્યો. યુવાનોને સરદાર પટેલના હિંમત, દૃઢ નેતૃત્વ અને રાષ્ટ્રનિર્માણના આદર્શોથી પ્રેરિત કરવા ગ્રામીણ યુવા એકતા શિબિરો પણ યોજાઈ હતી. આ કાર્યક્રમો દરમિયાન કેડેટ્સે સૂત્રોચ્ચાર, પોસ્ટર પ્રદર્શન અને વિવિધ જાગૃતિ પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં સંદેશ ફેલાવ્યો હતો. 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવનાને સાકાર કરવા વિશેષ પ્રયત્નો કરાયા. શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકોએ આ કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લીધો અને આયોજનની પ્રશંસા કરી હતી. પાલનપુર સ્થિત 35 ગુજરાત બટાલિયન એનસીસી દ્વારા આયોજિત આ કાર્યક્રમો સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને સમર્પિત હતા. આ કાર્યક્રમો યુવાનોમાં રાષ્ટ્રીય એકતા, શિસ્ત અને નેતૃત્વના મૂલ્યોને મજબૂત બનાવવામાં સફળ રહ્યા હતા.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા એક મુસ્લિમ મહિલાના ચહેરા પરથી હિજાબ ખેંચવાની ઘટનાના વિરોધમાં ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ ઘટનાને પગલે પાર્ટીના આગેવાનો અને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ભરૂચ AAPના આગેવાનો અને કાર્યકરોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ ઘટના સામે કડક વિરોધ નોંધાવ્યો હતો. 'મહિલાની ધાર્મિક આસ્થાનું અપમાન'આ અંગે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પીયુષ પટેલે જણાવ્યું હતું કે, તાજેતરમાં નીતીશકુમાર દ્વારા જે મુસ્લિમ મહિલાનો હિઝાબ મો પરથી હટાવી લેવામાં આવ્યો તે ખૂબ નિંદનીય બાબત છે.ભારત દેશ અનેકતામાં એકતાનો સંદેશ આપતો દેશ છે અને દરેકે પોતાના રીતીરિવાજો સાથે જીવવાનો બધાને હક્ક આપેલો છે. પરંતુ આવી માનસિકતા ધરાવતા લોકો સાથે ભારતીય જનતા પાર્ટી ગઠબંધન કરીને સરકારમાં બેસતી હોય તે ખૂબ જ નિંદનીય બાબત છે. આવી સરકારો આપણી માતા બહેનોની રક્ષા કરી શકશે. અગાઉ પણ આપણે જોયું હતું કે આતો એક મુસ્લિમ મહિલા સાથે હતું જ્યારે હિન્દુ આપણી માતા બહેનો કેટલાક ભાજપના નેતાઓ દ્વારા હોટલોના અશ્લીલ વીડિયો પણ વાયરલ થયા છે તેઓ બળાત્કારના કેસોમાં પણ સંડોવાયેલા છે.ત્યારે કોઈ પણ સમાજની માતા દીકરી હોય તે સૌથી પહેલાં ભારત દેશની મહિલા છે તેનું રક્ષણ થવું જોઈએ આ નિંદનીય બાબત છે જેથી અમે તેનો વિરોધ કરીએ છે. તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ભરૂચ આમ આદમી પાર્ટીએ આ સમગ્ર ઘટનાને મહિલાના સન્માન અને બંધારણીય અધિકારોના ભંગ તરીકે ગણાવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. શું છે સમગ્ર મામલોબિહારના મુખ્યમંત્રી સચિવાલયમાં ‘સંવાદ’ કાર્યક્રમ દરમિયાન કાર્યક્રમમાં એક હજારથી વધુ આયુષ ચિકિત્સકોને નિયુક્તિ પત્રોનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું. તે સમયે નુસરત પરવીન નામની મહિલા હિજાબ પહેરીને નિયુક્તિ પત્ર લેવા આવી હતી. મુખ્યમંત્રી નીતિશ કુમારે નારાજગી વ્યક્ત કરતા આ શું છે? એમ કહી તેના ચહેરા પરથી હિજાબ ખેંચી લીધો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વ્યાપક વિવાદ સર્જાયો છે.
અમદાવાદના સરસપુર સ્થિત બોમ્બે હાઉસિંગ ખાતે શ્રી રામદેવ પીર બીજના પાવન અવસરે 33 જ્યોત પાઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. પૂજા દરમિયાન વેદિક મંત્રોચ્ચાર સાથે 33 જ્યોત પ્રગટાવી પાઠ પૂજા સંપન્ન થઈ હતી. આ અવસરે શાંતિ, સુખ-સમૃદ્ધિ અને સર્વના કલ્યાણ માટે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. આ આયોજન સ્થાનિક સેવાભાવી કાર્યકરો અને સમાજના આગેવાનોના સહયોગથી સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા, શાંતિ અને સરકારી માર્ગદર્શિકાઓનું સંપૂર્ણ પાલન સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે, આવી ધાર્મિક પ્રવૃત્તિઓ સમાજમાં એકતા, સદભાવ અને સંસ્કારને મજબૂત બનાવે છે. ભવિષ્યમાં પણ આ પ્રકારના ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમો યોજાતા રહેશે.
પાટણના શ્રી બી.ડી. સાર્વજનિક વિદ્યાલયના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક ડૉ. ઓધારભાઈ બી. દેસાઈને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા દ્વારા પી.એચ.ડી. (PhD) પદવી એનાયત કરવામાં આવી છે. આ પદવી ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે ગોધરા ખાતે યોજાયેલા યુનિવર્સિટીના સાતમા પદવીદાન સમારંભમાં પ્રદાન કરવામાં આવી હતી. ડૉ. દેસાઈએ શિક્ષણશાસ્ત્ર વિષયમાં ડૉ. કે.બી. શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ કઠોપનિષદમાં વ્યક્ત થતું શિક્ષણ દર્શન વિષય પર સંશોધન કર્યું હતું. તેમણે આ સંશોધન દ્વારા શિક્ષણના ઉચ્ચ મૂલ્યો પર પ્રકાશ પાડ્યો છે. તેમની આ શૈક્ષણિક સિદ્ધિ બદલ બી.ડી. સાર્વજનિક વિદ્યાલય, પાટણ અને સમગ્ર શાળા પરિવાર તેમજ પાટણ વિસ્તારના શિક્ષણ જગતમાં ગૌરવની લાગણી વ્યાપી છે. આ પ્રસંગે શાળાના સંચાલક મંડળ શ્રી પાટણ જૈન મંડળ, મુંબઈના હોદ્દેદારો, આચાર્ય ડૉ. બી.આર. દેસાઈ, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના એસોસિએશન દ્વારા શાલ અને મોમેન્ટો આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સહશિક્ષકો, વહીવટી કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ પણ ડૉ. ઓ.બી. દેસાઈને હાર્દિક અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. સૌએ એવી લાગણી વ્યક્ત કરી કે ડૉ. દેસાઈની આ સિદ્ધિ યુવા શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બનશે. 20 ડિસેમ્બરના રોજ યોજાયેલા આ પદવીદાન સમારંભમાં મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ઉપરાંત ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા, મંત્રી શ્રી રમેશભાઈ કટારા, કુલપતિ શ્રી હરિભાઈ કટારિયા, કુલસચિવ શ્રી અનિલભાઈ સોલંકી અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાંકરિયા શાળામાં રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી:વિદ્યાર્થીઓએ ગણિત મેળામાં 24 પ્રતિકૃતિઓ રજૂ કરી
રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી નિમિત્તે કાંકરિયા સ્થિત દીવાન-બલ્લુભાઈ પ્રાથમિક શાળામાં ગણિત મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં વિદ્યાર્થીઓએ મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનના વારસાને સન્માનિત કરતા ગણિત પ્રત્યેની પોતાની સમજ, સર્જનાત્મકતા અને તાર્કિક વિચારસરણીનું પ્રદર્શન કર્યું હતું. આ ગણિત મેળામાં 48 વિદ્યાર્થીઓ દ્વારા કુલ 24 પ્રતિકૃતિઓ તૈયાર કરીને રજૂ કરવામાં આવી હતી. આ પ્રતિકૃતિઓ વિવિધ ગણિતીય વિષયો પર આધારિત હતી, જેના દ્વારા વિદ્યાર્થીઓએ ગણિતને સરળ અને રસપ્રદ રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો. દરેક પ્રતિકૃતિ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસપૂર્વક વિષયનું વક્તવ્ય આપી અન્ય વિદ્યાર્થીઓની જિજ્ઞાસા સંતોષી હતી. મેળા દરમિયાન શાળામાં ઉત્સાહ અને જિજ્ઞાસાનો માહોલ છવાયો હતો. વિદ્યાર્થીઓએ માત્ર સંખ્યાઓ અને સૂત્રો પૂરતા સીમિત ન રહેતા, ગણિત દૈનિક જીવનમાં કેવી રીતે ઉપયોગી છે તે પણ સ્પષ્ટ કર્યું. આ મેળાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સમસ્યા નિરાકરણ ક્ષમતા, તાર્કિક વિચારસરણી અને ટીમવર્ક જેવી કુશળતાઓ વિકસાવવાનો હતો, જે સફળતાપૂર્વક સિદ્ધ થયો. શાળાના આચાર્ય, શિક્ષકો અને આયોજન સમિતિએ વિદ્યાર્થીઓના પ્રયત્નોને બિરદાવ્યા હતા. તેમણે જણાવ્યું કે આવા શૈક્ષણિક મેળાઓ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અત્યંત ઉપયોગી છે. રાષ્ટ્રીય ગણિત દિવસની આ ઉજવણી શાળાના વિદ્યાર્થીઓ માટે યાદગાર અને પ્રેરણાદાયક બની રહી.
સાળંગપુરધામ, તા. 23 ડિસેમ્બર 2025: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી દાદાને વિશેષ એમ્બ્રોઈડરી વર્કવાળા વાઘા ધરાવાયા હતા. આ શણગારમાં મયૂરપંખની ડિઝાઈનવાળા અત્યંત આકર્ષક વાઘાનો સમાવેશ થતો હતો. મંદિરના સિંહાસનને ગુલાબ અને શેવંતીના મિક્સ ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું હતું. સવારે 5:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી અને સવારે 7:00 કલાકે કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, પવિત્ર ધનુર્માસ (તા. 16 ડિસેમ્બર 2025 થી તા. 14 જાન્યુઆરી 2026) દરમિયાન વિશ્વ કલ્યાણ અને પારિવારિક શાંતિના અર્થે વિશેષ જાપ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ જાપ યજ્ઞમાં “શ્રી હનુમાન ચાલીસાના પાઠ” તેમજ “ૐ નમો હનુમતે ભયભંજનાય સુખમ્ કુરુ ફટ્ સ્વાહા” મંત્રનો જાપ દરરોજ સવારે 7 થી 12 અને સાંજે 3 થી 6:30 કલાક દરમિયાન કરવામાં આવે છે. આજના આ દિવ્ય દર્શનનો લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ લઈ ધન્યતા અનુભવી હતી.
રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામવિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના નેતૃત્વમાં ‘ઘેલા સોમનાથ થી સોમનાથ સુધીની જનકલ્યાણ શિવવંદના પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રા રાષ્ટ્ર અને રાજ્યના કલ્યાણની નેમ, જનજાગૃતિ, સામાજિક સમરસતા અને જનસામાન્યના પાયાના પ્રશ્નોને સમજવાના ઉદ્દેશ સાથે આગળ વધી રહી છે. સોરઠની પવિત્ર ભૂમિ પર પદયાત્રાનું આગમન થતા જ સ્થાનિક અગ્રણીઓ, પદાધિકારીઓ અને સર્વ સમાજના લોકોએ ભક્તિભાવપૂર્વક ઉમળકાભેર સ્વાગત-અભિવાદન કર્યું હતું. ચોકીના ગંગામાં આશ્રમ ખાતે વિરામ અને જનસભા પદયાત્રાએ બપોરનો પડાવ ચોકી ખાતેના પ્રસિદ્ધ ગંગામાં આશ્રમમાં કર્યો હતો. અહીં મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ શ્રી રામદેવજી મહારાજના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે યોજાયેલી જનસભાને સંબોધતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, 20 ડિસેમ્બરે સાધુ-સંતોની ઉપસ્થિતિમાં શરૂ થયેલી આ યાત્રા દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો અમારો પ્રયાસ છે. યાત્રા દરમિયાન લોકો સાથે સીધો સંવાદ થવાથી તેમની મુશ્કેલીઓ જાણી શકાય છે, જેથી ભવિષ્યમાં લોકસેવાના કાર્યોને વધુ વેગ આપી શકાય. વડાપ્રધાનના સંકલ્પમાં જનભાગીદારીનું આહવાન મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ભારતને વિકાસની નવી ઊંચાઈ પર લઈ જવાના સંકલ્પમાં જનભાગીદારી અનિવાર્ય છે. પદયાત્રાના ચોથા દિવસે પણ પદયાત્રીઓમાં અદભૂત ઉર્જા જોવા મળી રહી છે. તેમણે પદયાત્રીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, સ્વચ્છતા જાળવવા અને પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવા પણ અનુરોધ કર્યો હતો. આ તકે પદયાત્રીઓના ઉત્સાહને બિરદાવવા માટે તેમને સ્મૃતિચિન્હ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાંસદ અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં યોજનાકીય સહાયનું વિતરણ આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ મંત્રીશ્રીના જનસેવા પ્રત્યેના સમર્પણને બિરદાવતા કહ્યું કે, 219 કિલોમીટરની આ યાત્રા સોરઠમાં નવી ઉર્જાનો સંચાર કરશે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન એન.આર.એલ.એમ. યોજના હેઠળ લાભાર્થીઓને કેશ ક્રેડિટ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સરકારી યોજનાઓ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. 27 ડિસેમ્બરે સોમનાથ ખાતે મહાસમાપન ભગવાન ભોળાનાથની પ્રેરણાથી નીકળેલી આ જનકલ્યાણ શિવવંદના પદયાત્રા આગામી ૨૭ ડિસેમ્બરના રોજ પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પહોંચશે. ત્યાં શિખર પર પવિત્ર ધ્વજાજીનું પૂજન કરી ધ્વજા ચડાવવાની સાથે આ યાત્રાનું વિધિવત સમાપન કરવામાં આવશે. આ યાત્રામાં મોટી સંખ્યામાં પદયાત્રીઓ અને આસપાસના ગામના લોકો જોડાઈને ભક્તિ અને સેવાનો અનોખો સંગમ રચી રહ્યા છે.

26 C