SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

30    C
... ...View News by News Source

અમદાવાદમાં જ્વેલર્સની દુકાનમાં ટોળકીએ બાળક પાસે ચોરી કરાવી, CCTV:વેપારીને વાતચીતમાં વ્યસ્ત રાખીને છોકરાને ઈશારો કર્યો ને સોનાની કાંટીઓ ભરેલી થેલી લઈ લીધી

અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા સોના ચાંદીના જ્વેલર્સની દુકાનમાંથી નજર ચૂકવીને ચોરી થઈ છે. ગ્રાહકના સ્વાંગમાં આવેલી ટોળકીએ બાળકને સાથે રાખી સોનાના દાગીનાની ચોરી કરી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેથી જ્વેલર્સ દ્વારા આ મામલે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. જ્વેલર્સની દુકાનમાં ટોળકીએ બાળક પાસે ચોરી કરાવીઅમદાવાદના આનંદનગર વિસ્તારમાં શ્રી લક્ષ્મી જ્વેલર્સ નામની સોના ચાંદીની દુકાન આવેલી છે જેમાં વેજલપુર વિસ્તારમાં રહેતા ભાવેશ માળી દુકાનમાં નોકરી કરે છે. તેમની સાથે સુરેશભાઈ નામના વ્યક્તિ પણ નોકરી કરે છે. ગત નવેમ્બર મહિનામાં બપોરના સમયે સુરેશભાઈ જમવા માટે ગયા હતા ત્યારે ભાવેશભાઈ તેમની દુકાન ઉપર હાજર હતા. મહિલા અને પુરુષ નાના 12 વર્ષના બાળક સાથે આવ્યાબપોરના સમયે એક અજાણી મહિલા અને પુરુષ નાના 12 વર્ષના બાળક સાથે દુકાનમાં આવ્યા હતા. કાનમાં અને નાકમાં પહેરવાની સોનાની કાંટીઓ બતાવવાની વાત કરી હતી. બે મિનિટ બાદ અન્ય એક મહિલા અને પુરુષ દુકાનમાં આવ્યા હતા અને ચાંદીનું છતર જોવા માંગ્યું હતું. પરંતુ ભાવેશભાઈએ તેમને બતાવ્યું નહીં જેથી તેઓ ત્યાંથી જતા રહ્યાં હતાં. ત્રણ લાખની સોનાની કાંટીઓ ગાયબનાના બાર વર્ષના બાળક સાથે આવેલી મહિલા અને પુરુષને ભાવેશભાઈ દ્વારા સોનાની કાંટીઓ બતાવવામાં આવી રહી હતી. બાદમાં તેઓ કોઈપણ ખરીદી કરાવી ના જતા રહ્યા હતાં. જે બાદ તેઓએ સોનાની કાંટીઓની ગણતરી કરતા તેમાંથી ત્રણ લાખ રૂપિયાની સોનાની કાંટીઓ ગાયબ હતી. બાળકે સોનાની કાંટીઓ ભરેલી થેલી લઈ લીધી હતીસીસીટીવી ફૂટેજમાં જોતા મહિલા અને પુરુષ સોનાની કાંટીઓ જોઈ રહ્યાં હતા. ક્યારે વાતચીતમાં વ્યસ્ત રાખીને નાના છોકરાને ઈશારો કરતા 12 વર્ષના બાળકે સોનાની કાંટીઓ ભરેલી થેલી લઈ લીધી હતી. જેથી આ મામલે દુકાન માલિકને જાણ કરતા તેઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનું કહેતા આનંદનગર પોલીસે ગુનો નોધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. કમરમાં ચપ્પુ-હાથમાં ટોર્ચ સાથે ચોરી, CCTVસુરત શહેરમાં તસ્કરો હવે નવા-નવા પેંતરા અજમાવી રહ્યા છે. ઉધના વિસ્તારમાં આવેલી એક આઈસ્ક્રીમ પાર્લરમાં માત્ર અડધો ફૂટ પહોળા અને ત્રણ ફૂટ લાંબા શટરના ગાબડાંમાંથી બે તસ્કરો દુકાનમાં ઘૂસ્યા હતા અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.(વાંચો સંપૂર્ણ સમાચાર) વડોદરાના મકરપુરા GIDCની બે કંપનીમાં ચોરી, CCTVવડોદરા શહેરના મકરપુરા GIDCમાં આવેલી બે કંપનીમાં મોડી રાત્રીના સમયે તસ્કરો ત્રાટક્યાં હતા અને એક્યુરેટ એન્જિનિયર્સ નામની કંપનીમાં બે તસ્કરો 1.68 લાખની કિંમતના કોપરના 16 નંગની ચોરી કરી પલાયન થઇ ગયા હતા.(વાંચો સંપૂર્ણ સમાચાર) 90 હજારની વીંટી બેગમાં નાખી ફરાર, CCTVગોતાના જ્વેલર્સ શો રૂમમાં ગ્રાહક બનીને આવેલી મહિલાએ દાગીના જોવાના બહાને 6.40 ગ્રામની વીંટી ચોરી હતી. ગોતા વિસ્તારમાં આવેલી એક જ્વેલર્સની દુકાનમાંથી ગ્રાહક બનીને આવેલી મહિલાએ દાગીના ચોરી કર્યા છે. દાગીના ખરીદવાના બહાને આવેલી 50 વર્ષની એક અજાણી મહિલાએ કર્મચારીઓની નજર ચૂકવીને આ ચોરીને અંજામ આપ્યો હતો. આ સમગ્ર ઘટના શોરૂમના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.(વાંચો સંપૂર્ણ સમાચાર)

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 4:53 pm

તીરગર સમાજ ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ યોજાયો:ગોધરામાં તેજસ્વી વિદ્યાર્થીઓ, નિવૃત્ત કર્મચારીઓનું સન્માન કરાયું

તીરગર સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ, વડોદરા દ્વારા ગોધરાના સરદાર નગર ખંડ ખાતે ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ, નિવૃત્ત અને નવનિયુક્ત સરકારી કર્મચારીઓ તેમજ રમતગમત, કલા અને રાજકીય ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીએ ઉપસ્થિત રહી તમામ પ્રતિભાઓને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં બાળાઓએ સ્વાગત ગીત રજૂ કરી આમંત્રિતોને આવકાર્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય સી.કે. રાઉલજી ઉપરાંત પંચમહાલ અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી દેવા સોલંકી, પાલિકા ઉપપ્રમુખ સુનિલ લાલવાણી, કાઉન્સિલર જીતુ સાવલાણી, દીવા પરમાર અને સવિતા ભુચ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ એપીએમસી ચેરમેન પ્રવિણસિંહ રાઉલજી, ખુમાનસિંહ ચૌહાણ, ચંદ્રસિંહ રાઉલજી, રામ ગઢવી તેમજ ગુજરાતના 26 ગામના તીરગર સમાજના આગેવાનો અને 200થી વધુ સમાજજનો હાજર રહ્યા હતા. ધારાસભ્ય સી.કે. રાઉલજીએ તેજસ્વી વિદ્યાર્થીઓને આશીર્વાદ પાઠવતા ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી. તેમણે સમાજની પ્રગતિને બિરદાવી ખાતરી આપી હતી કે, સામાજિક ઉત્થાનના કાર્યોમાં તેઓ હંમેશા તત્પર અને મદદરૂપ રહેશે. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આયોજન તીરગર સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રસ્ટના પ્રમુખ જેઠા તીરગર, મહામંત્રી ભાનુપ્રસાદ પરમાર, કન્વીનર ડૉ. મનુ પરમાર તેમજ મહેશ પરમાર, જેઠા પરમાર, વિઠ્ઠલ પરમાર અને હસમુખ મકવાણા સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિતો માટે સ્વરૂચિ ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 4:43 pm

હિંમતનગરના અગીયોલમાં વિકાસકામોનું લોકાર્પણ:નેશનલ હાઈવેથી ગામ સુધીના રોડનું ઉદ્ઘાટન, અન્ય પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના અગીયોલ ગામે વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે નેશનલ હાઈવે 48થી ગામ ચોક સુધીના ડામર રોડનું ઉદ્ઘાટન કરાયું હતું. આશરે એક કિલોમીટરથી વધુ લાંબા આ ડામર રોડના લોકાર્પણ ઉપરાંત, ધારાસભ્ય વી.ડી. ઝાલા દ્વારા અન્ય વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. જેમાં અગીયોલ ગામના મઠ વિસ્તારમાં રૂ. 4 લાખના ખર્ચે બનનારા સીસી રોડ, હાઈસ્કૂલથી નવી વસાહત સુધીના રૂ. 5 લાખના સીસી રોડ અને અનુસૂચિત જાતિ ફળિયામાં રૂ. 3 લાખના ગટરના કામોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે હિંમતનગર તાલુકા મહામંત્રી ભવરસિંહ ચૌહાણ, શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ ચંદનસિંહ રહેવર, દેસાસણના સરપંચ ભાવિકભાઈ દેસાઈ, અગીયોલ ગામના સરપંચ સુજાનભાઈ ગૌસ્વામી સહિત ગામના અગ્રણીઓ, મહિલાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વિકાસકામોના કાર્યક્રમ બાદ, ધારાસભ્ય વી.ડી. ઝાલાએ અગીયોલ ગામના સરપંચના નિવાસસ્થાને સ્થાનિકો અને કાર્યકર્તાઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 129મા 'મન કી બાત' કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 4:38 pm

નવસારીમાં સિટી બસથી રિક્ષા ચાલકોની સ્થિતિ કફોડી બની હોવાના આક્ષેપ:3000 પરિવારોની રોજીરોટી પર સંકટ, બસનું ભાડું રૂ. 10 અને સ્ટોપ નક્કી કરવાની રિક્ષા ચાલકોની માગ

નવસારી મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાયેલી સિટી બસ સેવા વિવાદનું કેન્દ્ર બની છે. આ નવી બસ સેવાને કારણે શહેરના આશરે 2500 થી 3000 રિક્ષા ચાલકોની આર્થિક સ્થિતિ કફોડી બની હોવાના આક્ષેપો થયા છે. રિક્ષા એસોસિએશને આ અંગે ચિંતા વ્યક્ત કરી સરકાર પાસે યોગ્ય નિવારણ લાવવા માંગ કરી છે. રિક્ષા એસોસિએશનના પ્રમુખ રાકેશ પટેલે જણાવ્યું હતું કે, તેઓ બસ સેવાનો વિરોધ કરતા નથી, પરંતુ તેના સંચાલનથી રિક્ષા ચાલકોને મોટો ફટકો પડ્યો છે. પહેલા જે ચાલકો દિવસના 400 થી 500 રૂપિયા કમાતા હતા, તેમની કમાણી હવે ઘટીને માંડ 150 થી 200 રૂપિયા થઈ ગઈ છે. આના કારણે રિક્ષા ચાલકોને ઘરનું ભાડું, બેંકના હપ્તા અને બાળકોની સ્કૂલ ફી ભરવામાં મુશ્કેલી પડી રહી છે. રિક્ષા ચાલકોની મુખ્ય માંગણીઓમાં બસનું લઘુત્તમ ભાડું વધારીને 10 રૂપિયા કરવું અને બસો ગમે ત્યાં ઊભી રાખવાને બદલે દર એક કિલોમીટરે નિશ્ચિત સ્ટોપ પર જ ઊભી રહે તે સામેલ છે. તેમણે સમાન નિયમો લાગુ કરવાની પણ માંગ કરી છે. રિક્ષા ઊભી રહે તો ટ્રાફિક નડતરના નામે ડિટેઈન કરવામાં આવે છે, જ્યારે બસો ગમે ત્યાં ઊભી રહે છે તેના પર તંત્ર કેમ મૌન છે તેવો સવાલ ઉઠાવ્યો છે. રિક્ષા ચાલક નીલમ સનસે પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે, રોડ પર કોઈ પણ વ્યક્તિ હાથ બતાવે એટલે બસ ઊભી રહી જાય છે, જેના કારણે મુસાફરો રિક્ષામાં બેસવાનું ટાળે છે અને તેમનો ધંધો 50 ટકાથી પણ નીચે જતો રહ્યો છે. રિક્ષા ચાલકોનો આક્ષેપ છે કે, સિટી બસોના અનિયમિત સ્ટોપને કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે. જો તંત્ર દ્વારા વહેલી તકે આ મામલે મધ્યસ્થી કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં રિક્ષા ચાલકો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવે તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 4:36 pm

કદવાલ પંથકમાં સગીરાની રહસ્યમય હત્યા:ઘર પાસેના ખેતરમાંથી લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળ્યો; હત્યાનું કારણ અકબંધ, પોલીસે હત્યારાની તપાસ શરૂ કરી

છોટા ઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકાના એક ગામમાં 13 વર્ષીય સગીરાની રહસ્યમય રીતે હત્યા કરાયેલી લાશ ઘરની બાજુના ખેતરમાંથી મળી આવી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, સગીરા દિવસ દરમિયાન ઘરે એકલી હતી ત્યારે કોઈ અજાણ્યા ઈસમે તેની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ હત્યારો સગીરાના મૃતદેહને ઢસડીને બાજુના ખેતરમાં લઈ ગયો હતો. બપોરના સમયે સગીરાની માતા ખેતરેથી ઘરે પરત ફરતા દીકરી જોવા ન મળતાં તેમણે શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ઘરની બાજુના ખેતરમાંથી દીકરીનો લોહીલુહાણ મૃતદેહ મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આ ઘટનાની જાણ કદવાલ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. કદવાલ પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી હત્યારાને પકડવા અને હત્યાનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે. સગીરાના પરિવારજનો સવારે 8 વાગ્યે ખેતરે ગયા હતા. સગીરાએ તેની માતાને ભૂંડના ત્રાસને કારણે પિતા સાથે ખેતરે જવા કહ્યું હતું. જેથી માતા પણ ખેતરે ગઈ હતી. તે સમયે ઘરમાં વૃદ્ધ દાદી અને સગીરા જ હાજર હતા, ત્યારે હત્યારાએ આ કૃત્યને અંજામ આપ્યો હતો. મૃતક સગીરાના પરિવારમાં કુલ પાંચ સ છે, જેમાં પિતા, માતા, દાદી, સગીરા પોતે અને એક પરણાવેલી મોટી બહેનનો સમાવેશ થાય છે. આ પરિવાર ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવે છે. હત્યારા દ્વારા સગીરાની આબરૂ લૂંટવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હોઈ શકે છે. સગીરાની હત્યા ઘરે કરવામાં આવી હતી અને ત્યાર બાદ તેના મૃતદેહને ઢસડીને બાજુના ખેતરમાં મૂકી દેવાયો હતો. મૃતકની માતાએ જણાવ્યું કે જ્યારે તેમણે દીકરીનો મૃતદેહ જોયો ત્યારે તેના શરીર પર એકપણ કપડું ન હતું. મૃતદેહ જે ખેતરના છેડે મૂકવામાં આવ્યો હતો, ત્યાં એક ઝાડ પર સગીરાનો મોબાઈલ ફોન લટકતો મળી આવ્યો હતો. આના પરથી એવી પણ આશંકા સેવાઈ રહી છે કે સગીરાએ હત્યારાનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હશે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 4:29 pm

RSS શતાબ્દી વર્ષ, ચંદ્રુમાણામાં ઘર ઘર સંપર્ક અભિયાન શરૂ:પાટણ જિલ્લામાં બ્રહ્મચારી નિત્યાનંદજીની ઉપસ્થિતિમાં પ્રારંભ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે પાટણ જિલ્લાના ચંદ્રુમાણા ગામે 'ઘર ઘર સંપર્ક અભિયાન'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનની શરૂઆત બ્રહ્મચારી નિત્યાનંદજી મહારાજની ઉપસ્થિતિમાં રામજી મંદિરથી થઈ હતી. આ અભિયાન અંતર્ગત ગામની તમામ શેરીઓ અને મહોલ્લાઓમાં ઘરે ઘરે સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં 'પાંચ પરિવર્તન'ના વિષયને રજૂ કરતી પત્રિકાઓ અને શુલ્કવાળા પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પાંચ પરિવર્તનોમાં 'આપણને ન ગમતો વ્યવહાર બીજા સાથે ન કરવો', 'પ્રકૃતિનું જતન કરવું', 'આપણી સંસ્કૃતિમાં સામાજિક સમરસતા', 'સ્વદેશીનો ઉપયોગ વધારવો' અને 'પરિવાર પ્રબોધન' (બાળકો સહિત પરિવાર સાથે બેસીને સમાજ અને પરિવારની બાબતો વિશે રચનાત્મક ચર્ચા કરવી) જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ ઘર ઘર સંપર્ક અભિયાનમાં મહેસાણા વિભાગના શારીરિક શિક્ષણ પ્રમુખ પ્રવિણસિંહ ગોહિલ, પાટણ તાલુકા સંઘચાલક રમેશભાઈ સોની, જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ પ્રમુખ નીતિનભાઈ વ્યાસ અને આનંદભાઈ દેસાઈ સહિતના કાર્યકરો જોડાયા હતા.ચંદ્રુમાણા ગામના વાલ્મિકી સમાજના મીઠાભાઈ, જગદીશભાઈ અને મંગાભાઈએ તેમના સમાજ વતી કાર્યકરોને શાલ અને ખેસ અર્પણ કરીને સન્માનિત કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 4:25 pm

સોનગઢમાં 1 કરોડના ખર્ચે બનેલા કુમાર છાત્રાલયનું લોકાર્પણ:મંત્રી નરેશ પટેલ, જયરામ ગામીતે દાતાઓના યોગદાનને બિરદાવ્યું

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના દેવલપાડા સ્થિત માધવ આશ્રમશાળા ખાતે રવિવારે શારદાબેન શાંતિલાલ મરોલીયા કુમાર છાત્રાલય ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ભવન આશરે રૂ. 1 કરોડના ખર્ચે તૈયાર થયું છે. ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ તથા જિલ્લાના પ્રભારી મંત્રી નરેશ પટેલ અને રમત રાજ્યમંત્રી ડૉ.જયરામ ગામીત આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દાતા જનકભાઈ મરોલીયા અને મરોલીયા પરિવારના હસ્તે પણ લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે મંત્રી નરેશ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ અને શિક્ષણ પર વિશેષ ભાર મૂક્યો છે. રાજ્ય સરકારે પણ દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સુવિધા મળે તે માટે પરિણામલક્ષી કામગીરી કરી છે. તેમણે 1985થી કાર્યરત આ આશ્રમ શાળામાં સરકારની સાથે દાતાઓ દ્વારા અપાતા અનુદાન બદલ આભાર વ્યક્ત કર્યો. રાજ્યમંત્રી ડૉ.જયરામ ગામીતે કહ્યું કે, સરકારે આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસની હંમેશા ચિંતા કરી છે. તેમણે વિદેશમાં રહેતા દાતાઓની પણ પ્રશંસા કરી, જેઓ અહીંના બાળકોના શૈક્ષણિક વિકાસ માટે સરકારને સહકાર આપી રહ્યા છે. નોંધનીય છે કે, આ કુમાર છાત્રાલય ભવનનું નિર્માણ સેવા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ, નવસારી દ્વારા સેવાભાવી દાતાઓના ઉદાર દાનથી કરવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન દાતાઓના યોગદાનને ભાવપૂર્વક બિરદાવવામાં આવ્યું હતું અને તેમની સેવાભાવનાને સમાજ માટે પ્રેરણારૂપ ગણાવવામાં આવી હતી. કાર્યક્રમ સમાપ્ત થયા બાદ, ઉપસ્થિત મહાનુભાવોએ શ્રી દેવલીમાડીના ભાવપૂર્વક દર્શન કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 4:13 pm

ઓસમાણ અને આમીરના તાલે 20 હજાર વિદ્યાર્થી-વાલીઓ ગરબે ઝૂમ્યા:'ધ વિન્ટર' ફેસ્ટમાં Dy.CM અને પાટીલનું સન્માન, સંઘવીએ કહ્યું- 'તમારો મિત્ર ડ્રગ્સ લેતો હોય તો પોલીસને જાણ કરજો'

સુરતના શૈક્ષણિક જગતમાં એક નવીન પહેલ જોવા મળી છે, જ્યાં આજના આધુનિક યુગમાં પણ યુવા પેઢીએ પશ્ચિમી સંસ્કૃતિને બાજુ પર મૂકી ભારતીય લોકકલાનો સાથ પકડ્યો છે. સુરત શહેરમાં ડાન્સ મ્યુઝિક અને ડી.જે. પાર્ટીઓના ક્રેઝ વચ્ચે એક પ્રેરણાદાયી ઘટના સામે આવી છે. શહેરના ડિ.સી. પટેલ એજ્યુકેશનલ કેમ્પસ અને સી.બી. પટેલ સ્પોર્ટ્સ કેમ્પસ દ્વારા આયોજિત 'ધ વિન્ટર' ફેસ્ટમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ પરંપરાગત ગુજરાતી સંસ્કૃતિનો લ્હાવો લીધો હતો. આ સાથે મુખ્ય મહેમાન તરીકે રાજ્યના ડેપ્યુટી CM હર્ષ સંઘવી અને કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતાં. સાથે-સાથે ઓસમાણ મીર અને આમીર મીર દ્વારા ગુજરાતી ગીતો રજૂ કરવામાં આવ્યા હતાં. જેથી, 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓએ ગરબે ઘૂમ્યા હતા. સાચા મિત્ર બનીને તમે મિત્રતા નિભાવો: હર્ષ સંઘવીહર્ષ સંઘવીએ કહ્યું હતું કે, કોઈ પણ યુવાન, કોઈ પણ મિત્ર તમારો ગમે તેટલો અંગત મિત્ર હોય જો એ ડ્રગ્સના રવાડે ચડે તો એની માહિતી પોલીસ સ્ટેશન સુધી આપશો તો એ મિત્રોને ડ્રગ્સના કેસમાં અમે અંદર નહિ કરીશું પરંતુ, એને ડ્રગ્સમાંથી બહાર લાવવા માટે અમે પ્રયત્ન કરશો અને તમે સાચા મિત્ર બનીને તમે મિત્રતા નિભાવો એવી હું આપને શુભકામનાઓ આપું છું. ફરી એક વાર મારા સૌ યુવાન સાથીઓને આજની આ સાંજ તમે સૌ લોકો સાચા અર્થમાં મિત્રતાની મજા કઈ રીતે લઈ શકાય તે દિશામાં આગળ વધો એવી શુભકામનાઓ. જ્યારે સી.આર પાટીલે કહ્યું હતું કે, હાલ દેશમાં અનેક લોકોને પાણીની સમસ્યા થઈ રહી છે ત્યારે આપણે પાણી બચાવવું જોઈએ. ઓસમાણ મીર અને આમિર મીરની જમાવટઆ કાર્યક્રમની મુખ્ય વિશેષતા ખ્યાતનામ લોકગાયક ઓસમાણ મીર અને આમિર મીરની જોડી રહી હતી. તેમની બુલંદ અવાજમાં ગવાયેલા લોકગીતો અને ડાયરાની રમઝટે વાતાવરણમાં એક અલગ જ ઉર્જા ભરી દીધી હતી. સામાન્ય રીતે ડીજેના તાલે ઝૂમનારી આજની યુવા પેઢીએ આ કાર્યક્રમમાં લોકસાહિત્ય અને પરંપરાગત ગુજરાતી ધુનો પર ગરબા અને ડાંડિયાની રમઝટ બોલાવી હતી. અનેક મહાનુભાવોની ઉપસ્થિતિઆ ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવમાં ગુજરાતના દિગ્ગજ નેતાઓએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. મુખ્ય અતિથિ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને વિશેષ ઉપસ્થિતિ: ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હતી. બંને મહાનુભાવોનું કેમ્પસ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે યુવા પેઢીમાં પોતાની સંસ્કૃતિ પ્રત્યેની આ રુચિ જોઈને આનંદ વ્યક્ત કર્યો હતો. 20 હજારથી વધુની જનમેદની ઊમટી પડી હતીસી.બી. પટેલ સ્પોર્ટ્સ કેમ્પસના વિશાળ પ્રાંગણમાં આયોજિત આ ઉત્સવમાં આશરે 20,000થી વધુ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉમટી પડ્યા હતા. કેમ્પસનું મેદાન માનવ મહેરામણથી ઉભરાઈ ગયું હતું. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, ડીજેમાં માત્ર ઘોંઘાટ હોય છે, પરંતુ ઓસમાણ મીરના ગીતોમાં આપણી માટીની સુગંધ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જો યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે, તો આજની પેઢી પણ પોતાની પરંપરા અને સંસ્કૃતિને દિલથી અપનાવવા તૈયાર છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 4:11 pm

મોટી ખાવડીમાં 'ધીરુભાઈ અંબાણી ગર્લ્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ' યોજાઈ:ધો. 5-8ની વિદ્યાર્થિનીઓની 12 ટીમોએ ભાગ લીધો, મેઘપર તાલુકા શાળા વિજેતા

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સંસ્થાપક સ્વ. ધીરુભાઈ અંબાણીની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકાભિમુખ ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ મોટી ખાવડી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ‘ધીરુભાઈ અંબાણી ગર્લ્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ’નું આયોજન કરાયું હતું. આ ટૂર્નામેન્ટમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોની સરકારી શાળામાં અભ્યાસ કરતી ધોરણ 5 થી 8 ની વિદ્યાર્થિનીઓની 12 ટીમોએ ભાગ લીધો હતો. આ રમતોત્સવ વિદ્યાર્થિનીઓ માટે ઉત્સાહભર્યો અને સશક્તિકરણથી ભરેલો સાબિત થયો હતો. ટૂર્નામેન્ટમાં મેઘપર તાલુકા શાળાની ટીમ વિજેતા બની હતી, જ્યારે મોટી ખાવડી કન્યા શાળાની ટીમ રનર અપ રહી હતી. વિજેતા અને રનર અપ ટીમોને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શિલ્ડ અને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. ગ્રામ્ય સ્તરે ક્રિકેટને પ્રોત્સાહન આપવા તેમજ દીકરીઓમાં આત્મવિશ્વાસ અને રમતગમતના ઉત્સાહને વધારવાના ઉમદા હેતુ સાથે આ ટૂર્નામેન્ટ યોજાઈ હતી. મેઘપર ક્લસ્ટરમાંથી મેઘપર, પડાણા ગામ, પડાણા પાટિયા, જોગવડ ગામ, જોગવડ પાટિયા અને નવાણીયા એમ છ શાળાની ટીમો જોડાઈ હતી. તેવી જ રીતે, મોટી ખાવડી ક્લસ્ટરમાંથી મોટી ખાવડી, નાની ખાવડી, શાપર, ગાગવા, ગાગવા વાડી અને મુંગણી સહિતની શાળાની ટીમોએ ભાગ લીધો હતો. નોકઆઉટ ફોર્મેટમાં રમાયેલી આ ટૂર્નામેન્ટમાં કુલ 11 મેચો યોજાઈ હતી. તમામ મેચોના અંતે મેઘપર અને મોટી ખાવડી ક્લસ્ટરની વિજેતા ટીમો વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં ચેમ્પિયન ટીમ નક્કી કરવામાં આવી હતી. આ ટૂર્નામેન્ટ માટે ગામના શિક્ષકો અને યુવા સભ્યોએ સ્વૈચ્છિક રીતે સમય આપીને દૈનિક પ્રેક્ટિસ દરમિયાન ગર્લ્સ ક્રિકેટ ટીમને તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આયોજકો દ્વારા ટૂર્નામેન્ટના સુચારુ સંચાલન માટે પૂરતી તકેદારી રાખવામાં આવી હતી. મેદાન પર ખેલાડીઓ માટે પ્રાથમિક સારવારની સુવિધા, ઠંડા પાણીની વ્યવસ્થા, અનુભવી અમ્પાયર અને સ્કોરર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હતી. ઉપરાંત, તમામ 12 ટીમોની ખેલાડીઓને સ્પોર્ટ્સ શૂઝ, ખેલાડીના નામ સાથેની કસ્ટમાઇઝ્ડ ટીમ ટી-શર્ટ અને પ્રોત્સાહક મેડલ આપવામાં આવ્યા હતા. ટૂર્નામેન્ટના અંતે પ્લેયર ઓફ ધ મેચ, પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ, શ્રેષ્ઠ બેટર, શ્રેષ્ઠ બોલર, શ્રેષ્ઠ ફિલ્ડર, શ્રેષ્ઠ વિકેટકીપર અને શ્રેષ્ઠ ટીમને પ્રોત્સાહિત કરી ખેલાડીઓની ખેલ ભાવનાને ઉત્તેજન આપવામાં આવ્યું હતું. ટૂર્નામેન્ટ બાદ તમામ ટીમોને બેટ, બોલ અને સ્ટમ્પ ધરાવતી ટેનિસ બોલ ક્રિકેટ કિટ પણ ભેટ આપવામાં આવી હતી, જેથી ટીમો ટૂર્નામેન્ટ બાદ પણ પોતાની પ્રેક્ટિસ ચાલુ રાખી શકે. આ ટૂર્નામેન્ટનો મુખ્ય હેતુ ગ્રામ્ય કક્ષાએ રમતોત્સવનું આયોજન કરીને સ્થાનિક ખેલકૂદ સંસ્કૃતિને મજબૂત કરવાની સાથે કન્યાઓ રમતગમતમાં મહત્તમ સહભાગી બને તે માટે પરિવારજનોને પ્રોત્સાહિત કરવાનો હતો, જે સફળ રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 4:07 pm

યુવાને ભૂમાફિયાના ત્રાસથી આત્મહત્ય કર્યાના આક્ષેપો:કાલવાણી ગામના યુવાનની આત્મહત્યા, ભૂમાફિયા વિરુદ્ધ ગુનો નોંધાયો; પિતાનો આક્ષેપ- પોલીસે અગાઉ સાંભળ્યું હોત તો દીકરો જીવતો હોત.

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કાલવાણી ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામના ૩૦ વર્ષીય યુવાન ભાવસિંગ ઉર્ફે મયુર અમુભાઈ ધાનાએ ભૂમાફિયાના માનસિક ત્રાસથી કંટાળીને ગત ૨૭ ડિસેમ્બરના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મૃતક યુવાનના પિતાએ ગામના જ અનિરુદ્ધસિંહ જખીયા નામના શખ્સ સામે ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. વીડિયો વાયરલ કરી ત્રાસની વ્યથા ઠાલવી હતીઆત્મહત્યા કરનાર મયુરે જીવ ટૂંકાવતા પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો હતો, જેમાં તેણે અનિરુદ્ધસિંહ જખીયા તેને સતત ત્રાસ આપતો હોવાનું જણાવ્યું હતું. મૃતક મયુરના પિતા અમુભાઈ ધાનાએ જણાવ્યું હતું કે, આ શખ્સ અવારનવાર ધમકીઓ આપતો હતો. બનાવના દિવસે સાંજે 5 વાગ્યાના અરસામાં તેણે બાપ-દીકરા બંનેને મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે અમુભાઈ કેશોદથી પરત ઘરે પહોંચ્યા ત્યારે તેમનો દીકરો ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસની નિષ્ક્રિયતા સામે પિતાના આક્ષેપોમૃતકના પિતાનો આક્ષેપ છે કે ભૂમાફિયાના ત્રાસથી કંટાળીને તેમણે પોતે પણ ત્રણ મહિના પહેલા ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે પણ પોલીસ ફરિયાદ કરવાની કોશિશ કરી હતી, પરંતુ પોલીસે તેમની ફરિયાદ નોંધવાને બદલે સામા પક્ષે તેમના દીકરા પર જ ફરિયાદ નોંધી દીધી હતી. અમુભાઈએ રોષ સાથે જણાવ્યું કે જો તે સમયે પોલીસે અમારી વાત સાંભળી હોત અને ન્યાય આપ્યો હોત, તો આજે મારો દીકરો જીવતો હોત. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી હું મારા દીકરાનો મૃતદેહ સ્વીકારીશ નહીં. આ મામલે કેશોદ એસપી બી.સી. ઠક્કરે જણાવ્યું હતું કે કાલવાણી ગામે આપઘાત માટે દુષ્પ્રેરણનો ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદી અમુભાઈની રજૂઆતના આધારે આરોપી અનિરુદ્ધસિંહ જખીયા વિરુદ્ધ માનસિક ત્રાસ અને આત્મહત્યા માટે મજબૂર કરવા બદલ તપાસ હાથ ધરવામાં આવી છે. અગાઉ વાયરલ થયેલા વીડિયો અને અન્ય પુરાવાઓને આધારે પોલીસ હવે આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 4:03 pm

ડ્રગ્સ-દારૂ મુદ્દે ભાજપના પૂર્વ MLA દિનુ મામા આકરા પાણીએ:'ગુજરાતના કયા ગામડામાં દારૂ નથી મળતો? આ સામાજિક બદીને રોકવાની જવાબદારી માત્ર જીજ્ઞેશ મેવાણી, ગોપાલ ઈટાલિયા કે ચૈતર વસાવાની જ નથી, શું સાધુ-સંતોની જવાબદારી નથી?'

વડોદરા જિલ્લાના પાદરાના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ(દિનુ મામા) પોતાના નિવેદનોને લઈને સતત ચર્ચામાં રહે છે, ત્યારે ગુજરાતમાં દારૂ ડ્રગ્સ મામલે દિનુ મામા આક્રમક મૂડમાં જોવા મળ્યા. તેઓએ જણાવ્યું હતું કે, અત્યારે વિરોધ પક્ષના નેતાઓ અને જાગૃત ધારાસભ્યો બૂમો પાડે છે કે, ડ્રગ્સ મીટાઓ, દારૂ મીટાઓ પણ ગુજરાતના કયા ગામડામાં દારૂ નથી મળતો ? પાદરાના ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ (દિનુ મામા) એ જણાવ્યું હતું કે, અત્યારે વિપક્ષના નેતાઓ અને જાગૃત ધારાસભ્યો બૂમો પાડે છે કે, ડ્રગ્સ મીટાઓ દારૂ મિટાઓ, હું આપ સર્વેને પૂછું છું કે, ગુજરાતના કયા ગામડામાં દારૂ નથી મળતો? આ સામાજિક બદીને રોકવાની જવાબદારી માત્ર જીજ્ઞેશ મેવાણી, ગોપાલ ઈટાલિયા કે ચૈતર વસાવાની જ નથી, શું સાધુ-સંતોની જવાબદારી નથી? જો સાધુ-સંતો ધારે તો આ દૂષણને માત્ર એક મહિનામાં નિયંત્રિત કરી શકાય છે. મારી વાત કરવાની શૈલી હંમેશા આવી જ રહી છે. હું કોઈ પણ પ્રકારના તોડ-મરોડ કરેલા નિવેદનોને સ્વીકારતો નથી. આ પહેલા તાજેતરમાં જ ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ (દિનુ મામા) નો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓએ કહેતા જોવા મળ્યા હતા કે, હમણાં પ્રવીણસિંહભાઈએ કહ્યું કે, મુઝે પીને કા શોખ નહીં, ગમ ભુલાને કો પીતા હું. આ વાત બરોબર છે પણ જો મગજ જ બંધ થઈ જાય તો કામ કંઈ ન થાય. દારૂબંધી માટે ઋષિઓ, મુનિઓ, સંતો અને અક્ષર સ્વામી પણ ઘણું મોટું જ્ઞાન આપીને ગયા છે, પણ અહીં બેઠેલા 80 ટકા લોકો વ્યસનીઓ છે. એટલે 'મુખ મેં રામ ઔર બગલ મેં છુરી' વાળા લોકોનું ક્યારેય ભલું થતું નથી. દિનેશ પટેલ (દિનુ મામા) એ વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે અપક્ષ ચૂંટણી લડીને મોરચો માંડ્યો હતો. જોકે તેઓ ચૂંટણી હારી ગયા હતા. આ ઉપરાંત તેઓ ભાજપ સામે અને ભાજપના ધારાસભ્ય અને નેતાઓ સામે નિવેદનો લઈને સતત ચર્ચામાં રહે છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 3:55 pm

ભરૂચમાં 2 અને 5 કિમી મેરેથોનનું આયોજન:435થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો, વિજેતાઓને ઇનામ અપાયા

ભરૂચના મકતમપુર ખાતે 27 ડિસેમ્બરના રોજ 2 અને 5 કિલોમીટરની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રવણ વિદ્યામંદિર, હરિઓમ આશ્રમ, બટુકનાથ વ્યાસ શાળા અને જલારામ પાતરાના સહયોગથી આ દોડ યોજાઈ હતી. આ મેરેથોનમાં વિવિધ વય જૂથોના કુલ 435 ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. મેરેથોન દોડનો પ્રારંભ મકતમપુર સ્થિત શ્રવણ વિદ્યામંદિરથી થયો હતો. આ દોડ બોરભાથા બેટ, નર્મદા બંગલો, દુબઈ ટેકરી, નિઝામવાડી અને ઝાડેશ્વર પંચાયત વિસ્તારમાંથી પસાર થઈ પરત શ્રવણ વિદ્યામંદિર ખાતે પૂર્ણ થઈ હતી. ગ્રુપ એકમાં ભાઈઓમાં હરેશ વસાવા પ્રથમ, કુશ વસાવા બીજા અને પિયુષ વસાવા ત્રીજા સ્થાને રહ્યા હતા. બહેનોમાં માનસી પ્રજાપતિ પ્રથમ, ઉતમવંશી સોલંકી બીજા અને પ્રિયાંશી વસાવા ત્રીજા સ્થાને વિજેતા બન્યા હતા. ગ્રુપ બેમાં 103 ભાઈઓ અને 71 બહેનોએ ભાગ લીધો હતો. બહેનોમાં પ્રિશા વસાવા પ્રથમ, અંજલી સંગાડા બીજા અને તાનિયા પાટણવાડિયા ત્રીજા સ્થાને રહ્યા. ભાઈઓમાં વિકેશ સંગાડા પ્રથમ, અભી વસાવા બીજા અને સુમિત ભુરીયા ત્રીજા સ્થાને વિજેતા બન્યા હતા. ગ્રુપ ત્રણમાં ભાઈઓમાં હર્ષિલ સોલંકી પ્રથમ, અર્થ રાણા બીજા અને વીર વસાવા ત્રીજા સ્થાને રહ્યા. બહેનોમાં સનાયા વસાવા પ્રથમ, માહી વસાવા બીજા અને પાવની પરમાર ત્રીજા સ્થાને વિજેતા બન્યા હતા. ગ્રુપ ચારમાં કુલ 22 ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. મોટા ભાઈઓમાં યોગી મહાવીર પ્રથમ, અક્ષત વસાવા બીજા અને ઇન્દ્ર ગોડ ત્રીજા સ્થાને રહ્યા. બહેનોમાં લીના બાંગડે પ્રથમ, મનીષા વસાવા બીજા અને ચેતના પવાર ત્રીજા સ્થાને વિજેતા બન્યા હતા. ગ્રુપ પાંચમાં કુલ 27 ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. ભાઈઓમાં પ્રવિણ વસાવા પ્રથમ, દિનેશ વસાવા બીજા અને પ્રવિણ આહિર ત્રીજા સ્થાને રહ્યા. મહિલાઓમાં નરગીશ પરમાર પ્રથમ, જ્યોત્સના મોરી બીજા અને સુપ્રિયા પરમાર ત્રીજા સ્થાને વિજેતા બન્યા હતા. 61 વર્ષથી ઉપરના વર્ગમાં કુલ 10 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ભાઈઓમાં ભુલા વસાવા પ્રથમ, રસિક રાવલ બીજા અને બચુ પાનવાલા ત્રીજા સ્થાને રહ્યા. બહેનોમાં મંજુ પરમાર વિજેતા બન્યા હતા. કાર્યક્રમમાં ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી,સેવાસદન પ્રમુખ વિભૂતિબા યાદવ,મારુતિસિંહ અટોદરીયા,હરિઓમ આશ્રમ સુરતના ટ્રસ્ટી જીમીતભાઈ,કારમિલબેન, પંકજભાઈ,જગજીવનભાઈ,આરોગ્ય વિભાગના ડૉ. ઉન્નતિબેન અને ડૉ.સુનીલભાઈ,બટુકનાથ વ્યાસ, શાળા પ્રમુખ પિનાકી રાજપૂત તેમજ અર્જુન રાવલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.મહેમાનો દ્વારા વિજેતા સ્પર્ધકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 3:54 pm

ભાજપ પ્રદેશ સંગઠનમાંથી નવસારીની બાદબાકી:સી.આર. પાટીલના ગઢમાંથી એક પણ કાર્યકરને નવી ટીમમાં તક નહીં

ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ તેમની નવી ટીમની જાહેરાત કરી છે. આ નવી ટીમમાં નવસારી જિલ્લાને સ્થાન ન મળતા રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય ફેલાયું છે. અગાઉની ટર્મમાં પ્રદેશ સ્તરે પ્રતિનિધિત્વ ધરાવતા નવસારીમાંથી આ વખતે એક પણ કાર્યકરને સંગઠનમાં સ્થાન મળ્યું નથી. નવસારી જિલ્લો પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો ગઢ ગણાય છે. ગત ટર્મમાં નવસારીના શીતલ સોનીને પ્રદેશ સંગઠનમાં મંત્રી પદની જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે, આ વખતે જાહેર થયેલી યાદીમાં નવસારીના એક પણ કાર્યકરનું નામ ન હોવાથી સ્થાનિક કાર્યકરોમાં નિરાશા જોવા મળી રહી છે. આસપાસના જિલ્લાઓ જેવા કે સુરત, વલસાડ અને તાપીમાંથી કાર્યકરોની પસંદગી કરવામાં આવી છે, પરંતુ નવસારીને સંપૂર્ણપણે અવગણવામાં આવ્યું છે. આ બાબત કાર્યકરોમાં ચર્ચાનો વિષય બની છે. આ અંગે પૂર્વ પ્રદેશ મંત્રી શીતલબેન સોનીએ જણાવ્યું હતું કે, નવા પ્રદેશ પ્રમુખે તેમની રણનીતિ અને વિચારધારા મુજબ ટીમની પસંદગી કરી છે. આગામી સમયમાં ચૂંટણીલક્ષી રણનીતિ માટે નવી ટીમ ખૂબ જ જરૂરી છે. ગત ટર્મમાં મને તક મળી હતી, હવે નવા ચહેરાઓને તક મળી છે જે પક્ષના હિતમાં છે. કોઈ કાર્યકર નારાજ નથી, આ એક સંગઠન પ્રક્રિયાનો ભાગ છે. નવસારી જેવા ગઢ ગણાતા જિલ્લાની અવગણના થતા કાર્યકરોમાં આંતરિક ચર્ચાઓ તેજ બની છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 3:44 pm

સાપુતારામાં આંતરરાજ્ય ઘરફોડ ગેંગ ઝડપાઈ:20 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે, ત્રણ આરોપી પકડાયા

સાપુતારા પોલીસે 31 ડિસેમ્બરની ડ્રાઇવ દરમિયાન મોટી સફળતા મેળવી છે. પોલીસે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સક્રિય આંતરરાજ્ય ઘરફોડ ચોર ગેંગને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી છે. સઘન વાહન ચેકિંગ દરમિયાન હુન્ડાઇ ક્રેટા કારમાં આવેલા શંકાસ્પદ ઇસમોને અટકાવતા આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. મહારાષ્ટ્ર તરફથી આવતી સફેદ રંગની હુન્ડાઇ ક્રેટા કાર (GJ-20-CB-2646)ને રોકવામાં આવી હતી. વાહન ચેકિંગ દરમિયાન પોલીસને શંકા જતાં પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આ સમયે એક ઇસમ પાસેથી ઘરફોડ માટે વપરાતું લોખંડનું ગણેશીયું મળી આવ્યું હતું. પોલીસની કાર્યવાહી દરમિયાન કાર ચાલક અને અન્ય બે ઇસમો વાહન લઈને ભાગી ગયા હતા. પોલીસે તાત્કાલિક પીછો કરીને માલેગામ નજીક કાર મૂકીને જંગલમાં ભાગેલા આરોપીઓમાંથી એકને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય બેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી કુલ રૂ. 20,36,680નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં રૂ. 5,13,180 રોકડ, બે ચાંદીની ચેન, એક જોડ ચાંદીના સાંકળા, હુન્ડાઇ ક્રેટા કાર, ત્રણ મોબાઇલ ફોન અને લોક તોડવાના સાધનોનો સમાવેશ થાય છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીઓએ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના અકલુજ તાલુકામાં આવેલી એક કન્સ્ટ્રકશન ઓફિસમાં ઘરફોડ ચોરી કરી હતી. આ અંગે અકલુજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે. પકડાયેલા આરોપીઓમાં અનિલભાઇ રેવાભાઇ ભાભોર, વકીલ તેરસિંગ ભાભોર અને મિથુનભાઇ મનુભાઇ ભાભોરનો સમાવેશ થાય છે. કમલેશભાઇ દિપાભાઇ ભાભોર અને કાંતી તેરસિંગ ભાભોરને વોન્ટેડ જાહેર કરાયા છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ ગેંગના સભ્યો સામે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં અગાઉથી અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. સાપુતારા પોલીસ સ્ટાફ દ્વારા તત્પરતા, સતર્કતા અને સંકલિત કાર્યવાહી દાખવીને આંતરરાજ્ય ચોર ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 3:36 pm

બોટાદના મિલેટ્રી રોડ પર પિકઅપ ગાડી પલટી:બોલેરો પિકઅપ પલટી, 23થી વધુ લોકો ઈજાગ્રસ્ત

બોટાદ શહેરના મિલેટ્રી રોડ પર આજે વહેલી સવારે એક અત્યંત કરુણ અકસ્માત સર્જાયો હતો. ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભરેલી બોલેરો પિકઅપ ગાડીનાસંતુલન ગુમાવી પલટી જતાં ઘટનાસ્થળે જ 2 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનામાં 23થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. વાડીએ જમવા જતો પરિવાર અકસ્માતનો ભોગ બન્યોમળતી વિગતો અનુસાર, બોલેરો પિકઅપ ગાડીમાં કુલ 26થી 28 લોકો સવાર હતા. આ તમામ લોકો શહેરના હરણકુઈ વિસ્તારના એક જ પરિવારના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે. પરિવારના સભ્યો વાડીએ જમવાના પ્રોગ્રામ માટે જઈ રહ્યા હતા ત્યારે મિલેટ્રી રોડ પર ડ્રાઈવરે ગાડી પરનો કાબૂ ગુમાવતા વાહન પલટી ખાઈ ગયું હતું.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 3:16 pm

ભાજપના નવા સંગઠન માળખામાં વલસાડ જિલ્લાનું વર્ચસ્વ:અરવિંદ પટેલ અને સોનલ સોલંકીને મહત્વની જવાબદારી

ભારતીય જનતા પાર્ટીએ તાજેતરમાં પ્રદેશ સંગઠનના નવા માળખાની જાહેરાત કરી છે. આ નવા માળખામાં દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને વલસાડ જિલ્લાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ સંગઠનમાં વલસાડ જિલ્લાના બે અગ્રણી નેતાઓને સ્થાન મળ્યું છે. અરવિંદ પટેલને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે વલસાડ નગરપાલિકાના પ્રમુખ સોનલબેન સોલંકીને પ્રદેશ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. લોકસભાના દંડક ધવલ પટેલે આ નિમણૂકો અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભાજપે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમ તમામ વિસ્તારોને સમાન પ્રતિનિધિત્વ આપ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ઇતિહાસમાં પ્રથમવાર પ્રદેશ માળખામાં 4 આદિવાસી નેતાઓને મંત્રી અને ઉપપ્રમુખ જેવા પદો પર સ્થાન મળ્યું છે. આ નિર્ણય ભાજપની આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટેની કટિબદ્ધતા દર્શાવે છે. ધવલ પટેલે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, આગામી સમયમાં વલસાડ જિલ્લો અને સમગ્ર દક્ષિણ ગુજરાત 'કોંગ્રેસ મુક્ત' બનશે. પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત થયા બાદ અરવિંદ પટેલે જણાવ્યું હતું કે, ભાજપ વિશ્વની સૌથી મોટી લોકશાહી પાર્ટી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે ત્યારે પક્ષે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું શીર્ષ નેતૃત્વનો આભાર માનું છું. આ નવી ટીમ સાથે ભાજપ આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવી સરકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે સક્રિય બનશે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 2:56 pm

ગાંધીનગરમાં રાજપૂત સમાજનું શક્તિ પ્રદર્શન:શંકરસિંહ વાઘેલા સહિત દિગ્ગજ રાજકીય નેતાઓની ઉપસ્થિતિમાં વાર્ષિક સ્નેહમિલન યોજાશે

ગાંધીનગર શહેર અને જિલ્લાના વિવિધ રાજપૂત સંગઠનોના સંયુક્ત ઉપક્રમે આજે રવિવારના રોજ વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ગાંધીનગરના સેક્ટર-12 સ્થિત શ્રી રાજપૂત સમાજ ભવન ખાતે યોજાશે. સમાજના ઉત્કર્ષ અને સંગઠનને મજબૂત કરવાના આશય સાથે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના અનેક દિગ્ગજ મહાનુભાવો હાજરી આપશે. શંકરસિંહ વાઘેલા સહિતના રાજકીય આગેવાનો હાજર રહેશેઆ સમારોહના અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હાજર રહેશે.જ્યારે મુખ્ય મહેમાન તરીકે પૂર્વ મંત્રી બળવંતસિંહ રાજપૂત, વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહી સમાજને માર્ગદર્શન પૂરું પાડશે.આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે વિવિધ રાજપૂત મંડળોના પ્રમુખો, આઈઆરએસ અને આઈએએસ અધિકારીઓ તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ પણ હાજર રહેશે. શ્રી રાજપૂત સમાજ ગાંધીનગર, રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ, સમસ્ત રાજપૂત મહિલા સેવા ટ્રસ્ટ અને યુવા વિકાસ પરિષદ ગાંધીનગરના સંયુક્ત આયોજન હેઠળ યોજાનારા આ કાર્યક્રમમાં સામાજિક વિકાસ માટે ચર્ચાઓ કરવામાં આવશે. કાર્યક્રમના અંતે તમામ આમંત્રિતો માટે સ્વરુચિ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.જેના દાતા બલરામસિંહજી ભવાનસિંહજી ચાવડા છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 2:56 pm

અમદાવાદમાં સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજનું મહાસંમેલન:નિકોલમાં સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના મંત્રીઓ અને જગદીશ વિશ્વકર્માનું મુખ્યમંત્રીની હાજરીમાં સન્માન થશે

સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ અમદાવાદ દ્વારા આજે 28 ડિસેમ્બરના રોજ નિકોલ ખાતે આવેલા ખોડલધામ ગ્રાઉન્ડમાં સમસ્ત લેઉવા પટેલ સમાજ અમદાવાદનું મહા સંમેલન અને નવનિયુક્ત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ લેઉવા પટેલ સમાજના મંત્રીઓ સન્માન સમારોહ યોજાશે. મહાસંમેલન અને સન્માન સમારોહની સાથે મા ખોડલ - મા અન્નપૂર્ણાની ભવ્ય આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. લેઉવા પટેલ સમાજ અમદાવાદના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રી જીતુ વાઘાણી રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલ અને કૌશિક વેકરીયા ઉપસ્થિત રહેશે. મહાસંમેલનમાં 25000 લોકો ઉપસ્થિત રહેશેલેઉવા પટેલ સમાજ અમદાવાદ દ્વારા નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવેલા સમસ્ત લેઉવા પટેલ સમાજના મહાસંમેલન કાર્યક્રમમાં અમદાવાદમાં રહેતા સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ સહિત કુલ 25000 જેટલા લોકો ઉપસ્થિત રહેવાના છે. લેઉવા પટેલ સમાજનો ખૂબ મોટો વર્ગ શહેરના પૂર્વ વિસ્તારમાં નિકોલ, નરોડા, વસ્ત્રાલ સહિતના અલગ અલગ વિસ્તારમાં રહેલો છે. આગામી સમયમાં રાજકારણ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં અમદાવાદના સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજનું યોગદાન વધે તેને લઈને શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યું છે. કયા મુખ્ય મહેમાનો ઉપસ્થિત રહેશે

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 2:47 pm

બોરતળાવ-સીદસર આઈકોનિક બ્રિજ ક્યારે બનશે?:બે વર્ષ બાદ પણ બ્રિજ કાગળ પર, જો બ્રિજ બની જાય તો 20 ગામના લોકોને ફાયદો થાય

ભાવનગર મહાનગર પાલિકા દ્વારા અંદાજિત 2 વર્ષ પહેલાં શહેરમાં આવેલ બોરતળાવ અને સીદસરને જોડતો 2 કિ.મી. લાંબો આઈકોનીક બ્રિજ અંદાજે રૂા.100 કરોડના ખર્ચે સાકાર થવાની વાતો હતી. પરંતુ આજદિન સુધી આ પ્રોજેકટ માત્ર કાગળ ઉપર છે અને જો આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હોત તો સીદસર અને આજુબાજુના 20થી વધુ ગામોના લોકોના પરિવહન ને લાભ મળત પરંતુ આ પ્રોજેકટ માત્ર કાગળ પરજ રહેતા શાસક અને વિપક્ષ એકબીજાને પ્રહારો કરી રહ્યા છે. 100 કરોડના ખર્ચે બનનારો આઈકોનિક બ્રિજ કાગળ પર ભાવનગર શહેરમાં હાલ સુવિધાથી સજ્જ ધજ્જ કરવા માટે ભાવનગર મહાનગરપાલિકા તેમજ પાલિકાના શાસકપક્ષ દ્વારા રોડરસ્તા,પાણી,ડ્રેનેજ જેવા વિકાસના કામો ચાલી રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે બે વર્ષ પૂર્વ ઇસ્કોનથી બોરતળાવ સીદસર સુધી આઇકોનીક ઓવરબ્રિજ બનાવવા માટે શાસકપક્ષ દ્વારા આર્કિટેક પાસે આ આઇકોનીક બ્રિજ માટે સ્કેચ તૈયાર કરવા માટે રોકવામાં આવેલ જેમાં મોટી રકમ આ બાબતે ચુકવવામાં આવેલ તેમ છતાં આજદિન સુધી આ બ્રિજ માત્ર કાગળ પર જ રહેતા પાલિકાના વિરોધપક્ષ દ્વારા આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. તો બીજી બાજુ શાસકપક્ષ દ્વારા આ બ્રિજ બાબતે નમતું જોખી અને આ બ્રિજ માટે થોડી નાની મોટી મુશ્કેલીઓ જે આવી રહી છે તેને દૂર કરવા માટે પ્રયાસો હાલ ચાલી રહ્યા છે ત્યારે સવાલ એ છે કે આ બ્રિજ જો તૈયાર થઈ ગયો હોત તો ભાવનગરના આજુબાજુના ઘણાખરા ગામોને આ બ્રિજનો સીધો લાભ મળત. માત્ર ડીપીઆર તૈયાર કરી કન્સલ્ટન્ટને ફી ચૂકવાય છે, કામ થતું નથી- જયદીપસિંહ ગોહિલઆ અંગે મહાનગરપાલિકાના વિપક્ષ કોર્પોરેટર જયદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ભાવનગર મહાનગરપાલિકામાં બે વર્ષ પહેલા બોરતળાવની અંદર ઇસ્કોન થી સીદસર સુધીનો પુલ બનાવવાની વાત હતી, જેમાં કન્સલ્ટ નિમ્યા. કન્સલ્ટને ફી વસુલ કરાવવવાની એટલે ખરેખર જે વસ્તુ કરવાની છે એ વસ્તુ કરતા નથી, છતાં તેને ઇસ્કોન થી સીદસર સુધી રોડ બનાવવાનું સૂજે છે. ખરેખર થાય તો અમે વિપક્ષ તરીકે એને વધાવશું, પણ આવા ડીપીઆર તૈયાર કરાવીને કન્સલ્ટને મોટી મોટી ફી ચૂકવાઈ છે. અમે સામાન્ય સભામાં કહ્યું કે કન્સલ્ટને ચૂકવવા માટે આ લોકો કંઈ પણ કરી શકે અને આ લોકો કાલ સવારે તખ્તેશ્વર થી સીધાજ ચંદ્રમાં જવાનો ડીપીઆર તૈયાર કરાવશે. કામ કરવું નથી, માત્ર ડીપીઆર તૈયાર કરાવી કન્સલ્ટને મોટી ફી ચુકવવામાં આવે છે. આ બોરતળાવની અંદર પુલ બનાવવાનો છે, પણ મારું એવું માનવું છે કે બોરતળાવની અંદર પ્રથમ બાંધકામની પરમિશન જ ન મળે. ખરેખર આવી પ્રાથમિકતા બધી પૂરી કરી ત્યારબાદ આવા ફતવા અને આયોજન કરવાની જરૂર છે. ન કરવાના કામ ખોટી વાહ વાહ, ચૂંટણી આવે એટલે ભાવનગરના શહેરીજનોને આવી ચોકલેટો આપશે, પછી ક્યારે ક્યાં પૂલ જશે, ક્યાં ભૂલ થશે એ ખબર નથી. એટલે હું નથી માનતો કે ભાવનગર મહાનગરપાલિકા 100 થી 150 કરોડ રૂપિયા ખર્ચી આવા પુલ બનાવી શકે. પગારના ફાફા છે, ક્યાંથી પૈસા કાઢશે. માત્ર વાતો કરી કન્સલ્ટને ચૂકવવાના અને આ ચૂંટણી લક્ષી જાહેરાત હમણાં આવશે એટલે કરશે, એવું ચોક્કસ અમારું માનવું છે. શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન?આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજેશ રાબડીયાએ જણાવ્યું હતું કે ભાવનગર મહાનગરપાલિકાની અંદર બોરતળાવ એ મહારાજા કૃષ્ણકુમારસિંહજીની દેન છે.આ બોરતળાવ વિસ્તારમાં જે જૂનું બોરતળાવથી સીદસર ગામનો કેડો હતો, એના ઉપર આઇકોનિક બ્રિજ બનાવવા માટે અમે છેલ્લા બે વર્ષથી મથામણ કરી રહ્યા છીએ. આની અંદર આર્કિટેક રાખીને એનો કોન્સેપ્ટ તૈયાર કરવામાં આવેલો હતો. તે કોન્સેપ્ટની અંદર મોટાભાગે બોર તળાવમાં પાણીનો પ્રવાહ છે, એ કેનાલ સ્વરૂપે રહે અને વધારાના ભાગનું પોસન છે, એ પુરાતો હોય એવું અમને લાગ્યું. એટલે એ કોન્સેપ્ટની અમે ના પાડી છે. આખો બ્રિજ બને એના માટેનો નવો કોન્સેપ્ટ કરાવવા માટેની અત્યારે કાર્યવાહી શરૂ છે. આગામી દિવસોમાં નવો કોન્સેપ્ટ સિલેક્શન કરી અને બોર તળાવના પાણીને ક્યાંય પણ અવરોધ ન થાય એ માટેની તૈયારીઓ થઈ રહી છે. આના માટેના જરૂરી NOC લેવાના હોય છે. એની પ્રોસેસ એકવાર કરી ચૂક્યા છીએ અને એમાં પર્યાવરણનું NOC લેવાનું હોય. આ NOC માટે થઈને આગળની ગતિવિધિ શરૂ છે અને આ બ્રિજથી આજુબાજુના 20 ગામડાઓને ફાયદો થવાનો છે. અને અમારો મક્કમ નિર્ધાર છે. આ બ્રિજ અમારે બનાવવો છે, પરંતુ ટેકનિકલ જે પ્રોસેસ કરવાની છે તે પ્રગતિમાં છે અને આગામી દિવસોમાં આ પુલ કરવામાં આવશે. અને અમે બ્રિજ માટે કોન્સેપ્ટ તૈયાર કરી રહ્યા છીએ. એની માટે અલગથી રાજ્ય સરકારમાં બજેટની માંગણી કરી ચૂક્યા છીએ. પરંતુ કોન્સેપ્ટ તૈયાર થયા પછી આખી ડિઝાઇન બને અને ડીપીઆર બને પછી એનું બજેટ નક્કી કરી શકીએ. અગાઉ જે કન્સલ્ટ ફી ચૂકવવામાં આવી છે તે અંગે જણાવ્યું હતું કે કન્સલ્ટસી ફી ચૂકવવાનું જે કોન્સેપ્ટ તૈયાર કર્યો હોય એની ફી કાયમ માટે કોઈના કોઈ પ્રોજેક્ટ માટે કરવાની થતી હોય છે. ત્યારે જે પ્રોજેક્ટ તૈયાર કર્યો છે, જેની કોસ્ટ હોય, તેની ચુકવણી કરી હશે, પણ મને ખ્યાલ નથી. એ નીચેના વિભાગથી ચૂકવતી હોય છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 2:45 pm

લીંબડીમાં રૂ.6.11 કરોડના ખર્ચે ST ડેપો-વર્કશોપનું ખાતમુહૂર્ત:મંત્રી દર્શના વાઘેલાએ તકતીનું અનાવરણ કરીને વિકાસકાર્યનો શુભારંભ કરાવ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી અને રાજ્યના શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે લીંબડી ખાતે રૂ. 6.11 કરોડના ખર્ચે અત્યાધુનિક એસ.ટી. ડેપો અને વર્કશોપનું શાસ્ત્રોક્ત વિધિ સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ તકતીનું અનાવરણ કરીને વિકાસકાર્યનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, ભૌગોલિક દ્રષ્ટિએ લીંબડી સૌરાષ્ટ્રનું અતિ મહત્વનું કેન્દ્ર અને પ્રવેશદ્વાર છે. આ અત્યાધુનિક વર્કશોપ 100 કિલોમીટરની ત્રિજ્યામાં કોઈ સુસજ્જ વર્કશોપ ન હોવાથી, આ વિસ્તારની બસોના મેઈન્ટેનન્સ અને જાળવણી માટે આશીર્વાદરૂપ સાબિત થશે. તેમણે રાજ્ય સરકારના વિકાસલક્ષી અભિગમની પ્રશંસા કરતા કહ્યું કે, સમયસર ખાતમુહૂર્ત અને સમયસર લોકાર્પણ એ જ સરકારની કાર્યપદ્ધતિ છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં એસ.ટી. નિગમનો કાયાકલ્પ થઈ રહ્યો છે. ખાસ કરીને અભ્યાસ અર્થે આવ-ગમન કરતી દીકરીઓ અને વિદ્યાર્થીઓને ફ્રી પાસની સુવિધા આપી સરકાર તેમના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરી રહી છે. જૂની બસોના સ્થાને આજે રાજ્યમાં અત્યાધુનિક વોલ્વો બસો દોડી રહી છે, જે મુસાફરોની સુવિધા અને સલામતીમાં નોંધપાત્ર વધારો કરે છે. લીંબડીના ભૌગોલિક મહત્વ અંગે વાત કરતા સાંસદ ચંદુ શિહોરાએ જણાવ્યું હતું કે, લીંબડી નેશનલ હાઈવે પર સ્થિત 'સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર' હોવાથી અહીં વાહનવ્યવહારની સતત ભારે અવરજવર રહે છે. આ વિસ્તારની જરૂરિયાતોને સમજીને આ અત્યાધુનિક વર્કશોપનું નિર્માણ થઈ રહ્યું છે, જે આગામી સમયમાં મુસાફરોની સુખાકારીમાં વધારો કરશે અને એસ.ટી. નિગમની કાર્યક્ષમતા માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે. ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને અઢળક ગ્રાન્ટ ફાળવીને રાજ્ય સરકાર વિકાસકાર્યોને નવી ગતિ આપી રહી છે. વધુમાં તેમણે રાજ્ય સરકારની ત્વરિત કાર્યપદ્ધતિની પ્રશંસા કરતા ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં એક એવી નવી પ્રણાલી સ્થાપિત કરી છે કે જેમાં જે વિકાસકામનું ખાતમુહૂર્ત થાય છે, તેનું લોકાર્પણ પણ નિર્ધારિત સમયમર્યાદામાં જ પૂર્ણ કરવામાં આવે છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ત્વરિત નિર્ણયશક્તિને કારણે વિકાસકાર્યો ખૂબ જ ઝડપથી સાકાર થઈ રહ્યા છે, જેનો સીધો લાભ સામાન્ય જનતાને મળી રહ્યો છે. ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ સરકારની વિકાસલક્ષી નીતિઓની સરાહના કરતા જણાવ્યું હતું કે, અગાઉ નગરપાલિકાઓ આર્થિક તંગી અનુભવતી હતી, પરંતુ આજે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને અઢળક ગ્રાન્ટ ફાળવી વિકાસકાર્યોને નવી ગતિ આપવામાં આવી રહી છે. લીંબડીના વિકાસ માટે કરાયેલી રજૂઆતોનો હકારાત્મક પ્રતિસાદ મળતા જ આજે અહીં તમામ સુવિધાઓથી સજ્જ અદ્યતન બસ સ્ટેન્ડ અને વર્કશોપ સાકાર થઈ રહ્યા છે. માત્ર ગ્રાન્ટ મંજૂર કરવાના બદલે સમયમર્યાદામાં ખાતમૂહૂર્તથી લોકાર્પણ સુધીની કાર્યપદ્ધતિમાં સરકાર વિશ્વાસ ધરાવે છે. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યા બાદ વિભાગીય નિયામક એચ.એસ. જોષી દ્વારા શાબ્દિક સ્વાગત તેમજ લીંબડી ડેપો મેનેજર મનોજકુમાર મહંત દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. લીંબડી ડેપોના પટાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં રામકૃષ્ણ મિશનના સ્વામી પ્રફુલકુમાર સ્વામી, પાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ, અગ્રણી હરપાલસિંહ રાણા, શંકરભાઈ દલવાડી સહિતના જિલ્લા- તાલુકા પંચાયતના પદાધિકારીઓ, પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈ, નાયબ પોલીસ અધિક્ષક વિશાલ રબારી સહિતના અધિકારીઓ તેમજ વાહનવ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. લીંબડી ડેપો વર્કશોપ: નવિન સુવિધાજનક બાંધકામની રૂપરેખારાજ્ય સરકાર તરફથી નિગમને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન પેટે ફાળવેલ સહાય થકી રાજકોટ એસ.ટી. વિભાગના લીંબડી મુકામે બાંધવામાં આવનાર આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત નવિન ડેપો વર્કશોપમાં 35005.00 ચોરસ મીટર કુલ જમીન વિસ્તારમાં 6.11 કરોડ રૂપિયાની કુલ આખરી અંદાજિત કિંમતે વિવિધ સગવડતાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં 1368.98 ચોરસ મીટરના બાંધકામ વિસ્તારમાં 20.63 ચોરસ મીટરની ડેપો મેનેજર ઓફિસ, 27.0000 ચોરસ મીટરનો એડમીન રૂમ, 26.04 ચોરસ મીટરનો ટાયર રૂમ, 26.04 ચોરસ મીટરનો બેટરી રૂમ, 52.74 ચોરસ મીટરનો સ્ટોર રૂમ, 25.02 ચોરસ મીટરનો ઓઈલ રૂમ, 20.09 ચોરસ મીટરનો ઈલેક્ટ્રીક રૂમ, મેઈન્ટેનન્સ માટે 2 નંગ લોન્ગ પીટ તથા 1 નંગ યુ પીટ, 8.06 ચોરસ મીટરનો વોટર રૂમ અને સરક્યુલેશન વિસ્તારમાં 4830.85 ચોરસ મીટરનું સી.સી. ટ્રી-મીક્ષ ફ્લોરીંગ કરવામાં આવશે, તેમજ પ્રથમ માળ પર 52.74 ચોરસ મીટરનો વર્કર રૂમ, 18.66 ચોરસ મીટરનો રેકોર્ડ રૂમ, 18.88 ચોરસ મીટરનો લેડીઝ રેસ્ટ રૂમ અને 17.93 ચોરસ મીટરનો ડિસ્પેન્સરી રૂમ બનાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 2:44 pm

ચારુસેટે વિયેતનામમાં 7મી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજી:સોફ્ટ કમ્પ્યુટિંગ પર 43 દેશોના 114 પેપર્સ રજૂ થયા

ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટી દ્વારા ‘સોફ્ટ કમ્પ્યુટિંગ એન્ડ ઇટ્સ એન્જિનિયરિંગ એપ્લિકેશન્સ’ વિષય પર 7મી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ (icSoftComp2025) હનોઈ, વિયેતનામમાં યોજાઈ હતી. આ કોન્ફરન્સ કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગના ક્ષેત્રમાં સંશોધકો, શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોને તેમના સંશોધન, જ્ઞાન, નવા વિચારો અને નવીનતાઓ રજૂ કરવા માટે એક આંતરરાષ્ટ્રીય મંચ પૂરો પાડે છે. icSoftComp2025 ને સ્પ્રિંજર, યુ.એસ.એ. દ્વારા ટેકનિકલી સ્પોન્સર કરવામાં આવી હતી અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (DST) દ્વારા ફાઈનાન્સિયલી કો-સ્પોન્સર કરવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં 43 દેશોના સંશોધકોએ 12 ટેકનિકલ સેશનમાં તેમના 114 સંશોધન પેપર્સ રજૂ કર્યા હતા. તેમાંથી પસંદ કરાયેલા અને રજૂ કરાયેલા સંશોધન પેપર્સ સ્પ્રિંજર, યુ.એસ.એ. દ્વારા તેમની પ્રતિષ્ઠિત કોમ્યુનિકેશન્સ ઈન કમ્પ્યુટર એન્ડ ઇન્ફર્મેશન સાયન્સ (CCIS) સીરીઝ, ISSN: 1865-0929 માં પ્રોસીડીંગ્સ તરીકે પ્રકાશિત કરવામાં આવશે. 354 થી વધુ પ્રતિનિધિઓ આ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા. આ કોન્ફરન્સના જનરલ ચેર તરીકે ડૉ. અતુલ પટેલ (પ્રોવોસ્ટ, ચારુસેટ, ચાંગા), ડૉ. ડી. કે. પ્રતિહાર (IIT ખડગપુર, ભારત) અને ડૉ. પવન લિંગરાસ (પ્રોફેસર, સેન્ટ મેરી યુનિવર્સિટી, કેનેડા) હતા. ડૉ. કે. કે. પટેલ (ચારુસેટ, ચાંગા) આ કોન્ફરન્સના TPC ચેર હતા. ડૉ. આશિષ ઘોષ (ISI, કોલકત્તા, ભારત), ડૉ. કે. સી. સંતોષ (યુનિવર્સિટી ઓફ સાઉથ ડાકોટા, યુ.એસ.એ.), ડૉ. ગાયત્રી ડોક્ટર (CEPT યુનિવર્સિટી, અમદાવાદ), ડૉ. ગેબ્રિયલ ગોમ્સ ડી ઓલિવેરા (યુનિવર્સિટી ઓફ કેમ્પિનાસ, બ્રાઝિલ) અને ડૉ. આશિષ જલોટે પરમાર (NTNU, નોર્વે) આ કોન્ફરન્સના કો-ચેર્સ હતા. icSoftComp2025 માં અગ્રણી સંશોધકો અને ઉદ્યોગના નેતાઓના ઉચ્ચ ગુણવત્તાવાળા વિશેષ સત્રો, ત્રણ કી-નોટ લેકચર અને છ નિષ્ણાત વાર્તાલાપ યોજાયા હતા. મુખ્ય વક્તા ડૉ. હોંગ ન્હુંગ ન્ગુયેન (ગાચોન યુનિવર્સિટી, સિઓલ, દક્ષિણ કોરિયા) હતા. જ્યારે ડૉ. એડગર વેઈપલ (યુનિવર્સિટી ઓફ વિયેના, વિયેના, ઑસ્ટ્રિયા), ડૉ. માર્કો ડોરિગો (યુનિવર્સિટી લિબ્રે ડી બ્રુક્સેલ્સ, બ્રસેલ્સ, બેલ્જિયમ), ડૉ. અહમદ બાઝી (ન્યૂ યોર્ક યુનિવર્સિટી અબુ ધાબી, યુએઈ), ડૉ. તાતીઆના કાલગાનોવા (બ્રુનેલ યુનિવર્સિટી ઓફ લંડન, યુકે), ડૉ. ઉન્નતી શાહ (યુટિકા યુનિવર્સિટી, યુટિકા, એનવાય, યુએસએ), અને ડૉ. ડોનાટેલા ફિરમાની (સેપિએન્ઝા યુનિવર્સિટી ઓફ રોમ, ઇટાલી) દ્વારા નિષ્ણાત વાર્તાલાપ આપવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 2:28 pm

વડોદરામાં ગાય તોફાને ચડી, LIVE દૃશ્યો:રસ્તે રખડતી ગાયે બે યુવકને અડફેટે લીધા, આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ, એકની હાલત ગંભીર

વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ અટકવાનું નામ લઈ રહ્યો નથી. શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા પશુઓના કારણે અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે આજે ફરી એકવાર ખોડિયાર નગર વિસ્તારમાં રખડતી ગાયે બે યુવકને અડફેટે લીધા હતા. જેમાંથી એક યુવકને ગંભીર ઇજાઓ થતાં તેને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં નાશભાગ મચી ગઈ હતી. વડોદરા શહેરના ખોડિયારનગર ચાર રસ્તા પાસે આવેલ પંચમ ઇલાઇટ ફ્લેટ પાસે રખડતી ઢોરે અચાનક તોફાન મચાવ્યું હતું. ગાયે રસ્તા પરથી પસાર થઈ રહેલા બે નિર્દોષ નાગરિકોને અડફેટે લીધા હતા, જેને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગાયની અડફેટે આવતા બંને વ્યક્તિઓને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. આ ઘટનામાં ભોગ બનેલા બે વ્યક્તિઓ પૈકી એકને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. વધુ ઇજાગ્રસ્ત વ્યક્તિને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.સ્થાનિક રહીશોમાં આ ઘટનાને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વારંવાર રજૂઆતો છતાં કોર્પોરેશન દ્વારા રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ અપાવવામાં નિષ્ફળતા મળી રહી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. સામાજિક કાર્યકર અતુલ ગા જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં રખડતી ગાયોના ત્રાસને દૂર કરવા માટે મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, તેમ છતાં રસ્તાઓ પર ગાયોનો ખતરો યથાવત છે. આજે ખોડિયાર નગર ચાર રસ્તા પાસે આવેલ પંચમ ઇલિઈટ પાસે એક ગાયની અડફેટે બે વ્યક્તિઓ ઘાયલ થયા છે, જેમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાથી 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પશુપાલકો ગાયોને રસ્તા પર રઝળતી મૂકી દે છે, જેના કારણે ગંભીર અકસ્માતો સર્જાય છે. મારી પશુપાલકોને વિનંતી કરી છે કે, જ્યારે ગાયોને બહાર કાઢવામાં આવે ત્યારે તેમની સાથે રહેવું જોઈએ. વડોદરા મહાનગરપાલિકાને પણ કડક કામગીરી કરવી જોઈએ અને રખડતા પશુઓને ડબ્બે પૂરી ટેગિંગ કરવી જોઈએ, જેથી સામાન્ય નાગરિકો સુરક્ષિત રહી શકે. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે, જેને કારણે અવારનવાર રખડતા ઢોરને કારણે લોકોના મોત પણ થાય છે, જોકે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતા વડોદરા વાસીઓમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 2:27 pm

સાબરકાંઠા જિલ્લામાં મતદાર યાદી સુધારણા ઝુંબેશનો બીજો દિવસ:હિંમતનગરના ધારાસભ્યએ બૂથની મુલાકાત લીધી, કામગીરીનું નિરીક્ષણ કર્યું

સાબરકાંઠા જિલ્લામાં મતદાર યાદી સુધારણાની ખાસ ઝુંબેશનો આજે બીજો દિવસ છે. આ ઝુંબેશ અંતર્ગત જિલ્લાના 1419 મતદાન મથકો પર 1419 બૂથ લેવલ ઓફિસર (BLO) સવારે 10 વાગ્યાથી મતદારોની મદદ માટે હાજર રહ્યા હતા. હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાએ પણ આગિયોલ ગામના બૂથની મુલાકાત લીધી હતી. આ ઝુંબેશમાં મતદારોના નામ કમી કરવા, નવા નામ ઉમેરવા અને મતદારની અન્ય વિગતો સુધારવાની કામગીરી ચાલી રહી છે. ખાસ ઝુંબેશના પ્રથમ દિવસે, શનિવારે, કુલ 3428 મતદારોએ પોતાના ફોર્મ ભર્યા હતા. ચૂંટણી વિભાગ દ્વારા જિલ્લામાં ડિસેમ્બર 2025માં 27મી શનિવાર અને 28મી રવિવારે સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી આ ખાસ ઝુંબેશ ચાલુ રહેશે. આ ઉપરાંત, જાન્યુઆરી 2026માં 3જી શનિવાર અને 4થી રવિવારે પણ આવી જ ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવશે. હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાએ સ્થાનિક ભાજપના અગ્રણીઓ સાથે આગિયોલ ગામે પ્રાથમિક શાળામાં આવેલા ત્રણ બૂથની મુલાકાત લીધી હતી. તેમણે ચાલી રહેલી કામગીરી અંગે જાણકારી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન, ઘણા મતદારો SIR (સર્વે) બાદ પોતાના નામ યાદીમાં છે કે નહીં તે જોવા આવ્યા હતા, તેમજ નવા મતદારો પણ નામ નોંધાવવા માટે ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 1:56 pm

લીંભોઈ પાઝકંપામાં ખેતરમાંથી 10 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યૂ:જીવદયા ટીમે રેસ્ક્યુ કરી સુરક્ષિત જંગલમાં છોડ્યો

સાબરકાંઠા જિલ્લાના લીંભોઈ પાઝકંપામાં એક ખેતરમાંથી 10 ફૂટ લાંબો અજગર મળી આવ્યો હતો. જીવદયા ટીમે તેને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને સુરક્ષિત જંગલમાં છોડી મૂક્યો હતો.મંગાભાઈ સગરના વાવેતર કરેલા ખેતરમાં આ અજગર જોવા મળ્યો હતો. તેમણે તાત્કાલિક ગંભીરપુરા જીવદયા ટીમને જાણ કરી હતી.માહિતી મળતા જ જીવદયા ટીમના ઉપેન્દ્રસિંહ પરમાર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમની સાથે ઇડર સિવિલના લાલાભાઈ અને જે.ડી. ભાઈ પણ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા હતા.ટીમ દ્વારા અજગરને સુરક્ષિત રીતે પકડી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને વન વિભાગની મદદથી નજીકના જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 1:53 pm

મોરબીમાં યુવકના આપઘાત કેસમાં સ્યૂસાઇટ નોટ મળી:માળીયા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ સહિત ત્રણ સામે ફરિયાદ

મોરબીમાં એક યુવકના આપઘાત કેસમાં સ્યૂસાઇટ નોટ મળી આવી છે. આ નોટના આધારે માળીયા (મી) તાલુકા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ સહિત ત્રણ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આરોપીઓને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. મૂળ મોરબીના લક્ષ્મીનગર ગામના અને હાલ ઉમા ટાઉનશિપમાં રહેતા હર્ષદભાઈ અમરશીભાઈ લીખીયા (49)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમણે આશિષભાઈ રમેશભાઈ પાડલીયા, હિતેશભાઈ વાસુદેવભાઈ દસાડીયા અને કમલેશભાઈ ઉર્ફે મહેશ મનુભાઈ માંડવીયાને હાથ ઉછીના રૂ.1.26 લાખ આપ્યા હતા. આ રૂપિયા આરોપીઓ પરત આપતા ન હોવાથી હર્ષદભાઈએ આ બાબતે તેમના સાળા વિપુલભાઈ વિડજા સાથે વાત કરી હતી. ત્યારબાદ હર્ષદભાઈ અને વિપુલભાઈએ આરોપીઓ પાસેથી રૂપિયા પરત માંગ્યા હતા. રૂપિયાની માંગણી આરોપીઓને પસંદ ન આવતા, તેમણે પૈસા પરત ન આપવા પડે તે માટે પોલીસમાં ખોટી ફરિયાદ કરી હતી. આ ઉપરાંત, ત્રણેય આરોપીઓએ સાથે મળીને હર્ષદભાઈ અને તેમના સાળા વિપુલભાઈને ડરાવી-ધમકાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વિપુલભાઈને રૂબરૂ અને ફોન પર પણ સતત ધમકીઓ આપી હેરાન કરવામાં આવતા હતા. આ હેરાનગતિ અને ધમકીઓના કારણે વિપુલભાઈ વિડજાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. તેમના મૃતદેહ પાસેથી એક સ્યૂસાઇટ નોટ મળી આવી હતી, જેમાં આ સમગ્ર ઘટનાનો ઉલ્લેખ હતો. આ સ્યૂસાઇટ નોટના આધારે, મૃતક વિપુલભાઈના બનેવી હર્ષદભાઈ લીખીયાની ફરિયાદ લઈને પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 1:46 pm

રાજકોટ ડિવિઝનની 125 ટ્રેનના સમયમાં 1 જાન્યુઆરીથી ફેરફાર થશે:108 ટ્રેન સમય કરતા વહેલા અને 17 ટ્રેન મોડી થશે, ટ્રેનનું ટાઈમ ટેબલ જુઓ

રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા મુસાફરો માટે નવા વર્ષથી એટલે કે 1 જાન્યુઆરી 2026થી નવું ટાઈમ-ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ ડિવિઝનના વિવિધ સ્ટેશનો પર 108 જેટલી ટ્રેન નિર્ધારિત સમય કરતા 1થી 42 મિનિટ વહેલા અને 17 ટ્રેનો 2થી 20 મિનિટ મોડી કરવામાં આવી છે. નિર્ધારિત સમય કરતા ટ્રેન વહેલા ઉપડશેરાજકોટ રેલવે ડિવિઝનની યાદીમાં જણાવ્યા મુજબ મડગાંવ- હાપા એક્સપ્રેસ, દિલ્હી સરાઈ રોહિલ્લા-રાજકોટ એકસપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ-હાપા દુરંતો, તિરુવનંતપુરમ- વેરાવળ એકસપ્રેસ, એર્નાકુલમ- ઓખા એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનસ- જામનગર હમસફર, રાજકોટ- વેરાવળ લોકલ અને દિલ્હી સરાઈ રોહિલ્લા-રાજકોટ એકસપ્રેસ તેના નિર્ધારિત સમય કરતા 5 મિનિટ વહેલા ઉપડશે. જયારે રામેશ્વરમ-ઓખા એક્સપ્રેસ, પુરી-ઓખા એક્સપ્રેસ, દેહરાદુન-ઓખા, ઉતરાંચલ એક્સપ્રેસ, બિલાસપુર-ઓખા એક્સપ્રેસ, નાથદ્વારા-ઓખા એક્સપ્રેસ, રાજકોટ-પોરબંદર એકસપ્રેસ, વેરાવળ-રાજકોટ લોકલ અને પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ 10 થી 20 મીનિટ વહેલા ઉપડશે. આ ટ્રેન નિર્ધારિત સમય કરતા મોડી ઉપડશેજ્યારે માતા વૈષ્ણોદેવી કટરા-હાપા એકસપ્રેસ અને માતા વૈષ્ણોદેવી કટરા-જામનગર એક્સપ્રેસ 27 મિનિટ વહેલા ઉપડશે. આજ રીતે પોરબંદર-રાજકોટ લોકલ, ઓખા-રામેશ્વરમ એકસપ્રેસ, ઓખા-શાલીમાર એકસપ્રેસ, પોરબંદર-શાલીમાર એકસપ્રેસ, પોરબંદર-સાંતરાગાછી એકસપ્રેસ અને પોરબંદર-રાજકોટ લોકલ નિર્ધારિત સમય કરતા 5-5 મિનિટ મોડી ઉપડશે. આ સ્ટેશનોમાં આવતી-જતી ટ્રેનના સમયમાં ફેરફાર રાજકોટ ડિવિઝનમાં ઓખા, દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, ભક્તિનગર, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર સહિત અન્ય સ્ટેશનોના સમયમાં ફેરફાર થશે, મુસાફરોએ ટાઈમ-ટેબલ મુજબ મુસાફરી કરતી વખતે રેલવે પૂછપરછ 139 નંબર અથવા www.r.indianrailways.gov. in પર વિગતો ચકાસી શકશે. રાજકોટ સ્ટેશન પર આવતી-જતી ટ્રેનનું ટાઈમ ટેબલ ટ્રેન નામ. આગમન પ્રસ્થાન રામેશ્વર-ઓખા-રામેશ્વર 04.59 05.09 પુરી-ઓખા એક્સપ્રેસ 04.47 04.57 દેહરાદૂન-ઓખા (ઉત્તરાંચલ એક્સપ્રેસ) 07.20 07.30 મડગાંવ-હાપા એક્સપ્રેસ 07.57 08.07 દિલ્લી સરાઇ રોહિલ્લા-રાજકોટ એક્સપ્રેસ 07.50 મુંબઈ સેન્ટ્રલ-હાપા દૂરંતો 08.30 08.40 તિરૂવનંતપુરમ-વેરાવળ એક્સપ્રેસ 11.00 11.10 ઓર્નાકુલમ-ઓખા એક્સપ્રેસ 11.00 11.10 બાંદ્રા ટર્મિનસ-જામનગર હમસફર 11.56 12.06 બિલાસપુર-ઓખા એક્સપ્રેસ 13.30 13.40 નાથદ્વારા-ઓખા એક્સપ્રેસ 13.30 13.40 વૈષ્ણવદેવી કટરા-હાપા એક્સપ્રેસ 16.15 16.25 વૈષ્ણવદેવી કટરા-જામનગર એક્સપ્રેસ 16.25 રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ 16.00 રાજકોટ-વેરાવળ લોકલ 07.50 પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ 10.20 દિલ્લી સરાઇ રોહિલ્લા-રાજકોટ એક્સપ્રેસ 07.50

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 1:44 pm

મોરબીના 8 ઉદ્યોગકારો સાથે 1.62 કરોડની છેતરપિંડી:સરકારી યોજનાના વળતર ખોટા દસ્તાવેજોથી ઉપાડી લેવાયા

મોરબીના આઠ સિરામિક ઉદ્યોગકારોને ભારત સરકારની ICIGATE યોજના હેઠળ મળવાપાત્ર રૂ. 1,62,78,858નું વળતર ખોટા દસ્તાવેજોના આધારે ઉપાડી લેવામાં આવ્યું છે. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે. આઠ ઉદ્યોગકારોના ICIGATE યુઝર એકાઉન્ટમાં રકમ જમા થઈ હતીવિદેશમાં ચીજવસ્તુઓની નિકાસ કરતા ઉદ્યોગકારોને ભારત સરકાર દ્વારા ICIGATE સ્કીમ મારફતે નિકાસ કરેલા માલની રકમ આધારિત વળતર આપવામાં આવે છે. મોરબીના યુવા ઉદ્યોગપતિ સહિત કુલ આઠ ઉદ્યોગકારોના ICIGATE યુઝર એકાઉન્ટમાં આ રકમ જમા કરવામાં આવી હતી. ખોટા ઈ-મેલ આઈડી અને ડિજિટલ સિગ્નેચરનો ઉપયોગ કરીને છેતરપિંડીઅજાણ્યા ઠગબાજોએ ગુનાહિત કાવતરું રચીને ઉદ્યોગકારોની જાણ બહાર તેમના કીમતી દસ્તાવેજોનો ઇલેક્ટ્રોનિક માધ્યમથી દુરુપયોગ કર્યો હતો. તેમણે ખોટા દસ્તાવેજો બનાવી, ખોટા ઈ-મેલ આઈડી અને ડિજિટલ સિગ્નેચરનો ઉપયોગ કરીને ICIGATE પોર્ટલમાં યુઝર આઈડી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ ખોટા યુઝર આઈડી દ્વારા અન્ય ICIGATE યુઝર આઈડીમાં ટ્રાન્સફર કરીને કુલ રૂ.1,62,78,858ની છેતરપિંડી આચરવામાં આવી હતી. પોલીસ ફરિયાદ નોંધાઈમોરબીના પંચાસર રોડ પર આવેલા ધરતી પાર્ક, પ્રયાગ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 202 માં રહેતા દીપકભાઈ વલમજીભાઈ પાંચોટિયા (ઉંમર 36) એ આ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી અને સાક્ષીઓની પેઢીઓ તથા કંપનીઓ દ્વારા વિદેશમાં સિરામિક ચીજવસ્તુઓની નિકાસનો વ્યવસાય કરવામાં આવે છે. પોલીસે હવે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢવા માટે સઘન કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 1:43 pm

રાપરમાં રખડતા ઢોરો પકડવા નગરપાલિકાની કાર્યવાહી શરૂ:રખડતા ઢોરો-આંખલાઓનો ત્રાસ વ્યાપક બનતાં કડક પગલાં લેવાયા, ઢોર માલિકોને પશુ ન મૂકવા સુધરાઈની તાકીદ

રાપર નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા ઢોરો અને આંખલાઓને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાની સૂચનાથી નગરપાલિકા પ્રમુખ ચાંદ ભીંડે અને ચીફ ઓફિસર તરુણદાન ગઢવીના માર્ગદર્શનમાં સુધરાઈ સ્ટાફે આ કામગીરી હાથ ધરી હતી. આ કાર્યવાહી તાજેતરમાં રખડતા ઢોરના કારણે એક વ્યક્તિના મોત બાદ કરવામાં આવી છે. વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપરમાં રખડતા ઢોરો અને આંખલાઓનો ત્રાસ વ્યાપક બન્યો હતો. આ ઢોરોની અડફેટે લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ઉપરાંત, રસ્તા પર બેસી જતા ઢોરો ટ્રાફિકમાં પણ અવરોધ ઉભો કરે છે. શહેરમાં આશરે 1500 જેટલા રખડતા ઢોરો અને આંખલાઓ છે, જેમાંથી અડધાથી વધુ માલિકીના હોવાનું જાણવા મળ્યું છે. દૂધ દોહ્યા બાદ માલિકો દ્વારા ઢોરોને રખડતા છોડી દેવામાં આવે છે. આ ઉપરાંત, ઘાસચારો વેચતા વેપારીઓ જાહેર રસ્તાઓ પર ઘાસચારો નાખતા ઢોરો ત્યાં એકઠા થાય છે અને બાખડે છે, જેના કારણે શાળા પાસે વિદ્યાર્થીઓ અને બજારમાં લોકો અડફેટે આવે છે. આથમણા નાકા, અયોધ્યાપુરી, તિરુપતિ નગર, સલારી નાકા, પ્રાગપર ચોકડી, બગીચા પાસે, પાવર હાઉસ, ગુરુકુળ રોડ અને રતનપર જેવા વિસ્તારોમાં માલિકીના ઢોરો મોટી સંખ્યામાં જોવા મળે છે. આજથી રાત્રે શરૂ કરાયેલી આ કામગીરીમાં ઢોરોને પકડવા માટે પીંજરા અને ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે જ અનેક આંખલાઓને પકડીને પાંજરાપોળને હવાલે કરવામાં આવ્યા હતા. નગરપાલિકા દ્વારા અગાઉ પણ સમયાંતરે આવી કામગીરી કરવામાં આવતી રહી છે. પ્રમુખ ચાંદ ભીંડેએ જણાવ્યું હતું કે, માલિકીના ઢોરોના માલિકોને તેમના ઢોરોને બાંધી રાખવા સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં જો માલિકીના ઢોરો પકડાશે તો દંડાત્મક કાર્યવાહી અને જાહેર અડચણ ઉભી કરવા બદલ ગુનો નોંધવામાં આવશે. ઘાસચારાના વેપારીઓને પણ ગામથી એક કિલોમીટર દૂર, કોઈને નડતરરૂપ ન થાય તેવા સ્થળે વેચાણ કરવા સૂચના અપાઈ છે. નગરપાલિકા રાપર શહેરને રખડતા ઢોરો અને આંખલામુક્ત બનાવવા કડક કાર્યવાહી કરશે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 1:30 pm

13થી 16 વર્ષની 1633 દીકરીઓ સગર્ભા:સૌથી વધુ વસલાડમાં, સરકારી સર્વેમાં ખુલાસો થતાં વિરોધ પક્ષનો આક્ષેપ-‘બેટી બચાવો’ માત્ર નારો, સરકારે કહ્યું-‘તપાસ બાદ કાર્યવાહી’

ગુજરાતમાં બાળલગ્ન અને નાની ઉંમરે માતૃત્વની ગંભીર સમસ્યા ફરી એકવાર સામે આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા ઓક્ટોબર-નવેમ્બર 2025 દરમિયાન કરાયેલા સત્તાવાર સર્વેમાં ખુલાસો થયો છે કે રાજ્યમાં 13થી 16 વર્ષની કુલ 1633 દીકરીઓ સગર્ભા છે. આ ચોંકાવનારા આંકડાઓએ મહિલા-બાળ સુરક્ષા, આરોગ્ય અને શિક્ષણ તંત્રની કાર્યક્ષમતાને લઈને અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. ઘણા જિલ્લાઓમાં પણ મોટી સંખ્યામાં નાની ઉંમરની સગર્ભાવસ્થાસર્વે મુજબ વલસાડ જિલ્લામાં સૌથી વધુ 190 દીકરીઓ સગર્ભા હોવાનું નોંધાયું છે. ત્યારબાદ દાહોદ (133), જામનગર (90), મહેસાણા (78), સાબરકાંઠા (76), આણંદ અને ડાંગ (70-70), ખેડા (67) તથા અમદાવાદ શહેર (63) જેવા જિલ્લાઓમાં પણ મોટી સંખ્યામાં નાની ઉંમરની સગર્ભાવસ્થાઓ નોંધાઈ છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ સગર્ભાવસ્થાઓ મોટા ભાગે બાળલગ્ન સાથે જોડાયેલી હોવાની શક્યતા છે, જે દીકરીઓ અને તેમના સંતાન માટે ગંભીર આરોગ્ય જોખમ ઉભું કરે છે. ‘બેટી બચાવો, બેટી પઢાવો’ જેવા નારા જમીન પર નિષ્ફળઆ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, NFHS-5ના આંકડાઓ મુજબ રાજ્યમાં બાળલગ્નનો દર 21.8 ટકા છે અને કેટલાક જિલ્લાઓમાં આ પ્રમાણ 30થી 49 ટકા સુધી પહોંચ્યું છે. “બાળલગ્ન પ્રતિબંધક કાયદો માત્ર કાગળ પર રહી ગયો છે. ‘બેટી બચાવો, બેટી પઢાવો’ જેવા નારા જમીન પર નિષ્ફળ સાબિત થયા છે,” તેમ તેમણે કહ્યું હતું. 1633 નાની ઉંમરની સગર્ભાવસ્થાઓ તંત્રની નબળાઈબીજી તરફ, બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મષ્ઠાબેન ગજ્જરે સરકારનો બચાવ કરતા જણાવ્યું હતું કે, જાહેર થયેલા આંકડાઓની વિગતવાર તપાસ કરવામાં આવશે. 'દરેક કેસ બાળલગ્નનો જ છે કે કેમ તેની ખરાઈ કર્યા બાદ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં ‘બાળ વિવાહ મુક્ત ગુજરાત’ અભિયાન હેઠળ ટ્રાયબલ અને પછાત વિસ્તારોમાં સતત જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે,” તેમ તેમણે જણાવ્યું. સામાજિક પ્રથાઓ, આર્થિક દબાણ અને કાયદાની અજ્ઞાનતા બાળલગ્નનું મુખ્ય કારણ છે. સરકાર દ્વારા સરપંચો, તલાટીઓ, સમાજના આગેવાનો અને શાળાના વિદ્યાર્થીઓને જોડીને બાળલગ્ન રોકવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એક તરફ સરકાર કાર્યવાહી અને જાગૃતિની વાત કરે છે, તો બીજી તરફ 1633 નાની ઉંમરની સગર્ભાવસ્થાઓ તંત્રની નબળાઈ દર્શાવે છે. બાળલગ્ન અટકાવવા મહિલા-બાળ વિકાસ વિભાગ મારફતે સતત પ્રયાસોગજ્જરનું કહેવું છે કે, બાળલગ્ન અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય, શિક્ષણ અને મહિલા-બાળ વિકાસ વિભાગ મારફતે સતત પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ ઘણા વિસ્તારોમાં માતા-પિતા પૈસાની લાલચ, સામાજિક રીવાજો અને પરંપરાઓ, તેમજ બાળલગ્ન પ્રતિબંધક કાયદાની પૂરતી જાણકારી ન હોવાના કારણે દીકરા-દીકરીઓના નાની ઉંમરે લગ્ન કરાવી દે છે. ખાસ કરીને ટ્રાયબલ અને શ્રમજીવી પરિવારોમાં આર્થિક તંગી અને સમાજના દબાણને કારણે બાળકોની ઇચ્છા વિરુદ્ધ પણ લગ્ન કરાવવાના બનાવો સામે આવી રહ્યા છે. ગજ્જરના જણાવ્યા મુજબ, જ્યાં સુધી માતા-પિતા અને સમાજમાં વ્યાપક જાગૃતિ નહીં આવે, ત્યાં સુધી બાળલગ્ન પર સંપૂર્ણ રોક લગાવવી પડકારરૂપ રહેશે. હવે જોવાનું રહ્યું કે, આ ચોંકાવનારા આંકડાઓ બાદ સરકાર માત્ર તપાસ સુધી સીમિત રહેશે કે બાળલગ્ન સામે ખરેખર કડક કાર્યવાહી કરશે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 1:13 pm

સાપુતારા વિન્ટર ફેસ્ટિવલમાં ઈશાની દવેનો સંગીતમય કાર્યક્રમ:ઈશાનીના મધુર સ્વરે પ્રવાસીઓ આનંદમાં ઝૂમી ઉઠ્યા, ફેસ્ટિવલ યાદગાર બન્યો

સાપુતારા વિન્ટર ફેસ્ટિવલ-2025માં જાણીતી ગુજરાતી ગાયિકા ઈશાની દવેના કાર્યક્રમે સંગીતમય માહોલ સર્જ્યો હતો. તેમના મધુર અને શક્તિશાળી અવાજે લોક તથા આધુનિક સંગીતની અનોખી રજૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રવાસીઓ આનંદમાં ઝૂમી ઉઠ્યા હતા, જેનાથી ફેસ્ટિવલ યાદગાર બન્યો હતો. ઈશાની દવે ગુજરાતી લોક અને આધુનિક સંગીત ક્ષેત્રે જાણીતું નામ છે. તેઓ ગુજરાતી સંગીત ઉદ્યોગમાં પોતાની અનોખી ગાયકી અને સંગીત માટે વિશેષ ઓળખ ધરાવે છે. અમદાવાદ, ગુજરાતમાં જન્મેલા ઈશાની દવેએ બાળપણથી જ ગાવાની શરૂઆત કરી હતી અને આજે તેઓ ગુજરાતી સંગીત જગતમાં એક અગ્રણી ગાયિકા તરીકે સ્થાપિત થયા છે. નવરાત્રી દરમિયાન તેમના ગરબા અને લોકગીતો ખાસ લોકપ્રિય બને છે. કાનુડા જેવા ગીતો દ્વારા તેમણે શ્રોતાઓમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. પરંપરાગત ગુજરાતી લોકસંગીતને આધુનિક શૈલીમાં રજૂ કરવાની તેમની કળા યુવા પેઢીમાં ખૂબ આકર્ષણ જગાવે છે. સાપુતારા ફેસ્ટિવલમાં પણ તેમણે લોકગીતો અને ગરબાની પ્રસ્તુતિ કરીને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. વિવિધ લાઈવ સ્ટેજ શો અને ગરબા ઇવેન્ટ્સમાં તેમની ઊર્જાવાન રજૂઆત માટે ઈશાની દવે જાણીતા છે. તેમના કાર્યક્રમ દરમિયાન સમગ્ર મેદાન તાળીઓ અને નૃત્યથી ગુંજી ઉઠ્યું હતું. પ્રવાસીઓ, સ્થાનિક નાગરિકો અને સંગીતપ્રેમીઓએ એકસાથે સંગીતનો આનંદ માણ્યો હતો. સાપુતારા વિન્ટર ફેસ્ટિવલમાં ઈશાની દવેની ઉપસ્થિતિએ કાર્યક્રમને નવી ઊંચાઈ બક્ષી હતી. સંગીત, નૃત્ય અને ઉત્સાહથી ભરપૂર આ સાંજ પ્રવાસીઓ માટે યાદગાર બની રહી હતી, જ્યાં ઈશાની દવેના મધુર સ્વરે સૌના દિલ જીતી લીધા.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 12:52 pm

'મહિલા વિરોધી માનસિકતા, અસભ્ય વર્તન અને ત્રાસથી કંટાળ્યા':સુરત શહેર કોંગ્રેસ-પ્રમુખની મનમાની સામે મહિલા મોરચાના 11 સભ્યના રાજીનામા

સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. સુરત શહેર કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી અને વિવાદો વકરતા પક્ષમાં મોટું ભંગાણ સર્જાયું છે. શહેર પ્રમુખની કાર્યશૈલી સામે વિરોધ નોંધાવી મહિલા મોરચાની 11 હોદ્દેદારોએ સામૂહિક રાજીનામા ધરી દેતા કોંગ્રેસમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ગંભીર આક્ષેપો સાથે રાજીનામાનો દોરમહિલા કાર્યકર્તાઓએ પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગીતા પટેલને ઉદ્દેશીને મોકલેલા રાજીનામામાં ગંભીર આક્ષેપો કર્યા છે. મહિલાઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલાની માનસિકતા મહિલા વિરોધી છે. કાર્યકર્તાઓ સાથે તેમનું વર્તન અસભ્ય અને અપમાનજનક રહેતું આવ્યું છે. તેમના દ્વારા સતત કરવામાં આવતા માનસિક ત્રાસ અને મનસ્વી નિર્ણયોથી કાર્યકર્તાઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લાંબા સમયથી ચાલતો અસંતોષ સપાટી પર આવ્યોસૂત્રોના જણાવ્યા અનુસાર, વિપુલ ઉધનાવાલા જ્યારે શહેર પ્રમુખ બન્યા ત્યારથી જ પક્ષના જૂના અને વફાદાર કાર્યકર્તાઓમાં અસંતોષ જોવા મળતો હતો. અગાઉ પણ અનેક કાર્યકર્તાઓએ તેમની મનમાની અને કાર્યશૈલી બાબતે પ્રદેશ કક્ષાએ રજૂઆતો કરી હતી, પરંતુ કોઈ નક્કર ઉકેલ ન આવતા અંતે મહિલા કાર્યકર્તાઓએ આકરો નિર્ણય લીધો છે. ચૂંટણી ટાણે જ પક્ષની છબી ખરડાઈએક તરફ કોંગ્રેસ આગામી મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સંગઠન મજબૂત કરવાના દાવા કરી રહી છે, ત્યારે બીજી તરફ સંગઠનના મુખ્ય સ્તંભ ગણાતી મહિલા પાંખમાં સર્જાયેલો આ બળવો પક્ષ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. 11 સભ્યોના એકસાથે રાજીનામા પડતા હાઈકમાન્ડ પણ દોડતું થયું છે. હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ નેતૃત્વ સુરત કોંગ્રેસના આ આંતરિક વિખવાદને ડામવા માટે કેવા પગલાં ભરે છે અને વિપુલ ઉધનાવાલા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 12:49 pm

માનસિંગ પરમાર ગુજરાત બક્ષીપંચ મોરચાના પ્રમુખ બન્યા:ગીર સોમનાથના યુવા નેતાને જગદીશ વિશ્વકર્મા દ્વારા પ્રદેશ સ્તરે મોટી જવાબદારી સોંપાઈ

ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ ભાજપ અધ્યક્ષ અને યુવા નેતા માનસિંગ પરમારને ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પાર્ટીએ ઓબીસી સમાજને સંગઠિત કરીને રાજકીય રીતે વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી પરમારને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. નિમણૂક બાદ માનસિંગ પરમાર સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો. સંજય પરમાર, યુવા નેતા હાર્દિકસિંહ ઝાલા, શહેર મહામંત્રી મૌલિક વૈયાટા, તાલુકા પંચાયત સદસ્ય નારણ બારડ, કેતન બારડ અને હરેશ સોલંકી સહિત ભાજપ સંગઠનના અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પરમારનું અભિવાદન કર્યું હતું. આ અવસરે માનસિંગ પરમારે જણાવ્યું હતું કે રાજ્યમાં અંદાજે 60 ટકા જેટલી ઓબીસી વસ્તી છે. પાર્ટીએ તેમના પર વિશ્વાસ વ્યક્ત કરીને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. તેમણે ઉમેર્યું કે, આગામી દિવસોમાં સૌને સાથે રાખીને ઓબીસી સમાજને સંગઠિત કરવામાં આવશે. માનસિંગ પરમારે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ ગામડાથી લઈને શહેર સુધી વધારવાનો સતત પ્રયાસ કરાશે. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ, ત્યારબાદ વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં ભાજપને વધુ મજબૂત બનાવવામાં આ મોરચો મહત્વની ભૂમિકા ભજવશે. તેમણે સંગઠન, સમર્પણ અને સેવા ભાવના સાથે કાર્ય કરીને પાર્ટીને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 12:49 pm

ઓઇલ ભરેલા ટેન્કરમાથી ઓઇલ ચોરી કરતો શખ્સ ઝડપાયો:24 લાખનો મુદ્દામાલ જપ્ત, જોટાણાના માકણજ ગામે મળતીયાઓ સાથે મળીને ચોરી કરતો

મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના માંકણજ ગામે સાંથલ પોલીસ દ્વારા ક્રૂડ ઓઇલની ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.સાંથલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ. વરચંદ અને તેમનો સ્ટાફ રાત્રિ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન તેમને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ સફળ કાર્યવાહી કરવામાં આવી છે. ટેન્કરમાંથી ઓઇલ કાઢી ટ્રકના ટાંકામાં ભરી રહ્યો હતો ને ઝડપાયોપોલીસને મળેલી બાતમી મુજબ માંકણજ ગામનો રહેવાસી શૈલેષસિંહ ઉર્ફે શલુભા નવલસિંહ ઝાલા,જે ઓ.એન.જી.સી.ના ક્રૂડ ઓઇલ ભરેલા ટેન્કરમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. તે પોતાના ગામમાં ટેન્કર ઊભું રાખી તેમાંથી ઓઇલની ચોરી કરી રહ્યો હતો. આ શખ્સ પોતાના મળતીયાઓ સાથે મળીને ટેન્કરમાંથી ઓઇલ કાઢી ટ્રકમાં ગોઠવેલા ટાંકામાં ભરી રહ્યો હોવાની માહિતી મળતા પોલીસે માંકણજ ગામે દરોડો પાડ્યો હતો. 24 લાખનો મુદ્દામાલ જપ્તઆ રેઇડ દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી ચોરીનું 10,000 લિટર ક્રૂડ ઓઇલ ઝડપી પાડ્યું હતું, જેની કિંમત અંદાજે 4 લાખ રૂપિયા થાય છે. આ ઉપરાંત પોલીસે 5 લાખની કિંમતની ટ્રક નંબર GJ-09-Y-8245 15 લાખની કિંમતનું ટેન્કર નંબર GJ-18-BW-3562 મોબાઈલ ફોન અને રોકડ રકમ મળીને કુલ 24,03,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એક શખ્સ ઝડપાયો, વોન્ટેડ આરોપીઓની શોધખોળઆ કાર્યવાહીમાં પોલીસે નંદાસણના સૈયદવાસમાં રહેતા અસદુલ્લા મહંમદહુસૈન ગુલાબનબી સૈયદ નામના એક શખ્સની ધરપકડ કરી છે.જ્યારે મુખ્ય આરોપી શૈલેષસિંહ ઝાલા, મંડાલીનો ઇમરાન રહીમખાન પઠાણ અને નંદાસણનો અસલમ યુનુસભાઇ સૈયદ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે આ તમામ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને વોન્ટેડ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 12:36 pm

નવસારીમાં પ્રથમવાર મહાનગરપાલિકા દ્વારા કાઈટ ફેસ્ટિવલ:10 થી 14 જાન્યુઆરી, વિજેતાઓને મળશે આકર્ષક ઇનામ

નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત 'કાઈટ ફેસ્ટિવલ'નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 10 થી 14 જાન્યુઆરી દરમિયાન યોજાનારા આ મહોત્સવમાં પતંગ રસિયાઓ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત રહેશે. આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જશે તેવી અપેક્ષા છે. દક્ષિણ ગુજરાતની ઉત્સવપ્રિય જનતા માટે ઉતરાયણનો તહેવાર હંમેશા ખાસ રહ્યો છે. આ વર્ષે નવસારી મહાનગરપાલિકાએ આ મહોત્સવના માધ્યમથી શહેરના સાંસ્કૃતિક વારસા અને તહેવારોની રોશનીને નવી ઊંચાઈ આપવાનો પ્રયાસ કર્યો છે. આ આયોજનને લઈને પતંગ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પતંગ મહોત્સવમાં સહભાગી થવા ઈચ્છુક પતંગબાજો માટે નવસારી મહાનગરપાલિકાએ ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી છે. શહેરીજનોએ નિયત કરેલી લિંક પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ ફેસ્ટિવલમાં માત્ર પતંગ ચગાવવા જ નહીં, પરંતુ પોતાની કળા પ્રદર્શિત કરનાર પતંગબાજોને પ્રોત્સાહિત કરવા માટે પણ યોજના રાખવામાં આવી છે. શ્રેષ્ઠ દેખાવ કરનાર ટોપ-3 વિજેતાઓને આકર્ષક ઇનામો આપી સન્માનિત કરવામાં આવશે. દક્ષિણ ગુજરાતમાં ઉતરાયણનો ક્રેઝ જોતાં, નવસારીનો આ પ્રથમ કાઈટ ફેસ્ટિવલ સ્થાનિકો તેમજ પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 12:35 pm

ભરૂચમાં કોંગ્રેસનો 141મો સ્થાપના દિવસ ઉજવાયો:જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ધ્વજવંદન અને કાર્યક્રમ યોજાયો

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો 141મો સ્થાપના દિવસ 28 ડિસેમ્બરના રોજ ઉજવાયો હતો. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં પક્ષના ધ્વજનું આરોહણ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી અને ઝુબેર પટેલ સહિત અનેક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 28 ડિસેમ્બર, 1885ના રોજ મુંબઈની ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત કોલેજમાં થઈ હતી. કોલકાતાના વ્યોમેશચંદ્ર બેનરજી પક્ષના પ્રથમ પ્રમુખ હતા, જ્યારે નિવૃત્ત અંગ્રેજ અધિકારી એ.ઓ. હ્યુમ સ્થાપક સભ્યોમાંના એક હતા. સ્થાપના દિવસ નિમિત્તે આગેવાનોએ દેશની આઝાદીમાં કોંગ્રેસના યોગદાનને યાદ કર્યું હતું અને લોકશાહી મૂલ્યોને મજબૂત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 12:34 pm

દારૂ-બાઈટિંગથી લઈને પીવા સુધીની તમામ વ્યવસ્થા!:પતરાના શેડમાં પડદા પાછળ ધમધમતા બારનો વીડિયો સામે આવ્યો; 3 દિવસમાં બે જનતા રેડ, સુરત પોલીસની નિષ્ક્રિયતા છતી

ગુજરાતમાં કાગળ પર દારૂબંધી છે, પરંતુ સુરતની વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. સુરતમાં છેલ્લા ત્રણ દિવસમાં જે રીતે લોકોએ કાયદો હાથમાં લઈને દારૂના બે અડ્ડાઓ પર 'જનતા રેડ' કરી છે, તેણે પોલીસની કામગીરી સામે ગંભીર પ્રશ્નાર્થો ઉભા કર્યા છે. હાલમાં જ મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, પતરાના શેડમાં ચારેતરફ પડદા બાંધીને રીતસરનું દારૂનું બાર બનાવવામાં આવ્યું છે. અહીં દારૂ, પાણી-શોડા, બાઈટિંગથી લઈને લોકોને પીવા માટેની સુવિધા આપવામાં આવી રહી છે. એક તરફ સુરત પોલીસ ડ્રોન ઉડાવીને કાયદો-વ્યવસ્થાને જાળવવાના તાયફાવો કરે છે, પરંતુ શહેરનું ધમધમતા દારૂનો અડ્ડાઓ નજરે નથી પડતાં! મહીધરપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ એન. એચ. બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, આ વીડિયો હાલ જ મારા સુધી પહોંચ્યો છે અને આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ પ્રકારના જુના વીડિયો પણ ફરતા હોય છે, જેથી તપાસ કર્યા બાદ આગળની કાર્યવાહી થશે. 3 દિવસમાં બે મોટી ‘જનતા રેડ’ કરી લોકોએ પોલીસની પોલ ખોલી31st પહેલા સુરતમાં પોલીસની રહેમનજર હેઠળ ચાલતા દારૂના વ્યવસાયની પોલ સામાન્ય જનતા ખોલી રહી છે. 23 ડિસેમ્બરના રોજ ભેસ્તાનના ભગવતીનગર વિસ્તારમાં લોકોએ દારૂના અડ્ડા પર જનતા રેડ કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે, લોકોએ ગુનો પકડ્યો હોવા છતાં પોલીસ કર્મચારીએ જનતા રેડ કરનારાઓને જ ચોરીનો ગુનો દાખલ કરવાની ધમકી આપી હતી, જે પોલીસ અને બુટલેગર વચ્ચેની મિલીભગત તરફ ઈશારો કરે છે. (વાંચો સંપૂર્ણ સમાચાર) 25 ડિસેમ્બર: પાલ પોલીસ સ્ટેશનની હદમાં બાળકો સાથે મહિલાઓની દારૂના અડ્ડા પર રેડસુરતના પાલનપુર ગામમાં દારૂના દૂષણ અને અસામાજિક તત્ત્વોના ત્રાસથી કંટાળેલી મહિલાઓએ પોલીસની રાહ જોયા વગર જાતે જ મેદાનમાં ઊતરી ‘જનતા રેડ’ કરી બૂટલેગરોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. મહાદેવ ફળિયામાં ચાલતા દેશી દારૂના અડ્ડાને કારણે યુવતીઓની સુરક્ષા જોખમાતી હોવાથી મહિલાઓ રણચંડી બની ત્રાટકી હતી. બૂટલેગરે જ્યારે 'તમને શું નડે છે?' કહી ઉદ્ધતાઈ કરી ત્યારે ઉશ્કેરાયેલી મહિલાઓએ દારૂની પોટલીઓ રસ્તા પર ફેંકી દઈ અડ્ડાનો સોથ વાળી દીધો હતો. કાખમાં માસૂમ બાળકને તેડીને પણ મહિલા આ સાહસિક અભિયાનમાં જોડાઈ હતી. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો) બુટલેગર યજ્ઞેશ સામે 3થી વધુ ગુના છતાં ધંધો ચાલુ!પાલ વિસ્તારમાં જનતા રેડ બાદ પોલીસે જ્યારે બુટલેગર યજ્ઞેશની અટકાયત કરી અને તપાસ કરી, ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ બુટલેગર વિરુદ્ધ અગાઉ 3થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે. સવાલ એ થાય છે કે રીઢો ગુનેગાર હોવા છતાં તે પોલીસની નાક નીચે કેવી રીતે ખુલ્લેઆમ દારૂ વેચી રહ્યો હતો? મહિધરપુરાનો વીડિયો થયો વાઇરલહજુ આ ઘટનાઓ શાંત નથી થઈ ત્યાં મહિધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવતા વસ્તા દેવડી રોડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વીડિયોમાં બુટલેગર કોઈપણ ડર વગર વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યો હોવાનું સ્પષ્ટ નજરે આવી રહ્યું છે. ગ્રાહકો માટે ત્યાં જ બેસીને દારૂ પીવાની (સિટિંગ) સુવિધા પણ પૂરી પાડવામાં આવી રહી છે. જાહેરમાં ચાલતી આ પ્રવૃત્તિ જોઈને લાગે છે કે બુટલેગરોને પોલીસ પ્રશાસનનો કોઈ જ ખોફ રહ્યો નથી. પોલીસની કામગીરી પર ઉઠતા સવાલો31 ડિસેમ્બરની ઉજવણી પહેલા જ સુરત પોલીસની આબરૂના લીરા ઉડી રહ્યા છે. જે કામ પોલીસે કરવાનું હોય છે, તે કામ હવે સામાન્ય જનતા અને મહિલાઓએ કરવું પડી રહ્યું છે. શું પોલીસ ખરેખર અજાણ છે કે પછી જાણીજોઈને આંખ આડા કાન કરી રહી છે? શું ઉચ્ચ અધિકારીઓ આ વિસ્તારના જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે પગલાં લેશે? સ્થાનિક લોકોનો આક્રોશ જણાવી રહ્યો છે કે જો પોલીસ કડક હાથે કામગીરી નહીં કરે, તો આગામી દિવસોમાં જનતા રેડના કિસ્સાઓ હજુ વધી શકે છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 12:29 pm

દેશભરની 36 ટીમો ભાગ લેશે:44મી જુનિયર નેશનલ ખો ખો ચેમ્પિયનશિપ 2025માં ભાગ લેવા માટે ગુજરાતની ટીમ વડોદરા રેલ્વે સ્ટેશનથી બેંગલુરુ જવા રવાના થઈ

44મી જુનિયર નેશનલ ખો ખો ચેમ્પિયનશિપ 2025 બેંગલુરુ ખાતે યોજાનાર છે, જેમાં ગુજરાત ટીમના ખેલાડી ભાઈઓ અને બહેનો આજ રોજ વડોદરા રેલવે સ્ટેશનથી બેંગલુરુ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા રવાના થયા છે. AKFFGના જનરલ સેક્રેટરી, અશોક ગરુડ એ જણાવ્યું હતું કે, 44મી જુનિયર નેશનલ ખો ખો ચેમ્પિયનશિપ 2025 બેંગલુરુ, કર્ણાટક ખાતે તા. 31-12-2025 થી 4-01-2026ના રોજ યોજાનાર છે, જેમાં ભારત દેશના અલગ અલગ રાજ્યોમાંથી 36 ટીમ આવવાની છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ સ્પર્ધામાં ભાઈઓ અને બહેનો ખેલાડીઓ ભાગ લેવાના છે, જે ખુબ આનંદની લાગણી અનુભવાય છે. જેમાં ગુજરાત રાજ્યના ભાઈઓ અને બહેનો ખેલાડી પણ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાના છે. ગુજરાત રાજ્યના 30 ખેલાડી અને 2 કોચ, 2 મેનેજર, 1 ફિઝિયો ભાગ લેવા માટે વડોદરાથી રવાના થયા છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 12:27 pm

યુવરાજસિંહે કૌભાંડની સંભાવના વ્યક્ત કરી છે:PGVCL દ્વારા વિદ્યુત સહાયક, નાયબ અધિક્ષક વહીવટ હિસાબ અને સીનીયર ટેકનીશીયન માટે લેખિત પરીક્ષા 15 કેન્દ્રો પર લેવામાં આવી

પીજીવીસીએલ દ્વારા આજરોજ તા.28.12.2025ના રોજ કુલ 15 કેન્દ્રો પર 7330 ઉમેદવારો માટે વિદ્યુત સહાયકની ભરતી માટેની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત રીઝર્વ કેટેગરીની ખાલી જગ્યાઓ માટે 3 કેડર કે જેમાં નાયબ અધિક્ષક વહીવટ, નાયબ અધિક્ષક હિસાબ તેમજ સીનીયર ટેકનીશીયનની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આજ રોજ લેવાઈ રહેલ પરીક્ષામાં કૌભાંડ થવાની આશંકા આપ નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. આ પરીક્ષાના સંચાલન માટે પીજીવીસીએલનાં ક્લાસ 1 અને ક્લાસ 2 કક્ષાના કુલ 30 અધિકારીઓની ફાળવણી તમામ 15 કેન્દ્રો પર જરૂરી સુપરવિઝન અર્થે કરવામાં આવી છે. જેમાં ક્લાસ 1 અધિકારીઓને દરેક કેન્દ્રો પર મોનીટરીંગના હેતુસર ફલાયિંગ સ્કોડ તરીકેની જવાબદારી સોપવામાં આવી છે. પરીક્ષાના દરેક કેન્દ્રો પર 2 SRPની ફાળવણી પણ કરવામાં આવી છે અને પરીક્ષા સી.સી.ટી.વી. ધરાવતા ક્લાસરૂમની અંદર આયોજિત કરવામાં આવી છે. પરીક્ષાર્થી પરેશ બારૈયાએ જણાવ્યું હતું કે, આજે PGVCL ની પરીક્ષા છે હું ઘણા સમયથી તૈયારી પણ કરી રહ્યો છું. જયારે કોલ લેટર લેવા ગયો ત્યારે મારો અકસ્માત થયો છે જેથી ડાબા હાથે ઇજા પહોંચી છે. નોકરીની જરૂરિયાત છે એટલે આજે કોઈ પણ રીતે પરીક્ષા આપવા માટે પહોંચ્યો છે. હું છેલ્લા 3-4 વર્ષથી દરેક સરકારી પરીક્ષા આપી રહ્યો છું. આપ નેતા યુવરાજસિંહ જાડેજાએ આ ભરતીમાં કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી જે સાંભળી પોતાને પણ દુઃખ થયું છે કારણ કે આટલા સમયથી મહેનત કરતા હોય અને એવું થાય તો દુઃખ જરૂર થાય છે. સૌરાષ્ટ્રભરમાંથી આજે આ ભરતી માટે ઉમેદવારો પરીક્ષા આપવા આવી પહોંચ્યા હતા. 10 વાગ્યાથી પરીક્ષાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ 11 વાગ્યાથી શરૂ કરી 1 વાગ્યા સુધી સીસીટીવી કેમેરા હેઠળ પરીક્ષા લેવામાં આવી રહી છે. આ પરીક્ષા PGVCL દ્વારા એજન્સીને લેવા માટે જવાબદારી સોંપવામાં આવી છે. જો કે આ પરીક્ષાઓમાં કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવે છે તો ઉમેદવારો દ્વારા આ પરીક્ષા પણ ગૌણ સેવા આયોગ દ્વારા લેવામાં આવે તેવી અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે આજ રોજ લેવાઈ રહેલ પરીક્ષામાં કૌભાંડ થવાની આશંકા આપ નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 12:27 pm

કલોલમાં શાળાએ જતી કિશોરીની છેડતી કરનાર રોમિયોને અભયમનો પરચો:પાડોશીના પુત્ર એ હેરાન-પરેશાન કરી હતી, 181 ટીમે માફી મંગાવી મામલો થાળે પાડ્યો

કલોલ તાલુકામાં એક 15 વર્ષની કિશોરીનો રસ્તો રોકી અશોભનીય ઈશારા કરી હેરાન કરતા પાડોશી યુવકને 181 અભયમ ટીમે કાયદાનું ભાન કરાવ્યું છે. વારંવાર સમજાવવા છતાં ન સુધરતા યુવક સામે પરિવારે અભયમની મદદ માંગી હતી. ટીમે સ્થળ પર પહોંચી યુવકને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો ફરી આવી હરકત કરી તો સીધા જેલમાં જવું પડશે. અંતે યુવકે ભૂલ સ્વીકારી લેખિત ખાતરી આપતા બંને પક્ષે સુખદ સમાધાન થયું હતું. સગીરાને રસ્તામાં રોકી અશોભનીય ઈશારા કરી હેરાન કરતો પાડોશીશાળાએ જતી દીકરીઓની સુરક્ષા માટે કાર્યરત 181 અભયમ હેલ્પલાઈન ફરી એકવાર વરદાન સાબિત થઈ છે. કલોલ તાલુકાની એક 15 વર્ષીય સગીરાને રસ્તામાં રોકી અશોભનીય ઈશારા કરી હેરાન કરતા પાડોશીના યુવકને અભયમ ટીમે કડક શબ્દોમાં સમજાવી કાયદાકીય કાર્યવાહીની ચીમકી આપતા રોમિયોના હોશ ઉડી ગયા હતા. યુવકની હેરાનગતી ચાલુ રહેતા અંતે દીકરીએ હિંમત દાખવી કલોલ તાલુકાની 15 વર્ષની દીકરીએ અભયમ હેલ્પલાઈન પર કોલ કરીને પોતાની વ્યથા ઠાલવી હતી. તેણે જણાવ્યું હતું કે, જ્યારે તે સ્કૂલે જાય છે ત્યારે પાડોશમાં રહેતો એક યુવક વારંવાર તેનો રસ્તો રોકે છે અને તેની સાથે વાત કરવાની કોશિશ કરી ખોટી રીતે હેરાન કરે છે. આ બાબતે સગીરાના પરિવારે અગાઉ પાડોશીને જાણ કરી હતી, પરંતુ ઉકેલ આવવાને બદલે બંને પક્ષે ઝગડો થયો હતો. સમજાવટ છતાં યુવકની હેરાનગતી ચાલુ રહેતા અંતે દીકરીએ હિંમત દાખવી અભયમની મદદ માંગી હતી. અભયમ ટીમે યુવકને કડક ચેતવણી આપીઆ કોલ મળતાની સાથે જ અભયમ ટીમ તાત્કાલિક આપેલા સરનામે પહોંચી હતી. અને ટીમે પાડોશીના ઘરે જઈ યુવકને રૂબરૂમાં બોલાવ્યો હતો અને તેની કરતૂતો સામે કાયદાની ગંભીરતા સમજાવી હતી. અભયમ ટીમે કડક ચેતવણી આપી હતી કે જો હવે પછી દીકરીની પજવણી કરવામાં આવશે તો કાયદેસર કાર્યવાહી કરી જેલ ભેગો કરી દેવામાં આવશે. 181 ટીમે માફી મંગાવી મામલો થાળે પાડ્યોત્યારે પોલીસ કાર્યવાહીના ડર અને અભયમ ટીમની સમજાવટ બાદ રોમિયો યુવક ફફડી ઉઠ્યો હતો. અને તેણે પોતાની ભૂલ સ્વીકારી ભવિષ્યમાં આવી ભૂલ ક્યારેય નહીં કરવાની ખાતરી આપી હતી. બીજી તરફ મદદ માંગનાર દીકરી અને તેના માતા-પિતાએ ઉદારતા દાખવી યુવકનું ભવિષ્ય ન બગડે તે હેતુથી તેને સુધરવાનો એક મોકો આપવાનું નક્કી કર્યું હતું. અંતે અભયમ ટીમે બંને પક્ષોને યોગ્ય માર્ગદર્શન આપી આ મામલાનો સુખદ અંત લાવવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 12:15 pm

મોરબી મ્યુનિસિપલ કમિશનર બાળકો સાથે રમ્યા શેરી રમતો:ધમાલ ગલીમાં લંગડી, સાપ સીડી, લીંબુ ચમચીનો આનંદ માણ્યો

મોરબી મહાનગરપાલિકા અને રોટરી ક્લબ દ્વારા આજે મોરબીના શનાળા રોડ પર આવેલા સરદાર બાગમાં ધમાલ ગલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શેરી રમતોને ફરી જીવંત કરવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મોરબી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે, ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા અને સંજય સોની સહિતના અધિકારીઓ પણ બાળકો સાથે બાળક બનીને રમતોમાં જોડાયા હતા. કમિશનર સ્વપ્નિલ ખરેએ લંગડી, સાપ સીડી અને ભમરડા ફેરવવા જેવી રમતો બાળકો સાથે રમી હતી. વર્તમાન મોબાઈલ યુગમાં બાળકો શેરી રમતો ભૂલી ગયા છે. અગાઉના સમયમાં બાળકો લખોટી, થપો, ટાયર ફેરવવા, છાપું, લંગડી, આંધળોપાટો, કોથળા દોડ, ધમાલિયો ધોકો અને ભમરડા ફેરવવા જેવી રમતો રમીને આનંદ કરતા હતા, જે હવે શેરીઓમાં ભાગ્યે જ જોવા મળે છે. આ ભુલાઈ ગયેલી રમતોને ફરીથી લોકપ્રિય બનાવવાના પ્રયાસરૂપે, ધમાલ ગલીમાં બાળકોએ કોથળા દોડ, ધમાલિયો ધોકો, ભમરડો, લંગડી, આંધળોપાટો, લખોટી, સાપસીડી અને દોરડા કૂદ જેવી વિવિધ શેરી રમતોનો આનંદ માણ્યો હતો. સિનિયર સિટીઝનોએ પણ પોતાનું બાળપણ યાદ કરીને મજા માણી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રોટરી ક્લબના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 12:07 pm

ચોટીલા ડુંગર પર છઠ્ઠી રાજ્યકક્ષાની સ્પર્ધા:30 ડિસેમ્બરે આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે, સાહસવીરો શક્તિ પ્રદર્શન કરશે

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે 30 ડિસેમ્બર, 2025ના રોજ છઠ્ઠી રાજ્યકક્ષાની ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કમિશનર - ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર - સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે આ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ ગુજરાતભરના જુનિયર સાહસવીર ભાઈઓ અને બહેનોને સાહસિક પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહિત કરવાનો છે. સ્પર્ધાનો પ્રારંભ સવારે 7 કલાકે થશે, જ્યારે વિજેતા ખેલાડીઓ માટે સવારે 10 કલાકે ચોટીલા તળેટી ખાતે ઈનામ વિતરણ સમારોહ યોજાશે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ, ધારાસભ્યો શામજીભાઈ ચૌહાણ, પી. કે. પરમાર, કિરીટસિંહ રાણા, પ્રકાશભાઈ વરમોરા સહિતના મહાનુભાવો અતિથિ વિશેષ તરીકે હાજર રહેશે. સુરેન્દ્રનગર કલેકટર કે.એસ. યાજ્ઞિક અને પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું પણ સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા ઉપસ્થિત રહેશે. 30 ડિસેમ્બર, 2025ના રોજ સવારે 7 કલાકે મહાનુભાવો દ્વારા સ્પર્ધકોને ફ્લેગઓફ આપી પ્રસ્થાન કરાવવામાં આવશે. સ્પર્ધા પૂર્ણ થયા બાદ સવારે 10 કલાકે વિજેતા ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે. સ્પર્ધાના દિવસે, 30 ડિસેમ્બર, 2025ના રોજ સવારે 6 થી 10 કલાક દરમિયાન ચોટીલા ડુંગર પર યાત્રાળુઓને ચડવા-ઉતરવા કે સ્પર્ધાના રૂટમાં આવતા પગથિયાઓ પર અવર-જવર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તંત્ર અને આયોજકો દ્વારા ચોટીલા આવતા તમામ યાત્રાળુઓ, ભક્તજનો અને નાગરિકોને આ અંગે જાણ કરી સહયોગ આપવા વિનંતી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 11:15 am

અમરેલીમાં 31 ડિસેમ્બર માટે 31 ચેકપોસ્ટ ઊભી કરાશે:નશાખોરી રોકવા ફાર્મ હાઉસ, રિસોર્ટ પર પણ પોલીસની વોચ

અમરેલી જિલ્લામાં 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે. જિલ્લા પોલીસ વડાની સૂચના બાદ નશાખોરી રોકવા માટે સઘન વાહન ચેકિંગ અને ફાર્મ હાઉસ તેમજ રિસોર્ટ પર વોચ રાખવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું કે, 31 ડિસેમ્બરની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય અને નશાખોરી અટકાવી શકાય તે માટે ખાસ બંદોબસ્ત યોજના બનાવવામાં આવી છે. આ અંતર્ગત સમગ્ર જિલ્લામાં 31 જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. આ ચેકપોસ્ટ પર રાઉન્ડ-ધ-ક્લોક પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વાહનચાલકો નશાની હાલતમાં છે કે કેમ, તેની સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અમરેલી સિટી પોલીસે પણ મોડી રાત્રે DYSP ચિરાગ દેસાઈ અને PI ડી.કે. વાઘેલાના નેતૃત્વ હેઠળ શહેરના મુખ્ય માર્ગો પર ચેકિંગ શરૂ કર્યું છે. જિલ્લા પોલીસ વડાએ વધુમાં જણાવ્યું કે, અમરેલી જિલ્લાને દરિયાઈ અને જંગલ વિસ્તાર અડીને આવેલો છે, તેમજ નજીકમાં કેન્દ્રીય શાસિત પ્રદેશ પણ છે. આ કારણોસર 31 ડિસેમ્બરની ઉજવણીના બહાને કેફી પીણાં કે ડ્રગ્સનું સેવન વધવાની શક્યતા રહે છે, જેને રોકવા માટે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. પોલીસ દ્વારા હોટલ, ફાર્મ હાઉસ અને રિસોર્ટ પર SOG અને LCBની ટીમો દ્વારા પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા પોલીસ વડાએ નાગરિકોને અપીલ કરી છે કે, તેઓ પરિવાર સાથે શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરે, પરંતુ કેફી પીણાં કે ડ્રગ્સ જેવી બાબતોથી દૂર રહે. નશાખોરી કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 11:14 am

ભરૂચમાં અયૈપ્પા ભગવાનની 47મી વાર્ષિક શોભાયાત્રા યોજાઈ:કેરાલીયન સમાજના હજારો લોકો ભક્તિભાવથી જોડાયા

ભરૂચ શહેર અને જિલ્લામાં વસતા કેરાલીયન સમાજ દ્વારા ભગવાન અયૈપ્પાના 47મા વાર્ષિક પૂજા મહોત્સવ અંતર્ગત શનિવારે સાંજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ સમાજના લોકો વાદ્યોના સંગીત સાથે ભક્તિભાવપૂર્વક જોડાયા હતા. દર વર્ષે ડિસેમ્બરમાં યોજાતી આ પરંપરાગત શોભાયાત્રામાં મોટી સંખ્યામાં કેરાલીયન સમાજના ભક્તો ઉમટી પડે છે. આ વર્ષે શોભાયાત્રા શહેરના કસક સર્કલથી શરૂ થઈ હતી. જેમાં પરંપરાગત વાદ્યોનો નાદ, હાથી, તૈયમ, તાલાપોલી (પૂજાની થાળી) અને આકર્ષક લાઇટિંગ જેવી ભવ્ય વ્યવસ્થા સાથે ઝાડેશ્વર રોડ પર આવેલા અયૈપ્પા મંદિર સુધી પહોંચી હતી. શોભાયાત્રા દરમિયાન હજારોની સંખ્યામાં કેરાલીયન સમાજના લોકો પોતાના પરંપરાગત પહેરવેશમાં ભગવાન અયૈપ્પાના વિવિધ રૂપો ધારણ કરીને જોડાયા હતા. આનાથી સમગ્ર શહેરમાં ઉત્સવમય અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. શોભાયાત્રા મંદિર પહોંચ્યા બાદ ભજન, મહાપ્રસાદી અને મહાઆરતીનું આયોજન કરાયું હતું. આ પહેલા સવારે મંદિર પરિસરમાં ગણપતિ હોમ અને અભિષેક વિધિ પણ ધાર્મિક શ્રદ્ધા અને ઉત્સાહ સાથે સંપન્ન થઈ હતી.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 10:52 am

અમરેલીના હિરેન હીરપરા ગુજરાત કિસાન મોરચા પ્રમુખ બન્યા:યુવા ભાજપ નેતાની પ્રદેશ કિસાન મોરચાના સર્વોચ્ચ પદ પર નિમણૂક

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા વિવિધ મોરચાની નિમણૂકોમાં યુવા ચહેરાઓને પ્રાધાન્ય અપાયું છે. આ અંતર્ગત અમરેલી જિલ્લાના લેઉવા પાટીદાર સમાજમાંથી આવતા ખેડૂત નેતા હિરેન હીરપરાને ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ અગાઉ ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. હિરેન હીરપરાએ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ખેડૂત નેતા તરીકેની ઓળખ ઊભી કરી છે. તેમણે ખેડૂતોના પ્રશ્નોને સરકાર અને સંગઠન સમક્ષ સતત અને હકારાત્મક રીતે રજૂ કર્યા છે. રાજ્યભરમાં ખેડૂતોની મુલાકાત લઈ, વિવિધ ખેતી પદ્ધતિઓ અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતા તેમના વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર જોવા મળતા હતા. તેમની નિમણૂકથી ખેડૂતો અને કાર્યકરોમાં આનંદની લાગણી પ્રસરી છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દિતલા ગામના વતની હિરેન કનુભાઈ હીરપરા એલ.એલ.બી. શિક્ષિત યુવાન છે અને લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે. તેઓ સ્થાનિક સહકારી સહિત 6 જેટલી સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે. તેમની રાજકીય કારકિર્દી વર્ષ 2009માં ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં ધારી તાલુકા યુવા ભાજપ પ્રમુખ તરીકે શરૂ થઈ હતી. ત્યારબાદ, 2013માં અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ, 2016માં ગુજરાત પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી, 2020માં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અને 2021માં ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી તરીકે તેમણે સેવા આપી હતી. 2025ના અંતિમ દિવસોમાં તેમને ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખનું પદ સોંપવામાં આવ્યું છે. પાટીદાર સમાજમાંથી આવતા યુવા ચહેરા અને સંગઠનમાં તેમની સક્રિય કામગીરીને કારણે અગાઉ ધારી વિધાનસભા અને અમરેલી લોકસભા બેઠકની ચૂંટણીઓમાં તેમનું નામ ચર્ચામાં રહ્યું હતું. ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ તરીકેની તેમની નિમણૂકને કાર્યકરો અને ખેડૂતોએ ઉમળકાભેર આવકારી છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 10:51 am

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની તબિયત નાદુરસ્ત:સારવારમાં હોવાથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની જવાબદારી તાત્કાલિક CM ભૂપેન્દ્ર પટેલને સોંપાઈ

રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેઓ હાલ ફરજ બજાવી શકતા નથી. તબીબી સલાહ અનુસાર તેઓ આરામ અને સારવાર હેઠળ હોવાથી રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની જવાબદારી તાત્કાલિક રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપવામાં આવી છે. તમામ જવાબદારી-નિર્ણય મુખ્યમંત્રી લેશેસરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોગ્ય વિભાગની રોજિંદી કામગીરી, મહત્વના નિર્ણય અને ચાલી રહેલી યોજનાઓ પર કોઈ અસર ન પડે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. આરોગ્ય સેવાઓ યથાવ્ રીતે ચાલુ રહેશે અને તમામ વહીવટી નિર્ણય મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવશે. તબિયતમાં સુધારા બાદ ફરી પાનસેરિયા ફરજ સંભાળશેમંત્રી પ્રફુલ પાનસેરિયાની તબિયતમાં સુધારો આવ્યા બાદ તેઓ ફરી ફરજ સંભાળશે. ત્યાં સુધી આરોગ્ય વિભાગનું સંચાલન મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 10:44 am

કાંકરિયા કાર્નિવલ: 3 દિવસમાં 52 બાળકો પરિવારથી વિખૂટા પડ્યા:પોલીસે ડ્રોન-CCTVની મદદથી ગણતરીના કલાકોમાં મિલન કરાવ્યું, ભીડમાં બાળકનું ખાસ ધ્યાન રાખજો !

અમદાવાદના કાંકરિયા ખાતે યોજાઈ રહેલા કાંકરિયા કાર્નિવલ 2025માં સહેલાણીઓની ભારે ભીડ વચ્ચે સુરક્ષાને લઈને પોલીસ સતર્ક બની છે, શરૂઆતના માત્ર ત્રણ જ દિવસમાં 52 જેટલા બાળકો ભીડમાં પોતાના પરિવારથી વિખૂટા પડી ગયા હતા. જોકે, અમદાવાદ પોલીસની સતર્કતા અને હાઈટેક સર્વેલન્સને કારણે ગણતરીના કલાકોમાં જ આ તમામ બાળકોને શોધી કાઢી તેમના માતા-પિતા સાથે મિલન કરાવવામાં આવ્યું હતું. 6 અત્યાધુનિક ડ્રોન અને 3 હાઈ-ટેક કંટ્રોલ રૂમ દ્વારા થઈ રહેલા મોનિટરિંગને પગલે બાળકો જ નહીં, પરંતુ ખોવાયેલા કિંમતી વસ્તુ પણ મુલાકાતીઓને પરત અપાવવામાં આવી છે. મનપા અને પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, ભારે ભીડમાં પોતાના બાળકો અને કિંમતી ચીજવસ્તુઓનું ખાસ ધ્યાન રાખે. ત્રણ દિવસમાં 52 બાળકો માતા-પિતાથી વિખૂટા પડ્યાકાંકરિયા કાર્નિવલમાં રોજના 50 હજારથી વધારે લોકો આવી રહ્યા છે. જેમાં 25 ડિસેમ્બરથી લઈને 27 ડિસેમ્બર સુધીના 3 દિવસમાં કાંકરિયા કાર્નિવલ ખાતે કુલ 52 જેટલા બાળકો વિખૂટા પડી ગયા હતા. ત્યારે માતા-પિતા દ્વારા કાંકરિયા કાર્નિવલ ખાતે શરૂ કરવામાં આવેલા પોલીસ કંટ્રોલરૂમમાં પોતાનું બાળક વિખૂટું પડી ગયું હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. જેના પગલે કાંકરિયા પરિસર ખાતે હાજર મિસિંગ સેલના અને અન્ય પોલીસકર્મીઓ અને સીસીટીવી કેમેરાની મદદથી વિખૂટા થયેલા બાળકોને શોધીને તેના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. મુલાકાતીઓની કિંમતી ચીજ વસ્તુ પણ સુપરત કરાઈકાર્નિવલમાં ડ્રોન અને સીસીટીવી કેમેરાની મદદ લેવામાં આવતી હોય છે. કાંકરિયા કાર્નિવલમાં કેટલાક લોકોની કિંમતી ચીજ વસ્તુઓ પણ ખોવાઈ ગઈ હતી. પોલીસની સતર્કતાને કારણે ભીડમાં ખોવાયેલા 1 કિંમતી આઇફોન (IPHONE) અને 2 પર્સ (જેમાં રોકડ રકમ અને મહત્વના દસ્તાવેજો હતા) મળી આવ્યા હતા. પોલીસે તેના અસલ માલિકોની શોધખોળ કરી અને ખાતરી કર્યા બાદ આ સામાન પરત સોંપ્યો હતો. 6 અત્યાધુનિક ડ્રોનથી આકાશમાંથી 350 ડિગ્રી સર્વેલન્સશહેર પોલીસની ઝોન 6ની પોલીસ અને મણીનગર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આખા પરિસરમાં ઠેર-ઠેર પોલીસ કર્મચારીઓ અને સહાયતા કેન્દ્ર મુકવામાં આવ્યા છે. 6 અત્યાધુનિક ડ્રોનથી આકાશમાંથી 350 ડિગ્રી સર્વેલન્સ દ્વારા ભીડ પર સતત બાજ નજર રાખવામાં આવી રહી છે. 3 હાઇ-ટેક કંટ્રોલ રૂમ: સી.સી.ટીવી કેમેરા નેટવર્ક દ્વારા સમગ્ર વિસ્તારનું સતત મોનિટરિંગ થાય છે. મુલાકાતીઓની ત્વરિત મદદ માટે 24 કલાક પોલીસ સહાયતા કેન્દ્ર કાર્યરત કરાયું છે. વિખૂટા પડેલા લોકોને શોધવા માટે ખાસ બે સમર્પિત ટીમોમહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે સાદા ડ્રેસમાં 11 શી ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ કાંકરિયા પરિસરમાં કરવામાં આવે છે. જ્યારે વિખૂટા પડેલા બાળકો અને વ્યક્તિઓને તાત્કાલિક શોધવા માટે ખાસ બે સમર્પિત ટીમોની રચના કરી છે. જે ખૂબ જ ભીડમાં નાના બાળકો પરિવારથી વિખૂટા થઈ જતા હોય છે. તેને પોલીસ દ્વારા શોધીને તેના માતા-પિતાને પરત આપવામાં મદદ કરે છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 10:22 am

બોટાદમાં સ્વામીનારાયણ મંદિરનો 175મો શતામૃત મહોત્સવ શરૂ:આનંદ મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા, બાળકોથી વડીલો સુધી સૌ માટે મનોરંજનની વ્યવસ્થા

બોટાદ શહેરના ગઢડા રોડ પર આવેલા સ્વામીનારાયણ મંદિર દ્વારા 175મો શતામૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અંતર્ગત આનંદ મેળાનું પણ આયોજન કરાયું છે, જેમાં શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમજ નાગરિકો ઉમટી રહ્યા છે. આ મેળામાં નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ માટે મનોરંજનની વ્યવસ્થા ઉપલબ્ધ છે. વિવિધ પ્રકારના ચકડોળ, ઝુલા અને રમતો લોકો માટે મુખ્ય આકર્ષણ બન્યા છે. ખાસ કરીને રાત્રિના સમયે મેળામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. શ્રદ્ધાળુઓ અને નાગરિકોએ આ મેળાનો ઉત્સાહભેર લાભ લીધો હતો. મેળામાં વિવિધ ખાણી-પીણીના સ્ટોલ પણ ગોઠવવામાં આવ્યા છે, જ્યાં મુલાકાતીઓ પરિવાર સાથે વિવિધ વાનગીઓનો સ્વાદ માણી રહ્યા છે. બોટાદના નાગરિકોએ સ્વામીનારાયણ મંદિર દ્વારા આયોજિત આ કાર્યક્રમને સારો પ્રતિસાદ આપ્યો છે. મહોત્સવના આગામી દિવસોમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 10:15 am

નાતાલના મીની વેકેશનમાં સોમનાથમાં ભાવિકોનું ઘોડાપૂર:25 થી 27 ડિસેમ્બરે ત્રણ લાખથી વધુ પ્રવાસીઓ, હોટલો હાઉસફુલ

નાતાલ અને 31મી ડિસેમ્બરના મીની વેકેશન દરમિયાન દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશ-વિદેશના ભાવિકોનો મોટો પ્રવાહ ઉમટી પડ્યો છે. સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, 25 થી 27 ડિસેમ્બર સુધીના ત્રણ દિવસમાં સોમનાથમાં ત્રણ લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા છે. 31 ડિસેમ્બર સુધીમાં આ આંકડામાં હજુ વધારો થવાની શક્યતા છે. ભાવિકોની ભીડને ધ્યાનમાં રાખીને સોમનાથ મંદિર ખાતે દર્શનમાં કોઈ અગવડતા ન પડે તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સુરક્ષા સ્ટાફમાં વધારો કરવામાં આવ્યો છે, સોમેશ્વર પૂજાના સ્લોટ વધારાયા છે અને લાઈટ એન્ડ સાઉન્ડ શોની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. યાત્રિકો માટે પાર્કિંગ સહિતની અન્ય સુવિધાઓમાં પણ વધારો કરાયો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનનું અનેરું મહાત્મ્ય હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ઉમટી રહ્યા છે. સોમનાથ મંદિર ટ્રસ્ટની હોટેલો ઉપરાંત આસપાસની તમામ હોટેલો અને ગેસ્ટહાઉસો સંપૂર્ણપણે બુક થઈ ગયા છે. ગુજરાત બહારના પરપ્રાંતિય પ્રવાસીઓએ આ મીની વેકેશન ગાળવા સૌરાષ્ટ્રભણી પ્રયાણ કર્યું છે. પ્રવાસીઓ માત્ર સોમનાથ જ નહીં, પરંતુ દ્વારકા, સાસણગીર અને સંઘ પ્રદેશ દીવ જેવા સ્થળોની પણ મુલાકાત લઈ રહ્યા છે. સોમનાથ મહાદેવના દર્શન સાથે સાસણગીરમાં સિંહ દર્શન અને દીવના પર્યટન સ્થળોની મુલાકાત લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. દર વર્ષે નાતાલ અને નવા વર્ષના મીની વેકેશન દરમિયાન હજારો અને લાખોની સંખ્યામાં પ્રવાસીઓ સોરઠના પર્યટન સ્થળોની મુલાકાત લે છે. સોરઠ પ્રદેશ વિશ્વ વિખ્યાત પર્યટન સ્થળ તરીકે ઓળખાય છે, જ્યાં વર્ષના અનેક તહેવારો અને વેકેશન સમયે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. પરપ્રાંતીય પ્રવાસીઓ ખાસ કરીને સોમનાથ મહાદેવના દર્શન કરીને નવા વર્ષનો શુભારંભ કરવા ઉમટ્યા છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 10:08 am

વડોદરા-દાહોદ મેમુ ટ્રેન ગોધરા સુધી આંશિક રદ:ડેરોલ યાર્ડમાં ROB ગર્ડર લોન્ચિંગ માટે ૩ કલાકનો બ્લોક

વડોદરા-દાહોદ મેમુ ટ્રેન આજે વડોદરા અને ગોધરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ડેરોલ યાર્ડમાં રોડ ઓવર બ્રિજ (ROB) ના ગર્ડર લોન્ચિંગના કામ માટે રેલવે દ્વારા ત્રણ કલાકનો બ્લોક લેવામાં આવશે, જેના કારણે આ નિર્ણય લેવાયો છે. વડોદરા રેલવે ડિવિઝન દ્વારા જારી કરાયેલી માહિતી અનુસાર, ડેરોલ યાર્ડમાં લેવલ ક્રોસિંગ નંબર 32 પર બની રહેલા રોડ ઓવર બ્રિજના ગર્ડર લોન્ચિંગનું કાર્ય હાથ ધરાશે. આ માટે આજે બપોરે ૧:૩૦ થી ૪:૩૦ વાગ્યા સુધી અપ અને ડાઉન એમ બંને લાઇન પર ટ્રાફિક બ્લોક લેવામાં આવશે. આ ત્રણ કલાકના બ્લોકની સીધી અસર ગાડી સંખ્યા 69117 વડોદરા – દાહોદ મેમુ ટ્રેન પર પડશે. આ ટ્રેન આજે વડોદરાથી ગોધરા વચ્ચે દોડશે નહીં, એટલે કે આ રૂટ પર તે આંશિક રીતે રદ રહેશે. રેલવે પ્રશાસને મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ ટ્રેનના સમય અને સ્ટોપેજની નવીનતમ વિગતો માટે રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર તપાસ કરી લે. આનાથી મુસાફરીમાં થતી અગવડ ટાળી શકાય છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 10:06 am

રત્નકલાકારના આપઘાતના હચમચાવતા CCTV:સુરતમાં પિતાએ ઠપકો આપતાં એકના એક પુત્રએ ચોથા માળેથી મોતની છલાંગ લગાવી

સુરત શહેરના રામપુરા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પિતાએ કામ વગર રખડવા બાબતે ઠપકો આપતા 23 વર્ષીય રત્નકલાકારે બિલ્ડિંગના ચોથા માળેથી મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. એકના એક દીકરાના અકાળે અવસાનથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાજકોટમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા ઉગ્ર બોલાચાલી બાદ માઠું લાગી આવતા યુવકે ઓવરબ્રિજ પરથી ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ છે. દાનિશ કામ વગર અહીં-તહીં ફરતા પિતાએ ઠપકો આપ્યો હતોરામપુરા રામવાડી પાસે આવેલા 'હમ્દપાર્ક' બિલ્ડિંગમાં મોહમ્મદ મુનાફ મોતીપાણી તેમના પરિવાર સાથે વસવાટ કરે છે. મોહમ્મદભાઈ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમનો 23 વર્ષીય પુત્ર દાનિશ મોતીપાણી હીરાની ઓફિસમાં નોકરી કરતો હતો. મળતી માહિતી મુજબ, દાનિશ અવારનવાર કામ વગર અહીં-તહીં ફરતો રહેતો હતો, જેને લઈને પિતાએ તેને ઠપકો આપ્યો હતો. પિતાની આ શિખામણ દાનિશને મન પર લાગી ગઈ હતી. સારવાર માટે ખસેડાયો પણ ન બચ્યો26 ડિસેમ્બરને શુક્રવારે રાત્રે દાનિશે આવેશમાં આવીને પોતાના બિલ્ડિંગના ચોથા માળેથી પડતું મૂક્યું હતું. તેને ગંભીર હાલતમાં તાત્કાલિક લોખાત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. CCTVમાં કેદ થયા મોતના દૃશ્યોઘટનાના સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે, દાનિશ ચોથા માળેથી નીચે કૂદે છે અને નીચે ઉભેલા એક 'છોટા હાથી' ટેમ્પાના પાછળના ભાગે જોરદાર ધડાકા સાથે અથડાઈને જમીન પર પટકાય છે. અવાજ સાંભળીને આસપાસના લોકો અને રાહદારીઓ હેબતાઈ ગયા હતા અને તરત જ તેની મદદ માટે દોડી આવ્યા હતા. પરિવાર પર આભ ફાટ્યુંમૃતક દાનિશ તેના પિતાનો એકનો એક પુત્ર હતો અને તેને એક બહેન પણ છે. ઘરના વડીલે પુત્રના સારા ભવિષ્ય માટે આપેલો ઠપકો આટલો મોટો આઘાત આપશે તેવી કલ્પના પરિવારે કરી ન હતી. લાલગેટ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 27 ડિસેમ્બરે રાજકોટમાં યુવકે ઓવરબ્રિજ પરથી કૂદકો માર્યો હતો રાજકોટ શહેરના રૈયા ચોક ઓવરબ્રિજ પરથી એક યુવાને છલાંગ લગાવી આત્મહત્યાની કોશિશ કરી હતી. આ ઘટનામાં યુવકને માથાના અને પગના ભાગે ઇજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો છે. પ્રાથમિક તપાસમાં યુવકનું નામ હરેશ જેઠવા (ઉં.વ.41) હોવાનું અને તે રૈયા રોડ પર આવેલ શ્યામનગર વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું .છે તેને સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે, પોતે મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવ્યો હતો. ગઈકાલે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા ઉગ્ર બોલાચાલી બાદ માઠું લાગી આવતા યુવકે ઓવરબ્રિજ પરથી ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી પોલીસે નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 9:44 am

કોડીનારના વેળવા ગામમાં ખેડૂત અને પોપટની અનોખી મિત્રતા:ખેડૂતના ખભે બેસી તેમની સાથે ફરે છે 'મીતુ' પોપટ

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વેળવા ગામમાં માનવતા અને પ્રેમનું અનોખું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. સામાન્ય રીતે લોકો શ્વાન-બિલાડી કે પશુઓ સાથેની મિત્રતા જુએ છે, પરંતુ અહીં એક માનવી અને પોપટ વચ્ચે એવી આત્મીય દોસ્તી જોવા મળી છે કે જે સૌને આશ્ચર્યમાં મૂકી દે છે. વેળવા ગામના ખેડૂત નારણભાઈ સાર્દુલભાઈ સાવધરીયા અને ‘મીતુ’ નામના પોપટ વચ્ચેનો સંબંધ હવે આખા ગામમાં ચર્ચાનો વિષય બની ગયો છે. નારણભાઈ પગપાળા ચાલે કે મોટરસાયકલ લઈને નીકળે, ત્યારે મીતુ તરત જ તેમના ખભા ઉપર આવી બેસી જાય છે. બંનેનું આ દ્રશ્ય જોતા લોકો થોભી જાય છે. આ અનોખી મિત્રતાની શરૂઆત આશરે છ માસ પહેલાં થઈ હતી. નારણભાઈની વાડીએ તેમને એક પોપટનું બચ્ચું મળ્યું હતું, જે કદાચ પોતાની માતાથી વિખૂટું પડી ગયું હતું. આસપાસ ઘણી શોધખોળ કરવા છતાં માતા પોપટ ન મળતાં, નારણભાઈએ માનવતાના દાવ સાથે તેને પોતાના ઘરે લઈ જઈ સાચવવાનું નક્કી કર્યું. નારણભાઈએ પોપટના બચ્ચાને ખોરાક આપ્યો, પાણી પાવડ્યું અને પોતાના સંતાન સમાન કાળજી લીધી. સમય જતાં આ લાગણી વધુ ગાઢ બની અને આજે મીતુ નારણભાઈ વિના એક ક્ષણ પણ રહી શકતું નથી. છ માસના સમયગાળામાં આ સંબંધ મજબૂત મિત્રતામાં પરિવર્તિત થયો છે. રાત્રિના સમયે નારણભાઈ મીતુને પાંજરામાં રાખે છે, જ્યારે દિવસ દરમિયાન તેને સંપૂર્ણપણે ખુલ્લું મૂકે છે. ખેતીના કામે જાય ત્યારે પણ મીતુ નારણભાઈ સાથે જ રહે છે. માણસ અને પોપટ વચ્ચેની આ નિસ્વાર્થ દોસ્તી આજે વેળવા ગામમાં ચર્ચાનું કેન્દ્ર બની છે અને માનવતા હજુ જીવંત છે તેવો સુંદર સંદેશ આપે છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 9:42 am

રાજકોટથી શરૂ થયેલી સરદાર@150 પદયાત્રા ખોડલધામ પહોંચી:ખોડલધામમાં સામૈયાથી હજારો પદયાત્રાળુઓનું સ્વાગત, 'જય સરદાર'ના નારા ગૂંજ્યા

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે આયોજિત 'સરદાર@150 સ્વદેશી પદયાત્રા – 2025' તેના બીજા દિવસે, 27 ડિસેમ્બરે યાત્રાધામ કાગવડ પહોંચી હતી. રાજકોટથી શરૂ થયેલી આ પદયાત્રાએ 27 કલાકમાં 65 કિલોમીટરથી વધુનું અંતર કાપી સરદાર સાહેબના વિચારો લોકો સુધી પહોંચાડ્યા છે. 28 ડિસેમ્બર, રવિવારના રોજ સવારે કાગવડ ખાતે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ 'સરદાર વલ્લભભાઈ પટેલ અમર રહો' અને 'જય સરદાર'ના નારા સાથે પદયાત્રા ખોડલધામ મંદિર તરફ આગળ વધી હતી.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 9:26 am

રાગીના ગુલાબજાંબુ, કેક સહિતની ન જોઈ હોય તેવી વાનગીઓ:'વિસરાતી વાનગીઓનો મહોત્સવ' શરૂ, ટ્રેન્ડિંગ વાનગીઓ સાથે પોષણયુક્ત ખાવાના શોખીનો માટે જલસો

અમદાવાદના સોલા વિસ્તારમાં ભાગવત વિદ્યાપીઠના પરિસરમાં વિસરાતી વાનગીઓનો મહોત્સવ યોજાયો છે. આગામી 31 ડિસેમ્બર સુધી લુપ્ત થતી અલગ અલગ વાનગીઓનો સ્વાદ અમદાવાદીઓ લઈ શકશે. ખાવા માટેના શોખીન હોવ અને રોજ કંઈક નવું ટેસ્ટ કરવાની ઈચ્છા હોય તો ચોક્કસથી આ જગ્યા તમારા માટે પસંદગીની બની રહેવાની છે. વિસરાતી વાનગીઓમાં અનેક વાનગીઓ એવી હશે જેના નામ અત્યારની પેઢીએ તો સાંભળ્યા પણ નહીં હોય. શોખીનો માટે વિસરાતી વાનગીઓના મહોત્સવમાં જલસોઅત્યારના યુવાનો માટે રોજબરોજના જીવનમાં ઇન ઓર્ગેનિક પદાર્થો અને ફાસ્ટ ફૂડ ખાવા માટે ટેવાઈ ગયા છે. ફાસ્ટ ફૂડનો ટ્રેન્ડ એ પ્રકાર વધ્યો છે કે અમદાવાદમાં કોઈ નવી રેસ્ટોરન્ટ કે કાફે ખુલે અને યુવાનો તેમાં એક વખત જમવા માટે ન ગયા હોય તેવું ભાગ્યેજ બની શકે. કારણ કે નવો ટ્રેન્ડ યુવાનોને ખૂબ પસંદ આવી રહ્યો છે, કઈક અલગ વેરાયટી સાથે વાનગીઓ યુવાનો પસંદ કરી રહ્યા છે. જેથી હવે અમદાવાદીઓએ 31 ડિસેમ્બર સુધી શરીરની ચિંતા છોડી ટ્રેનિંગ વાનગીઓની મજા મળી શકશે. ટ્રેન્ડિંગ વાનગીઓ સાથે પોષણયુક્ત ખાવાના શોખીનો માટે વિસરાતી વાનગીઓના મહોત્સવમાં જલસો પડી જવાનો છે. આ પણ વાંચો: જરા હટકે ખાવાના શોખીન હોવ તો અમદાવાદમાં ચાલી રહેલા 'વીસરાતી વાનગી મહોત્સવ'માં પહોંચી જજો ટ્રેન્ડ સાથે પોષણયુક્ત બીટ રૂટ રોલ અને રતાળુ પેટીસ બનાવવામાં આવ્યાયુવાનોના અત્યાર પેઢીની પસંદને ધ્યાનમાં રાખીને ફાસ્ટ ફૂડમાં જે જે વાનગીઓ આવે છે તેમાં વિસરાતી વાનગીઓને કઈ રીતે જોડી શકાય તે પ્રયાસ વિસરાતી વાનગીઓના મહોત્સવમાં જોવા મળી રહ્યું છે. રગડા પેટીસ, આલુ ટિક્કીની દુકાન જોઈને ભલભલાનું મન તે ખાવા માટે આકર્ષાઈ જાય છે, પરંતુ તે શરીર માટે કેટલું સારું છે તે તરફ કોઈ ધ્યાન આપતું નથી. વિસરાતી વાનગીઓના મહોત્સવમાં તેને અલગ રીતે બનાવવામાં આવે છે. પ્રાચીબેને બીટ રૂટ રોલ અને રતાળુ પેટીસનો સ્ટોલ કર્યો છે. આલુ ટિક્કીમાં બટાકામાં એટલા પોષણયુક્ત તત્વો હોતા નથી. જેથી અત્યારના ટ્રેન્ડ સાથે પોષણયુક્ત બીટ રૂટ રોલ અને રતાળુ પેટીસ બનાવવામાં આવ્યા છે. વ્યસ્ત જીવનમાં શું ખાવું, શરીર માટે યોગ્ય છે તે લોકો વિચારતા નથીમેદાનો ઉપયોગ અત્યારે મોટા ભાગની તમામ વાનગીઓમાં થવા લાગ્યો છે. વ્યસ્ત જીવનમાં શું ખાવું, શરીર માટે યોગ્ય છે તે આપણે વિચારતા પણ નથી. મેંદો ખાવાથી કેટલું નુકસાન થાય છે તે વિચારવાનો પણ લોકો પાસે સમય નથી. કારણ કે નવી વાનગીઓ ખાવાના ઉત્સાહ સાથે શરીરની ચિંતા કરવાનું આપડે ભૂલી ગયા છીએ. જે વાનગીઓ ટ્રેડિંગ છે તે બજારમાં મેંદામાં બને છે તે વાનગીઓ અહીં પ્રાકૃતિક રીતે તૈયાર થયેલા મિલેટ્સમાં બનાવવામાં આવી છે. કેક કે જે કોઈપણ વ્યક્તિનો જન્મ દિવસ તે જોવા મળતી હોય છે, પરંતુ વિસરાતી વાનગીઓના મહોત્સવમાં રાગી, જુવાર, મધ અને કેળા સાથે કેક બનાવવામાં આવી છે, કે જે યુવાનોને આકર્ષે છે અને ન્યુટ્રિશિયનની પણ ચિંતા કરે છે. પ્રાચીબેને વધુમાં જણાવ્યું હતું કે, વાનગીઓમાં અમે ઓર્ગેનિક કલર એડ કરીએ છીએ જેથી યુવાનો માટે આકર્ષણરૂપ બની રહે છે. આમાં અમે રતાળુ, બીટ રૂટ અને થોડા જ માત્રામાં બટાકા અને ઘરમાં બનાવવામાં આવેલું પનીર સાથે ચાટ બનાવીને અહીંયા આપીએ છીએ. બટાકામાં પૂરતા પોષણયુક્ત તત્વો હોતા નથી પરંતી બીટરૂટ શરીર માટે ખૂબ ફાયદાકારક છે. હીમોગ્લોબિન પણ આના કારણે ઇન્ક્રિશ થાય છે. રુચિબેને વધુમાં જણાવ્યું હતું કે, જાવરુમાં અલગ અલગ મેટેસ્ટ એડ કરીને તેને વેજિટેબલ સાથે પીરસવામાં આવે છે. તેમજ આ વખતે રાગી પેનકેકનું નવું ઇનોવેશન બનાવવામાં આવ્યું છે. પેનકેકમાં 80 ટકા રાગી અને 20 ટકા જુવાર સાથે મધ અને કેળા સાથે બનાવવામાં આવે છે. અત્યારે મેદાને વધારે મહત્વ આપવામાં આવે છે. પરંતુ આપણી પાસે એવા ઘણા બધા મિલેટ્સ છે જે આપણે ઘણું બધું ન્યુટ્રિશિયન પણ પૂરા પાડે છે. અત્યારના સમયમાં લોકો મેદાથી દૂર થઈ મિલેટ્સ પર આકર્ષાય તેવો પ્રયાસ છે. ચંદ્રિકાબેન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાગીનો ઉપયોગ કરીને દૂધથી બનાવવામાં આવે છે, જેથી આ ખાવાથી બાળકને કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી. બાળક મિલેટ્સ કેક ગમે એટલી ખાય પરંતુ તેનાથી શરીરને કોઈ નુકસાન થશે નહીં.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 9:24 am

રૂ.1.06 કરોડના વીઝા કૌભાંડમાં:પકડાયેલા આરોપીની જામીન અરજી પાટણ કોર્ટે નામંજૂર કરી

પાટણ: રૂા. 1.06 કરોડના વીઝા કૌભાંડ કેસમાં પકડાયેલા આરોપી રવિન્દ્રગીરી હસમુખગીરી વૈરાગીની નિયમિત જામીન અરજી પાટણના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ નૌશાદ પઠાણે નામંજૂર કરી છે. આ અગાઉ પણ તેની જામીન અરજીઓ નામંજૂર થઈ ચૂકી છે. ભૂજ-કચ્છ સી.આઇ.ડી. ક્રાઇમ બ્રાંચે આ કૌભાંડમાં મૂળ વિસનગરના વાલમના અને હાલ પાલનપુર રહેતા રવિન્દ્રગીરી વૈરાગી (ઉ.વ. 30)ની ધરપકડ કરી હતી. તેના પર પાટણના બે યુવાનો સહિત વિસનગર પંથકના કેટલાક યુવાનોને વિદેશ મોકલવા માટે વીઝા કઢાવી આપવાના બહાને રૂા. 1.06 કરોડની રકમ પડાવી લેવાનો આરોપ છે. આરોપી સામે બીએનએસ 54/316(2)/316(5)/333(3)/340(2) તથા વસવાટ અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પાટણની કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળીને જામીન અરજી નામંજૂર કરતા જણાવ્યું હતું કે, સરકારી વકીલ અને ચાર્જશીટના કાગળો મુજબ આરોપીએ સહઆરોપીઓ પાસેથી ફરિયાદી તથા અન્યોના વીઝા બનાવી આપવા પૈસા મેળવી સાચા વીઝા આપ્યા ન હતા અને ખોટા ઓફર લેટર બનાવ્યા હતા. કોર્ટે નોંધ્યું કે આરોપી સામે પ્રથમદર્શીય પુરાવા છે અને સંજોગોમાં કોઈ ફેરફાર જણાઈ આવતો નથી. આ હકીકતોને ધ્યાને લેતા આરોપીની જામીન અરજી મંજૂર કરવી ન્યાયી અને વ્યાજબી જણાતી ન હોવાથી તેને નામંજૂર કરવામાં આવે છે. અગાઉ પણ પાટણની સેશન્સ કોર્ટે તેની જામીન અરજી નામંજૂર કરી હતી, જે બાદ તેણે હાઈકોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી લીધી હતી.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 8:57 am

પાટણ પાલિકાએ સ્વચ્છતા ભંગ બદલ દંડ વસૂલ્યો:ધીવટાના નાકે ત્રણ વેપારીઓ દંડાયા, 'સેગ્રેગેટેડ ટુડે, શાઈન ટુમોરો' થીમ હેઠળ ઝુંબેશ

પાટણ નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય બજારમાં સ્વચ્છતા જાળવવા માટે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત નિયમોનું ઉલ્લંઘન કરી જાહેરમાં કચરો ફેંકનારા ત્રણ વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. ધીવટાના નાકે આવેલી ત્રણ પેઢીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો. પાલિકાના મુખ્ય અધિકારી હિરલબેન ઠાકરના માર્ગદર્શન હેઠળ સેનીટેશન ટીમે 'સેગ્રેગેટેડ ટુડે, શાઈન ટુમોરો' થીમ સાથે વહેલી સવારથી સફાઈ કામગીરી શરૂ કરી હતી. મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર આસમાનભાઈ અને તેમની ટીમે મેન બજારમાં સફાઈ કામદારોની હાજરી ચકાસી અને કામગીરીનું નિરીક્ષણ કર્યું. તપાસ દરમિયાન ધીવટાના નાકે આવેલી અપ્સરા, રૂપસાગર અને નરેન્દ્રકુમાર કાપડની દુકાનો બહાર કચરો ફેંકાયેલો જોવા મળ્યો હતો. પાલિકાની ટીમે સ્થળ પર જ આ ત્રણ વેપારીઓ પાસેથી દંડ વસૂલ્યો હતો. વહેલી સવારે જ દંડાત્મક કાર્યવાહી થતાં વેપારી આલમમાં ફફડાટ ફેલાયો હતો. ઝુંબેશ દરમિયાન પાલિકાની ટીમે વેપારીઓ અને નાગરિકોને જાહેરમાં ગંદકી ન કરવા અને દરેક એકમે ફરજિયાત ડસ્ટબિન રાખવા કડક સૂચના આપી હતી. રોડ-રસ્તા પર પાણી ઢોળીને ગંદકી ન કરવા પણ તાકીદ કરવામાં આવી હતી. પાલિકા પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે સ્વચ્છતા જાળવવામાં સહયોગ નહીં મળે તો આગામી સમયમાં પણ કડક દંડ વસૂલવામાં આવશે. શહેરના મુખ્ય માર્ગો અને બજારોમાં કાયમી ધોરણે સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સેનીટેશન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ આકસ્મિક તપાસ અને સફાઈ ઝુંબેશ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 8:29 am

ગુજરાત ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર:અરવિંદ પટેલ ઉપપ્રમુખ, સોનલ સોલંકી મંત્રી બન્યા

ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રમુખ જગદીશ વિશ્વકર્માની જાહેરાત બાદ શનિવારે મોડી રાત્રે તેમની સંગઠન ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નવી ટીમમાં કુલ 10 ઉપપ્રમુખોની નિમણૂક કરાઈ છે. આ ઉપરાંત, અનિરુદ્ધ દવે, ડો. પ્રશાંત કોરાટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ અને અજય બ્રહ્મભટ્ટને પ્રદેશ મહામંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. પાર્ટી દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ, પ્રદેશ ઉપપ્રમુખ પદે અનુભવી અને સંગઠનક્ષમ નેતાઓને સ્થાન અપાયું છે. મહામંત્રી અને મંત્રી પદે સંતુલિત તથા પ્રતિનિધિત્વ ધરાવતી ટીમ રચીને સંગઠનને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરાયો છે. કિસાન મોરચા, યુવા મોરચા, મહિલા મોરચા, એસસી-એસટી, ઓબીસી અને અલ્પસંખ્યક મોરચાના પ્રદેશ પ્રમુખોની પણ જાહેરાત કરવામાં આવી છે. નવી સંગઠન રચનામાં જ્ઞાતિ સમીકરણને વિશેષ ધ્યાનમાં લેવાયું છે. પ્રદેશ ઉપપ્રમુખ પદે ક્ષત્રિય, પટેલ, બ્રાહ્મણ, અનુસૂચિત જાતિ, આદિવાસી તેમજ ઓબીસી સમાજના પ્રતિનિધિઓને સ્થાન અપાયું છે. 2026ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ સમાજોને સાથે લઈને ચાલવાની સ્પષ્ટ રણનીતિ તરીકે આ નિમણૂકોને જોવામાં આવી રહી છે. વલસાડ જિલ્લા માટે મહત્વપૂર્ણ રીતે, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલને પ્રદેશ ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત, વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ અને CWCના પૂર્વ ચેરપર્સન સોનલબેન સોલંકીને પ્રદેશ મંત્રી તરીકે નિમણૂક અપાઈ છે. આ નિમણૂકોને પગલે વલસાડ જિલ્લામાં ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 8:28 am

ચોટીલામાં 10 એકર સરકારી જમીન પરથી દબાણ હટાવાયું:ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતી બે હોટલો પર બુલડોઝર ફેરવાયું

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે ચોટીલા નજીક નેશનલ હાઈવે પર આવેલી બે ગેરકાયદેસર હોટલો પર બુલડોઝર ફેરવી દીધું છે. આ કાર્યવાહીમાં આશરે 10 એકર સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. આ હોટલો ગેરકાયદેસર બાંધકામ ઉપરાંત પ્રોહીબિશન અને કેમિકલ ચોરી જેવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી હતી. રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લામાં ગંભીર ગુનાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. નાયબ પોલીસ અધિક્ષક વી.એમ. રબારીના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. સોલંકીએ ચોટીલા વિસ્તારમાં નેશનલ હાઈવે પરની હોટલો અને ધાબાઓની ખરાઈ કરી માહિતી એકત્રિત કરી હતી. જે હોટલોમાં અગાઉ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઝડપાઈ હતી, તેવી હોટલોના માલિકો અને સંચાલકો પાસેથી આધાર-પુરાવા રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી. નાની મોલડી ગામ પાસે આવેલી 'ન્યુ નાગરાજ હોટલ' અને 'જય વડવાળા હોટલ' દ્વારા કોઈ આધાર-પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હતા. આ બંને હોટલો મહેસૂલ વિભાગની મંજૂરી વિના સરકારી જમીનમાં આશરે 10 એકર જેટલું દબાણ કરીને ઊભી કરવામાં આવી હતી. 'જય વડવાળા હોટલ'ના સંચાલક સંજયભાઈ અનકભાઈ ખાચર પર ગેરકાયદેસર રીતે પરપ્રાંતીય દારૂનો મોટો જથ્થો રાખી કટિંગ કરાવવાનો આરોપ હતો, જ્યાં રેડ દરમિયાન દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે 'ન્યુ નાગરાજ હોટલ'માં અગાઉ ગેરકાયદેસર કેમિકલ/ડિઝલ ચોરી ઝડપાઈ હતી. આ બંને હોટલો ગેરકાયદેસર રીતે સરકારી જમીનમાં બાંધકામ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતી હોવાનું જણાતા, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે કુલ 10 એકર સરકારી જમીન પરથી દબાણ દૂર કર્યું છે. આ કામગીરીમાં પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નાયબ પોલીસ અધિક્ષક વી.એમ. રબારી અને પી.આઈ. જે.એન. સોલંકી સહિત ચોટીલા પોલીસ ટીમે ભાગ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 8:26 am

દસાડાની નવી આંગણવાડી કાર્યકરો સાયબર છેતરપિંડીનો ભોગ બની.:પગાર જમા કરાવવાના બહાને ખાતામાંથી પૈસા ઉપાડી લીધા

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં નવી નિમણૂક પામેલી આંગણવાડી કાર્યકર મહિલાઓ સાયબર છેતરપિંડીનો ભોગ બની છે. સાયબર ગઠિયાઓએ 'પગાર જમા થયો નથી' તેમ કહીને અનેક કાર્યકરોના બેંક ખાતામાંથી નાણાં ઉપાડી લીધા હતા. આ મામલે ભોગ બનનાર કાર્યકરો દ્વારા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગત 4 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગર ખાતે રાજ્યની 9,000 આંગણવાડી કાર્યકરો અને તેડાગર મહિલાઓને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. નિમણૂક મળ્યાના એક મહિનાની અંદર જ દસાડા તાલુકાના શેડલા, કામલપુર અને મજેઠી સહિતના ગ્રામ્ય વિસ્તારોની નવી કાર્યકર મહિલાઓ આ છેતરપિંડીનો શિકાર બની છે. દસાડા તાલુકાના શેડલા ગામના આંગણવાડી મહિલા કાર્યકરને એક મોબાઈલ નંબર પરથી ગાંધીનગરથી બોલતા હોવાનું જણાવીને ફોન આવ્યો હતો. તેમને પગાર જમા ન થયો હોવાનું કહી, તેમના પરિવારના મોહીબખાન કરીમખાનના ખાતામાંથી રૂ. 3,700 ઉપાડી લેવામાં આવ્યા હતા. બાદમાં જ્યારે મહિલાએ ફોન કર્યો ત્યારે સામેથી ગાળો બોલવામાં આવી હતી. આવી જ રીતે, દસાડા તાલુકાના કામલપુર ગામની એક નવી આંગણવાડી કાર્યકરને પણ સાયબર ગઠિયાએ ફોન કરીને છેતરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેઓ સફળ ન થતાં, ગઠિયાએ તે જ ગામના એક લાભાર્થીને કોન્ફરન્સ કોલમાં લઈને તેમના ખાતામાંથી રૂ. 5,000 ઉપાડી લીધા હતા. આ કાર્યકરને પણ ફરી ફોન કરતા અપશબ્દો સાંભળવા મળ્યા હતા. મોટી મજેઠી ગામની નવી આંગણવાડી કાર્યકર સાથે પણ આ જ મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી થઈ હતી. સાયબર ગઠિયાએ તેમને વાતોમાં ભોળવી, અમદાવાદમાં કારખાનામાં કામ કરતા તેમના દીકરાનો મોબાઈલ નંબર મેળવ્યો હતો. દીકરા સાથે વાત કરીને તેના ખાતામાંથી રૂ. 10,000 સેરવી લેવામાં આવ્યા હતા. દસાડા તાલુકાની અન્ય નવી આંગણવાડી કાર્યકરો પણ આ પ્રકારે સાયબર ક્રાઈમનો ભોગ બની હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાઓને કારણે કાર્યકરોમાં ચિંતાનો માહોલ છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 8:24 am

દીકરીઓ માટે જાગૃતિ કાર્યક્રમ‎ યોજાયો:બોટાદ જિલ્લામાં દીકરીઓની સુરક્ષા તેમજ સ્વાવલંબન માટે મહા-અભિયાન

બોટાદ જિલ્લાના હડદડ ખાતે આવેલી કષ્ટભંજન વિદ્યા મંદિરમાં 'બેટી બચાવો, બેટી પઢાઓ' અભિયાન હેઠળ એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી આઈ. આઈ. મન્સૂરીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોને જાતીય ગુનાઓ અને ડિજિટલ યુગના જોખમો સામે સજ્જ કરવાનો હતો. ગુડ ટચ-બેડ ટચ અને કાર્યક્રમમાં ખાસ કરીને બાળકો સામેના જાતીય ગુનાઓ (POCSO Act-2012) અંગે સમજણ આપવામાં આવી હતી. અજાણી વ્યક્તિની લોભ-લાલચમાં ન આવવા અને શાળાએ આવતી-જતી વખતે સતર્ક રહેવા સૂચના અપાઈ, 'ગુડ ટચ' અને 'બેડ ટચ' વચ્ચેનો તફાવત સમજાવી, મુશ્કેલ પરિસ્થિતિમાં કેવી રીતે તાત્કાલિક પગલાં લેવા તે અંગે માર્ગદર્શન અપાયું. આજના ટેકનોલોજીના યુગમાં સોશિયલ મીડિયા અને મોબાઈલના સુરક્ષિત ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને સાયબર ફ્રોડ અને ઇન્ટરનેટના જોખમોથી બચવા માટે મહત્વપૂર્ણ ટિપ્સ આપવામાં આવી હતી. સરકારી યોજનાઓ અને હેલ્પલાઇનનો વ્યાપક પ્રચાર કાર્યક્રમમાં મહિલા અને બાળ સુરક્ષા માટે કાર્યરત વિવિધ સેવાઓ અને યોજનાઓની માહિતી અપાઈ હતી. આ તકે શાળાના પ્રમુખ વિનોદભાઈ કાલસરીયા, ટ્રસ્ટી જગદીશભાઈ કાલસરીયા અને આચાર્ય અરવિંદભાઈ બાવળીયા સહિતના સ્ટાફે મહિલા અભયમ અને સાયબર ક્રાઇમ ટીમની આ કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 8:14 am

SOGની કાર્યવાહી:દુબઇના સાઇબર માફિયાના કહેવાથી આણંદના 5 એકાઉન્ટની બેંક કીટ લેવા આવેલા 2 ઝડપાયા

આણંદ એસઓજીની ટીમે‎શુક્રવારે મોડી રાત્રે બાતમી મુજબ‎આણંદ શહેરની સામરખા ચોકડી‎પાસે આવેલી કારને રોકી લઈ બે‎કારમાં સવાર બે શખસોને ઝડપી‎પાડ્યા હતા. પોલીસ પૂછપરછમાં‎ડ્રાઇવિંગ કરનારો શખસ ઉમંગ‎વિનોદ જોષી અને તે સાણંદનો‎રહેવાસી જ્યારે તેની બાજુમાં જય‎રોહિત ઠક્કર અને તે રાધનપુરનો‎રહેવાસી હોવાનું જણાવ્યું હતું.‎ પોલીસે બાતમીના આધારે કારમાં‎તપાસ કરતા અલગ અલગ‎બેંકની પાસબુક, એટીએમ કાર્ડ,‎મોબાઈલ મળી આવ્યા હતા. જોકે,‎આ બાબતે પૂછપરછ કરતા બંને‎કોઈ સંતોષકારક જવાબો આપી‎શક્યા ન હતા. જેથી તેમની સઘન‎પુછપરછ કરતાં કરતા ઉમંગ‎છેલ્લાં ત્રણ વર્ષથી રૂપિયા 15‎હજારમાં મણીપ્રભુ એપાર્ટમેન્ટ‎નવરંગ સ્કૂલની સામે નવરંગપુરા‎અમદાવાદ ખાતે રહેતા જૈમીન ઉર્ફે‎ગોલુ ઈશ્વરલાલ ઠક્કરને ત્યાં‎નોકરી કરતો હોવાનું જણાવ્યું‎હતું. જયમીન ઉર્ફે ગોલું તેનો‎બનેવી થાય છે અને તે હાલમાં‎છેલ્લાં ચારેક વર્ષથી દુબઈ છે.‎જયમીનના કહેવાથી તે ચાર‎વખત બેન્કની કીટો લઈ ગયો‎હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંને‎પાસેથી રૂપિયા 76 હજારની‎કિંમતના 15 જેટલા અલગ અલગ‎કંપનીના મોબાઈલ, બેન્કની‎સામગ્રી તેમજ કાર મળી રૂપિયા‎10.76 લાખનો મુદ્દામાલ કબજે‎કરી બંનેની અટકાયત કરી હતી.‎જોકે, જયમીન ઠક્કર નામનો‎શખસ હાલ દુબઈમાં હોઈ વોન્ટેડ‎છે. જોકે, પોલીસ દ્વારા કબજે‎કરાયેલી તમામ પાસબુકમાં કુલ‎થયેલા નાણાકીય વ્યવહારોને‎વેરીફાય કરવાની પ્રક્રિયા કરવામાં‎આવી રહી છે. જેમાં પ્રાથમિક‎તબક્કે લાખો રૂપિયાની નાણાકીય‎વ્યવહાર થયાનું લાગી રહ્યું છે.‎જોકે, આ ગુનો જામીનપાત્ર હોય‎બંને શખસને કોર્ટમાં રજૂ કરાયા ન‎હોવાનું પોલીસસૂત્રો દ્વારા જાણવા‎મળ્યું છે. જોકે, આગામી સમયમાં‎જે પણ ખાતાધારકો છે તે તમામને‎બોલાવીને તમામની પૂછપરછ‎કરવામાં આવશે. જૈમીન ઠક્કર‎હાલમાં દુબઈમાં છે અને ત્યાંથી જ‎તે સમગ્ર નેટવર્ક ચલાવતો હતો.‎તેનો સાળો ગુજરાતમાં રહીને‎લોકોને કમિશનની લાલચ‎આપીને બેન્ક એકાઉન્ટની ડિટેઈલ‎લઈને તેમાંથી તેમના જે મોબાઈલ‎પર ઓટીપી આવે તે આપતો હતો. ‎જય ઠક્કર ગુજરાતમાં રહેતો હોઈ‎અલગ-અલગ જિલ્લાઓમાં‎જઈને લોકો સાથે મળીને વાતચીત‎કરીને વિશ્વાસ જીતતો હતો. જુદી‎જુદી બેન્કની કીટ લઇ આવીને‎ખાતાઓમાં છેતરપિંડી કરીને‎મેળવેલા ઓનલાઇન ફ્રોડ અને‎ગેમીંગના નાણાં જમા કરાવ્યા‎બાદ તેઓની બેંક કીટવાળા‎મોબાઈલ ફોન પર ઓટીપી‎મેસેજમાં આવે તે ઓટીપી મેસેજ‎પાસવર્ડ જૈમીનને મોકલી આપતો‎હતો.‎

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 8:07 am

સન્ડે ફોટો સ્ટોરી:બુલેટ ટ્રેન : ચરોતરમાં સ્લેબ બેલાસ્ટ લેસ સિસ્ટમથી ટ્રેક નાખવાનું શરૂ

નડિયાદ અને આણંદ વચ્ચે તૈયાર થઈ રહેલા બુલેટ ટ્રેન સ્ટેશનની કામગીરી પૂર્ણતાના આરે છે. માળખાકીય ઢાંચો તેમજ સ્ટીલ વર્ક કોન્સર્સ સ્લેબ અને ટ્રેક સ્લેબ નાખવાની પણ કામગીરી પૂર્ણ થયા બાદ હવે ટ્રેકની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. વીજળીકરણ અને લિફ્ટની ફિનિશિંગની કામગીરી પણ પૂર્ણ થવા પર છે. 415 મીટર લાંબા પ્લેટફોર્મ અને 44,073 ચોરસ મીટરનો કુલ બિલ્ટઅપ વિસ્તાર સાથે ટ્રેક સ્લેબ સહિત હાઈ સ્પીડ રેલ માટે વિશિષ્ટ માળખાગત સુવિધાઓ હાલમાં તૈયાર કરવામાં આવી રહી છે. આણંદમાં એક વિશિષ્ટ ટ્રેક સ્લેબ ફેક્ટરી ટી - 3 પેકેજ માટે ફ્રી કાસ્ટ રી ઇન્ફોર્સ્ડ કોન્ક્રીટ ટ્રેક સ્લેબનું ઉત્પાદન કરી રહી છે. રોજના 60 સ્લેબનું ઉત્પાદન કરી, આશરે 175 ટ્રેક કિલોમીટરના સમકક્ષ સ્લેબ તૈયાર થયા છે. આ પ્રોજેક્ટમાં જાપાનીઝ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્લેબ બેલાસ્ટ લેસ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાલમાં અહીં ટ્રેક ઇન્સ્ટોલેશનની કામગીરી હાલમાં ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 8:04 am

હુમલો:આમરોલમાં જમણવારમાં અથડાવવા બાબતે 2 ભાઇઓ પર સશસ્ત્ર હુમલો

આંકલાવ તાલુકાના આમરોલ ગામે રામપુરા રોડ સર્વોદય નગર વિસ્તારમાં રામદેવપીરના પાઠ દરમ્યાન રાખેલ જમણવારમાં અથડાવવા અને જમતી વખતે બોલાચાલી કેમ કરેલ તેમ કરી ત્રણ શખ્સોએ આસરમાં ગામના બે પિતરાઈ ભાઈઓને ચપ્પુ, લાકડી અને હાથમાં પહેરવાના કડાથી ઇજા કરી ધમકી આપ્યાની ફરિયાદ આંકલાવ પોલીસ મથકમાં નોંધાઈ છે. આંકલાવ તાલુકાના આસરમા ગામે રામપુરા સીમ સરકારી ટ્યુબેલ પાસે વિરેન્દ્રસિંહ મુકેશભાઈ પઢીયાર રહે છે. ગત ગુરુવારે નજીકમાં આવેલ આમરોલ ગામે સર્વોદય નગર સીમ વિસ્તારમાં રહેતા સંજયભાઈ ભાઈલાલભાઈ પરમારને ત્યાં રામદેવપીરનો પાઠ હોઈ અને જમવાનુ આમંત્રણ હોવાથી રાત્રે આઠ વાગે વિરેનદ્રસિંહ પોતાના પિતરાઈ હાર્દીકભાઈ સાથે આમરોલ ગામે પાઠમાં ગયા હતા. અને જમતા હતા ત્યારે હાર્દીકભાઈને જમતી વખતે આમરોલ ગામના જગદીશભાઈ, દીશાંગભાઈ અને અજયભાઈ સાથે અથડાવવા બાબતે બોલાચાલી થઈ હતી. દરમ્યાન રાત્રે સાડા અગિયાર વાગ્યાના અરસામાં વિરેન્દ્રસિંહ અને તેઓના પિતરાઈ હાર્દિકભાઈ પરત ઘરે જતા હતા ત્યારે આમરોલ ગામે રહેતા જગદીશભાઈ ઉર્ફે ફલુ લક્ષ્મણભાઇ પરમાર, દીશાંગ ગણપતભાઈ પરમાર અને અજય વિક્રમભાઈ ઠાકોરે ભેગા મળી આમરોલ રામપુરા રોડ સર્વોદય નગર વિસ્તાર પાસે હાર્દિકે જમતી વખતે અમારી સાથે કેમ બોલાચાલી કરી હતી તેમ કહી અપશબ્દો બોલતા વિરેન્દ્રસિંહે અપશબ્દો બોલવાની ના પાડતા જગદીશભાઈએ લાકડીની ઝાપોટ માથાની પાછળના ભાગે મારી તેમજ દીશાંગ પરમારે ચપ્પાથી ડાબી આંખ ઉપરની સાઈડે ઇજા કરી હતી. જ્યારે અજય ઠાકોરે હાથમાં પહેરવાના કડાથી હાર્દિકભાઈને માથાની પાછળના ભાગે તેમજ બરડામાં મારી ઇજા કરી હવે પછી અમારા ગામમાં આવશો તો હાથ પગ ભાંગી નાખીશું તેમ કહી ધમકીઓ આપી હતી. આ બનાવ અંગે વિરેન્દ્રસિંહ મુકેશભાઈ પઢીયારની ફરિયાદ લઈ આંકલાવ પોલીસે જગદીશભાઈ ઉર્ફે ફલુ લક્ષ્મણભાઈ પરમાર સહિત ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 8:03 am

આણંદના 2 શિક્ષકોના મોત થતા સહકારી મંડળીનો નિર્ણય‎:મૃત્યુ પામનાર 2 શિક્ષકોના પરિવારને રૂા.18 લાખ સહાય આપવાનો નિર્ણય

આણંદ જિલ્લામાં બીએલઓની કામગીરી કરતાં બે શિક્ષકોના મોત નિપજયા છે.ત્યારે આણંદ તાલુકા પ્રાથમિક શિક્ષક ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળીએ પરિવારને શાંત્વના ભાગરૂપે રૂ.18 લાખની સહાય આપવાનો નિર્ણય કર્યો છે. તેમજ શ્રધ્ધાજંલી શિક્ષક ગણ દ્વારા અર્પણ કરવામાં આવી હતી. આણંદના મેઘવા પ્રાથમિક સાળામાં શિક્ષક રાજુલકુમાર અનિલભાઇ ગુર્જર અને નાપાડ પ્રાથમિક શાળાના શિક્ષક રજનીકાંન્ત જયંતિભાઇ પરમાર જેઓ આણંદ તાલુકા પ્રાથમિક શિક્ષક ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળીના સભાસદ હતો.તે બંને શિક્ષકના શનિવાર મોત નિપજયા છે.જેથી શિક્ષક ગણ દ્વારા શ્રદ્ધાજંલી અર્પણ કરવામાં આવી હતી. આણંદ તાલુકા પ્રાથમિક શિક્ષક ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળીના સભાસદ યોજના અંતર્ગત રૂ.18 લાખની સહાય મંડળીના ચેરમેન નરેન્દ્રસિંહ મહિડા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.તેમજ મંડળીના તમામ સભ્યો વતી શ્રદ્ધાજંલી આપવામાં આવી હતી

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 8:02 am

ટ્રાફિક સમસ્યા નગરજનો માટે માથાનો દુ:ખાવો બની:આણંદની કરમસદ ચોકડી ખાતે ટ્રાફિક પોઇન્ટ નહીં હોવાથી અંધાધૂધી, એમ્બ્યુલન્સ ફસાઇ

કરમસદ આણંદ મનપા વિસ્તારો વ્યાપ વધી રહ્યો છે.તેની સાથે વસ્તી વધતાં વાહનોની અવરજવર વધી ગઇ છે. જેના કારણે કરમસદ ગામે સોજિત્રા રોડ પર આવેલી ચોકડી પર ટ્રાફિક સમસ્યા નગરજનો માટે માથાના દુ:ખાવા રૂપ બની ગઇ છે. હાલમાં પેટલાદ,સોજિત્રા અને તારાપુર તરફ આવતા નોકરિયાત વાહનો સવાર અને સાંજ મોટી સંખ્યામાં પસાર થાય છે. જેના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે. વાહનચાલકો એક કલાક સુધી અટવાઇ જાય છે. શનિવાર સાંજના તો ટ્રાફિકમાં કરમસદ હોસ્પિટલમાં દર્દીને લઇને જતી 108 એમ્બ્યુલન્સ વાન ફસાઇ ગઇ હતી. મહા મહેનતે 20 મિનિટ બાદ બહાર નીકળી શકી હતી.જેને લઇને સ્થાનિકોએ તાત્કાલિક ચોકડી પર ટ્રાફિક પોઇન્ટ બનાવવાની માંગ કરી રહ્યાં છે. આણંદમાં મુખ્યત્વે સૌથી વધારે ટ્રાફિકની સમસ્યા છે તે બોરસદ ચોકડી, ગ્રીડ ચોકડી, ભાઈકાકા ચોકડી, ભાલેજ ચોકડી, કરમસદ ચોકડી, મોટા બજાર, ટાઉનહોલ વગેરે છે. ટીઆરબીના અને પોલીસના જવાનોના અપૂરતા બંદોબસ્તને લીધે સાંજના સમયે ખૂબ જ ટ્રાફિકજામ થઈ જાય છે અને આકસ્મિક સંજોગોમાં એમ્બ્યુલન્સ જેવા વાહનોને પણ જવા માટે જગ્યા મળતી નથી. તો તંત્ર દ્વારા લોકોના સહયોગથી અને લોકજાગૃતિથી આનો ઉકેલ લાવે એવું પ્રજાજનો ઈચ્છે છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 8:02 am

હત્યાનો મામલો:ખંભાતના વત્રામાં પરિણીતાની હત્યા કરેલી લાશ ખેતરમાંથી મળી,આડા સંબંધની શંકા

ખંભાત તાલુકના વત્રા ગામે દરબાર ફળિયામાં રહેતી 37 વર્ષની પરિણીતા શુક્રવાર રાતથી ગુમ થઇ હતી.શનિવાર સવારે ગામની સીમમાં આવેલા તમાકુના ખેતરમાંથી લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.પોલીસ ઘટનાસ્થળે જઇને તપાસ કરતાં માથાના પાછળના ભાગે અને નાકે તીક્ષ્ણ હથિયારના ત્રણથી વઘુ ઘા ઝીંકી હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મૃતકને ગામના જ શખ્સ સાથે આડા સંબંધ હોવાને લઇને પ્રેમ પ્રકરણમાં હત્યા થઇ હોવાની શંકા સેવાઇ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર નાયબ પોલીસ અધિક્ષક એસ બી કુંપાવતે જણાવ્યું હતું કે, વત્રા ગામમાં રહેતા ધર્મેન્દ્રભાઈ કાંતિભાઈ પટેલ ઉંમર વર્ષ 45 ખેતી કરે છે. તેઓ પોતાની પત્ની સારિકા પટેલ ઉંમર વર્ષ 37 અને બે બાળકો સાથે ગામમાં રહે છે. તે દરમિયાન શુક્રવારના રોજ સાંજના સમયે ધર્મેન્દ્રભાઈ પટેલના પત્ની સારિકા પટેલ ઘરેથી નજીકમાં રહેતાં પાડોશીના ઘરે બેસીને આવું છું. તેમ કહીને નીકળ્યાં હતાં. ઘણો સમય થવા છતાં પરિણીતા સારિકા પટેલ ઘરે પરત ન આવતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતાં અને સારિકા પટેલની શોધખોળ કરવા છતાં ક્યાંય મળી આવી ન હતી. મોડી રાત થઇ જતાં સવારે તપાસ કરીશું કોઇ સબંધી ત્યાં ગઇ હશે. તે માની લીધુ હતું. તે દરમિયાન શનિવાર સવારના સમયે ખંભાતના વત્રા ખોડિયાકુવા નજીક સીમ વિસ્તારમાં આવેલા તમાકુનાં ખેતરમાંથી તેણીની લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે તપાસ કરતાં પરિણીતા સારિકા પટેલના માથાના પાછળના ભાગે અને નાકના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયારના ત્રણથી વઘુ ઘા ઝીંકી હત્યા કરી નાંખી હોવાનું પ્રાથમિક તપાસમાં જણવા મળ્યું હતું. કોઈ અજાણ્યા ઈસમ દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી નાંખી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવવા પામ્યું છે.જેને લઇને પોલીસે સારિકા પટેલના મૃતદેહનો કબજો લઈ જરૂરી કાર્યવાહી કરી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. ખંભાત રૂરલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને એલસીબી સાથે મળીને ત્રણ ટીમો બનાવીને સારીકા પટેલના હત્યારાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.પોલીસે ડોગ સ્કવોડ અને એફએસએલટીમની પણ મદદ લેવામાં આવી રહી છે. ઘટનાસ્થળેથી એક મોબાઈલ ફોન પણ મળી આવ્યો છે.જે પોલીસે કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 8:01 am

નાણાં રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલે કર્યું ખાતમુહૂર્ત:નાપા આણંદ બોરસદ રોડ પર રૂ.45 લાખના ખર્ચે બોક્સ કલવર્ટ બનશે

પેટલાદ વિધાનસભામાં આવતા નાપા આણંદ બોરસદ રોડ ઉપર અંદાજીત રૂપિયા 45 લાખ ના ખર્ચે નવું બોક્સ કલવર્ટ બનાવવાના કામનું ખાતમુહૂર્ત નાણાં રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. બે વર્ષ પહેલા ચોમાસામાં ગરનાળુ ધોવાઇ જતાં બેસી ગયું હતું. જેનું કામ અટકી ગયું હતું. જો કે પેટલાદના ધારાસભ્ય અને રાજ્યના મંત્ર કમલેશ પટેલે સરકાર રજૂઆત કરતાં બોકસ કલવર્ટ બનાવવા માટે મંજૂરી મળી હતી. આ પ્રસંગે આણંદ જિલ્લા પંચાયત સભ્ય સાજીદભાઈ રાણા, આણંદ જિલ્લા ભાજપ સંગઠન ના પૂર્વ મહામંત્રી સુભાષભાઈ બારોટ, પૂર્વ તાલુકા અધ્યક્ષ હરમાનજી ઠાકોર, મહામંત્રી અનિલભાઈ ઠાકોર, આણંદ જિલ્લા લઘુમતી મોર્ચા પ્રમુખઈરફાનભાઈ, ગામના સરપંચ સાલીમભાઇ, સભ્યો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 8:01 am

શહેરમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ હાથ ધરાયું:થર્ટી ફર્સ્ટને લઇને આણંદજિલ્લામાં પોલીસ દ્વારા સઘન ચેકીંગ શરૂ

આગામી 31મી ડિસેમ્બરને લઇને આણંદ જિલ્લા પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. ત્યારે શહેરમાં પ્રવેશના માર્ગો પર ઠેર ઠેર સધન ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ચેકીંગ દરમિયાન કોઇ શંકાસ્પદ જણાઇ આવે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ શહેર સહિત જિલ્લામાં થર્ટી ફર્સ્ટની ઉજવણી નિમિતે વિદેશી દારૂની હેરાફેરી અટકવાવા માટે આણંદ શહેરની સામરખા ચોકડી, ચિખોદરા ચોકડી, બોરસદ ચોકડી સહિત જિલ્લા પ્રવેશદ્વારા પાસે પોલીસે નાકાબંધી કરીને શંકાસ્પદ વાહનોને અટકાવીને તપાસ હાથ ધરવામાં આવે છે. શહેરમાં કોઇ દારૂ પીને ફરતા નથી તેની ચકાસણી માટે શંકા જાય તો શખ્સને ઉભા રાખીને મશીન ચેકીંગ કરવામાં આવે છે. સાથે આણંદ વિદ્યાનગર સહિત આસપાસના ફાર્મ હાઉસ પણ કોઇ હિચાલ થતી અટકાવવા માટે સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 8:00 am

લોકાર્પણ:50 લાખના ખર્ચે તૈયાર નરવાદાર પાટીદાર ભવનનું લોકાર્પણ

આણંદ જિલ્લાના ભરોડા ગામ ખાતે 50 લાખના ખર્ચે તૈયાર કરાયેલા નવનિર્મિત નરવાદાર પાટીદાર સમાજ ભવનનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ સમાજભવન સમાજ માટે મહત્વપૂર્ણ ઐતિહાસિક અને સામાજિક વારસો બનશે. આ ઉપરાંત નવનિર્મિત ભવનનો ઉપયોગ સમાજના લોકો સહિત ગામના તમામ નાગરિકો માટે શિક્ષણલક્ષી પ્રવૃત્તિઓ, કમ્પ્યુટર ક્લાસ, પુસ્તકાલય, યોગ તથા ધ્યાન શિબિરો તેમજ વિવિધ સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે કરવામાં આવશે. આ ભવનનું નિર્માણ ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ ભીખુભાઈ પટેલ, કિરીટભાઈ પટેલ, પ્રફુલભાઈ પટેલ અને વર્ષાબેન પટેલના પિતા સ્વ. ભાઈલાલભાઈ પટેલના એકસોમાં જન્મદિવસ પૂર્ણ થવાના શતાબ્દી મહોત્સવ નિમિત્તે કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 7:59 am

ક્ષત્રિય સમાજના ખોટા કુરિવાજો બંધ કરવા નિર્ણયો લેવાયા:આણંદ-ખેડા જિલ્લા ક્ષત્રિય સમાજ સુધારક સંઘની કારોબારી મિટિંગ યોજાઇ

આણંદ-ખેડા જિલ્લા ક્ષત્રિય સમાજ સુધારક સંઘની આણંદ ખાતે કારોબારી મિટિંગ યોજાઇ હતી. ત્યારે મિટિંગમાં સમાજની જાગૃતિ લાવવી, શિક્ષણ સુધારણા, વ્યસન મુક્તિ સહિત કુરિવાજો બંધ કરી દેવા સહિત જરૂરી નિર્ણયો લેવામાં આવ્યાં હતાં. પ્રાપ્ત વિગત મુજબ આણંદ-ખેડા જિલ્લા ક્ષત્રિય સુધારક સંઘના પ્રમુખ પુરષોત્તમ દાસ, અમૂલના પૂર્વ વાઇસ ચેરમેન કાંન્તિભાઇ શોઢા પરમાર સહિતના અગ્રીણયો અને મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતાં. કારોબારીમાં મિટિંગમાં સમાજલક્ષી ઠરાવો કરી અમલીકરણ કરવા નક્કી કરવામાં આવ્યું હતું. જો કે સમાજના અગ્રણીયોએ આર્થિક રીતે સાથ સહકાર આપવા અંગે અનુરોધ કર્યો હતો.જો કે આગામી દિવસોમાં આણંદ-ખેડા જિલ્લામાં ક્ષત્રિય સુધારક સંઘનું અદ્યતન કાર્યાલય પોતાના મકાનમાં શરૂ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 7:58 am

ઉનાળા અને ચોમાસામાં ગ્રાહકોને પડતી મુશ્કેલી થશે દૂર:આણંદ શાકમાર્કેટમાં જર્જરીત થઇ ગયેલો શેડ તોડી રૂ 10 લાખના ખર્ચે નવો બનાવાશે

આણંદ અમૂલ ડેરી રોડ પર આવેલા શાકમાર્કેટમાં કેટલાંક વેપારીઓ દ્વારા ગેરકાયદે ઓટલા કારણેને 40 ફૂટના બંને બાજુના માર્ગ 15 ફૂટ બની ગયો હતો. જેથી ગ્રાહકો અને શાકભાજી લઇને આવતાં ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો વખત આવતો હતો. જેને લઇને મનપાએ સૂચના પગલે ઓટલા દૂર કરીને બને બાજુના માર્ગ ખુલ્લા કરી દેવામાં આવ્યાં છે. હવે અવરજવર માટે એક બાજુથી પ્રવેશવાનો માર્ગઅને બીજી બાજુથી બહાર નીકળવાનો માટે રસ્તો ખુલ્લો કર્યો છે.તેમજ એક બાજુનો શેડ જર્જરીત હાલતમાં ફેરવાઇ ગયો હોવાથી રૂ 10 લાખના ખર્ચે નવો શેડ બનાવવામાં આવશે. તેમ એપીએમસીના સૂત્રોએ જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ મોટી શાકમાર્કેટમાં ભીડને માહોલ સર્જાતા રાહદારીઓ હાલાકીઓનો ભોગ બની રહ્યા હતા.ત્યારે એપીએમસીએ ફરીયાદોને પગલે નોટીસ ફટકારીને ગેરકાયદેસ દબાણોનો સફાયો બોલાવી દેવાયો છે.આણંદ મનપા મંજુરી મળવાથી એક તરફનો જર્જરીત થઇ ગયેલ શેડ તોડી નાંખવામાં આવશે.જેના પગલે શેડ નીચે બેસતા કુલ 21થી વધુ વેપારીઓને અન્ય જગ્યા ફાળવણી કરવામાં આવશે. જો કે રૂ.10 લાખ ઉપરાંત રકમના ખર્ચે શેડ તૈયાર કરવામાં આવનાર હોવાથી રાહદારીઓ ચોમાસામાં વરસાદ પડતા હાલાકીઓનો ભોગ બનવુ નહીં પડે.હાલમાં સામરખા ચોકડી શાકમાર્કેટ અને મોટી શાકમાર્કેટ દબાણો દુર કર્યા બાદ વેપારીઓને ઓટલા બહાર શાકભાજીનું વેચાણ નહીં કરવા માટે સુચનાઓ આપી દેવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યુ હતું.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 7:56 am

પાલીતાણા ડિવિઝનમાં ફેઝ-1માં કુલ 9,500 સ્માર્ટ મીટર લાગ્યા:નારાજગી વચ્ચે પાલિતાણામાં સ્માર્ટ વીજ મીટર નાખવાનો આરંભ

પીજીવીસીએલ પાલિલીતાણા ડિવિઝન નીચે આવતા પાલિતાણા, ગારિયાધાર, તળાજાના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ છે આ સ્માર્ટ મીટર લગાવવા લોકો રાજી નથી. પીજીવીસીએલ પાલિતાણા ડિવિઝન નીચે આવતા 9 સબ ડિવિઝનનો પાલિતાણા ટાઉન, પાલિતાણા રૂરલ, ઘોડીઢાળ, ગારીયાધાર-1, ગારિરીયાધાર-2, તળાજા-1, તળાજા-2, ત્રાપજ, પીથલપુરમાં હાલ ફેસ એક નીચે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ છે. પીજીવીસીએલમાંથી જાણવા મળેલ માહિતી મુજબ વીજળીના સ્માર્ટ મીટરને લઈને ગ્રાહકોમાં અંદરખાને ગણગણાટ ચાલી રહ્યો છે છતાં પીજીવીસીએલ પોતાના ગ્રાહકોને ત્યાં નવા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ધીમે પગલે શરૂ છે. પાલીતાણા ડિવિઝન અંતર્ગત ફેઝ-1 ની કામગીરી અંતર્ગત દુકાનો, કારખાના, સરકારી કચેરી સહિતના કોમર્શિયલ વિભાગમાં સ્માર્ટ મીટર ફીટીંગ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 9,500 મીટર લાગ્યા છે. સીધી વાત પ્રશ્ન : સ્માર્ટ મીટર લાગતા જુના મીટર હટી જશે કે કેમ? જવાબ : જૂનું મીટર હશે તે હટાવીને સ્માર્ટ મીટર લગાડવામાં આવશે. પરંતુ મીટરની પેટી યથાવત રહેશે. જે મીટર પેટી તૂટી ગઈ કે બદલવાની જરૂર પડશે તેને જ હટાવીને નવી નખાશે. પ્રશ્ન : સ્માર્ટ મીટરમાં રિચાર્જ કરવો પડશે કે બિલ આવશે? જવાબ : જે જૂના મીટરમાં બિલ આવતું અને લોકોને બિલ ભરપાઈ કરવા માટેનો ચોક્કસ સમયગાળો મળતો એ જ રીતે સ્માર્ટ મીટરનું પણ બિલ આવશે અને રકમ ભરવાનો સમય મળશે. પ્રશ્ન : સ્માર્ટ મીટર આવવાથી લોકોને શું ફાયદો થશે? જવાબ : સ્માર્ટ મીટર લાગવાથી મોબાઇલમાં એક એપ્લિકેશન આવશે. જેમાં લોકો રોજ કેટલાય યુનિટનો વપરાશ કરી રહ્યા છે. તેનો આખો ડેટા લોકો ઘર બેઠા નિહાળી શકશે. પ્રશ્ન : એપ્લિકેશનમાં ડેટા ઉપરાંત કોઈ બીજી નવીનતા ખરી? જવાબ : લોકો માત્ર ડેટા જ નહીં જોઈ શકે પરંતુ ઘરમાં કોઈપણ ઈલેક્ટ્રિક લાઈનમાં વીજ કરંટ હોય કે જે તે ઉપકરણમાં સરખો વીજ પ્રવાહ પહોંચતો ન હોય તો તેની માહિતી મેસેજ મારફત એપ્લિકેશનમાં આવશે. પ્રશ્ન : જે લોકોને સ્માર્ટ મીટર લગાવવો ન હોય તો શું થશે? જવાબ : સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે. પણ જો કોઈ લોકો ના પાડશે તો અમારા ઇજનેર સહિતના સ્ટાફ દ્વારા સ્માર્ટ મીટરની પૂરી માહિતી આપી સમજાવવામાં પણ આવશે. જે.સી. ગૌસ્વામી, કા.પા.ઈ. PGVCL, પાલિતાણા ડિવિઝન

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 7:52 am

વિતરણ કેમ્પ યોજાયો:નિદાન-સારવાર અને ચશ્મા વિતરણના કેમ્પ યોજાઇ ગયા

ભાવનગરના નગરશ્રેષ્ઠી અને મહાજન ગણાતા પ્રતાપભાઈ શાહ ની 102 મી જન્મ જ્યંતી નિમિતે પ્રતાપભાઈ તારાચંદ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ તથા દિવ્ય ભાસ્કર ગ્રુપ ના સૌરાષ્ટ્ર સમાચાર અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ભાવનગર દ્વારા મેડિકલ નિદાન અને સારવાર કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું જેનો બહોળી સંખ્યા માં દર્દીઓ એ લાભ લીધો હતો. રેડક્રોસ ના પૂર્વ પ્રમુખ અને અનેક સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા સ્વ.પ્રતાપભાઈ શાહની 102મી જન્મ તિથિ નિમિતે પ્રતાપભાઈ તારાચંદ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગ થી ચાલતા રેડક્રોસ સાર્વજનિક દવાખાના,પ્લોટ ન.45, કે.પી.ઈ. એસ કોલેજ રોડ, ભગવતી સર્કલ પાસે, ચિન્મયાનંદ આશ્રમ ની બાજુમાં, કાળિયાબીડ, ભાવનગર ખાતે વિનામૂલ્યે સારવાર અને નિદાન કેમ્પ મેગા મેડિકલ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ માં આંખો ના નંબર તપાસી ને 3 નંબર સુધી ના અને બેતાળા ચશ્મા વિતરણ,જનરલ હેલ્થ ચેક-અપ કેમ્પ, બી.પી તેમજ ડાયાબિટીસ તપાસ, હિમોગ્લોબીન તપાસ, હાડકા ની ધનતા માપવા માટે BMD ટેસ્ટ, તથા દર્દીઓ ને જરૂરી દવાઓ વિનામૂલ્યે આપવા માં આવી હતી. આ સાથે આસપાસ ની શાળાઓના વિધાર્થીઓ ભાઈઓ બહેનો ની હિમોગ્લોબીન ની તપાસ કરવા માં આવી હતી અને દરેક ને નાસ્તો આપવા માં આવ્યો હતો. રેડક્રોસના કાળિયાબીડ, ચાવડીગેટ, દીવાનપરા, ખારગેટ, ક.પરા અને વૃદ્ધાશ્રમ ખાતે ચાલતી ઓપીડી સેવાઓ અને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી, આ ઉપરાંત લાઠીદડ ગામ ખાતે થેલેસિમિયા પરીક્ષણ, નાની માજીરાજ શાળા ખાતે હિમોગ્લોબીન તપાસ કેમ્પ કરેલ. કેમ્પનુ દીપ પ્રાગટય મહેમાનો જીતુભાઇ ઉપાધ્યાય, તારકભાઈ શાહ, ગીરીશભાઈ શાહ, ડો.એમ.જી. દેસાઈ, કુલદીપસિંહ, ભરતભાઈ શાહ, મિતુલભાઈ શાહ, ધીરુભાઈ કરમટીયા, ડો.મિલનભાઈ, સુમિત ઠક્કર, વર્ષાબેન લાલાણી, રોહિતભાઈ ભંડેરી, પરેશભાઈ ભટ્ટી, ડો પ્રકાશભાઈ ભટ્ટ, બકુલભાઈ ચાતુર્વેદીની ઉપસ્થિતિમાં યોજાયો

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 7:49 am

શાકંભરી નવરાત્રિ:પોષ સુદ આઠમ એટલે દુર્ગાષ્ટમી સાથે શાકંભરી નવરાત્રીનો આજથી પ્રારંભ થશે

શાકંભરી નવરાત્રી 28 ડિસેમ્બર 2025 રવિવારથી શરૂ થશે અને શનિવાર 03 જાન્યુઆરી 2026એ સમાપ્ત થશે. આ નવરાત્રી શુક્લ અષ્ટમીથી પોષ મહિનાની પૂર્ણિમા સુધી ઉજવવામાં આવે છે, જેમાં દેવી શાકંભરીની પૂજા કરવામાં આવે છે. દેવી શાકંભરી એ મા આદિશક્તિ જગદંબાના સૌમ્ય અવતાર છે. તેને શાકંભરી નામ મળ્યું કારણ કે તેણે શાકભાજી આપીને દુકાળ અને ભૂખમરાથી વિશ્વને મુક્ત કર્યું. માતા શાકંભરીની ઉપાસનાથી જીવનમાં સમૃદ્ધિ, આરોગ્ય અને ઐશ્વર્ય આવે છે. શાકંભરી નવરાત્રી દરમિયાન, ભક્તો ખાસ કરીને દેવીને તાજા ફળો, શાકભાજી અને જડીબુટ્ટીઓ અર્પણ કરે છે, જે તેમના આશીર્વાદ મેળવવાનું એક માધ્યમ માનવામાં આવે છે. તેમ શ્રીધર પંચાગવાળા કિશનભાઇ જોશીએ જણાવ્યુ હતુ. આખા વર્ષમાં ચાર નવરાત્રી ગણવામાં આવે છે, અશ્વિન મહિનાના શુક્લ પક્ષમાં શારદીય નવરાત્રિ, ચૈત્ર શુક્લ પક્ષમાં આવતી ચૈત્ર નવરાત્રિ, ત્રીજી અને ચોથી નવરાત્રી માઘ અને અષાઢ મહિનામાં ઉજવવામાં આવે છે. પરંતુ તેની સિદ્ધિ માટે તંત્ર-મંત્રના સાધકો માટે વિશેષ ગણાતી શાકંભરી નવરાત્રી પોષ માસના શુક્લ પક્ષની અષ્ટમીથી શરૂ થાય છે, જેનું સમાપન પોષ પૂર્ણિમાએ થાય છે. સમાપન દિવસે માતા શાકંભરી જયંતિ પણ ઉજવવામાં આવશે. શાકંભરી દેવીની પૂજા પોષ સુદ અષ્ટમીથી પોષી પૂર્ણિમા સુધી, દેવી ઉપાસના માટેનો શ્રેષ્ઠ સમય. માતાજીને શાકભાજીનો શણગાર કરાશે નેત્રોમાંથી અશ્રુ વરસાવી શાકંભરી દેવીએ શાકભાજી ઉત્પન્ન કરી વિશ્વનું પોષણ કર્યું હતું પોષ સુદ આઠમ એટલે દુર્ગાષ્ટમી સાથે શાકંભરી નવરાત્રીનો આજથી પ્રારંભ થશે. શાકંભરી નવરાત્રી દેવી ઉપાસના માટે ઉત્તમ અને શ્રેષ્ઠ ગણાય છે. જ્યારે શાકંભરી નવરાત્રી નિમિત્તે માતાજીને વિવિધ શાકભાજીનો શણગાર પણ કરવામાં આવશે. વર્ષ દરમિયાન આવતી ચાર નવરાત્રીમાં શાકંભરી નવરાત્રી પણ ખુબ મહત્વ ધરાવે છે. આ ગુપ્ત નવરાત્રી અત્યંત લાભકારક માનવામાં આવે છે. જ્યારે ધરતી ઉપર દુકાળ પડ્યો, વરસાદ ન પડ્યો ત્યારે રૂષીમુનીઓએ માતાજીને પ્રાર્થના કરી ત્યારે સ્વયં શક્તિ સ્વરૂપા માતાજીએ શતાક્ષી રૂપ પ્રગટ કર્યું હતું. શરીર પરના 100 નેત્રોમાંથી આંસુ વરસાવીને શાકંભરી માતાજીએ સૃષ્ટિને પાણી આપ્યું અને પછી શાકંભરી દેવીએ શાકભાજી ઉત્પન્ન કરીને વિશ્વનું પોષણ કર્યું હતું. જેથી શાકંભરી નવરાત્રી માનવ જીવનના પોષણ માટે ખુબ મહત્વ ધરાવે છે. શાકંભરી દેવીની પુજા પોષ સુદ અષ્ટમી થી પોષી પુર્ણિમા સુધી રહેશે. શાકંભરી નવરાત્રી દરમિયાન બ્રાહ્મણ દ્વારા દુર્ગાસપ્તસદીનો પાઠ કરાવવો, શક્ય તેટલા નવાણમંત્રના જાપ કરવા જોઈએ, શક્રાદય સ્તૃતીનો પાઠ કરવો અને કુંવારીકાઓને ભોજન કરાવી શૃંગારની વસ્તુઓ દાન કરવી શુભ મનાય છે. આ સમય પર દેવીની આરાધના અને ઉપસના કરવા માટે ઉત્તમ સમય માનવામાં આવે છે. આ સમયે દેવીની ભકિત અને સેવા કરવાથી વિશેષ ફળ આ સમયે પ્રાપ્ત થાય છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 7:49 am

રિઝર્વેશનના પ્લોટમાં વેરીએશન નહીં કરાવવા માટે સરકાર ગંભીર:કોર્પો. દ્વારા પ્રથમ વાર પાર્કિંગ હેતુના રિઝર્વ પ્લોટનું એપ્રોચ પ્લોટ માટે વેચાણ કરાશે

ભાવનગર કોર્પોરેશન ભૂતકાળમાં ન કર્યું હોય તેવા અખતરા કરવામાં પાવરધુ છે. કોર્પોરેશનના રિઝર્વ પ્લોટ વેચાણથી આપ્યા હોવાના કોઈ દાખલા નથી ત્યારે સીદસર ટીપી સ્કીમ નંબર 5/એમાં પાર્કિંગ હેતુના રિઝર્વ ફાઇનલ પ્લોટની જમીનમાંથી એપ્રોચ આપવાના હેતુથી પ્રતિ ચોરસ મીટર રૂ.57000 ની કિંમતે 110.62 ચોરસ મીટર જમીન વેચાણથી આપવા માટે આગામી સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય થશે. કોર્પોરેશનના આઉટ ગ્રોથ એરીયાના વિકાસ માટે સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તે મુજબ ટીપી રસ્તાઓ ખોલી રોડ બનાવવામાં આવી રહ્યા છે. હિલ પાર્ક ચોકડીથી ઓજ તરફના માર્ગ પર આવાસ યોજનાની સામે ફાઇનલ ટીપી સ્કીમ નંબર 5/એ સિદસરના પાર્કિંગ હેતુના રિઝર્વ ફાઇનલ પ્લોટ નંબર 59 ની જમીન પાછળ સર્વે નંબર 84માં ખાનગી માલિકીની જમીન છે. વર્ષો પહેલા લે આઉટ મંજુર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષો બાદ હવે ખાનગી જમીનનો પ્લોટ દરેક બાજુથી ઘેરાયેલો હોય અને લેન્ડલોક થયેલ હોય તેવું ધ્યાનમાં આવ્યું અને કોર્પોરેશન પાસે પાર્કિંગ હેતુના રિઝર્વ ફાઇનલ પ્લોટમાંથી એપ્રોચ રસ્તાની જમીનની માગણી કરી. તેનો વિવાદ પણ લાંબા સમયથી શરૂ છે અંતે કોર્પોરેશનના શાસકોને પણ જમીન માલિકની માગણી વ્યાજબી લાગી હોય તેમ 110.62 ચોરસ મીટર જમીન એપ્રોચ રોડ તરીકે વેચાણથી આપવા નિર્ણય કરી રહ્યા છે. વેલ્યુએશન કમિટીએ 53000 પ્રતિ ચોરસ મીટર ભાવ નક્કી કર્યો હતો. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીએ 57,000 ભાવ નક્કી કર્યો અને 25% રકમ ડિપોઝિટ પેટે પણ ભરપાઈ કરાવરાવી. કોર્પોરેશનમાં કદાચિત પ્રથમવાર પાર્કિંગ હેતુના રિઝર્વ પ્લોટની જમીન વેચાણથી આપવામાં આવી રહી છે. સરકાર પણ રિઝર્વ પ્લોટ બાબતે ઘણી જ ગંભીર છે. જેથી જ ટકાવારી જળવાઈ રહે તે માટે ટીપીમાં વેરીએશન નહીં કરાવવા અને ટીપીના રિઝર્વેશનની ટકાવારી જાળવવા માટે કડકાઇ રાખે છે. જોકે, સ્ટેન્ડિંગની મંજૂરી બાદ સરકારમાં વેરીએશન માટે મોકલવામાં આવશે. પરંતુ સરકાર કઈ નિર્ણય લે તે પહેલા જ કોર્પોરેશન દ્વારા જમીન માલિક પાસેથી ૨૫ ટકા રકમ ડિપોઝિટ પેટે વસૂલ પણ કરી લીધી છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 7:48 am

નવતર પહેલ:ડાયાબિટીક દર્દીઓની હવે જિલ્લા કક્ષાએથી દેખરેખ થશે

મેડિકલ ક્ષેત્રે એક સાઈલન્ટ કિલર રોગ ગણાતા ડાયાબિટીસના વધતા કેસો ચિંતાજનક વધારો થયો છે. પહેલા મોટાભાગે આધેડ વયના લોકોમાં જોવા મળતો ડાયાબિટીસનો રોગના દાયરામાં આજે નાની વયના બાળકોથી લઈને યુવા અને મોટી ઉંમરના લોકોને પણ સપડાઈ ગયા છે. જેમાં બાળકોને નાની ઉંમરમાં થતા જુવેનાઇલ ડાયાબિટીસના વધતા કેસો ચિંતાજનક બાબત છે ત્યારે રાજ્યમાં આરોગ્ય વિભાગે તાજેતરમાં શરૂ કરેલા જુવેનાઇલ ડાયાબિટીસ નિયંત્રણ કાર્યક્રમમાં હવે ડાયાબિટીસ પીડિત બાળ દર્દીઓની હવે ભાવનગર જિલ્લા કક્ષાએથી દેખરેખ રખાશે. ભાવનગર મેડિકલ કોલેજ અને સર ટી. હોસ્પિટલના ઉપક્રમે તાજેતરમાં ટાઈપ-1 ડાયાબિટીસ (જુવેનાઈલ ડાયાબિટીસ) સારવાર અને નિયંત્રણ કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. જે અંતર્ગત ભાવનગર મેડિકલ કોલેજ દ્વારા જુવેનાઇલ ડાયાબિટીસના બાળ દર્દીઓને સારવાર અને માર્ગદર્શન મળે તેવા આશયથી હેલ્પ લાઈન નંબર જાહેર કર્યો છે. જુવેનાઇલ ડાયાબિટીસના બાળ દર્દીઓના માતા-પિતા ભાવનગર મેડિકલ કોલેજના હેલ્પ લાઈન નંબર ઉપરાંત જારી કરાયેલી ગૂગલ ફોર્મ લિંક મારફતે પણ માહિતી આપી શકે છે. જુવેનાઇલ ડાયાબિટીસ માટે ભાવનગર મેડિકલ કોલેજના હેલ્પ લાઈન નંબર તથા ગૂગલ ફોર્મ લિંક મારફતે આવેલ માહિતીનું એકત્રીકરણ કરી દર્દીઓને સારવાર અને માર્ગદર્શન આપવાની રણનીતિ નક્કી કરવામાં આવશે. જેમાં 0 થી 12 વર્ષ ઉંમરના ટાઈપ-1 ડાયાબિટીસ મ્લાઇટ્સ (જુવેનાઇલ ડાયાબિટીસ)ના દર્દીઓ માટે સર.ટી.ના બાળરોગ વિભાગના HOD પ્રોફેસર ડો.મેહુલ ગોસાઈ થતા 12 વર્ષથી વધુ ઉંમરના ટાઈપ-1 ડાયાબિટીસ મ્લાઇટ્સ ના દર્દીઓ માટે સર.ટી.ના મેડિસિન વિભાગના HOD પ્રોફેસર ડો. સુનિલ પંજવાણીનો રૂબરૂ સંપર્ક કરી શકશે. હેલ્પ લાઈન અને ગૂગલ ફોર્મથી માહિતી આપી શકાશેભાવનગર સરકારી મેડિકલ કોલેજ અને સર.ટી. હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે શરૂ કરાયેલા જુવેનાઇલ ડાયાબિટીસ સારવાર સેન્ટર મારફતે જુવેનાઇલ ડાયાબિટીસ પીડિત દર્દીઓની સલાહ અને સારવાર આપવામાં આવશે.જે માટે હેલ્પ નંબર : 95123-04381 પર તથા ગૂગલ ફોર્મનો નિ યત ક્યુ.આર. કોડ સ્કેન કરી જુવેનાઇલ ડાયાબિટીસના બાળ દર્દીઓના માતા-પિતા માહિતી આપી શકશે. જે માહિતીના આધારે દર્દીઓની ડાયાબિટીસ સારવાર સેન્ટર મારફતે દેખરેખ રાખી શકાશે ભાવનગર શહેર અને જિલ્લામાં સઘન કામગીરી કરાશેરાજ્યમાં આરોગ્ય વિભાગના જુવેનાઇલ ડાયાબિટીસ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લામાં પણ કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં જુવેનાઇલ ડાયાબિટીસથી પીડિત દર્દીઓને પૂરતા માર્ગદર્શન સાથે જરૂરી સારવાર મળે તે માટે ભાવનગર શહેર અને જિલ્લામાં સઘન કામગીરી કરાશે. - ડો.ચિન્મય શાહ ડીન, સરકારી મેડિકલ કોલેજ, ભાવનગર

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 7:47 am

રેલવે તંત્ર દ્વારા નિર્ણય:રેલવે દ્વારા ભાવનગર-બાન્દ્રા સહિત 4 ટ્રેનોની ફ્રિકવન્સી ફેબ્રુ. સુધી લંબાવાઈ

ભાવનગર રેલવે ડિવિઝન તળેની 4 જોડી સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરોના મળી રહેલા અભૂતપૂર્વ આવકારને કારણે યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં રાખી રેલવે તંત્ર દ્વારા ફ્રિકવન્સી વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભાવ. ડિવિઝનના સીનિયર ડીસીએમ અતુલકુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 09207 બાંદ્રા ટર્મિનસ-ભાવનગર સાપ્તાહિક સ્પેશિયલ જે અગાઉ 26 ડિસેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે 27 ફેબ્રુઆરી 2026 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09208 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ, જે અગાઉ 25 ડિસેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે 27 ફેબ્રુઆરી 2026 સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર 09211 ગાંધીગ્રામ - બોટાદ સ્પેશિયલ જે અગાઉ 31 ડિસેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તે હવે 28 ફેબ્રુઆરી 2026 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 09212 બોટાદ-ગાંધીગ્રામ સ્પેશિયલ, જે અગાઉ 31 ડિસેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તે હવે 28 ફેબ્રુઆરી 2026 સુધી લંબાવવામાં આવી છે. ભાવ.-ગાંધીગ્રામ સ્પેશિયલ, જે અગાઉ 31 ડિસેમ્બર 2025 સુધી અધિસૂચિત કરાઈ હતી, તેને હવે 28 ફેબ્રુઆરી 2026 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 09215 ગાંધીગ્રામ-ભાવનગર સ્પેશિયલ, જે અગાઉ 31 ડિસેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તે હવે 28 ફેબ્રુઆરી 2026 સુધી લંબાવવામાં આવી છે. ભાવનગર-ધોળા સ્પેશિયલ અગાઉ 31 ડિસે. 2025 સુધી અધિસૂચિત કરાઈ હતી, તેને હવે 28 ફરવરી 2026 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09529 ધોલા-ભાવનગર સ્પેશિયલ જે અગાઉ 31 ડિસેમ્બર 2025 સુધી અધિસૂચિત કરાઈ હતી, તેને હવે 28 ફેબ્રુઆરી 2026 સુધી લંબાવાઈ છે. ભાવનગર ટર્મિનસ સ્ટેશન પર પીટ લાઇનની મરામત માટે ચાલતા કામને લીધે ધોળા–ભાવ.ધોળા દૈનિક સ્પેશિયલ ટ્રેન 25 જાન્યુઆરી, 2026 સુધી રદ રખાઈ છે. આ કામ પૂર્ણ થયા બાદ ટ્રેનને 26 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી, 2026 સુધી વિસ્તૃત કરાઈ છે. અભૂતપૂર્વ આવકાર છતા કટકે કટકે એક્સટેન્શનભાવનગર રેલવે ડિવિઝનની 0 નંબરથી શરૂ થતી સ્પેશિયલ ટ્રેનો જ્યારથી શરૂ કરવામાં આવી છે ત્યારથી અભૂતપૂર્વ આવકાર મળી રહ્યો છે, અને રેલવેને પણ તેની નોંધપાત્ર આવક મળી રહી છે. પરંતુ આ સ્પેશિયલ ટ્રેનોની ફ્રિકવન્સી ત્રણ-ત્રણ મહિના માટે વધારવામાં આવે છે, કાયમી ધોરણે આ ટ્રેનો ફાળવવામાં આવે તો મુસાફરોના આયોજનો શક્ય બની શકે છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 7:46 am

વેધર રિપોર્ટ:રાત્રે તાપમાન સામાન્યથી 3 ડિગ્રી વધુ

ભાવનગર શહેરમાં ડિસેમ્બરનો અંત ભાગ આવી ગયો છતાં કડકડકતી ઠંડી જામી નથી. શહેરમાં આજે લઘુત્તમ ઉષ્ણતામાન વધીને 16.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું છે. શહેરમાં આજે રાતના સમયે સામાન્ય કરતા 3 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયું હતુ. જ્યારે મહત્તમ તાપમાન 27.9 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. શહેરમાં પવનની ઝડપ 8 કિલોમીટર નોંધાઇ હતી. પવનની દિશા ઉત્તરની ન થતા અને બરફવર્ષાના પવનની અસર ભાવનગરમાં ન આવતા હજી કોલ્ડ વેવ સર્જાયો નથી. ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 28.9 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ તે આજે એક ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 27.9 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. 24 કલાક અગાઉ શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 16.2 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે વધીને 16.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા બપોરના સમયે તાપમાન ઘટી રહ્યું છે પણ રાતના સમયે શિયાળાના મધ્ય જેવી ઠંડીનો અનુભવ થઇ રહ્યો નથી. શહેરમાં બે દિવસ હવાનું પ્રદૂષણ વધશેભાવનગરમા રવિવાર તથા સોમવારના રોજ સવારના 6થી9 ધુમ્મસવાળી સવાર લાગશે એટલે હવા ધુમ્મસ-ધુમાડો અથવા ધૂળથી ભરેલી રહેશે. જેના કારણે દૃશ્યતા ચારથી 6 કિલોમીટર સુધી ઘટી જવાની શકયતા છે વાતાવરણ અસ્પષ્ટ બનસે અને વસ્તુઓ ઝાંખી અથવા અસ્પષ્ટ દેખાશે વળી સૂર્ય વરાળના પડદામાંથી નિસ્તેજ ડિસ્ક જેવો દેખાશે. વસ્તુઓ ઓછી તીક્ષ્ણ અને વધુ અસ્પષ્ટ અને ઝાંખી દેખાશે. સવારનુ તાપમાન 15 ડિગ્રીથી 16 ડિગ્રી સેન્ટીગ્રેડ રહેશે તેમજ ભેજ 65થી 70% રહેશે. હવાની ગુણવત્તા 140થી160 જેને બીનઆરોગ્યપદ ગણી શકાય. પવનની ઝડપ હળવી 5-7 કિમી/કલાક રહેશે. PM નુ સ્તર wHO ની માર્ગદર્શિકા કરતા 5થી 6 ગણુ વધારે રહેશે જે હાનિકારક બનશે [PM એટલે હવામા તરતા કણો] - બી.આર. પંડિત, હવામાનશાસ્ત્રી

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 7:45 am

સન્ડે બિગ સ્ટોરી:માફીયાઓએ 3 વર્ષમાં 28,175 મેટ્રિક ટન ખનીજની ચોરી કરી

શહેર જિલ્લામાં અસામાજીક તત્વો, દેશી વિદેશી દારૂના બૂટલેગરો, ડ્રગ્સ પેડલરો બાદ હવે ખનીજ ચોરો નો પણ આંતક સામે આવ્યો છે. જિલ્લામાં ખનિજ ચોરો દ્વારા ત્રણ જ વર્ષમાં 28175 મેટ્રિક ટન ખનીજ ની ઘોર ખોદી નાખી હોવાનું સામે આવ્યું છે જ્યારે ખાન ખનીજ વિભાગે ત્રણ વર્ષમાં 11.07 કરોડની દંડની વસૂલાત કરી છે. ભાવનગર જિલ્લામાં ગેરકાયદે ખનન, વહન અને સંગ્રહ સામે ભાવનગર ખાન ખનિજ વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે. છેલ્લા ત્રણ વર્ષ માં રેતી, માટી, મોરમ, સોફ્ટ મોરમ, કપચી તથા ડુંગર ખનિજના ગેરકાયદે ખનનમાં ભારે વધારો નોંધાયો છે. ત્રણ વર્ષના ગાળામાં સૌથી વધુ માટી અને મોરમનું ખનન થતાં સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચ્યું છે. ભાવનગર જિલ્લામાં એક જ ખનિજ ચોર અનેક વખત ઝડપાયો હોવાની નોંધ પણ મળી છે. ખાસ કરીને ભાવનગર, ઘોઘા, તળાજા, સિહોર અને ગારિયાધાર પંથક ગેરકાયદે ખનનના હોટસ્પોટ બન્યા છે. એકજ ખનીજ ચોર અનેકવાર તસ્કરીમાં ઝડપાયા ખનન, વહન અને સંગ્રહના 801 કેસો કરાયાભાવનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં ખનન, વહન અને સંગ્રહ ના 801 જેટલા કેસોમાં અનેક ખનિજ માફીયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાઈ છે અને 11 કરોડ થી વધુનો દંડ ફટકાર્યો છે. આગામી સમયમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેશે. - જાલોનધ્રા ભૂસ્તર શાસ્ત્રી ભાવનગર

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 7:42 am

રાજકોટનું પત્તું કપાયું:રાજકોટ ભાજપની અસંગઠિત ટીમ પ્રદેશ સંગઠનમાંથી પણ કપાઇ ગઇ

ગુજરાત પ્રદેશ ભાજપની નવી ટીમમાં મહામંત્રી પદ રાજકોટને મળશે તેવો માહોલ રાજ્યભરમાં હતો, પરંતુ શનિવારે મોડીસાંજે પ્રદેશ ભાજપની નવી ટીમ જાહેર થઇ તેમાં રાજકોટનું પત્તું કાપી નખાયું છે. મંત્રીમંડળમાં પણ અનેક ધારાસભ્યો દાવા કરી રહ્યા હતા અને સંગઠનમાં પણ કેટલાક નામો આગળ દોડી રહ્યા હતા, પરંતુ યાદી જાહેર થઇ ત્યારે આગળ દોડતાં ઘોડા ચિત્રમાં ક્યાંય નહીં દેખાતા શહેર ભાજપમાં સોપો પડી ગયો હતો. પ્રદેશ ભાજપનું નવું માળખું જાહેર થયું જેમાં ચાર મહામંત્રીના નામો જાહેર થયા તેમાં રાજકોટ જિલ્લાના ડો.પ્રશાંત કોરાટનો સમાવેશ કરવામાં આવ્યો છે અને પ્રદેશના મીડિયા ઇન્ચાર્જ તરીકે રાજકોટ શહેરના પ્રશાંત વાળાને સમાવવામાં આવ્યા છે આ સિવાય યાદીમાં રાજકોટ શહેર કે જિલ્લાના એકપણ આગેવાનનો સમાવેશ થયો નથી. એટલું જ નહીં યુવા મોરચા, મહિલા મોરચા, કિસાન મોરચા, ઓબીસી મોરચા, એસ.સી. મોરચા, એસ.ટી. મોરચા અને લઘુમતી મોરચાના પ્રમુખની 5 જાહેરાત કરવામાં આવી છે અને આ એકપણ મોરચામાં રાજકોટ શહેરનો સમાવેશ નહીં કરી રાજકોટ ભાજપને પ્રદેશે જોરનો ઝટકો આપ્યો છે. પ્રદેશ મહામંત્રી પદ માટે રાજકોટમાંથી સૌથી આગળ ડો.ભરત બોઘરાનું નામ ચાલતું હતું. આ ઉપરાંત પણ બે નામની પ્રબળ દાવેદારી હતી, પરંતુ યાદી જાહેર થઇ તેણે સૌને ચોંકાવ્યા હતા. ડો.પ્રશાંત કોરાટની નિયુક્તિથી રાજકોટ શહેર ભાજપમાં સોપો પડી ગયો હતો. વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે રાજકોટ શહેરનો રાજ્યભરમાં દબદબો હતો, પરંતુ તેમના નિધન બાદ શહેર ભાજપની હાલત કફોડી બની છે, દરેક આગેવાન પોતાનું રાજકારણ મજબૂત કરવા પોતાનાને સ્થાન અપાવવા અને પોતાનું સ્થાન મજબૂત કરવા મથી રહ્યા છે. પ્રશાંત કોરાટને મહામંત્રી બનાવી ભાજપે રાદડિયાને ઝટકો આપ્યોનવા મંત્રીમંડળમાં જયેશ રાદડિયા નિશ્ચિત છે. તેમને કેબિનેટ મંત્રી બનાવાશે તેમનો કોઇ વિકલ્પ નથી, તેમની કોઇ સ્પર્ધા નથી આવી અનેક વાતો રાજકીય પંડિતો અને રાદડિયાના ટેકેદારો કહી રહ્યા હતા. મંત્રીમંડળના શપથ વખતે સ્ટેજની સામે બેઠેલા રાદડિયાએ પરાણે ચહેરો હસ્તો રાખીને પાર્ટીનો આદેશ શિરોમાન્ય હોવાની વાત મીડિયા સમક્ષ કરી હતી. મંત્રીપદ નહીં મળતાં પ્રદેશ ભાજપના મહામંત્રી બનાવી પાર્ટી તેમની તાકાતનો ઉપયોગ કરશે તેવી વાતો બાદમાં શરૂ થઇ હતી. જયેશ રાદડિયાને તો પાર્ટીએ કોઇ હોદ્દો ન આપ્યો, પરંતુ તેના કટ્ટર રાજકીય હરીફ મનાતા જેતપુરના પ્રશાંત કોરાટને મહામંત્રી બનાવી ભાજપે જયેશ રાદડિયાને મોટો ઝટકો આપ્યાનું રાજકીય પંડિતો માની રહ્યા છે અને આ ઝટકાની અસર આગામી મહિનાઓમાં દેખાશે તેવો ગણગણાટ પણ શરૂ થઇ ગયો હતો. રાજકોટમાંથી ડો. બોઘરા, ઉદય કાનગડ, મીરાણી અને અરવિંદ રૈયાણીની બાદબાકી કરી નખાઇપ્રદેશ ભાજપના નવા સંગઠનમાં મહામંત્રી પદ માટે રાજકોટ શહેરમાંથી ડો.ભરત બોઘરાનું નામ સૌથી આગળ ચાલતું હતું. પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે સી.આર.પાટીલ હતા ત્યારે તેમની ટીમમાં બોઘરા ઉપપ્રમુખ હતા અને તેમનો દબદબો હતો. નવા સંગઠનમાં બોઘરાના અનુભવનો ઉપયોગ થશે તેવું નિશ્ચિત મનાતું હતું, પરંતુ તેમને નવી ટીમમાં સમાવવામાં આવ્યા નથી. નવા મંત્રીમંડળમાં રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડનું નામ છેલ્લે સુધી ચર્ચામાં હતું. મંત્રીપદ ન મળ્યા બાદ કાનગડ પ્રદેશના મહામંત્રી બનશે તેવા દાવા થઇ રહ્યા હતા, પરંતુ તેમને પણ ધારાસભ્ય તરીકે જ લોકોની સેવા કરવાનો પક્ષે આદેશ આપ્યો હોય તેવું લાગે છે. શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણીએ પણ મહામંત્રી પદ માટે પોતાનો ઘોડો દોડાવ્યો હતો, પરંતુ તે ઘોડો નિશ્ચિત સ્થાન સુધી પહોંચી શક્યો નથી. પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી કેટલાક મહિનાથી ફરી સક્રિય બન્યા હતા અને પ્રદેશની ટીમમાં કોઇ હોદ્દો લઇ આવશે તેવું તેમના ટેકેદારો કહી રહ્યા હતા, પરંતુ રૈયાણીને પણ સમાવવામાં આવ્યા નથી. શહેર ભાજપ પ્રમુખ, પ્રભારી, 2 નિરીક્ષક તમામ દાવેદારોના નામની યાદી રજૂ કરશેરાજકોટ શહેર પ્રમુખની નિયુક્તિના 10 મહિના વીતી ગયા છે છતાં તેમને નવી ટીમ મળી નથી, પરંતુ હવે ઇંતજારની ઘડી નજીક આવી ગઇ છે અને અઠવાડીયામાં નવી ટીમ જાહેર થઇ જશે. સોમવારે શહેર પ્રમુખ સહિતના ચાર આગેવાન પ્રદેશ અધ્યક્ષ સાથે નવા નામોની ચર્ચા કરશે, ત્યારબાદ નજીકના દિવસોમાં નવા હોદ્દેદારોના નામ જાહેર કરાશે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે દશ મહિના પહેલાં ડો.માધવ દવેના નામની જાહેરાત થઇ હતી. નવા પ્રમુખની સાથે જ તેમની નવી ટીમની જાહેરાત થઇ જશે તેવી વાતો તત્કાલીન સમયે થઇ હતી, પરંતુ દશ દશ મહિના વીતી ગયા છતાં નવું માળખું રચાયું નથી. એકાદ મહિના પહેલાં પ્રદેશ ભાજપે નિરીક્ષકોની યાદી જાહેર કરી હતી અને શહેર ભાજપના અપેક્ષિતો સાથે બેઠક કરી નવા માળખાના નામોની ચર્ચા કરી હતી અને ત્રણ મહામંત્રી સહિત 22 હોદ્દેદારની યાદી માટે એક હોદ્દા માટે ત્રણ ત્રણ નામની પેનલ તૈયાર કરી હતી. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકર છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના અલગ અલગ શહેર જિલ્લાના પ્રમુખો અને પ્રભારીને બોલાવી નવા સંગઠનના નામોની ચર્ચા કરી રહ્યા છે. સોમવારે રાજકોટ શહેરના પ્રમુખ અને પ્રભારીને બોલાવવામાં આવ્યા છે અને નવા સંગઠનના નામની ચર્ચા થશે. શહેર ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના નવા સંગઠનમાં જે નામોની પેનલ તૈયાર કરી છે તે તમામ દાવેદારોની સામાજિક છાપ, તે કઇ જ્ઞાતિના છે, તેની ક્ષમતા સહિતની બાબતોને ધ્યાને રાખી અંતિમ યાદી તૈયાર કરાશે. નવા સંગઠનમાં ભાજપના સાચા અને સક્ષમ કાર્યકરની જ પસંદગી કરાશે તેવા દાવા હાલમાં કરવામાં આવી રહ્યા છે, શહેર પ્રમુખ માધવ દવેની નિયુક્તિના દશ મહિના વીતી ગયા છે. આ ગાળા દરમિયાન પાર્ટીના કાર્યક્રમોમાં તેમણે એકલવીર તરીકેની ભૂમિકા ભજવી છે ત્યારે એક અઠવાડિયામાં હવે તેમને નવી ટીમ મળી જશે. મહાનગરપાલિકાની ચૂંટણી પણ આગામી મહિનાઓમાં યોજાવાની છે ત્યારે તમામ સમીકરણોને ધ્યાને લઇને ટીમ તૈયાર થશે અને નવી ટીમ સામે મનપાની ચૂંટણીમાં પાર્ટીની ઐતિહાસિક જીત મેળવવાનો પડકાર રહેશે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 7:40 am

હરિભક્ત બની ઠગાઈ કરતો ઠગ ઝડપાયો:ભગવાનને સોનું અર્પણ કરવું છે તેવા બહાના બતાવી 14 સ્વામીનારાયણ મંદિરમાંથી એક કરોડના હારની ઉઠાંતરી

‘હું સુરતથી હરિભકત ગોપાલભાઈ છું, મારી દીકરીને ભાવનગરની સરકારી કોલેજમાં એડમિશન મળી ગયું છે, મેં ભગવાનને 51 ગ્રામ સોનું અર્પણ કરવાનો સંકલ્પ કર્યો છે’. જેથી અમે કાલે સવારે મંદિરે આવીશું, તમે હાર મગાવી રાખજો. તેવું કહી વાસણાના સ્વામિનારાયણ મંદિરમાં આવી રૂ.6.51 લાખનો ચેક આપી બહાર ગાડીમાં બેઠેલી પત્નીને હાર બતાવવાના બહાને બે ગઠિયા હાર લઈ ભાગી ગયા હતા. ક્રાઈમ બ્રાંચે બેમાંથી એક ગઠિયાને ઝડપી લીધો હતો. આ બંનેએ ગુજરાતના 14 સ્વામિનારાયણ મંદિરોને ટાર્ગેટ કરી અંદાજે 1 કરોડના હાર પડાવ્યા હતા. આરોપી શૈલેષે 9 વર્ષમાં પોરબંદર, રાજકોટ, ભાવનગર, સુરત, ભુજ, મહેસાણા અને વાસણા મળી 14 મંદિરમાં આ જ રીતે સોનાના રૂ.1 કરોડની કિંમતના 14 હારની ઠગાઈ કરી હતી. જ્યારે તેનો સાથી કલ્પેશ ફરાર છે. 9 વર્ષ પહેલાં શૈલેષની હિંમત ખુલીરાજકોટનો વતની શૈલેષ સ્વામિનારાયણ સત્સંગી હોવાથી ટીકો કરીને મંદિરોમાં અવરજવર કરતો હોવાથી ત્યાંના રીત-રિવાજને સારી રીતે જાણતો હતો. સંકલ્પ પૂરો થતા હરિભકતો મંદિરોમાં સોનાના દાગીનાની ભેટ આપતા હોવાની વાત તે સારી રીતે જાણતો હતો. તેથી તેણે 9 વર્ષ પહેલાં પોરબંદરના મંદિરને ટાર્ગેટ કરી હાર પડાવ્યો હતો. જેમાં સફળ થતા તેની હિંમત વધી ગઈ હતી. ગૂગલ પરથી મંદિરોના નામ-સરનામાં, કોઠારી સ્વામીના નામ-નંબર મેળવતો હતો. બધી જગાએ ખોટો ચેક પધરાવી સેટ પડાવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 7:37 am

ડૉ.બારોટે ઉચ્ચ શિક્ષણ કમિશનરને લેખિત રજૂઆત કરી:સરકારી યુનિ.ની ભરતીમાં અધ્યાપક સહાયકનો અનુભવ માન્ય ગણો

ગુજરાતની બધી યુનિવર્સિટીઓને તેમની યુનિવર્સિટીના જુદા જુદા ભવનોમાં આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર અને પ્રોફેસરની ભરતી માટે યુજીસી રેગ્યુલેશન સમાન રીતે લાગુ પડે છે. આ સંજોગોમાં ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં ભરતી વખતે આવેલ અરજીઓ પૈકી અધ્યાપકોનો અનુભવ ક્યો માન્ય રાખવો તે સંદર્ભે મતમતાંતર પ્રવર્તી રહ્યા છે. આ મુદ્દે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.નિદત બારોટે રાજ્યના ઉચ્ચ શિક્ષણ કમિશનરને લેખિત રજૂઆત કરી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, ફિક્સ પગારમાં અધ્યાપક સહાયક તરીકે જે અધ્યાપકોએ કામ કર્યું છે અને હવે યુનિવર્સિટીઓમાં એસોસિયેટ પ્રોફેસર અથવા પ્રોફેસર માટે અરજી કરે ત્યારે તેમણે અધ્યાપક સહાયક તરીકે કરેલા કામનો અનુભવ ધ્યાનમાં લેવાનો છે. ગુજરાત સરકાર દ્વારા તારીખ 16/02/2024 થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને અગાઉ આ બાબતની જાણ કરેલી છે. આમ છતાં આ બાબતનો યોગ્ય પ્રતિભાવ નવી ભરતીમાં મળી રહ્યો નથી. જ્યારે જુદી જુદી યુનિવર્સિટીઓમાં આ બાબતની જાણ ન હોય તેવું પણ બને. જેથી તા.23/02/2024ના રોજ ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી દ્વારા આઉટવર્ડ નંબર 545થી જે પત્ર કરવામાં આવ્યો છે તે બાબતની જરૂરી સ્પષ્ટતા કરતી વિગત ગુજરાતની બધી જ યુનિવર્સિટીઓને મોકલી આપવાની જરૂરિયાત છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 7:34 am

સૌરાષ્ટ્રની ભગા યુનિવર્સિટી:બી.એડ. સેમેસ્ટર-3ની પરીક્ષામાં MCQના ઓપ્શન આપવાનું જ ભૂલાઇ ગયું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને વિવાદો હવે એક સિક્કાની બે બાજુ બની ગયા હોય તેમ શૈક્ષણિક જગતને શરમાવે તેવી એક વધુ ઘટનામાં, યુનિવર્સિટીના સત્તાધીશો અને પેપર સેટરની ઘોર બેદરકારી સામે આવી છે. B.Ed. સેમેસ્ટર-3ની પરીક્ષામાં ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ વિષયના પેપરમાં પેપર સેટર સવાલો તો પૂછી બેઠા, પણ તેના જવાબો માટેના વિકલ્પો (ઓપ્શન) આપવાનું જ ભૂલી ગયા! આ છબરડાને કારણે આશરે 4 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષાખંડમાં મૂંઝવણમાં મુકાયા હતા. તાજેતરમાં લેવાયેલી B.Ed. સેમેસ્ટર-3ની પરીક્ષામાં ‘ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ’ વિષયનું 35 માર્ક્સનું પેપર હતું. પેપર સ્ટાઈલ મુજબ શરૂઆતમાં 5 માર્ક્સના MCQ પૂછવાના હોય છે. નવાઈની વાત તો એ છે કે, પેપર સેટરે પ્રશ્નો તો છાપ્યા પણ તેની નીચે આપવાના થતા ચાર વિકલ્પો આપવાનું જ ભૂલી ગયા. 5 માર્કના પાંચેય પ્રશ્નોમાં આ જ પ્રકારની ‘બાલીશ’ ભૂલ જોવા મળી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અવારનવાર થતા આવા છબરડાઓ હવે શિક્ષણ જગતમાં હાસ્યાસ્પદ બની રહ્યા છે. જ્યારે વિદ્યાર્થીઓએ આ બાબતે હોબાળો કર્યો અને ફરિયાદ ઊઠી ત્યારે પરીક્ષા વિભાગ સફાળું જાગ્યું હતું. ઉતાવળે ઓપ્શન સાથેના નવા પેપર સેટ કરવામાં આવ્યા અને કેન્દ્રો પર મોકલવામાં આવ્યા. આ અંધાધૂંધીમાં 4000 જેટલા વિદ્યાર્થીનો કિંમતી સમય વેડફાયો હતો. જોકે, યુનિવર્સિટીએ 15 મિનિટનો વધારાનો સમય આપ્યો હતો. સળગતા સવાલો | પ્રોફેસરની પેપર સેટ કરવાની સિસ્ટમમાં ખામી, ભગો કરનાર પ્રોફેસર સામે યુનિવર્સિટી પગલાં લેશે કે, તેને છાવરશે 1. તપાસ કે માત્ર દેખાડો? | શું યુનિવર્સિટી માત્ર ‘ખુલાસો’ પૂછવાની વિધિ કરીને જવાબદાર પેપર સેટરને છાવરવાનો પ્રયાસ કરી રહી છે? ભૂતકાળના છબરડાઓમાં કેટલા અધ્યાપકોને ખરેખર કડક સજા થઈ છે? 2. વેરિફિકેશનની પ્રક્રિયા ક્યાં છે? | પેપર સેટ થયા પછી તેનું પ્રૂફ રીડિંગ કે મોડરેશન કરવા માટે કઈ સિસ્ટમ કાર્યરત છે? શું પેપર સીધું જ પ્રિન્ટિંગ પ્રેસમાં મોકલી દેવામાં આવે છે? 3. 4 હજાર વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યનું શું? | 4000 વિદ્યાર્થીની કારકિર્દી અને તેમના માનસિક સ્વાસ્થ્યનું શું? પરીક્ષાખંડમાં જે મૂંઝવણ અને ડર પેદા થયો, તેના માટે કોણ જવાબદાર? 4. નિયમો માત્ર વિદ્યાર્થીઓ માટે જ? | જો વિદ્યાર્થી પરીક્ષામાં નાની ભૂલ કરે તો તેની સામે શિસ્તભંગના પગલાં લેવાય છે, તો હજારો વિદ્યાર્થીઓને મુશ્કેલીમાં મૂકનાર પેપર સેટર સામે ફોજદારી ગુનો કેમ નહીં? 5. પગાર લાખોમાં, પણ કામમાં શૂન્યતા? | પેપર સેટ કરવા માટે મસમોટા માનદ વેતન લેતા અધ્યાપકોને શું સામાન્ય MCQ ની પેપર સ્ટાઈલની પણ ખબર નથી? આ તે કેવું ‘ગાઈડન્સ એન્ડ કાઉન્સિલ’? 6. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શાખનું શું? | વારંવાર થતા આવા છબરડાઓથી રાજ્યભરમાં યુનિવર્સિટીની ડિગ્રીની વિશ્વસનીયતા પર સવાલો ઊઠી રહ્યા છે, શું સત્તાધીશોને તેની કોઈ ચિંતા છે? સત્તાધીશોનો બચાવ અને દંડની વાતો...આ ગંભીર છબરડા અંગે ઇન્ચાર્જ પરીક્ષા નિયામકે સ્વીકાર્યું હતું કે, આ પેપર સેટરની ક્ષતિ છે. તેમણે જણાવ્યું કે, આ મામલે જવાબદાર અધ્યાપક પાસે ખુલાસો માગવામાં આવશે અને કમિટી સમક્ષ રજૂ કરી સજા કે દંડ ફટકારવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 7:33 am

કેરાલાના રાજ્યપાલ દ્વારા આહ્વાન:‘સોને કા શેર’ રાષ્ટ્ર નિર્માણ કરવું છે

રાજકોટ | પ્રાંસલા મુકામે તા.4 જાન્યુઆરી સુધી યોજાનાર 26મી રાષ્ટ્રકથા શિબિરનો વૈદિક યજ્ઞથી શુભારંભ થયો હતો. જેમાં કેરાલાના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર, રાજ્યના વન-પર્યાવરણ-ક્લાઇમેટ ચેન્જ અને સાયન્સ-ટેક્નોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, આસામ રાઇફલના ડીજી લેફ્ટનન્ટ જનરલ વિકાસ લાખેરા સહિતના અગ્રણીઓ સામેલ થયા હતા. સ્વામી ધર્મબંધુજીએ કહ્યું હતું કે, ‘પ્રત્યેક સૈનિક એ યુનિફોર્મમાં સજ્જ નાગરિક છે અને પ્રત્યેક નાગરિક એ યુનિફોર્મ વિનાનો સૈનિક છે.’ બાહ્મ સુરક્ષા જેટલી જ આંતરિક સતર્કતા અને સંયમની આવશ્યકતા છે. જ્યારે કેરાલાના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર પુનએ પોતાના વક્તવ્યમાં ‘સોને કી ચીડિયા’ નહીં, સંપત્તિવાનની સાથે સશક્ત ‘સોને કા શેર’ રાષ્ટ્ર નિર્માણ કરવા આહ્વાન કર્યું હતું. આસામ રાઇફલના ડીજી લેફ્ટનન્ટ જનરલ વિકાસ લાખેરાએ કહ્યું કે, જ્યારે માની શિખામણ ભૂલી જઇએ છીએ ત્યાંથી ખરાબ કૃત્યોનો આરંભ થાય છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 7:31 am

રાજકોટ બન્યું સાક્ષાત સાળંગપુરધામ:યુવા કથાની પોથીયાત્રા, 31st નહીં, બજરંગબલી ફર્સ્ટ

રંગીલા રાજકોટના આંગણે આસ્થા અને યુવા શક્તિનો અદભુત સંગમ રચાયો છે. શહેરના હૃદય સમાન રેસકોર્સ ગ્રાઉન્ડમાં સાળંગપુરધામ કષ્ટભંજન દેવના સાંનિધ્યમાં ‘હનુમાન ચાલીસા યુવા કથા’નો ભવ્ય પ્રારંભ થયો છે. 2 જાન્યુઆરી સુધી ચાલનારો આ મહોત્સવ માત્ર એક કથા નથી, પરંતુ રાજકોટવાસીઓની અતૂટ ભક્તિનું પ્રતીક બની રહ્યો છે. કથાના પ્રારંભ પૂર્વે શનિવારે બપોરે વિરાણી હાઈસ્કૂલ મેદાનથી એક ઐતિહાસિક પોથીયાત્રા નીકળી હતી. આ યાત્રામાં હાથી, ઘોડા, વિન્ટેજ કારોનો કાફલો, નાસિક ઢોલના ગુંજારવ અને બુલેટસવારોએ રાજકોટના માર્ગો પર કેસરિયો માહોલ સર્જ્યો હતો. ખાસ કરીને અઘોરી નૃત્ય અને બાહુબલી હનુમાનના પાત્રોએ લોકોના દિલ જીતી લીધા હતા. આ કથામાં પશ્ચિમી સંસ્કૃતિને તિલાંજલિ આપી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાનો પ્રયાસ કરાયો છે. 31મી ડિસેમ્બરની રાત્રે યુવાનો ક્લબ કે પાર્ટીઓના બદલે હનુમાનદાદાની આરાધના સાથે નવા વર્ષને વધાવશે. આ દિવસે 151 કિલોની કેક, 108 કિલો પુષ્પવર્ષા અને ભવ્ય અન્નકૂટના દર્શનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સેવાનો મહાયજ્ઞ | 5 લાખ પ્રસાદ કિટ અને 3000 સ્વયંસેવક અઘોરી નૃત્ય અને નાસીકની ઢોલ ટીમે આકર્ષણ જમાવ્યુંકથા માટે રેસકોર્સ મેદાનને ખાસ સાળંગપુર થીમ પર સજાવવામાં આવ્યું છે. અહીં 52 ફૂટ ઊંચું સાળંગપુર હનુમાનજીનું ભવ્ય મંદિર પ્રતિકૃતિ સ્વરૂપે ઊભું કરાયું છે, જે ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વિશાળ ડોમમાં એકસાથે 50,000થી વધુ ભક્તો બેસી શકે તેવી અદ્યતન વ્યવસ્થા કરવામાં આવી છે. 7 દિવસ સુધી દરરોજ રાત્રે 7:30થી 11:30 વાગ્યા સુધી હરિપ્રકાશદાસજી સ્વામીના મુખેથી હનુમાનજીના જીવન ચરિત્રનું ભક્તો રસપાન કરશે. હનુમાન ચાલીસા યુવા કથાના પ્રારંભે નીકળેલી પોથી યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો ઊમટી પડ્યા હતા. આ યાત્રાનું શહેરના મુખ્ય માર્ગો પર ઠેર-ઠેર સ્વાગત કરાયું હતું. યુવાનો સાફા પહેરીને અને બાળકો હનુમાનજીના વેશમાં જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 7:29 am

મિત્રતાનો ગેરલાભ લઈને ઠગાઈ:બેંક કર્મચારીએ મિત્રના નામે બારોબાર વ્યવહાર કરી નાખ્યા

કોલેજ સમયની મિત્રતાનો ગેરલાભ ઉઠાવી ખાનગી બેંકના કર્મચારીએ તેના મિત્ર અન્ય એક બેંકના કર્મચારીના મહત્ત્વના દસ્તાવેજો મેળવી લઇ પોતાની બેંકમાં ચાર ખાતા ખોલી નાખી લાખો રૂપિયાના આર્થિક વ્યવહાર કરી નાખ્યા હતા. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. લક્ષ્મીવાડીમાં રહેતા અને ખાનગી બેંકમાં રિલેશનશિપ મેનેજર તરીકે ફરજ બજાવતાં જયદીપ હરેશભાઇ ચાવડા (ઉ.વ.32)એ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અન્ય એક ખાનગી બેંકમાં નોકરી કરતાં તેના મિત્ર નિલ પંકજ દફતરીનું નામ આપ્યું હતું. તા.19 સપ્ટેમ્બર 2025ના નિલ જે બેંકમાં નોકરી કરે છે તેના કર્ચારીઓ જયદીપના ઘરે ગયા હતા અને ડોક્યુમેન્ટ સબમિટ કરવાનું કહ્યું હતું. જોકે પોતાનું કોઇ એકાઉન્ટ તે બેંકમાં નહીં હોવાનું જયદીપે કહેતા કર્મચારીઓે તેને બીજા દિવસે બેંકે બોલાવ્યા હતા. જયદીપ ચાવડા બેંકે ગયા ત્યારે ત્યાં નિલ દફતરી પણ હાજર હતો અને તપાસ કરતાં જયદીપના પોલિસી વખતના ડોક્યુમેન્ટનો ગેરલાભ ઉઠાવી નિલે જયદીપના નામના એકાઉન્ટ ખોલી ઠગાઇ આચરી હતી.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 7:26 am

ફ્લાઇંગ સ્કવોડે રૂ.70 લાખની કિંમતના બે હિટાચી કબજે કર્યા:સાતડાની સીમમાં બ્લેકટ્રેપ ખનીજનું ગેરકાયદે ખનન થતું હતું

રાજકોટ જિલ્લામાં સ્થાનિક ભૂસ્તરશાસ્ત્રીની કચેરી મૂર્છિત બની ગઈ હોય તેવી સ્થિતિમાં ખનીજચોરી કરતા તત્ત્વો બેફામ અને બેખૌફ બની રેતી, કપચીનું ગેરકાદેસર ખનન અને પરિવહન કરી રહ્યા છે ત્યારે ચાલુ મહિનામાં ઉપલેટા પંથકમાં રેતીનું ખનન ઝડપી લીધા બાદ રાજકોટ તાલુકાના રામપર બેટી નજીક સાતડા ગામેથી ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે સ્થાનિક ખાણ ખનીજ વિભાગને ઊંઘતું ઝડપી લઇ બ્લેકટ્રેપ એટલે કે, કપચીનું મોટા પ્રમાણમાં ખનન ઝડપી લઈ અંદાજે રૂ.70 લાખની કિંમતના બે હિટાચી મશીન કબજે કર્યા હતા. રાજકોટ તાલુકાના રામપર બેટી વિસ્તારમાં મોટા પ્રમાણમાં બેલ્કટ્રેપની લીઝ આવેલી છે ત્યારે રામપર બેટી અને સાતડા ગામે કેટલાક તત્ત્વો દ્વારા ગેરકાયદેસર રીતે બ્લેકટ્રેપ ખનીજનું ખનન કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ ફ્લાઈંગ સ્ક્વોડના મદદનીશ નિયામકને મળતા ફ્લાઈંગ સ્ક્વોડ ટીમને બનાવ સ્થળે દોડાવવામાં આવી હતી. જે દરમિયાન સાતડા ગામે નદી પટ વિસ્તારની બાજુમાં બે હ્યુન્ડાઈ કંપનીના એક્સકેવેટર (હિટાચી) મશીન દ્વારા બ્લેકટ્રેપ ખનીજનું ખનન ચાલુ હોવાનું જોવા મળતા બ્લેકટ્રેપ ખનીજના ગેરકાયદેસર ખનનમાં ઉપયોગમાં લેવામાં આવેલ બન્ને હિટાચી મશીન કિંમત રૂપિયા 70 લાખનો મુદ્દામાલ કસ્ટડીમાં લેવાયો હતો. ભાદરકાંઠો અને અમદાવાદ હાઇવે ખનીજચોરી માટે કુખ્યાતરાજકોટ જિલ્લામાં હાલમાં અમદાવાદ હાઇવે પરથી મોટા પ્રમાણમાં રેતી તેમજ બ્લેકટ્રેપનું ગેરકાયદેસર પરિવહન થઇ રહ્યું હોવાનું જગજાહેર છે. અગાઉ સ્થાનિક ખાણ ખનીજ વિભાગ દ્વારા અમદાવાદ હાઇવે, બેડી ચોકડી તેમજ ઉપલેટા પંથકમાં ભાદર નદીમાંથી થતી રેતીની ખનીજચોરી અટકાવવા સતત ટીમોને દોડતી રાખવામાં આવતી હતી. જોકે છેલ્લા છ મહિનાથી સ્થાનિક ખાણ ખનીજ વિભાગ નિષ્ક્રિય બની ગયો હોય ખનીજચોરોને મોકળું મેદાન મળ્યું છે. ખાસ કરીને મોડીરાત્રિના સમયે મોરબી હાઇવે, અમદાવાદ હાઇવે અને ઉપલેટા પંથકમાંથી ગેરકાયદેસર ખનીજનું વ્યાપક પ્રમાણમાં પરિવહન થતું હોવા છતાં પણ સ્થાનિક તંત્ર ખનીજચોરી અટકાવવા પ્રયત્નશીલ ન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સ્થળનું મેજરમેન્ટ બાદ આકરો દંડ ફટકારવામાં આવશેરાજકોટ ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડ ટીમે પોલીસ ટીમને સાથે રાખી સાતડા ગામની નદી નજીક બ્લેકટ્રેપનું ગેરકાયદેસર ખનન ઝડપી લેવા પ્રકરણમાં બનાવ સ્થળે હાજર ધર્મેન્દ્રભાઈ મનુભાઈ ધાંધલની પૂછતાછ કરતા આ વ્યક્તિએ હિટાચી મશીન પોતાના હોવાનું કબૂલી ખનન થયેલ વિસ્તારનો કબજો ભોગવટો તથા થયેલ ખનન ગેરકાયદેસર હોવાનું સ્વીકાર્યું હતું.જેથી ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા દરોડા સ્થળનું મેજરમેન્ટ કરી કેટલી ખનીજચોરી કરવામાં આવી છે તે સહિતની કાર્યવાહી બાદ આકરો દંડ ફટકારવાના સંકેત આપ્યા હતા.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 7:25 am

યાત્રીઓ આપે ધ્યાન:ઓટોમેટિક સિગ્નલિંગને લીધે વંદે ભારત સહિત 6 ટ્રેન મોડી પહોંચી

પશ્ચિમ રેલવેના અમદાવાદ-વિરમગામ સેક્શનમાં ચાંદલોડિયા-આંબલી રોડ-ગોરાઘુમા-સાણંદ સ્ટેશનો વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ સ્થાપિત કરવાના કાર્ય માટે 27 અને 28 ડિસેમ્બર 2025ના રોજ નોન-ઈન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેન પ્રભાવિત રહેશે. જેમાં એક ટ્રેન સંપૂર્ણ અને ત્રણ ટ્રેન આંશિક રદ, બે ટ્રેનના રૂટ બદલવા પડ્યા છે. આંશિક રીતે રદ ટ્રેન | ગાંધીનગર -વેરાવળ ઇન્ટરસિટી આંશિક રદ તા.28 અને 29 ડિસેમ્બરની ટ્રેન નં.19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ ગાંધીનગર અને સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રદ રહેશે. તા.28 ડિસેમ્બરની ટ્રેન 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી એક્સપ્રેસ સુરેન્દ્રનગર અને ગાંધીનગર કેપિટલ વચ્ચે આંશિક રદ રહેશે. પરિવર્તિત રૂટની ટ્રેન | વંદે ભારત એક્સપ્રેસનો રૂટ બદલવો પડ્યો

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 7:24 am

સન્ડે ફોટો ઇન્વેસ્ટિગેશન:જંગલેશ્વરમાં 1300 મિલકતના મેગા ડિમોલિશન પૂર્વે કાલથી સુનાવણી | સમગ્ર પ્રકરણે રાજકીયરૂપ ધારણ કર્યું

રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ઇતિહાસમાં સૌથી મોટા કહી શકાય તેવા મેગા ડિમોલિશનની તૈયારીના ભાગરૂપે જિલ્લા ક્લેક્ટર તંત્ર દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી લેનાર 1300થી વધુ આસામીને નોટિસ ફટકારી છે અને આવતીકાલે તા.29ને સોમવારથી સતત ત્રણ દિવસ સુનાવણી યોજનાર છે ત્યારે હાલ તો મેગા ડિમોલિશને રાજકીય રૂપ ધારણ કરી લીધું છે. કોંગ્રેસ દ્વારા અસરગ્રસ્તોને વૈકલ્પિક જગ્યા ફાળવ્યા બાદ જ ડિમોલિશન શરૂ કરવા માગણી કરી કાનૂની જંગ માટે પણ તૈયારી શરૂ કરી છે. રાજકોટ સિટી પૂર્વ મામલતદાર દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ અંતર્ગત જિલ્લા સમાહર્તાને ફાળવવામાં આવેલ જમીન પર દબાણ મામલે એકસાથે 1300થી વધુ દબાણકર્તાને નોટિસ ફટકારતા હાલમાં રાજકોટ જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યમાં ડિમોલિશનનો મુદ્દો હોટ ટોપિક બન્યો છે. ડિમોલિશન મુદ્દે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ મેદાને આવતા સમગ્ર મામલાએ હાલતો રાજકીય રંગ પકડ્યો છે. તેવામાં આવતીકાલે તા.29 તેમજ તા.30 અને 31 એમ ત્રણ દિવસમાં તમામ દબાણકર્તાઓને પુરાવા રજૂ કરવા સમય આપવામાં આવ્યો છે ત્યારે સુનાવણી બાદ હવે શું થાય છે તે જોવું રહ્યું. દબાણની દાસ્તાનજંગલેશ્વરમાં થયેલા દબાણ મુદ્દે આગામી દિવસોમાં વધુ વિવાદ થવાના છે ત્યારે સરકારી તંત્રનો વાંક શું છે ?, ભૂમાફિયાઓ કેવી રીતે ફાવ્યા ? તેનું અહીંયા વિશ્લેષણ કરવામાં આવ્યું છે. વાંક કોનો છે તે અંગે ચર્ચા થાય તો કેટલાક નેતાના નામ પણ બહાર આવે. RMCએ દબાણયુક્ત જમીન કલેક્ટર તંત્રને ધાબડી દીધી’તીમહાનગરપાલિકાએ ટીપી સ્કીમ નંબર-6ની અલગ અલગ ફાઇનલ પ્લોટની કુલ મળી 1.92 લાખ ચોરસમીટર જમીન જિલ્લા સમાહર્તા એટલે કે, જિલ્લા કલેક્ટરને ફાળવ્યા બાદ અહીં ટીપીનો રોડ, બ્રિજ તેમજ રિવરફ્રન્ટ માટે જમીનની જરૂરત હોય દબાણ હટાવવા માટે તજવીજ શરૂ થઇ છે ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી છે. વર્ષ 1986માં ટીપી સ્કીમ નંબર 6 ફાઇનલ થવા સમયે જિલ્લા સમાહર્તાને આરએમસીએ દબાણયુક્ત જ જમીન ફાળવી હોવાનું સામે આવ્યું છે. નિયમ મુજબ ટીપી સ્કીમ અમલમાં આવે ત્યારે સરકાર કે ખનગી પાર્ટીને જમીન ફાળવણી થાય ત્યારે પંચરોજકામ કરી કબજા સોંપવાના હોય છે. પરંતુ રાજકોટ શહેરમાં રાજકોટ, મવડી, નાનામવા, રૈયા, કોઠારિયા સહિતની મોટાભાગની ટીપી સ્કીમ જ્યારે ફાઇનલ થતી હોય છે ત્યારે આરએમસીના સત્તાધીશો મહેસૂલી તંત્ર એટલે કે કલેક્ટર તંત્રને અંધારામાં રાખી કાગળ ઉપર ફાઇનલ પ્લોટ ફાળવી દેતી હોવાનું અને આવી ફાઇનલ પ્લોટની મોટાભાગની જમીનો વોંકળા, નાળા તેમજ દબાણવાળી જમીન જ ધાબડી દઈ બળતું ઘર કૃષ્ણાર્પણ ઉક્તિ મુજબ કાર્યવાહી કરી રહ્યું છે. ટીપી સ્કીમ નંબર-6માં પણ આવી જ સ્થિતિ હોવાનું સામે આવ્યું છે. 39 વર્ષ સુધી દબાણો થતા રહ્યા અને તંત્રએ માત્ર તમાશો જોયોરાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર 6ના ફાઇનલ પ્લોટ નંબર 133, 136, 137 અને 159ની અંદાજે 1,92,000 ચોરસમીટરથી વધુ જમીન ટીપી ફાઇનલ થયા સમયે જિલ્લા સમાહર્તા એટલે કે, જિલ્લા કલેક્ટરને ફાળવવામાં આવ્યા બાદ 1986થી આ જમીન પર ખડકાયેલા વર્ષો જૂના દબાણો હટાવવા અચાનક જ સિટી પૂર્વ મામલતદાર દ્વારા 1300થી વધુ અસામીને નોટિસ ફટકારતા સો મણનો સવાલ ઊઠે છે કે, આવું શા માટે થાય છે. અંદાજે 39 વર્ષથી અહીં એક બાદ એક દબાણો ઊભા થતા ગયા ત્યારે આરએમસી કે ક્લેક્ટર તંત્રએ દબાણ અટકાવવા કેમ પ્રયાસ ન કર્યો ? આવા દબાણોને મનપાએ પાણીના કનેક્શન ક્યાં આધારે આપ્યા ? શા માટે આટલા વર્ષો સુધી તમાસો નિહાળ્યા બાદ અચાનક જ દબાણ હટાવવા પેરવી કરી નોટિસ ફટકારી સાથે કાનૂની ગૂંચવણ ઊભી ન થાય તે માટે કેવિએટ પણ દાખલ કરી, જોકે સળગતો સવાલ તો એ છે કે, તંત્ર આટલા વર્ષ કુંભકર્ણની નિદ્રામાં પોઢી ગયા બાદ હવે અચાનક જ રિવરફ્રન્ટ અને બ્રિજના નામે ખૂબ જ ટૂંકા ગાળાની નોટિસમાં ડિમોલિશનની તૈયારી કરતા દબાણ હટાવવાનો મુદ્દો તંત્ર માટે પડકારરૂપ બન્યો છે. આજી નદીના કાંઠે ખડકાયેલા દબાણો મામલે મનપાએ અગાઉ જ 938 આસામીને ફટકારી છે દબાણ હટાવવા નોટિસ રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના કાંઠે અંદાજે 50 વર્ષ પહેલાંના સમયથી દબાણ ખડકાઈ જતા રિવરફ્રન્ટ સહિતની યોજનામાં અંતરાયો ઊભા થયા છે. બીજી તરફ આજી નદીના કાંઠે જ દબાણ ઊભા થતા દર વર્ષે ચોમાસા દરમિયાન શાળા નંબર 70ની આસપાસનો વિસ્તાર જળમગ્ન થતો હોવાથી આરએમસીને દર વર્ષે રેસ્ક્યૂ કામગીરી કરવી પડે છે ત્યારે હવે વર્ષો જૂના દબાણ હટાવવા મામલે કોર્પોરેશન અને કલેક્ટર તંત્રએ હાથ મિલાવ્યા હોય તેવા ઘાટ વચ્ચે ગત ઓક્ટોબર માસમાં મહાનગરપાલિકાએ 938 આસામીને નોટિસ ફટકાર્યા બાદ હવે આ દબાણોને લાગુ જિલ્લા કલેક્ટર તંત્રને ફાળવવામાં આવેલ ટીપી સ્કીમ નંબર-6ની 1.92 લાખ ચોરસમીટર જમીન ખુલ્લી કરાવવા 1300થી વધુ આસામીને નોટિસ ફટકારવામાં આવતા સરકારી જમીન પર દબાણ ઊભા કરી લેનાર કુલ મળી 2200થી વધુ દબાણકારના દબાણ પર આરએમસી અને મહેસૂલી તંત્રના બુલડોઝર એકસાથે ચલાવવા તૈયારી કરી લેવામાં આવી હોવાના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 7:21 am

અમારી લડાઈ ટ્રસ્ટ સામે:વિરાણી સ્કૂલનું મેદાન બચાવવા કમિટી બની

રાજકોટ શહેરની વચ્ચોવચ્ચ શામજી વેલજી વિરાણી હાઇસ્કૂલને ફાળવવામાં આવેલ કરોડોની કિંમતી જમીન વર્તમાન ટ્રસ્ટીઓ વેચી મારવાની પેરવી કરી હાલમાં શાળાના બાળકોને રમવા માટેના મેદાનને ભાડે આપી દેવામાં આવતા વિરાણી હાઈસ્કૂલના જ ભૂતપૂર્વ છાત્ર દ્વારા છેલ્લા છ વર્ષથી લડત આપવામાં આવતા હાલમાં હાઇકોર્ટે સ્ટેટસ્ક્વો આપ્યો છે. જોકે તેમ છતાં હાલમાં વિરાણી સ્કૂલના મેદાનને ભાડે આપી શરતભંગ કર્યો હોય હવે વિરાણી હાઈસ્કૂલ મેદાન બચાવો આંદોલન છેડવામાં આવ્યું છે. શનિવારે રાષ્ટ્રીય શાળાના મધ્યસ્થ હોલ ખાતે મહાસંમેલન યોજી લડત માટે સમિતિની પણ રચના કરવામાં આવી હતી.જેમાં જાહેર કરાયું હતું કે, અમારી લડાઈ સરકાર કે તંત્ર સામે નહીં માત્ર ટ્રસ્ટ સામે જ છે. રાજકોટ શહેરની અસ્મિતા સમાન વિરાણી વિવિધલક્ષી વિદ્યાલયની મેદાનની જમીન વર્ષ 2019માં વર્તમાન ટ્રસ્ટીઓ દ્વારા વેચી નાખવા પેરવી કરતા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડો.પુરુષોત્તમ પીપરિયા દ્વારા કાનૂની લડત આપવામાં આવતા આ લડતમાં જિલ્લા કલેક્ટર તંત્ર પણ પક્ષકાર બન્યું હતું અને બાદમાં ટ્રસ્ટની જમીનના સત્તાપ્રકારમાં થયેલ ફેરફાર ફરી મૂળ રૂપમાં લાવવવા આવ્યા છે. જોકે આમ છતાં અહીં લાંબા સમયથી ખેલાડીઓ અને વિદ્યાર્થીઓને રમવા માટેના મેદાનમાં બોક્સ ક્રિકેટ, રાત્રિ બજાર જેવી વાણિજ્ય પ્રવૃત્તિ ચાલુ રહેતા ડો.પુરુષોત્તમ પીપરિયા વિરાણી મેદાન બચાવો સમિતિ બનાવી શનિવારે રાષ્ટ્રીય શાળા ખાતે મહાસંમેલન યોજતા આ લડતમાં પૂર્વ વિદ્યાર્થી એવા પૂર્વ કલેક્ટર કે.બી.ઉપાધ્યાય, કેળવણીકાર જતિન ભરાડ સહિતના અનેક પૂર્વ છાત્રો સહિત 150 જેટલા લોકો જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 28 Dec 2025 7:12 am