કાર્યવાહી:શિનોર તાલુકામાં ચોરી કરનારાતસ્કરો પાસેથી ~ 96 હજાર રિકવર
શિનોર તાલુકામાં ચકચાર જગાવી ચૂકેલ તારીખ 16 ડિસેમ્બર મનન વિદ્યાલય,સાધલી માં રૂપિયા 4,37,000 ની ચોરી તથા તારીખ 20 ડિસેમ્બર, મારુતિ સુઝુકી શોરૂમ આણંદી- સેગવા માંથી રૂપિયા 70,270 ની ચોરી ના અન ડિટેક્ટ ગુના, શિનોર પોલીસે હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ પુરાવાઓને આધારે બાતમીદાર મારફતે આરોપીઓની ઓળખ કરાવી બાતમી મેળવી તારીખ 22 ડિસેમ્બરના રોજ ચાર આરોપીઓને ઝડપી પાડી ડિટેક્ટ કર્યા છે. હજુ એક આરોપી પકડવાનો બાકી છે, આરોપીઓ પાસેથી રૂપિયા 96,766 રોકડા તથા ચાર મોબાઇલ ફોન ₹10,000 અને ટીવીએસ અપાચી મોટરસાયકલ નંબર જી.જે.20 બી.એલ.7960,રૂપીયા 50,000 ની જપ્ત કરેલ છે. પકડાયેલા ચારે - ચાર આરોપીઓ અગાઉના પણ ગુનાહિત આરોપીઓ છે. પાંચમો આરોપી ચંદુ ઉર્ફે સરદાર છગનભાઈ મેડા, રહેવાસી ગુલબાર ,તાલુકો, ગરબાડા જિલ્લો દાહોદ પકડવાનો બાકી છે.પકડાયેલા ચાર આરોપી કાંતિભાઈ મડીયા ભાભોર, રાજેશભાઈ માવી ,બાબુભાઈ માવી ,અને વિકાસ માવી ને તારીખ 23 નામદાર કોર્ટમાં રજૂ કરતા તારીખ 29 સુધી રિમાન્ડ અપાયા છે.શિનોર પોલીસે આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢીને સેગવા તથા સાધલી બજાર અને મનન વિદ્યાલયમાં રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવેલ હતું.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન મુજબ, રમતગમતનો વ્યાપ ઘર-ઘર સુધી પહોંચે અને અંતરિયાળ વિસ્તારના યુવાનોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને યોગ્ય મંચ મળે તે હેતુથી દેશભરમાં ''સાંસદ ખેલ મહોત્સવ''નું આયોજન કરવામાં આવ્યું હતું . આ અંતર્ગત છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારના ''સાંસદ ખેલ મહોત્સવ''નો સમાપન કાર્યક્રમ 25મી ડિસેમ્બર – સુશાસન દિવસના રોજ ઘેંલવાટ સ્થિત ગોકુલધામ રિસોર્ટ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને સંપન્ન થયો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને દેશભરના રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા. કલેકટર ગાર્ગી જૈન દ્વારા આગામી 8મી ફેબ્રુઆરીના રોજ છોટાઉદેપુર જિલ્લામાં યોજાનારી મેરેથોન દોડમાં જિલ્લાના નાગરિકો અને યુવાનોને મોટી સંખ્યામાં જોડાવવા માટે ખાસ અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે મેરેથોન દોડના ટીશર્ટ અને કેપનું મહાનુભાવોના હસ્તે લોંચીંગ કરવામાં આવ્યું હતું. ગત 22 નવેમ્બરથી શરૂ થયેલા આ મહોત્સવમાં ફૂટબોલ, કબડ્ડી, રસ્સાખેંચ, વોલીબોલ, શૂટિંગ, દોડ (100m અને 200૦m), આર્ચરી (તીર કામઠા), યોગાસન અને લીંબુ-ચમચી જેવી કુલ 11 વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓનલાઈન 2076 અને ઓફલાઈન 11,270 આમ કુલ 13,976 યુવા ખેલાડીઓએ નોંધણી કરાવી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા, કલેકટર ગાર્ગી જૈન, ઇ.ચા.જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશકુમાર શર્મા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા , જયંતીભાઈ રાઠવા , અભેસિંહભાઈ તડવી, પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા સહિતના હાજર રહ્યાં હતા.
આદિવાસી મહિલા બની ‘લખપતિ દીદી’:રાઈસ મિલ, પશુપાલન, ફૂલોની ખેતીથી વાર્ષિક 1 લાખ આવક મેળવી
મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છોટાઉદેપુર જિલ્લાના પુનિયાવાંટ ગામના ગીતાબેન રાઠવાએ આપ્યું છે. પોતાની મહેનત અને સરકારની યોજનાઓના સહયોગથી આર્થિક સંકડામણને માત આપીને વાર્ષિક રૂ. 1 લાખથી વધુની આવક મેળવી ‘લખપતિ દીદી’ બન્યા છે. ગીતાબેન રાઠવાએ તેમના સફરની વાત કરતા જણાવ્યું કે, પહેલા છૂટક મજૂરી કામ કરતા હતા. ગામમાં સખી મંડળની પ્રવૃત્તિઓને જોઈ મને પ્રેરણા મળી અને મે 10 બહેનોને ભેગી કરી જય માતાજી સખી મંડળ’ની રચના કરી હતી . શરૂઆતમાં માત્ર 30 રૂપિયાથી બચત કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. અત્યારે 100 રૂપિયાની બચત કરીએ છીએ. વધુમાં તેમણે જણાવ્યું કે, ગામ સંગઠનમાંથી રૂ. 25 હજારની લોન મેળવી ડાંગરમાથી ચોખા છૂટા કરવાની નાની રાઈસ મીલ શરૂ કરી. જેમાંથી અમને વાર્ષિક રૂપિયા 50 હજારની આવક થાય છે. ફૂલોની ખેતી માટે બેંકમાંથી રૂ. 50 હજારની લોન લઈ ફૂલોની ખેતી શરૂ કરી અને ફૂલોમાંથી વાર્ષિક રૂપિયા 50 હજારની આવક થાય છે. તેમજ સાથે પશુપાલન થકી દૂધના વેચાણ દ્વારા વાર્ષિક વધારાના રૂપિયા 30 હજાર મળે છે. લખપતિ દીદી યોજના થકી ગીતાબેન રાઠવા આત્મનિર્ભર બન્યા છે. જેમની વાર્ષિક આવક હવે 1 લાખ રૂપિયાથી વધારે છે અને આર્થિક રીતે પગભર થયા છે. લખપતિ દીદી યોજના અમલમાં મૂકાતા બહેનો આત્મનિર્ભર બની છે.
સ્પાની આડમાં દેહ વ્યાપાર:મહેસાણામાં સ્પાની આડમાં દેહ વેપાર ચલાવનાર કુકરવાડાનો શખ્સ ઝડપાયો
મહેસાણા હાઇવે પર શિલ્પા ગેરેજની નજીક ત્રીજા માળે ચાલતા પ્રોફેશનલ સ્પામાંથી દેહ વેપાર ઝડપાયો છે. મહિલાને બોલાવી તેની પાસે દેહ વ્યાપાર ચલાવતા કુકરવાડાના સંચાલકને પોલીસે ઝડપી પાડ્યો હતો. ઉલ્લેખનિય છે કે મહેસાણાના બાયપાસ હાઇવે સહિતની કેટલીક જગ્યાઓ ઉપર સ્પાની આડમાં છેલ્લા ઘણા સમયથી દેહ વેપાર ચલાવવામાં આવતો હોવાની બુમરાડ ઊઠી છે. મહેસાણા એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટના પીઆઇ જેપી ભરવાડ અને તેમની ટીમે શહેરમાં સ્પાની આડમાં દેહ વ્યાપાર ચલાવી રહેલા લોકોને ઝડપી પાડવા માટે હાથ ધરેલી કાર્યવાહીના ભાગરૂપે હાઇવે પર શિલ્પા ગેરેજ નજીક આવેલ પ્રોફેશનલ સ્પામાં રેડ કરતા અતુલ ઈશ્વરભાઈ નાઈ મૂળ રહે. મહાદેવપુરા તા.સરસ્વતી અને હાલ રહે કુકરવાડા તા. વિજાપુર વાળો દેહવ્યાપારના ધંધા માટે બહારથી મહિલાઓ બોલાવીને પોતાના સ્પામા રહેવાની સગવડ આપી કુટણખાનું ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસની તપાસ દરમિયાન દેહ વેપાર કરવા માટે બોલાવવામાં આવેલી એક મહિલા મળી આવી હતી. પોલીસે અતુલ પાસેથી તેનો મોબાઇલ મહિલાનું આઈકાર્ડ તેમજ રોકડ 2900 સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ડમી ગ્રાહક મોકલીને કુટણખાનું ઝડપ્યું પોલીસને સ્પાની આડમાં દેહ વેપાર ચાલતો હોવાની બાતમી મળતા પોતાના જ માણસને ડમી ગ્રાહક તરીકે પ્રોફેશનલ સ્પામાં મોકલ્યો હતો અને કુટણખાનું ઝડપ્યુ હતું
દાગીનાની ચોરી:વિજાપુરના ગવાડામાં મકાનમાંથી ધોળા દાડે દાગીના, રોકડ મળી રૂ. 10.58 લાખની ચોરી
વિજાપુરના ગવાડામાં મકાનમાંથી દાગીના અને રોકડ મળી 10.58 લાખની મત્તાની ચોરી થઇ હતી. વિજાપુરના ગવાડા ગામે ઓટાવાસમાં રહેતા બળવંતજી કાળાજી ઠાકોર 24 ડિસેમ્બરના રોજ નોકરી ગયા હતા અને તેમની પત્ની બપોરે જમીને મકાનને તાળું મારી તેની ચાવી ઘરની બહાર મૂકીને ખેતરમાં ગયા હતા. સાંજે 5:00 વાગ્યે તેઓ ભેંસો દોહીને આવ્યા હતા. ત્યારે તેમના મકાનનું તાળું ખુલ્લું હતું અને અંદર મૂકેલી લોખંડની પેટીનું તાળું પણ ખુલ્લું હતું અને તેમાંથી તેમની ભાણીના એકાદ મહિના પછી લગ્ન હોય તેના મામેરા માટે લાવવામાં આવેલા સોનાનો દોરો, બે વીંટી, ચાંદીના કડલા, મંગળસૂત્ર સહિતના સોના ચાંદીના દાગીના અને દોઢ લાખ રૂપિયા રોકડાની અજાણ્યો ચોર ચોરી કરી ગયો હોવાની ખબર પડી હતી. ઠાકોર બળવંતજીની ફરિયાદને આધારે વિજાપુર પોલીસે ગુનો નોંધ્યો છે. મકાનની બહાર મૂકેલી ચાવીથી તાળું ખોલી ચોરીઠાકોર બળવંતજીના પત્ની પોતાના મકાનને તાળું મારી તેની ચાવી હંમેશા બહાર એક ચોક્કસ જગ્યાએ મૂકતા હતા. મકાનની બહાર મૂકેલી આ ચાવીથી કોઈ જાણ ભેદુએ તાળુ ખોલી પેટીમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી હોવાનો પીઆઇ વનરાજસિંહ ચાવડાએ જણાવ્યું હતું.
શિક્ષિકા બહેનો માટે પ્રસૂતિની રજાઓને સળંગ ગણવામાં આવે, જેથી તેમને સિનિયોરિટી જેવા મળવાપાત્ર લાભ માં વિલંબની ત્રુટી ન રહે. ખાસ કરીને વર્ષથી ફરજ બજાવતી શિક્ષિકા બહેનોને પહેલા ફક્ત 60 દિવસની રજા મળતી અને તે સમયગાળા નો પગાર પછી ફરજ માં હાજર થાય ત્યાં સુધી વિલંબિત થતો એટલે ફરજ સળંગ ગણાતી નહોતી. જેના કારણે તેમને સિનિયોરિટી સહિતના લાભ વિલંબિત રહેતા હોઇ હવે માતૃશક્તિ માટે પ્રસૂતિની રજાઓને સળંગ ગણવાની માંગ ઉઠી છે, આ સહિત શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે ગુરુવારે મળેલ રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની સાધારણ સભામાં ગહન પરામર્શ કર્યો હતો અને આગામી સમયમાં સરકાર સમક્ષ રજૂઆતનો એજન્ડા તૈયાર કર્યો હતો. સાધારણ સભામાં 1 એપ્રિલ 2005 પછીના તમામ શિક્ષકને જૂની પેન્શન યોજના મળે, સળંગ નોકરીની રજા ઓ સર્વિસ બુકમાં જમા કરવી, એચ ટાટ સીધી ભરતીથી આવેલા શિક્ષકોની સેવા સળંગ ગણવા અને કેમ્પની તારીખ સત્વરે જાહેર કરવી, તેમના જીપીએફ ખાતા ખોલવા સત્વરે તારીખ જાહેર થાય, 6થી 8ના શિક્ષકોને અલગ પગાર ધોરણ બાબત, બીઆરસી, સીઆરસીનો કુલિંગ પીરિયડ રદ કરવા બાબત અને પ્રતિ નિયુક્તિ સમય મર્યાદા પાંચ વર્ષ કરવી, શાળાઓની જમીન નામે કરવા રેવન્યુ તલાટીને જવાબદારી સોંપવામાં આવે, શિક્ષક - વિધાર્થી મહેકમમાં સુધારો કરવાના મુદ્દાઓને આવરી લઈને વિસ્તારથી ચર્ચા કરવામાં આવી.સભામાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ મહેસાણા જિલ્લાના અધ્યક્ષ તરીકે ત્રીજી ટર્મમાં પણ મુકેશભાઈ ચૌધરી ની સર્વાનુમતે વરણી કરવામાં આવી, મહામંત્રી અલ્પેશભાઈ લીમ્બાચીયા અને સંગઠન મંત્રી પરેશભાઈ રાવલ ની ઘોષણા કરાઇ. આ બેઠકમાં ગુજરાત પ્રાંતના મહામંત્રી પરેશભાઈ પટેલ ,સંગઠનમંત્રી સરદારસિંહ મછાર, પ્રાથમિક સંવર્ગ અધ્યક્ષ અનિરુદ્ધસિંહ સોલંકી સહિત હોદ્દેદારો ઉપસ્થીત રહ્યા હતા.
મહેસાણા જિલ્લામાં એક વર્ષમાં ટાઇપ 1 ડાયાબિટિસ હોય તેવા 239 બાળકો આરોગ્ય તંત્રએ શોધીને તેમના નિયમિત ચેકઅપ, કસરત સહિતની કાળજી રાખવા વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જુવેનાઈલ ડાયાબિટિસનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. આ રોગ મટતો નથી પણ કાળજી રાખવાથી જિંદગી ચોક્કસ સારી રીતે જીવી શકાય તેવું તબીબ જણાવી રહ્યા છે. ઇન્સ્યુલિન બનતું ન હોય અને બનતુ હોય તો પ્રોપર ન બનતું હોય એટલે શરીરમાં બહારથી ઇન્સ્યુલિન આપવું પડે. શૂન્યથી 13 વર્ષથી ઓછી વય સુધીના બાળક ટાઇટ 1માં આવે છે. મહેસાણા તાલુકા હેલ્થ ઓફિસર ર્ડા. સુહાગ શ્રીમાળીએ કહ્યું કે, રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમમાં આંગણવાડી, શાળા આરોગ્ય તપાસણી દરમિયાન ટાઇપ 1 ડાયાબિટીસ હોય તેવા બાળકોને શોધવામાં આવે છે અને વાલીઓને માર્ગદર્શન આપી જરૂરી ચકાસણી અને સારવાર કરાઇ રહી છે. તાજેતરમાં મહેસાણા અને જોટાણાના આવા 14 બાળકને કેમ્પ યોજી જિલ્લા કક્ષા થી મળેલ ગ્લુકોમીટર, સ્ટ્રીપ આપીને સુગર માપન શિખવવામાં આવ્યું અને લેન્સેટની વહેંચણી કરવામાં આવી છે. આ લક્ષણો જણાય તો સુગર ચેક કરાવવું જોઈએબાળકને વધુ પ્રમાણમાં પેશાબ થવો. વધુ પાણીની તરસ લાગવી. આ લક્ષણ હોય તો વાલીએ ચેક કરાવવું જોઇએ. સુગર ઓછું થતા અચાનક બાળકને ચક્કર આવે, પડી જાય, આંખે અચાનક અંધારા આવે. સુગર એકદમ વધી જાય તો શ્વાસ લેવામાં તકલીફ પડવી, શ્વાસની પ્રક્રિયા એકદમ વધી જાય. તબીબના માર્ગદર્શનમાં સુગર ચેક કરાવી લેવું હિતાવહ છે. . બાળ રોગ નિષ્ણાંત ડો. અનંત ગોહિલ આ 4 કાળજીથી સારી રીતે જિંદગી જીવી શકાયખોરાક : ખાંડ વગરનો આહાર, શરીરમાં સુગર લો હોય તો ખાંડ લેવીપડે.ઇન્સ્યુલિન વધુ આવે તો ખાંડ ખાવી પણ પડે. મટે નહીં પણ ધ્યાનરાખો તો સારી રીતે જિંદગી જીવી શકાય છે.નિયમિત કસરત : બાળકની ક્ષમતા પ્રમાણે નિયમિત ચાલવું ,ફિજીયોથેરાપી સૂચવે તે કસરત કરાવી શકાય.ચેકઅપ : દર ત્રણ મહિને એચબીએ 1સી ચેકઅપ કરાવવાથી ત્રણમહિનામાં શરીરમાં સુગર કેટલું રહ્યું તે જાણી શકાય છે .માતા-પિતાની જાગૃતતા : બાળકએ ખુલ્લા પગે ન ચાલવું, પગે ઇજા થાયતો અલ્સરમાં ઇજા થાય તો ઝડપી રૂઝ ન આવે, ધ્યાન રાખવું જોઇએ.
તંત્રની સર્જિકલ સ્ટ્રાઈક:મનડાસરની ગેરકાયદે ખાણ પર દરોડો, 60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાના માર્ગદર્શન હેઠળ થાનગઢ મામલતદાર અને તેમની ટીમ દ્વારા ગેરકાયદેસર ખનન સામે લાલ આંખ કરી છે. બુધવારે રાત્રિના મધરાત્રિના સમયે ગુપ્ત બાતમીના આધારે થાનના મનડાસર ગામે ગેરકાયદેસર રીતે ચાલી રહેલી ષીપરાની ખાણ પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ખાણ કોઈપણ પ્રકારની પરવાનગી વિના ચલાવવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું. ખાણનું સંચાલન છેલાભાઈ વાઘાભાઈ સભાડ (રહે. મોરથળા) દ્વારા કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે દરોડા દરમિયાન સ્થળ પરથી હિટાચી મશીન, પાટલો સહિતની સામગ્રી જપ્ત કરાઈ , જેની કુલ અંદાજિત કિંમત રૂ. 60 લાખ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. પ્રશાસન દ્વારા ખનિજ નિયમો તેમજ પર્યાવરણને નુકસાન પહોંચાડવાના ગુનાઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. બાઈક પર ગુપ્ત રીતે દરોડો પાડ્યો સામાન્ય રીતે ખનીજ માફીયાના બાતમીદારો સરકારી ગાડીઓપર બાજ નજર રાખતા હોય છે.ત્યારેખનીજ ચોરોને ગંધ ન આવે તે હેતુથી થાન મામલતદાર અને તેમની ટીમ મોટરસાઈકલ લઈને મધરાત્રે મનડાસર ગામે પહોંચી હતી. ત્યાં કોઈપણ પરવાનગી વગર ધમધમતી પથ્થરની ખાણ પર દરોડો પાડતા ખનીજ માફિયાઓમાં નાસભાગ મચી ગઈ હતી.
ધરપકડ:સેડલા ગામ પાસેથી 46 રીલ સાથે એક શખસને દબોચ્યો
એસઓજી પીઆઇ બી.એચ. સીંગરખીયાના માર્ગદર્શનમાં એસઓજી ટીમે તપાસ હાથ ધરી હતી. માલવણ સુરેન્દ્રનગર રોડપર હોવા દરમિયાન સેડલા રોડર એક શખ્સ સફેદ કલરના મીણીયા થેલાં ચાઇનીઝ દોરી લઇ ઉભો હોવાની બાતમી મળી હતી. આથી શખ્સને અટકાયત કરી નામ પુછતા પોતે વિજયભાઇ મનસુખભાઇ બારીયા ખોડુ વઢવાણના હોવાનુ જણાવ્યુ હતુ થેલીમા ચેક કરતા પુઠાની આડમાં ચાઇનીઝ દોરીની રીલ મળી આવી હતી. જેમાં 46 નંગ રીલ મળી આવી હતી.આથી રૂ.18,400નો મુદામાલ જપ્ત કરી યો હતો.વધુ પુછપરછમા આ ચાઇનીઝ દોરી કુટુંબે બનેલી મેહુલભાઇ મનસુખભાઇ ચંચાણી પોરડા પાટડી વાળા પાસેથી લાવ્યાનુ ખુલતા બંન્ને સામે બજાણા પોલીસ મથકે ગુનો નોંધાવાયો હતો.
લખતર -લીંબડી સ્ટેટ હાઇવે ઉપર તાલુકાના તલવણી નજીકના પુલ ઉપર ભારે વાહનોને જવાનો પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. ત્યારે આ વાહનો પુલ ઉપર ન પ્રવેશે તેને લઈને મૂકવામાં આવેલ રેલીંગ તૂટેલી હોવાની તસવીરો ફરી એકવાર સામે આવી છે. કારણ કે અગાઉ પણ પુલ ની એક સાઇડ રેલીંગ તૂટી હતી. તે સમયે કોઈ કાયદાકીય કાર્યવાહી ન થતાં પંથકમાં ભારે વાહનચાલકો બેફામ બન્યા હોય તેવી વાતો લોકમુખે ચર્ચાઈ રહી છે. લખતર-લીંબડી સ્ટેટ હાઇવે પર તાલુકાના તલવણી નજીકના બ્રિજનો ભારે વાહનો માટે પ્રતિબંધિત માં સમાવેશ થયો છે. આશરે આઠેક વર્ષ પહેલા લખતર - લીંબડી સ્ટેટ હાઇવે ઉપર પુલ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. બ્રિજ પર ભારે વાહનો ન જાય તે માટે પુલની બંને બાજુ રેલિંગો લગાવી દેવામાં આવી હતી. પરંતુ પંથકમાં ભારે વાહનચાલકો જાણે બેફામ બન્યા હોય તેમ આ રેલીંગ તોડી નાંખવામાં આવી હોવાનું જાણવા મળે છે. રેલીંગ તૂટીને રોડ ઉપર પડી હોય તેવી તસ્વીરો સામે આવી છે. નોંધનીય છે કે, આ પુલ ની અગાઉ પણ આ જ રેલીંગ ને નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. આ સમયે તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા ન હોવાથી આવા તત્વોને ફાવતું મળ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. તલવણી નજીકના બ્રિજ ઉપર ભારે વાહનો ન જાય તે માટે રેલીંગ લગાવાઈ હતી પરંતું તે કોઈ વાહન દ્વારા તોડી નાખવામાં આવી હતી અને તંત્રની બેદરકારીના લીધે ડાયવર્ઝનના બોર્ડની આગળ અન્ય બોર્ડ લાગતા ડાયવર્ઝનનું બોર્ડ દેખાતું નથી. પુલ ઉપરથી પસાર થતા ભારે વાહનોને લીધે મોટા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે.
રજૂઆત:વઢવાણ તાલુકામાં વધુ 60 જેટલા શિક્ષકોને Bloના હુકમ થતા રોષ
સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમને લીધે શિક્ષણ બંધ હાલત થતા વાલીઓ આક્રોશ ફાટી નીકળ્યો છે. ત્યારે વઢવાણ તાલુકામાં વધુ 60 જેટલા માત્ર શિક્ષકોને જ blo ના હુકમ થયા છે આથી શિક્ષકો અને મહાસંઘ નાયબ દંડકની ઓફિસે પહોંચીને રજૂઆત કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાર યાદી સુધારણા અભિયાન પૂર્ણતાના આરે છે. જેમાં વઢવાણ વિધાનસભામાં 282 બુથ પર 3,06,627 મતદારો માટે 282 Blo મુકાયા હતા. 300 જેટલા સહાયક બીએલઓના હુકમ થયા હતા. આથી સુરેન્દ્રનગર વઢવાણ શહેર સહિત ગામોમાં શાળા બંધ હાલતમાં જોવા મળી રહી છે. આથી વાલી ઓમા ભારે આક્રોશ ફેલાયો છે. ત્યારે વધુ 60 જેટલા બીએલઓના હુકમો માત્ર શિક્ષકોના જ કરવા માં આવ્યા છે. આથી શિક્ષકો અને વાલી ઓમા રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે વઢવાણ મામલતદાર નાયબ કલેક્ટર કચેરીના વારવાર રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કોઈ રજૂઆત ધ્યાને લેવામાં આવી નથી આથી શાળાના આચાર્યો અને આગેવાનો નાયબ દંડકની ઓફિસે કટારિયા મુકેશભાઈ મહેન્દ્રસિંહ સોલંકી, દિનેશભાઈ કમેજલીયાભાઈ પટેલ પહોંચી ગયા હતા. જેમાં નાયબ દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાને રજૂઆત કરવામાં આવી હતી. અન્ય કર્મીઓને પણ કામગીરી સોંપવાની માંગશિક્ષક મહાસંઘનાઆચાર્ય વિભાગના જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ સોલંકી તાલુકા પ્રમુખ જગદીશભાઈ દલવાડીએ જણાવ્યું કે માત્ર શિક્ષકોને જ બીએલઓની કામગીરી સોંપતા શિક્ષણ કાર્યમાં મુશ્કેલી પડી રહી છે. આથી અન્ય 18 કેડરના કર્મચારીઓને પણ આ કામગીરી સોંપવાની માંગણી કરી હતી.
બેઠક:જિલ્લામાં પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઈ
સુરેન્દ્રનગર જિલ્લામાં પીસીએન્ડ પીએનડીટી એડવાઇઝરી કમિટીની રચના કારઇ છે. તેઓ આ કાયદાના નિયમન માટે જિલ્લામાં કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જેની બેઠક સીડીએચઓ કચેરી ખાતે યોજાતા વિવિધ પ્રશ્ચો ચર્ચાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બી.જી.ગોહિલના અધ્યક્ષસ્થાને પીસી- પી.એન.ડી.ટીની એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નવી નિમણૂક, નવી આવેલી અરજીઓ, અલ્ટ્રાસાઉન્ડ મશીનના કરેલા સીલ બાબત, રીન્યુઅલ ઓફ રજીસ્ટ્રેશન માટે આપેલી મંજૂરી, અલ્ટ્રાસાઉન્ડ મશીન જુનાના કરેલા બાયબેક, અલ્ટ્રાસાઉન્ડ મશીન જુનાના થયેલા વેચાણ માટે ઇન્ટિમેશન બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત પી.એન.ડી.ટી એક્ટના અમલીકરણ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. મહત્વનું છે કે, પીસી-પી.એન.ડી.ટી એક્ટ અંતર્ગત, સ્ત્રી ભૃણ ગર્ભ પરિક્ષણ અને તે સાથે આવા બિનઅધિકૃત કૃત્યો પણ પ્રતિબંધિત છે. જે અન્વયે કડક કાર્યવાહી કરવા સહિતની જોગવાઇ છે. સમાજમાં દીકરીઓની સંખ્યા વધે તે માટે જનજાગૃત્તિના કાર્યક્રમોનું આયોજન હાથ ધરવા અને દરેક રજિસ્ટર્ડ ક્લિનિકનું વેરિફિકેશન કરવા સૂચના આપવામાં આવી છે. આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બી.જી. ગોહિલ, ગાયનેકોલજિસ્ટ અલ્પેશ ગોહિલ, આર.એલ. બદલાણી, પીસી- પી.એન.ડી.ટી પ્રોગ્રામ ઓફિસર ગૌરાંગ જોશી ઉપસ્થિત રહ્યાં હતા.
ચકચાર:ધ્રાંગધ્રામાં પિતા-પુત્રના મોત : 27 દિવસ બાદ પિતાની લાશ નર્મદા કેનાલમાંથી મળી
ધ્રાંગધ્રા તાલુકાના જસમતપુર ગામ પાસે નર્મદા કેનાલમાં બનેલી એક કરુણ ઘટનામાં 27 દિવસ બાદ પિતાની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. અગમ્ય કારણોસર પિતા-પુત્રએ સાથે કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું, જેમાંથી આજે પિતાની મૃતદેહ મળી આવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ધ્રાંગધ્રા તાલુકાના જસમતપુર ગામ નજીક નર્મદા બ્રાન્ચ કેનાલમાં પિતા પુત્ર એક સાથે છેલ્લા 25 દિવસથી ડૂબી ગયા હતા. ત્યારે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સ્થાનિક લોકો દ્વારા કેનાલમાં મહેશભાઈ મફાભાઈ દાદરેચા અને પુત્ર એક સાથે ડૂબ્યા હોવાથી તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ધ્રાંગધ્રા ફાયર બ્રિગેડ તેમજ સુરેન્દ્રનગર ફાયર ટીમ એન ડી આર એફની ટીમ સહિતની ટીમ દ્વારા કેનાલમાં સતત સંઘર્ષ તપાસ કરવામાં આવી હતી. તેમ છતાં મૃતદેહનો કોઈ પતો લાગ્યો નહોતો.જેમાં આજે 27 દિવસ બાદ નર્મદા કેનાલના સાઈફનમાં મહેશભાઈ મફાભાઈ દાદરેચાની મૃતદેહ દેખાતા તાલુકા પોલીસને ઘટનાની જાણ કરી હતી.ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો લઈને પીએમ માટે રાજકોટ એફએસએલમાં મોકલવામાં આવી હતી. વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મનોજભાઈ કરી રહ્યા છે. ત્યારે પુત્ર હજી મૃતદેહ નથી મળી ત્યારે શોધખોળ ચાલુ છે. ત્યારે મૃતદેહ સાઈફનમા ફસાઇ ગયાની શક્યતા જોવા મળી છે. પિતાની લાશ મળી ગઈ છે પરંતુ પુત્રનો હજી સુધી કોઈ પતો લાગ્યો નથી. એવી આશંકા સેવાઈ રહી છે કે પુત્રની લાશ પણ સાઈફનમાં ક્યાંક ફસાઈ હોઈ શકે છે. વહીવટી તંત્ર અને સ્થાનિકો દ્વારા પુત્રની શોધખોળ હજી પણ તેજ ગતિએ ચાલુ રાખવામાં આવી છે.
નવી શિક્ષણ નીતિ:ઉ.ગુ. યુનિ.માં હવે તમામ પ્રોફેસર 300 પેપર ચેક કરશે , 30 દિવસમાં પરિણામ જાહેર કરાશે
તેજસ રાવળહેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સાથે જોડાયેલા લાખો વિદ્યાર્થીઓ માટે મોટા અને આનંદના સમાચાર છે.નવી શિક્ષણ નીતિ (NEP) અંતગર્ત 30 દિવસમાં ફરજીયાત પરિણામ જાહેર કરવા માટે કુલપતિ ડૉ.કે.સી. પોરિયા, રજીસ્ટ્રાર ડૉ.રોહિત દેસાઈ અને પરીક્ષા નિયામક મિતુલ દેલિયા દ્વારા નિષ્કર્ષ બાદ પરીક્ષાની મૂલ્યાંકન પદ્ધતિમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લઈ પેપર ચેકિંગમાં હવે 'બલ્ક સિસ્ટમ' ના બદલે ડિવિઝન સિસ્ટમ' અપનાવશે.જેના માટે ‘300 નો ફોર્મ્યુલા’ અમલમાં મૂકવા જઈ રહી છે. જે વર્ષ 2026માં માર્ચ મહિનાની પરીક્ષાથી અમલમાં મુકાશે. જે પૂર્વે પ્રથમ જાન્યુઆરીથી શરૂ થઈ રહેલ પરીક્ષાના મૂલ્યાંકનમાં ટ્રાયલ પણ કરાશે. યુનિવર્સિટીમાં અત્યાર સુધી પેપર ચેકિંગમાં કોઈ લિમિટ નહોતી , ઈચ્છા અનુસાર અધ્યાપકો 500 થી 1500 જેટલી ઉત્તરવહીઓનો જથ્થો સ્વીકારતા વધુ જથ્થો હોવાને કારણે સમયસર પેપર ચેક ના કરતા પરિણામો 3-3 મહિના સુધી લંબાયા કરતા હતા.બીજી તરફ અનેક માન્ય અધ્યાપકો પેપર ચેકિંગની જવાબદારીમાંથી છટકતા હતા.હવે આ બધું જ બંધ થશે.પરીક્ષા વિભાગે તમામ સંલગ્ન કોલેજોને પત્ર લખી સ્ટાફની વિગતો મેળવી યાદી તૈયાર કરવાની પ્રકિયા શરૂ કરી છે. વિગતો આવ્યા બાદ 300 ની ફોર્મ્યુલા મુજબ અધ્યાપકો નો ડેટા તૈયાર કરીને દરેકને ફરજિયાત મૂલ્યાંકન માટેની કામગીરી સોંપાશે. પેપર તપાસવાનું કામ વિભાજિત થશે તો લોડ ઘટશે અને ઝડપ વધશે. જે કામ 50 લોકો કરતા હતા તે હવે 500 લોકો કરશે, જેનાથી પરિણામ 30 દિવસમાં આપવું શક્ય બનશે.સાથે ઘણા પ્રોફેસરો પેપર ચેકિંગથી બચતા હતા, જેના કારણે જૂજ અધ્યાપકો પર ભારણ વધતું અને રિઝલ્ટ લેટ થતું હવે NEP હેઠળ દરેકની જવાબદારી નક્કી થશે.
શંખેશ્વર પંથકમાં લગ્નના નામે લાખો રૂપિયા ખંખેરતી ગેંગે બે યુવાનોને નિશાન બનાવતા ચકચાર મચી છે. આ ટોળકીએ વચેટિયાઓ મારફતે 40 વર્ષીય અને 23 વર્ષીય બે યુવાનોને લગ્નની જાળમાં ફસાવી કુલ રૂ.3 લાખની ઠગાઈ આચરી છે. બંને કિસ્સામાં લગ્ન ખર્ચ પેટે રૂ. 1.50-1.50 લાખ પડાવ્યા બાદ, એક દુલ્હન 30 દિવસે અને બીજી માત્ર 5 જ દિવસમાં પિયર જવાના કે મોતના બહાના હેઠળ રફુચક્કર થઈ ગઈ હતી. વચેટિયાઓએ પૈસા પરત માંગવા જતાં આત્મહત્યાની અને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. બંને કેસમાં ખોટા લગ્ન કરાવનાર એક જ વચેટીયોરાધનપુર બાદ શંખેશ્વરમાં બે યુવકો લૂંટેરી દુલ્હનોથી છેતરાયા છે.આ બંને કેસમાં લગ્ન કરાવનાર વચેટિયો તરીકે ધનોરાનાં કલાભાઈ સિંધવની મુખ્ય ભૂમિકા છે.સૌથી પહેલા પોલીસ તેને પકડી લાવશે અને તેણે આ બે સિવાય બીજા કેટલા લોકોને લગ્ન કરાવી છેતર્યા છે. તેની તપાસ કરશે.ગેંગ લગ્ન પહેલાં રોકડમાં રકમ લેવાની જ શરત રાખતી, દુલ્હનને લગ્ન બાદ થોડા દિવસ સુધી જ સાસરે રાખી વિશ્વાસ કેળવવામાં આવતો હતો.પિયર જવાની બહાનું બનાવી દુલ્હનને લઈ ગયા બાદ ફોન બંધ કરી દેવામાં આવતો હતો. કિસ્સો- 1 | લગ્નના એક માસ બાદ પિયર ગઈ પરત ન આવીશંખેશ્વરમાં લગ્નની લાલચ આપી છેતરપિંડી કરતી ટોળકીએ શંખેશ્વરના 40 વર્ષીય યુવાનને નિશાન બનાવ્યો છે. યુવાનની ઉંમર વધુ હોવાથી સગાઓ મારફતે ધોળકાની રેખા નામની યુવતી સાથે તેનું સગપણ કરાવ્યું હતું. લગ્ન પેટે વચેટિયાઓએ રૂ. 1.50 લાખની માંગણી કરી હતી, જેમાંથી 50 હજાર રોકડા અને 1 લાખ ફૂલહાર વખતે ચૂકવ્યા હતા.લગ્નના એક માસ બાદ દુલ્હન પિયર જઈ પરત ફરી નહોતી અને માંદગીના બહાના કાઢી ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. વચેટિયાઓએ પણ પૈસા પરત આપવાની મનાઈ કરી ધમકી આપી હતી. યુવકે લગ્નના નામે ઢગાઈ કરનાર કલા ગગાભાઈ સિંધવ (ધનોરા), ધારશી ઠાકોર (રતનપુરા), હરેશ ભરવાડ (ધોળકા), આશાબેન (ધોળકા) , રેખાબેન ઠાકોર (આંબેઠી) સામે ફરિયાદ નોંધાવી છે. કિસ્સો-2 | 5 જ દિવસમાં દુલ્હન છૂમંતર,પૈસા માંગ્યા તો ધમકી મળી શંખેશ્વરના એક 23 વર્ષીય યુવકને રતનપુરાના ધારશી ઠાકોર અને કલા સિંધવે લગ્નની જાળમાં ફસાવી તેના પિતા પાસેથી રૂ. 1.50 લાખ પડાવી છાયા નામની યુવતી સાથે ફૂલહાર કરી લગ્ન સંપન્ન કરાવ્યા હતા. જોકે, લગ્નના માત્ર 5 જ દિવસમાં કાકાના મોતના બહાને વચેટિયો કલા સિંધવ દુલ્હનને લઈ ગયો હતો.યુવતી પરત ન આવતા પિતાએ પૈસા માંગ્યા તો આરોપી કલાએ આત્મહત્યા કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આખરે છેતરાયાનો અહેસાસ થતા યુવકે ધારશી રામાભાઈ ઠાકોર (રતનપુરા), કલા ગગાભાઈ સિંધવ (ધનોરા), કલ્પનાબેન જૈન, છાયાબેન (નકલી દુલ્હન)સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પશુપાલકો બેફામ:પાટણમાં લાકડીના જોરે પાલિકા પાસેથી 10મી વાર પશુઓ છોડાવતાં 5 પશુપાલકો સામે ગુનો
પાટણ શહેરમાં પાલિકાની ઢોર પકડતી ટીમ દ્વારા રખડતા ઢોર પકડ્યા બાદ આ 10મી વાર માથાભારે પશુપાલકો દ્વારા લાકડીઓના જોરે ડરાવી ધમકાવી પશુઓ છોડાવી જવાની ઘટના સામે આવી છે. ઘટના મામલે ગુરુવારે પાલિકાના વોર્ડ ઇન્સ્પેક્ટર પશુ છોડાવી જનાર 5 પશુપાલકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. શહેરમાં પશુ પકડવાની કામગીરી દરમિયાન ઘર્ષણના કિસ્સાઓ મામલે 4 વર્ષમાં 33થી વધુ ફરિયાદોમાં 75 પશુ માલિકો સામે ગુના નોંધાયા છે અને 10 લાખથી વધુનો દંડ વસૂલ્યો છે. અગાઉ એક કિસ્સામાં એટ્રોસિટી એક્ટ હેઠળ પશુ માલિકને જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો. અન્ય 32 જેટલા કેસમાં 24 કલાકમાં આરોપીઓને જામીન મળી ગયા હોય છૂટો દોર મળ્યો છે. પાટણ શહેરમાં પારેવા સર્કલ પાસે બુધવારે સાંજે પાંચેક વાગ્યે વોટર વર્ક્સ કમ્પાઉન્ડમાં પાલિકાની ટીમ 15થી 20 જેટલા ઢોર પકડીને પાંજરામાં પૂરી રહી હતી. તે સમયે વિપુલ ભરવાડ, વિષ્ણુ ભરવાડ, રોહિત ઉર્ફે ભાણો, ટીનો રબારી અને ભોપો ભરવાડ રહે.તમામ પાટણના શખ્સો બાઈક પર લાકડીઓ સાથે ધસી આવ્યા હતા. આ શખ્સોએ અપશબ્દો બોલી પાંજરાનો દરવાજો ખોલી નાખતા પશુઓ રોડ પર દોડ્યા હતા, જેના કારણે રાહદારીઓના જીવ જોખમમાં મુકાયા હતા. શહેરમાં હજુ રસ્તા ઉપર 700 પશુઓ રખડે છેપાટણ પાલિકાએ છેલ્લા એક વર્ષમાં 75થી વધુ ડ્રાઈવ કરીને 1350 પશુઓને પાંજરાપોળ મોકલ્યા છે, તેમ છતાં હજુ પણ શહેરમાં 700 જેટલા પશુઓ રસ્તા પર ફરે છે. સેનેટરી ઇન્સ્પેક્ટર આસમાન પાલના જણાવ્યું હતું કે પશુપાલકો સતત ટીમનો પીછો કરે છે અને ડરનું વાતાવરણ ઊભું કરે છે. હવે આ કામગીરી એજન્સીને સોંપવા માટે પાલિકાએ ઠરાવ પણ કર્યો છે.
પાટણ જિલ્લાના અંતરીયાળ વિસ્તાર એવા સાંતલપુરની 108 એમ્બ્યુલન્સની ટીમે અશક્યને શક્ય કરી બતાવી રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું નામ રોશન કર્યું છે. રસ્તામાં એમ્બ્યુલન્સ થોભાવી ગંભીર સ્થિતિમાં મહિલાની સફળ પ્રસૂતિ કરાવી અને શ્વાસ લેતા બંધ થયેલા બાળકને નવજીવન આપનાર ઇ.એમ.ટી સુધીરદાન ગઢવી અને પાયલોટ દિલીપભાઈ રાઠોડનું હૈદરાબાદ ખાતે રાષ્ટ્રીય એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું છે. સાંતલપુરના દાત્રાણા ગામની એક ગર્ભવતી મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતાં સાંતલપુર સી.એચ.સી ખસેડાઈ હતી.પરંતુ બાળક ઊંધું હોવાથી અને જોખમ વધુ હોવાથી તેને રાધનપુર રીફર કરવી જરૂરી હતી.સાંતલપુર 108ની ટીમે આ દર્દીને એમ્બ્યુલન્સમાં રાધનપુર લઈ જવા નીકળી હતી.જે દરમિયાન રસ્તામાં મહિલાની હાલત અત્યંત નાજુક બનતા 108ની ટીમે સીધાડા નજીક આવેલ હોટલની બાજુમાં જોખમ ખેડી એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લીધો હતો.ઇ.એમ.ટીએ સખ્ત મહેનત કરી સુરક્ષિત પ્રસૂતિ કરાવી હતી. પરંતુ જન્મેલા બાળકના શ્વાસોશ્વાસ બંધ હતા.પરંતુ ટીમે હિંમત હાર્યા વગર અમદાવાદ હેડ ઓફિસના ડોક્ટરોની સલાહ મુજબ કૃત્રિમ શ્વાસોશ્વાસ અને ઓક્સિજન આપી બાળકને મરણના મુખમાંથી બહાર કાઢ્યું હતું.આ કેસ રાજ્યની તમામ 108એ કરેલા કેસો પૈકી સૌથી મહત્વનો કેસ હોય ગુજરાત લેવલે આ કેસ સરાહનીય લખી રાજય કક્ષાએ પસંદગી થઈ હતી.ત્યારબાદ 18 ડિસેમ્બરે હૈદરાબાદ ખાતે આયોજિત ઇ.એમ.આર.આઈના વાર્ષિક સમારોહમાં દેશના 17 રાજ્યોમાંથી આવા ખાસ કિસ્સા આવ્યા હતા. જેમાંથી પાટણની સાંતલપુરની ટીમને દેશ લેવલે પ્રથમ ક્રમ મેળવી રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ આપ્યો હતો. MRIના ચેરમેન ડો.જીવીકે રેડ્ડીના હસ્તે આ ટીમને આ એવોર્ડ એનાયત કરાયો હતો.આ પ્રસંગે ગુજરાત 108ના સી.ઓ.ઓ જશવંત પ્રજાપતિ અને ઓપરેશન હેડ સતીશ પટેલ સહિત દેશભરના 108 સેવાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. CPR આપી નવજાતનાધબકારા ચાલુ કર્યા હતાસાંતલપુર 108 ઇ.એમ.ટી જણાવ્યું સાંતલપુર સી.એચ.સી કેન્દ્રમાં આ પ્રસૂતાને દાખલ કરી હતી. ક્રિટિકલ સ્થિતિ સોનોગ્રાફી રિપોર્ટ મુજબ બાળક ઊંધું હતું.જે નોર્મલ ડિલિવરી માટે અત્યંત જોખમી ગણાય છે.પ્રસુતાને રાધનપુર ખસેડવી જરૂરી હતી.108ની ટીમ પ્રસૂતાને લઈ રાધનપુર જવા નીકળી હતી.જે દરમિયાન રાધનપુરથી 10 કિમી દૂર રસ્તામાં જ ડિલિવરી કરાવવાની ફરજ પડી હતી.જન્મ સમયે બાળકનું વજન 3.9 કી.ગ્રામ હોય જન્મેલા બાળકના શ્વાસ બંધ થઈ જતા ઓક્સિજન અને મેડિસિનની મદદથી સીપીઆર આપી બાળકના ધબકારા ચાલુ કર્યા હતા.અને માતા અને પુત્રી બંને સુરક્ષિત હોસ્પિટલ પહોંચ્યા હતા.
સાંસદ ખેલ મહોત્સ:સાંસદ ખેલ મહોત્સવમાં 804 વિજેતા ખેલાડીઓને એવોર્ડ અપાયા
પાટણ લોકસભા મતવિસ્તારમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા રમતગમતના મહાકુંભ સાંસદ ખેલ મહોત્સવનો પાટણ એપીએમસી ખાતે સમાપન થયો હતો. વિજેતા ખેલાડીઓને ટ્રોફી આપવામાં આવી હતી. પાટણના જીમખાના મેદાન ખાતે 5મી ઓક્ટોબરના રોજ યુવા શક્તિ ઉત્સવ સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ થયો હતો.જેમાં ક્રિકેટ, બેડમિન્ટન, કુસ્તી, સ્કેટિંગ, બાસ્કેટ બોલ, વોલીબોલ, જુડો અને એથ્લેટીક્સ જેવી સ્પર્ધામાં વિજેતા થયેલા 804 જેટલા ખેલાડીઓને પાટણ એપીએમસી ખાતે એવોર્ડ આપવામાં આવ્યા હતા. કુલ 268 ગોલ્ડ, 268-સિલ્વર અને 268 બ્રોન્ઝ મેડલ મળી કુલ 804 મેડલ અપાયા હતા.જેમાં અંડર-14ની કેટેગરીમાં ભાઈઓ-87, બહેનો -51 અંડર-17 ભાઈઓ-135, બહેનો-108,અને ઓપન એજમાં ભાઈઓ-219,બહેનો174 ખેલાડીઓ વિજેતા થયા હતા.આ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાતા જણાવ્યું હતું કે, દેશના યુવાનોમાં રહેલી પ્રતિભાને ખેલ મહોત્સવ જેવું મંચ મળી રહ્યું છે.જેના કારણે ભારત રમતગમત ક્ષેત્રે વિશ્વમાં ઉભરી રહ્યું છે. રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાએ જણાવ્યું હતું કે આજના ટેકનોલોજીના યુગમાં બાળકો નાનપણથી જ મોબાઈલ, ટીવી તેમજ વિડીયો ગેમના કારણે આવી રમતોથી દૂર થતા જાય છે.ત્યારે આવા રમત મહોત્સવના કાર્યક્રમો થકી બાળકો પોતાનામાં રહેલી સુસુપ્ત શક્તિઓ બજાર લાવી રાજ્ય,દેશ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચી પોતાના જિલ્લા રાજ્ય અને દેશને ગૌરવ અપાવે છે. આજના યુવાનોને સાંસદ ખેલ મહોત્સવનું પ્લેટફોમ મળ્યું છે. આ કાર્યક્રમમાં પાટણ સાંસદ ભરતસિંહ ડાભી, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવ, ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત, લવિંગજી ઠાકોર, કે.સી પટેલ સહિતના હસ્તે વિજેતાઓને મેડલ અને ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા.
અકસ્માત:પીપરાળા પાટિયા પાસે ટ્રકે દૂધની ગાડીને ટક્કર મારતા સીધાડાના 2 યુવકોને ઇજા
સાંતલપુર તાલુકાના પીપરાળા ગામના પાટીયા નજીક માહી દુધના બોલેરો પીકઅપ જીપને ટ્રકે ટક્કર મારતાં જીપમાં સવાર બે યુવકોને ગંભીર ઇજાઓ થઈ હતી. સાંતલપુર તાલુકાના સીધાડા ગામના તોફિકખાન લતીફભાઈ થેબા અને રફીકખાન લતીફભાઈ થેબા માહી દૂધનું બોલેરો પીકઅપ ગાડી લઈને આડેસર બાજુ દૂધના કેરેટ લેવા માટે નીકળ્યા હતા ત્યારે રાત્રે આશરે 10:30ના અરસામાં પીપરાળા ગામના પાટીયાથી દૂર સાંતલપુર બાજુ ડગાચીયા દાદાના મંદિર પાસે હાઇવે પર રોંગ સાઈડમાં આવેલી એક ટ્રકે ગાડીને ટક્કર મારતા ગાડીમાં બેઠેલા તોફિકખાન થેબાને માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઇજાઓ થઈ હતી જ્યારે રફીકખાન થેબાને પગના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે સાંતલપુર રેફરલ હોસ્પિટલ લઈ જવાયા હતા ત્યાંથી વધુ સારવાર માટે મહેસાણા ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ અંગે સાંતલપુર પોલીસ મથકે ટ્રક ચાલક સામે આરીફખાન મહેબૂબભાઈ થેબાએ ફરિયાદ નોંધાવી હતી.
અટકાયત:પાટણની ઘર ફોડ ચોરીમાં ફરાર આરોપી 21 વર્ષે પકડાયો
પાટણ શહેર 21 વર્ષ જૂના ઘર ફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપીને સિદ્ધપુર વિભાગના એબ્સકોન્ડર સ્કવોર્ડ અમરેલી જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. આરોપી મનુ વાઘેલા વર્ષ 2005ના ગુનામાં વોન્ટેડ હતો. પોલીસની ટીમ તપાસમાં હતી. આ દરમિયાન ટીમને ખાનગી બાતમી મળી હતી કે આરોપી મનુ રવજીભાઈ વાઘેલા (દેવીપુજક) હાલમાં અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ટીમલા ગામે એક વાડીમાં ખેતમજૂરી કરી રહ્યો હતો. આ માહિતીના આધારે પોલીસ સ્ટાફે ટીમલા ગામે જઈ તપાસ કરતા આરોપી મળી આવ્યો હતો. પકડાયેલ આરોપી મનુ વાઘેલાની પ્રાથમિક પૂછપરછ બાદ તેની અટકાયત કરવામાં આવી છે. પાટણ શહેર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલ ગુનામાં પોલીસે તેની અટકાયત કરી હતી.
રજૂઆત:ભૂગર્ભ ગટર, રોડ-રસ્તા અને સોલાર પ્રોજેક્ટ્સની પેન્ડિંગ ફાઇલો પર તાત્કાલિક મંજૂરી આપવા માંગ
પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર સહિતના સભ્યોએ ગાંધીનગર ખાતે પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય પાટણ શહેરના વિવિધ રૂ.176 કરોડના અંદાજિત 145થી વધુ વિકાસ કામોની અટકેલી દરખાસ્તોને તાત્કાલિક મંજૂરી અપાવવાનો હતો. આ કામો હાલ પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનરની કચેરી અને ગુજરાત શહેરી વિકાસ મિશન (GUDM)માં મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. રજૂઆતમાં સૌથી મહત્વનો મુદ્દો રૂ.116.58 કરોડના ખર્ચે નવી ભૂગર્ભ ગટર યોજનાની ગ્રાન્ટ છૂટી કરવા ભાર મુકાયો હતો. ઉપરાંત, પાટણના ઓજી (OG) વિસ્તારોના વિકાસ માટે રૂ.8 કરોડના 116 કામો અને શહેરના 17 વિસ્તારોમાં રૂ.12 કરોડના ડામર રોડ બનાવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી માંગી છે. પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે ખોરસમ સરસ્વતી પાઇપલાઇનથી સીધુ સિદ્ધિ સરોવરમાં પાણી લાવવા રૂ.9 કરોડની ગ્રાન્ટની પણ માંગણી કરાઈ છે. પાલિકાની મિલકતો અને બગીચાઓમાં રૂ.4.75 કરોડના ખર્ચે સોલાર સિસ્ટમ લગાવવાની દરખાસ્ત જીયુડીસીએલને મોકલાશે. સાથોસાથ, પાટણની શાન સમાન આનંદ સરોવરના રૂ.3 કરોડના ખર્ચે રિનોવેશન અને જનભાગીદારી હેઠળની વિવિધ સોસાયટીઓના પેન્ડિંગ કામો માટે મંત્રીઓ સમક્ષ અસરકારક રજૂઆત કરી છે.
એસઆઈઆર પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે ત્યારે પીંડદાન કરી દીક્ષા લેનાર સાધુ સંતો અખાડાને જ પરિવાર માને છે અને અમુક કિસ્સામાં ચાર પાંચ ગુરુના શિષ્ય બનતાં તેમના નામ પણ બદલાતા રહે છે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચની જૈવિક પિતાની ગાઈડલાઈનને કારણે અવઢવ સ્થિતિ પ્રવર્તી રહી છે. આ બાબત ત્રીજી જાતિના મતદારોને પણ લાગુ પડે છે કારણ દીક્ષા ગ્રહણ બાદ પિતાના નામની જગ્યાએ ગુરુનું નામ અથવા ભગવાન રામ કે ભગવાન શિવ શંકરનું નામ લખવાની પ્રણાલિકા છે. ચૂંટણી વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર નો મેપિંગ યાદીમાં જે કોઈપણ સાધુ સંતોના નામ હશે તેમને આગામી સમયમાં નોટિસ મળી જશે. સાબરકાંઠા જિલ્લામાં સેકડોની સંખ્યામાં દેવ મંદિરો છે અને સ્થાનિક સહિત અન્ય રાજ્યના સાધુ સંતો દાયકાઓથી વસવાટ કરી રહ્યા છે. જેમના વર્તમાન જીવનના નામ મતદાર યાદી અને ચૂંટણી કાર્ડમાં છે. એસઆઈઆર પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ચૂંટણી પંચ દ્વારા જૈવિક પિતાના નામનો આગ્રહ રખાય છે. જે કોઈપણ સાધુ જીવન અપનાવે છે ત્યારે પીંડદાન કરી પ્રથમ દીક્ષા લે છે અને ત્યારબાદ જેટલી જગ્યાએ અલગ અલગ સાધુ મહંત સાથે શિષ્ય તરીકે રહે છે ત્યાં ત્યાં ચાદરવિધિ થતાં ગુરુનું નામ પણ બદલાતું રહે છે અને અખાડાને જ પરિવાર માને છે. પિતાના નામની જગ્યાએ મહદંશે ગુરુ અને કેટલાક કિસ્સામાં ભગવાનનું નામ લખવાની પરંપરા છે. આવું જ ત્રીજી જાતિના મતદારોમાં પણ જોવા મળે છે. આવી સ્થિતિમાં જૈવિક પિતાનું નામ ન હોવાથી 2002ની યાદી સાથે મેપિંગમાં સમસ્યા આવવી સ્વાભાવિક છે. જોકે 2002ની યાદીમાં નામ ધરાવતા સાધુ સંતોનું મેપિંગ થઈ ગયું છે. ડો.ગૌરાંગશરણ દેવાચાર્યએ જણાવ્યું કે ધોરણ 10 પછી ઘર છોડ્યું હતું. ધોરણ 11 માં એફિડેવિટ કરાવી હતી. આચાર્ય ગાદી પરંપરા હોય ત્યાં અખાડા તરફથી સર્ટિફિકેટ અપાય છે એમ.એ કર્યું ત્યારે પાછળ ગુરુનું નામ બલરામ આચાર્ય આવ્યું હતું. 2002ની યાદી સાથે મારે અને અન્ય કેટલાક સંતોને નામ મેચ થઈ ગયું હતું એટલે કોઈ સમસ્યા આવી નથી. ચૂંટણી વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર નો મેપિંગ યાદીમાં જે કોઈપણ સાધુ સંતોના નામ હશે તેમને અગામી સમયમાં નોટિસ મળી જશે. તેમણે ઈઆરઓ સમક્ષ ફોર્મ ભરી અત્યારના અને ભૂતકાળના પુરાવા રજૂ કરવાના રહેશે. પુરાવાના ગુણદોષ આધારે નિર્ણય લેવામાં આવશે.
સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા ક્રિસમસના મીની વેકેશનમાં સહેલાણીઓની પ્રથમ પ્રસંદ બની રહયુ છે. ખાસ કરી ગુજરાતીઓ માનીતા પ્રવાસન સ્થળ તરીકે દ્વારકાધીશના દર્શન સાથોસાથ સુદર્શન સેતુ, શીવરાજપુર બીચનો લુત્ફ ઉઠાવવા દ્વારકા પ્રવાસને પ્રાધાન્ય આપી રહયા છે.દ્વારકામાં દરરોજ યાત્રાળુઓનો પ્રવાહ જોવા મળતો હોય છે,જન્માષ્ટમી, દિપાવલી, કુલડોલ ઉત્સવ-ક્રિસમસના વેકેશનમાં દર્શનાર્થીઓ સાથે હજારો સહેલાણીઓનું ઘોડાપુર ઉમટે છે. નાતાલ વેકેશનના પ્રારંભે જ મોટી સંખ્યામાં યાત્રાળુઓ-સહેલાણીઓનો પ્રવાહ શરૂ થયો છે.યાત્રાધામમાં પ્રથમ દિવસે જ લગભગ એક લાખથી વઘુ યાત્રાળુ ઉમટયા હતા જેના પગલે હકડેઠ્ઠઠ ભીડ જોવા મળી હતી. જે સાથે તમામ હોટલ, ગેસ્ટ હાઉસ તેમજ હોમસ્ટે ધર્મશાળાઓ હાઉસફુલ થતાં બહારથી આવતા અમુક યાત્રિકો ફરજિયાતપણે અમુક લોકોના ઘર,ઓટલા પર તેમજ માર્ગો પર પણ વાહનોમાં જ આશરો લેવા માટે વિવશ બન્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. સાથે જ અમુક દ્વારકા વાસીઓએ પણ બહારથી આવતા યાત્રીકો તેમાં પણ ખાસ કરીને નાના બાળકો સાથેના યાત્રિકોને પોતાના ઘરમાં આશરો આપ્યો હતો, એટલું જ નહીં પરંતુ પોતાની સાથે જમાડી દ્વારકાની મહેમાનગતી વિશેષ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. યાત્રાધામની બજારોમાં પ્રવાસીઓની ભારે ભીડ જોતા રોનક છવાયેલી જોવા મળે છે. યાત્રાધામ દ્વારકામાં નાતાલની પુર્વ સંધ્યાથી જ મોટી સંખ્યામાં પ્રવાસીઓનુ આગમન શરૂ થયુ હતુ.જે સહેલાણીઓનો પ્રવાહ ગુરૂવારે પણ વણથંભ્યો રહયો હતો. હજુ સપ્તાહ સુધી મોટી સંખ્યામાં લોકો ઉમટશે. જગતમંદિર સાથે સુદર્શન સેતુ વગેરે બન્યા પયર્ટકોમાં આકર્ષણ રૂપ ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકા દરરોજ હજારો ભાવિકો દર્શનાર્થે આવે છે.જે સાથે છેલ્લા વર્ષોમાં સુદર્શન સેતુ ઉપરાંત શિવરાજપુર બીચ સહિત આજુબાજુના રમણીય પયર્ટક-ધાર્મિક સ્થળોના અભૂતપુર્વ વિકાસના કારણે સતત બીજા વર્ષે મોટી સંખ્યામાં મીની વેકેશનમાં લોકો ઉમટી રહયા છે.યાત્રાધામ બેટ દ્વારકા જવા જમીન માર્ગ ઉપલબ્ધ થતા યાત્રાળુઓ સહિતના સહેલાણીઓ માટે આવા ગમન સુલભ બન્યુ છે.જે સાથે જ અધતન હોટલો સહિતની સુવિધાઓ પણ વિકસી છે. જેથી દેશ-વિદેશના પ્રવાસીઓ માટે દેવભૂમિ પંથક સતત બીજા વર્ષે નાતાલના મીની વેકશેનમાં પણ રાજયભરનુ સૌથી પસંદીદા સ્થળ બન્યુ છે.
તૃતીય ધનુર્માસ ઉત્સવ:જગત મંદિરે ભાવિકોનો અવિરત પ્રવાહ
દ્વારકાના સુપ્રસિધ્ધ ભગવાન દ્વારકાધીશજી જગતમંદિરમાં ગુરૂવારે તૃતિય ઘનુર્માસ ઉત્સવ ઉજવાયો હતો.જેમાં મંગલા આરતીથી અનોરસ બાદમાં સાંજના નિત્યક્રમમાં બહોળી સંખ્યામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. હાલમાં ચાલી રહેલા ધનુર્માસ અનુસંધાને બેટ દ્વારકામાં સમગ્ર માસ દરમ્યાન શ્રીજીના ઉત્સવ ક્રમમાં ફેરફાર સાથે ઊજવણી કરવામાં આવી રહી છે ત્યારે દ્વારકા યાત્રધામમાં આવેલ દ્વારકાધીશ મંદિરમાં વ્યાપક ભીડભાડને લીધે દર વર્ષની જેમ ધનુર્માસની ચાર તિથિઓમાં થતાં ધનુર્માસ ઉત્સવ અનુસંધાને આજ તા.25ને ગુરૂવારના રોજ જગતમંદિરમાં તૃતીય ધનુર્માસ ઉત્સવની ઊજવણી કરવામાં આવી હતી. દ્વારકાધીશ મંદિરમાં આજરોજ શ્રીજીની મંગળા આરતી સવારે 5.30 કલાકે યોજાઈ હતી. મંગળા અરતીથી સવારના નિત્યક્રમ સવારે 10.30 કલાકે અનોસર (મંદિર બંધ) સુધી બહોળી સંખ્યાભાં ભાવિકોએ ઠાકોરજીના દર્શનનો લાભ લીધો હતો.
જાહેરનામુ:સુદર્શન સેતુના ઓખાથી બેટ સુધી ભારે વાહન પર પ્રતિબંધ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુદર્શન સેતુના ઓખાથી બેટ દ્વારકાધીશ મંદિર સુધી ભારે વાહન તથા ખાનગી બસો પર પ્રતિબંધ લાદતુ જાહેરનામુ પ્રસિધ્ધ કરાયુ છે. નાતાલના તહેવાર દરમ્યાન ટ્રાફીક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ-33(1)(ખ) હેઠળ તેમને મળેલ સતાની રૂએ તા.31.12.2025 (રાત્રિના 12 કલાક) સુધી સુદર્શન સેતુના ઓખા તરફ આવેલા છેડેથી શ્રી દ્વારકાધીશ મંદિર બેટ સુધી ભારે સરકારી એસ.ટી. બસ સિવાયના વાહન, ટ્રક તથા ખાનગી બસોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ અથવા પોલીસ અધિક્ષક દેવભૂમિ દ્વારકાની કચેરી દ્વારા પરવાનગી અપાયેલ વાહનો તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી સાથે સંકળાયેલા સરકારી વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહી. આ આદેશોનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
માળિયા મિયાણા પોલીસે ફતેપર ગામની ખરાવાડ વિસ્તારમાંથી એક ટેન્કર ચાલકને ટેન્કરથીમાંથી ગેર કાયદે ડીઝલ કાઢી ચોરી કરતા રંગે હાથ ઝડપી લીધો હતો અને ટેન્કરમાં રહેલો 24 હજાર લીટર ડીઝલનો જથ્થો એક ટેન્કર પ્લાસ્ટીક કેરબા નળીઓ તેમજ 5 પ્રેશર સેન્સરના ડગરા સહિત રૂ 21 લાખ 10 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો. જામનગરથી માળિયા હાઈવે પરથી દિવસ દરમિયાન મોટી સંખ્યામાં પેટ્રોલીયમ પ્રોડક્ટના ટેન્કરની અવર-જવર રહે છે અને આ તેમાંથી કેટલાક ટેન્કર ચાલક અથવા તેના માલિક સાથે સાઠગાંઠ કરી અમુક તત્વો દ્વારા ટેન્કરમાંથી ડીઝલ ચોરી લેવામાં આવે છે. મોરબી જિલ્લામાં ચાલતી ડીઝલ ચોરીની ઘટના અને તેના ગેરકાયદે વેચાણનો વેપલો બંધ અટકાવવાના એસપીની સૂચનાને પગલે માળિયા મિયાણા પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં વોચ ગોઠવી હતી દરમિયાન તેઓને બાતમી મળી હતી કે માળિયા તાલુકાના ફતેપર ગામના ખરાવાડા વિસ્તારમાં એક ટેન્કરમાંથી કોઈ પણ પ્રકારની સુરક્ષા વિના ગેરકાયદે સીલ તોડી અત્યંત જ્વલનશીલ પદાર્થ ડીઝલ ચોરી થાય છે. આ શખ્સ ટેન્કરમાંથી ડીઝલ કાઢવા સાધનો ગોઠવી રહ્યો હતો ત્યાં પોલીસ ત્રાટકી હતી. જે બાદ પોલીસે તેની પૂછ પરછ કરતા આ શખ્સ ફતેપર ગામનો દિલીપભાઈ વરજાંગભાઈ વીરડા નામના શખ્સને ઝડપી લીધો હતો. તેની પૂછપરછ કરતા ડીઝલ ચોરી ગેરકાયદે વેચાણની કબુલાત કરતા માળિયા પોલીસે સ્થળ પરથી રૂ 15 લાખની કિમતનો ટેન્કર, તેમ ભરેલો રૂ 21.10 લાખની કિમતનો ડીઝલ જથ્થો મળી કુલ રૂ. 36.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીના કોર્ટે બે દી ’નારિમાન્ડ મંજૂર કર્યાંપોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. પૂછપરછમાં પુરતો સહયોગ ન મળતા વધુ સમય કસ્ટડીની જરૂર હોય પોલીસ આ કૌભાડમાં અન્ય કેટલા લોકોની સંડોવણી છે, ડીઝલ કેટલા સમયથી ચોરી કરતો હોય કોને કેવી રીતે વેચાણ થતું હોય ડીઝલ કાઢવા પર તેને કમીશન મળતું હતું કે કેમ તે અંગે પણ તપાસ માટે કોર્ટમાં રિમાન્ડની માંગણી કરતા કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. વધુ શખ્સની સંડોવણીની શંકામાળિયા હાઇવે પર કચ્છ તરફથી આવતા જ્વલનશીલ પદાર્થ ભરીને આવતા ટેન્કરમાંથી ઓઇલ કે ડિઝલનો જથ્થો કાઢી લઇને તેનો અંગત ફાયદા સાથે વપરાશ કરવાનો રીતસર ધંધો ફૂલ્યો ફાલ્યો છે. આમાં એકની ધરપકડ કરાઇ છે પરંતુ એકથી વધુની સંડોવણીની શંકા નકારી શકાતી નથી. જો કે પોલીસે આ શખ્સ કેટલા સમયથી આ રીતે ડિઝલ ચોરી કરતો હતો એ સહિતની વિગતો ઓકાવવાની બાકી છે, જેથી તપાસમાં એકથી વધુ શખ્સની સંડવણીની શંકા નકારી શકાતી નથી, અને આ વિસ્તારમાં અગાઉ પણ આ રીતે ડિઝલ ચોરીના કૌભાંડ સામે આવ્યા જ છે, જેના પરથી સાબીત થાય છે કે અહીં પોલીસની ઢીલી નીતિના લીધે આવા ચોરોને મોકળું મેદાન મળી જાય છેે.
ચોરીની ઘટના CCTVમાં કેદ થઈ:મોરબીમાં વેપારીની નજર ચૂકવી ગઠિયો ચલણી નોટનું બંડલ લઇ છૂ
મોરબી શહેરના ટ્રાફિકથી ધમધમતા આયોધ્યાપુરી રોડ પર આવેલા જલારામ ટ્રેડર્સ નામની દુકાનમાં આજે પહેલા એક શખ્સ ગ્રાહક બનીને પ્રવેશ્યો હતો અને દુકાનદાર મિતેશભાઈ પુજારા દુકાનમાં વસ્તુઓ લેવા ગયા ત્યારે ગ્રાહકના સ્વાંગમાં આવેલા આ શખ્સે નજર ચૂકવી રૂપિયાનું આખું એક બંડલ કાઢી લીધું હતું બાદમાં તે શખ્સ ફરી ગ્રાહકની જેમ વસ્તુની ખરીદી કરી રૂપિયા ચૂકવી ત્યાંથી નીકળી ગયો હતો. જો કે દુકાનદાર મિતેશભાઈએ જ્યારે દુકાનમાં રૂપિયા ઓછા જણાતા તેઓએ તપાસ કરી હતી અને તે ન મળતા દુકાનમાં રહેલા સીસીટીવી કેમેરા તપાસતા ગ્રાહક બનીને આવેલા શખ્સના કરતુત સામે આવી ગયા હતા. વેપારીના દાવા મુજબ લગભગ રૂ ૫૦ હજાર જેટલી રકમ ચોરી થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
આજના હાઈટેક યુગમાં મોબાઈલ ટેકનોલોજીના લોકો તો ઠીક બાળકો પણ એટલા બધા આદી થઈ ગયા છે કે આજના નાના ભૂલકાઓને શેરી રમતો કે જે રમતો ધરતીના ખોળે રમવાથી કુદરતી રીતે બાળપણ ખીલી ઉઠે છે તેનો ખ્યાલ જ નથી હોતો. આથી બાળકો મોબાઈલ ગેમથી દુર થઈ શેરી રમતો માણી શકે તે માટે મોરબી મહાનગરપાલિકા અને રોટરી ક્લબ ઑફ મોરબીની ધમાલ ગલી એટલે કે મોરબી મસ્તી સ્ટ્રીટનું તા.28ને રવિવારે સવારે 7:30 વાગ્યે સરદારબાગ શનાળા રોડ મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શેરી રમતોમાં જોડાઇને નિર્દોષ ધમાલ કરવા માટે બાળકો ઉપરાંત મોટેરાઓ અને વૃદ્ધોને અપીલ કરાઈ છે. આ કાર્યક્રમમાં શેરી રમતો બાળકોથી માંડી વૃદ્ધોને રમાડાશે. આ કાર્યક્રમમાં વધુને વધુ ભાગ લે તેવો મોરબી મહાનગરપાલિકા અને રોટરી ક્લબ ઓફ મોરબીનો આશય છે. આથી મનપાએ શહેરીજનોને અપીલ કરી હતી કે જેમને પોતાના બાળપણને તાજું કરવામાં રસ હોય, બાળકો સાથે મસ્તી કરવાનો મૂડ હોય તો રવિવારે સવારે 7:30 કલાકે, સરદારબાગ શનાળા રોડ મોરબી ખાતે પહોંચી જજો. આ કાર્યક્રમ મોરબી મહાનગરપાલિકા તથા રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા બાળકથી માંડી વૃદ્ધો માટે બાળપણની રમતો અને યાદો તાજી કરવા માટે શેરી રમતો જેમ કે, લંગડી, ધમાલ્યો ધોકો, કોથળા દાવ, લીંબુ ચમચી, આંધળો પાટો, ભમરડો, જેવી અનેક શેરી રમતો રમાડવામાં આવશે! જે રમતો માટે કોઇ પણ જાતનો એન્ટ્રી ચાર્જ રાખવામાં આવ્યો નથી. જેથી આ શેરી રમતો રમવા મનપાએ જાહેર અપીલ કરી છે.
કાયદો જાણે ખિસ્સામાં!:મોરબીમાં યુવકને ગળેથી પકડી છરી બતાવી
મોરબી શહેરના રવાપર ચોકડી નજીક લોકોની અવર જવરથી ધમધમતા કેપિટલ માર્કેટ પાસે ગુરુવારે જાહેરમાં એક લુખ્ખાગીરી કરતા શખ્સનો વિડીયો સામે આવ્યો હતો, આ લુખ્ખાગીરી કરતા શખ્સે એક યુવાનને ગળેથી પકડી છરી દેખાડી હતી અને આટલું ઓછું હોય તેમ ઢીકા પાટુનો માર માર્યો હતો. આ બન્ને વચ્ચે ક્યા મુદ્દે ઝઘડો થયો તે માહિતી જો કે સામે આવી નથી પણ જે રીતે જાહેરમાં છરી લઈને લુખ્ખાગીરી થઇ રહી હતી તે જોતા જાણે આ શખ્સને પોલીસ કે કાયદાની કોઈ બીક હોય તેવું લાગતું નથી.
ગોઝારો અકસ્માત સર્જાયો:માળિયા મિયાણાની ભીમસર ચોકડી પાસે આઇસર અડફેટે માતાનું મોત, પુત્ર ઘાયલ
માળીયા મી. નજીક ભીમસર ચોકડી પાસે મધરાત્રે અકસ્માત સર્જાયો હતો, જેમાં પુત્રની નજર સામે જ માતાનું મોત નિપજ્યું હતું. જ્યારે પુત્રને ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.બીજા બનાવમાં મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે માળીયા હાઇવે રોડ ઉપરથી યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હોય ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા ગંભીર ઇજા થવાથી બાઈક ચાલક યુવાનનું મોત નીપજ્યું હતું. સુરેન્દ્રનગરના સાયલામાં રહેતા દિલસાનબેન સલીમભાઇ ભાડુલા તેમના પતિ સલીમભાઇ અને પુત્ર સિકંદર એમ પરિવારના બધા સભ્યો ચીરઇ ગામે દરગાહએ દર્શન કરવા માટે જતા હતા. તે દરમ્યાન માળીયા મીં.ની ભીમસર ચોકડી પાસે અકસ્માત સર્જાતા આઇસર ચાલકે માતા-પુત્રને ઠોકરે લેતા ગંભીર ઇજા થવાથી દિલસાનબેન (ઉ.વ. 36)નું મોત નિપજ્યું હતું. જ્યારે પુત્ર સિકંદર (ઉ.વ. 17) ને ઇજા થતાં પ્રથમ મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે. બીજા બનાવમાં મોરબીની ઋષભ સોસાયટીમાં રહેતા રણજીતભાઈ માણસુરભાઈ હેરમાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ટ્રક ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે કે, મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસેથી તેના ભાઈ પરેશકુમાર માણસુરભાઈ હેરમા પોતાનું બાઈક નંબર જીજે 14 એએચ 9101 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે તેના બાઇકને હડફેટે લેતા પરેશકુમાર માણસુરભાઈ હેરમાને માથામાં અને શરીરે ઇજાઓ થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું.
મોરબી મનપા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો:માનવ જીવન બચાવવા મોરબીમાં MMCના કર્મચારીઓએ કર્યું રક્તદાન
મોરબી મહાનગર પાલિકાની સ્થાપનાને એક વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણીના ભાગરૂપે મોરબી મહાનગરપાલિકાના ઉપક્રમે ઉજવણી સપ્તાહની શરૂઆત કરવામાં આવી છે, તાજેતરમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો, મોરબી મહાનગરપાલિકા સંચાલિત કોમ્યુનીટી હોલ, સરદારબાગ ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં મહાનગર પાલિકાના અધિકારીઓ- કર્મચારીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. રક્તદાન કરનાર તમામ MMC ના કર્મીઓને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા, મોરબી મહાનગર પાલિકા દ્વારા યોજાયેલ રક્તદાન કેમ્પનો મુખ્ય ઉદેશ માનવ જીવન બચાવવા માટે એક ડગલું આગળ આવવાનો રહ્યો છે, જેમાં MMC ના તમામ શાખાધિકારી તથા કર્મચારીઓએ રક્તદાન કરી સમાજમાં માનવ જીવન બચાવવાનો મેસેજ આપ્યો હતો. આ કાર્યક્રમમાં કમિશનર સ્વપ્નિલ ખરે IAS , નાયબ કમિશનર કુલદીપસિહ વાળા ઉપસ્થિત રહ્યા હતા.
વાંકાનેરમાં ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે નગરયાત્રા, શૈયાધિવાસ, સ્થાપિત દેવતા સાયં પૂજા, આરતી યોજાયા હતા. આ અવસરે યોજાયેલી નગર યાત્રામા તાલિમબધ્ધ દીકરીઓએ તલવાર રાસ રજૂ કરી ભાવિકોના મન મોહી લીધા હતા. વાંકાનેર શહેરની ભાગોળે આવેલી ભાટિયા સોસાયટીમાં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થઈ રહી છે. જેમાં નવનિર્મિત મંદિરમાં કષ્ટભંજન હનુમાનજી મહારાજની નૂતન મૂર્તિની સ્થાપના કરાશે. જ્યારે બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામદાદા , જલારામબાપા તથા રણછોડદાસ બાપુની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઇ રહ્યો છે જેના મંગલકારી બીજો દિવસ બુધવારના સવારે ૮થી ૧૨ સુધીમાં સ્થાપિત દેવતા પ્રાતઃ પુજન, પ્રાસાદ વાસ્તુ, કુટિર હોમ, શાંતિ પુષ્ટિ હોમ, બપોરના બપોરે ૩ થી ૬ નગરયાત્રા, શૈયાધિવાસ, સ્થાપિત દેવતા સાયં પૂજા, આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. રાત્રિના સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો. બીજા દિવસે બપોરે ભાટિયા સોસાયટી સ્થિત નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતેથી કષ્ટભંજન હનુમાનજી મહારાજ , ભગવાન પરશુરામદાદા , જલારામબાપા તથા રણછોડદાસ બાપુની મૂર્તિઓ સાથે રથમાં સાધુ સંતો તેમજ વિવિધ દેવી દેવતાઓના વેશભૂષા ધારણ કરી બાળકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સાથે મહિલા સશક્તિકરણ તથા સ્વરક્ષણ માટે તાલિમબદ્ધ દીકરીઓએ તલવાર બાજી કરીને સહુ કોઇને મંત્રમુગ્ધ કર્યા હતા. યાત્રીઓ બેન્ડ સાથે ઝૂમી ઉઠ્યા હતા. આ પ્રસંગને શોભાવવા ગાયત્રી શક્તિપીઠના મહંત અશ્વિનભાઈ રાવલ , પૂજારી દિનેશ મહારાજ , પૂજારી વિરેન્દ્રગીરી મહારાજ , શૈલેષભાઈ ઠક્કર, હરુભા ઝાલા, રતિલાલ અણિયારીયા, કૃષ્ણસિંહ ઝાલા , મુન્નાભાઈ હેરમા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:મોરબીમાં બેવડી ઋતુના પ્રભાવથી વાઇરલ બીમારી વધી
મોરબીમાં ઠંડીની મોસમના બે મહિના પુરા થવા આવ્યા છતાં હજુ સુધી શિયાળાએ અસ્સલ મિજાજ દર્શાવ્યો નથી. જો કે માગશર મહિનામાં તો થરથર કાંપી ઉઠાય એવી કાતિલ ઠંડી પડતી હોય છે. પણ આ વખતે હજુ સુધી આવી કડકડતી ટાઢ ન પડતા વાતાવરણની ગંભીર અસર વર્તાઇ રહી છે. કૃષિ હવામાન વિભાગની સતાવાર માહિતી પ્રમાણે આ સપ્તાહે મોરબીનું લઘુતમ તાપમાન 13 ડિગ્રી હોવાનું નોંધાતા રાત્રે 8 થી સવારના 10 સુધી ગરમ કપડાં પહેરી રાખવા પડે તેવી ઠંડી લાગે છે. જ્યારે મહત્તમ તાપમાન 32 ડિગ્રી નોંધાતા બપોરે ગરમી રહે છે. જો કે ગત સપ્તાહે પણ આટલું જ લઘુતમ અને મહત્તમ તાપમાન નોંધાયું હતું. પણ આ સપ્તાહે ઠંડીનો ચમકારો વધ્યો છે.એટલે આ બેવડી ઋતુનો જનજીવન પર ખાસ પ્રભાવ પડ્યો છે. ઋતુ મુજબની વાયરલ ઇન્ફેક્શનજન્મ બીમારીઓ ફેલાય રહી છે. સિવિલમાં રોજના 15-20 દર્દી જ વધ્યાનો દાવોમોરબી જિલ્લા કક્ષાની સૌથી મોટી હોસ્પિટલ ગણાતી સિવિલ હોસ્પિટલમાં હમણાંથી કોઈ ગંભીર સ્થિતિ નથી. એટલે બીમારીઓ બેકાબુ ગઈ હોય એટલા પ્રમાણમાં કેસો આવતા નથી. રૂટિન જ કેસ આવે છે. બે મહિનાથી ઋતુના પ્રભાવથી સામાન્ય બીમારીઓના કેસ આવે છે. એટલે દરરોજ તાવ શરદી ઉધરસ જેવી સામાન્ય બીમારીઓના સરેરાશ 15 થી 20 કેસ નોંધાય છે. એટલે પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. > ડો. જી. એલ. કાલરિયા, સિવિલ હોસ્પિટલ, આર.એમ.ઓ. ઋતુ પરિવર્તનના લીધે ગત મહિના કરતાં કેસ વધ્યાખાનગી હોસ્પિટલો સહિત નાના મોટા દવાખાનામાં હાલ જેટલી ઓપીડી આવતી હોય એમાં 70 ટકા કેસ સામાન્ય બીમારીઓના એટલે તાવ શરદી ઉધરસના કેસ હોય છે. બેવડી ઋતુને કારણે આ બીમારીઓ ફેલાય છે. પરંતુ ગયા મહિના કરતા આ મહિને બીમારીઓ થોડી વધી છે. એનું કારણ એ છે કે, આ મહિને છેલ્લા દસ દિવસથી ઠંડી વધવા લાગી છે. પણ બપોરે હજુ ગરમી જ રહે છે. જો ગમે તે ઋતુનું એક સરખું વાતાવરણ રહે તો આવી બીમારીઓ ઉપર કાબુ મેળવી શકાય છે. ઋતુ પરિવર્તન થાય કે, મિક્સ ઋતુ અને વાતાવરણના પ્રદુષણને કારણે બીમારીઓ ફેલાય છે. એટલે બીમારીઓથી દૂર રહેવા હાલ સવારે ઠંડીમાં નિયમિત કસરત, યોગો કરવા, વિવિધ વનસ્પતિઓનો આર્યુવેદિક ઉકાળાનું સેવન કરવું, ઠંડીથી યોગ્ય ગરમ વસ્ત્રો પહેરવા જેવી લોકોને સલાહ આપવામાં આવી છે. > ડો. મયૂરભાઇ , જનરલ પ્રેક્ટિસનર 70 ટકા દર્દીઓની શરદી, ઉધરસની જ ફરિયાદછેવાડાના વિસ્તારના એક નાના એવા ક્લિનિકમાં રોજના સરેરાશ શરદી, તાવ, ઉધરસ જેવી વાયરલ બીમારીઓના 20.જેટલા દર્દીઓ સારવાર લેવા આવે છે. જ્યારે શહેરની મોટી જનરલ હોસ્પિટલમાં રોજની કુલ જનરલ ઓપીડીમાંથી 70 ટકા વાયરલ બીમારીઓના કેસ આવે છે. આ તો એક જ હોસ્પિટલ અને એક જ નાના ક્લિનિકના કેસ છે. આવી તો શહેરમાં અનેક હોસ્પિટલો અને દરેક વિસ્તારમાં એકથી વધુ દવાખાના હોય તેમાં રોજના કેટલા કેસ નોંધાતા હશે તેનો અંદાજ મેળવવો મુશ્કેલ છે. આમ છતાં સિવિલ તંત્રએ રૂટિન જ કેસ આવતા હોય સ્થિતિ એકદમ નોર્મલ હોવાનો બચાવ કર્યો છે.
આગ લાગી:મોરબીના રફાળેશ્વર નજીક ભંગારના ડેલામાં અને શહેરમાં કચરાના ઢગમાં આગ ભભૂકી
મોરબી શહેરના આસપાસ વિસ્તારમાં એક દિવસમાં અલગ અલગ બે સ્થળે આગની ઘટના સામે આવી હતી જોકે બન્ને સ્થળે આગ ખુલી જગ્યામાં હોવાથી કોઈ જાનહાની થઇ ન હતી ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો . મોરબીના રફાળેશ્વર પાસે આવેલા પટેલ પેપર એન્ડ સ્ક્રેપ નામના ભંગારના ઢગલામાં બપોરના સમયે આગની ઘટના બની હતી. ઘટનાની જાણ થતા મોરબી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. બીજી એક ઘટનામાં મોરબીના રવાપર રોડ પર આવલા મામા ફટાકડા દુકાન સામેના ભાગે આવેલા મેદાનમાં આગની ઘટના બની હતી જોતા જોતા આગે મોટું રૂપ લઇ લેતા ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો બનાવ બન્ને સ્થળે ખુલ્લી જગ્યામાં થતા જાનહાની થઇ ન હતી. તસવીર : કિશન પરમાર
બેઠક:અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતીએ ‘સુશાસન દિવસ’ની ઉજવણી
ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન તથા પ્રખર રાજનેતા સ્વ. અટલ બિહારી વાજપેયીજી ની 101 મી જન્મજયંતી નિમિત્તે સમગ્ર દેશમાં “ગુડ ગવર્નન્સ ડે” તરીકે ઉજવણી કરવામાં આવી. સુશાસન, પારદર્શિતા અને લોકહિતને કેન્દ્રમાં રાખી લેવાયેલા તેમના ઐતિહાસિક નિર્ણયો આજે પણ દેશના પ્રશાસન માટે માર્ગદર્શકરૂપ છે. તેમના જન્મદિનને સુશાસનના મૂલ્યોને મજબૂત બનાવવા માટે વિશેષ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ અવસર પર “સુશાસન સપ્તાહ” અંતર્ગત રાજ્યસ્તરીય મુખ્ય કાર્યક્રમનું લાઇવ પ્રસારણ બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નિહાળવામાં આવ્યું હતું. આ મુખ્ય કાર્યક્રમ નર્મદા હોલ, સ્વર્ણિમ સંકુલ-1 સચિવાલય, ગાંધીનગર ખાતે યોજાયો હતો, જેને બોટાદ જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીશ્રીઓએ ઉત્સાહપૂર્વક અનુસરીયો હતો.કાર્યક્રમ દરમિયાન સુશાસન, જવાબદારીપૂર્ણ પ્રશાસન, પારદર્શિતા અને નાગરિક કેન્દ્રિત સેવાઓના મહત્વ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલા વિવિધ નવીન પ્રયાસો, જનહિત લક્ષી યોજનાઓ તથા કાર્યક્ષમ પ્રશાસન માટે અપનાવવામાં આવેલી પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બોટાદ કલેક્ટર કચેરી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં બોટાદ પ્રાંત અધિકારી આરતી ગોસ્વામી, બરવાળા પ્રાંત અધિકારી સંજય ચૌધરી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મળીને સ્વ. અટલ બિહારી વાજપેયીજીના જીવન અને વિચારોમાંથી પ્રેરણા લઈ પોતાના કાર્યક્ષેત્રમાં સુશાસનના સિદ્ધાંતોને વધુ મજબૂત બનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
તપાસ:8 વર્ષની સેવા છતાં પ્રમોશનમાં બ્રેક, ફાઈલ દબાવી દેવાતાં અનેક તર્ક-વિતર્ક
પંચાયત કેડરના પાત્ર ઇજનેરોના પ્રમોશનમાં અસામાન્ય વિલંબ અંગે પાત્ર ઇજનેરો દ્વારા સંબંધિત સત્તાધીશો સમક્ષ માંગ કરવામાં આવી છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ મારફતે વર્ષ 2014થી નિયુક્ત થયેલા પંચાયત કેડરના અધિક મદદનીશ ઇજનેરો (AAE) સેવા નિયમો મુજબ 8 વર્ષની નિયમિત સેવા પૂર્ણ કર્યા બાદ વર્ષ 2022થી પ્રમોશન માટે પાત્ર બન્યા છે. તેમ છતાં ત્રણ વર્ષથી વધુ સમય પસાર થયા બાદ પણ પ્રમોશન પ્રક્રિયા આગળ ન વધતા અનેક પ્રશ્નો ઊભા થયા છે. નિયમો મુજબ અધિક મદદનીશ ઇજનેર (AAE)થી ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ઇજનેર (DEE) તરીકે પ્રમોશન શ્રેયાનતા આધારિત પ્રક્રિયા દ્વારા થવું જોઈએ. છતાં તાજેતરમાં તૈયાર કરાયેલી શ્રેયાનતા યાદીમાં પંચાયત કેડરના ઇજનેરોના નામોનો સમાવેશ ન થવો અસ્વાભાવિક હોવાનું પાત્ર ઇજનેરો જણાવી રહ્યા છે. મહત્વનું એ છે કે પાત્રતા પૂર્ણ થયેલા અધિકારીઓ હોવા છતાં ફાઇલ પ્રક્રિયા સતત અટકાવવામાં આવી રહી છે, જેનાથી ઉદ્દેશપૂર્વક વિલંબ કરાતો હોવાની ચર્ચા શરૂ થઈ છે. ઇજનેરોમાં એવી લાગણી પણ વ્યાપક છે કે, પસંદગીના કેટલાક વર્ગોને લાભ આપવા માટે પંચાયત કેડરના અધિકારીઓને પદ્ધતિસર બહાર રાખવામાં આવી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે પ્રમોશન પ્રક્રિયાની પારદર્શિતા અને નિષ્પક્ષતા અંગે ગંભીર શંકાઓ વ્યક્ત થઈ રહી છે. પાત્ર ઇજનેરો દ્વારા સંબંધિત સત્તાધીશો સમક્ષ માંગ કરવામાં આવી છે કે, સમગ્ર પ્રક્રિયા અંગે સ્પષ્ટતા કરવામાં આવે, વરિષ્ઠતા યાદી ફરીથી તપાસવામાં આવે અને લાંબા સમયથી અટવાયેલી પ્રમોશન પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે, જેથી પાત્રતા ધરાવતા ઇજનેરોમાં પ્રવર્તતી કોઈપણ પ્રકારની શંકા અથવા ગેરસમજ દૂર થઈ શકે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પઢાઈ ભી, પોષણ ભી વિઝનને સાકાર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ તાપી જિલ્લામાં શિક્ષણ અને સ્વાસ્થ્યનો મજબૂત પાયો બની રહી છે. પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની 100મી જન્મજયંતી નિમિત્તે રાજ્યમાં ઉજવાઈ રહેલા ‘સુશાસન સપ્તાહ’ દરમિયાન આ યોજના જનકલ્યાણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. તાપી જિલ્લાની 795 સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા 61,712થી વધુ વિદ્યાર્થીઓને દરરોજ તાજો, ગરમાગરમ અને પોષણક્ષમ નાસ્તો પીરસવામાં આવે છે. આ વાનગીનો સમાવેશઆ મેનુમાં બાળકોના શારીરિક અને માનસિક વિકાસને વેગ મળે તે હેતુથી સુખડી, ચણાચાટ, મિક્સ કઠોળ અને ‘શ્રી અન્ન’ (મિલેટ્સ) જેવી વાનગીઓનો સમાવેશ કરાયો છે. જેથી આયર્ન અને પ્રોટીનની ઉણપ ન રહે.
180થી વધુ યુવાઓની રમતોમાં બતાવી ઝળહળતી પ્રતિભા:સોનગઢમાં MY BHARATનો બ્લોક લેવલ સ્પોર્ટ્સ ડે સંપન્ન
ખેલ મંત્રાલય, ભારત સરકાર દ્વારા સંચાલિત MY BHARAT (મેરા યુવા ભારત), તાપી દ્વારા બ્લોક લેવલનો સ્પોર્ટ્સ ડે જ્ઞાનતીર્થ સ્કૂલ, સોનગઢ ખાતે કાર્યક્રમ MY BHARATના બ્લોક કોર્ડિનેટર અને રાષ્ટ્રીય યુવાકર્મી વરૂણ રાજપુત તથા નાયબ નિયામક સચિન શર્માના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ રમોત્સવમાં કબડ્ડી, ખોખો, લાંબીકૂદ અને દોડ જેવી વિવિધ રમતોનું આયોજન થયુ હતું. કાર્યક્રમમાં 180થી વધુ વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. બહેનો માટે ખો-ખોની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ટીમ એંજલ વિજેતા બની હતી. ભાઈઓની કબડ્ડી સ્પર્ધામાં ટીમ તાપી કિંગે વિજય મેળવ્યો હતો. લાંબીકૂદ સ્પર્ધામાં બહેનોના ગ્રુપમાં ગામિત આરોહી પ્રથમ અને વસાવા ખુશીએ દ્વિતીય ક્રમ મેળવ્યો હતો, જ્યારે ભાઈઓના ગ્રુપમાં ચૌધરી ધ્રુવીક પ્રથમ અને વસાવા પ્રતિક દ્વિતીય રહ્યા હતા. 100 મીટર દોડમાં ભાઈઓમાં વસાવા રિયેશએ પ્રથમ અને વસાવા શ્રેયાંસએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. બહેનોમાં ગામિત અમીના પ્રથમ અને ગામિત પ્રિયા દ્વિતીય ક્રમે વિજેતા બન્યા હતા. કાર્યક્રમ MY BHARATના બ્લોક કોર્ડિનેટર અને રાષ્ટ્રીય યુવાકર્મી વરૂણ રાજપુત તથા નાયબ નિયામક સચિન શર્માના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જ્ઞાનતીર્થ સ્કૂલ, સોનગઢના સ્ટાફ અને પીટી શિક્ષક દિવ્યેશભાઈએ કાર્યક્રમ માટે વિશેષ મહેનત ઉઠાવી હતી. વિજેતા વિદ્યાર્થીઓને ટ્રસ્ટી સોંદરવા જાગ્રતભાઈના હસ્તે ટ્રોફી એનાયત થઇ હતી. આચાર્ય ગામિત જગદીશભાઈએ વિજેતાઓને શુભકામનાઓ આપી હતી. અંતે MY BHARATના હેડ કોચ પ્રવીણભાઈ ગામિત દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.
ભાસ્કર ઇમ્પેક્ટ:વેલદા ગામમાં લાખો લિટર પાણીના વેડફાટનો અહેવાલ છપાતા જ તંત્ર જાગ્યું, સમારકામ શરૂ
તાપી જિલ્લાના નિઝર તાલુકામાં કાર્યરત દક્ષિણ નિઝર જૂથ પાણી પુરવઠા યોજનાના મુખ્ય હેડવર્ક પાસે સર્જાયેલા મેજર લીકેજ મામલે તંત્ર આખરે સફાળું જાગ્યું છે. દિવ્ય ભાસ્કર દ્વારા ગત ૨૩ ડિસેમ્બરે લાખો લિટર શુદ્ધ પાણીનો વેડફાટ હેડલાઇન સાથે અહેવાલ પ્રસિદ્ધ કરાતા જ કુંભકર્ણ નિદ્રામાં પોઢેલા અધિકારીઓ દોડતા થયા હતા અને સમારકામની કામગીરી હાથ ધરી છે. શુદ્ધ પાણીના બગાડ અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થયાના ગણતરીના કલાકોમાં જ પાણી પુરવઠા વિભાગના જવાબદારો સ્થળ પર પહોંચ્યા હતા. હાલ પાઈપલાઈનના સમારકામની કામગીરી પૂરજોશમાં શરૂ કરી છે. જોકે, ટૂંકા ગાળામાં જ કરોડોની યોજનામાં સર્જાયેલા લીકેજને લઈ કામગીરીની ગુણવત્તા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. કરોડોના ખર્ચે નવીનીકરણ છતાં ભ્રષ્ટાચારની ગંધ?ઉલ્લેખનીય છે કે, સરકારે અંદાજે બે થી અઢી વર્ષ પહેલા જ કરોડો રૂપિયાના ખર્ચે આ યોજનાનું નવીનીકરણ કર્યું હતું. તેમ છતાં, વેલદા સ્થિત હેડવર્કની બાજુમાં આવેલા જૂના ગોડાઉન કેમ્પસની મેઈન લાઈનમાં ભંગાણ પડ્યું હતું. આ લીકેજને કારણે દરરોજ લાખો લિટર ફિલ્ટર કરેલું શુદ્ધ પાણી ગટરોમાં વહી રહ્યું હતું. સ્થાનિક સ્તરે રજૂઆતો છતાં તંત્ર દ્વારા લાંબા સમય સુધી આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. લોકોમાં વહીવટી તંત્ર સામે ઉઠતા સવાલો
લાખો લોકોના સ્વાસ્થ્યની જવાબદારી જેમના શિરે છે, તેવી તાપી જિલ્લાની વ્યારા જનરલ હોસ્પિટલમાં સોનોગ્રાફી જેવી અતિઆવશ્યક તપાસ માટે દર્દીઓને એક મહિનાનું લાંબુ વેઇટિંગ આપવામાં આવી રહ્યું છે. મજબૂર દર્દીઓએ ખાનગી સેન્ટરોમાં રૂપિયા ખર્ચી તપાસ કરાવવી પડી રહી છે. તંત્રની આ નિષ્ક્રિયતા ખાનગી ડોક્ટરોને ફાયદો કરાવવાની મિલીભગત તો નથી ને ? સવાલો હવે જનતામાં ઉઠ્યા છે. હોસ્પિટલની હાલત અહીં તારીખ પે તારીખ’ની પરંપરા ચાલી રહી છે. તાત્કાલિક ધોરણે વેઇટિંગ પિરિયડ ઘટાડવામાં નહીં આવે, તો મોટું આંદોલન બની શકે છે. રોજ 45 સોનોગ્રાફી છતાં આંકડો કેમ ઘટતો નથી? ખાનગી પ્રેક્ટિસવાળા માટે વેઇટિંગ તો નથી રખાય રહ્યું ? ગર્ભવતી મહિલાઓ, કિડની સ્ટોન કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ માટે સોનોગ્રાફી સમયસર થવી અનિવાર્ય છે. જો કોઈ દર્દી એક મહિના સુધી વેઇટિંગમાં રહે અને સ્થિતિ વણસે અથવા જીવ ગુમાવવો પડે, તો તેની જવાબદારી કોની ? હોસ્પિટલ પ્રશાસન પાસે મશીનો છે, સ્ટાફ છે અને અઠવાડિયાના 6 દિવસ કામગીરી ચાલે છે, છતાં વેઇટિંગ લિસ્ટ કેમ ટૂંકું થતું નથી. સોનોગ્રાફીમાં વિલંબથી દર્દી જીવ જોખમમાં મૂકાય તો જવાબદાર કોણ?ગર્ભવતી મહિલાઓ, કિડની સ્ટોન કે ગંભીર બીમારીથી પીડાતાદર્દીઓ માટે સોનોગ્રાફી સમયસર થવી અનિવાર્ય છે. જો કોઈદર્દી એક મહિના સુધી વેઇટિંગમાં રહે અને સ્થિતિ વણસે અથવાજીવ ગુમાવવો પડે, તો તેની જવાબદારી કોની ? હોસ્પિટલપ્રશાસન પાસે મશીનો છે, સ્ટાફ છે અને અઠવાડિયાના 6 દિવસકામગીરી ચાલે છે, છતાં વેઇટિંગ લિસ્ટ કેમ ટૂંકું થતું નથી. રોજ 40 થી 45 સોનોગ્રાફી થઇ રહી છે : મેડિકલ ઓફિસરહાલ રોજના 40થી 45 જેટલી સોનોગ્રાફીઓ થઈ રહી છે. તેમ છતાં વધુ ઝડપે સોનોગ્રાફી થાય તે માટે કામગીરી હાથ ધરી દેવાશે. ડૉ. ધનસુખભાઈ ગામીત, ઇન્ચાર્જ CDMO, વ્યારા ખાનગી સેન્ટરોને બખ્ખાસરકારી હોસ્પિટલમાં વેઇટિંગ વધે, તેનો સીધો ફાયદો ખાનગી સોનોગ્રાફી કેન્દ્રોને થાય છે. સરકારીમાં નિઃશુલ્ક કે નજીવા દરે, અને ખાનગી કેન્દ્રોમાં ₹800થી વધુ વસૂલવામાં આવે. વેઇટિંગ બતાવીને ગરીબ દર્દીઓને ખાનગીમાં ધકેલવાનું વ્યવસ્થિત કૌભાંડ તો નથી ચાલી રહ્યું ને? તેવા તીખા પ્રશ્નો પ્રજા પૂછી રહી છે.
દેશનું મેટ્રો પોલિટન સિટી અને હવે વૈશ્વિક ઓળખ બની ગયેલું અમદાવાદ શહેર દિન પ્રતિદિન વિકાસ કરી રહ્યું છે, ત્યારે તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ આગામી સમયમાં વિશ્વના અન્ય શહેરો જેવું નિર્માણ થશે. આગામી કોમનવેલ્થ અને ઓલિમ્પિકને લઈ રીયલ એસ્ટેટમાં ખૂબ મોટી તેજી આવે તેવી સંભાવના ડેવલોપર્સ વ્યક્ત કરી રહ્યા છે. ખાસ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી લઈને ભાટ, કરાઈ અને અમદાવાદની ફરતે બનનારા નવા રિંગરોડ વિસ્તારમાં નવા પ્રોજેક્ટ આવશે. આગામી 10 વર્ષમાં મકાનની કિંમત બે ગણી વધવાની શક્યતા ડેવલોપર્સે વ્યક્ત કરી છે. અમદાવાદના રિયલ એસ્ટેટમાં 100 ટકાનો વધારો થશેક્રેડાઈ (CREDAI) અમદાવાદના સેક્રેટરી અંકુર દેસાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં રિયલ એસ્ટેટનું માર્કેટ 50થી 60 ટકા જેટલું વધ્યું છે. વર્ષ 2016માં જે મકાન 40થી 45 લાખ રૂપિયામાં વેચ્યા તેને આજે રૂપિયા 70 લાખમાં વેચીએ છીએ. જેથી 65 ટકા જેટલો જે વધારો થયો છે તે આગામી 10 વર્ષમાં અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં 100 ટકાનો વધારો થઈ શકે છે. જે મકાન આજે 50 લાખ રૂપિયામાં મળી રહ્યું છે તે આગામી 6થી 7 વર્ષમાં એક કરોડ રૂપિયામાં મળશે. મુંબઇની જેમ અમદાવાદમાં પણ ઘર મળવું મુશ્કેલ બનશેઅમદાવાદમાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને કોમનવેલ્થ ગેમ્સ અને ઓલમ્પિકને ધ્યાનમાં રાખી શહેરના મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, કરાઈમાં સ્પોર્ટ્સ એકેડમી તેમજ પશ્ચિમ અમદાવાદમાં સ્પોર્ટ એરેના બની રહ્યું છે. તેનાથી અમદાવાદ શહેર દરેક વિસ્તારમાં ડેવલપમેન્ટ તરફ આગળ વધતા જમીનના ભાવો પણ વધી રહ્યા છે. જમીનના ભાવો વધે જેની સાથે મકાનોની પણ ખૂબ જરૂરિયાત ઊભી થઈ છે. મુંબઈમાં જે રીતે વિકાસ થયો છે અને મુંબઈમાં જો 50 લાખનું મકાન લેવું હોય તો એક સપનું છે તેવી રીતે અમદાવાદમાં પણ જ્યારે એક કરોડની જનસંખ્યા થઈ જશે ત્યારે મકાનો એટલા બનાવવા અને તેને પૂરા પાડવા ખૂબ જ અઘરા થઈ જાય છે. આગામી 10 વર્ષમાં 50 લાખનું મકાન 1 કરોડમાં મળશેવધુમાં તેમણે કહ્યું હતું કે, જ્યારે કોઈપણ પ્રોજેક્ટ શરૂ કરીએ ત્યારે લોન્ચ કાર્યથી લઈને બનીને તૈયાર થાય તેમાં ત્રણથી ચાર વર્ષનો સમય લાગતો હોય છે. જે સમયગાળામાં માઇગ્રેશન પણ ખૂબ વધારે થયા છે, ત્યારે લોકોની મકાનની જરૂરિયાત અંગે ખ્યાલ આવતો નથી. આગામી 10 વર્ષ પછી મકાન લેવું લોકો માટે ખૂબ જ અઘરું થઈ જશે. જે મકાન અત્યારે 50 લાખ રૂપિયામાં મળી રહ્યું છે તે કદાચ 1 કરોડમાં મળશે. અત્યારે જે વ્યક્તિ મકાનમાં ઇનવેસ્ટમેન્ટ કરે છે તેને ખૂબ જ ફાયદો થઈ શકે છે. આ પણ વાંચો: રાજ્યનું સૌથી ઊંચું બિલ્ડિંગ ક્યાં બની રહ્યું છે? SBR પર બિલ્ડિંગમાં યુનિક સ્ટેચ્યૂ, દુબઈને ટક્કર આપવા અમદાવાદ તૈયાર કોમનવેલ્થ-ઓલિમ્પિક્સ યોજાતા દુબઇ અને સિંગાપુર જેવું અમદાવાદ બનશેશહેરના રિયલ એસ્ટેટ ડેવલપર્સના સંગઠન ક્રેડાઈ અમદાવાદ GIHED દ્વારા 9, 10 અને 11 જાન્યુઆરી 2026 દરમિયાન અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે GIHED પ્રોપર્ટી ઓલિમ્પિયાડ (પ્રોપર્ટી શો) યોજાશે. આ પ્રોપર્ટી શોમાં અમદાવાદ શહેર અને આજુબાજુના 400થી વધુ પ્રોજેક્ટસ રજૂ કરવામાં આવશે. આગામી સમયમાં કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખી 10 વર્ષમાં અમદાવાદ દુબઈ અને સિંગાપુર જેવું બનશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 8 જાન્યુઆરીના રોજ આ પ્રોપર્ટી શોનું ઉદઘાટન કરશે. પ્રોપર્ટી શોમાં અફોર્ડેબલ, પ્રીમિયમ અને હાઈ-એન્ડ પ્રોજેક્ટ્સ રજૂ કરાશેGIHED પ્રોપર્ટી ઓલિમ્પિયાડમાં અમદાવાદ તેમજ તેની આસપાસના હાલના અને આગામી ગ્રોથ કોરિડોર્સના અગ્રણી 50થી વધુ ડેવલપર્સના 40થી વધુ અફોર્ડેબલ, પ્રીમિયમ અને હાઈ-એન્ડ પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવશે. જેમાં કોમર્શિયલ, પ્લોટિંગ સ્કીમ્સ સહિતના વિવિધ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. ઉપરાંત આ પ્રોપર્ટી શોમાં નાણાકીય સંસ્થાઓ પણ ભાગ લેશે. જે સંભવિત ખરીદદારોને લોન તથા ફાઇનાન્સિંગ સોલ્યુશન્સ અંગે માર્ગદર્શન અને સહાય પૂરી પાડશે. પ્રોપર્ટી ઓલિમ્પિયાડ ખરીદદારો-રોકાણકારો માટે સમયોચિત પ્લેટફોર્મક્રેડાઈ અમદાવાદના ચેરમેન રાજેશ વાસવાનીએ જણાવ્યું હતું કે, 20મો GIHED પ્રોપર્ટી ઓલિમ્પિયાડ એવા સમયે યોજાઈ રહ્યો છે, જ્યારે અમદાવાદનો રિયલ એસ્ટેટ ક્ષેત્ર નવી ગતિ અનુભવ તો જોવા મળી રહ્યો છે. કોમનવેલ્થ ગેમ્સ માટે યજમાન તરીકે અમદાવાદની પસંદગી તથા 2036માં ઓલિમ્પિક્સ માટે બિડ કરવાની તેની યોજના શહેરને વૈશ્વિક નકશા પર મજબૂત રીતે સ્થાપિત કરશે. આ વિકાસથી મોટા પાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થશે, નોંધપાત્ર રોકાણ થશે અને રહેણાંક, વ્યાપારી તથા અન્ય ક્ષેત્રોમાં મજબૂત માગ ઊભી થશે, જેના પરિણામે અમદાવાદની લાંબા ગાળાની આર્થિક શક્યતાઓ વધુ મજબૂત બનશે. શહેરના વિકાસમાં ભાગ લેવા માટે પ્રોપર્ટી ઓલિમ્પિયાડ ખરીદદારો અને રોકાણકારો માટે સમયોચિત પ્લેટફોર્મ પૂરું પાડશે. આ પણ વાંચો: ગુજરાતીઓ 10થી 25 કરોડના ફ્લેટ ચણા-મમરાની જેમ ખરીદવા લાગ્યા, ફિલ્મસ્ટાર્સના ઘરને ટક્કર મારે એવી ફેસિલિટી અમદાવાદ અને તેની આસપાસ વેરિફાઇડ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ જોવા મળશેક્રેડાઈ અમદાવાદના પ્રેસિડેન્ટ આલાપ પટેલે જણાવ્યું કે, 2026થી 2036 અમદાવાદનો દસકો છે અને તેને અનુરૂપ જ અમે પ્રોપર્ટી ઓલિમ્પિયાડ કરી રહ્યા છીએ. પ્રોપર્ટી ઓલિમ્પિયાડના મુલાકાતીઓને તેમના બજેટ અને પસંદગીઓને અનુરૂપ વિવિધ પ્રકારના પ્રોજેક્ટ્સની વિગતવાર માહિતી મળી રહશે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલા વેરિફાઈડ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ જોવા મળશે. શહેર નવા શહેરી વિકાસ અને ઈન્ફાસ્ટ્રક્ચર આધારિત ગ્રોથના નવા તબક્કા માટે તૈયાર થઈ રહ્યું હોવાથી આગામી શોનું મહત્વ વધશે. મોટી સંખ્યામાં પ્રોપર્ટી ખરીદદારો અને રોકાણકારો આકર્ષિત થશેઆ પ્રોપર્ટી શોમાં અફોર્ડેબલ તેમજ પ્રીમિયમ હાઉસિંગ, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ વિકાસ, વીકએન્ડ હોમ્સ તથા પ્લોટેડ પ્રોજેક્ટ્સ સહિતના વિવિધ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવશે. મુલાકાતીઓને અહીં અનેક વિકલ્પો શોધવાની, ડેવલપર્સ સાથે સીધી ચર્ચા કરવાની અને સ્થળ પર જ વ્યાપક માહિતી મેળવવાની સાથે લોન અંગેની માહિતી મેળવવાની તક પણ મળી રહેશે. અમે રિયલ એસ્ટેટ ક્ષેત્ર અંગે ઉત્સાહિત છીએ અને વિશ્વાસ છે કે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંભવિત પ્રોપર્ટી ખરીદદારો અને રોકાણકારો આકર્ષિત થશે.
રાજકોટ શહેરમાં મવડી વિસ્તારમાં આવેલ નવલનગર શેરી નંબર 9નાં છેડે મુરલીધર ચોક પાસે પાર્ક કરેલી એક કાર અને બે સ્કુટરને પુનીતનગરનાં નામચીન શખ્સે પેટ્રોલ છાટી સળગાવી દેવાની ઘટના સામે આવી છે. ઘટના અંગે જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવતા પાણીનો સતત મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યા હતો અને બનાવ અંગે પોલીસને જાણ કરવમાં આવી હતી જેથી પોલીસે આસપાસ સીસીટીવી ફૂટેજ તપાસી કાર્યવાહી શરૂ કરી હતી દરમિયાન વાહનોમાં આગ લગાડનાર અન્ય કોઈ નહિ પરંતુ પેંડા ગેંગનો સાગરીત યસ ઉર્ફે ઠોંડી હોવાનું સામે આવત તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને ઘટના સ્થળ પર લઇ જઈ રિકંસ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું આ સમયે આરોપી રીતસર લંગડાતો નજરે પડ્યો હતો અને જાહેરમાં બે હાથ જોડી લોકોની માફી માંગી રહ્યો હતો. રાજકોટ શહેરના નવલનગર શેરી નંબર 9ના ખૂણે રહેતાં ભરતભાઈ કાળભાઈ સિંધવની મારુતિ કંપનીની સ્વીફટ કાર અને એક એક્ટીવા તથા એક ઇલેક્ટ્રીક ટુવ્હીલર પાર્ક કરેલું હતું જેને બુધવારે મોડી રાત્રે 2.45 વાગ્યા આસપાસ અચાનક સળગતી હાલતમાં જોઈ ભરતભાઇ તથા આડોશ-પાડોશના લોકો દોડી ગયા હતા આગ ઓલવવા પ્રયાસ શરૂ કર્યા હતા દરમિયાન ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જો કે આગની લપેટમાં આવેલી કાર અને બંને સ્કૂટર બાળીને ખાખ થઇ ગયા હતાં. ભરતભાઈના કહેવા મુજબ તેના વાહનોમાં આગ પુનીતનગરના નામચીન શખ્સ યશ ઉર્ફે ઢોંડી બકરાણીયાએ લગાવી હતી. બુધવારે મોડી રાત્રે 2.45 વાગ્યે ટુવ્હીલર લઈને યસ ઉર્ફે ઠોંડી આવ્યો હતો અને તેની પાસે રહેલા શીશામાંથી કાર તથા બે ટુવ્હીલર પર પેટ્રોલ છાંટયુ હતું પછી કાર નીચે કોથળા જેવું મુકી આગ લગાડી દીધી હતી જેથી આગમાં ત્રણેય વાહન બળી જતા નુકસાન થયું છે. ભરતભાઇના વાહનોમાં આગ લગાડવા પાછળ કારણ અંગે તેમને જણાવ્યું હતું કે, ગત શુક્રવારે રાતે ગોકુલધમના ગેઈટ પાસે મારા ભાઈ જયેશભાઈ અને બાબુભાઈ સાથે યશ ઉર્ફે ઠોંડી બકરાણીયાને મજાક મશ્કરી અને ગાળાગાળી કરવા બાબતે ઝઘડો થયો હતો. આ વખતે યશ પોતાની સાથે મારકુટ થયાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં પોલીસે યશની ફરિયાદ પરથી જયેશભાઈ અને બાબુભાઈ સામે ગુનો નોંધ્યો હતો. દરમિયાન પોતાના પર થયેલા હુમલાનો ખાર રાખી મોડી રાત્રે ત્રણ વાહનોને આગ લગાડી દીધી હતી. બનાવ અંગેની જાણ થતાં માલવીયાનગર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બનાવ અંગે તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં આગ લગાડનાર યસ ઉર્ફે ઠોંડી હોવાનું સ્પષ્ટ થઇ જતા ગુરુવારે સાંજે આરોપી યશની ધરપકડ કરી તેને ઘટના સ્થળ પર લઇ જઈ રિકંસ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. દરમિયાન યશ લંગડાતો અને બે હાથ જોડી જાહેરમાં લોકોની માફી માંગતો નજરે પડ્યો હતો. બાબુભાઇનાં ભાઈ મયુરભાઈ સીંધવ હાલ વોર્ડ નં.12મા મીડીયા સેલનાં પ્રમુખ છે અને આરોપી યશ પેંડા ગેંગનો સાગરીત છે.
પોરબંદરમાં દસ વર્ષ જૂના મારામારીના કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત NSUIના પૂર્વ ઉપપ્રમુખ તીર્થરાજ બાપોદરા, તેમના ભાઈ ભગીરથ બાપોદરા અને પિતા ખીમા કાંધા બાપોદરાને છ માસની સજા ફટકારવામાં આવી છે. આ કેસ રાણાવાવ ખેતીવાડી બેન્કના ચેરમેન કિશોરભાઈ ભૂતિયા પર થયેલા હુમલાનો છે. જમીન બાબતના મનદુઃખને લઈને આ હુમલો થયો હતો. કિશોરભાઈ ભૂતિયાએ 31 જાન્યુઆરી, 2015ના રોજ ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, આરોપીઓએ રાજીવનગર વિસ્તારમાં કાંધાબાપાના ચોક પાસે કિશોરભાઈની કાર અટકાવી હતી. ખીમા કાંધા બાપોદરાએ કિશોરભાઈના સસરાની વડવાળા ગામે આવેલી ખેતીની જમીન બાબતે મનદુઃખ રાખ્યું હતું. કિશોરભાઈ પોતાની કાર લઈને ઘરે જઈ રહ્યા હતા ત્યારે આરોપીઓએ તેમને વડવાળા ગામે જમીનમાં પગ ન મૂકવા ધમકી આપી હતી. ત્યારબાદ, બેઝબોલના ધોકાથી માર માર્યો હતો અને કારના કાચ પર ધોકા મારી નુકસાન પણ પહોંચાડ્યું હતું. આ કેસ લાંબા સમય સુધી કોર્ટમાં ચાલ્યો હતો. ફરિયાદી પક્ષ તરફથી એડવોકેટ જે.જે. હાથલિયા અને સરકારી વકીલ એમ.બી. જાડેજાએ દલીલો કરી હતી. એડી સિનિયર સિવિલ જજ એ.એ. શેખે ત્રણેય આરોપીઓને દોષિત ઠેરવી દરેકને છ માસની સજાનો હુકમ કર્યો છે.
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં ‘સુશાસન દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં દર્દીઓને ફ્રૂટ વિતરણનો સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. ભાજપ સંગઠન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મંત્રીએ હોસ્પિટલના વિવિધ વોર્ડની મુલાકાત લઈ દર્દીઓના ખબર-અંતર પૂછ્યા હતા. બૂથ સ્તરે સેવાકીય કાર્યોથી અટલજીને અંજલિઆ પ્રસંગે મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, આજે જૂનાગઢ મહાનગર ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે મળીને જનસેવા દ્વારા અટલજીનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા 25 ડિસેમ્બરને સુશાસન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે, જે અંતર્ગત બૂથ સ્તર સુધી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સેવા એ જ અટલજીને સાચી શ્રદ્ધાંજલિ છે. અટલજીની યોજનાઓ ભારતનો પાયો બની: મંત્રીવધુમાં મંત્રીએ અટલ બિહારી વાજપેયીના પ્રદાનને યાદ કરતા કહ્યું કે, તેમણે પ્રધાનમંત્રી સડક યોજના દ્વારા છેવાડાના ગામડાઓને જોડ્યા અને સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના દ્વારા દેશના રાજ્યોને મહામાર્ગોથી સાંકળ્યા હતા. રાઈટ ટુ એજ્યુકેશન જેવી યોજનાઓથી લાખો લોકોને શિક્ષણનો લાભ મળ્યો છે. તેમના આ સેવાના વારસાને આગળ ધપાવવા આજે હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું છે. સ્થાનિક પદાધિકારીઓની મોટી સંખ્યામાં હાજરીઆ સેવા કાર્યમાં જૂનાગઢના મેયર ધર્મેશ પોશીયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકર, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિવિધ પદાધિકારીઓ, સંગઠનના કાર્યકર્તાઓ અને ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટ સહિત હોસ્પિટલનો સ્ટાફ હાજર રહ્યો હતો. મહાનુભાવોએ દર્દીઓને ફ્રૂટની કીટ અર્પણ કરી તેમના વહેલા સ્વાસ્થ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી.
મહિલા ક્રિકેટની સૌથી મોટી લીગ વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026નું આયોજન નવી મુંબઈ અને વડોદરામાં થશે. આ વખતે વડોદરાનું પ્રતિષ્ઠિત બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) સ્ટેડિયમ લીગના બીજા તબક્કાનું કેન્દ્ર બનશે, જ્યાં પ્લેઓફ અને ફાઇનલ સહિત 11 હાઇ-વોલ્ટેજ મેચો રમાશે. ટિકિટોનું સાંજે 6 વાગ્યે ઓનલાઇન વેચાણ શરૂ થશેભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ જાહેરાત કરી છે કે WPL 2026ની ટિકિટો આવતીકાલે, 26 ડિસેમ્બર 2025ના રોજ સાંજે 6 વાગ્યે ઓનલાઇન વેચાણ માટે લાઇવ થશે. ચાહકો WPLની સત્તાવાર વેબસાઇટ, WPL એપ તેમજ ડિસ્ટ્રિક્ટ (District by Zomato) પ્લેટફોર્મ દ્વારા ટિકિટો બુક કરાવી શકશે. 19 જાન્યુઆરીથી વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં મેચ રમાશેWPL 2026ની શરૂઆત 9 જાન્યુઆરીએ નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચથી થશે. નવી મુંબઈમાં 11 મેચો રમાયા પછી, લીગ 19 જાન્યુઆરીથી વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં રમાશે. અહીં ગુજરાત જાયન્ટ્સ અને RCB વચ્ચેની મેચથી શરૂઆત થશે, ત્યારબાદ 2025ની ફાઇનલની રિમેચ તરીકે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સનો સામનો થશે. ગ્રાન્ડ ફાઇનલ 5 ફેબ્રુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશેલીગ સ્ટેજ 1 ફેબ્રુઆરીએ પૂર્ણ થશે, ત્યારબાદ એલિમિનેટર 3 ફેબ્રુઆરીએ અને ગ્રાન્ડ ફાઇનલ 5 ફેબ્રુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે. ક્રિકેટપ્રેમીઓને મહિલા ક્રિકેટના સુપરસ્ટાર્સ જેવા કે હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, જેમિમાહ રોડ્રિગ્સ તેમજ ગુજરાતની યાસ્તિકા ભાટિયા અને રાધા યાદવને લાઇવ જોવાનો મોકો મળશે. વડોદરાના ચાહકો માટે આ લીગના સૌથી રોમાંચક તબક્કાના સાક્ષી બનવાની તક છે.
વાપી રેલવે પોલીસે ચોરીનાનો ભેદ ગુના ઉકેલ્યો:રૂ. 1.23 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીની ધરપકડ
વાપી રેલવે પોલીસે રેલવે વિસ્તારમાં થયેલી ચોરીના અનેક અનડિટેક્ટ ગુનાઓ ઉકેલવામાં નોંધપાત્ર સફળતા મેળવી છે. પોલીસે કુલ રૂ. 1.23 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે. આ કામગીરી GRPના DySP ડી.એચ. ગોર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ બાદ હાથ ધરવામાં આવી હતી. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય રેલવે ટ્રેનો અને રેલવે હદ વિસ્તારમાં ચોરીના ગુનાઓને અટકાવવાનો હતો. DySP ગોરની સૂચનાઓના અનુસંધાને, વાપી રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. નકુમના માર્ગદર્શન હેઠળ PSI એ.એમ. ચૌધરી અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા વાપી રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, પોલીસે અલગ અલગ સ્થળોએથી બે શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી કુલ 7 મોબાઇલ ફોન અને રોકડ રકમ સહિત રૂ. 1,23,500/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં વિવેક ઉર્ફે પાંડે ઉર્ફે પંડિત અવધેશકાંત દુબે (ઉંમર 27) અને અલી અનવર શેખ (ઉંમર 24) નો સમાવેશ થાય છે. બંને હાલમાં મુંબઈના કુર્લા ઇસ્ટ, સાબલેનગર ઝુપડપટ્ટીમાં રહે છે. બંને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. વાપી રેલવે પોલીસની આ સફળ કામગીરીને ઉચ્ચ અધિકારીઓ દ્વારા સકારાત્મક રીતે બિરદાવવામાં આવી છે.
સાબરમતી લોકોમોટિવ શેડની અનોખી શોધ:હવે રેલવે ટ્રેક થશે વધુ સ્વચ્છ, નવી વેક્યૂમ ક્લીનિંગ મશીન તૈયાર
ભારત સરકારની મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત પહેલને આગળ વધારતાં પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્થિત લોકોમોટિવ શેડ, સાબરમતી દ્વારા એક નવી અને ઉપયોગી શોધ કરવામાં આવી છે. અહીંની ટીમે પોતાની રીતે એક વેક્યૂમ આસિસ્ટેડ ટ્રેક ક્લીનિંગ ડિવાઇસ તૈયાર કરી છે, જે રેલવે ટ્રેકની સફાઈ માટે ખૂબ જ અસરકારક છે. આ મશીન ખાસ કરીને રેલવે ટ્રેક અને તેની આસપાસ પડેલા કચરાને સાફ કરવા માટે બનાવવામાં આવ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે આ ઉપકરણ પર્યાવરણને અનુકૂળ છે અને ખર્ચમાં પણ સસ્તું છે. વેક્યૂમ દ્વારા ટ્રેક પર પડેલો કચરો સીધો એક મોટા ચેમ્બરમાં જમા થઈ જાય છેઆ ડિવાઇસ લોકોમોટિવમાં લાગેલા રેડિયેટર ફેનનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. તેને એક ડીઝલ વર્કિંગ ટ્રોલી પર લગાવવામાં આવ્યું છે અને તેને પાવર પણ લોકોમોટિવમાંથી જ મળે છે. વેક્યૂમ દ્વારા ટ્રેક પર પડેલો કચરો સીધો એક મોટા ચેમ્બરમાં જમા થઈ જાય છે. આ મશીન 1000થી 1800 RPMની ઝડપે ચાલે છે, જેના કારણે તે મજબૂત સક્શન આપે છે. ડ્રાઇવર પોતાની બેઠક પરથી જ ઓન-ઓફ અને ઝડપ નિયંત્રિત કરી શકે છે. એટલે કે, ટ્રેક સાફ કરવા માટે વધારાના માણસોની જરૂર પડતી નથી. માત્ર એક ઓપરેટર દ્વારા ટ્રેક અને ટ્રેકની બાજુના વિસ્તારની સફાઈ કરી શકાયઆ ઉપકરણમાં મોટું કચરો સંગ્રહ ચેમ્બર અને મજબૂત નેટ બેગ લગાવવામાં આવી છે, જેથી કચરો એકત્ર કરવો અને દૂર કરવો સરળ બને છે. માત્ર એક ઓપરેટર દ્વારા ટ્રેક અને ટ્રેકની બાજુના વિસ્તારની સફાઈ કરી શકાય છે. ખાસ વાત એ છે કે ટ્રેન ચાલતી હોય ત્યારે પણ આ મશીનથી સફાઈ શક્ય છે અને લોકોમોટિવની મુખ્ય નિયંત્રણ પ્રણાલીથી તે સંપૂર્ણપણે અલગ હોવાથી સલામતી પણ જળવાઈ રહે છે. લોકોમોટિવ શેડ સાબરમતીની આ નવી પહેલથી રેલવે ટ્રેક વધુ સ્વચ્છ અને સુરક્ષિત બનશે.
મોરબીની દુકાનમાંથી 50 હજાર રોકડની ચોરી:ગ્રાહક બની આવેલો ગઠિયો સીસીટીવીમાં કેદ
મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ પર આવેલી એક દુકાનમાંથી ધોળા દિવસે 50,000 રૂપિયા રોકડની ચોરી થઈ છે. ગ્રાહકના સ્વાંગમાં આવેલો એક શખ્સ આ ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ ઘટના આજે સવારે 10 વાગ્યાના અરસામાં જલારામ ટ્રેડર્સ નામની પાન-મસાલાની દુકાનમાં બની હતી. દુકાન માલિક મિતેશભાઈ પુજારા જ્યારે દુકાનની અંદર માલ લેવા ગયા હતા, ત્યારે ગઠિયાએ કાઉન્ટરના ટેબલના ખાનામાંથી રોકડા 50,000 રૂપિયાનું બંડલ સેરવી લીધું હતું. ચોરીની આ સમગ્ર ઘટના દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે. આ સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં ચોરની કરતૂત સ્પષ્ટ દેખાઈ રહી છે. ભોગ બનેલા વેપારી મિતેશભાઈ પુજારાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અંગે જાણ કરી છે. પોલીસે વેપારી પાસેથી અરજી લઈને સીસીટીવી ફૂટેજના આધારે ચોરી કરનાર શખ્સને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, અમદાવાદ દ્વારા આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના અભિયાનને સાર્થક કરતા ધર્મ, સંસ્કૃતિ અને માનવ સેવાના ત્રિવેણી સંગમ સમાન વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. હાલમાં સંસ્થા દ્વારા અમદાવાદના જાસપુર ખાતે 100 વિઘા જમીનમાં વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. આ સંસ્થા માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ શિક્ષણ, આરોગ્ય અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રે પણ કાર્યરત છે. માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને ચરિતાર્થ કરવાના ભાગરૂપે સંસ્થા દ્વારા આરોગ્ય ક્ષેત્રે એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. વિશાળ 'સર્વ રોગ નિદાન કેમ્પ'નું આયોજનવિશ્વ ઉમિયાધામ અને પાર્વતી જાદવ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી પાર્વતી જાદવ હોસ્પિટલ ખાતે આગામી 27 અને 28 ડિસેમ્બર 2025, શનિવાર અને રવિવારના રોજ વિશાળ 'સર્વ રોગ નિદાન કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો સમય સવારે 9થી સાંજે 7 કલાક સુધીનો રહેશે, જેમાં હજારો દર્દીઓ લાભ લે તેવી શક્યતા છે. આ કેમ્પની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે. વિવિધ રોગોના 30થી વધુ નિષ્ણાંત ડૉક્ટરો આ કેમ્પમાં પોતાની સેવાઓ આપશે. કેમ્પમાં આવનાર તમામ દર્દીઓની તપાસ સંપૂર્ણપણે મફત કરવામાં આવશે. નિદાન માટે જરૂરી અન્ય મેડિકલ ટેસ્ટ હોસ્પિટલ દ્વારા ખૂબ જ રાહત દરે કરી આપવામાં આવશે. વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર. પી. પટેલે જણાવ્યું હતું કે, સંસ્થા હંમેશા રાષ્ટ્રહિત અને જનસેવાની વિચારધારા સાથે જોડાયેલી છે. આ કેમ્પ દ્વારા છેવાડાના માનવી સુધી ઉત્તમ આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો અમારો નમ્ર પ્રયાસ છે.
દેશભરમાં ખ્રિસ્તી સમુદાયનો સૌથી મોટો પર્વ નાતાલ ઉત્સાહભેર ઉજવાઈ રહ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મોત્સવ નિમિત્તે ગોધરા સહિતના શહેરોમાં ચર્ચને રોશનીથી શણગારવામાં આવ્યા છે. ગોધરા શહેરના મધ્યમાં આવેલા સેન્ટ્રલ મેથોડિસ્ટ ચર્ચને પણ નાતાલ અને નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે ભવ્ય રીતે સજાવવામાં આવ્યું છે. સેન્ટ્રલ મેથોડિસ્ટ ચર્ચને સમાજસેવાના પ્રમુખ અર્પિત પી. રાઠોડ અને તેમની સમિતિ દ્વારા રોશનીથી ઝગમગતું કરવામાં આવ્યું છે. આ શણગાર જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ગોધરા સહિત સમગ્ર જિલ્લામાં નાતાલની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. ક્રિસમસ નિમિત્તે અનેક સ્થળોએ રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે, જેના કારણે શહેરોની સુંદરતામાં વધારો થયો છે. ચર્ચ અને બજારો પણ શણગારેલા જોવા મળ્યા હતા.
માળીયામાં ડીઝલ ચોરીનો પ્રયાસ નિષ્ફળ:ફતેપર પાસેથી ₹36.10 લાખના મુદ્દામાલ સાથે ડ્રાઈવર ઝડપાયો
માળીયા મીયાણા તાલુકાના ફતેપર ગામની સીમમાં ડીઝલ ચોરીનો પ્રયાસ પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરતા ડીઝલ ભરેલા ટેન્કરમાંથી ચોરી થાય તે પહેલા જ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે કુલ ₹36.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એક ડ્રાઈવરની ધરપકડ કરી છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ફતેપર ગામના ખરાવાડ વિસ્તારમાં GJ 3 BY 6601 નંબરનું એક ટેન્કર શંકાસ્પદ હાલતમાં ઊભેલું જોવા મળ્યું હતું. પોલીસે ટેન્કરની તપાસ કરતા તેમાં ડીઝલનો જથ્થો ભરેલો હતો. સ્થળ પરથી 20 લિટરનો એક ખાલી પ્લાસ્ટિક કેરબો પણ મળી આવ્યો હતો. ટેન્કરમાં લગાવવામાં આવેલું સીલ તોડેલી હાલતમાં હતું. પોલીસે ટેન્કરના ડ્રાઈવરની પૂછપરછ કરતા તે ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો, જેના પરથી ડીઝલ ચોરીનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું સ્પષ્ટ થયું હતું. જોકે, પોલીસ સમયસર પહોંચી જતા ડીઝલની ચોરી થઈ શકી ન હતી. પોલીસે સ્થળ પરથી ₹15 લાખની કિંમતનું ટેન્કર અને તેમાં ભરેલું 24,000 લિટર ડીઝલ, જેની કિંમત ₹21,10,923 છે, તે જપ્ત કર્યું હતું. આમ, કુલ ₹36,10,923નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપી ડ્રાઈવર દિલીપભાઈ વરજાંગભાઈ વિરડા (ઉંમર 39, રહે. ફતેપર, તા. માળીયા મીયાણા)ની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, માળીયા (મી) તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં અગાઉ પણ ડીઝલ ચોરીના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જેના પરથી આ વિસ્તારમાં ડીઝલ ચોરીની પ્રવૃત્તિ સક્રિય હોવાનું જણાય છે.
મહીસાગર જિલ્લાના લુણાવાડા ડેપો ખાતે માર્ગ સલામતી અંગે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ગોધરા વિભાગના વિભાગીય નિયામકના સૂચન અનુસાર આ કાર્યક્રમ એ.ટી.આઈ. બી.કે. સિસોદિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. ગોધરા વિભાગીય કચેરીથી રમેશભાઈ માછી અને જયંતીભાઈ ડામોર વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વક્તા રમેશભાઈ માછીએ જણાવ્યું હતું કે, નિગમના કેટલાક કર્મચારીઓ કેફી પીણાંનું સેવન કરીને ફરજ બજાવે છે. આના કારણે ગંભીર અકસ્માતો સર્જાય છે, જેના પરિણામે નિગમને મોટા ક્લેમ ચૂકવીને આર્થિક નુકસાન ભોગવવું પડે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કેફી પીણાંના સેવનથી મુસાફરો સાથે ગેરવર્તણૂક થવાના કિસ્સા પણ બને છે, જે નિગમની છબીને નુકસાન પહોંચાડે છે. ધુમ્રપાન કરવું પણ કર્મચારીઓ માટે હિતાવહ નથી અને તેનાથી મુસાફરોને અગવડતા પડે છે. આ માર્ગ સલામતી અભિયાન કાર્યક્રમમાં લુણાવાડા ડેપોના એ.ટી.આઈ. વી.કે. પુવાર, એ.ટી.આઈ. બી.કે. સિસોદિયા, ટી.સી. હિંમતસિંહ સિસોદિયા સહિત ડેપોના ડ્રાઇવરો અને કંડક્ટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
JCC બેંક ડાયરેક્ટર ચૂંટણીમાં WRMSના બંને ઉમેદવારો જીત્યા:વેરાવળ રેલવે સ્ટેશન પર કર્મચારીઓએ ઉજવણી કરી
વેરાવળ રેલવે સ્ટેશન પર WRMS ભાવનગર ડિવિઝનના વાઇસ ચેરમેન અને વેરાવળ બ્રાંચના ચેરમેન તસ્લીમ કાજી, બ્રાંચ સેક્રેટરી રાજીવ કુમાર મિશ્રા, વાઇસ ચેરમેન જસુ પરબત, મનીષ સિંહા, અમર કુમાર, દિનેશ મારું, હનીફ દાઉદ, તેમજ એસી-એસટી બ્રાંચ સેક્રેટરી રમેશ મીના સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તા અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. રેલવે સ્ટેશન સર્કલમાં ફટાકડા ફોડી “WRMS જિંદાબાદ”ના નારા સાથે હર્ષોલ્લાસપૂર્વક જીતની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના ભાવનગર ડિવિઝનલ વાઇસ ચેરમેન તથા વેરાવળના ચેરમેન તસ્લીમભાઈ કાજીએ જણાવ્યું હતું કે, “કર્મચારીઓએ આપેલો આ જનાદેશ WRMSની સતત કર્મચારી હિતની લડતનો પુરાવો છે. ભવિષ્યમાં પણ સંગઠન રેલવે કર્મચારીઓના અધિકારો અને કલ્યાણ માટે અડગ રહીને કાર્ય કરતું રહેશે.” વેસ્ટર્ન રેલવેમાં જેક્શન કોઓપરેટિવ સોસાયટી (JCC બેંક)ના ડાયરેક્ટર પદનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં ડાયરેક્ટરની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં માન્યતા પ્રાપ્ત બન્ને યુનિયનો ઉપરાંત વિવિધ એસોસિએશનો દ્વારા પોતાના ઉમેદવારો મેદાને ઉતારવામાં આવ્યા હતા. આ ચૂંટણીમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ (WRMS) તરફથી ભાવનગર ડિવિઝન માટે સચિન પરમાર અને રોહિદાસ મીનાને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. WRMSના જનરલ સેક્રેટરી આર. જી. કાબર તથા ભાવનગર ડિવિઝનલ સેક્રેટરી બી. એન. ડાભીના નેતૃત્વ હેઠળ બંને ઉમેદવારો માટે જબરદસ્ત પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો. ભાવનગર ડિવિઝનના DRM ઓફિસ ખાતે ચુંટણી પ્રક્રિયા અંતર્ગત મતદાન બાદ મત ગણતરી પૂર્ણ થતાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના બંને ઉમેદવારોનો સ્પષ્ટ અને ભવ્ય વિજય જાહેર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભાવનગર ડિવિઝનના કર્મચારીઓમાં WRMSએ હંમેશા કર્મચારી હિત માટે લડત આપેલી હોવાથી સંગઠન પ્રત્યે ભારે વિશ્વાસ જોવા મળ્યો હતો. કર્મચારીઓએ મોટા પ્રમાણમાં મતદાન કરી WRMSના બંને ઉમેદવારોને વિજયી બનાવ્યા હતા. બંને ઉમેદવારોના એકસાથે વિજય જાહેર થતાં સમગ્ર ભાવનગર ડિવિઝનના સ્ટેશનો અને બ્રાંચ ઓફિસોમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને આનંદોત્સવનો માહોલ સર્જાયો હતો.
ગીર સોમનાથમાં ‘વીર બાળ દિવસ’ની ઉજવણી:વિદ્યાર્થીઓ માટે હસ્તકલા, વક્તૃત્વ અને નિબંધ સ્પર્ધા યોજાઈ
શીખ ધર્મના દસમા ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહજીના ચાર સાહેબઝાદાઓના અદ્વિતીય શૌર્ય, અડગ સાહસ અને મહાન બલિદાનની સ્મૃતિમાં 26 ડિસેમ્બરે ‘વીર બાળ દિવસ’ની ગીર સોમનાથ જિલ્લામાં ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીનો મુખ્ય હેતુ બાળકોમાં દેશપ્રેમ, નૈતિક મૂલ્યો, ધર્મનિષ્ઠા અને બલિદાનની ભાવના વિકસાવવાનો તેમજ તેમને તેમના અધિકારો અંગે જાગૃત કરવાનો હતો. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અશોક પટેલ અને જિલ્લા શિક્ષણ અધિકારી એમ.પી. બોરીચાના માર્ગદર્શન હેઠળ જિલ્લાની વિવિધ શાળાઓમાં કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ દ્વારા હસ્તકલા પ્રદર્શન, નિબંધ લેખન સ્પર્ધા તેમજ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓએ સાહેબઝાદાઓના શૌર્ય, ત્યાગ અને અવિસ્મરણીય બલિદાન અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા, જેનાથી ઉપસ્થિત શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના પ્રબળ બની હતી. આ ઉપરાંત, કાર્યક્રમ દરમિયાન બાળકોને તેમના મૂળભૂત બાળ અધિકારો અંગે માહિતી આપી જાગૃત કરવામાં આવ્યા હતા. શિક્ષકો દ્વારા શિક્ષણનો અધિકાર, સુરક્ષાનો અધિકાર, સમાનતા તેમજ ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર જેવી બાબતો સરળ ભાષામાં સમજાવવામાં આવી હતી. આ રીતે, ગીર સોમનાથ જિલ્લામાં ‘વીર બાળ દિવસ’ની ઉજવણી માત્ર સ્મૃતિદિન તરીકે નહીં, પરંતુ મૂલ્ય આધારિત શિક્ષણ અને બાળ જાગૃતિના મજબૂત સંદેશ સાથે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.
ફ્લેટનો ઉપયોગ હોસ્પિટાલિટી એટલે કે આતિથ્ય સેવા માટે કરવામાં આવતો હોવાથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાર ફ્લેટ સીલ કરી દેવાતા સમગ્ર મામલો હાઇકોર્ટ પહોંચ્યો હતો. જેમાં હાઇકોર્ટે VMCને 4 ફ્લેટને ડી-સીલ કરવા આદેશ આપ્યો છે. સાથે જ માલિકે પૂર્વ પરવાનગી વિના ફ્લેટ હોસ્પિટાલિટીના હેતુ માટે આપવાનો રહેશે નહીં એવી બાહેંધરી આપવાની રહેશે. ત્યારબાદ જ ફ્લેટના સીલ ખોલવામાં આવશે. VMCની નોટિસને હાઇકોર્ટમાં ચેલેન્જવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને એક એકમના 4 ફ્લેટને સીલ કરવાનો આદેશને આ હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હાઇકોર્ટે VMCની કારણદર્શક નોટિસ અનુસાર અરજદારના પરિસરને સીલ કરવાની વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહીને પડકારતી અરજીની સુનાવણી કરી હતી. અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે, અરજદાર વડોદરાની એક હાઉસિંગ સોસાયટીમાં ચાર ફ્લેટના માલિક છે. અરજદારોએ આતિથ્ય હેતુ માટે ફ્લેટ આપવાનું બંધ કરી દીધુંવિવાદીત ફ્લેટ આતિથ્ય હેતુ માટે આપવામાં આવ્યા હોવાથી અરજદારને 1 ડિસેમ્બર, 2025 ના રોજ કારણદર્શક નોટિસ બજાવવામાં આવી હતી. વિવાદીત ફ્લેટના વાણિજ્યિક/આતિથ્ય ઉપયોગ માટે આ નોટિસ આપવામાં આવી હતી. અરજદારે તાત્કાલિક જવાબ દાખલ કરીને નોટિસનો જવાબ આપ્યો. એ જવાબમાં સત્તાવાળાઓને ધ્યાન દોરવામાં આવ્યું હતું કે, અરજદારોએ આતિથ્ય હેતુ માટે ફ્લેટ આપવાનું બંધ કરી દીધું છે, પરંતુ તેમ છતાં અરજદાર સામે કાર્યવાહી કરવામાં આવી હતી. અરજદાર સત્તાધિકારી સમક્ષ બાંયધરી આપવા તૈયારવકીલે એવી રજૂઆત પણ કરી હતી કે, અરજદારને કોર્પોરેશન પાસેથી આવા ઉપયોગ માટે પૂર્વ પરવાનગી લેવાની જાણ નહોતી. વિવાદીત ફ્લેટમાં કોઈ વેપારીક કે વાણિજ્યીક પ્રવૃત્તિ નહોતી કરાતી. જો કે અરજદાર સત્તાધિકારી સમક્ષ બાંયધરી આપવા તૈયાર છે કે જ્યાં સુધી પ્રતિવાદી કોર્પોરેશન પાસેથી જરૂરી પરવાનગી ન મળે ત્યાં સુધી તે આતિથ્ય હેતુ માટે જગ્યાનો ઉપયોગ કરશે નહીં. ફ્લેટને વેબસાઇટ પર મૂકી વાણિજ્યિક હેતુ માટે આપવામાં આવ્યાકોર્પોરેશનના વકીલે રજૂઆત કરી હતી કે, કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવી છે કારણ કે વિવાદમાં રહેલા ફ્લેટને વેબસાઇટ પર મૂકીને વાણિજ્યિક હેતુ માટે આપવામાં આવ્યા હતા. તેથી અરજદાર પાસે આવી કોઈ પૂર્વ પરવાનગી ન હોવાથી સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જો કે તેઓ એ વાત પર વિવાદ કરી શક્યા નહીં કે જો કોર્પોરેશનની માર્ગદર્શિકા મુજબ આવી પરવાનગી મળે તો તેનો ઉપયોગ આતિથ્ય હેતુ માટે થઈ શકે છે. બે દિવસમાં બાંયધરીપત્ર દાખલ કરવાનો રહેશેહાઇકોર્ટે તેના આદેશમાં નિર્દેશ આપ્યો હતો કે, અરજદારને ઉપરોક્ત જણાવ્યા મુજબ સક્ષમ સત્તાધિકારી સમક્ષ આજથી બે દિવસમાં બાંયધરીપત્ર દાખલ કરવાનો રહેશે. પ્રતિવાદી કોર્પોરેશન સત્તાધિકારીને સંતોષ થાય તે રીતે આવી બાંયધરીપત્ર દાખલ કર્યા પછી કોર્પોરેશનને 1 ડિસેમ્બરની નોટિસ અનુસાર અગાઉ લગાવવામાં આવેલ સીલ ખોલવાનો નિર્દેશ આપવામાં આવે છે.
વડોદરા શહેરના છાણી વિસ્તારમાથી સગીરાનું એક્ટિવા પર બળજબરી પૂર્વક અપહરણ કર્યાં બાદ તેની સાથે બીભત્સ માગણી આરોપીએ કરી હતી. આ આરોપીને મેજિસ્ટ્રેટ દ્વારા કસૂરવાર ઠેરવીને પાંચ વર્ષની સજા ફટકારી હોવાનો હુકમ કરાયો છે. વડોદરા શહેરના વર્ષ 2019માં માતા 15 વર્ષીય સગીરાને છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સુરમ્ય હાઇટપ પાસે ઘરેથી સ્કૂલ જવા માટે છકડામાં બેસાડીને આવ્યાં હતા. ત્યારબાદ સગીરા દીકરીએ કોઇના મોબાઇલ પરથી ફોન કરીને સ્કૂલે જવુ નથી તેમ કહ્યું હતુ. જેથી માતાએ સ્કૂલ ના જવુ હોય તો રિક્ષામાં બેસી પાછી આવી તેમ કહ્યું હતું. આ દરમિયાન છાણી કેનાલ રોડ પર રહેતા સુરેશ અંબાલાલ વાસફોડિયા ત્યાં આવ્યો હતો અને સગારીને ફર્ટીલાઇઝર ઉતારી દેશે તેમ કહી એક્ટિવા પર બેસાડી લઇ ગયો હતો. છાણી ગુરુદ્વારા સામે એક્ટિવા પહોંચી ત્યારે સુરેશે મોપેડ કરોડિયા તરફ લઇ ગયો હતો. જેથી સગીરાએ આ બાજુ કેમ લઇ જાઓ છો તેમ પુછતા તેણે પહેલા તેણે કરોડિયા તેમના કાકાને મળી લે પછી તેણી ફર્ટીલાઇઝર ઉતારશે. થોડા આગળ ગયા બાદ સુરેશ વાસફોડિયાએ સગીરા પાસે બીભત્સ માંગણી કરી હતી.જેથી સગીરાએ ના પાડી હતી. ત્યારે આ શખ્સે આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી ડરી ગયેલા સગીરાએ એક્ટિવા ઉભી રાખવા માટે કહ્યું હતું. પરંતુ તેણે એક્ટિવા ઉભી રાખી ન હતી. જેના કારણે સગીરા એક્ટિવા પર કુદકો મારીને ઉતરી ગઇ હતી. દરમિયાન સુરેશ વાસફોડિયા કરોડિયા તરફ ભાગી ગયો હતો. જેથી સગીરાની માતાએ છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. જેની સુનાવણી 24 ડિસેમ્બરના રોજ યોજાઇ હતી અને આ કેસ સ્પેશિયલ પોક્સો જજ તથા પાંચમાં એડિ. સેશન્સ જજ વડોદરા પ્રિયંકા અગ્રવાલની કોર્ટમાં ચાલી ગયો હતો. ત્યારે સરકારી વકીલ તથા આરોપીના વકીલ દ્વારા દલીલો કરાઇ હતી. જે દલીલોનો ગ્રાહ્ય રાખીને મેજિસ્ટ્રેટે આરોપી સુરેશ વાસફોડિયાને કસુરવાર ઠેરવીને પાંચ વર્ષની કેદની સજા ફટકારી છે.
સુરત વિધાનસભાના ધારાસભ્યની ઓફિસમાં નોકરી કરતા હાર્દિક પટેલના ગળામાંથી સોનાની ચેઇન ખેંચી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા. હઠીલા હનુમાન મંદિર પાસે અજાણ્યા બાઈકચાલક હાર્દિક પટેલનો પૂછો કરી રહ્યા હતા. અજાણ્યો બાઇકચાલક આવીને હાર્દિક પટેલના ગળામાંથી સોનાની ચેન ઝૂંટવી ફરાર થઈ ગયો હતો. અંધારાનો લાભ લઈ અજાણ્યો બાઈકચાલક 1.50 લાખના સોનાના ચેનની લૂંટ લેતા હાર્દિક પટેલે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હઠીલા હનુમાન મંદિર પાસે પહોંચતા બાઈકચાલક પીછો કર્યો32 વર્ષીય હાર્દિક પટેલ સુરત વિધાનસભાના ધારાસભ્યની ઓફિસમાં નોકરી કરે છે. ગાંધીનગર વિધાનસભા વિસ્તારમાં કામ હોવાથી 15 ડિસેમ્બરે ગાંધીનગર આવ્યા હતા. જે બાદ કામ પૂરું થયા બાદ MLA ક્વાર્ટર્સમાં રોકાયા હતા. જે બાદ 21 ડિસેમ્બરના 7 વાગ્યા આસપાસ ફરિયાદી એક્ટિવા લઈને તેમના મામાના દીકરા સાથે મેમ્કો તરફ જઈ રહ્યા હતા. કુકરવાડા બેંકની સામે હઠીલા હનુમાન મંદિર પાસે પહોંચ્યા ત્યારે એક બાઈકચાલકે તેમનો પીછો કર્યો હતો. અંધારાનો લાભ લઈ અજાણ્યા બાઈકચાલક ફરિયાદીના ગળામાં પહેરેલી સોનાની ચેઇન ખેંચી મેમ્કો તરફ ભાગી ગયા હતા. અજાણ્યા બાઇકચાલક સામે ફરિયાદઅંધારું હોવાના કારણે ફરિયાદીએ બાઈકનો નંબર જોઈ શકાય નહતા. જોકે, તેમ છતાં ફરિયાદીએ અજાણ્યા બાઈકચાલકનો પીછો કરતા ટ્રાફિકના કારણે તેને પકડી શક્યા નહીં. તેમ છતાં આજુબાજુ તપાસ કરતા અજાણ્યા બાઈકચાલક ક્યાંય પણ મળી આવ્યા નહીં. 1.50 લાખનો ચેઇન સ્નેચિંગ કરી અજાણ્યા બાઈકચાલક ફરાર થઈ જતા શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ફરિયાદ નોંધી અજાણ્યા બાઈકચાલકની શોધખોળ શરૂ કરી છે.
સીબીઆઈ કોર્ટ અમદાવાદ ત્રણ આરોપીઓને દોષી ઠેરવ્યા છે, જેમાં અંકુશ નાકરાણી, એવન ઈન્ટરનેશનલના પ્રોપ્રાઈટર, અશોક કઠરોટિયા અને હિમ્મત વડ્ડોદરિયા બંને જેમિશ ટેક્સટાઈલ્સ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર્સનો સમાવેશ થાય છે. તેમને ત્રણ વર્ષની કેદ અને દરેકને 50 હજાર રૂપિયાનો દંડ થયો છે. કંપની જેમિશ ટેક્સટાઈલ્સ પ્રાઈવેટ લિમિટેડને પણ 50 હજાર રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો છે. ટેક્નોલોજી અપગ્રેડેશન સ્કીમ હેઠળ લગભગ 2 કરોડની લોન મંજૂર કરાવીCBIએ આ કેસ 20 નવેમ્બર, 2013 ના રોજ નોંધ્યો હતો. આરોપી અંકુશ નાકરાણીએ નકલી બિલ ઓફ એન્ટ્રી અને અન્ય આયાત સંબંધિત દસ્તાવેજો રજૂ કરીને ટેક્સટાઈલ મશીનરીની આયાત દર્શાવી હતી અને SIDBI સુરત પાસેથી ટેક્નોલોજી અપગ્રેડેશન સ્કીમ હેઠળ લગભગ 2 કરોડની લોન માટે અરજી કરી હતી, જે મંજૂર થઈ ગઈ હતી. આરોપીએ SIDBI સુરતને 63.12 લાખનું નુકસાન પહોંચાડ્યુંતપાસમાં સામે આવ્યું હતું કે, અંકુશ નાકરાણીએ અશોક કઠરોટિયા અને હિમ્મત વડ્ડોદરિયા સાથે મળીને આયાત કરેલી મશીનરી દર્શાવીને લોનના નાણાં મેળવ્યા અને SIDBI સુરતને 63.12 લાખનું નુકસાન પહોંચાડ્યું. તપાસમાં જાણવા મળ્યું હતું કે, કોઈ મશીનરી આયાત થઈ જ નહોતી અને અંકુશ મધુભાઈ નાકરાણીએ નકલી દસ્તાવેજો બનાવ્યા હતા. કાર્યવાહી પૂરી થયા પછી CBIએ 31 ડિસેમ્બર, 2014 ના રોજ અંકુશ નાકરાણી, જેમિશ ટેક્સટાઈલ્સ પ્રાઈવેટ લિમિટેડ, અશોક કઠરોટિયા અને હિમ્મત વડોદરિયા વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરી હતી.
વડોદરા શહેરના ખોડિયાર નગર વિસ્તારમાં રહેતા અને કોર્પોરેશનના ગાર્ડન વિભાગમાં નોકરી કરતા કર્મચારીના ઘરેથી લુપ્ત જાતિના બે દુર્લભ કાચબા મળી આવતા વન વિભાગ અને ગાર્ડનના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. આ બનાવનો પર્દાફાશ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ સંસ્થાના કર્મચારીએ મળેલી બાતમીના આધારે કર્યો હતો. આ બનાવની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને દુર્લભ કાચબા કરી વન વિભાગ ખાતે લાવવામાં આવ્યા હતા. સૂરજમુખી જાતિના બે કાચબા હોવાની બાતમી મળીવડોદરા શહેરના ખોડિયાર નગરમાં 106 નંબરના મકાનમાં હરિભાઈ જયંતીભાઈ રાઠવા તેમના પરિવાર સાથે રહે છે અને તેઓ કમાટીબાગના ફોરેસ્ટ વિભાગમાં જ કર્મચારી તરીકે નોકરી કરે છે. હરિભાઈ રાઠવા પાસે લુપ્ત થયેલ સૂરજમુખી નામની જાતિના બે કાચબા હોવાની બાતમી વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ સંસ્થાના કાર્યકર તુષાર ઉત્તેજ કારણે મળી હતી. જે બાતમીના આધારે તેઓએ ખોડિયાર નગરમાં રહેતા હરિભાઈ રાઠવાને ત્યાં તપાસ કરી હતી. વાઇલ્ડ લાઈફ સંસ્થાના કાર્યકરે બે કાચબા જપ્ત કર્યાતપાસ દરમિયાન તેઓએ કોઠી પાછળ સંતાડેલા બે કાચબા મળી આવ્યા હતા. જે કાચબા અતિ દુર્લભ તેમજ શિડયુલ એમાં આવતા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું. જેથી વાઇલ્ડ લાઇફ સંસ્થાના કાર્યકર તુષાર ઉત્તેકરે વડોદરા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જાણ કરી હતી. જેથી વન વિભાગના અધિકારીઓ ઉપરોક્ત સ્થળે આવી પહોંચ્યા હતા અને મળી આવેલા બે કાચબા જપ્ત કર્યા હતા. તે બાદ બંને કાચબાને સહી સલામત વન વિભાગમાં લાવવામાં આવ્યા હતા. ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા હોવા છતાં ઘરમાં કાચબા રાખ્યાપ્રાથમિક તબક્કે વન વિભાગના અધિકારીઓની પૂછપરછમાં હરિભાઈ રાઠવાએ તેઓને તેમના ઘર નજીક આવેલા તળાવ પાસેથી તેમના બાળકોને મળી આવ્યા હોવાનું જણાવી રહ્યા હતા. જોકે પોતે ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા હોવા છતાં તેઓએ સૌપ્રથમ મળી આવેલા કાચબા અંગેની જાણકારી કમાટીબાગના ફોરેસ્ટ વિભાગને અથવા ઝુ ક્યુરેટર અધિકારીને જાણ કરવાને બદલે તેઓએ પોતાના ઘરમાં જ કાચબા રાખી મૂક્યા હતાં તે એક શંકાસ્પદ તથા તપાસનો વિષય બન્યો છે. તેમની પ્રાથમિક પૂછપરછમાં તેઓ હાલના તબક્કે તેમના નજીક આવેલા તળાવ કિનારે કાચબા ફરતા હોવાનું રટણ કરી રહ્યા છે. ત્યારે આ કાચબા કોણ મૂકી ગયો અને ક્યારે મૂકી ગયો એ પણ તપાસનો વિષય બન્યો છે. આ પ્રકારના કાચબા પહાડી વિસ્તારમાં જોવા મળે છે ખોડિયાર નગરમાંથી કમાટીબાગના ફોરેસ્ટ વિભાગના કર્મચારીના ઘરેથી અતિ દુર્લભ અને લુપ્ત જાતિના સૂર્યમુખી પ્રજાતિના બે કાચબા મળી આવ્યા હતા. આ કાચબાની ખાસિયત એ છે કે તેઓ પહાડી વિસ્તારમાં જમીન પર જ રહે છે અને પાણીમાં છોડવામાં આવે મૃત્યુ પામે છે. કાચબાઓનો ખોરાક ફળ-પાંદડા વગેરે હોય છે. અલબત્ત શાકાહારી હોય છે. જેથી આ પ્રકારના કાચબાઓ પહાડી વિસ્તારમાં જ જોવા મળે છે. જોકે, સૂર્યમુખી પ્રજાતિના કાચબાની પ્રજાતિ લુપ્ત થઈ છે જે જવલ્લે જોવા મળે છે. 3 વર્ષની કેદ અને 3 લાખની સજાની જોગવાઈઅતિ દુર્લભ અને લુપ્ત પ્રજાતિના સૂરજમુખી બે કાચબા મળી આવતા વન વિભાગ પણ ચોકી ઉઠ્યું હતું. કાચબા વન્યજીવોના શિડયુલ વનમાં આવતા હોવાથી આ પ્રકારના કાચબા રાખનાર સજાને પાત્ર હોય છે, જેમાં 3 વર્ષની કેદ તથા 3 લાખની સજાની જોગવાઈ છે. આ પ્રકારના કાચબાનું આયુષ્ય 80 વર્ષનું હોય છે અને તે ખાસ કરીને પહાડી વિસ્તારો જમીન ઉપર જ રહેતા હોય છે.
જૂનાગઢ પંથકમાં વન્ય પ્રાણીઓનો માનવ વસ્તી પર હુમલાનો સિલસિલો યથાવત રહ્યો છે. જૂનાગઢના બગડુ ગામે ખેતરમાં મજૂરી કરી ગુજરાન ચલાવતા એક શ્રમિક પરિવારના 9 વર્ષના બાળક પર દીપડાએ હિંસક હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. પિતાની નજર સામે જ દીપડો બાળકને ખેંચીને વાડીની બીજી તરફ લઈ ગયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બાળકને સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જૂનાગઢના રહેવાસી રવિભાઈ સોલંકી બગડુ ગામ પાસે ખેતરમાં ભાગ રાખીને ખેતીકામ કરે છે. આજે તેઓ પોતાના 9 વર્ષના પુત્ર માન સોલંકી સાથે ખેતરમાં બેઠા હતા, ત્યારે અચાનક ઝાડીઓમાંથી ધસી આવેલા દીપડાએ માસૂમ બાળક પર હુમલો કર્યો હતો. દીપડો એટલો હિંસક હતો કે રવિભાઈ કઈ સમજે તે પહેલા જ તે બાળકને મોઢામાં પકડીને ખેતરની બીજી બાજુ ખેંચી ગયો હતો. બાળકના પિતા રવિભાઈએ રડતા રડતા જણાવ્યું કે, દીપડો અચાનક આવ્યો અને મારા દીકરાને મારી નજર સામે જ ખેંચી ગયો. મેં હોબાળો મચાવતા દીપડો બાળકને મૂકીને નાસી છૂટ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં દીપડાએ મારા દીકરાના ડોક, છાતી અને વાંસાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. અમે તેને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા છીએ. આ હુમલા બાદ બગડુ ગામ અને આસપાસના સીમ વિસ્તારના ખેડૂતોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. વન્ય જીવો હવે દિવસે પણ ખેતરોમાં હુમલા કરી રહ્યા હોવાથી ખેતમજૂરોમાં ડરનો માહોલ છે. ભોગ બનનાર પરિવારે વન વિભાગ પાસે માંગ કરી છે કે આ નરભક્ષી બનેલા દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવામાં આવે જેથી તે અન્ય કોઈ નિર્દોષનો ભોગ ન લે. ઈજાગ્રસ્ત બાળકના પિતાએ સરકાર પાસે આર્થિક સહાયની પણ માંગ કરી છે. ખેતરમાં મજૂરી કરીને ગુજરાન ચલાવતા આ પરિવાર માટે બાળકની મોંઘી સારવારનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ છે, જેથી વન વિભાગના નિયમ મુજબ વળતર અને તબીબી સહાય વહેલી તકે મળે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે. હાલ સિવિલ હોસ્પિટલના તબીબો બાળકની સારવાર કરી રહ્યા છે અને વન વિભાગને આ અંગે જાણ કરવામાં આવી છે.
ડિજિટલ અરેસ્ટની વારંવાર ઘટનાઓ બનવાં લાગી છે. ખાસ કરીને ગુજરાતમાં પણ આવી ઘટનાઓનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું જાય છે, ત્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ડિજિટલ અરેસ્ટ સાઇબર ફ્રોડ કેસમાં મોટું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. લુધિયાણાના ઉદ્યોગપતિ એસ.પી. ઓસવાલ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં ગુજરાત, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને આસામમાં 11 સ્થળોએ EDએ દરોડા પાડીને સર્ચ ઓપરેશન કર્યું હતું. પીડિતો પાસેથી 7 કરોડ પડાવી મલ્ટી ટ્રાન્જેક્શન કર્યુંપ્રાથમિક તપાસમાં એવો ખુલાસો થયો કે, સાઇબર ઠગોએ પોતાને CBI અધિકારી તરીકે રજૂ કરી પીડિતને ડિજિટલ અરેસ્ટનો ડર બતાવી રૂ.7 કરોડ ટ્રાન્સફર કરાવ્યા હતા. આ રકમ વિવિધ રાજ્યોમાં હાયર કરાયેલા મ્યુલ એકાઉન્ટ્સ મારફતે તેનું મલ્ટી ટ્રાન્જેક્શન થયું હોવાનું બહાર આવ્યું છે. રૂમી કલિતાની PMLA હેઠળ ધરપકડકેસમાં સંડોવાયેલા રૂમી કલિતાની PMLA હેઠળ ધરપકડ કરવામાં આવી છે. ED દ્વારા નાણાંના સ્ત્રોત, ટ્રાન્ઝેક્શન ચેઇન અને અન્ય સંડોવાયેલા લોકો અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં વધુ ખુલાસા અને કાર્યવાહી થાય તેવી સંભાવના છે.
નવસારી જિલ્લાના ગણદેવી ખાંડ મંડળી સંબંધિત એક મહત્વપૂર્ણ કાયદાકીય પ્રશ્ન ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ઉપસ્થિત થયો છે, જેમાં સહકારી સંસ્થામાં વિદેશી નાગરિકની સભ્યતા અને વ્યવસ્થાપક કમિટીના સભ્યપદ અંગે સ્પષ્ટતા માગવામાં આવી છે. રણજીત પટેલ ઘણા વર્ષોથી અમેરિકામાં સ્થાયીઆ કેસની વિગત એવી છે કે, ગણદેવી સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીમાં રણજીત પટેલ વ્યવસ્થાપક કમિટીના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. રણજીત પટેલ અગાઉ ગણદેવી ખાતે રહેતા હતા, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી તેઓ અમેરિકા ખાતે સ્થાયી થયા છે. તેમણે ભારતીય નાગરિકતા છોડી, અમેરિકાની નાગરિકતા સ્વીકારેલી હોવાનું રજૂ કરવામાં આવ્યું છે. વધુમાં, તેમનું નામ વિધાનસભા તેમજ લોકસભાની ચૂંટણીની મતદાર યાદીમાં પણ નોંધાયું નથી. સભ્ય કે વ્યવસ્થાપક કમિટીની સભ્ય બની શકે નહીં?આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મંડળીના અન્ય સભ્ય જીતેન્દ્ર દેસાઈ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે જે વ્યક્તિ ન તો ગણદેવીના રહેવાસી છે, ન તો ભારતીય નાગરિક છે, તેવી વ્યક્તિ સહકારી ખાંડ મંડળીની સાધારણ સભ્ય કે વ્યવસ્થાપક કમિટીની સભ્ય બની શકે નહીં. આ મુદ્દે તેમણે ખાંડ નિયમક સમક્ષ વિવિધ રજૂઆતો તથા વાંધાઓ દાખલ કર્યા હતા. જીતેન્દ્ર દેસાઈની રજૂઆત નામંજૂર કરાઈ હતીઆ રજૂઆતોના આધારે ખાંડ નિયમક દ્વારા તારીખ 16 સપ્ટેમ્બર, 2025ના રોજ હુકમ કરવામાં આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાત સહકારી સમાજ અધિનિયમ, 1961ની કલમ 22 હેઠળ વિદેશી નાગરિક મંડળીનો સભ્ય રહી ન શકે તેવો કોઈ સ્પષ્ટ પ્રતિબંધક પ્રાવધાન નથી અને તેથી જીતેન્દ્ર દેસાઈની રજૂઆત નામંજૂર કરવામાં આવી હતી. કોર્ટે તમામ પ્રતિવાદીઓને નોટિસ ફરમાવીખાંડ નિયમકના આ હુકમથી અસંતોષ અનુભવી જીતેન્દ્ર દેસાઈએ એડવોકેટ અર્ચિત જાની મારફતે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીની સુનાવણી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી હતી, જેમાં અદાલતે પ્રાથમિક રીતે મુદ્દાની ગંભીરતા ધ્યાનમાં લઈને તમામ પ્રતિવાદીઓને નોટિસ ફરમાવી છે. આ કેસમાં મહત્વનો કાયદાકીય પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે જે વ્યક્તિ સહકારી મંડળીના કાર્યક્ષેત્રમાં નિવાસ કરતી ન હોય તથા ભારતીય નાગરિક ન હોય, તેવી વ્યક્તિ સહકારી મંડળીની સાધારણ સભ્ય અથવા વ્યવસ્થાપક કમિટીના સભ્ય બની શકે કે નહીં. આ મુદ્દો ભવિષ્યમાં સહકારી સંસ્થાઓના સંચાલન અને ચૂંટણી પ્રક્રિયા માટે દિશાનિર્દેશક સાબિત થઈ શકે તેમ છે.
16.58 કરોડની ટેક્સ ચોરી કરવાના ગુનામાં કસ્ટમ્સ વિભાગે પકડેલાં આરોપી સોહીલ અફઝલ ખાનની જામીન અરજી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી.એચ. ખંભાતીએ ફગાવી દેવાનો હુકમ કર્યો છે. આ હુકમમાં કોર્ટે નોંધ્યું છે કે, આ કેસના અરજદાર આરોપી દ્વારા તેની કંપની મારફતે એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ હેઠળ જરૂરી લાઇસન્સ મેળવી તેની શરતો મુજબ આયાત માલ-સામાન પોતાની રજિસ્ટર્ડ પ્રિમાઈસીસમાં મેન્યુફેક્ચરિંગ અર્થે લઈ નહીં જઈ બારોબાર તેનું વેચાણ કરી ટેક્સ ચોરી કરી હોવાનું પ્રાથમિક તબક્કે ફલિત થાય છે. આયાત થયેલો માલ-સામાન જપ્તી પાત્ર બનતો હોવાથી કલમ 135 મુજબનો ગુનો અરજદાર આરોપીએ કર્યો હોવાનું પ્રાથમિક રીતે ફલિત થયા છે. આ સંગોજામાં આ ગુનાને હળવાથી લઈ શકા તેમ નથી. આરોપીને જામીન પર મુક્ત કરતા પુરાવા સાથે ચેડા થઈ શકેવધુમાં કોર્ટે એવું પણ નિરીક્ષણ કર્યું હતું કે, આ ગુનો દેશ વિરોધી ગુનો પણ ગણી શકાય તેમ છે. આમ આ સંજોગોમાં હાલની અરજી મંજૂર થવા પાત્ર નથી. તેમજ આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવે તો પુરાવા સાથે ચેડા થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. વળી આર્થિક પ્રકારના ગુનાને અન્ય ગુનાઓ કરતા જુદી રીતે મુલવવા જોઇએ અને જામીન આપતા સમયે તે અંગેની ગુનાની ગંભીરતા ધ્યાને લઈ ત્યાર બાદ જામીન અરજીનો નિર્ણય કરવો જોઇએ. આરોપીએ રજૂ કરેલા ચુકાદાઓ હાલના કેસને મદદરૂપ નથીકોર્ટે એવું પણ નોંધ્યું છે કે, આ પ્રકારના ગુના દિન પ્રતિદિન બનતાં આવ્યા છે. જેથી ગુનાની ગંભીરતા ખૂબ જ વધી જાય છે. જેથી જો આવા પ્રકારના ગુનાને હળવાશથી લઇ જામીન પર મુક્ત કરવામાં આવે તો તેની ગંભીર અસર થાય તેમ છે. આરોપીપક્ષે રજૂ કરવામાં આવેલા ચુકાદાઓ વંચાણે લેવામાં આવે તો તેની હકીકત અત્રેના કેસની હકીકતો કરતાં અલગ જણાય છે. જેથી તે ચુકાદાઓ હાલના કેસને મદદરૂપ થતાં નથી. તેવા સંજોગોમાં ધી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 480 મુજબની જોગવાઇઓ મુજબ અદાલતે આરોપીને જામીન મુકત કરતી વખેત વિવેકાધીન સત્તા હાલના કેસમાં વાપરવી ન્યોયોચિત જણાતી ન હોય ન્યાયના હિતમાં આ હુક્મ કરવામાં આવે છે. આરોપીએ 16.58 કરોડની જીએસટી ટેક્સ ચોરી કર્યાના આક્ષેપોઅરજદાર આરોપી તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે, અરજદાર આરોપીને ખોટી રીતે કસ્ટમ ડીપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા અટક કરવામાં આવી છે. અરજદારે 4 ડિસેમ્બર 2025ના રોજ પુણે, મહારાષ્ટ્રના ટ્રાન્ઝીટ રિમાન્ડ હુકમના આધારે અરજદારને હાલના કામે અમદાવાદ મુકામે લાવી અટક કરવામાં આવી છે. કસ્ટમ ડિપાર્ટમેન્ટના નોટિફિકેશનનો ભંગ કર્યો હોવાના આક્ષેપો મૂકવામાં આવ્યો છે અને તેમ કરી અરજદાર આરોપીએ 16.58 કરોડની જીએસટી ટેક્સ ચોરી કરી હોવાના આક્ષેપો કર્યા છે. આરોપીએ કોઇ આક્ષેપિત ટેક્સ ચોરી કરી નથીહકીકતમાં અરજદાર આરોપીએ કોઇ આક્ષેપિત ટેક્સ ચોરી કરી નથી. અરજદારની કંપની દ્વારા ભારત સરકારની એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ તેમ જ લાગુ પડતાં કસ્ટમ નોટિફિકેશન મુજબ માન્ય મુક્તિ મળેલા ગુડસની આયાત કરવામાં આવી છે. કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા કલમ 108 અન્વયે સમન્સ પાઠવવવામાં આવતાં અરજદાર ડિપાર્ટમેન્ટ સમક્ષ હાજર થયો છે. અરજદાર જરૂરી એવા તમામ લાઇસન્સ અને પરવાનગી મુજબ એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ મુજબ ધરાવે છે. અરજદારે કોઇ ટેક્સ ચોરી કરી નથી. એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમની શરત નં. 5 ધ્યાને લેતાં તેનું પાલન ન થવાથી ફોરેન ટ્રેડ (ડેવલપમેન્ટ રેગ્યુલેશન) એક્ટ 1992ની જોગવાઇ મુજબ પગલાં લેવા આવશ્યક છે. આ કાયદા મુજબ કાર્યવાહી આજદીન સુધી કરવામાં આવી નથી. પ્રોડકશન રિપોર્ટમાં આક્ષેપિત ગુનાઓ કોઇપણ જાતના આધાર પુરાવા વિરુધ્ધના છે. અરજદાર તબિયત ખરાબ હોવાથી હાજર થઇ શક્યા ન હતાવધુમાં અરજદાર તરફથી એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે, ફરિયાદી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા 27 જાન્યુઆરી 2023ના રોજ મે. શાર્લિક પોલીવિનાયલ પ્રા.લી. ની ફેકટરીમાં સર્ચની કાર્યવાહી કરવામાં આવતાં આરોપીના ભાઇ ફીરોજ અફઝલ ખાન ત્યાં હાજર હતા. તેમણે જરૂરી ખુલાસો કર્યો હતો. ત્યારબાદ તા. 4 સપ્ટેમ્બર 2025 અને 9 સપ્ટેમ્બર 25ના રોજ હાલના અરજદારને સમન્સ પાઠવવામાં આવ્યું પરંતુ અરજદાર તબિયત ખરાબ હોવાથી ડિપાર્ટમેન્ટ સમક્ષ હાજર થઇ શક્યા ન હતા. આ ગુનામાં મહત્તમ સજાની જોગવાઇ 7 વર્ષની છેડિપાર્ટમેન્ટ દ્વારા અરજદાર સામે અત્રેની અદાલતમાં ખાની ફરિયાદ દાખલ કરવામાં આવતાં કોર્ટે અરજદાર સામે નોટિસ ઇસ્યુ કરી 30 ડિસેમ્બર 2025ના રોજ અદાલતમાં હાજર રહેવા હુક્મ કર્યો હતો. આ કાર્યવાહી પેન્ડિંગ હોવા દરમિયાન કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા હાલના અરજદારની ખોટી રીતે અટક કરવામાં આવી છે. અરજદારે કોઇ આક્ષેપિત ગુનો કર્યો નથી. આ ગુનામાં મહત્તમ સજાની જોગવાઇ 7 વર્ષની છે. જેથી જામીન પર મુકત કરવા અરજ ગુજારી હતી. ફોરેન ટ્રેડ પોલિસીનો ભંગ કરી જીએસટી ટેક્સ ચોરી કરીકસ્ટમ વિભાગ તરફથી સ્પેશિયલ પ્રોસિક્યુટર ઇમરાનખાન પઠાણે એવી રજૂઆત કરી હતી કે, હાલના અરજદાર આરોપી દ્વારા તેમની કંપની મે. શાર્લિક પોલીવિનાયલ પ્રા.લી. મારફતે ફોરેન ટ્રેડ પોલિસી 2015 અને હેન્ડ બુક ઓફ પ્રોસીજર 2015ની જોગવાઇઓનો ભંગ કરી એડવાન્સ ઓથોરાઇઝેશન સ્ક્રીમ મુજબ આયાત કરેલા માલ સામાન પર જીએસટી ટેક્સ રૂ. 16.58 કરોડની ચોરી કરી છે. ઉપરોક્ત એડવાન્સ ઓથોરાઇઝેશન સ્ક્રીમ મુજબ આયાત થયેલા માલસામાન ઉપર ટેક્સ માફીની શરતો મુજબ આયાત માલસામાન મેન્યુફેક્ચરિંગ કર્યા બાદ તેની નિર્યાત વિદેશમાં કરવાની રહે છે. અને તે નિર્યાત થયેલા માલસામાન ઉપર આવશ્યક એવો ટેક્સ ભરવાનો રહે છે. ટેક્સ ચૂકવ્યા વિના માલસામાનની આયાત કરીઆ કેસના અરજદાર આરોપી દ્વારા તેમની કંપની મારફતે ઉપરોક્ત એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ મુજબ ટેક્સ ચૂકવ્યા વિના માલસામાનની આયાત કરી અને તે માલસામાનનું મેન્યુફેક્ચરિંગ પોતાની ફેકટરીમાં કરાવ્યા વિના સીધો જ આયાત થયેલો કાચો માલ બારોબાર બજારમાં અન્યને વેચીને કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટના 2015ના નોટિફિકેશનનો ભંગ કર્યો છે. આ કેસના તપાસમાં એવી હકીકત બહાર આવી છે કે આયાત કરવામાં આવેલા માલસામાન પોર્ટ પર લેન્ડીંગ થયા બાદ તે સામાન આરોપીની રજિસ્ટર્ડ થયેલી ફેકટરીમાં આગળની પ્રોસેસ માટે ગયો નથી. પરંતુ બારોબાર પુણે અને ગુજરાતમાં વેચી દેવામાં આવ્યો છે. દેશ વિરોધી કૃત્યમાં આરોપીની સંડોવણીઇ-વે બિલના આધારે ટ્રાન્સપોર્ટ વ્હીકલની મુવમેન્ટ જોતા સામાન આયાત થયા બાદ ઇ-વે બિલમાં જણાવેલ રજિસ્ટર્ડ પ્રિમાઇસીસ સિવાય અન્ય જગ્યાએ ગયો છે. આયાત થયેલો માલસામાન કંપનીની રજિસ્ટર્ડ થયેલી ફેકટરીમાં મેન્યુફેક્ચરિંગ માટે ગયો નથી. આમ કરીને અરજદાર આરોપી દ્વારા એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમનો ભંગ કરી 16.58 કરોડની કસ્ટમ ટેક્સ ચોરી કરવામાં આવી છે. ઉપરાંત સ્પેશિયલ પ્રોસિકયૂટર ઇમરાનખાન પઠાણે એવી દલીલ કરી હતી કે, દેશ વિરોધી કૃત્યમાં આરોપીની સંડોવણી છે. તમામ હકીકતોને ધ્યાનમાં લઇને જામીન અરજી નામંજુર કરવી જોઇએ. બંને પક્ષકારોની હકીકતો, રજૂઆતો, રેકર્ડ અને દલીલોને ધ્યાનમાં લીધા બાદ કોર્ટે ઉપરોક્ત હુક્મ કર્યો હતો.
સુરેન્દ્રનગર એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા ગેરકાયદેસર ચાઇનીઝ દોરીના મોટા જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે વિજય બારીયા નામના વ્યક્તિ પાસેથી રૂ. 18,400/-ની કિંમતના કુલ 46 ચાઇનીઝ દોરીના રીલ જપ્ત કર્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વી.એમ. રબારીની સૂચના હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર અને ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી. એસ.ઓ.જી. સ્ટાફના હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ દિલુભા ઝાલાને ખાનગી બાતમી મળી હતી કે, માલવણ-સુરેન્દ્રનગર રોડ પર આવેલા સેડલા ગામ તરફ જવાના રસ્તા પાસે એક ઇસમ સફેદ મીણીયાની થેલીમાં ચાઇનીઝ દોરીના રીલ લઈને ઊભો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા વિજય બારીયા (ઉ.વ. 27, રહે. ખોડુ, તા. વઢવાણ, જિ. સુરેન્દ્રનગર) મળી આવ્યા હતા. તેમની થેલીની તપાસ કરતા તેમાંથી પુઠાના બોક્સમાં રાખેલા ચાઇનીઝ દોરીના કુલ 46 રીલ મળી આવ્યા હતા. દરેક રીલની કિંમત રૂ. 400/- ગણતા કુલ રૂ. 18,400/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન વિજયે આ દોરી પોતાના કુટુંબી બનેવી મેહુલ ચંચાણી (રહે. પોરડા, તા. પાટડી, જિ. સુરેન્દ્રનગર) પાસેથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું. આથી, વિજય બારીયા અને મેહુલ ચંચાણી બંને વિરુદ્ધ બજાણા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 223 હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં પી.આઈ. બી.એચ. શિંગરખીયા, પી.એસ.આઈ. એન.એ. રાયમા, પી.એસ.આઈ. આર.જે. ગોહિલ, હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ દિલુભા, પોલીસ કોન્સ્ટેબલ સાહિલભાઈ મહમદભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ફુલદીપસિંહ સામંતસિંહ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ જગમાલભાઈ અંબારામભાઈ સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતા.
જૂનાગઢ જિલ્લાના કેશોદમાં નબીરાઓ દ્વારા જાહેર રોડ પર બેફામ રીતે કાર ચલાવી અકસ્માત સર્જવાની ઘટના સામે આવી છે. કેશોદના પટેલ મીલ કમ્પાઉન્ડ રોડ પર એક કાર ચાલકે સર્પાકારે (ઝીગ-ઝેગ) ગાડી દોડાવી રોડની સાઈડમાં પાર્ક કરેલા બે બાઈકને જોરદાર ટક્કર મારી હડફેટે લીધા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે પાર્ક કરેલી બાઈકો ફંગોળાઈ ગઈ હતી, સદનસીબે રાહદારીઓનો આબાદ બચાવ થયો હતો. સમગ્ર ઘટનાના લાઈવ સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે. વેપારીઓએ કારચાલકને દબોચ્યો, 2 મિત્રો ફરાર અકસ્માત સર્જાયા બાદ તરત જ આસપાસના સ્થાનિક વેપારીઓ એકઠા થઈ ગયા હતા. વેપારીઓએ સતર્કતા દાખવી કારચાલકને ઘટનાસ્થળે જ પકડી પાડ્યો હતો અને કેશોદ પોલીસને હવાલે કર્યો હતો. જોકે, પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં કારમાં સવાર અન્ય બે યુવાનો તકનો લાભ લઈ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. સ્થાનિકોએ આ ત્રણેય યુવાનો વિરુદ્ધ કડક પોલીસ કાર્યવાહી કરવાની માંગ કરી છે.જેની બાઈકને નુકસાન થયું છે તેવા ભોગ બનનાર જયેન્દ્રભાઈએ આપવીતી જણાવતા કહ્યું કે, હું મારી દુકાને બેઠો હતો ત્યારે આંબાવાડી વિસ્તારમાં પેટ્રોલ પંપની સામેની ગલીમાં એક કારચાલક પૂરઝડપે આવ્યો હતો. અચાનક ધડાકાભેર અવાજ આવતા હું બહાર દોડી આવ્યો તો જોયું કે મારી પાર્ક કરેલી ગાડીને કારે જોરદાર ટક્કર મારી હતી. આ નબીરાઓ જે રીતે વાહન ચલાવે છે તેનાથી નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાય છે. કેશોદના રહેવાસીઓ અને વેપારીઓમાં આ અકસ્માતને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જો આવા બેફામ કાર ચલાવનારાઓ પર અંકુશ નહીં લાવવામાં આવે તો આવનારા સમયમાં કોઈ મોટી જાનહાનિ થઈ શકે છે. સ્થાનિકોએ પોલીસ પાસે માંગ કરી છે કે જાહેર માર્ગો પર સ્ટંટ કરનારા કે ભયજનક રીતે વાહન ચલાવનારા તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે. હાલ કેશોદ પોલીસે કારચાલકની અટકાયત કરી છે અને તેની પૂછપરછ હાથ ધરી છે. કારચાલક નશાની હાલતમાં હતો કે કેમ અને ભાગી છૂટેલા અન્ય બે શખ્સો કોણ હતા તે દિશામાં પણ પોલીસે તપાસ તેજ કરી છે. સીસીટીવી ફુટેજને આધારે પુરાવા એકત્રિત કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ચૈતર વસાવાએ 75 લાખના લાંચના આરોપો નકાર્યા:મનસુખ વસાવાને લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવા જણાવ્યું
ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવા પર માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસેથી ₹75 લાખ માંગ્યા હોવાના આરોપ બાદ, ચૈતર વસાવાએ છોટાઉદેપુરમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે આ આરોપોને નકારી કાઢ્યા હતા અને મનસુખ વસાવાને લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવા જણાવ્યું હતું.સાંસદ મનસુખ વસાવા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે લાંબા સમયથી શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. આ આરોપ-પ્રત્યારોપના દોર વચ્ચે, મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર નર્મદા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસેથી ₹75 લાખની માંગણી કરવાનો આરોપ લગાવ્યો હતો. આ આરોપોના જવાબમાં, ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે મનસુખ વસાવાએ કલેક્ટરે રજૂઆત કરી હોવાનો દાવો કર્યો હતો, પરંતુ કલેક્ટરે ગઈકાલે ખુલાસો કર્યો કે મનસુખભાઈ ખોટું બોલી રહ્યા છે અને તેમની વાતો પાયાવિહોણી છે. ચૈતર વસાવાએ માંગ કરી હતી કે મનસુખ વસાવાએ જાહેરમાં આવીને જનતાને ગેરમાર્ગે દોરવા બદલ માફી માંગવી જોઈએ. ચૈતર વસાવાએ વધુમાં કહ્યું કે, મનસુખ વસાવા છેલ્લા 30 વર્ષથી એકહથ્થુ શાસન ધરાવે છે, અધિકારીઓ અને પોલીસ તેમના પક્ષમાં છે. જો તેમની પાસે આવા કોઈ પુરાવા હોય તો તેમણે તે જાહેરમાં રજૂ કરવા જોઈએ. તેમણે મનસુખ વસાવાને આવી પાયાવિહોણી વાતો બંધ કરવા જણાવ્યું હતું અને ચેતવણી આપી હતી કે જો તેઓ આવી વાણીવિલાસ ચાલુ રાખશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ચૈતર વસાવાએ મનસુખ વસાવાની ભાજપ છોડવાની ધમકીને પણ વખોડી કાઢી હતી. તેમણે સવાલ કર્યો કે જ્યારે મનસુખ વસાવા તેમના વિરુદ્ધ નિવેદનો આપતા હતા, ત્યારે તેમણે ભાજપના નેતાઓને પૂછ્યું હતું? અને હવે તેઓ ભાજપ સરકાર પર દબાણ કરી રહ્યા છે કે ચૈતર વસાવાને દબાવવામાં આવે. ચૈતર વસાવાએ ભારપૂર્વક કહ્યું કે સત્ય પરેશાન થઈ શકે છે, પણ પરાજીત નથી થતું. તેમણે મનસુખ વસાવાના ભાજપમાંથી રાજીનામું આપવાના નિવેદનોને માત્ર એક 'સ્ટંટ' ગણાવ્યા હતા. ચૈતર વસાવાએ મનસુખ વસાવાને પડકાર ફેંક્યો હતો કે જો તેમને રાજીનામું આપવું હોય તો લોકસભાના અધ્યક્ષને તાત્કાલિક લેખિતમાં આપી દે, કોઈને કહેવાની જરૂર નથી.
પંચમહાલ જિલ્લામાં ચોરીની ઘટનાઓ દિન-પ્રતિદિન વધી રહી છે. ગોધરા શહેરમાં ભરચક જાફરાબાદ વિસ્તારમાં ઘર આંગણે પાર્ક કરેલી એક ફોર વ્હીલ કાર ગણતરીની મિનિટોમાં ચોરાઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જાફરાબાદના સાયન્સ કોલેજ રોડ પર આવેલી શિવ જ્યોતિ સોસાયટીમાં રહેતા સુરેશભાઈ કોડુમલ રાવલાણીએ પોતાની હ્યુન્ડાઈ i20 સ્પોર્ટ્સ કાર (નંબર GJ 17 BN 2692) 24 ડિસેમ્બર, 2025ની મધ્યરાત્રિએ પોતાના ઘરની બહાર પાર્ક કરી હતી. બીજા દિવસે સવારે તપાસ કરતા માલૂમ પડ્યું કે રાત્રિના આશરે 02:30 થી 02:50 કલાકના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરો ગાડીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સુરેશભાઈના ઘરની સામે રહેતા અમિતભાઈ લુહાણાના ઘરે લાગેલા સીસીટીવી કેમેરામાં આ ચોરીની ઘટના કેદ થઈ છે. ફૂટેજ મુજબ, તસ્કરો ટાટા હેરિયર કારમાં આવ્યા હતા, જેમાંથી એક શખ્સ ઉતરીને i20 કાર ચોરી કરી નાસી છૂટ્યો હતો. કાર માલિકે સીસીટીવી ફૂટેજના આધારે ગોધરા એ ડિવિઝન પોલીસ મથકમાં લેખિતમાં જાણ કરી છે. તેમણે પોલીસ અધિક્ષકની કચેરી પંચમહાલ તથા ગોધરા શહેર પોલીસ મથકે લેખિત અરજી આપી ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ પુરાવા તરીકે સીસીટીવી ફૂટેજ અને ગાડીની આર.સી. બુકની નકલ રજૂ કરી તસ્કરોને ઝડપી પાડવા વિનંતી કરી છે. એ ડિવિઝન પોલીસે સીસીટીવીના આધારે ચોરને પકડવા કવાયત હાથ ધરી છે.
અમેરિકી એમ્બેસીમાં લીક થયેલા દસ્તાવેજમાં જેમને ભ્રષ્ટાચારનો રાજકુમાર કહેવાયો હતો, તે વ્યક્તિ આજે તમામ સરકારી અને રાજકીય અવરોધોને પાર કરીને બાંગ્લાદેશ પહોંચ્યો છે. નામ છે તારીક રહેમાન. તેમના પર આરોપ છે કે 2004માં દેશના એ વખતના ભાવિ વડાંપ્રધાન શેખ હસીના પર ગ્રેનેડ વરસાવ્યા હતા જેમાં 24 લોકો મર્યા અને હસીના બચી ગયાં હતાં. પછી તે વ્યક્તિ લંડનમાં રિમોટ કંટ્રોલથી રાજકારણ રમ્યા અને હવે બાંગ્લાદેશની આવનાર ચૂંટણીમાં લગભગ પૂરા કંટ્રોલ સાથે સરકાર ચલાવશે તેવી શક્યતા દેખાઈ રહી છે. વિશ્વ જ્યારે ક્રિસમસની ઉજવણીમાં જોતરાયું છે ત્યારે ઢાકાના રસ્તાઓ પર બુલેટપ્રુફ સિક્યોરિટી સાથે ડાર્ક પ્રિન્સની એન્ટ્રી થઈ છે. પણ આ ભીડ પાછળનો અસલી ખેલાડી તારીક રહેમાન છે કે અનસીન વિલન બીજું કોઈ છે? ભારતને આ ઘટનાઓથી કેટલું નુકસાન? આજે બાંગ્લાદેશમાં ચાલતી ઉથલ-પાથલ પરથી પરદો ઉઠાવીશું... નમસ્કાર.... તારીક રહેમાનનું બાંગ્લાદેશમાં આગમન એ કટ્ટરપંથી વિચારધારા અને ભારત વિરોધી માનસિકતાની રીએન્ટ્રી છે. પડદા પાછળ ચીન અને પાકિસ્તાનની જુગલબંધી વિલનના રોલમાં મનાઈ રહી છે. જેનો એક જ ઉદ્દેશ્ય છે ભારતને અસ્થિર કરવું. શેખ હસીના સરકારના ગયા પછી ભારત અને બાંગ્લાદેશના સંબંધો ઈતિહાસની સૌથી નીચલી સપાટી પર પહોંચી ગયા છે. હસીના પર ગ્રેનેડ ફેંકનારને રાતોરાત ક્લિનચીટ આજે BNP પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તારીક રહેમાન લંડનથી ઢાકા પહોંચ્યા છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારે તેમના માનમાં લાલ જાજમ બીછાવી હતી. રહેમાનને રાતો રાત ગ્રેનેડ હુમલામાંથી તો ક્લિન ચીટ મળી ગઈ છે. ટૂંક સમયમાં મની લોંડરિંગ અને ભ્રષ્ટાચારના કેસોમાંથી પણ ક્લિન ચીટ મળી શકે છે. હવે તેમના વિશે થોડી માહિતી મેળવી લઈએ કોણ છે તારિક રહેમાન? આતંકીઓ માટે મોકલ્યા હથિયાર ભરેલા ટ્રક? ઇતિહાસના પાના ઉથલાવીએ તો સમજાય છે કે આ ચહેરો ભારત માટે કેમ ખતરનાક છે. તારીક રહેમાન હવા ભવન એટલે કે BNP પક્ષના કાર્યાલયથી સમાંતર સરકાર ચલાવતા હતા. સરકારી સોદામાં થતા ભ્રષ્ટાચારમાં તેમનું કમિશન ચાલતું માટે જ તેમને મિસ્ટર 10 પર્સેન્ટ કહેવાતા હતા. આ એવો સમયગાળો હતો જ્યારે બાજપેયીજી અને ત્યાર બાદ UPA-1ની સરકાર હતી. બાંગ્લાદેશની ધરતીનો ઉપયોગ ભારતના સેવન સિસ્ટર વિસ્તારમાં આતંક ફેલાવવા માટે થતો હતો. ઉલફા આતંકી સંગઠન માટે હથિયારોથી ભરેલા 10 ટ્રક મોકલવાનો કેસ યાદ કરીએ તો ખબર પડે કે આ કામ પાછળ પરોક્ષ રીતે તારીક રહેમાનનું ભેજું હતું. આ ઈતિહાસ આપણને સમજાવે છે કે બાંગ્લાદેશ એવા ટાઈમ બોમ્બ પર બેસવા જઈ રહ્યું છે જે ફૂટશે તો દેશના ફૂરચા ઉડી શકે તેમ છે. રહેમાન જમાતને કાબૂમાં નહીં રાખી શકે તો…. તારીક રહેમાનની એન્ટ્રીને રાજકીય રીતે સમજીએ તો ફેબ્રુઆરી 2026ની બાંગ્લાદેશની ચૂંટણીમાં BNP અને જમાત એ ઈસ્લામીનું ગઠબંધન થશે અને તેમની જ સરકાર બનશે તેવું નક્કી માનવામાં આવી રહ્યું છે. જો કે બંને વચ્ચે આંતરિક ખેંચતાણ પણ છે જ પણ સત્તાના સિંહાસન માટે બાંધછોડ કરવી પડે છે. જો તારીક રહેમાન જમાત-એ-ઈસ્લામીને કાબૂમાં નહીં રાખી શકે તો બાંગ્લાદેશ અફઘાનિસ્તાન જેવી કટ્ટરતા તરફ જઈ શકે છે. બાંગ્લાદેશમાં સત્તાનાં 3 કેન્દ્ર આ ત્રિપાંખિયો જંગ દક્ષિણ એશિયાની શાંતિને ભસ્મ કરી શકે ભારત માટે 3 ખતરા પશ્ચિમ માટે તારિક રહેમાન પીડિત? પશ્ચિમના દેશો આ બનાવ લોકશાહી કહે છે. The Economist તેને New Dawn એટલે કે નવો સૂર્યોદય કહે છે, તો The New York Times તારીક રહેમાનને લોકપ્રિયતાનો પર્યાય ગણાવે છે. જોકે, ભારત માટે આ સ્થિતિ ભસ્માસુરને વરદાન આપવા સમાન છે. ઈનશૉર્ટ, શેખ હસીનાની રાજનીતિ ભારત-ચીન અને રશિયા તરફી હતી. જ્યારે તારીકના કેસમાં આ અલગ છે. ભારત-બાંગ્લાદેશ સરહદ પર સંઘર્ષ વધશે? હવે જુઓ કે કેવી રીતે ઢાકામાં થતી હિલચાલ ભારતને અસર પહોંચાડશે. લંડનમાં બેઠેલા તારીક રહેમાન એક નિવેદન આપે છે, ઢાકામાં ઇસ્કોનના ચિનમોય કૃષ્ણ દાસની ધરપકડ થાય છે અને તેની અસર શું થાય છે? સરહદો પર અને બે દેશમાં ઘર્ષણ વધે છે. આ બનાવો પરથી ભવિષ્યના સમયમાં અમુક શક્યતાઓ નજર આવી રહી છે. ભારત માટે ભવિષ્યની 5 સંભાવના 1) બાંગ્લાદેશમાં ચીનનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધી શકે 2) સેવન સિસ્ટર વિસ્તારમાં ઘર્ષણ શક્ય 3) ભારતને રહેમાન સાથે સંબંધો સુધારવા પડે 4) હિંદુઓને પલાયન કરવું પડી શકે 5) ભારતે ડિફેન્સ બજેટ વધારવું પડે લોકશાહીમાં જનતા જેને ચૂંટે તે સાચું, પણ જ્યારે જનતાનો આક્રોશ કટ્ટરવાદના હાથમાં હથિયાર બની જાય ત્યારે નુકસાન માત્ર એક દેશને નહીં, આખા ક્ષેત્રને થાય છે. અને છેલ્લે... ઝારખંડના ગોડ્ડામાં અદાણી પાવરનો પ્લાન્ટ છે. જે બાંગ્લાદેશમાં વીજળી આપે છે. તારીક રહેમાનનો BNP પક્ષ આ પ્લાન્ટને દેશહિત વિરોધી કહે છે. માટે જ ડિસેમ્બર 2025માં બાંગ્લાદેશ સરકારે અદાણી પાવરને અંદાજે 7 હજાર કરોડના લેણામાંથી લગભગ 3600 કરોડ રૂપિયા ચૂકતે કર્યા છે. બીટવિન ધ લાઈન્સ આના પરથી સમજી શકાય કે બાંગ્લાદેશની આવનાર સરકાર ભારત સાથે કાવતરા તો કરી શકે છે પણ આર્થિક સંબંધો તોડી શકે એમ નથી. પાડોશી રાજ્યમાં આવતીકાલનો સૂરજ શું દેખાડશે જોવાનું રહેશે. સોમવારથી શુક્રવાર રોજ રાત્રે 8 વાગ્યે દિવ્ય ભાસ્કર એપ પર તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચ- સમીર પરમાર)
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મિતિયાજ ગામની મહિલાઓ દારૂના અડ્ડા બંધ કરાવવા માટે કોડીનાર પોલીસ સ્ટેશન પહોંચી હતી. મહિલાઓએ પી.આઈ.ને લેખિત ફરિયાદ આપીને ગામમાં ચાલતા ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ તાત્કાલિક બંધ કરવાની કડક માંગ કરી હતી. ફરિયાદમાં મહિલાઓએ જણાવ્યું હતું કે ગામમાં દારૂના દુષણથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગામની સરકારી શાળાની બાજુમાં જ ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. દારૂના વ્યસનના કારણે અનેક પરિવારો પાયમાલ થયા છે, ઘણી મહિલાઓ વિધવા બની છે અને યુવાનો ભટકી રહ્યા છે. મહિલાઓએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અગાઉ પણ અનેકવાર પોલીસને જાણ કરવામાં આવી હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી થઈ નથી. તેમને શંકા છે કે કેટલાક બુટલેગરો સાથે હપ્તાની ગોઠવણ થઈ હોય તેમ લાગે છે. પોલીસે મહિલાઓની રજૂઆત સાંભળીને કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. હવે કોડીનાર પોલીસ ખરેખર કડક કાર્યવાહી કરે છે કે કેમ, તે જોવું રહ્યું.
કરોડો રૂપિયાના શુકુલ ગ્રુપ કૌભાંડમાં છેલ્લા ત્રણ વર્ષથી પોલીસને થાપ આપી રહેલા વોન્ટેડ આરોપી ધનંજય ઉર્ફે ધનો ભીખુભાઈ બારડની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. 126 કરોડની છેતરપિંડી બાદ જ્યારે પોલીસ તેની શોધખોળ કરી રહી હતી, ત્યારે આરોપી કોઈ અજાણ્યા શહેરમાં જવાને બદલે સુરતમાં જ નામ અને કામ બદલીને છુપાયો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આરોપી પત્ની સાથે મળી ધનંજય બારડ ઓનલાઈન સાડી વેચવાના બહાને પોલીસથી બચતો રહ્યો હતો. જ્યારે 126 કરોડના રોકાણ કૌભાંડમાં પોલીસની તપાસ તેજ બની અને અન્ય સાગરીતો પકડાવવા લાગ્યા, ત્યારે ધનંજય બારડ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. તે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન તેના વતન ગીર-સોમનાથ અને સુરતના વિવિધ વિસ્તારોમાં સતત રહેઠાણ બદલીને પોતાની ધરપકડ ટાળતો હતો. નવાઈની વાત એ છે કે, પોલીસની નજરમાંથી બચવા માટે તેણે પોતાની પત્ની સાથે મળીને સુરતમાં જ સાડીઓ, ડ્રેસ મટીરિયલ અને શૂટના ઓનલાઈન વેચાણનો વ્યવસાય 'જીમી' નામે શરૂ કર્યો હતો. આરોપી ગુજરાતી, મરાઠી અને પંજાબી ફિલ્મોનું કરોડોનું મેનેજમેન્ટ સંભાળતોકૌભાંડના સમયગાળા દરમિયાન ધનંજય 'શુકુલ શોબિઝ' કંપનીમાં ભાગીદાર તરીકે ગુજરાતી, મરાઠી અને પંજાબી ફિલ્મોનું કરોડોનું મેનેજમેન્ટ સંભાળતો હતો. જે વ્યક્તિ એક સમયે ફિલ્મ નિર્માણના ક્ષેત્રે મોટું ગજું ધરાવતી હતી, તે વોન્ટેડ જાહેર થયા બાદ માત્ર એક નાનો ઓનલાઈન કપડાંનો વેપારી બનીને પોતાનું અસ્તિત્વ છુપાવી રહી હતી. આ વેશપલટો તેણે પોલીસને ગુમરાહ કરવા માટે કર્યો હોવાનું મનાય છે. ટેકનિલક સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કે આરોપીનો પર્દાફાશ કર્યોપોલીસથી બચવા માટે આરોપી અત્યંત સાવચેતી રાખતો હતો, પરંતુ સુરત ક્રાઇમ બ્રાન્ચના ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કે તેની આ ગુપ્ત જીવનશૈલીનો પર્દાફાશ કર્યો હતો. ઈચ્છાપોર વિસ્તારમાં આવેલી આગમન રેસીડેન્સી પાસે તે હોવાની ચોક્કસ માહિતી મળતા જ ક્રાઇમ બ્રાન્ચે તેને દબોચી લીધો હતો. તેની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તે વોન્ટેડ હોવા છતાં સુરતમાં રહીને જ પોતાનું ગુજરાન ચલાવતો હતો અને કાયદાથી બચવા સતત પ્રયત્નશીલ હતો. ધનંજયે કૌભાંડના નાણાંનો ઉપયોગ ક્યાં કર્યોપોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, ત્રણ વર્ષ સુધી વોન્ટેડ રહ્યા દરમિયાન ધનંજયે કૌભાંડના નાણાંનો ઉપયોગ ક્યાં કર્યો હતો. શુકુલ ગ્રુપની 26 કંપનીઓ દ્વારા ઉઘરાવાયેલા 126 કરોડ રૂપિયામાં ધનંજયનો હિસ્સો કેટલો હતો અને આ કપડાંના વ્યવસાયમાં તેણે રોકાણ કર્યું હતું કે કેમ, તે અંગે ઇકો સેલ ઊંડાણપૂર્વક પૂછપરછ કરશે. હાલમાં તેની ધરપકડથી રોકાણકારોમાં ન્યાયની આશા જાગી છે.
સાબરકાંઠામાં સિંચાઈનું બીજું પાણ શરૂ:હાથમતી-ગુહાઈ જળાશયમાંથી પાણી છોડાયું, પ્રથમ પાણ પૂર્ણ
સાબરકાંઠા જિલ્લામાં સિંચાઈ માટેનું પ્રથમ પાણ પૂર્ણ થયા બાદ હવે બીજા પાણની શરૂઆત કરવામાં આવી છે. હિંમતનગરના હાથમતી અને ગુહાઈ જળાશયમાંથી પાણી છોડવામાં આવ્યું છે. જિલ્લાના ચાર જળાશયો દ્વારા છ તાલુકાના કુલ 152 ગામોમાં 11,200 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળે છે. જિલ્લાના ચાર મુખ્ય જળાશયો પૈકી ત્રણ જળાશયો 100 ટકા ભરાયેલા છે, જ્યારે એક જળાશય 76 ટકા ભરાયેલું છે. સિંચાઈ વિભાગ દ્વારા નવેમ્બર 2025થી એપ્રિલ 2026 સુધીના સમયગાળા માટે જરૂરિયાત મુજબ પાણ નક્કી કરવામાં આવે છે. હાથમતી જળાશયમાંથી 5 પાણ અપાશે જિલ્લા સિંચાઈ વિભાગની કચેરી દ્વારા મળતી માહિતી મુજબ, હિંમતનગરનું હાથમતી જળાશય 100 ટકા ભરાયેલું છે. આ જળાશયમાંથી સિંચાઈ માટે કુલ પાંચ પાણ આપવાનું નક્કી કરાયું છે, જે 20 નવેમ્બર 2025થી 20 માર્ચ 2026 દરમિયાન અપાશે. હાથમતી જળાશયની કેનાલ દ્વારા હિંમતનગરના 33, પ્રાંતિજના 43, દહેગામના 5 અને ગાંધીનગરના 9 ગામો સહિત કુલ 90 ગામોમાં 7000 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળે છે. ગુહાઈ જળાશયમાંથી 6 પાણ અપાશે હિંમતનગર નજીક આવેલું ગુહાઈ જળાશય પણ 100ટકા ભરાયેલું છે. આ જળાશયમાંથી સિંચાઈ માટે છ પાણ આપવાનું આયોજન છે, જે 12 ઓક્ટોબર 2025થી 2 એપ્રિલ 2026 સુધી અપાશે. ગુહાઈ જળાશયમાંથી હિંમતનગર તાલુકાના 28 ગામોને કેનાલ દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે, જેનાથી 3000 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળે છે. હરણાવ જળાશયમાંથી 7 પાણ અપાશેવિજયનગરનું હરણાવ જળાશય પણ 100 ટકા ભરાયેલું છે. આ જળાશયમાંથી સિંચાઈ માટે સાત પાણ આપવાનું નક્કી કરાયું છે, જે 15 નવેમ્બર 2025 થી 15 માર્ચ 2026 સુધી અપાશે. હરણાવ જળાશયની કેનાલ દ્વારા વિજયનગરના 12 અને ખેડબ્રહ્માના 11 ગામો સહિત કુલ 23 ગામોમાં 700 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળે છે. ખેડવા જળાશયમાંથી 6 પાણ અપાશે ખેડબ્રહ્માનું ખેડવા જળાશય 76 ટકા ભરાયેલું છે. આ જળાશયમાંથી સિંચાઈ માટે છ પાણ આપવાનું આયોજન છે, જે 17 નવેમ્બર 2025થી 15 માર્ચ 2026 સુધી અપાશે. ખેડવા જળાશયમાંથી ખેડબ્રહ્મા તાલુકાના 11 ગામોને કેનાલ દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે, જેનાથી 500 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળે છે.
વડોદરાના યુવા સાંસદ ડો. હેમાંગ જોષી દ્વારા શહેરમાં આયોજિત સાંસદ ખેલ મહોત્સવની આજે એમ.એસ યુનિવર્સિટીના ચં.ચી.મહેતા ઓડિટોરિયમ ખાતે આયોજિત જાહેર સમારોહમાં રંગારંગ પૂર્ણાહુતી થઈ હતી. પૂર્ણાહુતી સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ જોડાઈ સિદ્ધિપ્રાપ્ત રમતવીરોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રમતવીરો સાથે સુંદર સંવાદ પણ સાધ્યો હતો. ખેલ મહોત્સવને નગરજનોનો જબ્બર પ્રતિસાદ સાંપડતા લાગ લગાટ બે મહિના સુધી રમત નગરી રમતના રંગે રંગાઈ હતી. શહેરમાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજનવડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયાના આહવાનને અનુલક્ષીને શહેરના યુવા સાંસદ ડો. હેમાંગ જોષી દ્વારા સતત બીજા વર્ષે શહેરમાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રમત નગરીના નગરજનોએ સાંસદના આયોજનને એક અનોખા ઉત્સાહ અને ઉમંગ સાથે આવકારી મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવી અલગ અલગ રમતોમાં ભાગ લીધો હતો. રમતવીરોએ અલગ અલગ ઇન્ડોર-આઉટડોર રમતોમાં ભાગ લીધોશહેરમાં ગત 8 નવેમ્બરથી પ્રારંભ કરવામાં આવેલા સાંસદ ખેલ મહોત્સવમાં મોટી સંખ્યામાં શહેરના વિવિધ વય જૂથના રમતવીરોએ અલગ અલગ ઇન્ડોર અને આઉટડોર રમતોમાં ભાગ લઈ પોતાની રમત પ્રત્યેની રુચિ અને રમત કૌશલ્યનું પ્રદર્શન કરી સાંસદના આયોજનને યોગ્ય પ્રતિસાદ મળ્યો હતો. શહેરના નાના-મોટા ઉદ્યોગો તેમજ સંસ્થાઓ ઉપરાંત પાવર ગ્રીડ, આઈઓસીએલ, ગેઈલ, તેમજ ઓએનજીસી જેવા ઉદ્યોગોએ પણ સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે આ રમતોત્સવના આયોજનને પાર પાડવા ઉમદા સહકાર પૂરો પાડ્યો હતો. મોટી સંખ્યામાં રમત નગરીના નગરજનો જોડાયારમતોત્સવના સમારોહ પ્રસંગે શહેરના યુવા સાંસદ ડો. હેમાંગ જોષી, વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, રાજ્યના મંત્રી મનિષાબેન વકીલ, શહેર ભાજપના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, જિલ્લા ભાજપ પ્રમુખ રશિક ભાઇ પ્રજાપતિ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ભાલચંદ્ર ભાણગે, ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, શિક્ષણ સમિતિના પદાધિકારીઓ જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા સ્પોર્ટ્સ અધિકારી તથા સભ્યો સહિત મોટી સંખ્યામાં રમત નગરીના નગરજનો જોડાયા હતા. અટલજીના અનમોલ યોગદાનનું સ્મરણ કર્યુંઆજે 25મી ડિસેમ્બરે ભારતના લોકલાડીલા પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટાલ બિહારી વાજપેયીનો જન્મદિવસ છે. જન્મદિવસ નિમિત્તે ઓડિટોરિયમમાં એકત્રિત સૌ રમતવીરોએ દેશની પ્રગતિ અને વિકાસમાં અટલજીના અનમોલ યોગદાનનું સ્મરણ કરી તેમને શ્રદ્ધા સુમન અર્પણ કરી સ્મરણાજલિ આપી હતી.
વાપી ટાઉન પોલીસ મથકે જૈન ધર્મગુરુ આચાર્ય પ્રબોધચંદ્રસુરિશ્વરજી મહારાજ સાહેબ, જે 'ચકાચક દાદા' તરીકે પણ ઓળખાય છે, તેમણે પધરામણી કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને આશીર્વાદ આપ્યા હતા. મહારાજ સાહેબે પોલીસ મથકમાં પાઠનું પઠન કર્યું હતું, જેનાથી સમગ્ર પોલીસ મથકનું વાતાવરણ આધ્યાત્મિક બન્યું હતું. તેમણે ફરજ પરના પોલીસ કર્મચારીઓની સેવા ભાવનાની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે, તેમણે સમાજમાં શાંતિ, સુખ અને સલામતી જળવાઈ રહે તેવી કામના વ્યક્ત કરી હતી. વધુમાં, તેમણે પોલીસ મથકે આવતા તમામ અરજદારો અને મુલાકાતીઓના કાર્યો સફળતાપૂર્વક અને કોઈ પણ વિઘ્ન વિના પૂર્ણ થાય તેવી પ્રાર્થના પણ કરી હતી. મહારાજ સાહેબની આ પાવન પધરામણીથી પોલીસ મથકનું વાતાવરણ આધ્યાત્મિકતા અને પ્રસન્નતાથી ભરાઈ ગયું હતું.
આજના ફાસ્ટ ફૂડના યુગમાં આપણે આપણી જૂની અને પૌષ્ટિક વાનગીઓને ભૂલી રહ્યા છીએ, ત્યારે શહેરની સૃષ્ટિ સંસ્થા દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. આજે સંસ્થાના પરિસરમાં 'વિરસતી વાનગીઓ'ની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં 70 મહિલાઓએ ભાગ લીધો હતો. જેમણે બાજરી, રાગી અને અનેક ધાન્યોમાંથી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હતી. સૃષ્ટિ સંસ્થા ખાતે 'વિસરાતી વાનગી સ્પર્ધા'નું આયોજનશહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી સૃષ્ટિ સંસ્થા ખાતે આજે અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. આજરોજ અહીં 'વિસરાતી વાનગી સ્પર્ધા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આજની પેઢીમાં વિસરાઈ રહેલી પૌષ્ટિક વાનગીઓને ફરીથી રોજિંદા જીવનમાં અપનાવવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. 70 મહિલાઓએ અવનવી વાનગીઓ રજૂ કરીસામાન્ય રીતે આપણે રોજિંદા જીવનમાં ઘઉં, ચોખા અને મકાઈનો જ વધુ ઉપયોગ કરીએ છીએ, પરંતુ આ હરીફાઈમાં અંદાજે 70 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો. આ મહિલાઓએ મિલેટ (બાજરી, રાગી, જુવાર) અને ભાજીઓનો ઉપયોગ કરી અવનવી વાનગીઓ રજૂ કરી હતી. સ્પર્ધામાં બનેલી વાનગીઓ બહેનોએ પોતાની રસોઈ કળાથી સૌના મન જીતી લીધાઆ હરીફાઈની સૌથી મોટી વિશેષતા એ હતી કે કોઈપણ વાનગીમાં મેંદો, પનીર, ચીઝ, સોડા કે ફૂડ કલર જેવા હાનિકારક પદાર્થોનો બિલકુલ ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. બહેનોએ પોતાની રસોઈ કળા અને સજાવટ દ્વારા સૌના મન જીતી લીધા હતા.
રાજકોટ શહેરમાં હુડકો ચોક પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે જેમાં બેફામ સ્પીડમાં આવેલી સ્કોર્પિયો કારે રસ્તો ઓળંગતા વૃદ્ધાને ઠોકરે લેતા પતિની નજર સામે જ પત્નીનું મોત નીપજ્યું હતું. મૂળ બાંટવાનું વૃદ્ધ દંપતી રાજકોટ દીકરીના ઘરે જતું હોય ત્યારે અકસ્માત નડ્યો હતો. બનાવમાં મૃતકના પતિની ફરિયાદ ઉપરથી આજીડેમ પોલીસે અજાણ્યા કાળા કલરના સ્કોર્પિયો કારના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અજાણ્યા સ્કોર્પિયો ચાલક સામે ફરિયાદ દાખલ માણાવદર તાલુકાના બાંટવા ગામે સરકારી હોસ્પિટલની સામે કૃષ્ણપરા શેરી નંબર 3માં રહેતા અને વાળંદ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા પ્રાગજીભાઈ શામજીભાઈ મારુ (ઉં.વ.76)એ આજીડેમ પોલીસ મથકમાં અજાણ્યા સ્કોર્પિયો કારના ચાલક સામે પોતાના પત્ની ઈન્દુબેન (ઉ.વ.63)ને હડફેટે લઈ તેનું મોત નિપજાવી ભાગી જવા અંગેની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, મારે સંતાનમાં પાંચ દીકરીઓ તથા એક દીકરો છે. ગઈકાલે બપોરના 3.45 વાગ્યે જેતપુરથી રાજકોટ મારી દીકરીના ઘરે આવવા માટે એસ.ટી બસમાં બેસીને નીકળ્યા હતા અને મારી સાથે મારા પત્ની હતા. સાંજના 6.30 વાગ્યે અમે રાજકોટ આવ્યા હતા ગોંડલ ચોકડી ઉતરી, રીક્ષામાં બેસી હુડકો ચોકડી પહેલા આવતી રામાધણી હોટલની સામે ઉતર્યા હતા. 7 વાગ્યા આસપાસ અમે ચાલીને સામે સ્વાતી પાર્કની મેઇન રોડ ખોડલધામ શેરી નંબર 2માં રહેતી મારી દીકરીના ઘર તરફ જવા નીકળ્યા હતા ત્યારે અમે મેઇન હાઈવે રોડ ક્રોસ કરતા હતા ત્યારે ગોંડલ ચોકડી તરફથી એક સ્કોર્પિયો કાર પુર ઝડપે આવી અને મારી પાછળ ચાલીને આવતી મારી પત્નીને સીધી હડફેટે લઇ કાર ચાલક નાસી ગયો હતો. અકસ્માતના પગલે મારી પત્નીને માથાના ભાગે તેમજ શરીરે ઈજા થતા બેભાન થઈ ગયા હતા. બનાવ અંગે મેં ફોનથી મારા જમાઈ હિતેશ મગનભાઈ ગોહેલને જાણ કરતા તેઓ આવી જતા 108માં મારી પત્નીને બેસાડી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અહીં ઇમરજન્સીમાં ફરજ પરના ડોક્ટરે મારી પત્નીને તપાસી રાત્રે 7.45 વાગ્યે મૃત જાહેર કરી હતી. બનાવ અંગે આજીડેમ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા સ્કોર્પિયો કારના ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગ રૂપે શહેરના નવલખી મેદાનમાં જીવનયાત્રાનું પ્રદર્શન પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ખૂલ્લું મૂક્યું હતું. બાદમાં નવલખીમાં આયોજિત ગ્લોબલ હિંદુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપી હતી. અહીંયા રોજે રોજ હજારો લોકો પ્રદર્શન જોવા લોકો આવતા હોય છે, ત્યારે અહીં મુકાયેલા અટલ બિહારી વાજપેયીની જીવનયાત્રાના પ્રદર્શનનો લ્હાવો લઇ શકશે. અટલ બિહારી વાજપેયીની જીવનયાત્રાનું પ્રદર્શન નિહાળ્યુંશહેરના નવલખી મેદાનમાં ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જીવનયાત્રા પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે મેયર પિન્કીબેન સોની, શહેર ભાજપ પ્રમુખ ડો. જયપ્રકાશ સોની, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રી, ધારાસભ્યો સહિત ભાજપા અગ્રણીઓએ પ્રદેશ ભાજપ પ્રમુખનું સ્વાગત કર્યું હતું. બાદમાં પ્રદેશ પ્રમુખે અટલ બિહારી વાજપેયીની છબીને પુષ્પ ચડાવી પ્રદેશનને નિહાળ્યું હતું. આ સાથે પ્રદેશ ભાજપ પ્રમુખે વૈષ્ણવ સંપ્રદાય દ્વારા આયોજીત પ્રદર્શન પણ નિહાળ્યું હતું. અટલ સ્મૃતિ વર્ષ તરીકે ઉજવવામાં આવશેઆ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે, અટલ બિહારી વાજપેયીના 100માં જન્મ દિવસના વર્ષને અટલ સ્મૃતિ વર્ષ તરીકે ઉજવવામાં આવશે. વાજપેયીના જન્મ દિવસ નિમિત્તે શહેર ભાજપ દ્વારા સવારથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વાજપાઇની જીવન યાત્રાનું પ્રદર્શન નિહાળવું જોઇએશહેર ભાજપા દ્વારા પ્રદર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. વાજપેયીના 1924ના જન્મથી લઈ 2018 સુધીની રાજકીય સફરનો પ્રદર્શનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભાજપાના દરેક કાર્યકરો સહીત શહેરીજનોએ વાજપાઇની જીવન યાત્રાનું પ્રદર્શન નિહાળવું જોઇએ અને તેમના વિચારો જીવનમાં ઉતારીને અમલ કરવો જોઇએ.
હિંમતનગર રેલવે સ્ટેશન પર કોચ ઈન્ડિકેટર લગાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. આનાથી લાંબા રૂટની ટ્રેનોના મુસાફરોને પોતાના કોચ શોધવામાં સરળતા રહેશે, ખાસ કરીને ઓછા સ્ટોપેજ સમયવાળી ટ્રેનોમાં. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર રેલવે સ્ટેશન પર લાંબા અંતરની ટ્રેનો ટૂંકા સમય માટે રોકાય છે. આ કારણે મુસાફરોને પોતાનો કોચ શોધવામાં મુશ્કેલી પડતી હતી અને ઘણીવાર તેઓ ટ્રેન ચૂકી જતા હતા. આ સમસ્યાના નિરાકરણ માટે આ ઈન્ડિકેટર મહત્વપૂર્ણ સાબિત થશે. સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 અને 2 પર કોચ ઈન્ડિકેટર લગાવવા માટે 24 ફાઉન્ડેશન તૈયાર કરવામાં આવ્યા છે. હાલમાં ટ્રેન્ચ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ પોલ ઊભા કરીને ઈન્ડિકેટર લગાવવામાં આવશે. આ ઈન્ડિકેટર લાગવાથી મુસાફરો સરળતાથી પોતાના કોચમાં બેસી શકશે. આ કામગીરીને કારણે નવા વર્ષથી ઉદયપુર-અસારવા વંદે ભારત ટ્રેન શરૂ થવાની શક્યતાઓ પણ વધી ગઈ છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્થિત સાબર સ્ટેડિયમ ખાતે સાંસદ ખેલ મહોત્સવ-2025નો સમાપન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ આદિજાતિ વિકાસ મંત્રી પી સી બરંડાની અધ્યક્ષતામાં સંપન્ન થયો હતો. આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ જગાવવાનો અને ગ્રામીણ પ્રતિભાઓને મંચ પૂરો પાડવાનો હતો. આ સમારોહ 25 ડિસેમ્બર, સુશાસન દિવસના પવિત્ર અવસરે યોજાયો હોવાથી તેનું મહત્વ વધી ગયું હતું. કાર્યક્રમના પ્રારંભમાં ઉપસ્થિત મહાનુભાવો અને ખેલાડીઓએ ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે તેમની ફોટો પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ પણ નિહાળવામાં આવ્યું હતું. આદિજાતિ વિકાસ મંત્રી પી સી બરંડાએ જણાવ્યું હતું કે, સાંસદ ખેલ મહોત્સવ માત્ર એક સ્પર્ધા નથી, પરંતુ યુવાનોમાં શિસ્ત, એકતા અને ખેલદિલી શીખવતું એક મહા-અભિયાન છે. તેમણે ઉમેર્યું કે, રમતનું મેદાન જીવનના પાઠ શીખવે છે અને મેદાનમાં મળેલી હાર કે જીત કરતાં પણ સંઘર્ષ કરવાની ભાવના વધુ મહત્વની છે. મંત્રીશ્રીએ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના છેવાડાના ગામડાઓમાં છુપાયેલી પ્રતિભાઓને ઓળખી તેમને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ચમકાવવાનું લક્ષ્ય વ્યક્ત કર્યું હતું. તેમણે સરકાર રમતગમતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ખેલાડીઓને પ્રોત્સાહન આપવા કટિબદ્ધ હોવાનું પણ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં લોકસભા સાંસદ શોભનાબેન બારૈયાએ સૌનું સ્વાગત કરી ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. હિંમતનગરના ધારાસભ્ય વી ડી ઝાલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ છેવાડાના ગામડાના યુવાનો રમતગમત ક્ષેત્રે આગળ વધે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે. તેમણે કબડ્ડી, કરાટે અને એથ્લેટિક્સમાં ખેલાડીઓએ બતાવેલા કૌશલ્યને સાબરકાંઠામાં રમતગમતના ઉજ્જવળ ભવિષ્યનો સંકેત ગણાવ્યો હતો. આ મહોત્સવ દરમિયાન કબડ્ડી, એથ્લેટિક્સ અને કરાટે જેવી વિવિધ રમતોમાં ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર, મોડાસા ધારાસભ્ય ભીખુસિંહ પરમાર, બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, પૂર્વ ધારાસભ્યો મહેન્દ્રસિંહ બારૈયા અને અશ્વિન કોટવાલ, કરાટે કોચ જુજારસિંહ કે વાઘેલા સહિત જિલ્લાના વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શિક્ષિકા સાથે રૂ. 2.12 લાખની છેતરપિંડી:ઇન્સ્ટાગ્રામ પર મેરેજ સોલ્યુશનના બહાને ઠગબાજોએ પૈસા પડાવ્યા
જલાલપોર તાલુકાની એક શિક્ષિકાને ઇન્સ્ટાગ્રામ પર 'મેરેજ પ્રોબ્લેમ સોલ્યુશન'ના બહાને રૂ. 2.12 લાખથી વધુની છેતરપિંડીનો ભોગ બનવું પડ્યું છે. ઠગબાજોએ મનપસંદ યુવક સાથે લગ્ન કરાવવાના બહાને જુદા જુદા ચાર્જ પેટે આ રકમ પડાવી લીધી હતી. નવસારીના જલાલપોર તાલુકાના એક ગામમાં રહેતી અને ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે કાર્યરત યુવતીએ સપ્ટેમ્બર મહિનાની 9મી તારીખે ઇન્સ્ટાગ્રામ પર 'મોહમ્મદ બિલાલભાઈ' નામની આઈડી પર 'મેરેજ પ્રોબ્લેમ સોલ્યુશન'ની જાહેરાત જોઈ હતી. તેણે પોતાના પરિવારજનો મનપસંદ યુવક સાથે લગ્ન માટે રાજી ન હોવાની સમસ્યા જણાવી હતી. ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી તેને એક વોટ્સએપ નંબર આપવામાં આવ્યો હતો. ઠગબાજોએ વાતોમાં ફસાવી અને સમસ્યાનું સમાધાન લાવવાના બહાને જુદા જુદા ચાર્જ પેટે પૈસાની માંગણી કરી હતી. શિક્ષિકાએ પોતાના અને પરિવારના બેંક એકાઉન્ટમાંથી ઠગબાજો દ્વારા મોકલેલા સ્કેનર અને બેંક એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરી હતી. જોકે, આટલી રકમ ચૂકવ્યા છતાં લગ્નની સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા, શિક્ષિકાએ વોટ્સએપ પર મેસેજ કરીને પૈસા પાછા માંગ્યા હતા. સામેવાળા વ્યક્તિએ જણાવ્યું કે, ઉપરના હાજી સાથે વાત કરવી પડશે અને તમારી દુઆ અંતિમ તબક્કામાં છે. આ કહીને વધુ રૂ. 50,000ની માંગણી કરવામાં આવી હતી, જે પણ શિક્ષિકાએ ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર બાદ શિક્ષિકાએ ફોન, વોટ્સએપ કોલ અને મેસેજ કર્યા છતાં કોઈ જવાબ ન મળતા તેને છેતરપિંડીનો અહેસાસ થયો હતો. તેણે તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી. આ અંગે મરોલી પોલીસે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરીને પી.આઈ. એસ.આર. ગોહિલ વધુ તપાસ કરી રહ્યા છે.
સાયલા તાલુકાના ચોરવીરા ગામમાં ગેરકાયદેસર કોલસા ખનન પર નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને ચોટીલા નાયબ કલેક્ટરની ટીમે દરોડા પાડ્યા હતા. 25 ડિસેમ્બર, 2025ના રોજ બપોરના સમયે રેવન્યુ સર્વે નંબર 931 (સરકારી પડતર) વિસ્તારમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન સ્થળ પરથી રૂ. 25.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ત્રણ ટ્રેક્ટર, ચાર જનરેટર મશીન, આઠ ચરખી, આઠ બકેટ, ચાર બાઇક અને 100 મેટ્રિક ટન કોલસો સામેલ છે. જપ્ત કરાયેલો તમામ મુદ્દામાલ સાયલા મામલતદારને સોંપવામાં આવ્યો હતો. આ ઉપરાંત, કોલસાના કૂવામાંથી 25 મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢી તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તપાસના અંતે જે ઈસમોના નામ સામે આવશે, તે ઈસમો તેમજ વાહન માલિકો સામે ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ, 2017) મુજબ કાર્યવાહી કરવા સાયલા મામલતદારને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, સંડોવાયેલા તમામ ઈસમો સામે લેન્ડ ગ્રેબિંગ અને તડીપારની કાર્યવાહી હાથ ધરવા માટે પણ સાયલા મામલતદારને નિર્દેશ આપવામાં આવ્યા છે. ચોરવીરા ગામના સરપંચ અને તલાટી-કમ-મંત્રી વિરુદ્ધ પણ નિયમોનુસાર કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે.
ગોધરા શહેરના કનેલાવ ખાતેના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં 20 દિવસીય સાંસદ ખેલ મહોત્સવનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવમાં વિવિધ રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રમતવીરોને પુરસ્કૃત કરવામાં આવ્યા. આંતરરાષ્ટ્રીય સ્તરની રમત સ્પર્ધાઓમાં દેશના ખેલાડીઓ વધુ સક્ષમ બને તે હેતુસર સમગ્ર દેશમાં આવા રમતોત્સવોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સાંસદ ખેલ મહોત્સવ 20 દિવસ અગાઉ શરૂ થયો હતો, જેમાં વિવિધ કક્ષાએ ટુર્નામેન્ટ્સ યોજાઈ હતી. ખોખો, ફૂટબોલ, એથલેટિક્સ, યોગા અને કબડ્ડી જેવી રમતોમાં વિજેતા થયેલા રમતવીરોને ટ્રોફી અને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. તમામ ખેલાડીઓને આગામી રમત સ્પર્ધાઓમાં પણ ભાગ લેવા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન પંચમહાલ લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ પંચમહાલ, મહીસાગર અને ખેડા જિલ્લાના રમતવીરોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સમાપન કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી રમેશભાઈ કટારા, લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવ અને રાજ્યસભા સાંસદ ડૉ. જશવંતસિંહ પરમાર સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.
વલસાડમાં વર્ષો જૂના કચરાના ઢગલાઓ ગાયબ થશે:નગરપાલિકાએ કચરા પ્રોસેસિંગની તૈયારીઓ શરૂ કરી
વલસાડ નગરપાલિકાએ વર્ષો જૂના કચરાના ઢગલાઓનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવાનો નિર્ણય લીધો છે. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ઔરંગા નદીને પ્રદૂષિત થતી બચાવવા આ કાર્યવાહી હાથ ધરાઈ છે. ચોમાસામાં ઉપરવાસના વરસાદને કારણે નદીમાં પાણી વધે છે અને ડમ્પિંગ સાઇટ પરથી કચરો નદીમાં ભળીને પ્રદૂષણ ફેલાવે છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત, નગરપાલિકાઓને વર્ષો જૂના કચરા (Legacy Waste) ના નિકાલ માટે વિશેષ ગ્રાન્ટ અને કાર્યપદ્ધતિ સૂચવવામાં આવી છે. વલસાડ નગરપાલિકાએ આ યોજના હેઠળ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને વર્ક ઓર્ડર પણ જારી કરી દીધો છે. આ પ્રોજેક્ટ હેઠળ, ડમ્પિંગ સાઇટ પર જમા થયેલા કચરાને વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રોસેસ કરીને તે જગ્યાને સંપૂર્ણપણે સાફ કરવામાં આવશે. કચરાના પ્રોસેસિંગ માટે અંદાજે રૂ. 400 પ્રતિ ટનનો ભાવ નક્કી કરાયો છે. હાલમાં સાઇટ પર જરૂરી મશીનરી ઇન્સ્ટોલ કરવાની અને પ્રોસેસિંગ યુનિટ માટે વીજ કનેક્શન મેળવવાની કામગીરી ચાલી રહી છે. વર્ષોથી જમા થયેલો કચરો ચોમાસામાં નદીઓમાં ભળીને પ્રદૂષણ ફેલાવતો હતો. સુપ્રીમ કોર્ટ અને ગુજરાત સરકારની માર્ગદર્શિકા મુજબ, પર્યાવરણને થતું નુકસાન અટકાવવા આ પ્રોસેસિંગ અનિવાર્ય બન્યું છે. આગામી સપ્તાહથી આ કામગીરી પૂર્ણ સ્તરે શરૂ કરી દેવામાં આવશે. નગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું કે, એકવાર જૂના કચરાનો નિકાલ થયા બાદ, નવી પ્રોસેસિંગ સાઇટ પર રોજેરોજના કચરાનો નિકાલ કરવામાં આવશે. આનાથી ભવિષ્યમાં ફરીથી કચરાના ઢગલા થતા અટકશે અને શહેર વધુ સ્વચ્છ બનશે.
ગુજરાતભરમાં વસતા તપોધન બ્રાહ્મણોના સૌથી મોટા સંગઠન, ચુવાળ વઢીયાર ઝાલાવાડ નળકાંઠા બ્રાહ્મણ સમાજની સામાન્ય સભા અને તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ પ્રતિભાશાળી વ્યક્તિઓનો સન્માન કાર્યક્રમ ગુરુવારે બપોરે યાત્રાધામ બહુચરાજી ખાતે સમાજના ગૌતમ ભુવન કાર્યાલયમાં યોજાયો હતો. આ પ્રસંગે સમાજની શતાબ્દી ઉજવણીની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી હતી. ભેસાણા ગામના વતની અને નિવૃત્ત શિક્ષિકા મંજુલાબેન બાબુરામ રાવલના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. મેનેજિંગ ટ્રસ્ટી ગૌતમભાઈ રાવલે જણાવ્યું કે, સમાજની પ્રેરણા લઈને અન્ય સમાજોએ સમૂહ લગ્નની પ્રથા અપનાવી છે, ત્યારે આપણે આપણી વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાની જરૂર છે. પૂર્વ પ્રમુખ વ્રજલાલ રાવલે માહિતી આપી હતી કે, તપોધન બ્રાહ્મણ સમાજના આ સંગઠનની સ્થાપના 99 વર્ષ પહેલાં થઈ હતી. 2027માં તેની 100 વર્ષની ઉજવણી માટે એકતાપૂર્વક યાદગાર કાર્યક્રમ આયોજિત કરવા આજથી જ વિચારણા શરૂ કરવી પડશે. મંજુલાબેન રાવલે બહેનોને દરેક ક્ષેત્રે આગળ આવવા પ્રોત્સાહિત કર્યા હતા, જ્યારે દીકરી ધ્રુવી રાવલે નારી શક્તિ અંગે સુંદર વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે આગામી ફેબ્રુઆરી માસમાં યોજાનાર સમાજના સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત પ્રસંગ અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં વિવિધ દાતાઓ દ્વારા આપવામાં આવનાર ભેટ વગેરેની જાણકારી રજૂ કરાઈ હતી. સમાજના બંધારણમાં સુધારો કરવા માટે એક કમિટીની રચના કરવાનો નિર્ણય લેવાયો હતો. આગામી ત્રણ વર્ષ માટેના ઇનામ વિતરણના દાતાઓ પણ જાહેર કરવામાં આવ્યા હતા. તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ ઉપરાંત વિવિધ રમતો, કૌશલ્ય, એમબીબીએસ, ફિઝિયોથેરાપી જેવી ઉચ્ચ ડિગ્રી મેળવનારા અને સરકારી નોકરી મેળવનાર પ્રતિભાઓનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે પૂર્વ પ્રમુખ દિલીપભાઈ રાવલ, વજુભાઈ રાવલ, રમેશભાઈ રાવલ, વર્તમાન પ્રમુખ પ્રદ્યુમનભાઈ રાવલ, પૂર્વ પ્રમુખ અને ટ્રસ્ટી મહેન્દ્રભાઈ રાવલ, ટ્રસ્ટી રવિશંકરભાઈ રાવલ, મંત્રી સુરેશભાઈ રાવલ, ઉપપ્રમુખ સૂર્યકાન્તભાઈ રાવલ, કોષાધ્યક્ષ મહેશભાઈ ઠાકર, અલ્પેશ રાવલ, વિભાગીય પ્રમુખ મનુભાઈ રાવલ, મુકેશભાઈ રાવલ સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ અને જ્ઞાતિજનો હાજર રહ્યા હતા. વિજયભાઈ ધનેશ્વરભાઈએ ભોજનદાતા તરીકે સેવા આપી હતી.
બોટાદ જિલ્લાના ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજનાનો મહત્વપૂર્ણ લાભ મળ્યો છે. રાજ્ય સરકારની આ ખેડૂતલક્ષી યોજના અંતર્ગત હવે બોટાદ જિલ્લાના કુલ 184 ગામોમાં ખેતી માટે દિવસ દરમિયાન વીજ પુરવઠો ઉપલબ્ધ થયો છે. આનાથી ખેડૂતોને રાત્રિના સમયે સિંચાઈ કરવાની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2020માં અમલમાં મુકાયેલી કિસાન સૂર્યોદય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને સૂર્યપ્રકાશના સમયગાળા દરમિયાન વીજ પુરવઠો પૂરો પાડવાનો છે. આ યોજનાથી ખેતી વધુ સુરક્ષિત, સુગમ અને ટકાઉ બની છે. દિવસે વીજળી મળવાથી રાત્રિના સમયે ખેતી કરવા જતાં થતી દુર્ઘટનાઓ અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બોટાદ જિલ્લામાં હાલમાં 64 ગામોમાં એક શિફ્ટમાં અને 120 ગામોમાં બે શિફ્ટમાં દિવસ દરમિયાન વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે. દિવસ દરમિયાન સિંચાઈ શક્ય બનતાં ખેતી ખર્ચમાં ઘટાડો થયો છે અને ઉત્પાદન વધતાં ખેડૂતોની આવકમાં પણ વધારો નોંધાયો છે. દિવસે ખેતી માટે વીજ પુરવઠો ઉપલબ્ધ થતાં બોટાદ જિલ્લામાં કૃષિ ક્ષેત્રનું ચિત્ર બદલાઈ રહ્યું છે અને ખેડૂતો વધુ આત્મનિર્ભર બની રહ્યા છે. આ માહિતી બોટાદ જિલ્લા પીજીવીસીએલના અધિક ઈજનેર કે. ડી. નિનામા દ્વારા આપવામાં આવી હતી.
નવસારી શહેરમાં એક સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. 24 ડિસેમ્બરના રોજ રાત્રે નોકરી પરથી પરત ફરતી 17 વર્ષીય સગીરાને આરોપી કિરણ રાજુ બેડશે વિજલપોર વિસ્તારની વાડીમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઘટના બાદ સગીરાને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારીમાં રહેતા પરપ્રાંતીય પરિવારની આ સગીરા બુધવારે રાત્રે નોકરી પૂરી કરીને ઘરે પરત ફરી રહી હતી. તે સમયે 18 વર્ષીય કિરણ રાજુ બેડશે તેને લલચાવીને વિજલપોર વિસ્તારમાં આવેલી એક વાડીમાં લઈ ગયો હતો. ત્યાં તેણે સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ ફરાર થઈ ગયો હતો. દુષ્કર્મનો ભોગ બનેલી સગીરા ઘરે પહોંચતા તેના આંતરિક અંગોમાંથી સતત રક્તસ્ત્રાવ થતો હતો. પરિવારે તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. આ બનાવ અંગે વિજલપોર પોલીસે આરોપી કિરણ રાજુ બેડશે વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ પી.આઈ. એન.આઈ. રાઠોડ કરી રહ્યા છે.
બોટાદ શહેરમાં ટ્રાફિક જામની ગંભીર સમસ્યા:કલાકો સુધી વાહનોની કતારો, કાયમી નિવારણની માંગ
બોટાદ શહેરમાં વર્ષોથી ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની છે. શહેરના હિરાબજારથી ટાવર રોડ સુધી અને અન્ય મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક જામ સામાન્ય બન્યો છે, જેના કારણે લોકોને કલાકો સુધી રાહ જોવી પડે છે. આ સમસ્યાના તાત્કાલિક નિવારણ માટે લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. બોટાદ શહેરની ટ્રાફિક સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. અઢી લાખથી વધુ વસ્તી અને 11 વોર્ડ ધરાવતો બોટાદ નગરપાલિકા વિસ્તાર વાહનવ્યવહારના વધતા ભાર હેઠળ દબાઈ રહ્યો છે. પરિણામે, શહેરના મુખ્ય માર્ગો પર નિયમિતપણે કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. હિરાબજાર, હવેલી ચોક, જ્યોતિગ્રામ સર્કલ, ટાવર રોડ અને જલમીન ટોકિઝ રોડ જેવા વિસ્તારોમાં સવાર, બપોર અને સાંજના વ્યસ્ત સમયે વાહનોની લાંબી કતારો જોવા મળે છે. ટ્રાફિક નિયંત્રણ માટે વિવિધ સ્થળોએ ટ્રાફિક પોલીસ તૈનાત હોવા છતાં, આ સમસ્યાનો કાયમી ઉકેલ હજુ સુધી મળ્યો નથી. બોટાદ જિલ્લાકક્ષાનું કેન્દ્ર હોવાથી આસપાસના તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં લોકો કામકાજ અને વેપાર અર્થે શહેરમાં આવે છે, જેનાથી આંતરિક રસ્તાઓ પર ભાર વધે છે. એમ્બ્યુલન્સ, સ્કૂલ વાહનો અને સામાન્ય નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રાજકીય અને સામાજિક આગેવાનોની અનેક રજૂઆતો છતાં સ્થિતિ યથાવત છે. હવે શહેરવાસીઓ દ્વારા રસ્તાઓ પહોળા કરવા, ઓવરબ્રિજ, બાયપાસ રોડ અથવા રીંગ રોડ બનાવવા માટે ઉગ્ર માંગ ઉઠી રહી છે.
બોટાદ પોલીસે વૃદ્ધ સાધ્વીને હોસ્પિટલ પહોંચાડ્યા:મણકામાં દુખાવો થતા મહિલા હોમગાર્ડ સાથે સારવાર કરાવી
બોટાદ પોલીસે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. શહેરના હરણકુઈ વિસ્તારમાં એકલા રહેતા વૃદ્ધ સાધ્વીજીને અચાનક મણકામાં અસહ્ય દુખાવો થતા તેમની તબિયત ગંભીર બની હતી. બોટાદ પોલીસે તાત્કાલિક તેમને હોસ્પિટલ પહોંચાડી સારવાર કરાવી હતી. સાધ્વીજીની ગંભીર હાલત અને એકલતા વિશેની જાણ બોટાદ પોલીસમાં ફરજ બજાવતા ASI અરવિંદભાઈ સુમેરાને ફોન દ્વારા કરવામાં આવી હતી. માહિતી મળતા જ ASI અરવિંદભાઈ અને મહિલા હોમગાર્ડના જવાનો કોઈ પણ વિલંબ કર્યા વિના સાધ્વીજીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. પોલીસ અને મહિલા હોમગાર્ડના જવાનોએ સાધ્વીજીને ખાટલામાંથી સુરક્ષિત રીતે રીક્ષામાં બેસાડ્યા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જઈ યોગ્ય તબીબી સારવાર પૂરી પાડવામાં આવી હતી. સારવાર બાદ, સંપૂર્ણ કાળજી સાથે તેમને પાછા તેમના ઘરે સુરક્ષિત મૂકવામાં આવ્યા હતા. બોટાદ પોલીસ અને મહિલા હોમગાર્ડના જવાનોની આ કામગીરીની સ્થાનિક નાગરિકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે. આ ઘટનાએ દર્શાવ્યું કે પોલીસ માત્ર કાયદાની રક્ષા જ નહીં, પરંતુ જરૂરિયાતમંદ લોકો માટે મદદરૂપ પણ બને છે. ASI અરવિંદભાઈ સુમેરાએ આ સમગ્ર ઘટના અંગે માહિતી આપી હતી.
અમરેલી જિલ્લાના ધારી ખાતે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા કિસાન યાત્રા અને જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી, જ્યાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા છે. આમ આદમી પાર્ટીની કિસાન યાત્રા ધારીના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં AAP કાર્યકર્તાઓ જોડાયા હતા. યાત્રામાં ગોપાલ ઈટાલિયા ટ્રેક્ટર ચલાવતા પણ જોવા મળ્યા હતા. યાત્રા બાદ પ્રેમપરા ખાતે કિસાન ન્યાય યાત્રા અંતર્ગત જંગી સભા યોજાઈ રહી છે. ધારી, બગસરા અને ખાંભા વિસ્તારના લોકો મોટી સંખ્યામાં સભામાં ઉપસ્થિત રહ્યા હતા. સભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, મનોજ સોરઠીયા, બ્રિજરાજ સોલંકી, જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ નિકુંજ સોલંકી અને કાંતિ સતાસીયા સહિત સ્થાનિક ગામડાના સરપંચો અને ઉપસરપંચો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ નેતાઓએ ભાજપ સરકારની નીતિઓ સામે આકરા આક્ષેપો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લામાં રાજકીય રીતે સક્રિય બની છે. થોડા દિવસો પહેલા અમરેલી શહેરમાં પણ AAP દ્વારા મહાપંચાયત યોજી સભા કરવામાં આવી હતી, જે બાદ હવે ધારી વિધાનસભા બેઠક પર આ કાર્યક્રમ યોજાયો છે.
કાંકરિયા કાર્નિવલનો રંગેચંગે પ્રારંભ અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલ શરુ... આ વખતે કાર્નિવલમાં પાયરો શો, પેટ ફેશન શો જેવા નવા આકર્ષણો જોવા મળશે. કાર્નિવલને પગલે કાંકરિયા લેકની આસપાસના કેટલાક વિસ્તાર નો પાર્કિંગ ઝોન, નો સ્ટોપ અને નો યુટર્ન જાહેર કરાયા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાંચ વર્ષના પુત્ર સાથે મહિલાની મોતની છલાંગ સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા સુમન અમૃત આવાસમાં એક મહિલાએ તેના પાંચ વર્ષના પુત્ર સાથે 14માં માળેથી પડતું મુક્યું. પુત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું, જ્યારે મહિલા ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે મહિલાની ઓળખ સહિતની તપાસ હાથ ધરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠા ભરવાડનું રાજીનામુ વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે કામનું ભારણ વધુ હોવાથી પદ પરથી રાજીનામુ આપ્યું. અધ્યક્ષ શંકર ચૌધરીના નિવાસસ્થાને સીએમ ભૂપેન્દ્ર પટેલ ,પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકરની હાજરીમાં રાજીનામુ આપ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 'મને ન્યાય નહીં મળે તો ભાજપ છોડી દઈશ' ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર 75 લાખ રુ.નો તોડ કરવાનો આક્ષેપ કર્યો.એટલું જ નહીં કલેક્ટરના વલણથી રોષે ભરાઈ મનસુખ વસાવાએ પોતાને ન્યાય નહીં મળે તો ભાજપ છોડવાની ચીમકી ઉચ્ચારી .. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 13 હજાર 591 જગ્યાઓ માટે 14 લાખથી વધુ અરજી ગુજરાત પોલીસના PSI અને LRDની 13,591 જગ્યાઓ માટે 14 લાખથી વધુ ઉમેદવારોએ અરજી કરી..આ ઐતિહાસિક આંકડા સાથે ગુજરાત પોલીસ ભરતી રાજ્યની સૌથી મોટી સ્પર્ધાત્મક ભરતી બની. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અષ્ટમી પૂજા પર રોક મામલે સુપ્રીમમાં જશે દાંતાના રાજવી અંબાજીમાં 850 વર્ષથી ચાલતી નવરાત્રીની અષ્ટમી પૂજા પર રોક લગાવતા દાંતાના રાજવીએ હાઈકોર્ટના નિર્ણયને ખોટો ગણાવતા કહ્યું કે જો વીઆઈપી દર્શન યોગ્ય હોય તો આ પૂજા અયોગ્ય કઈ રીતે હોઈ શકે. સાથે જ તેમણે સુપ્રીમ કોર્ટમાં જવાની પણ વાત કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વીજલાઈનના સમારકામ દરમિયાન વીજકર્મીનું મોત ગોંડલમાં વીજ લાઈનના સમારકામ દરમિયાન એક વીજકર્મીનું વીજ પોલ પર જ મોત થયું.અચાનક વીજ પ્રવાહ ચાલુ થઈ જતા કર્મચારીનું મોત થયું. મૃતક મૂળ રાજસ્થાનનો હતો અને પીજીવીસીએલમાં કોન્ટ્રાક્ટ કર્મચારી હતો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 31st પહેલા SOGએ અમદાવાદમાં તપાસ હાથ ધરી 31st પહેલા જ અમદાવાદના SG હાઈવે પર SOGએ તપાસ હાથ ધરી..ભર બપોરે નશેડીઓને પકડવા ડ્રગ્સ એનાલાઇઝર કીટથી લોકોના સેમ્પલ લઈ તપાસ કરવામાં આવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એરપોર્ટ પરથી ઝડપાયો હાઈડ્રોપોનિક ગાંજો સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી એકવાર હાઈડ્રોપોનિક ગાંજો પકડાયો.. બેંગકોકથી આવેલી ફ્લાઈટમાં મહિલા પાસેથી 1 કરોડથી વધુનો 3 કિલો ગાંજો ઝડપાયો. મહિલાની ધરપકડ કરાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્યમાં ધીમે ધીમે શરુ થયો ઠંડીનો ચમકારો ડબલ સિઝનના અનુભવ વચ્ચે નલિયામાં તાપમાન 1.7 ડિગ્રી ગગડીને 10.3 ડિગ્રી નોંધાયું. તો ડીસાના તાપમાનમાં પણ 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
પર્વતોના રાજા અને હિમાલયના દાદા તરીકે ઓળખાતા ગિરનાર પર્વત પર નાતાલના વેકેશનને લઈ પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. ઠંડીની ગુલાબી મોસમ અને રજાઓના સંગમે જૂનાગઢને જાણે પ્રવાસીઓનું કેન્દ્ર બનાવી દીધું છે. વહેલી સવારથી જ ગિરનારની તળેટીથી લઈને માં અંબાના શિખર સુધી ‘જય ગિરનારી’ ના નાદ સાથે આધ્યાત્મિક વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને દેશના ખૂણેખૂણેથી પ્રવાસીઓ આ અલૌકિક અનુભૂતિનો હિસ્સો બનવા પહોંચ્યા છે. ગિરનાર પ્રવાસીઓની પહેલી પસંદ આજના આધુનિક યુગમાં જ્યાં લોકો કૃત્રિમ રિસોર્ટ પાછળ દોડી રહ્યા છે, ત્યાં ગિરનાર પર્વત તેની અદભૂત પ્રાકૃતિક સુંદરતા અને આધ્યાત્મિક શક્તિને કારણે પ્રવાસીઓની પહેલી પસંદ બની રહ્યો છે. અહીં પ્રકૃતિ અને પરમેશ્વરનો એવો અદભૂત સમન્વય જોવા મળે છે કે જે પ્રવાસીઓના મન-મગજને શાંતિ અર્પે છે. વહેલી સવારે જ્યારે ધુમ્મસની ચાદર ઓઢીને પર્વત બિરાજમાન હોય છે, ત્યારે વાદળો જાણે પ્રવાસીઓ સાથે વાતો કરતા હોય તેવો ભાસ થાય છે. આ પ્રકૃતિના ખોળામાં વિતાવેલી ક્ષણો પ્રવાસીઓ માટે જીવનભરનું ભાથું બની રહે છે. ભક્તિ, સાહસ અને કુદરતની આ ત્રિવેણી સંગમ જ ગિરનારને વિશ્વભરના પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બનાવે છે. રોપ-વે સુવિધા બન્યું આશીર્વાદ, વૃદ્ધોએ પણ લીધો લહાવો એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેની સુવિધા શરૂ થતા હવે યાત્રિકો માટે માં અંબાના દર્શન અત્યંત સરળ બન્યા છે. નાતાલની રજાને લઈ રોપ-વે પર પ્રવાસીઓની લાંબી કતારો જોવા મળી હતી. ખાસ કરીને સિનિયર સિટીઝન અને દિવ્યાંગો માટે આ સુવિધા આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. રોપ-વે સંચાલકો દ્વારા પ્રવાસીઓ માટે પીવાના પાણી, જમવા અને ખાસ કરીને વૃદ્ધો માટે અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. માત્ર ૧૦ મિનિટની રોપ-વે સફર દરમિયાન ગિરનારની ખાઈઓ અને જંગલના દ્રશ્યો જોઈ પ્રવાસીઓ રોમાંચિત થઈ ઉઠ્યા હતા. અંબાજીથી દત્ત શિખર સુધી ભક્તિનો માહોલ માં અંબાના મંદિરે દર્શન કર્યા બાદ હજારો શ્રદ્ધાળુઓ ધીમે ધીમે પગથિયાં ચઢીને ગુરુ દત્તાત્રેયના શિખરે પહોંચ્યા હતા. શિયાળાની કડકડતી ઠંડી હોવા છતાં ભક્તોના ઉત્સાહમાં જરાય કમી જોવા મળી નહોતી. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આવતા યાત્રિકો માટે ચા-પાણી અને પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા પણ સુરક્ષા અને ટ્રાફિકના નિયમન માટે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. પ્રવાસીઓએ કહ્યુ ગિરનાર જેવું ક્યાંય નથી' પુનાથી આવેલા યોગેશ ગાયકવાડે પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું કે અમે મિત્રોના ગ્રુપ સાથે અહીં આવ્યા છીએ. Lરોપ-વેથી માં અંબાના દર્શન કર્યા અને પછી દત્ત શિખર સુધીનો પ્રવાસ ખૂબ જ યાદગાર રહ્યો. અહીંના લોકોનો સ્વભાવ અને આતિથ્ય સત્કાર દિલ જીતી લે તેવો છે. ભારતના દરેક નાગરિકે જીવનમાં એકવાર ગિરનાર અચૂક આવવું જોઈએ.તેવી જ રીતે પાટણથી આવેલા ડો. કિરીટ પટેલે જણાવ્યું કે અમે રોપ-વે સુવિધાનો લાભ લીધો, જે ખૂબ જ સુંદર છે. અહીંના રમણીય દ્રશ્યો જોઈને લાગે છે કે આપણે કોઈ સ્વર્ગમાં આવી ગયા છીએ. જે લોકો રજાઓમાં બહાર વિદેશ કે અન્ય સ્થળોએ જાય છે, તેમને મારી નમ્ર વિનંતી છે કે એકવાર આપણા ગરવા ગિરનારની મુલાકાત જરૂર લો. પ્લાસ્ટિક મુક્ત ગિરનારની અપીલ ગિરનારની સુંદરતા જળવાઈ રહે તે માટે રોપ-વે સંચાલકો અને સ્થાનિક પ્રશાસન દ્વારા પ્રવાસીઓને ખાસ અપીલ કરવામાં આવી છે. પર્વત પર પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને ગંદકી ન ફેલાવવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે. પ્રવાસીઓએ પણ આ નિયમનું પાલન કરી ગિરનારની પવિત્રતા જાળવવા સહકાર આપ્યો હતો. ગિરનારની સાથે સાથે પ્રવાસીઓએ જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લો અને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની પણ મુલાકાત લઈ રજાઓની ભરપૂર મજા માણી હતી. ખરેખર, આ નાતાલ પર્વ જૂનાગઢના પ્રવાસન ઉદ્યોગ માટે ખૂબ જ આશાસ્પદ રહ્યો છે.

24 C