SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

23    C
... ...View News by News Source

મૂલ્યાંકનની ગુણવત્તા સુધારવા માટે CBSEની કવાયત:ઉત્તરવહી ચકાસણીના નિયમમાં ફેરફાર,ધોરણ 10માં A ‌વિભાગનો જવાબ Cમાં લખ્યો હશે તો માર્કસ નહીં મળશે

CBSEની પરીક્ષામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ઉત્તરવહીના નિયમોમાં મોટો ફેરફાર કરાયો છે. બોર્ડે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે વિદ્યાર્થીએ વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પેપરમાં દરેક પ્રશ્નનો જવાબ તેના નિર્ધારિત વિભાગમાં જ લખવો પડશે. CBSEની પરીક્ષા 17 ફેબ્રુઆરી 2026થી 10 માર્ચ 2026 દરમિયાન લેવાશે. બોર્ડે આ નિયમોનો અમલ વર્ષ 2026ની બોર્ડ પરીક્ષાથી શરૂ કર્યો છે, જેનો હેતુ મૂલ્યાંકનની ગુણવત્તા સુધારવાનો છે. ઉદાહરણ તરીકે, વિજ્ઞાનનું પેપર હવે જીવવિજ્ઞાન, રસાયણશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રના ત્રણ અલગ વિભાગોમાં વહેંચાયેલું હશે. જો કોઈ વિદ્યાર્થી જીવવિજ્ઞાનના પ્રશ્નનો જવાબ ભૂલથી રસાયણશાસ્ત્રના વિભાગમાં લખશે તો તે જવાબને તપાસવામાં આવશે નહીં. બોર્ડનો કડક નિયમ છે કે ખોટા વિભાગમાં લખેલો સાચો જવાબ પણ ‘Attempt Not Done ’ ગણાશે અને તેના માર્ક્સ આપવામાં આવશે નહીં. પુનઃમૂલ્યાંકન દ્વારા પણ તેમાં કોઈ સુધારો થશે નહીં. આ નિયમનો હેતુ ઉત્તરવહીના મૂલ્યાંકનમાં ચોકસાઈ જાળવવાનો છે. આથી, ધોરણ 10ના વિદ્યાર્થી માટે હવે માત્ર વિષયનું જ્ઞાન જ નહીં, પરંતુ પરીક્ષા દરમિયાન ઉત્તરવહીનું વ્યવસ્થાપન પણ એટલું જ મહત્ત્વનું બની ગયું છે. વિદ્યાર્થીઓએ આ ફેરફારથી પરિચિત થવા માટે નમૂનાના પેપરોનો સઘન અભ્યાસ કરવો જરૂરી છે. CBSE બોર્ડે તમામ સ્કૂલને આદેશ આપ્યો છે કે વિદ્યાર્થી પરીક્ષામાં કોઈ ભૂલ ન કરે તે સુનિશ્ચિત કરવામાં આવે. સ્કૂલ્સે આ નિયમોનું પાલન પ્રી-બોર્ડ પરીક્ષાઓમાં પણ કરવું પડશે. જેથી વિદ્યાર્થીએ નવા નિયમ અને વિભાગોના માળખા અનુસાર ઉત્તર લખવા માટે સંપૂર્ણ રીતે તૈયાર થાય. કામની વાતપરીક્ષામાં ભૂલ ટાળવા અને નવા ફોર્મેટમાં વિદ્યાર્થીઓના માર્ક્સ ન કપાય તે માટે ટિપ્સ યોજના બનાવો: પ્રશ્નપત્ર વાંચવાના 15 મિનિટના સમય દરમિયાન દરેક પ્રશ્ન કયા વિભાગનો છે તે નક્કી કરો અને મનમાં તેનો એક ક્રમ ગોઠવી લો. સ્પષ્ટતા જાળવો: ઉત્તરવહીના દરેક નવા વિભાગની શરૂઆતમાં મોટા અક્ષરોમાં વિભાગ – A (જીવવિજ્ઞાન) અથવા SECTION – A (HISTORY) લખો, જેથી મૂલ્યાંકન કરનારને સ્પષ્ટતા રહે. ક્રોસ-ચેક કરો: એક વિભાગના પ્રશ્નો પૂરા થયા પછી, ઝડપથી ક્રોસ-ચેક કરી લો કે તમે તે વિભાગના તમામ પ્રશ્નોના જવાબ લખ્યા છે કે નહીં. નિયમ પ્રમાણે પ્રેક્ટિસ: નમૂનાના પેપરો અને મોક ટેસ્ટની પ્રેક્ટિસ ફક્ત જવાબોની જ નહીં, પણ આ નવા વિભાગીય માળખાનું પાલન કરીને જ કરો. આનાથી પરીક્ષામાં આ ભૂલ થવાની શક્યતા ઘટી જશે. ભાસ્કર એક્સપર્ટજવાબ લખતી વખતે ચોકસાઇ જરૂરી બનશેગૌરાંગ પટેલ જણાવે છે, “CBSEનો આ નિર્ણય ઉત્તરવહીના મૂલ્યાંકનને વધુ વ્યવસ્થિત અને ભૂલમુક્ત બનાવશે. પરંતુ આ નિયમ એક સ્પષ્ટ સંદેશ આપે છે કે હવે માત્ર જ્ઞાન નહીં, પણ પ્રશ્નપત્રના જવાબ લખતી વખતેની તમામ પ્રકારની ચોકસાઈ અને વ્યવસ્થાપન પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે. વિદ્યાર્થીઓ આ નિયમને અવગણ્યા વિના, તેને પોતાની તૈયારીનો એક ભાગ બનાવવો પડશે, કારણ કે બેદરકારીને કારણે માર્ક્સ ગુમાવવાનો કોઈ અફસોસ હવે નહીં ચાલે.” > ગૌરાંગ પટેલ, પ્રિન્સિપાલ

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:27 am

કમકમાટીભર્યો બનાવ:પિતા સાથે જમ્યા બાદ ઘરે જવા નીકળેલા બાઇક સવારને મોપેડે પાછળથી ટક્કર મારી,યુવકનું મોત

મોટા વરાછા ભવાની હાઈટ્સ ખાતે રહેતો 25 વર્ષીય સાગર મનસુખભાઈ સોનાણી પિતા અને ભાઈ સાથે સાડીમાં જોબવર્કનું કામ કરતો હતો. 6 ઓક્ટોબરે સાગર તેના પિતા અને ભાઈ સાથે બે બાઈક પર વાલક પાટીયા નજીક જમવા માટે ગયા હતા. જમ્યા બાદ સાગર એકલો ત્યાંથી બાઈક લઈ ઘરે જવા નીકળ્યો હતો. સાગર અબ્રામા તાપી બ્રિજથી પસાર થતો હતો. ત્યારે બેફામ આવેલા મોપેડ ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ મોપેડ સવાર ભાગી ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા સાગરને ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા બાદ વધુ સારવાર માટે કિરણ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. લાંબી સારવાર બાદ તેનું શુક્રવારે મોત થયું હતું. પોલીસે મોપેડ ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સાગરે હેલ્મેટ પહેર્યું ન હતુંબાઈક પર પસાર થતા સાગરને પાછળથી ટક્કર મારનાર અજાણ્યા મોપેડ ચાલકે હેલ્મેટ પહેર્યું હતું. અકસ્માત બાદ તે પણ મોપેડ સાથે પટકાયો હતો. સાગરે હેલ્મેટ પહેર્યું ન હોવાથી તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. જ્યારે અકસમાત સર્જનાર મોપેડ ચાલકે હેલ્મેટ પહેર્યું હોવાથી તેને ગંભીર ઈજા થઈ ન હતી

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:24 am

10 ચોરીના ગુનાના ભેદ ઉકેલાયા:ગિલોલથી કાચ તોડી કારમાંથી સોનાના દાગીના ચોરતી ત્રીચી ગેંગના 3 ઝડપાયા

શહેર અને જિલ્લામાં કારના કાચ તોડીને લેપટોપ અને કિંમતી સામાન ચોરતી ત્રિચી ગેંગના 3 સાગરીતોને જિલ્લા એલસીબી પોલીસે ઝડપી પાડયા છે. ફૂટેજનું એનાલિસીસ કરાતા ટોળકી ઝડપાયા હતા. એપ થકી ગુનાની જગ્યાની નજીકના ફૂટેજનું વર્ગીકરણ કરીને આઈસીજેએસમાં હિસ્ટ્રી સર્ચ કરાતા મુખ્ય સૂત્રધાર શિવા ટોટીનાયકર, પ્રતિભા સુબ્રમણ્યમ નાયડુ અને બાળ કિશોરને ઝડપી પાડયા છે. આ ત્રણે પાસેથી સોનાના દાગીના, ફોન, ટેબલેટ સહિત રૂપિયા 4.45 લાખનો મુદ્દલ માલ મળી આવ્યો હતો. આ સાથે જ સુરતમાં કારનો કાચ તોડી સોનાના દાગીનાની ચોરી કરવા ઉપરાંત બારડોલી, માંડવી અને કામરેજના 10 ગુનાઓ ઉકેલાયા હતા. આરોપીઓ કારના કાચ તોડવા ઉપરાંત મોટર બાઈક પણ ચોરી કરતા હતા. તેમની પાસેથી 3 મોપેડ મળી છે. આરોપીઓ રેકી કરીને ગીલોલ દ્વારા કારના કાચ તોડતા હતા અને ડોક્યુમેન્ટ ભરેલી બેગ ઉપાડી જતા હતા. ચોરીને અંજામ પણ ચોરી કરાયેલી મોપેડ ઉપર સવાર થઈને કરતા હતા. તપાસની ટીમમાં દિનેશ કાનજી તથા અક્ષય શંકરભાઈને ટીપ મળતા આરોપીઓની ઓળખ પ્રસ્થાપિત થતાં તેને ઝડપી પાડયા હતા.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:23 am

કરુણ બનાવ:બે વર્ષીય બાળકને કોબ્રાએ ડંખ માર્યો, સિવિલ લઇ જવાતા મોત

ભાટપોરમાં ઘર નજીક રમતા બે વર્ષના બાળકને કોબ્રા સાપે ડંખ મારતા બાળકનું થયું હતું. હજીરાના ભાટપોર ખાતે રહેતા દિનેશ રાઠવા કડીયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો 2 વર્ષીય પુત્ર શુભદર્શન શુક્રવારે સાંજે ઘર નજીક અન્ય બાળકો સાથે રમતો હતો. દરમ્યાન ક્યાંકથી ત્યાં સાપ આવી ચડ્યો હતો અને ઘર નજીક રમી રહેલા શુભદર્શનને જમણા પગમાં ડંખ માર્યો હતો. શુભદર્શનને સાપે ડંખ માર્યો હોવાની જાણ થતા પિતા દિનેશભાઈ તેને તાત્કાલિક ભાટપોરના ક્લિનીકમાં લઈ ગયા હતા. જ્યાંથી તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. શુભદર્શનને ઝેરી કોબ્રા સાપે ડંખ માર્યો હોવાનું તેના પિતા દિનેશભાઈએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:22 am

અમેરિકા અને યુરોપના બજારોમાં તૈયાર હીરાની માંગમાં ઘટાડો:મંદી વચ્ચે માર્કેટ સ્થિર રાખવા ડિબિયર્સ કંપનીએ ચાર દિવસીય હરાજીમાં રફના ભાવો સ્થિર રાખ્યા

વિશ્વની અગ્રણી રફ હીરા ટ્રેડિંગ કંપની ડિબિયર્સ (De Beers) દ્વારા 8 ડિસેમ્બરથી 11 ડિસેમ્બર દરમિયાન રફ હીરાની સાઈટ (હરાજી) યોજવામાં આવી હતી. આ ચાર દિવસીય સેલ દરમિયાન ડિબિયર્સે મોટા ભાગના રફ હીરાના ભાવોમાં કોઈ ખાસ ફેરફાર કર્યા વગર તેને સ્થિર રાખ્યા હતા. વૈશ્વિક હીરા ઉદ્યોગ હાલ મંદીમાંથી પસાર થઈ રહ્યો હોવાથી કંપનીએ ભાવોમાં વધારો કે ઘટાડો કરવાનું ટાળીને બજારને સ્થિર રાખવાનો પ્રયાસ કર્યો હોવાનું ઉદ્યોગ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. ઉદ્યોગના જાણકારો અનુસાર, અમેરિકા અને યુરોપ જેવા મુખ્ય બજારોમાં તૈયાર હીરાની માંગ હજુ પણ નબળી છે. સાથે સાથે ચીનમાં પણ ખરીદીમાં પૂરતો ઉછાળો જોવા મળ્યો નથી. આવી સ્થિતિમાં જો રફ હીરાના ભાવમાં વધારો કરવામાં આવે તો ઉત્પાદકો અને ટ્રેડર્સ પર વધુ દબાણ આવે. બીજી તરફ ભાવમાં મોટો ઘટાડો કરવાથી બજારમાં નકારાત્મક સંદેશ જાય અને ભાવચક્ર બગડવાની શક્યતા રહે. આ બંને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડિબિયર્સે ભાવો સ્થિર રાખવાનો માર્ગ અપનાવ્યો હોવાનું માનવામાં આવે છે. ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓનું કહેવું છે કે, ‘રફના ભાવ સ્થિર રહેતાં કટિંગ-પોલિશિંગ યુનિટોને થોડી રાહત મળે છે. ખાસ કરીને સુરત સહિતના હીરા હબમાં કામગીરી કરતી કંપનીઓ માટે આ નિર્ણય સકારાત્મક ગણાય છે. છેલ્લા કેટલાક મહિનાથી ઓર્ડરોમાં ઘટાડો, સ્ટોકમાં વધારો અને નફાકારકતા પર દબાણ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ડિબિયર્સના આ પગલાને બજારને સંભાળવાનો વ્યૂહાત્મક પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. જો આવનારા મહિનાઓમાં વૈશ્વિક માંગમાં સુધારો જોવા મળશે, તો કંપની ભાવ અંગે નવી નીતિ અપનાવી શકે છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:21 am

વેધર રિપોર્ટ:શિયાળામાં સૌથી ઠંડો દિવસ, એક ડિગ્રી તાપમાન 13.8 ડિગ્રી

શહેરમાં શનિવારે ઠંડીના જોરમાં એક ડિગ્રીનો વધારો થઈ ને ન્યુનતમ તાપમાન 13.8 ડિગ્રી નોંધાયું છે. ગત શુક્રવારે 14.8ડિગ્રી નોંધાયું હતું. એક ડિગ્રી તાપમાનમાં થયેલા ઘટાડાથી ફૂલગુલાબી ઠંડીનો શહેરીજનો અનુભવ કરી રહ્યા છે. ઉત્તરના બર્ફિલા પવનની અસર છેલ્લા ત્રણ દિવસથી શરૂ થઈ ગઈ હોય ઉત્તરોત્તર ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. 2021ના ડિસેમ્બરમાં 5 વર્ષમાં સૌથી વધુ 12.2 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી, શિયાળામાં અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ એટલે કે 13.8 ડિગ્રી તાપમાન નોંધાવા સાથે રહ્યો હતો. તિબ્બેટ બજારમાં ગરમ કપડાની ખરીદી વધી છે. આગામી મહિને ઉત્તરાયણ આવી રહી હોવાનો અહેસાસ કરાવતા પવનનું જોર પણ હવે વધતો જણાય છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:19 am

માર્કેટને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી:રાજ ટેક્ષટાઈલ માર્કેટ 1 માસ સુધી ફરી શરૂ થઈ શકશે નહીં

ગોડાદરા ખાતે આવેલી રાજ ટેક્ષટાઈલ માર્કેટમાં લાગેલી આગ બાદ માર્કેટને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે અને હાલ માર્કેટ સદંતર બંધ કરી દેવાઈ છે. હવે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ, ઈલેક્ટ્રીક ઈન્સ્પેક્ટરનો રીપોર્ટ અને ફાયર સેફ્ટી રી-ઈન્સ્ટોલેશનનું સર્ટિફિકેટ રજૂ કર્યા બાદ જ માર્કેટ ફરી શરૂ થશે. આ તમામ કાર્યવાહી માટે ઓછામાં ઓછો એકથી દોઢ મહિનાનો સમય લાગે તેમ હોવાથી ત્યાં સુધી માર્કેટની દુકાનો બંધ જ રહેશે. ગોડાદરા ખાતે આવેલી રાજ ટેક્ષટાઈલ માર્કેટમાં મંગળવારે લાગેલી આગ બાદ માર્કેટમાં ગેરકાયદે સ્ટ્રક્ચર તાણી દેવાયું હોવાથી આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલી પડી હોવાનું અને ફાયરના કર્મચારીઓનો જીવ પણ જોખમમાં મુકાયો હતો.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:19 am

બોગસ બિલિંગ અટકાવવા વધુ એક શસ્ત્ર:નંબર સસ્પેન્ડ થાય કે કેન્સલ ઇ-વે બિલ નહીં બને

દેશમાં ઇ-વે બિલના વધી રહેલા કૌભાંડ અને તેના આધારે ઉસેટી લેવાતી આઇટીસી (ઇનપુટ ટેક્સ ક્રેડિટ) મામલે નવા ફેરફરા કર્યા છે અને આ વખતે ઇ- વે બિલ મારફત ટેક્સચોરી રોકવાનો પ્રયાસ કરાયો છે. ખાસ કરીને સસ્પેન્ડ અને કેન્સલ કરાતા જીએસટી નંબર બાબતે મહત્વનો નિર્ણય લેવામા આવ્યો છે, હવેથી આવા નંબરોના આધારે ઈ વે બિલ બનશે નહીં. અગાઉ અનેક કૌભાંડીઓ આવા નંબરો મેળવીને તેની પર બોગસ ટ્રાન્ઝેકશન બતાવીને આઇટીસી મેળવતા હતા. ઉપરાંત 180ના જૂના બિલોના આધારે પણ હવે ઇ-વે બિલ બનશે નહીં. એડવોકેટ કૃણાલ આઇસ્ક્રીમવાલા કહે છે કે આ ફેરફારની સૌથી મોટી અસર બોગસ બિલંગ અટકાવવા પર થશે, સિસ્ટમ મજબૂત બનશે. સમયાંતરે થતા આવા ફેરફારના લીધે બોગસ બિલિંગ પર થોડો ઘણો ફરક આવ્યો છે. અગાઉ જોવામાં આવતું હતું કે સસ્પેન્ડ થયા બાદ પણ ઇ-વે બિલ જનરેટ થઈ જતા હતા. જે ત્રણ મુખ્ય સુધારા કરવામા આવ્યા છે તે તાત્કાલિક અસરથી લાગુ પણ કરી દેવામા આવ્યા છે. ભાસ્કર એક્સપર્ટસિસ્ટમ પણ સસ્પેન્ડ કરે, અને કેન્સલ પણ થાયજીએસટી નંબર અનેક બાબતોના આધારે કેન્સલ કે સસ્પેન્ડ થાય છે. જેમાં પત્રક અને ટેક્સ નહીં ભરવુ મુખ્ય છે. હવે વેપારીઓએ ખાસ તકેદારી રાખવી પડશે કે વેચાણાના ડેટા, ટેક્સ અને પત્રક સમયસર ભરાય. જેથી કરીને નંબર સસ્પેન્ડ નહીં થાય, હવે ઇ-વે બિલ જનરેટ થનાર ન હોવાથી જે વેપારી સમયમર્યાદા ચૂકી જશે એમને ધંધો પણ તકલીફ પડશે. > સુનય જરીવાલા, સી.એ.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:18 am

કથળેલી હાલત:તંત્રએ મૃતદેહને પણ ધક્કા ખવડાવ્યા !

સુરતના પાંડેસરાના શિવમનગરમાં રહેતાં 55 વર્ષના સુનિતાદેવી બ્રિજનંદન ટાંટીને પેરાલિસિસ થયું હતું અને લાંબી બિમારી બાદ તેમનું મોત થયું હતું. પરિવારજનો તબીબી સર્ટિફિકેટ વિના જ અંતિમ સંસ્કાર માટે ઉમરા સ્મશાનભૂમિમાં ગયા હતા. જ્યાં નિયમ મુજબ મૃતકની 60 વર્ષથી ઓછી ઉંમર હોવાથી અગ્નિદાહ આપવા ઇન્કાર કરી પોલીસને જાણ કરાઈ હતી. પરિવારજનો નનામી સાથે નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ટ્રોમા સેન્ટરમાં નનામી સ્ટ્રેચર પર મૂકી લઈ જવાઈ હતી અને અન્ય દર્દીઓની વચ્ચે લાશ મૂકવામાં આવી હતી. તબીબોએ લાશને ચકાસી અને મૃત છે કે કેમ? તે જાણી ડેથ ડિક્લેર કરાયું હતું. તંત્રએ મૃતદેહને પણ ધક્કા ખવડાવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:16 am

સન્ડે ફોટો સ્ટોરી:તાપી નદી પર મેટ્રો બ્રિજ તૈયાર, 8 સ્પાનનું લોન્ચિંગ પૂર્ણ, નદીથી ઉંચાઈ 30 ફૂટ

મેટ્રો રેલ પ્રોજેક્ટની લાઇન-2 પર તાપી નદી પર બની રહેલા મેટ્રો ટ્રેન પુલનું મુખ્ય નિર્માણ હવે પૂર્ણતાના આરે છે. આ પ્રોજેક્ટની સૌથી મહત્ત્વની કડી ગણાતા નદી પરના આ બ્રિજ પર મૂકવાના 8 સ્પાનનું લોન્ચિંગ એન્જિનિયરિંગ ટીમે સફળતાપૂર્વક પૂર્ણ કરી દીધું છે. દરેક સ્પાન 50 મીટર લાંબો છે અને તેને નદીના જળસ્તરથી આશરે 30 મીટરની ઊંચાઈ પર ગોઠવવામાં આવ્યો છે. જટિલ ટેકનિકલ પડકારો હોવા છતાં, આ ઝડપી કામગીરીને કારણે પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થવાની આશા વધી છે. પુલનું માળખું સંપૂર્ણ રીતે તૈયાર થઈ જતાં હવે મેટ્રોની સવારી માટે નદી પાર કરવાનો રસ્તો ખુલ્લો થઈ ગયો છે. આગામી તબક્કામાં ટ્રેક પાથરવાનું કામ કરાશે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:15 am

સિટી એન્કર:લોક અદાલતમાં ખુશી છવાઈ, દુ:ખ ભૂલાયુ: 22 વર્ષથી જુદા રહેતા પતિ-પત્ની એક થયા, પિતાએ 3 પુત્રો સામેનો કેસ પરત ખેંચી લીધો

લોક અદાલતમાં પારિવારિક અને અકસ્તમાત વળતર ધારા સહિતના અનેક કેસોમાં સુખદ અંત આવ્યો હતો. કેટલાક કેસમાં માતા-પિતાએ સંતાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સાથે રહેવાનું ઉચિત માન્યું હતું. એક દંપતી તો છેક 22 વર્ષ બાદ સાથે રહેવા રાજી થયું હતું. દંપતી અલયદા રહેતા હોય અને પત્ની સાથે રહેતી દીકરી લગ્નલાયક થઈ ગઈ હતી અને આખરે પિતાએ તેના લગ્નનો તમામ ખર્ચો ઉઠાવવાની જવાબદારી લીધી હતી. અકસ્માતના કેસમાં પાલિકાના પટાવાળાના પરિવારને રૂપિયા 41 લાખ ચૂકવવાનો હુકમ કર્યો હતો. વરાછાના અક્સમાતમાં રૂપિયા 66 લાખનું વળતરવરાછામાં બે વર્ષ અગાઉ બાઇક ચાલકે રાહદારીને ટકકર મારતા તેમનું મોત થયું હતું. અકસ્માતમાં વળતર ધારા હેઠળ કેસ થતા વીમા કંપની તરફે એડવોકેટ દર્શન શાહ હાજર રહ્યા હતા. આજે લોક અદાલતમાં આ કેસનું સમાધાન થતા પરિવારને 66 લાખનો ચેક અપાયો હતો. અન્ય કેસમાં ભાઠા ગામમાં જાન્યુઆરી-2025માં નિલેશભાઇને અક્સમાત નડતા તેમને પગના ભાગે ઇજા થઈ હતી અને એક પગ ગુમાવવાનો વારો આવ્યો હતા આ કેસમાં 50 લાખનું વળતર અપાયું હતું. ભાસ્કર એક્સપર્ટઘણીવાર માત્ર કાઉન્સિલિંગની જ જરૂરઘણીવાર દંપતીના કેસમાં મોટા ઇશ્યુ હોતા નથી. માત્ર નાની-નાની વાતોના ઝઘડા વધીને વાત ઘર છોડવા સુધીની આવી જાય છે. આવા કેસોમાં કાઉન્સિલિંગ અગત્યનું પાસુ છે અનેક દંપતી તો વાતચીતના માધ્યમથી જ મનદુખ ભૂલી જાય છે. > પ્રિતિ જોષી, એડવોકેટ પત્ની ઘરની જવાબદારી ઉઠાવવા રાજી થઈ વર્ષ 1999માં લગ્ન થયા બાદ દંપતીને બે બાળકો અવતર્યા હતા. 23 વર્ષ સાથે રહ્યા બાદ બંને વચ્ચે વિખવાદ થતા તેઓ છેલ્લાં ત્રણ વર્ષથી જુદા રહેતા હતા. લોક અદાલતમાં દંપતી બંને કિશોર અવસ્થાના પુત્રો માટે સાથે રહેવા રાજી થયા હતા. દીકરાઓના ભવિષ્ય માટે દંપતીએ ઝઘડાનો અંત આણ્યો હતો.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:13 am

પત્રકારો સામે માનહાનિનો દાવો:મયૂર જાની, હિમાંશુ ભાયાણી સહિત 5 પત્રકાર સામે 100 કરોડનો બદનક્ષીનો દાવો

સસ્તી પ્રસિદ્ધિ માટે કોઈ જાણીતી વ્યક્તિ વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવી અથવા તો તેને આડકતરી રીતે બદનામ કરીને TRP મેળવવાની હોડમાં થતી પાયાવિહોણી સ્ટોરીઓની વધુ એક ઘટના હવે કોર્ટમાં પહોંચી છે. રિલાયન્સ સાથે સંકળાયેલા અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા ગુજરાતના પાંચ પત્રકારો વિરુદ્ધ 100 કરોડનો માનહાનિનો દાવો દાખલ કરાયો છે. કોર્ટે તેમના દાવાને સ્વીકારીને પત્રકારો વિરુદ્ધ નોટિસ કાઢી નથવાણીને બદનામ કરતું કન્ટેન્ટ 48 કલાકમાં હટાવી દેવાનો આદેશ કર્યો છે. આ બાબતને લઈને પરિમલ નથવાણીએ વિવીધ સોશિયલ પ્લેટફોર્મ પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે “મારા દ્વારા 100 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કરાયો છે, માનનીય કોર્ટે આ મુદ્દે તાત્કાલિક આદેશ કર્યો છે કે મારી બદનામી કરતું કન્ટેન્ટ 48 કલાકમાં હટાવી લેવું.” પરિમલ નથવાણીએ લખ્યું છે કે, મેં, સનાતન સત્ય સમાચારના સંજય ચેતરિયા, ધ ગુજરાત રિપોર્ટના મયૂર જાની, હિમાંશુ ભાયાણી, દિલીપ પટેલ અને ભાવિન ઉર્ફ બન્ની ગજેરા વિરુદ્ધ મારી બદનામી કરતી વિગતો ફેલાવવા બદલ માનહાનિનો દાવો કર્યો છે. શુક્રવારે જ માનનીય ન્યાયાલયે આ પત્રકારો વિરુદ્ધ નોટિસ અને સમન્સ કાઢી તેમના દ્વારા મારી બદનામી કરતું સાહિત્ય 48 કલાકમાં સોશિયલ મીડિયા પરથી હટાવી લેવા આદેશ કર્યો છે. તેમણે પોસ્ટમાં ઉમેર્યું હતું કે, હું મારી ઈમાનદારીને લઈને પ્રતિબદ્ધ છું અને સમાજમાં મારી જે ઓળખ છે તેને ખરડાવા નહીં દઉં, છતાં કોઈ આવું કરશે તો સાંખી પણ નહીં લઉં. સત્ય માટે મારી સાથે ઊભેલા તમામ લોકોનો આભાર માનું છું”. પરિમલ નથવાણી દ્વારા કરવામાં આવેલી પોસ્ટને લઈને તેમની ટીમ સાથે વાત કરાઇ ત્યારે તેમણે જણાવ્યું કે આગામી દિવસોમાં ઝારખંડ અને આંધ્રપ્રદેશમાં પણ માનહાનિનો કેસ અને ક્રિમિનલ કેસ નોંધવા માટેની કાર્યવાહી કરાશે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:02 am

ગાંજો પ્રતિબંધિત તો પીવા માટે 'ગોગો પેપર'નું બેરોકટોક વેચાણ કેમ?:શેરીએ શેરીએ પાનના ગલ્લે મળતા પેપર હવે ઓનલાઈન વેચાવા લાગ્યા, પ્રતિબંધ મૂકવા પોલીસના પ્રયાસો શરૂ

સુરત હોય, અમદાવાદ હોય કે વડોદરા હોય. કોઈક જ પાનની દુકાન એવી હશે કે જ્યાં ડ્રગ્સ લેવા માટે વપરાતા અને 'ગોગો પેપર'ના નામે ઓળકાતા રોલિંગ પેપરનું વેચાણ નહીં થતું હોય. હાઈબ્રીડ ગાંજો સહિતના ડ્રગ્સ પ્રતિબંધિત છે પરંતુ, લેવા માટેના 'ગોગો પેપર' બેરોકટોક વેચાઈ રહ્યા છે. તપાસ કરતા બહાર આવ્યું છે કે, 'ગોગો પેપર'ના વેચાણ પર કોઈ કાયદાકીય પ્રતિબંધ ન હોય તેની સામે સીધી કાર્યવાહી કરવામાં પોલીસના હાથ પણ બંધાયેલા છે. સુરત પોલીસે હાલ શહેરમાં પાન પાર્લર પર થતા 'ગોગો પેપર'નું વેચાણ બંધ થાય તે માટે કાર્યવાહી શરૂ કરી છે. વેપારીઓને આ પેપરનું વેચાણ ન કરવા સમજાવી રહ્યા છે. આ પેપરના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ આવે તે માટે પણ સુરત પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. સુરત સહિતના શહેરોમાં પાનના ગલ્લા પર 'ગોગો પેપર'નું બેરોકટોક વેચાણડ્રગ્સ લેવા માટે વપરાતા 'ગોગો પેપર'નું સુરત સહિતના શહેરોમાં મોટાભાગના પાનના ગલ્લાઓ પર વેચાણ થઈ રહ્યું છે. આ પેપરનો ઉપયોગ પાનના ગલ્લાવાળાઓ સારી રીતે જાણતા હોય જાહેરમાં રાખતા નથી. ગ્રાહક માગે ત્યારે જ કાઢીને આપતા હોય છે. ડ્રગ્સ લેવા માટેની આ પ્રકારની વ્યવસ્થાના કારણે યુવાધન સહેલાઈથી નશાની જાળમાં ફસાઈ રહ્યા છે. પાનના ગલ્લા બાદ હવે ઓનલાઈન ડિલિવરી એપ્સ પર પણ વેચાણ'ગોગો પેપર' અત્યાર સુધી પાનના ગલ્લા પર તો મળતા જ હતા. પરંતુ, હાલ તેના પર કાયદાકીય પ્રતિબંધ ન હોય ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ સહેલાઈથી વેચાવા લાગ્યા છે. જેના કારણે યુવાનો ડાયરેક્ટ દુકાનદારના સંપર્કમાં આવવાના બદલે ઓનલાઈન પણ ખરીદતા થયા હોવાનું સામે આવ્યું છે. સુરત એસઓજીની ટીમે શહેરી વિસ્તારમાં ઓનલાઈન ડિલિવરી કરતી કંપનીઓના ગોડાઉન પર તપાસ કરી હતી અને આ પ્રકારની વસ્તુઓનું જે હેતુ માટે વેચાણ થાય છે તેને ધ્યાનમાં રાખી અટકાવવા કડક સૂચના આપી હતી. ડીસીપીએ કહ્યું- સુરતમાં 'ગોગો પેપર'નું વેચાણ થવા દેવાશે નહીંડીસીપી રાજદીપસિંહ નકુમે ગોડાઉન પરની તપાસ બાદ જણાવ્યું હતું કે,અમે ઇન્સ્ટા માર્ટના સંચાલકોને તાકીદ કરી છે કે શહેરના યુવાધનને બરબાદ કરે તેવું કોઈ પણ કૃત્ય ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો ભવિષ્યમાં આ ગોડાઉન કે એપ્સ પરથી આવા પેપરનું વેચાણ થશે, તો સંચાલકો સામે ગુનો દાખલ કરતા પણ પોલીસ અચકાશે નહીં. માત્ર ઓનલાઇન જ નહીં, પરંતુ સુરત શહેરના તમામ વિસ્તારોમાં આવેલા પાન પાર્લરો અને ગલ્લાઓ પર પણ પોલીસે દરોડા પાડ્યા છે. ગલ્લાઓ પર સહેલાઈથી લટકાવેલા 'ગોગો પેપર'ના પેકેટો જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસનો હેતુ એ છે કે નશો કરવા માટેની સામગ્રી જ જો બજારમાંથી ગાયબ કરી દેવામાં આવે, તો યુવાનોને નશાથી દૂર રાખી શકાય. 'ગોગો પેપર'પર કાયમી પ્રતિબંધ માટે સુરત પોલીસે કાર્યવાહી શરૂ કરીમાત્ર દરોડા પાડવા પૂરતું જ નહીં, પરંતુ ગોગો પેપર પર કાયમી પ્રતિબંધ કઈ રીતે લાવી શકાય તે માટે પણ SOG એ કવાયત શરૂ કરી છે. રાજદીપસિંહ નકુમે ખાતરી આપી છે કે, આ સાધનોના વેચાણ પર સદંતર પ્રતિબંધ મૂકવા માટે જે પણ કાયદેસરની પ્રક્રિયા કરવી પડશે, તે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવશે. આ મુદ્દે ગૃહ વિભાગને પણ રિપોર્ટ મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. નશાના મૂળને કાપવાની વ્યુહરચનાપોલીસનું માનવું છે કે જ્યારે મુખ્ય નશીલો પદાર્થ (ગાંજો) ગેરકાયદેસર હોય, ત્યારે તેને પીવા માટે ઉપયોગમાં લેવાતા માધ્યમો પણ ગેરકાયદેસર જ હોવા જોઈએ. જો રોલિંગ પેપર સરળતાથી મળી રહે, તો યુવાનોમાં 'હાઇબ્રિડ ગાંજો' અને અન્ય કેમિકલ યુક્ત ડ્રગ્સ લેવાનું પ્રમાણ વધે છે. તેથી જ આ મૂળને કાપવું અનિવાર્ય બન્યું છે. સુરત પોલીસે આ અભિયાનમાં જનતાનો સહયોગ માગ્યોઅંતમાં, આ લડાઈમાં જનતાનો સહયોગ અનિવાર્ય છે. સુરત SOG એ વાલીઓને અપીલ કરી છે કે તેઓ પોતાના સંતાનોની ગતિવિધિઓ પર નજર રાખે. જો કોઈ દુકાનદાર કે ઓનલાઇન પ્લેટફોર્મ આ પ્રકારના પ્રતિબંધિત પેપરનું વેચાણ કરતું જોવા મળે, તો તાત્કાલિક પોલીસને જાણ કરવી. સુરત પોલીસની આ મુહીમ ત્યારે જ સફળ થશે જ્યારે આખો સમાજ સાથે મળીને નશાનો બહિષ્કાર કરશે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:00 am

મ્યુલ એકાઉન્ટ કૌભાંડ:મ્યુલ ખાતાની તપાસમાં 3 દિવસમાં 35થી વધુ ફરિયાદ, 15ની ધરપકડ

સાઈબર ફ્રોડના કરોડો રૂપિયા જે એકાઉન્ટોમાં ટ્રાન્સફર થાય છે, તેવા મ્યુલ બેંક એકાઉન્ટ ધારકો સામે સમગ્ર ગુજરાતમાં ખાસ ઝુંબેશ શરુ કરવામાં આવી છે. જેના ભાગ રુપે અમદાવાદ પોલીસે છેલ્લા 3 દિવસમાં આવા 35 મ્યુલ બેંક એકાઉન્ટ ધારકો સામે ગુના નોંધ્યા છે. જેમાં અત્યારસુધીમાં 15 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જે મ્યુલ બેંક એકાઉન્ટોમાં સાઈબર ફ્રોડના પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તેવા હજારો બેંક એકાઉન્ટની માહિતી પોલીસને આપવામાં આવી છે. પોલીસે તે બેંક એકાઉન્ટમાં થયેલા પૈસાના ટ્રાન્જેકશનની માહિતી બેંકો પાસેથી મેળવવાનું શરુ કર્યુ છે. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચ, સાઈબર ક્રાઈમ તેમજ જુદા જુદા પોલીસ સ્ટેશનોને જે બેંક એકાઉન્ટની માહિતી આપવામાં આવી હતી. તેમાંથી પોલીસને 35 બેંક એકાઉન્ટ એવા મળ્યા હતા કે તે ફસ્ટ લેયરના એકાઉન્ટ હતા. જેમાં સાઈબર ફ્રોડના પૈસા સીધા જ ટ્રાન્સફર થયા હતા. આ માહિતીના આધારે પોલીસે તે એકાઉન્ટ ધારકો સામે 35 ગુના નોંધીને 15 આરોપીની ધરપકડ કરી હતી.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:00 am

30થી 50 રૂપિયાના એક ગ્લાસ ગિરનારી કાવાએ પ્રવાસીઓને ઘેલા કર્યા:જૂનાગઢના યુવકનો રજવાડી ઠાઠ અને રાજસ્થાની ગાડામાં વેચાણ, રંગબેરંગી સાફામાં સેલ્ફી લેવા લોકોની પડાપડી

જૂનાગઢ શહેર અને ગિરનારની ગોદમાં આવેલું ભવનાથ ક્ષેત્ર હાલ શિયાળાની ઋતુમાં એક અનોખા 'કાવા બજાર'માં ફેરવાઈ ગયું છે. રાજ્યમાં બરાબર જામી ગયેલી ઠંડી વચ્ચે પ્રવાસીઓ ચા-કોફીની જગ્યાએ ગરમાગરમ આયુર્વેદિક ગિરનારી કાવાની ચુસ્કી લેવાનો લાહવો લઈ રહ્યા છે. આ કાવા પ્રેમીઓ માટે માત્ર પીણું જ નહીં પણ એક આયુર્વેદિક ઉપચાર પણ બની ગયો છે. ભવનાથમાં વર્ષોથી વેચાતો આ કાવો હવે માત્ર જૂનાગઢ કે ગુજરાત પૂરતો જ નહીં પરંતુ દેશભરમાં પ્રચલિત બન્યો છે. આ કાવા બજારમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર પ્રકાશ કટારિયા બન્યા છે, જેઓ 1999થી ચાલી આવતી પારંપરિક પ્રથાને જીવંત રાખીને રજવાડી ઠાઠમાં શણગારેલા ગાડા પર આ ઔષધીય પીણું વેચી રહ્યા છે. તેમની અનોખી શૈલી અને સંસ્કૃતિ જાળવવાનો પ્રયાસ પ્રવાસીઓમાં ભારે ઉત્સુક્તા જગાવે છે. કડકડતી ઠંડીમાં ગરમીનો અહેસાસ કરાવતો ગિરનારી કાવોશિયાળા અને ચોમાસાની ઋતુમાં વિશેષ પીવાતા આ ગિરનારી કાવાને અમૃતપીણું ગણવામાં આવે છે. કાવો બનાવવામાં એક દેશી ઔષધીય સામગ્રીનો ઉપયોગ થાય છે. જે કડકડતી ઠંડીમાં પણ શરીરમાં ગરમીનો અહેસાસ કરાવે છે અને ગરમાવો જાળવી રાખે છે. તાંબાના વાસણમાં તૈયાર કરાય છે કાવોઆ આયુર્વેદિક કાવો તાંબાના વાસણમાં તૈયાર કરવામાં આવે છે. આનું મુખ્ય કારણ એ છે કે, જૂના જમાનામાં તાંબા-પિત્તળના વાસણોમાં રસોઈ બનાવવાથી લોકોનું સ્વાસ્થ્ય સારૂ રહેતું. તાંબાના વાસણમાં કાવો તૈયાર કરવાથી ઔષધીય ગુણો જળવાઈ રહે છે અને રોગ થવાની સંભાવના ઘટી જાય છે. ગરમાગરમ કાવાને અંતે લીંબુ, ખમણેલું આદુ અને મરી-મસાલા સાથે કાચની પ્યાલીમાં સર્વ કરવામાં આવે છે. ઔષધીય કાવો ગુંદદાણામાંથી બનાવાય છે: પ્રકાશ કટારિયાવર્ષ 1999થી આ ધંધા સાથે જોડાયેલા અને હાલ રજવાડી ઠાઠ કાવા માટે જાણીતા પ્રકાશ કટારિયાએ જણાવ્યું હતું કે, કાવામાં વપરાતી તમામ ઔષધીય વસ્તુઓ શરદી, ઉધરસ, કફ અને શ્વાસ જેવી બીમારીઓ માટે ખૂબ જ અસરકારક સાબિત થયા છે. વળી તે પાચન શક્તિમાં પણ ઉપયોગી છે. કોરોના કાળ દરમિયાન પણ જૂનાગઢમાં અનેક જગ્યાએ આ કાવાનું વિતરણ થયું હતું. જેનાથી ઘણા લોકોને રાહત મળી હતી. સાંસ્કૃતિક વારસો જાળવવા રજવાડી પહેરવેશમાં કાવાનું વેચાણપ્રકાશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, પોતાના કાવાના વેચાણ માટે રાજસ્થાનથી સીસમનું ગાડું લાવ્યા છે અને રજવાડી પહેરવેશમાં કાવો વેચે છે. આ પાછળનો હેતું સમજાવતા તેમણે કહ્યું હતું કે, હાલની યુવા પેઢી સંસ્કૃતિ અને વારસો ભૂલી રહી છે. મેં વિચાર્યું કે એક એવો કોન્સેપ્ટ લાવો જેનાતી લોકોનું ધ્યાન કેન્દ્રિત થાય અને સાંસ્કૃતિક વારસાની જાળવણી પણ થાય. તેઓ લોકોને શુદ્ધ અને ઔષધીય કાવો પીવડાવા માગે છે. જેમાં કોઈપણ પ્રકારના રંગ રસાયણોનો ઉપયોગ થતો નથી. તેઓ આદુને પણ મશીનમાં નહીં પણ ખાંડણીમાં ખાંડીને આપે છે. જેથી આદુમાં રહેલા પોષક તત્વો નાશ ન પામે. તેઓ માટીની સુંગધ સાથે કાવાની અસલ મજા મળી રહે તે માટે ગ્રાહકોને કુલડમાં કાવો પીરસે છે. રજવાડી સાફા સાથે ગ્રાહકોના ફોટોશૂટપ્રકાશભાઈએ ગ્રાહકોના આકર્ષણ માટે 50થી વધુ રજવાડી સાફા (પાઘડી) રાખ્યા છે. કાવો પીવા આવતા પ્રવાસીઓ આ રજવાડી સાફાઓ પહેરીને ફોટોશૂટ પણ કરાવે છે. જે તેમની અનોખી અદાને વધુ લોકપ્રિય બનાવે છે. કાવો શરદી, ઉધરસ અને કફમાં ખૂબ રાહત આપે છે: ભાવેશભાઈજૂનાગઢના સ્થાનિક ભાવેશભાઈએ જણાવ્યું હતું કે, હું પરિવાર સાથે કાવો પીવા આવ્યો છું. આ કાવામાં તજ લવિંગ, મરી, આદુ, ફુદીનો અને લીંબુ જેવી ગરમ ઔષધિઓનું મિશ્રણ હોય છે. અમે દર શનિ-રવિ અહીં પરિવાર સાથે કાવાની મોજ માણવા આવીએ છીએ. કાવો પીધાની સાથે જ ઠંડી પણ ગાયબ થઈ ગઈ: દિનેશ વડુકરમુંબઇથી ફરવા આવેલા દિનેશ વડુકરે જણાવ્યું હતું કે, ભારતભરમાં પ્રવાસીઓ માટે જૂનાગઢ પહેલી પસંદ બન્યું છે. અહીં ઠંડીનું પ્રમાણ ખૂબ જ હોય છે, ત્યારે આદુ, ફુદીનો, મરી અને ગરમ મસાલાના મિશ્રણવાળો આ કાવો પીધાની સાથે જ ઠંડી પણ ગાયબ થઈ ગઈ હોય તેવો અહેસાસ થાય છે. આવો કાવો અમે ક્યારેય પીધો નથી. કાવો પીવાની ખૂબ મજા આવી: આનંદકુમારઉત્તર પ્રદેશથી મિત્રો સાથે ભવનાથ ફરવા આવેલા આનંદ કુમારે જણાવ્યું હતું કે, હું મારા મિત્રો સાથે હું ફરવા આવ્યો છું. ગિરનાર પર્વતની નજીક હોવાથી ભવનાથ ક્ષેત્રમાં ઠંડીનું પ્રમાણ વધારે છે. કાવો પીવાની ખૂબ મજા આવી અને શરીરમાં એક નવી ઊર્જાનો અનુભવ થયો. આદુ, લીંબુ અને મરીની સાથે ગરમ મસાલાનું મિશ્રણ ગજબનો ગરમાવો આપે છે. કાવો ન પીતા ગ્રાહકો માટે થાબડી, અંજીર અને ખજૂર દૂધનું પણ વેચાણજે ગ્રાહકો કાવો પીવાનું પસંદ ન કરે તેમના માટે પ્રકાશ કટારિયા કઢેલું દૂધ પણ વેચે છે. જેમાં થાબડી દૂધ, અંજીર દૂધ અને ખજૂર દૂધ જેવા વિવિધ પ્રકારના ગરમાગરમ પીણાનો પણ સમાવેશ થાય છે. પ્રકાશભાઈએ જણાવ્યું હતું કે, શિયાળાની સિઝનને કારણે હાલ ધંધો ઘણો સારો ચાલી રહ્યો છે અને ભવનાથની 50થી વધુ કાવાની લારીઓ પર ભારે ભીડ જામતી હોવાથી સારી કમાણી થાય છે. રજવાડી કાવો પીવા માટે સ્થાનિકો તેમજ બહારથી આવતા પ્રવાસીઓ બંને મોટી સંખ્યામાં ઉમટી પડે છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:00 am

આવતીકાલથી નવી સિરીઝ ‘સ્ટાર્ટઅપ સ્ટોરીઝ’:સપનાથી સફળતા સુધીની, કરોડો કમાતા ગુજરાતનાં અનોખાં સ્ટાર્ટઅપ્સની અદભુત કહાનીઓ

શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક સામાન્ય વિચાર કેવી રીતે કરોડોના બિઝનેસમાં બદલાય છે? કેવી રીતે યુવા આંત્રપ્રેનર્સ પોતાની મહેનત અને જુસ્સાથી માર્કેટમાં એક રિવોલ્યુશન લાવે છે? તો હવે તૈયાર થઈ જાઓ, કારણ કે આ સોમવારથી યાને કે આવતીકાલથી શરૂ થઈ રહી છે અમારી નવી પાંચ એપિસોડની સિરીઝ ‘સ્ટાર્ટઅપ સ્ટોરીઝ’! સોમવારથી શુક્રવાર સુધી દરરોજ અમે તમને મળાવીશું ગુજરાતના એવા અદભુત યુવા ઉદ્યોગસાહસિકો સાથે જેમણે પોતાના નવીન આઈડિયા અને અનોખા બિઝનેસ મોડેલથી માર્કેટમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. આ સિરીઝમાંમાં તમે તેમના જ મુખેથી સાંભળશો તેમની સંઘર્ષભરી યાત્રા, તેઓએ કેવી રીતે પડકારોનો સામનો કર્યો, અને કેવી કેવી સ્ટ્રેટેજીઝ અપનાવીને આજે કરોડોનાં ટર્નઓવર કરતી કંપની સર્જીને સફળતાનાં શિખરે પહોંચ્યા. ‘સ્ટાર્ટઅપ સ્ટોરીઝ’ માત્ર બિઝનેસની વાતો નથી, બલકે તે છે સપના, સાહસ અને સમર્પણની પ્રેરણાદાયક કથાઓ. દરેક એપિસોડમાં તમને મળશે પ્રેક્ટિકલ એડવાઇસ, ગમે તેવા સંજોગોમાં પણ જુસ્સો ટકાવી રાખવાનું મોટિવેશન, અને એવા ફર્સ્ટ હેન્ડ અનુભવો જે તમારા પોતાના સ્ટાર્ટઅપ સફરમાં કે ઇવન કરિયરની કોઇપણ રાહમાં માર્ગદર્શક બની શકે. ચાહે તમે એક મહત્વાકાંક્ષી આંત્રપ્રેનર હો, બિઝનેસ માલિક હો, કે કોઇ ઇનોવેશનમાં કે પછી જીવનમાં કશુંક કરી બતાવવાની ઇચ્છા ધરાવતા હો, આ સિરીઝ તમારા માટે જ છે! તો તૈયાર થઈ જાઓ, આવતીકાલથી આપણે સાથે મળીને ઉજવીએ ગુજરાતના અને ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની આ રોમાંચક યાત્રા, ‘સ્ટાર્ટઅપ સ્ટોરીઝ’માં!

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:00 am

મનપા, તાલુકા, જિલ્લા પંચાયતોની ચૂંટણી OBC અનામત આપવામાં ગૂંચવણ:સરકારે ઉત્તરપ્રદેશ જેવી ફોર્મ્યુલા અપનાવતા HCમાં અરજી; અનેક વોર્ડમાં આડેધડ સીટો રિઝર્વ કરી દીધી હોવાનો

ગુજરાતમાં ટૂંક સમયમાં જ 15 મહાનગરપાલિકા અને 31 જિલ્લા પંચાયત, વિવિધ તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે. ટૂંકમાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાંની સેમિફાઇનલ જ ગણી લો. કારણ કે લગભગ પોણા ભાગનું ગુજરાત મતદાન કરશે. પરંતુ આ ચૂંટણી પહેલાં જ એક મોટી કાયદાકીય ગૂંચવણ ઊભી થઈ છે, જેના કારણે કદાચ એવું પણ બને કે ચૂંટણી રોકી દેવી પડે. મુદ્દો છે OBC અનામતનો. માત્ર ગુજરાત જ નહીં આખા ભારતમાં OBC આધારીત રાજકારણના કારણે ઘણા નવા સમીકરણ ઉભા થયેલા છે. થોડા સમય પહેલાં જ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝવેરી કમિશનની ભલામણના આધારે 27 ટકા OBC અનામત લાગુ કરવાનો નિર્ણય સરકારે લીધો છે. એટલે કે કોઈ શહેર કે જિલ્લામાં કયા વોર્ડમાં કઈ બેઠક OBC વર્ગ માટે અનામત રહેશે અને કઈ બેઠક સામાન્ય કે અન્ય વર્ગને મળશે એ નક્કી કરી લેવામાં આવ્યું છે. આ નિર્ણયથી કેટલાક શહેરના ઘણા વોર્ડના રાજકીય સમીકરણ બદલાઈ ગયા છે. વર્ષોથી પોતાના વોર્ડ તેમજ પંચાયતથી માંડીને પાલિકા સુધી વર્ચસ્વ રાખનારા નેતાઓના OBC અનામતના નવા રોસ્ટરના કારણે પત્તા કપાઈ શકે છે. તો ઘણા નવા લોકોને પણ તક મળશે. આ માટે રાજકીય પક્ષો પણ રણનીતિ બનાવવામાં લાગી ગયા છે. પરંતુ આ નિર્ણય લેવામાં સુપ્રીમ કોર્ટના એક સિમાચિન્હરૂપ ચુકાદાની અવગણના કરાઈ હોવાનો દાવા સાથે ગુજરાત હાઇકોર્ટમાં અરજી થઈ છે. જેથી આખા ગુજરાતમાં રાજકીય ભૂકંપ આવી શકે છે. અગાઉ ઉત્તરપ્રદેશનો આવો જ એક વિવાદ પહેલાં અલ્હાબાદ હાઇકોર્ટમાં અને ત્યાર બાદ આ જ કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. એટલે ગુજરાતના રાજકારણની કાયમી સૂરત બદલી નાખનારા આ નિર્ણયમાં ખરેખર કયા મુદ્દે વિવાદ છે? સરકાર સામે સવાલો કેમ ઉઠી રહ્યા છે? અને મહાનગરપાલિકાથી માંડીને નગરપાલિકા, તાલુકા તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં તેની શું અસર થશે? એ સમજવા માટે અમે અરજદાર દિનેશ બાંભણિયા અને તેમના વકીલ સાથે વાતચીત કરી. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં OBC અનામત મુદ્દે ઝવેરી કમિશન રિપોર્ટને આધાર તો બનાવ્યો પણ આ રિપોર્ટ હજુ સુધી સાર્વજનિક કરવામાં નથી આવ્યો. એટલે હાઈકોર્ટમાં પિટિશન થઈ છે. આવું જ ત્રણેક વર્ષ પહેલાં ઉત્તરપ્રદેશમાં થયું હતું અને કોર્ટના આદેશ બાદ ચૂંટણી રોકી દેવી પડી હતી. ઉત્તરપ્રદેશ સરકારના અગાઉના વલણની જેમ જ ગુજરાત સરકારે પણ ઝવેરી કમિશનના રિપોર્ટને જાહેર કર્યો નથી. એટલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી થઈ છે. અરજદાર તરફથી આ કેસ લડી રહેલા વકીલ વિશાલ દવેએ ઉત્તરપ્રદેશના કિસ્સાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, ઉત્તરપ્રદેશમાં સરકારે કમિશનનો રિપોર્ટ જાહેર ન કરતા અલ્હાબાદ હાઈકોર્ટમાં પિટિશન દાખલ થઈ હતી. કોર્ટે ચુકાદો આપ્યો હતો કે જ્યાં સુધી રિપોર્ટ જાહેર નહીં થાય ત્યાં સુધી અનામત યોગ્ય રીતે લાગુ થઈ છે કે નહીં તે જાણી શકાશે નહીં. આના કારણે ઉત્તરપ્રદેશની સ્થાનિક ચૂંટણીઓ સ્થગિત કરવામાં આવી હતી. ઉત્તરપ્રદેશ સરકારે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો. સુપ્રીમ કોર્ટે પણ રિપોર્ટ પ્રકાશિત થયા બાદ જ ચૂંટણી યોજવાનો આદેશ આપ્યો હતો. આ મુદ્દે દિનેશ બાંભણિયાએ જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ગુજરાત સરકારે 2022માં ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઝવેરી કમિશનની નિમણૂક કરી હતી. રાજ્ય સરકારે આ કમિશનના રિપોર્ટના આધારે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 27 ટકા OBC અનામત લાગુ કરી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે કમિશનનો રિપોર્ટ પબ્લિક ડોમેઇનમાં મૂકવામાં આવે, તેના પર વાંધા સૂચનો મંગાવવામાં આવે અથવા તેને વિધાનસભાના ફ્લોર પર ચર્ચા માટે રજૂ કરવામાં આવે. દિનેશ બાંભણિયાએ કહ્યું, સરકારે ઝવેરી કમિશનની ભલામણને આધારે 27 ટકા અનામત લાગુ કરી છે. તેના આધારે થોડા સમય પહેલાં જ પંચાયતની ચૂંટણી થઈ, આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની અન્ય ચૂંટણી પણ થશે. પરંતુ અમારું માનવું છે કે આમાં સુપ્રીમ કોર્ટના આદેશનો અનાદર થયો છે. આ અંગે અમે કોર્ટમાં પિટિશન કરી છે. અમારી માગણી છે કે ઝવેરી કમિશનના રિપોર્ટને જાહેર કરવામાં આવે. તેના આધારેસ્પષ્ટતા થઈ શકે. બાંભણિયાના મતે સુપ્રીમ કોર્ટે રોસ્ટર ક્રમાંક લાગુ ન કરવા અને PESA એક્ટ હેઠળ આવતા જિલ્લાઓમાં અનામત લાગુ ન કરવા માટે કહ્યું છે. તેમ છતાં ત્યાં પણ 10 ટકા OBC અનામત લાગુ કરવામાં આવી છે. આ રીતે રેન્ડમલી અનામત લાગુ કરાઈ છે. તેમણે વધુમાં જણાવ્યું, સુપ્રીમ કોર્ટે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે અલગ અલગ આંકડાઓ માંગ્યા હતા. સુપ્રીમ કોર્ટનું કહેવું હતું કે જે ગામમાં OBC વસતિ વધારે હોય, ત્યાં OBC રિઝર્વેશનની સીટ સુરક્ષિત કરવી. તેમાં ફેરબદલ કરવાની નથી, એટલે કે એક વખત સામાન્ય સીટ હોય તો બીજી વખત રિઝર્વ હોય એ પદ્ધતિ યોગ્ય નથી. વકીલ વિશાલ દવેએ જણાવ્યું, સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કમિશને ‘ટ્રિપલ ટેસ્ટ’ના આધારે રિપોર્ટ તૈયાર કરવાનો છે અને તેની ભલામણને આધારે સ્થાનિક ચૂંટણીમાં OBC અનામત લાગુ કરવાની છે. વિશાલ દવેએ કહ્યું, મારા અરજદારે RTI દ્વારા પણ ઝવેરી કમીશનનો રિપોર્ટ માગ્યો હતો. પરંતુ તેમને માહિતી ન મળી. સરકારે જે રીતે અનામત આપી છે એ જોતા લાગે છે કે સુપ્રીમ કોર્ટના આદેશનો અનાદર થયો છે. વિશાલ દવેએ જણાવ્યું, સૌથી પહેલો અને મુખ્ય મુદ્દો એ છે કે કઈ જ્ઞાતિ રાજકીય રીતે નબળી છે તે જાણવા માટે સરવે જરૂરી છે. પરંતુ અમારી માહિતી મુજબ સરવે થયો જ નથી. જ્યાં સુધી રિપોર્ટ જાહેર ન થાય ત્યાં સુધી સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન થયું છે કે નહીં તે કહી શકાય નહીં. એકવાર રિપોર્ટ જાહેર થાય, પછી તેના અંગેના વાંધા રજૂ કરી શકાય છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, જો કોઈ એક તાલુકાના 100 ગામો છે અને ત્યાં 27 ટકા OBC અનામત લાગુ કરવાની છે, તો OBCની બહુમતી વસતિ ધરાવતા ગામોમાં જ આ અનામત લાગુ થવી જોઈએ. જો આ ગામોની સંખ્યા 27ને બદલે 20 હોય તો બાકીના 80 ગામોમાંથી માત્ર 7 ગામો જ પસંદ કરવાના હોય છે. પરંતુ અત્યારે રોસ્ટર ક્રમાંક મુજબ કોઈપણ ગામમાં આ લાગુ કરી દેવાયું છે, જે ભૂલભરેલું છે. વર્તમાન અમલવારીમાં જ્યાં OBCની વસતિ ઓછી છે ત્યાં અનામત છે. જ્યારે જ્યાં વસતિ વધારે છે તે સીટ સામાન્ય રાખવામાં આવી છે. જેના કારણે દરેક વર્ગને નુકસાન થઈ રહ્યું છે. દિનેશ બાંભણિયાના જણાવ્યા પ્રમાણે તેમનો વાંધો 27 અનામત સામે નથી, પરંતુ તેને લાગુ કરવાની પદ્ધતિ સામે છે. સુપ્રીમ કોર્ટે આ કેવી રીતે કરવાનું છે તે ઝીણવટપૂર્વક સમજાવ્યું છે, પરંતુ આખી પ્રક્રિયા જાણે ઓફિસમાં બેસીને નક્કી કરી દેવાઈ હોય તેવું લાગે છે. ગ્રામ્ય સ્તરે કોઈ સરવે કરવામાં આવ્યો નથી અને સમર્પિત આયોગે ગામમાં જઈને સરવે કર્યો હોય તેવું લાગતું નથી. આ પ્રકારના અમલથી દરેક જ્ઞાતિ અને વર્ગને નુકસાન થાય છે અને આગામી સમયમાં વર્ગ વિગ્રહ થઈ શકે છે તેવી આશંકા તેમણે વ્યક્ત કરી. અમે આગળ પૂછ્યું કે તમે સ્થાનિક ચૂંટણીમાં 10% EWS રિઝર્વેશન મળે તેની માંગ પણ કરી રહ્યા છો. પરંતુ તમે સુપ્રીમ કોર્ટના જજમેન્ટની વાત કરો છો તેમાં ક્યાંય EWSનો ઉલ્લેખ નથી. આ મુદ્દે બાંભણિયાએ સ્પષ્ટતા કરી કે જે ચુકાદાની પિટિશનનો તેઓ ઉલ્લેખ કરી રહ્યા છે તે 2010માં દાખલ કરવામાં આવી હતી, જ્યારે EWS અસ્તિત્વમાં નહોતું. પરંતુ જજમેન્ટમાં તમામ પછાત જ્ઞાતિઓને અનામત આપવાની વાત છે. 2019માં EWS અનામત આવ્યું, ત્યાં સુધીમાં કેસની સુનાવણી પૂરી થઈ ગઈ હતી અને ચુકાદો આવી ગયો હતો. દિનેશ બાંભણિયાએ ભૂતકાળનો એક દાખલો યાદ કરતા કહ્યું, જ્યારે 1978માં બક્ષી પંચની રચના થઈ અને ત્યારબાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અસ્તિત્વમાં આવી ત્યારે બક્ષી પંચની 10 ટકા અનામત લાગુ કરવામાં આવી હતી. તે જ રીતે EWSને પણ અનામત આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે દરેક પછાત વર્ગના આંકડા આપવાનું કહ્યું હતું પરંતુ ઝવેરી કમિશનમાં તેનો સમાવેશ કેમ ન થયો, તેની પણ તેમણે રજૂઆત કરી છે, જે રાજ્ય સરકારે ધ્યાને લીધી નથી. ગુજરાતમાં અત્યારે SIRની કામગીરી ચાલી રહી છે. જો ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં ચૂંટણી આવે તો કદાચ જૂની મતદાર યાદી પ્રમાણે જ મતદાન થઈ શકે છે. પરંતુ ઉત્તરપ્રદેશની માફક ગુજરાતના ઝવેરી પંચનો મામલો કાયદાકીય પ્રક્રિયામાં અટવાય છે તો સંભાવના છે કે ચૂંટણી કેટલાક સમય માટે રોકવી પડે અને જો એવું થાય તો શક્યતા એવી પણ છે કે SIR પછી નવી મતદાર યાદીના આધારે જ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન થાય.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:00 am

(ગોટ)ટૂરના 3જા તબક્કા માટે મુંબઈ આગમન

લિયોનેલ મેસ્સીનું આજે જીઓએટી પ્રવાસ કાર્યક્રમમાં પેડલ મેચ, પ્રદર્શની રમત અને ચેરિટી માટે ફેશન શોનો સમાવેશ મુંબઈ - કોલકાતામાં અસ્તવ્યસ્ત શરૃઆત પછી ઈન્ટરનેશનલ ફુટબોલ પ્લેયર લિયોનેલ મેસ્સી રવિવારે તેમના જીઓએટી (ગોટ) ટૂરના ત્રીજા તબક્કા માટે મુંબઈ તરફ ધ્યાન કેન્દ્રિત કરશે. પ્રવાસ કાર્યક્રમમાં પેડલ મેચ, પ્રદર્શની રમત અને ચેરિટી માટે ફેશન શોનો સમાવેશ થાય છે. મેસ્સી મુંબઈ પ્રવાસ યોજના મુજબ રવિવારે સવારે સીધા હૈદરાબાદથી આગમન થશે.

ગુજરાત સમાચાર 14 Dec 2025 6:00 am

રાષ્ટ્રીય ઘર ઘર સંપર્ક અભિયાન:સંઘના 2.50 લાખ સ્વયંસેવક 23 દિવસમાં 90 લાખ ઘરનો સંપર્ક કરશે, 5 લાખ પુસ્તિકા છપાવી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે દ્વારા 13 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી, 2026 સુધી ‘ઘર ઘર સંપર્ક અભિયાન’ યોજાશે. 13મીથી ગુજરાતમાં આરંભ થયો છે જ્યારે 14મીથી સૌરાષ્ટ્રમાં કરાશે. તેમાં 90 લાખ ઘરનો સીધો સંપર્ક કરવાનો લક્ષ્યાંક છે. ગુજરાત પ્રાંતમાં 1.90 લાખ અને સૌરાષ્ટ્ર પ્રાંતમાં 60 હજાર મળી કુલ 2.50 લાખ સ્વયંસેવક ગામો, નગરો અને શહેરોમાં ઘરેઘરે પહોંચીને સંઘનાં કાર્યો, વિચાર અને સમાજ આહ્વાનની માહિતી આપશે. અભિયાન થકી સમાજ સાથે સંવાદ, સંસ્કાર અને સંગઠનને મજબૂત બનાવવાનો પ્રયાસ કરાશે. આ માટે 90 લાખ પત્રિકા છપાવી છે. સાથે જ સંઘ વિશે જાણવાની ઇચ્છા ધરાવતાં માટે રૂ.10માં નાની માહિતી પુસ્તિકા પણ મળશે. ગુજરાતના સહ પ્રાંતપ્રચારક કૃણાલ રૂપપારાએ અંબાજી મંદિરમાં દર્શન કરીઅભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. ગુજરાત પ્રાંતમાં 4000થી વધુ બેઠક કરાઈગુજરાત પ્રાંતના પ્રાંત કાર્યવાહ શૈલેષ પટેલે કહ્યું કે અભિયાન માટે મંડળ, ગ્રામીણ નગર અને મહાનગર, એમ 3 ભાગ પાડ્યા છે. 8થી 10 ગામનું એક એવાં 1660 મંડળ બનાવ્યાં છે. નાનાં શહેરોને આવરી લેતાં 739 ગ્રામીણ નગર અને મહાનગરોને આવરી લેતા 1375 જૂથ બનાવ્યાં છે. એ માટે 4000 જેટલી બેઠકો કરી હતી. સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રાંત કાર્યવાહ મહેશ ઓઝાએ કહ્યું હતું કે કચ્છ-સૌરાષ્ટ્રમાં રવિવારથી અભિયાનનો આરંભ કરાવાશે અને આ માટે 40 લાખ પત્રિકા પ્રસિદ્ધ કરાવી છે. ઘેરઘેર ‘પંચ પરિવર્તન’નો પ્રચાર કરાશેઆ અભિયાન માટે સંઘે સામાજિક સમરસતા, પર્યાવરણ સંરક્ષણ, કુટુંબ પ્રબોધન, સ્વ આધારિત જીવન અને નાગરિક કર્તવ્ય બોધ, એમ પાંચ મુખ્ય મુદ્દાને ‘પંચ પરિવર્તન’ નામ આપ્યું છે. સ્વયંસેવકો ઘેરઘેર પહોંચીને, પરિવારો સાથે બેસીને આ પાંચ મુદ્દા વિશે વાત કરશે. અભિયાન પછી શું? •અભિયાન પૂર્ણ થયા પછી કેટલાં ગામોનાં કેટલાં ઘરનો સંપર્ક થયો, તેની યાદી બનાવાશે. • ‘પંચ પરિવર્તન’માંથી એક કે એકથી વધુમાં રુચિ ધરાવતા લોકોને સંઘપ્રવૃત્તિમાં જોડવાનો પ્રયાસ કરાશે. • સંઘમાં જોડાવાની રુચિ ધરાવતા લોકો માટે સંઘ પરિચય વર્ગ શરૂ કરાશે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 5:58 am

પ્રી-બોર્ડ પરીક્ષાનું કરાયું આયોજન:બાૅર્ડની જેમ જ પ્રી-બોર્ડમાં પણ હોલ ટિકિટ અપાશે, પેપર સ્ટાઈલ પણ એવી જ રખાશે

શહેર ડીઈઓ કચેરી દ્વારા ધો-10ની ગુજરાત શિક્ષણ બોર્ડની ફેબ્રુઆરીમાં યોજાનારી પરીક્ષામાં વિદ્યાર્થીઓ તણાવમાંથી મુક્ત રહે, આત્મ વિશ્વાસથી પરીક્ષા આપી શકે અને બોર્ડની પરીક્ષા આપવા માટેનો પૂર્વ મહાવરો મળી રહે તે હેતુસર પ્રી-બોર્ડ પરીક્ષાનુ 16મીથી 24મી જાન્યુઆરી દરમ્યાન આયોજન કરાયું છે. જેમાં કુલ 551 સ્કૂલોના 47,815 વિદ્યાર્થીઓ પ્રી-બોર્ડ પરીક્ષા આપશે. આ પરીક્ષામાં બોર્ડની પરીક્ષાની જેમ જ હોલ ટિકિટ, પ્રશ્ન પેપર, ઉતરવહી પણ આપવામાં આવશે. શિક્ષણ બોર્ડની પેપર સ્ટાઈલ મુજબ જ પરીક્ષા લેવાશે ભાસ્કર એક્સપર્ટબાળકોમાં માનસિક ભય દૂર, વાલીની માનસિકતા સકારાત્મક બને છેડીઈઓ દ્વારા પ્રી-બોર્ડનું આયોજન કરવામાં આવે છે. મારા મત પ્રમાણે આ પ્રકારની પ્રિ-બોર્ડ એક્ઝામ લેવામાં આવવાથી બાળકોનો માનસિક ભય દૂર થાય છે. પરિણામોની ગુણવત્તામાં પણ વધારો થઈ શકે છે.’ - ડો કિરીટ જોષી, શિક્ષણશાસ્ત્રી આ પરીક્ષાની પહેલથી વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી શક્યાં છેધો-10 વિદ્યાર્થીઓ માટે પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરાયુ જેમાં સ્કૂલો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. વિદ્યાર્થીઓ પણ ભયમુક્ત બનીને પરીક્ષા આપે છે. આ પહેલને રાજકોટ, સુરત સહિતની રાજયની વિવિધ ડીઈઓ કચેરી અમલ કરે છે.’ - રોહિત ચૌધરી, શહેર ડીઈઓ, અમદાવાદ શહેરમાં સૌથી વધુ 26281 વિદ્યાર્થી અંગ્રેજી માધ્યમના

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 5:56 am

નોકરી ન્યૂઝ:નેવલ ડોકયાર્ડ વિશાખાપટ્ટનમમાં 320 એપ્રેન્ટિસની ભરતી જાહેર

નેવલ ડોકયાર્ડ વિશાખાપટ્ટનમાં 2026-27 બેચ માટે કુલ 320 જગ્યા માટે એપ્રેન્ટિસ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઇચ્છુક ઉમેદવારો 2 જાન્યુઆરી, 2026 સુધી અરજી કરી શકે છે. ભરતી સંબંધિત માહિતી સતાવાર વેબસાઈટ www.apprenticeshipindia.gov.in પરથી મેળવી શકાશે. એપ્રેન્ટિસની પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવારોએ એસએસસી કે ધોરણ 12માં 50 ટકા માકર્સ મેળવેલા હોવા જોઈએ, જ્યારે આઈટીઆઈ થયેલા ઉમેદવારોએ ઓછામાં ઓછા 65 ટકા માકર્સ મેળવેલા હોવા જરૂરી છે. એપ્રેન્ટિસ ટ્રેડ અને તેની ખાલી રહેલી જગ્યાઓ ટ્રેડ નામ - ખાલી જગ્યા

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 5:53 am

સિટી એન્કર:11 વર્ષથી છૂટાછેડાનો કેસ ચાલતો હતો, પુત્રીએ બંને સાથે રહેવા જિદ કરી, અંતે લોક અદાલતમાં માતાપિતાએ ફરી સાથે રહેવાનો નિર્ણય કર્યો

રાજ્યભરમાં શનિવારે વર્ષની ચોથી અને અંતિમ લોક અદાલત યોજાઈ હતી, જેમાં 6.26 લાખ પ્રી લિટિગેશનના કેસ હતા. કુલ 11.27 લાખ કેસનો નિકાલ કરાયો હતો. માત્ર અમદાવાદમાં જ 1.94 લાખ પ્રી લિટિગેશન કેસ, 1.37 લાખ પેન્ડિંગ જ્યારે 3.32 લાખ કેસનો નિકાલ કરાયો હતો. લોક અદાલત થકી અનેક બાબતોમાં સુખદ સમાધાનના કિસ્સા પણ સામે આવ્યા હતા. આણંદમાં પતિ-પત્ની 11 વર્ષ સુધી અલગ રહ્યા બાદ તેઓ સાથે રહેવા માન્યા હતાં. લગ્નજીવન દરમિયાન વર્ષ 2014માં પતિ-પત્ની વચ્ચે અણબનાવ બનવાના શરૂ થયા હતા. તેમને એક બાળકી પણ છે. મનમેળ ન રહેતા બંનેએ છૂટા પડવાનું નક્કી કરી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી. જોકે કેસની તારીખ દરમિયાન પુત્રી પણ આવતી હતી, જેથી કાઉન્સેલિંગમાં પુત્રીએ માતાપિતા સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરતા કોર્ટે પણ દંપતીને સાથે રહેવા સમજાવ્યાં હતાં. અંતે શનિવારે યોજાયેલી લોક અદાલતમાં બંને માની ગયાં હતાં અને 11 વર્ષના અંતે પુત્રીની ઈચ્છા પૂરી કરી હતી અને સાથે રહેવાનું નક્કી કરી મંદિરે દર્શન કરવા ગયાં હતાં. પતિનું રોડ અકસ્માતમાં મૃત્યુ થતાં પત્નીને 84 લાખનું વળતરમહિને 50 હજારની આવક ધરાવતા 34 વર્ષીય કશ્યપ પાઠક નોકરીના સ્થળેથી પુણેથી નાસિક ખાતે એક ખાનગી બસમાં ગયા હતા. બસ પલટી જતા કશ્યપનું મૃત્યુ થયું હતું. અચાનકથી પરિવાર પર તૂટી પડેલા આભના કારણે તેઓના જીવનમાં ખૂબ મોટો આઘાત લાગ્યો હતો, પરંતુ કશ્યપની પત્નીએ હિંમત કરી એક કરોડના વળતર માટેની અરજી કરી હતી. એક વર્ષથી વળતર માટેનું નિરાકરણ આવી રહ્યું ન હતું. લોક અદાલતમાં આ બાબતે બંને પક્ષે કાઉન્સેલિંગ કરીને પત્નીને 84 લાખ 51 હજાર અપાવાયા હતા. ચેક રિટર્ન કેસોમાં કોર્ટે રૂ. 17 કરોડ અપાવ્યારમેશ બારડ અને કનુ ભાટિયા વચ્ચે 17 કરોડ ઉપરાંતની નાણાંની લેવડદેવડ થઈ હતી, પરતું પરત ન આપતા આખરે મામલો કોર્ટમાં ગયો હતો. કોર્ટે કુલ 13 કેસમાં 17.82 કરોડની રકમ સાથે કેસોનો નિકાલ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 5:51 am

ભાસ્કર એક્સક્લુસિવ:ખેતરોમાં ઉભા કરાતા ખાનગી કંપનીના વીજપોલ માટે કાયમી નિયમો બનાવવા ગાંધીનગરમાં મંથન

ખાવડાથી હળવદ સુધીની 765 કેવી વીજ લાઈન માટે છેલ્લા 110 દિવસથી ચાલતા આંદોલનને હાલ અલ્પવિરામ લાગ્યો છે, શુક્રવારે વોંધ પાસે સામખિયાળી હાઈવે પર કિસાનોએ કરેલા ચક્કાજામ બાદ ખેડૂતોના ખેતરોમાં અદાણી કંપની દ્વારા ઉભા કરાઈ રહેલા વીજપોલના કામ બંધ કરવાનો અને કંપનીને પોલીસ પ્રોટેક્શન ન આપવાનો નિર્ણય કલેકટર દ્વારા લેવામાં આવ્યો છે. કિસાન સંઘના પ્રતિનિધિઓ અને કલેકટર વચ્ચે યોજાયેલી બેઠકમાં જ્યાં સુધી વળતર મુદે કોઈ નિર્ણય ન લેવાય ત્યાં સીધી કંપનીને પોલીસ પ્રોટેક્શન આપવામાં નહી આવે તેવો નિર્ણય લેવાતા ખેડૂતોની અડધી માંગ સંતોષાઈ છે. જયારે હજુ પણ વળતરનો મુદો ઉકેલાયો નથી. જો કે કિસાન સંઘે સ્પસ્ટ જણાવ્યું છે કે કિસાન આંદોલન પૂરું નથી થયું અમારી લડત ચાલુ રહેશે. બાબતે લડત સમિતિના કન્વીનર શિવજીભાઇ બરડિયાએ જણાવ્યું છે કે અમારું આંદોલન માત્ર અસરગ્રસ્ત 82 ખેડૂતો માટે નથી. અમારું આંદોલન કચ્છના દરેક ખેડૂત માટે છે જેના ખેતરમાંથી ખાનગી કંપની દ્વારા વીજપોલ ઉભા કરાઈ રહ્યા છે. તેમને પુરતું વળતર મળવું જોઈએ. એકને ગોળ અને બીજાને ખોળની નીતિ કચ્છમાં ચલાવી લેવાશે નહી. અમે આગામી 20 ડીસેમ્બરના રોજ ખેતરોમાંથી નીકળતા ખાનગી કંપનીના વીજપોલ માટે કાયમી ધોરણે સરકાર દ્વારા નિયમો બનાવીને પરિપત્ર જાહેર કરવામાં આવે તે માટે અસરગ્રસ્ત જિલ્લાના કિસાન સંઘના આગેવાનો સાથે ગાંધીનગરમાં મીટીંગ રાખવામાં આવી છે. નવસારી અને રાજસ્થાનના કેસનો અભ્યાસ કરીને તેનો રીપોર્ટ સરકારને સોપવામાં આવશે. ખાવડાથી હળવદ વચ્ચે ઉભા કરાશે 3500 વીજપોલખાવડા રિન્યુઅલ એનર્જી પાર્કથી હળવદ સુધી અદાણી એનર્જી સોલ્યુશન્સ કંપની દ્વારા ટ્રાન્સમિશન કોરિડોર બનાવામાં આવી રહ્યો છે. જેથી વિવિધ ગામો કંપની દ્વારા 3500 જેટલા વીજપોલ ઉભા કરાઈ રહ્યા હોવાનું કિસાન સંઘના આગેવાનોએ જણાવ્યું હતું. જેમાં અનેક ખેડૂતોને પુરતું વળતર મળ્યું નથી. અને ભુજ અને ભચાઉના 82 ખેડૂતો એવા છે જેમને એક પણ રૂપિયો વળતર પેટે હજુ મળ્યું નથી.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 5:49 am

14 વર્ષે ફૂડ સેફ્ટી એપેલેટ ટ્રિબ્યુનલનો ચુકાદો:તેલમાં ભેળસેળ બદલ રૂ.2 લાખનો દંડ કોર્ટે યોગ્ય ઠેરવ્યો

માધુપુરામાં ઓમપ્રકાશ ગણપતલાલ એન્ડ કંપનીમાંથી મ્યુનિ. ઇન્સ્પેક્ટરે લીધેલો કપાસિયા તેલ ‘નવજ્યોત’નો નમૂનો સબસ્ટાન્ડર્ડ આવતાં એકમ માલિકો વાસુદેવ મલ્હોત્રા, દિનેશ મલ્હોત્રા, સંગીતા મલ્હોત્રા તથા સ્વ. ઓમપ્રકાશ મલ્હોત્રાને રૂ.2 લાખ દંડ ફટકાર્યો હતો. દંડ ચૂકવવાને બદલે જવાબદારોએ મામલાને ટ્રિબ્યુનલમાં પડકારતા હાઇકોર્ટ સુધી કાનૂની લડાઇ લડી હતી. થોડા સમય પહેલાં ટ્રિબ્યુનલે કરેલો રૂ.2 લાખનો દંડ કોર્ટે યોગ્ય ઠેરવ્યો હતો. એડવોકેટ મનોજ ખંધારે રજૂઆત કરી કે, માનવ સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં વેપારીને જો ઓછી સજા કરાય તો વેપારીમાં કાયદાનો ડર ન રહે. તેને છોડી દેવાય તો આર્થિક લાભ કમાવા ફરી ગેરકાનૂની પ્રવૃત્તિ કરે. આ દલીલને ધ્યાને લઇ ફૂડ સેફ્ટી એપેલેટ ટ્રિબ્યુનલે 2 લાખના દંડને યોગ્ય ઠેરવ્યો હતો. આ કેસમાં દંડ ચૂકવવા સામે 2019માં આપેલા મનાઇ હુકમને ઉઠાવી લેવાયો છે. તેલમાં વધુ માત્રામાં ચરબી, આર્યનનું પ્રમાણ હતુંમ્યુનિ.એ લીધેલા તેલના નમૂનાના બેરિયર ટેસ્ટમાં જોઇતી ચરબી કરતાં વધુ ચરબી, ભેળસેળ અને આયર્ન વેલ્યૂ ઓછી જણાઇ હતી. જે માનવ આરોગ્ય માટે હાનિકારક હતી. તેલમાં જરૂરી તત્ત્વ ઓછા જણાયા હતા.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 5:49 am

ભાસ્કર અગ્રેસર:વૈષ્ણોદેવીથી ઊજાલા સુધીનો સર્વિસ રોડ આઈકોનિકની સાથે ડસ્ટ ફ્રી બનાવાશે

ઇસ્કોનથી પકવાન સુધીના સર્વિસ રોડ પર મ્યુનિ.આઇકોનિક રોડ બનાવી રહી છે. મોકાથી પકવાન સુધીનો રોડ તૈયાર થઇ ગયો છે. જ્યારે બંને તરફનો સર્વિસ રોડ જાન્યુઆરી સુધીમાં તૈયાર થઈ જાય તેવી શક્યતા છે. આખા એસજી હાઈવેને ગાંધીનગર સુધી આઈકોનિક રોડ સાથે ડસ્ટ ફ્રી બનાવવાની કામગીરી હાથ ધરી ધરાઈ છે. આ રોડ પર સુશોભન માટે વિવિધ સ્કલ્પચર મૂકાશે. રોડ બનાવવા પાછળ 12 કરોડથી વધારેનો ખર્ચ થવાની શક્યતા છે. પ્રથમ ફેઝમાં ઈસ્કોનથી પકવાન અને એ પછી વૈષ્ણોદેવી સર્કલથી ઉજાલા સુધીના સર્વિસ રોડને ડસ્ટ ફ્રી રોડ તરીકે વિકસાવાશે. આ રોડ પર ગણેશજીનું સ્કલ્પચર મુકવામાં આવશેઆ આઈકોન રોડ પર સ્કલ્પચરમાં ગણેશજીની મૂર્તિ મૂકવામાં આવશે. 750 મીટર સુધી ડેવલપમેન્ટ કરાયું છે. આ રોડ પર બે સ્થળે ફુવારા મુકાશે. હાલમાં રોડની પહોળાઈ 8 મીટર છે. સર્વિસ રોડ પર વોક-વે પણ તૈયાર કરાયો છે. પ્લાન્ટેશનની સાથે ફૂલછોડ લગાવાયા છે. બફર ઝોનમાં બેસવા માટે ગજેબો સથા સીટિંગ એરિયા પણ છે. થીમ આધારિત લેન્ડસ્કેપ સ્ટ્રીટ પોલ લગાવાશે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 5:49 am

સન્ડે બિગ સ્ટોરી:26 વિસ્તાર પાણીજન્ય રોગોના હોટ સ્પોટ, તમામ પૂર્વના, 73 હજાર પરિવારો પર ખાસ નજર રખાશે

મ્યુનિ.એ પાંચ મહિનાના રોગચાળાના આંકડાનું વિશ્લેષણ કરી 26 વિસ્તારને હાઈ રિસ્ક તરીકે ચિહ્નિત કર્યા છે. આ એવા વિસ્તારો છે જ્યાં કોલેરા, ટાઈફોઈડ, ડાયેરિયા જેવા પાણીજન્ય રોગોની સૌથી વધુ ફરિયાદો નોંધાઈ હતી. CCRMSમાં મળેલી ફરિયાદો, રોગચાળાના આંકડા અને સ્થળ-સરવેના આધારે આ વિસ્તારોનું મૂલ્યાંકન કરાયું હતું. વોટરબોર્ન પેથોજેન્સને વધવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ હોવાથી કોટ વિસ્તાર અને પૂર્વના કેટલાક વિસ્તારો રોગચાળાના હોટસ્પોટ બન્યા હતા. બીજી તરફ મ્યુનિ.એ પાંચ મહિનામાં રોગચાળાના કેસોમાં 70 ટકા સુધી ઘટાડો લાવવામાં સફળતા મળી હોવાનો દાવો કરાયો છે. હાઈ રિસ્ક વિસ્તારોમાં વસતા આશરે 3.5 લાખ લોકો પર મ્યુનિ. ખાસ નજર રાખશે. આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારોમાં દરરોજ સવારે પાણી પુરવઠા વખતે સેમ્પલ ચેકિંગ, ક્લોરીન ટેસ્ટિંગ, ગાર્બેજ ક્લિનિંગ અને સ્વચ્છતા કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે. પાણીની તૂટેલી લાઇનો, ખુલ્લી ગટરો, કેમિકલયુક્ત પાણી જવાબદાર આ વિસ્તારોમાં પાણીજન્ય રોગ કેમ વધુ • જૂની અથવા લીકેજવાળી પાણીની લાઈનો • ગટરનું પાણી પીવાના પાણીમાં ભળવું • નીચાણ, વરસાદી પાણીથી ભરાતા વિસ્તારો • ઝૂંપડપટ્ટી, ગીચ વસાહતો, ખુલ્લી નાળીઓ • ઔદ્યોગિક કેમિકલ વેસ્ટનું પીવાનાં પાણીની મુખ્ય કે સબ-લાઈનમાં ભળવું. રોગચાળા નિયંત્રણ માટે બે પ્લાન મ્યુનિ.એ રોગચાળા નિયંત્રણ માટે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ સોલ્યુશન પ્લાન તૈયાર કર્યો છે. - ટૂંકા ગાળાનાં પગલાં તરીકે ડ્રેનેજ ડીસિલ્ટિંગ, પાણીની લાઈનનું લીકેજ રિપેરિંગ અને ગેરકાયદે કનેક્શન કાપવાની કાર્યવાહી શરરૂ કરાઈ. - લાંબા ગાળાના ઉકેલ માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરી ડ્રેનેજ રિપ્લેસમેન્ટ અને પાણીની મુખ્ય લાઇનનાં પુનઃનિર્માણ અંગે વિગતવાર ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરાવ્યો છે. પકોડીની લારીઓ પર ગંદું પાણી વપરાતું હોવાથી 26 હજાર ક્લોરીન ટેબ્લેટ અપાઈમ્યુનિ.ને ધ્યાને આવ્યું છે કે કેટલીક પાણીપુરીની લારીઓ પર અશુદ્ધ પાણી વપરાતું હોવાથી રોગચાળાની ફરિયાદો વધી છે. અઠવાડિયાથી સાતેય ઝોનમાં પાણીપુરીની લારીઓ પર 26 હજાર, કિરાણા સ્ટોર, પાર્લરમાં 18 હજાર ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરાયું છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 5:48 am

ચેતવણી:13 વર્ષ બાદ કથ્રોલ હિલ ફોલ્ટલાઈનમાં જીયાપર નજીક 3.9 ની તીવ્રતાનો ભૂકંપ

કચ્છ જિલ્લામાં સામાન્ય રીતે ધોળાવીરા, ખાવડા અને ભચાઉ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના હળવા કંપનો નોંધાતા રહે છે. જોકે લાંબા સમય બાદ નખત્રાણા તાલુકામાં ભૂકંપનો અનુભવ થતા લોકોમાં થોડો ભયનો માહોલ સર્જાયો હતો. 13 વર્ષ બાદ નખત્રાણા તાલુકાના જીયાપર નજીક કેટરોલ હિલ ફોલ્ટ લાઈનમાં કેન્દ્રબિંદુ ધરાવતો 3.9ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. બપોરે 2:45 કલાકે ગઢશીશાથી અંદાજે 13 કિલોમીટર દૂર ઉત્તર-ઉત્તર પૂર્વ દિશામાં આવેલા જીયાપર વિસ્તારમાં ભૂકંપના કંપન નોંધાતા આસપાસના વિસ્તારોમાં રહેલા લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ ફેલાયો હતો. સદનસીબે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી જાનમાલને કોઈ નુકસાન થયાની માહિતી સામે આવી નથી. આ ભૂકંપની ઊંડાઈ જમીનથી 19 કિલોમીટર નીચે હતી જે સૂચવે છે કે તે કુદરતી ભૂસ્તરીય પ્રક્રિયાનો ભાગ છે. કચ્છના નાગરિકોને ભૂકંપની દૃષ્ટિએ હંમેશા સાવચેત રહેવાની જરૂર છે. ટ્રાઇ-જંક્શન પર ભૂકંપ આવે એ ભૂસ્તરીય સક્રિયતા છેકચ્છમાં 10થી વધુ સક્રિય ફોલ્ટ લાઈનો છે, જેના કારણે કચ્છ ભૂકંપની દૃષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ છે. તાજેતરના અર્થક્વેક ઝોનિંગમાં કચ્છને ઝોન-6માં મૂકવામાં આવ્યું છે. જીયાપર પર નોંધાયેલ ભૂકંપ કેટરોલ હિલ ફોલ્ટની પશ્ચિમી કિનારી પર આવેલા એક ટ્રાઇ-જંક્શન પર આવ્યો હતો. આ એવો વિસ્તાર છે જ્યાં કેટરોલ હિલ ફોલ્ટ વિગોડી ફોલ્ટ જે ઉત્તર તરફ જાય છે અને નાયરા નદી ફોલ્ટ દક્ષિણ તરફ જાય છે. આ ત્રણેય ફોલ્ટ લાઈનો મળે છે. આ ટ્રાઇ-જંક્શન પર ભૂકંપ આવવો એ ભૂસ્તરીય સક્રિયતા દર્શાવે છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 5:45 am

168માંથી 24 ફ્લાઈટ બંધ કરી દેવાતાં અસર:ઈન્ડિગોની રોજ 30થી 40 ટકા ફ્લાઇટ ખાલી, 4300 સીટ ઘટી

ઈન્ડિગોની રોજ અવરજવર કરતી 168 ફ્લાઇટોમાંથી હવે 144 કરી દેવાઇ છે એટલે કે ડિપાર્ચર-એરાઇવલ મળી કુલ 24 ફ્લાઇટ બંધ કરી દેવાતા સીધી 4300 સીટ ઘટી છે. આ પરિસ્થિતિને જોતા ઇન્ડિગોની ફ્લાઇટો 30થી 40% ઘટી છે. આમ કોર્પોરેટ્સ ફ્રિકવન્ટ ફ્લાયર્સ તો ઊંચા ભાડા ચૂકવી બીજી એરલાઇનમાં જવાનું પસંદ કરી રહ્યા છે. એર ઇન્ડિયા, અકાસા, સ્પાઇસ જેટ, સ્ટાર એરની વિવિધ રૂટ પર ઓપરેટ થતી ફ્લાઇટો 80થી 90 ટકા ફુલ જઈ રહી છે. ઈન્ડિગોની 7થી 10 હજાર સીટ ખાલી જઈ રહી છેઅમદાવાદથી ઇન્ડિગોની કુલ 144 પૈકી 120 રૂટ પર એરબસ A 320/321 (180 સીટ) અને 24 જેટલા રૂટ પર ATR (72 સીટર ) વિમાન ઓપરેટ કરે છે, જેમાં પ્રતિદિન 26 હજારમાંથી 14થી 17 હજાર સીટો બુક થાય છે. આમ 7થી 10 હજાર વચ્ચે સીટો ખાલી જઈ રહી છે. એરલાઇન સંખ્યા કુલ સીટો કેટલી ભરેલી ખાલી જેટ એરવેઝ-ગો ફર્સ્ટ વખતે 40 ટકા ભાડું વધ્યું હતુંપહેલા જેટ એરવેઝ ગ્રાઉન્ડ થઈ તો ઘણા રૂટ્સ પર ભાડું 30થી 40 ટકા સુધી વધી ગયુ હતું. ગો ફર્સ્ટ બંધ થયા બાદ પણ વ્યસ્ત રૂટ્સ પર 40 ટકા વધારો થયો હતો. જો કે આ વખતે ખાસ બાબત એ છે કે, ફક્ત 10 ટકા રૂટ્સ ઓછા થઇ રહ્યા છે. સરકારનું પણ કડક વલણ છે તો પીકઅવર્સમાં પણ ફ્લાઇટોનું ભાડું વધીને 8થી 10 ટકા આસપાસ જોવા મળી રહ્યું છે. સરકારનો પ્લાન છે કે ઇન્ડિગોના કટ કરેલા 10 ટકા સ્લોટ બીજી એરલાઇનને આપવામાં આવે. એનો મતલબ એ થાય છે કે ઇન્ડિગોની રોજ 24 ફ્લાઇટ બંધ થતા તે સ્લોટ એરઇન્ડિયા, અકાસા, સ્પાઇસજેટ, સ્ટારએરને મળી શકે છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 5:44 am

ભાસ્કર એક્સક્લુસિવ:SIR: શહેરનાં 5 મોટા વિસ્તારમાંથી 29027 ફોર્મ હજુય જમા થયાં નથી

શહેરમાં 29,027 એન્યુમરેશન ફોર્મ ભરીને હજુ સુધી જમા કરાયાં નથી. સૌથી વધુ ફોર્મ એલિસબ્રિજ, નારણપુરા, વેજલપુર, ઘાટલોડિયા વિધાનસભા નાગરિકોના છે. જે ફોર્મ ભરીને જમા થયા નથી તેમાં ગેરહાજર, મૃતક અને કાયમી સ્થળાંતર કરનારા લોકોની ઓળખ કરાઈ છે. 29496 ફોર્મ બીએલઓ દ્વારા વેરિફાય કરાયાં નથી. વેરિફાય કર્યા વગરનાં સૌથી વધુ ફોર્મ 4292 ઘાટલોડિયા, 7618 ફોર્મ દસ્ક્રોઈ, 3291 ફોર્મ સાણંદ અને 1779 ફોર્મ વટવાના છે. જો કોઈ મતદાર ઘરે ન મળ્યો હોય તો તેઓના એન્યુમરેશન ફોર્મ ત્રણ દિવસ સુધી બીએલઓ પાસે હોય છે. ત્યાર બાદ આ તમામ ફોર્મ બીએલઓએ કલેક્ટર કચેરી ખાતે જમા કરાવવાના હોય છે. ગેરહાજર, મૃતક કે કાયમી સ્થળાંતર હોય તેવા કુલ 13.69 લાખ ફોર્મ છે, જેને ધ્યાનમાં રાખી બીએલઓ દ્વારા ફરીથી પૂછપરછ કરાઈ હતી. જોકે મોટા ભાગનાં લોકો તે પછી પણ પોતાનાં ફોર્મ જમા કરાવવા આવ્યાં ન હતાં, જેથી હવે બીએલઓ દ્વારા આ પ્રકારનાં તમામના ફોર્મને જમા ન કરાવ્યાં હોય તે કેટેગરીમાં નખાયાં છે. ક્યાંથી કેટલાં ફોર્મ બાકી? વિધાનસભા - બાકી ફોર્મ

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 5:42 am

ખનિજ ચોરોમાં ફફડાટ:ખનિજચોરી પકડવા ગયેલી ટાસ્ક ફોર્સની રેકી થતી હોવાનું સામે આવતાં કારચાલક સામે પગલાં

કચ્છ જિલ્લામાં ખનિજ ચોરીને ડામવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા રચવામાં આવેલી જિલ્લા ટાસ્ક ફોર્સ ટીમ જયારે કોઈ કાર્યવાહી માટે પહોચે ત્યારે ખનિજ માફિયાઓ દ્વારા ટાસ્ક ફોર્સ ટીમની સતત રેકી કરવામાં આવતી હોવાનું ધ્યાને આવ્યું છે. શુક્રવારે ટાસ્ક ફોર્સે ધાણેટી આસપાસના વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. મમુઆરા ગામ તરફ જવાના રસ્તેથી વગર રોયલ્ટીએ ચાયના ક્લેનું ગેરકાયદેસર વહન કરી રહેલા બે ટ્રકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ટ્રક નં. GJ 12 CT 8425 જેના ડ્રાઈવર સમીર જામ, અને માલિક હરી ભગુ ઢીલા હોવાનું સામે આવ્યું હતું.જયારે ટ્રક નં. GJ 12 CT 4888 ડ્રાઈવર નીરૂભાઈ બારચટ તેમજ માલિક સંજયભાઈ જાટીયાની તપાસ કરતાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આવી હતી. ટાસ્ક ફોર્સની ટીમે કુલ ૫૦ મે.ટન ચાયના ક્લેનો જથ્થો અને ટ્રકો સહિત અંદાજિત ૫૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો છે. આ મુદ્દામાલ પધ્ધર પોલીસ સ્ટેશનને સોંપીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી કરવામાં આવતી હતી, ખનીજ માફિયાઓ દ્વારા ટાસ્ક ફોર્સની ટીમની રેકી કરવામાં આવતી હોવાનો બનાવ સામે આવ્યો છે. એક બ્લેક કલરની સેલ્ટોસ કાર નં. GJ 39 CC 6164 જે ગાડી માલિક નિરાલી વાસણ છાંગાના નામે નોંધાયેલી છે. તે કારના કોઈ અજાણ્યો ડ્રાઇવર ટાસ્ક ફોર્સ ટીમની રેકી કરી રહ્યો હતો અને જોખમી રીતે કાર ચલાવીને નાસી ગયો હતો. આ ઘટનાને ગંભીરતાથી લઈને આર.ટી.ઓ. દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દર વખતે ખનીજ માફિયાઓ દ્વારા અલગ-અલગ વાહનોથી ટીમની રેકી કરાતી હોઇ આ વખતે આરટીઓને સાથે રાખી તપાસ કરી વાહન રોકવાનો પ્રયત્ન કરતાં ચાલક ભાગી ગયો હતો. આરટીઓ દ્વારા મોટર વ્હીકલની અલગ-અલગ 6 જેટલી કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરાતાં ખનિજ ચોરો અને રેકી કરનારા ઇસમોમાં ફફડાટ ફેલાયો છે. જિલ્લા ટાસ્ક ફોર્સે સ્પષ્ટ જણાવ્યું છે કે ભવિષ્યમાં પણ આ બાબતે રેકી કરતાં ઈસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉલેખનીય છે કે 8 ડીસેમ્બરના રોજ દિવ્ય ભાસ્કર અખબારમાં પ્રસિદ્ધ થયેલ અહેવાલમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું કે ટાસ્ક ફોર્સની ટીમની રેકી થઇ રહી છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 5:41 am

લોક અદાલત:કચ્છની અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઇ, 9974 કેસનો નિકાલ

કચ્છની તમામ અદાલતોમાં યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ 4034 પ્રી-લીટીગેશન કેસો, સમાધાન લાયક 1351 કેસો અને સ્પેશીયલ મેજીસ્ટ્રીયલ સીટીંગમાં 4589 કેસો એમ કુલ 9974 કેસોનો નિકાલ કરવામાં આવ્યો અને 47.71 કરોડના એવોર્ડ કરવામાં આવ્યા હતા. ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદના મુખ્ય સંરક્ષકના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા ન્યાયધીશ મહિડા દિલીપ પી.ની રાહબરી હેઠળ કચ્છના તમામ તાલુકાઓમાં તથા ફેમીલી કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલત સફળતા પૂર્વક યોજવામાં આવી હતી. લોક અદાલતને સફળ બનાવવામાં જિલ્લાના તમામ ન્યાયાધીશ દ્વારા લગ્ન વિષયક કેસો, ચેક બાઉન્સના કેસો, સિવિલ દાવાઓ, વાહન અકસ્માત વળતરના કેસો તથા અન્ય સમાધાન લાયક કેસોમાં અગાઉથી જ સમાધાનની પ્રક્રિયા હાથ ધરી અને કેસોના નિકાલની કાર્યવાહી કરવામાં આવી હતી. લોક અદાલતની સફળતા માટે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ અને જજ બી. એમ. પ્રજાપતિએ ન્યાયાલયના કર્મચારીઓ, તમામ સ્ટેક હોલ્ડર્સ તથા વકીલોનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 5:40 am

ભાસ્કર ઈનસાઈડ:મિત્રતા અને સબંધના નાતે ઠગાઈના 54.78 લાખ ખાતામાં નખાવી વિશ્વાસઘાત

સાયબર ફ્રોડના રૂપિયા સરળતાથી લેવડ દેવળ થઇ શકે તે માટે કમીશન પર બેંક ખાતા ભાડે લીધા હોવાની ફરિયાદ બાદ હવે આ મામલે વધુ 7 ફરિયાદ નોધાઇ છે.જેમાં ભુજ શહેરમાં રહેતા અલગ અલગ સાત લોકોએ મિત્રતા,સબંધ અને કમીશનની લાલચે પોતાના બેંક ખાતામાં સાયબર ફ્રોડના રૂપિયા 54.78 લાખ મેળવી આરોપીઓને પરત આપ્યા હતા. સાયબર ક્રાઈમની ફરિયાદને આધારે બેંક ખાતા ફ્રીઝ થતા વિશ્વાસઘાત થયો હોવાનું સામે આવ્યું હતું. સાયબર માફિયાઓ દ્વારા લોકોને ઓનલાઈન ઠગાઈનો શિકાર બનાવવામાં આવે છે જે બાદ ઠગાઈના રૂપિયા મેળવવા અન્ય લોકોના બેંક ખાતાનું ઉપયોગ કરી લેવડ દેવળ થતી હોવાનું સામે આવ્યા બાદ સમન્વય પોર્ટલને આધારે મ્યુલ બેંક ખાતા પર કાર્યવાહી હાથ ધરવામાં આવ્યા બાદ અલગ અલગ સાત ફરિયાદ નોધાઇ છે.જેમાં સાયબર સેલના પોલીસ કોન્સ્ટેબલ નરેશકુમાર અશોકભાઈ પ્રજાપતિએ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ મથકે ભુજના આરોપી મોહમ્મદ સાહીદ સલીમ જુણેજા અને મોહમ્મદ મણીયાર સામે ગુનો નોધાવ્યો છે. આરોપી મોહમ્મદ જુણેજાએ પોતાનું બેંક ખાતું સાયબર ફ્રોડના રૂપિયા મેળવવા માટે સહ આરોપીના કહ્યાથી ઉપયોગ કર્યો હતો અને બેંક ખાતામાં રૂપિયા 7.49 લાખ મેળવી ચેક મારફતે ઉપાડી લઇ કમીશન પેટે રૂપિયા મેળવ્યા હતા.જયારે હાઉસિંગ બોર્ડમાં રહેતા નેહાબેન નરોત્તમભાઈ ઠક્કરે બી ડીવીઝનમાં આરોપી ઓમ મનીષ પટેલ સામે ગુનો નોધાવ્યો છે.આરોપી ફરિયાદીના પતિનો મિત્ર હોવાના નાતે પોતાના બહારથી રૂપિયા આવવાના હોવાનું કહી ફરિયાદીના બેંક ખાતામાં રૂપિયા 9.94 લાખ નંખાવી ઉપાડી લીધા હતા.જે બાદ ખાતુ ફ્રીઝ થતા વિશ્વાસઘાત થયો હોવાનું સામે આવ્યું હતું. આવી જ રીતે કોડકી રોડ પર રહેતા ફરિયાદી મલકીતસિંગ હરભજનસિંગ શીખે પોતાના મિત્ર શુભમ જાટના કહેવાથી બેંક ખાતાની વિગત આપી હતી જેમાં આરોપીએ ઠગાઈના રૂપિયા 15.59 લાખ નંખાવી મેળવી લીધા હતા.મદીના નગરમાં રહેતા ઈમ્તિયાઝ અહેમદ આદમ રાયમાને તેના આરોપી મિત્ર મોહમ્મદ મણીયારે પોતાની પાસે ચેકબુક ન હોવાનું કહી રૂપિયા ઉપાડવા ફરિયાદીના બેંક ખાતાની વિગત મેળવી રૂપિયા 2.50 લાખ ઉપાડી વિશ્વાસઘાત કર્યો હતો.બીજી તરફ ભુજના ફરિયાદી કરણ લલિતભાઈ રાઠોડે એ ડીવીઝન પોલીસ મથકે આરોપી કમલેશ ઉદયસિંહ ડાભી અને ઓમ પટેલ સામે ગુનો નોધાવ્યો છે. આરોપીઓએ ખોટી હકીકત જણાવી ફરિયાદીના બેંક ખાતાનો ઉપયોગ કરી ઠગાઈના રૂપિયા 4.98 લાખ મેળવી વિશ્વાસઘાત કર્યો હતો.જયારે ફરિયાદી સૈયદ નાઝીર આરબને આરોપી મિત્ર મોહમદ મણીયારે ક્રેડીટ કાર્ડના બીલ ભરવાનું કહી બેંક ખાતામાં ઠગાઈના રૂપિયા 9.28 લાખ નંખાવી મેળવી લીધા હતા.પોલીસે ફરિયાદને આધારે આરોપીઓ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. અત્રે મહત્ત્વનું છે કે, હાલમાં વિવિધ રીતે ઓનલાઇન ઠગાઇ કરવામાં આવતી હોય છે અને ઓનલાઇન ઠગાઇના નાણાની હેરફેર માટે મ્યૂલ એકાઉન્ટનો ઉપયોગ થાય છે. જિલ્લામાં આવા ખાતાધારકો સામે સાયબર સેલ અને પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ધર્મના ભાઈએ બહેન સાથે વિશ્વાસઘાત કર્યોજુની રાવલવાડીના ફરિયાદી રવિનાબેન કિશોરભાઈ રાઠોડને સત્યમ સોસાયટીમાં રહેતા તેના ધર્મના ભાઈ ધનંજય શૈલેષ ચૌહાણે બહારથી રૂપિયા આવવાનું કહી ફરિયાદીના ખાતામાં જમા કરાવવા કહ્યું હતું.વિશ્વાસમાં આવેલા ફરિયાદીએ પોતાના બેંક ખાતાનો ચેક આપી દેતા આરોપીએ ઠગાઈના રૂપિયા 5 લાખ ખાતામાં નંખાવી 4.72 લાખ ઉપાડી 28 હજાર ફરિયાદી પાસેથી ગુગલ પે મારફતે મેળવી લીધા હતા. 5 હજારનું કહી 4.98 લાખ નાખ્યાવિશ્વાસ કેળવવા સાયબર ક્રાઈમમાં નિવેદન સાયબર ફ્રોડના રૂપિયા બેંક ખાતામાં જમા થવા મામલે કરણ રાઠોડે આરોપી કમલેશ ડાભી અને ઓમ પટેલ સામે ગુનો નોધાવ્યો છે.આરોપીએ ક્રેડીટ કાર્ડ માટે 5 હજાર ફરિયાદીના ખાતામાં નાખવાનું કહી સાયબર ફ્રોડના રૂપિયા 4.98 લાખ બેંક ખાતામાં જમા કરાવ્યા હતા.જે બાદ ફરિયાદીને બોલાવી ઉપાડી લીધા હતા.પરંતુ ફરિયાદીએ જયારે ઓનલાઈન લાઈટ બીલ ભરવાનો પ્રયાસ કરતા પોતાના ખાતામાં માઈનસ 4.98 લાખ બોલતા હતા અને તપાસ કરતા ખાતો ફ્રીઝ થયેલો હોવાનું જાણવા મળ્યું હતું.આ મામલે ફરિયાદીને શંકા જતા આરોપી ઓમ પટેલ તેનો વિશ્વાસ કેળવવા માટે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સરહદી રેન્જ કચેરીએ નિવેદન લખાવવા માટે પણ લઇ ગયો હતો.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 5:38 am

કામગીરી:રસ્તા પહોળા કરવા માર્કિંગ પૂર્ણ, હવે દબાણ તોડાશે

ભુજના બધા જ રીંગરોડનું એક પછી એક નવીનીકરણ થશે. જેમાં સૌથી વધુ ટ્રાફિક સમસ્યા વાહનોની મહત્તમ અવરજવર રહે છે તે પૂર્ણ કરવાના ઉદ્દેશ સાથે રાજ્યના માર્ગ મકાન વિભાગ તેમજ વહીવટી તંત્રની સંયુક્ત કામગીરી નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવશે. ભાડાના વહીવટી અધિકારી અનિલ જાદવએ જણાવ્યું કે જ્યાં કામગીરી થઈ રહી છે ત્યાં નડતા બાંધકામનું માર્કિંગ પૂર્ણ થયું છે. આવતા અઠવાડિયે તોડી પાડવામાં આવશે. જોકે જરૂરત નહીં હોય ત્યાં કારણ વગર હેરાન પણ નહીં કરવામાં આવે. નાગોર રેલવે ઓવરબ્રીજ જ્યાં સમાપ્ત થાય છે તે ખાવડા ચાર રસ્તાથી માર્ગ વિસ્તૃતિકરણનું કામ શરૂ કરવામાં આવ્યું છે. તે વિસ્તારમાં કોઈ દબાણ ન હોવાથી સરકારી જમીન જ ત્રણ મીટર બંને બાજુ ખોદાણ કરી કામ કરવામાં આવશે. માત્ર વીજ પોલ ખસેડવાના થાય છે. પરંતુ ખારી નદી ચાર રસ્તા થી લઈને પ્રિન્સ રેસીડેન્સી સુધી માર્ગની બંને બાજુ સડકને અડીને કમ્પાઉન્ડ કે ફેન્સીંગ સરકારી જમીન પર બાંધકામ થઈ ગયા છે તેને તોડી પાડવામાં આવશે. ભુજમાં પાર્કિંગ, ટ્રાફિક અને બ્યુટીફિકેશન વિષયો પર ગત મંગળવારે કલેકટરના અધ્યક્ષ સ્થાને વિવિધ સરકારી વિભાગોની બેઠક યોજાઈ હતી. ખાસ કરીને રસ્તાનું વિસ્તૃતિકરણ થઈ રહ્યું છે ત્યારે તેમાં નડતરરૂપ બાંધકામ તોડવા માટે સખત આદેશ અપાયા છે. ભુજના અન્ય રિંગરોડ કે જે શહેરના મધ્ય ભાગમાંથી પસાર થાય છે ત્યાં જોકે કોઈને જરૂરિયાત સિવાય હેરાન કરવામાં નહીં આવે. ફૂટપાથ ઉપરના દબાણ દૂર થઈ શકે તેવું તંત્રના વર્તુળોમાંથી જાણવા મળ્યું હતું. અત્રે મહત્ત્વનું છે કે, ભુજ શહેરમાં દબાણની સમસ્યા ઘણી પેચીદી છે. આંતરિક વિસ્તારોથી માંડી મુખ્ય રસ્તાઓ પર દબાણ છે. શહેરના વિકાસ માટે દબાણ ભારે અવરોધરૂપ સાબિત થતા હોય છે. કાર્યવાહી થવાની જ છે, તો કોઈની પણ શેહશરમ વગર કરાયઆગામી દિવસોમાં તંત્રએ અનધિકૃત બાંધકામો તોડવાનું આયોજન કર્યું છે ત્યારે દબાણને કારણે અન્ય નિર્દોષ લોકોને ભોગવવું પડ્યું છે તેઓ કહે છે કે કોઈની શેહશરમ રાખ્યા વગર તંત્ર કામગીરી કરે તો જ પરિણામ મળશે. અંતરંગ વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ માત્ર રસ્તાની કામગીરીમાં જ નહીં પરંતુ પાર્કિંગ પ્લોટ, બ્યુટીફિકેશન અને ટ્રાફિકને નડતરરૂપ દબાણો પણ દૂર કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 5:36 am

માસ્તરોની અછત:કચ્છની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1થી 5માં 1500 શિક્ષકોની ઘટ યથાવત રહેશે

કચ્છમાં નિમણૂક ત્યાં જ નિવૃતિની શરતે ખાસ ભરતી કરાઈ હતી. પરંતુ, પૂરતા શિક્ષકો મળ્યા નથી અને જે શાળામાં 50 ટકા મહેકમ જળવાતું એ શાળામાંથી જિલ્લાફેર બદલીવાળા છૂટા કરી દેવાયા છે. એટલે ધોરણ 1થી 5માં 1500 શિક્ષકોની ઘટ યથાવત રહેશે. જેના ઉકેલ રૂપે કચ્છમાં કાયમ માટે નિમણૂક ત્યાં જ નિવૃતિની શરતે ભરતી જરૂરી છે. એ માટે સ્થાનિક બેરોજગાર યુવકોને લાયકાતના નિયમોમાં છૂટછાટ આપવામાં આવે એ જરૂરી છે. કચ્છની સરકારી પ્રાથમિક શાળાઓમાં જિલ્લાફેર બદલીવાળા શિક્ષકોના પલાયનને કારણે કાયમી ઘટની ચિંતાજનક સ્થિતિનો ઉકેલ લાવવા નિમણૂક ત્યાં નિવૃતિની શરતે ભરતી શરૂ કરી હતી. ધોરણ 1થી 5 માટે 1600 અને ધોરણ 6થી 8 માટે 2500ની ઘટ અંદાજીને કુલ 4100 શિક્ષકોની ભરતીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં ધોરણ 1થી 5માં 1012 શિક્ષકો મળ્યા અને ધોરણ 6થી 8માં 1563 શિક્ષકો મળ્યા. જોકે, ધોરણ 1થી 5માં હજુ 30થી 40 શિક્ષકો હાજર નથી થયા અને ધોરણ 6થી 8માં 494ને ઓર્ડર આપવાના હજુ બાકી છે. જિલ્લાફેર બદલીવાળા છૂટા થયા બાદ ધોરણ 6થી 8માં પૂરતા શિક્ષકો મ ળી ગયા છે. પરંતુ, ધોરણ 1થી 5માં સ્થિતિ ફરી 1500ની ઘટ જેવી જ થઈ ગઈ છે. એની પાછળ મુખ્ય કારણ ધોરણ 1થી 5 માટે જરૂરી ટેટ-1ની પરીક્ષા પાસની લાયકાત છે. રાજ્ય સરકારે 2023 પહેલાની ટેટ-1ની પરીક્ષાના પરિણામ મુદ્દત પછીના ઠરાવ્યા છે અને એ પછી લેવાયેલી પરીક્ષામાં 3 ટકાથી વધુ પરિણામ આવ્યું નથી, જેથી ટેટ-1 લાયકાતવાળા શિક્ષકો મળ્યા નથી. લોક પ્રતિનિધિઓ નિયમો હળવા કરાવેકચ્છમાં એક તો હજુ નિમણૂક ત્યાં નિવૃતિની પધ્ધતિ એક દોઢ લાયકા સુધી ચાલુ રાખવાની જરૂર છે. એ ઉપરાંત સ્થાનિક ઉમેદવારોને નિયમોમાં છૂટછાપ આપવાની જરૂર છે. એ માટે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યો ઉપરાંત ધારાસભ્યો અને સાંસદ સહિતના લોક પ્રતિનિધિઓ ભરતીની સમગ્ર પ્રક્રિયા સમજીને નિયમો હળવા કરાવે એની આવશ્યક છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 5:35 am

ભાસ્કર ઈનસાઈડ:માતા કેળા લેવા ગઇ,પુત્રી ઇન્ટરલોક બગડતા પૂરાઇ,દોઢ કલાકે બચાવાઇ

પોતાની 4 વર્ષની પુત્રી માટે કેળા લેવા ફ્લેટમાં તેને એકલી મૂકી માતા ગઇ અને પરત ફરી તો પુત્રી ઇન્ટરલોકને લીધે બેડરૂમમાં પૂરાઇ ગઇ હતી. શરૂઆતમાં લોકોએ પ્રયાસો કરવા છતાં લોક ન ખુલતા ફાયરબ્રિગેડને બોલાવીને તેને લોક તોડીને બચાવી હતી. માંજલપુર તુલસીધામથી જીઆઇડીસી રોડ પર મહાલક્ષ્મી પાર્ટી પ્લોટ સામે બરોડા હાઇટ્સ એલઆઇજી સ્કીમના 12મા માળે પરિવાર રહે છે. સાંજે પુત્રી માટે માતા કેળા લેવા ગઇ હતી. જતા બાળકીને બેડરૂમમાં રાખી હતી. જ્યારે આગળનો દરવાજો બંધ કરીને નીકળી હતી. જ્યારે પરત આવી ત્યારે બાળકીથી ઇન્ટરલોક ખુલ્યું નહીં. તેથી બાળકીએ રડવાનું શરૂ કર્યું હતું. જોકે પછી ફ્લેટના રહીશોએ તાળુ ખોલવાની પ્રયાસો કર્યા હતા. એકાદ કલાક બાદ ફાયરબ્રિગેડને ફોન કરતાં ટીમે આવીને લોક તોડીને બાળકીને રૂમમાંથી કાઢી હતી. બાળકીની માતાએ કહ્યું કે, હવે આ પ્રકારનું લોક નહીં રાખીએ. LIGમાં કાર પાર્કિંગને લીધે ફાયરબ્રિગેડ અટવાઇ, વીજળી જતાં જવાનોનું 12 માળ સુધી ચઢીને રેસ્ક્યુઆ કામગીરી માટે ફાયરબ્રિગેડની ટીમ પહોંચી તો એલઆઇજી ફ્લેટમાં સંખ્યાબંધ ફોર વ્હીલર્સ આડેધડ પાર્ક થયેલી હતી. જેના પગલે ફાયરબ્રિગેડના વાહનને કેમ્પસમાં પ્રવેશવામાં ભારે મુશ્કેલી અનુભવી હતી. જ્યારે તેઓ લિફ્ટ પાસે પહોચ્યાં ત્યારે જ વીજળી ડૂલ થતાં 12 પગથિયા કર્મચારીઓને ચઢીને જવું પડ્યું હતું. જોકે તાળુ ખુલતા અને બાળકી નીકળતા જ વીજપુરવઠો પરત આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 5:32 am

ઓપરેશન મ્યુલ હન્ટ:કમિશન લઈને ઠગાઇના રૂપિયા લેવા બેંક ખાતા ભાડે આપનારા 18 સામે ગુનો નોંધાયો

સીઆઈડી અને આઈ4સી દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ શરૂ કરવામાં આવ્યું છે. હાલ સાયબર ક્રાઈમના બનાવ વધી રહ્યા છે. સાયબર માફિયા મ્યુલ એકાઉન્ટ ખોલાવે છે, જેમાં એકાઉન્ટ ધારકને કમિશન આપી ઓનલાઇન છેતરપિંડીથી મેળવેલા રૂપિયા તે મ્યુલ એકાઉન્ટમાં જમા કરાવી અનધિકૃત આર્થિક વ્યવહારો કરે છે. શહેર પોલીસ દ્વારા તાજેતરમાં 18 ખાતેદાર અને રૂપિયા મેળવનાર સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જ્યારે અત્યાર સુધી શહેરમાં 27 ગુના નોંધાયા છે. વડોદરાના 300થી વધુ ખાતાનું લિસ્ટ તૈયાર, પોલીસની ટીમો તપાસમાં તાજેતરમાં પોલીસ દ્વારા વિવિધ બેંકના મેનેજર સહિત સાથે મિટિંગ કરીને સહયોગ આપવા કેટલાક સૂચનો આપ્યા હતા. આઈ4સી તેમજ સીઆઈડી ક્રાઈમ દ્વારા મ્યુલ એકાઉન્ડ ધારકો સામે કાર્યવાહી કરવા રાજ્યભરનું લિસ્ટ તૈયાર કર્યું હતું. વડોદરામાં 300થી વધુ શંકાસ્પદ મ્યુલ એકાઉન્ટની વિગતો મળી હતી. આ વિગત શહેર પોલીસને અપાઈ હતી. પોલીસ સ્ટેશન સ્તરે તપાસ કરીને પોલીસ ગુના નોંધીને કાર્યવાહી કરી રહી છે. શહેરના વિવિધ વિસ્તારની બેંકોના આ ખાતા ધારકો સામે ગુનો નોંધાયો હતો

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 5:31 am

2024 માં મુંબઇમાં રખડતા કૂતરાઓ 1.28 લાખથી વધુ લોકોને કરડયા

વિધાનમંડળમાં રખડું શ્વાનોના ત્રાસનો મુદ્દો ગાજ્યો ઉપરાજધાની નાગપુરમાં 9400 થી વધુ લોકોને કૂતરા કરડયા મુંબઇ - દેશની આર્થિક રાજધાની મુંબઇમાં વર્ષ ૨૦૨૪માં ૧.૨૮ લાખથી વધુ લોકોને રખડતા કૂતરાઓ કરડયા હતા. જેના કારણે નાગરિકોની સલામતી અંગે ચિંતા વધી ગઇ હતી અને અધિકારીઓને રખડતા કૂતરાઓની વસ્તીને નિયંત્રિત કરવા માટે નસબંધી અને રસીકરણ જેવા પગલાં લેવા પ્રેર્યા હતા. શુક્રવારે રાજ્ય વિધાન પરિષદમાં નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ એમએલસી સુનિલ શિંદે, વસંત ખંડેલવાલ, સંદીપ જોશી અને અન્ય લોકોના પ્રશ્નોના કેખિત જવાબમાં આ માહિતી શેર કરી હતી.

ગુજરાત સમાચાર 14 Dec 2025 5:30 am

હત્યાનું રિકન્સ્ટ્રક્શન:બહેનની હત્યારી ફિરોઝાબાનુની વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી થશે, પ્રેમીને સાથે રાખીને હત્યાનું રિકન્સ્ટ્રક્શન કરાયું

વિમાના 40 લાખ માટે પ્રેમી સાથે મળી નાની બહેનની હત્યા કરાવવાના કેસમાં તાલુકા પોલીસે આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મેળવ્યાં છે. હવે પોલીસ આરોપીઓનાં વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી કરાવશે. ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ કરશે. શનિવારે સવારે આરોપી પ્રેમી રમીઝ શેખને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે જણાવ્યું કે, પોલીસે સીસીટીવી, મોબાઇલ સીડીઆર અને હ્યુમન સોર્સથી તપાસ કરતાં અજીઝાબાનુની હત્યા પાછળ પરિવારના જ સભ્યો હોવાની શંકા ઉઠી હતી. દરમિયાન જાણવા મળ્યું કે, અજીઝાબાનું ઘરેથી મોપેડ પર બેસી નિકળી હતી. એટલે પોલીસે મોપેડ ચાલકની શોધખોળ શરૂ કરતા રમીઝ રાઝા હનિફભાઇ બન્નુમીયા શેખ (રહે. દાતાર બાવાની દરગાહ, ગોરવા) પાસે રહેતો હોવાનું ખુલ્યું હતુ. 9 ડિસેમ્બરે ફિરોજાબાનુંએ નાની બહેન અજીઝાબાનુ (મૃતક)ને કહ્યું હતું કે, તારે શ્રમ કાર્ડ કઢાવવાનું છે તો મારો ઓળખીતો છે તે રમીઝ રાજા કાઢી આપશે. શ્રમ કાર્ડ કઢાવવા ફિરોજાએ અજીઝાને ઘરેથી આર્યા હાઇટ્સ પાસે મોકલી હતી. જ્યાં રમીઝ તેને પોતાની મોપેડ પર બેસાડી અંકોડિયા સ્થિત અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો અને અજીઝાએ પહેરેલા દુપટ્ટા વડે જ તેને ગળે ટુંપો દઇ હત્યા કરી નાખી હતી. પ્રેમી રમીઝને ~7 લાખ આપવાનો વાયદો કરાયો હતોહત્યાના બનાવમાં પોલીસને માહિતી મળી હતી કે, નાની બહેનના મોત બાદ વીમાની જે રકમ પાકે તે 40 લાખ રૂપિયામાંથી 7 લાખ રૂપિયા હત્યાને અંજામ આપનાર પોતાના પ્રેમી રમીઝ રાજાને આપવાનો વાયદો કર્યો હતો. આરોપીઓ પોતાના પ્લાન મુજબ હત્યા કરવામાં તો સફળ રહ્યા પણ પોલીસે ગણતરીના કલાકોમાં જ તેમને ઝડપી લીધા હતાં.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 5:16 am

ભાસ્કર ઈનસાઈડ:બિલનાં મકાનો પણ તૈયાર નથી, લાભાર્થીને 1 વર્ષે ઘરનું ઘર મળશે

પીએમ આવાસના ડ્રોનો વિવાદ શમ્યો નથી. કલાલીમાં મકાનો બની રહ્યાં હોવાનું ખૂલ્યા બાદ બિલમાં આ જ સ્થિતિ હોવાનું જણાયું છે. ઇડબ્લ્યુએસનાં 136 મકાન બનતાં હજુ 1 વર્ષ લાગશે. બીજી તરફ ડ્રો બાદ મકાનો મળતાં ન હોવાથી લાભાર્થીઓમાં રોષ ફેલાયો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી સહિતના કાર્યકરોએ સ્થળ પર સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. બીજી તરફ સ્થાયી અધ્યક્ષ ડો.શીતલ મિસ્ત્રીએ કહ્યું કે, ગ્રાન્ટ અને લાભાર્થીનો ફાળો બાકી છે. પાલિકાએ વધારાના 31 કરોડ ચૂકવ્યા છે. કોન્ટ્રાક્ટરોની આડોડાઈથી આવાસ સમયસર પૂરા નથી થતાંલાભાર્થીઓ ફોર્મના રૂા.200 અને ડિપોઝિટ પેટે 20 હજાર ચૂકવે છે, પરંતુ સમય મર્યાદામાં મકાનો પૂરાં કરાતાં નથી. કોન્ટ્રાક્ટરોની આડોડાઈ અને ધીમી ગતિની કામગીરીથી આવાસ સમયસર પૂરા નથી થતાં. ભાડે રહેતા લોકો ભાડું ચૂકવતા હોય છે, પરંતુ તેમને સમય પર મકાન મળી રહ્યાં નથી. ઉપરાંત ઝૂંપડપટ્ટી હટાવી તેમને 1 કિમી વિસ્તારમાં મકાનો આફવાને બદલે 5 કિમી દૂર ફાળવાય છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 5:13 am

સિટી એન્કર:મિથુન રાશિમાં ઉલ્કા વર્ષાથી ખગોળપ્રેમીઓ રોમાંચિત: આજે રાત્રે 12 વાગ્યા પછી 1 કલાકમાં 50-70 ઉલ્કાની વર્ષા નરી આંખે જોઈ શકાશે

વડોદરા સહિત રાજ્યમાં મિથુન રાશિમાં શનિ અને રવિવારે ઉલ્કા વર્ષા નિહાળી શકાશે. જેમાં મોડી રાતે 12 વાગ્યા બાદ 1 કલાકમાં 50 થી 70 ઉલ્કાની વર્ષા નરી આંખે જોઈ શકાશે. આ ઉલ્કા વર્ષા પૂર્વ દિશા તરફ જોવા મળી શકે છે અને રાત પૂરી થશે તેમ તેની દિશા બદલાશે. નોંધનીય છે કે, શનિવારે ખગોળીય ઘટના જોવા લોકો શહેર બહાર ખેતર અને ખુલ્લા વિસ્તારમાં પહોંચ્યા હતા. ખગોળિય ઘટનાઓના જાણકાર મુકેશ પાઠકે કહ્યું કે, જેમને ઉલ્કા વિજ્ઞાનનો અભ્યાસ કરવો હોય તો તેમણે મિથુન રાશિની ઉલ્કા વર્ષા જોવી જોઈએ. આમ તો ઉલ્કા વર્ષા સપ્તાહ સુધી જોઈ શકાય છે, પરંતુ દિવસો પસાર થતાં તેની ગતિ ધીમી પડે છે. શનિવારે જે ઉલ્કા 1 કલાકમાં 50 થી 70 સુધી વરસતી હોય તે ધીરે ધીરે 5 થી 10 સુધી પહોંચી જતી હોય છે. જ્યારે પણ લઘુગ્રહની ઉલ્કા વર્ષા હોય ત્યારે તેનો પ્રકાશ ખૂબ જ તેજ હોય છે. 3200 પાયથોન નામના લઘુગ્રહની રજકણો પૃથ્વી પર પડતાં ઉલ્કા વર્ષા થશે દરરોજ 40 ટન જેટલી ઉલ્કા વાતાવરણમાં પ્રવેશે છેનિષ્ણાતોના મતે દરરોજ 40 ટન ઉલ્કા વાતાવરણમાં પ્રવેશે છે. આ ઉલ્કા વર્ષા પીળા, લીલા અને વાદળી જેવા રંગોમાં જોઇ શકાય છે. ઉલ્કા જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે તેને મેટિયોર ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે. આ ઉલ્કા વર્ષા પાછળ ધૂમકેતુઓ જવાબદાર છે. સૌર મંડળમાં એવા ધૂમકેતુઓ છે, જેનું સતત વિસર્જન થતું રહે છે. તેમાંથી વિસર્જિત થયેલો પદાર્થ ધૂમકેતુની દિશા જાળવી રાખે છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 5:12 am

50 હજાર કર્મીને રાહત થશે:મકરપુરા જીઆઇડીસીના રસ્તાનું રિસર્ફેસિંગ, કાર્પેટિંગ કરાશે

મકરપુરા જીઆઇડીસીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની રજૂઆત બાદ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 1.25 કરોડના ખર્ચે 20 વર્ષ બાદ જીઆઇડીસીના હનુમાનજી મંદિરથી વિમલ ફાયર સુધીનો રોડ અને લકી રેસ્ટોરન્ટથી માંજલપુર પોલીસ મથકનો રોડ રિસર્ફેસ, કાર્પેટ, સીલકોટના કામનો શનિવારે પ્રારંભ થયો હતો. જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય યોગેશ પટેલે કર્યું હતું. વીસીસીઆઈની રજૂઆતને ધ્યાને રાખી ધારાસભ્યે જાહેરાત કરી કે, 22 કરોડના ખર્ચે જીઆઇડીસીના 3 રોડના વાઈડનિંગ સાથેના કામના ટેન્ડરની પ્રક્રિયા પણ ચાલુ કરાઈ છે. કાર્યક્રમમાં વીસીસીઆઈના વરિષ્ઠ ઉપપ્રમુખ હિમાંશુ પટેલે કહ્યું કે, આ કામગીરીથી 4 હજાર ઉદ્યોગોના 50 હજાર કર્મીઓને રાહત થશે. રૂા.22 કરોડના ખર્ચે ત્રણ રસ્તા નવા બનાવાશેરાજ્ય સરકારની સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી 22 કરોડના ખર્ચે જ્યુપીટર ચોકડીથી કટારિયા મોટરના શોરૂમ પાછળ, જીજી માતાના મંદિરથી એબીબી સુધી, વડસર બ્રિજથી એબીબી સુધીના 3 રોડ નવા બનશે. વીસીસીઆઇની લાંબી લડત બાદ પ્રશ્ન ઉકલ્યોપાલિકા તમામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસેથી ટેક્સ લે છે, પણ લોકો જ્યાં જતા હોય તે રસ્તાનું સમારકામ-ડેવલપમેન્ટ કરે છે. વીસીસીઆઈની લાંબી લડત બાદ ધારાસભ્યને રજૂઆત કરતાં પ્રશ્ન ઉકલ્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 5:10 am

લોક અદાલત:70 જજ-વકીલો દ્વારા એક જ દિવસમાં 1.32 લાખ કેસનો નિકાલ કરાયો,રૂા.112.37 કરોડનું સેટલમેન્ટ

દિવાળીપુરા કોર્ટ ખાતે વર્ષની છેલ્લી અને ચોથી મેગા નેશનલ લોક અદાલતનું વડોદરા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન વી.કે.પાઠકની અધ્યક્ષતામાં શનિવારે આયોજન કરાયું હતું. 70 જજ, વકીલ તથા સ્ટાફે એક દિવસમાં 1.32 લાખ કેસનો નિકાલ કર્યો હતો. લોક અદાલતમાં 78,617 કેસ મૂકાયા હતા. મોટર અકસ્માત તથા એનઆઈ એક્ટ મળી 4614 કેસ તથા 71,473 કેસ સ્પેશિયલ સિટિંગ મળી કુલ 76,087 કેસ પૂર્ણ કરાયા હતા. જ્યારે જે કેસ કોર્ટમાં નથી આવ્યા, તેવા પ્રીલિટિગેશનના કેસ, જેમાં બેંકનાં બાકી લેણાં, ગેસનાં બિલ તથા ટ્રાફિક ચલણ મળી 55,921 કેસમાં સમાધાન કરાયું હતું. તમામ કેસમાં 112.37 કરોડનું સેટલમેન્ટ કરાયું હતું. એક જ દિવસમાં વડોદરા કોર્ટના 15 ટકા કેસ પૂર્ણ થયા છે, હજુ 75 હજાર કેસ પેન્ડિંગ છે. સમાધાન થકી પણ વિવાદનો અંત આવી શકે છેલોક અદાલતને ફરી સફળતા મળી છે. લોકોએ સ્વીકાર્યું છે કે, સમાધાન થકી પણ વિવાદનો અંત લાવી શકાય છે. વર્ષો જૂના વિવાદને પણ સુમેળભર્યા સંબંધની આશા રાખીને ભેગા કરવામાં આવે તો કેસ પૂર્ણ થઈ શકે છે. > વી.જે.ગઢવી, એડી. સિનિયર સિવિલ જજ અને સેક્રેટરી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પતિ જેલમાં ગયો, રૂા.5 લાખ ભરણપોષણ ન આપી શક્યો, 7 વર્ષે વિવાદનો અંત લાવી દંપતીને એક કરાયુંદંપતી વચ્ચે વિવાદ ચાલતો હતો. પત્નીએ પતિ સામે કેસ કર્યો હતો. કોર્ટે પતિને ભરણપોષણ આપવા હુકમ કર્યો હતો. જોકે તે રકમ ચૂકવતો ન હોવાથી રકમ 5 લાખ થઈ હતી. કોર્ટે પતિને જેલમાં મોકલ્યો હતો. 7 વર્ષના વિવાદમાં આખરે દંપતી વચ્ચે સમાધાન થયું હતું. મકરપુરા ડેપો પાસે વીટકોસ બસે રોંગ સાઇડ જઈને યુવકને અડફેટે લીધો, રૂા.45 લાખનો ક્લેઇમ પાસવકીલ રાજેશ પટેલે કહ્યું કે, માણેજા મારુતિધામ સોસાયટીનો હરદીપસિંહ વાંસિયા 2 વર્ષ પૂર્વે મકરપુરા ડેપો પાસેથી જતો હતો. ત્યારે રોંગ સાઇડ આવેલી વીટકોસની બસે અડફેટે લેતાં તેનું મોત થયું હતું. લોક અદાલતમાં 45 લાખનો ક્લેઇમ મંજૂર થયો હતો.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 5:09 am

સન્ડે બિગસ્ટોરી:23 સ્થળે ટ્રાફિક સિગ્નલ મૂકાશે,પાર્કિંગ અટકાવવા ફૂટપાથ પર બેરિકેડિંગ કરાશે

શહેરમાં છેલ્લા 8 દિવસમાં થયેલા માર્ગ અકસ્માતમાં વૃદ્ધા, દંપતી સહિત 4 લોકોનાં મોત અને 6 ઈજાગ્રસ્ત થતાં વડોદરાની ટ્રાફિક વ્યવસ્થા પર સવાલો ઊભા થયા છે. જેને પગલે ટ્રાફિક પોલીસે ડ્રાઈવ યોજીને 2 દિવસમાં 21 બસ અને 2 મિલર સહિત 23થી વધુ ભારદારી વાહનો ડિટેઈન કર્યાં છે. જોકે અઠવાડિયા સુધી ચાલનારી આ ડ્રાઈવ બાદ ફરીથી ભારદારી વાહનો શહેરના માર્ગો પર દોડશે અને અકસ્માતોની વણઝારો યથાવત્ રહેશે તેવું લોકો માની રહ્યા છે. બીજી તરફ પાલિકા દ્વારા ટ્રાફિક કમિટીની 2 બેઠકો કરીને શહેરમાં ટ્રાફિક એન્જિનિયરિંગ અને ટ્રાફિક સિગ્નલ પર કામ કરવાનું નક્કી કરાયું છે. પાલિકા ટૂંક સમયમાં 23 નવાં સ્થળો પર જ્યાં ટ્રાફિક વધુ થાય છે ત્યાં ટ્રાફિક સિગ્નલો લગાવશે. આ ઉપરાંત ફૂટપાથ પર પણ લોકો આડેધડ પાર્કિંગ કરતા હોવાથી પાલિકા આ ફૂટપાથ પર બેરિકેડિંગ કરશે, જેથી ફૂટપાથ માત્ર્ર ચાલવા માટે ઉપયોગમાં લઈ શકાય. જ્યારે ટ્રાફિક ડીસીપી તેજલ પટેલે કહ્યું કે, અકસ્માતો બાદ ટ્રાફિક વિભાગે સરવે કર્યો છે. જેમાં એલએન્ડટી સર્કલ પર બુલાર્ડ તેમજ રબર કે ડામરના જ બમ્પ બનાવી શકાય છે. ઉપરાંત જ્યાં ટ્રાફિકનો ફ્લો સૌથી વધારે હોય તેવા રસ્તા પર આવતાં ટ્રાફિક સિગ્નલો પર 5 થી 10 સેકન્ડ ઓછી કે વધુ કરવા પાલિકાની ટ્રાફિક કમિટીને અભિપ્રાય આપ્યો છે. પ્રશ્ન: ટ્રાફિક એન્જિનિયરિંગ હેઠળ શું કામગીરી કરશો ?જવાબ: જ્યાં ફૂટપાથ પર લોકો આડેધડ પાર્કિંગ કરી દેતા હોય છે. અમે ફૂટપાથ પર બેરિકેડિંગ કરી દઈશું. જેથી લોકો ત્યાં આરામથી ચાલી શકશે. }ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે કોઈ મહત્ત્વનો નિર્ણય લેવાયો છે ?શહેરમાં અમે કુલ 23 સ્થળો નક્કી કર્યાં છે, જ્યાં ટ્રાફિક સિગ્નલ મૂકીશું. આ સાથે આ સ્થળો પર સર્કલ પણ બનાવીશું. આ જગ્યાઓમાં સમા કેનાલ, પારુલ યુનિવર્સિટી વાળો વળાંક સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. આગામી દિવસોમાં આ સ્થળોનું લિસ્ટ આપીશું. }ભારદારી વાહનોને લઈને પાલિકા દ્વારા અન્ય કોઈ સરવે કરાયો છે?પાછલાં કેટલાંક વર્ષોમાં કરાયેલા સરવેમાં જાણવા મળ્યું છે કે, ભારદારી વાહનોને કારણે બ્રિજને નુકસાન થતું હોય છે. અમે સરવે કરીને કયા બ્રિજ પર ભારદારી વાહનો ન પ્રવેશે તે નક્કી કરી તેના માટે જે તે વિસ્તાર કે બ્રિજ પર હાઈ બેરિયર લગાવાશે. 8 દિવસમાં અકસ્માતમાં 4નાં મોત, 6 ઘાયલ 5 ડિસેમ્બર : 1. ગોરવા શાક માર્કેટ પાસે મેદાનમાં સૂઈ રહેલા પરિવાર પર ટેમ્પો ફરી વળતાં 6 વર્ષની બાળકી સહિત 4ને ઈજા પહોંચી, એક વ્યક્તિ ગંભીર ઈજાગ્રસ્ત થયો.2. છાણી રામા કાકાની ડેરી પાસે હાઈડ્રો ક્રેનની ટક્કર વાગતાં ટુ-વ્હીલર પર જતા વૃદ્ધનું મોત 7 ડિસેમ્બર : એરપોર્ટ સર્કલ પાસે નશાની હાલતમાં કાર સિગ્નલ પર ઊભેલા ટુ-વ્હીલર ચાલકને અડફેટે લેતાં ઈજાગ્રસ્ત થયો 9 ડિસેમ્બર : એલએન્ડટી સર્કલ પાસે મોડી સાંજે લક્ઝરી બસ ચાલકે ટક્કર મારતાં ટુ-વ્હીલર પર જતા દંપતીમાંથી મહિલાનું ટાયર નીચે કચડાતાં મોત 10 ડિસેમ્બર : કપુરાઈ ચોકડી પાસે ટ્રેક્ટરની ટક્કરે બાઈક પરથી પડેલા દંપતી પર ટ્રક ફરી વળતા બંનેનાં મોત નિપજ્યાં 11 ડિસેમ્બર : આજવા રોડ પર રાજકોટ એરપોર્ટના કર્મચારીએ પીધેલી હાલતમાં બુલેટ ચાલકને અડફેટે લીધો 12 ડિસેમ્બર : માણેજામાં રોડ ક્રોસ કરતા સિક્યુરિટી ગાર્ડને કાર ચલાવતા ડોક્ટરે અડફેટે લેતાં તેમનું મોત નિપજ્યું

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 5:08 am

ભાસ્કર ઈનસાઈડ:ઉત્તર-પૂર્વની 17 ટાંકી-સંપમાં ઓછું પાણી મળતાં 11 લાખ લોકો હેરાન

મહીના રાયકા, ફાજલપુર ફ્રેન્ચ વેલમાં ડિસિલ્ટિંગની કામગીરીથી પાણીના લો-પ્રેશરનો પ્રશ્ન સર્જાયો છે. નવેમ્બર અંતમાં મહીના ફ્રેન્ચવેલમાં કામ શરૂ કર્યું હોવા છતાં પાલિકાએ 15 દિવસે પાણીકાપની જાહેરાત કરી છે. ઉત્તર-પૂર્વની 17 ટાંકી-સંપમાં ઓછું પાણી મળતાં 11 લાખ લોકોને અસર થઇ રહી છે. મહીમાં ગત ચોમાસામાં કડાણા ડેમમાંથી પાણી છોડાતાં આવેલા કાંપથી 4માંથી 2 પંપ બંધ કરવાનો વારો આવ્યો હતો.જ્યારે 2 પંપમાંથી 1 પંપ 24 કલાક અને 1 પંપ 16 કલાક કાર્યરત હતો. મહીમાંથી શહેરના ઉત્તર અને પૂર્વ ઝોનને પાણી અપાય છે. નવેમ્બરના અંતમાં ફ્રેન્ચવેલમાંથી રેડિયલ કાઢવાનું શરૂ કરાયું હતું. જોકે પાણી પુરવઠા શાખાએ જાહેરાત કરી નહતી. 15 દિવસથી લો-પ્રેશરની સમસ્યા સર્જાઇ હતી, જેથી 13 ડિસેમ્બરે પાણીકાપની જાહેરાત કરાઈ છે. જેમાં જણાવ્યા પ્રમાણે ઉત્તર અને પૂર્વ ઝોનના વિસ્તારોમાં 15 દિવસ પાણી ઓછા પ્રેશરથી અને ઓછા સમય માટે મળશે. જોકે પાલિકાએ જાહેરાત કરાયેલા વિસ્તારોમાં તો પહેલેથી પાણીકાપ છે ત્યારે હજુ 15 દિવસ પાણીકાપનો સામનો કરવો પડશે. 12 MLD પાણી વધશેહાલ 12 એમએલડી પાણી મળે છે. કામગીરી ન હોય ત્યારે 48 એમએલડી પાણી મળે છે.7 દિવસમાં સફાઇ પછી 12 એમએલડી પાણી વધશે. > ધાર્મિક દવે, એડી. સિટી ઇજનેર, પાણી પુરવઠા મહીમાં અત્યાર સુધી 4 ફ્રેન્ચવેલ ચાલતા હતા, હવે પાંચમો શરૂ કરાશેઅત્યાર સુધી મહીમાં 4 ફ્રેન્ચવેલ ચાલતા હતા, જેમાં કાંપ આવ્યા બાદ 2 કાર્યરત રહ્યા હતા. હવે તમામ 4 ફ્રેન્ચવેલ ચાલુ કરાશે અને પાંચમો ફ્રેન્ચવેલ જે બંધ હતો, તે માટેની પાણીની લાઇનની ક્ષમતા વધારી દેવાય તો તે પણ ચાલુ કરી દેવાશે. સફાઈ કામગીરીમાં એક રેડિયલ તૂટી ગયો છે, જે નવો બનાવાશે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 5:06 am

જોખમ:કલાદર્શન પાસે કોમ્પ્લેક્સનો 16 ફૂટનો ખાડો ખોદતાં બાજુના સર્જન કોમ્પ્લેક્સની 70 ફૂટની દીવાલ પડી,70 રહીશોને સ્થળાંતરની સૂચના

વાઘોડિયા રોડ કલાદર્શન ચાર રસ્તા પાસે નવા બનતા કોમ્પ્લેક્સના પાયા માટે જેસીબીથી ખોદકામ કરાઈ રહ્યું છે. શનિવારે બાજુમાં આવેલા 25 વર્ષ જૂના સર્જન કોમ્પ્લેક્સની 70 ફૂટની લાંબી કમ્પાઉન્ડ વોલનો ભાગ ધડાકાભેર તૂટી પડ્યો હતો. જ્યારે અન્ય 40 ફૂટ દીવાલ નમી પડી હતી. જેથી રહીશો-દુકાનદારોમાં ફફડાટ ફેલાયો હતો. ફાયરબ્રિગેડે રહીશોને નીકળી જવા સૂચના આપી છે. નોંધનીય છે કે, માર્ચમાં છાણીના સત્વ પ્રાઇમમાં આવી ઘટના બની હતી, જેની દીવાલ બિલ્ડરે હજુ નથી બનાવી. કલાદર્શન ચાર રસ્તાથી કપુરાઇ ચોકડીના રસ્તે રાધે-ગોવિંદ એપાર્ટમેન્ટ સામે સર્જન એપાર્ટમેન્ટની બાજુમાં નવું કોમ્પ્લેક્સ બને છે. જ્યાં પાયા માટે જેસીબીથી ખોદકામ કરાઈ રહ્યું હતું. શનિવારે સવારે 10-30 વાગ્યે સર્જન કોમ્પ્લેક્સની 70 ફૂટની દીવાલ ધરાશાયી થઈ હતી. રહીશોએ કહ્યું કે,20 દિવસથી પાયો ખોદવાનું કામ ચાલે છે. 6 દિવસ પૂર્વે દુકાનોની આગળ પરસાળમાં ઝીણી તિરાડો જોતાં સાઇટ પરના માણસોને જાણ કરી હતી. તે સમયે જવાબ અપાયો કે,દીવાલ તૂટી જશે તો નવી બનાવી આપીશું. હવે બીજા-ત્રીજા માળના ફ્લેટમાં તિરાડો પડી છે. કોમ્પ્લેક્સના પ્રમુખ મુકેશ પટેલે કહ્યું કે, બિલ્ડરે સ્ટ્રક્ચરલ ઇજનેરને મોકલ્યા છે. નિર્ભયતા શાખાના નિરીક્ષણ બાદ નિર્ણય લેવાશે. આ અંગે સાઇટના બિલ્ડરનો ટેલિફોનિક કોલ અને મેસેજ થકી સંપર્ક કરવા પ્રયાસ કર્યો, પણ પ્રતિભાવ આવ્યો ન હતો. સ્ટ્રક્ચરલ ઇજનેર પાસે મૂલ્યાંકન કરાવી વળતરનો દાવો કરી શકાયઆવા કિસ્સામાં બિલ્ડિંગને કેટલું નુકસાન થયું છે તેનો રિપોર્ટ સ્ટ્રક્ચરલ એન્જિનિયર આપી શકે. રહીશો એન્જિનિયર પાસેથી રિપોર્ટ કઢાવી શકે છે. જરૂર જણાય તો બિલ્ડર સામે સિવિલ કોર્ટમાં વળતરનો દાવો કરી શકાય. જેમાં માનસિક ત્રાસનો પણ સમાવેશ થાય છે. જોકે કોઇ મોટી ઇમારત હોય તો દર 5 વર્ષે સ્ટ્રેન્ધનિંગ રિપોર્ટ કરાવવો જ જોઇએ. અમે તિરાડો પડવાની શરૂઆત થઇ ત્યારથી અમે ધ્યાન દોરીએ છીએ. પણ આટલું મોટું નુકસાન થશે તેવી કલ્પના કરી ન હતી. - ભરત વાઢેર, રહીશ ફ્લેટના આ ભાગમાં 10થી 12 છોકરાઓ સ્કૂલમાં અભ્યાસ કરે છે. હવે તેમનો અભ્યાસ પણ બગડશે. બીજે રહેવાનું આવ્યું તો ખર્ચ પણ વધશે. - મેહુલ સોની, રહીશ રસોડામાં હતી અને ધડાકાભેર અવાજ આવ્યો, બિલ્ડિંગ ધ્રુજી ઊઠી, બેડરૂમમાં લટકાવેલો ફોટો ફ્રેમ સાથે પડી ગયો. રૂમમાં ત્રણેક તિરાડો પડી ગઇ છે. - નેહા સોની, રહીશ 16 ફ્લેટ્સ અને 20 દુકાનો છે, ઉપર બહારના ભાગે પણ તિરાડો પડવાની શરૂ થઇસર્જન કોમ્પ્લેક્સમાં 16 ફ્લેટ છે, જેમાં 25 જેટલા સિનિયર સિટીઝન અને 10-12 છોકરા સહિત 70 રહીશો રહે છે. પહેલા માળના કેટલાક વડીલોએ પાલિકાની સૂચના ગંભીરતાથી લીધી ન હતી અને 2 કલાક બાદ પણ ફ્લેટમાં રહ્યા હતા. બીજા-ત્રીજા માળના રહીશો બહાર દોડી આવ્યા હતા. કેટલાકે સિનિયર સિટિઝન્સને અન્યત્ર રહેવાની વ્યવસ્થા શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 5:04 am

સંડે એન્કર:લગ્ન કેન્સલ થાય તો નુકસાનથી બચાવશે મેરેજ ઇન્સ્યોરન્સ, ગુજરાતમાં વધતી માંગ, સિઝનમાં 500 કરોડના વીમા લેવાયા

દેશની મેરેજ (લગ્ન) ઇન્ડસ્ટ્રીઝ હવે ભારતની સૌથી મોટા ખર્ચાળ ઇકોનોમિક સેક્ટરોમાંની એક છે, જેમાં આ વર્ષે સરેરાશ 35 લાખથી વધુ લગ્નો થશે અને લગભગ ₹5.5-6 લાખ કરોડનો બિઝનેસ થશે, એવું કોન્ફડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) ના અહેવાલમાં દર્શાવાયું છે. જે રીતે મેરેજ પાછળ ખર્ચ કરવામાં આવી રહ્યો છે તેની સાથે તેના રિસ્કને કવર કરવા માટે પણ લોકો જાગૃત થયા છે. જ્વેલરીની વધતી કિંમતો, કેટરિંગ, ડેકોરેશન અથવા આકસ્મિક બાબતોમાં મેરેજ કેન્સલ કરવા સુધીના રિસ્ક કવર પર ઇન્સ્યોરન્સ લેવામાં આવી રહ્યાં છે. ગુજરાતમાંથી ચાલુ મેરેજ સિઝનમાં સરેરાશ 70-75 લોકોએ 500 કરોડથી વધુના ઇન્સ્યોરન્સ લીધા છે.લોકો લગ્નમાં ઘણા પૈસા ખર્ચે છે પરંતુ જો લગ્ન પહેલા જ લગ્ન આકસ્મિક કારણોસર કેન્સલ થતાં લોકોને જંગીનું નુકસાન વેઠવું પડે છે. આવી સ્થિતિમાં લોકોની મુશ્કેલી દૂર કરવા માટે વીમા કંપનીઓએ લગ્ન વીમો આપવાનું શરૂ કર્યું છે. આમાં, વીમા કંપની લગ્નમાં નુકસાનના કિસ્સામાં, લગ્ન રદ થવાના કિસ્સામાં, જ્વેલરી તથા અન્ય સામાનની ચોરીના કિસ્સામાં, કોઈપણ પ્રકારના અકસ્માતના કિસ્સામાં પોલિસીધારકના નુકસાનની ભરપાઈ કરે છે. ગુજરાતમાં સરેરાશ એક મેરેજ પાછળ 5 લાખથી કરોડો રૂપિયા સુધીનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. લગ્ન વીમા પૉલિસી ખરીદનારને લગ્નના કુલ બજેટના આધારે પ્રીમિયમ ચૂકવવું પડશે. આ સંદર્ભે, નાણાકીય નિષ્ણાતો માને છે કે લગ્નના વીમાનો ટ્રેન્ડ અત્યારે ભારતમાં બહુ નથી, પરંતુ અવેરનેસ આવતા ટ્રેન્ડ ઝડપી વધી રહ્યો છે. લગ્ન વીમામાં, પોલિસી ખરીદનારને લગ્નના કુલ બજેટના 1 થી 1.5 ટકા ચૂકવવા પડે છે. જો તમારા લગ્નની કિંમત 20 લાખ રૂપિયા છે, તો તમારે વીમા પ્રિમિયમ તરીકે સરેરાશ 30,000 રૂપિયા ચૂકવવા પડશે. બાદમાં, કોઈપણ પ્રકારની કટોકટીની સ્થિતિમાં, તમે તમારા નુકસાન માટે વળતર મેળવી શકો છો. મેરેજ પાછળ સૌથી વધુ ખર્ચ કરતા પાંચ રાજ્યો1.રાજસ્થાન: રાજાશાહી ડેસ્ટિનેશન અને પેલેસ વેડિંગ્સનું ખર્ચ સૌથી વધુ જોવા મળે છે (લક્ઝરી પેકેજ ₹1.5 કરોડ અને તેનાથી વધુ) 2. મહારાષ્ટ્ર : મુંબઈ અને પુણે જેવા શહેરો NRIના મોટા બજેટ કેન્દ્ર છે, જ્યાં ખર્ચ ₹50 લાખથી ₹15 કરોડ 3.ગોવા : બીચ/ડેસ્ટિનેશન મેરેજ માટે ₹75 લાખથી ₹5 કરોડ સુધી ખર્ચ 4.દિલ્હી-NCR: પંજાબ/હરીયાણામાં મેરેજ માટે જાણીતું છે. અહીં સામાન્ય મેરેજનું બજેટ એવરેજથી વધું રહે છે. 5.ગુજરાત: અમદાવાદ, સુરતમાં મેરેજ ખર્ચ રાજ્યનો મોટો હિસ્સો ધરાવે છે. સોનાના ભાવ વઘતા નજીવા પ્રીમિયમથી મોટું રિસ્ક કવરગુજરાતમાં કુલ મેરેજ પાછળ કરાતા ખર્ચના બે ટકા પણ ઇન્સ્યોરન્સ લેવાતો નથી. જાગૃતિ વધી રહી છે. આ સિઝનમાં અંદાજે રૂ.500 કરોડનો મેરેજ ઇન્સ્યોરન્સ લેવાયો છે. નજીવા પ્રીમિયમથી મોટું રિસ્ક કવર થઇ રહ્યું છે ત્યારે મોંઘા મેરેજ કરતા લોકો સલામતીને ધ્યાનમાં રાખી રિસ્ક કવર કરી રહ્યાં છે. ગોલ્ડ-સિલ્વર જ્વેલરીની ઉંચી કિંમતોના કારણે પણ રિસ્ક કવર વધ્યું છે. -જિગ્નેશ માધવાણી, ઇન્સ્યોરન્સ એક્સપર્ટ, તોરીન વેલ્થ ગ્રુપ. મેરેજ ઇન્સ્યોરન્સ શા માટે જરૂરી છે?લગ્નોમાં મોટા ખર્ચાઓનો સમાવેશ થાય છે. કોઈપણ કારણસર થતા નુકસાનની ભરપાઈ કરવા માટે લગ્ન વીમો એ ઉપયોગી વસ્તુ છે. તે એક આવરણ છે જે અમને કોઈપણ વિક્ષેપને કારણે થતા નાણાકીય નુકસાનથી રક્ષણ આપે છે જેમાં કાર્યને રદ કરવું અથવા મુલતવી રાખવાનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 5:03 am

ભાસ્કર ઈનસાઈડ:1 ટકો કમિશનમાં સાયબર ફ્રોડના 32 લાખ‎પોતાનાં ખાતામાં જમા લેનારા 7 સામે ગુનો‎

મહેસાણા જિલ્લામાં ખેરાલુની બેન્ક ઓફ બરોડા, ઊંઝાની કેનેરા બેન્ક, વિજાપુરના માઢીની યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા અને કુકરવાડાની બેંક ઓફ બરોડામાં ખોલેલા ચાલુ અને બચત 4 ખાતામાં દેશના 20થી વધુ રાજ્યોમાં અલગ અલગ સ્થળોએ થયેલી સાયબર છેતરપિંડીના 32 લાખ રૂપિયા જમા થયા હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. આ મામલે પોલીસે જેના ખાતામાં રૂપિયા જમા થયા છે તેવા ખાતાધારક, રૂપિયા ઉપાડીને જેને અપાયા છે તે સહિત 7 શખ્સો સામે ઊંઝા, લાડોલ, વસઈ અને ખેરાલુ એમ ચાર પોલીસ મથકોમાં સરકાર તરફી પોલીસે ફરિયાદી બનીને ગુના દાખલ કરાવ્યા છે. માત્ર થોડા રૂપિયા કે પોતાના ખાતામાં જમા થતા છેતરપિંડીના નાણાં પૈકી 1 ટકા કમિશનની લાલચે આ તમામ લોકોએ પોતાના નામે ખાતાં ખોલીને ભાડે આપ્યા છે. સમગ્ર કિસ્સામાં હવે પોલીસ જે લોકોએ ખાતાં ભાડે લીધા છે અને જેના થકી કરોડો રૂપિયા તેમાં જમા થયા છે તેના સુધી પહોંચે તે જરૂરી બન્યું છે. સાયબર ફ્રોડના કરોડો રૂપિયા સાયબર માફિયાઓ પાસે પહોંચી રહ્યા છે. લો કો પાસેથી પડાવેલા આ રૂપિયાનું સ્થાનિક બેંક એકાઉન્ટ વગર ટ્રાન્જેક્શન કરવું મુશ્કેલ છે. જેથી ગુજરાત પોલીસે આવા મ્યુલ એકાઉન્ટ અને તેને ઓપરેટ કરતા તત્વોને શોધવા ઓપરેશન મ્યુલ હંટ શરૂ કર્યું છે. ઊંઝા : ઉનાવા APMCની પેઢીના નામે ખોલેલ ખાતામાં રૂ.24 કરોડની હેરાફેરીઊંઝા તાલુકાના મહેરવાડા ગામના સુભાષ ભરતભાઈ રાવળે ઉનાવા એપીએમસીની સુભાષ ટ્રેડર્સ નામની પેઢીના નામે કેનેરા બેંકમાં ખાતું ખોલાવ્યું હતું. જેમાં દોઢ વર્ષ દરમિયાન રૂ.24.14 કરોડનું ટર્નઓવર થયું છે અને તેમાં પણ દેશના અલગ અલગ રાજ્યોમાં 24 લોકો સામે થયેલી સાયબર છેતરપિંડીના રૂ.7.52 લાખ જમા થયા છે. અને આ રૂપિયા સુભાષ રાવળ અને તેના માણસો મારફતે સેલ્ફ ચેકથી ઉપાડીને આપી દીધા છે. જાણવા છતાં સાયબર ફ્રોડનાં નાણાં મેળવવાની લ્હાયમાં વારંવાર પોતાના બેંક ખાતામાં મેળવી અંગત ફાયદા સારું ઉપયોગ કરતાં ઊંઝા પોલીસમાં તેની સામે ફરિયાદ નોંધાઇ છે. ખેરાલુ : પોતાનું ખાતુ મિત્રને આપતાં વર્ષમાં રૂ.7.14 કરોડનું ટર્નઓવર કર્યું ખેરાલુના વિઠોડા ગામે સાધુવાસમાં રહેતા કનુભાઈ જયંતીભાઈ સાધુએ પોતાનું ખાતુ તેના મિત્ર ગામના જ ચૌધરી રાહુલ જોઈતાભાઈને આપી અતુલ એન્ટરપ્રાઇઝ નામનું ખેરાલુની બેંક ઓફ બરોડામાં ખાતુ ખોલાવ્યું હતું. આ ખાતામાં એક વર્ષ દરમિયાન રૂ.7.14 કરોડનું ટર્નઓવર થયું છે. જેમાં ગુજરાત સહિત દેશના અલગ અલગ 13 રાજ્યોના લોકો સાથે થયેલી છેતરપિંડીના રૂ.61,949 જમા થયા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે કનુ સાધુ, રાહુલ ચૌધરી અને પાલનપુર ખાતે કનુ સાધુને કમિશનથી બેંક ખાતાં આપવાની વાત કરનાર રાજસ્થાનના વિક્રમ લોડર અેમ ત્રણ સામે ફરિયાદ નોંધાઇ છે. વડનગર : મિરઝાપુરના શખ્સે ભાડે આપેલ ખાતામાં ફ્રોડના રૂ.21.30 લાખ જમાવિજાપુર તાલુકાના માઢી ગામની યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા શાખામાં વડનગરના મિરઝાપુરના વિહોલ વનરાજસિંહ અરવિંદસિંહે ખાતુ ખોલાવીને ભાડે આપ્યું હતું. જેમાં 24 ડિસેમ્બર 2021થી 16 સપ્ટેમ્બર 2025 ચાર વર્ષમાં રૂ.1.78 કરોડનું ટર્નઓવર થયું છે અને આ તમામ રૂપિયા ક્રેડિટ થયાની સાથે ડેબિટ પણ થઈ ગયા છે. આ રૂપિયામાં અલગ અલગ રાજ્યોમાં 5 લોકો સાથે થયેલી છેતરપિંડીના રૂ.21.30 લાખ જમા થયેલા છે અને તે વનરાજસિંહે સેલ્ફ ચેકથી ઉપાડીને તેના મિત્ર વડગામના કોદરામ ના અને વસ્ત્રાલના સહજાનંદ એંકલેવમાં રહેતા રાજેશ કાંતિલાલ પંચાલને ઉપાડીને આપ્યા છે. વનરાજને 1 ટકા કમિશન મળતું હતું. વિજાપુર : કુકરવાડાની બેંકમાં સાયબર‎ફ્રોડના જમા રૂ.3.45 લાખ ઉપાડી લીધા‎વિજાપુર તાલુકાના વસઈ ગામના આશ્રમપુરા‎વિસ્તારમાં રહેતા પટેલ ધર્મેશ રમેશભાઈએ‎કુકરવાડાની બેંક ઓફ બરોડા શાખામાં ખાતુ‎ખોલાવીને તેમાં છ મહિના દરમિયાન રૂ.7.95‎લાખનું ટર્નઓવર થયું છે. જેમાં કર્ણાટક અને‎ઉત્તરપ્રદેશના બે લોકો સાથે થયેલી સાયબર‎છેતરપિંડીના રૂ.3.45 લાખ જમા થયા હતા અને આ‎રૂપિયા પણ ધર્મેશ પટેલે અલગ અલગ સેલ્ફ ચેક દ્વારા‎ઉપાડી લેતાં તેની સામે પણ વસાઈ પોલીસે ગુનો‎દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં એકમાત્ર‎આ બચત ખાતામાં જ છેતરપિંડીના લાખોનું‎ટર્નઓવર થયું છે, બાકી તમામ ખાતા ચાલુ હોવાનું‎અને કોઈ પેઢીના નામના હોવાનું બહાર આવ્યું છે.‎ હવે ATMથી નાણાં ઉપાડનાર સામે ફરિયાદો નોંધાશે‎દેશના 20થી વધુ રાજ્યોમાં યેનકેન પ્રકારે લોકો સાથે થયેલી છેતરપિંડીની અલગ અલગ રાજ્યમાં કુલ 42 ફરિયાદો નોંધાઇ છે અને આ ફરિયાદના રૂ.32 લાખ મહેસાણા જિલ્લાના 4 ખાતામાં જમા થયા છે. સાયબર ફ્રોડના રૂપિયા જે ખાતામાં જમા થયા છે અને સેલ્ફ ચેકથી એકાઉન્ટ ધારક દ્વારા પોતાના રૂપિયા ન હોવા છતાં ઉપાડી લેતાં તેમની સામે ફરિયાદો દાખલ થઈ છે. હવે આગામી દિવસોમાં જે ખાતામાં રૂપિયા સાયબર ફ્રોડના રૂપિયા જમા થયા છે અને સેલ્ફ ચેકની જેમ એટીએમથી ઉપાડયા હશે તે તમામ સામે પણ ફરિયાદો નોંધાશે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 4:57 am

ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:અકસ્માત રોકવા મૂકેલા બેરિકેટ્સથી જ દુર્ઘટનાનું જોખમ‎

પોલીસ દ્વારા વાહન ચેકિંગ અને નાકાબંધી માટેનાં‎બેરિકેટ્સ હવે અકસ્માતનું જોખમ ટાળવા માટે‎ઉપયોગ થઈ રહ્યો છે. મોટાભાગના બેરિકેટ્સ પર‎રેટ્રો-રિફ્લેક્ટિવ ટેપ જ નથી, જેથી રાત્રિ દરમિયાન‎દેખાતાં જ નથી. બેરિકેટ્સની 200 મીટર પહેલાં કોઇ‎સૂચન બોર્ડ લગાવ્યાં નથી. દરેક સ્થળની બેરિકેટ્સની‎ડિઝાઇન પણ અલગ-અલગ હોવાથી બેરિકેટ્સની‎એકબાજુથી બીજી બાજુ સ્પષ્ટ જોઈ શકાતું ન‎હોવાથી બ્લેકઆઉટ સર્જાઈ રહ્યો છે. આ સ્થિતિના‎કારણે વાહનો બેરિકેટ્સને ભટકાઈ રહ્યા છે. આ‎અંગે પોલીસના વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું કે,‎મોટાભાગના બેરિકેટ્સ કંપનીઓ અને બેંકો તરફથી‎દાનમાં મળેલા છે. એ લોકો પોતાની જાહેરાત પણ‎કરતા હોય છે. એટલે આ સ્થિતિ છે.‎ દિલ્હી પોલીસે 2021માં બેરિકેટ્સને‎લઈ નિયમોમાં સુધારો કર્યો હતો‎જેમાં બેરિકેટ્સ ક્યારેય માનવરહિત નહીં રાખવા,‎ખોટી જગ્યા અથવા માનવરહિત બેરિકેટ્સથી‎અકસ્માત થાય તો સ્ટાફ જવાબદાર ગણાશે,‎બેરિકેટ્સ પર માત્ર જિલ્લા/યુનિટનું નામ અને નંબર,‎પ્રતિબિંબિત ટેપ અને બ્લિન્કર્સ જરૂરી, અકસ્માત‎ઝોન, ફ્લાયઓવર અને બસ સ્ટોપ પાસે બેરિકેડિંગ‎નહીં કરાય તેમજ પાવર કટ, ધુમ્મસ કે વરસાદમાં‎બેરિકેટ્સ સુરક્ષિત જગ્યાએ ખસેડી કંટ્રોલ રૂમને જાણ‎કરવી સહિતના નિયમો લાગુ કર્યા હતા.‎ બેરિકેટ્સનો‎વૈકલ્પિક ઉપાય‎હાઇવે પર માત્ર બેરિકેટ્સ‎મૂકવાથી અકસ્માતનું જોખમ‎સંપૂર્ણપણે ટાળી શકાય તેમ‎નથી. વાહનોની ગતિ ધીમી‎કરવા માટે ટ્રાન્સવર્સ બાર‎માર્કિંગનો પણ અસરકારક રીતે‎ઉપયોગ કરી શકાય છે. જે સ્થળે‎વાહનોની ગતિ ધીમી કરવી‎હોય ત્યાંથી 50, 100 અને 200‎મીટરના અંતરે ત્રણ તબક્કામાં‎12થી 15 મીમી ઊંચાઈવાળા‎ટ્રાન્સવર્સ બાર માર્કિંગ (પીળા‎પટ્ટા) કરવાથી વાહનો ક્રમશઃ‎ધીમા પડે છે અને અકસ્માતનું‎જોખમ ઘટાડી શકાય છે.‎ બેરિકેટ્સ પારદર્શક હોવા જોઈએ, જેથી સ્પષ્ટ દેખાય‎• બેરિકેટ્સ પારદર્શક હોવા જોઈએ,‎જેથી રસ્તો ક્રોસ કરતા રાહદારીઓ‎તથા વાહનચાલકોને હાઇવે પર‎આવતા વાહનો સ્પષ્ટ રીતે દેખાઈ શકે.‎• બેરિકેટ્સ મૂકેલા સ્થળે ફરજ પર એક‎કર્મચારી હાજર હોવો જોઈએ.‎• બેરિકેટ્સ મૂક્યા હોય તે સ્થળથી‎200 મીટર પહેલાં ચેતવણી આપતું‎સૂચન બોર્ડ લગાવવું જોઈએ.‎• બેરિકેટ્સ પર રેટ્રો-રિફ્લેક્ટિવ ટેપ‎હોવી જોઈએ, જેથી રાત્રિના સમયે‎બેરિકેટ્સ સ્પષ્ટ દેખાય.‎• લાંબા ટ્રેલર સહિતના ભારે વાહનો‎સરળતાથી પસાર થઈ શકે તે રીતે‎બેરિકેટ્સ ગોઠવવા જોઈએ.‎

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 4:53 am

ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આ્વ્યું:વડનગર-વલસાડ સહિત 4 ટ્રેનો તા.16 થી 20 સુધી કલોલ સ્ટેશને ઉભી રહેશે

રેલવે વિભાગ દ્વારા મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાંથી પસાર થતી 4 એક્સપ્રેસ ટ્રેનોને કલોલ સ્ટેશનનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ ચારેય ટ્રેનો તા.16 થી 20 ડિસેમ્બર સુધીમાં સ્ટોપેજ આપવાનું શરૂ કરશે. આ તમામ ટ્રેનો કલોલ સ્ટેશન પર 2-2 મિનિટ ઉભી રહેશે. જેનો લાભ મુસાફરોને મળશે. આ 4 ટ્રેનો કલોલ સ્ટેશને ઉભી રહેશે 1. ટ્રેન નંબર 20959 વલસાડ– વડનગર એક્સપ્રેસ 16 ડિસેમ્બરથી સવારે 11.37 કલાકે આગમન અને 11.39 કલાકે પ્રસ્થાન કરશે. જ્યારે 20960 વડનગર–વલસાડ એક્સપ્રેસ એ જ દિવસ સાંજે 6.15 કલાકે આગમન અને 6.17 કલાકે પ્રસ્થાન કરશે. 2. ટ્રેન નંબર 12215 દિલ્લીસરાય રોહિલ્લા– બાન્દ્રા ટર્મિનસ ગરીબ રથ એક્સપ્રેસ 16 ડિસેમ્બરથી રાત્રે 10.41 કલાકે આગમન અને 10.43 કલાકે પ્રસ્થાન કરશે. તે જ રીતે 12216 બાન્દ્રા ટર્મિનસ– દિલ્લીસરાય રોહિલ્લા ગરીબ રથ એક્સપ્રેસ રાત્રે 8.11 કલાકે આગમન અને 8.13 કલાકે પ્રસ્થાન કરશે. 3. ટ્રેન નંબર 16507 જોધપુર– કેએસઆર બેંગ્લુરુ એક્સપ્રેસ 18 ડિસેમ્બરથી બપોરે 12.55 કલાકે આગમન અને 12.57 કલાકે પ્રસ્થાન કરશે. જ્યારે 16508 કેએસઆર બેંગ્લુરુ– જોધપુર એક્સપ્રેસ 17 ડિસેમ્બરથી સવારે 6.19 કલાકે આગમન અને 6.21 કલાકે પ્રસ્થાન કરશે. 4. ટ્રેન નંબર 15269 મુજફ્ફરપુર– સાબરમતી જનસાધારણ એક્સપ્રેસ 20 ડિસેમ્બરથી સવારે 5.53 કલાકે આગમન અને 5.55 કલાકે પ્રસ્થાન કરશે. તે જ રીતે 15270 સાબરમતી– મુજફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ સાંજે 6.28 કલાકે આગમન અને 6.30 કલાકે પ્રસ્થાન કરશે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 4:50 am

ભાસ્કર એક્સક્લુસિવ:પિતાની વ્યસન છોડવાની બાંહેધરીથી માતાના અવસાન બાદ પિતાનો પ્રેમ પણ ગુમાવી બેઠેલી દીકરીને ફરી પરિવારની હૂંફ મળી

એક દિવસ બપોરના સમયે મહિલા સહાયતા કેન્દ્રમાં હું મારી ટેબલ પર બેઠી હતી. એ દરમિયાન એક યુવતી કચેરીના દરવાજે ઊભી રહી અંદર તરફ આશાની નજરે જોઈ રહી હતી. મેં તરત એને અંદર બોલાવી. પાણી આપીને શાંતિથી પૂછ્યું, શું થયું છે? થોડી ક્ષણો એ ચૂપ રહી. પછી ધીમે અવાજે બોલી, હું ઘર છોડીને આવી છું, મને મદદ કરો. એ શબ્દોમાં દુઃખ પણ હતું અને વિશ્વાસ પણ. યુવતીએ પોતાની વાત શરૂ કરતાં કહ્યું કે, માતાના અવસાન પછી પિતા સતત દારૂના નશામાં રહેતા હતા. પરિવારના દબાણથી સમાજમાં લગ્ન કરાયા, પરંતુ પતિ ન ગમતાં સંબંધ ક્યારેય બંધાયો નહીં. અંતે છૂટાછેડા લઈ સંબંધીના ઘરે રહેવા મજબૂર બની. જોકે, છૂટાછેડાનો સામાજિક વ્યવહાર બાકી હતો. એટલે લગ્ન તૂટ્યા બાદ સંબંધીઓનું વર્તન બદલાઈ ગયું. મારઝૂડ અને અપમાન વચ્ચે એકલી પડી ગઈ છું. આ હકીકતના આધારે કેસની કાર્યવાહી શરૂ કરી હતી. પ્રથમ તબક્કે એ સંબંધીઓને કચેરી બોલાવ્યા, જેમણે એના લગ્ન કરાવ્યા હતા અને જ્યાં એ રહેતી હતી. યુવતીના મનની વાત તેમની સામે મૂકતાં ધીમે ધીમે વાત સ્પષ્ટ થવા લાગી. કાઉન્સેલિંગથી છૂટાછેડાની સામાજિક પ્રક્રિયા પૂર્ણ થઈ.છતાં પણ સમસ્યા ત્યાં અટકી નહીં. યુવતી ન તો પિતા પાસે જવા તૈયાર હતી, ન તો સંબંધીઓ પાસે. ફરીથી એની સાથે વાત કરતાં ખબર પડી કે એને પિતા પ્રત્યે ખૂબ પ્રેમ છે, પરંતુ વ્યસનથી ડરે છે. એ પછી મેં પિતાને કચેરી બોલાવ્યા. મેં તેમને તેમની દીકરી કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે તે સમજાવ્યું અને કહ્યું, તમારી દીકરી તમને ખૂબ પ્રેમ કરે છે, પણ એ તમારાથી ડરે છે. આ શબ્દો સાંભળતાં જ પિતા ભાવુક થઈ ગયા. તેમણે પૂછ્યું, મારાથી શેનો ડર? એ જ ક્ષણે મેં તેમની કુટેવ વિશે વાત શરૂ કરી. આરોપ નહીં, પરંતુ દીકરીની લાગણીઓ સાથે. પિતા તૂટી પડ્યા. તેમણે દીકરીને ગળે લગાવી અને દારૂ છોડવાની બાંહેધરી આપી. આ પળ મારા માટે પણ ખૂબ ભાવુક હતી. માતાના અવસાન બાદ પિતાનો પ્રેમ પણ ગુમાવી બેઠેલી દીકરીને ફરી પરિવાર મળી ગયો. યુવતીને ઘર અને પિતા સુધી પહોંચાડવા 6 મહિનાનો સમય લાગ્યો હતો.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 4:49 am

તમામ ‎બ્લોકમાં સેન્ટ્રલ એસીની સુવિધા ‎ઉભી કરાશે:80 કરોડના ખર્ચે સચિવાલયના તમામ બ્લોક વાતાનુકૂલિત બનાવવા કવાયત શરૂ

ગુજરાત રાજ્ય વહીવટી સુધારણા પંચના પ્રથમ અહેવાલમાં સરકારી કચેરીઓમાં એસી આપવાની ભલામણ કરવામાં આવી હતી. જેના અમલિકરણના ભાગરૂપે નવા સચિવાલયના તમામ બ્લોકમાં સેન્ટ્રલ એસીની સુવિધા ઉભી કરવામાં આવશે. આ માટેની પ્રક્રિયા 80 કરોડના ખર્ચે શરૂ કરી દેવાઇ છે, જેથી નવા સચિવાલયમાં વર્ષના અંતે કર્મચારીઓને એસીની સુવિધા ઉપલબ્ધ થશે. નવા સચિવાલયના 14 બ્લોકમાં 9 માળમાં 26 વિભાગની કચેરીઓ આવેલી છે. આ બ્લોકમાં અધિકારીઓની ચેમ્બરોમાં એસી છે પરંતુ શાખામાં બેસતા કર્મચારીઓને એસીની સુવિધા નથી. ગાંધીનગરમાં પણ ઉનાળા દરમિયાન તાપમાન 40 ડિગ્રીની ઉપર રહેતું હોવાથી કર્મચારીઓ અસુવિધા અનુભવે છે. સરકાર દ્વારા કર્મચારીઓ માટે ભાડેથી કુલર મૂકવામાં આવતા હોય છે. જેના બદલે હવે તમામ બ્લોક સેન્ટ્રલ એસી બનશે. આ કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. એક વર્ષમાં કામ પૂરુ થશે. સ્વર્ણિમ સંકુલ અને વિધાનસભા સંકુલ સંપૂર્ણ વાતાનુકુલિત છે, પરંતુ 1985માં બનેલા બ્લોકમાં એસીની સુવિધા નથી. સચિવો અને અધિકારીઓના ચેમ્બરમાં એસી છે. હવે પંચે એસીને લક્ઝરી નહીં, પણ જરૂરીયાત ગણાવ્યું છે. અહેવાલમાં જિલ્લા અને તાલુકાની કચેરીઓમાં પણ એસી સિસ્ટમ લાગુ કરવાની ભલામણ છે. એસીથી કર્મચારીઓની કાર્યક્ષમતા વધશે. ગરમીથી થતી તકલીફો ઘટશે. પંચનો આ અહેવાલ રજૂ થયા બાદ સરકાર કર્મચારીઓના સૂચનો પણ મંગાવી ચૂકી છે. નવા સચિવાલયના તમામ બ્લોકમાં સેન્ટ્રલી એસી પ્લાન્ટના યુનિટ લગાવાશે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 4:47 am

પરિણીતાને ત્રાસ:સરગાસણની મહિલાને પતિએ ત્રાસ આપતાં ફરિયાદ નોંધાવી

શહેરના સરગાસણ વિસ્તારમાં રહેતી પરિણિતાએ સાસરીયાઓના ત્રાસથી કંટાળીને આખરે પતિ અને સાસરીયા સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. પતિને અન્ય યુવતિ સાથે સંબંધ હોવાથી પત્નીને માર મારીને શારીરિક- માનસિક ત્રાસ આપતો હોવાનું પત્નીએ ફરિયાદમાં જણાવ્યું છે. સરગાસણમાં રહેતી યુવતીએ ભરૂચમાં રહેતા સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાના લગ્ન 8 વર્ષ પહેલા મૂળ મહેસાણાના યુવાન સાથે થયા હતા. જે તેના પરિવાર સાથે હાલ ભરૂચમાં રહે છે. ચાર વર્ષ અગાઉ મહિલાએ એક દિકરીને જન્મ આપ્યો હતો. તે પછી સાસરીયાનું વર્તન બદલાયું હતું. પતિને રેલવેમાં નોકરી મળતાં પરિવાર સાથે ભરૂચ રહેવા ગયા હતા. પરંતુ પતિ અન્ય યુવતી સાથે સંપર્કમાં હોવાના અને તેની સાથે સંબંધો હોવાની જાણ મહિલાને થતાં તે અંગેની પૃચ્છા કરતા બંને વચ્ચે ઝઘડા થતા હતા. આ મામલે પતિ ઉશ્કેરાઇને પત્ની સાથે મારઝૂડ પણ કરતો હતો. અગાઉ મહિલાના પિતા આર્થિક મદદ કરતા હતા પરંતુ તેમનું અવસાન થયા બાદ તે બંધ થઇ ગઇ હતી. જેથી સાસુ અને સસરાએ પણ ત્રાસ આપવાનું ચાલું રાખ્યું હતું. મહિલાએ તેના ભાઇને આ બાબતની જાણ કરતા તેમણે મહિલાના પતિ અને ઘરના સભ્યોને સમજાવ્યા હતા પણ તેની કોઇ અસર થઇ ન હતી. જેથી મહિલાએ સાસરીયાના ત્રાસથી કંટાળીને પતિ અને સાસુ સસરા સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 4:46 am

મોત:ગઠામણ પાટિયા પાસે બસની ટક્કરે બાઇક સવારનું મોત

પાલનપુર -અમદાવાદ હાઇવે પર ગઠામણ પાટિયા પાસે શુક્રવારે રાત્રે માર્ગ એસ.ટી. બસ ચાલકે બાઇકને ટક્કર મારતાં એક યુવકનું મોત થયું હતું, જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પાલનપુર નવા લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતા પાનસિંહ બધેલ અને તેમના સાળા રાજાબાબુ ઉર્ફે કમલેશ બંને કાણોદર તરફ કલરકામ માટે ગયા હતા. કામ પૂર્ણ કરી શુક્રવારે રાત્રે આશરે 8 વાગ્યે તેઓ બાઇક નં. જીજે-08-એસી-8469 પર પાલનપુર પરત ફરી રહ્યા હતા. તે સમયે ગઠામણ પાટીયા પાસે પ્રેમ હોટલ સામે રોડ ક્રોસ કરતી વેળાએ પાલનપુર તરફથી આવતી એસ.ટી. બસ નં. જીજે-18-ઝેડટી-3195 ના ચાલકે બાઇકને ટક્કર મારી હતી.આથી બંને બાઇક સવારો રોડ પર પટકાયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી અને બંનેને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમ્યાન પાનસિંહને હાજર ડૉક્ટરોએ મૃત જાહેર કર્યા હતા, જ્યારે રાજાબાબુને માથાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર શરુ કરી હતી.આ અકસ્માતને લઈ મૃતકના ભાઈ કમલસિંહ ભગવાનદીન ચતુરસિંહ બધેલએ બસના ચાલક સામે પશ્ચિમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 4:44 am

પાણીનો વેડફાટ:પાટણના ગાંધીબાગમાં બોર ઓપરેટર મોટર બંધ કરવા ભૂલી જતાં પાણી વેડફાયું

​પાટણ શહેરના ગાંધીબાગ ખાતે આવેલ બોરના ઓપરેટર પાણીની મોટર ચાલુ કરીને તેને બંધ કરવાનું ભૂલી જતાં હજારો લિટર શુદ્ધ પીવાના પાણીનો બેફામ બગાડ થયો હતો. ​ઓપરેટરની આળસને કારણે બોરમાંથી નીકળતું પાણી રોડ પર રેલાયું હતું અને તેનો પ્રવાહ છેક હોટેલ ગુર્જરી સુધી પહોંચ્યો હતો. ભર શિયાળામાં પણ રસ્તાઓ પર ચોમાસા જેવો માહોલ સર્જાતા રાહદારીઓ આશ્ચર્યમાં મુકાયા હતા.​પાણીના ધસમસતા પ્રવાહને કારણે સમગ્ર ગાંધીબાગ છલોછલ ભરાઈ ગયો હતો. જેને પગલે બપોરના સમયે આરામ કરવા આવેલા લોકોને કાદવ અને પાણીના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના ઘણા વિસ્તારમાં પીવાના પાણીની હાલાકીને લઈને લોકો ત્રાહિમામ્ પોકારી વારંવાર નગરપાલિકામાં હલ્લાબોલ કરે છે. ત્યારે બીજી તરફ આવા કર્મીઓના કારણે પીવાના શુદ્ધ પાણીનો બગાડ થઈ રહ્યો છે.ગાંધીબાગમાં આવેલ બોરમાંથી પીવાનું પાણી ઉભરાવાના બનાવો વારંવાર બને છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 4:42 am

ભાસ્કર ઈનસાઈડ:સિદ્ધપુરમાં ત્રણ પાર્લર અને એક દુકાન પર ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપર્સ વેચાણ થતા હતા

ચરસ ગાંજો હાઈબીડ ગાંજો જેવાં ડ્રગ્સના માદક દ્રવ્યોના સેવન માટે ઉપયોગમાં લેવાતાં પ્રતિબંધિત રોલિંગ પેપર્સ ગોગો સ્મોકિંગ કોનના વેચાણનો પાટણ જિલ્લામાં પ્રતિબંધ બાદ સિદ્ધપુરમાં પોલીસે 3કરેલ પ્રથમ રેડમાં પહેલી વખત ત્રણ પાર્લર અને એક દુકાન ઉપરથી વેચાણ થતાં 694 નંગ ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપર્સનાં જથ્થા સાથે 4 વેપારીને પકડી પાડ્યા છે. સિદ્ધપુર પોલીસે બાતમી આધારે સિદ્ધપુરમાં દેથળી રોડ પર વહાણવટી પાન પાર્લરમાંથી રૂ.1335ના 89 નંગ ગોગો સ્મોકિંગ કોન સાથે મેળોજના કરણજી ગણેશજી ઠાકોરને પકડી પાડ્યો હતો. જ્યારે સિદ્ધપુરના માધુપુરા ખાતે પાટીદાર કોમ્પ્લેક્સમાં ધ્રુવી પાર્લરમાં પોલીસે રેડ કરી રૂ.500નાં 50 નંગ રોલિંગ પેપર્સ સાથે મહેન્દ્રભાઈ રામજીભાઈ પ્રજાપતિને પકડી પાડ્યા હતા. જ્યારે જય ગોગા પાર્લર ખાતે રેડ કરી રૂ.555ના 37 નંગ ગોગો સ્મોકિંગ કોન સાથે રવિ હરેશભાઈ પટેલને પકડી પાડ્યા હતાં. જ્યારે સુપર માર્કેટની દુકાનમાં પોલીસે રેડ કરી રૂ.2520ના 168 ગોગો સ્મોકિંગ કોન અને રૂ.3,500નાં 350 રોલિંગ પેપર્સ સાથે અશોકકુમાર કંડાણીને પકડી પાડ્યા હતા. આ અંગે ચારેય વેપારીઓ સામે સિદ્ધપુર પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરી હતી. બાઈક પર થતી હતી ડિલિવરી, સ્કૂલના બાળકો પણ ગ્રાહક હતાસિદ્ધપુર સહિત પાટણમાં પાર્લરના વેપારીઓને ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરનાં વેચાણ અને માલ ક્યાંથી લાવતા અંગે પૂછતાં જાણવા મળ્યું હતું કે એક વ્યક્તિ બાઈક પર અઠવાડિયામાં એકાદ વખત ડિલિવરી આપી જતો હતો. વેપારીઓ જરૂરિયાત પ્રમાણે જથ્થો ખરીદતા હતાં અને નશીલા પદાર્થોનું સેવન કરતાં લોકો વેપારીઓ પાસેથી ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપસૅની ખરીદી કરતા હતાં. જેમાં સૌથી વધુ યુવકો ખરીદી કરવા આવતા હતા.એક કોનના 70 રૂપિયા લેતા હતા. કેટલાક સમયે તો સ્કૂલના બાળકો ખરીદી કરવા આવતા હતા.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 4:38 am

આરોપી ઝડપાયો:પાલનપુરમાં મ્યુલ બેંક અકાઉન્ટ દ્વારા રુ.1.15 લાખના સાયબર ફ્રોડનો આરોપી ઝડપાયો

પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે રાજ્યભરમાં ચાલી રહેલા ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત સાયબર ક્રાઈમ સામે મોટી સફળતા મેળવી છે. પોલીસે ગુજરાત, તેલંગાણા, તમિલનાડુમાં નોંધાયેલી અલગ અલગ 3 ફરિયાદોના આધારે 20 વર્ષીય યુવકની અટકાયત કરી રુ.1.15 લાખના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો હતો. પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.કે. દેસાઈના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મહિન્દ્રા કોટક બેંકનું એક મ્યુલ બેંક અકાઉન્ટ શંકાસ્પદ રીતે વપરાયેલું હોવાનું સામે આવ્યું હતું. જેમાં કુલ રુ.1.15 લાખ જેટલા ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયેલા હતા. વધુ તપાસમાં આ અકાઉન્ટ પાલનપુરના નાની બજાર, નાગોરી વાસ, હુસૈનીચોક વિસ્તારમાં રહેતા આકીબખાન જહુરખાન નાગોરીનું હોવાનું બહાર આવ્યું હતું. આ એકાઉન્ટનો ઉપયોગ કરી દેશના વિવિધ રાજ્યોમાં સાયબર ફ્રોડ કરાયેલો હોવાનું પણ ખુલ્યું હતું. જેમાં સુરતના વરાછા રોડ પોલીસ સ્ટેશન, તેલંગાણાના રાચકાંડા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન તથા તમિલનાડુના કૃષ્ણાગીરી જિલ્લામાં આ અંગે ઓનલાઈન સાયબર ફરિયાદો નોંધાયેલી હતી.જેના આધારે પાલનપુર પશ્ચિમ પોલીસે શુક્રવારે સવારે 7:30 વાગે આરોપીની અટકાયત કરી હતી.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 4:33 am

પર્દાફાશ:અલગ અલગ રાજ્યોમાંથી ફ્રોડ કરી મેળવેલા રૂ.33.20લાખના મ્યુલ બેંક ખાતાનો પર્દાફાશ

વાવ પોલીસને સાયબર ક્રાઇમ સેલ ગુજરાત રાજ્યની સૂચનાના આધારે સમન્વય પોર્ટલ પર નોંધાયેલા મ્યુલ બેંક એકાઉન્ટોની તપાસમાં મોટી સફળતા મળી છે. પોલીસે સાયબર ફ્રોડના અલગ અલગ રાજ્યોના નાણાંની હેરાફેરીમાં સંડોવાયેલા વાવ અને ધાનેરા તાલુકાના મળી ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વાવ પોલીસે સાયબર ક્રાઇમ સેલની સૂચના અનુસાર સમન્વય પોર્ટલ પર મળેલા ઇનપુટના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન, વાવ બ્રાંચના એસબીઆઇ બેંક અને બેંક ઓફ બરોડાના ખાતા નંબર પર પ્રવૃત્તિ શંકાસ્પદ જણાઈ હતી. એસબીઆઈ ખાતામાં રૂ.15,89,413ની અને બેન્ક ઓફ બરોડાના ખાતામાં રૂ.17,30,749 માતબર રકમના ટ્રાન્ઝેક્શન્સ જોવા મળ્યા હતા, જે ભારતના જુદા જુદા રાજ્યોમાં થયેલ સાયબર ફ્રોડની 4 ફરિયાદો સાથે સંકળાયેલા હતા.બેંક સ્ટેટમેન્ટની ચકાસણીમાં જાણવા મળ્યું હતું કે આ રકમ ખાતામાં જમા થતાંની સાથે જ ચેક અને એટીએમ દ્વારા તાત્કાલિક ઉપાડી લેવામાં આવી હતી. પોલીસે ખાતા ધારક શીવાભાઈ સામતાભાઈ ચૌધરી અને ભરતભાઈ ઉકાભાઇ રાજપૂતની પૂછપરછ કરી હતી. પૂછપરછમાં શીવાભાઈએ ખુલાસો કર્યો હતો કે તેના મિત્ર પરશુભાઈ સુજાભાઈ ભાંડના કહેવાથી આ નાણાં ખાતામાં જમા થતા હતા અને તે રોકડા ઉપાડીને પરશુભાઈને આપતો હતો. બીજી તરફ અન્ય ફરિયાદની તપાસમાં પરશુએ કરેલા ફ્રોડના રૂ.17,30,749 શીવાભાઈના ખાતામાં ટ્રાન્ઝેક્સન કરતો જે નાણાં શીવાભાઈ ભરતના ખાતામાં ટ્રાન્ઝેક્સન કરતાં ભરત ચેક મારફતે એટીએમમાંથી ઉપાડી લેતો હોવાનું પૂછપરછમાં જાણવા મળતાં ત્રણેય આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરૂં રચી એકબીજાની મદદગારીથી સાયબર ફ્રોડ દ્વારા મેળવેલી રકમનું ટ્રાન્ઝેક્શન કરી નાણાકીય લાભ મેળવ્યો હોવાનું જણાઈ આવ્યું હતું.આથી પોલીસે અલગ અલગ ફરિયાદના આધારે આરોપીઓ શીવાભાઈ સામતાભાઈ ચૌધરી (રહે. માડકા, તા. વાવ), ભરતભાઈ ઉકાભાઇ રાજપૂત (રહે.બિયોક તા.વાવ) અને પરશુભાઈ સુજાભાઈ ભાંડ (રહે. ધાખા, તા. ધાનેરા) વિરુદ્ધ અલગ અલગ ફરિયાદમાં ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી. રાજ્યોમાં ફ્રોડ કર્યાં હોવાનું બહાર આવ્યુંવાવ પોલીસ મથકે ફ્રોડની બે ફરિયાદો નોંધાઈ છે. જેમાં અમદાવાદ સહિત અલગ અલગ જેવા કે કર્ણાટક,મધ્યપ્રદેશ, તમિલનાડુ, કેરળ, તેલંગણા સહિત રાજ્યોના લોકો સાથે નાણાં ફ્રોડ કર્યાની સાયબર કમ્પલેન રજીસ્ટર થયેલી હતી. જેને આધારે તપાસ હાથ ધરાઈ હતી.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 4:32 am

ભાસ્કર ઈન્સાઈડ:ચંડીસરમાં ઘી બનાવતી શ્રી સેલ્સ એજન્સી પર ફૂડ ટીમ ત્રાટકતાં સંચાલક ભાગી ગયો,ગોડાઉન સીલ

ચંડીસર જીઆઇડીસીમાં શુક્રવારે રાત્રે પાલનપુર ફૂડ વિભાગે દરોડો પાડતા એજન્સી સંચાલક ભાગી ગયો હતો. શંકાસ્પદ ઘી બનતું હોવાની બાતમીના આધારે ફૂડ વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અધિકારીઓ ફેક્ટરી પર પહોંચતા જ માલિક ફરાર થઈ ગયો હતો. શ્રી સેલ્સ ફેક્ટરીમાં અગાઉ પણ લાખો રૂપિયાનો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો. તેવામાં ફરી ફૂડ વિભાગે કાર્યવાહી માટે દરોડો પાડતા સંચાલકના ભાગી ગયા બાદ તાત્કાલિક પોલીસને બોલાવીને અંદરનું મુખ્ય ગોડાઉન સીલ કરાયું હતું જ્યારે ફેક્ટરી ની બહાર પરિસરમાં મોટી સંખ્યામાં જીના ખાલી ડબ્બા આગળ બેસીને શનિવારે દિવસ દરમિયાન પંચનામુ સહિતની કામગીરી કરવામાં આવી હતી. આ અંગે ફૂડ અધિકારી તેજસ પટેલે જણાવ્યું હતું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુરના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમે ચંડીસર જી.આઇ.ડી.સી.માં આવેલી ''શ્રી સેલ'' નામની ઘી ઉત્પાદક પેઢીની તપાસ કરી હતી. પ્રાથમિક બાતમી મુજબ, પેઢીના માલિક શંકાસ્પદ ઘી બનાવતા હતા. અગાઉ પણ આ પેઢી સામે બેથી ત્રણ વાર ઘીની તપાસ કરવામાં આવી હતી અને તેના નમૂનાઓ ''સબ-સ્ટાન્ડર્ડ'' જાહેર થયા હતા. આ સંદર્ભે, ફરીથી ઘી બનાવતા હોવાની બાતમી મળતા તપાસ હાથ ધરાઈ હતી.તપાસ દરમિયાન, પેઢીના માલિકના એક ગોડાઉનમાં માલ સંગ્રહ કરાતો હોવાનું જણાયું હતું. ગત વર્ષે રૂ. 35 લાખનું શંકાસ્પદ ઘી ઝડપાયું જેનો કેસ ચાલી રહ્યો છે પાલનપુર નાયબ કલેકટરની કોર્ટમાં ફૂડ સેફટીના કેસો અંતર્ગત ચંડીસરની આજ ફેક્ટરીમાંથી 35 લાખનું ઘુમર બ્રાન્ડનું શંકાસ્પદ ઘી ઝડપાતા સેમ્પલ પરીક્ષણમાં નાપાસ થયા હતા જે બાદ હાલમાં કોર્ટ કાર્યવાહી ચાલી રહી છે તેવામાં ફરી લાખો રૂપિયાનો જથ્થો પકડાય તેવી આશંકા છે. ગોડાઉનની તપાસ કરતા માલિક ત્યાંથી પણ નાસી છૂટ્યા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરીને તેમને હાજર કરી ફૂડ સેફ્ટી એક્ટ હેઠળની કામગીરી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હાલમાં કુલ બે જગ્યાએ તપાસ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 4:31 am

સેમિનાર:એમબી પટેલ સ્કૂલમાં ગાયનેકોલોજી અંગેનો સેમિનાર યોજાયો

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી સંચાલિત શ્રીમતી એમ.બી. પટેલ ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલમાં W.D.C. અંતર્ગત ગાયનેકોલોજી સેમિનાર યોજાયો. સેમિનારમાં ડૉક્ટર વિયોની ઠક્કર અને ડૉક્ટર નવ્યા ઠક્કરે ધોરણ 6 થી 8 ની વિદ્યાર્થીનીઓને સ્ત્રી રોગોની માહિતી આપી. હાઈજીન અંગેની સમજણ પણ આપી. વિદ્યાર્થીનીઓએ પ્રશ્નો પૂછ્યા. ડૉક્ટરોએ સરળ ભાષામાં જવાબ આપ્યા. સેમિનાર દરમિયાન વિદ્યાર્થીઓએ નોંધપાત્ર ઉત્સાહ દર્શાવ્યો.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 4:31 am

કાર્યવાહી:સિદ્ધપુરમાં ચાઈનીઝ દોરીની 5 ફીરકી સાથે યુવક ઝડપાયો

પાટણ| સિદ્ધપુરમાંથી ચાઈનીઝ દોરીની 5 ફીરકીઓ સાથે યુવક પકડાતાં ફરિયાદ નોંધાઇ હતી. સિદ્ધપુર પોલીસની ટીમ પોલીસ પેટ્રોલીંગમાં હતી. તે વખતે બાતમીના આધારે, પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ફીરકીઓ ચંન્દ્રાવતી ગામના મંગાજી ધારુજી ઠાકોર ને પકડી પાડ્યો હતો. તેની પાસેથી પોલીસને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની પાંચ ફીરકીઓ મળી આવી હતી. પોલીસે તેની વિરુદ્ધ સિદ્ધપુર પોલીસ મથકે ખાતે બી.એન.એસ. કલમ-223 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 4:25 am

કાર્યવાહી:નવલપુર ભાટોડાની સીમમાંથી‎~3.34 લાખનો દારૂ પકડાયો‎

હિંમતનગર તાલુકાના ગાંભોઈ નજીક સૂરજપુરા ફાટક આગળ વાહન ચેકિંગ કરી રહેલ પોલીસને જોઈ ગાડી ભગાવી મૂકતાં પોલીસે પીછો કરતા ગાંભોઈ ત્રણ રસ્તા થઈ શામળાજી તરફ જતાં નવલપુર ભાટોડા ગામની સીમમાં ગાડી મૂકી ખેપીયો અને તેની બાજુમાં બેઠેલો શખ્સ ફરાર થઈ ગયા હતા. પીછો કરી રહેલ પોલીસે ગાડી નજીક પહોંચી ગાડીની તપાસ કરતાં અંદરથી 3,34,800નો દારૂ મળ્યો હતો. તા.12-12-25ના રોજ ગાંભોઈ પોલીસ સૂરજપુરા ફાટક નજીક વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન ભિલોડા બાજુથી આવી રહેલ ગાડી નંબર જીજે-01-આરકે-4339ને ઉભી રાખવા ઈશારો કરતાં ચાલકે ગાડી દોડાવી મૂકી હતી. જેથી ગાંભોઈ પોલીસે પીછો કરતાં ખેપીયો ગાડી લઈને ગાંભોઈ ત્રણ રસ્તા થઈ શામળાજી તરફ ભાગ્યો હતો અને પોલીસનો પીછો ચાલુ રહેતા પકડાઈ જવાની બીકે નવલપુર ભાટોડા ગામની સીમમાં રોડની બાજુમાં ગાડી મૂકી ખેપીયો અને તેની બાજુમાં બેઠેલો શખ્સ ખેતરમાં થઈ ભાગી ગયા હતા. પાછળ આવી પહોંચેલ પોલીસે ગાડીમાંથી દારૂની 20 પેટીઓ બોટલ નંગ 828 કિં.3,34,800નો જથ્થો અને ગાડી મળી કુલ રૂ. 8,34,800નો મુદ્દામાલ કબજે લઈ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 4:23 am

ખેડૂતોને થયું લાખોનું નુકસાન:કરમસદ આણંદ મનપાના પાલિયા વિસ્તારમાં એસટીપી પ્લાન્ટમાં ગટરનું ગંદુ પાણી છોડતાં 50 વીઘા જમીનના ખેતીપાકને નુકશાન

કરમસદ આણંદ મનપાના પાલિયા વિસ્તારમાં આવેલા એસટીપી પ્લાન્ટમાંથી પાણીનું શુદ્વિકરણ કર્યા વગર જ ડેડ કેનાલમાં છોડી દેવામાં આવતાં 50 વીઘા જમીનમાં ગટરના ગંદા પાણી ફરી વળતાં ઘઉં, ટામેટી અને તમાકુના પાકને ભારે નુકસાન થતાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે. પાંચ માસ પહેલા એસટીપી પ્લાન્ટનું પાણી ખેતરોમાં ફરી વળતાં ભારે નુકસાન થયું હતં. જે તે વખતે કલેક્ટરને રજૂઆત કરી હતી તેઓ મનપાને કડક સુચના આપીને ફરી આવું ના થાય તેની તકેદારી રાખવામાં જણાવ્યું હતું તેમ છતાં મનપા ડ્રેનેજ વિભાગ મનમાની કરી રહ્યો હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યું છે. આ પ્રશ્ન તાત્કાલિક હલ નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ,કરમસદ, સંદેશર રોડ પર પાલિયા વિસ્તારમાં ગટરના ગંદા પાણીના શુદ્વિકરણ માટેનો એસ ટી પી પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. તેમ છતાં મનપા દ્વારા પાણીનું શુદ્વિકરણ કર્યા સિવાય ડેડ કેનાલમાં ગટરના ગંદા પાણી છોડી દેવામાં આવતાં ખેડૂતોને છેલ્લા બે વર્ષમાં ત્રણ વખત પાક નિષ્ફળ ગયો છે. વારંવાર ગંદા પાણી ઘુસી જતાં જમીન કેમિકલ તત્વો ઉમેરાતા બંજર બની જવાનો ભય સતાવી રહ્યો છે. કેનાલમાં નાંખે છે.જેથી કેનાલ ઉભરાઇને આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળે છે.છેલ્લા બે વર્ષથી આ પ્રશ્ન સતાવી રહ્યો છે. ચાલુ વર્ષે પણ જુલાઇમાં ગટરના પાણી 25થી વધુ ખેતરોમાં ફરી વળતાં ચોળી,ગલકા સહિતના શાકભાજીના પાકને નુકશાન થયું છે. જે બાબતે જિલ્લા કલેક્ટર, ડીડીઓ, આણંદ મનપા કમિશ્નરે રજૂઆત કરવા છતાં કોઇ જ પગલાં લેવાતા નથી.ખેતરમાં ચાર દિવસ ગટર ગંદા પાણી ભરાઇ રહેતા પાક કોહવાય જતાં ખેડૂતોને લાખો નુકશાન થઇ રહ્યું છે. વિદ્યાનગર, કરમસદ સહિત વિસ્તારના ગટરના ગંદા પાણી પાલિયા વિસ્તારમાં આવેલા એસટીપી પ્લાન્ટમાં નાંખવા આવે છે. પરંતુ આ પ્લાન્ટમાં પાણી શુદ્વ કરવાની કે તેનો નિકાલ કરવાની કોઇ જ વ્યવસ્થા નથી.જેથી પ્લાન્ટ ભરાઇ જાય એટલે તંત્ર દ્વારા બાજુ આવેલી માઇનોર કેનાલમાં પાઇપ દ્વારા પાણી છોડી દેવામાં આવે છે.,જે પાણી ખેતરોમાં ઘુસી જાય છે. ડેડ કેનાલ ઉભરાઇને તમાકુ રોપણી કરેલા ખેતરમાં ફરી વળતાં જયેશ તળપદા નામના ખેડૂતોને ભારે નુકશાન થયું છે. ભાસ્કર ઇનસાઇડમનપા એસટીપ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાનકરમસદ પાલિકાના શાસનમાં અંદાજે 50 લાખ ઉપરાંતના ખર્ચે કરમસદના પાલિયા વિસ્તારમાં તલાવડી પાસે એસટીપી પ્લાન્ટ બનાવ્યો હતો. પરંતુ જાળવણીના અભાવે એસટીપી પ્લાન્ટની તમામ મશીનરી ખોટકાઇ ગઇ છે. જે તે વખતે ગટરના ગંદા પાણીને એસટીપી પ્લાન્ટ થકી શુદ્વ કરીને ખેતી પાક માટે આપવાનો નિર્ણય કર્યો પરંતુ તંત્રની બેદરકારીને કારણે બે વર્ષથી એસટીપી પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે. ગત જુલાઇમાં મનપાએ પ્લાન્ટ પુન: કાર્યરત કરી પાણીનું શુદ્વિકરણ કરવાની ખાતરી આપી પરંતુ આજદીન સુધી કામ હાથ ધરાયું નથી. જેને લઇને પુન:ખેડૂતોને શોષવાનો વખત આવ્યો છે. 3 વીઘા ખેતરમાં ઘઉંના પાકમાં ગંદા પાણી ફરી વળતાં નિષ્ફળ ગયો કરમસદ પાલિયા વિસ્તારમાં3 વીઘા ખેતરમાં ઘઉંનો પાક રોપ્યો હતો. હાલમાં ઘંઉ ફૂટ અવસ્થામાં હતા. .ત્યારે ગટરના ગંદા પાણી ખેતરમાં ફરી વળતા તમામ પાક ફેલ ગયો છે. જેથી અંદાજે30 હજારનું નુકશાન થયું છે. હવે પાણી ખાલી થાય ત્યાં સુધી બીજો પાક લઇ શકાશે નહી. જેથી શિયાળુ સિઝન મનપાના પાપે ફેઇલ જતાં મારે દિકરાઓની ફિ ભરવાના પૈસા ખોરવાનો વખત આવશે.> દશરથ ચાવડા, ખેડૂત

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 4:22 am

યુવક ગુમ થયો:ખાનપુરનો યુવક ગુમ

બોરસદ તાલુકાના ખાનપુર ગામે ગાંધી ચોક ખાતે રહેતા હિર અમીતભાઇ પટેલ ઉ.વ 19 ગત 11મીનો રોજ કોલેજ જવાનું કહીને ઘરે નીકળ્યો હતો. જે મોટી સાંજ સુધી ઘરે પરત ફર્યો ન હતો. તેમના પરિવારજનો તપાસ કરવા છતાં કોઇ પત્તો લાગ્યો ન હતો. આ બંને બનાવ અંગે બોરસદ પોલીસ મથકે જાણવા જોગ નોંધાઇ છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 4:19 am

પ્રતિબંધના ‎જાહેરનામાનો ઉડ્યો છેદ:સર્કીટ હાઉસ માર્ગ વાહનો માટે પ્રતિબંધ છતાં જાહેરનામાનો ભંગ

આણંદ સર્કીટ હાઉસ વ્હાઇટ ટોપીગ રોડ નિર્માણ પગલે આવાગમન પ્રતિબંધના જાહેરનામાનો થતો ભંગ, કરમસદ આણંદ મહાપાલિકા દ્વારા ત્રિભુવનદાસ પટેલ(સર્કીટ હાઉસ) માર્ગને વ્હાઇટ ટોપીગ માર્ગ તરીકે ડેવલપ કરવાની કામગીરી અંતર્ગત સદર માર્ગ આગામી 6 ફેબ્રુઆરી સુધી સંપૂર્ણ બંધનું જાહેરનામું છતાં વાહનોના આવાગમન થતાં પ્રતિબંધના છેદ ઉડી રહ્યા નું જાણવા મળેલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગત સપ્તાહે કરમસદ આણંદ મહાપાલિકા દ્વારા ત્રિભુવનદાસ પટેલ (સર્કીટ હાઉસ) માર્ગને વ્હાઇટ ટોપીગ માર્ગની કામગીરી હાથ ધરતાં આગામી 6 ફેબ્રુઆરી સુધી વાહન આવાગમન પર પ્રતિબંધ નું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત વાહન આવાગમન માટે વૈકલ્પિક વ્યવસ્થાના આયોજન કરવામાં આવ્યાં હતું તેમ છતાં હાલમા માર્ગની કામગીરી સમયે સદર માર્ગ પરથી વાહનોના અવરજવર ચાલુ રહેતા જાહેરનામુંના ભંગ થતાં હોવાનું જાણવા મળેલ છે. જો કે તંત્ર દ્વારા અમલ કરાવાતો નથી. જેથી ચાલકો ઘુસી જાય છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 4:18 am

લોક માંગ:મનપા વિસ્તારમાં આવેલ મહાવીર ઝુંપડપટ્ટીના ગેરકાયદે બાંધકામ અને દબાણ હટાવવા માગ

કરમસદ આણંદ મનપા દ્વારા મનપા વિસ્તારમાં આવેલ ટીપી 10મા વર્ષોથી કાચા પાકા બાંધકામ કરી રહેતાં રહીશો ને દૂર કરવા નોટિસ આપવામાં આવી છે.જયારે છેલ્લા3 વર્ષથી આણંદ પાલિકા શાસન દરમ્યાન થી ટીપી 1ના ફાઇનલ પ્લોટનં 479 પર ગેરકાયદે બાંધકામ દબાણ હટાવવાની રજૂઆત છતાં હજુ સુધી મનપા દ્વારા કોઇ જ કાર્યવાહી કરવમાં આવી નથી. પ્રાપ્ત માહિતી અનુસાર કરમસદ આણંદ મનપા દ્વારા બે દિવસ પૂર્વ શહેરના ટીપી 10મા ગેરકાયદે દબાણ બાંધકામ કરી વસવાટ કરતા આશરે ત્રણસો જેટલા રહીશો ને જગ્યા ખાલી કરવાની પખવાડિયા ની નોટિસ આપવામાં આવી છે. જેના પગલે વર્ષ 2023થી પાલિકા શાસન દરમ્યાન શહેરના ધાસવાલા હાઇસ્કૂલથી રત્નદીપ સોસાયટીથી મુખ્યમાર્ગ તરફ જતા ટીપી1 ના ફાઇનલ પ્લોટનં479 પર વર્ષોથી મહાવીર ઝુંપડપટ્ટી તરીકે ઓળખતા વિસ્તારમાં ગેરકાયદે દબાણ બાંધકામ કરવામાં આવ્યા છે. સ્થાનિક નાગરિક રિયાઝ વ્હોરા દ્વારા વર્ષ 2023 પાલિકા શાસન દરમ્યાન સદર ગેરકાયદે દબાણ બાંધકામ હટાવવામાં આવે ની વારંવાર રજૂઆત કરવા છતાં આંખ આડા કાન કરવામાં આવતાં પ્રાદેશિક કમિશ્નર થી લઇ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પણ રજૂઆત કરતાં યેનકેન પ્રકારે જે તે સમયના પાલિકા શાસકો દ્વારા ચૂપકીદી સેવામાં આવી હતી. ભાસ્કર ઈનસાઈડ‎બાંધકામ માટે અગાઉ કોઇ પરવાનગી આપી નથીઆણંદના જાગૃત નાગરિક દ્વારા 2023 માં આરટીઆઇ કરીને ટીપી 1ના પ્લોટની માહિતી માંગી હતી. ત્યારે આરટીઆઇ દ્વારા માહિતી મેળવતા પાલિકા દ્વારા સ્પષ્ટ સદર માર્ગ પર કોઇ કાચા પાકા બાંધકામ ની પરવાનગી આપવામાં આવી નથી ના ઉલ્લેખ છતાં કાર્યવાહી કેમ કરાતી નથી તે પ્રશ્ન ઉઠવા પામ્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 4:17 am

હેકરની કરતૂત:બીએલઓ ગ્રૂપમાં વોટસએપ એકાઉન્ટને હેકરે હેક કરી દેતા તંત્ર મુંઝવણમાં મુકાયું

આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના બીએલઓ ગ્રૂપમાં વોટસએપ એકાઉન્ટને હેકરે હેક કરી દેતા તંત્ર મુંઝવણમાં મુકાઇ ગયું હતું. તેમજ બીએલઓની કામગીરી કરી રહેલા શિક્ષકો ફફડાટ વ્યાપી ગયો હતો. સોજિત્રા તાલુકામાં બી.એલ.ઓ (બૂથ લેવલ ઓફિસર) ગ્રૂપમાં વોટ્સએપ એકાઉન્ટ હેક થવાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. બી. એલ. ઓ ગ્રૂપમાં એક કર્મચારીનું વોટ્સએપ હેક થતાં ગ્રૂપમાં સામેલ તમામને એસ. બી. આઈ ની એપીઆરએપ્લિકેશન હેકર દ્ધારા મોકલાઈ જતાં ઘણા બી. એલ. ઓ અસમંજસ સ્થિતિમાં મુકાઇ ગયા હતા અને 3 કર્મીઓએ એપ ડાઉનલોડ કરી પરંતુ સાચી હકીકત ખબર પડતાં તાત્કાલિક ડિલીટ કરાઇ હતી. આ બાબતે બી. એલ. ઓ ગ્રુપનો પ્રોફાઇલ ફોટો હેકર દ્ધારા બદલાઈ ગયો હતો અને લોભામણી સ્કીમ પીડીએફ મુકાઇ હતી આ બાબતની જાણ થતાં તાત્કાલિક ગ્રુપ ડિલીટ કરવામાં આવ્યું હતું . ઉલ્લેખનીય છે કે હાલ શિક્ષકોના ખાતા સ્ટેટ બેન્કમાં ટ્રાન્સફર કરવાની કામગીરી ચાલુ છે ત્યારે આ એપીઆર એપ્લિકેશનથી ઘણા શિક્ષકો મુઝવણમાં મુકાઇ ગયા હતા. વોટસએપ હેક થઇ જાય તો શંકાસ્પદ કોલની ભીંતી વર્તાઇ તપાસમાં ખુલ્યું કે હેક કરાયેલા વોટ્સએપ એકાઉન્ટનો ગેરઉપયોગ કરીને ખોટી માહિતી ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.જેને લઇને બીએલઓની કામગીરી કરતાં શિક્ષકોમાં તાત્કાલિક ગ્રુપ ડિલીટ કરવાનો વખત આવ્યો હતો

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 4:16 am

દબાણો દૂર કરતું તંત્ર:કરમસદ આણંદ મનપા દ્વારા જાહેર રસ્તા પરના 50થી પણ વધુ દબાણો દૂર કરાયા

કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર ના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેર રસ્તાઓ ઉપર ઉભા રહેતા લારી ગલ્લાવાળાઓ તથા દુકાનદારો દ્વારા તેમનો સામાન લોકોને અડચણરૂપ થાય તથા ટ્રાફિક થાય તે રીતે મૂકવામાં આવે છે તે માટે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તેના ભાગરૂપે 50થી વધુ નાના મોટા દબાણો અને લારીઓ દૂર કરવામાં આવ્યા હતા. આ ઝુંબેશના ભાગરૂપે મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા અમૂલ ડેરી રોડ, ટૂંકી ગલી થી લઈને પોસ્ટ ઓફિસ સુધીના નાના મોટા દબાણો દૂર કરી જાહેર રસ્તા ઉપર દબાણ કરતા લારી ગલ્લાવાળાઓના સામાન જપ્ત કરવામાં આવ્યો છે તથા જાહેર રસ્તા ઉપર દબાણ ન કરવા સૂચના આપવામાં આવી છે અને અને જો ભવિષ્યમાં દબાણ કરવામાં આવશે તો નિયમો અનુસાર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યુ છે. જો કે કેટલાંક દુકાનદારો અને મનપાની ટીમો વચ્ચે બોલાચાલીના બનાવો બન્યા હતા. કરમસદ-આણંદ મનપાના એસ્ટેટ વિભાગ અધિકારીઓ શહેરના ટુંકી ગલી વિસ્તાર,સ્ટેશન રોડ, ચર્ચની સામેના રોડ સહિત અન્ય માર્ગો પર દુકાનદારો ફૂટ પાથ પર માલ મુકી દેતા હોવાથી રાહદારીને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.ત્યારે હવે પછી એકના એક દુકાનદાર 3 વખત ઝડપાશે તો તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. ભાસ્કર ઇનસાઇડદુકાનદારોએ રોડ પર લોખંડીની જાળી મુકતાં અડચણ રૂપઆણંદ શહેનરા સ્ટેશન રોડ, ચર્ચની સામે દુકાનદારો, તેમજ ટુંકી ગલી અને સુપર માર્કેટ સહિત અન્ય વિસ્તારોમાં મોટાભાગના દુકાનદારો ફૂટપાથ પર માલ સામન મુકે છે. તેમજ રોડ પર લોખંડની જાળી મુકીને અવરજવરનો રસ્તો બનાવે છે. જેને લઇને વાહનચાલકને અનેક હાલાકીઓનો સામનો કરવો પડે છે.તો વળી ક્યારેક તો લોખંડની જાળીને કારણે રાહદારી ઠોકર વાગતાં ઇજા થાય છે. ત્યાર મનપા દ્વારા રોડ પર કે ફૂટપાથ પર લોખંડી જાળી મુકતા દુકાનદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 4:15 am

સન્ડે ફોટો સ્ટોરી:બુલેટ ટ્રેનની 80 ટકા કામગીરી પૂર્ણ, કોન્કોર્સ, ટ્રેક સ્લેબ અને સ્ટ્રકચરલ સ્ટીલનું કામ 100 ટકા પુર્ણ

આણંદ બુલેટ ટ્રેનનું રેલવે સ્ટેશન દુધના ટીપાના આકારનું અને રંગનુ બનશે. ત્રણ મજલી બનનાર આણંદ રેલવે સ્ટેશનના પાયાનું કામ ડિસેમ્બર 2021માં શરૂ થયુ હતુ. જયારે હાલમાં કોન્કોર્સ સ્લેબ ટ્રેક સ્લેબ અને સ્ટ્રકચરલ સ્ટીલનું કામ 100 ટકા પુર્ણ સાથે સ્ટેશનનું કામ 80 ટકા પુૂર્ણ થયુ હોવાનું બુલેટ ટ્રેન પ્રોજેકટના સત્તાવાળાઓએ જણાવ્યુ હતુ. આણંદ દૂધ નગરી તરીકે ઓળખ ધરાવે છે. જેથી બુલેટ ટ્રેન સ્ટેશનનો અગ્રભાગ અને ઇન્ટિરિયર ડિઝાઇન દૂધના ટીપાંના પ્રવાહી સ્વભાવ, આકાર અને રંગથી પ્રેરિત છે.પદયાત્રી પ્લાઝાની જગ્યાની સાથે કાર, દ્વિ-ચક્રીય, રિક્ષા અને બસ માટે સ્ટેશન બિલ્ડિંગની બાજુમાં યાત્રીઓને લેવા અને મૂકવાનું અને પાર્કિંગ સહિતની કામગીરી પૂર્ણતાના આરે પહોચી ગઇ છે. આણંદ બુલેટ ટ્રેન સ્ટેશનની વિશેષતાઓ‎

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 4:13 am

ચોથી જાન્યુઆરીએ જીપીએસસીની પરીક્ષા:આણંદ જિલ્લામાં 1141 ઉમેદવારો‎ જીપીએસસીની પરીક્ષા આપશે‎

આગામી 4થી જાન્યુઆરીએ જીપીએસસીની પરીક્ષા લેવામાં આવનાર છે.ત્યારે આણંદ જિલ્લામાં 48 બ્લોકમાં 1141 ઉમેદવારો પરીક્ષા આપી શકે તેવી તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. જો કે દિવ્યાંગ ઉમેદવારો અને બે લહિયા મેળવવા માટે પરીક્ષા કેન્દ્ર ભોયતળિયે બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જેના પગલે પરીક્ષાર્થીઓને મુશ્કેલીઓ પડે નહીં તે માટે ખાસ તકેદારી રાખવામાં આવશે. પ્રાપ્ત વિગત મુજબ આણંદ જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જીપીએસસીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે આણંદ જિલ્લા શિક્ષણ વિભાગ હરકતમાં આવી ગયું છે. પરીક્ષાની તડામાર તૈયારીઓના ભાગરૂપે આણંદ ડી.એન.હાઇસ્કૂલમાં 12 બ્લોક 288 પરીક્ષાર્થી, કસ્તુરબા કન્યા વિદ્યાલય 15 બ્લોક 360 પરીક્ષાર્થી, ચરોતર ઇગ્લીંશ મીડિયમ સ્કૂલ15 બ્લોક 360 પરીક્ષાર્થી અને આણંદ હાઇસ્કૂલમાં 6 બ્લોક 133 પરીક્ષાર્થી પરીક્ષા આપશે. જો કે ચાલુવર્ષે જીપીએસસીના પરીક્ષાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો ના પડે તે માટે કેન્દ્રના સંચાલક નું નામ અને મોબાઇલ નંબર વિગતો લખવામાં આવશે. ત્યારબાદ 20 જેટલા દિવ્યાંગો ઉમેદવાર માટે અલગ બ્લોકની વ્યવસ્થા ઉભી કરાશે. તેમજ 2 રૂમ લહિયા ઉમેદવાર માટે ભોયતળિયે રીર્ઝવ રાખવામાં આવશે. આમ આણંદ જિલ્લા શિક્ષણ વિભાગે જીપીએસસી પરીક્ષાને લગતી તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 4:11 am

મહત્વના માર્ગોને મંજૂરી અપાઈ:બમથીયા-નાના ખડબા રોડ 81 કિ.મી.ના રોડનું રૂ.4 કરોડના ખર્ચે થશે નવીનીકરણ

જામનગર જિલ્લાના જામજોધપુર અને લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુધારણા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કુલ રૂ. 4.60 કરોડના ખર્ચે બે મહત્વના માર્ગોને મંજૂરી આપવામાં આવી છે. પ્રથમ, બમથીયા નાના ખડબા રોડ કે જે 8.100 કિમી લંબાઈ ધરાવે છે, તેના માટે રૂ. 400.00 લાખનો જોબ નંબર મંજૂર થયો છે. આ રસ્તો જામજોધપુરના બમથીયા અને લાલપુરના નાના ખડબા ગામને જોડતો અગત્યનો ગ્રામ્ય માર્ગ છે, જેની સપાટી લાંબા સમય અને ભારે વરસાદને કારણે ખરાબ થઈ ગઈ હતી. આ કામગીરીમાં માટીકામ, ડામર કામ, સી.ડી. વોર્ક્સ, પૂર સંરક્ષણ દીવાલ તથા રોડ ફર્નિચરનો સમાવેશ થાય છે. આ કામગીરી પૂર્ણ થવાથી બમથીયા, નાના ખડબા, ભોજાબેડી અને ચોરબેડી સહિત આસપાસના તમામ ગામોના વાહન ચાલકોને આરામદાયક, સલામત અને ઝડપી મુસાફરીનો લાભ મળશે. સાથે જ, બીજું કાર્ય મોટા પાંચસરા ટુ જોઇન એસ.એચ. રોડનું છે, જેની લંબાઈ 1.5 કિમી છે અને તેના માટે રૂ. 60.00 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. આ રસ્તો મોટા પાંચસરા ગામને રાજ્ય ધોરીમાર્ગ સાથે જોડતો અગત્યનો માર્ગ છે, અને આ રસ્તા પર ડામર કામ તથા રોડ ફર્નિચર દ્વારા સપાટી સુધારણાની કામગીરી કરવામાં આવનાર છે, જેનાથી મોટા પાંચસરા તરફ જતા આવતા વાહન ચાલકોને આરામદાયક મુસાફરીનો લાભ મળશે. પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કે. બી. છૈયા તથા નાયબ કાર્યપાલક ઇજનેર બી.આર. વસરા દ્વારા આ બંને રસ્તાઓની સપાટી સુધારણાની કામગીરી સત્વરે હાથ ધરવામાં આવી છે અને તેને બનતી ત્વરાએ ઉચ્ચ ગુણવત્તા સાથે આ કામો પૂર્ણ કરાવવામાં આવનાર છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 4:05 am

જાગૃતિ શિબિરનું આયોજન કરાયું‎:ઓખામાં મહિલા-બાળ અધિકારીની કચેરી દ્વારા ઘરેલું હિંસા અંગે સેમિનાર

દેવભૂમિ દ્વારકા જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડૉ.ચંદ્રેશ ભાંભીના માર્ગદર્શન હેઠળ ઓખા ખાતે સ્થાનિક મહિલાઓ સાથે ઘરેલું હિંસા અધિનિયમ-2005 અંતર્ગત કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું. શિબિરમાં કાનૂની સેવા સત્તા મંડળ સાથે સંકળાયેલ વકીલ આર.એન. ઠાકર દ્વારા અધિનિયમની વિવિધ જોગવાઇઓ તથા કલમો વિશે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત સમગ્ર વિશ્વમાં થઈ રહેલા ઘરેલુ હિંસાના બનાવો, ઉદાહરણો, તેનાથી પોતાનું રક્ષણ, હિંસાનો ભોગ બને તો લેવાના પગલાં, વગેરે અંગે માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી પી.પી.જાદવ દ્વારા આ અધિનિયમનો દુરુપયોગ ન થાય તે માટે સમજ આપવામા આવી હતી. વધુમાં ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન, સખી-વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર, 181 અભયમ મહિલા હેલ્પ લાઇન વગેરે મહિલાઓ માટેની સેવાઓની માહિતી, મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓની વિગતો આપીને કાયદાકીય રક્ષણને લગતાં સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ જાગૃતિ કાર્યકમમાં ટીસીએસઆરડીના કિરણબેન કવા અને ટીમ તથા મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તકના વિવિધ પ્રકલ્પોના કર્મચારીઓ અને સ્થાનિક મહિલાઓએ ભાગ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 4:02 am

વિશ્વ વિકલાંગ દિવસની અનોખી ઉજવણી:મનોદિવ્યાંગ બાળકોની સંસ્થાનું લાઇટ બીલ ભરી આપતા દાતા

જામનગરમાં પી.બી જાડેજા તેમજ પ્રોફેસર ભારતીબા પી જાડેજા દ્વારા ખરેખર વિશ્વ વિકલાંગ દીવસની અનાેખી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીથી સંસ્થાને સારી એવી રાહત થવા પામી હતી અને જાડેજા પરિવારની આ સેવાકાર્યને બિરદાવવામાં આવ્યું હતું. શહેરના ઓમ ટ્રેનીંગ સેન્ટરના મનોદીવ્યાંગ બાળકોની સંસ્થામાં આવેલ પીજીવીસીએલનું લાઈટ બીલ જે રૂા. 42,000 આવ્યું હતું. ત્યારે જાડેજા પરીવાર દાતા તરીકે તેમણે લાઈટબીલની ચુકવણી કરીને મનોદીવ્યાંગ માટે કામ કરતી સંસ્થામાં મદદરૂપ થઇને લોકોને એક અનોખું ઉદાહરણ પુરૂ પાડી વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરી હતી. આમ ઉજવણી સંસ્થાના ખર્ચને પહોચી વળવા માટે જે પ્રોફેસર પી.બી જાડેજા તેમજ પ્રોફેસર ભારતીબા પી.જાડેજાએ દાતા તરીકે આવીને મદદ કરતા ઓમ ટ્રેનિંગ સેન્ટરના ટ્રસ્ટીઓ તેમજ ફાઉન્ડર ડીમ્પલબેન મહેતાએ આ સરાહનીય કામગીરીને બિરદાવી છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 4:00 am

સાંસદે આશ્વાસન આપ્યું:હુડા : સંકલન સમિતિના સભ્યોએ‎ઓફિસ પહોંચી સાંસદનો ઘેરાવ કર્યો‎

શુક્રવારે હિંમતનગર બંધનું એલાન આપ્યા બાદ સાંજે રાજકીય આગેવાનોની કચેરી આગળ ધરણાં કરવાની ચીમકી ઉચ્ચારાયા બાદ 24 કલાકમાં જ સાબરકાંઠા સાંસદ તેમના કાર્યાલય પર આવ્યાની જાણ થતાં સંકલન સમિતિના સભ્યો અને ખેડૂતો પહોંચી ગયા હતા અને હુડા રદ કરી આપવામાં તમારું સ્ટેન્ડ શું છે તેની સ્પષ્ટતા કરવા માંગ કરી હતી. અને સાંસદને ઘેરી વળ્યા હતા અને હુડા રદ કરાવવાની બાબતમાં તેમનું સ્ટેન્ડ ક્લિયર કરવા માંગ કરી હતી. આ સમગ્ર મામલે સાંસદ શોભનાબેન બારૈયાએ અત્યારે લોકસભાનું સત્ર ચાલતું હોવાથી 20 તારીખ પછી ખેડૂતો સાથે બેઠક કરી તેમની મિટિંગ મુખ્યમંત્રી સાથે કરાવવાનું આશ્વાસન આપ્યું હતું. સંકલન સમિતિના ઉત્સવ પટેલે જણાવ્યું કે અમારું આંદોલન ચાલુ રહેશે અને બીજા રાજકીય અગ્રણીઓને પણ તેમનું સ્ટેન્ડ ક્લિયર કરી ખેડૂતો સાથે છે કે નહીં તેની સ્પષ્ટતા કરવી પડશે. સંકલન સમિતિએ ઓફિસ પહોંચી સાંસદનો ઘેરાવ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 4:00 am

અકસ્માત:પ્રાંતિજના ઓરણની સીમમાં આયશર પાછળ બાઇક ઘૂસી જતાં ચાલકનું મોત

એક સપ્તાહ અગાઉ પ્રાંતિજના ઓરણ ગામની સીમમાં મોડી રાત્રે શામળાજી દર્શન કરી બાઈક પર પરત ફરી રહેલ અમદાવાદના યુવકોનું બાઈક આગળ જઈ રહેલ આયશર પાછળ ઘૂસી જતાં ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા યુવકને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હતો. અમદાવાદના સરસપુરની આમલીવાળી પોળમાં રહેતા કમલેશભાઈ ફકીરભાઈ પંચાલનો દીકરો રાજ પંચાલ તા.7-12-25 ના રોજ બાઈક નંબર જીજે-01-વાયએન-8297 લઈને બપોરે ત્રણેક વાગ્યે ઘેરથી નીકળ્યો હતો અને રાત્રે મોડે સુધી ઘેર ન આવતાં રાત્રે નવેક વાગ્યે તેના પિતાએ ફોન કરતાં 15-20 મિનિટમાં આવવાનું કહ્યું હતું અને ત્યારબાદ મોડી રાત્રે બાઈકના અકસ્માતના સમાચાર મળતાં કમલેશભાઈ પ્રાંતિજના ઓરણ ખાતે દોડી આવ્યા હતા. જ્યાં તેમને ખબર પડી હતી કે બાઈક તેમની પડોશમાં રહેતા પિયુષ જીતેન્દ્રભાઈ ખલાસી ચલાવી રહ્યો હતો અને બંને શામળાજી દર્શન કરી પરત આવી રહ્યા હતા. તે દરમિયાન ટોલ પ્લાઝાથી આગળ ઓરણ ગામની સીમમાં આયશરનો ઓવરટેક કરવા દરમિયાન પાછળ ઘૂસી ગયા હતા અને બંને પટકાયા બાદ પિયુષ ખલાસી (25) નું મોત થયું હતું.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 4:00 am

જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું:પોરબંદર ખાતે પોક્સો અધિનિયમ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો

પોરબંદરની ભાવસિંહજી હાઈસ્કૂલ તથા કડિયા પ્લોટ પ્રાથમિક શાળા ખાતે પોક્સો અધિનિયમ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. પોરબંદર જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા કેન્દ્ર સરકાર પ્રેરિત બેટી બચાઓ બેટી પઢાવો યોજના અંતર્ગત ભાવસિંહજી હાઈસ્કૂલ, પોરબંદર તથા કડિયા પ્લોટ પ્રાથમિક શાળા, પોરબંદર ખાતે લૈંગિક ગુનાઓથી બાળકોનું રક્ષણ અધિનિયમ અંગે જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમ્યાન જિલ્લા બાળ સુરક્ષા એકમના કાઉન્સેલર રૂપલબેન ભટ્ટ દ્વારા વિદ્યાર્થીનીઓને POCSO એક્ટની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેમણે ‘સેફ ટચ’ અને ‘અનસેફ ટચ’ વચ્ચેનો તફાવત સરળ ઉદાહરણો દ્વારા સમજાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 4:00 am

જુગારીઓ રંગે હાથ ઝડપાયા:ધારાગઢ દરવાજા પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા 4 શખ્સો પકડાયા

શહેરમાં લાઈટના અંજવાળે જુગાર રમતા 4 શખ્સોને પોલીસે ઝડપી લઇ રૂપિયા 14,700નો મુદ્દામાલ કબજે લીધો હતો. ધારાગઢ દરવાજા પાસે આવેલ તલાવડી નદી નજીકના આશારામ બાપુના આશ્રમથી ટીમલુવાળા સરકારની દરગાહ તરફ જતા રોડ ઉપર જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા એ ડિવિઝન પીએસઆઇ સોલંકી, એએસઆઈ બી. એ. રવૈયા સહિતની ટીમે શુક્રવારે રાત્રે દરોડો પાડ્યો હતો. જુગાર રમી રહેલા સુખનાથ ચોક પાણીના ટાંકા પાસે રહેતો મુના અબલાભાઇ મકરાણી, જમાલવાડીનો શબીરમિંયા ઉર્ફે લેવલબાપુ યુસુફમિંયા સૈયદ, કુંભારવાડાનો રફીક મહમદભાઇ કપળવંજી, રાજકોટનો પ્રકાશ કાળુભાઇ ગુલવાણીને ઝડપી લઇ 14,700ની રોકડ રકમ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 4:00 am

ભાસ્કર ફોલોઅપ:ધર્મ પરિવર્તન બાબતે નાસકર દંપતી સામે વર્ષ બાદ પણ ચાર્જશીટ નહીં

વિજલપોરની એક શાળામાં અભ્યાસ કરાવતા કમલ અને સરિતા નાસકર દ્વારા પ્રાર્થના સભામાં ધર્મપરિવર્તન બાબતનો વીડિયો વહેતો થયો હતો. જેને પગલે તા. 29/11/24ના રોજ સરિતા નાસકર અને કમલ નાસકર વિરૂદ્ધ સનાતની સમાજની લાગણી દુભાયાની જલાલપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ હતી. આ ફરિયાદ બાદ વીડિયો લેબોરેટરીમાં મોકલ્યો હતો પણ 8 માસ સુધી કોઈ પણ જાતની રિપોર્ટ ન આવતા નવા એસપી આવ્યા અને ફોલોઅપ લેતા માત્ર સાત દિવસમાં રિપોર્ટ આવ્યો હતો. બાદમાં ચાર્જશીટ માટે કલેકટરના ખાનગી અહેવાલ બાદ ગૃહ વિભાગમાં ઓક્ટોબર 2025 માં મોકલી આપ્યું હતું. જ્યાં મોકલ્યાને બે માસ થવા છતાં હજુ સુધી ચાર્જ શીટ માટેના કોઈ અહેવાલ ન આવતાં હિન્દુ સંગઠનોમાં નારાજગી છે. નાસકર દંપતી નવસારીની બહાર છે ધર્મ પરિવર્તન બાબતે નાસકર દંપતી સામે ફરિયાદ બાદ તેમના ઘર પાસે તેમની કારની અમુક તત્વોએ તોડફોડ કરતા નાસકર દંપતી હાલ નવસારીમાં નથી પણ તેઓ ક્યાં રહે છે તે બાબતે પોલીસ મથકે જાણ કરી હોવાની માહિતી મળી છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 4:00 am

આગ લાગી:જામનગરમાં અનાજ કરીયાણાની દુકાનમાં આગથી લોકોના ટોળા એકઠા થયા

જામનગર શહેરના શંકર ટેકરી નહેરૂનગર વિસ્તારમાં આવેલી અનાજ કરીયાણાની દુકાનમાં અકસ્માતે આગ ભભુકી ઉઠતા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરના જવાનોએ એક ગાડી પાણીનું ફાયરીંગ કરીને આગ બુઝાવી હતી. આગથી દુકાનમાં તમામ કરીયાણા સહિતની સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 4:00 am

અમદાવાદના સિંગરવા ગામે કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ:કેમિકલને કારણે આગ વિકરાળ બની, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા, ફાયરની 3 ગાડી ઘટનાસ્થળે

અમદાવાદના ઓઢવ નજીક આવેલા સિંગરવાના ગામ પાસે આવેલી સાગર કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે. અચાનક ભયાનક આગ ફાટી નીકળતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગવાનો બનાવ બનતા ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, રાત્રિના સમયે કારીગરો ફેકટરીમાં કામ કરતા હોય છે. આ ફેક્ટરીમાં બોઇલર પણ છે. જો તેને કઈ થયું તો મોટી જાનહાનિ પણ થઈ શકતી હતી. જો કે, સદનસીબે કોઈ જાનહાનિ થવા પામેલ નથી. સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ ઘણી વિકરાળ હતી. હાલમાં પણ આગ ફેક્ટરીમાં ફેલાઈ રહી છે. ખૂબ દૂરથી આગની જ્વાળાઓ જોઈ શકાય છે. જેના કારણે સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 1:18 am

વેળાવદર ભાલ ગામે સીમનો રસ્તો બંધ કરી દેતા ખેડૂતોમાં રોષ:અસામાજિક તત્વોએ કોર્ટ અને તંત્રના હુકમની અવગણના કરી, ખેડૂતોની ભાવનગર એસપીને રજૂઆત

ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં આવેલા વેળાવદર ગામની સીમમાં ખેતરોમાં જવાનો રસ્તો રાજાશાહી વખત જૂનો છે. છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો દ્વારા વાડી ખેતરો સુધી પહોંચવાના એકમાત્ર રસ્તાને બ્લોક કરી દઈ દરવાજો મૂકી દેવાતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે અને આ અંગે કોર્ટ તથા પોલીસ તંત્રને રજૂઆત પણ કરવામાં આવી છે. અસામાજિક તત્વોએ આતંકથી ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે રોષવેળાવદર ભાલ ગામે વર્ષોથી લોકો ખેતી સાથે સંકળાયેલા છે. આ પંથકમાં સૂકી ખેતી હોય અને વર્ષમાં માત્ર એક અથવા બે એટલે કે ચોમાસુ અને શિયાળુ પાક જ ખેડૂતો લઈ શકે છે, ત્યારે ગામની સીમમાં આવેલ ખેતરોમાં જવા માટે એકમાત્ર રસ્તો હોય આ રસ્તો ફોરેસ્ટ વિભાગની હદમાં હોવા છતાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ રોડ બ્લોક કરી દઈ રોડ ખેડી નાંખી આ રોડ પર પસાર થવાની ખેડૂતોને અને રાહદારીઓને મનાઈ ફરમાવી અસામાજિક તત્વોએ ઉત્પાત મચાવતા વેળાવદર ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. રોડ પ્રકરણને લઈને ખેડૂતો દ્વારા નામદાર કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી, જેમાં કોર્ટે રોડ ખુલ્લો કરવા હુકમ કર્યો હોવા છતાં આજદિન સુધી રોડ પરના દરવાજા અને બ્લોક દૂર કરવામાં આવ્યા નથી. રોડ પર પસાર થવાની કોશિશ કરતા ખેડૂતોને ધમકાવી દમદાટી આપવામાં આવે છે. ખેડૂતોની ભાવનગર જિલ્લા પોલીસવડાને રજૂઆતજેને લઈને આજે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈને ભાવનગર જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેને રજૂઆત કરવા દોડી આવ્યા હતા. ખેડૂતોએ એસપીને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ત્રણ પેઢી કરતાં વધુ સમય જૂનો રાજાશાહી કાળનો આ રસ્તો ખેડૂતો ગામમાંથી પોતાના ખેતર જવા માટે ઉપયોગ કરે છે અને આશરે 300 વીઘા કરતા વધુની ખેતીની જમીન સુધી પહોંચવા આ એકમાત્ર રસ્તો છે. આ રોડને અસામાજિક તત્વોએ પોતે જમીનના માલિક ન હોવા છતાં કબ્જો વાળી લઈ ભય સાથે દહેશતનો માહોલ ઉભો કર્યો છે. આથી પોલીસ તંત્ર કોર્ટના હુકમનું પાલન કરાવે અને તત્કાલ રોડ ખુલ્લો કરાવે ભવિષ્યમાં આ રોડ પર કોઈ પણ પ્રકારનું દબાણ ન થાય અને ખેડૂતોનું હિત તથા રક્ષણ થાય તે માટે યોગ્ય પગલા લેવાની એસપી સમક્ષ માંગ કરી હતી, દરમિયાન એસપીએ પણ હકારાત્મક અભિગમ દાખવી ખેડૂતોના પ્રશ્નોનો ઝડપથી ઉકેલ આવશે એવી ખાત્રી આપી હતી. ભાવનગર એસપી દ્વારા ખેડૂતોને આશ્વાસનઆ અંગે ખેડૂતોના આગેવાન વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે, વેળાવદર ગામમાં 300 વીઘા જમીનના જમીનદારો આજે એસપી કચેરીને રજૂઆત કરવા પહોંચ્યા હતા, ભાવનગર એસપી દ્વારા ખેડૂતોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે, જે જગ્યાએ તમને ચાલવા જગ્યાએ ચાલવા માટે ધાક ધમકી આપવામાં આવી છે. ગેટ અને તાળું મારી દેવામાં આવ્યું છે જે રસ્તા ઉપર તમારે જે રસ્તા ઉપર તમારે કાયમી ચાલવાનો હક છે તે રસ્તા પર બાવળના કાંટા નાખીને દેવામાં આવે છે તેવા શખસોને મનુ ઓધા વેગડ, એ વ્યક્તિ છે એમની કાયદેસરની કાર્યવાહી કરી જે રસ્તો કાયદેસરનો છે મામલતદારે હુકમ કર્યો છે. કલેક્ટરે હુકમ કર્યો છે. હુકમને અનુલક્ષીને ઉલ્લંઘન કરનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી યોગ્ય પગલાં લેવામાં આવશે. ખેડૂતોને ભયમુક્ત બનાવવા અમારા 100 ટકા પ્રયાસો રહેશેવધુમાં એસપી જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લાના કોઈપણ ખેડૂતોને આવી મુશ્કેલી પડે તો અડધી રાત્રે હોંકારો બનશું, અને ખેડૂતોને ભયમુક્ત બનાવવા માટે અમારા 100 ટકા પ્રયાસો રહેશે. આ સ્થળ પર 11 જેટલા ખેડૂત ખાતેદારો જેની આશરે 500 જેટલી વીઘા જમીન અસરકારક છે 300 વીઘા જેટલી જમીન પડતર પડી છે જેના કારણે ખેડૂતો આજીવિકા, એનો ભય, મુશ્કેલીઓ ઉભી થઇ છે અને રોજગારીનો પ્રશ્ન ઉભો થયો છે, ખેડૂતોને ભયમુક્ત કરવા સુરતથી અમારી ટીમ આવીવેળાવદર ગામના 11 જેટલા અસરકારક ખેડૂતોઓમાં પાટીદાર અને અલગ અલગ સમાજના લોકો પણ સાથે છે. જે ઘઉં, કપાસ અને ચણાનો પાક ઉપજ લે છે. રાજાશાહી હતી અને ત્યાર પછી જે ખેડૂતોને જમીન અર્પણ કરવામાં આવી છે એ જમીન છે ત્યારથી રસ્તો છે, અલગ પ્રકારના કોઈ પણ બીજા રસ્તાઓ નીકળતા નથી. જેથી કરીને ખેડૂતો અત્યારે મૂંઝવણમાં છે કેમ મૂંઝવણને દૂર કરવા માટે ભયમુક્ત કરવા માટે સુરતથી અમારી ટીમ સાથે એસપીને રજૂઆત કરવા માટે આવ્યા હતા. અહીંયા રોજગારીની સાથે ક્યાંકને ક્યાંક હૂંફ પણ મળે છેઅમે હર હંમેશ માટે ખેડૂતો માટે ખેડૂતોની સાથે છીએ, અને આખું સુરત આમ ગણી શકાય કે ભાવનગર જિલ્લાના 70થી 75 ટકા લોકો સુરતમાં જે પલાઈન કરીને ગયા છે એમના હૃદયમાં જમીન અને જમીર બચાવવા માટેના ભાવ છે અને તન મન ધનથી બધા લોકો ખેડૂતોની સાથે ઊભા રહે છે. કારણ કે અહીંયા રોજગારીની સાથે ક્યાંકને ક્યાંક હૂંફ પણ મળે છે, નેક નામદાર કૃષ્ણકુમારસિંહજીની ધરતી પરથી હૂંફ પણ મળે છે અને રોજગારી પણ મળે છે, જો આગામી દિવસોમાં આ રસ્તો ખુલ્લો કરવામાં નહીં આવે તો બનાવવાના પ્રયાસો કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 11:00 pm

3 યુવકે રિક્ષાચાલકની બે મોપેડને પેટ્રોલ છાંટી સળગાવી:જૂની અદાવતમાં વાહનો સળગાવનાર ત્રિપુટી CCTVને આધારે પકડાયા

સુરત શહેરના ઉધના મગદલ્લા રોડ પર આવેલા બ્રેડલાઇનર સર્કલ નજીકની ઠાકોરદીપ સોસાયટીમાં અંગત અદાવતનો બદલો લેવા માટે એક રિક્ષાચાલકની બે મોપેડને પેટ્રોલ છાંટી સળગાવી દેવાની ઘટનામાં ખટોદરા પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. ભોગ બનનાર અનિલભાઈ રાઠોડે નોંધાવેલી ફરિયાદ બાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપીઓ જે રૂટ પરથી ભાગ્યા હતા તે તપાસતા અણુવ્રત દ્વાર પાસેના સીસીટીવી ફૂટેજમાં તેઓ પેટ્રોલ ખરીદતા હોવાનું નજરે પડ્યું હતું. બે મોપેડ અજાણ્યા શખ્સોએ સળગાવી દીધાખટોદરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બ્રેડલાઇનર સર્કલ પાસેની ઠાકોરદીપ સોસાયટીમાં ગત 7 ડિસેમ્બરના રોજ મોડી રાત્રે અરેરાટીભર્યો બનાવ બન્યો હતો. સોસાયટીમાં રહેતા અનિલભાઈ બાલુભાઈ રાઠોડના ઘર નંબર 44ની બહાર પાર્ક કરેલા બે મોપેડ (હોન્ડા એક્ટિવા અને સુઝુકી એક્સેસ)ને અજાણ્યા શખ્સોએ સળગાવી દીધા હતા. રાત્રિના અંધકારમાં વાહનો સળગતા જોઈ આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો હતો. CCTV એ ખોલ્યા ગુનાના રાઝઘટનાની ગંભીરતાને જોતા ખટોદરા પોલીસ સ્ટેશનના પી.આઈ. બી.આર. રબારી અને સર્વેલન્સ ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસ માટે સૌથી મહત્વનું હથિયાર સીસીટીવી ફૂટેજ સાબિત થયા હતા. જ્વલનશીલ પદાર્થ છાંટ્યો અને આગ ચાંપી દીધીસોસાયટીના સીસીટીવી કેમેરા ચેક કરતા પોલીસને ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા. ફૂટેજમાં દેખાયું કે રાત્રે આશરે 3:30 વાગ્યાની આસપાસ બે અજાણ્યા ઇસમો બાઇક પર સવાર થઈને સોસાયટીમાં પ્રવેશ કરે છે. તેઓએ અત્યંત ઠંડા કલેજે મોપેડ પર કોઈ જ્વલનશીલ પદાર્થ છાંટ્યો અને તેને આગ ચાંપી દીધી હતી. આગ લગાવ્યા બાદ તેઓ ગણતરીની સેકન્ડોમાં ત્યાંથી પલાયન થઈ ગયા હતા. સીસીટીવીમાં આરોપીઓના બાઇક અને તેમની હિલચાલ કેદ થતા પોલીસને તપાસની ચોક્કસ દિશા મળી હતી. ત્રણ આરોપીઓની ધરપકડટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીના આધારે પોલીસે ગણતરીના દિવસોમાં જ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જેમાં કુણાલ બાબુરાવ સાળુકે (ઉ.વ. 24, રહે. ગોધામણે, સુરત),યશ સુરજ પ્રસાદ પટેલ (ઉ.વ. 25, રહે. હવાડીયા ચકલા, સુરત),રાહુલ દિલીપ ચૌહાણ (ઉ.વ. 28, રહે. અઠવા, સુરત) શામેલ છે. જૂની અદાવતનો બદલો લેવા વ્હિકલ સળગાવ્યાપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી રાહુલ ચૌહાણને ફરિયાદી સાથે એક અઠવાડિયા પહેલા કોઈ બાબતે બોલાચાલી અને અણબનાવ થયો હતો. આ જૂની અદાવતનો બદલો લેવા માટે રાહુલે તેના મિત્રો સાથે મળીને કાવતરું ઘડ્યું અને આવેશમાં આવીને વાહનો સળગાવી નુકસાન પહોંચાડ્યું હતું.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 10:45 pm

અમદાવાદમાં ગેસનો બાટલો ફાટતા બે લોકો દાઝ્યા, એક બેભાન:નારોલમાં કર્ણાવતીનગર પાસે મકાનમાં આગથી દોડધામ, ત્રણેયને હોસ્પિટલ ખસેડાયા

અમદાવાદના નારોલ વિસ્તારમાં કર્ણાવતી નગર પાસે આવેલા સત્યમ નગરમાં મકાનમાં ગેસનો બાટલો ફાટ્યો હતો. ગેસનો બાટલો ફાટતા આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા બે ગાડીઓ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર પહોંચી હતી. મકાનમાં રહેલા બે લોકો ગંભીર રીતે દાઝી ગયા છે જ્યારે એક વ્યક્તિ બેભાન થતાં સારવાર અર્થે ત્રણેયને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી છે જોકે ત્રણેયને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ગેસનો બાટલો ફાટ્યો ને આગ ફેલાઈફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ નારોલ વિસ્તારમાં આવેલા સત્યમ નગરમાં એક મકાનમાં આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો. ફાયરબ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળ પર રવાના કરવામાં આવી હતી. બ્રિગેડ જ્યારે ઘટના સ્થળ પર પહોંચ્યું ત્યારે ત્યાં ગેસનો બાટલો ફાટ્યો હતો જેના કારણે આગ વધુ ફેલાઈ ગઈ હતી.આગ ને કાબુમાં લેવા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આગમાં બે લોકો દાઝી ગયામકાનમાં આગ લાગતા બે લોકો દાઝી ગયા હતા. જ્યારે એક વ્યક્તિ બેભાન હાલતમાં હતો જેને ફાયર બ્રિગેડની ટીમે બહાર કાઢી અને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે. આગ કાબુમા આવીફાયર બ્રિગેડે આગને કાબુમાં લઈ લીધી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પરંતુ ગેસનો બાટલો લીકેજ થતા આગ લાગી અને બાદમાં બાટલો ફાટતાં આગ વધુ પ્રસરી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 10:30 pm

કલોલ રેલવે સ્ટેશન પર ચાર એક્સપ્રેસ ટ્રેનોને વધારાનું સ્ટોપેજ:દર 15 દિવસે એક્સપ્રેસ તથા દર અઠવાડિયે જનસાધારણ એક્સપ્રેસને કલોલ સ્ટેશન પર સ્ટોપેજ

રેલવેમાં મોટાભાગના લોકો મુસાફરી કરતા હોય છે. ત્યારે કલોલના રેલ યાત્રીઓ માટે પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની લાંબા સમયથી રહેલી માંગને ધ્યાનમાં રાખીને કલોલ રેલવે સ્ટેશન પર ચાર ખાસ ટ્રેનોને પ્રાયોગિક ધોરણે વધારાનું સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી કલોલ અને આસપાસના વિસ્તારના યાત્રીઓને લાંબા અંતરના પ્રવાસમાં વધુ સુવિધા મળશે. દર અઠવાડિયે જનસાધારણ એક્સપ્રેસને કલોલ સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યુંપશ્ચિમ રેલવેના જણાવ્યા મુજબ, વલસાડ–વડનગર સુપરફાસ્ટ એક્સપ્રેસ, દિલ્લી સરાય રોહિલ્લા–બાન્દ્રા ટર્મિનસ ગરીબ રથ એક્સપ્રેસ, જોધપુર–કેએસઆર બેંગલુરૂ દર 15 દિવસે એક્સપ્રેસ તથા મુજફ્ફરપુર–સાબરમતી દર અઠવાડિયે જનસાધારણ એક્સપ્રેસને કલોલ સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. વડનગર–વલસાડ એક્સપ્રેસવલસાડ–વડનગર સુપરફાસ્ટ એક્સપ્રેસ 16 ડિસેમ્બરથી કલોલ સ્ટેશન પર સવારે 11:37 વાગે પહોંચશે અને 11:39 વાગે આગળ રવાના થશે, જ્યારે વડનગર–વલસાડ એક્સપ્રેસ સાંજે 6:15 વાગે આગમન કરીને 6:17 વાગે ઉપડશે. દિલ્લી સરાય રોહિલ્લા–બાન્દ્રા ટર્મિનસ ગરીબ રથ એક્સપ્રેસઆ ઉપરાંત દિલ્લી સરાય રોહિલ્લા–બાન્દ્રા ટર્મિનસ ગરીબ રથ એક્સપ્રેસ 16 ડિસેમ્બરથી રાત્રે 10:41 વાગે કલોલ પહોંચશે અને 10:43 વાગે આગળ જશે, જ્યારે બાન્દ્રા ટર્મિનસ–દિલ્લી સરાય રોહિલ્લા ગરીબ રથ એક્સપ્રેસ સાંજે 8:11 વાગે આગમન કરીને 8:13 વાગે રવાના થશે. બેંગલુરૂ–જોધપુર એક્સપ્રેસ જોધપુર–કેએસઆર બેંગલુરૂ દ્વિસાપ્તાહિક એક્સપ્રેસ 18 ડિસેમ્બરથી બપોરે 12:55 વાગે કલોલ પહોંચશે અને 12:57 વાગે પ્રસ્થાન કરશે. જ્યારે કેએસઆર બેંગલુરૂ–જોધપુર એક્સપ્રેસ 17 ડિસેમ્બરથી સવારે 6:19 વાગે કલોલ પર આવશે અને 6:21 વાગે આગળ જશે. મુજફ્ફરપુર–સાબરમતી સાપ્તાહિક જનસાધારણ એક્સપ્રેસતે જ રીતે મુજફ્ફરપુર–સાબરમતી સાપ્તાહિક જનસાધારણ એક્સપ્રેસ 20 ડિસેમ્બરથી સવારે 5:53 વાગે કલોલ સ્ટેશન પર આગમન કરીને 5:55 વાગે પ્રસ્થાન કરશે, જ્યારે સાબરમતી–મુજફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ સાંજે 6:28 વાગે પહોંચશે અને 6:30 વાગે આગળ રવાના થશે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 10:15 pm

વડોદરામાં ભેખડની નીચે દટાયેલા યુવકને લોકોએ બહાર કાઢ્યો, VIDEO:પાઈપલાઈન લિકેજની કામગીરી સમયે ભેખડ ધસી પડતાં અફરાતફરી, સારવાર દરમિયાન શ્રમિકનું મોત

વડોદરા શહેરના જવાહરનગર પોલીસ મથક હદ વિસ્તારમાં કરોડિયા લક્ષ્મીપુરા ચાર રસ્તા પાસે પાઇપલાઇન લિકેજ સમારકામ દરમિયાન કામ કરતા શ્રમિક પર ભેખડ ધસી પડતા ઊંડા ખાડામાં શ્રમિક દટાયો હતો. આ અંગેની જાણ આસપાસના લોકોને થતા તાત્કાલિક દોડી આવી માટીમાં દબાયેલ યુવકને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ભેખડ ધસી પડતા ઊંડા ખાડામાં શ્રમિક દટાયોવડોદરા નજીક આવેલ કરોડિયા ગામ નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં સમારકામ દરમ્યાન માટીમાં શ્રમિક ઊંડા ખાડામાં દબાયો હતો. જેને ભારે જહેમત બાદ સ્થાનિક લોકોએ બહાર કાઢી 108 મારફતે ગોત્રી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકે દમ તોડી દીધો હતો. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમમાં ખસેડાયોમૃતક શ્રમિકનું નામ કાંતિભાઈ ચારેલ (દાહોદ મૂળ, ઉંડેરા તળાવ વડોદરા) હોવાનું સામે આવ્યું છે. હાલમાં આ શ્રમિક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોત્રી હોસ્પિટલમાં આવેલા કોલ્ડરૂમમાં ખસેડવામાં આવ્યો છે અને આવતી કાલે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પોલીસે તપાસ હાથ ધરીઆ ઘટના અંગેની જાણ થતા જવાહરનગર પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી હતી કે કોઈ અન્ય એજન્સી તે બાબતે હાલમાં તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં જવાહનગર પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 10:06 pm

મોડાસા મગફળી કેન્દ્ર ગુજરાતમાં બીજા ક્રમે:1200 ખેડૂતને ₹12 કરોડ ચૂકવાયા, મોડેલ કેન્દ્ર બન્યું પ્રેરણારૂપ

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતેનું મગફળી ખરીદ કેન્દ્ર ગુજરાતમાં બીજા ક્રમે આવ્યું છે. આ કેન્દ્રને કેન્દ્રીય નોડલ એજન્સીઓ નાફેડ (NAFED) અને એન.સી.સી.એફ. (NCCF) દ્વારા મોડેલ કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવ્યું છે. ચાલુ સીઝનમાં શરૂ કરાયેલા આ કેન્દ્ર પર પારદર્શક અને આધુનિક વ્યવસ્થા સાથે મગફળીની ખરીદી કરવામાં આવે છે. અહીં સીસીટીવી કેમેરા, ડિજિટલ વજનકાંટા અને ત્વરિત ચુકવણી જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ આ મોડેલ કેન્દ્રની વ્યવસ્થાને આવકારી છે. ખેડૂતોના મતે, પારદર્શક ખરીદી, ઝડપી ચુકવણી અને યોગ્ય ભાવ મળવાથી તેમને મોટી રાહત મળી છે. આ કેન્દ્ર સ્થાનિક ખેડૂતોને તેમના પાકનું યોગ્ય મૂલ્ય સુનિશ્ચિત કરે છે, જેનાથી તેમની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. ગુજરાત સરકારનું આ પગલું કૃષિ ક્ષેત્રે રાજ્યને વધુ સશક્ત બનાવવામાં મદદરૂપ થશે. મોડાસા મગફળી ખરીદ કેન્દ્રના નોડલ ઇન્ચાર્જ ભાનુ પટેલના જણાવ્યા અનુસાર, ગત 9મી તારીખથી શરૂ થયેલી ખરીદીમાં અત્યાર સુધીમાં કુલ 1200 ખેડૂતો પાસેથી મગફળી ખરીદીને ₹12 કરોડનું ચુકવણું કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે, અન્ય 300 ખેડૂતો માટે પણ ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મગફળી વેચવા આવતા તમામ ખેડૂતો માટે ચા, પાણી અને બેસવાની વ્યવસ્થા પણ કેન્દ્ર ખાતે કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 10:04 pm

ગોધરા: રાણી મસ્જિદ પાસે વીજપોલ પર શોર્ટ સર્કિટથી આગ:અફરાતફરી મચી, ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો

ગોધરા શહેરમાં રાણી મસ્જિદ પાસે આવેલા એક વીજપોલ પર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ગોધરા ફાયર વિભાગની ટીમે સમયસર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગતા જ આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વીજપોલ પર લાગેલા પ્લાસ્ટિકના વાયર અને અન્ય સામગ્રી સળગી ઊઠી હતી, જેના કારણે આગ વધુ પ્રસરવા લાગી હતી. સ્થાનિકોએ તાત્કાલિક MGVCLને જાણ કરી હતી, પરંતુ તેમની ટીમ ઘટનાના ઘણા સમય બાદ સ્થળ પર પહોંચી હતી. આ દરમિયાન આગ વધુ ભભૂકી ઉઠી હતી. ઘટનાની ગંભીરતા જોતા ગોધરા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. શરૂઆતમાં ફાયર એક્સ્ટિંગ્યુસરથી કાબૂ મેળવવાનો પ્રયાસ કરાયો, પરંતુ પ્લાસ્ટિક સામગ્રીને કારણે આગ વધુ પ્રસરતા ટીમે પાણીનો મારો ચલાવી આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો, જેના કારણે અંધારપટ છવાઈ ગયો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વીજ વ્યવસ્થાને નુકસાન પહોંચ્યું છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે આ વીજપોલના સમારકામ માટે અગાઉ પણ MGVCLને જાણ કરવામાં આવી હતી, પરંતુ રજૂઆત છતાં કોઈ કામગીરી કરાઈ ન હતી, જેના પરિણામે આજે આગની આ ઘટના બની હતી.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 10:02 pm

ડૉ. કુમાર વિશ્વાસની જલકથા પૂર્વે રવિવારે મહા જળ કળશયાત્રા:ભાદરમાંથી 47 ગામો માટે પાણી છોડવાનું શરૂ, રાજકોટના એડિશનલ કલેક્ટર નાયબ મુખ્યમંત્રીના અંગત સચિવ

સમગ્ર સૌરાષ્ટ્રમાં પાણીની અછત નિવારવા અને જળ સ્ત્રોતોને પુનજીર્વિત જળસંચયના 1,11,111 જળ સ્ટ્રક્ચર તૈયાર કરવા સંકલ્પબદ્ધ સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા કાલે તા.14ના રવિવારે મહા જળકળશ યાત્રા અને મહા જલપૂજનનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે.વિખ્યાત કથા મર્મજ્ઞ અને તત્વચિંતક ડો. કુમાર વિશ્વાસની જલકથા પૂર્વે જળસંચય અભિયાનના એક ભાગરૂપે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા દેશની 111 પવિત્ર નદીઓના જલ એકત્ર કરવામાં આવ્યા હતા.આ પવિત્ર જલને કળશમાં ભરીને રાજકોટના જુદા જુદા વિસ્તારો, સોસાયટીઓ, ધર્મસ્થાનકો તેમજ સૌરાષ્ટ્રના ગામે-ગામ પૂજન અને જનજાગૃતિ માટે મોકલવામાં આવ્યા હતા. આ 2100 જેટલા કળશ રવિવારે(14 ડિસેમ્બરે) સવારે પુન: રાજકોટ આવી પહોંચશે. રવિવારના રોજ સવારે 8 કલાકે બહુમાળી ભવન ચોકથી આ મહા જળ કળશયાત્રાનો પ્રારંભ થશે. જે બેન્ડની સુરાવલીઓ સાથે દિવ્ય વાતાવરણમાં જલકથા સ્થળ રેસકોર્સ મેદાન ખાતે પહોંચશે.રેસકોર્સ મેદાનમાં સવારે 9 કલાકે મહા જલપૂજનનો પ્રારંભ થશે. રાજકોટમાં આગામી 15, 16 અને 17 ડિસેમ્બરના યોજાનાર ડો. કુમાર વિશ્વાસની જલકથા પૂર્વે આ મહા જલકળશ યાત્રા અને મહા જલપૂજન વિધિને અનુલક્ષીને જલપ્રેમીઓ અને નગરજનોમાં આનંદ અને ઉત્સાહની લાગણી પ્રવર્તી રહી છે. રાજકોટના એડિશનલ કલેક્ટર હવે નાયબ મુખ્યમંત્રીના અંગત સચિવરાજય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજકોટ કલેકટર કચેરીના અધિક નિવાસી કલેકટર તરીકે ફરજ બજાવતા આલોક ગૌતમ સહિત છ અધિકારીઓની બદલી કરવામાં આવેલ છે.જેમાં રાજકોટ કલેકટર કચેરીના અધિક કલેકટર આલોક ગૌતમને રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધિક અંગત સચિવ તરીકે નિમણુંક કરવામાં આવી છે તેમની સાથે નાયબ સચિવ દિક્ષિત જોષીને પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ તરીકે નિમણુંક આપવામાં આવી છે. ભાદરમાંથી 47 ગામો માટે પાણી છોડવાનું શરૂરાજકોટ સિંચાઈ વિભાગના સુત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા ભાદર-1 ડેમમાંથી આજે સવારથી ખેડૂતો માટે પાણી છોડવાનું શરૂ કરી દેવાયું છે. સિંચાઈ વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ જેતપુર પાસે આવેલ ભાદર-1 ડેમમાંથી ગોંડલ, જેતપુર, ધોરાજી, જુનાગઢ અને ઉપલેટા તાલુકાના 47 ગામોના ખેડૂતો માટે સિંચાઈનું પાણી આજ સવારથી કેનાલ મારફતે છોડવામાં આવેલ છે. સિંચાઈ વિભાગ દ્વારા ઉપરોકત ગામોને 90 દિવસ સુધી ક્રમશઃ શિયાળુ પાક માટે પાણી આપનાર છે. ઉભા પાક માટે ત્રણ પાણ અને વાવેતર માટે છ પાણ આપવામાં આવશે. અને સિંચાઈના હેતુસર ભાદરમાંથી કુલ 2000 એમસીએફટી જેટલુ પાણી છોડવાનું આયોજન છે. ભાદર ઉપરાંત રાજકોટ જીલ્લાના આજી-2 સહિતના ડેમોમાંથી પણ સિંચાઈનું પાણી છોડવાનું આયોજન છે. વૈષ્ણવજન તો તેને રે કહીયે.. જેવા ભજનોથી રેસકોર્સ રીંગરોડ ગુંજી ઉઠશેરાજકોટની જાણીતી કલા કલેકટીવ ફાઉન્ડેશન અને કલા રાત્રિ દ્વારા પ્રભાત ફેરીનું આયોજન આવતીકાલે કરવામાં આવ્યું છે. જે રેસકોર્સ પાસે આવેલ શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી પાસેથી સવારે 7 કલાકે શરૂ થશે. આ કાર્યક્રમ નિઃશુલ્ક રાખેલ છે. આથી રાજકોટના કોઈ પણ વ્યક્તિ જોડાઈ શકે છે. રેસકોર્સ ફરતે 3 કિ.મી.ની પ્રભાત ફેરી યોજાશે. અંદાજે 200 થી વધુ લોકો જોડાશે.પ્રભાત ફેરી પૂરી થયા બાદ શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરીમાં આયોજીત રાઈઝિંગ રાજકોટ એક્ઝિબિશનની મુલાકાત લેશે. આ આયોજનમાં RMC અને સ્માર્ટ સીટી જોડાયું છે. મંજીરાં, એક તાર, કરતાલ જેવા વાજિંત્રો ના સથવારે પ્રભાતીયા ગાવામાં આવશે. જેમાં જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, જળકમળ છાંડી જા રે, બાળા ! સ્વામી અમારો જાગશે, વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે, વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઈ જેવા ભજનોથી રેસકોર્સ રીંગરોડ ગુંજી ઉઠશે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 9:15 pm

સાયબર ફ્રોડ માટે મ્યુલ એકાઉન્ટોનો ઉપયોગ કરનાર ગેંગનો પર્દાફાશ:ક્રાઇમ બ્રાન્ચે 2ને દબોચ્યા, ત્રણ મહિનામાં 4.77 કરોડના વ્યવહારો થયા; વિદેશના આકાઓની તપાસ શરૂ

અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચે સાયબર ફ્રોડ માટે મ્યુલ એકાઉન્ટોનો ઉપયોગ કરનાર સાયબર ક્રાઈમ ગેંગના બે સાગરીતોને ઝડપી પાડ્યા છે. ઓપરેશન મ્યુલ હંટની તપાસ દરમિયાન અમદાવાદ સાયબર સેલ દ્વારા ફ્રોડની ફરિયાદ અને ફ્રોડની રકમ જે ખાતામાં ગઈ હોય તે ડેટાનું એનાલિસિસ કરવામાં આવ્યુ હતું. સમન્વય પોર્ટલના ડેટાનું એનાલિસિસ કરતા ઉત્કર્ષ બેંક એકાઉન્ટ નંબર વિરુદ્ધ પંજાબ અને ગુજરાતમાં 2 ફરિયાદ તેમજ Yash બેંકમાં ગુજરાત, દિલ્હી અને કર્ણાટકમાં ફરિયાદ મળી આવી હતી. જેના ટેકનિકલ એનાલિસીસ દરમિયાન સાયબર સેલ દ્વારા એક ટ્રેડીંગ કંપનીના ઓઢવના રહેવાસી કોટેચા ગીરીશ અને ઠક્કરનગરના રહેવાસી પંચાલ બ્રિજેશને ઝડપી પાડ્યો છે. આરોપીઓના ખાતામાં છેલ્લા ત્રણ મહિનામાં 4.77 કરોડ રૂપિયાના વ્યવહારો પણ મળી આવ્યાં હતાં. કમિશનની લાલચમાં આરોપીઓ સાયબર ફ્રોડના નેટવર્કમાં જોડાયાપોલીસે બંને બેંક એકાઉન્ટ હોલ્ડરની પુછપરછ કરતા તેમના સંયુક્ત પાર્ટનરશીપમાં તથા વ્યક્તિગત 12 જેટલા બેંક ખાતાની 22 જેટલી સાયબર ક્રાઇમની ફરીયાદ અલગ અલગ રાજ્યોમાં નોંધાઇ હોવાનું સામે આવ્યુ છે. આરોપીઓની વધુ તપાસ દરમિયાન પોલીસને 57 ચેકબુક, 4 પાસબુક, 15 ચેક, 17 મોબાઈલ ફોન, 40 ડેબીટ/ક્રેડીટ કાર્ડ, લેપટોપ, UPI સ્કેનર, POS મશીન 9 સીમકાર્ડ મળી આવ્યા છે. આરોપી ગીરીશ કોટેચાએ માત્ર ધો. 9 જ્યારે બ્રિજેશ પંચાલે ધો. સુધીનો અભ્યાસ કર્યો છે અને કમિશનની લાલચમાં આરોપીઓએ સાયબર ફ્રોડના નેટવર્કમાં જોડાઇને આ ખેલ શરૂ કર્યા હતા. ક્યુઆર કોડ સ્કેન કરાવીને રુપિયાનું ટ્રાન્જેક્શન કરાવતા હતાએપ્લીકેશનથી નાણાં આવતા અને ખાતામાં મેળવતા હતા. આ બંને આરોપીઓની સાથે અન્ય આરોપીઓની પણ સંડોવણી છે. મુખ્ય આરોપીઓ એપ્લીકેશન બનાવીને તેમાં ડીપોઝીટ ઓપ્શન પર ક્લીક કરીને ક્યુઆર કોડ જનરેટ કરે છે. જેને સ્કેન કરાવીને રુપિયાનું ટ્રાન્જેક્શન કરાવતા હતા. એપ્લીકેશનમાં જે રૂપિયા આવે તેના માટે પકડાયેલા બંને આરોપીઓ બેંક ખાતા પૂરા પાડતા હતા. અલગ અલગ રાજ્યમાં 108 સાયબર ફ્રોડની ફરીયાદોજુદા જુદા રાજ્યોમાં 100થી વધુ ફરિયાદ નોંધાઈ હોવાનું પણ સામે આવ્યું છે. આરોપીઓની તપાસ દરમિયાન કુલ 60 જેટલા બેંક એકાઉન્ટ ખોલાવેલાનું સામે આવ્યુ છે. તેમાંથી 21 બેન્ક એકાઉન્ટો ઉપર જુદા જુદા રાજ્યોમાં કુલ 108 સાયબર ફ્રોડની ફરીયાદો નોંધાઇ છે. આરોપીઓની સાથે સાથે હવે પોલીસે વિદેશમાં બેઠેલા તેમના આકાઓની ચેઇન તોડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં મ્યુલ એકાઉન્ટની 35 ફરિયાદ નોંધાઈમ્યુલ એકાઉન્ટને લઈને પોલીસ દ્વારા અત્યાર સુધી કુલ 35 ફરિયાદ નોંધવામાં આવી છે. સાયબર ફ્રોડની ફરિયાદ નોંધીને તપાસ દરમિયાન જે જે બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા હોય તે ખાતાની માહિતી એકઠી કરવામાં આવી હતી. બેંક એકાઉન્ટ હોલ્ડ્રી, એકાઉન્ટ ભાડે આપનાર, એજન્ટ સહિતના લોકોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. જે બાદ પુરાવાના આધારે ફરિયાદ નોંધવાની શરૂ કરવામાં આવી છે. આ ઓપરેશન હેઠળ સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધી 35 ફરિયાદ નોંધવામાં આવી છે. દુબઈ, કંબોડિયા જેવા દેશોથી મ્યુલ એકાઉન્ટનો ઉપયોગમ્યુલ એકાઉન્ટનો ઉપયોગ દુબઈ, કંબોડિયા જેવા દેશમાં બેસીને સાઇબર માફિયાઓ કરે છે. સાયબર માફીઓ દ્વારા દેશના લોકો સાથે ડિજિટલ એરેસ્ટના રોકાણના નામે ફ્રોડ અને ગેમ્બલિંગના નાણા ટ્રાન્સફર કરવા માટે મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આરોપીઓ વિદેશમાં બેઠા બેઠા ભારતના મ્યુલ એકાઉન્ટ ઓપરેટ કરે છે. એજન્ટ મારફતે બેન્ક એકાઉન્ટ ભાડે મેળવ્યા બાદ એજન્ટને કમિશન આપવામાં આવે છે. એજન્ટ દ્વારા એકાઉન્ટ હોલ્ડરને કમિશન આપી એકાઉન્ટ મેળવી લેવામાં આવે છે. હજુ મ્યુલ એકાઉન્ટની ડ્રાઇવ ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 9:05 pm

બાયોટેકનોલોજી: બાગાયત કૃષિનો નવો સૂર્યોદય:​બાયોટેકનોલોજીના ઉપયોગથી બાગાયત કૃષિના વિકાસ અને ફળ ઉત્પાદન ક્ષમતા વધારવા તજજ્ઞોનું મનોમંથન: કેસર કેરી,નાળિયેરીના પાકો સામેના પડકારોનો ઉકેલ શોધવા સંશોધકોને પ્રોત્સાહન

ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન (GSBTM) દ્વારા જૂનાગઢ ખાતે આયોજિત બે દિવસીય સેમિનારના સમાપન દિવસે બાયોટેકનોલોજીના ઉપયોગથી બાગાયત કૃષિના વિકાસ અને ફળ ઉત્પાદન ક્ષમતા વધારવા પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ સેમિનારમાં કૃષિ વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોએ ક્લાઈમેટ ચેન્જની આંબામાં ફ્લાવરિંગ, મોર અને પોલીનેશનની પ્રક્રિયા પર થતી વ્યાપક અસરો અંગે ચિંતા વ્યક્ત કરી હતી, જોકે નાળિયેરીના પાકને ક્લાઈમેટ ચેન્જથી ફાયદો થયો હોવાનું પણ સામે આવ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 વર્ષ પહેલાં ગુજરાતમાં બાયોટેકનોલોજીના વ્યાપ વધારવા માટે મજબૂત પાયો નાખ્યો હતો. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ પહેલ છેવાડાના વિસ્તારો સુધી પહોંચી રહી છે. GSBTM, ગુજરાતના વિવિધ ભૌગોલિક પ્રદેશોના પાકો અને વન્ય જીવોના સંરક્ષણ માટે બાયોટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ કરી શકાય તે દિશામાં સંશોધકોને આવકારીને પ્રોત્સાહન આપી રહ્યું છે, જેના પરિણામો આગામી સમયમાં વધુ ફળદાયી બનશે. ​GSBTM: વ્યવસાયિક તકો અને સંશોધન માટે સેતુ ​GSBTMના ડાયરેક્ટર ડી.ડી. જાડેજાએ જણાવ્યું હતું કે, બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં વ્યવસાયિક તકો વધારવા માટે GSBTM એક સેતુ બનશે. નવા બિઝનેસ શરૂ કરવા માટે માર્ગદર્શન અને સંશોધન કાર્ય માટે પૂરતું ફંડ તથા માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવશે. તેમણે વિદ્યાર્થીઓને સંશોધન કાર્ય માટે પ્રોત્સાહિત કરતાં જણાવ્યું કે, રિસર્ચથી જ સમાજ અને દેશ-દુનિયાનું કલ્યાણ થતું હોય છે. કેસર કેરી અને નાળિયેરી: પડકારો અને બાયોટેકનોલોજીનો ઉકેલ ​જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વી.પી. ચોવટીયાએ ગ્લોબલ વોર્મિંગથી કેસર કેરી અને નાળિયેરના પાકો સામે ઊભા થઈ રહેલા જોખમો અંગે ધ્યાન દોર્યું હતું. તેમણે નાળિયેરના પાકમાં સફેદ માખી અને કેસર કેરીના પાકમાં પોલીનેશનમાં બાયોટેકનોલોજી કેવી રીતે મદદરૂપ થઈ શકે છે તે અંગે સંશોધનની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.​સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોર્ટીકલ્ચરના ડાયરેક્ટર ડો. ડી. કે. વરુએ જણાવ્યું હતું કે, કેરી એક સંવેદનશીલ પાક છે અને ક્લાઈમેટ ચેન્જના પરિણામે તેના પાકને વ્યાપક અસર થઈ રહી છે. ફ્લાવરિંગ મોટા પ્રમાણમાં બંધાઈ રહ્યા છે પરંતુ તે ટકી શકતા નથી અને સોપારી જેવડા આકારમાં ખરી પડે છે. દિવસ અને રાતના તાપમાનમાં જોવા મળતો મોટો તફાવત પણ આંબાના પાક પર અસર કરી રહ્યો છે. તેમણે કેરીની નિકાસ ખાડી દેશો ઉપરાંત વિકસિત યુરોપ અને અમેરિકા સુધી પહોંચાડવાના સમય પર ભાર મૂક્યો હતો. જીનેટીક્સ અને પ્લાન્ટ બ્રીડિંગના પ્રો. રાજીવ કુમારે બાયોટેકનોલોજીની મદદથી છોડમાં આવનાર રોગના નિયંત્રણ અને ટીસ્યુ કલ્ચર દ્વારા નાશપ્રાયઃ થતા કે સંગ્રહ ન કરી શકાતા બીજોને કૃત્રિમ રીતે બનાવવાની શક્યતાઓ વિશે માહિતી આપી હતી. તેમણે એક છોડના ગુણધર્મો અન્ય છોડમાં ઉમેરવા અને નવી જાતો વિકસિત કરવા અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. ​આંબાની બાગોનું નવીનીકરણ અને નાળિયેરીની સંભાવનાઓ ​તાલાલા ગીર ખાતેના સેન્ટર ફોર એક્સેલેન્સ (મેંગો)ના વિજયસિંહ બારડે 40- 50 વર્ષ જૂની આંબાની બાગોના નવીનીકરણ માટે ખાસ પ્રોનિંગ કટિંગની હિમાયત કરી હતી. તેમણે સમજાવ્યું કે મોટા ઝાડ રોગ અને જીવાતનો પ્રશ્ન વધારે છે, સૂર્યપ્રકાશ ઓછો મળે છે અને 40 ફૂટ જેટલા ઊંચા ઝાડ નિયંત્રણમાં રહી શકતા નથી. તેમણે ભવિષ્યમાં ક્લાઈમેટ ચેન્જને કારણે નેટ હાઉસ કે ગ્રીન હાઉસ બનાવવાની જરૂરિયાત પણ વ્યક્ત કરી હતી. ​મહુવા ખાતેના ફળ પાકોના એગ્રીકલ્ચર રિસર્ચ સ્ટેશનના સાયન્ટિસ્ટ જી.એસ. વાળાએ નાળિયેરના પાકોમાં રહેલી મોટી સંભાવનાઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થવાથી નાળિયેરની સતત માંગ વધી રહી છે. ક્લાઈમેટ ચેન્જની નાળિયેરના પાકને આડકતરી રીતે ફાયદો થઈ રહ્યો છે કારણ કે વધુ વરસાદથી ભેજવાળું વાતાવરણ મળી રહે છે. ​નાયબ બાગાયત નિયામક અલ્પેશ દેત્રોજાએ કેન્દ્ર-રાજ્ય સરકારની બાગાયત કૃષિ માટેની યોજનાઓ અને સહાયોની વિગતવાર જાણકારી આપી હતી. નિવૃત્ત વન વિભાગના અધિકારી રઘુવીરસિંહ જાડેજાએ પોતાના કેરીના બાગના નવીનીકરણની સફળતાની વાત કરી હતી.​GSBTMના સંયુક્ત નિયામક સ્નેહલ બગથરીયાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું અને મેનેજર દીપીકા ડાભીએ આભાર વિધિ કરી હતી. આ સેમિનારમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના જુદી જુદી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ, અભ્યાસુઓ, વૈજ્ઞાનિકો, પ્રાધ્યાપકો વગેરે મોટી સંખ્યામાં સહભાગી થયા હતા.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 8:54 pm

ગાંધીનગર જિલ્લા કોર્ટમાં નેશનલ લોક અદાલત યોજાઈ:એક જ દિવસમાં 18,692 કેસનો સુખદ સમાધાનથી નિકાલ કરાયો, 2 કરોડનું વળતર ચૂકવવામાં આવ્યું

ગાંધીનગર જિલ્લા કોર્ટે આજે યોજાયેલી નેશનલ લોક અદાલતમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના આદેશ અને ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર જિલ્લાની અદાલતોમાં કુલ 18,692 કેસોનો સુખદ સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો છે. જેના પગલે જિલ્લા અદાલતમાં પેન્ડિંગ કેસોનો બોજ નોંધપાત્ર રીતે હળવો થયો છે. સમાધાન લાયક કેસોનો નિકાલ કરાયોજિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ આશિષ જે.એસ. મલ્હોત્રાની અધ્યક્ષતા હેઠળ આયોજિત આ અદાલતમાં ચેક રીટર્ન, મોટર અકસ્માત વળતર, ફોજદારી અને પ્રિ-લીટીગેશન સહિતના વિવિધ સમાધાન લાયક કેસોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લાના તમામ બાર એસોસિયેશનનો સહકાર મળ્યો હતો. ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળના સભ્ય સચિવ એચ.એમ.પવારે પણ લોક અદાલત દરમિયાન ખાસ હાજરી આપી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મોટર અકસ્માતના 98 કેસનો સુખદ સમાધાનલોક અદાલતની સૌથી મોટી સિદ્ધિમાં મોટર અકસ્માત વળતરના કેસોનો સમાવેશ થાય છે. મોટર અકસ્માતના 98 કેસનો સુખદ સમાધાનથી નિકાલ કરીને પીડિતોને કુલ રૂ. 1,98,530 નું વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પ્રિ-લીટીગેશનના 15,322 કેસ અને સ્પેશ્યલ સીટિંગમાં 2520 ફોજદારી કેસોનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો. ચેક રીટર્નની 274 અપીલમાંથી 39માં પક્ષકારો વચ્ચે સમાધાનએજ રીતે ચેક રીટર્નની 274 અપીલમાંથી 39 અપીલોમાં પક્ષકારો વચ્ચે સુખદ સમાધાન થયું હતું. આ લોક અદાલતમાં વર્ષ 2020ના એક મોટર અકસ્માત વળતર કેસમાં કોર્ટની બેન્ચના અથાગ પ્રયાસોથી વીમા કંપની શ્રી રામ જનરલ ફાઇનાન્સ દ્વારા અરજદારના વારસોને કુલ રૂા. 45 લાખનો ચેક વળતર તરીકે અર્પણ કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 8:49 pm