SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

24    C
... ...View News by News Source

ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફાર:AICCએ નવા બે સહ પ્રભારીની નિમણૂક કરી, રાહુલ ગાંધીની નજીકના બી.વી. શ્રીનિવાસ અને દેવેન્દ્ર યાદવને જવાબદારી

કોંગ્રસના રાષ્ટ્રીય નેતૃત્વએ ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફાર કર્યા છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા ગુજરાત સહિત કેટલાક રાજ્યમાં સહ પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેમાં ગુજરાતમાં પણ બે સહ પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે. દેવેન્દ્ર યાદવ અને બી.વી. શ્રીનિવાસની ગુજરાત કોંગ્રેસના સહ પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસના અગાઉના સહ પ્રભારી ઉષા નાયડુ અને ભૂપેન્દ્ર મારવીને અન્ય પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે. દેવેન્દ્ર યાદવ-બી.વી. શ્રીનિવાસને ગુજરાત કોંગ્રેસના સહ પ્રભારી તરીકે જવાબદારીઆગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટા ઉલટફેર કરવામાં આવ્યા છે. ગુજરાત પ્રદેશના પ્રભારી તરીકે યુવા અને આક્રમક બે નેતાઓની તાત્કાલિક અસરથી નિમણૂક કરવામાં આવી છે. રાહુલ ગાંધીની નજીકના બે નેતાઓને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સહ પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. ઓલ ઇન્ડિયા વર્કિંગ કમિટીના સભ્ય દેવેન્દ્ર યાદવની અને અખિલ ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂકેલા બી.વી. શ્રીનિવાસને ગુજરાત કોંગ્રેસના સહ પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. અગાઉના સહ પ્રભારી ઉષા નાયડુને મધ્યપ્રદેશમાં સહ પ્રભારી તરીકે જવાબદારીગુજરાત કોંગ્રેસના અગાઉના સહ પ્રભારી ઉષા નાયડુને મધ્યપ્રદેશમાં સહ પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ ભૂપેન્દ્ર મારવીને ઝારખંડના સહ પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 8:23 am

ગાંધીનગરમાં આજે કેબિનેટ બેઠક:રાજ્યમાં કાયદો અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા થશે, હાઈએલર્ટ દરમિયાન પોલીસ કામગીરી, PMની મુલાકાતને લઈ તૈયારીની ચર્ચા થશે

ગાંધીનગર ખાતે આજે રાજ્ય મંત્રીમંડળ (કેબિનેટ)ની બેઠક યોજાવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં થનારી આ બેઠકમાં રાજ્યના કાયદો અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવશે. હાઈએલર્ટને પગલે પોલીસ વિભાગે હાથ ધરેલી કામગીરીની સમીક્ષાતાજેતરમાં રાજ્યમાં જાહેર કરાયેલા હાઈએલર્ટને પગલે પોલીસ વિભાગ દ્વારા હાથ ધરાયેલી કામગીરીની વિગતવાર સમીક્ષા પણ આ બેઠકમાં થશે. સુરક્ષા દૃષ્ટિએ જરૂરી સૂચનો અને આગળની કામગીરી અંગે પણ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.તે ઉપરાંત, કૃષિ રાહત પેકેજ અંતર્ગત ખેડૂતોને આપવામાં આવેલી સહાય અને પ્રાપ્ત થયેલી અરજીઓની સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આવનારી ડેડીયાપાડા મુલાકાતને લઈને તૈયારીઓની સમીક્ષા પણ આજની બેઠકનો મહત્વપૂર્ણ એજન્ડા રહેશે. મુખ્ય મુદ્દા

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 8:18 am

આયોજન:મોરવામાં જનજાતીય ગૌરવ યાત્રાનું પરંપરાગત સ્વાગત

બિરસા મુંડાની 150મી જન્મજયંતીના અવસરને જનજાતિય ગૌરવ તરીકે ઉજવવાના ભાગરૂપે રાજ્યમાં આયોજિત જનજાતિય ગૌરવ રથ યાત્રાનું આયોજન કરાયું છે. મોરવા હડફ ખાતે જનજાતિય ગૌરવ યાત્રા આવી પહોંચતા સ્વાગત કરાયું હતું. જેમા જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ, મોરવા-હના ધારાસભ્ય નિમીષાબેન સુથાર અને પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ સહિત સ્થાનિક જનપ્રતિનિધિઓ, કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બિરસામુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા હતા. આ ગૌરવ રથમાં ભગવાન બિરસા મુંડાના જીવન અને આદિવાસી સંસ્કૃતિને દર્શાવતી ઝાંખીઓ મૂકાઇ હતી. રથ યાત્રાનું આગમન થતાં જ સ્થાનિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આદિવાસી ભાઈઓ-બહેનો પરંપરાગત વેશભૂષા અને વાદ્યો સાથે ઉમટી પડ્યા હતા. તેમણે ઢોલ-નગારાના તાલે પરંપરાગત નૃત્ય કરીને યાત્રાનું સ્વાગત કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 7:17 am

કરુણાંતિકા સર્જાઈ:મિત્રને દાહોદ રેલવે સ્ટેશન મૂકી પરત જતાં યુવકનું અકસ્માતમાં અવસાન

અભલોડનો 18 વર્ષીય યુવક દાહોદ જતાં માર્ગમાં અકસ્માતનો ભોગ બન્યો હતો. અજાણ્યા વાહન સાથે અથડામણ થતા યુવકને ગંભીર ઇજા પહોંચી હતી અને સારવાર મળતાં પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું. અભલોડ ગામના મેહુલભાઇ વિજયભાઇ બારીયા ગતરોજ સવારે પોતાની જીજે 20 બીઇ 1999 નંબરની બાઇક લઈને પોતાના મિત્ર અજયભાઇ દિલીપભાઇ પલાસના ધોળી દાતી ફળિયામાં આવેલા ઘરે ગયા હતા. અજયે પોતાના પિતાને કહેલ કે “હું મેહુલને દાહોદ રેલવે સ્ટેશન મુકીને આવું છું,” તેમ કહી બન્ને મિત્ર બાઇક ઉપર દાહોદ જવા નીકળ્યા હતા. મેહુલને દાહોદ રેલવે સ્ટેશન મુક્યા બાદ અજય પરત પોતાના ગામ તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન રાત્રે સાડા 9 વાગ્યાના અરસામાં જેસાવાડા રોડ નજીક રળિયાતી ઓળીઆંબા પાસે અજાણ્યા વાહન સાથે અથડાતા અજય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. સ્થાનિકોએ ઘટનાની જાણ થતાં જ 108 બોલાવી અજયને દાહોદ ઝાયડસ ખસેડ્યો હતો પરંતુ તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. daઘટનાની જાણ થતાં જ અજયના પરિવારજનો હોસ્પિટલ દોડી ગયા હતા. આ દુર્ઘટનાએ અભલોડ ગામમાં ગમગીની છવાઈ ગઈ છે. આ અંગે મૃતકના પિતા દિલીપભાઇ સોમાભાઇ પલાસે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફેટલ અકસ્માતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 7:16 am

ભાસ્કર ઈનસાઈડ:અભલોડમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવક સામે જ ગુનો નોંધાયો

અભલોડના ઝરલા ફળિયામાં પાટાડુંગરી રોડ ઉપર જીજે-બીએલ-4278 નંબરની બાઇક ચાલકે પૂરઝડપે વાહન હંકારી લાવી જીજે-20- એસી-1344 નંબરની પ્લેટીના બાઇકને સામેથી ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં પ્લેટીના બાઇક ચાલક 20 વર્ષીય સંકેતભાઈ ગવરસિંહ પસાયાનું મોત નિપજ્યું હતું. પોલીસે અકસ્માતવાળી જગ્યાનું પંચનામું કરી તપાસ આગળ વધારી. ત્યારે આરટીઓ કચેરીમાંથી બાઇક નંબર GJ-20-AC-1344ની તપાસ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. ત્યારબાદ મૃતક સંકેતના ઘરે જઈને પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે, તે આ પ્લેટીના ગાડી તેના મામા મુકેશભાઈ પ્રતાપભાઈ બારીયા રહે.ગાંગરડાના ઘરેથી લાવ્યો હતો. પોલીસે મુકેશભાઈના ઘરે તપાસ કરતાં તેમની માતા રમીલાબેન બારીયાએ પોલીસને જણાવ્યું કે, તેમના પુત્ર મુકેશે 6 વર્ષ પહેલાં આ પ્લેટીના બાઇક રૂા.15,000 ભરીને ખરીદી હતી. પરંતુ 4 વર્ષ પહેલાં કેન્સરની બીમારીના કારણે મુકેશનું મૃત્યુ થઈ ગયું હતું. ઘરે અન્ય કોઈ ફેરવનાર ન હોવાથી આ બાઇક તેમની દીકરી રેખાબેન ગવરસિંગ પસાયાના પુત્ર સંકેતભાઈને 1 વર્ષ પહેલા ફેરવવા માટે આપી હતી. તપાસમાં સ્પષ્ટ થયું કે, મૃતક સંકેત પાસે બાઇકનું RTO દ્વારા ઇસ્યુ થયેલું કોઈ રજિસ્ટ્રેશન નંબર ન હોવા છતાં તેણે ઇરાદાપૂર્વક બીજી બાઇકનો ખોટો નંબર લગાવી ગુનો કર્યો હતો. ગરબાડા પો.કો. ઉમેશભાઈએ આ બાબતે મૃતક તેમના પૌત્ર સંકેત પસાયા સામે ફરિયાદ નોંધી છે. એક્ટિવાનો નંબર લગાવી દીધોઅકસ્માતગ્રસ્ત પ્લેટીના બાઇકનો આ નંબર હકીકતમાં હરમલસિંહ બારીયાના નામે નોંધાયેલી એક્ટિવાનો હતો. વધુ તપાસમાં પોલીસે બજાજ શોરૂમમાં પૂછપરછ કરી, જ્યાંથી પ્લેટીના બાઇક ગાંગરડાના મુકેશ બારીયાને વેચાણ આપ્યાનું જાણવા મળ્યું હતું. મુકેશભાઈએ આ બાઇકનું RTO રજિ. કરાવ્યું ન હોવાનું સામે આવ્યુ હતું.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 7:12 am

ભાસ્કર ઈનસાઈડ:ગોધરામાં મતદાર યાદીમાં નામ ઉમેરવા, મૃતકોના‎રદ કરવા જન્મ-મરણના દાખલા મેળવવા પડાપડી‎

પ્રતિક સોની રાજ્યભરમાં એસઆઇઆરની કામગીરીનો પ્રારંભ થઇ ગયો છે. જેમાં મતદારોને નામ નીકળી જવાનો ફફડાટ પણ છે. બીએલઓ ઘરે આવે ત્યારે મતદાર યાદીમાં નામ ન હોય તેને દાખલ કરવા અલગ ફોર્મ અને દસ્તાવેજો અને મૃતકોના નામ યાદીમાંથી કમી કરાવવા માટે અલગ ફોર્મ અને દસ્તાવેજો આપવાના હોય છે. ત્યારે પંચમહાલના ગોધરા ખાતે મતદાર યાદીમાં નામ દાખલ કરવા અને મૃતકોના નામ કમી કરાવવા માટે સૌથી અગત્યના મનાતા જન્મ અને મરણના દાખલા માટે પડાપડી થઇ રહી છે. સામાન્ય રીતે રોજના 150 અરજીઓ આવતી હતી તેની સામે હવે એસઆઇઆર આવતાં જ આ આંકડો બેવડાઇને 300ની ઉપર પહોંચી ગયો છે. રાજ્યમાં એસઆઇઆર મુજબ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 4 નવેમ્બરથી શરૂ કરી દેવામાં આવ્યો છે. જેમા બીએલઓ ઘરે ઘરે જઇને મતદારોને ફોર્મ આપીને વિગતો મેળવી રહ્યા છે. મતદાર યાદીમાં મૃતકોના નામ કમી થયા નથી. તેમજ એસઆઇઆરમાં વર્ષ 2002 પછીના મતદારોને જન્મના દાખલા આપવાના હોય છે. ત્યારે ગોધરા નગર પાલીકામાં જન્મ અને મરણના દાખલા કઢાવવા ધસારો વધી ગયો છે. રોજીંદા દિવસોમાં 150 જેટલી અરજીઓ આવતી હતી. પરંતુ એસઆઇઆર શરૂ થતા ચાર દિવસથી રોજની 300 થી વધુ અરજીઓ આવવા લાગી છે.છેલ્લા ચાર દીવસમાં 1000 કરતા વધુ અરજીઓ મરણના દાખલા માટે કચેરીમાં આવી છે. ગોધરાના બૂથ 235માં 6 મૃતકોના નામ મતદાર યાદીમાંમતદાર યાદી સુધારણા શરૂ થતા વર્ષોથી મતદાર યાદીમાં મૃતકોના નામ કમી કરાવ્યા ના હોય તેઓના સગાઓ મરણના દાખલા કઢાવવા કચેરીઓ ખાતે આવી રહ્યા છે. જેવી રીતે ગોધરા વિભાગ સભા વિસ્તારના વાવડી બુઝર્ગ-2ના 235 બુથમાં 6 થી વધુ મૃતકોના નામ મતદાર યાદીમાં છે. એક મતદાર તો વર્ષ 2010 માં મરણ પામ્યા હોવા છતા તેઓનુ નામ વર્ષ 2024 અને વર્ષ 2025 ની મતદાર યાદીમાં ચાલે છે. વર્ષ 2002 પછીના જન્મ થયેલ મતદારોને ફરજીયાત જન્મના દાખલા આપવાના થતાં હવે દાખલા માટે પડાપડી કરી રહ્યા છે. પૂરતા પુરાવા હોય તો અમે દાખલો આપીએ છીએસામાન્ય દીવસમાં 150 જેટલી જન્મ અને મરણની અરજી આવતી હતી. એસઆઇઆર આવતા અરજીઓ બમણી થઇ ગઇ છે. કચેરીમાં જન્મ અને મરણના દાખલા માટે અરજદારો આવે છે. પુરતા પુરાવા હોય તો દાખલો આપીએ છીએ. - નિશાર મન્સુરી, જન્મ મરણ વિભાગ અધિકારી, ગોધરા પાલિકા. જન્મ દાખલામાં‎હોસ્પિ. નોંધણી કે‎મેજિ.નો હુકમ જોઇએ‎જન્મનો દાખલો લેવા જન્મ થયેલ‎હોય તે હોસ્પીટલની નોંધણી હોવી‎જરૂરી છે. હોસ્પીટલની નોંધણી ના‎હોય તો મામલદાર કચેરીમાં અરજી‎કરીને મેજીસ્ટ્રેટ કોર્ટનો હુકમ‎લાવવાનો હોય છે. તેની સાથે‎આધારકાર્ડ અને ફોર્મ ભરીને‎પાલીકામાં આપતા જન્મનો‎દાખલો મળી જશે. જો મરણના‎દાખલાની જરૂર હોય તો પાલીકાની‎જન્મ મરણ કચેરીમાં સ્મશાનની‎અંતિમ સસ્કારની પાવતી, મૃતકનું‎અાધારકાર્ડ અને રેશનકાર્ડ તેમજ‎દાખલો કઢાવવા આવનારનું‎આધારકાર્ડ અને રેશનકાર્ડની કોપી‎સથે ફોર્મ ભરીને આપતા મરણનો‎દાખલો મળી જાય છે.‎

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 7:11 am

ભાસ્કર એનાલિસિસ:દાહોદ જિલ્લામાં ગત વર્ષ કરતાં વાવેતરમાં 54%નો ઘટાડો‎

દાહોદ જિલ્લાના ખેડૂતોને તાજેતરમાં પડેલા કમોસમી માવઠાના કારણે થયેલા ભારે નુકસાનની અસર હવે રવિ સિઝનના વાવેતર પર દેખાઈ રહી છે. નવેમ્બરની શરૂઆતના આંકડાઓની સરખામણી કરતાં જણાય છે કે વર્ષ 2025માં કુલ રવિ વાવેતરમાં ગયા વર્ષની તુલનામાં 54.08% જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. જે જગતના તાત માટે ચિંતાનો વિષય બન્યો છે. કૃષિ વિભાગના 11 નવેમ્બર સુધીના આંકડાઓની સરખામણી કરાય તો 2024માં 1777 હેક્ટરમાં રવિ વાવેતર થયુ હતું. તેની સામે 2025માં 818 હેક્ટરમાં જ વાવેતર થયુ છે. વાવેતરમાં 54.08%નો ઘટાડો નોંધાયેલો જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોએ વાવણી માટે જમીન તૈયાર કરવામાં વિલંબ થઇ રહ્યો છે. આ ઉપરાંત કેટલાંક કિસ્સામાં ચોમાસુ પાકના નુકસાનથી આર્થિક સંકટમાં મુકાતા હાલ વાવેતર અટક્યુ છે. જિલ્લામાં ખેતરોની હાલની સ્થિતિ જોતા જુવાર અને શાકભાજીના વાવેતરમાં ખેડુતોની પીછેહઠ જોવા મળી રહી છે. ઓક્ટોબરના અંતમાં પડેલા માવઠાને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયું હતું અને ભેજનું પ્રમાણ વધી ગયું હતું. આનાથી જુવાર જેવા પાકોનું વાવેતર 996 હેક્ટર જેટલું ઓછું થયું છે. ચોમાસુ પાકોને ભારે નુકસાન થતા ખેડૂતો બિયારણ અને ખાતરની ખરીદી માટે સંઘર્ષ કરી રહ્યા છે. જોકે, નિરાશાજનક ચિત્ર વચ્ચે ઘઉંના વાવેતરમાં ગયા વર્ષની તુલનામાં 117 હેક્ટરનો વધારો નોંધાયો છે. 2024 માં 126 હેક્ટરની સરખામણીએ 2025 માં 243 હેક્ટર ઘઉંનું વાવેતર થયું છે. ઉલ્લેખનિય છે કે, દાહોદ જિલ્લામાં વર્તમાન સારા ચોમાસાના કારણે ખેતી સારી થઇ હતી. અને ખેડૂતો ખુશ હતાં. પરંતુ કમોસમી માવઠાએ ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો ઝૂંટવી લીધો હતો. અને ખેડૂૈતોને પારાવાર નુકસાન થયુ હતું. ડાંગર પકવતા ખેડૂતોને ભારે નુકસાન થયુ હતું_. ત્યારે આગામી પાક સારો થાય તેવી આશા સેવી રહ્યા છે. 11 નવેમ્બર સુધી બે વર્ષના રવી વાવેતરની સરખામણી. પાક----- વર્ષ 2024 ----- વર્ષ 2025 . જુવાર -- 1464 હેક્ટર - 468 હેક્ટર. શાકભાજી -- 66 હેક્ટર -- 0 હેક્ટર. ચણા -- 22 હેક્ટર -- 18 હેક્ટર. ઘાસચારો -- 99 હેક્ટર -- 89 હેક્ટર

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 7:06 am

આગની ઘટના:ગોધરાના સીમલા કબાડી માર્કેટમાં 4 સ્ક્રેપ ગાડીમાં આગ

ગોધરાના સીમલા કબાડી માર્કેટમાં ખુલ્લામાં મુકેલી સ્ક્રેપ ગાડીઓમાં કોઇ કારણસર આગ લાગતા ચાર જેટલી ગાડીઓ આગની ચપેટમાં આવી હતી. ગોધરા ફાયર વિભાગની ટીમોએ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. ગોધરાના સીમલા કબાડી માર્કેટમાં ખુલ્લી જગ્યામાં સ્ક્રેપની ગાડીઓ મોટી સંખ્યામાં રાખી હતી. મંગળવારે મોડી સાંજ સ્ક્રેપ ગાડીમાં કોઇ કારણસર આગ લાગી હતી. જોકે આગ લાગી હતી ? તે રહસ્ય હજુ અકબંધ છે. એક ગાડીમાં આગ બાદ આસપાસની 4 થી વધુ ગાડીને આગે ચપેટમાં લીધી હતી. આગ લાગતા સ્થાનિકોએ આગને બુજાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ આગ બેકાબુ થતા ગોધરા ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર ની ટીમોએ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. આગ લાગવાથી 4 જેટલી સ્ક્રેપ ગાડીઓ બળીને ખાખ થઇ હતી. આગને લઇને ટોળાં ઉમટયા હતા.સ્ક્રેપની ગાડીઓમાં આગ કયા કારણોસર લાગી તેનું કારણ બહાર આવ્યુ નથી.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 7:04 am

ખાડાના રીપેરિંગની માંગ:માલસર પુલથી વડીયા મંદિર અને ઉમલ્લા સુધી રોડ પર ખાડા જ ખાડા

વડોદરા અને ભરૂચ જિલ્લાને જોડતો મા નર્મદા નદિ પર માલસર - અશા બ્રિજ બનાવાયો છે. પરંતુ માલસર બ્રિજની સામે કિનારે આવેલ માલસર બ્રિજથી વડીયા મંદિર સુધી ખૂબ જ મોટા ખાડા પડી ગયા છે. રોડ પર ચિલા પડી ગયા છે. જેના કારણે વાહનચાલકોને ખુબ જ તકલીફ પડતી હોય છે. વાહનચાલકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ ખાડા તાત્કાલિક પૂરવામાં નહીં આવે તો વાહન વ્યવહાર બંધ થઇ શકે તેમ છે. આ રૂટ પર ફક્ત એક જ બસ ચાલતી હતી તે પણ બંધ કરી દેવાઇ છે. અંકલેશ્વર - અંબાજીની બસ બંધ થવાથી આખા રૂટના મુસાફરોને તકલીફ પડે તેમ છે. વડીયાથી ઉમલ્લા સુધીના રોડ પર ખૂબ મોટા મોટા ખાડા પડી ગયા છે. ગુજરાત સરકાર દ્વારા કરોડોના ખર્ચે બ્રિજ બનાવાયો પરંતુ હજી સુધી રોડના ઠેકાણા નથી. આ અંગે રજૂઆત કરવા છતાં કાર્યવાહી કરાતી નથી. ભરૂચ માર્ગ-મકાન વિભાગે રોડના ખાડા ન પુરતા વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખાડામાં વાહન પડતાં નુકસાન થાય છેબ્રિજ પર ખાડામાં પાણી ભરેલું હોવાથી વાહનચાલકોને ખાડાનો અંદાજ આવતો નથી. ખાડામાં વાહન પડવાથી વાહનોને પણ મોટું નુકસાન થતું હોય છે. ખરાબ રસ્તાના કારણે ડેપો મેનેજર દ્વારા આ રૂટની કેટલીક બસો બંધ કરી દેવાઇ છે. જેનાથી મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ રોડ પર પડેલા ખાડા માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમયસર નહીં પૂરાય તો કોઇ નિર્દોષ માણસનો ભોગ લેશે તેમ લોક મુખે ચર્ચાઇ રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 7:02 am

અટકાયત:એકના ડબલ કરવાનું કહી નાણાં પડાવવાના બનાવમાં વધુ એક આરોપીની અટકાયત કરી

શિનોર તાલુકામાં બોડેલીના વેપારીને વિશ્વાસમાં લઈ એકના ડબલ કરી આપવાની લાલચ આપી રૂપિયા 30 લાખની ઉઠાંતરી કરનાર નોંધાયેલ ગુનામાં વધુ એક આરોપીને શિનોર પોલીસે ઝડપી પાડેલ છે. શિનોર તાલુકાના પોઇચા પુલ પાસે બોડેલીના વેપારી નિલેશ ઓમ પ્રકાશ અગ્રવાલને વિશ્વાસમાં લઈને એકના ડબલ કરી આપતી ગેંગના અગાઉના આરોપી ગોપીનાથ બાબા ઉર્ફે ઐયુબ બેલીમ પાનસોરા, તાલુકો ઉમરેઠ તથા નાના કરાળાના જાકીર તથા દક્ષેશ ઠાકર ત્રણ જણા ઝડપાઈ ગયા હતા. તેમના તા.17 નવેમ્બર સુધી રિમાન્ડ મંજૂર થયા છે. જ્યારે ભૌમિક ઠાકર ભાગી ગયો હતો. તા.10મીએ શિનોર એએસઆઇ કંચનભાઇ રાઠવાની પણ આ ગુનામાં અટકાયત કરાઈ હતી અને કોર્ટમાં રજૂ કરાતાં તેમના પણ તા.13 નવેમ્બર સાંજના 4 કલાક સુધીના રિમાન્ડ મંજૂર થયા હતા. મંગળવારે આ ગુનામાં ગોપીનાથ બાબા ઉર્ફે ઐયુબ બેલીમના પુત્ર ઇફાકત ઐયુબ બેલીમની પણ શિનોર પોલીસે મદદગારીમાં ધરપકડ કરી છે. જ્યારે પોલીસ દ્વારા રૂા.27 લાખ ઉપરાંતની રકમ કબજે કરાઇ છે. પરંતુ ભાગી ગયેલ ભૌમિક ઠાકર તથા પુલ ઉપરથી રૂપિયા 30 લાખ લઈ જનાર અજાણ્યો ઇસમ હજુ પકડવાનો બાકી છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 6:59 am

નિશાચરોનું શિયાળુ સત્ર:બે બાઇક ચોરીને પોલીસને દોડતી કરી મૂકી

વાંકાનેર અને આસપાસના પંથકમાં છેલ્લા કેટલાક સમયથી બાઇક ચોરીના બનાવોની વણઝાર અટકી નથી રહી, જેના કારણે સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે. તસ્કરો બેફામ બની રહ્યા હોય તેવા માહોલ વચ્ચે, વાંકાનેરના હસનપર ગામેથી વધુ બે મોટરસાયકલની ચોરીનો બનાવ સામે આવ્યો છે. હસનપર ગામે રહેતા અજયભાઈ ભુપતભાઈ પરસોંડાએ આ ચોરી અંગે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અજયભાઈના ઘર પાસે પાર્ક કરેલા અને તેમની માલિકીના બે બાઇક કોઈ અજાણ્યા તસ્કરો એક સાથે ચોરી કરીને લઈ ગયા હતા.જેના પરથી ફલિત થાય છે કે ચોર એક નહીં જ હોય, બે અથવા તો તેનાથી વધુ જ હશે. પોલીસે આસપાસના ફૂટેજ ફંફોળવાનું શરૂ કર્યું છે. શિયાળો શરૂ થતાં જ નિશાચરો સક્રિય બની ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ચોરો બાઇક ચોરી કરે છે પરંતુ બાઈક ઉઠાવવામાં સફળતા ન મળે તો સાયકલ પણ મૂકતા નથી ત્યારે સતત વધી રહેલા ચોરીના બનાવોને ધ્યાને લઈને પોલીસ દ્વારા રાત્રિનું પેટ્રોલિંગ કરવું આવશ્યક બની ગયું છે. એક જ સ્થળેથી બે બાઈકની ચોરીની ઘટનાથી લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. વાંકાનેર સિટી પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધીને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 6:45 am

2 આરોપીઓ ઝડપાયા:મોરબીમાં ટ્રકની ડીઝલ ટેન્કમાંથી ચોરી કરતી ગેંગના બે સાગરીત ઝડપાયા

મોરબીના લખધીરપુર રોડ પર ટ્રકમાંથી ડીઝલની ટેન્કમાંથી ચોરી કરતી ટોળકીના બે સાગરીત ઝડપી લેવામાં આવ્યા હતા અને આ બન્નેએ કરેલી કબુલાતમાં વધુ એક શખ્સ સામેલ હોવાનું જણાવતાં તેને ઝડપી લેવા તજવીજ શરૂ કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં હાઇવે પર પાર્ક કરેલા ટ્રકમાંથી અવારનવાર બેટરી અને ડીઝલ ચોરીના બનાવ બનતા હોય અગાઉ ડીઝલ ચોરતી ટોળકી ઝડપાયા બાદ પંદરેક દિવસ પૂર્વે મોરબીના લખધીરપુર રોડ ઉપર પાર્ક કરેલા ટ્રકમાંથી રૂ.13 હજારની કિંમતના 130 લીટર ડીઝલની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આથી મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડે આ ડીઝલ ચોરીનો ભેદ ઉકેલી ટ્રકની ડિઝલ ટાંકી તોડી તેમાંથી ડીઝલ ચોરી કરતી ટોળકીના બે સાગરીતને કાર તથા સાધનો મળી કુલ કિ.રૂ.૩,૦૦,૪૫૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. મોરબીના લખધીરપુર રોડ ઉપર હોલીસ વિટ્રીફાઇડ કારખાના ગેટ પાસે ગત તા.25 ઓક્ટોબરના રોજ આરજે - 14 - જીકયુ - 4377 નંબરના ટ્રકને રાજસ્થાનના વતની ટ્રક ચાલક જીતેન્દ્રસિંગ લાદુસિંગ રાજપૂતે પાર્ક કરીને કેબિનની અંદર સૂતો હતો. આ દરમિયાન ટ્રકની ડીઝલ ટેન્કનું લોક તોડી કોઈ અજાણ્યા તસ્કરો ટ્રકની ડીઝલ ટેન્કમાંથી 130 લીટર ડીઝલ કિંમત રૂપિયા 13 હજારની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. બાદમાં ચોરી થયાનું ધ્યાને આવતા જીતેન્દ્રસિંગ રાજપૂતે મોરબી તાલુકા પોલીસ મથકમાં ડીઝલ ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં મોરબી એલ.સી.બી.,પેરોલ ફર્લો સ્કોડની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળી હતી કે આ ગુનો આચરનાર શખ્સ તથા તેની સાથે એક બીજો શખ્સ શહેરના જૂના ઘુંટું રોડ પર ઉભા છે આથી પોલીસ એ સ્થળે પહોંચી હતી અને કાર તથા સાધનો મળી કુલ કિ.રૂ.૩,૦૦,૪૫૦ ના મુદામાલ સાથે આરોપીઓ હરેશભાઇ વિનોદભાઇ ઉર્ફે વિનુભાઇ બાલસાણીયા (ઉ.વ.૨૧) તથા જીજ્ઞેશભાઇ ઉર્ફે જુગો ભરતભાઇ ખેરને ઝડપી લીધા હતા.આ આરોપીઓની પુછપરછ કરતા અન્ય બે શખ્સ વિપુલ રેવર તથા અમીતભાઇ ઠાકોરનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 6:44 am

કિસાનસંઘની રજૂઆત:ફોર્મની માથાકૂટમાં પડ્યા વગર આધાર કાર્ડ પર રાહત પેકેજ આપવા માંગ

મોરબી સહિત રાજ્યભરમાં માવઠાના પગલે ખેડૂતોને મોટા આર્થિક સંકટમાં આવી ગયા છે. આવા સંજોગોમાં સરકારે ખેડૂતોને રાહત આપવા રાહત પેકેજ આપવાની જાહેરાત કરી છે. ત્યારે ખેડૂતોને આ સહાય ઝડપથી અને સહેલાઈથી મળે તે બાબતે ભારતીય કિસાન સંઘ મોરબી જિલ્લાના પ્રમુખ બાબુલાલ એલ. સીણોજીયાએ કૃષિમંત્રીને રજૂઆત કરી છે કે ફોર્મ ભરવાની માથાકૂટ વગર ખેડૂતોના ખાતામાં આધાર કાર્ડ ઉપર રાહત પેકેજની સહાય ચુકવવામાં આવે. આજના ડિજિટલ યુગમાં સરકાર બધું ડિજિટલ કરવા માગતી હોય તો ખેડૂતોની સહાયમાં કેમ નહિ. હાલમાં સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે. તેમાં ફોર્મ ભરવાની માથાકૂટ વગર ખેડૂતોના ખાતામાં આધાર કાર્ડ ઉપર ચૂકવવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે. સરકારની જાહેરાત પ્રમાણે 2 હેક્ટરની મર્યાદા એટલે કે 12 વિઘા જમીન ધરાવતા હોય તેવા કિસ્સામાં એક જ ખાતેદાર પાસે પાંચ પાંચ વિઘાના અલગ અલગ જમીન ધરાવતા હોય તેને સહાય ખાલી એક જ ખાતાની મળે છે અને બીજું ખાતું વેબસાઈટની અંદર લેતું નથી અને એ ગામના ખાતેદાર હોય તેવા ખેડૂત ખાતેદાર ફોર્મ માત્ર એક જ ગામમાં આધાર કાર્ડ લેતું હોવાથી ત્યાં બીજા ગામની જમીન સાથે બીજા ગામની જમીન પોર્ટલ પર ઉમેરવાનું ઓપ્શન આપવામાં આવે તો ખેડૂત પોતે પૂરો લાભ લઇ શકે જેથી કરીને ખેડૂતોને નુકસાની ભોગવવી ન પડે. આ ડિજિટલ યુગમાં ખેડૂતો પાસેથી 7-12, 8અ ના ઉતારા લેવામાં આવે છે. જો 8 અ એક જ લેવામાં આવે તો ખેડૂતોને ફાયદો થાય બીજું કે ટૂંક સમયગાળા દરમિયાન ખેડૂતોને અરજી કરવાની હોય તો તે સમય દરમિયાન 7-12, 8અ નું સર્વર સાવ ડાઉન થઈ જાય છે તો તે પણ અગાઉ આયોજન કરવા ભારતીય કિસાન સંઘ મોરબી જિલ્લા દ્વારા માંગ કરાઈ છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 6:43 am

આપઘાત:સગપણ થયું તેની સાથે પરણવું નહોતું, યુવાને અંતિમ વાટ પકડી

મોરબીમાં યુવાને ફાંસો ખાઈને જીવનનો અંત આણી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનની જ્યાં સગપણ થયું હતું તેની સાથે લગ્ન કરવા માંગતો ન હતો. આથી તેણે આ આત્મઘાતી પગલું ભરી લીધાનું ખુલ્યું છે. જો કે સાચી બાબત તો પોલીસની તપાસ બાદ જ સામે આવશે તેમ સુત્રોએ ઉમેર્યું હતું. મોરબી તાલુકાના ગાળા ગામે આવેલ સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહીને ત્યાં જ મજૂરીકામ કરતા મુળ મધ્યપ્રદેશના અપરણીત યુવાને કારખાનાના કમ્પાઉન્ડ વોલ ખાતે કોઈ કારણોસર ફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજયું હતું. પોલીસના જણાવ્યા મુજબ મૃતક અનિલભાઈ બાબુલાલ પાલ નામનો 27 વર્ષનો યુવાન મજૂરીકામ કરતો હતો તે લાપતા થયો હતો અને શોધખોળના અંતે કારખાનાના કમ્પાઉન્ડ વોલ ખાતે તેનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. તાલુકા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે,મૃતક યુવાનની જયાં સગાઈ થઈ હતી. ત્યાં તે લગ્ન કરવા માંગતો ન હતો. જેથી તેણે આ અંતિમ પગલુ ભરી લીધું હતું. જો કે આ યુવકને અન્ય કોઇ યુવતી સાથે લગ્ન કરવા હતા કે કેમ અથવા તો પરિવારજનો દબાણ કરતા હતા એ સહિતની તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 6:42 am

ભાસ્કર ઈમ્પેક્ટ:ભાયાવદરમાં ત્રણે પુલ પર ભારે વાહનો પ્રતિબંધિત, 57 દી’થી ખોરંભે ચડેલી ડાયવર્ઝનની કામગીરી શરૂ

ભાયાવદરમાં રેલવે સ્ટેશન રોડથી સાગર ચોક સુધીમાં ત્રણ પુલ આવેલા છે, અને આ બધા પુલ ઘણા વર્ષો પહેલાં બનેલા હોઇ, તે જર્જરિત બની ગયા હોઇ, ભારે વાહનો માટે દુર્ઘટના સર્જી શકે તેમ હોવાથી હાઇકોર્ટની તાકીદ અને કલેક્ટરના જાહેરનામા બાદ આ પુલ પરથી ભારે વાહનો પસાર થવા દેવામાં આવતા ન હતા, જો કે ડાઇવર્ઝનનો મુદો પાલિકા અને આર એન્ડ બી વિભાગ માટે અહમનું કારણ બની જતાં કામગીરી ખોરંભે પડી હતી અને ભારે વાહનો આ ત્રણે પુલ પરથી પસાર થવા લાગ્યા હતા. જો કે હવે માર્ગ અને મકાન વિભાગે ડાઇવર્ઝન માટેની કામગીરી કે જે ખોરંભે પડી હતી તે શરૂ કરાવી છે. ભાયાવદરમાં રેલ્વે સ્ટેશન રોડથી સાગર ચોક સુધીમાં આવેલા ત્રણ પુલ પરથી જ મોટી પાનેલી, સીદસર, જામજોધપુર, ભાણવડ અને જામનગર જવાય છે અને આ ત્રણે પુલ પર સ્કૂલ બસ, એસટી અને ભારે વાહનોની અવરજવર મોટા પ્રમાણમાં રહેતી હતી.ગંભીરા પુલ દુર્ઘટના બાદ આ ત્રણ પુલમાંથી બે પુલ જર્જરીત હાલતમાં હોવાથી કલેકટરના જાહેરનામા ના હુકમ મુજબ આર એન્ડ બી વિભાગ દ્વારા પુલની બંને સાઇડ એંગલ મારીને ભારે વાહનો માટે પ્રવેશ બંધ કરી દીધો હતો અને એક ડાઇવર્ઝન 1 કિલોમીટર દૂર કઢાયું હોવાથી બીજું ડાઇવર્ઝન નજીક કાઢવા માટે પાલિકાએ માં ઉમિયાના રથનું બહાનું બતાવીને પુલની બંને સાઈડના એંગલ જેસીબી મારીને ઉખેડીને ફેંકી દીધા હતા અને આ બને તંત્રની અવળચડાઈના લીધે બને પુલ સાવ ખુલ્લી હાલતમાં હતા અને બીજા ડાઇવર્ઝનની કામગીરી ખોરંભે ચડી હતી ત્યારે કલેકટરના જાહેરનામાનો ભંગ થતો હોય અને એના અહેવાલો અખબારમાં આવતા આજે 57 માં દિવસે આર એન્ડ બી વિભાગે પુલ પાસે બેરિકેડ લગાવી, રાઉન્ડ ધ ક્લોક હોમગાર્ડના જવાનનો બંદોબસ્ત ગોઠવી દીધો છે. ડાયવર્ઝનની કામગીરી શરૂ થતાં નજીકના ભવિષ્યમાં ભારે વાહનના ચાલકોએ બહુ લાંબો ફેરો નહીં ફરવો પડે. { રાજુ ખાંભલા

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 6:40 am

સરવે:મોરબીમાં શિક્ષણથી વંચિત બાળકોના શૈક્ષણિક પુનર્વસન માટે સરવે કરાશે

સમગ્ર શિક્ષા અંતર્ગત દર વર્ષે જુદા જુદા કારણોથી શાળા બહાર રહેલા 06 થી 18 વર્ષની વય જૂથના બાળકો અને જેવો પોતાનું ધોરણ 1 થી 12 નું શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી તેવા શાળા બહારના બાળકો (આઉટ ઓફ સ્કુલ ચિલ્ડ્રન) સહિતના તમામ બાળકોનો સર્વે કરી તેમની ઓળખ, નામાંકન અને મુખ્ય ધારામાં જોડાણ અને શૈક્ષણિક પુનર્વસન માટેની કામગીરી કરાઇ રહી છે. મોરબી જિલ્લામાં શાળા કક્ષાએ 14/11/2025 થી 23/11/2025 સુધી સર્વે હાથ ધરનાર છે. જેમાં સરકારના તમામ વિભાગો, એનજીઓ, જાહેર જનતા તેમજ સામાજિક સંસ્થાઓને પણ સહભાગી થવા માટે સમગ્ર શિક્ષણ જગત દ્વારા અપીલ કરાઇ છે. આવા કોઈ શાળા બહારના બાળકો મળી આવે તો સરકારી શાળામાં, ક્લસ્ટરમાં અને તાલુકા કક્ષાએ બીઆરસી ભવન પર જાણ કરવા અને તેવા બાળકોનું શૈક્ષણિક પુનર્વસન થાય તે માટે સહયોગ આપવા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને શિક્ષાના જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડીનેટરે જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 6:39 am

ભાસ્કર એનાલિસિસ:માવઠાનો માર : મોરબી જિલ્લામાં શિયાળુ પાકનું વાવેતર હજુ બે‎સપ્તાહ પાછળ ઠેલાશે,1.90 લાખ હેક્ટર જમીનમાં ભેજ યથાવત્ત

મોરબી જિલ્લામાં નવેમ્બર અડધો વીતવા આવ્યો હોવા છતાં શિયાળુ પાકનું વાવેતર થઇ શક્યું નથી અને આગામી બે સપ્તાહ સુધી વાવણી થઇ શકે તેવી સંભાવના પણ જણાતી નથી ત્યારે જિલ્લાની 1.90 લાખ હેક્ટર જમીનમાં હજુ વાવણી થઇ શકી નથી. ગત વર્ષે આ જ સમયગાળામાં 1800 હેક્ટરમાં વાવેતર થઇ ગયું હતું અને તેની અગાઉના વર્ષે 2500 હેક્ટરમાં વાવણી થઇ ગઇ હતી. જ્યારે આ વર્ષે હજુ સુધી વાવેતરની શરૂઆત જ નથી થઇ. અને વાવણી શરૂ કરાતાં સહેજે 15 દી’ નીકળી જાય તેમ સુત્રોએ જણાવ્યું હતું. મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસું પાક તૈયાર થયેલો પડયો હતો અને માવઠાંએ ત્રાટકીને ખેડૂતોની ચાર મહિનાની મહેનત ધોઇ નાખી હતી. હજુ પણ ધરતીપુત્રો માટે સ્થિતિ અત્યંત કઠણાઈ ભરી બની રહી છે, કારણ કે એક તરફ આ વરસાદે ચોમાસું પાકને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું હતું હવે તેની અસર શિયાળુ પાક પર પણ જોવા મળી રહી છે, કારણ કે મોરબી જિલ્લામાં ઓક્ટોબર - નવેમ્બરના કમોસમી વરસાદને પગલે હાલ જમીનમાં બિયારણને અંકુરિત થવા જેટલો ભેજ જોઇએ તેના કરતા વધુ ભેજ હોવાથી હાલ શિયાળુ પાકનું વાવેતર થઈ શકે તેમ નથી. ખેતરમાં બે પાક વચ્ચે ખેડૂતો સામાન્ય રીતે 15 થી 20 દિવસનું અંતર રાખતા હોય છે અને જ્યારે જમીને પૂરતો સૂર્ય પ્રકાશ મળતા વાવણી માટે અનુકૂળ થઈ જાય છે. સામાન્ય રીતે ઓક્ટોબર મહિનાના પ્રથમ પખવાડિયામાં વરસાદ વિરામ લઈ લેતો હોય છે બાદમાં ખેડૂતો પાક ઉતારી લે છે. ખાસ કરીને ચોમાસુ પાકનું આગોતરું વાવેતર કરનાર ખેડૂતોનો દિવાળી પહેલા પાક લેવાયો હોવાથી દિવાળી બાદ રવિ પાકનું વાવેતર શરૂ કરે છે. જો કે ચાલુ વર્ષે શિયાળુ પાકનું વાવેતર લગભગ 10 થી 15 દિવસ જેટલું પાછળ ઠલવાયું છે. સામાન્ય રીતે નવેમ્બરના બીજા સપ્તાહમાં વાવણી શરૂ થઈ જતી હોય છે . ઘઉં, ચણા, જીરું વાવવા નવેમ્બર યોગ્ય સિઝન‎નવેમ્બરના 10 દિવસ વીતવા છતાં હજુ ખેડૂતો ચોમાસુ પાકની વાવણી કરી શકે તેવી સ્થિતિ બની નથી તેમજ જ્યાં વાવણી થઈ શકે તેવી સ્થિતિ છે ત્યાં ચોમાસુ પાકમાં થયેલી નુકશાની બાદ ખેડૂત સહાયની રાહમાં છે. આવી સ્થિતિમાં ચાલુ વર્ષે શિયાળુ પાકનું વાવેતર 2 વર્ષની સરખામણીમાં 15 દિવસ મોડુ થાય તેવી સંભાવના છે. વાવેતર મોડું થશે તો પણ જીરું,‎વરિયાળીને નુકસાન થવાની શક્યતા‎ ચાલુ વર્ષમાં ચોમાસુ પાકનું નુકશાન થયું છે, બીજી તરફ ખેતરમાં જે સ્થિતિ છે તેના કારણે હાલ કયા પાકનું વાવેતર કરવું તે મૂંઝવણભર્યું છે , કારણ કે શિયાળુ પાકનો સમય 70 થી 120 દિવસ હોય છે. સામાન્ય રીતે 15 નવેમ્બર પહેલા પાકનું વાવેતર થઈ જાય છે. જો મોડુ વાવેતર થાય તો જ્યારે પાક લેવાનો સમય આવે તે પહેલા તાપ જરૂરિયાત કરતા વધુ પડે છે અને તેના કારણે જીરું, વરિયાળી જેવા પાકને નુકશાન થાય છે. ઘઉંનો પાક પણ સૌથી છેલ્લે તૈયાર થાય છે અને તેને વધુ સમય જોઈએ છે તેમ કૃષિ એક્સપર્ટ ડૉ. ગનીભાઈ શેરસિયાએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 6:38 am

ધરતીપુત્રોને રાહત:નર્મદામાં માવઠાથી 62 હજાર હેકટરમાં પાકને નુકસાન

નર્મદામાં માવઠાથી 62 હજાર હેકટરમાં પાકને નુકસાન થયું છે. તાજેતરમાં રાજય સરકારે જાહેર કરેલા રાહત પેકેજમાંથી જિલ્લાના ખેડૂતોને 1,364 કરોડની સહાય મળશે ચોમાસાની વિદાય બાદ દરિયામાં સિસ્ટમ સક્રિય થતા ઓકોટબર અને નવેમ્બર મહિનામાં વરસાદ પડ્યો હતો. વરસાદે કપાસ, તુવેર,ડાંગર, મકાઈ અને જુવાર સહિતના પાકોને વ્યાપક નુકસાન થયું સત્તા પક્ષ અને વિપક્ષ બંને સરકારમાં રજૂઆત કરી સહાય પેકેજની માંગણી કરી હતી.સરકારે રાજયના ખેડૂતો માટે 10 હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે નર્મદા જિલ્લામાં ખેતીવાડી શાખા તરફથી સર્વે કરવામાં આવતા 62 હજાર હેક્ટર માં વાવેતર ને નુકસાન થયું હતું જેમાં ખાસ ડાંગર, કપાસ તુવેર, મકાઈ જુવાર સહિતના પાકોને નુકસાન થયું હોવાની વિગતો સામે આવી હતી નર્મદા જિલ્લા ખેતીવાડી શાખાએ અહેવાલ મોકલતા તમામ ખેડૂતને પેકેજ મળે એવી સાકયતા જાહેર કરશે અને જેનાથી ખેડૂતોને આર્થિક લાભ થશે. નુકસાનીનું પૂરેપૂરું સહાય તો નહિ પણ ખેડૂતોની ચિંતા ટાળી કહેવાય. સરકારની મંજૂરી મળશે એટલે સહાય આપીશું ખેતીવાડી આધિકારી વિનોદ પટેલે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં 62 હાજર હેક્ટર થી વધુ જમીનોમાં તૈયાર કપાસ, તુવેર,ડાંગર, મકાઈ અને જુવાર જેવા પાકો ને વ્યાપક નુકસાન જેનો અહેવાલ સરકાર ને મોકલેલ છે હજુ સહાય આવી નથી. સરકાર મંજુર કરે એટલે ખેડૂત ને મળશે. એક હેક્ટર દીઠ 22000 રૂપિયા મંજૂર કર્યા છે. એવી રીતે જેટલું નુકસાન એ મુજબ સહાય મળશે.. > વિનોદ પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી, નર્મદા

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 6:31 am

કેમ્પ:ભરૂચ જિલ્લામાં 4 દિવસ મતદારયાદી સુધારણા કેમ્પ

ભરૂચ જીલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન કોઇ મતદાર એન્યુમરેશન ફોર્મ મેળવવા કે પરત આપવામાં બાકી રહી ગયા હોય એમના 15 અને 16 નવેમ્બર અને 22 અને 23 નવેમ્બર દરમિયાન ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બી.એલ.ઓ. સંબંધિત બુથ પર સવારે 9 કલાકથી બપોરે 1 કલાક દરમિયાન હાજર રહેશે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 6:28 am

રિપેરિંગ:એસઓયુને જોડતાં માર્ગનું પેવર અને ડામરથી રિપેરિંગ શરૂ કરાયું

ચોમાસાની શરૂઆત થતાંની સાથે જિલ્લામાં મોટાભાગના રસ્તાઓ બિસમાર બની ગયાં હતાં. રાજયના માર્ગ અને મકાન વિભાગ તરફથી કમોસમી વરસાદ બાદ ટ્રાફિક સરળ બનેતથા લોકોની અવર- જવર સુરક્ષિત બને તે માટે રસ્તાઓના મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ વરસાદ રહી જતાં રસ્તાઓની પેવર થી ડામરના પટ્ટા મરવાનીકામગીરી કરવામાં આવી રહી છે. સાથોસાથ સરકાર તરફથી મંજૂર થયેલા રિસર્ફેસિંગના કામોનું પણ પૂર જોશમાં મજબૂતીકરણની કામગીરી ચાલુ કરવામા આવી છે. સુરક્ષિત અને સુગમ વાહન વ્યવહાર મળી રહે તે હેતુસર વિભાગની તકનિકી ટીમ મારફતે સ્થળ પર સર્વેક્ષણ કરી માર્ગોની મરામતની પૂરજોશમા કરવામાં રહી આવી છે.મશીનરી અને માનવ શક્તિનો સંકલિત ઉપયોગ કરી આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય એ રીતે યુધ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 6:27 am

ભાસ્કર નોલેજ:એઆઈ બેઝ સિસ્ટમની કામગીરીને લઈને 14 મી સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ કરાયો

ભરૂચ આરટીઓમાં એઆઈ બેઝ સિસ્ટમ લગાવવા ની કામગીરીને લઈને હાલ 14મી સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ટેસ્ટ માટે બંધ રહેશે. ડ્રાઇવિંગ ટ્રેક બંધ રહેતા 80 થી અરજદારો ના ડ્રાઇવિંગ ટેસ્ટ રીસીડયુલ કરવામાં આવ્યું છે. જેથી અરજદારોને આરટીઓ સુધીનો ખોટો ધક્કો ખાવો નહીં પડે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આરટીઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ ટ્રેક બનાવવાની કામગીરી ડિસેમ્બર મહિના સુધી પૂરી કરવામાં આવશે. ત્યાર બાદ ભરૂચ આરટીઓમાં એઆઇ બેઝ ડ્રાઈવીંગ ટેસ્ટ લેવામાં આવશે.જેમાં પ્રથમ સિવિલ કામગીરી કરવામાં આવી હતી. જે કામગીરી દરમિયાન ટ્રેક 6 દિવસ માટે બંધ કરવામાં આવ્યો હતો. ફરી જૂની પદ્ધતિથી ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાનું શૂરું કરી દેવામાં આવ્યું હતું ત્યાર બાદ હવે એ આઈ બેઝ કેમેરા સહિતની સિસ્ટમ લગાવવાની કામગીરી ચાલુ કરવામાં આવતા હાલ 14 મી સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ કરવામાં આવ્યો છે. ટ્રેક બન્યા બાદ નાની ભૂલ થશે તો પણ એ આઈ તેને ડ્રાઈવિંગ ટેસ્ટમાં ફેલ કરશે. એઆઈ નાની- નાની ક્ષતિઓ પણ પકડી લેશે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર લગાડવામાં આવેલા 18 કેમેરા વાહનની દરેક નાની-મોટી હલનચલન પર ખાસ નજર રાખશે. એઆઈ સિસ્ટમ લગાવ્યા બાદ આ પ્રકારની ક્ષતિઓ નહીં થાય. એઆઈ નાની નાની ક્ષતિઓ પણ પકડી લેશે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 6:27 am

ભાસ્કર ઈનસાઈડ:3 દિ'માં 52 બસે 9 હજાર કિમી અંતર કાપી 11 હજારને મુસાફરી કરાવી

ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામે દર વર્ષેની જેમાં આવર્ષે પણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં સમગ્ર ગુજરાતમાં થી અંદાજિત 4થી 5 લાખ યાત્રીઓ દર્શન અર્થે મેળામાં ઉમટી પડે છે. જેની મનોરંજનથી માડી ખાણી-પીણી સહિતની તમામ વ્યવસ્થા શુકલતીર્થ ગ્રામ પંચાયત થકી કરવામાં આવે છે. આ મેળામાં બહારગામથી આવતા લોકોને મેળા સુધી લાવવા અને લઈ જવા માટે ભરૂચ એસટી વિભાગ થકી આયોજન કરીને ત્રણ દિવસ માટે વધારાની બસો ની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં ત્રણ દિવસ દરમિયાન આવવા જવા માટે 52 બસ થી 380 ટ્રીપ કરી હતી જેમાં મેળામાં જવા અને આવવા માટે 11 હજાર મુસાફરોએ લાભ લીધો હતો. આમ ત્રણ દિવસમાં બસોએ 9 હજાર કિમીનું અંતર કાપીને રૂપિયા 4 લાખની આવક એસટી વિભાગને થઈ હતી. ઉલેખનીય છે કે, ગત વર્ષે શુકલતીર્થ મેળામાં જવા આવવા માટે 21 હજાર જેટલા મુસાફરોએ લાભ લીધો હતો જ્યારે આ વર્ષે તેમાં અંદાજે 47.62 ટકા મુસાફરોનો ગત વર્ષ કરતાં ઘટાડો નોંધાયો છે. મેળામાં આવતા લોકોની સુવિધાઓ માટે ભરૂચ ના ડીવીઝન અને ભરૂચ ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાના માર્ગદર્શન હેઠળ વધારાની બસ નું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી ચગડોળને મંજૂરી નહી મળતાં લોકોની સંખ્યા ઘટી ​​​​​​​ભરૂચના શુકલતીર્થ ગામમાં દર વર્ષે મેળાનું આયોજન કરવામાં આવે છે જેના માટે એસટી વિભાગ મેળામાં જવા માટે મુસાફરો માટે વધારાની બસ નું આયોજન કરે છે પણ આ વર્ષે ઘણા ઓછાં લોકો મેળામાં આવ્યા હતા, જેનું મુખ્ય કારણ માવઠાને કારણે તેમજ મેળામાં વિવિધ ચકડોળ ને પરમિશન નહીં મળતા બંધ રાખવામાં આવી હતી. જેથી લોકોએ મેળામાં નહીં જતા એસટી બસનો ઓછો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે છેલ્લા દિવસોમાં નાના ચકડોળ ચાલુ કરવામાં આવતા લોકોની સંખ્યા થોડી વધી હતી. આમ ઓછાં એસટી બસ ના ઉપયોગના કારણે ગત વર્ષના પ્રમાણે મુસાફરો ઘટતા આવકમાં ઘટાડો થયો છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 6:24 am

પ્રવાસીઓનું સઘન ચેકીંગ:પ્રવાસીના વાહનોની સઘન તપાસ બાદ જ કેવડિયામાં અપાતો પ્રવેશ

કેવડિયામાં દરેક વાહનની સઘન તપાસ બાદ જ પ્રવેશ આપવામાં આવી રહયો છે. દિલ્હીમાં બોંબ ધડાકા બાદ એસઓયુ સહિતના પ્રોજેકટની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ પણ હાઈ એલર્ટ પર મુક્યા હોવાથી પ્રવાસીઓનું સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. નર્મદા જિલ્લાની હાલની સ્થિતિની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ભારત પર્વની ઉજવણી કરવામાં આવી રહ્યા છે. ભારત પર્વની ઊજવણીમાં રોજે રોજ અલગ અલગ રાજ્યોમાં મુખ્યમંત્રીઓ, રાજ્યપાલો તથા મંત્રીઓ સહિતના વિવિઆઈપી મહેમાનો આવી રહ્યા છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ સહિત આસપાસના વિસ્તારોમાં ડોગ સ્ક્વોર્ડ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાઈ રહ્યું છે. નર્મદા જિલ્લો મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલો જિલ્લો છે. આગામી 15 મી નવેમ્બરે પીએમ મોદીનો ડેડિયાપાડા ખાતે મોટો કાર્યક્રમ પણ હોવાને લીધે અન્ય રાજ્યોમાંથી કોઈ ઘૂસપેઠના થાય એને લઈને પણ સઘન વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. વાહનોની સઘન તપાસ બાદ જ પ્રવાસીઓને કેવડિયામાં પ્રવેશ અપાઇ રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 6:05 am

સરકારી હોલમાં મેરેજ કરો અને લાખો બચાવો!:લગ્નમાં રૂપિયા બચાવવાની સ્માર્ટ ટ્રિક, 5 સ્ટેપમાં ઓનલાઈન બૂકિંગ, 3 વાત ખાસ ધ્યાનમાં રાખો

શું તમે લગ્ન કે અન્ય શુભ પ્રસંગ માટે પ્રાઈવેટ પાર્ટી પ્લોટ કે હોલના દોઢ-બે લાખ રૂપિયાના ભાડાથી ટેન્શનમાં છો? તો હવે ચિંતા છોડો. જે ક્વોલિટી માટે તમે લાખો ચૂકવો છો, તે જ સુવિધા સરકારી કોમ્યુનિટી હોલમાં ખાલી 2000થી 50,000 હજાર રૂપિયા સુધીમાં મળી શકે છે. લગ્નની સિઝનમાં વેન્યૂ પાછળ થતો મોટો ખર્ચ બચાવવાનો આ સૌથી સરળ અને સ્માર્ટ રસ્તો છે. સરકારી હોલની સુવિધા શું છે? ગુજરાત સરકાર દ્વારા રાજ્યની 8 મહાનગરપાલિકાઓ અને 159 નગરપાલિકાઓમાં 300થી વધુ કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ હોલ તમે તમારા બજેટ અને જરૂરિયાત મુજબ બુક કરી શકો છો. ભાડું સામાન્ય રીતે ₹2000થી શરૂ થઈને ₹50,000 સુધીનું હોય છે, જેનો આધાર ત્રણ બાબતો પર છે: ઓનલાઈન બુકિંગની સ્માર્ટ ટ્રિક જો તમે મહાનગર સિવાયના નાના શહેરો કે નગરપાલિકા વિસ્તારમાં હોવ, તો બુકિંગ પ્રક્રિયા ખૂબ જ સરળ છે: મોટા શહેરોના લોકોએ શું કરવું? ઘણા લોકોને મૂંઝવણ થાય છે કે eNagar પર અમદાવાદ, રાજકોટ કે સુરતના હોલ કેમ દેખાતા નથી? ધ્યાન રાખો કે મોટા શહેરોની મહાનગરપાલિકાઓના પોતાના અલગ પોર્ટલ છે. આટલું ખાસ યાદ રાખો વધુ વીડિયો જોવા નીચે ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 6:05 am

ભાસ્કર નોલેજ:પ્રાકૃતિક ખેતી માટે બાયો ઈનપુટ ખરીદવા‎388 ખેડૂતને 15.56 લાખની સહાય મળી‎

ભરૂચ જિલ્લામાં 21934 જેટલા‎ખેડૂતો પ્રાકૃતિ ખેતી કરી રહ્યા છ.‎ત્યારે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે‎તે માટે આત્મા પ્રોજેક્ટ સતત‎પ્રયત્ન કરી રહ્યું છે. પ્રાકૃતિક કૃષિ‎માં દેશી ગાય આધારિત તૈયાર‎થતા બીજામૃત, જીવામૃત,‎ઘનજીવામૃત, વગેરે બાયો‎ઇનપુટ્સ પાયા ની જરૂરિયાત‎છે. પરંતુ ઘણા ખેડૂતો પાસે દેશી‎ગાય ન હોય તો તેમણે પણ‎પ્રાકૃતિક ખેતી કરવા માટે‎બીજામૃત, જીવામૃત ઘનજીવામૃત ‎‎જેવા બાયો ઇનપુટ્સ તેમજ‎પ્રાકૃતિક કૃષિ માં રોગ જીવાત ‎‎નિયંત્રણ માટે નિમાસ્ત્ર,‎અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, દશપર્ણી‎અર્ક વગેરે સરળતાથી મળી રહે‎તે માટે ગૌ આધારિત બાયો ‎‎ઇનપુટ્સ સહાય યોજના નું ‎‎અમલીકરણ કરવામાં આવી‎રહ્યું છે. જેમાં સામાન્ય કેટેગરીમાં ‎‎આવેલા ખેડૂતો ને 50 ટકા‎મહત્તમ રૂપિયા 4 હજાર ની‎મર્યાદા માં અને અનુસૂચિત‎જાતિ અનુસૂચિત જનજાતિના‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎ખેડૂતો ને 75 ટકા મહત્તમ 5‎હજારની મર્યાદામાં સહાય‎આપવામાં આવી રહી છે. જેમાં‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎જિલ્લામાં 388 લાભાર્થી‎ખેડૂતોને રૂપિયા 1556930‎જેટલી સહાય અપાય છે.‎ બાયો ઈનપુટ કોને કહેવાય અને ક્યાં મળશેબાયો ઈનપુટ એટલે પ્રકૃતિ માંથી મળેલા એવા તત્વો જે ખેતીને સ્વસ્થ સજીવ અને રાસાયણિક મૂક બનાવે છે. જેમાં દેશી ગાય આધારિત તૈયાર થતા બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત વગેરેનો સમાવેશ કરી શકાય છે. પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતોને સૌથી વધુ બાયો ઈન્પુટ ની જરૂરિયાત પડે છે. સાથે રોગ જીવાત નિયંત્રણ માટે નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, દશપર્ણી અર્ક વગેરે સરળતાથી મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આમ જીલ્લામાં 5 બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટર કાર્યરત છે

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 6:04 am

ઠંડીનો અનુભવ:ભરૂચમાં તાપમાન ઘટ્યું ત્રણ દિવસથી ઠંડીનો અનુભવ

ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી તાપમાન 30 ડિગ્રી રહ્યું છે જ્યારે રાત્રિનું તાપમાન ઘટતા રાત્રે અને વહેલી સવારે ઠંડી અનુભવાય રહી છે, આમ જિલ્લાનું મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ 23 થી 47 ટકા અને પવનની ગતિ ઘટીને 11 કિમી પ્રતિ કલાકની રહી હતી. આમ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 31 ડિગ્રી સીધી થવાની શક્યતા સેવાઇ રહી છે. ઉલેખનીય છે કે માવઠા બાદ તાપમાન અચાનક ઓછું થતાં ઠંડીનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 6:02 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ભરૂચમાં કેટલીક શાળામાં હાજરી પૂરી શિક્ષકો બીએલઓ કામ કરવા મજબૂર

ભરૂચ જિલ્લામાં હાલ 700 જેટલા પ્રાથમિક શિક્ષકો બીએલઓની કામગીરી કરી રહ્યા છે. ત્યારે શિક્ષકોને સમય મર્યાદામાં બીએલઓની કામગીરી કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે. જેથી બીએલઓની કામગીરી માટે ઓડર કરવામાં આવેલા તમામ શિક્ષકો ફોર્મ વિતરણ સહિતની કામગીરી કરી રહ્યા છે. સાથે શિક્ષકોને બીએલઓ સિવાયની અન્ય કામગીરી પણ સોંપવામાં આવી છે. ત્યારે શિક્ષકોને સમજાતું નથી કે કઈ કામગીરીને પૂરો ન્યાય આપી શકે ત્યારે બીજી તરફ વધારાની કામગીરીને કારણે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર પડી રહી છે. ત્યારે ભાસ્કરની ટીમે શાળાની મુલાકાત અને બીએલસો સાથે વાતચીત કરીને કામગીરી દરમિયાન પડતી સમસ્યા જાણવાનો પ્રયત કર્યો છે. જેમાં બીએલઓ શિક્ષકોએ જોવાયું હતું કે, હાલ બીએલઓ સહિતની અન્ય કામગીરી પણ સોંપાઇ છે. વિદ્યાર્થીઓનો પણ અભ્યાસ બગડી રહ્યો છે. કિસ્સો 1: મારા પતિને રસોઈ બનાવવી પડે છેઘણા લોકો સ્થળાંતર કરીને આવે તેમજ અન્ય જગ્યાએ ગયા હોય છે. તેથી 2002 ની યાદીમાં નામ જ નથી મળતા તેથી ટકાવારી પણ ઓછી બોલાઈ છે. આ કામગીરીને કારણે મારા છોકરાને 3 દિવસ શાળાએ પણ મોકલ્યા નથી કેમ કે સવારે કામગીરીમાં જવાના કારણે તેને તૈયાર કરવાનો સમય પણ મળતો નથી. મારી પાસે જમવાનું બનાવવાનો પણ ટાઈમ મળતો નથી છતાં મે રોટલી બનાવી દઉં છે ત્યારે મારા પતિ જમવાનું સહિતની ઘરની કામગીરી કરીને નોકરી પર જાય છે. હાલ રાત્રિના સમયે ફોર્મ વિતરણ કરવા જવાય તેમ નથી જેથી દિવસે ફોર્મ આપ્યા બાદ રાત્રિના 1 વાગ્યા સુધી તમામ માહિતી ઓનલાઈન કરવી પડે છે. અમે માનસિક રીતે હેરાન થઈ ગયા છે. કિસ્સો 2: પતિની કાળજી રાખવાનો સમય નથીહાલ શાળા પૂરી થયા બાદ 5 વાગ્યા પછી બીએલઓની કામગીરી માટે ગામમાં જાઉં છું અને રાત્રિ દરમિયાન પણ ઘરે ઘરે જઈને ફોર્મ ભરાવવાની કામગીરી કરવા જવું પડે છે. ઘણી વાર તો લોકો ઘરે પણ મળતા નથી અને મળે તો તેમની પાસે પુરાવા હોતા નથી જેથી બીજા દિવસે પાછું ત્યાં જવું પડે છે. ઘણા લોકો પહેલા એવું કહે છે કે અમારા ગામનો રસ્તો બનાવ્યો નથી જેવી ફરિદાય સાંભળવી પડે છે. મારા પતિનું હાલમાં જ ઓપરેશન કરવામાં આવ્યું છે તેમની કાળજી લેવા માટે પણ સમય મળતો નથી કિસ્સો 3: સરકારનું કામ છે એટલે કરવું પડે છેશાળાના સમય બાદ એટલે કે સવારે અથવા સાંજે 5 વાગ્યા બાદ બીએલઓની કામગીરી કરવી પડી રહી છે. હાલ હુ સાંજના 6:30 સુધી કામગીરી કરી રહી છુ. જેના કારણે મારે ઘરેથી 6 થી 7 કિમી જવું પડે છે અને રાત્રીના પાછું ફરવું પડે છે જેથી આવવા જવા દરમિયાન ડરતો લાગે છે. ત્યાર બાદ ઘર કામ સહિતની કામગીરી કરવી પડી રહી છે. ઉપરથી કેટલાક લોકો પાસે પુરાવા નહીં હોવાના કારણે બીજા દિવસે ફરી ધક્કો ખાવો પડે છે. અને ફોર્મ પણ અમારે જ ભરી આપવું પડે છે શાળાના બાળકો પર આ કામગીરીના કારણે ધ્યાન અપાતું નથી ઘણા વાલીઓ શાળાએ પણ કામગીરી માટે આવે છે. અત્યારે તકલીફ વેઠીને પણ સરકારનું કામ છે એટલે કરવું પડે છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 6:01 am

સાબરમતીના કિનારે 3 દિવસ ફૂડ ફેસ્ટિવલનો ફાઇવસ્ટાર જલસો:1000માં હાઇ ટી ને 2100માં જગન્નાથપુરીના મહાપ્રસાદ, લક્ઝરી પેવેલિયનમાં 2500માં લંચ, જાણો સંપૂર્ણ મેનૂ

અમદાવાદના પાલડી સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે 13 નવેમ્બરથી 16 નવેમ્બર 2025 સુધી ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ 'ફૂડ ફોર થોટ ફેસ્ટ' યોજાશે. જ્યારે વાંચે ગુજરાત 2.0 અંતર્ગત 13 નવેમ્બરથી 23 નવેમ્બર 2025 સુધી 'અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2025'નું યોજવામાં આવશે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 13 નવેમ્બરના રોજ અમદાવાદ ફૂડ ફેસ્ટિવલ અને બુક ફેરનું ઉદ્ધાટન કરશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાઉથ એશિયન એસોસિએશન ફોર ગેસ્ટ્રોનોમી (SSG) દ્વારા ફૂડ ફેસ્ટિવલ તેમજ નેશનલ બુક ટ્રસ્ટ ઈન્ડિયાના સહયોગથી હેરિટેજ સિટી અમદાવાદને સાહિત્ય અને પુસ્તક પ્રકાશન ક્ષેત્રે વિશ્વ ફલક પર પહોંચાડવાના ઉદ્દેશ્યથી બુક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. QR કોડ સ્કેન કરો અને ફૂડની પ્રાઈઝ મેળવોસાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનાર ફૂડ ફેસ્ટિવલમાં કોઈપણ પ્રકારની એન્ટ્રી ફ્રી રાખવામાં આવી નથી. ફૂડ ફેસ્ટિવલમાં જે ફૂડ પેવેલિયન અને સ્ટોલ રાખવામાં આવ્યા છે તેમાં મળતી ખાવા-પીવાની વસ્તુઓનો ચાર્જ ચૂકવીને ભોજનનો આનંદ લોકો માણી શકશે. ઓનલાઈન વેબસાઈટ બુક માય શો ઉપર ટિકિટ બુકિંગ કરાવી શકાશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફૂડ ફેસ્ટિવલના મેનુ અને પ્રોગ્રામની માહિતી માટે QR કોર્ડ જાહેર કર્યો છે જે સ્કેન કરવાથી ફૂડનું મેનું અને ભાવ મળી રહશે. લક્ઝરી પેવેલિયનમાં પીરસાશે સ્પેશિયલ વાનગીઓમેયર પ્રતિભા જૈન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, 'A Taste of Luxury' અને 'The Regional Flavours' એમ બે પ્રકારની થીમ પર ફૂડ કોર્ટ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલમાં ત્રણ અનોખા પેવેલિયન્સ પણ તૈયાર કરાશે. લક્ઝરી પેવેલિયનમાં Taj Soulinaireના ખાસ મેનૂ સહિત ફેમસ હોટેલ દ્વારા તેમની સ્પેશિયલ વાનગીઓ પીરસવામાં આવશે. લક્ઝરી પેવેલિયનમાં લંચ અને ડિનર રૂપિયા 2,500 અને હાઈ ટી રૂપિયા 1,000 રહેશે. ફૂડ ફેસ્ટિવલમાં સ્પિરિચ્યુઅલ પેવેલિયનમાં પુરીના જગન્નાથ મંદિરમાં આપવામાં આવતો 'ભોગ પ્રસાદ' મળશે. જે મૂળ મંદિરના બ્રાહ્મણ રસોઇયાઓ દ્વારા જ બનાવવામાં આવશે. અમદાવાદીઓને પુરી મંદિર જેવી જ પવિત્રતા, પરંપરા અને સ્વાદ મળશે. આ ફેસ્ટિવલમાં ભગવાન શ્રી કૃષ્ણનાં જીવનપ્રસંગો પર આધારિત 'લીલા' નામનું વિશેષ નૃત્ય પ્રદર્શન પણ રજૂ થશે. જેમાં પુરીના દૈતાપતિ કુટુંબના વરિષ્ઠ પુત્રની ઉપસ્થિતિમાં આ પૌરાણ કરે પરંપરાગત કાર્યક્રમ યોજાશે. સ્પિરિચ્યુઅલ પેવેલિયનમાં 2,100 રૂપિયાનું ડિનર રહેશે, જ્યારે 13 નવેમ્બરના રોજ લંચ 1,600 રૂપિયાનું રહેશે. કોફી પેવેલિયનમાં લાઈવ કોફી, રોસ્ટિંગ અને બૂઇંગ ટેક્નિક્સફેસ્ટિવલમાં આ વર્ષે પ્રથમ વખત રજૂ થતો 'કોફી પેવિલિયન વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. અહીં કોફીના છોડથી લઈને કાચા બીન્સ, તેમની કાપણી, રોસ્ટિંગ અને બૂઇંગ સુધીની સમગ્ર પ્રોસેસ લાઈવ રજૂ કરાશે. અરાબિકા અને રોબસ્ટા વચ્ચેના તફાવતો, તેમની સુગંધ અને સ્વાદ કેવી રીતે બદલાય છે તેની સમજ આપશે. મુલાકાતીઓને ફ્રેશ તૈયાર કોફીનો સ્વાદ માણવાની તક સાથે રોસ્ટિંગ અને બૂઇંગ ટેક્નિક્સ અંગે જાણકારી મળશે. નેપાળ, સ્પેન, નેધરલેન્ડ જેવા દેશોના શેફ ફેસ્ટિવલમાં ભાગ લેશેફૂડ ફેસ્ટિવલમાં ભારત ઉપરાંત નેપાળ, સ્પેન, નેધરલેન્ડ જેવા દેશોના શેફ પણ ભાગ લેશે. ખાસ કરીને સ્પેનના વલ્લાડોલિડ (જે અમદાવાદનું સિસ્ટર સિટી કહેવાય છે) માંથી મિશેલિન સ્ટાર રેસ્ટોરાંના સેલિબ્રિટી શેફ અલ્વાર હિનોજલ કેસ્પો પ્રથમ વખત અમદાવાદમાં પોતાની પ્રસિદ્ધ શાકાહારી વાનગીનો ડેમો આપશે. ફેસ્ટિવલ દરમિયાન દરરોજ સાંજે 5:30 વાગ્યાથી 8:00 વાગ્યા સુધી લાઈવ ડેમો, કુકિંગ સેશન્સ, ચર્ચાઓ, ફૂડ ટેસ્ટિંગ અને કલ્ચરલ પ્રોગ્રામ્સ યોજાશે. તેમાં પ્રસિદ્ધ શેફ રણવીર બ્રાર, સુવીર સરણ, વિક્કી રત્નાની, માસ્ટર શેફ અભિજિત સાહા, લેખિકા રશ્મી ઉદયસિંહ, પદ્મશ્રી ડો. પુષ્લેશ પંત તથા અનેક રાજવી અને સંસ્કૃતિ નિષ્ણાંતો હાજરી આપશે. ટેસ્ટી ફૂડ અને ઇનોવેશનને એવોર્ડથી સન્માનિત કરાશેઆ વર્ષે બે પ્રતિષ્ઠિત એવોર્ડ ફંક્શન યોજાશે. જેમાં 'હોસ્પિટાલિટી હોપ એવોર્ડ' જે સ્થાનિક રેસ્ટોરાંને તેમની ગુણવત્તા અને પરંપરાના સંવર્ધન માટે આપવામાં આવશે. તે 14 નવેમ્બરે શેફ રણવીર બ્રાર દ્વારા આપવામાં આવશે. જ્યારે 'SAAG-AMC Award' 16 નવેમ્બરે લેજેન્ડરી શેફ મંજિત ગિલ દ્વારા આપવામાં આવશે. જે લક્ઝરી ફૂડ કોર્ટમાં ભાગ લેનારી હોટેલ્સને ઇનોવેશન અને ગુણવત્તા માટે પ્રોત્સાહિત કરશે. ફૂડ એજ્યુકેશન, હેલ્ધી ઇટિંગ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા'ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025' ખાસ કરીને ફૂડ લવર્સ, ફૂડ બ્લોગર્સ, ઉદ્યોગ નિષ્ણાંતો, ક્યુલિનરી વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો બધા માટે સમાન રીતે ઉપયોગી અને આનંદદાયક બની રહેશે. અહીં ફૂડ એજ્યુકેશન, હેલ્ધી ઇટિંગ, સસ્ટેનેબલ ક્યુલિનરી પ્રેક્ટિસિસ અને ભારતીય ગેસ્ટ્રોનોમીની વિશ્વકક્ષાએ ઓળખ જેવા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. આ ઉપરાંત ફૂડ ફોટોગ્રાફી સેશન્સ, કુકિંગ કોમ્પિટિશન્સ અને ઇન્ટરેક્ટિવ એક્ટિવિટીઝ ફેસ્ટિવલને વધુ લાઈવ બનાવશે. વાંચે ગુજરાત 2.0 અંતર્ગત તા. 13 નવેમ્બરથી 23 નવેમ્બર 2025 સુધી 'અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025' યોજાશે. 'બુક ફેસ્ટિવલ'માં 300થી વધુ ઇવેન્ટ્સ અને દરેક યુવા માટે એક સ્ટેજઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પ્રિન્સિપાલને આ 11 દિવસના જ્ઞાન મહાકુંભમાં જોડાવવા ખાસ આહ્વાન કર્યું છે. એક લાખથી વધુ ચોરસ ફૂટ વિસ્તારમાં 'અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2025'નું આયોજન થયું છે. આ 11 દિવસ સુધી ચાલનારા 'બુક ફેસ્ટિવલ-2025'માં 300થી વધુ ઇવેન્ટ્સ અને દરેક યુવા માટે એક મુખ્ય સ્ટેજ તૈયાર છે. આ ઉપરાંત ફ્રી અન્ટ્રી રાખી છે અને કાર્યક્રમ સ્થળ પાસેના ગ્રાઉન્ડમાં ફ્રી પાર્કિંગ સુવિધા કરવામાં આવી છે. આ બુક ફેસ્ટિવલ માત્ર એક પુસ્તક મેળો નથી, પરંતુ ગુજરાતનો સૌથી મોટો ક્લાસરૂમ છે, જ્યાં કોઈ દીવાલો નથી. ધોરણ 1થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ ફ્રી નોંધણી કરાવીને આ ફેસ્ટિવલને તેમની વાર્ષિક શૈક્ષણિક યાત્રા બનાવી શકે છે. આ ઉપરાંત કોલેજના વિદ્યાર્થીઓને જાણીતા આચાર્ય પ્રશાંત, ગુરચરણ દાસ, નિતિન સેઠી, કુલપ્રીત યાદવ જેવા મહાનુભાવોને મળવાનો અવસર મળશે. એઆઈ, ક્રાઇમ જર્નાલિઝમ, ગાંધી-મંડેલા લેગસી પર લાઇવ સેશન યોજાશે. આ ઉપરાંત પ્રકાશકો સાથે સ્થળ પર જ ઇન્ટર્નશિપ અને કન્ટેન્ટ-રાઇટિંગની તકો મળશે. આ કાર્યક્રમમાં કેવી રીતે જોડાઈ શકશો1. તમારી સમગ્ર શાળા/કોલેજ માટે એક જ Google ફોર્મ ભરો.2. તમારી અનુકૂળ તારીખ અને ઝોન પસંદ કરો.3. કન્ફર્મ થયેલા બસ-પાર્કિંગ સ્લોટ અને શિક્ષક પાસ રિટર્ન મેઇલ દ્વારા મેળવો.4. યુનિફોર્મમાં આવેલા વિદ્યાર્થીઓ અને સાથ આપતા શિક્ષકો (1.15ના રેશિયોમાં) માટે પ્રવેશ ફ્રી છે. કૃપા કરીને આઈડી કાર્ડ સાથે રાખો. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વાંચન અને સાહિત્યના સુયોગ્ય પ્રસાર થકી આવનારી પેઢી બૌદ્ધિક રીતે સક્ષમ બને અને સશક્ત સમાજનું નિર્માણ થાય તેવા ઉમદા ઉદ્દેશ સાથે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં 'વાંચે ગુજરાત' અભિયાનની શરૂઆત કરાવી હતી. જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશન દ્વારા પ્રતિ વર્ષ 'અમદાવાદ નેશનલ બુક ફેર' નામથી રાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવે છે, જેને વર્ષ-2024થી ‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ’ નામકરણ કરાયું છે.​​​​​​​

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 6:00 am

અવકાશ યાત્રી શુભાંશુ શુક્લા ફરી એકવાર ગુજરાતની મુલાકાત લીધી:NID અમદાવાદ કેમ્પસમાં હાંડવો અને રબડી જલેબીની લિજ્જત માણી, ફોટો પડાવવા વિદ્યાર્થીઓની પડાપડી

ભારતીય અવકાશ યાત્રી શુભાંશુ શુકલા ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. તેઓ ગયા મહિને મહેસાણા આવ્યાં હતા જેના એક મહિના જેટલા ટૂંકા સમય પછી ગાંધીનગર અને અમદાવાદની મુલાકાતે આવ્યાં છે. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શુભાંશુ શુકલાની આ મુલાકાત દરમિયાન તેમણે ઈસરો, NIDના કેમ્પસની મુલાકાત લીધી હતી. NID કેમ્પસમાં હાંડવો અને રબડી જલેબીની લિજ્જત માણીશુભાંશુ શુકલાની NID અમદાવાદની મુલાકાત દરમિયાન કેમ્પસના અલગ અલગ ડિપાર્ટમેન્ટની મુલાકાત લઈને માહિતી મેળવી હતી. સાથે જ અહીં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે એક લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિદ્યાર્થીઓએ તેમની સાથે ફોટો પડાવવા માટે પડાપડી કરી હતી. એટલું જ નહીં ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુકલાએ NID અમદાવાદ કેમ્પસમાં ડિનર પણ કર્યું હતું. જેમાં તેમણે હાંડવો અને રબડી જલેબીની લિજ્જત માણી હતી. શુભાંશુ શુકલા સ્પેસમાં પોતાની સાથે ગુજરાતી બાંધણી લઇ ગયા હતા, જુઓ અમદાવાદ NIDએ બનાવેલી 16 વસ્તુઓ કઇ હતી? શુભાંશુ શુકલા પોતાની સાથે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં 16 જેટલી વસ્તુ લઇ ગયા હતા. આ વસ્તુઓ NID અમદાવાદના વિદ્યાર્થીઓએ તૈયાર કરી હતી. જેમાં ભારતની સંસ્કૃતિને દર્શાવતી કૃતિઓની સાથે લીંપણ અને કચ્છી ક્રાફ્ટની થીમ પર બનાવાયેલો ભારતનો મેપ તેમજ સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા શબ્દો લખેલી ગુજરાતી બાંધણી પણ હતી. આ વસ્તુઓમાંથી કેટલીક વસ્તુઓ સંભારણારુપે ઇન્ટનેશનલ સ્પેસ સ્ટેશનમાં રાખવામાં આવી છે. ઇતિહાસમાં પહેલીવાર આવી ઘટના બની છે. NIDના અમદાવાદ, ગાંધીનગર અને બેંગલુરુ કેમ્પસની કુલ 55 વિદ્યાર્થી ટીમે ISRO અને NASAના આ સંયુક્ત પ્રોજેક્ટ માટે 200થી વધુ ડિઝાઇન અને વસ્તુઓ મોકલી હતી, જેમાંથી 16ની પસંદગી કરાઈ હતી. આ દરેક વસ્તુ 20થી 25 ગ્રામની જ હતી, જે સર્જનાત્મક અને સારી ડિઝાઇન કરેલી હતી. એમાં ભારતીય સંસ્કૃતિ, હસ્તકલા અને ભારતની અવકાશયાત્રાની પ્રેરણાદાયી વાતો દર્શાવાઇ હતી. જ્યારે આ કૃતિઓ શુભાંશુ શુકલાને મળી ત્યારે તેઓ પણ આશ્ચર્ય પામ્યાં હતા. પ્રોડક્ટ ડિઝાઇનમાં અભ્યાસ કરતા પૃથુ ચિત્રે અને એક્ઝિબિશન ડિઝાઇનમાં અભ્યાસ કરતા શાનિકા જોષીએ પણ બાંધણી અને વૂડ કાર્વિંગની પ્રોડક્ટ તૈયાર કરી હતી. ગુજરાતી બાંધણી તૈયાર કરીપૃથુ ચિત્રેએ દિવ્ય ભાસ્કરને કહ્યું, અમે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે અમને એક્ઝિઓમ-4 મિશનનો હિસ્સો બનવાની તક મળી. અમે 20થી 25 આઇડિયા આપ્યા હતા, જેમાંથી અમારા 3 આઇડિયા પસંદ કરવામાં આવ્યાં હતા. એ બાદ અમે કોન્સેપ્ટ પર કામ કરીને એને તૈયાર કર્યું હતું. અમારી પ્રોડક્ટને શુભાંશુ શુકલા સ્પેસમાં લઇ ગયા હતા. પૃથુ ચિત્રે અને શાનિકા જોશીએ તૈયાર કરેલી ગુજરાતી બાંધણી'અમે બન્નેએ બાંધણીની પેટર્ન પર ક્રાફ્ટ તૈયાર કર્યું હતું, જે યુનિટી ઓફ ઇન્ડિયાની થીમ પર હતું. બીજી પ્રોડ્ક્ટ અમે વૂડ કાર્વિંગ પર તૈયાર કરી હતી. જ્યારે ત્રીજી પ્રોડક્ટ લીંપણ આર્ટ ઓફ ઇન્ડિયા પર હતી, જેમાં અમે લીંપણનો ઉપયોગ કરીને એમાં આભલાં ચોંટાડીને ભારતના મેપ પર ક્રાફ્ટવર્ક તૈયાર કર્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે આ બધા જ ક્રાફ્ટવર્ક અમે 20 ગ્રામથી ઓછામાં અને પાંચ બાય પાંચની સાઇઝમાં તૈયાર કર્યાં હતાં.' NIDમાં પ્રોડક્ટ ડિઝાઇનમાં માસ્ટર ડિગ્રીમાં અભ્યાસ કરતા મેઘ મલ્હાર સહાએ ધ ડોકરા વિલેજ એસ્ટ્રોનોટ પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેણે કહ્યું હતું કે અમારી મહેનત રંગ લાવી. મેઘમલ્હાર સહાએ દિવ્ય ભાસ્કરને કહ્યું, ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સ્પેસ સ્ટેશનમાં જવાના હતા. એ પહેલાં કલ્પના કરવામાં આવી હતી કે તેમની સાથે કેટલાક સોવેનિયર મોકલવામાં આવે, જે ભારતના ડેવલપમેન્ટને રિપ્રેઝન્ટ કરે. NIDના સ્ટુડન્ટ્સ માટે આ ઓપન કોલ હતો. આમાં ઘણા બધા સ્ટુડન્ટ્સે ભાગ લીધો હતો. મારી ફાઈનલ સોવેનિયર માટે પણ પસંદગી થઇ હતી, જેમાં મેં ધ ડોકરા વિલેજ એસ્ટ્રોનોટ તૈયાર કર્યો હતો, જે બાદ અમે જાન્યુઆરી 2025 સુધીમાં તૈયાર કરીને મોકલી આપ્યા હતા. જ્યાં બાળપણ વીત્યું ત્યાંનું ક્રાફ્ટ બનાવ્યુંતેણે કહ્યું, અમને જે બ્રીફ આપવામાં આવી હતી એ ખૂબ જ મહત્ત્વની હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તમારે ભારતીય ક્રાફ્ટની જ પ્રોડક્ટ તૈયાર કરવાની છે, જે ભારતના એસ્પિરેશનને દર્શાવતી હોય. હું બંગાળી છું અને મારું બાળપણ દુર્ગાપુરમાં વીત્યું છે. હું ક્રાફ્ટ કલ્ચરને જોઇને જ મોટો થયો છું, એટલે મેં વિચાર્યું કે હું સોવેનિયર માટે ડોકરા ક્રાફ્ટનો ઉપયોગ કરીશ. આ ક્રાફ્ટમાં કોઈ પણ વસ્તુ મોલ્ડમાંથી તૈયાર નથી થતી, દરેક વસ્તુને હાથથી જાતે તૈયાર કરવી પડે છે. એ માટે પહેલા વેક્સ પર કામ કરવું પડે છે. મેં ડોકરા ક્રાફ્ટ થકી એક એસ્ટ્રોનોટ તૈયાર કરવાનું નક્કી કર્યું હતું. કારીગરોને સમજાવવા માટે વીડિયો બતાવ્યા'આ તૈયાર કરવા માટે હું બિકના ગયો હતો, જ્યાં ડોકરા આર્ટના કારીગરો સાથે મેં એક અઠવાડિયા જેટલો સમય વિતાવ્યો હતો. એના પછી સોવેનિયર તૈયાર કર્યું હતું. જ્યારે મેં પહેલીવાર એ કારીગરોને કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં માણસો જાય છે અને આ પ્રોડક્ટ તેમના માટે તૈયાર કરવાની છે ત્યારે તેઓ પણ ખૂબ જ શોક થઇ ગયા હતા. તેમને કંઇ ખબર જ નહોતી પડતી કે હું તેમને શું કહી રહ્યો છું. એ પછી તેમને સમજાવવા માટે મેં કેટલાક વીડિયો બતાવ્યા અને એ પછી કહ્યું કે સ્પેસ સ્ટેશનમાં જ્યારે કોઇ જાય છે ત્યારે આવાં કપડાં પહેરતાં હોય છે, આવી તૈયારીઓ કરતા હોય છે. એ પછી તેમના મગજમાં થોટ્સ પ્રોસેસ શરૂ થઇ. પછી મેં તેમને મારી પ્રોડક્ટ વિશે કહ્યું કે આપણે ડોકરા એસ્ટ્રોનોટ બનાવવાનો છે.' પડકાર શું હતો?પડકારોની વાત કરતાં તેણે કહ્યું હતું કે અમારા માટે સૌથી મોટી ચેલેન્જ એ હતી કે એને 20 ગ્રામમાં તૈયાર કરવાનું હતું. આ માટે વેક્સમાંથી 2.5 ગ્રામ સોવેનિયર તૈયાર કરવામાં આવ્યું હતું. એ બાદ એના પર કાર્વિંગ કરવામાં આવ્યું હતું. એમાં તાર જોડીને કારીગરોએ કામગીરી કરી હતી. 'હું ખૂબ જ ગૌરવ અનુભવું છું કે ભારત જે ઇતિહાસ રચી રહ્યું છે એમાં મારું પણ નાનકડું યોગદાન છે. મને આવા પ્રોજેક્ટમાં કામ કરવાની તક મળી. જ્યારે શુભાંશુ શુક્લા અમેરિકામાં હતા ત્યારે અમારી તેમની સાથે વીડિયો કોલ પર વાત થઇ હતી. આ દરમિયાન અમે તેમની સાથે અમારી પ્રોડક્ટના કોન્સેપ્ટથી લઇને તૈયાર થવા સુધી ઓપન ચર્ચા કરી હતી. એ બાદ તેઓ ખૂબ જ ખુશ થયા હતા અને તેમણે અમારી કામગીરીને બિરદાવી હતી. જ્યારે તેમને આ બધી પ્રોડક્ટ મળી અને તેમણે તેમના સાથી અવકાશયાત્રીઓને બતાવી તો તેઓ પણ ખૂબ જ ખુશ થયા હતા. જે ખુશી તેમના ચહેરા પર દેખાતી હતી.' NID અમદાવાદના ડાયરેક્ટર ડૉ. અશોક મોંડલે જણાવ્યું હતું કે સ્પેસ અને આઉટર સ્પેસ જેવાં ક્ષેત્રમાં દેશને જે જરૂરી હોય એવી ડિઝાઇન સોલ્યુશન આપવા માટે NID તેના ફેકલ્ટી મેમ્બર્સ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે છે, જેથી કરીને ડિઝાઇન ક્ષેત્રમાં દેશ આત્મનિર્ભર બને. આ સોવેનિયર ભારતના સ્પેસ હીરો માટે એક નાનકડું પગલું છે. આ પ્રોજેક્ટમાં સ્ટુડન્ટને ગાઇડન્સ આપવાથી લઈને કો-ઓર્ડિનેશનની કામગીરી કરનારા અને NIDના સિનિયર ફેકલ્ટી મેમ્બર વિપુલ વિંઝુડાએ દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમારી પ્રોડક્ટ જોઈને અવકાશયાત્રી શુભાંશુ શુકલા આશ્ચર્ય પામ્યા હતા. વિપુલ વિંઝુડાએ દિવ્ય ભાસ્કરને કહ્યું, ISROએ NID સ્ટુડન્ટ અને ફેકલ્ટીને ઓક્ટોબર 2024માં સ્પેસને લગતો એક પ્રોજેક્ટ આપ્યો હતો, જેમાં 250થી વધુ કોન્સેપ્ટ અને સ્કેચિસ તૈયાર કરવામાં આવ્યાં હતાં. આ પ્રોજેક્ટ માટે ઇસરોએ બ્રીફ પણ આપી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે આપણા અવકાશયાત્રી સ્પેસ મિશન માટે જવાના છે. તેમના માટે કેટલીક યાદગાર ડિઝાઇન તૈયાર કરવાની છે, જે તેમની સાથે સ્પેસમાં મોકલવાની છે. 20થી 25 ગ્રામ વજન'ડિઝાઇન એવી રીતે તૈયાર કરવામાં આવે કે એ તેમને ભારતની અને કલ્ચરની યાદ અપાવે. અમને એવું કહેવાયું હતું કે તમે જે ક્રાફ્ટ તૈયાર કરો એ માત્ર 20થી 25 ગ્રામના જ હોવા જોઇએ અને એની સાઇઝ 5 સેન્ટિમીટર કે પર્ટિક્યુલર ડાયમેન્શનમાં જ હોવી જોઇએ, સાથે જ સરળતાથી તૂટી જાય એવા મટીરિયલના ન હોવા જોઇએ.' 'આ પ્રોજેક્ટમાં અમદાવાદ, ગાંધીનગર અને બેંગાલુરુ એમ ત્રણેય કેમ્પસમાંથી અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના સ્ટુડન્ટે 200થી વધુ આઇડિયા સબ્મિટ કર્યા હતા. આમાંથી ઇસરોની ટીમ સાથે મળીને કેટલાક આઇડિયા અને કોન્સેપ્ટને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 16 નક્કી કરાયા હતા, એટલે ટોટલ 16 જેટલા ઓબ્જેક્ટ શુભાંશુ શુક્લા સાથે અવકાશમાં ગયા હતા.' લીંપણ અને કચ્છી ક્રાફ્ટની થીમ પર ભારતનો મેપશુભાંશુ શુક્લા જે 16 પ્રોડક્ટ લઇને ગયા હતા એમાંથી ગુજરાતની કલાને પ્રેઝન્ટ કરતી એક પ્રોડક્ટ વિશે વાત કરતાં તેમણે કહ્યું, બે સ્ટુડન્ટ દ્વારા લીંપણ અને કચ્છી ક્રાફ્ટની થીમ પર ભારતનો મેપ તૈયાર કર્યો હતો. આ ઉપરાંત ગુજરાતની બાંધણીમાં ટ્રાય કલરનો પણ સારી રીતે ઉપયોગ કરીને સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાં લખીને તૈયાર કર્યું હતું. આ મિશનમાં નોર્થથી સાઉથ, ઇસ્ટ ટુ વેસ્ટમાં આપણી જે ક્રાફ્ટની ડાઇવર્સિટી છે તેની ઝાંખી પણ આ 16 પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવામાં આવી છે. શુભાંશુએ વિદ્યાર્થીઓ સાથે વાત કરીતેમણે વધુમાં કહ્યું કે, જ્યારે શુભાંશુ શુક્લા પાસે NIDના સ્ટુડન્ટ્સે તૈયાર કરેલી આ પ્રોડક્ટ પહોંચી ત્યારે તેઓ એકદમ સરપ્રાઈઝ પણ થયા અને સાથે ખૂબ જ ખુશ પણ થયા હતા, કેમ કે પહેલીવાર કોઇ સ્ટુડન્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલી આવી વસ્તુઓ કોઇ એસ્ટ્રોનોટ પોતાની સાથે અવકાશમાં લઇ જઇ રહ્યા હતા. શુભાંશુ શુક્લા જ્યારે સ્પેસમાં જવાના હતા એ પહેલાં તેમણે આ વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે ડિઝાઇન આવનારા સમયમાં સ્પેસ સાયન્સમાં ઘણુંબધું કરી શકશે. હાલમાં તો શુભાંશુ શુક્લા સ્પેસ સ્ટેશનમાંથી પરત ફર્યા છે, પરંતુ હજુ પણ કેટલાક સોવેનિયર્સ ત્યાં જ છે, જે આવનારા સમયમાં પરત લાવવામાં આવશે. 'NID માટે આ ખૂબ જ ગૌરવની વાત છે, કેમ કે જે ઉત્સાહ સાથે આ પ્રોજેક્ટમાં કામ કરવામાં આવ્યું છે અને જે રીતે સ્ટુડન્ટ્સે ક્રિએટિવિટી બતાવી છે એ ખરેખર બિરદાવવાલાયક છે. અમે ખૂબ જ ગૌરવ અનુભવી રહ્યા છીએ. આ ઉપલબ્ધિ બાદ અમને આશા છે કે આ ડિઝાઇન આવનારા સમયમાં સ્પેસ સાયન્સમાં વધુ સારી ઉપલબ્ધિ મેળવી શકશે.'

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 6:00 am

સૌના મુખે એક જ વાત 'લાલો' જોયું?:એક એક સીન જોઇ રડે છે લોકો, ભલ ભલી ફિલ્મોના ક્રેઝને પછાડે એવું તો ઘેલું લાગ્યું, થિયેટર્સ 'ગોકુળ' બન્યા

કોઈ ફિલ્મ જોઇને રડી રહ્યું છે તો કોઈ લાલાને લઈ થિયેટરમાં નાચી કૂદી રહ્યું છે. ક્યાંક થિયેટરમાં ગરબા થઈ રહ્યા છે તો ક્યાંક લાલાના જયઘોષ સાથે ભક્તિ અને મનોરંજનનો અદભુત સંગમ જોવા મળી રહ્યો છે. ભારતમાં જ્યાં જ્યાં કૃષ્ણ નગરી છે ત્યાં બધે જ હર્ષોઉલ્લાસનો માહોલ છે. ત્યારે હવે લાલો ફિલ્મે જાણે કે થિયેટરોને કૃષ્ણ નગરી બનાવી દીધી હોય તેમ હર્ષોઉલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે. કોઈ ભભકાદાર પબ્લિસિટી કે જાણીતા પ્રસિદ્ધ કલાકારો વગરની ધીમા વાયરે શરૂ થયેલી ગુજરાતી ફિલ્મ લાલો શરૂઆતમાં અમદાવાદમાં માત્ર 2 કે 3 થિયેટરમાં અને તે પણ મિનિપ્લેક્સમાં શો હતા. પણ હવે આ ફિલ્મ જાણે કે વાવાઝોડાનું રૂપ ધારણ કર્યું હોય તેમ તમામ રેકોર્ડ તોડવા છલાંગ લગાવી રહી છે. ‘લાલો, શ્રી કૃષ્ણ સદા સહાયતે’ આ ફિલ્મનું ટાઇટલ જ કોઈ ચમત્કારથી ઓછું નથી. આમ પણ ગુજરાતમાં જયશ્રી કૃષ્ણ બોલવાનું ચલણ છે અને તેમાં પણ દ્વાપર યુગની દ્વારિકા નગરી, ભક્ત બોડાણાથી પ્રસિદ્ધ ડાકોર અને શામળાજીમાં બિરાજમાન ભગવાન ગુજરાતના પશ્ચિમ કાંઠેથી છેક ઉત્તર સુધી ગુજરાતીઓ પર આર્શિવાદ વરસાવી રહ્યા છે. આ ફિલ્મ જોવી એ જાણે કે કોઈ ધાર્મિક ઉત્સવમાં ભાગ લીધો હોય તેવી અનુભૂતિ હોય તેમ લોકો સહકુટુંબ પરિવાર સાથે ફિલ્મ જોવા ઉમટે છે. સ્થિતિ તો એવી છે કે ગુજરાતના થિયેટરોમાં લાલો ધૂમ મચાવી રહ્યો છે અને દર્શકો મનોરંજન સાથે ભક્તિના રંગે રંગાઇ રહ્યા છે. ત્યારે દિવ્ય ભાસ્કરે પણ ગુજરાતના થિયેટરોમાં લાલો મૂવી જોઈ બહાર નીકળેલા લોકો સાથે વાત કરી તેમના અનુભવો જાણ્યા હતા. તો આવો સાંભળીએ તેમના મોઢેથી જ તેમના અનુભવો..... આવો શરૂઆત કરીએ સંસ્કારી નગરી વડોદરાથી...વડોદરાના સિનેમાઘરોમાં લાલો મૂવીને લઈ ખૂબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. વારસિયા વિસ્તારમાંથી મૂવી જોવા આવેલા વનિતા પવારે જણાવ્યું હતું કે, લાલો મૂવી ખુબજ સરસ છે, જોવા જેવું છે અને જે પિતા હોય તેઓ માટે સમજવા જેવું છે. પરિવાર સાથે લોકો જોઈ શકે તેવું મૂવી છે, આ સમજવા જેવું છે અને જે સમજે તેના માટે લાઇફ સુધારી જાય છે. આ મૂવી જોઈ 70 ટકા લોકો અન્યને મદદ કરશે: દીપ પટેલઅન્ય એક દર્શક દીપ પટેલે વખાણ કરતા કહ્યું કે ખૂબ સરસ અને જોરદાર મૂવી ઘણા વર્ષો પછી જોવા મળ્યું છે. કૃષ્ણ ભગવાન સદા સહાયતે કે ભગવાન તમને કોઈ પણ અવતારમાં મદદ કરે છે. લોકો એક બીજાની મદદ કરે અને જો તમે મદદ કરશો તો ભગવાન તમને મદદ કરશે. આજની જનરેશન લોકોને મદદ કરવાનું ભૂલી ગઈ છે તે આ મૂવી જોઈ 70 ટકા લોકો લોકોની મદદ કરશે. ચોક્કસ એકવાર આ મૂવી જોવો તો ખબર પડી જશે કે કેવી મૂવી છે અને આ મૂવી માટે અપરથી લઇ લોઅર સીટો ફૂલ છે. કળિયુગમાં ભગવાન આ રીતે લોકોને સમજાવે છે: જતીનભાઈમૂવી જોઈને આવેલા જતીનભાઈએ જણાવ્યું કે, મૂવી જે સમજી શકે તેના માટે ખૂબ સારું છે. પહેલા પણ આજ હતું અને આજે પણ આજ છે, પહેલા ભગવાનને બધા માનતા હતા આજે કળિયુગમાં ભગવાન આ રીતે લોકોને સમજાવે છે. જે લોકો સમજી શકે છે તે સમજી શકે, જે ટાઈમ પાસ કરવા આવે તે ટાઈમ પાસ કરે, જેને સમજવાનું છે તે સમજે. હવે આ ફેમિલીને સમજાવવું-દેખાડવું જરૂરી છે. હાલમાં ફાસ્ટ લાઇફ ચાલી રહી છે, આ બધું ભૂલી ગયા છે, એટલે ભગવાન રીપીટ કરે છે. મૂવી જોઈ યુવાઓ-વડીલોની આંખમાં આંસુ આવી જાય છે: ડૉ. ભૂમિકાતો રંગીલા રાજકોટના દર્શક કેમ લાલો જોવામાં પાછળ પડે તેમ મૂવી જોવા આવેલા એક દર્શક ડૉ.ભૂમિકાએ જણાવ્યું કે, લાલો મૂવી સરસ છે. તેમાં જે કૃષ્ણનું પાત્ર બતાવવામાં આવ્યું છે એ ખૂબ જ સારું છે. અત્યારના સમય પ્રમાણે શું સમજવા જેવું છે તે તેમાં આપવામાં આવેલું છે. જે આજની યુવા પેઢીએ શીખવા અને સમજવા જેવી બાબત છે. ધર્મને મોર્ડન રીતે સમજાવવાનો ખૂબ જ સારો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મૂવી જોઈને યુવાઓ અને વડીલોની આંખમાં આંસુ આવી જાય છે. એક્ટરે ભગવાનનો રોલ ખૂબ જ સારો કર્યો છે: રમેશ સોનાગ્રાફિલ્મની કાસ્ટ વિશે વાત કરતા દર્શક રમેશ સોનાગ્રાએ જણાવ્યું હતું કે, લાલો ફિલ્મ લોકોને ખૂબ જ પ્રેરણા પૂરી પાડે છે અને કર્મના સિદ્ધાંત પર વિશ્વાસ રાખવાની વાત કરે છે. પ્રભુના રોલમાં જે આવે છે તે આપણને ઇન્સ્પાયર કરે છે કે સૌએ પોતાના ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. ગુજરાતી ભાષામાં આ પ્રકારની ફિલ્મ બનતી રહે તે ખૂબ જ જરૂરી છે. દાદાના જન્મદિવસે બા પરિવાર સાથે ફિલ્મ જોવા પહોંચ્યાદાદાના જન્મદિવસે પરિવાર સાથે ફિલ્મ જોવા આવેલા બા જશુબેન શાહે જણાવ્યું હતું કે, આ ફિલ્મ ખુબ જ સારી છે અને તેમાં કર્મનો સિદ્ધાંત સમજાવવામાં આવે છે. કચ્છથી રાજકોટ ફિલ્મ જોવા આવ્યા છીએ: હરદીપસિંહ જાડેજાકચ્છથી રાજકોટ લાલો ફિલ્મ જોવા માટે આવેલા હરદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, લાલો એ ખુબ જ સારી ગુજરાતી ફિલ્મ છે. આજના કળિયુગમાં લોકો પાસે ભાગવત ગીતા વાંચવાનો સમય નથી ત્યારે આ ફિલ્મ જોઈને આજના સમયમાં ગીતાની શીખ કેટલી જરૂરી છે તે જાણી શકાય છે. જેવા કર્મો કરો એવા ફળ મળશે: પ્રતિક્ષાબેનતો સુરતીઓ આ મૂવી જોવામાં કેમ પાછળ રહી જાય. લાલો મૂવી જોવા આવેલા પ્રતિક્ષાબેને જણાવ્યું કે મૂવી બહુ સરસ હતું. એમાં કહેવા માંગે છે કે જેવા કર્મો કરો એવા ફળ મળશે. એટલે જોવાની મજા આવી ગઈ અને કનૈયાનો જે અવતાર હતો, બહુ સુંદર જ હતો. તમારે તમારો રસ્તો પોતે શોધવો જોઈએ: દિવ્યામૂવી જોવા આવેલી દિવ્યાએ કહ્યું કે બહુ જ ફાઇન મુવી હતી એટલી મસ્ત શીખ આપી હતી કૃષ્ણ ભગવાને કે તમારે તમારો રસ્તો પોતે શોધવો જોઈએ બહુ જ ફાઇન મુવી છે. મન અને આત્મા અંદરથી ખુશ થઈ જાય છે: ભાવનાબેનદર્શક ભાવનાબેને કહ્યું કે મૂવી બહુ જ ફાઇન છે. મન અને આત્મા અંદરથી ખુશ થઈ જાય છે અને સમજાવે છે કે આપણે જે કરેલા કર્મો છે એ ભોગવવા પડે છે. મૂવી બહુ ફાઇન છે. નિકિતાએ કહ્યું લાલો મૂવી બહુ સારી મૂવી છે. ભગવાન બીજે ક્યાંય નથી, તમારા હૃદયની અંદર જ છે, અને બીજી વાર મૂવી જોવા ચોક્કસ પાછા આવવું પડશે એટલી બધી મને ગમી છે. અને જે એમાં છે એવું મારી સાથે થયેલું પણ છે કે ભગવાન આપણા હૃદયની અંદર જ છે. ડિમાન્ડ વધતી ગઈ તો અમે શો વધાર્યા: ટિંકુ દુબેરૂંગટા સિનેમાના ટિંકુ દુબેએ જણાવ્યું હતું કે અમારા અહીંયા 'લાલો' ગુજરાતી મૂવી 3 તારીખથી આવી છે. એના પછી ડે બાય ડે એનો શો ઇન્ક્રીઝ કર્યા છે. અમારી પાસે જો 150ની કેપેસિટી છે તો હર શોમાં ઓલમોસ્ટ 140-145 જેવી કેપેસિટી આવી રહી છે. હાલની જનરેશનના લોકોએ લાલો મૂવી જોવી જોઇએ: ​​​​​​સુરુચિબેનતો હેરિટેજ સિટી અમદાવાદમાં પણ લાલો ફિલ્મને લઇ દર્શકો ભાવૂક જોવા મળ્યા હતા. ફિલ્મ જોઈ બહાર નીકળેલા સુરુચિબેને જણાવ્યું હતું કે, બહુ જ સરસ મૂવી છે. એટલું બધું ઇમોશનલ છે, ખરેખર જાણે લાલાનો આપણે અનુભવ કરતા હોઇએ એવું હાર્ટ ટચ થઈ ગયું હતું. હાલની જનરેશનમાં મોટાભાગે લોકો ભગવાનને નથી માનતા, તો જો આ લાલો દરેક જણા જુએ તો તેમને ખબર પડશે કે ખરેખર ભગવાનને આપણે પૂજવા જ જોઈએ. આ જનરેશનમાં તો આવા મૂવીની તો બહુ જ જરૂર છે. ભગવાન શીખવાડે છે કે હું ખાલી તમને રસ્તો બતાવીશ, મહેનત તમારે કરવાની: સાક્ષીતો ભગવાનનો સાક્ષાત અનુભવ કરનાર દર્શક સાક્ષીએ જણાવ્યું કે લાલો મૂવીમાં બધા તીર્થધામ બતાવ્યા છે અને આજની જનરેશન દારૂને બધું પીવે છે, એ લોકો માટે એવું શીખવાડવામાં આવ્યું છે કે તમે આ ધંધા બંધ કરીને સારા ધંધા કરો. જેમ કે ઉધાર લઈને તમે તમારા ફેમિલીને જે રીતે હેરાન કરો છો, એ રીતે ન કરો. અને એમાંથી એવું શીખવાડવામાં આવ્યું છે કે ભગવાન હોય જ છે આપણી જોડે. આપણને એવું છે કે નથી, પણ હોય જ છે ભગવાન. પણ ભગવાન એમાંથી એવું શીખવાડવા માંગે છે કે, હું ખાલી તમને રસ્તો બતાવીશ, મહેનત તમારે કરવાની. ખાસ કરીને અત્યારની જનરેશનને એવું છે કે તેમને બેઠા-બેઠા બધું જોઈએ છે, એ ના મળે. ભગવાનનું એવું કહેવું છે કે એ તમને રસ્તો બતાવે પણ મહેનત તો તમારે જ કરવાની, તો તમારું કર્મનું ફળ મળે. બધા કહે છે ભગવાન નથી, પણ ભગવાન ખરેખર છે: બેનીકાબેનમૂવી જોઈને આવેલા બેનીકાબેને જણાવ્યું કે, બહુ જ સરસ મૂવી હતું. બહુ જ મજા આવી, એન્જોય કર્યું. દરેક જણે આ મુવી જોવું જોઈએ. મુવીની અંદર એવું બતાવ્યું છે કે ભગવાન છે. બધા કહે છે ભગવાન નથી, પણ ભગવાન ખરેખર છે. વિશ્વાસ નથી પણ વિશ્વાસ કરવો જોઈએ. સારા મૂવી આપણે જોઇશું, છોકરાઓને જોવડાવીશું તો કલ્ચર થોડું સુધરશે: નેહાબેનતો અન્ય એક દર્શક નેહાબેને ગુજરાતી ફિલ્મના પ્રોગેસની વાત કરતા કહ્યું કે લાલો મૂવી જોયું, બહુ સારું લાગ્યું. ભગવાનના મૂવી આમ લોકો ઓછો જોવા જાય છે. આ રીતે જ આપણે થોડું એ લોકોના મગજમાં પણ નાખી શકીશું. તમે ઘરે બેસીને છોકરાઓને ભગવાનની બુકો આપશો તો એ નહી વાંચે, પણ મૂવી થ્રુ બાળકોના મગજમાં ઉતારીશું તો તે લોકોને રિયાલિટીનો ખ્યાલ આવશે. મને લાગે છે કે આપણે હવે કલ્ચર સાઇડ થોડું વધારે વળવું જોઈએ. GEN-Z માટે આ મૂવી બહુ સરસ છે: પૂર્વીબેન​​​​​​​દર્શક પૂર્વીબેને જણાવ્યું કે, લાલો બહુ જ સુપર મૂવી છે. અત્યારની જનરેશન આ મૂવી જુએ તો એનાથી એને ઘણું બધું શીખવા મળે એમ છે. GEN-Z માટે તો આ મૂવી બહુ જ સરસ છે. કારણ કે ધાર્મિકતા અને ભગવાન શું છે એ આ મૂવીમાંથી ઘણું બધું જાણવા મળે છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 6:00 am

અમિત ખૂંટની આત્મહત્યાના આગલા દિવસે શું થયું હતું?:મોટા ભાઇ મનીષે પહેલીવાર કોઇ મીડિયા સાથે વાત કરી, અનિરૂદ્ધસિંહ-જયરાજસિંહ વિશે પણ ખુલાસા કર્યા

ગોંડલના રાજકારણમાં જયરાજસિંહ જાડેજા અને અનિરૂદ્ધસિંહ જાડેજા વચ્ચે વર્ચસ્વની લડાઇમાં એક કેસે ખળભળાટ મચાવી દીધો. આ કેસ એટલે અમિત ખૂંટની આત્મહત્યા. અમિતની આત્મહત્યાના મામલે અનિરૂદ્ધસિંહની ધરપકડ બાદ હવે રાજદીપસિંહે પણ પોલીસ સમક્ષ સરેન્ડર કરવું પડ્યું છે. બન્ને સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો હતો અને ધરપકડથી બચવા માટે સુપ્રીમ કોર્ટ સુધી કાયદાકીય લડાઇ થઇ હતી. અમિતની આત્મહત્યાના 193 દિવસ બાદ પહેલીવાર તેના ભાઇ મનીષે કોઇ મીડિયા સાથે વાતચીત કરી છે. મનીષે દિવ્ય ભાસ્કર સમક્ષ અમિતની આત્મહત્યાના આગળના દિવસનો ઘટનાક્રમ, સુસાઇડ નોટ, જયરાજસિંહ અને અનિરૂદ્ધસિંહ વિશે ખુલાસા કર્યા છે. અમિત ખૂંટ એટલે એ વ્યક્તિ કે જે જયરાજસિંહ જાડેજાના હરીફ ગણાતા દબંગ નેતા અનિરૂદ્ધસિંહ જાડેજાના ગામ રીબડામાં જ રહેતો યુવાન. તેણે ગામમાં જ રહીને અનિરૂદ્ધસિંહ સામે બાથ ભીડી હતી. 5 મે, 2025ના દિવસે આ યુવાને આપઘાત કરી લીધો હતો. અમિતે ભાઇને કહ્યું હતું મને બચાવી લેજોગળગળા થઇને વાતની શરૂઆત કરતા મનીષ ખૂંટ કહે છે કે, આપઘાત કરતાં પહેલાં અમિતે મારી સાથે કોઇ વાતચીત કરી નહોતી. જ્યારે કેસ થયાની વાત બહાર આવી ત્યારે અમિતે મને કહ્યું હતું કે મને ફસાવી દીધો છે, મારી સામે ષડયંત્ર કર્યું છે, મને બચાવી લેજો. મેં અમિતને કહ્યું હતું કે હું જોઇ લઇશ, તું ચિંતા ન કર. અમિત ખૂંટના આપઘાત અંગે જાણ થતાં ખુદ જયરાજસિંહ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને માહિતી મેળવી હતી પણ આત્મહત્યાના આગલા દિવસે શું-શું બન્યું હતું તે વિશે મનીષે વિગતે વાત કરી. રાતે 2 વાગ્યા સુધી અમિતને શોધ્યો'પોકસોનો કેસ થયો એટલે બદનામીના ડરથી અમિત છુપાઇ-છુપાઇને ફરતો હતો. એક-બે દિવસ આવી રીતે ફર્યો એ પછી આપઘાતના આગળના દિવસે અમિતનો સાળો તેને વાડીએ મુકી ગયો હતો. એ સમયે હું બહાર હતો. અમિતના સાળાએ મને ફોન કરીને કહ્યું હતું કે હું અમિતને વાડીએ મૂકી જઉં છું. રાતે હું વાડીએ ગયો અને 2 વાગ્યા સુધી અમિતને શોધ્યો પણ તે મળ્યો નહીં. તેણે મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધો હતો. છેવટે થાકીને હું ઘરે જતો રહ્યો હતો.' 'ઝાડ પર લટકતો મૃતદેહ જોઇ બેભાન જેવો થઇ ગયો''સવારે 6 વાગતાં જ અમારી વાડીમાં કામ કરતા અશોકભાઇનો મને ફોન આવ્યો હતો. મને થયું કે મારો ભાઇ અમિત મળી ગયો હશે. હું વાડીએ પહોંચ્યો તો તેણે આપઘાત કરી લીધો હતો.' અમિતની આત્મહત્યા બાદ તેની 4 પાનાંની સુસાઇડ નોટ વિશે પણ ઘણો વિવાદ થયો હતો. સુસાઇડ નોટના ત્રણ પાનાં સ્પાયરલ બાઇડિંગવાળી ડાયરીમાંથી ફાડેલાં હતાં, જ્યારે ચોથું પાનું અલગથી અન્ય એક ડાયરીનું હતું, જેથી આ સુસાઇડ નોટ સાથે ચેડાં થયા હોવાનો અને એમાં જયરાજસિંહ સામેલ હોવાનો દાવો અનિરુદ્ધસિંહે એક વીડિયો મારફત કર્યો હતો. જો કે મનીષે આ વાતનો છેદ ઉડાડી દીધો. સુસાઇડ નોટમાં અમિતના જ અક્ષરઃ મનીષઅમિતના આપઘાતને ઓપન કેસ ગણાવતા મનીષે ઉમેર્યું કે, ગોંડલવાળાનો કોઇ હાથ જ નથી. આ ઓપન કેસ છે. સુસાઇડ નોટ મળી છે. જેમાં ગુજરાતી અને ઇંગ્લિશમાં અમિતની સહી છે. અક્ષર અમિતના જ છે. અમિત વાડીએ આવ્યો એ પહેલાં જ તેણે આત્મહત્યા કરવાનું નક્કી કરી લીધું હોય એવું લાગ્યું હતું કેમકે ઘરેથી ડાયરીમાંથી પાના ફાડીને પોતાની સાથે લઇ ગયો હતો. પેન લીધી હતી. મને એવું લાગે છે કે તેણે વાડીએ આવીને સુસાઇડ નોટ લખી હશે. રહી વાત નોટનાં મિસ મેચ પેજની તો હજુ સત્તાવાર પોલીસે આ વિશે કંઇ કહ્યું નથી. અમિત ખૂંટને હનીટ્રેપમાં ફસાવવાના આરોપ અંગે અનિરુદ્ધસિંહે ભૂતકાળમાં એક વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે મને અને મારા પરિવારને ખોટી રીતે સંડોવવામાં આવી રહ્યાં છે. અમારું ક્યાંય નામ આવે તો હું ગમે ત્યારે હાજર થવા તૈયાર છું. આ કાવતરું ગોંડલના માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું છે. જો કે મનીષ ખૂંટ આ કાવતરાં પાછળ અનિરૂદ્ધસિંહ અને રાજદીપસિંહનો જ હાથ હોવાનું કહે છે. અનિરૂદ્ધસિંહ અને રાજદીપસિંહનું કાવતરૂંઃ મનીષતેણે કહ્યું, જયરાજસિંહ સાથે અમારે પારિવારિક સંબંધ છે. રીબડાવાળા બચવા માટે જયરાજસિંહનું નામ આપે છે. રીબડાવાળા અમારા ગામની જમીન સસ્તા ભાવથી પડાવી લેતા હતા. તેની સામે મારો ભાઇ અમિત અવાજ ઉઠાવતો હતો. અમિતના પત્ની અને મારો પરિવાર પણ એવું જ કહે છે કે આ બધાની પાછળ રીબડાવાળા અનિરૂદ્ધસિંહ અને તેના દીકરા રાજદીપસિંહનો જ હાથ છે. રીબડાવાળા અનિરૂદ્ધસિંહ, તેના દીકરા રાજદીપસિંહ અને તેમના મળતિયાએ મળીને આ આખું કાવતરૂં કર્યું હતું. ' 'આરોપી છોકરીઓએ પોતાનો ગુનો પણ કબૂલી લીધો છે એટલે આ આખું ષડયંત્ર હતું એ પણ સાબિત તો થાય જ છે. હું અતાઉલ્લાને ઓળખતો નથી, તેને પણ જામીન મળી ગયા છે. ' જમીનની લે-વેચમાં વિવાદ થયો હતોવિવાદની શરૂઆત ક્યાંથી થઇ તેનો ઉલ્લેખ કરતાં મનીષે કહ્યું, અમારે 2022ની વિધાનસભા ચૂંટણીથી માથાકૂટ ચાલતી હતી. ચૂંટણી સમયે જમીનની લે-વેચ મામલે અમારે અનિરૂદ્ધસિંહ અને રાજદીપસિંહ સાથે વિવાદ થયો હતો. એ સમયે અમે ફરિયાદ પણ કરી હતી. આ લોકોએ તે ફરિયાદની અદાવત રાખી હતી. એ સિવાય પોપટ લાખા સોરઠિયા હત્યા કેસમાં અનિરૂદ્ધસિંહને મળેલી સજા માફી સામે અમિતે અરજી કરી હતી. આ બધું ધ્યાને રાખીને અનિરૂદ્ધસિંહ અને રાજદીપસિંહે આખું ષડયંત્ર રચ્યું હતું. આ કેસમાં અનિરૂદ્ધસિંહ અને રાજદીપસિંહ સામે નામજોગ ફરિયાદ નોંધાઇ હતી. જેના પછી બન્ને ફરાર હતા. થોડા સમય પહેલાં આ કેસમાં અનિરૂદ્ધસિંહની ધરપકડ થઇ હતી. જ્યારે તેના પુત્ર રાજદીપસિંહે 10 નવેમ્બરે સરેન્ડર કર્યું છે. જો કે મનીષ ખૂંટ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવે છે. પોલીસની કામગીરી પર સવાલતેણે કહ્યું, પોલીસે રાજદીપસિંહને પકડ્યો નથી પણ તે સામેથી હાજર થયો છે. આટલો લાંબો સમય ફરાર હતો તો પોલીસે કેમ તેને પકડ્યો નહીં? આરોપી આટલો સમય ફરાર રહે અને તેને મજા આવે ત્યારે સામે ચાલીને હાજર થાય તો પોલીસ સામે સવાલ તો છે જ. હજુ ઘણા આરોપી પકડવાના બાકી છે. 'મેં તાજેતરમાં જ અરજી કરી છે. જેમાં લખ્યું છે કે જેલની અંદર અનિરુદ્ધસિંહને સગવડો મળે છે. તેને મોબાઇલ મળે છે, છૂટથી હરી ફરી શકે છે.' અમિતના સ્વભાવ અને તેના જવાથી પરિવાર કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે તેના વિશે મનીષે કહ્યું, અમિતનો સ્વભાવ નીડર અને અન્ય લોકોને મદદ કરવાનો હતો. અમિતે કોઇનું ખરાબ કર્યું નથી, અડધી રાતે ફોન કરો તો એ મદદ કરવા દોડી જતો હતો. હું સાવ એકલો થઇ ગયોઃ મનીષ'મારા માતા-પિતાનું 2-3 વર્ષ પહેલાં અવસાન થઇ ગયું, કોઇ બહેન નથી. અમે બે જ ભાઇઓ હતા. અમિતના જવાથી હું સાવ એકલો થઇ ગયો છું. પરિવારને ખૂબ જ અસર થઇ છે અને આઘાત લાગ્યો છે. અમારૂં મને જાણે છે કે અમે કઇ રીતે મેનેજ કરી રહ્યાં છીએ.' મનીષ ખૂંટ અનિરૂદ્ધસિંહ અને રાજદીપસિંહને જામીન ન મળે તેવી કડક કલમ લગાવવાની માગ કરે છે. તેણે કહ્યું કે, અમિતના પત્ની એવું જ કહે છે કે કોઇને છોડવાના નથી. કાયદકીય લડાઇ લડવાની છે. આખો કેસ શું હતો?મોડેલિંગ ક્ષેત્રે કાર્યરત 17 વર્ષીય સગીરાએ રાજકોટ શહેરમાં 3 મેના રોજ અમિત ખૂંટ સામે દુષ્કર્મની ફરિયાદ કરી હતી ત્યાર બાદ 5 મે, 2025ના રોજ અમિત ખૂંટે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ પર મરવા મજબૂર કરવાનો આક્ષેપ કર્યો હતો. જેના પછી અમિતના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. આખરે કાર્યવાહીની ખાતરી મળતાં પરિવારે 6 મેના રોજ મૃતદેહ સ્વીકાર્યો હતો અને રીબડામાં અમિત ખૂંટના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પિતાની અંતિમ યાત્રા નીકળતા 9 વર્ષનો દીકરો ધ્રસુકે ધ્રુસકે રડ્યો હતો. ત્યાર બાદ તેણે અગ્નિદાહ આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 6:00 am

'પતિની સામે જ પત્ની અન્ય સાથે ફિઝિકલ રિલેશન માણે':'અમદાવાદ-વડોદરા-સુરતમાં ઓપન રિલેશન ટ્રેન્ડમાં', 'સેક્સ એજ્યુકેશનના અભાવને કારણે લગ્ન તૂટે છે'

એ પતિ-પત્નીનાં લગ્નને માત્ર 15 દિવસ જ થયા હતા અને તેઓ બંને ડિવોર્સ લેવા માગતાં હતાં. શરૂઆતમાં તેઓ ડિવોર્સ કેમ લેવા છે તે અંગે કંઈ જ કહેતાં કંઈ જ કહેતાં નહોતાં. થોડા સમયના કાઉન્સિલિંગ બાદ પત્નીએ દુઃખી સ્વરે એવું કહ્યું કે જ્યારે તેઓ હનિમૂન પર ગયાં હતાં ત્યારે પતિએ અનનેચરલ સેક્સ (એનલ સેક્સ/ઓરલ સેક્સ) કર્યું હતું. એકવાર કર્યું પછી પતિ વારંવાર તેમ કરવા દબાણ કરી રહ્યો છે. આ અંગે પતિને સમજાવવામાં આવ્યા, પરંતુ પતિનો તો સ્પષ્ટ મત એ જ હતો કે બધાં કપલ્સ તો કરે જ છે અને આ એકદમ નોર્મલ વસ્તુ છે. પતિને સમજાવવા ઘણા પ્રયત્ન કર્યા કે અનનેચરલ સેક્સ ભારતમાં કાયદાની રીતે ખોટું છે અને જો પાર્ટનરની સંમતિ કે રુચિ ના હોય તો તમે જબરજસ્તી કરી શકો નહીં. પતિ આ રીતે જ સેક્સ માણવા માગતો હતો અને તે વાત સમજવા તૈયાર જ નહોતો. અંતે બંનેએ ડિવોર્સ કેસ લેવાનું નક્કી કર્યું. પત્ની પિયર જતી રહી હતી અને એક વર્ષ બાદ બંનેએ પરસ્પર ડિવોર્સ કેસ ફાઇલ કર્યો. આ શબ્દો છે, અમદાવાદનાં એડવોકેટ અલ્પા જોગીના. આજની જનરેશન ફિઝિકલ રિલેશનને કારણે પણ ડિવોર્સ લઈ રહી છે. દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ ‘છૂટાછેડા’ના આજના એપિસોડમાં આ વિશે જ વાત કરીએ. દિવ્ય ભાસ્કરે આ અંગે અમદાવાદના સિનિયર એડવોકેટ મિહિર લાખિયા, એડવોકેટ ડૉ. અભીષ્ટ ઠાકર, એડવોકેટ અલ્પા જોગી, વડોદરાના સિનિયર એડવોકેટ સબીહા સિંધી તથા સુરતના એડવોકેટ શિવાની રજનીકાંત ચાહવાલા સાથે આ મુદ્દે ખાસ વાત કરી હતી. આ ઉપરાંત સાયકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણી પાસેથી આ કેમ થઈ રહ્યું છે તે જાણવાનો પ્રયાસ કર્યો. 'ઓપન રિલેશનશિપ ટ્રેન્ડમાં છે'સુરતનાં એડવોકેટ શિવાની રજનીકાંત ચાહવાલા સુરત-અમદાવાદની વાત કરતાં જણાવે છે, 'આજકાલ તો એવો ટ્રેન્ડ પણ છે કે પતિ કે પત્નીનું બહાર અફેર હોય અને બંનેને તેની જાણ હોય, પરંતુ તેઓ એમ માને છે કે આજે નહીં તો કાલે તે સુધરી જશે. જ્યારે પાર્ટનરને સામેના પાર્ટનરના અફેરની જાણ થઈ જાય પછી પતિ કે પત્નીને છૂટો દોર મળી જાય છે અને તે ઘરની તમામ જવાબદારીમાંથી ભાગી છૂટે છે. એક્સ્ટ્રા મેરિટલ અફેરને કારણે ડિવોર્સ થઈ રહ્યા છે. આજકાલ લોકોને પહેલાંના સમયના લોકો જે શાંતિભર્યું જીવન જીવતા તે જીવવું પસંદ નથી. આજની પેઢીમાં ‘ફેડ અપ’ થઈ જવું (કંટાળી જવું) એક નવો શબ્દ આવ્યો છે. સમજણ તો બિલકુલ નથી. આજની જેન ઝી પેઢી ઓપન રિલેશનશિપમાં બહુ જ માને છે. ઓપન રિલેશનશિપ એટલે પતિ ને પત્નીના અન્ય કોઈ વ્યક્તિ સાથે રિલેશન હોય અન તેનો સ્વીકાર કરવાનો. સુરત-અમદાવાદ જેવા બિગ સિટીમાં ઓપન રિલેશનશિપ બહુ જ કોમન છે. આ ઉપરાંત અમદાવાદ-સુરતની હાઇ સોસાયટીમાં આજકાલ આ ટ્રેન્ડ જોવા મળે છે.' 'હાઇ પ્રોફાઇલ સોસાયટીમાં અંદરખાને આ બધું જ ચાલે છે'વડોદરાનાં સિનિયર એડવોકેટ સબીહા સિંધીએ પણ વાતમાં સૂર મિલાવતાં કહ્યું, 'આજકાલ હાઇ સોસાયટીમાં ઓપન રિલેશનશિપનો એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ પ્રકારની રિલેશનશિપમાં પતિ કે પત્નીનું અફેર અન્ય સાથે હોય અને આ વાતની જાણ બંનેને હોય છે. આ પ્રકારની રિલેશનશિપમાં એવું છે કે પતિ કે પત્નીએ એક્સ્ટ્રા મેરિટલ અફેરનો સ્વીકાર કરીને જીવન પસાર કરવાનું. પહેલાં દિલ્હી, મુંબઈ, નોઇડા જેવા બિગ સિટીમાં જ આવું થતું હતું, પરંતુ હવે ગુજરાતમાં પણ આ કલ્ચર ધીમે ધીમે પગપેસારો કરી રહ્યું છે. સાચું કહું તો આ થવા પાછળનું કારણ એ જ છે કે એલિટ મેરેજમાં બે પરિવાર એટલે કે બે બિઝનેસ કે કંપનીઓ ભેગી થાય છે. તેઓ બિઝનેસ અથવા તો સામાજિક મોભો વધારવા લગ્ન કરે છે, પણ તેઓ લગ્નજીવનથી ખુશ હોતાં નથી. ડિવોર્સ લેવા થોડા અઘરા છે એટલે ત્રાહિત વ્યક્તિ શોધે છે અને બંને પાર્ટનર્સને આ સામે વાંધો હોતો નથી. એવું નથી કે ઓપન રિલેશનશિપ હોવાથી તેમના લગ્નજીવનમાં કોઈ સમસ્યા આવતી નથી. સમસ્યા આવે એટલે તેઓ ડિવોર્સ લેવાનું નક્કી કરે છે, પરંતુ તેઓ કોર્ટમાં કે બીજે ક્યાંય પણ આ ઓપન રિલેશનશિપને ક્યારેય બહાર પાડતા નથી. હાઇ પ્રોફાઇલ સોસાયટીમાં અંદરખાને આ બધું જ ચાલે છે.' 'પતિ કે પત્ની બેડરૂમમાં ત્રીજી વ્યક્તિ સાથે સંબંધ બાંધે'એડવોકેટ શિવાની ચાહવાલાએ આંચકાજનક ટ્રેન્ડ અંગે વધુ વાત કરતાં કહ્યું, 'પતિ-પત્ની એક પાર્ટીમાં ફ્રેન્ડ્સ સાથે ભેગાં થાય. ત્યાં એક વ્યક્તિ (પછી તે સ્ત્રી કે પુરુષ હોઈ શકે)ને બોલાવવામાં આવે છે. પછી પતિ-પત્ની તે વ્યક્તિને લઈને પોતાના ઘરે જાય છે. બેડરૂમમાં પતિ આરામથી ખુરસી પર બેઠો હોય છે. બેડ પર પત્ની તે ત્રીજી વ્યક્તિ સાથે ફિઝિકલ રિલેશન માણે છે ને પતિ પોતાની નજર સામે આ બધું જ જુએ ને માણે છે. ફિઝિકલ રિલેશન પૂરા થાય કે પછી ‘ફર્સ્ટ રાઉન્ડ’ પતે એટલે તે વ્યક્તિ બહાર નીકળી જાય. બેડરૂમમાં મસ્ત માહોલ સેટ થઈ ગયો હોય છે. હવે પતિ પોતાની પત્ની સાથે ફિઝિકલ રિલેશન માણે છે.' 'અમદાવાદ-સુરતની હાઇ પ્રોફાઇલ સોસાયટીમાં આવું ચાલે છે''તમને જાણીને આંચકો લાગશે કે આવું કરવાનું કારણ માત્ર એટલું જ કે રોજે રોજ એકના એક રૂટિનથી તેઓ કંટાળી ગયા હોય છે એટલે કે ફેડ અપ થઈ ગયા હોય. આ જ કારણે તેઓ ત્રીજી વ્યક્તિને પોતાના બેડરૂમમાં બોલાવે છે. આ ત્રીજી વ્યક્તિ અલગ-અલગ સ્ટાઇલમાં પત્ની કે પતિ સાથે ફિઝિકલ રિલેશન માણે છે અને ત્યારબાદ પતિ-પત્ની ફિઝિકલ રિલેશન માણે તો તેમાં એક્સાઇટમેન્ટ આવે. આ રીતે તેઓ લગ્નજીવન ચલાવે છે. આ માત્ર ને માત્ર અમદાવાદ-સુરતની હાઇ પ્રોફાઇલ સોસાયટીમાં જ છે. પતિ કે પત્નીની નજર સામે ત્રાહિત વ્યક્તિ સાથે રિલેશન બાંધવામાં આવે છે, આમાં પતિ-પત્ની વચ્ચે વિશ્વાસનો પાયો જ રહેતો નથી. પતિ કે પત્ની એકબીજા પર વિશ્વાસ કરી જ શકે નહીં. હવે થોડા મહિનાઓ બાદ પતિ કે પત્ની જ એકબીજા પર શંકા કરવા લાગે છે કે તે મારી પીઠ પાછળ અન્ય કોઈ સાથે સંબંધો રાખ્યા જ હશે. હવે આ લોકોને કેમ સમજાવવું કે તમે એકબીજાની સામે જ ત્રાહિત વ્યક્તિ સાથે કરો છો તો તમે કેવી રીતે એમ માની લો કે તે પીઠ પાછળ નહીં જ કરતાં હોય. પછી આ મુદ્દે તેમની વચ્ચે ઝઘડા થાય. ભારતીય સમાજ લગ્નને એક સંસ્કાર ને બે પરિવારોનું મિલન સમજતો હતો, પરંતુ આ પરંપરા હવે આજની પેઢીમાં જોવા મળતી નથી', તેમ શિવાની ચાહવાલાએ ઉમેર્યું હતું. 'પતિ કે પત્ની અનનેચરલ ડિમાન્ડ કરતાં હોય છે'સિનિયર એડવોકેટ મિહિર લાખિયા કહે છે, 'ઘણીવાર છોકરા-છોકરી પેરેન્ટ્સ સાથે ડિવોર્સ કેસ અંગે ચર્ચા કરવા આવતા હોય છે. જ્યારે તેમને કારણ પૂછવામાં આવે ત્યારે પેરેન્ટ્સ જોડે હોય એટલે તેઓ આ મુદ્દે વાત કરતા શરમાય છે. આ સમયે તેઓ પેરેન્ટ્સને બહાર મોકલીને આવી વાત જણાવતા હોય છે. આ સંજોગોમાં અમે એમની વાત સાંભળીએ છીએ. જોકે, સાચું કહું તો આ ફુલપ્રૂફ નથી. આમાં એક જ સાઈડનું વર્ઝન એટલે કે પતિ કે પત્ની બેમાંથી જે અમારી પાસે આવે તેનું જ વર્ઝન હોય છે. જ્યારે આ મુદ્દો અમે કોર્ટમાં રજુ કરીએ અને લખીએ કે પતિ-પત્ની વચ્ચે ફિઝિકલ રિલેશનશિપ ભોગવી શકાય એવું રહ્યું નથી કે પછી ભોગવતા નથી. અનનેચરલ સેક્સની ડિમાન્ડ છે. ઘણીવાર આ બધી બાબતોમાં ખોટી રીતે બ્લેમ કરવાની વાત પણ બનતી હોય છે. માત્ર આને જ આધાર બનાવીને પિટિશનમાં કંઈ લખી શકાય નહીં. આની સાથે અન્ય કારણો પણ લખવા જ પડે. એ વાત સાચી કે આ એક ડિવોર્સ માટેનું કારણ જરૂરથી બને છે અને ઊભું થતું હોય છે.' 'સ્ત્રીની જરૂરિયાત ઘણા પુરુષો સમજી શકતા નથી'સાયકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણી આ અંગે વાત કરતાં કહે છે, 'ઘણીવાર એવું થતું હોય છે કે કોઈ જૂના રીત રિવાજને કારણે અથવા તો એક પ્રકારના સામાજિક પ્રેશરને કારણે કે પછી સાંભળેલી વાતોને કારણે અમુક સ્ત્રીઓ કે પુરુષો અમુક જ પ્રકારના જૂના ખ્યાલોમાં બંધાઈને રહી જાય છે. તેમનામાં મનમાં એવું જ હોય છે કે ફિઝિકલ રિલેશન તો આમ જ કરાય, આમ ના જ કરાય. અમે ક્લિનિકમાં જે સમસ્યા જોઈ છે, તેમાં ફિઝિકલ રિલેશન દરમિયાન પાર્ટનર વચ્ચેનું કમ્યુનિકેશન થતું જ નથી. કોને કેવી જરૂરિયાત છે તે અંગે વાત જ થતી નથી અને પાર્ટનર એકબીજાને પૂછતાં પણ નથી. બસ એક મિકેનિકલ ફિઝિકલ રિલેશન થાય અને બંને અલગ પડી જાય. આ જ કારણે સમસ્યા ઊભી થાય છે. ઘણીવાર જોયું છે કે ફોર પ્લે કે આફ્ટર પ્લેમાં એકબીજા સાથે વાત કરવાની, ઇમોશનલી નજીક આવવાનું… જે સ્ત્રીની જરૂરિયાત છે તે ઘણા પુરુષો સમજી શકતા નથી.' 'આ મુદ્દે જજમેન્ટ વધુ પડતા જોવા મળતાં નથી'વધુમાં સિનિયર એડવોકેટ લાખિયા જણાવે છે, 'પતિનું જે રીતનું વર્તન હોય છે તે પત્નીને ગમતું હોતું નથી. પત્ની ઘણીવાર કહેતી હોય છે કે અનનેચરલ ડિમાન્ડ કરે છે. અમે પિટિશનમાં લખતા પણ હોઈએ છીએ. અલબત્ત, આવા કેસમાં સાચી વાત બહાર આવતી નથી. આવી મેટરમાં સાયકોલોજિસ્ટ કે સેક્સોલોજિસ્ટ કે સાયકાયટ્રિસ્ટને કન્સલ્ટ કરીને આગળ વધવું જોઈએ, કેમ કે જે સાચું હોય એ આમ જ બહાર આવશે. નાના નાના મુદ્દે ઊભાં થયેલાં કારણોમાં સ્ટ્રેસ પણ મહત્ત્વનું પરિબળ છે. આજકાલ જોબમાં પણ એટલો બધો સ્ટ્રેસ વધી ગયો છે, પછી પૈસાનો પ્રોબ્લેમ હોય. આ ઇફેક્ટ થાય તેની સીધી અસર ફિઝિકલ રિલેશન પર પડતી હોય છે. પ્રેમ પર પણ પડે છે. આ બધું એક તાંતણે જોડાયેલું છે. આ એવી વાત નથી કે કોઈ એક સવારે તમે ઊઠો, બેડરૂમમાં જાઓ અને શારીરિક સંબંધ બાંધો, આ આવી વાત નથી. આ બધી વસ્તુઓ એકબીજા સાથે સંકળાયેલી છે. એટલે આજની તારીખે પણ કોર્ટ એ જોતી હોય છે. મોટા ભાગના કેસમાં કેવું થાય છે કે બંને પાર્ટી છેક હાઇકોર્ટ- સુપ્રીમ કોર્ટ સુધી લડવા તૈયાર થતી હોય ત્યારે આ પ્રકારની વસ્તુઓ બહાર આવતી હોય છે. અલબત્ત, કોર્ટનાં ચાર-પાંચ વર્ષના ધક્કા ખાઈને જ લોકો એ હદે કંટાળી જાય છે કે પછી સંમતિથી ડિવોર્સ લેવા તૈયાર થઈ જાય છે. આ પ્રકારના કેસમાં કોર્ટના જજમેન્ટ આ જ કારણે વધુ પડતા જોવા મળતાં નથી.' 'છ દિવસના લગ્નજીવનમાં એકવાર પણ ફિઝિકલ રિલેશન બંધાયા નહીં'એડવોકેટ શિવાની રજનીકાંત ચાહવાલા અન્ય એક કિસ્સા અંગે કહે છે, 'મારી પાસે એક એવો કેસ આવ્યો હતો કે લગ્ન હજી થયાં હતાં ને માત્ર છ દિવસ જ પતિ-પત્ની સાથે રહ્યાં. છ દિવસમાં પતિ-પત્ની વચ્ચે કોઈ જાતના ફિઝિકલ રિલેશન બંધાયા નહોતા. પતિની ફરિયાદ હતી કે પત્નીને ફિઝિકલ રિલેશન રાખવા જ નહોતા. પત્નીનું એવું કહેવું હતું કે પતિ ફિઝિકલી ફિટ જ નહોતો કે તે ફિઝિકલ રિલેશન રાખી શકે. છ દિવસ બાદ પત્ની પિયર જતી રહી. ત્યારબાદ પતિ-પત્ની સાથે રહેવા તૈયાર નહોતાં એ રીતે ડિવોર્સ કેસ ફાઇલ કરવામાં આવ્યા. આ કેસ બે-અઢી વર્ષ ચાલ્યો. પછી પત્નીએ કોર્ટમાં ભરણપોષણનો કેસ કર્યો. અંતે કોર્ટે સવા પાંચ લાખ રૂપિયા ભરણપોષણ આપવાની વાત કરી. ત્રણ વર્ષ બાદ પતિ-પત્નીએ પરસ્પર સંમતિથી ડિવોર્સ લીધા, પરંતુ સાડા પાંચ લાખ એલિમની તો આપવી જ પડી. બંને વચ્ચે અણબનાવ આ ફિઝિકલ રિલેશનને કારણે જ થયો. મેટર કોર્ટમાં ગઈ અને પછી બંનેનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું ને તેમણે પરસ્પર સમંતિથી ડિવોર્સ લેવા માટે તૈયાર કર્યા.' 'પતિ વિરુદ્ધ અનનેચરલ સેક્સની ડિમાન્ડ ક્રૂરતાની શ્રેણીમાં આવે'એડવોકેટ અલ્પા જોગી અન્ય કેસ અંગે વાત કરતાં કહે છે, 'પતિ વિરુદ્ધ પત્નીએ FIR કરી હતી. પતિ અને તેના માતા-પિતા સાબરમતી જેલમાં સાત દિવસ કસ્ટડીમાં હતાં અને સેશન્સ કોર્ટમાંથી જામીન મળ્યા હતા. FIRની નકલ વાંચતાં ખબર પડી કે પત્નીએ પતિ વિરુદ્ધ અનનેચરલ સેક્સના આક્ષેપો કર્યા હતા. પતિ-પત્ની વચ્ચે વિવાદ થયો અને પત્ની એક મહિનાથી પણ વધુ સમયથી અલગ રહેતી હતી. આ જ કારણે મેડિકલી અનનેચરલ સેક્સની વાત સાબિત કરી શકાય નહીં. ઘણીવાર અનનેચરલ સેક્સની વાત કોર્ટમાં સાબિત કરવી અઘરી પડી જતી હોય છે. એલિગેશન મૂકવામાં આવે છે, પરંતુ તેને સાબિત કરવું કેવી રીતે?' 'પતિ-પત્નીએ એકબીજા વિરુદ્ધ સંતોષ આપી શકતા નથી તેવો આરોપ મૂક્યો'સિનિયર એડવોકેટ મિહિર લાખિયાએ આ અંગે એક કિસ્સા અંગે વાત કરતા કહે છે, 'એક કિસ્સામાં હસબન્ડે ડિવોર્સ કેસ ફાઇલ કર્યો. પહેલું બાળક હતું અને બીજું બાળક IVFથી આવેલું. પતિ-પત્ની બંને વચ્ચે ફિઝિકલ રિલેશન ઘણા સમયથી નહોતા. હવે પતિએ કોર્ટમાં એવું કહ્યું કે અમારી વચ્ચે તો શારીરિક સંબંધો જ નથી. એ મને સંતોષ આપી શકતી નથી. પતિએ પત્ની પર ઘણાં એલિગેશન મૂક્યાં. હવે પત્ની પણ ગાંજી જાય એવી નહોતી. તેણે કોર્ટમાં જવાબ આપ્યો કે પતિના તો એક્સ્ટ્રા મેરિટલ સંબંધો હતા એટલે તેઓ તેની સાથે ફિઝિકલ રિલેશન માણતા નહોતા. પતિ એવું સાબિત કરવા માગતો હતો કે બંને વચ્ચે ફિઝિકલ રિલેશન નહોતા એટલે જ બીજું બાળક IVFથી કરાવવું પડ્યું. આ કેસ બે વર્ષ કોર્ટમાં ચાલ્યો અને પછી ડિવોર્સ થયા.' 'બાળકને કારણે સંમતિથી ડિવોર્સ લેવાનું સમજાવતા હોઈએ છીએ''સાચું કહું તો, પતિ-પત્ની આ મુદ્દે ડિવોર્સ ફાઇલ તો કરે, પરંતુ તેમને બાળક હોય તો પછી તેઓ આ મુદ્દાને કોર્ટમાં બહુ છંછેડતા નથી. કારણ કે આની સીધી અસર બાળક પર પડે છે. આજકાલ તો બારેક વર્ષનાં બાળકો પણ બહુ જ ઇન્ટેલિજન્ટ હોય છે. તેમને બધી જ ખબર પડતી હોય છે. હવે જો પતિ કે પત્ની આ મુદ્દાને પાયો બનાવીને પિટિશન ફાઇલ કરે, એલિગેશન કરે અને પછી આ જ મુદ્દે ડિવોર્સ પણ થઈ જાય. હવે જ્યારે બાળક મોટું થાય ત્યારે તે પેરેન્ટ્સના ડિવોર્સ કેમ થયા તે વાત જાણવા માગે અને પછી તે પિટિશન ને જજમેન્ટની કૉપી વાંચે ત્યારે તે ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જાય છે. આ જ કારણે અમે મોટાભાગે આ કિસ્સામાં પતિ-પત્નીને સમજાવતાં હોઈએ છીએ કે તેઓ સંમતિથી ડિવોર્સ લે એટલે ‘પેલી’ વાત પતિ-પત્ની વચ્ચે જ રહે. કહેવત છે ને કે બાંધી મુઠ્ઠી લાખની. આજકાલ નપુંસકતાને કારણે પણ પત્ની ડિવોર્સ કેસ ફાઇલ કરતી હોય છે', તેમ સિનિયર એડવોકેટ મિહિર લાખિયાએ ઉમેર્યું હતું. 'પોર્નોગ્રાફી મહત્ત્વનો ભાગ ભજવે છે''ઘણીવાર પોર્નોગ્રાફી પણ ડિવોર્સમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. પોર્નોગ્રાફિક ફિલ્મો-વીડિયો જોયા બાદ લોકો એવું સમજે છે કે આ જ રીતે ફિઝિકલ રિલેશન માણવાના હોય અને આ જ સાચું છે. વાસ્તવમાં આવું શક્ય જ નથી પોર્નોગ્રાફીમાં ફેન્ટસી ને કાલ્પનિક વાતો વધારે હોય છે. રિયલમાં એવું કંઈ જ હોતું નથી. અનેક લોકો આ પ્રમાણે અનુસરવા જાય ને પાર્ટનરને આ રીતે કરાવવા જાય ત્યારે વાત ડિવોર્સ સુધી પહોંચે છે, કારણ કે પાર્ટનર પોર્નોગ્રાફી પ્રમાણે ફિઝિકલ રિલેશન બાંધવા ઈચ્છે છે, પરંતુ તે રિયલ લાઇફમાં ક્યારેય શક્ય નથી. સ્ત્રી ઇમોશનલી એટેચ્ડ હોય છે અને પુરુષ આ વાત ઘણીવાર સમજી શકતો નથી. વ્યક્તિઓના સપનામાં સેક્સ્યુઅલ ફેન્ટસી કંઈક અલગ જ પ્રકારની ચાલતી હોય છે. આ જ કારણે લગ્ન તૂટતા હોય છે', તેમ ડૉ. પ્રશાંત ભીમાણીએ જણાવ્યું હતું. 'એડલ્ટરી ઇરાદાપૂર્વક હોય તો ક્રૂરતા ગણાય'એડવોકેટ ડૉ.અભીષ્ટ ઠાકર જણાવે છે, 'ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર કોલગર્લ્સ ફસાવે અને પછી પૈસા પડાવતા હોય છે. હવે જો યુવક પરિણીત હોય તો તે વધુ મુશ્કેલીમાં મુકાય છે. પૈસા તો જાય છે, પરંતુ પત્નીને જવાબ આપવો અઘરો થઈ પડે છે. આવા કિસ્સામાં મગજમારી વધી જાય છે અને પછી ડિવોર્સ કેસ ફાઇલ થાય છે. સોશિયલ મીડિયામાં આજકાલ AIથી જનરેટ કરેલા ફોટો ફરતા થાય છે. હું તો યુગલોને સલાહ આપીશ કે સો. મીડિયામાં AIથી બનેલા ફોટો છે કે સાચા? તે ખ્યાલ પણ આવતો નથી એટલે સો. મીડિયામાં ફરતા ફોટો પર વિશ્વાસ ના કરો. AI આબેહુબ લાગે તેવા નકલી ફોટો બનાવી શકે છે. AIને કારણે ઝઘડાઓ વધી ગયા છે. લગ્ન ના કર્યા હોય તો માત્ર બ્રેકઅપ જ થાય છે, પરંતુ લગ્ન થઈ ગયા તો વાત ડિવોર્સ સુધી પહોંચી જતી હોય છે. સો. મીડિયાને કારણે પણ ડિવોર્સ થવાનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે. સો. મીડિયામાં ત્રાહિત વ્યક્તિ સાથે ચેટ કરશો તો તમારા મનમાં એડલ્ટરી (વ્યભિચાર)નો ઇન્ટેન્શન રહેલો છે. સો. મીડિયા ન હોત તો બીજી કોઈ રીતે કર્યું હોત એ નક્કી છે.' 'નપુંસકતા કોર્ટમાં સાબિત કરી શકાય'એડવોકેટ મિહિર લાખિયાએ પતિ-પત્ની સંતોષ નથી આપતી શકતા તે કિસ્સા અંગે વાત કરતા જણાવ્યું, 'પતિ-પત્નીના નવા નવા લગ્ન થયાં હતાં. બંને વર્કિંગ હતાં. પત્નીની સતત એક જ ફરિયાદ રહેતી કે પતિ મને સંતોષ આપી શકતો નથી. સાચી વાત એવી હતી કે પત્ની જોબ અર્થે બેથી ત્રણ વર્ષ અમેરિકા રહેવા જતી રહી. ત્યાં તેના એક વિદેશી સાથે એક્સ્ટ્રા મેરિટલ સંબંધો હતા. પાછી ફરીને તેણે પતિ પર આવા આક્ષેપો કર્યા. પતિ આ વાત સ્વીકારવા જ તૈયાર નહોતો. પતિએ પણ પત્ની સામે સંતોષ આપી શકતી નથી તેવા આક્ષેપો કર્યા. કોર્ટમાં હવે આ કંઈ સાબિત થવાનું નહોતું. બંનેને સમજાવીને સંમતિથી ડિવોર્સ લેવાનું કહ્યું. આવા કિસ્સાઓ બને જ છે, પરંતુ કોર્ટમાં પુરવાર કરવા અઘરા છે. નપુંસકતા કોર્ટમાં સાબિત કરી શકાય, પરંતુ આ સંતોષ આપી શકતો કે શકતી નથી તે કોર્ટમાં ક્યારેય પુરવાર થાય નહીં.' 'ફાસ્ટ લાઇફ જવાબદાર છે'આ પાછળના કારણો અંગે એડવોકેટ મિહિર લાખિયા કહે છે, 'આજની લાઇફ એકદમ ફાસ્ટ થઈ ગઈ છે. સ્ટ્રેસ ને ટેન્શન વધી ગયું છે. દેખાદેખીની તો વાત જ થાય એમ નથી. પહેલાં પતિ-પત્નીને આખા પરિવાર પ્રત્યે પ્રેમ હતો. દરેક સંબંધને પૂરતો સમય આપવો પડે, પરંતુ આ સમય જ કોઈ પાસે નથી. પતિ-પત્ની માટે ફિઝિકલ રિલેશન મહત્ત્વના છે, પરંતુ તેને કારણે જ લગ્નજીવન ટકે તેવું પણ ના હોવું જોઈએ, પરંતુ આજકાલ આવું જોવા મળે છે.' 'ડિવોર્સ થયા નહોતા ને પત્નીએ બીજું પાત્ર શોધવાની શરૂઆત કરી'એડવોકેટ શિવાની રજનીકાંત ચાહવાલા એક કિસ્સા અંગે જણાવે છે, 'એક કપલનું લગ્નજીવન સાતેક વર્ષ ચાલ્યું. પતિ-પત્નીને કોઈ બાળક નહોતું. આ જ કારણે ઘરનાનું થોડું પ્રેશર હતું કે હવે બાળક આવે તો સારું. પછી પતિ-પત્ની ડોક્ટર પાસે ગયાં અને બધા ટેસ્ટ થયા. પછી બંનેનો ફર્ટિલિટી ટેસ્ટ કરવામાં આવ્યો. આ ટેસ્ટમાં એવું આવ્યું કે પતિમાં ઝીરો મોટિલિટી હતી, એટલે કે તેનામાં સ્પર્મ કાઉન્ટ જ મળે નહીં. હાઇ પ્રોફાઇલ કેસમાં પતિ કે પત્ની તરત જ ફર્ટિલિટી ટેસ્ટ કરાવે. સામાન્ય ઘરમાં આવું થતું નથી. પત્નીએ પોતાની રીતે ખાસ્સા એવા અખતરા કર્યા હતા. આ લોઅર મિડલ ક્લાસ પરિવાર હતો. પતિની સચ્ચાઈની ખબર પડી એટલે પત્નીને પછી પતિની દારૂની કુટેવ ને મારપીટ બધું જ યાદ આવવા લાગ્યું. હવે પત્નીને થયું કે મારું જીવન તો સાવ બરબાદ થઈ ગયું. તેને એવું લાગવા માંડ્યું કે તે મા તો બની શકશે નહીં ને પતિએ એવું કોઈ સુખ પણ આપ્યું નથી. પત્નીએ ડિવોર્સ પહેલાં જ નવું પાત્ર શોધવાનું શરૂ કરી દીધું, પણ આ વાત પણ ખોટી જ છે. પતિ કે પત્નીની કોઈ બીમારી લાઇફ પાર્ટનરને પ્રોવોક કરે છે, પાર્ટનર હતાશ ને ઉદાસ થઈ જાય છે. એની લાઇફ એકદમ કંટાળાજનક બની ગઈ છે અને તે જ કારણે તે બહાર ફાંફાં મારતી હોય છે. આ બધી વસ્તુઓ ઇન્ટર્નલી કનેક્ટ થઈ જાય છે. ફિઝિકલ રિલેશન સારા ના હોય તો પાર્ટનર બહાર ખુશીઓ શોધવા લાગે છે.' જેન ઝીના લગ્નજીવન અંગે વાત કરતાં એડવોકેટ શિવાની કહે છે, 'તેમનું લગ્નજીવન તો એકથી પાંચ વર્ષનું છે. પાંચ વર્ષ તો હજી પણ વધારે છે. એ લોકો તરત જ સામેના પાર્ટનરથી કંટાળી જાય છે. ડિવોર્સ આપે છે અને ‘મૂવ ઓન’ થઈ જવામાં માને છે. જેન ઝી જલ્દીથી એકબીજા પ્રત્યે ફેડ અપ થઈ જાય છે. આ ઉપરાંત આ પેઢીના લોકોને દારુ ને ડ્રગ્સની ટેવ છે. તમને આંચકો લાગશે પણ આ ટેવ માત્ર પતિને જ નહીં, પત્ની એટલે કે છોકરા-છોકરીઓ બંનેને હોય છે અને તેને કારણે પણ ડિવોર્સ થાય છે.' 'સેક્સ એજ્યુકેશનનો અભાવ મહત્ત્વનું કારણ'સાયકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણીના મતે, 'સેક્સ એજ્યુકેશનનો અભાવ એ કારણ છે. અલબત્ત, સેક્સ એજ્યુકેશન એટલે સાયન્ટિફિક એજ્યુકેશનની વાત થાય છે. એક કિસ્સામાં, પતિને એવું હતું કે પત્ની અમુક રીતે ફિઝિકલ રિલેશન માણે તો જ સંતોષ મળે. તો સામે પત્નીને આ રીતે ડિસકમ્ફર્ટ થતું. પત્ની આ વાતની સતત ફરિયાદ કરે, પરંતુ પતિ સાંભળે જ નહીં. પતિ એવું કહે કે તું તો મને કો-ઓપરેટ જ કરતી નથી. આ મુદ્દે બંને વચ્ચે સતત ઝઘડા થતા. પછી પત્નીએ ગાયનેકોલોજિસ્ટને આ વાત કરતાં તેમણે એમ કહ્યું કે આ રીત યોગ્ય નથી અને કાયદાકીય રીતે કરવું યોગ્ય નથી. એનલ સેક્સની ઈચ્છા પાર્ટનરને ના હોય તો બીજો પાર્ટનર દબાણ કરી શકે નહીં. ભારત દેશમાં આ લીગલી સ્વીકાર્ય નથી. આપણે ભલે એમ માનીએ કે મંદિરોની દીવાલ પર તો મૂર્તિઓ આ રીતે બતાવવામાં આવી છે, પરંતુ કાયદાની રીતે માન્ય નથી. મહત્ત્વની વાત છે સંમતિ. બેમાંથી એક પાર્ટનરની સંમતિ નથી તો સાવ સિમ્પલ ફિઝિકલ રિલેશન પણ સ્વીકાર્ય નથી. આ કપલને પછી સાયકો થેરપી આપવામાં આવી ને ધીમે ધીમે બંને વચ્ચે ફિઝિકલ માલ એડજસ્ટમેન્ટ હતું તેની બદલે પ્રોપર એડજસ્ટમેન્ટ થયુ ને તેમનું જીવન સીધા પાટે આવ્યું.' 'સમાજ માટે લાલબત્તી સમાન છે'એડવોકેટ મિહિર લાખિયા ભારતમાં લગ્નસંસ્થા સામે જોખમ હોવાની વાત કહીને જણાવે છે, 'જોખમ અત્યારે જ છે. જે પ્રમાણે ડિવોર્સ કેસ ફાઇલ થાય છે તે પ્રમાણે અંદાજે ભારતમાં આજે સિત્તેરથી એંસી લાખ ડિવોર્સના પેન્ડિંગ કેસો પડ્યા છે. અમદાવાદ સિટી ને ડિસ્ટ્રિક્ટમાં વિરમગામ ધોળકા અને ધંધુકા આવે અને તેના કેસોનું ફાઇલિંગ અલગ થાય છે. જૂન, 2024માં ગુજરાતમાં નવી 82 ફેમિલી કોર્ટ શરૂ કરવામાં આવી. તમે જ વિચારો કે કોર્ટ પર કેટલું ભારણ હશે કે આટલી નવી કોર્ટ શરૂ કરવી પડી. આ સમાજ માટે લાલબત્તી તો છે જ અને આગળ જતાં ઘણી જ ખરાબ વસ્તુ છે. ઘણા કિસ્સામાં બાળક હોય તો તેનું ભરણપોષણ આપવામાં આવે તે યોગ્ય છે, પરંતુ ઘણા લોકોએ આને પૈસાનું એક સાધન બનાવી દીધું છે. પતિ-પત્ની બંને કેપેબલ હોય, કમાતાં હોય, પરંતુ બતાવી દેવાની દાનતને કારણે બંને વચ્ચે સમસ્યા થાય છે. કોર્ટમાં પણ ભારણ વધી ગયું છે. જજ દિવસ દરમિયાન એવિડન્સ રેકોર્ડ કરે, જુબાની, ક્રોસ હિયરિંગ, ફાઇનલ હિયરિંગ અથવા વચગાળાનુ હિયરિંગ, વિઝીટેશન રાઈટની અરજીનું હિયરિંગ તો એ આખા દિવસ દરમિયાન દસથી પંદર મેટર ચાલી શકે, કેમ કે દરેક મેટર પાછળ ટાઈમ આપવો પડે છે.' 'જેન ઝીએ ધીરજ રાખવાની જરૂર છે'એડવોકેટ ડૉ. અભીષ્ટ ઠાકર માને છે, 'જેન ઝી મોટાભાગે આઠ-નવ-દસ વર્ષના અફેર પછી લગ્ન કરે છે અને આ લગ્ન એક મહિનો પણ ટકતા નથી. જીવન ઘણું જ સુંદર છે અને જીવનનાં કિંમતી વર્ષો કોર્ટ પાછળ વેડફશો નહીં.' તો એડવોકેટ અલ્પા જોગી જણાવે છે, 'જેન ઝીની વાત કરું તો તેઓ કોઈ માથાકૂટમાં પડતા જ નથી. પતિ-પત્નીને બનતું નથી તો સીધા ડિવોર્સ. તેમને તો પૈસાની પણ પડી નથી. તેઓ એલિમની માટે પણ ઝઘડતા નથી. આ પેઢી તો લગ્નના બે મહિના પછી ફોન કરે કે અમને ફાવતું નથી તો અલગ થવું છે. શું કરી શકાય? ઘણીવાર તો અમે જ કોર્ટ મેરેજ કરાવ્યા હોય અને લગ્નના અઠવાડિયા પછી ફોન આવે કે હવે ફાવતું નથી તો અલગ કેવી રીતે પડાય. તેમને એ ખબર જ નથી કે ભારતમાં લગ્નના એક વર્ષ પહેલા ડિવોર્સ કેસ ફાઇલ થાય નહીં. છ મહિના કૂલિંગ પીરિયડ એટલે કે 18 મહિના પછી જ ડિવોર્સ મળી શકે. જોકે, જેન ઝી આટલી રાહ પણ જોવા તૈયાર નથી. તે તો બધું ફટાફટ માગે છે.' 'ડિવોર્સ એ સામાજિક સંકોચ નથી રહ્યા'સાયકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણી સ્પષ્ટ માને છે, 'જેન ઝીની સહનશક્તિ ઘટી ગઈ છે. ઇન્સ્ટાએ પણ રીલ સ્પીડમાં જોઈ શકાય તેવી સુવિધા કરી આપી છે એટલે કે જેન ઝીને બધું સ્પીડમાં જોઈએ. ડોપામીનને ઘણું જ મહત્ત્વ મળી ગયું છે એટલે કે લોકોના આનંદ ઝડપથી જોઈએ છે અને એટલી જ ઝડપથી કંટાળી પણ જાય છે. આજકાલ ડિવોર્સ એ સામાજિક સંકોચ જેવું પણ રહ્યું નથી. પહેલાં ડિવોર્સ થાય તો તે ખરાબ બાબત ગણાતી, પરંતુ હવે તેને ખરાબ ગણવામાં આવતું નથી. આ જ કારણે ડિવોર્સનું પ્રમાણ સતત વધી રહ્યું છે.' (આવતીકાલે છૂટાછેડા સિરીઝના ચોથા એપિસોડમાં વાંચો, પત્નીએ ડિવોર્સ કેસમાં પૈસા માગવાને બદલે ક્લબની મેમ્બરશિપ માગી તો અન્ય કેસમાં પત્નીએ વટમાં આવીને પતિને ડિવોર્સ આપવાની ચોખ્ખી ના પાડી, મહિલાઓ ડોમેસ્ટિક વાયોલન્સના કેસ મોટાભાગે ખોટાં જ કરતી હોય છે...)

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 6:00 am

જોઈ લો પોલીસની ધક્કાગાડી, બંદોબસ્ત પહેલા જ ફૂસ્સ:રમેશ ધડુકે 'મેદસ્વિતા મુક્ત ગુજરાત' કેમ્પનો આરંભ કરાવ્યો; હવે સ્કૂલોમાં બાળકો મેડિટેશન કરશે!

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 5:55 am

ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:એજન્સીના માલિકનો 2021માં દેહાંત, પંચાયતે 2022માં બોગસ સહી કરી

જંબુસર તાલુકાના દેવલા ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ચોંકાવનારો ખુલાસો આરટીઆઇમાં થયો છે. એક વેપારી 2021માં મૃત્યુ પામ્યો હોવા છતાં પંચાયતના 2022ના બિલમાં તેની સહી જોવા મળી રહી છે. મૃત્યુ પામેલાં વેપારીએ બિલ પર સહી કેવી રીતે કરી તે સવાલ ઉભો થયો છે. ગ્રામ પંચાયતે ગુજરાત ટ્રેડર્સ નામની સિમેન્ટની એજન્સી પાસેથી 600 થી વધારે ગુણ સિમેન્ટની ખરીદી કરી હતી. એજન્સીના માલિક યાકુબ આદમ નવાબનું 27મી મે 2021ના રોજ દેહાંત થઇ ગયું હતું તેમ છતાં પહેલી જાન્યુઆરી 2022ના રોજ તેમણે 2.22 લાખના બિલ પર સહી કરી હોવાનું જોવા મળ્યું હતું. યાકુબ આદમના નામે દેવલા ગ્રામ પંચાયતમાં 31મી ડિસેમ્બર 2021નું એક, 1 જાન્યુઆરી 2022ના બે તથા 2 ફેબ્રુઆરી 2022ના એક મળી કુલ 4 બિલ પંચાયતના રેકોર્ડમાં બોલી રહયાં છે. 2021માં યાકુબભાઇનું દેહાંત થયું હોવા છતાં 2022ના બિલ પર તેમની સહિ જોવા મળે છે અને પંચાયતે આ રૂપિયાની ચુકવણી પણ કરી દેવામાં આવી છે. તેવી જ રીતે દિલિપ પંચાલ નામના વેલ્ડરને 3.77 લાખ રૂપિયા પંચાયત તરફથી ચૂકવવામાં આવ્યાં છે જયારે દિલિપ પંચાલ 8 વર્ષથી દેવલા ગામમાં આવ્યાં જ નથી. ગ્રામ પંચાયતના સત્તાધીશોએ કુલ 23.70 લાખનો ભ્રષ્ટાચાર બોગસ બિલ તથા બોગસ સહીઓ કરીને કર્યો હોવાનો ઘટસ્ફોટ આરટીઆઇમાં થયો છે. તવકકલ ટ્રેડર્સના 4.42 લાખના બિલોમાં ગોબાચારી‎મૃતકની અસલ સહી દેવલા ગ્રામ પંચાયતે તવકકલ ટ્રેડર્સ પાસેથી સિમેન્ટની ખરીદી કરી હતી. જેમાં પહેલી નવેમ્બર 2011ના રોજ 1619 નંબરનું બિલ, 4 નવેમ્બરના રોજ 1620 નંબરનું, 1621 નંબરનું બિલ પણ નવેમ્બર મહિનામાં મંજૂર કરવામાં આવ્યું હતું. 1622 નંબરનું બિલ 18મી ડિસેમ્બરના રોજ જયારે 1623 નંબરનું બિલ 22મી નવેમ્બરના રોજ મંજૂર કરવામાં આવ્યું હતું. કામો પૂરા થયા બાદ મટિરિયલ આવ્યું‎દેવલા ગામમાં ભરકોદરા રોડ ખરી પ્રોટેકશન વોલ, ગામ તળાવ પ્રોટેકશન વોલ, બારીવાળી ખડકી સીસી રોડ, અજમેરી મસ્જિદ સીસી રોડ, ઇકબાલ દાઉદના ઘરથી ગોરધન તરફનો રોડ, ઇકબાલ નાકના ઘરથી મોટી મસ્જિદ સુધીનો રોડ, મસ્જિદે ઇબ્રાહીમથી નાના તળાવ રોડ, પાછલી ખડકીથી મોટી મસ્જિદ રોડ અને મોટી મસ્જિદથી ચકલા તરફના સીસી રોડના કામમાં ગોબાચારીનો આક્ષેપ થયો છે. આ તમામ કામોમાં કામ પુરા થયા બાદ મટીરીયલ આવ્યું હોવાનું તથા બિલોમાં સહી સહિતની અનેક ક્ષતિઓ જોવા મળી હતી. પૈસા ચૂકવી દીધા બાદ ઠરાવમાં‎લેવાયેલાં બિલોની વિગતો‎

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 5:53 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:મહિલા BLOની વ્યથા : 3 દિવસથી ઘરે રસોઈ નથી બનાવી, અમુક વિસ્તારમાં પતિ-પુત્રને સાથે રાખવા પડે છે

સેતુગીરી ગોસ્વામી જિલ્લામા 1518 બીએલઓને 14.50 લાખ જેટલા મતદારોના ઘરે જઈને એસઆઈઆરની પ્રક્રિયા કરીને મતદાર યાદી સુધારણાનુ કાર્ય સોંપાયું છે ત્યારે દિવ્ય ભાસ્કર દ્વારા 5 મહિલા અને 4 પુરુષ બીએલઓ સાથે જઈને તેમની કામગીરી અંગેનો ગ્રાઉન્ડ રિપોર્ટ કરાયો હતો. જેમાં બીએલઓને થતી મુશ્કેલીઓ અને નાગરિકો દ્વારા તેમને અપાતા જવાબોનો સર્વે હાથ ધરાયો હતો. 80 ફૂટ રોડ, જોરાવરનગર, વઢવાણ અને દાળમિલ સહિત તમામ 13 વોર્ડમાં બીએલઓ દ્વારા પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. તેમાં બીએલઓને અધિકારીઓ દ્વારા કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે વારંવાર દબાણ કરાતું હોવાનું પણ સામે આવ્યું હતું. જ્યારે સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કરાવ્યા બાદ ફિલ્ડ વર્કમાં જનાર બીએલઓનું કાર્ય કરનાર મહિલા શિક્ષીકાઓને મતદારો દ્વારા ઉડાઉ જવાબો અપાતા હોવાનું પણ જાણવા મળ્યું હતું. ઘણી જગ્યાએ ઘર નંબર નથીઆપેલ પીડીએફમાં ક્યાંય ચોક્કસ સરનામા નથી. તંત્રે પહેલા દરેક ઘરને કાયમી નંબર આપી દેવા જોઈએ જેથી અત્યારે અને ભવિષ્યમાં પણ આવી કામગીરી સરળ બને. ભાડૂઆત મતદારો મકાન બદલે એટલે ઘર મળતા નથી દાદી અંતિમ શ્વાસ લઈ રહ્યા છે, મળવા નથી જઈ શકાતું

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 5:42 am

ભાસ્કર ઈનસાઈડ:ICDSના પ્રોગ્રામ ઓફિસરનો મહિલા બાળવિકાસ ચેરમેન ઉપર હુમલો

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ભાજપની સ્પસ્ટ બહુમતીની બોડી હોવા છતા સદસ્યોમાં અંદરો અંદર સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. આથી જ મોટાભાગના ચેરમેનો પંચાયતે આવવાનું ટાળી રહ્યાં છે ત્યારે મહિલા અને બાળ વિકાસના મહિલા ચેરમેન ઉપર આઇસીડીએસના પ્રોગ્રામ ઓફિસરે ચાલુ ઓફિસે હુમલો કરતા ખળભળાટ મચી ગયો હતો. આ મામલે મંગળવારે ચેરમેન ગાંધીનગર દોડી ગયા હતા. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં મહિલા અને બાળ વિકાસ કમિટીના ચેરમેન નંદુબેન ગુણવંતભાઇ વાઘેલા છે.તેમણે પોલીસને આપેલી અરજીમાં જણાવ્યુ છે કે તેઓ પોતાની ઓફિસમાં બેઠા હતા ત્યારે ચેરમેન હોવા છતાં અમને કાઇ જાણ કરતા ન હતા નંદુબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, હું જિલ્લા પંચાયતમાં મહિલા અને બાળ વિકાસ ખાતાના ચેરમેન છું. આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન જીડીયા તમામ નિર્ણય પોતાની મનસ્વી રીતે જ લેતા હતા.ચેરમેન હોવા છતાં અમને કોઇ નિર્ણય બાબતે જાણ કરતા ન હતા.ગાડીઓના બીલ ચૂકવવા,ભરતી કરવી, નોટીસો આપવામાં આવે તેની પણ અમને કાંઇ કહેતા ન હતા.આ બાબતે વાત કરવા માટે ગઇ હતી.ત્યારે ગાડીના પૈસા ચૂકવવા બાબતે કહેતા તે ઉશ્કેરાઇ ગયા અને વાળ ખેંચીને હુમલો કર્યો હતો. 1 ગાડીને 22,500નું ચુકવણું, ગેરરીતિની રાવ જિલ્લા પંચાયતમાં આઇસીડીએસ વિભાગમાં તાલુકા કક્ષાએના ઘટકો સહિતના અધિકારીઓ માટે તથા માલ સામાન માટે કુલ 14 ગાડીઓ ભાડે રાખવામાં આવી છે. એક ગાડીના મહિને રૂ.22500 ચૂકવવામાં આવે છે.તેમાં ગાડીને 25થી 50 કિમી સુધી ફેરવીને પુરે પુરૂ બીલ લેવામાં આવે છે.આ બાબતે તપાસ થાય તો મોટુ કૌભાંડ નિકળે તેમ છે. પ્રોગ્રામ ઓફિસર તેમની ચેમ્બરમાં આવ્યા હતા. બારણુ બંધ કરી દીધુ હતું. ત્યારે અમે તેમને કહ્યું હતું કે, જે ભાડે ગાડીના પૈસા બાકી છે તે ચૂકવી આપો.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 5:38 am

ભાસ્કર બ્રેકિંગ:હવે ગાંધી હોસ્પિ.માં દર્દીને રિપોર્ટ લેવા ધક્કો નહીં ખાવો પડે, ફોનમાં આવી જશે

સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ એટલે કે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી પ્રિન્ટેડ કાગળમાં વિવિધ રિપોર્ટના ખાલી ખાનામાં હાથથી લખેલા પેથોલોજી રિપોર્ટ દર્દીઓને આપવામાં આવતા હતા. પરંતુ હવે અહીં સારવાર માટે આવતા તમામ દર્દીઓને નિ:શુલ્ક પ્રિન્ટેડ ડિજિટલ અઘતન પેથોલોજી રિપોર્ટ તેમના સ્માર્ટ ફોનમાં વ્હોટ્સએપ ઉપર સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આગામી 10થી 15 દિવસમાં આપવાનું શરૂ કરી દેવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે દૈનિક 450થી વધુ ઓપોડી નોંધાતા દર્દીઓની ભીડ રહે છે. અહી આવતા દર્દીઓને તબીબનું કન્સલ્ટિંગ કરાવ્યા પછી બ્લડ અને યુરિનના સેમ્પલ આપ્યા બાદ અમુક કલાકો પછી તેનો પેથોલોજી રિપોર્ટ લેવા માટે બીજો ધક્કો ખાવો પડતો હતો. પરંતુ હવે હોસ્પિટલના સીડીએમઓ અને પેથોલોજિસ્ટ વર્ગ-1 ડોકટર તેમજ દાતાના પ્રયાસોથી લેબોરેટરી ઇન્ફોર્મેશન સિસ્ટમ (એલઆઈએસ)ની મદદથી સિવિલમાં સારવાર લેવા આવતા તમામ દર્દીઓને તેમના દર્દીની મેડિકલહિસ્ટ્રી આંગળીના ટેરવે જાણી શકાશેહાથથી લખેલા રિપોર્ટને બદલે ડિજિટલ પ્રિન્ટેડ રિપોર્ટમાં ભૂલ થવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે. દર્દીઓને રિપોર્ટ લેવા માટે સ્પેશિયલ આવવું પડતું હતું, તે ધક્કાથી તેમને મુક્તિ મળશે. પોતાની પાસે સ્માર્ટ ફોનમાં લાંબો સમય સુધી રિપોર્ટ સાચવી શકશે અને ફરીથી બતાવવા આવે ત્યારે તે સમયે પણ આસાનીથી એક ક્લિકથી પોતાના મોબાઈલમાં ડોક્ટરને રિપોર્ટ થકી પોતાની મેડિકલ હિસ્ટ્રી બતાવી શકશે. તબીબને સારવારમાં પણ સરળતા રહેશેહોસ્પિટલના સીડીએમઓ ડો. ચૈતન્યકુમાર પરમારે જણાવ્યું કે, પૂર્વ ધારાસભ્ય ધનજીભાઈ પટેલ દ્વારા આ હોસ્પિટલને અંદાજે રૂ. 70,000થી વધુની કિંમતનું પ્રિન્ટર ફાળવવાનું છે. તેની કાર્યવાહી પણ ચાલુ થઇ ગઇ છે. આગામી સમયમાં પ્રયાસો કરાશે કે રિપોર્ટ થકી પોતાની મેડિકલ હિસ્ટ્રી જાણી શકે. આ ઉપરાંત સારવાર કરવા માટે આવનાર દર્દીએ જે ડોક્ટરનું કન્સલ્ટિંગ કરાવ્યું છે તે ડોક્ટરને પણ સીધો જ તેના મોબાઈલ ઉપર આ રિપોર્ટ આપી દેવામાં આવશે. જેથી જે-તે તબીબને ઈન્ડોર કે આઉટડોર પેશન્ટની દવા ઝડપી કરવામાં વધુ સુઘડ બનશે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 5:35 am

ચેકિંગ:દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટને લઇ જિલ્લામાં પોલીસ એલર્ટ, રેલવે સ્ટેશને ચેકિંગ કરાયું

દિલ્હી લાલ કિલ્લા પાસે બોમ્બ વિસ્ફોટની માહિતીને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું હતું. આથી જિલ્લામાં પણ પોલીસ હાઇવે પર, બજારોમાં અને બસસ્ટેન્ડ સહિતની ભીડવાળી જગ્યાએ તપાસ હાથ ધરી હતી. જ્યારે રેલ્વે સ્ટેશનેને ઇન્સ્પેક્ટર વિનોદ કુમાર શર્મા સુરેન્દ્રનગર, સ્ટાફ અને જીઆરપી સુરેન્દ્રનગર, સ્ટાફ અને ડોગ ઝૈનો અને ડોગ સ્ક્વોડ સ્ટાફ સાથે, સુરક્ષા પાસાને ધ્યાનમાં રાખીને, સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન પર પેસેન્જર ટ્રેન મુસાફરો, સ્ટેશન એક્સટેન્શન, રેલ્વે પરિસર, પાર્સલ વિસ્તાર, વેઇટિંગ હોલ અને પાર્કિંગમાં તોડફોડ વિરોધી તપાસ અને ચેકિંગ કરાયું હતું.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 5:31 am

ભાસ્કર નોલેજ:પાટણ શહેરમાં 10 દિવસમાં 412 લોકોને‎શ્વાને બચકાં ભર્યાના સિવિલમાં કેસ‎

પાટણ જિલ્લામાં શિયાળાની શરૂઆત થતાની સાથે જ શ્વાન કરડવાના કેસોમાં વધારો થયો છે.છેલ્લા 10 દિવસમાં પાટણ સિવિલમાં 412 કેસ નોંધાયા છે.23 મહિનામાં 10459 લોકોને શ્વાન કરડવાના કેસ માત્ર સિવિલમાં નોંધાયા છે. પાટણ શહેરમાં રખડતા શ્વાન કરડવાના કેસ શિયાળો આવતા જ વધવા પામ્યા છે. જેમાં રાહદારીઓ અને વાહન ચાલકોને છેલ્લા 23 માસ કુલ 10459 લોકોને શ્વાન કરડવાના કેસ પાટણ સરકારી સિવિલમાં નોંધાયા છે.વર્ષ પ્રમાણે જોઈએ તો 2024માં કુલ 5480 લોકોએ શ્વાન કરડવાના કેસ નોંધાયા હતા. જેમાં જાન્યુઆરી મહિનામાં 619,ફેબ્રુઆરીમાં 486, માર્ચમાં 528,એપ્રિલમાં 472,મે 523,જુનમાં 384,જુલાઈ 278, ઓગસ્ટમાં 270, સપ્ટેમ્બરમાં 234,ઓક્ટોબરમાં 432, નવેમ્બર 586 અને ડિસેમ્બર 663 લોકોને શ્વાન કરડવાના કારણે ઇન્જેક્શન લેવા પડ્યા હતા. શિયાળો આવતા શ્વાન વધુ આક્રમક બને છે ઠંડીના કારણે શ્વાનમાં આક્રમકતા વધુ હોય છે.ભાદરવા મહિનામાં મૈત્રીનો સમય હોય 60 દિવસ બાદ માદા શ્વાનનો પ્રસૂતિ થતા જેના કારણે માદા શ્વાન પોતાના બચ્ચાઓના રક્ષણ માટે આક્રમક થઈ જતી હોય છે.તેની પાસે થી કોઈ નીકળે તો તેને કરડે છે. ભાદરવા મહિનામાં સહિત શિયાળાના શરૂઆતના બે માસમાં શ્વાન કરડવાના કેસ વધુ સામે આવે છે.તેવું પશુ ચિકિત્સા અધિકારી ડો.નિલેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 5:23 am

ભાસ્કર એક્સક્લૂસિવ‎:હરિયાણાના 66 વર્ષના નિવૃત્ત આર્મીમેને માત્ર દોઢ મહિનો પ્રેક્ટિસ કરીને 21 કિલોમીટરની મેરેથોન દોડ 2.29 કલાકમાં પૂરી કરી પ્રથમ નંબર મેળવ્યો

મહેસાણા શહેરમાં આંતરરાષ્ટ્રીય નિયમો હેઠળ પ્રથમવાર યોજાયેલી મેરેથોન દોડની સ્પર્ધામાં ઉત્તર ગુજરાત ઉપરાંત નવસારી, ભરૂચ, સુરત અને મુંબઈ સહિતના શહેરોમાંથી કુલ 500 દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં 66 વર્ષિય સ્પર્ધક ધરમવીરસિંઘે માત્ર દોઢ મહિનાની પ્રેક્ટિસ કરી પ્રથમ નંબર મેળવ્યો હતો. મેરેથોન 5, 10, 21 અને 42 કિલોમીટર એમ ચાર શ્રેણીમાં યોજાઈ હતી. કાર્યક્રમની શરૂઆત મહેસાણાના ઇસ્કોન મંદિરથી કરાઇ હતી. 42 કિલોમીટરની ફુલ મેરેથોનમાં 36 થી 45 વર્ષની વય જૂથના અજયકુમાર સિંઘે 2 કલાક 59 મિનિટમાં અંતર પૂર્ણ કરી નવો રેકોર્ડ રચ્યો હતો. એ જ વય જૂથમાં રાકેશ પટેલે હાફ મેરેથોન 1 કલાક 22 મિનિટમાં પૂરી કરી શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું હતું. મહેસાણા ઇન્ડિયન સાયકલ ક્લબના 60થી વધુ સભ્યોએ પણ વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો. જેમાં ડૉ. નિર્ભય દેસાઇએ 46 થી 55 વય જૂથમાં 3.58 કલાકમાં દોડ પૂર્ણ કરી બીજું સ્થાન મેળવ્યું હતું. ઉત્સવ મિસ્ત્રીએ 18 થી 25 વય જૂથની હાફ મેરેથોનમાં ત્રીજો ક્રમ મેળવ્યો હતો. 10 કિલોમીટરની દોડમાં અંજનાબેન પટેલે બીજું, ડૉ.દીપક રાજગોરે ત્રીજું અને અશોક તડવીએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ મેરેથોનનું આયોજન 18 કિમી ગ્રુપ, મહેસાણા ઇન્ડિયન સાયકલ ક્લબ અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે થયું હતું. 25 વર્ષ પછી મેરેથોન દોડનાર 66 વર્ષિય સ્પર્ધક પ્રથમ નંબરે‎હરિયાણાના 66 વર્ષિય નિવૃત્ત આર્મીમેન ધરમવીરસિંઘે જણાવ્યું કે, હું મોર્નિંગવોક કરી રહ્યો હતો, ત્યારે મિત્રોએ મેરેથોન વિશે માહિતી આપી. માત્ર દોઢ મહિનો મેરેથોનની પ્રેક્ટિસ કરી. 25 વર્ષ બાદ મારી દોડ થવા જઇ રહી હતી, એટલે હું ખૂબ જ ઉત્સુક હતો. 21 કિલોમીટરની આ દોડમાં 20 કિલોમીટરનું અંતર ક્યાં કપાઇ ગયું તેનો ખ્યાલ જ ન રહ્યો. છેલ્લું એક કિલોમીટરનું અંતર કાપતાં થાકનો અહેસાસ થયો, પરંતુ હિંમત રાખી દોડ પૂરી કરી, ત્યારે ખ્યાલ આવ્યો કે આ દોડ મેં 2.29 કલાકમાં પૂર્ણ કરી 65 વર્ષથી વધુની કેટેગરીમાં પ્રથમ નંબર આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 5:21 am

ફૂડ વિભાગની બિનસિઝનમાં તપાસ:રાધનપુર રોડની 10 રેસ્ટોરન્ટમાં સડેલા બટાકા, ગ્રેવી સહિત વસ્તુનો નાશ કરાયો

મહેસાણાના રાધનપુર રોડ પર આવેલી હોટલો અને રેસ્ટોરન્ટમાં મંગળવારે મોડી સાંજે ફૂડ વિભાગે તપાસ આદરી બટાકા, ગ્રેવી સહિત વસ્તુનો નાશ કરાયો હતો. જેને પગલે રેસ્ટોરન્ટ અને હોટલ સંચાલકોમાં ફફડાટ પ્રસરી ગયો હતો. ફુડ વિભાગની ટીમ દ્વારા મંગળવારે સાંજે રાધનપુર રોડ પર આવેલ જયવીર ભાજીપાઉં, નીલકંઠ રેસ્ટોરન્ટ, કાઠીયાવાડી જાયકા, સાઉથ ઢોંસા, ચૂલા ઢોંસા અને ખાઉગલી સહિતના હોટલ અને રેસ્ટોરન્ટ મળી 10થી વધુ એકમોમાં ફ્રિજ સહિતની વસ્તુઓનું ચેકિંગ કરી તપાસ હાથ ધરી હતી. જેમાં 15 કિલો અડદ દાળ, 8 લિટર બળેલુ તેલ, 15 કિલો મિક્સ ચટણી, 3 લિટર છાશ, 7 કિલો સડેલા બટાકા, 3 કિલો ગ્રેવી, 1 કિલો લુઝ બટર કબજે કરી, આ તમામ અખાદ્ય વસ્તુઓનો સ્થળ પર જ નાશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, દિવાળી અને નવરાત્રીમાં તહેવારોમાં જ્યાં મોડી રાત સુધી હોટલો અને રેસ્ટોરન્ટો ગ્રાહકોથી ધમધમતી હતી તેવા સમયે ચેકિંગ નહીં કરનાર ફૂડ વિભાગ દ્વારા બિન સિઝનમાં કરાયેલા ચેકિંગે ભારે ચર્ચા જગાવી હતી.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 5:20 am

પિતા-પુત્રમાં ફરિયાદ:5 વર્ષમાં ડબલની લાલચ આપી ઠગ પિતા-પુત્રએ 18 લાખનું ફૂલેકું ફેરવ્યું

મહેસાણાના હબટાઉનમાં સંજીવની ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી ખોલીને લોકોને પાંચ વર્ષમાં રૂપિયા ડબલ કરવાની લાલચ આપી એફડી કરેલ રૂપિયાની પાકતી તારીખ આવે તે પૂર્વે માત્ર બે જ વર્ષમાં ક્રેડિટ સોસાયટી બંધ કરી ગુમ થઈ ગયેલા રાજસ્થાન બાડમેરના પિતા-પુત્ર સામે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. હાલ મહેસાણા તાલુકાના વડસ્માના એક જ પરિવારના 7 સભ્યો આ ક્રેડિટ સોસાયટીમાં રોકાણ કરીને છેતરાયો હોવાનું બહાર આવ્યું છે અને તે પરિવાર પોલીસ મથકે પહોંચતા ફરિયાદ નોંધાઇ છે. બીએસએનએલના નિવૃત્ત કર્મચારી, વડસ્માના જીલુજી કેશુજી ચાવડાને 2017માં મોઢેરા ચોકડી પર હબટાઉનમાં આવેલી સંજીવની ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના મેનેજરે તેમને મૂડી 4 વર્ષમાં ડબલ કરી અપાશે અને જો તમે ખાતામાં મૂડી રાખશો તો તમને બેન્કિંગ વ્યાજ કરતાં પણ ઊંચું વ્યાજ આપે છે એની વાત કરતાં, તેમણે 22 મે, 2018ના રોજ તેમનું સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવ્યું હતું અને પાંચ વર્ષે ડબલ કરી આપવાનું કહ્યા બાદ રૂ.1,99,500ની ફિક્સ ડિપોઝિટ મૂકી હતી. ત્યાર બાદ તેમની મૃત પત્ની, બે પુત્ર અને તેમની બે પુત્રવધૂ અને તેમની પુત્રી સહિતના નામે રૂ.1,99,500થી લઇને રૂ.3,27,500ની મળી કુલ રૂ.13.90 લાખની ફિક્સ ડિપોઝિટ તેમના પરિવારના સાત સભ્યોના નામે મૂકી હતી. પાંચ વર્ષ પછી તેમની ફિક્સ ડિપોઝિટ પાકે તે પૂર્વે 2019માં આ ક્રેડિટ સોસાયટીની ઓફિસ બંધ થઈ ગઈ હતી. છેતરાયેલા લોકો પોલીસનો સંપર્ક કરે2017માં મહેસાણા ખાતે ખુલેલ સંજીવની ક્રેડિટ સોસાયટીમાં માત્ર જિલુજી ચાવડાનો જ પરિવાર નહીં, પરંતુ મહેસાણાના અનેક લોકો છેતરાયા હોવાનું પોલીસ પણ માની રહી છે. જેને લઇ બી ડિવિઝન પીઆઈ નિલેશ ઘેંટિયાએ અપીલ કરી કે, આ ક્રેડિટ સોસાયટીમાં ખાતું ખોલાવીને સેવિંગ્સમાં કે એફડીમાં રૂપિયા મૂકીને છેતરાયેલા લોકો પોલીસનો સંપર્ક કરી શકે છે. અમદાવાદમાં પણ‎ઓફિસ બંધ કરી દીધી‎‎મહેસાણાની જેમ અમદાવાદમાં પણ‎2017માં ખોલેલી સંજીવની ક્રેડિટ‎સોસાયટીની ઓફિસ 2019માં‎રાતોરાત બંધ કરી દીધી હતી.‎અમદાવાદમાં પણ લોકો છેતરાયા છે‎પરંતુ ત્યાં કોઇ ફરિયાદ નોંધાઇ નથી.‎પાંચ વર્ષમાં રૂપિયા ડબલ કરી આપવાનું‎કહી પિતા-પુત્રએ કરોડોનું ફૂલેકું ફેરવી‎ગુમ થઈ ગયા હોવાનું મનાય છે.‎

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 5:18 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:દેલા વસાહતમાં જ લાગ્યું BLO સર

મહેસાણાની દેલા વસાહતમાં બપોરે 12 વાગ્યે નીકળતાં અડધા ભાગના ઘર બંધ જોવા મળ્યા. અહીં શ્રમિક વર્ગ રહેતો હોઇ બાળકો સરકારી નિશાળ જાય અને માતા-પિતા મજૂરીકામે જતા હોય છે. ઘણા ખરા રિક્ષાચાલકોનો વસવાટ છે. 1200 આસપાસ મતદારોને વિસ્તારમાં મતદાર યાદી સુધારણાના ગણતરી ફોર્મ મહિલા બીએલઓ વિતરણ કરી રહ્યાં છે. વિસ્તારની શાળાએ પહોંચતાં છ મહિલાઓ બીએલઓની રાહ જોતાં હતાં. મહિલા બીએલઓ 12.30 વાગે આવતાં શાળા સંકુલમાં ગણતરી ફોર્મ કામગીરીનું ટેબલ લગાવ્યું, ફોર્મ ભરતાં ન આવડે તેમના નામ વર્ષ 2002ની યાદીમાં મોબાઇલથી સર્ચ કરીને ભરી આપવાની કામગીરીમાં લાગી ગયાં. સરકારી શાળામાં એક રૂમની ઘટ છે, આવામાં બાળકોના શિક્ષણને અસર ન થાય એટલે બીએલઓ શિક્ષિકા સંકુલમાં જ ટેબલ લગાવીને ગણતરી ફોર્મની કામગીરી કરી રહ્યાં છે. મહિલા બ્લોક લેવલ ઓફિસરે કહ્યું કે, વિસ્તારમાં ઘણા ખરા મતદારો દિવસે ઘરે મળતાં નથી, એટલે રાત્રે અહીં ગણતરી ફોર્મ વિતરણ કર્યા. કેટલાક મતદારો સ્થળાંતર કરી ગયાં હોય તેમના પાડોશી મારફતે સંપર્ક કરીને ફોર્મ પહોંચાડ્યાં. મંગળવારે સવારે કેટલાક ઘરએ ફોર્મ કલેકશન કર્યુ, ન આવડે તેમને શાળાએ બપોરે આવવા કહેલું એટલે આ બધા આવી રહ્યા છે, હવે ફોર્મ ભરી આપીશું. અહીં એક મહિલા મતદાર કોરું ફોર્મ લઇને આવ્યા. તેમની પાસે વર્ષ 2002ના કોઇ ડેટા નહોતા, માત્ર આધારકાર્ડ લઇને આવેલા. મતદાર દીપાલીબેને કહ્યું અમે સહી કરીને ફોર્મ ભરી લાવ્યા છીએ, બેન ચકાસણી કરી લે પછી તેમને જમા કરાવી દઇએ. BLO શિક્ષકોને નિયમિત ફરજમાંથી છૂટછાટ અપાઇબુથ લેવલ ઓફિસર સાત દિવસથી સરની કામગીરીમાં ઘરે ઘરે ફરીને મતદારોને ગણતરી ફોર્મ વિતરણ અને કલેક્શન સહિતની કામગીરી કરી રહ્યા છે. આ રાષ્ટ્રીય કામગીરી સમય મર્યાદામાં પૂરી કરવાની છે. બીજી તરફ, શાળામાં પણ શિક્ષકોએ જવાનું હોય છે. આથી બીએલઓ ફરજના કર્મચારીઓને તેમની નિયમિત ફરજોમાંથી છૂટછાટ આપવા જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેક્ટર દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને પરિપત્ર કર્યો હતો. જે આધારે શિક્ષ્ણ વિભાગે તમામ બીઅલઓને છૂટછાટ અંગેનો પત્ર કર્યો છે. સ્લમ વિસ્તારમાં મતદારો શોધવા પડકારલશ્કરી કૂવા વિસ્તારની યાદીમાં ઘર નંબર દર્શાવેલ છે પણ વિસ્તારમાં ઘરના નંબર જ નથી. આવામાં બીએલઓની કસોટી થઇ રહી છે. આવી હાલત પરા પ્રદૂષણપરા, સુખાપુરા, મગપરા વગેરે સ્લમ વિસ્તારમાં ચોક્કસ સિરિઝવાઇઝ મતદારોના સરનામાના અભાવે ગણતરી ફોર્મમાં દર્શાવેલ ફોટા જોઇને ફોર્મ વિતરણ કરાય છે. સ્લમ વિસ્તારના પુરુષ બીએલઓએ કહ્યું કે, મતદારને શોધીને તેમના નામ, ફોટાવાળું ગણતરી ફોર્મ વિતરણ કરવામાં જ કસરત થઇ રહી છે. કેટલાકના સરનામા લશ્કરી કૂવાના છે, પણ હાલ બહાર રહેતા હોઇ સંપર્ક મુશ્કેલ બને છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 5:16 am

રજૂઆત:પાટણ ડેપોમાં દુનાવાડા બાજુથી આવતી બસો રાણકીવાવ રોડ પર શરૂ કરવા માંગ

પાટણ ડેપોની રોડાથી દુનાવાડા થરા રૂટમાંથી પાટણ બસ ડેપોમાં આવતી એસટી બસોને કનસડા દરવાજા રાણકીવાવ રોડ દ્વારા ચાલુ કરવા બાબતે વિભાગીય નિયામકને રજુઆત કરી છે. પાટણ એસટી વિભાગ દ્વારા અગાઉ જુના સર્કિટ હાઉસ આગળ ટી આકારના રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજ બનતો હોવાને કારણે રોડા દુનાવાડા બાજુથી બસ ડેપો પાટણ તરફ જતી આવતી એસ ટી બસોને કનસડા દરવાજાથી વાયા હારિજ ત્રણ રસ્તા સાંઈબાબા મંદિરથી એસ.ટી ડેપોમાં જવા માટે રૂટ ડાયવર્ટ કરેલ હતો.પરંતુ આ રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજનું કામ પુરુ થઈ ગયું છે. અને તેના ઉપર વાહનોની અવરજવર પણ ચાલુ થઈ ગઇ છે.માટે પહેલાંના આ રૂટ ઉપર જ ઉપર એસટી બસ ચાલુ કરવામાં આવે તો ફુવારા રેલવે સ્ટેશન અને શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખૂબ જ સરળતા રહી શકે તેમ છે. તે માટે દુધારામપુરાના જાગૃત નાગરિક પરષોત્તમભાઈ પરમાર દ્વારા પાટણ તાલુકા પંચાયત સમાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમારને રજૂઆત મળતા તેમણે આ બાબતે વિભાગીય નિયામક મહેસાણાને લેખિત રજૂઆત કરી છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 5:13 am

જાહેરનામું:પાટણમાં કામ કરતા પરપ્રાંતીઓની ઓળખ ફરજિયાત કરાવી પડશે

પાટણ જિલ્લા અધિક મેજીસ્ટ્રેટ દ્વારા જિલ્લાના તમામ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સ્પા/મસાજ પાર્લર સંચાલકો, ઔદ્યોગિક એકમો, ફેક્ટરીઓ, જિનિંગ મિલો, સોલાર પ્રોજેક્ટ, ઇંટના ભઠ્ઠા, બાંધકામ કાર્ય, ખેતીકામ અને અન્ય ખાનગી સંસ્થાઓ દ્વારા કામે રાખવામાં આવતા પરપ્રાંતના (ગુજરાત રાજ્ય બહારના) તેમજ વિદેશી મજૂરો/કામદારોની સંપૂર્ણ ઓળખ ચકાસણી ફરજિયાત કરાઈ છે. અધિકારીએ જણાવ્યું કે હાલના સમયમાં અસંગઠિત ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં મજૂરોને રોજગારી આપવામાં આવે છે.પરંતુ રોજગારી આપતી વખતે તેમની ઓળખ, નાગરિકતા અને પૂર્વ ઇતિહાસ અંગેની પુષ્ટિ માટે યોગ્ય પ્રક્રિયા અપનાતી નથી. જેના કારણે અસામાજિક તત્વો, ગુનાહિત ઇતિહાસ ધરાવતા તથા ભારતીય નાગરિકતા ન ધરાવતા વ્યક્તિઓને રોજગારી મળી રહે છે, જે રાજ્યની આંતરિક સુરક્ષા માટે જોખમરૂપ છે.તાજેતરમાં સ્પા/મસાજ પાર્લર જેવી કેટલીક જગ્યા પર નશીલા પદાર્થોનું સેવન, દેહવ્યાપાર તેમજ અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ થતી હોવાના અહેવાલ મળ્યા છે. ઉપરાંત બહારના રાજ્યોમાંથી આવેલા મજૂરો સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈ ચોરી, લૂંટ, ઘરફોડ જેવી મિલકત વિરુદ્ધની ગુનાઓ આચરી પોતાના વતનમાં જતા હોય છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા હુકમ કરાયો છે.તમામ મજૂરોના નિયત નમૂનાના ફોર્મમાં ભરી સંબંધિત પોલીસ સ્ટેશનમાં ફરજિયાત રજૂ કરવાની રહેશે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 5:12 am

ગણતરી ફોર્મનું એકત્રીકરણ શરૂ:સ્લમ વિસ્તારમાં અશિક્ષિત મતદારોએ ફોર્મ ભર્યા ના હોય BLOને ભરાવવા પડી રહ્યા છે

પાટણ જિલ્લામાં સરની કામગીરીમાં ગણતરી ફોર્મ વિતરણની 90 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે હવે માત્ર 10 જ બાકી છે. જ્યારે 2002ની મતદારયાદી સાથે 60 ટકા મતદારોનું મેપિંગ થઈ ગયું છે. હાલમાં બીએલઓને ફોર્મ પરત લેવાની કામગીરી શરૂ કરી છે જેમાં સૌથી વધુ મુશ્કેલી સ્લમ વિસ્તારોમાં આ શિક્ષિત મતદારો હોય અપૂરતી માહિતીના કારણે અથવા ડોક્યુમેન્ટો પૂરતા ના હોય ફોર્મ ભર્યા જ ના હોય બેથી ત્રણ વાર ધક્કા ખાઈને ફોર્મ ભરાવાની પ્રક્રિયા કરવી પડી રહી છે. પાટણ જિલ્લામાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR)માં 1222 બુથ લેવલ ઓફિસરે ગણતરી ફોર્મ વિતરણની 90 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હવે ફરીથી ઘરે ઘરે ફરી ફોર્મ પરત લેવાની કામગીરી શરૂ કરી દીધી છે.પરંતુ ખાસ કરીને સ્લમ વિસ્તારમાં મતદારોએ ફોર્મ ભર્યા માં વિગતો ભરી હોતી નથી જેના કારણે બી.એલ.ઓને જાતે જ મતદારોની પ્રાથમિક વિગતો ભરવી પડી રહી છે. એક ફોર્મ ભરતા તેમને લગભગ પાંચ મિનિટ થાય છે. જે ઘરમાં લગભગ ચાર થી પાંચ સભ્યો હોય છે ત્યાં એક ઘર પાછળ 15 મિનિટ જેટલો સમય લાગી રહ્યો છે. ઘણા ઘરોમાં લોકો તેમના ધંધા રોજગાર પર જતા રહ્યા હોય છે ઘરે માત્ર વૃદ્ધો જ મળે છે તેમની પાસે થી ખાસ કંઈ વિગતો મળતી નથી. એટલે આખો દિવસ આ કામગીરી પાછળ દોડે ત્યારે માંડ 50 જેટલા ફોર્મ પરત મેળવી શકે છે.બી.એલ.‌ઓ જે ફોર્મ મેળવી રહ્યા છે.તેને તેઓ બી એલ ઓ એપમાં સ્કેન કરી ઓનલાઇન પણ કરે છે. આ ગણતરી ફોર્મ પરત મેળવ્યા બાદ તેમાં 2002ની મતદાર યાદી પ્રમાણે વિગતો પડશે એટલે બી.એલો ને ઘરે આવ્યા બાદ પણ આ કામગીરી કરવી પડી રહી છે. ચાર ડિસેમ્બર સુધી ફોર્મ પર જ લેવાની કામગીરી ચાલશે. મહિલા બીએલઓને પરિવાર માટે ટિફિન બંધાવવા પડ્યાસરની કામગીરીમાં ખાસ કરીને મહિલા બી.એલ.ઓને વધારે મુશ્કેલી પડી રહી છે કારણ કે પરિવારની જવાબદારી સાથે તેમણે આ કામગીરી કરવી પડી રહી છે. પાટણના એક મહિલા બી.એલ.ઓ આ કામગીરી કરવા માટે તેમના પરિવારના તમામ સભ્યોના ટિફિન બંધાવવા પડ્યા છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 5:10 am

ભાસ્કર ઈનસાઈડ:પાટણના ચાર તાલુકાના 80 હજાર ખેડૂતોને અતિવૃષ્ટિની સહાય મળશે, માવઠાંની નહીં

પાટણ જિલ્લામાં સપ્ટેમ્બર માસમાં પડેલા ભારે વરસાદથી સાંતલપુર, રાધનપુર, સમી, શંખેશ્વર તાલુકામાં 1.38 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોને થયેલા નુકસાનના વળતર પેટે સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજમાંથી 221 ગામોનાં અંદાજે 80,000 ખેડૂતોને 300 કરોડથી વધુ સહાય મળશે. રાહત પેકેજ માટે ફોર્મ ભરાવાનો પ્રારંભ થતાં પ્રથમ દિવસે જિલ્લામાં 4 તાલુકામાંથી 300 ખેડૂતોએ રાહત પેકેજ પોર્ટલ પર અરજી કરી હતી. જિલ્લામાં અતિવૃષ્ટિની સહાય ચાર તાલુકામાં ખેડૂતોને મળી છે પરંતુ માવઠામાં ભારે નુકસાન થતા પણ જિલ્લાનો સહાય સમાવેશ ના હોય ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સાંતલપુર, રાધનપુર, સમી, શંખેશ્વર તાલુકામાં અતિવૃષ્ટિને લઈ કપાસ, દિવેલા, કઠોળ, મગફળી, ઘાસચારો સહિતના ખરીફ પાકોને નુકસાન થતા તલાટીઓની 50 સંયુક્ત ટીમોએ 1.85 લાખ હેક્ટરમાં સર્વે કર્યો હતો. જેમાં 1.38 લાખ હેક્ટર એટલે કે 75 ટકા વિસ્તારમાં ચાર તાલુકાના 221 ગામોમાં અંદાજે 80,000 ખેડૂતોને નુકસાન થયું હતું. ખેડૂતોને થયેલ નુકસાનીની સહાય ચૂકવવા માટે સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે.જેમાં અસરગ્રસ્ત ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં હેક્ટરે રૂ.22,000 સહાય આપવામાં આવશે. આમ કુલ 1.38 લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકમાં નુકસાનીની સહાય પેટે કુલ રૂ.300 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવશે.જોકે આ કૃષિ સહાય પેકેજમાં 4 તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોને જ સહાય મળશે. બાકીના પાંચ તાલુકામાં થયેલાં કમોસમી વરસાદનાં નુકસાનીની સહાયનો આ પેકેજમાં સમાવેશ નથી. પાણી ભરેલા ખેતરોને હેક્ટરે વધુ 20,000 સહાય મળશે ભારે વરસાદના કારણે ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા હોય અને રવિ પાકનું વાવેતર કરી શકે તેમ ન હોય તેવા ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા ખાસ કિસ્સામાં રૂ 20,000 પ્રતિ હેક્ટર લેખે 2 હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે તેના માટે પણ ખેડૂતે અરજી કરવી પડશે. તંત્ર તેની તપાસ કરી સહાય માટે મંજૂરી આપશે. ગામના VCE મારફતે 15 દિવસ સુધી ફોર્મ ભરાશે ખેડૂતોએ આ કૃષિ સહાય પેકેજ હેઠળ સહાય મેળવવા માટે 11 નવેમ્બરથી આગામી 15 દિવસ સુધી કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે. અસરગ્રસ્ત ખેડૂતો તેમના ગામના વીસીઇ/ વીએલઇના માધ્યમથી સમય મર્યાદામાં કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર અરજી કરી શકશે.ફોર્મ ભરવા માટે ખેડૂતને 7/12 , 8Aના ઉતારા , બેંકની વિગતો માટે પાસ બુક, આધાર કાર્ડની ઝેરોક્ષ સાથે રાખવી પડશે. માવઠામાં ભારે નુકસાન છતાં કંઈ સહાય નહીં‎તાજેતરમાં માવઠામાં જિલ્લામાં અનેક ગામોમાં પાકોને નુકસાન થયું‎છે. છતાં પાક નુકસાનની સહાય સરકાર દ્વારા મંજૂર કરાઈ નથી. જે‎બાબતે સરસ્વતીના ખેડૂતો વાઘાજી, શ્રવણજીએ જણાવ્યું હતું કે‎અમારે માવઠામાં ભારે નુકસાન છે છતાં સરકાર કશું સહાય આપતી‎નથી. અમારે હાલમાં બિયારણ અને વાવેતરના ખર્ચ કરવા માટે પણ‎પૈસા નથી ઉછીના લેવાની ફરજ પડી રહી છે. સરકાર દ્વારા રહેમ‎નજર હેઠળ સમગ્ર જિલ્લાને સહાય આપે એવી અમારી માંગ છે.‎

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 5:05 am

દૂષિત પાણીની સમસ્યા:પાટણમાં સાલવીવાડામાં દૂષિત પાણીની સમસ્યા હલ ન થતા રહીશોની ચૂંટણી બહિષ્કારની ચીમકી

પાટણના સાલવીવાડા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી પીવાનું પાણી દૂષિત અને દુર્ગંધ મારતું આવતું હોય રજૂઆત થતા પાલિકા દ્વારા દૂષિત પાણીની સમસ્યા લોકો નિરાકરણના લાવતા સ્થાનિક રહીશોમાં નગરપાલિકા સામે રોષ વ્યકત કર્યો હતો. શહેરના સાલવીવાડા વિસ્તારમાં આવેલ રતનપોળ,ભરવાડ વાસ,ભઠ્ઠીનો માઢ અને થાનૈયાવાસમાં દૂષિત દુર્ગંધવાળું પાણી આવતા સ્થાનિક રહીશોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાઈ છે.આ અંગે નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં આ સમસ્યાનો કોઈ ઉકેલના આવતા રહીશો જાતે પૈસા ખર્ચીને પાણીના ટેન્કરો મંગાવવા મજબૂર બન્યા છે. આ બાબતે સ્થાનિક રહીશ અબ્દુલ મન્સુરીએ જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા પાણીવેરો,સ્ટિટલાઈટ વેરો, ભુગર્ભવેરો સહિતના વેરા લેવામાં આવે છે.પરંતુ પ્રાથમિક સુવિધા આપવા આવતી નથી. સમયસર વેરા ભરપાઈ ના કરાય તો પાલિકા દ્વારા નળ કનેક્શન કાપી નાખવાની નોટિસો આપવામાં આવે છે. પરંતુ પાણીની સમસ્યા મામલે કોઇ કામગીરી કરવામાં આવતી નથી.આગામી નગરપાલિકાની ચૂંટણીમાં નિષ્ક્રિય રહી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે અને એકપણ કોર્પોરેટરોને મત આપવામાં આવશે નહિ તેવી ચીમકી આપી પાલિકા સામે રોષ વ્યકત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 5:03 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:દિલ્હીમાં બ્લાસ્ટ પછી 11 રાજ્યોમાં એલર્ટ, પાકિસ્તાનમાં હાઈએલર્ટ; એક્ઝિટ પોલમાં બિહારમાં NDA સરકાર, સોનું ₹4,029 મોંઘું

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર દિલ્હી બોમ્બ વિસ્ફોટ કેસ સાથે સંબંધિત હતા. આ કેસમાં જૈશ-એ-મોહમ્મદની મહિલા ચીફ ડૉ. શાહીન શાહિદની ધરપકડ કરવામાં આવી હતી. બીજા મોટા સમાચાર એક્ઝિટ પોલ સંબંધિત હતા. બિહારમાં NDA સરકાર પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવશે તેવું અનુમાન છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. સર્વોચ્ચ અદાલત સંમતિથી સેક્સની કાયદેસર ઉંમર ઘટાડવાના કેસની સુનાવણી કરશે. કાલના મોટા સમાચારો 1. લખનઉમાં આતંકવાદીની ગર્લફ્રેન્ડના ઘરે ATSના દરોડા:ડૉ. શાહીન AK-47 સાથે પકડાઈ હતી, ભાઈ ડૉ. પરવેઝના ઘરે પણ દરોડા દિલ્હી બોમ્બ વિસ્ફોટો બાદ, ATS (એટર્ની સેલ) ઉત્તર પ્રદેશમાં શ્રેણીબદ્ધ દરોડા પાડી રહી છે. ATS ટીમ, જમ્મુ અને કાશ્મીર (JK) પોલીસ સાથે, મંગળવારે બપોરે ડૉ. શાહીન શાહિદના ઘરે પહોંચી. તેમનું ઘર લખનૌના લાલબાગના ખંડેરી બજારમાં આવેલું છે. ટીમ આખા ઘરની તપાસ કરી રહી છે. પડોશીઓની પણ પૂછપરછ કરવામાં આવી છે. લખનૌ પોલીસ પણ બંને ટીમોને મદદ કરી રહી છે. સોમવારે ફરીદાબાદમાં જમ્મુ-કાશ્મીર પોલીસે શાહીનની ધરપકડ કરી હતી. તે ડૉ. મુઝમ્મિલ શકીલની ગર્લફ્રેન્ડ હોવાનું કહેવાય છે. જમ્મુ-કાશ્મીર પોલીસે તેની કારમાંથી એક AK-47, એક પિસ્તોલ અને દારૂગોળો જપ્ત કર્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 2. 17 એજન્સીઓના સર્વેમાં NDA સરકાર:154 બેઠકોની સાથે સ્પષ્ટ બહુમતી, મહાગઠબંધનને 83 બેઠકો; PKની જન સુરાજ અસરહીન બિહાર ચૂંટણીના એક્ઝિટ પોલમાં NDAની મોટી લીડના સંકેત મળ્યા છે. 17 એજન્સીઓના પોલ ઓફ પોલ્સમાં NDAને 154 બેઠકો મળવાનો અંદાજ છે. મહાગઠબંધન 83 બેઠકો પર સીમિત થતું દેખાઈ રહ્યું છે, જ્યારે અન્યના ખાતામાં 6 બેઠકો જઈ શકે છે. પ્રથમ વખત ચૂંટણીમાં ઉતરેલી પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટી અસરહીન જોવા મળી રહી છે. તેને 3-5 બેઠકો મળવાનો અંદાજ છે. છેલ્લી ચૂંટણીમાં NDAને 125, મહાગઠબંધનને 110 અને અન્યને 8 બેઠકો મળી હતી. એટલે કે આ વખતે NDAને લગભગ 29 બેઠકોનો ફાયદો, જ્યારે મહાગઠબંધનને 28 બેઠકોનું નુકસાન થતું દેખાઈ રહ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. 'પપ્પાને કંઈ નથી થયું, ખોટી માહિતી ન ફેલાવો':ધર્મેન્દ્રના અવસાનના સમાચાર દીકરી ઈશાએ નકાર્યા; રાજનાથ સિંહ-જાવેદ અખ્તરે પહેલા શોક વ્યક્ત કર્યો, પછી પોસ્ટ ડિલિટ કરી દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રના અવસાનના સમાચાર સામે આવ્યા છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે શોક વ્યક્ત કર્યો, પછી X પરની તેમની પોસ્ટ ડિલિટ કરી. શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને સોમવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મંગળવારે સવારે તેમના મૃત્યુના સમાચાર આવ્યા, જોકે તેમની દીકરીએ નારાજગી વ્યક્ત કરી અને અહેવાલોને નકારી કાઢ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 4. પાકિસ્તાનના ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુસાઇડ અટેક, 12નાં મોત:27 ઘાયલ, પાર્કિંગમાં ઊભેલી ગાડીઓમાં વિસ્ફોટ; પાક. PMએ કહ્યું- હુમલો ભારતે કરાવ્યો પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટની પાસે મંગળવારના રોજ બપોરે 1 વાગ્યે જોરદાર વિસ્ફોટ થયો. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ મુજબ તેમાં 12 લોકોના મૃત્યુ થયા, જ્યારે 27 ઘાયલ થયા છે. ધમાકાનો અવાજ એટલો તીવ્ર હતો કે તે પોલીસ લાઇન્સ હેડક્વાર્ટર સુધી સંભળાયો હતો, જેનાથી આસપાસના વિસ્તારોમાં ડર ફેલાઈ ગયો. દુર્ઘટના પછી બચાવ ટીમ અને સુરક્ષા દળો ઘટનાસ્થળ પર પહોંચ્યા અને આખા વિસ્તારને ઘેરીને તપાસ શરૂ કરી. વાંચો સંપૂર્ણ સમાચાર 5. સોનું ₹2,341 વધીને ₹1.24 લાખ પ્રતિ 10 ગ્રામ થયું:2 દિવસમાં ₹4,047નો વધારો થયો; આજે ચાંદી ₹2,695 વધીને ₹1.54 લાખ પ્રતિ કિલો થઈ આજે 11 નવેમ્બરના રોજ સોના અને ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,706 વધીને ₹1,24,147 થયો છે. અગાઉ, ભાવ ₹1,22,441 પ્રતિ 10 ગ્રામ હતો. માત્ર બે ટ્રેડિંગ દિવસોમાં, તેમાં ₹4,047નો વધારો થયો છે. ગયા શુક્રવારે, તે ₹1,20,100 હતો. આ દરમિયાન, ચાંદીનો ભાવ ₹2,695 વધીને ₹1,54,338 પ્રતિ કિલોગ્રામ થયો. અગાઉ, તેનો ભાવ ₹1,51,643 પ્રતિ કિલોગ્રામ હતો. 17 ઓક્ટોબરના રોજ સોનું ₹1,30,874ની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યું હતું, અને 14 ઓક્ટોબરના રોજ ચાંદી ₹1,78,100ની ઓલ ટાઈમ હાઈ બનાવી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 6. દાહોદમાં સિઝનની સૌથી ઠંડી રાત:12.2 ડિગ્રી તાપમાન સાથે નલિયા-ગાંધીનગરને પાછળ છોડ્યાં, રાજ્યમાં ઠંડીનો પારો 20 ડિગ્રી નીચે આ શિયાળાની સિઝનમાં દાહોદ માટે સૌથી ઠંડી રાત રહી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા તાપમાન મુજબ, 12.2 ડિગ્રી તાપમાન સાથે દાહોદ શહેર સૌથી ઠંડું રહ્યું છે. તો નલિયામાં પણ લઘુત્તમ તાપમાન 13.4 ડિગ્રી સેલ્સિયસ સાથે ઠંડીનો ચમકારો યથાવત્ રહ્યો છે. જ્યારે અમરેલીમાં 14 ડિગ્રી સેલ્સિયસ મિનિમન તાપમાન નોંધાયું છે. હાલ તમામ શહેરોમાં તાપમાનનો પારો ગગડીને 20 ડિગ્રી નીચે જતો રહ્યો છે. આગામી દિવસોમાં હજી પણ બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. તથ્ય પટેલ સામે 3 સપ્તાહમાં ચાર્જ ફ્રેમ કરવા સુપ્રીમનો હુકમ:અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં 18 નવેમ્બરે ચાર્જ ફ્રેમ થશે, ઈસ્કોન બ્રિજ પર 9 લોકોના મોત નિપજાવ્યા'તા વર્ષ 2023માં 20 જુલાઈની રાત્રે અમદાવાદમાં બેફામ સ્પીડે જેગુઆર કાર દોડાવી ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જી 9 લોકોના મોત નિપજાવનારા તથ્ય પટેલ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જેમાં સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલ સામે 3 સપ્તાહમાં ચાર્જ ફ્રેમ કરવા અને સાક્ષીઓના નિવેદન લેવાની શરૂઆત કરવા હુકમ કર્યો છે. મહત્વનું છે કે, આ પ્રક્રિયાના કારણે તથ્ય પટેલે હાઈકોર્ટમાં કરેલી ડિસ્ચાર્જ અરજી પર કોઈ અસર થશે નહીં. હવે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં તથ્ય પટેલ સામે 18 નવેમ્બરે ચાર્જ ફ્રેમની પ્રક્રિયા થઈ શકે છે. ત્યારબાદ સાક્ષીઓની જુબાની શરૂ થશે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : યુપીના 3 યુવકોના દિલ્હી બ્લાસ્ટમાં મોત:તેમાંથી બે મિત્રો હતા, મેટ્રો સ્ટેશન ગયા હતા ત્યારે જ વિસ્ફોટ થયો; મૃતદેહ અમરોહા પહોંચ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : પાકિસ્તાનના ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુસાઇડ અટેક, 12નાં મોત:27 ઘાયલ, પાર્કિંગમાં ઊભેલી ગાડીઓમાં વિસ્ફોટ; હુમલાખોરનું 'માથું' ઘટનાસ્થળ પર મળ્યું વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : 17 એજન્સીઓના સર્વેમાં NDA સરકાર:154 બેઠકોની સાથે સ્પષ્ટ બહુમતી, મહાગઠબંધનને 83 બેઠકો; PKની જન સુરાજ અસરહીન વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ટ્રમ્પે કહ્યું- મોદી મને ફરીથી પ્રેમ કરશે:અમે ભારત સાથે નવા વેપાર કરારની નજીક છીએ; રશિયન તેલ ખરીદી પર ધીમે-ધીમે ટેરિફ ઘટાડશે વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : છૂટક ફુગાવો 1% થી નીચે આવી શકે છે:ઓક્ટોબરમાં છઠ્ઠા મહિનામાં 20 જરૂરી ચીજવસ્તુઓનો ઇન્ડેક્સ 3.6% ઘટ્યો; શાકભાજી, કઠોળ, ચોખા 51% સુધી સસ્તા થયા વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : ભારતીય ટેનિસ ખેલાડી સુમિત નાગલનો ચીનનો વિઝા રિજેક્ટ થયો:ચીની દૂતાવાસ પાસેથી મદદ માગી; ઓસ્ટ્રેલિયન ઓપન પ્લેઓફ માટે ચેંગડુ જવાનું હતું વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર : આજે કાલભૈરવ અષ્ટમી:ભગવાન શિવનો ઉગ્ર અવતાર; પૂજા કરવાથી ભય અને નકારાત્મક વિચારો દૂર થાય છે વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન ખબર હટકે ખોટું બટન દબાઈ ગયું ને મહિલા કરોડપતિ બની ગઈ! અમેરિકાના ઓહાયોની નેન્સી નામની એક મહિલાએ લોટરી મશીન પર ખોટું બટન દબાવીને ભૂલથી 50,000 ડોલરથી વધુ જીતી લીધા. તેણે ભૂલથી કેશ એક્સપ્લોઝન ટિકિટ ખરીદી લીધી, જેના કારણે તે ટીવી શોમાં સ્થાન પામી. નેન્સીએ 58,285 ડોલર જીત્યા અને કહ્યું કે તે આ પૈસા તેના ઘરના બાંધકામ પર ખર્ચ કરશે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor's View: મુનીરના હાથમાં બ્લાસ્ટનું બટન:જૈશની ડૉક્ટર ટેરર લેબે દિલ્હી ધણધણાવ્યું, મોદીએ ગર્જના કરી અને પાકિસ્તાને ફાઇટર પ્લેન તહેનાત કરી દીધાં 2. શું છે દિલ્હી બ્લાસ્ટના એમોનિયમ નાઇટ્રેટ અને ફરીદાબાદ કનેક્શન?:20 સપ્ટેમ્બરે 25 Km દૂર ચલાન કપાયું, શું દરોડાના ડરથી વિસ્ફોટક લઈને ભાગ્યા? 3. ભાસ્કર ઈન્ટરવ્યૂ : 'નરેશ પટેલના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ અલગ':જયરાજસિંહ, ગણેશ અને વાઇરલ ઓડિયો પર જિગીષા પટેલના સ્ફોટક ખુલાસા 4. છૂટાછેડા-2 'વહુ સાથે સાસુને ફાવ્યું નહીં તો દીકરાનું બબ્બેવાર ઘર ભંગાવ્યું':'પત્ની યુઝ્ડ ને ગંદાં સેનિટરી પેડ્સ બાથરૂમમાં દિવસો સુધી રાખતી' 5. ઇથેનોલ ભેળવેલા પેટ્રોલથી હવે પેટ્રોલપંપ સંચાલકો જ કંટાળ્યા:ભેજના કારણે ઇથેનોલ છૂટું પડી ટાંકામાં તળિયે બેસી જાય છે, વાહનચાલકોને પણ નુકસાન, કેન્દ્ર સરકારને લખ્યો પત્ર 6. તમારું ઘર જ તમને આપશે પેન્શન!:રિટાયરમેન્ટ પછી ખર્ચા કાઢવાની ચિંતા ગઈ! દર મહિને રૂપિયા મળશે, 15 લાખની મેડિકલ સહાય પણ કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ બુધવારનું રાશિફળ: મિથુન રાશિના લોકોને મહેનતના પરિણામો મળશે, કર્ક રાશિના જાતકો માટે ગ્રહોનું ગોચર ઉત્તમ રહેશે વાંચો સંપૂર્ણ રાશિફળ

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 5:00 am

રજૂઆત:પાલનપુરમાં ઓનલાઈન કામગીરી કરવાની બીએલઓની ના,માનસિક તણાવ અને કામગીરીમાં સહકાર નથી મળતો

સરકાર દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે જેમાં પાલનપુર તાલુકામાં બીએલઓની કામગીરી કરતા શિક્ષકોને ટાર્ગેટ આપવામાં આવતા તેમજ કામગીરીમાં મતદારોનો સહકાર ન મળતો હોવાના કારણે બીએલઓ માનસિક તાણ અનુભવી રહ્યા છે. તેમને આ કામગીરીનો વિરોધ કરીને કલેકટર કચેરી ખાતે સાંજે નાયબ જિલ્લા ચુંટણી અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં બીએલઓની કામગીરી કરતા પ્રાથમિક શાળાના શિક્ષકો ડોર ટુ ડોર ફોર્મ વિતરણ અને ફોર્મ ભરી પરત લેવાનું કામગીરી કરી રહ્યા છે જોકે આ કામગીરીમાં ખેતરોના આંટાફેરા અને બહાર વસતા લોકોના પુરતા ડોક્યુમેન્ટ ન મળતા તેમજ તંત્ર દ્વારા દિવસમાં ચોક્કસ ફોમ ભરીને ઓન લાઇન કરવાનો ટાર્ગેટ આપવામાં આવતા બીએલઓ વહેલી સવારથી મોડી રાત સુધી માનસિક તણાવ વચ્ચે કામગીરી કરી રહ્યા છે તેમ છતાં તેમને તંત્ર દ્વારા સહકાર ન મળતા પાલનપુર તાલુકાના બીએલઓએ મોડી સાંજે કલેકટર કચેરી ખાતે બેઠક યોજીને મતદાર યાદી સુધારણા કામગીરીનો વિરોધ કર્યો હતો અને ચૂંટણી અધિકારીને મળી મતદાર યાદી સુધારણામાં ફોર્મ ઓન લાઇન કરવાની કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી. સાંજે કચેરી બંધ થવાના સમયે બીએલઓ કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવવા આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 4:59 am

વિશેષ મતદાર સુધારણા પ્રક્રિયા:શિક્ષકોએ કહ્યું, આખો દિવસ રાતે બાર વાગ્યા સુધી મથીએ ત્યારે 25થી30 ફોર્મ માંડ ઓનલાઈન ભરી શકીએ છીએ

ચૂંટણી પંચ દ્વારા હાલમાં સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (વિશેષ મતદાર સુધારણા) પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે શરૂમાં આ કામગીરી એક BLO દ્રારા હવે બે BLO દ્રારા કરવામાં આવી રહી છે જેના લીધે કામગીરીને વેગ મળ્યો છે. જિલ્લામાં 26.24 લાખ મતદારો સુધી 2566 BLO એ ફોર્મ પહોંચાડ્યા હોવાનું ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું છે. જે પૈકી 30 હજાર ફોર્મ ભરીને પાછા આવ્યા છે જોકે વાવ તાલુકામાં શિક્ષકોએ કહ્યું આખો દિવસ રાતે બાર વાગ્યા સુધી મથીએ ત્યારે 25 થી3 0 ફોર્મ માંડ ઓનલાઈન ભરી શકીએ છીએ. વાવ તાલુકામાં તો BLO ને લોકો સાહેબ પાક નુકસાનીના ફોર્મ ભરવાના છે તેમ પણ કહે છે. વાવ ટીમને ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરતા કેટલાક BLO માનસિક તણાવમાં જોવા મળ્યા હતા ફોર્મ આપવા તેમજ ભરવા ખેતરો દૂધ ડેરીએ આંટા ફેરા મારતા જોવા મળ્યા હતા. અમુક લોકો બહાર રહેતા હોય કોન્ટેક કરવામાં તકલીફો પડી રહી છે કામગીરી ઓફ લાઇન અને ઑનલાઇન કરવાની થાય છે અમુક ને શાળા અલગ કામગીરી અલગ જઈ કરવાની થાય છે તે વિસ્તારથી તેઓ અજાણ હોય લોકો ફોર્મ ભર્યા વગર પાછા લઈ આવે છે શિક્ષકોને જવાબદારી સોંપાઈ નથી, અધૂરામાં પૂરું ત્રણ શિક્ષકોથી ઓછા મહેકમવાળી શાળામાં કોઈને ઓર્ડર કરાયો નથી. 15 16 અને 22 23 નવેમ્બરે BLO કેમ્પ કરશે ચૂંટણી શાખાના સુત્રોએ જણાવ્યું કે ચાર દિવસ બીએલઓ નજીકના મતદાન કેન્દ્ર પર ખાસ કેમ્પ કરશે. જેમાં ફોર્મ ભરવાની તમામ કામગીરી સંયુક્ત રીતે હાથ ધરાશે. આ કામગીરીમાં રાજકીય પાર્ટીઓના બુથ એજન્ટને સાંકળીને વધુને વધુ લોકો કેમ્પનો લાભ લેતે માટે પણ જણાવવામાં આવ્યું છે. મતદારો એકનો એક પ્રશ્ન પૂછી રહ્યા છે,‎ રાજ્ય બહારના મતદારો માટે તકલીફ ઉભી થશે તેવું લાગી રહ્યું છે લાંબા‎સમયની કામગીરી ટૂંકા ગાળામાં કરવાની થતી હોય તણાવ અનુભવી રહ્યા‎છે ઊઘી શકતા નથી મતદારો એકનો એક પ્રશ્ન પૂછી રહ્યા છે કામગીરી ઓફ‎લાઇન અને ઑનલાઇન કરવાની થાય છે. સાધન સામગ્રી નેટ ટેબલેટ કે‎કેટલું ભથ્થું ઉલેખ નથી. BLO માં 12 પ્રકારની સરકારી નોકરી માંથી પસંદ‎કરવાના હોય છે પણ 95 ટકા કામગીરી શિક્ષકોને અપાય છે.‎

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 4:55 am

લોકોમાં ફફડાટ:મોડાસા આરટીઓ કચેરીએ ટ્રાફિક નિયમનો ભંગ કરતાં 48 વાહન ચાલકોને દંડ ફટકાર્યો

અરવલ્લી એ આરટીઓએ મોડાસાની શાળા-કોલેજો બહાર ચેકિંગ હાથ ધર્યું છે. આરટીઓ કચેરીના અધિકારી અને કર્મચારીઓની 2 દિવસ ટ્રાફિક ડ્રાઈવમાં 48 વાહન કરતાં વધુ વાહન ચાલકોએ ટ્રાફિક નિયમનો ભંગ કરતાં દંડનીય કાર્યવાહી કરાતાં ટ્રાફિકના નિયમનનો ભંગ કરતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઝડપાયેલા વાહન ચાલકો સામે બે દિવસમાં 90હજાર દંડ કરાયો હતો.આરટીઓ કચેરી મોડાસા દ્વારા આગામી સમયમાં પણ સતત ટ્રાફિક ડ્રાય શરૂ રાખવા આયોજન કરવામાં આવ્યું છે. મોડાસા શહેર તેમજ જિલ્લાના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થતાં વાહન ચાલકો હેલ્મેટ, સીટ બેલ્ટ, ડ્રાયવિંગ લાયસન્સ અને અન્ડર એજ ડ્રાયવિંગ કરતા હોવાનું અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરતાં હોવાની છેલ્લા કેટલાય સમયથી બૂમ ઉઠી છે. તદુપરાંત શહેરની જુદી જુદી સ્કૂલમાં અભ્યાસ કરતાં છાત્રો પણ બદલ અંડર એજ હોવા છતાં ટ્રાફિકના નિયમનો ભંગ કરી દ્વિચક્રી વાહનો હંકારતાં હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું. કલેક્ટરના આદેશ મુજબ અરવલ્લી આરટીઓ કચેરીના અધિકારીઓ દ્વારા શહેરના મુખ્ય માર્ગો અને હાઇવે રોડ ઉપર વાહન ચેકિંગ હાથ ધરાયું હતું. તદઉપરાંત શહેરની સ્કૂલોમાં પ્રવેશતા મુખ્ય રસ્તાઓ ઉપર હાથ ધરવામાં આવેલા વાહન ચેકિંગ દરમિયાન 48 જેટલા વાહન ચાલકો સામે દંનીય કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં છેલ્લા બે દિવસમાં આરટીઓ કચેરી દ્વારા રૂ.90 હજાર જેટલો દંડ ફટકારાયો હોવાનું જાણવા મળેલ છે. આરટીઓ કચેરી મોડાસા દ્વારા આગામી સમયમાં પણ સતત ટ્રાફિક ડ્રાય શરૂ રાખવા આયોજન કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 4:51 am

ખુશીનો માહોલ:હિંમતનગર સહકારી જીનમાં બે દિવસમાં ટેકાના ભાવે 56 જેટલા ખેડૂતો મગફળી વેચવા આવ્યા

હિંમતનગરના સહકારી જીનમાં મગફળીની ટેકાના ભાવે ખરીદીનો આરંભ થયો છે. જેમાં બે દિવસમાં 56 ખેડૂતો મગફળી વેચવા આવ્યા હતા. હિંમતનગરમાં લગભગ 4500 જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તંત્ર દ્વારા દરરોજ 50 જેટલા ખેડૂતોને મેસેજ કરાય છે. બે દિવસમાં બંને સેન્ટર ઉપર થઇને 56 જેટલા ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવા આવ્યા હતા. જેમાં બજાર ભાવ કરતાં ખેડૂતોને 200 રૂપિયા વધુ મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. ખેડૂત હરજીવનભાઇ પટેલના જણાવ્યા અનુસાર બજારમાં મગફળીનો ભાવ 1000 થી 1200 મળે છે. જ્યારે સરકાર દ્વારા અહીં 1452 જેટલો ભાવ આપતાં ખેડૂતોને ફાયદો થઇ રહ્યો છે. ખેડૂત વિક્રમભાઇના જણાવ્યા અનુસાર થોડી વહેલી ખરીદી કરાઇ હોત તો અમને થોડા વધારે પૈસા મળતા. અન્ય ખેડૂત વિરમભાઇએ જણાવ્યું હતું કે, ટેકાના ભાવે ખરીદી કરવા સરકાર દ્વારા મેસેજ અને ટેલીફોન કરાય છે તે સારી બાબત છે. પરંતુ હાલમાં બટાટા અને અન્ય વાવેતરનો સમય હોવાથી ખેડૂતો આવી શકતા નથી. જો સરકારે વહેલી ખરીદી ચાલુ કરી હોત તો ખેડૂતોને સમય મળી રહેતો. ખરીદ કેન્દ્રના મેનેજર શૈલેષભાઇ પટેલે જણાવ્યું હતું કે, અમે દરરોજ 50 ખેડૂતોને મેસેજ કરીને બોલાવીએ છીએ આ ઉપરાંત ફોન પણ કરીએ છીએ. પરંતુ હાલમાં ખેડૂતો બટાટાના વાવેતરમાં વ્યસ્ત હોવાના કારણે ઓછા આવે છે. હાલમાં રોજ 8 થી લઇને 15 ખેડૂતો આવે છે. તો અન્ય ખરીદ કેન્દ્રના મેનેજરના જણાવ્યા અનુસાર હાલમાં અમારા સેન્ટર ઉપર 15 થી 20 ખેડૂતો આવે છે. ખેડૂતોને મેસેજ અને ફોન કરાય છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 4:49 am

તપાસ:ચાણસ્મામાં 16 વર્ષના સગીરે દુષ્કર્મ આચરતાં 15 ‎વર્ષની સગીરા ગર્ભવતી થઈ બાળકીને જન્મ આપ્યો ‎

ચાણસ્મા જીઆઇડીસીમાંથી બે વર્ષ પૂર્વે સગીરાને ભગાડી જનાર કિશોર બે વર્ષ છુપાઈને રહ્યા બાદ અંતે બંને પોલીસના હાથે લાગ્યા છે. જેમાં સગીરા હાલમાં કિશોરની બાળકની માતા બની ચૂકી હોય પોલીસે અપહરણ અને દુષ્કર્મના ગુનામાં કિશોરની અટક કરી છે. ચાણસ્માના જીઆઇડીસીમાં કામ કરતી રાજસ્થાનની કિશોરીને આરોપી કિશોર હેમંત બે વર્ષ પૂર્વે ભગાડીને લઈ ગયો હતો. બે વર્ષ બાદ કિશોર ચાણસ્મામાં રહેતા સંબંધીને મળવા આવતા બાતમી આધારે પોલીસે અટક કરી સગીરાની ભાળ મેળવી બંનેને પકડ્યા હતા. જે દરમિયાન સગીરા આ કિશોર ની ગર્ભવતી હોય પ્રસૂતિ સમય ગાળાનો સમય ચાલતો હતો. પોલીસને મળ્યા બાદ જ તેને પ્રસૂતિની પીડા ઉપડતા તાજેતરમાં જ હોસ્પિટલમાં તેનું એક બાળકીને જન્મ આપ્યો છે. સગીરા અને તેની જન્મજાત બાળકી બંને સહી સલામત છે. પરંતુ નાની વયે તેને ભગાડીને લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધો બાંધવા અને ગર્ભવતી બનાવવા મામલે પોલીસ દ્વારા અપહરણ અને દુષ્કર્મનો ગુનો દાખલ કરીને તેની અટક કરીને તપાસનો દોર શરૂ કરાયો છે. સમગ્ર ઘટનાનો ટૂંક સારાંશમાં જાણો

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 4:48 am

ચકચાર‎:ઇલોલમાં પં.નું રેકર્ડ ખાનગી વ્યક્તિ પાસેથી મળતાં ચકચાર‎

હિંમતનગરના ઈલોલમાં પંચાયતની સભામાં કોઈપણ જાતનો ઠરાવ કે સદસ્ય સાથે ચર્ચા કરી ઉચ્ચ અધિકારીની પરવાનગી લીધા વગર જ સરકારી રેકર્ડ ખાનગી વ્યક્તિના ઘેર પહોંચી ગયાની જાણ થતાં મહિલા સદસ્ય પંચાયતમાં પહોંચવા દરમિયાન જ ખાનગી વ્યક્તિ રેકર્ડનો થેલો લઈ આવી પહોંચતા થેલામાં શું છે પૂછતાં પ્રોપર્ટી કાર્ડ હોવાનું જણાવતા થેલો ખાલી કરાવતા અંદરથી રેવન્યુ રેકર્ડ નીકળતાં ભારે હોબાળો મચી ગયો હતો અને મહિલા સદસ્યે પોલીસ બોલાવી કલેક્ટરને લેખિતમાં ફરિયાદ આપી તપાસની માગ કરતાં ખળભળાટ મચી ગયો છે. ઇલોલ પંચાયતમાંથી અસલ રેવન્યુ રેકર્ડ કોઈ પણ પ્રકારના ઠરાવ કે પંચાયતની બોડીને જાણ કર્યા વગર લઈ જવાયાની જાણ થતાં વોર્ડ નંબર-1ના સદસ્ય વિલાસબા નરેન્દ્રસિંહ ઝાલા પંચાયતમાં ગયા હતા. તે જ સમયે સૈયદ સૈદુમિંયા એક્ટિવા પર પોટલું લઈને આવ્યા હતા. વિલાસબાને શંકા જતાં પૂછપરછ કરતાં સૈદુમિયાંએ જણાવેલ કે પ્રોપર્ટી કાર્ડ છે પણ પંચાયતના કર્મચારીઓ પાસે પોટલું ખોલાવતા અંદરથી અસલ રેવન્યુ રેકર્ડ અને બીજા રેકર્ડ નીકળતાં ભારે હોબાળો મચી ગયો હતો અને સરપંચના કહેવાથી રેકર્ડ બહાર ગયું હોવાની ખબર પડતાં વિલાસબાએ પોલીસ બોલાવી હતી. વિલાસબાએ કલેક્ટરને ફરિયાદ કરી છે કે પંચાયતનો અસલ રેકર્ડ ગેરકાયદેર રીતે બહાર લઈ જઈને રેકર્ડ સાથે ચેડાં અને નાશ કરવાનો પ્રયાસ કરાયો છે તેની પાછળ ઇન્ચાર્જ સરપંચ કમરઅલી ઢુંઢા વિરુદ્ધ તમામ જગ્યાએ લેખિતમાં કરેલી રજૂઆતો જવાબદાર છે. કોઈપણ જાતના અધિકાર સિવાય ઉપલા અધિકારીની પરવાનગી કે ઠરાવ સિવાય પંચાયતની માલિકીનું લેમિનેશન મશીન વેપારી અકબર અબુતાલીબના ઘેર લઈ ગયા છે. તમામ રેવન્યુ રેકર્ડ, જન્મ મરણના રજિસ્ટર નકશા વગેરે એક સપ્તાહથી વેપારીને ત્યાં રાખી ઇન્ચાર્જ સરપંચ ભેગા મળી રેકર્ડના આધારે સંબંધિત શખ્સોને તેના ઘેર બોલાવી રેકર્ડ સાથે ચેડાં કરી રહ્યા છે. ભવિષ્યમાં મિલકત હક અને હાલમાં ચાલી રહેલ સરકારના એસઆઈઆર કાર્યક્રમમાં જન્મ મરણના રેકર્ડમાં ચેડાં કરવાનો ઉદેશ જણાઈ રહ્યો છે. ઇન્ચાર્જ સરપંચ અને તલાટી બંનેનો સંપર્ક કરતાં ફોન ઉપાડ્યો ન હતો જેથી આઉટ પોસ્ટ જમાદાર મહેશ દેસાઈને ફોન કરીને બોલાવ્યા હતા. તેમણે તલાટીના અધિકારમાં આવતું હોવાનું જણાવતા બપોરે ટીડીઓને ફોન કર્યા બાદ તલાટીએ ફોન કરી સરપંચના કહેવાથી વેપારી અકબર અબુતાલીબને રેકર્ડ આપ્યાનું જણાવ્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. વિલાસબાએ જણાવ્યું કે હાલ સરકાર દ્વારા જૂનો સર્વે નંબર 1540 જેના નવા સર્વે નંબરો 135,142, 145 સર્વે નંબરોનો ટીપ્પણ પણ હતું જે સરકારના ખર્ચે માપણીનો ઓર્ડર થયેલ છે જેના પુરાવા નાશ કરવા અર્થે અકબર વેપારી સરપંચના કહેવાથી ઘરે લઇ ગયેલ હતા જેના માટે તપાસ થાય એ હેતુથી જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરને રૂબરૂ રજૂઆત કરી છે. સરપંચના કહેવાથી રિપોર્ટ બહાર ગયું છે.આ મામલે ઈલોલ તલાટી પ્રિયંક ગાંધીએ જણાવ્યું કે હું રજા પર હતો. સરપંચના કહેવાથી રેકર્ડ બહાર ગયું છે અને લેમિનેશન માટે રેકર્ડ મોકલ્યું હોવાનું જણાવ્યું છે. પ્રોપર્ટી કાર્ડ ન હતા. જન્મ મરણના દાખલાનું લેમિનેશન થઈ ગયું છે. ટીપ્પણ બાકી છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 4:44 am

સર્વે કરાયો:હિંમતનગરના બ્રહ્માણી નગરમાં વરસાદી પાણીના કાયમી નિકાલ માટે ડીપીઆર બનાવવા સર્વે કરાયો

હિંમતનગર શહેરના બ્રહ્માણી નગરમાં પાણી ભરાઇ રહેવાની કાયમી સમસ્યાનો મુદ્દો સામાન્ય સભામાં ઉછળ્યા બાદ થયે ઠરાવ અનુસંધાને મંગળવારે ચીફ ઓફિસરે સંલગ્ન તમામ વિભાગના વડા અને એજન્સી તથા પાલિકા વિરોધ પક્ષના નેતાને સાથે રાખી નીચાણવાળા વિસ્તારોમાં ભરાઇ રહેલ પાણીનો નિકાલ કરવા સૂચના આપી વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરાવવા ડીપીઆર બનાવવા સર્વે હાથ ધરાતાં સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી. શહેરના બ્રહ્માણીનગર વિસ્તારમાં થોડા વરસાદમાં પણ ઢીચણસમા પાણી ભરાઇ જાય છે અને મહિનાઓ સુધી આ પાણી જમીનમાં ઉતરે નહીં ત્યાં સુધી નિકાલ થતો નથી. ગંદકી અન મચ્છરોના ઉપદ્રવની કાયમી સમસ્યાથી રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. તાજેતરમાં કોંગ્રેસ દ્વારા પાલિકાથી બેદરકારી મામલે વિરોધ પ્રદર્શન પણ કરાયું હતું અને 30 ઓક્ટોબરે યોજાયેલ સામાન્ય સભામાં પણ પાલિકા દ્વારા બ્રહ્માણીનગરમાં ભરાતાં વરસાદી પાણીની સમસ્યાનો નિકાલ લાવવા ચર્ચા કરી સ્ટોર્મ વોટર લાઇન સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવા સર્વે કરવા નિર્ણય લેવાયો હતો. ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ જણાવ્યું કે, બ્રહ્માણીનગરની સમસ્યાનો કાયમી નિકાલ લાવવા બાંધકામ ખાતાના વડા, આરોગ્ય વિભાગના વડા, વિરોધપક્ષના ઇમરાનભાઇ અલજીવાલા, સ્થાનિક રહીશો, ડીપીઆર બનાવવા પીએસપી ઇન્ડિયા કન્સલ્ટન્સી એજન્સીની ટીમ સાથે મંગળવારે બપોર બાદ બ્રહ્માણી નગરના નીચાણવાળા તમામ વિસ્તારોનો સર્વે કરી વિસ્તૃત ચર્ચા કરાઇ હતી અને આગામી ચોમાસા પહેલા રહીશોની સમસ્યાનું નિરાકરણ આવી જાય તેવું ઝડપથી કામ કરવા આયોજન કરાયું છે. હાલમાં પાણી નીચાણવાળા પ્લોટોમાં ભરાઇ રહેલ છે. તેના નિકાલ માટે મશીનરી લગાડી સત્વર કામગીરી હાથ ધરાશે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 4:41 am

ભાસ્કર એક્સક્લૂસિવ‎:રાપર-ભચાઉના 169 ગામને પાક સહાય મળશે

તાજેતરમાં પડેલા માવઠાં પહેલા સપ્ટેમ્બરમાં પણ કચ્છના અનેક તાલુકાઓમાં ભારે વરસાદ થતા સરકારે મોટા ઉપાડે રાહત પેકેજ જાહેર કર્યું હતું. પણ હવે તેમાં ચોંકાવનારી વિગતો આવી છે. હવે આ રાહત પેકેજમાં કચ્છના માત્ર ભચાઉ અને રાપર તાલુકાઓના ખેડૂતોને જ સહાય આપવામાં આવશે, જેથી બાકીના તાલુકાના ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી છે. સપ્ટેમ્બરમાં ડિપ્રેશનના પગલે ભારે વરસાદના કારણે કચ્છના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોને નુકશાન થયું હતું. જે તે સમયે સરકાર દ્વારા રાહત પેકેજ આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. હવે માહિતીઓ જાહેર કરવામાં આવી છે, જેમાં કચ્છના માત્ર રાપર અને ભચાઉના 169 ગામના ખેડૂતોને વળતર મળી શકશે. આ માટે તેઓએ ફોર્મ ભરવાના રહેશે. અન્ય ખેડૂતોને વંચિત રાખવામાં આવતા ઉચ્ચાટ ફેલાયો છે. કચ્છમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં થયેલા અતિભારે વરસાદથી નુકશાન થયું હતું. જેમાં સરકાર દ્વારા કચ્છ તેમજ જૂનાગઢ, વાવ-થરાદ, પંચમહાલ અને પાટણ જિલ્લાના ખેતી પાકોમાં નુકશાની માટે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા રૂ.947 કરોડનું કૃષિ રાહત પેકેજ કર્યું હતું. જેમાં અગાઉ બિનપિયત પાક માટે રૂ. 12,000 પ્રતિ હેક્ટર અને પિયત પાક માટે રૂ. 22,000 પ્રતિ હેક્ટર તેમજ બહુવર્ષાયુ પાકો માટે રૂ. 27,500 પ્રતિ હેક્ટર સહાય જાહેર કરવામાં આવી હતી. જો કે હવે સરકારે બિનપિયત અને પિયત પાક બંનેને એક સમાન રૂ. 22,000 પ્રતિ હેક્ટર સહાય બે હેક્ટરની મર્યાદામાં આપવાનો નિર્ણય કર્યો છે. કચ્છમાં સપ્ટેમ્બર માસમાં કચ્છના અનેક તાલુકામાં ભારે વરસાદ થયો હતો. રાપર અને ભચાઉમાં અતિભારે વરસાદના કારણે ખેડૂતોને મોટી નુકશાની થઇ હતી, ત્યાં વળતર મળશે પણ અંજાર, ભુજ માંડવી, મુન્દ્રા, નખત્રાણા અને અબડાસા વિસ્તારમાં વરસાદના કારણે નુકશાની થઇ હતી છતાં તે તાલુકાના ખેડૂતોને લાભ નહી મળે. કેમ કે સર્વે માત્ર રાપર અને ભચાઉ વિસ્તારમાં જ કરવામાં આવ્યો હતો. જેથી કચ્છના અન્ય તાલુકાના ખેડૂતોને નુકશાનીનો કોઈ પણ લાભ મળશે નહી. જિલ્લા ખેતીવાડી કચેરીમાંથી મળેલી માહિતી મુજબ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં થયેલા વરસાદ બાદ ૩૩ ટકાથી વધુ નુકશાન હોય તેવા ખેડૂતોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં રાપર અને ભચાઉ વિસ્તારના 169 ગામોનો સર્વે કરવામાં આવ્યો છે. જે ખેડૂતોનો સર્વે થયો છે તેવા ખેડૂતો આ કૃષિ રાહત પેકેજ હેઠળ સહાય મેળવવા અરજી કરી શકશે. તે માટે તા. 11 નવેમ્બરથી આગામી 15 દિવસ સુધી કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અસરગ્રસ્ત ખેડૂતોએ પોતાના ગામના VCE/VLEના માધ્યમથી સમયમર્યાદામાં કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર અરજી કરવાની રહેશે. કચ્છમાં ખાતેદાર ખેડૂતો 5 લાખ, પેકેજનો લાભ મળશે માત્ર 52,611 ધરતીપુત્રોનેભારે વરસાદના કારણે કચ્છ જિલ્લામાં 5 લાખ ખેડૂતો સામે માત્ર રાપર અને ભચાઉના જ 52,611 ખેડૂતોને પાક નુકસાનની સહાય મેળવા પાત્ર છે, જયારે નુકશાની અન્ય લાખો ખેડૂતોને થઇ છે. જેથી બાકીના ખેડૂતો સહાય વિના રહી જશે, જેના કારણે ખેડૂત વર્ગમાં નારાજગી ફેલાઈ છે. અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને 90 ટકા નુકશાની થઇ છે, પરંતુ લાભ અંદાજીત 10 ટકા ખેડૂતોને જ મળવા પાત્ર થશે. નવા પેકેજની પણ હજુ કોઇ સ્પષ્ટતા નહી !હાલમાં ઓક્ટોબરના અંતમાં કમોસમી વરસાદમાં પણ 10 હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કરાયું છે. તેમાં પણ કચ્છના કેટલા તાલુકાનો સમાવેશ છે, તેની સ્પસ્ટતા કરવામાં આવી નથી. જેથી પણ ખેડૂતોમાં ઉચાટ છે, ત્યારે સ્પષ્ટતા કરવામાં આવે તે જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 4:38 am

બાઇક રેલી:જમ્મુથી ભુજ આવતી બીએસએફની 1742 કિમી લાંબી બાઈક રેલી પંજાબમાં પહોંચી

બોર્ડર પર સરહદની સુરક્ષા કરતા બીએસએફનો 61મો સ્થાપના દિવસ ભુજ ખાતે ઉજવાઈ રહ્યો છે ત્યારે તેની ઉપલક્ષમાં જમ્મુ કાશ્મીરથી ભુજ સુધીની બાઇક રેલી શરૂ કરવામાં આવી છે. મહિલાઓ સહિત બીએસએફના 60 જવાનો 1742 કિલોમીટરનું અંતર કાપી ભુજ આવશે.આ બાઈક રેલી પંજાબમાં પહોચતા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બોર્ડર સિક્યુરિટી ફોર્સએ જમ્મુ BSF મેરેથોન અને જમ્મુથી ભુજ સુધીની BSF મોટરસાયકલ રેલીનો ફ્લેગ ઓફ સમારોહ શહીદ વીર દેવ સ્ટેડિયમ, BSF કેમ્પ પલૌરા ખાતે યોજ્યો હતો. BSFના ડીજી દલજીતસિંહ ચૌધરી અને બોલિવૂડ અભિનેતા સુનીલ શેટ્ટી, પ્રખ્યાત પેરા આર્ચર રાકેશ કુમાર અને બોલિવૂડ અભિનેતા વિવેક રાઝદાન ઉપસ્થિત રહ્યા હતા.જમ્મુથી ભુજ સુધીના રૂટને આવરી લેતી આ રેલીનો હેતુ રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિનો સંદેશ ફેલાવવાનો છે. રેલીમાં ભાગ લેનારાઓ અનેક રાજ્યોમાંથી પસાર થશે, જેમાં દેશભરમાં એકતા અને રાષ્ટ્રીય ગૌરવને પ્રોત્સાહન મળશે.9 થી 20 નવેમ્બર સુધીની આ રેલી રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવા, રાષ્ટ્રીય સુરક્ષામાં BSFના ગૌરવપૂર્ણ યોગદાનને ઉજાગર કરવા અને ડ્રગ્સના દુરુપયોગ સામે જાગૃતિ ફેલાવવા માટે દેશભરમાં આશરે 1,742 કિમીનો પ્રવાસ કરશે. આ રેલી પંજાબમાં પ્રવેશી અને ગુરદાસપુરની લિટલ ફ્લાવર કોન્વેન્ટ સ્કૂલ પહોંચી ત્યારે ગુરદાસપુરના DIG HQ ગુરદાસપુર દ્વારા BSF અધિકારીઓ અને સૈનિકો સાથે વિશાળ જાહેર સભા યોજવામાં આવી જેમાં યુવાનોને પ્રેરણા આપવા માટે શસ્ત્ર પ્રદર્શન અને દેશભક્તિના પ્રદર્શન સાથેનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ મોટરસાઇકલ રેલી ભુજ તરફ આગળ વધી રહી છે.10 નવેમ્બરના સવારે સેક્ટર હેડક્વાર્ટર બીએસએફ ગુરદાસપુરથી તેને લીલી ઝંડી આપવામાં આવી હતી.ફિરોઝપુર પહેલા તે ડેરા બાબા નાનક, અજનાલા, અટારી બોર્ડર, ભીખીવિંડ અને ખેમકરણ થઈને આગળ વધી રહી છે.21 તારીખે ભુજમાં ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં બીએસએફનો રાયઝિંગ ડે ઉજવાશે આ બાઇક રેલી 20 તારીખે ભુજમાં મુન્દ્રા રોડ 176 બટાલિતન ખાતે પહોંચશે જ્યાં ભવ્ય સમાપન કાર્યક્રમ યોજાશે. શિસ્ત અને ફિટનેસ પ્રત્યે BSF ની પ્રતિબદ્ધતાBSFના DG દલજીતસિંહ ચૌધરીએ તમામ સહભાગીઓના ઉત્સાહની પ્રશંસા કરી. તેમણે ભાર મૂક્યો કે આવી ઘટનાઓ મિત્રતાના બંધનને મજબૂત બનાવે છે અને શિસ્ત અને ફિટનેસ પ્રત્યે BSF ની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 4:28 am

મોહન ભાગવત કચ્છ પ્રવાસે:સ્મશાન, મંદિર અને પાણી દરેક હિન્દૂ માટે સમાન રહેવું જોઈએ : RSS વડા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત મંગળવારે કચ્છ પ્રવાસે આવ્યા હતા. માંડવી તાલુકાના નાના રતાડીયા ખાતે ધાર્મિક પ્રસંગે હાજરી આપી તેમણે ઉદબોધન આપ્યું હતું. સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે સમાજના હિતમાં પંચ પરિવર્તન પર ચર્ચા કરી હતી. ખાસ કરીને, સમાજના હિતમાં પરિવર્તન લાવવા માટે સામાજિક સમરસતા, પારિવારિક જ્ઞાન, પર્યાવરણ, ‘સ્વ’ આધારિત સમાજ રચના અને નાગરિક ફરજનો ઉપદેશ આપ્યો હતો. આ ઉપરાંત તેમણે કહ્યું કે, ધર્મને ભાષાંતર કરી લોકોએ આજે રિલિજન કરી નાખ્યો છે, જે નથી, રિલિજન માત્ર રસ્તો છે. દુનિયા આજે અંધારામાં ફસાઈ ગઈ છે, સુખ-સુવિધા બહુ થઇ ગઈ છે પણ મનમાં સંતોષ નથી. બાળકો આજે બંદૂક લઈને સહપાઠીને ભૂંજી નાખે છે, વિશ્વમાં યુદ્ધો ચાલી રહ્યા છે. સારી પરિસ્થિતિમાં દરેક પ્રયાસ બાદ ઊંધું પડી રહ્યું છે, એટલે વિશ્વ આજે ભારત પાસે ઉપાય માંગી રહી છે. ભારતમાં ૧૦ હજાર વર્ષથી ખેતી થઇ રહી છે , પરંતુ કેમિકલ ખેતીથી આજે પર્યાવરણ બગડ્યું અને જમીનો બંજર થઇ છે. પૂર્વજોના પરાક્રમના કારણે આજે દુનિયા આપણે નમસ્કાર કરે છે. આપણા મંદિરો મોટા બનવા જોઈએ, સારા બનવા જોઈએ. સંતો-મહંતોનું ત્યાં સદૈવ વિચરણ થવું જોઈએ, જેથી નવી પેઢીમાં શ્રદ્ધા મોટી થશે. આસપાસના નાના-મોટા મંદિરોનું ધ્યાન રાખજો, એમાં કઈ ઓછું ન આવે તેની કાળજી લેવા આહવાન કર્યું હતું. આ ઉપરાંત સ્વદેશીનો આગ્રહ રાખ્યો હતો અને ગામમાં એક સ્મશાન, એક મંદિર, અને પાણીનો સ્ત્રોત દરેક હિન્દૂ માટે સમાન રહેવો જોઈએ !. વૃક્ષારોપણ અને પર્યાવરણ સહીત મુદ્દે તાકીદ કરી પાણી-ઊર્જાસંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપ્યો હતો. ત્યાં સદૈવ વિચરણ થવું જોઈએ, જેથી નવી પેઢીમાં શ્રદ્ધા મોટી થશે. આસપાસના નાના-મોટા મંદિરોનું ધ્યાન રાખજો, એમાં કઈ ઓછું ન આવે તેની કાળજી લેવા આહવાન કર્યું હતું. આ ઉપરાંત સ્વદેશીનો આગ્રહ રાખ્યો હતો અને ગામમાં એક સ્મશાન, એક મંદિર, અને પાણીનો સ્ત્રોત દરેક હિન્દૂ માટે સમાન રહેવો જોઈએ !. વૃક્ષારોપણ અને પર્યાવરણ સહીત મુદ્દે તાકીદ કરી પાણી-ઊર્જાસંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 4:26 am

બેટરી એનર્જી સ્ટોરેજ પ્લાન્ટ:કચ્છના ખાવડામાં શરૂ થશે વિશ્વનું સૌથી મોટું સિંગલ લોકેશન બેટરી એનર્જી સ્ટોરેજ પ્લાન્ટ

અદાણી ગ્રૂપે દેશના ઊર્જા ક્ષેત્રમાં નવી દિશા આપતાં બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. અદાણી ગ્રૂપે કચ્છના ખાવડાના 1126 મેગાવોટ પાવર ક્ષમતા અને 3530 મેગાવોટ કલાક એનર્જી ક્ષમતા ધરાવતા ભારતના અત્યાર સુધીના સૌથી મોટા અને વિશ્વના એક સ્થાન પર આવેલા સૌથી મોટા બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ હેઠળ 700થી વધુ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ કન્ટેનર સ્થાપિત થશે અને તેને માર્ચ 2026 સુધી કાર્યરત કરવામાં આવશે. આ યોજના ભારતની ઊર્જા સુરક્ષા અને 24 કલાક સ્વચ્છ વીજળી પૂરવઠા માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. સિસ્ટમ પીક લોડ ઘટાડવા, ટ્રાન્સમિશન કન્ઝેશન ઓછું કરવા અને સૌર ઊર્જાનો વધુ અસરકારક ઉપયોગ સુનિશ્ચિત કરશે, જે ગ્રિડની કાર્યક્ષમતા વધારશે. આ પ્રોજેક્ટ હાલ કચ્છના ખાવડા ખાતે અમલના અંતિમ તબક્કામાં છે જ્યાં વિશ્વનો સૌથી મોટો નવનિર્મિત ઊર્જા પ્લાન્ટ વિકસાવવામાં આવી રહ્યો છે. તેમાં અદ્યતન લિથિયમ-આયન બેટરી ટેકનોલોજીઅને સ્માર્ટ એનર્જી મેનેજમેન્ટ સિસ્ટમ્સનો ઉપયોગ કરવામાં આવશે, જે ઉચ્ચ કાર્યક્ષમતા અને સ્થિરતા જાળવી રાખશે. આ સિસ્ટમ ઊર્જા શિફ્ટિંગ અને પીક લોડ મેનેજમેન્ટમાં મહત્વની ભૂમિકા ભજવશે, જે વીજ ક્ષેત્રના ડિકાર્બનાઇઝેશન માટે અત્યંત અગત્યનું છે. ઊર્જા સ્ટોરેજ રિન્યુએબલ એનર્જીનો આધારસ્તંભઅદાણી ગ્રૂપના ચેરમેનગૌતમ અદાણીએ જણાવ્યું કે ઊર્જા સ્ટોરેજ એ રિન્યુએબલ એનર્જીના ભવિષ્યનો મુખ્ય સ્તંભ છે. આ ઐતિહાસિક પ્રોજેક્ટ દ્વારા ગ્રૂપ માત્ર વૈશ્વિક સ્તરે નવા ધોરણો નક્કી કરતો નથી, પરંતુ ભારતની ઊર્જા સ્વતંત્રતા અને ટકાઉ વિકાસ માટેની પ્રતિબદ્ધતા મજબૂત કરી રહ્યો છે. ઇન્વેસ્ટમેન્ટમાં અદાણી માટે અગ્રણી રહ્યું કચ્છકચ્છમાં અદાણીના અનેક પ્રોજેક્ટ આવેલા છે, સૌ પ્રથમ અદાણીએ મુન્દ્રામાં પોર્ટ અને સેઝની શરૂઆત કરી હતી, ત્યાર બાદ કચ્છ કોપર, સોલાર મોડ્યુલ અને વિન્ડ ટર્બાઈન મેન્યુફેક્ચરિંગ, ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ, સોલાર પ્રોજેક્ટ બાદ માર્ચ 2026માં ખાવડામાં બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ શરૂ થશે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 4:22 am

કામગીરી:નલિયાથી જખૌ અને વાયોર સુધી રેલવે પાટા પાથરવાની કામગીરી શરૂ કરાઇ

ભુજથી નલિયા સુધી રેલવે પાટા પાથરવામા આવ્યા પછી હાલમાં માલગાડી મારફતે ખનિજ પરિવહન ચાલુ છે હવે આ પ્રોજેકટનો વ્યાપ વિસ્તર્યો છે. ભુજ-નલિયા મીટર ગેજ સેક્શન (101.40 કિમી) ને બ્રોડગેજ લાઈનમાં રૂપાંતરિત કરાતા 28 ઓક્ટોબર 2024ના પ્રધાનમંત્રીએ લોકાર્પણ કર્યું હતું જે બાદ હવે નલિયાથી જખૌ પોર્ટ સુધીની 28.88 કિમીની નવી બ્રોડગેજ લાઇન પર કાર્ય ચાલી રહ્યું છે ઉપરાંત ભુજ-નલિયા રેલવે લાઇનને વાયોર સુધી (26.55 કિમી) વધુ લંબાવવાનું કામ પણ પ્રગતિમાં છે. તે પૂર્ણ થયા પછી દેશની સેનાને સરહદી વિસ્તારમાં પહોંચવામાં અને માલસામાનના પરિવહનમાં સુવિધા મળશે.આ ક્ષેત્રમાં સિમેન્ટ ઉદ્યોગને પણ નોંધપાત્ર ફાયદો થશે, જેનાથી મીઠું, ખનિજો અને અન્ય કાચા માલના કાર્યક્ષમ પરિવહનને સુવિધા મળશે તેમ રેલવે વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું. નોંધનીય છે કે નલિયા સુધી તો લાંબા સમયથી રેલવે ટ્રેક પાથરી દેવાયા છે. પરંતુ આ રૂટ પર હજી સુધી પ્રવાસી ટ્રેન શરૂ કરાઈ નથી. દેશલપર સુધી ટ્રેક પથરાઇ ગયા બાદ પણ લાંબા સમય સુધી માલગાડી શરૂ ન કરાતા કેગ દ્વારા ટીકા કરવામાં આવી હતી. હાજીપીર અને લખપત સુધીના નવા 2 લાઈન પ્રોજેકટથી 16 લાખ લોકોને ફાયદો થવાનો દાવોપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ગત 27 ઓગસ્ટ 2025ના દેશલપર-હાજીપીર-લુણા અને વાયોર-લખપત નવી લાઇન પ્રોજેકટને મંજૂરી આપી છે. પ્રસ્તાવિત નવી રેલ લાઇન દૂરના વિસ્તારોને કનેક્ટિવિટી પૂરી પાડશે. 145 કિમીના ટ્રેકનો અંદાજિત ખર્ચ 2526 કરોડ છે. પ્રવાસનને વેગ આપવા ઉપરાંત નવી રેલ લાઇન મીઠું, સિમેન્ટ, કોલસો, ક્લિંકર અને બેન્ટોનાઇટના પરિવહનને મદદ કરશે.હડપ્પા સ્થળ ધોળાવીરા, કોટેશ્વર, નારાયણ સરોવર અને લખપત કિલ્લા રેલ નેટવર્ક દ્વારા આવરી લેવામાં આવશે, જેમાં 13 નવા રેલવે સ્ટેશનો બનશે, જેનાથી 866 ગામડા અને 16 લાખ લોકોને લાભ મળશે તેવો દાવો કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 4:20 am

દરોડો:વાગડ અને મુન્દ્રા વિસ્તારમાં ખનિજચોરી પર દરોડો, 2 કરોડનો મુદ્દામાલ કબ્જે કરાયો

પૂર્વ કચ્છ ખાણ ખનિજ વિભાગ દ્વારા વાગડ અને મુન્દ્રા વિસ્તારમાં તપાસ દરમ્યાન ગેરકાયદે ખનિજ ભરીને જતા વાહનો અટકાવી તપાસ કરવામાં આવી હતી જેમાં પુરાવા ન મળી આવતા વાહનો કબ્જે કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેકટર આનંદ પટેલની સુચના અન્વયે પૂર્વ કચ્છ જિલ્લામાં બિનઅધિકૃત ખનન વહન અને સંગ્રહ ના થાય તેના ભાગરૂપે તપાસટીમ દ્વારા વાગડ અને મુંદરા તાલુકામાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.સામખીયાળી- મોરબી હાઇવે પર તપાસ દરમ્યાન બિનઅધિકૃત રીતે ચાઈના કલે લઈને જતા વાહનો કબજે કરવામાં આવ્યા હતા આ ઉપરાંત મુન્દ્રા તાલુકાના ઝરપરા વિસ્તારમાં સાદી રેતીનું વહન કરતા એક્સેવેટર મશીન સહિતના વાહન પકડવામાં આવ્યા હતા.તપાસ દરમિયાન 6 ડમ્પરો તેમજ મશીન મળી 2 કરોડનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. ખનિજનું બિનઅધિકૃત ખનન/ વહન ધ્યાને આવતા ડમ્પરોના ચાલક/ માલિક વગેરે કસુરદારો સામે ગુજરાત મિનરલ ( પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ 2017ના નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ કાર્યવાહીથી ખનિજચોરીમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 4:18 am

ભાસ્કર નોલેજ:ખાવડા હાઇવે પર ભીરંડીયારા નજીક કેમિકલ ભરેલા ટેમ્પોની ટક્કરથી 2 ભેંસના મોત થયા

ખાવડા હાઇવે પર માતેલા સાંઢની જેમ દોડતા ભારે વાહનોની હડફેટે વાહન ચાલકો સહીત અનેક પશુઓ મોતને ભેટી ચુક્યા છે તેવામાં હવે ભીરંડીયારાથી હોડકો વચ્ચે રોડ પસાર કરતી ત્રણ ભેંસોને એગ્રોસેલ કંપનીમાંથી કેમિકલ ભરીને આવતા ટેમ્પોના ચાલકે હડફેટે લેતા બે ભેંસોના મોત નીપજ્યા છે જ્યારે એકને ઈજા પહોચતા માલધારીને રૂપિયા 2.38 લાખનું નુકસાન થયું છે. પ્રાપ્ત વિગતો મુજબ ભીરંડીયારાના ફરિયાદી ઉમરભાઈ જુમાભાઈ રાયશીએ ધોરડો પોલીસ મથકે આરોપી ટેમ્પો નંબર જીજે 12 સીટી 6752 ના ચાલક વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ રવિવારે રાત્રે સાડા આઠ વાગ્યાના અરસામાં બન્યો હતો. ફરિયાદી પોતાની ભેંસોને બન્નીના ચરિયાણ વિસ્તારમાંથી સાબુવાંઢ પાસે બનાવેલા વાડામાં લઇને જતા હતા.એ દરમિયાન ભીરંડીયારા અને હોડકો વચ્ચે આરોપી ચાલકે કેમિકલ ભરેલ ટેમ્પોથી ફરિયાદીની ત્રણ ભેંસોને ટક્કર મારી હતી.જેમાં બે ભેંસોને ગંભીર ઈજાઓ પહોચતા મોત નીપજ્યું હતું જ્યારે એક ઈજાગ્રસ્ત થઇ હતી.જેથી ફરિયાદીને રૂપિયા 2.38 લાખનું નુકસાન થયું હતું. બન્ની ભેંસ 2011 માં રાષ્ટ્રીય ઓલાદ જાહેર થઇ છેબન્નીની ભેંસ તેની દૂધની ક્ષમતાને કારણે લાખેણી બની છે.માલધારીઓ પણ આ ભેંસોને અલગ અલગ નામ આપી બોલાવતા હોય છે.અકસ્માતના આ બનાવમાં મોતને ભેટેલી ભેંસોને તેના માલિકે “મિસ” અને “મો” નામ આપેલા હતા.જ્યારે ઈજા પામેલી ભેંસનું નામ “ભી” રાખવામાં આવ્યું છે.ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા વર્ષ 2011 માં બન્ની નસલની ભેંસને ભારતની અગિયારમી ભેંસની જાતી તરીકે માન્યતા આપવામાં આવી હતી. બીજા દિવસે વાતચીત બાદ સમાધાન ન થતા ગુનોરવિવારે અકસ્માતના બનાવ બાદ આરોપી ચાલકે તેના માલિક સાથે ફરિયાદીની વાત કરાવી હતી અને બીજા દિવસે આ બાબતે સમાધાન કરવા કહ્યું હતું.પરંતુ બન્ને વચ્ચે સમાધાન ન થતા અંતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 4:14 am

આજે વિશ્વ ન્યુમોનિયા દિવસ:જીકેમાં મહિને 60 દર્દીઓ મેળવે છે સારવાર

પ્રાચીન યુગથી અસ્તિત્વ ધરાવતા ન્યુમોનિયાને વર્તમાન યુગમાં રસીકરણથી કાબુમાં રાખી શકાય: તેમ છે.ભુજની જી.કે.જનરલ હોસ્પિટલના પલ્મોનોલોજી વિભાગમાં દર મહિને અંદાજે 50 થી 60 ન્યૂમોનિયાના દર્દીઓ સારવાર લે છે. કેટલાક રોગ એટલા પ્રાચીન હોય છે કે, જેમની ગણના ગ્રીક યુગમાં પણ હતી આ પૈકી એક ન્યુમોનિયાને ગણી શકાય. આ રોગથી આજે પણ વિશ્વમાં અંદાજે ચાર મિલિયન વ્યક્તિઓનું મૃત્યુ થાય છે. ન્યુમોનિયાની જાગૃતિ માટે વિશ્વ આરોગ્ય સંસ્થા દર વર્ષે 12મી નવેમ્બરના વિશ્વ ન્યુમોનિયા દિવસની ઉજવણી કરે છે. અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલના પલ્મોનોલોજીસ્ટ ડો. કલ્પેશ પટેલે વિશ્વ ન્યૂમોનિયા દિવસ નિમિતે કહ્યું કે, આ રોગને વર્તમાન યુગમાં કાબુમાં લેવા રસીકરણ ખૂબ જ મહત્વ ધરાવે છે. પાંચ વર્ષનાં બાળક માટે તેમના માતા-પિતા અને 50 વર્ષ અને તેથી વધુ ઉંમરની વ્યક્તિ જો જાગૃત બનીને જરૂરી ન્યુમોકકલ વેક્સિન સમયસર લે તો આ રોગ થવાની સંભાવના ઘણી ઘટી જાય છે. જોકે આ રોગ તમામ ઉંમરના લોકોને થઈ શકે છે. બેક્ટેરિયા, વાયરલ અને ફૂગથી થતો રોગ વૃધ્ધ અને બાળકોને ઝડપથી ચપેટમાં લઈ લે છેતબીબના જણાવ્યા અનુસાર, આ એક ફેફસાનો રોગ છે. જેના સામાન્યથી ગંભીર લક્ષણો જોવા મળે છે.ઉધરસ સાથે કફ, તાવ, ઠંડી, છાતીમાં દુખાવો વિગેરે તેના મુખ્ય લક્ષણો છે. કફમાં કેટલીક વખત લોહી પણ આવતું હોય છે. બેક્ટેરિયા, વાયરલ અને ફૂગથી થતો આ રોગ વૃધ્ધ અને બાળકને ઝડપથી ચપેટમાં લઈ લે છે.ન્યુમોનિયા સંભવિત વ્યક્તિઓએ બચવા માટે ભીડભાળવાળી જગ્યાએ જવાનું ટાળવું અને જવાનું થાય તો માસ્ક અવશ્ય પહેરવું. સામાન્ય દિવસોમાં પણ બહાર નીકળતી વખતે ખાસ કરીને પ્રદૂષણ વધુ હોય ત્યારે માસ્ક પહેરીને નીકળવું હિતાવહ છે.પોષણક્ષમ ખોરાક લેવો જોઈએ વડીલો અને નાના બાળકોએ તો ખાસ રસીકરણ કરાવવું જ જોઈએ.જો ઉપરોક્ત લક્ષણો જણાય તો તબીબનો સંપર્ક કરવો.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 4:13 am

આદેશ:ધોરડો અને ધોળાવીરામાં સ્વચ્છતા જાળવવા જિલ્લા કલેક્ટરનો આદેશ

રણોત્સવમાં સહભાગી થવા લાખોની સંખ્યામાં પ્રવાસીઓ કચ્છ આવી રહ્યા છે ત્યારે કચ્છ કલેક્ટર આનંદ પટેલની અધ્યક્ષતામાં ધોરડો અને ધોળાવીરા સહિત આજુબાજુ વિસ્તારના રિસોર્ટ તેમજ હોમસ્ટેના સંચાલકો બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટરે હોમસ્ટે અને રિસોર્ટ ધારકો સાથે સંવાદ કરીને તેમના પ્રશ્નો અંગે જાણકારી મેળવી હતી. સાથે જ તેમને રિસ્પોન્સીબલ ટુરિઝમના ધ્યેય સાથે પ્લાસ્ટિક પ્રતિબંધિત વિસ્તારમાં પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા અનુરોધ કર્યો હતો. કચ્છમાં મહત્તમ સંખ્યામાં પ્રવાસીઓ આવે, સ્થાનિક લોકોને રોજગારી મળે અને સ્થાનિક કલા તેમજ લોકકલાનો વિકાસ થાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે, તેવામાં પ્રવાસીઓનો અનુભવ સુખદ રહે તે માટે જરૂરી હાઈજીન જાળવવા, સ્વચ્છતા રાખવા અને પારદર્શિતા અપનાવવા કલેક્ટર આનંદ પટેલે તાકીદ કરી હતી. કચ્છ આવતા પ્રવાસીઓ ઓનલાઈન રણ પરમીટ મેળવી શકે તે માટે ક્યુઆર કોર્ડથી પરમીટ મેળવવા અંગે હોમસ્ટે અને રિસોર્ટ ધારકોને માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ, ભુજ પ્રાંત અધિકારી અનીલ જાદવ, ભચાઉ પ્રાંત અધિકારી જ્યોતિ ગોહિલ, ખાવડા સીનીયર નાયબ મામલતદાર અમિત પરમાર, ધોરડોના સરપંચ મિયા હુસેન અને ધોળાવીરા સરપંચ જીલુભા સોઢા સહિત હોમસ્ટે અને રિસોર્ટના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 4:11 am

ઘટસ્ફોટ:હોટલમાં નોંધ એકની, તપાસ કરતા કાશ્મીરના 3 મળ્યા

સરહદી કચ્છ જિલ્લામાં દિલ્હી બ્લાસ્ટને પગલે હાઈ એલર્ટ જાહેર કરી ઠેર ઠેર નાકાબંધી સહીત વાહનચેકિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. એ દરમિયાન ભુજમાં આવેલી હોટલ જનતાઘરમાં એસઓજીએ તપાસ કરતા એક જમ્મુ કશ્મીરના વ્યક્તિની રજીસ્ટરમાં નોંધ થયેલી હતી પરંતુ રૂમમાં તપાસ કરવામાં આવી ત્યારે મહિલા સહીત ત્રણ રોકાયેલા હોવાનું સામે આવતા હોટલના સંચાલક પિતા-પુત્ર સામે ગુનો દાખલ કરી રૂમમાં રોકાયેલા ત્રણેયની પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયાએ દિલ્હીમાં થયેલા બ્લાસ્ટને પગલે જિલ્લાના તમામ પોલીસ મથકે સુચના આપી નાકાબંધી અને વાહન ચેકિંગની કામગીરી કરવા આદેશ આપ્યો હતો.સરહદી જિલ્લામાં હાઈએલર્ટ જાહેર કરાતા પશ્ચિમ કચ્છ એસઓજીની ટીમ શહેરની હોટલોમાં રોકાયેલા મુસાફરોની તપાસ શરૂ કરી હતી.એ દરમિયાન હોટલ જનતાઘરમાં પહોચેલી ટીમે રજીસ્ટર તપાસતા તેમાં થયેલી નોંધમાં ગેરરીતી સામે આવી હતી. જે મામલે સંચાલક જનક વિઠ્ઠલદાસ ભાટિયા અને તેના પુત્ર વિનય જનક ભાટિયા વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આરોપીઓએ પોતાની હોટલના રજીસ્ટરમાં જમ્મુ કશ્મીરના ઝાંગલીમાં રહેતા જમીલ અહમદખાન અબ્દુલ મજીદખાન નામના વ્યક્તિની નોંધ કરેલી હતી. જેને રૂમ નંબર 251 આપવામાં આવ્યો હતો. હાઈએલર્ટ દરમિયાન પરપ્રાંતીય ઇસમ રોકાયેલો હોવાથી પોલીસ રૂમમાં વધુ તપાસ માટે ગઈ હતી. ત્યારે રૂમમાંથી જમીલખાન સહીત એક મહિલા નયિમ બેગમ અને મોહંમદ નયિમ અઝીજ ખાન મળી આવ્યા હતા. પોલીસે ત્રણેયની પૂછપરછ કરતા ગત 1 નવેમ્બરથી હોટલના રૂમમાં રોકાયેલા હોવાનું જણાવ્યું હતું.આ મામલે આરોપી હોટલ સંચાલકની પૂછપરછ કરતા માત્ર એક વ્યક્તિની રજીસ્ટરમાં નોંધ કરી હોવાનું જણાવ્યું હતું.સમગ્ર મામલે પોલીસે આરોપી પિતા-પુત્ર સામે જાહેરનામાં ભંગ સહીતની કલમો તળે ગુનો દાખલ કરી જમ્મુ કશ્મીરની મહિલા સહીત ત્રણેયની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. જમ્મુ કશ્મીરથી ચંદો ઉઘરાવવા ભુજમાં આવ્યા !આ ઘટના મામલે ભુજ એસઓજીના પીઆઈ કે.એમ.ગઢવી સાથે વાત કરતા તેમણે માહિતી આપતા જણાવ્યું કે,મહિલા સહીત ત્રણેયની પોલીસે પ્રાથમિક પૂછપરછ કરી છે.જેમાં છેલ્લા દસ દિવસથી હોટલના રૂમમાં રોકાયેલા ઈસમો જમ્મુ કશ્મીરથી ચંદો ઉઘરાવવા માટે આવ્યા હોવાનું હાલ પોલીસને જણાવી રહ્યા છે.જોકે આ મામલે હજી વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.પોલીસને બતાવવામાં આવેલા આધાર પુરાવા પર પણ જમ્મુ કશ્મીર પોલીસની મદદથી ખરાઈ કરવામાં આવી રહી છે. હાલ આગળની તપાસ ચાલુમાં છે. સરહદી જિલ્લામાં કલેકટરના જાહેરનામાનો ભંગકચ્છ જિલ્લો સરહદી વિસ્તાર હોવાથી કલેકટર દ્વારા સુરક્ષાના ભાગરૂપે જાહેરનામું બહાર પાડી તેનું અમલ કરવા આદેશ આપવામાં આવે છે.પરંતુ હોટલ સંચાલકો તેની ગંભીરતાને ધ્યાને ન લઇ અવારનવાર ઉલંઘન કરતા હોવાના કિસ્સા સામે આવી ચુક્યા છે.પરપ્રાંતીય ઈસમો ગંભીર ગુનો આચરી કચ્છમાં આશ્રય લેતા હોવાના કિસ્સા પણ અગાઉ સામે આવી ચુક્યા છે.તેવામાં હાઈએલર્ટ દરમિયાન વધુ એકવાર જાહેરનામાંનું ભંગ થયો હોવાની ઘટના સામે આવી છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 4:11 am

ફરિયાદ:સે-25 વિવેકાનંદનગરમાં અસામાજિક તત્ત્વોએ 2 બાઇક સળગાવ્યાં

ગાંધીનગર શહેરના સેક્ટર 25માં જીઆઇડીસી વિસ્તારમાં આવેલી સ્વામી વિવેકાનંદનગર વસાહતમાં મોડી રાતના સમયે કેટલાક અસામાજિક તત્વો દ્વારા પાર્કિગમાં મુકવામાં આવેલા બે બાઈકને પેટ્રોલ છાંટીને આગ ચાપી દેવામાં આવી હતી. જેના પગલે દોડધામ મચી ગઈ હતી. જોકે આ ઘટના અંગે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. ગાંધીનગર શહેરમાં છેલ્લા થોડા સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો હોય તેવુ જોવા મળી રહ્યુ છે. જેમાં શહેરના સેક્ટર 25માં આવેલી સ્વામી વિવેકાનંદનગરમાં પાર્કિગ કરાયેલા બાઇકને આગ ચાપી દેવાની ઘટના બહાર આવી છે. આ વસાહતમાં રહેતા અને મજૂરી કામ કરતા પ્રદીપ રાજુભાઈ સોલંકી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છેકે, બે દિવસ પહેલા રાત્રના સમયે તેઓ તેમના ઘરે સૂઈ રહ્યા હતા, તે દરમિયાન તેમના ફ્લેટની નીચે હોબાળો થયો હતો. જેથી તેઓ એકા એક જાગી ગયા હતા અને નીચે આવતા જોયું તો તેમના બાઈકને આગ લાગી હતી. જોકે, આગને આસપાસના વસાહતીઓ દ્વારા બુજાવી દેવામાં આવી હતી, તેમની બાઈકની બાજુમાં પાર્ક કરવામાં આવેલું તલ્હાન રહીમશા ફકીરનું બાઈક પણ આગની ઝપેટમાં આવી ગયું હતું. જેના પગલે તેની ઉપર પણ પાણીનો મારો ચલાવી બુજાવી દેવામાં આવ્યું હતું. પ્રદીપ દ્વારા તપાસ કરવામાં આવતા તેના બાઈકની પેટ્રોલ ટાંકી તોડીને તેમાંથી પેટ્રોલ કાઢી આ આગ લગાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આ ઘટનાને અંજામ આપનાર અજાણ્યા વ્યક્તિ સામે તેણે સેક્ટર 21 પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 4:07 am

ભયનો માહોલ:કોલવડામાં હડકાયા વાનરનો આતંક, યુવક પર જંપ મારતા હાથ ભાંગ્યો

ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જંગલી જાનવરનો ત્રાસ વધી રહ્યો છે. થોડા સમયથી ઝરખ જોવા મળી રહ્યુ છે. જેથી વન વિભાગની ટીમ તેને પકડવા દોડા દોડી કરી રહી છે. ત્યારે ગાંધીનગરના કોલવડા ગામમાં વાનરે આતંક મચાવ્યો છે. દરબાર ભાગોળથી એક યુવક તેની દુકાન તરફ જઇ રહ્યો હતો, ત્યારે વાનરે તેની ઉપર કુદકો લગાવ્યો હતો. જેમાં તેને શરીરે ઇજાઓ હોસ્પિટલમાં સારવાર લેવામાં આવી હતી. ગામમાં છેલ્લા ત્રણ મહિનામાં 3 નાગરિકોને ઇજાઓ પહોંચાડવામાં આવી છે. મળતી માહિતી મુજબ ગાંધીનગરના કોલવડા ગામમાં છેલ્લા કેટલાક સમયથી સમયાંતરે વાનર ચાળા કરી જાય છે. થોડા મહિના અગાઉ એક વૃદ્ધાને હાથ ઉપર બચકા ભરવામાં આવ્યા હતા. ત્યારબાદ અન્ય એક યુવતીને કપાળના ભાગે બચકા ભર્યા હતા. જ્યારે બે દિવસ પહેલા ગામમાં આવેલી દરબાર ભાગોળે એક યુવક ઉપર જંપ લગાવ્યો હતો. ગામમાં રહેતો આશરે 32 વર્ષિય સંદીપ ભરતભાઇ પ્રજાપતિ ગામમાંથી તેની દુકાન તરફ જઇ રહ્યો હતો. તે સમયે એકાએક વાંનર દોડતો દોડતો આવ્યો હતો અને યુવક ઉપર કુદ્યો હતો. જેથી યુવકને ડાબા હાથે ઇજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જેમાં તેને ફ્રેક્ચર થયુ હોવાનુ સામે આવ્યુ હતુ. એક વાનરના કારણે ગામના નાગરિકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. અવાર નવાર ગામમાં વાનરનો આતંક જોવા મળી રહ્યો છે અને નાગરિકો ઉપર હુમલા કરી રહ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં ગામના 3 નાગરિકો ઉપર હુમલા થઇ ચૂક્યા છે. ત્યારે વન વિભાગ દ્વારા આતંક મચાવનાર વાનરને પાંજરે પુરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 4:07 am

નિર્ણય‎:જિલ્લાના 533 પ્રાથમિક સ્કૂલના 1042 શિક્ષકોને જૂની પેન્શનમાં સમાવાયા

એપ્રિલ-2005 પહેલાં ભરતી થયેલા શિક્ષકોને જૂની પેન્શનમાં સમાવેશ કરવાનો રાજ્ય સરકારે એપ્રિલ-2025માં આદેશ કર્યો હતો. આદેશ બાદ સેવાપોથીનો અભ્યાસ અને જૂની પેન્શન યોજનામાં સમાવેશ થનાર શિક્ષકો પાસેથી જરૂરી માહિતી મેળવવામાં આવી હતી. ત્યારબાદ શિક્ષણતંત્ર દ્વારા તમામ પાસાઓનો અભ્યાસ કર્યા બાદ જિલ્લાના 1042 શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આથી શિક્ષકોને સાત માસના લાંબા વિરામ બાદ તેઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળતો થશે. રાજ્યભરની સરકારી પ્રાથમિક શાળાઓમાં ભરતી કરાયેલા શિક્ષકોમાંથી એપ્રિલ-2005 પહેલાં ભરતી થયેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવેશ નહી કરાતા વિરોધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ત્યારબાદ રાજ્ય સરકારે સ્વિકારીને એપ્રિલ-2025માં એપ્રિલ-2005 પહેલાં ભરતી થયેલા પ્રાથમિક શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવાનો આદેશ કર્યો હતો. જોકે આદેશ કર્યા બાદ પ્રાથમિક શિક્ષકોની સર્વિસબુકની ચકાસણી કરવામાં આવી હતી. ઉપરાંત જૂની પેન્શન યોજનામાં સમાવેશ શિક્ષકો પાસેથી જરૂરી માહિતી મંગાવવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણતંત્ર દ્વારા તમામ પાસાઓનો અભ્યાસ કર્યાબાદ જિલ્લાના 1042 શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવાનો નિર્ણય લેવાયો છે. આગામી 19મી, નવેમ્બરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા દરખાસ્ત કરવાની રહેશે. ત્યારબાદ રાજ્યના નાણાં વિભાગ દ્વારા જૂની પેન્શન યોજનામાં સમાવેશ કર્યાનો આદેશ કરાશે. આથી રાજ્ય સરકારે આદેશ કર્યાને સાત માસ જેટલા લાંબા સમય બાદ જિલ્લાની 533 પ્રાથમિક શાળાના 1042 પ્રાથમિક શિક્ષકોને છેવટે જૂની પેન્શન યોજનાનો લાભ મળતો થશે. જેમાં જિલ્લાના ચારેય તાલુકાના પ્રાથમિક શિક્ષકોમાંથી કલોલના 260, માણસાના 155, ગાંધીનગરના 270 અને દહેગામના 347 શિક્ષકોનો સમાવેશ થાય છે. શિક્ષકોની માહિતી હોવા છતાં સાત માસ લાગ્યાશિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કર્યાનો આદેશ થયાને સાત માસ પછી આખરે સમાવેશ કરાયો છે. ત્યારે રાજ્ય સરકાર પાસે દરેક શિક્ષકની તમામ માહિતી હોવા છતાં આટલો લાંબો સમય કાઢવામાં આવ્યો તેવો ગણગણાટ શિક્ષક આલમમાં જોવા મળી રહ્યો છે. ત્યારે આદેશ થયાની તારીખથી જૂની પેન્શન યોજનામાં સમાવેશ કર્યા બાદ મળવાપાત્ર લાભો પણ આપવાના રહેશે. જોકે તેની અસર શિક્ષકો નિવૃત્ત થાય ત્યારે તેની ખબર પડશે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 4:06 am

ધરપકડ:ચોરી કરી 9 વર્ષથી ફરાર થયેલો આરોપી છત્રાલ પાસેથી પકડાયો

ગાંધીનગર જિલ્લામાં ગુનાઓને અંજામ આપી ભાગતા ફરતા આરોપીઓને પકડવા માટેનુ પોલીસ દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. ત્યારે એલસીબીની ટીમ દ્વારા દારૂના કેસમાં છેલ્લા એક વર્ષથી ભાગતા ફરતા આરોપીને છત્રાલ પાસેથી ઝડપી લીધો હતો. જ્યારે સાંતેજ પોલીસ મથકમાં ચોરીના કેસમાં 9 વર્ષથી ભાગતા ફરતા આરોપીને રાજસ્થાનથી પકડી લીધો હતો. બંને આરોપીઓને પોલીસ મથકમાં સોપવામાં આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એચ.પી. પરમારની ટીમના બી.એચ.ઝાલા તેમની ટીમ સાથે જિલ્લામાં ગુનાઓને અંજામ આપી ભાગતા ફરતા આરોપીઓની લીસ્ટ બનાવી શોધખોળ કરી રહ્યા હતા. જેમાં માહિતી મળી હતી કે, કલોલ તાલુકા પોલીસ મથકમાં એક વર્ષ પહેલા નોંધાયેલા દારૂના કેસમાં આરોપી દશરથ કાંતીભાઇ રાજગોર (રહે, બ્રાહ્મણવાસ, જાતગામ, દાંતીવાડા,બનાસકાંઠા)ની બાતમી મળી હતી કે, હાલમાં છત્રાલ બ્રીજ પાસે જોવા મળી રહ્યો છે. જેથી ટીમ તાત્કાલિક બાતમી મુજબના સ્થળે પહોંચી ગઇ હતી અને એક વર્ષથી પોલીસને ચકમો આપનાર આરોપીને ઝડપી લઇ કલોલ તાલુકા પોલીસને સોપ્યો હતો. જ્યારે બીજી તરફ સાંતેજ પોલીસ મથક વિસ્તારમાં ઘરઘાટી તરીકે કામ કરનાર વિરજી રોડાજી મીણા (રહે, ડાબાડા ફલા, છાણી ગામ, સરાડા, સલુમ્બર, રાજસ્થાન) ઘરફોડ કરીને 9 વર્ષ પહેલા ફરાર થઇ ગયો હતો. આરોપી પોલીસના હાથમાં આવતો ન હતો. જ્યારે તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને સુત્રધારોને એક્ટીવ કરવામાં આવ્યા બાદ માહિતી મળી હતી કે, આરોપી હાલતમાં તેના રાજસ્થાનના ઘરે જોવા મળી રહ્યો છે. જેથી એક ટીમને તેના વતનમાં મોકલવામાં આવી હતી. જેમાં પોલીસે આરોપીને તેના ઘરેથી દબોચી લીધો હતો. સાંતેજ પોલીસને સોપવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 4:05 am

સચોટ કાર્યવાહી માટે કલેક્ટરની સૂચના:SIRમાં 8 દિવસમાં 11.47 લાખ ફોર્મનું વિતરણ કરાયું

મતદાર યાદીની સઘન ચકાસણી- SIR અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં હાલ બીએલઓ દ્વારા મતદારોના ઘરે ઘરે જઇને ચકાસણીની પ્રક્રિયા ચાલી રહી છે. પ્રથમ તબક્કે બીએલઓ દ્વારા ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. 4 નવેમ્બરથી આ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે પ્રથમ 8 દિવસમાં જ 1333 બુથમાં 11.47 લાખ ફોર્મ મતદારોના ઘરે પહોંચાડી દેવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગર ઉત્તરમાં 1.75 લાખ, દક્ષિણમાં 3.44 લાખ, કલોલમાં 2.34 લાખ, માણસામાં 1.90 લાખ અને દહેગામમાં 2.02 લાખ ફોર્મ વિતરીત કરી દેવામાં આવ્યા છે. કુલ 13.89 લાખ મતદારોને ફોર્મનું વિતરણ કરવાનું થાય છે. જે થયા પછી ભરાયેલા ફોર્મ એકત્ર કરવાની કામગીરી શરૂ કરાશે. કલેક્ટર દ્વારા એક બેઠક યોજીને અધિકારીઓને સઘન અને ઝડપી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. તા.4થી શરૂ થયેલી ફોર્મ વિતરણની કામગીરીમાં અત્યાર સુધીમાં 11.47 લાખ ફોર્મ મતદારોના ઘરે પહોંચાડી દેવામાં આવ્યા છે. જિલ્લાના ચારેય તાલુકામાં ફોર્મ વિતરણની કામગીરી ઝડપી કરવામાં આવી રહી છે. હજુ બાકીના મતદારોના ઘરે ફોર્મ પહોંચાડવાની કામગીરી પણ ઝડપથી ચાલી રહી છે. ફોર્મ વિતરણ બાદ તેને એકત્ર કરવાની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 4:03 am

કામગીરી:મનપામાં હાજર થતાંની સાથે કર્મીઓએ અન્ય પરીક્ષા માટે એનઓસી માગ્યું

મહાનગરપાલિકામાં હજુ તો 1લી નવેમ્બરથી નવા ભરતી થયેલા ક્લાર્કને હાજર કરવામાં આવ્યા છે પરંતુ તેની સાથે જ તેમણે અન્ય સરકારી ભરતી પરીક્ષા માટે એનઓસીની માંગણી શરૂ કરી દીધી છે. કેટલાકે તો અન્ય ભરતીની પ્રાથમિક પરીક્ષા પાસ કરી દીધી છે અને મુખ્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. આવા સંજોગોમાં આવનારા દિવસોમાં ભરતી બાદ પણ અનેક જગ્યા ખાલી રહે તેવી શક્યતા છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં જૂનિયર ક્લાર્કની ભરતી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવી છે. પરંતુ નવા નિયમોમાં કોમ્પ્યુટર ટેસ્ટ લેવાતી નહીં હોવાથી નવા ભરતી થયેલા ક્લાર્કની પણ આ ટેસ્ટ લેવામાં આવી નથી. પરિણામ એ આવ્યું છે કે મહાનગરપાલિકામાં નવા હાજર થયેલા ક્લાર્ક પૈકી મોટાભાગનાને ટાઇપીંગ સુદ્ધા આવડતું નથી. ક્લાર્કની રોજબરોજની કામગીરીમાં કોમ્પ્યુટર ટાઇપીંગની કામગીરી પણ રહેતી હોય છે. પરંતુ નવા ક્લાર્કને ટાઇપીંગ કે ઇ- સરકારનો અનુભવ નહીં હોવાથી સિનિયર કર્મચારીઓ અને શાખા અધિકારીઓ પર કામગીરીનું ભારણ બેવડાયું છે. પરિણામે આઉટસોર્સિંગ સ્ટાફ છૂટો કર્યા બાદ નવા કર્મચારીઓ ફાળવવામાં આવ્યા પછી પણ સ્થિતિ રાબેતા મુજબ થઇ શકી નથી. 31મી ઓક્ટોબરે મહાનગરપાલિકા દ્વારા વર્ષો જૂના 114 આઉટસોર્સિંગ ક્લાર્કને એકાએક છૂટા કરી દેવાયા હતા અને તે પછી કાયમી ભરતી થઇને આવેલા 136 જેટલા જૂનિયર ક્લાર્કને હાજર કરવામાં આવ્યા હતા. આ ક્લાર્કને બે દિવસ અગાઉ શાખા ફાળવણી કરવામાં આવી છે પરંતુ કામગીરીનો અનુભવ નહીં હોવાથી અને કોમ્પ્યુટરમાં ટાઇપીંગ જેટલું પણ નોલેજ નહીં હોવાથી શાખાના અન્ય કર્મચારીઓ પર કામનું મોટું ભારણ આવી પડ્યું છે. જેની સીધી અસર દૈનિક કામગીરી પર પડી રહી છે. વેઇટિંગ લિસ્ટ બન્યું નથી, જગ્યા ખાલી પડશે તો ફરી ભરતી કરવી પડશેગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ વિભાગના જૂનિયર ક્લાર્કની સાથે મહાનગરપાલિકાના જૂનિયર ક્લાર્કની એટલે કે સંયુક્ત ભરતી કરવામાં આવી હોવાથી તેનું વેઇટીંગ લિસ્ટ પણ બનતું નથી. આથી ટૂંકા ગાળામાં આ પ્રકારે નવા ભરતી થયેલા કર્મચારીઓ જો અન્ય નોકરીમાં જતા રહે તો ખાલી પડેલી જગ્યા માટે ફરીથી ભરતી પ્રક્રિયા કરવી પડે અથવા તો ફરી આઉટ સોર્સિંગ કર્મચારીઓનો સહારો લેવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. હાલ તો મહાનગરપાલિકામાં આ એક જ મુદ્દો ચર્ચામાં છે. નવા નિયમો પ્રમાણે કોમ્પ્યુટર ટેસ્ટ લેવાતી નથીગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન તુષાર ધોળકીયાએ કહ્યું કે સરકાર દ્વારા કરાયેલા છેલ્લા સુધારા પ્રમાણે કોમ્પ્યુટર એફિસિયન્સી ટેસ્ટ લેવામાં આવતી નથી. માત્ર ઉમેદવાર કોમ્પ્યુટરનું બેઝીક નોલેજ ધરાવે છે તેવું પ્રમાણપત્ર લેવાનું હોય છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 4:03 am

ભાસ્કર ઈનસાઈડ:બીસીએની એજીએમમાં 20 મિનિટમાં 8 એજન્ડા પાસ, હોબાળો થતાં પૂર્ણ કરાઈ

બીસીએની 85મી એજીએમમાં 20 મિનિટમાં બહુમતીથી 8 એજન્ડા પાસ થયા હતા. જોકે સત્યમેવ જયતે ગ્રૂપના સભ્યો ડાયસ પાસે ધસી જઈ હોબાળો કરતાં એજીએમ પૂર્ણ કરી દેવાઈ હતી. જ્યોતિ ગાર્ડનમાં યોજાયેલી એજીએમમાં 514 સભ્યો હાજર રહ્યા હતા. એજીએમ બાદ બીસીસીઆઈ તરફથી 150 કરોડ આવે તેવી શક્યતા છે. બીસીએ પ્રમુખ પ્રણવ અમીને કહ્યું કે, એજન્ડા, એકાઉન્ટ, ઓડિટર સહિત નિમણૂક એજીએમમાં કરાઈ હતી. એજીએમ મોડી થાય તો બીસીસીઆઈ પાસેથી રૂપિયા મળતા નથી, જે બીસીએ માટે યોગ્ય નથી. એજીએમમાં 10-90ની બહુમતીથી એજન્ડા પાસ થયા. ભારત-ન્યૂઝીલેન્ડની મેચ છે. ફરી ડબ્લ્યુપીએલ આવે તેમ લાગે છે. અમારો શરૂઆતથી એજન્ડા વડોદરામાં સ્ટેડિયમ બનાવવું અને ક્રિકેટ ડેવલેપમેન્ટ માટે કામ કરવાનો છે. સ્ટેડિયમ પર 340 કરોડ ખર્ચાયા નથી. બજેટ 220 હતું અને સ્ટેડિયમ 207 કરોડમાં બનાવાયું છે. અન્ય રૂપિયા અગાઉ જમીન, રસ્તા, પાણી લાવવા કરાયા છે. ખજાનચી શિતલ મહેતાએ કહ્યું કે, 2019-20ની બેલેન્સશિટમાં બીસીએ પાસે 34 કરોડની એસેટ હતી. સ્ટેડિયમ તથા અન્ય સુવિધા બાદ બીસીએની એસેટ 381 કરોડ છે. આ ભવિષ્યમાં ટેક્સ ભરવામાં ડેપ્રિસિએશન મળશે. બહુમતી કરવા 4 મિટિંગ કરી, પ્રેઝન્ટેશન બતાવી સંભવિત આક્ષેપો અંગે સભ્યોની સમજાવટ કરીરોયલ અને રિવાયવલ ગ્રૂપે એજીએમ પહેલાં 4 મિટિંગ કરી હતી. જેમાં ઓછામાં ઓછા 150 સભ્યો હાજર રહેતા હતા. બહુમતીથી એજન્ડા પાસ કરવા સક્રિય સભ્યોએ 10-15 સભ્ય લાવવા નક્કી કર્યું હતું. સામા પક્ષના સંભવિત આક્ષેપનું પ્રેઝન્ટેશન બનાવી બતાવ્યું હતું અને પહેલાં આંતરિક પ્રશ્નો હોય તો તે સમજાવ્યા હતા. સત્યમેવ જયતે ગ્રૂપ હિસાબો, સ્ટેડિયમ સહિતના દરેક એજન્ડામાં વિરોધ કરશે તેવું નક્કી કર્યું હતું. પરંતુ તેમની રણનીતિ ચાલી ન હતી. અમને વિરોધ કરવા જ ન દેવાયો ઃ ડો.બેંકરસત્યમેવ જયતે ગ્રૂપના ડો. દર્શન બેંકરે કહ્યું કે, અમને વિરોધ જ નથી કરવા દેવાયો. વિરોધ કરશો તો સભ્યપદ ડિસમિસ કરી દેવાશે તેવી ધમકી અપાઈ હતી. એજીએમ ગેરબંધારણીય હતી. 10 લાખ ઉપરનો ખર્ચો વેબસાઇટ પર મુકવાની હોય છે. પરંતુ તે મુકતા નથી.કૌશિક ભટ્ટ , જતીન વકીલ, અને કલ્પેશ પરમાર એક તરફી શાસન, સભ્યોની કોઇ વાત ન સાંભળવાનો ઇરાદો આજે પુરવાર થયો છે. બીસીએ દ્વારા આ એજન્ડા પાસ કરાયા હતા એજીએમમાં ચર્ચાયેલા મુદ્દાઓના કેટલાક અંશ

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 4:00 am

સુવિધા:મહિસા સહિત 12 ગામમાં નવા પશુ દવાખાના બનતા ઘર આંગણે સેવા મળશે

મહુધા મહીસા સહિત ખેડા જિલ્લાના 6 તાલુકાઓના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં 12 નવીન પશુ દવાખાના સ્થાપિત કરવાની સરકારે મહોર લગાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય સરકારના કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા સમગ્ર રાજ્યના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 150 નવીન પશુ દવાખાના સ્થાપિત કરવાનો નિર્ણય લેવાયો છે.વર્ષ 2025-26 દરમ્યાન રાજ્યનાં બિનઆદિજાતિ વિસ્તારોમાં જિલ્લા પંચાયત હસ્તક મંજૂર થયેલા 150 પશુ દવાખાના માટેની જગ્યાં પણ જેતે ગામમાં નક્કી કરી લેવામાં આવી છે. નેશનલ કમિશન ઓન એગ્રીકલ્ચરલની ભલામણ અનુસાર દર 5 હજાર પશુધન એકમ દીઠ એક પશુ દવાખાનું હોવું જરૂરી છે.જેને લઈ રાજ્ય સરકાર દ્વારા રાજ્યનાં રાજયમાં બિનઆદિજાતિ વિસ્તારોમાં 150 નવીન સ્થાયી પશુદવાખાનાની સ્થાપના અંગે રૂ.10.80 કરોડની નવી યોજના શરૂ કરવાં પૂર્વ અંદાજિતપત્રની દરખાસ્ત કરવામાં આવી હતી. આ દરખાસ્તને કૃ￵ષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના સેક્શન અધિકારી કામિની દેસાઈ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.જેને લઈ મહીસા ગામનાં સરપંચ સુનીતાબેન રાજેશકુમાર રોહિતે જણાવ્યું હતું કે ગામ અને પરા વિસ્તારના પશુ પાલકોને હવે પશુ લગતી સેવા ઘર આંગણે મળશે.જેમાં કુદરતી હોનારત અને રોગચાળા દરમ્યાન પશુચિકિત્સકની ગામમાં જ સીધી સેવા મળશે.એટલું જ નહીં પરંતુ એનિમલ હેલ્થ સર્ટિફિકેટ ઇસ્યુ કરવાં,પશુસરવાર કેમ્પો, રસીકરણ ખસીકરણ અને રોગચાળો ફાટી નીકળે તે સમયે રોગચાળા નિયંત્રણની કામગીરી સહિતની ગામનાં પશુપાલકોને સેવા મળશે તેમ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 4:00 am

ભાસ્કર વિશેષ:નેશનલ વૉટર એવોર્ડમાં ગુજરાત બીજું, જળસંચયમાં સાતમા ક્રમે આવનાર નવસારીને 25 લાખનું ઇનામ, રાજ્યને કુલ 10 એવોર્ડ

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે મંગળવારે નેશનલ વૉટર એવોર્ડની જાહેરાત કરી હતી. પાણીના સંવર્ધન, વ્યવસ્થાપન, પદ્ધતિઓ વગેરે માપદંડના આધારે આ એવોર્ડમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાત બીજા ક્રમે આવ્યું હતું. આ ઉપરાંત ‘જળ સંચય જન ભાગીદારી એવોર્ડ’ની પણ જાહેરાત થઇ હતી. તેમાં કેટેગરી-1માં પ્રથમ સ્થાન મેળવનાર સુરતને 1 કરોડ, કેટેગરી-3માં રાજકોટ(4), નવસારી(7) અને ખેડા(14)ને 25 લાખ રૂપિયા મળશે. નેશનલ એવોર્ડમાં સિવિસ સોસાયટી કેટેગરીમાં બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મંડળી પ્રથમ ક્રમે રહી હતી. 18 નવેમ્બરે રાષ્ટ્રરપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા વિજેતાઓને એવોર્ડ એનાયત થશે. સુરત, ખેડાને એવોર્ડ, રાજકોટનું ગીરગંગા એનજીઓ પણ સામેલ જળસંચય જન ભાગીદારી બાબતે પ્રથમ કેટેગરીમાં રાજ્યનો કોઇ જિલ્લો નથી. કેટેગરી-2માં 56 હજાર કામ સાથે સુરત પ્રથમ, કેટેગરી-3માં રાજકોટ ચોથું(10 હજાર કામ), નવસારી 7મું(9 હજાર કામ) અને ખેડા 14મા(6 હજાર કામ) સ્થાને રહ્યા હતા. ટોચના 10 મ્યુનિ. કોર્પો.માં સુરત 6ઠ્ઠા સ્થાને રહ્યું હતું. સુરતને 1 કરોડ અને અન્ય જિલ્લાને 25 લાખ રૂપિયા ઇનામ સ્વરૂપે મળશે. રાજકોટના ગીરંગંગા પરિવારને શ્રેષ્ઠ એનજીઓ કેટેગરીમાં એવોર્ડ મળ્યો હતો. 2024માં ગુજરાત ત્રીજા ક્રમે 2024ના નેશનલ વૉટર એવોર્ડમાં ગુજરાત પુડુચેરી સાથે સંયુક્ત રીતે ત્રીજા ક્રમે રહ્યું હતું. સુરત મહાનગરપાલિકા પ્રથમ ક્રમે હતી, પરંતુ આ વખતે છઠ્ઠા ક્રમે સરકી છે. વૉટર એવોર્ડમાં કોઇ ગુજરાતનો કોઇ જિલ્લો નથી, પરંતુ જળસંચય એવોર્ડમાં સામેલ છે. આ ઉપરાંત એક પણ ગ્રામ પંચયાત, સ્કૂલ, કોલેજ, ઉદ્યોગ કે કોઇ વ્યક્તિને એવોર્ડ મળ્યો નથી.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 4:00 am

ભાસ્કર એક્સક્લૂસિવ:ફ્લાઇટમાં કેમિકલ લીક, લોકોની આંખમાં બળતરા થતાં રનવેથી પાછી વાળવી પડી

અમદાવાદથી બેંગલુરુ જતી ફ્લાઇટના કાર્ગોમાં કેમિકલ લીક થતાં પેસેન્જરોની આંખોમાં બળતરા શરૂ થઈ હતી, જેથી ફ્લાઇટને રનવે પરથી પાછી વાળવી પડી હતી. ઇન્ડિગોની બેંગલુરુ જતી ફ્લાઇટ મંગળવારે સવારે 11.30 વાગ્યે ટેકઓફ થવાની હતી. તે ટેક્સી-વેથી મુખ્ય રન-વે પર જાય તે પહેલાં અટકાવાઈ હતી. એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું કે ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં લીક થયું હોવાથી તેની દુર્ગંધની અસર પેસેન્જરો સુધી પહોંચતા રીતસર આંખોમાં બળતરા શરૂ થઈ હતી અને ફ્લાઈટને રનવે પરથી પાછી વાળીને પાર્કિંગમાં લાવી 130 પેસેન્જરને નીચે ઉતારીને ટર્મિનલમાં લઈ જવાયા હતા ગ્રાઉન્ડ સ્ટાફે ફ્લાઇટના કાર્ગો કમ્પાર્ટમેન્ટને ચેક કર્યું હતું. એરલાઇન પાસે બીજી ફ્લાઇટની વ્યવસ્થા ન થતા આ જ ફ્લાઇટ સવા કલાક બાદ ટેકઓફ થઈ હતી. ફ્લાઇટમાં કેમિકલ લઈ જવા પર પ્રતિબંધ છે, કાર્ગોમાં રહેલા કેમિકલને મંજૂરી હતી કે નહિ તે દિશામાં તપાસફ્લાઇટમાં જ્વલનશીલ, વિસ્ફોટક અને સ્વાસ્થ્યને હાનિકારક હોય તેવા કેમિકલને લઈ જવા પર પ્રતિબંધિત છે છતાં ફ્લાઇટમાં કયા પ્રકારનું કેમિકલ હતું તેની તપાસ ચાલી રહી છે. ફ્લાઇટ ટેકઓફ થઈ હોત તો પેસેન્જરના સ્વાસ્થ્યનો જોખમ થઈ શક્યું હોત. કેમિકલ કયું અને પરમિશેબલ હતું કે તે અંગે પણ સવાલો ઊભા થયા છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 4:00 am

ભાસ્કર એક્સક્લૂસિવ:રેડઝોન અને એરપોર્ટ ઝોન બન્યાં અવરોધ, રાજ્યના 479 ગામો ડ્રોન સરવેની રાહમાં

કેન્દ્રની સ્વામિત્વ યોજના હેઠળ ગુજરાતના ગામડાઓમાં મિલકતનો કાયદેસર પુરાવો એટલે કે પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવાની પ્રક્રિયા ત્રણ વર્ષથી ચાલી રહી છે, પરંતુ અત્યાર સુધી રાજ્યના 17 જિલ્લાના 479 ગામોમાં પ્રાથમિક ચૂના માર્કિંગ કે ડ્રોન ફ્લાઇટ થઈ જ નથી.જમીન રેકોર્ડ નિયામક કચેરીએ તાજેતરમાં જિલ્લા કચેરીઓને સૂચના આપી છે કે બાકી ગામોમાં નવેમ્બર અંત સુધી ડ્રોન ફ્લાઇટ પૂર્ણ થાય. આ કામગીરી માટે સર્વે ઑફ ઇન્ડિયા દ્વારા નવી ટીમો ફાળવવામાં આવી છે. સત્તાવાર માહિતી મુજબ રાજ્યના કુલ 14,305 ગામોમાંથી 13,826 ગામોમાં ડ્રોન ફ્લાઇટ પૂર્ણ થઈ છે, જેમાંથી 11,652 ગામોના પ્રાથમિક નકશા જિલ્લાઓને આપવામાં આવ્યા છે અને 9,326 ગામોમાં પ્રોપર્ટી કાર્ડનું વિતરણ પૂર્ણ થયું છે. કચ્છના અનેક ગામ રેડઝોનમાં અને ગામઠાણ યોજનાઓ મુખ્ય અડચણકચ્છના 146 ગામો રેડઝોનમાં, વલસાડના 95 ગામોમાં એરપોર્ટ અને સમુદ્રી સીમા વિસ્તારના પ્રતિબંધ, જુનાગઢના 48 ગામો ગામઠાણ યોજનામાં સામેલ હોવાથી ડ્રોન પરવાનગી બાકી, નર્મદાના 28 ગામોમાં કેવડિયા સહિતના સ્ટેચ્યુ ઓફ યુનિટ વિસ્તારના પ્રતિબંધો. સુરતના મોરા, વાંસવા અને ભટલાઇ ગામો એરપોર્ટનો-ફ્લાય ઝોનમાં આવતા હોવાથી ડ્રોન ટીમો ત્યાં પહોંચી ન શકી. બાકી ગામોમાં ડ્રોન ફ્લાઇટ નવેમ્બર સુધી પૂર્ણ કરવા જણાવાયું છે. કેટલાક ગામો એરપોર્ટ રેડઝોનમાં આવતા હોવાથી પરવાનગી પ્રક્રિયા લાંબી ચાલે છે. - રવિરાજસિંહ રાજપૂત, જિલ્લા નિરીક્ષક જમીન દફ્તર અધિકારી, મહેસાણા પ્રોપર્ટી કાર્ડ મળવાથી ગામડાંમાં લોકોને કાયદેસર માલિકીનો પુરાવો મળશે રાજ્યના મોટા ભાગના ગામડાઓમાં અત્યાર સુધી આકારણી પત્રક આધારિત મિલકત પુરાવા માન્ય હતા, જેના કારણે માલિકી અસ્પષ્ટ રહેતી. હાથથી દોરેલા નકશાઓ, અતિક્રમણના વિવાદો અને લોન મેળવવામાં અડચણ આવતી. સ્વામિત્વ યોજના અંતર્ગત દરેક ઘર કે દુકાનનું ડ્રોન મેપિંગ કરીને સ્પષ્ટ સીમા સાથે પ્રોપર્ટી કાર્ડ તૈયાર થાય છે. આથી બેંકો લોન આપતી વખતે દસ્તાવેજી સ્પષ્ટતા મળે છે, તથા સરકારી અને ખાનગી જમીન વચ્ચેની હદ પણ સ્પષ્ટ થાય છે. પ્રોપર્ટી કાર્ડ શું આપે છે?

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 4:00 am

બે જૂથ વચ્ચે ચાલતી તકરાર સાંજે ઉગ્ર બની:રાજકોટના થોરાળામાં રાઠોડ અને ઓડિયા જૂથ વચ્ચે પથ્થર, સોડા-બોટલના સામસામે ઘા: 2 ઘવાયા, 1 ગંભીર

શહેરમાં વધી રહેલી ગુંડાગીરીને નાથવા પોલીસ રાત્રિના વેપારીઓ અને શહેરીજનો સામે દંડા ઉગામી રહી છે, પરંતુ માથાભારે શખ્સો સામે પોલીસ ઘટના બની ગયા પછી જ પહોંચે છે. થોરાળામાં કેટલાક દિવસથી બે જૂથ વચ્ચે ચાલતી તકરાર સાંજે ઉગ્ર બની હતી અને બંને જૂથે સામસામે પથ્થર અને સોડા-બોટલના ઘા ઝીંકતા નાસભાગ મચી ગઇ હતી. આ બઘડાટીમાં બને જૂથના એક એક વ્યક્તિને ઇજા થઇ હતી જેમાં એકની હાલત ગંભીર ગણાવાઇ રહી છે. શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં નવા થોરાળા શેરી નં.2, સ્વામિનારાયણ સ્કૂલ પાસે રાઠોડ અને ઓડિયા જૂથના લોકો સામસામે આવી ગયા હતા અને બંને જૂથે એકબીજા પર પથ્થર અને સોડા-બોટલના ઘા ઝીંકવાનું શરૂ કર્યું હતું. સાંજે 4.30 વાગ્યે બનેલી આ ઘટનાથી ત્યાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઇ હતી અને થોડીવાર માટે માહોલ તંગ થઇ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસના ધાડા સ્થળ પર દોડી ગયા હતા.હુમલામાં ઘવાયેલા ન્યૂ થોરાળા વિસ્તારના રોહિત મનજીભાઇ રાઠોડ (ઉ.વ.26) અને સામા જૂથના નયન દાફડા (ઉ.વ.22)ને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં રોહિતની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. શેરીમાંથી વાહન લઇને નીકળવા બાબતે બોલાચાલી થતાં મામલો તંગ થયાનું પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ભોગ બનનાર પક્ષે જણાવવામાં આવ્યું હતું, પરંતુ પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે, રાઠોડ જૂથ પર થયેલા હુમલામાં બોદુ ઓડિયા અને તેના મળતિયાઓના નામ પ્રાથમિક તપાસમાં ખૂલી રહ્યા છે. બોદુ ઓડિયાની સાથે હુમલામાં રાઠોડ જૂથના કેટલાક લોકો પણ સંડોવાયા છે. રાઠોડ જૂથ સાથે અગાઉ રહેલા કેટલાક શખ્સો કેટલાક સમયથી ઓડિયા જૂથ સાથે ઘરોબો રાખવા માંડ્યા હતા અને તે કારણે બંને જૂથ વચ્ચે કેટલાક દિવસથી માથાકૂટ ચાલતી હતી અને તે કારણે આજે બંને જૂથ સામસામે આવી ગયા હતા. એક જૂથ અગાઉ હત્યા કેસમાં સંડોવાયેલું હતુંથોરાળા વિસ્તારમાં ચર્ચાતી વિગતો મુજબ બંને જૂથના કેટલાક લોકો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ચારેક વર્ષ પહેલાં સલીમ નામના યુવકની હત્યા થઇ હતી તેમાં પણ એક જૂથના લોકોની સંડોવણી હતી. બંને બળુકા જૂથ વચ્ચેની ધમાલથી વિસ્તારમાં માહોલ તંગ બની ગયો હતો.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 4:00 am

ભાસ્કર એક્સક્લૂસિવ:પહેલી વાર આરઓ વોટર પ્યુરિફાયર બનાવતી 3 કંપની પર દરોડા, 15 કરોડની ટેક્સ ચોરી પકડાઈ

શહેરમાં પહેલી વાર આરઓ વોટર પ્યુરિફાયર બનાવતી ત્રણ મોટી કંપની પર ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ (ડીજીજીઆઈ)એ દરોડા પાડીને 15 કરોડની ટેક્સ ચોરી ઝડપી છે. સોમવારથી શરૂ થયેલી દરોડા કાર્યવાહી મંગળવાર રાત સુધી ચાલી હતી અને શહેરના સરખેજ-સાણંદ રોડથી લઈ વેજલપુર સુધી કુલ પાંચ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. ડીજીજીઆઈની ટીમે પ્રથમ પાશ્વમ વોટર સોલ્યુશનની ઓફિસ અને રહેઠાણ પર દરોડા પાડ્યા હતા. ત્યાંથી મળેલા ડેટાના આધારે અધિકારીઓએ તરત જ સરખેજની નવકાર વોટર સોલ્યુશન અને વેજલપુરની એક્સલ વોટર ટેક્નોલોજી પર કાર્યવાહી કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, ત્રણેય પેઢી પાણી શુદ્ધીકરણના ઉપકરણો (આરઓ)નું ઉત્પાદન અને વેચાણ તો કરતી હતી, પરંતુ મોટા પાયે બિલિંગ કર્યા વગર માલ વેચીને ટેક્સ ચોરી કરી રહી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ આ પહેલી વાર છે જ્યારે આરઓ ક્ષેત્રમાં આટલી મોટી કરચોરી ઝડપાઈ છે. તપાસમાં મળેલા ડિજિટલ પુરાવા અને દસ્તાવેજોના આધારે વધુ કાર્યવાહી કરાશે. ઓનલાઇન બેકએન્ડમાં સર્વિસ પ્રોવાઇડર્સ દ્વારા અનેક પેઢીઓના બે નંબરના હિસાબો માટે ખાસ સોફ્ટવેર સિસ્ટમ વિકસાવાયું હતું. ભાસ્કરઇનસાઇટ; બેનામી હિસાબો માટે ઓનલાઇન બેકએન્ડ સિસ્ટમ ઊભી કરી હતી, 2 સર્વિસ પ્રોવાઇડર સામે પણ કાર્યવાહીપાશ્વમ વોટર સોલ્યુશન પર દરોડા પડ્યા ત્યારે બહાર આવ્યું કે પેઢી માત્ર બિલિંગ વગરનો વેપાર જ કરતી નહોતી, પણ તેના બે નંબરના હિસાબો ઓનલાઇન બેકએન્ડ સિસ્ટમમાં છુપાવતી હતી. આ બેકએન્ડ હિસાબો બે અલગ સોફ્ટવેર કંપની મારફતે સંચાલિત થતા હતા, જેમાં વેજલપુરની વી કેર સોલ્યુશન અને અન્ય એક સર્વિસ પ્રોવાઇડરનો સમાવેશ થાય છે. આ કંપનીઓ બેક એન્ડ ડેટા ડિલીટ કરવાનો પ્રયાસ કરી શકે છે. આથી અધિકારીઓએ વિલંબ કર્યા વિના બંને સર્વિસ પ્રોવાઇડર ઓફિસ પર છાપા મારી દીધા હતા. ટીમોએ ઓફિસમાંથી તમામ કમ્પ્યુટર, લેપટોપ અને મોબાઇલ જપ્ત કરી લીધાં, જેથી કોઈ પણ ડેટા ડિલીટ ન થઈ શકે. પાશ્ચમ, નવકાર, એક્સલ વોટર, કોણે કેટલી કરચોરી કરીસરખેજ-સાણંદ રોડ પર આવેલા સિગ્નેચરમાં પાશ્વમ વોટર સોલ્યુશનમાંથી 4.75 કરોડની ટેક્સ ચોરી ઝડપાઈ છે, જ્યારે સરખેજમાં સોમનાથ સોસાયટી પાસે આવેલી નવકાર વોટર સોલ્યુશનની 8 કરોડ અને વેજલપુરની એક્સલ વોટર ટેક્નોલોજીની દોઢ કરોડની કરચોરી પકડાઈ છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 4:00 am

આંતકીઓની તપાસ માટે રાજસ્થાન-યુપી ATSની ટીમ ગુજરાત આવી:કાશ્મીરી સફરજનની આડમાં શંકાસ્પદ વસ્તુઓ અંગે તપાસ શરૂ, કટ્ટરતા ફેલાવવા 3 યુવાનો પાસે શપથ પણ લેવડાવ્યા હતા

ગુજરાત ATS દ્વારા ગાંધીનગરના અડાલજ પાસેથી ઝડપાયેલા ત્રણ આતંકવાદીઓની તપાસ માટે ગુજરાત ATSની કચેરી ખાતે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન ATSની ટીમો પણ આવી પહોંચી છે. પકડાયેલા ત્રણેય આતંકવાદીઓ, જેઓ કટ્ટરવાદી વિચારધારાથી પ્રેરાયેલા હતા અને વારંવાર કાશ્મીરની મુલાકાતે ગયા હતા, તેમના અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. ડો. મોહિયુદ્દીને દિલ્હીના આઝાદ મૈદાન અને નરોડા ફ્રુટ બજારની મુલાકાત લીધી હોવાથી, કાશ્મીરી સફરજનની આડમાં દેશભરમાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ મોકલવાની હતી કે કેમ, તે અંગે તપાસ ચાલી રહી છે. ત્રણેય આતંકીઓની મોબાઇલ ડેટા રિકવર થયા બાદ રહસ્યો ખુલશેATSની તપાસમાં જાણવા મળ્યું હતું કે, ત્રણેય આતંકી જે વિસ્તારમાં રહેતા હતા તે વિસ્તારમાં કટરવાદીઓનો પ્રભાવ હતો. હૈદરાબાદમાં આતંકી ડોક્ટર અહેમદ સૈયદે કટ્ટરવાદી વિચારધારા વાળા સભ્યોને પોતાની ટીમ બનાવવા માટે ત્રણ યુવાનો પાસે શપથ પણ લેવડાવ્યા હતા. અહેમદ સૈયદ પોતાની એક મોટી ટીમ બનાવવાની ફિરાકમાં હતો. ત્રણેય આતંકીઓની મોબાઇલ ડેટાની રિકવરી કરવામાં આવી રહી છે. મોબાઈલ ડેટા રીકવર થયા બાદ અનેક રહસ્ય પણ બહાર આવી શકે છે. ગુજરાત ATSની ટીમ હવે દિલ્હી જઈને વધુ તપાસ કરશેATSની ટીમ દ્વારા ત્રણેય આતંકીઓને અડાલજ અને છત્રાલ પાસે લઈ જઈને તપાસ કરવામાં આવી હતી. આતંકી આઝાદ અને સોહેલને કલોલના છત્રાલ પાસે લઈ જઈને પંચનામું કરવામાં આવ્યું હતું. જ્યારે અહેમદ સૈયદને અડાલજ પાસે લઈ જઈને તપાસ કરવામાં આવી હતી. ગુજરાત ATSની ટીમ હવે દિલ્હી જઈને આતંકીઓની સંડોવણી અંગે વધુ તપાસ કરશે. હૈદરાબાદથી આવેલા આતંકવાદીની ગાડીમાંથી ગન-કારતૂસ મળી હતીATSના DySP શંકર ચૌધરી અને કે. કે. પટેલને બાતમી મળી હતી કે હૈદરાબાદથી એક આતંકવાદી અમદાવાદમાં હથિયારો કલેક્ટ કરવા આવ્યો છે, જેથી ટીમ કામે લાગી હતી અને અડાલજ ટોલનાકા પાસેથી પ્લાન બનાવી ગાંધીનગર પોલીસની મદદથી હૈદરાબાદથી આવેલા આતંકવાદી ડો. એહમદ મોહ્યુદ્દીન સૈયદને ઝડપી લીધો હતો. તેની ગાડીમાંથી ત્રણ વિદેશી ઓટોમેટિક ગન અને 30 કારતૂસ મળી હતી. તેને હથિયાર આપવા માટે આવેલા ઉત્તરપ્રદેશના બે આતંકવાદી સુહેલ અને આઝાદ સુલેમાનને પણ પોલીસે પાલનપુરથી ઝડપી લીધા હતા. હાલ તમામ આતંકવાદીઓની ATS પૂછપરછ કરી રહી છે. આ પણ વાંચો: દિલ્હીમાં લાલ કિલ્લાની પાસે ચાલતી કારમાં વિસ્ફોટ: 9નાં મોત આતંકી ડો. મોહ્યુદ્દીન દોઢેક મહિના પહેલાં પણ અમદાવાદ આવ્યો હતોઆતંકીઓની પૂછપરછમાં સામે આવ્યું કે આતંકી ડો. મોહ્યુદ્દીન દોઢેક મહિના પહેલાં પણ અમદાવાદ આવ્યો હતો અને એક પાર્સલમાં રૂપિયા લઇને પરત ગયો હતો. મોહ્યુદ્દીન માટે હનુમાન ગઢથી હથિયાર લઇને આવેલા ઉત્તરપ્રદેશના સુહેલ તથા આઝાદ સુલેમાનને ચોક્કસ જગ્યાએથી હથિયાર કલેક્ટ કરીને કલોલ પહોંચવાનો આદેશ મળ્યો હતો. હથિયાર જે-તે સ્થળે કોણે મૂક્યાં હતાં? એની તપાસ ચાલે છે. પ્રાથમિક તપાસમાં તપાસ એજન્સી એવા તારણ પર પહોંચી છે કે હનુમાન ગઢ પાકિસ્તાની બોર્ડર સાથે જોડાયેલો જિલ્લો છે, જેને પગલે ડ્રોનથી હથિયાર બોર્ડર ક્રોસ કરાવીને મોકલ્યાં હતાં, જ્યાંથી આતંકવાદીઓના માણસે એ હથિયારો ચોક્કસ જગ્યાએ મુકાવ્યાં હતાં. આ પણ વાંચો: દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં હાઇ એલર્ટ સાયનાઇડ કરતાં પણ ઘાતકી રાઇઝિન નામનું ઝેર તૈયાર કરતા હતાડો. મોહ્યુદ્દીન અને તેના એક્સપર્ટ માણસોની ટીમ દ્વારા સાયનાઇડ કરતાં પણ ઘાતકી રાઇઝિન નામનું ઝેર તૈયાર કરવામાં આવી રહ્યું હતું, જેના મારફત તેઓ મોટો નરસંહાર કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. તેઓ પાઉડર ફોમમાં ખાવા-પીવાની વસ્તુઓમાં અને લિક્વિડ ફોમમાં પાણીમાં ભેળવી દઇને મોટો અંજામ આપવા માગતા હતા, જે પહેલા જ તેમને ઝડપી લેવામાં આવ્યા છે. એશિયાના ઘણા દેશોમાં ઇસ્લામિક સ્ટેટ ખોરસન પ્રોવિન્સ નામનું આતંકવાદી સંગઠન એક્ટિવ છે. અફઘાનિસ્તાનમાં બેઠેલો તેમનો લીડર આબુ ખજેદા તમામ આતંકવાદીઓે જુદા-જુદા આદેશ આપી કામ કરાવતો હતો. આ સંગઠનના આતંકવાદીઓ ગુજરાત સહિત દેશભરમાં સક્રિય છે, હવે તેમની તપાસ ચાલી રહી છે. અગાઉ પણ ગુજરાતમાં આ આતંકવાદી સંગઠનના માણસોને ઝડપી લેવામાં આવ્યા હતા. 7મી તારીખે બાતમી મળી હતી7 નવેમ્બર, શુક્રવારે સવારે ગુજરાત ATS પાસે માહિતી આવી હતી કે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલો અહેમદ મોહ્યુદ્દીન સૈયદ નામનો એક શંકાસ્પદ શખસ ગુજરાત આવ્યો છે. એના પછી ATSની ટીમે બાતમીને વેરિફાઇ કરી અને ટેક્નિકલ એનાલિસિસ કરીને તેની મૂવમેન્ટ ચેક કરી. સવારથી રાત સુધી ચાલેલી આ મથામણમાં પહેલા તો કોઇ ખાસ સફળતા ન મળી, પણ રાત્રે 9 વાગ્યા આસપાસ અહેમદ મોહ્યુદ્દીનની મૂવમેન્ટ કલોલ તરફ જોવા મળી, જેથી ATSની ટીમે તેને ઝડપી લેવાનો પ્લાન બનાવ્યો હતો. આ પણ વાંચો: એરંડાના બીજમાંથી સાયનાઇડથી વધુ ખતરનાક ઝેર બનાવવાનો પ્રયાસ, મોટા આતંકી હુમલાનો ઈરાદો હતો ત્રણેય આતંકી સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યા હતાગાંધીનગર અને પાલનપુરમાંથી ઝડપાયેલા ISISના 3 આતંકવાદી અંગે એક પછી એક ચોંકાવનારા ઘટસ્ફોટ સામે આવી રહ્યા છે. આ ત્રણેય આતંકીને તેમના આકા આગળ શું કરવાનું છે એની માહિતી એકસાથે આપવાને બદલે ટુકડે ટુકડે આપતા હતા. ત્રણેય આતંકી સોશિયલ મીડિયાથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને આપણે બદલો લેવાનો છે, આપણે કંઇક કરવું જોઇએ, ઘણા મુસ્લિમોને ભેગા કરવાના છે એવી વાતો કરતા હતા. આતંકી આઝાદ સુલેમાન શેખ અને મહમ્મદ સુહેલે અગાઉ અમદાવાદના સંવેદનશીલ વિસ્તારો અને ભીડભાડવાળી જગ્યાની રેકી કરી હતી. આ પણ વાંચો: આતંકવાદીને પકડવા PIએ ટોલ ગેટ બંધ કરી ટ્રાફિકજામ કરાવ્યો, ATSએ 2 દિવસમાં પાર પાડ્યું ઓપરેશન થોડા મહિના અગાઉ AQISનો પ્રચાર-પ્રસાર કરતા 4ની ધરપકડ કરાઈ હતી ગુજરાત ATSએ ચાર મહિના પહેલાં અલકાયદા સાથે જોડાયેલા ચાર લોકોની ધરપકડ કરી હતી. આ ચારમાં બે વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાના હતા, જ્યારે બે વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું સામે આવ્યું હતું. અલ-કાયદાના દક્ષિણ એશિયા ક્ષેત્ર સાથે જોડાયેલા AQIS(અલ-કાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ)ની વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરતા હતા. તેઓ સોશિયલ મીડિયા અને કેટલીક સસ્પેક્ટ એપ્લિકેશન દ્વારા અલ-કાયદાની વિચારધારા સાથે જોડાઈને એને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હતા. વાંચો સંપૂર્ણ સમાચાર

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 12:05 am

'મમ્મી હું જાઉં છું, મમ્મી પપ્પા ખુશ રહેજો':પિતા તાળું મારીને નીકળ્યા ને 12 વર્ષની સગીરાનો ઘરમાં આપઘાત, સુસાઇડ નોટ લખી ભેદી સંજોગોમાં જીવન ટૂંકાવતા પરિવાર આઘાતમાં

ગાંધીનગરમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. મમ્મી હું જાઉં છું, હું બોર આવી ગઇ છું. મમ્મી-પપ્પા, ભાઈ અને દાદી બાય. મમ્મી-પપ્પા ખુશ રહેજો. સુસાઇડ નોટમાં લખી સેક્ટર 7 વીર ભગતસિંહનગરમાં રહેતી અને ગુરૂકુળમાં ધો. 6માં અભ્યાસ કરતી 12 વર્ષની સગીરાએ ભેદી સંજોગોમાં ઘરે પંખે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ લેતા ચકચાર મચી ગઈ છે. માતા-પિતા નોકરીએ જતી વેળાએ સગીરાને ઘરમાં રાખી બહારથી દરવાજાને લોક મારીને જતા હોવાનું બહાર આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પરિવારમાં પતિ-પત્ની અને બે બાળકોપોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ગાંધીનગર સેક્ટર 7 પોલીસ મથકની સામે આવેલા ભગતસિંહનગરમાં રહેતા જગદીશભાઈ ગોહિલ એમએસ બિલ્ડિંગ ખાતે આંકડાશાસ્ત્ર મદદનીશ તરીકે ફરજ બજાવે છે, જ્યારે તેમના પત્ની જાગૃતિબેન પ્રાઈવેટ નોકરી કરે છે. જેમને સંતાનમાં એક 16 વર્ષનો દીકરો અને 12 વર્ષની દીકરી છે. જે બંને ગુરૂકુળમાં અભ્યાસ કરે છે. દીકરી ઘરમાં અને પતિ બહારથી તાળું મારી નોકરી ગયાઆજે નિત્યક્રમ મુજબ બંને ભાઈ-બહેન સ્કૂલે અને પતિ-પત્ની નોકરી ગયા હતા. બપોરે બંને બાળકો સ્કૂલથી પરત ઘરે આવ્યા હતા. દરમિયાન જગદીશભાઈ બપોરે 1 વાગ્યા આસપાસ ઘરે જમવા આવ્યા હતા. બાદમાં 2:30 વાગ્યે તેમનો મોટો દીકરો ટ્યુશન જવા નીકળ્યો હતો. બાદમાં જગદીશભાઈ ઘરને બહારથી તાળું મારીને નોકરીએ ગયા હતા. માતાએ દરવાજો ખખડાવ્યો પરંતુ દીકરીએ કોઈ જવાબ ન આપ્યોઆ સમયે 12 વર્ષની સગીરા ઘરે એકલી જ હતી. ઢળતી સાંજના સાડા ચાર-પાંચ વાગ્યે જાગૃતિબેન નોકરી પરથી પરત આવીને ઘરનું તાળું ખોલીને અંદર પ્રવેશ્યા હતા. જ્યાં ઘરના એક રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. જેથી તેમણે દીકરીને બૂમો પાડીને દરવાજો ખોલાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અંદરથી કોઈ જવાબ આવી રહ્યો નહોતો. જેના પગલે જાગૃતિબેને તેમના પતિ જગદીશભાઈને ઘરે બોલાવી લીધા હતા. દીકરીને પંખે લટકતી જોઈ પિતાના પગ તળેથી જમીન સરકી ગઈબાદમાં જગદીશભાઈએ રૂમની બારીમાંથી અંદર નજર કરતા દીકરી પંખાએ દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોવા મળી હતી. આ દૃશ્ય જોઇને જગદીશભાઈના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. બાદમાં પતિ-પત્નીએ જેમ તેમ દરવાજો ખોલ્યો હતો અને 108 એમ્બ્યુલન્સ બોલાવીને દીકરીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે સગીરાને મૃત જાહેર કરી હતી. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરીઆ બનાવની જાણ થતા સેક્ટર 7 પોલીસ સ્ટેશનના ASI રતનલાલ તેમજ હવાલદાર ઉમેશ રાઠોડ તાત્કાલિક સિવિલ દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી. આ અંગે ASI રતનલાલે જણાવ્યું હતું કે, ચાર દિવસથી પરિવાર રાજસ્થાન ફરવા ગયો હતો જેઓ ગઈકાલે રાતે જ પરત ફર્યા હતા. આજે સવારે જગદીશભાઈ બંને બાળકોને સ્કૂલે મૂકી આવ્યા હતા. બાદમાં પતિ-પત્ની પોતપોતાની નોકરીએ ગયા હતા. 'હાલમાં પરિવારના નિવેદન લેવામાં આવ્યા છે': ASI રતનલાલબપોરના એકાદ વાગ્યે જગદીશભાઈ સ્કૂલેથી બંને બાળકોને પરત ઘરે લઈ આવ્યા હતા અને ત્રણેય જણા બપોરે સાથે જમ્યા હતા. બાદમાં મોટો દીકરો જે ધોરણ 11માં ભણે છે તે 2:30 વાગ્યાના અરસામાં ટ્યુશન જવા નીકળી ગયો હતો. જ્યારે જગદીશભાઈ ઘરને બહારથી તાળું મારીને નોકરી ગયા હતા. આ દરમિયાન તેમની 12 વર્ષની દીકરી ઘરે એકલી જ હતી. જેણે એકલતાનો લાભ લઇ પંખાએ દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ લીધો છે. હાલમાં પરિવારના નિવેદન લેવાનું તેમજ પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી ચાલી રહી છે. 'મમ્મી, પપ્પા, ભાઈ અને દાદી બાય' સુસાઇડ નોટમાં લખ્યુંવધુમાં ASI રતનલાલે ઉમેર્યું કે, રૂમમાંથી એક સુસાઇડ નોટ મળી આવી છે જેમાં સગીરાએ ઉલ્લેખ કર્યો છે કે, મમ્મી હું જાઉં છું, હું બોર આવી ગઈ છું. મમ્મી, પપ્પા, ભાઈ અને દાદી બાય. મમ્મી પપ્પા ખુશ રહેજો. આ આ ચિઠ્ઠીને કબજે લેવામાં આવી છે, પરંતુ હજી સુધી સગીરાના આપઘાતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરિવારમાં શોકનું મહાવરો હોવાથી વધુ પૂછપરછ થઈ શકી નથી.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 12:05 am

14 નવેમ્બરે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે:73 તુમારો પર ચર્ચા કરી 55.21 કરોડના વિકાસ કાર્યોને લીલી ઝંડી મળશે

ભાવનગર મહાનગરપાલિકા ખાતે આગામી તા.14 નવેમ્બર શુક્રવારના રોજ સ્ટેન્ડિંગ કિમીટીની બેઠક મળશે. જેમાં વિકાસના કામોના 73 તુમારો છે, જેમાં કુલ 55.21 કરોડના વિકાસના કામોને મંજૂરી આપવમાં આવશે. ભાવનગર મહાનગર પાલિકા ખાતે તા. 14 નવેમ્બરના રોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે. જેમાં 73 તુમારો પર ચર્ચા કરવામાં આવશે ત્યાર બાદ જેમાં શહેરમાં અનેક વિકાસ કામોની મંજૂરી આપવામાં આવશે. ડ્રેનેજલાઈનના કામો, ફિલ્ટર પ્લાન્ટને લગતા કામો, કમ્પાઉન્ડ વોલ બનાવવાના કામ, રમત-ગમત ઉધાનનું કામ, પેવિંગ બ્લોક અને પેવર રોડના કામો, આરસી રોડના કામો, રસ્તા રિકાર્પેટ કરવાના કામો, ટુ લેન બ્રિજનું કામ સહિતના અનેક કામો મળી કુલ વિકાસના 55.21 કરોડના વિકાસ કામો અંગે સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં મંજૂરી અંગે ચર્ચાઓ કરવામાં આવશે. ત્યાર બાદ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવશે. ભાવનગર મહાનગરપાલિકાનાં સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન રાજેશ રાબડીયાની જણાવેલ કે શહેરની જાહેર જનતાને લોક સુખા કારીની સગવડતાં આપવા માટે ભાવનગર મહાનગસ્પાલિકાને મળેલ અમૃન ગ્રાન્ટ, નીર્મલ ગુજરાત ગ્રાન્ટ, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ તથા સરકાર માંથી મળેલ અન્ય ગ્રાન્ટ માંથી તા.14 નવેમ્બરને શુક્રવારનાં રોજ મળનાર સ્ટેન્ડીંગ કમિટિમાં અંદાજીત રૂ.55.21 કરોડનાં ખર્ચથી વિકાસનાં કામો હાથ ધરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 11:05 pm

ગુજરાતી ભાષાને નવી ટેકનોલોજીનો સ્પર્શ:ઝવેરચંદ મેઘાણી ભવનમાં વર્ચ્યુઅલ રીયાલિટી આધારિત મ્યુઝિયમ અને ઈ-લાઇબ્રેરી માટે 3.61 કરોડનો પ્રોજેક્ટ મંજૂર

ગુજરાત સરકારે ગુજરાતી ભાષા અને સાહિત્યને આધુનિક ટેક્નોલોજી દ્વારા નવી પેઢી સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી મોટો નિર્ણય લીધો છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગે ગાંધીનગર ખાતે આવેલા ઝવેરચંદ મેઘાણી સાહિત્ય ભવન ખાતે મ્યુઝિયમ અને ઈ-લાઈબ્રેરીના બાંધકામ માટે રૂ. 3.61 કરોડની વહીવટી મંજૂરી આપી છે. ગુજરાત સાહિત્ય અકાદમીની દરખાસ્તના અનુસંધાને નાણાકીય વર્ષ 2025-26 માટે 'ગતિ શક્તિ ગુજરાત ઇન્ટિગ્રેટેડ માસ્ટર પ્લાન' હેઠળ આ બજેટ ફાળવવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટમાં ગુજરાતી ભાષાનો ઇતિહાસ, સાહિત્યકારો અને તેમની કૃતિઓનો પરિચય તેમજ વર્ચ્યુઅલ રિયાલિટી (VR) દ્વારા વાંચી-સાંભળી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 10:25 pm

'વોટ ચોર-ગાદી છોડ' ઝુંબેશના ફોર્મ કોંગ્રેસે દિલ્લી મોકલ્યા:નાગરિકો પાસે સમર્થન મેળવવા ફોર્મમાં સહી કરાવી, ભાજપ લોકશાહી ખતમ કરતી હોવાનો આક્ષેપ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા 'વોટ ચોર- ગાદી છોડ' મારો મત મારો અધિકાર સહી ઝુંબેશ અને મીસ્ડ કોલ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યભરમાંથી વોટ ચોર ગાદી છોડ માટે લોકો પાસેથી સમર્થન મેળવવામાં આવ્યું હતું. મિસ્ડ કોલ અને ફોર્મમાં સહી કરાવવામાં આવી હતી. ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓએ અલગ અલગ કાર્યક્રમ કરી લોકોના ઘરે ઘરે જઈને સમર્થન મેળવ્યા છે. જેથી હવે ઝુંબેશમાં ભેગા થયેલા ફોર્મ કોંગ્રેસના મુખ્ય કાર્યાલય દિલ્લી મોકલવામાં આવ્યા છે. ભાજપ સરકાર ચૂંટણી પંચનો દુરુપયોગ કરી હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. વોટ ચોર - ગાદી છોડ સહી ઝુંબેશ અને મીસ્ડકોલ અભિયાનને અત્યાર સુધી 7.50 લાખ નાગરિકોએ પોતાનું સમર્થન હોવાનો કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. જેથી જે પણ નાગરિકો પાસેથી સમર્થન સહી ઝુંબેશમાં મળ્યું છે તેને ભેગા કરીને રાજીવ ગાંધી ભવન એકઠા કરાયેલા ફોર્મ કોંગ્રેસના મુખ્ય કાર્યાલય દિલ્લી ખાતે ફલેગઓફ કરીને રવાના કરવામાં આવ્યા છે. જેમાં પ્રદેશ પ્રભારી મુકુલ વાસનીક, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. ચૂંટણી પંચની સાંઠગાંઠથી વોટ ચોરી થકી ચૂંટણીઓ જીતીને ભાજપે દેશમાં લોકશાહી ખતમ થઈ જાય તેવા સંજોગો ઉભા કરતી હોવાના પણ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 10:21 pm

શ્રીનાથજી બ્રિજ પર 6.79 કરોડની આવક પર બ્રેક લાગશે?:બ્રિજના બ્યુટીફિકેશન માટે ધારાસભ્યએ બ્રિજ નીચે લગાવેલા જાહેરાત બોર્ડ અને બેનરો દૂર કરવા માગ કરી

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગ પરના શ્રીનાથજી ફ્લાય ઓવરબ્રિજ નીચેના જાહેરાતના હક્કો કાયમી ધોરણે રદ્દ કરવાની દરખાસ્ત સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ સમક્ષ મુકવામાં આવી છે. જો આ દરખાસ્ત મંજૂર થાય, તો એક તરફ બ્રિજનું બ્યુટીફિકેશન થશે, પરંતુ બીજી તરફ મહાપાલિકાને આગામી પાંચ વર્ષમાં થનારી રૂપિયા 6.79 કરોડથી વધુની જંગી આવક ગુમાવવી પડશે. ધારાસભ્યની રજૂઆત અને મનપાનો નિર્ણયઆ સમગ્ર પ્રક્રિયા સુરત ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કાંતિ એચ. બલરની રજૂઆતને પગલે શરૂ થઈ છે. ધારાસભ્યએ માગ કરી હતી કે, શ્રીનાથજી ફ્લાય ઓવરબ્રિજ નીચે લગાવેલા તમામ જાહેરાત બોર્ડ અને બેનરોને દૂર કરીને, તે જગ્યાનું આકર્ષક રીતે બ્યુટીફિકેશન કરવામાં આવે. ધારાસભ્યની આ રજૂઆતને માન આપીને, મહાપાલિકાએ વર્ષ 2024માં બ્રિજ નીચે વિવિધ એજન્સીઓને ફાળવેલા જાહેરાતના હક્કોને કાયમી ધોરણે દૂર કરવાની તૈયારી કરી લીધી છે. આ માટેની દરખાસ્ત હવે સ્થાયી સમિતિના અંતિમ નિર્ણય માટે મૂકવામાં આવી છે. મનપાને વાર્ષિક 1.35 કરોડનું નુકસાનમહાપાલિકાના આ નિર્ણયથી આવક પર સીધી અસર પડશે. બ્રિજના જુદા જુદા પિલર નીચે જાહેરાતના હક્કો જુદી જુદી એજન્સીઓને પાંચ વર્ષના કરાર માટે સોંપવામાં આવ્યા હતા. આ જાહેરાતોથી મહાપાલિકાને વર્ષે 1.35 કરોડથી વધુની આવક થતી હતી. પાંચ વર્ષનો ઇજારો ચાલુ રહે તો મહાપાલિકાને કુલ 6.79 કરોડની આવક થવાની હતી. જો સ્થાયી સમિતિ આ દરખાસ્તને મંજૂર કરે છે, તો કોન્ટ્રાક્ટ જેટલો સમય ચાલ્યો છે, તેટલા સમયની જ આવક મનપાને મળશે, અને બાકીના વર્ષોનો ઇજારો રદ્દ થવાથી 6.79 કરોડની પાંચ વર્ષની સંભવિત આવક પર બ્રેક લાગશે. કઈ એજન્સીઓના હક્કો રદ્દ થશે?દરખાસ્ત મુજબ, ઇજારદાર પ્રમોદ ટ્રેડિંગ અને શારદા પબ્લીસીટી એમ બે એજન્સીઓને પાંચ વર્ષનો જાહેરાતનો ઇજારો સોંપવામાં આવ્યો હતો. આ ત્રણેય ઇજારા મળીને થનારી વાર્ષિક 1.35 કરોડની આવક પર કાપ મુકાઈ જશે. રિપેરિંગ બાદ થશે બ્યુટીફિકેશનજાહેરાતના હક્કો કાયમી ધોરણે દૂર થયા બાદ મહાપાલિકાનું બ્રિજ સેલ આગળની કાર્યવાહી હાથ ધરશે. સૌ પ્રથમ, બ્રિજ સેલ દ્વારા આ બ્રિજના રિપેરિંગ, રિહેબિલિટેશન અને રંગરોગાનની કામગીરી હાથ ધરવામાં આવશે. બ્રિજનું રિપેરિંગ કાર્ય પૂર્ણ થયા બાદ, તેના નીચેના વિસ્તારમાં ધારાસભ્યની માંગ મુજબ સૌંદર્યીકરણની કામગીરી શરૂ કરવામાં આવશે, જે શહેરના દેખાવને વધુ સુધારી શકે છે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 10:18 pm

મોરબીમાં ડીઝલ ચોર ગેંગનો પર્દાફાશ:3 લાખથી વધુના મુદ્દામાલ સાથે બે ઝડપાયા, અન્ય બેની શોધખોળ

મોરબી તાલુકામાં ડીઝલ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. લખધીરપુર ગામ નજીક ટ્રકમાંથી ડીઝલ ચોરીની ફરિયાદ બાદ મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ ગુનામાં એલસીબી ટીમે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને રૂ. 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અન્ય બે આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. આ ઘટના મોરબી-લખધીરપુર રોડ પર હોલીશ વિટ્રીફાઇડ કારખાના પાસે બની હતી. ફરિયાદ મુજબ, ટ્રક ડ્રાઇવરે પોતાનું ટ્રક ટ્રેલર (નં. RJ 14 GQ 4374) પાર્ક કરીને કેબિનમાં સૂતો હતો. તે દરમિયાન અજાણ્યા શખ્સોએ ટ્રકની ડીઝલ ટાંકીનું લોક તોડી આશરે 140 લિટર ડીઝલ ચોરી લીધું હતું. રૂ. 13,000ના ડીઝલની ચોરી અંગે ટ્રક ડ્રાઇવરે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, એલસીબી પીઆઈ એમ.પી. પંડ્યાની સૂચના મુજબ સ્ટાફે તપાસ શરૂ કરી હતી. બનાવ સ્થળ આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. પેટ્રોલિંગ દરમિયાન પેરોલ ફર્લો સ્કોડના પીએસઆઈ જે.પી. કણસાગરા અને તેમની ટીમને બાતમી મળી હતી કે ડીઝલ ચોરીમાં સંડોવાયેલી સ્વિફ્ટ કાર (નં. GJ 3 HR 0581) જૂના ઘુંટું રોડ પર સ્મશાન પાસે ઊભી છે. એલસીબી ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી કાર સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં હરેશભાઈ વિનોદભાઈ ઉર્ફે વિનુભાઈ બાલસાણીયા (ઉં.વ. 21, રહે. ભવાનીનગર, હળવદ) અને જીજ્ઞેશભાઈ ઉર્ફે જુગો ભરતભાઈ ખેર (ઉં.વ. 26, રહે. મેરૂપર, હળવદ)નો સમાવેશ થાય છે. તેમને મોરબી તાલુકા પોલીસને સોંપવામાં આવ્યા છે. પ્રાથમિક પૂછપરછમાં વિપુલ રેવર (રહે. સોલડી, ધાંગધ્રા) અને અમિતભાઈ ઠાકોર (રહે. કવાડીયા, હળવદ)ના નામ સામે આવ્યા છે, જેમને પકડવા પોલીસે વધુ તજવીજ હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી રૂ. 3 લાખની કાર અને ડીઝલ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલા 7 ખાલી કેરબા સહિત કુલ રૂ. 3,00,450નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ આરોપીઓ છેલ્લા ઘણા સમયથી મોરબી તાલુકા વિસ્તારમાં, ખાસ કરીને જેતપર રોડ અને અન્ય સ્થળોએ રાત્રિના સમયે પાર્ક કરેલા ટ્રકો સહિતના ભારે વાહનોને નિશાન બનાવતા હતા. તેઓ વાહનોની ડીઝલ ટાંકીના ઢાંકણા ખોલીને તેમાંથી ડીઝલની ચોરી કરતા હતા.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 10:14 pm

શિહોર-ઘાંઘળી રોડ પર રેલવે ઓવરબ્રિજનું કામ શરૂ:11 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધી વાહનવ્યવહાર માટે ડાયવર્ઝન રૂટ જાહેર, જાણો કયા રસ્તા પરથી વાહનો પસાર કરી શકાશે

શિહોર ખાતે આવેલ શિહોરથી ઘાંઘળી તરફ જતા રસ્તા પર રેલવે લાઇનના ફાટક નં.205/B પર ઓવરબ્રિજના ચાલી રહેલા કામને લઈ શિહોરથી ઘાંઘળી તરફ તેમજ ઘાંઘળીથી શિહોર શહેર તરફ આવતા-જતા વાહનોનો રસ્તો બંધ કરી વાહન વ્યવહાર માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ડાયવર્ઝન રૂટ અંગેનું તા. 11 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધીનું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિને ગુજરાત પોલીસ અધિનિયમ, 1951ની કલમ 131 મુજબ યોગ્ય શિક્ષા ફટકારવામાં આવશે. જાહેરનામાનો અમલ સુનિશ્ચિત કરવા તથા તેના ભંગ અંગે કાર્યવાહી કરવા માટે હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉચ્ચ પદ પરના ફરજ પરના અધિકારીને અધિકાર આપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 10:12 pm

રાજકોટ ક્રાઇમ ન્યુઝ:35 વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ અને 18 વર્ષીય યુવાને ઝેરી દવા પી કરી આત્મહત્યા, આપઘાતનું કારણ અકબંધ

જ્યોતિબેન વિશાલભાઈ વાઘેલા (ઉ.વ.35)એ આજે સવારે 6 વાગ્યા આસપાસ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પરિવારની પ્રાથમિક પુછપરછમાં જ્યોતિના લગ્ન 15 વર્ષ પહેલા થયા હોવાનું અને સંતાનમાં એક પુત્ર તેમજ એક પુત્રી હોવાનું સામે આવ્યું છે. તેમના પતિ સફાઈ કામ કરે છે. આજે સવારે તેમનો પુત્ર ઊઠી જોયું ત્યારે તેમની માતા ગળાફાંસો ખાધેલી હાલતમાં જોઈ તુરંત પિતાને જગાડ્યા હતા અને પતિ વિશાલે જ્યોતિને તાત્કાલિક નીચે ઉતારી લીધી હતી. ઘરના બીજા સભ્યો આવી તુરંત સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી જ્યાં ડોકટરે તેને મૃત જાહેર કરી હતી. બનાવ અંગે જાણ થતા બી ડિવિઝન પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. ઝેરી દવા પી યુવાને કર્યો આપઘાત કિશન ભાનુભાઈ ચારોલીયા (ઉં.વ.18) ગઈકાલે સાંજે ચાર વાગ્યાં આસપાસ ન્યારી ડેમ પાસે બેભાન હાલતમાં પડ્યો હતો જ્યાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવાને ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાનું અને પિતા પુત્ર બન્ને મજૂરી કામ કરતા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત યુવાનને નશો કરવાની ટેવ હોવાં પણ સામે આવ્યું છે. હાલ બનાવ અંગે જાણ થતા રાજકોટ તાલુકા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે. વેપારીનું સોનુ લઇ નાસી છૂટેલા શખ્સની ધરપકડ પેલેસ રોડ પરના બે સોની વેપારીના રૂ.27.27 લાખના દાગીના લઈ ફરાર થઈ જનાર આરોપીને અજમેરથી એલસીબી ઝોન-2 ટીમે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભકિતનગર સોસાયટીમાં રહેતા નીખીલભાઈ રાજેન્દ્રભાઈ રાણપરા (ઉ.વ.34)એ ફરીયાદમાં આરોપી તરીકે મનોજ મોહન શર્માનું નામ આપી જણાવ્યું હતું કે તેઓ પેલેસ રોડ પર પ્રભુકૃપા જવેલર્સ નામની પેઢી ધરાવી વેપાર કરે છે. તેઓ સોનાના દાગીના વેચાણ કરવા માટે દાગીના કારીગરો પાસે બનાવડાવે છે. આરોપી મનોજ શર્મા પાસે મજુરીકામથી કામ કરાવતા હતા. તા.20.02.2024ના આરોપીને શોરૂમ પર બોલાવી બે સોનાની માળા, એક જોડી સોનાના પાટલા સહિત રૂ.12.52 લાખના દાગીના ઝડતર કામ કરવા માટે આપ્યા હતા. જે બે દિવસમાં પરત આપી જવાનું મનોજે કહ્યું હતું. જે બાદ તેને અવારનવાર ફોન કરતા તેનો ફોન સ્વીચઓફ આવતો હતો. ફરીયાદીના કાકાના દીકરા પાર્થને વાત કરતા તેમજ નિલેષભાઈ કાત્રોડીયાએ પણ મનોજને દાગીના ઝડતર કામ માટે આપતા હોય જેથી તેમને પૂછતાં જણાવ્યું કે તેઓએ પણ રૂ.14.75 લાખના દાગીના ઝડતર કામ માટે આપ્યા હતા. તેઓ પણ સંપર્ક કરતા ફોન બંધ આવતો હતો જેથી બન્ને સોની વેપારી પાસેથી રૂ.27.27 લાખના દાગીના લઈ આરોપી ફરાર થઈ જઈ છેતરપીંડી આચરી હતી. ઓનલાઇન કસીનો ગેમ મારફત જુગાર રમતા શખ્સની ધરપકડ કુવાડવા રોડ ડિ-માર્ટ પાસે જાહેર રોડ બાકડા પાસે ઉભેલ શખ્સ પોતાના મોબાઇલ ફોનમાં ઓનલાઇન કસીનો ગેમમાં જુગાર રમે છે તેવી બી ડિવિઝન પોલીસને ચોકકસ બાતમી મળતા દરોડો પાડી તે શખ્સને અટકાયત કરી તેનું નામ પૂછતાં પોતાનુ નામ મહેશ ચંપકલાલ ઝીંઝવાડિયા (ઉ.વ.52) જણાવ્યું હતું. તેના મોબાઈલમાં તપાસ કરતાં BROWNEXCH નામની આઈ.ડી. મારફત કસીનો ડ્રેગન ટાઇગર નામનો જુગાર રમતો હોવાનું સામે આવ્યું હતું. વધું તપાસમાં આરોપીએ ગુગલમાંથી Guruji book સર્ચ કરી તેમાંથી અન્ય એક મોબાઈલ નંબર પરથી રૂપીયા ટ્રાન્સફર કરી જુગાર રમતો હોવાનું સામે આવતા તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પૂર્વ પત્નીના ત્રાસથી કંટાળી કર્યો આપઘાતનો પ્રયાસ કટારીયા ચોક નજીક સરસ્વતી પાર્ટી પ્લોટ પાસે આવાસ ક્વાર્ટરમાં રહેતા 35 વર્ષીય યુવાને ગઈકાલે રાત્રે 9 વાગ્યા આસપાસ પોતે પોતાના ઘરે હતો ત્યારે ફીનાઇલ પી જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પોલીસે તેની પુછપરછ કરતા યુવકે જણાવ્યું કે, તે પોતે કડિયાકામ કરે છે. વર્ષ 2013માં તેના લગ્ન બામણબોરની યુવતી સાથે થયા હતા. તેને સંતાનમાં 1 દીકરો અને 1 દીકરી છે જે હાલ તેના સાથે રહે છે. પત્નીને અફેર હોય, એક વર્ષ પહેલા નોટરી લખાણ કરી છૂટાછેડા આપી દીધા હતા. પત્ની બીજા કોઈ જોડે રહેવા જતી રહી હતી. આ પછી ફરી તેણીએ હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું. મહિલા પોલીસમાં ખોટી દુષ્કર્મની અરજી કરી હતી જેનાથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ પોલીસે નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચાઈનીઝ દોરીની 15 ફીરકી સાથે વેપારીની ધરપકડ ઉત્તરાયણ પર્વને હજુ અઢી માસ જેટલો સમય બાકી ત્યારે અત્યારથી શહેરમાં દોરીનું વેચાણ શરૂ થઇ ગયું છે જેને લઇ આજીડેમ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન કોઠારીયા રીંગ રોડ પર ખોખડદળ નદીના પુલ પાસેથી રસીક રણછોડભાઇ બાવળિયા(ઉ.વ. 43) ને ચાઇનીઝ દોરીની 15 ફિરકી સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે આ વેપારી સામે જાહેરનામા ભંગ અંગેનો ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 10:08 pm

ગુજરાત સરકારમાં જૂની ઈમેલ સિસ્ટમ બંધ:ગુજરાત સરકારની તમામ કચેરીઓમાં 'સ્વદેશ અપનાવો' અંતર્ગત નવી Zoho Email સિસ્ટમ ફરજિયાત, સરકારી કર્મચારીઓને તાલીમ આપવામાં આવી

ગુજરાત સરકાર હવે પોતાની તમામ કચેરીઓમાં નવી ઈમેલ સિસ્ટમ Zoho Email શરૂ કરી રહી છે. જૂની ઈમેલ સિસ્ટમને તબક્કાવાર બંધ કરવામાં આવી રહી છે અને હવે રાજ્યના તમામ વિભાગો અને કર્મચારીઓ માટે ઝોહો ઈમેલનો ઉપયોગ ફરજિયાત બનશે. Zoho ઈમેલ એકાઉન્ટ બનાવવા માટે તાલીમ આપવામાં આવીસાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના પરિપત્ર બાદ કર્મચારીઓને નવા Zoho ઈમેલ એકાઉન્ટ બનાવવા માટે તાલીમ આપવામાં આવી રહી છે. દરેક વિભાગને માર્ગદર્શિકા મોકલાઈ છે જેમાં એકાઉન્ટ કેવી રીતે ખોલવું, લોગિન, પાસવર્ડ રીસેટ અને ડેટા માઈગ્રેશન જેવી પ્રક્રિયાની વિગતવાર માહિતી આપવામાં આવી છે. ‘સ્વદેશ અપનાવો’ અભિયાનને આગળ ધપાવવાનો ઉદ્દેશસરકારની આ પહેલનો ઉદ્દેશ ‘સ્વદેશ અપનાવો’ અભિયાનને આગળ ધપાવવાનો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સંકલિત પ્રયાસો હેઠળ આ સિસ્ટમ ભારતીય કંપની Zoho દ્વારા વિકસાવવામાં આવી છે, જેથી ડેટા સુરક્ષા અને સ્વદેશી ટેક્નોલોજીના પ્રોત્સાહન બંનેને વેગ મળશે. કર્મચારીઓને Zoho Mail દ્વારા ઈમેલ પ્રવેશ આપવામાં આવશેસત્તાવાર ઈમેલ સરનામાં હવે @gujarat.gov.in ડોમેન હેઠળ જ રહેશે, અને તમામ અધિકારીઓ તથા કર્મચારીઓને Zoho Mail દ્વારા ઈમેલ પ્રવેશ આપવામાં આવશે. તાલીમ બાદ દરેક વિભાગમાં આ નવી વ્યવસ્થા સંપૂર્ણ રીતે અમલમાં આવશે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 10:06 pm

10થી વધુ હોટલોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસ:સડેલા બટેકા, બળેલું તેલ, બગડેલી મિક્ષ ચટણી મળી આવી; ટીમે સ્થળ પર અખાદ્ય ચીજવસ્તુઓનો નાસ કર્યો

જનઆરોગ્યને ધ્યાનમાં રાખીને મહેસાણા શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ખાણી-પીણીની હોટલો પર સપાટો બોલાવવામાં આવ્યો છે. ફૂડ વિભાગની ટીમે રાધનપુર રોડ પર આવેલી હોટલોમાં સઘન તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન જે હોટલોમાંથી અખાદ્ય ફૂડ સામગ્રી મળી આવી હતી. તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અખાદ્ય સામગ્રી રાખનાર હોટલ સંચાલકો વિરુદ્ધ વિભાગ દ્વારા નોટિસ ફટકારવા સહિતની કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે. ફૂડ વિભાગની આ અચાનક કાર્યવાહીથી શહેરમાં ખાણી-પીણીના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ખાઉંગલી મળી ફૂડ વિભાગે 10 એકમોમાં તપાસ આદરી મહેસાણાના રાધનપુર રોડ પર હોટેલોનો રાફડો ફાટ્યો છે. ત્યારે આ રોડ પર અનેક નાસ્તા હાઉસ પણ આવેલા છે. ત્યારે રાધનપુર રોડ પર આવેલ નવદુર્ગા ભાજીપાઉ, જયવીર ભાજીપાઉ, નિકલંઠ રેસ્ટોરન્ટ, કાઠિયાવાડી જાયકા, સાઉથ ઢોસા, ચૂલા ઢોસા, અને ખાઉંગલી મળી ફૂડ વિભાગે 10 એકમોમાં તપાસ આદરી હતી. જેમાં ખુદ ફૂડ વિભાગના અધિકારીઓ વિપુલ ચૌધરી અને તેમની ટીમે ઝીણવટભરી રીત ચકાસણી કરતા જોવા મળ્યા હતા. અધિકારી એ પોતે ફ્રીઝ, ડ્રમ, બેરલ ખોલી ખોલીને અંદર પડેલા માલ સામાનની તપાસ કરી હતી. ફૂડ વિભાગના એક્શનથી નાસ્તા હાઉસના સંચાલકોમાં ફફડાટફૂડ વિભાગની ટીમોએ 15 કિલો અડદ દાળ, 8 લીટર બળેલું તેલ,15 કિલો મિક્ષ ચટણી, 3 લીટર છાશ, 7 કિલો સડેલા બટેકા, 500 ગ્રામ ધાણા, 3 કિલો ગ્રેવી, 1 કિલો લુઝ બટર કબ્જે કરી આ અખાદ્ય ચીજવસ્તુઓનો સ્થળ પર જ નાશ કર્યો હતો. તેમજ અધિકારીએ સંચાલકોને સૂચના પણ આપી હતી કે, બેરલમાં મુકેલા લોટમાં એકપણ ધનેરા ના હોવા જોઈએ તેમજ બેરલ સાફ હોવું જોઇયે. જો ધનેરા જોવા મળશે તો એક્શન લેવામાં આવશે. સંચાલકોને કહ્યું દરેક વસ્તુ જાતે ચેક કરવું જરૂર હોઈ એટલી જ વસ્તુઓ લાવવી વધારે કોઈ વસ્તુ લાવવી નહિ. આમ ફૂડ વિભાગની કાર્યવાહીના પગલે અન્ય હોટેલ અને નાસ્તા હાઉસના સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 10:01 pm