જૂનાગઢ A ડિવિઝન પોલીસે 'ઓપરેશન મ્યુલ હન્ટ' હેઠળ વધુ 52 શંકાસ્પદ બેંક એકાઉન્ટ ઝડપી પાડ્યા છે. આ બેંક એકાઉન્ટમાં 9.43 કરોડના રૂપિયા જમા કરાવી સગેવગે કરવામાં આવ્યા હતા. આ મામલે જૂનાગઢ પોલીસે 19 શખસો સામે ફરિયાદ નોંધી 9 શખસોને ઝડપી પાડ્યા છે. જ્યારે 10 શખસો પોલીસ પકડથી હજુ દૂર છે. પોલીસે આ ગુનામાં ભાજપના પૂર્વ કોર્પોરેટર વિરૂદ્ધ પણ ગુનો દાખલ કર્યો છે. પોલીસ તપાસમાં કુલ 52 શંકાસ્પદ બેંક એકાઉન્ટમાં NCCRP (નેશનલ સાયબર ક્રાઈ રિપોર્ટિંગ પોર્ટલ) પર દેશભરમાંથી કુલ 192 ફરિયાદો નોંધાઈ છે. આ ફરિયાદો મુજબ કુલ 305 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો થયા હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ આ સાયબર ફ્રોડના રેકેટનું દુબઈ કનેક્શન પણ સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ A ડિવિઝન પોલીસે અત્યાર સુધીમાં 35 વધુ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે અગાઉ 8થી વધુ યુવકો અને ગૌ સેવાના નામે બાલકૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટના ખાતામાં છેતરપિંડીના રૂપિયા નાખતો ભવનાથ અવધૂત આશ્રમની ગૌશાળાના સંચાલક કલ્યાણગીરીની પણ ધરપકડ કરી હતી. 52 શંકાસ્પદ બેંક એકાઉન્ટ સામે દેશભરમાં 192 ફરિયાદોDySP હિતેશ ધાંધલીયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાં મ્યુલ એકાઉન્ટ ભાડે રાખી છેતરપિંડી આચરતા આરોપીઓની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે ટેકનિકલ સોર્સથી તપાસ કરતા જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં 'પ્રાઈમ ટ્રેડિંગ કંપની'ના નામે શંકાસ્પદ બેંક એકાઉન્ટ મળી આવ્યા હતા. તપાસમાં કુલ 52 શંકાસ્પદ બેંક એકાઉન્ટમાં NCCRP (નેશનલ સાયબર ક્રાઈ રિપોર્ટિંગ પોર્ટલ) પર દેશભરમાંથી કુલ 192 ફરિયાદો નોંધાઈ છે. આ ફરિયાદો મુજબ કુલ 305 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો થયા હોવાનું સામે આવ્યું છે. સાયબર ફ્રોડનું દુબઈ કનેક્શન સામે આવ્યુંપોલીસની ઉંડાણપૂર્વકની તપાસમાં આ રેકેટનું દુબઈ કનેક્શન અને ઇન્ટરનેશનલ કાર્યપદ્ધતિ બહાર આવી છે. જૂનાગઢનો અલી મહંમદ ઠેબા નામનો શખસ પોતાના મળતીયાઓ મારફતે સાયબર ફ્રોડ અને ઓનલાઈન ગેમિંગના રૂપિયા અલગ-અલગ મ્યુલ એકાઉન્ટમાં જમા કરાવતો હતો. આ 52 બેંક ખાતાઓમાં કુલ 9,43,70,335 રૂપિયા જમા કરાવીને તેને સગેવગે કરવામાં આવ્યા હતા. આ નાણાં ખાતાધારકો કે મળતીયાઓ દ્વારા ATM અથવા ચેકથી વિડ્રો કરી રોકડમાં રૂપાંતરિત કરવામાં આવતા હતા. ત્યારબાદ આરોપીઓ પોતાનું કમિશન કાપી બાકીની રકમ આંગડિયા મારફતે ભાવનગરના રાજુ ઉર્ફે રામ નામના શખસને મોકલતા હતા. રાજુ રૂપિયા USDTમાં કનવર્ટ કરી દુબઈના ઇરફાનને મોકલતોભાવનગરના રાજુ નામનો શખસ આ રોકડ રકમને USDT (ક્રિપ્ટોકરન્સી) માં રૂપાંતરિત કરી દુબઈમાં રહેતા ઈરફાન જાદુગરને મોકલી આપતો હતો. આ રીતે સાયબર ફ્રોડના નાણાં દેશ બહાર મોકલવાનું મોટું નેટવર્ક કાર્યરત હતું. જૂનાગઢ એ-ડિવિઝન પોલીસે આ મામલે અત્યાર સુધીમાં 19 શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે, જેમાંથી અલી મહંમદ ઠેબા, ઇમ્તીયાઝ ઉર્ફે બકરો, અજય ઉર્ફે કાનો, અંજુમ ચૌહાણ અને સાહીલ સમા સહિત 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અન્ય વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસની અલગ-અલગ ટીમો કાર્યરત છે. પોલીસે 6 પાસબુક, 7 ચેકબુક અને ફોન જપ્ત કર્યાઆ સમગ્ર કાર્યવાહીમાં ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ કે.એમ. પટેલ, એ-ડિવિઝન પીઆઈ વી.જે. સાવજ, પીએસઆઈ પી.કે. ગઢવી, ડી.કે. પટેલ અને તેમની ટીમે મહત્વની ભૂમિકા ભજવી છે. પોલીસે દરોડા દરમિયાન 6 પાસબુક, 7 ચેકબુક અને મોંઘા મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે. હાલમાં એ-ડિવિઝન પોલીસ આ રેકેટના મૂળ સુધી પહોંચવા અને સંડોવાયેલા અન્ય એકાઉન્ટ ધારકોની શોધખોળ કરી રહી છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 317(2), 317(4), 61(2) અને આઈટી એક્ટની કલમ 66(ડી) મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓના નામ અટકાયત કરાયેલા આરોપીઓના નામ ફરાર આરોપીઓના નામ
પાટણ નગરપાલિકા દ્વારા શહેરમાં નિયમોનું ઉલ્લંઘન કરીને ચાલતા 50 થી વધુ ગેરકાયદેસર કતલખાના (સ્લોટિંગ યુનિટ) સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ કાર્યવાહી આગામી 31મી ડિસેમ્બરે પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવશે. શહેરના મધ્ય વિસ્તારમાં આવેલા ખાટકી વાડો, બુકડી અને રેલવે સ્ટેશન વિસ્તારમાં આવા ગેરકાયદેસર એકમો કાર્યરત છે. અગાઉ આ વેપારીઓને તેમના યુનિટ અન્ય સ્થળે ખસેડવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં પાલિકાએ 50 થી વધુ માંસ-મટન વેચતી દુકાનોને સીલ મારવા માટે નોટિસ ફટકારી છે. આ કાર્યવાહી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006ના નિયમોના ઉલ્લંઘન અને ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલી PIL NO. 133/2021ના સંદર્ભમાં રાજ્યની તમામ નગરપાલિકાઓને ગેરકાયદેસર માંસની દુકાનો અને કતલખાના બંધ કરવાના આદેશના ભાગરૂપે કરવામાં આવી રહી છે. પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર દ્વારા આવા એકમોને નોટિસ ફટકારીને કાયદેસરની કાર્યવાહીની ચીમકી આપવામાં આવી હતી. પાટણ નગરપાલિકાએ આશરે પાંચ માસ પૂર્વે તમામ સ્લોટર યુનિટ ધારકો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અને GPCB (ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ) ના નોર્મ્સ મુજબ યુનિટ તૈયાર કરવા સૂચના અપાઈ હતી. જોકે, સંચાલકોએ સુધારા કરવાની ખાતરી આપી હોવા છતાં અત્યાર સુધી કોઈ નક્કર કામગીરી થઈ નથી. હાલમાં કાર્યરત અનેક યુનિટ પાસે ફૂડ એન્ડ સેફ્ટી લાયસન્સ પણ ઉપલબ્ધ નથી. ચીફ ઓફિસર હિરલ ઠાકરે જણાવ્યું કે, ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 અન્વયે પાટણના આવા તમામ બિનઅધિકૃત સ્લોટર યુનિટ આગામી 31મી ડિસેમ્બરે બંધ કરાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ મામલે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પણ રજૂઆત થઈ હતી, જેના પગલે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સીલિંગની પ્રક્રિયા પોલીસ બંદોબસ્ત સાથે પૂર્ણ કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 25 ડિસેમ્બર, 2025ને ગુરુવારના રોજ સવારે 6.30 કલાકે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ ખાતે સ્વદેશી સાયક્લોથોન અને 28 ડિસેમ્બર, 2025ને રવિવાર રોજ સવારે 6.30 કલાકે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ ખાતે સ્વદેશી રનનું આયોજન કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં 1625 નાગરિકોએ સ્વદેશી સાયક્લોથોન અને 1486 નાગરિકોએ સ્વદેશી રનમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલ અને ભાગલેનાર દરેક નાગરિક ઇવેન્ટ પૂરી થયા બાદ સર્ટીફીકેટ ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે. આ તારીખ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી શકશોસ્વદેશી સાયક્લોથોનમાં રજીસ્ટ્રેશન કરાવવા માટેની અંતિમ તારીખ 24 ડિસેમ્બર, 2025ને 5 વાગ્યા સુધી તેમજ સ્વદેશી રનમાં રજીસ્ટ્રેશન કરાવવા માટેની અંતિમ તારીખ 26 ડિસેમ્બર, 2025ને 5 વાગ્યા સુધી રહેશે. ધારાસભ્ય દ્વારા સાયક્લોથોનનું ફ્લેગ થશે25 ડિસેમ્બરના રોજ સ્વદેશી સાયક્લોથોનનું ફ્લેગ ઓફ ધારાસભ્ય ડૉ. દર્શિતા શાહના વરદ હસ્તે કરવામાં આવશે. તેમજ 28 ડિસેમ્બરના રોજ સ્વદેશી રનનું ફ્લેગ ઓફ રાજકોટ શહેર ભાજપના પ્રમુખ ડૉ. માધવ દવેના વરદ હસ્તે કરાશે. આ બંને કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને રાજકોટ મહાનગરપાલિકા મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે. સાયક્લોથોનનો 5 કિમી રૂટસરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ - જીલ્લા પંચાયત ચોક – ડૉ. યાજ્ઞીક રોડ –ડી.એચ. કોલેજ – મ્યુનિસિપલ કમિશનર બંગ્લો રોડ – ગાર્ડન રોડ –વિરાણી હાઇસ્કુલ – ટાગોર રોડ –શ્રી હેમુ ગઢવી નાટ્યગૃહ –એસ્ટ્રોન ચોક – મહિલા કોલેજ ચોક –કિશાનપરા ચોક – મેયર બંગ્લો – પોલીસ હેડ ક્વાર્ટર - શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ. ઓનલાઈન રજીસ્ટ્રેશન ફ્રી છેબંનેમાં રજીસ્ટ્રેશન ફ્રી છે અને ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત છે. ભાગલેનારએ સ્વયં શિસ્તબધ્ધ રીતે સાયકલ અને રન કરવાનું રહેશે. આ કાર્યક્રમ સ્વદેશીને પ્રોત્સાહન આપવા માટે આયોજીત કરેલ હોઇ, અગ્રતાક્રમે આવનારને વિજેતા જાહેર કરવામાં આવશે નહિ. સ્વદેશી રનનો 5 કિમી રૂટસરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ - જીલ્લા પંચાયત ચોક – ડૉ. યાજ્ઞીક રોડ –ડી.એચ. કોલેજ – મ્યુનિસિપલ કમિશનર બંગ્લો રોડ – ગાર્ડન રોડ –વિરાણી હાઇસ્કુલ – ટાગોર રોડ –શ્રી હેમુ ગઢવી નાટ્યગૃહ –એસ્ટ્રોન ચોક – મહિલા કોલેજ ચોક –કિશાનપરા ચોક – મેયર બંગ્લો – પોલીસ હેડ ક્વાર્ટર - શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ. સ્વદેશી સાયક્લોથોન અને સ્વદેશી રન કાર્યક્રમમાં સાંસદ પરસોત્તમ રૂપાલા, રામ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે, ધારાસભ્ય ઉદય કાનગડ, ડૉ.દર્શિતાબેન શાહ, રમેશ ટીલાળા, ભાનુબેન બાબરીયા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડૉ.ભરત બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિન મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ મનપાના કોર્પોરેટરો અને અધિકારી-કર્મચારી ઉપસ્થિત રહેશે.
રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે તા. 16થી 22 ડિસેમ્બર 2025 દરમિયાન ‘નેશનલ મેથેમેટિક્સ ડે’ નિમિત્તે આયોજિત સાપ્તાહિક ઉજવણીનું આજે ઉત્સાહભર્યા વાતાવરણમાં સમાપન થયું હતું. આ સમાપન સમારોહમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગણિત પ્રેમીઓએ મોટી સંખ્યામાં હાજરી આપીને ગણિત વિજ્ઞાનને પ્રોત્સાહન આપવાના પ્રયાસોને વધાવી લીધા હતા. સાપ્તાહિક કાર્યક્રમો દરમિયાન વિવિધ સ્પર્ધાઓ, વર્કશોપ અને પ્રદર્શનો દ્વારા ગણિતના મહત્વને રોચક રીતે રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉજવણી ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનની જન્મજયંતિ નિમિત્તે યોજાઈ હતી અને તેના માધ્યમથી વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યેનો રસ જગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વિવિધ વિષયના નિષ્ણાતોએ સરળ ભાષામાં માર્ગદર્શન આપ્યું હતુંઆ સાપ્તાહિક કાર્યક્રમ અંતર્ગત એક્સપર્ટ લેક્ચર્સ, ગણિત સાથે જ્ઞાન પ્રવૃત્તિઓ, મેથેમેટિક પઝલ્સ, મેજિક નંબર્સ, મેથ ક્વિઝ કોમ્પિટિશન, ડોક્યુમેન્ટરી સ્ક્રિનિંગ તેમજ ઓરીગામી જેવી હેન્ડ્સ-ઓન પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, વિવિધ વિષયના નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને ગણિતના દૈનિક જીવનમાં ઉપયોગ, તર્કશક્તિ અને સમસ્યા હલ કરવાની રીતો વિશે સરળ ભાષામાં માર્ગદર્શન આપ્યું હતું, શ્રીનિવાસ રામાનુજનના જીવન અને ગણિત ક્ષેત્રમાં આપેલા અમૂલ્ય યોગદાનને ઉજાગર કરતી ડોક્યુમેન્ટરી દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણા મળી, મેથ ક્વિઝ અને પઝલ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાની બુદ્ધિક્ષમતા અને વિચારશક્તિ પ્રદર્શિત કરી હતી, દેશમાં દર વર્ષે 22 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છેઆ સમગ્ર ઉજવણી દરમિયાન અંદાજે 1500 જેટલા વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા સામાન્ય જનતાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ભાગ લેનાર સૌ માટે ગણિત માત્ર વિષય નહીં પરંતુ એક રસપ્રદ અને જીવન સાથે જોડાયેલ વિજ્ઞાન તરીકે અનુભૂતિમાં આવ્યું હતું, ‘નેશનલ મેથેમેટિક્સ ડે’ ભારત દેશમાં દર વર્ષે 22 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનની જન્મજયંતિ તરીકે ઉજવાય છે, ભારત સરકારે વર્ષ 2012 માં રામાનુજનના ગણિત ક્ષેત્રમાં આપેલા અમૂલ્ય યોગદાનને માન આપતા 22 ડિસેમ્બરને ‘નેશનલ મેથેમેટિક્સ ડે’ તરીકે જાહેર કર્યો હતો, શ્રીનિવાસ રામાનુજન ભારતના સૌથી પ્રતિભાશાળી અને વિશ્વપ્રસિદ્ધ ગણિતજ્ઞોમાંથી એક હતા, રામાનુજનએ પોતાના સ્વઅધ્યયન દ્વારા ગણિતના ક્ષેત્રમાં અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી હતી, નંબર થિયરી, અનંત શ્રેણીઓ, કન્ટિન્યુડ ફ્રેક્શન અને પાર્ટિશન ફંક્શન જેવા વિષયોમાં તેમના સંશોધન આજે પણ વિશ્વભરના ગણિતજ્ઞો માટે પ્રેરણાસ્રોત છે, ‘નેશનલ મેથેમેટિક્સ ડે’ માત્ર એક ઉજવણી નથી, પરંતુ યુવા પેઢીમાં ગણિત પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસાવવાનો એક મહત્વપૂર્ણ અવસર છે. બાળક અને યુવાનોમાં STEM પ્રત્યે રસ જગાડવા અનેકવિધ પ્રવૃતિઓનું આયોજન કરે છેઆ સમગ્ર કાર્યક્રમનું આયોજન રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો.ગિરીશ ગોસ્વામી ની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું, રીજીયોનલ સાયન્સ સેન્ટર, ભાવનગર દ્વારા આયોજિત આ પ્રવૃત્તિઓ, વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, તર્કશક્તિ અને સર્જનાત્મકતા વિકસાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બાળક અને યુવાનોમાં STEM પ્રત્યે રસ, જિજ્ઞાસા અને નવીનતા વિકસે તે માટે આરએસસી ભાવનગર સતત વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કરતું રહે છે.
19 ડિસેમ્બર, 2025એ દિવ્ય ભાસ્કર ડિજિટલમાં ઈન્વેસ્ટિગેશન રિપોર્ટ પબ્લિશ થયો હતો. ‘ઓફિસ બોયના ખાતામાં 254 કરોડ જમા થયા’. આ રિપોર્ટમાં એ ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો કે કેટલાક લોકો ઓફિસ બોય, ટ્રક ડ્રાઈવર જેવા નાનાં માણસોના ખાતામાં રોકડા રૂપિયા જમા કરીને ચેકથી ઉપાડી લે છે. આ રીતે કાળાં નાણાંને ધોળાં કરવાનો ખેલ ચાલે છે. અમદાવાદમાં ચાલતા કૌભાંડના છેડા લાઠી યાર્ડમાં નીકળ્યા હતા. દિવ્ય ભાસ્કર ડિજિટલના અહેવાલના પગલે એ જ દિવસે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ એક્ટિવ થઈ ગઈ હતી અને આ રેકેટમાં સંડોવાયેલા બે વ્યક્તિઓને ઝડપીને કાર્યવાહી કરી હતી. પોલીસ પોતે જ ફરિયાદી બની છે. દિવ્ય ભાસ્કરના અહેવાલ પછી એક્ટિવ થયેલી ક્રાઈમ બ્રાન્ચે આ ઘટનામાં તાત્કાલિક પગલાં લઈ અમદાવાદમાં નવરંગપુરામાં સી.જી.રોડ પર આવેલા સમુદ્ર કોમ્પલેક્સમાં ઓફિસ નંબર 406માં દરોડો પાડ્યો હતો. જ્યાંથી બે માસ્ટર માઈન્ડની ધરપકડ કરી કેટલોક મુદ્દામાલ જપ્ત કરી લેવાયો હતો. હાલમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ‘ઓપરેશન મ્યુલ હંટ’ નામની ડ્રાઈવ ચલાવે છે. આનો અર્થ એવો થાય કે ગેરકાયદે નાણાંકીય વ્યવહાર કરવા માટે કોઈ બીજાના બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવે તેવા એકાઉન્ટને મ્યુલ એકાઉન્ટ કહેવાય છે. આના ભાગરૂપે ભાસ્કરના અહેવાલ પછી ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી હતી. ભાસ્કરનો અહેવાલ વાંચવા અહિ ક્લિક કરો... ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : ઓફિસ બોયના ખાતામાં 254 કરોડ જમા થયા:કાળાં નાણાંને ધોળાં કરવાના કૌભાંડની માયાજાળ; અમદાવાદના છેડા લાઠી યાર્ડમાં નીકળ્યા પોલીસ FIR પ્રમાણે હાલ બે વ્યક્તિની આમાં ધરપકડ કરી લેવામાં આવી છે જેમાં 1. આકાશ સોની અને 2. મનોજ રમાવતના નામ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ વ્યક્તિઓની ઓફિસની જડતી કરી તો તે સમયે ઓફિસ માથી મળી આવેલી કેટલીક વસ્તુઓ મળી આવી હતી, જેનો કબજો લેવાયો હતો. આ તમામ મુદ્દા માલ ની કુલ કિમત 1,90,500 જેટલી થાય છે. જેનો પોલીસ એફ.આઇ.આરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ એ.આર.રાવલ ફરિયાદી બન્યા છે. તેમણે નોંધેલી ફરિયાદમાં જણાવાયું છે કે, ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ મુયરધ્વજસિંહ ભગીરથસિંહે માહિતી આપી કે કેટલાક લોકો નાનાં માણસોના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવીને કાળા નાણાંને ધોળાં કરવાનું કામ કરી રહ્યા છે. આની તપાસ કરતાં સમુદ્ર કોમ્પલેક્સમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આકાશ સોની અને બેન્કીંગનું કામ કરતા મનોજ રામાવતે મળીને તેની ટોળકી બનાવી હતી. આ ટોળકી જરૂરિયાત મંદો અને નાનાં માણસોને ફસાવીને તેના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને કંપનીઓ બનાવી છે. આ કંપનીના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવીને અલગ અલગ બેન્કોમાં ટ્રાન્સફર કરીને નાણાંની હેરફેર કરતા હતા. આકાશ સોની મૂળ સુરેન્દ્રનગરના રાજસીતાપુરનો રહેવાસી છે અને અમદાવાદમાં બોડકદેવમાં ગેલેરિયા તુલીપ ખાતે રહે છે. જ્યારે મૂળ રાજસ્થાનના નાગોરનો રહેવાસી મનોજ રામાવત રાણીપમાં પિન્ક સિટી પાસેના સંકલ્પ એપાર્ટમેન્ટમાં રહે છે. પોલીસે ઓફિસે દરોડો પાડીને બંનેને ઝડપી લીધા છે અને કેટલોક મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ ફરિયાદમાં લખ્યું છે કે, આકાશ સોનીની પૂછપરછ કરતાં તેમણે પોલીસને જણાવ્યું હતું કે પોતે મનોજ રામાવત સાથે મળીને સમુદ્ર કોમ્પલેક્સમાં ઓફિસ ભાડે રાખી હતી. અહિથી એવું ષડયંત્ર શરૂ કરવામાં આવ્યું કે એગ્રો કંપનીના નામે ઓફિસો ખોલીને નાણાકીય વહિવટ કરવો. કારણ કે એગ્રો કંપનીના નામે કામ કરીએ તો જીએસટી ભરવાનો થતો નથી અને રોકડ ટ્રાન્ઝેક્શનમાં મર્યાદા હોતી નથી. આ ગેરકાયદે પ્રવૃત્તિમાં એક કરોડની લેવડ-દેવડ હોય તો 50 હજાર રૂપિયા કમિશન મળે છે. આના માટે ડમી સીમકાર્ડ ખરીદ્યા હતા. ડોક્યુમેન્ટનો દુરુપયોગ કર્યો હતો. નાના માસોના નામે જે બેન્ક એકાઉન્ટ ખુલે તેમાં બેન્ક કીટ આવે તે પોતે રાખી લેતા હતા. બેન્કની શંકાસ્પદ ભૂમિકા સામે પણ તપાસ થશે દિવ્ય ભાસ્કર ડિજિટલે જ્યારે આ સ્કેમનો ઘટસ્ફોટ કર્યો ત્યારે તેનો ભોગ બનેલા અને ઓફિસ બોય તરીકે કામ કરતા કિશન બથવાર નામના યુવકે તમામ પુરાવા આપ્યા હતા. તેમાં ઈન્કમટેક્સ સર્કલ પાસે આવેલી ધનલક્ષ્મી બેન્કની જાન્યુઆરી-2024થી ઓગસ્ટ-2025 સુધીની એન્ટ્રી મેળવી હતી. જેમાં દોઢ વર્ષમાં જ 254 કરોડના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું હતું. આ તો એક કિસ્સો છે. બાકી તો અબજો રૂપિયાના વ્યવહારો અલગ અલગ બેન્કમાં થયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસને જે 103 ચેકબુક મળી આવી છે તે વિવિધ બેન્કોની છે. આમાં બેન્કોની સંડોવણી ખુલશે તો બ્રાન્ચ મેનેજર અને સંબંધિત સ્ટાફની પણ ધરપકડ થઈ શકે છે.
ભારત-પાકિસ્તાન યુદ્ધમાં યોગદાન આપ્યું:વડોદરામાં પૂર્વ વાયુસેના સૈનિકને ગાર્ડ ઑફ ઑનર સાથે અંતિમ વિદાય
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતા ભારતીય વાયુસેનાના પૂર્વ સૈનિક ઝાહિરુદ્દીન ફખરુદ્દીન સૈયદનું લાંબી નાદુરસ્તી બાદ દુ:ખદ નિધન થયું હતું. તેમના અવસાનથી પરિવારજનો તેમજ મિત્રવર્ગમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વાયુસેનામાંથી નિવૃત્તિ બાદ તેમણે BSNLમાં સેવા બજાવી હતીઝાહિરુદ્દીન સૈયદ ભારતીય વાયુસેનાના ગૌરવશાળી પૂર્વ સૈનિક હતા. તેમણે વર્ષ 1965 તથા 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધોમાં દેશ માટે વફાદારીપૂર્વક ફરજ નિભાવી સેવા આપી હતી. તેમનું સાહસ, ઇમાનદારી અને રાષ્ટ્રપ્રેમ તેમના પરિવાર તેમજ સમગ્ર દેશ માટે ગર્વનો વિષય છે. વાયુસેનામાંથી નિવૃત્તિ બાદ તેમણે BSNLમાં સબ-ડિવિઝનલ એન્જિનિયર (SDE) તરીકે સેવા બજાવી હતી. જવાનોએ અંતિમ વિદાય વેળાએ ગાર્ડ ઑફ ઑનર આપ્યું હતુંતેમની અમૂલ્ય દેશસેવાને માન આપવા ભારતીય વાયુસેનાના અધિકારીઓ અને જવાનોએ અંતિમ વિદાય વેળાએ ગાર્ડ ઑફ ઑનર આપ્યું હતું. આ સન્માન તેમના જીવનભરના સમર્પણ અને પ્રતિષ્ઠાનું પ્રતિબિંબ હતું. મરહૂમ ઝાહિરુદ્દીન સૈયદ એક શિસ્તબદ્ધ સૈનિક, ઈમાનદાર જાહેર સેવક તેમજ પરિવાર માટે માર્ગદર્શક તરીકે હંમેશા યાદ રહેશે. તેમની અંતિમ યાત્રામાં મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
સામાન્ય રીતે સરકારી તંત્રની ઉદાસીનતા સામે લોકો હિંમત હારી જતા હોય છે, પરંતુ નર્મદા જિલ્લાના ગરુડેશ્વરના એક યુવાને સાબિત કરી દીધું છે કે, જો મક્કમ નિર્ધાર હોય તો તંત્રને ઝૂકવું પડે છે. રસ્તા પરના ખાડાને કારણે થયેલા અકસ્માત મામલે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) સામે ગુનો નોંધાવવા માટે આ યુવાનને 111 દિવસ સુધી કાયદાકીય લડત લડવી પડી હતી. આખરે માનવ અધિકાર પંચના હસ્તક્ષેપ બાદ પોલીસે ગુનો નોંધ્યો છે. સમગ્ર ઘટના શું હતી?કેવડિયા કેનાલ હેડ પાવર હાઉસમાં ફરજ બજાવતા પ્રવીણકાન્ત ઝા ગત 29 ઓગસ્ટના રોજ પોતાની બાઈક પર ગરુડેશ્વરથી રાજપીપળા જઈ રહ્યા હતા. આ દરમિયાન વાંસલા ગામ પાસે રોડ પરના જોખમી ખાડાને કારણે તેમની બાઈક સ્લિપ થઈ ગઈ હતી, જેમાં તેઓને ઈજાઓ પહોંચી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે તે જ દિવસે એ જ ખાડાને કારણે અન્ય ત્રણ અકસ્માતો પણ થયા હતા. તંત્રની આ બેદરકારીને કારણે અન્ય કોઈ નિર્દોષ નાગરિક જીવ ન ગુમાવે તે હેતુથી પ્રવીણે NHAI વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું. ઉચ્ચ સ્તરે રજૂઆતો છતાં પોલીસની આનાકાનીપ્રવીણભાઈ સૌ પ્રથમ ગરુડેશ્વર અને કેવડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા ગયા હતા, પરંતુ પોલીસે મચક આપી નહોતી. ત્યારબાદ તેમણે DySPથી લઈને જિલ્લા પોલીસ વડા (SP) સુધી રજૂઆતો કરી, છતાં પરિણામ શૂન્ય રહ્યું. આ લડત આગળ વધારતા તેમણે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ, CM ઓનલાઇન પોર્ટલ અને છેક PMO સુધી પત્રવ્યવહાર કર્યો હતો. કલેક્ટરની મધ્યસ્થી અને વળતરનો મુદ્દોજિલ્લા કલેક્ટર સમક્ષ જ્યારે આ મામલો પહોંચ્યો, ત્યારે તેમણે NHAIના અધિકારીઓ અને ફરિયાદી વચ્ચે રૂબરૂ મુલાકાત કરાવી હતી. તંત્રએ રસ્તો જલ્દી રિપેર કરવાની ખાતરી આપી હતી, પરંતુ થયેલા નુકસાનના વળતર માટે ટ્રિબ્યુનલમાં જવાની સલાહ આપી હતી. જોકે, પ્રવીણ ઝા તંત્રની બેદરકારી બદલ કાયદાકીય કાર્યવાહી કરવા પર મક્કમ હતા. માનવ અધિકાર પંચના આદેશથી પોલીસ એક્શનમાંઅંતે, ન્યાય ન મળતા પ્રવીણ ઝાએ માનવ અધિકાર પંચના દ્વાર ખખડાવ્યા હતા. પંચે આ ગંભીર બેદરકારીની સુનાવણી હાથ ધરી નર્મદા પોલીસને તાકીદ કરી હતી કે યુવાનની ફરિયાદ દાખલ કરવામાં આવે. પંચના કડક વલણને પગલે 111 દિવસના લાંબા સંઘર્ષ બાદ આખરે પોલીસે NHAI વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ઉદ્દેશ્ય વળતર નહીં પણ તંત્રની જવાબદારી નક્કી કરવીફરિયાદી પ્રવીણકાન્ત ઝાએ જણાવ્યું કે, મારો ઉદ્દેશ્ય માત્ર વળતર મેળવવાનો નથી, પણ તંત્રની જવાબદારી નક્કી કરવાનો છે. જો આપણે ચૂપ રહીશું તો આવી બેદરકારી ચાલુ રહેશે. આ લડત સમાજના દરેક જાગૃત નાગરિક માટે છે. આ કિસ્સો સમાજ માટે એક પ્રેરણા સમાન છે કે પોતાના હક અને અધિકાર માટે લડત ચાલુ રાખવી જોઈએ. હવે જોવાનું એ રહે છે કે આ ફરિયાદ બાદ NHAI ના કામકાજમાં કોઈ સુધારો આવે છે કે કેમ.
કેન્દ્ર સરકાર દ્વારા સરકારી યોજનાના નામ બદલવામાં આવતા કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા છે. થોડા દિવસ પહેલા જ કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાનું નામ બદલવામાં આવ્યું હતું. જેને લઈને કોંગ્રેસે મોદી સરકારને નેમ ચેન્જર ગણાવી છે. જ્યાં-જ્યાં ભાજપ સરકાર છે ત્યાં શિક્ષણનો અધિકાર છીનવાઈ રહ્યો છે. જ્યાં જ્યાં ભાજપ સરકાર હોય ત્યાં રોજગાર, આદિવાસીઓનો અધિકાર છીનવાઈ રહ્યો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે કહ્યું કે, 2014માં ગેમ ચેન્જરની વાતો કરતી મોદી સરકાર નેમ ચેન્જર બની ગઈ છે. ઐતિહાસિક યોજનાને આધુનિક કરણના નામે તોડી નાખવાનું પાપ કર્યું હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. તેમજ દેશના લોકોના કલ્યાણ માટે નક્કર કામગીરીનો દેશની જનતા સમક્ષ હિસાબ આપે તેવી સરકાર પાસે માંગ કરી છે. મનરેગા યોજનાને ખતમ કરવાનું કામ મોદી સરકારે કર્યું છેગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, કેન્દ્રમાં 2014માં વિવિધ ચૂંટણી પ્રચાર દરમિયાન બદલાવ માટે વોટ માગનારી મોદી સરકાર સત્તામાં આવતાની સાથે જ નેમ ચેન્જર તરીકે કામ કરી રહી છે. ચૂંટણીની સભાઓમાં વાતો કરનાર મોદી સરકાર છેલ્લા 11 વર્ષમાં નેમ ચેન્જર તરીકે કામ કરે છે. એક પણ યોજના એવી નથી કે જે પોતે ચાલુ કરી હોય. જેનું તાજું ઉદાહરણ સૌથી મોટી રોજગાર યોજના મનરેગા યોજના તરીકેની સફળતા મળી હતી. આ યોજનાને સંપૂર્ણ રીતે ખલાસ કરીને મહાત્મા ગાંધીના નામને ભૂંસવા માટે તેમના વિચારને ભૂંસવા માટે મોદી સરકાર કામ કરે છે. જુદી-જુદી યોજનાઓ અને છેલ્લે મનરેગા યોજનાને ખતમ કરવાનું કામ મોદી સરકારે કર્યું છે. લાખો શ્રમિકોના હક પર તરાપ મારવાનું કામ કર્યું છે. માહિતી અધિકાર હોય કે આદિવાસી સમુદાયને અધિકાર આપવાની વાત હોય તે કોંગ્રેસ સરકારે મજબૂતાઈથી કર્યું છે. સ્ટેડિયમમાં પોતાનું નામ લખી સરદાર સાહેબનું નામ ભૂંસી નાખ્યુંવધુમાં ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, મોદી સરકાર પોતાના નામ પર યોજના શરૂ કરી શકે તેનાથી કોઈને કોઈ વાંધો ન હોઈ શકે પરંતુ, મનરેગા કાનૂન આધારિત યોજના હતી. ભાજપ સરકારે મનરેગા તોડી નાખવા માટે કામ કર્યું છે. 100 દિવસ રોજગાર આપવાનો એટલે કે માણસ માંગે ત્યારે રોજગાર આપવાનો. ગેમ ચેન્જર તરીકે મોટા-મોટા દાવા કરવામાં આવ્યા પરંતુ, નેમ ચેન્જર તરીકે કામ કરવામાં આવી રહ્યું છે. 30 વર્ષમાં એક પણ મોટી યુનિવર્સિટી બનાવવામાં આવી નથી પરંતુ, સ્ટેડિયમમાં પોતાનું નામ લખી સરદાર સાહેબનું નામ ભૂંસી નાખ્યું. આ રીતે અનેક ઐતિહાસિક યોજનાને આધુનિક કરણના નામે મહાત્મા ગાંધીની વિદ્યાપીઠ હોય કે આશ્રમ હોય તેને પણ તોડી નાખવાનું પાપ મોદી સરકારે કર્યું. દેશની તિજોરીમાં ઓછામાં ઓછું એક યોજનામાં 5 હજાર કરોડ રૂપિયાનું ભાર વધશેસરકારી તિજોરી પર દેવું વધવાની વાતને લઈને ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, અમે માંગ કરીએ છીએ મોદી સરકાર શુધ્ધ બુદ્ધિ સાથે દેશના લોકોના કલ્યાણ માટે નક્કર કામગીરીનો દેશની જનતા સમક્ષ હિસાબ આપે. સરકારી ગ્રાન્ટેડ કોલેજોને બંધ કરવાનું કામ મોદી સરકાર કરી રહી છે. જ્યાં જ્યાં ભાજપ સરકાર છે જ્યાં જ્યાં શિક્ષણનો અધિકાર છીનવાઈ રહ્યો છે. જ્યાં જ્યાં ભાજપ સરકાર હોય ત્યાં રોજગાર, આદિવાસીઓનો અધિકાર છીનવાઈ રહ્યો છે. બદલા માટે નહીં બદલાવ માટે કામગીરી કરો. નામ બદલવાના કારણે દેશની તિજોરીમાં ઓછામાં ઓછું એક યોજનામાં 5 હજાર કરોડ રૂપિયાનું ભાર વધવાનું છે. નવો સ્ટેમ્પ, નવી પદ્ધતિ, નવા નવા હોડિંગ લાગશે તેનો ખર્ચ થશે જે આપણા સૌના ખિસ્સામાંથી થવાનો છે. દેશમાં ચાલતી લૂંટના લાભાર્થી હોય તો તે તેમના મળતીયાઓ છે. ગેમ ચેન્જર તરીકે કામગીરી કરે એવી અમારી માંગ છે.
2000 થી વધુ રમતવીરોએ રસ્સા ખેંચ, ખો-ખો, વોલીબોલ, બાસ્કેટ બોલ અને કબડ્ડી સહિતની વિવિધ વયજૂથની સ્પર્ધાઓમાં ભાગ લીધો ભાવનગર શહેરના સિદસર સ્પોર્ટ્સ કોમ્પેલેક્ષ ખાતે ભાવનગર-બોટાદ જિલ્લા કક્ષાની ભાઈઓ માટેની સાંસદ ખેલ મહોત્ત્સવ સ્પર્ધાનો કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ, ગ્રાહકોની બાબતો વિભાગનાં રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાએ પ્રારંભ કરાવ્યો હતો, સ્પર્ધામાં જિલ્લાભરના 2 હજારથી વધુ રમતવીરો એ રસ્સા ખેંચ, ખો-ખો, વોલીબોલ, બાસ્કેટ બોલ અને કબડ્ડી સહિતની વિવિધ વયજૂથની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણાદાયી આહ્વાનથી દેશભરમાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે, જેના દ્વારા ખેલાડીઓને રમત-ગમતના માધ્યમથી પોતાની પ્રતિભા રાષ્ટ્રીય સ્તરે પ્રદર્શિત કરવાની અમૂલ્ય તક પ્રાપ્ત થઈ રહી છે, વડાપ્રધાનના આહ્વાનને અનુસરીને દરેક સાંસદ દ્વારા ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાના રમતોત્સવ યોજવામાં આવી રહ્યા છે આવા આયોજનથી ગ્રામ્ય વિસ્તારોના રમતવીરોને પણ પોતાની ક્ષમતા દર્શાવવાની તક મળી છે. આ કાર્યક્રમ દરમિયાન મંત્રીએ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં રમવા આવેલા રમતવીરોને પ્રોત્સાહન પૂરૂ પાડ્યું હતું. જેનાથી ખેલાડીઓમાં ઉત્સાહનો વધારો થયો હતો. આ સાંસદ ખેલ મહોત્ત્સવ સ્પર્ધા બે દિવસ સુધી જુદી જુદી રમતો રમાડવામાં આવશે, આ કાર્યક્રમમાં આગેવાન કુમારભાઈ શાહ, ભરતભાઈ મેર, રાજુભાઇ ફાળકી, રોહિતભાઈ બગદરીયા, મેહુલભાઈ ડાંગર, વિનુભાઈ મકવાણા, જિલ્લા રમતગમત અધિકારી નરેશભાઈ ગોહિલ, જિલ્લા રમત વિકાસ અધિકારી સુનિલભાઈ ચૌધરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
શૈલજા દરજીએ બોલ્ડરિંગમાં બ્રોન્ઝ મેડલ અને લીડ ક્લાઇમ્બિંગ (સબ જુનિયર ગર્લ્સ)માં બ્રોન્ઝ મેડલ તથા અમી પટેલે બોલ્ડરિંગ (ઓપન ગર્લ્સ) કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો. આ સ્પર્ધા પુણે (મહારાષ્ટ્ર) ખાતે વેસ્ટ ઝોન સ્પર્ધામાં 3 ઓક્ટોબરથી 5 ઓક્ટોબર 2025 દરમિયાન યોજાઈ હતી. સ્પોર્ટ્સ ક્લાઇમ્બિંગના ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે ગુજરાતે મહિલા વર્ગમાં કોઈ મેડલ મેળવ્યો છે. સ્પોર્ટ્સ ક્લાઇમ્બિંગ એ ઓલિમ્પિક્સ રમતો અને ભારતમાં વધતી જતી રમતનો એક ભાગ છે આ બંને ખેલાડીઓ ક્લાઇમ્બિંગ વોલની મર્યાદિત ઍક્સેસ અને મર્યાદિત સંસાધનો સાથે આ લેવલ સુધી પહોંચ્યા છે. આગામી 26 થી 29 ડિસેમ્બરે કર્ણાટક ખાતે નેશનલ સ્પોર્ટ ક્લાઇમ્બીંગ ચેમ્પિયનશીપ યોજાવાની છે. જેમાં હવે શૈલજા અને અમી વેસ્ટ ઝોનને નેશનલ લેવલે પ્રેઝેન્ટ કરશે. કોઈ ગુજરાતી મહિલા આ રમતમાં વેસ્ટઝોનને પ્રેઝેન્ટ કરશે તેમ પહેલી વાર બની રહ્યું છે.
માવલ ચેકપોસ્ટ પર 400 પેટી વિદેશી દારૂ ઝડપાયો:ગુજરાતમાં દારૂ ઘુસાડાતો હતો, બે આરોપીઓની ધરપકડ કરાઈ
રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ પર ગુજરાતમાં ઘુસાડવામાં આવતો 400 પેટી વિદેશી દારૂ ઝડપાયો છે. રાજસ્થાન પોલીસે હરિયાણા પાસિંગના એક ટ્રકમાંથી આ દારૂ જપ્ત કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી માવલ પોલીસ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન કરવામાં આવી હતી. પોલીસ કર્મચારીઓએ હરિયાણા પાસિંગના એક ટ્રકને રોક્યો હતો. તપાસ કરતાં તેમાંથી પંજાબ અને હરિયાણામાં બનેલા વિદેશી દારૂની 400 પેટીઓ મળી આવી હતી. પોલીસે ટ્રક જપ્ત કરીને તેમાં સવાર બે વ્યક્તિઓની અટકાયત કરી છે. આરોપીઓની ઓળખ રાકેશ શેરસિંહ અને કિશનકુમાર રામકુમાર (બંને રહે. ફતેહાબાદ, હરિયાણા) તરીકે થઈ છે. જપ્ત કરાયેલા 400 પેટી દારૂની બજાર કિંમત આશરે 40 લાખ રૂપિયા અંદાજવામાં આવી છે. આબુરોડ રોક્કો થાણાધિકારી લક્ષ્મણસિંહ ચંપાવતના નેતૃત્વ હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે, જેમાં દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં ક્યાં પહોંચાડવાનો હતો તે અંગેની માહિતી મેળવવામાં આવી રહી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 60 મો પદવીદાન સમારોહ કાનજી ભૂટા બારોટ રંગમંચ ખાતે તા.25 ડિસેમ્બરના નાતાલના દિવસે યોજાશે. રાજયપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અઘ્યક્ષસ્થાને યોજાનારા કોન્વોકેશનમાં ગુજરાત રાજયના શિક્ષણમંત્રી તેમજ રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આશિર્વચન પાઠવશે. જેમાં 14 વિદ્યાશાખાના 43,792 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવશે તો રાજ્યપાલના હસ્તે 160 તેજસ્વી વિદ્યાર્થીઓને 178 ગોલ્ડ મેડલ અને 186 વિદ્યાર્થીઓને 271 પ્રાઈઝ એનાયત થશે. દર વર્ષની જેમ આ વખતે પણ સુવર્ણચંદ્રક મેળવનારા દીકરાઓની સામે દીકરીઓની સંખ્યા વધારે છે. આ વખતના પદવીદાન સમારોહમાં 129 દિકરીઓ સામે દીકરાઓ માત્ર 49 જ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશીએ દિવ્ય ભાસ્કર ડિજિટલને જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 60મો પદવીદાન સમારંભ તા.25 ડિસેમ્બરના ગુરુવારના રોજ સવારે 11 કલાકે રાજયના રાજયપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અવ્યક્ષસ્થાને, ગુજરાત રાજયના કેબીનેટકક્ષાના શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા અને રાજ્યના રાજયકક્ષાના શિક્ષણમંત્રી ત્રિકમ છાંગાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 14 વિદ્યાશાખાના 43792 દિક્ષાર્થીઓને પદવીઓ તથા 178 ગોલ્ડમેડલ તથા 271 પ્રાઈઝ એનાયત કરવામાં આવશે. જેમાં દાતાઓ તરફથી કુલ 72 ગોલ્ડમેડલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી કુલ 106 ગોલ્ડમેડલ મળીને કુલ 178 ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવશે. દાતાઓ તરફથી કુલ 113 પ્રાઈઝ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી કુલ 158 પ્રાઈઝ મળીને 271 પ્રાઈઝ આ પદવીદાન સમારોહમાં એનાયત કરવામાં આવશે.આ પદવીદાન સમારોહમાં ગોલ્ડમેડલ મેળવનાર કુલ 160 દિક્ષાર્થીઓમાં 49 વિદ્યાર્થીઓ તથા 129 વિદ્યાર્થિનીઓ મળીને કુલ 178 ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવશે. જામનગરની એમ.પી. શાહ મેડીકલ કોલેજની વિદ્યાર્થિની મેડિકલ ફેકલ્ટીની MBBS ની વિદ્યાર્થિની અઘારા ધ્રુતિબેન દાતાઓ તરફથી 7 તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી 6 ગોલ્ડ મેડલ ઉપરાંત યુનિવર્સિટી તરફથી 2 પ્રાઈઝ આપવામાં આવશે. અમરેલીની મોંઘીબા મહિલા આર્ટસ કોલેજની વિદ્યાર્થિની નીમાવત ગાયત્રી દીલીપભાઈને બી.એ. માં 3 ગોલ્ડમેડલ અને 8 પ્રાઈઝ, રાજકોટની કે.એ. પાંધી લો કોલેજની વિદ્યાર્થિની ગૌસ્વામી ખ્યાતી મહેશપરીને એલ.એલ.બી. માં 3 ગોલ્ડમેડલ તથા 7 પ્રાઈઝ અને રાજકોટની જ સરકારી મેડીકલ કોલેજના વિદ્યાર્થી પંડયા પાર્થ જયેશભાઈને એમ.એસ. જનરલ સર્જરીમાં 3 ગોલ્ડમેડલ તથા 1 પ્રાઈઝ એનાયત થશે. બોક્સ: ફેકલ્ટી - ડિગ્રીવિનયન - 10765શિક્ષણ - 4252વિજ્ઞાન - 2415કાયદા - 1974તબીબી - 3583વાણિજ્ય - 11324મેનેજમેન્ટ - 1791હોમીયોપેથી - 539આર્કિટેક્ચર - 46હ્યુમીનીટી એન્ડ સોશિયલ સાયન્સ - 1370કોમ્પ્યુટર સાયન્સ - 5148ગ્રામવિદ્યા - 130ગૃહવિજ્ઞાન - 226લાઇફ સાયન્સ - 229કુલ - 43792
અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારો શિયાળુ હવામાન જેના કારણે ગાઢ ધુમ્મસથી અમદાવાદ એરપોર્ટ પરની અનેક ફ્લાઈટ કેન્સલ અને ડીલે થઈ હતી. દિલ્હીમાં પણ ધુમ્મસ અને પ્રદૂષણ વાળા વાતાવરણના કારણે અમદાવાદ એરપોર્ટ પર પણ આજે સવારથી ઘણી ફ્લાઈટ્સ રદ થઈ ગઈ છે. ઘણી ફ્લાઇટ કલાકો મોડી ચાલી રહી છે. એર ઇન્ડિયા, ઈન્ડિગો અને સ્પાઇસજેટ જેવી ઘણી એરલાઇન્સની અનેક ફ્લાઈટ કેન્સલ અને ડીલે થઈ છે. 3 ફ્લાઇટ્સ કેન્સલ અને 12 ફ્લાઇટ ડિલે થઈદિલ્હીમાં ઓછી વિઝિબિલિટીને કારણે કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ધુમ્મસને કારણે અમદાવાદ એરપોર્ટ પર વિઝિબિલિટી ખૂબ ઓછી રહી ગઈ હતી. જેના કારણે આજે અમદાવાદ એરપોર્ટ પરની કુલ 3 ફ્લાઇટ્સ રદ કરવી પડી અને 12 ફ્લાઇટ મોડી પડી. આજે હવાઈ મુસાફરીને લઈને મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિવિધ એરલાઈન્સની અનેક ફ્લાઇટ્સ કેન્સલ અને ડિલે થવાના કારણે એરપોર્ટ પર મુસાફરો હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા. ઈન્ડિગોની બે અને સ્પાઇસજેટની એક ફ્લાઇટ કેન્સલઈન્ડિગોની એક ફ્લાઇટ કેન્સલ થઈ હતી. ઈન્ડિગોની જયપુરથી અમદાવાદ આવતી ફ્લાઇટ નંબર 6E 7031 ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી. આજે કુલ 2 ફ્લાઇટ કેન્સલ થઈ હતી. ઈન્ડિગોની એક ફ્લાઇટ કેન્સલ થઈ હતી. ઈન્ડિગોની અમદાવાદથી જયપુર જતી ફ્લાઇટ નંબર 6E 7523 ફ્લાઇટ કેન્સલ થઈ હતી. જ્યારે સ્પાઇસજેટની એક ફ્લાઇટ કેન્સલ થઈ હતી. અમદાવાદથી ફૈઝાબાદ જતી ફ્લાઇટ નંબર SG 445 ફ્લાઇટ કેન્સલ થઈ હતી. આ 12 ફલાઈટ મોડી પડીઈન્ડિગોની 6 ફ્લાઇટ ડીલે થઈ હતી. જયપુરની 6E 7524 અને 6E 7217 એમ કુલ 2 ફ્લાઇટ, વારાણસીની 6E 6414, કોલકત્તાની 6E 6072, ચંડીગઢની 6E 112, ફૈઝાબાદની 6E 6109 ફ્લાઇટ ડીલે થઈ હતી. જ્યારે અકાસા એરની 1 ફ્લાઇટ મુંબઈની QP 3145 ફ્લાઇટ ડીલે થઈ હતી. જ્યારે સ્ટાર એરની 1 ફ્લાઇટ પૂર્ણિયાની S5 619 ફ્લાઇટ ડીલે થઈ હતી. ઈન્ડિગોની 2 ફ્લાઇટ ડીલે થઈ હતી. દિલ્હીની 6E 5226, મુંબઈની 6E 682 ફ્લાઇટ ડીલે થઈ હતી. જ્યારે અકાસા એરની અમદાવાદથી જેદ્દાહ જતી ફ્લાઇટ નંબર QP 563 ફ્લાઇટ ડીલે થઈ હતી. જ્યારે થાઈ એર એશિયાની અમદાવાદથી બેંગકોક જતી ફ્લાઇટ નંબર FD 145 ફ્લાઇટ ડીલે થઈ હતી.
જામનગરમાં રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાએ ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો શુભારંભ કરાવ્યો. ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા આયોજિત આ મેળો જામનગરના જે.એમ.સી. ગ્રાઉન્ડ, એમ્યુઝમેન્ટ પાર્કની પાછળ, 22 થી 24 ડિસેમ્બર દરમિયાન યોજાશે. આ મેળામાં 100 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે, જ્યાં હેન્ડીક્રાફ્ટ, લીપણ આર્ટ, હસ્તકળા, ગૃહ સુશોભન અને ઓર્ગેનિક પ્રોડક્ટ્સ સહિતની વિવિધ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે. મંત્રી સહિતના મહાનુભાવોએ સ્ટોલની મુલાકાત લીધી હતી અને પ્રગતિશીલ મહિલાઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરી હતી. આ પ્રસંગે મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, સશક્ત નારી મેળો એ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ નારી શક્તિમાં વિશ્વાસ વ્યક્ત કરવાનો, તેમના આત્મવિશ્વાસને મજબૂત કરવાનો અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો એક સશક્ત પ્રયાસ છે. તેમણે ઉમેર્યું કે, આ મેળો નારી શક્તિના આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાનો ઉત્સવ છે. ગુજરાત સરકારે હંમેશા મહિલાઓને સમાજના કેન્દ્રસ્થાને રાખી વિકાસની નીતિઓ ઘડી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે બેટી બચાવો, બેટી પઢાવો, મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, મિશન મંગલમ, સખી મંડળ અને નારી ગૌરવ દિવસ જેવી અનેક યોજનાઓ દ્વારા મહિલાઓને શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને સ્વરોજગાર ક્ષેત્રે સશક્ત બનાવવાની દિશામાં નોંધપાત્ર કામગીરી કરી છે. સશક્ત નારી મેળો મહિલા સ્વસહાય જૂથો, ગ્રામ્ય અને શહેરી મહિલાઓ, કારીગર બહેનો અને મહિલા ઉદ્યોગકારોને તેમની પ્રતિભા, કુશળતા અને સર્જનશીલતા પ્રદર્શિત કરવા માટે એક ઉત્તમ મંચ પૂરો પાડે છે. અહીં બહેનો દ્વારા તૈયાર કરાયેલા હસ્તકલા ઉત્પાદનો, ઘરઉદ્યોગના વિવિધ પદાર્થો, ખાદ્ય ઉત્પાદનો, પરંપરાગત કળાઓ અને નવીન વ્યવસાયિક વિચારો એ વાતનો જીવંત દાખલો છે કે આજની નારી કોઈપણ ક્ષેત્રમાં પાછળ નથી. જ્યારે મહિલા આત્મનિર્ભર બને છે, ત્યારે પરિવારનું આર્થિક સંબળ વધે છે, બાળકોનું ભવિષ્ય સુદૃઢ બને છે અને સમાજમાં સમાનતા તથા પ્રગતિનો માર્ગ સુગમ બને છે. આવા કાર્યક્રમો બહેનોમાં આત્મવિશ્વાસ જગાવે છે અને તેમને પોતાના પગ પર ઊભા રહેવાની પ્રેરણા આપે છે. સરકાર બહેનોને તાલીમ, નાણાકીય સહાય, માર્કેટિંગ અને રોજગારની વધુ તકો ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે. ધારાસભ્ય રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર મહિલાઓને આર્થિક, સામાજિક તથા શૈક્ષણિક રીતે સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે જામનગર જિલ્લાની બહેનો આજે હસ્તકલા, ગૃહ ઉદ્યોગ, કૃષિ આધારિત પ્રવૃત્તિઓ અને અન્ય સ્વરોજગાર ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી રહી છે, અને આ પ્રકારના કાર્યક્રમો તેમના પ્રયત્નોને વધુ વેગ આપવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે. આ કાર્યક્રમમાં મેયર વિનોદ ખીમસુર્યા, ધારાસભ્યો સર્વ મેઘજી ચાવડા, દિવ્યેશ અકબરી, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નું, અગ્રણીઓ ડૉ.વિનોદ ભંડેરી, બીનાબેન કોઠારી, રમેશ મુંગરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, ડેપ્યુટી મ્યુ.કમિશ્નર ઝાલા, વિવિધ વિભાગના અધિકારીઓ, અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન હરીદેવ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું.
ગાંધીનગરમાં સરકારી મધ્યસ્થ પ્રેસના નિવૃત્ત કર્મચારીઓનું સ્નેહમિલન યોજાયું હતું. આ પ્રસંગે 75 વર્ષ પૂર્ણ કરનાર વડીલોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. આ સ્નેહમિલન કાર્યક્રમ સરકારી મધ્યસ્થ પ્રેસમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓ માટે આયોજિત કરાયો હતો. છેલ્લા ત્રણ વર્ષથી નિયમિતપણે યોજાતા આ સમારોહમાં, આ વર્ષે 75 વર્ષ પૂર્ણ કરનાર વડીલોનું સન્માન કરીને એક નવો આયામ ઉમેરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની એક વિશેષતા એ હતી કે તેમાં કોઈ પણ વ્યક્તિ પ્રમુખ કે મંત્રી જેવો હોદ્દો ધારણ કરતું નથી. દરેક વ્યક્તિ પોતાની શક્તિ મુજબ સમાન યોગદાન આપવાનો પ્રયાસ કરે છે, જે આ સ્નેહમિલન સમારોહની સૌથી ધ્યાનાકર્ષક બાબત હતી. ઉપસ્થિત નિવૃત્ત કર્મચારીઓ એકબીજાને મળીને ખુશ થયા હતા. તેમણે એકબીજાને લાંબા અને નિરોગી આયુષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. ડૉ. આંબેડકર ભવન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સરકારી પ્રેસના મોટી સંખ્યામાં નિવૃત્ત કર્મચારીઓ હાજર રહ્યા હતા.
અમદાવાદમાં આયોજિત સમારોહના દ્નિતીય દિવસે શરૂઆતમાં આરાધના સંગીત એકેડમીના વિદ્યાર્થીઓએ પ્રાર્થના પ્રસ્તુત કરી બીજા દિવસના પ્રથમ સોપાનમાં U.A.S સ્થિત કોલકત્તાથી પધારેલા પંડિત હિંન્ડોલ મજૂમદારે સોલો તબાલાવાદન તાલ ત્રિતાલમાં પ્રસ્તુત કર્યું જેમાં પરંપાગત તથા ખ્યાતનામ કલાકરોની ગત, કાથદા રેલા, પલ્ટા ચક્રદારની સુંદર પ્રસ્તુતિ કરી, શ્રોતાગણના દિલ જીતી લીધા. તેમની સાથે શ્રી શિશિર ભટ્ટે હાર્મોનિયમ પર સુસંગત કરીબીજા સોપાનમાં કલકત્તાથી પધારેલા પંડિત માલ્થબાન ચેટરજીએ રાગ યમન છેડ્યો વિલંબિત પતાલ, ત્રિતાલ અને રૂપકમાં બંટિશો સાથે ધરાનેદાર, ગુરુ પારંપરિકા તથા મધુર ગાયકીની પ્રસ્તુતિ કરી. તેમની ગાયકીએ સભામાં આહ્લાલાદકવ વાતાવરણ ખડક્યું. તેમની સાથે ભોપાલથી પધારે શ્રી અંશુલ પ્રતાપસિંહે તબલા પર અને શ્રી દિપેશ સુખારે હાર્મોનિયમ પર ખૂબ સરસ સંગત કરી રસિક આરાધના બે દિવસીય ફેસ્ટીવલ શ્રોતાગણે ખુબ માણ્યો
આણંદ જિલ્લામાં ખોરાક સલામતી અને ગુણવત્તાના નિયમોના ભંગ બદલ ત્રણ વેપારી પેઢીઓને દંડ ફટકારવામાં આવ્યો છે. આણંદના સુંદર કાઠીયાવાડી, સહયોગ રેસ્ટોરન્ટ અને ખંભાતના રાણા જીવણલાલ મણીલાલને કુલ રૂ. 3 લાખનો દંડ કરવામાં આવ્યો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આણંદના સુંદર કાઠીયાવાડી, ખંભાતના રાણા જીવણલાલ મણીલાલ અને આણંદના સહયોગ રેસ્ટોરન્ટ ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સુંદર કાઠીયાવાડીમાંથી કેરીના રસનો, રાણા જીવણલાલ મણીલાલમાંથી ગોપીશ્રી દેશી ઘીનો અને સહયોગ રેસ્ટોરન્ટમાંથી પનીરનો નમૂનો લેવામાં આવ્યો હતો. લેબોરેટરી તપાસમાં આ તમામ નમૂનાઓ સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયા હતા. ત્યારબાદ, ફુડ સેફટી ઓફીસર, આણંદ દ્વારા ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ એજયુડીકેટીંગ ઓફીસર અને નિવાસી અધિક કલેકટર, આણંદની કોર્ટમાં કેસ દાખલ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા સંબંધિત પક્ષકારોને નોટિસ આપી રજૂઆતની તક આપવામાં આવી હતી. તમામ પુરાવાઓ અને રજૂઆતોની ચકાસણી કર્યા બાદ, એજયુડીકેટીંગ ઓફીસર અને નિવાસી અધિક કલેકટર, આણંદની કોર્ટે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006ની કલમ-50 અને 51 મુજબ દંડ ફટકારવાનો આદેશ કર્યો. આ આદેશ મુજબ, સુંદર કાઠીયાવાડી, આણંદને રૂ. 25,000, રાણા જીવણલાલ મણીલાલ, ખંભાતને રૂ. 1,75,000 અને સહયોગ રેસ્ટોરન્ટ, આણંદને રૂ. 1,00,000 નો દંડ કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર અને ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જાહેરહિતમાં ખોરાકની ગુણવત્તા અને સલામતી બાબતે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.
મોરબીના જુના ઘૂંટુ રોડ પર આજે બપોરના સમયે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. સોના સિરામિક પાસે નદીના પુલ પર વળાંક લેતી વખતે એક માલ ભરેલા ટ્રકમાંથી વિશાળ કન્ટેનર બાજુમાંથી પસાર થતી સેન્ટ્રો કાર પર પલટી મારી ગયું હતું. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર દંપતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. ટ્રક પર લાદેલું ભારેભરખમ કન્ટેનર સીધું જ કાર પર ખાબક્યુંમળતી માહિતી મુજબ, હળવદ તાલુકામાં એક માઠા પ્રસંગમાં હાજરી આપીને ચાર વ્યક્તિ સેન્ટ્રો કારમાં સવાર થઈ મોરબી પરત ફરી રહ્યા હતા. બપોરના આશરે સવા વાગ્યાના અરસામાં જ્યારે તેમની કાર જુના ઘૂંટુ રોડ પર આવેલ સોના સિરામિક સામેના પુલ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે વળાંક પર સામેથી આવતા એક ટ્રક પર લાદેલું ભારેભરખમ કન્ટેનર અચાનક નમી પડ્યું હતું અને સીધું જ કાર પર ખાબક્યું હતું. આ ગોઝારા અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. મૃતકોની વિગત ઇજાગ્રસ્તોની વિગત ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસનો કાફલો ઘટનાસ્થળેઘટનાની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે જેસીબી અને અન્ય મશીનરીની મદદથી કન્ટેનર હટાવી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે રોડ પર ચક્કાજામ સર્જાયો હતો, જેને પોલીસે વાહનો હટાવી પૂર્વવત કરાવ્યો હતો. સમગ્ર અકસ્માતની આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના આધારે પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે.
સુરત મનપા દ્વારા ઝાંપા બજાર વિસ્તારમાં આવેલા 'દેવડી મુબારક' પાસેનો જાહેર રસ્તો વાહનવ્યવહાર માટે કાયમી ધોરણે બંધ કરવાના નિર્ણયથી વિવાદ વકર્યો છે. પૂર્વ કોર્પોરેટર અને સામાજિક કાર્યકર વિજય પાનશેરિયાએ આ નિર્ણયને તઘલખી અને જનવિરોધી ગણાવીને મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજ્યના શહેરી વિકાસ સચિવ અને દાવત પ્રોપર્ટીઝ ટ્રસ્ટને કાનૂની નોટિસ પાઠવી છે. '11 વર્ષ જૂની ફાઈલને ફરી જીવંત કરીને વર્ષ 2025માં નવું કૌભાંડ આચર્યું'વિજય પાનશેરિયાએ આક્ષેપ કર્યો છે કે, 11 વર્ષ જૂની ફાઈલને ફરી જીવંત કરીને વર્ષ 2025માં નવું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીએ 26 સપ્ટેમ્બર 2025 અને જનરલ બોર્ડે 29 સપ્ટેમ્બર 2025ના રોજ ઠરાવ પસાર કરી આ રસ્તો બંધ કરવાની મંજૂરી આપી છે. પૂર્વ કોર્પોરેટરે ફટકારી કાનૂની નોટિસપાનશેરિયાના મતે, આ નિર્ણય લઈને સ્ટેન્ડિંગ કમિટીએ અંધારામાં તલવાર ચલાવી છે અને જનતાના હિતને નેવે મૂક્યું છે. કાનૂની ઉલ્લંઘન અને લોકોની મુશ્કેલી હાઈકોર્ટના એડવોકેટ ડૉ. હિર્નેશકુમાર ભાવસાર મારફત મોકલાવેલી નોટિસમાં જણાવાયું છે કે આ નિર્ણય GPMC એક્ટની વિવિધ કલમો (203, 204, 206, 210, 284 અને 77)નું સીધું ઉલ્લંઘન છે. રસ્તો બંધ થવાથી આ અસરો થવાની ભીતિ ટેક્સ પેયર્સના પૈસાનો દુરુપયોગપાનશેરિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ગોપીપુરાની ઓછી કિંમતની જમીનના બદલામાં વધુ કિંમતની જમીનનો લાભ દાવત પ્રોપર્ટીઝ ટ્રસ્ટને આપવામાં આવી રહ્યો છે. આ લેન્ડ રેવન્યુ કોડનું ઉલ્લંઘન છે અને તેનાથી સીધો ફાયદો ટ્રસ્ટને અને નુકસાન સુરતના કરદાતાઓને થઈ રહ્યું છે. હાઈકોર્ટમાં જવાની ચીમકીનોટિસમાં માગ કરવામાં આવી છે કે, SMC અને રાજ્ય સરકાર 15 દિવસમાં આ ઠરાવની સમીક્ષા કરી તેને રદ કરે. જાહેર રસ્તો જનતા માટે ખુલ્લો રાખવામાં આવે. જો 15 દિવસમાં સંતોષકારક કાર્યવાહી નહીં કરવામાં આવે, તો આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવામાં આવશે તેવી ચીમકી વિજય પાનશેરિયાએ ઉચ્ચારી છે.
સાવરકુંડલા શહેરના મહુવા રોડ પર આવેલા રેલવે ફાટક પર વાહનચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પીપાવાવ પોર્ટથી સુરેન્દ્રનગર વચ્ચે દોડતી 20થી વધુ ગુડ્સ ટ્રેનોના કારણે આ ફાટક દિવસમાં અનેકવાર બંધ રહે છે. ફાટક બંધ થવાને કારણે વાહનવ્યવહાર 15 મિનિટ સુધી ખોરવાઈ જાય છે. APMC, સોસાયટી વિસ્તારો અને લલ્લુભાઈ આરોગ્ય મંદિર હોસ્પિટલ સહિત હજારો લોકોની અવરજવરને કારણે અહીં ભારે મુશ્કેલી સર્જાય છે. ખાસ કરીને દર્દીઓને સમયસર સારવાર માટે પહોંચવામાં વિલંબ થાય છે. સ્થાનિક લોકો દ્વારા આ સમસ્યા અંગે અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી. વેપારીઓ, ખેડૂતો અને સ્થાનિકોમાં આ બાબતે ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિક રહેવાસી અમિત રાઠોડે જણાવ્યું કે, ખાદીકાર્યાલય વિસ્તારમાં આવેલા આ રેલવે ફાટક પર વારંવાર ટ્રાફિક જામ થાય છે. લલ્લુભાઈ આરોગ્ય કેન્દ્ર અને માર્કેટિંગ યાર્ડ નજીક હોવાથી વાહનોની અવરજવર વધુ રહે છે. તેમણે ઇમરજન્સી કેસમાં દર્દીઓને ઝડપી સારવાર મળી રહે તે માટે ઓવરબ્રિજ અથવા અન્ડરબ્રિજ બનાવવાની માંગ કરી હતી. અન્ય સ્થાનિક કનુ ખત્રીએ પણ ફાટકના કારણે થતી અગવડતા વ્યક્ત કરતા જણાવ્યું કે, સોસાયટીમાં ઘરે જવા માટે પણ લાંબો સમય રાહ જોવી પડે છે. તેમણે સરકારને આ સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવા વિનંતી કરી હતી.
કોરોનાકાળ દરમિયાન પાકિસ્તાનની મરીન સિક્યુરિટી દ્વારા પકડાયેલા ગુજરાતના 197 માછીમારોને હજુ સુધી મુક્તિ મળી નથી. આ મામલે માછીમારોના પરિવારજનો આજે ગાંધીનગર સચિવાલયે પહોંચ્યા હતાં અને રાજ્ય સરકારને આવેદનપત્ર આપ્યું હતું. પરિવારજનોએ નાયબ મુખ્યમંત્રી અને સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી સાથે મુલાકાત કરી માછીમારોને તાત્કાલિક છોડાવવા કેન્દ્ર અને રાજ્ય સ્તરે અસરકારક પ્રયાસોની માગ કરી છે. 6 વર્ષથી રજૂઆતો છતાં કોઈ નિશ્ચિત પરિણામ નહિઆ અંગે પરિવારજનોએ જણાવ્યું કે, ઉના, કોડીનાર અને દીવ વિસ્તારના માછીમારો કોરોનાકાળ દરમિયાન દરિયામાં માછીમારી કરતાં સમયે પાકિસ્તાન નેવી દ્વારા પકડાઈ ગયા હતા. છેલ્લા છ વર્ષથી વારંવાર રજૂઆતો છતાં કોઈ નિશ્ચિત પરિણામ આવ્યું નથી. વિદેશ પ્રવાસે ફસાયેલા નાગરિકોને પરત લાવવા સરકાર પ્રયાસ કરે છે, તો પછી પાકિસ્તાનમાં બંધક બનેલા રાજ્યના માછીમારો માટે કડક કૂટનીતિક પ્રયાસ કેમ નથી? એવો પ્રશ્ન પણ પરિવારજનોએ ઉઠાવ્યો. પરિવારજનોએ સ્પષ્ટ સમયમર્યાદા સાથે પરિણામોની માગ કરીઆવેદનપત્રમાં કેન્દ્ર સરકારને પણ અપીલ કરવામાં આવી છે કે, માનવતાવાદી આધાર પર કોરોનાકાળમાં કેદ થયેલા માછીમારોને છોડાવવા પાકિસ્તાન સાથે સંવાદ ઝડપી કરવામાં આવે. પરિવારજનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી છે, જેથી કેદમાં રહેલા માછીમારોને તેમના પરિવારો પાસે પરત લાવી શકાય. રાજ્ય સરકાર તરફથી માછીમારોની મુક્તિ માટે પ્રયાસોની ખાતરી આપવામાં આવી હોવાનું જણાવાયું છે. જો કે, પરિવારજનોએ સ્પષ્ટ સમયમર્યાદા સાથે પરિણામોની માગ કરી છે.
ભાવનગર મહાનગર પાલિકા દ્વારા શહેરમાં અનેક સ્થળો પર ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે શહેરના ગઢેચીરોડથી રાધાકૃષ્ણ પાર્ટી પ્લોટ નજીક ડ્રેનેજ લાઈન નાખવા માટે ખોદવામાં આવેલા ખાડામાં આજ(22 ડિસેમ્બર)રોજ બાઈક સવાર ખાડામાં ખાબક્યો હતો. બનાવ બનતા લોકોના ટોળા એકઠા થયા હતા અને બાઈક સવારને સ્થાનિકો દ્વારા સહી સલામત બહાર કાઢવમાં આવ્યો હતો. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. એક સપ્તાહથી કામગીરી ચાલી રહી છેભાવનગર શહેરના ગઢેચી રોડ પાસે આવેલા રાધાકૃષ્ણ પાર્ટી પ્લોટ નજીક મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી એક સપ્તાહથી ચાલી રહી છે. આ ડ્રેનેજની કામગીરી દરમિયાન રસ્તા પર મોટા ખાડા ખોદવામાં આવ્યા છે. આજે બાઈક સવાર તે રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો, તે સમયે ડ્રેનેજ લાઈન નાખવા માટે ખોદવામાં આવેલ ખાડામાં બાઈક સવાર ખાબક્યો હતો. બંને સાઇડ સાઇનબોર્ડ મુકવા માગસ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે સ્થળ પર સાઈનબોર્ડ મુકવામાં આવ્યા છે, પણ તે સાઈડમાં મુકવામાં આવ્યા છે. બન્ને સાઈડ સાઈનબોર્ડ મુકવામાં આવે તેવી માગ સ્થાનિકો કરી રહ્યા છે, જેથી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય.
સુરતની નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આજે વહેલી સવારે લોહિયાળ ઘટના બનતા સમગ્ર તંત્રમાં ચકચાર મચી ગઈ છે. નસિંગ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ઉપ-પ્રમુખ અને જાણીતા સેવાભાવી અગ્રણી ઈકબાલ કડીવાલા પર એક માથાભારે ઈસમે ચપ્પુ અને ઢીકમુક્કી વડે હુમલો કર્યો હતો. જોકે, સદનસીબે ઈકબાલભાઈનો આબાદ બચાવ થયો છે અને હુમલાખોરને ટૂંક સમયમાં ઝડપી પાડવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે શખ્સે જીવલેણ હુમલો કર્યોખટોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, નર્સિંગ કાઉન્સિલના ઉપ-પ્રમુખ ઈકબાલ કડીવાલાને આજે કોઈ અગત્યના કામકાજ અર્થે અમદાવાદ જવાનું હતું. આ માટે તેઓ વહેલી સવારે આશરે 5:00 વાગ્યાની આસપાસ પોતાની કાર લઈને નવી સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે આવેલી કેન્ટીન નજીક ઉભા હતા. તેઓ મુસાફરીની તૈયારીમાં હતા ત્યારે જ અચાનક ચેતન સોલંકી નામનો શખ્સ ત્યાં ધસી આવ્યો હતો. ચપ્પુ કાઢી જીવલેણ ઘા કરવાની કોશિશ કરી કાંઈ પણ સમજાય તે પહેલા જ ચેતને ઈકબાલભાઈ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. હુમલાખોરે તેમના ચહેરા પર આડેધડ ઢીકમુક્કીનો માર માર્યો હતો અને ત્યારબાદ ખિસ્સામાંથી ચપ્પુ કાઢી જીવલેણ ઘા કરવાની કોશિશ કરી હતી. અચાનક થયેલા આ હુમલાથી ઈકબાલભાઈ વિચલિત થઈ ગયા હતા, પરંતુ તેમણે સમયસૂચકતા વાપરી બચાવ કરતા ચપ્પુનો ઘા વાગતા રહી ગયો હતો. હુમલાખોર સિવિલ હોસ્પિટલનો ભૂતપૂર્વ ડ્રાઈવરહુમલો કર્યા બાદ ચેતન સોલંકી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જોકે, આસપાસના લોકો અને હોસ્પિટલ સ્ટાફ તાત્કાલિક એકઠા થઈ ગયા હતા. જાણવા મળ્યું છે કે હુમલાખોર ચેતન સોલંકી અગાઉ નવી સિવિલ હોસ્પિટલમાં જ કોન્ટ્રેક્ટ બેઝ પર ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હતો. જૂની અદાવતમાં બદલાની આશંકાચેતન અવારનવાર વિવાદોમાં રહેતો હોવાથી તેને ડ્રાઈવરની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો, જેનું તે ખુન્નસ રાખતો હતો.ચેતનની પત્ની સાથે પણ છૂટાછેડાની મેટર ચાલી રહી હતી અને તેની માતા પણ અગાઉ આ જ હોસ્પિટલમાં નોકરી કરતી હતી પ્રાથમિક દ્રષ્ટિએ આ હુમલો જૂની અદાવત કે નોકરીમાંથી કાઢી મુકાયાના રોષમાં કરવામાં આવ્યો હોવાનું મનાય છે. મજૂરાગેટ નજીકથી આરોપી ઝડપાયોહુમલો કરીને ભાગી રહેલા ચેતન સોલંકીનો પીછો કરવામાં આવ્યો હતો અને ગણતરીની મિનિટોમાં જ તેને મજૂરાગેટ નજીકથી લોકોની મદદથી ઝડપી લેવામાં આવ્યો હતો. બીજી તરફ, ઈકબાલ કડીવાલાને તાત્કાલિક સારવાર માટે ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. ઈકબાલભાઈએ પોતે ખટોદરા પોલીસ મથકે પહોંચી સમગ્ર આપવીતી જણાવી હતી. હાલમાં ખટોદરા પોલીસે હુમલાખોર ચેતન સોલંકીને કસ્ટડીમાં લઈ લીધો છે અને તેની સામે ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે. સિવિલ હોસ્પિટલ જેવા સુરક્ષિત મનાતા કેમ્પસમાં વહેલી સવારે આ પ્રકારની ઘટના બનતા સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા થયા છે.
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરના બાયપાસ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ભરૂચ નગરપાલિકા, બૌડા અને પ્રાંત કચેરીની સંયુક્ત ટીમે જંબુસર બાયપાસથી મહોમદપુરા સુધીના માર્ગ પર દબાણ હટાવ અભિયાન ચલાવ્યું હતું. આ કાર્યવાહી શહેરમાં અવારનવાર સર્જાતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન જેસીબી અને ટ્રેક્ટર સાથે પહોંચેલી દબાણ ટીમે કાચા-પાકા દબાણો દૂર કર્યા હતા. લારી-ગલ્લાવાળાઓમાં દોડધામ મચી હતી. કેટલાક દબાણકારોને બે દિવસમાં જાતે જ દબાણ હટાવી લેવા સૂચના આપવામાં આવી હતી. બીજી તરફ, દબાણકાર વેપારીઓએ પોતાની મુશ્કેલીઓ રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વારંવાર લારી-ગલ્લા હટાવાતા હોવાથી વેપાર પર પ્રતિકૂળ અસર પડે છે. વેપારીઓએ પાલિકા પાસે રોડની સાઈડમાં એક તરફ નિર્ધારિત જગ્યા ફાળવવાની માંગ કરી હતી. વેપારીઓએ તે બદલ માસિક અથવા દૈનિક ભાડું ચૂકવવા પણ તૈયારી દર્શાવી હતી, જેથી વારંવારની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી શકે. આ દબાણ હટાવ કામગીરી દરમિયાન પ્રાંત અધિકારી મનીષા મનાણી અને મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ સહિતના વહીવટી અધિકારીઓ હાજર રહ્યા હતા.
વલસાડ તાલુકાના ઓવાડા ગામમાં નગરપાલિકાની નવી ડમ્પિંગ સાઈટના વિરોધમાં ગ્રામજનોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આજે મોટી સંખ્યામાં એકઠા થયેલા ગ્રામજનોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી પોતાની ચિંતાઓ રજૂ કરી હતી. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, જો શહેરમાં જગ્યા ન હોય તો ભલે કલેક્ટર કચેરી અમારા ગામમાં બનાવો પરંતું કચરાના ઢગલા અમારા ગામમાં ન કરશો. બીજી તરફ અહીં ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ અને ગ્રામજનો વચ્ચે બોલાચાલી થઈ હતી. વલસાડ નગરપાલિકા દ્વારા શહેરના કચરાના નિકાલ માટે નવી ડમ્પિંગ સાઈટની શોધ ચાલી રહી છે. આ અંતર્ગત ઓવાડા ગામની સરકારી જમીન પર ડમ્પિંગ સાઈટ બનાવવાની હિલચાલ શરૂ થતાં ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે. 'ડમ્પિંગ સાઈટથી ખેતીને મોટું નુકસાન થશે'ઓવાડા ગામના રહીશ નિમેષ મનુભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, વલસાડ શહેરનો કચરો, ગુંદલાવ GIDCનો કેમિકલયુક્ત કચરો અને મૃત જાનવરો ઓવાડા ગામે ઠાલવવાની વાત ચાલી રહી છે. ગામની 90% વસ્તી ખેતી પર નિર્ભર છે. ડમ્પિંગ સાઈટને કારણે ફેલાતી દુર્ગંધ, રખડતા ઢોરો અને ડુક્કરોનો ત્રાસ વધવાથી ખેતીને મોટું નુકસાન થશે. ગ્રામજનોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારીગ્રામજનોનો આરોપ છે કે અગાઉ 17 તારીખે પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, પરંતુ વહીવટી તંત્ર દ્વારા આ જમીન સરકારી હોવાનું કહેવામાં આવ્યું હતું. આના જવાબમાં ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, જો શહેરમાં જગ્યા ન હોય તો કલેક્ટરની કોઠી અને સરકારી ક્વાર્ટર્સ અમારા ગામમાં બનાવો, અમે જગ્યા આપીશું, પણ શહેરનો કચરો અમારા ગામમાં નહીં ચલાવી લઈએ. જો તેમની માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ધરણા અને આમરણાંત ઉપવાસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હાલમાં માત્ર જગ્યાની શોધખોળ ચાલી રહી છે: કલેક્ટરઆ મામલે વલસાડ જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, નગરપાલિકા માટે સોલિડ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવો ફરજિયાત છે. આ પ્લાન્ટ દ્વારા કચરામાંથી ખાતર બનાવવામાં આવશે જે ખેતી માટે ઉપયોગી થશે. હાલમાં માત્ર જગ્યાની શોધખોળ ચાલી રહી છે. ગ્રામજનોને ડર છે કે નજીકમાં ખેતરો અને ઘરો હોવાથી દુર્ગંધ આવશે, તેથી તેમની રજૂઆતને ધ્યાને રાખીને નગરપાલિકાને એવી સૂચના આપવામાં આવશે કે લોકોનું જાહેર હિત જળવાય અને ઓછામાં ઓછું નુકસાન થાય તે રીતે આગળની કાર્યવાહી કરવામાં આવે. ભવિષ્યમાં વલસાડ નગરપાલિકાની સાથે આસપાસની નાની ગ્રામ પંચાયતોનો કચરો પણ આ નિર્ધારિત સાઈટ પર પ્રોસેસ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
સુરેન્દ્રનગરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને નવનાત વણિક સમાજ વચ્ચે 'કાપડની થેલી'ના વેન્ડિંગ મશીન સ્થાપવા માટે એક સમજૂતી કરાર (MOU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર અંતર્ગત શહેરના જાહેર સ્થળો અને મુખ્ય બજારોમાં અત્યંત નજીવા ટોકન ચાર્જથી કાપડની થેલીઓ ઉપલબ્ધ થશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડીને પર્યાવરણનું રક્ષણ કરવાનો છે. નવનાત વણિક સમાજના ટ્રસ્ટી વૈભવ ચોકસીએ જણાવ્યું હતું કે, પ્લાસ્ટિક મુક્ત સુરેન્દ્રનગર માત્ર સ્વચ્છતાનું જ નહીં, પરંતુ ગાય અને અબોલ પશુઓની રક્ષા માટે 'જીવદયા'નું પણ અભિયાન છે. પ્લાસ્ટિકના જોખમથી અબોલ પશુઓને બચાવવા માટે આ એક સરાહનીય કદમ છે. ગુજરાત સરકારની સ્ટાર્ટ-અપ અને ઈનોવેશન પોલિસી રાજ્યના વિકાસનું એન્જિન બની રહી છે. આ નીતિનો ઉદ્દેશ્ય ટેકનોલોજી અને નવતર વિચારો દ્વારા સામાજિક અને પર્યાવરણીય સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો છે. સુરેન્દ્રનગરમાં કાપડની થેલી માટેના વેન્ડિંગ મશીનનો પ્રોજેક્ટ આવા 'સોશિયલ ઈનોવેશન'નું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ-2026ના પ્લેટફોર્મ પર જિલ્લા પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાની પ્રેરક ઉપસ્થિતિમાં આ MOU કરવામાં આવ્યા હતા. વડોદરાના સફળ મોડલને અનુસરીને સુરેન્દ્રનગરમાં વેન્ડિંગ મશીન મુકવાનો નિર્ણય શહેરી વિકાસમાં 'સ્માર્ટ ગવર્નન્સ'નો એક ભાગ છે. આ મશીનો દ્વારા લોકોની આદતોમાં સકારાત્મક પરિવર્તન આવશે અને પ્લાસ્ટિકનો વપરાશ આપોઆપ ઘટશે. આ પ્રકારના વેન્ડિંગ મશીનોનું નિર્માણ અને તેની જાળવણી સ્થાનિક સ્તરે રોજગારી અને નવા ઉદ્યોગ સાહસિકો માટે નવી તકો ઊભી કરશે. સરકારની નીતિ મુજબ, આવા ઈનોવેટિવ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપીને સુરેન્દ્રનગર જિલ્લાએ ટકાઉ વિકાસ તરફ ડગ માંડ્યું છે. આ પ્રોજેક્ટનો સૌથી મહત્વનો અને સંવેદનશીલ પાસું 'જીવદયા' છે. નવનાત વણિક સમાજના ટ્રસ્ટી વૈભવ ચોકસીના જણાવ્યા અનુસાર, પ્લાસ્ટિક મુક્ત સુરેન્દ્રનગર એ માત્ર સ્વચ્છતાનું જ નહીં, પણ ગાય અને અબોલ પશુઓની રક્ષા માટેનું પણ અભિયાન છે. બજારોમાં ફેંકાયેલું પ્લાસ્ટિક અજાણતા ગાયો કે અન્ય પશુઓના પેટમાં જાય છે, જે તેમના માટે જીવલેણ બને છે. જ્યારે ઈનોવેશન કરુણા અને જીવદયા સાથે જોડાય છે, ત્યારે તે સમાજ માટે આશીર્વાદરૂપ બને છે. આમ, આ MOU દ્વારા સુરેન્દ્રનગર માત્ર સ્વચ્છ જ નહીં, પણ સંવેદનશીલ શહેર તરીકે પણ સ્થાપિત થશે. આ MOU દર્શાવે છે કે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ હવે માત્ર મોટા ઉદ્યોગો પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તે છેવાડાના માનવીના જીવનધોરણને સુધારવા અને પર્યાવરણના પ્રશ્નોને હલ કરવાનું એક સબળ પ્લેટફોર્મ બની ગઈ છે. સ્ટાર્ટ-અપ અને ઈનોવેશનની થીમ પર આધારિત આ અભિગમ આગામી સમયમાં સુરેન્દ્રનગરને રાજ્યના સૌથી સ્વચ્છ અને પર્યાવરણપ્રેમી જિલ્લાઓની હરોળમાં મૂકશે.
જિગ્નેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતરી જવાનું નિવેદન કર્યા બાદ ગુજરાતમાં ભારે વિવાદ સર્જાયો હતો. જે હાલ શાંત જ પડ્યો છે ત્યાં કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ જાહેરમાં પોલીસકર્મીને ખખડાવી નવો વિવાદ સર્જયો છે. અકસ્માત કેસની નોંધ કરતી સમયે પોલીસકર્મીએ મૃતકની બેદરકારીનો ઉલ્લેખ કરી દીધાનો આક્ષેપ કરી વિમલ ચુડાસમાએ ધમકી આપતા કહ્યું હતું કે, ખબર નહીં પડે ક્યાં મૂકી દઈશ? પોલીસકર્મી અને ધારાસભ્ય વચ્ચેની ઉગ્ર બોલાચાલીનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. અકસ્માતમાં મૃતકની બેદરકારીનો ઉલ્લેખ કરાતા મામલો બિચક્યો જૂનાગઢના ગડુ પાસે 19મી તારીખે સર્જાયેલા અકસ્માતમાં એક યુવકનું મોત નિપજ્યું હતું. રસ્તા વચ્ચે ક્રશર મશીન પડ્યું હોય તેમાં બાઈકચાલક અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ કેસની પોલીસ કાર્યવાહી દરમિયાન મૃતકની બેદરકારી હોવાનો ઉલ્લેખ કરાતા ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પોલીસકર્મી સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને કહ્યું હતું કે, નોકરી કરો છો, ચમચાગીરી કરવાનું બંધ કરો. આ દરમિયાન માહોલ ગરમ બનતા અન્ય પોલીસકર્મીઓએ વચ્ચે પડી મામલાને શાંત પાડવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. વિમલ ચુડાસમા દ્વારા આ મામલે જિલ્લા પોલીસ વડાને પણ રજૂઆત કરવામાં આવી છે. પોલીસે પરિવારનું નિવેદન લઈ યોગ્ય કાર્યવાહી હાથ ધરી છે- ડીવાયએસપીઆ મામલે દિવ્યભાસ્કર એ ડીવાયએસપી દિનેશ કોડિયાતર સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે આ બે દિવસ પહેલા નો બનાવ છે જ્યાં ઘણું રોડ પર એક રોડનું કામ ચાલુ હતું જ્યાં સાઈડમાં કરસર પડેલું હતું જેમાં એક બાઈક પકડાયો હતો અને તેનું મૃત્યુ નીપજ્યું હતું તે સમયે ત્યારે પરિવારે કરવાની થતી હોય છે જેમાં પોલીસ દ્વારા ઘટનાની વિગતો લખાતા વિમલભાઈ ચુડાસમાએ આ બાબતે વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે જે બાઈક ચાલકની બેદરકારી લખવામાં આવી છે તેના બદલે આરોપી તરીકે રોડ પર જે ક્રશર ઉભું રાખ્યું છે તેના નામનો ઉલ્લેખ કરવામાં આવે, જ્યારે પોલીસે પરિવારનું નિવેદન નોંધી યોગ્ય કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટની નવયુગ સ્કૂલના પ્રવાસ દરમિયાન સાસણના ખાનગી રીસોર્ટમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા ધોરણ-8ના વિદ્યાર્થી હાર્દિક બારૈયાનું મૃત્યુ થતા અરેરાટી વ્યાપી ગઇ. જોકે, આ ઘટનાના ત્રણ દિવસ બાદ વિદ્યાર્થી સંગઠન NSUI જાગ્યું છે અને કલેકટરને રજૂઆત કરી કે, સ્કૂલની માન્યતા રદ કરવામાં આવે અને બાળક ગુમાવતા માતા-પિતાને મોટી આર્થિક સહાય જાહેર થાય. બીજી વખત આવી ઘટના ન બને તે માટે વિદ્યાર્થીઓના પ્રવાસ દરમિયાન બે પોલીસ કોન્સ્ટેબલનો બંદોબસ્ત ગોઠવાય એવી માંગણી કરી હતી. સંચાલક અને મેનેજમેન્ટની બેદરકારીના કારણે એક માસૂમ બાળકે જીવ ગુમાવ્યોરાજકોટ શહેર NSUIના પ્રમુખ બ્રિજરાજસિંહ રાણાએ જણાવ્યું હતુ કે, શહેરની નવયુગ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન સ્કૂલ સંચાલક અને મેનેજમેન્ટની બેદરકારીના કારણે એક માસૂમ બાળકે જીવ ગુમાવ્યો હતો. જેથી, નવયુગ સ્કૂલની માન્યતા તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને બાળકના માતા-પિતાને ન્યાય આપવામાં આવે. અમે કલેક્ટરને આવેદન આપવા આવ્યા છીએતેઓએ જણાવ્યું કે, જે માતા-પિતાએ બાળક ગુમાવ્યો છે તેમની પીડા આપણે સમજી પણ ન શકીએ. રાજકોટમાં જે ઘટના બની છે તે બીજી વખત ન બને તે માટે કલેક્ટર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવે કે, જ્યાં પણ પ્રવાસની બસ જતી હોય ત્યાં પોલીસ બંદોબસ્ત આપવામાં આવે એટલે કે બે કોન્સ્ટેબલને સાથે મોકલવામાં આવે. જેથી, માસૂમ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવવો ન પડે. જ્યારે આ બાળકના માતા-પિતાને તમે મળ્યા કે કેમ? ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે અમારા આગેવાનો મળવા ગયા હતા અને એટલા માટે જ અમે કલેક્ટરને આવેદન આપવા આવ્યા છીએ. સ્કૂલ મેનેજમેન્ટના હિસાબે એક માસૂમ વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતુNSUI દ્વારા કલેક્ટરને અપાયેલા આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજકોટની નવયુગ સ્કૂલ દ્વારા સાસણગીર ખાતે પ્રવાસ લઇ જવામાં આવ્યો હતો તેમજ સ્કૂલ સંચાલકો અને સ્કૂલ મેનેજમેન્ટના હિસાબે એક માસૂમ વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતુ. ખાસ કરીને કોઈ સ્કૂલ દ્વારા પ્રવાસ લઇ જવામાં આવતો હોય તો તે પ્રવાસમાં જનાર વિદ્યાર્થીઓની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી સ્કૂલ મેનેજમેન્ટની હોય છે પરંતુ, ક્યારેક સ્કૂલ સંચાલક અને સ્કૂલ મેનેજમેન્ટની ઘોર બેદરકારીના કારણે એક માતા-પિતાએ પોતાનો દીકરો ગુમાવ્યો છે. જેથી, અમારી એક માંગણી છે કે હવે એને જીવતો પાછો લાવી શકાતો નથી પણ તેમના પરિવારને મોટી આર્થિક સહાય કરવામાં આવે અને સ્કૂલ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવે.
કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પ્રોફેસર લલિતભાઈ ચંદેના “અંગ્રેજી બોલો હોંશે હોંશે” વિષય પર નિઃશુલ્ક ઓનલાઈન ટ્રેનિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેશન 23 ડિસેમ્બર, મંગળવારના રોજ બપોરે 04:00 થી 05:00 કલાક સુધી વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. પ્રોફેસર લલિતભાઈ ચંદે એક પ્રતિભાશાળી શિક્ષક, ટ્રેનર, લેખક અને પ્રોફેશનલ લાઇફ કોચ છે. તેમનો જીવનમંત્ર માનવજીવનને વધુ સુંદર, સકારાત્મક અને સમૃદ્ધ બનાવવાનો છે. તેઓ વ્યક્તિગત પરિવર્તન માટે સતત કાર્યરત રહે છે. પ્રોફેસર લલિતભાઈ ચંદેએ દેશભરમાં અત્યાર સુધી 3500થી વધુ પ્રોફેશનલ સેમિનાર અને વર્કશોપ દ્વારા લાખો લોકોને પ્રેરિત કર્યા છે. તેમણે 100થી વધુ રેડિયો ટોક્સ, 25થી વધુ ટીવી કેરિયર કાઉન્સેલિંગ અને ઇન્ટરવ્યુ આપ્યા છે. વિવિધ સમાચારપત્રો અને મેગેઝિનમાં પ્રકાશિત તેમના લેખો તેમને વિચારોના અગ્રણીઓની શ્રેણીમાં મૂકે છે. શૈક્ષણિક જગતમાં પણ પ્રોફેસર લલિતભાઈ ચંદેનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. તેઓ છેલ્લાં 22 વર્ષથી BBA અને MBA જેવા બિઝનેસ સ્કૂલમાં પ્રોફેસર તરીકે સેવાઓ આપી રહ્યા છે, જ્યારે કુલ 30 વર્ષથી શિક્ષણક્ષેત્રમાં સક્રિય છે. તેમણે અનેક રીસર્ચ પેપર્સ રજૂ કર્યાં છે. દેશ-વિદેશની 300થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અને કોર્પોરેટ સંગઠનો તેમના ક્લાઈન્ટ તરીકે જોડાયેલા છે, જે તેમની અસરકારકતાનું જીવંત પ્રમાણ છે. સેશન દરમિયાન કોઈ પ્રશ્ન હોય તો દર્શકો કમેન્ટ બોક્સમાં અથવા મો. 9558895572 નંબર પર મેસેજ દ્વારા પૂછી શકશે. આ ટ્રેનિંગ સેશન એનિમલ હેલ્પલાઈન, શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના ફેસબુક, યુટ્યુબ તેમજ ઇન્સ્ટાગ્રામના દરેક ઓનલાઈન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે.
કાલાવડ તાલુકાના આણંદપર ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળ સંરક્ષણ અને ખેતીના ઉત્કર્ષ માટે નવનિર્મિત ચેકડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, પાણી આવનારી પેઢી માટે અમૂલ્ય થાપણ છે. જો આજે પાણીનો સંગ્રહ નહીં કરીએ તો ભવિષ્ય મુશ્કેલ બનશે. તેમણે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના કાર્યોની સરાહના કરતા ઉમેર્યું કે, ચેકડેમ બનવાથી આસપાસના કૂવા અને બોરના તળ ઊંચા આવશે, જેનો સીધો લાભ ખેડૂતોને મળશે. આણંદપરના સરપંચ વિજયભાઈ ગોરસીયાએ પ્રાસંગિક પ્રવચન આપતા કહ્યું કે, ગામના વિકાસ માટે જળ સ્વાવલંબન અનિવાર્ય છે. આ ચેકડેમ આણંદપર ગામની પાણીની સમસ્યા હળવી કરવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે. નિકાવાના સરપંચ રાજુભાઈ મારવીયાએ પણ પ્રાસંગિક વક્તવ્ય આપતા જણાવ્યું કે, જળ સંચયના આવા કાર્યોથી માત્ર એક ગામ નહીં, પરંતુ આખા પંથકને ફાયદો થાય છે. લોકભાગીદારી અને ટ્રસ્ટના સહયોગથી થતા આવા કામો પ્રશંસનીય છે. આ ખાતમુહૂર્ત વિધિ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના હસ્તે કરવામાં આવી હતી. આ પ્રસંગે આણંદપરના સરપંચ વિજયભાઈ ગોરસીયા, નિકાવા ગામના સરપંચ રાજુભાઈ મારવીયા, અગ્રણીઓ સર્વશ્રી ભાવેશભાઈ વિરડીયા, લાલભાઈ ટોયટા, જીગ્નેશભાઈ કમાણી, ગૌરવભાઈ પાનસુરીયા, હસુભાઈ સોજીત્રા તેમજ જયેશભાઈ ગોરસીયા સહિત આજુબાજુના ગામના સરપંચો પણ ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કાલાવડ ગીરગંગા પરિવાર ટ્રસ્ટની ટીમના સભ્યો વિનુભાઈ કપુરીયા, નિકુંજભાઈ વાદી અને વિઠ્ઠલભાઈ સખીયાએ જહેમત ઉઠાવી હતી.
નિષ્ણાતો જેને વૈશ્વિક સુખાકારી માટે નિર્ણાયક ક્ષણ ગણાવી રહ્યા છે, તેમાં 150 દેશોના 12.1 લાખ લોકોએ ભારતના ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના નેતૃત્વમાં ઇતિહાસના સૌથી મોટા સામૂહિક ધ્યાનમાં ભાગ લીધો. વિશ્વ ધ્યાન દિવસ પર આયોજિત આ કાર્યક્રમ વધતા તણાવ, સંઘર્ષ અને માનસિક સ્વાસ્થ્યના પડકારોના સમયે શાંતિ અને સ્થિતિસ્થાપકતા માટે વધતી જતી વૈશ્વિક શોધને પ્રતિબિંબિત કરે છે. માનસિક સુખાકારી અને સામાજિક સંવાદિતામાં ધ્યાનની ભૂમિકાને ઉજાગર કરવા માટે 2024માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા વિશ્વ ધ્યાન દિવસને ઔપચારિક રીતે વાર્ષિક ઉજવણી તરીકે અપનાવવામાં આવ્યો હતો. આ વર્ષનો કાર્યક્રમ ન્યુ યોર્ક શહેરમાં સંયુક્ત રાષ્ટ્ર ટ્રસ્ટીશીપ કાઉન્સિલ ખાતે યોજાયો હતો, જ્યાં રાજદ્વારીઓ અને વરિષ્ઠ અધિકારીઓ ગુરુદેવની આગેવાનીમાં લાઇવ ધ્યાન કરવા જોડાયા હતા. ત્યાંથી આ પ્રક્રિયા સમગ્ર ખંડોમાં ગૂંજી ઊઠી હતી- ભારતીય શહેરો અને ગામડાઓથી લઈને આફ્રિકા, યુરોપ, એશિયા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના સમુદાયો સુધી. સમૂહ રેલીઓ અથવા ઉત્સવોથી વિપરીત, આ કાર્યક્રમની અસર સૌએ સામૂહિક રીતે દર્શાવેલ મૌન અને સ્થિરતાના પ્રમાણમાં પ્રતિબિંબિત થઈ હતી.તેમાં 60થી વધુ દેશોના વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો, ખેડૂતો અને જેલના કેદીઓ સહિત વિવિધ સમુદાયોએ એક સમાન ધ્યાન કર્યું હતું. વિશ્વ ધ્યાન દિવસ પહેલા ગેલપ અને આર્ટ ઓફ લિવિંગ દ્વારા સંયુક્ત રીતે જાહેર કરાયેલ ધ્યાન અને સુખાકારી પર, આ પ્રકારના પ્રથમ અભ્યાસના લોન્ચને કારણે ધ્યાનની વૈશ્વિક ચળવળને વધુ વેગ મળ્યો. આ સહયોગ દ્વારા ગેલપ, ગેલપ વર્લ્ડ પોલમાં ધ્યાનને લક્ષીને નવા પ્રશ્નોનો સમાવેશ કરશે, જે વસ્તીમાં ભાવનાત્મક સ્વાસ્થ્ય, જીવન મૂલ્યાંકન અને સામાજિક સુખાકારી સાથે ધ્યાનનો કેવો સંબંધ છે તેનો તુલનાત્મક ડેટા-આધારિત સ્પષ્ટ અહેવાલ બનાવશે - એવો ડેટાસેટ જે આ સ્તરે પહેલાં ક્યારેય બન્યો નથી. ગેલપના તાજેતરના સંશોધન દર્શાવે છે કે તણાવ અને ચિંતા જેવી નકારાત્મક લાગણીઓ વિશ્વભરમાં ઉચ્ચ સ્તરે રહે છે, જે માનસિક સ્વાસ્થ્ય માટે જેની અસર માપી શકાય તેવા અભિગમોની તાત્કાલિક જરૂરિયાતને દર્શાવે છે.
દિવાન બલ્લુભાઈ શાળાના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન:૧૯૭૬ બેચના વિદ્યાર્થીઓ ગાંધીનગર ખાતે એકઠા થયા
દિવાન બલ્લુભાઈ શાળાના 1976 બેચના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન ગાંધીનગરની ચીકુવાડી ખાતે યોજાયું હતું.આ સ્નેહમિલનમાં લગભગ 50 જેટલા પૂર્વ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે બાળપણના મિત્રોએ કેક કાપી હતી અને સંગીતની મહેફિલનો આનંદ માણ્યો હતો. તેમણે 50 વર્ષ પહેલાંના શાળા જીવનના સંસ્મરણો તાજા કર્યા હતા.પૂર્વ વિદ્યાર્થીઓએ સાથે ભોજન લીધું હતું અને ફરીથી મળવાનો નિશ્ચય કરીને મધુર યાદો સાથે વિદાય લીધી હતી.
પાટણ નગર ખાતે આવેલી પાટણ જૈન મંડળ સંચાલિત બી.ડી. સાર્વજનિક વિદ્યાલયમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહ મિલન અને તેજસ્વી તારલા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ૨૦ ડિસેમ્બરના રોજ યોજાયો હતો, જેનું આયોજન ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસિએશન દ્વારા કરાયું હતું. આ સમારંભમાં વિવિધ વર્ષોના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વર્તમાન વિદ્યાર્થીઓ, શાળાના શિક્ષકો અને આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી. મહેમાનોનું સ્વાગત પ્રવચન અતુલભાઈ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું. એસોસિએશનના પ્રમુખ ડૉ. યશવંતભાઈ ઝવેરીએ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે સંસ્થાની પ્રગતિમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સહકાર અને માર્ગદર્શન અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર શિક્ષકોને પણ બિરદાવ્યા હતા. આ પ્રસંગે શૈક્ષણિક, રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં ઉત્તમ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને “તેજસ્વી તારલા” તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં કુમારી ડીનલ વિઠાણી અને મોદી વિધિશાનો સમાવેશ થાય છે. સન્માનિત વિદ્યાર્થીઓને પ્રશસ્તિપત્ર તથા સ્મૃતિચિહ્ન આપી તેમની પ્રતિભાને બિરદાવવામાં આવી હતી. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના શાળા જીવનના સંસ્મરણો યાદ કરી ભાવનાત્મક અનુભવો વ્યક્ત કર્યા હતા. તેમણે વર્તમાન વિદ્યાર્થીઓને મહેનત, શિસ્ત અને સકારાત્મક દૃષ્ટિકોણ સાથે આગળ વધવા પ્રેરણા આપી હતી. સમારંભમાં અધ્યક્ષ દાનેશભાઈ શાહ, ત્રિભોવનભાઈ પટેલ, રાજેન્દ્રભાઈ શાહ, ડૉ. રીટાબેન પારેખ, એસોસિએશન પ્રમુખ ડૉ. યશવંતભાઈ ઝવેરી, મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ઇનામી રકમના દાતા ડૉ. આર.આર. શાહ તથા સમગ્ર ટ્રસ્ટીમંડળ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે આભારવિધિ સાથે સમાપન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષકમંડળ, વિદ્યાર્થીઓ તથા આયોજન સમિતિએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
પાટણ સ્થિત બી.ડી. સાર્વજનિક વિદ્યાલયમાં 20 ડિસેમ્બરના રોજ વાર્ષિકોત્સવ 'સ્પંદન 2025'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના રીનોવેશન માટે દાતાઓએ સવા કરોડ રૂપિયાનું દાન જાહેર કર્યું હતું. શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત આ વિદ્યાલયના કાર્યક્રમમાં મંડળના શ્રેષ્ઠિઓ, વિદ્યાર્થીઓ, વાલીજનો, શિક્ષકગણ તેમજ સમારંભ અધ્યક્ષ દાનેશભાઈ શાહ, ડૉ. યશવંતભાઈ ઝવેરી, દાતા રાકેશભાઈ શાહ, ત્રિભુવનભાઈ પટેલ સહિત અનેક આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી થયો હતો. શાળાના આચાર્ય ડૉ. બળદેવભાઈ દેસાઈએ સ્વાગત પ્રવચન આપ્યું હતું, જેમાં તેમણે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મહત્વ પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે શાળાનું મુખપત્ર 'સૌરભ' અને કેલેન્ડરનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. વાર્ષિકોત્સવ 'સ્પંદન 2025' દરમિયાન વિદ્યાર્થીઓએ રમતગમત અને સ્વાસ્થ્ય પર આધારિત નૃત્ય, નાટક, દેશભક્તિ ગીતો, સમૂહ નૃત્ય અને લોકનૃત્ય જેવી વિવિધ રંગારંગ રજૂઆતો કરી પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. ઉપસ્થિત દર્શકોએ વિદ્યાર્થીઓની રજૂઆતોને તાળીઓના ગડગડાટથી વધાવી હતી. શ્રી પાટણ જૈન મંડળ દ્વારા શાળાના રીનોવેશન માટે વિચાર રજૂ કરાયો હતો, જેમાં રાકેશભાઈ શાહ, ત્રિભુવનભાઈ પટેલ, ડૉ. યશવંતભાઈ ઝવેરી, મહેન્દ્રભાઈ શાહ અને તેજપાલભાઈ શાહે સવા કરોડ રૂપિયાનું દાન જાહેર કર્યું હતું. આ પ્રસંગે શૈક્ષણિક, રમતગમત અને અન્ય પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પાટણ જૈન મંડળ દ્વારા કુલ 1,50,000 રૂપિયાના પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહેમાનોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ભવિષ્યમાં સતત પ્રગતિ કરવા માટે શુભકામનાઓ આપી હતી. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન અને આભારવિધિ કરવામાં આવી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકમંડળ અને વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ સહકાર આપ્યો હતો, જેના કારણે વાર્ષિકોત્સવ 'સ્પંદન' સૌ માટે યાદગાર બની રહ્યો હતો.
અમદાવાદ સ્થિત રાહી ફાઉન્ડેશન દ્વારા પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં સતત બીજા વર્ષે દાદા-દાદી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાલવાટિકાના બાળકો પણ જોડાયા હતા. સંમેલનમાં હાજર રહેલા 200 દાદા-દાદીની આરતી ઉતારવામાં આવી હતી અને તેમને પ્રેમના પ્રતીક રૂપે ધાબળા ભેટ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત, બાલવાટિકાના બાળકોને ઠંડીથી રક્ષણ આપવા માટે સ્વેટર પણ ભેટ અપાયા હતા. રાહી ફાઉન્ડેશનના અધ્યક્ષ જયેશ પરીખે પ્રેરક ઉદબોધન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંકલન અને વ્યવસ્થા સમર્પિત શિક્ષક શ્રી નાથાભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, નિહારિકા પરીખ, વિજય દલાલ અને અનિલભાઈ ઉપસ્થિત રહ્યા હતા. શાળા દ્વારા રાહી ફાઉન્ડેશનના પ્રતિનિધિઓનું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. શેત્રુંજય યુવક મંડળ દ્વારા બાલ સંસ્કાર શિબિરનું પણ આયોજન કરાયું હતું. સંસ્થાના આગેવાનોને જયેશ પરીખ લિખિત પ્રેરક પુસ્તક 'સુખનો સૂર્યોદય' ભેટ આપવામાં આવ્યું હતું. પાલિતાણા શહેરના ગણમાન્ય આગેવાનોએ પણ ઉપસ્થિત રહીને દાદા-દાદી સંમેલનને શુભેચ્છાઓ પાઠવી હતી.
અમદાવાદ સ્થિત અનુબંધ ફાઉન્ડેશન દ્વારા સુરતમાં 92મું વરિષ્ઠ નાગરિક જીવનસાથી પસંદગી સંમેલન 20 ડિસેમ્બર, શનિવારના રોજ બદ્રીનારાયણ મંદિર, અડાજણ, સુરત ખાતે યોજાયું હતું. સુરતમાં આ સંમેલન ચોથીવાર યોજાયું હતું. આ સંમેલન 50 થી 80 વર્ષના કુંવારા, ડિવોર્સી, વિધવા અને વિધુર માટે ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વિના નિઃશુલ્ક આયોજિત કરાયું હતું. સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે અનુબંધ ફાઉન્ડેશનના હોદ્દેદારો નટુભાઈ પટેલ, ભુપતભાઈ સોની, કિન્નરી લાખાણી અને પ્રફુલ્લભાઈ પટેલ હાજર રહ્યા હતા. આ ઉપરાંત, સ્પોન્સર વાસુદેવભાઈ પટેલ અને મુખ્ય મહેમાન/ઉદ્ઘાટક બદ્રીનારાયણ મંદિરના ટ્રસ્ટી વીરલભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાંથી કુલ 150 ભાઈઓ અને 30 બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સંમેલનમાં અમદાવાદના અનુબંધ ફાઉન્ડેશન દ્વારા પરણેલા સિનિયર સિટીઝન કપલનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં એક દીકરો પોતાના પિતા માટે મમ્મી શોધવા આવ્યો હતો, જ્યારે એક પુત્રવધૂ પોતાના સસરા માટે જીવનસાથી પસંદ કરવા આવી હતી. નોંધનીય છે કે 81 વર્ષના વૃદ્ધ પણ પોતાના માટે જીવનસાથીની પસંદગી કરવા હાજર રહ્યા હતા. આ સંમેલનમાં 3 કપલ જાહેર થયા અને 4 કપલની વાતચીત ચાલી રહી છે. આ સંમેલન સાથે સાપુતારા ટેન્ટ સિટી ખાતે રાત્રિ રોકાણ સાથે પિકનિક ટૂરનું આયોજન કરવામાં આવ્યું હતું. ટેન્ટ સિટી ખાતે ઉમેદવારોએ એડવેન્ચર એક્ટિવિટી, ગરબા, રેઈન ડાન્સ, બોટિંગ વગેરેનો આનંદ લીધો હતો. બે-ત્રણ દિવસ સાથે રહેવાથી એકબીજાના સ્વભાવ, રુચિ અને રહેણીકરણી જાણ્યા પછી લગ્ન કરવા હિતાવહ છે. સાપુતારામાં મીની બસ દ્વારા ટેબલ ટોપ, ગીરા વોટરફોલ વગેરે સાઇટ સીનનું આયોજન કરાયું હતું. સુરતમાં દુમસ બીચ પર ઉમેદવારોએ ઘોડેસવારી, ઊંટસવારી વગેરેનો મન મૂકીને આનંદ માણ્યો હતો. તેમણે સાપુતારાની પ્રખ્યાત હેન્ડીક્રાફ્ટ વસ્તુઓની ખરીદીનો પણ આનંદ લીધો હતો. આગામી સંમેલનો જાન્યુઆરીમાં વિયેતનામ, ફેબ્રુઆરીમાં ભીલવાડા-રાજસ્થાન અને માર્ચ મહિનામાં મેરઠ ખાતે આયોજન કરવામાં આવશે.
સુરતના વરાછા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે, જ્યાં એક નિર્દોષ પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાના હચમચાવતા CCTV ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. તલવાર જેવા ધારદાર હથિયારો સાથે એક પરિવાર પર હુમલો કરવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ હુમલામાં હુમલાખોરોએ પતિ, પત્ની અને તેમના પુત્રને નિશાન બનાવ્યા હતા. નિખીલ ટકલાએ તલવારથી પરિવાર પર જીવલેણ હુમલો કર્યોમળતી માહિતી મુજબ, કાપોદ્રા ચાર રસ્તા પાસે રહેતા અને બોમ્બે કોલોની પાસે રૂદ્ર ચિકન નામની 40 વર્ષીય પ્રદિપ દિગાંબર વાનખેડે ગત રોજ પોતાની દુકાનમાં ઓટલા પર બેઠા હતા. આ દરમિયાન તેની દુકાન પર એકાએક આવી ચઢેલા માથાભારે નિખીલ ટકલા અને તેનાં બે સાથીદારોએ પ્રદિપ વાનખેડેને ઘેરી લીધા હતા. પ્રદિપ વાનખેડે કંઈ સમજે – વિચારે તે પહેલાં તો નિખીલ ટકલાએ તેની પાસે રહેલી તલવાર વડે પરિવારના પતિ પત્ની અને પુત્ર પર ઘાતકી હુમલો કરી દીધો હતો. આ દરમિયાન પ્રદિપભાઈની પત્ની બચાવવા માટે વચ્ચે પડતાં તેને પણ નિખીલ ટકલા દ્વારા તલવાર મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હુમલાખોરો હાથમાં તલવાર લઈને આવ્યા હતા અને જોતજોતામાં પરિવાર પર તૂટી પડ્યા હતા. એક બાદ એક તલવારના ચાર ઘા યુવક પર ઝીંક્યાCCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, હુમલાખોરોએ અત્યંત નિર્દયતાપૂર્વક એક બાદ એક તલવારના ચાર ઘા યુવક પર ઝીંક્યા હતા. આ જીવલેણ હુમલા બાદ હુમલાખોરો ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે. જમણા હાથની આંગળી પર ગંભીર ઈજા અને ડાબા હાથની કોણીના ભાગે તલવારના ઘા માર્યા હતા. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. નિખિલ ટકલા સહિત ત્રણ વિરુદ્ધ ગુનો દાખલઆ ઘટનાને પગલે વરાછા પોલીસ એક્શનમાં આવી છે. વાયરલ CCTV અને પરિવારની ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે મુખ્ય હુમલાખોર નિખિલ ઉર્ફે ટકલો સંજય યાદવ સહિત કુલ ત્રણ શખ્સો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે. જાહેરમાં થયેલા આ હુમલાને કારણે વરાછાના સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
વીર નર્મદ યુનિવર્સિટીનો 52મો યુવા મહોત્સવ:રજીસ્ટ્રેશન અને માહિતી સમિતિનું સફળ આયોજન
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા 52મા યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોરસિંહ એન. ચાવડાની અધ્યક્ષતામાં અને કુલ સચિવ ડો. રમેશ દાન ગઢવીના નિર્દેશનમાં આ મહોત્સવ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. આ યુવા મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો છે. યુનિવર્સિટીની વિવિધ શાખાઓ, કોલેજો અને યુવા પ્રતિભાઓની વિશાળ ભાગીદારી સાથે આ ઉત્સવ યુવાનોમાં સર્જનાત્મકતા અને સક્રિયતાનું પ્રદર્શન કરવા માટે યોજાયો છે. મહોત્સવના સુવ્યવસ્થિત સંચાલન માટે કુલ 19 સમિતિઓની રચના કરવામાં આવી છે. આ પૈકી, રજીસ્ટ્રેશન અને માહિતી વિભાગ નામની સમિતિ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આ સમિતિમાં કુલ નવ સભ્યો છે જેઓ દિવસભર સવારે 07:00 થી સાંજે 07:00 સુધી કાર્યરત રહે છે. આ સમિતિ દ્વારા અનેક મહત્વપૂર્ણ કાર્યો કરવામાં આવે છે. તેમાં યુનિવર્સિટીના જુદા જુદા વિભાગો અને કોલેજોના પ્રતિભાગીઓને ફૂડ અને નાસ્તા કૂપનનું વિતરણ, T.A. અને D.A. સંબંધિત ફોર્મની પ્રક્રિયા, સ્પર્ધકો, મેનેજરો અને તમામ સભ્યોને આઈકાર્ડનું વિતરણ તેમજ મહોત્સવના વિવિધ કાર્યક્રમો અને સમયપત્રક વિશે સમયસર માહિતી પૂરી પાડવાનો સમાવેશ થાય છે. આ તમામ કામગીરી સમયબદ્ધ અને નિયમાનુસાર કરવામાં આવી રહી છે, જેના પરિણામે મહોત્સવનું આયોજન વધુ સુચારુ અને સફળ જણાઈ રહ્યું છે. આ વિભાગનું મુખ્ય લક્ષ્ય તમામ પ્રતિભાગીઓ અને મહેમાનોને સરળ અને સુવ્યવસ્થિત સેવા પૂરી પાડવાનું છે, જેથી દરેક જણ સક્રિયપણે ભાગ લઈ શકે. રજીસ્ટ્રેશન અને માહિતી સમિતિ દ્વારા સામાન્ય વ્યવસ્થાપન અને પ્રતિભાવ વ્યવસ્થાપનમાં નોંધપાત્ર યોગદાન આપવામાં આવી રહ્યું છે, જે મહોત્સવના સુંદર અને વ્યાપક આયોજનમાં મહત્વપૂર્ણ ભાગ ભજવી રહ્યું છે. મહોત્સવમાં જોડાયેલા દરેક સભ્ય, પ્રતિભાગી અને સંચાલકનું આ આયોજન સફળ બનાવવા માટે ઉત્સાહભરી ભાગીદારી નોંધાઈ રહી છે.
કાંકરિયા સ્થિત દીવાન બલ્લુભાઈ સ્કૂલના વર્ષ 1978-79ના પૂર્વ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓનું સ્નેહમિલન સમારંભ 13 ડિસેમ્બર, 2025ના રોજ યોજાયો હતો. આ કાર્યક્રમ સિંધુ ભવન પાસે આવેલા એક બંગલામાં સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યો હતો. આ સ્નેહમિલનમાં પૂર્વ વિદ્યાર્થીઓએ મ્યુઝિકલ વિથ ડાન્સ પાર્ટીનો આનંદ માણ્યો હતો. આ ઉપરાંત, શિયાળુ રસાસ્વાદ સાથે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ આયોજન દ્વારા જૂની યાદો તાજી કરવા સાથે સૌએ એકબીજા સાથે સમય વિતાવ્યો હતો અને પોતાની મિત્રતા તથા જૂના સંબંધોને ફરીથી મજબૂત કર્યા હતા.
સાબરમતીના ડી-કેબિન વિસ્તારમાં આવેલી સેન્ટ જોસેફ સ્કૂલ દ્વારા સિંધુ ભવન સ્થિત પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે વાર્ષિક સમારંભ “અનુભૂતિ 2026”નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વીર શિવાજી મહારાજના જીવન પર આધારિત એક નાટક રજૂ કર્યું હતું. આ ઉપરાંત, તેમણે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ પ્રસ્તુત કર્યા હતા. આ પ્રસંગે સંસ્થાના ફાઉન્ડર હરિભાઈએ જણાવ્યું હતું કે મહાન પુરુષોના જીવન પર આધારિત મંચનથી બાળકોમાં સંસ્કૃતિનું જ્ઞાન વધે છે અને તેઓ પ્રેરણા મેળવે છે.આ વાર્ષિક સમારંભમાં શાળાના મેનેજિંગ ટ્રસ્ટી કુશલ અય્યર, ઇશાની અય્યર, પ્રિન્સિપાલ ઉમ્મીબેન અને પરમપૂજ્ય કૃષ્ણપ્રિયદાસજી મહારાજ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સોની યૂથ સર્કલ અમદાવાદ (પૂર્વ)નો 18મો સ્નેહ મિલન:રૂપાલના વરદાયની માતાજી મંદિરે સમારોહ સંપન્ન
સોની યૂથ સર્કલ અમદાવાદ (પૂર્વ) દ્વારા તાજેતરમાં રૂપાલ સ્થિત વરદાયની માતાજી મંદિરે ૧૮મો સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમ રવિવારે સંપન્ન થયો હતો.સવારના સત્રમાં રમતગમત સ્પર્ધાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને દાતાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ટ્રસ્ટીઓ, પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બપોરના સત્રમાં આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરાયું હતું. આ ઉપરાંત, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા અને તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી તથા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનું સમાપન બપોરે અને સાંજે ભોજન સાથે કરવામાં આવ્યું હતું.
નવા જૈન મંદિરમાં વાર્ષિક ભક્તામર વિધાનનું આયોજન:સૌધર્મ ઇન્દ્ર તરીકે કોટડિયા પરિવારે લાભ લીધો
સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના નવા ગામ સ્થિત મહાવીર સ્વામી દિગંબર જૈન મંદિરમાં વાર્ષિક ભક્તામર વિધાનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ વિધાનમાં વિનુભાઈ તારાચંદ કોટડિયા પરિવારે સૌધર્મ ઇન્દ્ર તરીકે ધાર્મિક લાભ લીધો હતો. પંડિત ઋષભભાઈ શાહ દ્વારા સંગીતમય ભક્તિ અને અર્થ સહિત વિધાન પૂજન કરાવવામાં આવ્યું હતું.આ ધાર્મિક કાર્યક્રમમાં નવા ગામના અનેક પરિવારોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ડીટવાસ પોલીસે દારૂ ભરેલી ઈકો ગાડી ઝડપી:રૂ. 3.07 લાખનો દારૂ, કુલ રૂ. 7.07 લાખનો મુદ્દામાલ જપ્ત
મહીસાગર જિલ્લાની ડીટવાસ પોલીસે વિદેશી દારૂ ભરેલી એક ઈકો ગાડી ઝડપી પાડી છે. પોલીસે રૂ. 3,07,440/- નો દારૂ અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 7,07,440/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે, એક સિલ્વર કલરની સુઝુકી ઈકો ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી રાજસ્થાન તરફથી સરસવા થઈ રાકાકોટ ગામ તરફ પસાર થવાની છે. આ બાતમીના આધારે, પોલીસ સ્ટાફ રાયણનાપાણી ગામે ખાનગી અને સરકારી વાહન સાથે વોચમાં ગોઠવાયો હતો. દૂરથી ઈકો ગાડી આવતા પોલીસે તેને રોકવા માટે રોડ પર આડાશ મૂકી. જોકે, ગાડીચાલકે દૂરથી જ વાહન રોડની સાઈડમાં ઊભું રાખી, ગાડી છોડી રોડની બાજુમાં આવેલા જંગલના ઝાડી-ઝાંખરામાં નાસી છૂટ્યો હતો. પોલીસે ઈકો ગાડી પાસે જઈ તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો. ગાડીને પોલીસ જાપ્તા સાથે ડીટવાસ પોલીસ સ્ટેશન લાવવામાં આવી. વધુ તપાસ કરતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી કાચની/પ્લાસ્ટિકની બોટલો, ક્વાર્ટરિયા અને બિયર ટીન મળી કુલ 942 નંગ દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. 3,07,440/- થાય છે. દારૂ અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 7,07,440/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ડીટવાસ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પરિસરમાં આદિવાસી પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના આદિવાસી વિભાગ અને યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આ મેળો 20 ડિસેમ્બર 2025 થી 27 ડિસેમ્બર 2025 સુધી કુલ સાત દિવસ ચાલશે. યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડા અને કુલ સચિવ ડો. રમેશભાઈ ગઢવી દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ મેળાનું આયોજન યુનિવર્સિટીમાં 20 થી 23 ડિસેમ્બર 2025 દરમિયાન યોજાઈ રહેલા ચાર દિવસીય યુવા મહોત્સવના ભાગરૂપે કરવામાં આવ્યું છે. યુવા મહોત્સવનું અધ્યક્ષસ્થાન કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડા સંભાળી રહ્યા છે, જ્યારે કુલ સચિવ ડો. રમેશભાઈ ગઢવી અને યુવક કલ્યાણ વિભાગના વડા ડો. યોગેશભાઈ વાસિયા નિમંત્રક છે. આ પ્રદર્શન મેળામાં પરંપરાગત આદિવાસી હસ્તકલા-કૃતિઓ, આહાર, વનૌષધિઓનું વેચાણ અને પ્રદર્શન મુખ્ય આકર્ષણ છે. આ ઉપરાંત, પ્રાકૃતિક ખેત ઉત્પાદનો, વનપેદાશો અને વન ઔષધિઓનું પણ વેચાણ કરવામાં આવી રહ્યું છે. પ્રખ્યાત આદિવાસી જૂથો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવે છે. મેળામાં વાંસમાંથી બનાવેલી વિવિધ વસ્તુઓ જેવી કે સુપડું, ફૂલદાની, કરંડિયા અને હાથ પંખાના સ્ટોલ ગોઠવવામાં આવ્યા છે. હસ્તકલા દ્વારા બનાવેલા તોરણ અને ગૃહ સજાવટના સાધનો પણ ઉપલબ્ધ છે. આદિવાસી પરંપરાગત આહાર સ્ટૉલ્સમાં સ્થાનિક દેશી નાસ્તો ઉંબાડિયું, મકાઈ અને અડદના વડા તેમજ સ્થાનિક અનાજની જુદી જુદી જાતના ચોખા અને લોટનું વેચાણ થાય છે. વન ઔષધીઓના પાવડર, મહુડાના તેલમાંથી બનાવેલી ઔષધીઓ, લીમડાના તેલમાંથી બનાવેલા સાબુ અને દેશી હળદર જેવા ઉત્પાદનો પણ પ્રદર્શિત કરાયા છે. નાગલી જેવા જાડા અનાજમાંથી બનતી વિવિધ વસ્તુઓ, કુદરતી મધ, મરી મસાલા અને ઘર બનાવટની અગરબત્તીઓના સ્ટોલ પણ છે. ખેતીવાડીમાં ઉપયોગી ગોફણ, ગીલોર, તીરકામઠા અને ભાલા જેવી વસ્તુઓ પણ આકર્ષણનું કેન્દ્ર છે. આ પ્રદર્શન મેળાનો લાભ લેવા માટે સુરત શહેરના નાગરિકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે, જે આદિવાસી સંસ્કૃતિ અને ઉત્પાદનોને પ્રોત્સાહન પૂરું પાડે છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા આયોજિત 52મા યુવા મહોત્સવની લોકગીત સ્પર્ધામાં પત્રકારત્વ અને માસ કોમ્યુનિકેશન વિભાગની વિદ્યાર્થીની વ્યાસ આરોહી હેમાંગભાઈએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સ્પર્ધા રંગમંચ 2 પર્વમંચ ખાતે બપોરે 12 કલાકે શરૂ થઈ હતી. આ લોકગીત સ્પર્ધામાં કુલ ૩૩ કોલેજોના 127 વિદ્યાર્થીઓએ ભાગ લેવા માટે નોંધણી કરાવી હતી. સ્પર્ધામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધાના પરિણામો અનુસાર, પ્રો. વી.બી. શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અને આર.વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ)ના કોરાટ તન્વી અશ્વિનભાઈએ બીજો ક્રમ મેળવ્યો હતો. જ્યારે જે.ઝેડ. શાહ આર્ટસ અને એચ.પી. દેસાઈ કોમર્સ કોલેજ, અમરોલી, સુરતના ગઢવી અવલદાને ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
મેકિંગ અ ડિફરન્સ અને પ્રણામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાજપથ ક્લબ ખાતે 'મીટ ધ ચાઈલ્ડ' કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં આર્થિક રીતે નબળા, પરંતુ અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ધોરણની પરીક્ષામાં 75 ટકાથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ સાથે સંસ્થાના સભ્યોએ સંવાદ કર્યો હતો. આર્થિક મુશ્કેલીઓ છતાં દ્રઢ સંકલ્પથી અભ્યાસ કરતા બાળકો સાથે શૈક્ષણિક અને જીવનલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન, બંને સંસ્થાના સભ્યોએ પોતાની પસંદગીના વિદ્યાર્થીઓને દત્તક લીધા હતા. તેમણે વિદ્યાર્થીઓ કોલેજનો અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધી તેમની શાળા-કોલેજની ફી ભરવાની જવાબદારી સ્વીકારી હતી. શાળાના વિદ્યાર્થીઓ માટે પ્રતિવર્ષ રૂ. 15,000 અને કોલેજના વિદ્યાર્થીઓ માટે પ્રતિવર્ષ રૂ. 25,000 ફી ભરવાની સંકલ્પબદ્ધતા વ્યક્ત કરાઈ હતી. 'મીટ ધ ચાઈલ્ડ' કાર્યક્રમમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યાં દત્તક લેવાયેલા વિદ્યાર્થીઓના પરિવારજનો લાગણીસભર બન્યા હતા. આ પહેલનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે આર્થિક કારણોસર કોઈ પણ તેજસ્વી વિદ્યાર્થીને અભ્યાસ છોડવો ન પડે અને માતા-પિતાને તેમના સંતાનોના ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહન મળે.
પાલીતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા ખાતે દાદા-દાદી સંમેલન અને યુવા સંસ્કરણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 200 દાદા-દાદીને ધાબળા અને બાલવાટિકાના બાળકોને ગરમ સ્વેટરનું વિતરણ કરાયું હતું. આ સાથે બાળકોને મૂલ્ય શિક્ષણ પણ આપવામાં આવ્યું. અમદાવાદના રાહી ફાઉન્ડેશન દ્વારા દાદા-દાદીને ગરમ ધાબળા અને બાલવાટિકાના બાળકોને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું.શત્રુંજય યુવક મંડળ દ્વારા 200 બાળકો માટે યુવા સંસ્કરણ શિબિરનું આયોજન કરાયું હતું. આ શિબિરમાં બાળકોને મૂલ્ય શિક્ષણના પાઠ શીખવી આદર્શ નાગરિક ઘડતરનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાળકોને ગિફ્ટ પણ આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન દરેક દાદા-દાદીની આરતી ઉતારવામાં આવી હતી અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. મૂલ્ય શિક્ષણ અને વડીલો માટેના આ અનુદાન કાર્યક્રમનો રવિવારે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઝુપડપટ્ટીમાં પરપ્રાંતિય પરિવાર મજૂરી કામ માટે અહીંયા આવીને રહેતું હતું. પરિવારમાં બાર વર્ષની સગીરાની સ્થિતિ ખરાબ થતા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે, ત્યાં એક બેબીને જન્મ આપતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં બાળક અને સગીરા બંનેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. સગીરાએ બેબીને જન્મ આપતાં ચકચારરાજ્યની સરહદી રાજ્ય વિસ્તારમાંથી એક પરિવાર રોજીરોટી કમાવવા માટે વડોદરા આવ્યું હતું અને માંજલપુર વિસ્તારની એક ચોકડી પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં રહી મજૂરી કામ કરી રહ્યું હતું. આ પરિવારમાં 12 વર્ષની સગીરાને વેણ ઉપાડતા ગત રોજ સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. દરમ્યાન એક બેબીને જન્મ આપ્યો હતો.બાળકીને જન્મ આપ્યા બાદ સગીરાની સ્થિતિ ખરાબ થતા તેને પણ તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં જ દાખલ કરવામાં આવી હતી. આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરશેઆ સમગ્ર મામલે હાલમાં માંજલપુર પોલીસને જાણ કરવામાં આવી છે. હાલમાં પોલીસે સગીરાના પરિવારના સંપર્ક કરી રહ્યો છે. બાદમાં આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરવામાં આવશે. સગીરા કઈ રીતે પ્રેગ્નેન્ટ બની?, કોઈ અનૈતિક સંબંધો છે કે કોઈ પ્રેમ સંબંધ? કોઈ હવસખોરે આ સગીરાને પીંખી કે કેમ? તે તમામ બાબતો પદથી પડદો ત્યારે જ ઉછળશે કે જ્યારે આ મામલે પોલીસ ઊંડી તપાસ કરશે.
સુરત શાળા 316મા 'માધવની મસ્તી' ઉત્સવ:કૃષ્ણલીલા થીમ પર આધ્યાત્મિકતા-આધુનિકતાનો સમન્વય જોવા મળ્યો
સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કવિ રમેશ પારેખ પ્રાથમિક શાળા ક્રમાંક-316માં ગત તારીખ 20 ડિસેમ્બર, 2025ના રોજ વાર્ષિકોત્સવ 'માધવની મસ્તી' ઉજવાયો હતો. આ કાર્યક્રમ કૃષ્ણલીલાની થીમ પર આધારિત હતો, જેમાં આધ્યાત્મિકતા અને આધુનિકતાનો અનોખો સમન્વય જોવા મળ્યો. આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરતના ચેરમેન રાજેન્દ્રકુમાર કાપડીયા, કોર્પોરેટર રાજેન્દ્રભાઈ પટેલ, નોટબુકના દાતા શૈલેષભાઈ પટેલ, અમૃતભાઈ સોનેરી, સીઆરસી કો-ઓર્ડિનેટર અમિતભાઈ ટેલર, મુકેશભાઈ દેસાઈ, વૈશાલીબેન પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, વિવિધ શાળાના આચાર્યો, શિક્ષકો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, સ્વયંસેવકો, વાલીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. દીકરીઓએ પ્રાર્થના અને સ્વાગત નૃત્ય રજૂ કરીને સૌનું સ્વાગત કર્યું હતું. ઉપસ્થિત મહેમાનો દ્વારા બાળ કૃષ્ણની આરતી પણ ઉતારવામાં આવી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે, શાળા પરિવારે કૃષ્ણલીલા આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. બાળકોમાં રહેલી કલાત્મકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી આયોજિત આ કાર્યક્રમમાં 323 બાળકોએ કુલ 15 કૃતિઓ રજૂ કરી હતી. બાળકોએ જન્મોત્સવ, ગૌ-ચારણ લીલા, કૃષ્ણ યશોદા નટખટ લીલા, નાગદમન, કૃષ્ણ પ્રેમ લીલા, માખણચોર, રાસલીલા, મટકી ફોડ, દોલોત્સવ, દશાવતાર, મધુરાષ્ટક, ગીતાનો સાર અને નૃત્ય-નાટિકા દ્વારા પ્રભુદર્શન જેવી આધ્યાત્મિક કૃતિઓ પ્રસ્તુત કરી હતી. કળા મહોત્સવમાં ગાયન સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવનાર દીકરી કાતરિયા કિરણે ગુજરાતની અસ્મિતાનું ગીત ગાઈને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમના અંતે, ઉપસ્થિત સૌ લોકો 'દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે...' ગીત પર ઉત્સાહપૂર્વક નાચીને આનંદ વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ કણકોટિયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. પીયૂષકુમાર એમ. પટેલે ઉદઘોષક તરીકેની સેવા આપી હતી.
ઘરશાળા સંસ્થા દ્વારા આધુનિક ભારતમાં શિક્ષણ વિષય પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતના કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ ડૉ. ઉન્નત પંડિત સાહેબ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. પંડિત સાહેબે વિદ્યાર્થીઓને સ્વનિર્ભર અને વિકસિત ભારત માટે પ્રેરણા આપી હતી. તેમણે પેટન્ટ અને કોપીરાઈટના મહત્વ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી, વિદ્યાર્થીઓને આ વિષયો પર જ્ઞાન આપ્યું.તેમણે પોતાના શિક્ષણકાળના કેટલાક અનુભવો વિદ્યાર્થીઓ સાથે શેર કર્યા હતા. આ ઉપરાંત, કોઈ સંશોધન પર પેટન્ટ કેવી રીતે મેળવવી તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ મેહુલભાઈ મહેતા, મંત્રી નિશિથભાઈ વોરા, પૂર્વ પ્રમુખ હિતેષભાઈ વ્યાસ તથા ટ્રસ્ટી મુકેશભાઈ જોધવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં ધોરણ 9થી 12ના 400થી વધુ વિદ્યાર્થીઓ અને 50થી વધુ શિક્ષકોએ ભાગ લીધો હતો.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં સંસ્થાના આચાર્ય ભાવેશભાઈ છોટાળા, પ્રદીપભાઈ ત્રિવેદી, નેહાબેન રાવળ અને હિરણાક્ષીબેન રાઠોડનો સહયોગ રહ્યો હતો.
બોટાદ જિલ્લાના સરવઈ ગામે 2011માં બનેલી અનુસૂચિત સમાજના યુવકના અપહરણ અને હત્યાની ચકચારી ઘટનામાં ન્યાય મેળવવા માટે પરિવારે ફરી એકવાર આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. આ કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (સ્પે. પીપી)ની નિમણૂક કરવાની લાંબા સમયની માંગણી ન સંતોષાતા આજે અનુસૂચિત સમાજના આગેવાનો અને મૃતકના પરિવારજનોએ કલેક્ટર કચેરી સામે પ્રતીક ઉપવાસ શરૂ કર્યા છે. શું છે સમગ્ર મામલો?આ વિવાદના મૂળ 14 વર્ષ જૂની ઘટનામાં રહેલા છે. વર્ષ ૨૦૧૧માં બોટાદના સરવઈ ગામે રહેતા અનુસૂચિત સમાજના રાજુભાઈ પરમારનું અસામાજિક તત્વો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમની નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. આ ગંભીર ગુનામાં યોગ્ય ન્યાયિક પ્રક્રિયા થાય તે માટે મૃતકના ભાઈ બાબુભાઈ પરમાર સતત રજૂઆતો કરી રહ્યા છે. સ્પે. પીપીની નિમણૂક માટે આગ્રહમૃતકના ભાઈ બાબુભાઈ પરમારના જણાવ્યા અનુસાર, આ કેસ અત્યંત સંવેદનશીલ છે અને તેમાં અસરકારક ધાર રજૂ કરવા માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવી અનિવાર્ય છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, અમે લાંબા સમયથી તંત્ર પાસે સ્પે. પીપીની માંગણી કરી રહ્યા છીએ, પરંતુ અનેક લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સકારાત્મક કાર્યવાહી કરવામાં આવી નથી. ન્યાય નહીં તો આંદોલન ચાલુ રહેશે'આજે સવારથી જ બાબુભાઈ પરમાર સહિત સમાજના અન્ય આગેવાનો કલેક્ટર કચેરી સામે એકત્ર થયા હતા અને સૂત્રોચ્ચાર કરીને ન્યાયની માંગ કરી હતી. આંદોલનકારીઓએ મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, જ્યાં સુધી સરકાર દ્વારા સ્પે. પીપીની નિમણૂકનો સત્તાવાર આદેશ કરવામાં નહીં આવે, ત્યાં સુધી આ ઉપવાસ આંદોલન ચાલુ રાખવામાં આવશે. લાંબા સમયથી ન્યાય માટે ભટકી રહેલા પરિવારના આ પગલાને પગલે સ્થાનિક રાજકારણ અને વહીવટી તંત્રમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે તંત્ર દ્વારા આ બાબતે કેટલો ઝડપી નિર્ણય લેવામાં આવે છે.
ભાવનગર કુંભારવાડામાં ખાડામાં પડ્યો બાઇકચાલક:મનપાના કામ દરમિયાન ખુલ્લા ખાડામાં પડતા અકસ્માત
ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલા ડ્રેનેજ કામગીરી દરમિયાન ખોદવામાં આવેલા ખુલ્લા ખાડામાં એક બાઇકચાલક પડી ગયો હતો. આ ઘટના ગઢેચી વડલા રોડ પર રાધે કૃષ્ણ વાળા ખાચામાં બની હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, બાઇકચાલક પોતાનું મોટરસાયકલ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક ઊંડા ખાડામાં ખાબક્યો હતો. સદનસીબે, બાઇકચાલક સાવચેતીપૂર્વક જાતે જ બહાર આવી ગયો હતો. બાદમાં તેનું વાહન પણ ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજ માટે ખોદવામાં આવેલા આ ખાડા ફરતે કોઈ પણ પ્રકારના સુરક્ષા બોર્ડ કે રીબીન લગાવવામાં આવ્યા ન હતા. ઘટનાસ્થળે માત્ર એક તરફ બોર્ડ પડેલા જોવા મળ્યા હતા, જે સુરક્ષા વ્યવસ્થાની બેદરકારી સૂચવે છે.સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જો આવા ખુલ્લા ખાડામાં નાના બાળકો પડી જાય અને કોઈ મોટી દુર્ઘટના બને તો તેની જવાબદારી કોની રહેશે. તંત્ર દ્વારા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ તેવી માંગણી ઉઠી રહી છે.
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા કમિશનર ગુરુવાનીના માર્ગદર્શન હેઠળ રાજવી ફાટકથી રિશી શીપીંગ ભવાનીનગર ફાટક સુધીના વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તા. 22 ડિસેમ્બરના રોજ રોડની જમીન અને પાણીની મુખ્ય લાઈન પરના આશરે 70 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણો રેલવે લાઈનને સમાંતર રોડની પહોળાઈ અને પાણીની લાઈન પર હતા. આ ગેરકાયદેસર બાંધકામોને કારણે મહાનગરપાલિકાની પાણીની લાઈનમાં વારંવાર લીકેજ થતા હતા, જેનાથી પાણીનો મોટા પાયે બગાડ થતો હતો અને પાણી વિતરણમાં મુશ્કેલીઓ સર્જાતી હતી. વધુમાં, આ દબાણોને લીધે મુખ્ય રસ્તાનું ધોવાણ થતું હતું અને રસ્તો વારંવાર તૂટી જતો હતો, જેના કારણે નાગરિકોને હાલાકી ભોગવવી પડતી હતી. ટ્રાફિકની સમસ્યા પણ વધી રહી હતી, જેને કારણે આ દબાણો દૂર કરવા અત્યંત જરૂરી બન્યા હતા. આ કામગીરીમાં મહાનગરપાલિકાના 3 જે.સી.બી., 4 ટ્રેક્ટર અને 15 કર્મચારીઓ જોડાયા હતા. નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજન અને દબાણ ઇન્સ્પેક્ટર ગાયત્રીપ્રસાદ જોષી તેમની ટીમ સાથે હાજર રહ્યા હતા. મોટાભાગના નાગરિકોએ સ્વેચ્છાએ દબાણ હટાવી મહાનગરપાલિકાને સહકાર આપ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા જારી કરાયેલી અખબારી યાદી મુજબ, દબાણ દૂર થયા બાદ પાણીની લાઈનમાં થયેલા લીકેજને સુધારવા અને રસ્તાના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે. આગામી દિવસોમાં પણ દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.
આણંદના સાંસદ અને દિશા કમિટીના ચેરમેન મિતેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠક આણંદ સર્કીટ હાઉસ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ભારત સરકારની વિવિધ યોજનાઓની કામગીરીની વિસ્તૃત સમીક્ષા અને ભાવિ આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. દિશા કમિટીના ચેરમેન મિતેષભાઈ પટેલે અધિકારીઓને અનુરોધ કર્યો હતો કે, ભારત સરકાર દ્વારા વર્ષ 2029 સુધીમાં દેશને ટીબી મુક્ત બનાવવાનું લક્ષ્ય છે. આ લક્ષ્યને અનુરૂપ, આણંદ જિલ્લો પણ વહેલામાં વહેલી તકે ટીબી મુક્ત બને તે માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવે. આ ઉપરાંત, તેમણે આણંદ જિલ્લામાં છેવાડાના માનવી સુધી ઉત્તમ આરોગ્ય સુવિધાઓ, શુદ્ધ પીવાનું પાણી અને આંગણવાડીના બાળકોને પોષણયુક્ત આહાર મળે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. કોઈ પણ નાગરિક પાયાની સુવિધાઓથી વંચિત ન રહે તેની કાળજી લેવા પર ભાર મૂક્યો હતો. સાંસદે ભારત સરકારની વિવિધ યોજનાઓના લાભો સમયસર અને યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચે તેની ખાતરી કરવા પણ સૂચન કર્યું હતું, જેથી કોઈ પણ સાચો લાભાર્થી સહાયથી વંચિત ન રહે. તેમણે તાલુકાના જનપ્રતિનિધિઓ દ્વારા પૂછવામાં આવેલા વિકાસલક્ષી પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ લાવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ, કલેકટર પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી, નિવાસી અધિક કલેક્ટર ઋતુરાજ દેસાઈ, પેટલાદના મદદનીશ કલેકટર હિરેનભાઈ બારોટ, તેમજ તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખો સહિતના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નવસારીના લૂંસીકુઈ વિસ્તારમાં પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની પ્રતિમા પર 'વિતરાગ હોસ્પિટલ'નું જાહેરાતનું બેનર લગાવવામાં આવ્યું છે. આ ઘટનાને કારણે શહેરમાં અને ખાસ કરીને અનાવિલ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બેનર કોણે લગાવ્યું એ સવાલસર્કિટ હાઉસ સામે આવેલી મોરારજી દેસાઈની પ્રતિમાના મોઢાના ભાગે આ બેનર લગાવવામાં આવ્યું હતું. આ બેનર હોસ્પિટલ દ્વારા લગાવવામાં આવ્યું છે કે કોઈ અજાણ્યા ટીખળખોર દ્વારા, તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. 'કડક કાર્યવાહી કરવામાં આવશે'આ ઘટના અંગે વોર્ડ નંબર 13ના પૂર્વ નગરસેવક પ્રશાંત દેસાઈએ આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે, પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની પ્રતિમા પર આ પ્રકારે એડવર્ટાઈઝમેન્ટના પોસ્ટર લગાવવા એ અત્યંત દુઃખદ અને જઘન્ય અપરાધ છે. આ બાબતે કડક કાર્યવાહી કરવામાં આવશે. 'અમે સંસ્થા પાસે ખુલાસો માગીશું'આ મામલે નવસારી નગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ગૌરવકુમાર વાસાણીએ જણાવ્યું કે, જે કોઈ સંસ્થાનું બેનર હશે તેની પાસે ખુલાસો માંગવામાં આવશે અને જો તેમણે બેનર લગાવ્યું હશે તો તેમના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
ભાવનગરના બાલમંદિરમાં રમતોત્સવનું આયોજન:અઢીથી પાંચ વર્ષના ભૂલકાઓએ ઉત્સાહભેર ભાગ લીધો
ભાવનગર શહેરના હલુરિયા ચોક સ્થિત કૃષ્ણલાલ હ. સંઘવી બાલમંદિરમાં નાના બાળકો માટે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવમાં મોટી સંખ્યામાં ભૂલકાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આર.ડી. ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ સંચાલિત આ બાલમંદિરના આચાર્ય યુગલબેન દવેએ આયોજન અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, દર વર્ષે મોટા બાળકો માટે રમતોત્સવ યોજાય છે, પરંતુ આ વર્ષે અઢીથી પાંચ વર્ષના નાના બાળકોમાં રમત પ્રત્યે રુચિ કેળવાય તે હેતુથી વિશેષ આયોજન કરાયું હતું. આ રમતોત્સવમાં બાલમંદિરની બુલબુલ, મેના અને મયુર ટુકડીના બાળકોએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. શાળા મંડળના ટ્રસ્ટીઓ અશ્વિન ગણાત્રા અને ઉમી ત્રિવેદી તેમજ અતિથિ વિશેષ નીતા વેદાણીએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
રાજકોટમાં આગામી 10થી 12 જાન્યુઆરી 2025 દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના ઉર્જા વિભાગ દ્વારા અંદાજે રૂ.4 લાખ કરોડના MoU થવાના છે. જેમાં રીન્યુએબલ એનર્જી એટલે કે સૌર, પવન અને દરિયાઈ ઉર્જા કઈ રીતે ઉત્પન્ન કરી શકાય અને તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તેમજ મશીન લર્નિંગનો ઉપયોગ કરી મહારાષ્ટ્રના સ્થાને ગુજરાતને મોખરાના ક્રમે કઈ રીતે લાવી શકાય તે અંગેની રણનીતિ ઘડવામાં આવશે. વાયબ્રન્ટ સમિટમાં અવિરત વીજ પુરવઠો મળી રહે તેવી વ્યવસ્થાPGVCL ના મેનેજિંગ ડિરેક્ટર કેતન જોશીએ જણાવ્યુ હતુ કે, મારવાડી યુનિવર્સિટીમાં વાયબ્રન્ટ સમિટમાં અવિરત વીજ પુરવઠો મળી રહે તે માટે ચીફ એન્જિનિયર, સુપ્રિટેન્ડેન્ટ એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને જુનિયર એન્જિનિયર સહિતની 100 વ્યક્તિઓની ટીમ દ્વારા ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. જેઓ 24 કલાક ત્યાં હાજર રહેશે અને કોઈપણ પ્રકારના વીજ વિક્ષેપ વિના વાઇબ્રન્ટ સમિટ પૂર્ણ થાય તેવા પ્રયાસો છે. ગ્રીન હાઈડ્રોજન, ગ્રીન ઇકોનોમી પોલિસી અને રિન્યુએબલ એનર્જી સહિતના વિષયો પર સેમિનારતેમણે જણાવ્યું કે ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ દ્વારા ગ્રીન હાઈડ્રોજન, ગ્રીન ઇકોનોમી પોલિસી અને રિન્યુએબલ એનર્જી સહિતના વિષયો પર 12 જેટલા સેમિનાર રાખવામાં આવ્યા છે. જેમાં રીન્યુએબલ એનર્જીથી થતા ફાયદાઓ અને ઝીરો કાર્બન પોલીસીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રોત્સાહન આપી રહ્યા છે તેને વધુ વેગ મળશે. રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ભારત અવ્વલ નંબર ઉપર છે. જેમાં ગુજરાત આગળ જ છે પરંતુ તેને વધુ આગળ લઈ જવા માટેની પ્રેરણા મળશે. કયા કયા વિષય ઉપર સેમિનાર યોજાશે?
વિશ્વભરમાં પ્રખ્યાત કાઠિયાવાડી અશ્વો અને તેનું સંવર્ધન કરનાર આપણી સંસ્કૃતિ અને ઇતિહાસ સાથે વણાયેલા છે. આ અશ્વ પ્રવૃત્તિઓને વેગવાન બનાવવા 17મા કામા અશ્વ શો અને રમતોત્સવનું આગામી 26થી 28 ડિસેમ્બર સુધી વાંકાનેરમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસના કાર્યક્રમમાં ગુજરાત અને ગુજરાત બહારથી કાઠિયાવાડી, મારવાડી અને સિંધી બ્રીડના 280 અશ્વિનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. ચાર વર્ષ બાદ સૌરાષ્ટ્રના આંગણે ભવ્ય અશ્વ શો થવા થઈ રહ્યો છે. 15 એકરના મેદાનમાં ભવ્ય આયોજનઃ કેશરીદેવસિંહ ઝાલારાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ જણાવ્યું કે, આગામી 26થી 28 ડિસેમ્બર ત્રણ દિવસ સુધી 17મા કામા અશ્વ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અશ્વ શો માટે અત્યાર સુધી સૌરાષ્ટ્ર, ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી મળી કુલ 280 અશ્વોની એન્ટ્રી થઈ ચૂકી છે. અંદાજે 15 એકરના મેદાનમાં યોજાનાર આ અશ્વ શોને દરરોજ હજારોની સંખ્યામાં લોકો માણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ શોમાં માત્ર કાઠિયાવાડી-મારવાડી અને સિંધી ઓલાદના અશ્વો જ ભાગ લેશે. ‘25 ડિસેમ્બરેભવ્ય અશ્વ પ્રદર્શન અને નગરયાત્રા’તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 1994માં વાંકાનેર અમરસિંહજી હાઈસ્કુલ ગ્રાઉન્ડ ખાતે નામદાર મહારાણા રાજસાહેબ ડો. દિગ્વિજયસિંહજી ઝાલાના પ્રમુખ સ્થાને પ્રથમ ભવ્ય અશ્વ શોનું આયોજન કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ 2025માં તેમની યાદમાં “17મો કામા અશ્વ મહોત્સવ” યોજાઈ રહ્યો છે. રાજ્યકક્ષાનો આ કાર્યક્રમ ગુજરાતના પશુપાલન વિભાગ તેમજ ટુરીઝમ વિભાગનાં સહયોગથી યોજાઈ રહ્યો છે. જેમાં 25 ડિસેમ્બરના રોજ ભવ્ય અશ્વ પ્રદર્શન અને નગરયાત્રા સાંજે 3.30 વાગ્યે વાંકાનેર શહેરના મુખ્યમાર્ગો પર યોજાશે. ‘કાઠીયાવાડી અશ્વની માહિતી આપતુ પુસ્તકનું પણ વિમોચન’26 ડિસેમ્બરે સવારે 8.30 વાગ્યે “કામા અશ્વ શો-2025 અને રમોત્સવનું ભવ્ય ઉદઘાટન કેબીનેટ મંત્રી જીતુ વાઘાણીની હાજરીમાં થશે. આ સાથે કાઠીયાવાડી અશ્વની માહિતી આપતુ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવશે. અશ્વ શો સ્પર્ધા સવારે 8.30થી સાંજે 6 વાગ્યા સુધી ધોળેશ્વર મહાદેવ મંદિર મેળાના ગ્રાઉન્ડ ખાતે યોજાશે. 27 ડિસેમ્બરના રોજ રાત્રે 9.30 વાગ્યે ભવ્ય લોકડાયરો ધોળેશ્વર મહાદેવ મંદિર મેદાન ખાતે યોજાશે, જેમાં ગુજરાતના નામંકીત કલાકારો અનુભા ગઢવી, હકાભા ગઢવી, ધવલભાઈ ગઢવી, વિજયાબેન વાધેલા, આદિત્ય ખડીયા ઉપસ્થિત રહેશે. 28 ડિસેમ્બરના રોજ ઈનામ વિતરણ મહાનભુવાઓના વરદ હસ્તે થશે તથા સમાપન કાર્યક્રમ સાંજે 4 વાગ્યે યોજાશે. તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો વાંકાનેર ખાતે પૂર્વ રાજવી સ્વ. ડો. દિગ્વિજયસિંહજી ઝાલા સ્મૃતિ નિમિતે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા દ્વારા આ અશ્વ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજન માટે મેદાન પર તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. પશુપાલન ખાતાના સહયોગથી આ આયોજનમાં કાઠીયાવાડી હોર્સ બ્રીડર્સ એસોસિએશન ઓફ ગુજરાત-ગોંડલ, કાઠીયાવાડી અશ્વપાલક સહકારી મંડળી લિમિટેડ-ગોંડલ તેમજ શ્રી ભુવનેશ્વરી પીઠ-ગોંડલ પણ જોડાયેલા છે. 6 સ્પર્ધામાં અશ્વો અને અસવારોનું કૌવત જોવા મળશેઆ અશ્વ રમતોત્સવમાં 6 સ્પર્ધા રાખવામાં આવી છે, જેમાં એક ઉત્તમ અશ્વ બ્રીડ શો : કાઠીયાવાડી-મારવાડી અને સિંધી નસલના ઘોડા-ઘોડી વછેરા-વછેરી અને અદંત વછેરા-વછેરી ભાગ લેશે. બીજી સ્પર્ધામાં ઉત્તમ અશ્વ શણગાર અને અશ્વ સવાર તેમજ પરંપરાગત શણગાર, ત્રીજું રેવાલ ચાલ, ચોથું એન્ક્યુરન્સ રેસ (20 કી.મી.), પાંચમું બેરલ રેસ, અને છથી મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું છે.
ગાંધીનગર જિલ્લાના હાજીપુર ગામની સીમમાં ચાલી રહેલા જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ત્રાટકીને 11 શખ્સોને રૂ.4.30 લાખની રોકડ, વાહનો તેમજ મોબાઈલ મળીને કુલ રૂ.26.16 લાખના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે, જ્યારે મુખ્ય સુત્રધારો સહિત 4 થી 5 લોકો પોલીસને થાપ આપી ફરાર થઈ ગયા છે. આ અંગે સાંતેજ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ખેતરની બાજુમાં ખુલ્લી જગ્યામાં ધમધમતું જુગારધામગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા હાજીપુર ગામની સીમમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા જુગારધામ પર મોડી રાત્રે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે દિનેશજી સોમાજી ઠાકોર અને મોહસીનખાન જરિફખાન પઠાણ નામના શખ્સો ભેગા મળીને હાજીપુર ગામની માઢુની સીમમાં ખેતરની બાજુમાં ખુલ્લી જગ્યામાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે. 11 જુગારીઓ ઝડપાયાઆ બાતમીના આધારે પોલીસે રેઇડ પાડી આંબાના ઝાડ નીચે પાથરણું પાથરી જુગાર રમતા કુલ 11 શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા. જ્યારે મુખ્ય સૂત્રધારો સહિત અન્ય આરોપીઓ પોલીસને જોઈને નાસી છૂટ્યા હતા. બાદમાં જુગારીઓ ની પૂછતાછ કરતાં તેમણે પોતાના નામ રાજેન્દ્રભાઇ બાબુભાઇ પટેલ, યુસુફમીયા હૈદરમિયા કુરેશી,અશોકજી કચરાજી ઠાકોર,જતીન માધુભાઈ પટેલ, નરેશભાઈ મુળજીભાઈ પરમાર,મહેશજી ઉદાજી ઠાકોર,ઉસ્માનભાઈ જામાભાઈ જાદવ,જગદીશભાઈ જ્યંતીભાઈ પટેલ, દશરથજી લાલાજી ઠાકોર,સંજય મંગાજી ઠાકોર,અજીતસિંહ બાવલભાઈ મકવાણાહોવાનું જણાવ્યું હતું. કુલ રૂ. 26 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યોઆ કાર્યવાહી દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી કુલ 4,30,000 રૂપિયાની રોકડ રકમ, 1,26,000 રૂપિયાની કિંમતના 10 નંગ મોબાઈલ ફોન અને 20,60,000 રૂપિયાની કિંમતના પાંચ વાહનો મળીને કુલ રૂ.26,16,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપીઓ દિનેશજી ઠાકોર અને મોહસીનખાન આ જુગારધામ ચલાવતા હતા અને કાદર મુજતભાઇ કુરેશી ત્યાં વ્યવસ્થા જાળવવાનું કામ કરતો હતો. પકડાયેલા આરોપીઓ પૈકી દિનેશજી ઠાકોર વિરુદ્ધ અગાઉ જુગાર અને પ્રોહિબિશનના 8 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે અશોકજી ઠાકોર વિરુદ્ધ પણ 6 ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. આ અંગે સાંતેજ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
ભારતીય કિસાન સંઘ દ્વારા આગામી 12 જાન્યુઆરીના રોજ ખેડૂતોના મહત્વના મુદ્દાઓને ઉજાગર કરવા માટે રાજ્યના ખેડૂતો ગાંધીનગર એકઠા થશે તેવો નિર્ણય લેવાયો છે. તાજેતરમાં યોજાયેલી વિશેષ કારોબારી બેઠકમાં આ નિર્ણય લેવાયો હોવાનું મહામંત્રી આર. કે. પટેલે જણાવ્યું હતું.નિર્ણય અનુસાર, રાજ્યના તમામ જિલ્લાઓમાંથી હજારો કિસાનો ગાંધીનગર પહોંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે એકત્રિત થશે. આ દિવસે સરકાર સામે કઈ પ્રકારની કાર્યવાહી કરવી તે અંગે અંતિમ નિર્ણય લેવાશે. ખાતર સહિતના પ્રશ્ને લડત ચલાવવાનો નિર્ણયકિસાન સંઘે સરકાર પર ખેડૂતોના પ્રશ્નો પ્રત્યે ઉદાસીનતા દાખવવાનો આક્ષેપ કર્યો છે. ખાસ કરીને ખાતર વિતરણમાં લાંબી લાઈનો, સમયસર ખાતર ન મળવું અને સીઝન પૂરી થયા બાદ ખાતર ઉપલબ્ધ થવાનો પ્રશ્ન ખેડૂતો માટે ગંભીર બન્યો હોવાનું જણાવાયું છે.“સીઝન પતી જાય પછી ખાતર શું કામ આવશે?” એવો તીખો સવાલ પણ કિસાન સંઘ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. કિસાન સંઘના જણાવ્યા મુજબ, જો સરકાર સમયસર ખેડૂતોની માંગણીઓ નહીં સાંભળે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની પણ ચીમકી આપવામાં આવી છે. 12 જાન્યુઆરીએ ગાંધીનગરમાં ખેડૂતોનો મોટો જનસમુદાય ઉમટી પડશે, જેના કારણે રાજકીય તાપમાન ગરમાવાની શક્યતા છે.
વિદ્યાર્થીના હત્યા બાદ વિવાદમાં આવેલી સેવન્થ ડે સ્કૂલને સરકારે પોતાના હસ્તક લઈ લીધી છે. તેમજ વહીવટદાર તરીકે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીની નિમણૂક કરવામાં આવી છે. નિયમ વિરુદ્ધ ચાલતી સરકાર હસ્તક લેવામાં આવતા વાલીઓમાં જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. આજે (22 ડિસેમ્બર) DEOએ અને સરકારી અધિકારીઓએ વહીવટદાર તરીકે ચાર્જ સંભાળતા ઢોલ- નગારા સાથે સ્કૂલમાં વાલીઓએ ઉજવણી કરી હતી. વહીવટદાર તરીકે ચાર્જ સંભાળતા DEOનું મોઢું મીઠું કરાવી સન્માન કરવામાં આવ્યું હતું. સરકારે સ્કૂલને પોતાના હસ્તક લેવાનો યોગ્ય નિર્ણય લીધો હોવાનું પણ વાલીઓએ જણાવ્યું હતું. શું હતો સમગ્ર મામલો?19 ઓગસ્ટના દિવસે સેવન્થ ડે સ્કૂલમાં નયન નામના વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થીએ હત્યા કરી હતી. આ ઘટનામાં સ્કૂલની બેદરકારી હોવાનું જણાવી વાલીઓએ રોષે ભરાઈને વિરોધ નોંધાવી સ્કૂલમાં તોડફોડ પણ કરી હતી. આ ઘટના બાદ સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું હતું. બાદમાં વિદ્યાથીઓના અભ્યાસને ધ્યાનમાં રાખી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે બાદ વિદ્યાર્થીઓની તમામ સુરક્ષાને ધ્યાનમાં રાખીને 3 ઓક્ટોબરે ધો.10 અને 12ના વિદ્યાથીઓ માટે ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. સ્કૂલે તપાસ કમિટી સામે યોગ્ય પુરાવા રજૂ ન કર્યાઆ સાથે જ ઘટનાની તપાસ માટે શિક્ષણ વિભાગ દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી હતી. આ તપાસ કમિટીને સ્કૂલમાં ચાલતી પ્રવૃત્તિઓ અને સ્કૂલના ડોક્યુમેન્ટ તપાસવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. તપાસ કમિટીએ સ્કૂલ પાસે માન્યતાના અનેક વખત ડોક્યુમેન્ટ માંગ્યા હતા, છતાં પણ સ્કૂલ દ્વારા માન્યતાના યોગ્ય ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યા ન હતાં. તપાસ કમિટીએ રિપોર્ટ તૈયાર કરી સરકારને સોંપ્યો હતો, જેમાં સ્કૂલને સરકાર હસ્તક લેવામાં આવે તેવી ભલામણ કરવામાં આવી હતી. સવારની અને બપોરની પાળીમાં બે વહીવટદારની નિમણૂક તપાસ કમિટીના રિપોર્ટના આધારે સરકારે અને શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિત અને સલામતીને ધ્યાનમાં રાખીને સ્કૂલને સરકાર હસ્તક લેવાનો નિર્ણય કર્યો હતો. તેમજ વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યને કોઈપણ ખલેલ ન પહોંચે તે માટે વહીવટદારની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જે બાદ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલ મેનેજમેન્ટની કામગીરી જોવા માટે સવારની અને બપોરની પાળીમાં બે વહીવટદારની નિમણૂક કરી હતી. વહીવટદારો સ્કૂલનું મેનેજમેન્ટ કરશેમેનેજમેન્ટ કરવા માટે નિમણૂક થયેલા વહીવટદારોએ પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. અત્યાર સુધી જે કામગીરી મેનેજમેન્ટ કરતું હતું તે કામગીરી હવે સરકારે નિમેલા વહીવટદાર કરવાના છે, જેને લઈને વાલીઓમાં જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિત-સુરક્ષાને ધ્યાનમાં રાખીને જે નિર્ણય લેવામાં આવ્યો તેનાથી વાલીઓમાં ખુશીનો માહોલ હતો. સરકારે સ્કૂલને પોતાના હસ્તક લઈને યોગ્ય નિર્ણય લીધો હોવાનું વાલીઓએ જણાવ્યું હતું. વાલીઓ-ધારાસભ્ય ઢોલ-નગારા સાથે સ્કૂલે પહોંચ્યાંઆજે મોટી સંખ્યામાં વાલીઓ અને સ્થાનિક ધારાસભ્ય અમિત ભટ્ટ સ્કૂલએ પહોચ્યા હતા. ઢોલ અને નગારા સાથે વાલીઓએ સ્કૂલએ પહોંચી ઉજવણી કરી હતી. મોટી સંખ્યામાં વાલીઓ અમદાવાદ શહેર DEOએ વહીવટદાર તરીકે ચાર્જ સંભાળતા તેમનું સન્માન કરવા માટે પહોંચ્યા હતા. વાલીઓ અને સ્થાનિક ધારાસભ્ય અમિત ભટ્ટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીનું મોઢું મીઠું કરાવી અને ફૂલોનો વરસાદ કરી ઉજવણી કરી હતી. તેમજ વિદ્યાર્થીઓના શૈક્ષણિક રીત અને સુરક્ષાનું સરકાર યોગ્ય ધ્યાન આપશે તેવી વાલીઓને ખાતરી આપી હતી. જોકે, સ્કૂલ સરકાર હસ્તક લેવાતા હવે આગામી સમયમાં સ્કૂલમાં મોટા ફેરફાર પણ થઈ શકે છે. સ્કૂલ ઘણા સમયથી વહીવટીમાં બેદરકારી દાખવી રહી હતીઃ DEOઅમદાવાદ શહેર DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા વહીવટદાર તરીકે નિમણૂક કર્યા બાદ અમારી ટીમ સાથે ચાર્જ સંભાળી લીધો છે. આજે ધારાસભ્ય અને વાલીઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. ઘણા સમયથી વહીવટીમાં બેદરકારી સ્કૂલ દાખવી રહી હતી. તેમજ તપાસ કમિટીને કોઈપણ ડોક્યુમેન્ટ ન આપતા સાબિત થયું હતું કે સ્કૂલ પાસે યોગ્ય માન્યતાના પુરાવા જ નથી. જો માન્યતા વગર આટલા સમય સુધી સ્કૂલ ચાલી અને જો હજુ પણ ચલાવવા દઈએ તો તે બિલકુલ ગેરકાયદેસર ગણાય. ‘વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતો પૂરેપૂરા જળવાશે’વધુમાં ઉમેર્યું કે, વાલીઓને વહારે સરકાર આવી અને વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને લઈ સરકાર હસ્તક લેવામાં આવી. આગામી દિવસમાં મેનેજમેન્ટ તરીકે વહીવટદાર બની અમારી ટીમ કાર્યવાહી કરશે. વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતો પૂરેપૂરા જળવાશે. જે પણ એકેડેમિક કામગીરી ચાલી રહી છે તેમાં કોઈ પણ દખલગીરી કરવામાં આવશે નહીં. શિક્ષકો માટે મોટીવેશનલની કામગીરી પણ હાથ કરવામાં આવશે. વાલીઓને કોઈની વાતથી ભ્રમિત ન થાયઃ ધારાસભ્યઆ મામલે ધારાસભ્ય અમૂલ ભટ્ટે જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા એક નિર્દોષ બાળકે જીવ ગુમાવ્યો હતો. જે બાદ વાલીઓ, આસપાસના રહીશોએ સરકારમાં રજૂઆત કરી હતી. અમે આજે સરકારનો આભાર માનીએ છીએ. જે રીતે ઘટના બની તે બાદ કાનૂની પ્રક્રિયા થવી જોઈએ તે યોગ્ય રીતે થઈ ન હતી. અનેક રજૂઆત બાદ શિક્ષણ વિભાગે તેનું એનાલિસિસ કર્યું. કાયદાકીય બાબતોને તપાસ અને કોર્ટમાં મેટર જતા સરકારે ત્યાં પોતાની રજૂઆતો કરી. જે બાદ કોર્ટે પણ સ્વીકાર્યું કે સરકાર દ્વારા જે પણ પગલાં લેવામાં આવ્યા છે તે વ્યાજબી છે. જેથી વાલીઓને કહીએ છીએ કે કોઈની વાતથી ભ્રમિત થશો નહીં. ‘તબક્કાવાર ઘણી બધી કાનૂની પ્રક્રિયાઓ પણ થવાની છે’વધુમાં અમૂલ ભટ્ટે જણાવ્યું હતું કે, સરકાર હસ્તક લેવાનો નિર્ણય વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં જ છે. વિદ્યાર્થીઓનું શિક્ષણ ગુજરાત સરકાર બગાડવા દેવા માંગતી નથી. સ્કૂલમાં અત્યારે સરકારના બે પ્રતિનિધિઓ મૂકવામાં આવ્યા છે. કોર્પોરેશન દ્વારા જમીન પરત લેવાની કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે. તબક્કાવાર ઘણી બધી કાનૂની પ્રક્રિયાઓ પણ થવાની છે. સરકારે સ્કૂલને પોતાના હસ્તક લેવાનું જે નિર્ણય કર્યો છે તેથી સરકારનો આભાર માનીએ છીએ. સરકાર દ્વારા સંચાલન કરવામાં આવતી આ સ્કૂલમાં સંપૂર્ણપણે વિદ્યાર્થીઓના શિક્ષણનું ધ્યાન રાખવામાં આવશે. સિક્યુરિટીની સાથે સાથે બાળકોના હિત માટે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાનું નામ બદલીને ‘VB-G RAM G’ કરવાની દરખાસ્ત સામે કોંગ્રેસ દેશભરમાં વિરોધ કરી રહી છે. આના ભાગરૂપે, ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની આગેવાની હેઠળ કેન્દ્ર સરકારના નિર્ણય સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. શહેરના રેલવે સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમની શરૂઆત ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરીને કરવામાં આવી હતી.ત્યારબાદ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ હાથમાં બેનરો લઈને ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેનાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ જણાવ્યું હતું કે, મનરેગા યોજનાના નામમાંથી મહાત્મા ગાંધીજીનું નામ દૂર કરવું અને ગ્રામ પંચાયતોના અધિકારો નબળા પાડવાનો કેન્દ્ર સરકારનો પ્રયાસ સ્વીકાર્ય નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ યોજનામાં ભાજપના કેટલાક નેતાઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે, જેથી કોંગ્રેસ આ નિર્ણય સામે સ્પષ્ટ વાંધો નોંધાવે છે અને જરૂર પડે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. કાર્યક્રમમાં શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, પાલિકાના વિપક્ષ નેતા સમસાદઅલી સૈયદ, મીડિયા પ્રવક્તા નાઝુ ફડવાલા, યુવા નેતા શેરખાન પઠાણ, મહિલા આગેવાન જ્યોતિ તડવી, ઝુબેર પટેલ, માજી શહેર પ્રમુખ હરીશ પરમાર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.
પાટણ શહેર કોંગ્રેસ સમિતિએ રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર અને પાટણ કલેક્ટરને લેખિત ફરિયાદ કરી છે. કોંગ્રેસે ભાજપના પદાધિકારીઓ પર મતદાર યાદીમાંથી ચોક્કસ જ્ઞાતિ અને સમુદાયના મતો ઘટાડવા માટે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલના જણાવ્યા અનુસાર, 17 ડિસેમ્બર, 2025 ના રોજ પાટણ માર્કેટ યાર્ડના હોલ ખાતે ભાજપના બૂથ લેવલના કાર્યકરોની ગુપ્ત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપના જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ દ્વારા કાર્યકરોને સૂચના અપાઈ હતી કે આગામી તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં કોંગ્રેસનું સમર્થન ઘટાડવા માટે દરેક બૂથ દીઠ 40 થી 50 મતદારો ઓછા કરવા. ફરિયાદ પત્રમાં વધુમાં જણાવાયું છે કે, આ બેઠકમાં ખાસ કરીને 2002 ની મતદાર યાદીનો ઉલ્લેખ કરીને 50 વર્ષથી વધુ વયના મુસ્લિમ અને દલિત સમાજના મતદારોના નામ કોઈપણ પુરાવા વગર કમી કરવા દબાણ કરાયું હતું. કોંગ્રેસનો દાવો છે કે જીવિત મતદારોના નામ પણ યાદીમાંથી દૂર કરવા અને અધિકારીઓ પુરાવા ન માંગી શકે તે રીતે કાર્યવાહી કરવા માર્ગદર્શન અપાયું હતું. પાટણ શહેરના વોર્ડ નંબર 7, 8 અને 10 માંથી 100 થી 200 મતદારો ઘટાડવા માટેની ચોક્કસ સૂચનાઓ અપાઈ હોવાનું પણ કોંગ્રેસે જણાવ્યું છે. આ મામલે કોંગ્રેસે માર્કેટ યાર્ડના સીસીટીવી ફૂટેજ તપાસવાની અને લોકશાહીના પવિત્ર મતાધિકારનું રક્ષણ કરવા માટે જવાબદાર અધિકારીઓને સૂચના આપવાની માંગ કરી છે. આ ઉપરાંત, ખેડૂતોના હિત માટે બનેલી સહકારી સંસ્થાના હોલનો રાજકીય હેતુ માટે ઉપયોગ કરવા બદલ યાર્ડ પાસેથી ભાડું વસૂલવા અને રજિસ્ટ્રાર દ્વારા તપાસ કરવાની પણ માંગણી કરવામાં આવી છે.
જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલે સોશિયલ મીડિયા પર બદનામી કરવા બદલ બે ID ધારકો સામે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ જ ID ધારકો સામે ગઇકાલે જામનગરના એક બિલ્ડર પિતા-પુત્રએ પણ બદનક્ષીની ફરિયાદ નોંધાવી હતી, જેના કારણે આ મામલે ભારે ચકચાર જાગી છે. પૂર્વ મંત્રીના ફોટાને એડિટ કરી સાડી પહેરાવીપૂર્વ મંત્રી રાઘવજી પટેલના ફોટાને એડિટ કરી સાડી પહેરાવીને 'આ છે આપણા ગુજરાતનું ગૌરવ, પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલ ભ્રષ્ટાચારનું ઘર' જેવું લખાણ લખીને બે ID ધારકોએ ફેસબૂક અને ઇન્ટ્રાગ્રામ જેવા સોશિયલ મીડિયામાં અપલોડ કરતા પૂર્વ મંત્રીએ બંને આઇડી ધારકો સામે જામનગર સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. સોશિયલ મીડિયામાં અપલોડ કરી બદનામી કરીરાઘવજી પટેલે ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફેસબુક ID વપરાશકર્તા વિશાલ કણસાગરા અને ઇન્સ્ટાગ્રામ ID વપરાશકર્તા વી. કણસાગરા77 એ તેમના ફોટા તેમની મંજૂરી વગર મેળવી લીધા હતા અને આ ફોટોગ્રાફ્સને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા એડિટ કરીને વિકૃત કરવામાં આવ્યા હતા અને સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યા હતા. નાણા પડાવવા અથવા સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો ઇરાદોફરિયાદ મુજબ આરોપીઓએ બદનક્ષી થાય તેવા લખાણ સાથેના ખોટા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ અને વીડિયો બનાવીને પૂર્વ મંત્રીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી હતી. આ કૃત્ય પાછળ સમાજમાં બદનક્ષી કરવી, નાણા પડાવવા અથવા સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો ઇરાદો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ કલમો હેઠળ ગુનો નોંધાયોજામનગર સાયબર ક્રાઈમે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 331(2), 331(4), 352, 351 તથા આઈ.ટી. એક્ટ કલમ 11(સી) હેઠળ રાઘવજી પટેલની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મને બદનામ કરવાનું ષડયંત્ર: રાઘવજી પટેલઆ અંગે રાઘવજી પટેલે જણાવ્યું કે, મારી વિરુદ્ધ ષડયંત્ર કરી AIના માધ્યમથી વિકૃત તસવીરો બનાવી અમુક લોકો દ્વારા પોસ્ટ મુકવામાં આવે છે. જે બાબતે મેં ફરિયાદ નોંધાવી છે. મારી જેમ સાંસદ પૂનમ માડમ અને પરિમલ નથવાણીને પણ આવી જ રીતે સોશિયલ મીડિયામાં બદનામ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. 'આવી પ્રવૃતિઓ અટકાવી કાર્યવાહી કરવામાં આવે'રાઘવજી પટેલે વધુમાં જણાવ્યું કે, મેં જામનગર જિલ્લા પોલીસ વડા પાસે માગણી કરી છે કે આ ષડયંત્ર કરનારાઓના મુળ સુધી પહોંચે અને અમારા કોઇ રાજકીય વિરોધીઓ દ્વારા આ પ્રવૃતિઓ થતી હોય તો એને અટકાવી કડક કાર્યવાહી કરવામાં આવે. આ ID ધારકો સામે ગઇકાલે પણ ફરિયાદ નોંધાઇ જામનગરના અગ્રણી બિલ્ડર જમન ફળદુ અને તેમના પુત્રને સોશિયલ મીડિયા પર બદનામ કરાતા ગઇકાલે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં આજ ID ધારકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ મુજબ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પરની બે જુદી જુદી ID દ્વારા બિલ્ડર અને તેમના પુત્રના ફોટાને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી એડિટ કરીને આ ફોટા અપલોડ કરીને સમાજમાં બદનામ કરવાનો પ્રયાસ કરાયો હતો, તેમજ ઉશ્કેરણીજનક અને અપમાનજનક લખાણો પણ લખવામાં આવ્યા હતા. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો...
ગુજરાત જમીન વિકાસ નિગમના વય નિવૃત્ત થયેલા સિનિયર સિટીઝન કર્મચારીઓએ પોતાના બાકી નીકળતા નાણાકીય લાભો મેળવવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર પાઠવ્યું છે. વર્ષો સુધી નિગમમાં સેવા આપ્યા બાદ નિવૃત્તિના પાંચ-પાંચ વર્ષ વીતી ગયા હોવા છતાં આ કર્મચારીઓને તેમના હક્કના સી.પી.એફ., ગ્રેજ્યુઈટી અને સાતમા પગાર પંચના લાભોથી વંચિત રાખવામાં આવતા કર્મચારીઓમાં ભારે રોષ અને આર્થિક સંકટ જોવા મળી રહ્યું છે. 2019થી CPFની રકમ-વ્યાજ ન ચૂકવાઈગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના વય નિવૃત્ત થયેલા સિનિયર સિટીઝન કર્મચારીઓએ પોતાના બાકી નીકળતા નાણાકીય લાભો મેળવવા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. નિવૃત સિનિયર સિટીઝનોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, 2019થી નિવૃત્ત થયેલા કર્મચારીઓના સી.પી.એફ.ની વણચૂકવાયેલ રકમ અને તેના પરના વ્યાજની ચૂકવણી લાંબા સમયથી અટવાયેલી છે. જૂની 10 લાખની મર્યાદા મુજબ જ ચૂકવણું આ ઉપરાંત કેન્દ્ર સરકારના નિયમ મુજબ ગ્રેજ્યુઈટીની મર્યાદા 20 લાખ હોવા છતાં, નિગમ દ્વારા હજુ જૂની 10 લાખની મર્યાદા મુજબ જ ચૂકવણું કરાયું છે. કૃષિ વિભાગ દ્વારા 20 લાખની મર્યાદા મુજબ બાકી રકમ ચૂકવવા મંજૂરી અપાઈ હોવા છતાં વહીવટી પ્રક્રિયાના નામે નાણાં ફાળવવામાં આવતા નથી. EPFOમાં ડેટા અપલોડ કરવામાં પણ વિલંભઆર્થિક પાયમાલીનો સામનો કરી રહેલા આ નિવૃત્ત કર્મચારીઓએ 2018 બાદના સાતમા પગાર પંચના બાકી લાભો અને 2015થી મંજૂર થયેલા ઉચ્ચતર પગાર ધોરણના નાણાં પણ તાત્કાલિક ચૂકવવા માંગ કરી છે. વધુમાં હાયર પેન્શનના મુદ્દે આશરે 174 જેટલા કર્મચારીઓના ડેટા ઇ.પી.એફ.ઓ. કચેરીમાં અપલોડ કરવામાં નિગમના અધિકારીઓ દ્વારા કરવામાં આવતા વિલંબને કારણે પેન્શનના લાભો પણ અટવાયા છે. કચેરીઓના ધક્કાથી કંટાળી ચીમકી ઉચ્ચારીવધુમાં તેમની રજૂઆત છે કે, સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશો અને સરકારના ઠરાવો હોવા છતાં વહીવટી તંત્રના ઢીલા વલણને કારણે આ સિનિયર સિટીઝનોને કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે. જો આગામી દિવસોમાં આ નાણાકીય પ્રશ્નોનો ઉકેલ નહીં આવે, તો નિવૃત્ત કર્મચારીઓએ ઉગ્ર રજૂઆતની ચીમકી પણ ઉચ્ચારી છે.
સુરત શહેરમાં રહેતા અને શેરબજારનું કામકાજ કરતા એક પિતાએ પોતાની સાત વર્ષની દીકરીને અપનારી દીક્ષા અટકાવવા ફેમિલી કોર્ટમાં અરજી કરી છે. સાત વર્ષની દીકરીને દીક્ષા અપાવવા માટે માતા અડગ છે, જ્યારે પિતાનો વિરોધ હોઈ, દંપતી વચ્ચે વિવાદ થયો છે. આ મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. માતા પોતાની દીકરીને લઈને છ મહિનાથી અલગ રહેવા લાગી છે અને 7 વર્ષીય દીકરીને આગામી 8મી ફેબ્રુઆરીએ મુંબઈમાં યોજાનારા સામૂહિક દીક્ષા મહોત્સવમાં દીક્ષા અપાવવાનો નિર્ણય કર્યો છે, જે રોકવા માટે પિતાએ સુરતની ફેમિલી કોર્ટમાં પત્ની વિરુદ્ધ અરજી દાખલ કરી છે. નોંધનીય છે કે 7 મહિના પહેલાં આ પ્રકારનો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો હતો, જેમાં 12 વર્ષીય કિશોરની દીક્ષાને લઈ દંપતી વચ્ચે વિવાદ થતાં મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. આ અંગે દીકરી પિતાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, મારી પત્ની સમજી ગઈ હોત તો આ બાબત કોર્ટમાં આવત નહીં. અમે દીકરી મોટી થાય પછી દીક્ષા અપાવવા તૈયાર હતા. છેલ્લા 7 મહિનાથી આ ઘટનાની શરૂઆત થઈ છે. વેકેશન પડ્યું એટલે મારી વાઇફે દીકરી તૈયાર થઈ જાય એટલે મહારાજ સાહેબ પાસે રહેવા મોકલી દીધી. પછી તે પિયર ચાલી ગઈ હતી. એક જ શરત હતી કે, દીકરીને જો દીક્ષા માટે હા પાડો તો જ ઘરે પાછી આવીશ. મારી દીકરી બહુ નાની છે, 18 વર્ષ પછી દીક્ષા લેવા અંગે નિર્ણય લેશે. તેના ભાઈ અને એ લોકોનું કહેવું છે કે જો દીક્ષા અટકાવશો તો જોઈ લઇશું. સૌથી નાની દીકરી હોય એટલે નામ રોશન થાય અને તે માટે આ નિર્ણય કર્યો છે. અમે મહારાજ સાહેબને ના પાડવા ગયા હતા તો તેમણે કહ્યું કે, તમે આવો કે ના આવો દીક્ષા તો થશે જ. નાની ઉંમરની દીક્ષા પર મનાઈહુકમની માગણીવકીલ સ્વાતિ મહેતાએ કોર્ટમાં રજૂ કરવામાં આવનારી તેમની મુખ્ય દલીલો વિશે જણાવ્યું હતું કે નાની ઉંમરની બાળકીના દીક્ષા ન થાય એ માટે અમે દલીલો કરીશું અને મનાઈહુકમ મળે એ માટે તજવીશ કરીશું. વકીલનું ધ્યાન બાળકીના કલ્યાણ અને તેના અધિકારો પર કેન્દ્રિત છે, કારણ કે આટલી નાની ઉંમરે સંયમ માર્ગ પર જવાનો નિર્ણય બાળકી જાતે લઈ શકે એમ નથી. કાયદાકીય માળખામાં બાળકના હિતનું રક્ષણ થાય એ માટે કોર્ટ સમક્ષ પ્રયત્ન કરવામાં આવશે. 8મી ફેબ્રુઆરીએ મુંબઈમાં સામૂહિક દીક્ષા મહોત્સવનું આયોજનમહારાષ્ટ્રમાં આ પ્રથમ વખત છે જ્યારે 59 મુમુક્ષુ એકસાથે દીક્ષા ગ્રહણ કરી રહ્યા છે. આ પાંચ દિવસીય મહોત્સવ ચોથી ફેબ્રુઆરીથી આઠમી ફેબ્રુઆરી 2026 દરમિયાન મુંબઈના બોરીવલી ખાતે આચાર્ય સૌમસુંદરસૂરીશ્વરજી સહિત અનેક મહારાજ સાહેબના સાંનિધ્યમાં યોજાશે. આ 59 મુમુક્ષુમાં 18 પુરુષ અને 41 મહિલાનો સમાવેશ થાય છે, જેમાં 71 વર્ષના સૌથી વરિષ્ઠ મુમુક્ષુથી લઈને સુરતની આ સાત વર્ષની બાળકી સૌથી નાની મુમુક્ષુ છે. હવે કોર્ટના નિર્ણય પર સૌની નજર ટકેલી છે કે શું આ બાળકી દીક્ષા ગ્રહણ કરી શકશે કે પછી પિતાની અરજી સ્વીકારાશે. 7 મહિના પહેલાં 12 વર્ષીય કિશોરની દીક્ષા પર સુરત કોર્ટે સ્ટે આપ્યો હતો સુરતમાં 12 વર્ષના કિશોરની દીક્ષાનો મામલો કોર્ટમાં પહોંચ્યો હતો, ત્યારે કોર્ટે દીક્ષા પર સ્ટે લગાવ્યો છે. 12 વર્ષનો કિશોર દીક્ષા લેવાનો હતો, એ પહેલાં જ તેના પિતા દ્વારા કોર્ટમાં દીક્ષા ન થાય એ માટે અરજી કરી હતી. બાળકનાં માતા-પિતા છેલ્લાં ઘણાં વર્ષોથી અલગ રહેતાં હતાં અને બાળક માતા સાથે રહેતું હતું. માતા અને તેના પિયર પક્ષના લોકો દ્વારા બાળકના દીક્ષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. એ પહેલાં સુરત ફેમિલી કોર્ટ દ્વારા દીક્ષા પર સ્ટે લગાવી કસ્ટડી માતા પાસે જ રાખવાનો નિર્ણય કરાયો છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
અમદાવાદ શહેરના મીઠાખળી વિસ્તારમાં આવેલા ઉર્વેશી ફ્લેટની લિફ્ટમાં ફસાયેલા એક વૃદ્ધનું એક કલાકની જહેમત બાદ ફાયરબ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ કરાયું હતું. શરૂઆતમાં ફાયર જવાનોએ દીવાલ તોડી વૃદ્ધને બહાર કાઢવાનો વિચાર કર્યો હતો. પરંતુ, દીવાલ તૂટે તેમ ન હોય લિફ્ટનો ઉપરનો ભાગ ખોલી ફાયર જવાન દોરડા વડે ઉતર્યો હતો. વૃદ્ધને દોરડાથી બાંધી બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રથમ માળ વચ્ચે લિફ્ટ બંધ થતા ફસાયા હતાઅમદાવાદના ડિવિઝનલ ફાયર ઓફિસર પંકજ રાવલે જણાવ્યું હતું કે, મીઠાખળી છ રસ્તા પાસે આવેલા ઉર્વશી ફ્લેટમાં લિફ્ટમાં એક વૃદ્ધ ફસાયા હોવા અંગેનો મેસેજ મળ્યો હતો. મેસેજ મળતાની સાથે જ નવરંગપુરા ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. એક વૃદ્ધ ગ્રાઉન્ડ ફ્લોરથી ફર્સ્ટ ફ્લોરની વચ્ચે ફસાયા હતા. જોકે ફર્સ્ટ ફ્લોર પર લિફ્ટનો આઉટ કમ આપવામાં આવેલો નહોતો. જેથી ફર્સ્ટ ફ્લોરની વચ્ચે તેઓ ફસાઈ ગયા હતા જેમને બહાર કાઢવા માટે સૌપ્રથમ દીવાલ તોડવા માટે નિર્ણય કર્યો હતો જો કે દિવાલ તૂટે તેવી નહોતી જેથી ત્યારબાદ લિફ્ટની ઉપરનો ભાગ ખોલવામાં આવ્યો હતો. લિફ્ટનો ઉપરનો ભાગ ખોલ્યો, દોરડાની મદદથી ફાયરનો જવાન અંદર ઉતર્યોલિફ્ટના મેન્ટેનન્સના કર્મચારીઓને પણ જાણ કરવામાં આવી હતી લિફ્ટનો ઉપરનો ભાગ ખોલવામાં આવ્યો અને ત્યારબાદ ત્યાંથી એક ફાયરના કર્મચારીને દોરડા સાથે અંદર ઉતારવામાં આવ્યો હતો. ફાયર નો કર્મચારી અંદર ઊતર્યા બાદ વૃદ્ધને સહી સલામત બહાર કાઢવા માટે તેમને દોરડા વડે બાંધવામાં આવ્યા હતા ને ત્યારબાદ લિફ્ટનો ઊંચો ભાગ હોવાના કારણે નાની એક સીડી મૂકવામાં આવી હતી જેમાંથી તેઓને ઉપર લાવી અને દોરડા વડે ખેંચી ઉપર લાવવામાં આવ્યા હતા. અંદાજિત એક કલાકની ભારે જહેમત બાદ વૃદ્ધિને સહી સલામત લિફ્ટમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
અમદાવાદમાં એક યુવકનો બિલાડી સાથે ક્રૂડતા પૂર્વક માર મારતો વીડિયો સામે આવ્યો છે. વાડજના ખુલ્લા મેદાનમાં યુવક તેના બે મિત્ર સાથે કોથળામાં બિલાડી લઈને આવ્યો હતો. બંધ કોથળામાં બિલાડીને પછાડી હતી, જે બાદ બહાર કાઢીને મોટા પથ્થર ઉપાડીને પાંચ વખત તેના ઉપર માર્યા હતાં. આટલેથી ન અટકી યુવકે બિલાડીના મોઢા પર પગ મૂકી બીજા પગથી લાતો મારી હતી. આ સાથે જ બિલાડીની બાજુમાં બેસી નિર્લજ્જની જેમ ફોટો પાડ્યો હતો. આ સમગ્ર ઘટાનાનો વીડિયો વાઇરલ થતાં વાડજ પોલીસે યુવક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. કોથળામાં પછાડ્યાં બાદ બિલાડી પર પથ્થર વરસાવ્યાંબનાવની વિગત એવી છે કે, નવા વાડજની સહજ હાઈટ્સની બાજુમાં આવેલા અમદાવાદમ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખાલી પ્લોટમાં બે યુવક અને એક બાળક એક્ટિવા લઈને આવ્યા હતા. આ લોકો તેમની સાથે એક સફેદ કલરનો કોથળો લાવ્યા હતા. આ કોથળામાં એક બિલાડી હતી. એક યુવકે આ કોથળાને પહેલા જમીન પર પછાડ્યો હતો. જે બાદ બિલાડીને કોથળામાંથી બહાર કાઢી હતી અને બિલાડી ઉપર એક બાદ એક મોટા પથ્થર ઉપાડી ફેંક્યા હતા. બિલાડીને પગથી કચડી, ફોટો પણ પડાવ્યોઆ સાથે જ યુવકે બિલાડીના મોઢા પર પગ મૂકી કચડી હતી. સાથે જ એક પગ બિલાડીના મોઢા પર અને બીજા પગે લાતો પણ મારી હતી. જે બાદ એક પથ્થર બિલાડીની બાજુમાં રાખી તેના પર બેચી અન્ય યુવકના ફોનમાં ફોટો પણ પડાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો બાજુની બિલ્ડિંગમાંથી એક જાગૃત નાગરિકે પોતાના મોબાઈલમાં વીડિયો શૂટ કરીને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. પોલીસે એક્ટિવાના નંબરના આધારે યુવકને દબોચ્યોક્રુરતાપૂર્વક બિલાડીને માર મારતા યુવકનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થયો હતો. જીવ દયા પ્રેમીઓ સુધી પણ આ વીડિયો પહોંચતા કેટલાક લોકો વાડજ પહોંચ્યા હતા. વાડજ પોલીસ સ્ટેશનમાં આ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે એક્ટિવાના નંબરના આધારે યુવકની ઓળખ કરીને અટકાયત કરી છે. હાલ પોલીસ દ્વારા યુવકની પૂછપરછ કરવામાં આવી રહી છે.
અમદાવાદ શહેરમાં સમસ્ત પાટીદાર સમાજ દ્વારા યુવા બિઝનેસ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાસંમેલન 28 ડિસેમ્બરે અમદાવાદ સ્થિત વિશ્વ ઉમિયાધામ ખાતે યોજાશે. પાટીદાર સમાજના યુવાનોને ઉદ્યોગ અને વ્યવસાય ક્ષેત્રે માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવાના હેતુથી આ મહાસંમેલન યોજાઈ રહ્યું છે. અમિત શાહની ઉપસ્થિતિમાં મહાસંમેલનનું મુખ્ય સત્ર યોજાશેઆ યુવા બિઝનેસ મહાસંમેલનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. 28 ડિસેમ્બરે બપોરે 3 વાગ્યે અમિત શાહની ઉપસ્થિતિમાં મહાસંમેલનનું મુખ્ય સત્ર યોજાશે. આ સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પાટીદાર સમાજના અનેક મંત્રીઓ અને અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે. અમેરિકા સહિત કુલ 7 દેશમાંથી પાટીદાર યુવા બિઝનેસમેન ભાગ લેશેમહાસંમેલનમાં અમેરિકા સહિત કુલ 7 દેશમાંથી પાટીદાર યુવા બિઝનેસમેન ભાગ લેશે. અંદાજે 20 હજારથી વધુ યુવા બિઝનેસમેન આ મહાસંમેલનમાં જોડાશે, જે તેને એક વિશાળ અને ઐતિહાસિક કાર્યક્રમ બનાવશે. વિશ્વ ઉમિયાધામ ખાતે યોજાનાર આ યુવા બિઝનેસ મહાસંમેલનથી પાટીદાર સમાજના યુવાનોને વૈશ્વિક સ્તરે વ્યવસાયની નવી દિશાઓ અંગે માર્ગદર્શન મળશે.
31st નજીક આવી રહી છે ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે વટવાથી એમડી ડ્રગ્સ અને જમાલપુરથી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે, જ્યારે SOGની ટીમે રામોલમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાંચ અને એસઓજીએ ચાર ડ્રગ્સ પેડલર્સની 8.35 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે. એસઓજીની ટીમને બાતમી મળી હતીસ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ની ટીમને બાતમી મળી હતી કે મોહમ્મદ હફિઝ ઉર્ફે બાબા પઠાણ નામના યુવક પાસે એમડી ડ્રગ્સનો જથ્થો છે અને તે હાલ રામોલ આરટીઓ રોડ નસીમ ફ્લેટની ડાબી બાજુના બ્લોકની નીચે વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે એસઓજીની ટીમ તરત જ રામોલ પહોચી ગઈ હતી અને શંકાસ્પદ યુવકની અટકાયત કરી લીધી હતી. એસઓજીએ યુવક પાસેથી 3.82 લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યુહફિઝની અંગ ઝડતી કરતા તેની પાસેથી સફેદ પાઉડર મળ્યો હતો જે એમડી ડ્રગ્સ હતું. એસઓજીએ હફિઝની અટકાયત કરી પૂછપરછ કરતા જાણવા મળ્યું કે રામોલ વિસ્તારમાં આવેલા નસીમ પાર્કમાં રહેતા અને મૂળ રાજસ્થાનના અસ્લાસખાન પઠાણ પાસેથી ડ્રગ્સ વેચાણ કરવા માટે લાવ્યો હતો. ડ્રગ્સનું વેચાણ થાય તેમા અલમાસ હફિઝને કમીશન મળતુ હતું. એસઓજીએ હફિઝ પાસેથી 3.82 લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યુ છે જ્યારે વાહન અને મોબાઈલ થઈને કુલ 5.32 લાખનો મુદ્દામલ જપ્ત કર્યો છે. ક્રાઈમ બ્રાંચે બન્ને ડ્રગ્સ માફિયા પાસેથી 2.60 લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યુક્રાઇમ બ્રાંચની ટીમે પણ વટવા વિસ્તારમાં આવેલા રમઝાન પાર્ક પાસે કાચા છાપરામાંથી ડ્રગ્સનો ધંધો કરતા મોહમદ જુબેર ઉર્ફે કાલીયા અંસારી અને શાદાબ ઉર્ફે શબ્બુ પઠાણની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે મોહમદ જુબેર અને શાદાબ તેમના વિસ્તારમાં એમડી ડ્રગ્સ વેચી રહ્યા છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમ ઘટનાસ્થળે પહોચી ગઈ હતી જ્યાંથી જુબેર અને શાદાબને સફેદ પાઉડર સાથે ઝડપી લીધા હતા. ક્રાઈમ બ્રાંચે બન્ને ડ્રગ્સ માફિયા પાસેથી 2.60 લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યુ છે. એમડી ડ્રગ્સની સાથે બન્ને પેડલર્સ વજન કાંટો પણ રાખતાક્રાઈમ બ્રાંચે બંનેની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે બહારગામથી તે ડ્રગ્સનો જથ્થો લાવ્યા હતા.આ ઘટનામાં ચોંકવનારી વાત એ છે કે એમડી ડ્રગ્સની સાથે બન્ને પેડલર્સ વજન કાંટો પણ રાખતા હતા.લોકોની જરૂરીયાત પ્રમાણે તે એમડી ડ્રગ્સ વજન કરીને આપતા હતા. ક્રાઈમ બ્રાંચે બન્ને વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. બાતમીના આધારે જમાલપુરથી એક શખસની ધરપકડએમડી ડ્રગ્સ બાદ ક્રાઈમ બ્રાંચે ગાંજાનો જથ્થો પણ ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બ્રાંચની ટીમને માહિતી હતી કે જમાલપુર બ્રિજની નીચે ટ્રાન્સપોર્ટ હાઉસના ગેટ નંબર 1ની સામે મુકીમ અહેમદ જમીલ શેખ નામનો યુવક ટુ-વ્હીલર પર ગાંજાનો જથ્થો લઈને પસાર થવાનો છે. માહિતી મળતાની સાથે જ ક્રાઈમ બ્રાંચ જમાલપુર પહોચી ગઈ હતી અને મુકીમ શેખની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાંચે ટુ-વ્હીલર રોકતા જ હમઝાખાન કુદકો મારીને નાસી ગયોમુકીમ શેખ પાસેથી 1.95 લાખ રૂપિયાથી વધુનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. મુકીમના ટુ-વ્હીલરની ડેકીમાં બે પેકેટ હતા જેમાં ગાંજો હતો.ક્રાઈમ બ્રાંચે ટુ-વ્હીલર રોકતાની સાથે જ હમઝાખાન કુદકો મારીને નાસી ગયો હતો.હમઝાખાન ગાંજાનો ધંધો કરે છે અને મુકીમ તેને મદદ કરે છે. ક્રાઈમ બ્રાંચે મુકીમ પાસેથી 1.95 લાખ રૂપિયાનો ગાંજો જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. જામીન પર છૂટીને આવેલા ડ્રગ્સ પેડલર્સ પર એજન્સીઓ વોચ રાખશે31st નજીક આવી રહી છે ત્યારે શહેરમાં નબીરાઓ ડ્રગ્સ પાર્ટી કરે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી. નબીરાઓ સુધી ડ્રગ્સ પહોચે નહીં તે માટે પોલીસ પેડલર્સને શોધી શોધીને જેલના હવાલે કરી રહી છે. ડ્રગ્સના નેટવર્કને તોડવા માટે પોલીસ તેમજ એજન્સીઓ કમર કસી રહી છે ત્યારે સેન્ટ્રલ જેલ તેમજ અન્ય જેલમાંથી જામીન પર છૂટીને આવેલા ડ્રગ્સ પેડલર્સ પર પણ એજન્સીઓ વોચ રાખશે.
પાટણના યુવાનોએ માઉન્ટ આબુમાં ટ્રેકિંગ દરમિયાન 'અરવલ્લી બચાવો' અભિયાનને સમર્થન આપ્યું છે. સુપ્રીમ કોર્ટના એક નોટિફિકેશન સામે દેશભરમાં શરૂ થયેલા આ અભિયાનમાં યુવાનોએ 'સેવ અરવલ્લી'ના બેનરો પ્રદર્શિત કરી અને નારા લગાવીને પોતાનો અવાજ બુલંદ કર્યો હતો. દિલ્હીથી ગુજરાત સુધી ફેલાયેલી 2000 વર્ષ જૂની અરવલ્લી ગિરિમાળા અંગે સુપ્રીમ કોર્ટે એક નવી પરિભાષા આપી છે. આ મુજબ, માત્ર 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા પહાડને જ 'અરવલ્લી પર્વત' માનવામાં આવશે. આ નિર્ણયથી અરવલ્લીની 90 ટકા પહાડીઓ સંરક્ષણમાંથી બહાર થઈ ગઈ છે, જેના કારણે ગેરકાયદે ખનનની ભીતિ સેવાઈ રહી છે. વહેલી સવારે આબુની તળેટીમાં આવેલા ઋષિકેશ મંદિરથી આર્ના વિલેજ, ગોલ્ડન હોર્ન, લોઅર કોદરા લેક થઈને ટ્રેકિંગ દ્વારા માઉન્ટ સર કરવા નીકળેલા પાટણના 25 યુવાનોએ આ અભિયાનમાં ભાગ લીધો હતો. સમગ્ર ટ્રેકિંગ રૂટ દરમિયાન તેમણે ઠેર ઠેર 'સેવ અરવલ્લી'ના બેનરો પ્રદર્શિત કર્યા હતા. યુવાનોએ 'જય ગિરિરાજ આબુ', 'જય અર્બુદા' અને 'સેવ અરવલ્લી' જેવા નારાઓ પણ લગાવ્યા હતા. આ રીતે તેમણે અરવલ્લીના અસ્તિત્વને બચાવવા માટે ચાલી રહેલા રાષ્ટ્રવ્યાપી વિરોધને પોતાનું સંપૂર્ણ સમર્થન પૂરું પાડ્યું હતું.
પાલનપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા ત્રણ માસમાં ગંદકી ફેલાવનારાઓ પાસેથી કુલ 43,700 નો દંડ વસૂલવામાં આવ્યો છે, જ્યારે 98 કિલોગ્રામ પ્લાસ્ટિક સામગ્રી જપ્ત કરવામાં આવી છે. નગરપાલિકાના મુખ્ય અધિકારી જીગરભાઈ પટેલ સવારે 7 વાગ્યાથી ટીમ સાથે શહેરના વિવિધ વિસ્તારોની જાતે મુલાકાત લઈ રહ્યા છે. આ મુલાકાતો દરમિયાન રસ્તાઓ, જાહેર સ્થળો, બજાર અને રહેણાંક વિસ્તારોમાં સ્વચ્છતાની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવે છે. ગંદકી ફેલાવનાર વ્યક્તિઓને તાત્કાલિક સ્વચ્છતા જાળવવા કડક સૂચનાઓ આપવામાં આવે છે. જાહેરમાં નાખવામાં આવેલો કચરો સંબંધિત વ્યક્તિઓ પાસે જ ઉઠાવવામાં આવે છે, જેથી નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ અને જવાબદારીની ભાવના વિકસે. નગરપાલિકાના અહેવાલ મુજબ, છેલ્લા ત્રણ માસ દરમિયાન કુલ 43,700 નો દંડ વસૂલવામાં આવ્યો છે. આ ઉપરાંત, છેલ્લા ત્રણ દિવસમાં ₹4,100 નો દંડ લેવામાં આવ્યો છે. પર્યાવરણને નુકસાન પહોંચાડતી 98 કિલોગ્રામ પ્લાસ્ટિક સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાનો સ્પષ્ટ સંદેશ આપવાનો છે. નગરપાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે શહેરની સ્વચ્છતા જાળવવામાં સહકાર આપે, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળે અને કચરો નિર્ધારિત સ્થળે જ નાંખે, જેથી પાલનપુર સ્વચ્છ અને સ્વસ્થ શહેર બની શકે.
પાટડીના વર્ણીન્દ્રધામ મંદિરમાં ભવ્ય શાકોત્સવ ઉજવાયો. આ પ્રસંગે 800થી વધુ ભક્તોએ રીંગણના શાક અને બાજરાના રોટલા સહિતના મહાપ્રસાદનો લાભ લીધો હતો. સંતો દ્વારા આયોજિત આ ઉત્સવમાં ભજન અને ભોજનનો સમન્વય જોવા મળ્યો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવની પરંપરા લોયા ગામથી શરૂ થઈ હતી. ભગવાન સ્વામિનારાયણે સૌપ્રથમવાર પોતાના હાથે 18 મણ ઘી અને 60 મણ રીંગણનો વઘાર કરીને શાક બનાવ્યું હતું. આ ઐતિહાસિક પ્રસંગની યાદમાં મંદિરોમાં શાકોત્સવ ઉજવવામાં આવે છે. આ શાકોત્સવમાં સુરતથી સેવાદાસજી સ્વામી ખાસ પધાર્યા હતા અને કથાવાર્તાનો લાભ આપ્યો હતો. સંતો ઉપરાંત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. પાટડી વિસ્તારના ધારાસભ્ય પી.કે. પરમાર, પીઆઈ છત્રાલિયા અને ભાવેશભાઈ મકવાણા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉત્સવ દરમિયાન 150 કિલો રીંગણ, 50 કિલો ટામેટાં, 150 કિલો બાજરાના લોટના રોટલા, ખીચડી અને કઢીનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો. મુખ્ય શાકમાં 25 પ્રકારના અલગ-અલગ મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે આ ઉત્સવનું મુખ્ય આકર્ષણ હતું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભજન અને ભોજનનું વિશેષ મહત્વ છે. ભૂખ્યા પેટે ભજન ન થાય તેવી માન્યતા સાથે ઉત્સવો અને સમૈયામાં ભજનની સાથે ભોજનની પણ એટલી જ કાળજી લેવાય છે. ભગવાન સ્વામિનારાયણ પણ પોતાની હયાતીમાં સંતો-હરિભક્તોને જમાડીને તૃપ્ત કરતા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઝાલાવાડના સુપ્રસિદ્ધ વર્ણીન્દ્રધામ મંદિરમાં સંતો દ્વારા શાકોત્સવનું આયોજન થયું. સંતોએ જાતે શાક વઘારીને 800થી વધુ હરિભક્તોને ભજન અને ભોજનનો આસ્વાદ કરાવ્યો હતો.
સાબરકાંઠા પોલીસે બે ગુનાના ફરાર આરોપીઓને ઝડપ્યા:મારામારી અને NDPS કેસના આરોપીઓ પકડાયા
સાબરકાંઠા જિલ્લામાં પોલીસે બે અલગ-અલગ ગુનામાં ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. હિંમતનગર બી ડિવિઝન પોલીસે અમદાવાદના મારામારીના ગુનામાં વોન્ટેડ આરોપીને પકડ્યો હતો, જ્યારે જાદર પોલીસે ખેડબ્રહ્માના NDPS કેસમાં ત્રણ મહિનાથી ફરાર આરોપીને ઝડપી લીધો હતો. પ્રથમ ઘટનામાં, હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટાફ વિજાપુર રોડ પર કે.જી.એન. પાસે પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન રાકેશકુમારને બાતમી મળી હતી કે, અમદાવાદ શહેરના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં નાસતો ફરતો આરોપી નાસીરખાન અમીરખાન પઠાણ (રહે. સ્ટ્રીટ નં. 08, મેમણ કોલોની, પોલોગ્રાઉન્ડ, હિંમતનગર) ત્યાં ઊભો છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તેને ઝડપી પાડ્યો હતો અને આગળની કાર્યવાહી માટે સોંપવાની તજવીજ હાથ ધરી હતી. બીજી ઘટનામાં, જાદર પોલીસ સ્ટેશનનો ડી-સ્ટાફ PSI એન.સી. ગોહિલ સાથે દરામલી ખાતે પેટ્રોલિંગમાં હતો. ભાવેશકુમારને બાતમી મળી હતી કે, ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના NDPS ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી ફરાર આરોપી સાકીર સલીમ પઠાણ (રહે. સ્વરૂપગંજ, તા. પિંડવારા, જિ. સિરોહી, રાજસ્થાન) ઇડરથી હિંમતનગર તરફ એક પેસેન્જર ઇકો ગાડીમાં જઈ રહ્યો છે. બાતમી મુજબ, આરોપીએ પોપટી કલરની ટી-શર્ટ, કાળું જેકેટ અને કાળા કલરનું જીન્સ પેન્ટ પહેર્યું હતું. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને તેને પકડી પાડ્યો હતો. સાકીર સલીમ પઠાણને જાદર પોલીસ સ્ટેશન લાવી અટક કરવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી બાદ ઇડર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો, જ્યાં ગુનાની વધુ તપાસ ચાલી રહી છે.
250 વિદ્યાર્થીઓને ઇનામ, શિષ્યવૃત્તિ અપાઈ:ભાવનગરમાં જૈન સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ
ભાવનગરના યશવંતરાય નાટ્યગૃહ ખાતે આચાર્ય ચંપકગુરુ જૈન સેવા મંડળ દ્વારા સ્થાનકવાસી જૈન સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધોરણ 1 થી CA અને MBBS જેવા ઉચ્ચ અભ્યાસક્રમોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર 250 જેટલા વિદ્યાર્થીઓને ઇનામો તથા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિના ચેક અર્પણ કરાયા હતા. સેવા મંડળના પ્રમુખ મયુર પારેખે જણાવ્યું હતું કે, શ્રી સંઘના દાતાઓના સહયોગથી ધોરણ 1 થી ઉચ્ચ અભ્યાસ સુધીના કુલ 250 બાળકોને ઇનામ આપવામાં આવ્યા હતા. આર્થિક રીતે જરૂરિયાતમંદ તેજસ્વી બાળકોને શિષ્યવૃત્તિના ચેક પણ અર્પણ કરાયા હતા. આ કાર્યક્રમમાં ઉમેદગુરુ જૈન પાઠશાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. આ સમારોહમાં લગભગ 700 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સેવા મંડળના પ્રમુખ મયુર પારેખ અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.
માળિયામાં ડ્રોનથી 830 લિટર દેશી દારૂ ઝડપાયો:વીરવિદરકા પાસે 3700 લિટર આથો પણ જપ્ત, બે આરોપી ફરાર
માળિયા પોલીસે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને વીરવિદરકા ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડ્યા છે. આ કાર્યવાહીમાં 3700 લિટર આથો અને 830 લિટર દેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. નદીના કાંઠે ચાલતી બે અલગ-અલગ ભઠ્ઠીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જોકે, પોલીસ પહોંચે તે પહેલાં આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસે બે શખ્સો વિરુદ્ધ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને તેમની શોધખોળ શરૂ કરી છે. માળિયા મીયાણા તાલુકા વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાના અનેક કિસ્સાઓ અગાઉ પણ સામે આવી ચૂક્યા છે. તાજેતરમાં જ વીરવિદરકા ગામના પાટિયા પાસે નેશનલ હાઈવે પર જનતા રેડ કરીને સ્કોર્પિયો ગાડીમાંથી દારૂનો મોટો જથ્થો પકડાયો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઘટનાઓ બાદ માળિયા પોલીસે ડ્રોન પેટ્રોલિંગ દ્વારા દારૂના દૂષણને ડામવા કવાયત હાથ ધરી હતી. ડ્રોન પેટ્રોલિંગ દરમિયાન વીરવિદરકા ગામની સીમમાં નદી કાંઠે એક ભઠ્ઠી ચાલુ હોવાનું જણાયું હતું. પ્રથમ દરોડામાં પોલીસે 2600 લિટર આથો, 460 લિટર દેશી દારૂ અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. 1,57,100નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં વીરવિદરકાના અલ્તાફભાઈ હસણભાઈ સંધવાણી વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ ચાલી રહી છે. બીજી રેડ પણ નદી કાંઠે જ કરવામાં આવી હતી, જ્યાંથી 1100 લિટર દેશી દારૂ બનાવવા માટેનો આથો અને 370 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ દરોડામાં કુલ રૂ. 1,01,550 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે વીરવિદરકાના મકબુલભાઈ ગફુરભાઈ સામતાણી વિરુદ્ધ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને તેમની ધરપકડ માટે કાર્યવાહી ચાલી રહી છે.
સુરતના ઉત્રાણ વિસ્તારમાંથી માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે, જેમાં સામાન્ય વાતમાં પિતા-પુત્રએ મળીને એક વૃદ્ધ વોચમેન પર જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર હિંસક ઘટનાના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયા છે, જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વૃદ્ધને રસ્તા પર દોડાવી-દોડાવીને લાકડાના ફટકા માર્યાસુરત શહેરના ઉત્રાણ વિસ્તારમાં આવેલી વેદાંત સિટી સોસાયટીમાં ફરજ બજાવતા એક વૃદ્ધ વોચમેન પર સોસાયટીમાં જ રહેતા પિતા-પુત્રએ જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. માત્ર ખુરશી સરખી મૂકવા જેવી નજીવી બાબતે ઉશ્કેરાયેલા પિતા-પુત્રએ વૃદ્ધને રસ્તા પર દોડાવી-દોડાવીને લાકડાના ફટકા માર્યા હતા. ખુરશી સરખી મૂકવા બાબતે માર માર્યોભોગ બનનાર વૃદ્ધ હિંમતભાઈ ચૌહાણ, જેઓ વેદાંત સિટીમાં વોચમેન તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા હતા. ઘટના દરમિયાન સોસાયટીમાં રહેતા જયસુખ પાનસુરીયાને હિંમતભાઈએ ખુરશી સરખી મૂકવા માટે જણાવ્યું હતું. આ સામાન્ય સૂચનથી જયસુખનો પુત્ર મનીષ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી કરવા લાગ્યો હતો. પિતા-પુત્રનું અમાનવીય કૃત્યવિવાદ વધતા મનીષ પાનસુરીયાએ વૃદ્ધ વોચમેનને લાફા ઝીંકી દીધા હતા. ત્યારબાદ તેના પિતા જયસુખ પાનસુરીયા પણ ત્યાં લાકડી લઈને દોડી આવ્યા હતા. પિતા-પુત્રના રૌદ્ર સ્વરૂપને જોઈને ગભરાયેલા હિંમતભાઈ જીવ બચાવવા માટે ભાગ્યા હતા, પરંતુ ઉન્મત્ત બનેલા પિતા-પુત્રએ તેમનો પીછો કર્યો હતો. વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી આપીCCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, વૃદ્ધ ભાગી રહ્યા છે અને પાછળ પિતા-પુત્ર લાકડી લઈને દોડી રહ્યા છે. વૃદ્ધને પકડીને જમીન પર પાડી દઈ લાકડી અને લાકડાના ફટકા વડે નિર્દયતાથી ફટકારવામાં આવ્યા હતા. આસપાસના લોકો દોડીને પહોંચે ત્યા સુધી પિતા-પુત્રનો કહેર ચાલુ રહ્યો હતો. લોકો આવી જતા જયસુખભાઈના પુત્રએ વૃદ્ધ વોચેમેનને ધમકી આપી હતી કે ફરી વખત મારા પિતાનું નામ લઈશ તો તને જીવતો રહેવા નહીં દઉં. ઇજાગ્રસ્ત વૃદ્ધ હોસ્પિટલમાં દાખલઆ હુમલામાં હિંમતભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે હિંમતભાઈના પુત્ર દ્વારા ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે CCTV ફૂટેજ કબજે કર્યા છે અને મનીષ પાનસુરીયા તથા જયસુખ પાનસુરીયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સોસાયટીમાં બનેલી આ ઘટનાને પગલે રહીશોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ભાવનગર હાઈવે પર ટ્રક-બાઇક અકસ્માત:એકનું મોત અન્ય એક ગંભીર રીતે ઘાયલ
ભાવનગર-અમદાવાદ હાઈવે પર દસનાળા નજીક આજે વહેલી સવારે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. મળતી માહિતી મુજબ, ભાવનગર શહેરના ખેડવાસ વિસ્તારમાં રહેતા રવિ બારૈયા અને સુનિલ ગોહિલ સનેસ ગામેથી મજૂરી કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે દસનાળા નજીક તેમનું બાઇક એક ટ્રક સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં રવિ બારૈયાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે સુનિલ ગોહિલને ગંભીર ઇજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વેરાવળ–બાંદ્રા એક્સપ્રેસના સમયમાં ફેરફાર:15 જાન્યુઆરી સુધી ટ્રાફિક બ્લોકની અસર રહેશે
પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ ઉપનગરીય વિસ્તારમાં છઠ્ઠી રેલવે લાઇનના કમિશનિંગ માટે મહત્વપૂર્ણ ટ્રાફિક અને પાવર બ્લોક લેવામાં આવી રહ્યો છે. આ કામગીરીના કારણે ભાવનગર રેલવે મંડળ હેઠળ આવતી કેટલીક મેલ અને એક્સપ્રેસ ટ્રેનોના સમયપત્રકમાં અસ્થાયી ફેરફાર કરવામાં આવ્યો છે. રેલવેની આવાગમન સંરચનાને વધુ મજબૂત બનાવવા અને ભવિષ્યમાં ટ્રેનોનું સંચાલન વધુ સુચારુ તથા સમયબદ્ધ બને તે હેતુથી આ કામગીરી હાથ ધરવામાં આવી છે. ભાવનગર રેલવે મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ આ અંગે માહિતી આપી હતી. ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા એક્સપ્રેસ (વેરાવળથી બાંદ્રા) 27 ડિસેમ્બર, 2025ના રોજ 1 કલાક મોડી રવાના થશે. 10 જાન્યુઆરી, 2026ના રોજ 45 મિનિટ અને 15 જાન્યુઆરી, 2026ના રોજ પણ 45 મિનિટ મોડી રવાના થશે. 16 જાન્યુઆરી, 2026ના રોજ તે 30 મિનિટ મોડી ઉપડશે. આ ઉપરાંત, 6, 7, 13 અને 14 જાન્યુઆરી, 2026ના રોજ આ ટ્રેન માર્ગમાં 15-20 મિનિટ મોડી પડશે. ટ્રેન નંબર 12972 ભાવનગર-બાંદ્રા સુપરફાસ્ટ 27 ડિસેમ્બર, 2025ના રોજ માર્ગમાં 45 મિનિટ મોડી રહેશે. ટ્રેન નંબર 09208 ભાવનગર-બાંદ્રા TOD સ્પેશિયલ 15 જાન્યુઆરી, 2026ના રોજ માર્ગમાં 20 મિનિટ મોડી ચાલશે. યાત્રીઓને વિનંતી કરવામાં આવે છે કે મુસાફરી કરતા પહેલા NTES એપ, રેલવે પૂછપરછ નંબર 139 અથવા અધિકૃત રેલવે વેબસાઇટ દ્વારા પોતાની ટ્રેનની વર્તમાન સ્થિતિ ચોક્કસપણે તપાસી લે. આરક્ષિત મુસાફરોને SMS એલર્ટ દ્વારા પણ જાણકારી આપવામાં આવી રહી છે. પશ્ચિમ રેલવે આ અસ્થાયી અસુવિધા બદલ યાત્રીઓની માફી માંગે છે અને સહયોગની અપેક્ષા રાખે છે. રેલવે દ્વારા જણાવાયું છે કે કામગીરી પૂર્ણ થયા બાદ મુસાફરોને વધુ સારી, સુરક્ષિત અને સમયબદ્ધ રેલ સેવાઓનો લાભ મળશે.
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં 108 એમ્બ્યુલન્સની ટીમની સમયસૂચકતા અને સરાહનીય કામગીરી સામે આવી છે. તાલુકાના ચોડપ ગામના એક ગરીબ પરિવારની મહિલાને અસહ્ય પ્રસૂતિ પીડા ઉપડતા હોસ્પિટલ પહોંચે તે પૂર્વે જ એમ્બ્યુલન્સમાં સુરક્ષિત ડિલિવરી કરાવી નવજાત બાળકીનો જીવ બચાવવામાં આવ્યો હતો. આ કામગીરી મહેસાણા જિલ્લાના વલાસણાની 108 ટીમે કરી હતી. હોસ્પિટલ જતાં રસ્તામાં મહિલાની હાલત ગંભીર બનીપ્રાપ્ત વિગતો અનુસાર, આજ રોજ વહેલી સવારે 5:36 કલાકે વલાસણા 108ની ટીમને ચોડપ ગામેથી રમીલાબેન સુનીલભાઈ બજાણિયા (ઉં.વ.25)ને પ્રસૂતિ પીડા ઉપડી હોવાનો કોલ મળ્યો હતો. હોસ્પિટલ હજુ 21 કિલોમીટર દૂર હતી અને રસ્તામાં જ મહિલાની હાલત ગંભીર બની હતી. પ્રસૂતાને અસહ્ય પીડા ઉપડતા 108ના પાઈલોટ મહેશ બારોટ અને ઈ.એમ.ટી. હાર્દિક પ્રજાપતિએ પરિસ્થિતિની ગંભીરતા સમજી એમ્બ્યુલન્સ રસ્તામાં ઉભી રાખી દીધી હતી. ઈ.એમ.ટી. હાર્દિક પ્રજાપતિએ ડો. પટેલના માર્ગદર્શન હેઠળ એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. 32 મિનિટની જહેમત બાદ નોર્મલ ડિલિવરી કરાવાઈઆ દરમિયાન પડકારજનક સ્થિતિ એ હતી કે, નવજાત બાળકના ગળામાં ગર્ભનાળ વીંટળાયેલી હતી. આશરે 32 મિનિટની જહેમત બાદ નોર્મલ ડિલિવરી કરાવાઈ હતી, પરંતુ જન્મ બાદ બાળક રડતું ન હોવાથી તેને 15 મિનિટ સુધી કૃત્રિમ શ્વાસ આપીને રડાવવામાં આવ્યું હતું. 108ની ટીમની આ સૂઝબૂઝને કારણે માતા અને દીકરી બંનેનો જીવ બચી ગયો હતો. સફળ પ્રસૂતિ બાદ માતા અને નવજાત બાળકીને વધુ સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરિવારે 108ની ટીમની કામગીરીને બિરદાવીકટોકટીના સમયે દેવદૂત બનીને આવેલી 108ની ટીમની આ કામગીરીને ગરીબ પરિવાર સહિત ગ્રામજનોએ બિરદાવી હતી અને ગુજરાત સરકારની આ સેવાનો આભાર વ્યક્ત કર્યો હતો.
કચ્છના ભચાઉમાં ચાર વાહનો વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક વર્ષના બાળક અને એક ટ્રેલર ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે દંપતીને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ભુજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બે વાહનોમાં આગ ભભૂકી હતી. એક વર્ષનું બાળક બળીને ભડથૂઆ ગંભીર અકસ્માત અંગે મળતી માહિતી મુજબ ભચાઉ નજીક આવેલા કેસરી ગઢ રિસોર્ટ સામે રાત્રે 12 વાગ્યાના અરસામાં કાર અને આઇસર ટેમ્પો વચ્ચે ધકાડાભેર ટક્કર થતાં બંને વાહનોમાં આગ લાગી ગઇ હતી. જેમાં કારમાં સવાર એક વર્ષનું બાળક બળીને ભડથૂ થઇ ગયું છે, જ્યારે પતિ-પત્નીને ગંભીર ઇજાઓ પહોંચી છે. પાછળથી આવતા બે ટ્રેલર પણ ભટકાયાકાર અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો એ દરમિયાન પાછળથી આવતા બે ટ્રેલર પણ આ અકસ્માત ગ્રસ્ત વાહનો સાથે અથડાયા હતા. જેમાં એક ટ્રેલર ચાલકનું પણ ઘટનાસ્થળે મોત થયું હતું. સ્થાનિકોએ અકસ્માતની જાણ કરતાં 108, પોલીસ કાફલો અને ભચાઉ ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બાળકના મોત અંગે દંપતી અજાણફાયર ટીમે પાણીનો મારો ચલાવીને વાહનોમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે 108 દ્વારા ઇજાગ્રસ્ત દંપતીને સારવાર અર્થે ભુજની હોસ્પિટલમાં ખસેડ્યું છે. જ્યાં હજી દંપતીને બાળકના મોત અંગે જાણ નથી. જ્યારે પોલીસે મૃતકોને પી.એમ અર્થે ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે. અમે બાળકને ન બચાવી શક્યા: ફાયરમેન ભચાઉ ફાયરમેન પ્રવીણ દાફડાએ જણાવ્યું કે, મધ્યરાત્રીએ લગભગ 12.30 વાગ્યાના અરસામાં ઇમરજન્સી કોલ મળતા ઘટનાસ્થળે ટીમ સાથે દોડી ગયા હતા, જ્યાં આઇસર ટેમ્પો અને કારમાં આગ લાગી હતી. પ્રથમ કારમાં સવાર લોકોને આસપાસના વાહન ચાલકો બહાર ખસેડતા હતા તેમાં મદદરૂપ થયા હતા અને સમાંતર આગ બુઝાવની કામગીરી શરૂ કરી હતી. કુલ ચાર વાહનો ટકરાયેલા જોવા મળ્યા હતા. જોકે, કારમાં સવાર બાળકને બચાવી શકાયું ના હતું બાળકના માતા પિતાને ગંભીર હાલતમાં પ્રથમ ભચાઉની હોસ્પિટલમાં સારવાર બાદ વધુ સારવાર માટે એમ્બ્યુઅલ્સ મારફતે ભુજ લઈ જવામાં આવ્યા હોવાનું માલૂમ પડ્યું છે. ગંભીર અકસ્માતની આવી જ બે ઘટનાઓ 12 અને 15 ડિસેમ્બરના રોજ આણંદ અને ભરુચમાંથી સામે આવી હતી. 15 ડિસેમ્બરે આણંદના વાસદ-બગોદરા માર્ગ પર કેમિકલ ભરેલા પિકઅપ અને ટ્રક વચ્ચે ટક્કબ બાદ બ્લાસ્ટ થતાં એક પુરુષ અને એક મહિલા જીવતા ભૂંજાયા હતા. જ્યારે 12 ડિસેમ્બરના રોજ અંકલેશ્વર-વાલિયા રોડ પર આવેલા કોસમડી ગામ નજીક બની હતી. જેમાં રિક્ષા અને બાઇક વચ્ચે ટક્કર બાદ ભીષણ આગ ફાટી નીકળતાં એક મહિલા જીવતી ભૂંજાઈ ગઇ હતી. 15 ડિસેમ્બર 2025આણંદ: કેમિકલ ભરેલા પિકઅપ-ટ્રક વચ્ચે ટક્કર બાદ બ્લાસ્ટ, મહિલા-પુરુષ જીવતા સળગ્યાં 15 ડિસેમ્બરના રોજ આણંદ જિલ્લાના આંકલાવના અંબાવ ટોલ પ્લાઝા નજીક વાસદ-બગોદરા માર્ગ પર મોડી રાત્રે લગભગ 2 વાગ્યાના અરસામાં એક પિકઅપમાં સમારકામ ચાલુ હતું ત્યારે ટ્રકે ટક્કર મારી હતી. પિકઅપ વાહનમાં કાર્બામાં જ્વલનશીલ પ્રવાહી ભરેલું હતું. ટક્કર થતાં જ આ પ્રવાહીના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની લપેટમાં આવતા બંને વાહનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. મહિલા-પુરુષના મૃતદેહો બળીને ખાખઆગને કારણે પિકઅપમાં સવાર મહિલા અને પુરુષના મૃતદેહો પણ સંપૂર્ણપણે બળી ગયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને વાહનો ઓળખી ન શકાય તેવા બની ગયા હતા. દુર્ઘટનાની જાણ થતાં જ આંકલાવ પોલીસ ટીમ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો... 12 ડિસેમ્બર 2025ભરુચ: રિક્ષા-બાઇક વચ્ચે ટક્કર બાદ ભીષણ આગ, મહિલા જીવતી ભૂંજાઇ 12 ડિસેમ્બરના રોજ અંકલેશ્વર-વાલિયા રોડ પર આવેલા કોસમડી ગામ નજીક એક અત્યંત કરૂણ અકસ્માત સર્જાયો હતો. બાઇક અને રિક્ષા વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં બંને વાહનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં રિક્ષામાં સવાર એક મહિલાનું જીવતી ભૂંજાઈ જવાથી કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાના CCTVમાં કેદ થઇઆ સમગ્ર ઘટનાના CCTVમાં કેદ થઇ હતી. જેમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે, સૌથી પહેલાં બે ટુવ્હીલર વાહન એકબીજા સાથે ધડાકાભેર અથડાય છે. એ જ સમયે સામેથી એક ટ્રક આવે છે, અને ટ્રકની પાછળ એક રીક્ષા આવે છે. રીક્ષાચાલક બ્રેક મારવા જતાં કાબૂ ગુમાવી દે છે અને રીક્ષા પલટી મારી દૂર ફંગોળાઇ જાય છે. જ્યારે ટુવ્હિલર પણ ગળોટીયું ખાઇને ફેંકાય છે. રીક્ષા સાથેની આ જોરદાર ટક્કર બાદ અચાનક ભયાનક આગ ભભૂકી ઉઠે છે. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો... આ પણ વાંચો: 5 ગંભીર અકસ્માતમાં 10 જિંદગી હોમાઈ આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં એક જ દિવસમાં બે ગંભીર અકસ્માત, બેના મોત
SMCએ વેરાવળ બંદરે 400 પેટી વિદેશી દારૂ ઝડપ્યો:દમણથી દરિયાઈ માર્ગે લવાયો, 6 આરોપીની ધરપકડ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દારૂ તસ્કરી સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વેરાવળ બંદરના નલિયા ગોદી વિસ્તારમાં રાત્રીના અંદાજે 3 વાગ્યાના સુમારે દરિયાઈ માર્ગે લવાયેલા વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. વેરાવળ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પણ દારૂના જંગી જથ્થાના લેન્ડિંગ અને વોચમાં હતો, અને વેરાવળ બંદરમાં જુદી જુદી ફિશિંગ બોટ પર વોચ રાખી રહી હતી. પરંતુ વેરાવળ પોલીસ પહોંચે તે પૂર્વે જ SMCની ટીમ સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી. RAM SAGAR–4 (IND-GJ-21-MM-82) નંબરની મહારાષ્ટ્રની ફિશિંગ બોટમાંથી 400 પેટીથી વધુ વિદેશી દારૂ ઝડપાયો હતો, દારૂનો જથ્થો દમણથી દરિયાઈ માર્ગે લવાયો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ કાર્યવાહીમાં 6 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. હાલ પોલીસ દ્વારા ટ્રક મારફતે આ દારૂ નો જથ્થો ફિશિંગ બોટ માંથી વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો છે. SMC દ્વારા દારૂ નો જથ્થો મોકલનાર અને મંગાવનાર અંગે ફિશિંગ બોટ માંથી ઝડપાયેલા ઈસમો ની આગવી ઢબે પૂછપરછ હાથ ધરી..
મહેસાણા પંથકના એક પરિવારમાં સાસરિયાઓના ત્રાસથી 34 વર્ષીય મહિલા પર દુઃખોની આંધી તૂટી પડી હતી. એક પુત્રની માતા હોવા છતાં તેને ઘરમાં સાચો સહારો મળ્યો ન હતો, પરંતુ ત્રાસ,અપમાન અને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો હતો. પરિવાર પહેરેલા કપડે જ મહિલાને કાઢી મુકીઆ પરિસ્થિતિ વચ્ચે પણ સાસરિયાઓએ મહિલાનો મોબાઈલ ફોન અને પૈસા તેમજ પુત્રને પડાવી લઈ પહેરેલા કપડાંમાં જ તેને ઘરની બહાર કાઢી મૂકી હતી. અચાનક રસ્તા પર આવી ગયેલી મહિલા પાસે ન તો પૈસા હતા કે ન કોઈ સંપર્ક સાધન હતું. ત્યારે લાચાર હાલતમાં તે રસ્તા પર ભટકતી હતી. તેની આંખોમાંની બેબસી જોઈ એક જાગૃત નાગરિકે માનવતા દાખવી 181 મહિલા હેલ્પલાઈન પર મહિલાને મદદ કરવા માટે જાણ કરી હતી. ત્યાં 181 ની ટીમ તાત્કાલિક મહિલા પાસે પહોંચી અને તેનું કાઉન્સેલિંગ હાથ ધર્યું. અભિયમની ટીમ મહિલાની મદદે દોડી ગઈકાઉન્સેલિંગ દરમિયાન સાસરિયાઓ દ્વારા લાંબા સમયથી મહિલા પર ગુજારવામાં આવતા માનસિક અને શારીરિક ત્રાસની વિગતો બહાર આવી હતી. મહિલાની સલામતીને પ્રાથમિકતા આપી 181ની ટીમે તેને કાયદાકિય પ્રક્રિયા સહિતની સમજ અને માર્ગદર્શન આપી સુરક્ષિત આશ્રયસ્થાને મોકલી આપી હતી. આ ઘટનાએ ફરી એકવાર બતાવ્યું કે, સંકટની ઘડીએ 181 મહિલા હેલ્પલાઈન પીડિત મહિલાઓ માટે આશાની કિરણ બની રહી છે.
રાજકોટના મવડીમાં આવેલ રાજદિપ સોસાયટી દ્વારા 22 થી 28મી ડિસેમ્બર સુધી કિસાન ગૌશાળાના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. ખીરસરાના સનાતન આશ્રમના સંસ્થાપક શાસ્ત્રી ભક્તિપ્રકાશદાસજીના શ્રીમુખે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણનું આગવી શૈલીમાં રસપાન કરાવવામાં આવનાર છે. 2300 અબોલ જીવોનો નિભાવ કરતી અને પ્રાકૃતિક ખેતી માટે બહોળો પ્રચાર જ્યાં થાય છે તેવી આ ગૌશાળાના લાભાર્થે યોજાનારી ભાગવત સપ્તાહમાં સૌ કોઈ યથાશક્તિ દાન આપે તેવી અપીલ કરવામાં આવી છે. પ્રમુખ ચંદ્રેશ પટેલે જણાવ્યું હતું કે, શહેરના મવડી વિસ્તારમાં રાજદિપ સોસાયટીમાં રાજેશ્વર મહાદેવ મંદિર ખાતે કિશાન ગૌશાળાના લાભાર્થે તા.22થી તા.28 ડીસેમ્બર સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે.શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાનો સમય બપોરે 3:30 થી 6:30 સુધીનો રહેશે. શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણ મહોત્સવના મુખ્ય યજમાન સ્વ. મણીબેન પ્રેમજીભાઈ કાછડીયા અને સ્વ. જયાબેન ખોડાભાઈ કાછડીયા પરિવાર છે જેમણે ભાવપૂર્ણ ભક્તિભાવ સાથે આ પાવન આયોજન કર્યું છે. જ્યારે સહ-યજમાન તરીકે મુકેશભાઈ બરાંભીયાએ સેવાભાવથી સહયોગ આપ્યો છે. આ પ્રસંગે શાસ્ત્રી ચંદ્રપ્રકાશદાસજી (ગુરુકુળ રાજકોટ), શાસ્ત્રી રાધારમણદાસજી (મહંતશ્રી રાજકોટ મંદિર), શાસ્ત્રી વિવેકસાગરદાસજી (મહંતશ્રી, બાલાજી મંદિર રાજકોટ) વગેરે સંતોનું પવિત્ર સાનિધ્ય પ્રાપ્ત થશે. શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણમાં તા.22 સોમવારે પ્રથમ દિવસે બપોરે 02:30 વાગ્યે પોથી પધરામણીનો મહોત્સવ મવડીમાં 80 ફૂટ રોડ પર શીવવાટીકા સોસાયટી ખાતેથી શરુ થશે અને કથા મંડપ સુધી વાજતે ગાજતે જશે. ત્યારબાદ 03:30 કલાકે શાસ્ત્રી ભક્તિપ્રકાશદાસજીના શ્રીમુખે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણનો પ્રારંભ થશે. જે બાદ તા. 24 બુધવારના રોજ બપોરના 04:00 કલાકે થી નૃસિંહ પ્રાગટ્ય તથા સાંજે 05:00 કલાકે વામન પ્રાગટ્યના ઉત્સવો મનાવવામાં આવશે. તા. 25 ગુરુવારના રોજ સાંજે 05:00 શ્રી રામ પ્રાગટ્ય તથા સાંજે 06:00 કલાકે શ્રી કૃષ્ણ પ્રાગટ્ય હર્ષોઉલ્લાસથી ઉજવવામાં આવશે. જ્યારે તા. 26 શુક્રવારના રોજ બપોરે 04:30 કલાકે શ્રી કૃષ્ણ ગોવર્ધન લીલા દરમ્યાન રાસોત્સવ પણ કરવામાં આવશે. તા. 27 શનિવારના રોજ સાંજે 05:30 કલાકે શ્રી રૂક્ષ્મણી વિવાહ અને તા. 28 રવિવારના રોજ બપોરે 04:00 કલાકે શ્રી સુદામા ચરિત્ર લીલાપ્રસંગોનું રસભર વર્ણન બાદ સાંજે 06:00 કલાકે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણ” ની પુર્ણાહુતી કરવામાં આવશે. શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણમાં તા.23 મંગળવારના રોજ રાત્રીના 09:30 કલાકેથી મનસુખભાઈ વસોયા (ખીલોરી વાળા), ચંદ્રેશ ગજ્જર, ધર્મીષ્ઠાબેન ભરવાડ, તા.25 ગુરુવારના રોજ દેવપુર રણુંજાનું પ્રખ્યાત નાટક મંડળ ‘વીર માંગણાવાળો રા. માંડલિક’, તા.27 શનિવારના રોજ રાત્રે 09:30 કલાકે રાજલબેન પાંચલ, કિશોરભાઈ ગીરનારી (બંગાવળી), હરપાલ બારોટ (હાસ્ય કલાકાર) અને વીમલભાઈ સાજીંદાની ટીમનો પોગ્રામ તથા દરરોજ રાત્રે ભવ્ય રાસોત્સવ રાજકોટની ધર્મ પ્રેમી જનતાને રમાડવામાં આવશે. કથા દરમ્યાન ભવ્ય લોકડાયરો, તથા સંતવાણીના ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણમાં નરેશભાઇ પટેલ (ચેરમેન, ખોડલધામ ટ્રસ્ટ - કાગવડ), જયેશભાઇ રાદડીયા (ધારાસભ્ય), રમેશભાઇ ટીલાળા (ધારાસભ્ય), ભાનુબેન બાબરીયા (પૂર્વ મંત્રી) અને ડૉ. વલ્લભભાઈ કથીરીયા (ચેરમેન, જી.સી.સી.આઇ.) સહિતના ઉપસ્થિત રહેશે. 2300 અબોલ જીવોનો નિભાવ કરતી કિશાન ગૌ શાળા, પ્રાકૃતિક ખેતીનો થતો બહોળો પ્રચાર રાજકોટ શહેરની ભાગોળે આવેલ કિશાન ગૌશાળામાં આશરે 2300 જેટલા અબોલ પશુ-પક્ષીઓ ગાય, બળદ, વાછડા વિગેરેનો સુંદર નિભાવ થઈ રહયો છે, જેમા રસ્તે રઝડતા, બીનવારસી, અંધ, અપંગ, બીમાર, લૂલા-લંગડા માંદા પશુઓ સ્વીકારવામાં આવે છે અને જો કોઈ પશુ બીમાર હોય તો તેની સારવાર કરવામાં આવે છે અને તેની સેવાચાકરી કરવામાં આવે છે. સંસ્થાને કોઈ કાયમી ભંડોળ નથી કે કોઈ નિયમીત આવકનું સાધન નથી. સંસ્થા સંપૂર્ણપણે દાતાઓના શ્રીદાન પર નિર્ભર છે. પ્રવર્તમાન મોંઘવારીના સ્થિતિના હિસાબે, ગૌ સેવા–જીવદયા પ્રવૃતિઓનો નિર્વાહ કરવો ખુબ મુશ્કેલ બન્યો છે. કિશાન ગૌશાળા દ્વારા ગાય આધારીત પ્રાકૃતિક ખેતી માટે ગૌમૂત્ર, જુની પડતર છાશ, જીવામૃત, ઘનજીવામૃત વિગેરે રાહત ભાવે બનાવી આપવામાં આવે છે તેમજ કિશાન ગૌશાળાના ચંદ્રેશભાઈ પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતી અભિયાન ચલાવવામાં આવે છે જેમા ખેડૂતોને ફળાઉ વૃક્ષો, દેશી વૃક્ષો વાવવા તેમજ ઔષધીય વૃક્ષો વાવવા અને શાકભાજી વાવવા તથા ડ્રીપથી પાણી આપવા માટે પાણી બચત થાય તે માટે ખેતરના શેઢે ખેત તલાવડી કરવા સહિતની ઓર્ગેનીક ખેતી માટેની સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે. પ્રાકૃતિક ખેતી માટેનું કિશાન ગૌશાળાના એક મોડલ ફાર્મ પણ થોરાળા ગામ ખાતે તૈયાર કરવામાં આવેલ છે જેમાં કોઈપણ ખેડૂત જો રૂબરૂ મુલાકાત લ્યે તો પ્રાકૃતિક ખેતી શું છે અને કેવી રીતે થઈ શકે તે જાણી શકાય. કિશાન ગૌશાળામાં આવેલ સત્સંગ હોલ આશરે 150 માણસોનો સમાવેશ થઈ શકે તેવો વિશાળ છે. જાહેર જનતા માટે કોઈપણ ધાર્મિક પ્રસંગમાં નિઃશુલ્ક વાપરવા માટે આપવામાં આવશે. જેથી જાહેર જનતાને અનુરોધ કરાયો છે કે, કોઈપણને ધાર્મિક કાર્યક્રમ કે ધૂન, ભજન, કથા કરવા માંગતા હોય અને જગ્યાની વ્યવસ્થા ન હોય તો કિશાન ગૌશાળા ખાતે આવેલ સત્સંગ હોલ નિઃશુલ્ક વાપરવા માટે આપવામાં આવશે. અત્રે ઉલેખનીય છે કે, રાજકોટની ભાગોળે આજીડેમ ચોકડી પાસે રામવનની સામે કિશાન ગૌશાળા દ્વારા હિન્દુ ધર્મમાં વર્ષ દરમ્યાન આવતા ધાર્મિક પ્રસંગો રામનવમી, શિવરાત્રી, હનુમાન જયંતી દરમ્યાન કિશાન ગૌશાળામાં કામધેનુ ગૌ યજ્ઞ , ગૌ પૂજનનો કાર્યક્રમ વૈદિક મંત્રોથી કરવામાં આવે છે. આ સાથે જ ભજન, કિર્તન, પ્રવચન, હવન, કામધેનુ ગૌ યજ્ઞ, ગૌ પૂજનમાં આવનાર તમામ ભાવિક ભકતો માટે ભોજન-પ્રસાદ-ફળાહારની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આ દિવ્ય અનુષ્ઠાન ગૌસંસ્કૃતિ ઉજાગર કરવા માટે કરવામાં આવે છે. શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણનો મુખ્ય હેતુ આજી ડેમ નજીક સ્થિત કિશાન ગૌશાળાના વિકાસ માટે આર્થિક તથા સેવાકીય સહાય એકત્રિત કરવાનો છે. ગૌસેવા, ગૌરક્ષા અને પ્રાણી કલ્યાણ માટે નિઃસ્વાર્થ સેવા કરતી ગૌશાળાને સમાજનો વ્યાપક સહયોગ મળે તે આ મહોત્સવનો મુખ્ય સંદેશ છે. દરરોજ રાત્રે યોજાનાર વિશેષ રાસોત્સવ શ્રોતાઓ માટે અનોખો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક અનુભવ બની રહેશે. દાન માટે બેંક ઓફ બરોડા, આજી ઇન્ડસ્ટ્રીઝ યાર્ડ શાખામાં ખાતાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી ગૌસેવામાં ઇચ્છુક દાતાઓ પોતાનો સહયોગ આપી શકે. શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણ” ની રાજકોટના મવડીમાં આવેલ રાજદિપ સોસાયટીના રજનીભાઈ તળાવીયા, રાજુભાઈ ગઢીયા, જલ્પેશભાઇ કાનાણી, વિશાલભાઈ પોકર સહિતના તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.
સુરતના નાનપુરા વિસ્તારમાં મિલકતની લાલચમાં એક પુત્રએ માનવતા અને લોહીના સબંધોને લજવતું કૃત્ય કર્યું છે. નાનપુરાની જમરૂખગલીમાં આવેલા ગોવર્ધનવાડમાં રહેતા એક રિક્ષાચાલક પિતાની મિલકત લેવા માટે પુત્રએ આખું ઘર સળગાવી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ આગની ઘટનામાં અંદાજે 18 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. અવારનવાર પુત્ર મિલકત માટે ઝઘડા કરી ધમકી આપતોનાનપુરાના જમરૂખગલીમાં ઉમેશ બાબુ પટેલ પોતાના પરિવાર સાથે રહે છે અને રિક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે. ઉમેશભાઈએ પોતાના મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પરની એક દુકાન વિશાલ નામના વ્યક્તિને ભાડે આપી હતી, જ્યાં વિશાલ સાઈન બોર્ડ બનાવવાનું કામકાજ કરતો હતો. ઉમેશભાઈનો પુત્ર સની પટેલ છેલ્લા ઘણા સમયથી ખોટા માર્ગે ચઢી ગયો હતો. તે અવારનવાર પિતા સાથે મિલકત બાબતે ઝઘડા કરતો અને દબાણ કરતો હતો કે ભાડૂત વિશાલ પાસેથી દુકાન ખાલી કરાવીને તેને રહેવા માટે આપી દેવામાં આવે. દુકાનમાં બારીથી પેટ્રોલ છાંટી આગ ચાંપીપિતાએ મિલકત આપવાનો ઇનકાર કરતા સની અવારનવાર ઘર સળગાવી દેવાની ધમકી આપતો હતો. આ ધમકીને તેણે હકીકતમાં બદલવા માટે રાત્રિના સમયે એક પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ ભરીને લાવ્યો હતો. જ્યારે આખું ઘર અને મહોલ્લો સૂતો હતો, ત્યારે સનીએ વિશાલની દુકાનમાં બારી વાટે પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી. 18 લાખની મિલકત કળિયુગી પુત્રના ક્રોધમાં ભસ્મીભૂતઆગ એટલી ભયાનક હતી કે, જોતજોતામાં દુકાન અને ઉપરના માળે આવેલા ઘરને લપેટમાં લઈ લીધું હતું. આ આગમાં ભાડૂત વિશાલના મોંઘા પ્રિન્ટર્સ અને સાઈન બોર્ડ બનાવવાનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો, જેની કિંમત અંદાજે 12 લાખ રૂપિયા જેવી થાય છે. આ ઉપરાંત, મકાનના સ્ટ્રક્ચર અને ઉપરના રૂમમાં રહેલા સરસામાનને પણ 6 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. કુલ મળીને 18 લાખની મિલકત આ કળિયુગી પુત્રના ક્રોધમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી. પિતાએ ફરિયાદ નોંધાવતા પુત્રની ધરપકડઆ ઘટના બાદ સની પોતાની પત્ની અને દીકરીને લઈને નાસી છૂટ્યો હતો. જોકે, પિતા ઉમેશભાઈએ પોતાના જ પુત્ર સામે હિંમત બતાવી અઠવા લાઈન્સ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગંભીરતા દાખવી ગણતરીના કલાકોમાં જ આરોપી સની ઉમેશ પટેલની ધરપકડ કરી લીધી છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મેકડા ગામમાં વિકાસના કાર્યોનો ઉત્સવ ઉજવાયો હતો. ધારાસભ્ય મહેશ કસવાલાના હસ્તે ગામના સર્વાંગી વિકાસ માટે કુલ રુપિયા 1,00,04,000 (એક કરોડ ચાર હજાર) ના વિવિધ પાયાની સુવિધાઓના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આધુનિક સુવિધાઓ ઊભી કરવાના હેતુથી કુલ 7 જેટલા નવા કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. જેમાં પ્લોટ વિસ્તારમાં અવરજવર માટે ₹65 લાખના ખર્ચે પુલ અને સીસી રોડ, જૂના સ્મશાન પાસે ₹4.70 લાખના ખર્ચે સિમેન્ટ પાઈપલાઈન દ્વારા ભૂગર્ભ ગટરનું કામ, નવી પંચાયત કચેરી પાસે ₹5.00 લાખના ખર્ચે ગ્રામજનો માટે નવા બસ સ્ટેન્ડનું નિર્માણ, પ્રાથમિક શાળામાં ₹3.00 લાખના ખર્ચે બાળકો માટે મધ્યાહન ભોજનના શેડનું કામ, તેમજ પ્લોટ વિસ્તાર અને અજા વિસ્તારમાં પેવિંગ બ્લોક અને જૂના ગામમાં ₹6.34 લાખના ખર્ચે સીસી રોડના કામો સામેલ છે. આમ, કુલ ₹84.40 લાખના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, અગાઉ પૂર્ણ થયેલા કામોને પણ જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. જેમાં ગામના જુદા જુદા વિસ્તારોમાં ₹13 લાખના ખર્ચે થયેલા પેવિંગ બ્લોકના કામો અને રાત્રિના સમયે સુરક્ષા તથા અજવાળું જળવાઈ રહે તે માટે ₹3 લાખના ખર્ચે સ્ટ્રીટ લાઈટની સુવિધાનો સમાવેશ થાય છે. કુલ ₹16 લાખના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગરના રાંધેજા પાસે રિક્ષા ચાલકની બેદરકારીએ એક હસતા-રમતા પરિવારનો માળો વિખેરી નાખ્યો છે. ગઈકાલે(21 ડિસેમ્બર) રાંધેજા ખાતે માતાજીના દર્શન કરી પરત ફરી રહેલા કલોલના પરિવારની રિક્ષા પલટી જતાં 22 વર્ષીય આરતી નામની યુવતીનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું છે, જ્યારે તેની માતા સહિત અન્ય પાંચ મુસાફરોને નાની મોટી ઇજાઓ થઈ છે. આ અંગે પેથાપુર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિક્ષામાં માતાજીના દર્શને ગયા હતાકલોલ તાલુકાના કલ્યાણપુર,સોમનાથ સોસાયટી-1 ખાતે રહેતા આશારામ ઘનપત પટવા મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમના છ સંતાનો પૈકી એક 22 વર્ષીય દીકરી આરતી હતી. ગઈકાલે રવિવારે તેમની પત્ની ઉષાબેન, દીકરી આરતી તેમજ કલોલના ઇમ્તિયાજ અંસારી, જાસ્મિન અન્સારી ,અંજલીબેન ત્રિવેદી તથા અવતાડે પદમોબન મધુકર રિક્ષા નંબર (GJ-18-BU-7741) માં રાંધેજા ખાતે માતાજીના દર્શન કરવા ગયા હતા. રિક્ષા પલટી જતા મુસાફરો ઈજાગ્રસ્તજ્યાં દર્શન કરી મોડી સાંજે પરત ફરતી વખતે રાંધેજા ફાટકથી રૂપાલ તરફ જતા રોડ પર રિક્ષા ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે રિક્ષા હંકારી રોડ સાઈડના પિલ્લર સાથે અથડાવી દીધી હતી. જેના લીધે રિક્ષા પલટી ખાઈ જતાં તેમાં સવાર તમામ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. યુવતીનું અકસ્માતમાં મોતઆ અકસ્માતમાં 22 વર્ષીય આરતીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલિક 108 મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.જ્યારે ઉષાબેન સહિતના લોકોને નાની મોટી ઇજાઓ થઈ હતી. આ અંગે પેથાપુર પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે પણ હેટ્રિકની વાત આવે ત્યારે લોકોના મનમાં ક્રિકેટના મેદાનની યાદ તાજી થાય છે, પરંતુ સુરતના એક કાપડ ઉદ્યોગપતિએ પર્યાવરણ અને ઉર્જા સંરક્ષણના મેદાનમાં એવી હેટ્રિક નોંધાવી છે કે આખું ભારત આજે સુરત સામે જોઈ રહ્યું છે. સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને પર્યાવરણવિદ વિરલ દેસાઈ, જેમને લોકો 'ગ્રીનમેન' તરીકે ઓળખે છે, તેમણે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત ભવ્ય સમારોહમાં 'નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ' (NECA) જીતીને હેટ્રિક પૂર્ણ કરી છે. વિરલ દેસાઈની કંપની 'ઝેનિટેક્સ'ને ત્રીજી વખત ગોલ્ડન ટ્રોફી એનાયતસુરત વર્ષોથી ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ માટે વિશ્વવિખ્યાત છે, પરંતુ વિરલ દેસાઈએ આ શહેરને 'ગ્રીન ઇન્ડસ્ટ્રિયલ સિટી' તરીકે નવી ઓળખ આપી છે. વિરલ દેસાઈની કંપની 'ઝેનિટેક્સ'ને વર્ષ 2019, 2022 અને હવે 2025માં સતત ત્રીજી વખત આ પ્રતિષ્ઠિત પુરસ્કારની ગોલ્ડન ટ્રોફી એનાયત કરવામાં આવી છે. ગુજરાતના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના છે કે કોઈ ટેક્સટાઇલ ઉદ્યોગપતિએ રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ માટે આટલી મોટી સિદ્ધિ સતત ત્રણ વાર મેળવી હોય. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે એવોર્ડ એનાયતસૌથી મહત્વની વાત એ છે કે આ એવોર્ડ તેમને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. અગાઉ પણ તેઓને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અને પ્રતિભા પાટીલના હસ્તે એવોર્ડ મળી ચૂક્યો છે. મોટી કંપનીઓ સામે સુરતનો વિજયઆ હેટ્રિક એટલા માટે પણ મહત્વની છે કારણ કે આ સ્પર્ધામાં દેશની અગ્રણી અને મલ્ટિનેશનલ ટેક્સટાઇલ કંપનીઓ મેદાનમાં હતી. વિરલ દેસાઈએ સાબિત કરી દીધું કે જો તમારી પાસે વિઝન અને દ્રઢ નિશ્ચય હોય, તો સંસાધનોની મર્યાદા વચ્ચે પણ તમે વિશ્વ કક્ષાનું પરિણામ લાવી શકો છો. સુરતની ઝેનિટેક્સ કંપનીએ ઉર્જા બચત માટે જે મોડેલ રજૂ કર્યું છે, તે આજે દેશભરના ઉદ્યોગો માટે અભ્યાસનો વિષય બન્યું છે. ફેક્ટરીની બહાર 7 અર્બન ફોરેસ્ટ બનાવ્યાતેમણે પોતાની ફેક્ટરીમાં પરંપરાગત ઉર્જા સ્ત્રોતોને બદલે અત્યાધુનિક અને ઇકો-ફ્રેન્ડલી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. ઉદ્યોગમાં વપરાતા પાણી અને કેમિકલને રિસાઈકલ કરવાની પદ્ધતિથી તેમણે સાબિત કર્યું કે પર્યાવરણના ભોગે વિકાસ જરૂરી નથી. વિરલ દેસાઈ માત્ર ફેક્ટરીની અંદર જ ઉર્જા બચાવતા નથી, પણ ફેક્ટરીની બહાર પણ તેમણે સુરતમાં 7 અર્બન ફોરેસ્ટ બનાવ્યા છે. સુરતના પ્રદૂષિત ગણાતા વિસ્તારોમાં આજે 10,000 વૃક્ષો લહેરાઈ રહ્યા છે, જે ગ્રીનમેનની મહેનતનું પરિણામ છે. સુરત માત્ર કાપડ જ નહીં, પણ પર્યાવરણની સુરક્ષામાં પણ દુનિયાનું નેતૃત્વ કરે: વિરલ દેસાઈપુરસ્કાર સ્વીકાર્યા બાદ લાગણીસભર થયેલા વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે, આ હેટ્રિક એ મારી એકલાની જીત નથી, પણ સુરતની ઉદ્યોગ સાહસિકતા અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિની જીત છે. હું ઈચ્છું છું કે સુરત માત્ર કાપડ જ નહીં, પણ પર્યાવરણની સુરક્ષામાં પણ દુનિયાનું નેતૃત્વ કરે. આ ત્રીજી ગોલ્ડન ટ્રોફી મને વધુ જવાબદારી સોંપે છે કે હું આગામી પેઢી માટે વધુ હરિયાળું ભવિષ્ય છોડીને જઉં.
મોરબીનો યુવાન યુક્રેનમાં યુદ્ધકેદી::રશિયા પર ગંભીર આરોપ, ભારત સરકારને વતન પરત લાવવા અપીલ
મોરબીનો સાહિલ માજોઠી, જે યુક્રેનમાં યુદ્ધકેદી તરીકે બંદીવાન છે, તેના વધુ બે વીડિયો વાયરલ થયા છે. આ વીડિયોમાં તેણે રશિયન સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે અને ભારત સરકારને તેને વતન પરત લાવવા માટે મદદ કરવા અપીલ કરી છે. કાલિકા પ્લોટ, મોરબીના રહેવાસી 22 વર્ષીય સાહિલ માજોઠી જાન્યુઆરી 2024માં બીટેકનો અભ્યાસ કરવા રશિયા ગયો હતો. અભ્યાસની સાથે તે કુરિયર સર્વિસમાં નોકરી કરતો હતો. એપ્રિલ 2024માં કુરિયર પહોંચાડવા જતી વખતે રશિયન પોલીસે તેને પકડ્યો હતો. તેના પાર્સલમાંથી 20 ગ્રામ ડ્રગ્સ મળી આવતા સ્થાનિક કોર્ટે તેને સાત વર્ષની સજા ફટકારી હતી. જેલમાંથી તેને યુક્રેન સામે યુદ્ધ લડવા માટે મોકલવામાં આવ્યો હતો. જોકે, સાહિલે યુક્રેનમાં કોઈપણ પ્રકારનું નુકસાન કર્યા વિના ગત ઓક્ટોબર મહિનામાં યુક્રેનની સેના સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. ત્યારથી તે યુક્રેનમાં યુદ્ધકેદી તરીકે બંદીવાન છે. સાહિલને હેમખેમ ભારત પરત લાવવા માટે તેની માતા હસીનાબેન માજોઠીએ ભારતના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સુધી રજૂઆતો કરી છે. દિલ્હીમાં કોર્ટમાં પણ અરજી કરવામાં આવી છે, જેની સુનાવણી આગામી ફેબ્રુઆરી મહિનામાં છે. હાલમાં વાયરલ થયેલા બે વીડિયોમાં સાહિલ ફરી એકવાર રશિયન સરકાર પર આરોપ લગાવી રહ્યો છે કે તેને પહેલા ડ્રગ્સના કેસમાં ફસાવવામાં આવ્યો અને પછી યુક્રેન સામે યુદ્ધ કરવા મોકલવામાં આવ્યો. તેણે ભારત સરકારને મોરબી પરત લાવવા માટે મદદ કરવા વિનંતી કરી છે. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર મહિનામાં પણ તેનો એક વીડિયો સામે આવ્યો હતો.
ઐતિહાસિક પાટણથી સિદ્ધપુર સુધી લુપ્ત સરસ્વતી નદીના પ્રાચીન અને સાંસ્કૃતિક વારસાને પુનર્જીવિત કરવા માટે પ્રથમ વખત વિશેષ પરિક્રમાનું આયોજન કરાયું છે. આગામી વસંત પંચમી, એટલે કે 23 જાન્યુઆરીના રોજ આ પરિક્રમા યોજાશે, જેમાં સાધુ-સંતો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે. પ્રાચીન સમયમાં પાટણ અને સિદ્ધપુરની ધરતી પર સરસ્વતી નદી વહેતી હતી. તેના કિનારે અનેક આશ્રમો સ્થપાયા હતા અને વિદ્યાકીય પ્રવૃત્તિઓનો વિકાસ થયો હતો. ઋષિમુનિઓ અને સાધુ-સંતોએ આ નદીના તટ પર તપસ્યા કરીને આ વિસ્તારને પવિત્ર બનાવ્યો હતો. ભૌગોલિક ફેરફારોને કારણે નદી ભૂગર્ભમાં સમાઈ ગઈ હોવાનું મનાય છે, પરંતુ લોક આસ્થામાં તેનું અસ્તિત્વ આજે પણ અકબંધ છે. આ પરંપરાગત અને શ્રદ્ધાના પ્રતીક સમાન નદીના મહત્વને લોકો ફરી સમજે તે હેતુથી વસંત પંચમીના પાવન અવસરે આ પરિક્રમા યોજવાનો નિર્ણય લેવાયો છે. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય નદીને માત્ર ભૌતિક જળસ્ત્રોત તરીકે નહીં, પરંતુ ચેતના અને સંસ્કૃતિના સ્ત્રોત તરીકે પ્રસ્થાપિત કરવાનો છે. આ પરિક્રમા દ્વારા લોકોમાં નદી પ્રત્યે જાગૃતિ કેળવાય અને ભૂલાઈ ગયેલા વારસાનું જતન થાય તેવા પ્રયાસો કરવામાં આવશે. ૨૩ જાન્યુઆરીના રોજ આયોજિત આ પરિક્રમામાં તમામ શ્રદ્ધાળુઓને જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું છે.

30 C