ફરિયાદ:શિનોરના કંજેઠા ગામે ખેતરમાં જવાનો રસ્તો બંધ કરવા બાબતે ઝઘડો કરી હુમલો કરતા ચારને ઈજા
શિનોર તાલુકાના કંજેઠા ગામે ખેતરમાં જવાનો રસ્તો બંધ કરવા બાબતે ઝઘડો થતાં સાત આરોપીઓ સામે ફરિયાદીએ શિનોર પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરી છે. વડોદરા દવાખાનેથી ફરિયાદી અનિરુદ્ધ ઉર્ફે, અનિલ ઉર્ફે અનુભાઈ દેવેન્દ્ર અટોદરીયા દ્વારા લખાવેલ ફરિયાદ મુજબ તેઓ તારીખ 14 નવેમ્બરે અંબાલી જવાના રોડ ઉપર અરજણિયા તરીકે ઓળખાતા ખેતરમાં સાહેદ જયરાજ રણા તથા વછરાજસિંહ રણા સાથે ખેતીમાં ઘઉં બાબતે ચર્ચા કરતા હતા. ત્યારે જીતસિંહ રામસિંહ શિનોરા ખેતરમાં આવીને જેમતેમ ગાળો આપી જણાવેલ કે જવાનો રસ્તો બંધ કર્યો હોવાથી ટ્રેક્ટર લઈને જતા મારા દીકરાને મધમાખી કરડે છે. આ રસ્તો ખુલ્લો કરી દે નહીં તો જોવા જેવી થશે. એમ કહીને જતો રહ્યો હતો. ત્યારબાદ જીતસિંહ તથા મહેન્દ્રસિંહ રામસિંહ, સત્યજીત મહેન્દ્રસિંહ, રણજીત રામસિંહ, યશપાલ જીતસિંહ, વિરાજસિંહ મહેન્દ્રસિંહ અને અનિરુદ્ધ મહેન્દ્રસિંહ હાથમાં ધારીયા, લોખંડની પાઇપો અને લાકડીઓ લઈને ખેતરે આવી તેઓને મારવા લાગ્યા હતા. તે વખતે છોડાવવા માટે જયરાજ તથા વછરાજસિંહ વચ્ચે પડતા તેઓને પણ માર્યા અને મહાવીર દેવેન્દ્રસિંહને પણ માર્યા હતા. જતાં તેઓ લાલ વેગન આર અને નાનું સ્વરાજ ટ્રેક્ટર લઈને ભાગી ગયા. જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ અનુભાઈ અટોદરીયાએ ગામમાં મહાવીરસિંહ, હંસરાજસિંહ તથા વિશ્વજીતસિંહને જાણ કરતા તેઓએ આવીને અમોને મોટા ફોફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર આપ્યા પછી જીતસિંહ તથા અનિરુદ્ધ અને વછરાજ સિંહને વડોદરા ખાનગી મંગલમ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. મારામારી દરમિયાન ગળાની ચેન ગુમ થયેલ છે. શિનોર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
અકાસા એર લાવશે પ્રથમ વાણિજ્યિક ઉડાન:નવી મુંબઈનું આં.રા. એરપોર્ટ 25 ડિસેમ્બરથી ધમધમતું થશે
નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (એનએમઆઈએ) 25 ડિસેમ્બર, 2025થી સત્તાવાર રીતે વાણિજ્યિક ઉડાનો માટે ખુલ્લો મૂકાશે. અકાસા એર આ નવા એરપોર્ટ પર પહેલી ઉડાન કરશે, જે દિલ્હીથી નવી મુંબઈ પહોંચશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 8 ઓક્ટોબરના એરપોર્ટનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું. મુંબઈની હવાઈ મુસાફરીની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને એનએમઆઈએ દેશનું એક મહત્વપૂર્ણ હવાઈ હબ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. એનએમઆઈએ ભારતના સૌથી મોટા ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટ્સમાંનો એક છે, જે જાહેર-ખાનગી ભાગીદારી (પીપીપી) મોડેલ હેઠળ વિકસાવવામાં આવ્યો છે. કુલ 1,160 હેક્ટર વિસ્તારમાં બનેલો આ એરપોર્ટ પ્રથમ તબક્કામાં દર વર્ષે 2.5 કરોડ મુસાફરોને સેવા આપી શકશે, જ્યારે તમામ તબક્કા પૂર્ણ થયા પછી તેની ક્ષમતા 90 મિલિયન મુસાફરો સુધી પહોંચશે. એરપોર્ટમાં દરરોજ 60 થી 300 જેટલી ફ્લાઇટ્સ ઓપરેટ થશે. એરપોર્ટના વિકાસમાં અદાણી ગ્રુપ 74% અને સીડકો 26% હિસ્સો ધરાવે છે. એનએમઆઈએનું નામ ખેડૂત નેતા ડી. બી. પાટિલ પરથી રાખવામાં આવ્યું છે, જેમણે નવી મુંબઈ જમીન સંપાદન સમયે વિસ્થાપિત ખેડૂતોના હક્કો માટે મહત્વપૂર્ણ લડત લડી હતી. મુંબઈ–નવી મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારમાં વધતી મુસાફરોની સંખ્યા અને ભીડભાડને ધ્યાનમાં રાખી એનએમઆઈએ મુંબઈ એરપોર્ટનો ભાર હળવો કરશે અને પશ્ચિમ ભારતના ઉડ્ડયન ક્ષેત્રને નવા આયામ આપશે. એઅરલાઈન્સની શરૂઆતઅકાસા એર, ઇન્ડિગો અને એર ઈન્ડિયા એક્સપ્રેસ આગળ - 25 ડિસેમ્બરથી અકાસા એર દિલ્હી–નવી મુંબઈ રૂટ પર પ્રથમ વાણિજ્યિક ઉડાન શરૂ કરશે. તે જ દિવસે ગોવા રૂટ પર પણ ઉડાનો શરૂ થશે. 26 ડિસેમ્બરથી દિલ્હી–કોચી અને 31 ડિસેમ્બરથી અમદાવાદ માટે જોડાણ શરૂ થશે. અકાસા એર પ્રથમ દોરમાં ચાર મુખ્ય શહેરોને એનએમઆઈએ સાથે સીધા જોડશે.
પોલીસો દ્વારા સતામણી કર્યાનો પણ આરોપ:મહિલાઓ સામે જાતિવાચક ટિપ્પણી કરનાર પોલીસો વિરુદ્ધ એફઆઈઆર
એક ગુમ મહિલાના કેસની તપાસ દરમિયાન બે મહિલા વિરુદ્ધ જાતિવાચક ટિપ્પણી અને હુમલો કરવાના આરોપ બાદ પુણેની કોર્ટે પોલીસ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપ્યો છે. આ ઘટના ઓગસ્ટમાં બની હતી. બેમાંથી એક મહિલાએ તેની સતામણી કર્યાનો આરોપ કર્યો હતો, જે પ્રકરણે કોથરુડ પોલીસે કેસ બનતો નથી એમ જણાવ્યા પછી તે મહિલાએ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.સેશન્સ કોર્ટે 11મી નવેમ્બરે આદેશ આપ્યો હતો, જેની નકલ શનિવારે ઉપલબ્ધ થઈ હતી. કોર્ટે કોથરુડ પોલીસને મહિલાની ફરિયાદને આધારે એફઆઈઆર દાખલ કરવા અને આસિસ્ટન્ટ પોલીસ કમિશનર દરજ્જાના અધિકારી થકી તપાસ કરાવવા નિર્દેશ આપ્યા છે. મહિલાની ફરિયાદ હતી કે છત્રપતિ સંભાજીનગરની એક મહિલા તેમની સાથે થોડો સમય રહી હતી, જે પછી ગુમ થઈ ગઈ હતી. તે પ્રકરણની તપાસમાં તેની અને તેની સાથે ફ્લેટમાં રહેતી સાથીની પોલીસે સતામણી કરી હતી. આ પછી બે મહિલા અને સ્થાનિક ચળવળકારોએ પોલીસ કમિશનરેટની બહાર વિરોધ પ્રદર્શન કરીને કોથરુડ પોલીસના જવાબદાર કર્મચારી સામે પગલાં લેવાની માગણી કરી હતી. આ પછી પુણે પોલીસે ગેરકાયદેસર રીતે એકઠા થવું, સરકારી કર્મચારીના કામમાં અવરોધ પેદા કરવો અને મિલકતને હાનિ પહોંચાડવાના આરોપ હેઠળ આઠ ચળવળકારો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. મહિલાઓએ કોર્ટને જણાવ્યું હતું કે પોલીસોએ તેમના ઘરમાં ઘૂસણખોરી કરી હતી અને તેની પર અને તેની બહેનપણી પણ હુમલો કર્યો હતો, વિનયભંગ કરવાનો પ્રયાસ કર્યો અને જાતિવાચક ટિપ્પણીઓ પણ કરી હતી.એડિશનલ સેશન્સ જજ એચ કે ભાલેરાવે જણાવ્યું કે પોલીસ સ્ટેશન ખાતે જનરલ ડાયરીની વિગતો દર્શાવે છે કે પ્રતિવાદીઓ (પોલીસ) ગુમ મહિલાના ઘરે તલાશી લેવા ગયા હતા. પ્રતિવાદીઓ ગુમ મહિલાની તલાશીને નામે પોતાની ઓળખ જાહેર કર્યા વિના કોઈ પણ મહિલાના ઘરમાં ઘૂસી નહીં શકે અને તલાશી પણ નહીં લઈ શકે. આથી તેમણે અપમાન કર્યું, સતામણી, વિનયભંગ કર્યો અને હુમલો કર્યો હતો એવું જણાય છે.
સિટી એન્કર:હવે દરેક ફ્લેટ માલિકને સોસાયટીની જમીનમાં ભાગ મળશે
અત્યાર સુધી નિવાસી ઈમારતોની જમીન હાઉસિંગ સોસાયટી અથવા સભ્યોના સહિયારા નામ પર નોંધવામાં આવતી હતી. હવે ઈમારતમાં રહેતા દરેક રહેવાસીને સ્વતંત્ર માલિકી હકનો કાયદાકીય પુરાવો મળશે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં વર્ટિકલ પ્રોપર્ટી કાર્ડ લાવવાની છે. આ કાર્ડ દ્વારા દરેક ફ્લેટધારકને જમીનમાં વ્યક્તિગત ભાગ મળશે અને સાતબારા ઉતારામાં પણ એનું નામ ચઢશે. વર્ટિકલ પ્રોપર્ટી કાર્ડ એક પૂરક મિલકતપત્ર છે જે મુખ્ય પ્રોપર્ટી કાર્ડ સાથે દરેક ફ્લેટધારકને વ્યક્તિગત રીતે આપવામાં આવશે. ઈમારતનો કુલ એરિયા અને દરેક ફ્લેટધારકનો એમાં ભાગ નોંધવામાં આવશે. પ્રોપર્ટી કાર્ડવાળી ઈમારત સાથે જ સાતબારા ઉતારા પર નોંધેલી ઈમારતોને પણ વર્ટિકલ પ્રોપર્ટી કાર્ડ લાગુ થશે. એના લીધે હાઉસિંગ સોસાયટીઓ અથવા એપાર્ટમેંટના દરેક રહેવાસીને જમીનનો સ્વતંત્ર માલિકી હક મળશે જે કાયદાકીય રીતે અબાધિત રહેશે. કોઈ ઈમારત 10 નિવાસી ઘરની હશે અને એની જમીન 5 હજાર સ્કવેર ફૂટ હશે તો મુખ્ય પ્રોપર્ટી કાર્ડ પર સોસાયટીનું નામ હશે. પણ વર્ટિકલ કાર્ડ દ્વારા દરેક ફ્લેટધારકને તેમના ભાગના એરિયાની નોંધ મળશે એટલે કે 500 સ્કવેર ફૂટ જમીનનો ભાગ મળશે. વર્ટિકલ પ્રોપર્ટી કાર્ડ આપવા સંદર્ભે રાજ્ય સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિની સ્થાપના કરી છે. મહેસૂલ વિભાગના અપર મુખ્ય સચિવની અધ્યક્ષતા હેઠળ આ સમિતિ કામ કરશે અને એક મહિનાની અંદર સરકારને અહેવાલ આપશે. કાર્ડ ડિજિટલ સ્વરૂપમાંવર્ટિકલ પ્રોપર્ટી કાર્ડ ડિજિટલ સ્વરૂપમાં હશે જેના લીધે એક સ્પેનમાં ઈમારતની સંપૂર્ણ માહિતી, ફ્લેટ નંબર, એરિયા, માલિક હકની ખબર પડશે. મહારાષ્ટ્રમાં 10 લાખ કરતા વધારે હાઉસિંગ પ્રોજેક્ટ છે જેમાંના અનેક રહેવાસીઓ હજી પણ માલિકી હકના પુરાવા માટે ઝઘડી રહ્યા છે. આ કાર્ડ લાગુ થવાથી નવા પ્રકલ્પમાં બેંક તરફથી લોન મંજૂરી અને રિયલ એસ્ટેટ વ્યવહાર ઝડપી થશે. ઈમારતમાં રહેતા તમામ રહેવાસીઓના નામ સાતબારામાં આવવા માટે વર્ટિકલ પ્રોપર્ટી કાર્ડ મહત્વનું બનશે. પહેલા તબક્કામાં પ્રોપર્ટી કાર્ડવાળી હાઉસિંગ સોસાયટીઓને આ કાર્ડ આપવામાં આવશે. બીજા તબક્કામાં દરેક ફ્લેટધારકને વ્યક્તિગત કાર્ડ મળશે. રહેવાસીઓને મળનારા ફાયદાઆ કાર્ડ વ્યક્તિગત માલિકી હકનો કાયદેસરનો પુરાવો રહેશે. ફ્લેટ વેચાણ માટે મહાપાલિકાની કર પાવતી અને સેલ એગ્રીમેન્ટ પૂરતો છે પણ જમીનનો હક સાબિત કરવા સોસાયટી પર આધાર રાખવો નહીં પડે. બેંક લોન, પ્રોપર્ટી ટ્રાન્સફર અથવા વારસા પ્રમાણપત્ર માટે કોઈ અડચણ નહીં રહે. દરેકનો ભાગ સ્પષ્ટપણે નોંધવામાં આવશે. સાતબારા ઉતારા પર દરેકનો ભાગ સ્પષ્ટપણે નોંધાવાથી સોસાયટીના વ્યવસ્થાપનમાં કોઈ ગેરવ્યવહાર અથવા જમીનના હક પરથી થતા વિવાદ ઓછા થશે. સિટી એન્કર
દુર્ઘટના સર્જાઈ:ભાયખલામાં બાંધકામ સ્થળે દુર્ઘટનામાં બે મજૂરોનાં મોત
ભાયખલા (પશ્ચિમ) ખાતે હંસ રોડ પર આવેલા હબીબ મેન્શઆનમાં શનિવારે બપોરે આશરે 2.41 વાગ્યે બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં બે મજૂરોનાં મોત થયાં છે, જ્યારે ત્રણ અન્ય મજૂરો ઘાયલ થયા છે. ઘટના ત્યારે બની જ્યારે ઈમારતના પાયા અને ઢગલાબંધ માટી સેટિંગના કામ દરમિયાન અચાનક માટી અને કાદવનો ભાગ ધસી પડી મજૂરોને પોતાની લપેટમાં લઈ ગયો. દુર્ઘટના બાદ કામ પર હાજર અન્ય મજૂરો અને ફાયર બ્રિગ્રેડ દ્વારા તરત જ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી અને પાંચેય ઘાયલોને નાયર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. નાયર હોસ્પિટલની એએમઓ ડૉ. પૂનમે માહિતી આપતા જણાવ્યું કે પાંચમાંથી બે મજૂરોને મૃત જાહેર કરવામાં આવ્યા, જ્યારે ત્રણ ઘાયલ મજૂરોને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જેમાં મૃતક મજૂરો રાહુલ (વય 30), રાજુ (વય 28) તરીકે ઓળખ થઇ છે. જ્યારે સજ્જાદ અલી (વય 25), સોબત અલી (વય 28),. લાલ મોહમ્મદ (વય 18) ઘાયલો થયા છે. અકસ્માત પછી બાંધકામ સાઇટ પર કામદારોને પૂરાં પાડવામાં આવતા સલામતી સાધનો અને સુરક્ષા પગલાં અંગે ગંભીર પ્રશ્નો ઉઠ્યાં છે. પ્રાથમિક તપાસમાં લાગે છે કે માટીનો ભાગ યોગ્ય રીતે સેફટી સપોર્ટ વગર રાખવામાં આવ્યો હતો, જેને કારણે તે ધસી પડ્યો હોવાની શંકા છે. સ્થાનિક પોલીસએ ઘટના સ્થળનો પંચનામો કરીને વધુ તપાસ શરૂ કરી છે. બાંધકામ કંપની દ્વારા સુરક્ષા ધોરણોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં, તેની પણ વિગતવાર તપાસ કરવામાં આવશે.
કોંગ્રેસ દ્વારા મોટી જાહેરાત:આગામી મુંબઈ મહાપાલિકાની ચૂંટણી પાર્ટી સ્વબળે જ લડશે
કોંગ્રેસ પાર્ટીએ શનિવારે જાહેર કર્યું છે કે, તે આગામી મુંબઈ મહાપાલિકાની ચૂંટણી સ્વબળે લડશે. પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે મનસે અથવા અન્ય કોઈ પક્ષ સાથે ગઠબંધન કરવા નો કોઈ પ્રશ્ન જ નથી.મહારાષ્ટ્ર પ્રભારી રમેશ ચેન્નીથલાએ જાહેરાત કરી કે, કોંગ્રેસ તમામ 227 બેઠકો પર સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે. સ્થાનિક કાર્યકરોની માંગને માન આપીને આ નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી મનસે સાથે ગઠબંધન બનાવવા ઈચ્છતા ઉદ્ધવ ઠાકરેને રાજકીય ઝટકો લાગ્યો છે. કોંગ્રેસ નેતા વર્ષા ગાયકવાડે પણ સ્પષ્ટ કર્યું કે, પક્ષ એવા જૂથો સાથે નહીં જાય જે મારપીટ, દમન અથવા કાયદો હાથમાં લેવાની રાજનીતિ કરે છે. મુંબઈ મહાપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે એક મોટો રાજકીય નિર્ણય જાહેર કર્યો છે. કોંગ્રેસે સ્પષ્ટ કરી દીધું છે કે તે આ ચૂંટણી પોતાના દમ પર લડશે અને રાજ ઠાકરેની મનસે સાથે કોઈ ગઠબંધન નહીં કરે. આ નિર્ણયથી ઉદ્ધવ ઠાકરેને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે, કારણ કે તેઓ મનસે સાથે મહા વિકાસ આઘાડી (એમવીએ)ના નવા વિસ્તરણનો પ્રયાસ કરી રહ્યા હતા. મુંબઈ કોંગ્રેસનો એક દિવસીય કેમ્પ શનિવારે યોજાયો, જેમાં શહેરના તમામ પદાધિકારીઓએ તમામ 227 બેઠકો પર સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાની માંગ કરી હતી. કોંગ્રેસના મહારાષ્ટ્ર પ્રભારી રમેશ ચેન્નીથલાએ જાહેરાત કરી કે, મુંબઈની ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. સ્થાનિક કાર્યકરોની ભાવના મહત્વની છે. તેમની ઇચ્છાને માન આપીને અમે તમામ બેઠકો પર પોતાના બળથી ઉતરીશું. તેમણે ઉમેર્યું કે પાર્ટીનું મુખ્ય ધ્યેય ભવિષ્યમાં કોંગ્રેસને મજબૂત બનાવવાનું છે. વર્ષા ગાયકવાડનું મનસે સામે આક્રમક વલણકોંગ્રેસ નેતા વર્ષા ગાયકવાડે સ્પષ્ટ કર્યું કે, કોંગ્રેસ એવા પક્ષો સાથે જઈ શકશે નહીં જેઓ મારપીટ અથવા કાયદો હાથમાં લેવાની રાજનીતિ કરે છે. તેમણે કહ્યું કે, અમારી પાર્ટી બંધારણીય મૂલ્યોનું પાલન કરે છે. અમે સૌને સાથે લઈને ચાલવાનું માનીએ છીએ. મારકૂટની સંસ્કૃતિ કોંગ્રેસમાં સ્વીકાર્ય નથી. તેઓએ મનસેની રાજનીતિ પર સીધી ટીકા કરતાં જણાવ્યું કે નાના વેપારીઓ, હોર્કસ, સમોસા વેચનારાઓ પર દાદાગીરી કરવાનો અભિગમ કોંગ્રેસ માટે અસ્વીકાર્ય છે. વર્ષા ગાયકવાડે વધુમાં ઉમેર્યું કે, ઉદ્ધવ ઠાકરે એક સ્વતંત્ર પક્ષ છે, તેઓએ પોતાનો નિર્ણય પોતે લેવો જોઈએ. ઉદ્ધવ ઠાકરેએ હવે નિર્ણય લેવો પડશેકોંગ્રેસના સ્પષ્ટ નિવેદન પછી હવે શિવસેના (ઠાકરે જૂથ) માટે રાજકીય સમીકરણો કઠિન બનશે. મનસે સાથેના તેમના વધતા સંપર્કો સામે કોંગ્રેસે સ્પષ્ટ રેખા દોરી દીધી છે. હવે ઉદ્ધવ ઠાકરેએ નક્કી કરવું પડશે કે તેઓ એમવીએનો પરંપરાગત માર્ગ પસંદ કરશે કે મનસે સાથે રાજકીય સમીકરણ બાંધશે.
શીતલ તેજવાનીને નિવેદન નોંધાવવા બોલાવાઈ:પાર્થ પવારને સંડોવતા જમીન કૌભાંડમાં મહિલાને સમન્સ
રાજ્યમાં હાલમાં ગાજી રહેલા ઉપ મુખ્ય મંત્રી અજિત પવારના પુત્ર પાર્થ પવારને સંડોવતા જમીન કૌભાંડમાં હવે શીતલ તેજવાનીને પોલીસે સમન્સ પાઠવ્યા છે. શીતલને આ મામલામાં નિવેદન નોંધાવવા માટે હાજર થવા પોલીસે જણાવ્યું છે નોંધનીય છે કે પુણેના કોંઢવામાં રૂ. 40 કરોડની સરકારી જમીનનો આ વ્યવહાર વિવાદ પછી હવે રદ કરાયો છે. 300 કરોડના આ જમીન કૌભાંડમાં પાર્થ પવારની કંપનીને સંડોવણીનો આરોપ છે. આ જમીનની પાવર ઓફ એટર્ની તેજવાની પાસે હતી, જે પછી પાર્થ પવારની કંપની અમેડિયા એન્ટરપ્રાઈઝીસ એલએલપીને વેચવામાં આવી હતી.આ સોદામાં શીતલનું નામ આવ્યા પછી તે ગાયબ થઈ ગઈ હતી. હવે આ પ્રકરણની તપાસ શરૂ કરાઈ હોવાથી શીતલને પોલીસ સામે હાજર થવા માટે જણાવવામાં આવ્યું છે. ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસના કાર્યાલય દ્વારા આ પ્રકરણમાં એફઆઈઆર દાખલ કરાઈ છે, જેમાં અમેડિયા એન્ટરપ્રાઈઝીસના સહ- ભાગીદાર દિગ્વિજય પાટીલ, શીતલ તેજવાની અને સબ- રજિસ્ટ્રાર આર બી તરુના નામ નોંધવામાં આવ્યા છે, જેમની વિરુદ્ધ ઉચાપત અને છેતરપિંડીનો આરોપ છે. વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેજવાનીને નોટિસ જારી કરવામં આવી છે. આ નોટિસ તેના મુંબઈના નરીમાન પોઈન્ટ વિસ્તારમાં કાર્યાલયમાં આપવામાં આવી હતી, જ્યારે પિંપરી- ચિંચવડ વિસ્તારમાં તેના ઘરે પણ નોટિસ જારી કરવામાં આવી છે. શીતલને તેની વિરુદ્ધ દાખલ કેસમાં નિવેદન નોઁધાવવા માટે બોલાવવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું,
ભાંડુપમાં રહેતા ધાર્મિક પરિવારની 32 વર્ષની પુત્રી ભૂમિ સોની પરિવારના સ્નેહમિલન પ્રસંગે લોનાવાલા ખાતે ભેગા થયેલા કુંટબીજનોને મળી રહી હતી ત્યારે અચાનક ચક્કર આવતાં શનિવાર સવારે નિધન થયું હતું. પરિવારના હિતેનભાઈ સોનીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, અમે બધા પરિવારજનો લોનાવાલા ખાતે સ્નેહમિલન પ્રંસગે એકઠા થયા હતા, મૂળ કચ્છના મુંદ્રા તાલુકાના લુણી ગામના અને ભાડુંપમાં રહેતા દીપકભાઈનો પરિવાર પણ આ પ્રસંગે લોનાવાલા આવ્યો હતો, દીપકભાઈ સોનીની 3 દીકરી પૈકીની ભૂમિ સોનીનું જૈનોના મહાતપ વર્ષીતપની તપસ્યા શરૂ હતી. શનિવારે તેનો ઉપવાસ હતો. સવારે 9:30 કલાકે પરિવારજનોની મુલાકાત દરમિયાન ભૂમિ અચાનક ચક્કર આવતાં પડી ગઈ હતી. પરિવારજનોએ તુંરત નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતા, પરંતુ ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કરી હતી. એ પછી તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું તેમાં પ્રાથમિક અહેવાલમાં ભૂમિને હાર્ટએટેક આવ્યો હોવાનું જણાયું છે, મોટા ભાગના પરિવારજનો લોનાવાલામાં હોય તેની અંતિમવિધિ પણ લોનાવાલામાં કરવાનું નક્કી ર્ક્યું છે. કુ.ભૂમિએ અગાઉ પણ વર્ષીતપની આકરી તપસ્પા કરી હતી. કચ્છ -ગુદાલાના પુ. વિમળાબાઇ મહાસતીજી અને લૂણીના વૈશાલીબાઈ મહાસતીજીના સાંનિધ્યમાં ભૂમિને ધાર્મિક અભ્યાસ કરતી હતી, હાલમાં દિનેશમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યમાં બીજું વર્ષીતપ કરી રહી હતી. ભૂમિ ધાર્મિક સ્વભાવની હતી અને તેને દીક્ષાનો ભાવ હતો. પરંતુ અચાનક અમારા બધા પરિવારજનો સામે અંતિમ શ્વાસ લીધો. આ ઘટનાથી કચ્છી વિશા ઓસવાલ સમાજમાં ગમગીની વ્યાપી ગઈ છે.
બાળદિને બાળકીનું મોત:ધોરણ-6ની વિદ્યાર્થિનીને 100 ઊઠબેસની સજા: બાળદિને સારવાર દરમિયાન મોત
વસઈમાં સાતિવલી સ્થિત શ્રી હનુમાન્ત વિદ્યા હાઈ સ્કૂલમાં ધોરણ 6માં ભણતી 13 વર્ષની કાજલ ઉર્ફે અંશિકા ગૌડને શિક્ષકે 100 ઊઠબેસ કરવાની સજા આપ્યાનો આક્ષેપ સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. આ સજા બાદ તેની તબિયત બગડી અને સતત સારવાર છતાં 14 નવેમ્બરે, બાળદિને, તેનું મૃત્યુ થયું. ઘટનાએ વાલીઓ, સ્થાનિકો અને રાજકીય પક્ષોમાં ભારે રોષ ફેલાવ્યો છે. 8 નવેમ્બરે અંશિકા સહિત અનેક વિદ્યાર્થીઓ શાળામાં 10 મિનિટ મોડા પહોંચ્યા હતા. વર્ગશિક્ષકે તેમને સજા હેઠળ 100 ઊઠબેસ કરવાનું કહ્યું. અનેક વિદ્યાર્થીઓએ થોડી ઊઠબેસ કરી સજા અધૂરી રાખી બેઠા થઈ ગયા, પરંતુ ડરી ગયેલી અંશિકાએ સંપૂર્ણ સજા પૂર્ણ કરી. શાળાએથી ઘરે પહોંચ્યા પછી તેની તબિયત વધુ ખરાબ થવા લાગી. બીજા દિવસે સ્થિતિ ગંભીર બનતા તેને વસઈની આસ્થા હોસ્પિટલમાં દાખલ કરાઈ, ત્યારબાદ વધુ સારવાર માટે તેને મુંબઈની જેજે હોસ્પિટલ ખસેડવામાં આવી. તમામ પ્રયત્નો નિષ્ફળ જતા 14 નવેમ્બરે તેનું અવસાન થયું. પરિવારજનો અને સ્થાનિકોમાં શોક અને આક્રોશ ફેલાયો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ઘટનાની નારાજગી વ્યક્ત કરી શાળાને તાળું મારી દીધું છે. તેમણે જાહેરાત કરી છે કે જ્યાં સુધી સંડોવાયેલા શિક્ષક સામે ગુનો નોંધાશે નહીં, ત્યાં સુધી શાળા ખોલવા નહીં દે. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે શાળાને યોગ્ય માન્યતા મળી નથી, જેને કારણે વહીવટીતંત્ર પર પણ સવાલો ઊભા થયા છે. ઘટનાની જાણ થતાં જ શિક્ષણ વિભાગના અધિકારીઓએ શાળાની મુલાકાત લીધી. ગટશિક્ષણ અધિકારી પાંડુરંગ ગલાંગેએ જણાવ્યું કે, ઘટનાની વિગતવાર તપાસ કરી અહેવાલ રજૂ કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું કે, રાઈટ ટુ એજ્યુકેશન (આરટીઈ) અધિનિયમ 2009 મુજબ વિદ્યાર્થીઓને શારીરિક અથવા માનસિક સજા આપવી ગુનો છે, અને તે અંગે વિભાગ તરફથી વારંવાર સૂચનાઓ આપવામાં આવી છે. પોલીસે વિધિસર તપાસ શરૂ કરીઆરટીઈ કાયદાની કલમ 17(1) મુજબ વિદ્યાર્થીઓ પર શારીરિક અને માનસિક અત્યાચારથી રક્ષણ આપવામાં આવે છે, જ્યારે કલમ 17(2) હેઠળ આવી હરકતો કરનાર સામે સીધી સજાની જોગવાઈ છે. આ ઘટનાને લઈને પોલીસે વિધિસર તપાસ શરૂ કરી છે, અને વહીવટીતંત્રની ભૂમિકા પર નજર રાખવામાં આવી રહી છે.
સન્ડે ફોટો સ્ટોરી:સ્ટીલ ડિકાર્બનાઈઝેશનમાં સ્ક્રેપ મહત્ત્વપૂર્ણઃ એમજંકશનની પરિષદ
ભારતના સ્ટીલ કાર્બનાઈઝેશનના પ્રયાસમાં સ્ક્રેપ ચાવીરૂપ છે, એવો સૂર એમજંકશનની સ્ટીલ કોન્ફરન્સમાં ઊમટ્યો હતો. આ અવસરે તેના એમડી અને સીઈઓ વિનયા શર્મા, ડફેર્કો એશિયાના એમડી સુભેંદુ બોસ, ટાટા સ્ટીલના સંદીપ કુમાર, ઈક્રાના ગિરીશકુમાર કદમ, સેઈલના સૈયદ જાવેદ અહમદ સહિતના આગેવાનો હાજર હતા.
માંગ:સંસદસભ્યો, વિધાનસભ્યો પરના કેસની સુનાવણી 30 દિવસમાં કરો
મહારાષ્ટ્ર સહિત ગોવા અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દીવના સંસદસભ્યો અને વિધાનસભ્યો વિરુદ્ધ કુલ 478 કેસ વિવિધ તબક્કે ચાલી રહ્યાની નોંધ હાઈ કોર્ટે લીધી હતી. તેમ જ આ કેસનો ઝડપથી નિકાલ કરવા સમયમર્યાદા નિશ્ચિત કરી હતી. સંસદસભ્યો, વિધાનસભ્યો વિરુદ્ધ વિલંબિત કેસની સંખ્યા ઘણી વધારે છે એવી ટિપ્પણી હાઈ કોર્ટના મુખ્ય જજ શ્રી ચંદ્રશેખર અને જજ ગૌતમ અખંડની ખંડપીઠે કરી હતી. હાઈ કોર્ટે આપેલા આદેશ અનુસાર અંતિમ દલીલ ચાલતી હોય એવા કેસના જજોએ આ પ્રક્રિયા આગામી 30 દિવસમાં પૂરી કરવી અને એ પછી ઝડપથી કેસનો ચુકાદો આપવો. સરકારી પક્ષના સાક્ષીદારોની સાક્ષી નોંધવાની પ્રક્રિયા પૂરી થયેલા કેસમાં સંબંધિત નીચલી કોર્ટે ફોજદારી પ્રક્રિયા સંહિતાની કલમ 313 અનુસાર પુરાવા બાબતે આરોપીના જવાબ નોંધવા ત્રણ અઠવાડિયાની મુદત આપી હતી. આ પ્રક્રિયા પૂરી કરતા જામીન પર છૂટેલા આરોપીને સમન્સ બજાવવામાં આવે. તેમ જ જેલમાં કેદ આરોપીની કોર્ટમાં હાજરીનો આગ્રહ રાખ્યા વિના વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એનો જવાબ નોંધવો એવો આદેશ પણ કોર્ટે આપ્યો હતો. આ તમામ આદેશનું પાલન કરવા સંદર્ભનો અહેવાલ 19 ડિસેમ્બરના રજૂ કરવાનો આદેશ કોર્ટે સરકારી વકીલ મનકુંવર દેશમુખને આપ્યો હતો. સંસદસભ્યો અને વિધાનસભ્યો પર કુલ 478 કેસ વિલંબિત છે. 132 પ્રકરણમાં આરોપીની કોર્ટમાં હાજરી નિશ્ચિત કરવાની બાકી છે. 45 પ્રકરણમાં કોર્ટમાં અન્ય અરજીઓ પર સુનાવણી ચાલુ છે. સ્ટે પાછો ખેંચવાની માગણીઓછામાં ઓછા 16 પ્રકરણમાં હાઈ કોર્ટે અને પાંચ પ્રકરણમાં જિલ્લા કોર્ટે વચગાળાનો સ્ટે આપ્યાનું સરકાર તરફથી કોર્ટને જણાવવામાં આવ્યું. એના પર પણ સ્ટે પાછો ખેંચવા માટે રાજ્ય સરકારે શું પ્રયત્ન કર્યા એવો સવાલ કોર્ટે કર્યો. સંસદસભ્યો, વિધાનસભ્યો વિરુદ્ધ કેસનો ઝડપથી નિકાલ કરવાના કોર્ટના આદેશ સંબંધિત કોર્ટના ધ્યાનમાં લાવવામાં આવશે એવી ખાતરી સરકારી વકીલે કોર્ટને આપી હતી.
કુષ્ઠરોગ શોધ અભિયાન કરાશે:સત્તર નવેમ્બરથી બીજી ડિસેમ્બર સુધી રાજ્યવ્યાપી કુષ્ઠરોગ શોધ અભિયાન
કેન્દ્ર સરકારની માર્ગદર્શક સૂચના અનુસાર રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષ પ્રમાણે આ વર્ષે પણ કુષ્ઠરોગ શોધ અભિયાન ચલાવવામાં આવશે. 17 નવેમ્બરથી 2 ડિસેમ્બર દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં વ્યાપક સર્વેક્ષણ દ્વારા કુષ્ઠરોગના દર્દીઓ શોધવાની ઝુંબેશ ચલાવવામાં આવશે. આ વર્ષના અભિયાનમાં 8.66 કરોડ લોકસંખ્યા અને 1 કરોડ 73 લાખ 25 હજાર ઘર સર્વેક્ષણ માટે પસંદ કરવામાં આવ્યા છે. 65 હજાર 832 ટીમ અને 13 હજાર 166 સુપરવાઈઝર આ ઝુંબેશ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગ્રામીણ ભાગમાં દરેક ટીમ દરરોજ 20 ઘર તો શહેરી ભાગમાં 25 થી 30 ઘરની મુલાકાત કરીને શારીરિક તપાસ કરશે. દરેક ટીમમાં એક આશા સ્વયંસેવિકા અને એક પુરુષ સ્વયંસેવક સહભાગી છે. દરેક ટીમ સતત 14 દિવસ સર્વેક્ષણ કરશે.કુષ્ઠરોગ શોધ અભિયાનની રાજ્યસ્તરીય સમિતિની બેઠક આરોગ્ય સેવા આયુક્ત તથા રાષ્ટ્રીય આરોગ્ય અભિયાન સંચાલક ડો. કાદંબરી બલકવડેની અધ્યક્ષતા હેઠળ થઈ હતી. આ બેઠકમાં આરોગ્ય સેવા સહસંચાલક (ટીબી અને કુષ્ઠરોગ) ડો. રાજરત્ન વાઘમારે, રાજ્ય આરોગ્ય શિક્ષણ અને સંપર્ક વિભાગના સહાયક સંચાલક ડો. સંજયકુમાર જઠાર, દૂરદર્શન પ્રતિનિધિ ડો. આલોક ખોબ્રાગડે, આકાશવાણી મુંબઈના રાજેશ શેજવલે, એલર્ટ ઈંડિયાના વરિષ્ઠ પ્રોગ્રામર વિન્સેંટ કે. એ, અપાલના અધ્યક્ષ માયા રણવરે, મહારાષ્ટ્ર કુષ્ઠ પીડિત સંગઠનના સભ્ય મદિના શેખ તેમ જ રાજ્ય જનજાગરણ સમિતિ સભ્ય વિકાસ સાવંત ઉપસ્થિત હતા. 2027 સુધી શૂન્ય કુષ્ઠરોગ પ્રસારનો ધ્યેયશંકાસ્પદ દર્દીની મેડિકલ અધિકારી તરફથી તપાસ કરીને કુષ્ઠરોગ નિદાન થાય તો તેની સારવાર તરત ચાલુ કરવામાં આવશે. ઘેરઘેર તપાસ કરીને સમાજમાં છુપાયેલા, નિદાન ન થયેલા કુષ્ઠરોગ દર્દીઓને શોધીને સારવાર હેઠળ લાવવા અને સંક્રમણની સાંકળ તોડવી, કુષ્ઠરોગ બાબતે સમાજમાં જાગૃતિ વધારવી, 2027 સુધી શૂન્ય કુષ્ઠરોગ પ્રસારના ધ્યેયને હાંસિલ કરવું, એ આ અભિયાનના મુખ્ય ઉદ્દેશ છે. અભિયાનની અસરકારક અમલબજાવણી માટે રાજ્ય સ્તરે સર્વેક્ષણ બાબતે માર્ગદર્શન કાર્યશાળા આયોજિત કરવામાં આવી રહી છે. તેમ જ જિલ્લા અને તાલુકા સ્તરે સમન્વય સમિતિઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ટીમના સભ્યોનું પ્રશિક્ષણ ચાલુ છે.
બીકેસીમાં 43મી એન્યુઅલ જનરલ મિટિંગનું આયોજન:ક્રેડાઈ- MCHI દ્વારા એકત્રિત ઝડપી મંજૂરીની દિશા સ્થાપિત
ક્રેડાઈ- એમસીએચઆઈ દ્વારા જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, બીકેસીમાં 43મી એન્યુઅલ જનરલ મિટિંગ (એજીએમ)નું આયોજન કરાયું હતું, જેમાં વરિષ્ઠ સરકારી અધિકારીઓ, નીતિના ઘડવૈયાઓ અને ઉદ્યોગના હિસ્સાધારકોએ એકત્ર આવીને મુખ્ય નીતિની બાબતોની સમીક્ષા કરી હતી અને પ્રમુખ સુખરાજ નાહરની આગેવાની હેઠળ સંગઠનનો એજન્ડા પણ સ્થાપિત કર્યો હતો. ખાસ કરીને એકત્રિત સુધારણા અને ઝડપી મંજૂરીની દિશા સ્થાપિત કરી હતી. ખાસ કરીને મહાપાલિકા કમિશનર ડો. ભૂષણ ગગરાણી સાથે સંયુક્ત સમીક્ષ સત્રનું આયોજન કરાયું હતું, જેમાં ક્ષેત્રના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી અને અનેક સમસ્યાઓને પહોંચી વળવામાં આવ્યું હતું. ઉપરાંત ઈઝ ઓફ ડુઈંગ 2.0 રજૂ કરાયું હતું, જે મંજૂરીઓને પ્રવાહરેખામાં લાવવા, પારદર્શકતા સુધારવા અને નિયામક સંસ્થાઓ પાસેથી સમયબદ્ધ રીતે પ્રતિસાદની ખાતરી રાખવા માટે તૈયાર કરાયેલી કાર્યરેખા પર કેન્દ્રિત હતું. બીએમસી અને એસઆરએ સાથે માસિક સમીક્ષા યંત્રણા પ્રગતિનું પગેરું રાખવા અને સંચાલન અવરોધો ઉકેલવા માટે સંસ્થાકીયકરણ કરાયું હતું. ગગરાણીએ આ સમયે જણાવ્યું કે એજીએમમાં સર્વ ચાર સંગઠનને એકત્ર લાવવાનો નિર્ણય ઉદ્યોગની પરિપક્વતા અને ધ્યેય દર્શાવે છે. હિસ્સાધારકો એક અવાજ સાથે એકત્રિત આવે અને બોલે છે ત્યારે વહીવટી તંત્ર પડકારોને ઝડપથી પહોંચી વળે છે અને અતૂકતા વધી જાય છે.સુખરાજ નાહરે જણાવ્યું કે આ વર્ષે અમે રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં મજબૂત જોડાણ નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. ક્રેડાઈ- એમસીએચઆઈ, નરેડકો, પીઈએટીએ અને બીડીએ એકત્ર આવતાં અમે એવું એકત્રિત મંચ નિર્માણ કર્યું છે, જે અમને નિયામક અને સંચાલન પડકારોને વધુ કાર્યક્ષમ રીતે પહોંચી વળવા માટે અભિમુખ બનાવે છે. સેક્રેટરી રુશી મહેતાએ જણાવ્યું હતું કે સંગઠનની એકત્રિત કૃતિએ અનેક હકારાત્મક બાબતો સર્જાઈ રહી છે અને હું દરેક સભ્યોને આ મંચ અને પહેલોનો સક્રિય રીતે લાભ લેવા માટે પ્રોત્સાહન આપું છું. સિનિયર વીપી જિતેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે અમારી એકત્રિત એકાગ્રતા પારદર્શક અને સમયબદ્ધ કાર્યરેખા નિર્માણ કરશે, જે ઝડપી મંજૂરીઓ અને સરળ પ્રોજેક્ટ અમલબજાવણીને પ્રોત્સાહન આપે છે.
ઘાટકોપરથી વર્સોવા દરમિયાન દોડતી મુંબઈની પ્રથમ મેટ્રો-1 રૂટ પર પ્રવાસીઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. આ ધ્યાનમાં રાખીને ગિરદી પર નિયંત્રણ રાખવા મેટ્રો પ્રશાસને વિશેષ નિયોજન શરૂ કર્યું છે. અંધેરી, ઘાટકોપર, મરોલ નાકા જેવા મુખ્ય મેટ્રો સ્ટેશનના પ્લેટફોર્મ પર મર્યાદિત પ્રવાસીઓને એન્ટ્રી આપવામાં આવી રહી છે. મેટ્રો-1 રૂટ પર હાલની સ્થિતિમાં કાર્યાલયના કામકાજના સમયમાં દરરોજ 5 લાખ કરતા વધારે પ્રવાસીઓ પ્રવાસ કરે છે. આ મેટ્રો રૂટને અંડરગ્રાઉન્ડ મેટ્રો-3, મેટ્રો 2એ અને મેટ્રો-7 એમ ત્રણ રૂટની કનેક્ટિવિટી થયા પછી પ્રવાસીઓની સંખ્યામાં ઘણો વધારો થયો છે. ઘાટકોપર, મરોલ નાકા, ગુંદવલી, અંધેરી, આઝાદનગર જેવા મેટ્રો સ્ટેશન પર સાંજે અને સવારે સખત ગિરદી થાય છે. આ ગિરદીના વિશેષ નિયોજન માટે મેટ્રો પ્રશાસને વિવિધ પગલાં ભર્યા છે. એ અનુસાર ગિરદીના સમયે મેટ્રોના પ્લેટફોર્મ પર મર્યાદિત પ્રવાસીઓને જ એન્ટ્રી આપવામાં આવે છે. ગિરદી વધે એટલે ટ્રેનની સીટની ક્ષમતા ધ્યાનમાં લઈને પ્લેટફોર્મ પર એન્ટ્રી મર્યાદિત રાખવામાં આવે છે. પ્લેટફોર્મના પ્રવાસીઓ સ્ટેશનથી પ્રવાસ શરૂ કરે ત્યાં સુધી બાકીના પ્રવાસીઓને ટિકિટ કાઉન્ટરવાળા એરિયામાં રોકી રાખવામાં આવે છે. ઘણી વખત આ બંને એરિયા ફૂલ થયા બાદ અનેક પ્રવાસીઓને અનપેઈડ એરિયામાં રોકીને ગિરદીનું નિયોજન કરવામાં આવે છે એવી માહિતી આપવામાં આવી છે.
ઉજવણી:ફતેપુરામાં શોભાયાત્રા સાથે બિરસા મુંડાની જન્મ જયંતી ઉજવણી કરાઇ
ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીને લઈને ફતેપુરાની આઈ.કે. દેસાઈ સ્કૂલ ખાતે એક ભવ્ય સભાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી કૌશિકભાઈ વેકરિયા, દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર સહિત અન્ય નેતાઓ અને લોકો શોભાયાત્રા અને સભામાં ઉમટી પડ્યા હતા. ભવ્ય શોભાયાત્રાનું સ્થાનિક લોકો દ્વારા ઠેર ઠેર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીની ઉજવણીને લઈને સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ છે. ભગવાન બિરસા મુંડાએ સમાજ સુધારાનું અને આદિવાસી સમાજ સહિત દેશનું ગૌરવ વધારવાનું ઉત્કૃષ્ટ કામ કર્યું છે. સાંસદ જશવંતસિંહ ભાભોરે ભગવાન બિરસા મુંડાને આઝાદીના પ્રેરણા સ્ત્રોત ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, બિરસા મુંડાએ જનજાતિ સમાજનું માન વધાર્યું છે અને દેશ નિર્માણનું કાર્ય કર્યું છે. તેમણે દેશના વડાપ્રધાનનો જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરવા બદલ આભાર પણ માન્યો હતો. આ સભામાં ઉપસ્થિત સૌ કોઈએ દેશના વડાપ્રધાનના વર્ચ્યુઅલ સંબોધનને પણ ધ્યાનપૂર્વક સાંભળ્યું હતું.
સિટી એન્કર:અંધેરી પશ્ચિમ-મંડાલે મેટ્રો-2બીના એશિયાના સૌથી મોટા કારશેડનું કામ પૂરું
મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણે અંધેરી પશ્ચિમથી મંડાલે મેટ્રો-2બી રૂટનો એક મહત્વનો તબક્કો પાર કર્યો છે. આ રૂટના મંડાલે કારશેડનું કામ પૂરું થયું છે અને આ કારશેડ હવે મેટ્રો ટ્રેનના સંચાલન માટે સજ્જ છે. મંડાલે ખાતે 30.45 હેકટર જમીન પર ઊભા કરવામાં આવેલા આ કારશેડમાં એક સાથે 72 ટ્રેન ઊભી કરી શકાશે.મંડાલે કારશેડ નવીનતા અને કલ્પકતાનું ઉત્તમ ઉદાહરણ છે. આ કારશેડ એશિયામાં સૌથી મોટો અને અત્યાધુનિક કારશેડ હોવાનો દાવો એમએમઆરડીએએ કર્યો છે. દહિસર પશ્ચિમ મેટ્રો-2એ રૂટનું વિસ્તરણ અંધેરી પશ્ચિમ-મંડાલે મેટ્રો-2બી રૂટના માધ્યમથી કરવામાં આવી રહ્યું છે. 23.64 કિલોમીટર લાંબા આ એલિવેટેડ મેટ્રો રૂટના કારણે પશ્ચિમ અને પૂર્વના ઉપનગરો જોડાશે. આ ઉપનગરોમાં પ્રવાસ અતિઝડપી થશે. આ રૂટનું કામ બે તબક્કામાં પૂરું કરવામાં આવે છે. મંડાલેથી ડાયમંડ ગાર્ડન અને ડાયમંડ ગાર્ડનથી અંધેરી પશ્ચિમ એમ બે તબક્કા છે. એમાંથી ડાયમંડ ગાર્ડનથી મંડાલે પહેલો તબક્કો પૂરો થયો છે. આ રૂટ શરૂ થવાની પ્રતિક્ષા મુંબઈગરા કરે છે. હવે આ રૂટમાં અત્યંત મહત્વના મંડાલે કારશેડનું કામ 100 ટકા પૂરું થયું છે.આ કારશેડ મેટ્રો સંચાલન માટે સજ્જ હોવાની માહિતી એમએમઆરડીએએ આપી છે. મેટ્રો-2બી રૂટનો કારશેડ 30.45 હેકટર જમીન પર ઊભો કરવામાં આવ્યો છે. એમાં 72 સ્ટેબલિંગ લાઈન્સ છે જ્યાં એક સાથે 72 મેટ્રો ટ્રેન ઊભી કરી શકાશે. મહત્વની વાત એટલે આ સ્ટેબલિંગ લાઈન્સ દ્વિસ્તરીય છે. એક માળા પર 36 અને બીજા માળા પર 36 ટ્રેન ઊભી રાખી શકાશે. આ કારશેડના પાટાની કુલ લંબાઈ 29 કિલોમીટર છે. ટ્રેનના પરીક્ષણ માટે પાટાનું જાળું દેશમાં સૌથી મોટુ હોવાનો દાવો એમએમઆરડીએએ કર્યો છે. મેટ્રો ટ્રેનના રિપેરીંગ માટે 10 લાઈન્સ છે. ટ્રેન ધોવા માટે ઓટો વોશ પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો છે. આ કારશેડમાં ત્રણ માળાનું નિયંત્રણ કક્ષ અને એક પ્રશિક્ષણ કેન્દ્ર છે. આ એશિયાનો સૌથી મોટો અને અત્યાધુનિક કારશેડ હોવાનો દાવો એમએમઆરડીએએ કર્યો છે. મંડાલે પરિસર પર્યાવરણની દષ્ટિએ સંવેદનશીલ હોવાથી આ કારશેડ તૈયાર કરવા દરમિયાન પર્યાવરણને કોઈ નુકસાન ન થયું નથી એમ એમએમઆરડીએએ સ્પષ્ટ કર્યું છે. કારશેડ સજ્જ, સુરક્ષા પ્રમાણપત્ર પ્રાપ્ત:મેટ્રો-2બીના ડાયમંડ ગાર્ડનથી મંડાલેના પહેલા તબક્કાનું કામ પહેલાં જ પૂરું થયું છે. આ રૂટનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવાનું નિયોજન હતું. પણ આ રૂટને 8 ઓક્ટોબર સુધી સુરક્ષા પ્રમાણપત્ર મળવાની શક્યતા ન હોવાથી લોકાર્પણ ઠેલાયું હતું. એ પછી થોડા દિવસમાં આ તબક્કા માટે સુરક્ષા પ્રમાણપત્ર મળતા ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં લોકાર્પણની તૈયારી થઈ. જો કે કેટલાક કારણોસર આ મૂરત પણ ઠેલાયું હતું. મુંબઈગરા આ તબક્કો શરૂ થવાની પ્રતિક્ષા કરી રહ્યા છે.
આવેદનપત્ર:બીએલઓ શિક્ષકોને ધરપકડ વોરંટ ઇશ્યૂ પ્રથા બંધ કરવા રજૂઆત કરાઇ
શહેરા તાલુકા શૈક્ષિક મહાસંઘ દ્વારા મુખ્યમંત્રીને સંબોધી શહેરા પ્રાંત કચેરી ખાતે આવેદન આપ્યું હતુ. જેમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતમાં બીએલઓ શિક્ષકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા વારંવાર લેખિત મૌખીક રજૂઆતો કરેલ હતી. પરંતુ આ બાબતે યોગ્ય નિર્ણય ન થતાં શૈક્ષિક સંઘે શિક્ષકોના પડખે રહી વેકેશનમાં તત્કાલિક હાજર થવાનું ફરમાન કર્યું હતું. કોઈ કારણસર હાજર ન થાય તો શિક્ષકોના વૉરંટ ઇશ્યૂ કાઢ્યા હતા. ત્યારે શિક્ષક શિક્ષણની સાથે સાથે રાષ્ટ્રીય કામગીરી પણ પૂર્ણ નિષ્ઠાથી અને ચોકસાઈ પૂર્વક કરતા આવ્યા છે. જેમાં ચૂંટણીની કામગીરી હોય કે વસતી ગણતરી હોય જે કામગીરી શિક્ષકોએ બખૂબી નિભાવી છે. ત્યારે કોઈ કારણથી શિક્ષક હાજર ન થઈ શક્યા હોય એમને કારણ જાણ્યા વગર કે કોઈ સમય આપ્યા વગર વૉરંટ ઇશ્યૂ કરવા કેટલા અંશે વ્યાજબી? ભારતીય ચૂંટણી આયોગના નિર્દેશ મુજબ 12 બાર જેટલી કેડર ના કર્મચારીઓને આ કામગીરી સોંપવાની છે. ત્યારે હાલ 95% શિક્ષકોને આ કામગીરી સોંપવામાં આવેલ છે. એક શાળામાંથી એક થી વધારે બીએલઓ શિક્ષકોના હુકમો થયેલ છે. ત્યારે સ્થાનિક ભૌગોલિક સ્થિતિ અને મતદારોની સંખ્યા જોઈને સરળતા કરી આપવામાં આવે સાથે કોઈ શિક્ષક દ્વારા ઓછું કામ થયું હોય કે સમય મર્યાદામાં ન થયું હોય ત્યારે નોટિસ, ખુલાશો આપવાના સ્થાને તેમની સાથે સૌમ્યતાથી વર્તન કરવામાં આવે સહકાર આપે સાથે આ સમસ્યાનો ઉકેલ જો નહીં આવે તો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત જે નિર્ણય કરશે એમા શહેરા તાલુકાના હોદેદારો જોડાશે.
કાર્યવાહી:હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ માહિતીના આધારે 3 આરોપી ઝડપાયા
લીમખેડા અને રણધીકપુર વિસ્તારમાં થયેલ બે અનડિટેકટ દુકાન ચોરીના ગુન્હાઓ લોકલ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ઝડપથી ઉકેલાયા છે. તપાસ દરમિયાન ત્રણ આરોપીઓને પકડવામાં આવ્યા અને ચોરીમાં લીધેલી કુલ રૂા.15500 કબજે કરવામાં આવી છે. લીમખેડા પોલીસ સ્ટેશને સોંપવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. દાહોદ પોલીસ. સ્ટાફની જુદી-જુદી ટીમો મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા અને મિલ્કત સબંધી ગુનાઓમાં અગાઉ સંડોવાયેલ આરોપીઓ તેમજ ઘણા લાંબા સમયથી નાસતા ફરતા ઇનામી આરોપીઓની માહિતી એકત્રિત કરવા માટે વર્કઆઉટની કામગીરીમા કાર્યરત હતી. તે દરમિયાન એલ.સી.બી. પી.આઇ. એસ.એમ.ગામેતીની સુચનામાં ટીમો મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા કાર્યરત હતી. તે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનીકલ સોર્સના માધ્યમથી પોલીસ. ટીમને મળેલ માહિતી આધારે લીમખેડા પોલીસ મથક તેમજ રણધીકપુર પોલીસ મથકમાં વિસ્તારમાં બનેલ દુકાન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ આરોપી લીમખેડા તાલુકાના ચિલાકોટાના વિક્રમ દેવા વળવી, વિપુલભાઈ બાબુભાઈ તડવી, વલુંડીના પરથમ ઉર્ફે શૈલેષ તેરસીંહ બારીયાને ચોરીમાં ગયેલ રોકડા રૂા.15,500 સાથે ઝડપી પાડ્યા હતા. કાયદેસરની કાર્યવાહી કરી લીમખેડા પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ હાથ ધરવામાં આવી છે. પકડાયેલ આરોપીઓ પોતે પોતાના સાગરીતો સાથે ભેગા મળી દિવસ દરમ્યાન રેકી કરી રાત્રીની સમયે ચોકકસ નક્કી કરેલ ટાર્ગેટ મુજબ બંધ દુકાનના તાળા તોડી સર સામાન ચોરી કરવાની એમ.ઓ.ધરાવે છે.
ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ:ભગવાન બિરસા મુંડાએ 25 વર્ષની ઉંમરે અંગ્રેજો સામે લડત આપી હતી
મહીસાગર જિલ્લા કક્ષાનો ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મ જયંતી નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસ સંતરામપુરના આઝાદ મેદાન ખાતે પ્રા., મા. અને પ્રોઢ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી રીવાબા જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. મંત્રીએ ભારતીના વીર પુત્ર અને સમગ્ર દેશના આદિજાતિ સમાજના આરાધ્ય બિરસા મુંડાના જન્મદિવસે કોટિ કોટિ વંદન કર્યા હતા. ભારત સરકારે બિરસા મુંડાના જન્મદિવસ 15મી નવેમ્બરને જનજાતીય ગૌરવ દિવસ તરીકે જાહેર કરી આદિજાતિ સમાજના અમૂલ્ય યોગદાનને રાષ્ટ્રીય ફલક પર યોગ્ય સન્માન આપ્યું છે. જિલ્લાની ઓળખ સમાન માનગઢ હિલનો પણ ઉલ્લેખ કર્યો, ગુરુ ગોવિંદની ઐતિહાસિક ધૂણી અને 1913માં 1500 કરતાંય વધારે આદિજાતિ યુવાનોની શહીદીનું પવિત્ર સ્થાન છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના સૂત્રને સાર્થક કરવા, વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવા માટે યોગદાન આપવા આહ્વાન કર્યું હતુ. ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોરે બિરસા મુંડાને યાદ કરીને જણાવ્યું હતું કે માત્ર 25 વર્ષની ઉંમરે તેમણે અંગ્રેજો સામે લડત આપી હતી વડાપ્રધાન માનગઢની ધરતી પર આવીને શહીદોને વંદન કરનાર પ્રથમ વડાપ્રધાન બન્યા. મોદી સરકારે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના સૂત્ર સાથે આદિવાસી સમાજના સર્વાંગી ઉત્કર્ષ માટે અનેક પ્રયત્નો કર્યા હતા.
ઈન્ડિયન મર્ચન્ટ ચેમ્બર ખાતે એસોસિયેશન ફોર ઓલ ટ્રસ્ટની મિટિંગ તાજેતરમાં આયોજિત થઈ હતી. જેમાં મુંબઈની વડી અદાલતમાં બે ટકા સેસના જજમેન્ટ અંગે ચર્ચાવિચારણા કરવામાં આવી હતી. જેમાં અનેક ધર્મોના પ્રતિનિધિત્વો અને અનેક વિદ્વાન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વગેરેએ સભાને માર્ગદર્શન આપ્યું હતું. આ બાબતમાં મુખ્ય મંત્રીને મળીને એક આવેદન પત્ર આપવાની વિચારણા થઈ રહી છે. આ પ્રતિનિધિ મંડળમાં શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન, પારસી પંચાયત, ઈસ્કોન, દાઉદ વહોરા ટ્રસ્ટ અને ભાટીયા ટ્રસ્ટના અને અન્ય ધર્મના અનેક પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા જેને વિદ્વાન, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને એક્સપર્ટ્સ લોકોએ સંબોધિત કરી હતી અને આવેલા અનેક ધર્મના પ્રતિનિધિઓને માર્ગદર્શન આપ્યું હતું. આ અવસરે ફોટોલાઈનઃ સી.એ. વિપીન બાટવીયા, સી.એ. વિરેન મર્ચન્ટ, સી.એ. અતુલ શાહ, ગિરીશ શાહ, નવસરી દાદરાવાલા, મુફત્તલ ફતેહી, ઈસ્કોનના શ્રી મહાપ્રભુ, વેણુધારી ક્રિષ્ણા હાજર હતા. શ્રી મુંબઈ અને મહારાષ્ટ્રના કેટલાક જૈન સંઘો દ્વારા 40/2007ની એક રીટ પિટિશન મુંબઈની વડી અદાલતમાં દાખલ કરવામાં આવી હતી કે મહારાષ્ટ્ર ચેરિટી કમિશનર પાસે ઘણી બધી ફિક્સ ડિપોઝીટ હોવાથી તેઓ તેના વ્યાજમાંથી ઓફિસનો ખર્ચો કાઢી શકે તેમ છે અને 1975ના સેલ્વેસન આર્મી ઈન્ડિયાના જમેન્ટના આધારે જ્યાં સુધી આ રકમ હોય ત્યાં સુધી 2 ટકા સેશ લઈ શકાતો નથી તેથી 25-9-2009થી આ સેશ ઉપર સ્ટે ઓર્ડર આપવામાં આવ્યો હતો અને છેલ્લા 16 વર્ષથી પાંચેક લાખ ટ્રસ્ટોની પોતાની ગ્રોસ આવકના કોન્ટ્રીબ્યુશન ઉપર બે ટકા સેશ ભરવો પડતો નહોતો. જોકે, વડી અદાલતમાં આપેલા ચૂકાદા પ્રમાણે છેલ્લા 16 વર્ષનો આ કોન્ટ્રીબ્યુશન સેશ ટ્રસ્ટો પાસેથી વસૂલ નહીં કરી શકાય પરંતુ હવે તેમની ફિક્સ ડિપોઝિટ કેપિટલ એસેટ્સ લેવા માટે વપરાઈ ગઈ હોવાથી નવેસરથી સર્કયુલર જાહેર કરીને બધા ટ્રસ્ટો ઉપર બે ટકાથી પાંચ ટકાની વચ્ચે સેશ લઈ શકાય છે. અને પિટિશનરોને છૂટ આપવામાં આવી હતી કે આ સેશમાં કંઈ વાંધાજનક લાગે તો ફરી એકવાર તેઓ હાઈકોર્ટને અવગત કરી શકે છે. નૌશીર દાદરાવાલા, વિરેન મર્ચન્ટ અને મુંબઈ જૈન સંઘ સંગઠનના અતુલ શાહે આ બાબત ખૂબ જ રિસર્ચથી છણાવટ કરીને આ જજમેન્ટની લોકોને જાણકારી આપી હતી, તે સિવાય આ સભામાં શ્રી મુફ્ત્તલ ફતેહી, શ્રી ગિરીશભાઈ શાહ, ઈસ્કોનના શ્રી મહાપ્રભુજી, સી.એ. શ્રી બિપીન બાટવીયા, શ્રી વેણુધારી ક્રિષ્ણા અને સી.એ. શ્રી રાજકમલ શાહે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. આ ચર્ચામાં એક વાત ઉપસીને આવી હતી કે બંધારણની 25-26મી કલમના આધારે ધર્મ કરવાની સ્વાયત્તતા હોવાને કારણે તેના ઉપર કોઈ ટેક્સ લાગવો જોઈએ નહીં અને જે સર્વિસિસ આપવામાં આવે છે તે અપૂરતી હોવાથી આવો ટેક્સ લગાડવો વ્યાજબી પણ નથી. ચાર રાજ્યમાં જ સેસના કાયદાવધુમાં આખા ભારત દેશમાં માત્ર મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન આમ કુલ ચાર રાજ્યમાં જ આ સેસના કાયદાઓ છે. બાકીના કોઈ રાજ્ય કે યુનિયન ટેરિટરીમાં ચેરિટી કમિશનરના આવા કાયદાઓ અસ્તિત્વમાં નથી. વળી ગુજરાતમાં 2 ટકા અથવા 50,000 બેમાંથી જે ઓછો કર થાય તેટલો જ ટેક્સ ભરવાની મર્યાદા છે.
ફોટો સ્કેનમાં સર્વરની સુસ્તી:ગ્રામ્ય કક્ષાએ મતદાર યાદી સુધારણાઓનલાઈન કામગીરીમાં અડચણો
ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા માટે હાથ ધરવામાં આવેલી સ્પેશિયલ સમરી રિવિઝન (SIR)ની કામગીરી દાહોદ જિલ્લામાં પડકારરૂપ બની રહી છે. એક તરફ ઇન્ટરનેટ અને સર્વરની ધીમી ગતિને કારણે ઓનલાઈન કામગીરી અટકી રહી છે. તો બીજી તરફ મતદારોના મૂળ દસ્તાવેજો મેળવવા માટે સ્થાનિકોએ કામ-ધંધા અને ખેતીવાડી છોડીને કલાકોના કલાકો ફાળવવા પડી રહ્યા છે. પરિણામે ખેતીવાડીની મોસમમાં આ કામગીરી ખેડૂતો અને સ્થાનિકો માટે બમણો બોજ સાબિત થઈ રહી છે. દાહોદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં ઓનલાઈન કામગીરીમાં ફોટો સ્કેન કરતી વખતે સર્વર અત્યંત ધીમું ચાલે છે. જેથી મતદારોનું કામ ઑફલાઇન પૂર્ણ કરવુ પડી રહ્યુ છે. વળી, સ્થળાંતર કરી ગયા હોવાથી ઘણા ઘરોમાં મતદારો મળતા નથી. ગ્રામ્ય વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે ડિજિટલ પ્રક્રિયા અટકી રહી છે અને બીએલઓને જૂની, સમય માંગી લેતી ઑફલાઇન પદ્ધતિ પર જ આધાર રાખવો પડી રહ્યો છે. મતદાર યાદીમાં નામ ઉમેરવા અથવા સુધારવા માટે આધારભૂત પુરાવા એકઠા કરવા એ પણ ગ્રામ્ય પ્રજા માટે એક મોટી કસોટી બની ગઈ છે. પાડોશના ગામમાં લગ્ન કર્યા હોવા છતાં જૂની યાદીઓ શોધવાની આ પ્રક્રિયા સામાન્ય ગ્રામજનો માટે સમયનો અને શક્તિનો વ્યય કરનારી સાબિત થઈ રહી છે. આ કાર્યવાહીને કારણે ખેતીવાડીના વ્યસ્ત સમયમાં સ્થાનિકોના દૈનિક કામ-ધંધા પર પણ સીધી અસર પડી રહી છે. ફોટો સ્કેનમાં સર્વર ધીમુંચાલતા તકલીફ પડે છે300 જેટલા મતદારોના ઓફલાઈન કામગીરીકરીને ફોર્મ ભરીને પૂર્ણ કરેલ છે. હાલમાંકેટલાક ઘરોમાં મતદારો મળતા નથી. જ્યારે આકામગીરી ઓનલાઇન હાલ કરી ત્યારે ફોટોસ્કેનમાં સર્વર ધીમું ચાલતું હોવાથી તકલીફ પડેછે. - સેમનભાઈ સંગાડા , બીએલઓ, મધાનીસર કાર્યવાહીથી અમારા કામ ધંધા પર અસરસરકાર દ્વારા મતદારયાદીની કામગીરી શરૂ કરવામાં આવી તે અમારા ગામમાં પણ ચાલી રહી છે. જેમાં મારા ઘરની વહુ અન્ય ગામમાં પરણાવી હોવાના કારણે તેની મતદાર યાદી લેવા જવામાં આખા દિવસનો સમય જતો રહે છે. આ કાર્યવાહીના કારણે અમારા કામ ધંધા પર પણ અસર પડે છે. હાલમાં ખેતરમાં ઘઉં વાવેલા હોવાના કારણે ખેતીવાડીનો પણ સમય ચાલી રહ્યો છે. તેવામાં આ કામગીરીના કારણે અમને ખેતીના ધંધા પર અસર પડે છે ભરતભાઈ બારિયા, કલજી
દિશાદર્શન:ભગવાન બિરસા મુંડાનો વિરલ ઈતિહાસ ભવિષ્યની પેઢીઓનું દિશાદર્શન કરશે
ભારતના ભવ્ય ઇતિહાસમાં ‘ધરતી આબા’ તરીકે અનોખું સ્થાન પ્રાપ્ત કરનાર અને અંગ્રેજોના દમન સામે પ્રચંડ લડત આપનાર ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી નિમિત્તે સમગ્ર ભારતમાં આ વર્ષ ‘જનજાતિ ગૌરવ વર્ષ’ તરીકે ઉજવાઇ રહ્યું છે. વડાપ્રધાનની પહેલથી શરૂ થયેલી આ પરંપરા અંતર્ગત, દાહોદરમાં વહીવટી તંત્ર દ્વારા શ્રીરામ પાર્ટી પ્લોટમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણમંત્રી દર્શનાબેન વાઘેલા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી અને મહાનુભાવોના વરદ હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત સરકારની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું. શ્રેષ્ઠ રમતવીરો અને તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રશસ્તિપત્ર અને મોમેન્ટો અર્પણ કરીને સન્માનિત કરાયા હતા. મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, જળ, જંગલ અને જમીન બચાવવા માટે ભગવાન બિરસામુંડાએ નાની ઉંમરે અંગ્રેજો સામે પ્રચંડ લડાઈ લડી હતી, જેના કારણે અંગ્રેજોને આદિજાતિના હકો માટે નીતિ ઘડવાની ફરજ પડી હતી. તેમણે જણાવ્યું કે, બિરસામુંડાનો ગૌરવવંતો વિરલ ઈતિહાસ ભવિષ્યની અનેક પેઢીઓનું દિશાદર્શન કરશે. વધુમાં, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અંતિમ હરોળમાં રહેલા માનવીને પ્રથમ હરોળમાં લાવવાની નેમની વાત કરી હતી. ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ પણ બિરસા મુંડાના બલિદાનને ન ભૂલવા માટે આહ્વાન કર્યું હતું. આ અવસરે જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીણા સહિતના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
લગ્નના નામે છેતરપિંડી:વિજાપુરના યુવક સાથે લગ્ન કરનાર કન્યા 4 દિવસ બાદ 3 લાખ અને દાગીના લઈ છૂમંતર
લગ્ન વાંચ્છુક કુંવારા યુવક સાથે રૂ.3.10 લાખ રોકડા અને દાગીના લઈ, વિજાપુરમાં પરણીને આવેલી કન્યા ચાર દિવસ બાદ ઘરે માતાજીના દર્શન કરવાનું કહીને જતી રહી હતી. આથી છેતરાયેલા મુરતિયાએ પરણીને આવેલી કન્યા, તેના પિતા અને દલાલ સહિત ચાર સામે વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વિજાપુર શહેરના બાલ્યો માઢ વિસ્તારમાં આવેલી કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા અમિતકુમાર બાબુભાઈ પટેલના લગ્ન થયા ન હોય તેમના મામાએ બધાના લગ્ન કરી આપતા વડાલીના બળવંતભાઈ રાજપુતનો મોબાઇલ નંબર આપતાં તેમની સાથે વાત કરી હતી. બળવંતભાઈએ તેમના મોબાઈલ ઉપર એક મહિના પછી છોકરીઓના ફોટા નાખ્યા હતા. તેમાંથી તેમણે વઘાસિયા રિયાબેન અશોકભાઈ (રહે.રૂપપુરા, તા.મહુધા, જિ.ખેડા) નામની કન્યા પસંદ કરતાં 2025માં બળવંતભાઈ રાજપુત, રિયા વધાસીયા, તેના પિતા વધાસીયા અશોકભાઈ હરમાનભાઈ અને સોનલબેન તેમના ઘરે આવ્યા હતા અને તે સમયે કન્યા પક્ષને રૂ.3.10 લાખ રોકડા, એક મંગળસૂત્ર, ચાંદીની પાયલ અને પગમાં પહેરવાના વીંછી આપવાની વાત થઈ હતી. ત્યાર બાદ 16 મેના રોજ અમદાવાદ ઘીકાંટા કોર્ટમાં અમિતભાઈએ તેમના સગાસંબંધીઓની હાજરીમાં ફેરા ફરી રિયા સાથે લગ્ન કર્યા હતા
બેંક ઓફ બરોડામાંથી કેશિયરની નોકરીમાંથી નિવૃત્ત થયેલા કડીના વૃદ્ધના સોશિયલ મીડિયા ઉપર તેમના જ બેંકની લીંક મોકલી વીડિયોકોલથી વાત કરી ઠગે બેંક એકાઉન્ટની વિગતો મેળવ્યા બાદ તેમના બંને ખાતામાં પડેલા રૂ.12.92 લાખ ઉપાડી લીધા હતા. તેમના ખાતામાંથી રૂપિયા ઉપડી ગયાના મેસેજ આવતાં ખબર પડ્યા બાદ તેમણે પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગે મહેસાણા સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. કડીના દેત્રોજ રોડ પર આવેલી શાયોના સોસાયટીમાં રહેતા હસમુખભાઈ છનાલાલ ભાવસાર બેન્ક ઓફ બરોડામાંથી કેશિયરપદેથી ત્રણ વર્ષ પૂર્વે નિવૃત્ત થયા હતા. 12 નવેમ્બરે બપોરે તેમના મોબાઈલ ઉપર બેન્ક ઓફ બરોડાના લોગોવાળી લાઈફ સર્ટિફિકેટ વેરિફિકેશનની લીંક આવી હતી. તે ઓપન કર્યા બાદ બેંક ઓફ બરોડાનું પેજ ઓપન થયું હતું. જેમાં તેમણે પોતાનું નામ અને અન્ય વિગતો સબમિટ કરતાંની સાથે જ 89189 25283 નંબર પરથી વીડિયોકોલ આવ્યો હતો છેતરપિંડીથી બચવા અજાણી લિંક ખોલવી નહીંસાયબર ક્રાઇમ રોકવા પોલીસની અજાણી લિંક નહીં ખોલવા અપીલ છતાં બેંકના જ કેશિયર પોતાની બેન્કના લોગોવાળી લિંક જોઈને છેતરાઈ ગયા. આથી કોઈપણ અજાણ્યા નંબરથી આવતી APK ફાઇલ કે લિંક ખોલવી કે ડાઉનલોડ કરવી નહીં. તે તમારા ફોનનો કંટ્રોલ હેકર્સને આપી, બેંક ખાતું ખાલી કરી શકે છે. જો આવી લિંક ખોલી નાખો છો તો તાત્કાલિક બેંક અને સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930નો સંપર્ક કરવો. પાસવર્ડ બદલી, મોબાઇલમાંથી શંકાસ્પદ એપ્લિકેશનો દૂર કરી નાખવી.
ગુજરાતના છોકરા-છોકરીને ઊંચા પગારની નોકરી માટે દુબઈ, મલેશિયા અને વિએતનામ લઈ જવાના બહાને મ્યાનમારમાં ચાલતા સાઇબર ફ્રોડના કૉલ સેન્ટરમાં કામ કરાવવાનું કૌભાંડ પકડાયું છે. કૉલ સેન્ટરના બંને સંચાલક પાકિસ્તાની છે. તેમના માટે ગુજરાતમાંથી છોકરા-છોકરીઓ મોકલવાનું નેટવર્ક જૂનાગઢનું દંપતી તેમજ આણંદનો એજન્ટ સંભાળતા હતા. પોલીસે દંપતી સહિત 3ની ધરપકડ કરી હતી. આ ટોળકીએ 2 વર્ષમાં 41 છોકરા-છોકરીઓને મોકલ્યાનો ઘટસ્ફોટ થયો હતો. સાઈબર સેન્ટર ફોર એક્સિલન્સના પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલા એ કહ્યું કે મ્યાનમારથી પાછા આવેલા છોકરા-છોકરીઓ પાસેથી મળેલી માહિતીન આધારે ગુજરાતમાં નેટવર્ક ચલાવતા સોનલ ફડદુ અને તેના પતિ સંજય ફડદુ તેમજ આણંદના સબ એજન્ટ શૈલેષ ડાભીની ધરપકડ કરી હતી. આ લોકો ડેટા એન્ટ્રી, ટેક્નિકલ જોબ માટે દુબઈ, મલેશિયા, વિએતનામ મોકલવાની લાલચ આપતા હતા. એક વ્યક્તિ પાસેથી 80 હજાર લેતા હતાઆ ટોળકી ટેલિગ્રામ અને રૂબરૂ મળીને 30થી 50 હજારના પગારની નોકરી માટે તૈયાર કરતા હતા. તેમની પાસેથી પ્રોસેસિંગ ફી પેટે 80 હજાર લેતા હતા. તેમાંથી સોનલ 55 હજાર રાખતી હતી જ્યારે 25 હજાર ટિકિટ માટે લેતી હતી. પાછા મોકલવા માટે 6થી 10 હજાર ડૉલર લેતાટોળકી યુવાનોને 3 મહિનાથી માંડીને 1 વર્ષ સુધી જબજસ્તીથી કૉલ સેન્ટરમાં નોકરી કરાવતા હતા. તેમાં તેમની પાસે ડિજિટલ અરેસ્ટ માટેનું કૉલ સેન્ટર, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, નોકરીના બહાને છેતરપિંડી કરીને પૈસા પડાવતા હતા. યુવાનો પાછા જવાનું કહે તો તેની પાસેથી 6થી 10 હજાર ડૉલર લેતા ત્યાબબાદ જ તેને પાસપોર્ટ આપતા હતા. ભાસ્કર ઈનસાઈડ2 વર્ષમાં સોનલ 5 વખત દુબઈ ગઈ હતી અને ત્યાં જ તનવીર સાથે મીટિંગ કરી હતીસોનલ 2 વર્ષમાં 5 વખત દુબઈ ગઈ હતી અને ત્યાં દર વખતે તનવીર સાથે મીટિંગ કરતી હતી. તનવીર સોનલને વીડિયો કૉલથી મીયાજઅલી સાથે વાત કરાવતો. આ બંને સાથે મળીને સોલને 2 જ વર્ષમાં ગુજરાતમાંથી નોકરીના બહાને 5 યુવાનને મ્યાનમાર, 15ને દુબઈ, 15ને વિએતનામ અને 6ને મલેશિયા મોકલ્યા હતા. પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે વર્ષો સુધી કૉલ સેન્ટર દુબઈમાં ચાલતા હતા પરંતુ 2 વર્ષથી દુબઈ સરકારે લાલ આંખ કરતાં ગુનેગારો તેમજ કૉલ સેન્ટરો મ્યાનમાર, કમ્બોડિયામાં શિફ્ટ થઈ ગયા છે. આ લોકોના સેન્ટર પણ પહેલાં દુબઈમાં જ ચાલતા હતા પરંતુ 1 વર્ષથી તેમણે મ્યાનમારમાં કોલ સેન્ટર ચાલુ કરી દીધા હતા.
SIRની કામગીરીને લઇ શનિવારે સવારે 9 થી બપોરે 1 કલાક સુધી બીએલઓને તેમના મતદાન મથક પર હાજર રહી ફોર્મ સ્વિકારવાની કામગીરી સોંપાઇ હતી. શહેરોના મતદાન મથકોમાં લાઇનો લાગી હતી. ત્યાં ગામડામાં ખેતીની સિઝનને લઇ એકલ-દોકલ લોકો આવતાં નજરે પડ્યા હતા. શહેરોમાં ભરેલા ફોર્મ ચકાસીને સ્વિકારવામાં વ્યસ્ત બીએલઓ અન્ય લોકોને ન્યાય આપી શક્યા ન હતા. જ્યારે ગામડામાં લોકોની તમામ મુંઝવણોને સ્થળ પર જ નિરાકરણ લવાતું જોવા મળ્યું હતું. એક બીએલઓએ જણાવ્યું કે, શહેરીની વિસ્તારની એક બીજી મુશ્કેલી છે. એવા પણ પરિવારો છે કે તેમના સભ્યોના મતદાન મથકો અલગ-અલગ છે. એટલે કે, 2 કે 3 બીએલઓને એક જ ઘરમાં ફોર્મ આપવા અને લેવા જવું પડે છે. મહેસાણાના રાધનપુર રોડ પર આવેલ તિરૂપતિ બંગ્લોઝના બે બુથોના મતદારોના ગણતરી ફોર્મ પરત લેવા માટે સંકલ્પ સ્કૂલમાં સવારે 8 વાગ્યાથી બે બીએલઓ ટેબલ લઈને ગોઠવાઈ ગયા હતા. 9 વાગતાં નજીકમાં આવેલી તિરૂપતિ બંગ્લોઝ અને સ્વામિનારાયણ સોસાયટીનાં કેટલાક મતદારો સાહેબ મારું આ ફોર્મ ભરેલું બરાબર છે કે નહીં કહેતા નજરે પડ્યા હતા. બીએલઓએ ફોર્મ હાથમાં લેતાંની સાથે જ 2002ની યાદીમાં તેમનું નામ હતું કે નહીં તેની વિગતો મોટાભાગના ગણતરી ફોર્મમાં કોઈ મતદારે લખી ન હતી. તો 2002 પૂર્વે જન્મેલા અને હાલ મતાધિકાર ધરાવતા 20 વર્ષ ઉપરની વયના યુવક યુવતીઓના મોટા ભાગના ફોર્મમાં પુરાવા જોડેલા ન હતા. સ્વામિનારાયણ સોસાયટીના બીએલઓ હિરેનભાઈએ જણાવ્યું કે, મારા અંડરમાં 10 સોસાયટી છે પણ મને મતદાર યાદીયે આપી નથી. શહેરોમાં એક જ ઘરના સભ્યોના મતદાન મથકો અલગ હોવાથી 2 કે 3 BLOને ફોર્મ આપવા-લેવા જવું પડે છેસ્થળ-1 : મહેસાણાની કર્વે સ્કૂલમાં લોકોની લાંબી લાઇનો લાગી હતી. અહીં માત્રભરેલું ફોર્મ સ્વિકારવામાં આવતાં હતા. 2002 ની યાદીમાં નામ શોધવા અને ફોર્મભરવાની મદદ માંગનાર લોકોને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું.સ્થળ-2 : વિજાપુરના સોજા ગામની પ્રાથમિક શાળામાં બીએલઓ પિંકીબેન પ્રજાપતિએજણાવ્યું કે, ઉમરલાયક મતદારોને ફોર્મ ભરવામાં સૌથી વધુ મુંઝવણ છે. 2002નીયાદીમાંથી નામ શોધવું મુશ્કેલ છે. આવા મતદારોને સાથે રાખી ફોર્મ ભરાવવા પડે છે.સ્થળ-3 : પોતાની ઓળખ જાહેર ન કરવાની શરતે ગ્રામ્ય વિસ્તારના એક બીએલઓએકહ્યું કે, 2 કલાકમાં ત્રણ ફોર્મ પરત આવ્યા છે. મારી યાદીમાં આવતાં મોટાભાગનાલોકો ખેડૂતો જ છે. હાલ ખેતીની સિઝનની ચાલતી હોઇ કામગીરીમાં વ્યસ્ત છે. એટલેહવે ગામમાં જઇ એ લોકો ઘરે ઘરે જઇને ફોર્મ ભેગા કરીશ. 2002 પૂર્વે જન્મેલા, 20 વર્ષથીવધુ વયના મતદાર ના મોટાભાગના ફોર્મમાં પુરાવા નથીલાખવડ પ્રાથમિક શાળામાં 4 બીએલઓ ફોર્મ સ્વીકારી રહ્યા હતા. 2002 બાદ ગામમાં જે દીકરીઓ પરણીને વહુ બનીને આવી હતી, તેમના નામ 2002ની યાદીમાં ન હોય તેમના પિયરના ગામ અને વિધાનસભા વિસ્તારમાં તેમના પિતા અને તેમનું નામ હતું કે નહીં તેની તપાસ કરવી પડતી હતી અને તે યાદી ઓનલાઇન જોવા માટે બીએલઓ અને ઘરવાળાઓને આંખો ફોડીને ભારે કસરત થઈ હતી. ગામના પ્રહલાદભાઈ પટેલે તેમની પુત્રવધૂના ગણતરી ફોર્મમાં 2002ની મતદાર યાદીની વિગતો ભરવા માટે રણાસણ તેમના વેવાઈ પાસેથી યાદી સોશિયલ મીડિયાથી મગાવી હતી.
હિંમતનગરના છાપરીયા વિસ્તારની એક સોસાયટીમાં એકલા રહેતા 70 વર્ષીય નાનીની પાડોશમાં જ રહેતી દીકરીની પુત્રીએ તેની દાદીના મોબાઈલનું સીમકાર્ડ કાઢી લઈ પોતાના મોબાઈલમાં નાખી યુપીઆઈ જનરેટ કરી નાનીના પેન્શન એકાઉન્ટમાંથી તા.15-05-25 થી તા.15-09-25 દરમિયાન રૂ.2,58,453 ઓનલાઇન ખરીદી અને મિત્રોના ખાતામાં ટ્રાન્સફર કરી રોકડા લઈ લીધાનો મામલે વૃદ્ધાએ દોહિત્રી સામે ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. છાપરીયા વિસ્તારમાં 70 વર્ષીય વૃદ્ધા રહે છે. પતિ સિંચાઈ વિભાગમાં નોકરી કરતા હતા અને નિવૃત્ત થયાના 15 વર્ષ પછી અવસાન થયું હતું. વૃદ્ધ પેન્શનમાંથી જીવન નિર્વાહ કરે છે તેમની એક દીકરી તેમની સોસાયટીમાં જ તેમના મકાનની પાછળ જ રહે છે. જેથી તેમની દોહિત્રી (ભાણી) અવારનવાર તેમના ઘરે આવતી જતી રહેતી હતી. વૃદ્ધા તા.15- 9-25ના રોજ સ્લીપ ભરીને એસબીઆઈમાં રૂ.15 હજાર ઉપાડવા જતાં બેંકમાંથી જણાવાયું હતું કે તમારા ખાતામાં હાલ માત્ર 4 રૂપિયા જમા છે. જેથી વૃદ્ધાએ કહ્યું હતું કે મારા ખાતામાં રૂ.1.70 લાખ પેન્શનના જમા થયેલા છે. બેંકના કર્મીએ ખાતાની વિગતો જોઈને જવાબ આપ્યો હતો કે તમારા મોબાઈલ નંબરથી અલગ અલગ સમયે પૈસા ઉપાડવામાં આવ્યા છે. ભારે ઉચાટ સાથે ઘેર આવી વૃદ્ધાએ પાડોશમાં રહેતી દીકરીને બોલાવી ખાતામાંથી પૈસા જતા રહ્યા હોવાનું કહેતા દીકરીએ તમે કોઈ ગેમ રમ્યા હશો એટલે પૈસા કપાઈ ગયા હશે નો જવાબ આપતાં અન્ય પરિવારજનોની સલાહ લઈ બેન્ક સ્ટેટમેન્ટ કઢાવી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને પરિવારના સભ્યએ જ પૈસા કાઢી લીધા હોવાનું બહાર આવતા અનેક વાર કહેવા છતાં પૈસા પરત ન થતાં વૃદ્ધાએ દોહિત્રી સામે ફરિયાદ નોંધાવી હતી. આ રીતે દોહિત્રીનો ભાંડો ફૂટ્યો તા.15-09-25 ના રોજ પાડોશમાં રહેતી દીકરી સાથે વાત કર્યા બાદ બરાબર જવાબ ન મળતાં અમદાવાદ રહેતી બીજી દીકરીને ફોન લગાવી વાત કરતાં દીકરીએ પ્રશ્ન કર્યો હતો કે તમારો નંબર કેમ બદલી નાખ્યો છે જેને પગલે વૃદ્ધાએ સીમકાર્ડ નંબરની તપાસ કરાવતા આ નંબર તેમના મકાનની પાછળ રહેતી દોહિત્રીનો મોબાઇલ નંબર હોવાનું ખૂલતા ભાંડો ફૂટ્યો હતો. વૃદ્ધાએ આ અંગે દીકરીને વાત કરતાં તેણે મારી દીકરી આવું કરે જ નહીં, તમે મારી દીકરીની બદનામી કરો છો કહ્યા બાદ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.
રાજ્યમાં 100એ 1 વ્યક્તિને આર્થરાઇટિસ:રૂમેટોલોજિસ્ટના શહેરમાં 10, રાજ્યમાં માત્ર 35 જ ડૉક્ટર
ડાયાબિટીઝ અને હાઈ બ્લડપ્રેશરની જેમ મોટી સંખ્યામાં લોકો આર્થરાઈટિસની સમસ્યાથી પીડાય છે. દેશમાં દર 100માંથી 1 વ્યક્તિ આર્થરાઈટિસથી પીડાય છે. એ 50થી વધુ વયના લોકોમાં ઘૂંટણના ઘસારા સુધી પહોંચી જાય છે અને લોકોને ની-રિપ્લેસમેન્ટ કરાવવું પડે છે. દેશમાં નિષ્ણાત રૂમેટોલોજીસ્ટની સંખ્યા ઓછી છે. અમદાવાદમાં માંડ 10 સહિત રાજ્યમાં 35 જ્યારે દેશમાં કુલ 400 નિષ્ણાત તબીબ છે. પુણેના સેન્ટર ફોર રુમેટિક ડિસીઝના ડિરેક્ટર અને ચીફ રૂમેટોલોજિસ્ટ ડૉ. અરવિંદ ચોપરા તેમજ ઇન્ડિયન રૂમેટોલોજી ઍસોસિયેશનના વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. સપન પંડ્યાએ જણાવ્યું કે આર્થરાઈટિસના નિયંત્રણ માટે આધુનિક ચિકિત્સા પદ્ધતિની સાથે આયુર્વેદ અને આયુષ પદ્ધતિ વચ્ચે સંકલન થાય તે જરૂરી છે. આર્થરાઈટિસ અંગે થયેલા વિવિધ સર્વેનાં તારણો • 19.53 કરોડ લોકો આર્થરાઈટિસથી પીડાતા હોવાની શક્યતા. • મહિલાઓનું પ્રમાણ 12.71 કરોડ એટલે કે 65 ટકા જેટલું છે. • 22 ટકા જેટલી મહિલાઓ હાડકા અને સાંધાના રૂમેટિક પ્રકારના દુખાવાથી પીડાય છે. • 0.42 કરોડ લોકોમાંથી 0.35 કરોડ મહિલાઓ રૂમેટોઈડ આર્થરાઈટિસની પીડાય છે • આ મહિલાઓમાં 0.12 કરોડ મહિલાઓ 20થી 45 વર્ષની ઉમરની રૂમેટોઈડ આર્થરાઈટિસથી પીડિત છે • 5.44 કરોડ લોકો ઓસ્ટિઓ આર્થરાઈટિસ જેમાં ઘુંટણ અને સ્પાઈનના દુખાવાથી પીડિત છે • 1.72 કરોડ નોન સ્પેસિફિક એટલે કે સાંધા, સોફ્ટ ટીસ્યુ જેમાં એડી, પીઠ, ખભાના દુખાવાથી પીડાય છે.
ભાસ્કર એક્સક્લુસિવ:42 કારમાં 21 યુગલનો વરઘોડો નીકળશે, રીસેપ્શન પણ થશે
મણિનગરના ઝુલેલાલ ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા રવિવારે સિંધી સમાજનો 14મો સમૂહ લગ્નોત્સવ યોજાશે. આ વર્ષે 21 યુગલ પ્રભુતામાં પગલાં માંડશે. લગ્નોત્સવમાં લગ્ન તો નિ:શુલ્ક કરાવાશે જ. સાથેસાથે સમૂહ રીસેપ્શન પણ થશે. ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક કન્યાને સોનાનું મંગળસૂત્ર સહિત 65 વસ્તુનું અંદાજે 1 લાખ રૂપિયાનું કરિયાવર અપાશે. મણિનગરસ્થિત એલ. જી. હૉસ્પિટલ સામેની વ્યાયામ શાળામાં સમૂહ લગ્નોત્સવ યોજાશે. સામાન્ય રીતે વરનો જ વરઘોડો નીકળતો હોય છે પરંતુ આ લગ્નોત્સવમાં કન્યાનો પણ વરઘોડો નીકળશે. 21 યુવક અને 21 યુવતીનો 42 કારમાં વરઘોડો નીકળશે. તેમાં યુવતીને રૂફટોપ પર ઊભી રાખીને યાત્રા કરાવાશે. એ સિવાય, 21 યુગલનું સમૂહ રીસેપ્શન પણ યોજાશે. ઝુલેલાલ ચૅરિટેબલ ટ્રસ્ટના રાજુ એલ. વાસવાણીના કહેવા પ્રમાણે ઝુલેલાલ ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ 14મો સમૂહ લગ્નોત્સવ યોજાશે. આ પહેલાંના 13 લગ્નોત્સવમાં કુલ 644 કન્યાનાં લગ્ન કરાવાયાં છે. ટ્રસ્ટ દ્વારા એક રૂપિયો પણ લીધા વિના લગ્નવિધિ કરાવવા સાથે કરિયાવર આપવામાં આવે છે. વર અને કન્યાના 50-50 સગાંને પણ નિ:શુલ્ક આમંત્રણ આપવામાં આવે છે. કન્યાને સોનાનું મંગળસૂત્ર, ચાંદીની ગાય, ચાંદીનો તુલસીક્યારો અપાય છે. ચા પીતાં વિચાર આવ્યો અને પિતાવિહોણી 92 દીકરીનાં લગ્ન કરાવ્યાં, આજે 14નાં થશેનરોડાની તુલસી ક્યારો સમિતિના યુવકો રવિવારે 14 પિતાવિહોણી દીકરીનાં લગ્ન કરાવશે. છત્રછાયા ગુમાવનારી દીકરીઓના પિતા બની કન્યાદાન કરી આશીર્વાદની સાથે ઘરવખરી, સોના-ચાંદીની ભેટ પણ આપશે. 6 વર્ષથી સમિતિ પિતાવિહોણી દીકરીઓનાં લગ્ન કરાવે છે. અત્યાર સુધીમાં 92 દીકરીનાં લગ્ન કરાવ્યાં છે. સમિતિના જગત પટેલે જણાવ્યું કે, 6 વર્ષ પહેલાં ચા પીતાં-પીતાં 10 મિત્ર વચ્ચે દીકરીના લગ્ન પાછળ થતા ખર્ચની ચર્ચા ચાલી. તેમાંય પિતાવિહોણી દીકરીઓની દશાની ચર્ચામાં વિચાર આવ્યો કે પિતાવિહોણી દીકરીઓનાં લગ્ન આપણે કરાવવા અને તમામ ખર્ચ એક પછી એક મિત્રે કરવો. પ્રથમ 2019માં 8 દીકરીનાં લગ્ન કરાવ્યાં. તે પછી અનેક યુવાનો જોડાતા ગયા. આ વર્ષે તુલસી ક્યારો સમિતિ સમૂહ લગ્ન ગ્રુપ દ્વારા માતા કે પિતાની છત્રછાયા ગુમાવનાર તમામ જ્ઞાતિની 14 દીકરીના લગ્ન કરાવવાનો નિર્ણય લીધો છે. પોતાના પિતાની જેમ દીકરીના લગ્ન ઉમંગભર્યા કરાશે. હરિસિંહ વાઘેલા, ઉજ્જ્વલ પટેલ, તારીક પરીખ સહિતના અગ્રણીઓની મદદથી એણાસણ ગામના શાંતમ પાર્ટી પ્લોટમાં સમૂહ લગ્ન યોજાશે. જેમાં કોઈ સ્ટેજ તૈયાર કરાતું નથી કે કોઈનું સન્માન પણ કરાતું નથી. વર-કન્યા પાસેથી લીધેલી ફી ભેટસ્વરૂપે પરત કરાય છેસિંધી સમાજના મધ્યમ વર્ગના પરિવારો સમૂહ લગ્નોત્સવમાં ભાગ લેતા હોય છે. ફોર્મ ફી પેટે યુવતી પાસેથી 1100 રૂપિયા અને યુવક પાસેથી 2100 રૂપિયા લેવામાં આવે છે પરંતુ રીસેપ્શન ટાણે કન્યાને ટ્રસ્ટ દ્વારા ભેટરૂપે પર્સ આપવામાં આવે છે. રાજુ વાસવાણીએ કહ્યું કે ખાલી પર્સ આપવાનું અશુભ કહેવાય એટલે કન્યા પાસેથી લીધેલા 1100 રૂપિયા પર્સમાં મૂકીને આપીએ છીએ. એ જ રીતે, સિંધી સમાજની ડીખની વિધિમાં વરને ચલણી નોટ પહેરાવવાનો રીવાજ છે. એટલે યુવક પાસેથી ફી પેટે લીધેલા 2100 રૂપિયાનો જ હાર યુવકને પહેરાવીને રૂપિયા પરત કરવામાં આવે છે.
સન્ડે ફોટો સ્ટોરી:પાટણ પાલિકામાં મુલાકાતી કક્ષ બનેલ રૂમ ફરી ઉપપ્રમુખની ઓફિસ બન્યો
પાટણ નગરપાલિકામાં ચીફ ઓફિસરના હુકમથી ઉપપ્રમુખની ઓફિસ રાતોરાત ખાલી કરાવી મુલાકાતી કક્ષ બનાવી દેવામાં આવ્યો હતો. આ બાબતે ભાજપના જ બે જૂથો વચ્ચે વિવાદ વધુ ઉગ્ર બનતા પક્ષની છબી ખરડાઈ રહી હોય ભાજપ પ્રદેશ અને જિલ્લા સંગઠન દ્વારા બન્ને જૂથમાં સમાધાન કરાવતા શનિવારે પાલિકામાં મુલાકાતથી કક્ષ બનાવેલ રૂમમાં ફરીથી સભ્યો દ્વારા ઉપ-પ્રમુખની ઓફિસ બનાવીને તેમને આતિશબાજી સાથે હિનાબેન શાહને પ્રવેશ અપાવ્યો હતો. ત્યારે ચીફ ઓફિસરની ગેરહાજરીમાં તેમના કરેલા હુકમ માત્ર હવે કાગળ ઉપર રહ્યો હતો.પ્રથમવાર પાલિકામાં આ રીતે ઉપપ્રમુખની ચેમ્બર રાતોરાત ખાલી થયા બાદ ફરીથી શરૂ કરવામાં આવી હોય તેવો કિસ્સો બન્યો હોય શહેરમાં ચર્ચાનો વિષય પણ બન્યો હતો. ઘરકામ, ખેતી કામ તો કોઈ કોલેજ છોડીખાતર માટે કલાકો લાઈનમાં લાગે છેફતેગઢ ગામના ખેડૂત ઠાકોર કાકુજી લીલાજીએજણાવ્યુ હતું કે સિઝન ટાણે ખાતર મળતું નથી અનેવહેલી પરોઢે ત્રણ વાગ્યે તમામ કામ છોડીને અત્યારેખાતર લેવા લાઈનમાં ઊભા રહેવું પડયું છે. વાયડનાખેડૂત પુત્ર કમલેશજી બળવંતજી ઠાકોર કોલેજ જવાનુંબંધ રાખી ખાતર લેવા લાઈનમાં ઊભા રહ્યા છીએ.અછત હોવાને કારણે નંબર આવે ત્યાં સુધીમાં ખાતરખતમ થઈ જશે તેવી સતત ચિંતા રહે છે. મેલુસણનામહિલા રૂપબેન રબારીએ જણાવ્યું હતું કે સતત 5કલાકથી ખાતર માટે લાઈનમાં ઊભા છીએ શું કરીએઘર કામ કરવું કે પછી પશુઓ માટે ઘાસચારો લાવવોબધું કામ પડ્યું છે
ભાસ્કર એનાલિસીસ:ધારપુર સિવિલમાં બાળક બદલાયાના આક્ષેપના બે દિવસ પછી પરિવારે દીકરી સ્વીકારી
ધારપુર સરકારી હોસ્પિટલમાં નવજાત બાળક સાથે માતાને સારવાર માટે દાખલ કર્યા બાદ પરિવારે જન્મજાત બાળક સિવિલમાં બદલાઈ ગયું હોવાના આક્ષેપ સાથે સ્ટાફ દ્વારા આપેલ બાળકના સ્વીકારી પોલીસ સ્ટેશનમાં અરજી આપતા ચકચાર મચી હતી. સિવિલ હોસ્પિટલ દ્વારા બાળકને બદલીના આક્ષેપને ગંભીરતાથી લઈ તાત્કાલિક કમિટી બનાવી તપાસ શરૂ કરાવી હતી. શહેરમાં મોતીસા દરવાજા વિસ્તારમાં રહેતી 30 વર્ષીય મહિલાને 13 નવેમ્બરે પ્રસૂતિની પીડા ઉપડતાં 108 એમ્બ્યુલન્સમાં ધારપુર સિવિલમાં લઈ જવામાં નીકળી હતી. રસ્તામાં ઊંઝા ત્રણ રસ્તા નજીક પહોંચતાં અતિશય પીડા ઉપડતાં પ્રસૂતિ કરાવી પડે તેવી સ્થિતિ સર્જાતાં એમ્બ્યુલન્સમાં ઇએમટીએ ડીલીવરી કરાવતાં મહિલાએ બાળકને જન્મ આપતા નવજાત બાળકને તેમની સાથે આવેલાં તેમનાં સંબંધી મહિલાના હાથમાં આપ્યું હતું. મહિલામાં કહેવા પ્રમાણે તેમણે બાળકને જોયું ત્યારે બાબો હતો. બાદમાં બાળક અને તેની માતાને ધારપુર સિવિલમાં લાવી બાળકને ડોક્ટર દ્વારા પેટીમાં રાખવાનું કહેતાં મહિલાની સંબંધીએ જાતે બાળકને પેટીમાં મૂકી આવ્યા હતા. રાત્રે 1:00 બાળકને પરત આપ્યું હતું પરંતુ ત્યારે તેમને ખબર ન હતી કે આ બાળક બાબો આપ્યો છે કે બેબી પણ સવારે 9:00નાં અરસામાં બાળકે સંડાસ કરતાં તેમણે જોયું ત્યારે જાણ થઈ હતી કે આ બાળક તો બાળકી છે. ત્યારે તેમણે હોસ્પિટલને ફરિયાદ કરી હતી કે તેમને દીકરા છે.અને દીકરી કેમ આપી છે.તેમણે બાળકીને સ્વીકારી ન હતી જેને પગલે હોસ્પિટલનો સ્ટાફ મૂંઝવણમાં મુકાયો હતો.આ બાબતે ન્યાયિક તપાસ કરવા માટે તેમણે ધારપુર હોસ્પિટલ અને રણુંજ પોલીસ મથકે પણ અરજી આપી હતી. બે દિવસ સુધી હોસ્પિટલમાં બદલીના પ્રકરણમાં અંતે મહિલાના પરિવાર દ્વારા શનિવારે સાંજે નવજાત બાળક મહિલાની મોટી 15 માસની દીકરી જેવી સુરત ધરાવતી હોય તેની જ દીકરી હોવાનું માનીને તેને સ્વીકારવા માટે સંમત થયો હોવાનું પરિવારના એક સભ્યે જણાવ્યું હતું જેથી વિવાદનો અંત આવ્યો હોવાનું સામે આવ્યું હતું. માતાના ઇન્કારથી નવજાત બાળકી બે દિવસ માતાથી દૂર રહેતા નર્સ માતા બની સંભાળીમાતા નવજાત દીકરીને પોતાનું સંતાન ના માની સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.જેથી 14 અને 15 નવેમ્બર બે દિવસ દરમિયાન આ નવજાત બાળકી માતાથી દૂર રહી હતી. અને સિવિલના નર્સ દ્વારા તેનું માતા સમાન માવજત કરી હતી. તેની જાળવણી કરી હતી.વિવાદના કારણે નવજાત બાળકી બે દિવસથી માતાનાં સ્તનપાનથી વંચિત રહી હતી. ફસ્ટ પર્સન : મેં ડીલીવરી કરાવી બાળકીનો જન્મી હતી108 એમ્બ્યુલન્સના ઇએમટી સમીરભાઈ સિંધીએ જણાવ્યું હતું કે નીતાબેન પટ્ટણીની ડીલીવરી તેમણે જાતે જ કરાવી હતી.અને તેમણે બેબીને જન્મ આપ્યો હતો. મહિલાએ જે બાળકને જન્મ આપ્યો હતો તે બાળકી જ હતી તે મેં કન્ફર્મ પણ કર્યું હતું.કારણ કે મારે રજિસ્ટરમાં નોંધ કરવાની હોય છે. અને મેં તેની નોંધ પણ કરેલી છે. ઇન્કવાયરી કમિટી તપાસ કરશે : RMOધારપુર સિવિલનાં આરએમઓ રમેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે આ ઘટનાની સુપ્રિટેન્ડેન્ટને ફરિયાદ મળી છે.તેના આધારે ઇન્કવાયરી કમિટી બેસાડી છે. કમિટી નિવેદનો લઈને તપાસ રિપોર્ટ આપશે અને તેનાં આધારે આગળની કાર્યવાહી થશે.
જસ્ટિસના અભિવાદનનો કાર્યક્રમ યોજાયો:બાર કાઉન્સિલે સુપ્રીમ કોર્ટના 2 જસ્ટિસનું અભિવાદન કર્યું
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે સુપ્રીમ કોર્ટના 2 જસ્ટિસ નિલય અંજારિયા અને જસ્ટિસ વિપુલ પંચોલીના અભિવાદનનો કાર્યક્રમ યોજ્યો હતો. જસ્ટિસ વિપુલ પંચોલીએ જુનિયર વકીલોને સલાહ આપી હતી કે નસીબના જોરે નહીં પણ મહેનતના જોરે વકીલાત કરશો તો સફળ થશો. જસ્ટિસ નિલય અંજારિયાએ પણ શિસ્તબદ્ધ રહીને નીતિપૂર્વક વકીલાત કરવા સલાહ આપી હતી.બાર એન્ડ બેંચ વચ્ચે સારા સંબંધો રાખવા જજીસનું સન્માન જાળવવું જોઈએ. વકીલોએ ગુજરાત હેરાલ્ડનો લાભ લેવો જોઈએ. આ પ્રસંગે એડીશનલ સોલીસીટર જનરલ એસવી રાજુ,બીસીઆઇના ચેરમેન મનન કુમાર મિશ્રા,સોલીસીટર જનરલ તુષાર મહેતા હાજર રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના જે. જે. પટેલ અને અનિલ કેલ્લાએ કર્યું હતું. ભાસ્કર નોલેજરાજ્યના 3 જજ SCમાંગુજરાત હાઈકોર્ટમાંથી અત્યાર સુધી અનેક જસ્ટિસની સુપ્રીમ કોર્ટમાં નિયુક્તિ કરવામાં આવી છે. તેમાં જસ્ટિસ એમ. આર. શાહ, જસ્ટિસ જે. બી. પારડીવાલા, જસ્ટિસ બેલા ત્રિવેદીની સુપ્રીમ કોર્ટમાં નિયુક્તિ કરાઈ હતી. અત્યારે ગુજરાતના 3 જસ્ટિસ સુપ્રીમ કોર્ટમાં ફરજ બજાવી રહ્યા છે.
સંકલન બેઠક:સંકલન બેઠકમાં આવેલા ધારાસભ્યોએ પ્રશ્ન ન પૂછ્યા, પણ ગેરહાજરે પૂછ્યા
કલેક્ટર કચેરીમાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં 21માંથી શહેર જિલ્લાના કુલ 9 ધારાસભ્યે હાજરી આપી હતી. તેઓ દ્વારા સરકારી જમીન પર દબાણ, જર્જરિત સરકારી ચાવડી અંગે કુલ 53 પ્રશ્ન પૂછ્યા હતા. જેમાં જમાલપુર-ખાડિયાના ધારાસભ્યે 5 વર્ષમાં કેટલા મતદારો જોડાયા તેના વિશે પ્રશ્ન પૂછ્યો હતો. મણિનગરના ધારાસભ્ય દ્વારા ઘોડાસરની જર્જરિત સરકારી ચાવડી અંગેનો પ્રશ્ન, ખાનવાડીના તળાવમાં થયેલ દબાણ અંગેનો પ્રશ્ન, જનતાનગર તળાવને મ્યુનિ.ને સોંપવાની કામગીરી અંગે પ્રશ્નો પુછવામા આવ્યા હતા. ત્યારે મહત્વનું છે કે જે ધારાસભ્યો આવ્યા હતા તેઓ દ્વારા પ્રશ્નો ન પુછવામા આવ્યા અને જે ધારાસભ્યો આવ્યા ન હતા તેઓ દ્વારા પ્રશ્નો પુછવામા આવ્યા હતા. જે ધારાસભ્યો હાજર ન રહ્યા હતા તેઓના પ્રશ્નોનો જવાબ સાંભળવા માટે કોઈ હાજર રહ્યું ન હતું. દરેક વખતે કલેક્ટર કચેરી ખાતે યોજાતી સંકલન સમિતિની બેઠકમાં મોટાભાગના ધારાસભ્યો ગેરહાજર જ રહેતા હોય છે. વેજલપુરના ધારાસભ્ય દ્વારા પ્રશ્ન પુછાયો કે ઈસ્કોન જંક્શન પર લોકોને એસટી બસ પકડવા માટે બસ સ્ટેન્ડ પર સુવિધાઓ નથી. જેનો જવાબ અપાયો કે વિભાગમાંથી મંજૂરી આપતા વધુ લોકોને બેસવા માટેની વ્યવસ્થા કરવામા આવશે. ધારાસભ્યોએ 53માંથી 40 પ્રશ્ન ફરી વાર પૂછ્યાધારાસભ્યોએ પૂછેલા 53માંથી 40થી વધુ પ્રશ્નો રિપિટ થયા હતા. જે પ્રશ્નો 4 મહિનાથી દર વખતે પૂછાતા હોય છે. અધિકારીએ જણાવ્યું કે તેઓ પાસે પ્રશ્નો હોતા નથી, માત્ર પ્રશ્નોની ગણતરી વધારવા માટે અગાઉ પુછાયેલા પ્રશ્નો ફરીથી પૂછાતા હોય છે. લોકો સંબંધિત હોય એવા પ્રશ્નો ધારાસભ્યો મોકલી દેતા હોય છે પણ તેનો ઉકેલ મળે ત્યારે તેઓ હાજર રહેતા નથી.
કેન્દ્રિય ગૃહ મંત્રાલય 258 જગ્યા ભરશે:ઇન્ટેલિજન્સ ઓફિસરની જગ્યા પર અરજી કરવાનો આજે છેલ્લો દિવસ
કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા ઇન્ટેલિજન્સ બ્યુરોની 258 જગ્યા પર જાહેર કરેલી ભરતી માટે અરજી કરવા 16 નવેમ્બરે છેલ્લો દિવસ રહેશે. આ જગ્યા વર્ગ-2ની રહેશે. જેમાં કમ્પ્યુટર સાયન્સની 90 અને ઇલેક્ટ્રોનિક એન્ડ કમ્યુનિકેશનની 168 જગ્યા ભરાશે.પસંદગી બાદ ઉમેદવારોનો પગાર 7માં પગાર પંચ મુજબનો રહેશે. જે 44,900થી 1,42,400 રહેશે. અરજી કરનાર ઉમેદવારે ઇલેક્ટ્રોનિક્સ કમ્યુનિકેશન અથવા કમ્પ્યુટર સાયન્સ અને ઇન્ફ્રોમેશન ટેકનોલોજી વિષય સાથે ગેટ-2023 અથવા 2024 અથવા 2025માં ક્વોલિફાઇ થયેલા હોવા જોઇએ.અરજી કરનારા ઉમેદવારની ઉંમર 18થી 27 વર્ષની વચ્ચે હોવી જોઇએ. અરજી કરનારા ઉમેદવારોએ રૂ. 100ની અરજી ફી ભરવાની રહેશે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પરથી અરજી કરી શકશે. જ્યાંથી ઉમેદવારોને સંપુર્ણ માહિતી મળશે.
રાજ્યમાં સરની કામગીરી ફેબ્રુઆરી સુધી ચાલશે, જ્યારે આ બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરીથી શરુ થશે. શિક્ષકનો મતે, ઘણી સ્કૂલોમાં હજુ કોર્સ બાકી છે. મોટાભાગની ગ્રાન્ટેડ સ્કૂલોમાં 50 ટકાથી વધુનો સ્ટાફ મતદાર યાદીની કામગીરીમાં છે. જેથી હવે કોર્સના પુનરાવર્તન યોગ્ય રીતે થઇ શકશે નહીં. 60 ટકા શિક્ષકોને મતદાર યાદીના કામે લગાવ્યાહાલમાં દરરોજ એક સરકારી કાર્યક્રમ હોય છે. ઉપરાંત સ્કૂલોમાંથી 60 ટકા શિક્ષકોને મતદાર યાદી સુધારણાના કામે લગાવ્યા છે. જેની અસર બાળકોના અભ્યાસ પર થશે. હાલમાં નિપુણ ભારત જેવા કાર્યક્રમ, તાલીમમાં શિક્ષકો જોડાય છે તો કોર્સ કેવી રીતે પુરો થશે. - મનોજ પટેલ, પ્રમુખ- શિક્ષક મંડળ બીએલઓને કામગીરીમાં આ મુશ્કેલીઓ આવી રહી છે ∙ ઘણી શાળામાં 90 ટકા સ્ટાફને ચુંટણી કામગીરીમાં જોડી દીધા ∙ શિક્ષકોને ઇન્ટરનેટની સુવિધા ન આપી હોવાથી સમય મર્યાદામાં કામ પુરુ થઇ શકશે નહીં. ∙ લોકજાગૃતિ વગર કામ ચાલુ કર્યું હોવાથી શિક્ષકોને અપમાન જનક શબ્દો સાંભળવા પડે છે.
ભાસ્કર ઇમ્પેક્ટ:જીટીયુ ડુપ્લિકેટ પેપર રોકવા ઓનલાઇન પેપર મગાવશે
જીટીયુ સિવિલ એન્જિ.નિયરીંગના સેમેસ્ટર 7માં પુછાયેલું પ્રશ્ન પેપર ગયા વર્ષનું આપી દેવા મુદ્દે કડક પગલા લેશે. જીટીયુ પેપર સેટ કરનારા સરકારી કોલેજના પ્રોફેસર સામે ફરજમાં બેદરકારી રાખવા અંગે પગલા લેવા ટેકનિકલ એજ્યુકેશનમાં ભલામણ કરશે. સોમવારે 2 તજજ્ઞ પ્રોફેસરોની એક કમિટી બનાવાશે. જે ઘટનાની તપાસ બાદ શિક્ષણ વિભાગને પ્રોફેસર સામે પગલા લેવાની ભલામણ કરશે. હવે જીટીયુ ઓનલાઇન પેપર મંગાવશે, જે એઆઇની મદદથી ઓનલાઇન ચેક થશે. આ માટે આખી સિસ્ટમ તૈયાર કરાઇ છે. હવે પ્રશ્ન પેપર માટે એક ખાસ સિસ્ટમ તૈયાર કરાશે. જેને આધારે પેપર ઓનલાઇન ચેક થયા બાદ પેપર પ્રિન્ટિંગ માટે મોકલાશે.
શહેરમાં જીડીજી ડેવફેસ્ટનું આયોજન કરાયું હતું. જેમાં ડેવલપર્સ માટે નવી ટેકનોલોજી, હેન્ડ્સ-ઓન ટ્રેનિંગ અને નેટવર્કિંગના અનોખા અનુભવ સાથે આયોજિત કરાયું. ગૂગલની કટિંગ એજ ટેકનોલોજીને નજીકથી શીખવા માટે પ્લેટફોર્મ યુવાનોને અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ ભાગે લીધો હતો. વિદ્યાર્થીઓ એઆઇ શીખીને સારો પગાર મેળવી શકે છેકોઇપણ ક્ષેત્રમાં આર્ટીફિશયલ ઇન્ટેલિજન્સ (AI) અનિવાર્ય બની ગયું છે. આવનાર સમયમાં જો કોઇ વ્યક્તિને આર્ટીફિશયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ નહીં આવડતો હોય તો તેઓ આગળ નહીં વધી શકે. સ્ટુડન્ટ્સ પણ તેમના ક્ષેત્રમાં આર્ટીફિશયલ ઇન્ટેલિજન્સ (AI)નો અભ્યાસ કરીને તેમના ક્ષેત્રમાં સારી સેલેરી મેળવી શકે છે. - પરેશ માયાણી, ગુગલ ડેવલપર મીટ અમદાવાદના ફાઉન્ડર આવનારા સમયમાં આ ક્ષેત્રોમાં નોકરીની વધુ તક રહેશેચેટબોટ્સ, ઓટોમેશન, AI મોડેલ્સ બનાવવા - સાયબર સિક્યોરીટી અને સિક્યોર કોડિગ - ડેટા અને એપ્લિકેશન સુરક્ષિત રાખવા - કલાઉન્ડ કોપ્યુટીંગ - મલ્ટી પ્લેટફોર્મ એપ બનાવવા - ડેટા સાઇન્સ એન્ડ ડેટા એન્જિયરીંગ - બીગ ડેડા, એનાલીટીક્સ ફિલ્ડમાં નોકરીની તક વધશે.
સન્ડે બિગસ્ટોરી:હું કિન્નર નથી, સામાન્ય સ્ત્રી છું
છેલ્લાં કેટલાંક વર્ષોમાં દેશભરમાં લિંગ પરિવર્તન સંબંધિત નોંધણીના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. કેન્દ્ર સરકારના ટ્રાન્સજેન્ડર પ્રોટેક્શન એક્ટ, 2019 બાદ નોંધણી પ્રક્રિયા સરળ બની હોવાથી વધુ લોકો પોતાની ઓળખ જાહેર કરી રહ્યા છે. નેશનલ પોર્ટલ ફોર ટ્રાન્સજેન્ડર પર્સન્સ મુજબ, દેશમાં 30 હજાર ટ્રાન્સ વ્યક્તિ નોંધાઈ છે. કેન્દ્રની સ્માઇલ વેબસાઇટના અનુસાર આ મામલે ગુજરાત દેશમાં 7મા ક્રમે છે. રાજ્યમાં 1784 ટ્રાન્સ વ્યક્તિ નોંધાઈ છે, જેમાંથી માત્ર શહેરમાં જ 354 છે. લિંગ પરિવર્તન માટે સિવિલ હોસ્પિટલમાં મહિને સરેરાશ એક કેસ આવે છે. જ્યારે ખાનગી હોસ્પિલોમાં મહિને અંદાજે 4થી 5 કેસ નોંધાય છે. ભાસ્કર ફર્સ્ટ પર્સનજેન્ડર ચેન્જ પછી ગઈ તો કોઈએ ન સ્વીકારી, શરીર બદલવું સરળ, સમાજનો દૃષ્ટિકોણ બદલવો મુશ્કેલહું શરીરથી પુરુષ હતો, પણ આત્માથી સ્ત્રી છું. નાનપણથી જ મને સ્ત્રીની જેમ રહેવું ગમતું. પરિવારને આમાં જરાય વાંધો ન હતો, પણ જ્યારે મેં ઓપરેશનની વાત કરી તો મારા ઘરમાં યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ. પરિવાર મને ઘરમાંથી કાઢી મૂકવા સુધીનું કહ્યું હતું. મારા ફોઈએ મારા માટે છોકરી પણ શોધી લીધી હતી. હું એ હદે હેરાન થતી હતી કે માનસિક રીતે તૂટી ગઈ. હું અડગ રહી અને ઘર છોડ્યું. નોકરી હોવાથી આર્થિક રીતે સંભાળી લીધું. સર્જરી બાદ જ્યારે નવી ઓળખ સાથે ઓફિસ ગઈ તો લોકો મને સ્વીકારી ન શક્યા. મને સમજાયું કે શરીર બદલવું સરળ છે, પણ સમાજનો દૃષ્ટિકોણ બદલવો સૌથી મુશ્કેલ છે. સમલૈંગિક હોવું સામાન્ય થઈ ગયું છે, પણ તેવી પર્સનાલિટી સાથે જીવવું ઘણું અધરું છે. હું કિન્નર નથી, સામાન્ય સ્ત્રી છું. મારી પાસે સ્ત્રી હોવાનું પ્રમાણપત્ર પણ છે છતાં મને સમાજ એક સ્ત્રી તરીકે જોતો નથી. મને લોકો કિન્નર સમજીને પગે લાગે છે, જે મને નથી ગમતું. હું સામાન્ય સ્ત્રી તરીકે જીવવા માગું છું. મારી ઘડિયાળની દુકાન છે અને જીવન ધીમે ધીમે પાટા પર આવી રહ્યું છે, પણ દુ:ખ એ છે કે મને હજુ લોકો કિન્નર તરીકે જુએ છે. (નીતિકા દંડ સાથેની વાતચીતને આધારે) > દેવાંશી, અગાઉનું નામ ધવલ લિંગ પરિવર્તનમાં માત્ર એક નહિ, અનેક સર્જરીઓ છે, 6 મહિના કાઉન્સેલિંગ ચાલે છેશહેરના જાણીતા પ્લાસ્ટિક સર્જન ડૉ. હર્ષ અમીનના જણાવ્યાનુસાર, સૌપ્રથમ તો 6 મહિના કાઉન્સેલિંગ ચાલે છે. તેમાં હોર્મોન્સ ચેન્જનાં ઇન્જેક્શન અપાય છે. તેની સાથે હેરલાઇન, ફેસ, ચેસ્ટ, બટ, કમર સહિતની સર્જરી થાય છે. હેર ગ્રોથ ન થાય અને થાય તે બંનેની સર્જરી પણ કરવી પડે છે, જે જેન્ડર અનુસાર હોય છે. સ્ત્રીમાંથી પુરુષ બનવાની સર્જરી ક્રિટિકલ છે, પણ શક્ય છે. લિંગ પરિવર્તન કરાવવા મામલે ગુજરાત દેશભરમાં 7મા ક્રમે છે, નેશનલ પોર્ટલ ફોર ટ્રાન્સજેન્ડર પર્સન્સ મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં 1784 ટ્રાન્સ વ્યક્તિ નોંધાઈ છે સોશિયલ મીડિયા અને ઓનલાઇન સપોર્ટ ગ્રૂપ તેમનું મનોબળ વધારી રહ્યાં છે, પરિવારને સમજાવવો પડે છેસોશિયલ મીડિયા અને ઓનલાઇન સપોર્ટ ગ્રૂપ દ્વારા લોકો મનોબળ મેળવી રહ્યા છે. પહેલાં અમને આ પ્રકારની સર્જરીમાં તેમને સ્વજનો ન જોડાય તે માટે સમજાવવા માટે દબાણ કરાતું હતું, પરતું હવે આ નિર્ણય માટે હવે અમારે તેમનાં માતાપિતા કે તેમના પરિવારજનોને સમજાવવા પડે છે કે આ કુદરતી છે અને તેમના નિર્ણયને સ્વિકરાવું જોઈએ. સ્પંદન ઠાકર, મનોચિકિત્સક કલમ 377 રદ થઈ એ સમાજમાં પરિવર્તનનું એક પગથિયું બન્યું, લોકો નિ:સંકોચ બહાર આવે છેકલમ 377 રદ થયાને આઠ વર્ષ થયાં છે છતાં આંકડામાં વધારો એ સકારાત્મક સંકેત છે. હવે લોકો જાહેરમાં તેનો સ્વીકાર કરી રહ્યા છે. સરકાર અને સમાજ બંને સાથે આવે તો આ પ્રક્રિયા સમાજિક રીતે વધુ સફળ થઈ શકે અને સરકાર પણ સહકાર આપતી થઈ છે. ડો. ગૌરાંગ જાની, સમાજશાસ્ત્રી
ડાયમંડ અને ટેક્સટાઈલ સિટી તરીકે વિશ્વવિખ્યાત સુરત શહેર હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સ્પોર્ટેશન ક્ષેત્રમાં દેશનું અગ્રણી મોડેલ બનાવ હરણફાળ ભરી રહ્યું છે. સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશનને ઇન્ટરનેશનલ એરપોર્ટ સમકક્ષ બનાવવા અને મુસાફરોને વિશ્વસ્તરીય સુવિધાઓ આપવા 1,476 કરોડના ખર્ચે રિડેવલપ થઈ રહ્યું છે. પહેલું એવું રેલવે સ્ટેશન જ્યાં મેટ્રો-બસની પણ કનેક્ટિવિટીરેલવે, એસ.ટી. બસ, મેટ્રો રેલ તથા BRTS અને સુરત સિટી બસ સેવાની તમામ ટ્રાન્સ્પોર્ટેશનની સુવિધાઓ એક જગ્યાએથી મળી શકે તે માટે MMTH (મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ) પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. આ સાથે બુલેટ ટ્રેન અને એરપોર્ટને પણ કનેક્ટ કરવામાં આવશે. આ પ્રોજેક્ટની સંપૂર્ણ કામગીરી વર્ષ 2027ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. પ્રોજેક્ટના ફેઝ-1નું 50% અને ફેઝ 2નું 15% કામ પૂર્ણજોકે, MMTH પ્રોજેક્ટ ફેઝ-1નું 50 ટકા અને ફેઝ 2નું અંદાજે 15 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. સુરત રેલવે સ્ટેશનની સાથે GSRTC ટર્મિનલ ઉપર બનતા 25 માળના કોમર્શિયલ બિલ્ડિંગના બેઝનું કામ પૂર્ણ થઈ ગયું છે. GSRTC બસ ટર્મિનલના તૈયાર 2 માળનો આકર્ષક ડ્રોન નજારો સામે આવ્યો છે. આ બંને પ્રોજેક્ટ મળી સુરતને 'વન-કનેક્ટ' સિટી બનાવશે. મુસાફરોને એક જ સ્થળે ટ્રાન્સ્પોર્ટેશનની તમામ સુવિધાદેશમાં પ્રથમ વખત રેલવે ઓથોરિટી, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના GSRTC સાથે મળી પ્રોજેક્ટ કરી રહ્યા છે. રેલવે સ્ટેશનની સાથે બસ સ્ટેશન અને મેટ્રો સ્ટેશનને પણ કનેક્ટ કરવામાં આવી રહ્યું છે. મુસાફરો માટે BRTS-સિટી બસ ટર્મિનલ, પાર્કિંગ ઝોન, મનોરંજન વિસ્તાર, કોમર્શિયલ બિલ્ડિંગ્સ, એલિવેટેડ કોરિડોર, સ્કાયવોક્સ વગેરે સુવિધાઓને મળશે. જેથી કોઈપણ મુસાફર કોઈપણ પરિવહન માધ્યમથી આવીને સ્ટેશનની બહાર નીકળ્યા વિના સરળતાથી અન્ય ટ્રાન્સ્પોર્ટેશન સુવિધા મેળવી શકશે.
ગુજરાત પહેલેથી જ વેપાર, સાહસ અને સપનાંની ધરતી રહી છે. આ બહુરત્ના વસુંધરાએ એવા ઉદ્યોગપતિ આપ્યા છે, જેણે માત્ર અબજો રૂપિયાની સંપત્તિ જ નહીં, બલકે લોકોનો પ્રેમ પણ કમાયો છે. ગુજરાતની ધરતીમાંથી પેદા થયેલા આવા મુઠ્ઠી ઊંચેરા ઉદ્યોગપતિઓની લાઇફસ્ટોરીની એક ખાસ સિરીઝ આવતીકાલથી દિવ્ય ભાસ્કર એપ પર શરૂ થવા જઈ રહી છે, જેનું નામ છેઃ ‘લક્ષાધિપતિ’. આ સિરીઝમાં ગુજરાતને ઇસ્ટનું માન્ચેસ્ટર બનાવવામાં સિંહફાળો આપનારા કસ્તૂરભાઈ લાલભાઈ, વિજ્ઞાન અને ઉદ્યોગનો સેતુ બનનારા અંબાલાલ સારાભાઈ, ફાર્માસ્યુટિકલ્સ અને ઊર્જા ક્ષેત્રે બુલંદીઓ હાંસલ કરનારા યુ. એન. મહેતા, ‘નિરમા’ વૉશિંગ પાઉડર થકી દેશનાં ઘરેઘરમાં પહોંચનારા કરસનભાઈ પટેલ, ધરતી પર પગ રાખીને આભને આંબનારા ગૌતમ અદાણી અને ઝીરોમાંથી અબજો રૂપિયાનું સામ્રાજ્ય ખડું કરનારા ધીરુભાઈ અંબાણીનો સમાવેશ થાય છે. આ સિરીઝ તેમના સંઘર્ષો, તેમણે કરેલાં ઇનોવેશન્સ, તેમનાં બુલંદ ઇરાદાઓ અને તેમની અજાણી પારિવારિક તથા કોર્પોરેટ ગાથા કહેશે. સપનાંને હકીકત બનાવનારા ગુજરાતી ઉદ્યોગપતિઓની આ સિરીઝ ‘લક્ષાધિપતિ’ આવતીકાલે સોમવારથી દરરોજ સવારે 6 વાગ્યે દિવ્ય ભાસ્કર એપ પર વાંચી શકશો.
એક્સિડન્ટ....આ શબ્દ કદાચ તમારી રોજબરોજની જિંદગીમાં વણાઇ ગયો હશે કેમ કે દર 1, 2 દિવસે તે તમારા કાને પડતો હશે. તમારી આસપાસમાં ઘણા લોકોને તમે એવું કહેતા સાંભળ્યા હશે કે આ જગ્યાએ તો એક્સિડન્ટ થાય જ છે. 2022થી 2024 સુધીમાં ગુજરાતમાં 56 એવી જગ્યાઓ જાહેર થઇ છે જ્યાં ઉપરાઉપરી 5 અકસ્માત થયા હોય અથવા તો 10થી વધુ લોકોનાં મોત થયા હોય. આજની સન્ડે બિગ સ્ટોરીમાં જાણો કે આ 56 જગ્યાઓ કઇ-કઇ છે. જો આમાંથી કોઇ જગ્યા તમારી આસપાસ હોય તો જ્યારે તમે ત્યાંથી પસાર થાઓ ત્યારે તમારૂં વાહન ધીમું ચલાવજો અને ખાસ સાવચેતી રાખજો. પાછલા કેટલાક સમયથી ગુજરાતમાં અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. જેના પર નજર રાખવા ગુજરાત સરકારે રોડ સેફ્ટી ઓથોરિટીની રચના કરી છે. આ ઓથોરિટી એક્સિડન્ટ્સનું ડિટેલમાં એનાલિસિસ અને ટેકનિકલ સ્ટડી કરે છે. સાથે જ અકસ્માત ન સર્જાય તે માટે શું-શું કરવું જોઇએ તે પણ સૂચવે છે. જે 500 મીટરના વિસ્તારમાં ઉપરાઉપરી 5 અકસ્માત થાય અથવા તો 10થી વધુ લોકોનાં મૃત્યુ થાય તો તે વિસ્તારને રોડ સેફ્ટી ઓથોરિટી બ્લેક સ્પોટ જાહેર કરે છે. 2022થી 2024 સુધીમાં ગુજરાતમાં આવા 56 બ્લેક સ્પોટ જાહેર થયા છે. છેલ્લા 3 વર્ષમાં સર્જાયેલા 443 અકસ્માતોમાં કુલ 348 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ જગ્યા કઇ-કઇ છે તેનું આ રહ્યું લિસ્ટ..... બ્લેક સ્પોટ વિશે વધુ માહિતી મેળવવા દિવ્ય ભાસ્કરે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના કમિશનર સતીષ પટેલ સાથે વાતચીત કરી હતી. સતીષ પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, રાજ્યમાં માર્ગ અકસ્માતો ઘટાડવા સરકારનું કામ છે. માર્ગ અકસ્માત ઘટાડવા માટેનું એક અગત્યનું પરિબળ બ્લેક સ્પોટને ઓળખવાનું છે. જે માર્ગો પર વાહનોની આવન-જાવન છે તેવા માર્ગો પરના 500 મીટરના વિસ્તારમાં 3 સળંગ કેલેન્ડર વર્ષમાં 5 કરતાં વધુ અકસ્માતો તથા 10 કરતાં વધુ મૃત્યુ થયાં હોય તેનો સર્વે કરાય છે પછી તેને બ્લેક સ્પોટ તરીકે જાહેર કરાય છે. બ્લેક સ્પોટ શોધાયા બાદ શું થાય છે?'ગુજરાતમાં 2019, 2020, 2021થી બ્લેક સ્પોટનો સર્વે કરવાનું શરૂ કરાયું હતું. આજની તારીખમાં 460 જેટલાં બ્લેક સ્પોટની ઓળખ કરાઇ છે.' બ્લેક સ્પોટની ઓળખ થયા પહેલાં અને પછી શું-શું કાર્યવાહી થતી હોય છે તેનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, જિલ્લા પોલીસ તંત્ર જે બ્લેક સ્પોટ શોધે છે તે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીને મોકલે છે. જેનું અમે ડિટેલ એનાલિસિસ અને ટેકનિકલ સ્ટડી કરીએ છીએ. આના પછી એ જગ્યા ખરેખર બ્લેક સ્પોટ છે કે નહીં તેનું ફાઇનલ આઇડેન્ટિફિકેશન થાય છે. આઇડેન્ટિફિકેશન સાથે જિલ્લા તંત્રને જાણ કરાય છે અને બ્લેક સ્પોટ સંબંધિત ટૂંકાગાળાના અને લાંબા ગાળાના શું-શું પગલાં લેવા જરૂરી છે તેની પણ જાણ કરાય છે. જિલ્લા તંત્રમાં કલેકટર તથા જિલ્લાના પોલીસ વડા અને શહેરના પોલીસ કમિશનર, આર.ટી.ઓ. અધિકારી અને આરોગ્ય વિભાગના અધિકારી પણ હોય છે. 'અમે જે ડાયરેક્શન આપીએ છીએ તેનું ફોલોઅપ તે લોકો કરે છે કે નહીં તેનો રિવ્યુ અમે કરતાં હોઇએ છીએ. સાથે સાથે આવા જે બ્લેક સ્પોટ આઇડેન્ટિફાય કર્યા છે તેવા બ્લેક સ્પોટની સ્થળ મુલાકાત પણ મહદઅંશે 60% થાય છે. બાકીના જિલ્લા તંત્ર દ્વારા પણ મુલાકાત લેવામાં આવતી હોય છે. સ્થળનો બરાબર અભ્યાસ કર્યા પછી એમાં ખરેખર શું કરવાની જરૂર છે અને અકસ્માતો ઘટે તે માટે ટૂંકાગાળાના અને લાંબાગાળાના શું પગલાં લેવાના છે તેનું ડિટેલ એનાલિસિસ કરવામાં આવતું હોય છે.' કોઇ જગ્યા બ્લેક સ્પોટ તરીકે જાહેર થાય એટલે તેની ગંભીરતા વધી જાયતેમણે ઉમેર્યું કે, કોઇ સ્થળ જ્યારે બ્લેક સ્પોટ જાહેર થાય ત્યારે તેની ગંભીરતા વધી જાય છે. અત્યારસુધીમાં કુલ 460 જેટલાં બ્લેક સ્પોટ આઇન્ડેન્ટિફાય કરેલાં છે તેમાંથી 20 એવા છે જે સંપૂર્ણ રીતે નાબૂદ કર્યાં છે. બીજા બ્લેક સ્પોટ અમારી યાદીમાં છે પણ ખરેખર તે બ્લેક સ્પોટની યાદીમાં ગણવાપાત્ર નથી.છતાં પણ તેમાં સુધારાત્મક પગલાંને લીધે હવે અકસ્માતો ઘટી રહ્યાં છે. 'જ્યારે પહેલો સર્વે 2019, 2020, 2021માં કરવામાં આવ્યો ત્યારે ગુજરાતમાં બ્લેક સ્પોટની સંખ્યા 265 જેટલી હતી. તે પછી 2020, 2021, 2022માં જે બ્લેક સ્પોટ આઇન્ડેન્ટિફાય થયા તેની સંખ્યા 87 થઇ. તે પછીના વર્ષ 2021, 2022, 2023માં આ સંખ્યા ઘટીને 52 થઇ. 2022, 2023, 2024માં આ સંખ્યા 56 થઇ. 2018માં ઓથોરિટીની સ્થાપના થઇ. પહેલીવાર અમે સર્વે કર્યો. ક્રમશઃ જોવા જઇએ તો બ્લેક સ્પોટની સંખ્યામાં ઘટાડો થયો છે.' અકસ્માત પાછળ જુદા-જુદા ઘણા કારણો જવાબદારઅકસ્માતો થવા પાછળના મુખ્ય કારણો જણાવતા તેમણે કહ્યું, હ્યુમન બિહેવિયર મોટી અસરકારક બાબત છે. ઓવર સ્પિડીંગ પણ હ્યુમન બિહેવિયરનો જ એક ભાગ છે. લોકોએ પણ પોતાના બિહેવિયરને સુધારવાની જરૂર છે. અકસ્માતો મોટા ભાગે માનવસર્જિત હોય છે. બેદરકારી ભર્યું ડ્રાઇવિંગ, ઓવરટેકિંગ, કેપેસિટી કરતાં વધારે પેસેન્જર બેસાડવાં આવા ઘણાં બધાં કારણો છે. ચાલુ વાહને મોબાઇલનો ઉપયોગ કરવો, સીટબેલ્ટ ના બાંધવા, હેલ્મેટ ના પહેરવું આ બધાં કારણો માનવસર્જિત છે એટલે બિહેવિયર ચેન્જ કરવું તે પણ એક મહત્વનું છે. 'સાઇનેઝીસ યોગ્ય રીતે ન મૂકાયા હોય, વળાંકવાળી જગ્યાએ યોગ્ય રીતે ક્રોસ બેરિયર ન મૂક્યા હોય, ચાર રસ્તા પર યોગ્ય રીતે જંક્શન ન બનાવ્યા હોય, રબ્બર સ્ટમ્બ બરાબર ન બનાવ્યા હોય, રોડ માર્કિંગ બરાબર ન કરાયા હોય આવા કારણો પણ અકસ્માત માટે જવાબદાર હોય છે.' રોડની યોગ્ય ડિઝાઇન બનાવાય તો અકસ્માત ટળેતેમણે વધુમાં કહ્યું કે, માર્ગ અકસ્માતો ઘટાડવા કોઇ એક જ વિભાગનું કામ નથી. તે સૌની જવાબદારી છે. ઇન્ડિયન રોડ કોંગ્રેસના ડાયરેક્શન પ્રમાણે જો રોડની ડિઝાઇન બનાવવામાં આવે તો અકસ્માતો ટાળી શકાય છે. એટલે પહેલું ફેક્ટર રોડ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ છે. બીજું ફેક્ટર એન્ફોર્સમેન્ટ છે. વાહનો યોગ્ય રીતે ન ચલાવાય અને બેદરકારીના કારણે જે અકસ્માતો થાય છે તેને ટાળવા માટે પોલીસ અને આરટીઓનો ભય હોવો જોઇએ. આ ડરથી એન્ફોર્સમેન્ટ લાવી શકાય. એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટનું એટલું જ અગત્યનું કામ બની રહે છે. 'અકસ્માત થાય પણ અકસ્માત થયા પછી જે ખૂબ અગત્યનું કાર્ય છે તે ટ્રીટમેન્ટનું છે. તેમાં જો એમ્બ્યુલન્સ સમયસર પહોંચી જાય,સારી હોસ્પિટલમાં ઇજાગ્રસ્તને લઇ જાય, તરત જ તેની ટ્રીટમેન્ટ શરૂ થઇ જાય તે ખૂબ અગત્યનું છે. એવા ઘણાં બધાં કિસ્સાં છે કે જો તાત્કાલીક ટ્રીટમેન્ટ મળી જાય તો આપણે વ્યક્તિનો જીવ બચાવી શકીએ છીએ. અત્યારે આ એક મેજર પ્રોબ્લેમ છે. એક્સિડન્ટ થયા પછી, હોસ્પિટલાઇઝેશન થયા પછી ઇજાગ્રસ્તની ટ્રીટમેન્ટનો પાર્ટ ખૂબ ઝડપથી શરૂ થઇ શકે તો આપણે મૃત્યુ ઘટાડી શકીએ તો તેના પર સવિશેષ ધ્યાન આપવાની પણ જરૂર છે.આમ ઇમરજન્સી કેર પણ એક અગત્યની બાબત છે. એ ઉપરાંત જે અગત્યનો ભાગ છે એન્ફોર્સમેન્ટ સાથે ઇમરજન્સી કેર, એજ્યુકેશન અને અવેરનેસ પણ એક અગત્યનો ભાગ છે.' તેમણે કહ્યું કે, રોડ ઓથોરિટી, મેડિકલ ટીમ, એન્ફોર્સમેન્ટ, અવેરનેસ રિલેટેડ જે કંઇ કામગીરી છે આ બધાંનું સંકલન કરવાનું કામ અમારું છે. એ બધાંને અમે વખતોવખત, રેગ્યુલર રીતે જુદા જુદા ડાયરેક્શનો આપતાં હોઇએ છીએ. અમારા નોડલ અધિકારીઓની મિટિંગ દર મહિને થતી હોય છે. સેક્રેટરી કક્ષાએ એક્ઝિક્યૂટિવ કમિટિની મિટિંગ પણ હોય છે. મંત્રી કક્ષાએ પણ આના માટે રિવ્યૂ કરવા માટેની કમિટિ છે અને તેમાં દરેક વિભાગના સિનિયર અધિકારીઓ તેના સ્ટેક હોલ્ડર છે. તે બાબતે સમીક્ષા કરતાં હોઇએ છીએ અને ડાયરેક્શન આપતાં હોઇએ છીએ.' NCRBનો ડેટા કહે છે કે કુદરતી આફતો અને આતંકવાદી હુમલામાં જેટલા માનવ મોત નથી થતાં તેનાથી વધારે માનવ મોત અકસ્માતોના કારણે થાય છે, થોડી બેદરકારી પણ ગંભીર અકસ્માત નોતરી શકે છે. અકસ્માત ટાળવા લોકોએ સાવધ રહેવું અને ટ્રાફિકના નિયમો પાળવા જરૂરી છે.
ભરુચ જિલ્લાના વાગરા તાલુકાની સાયખા GIDCમાં 12 નવેમ્બર 2025ની રાત્રે 2:17 મિનિટે એક પ્રચંડ વિસ્ફોટ થતાં 3 લોકોનાં મોત થયાં જ્યારે 25 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી 2 હજી પણ વડોદરાની હોસ્પિટલમાં દાખલ છે અને જ્યારે બાકીના લોકોને પ્રાથમિક સારવાર આપીને ડિસ્ચાર્જ કરી દેવાયા છે. વી.કે.ફાર્માકેમ કંપનીમાં થયેલો આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેના ધડાકાનો અવાજ 20 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. આ વિસ્ફોટથી આખો GIDC વિસ્તાર ધ્રુજી ગયો હતો, જાણે ભયંકર ધરતીકંપ આવ્યો હોય તેવો લોકોને અહેસાસ થયો હતો. ભાસ્કરની ટીમ આ વિસ્ફોટની હકીકત અને વિસ્ફોટ બાદની સ્થિતિ જાણવા ભાસ્કરની ટીમ ભરુચની સાયખા GIDCમાં ગ્રાઉન્ડ પર પહોંચી હતી. આ પ્રચંડ વિસ્ફોટ કેવી રીતે થયો? આ વિસ્ફોટથી GIDCમાં કેવો માહૌલ સર્જાયો? આસપાસની કંપનીઓને કેટલું નુકસાન થયું? GIDCમાં કેમ વિસ્ફોટ થાય છે? અને સૌથી અગત્યનો સવાલ, આ વિસ્ફોટ પાછળ જવાબદાર કોણ? આ તમામ સવાલના જવાબ જાણીશું આજના ગ્રાઉન્ડ રિપોર્ટમાં... ભરુચના અંકલેશ્વરમાં ભારતની જ નહીં, એશિયાની સૌથી મોટી GIDC આવેલી છે.સાયખા GIDCમાં આવેલી વિશાલ્યાકરણી ફાર્મા (વી.કે.ફાર્મા) કંપનીમાં ફાર્માકેમ કંપનીના માલિક રાજ મહાત્મા, અશોક મહાત્મા અને ભગવાન ભાવા છે. બ્લાસ્ટ થયો ત્યારે કંપનીના માલિકો અહીં જોવા પણ નહોતા આવ્યા.ભાસ્કરની ટીમ અહીં પહોંચી અને જોયું તો ચારેબાજુ કાટમાળ વિખરાયેલો હતો. કંપનીની હાલત જાણે ઉપરથી કોઈ મિસાઈલ પડી હોય તેવી થઈ ગઈ હતી. અમે સૌથી પહેલાં એ કંપનીની અંદર ગયા જ્યાં બ્લાસ્ટ થયો હતો. અહીં હજી પણ ધુમાડા નીકળતા દેખાતા હતા. ચારેયબાજુ કેમિકલ ફેલાયેલું હતું દુર્ગંધ એટલી તીવ્ર હતી કે શ્વાસ પણ ન લઈ શકાય. કંપનીની બહાર પડેલો આખો ટ્રક સળગી ગયો હતો. સામેના રોડ પર પડેલું ભારેભરખમ 10-15 ટનનું વેસલ ખસકીને અન્ય કંપનીમાં જતું રહ્યું હતું. આસપાસની બધી કંપનીઓના કાચ તૂટી ગયા હતા. બાજુની કંપનીઓની તો દીવાલ તૂટી ગઈ, પતરાંના શેડ પડી ગયા, ગાડીઓ સળગી ગઈ, મોટા જનરેટર સળગી ગયા, સ્થાનિક કામદારો અને આસપાસના અન્ય કંપનીના માલિકો સાથે વાતચીત કરતાં જણાવ્યું કે અવાજ એવો ભંયકર હતો કે જમીનમાં ધ્રુજારી આવી ગઈ હતી. આ વિસ્ફોટથી આસપાસની કોઈ કંપનીને 6-7 કરોડનું નુકસાન થયું તો કોઈ કંપનીને 2 કરોડનું... કંપનીના માલિકે મૃતકોને 20-20 લાખનું વળતર આપવાની વાત કરી છે. બ્લાસ્ટવાળી કંપનીથી 2 કિલોમીટર દૂર સાયખા ગામમાં રહેતા હેમરાજસિંહ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે, જ્યારે રાત્રે 2 વાગ્યાની આસપાસ અસાનક મોટા ધડાકા સાથે બ્લાસ્ટ થતાં અમે બધા જાગી ગયા અને ઘરની બહાર આવી ગયા. આસપાસ પણ દોડાદોડ ચાલું થઈ ગઈ હતી. આ બાજુ આવીને જોયું તો અહીં તો બૂમો પડતી હતી. વિકરાળ આગ લાગી હતી અમે સ્થાનિકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને એમ્બુલન્સ બોલાવી બાદમાં પોલીસ પણ આવી ગઈ. ઈજાગ્રસ્ત લોકોને અમે હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી. બ્લાસ્ટનો અવાજ એટલો પ્રચંડ હતો કે, મારા એક મિત્ર અહીંથી 20 (જી હા, વીસ કિલોમીટર) કિલોમીટર દૂર રહે છે તેમને પણ આ બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો. આ બ્લાસ્ટના કારણે આસપાસની 6 થી 7 કંપનીમાં ભારે નુકસાન થયું છે. હવે આ બે તસવીરો ધ્યાનથી જુઓ... ભાસ્કરે તપાસ કરતાં જાણવા મળ્યું કે,જ્યાં વિસ્ફોટ થયો ત્યાં પહેલા અન્ય કંપની ચાલતી હતી. નવી કંપનીએ હજી માંડ પાંચ-છ મહિના પહેલાં જ અહીં કામ શરુ કર્યું હતું. આ કંપનીમાં દવા નહોતી બનતી પરંતુ દવા બનાવવા માટેનો રો-મટીરિયલનો જથ્થો અહીં બનતો હતો. રાત્રે 2 વાગ્યાની આસપાસ રીએક્ટરમાં ટોલ્વીનનો ઉપયોગ કરતા હતા. એટલે કે, સોલવન્ટ ડીસ્ટીલેશનની પ્રક્રિયા દરમિયાન આ બ્લાસ્ટ થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે. ડીસ્ટીલેશન એટલે રિએક્ટરમાં અલગ અલગ પ્રોડ્ક્ટનું મિક્સિંગ કરવું. બ્લાસ્ટની જગ્યાએ બોઈલર પડ્યું હતું તેને કંઈ વધારે નુકસાન નહોતું થયું પરંતુ રીએક્ટર આખું ફાટી ગયું હતું.જ્યારે બનાવ બન્યો ત્યારે નાઈટ શિફ્ટમાં પાંચેક લોકો અહીં કામ કરતા હતા. અન્ય પાંચ લોકો ઉપરના ભાગે સુતા હતા. જેમાંથી 3 લોકોનાં મોત થયા છે અને અન્ય 2 લોકો વડોદરાની હોસ્પિટલમાં દાખલ છે. નિયમ મુજબ સાવચેતીના ભાગરુપે કામદારોને કંપનીમાં રેસિડેન્ટ તરીકે રાખી ન શકાય. તેમને રહેવા માટેની અલગ જગ્યાએ વ્યવસ્થા કરવાની હોય છે. પરંતુ ઘણા નિયમો પાળવામાં નહોતા આવ્યા. જે તમને આગળ જણાવીશું... અમે આ કંપનીની બાજુમાં આવેલી યોબાઈ ઈન્ડસ્ટ્રીઝ કંપનીના માલિક ભાર્ગવ પટેલ સાથે વાત કરી, તો તેમણે જણાવ્યું કે, હું અમદાવાદ રહું છું. અમારી આ કેમિકલ ડાઈ બનાવવાની કંપની છે. જ્યારે બનાવ બન્યો ત્યારે અમારી કંપનીના કેટલાક માણસો અંદર કામ કરી રહ્યા હતા. વિસ્ફોટ બાદ મને મારી કંપનીમાંથી ફોન આવ્યો એટલે હું તે રાત્રે જ તાત્કાલિક અમદાવાદથી સાયખા આવી ગયો. અહીં આવીને જોયું તો આગ ચાલુ જ હતી. ફાયર બ્રિગેડના જવાનો પાણીનો મારો ચલાવી રહ્યા હતા. કંપનીમાં નજીક જઈ શકાય તેવી સ્થિતિ જ નહોતી અમે બીજા દિવસે બપોર સુધી અમારી કંપનીમાં નહોતા જઈ શક્યા. અંદર આવીને જોયું તો મારી કંપનીમાં એટલું બધું નુકસાન થયું હતું કે જાણે મારી જ કંપનીમાં બ્લાસ્ટ થયો હોય. અમારી કંપનીની તમામ ઈલેક્ટ્રિક સિસ્ટમ ડેમેજ થઈ ગઈ છે. 25 લાખનું 250 KVનું જનરેટર સળગી ગયું છે. 35-40 લાખનું કંપનીનું 1600KVનું ટ્રાન્સફોર્મર ડેમેજ થઈ ગયું છે. કંપનીની 60-65 લાખની તમામ મેઈન PCC પેનલો ખેંચાઈ ગઈ છે. એક એડમિન બિલ્ડીંગ જે અમે દોઢ કરોડમાં બનાવ્યું હતું તેનું આખું સ્ટ્રક્ચર લોસ થઈ ગયું છે, લેબના તમામ ઈક્વિપમેન્ટ લોસ થઈ ગયા છે. આ ઈક્વિપમેન્ટ જ અંદાજે 60 લાખની આસપાસના હશે. એક કાર આખી સળગી ગઈ છે. કંપનીનો બધો જ ફિનિશ ગુડ માલ પડ્યો હતો તે નાશ થઈ ગયો છે. કંપનીનું આખું RCC સ્ટ્રક્ચર હલી ગયું છે. આના માટે અમારે હવે સ્ટેબિલિટી રિપોર્ટ કઢાવવો પડશે. સ્ટ્રક્ચર વાળા મને રિપોર્ટ આપશે કે આ બિલ્ડીંગ ચાલશે કે નહીં? નહીંતર મારે પણ ડીમોલિશન કરીને આખું બિલ્ડીંગ નવું ઊભું કરવું પડશે. કારણ કે ભવિષ્યમાં મારા માણસો પણ અહીં કામ કરશે. આ પડે નહીં એટલે મારે કદાચ નવું સ્ટ્રક્ચર પણ બનાવવું પડે. આ બધુ તો મોટું મોટું નુકસાન દેખાય તે છે. આમ તો હજી અંદાજો નથી લાગતો પરંતુ જો મોટા મોટા નુકસાનનો અંદાજો લગાવું તો પાંચથી સાત કરોડ જેટલું નુકસાન થયું છે. પરંતુ અમારી કંપનીના તમામ કાગળીયાઓ છે જેમાં અમે વીમો પણ લીધેલો છે એટલે અમે ક્લેમ માટે જાણ કરી દીધી છે. જેની ટીમ પણ સર્વે માટે આવી ગઈ છે. આ બ્લાસ્ટના કારણે લગભગ 3 મહિના સુધી તો અમારો પ્લાન્ટ અમે શરુ જ નહીં કરી શકીએ... બાદમાં અમે બ્લાસ્ટ વાળી ફેક્ટરી સામે આવેલી સ્કાય ઈન્ટરમીડિયેટ કંપનીમાં ગયા. અહીં પહોંચતાં જોયું તો કંપનીનો બધો શેડ ઉખડી ગયો હતો. પાંચ માળની આ કંપનીના તમામ બારી કાચ તૂટી ગયા હતા. અમે કંપનીના મેનેજર વિમલેશ પાઠકને મળ્યા. તેમણે અમને જણાવ્યું કે, બ્લાસ્ટની રાત્રે હું અમારા પ્લાન્ટમાં રાઉન્ડ લગાવીને રાત્રે 2 વાગ્યાની આસપાસ ત્રીજા માળે આવેલી અમારી ઓફિસમાં આવીને બેઠો અને 10થી 15 મિનિટની પછી અચાનક જ મોટો ધડાકો થયો. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે જાણે અમારા પર મોટો હુમલો થયો હોય. કારણ કે જ્યાં સોફા પર બેઠો ત્યાં આસપાસ કાચની બારીઓ હતી જે તમામ તૂટી તેના કાચ તૂટ્યા અને મારા પર પડ્યા. પાંચ મિનિટ સુધી તો હું સન્ન થઈ ગયો હતો. ચારે બાજુ અંધારું થઈ ગયું હતું. કારણ કે, બ્લાસ્ટના કારણે પાવર જતો રહ્યો હતો. પાંચ મિનિટ બાદ થોડું દેખાવા લાગતાં હું દોડીને અમારા પ્લાન્ટની અન્ય જગ્યા પર ગયો અને બધાને બહાર કાઢ્યા. આમાંથી જે લોકો ઈજાગ્રસ્ત હતા તે લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા. બ્લાસ્ટ થયો ત્યારે અમારી કંપનીમાં 30 જેટલા લોકો કામ કરી રહ્યા હતા. અમારી કંપનીમાં અંદાજે દોઢથી બે કરોડ જેટલું નુકસાન થયું છે અને આ તો આંખની સામે દેખાય છે તે આંકડો છે. હજી તો અમે બધો સર્વે પણ નથી કર્યો. અમારી કંપનીની લેબોરેટરીનું HPCL મશીન જે 30 લાખનું આવે છે તે આખું ડેમેજ થઈ ગયું છે. કંપનીનું રીએક્ટર, પેનલ વગેરે બધું ચાલુ થશે પછી અમે પરફેક્ટ અંદાજો લગાવી શકીશું ખરેખર કેટલું નુકસાન થયું છે. આ બ્લાસ્ટના કારણે અમારા બિઝનેસ પર મોટી અસર થવાની છે કારણ કે, 15 દિવસ સુધી તો અમે કંપનીમાં કામ જ શરુ નહીં કરી શકીએ. જ્યાં બ્લાસ્ટ થયો તેની બાજુમાં જ આવેલી સેજલ કેમટેક કંપનીના પાર્ટનર હિતેષભાઈ દીયોરાએ કહ્યું કે, જ્યાં બ્લાસ્ટ થયો ત્યાં બોઈલર તો સહી સલામત લાગે છે. બાઈલરમાં કાંઈ ડેમેજ હોય અને તેના કારણે બ્લાસ્ટ થયો હોય તેવું લાગતું નથી. રીએક્ટરના વેસલ્સમાં કોઈ રીએક્શન થયું હોય અને તેમાં સેફ્ટીના નોર્મ્સ નહિ પાળ્યા હોય ને તેના કારણે પ્રચંડ ધડાકો થયો હોય તેવું લાગે છે. રીએક્ટરમાં કેમિકલ મિક્સ થાય છે. ક્યું રો-મટીરિયલ છે તેના પર આધાર છે. રીએક્ટર અને બોઈલર એટલે શું? રીએક્ટરમાં બ્લાસ્ટ ન થાય તેના માટે પ્રેશર, ટેમ્પરેચર, ઓટોમેટિક કંટ્રોલ વાલ્વ, સેફ્ટી વાલ્વ, આ બધાનું સમયસર ટેસ્ટીંગ થવું જોઈએ. જેથી ખબર પડે કે આમાંથી કંઈ ખરાબી હોય તો તેને રીપેર કરાવી શકાય કે રીપ્લેસ કરાવી શકાય. રીએક્ટર મટીરિયલને મિક્સ કરવાનું કામ કરે છે. કંપનીની જે પણ પ્રોડક્ટ હોય તેને રીએક્ટર દ્વારા રીએક્શન કરાવાય છે. એટલે કે જે પ્રોડક્ટ બનાવવામાં આવી છે તે તેજ છે કે પછી કંઈક અલગ? બોઈલર પાણીને સ્ટીમ કરવાનું કામ કરે છે. બોઈલરમાં ફક્ત પાણી ગરમ થાય છે. જેમાં બ્લાસ્ટ થવાના ચાન્સ ઓછા હોય છે. જ્યારે રીએક્ટરમાં કેમિકલ આવે છે એટલે તેમાં બ્લાસ્ટ થવાના ચાન્સ હોય છે પરંતુ તે પણ કોઈ બેદરકારી હોય તો જ થાય છે. બાકી 99 ટકા રીએક્ટરમાં પણ બ્લાસ્ટ નથી થતો. રીએક્ટરમાં સેફ્ટી માટે સેફ્ટી વાલ્વ લગાવવામાં આવે છે. ટેમ્પરેચર મેઈન્ટેન રાખવા માટે ઓટો કટઓફ વાલ્વ લગાવાય છે. પ્રેશર માટે રાફ્ટર ડીશ લગાવાય છે. આમાંથી કોઈ વસ્તુ બરાબર કામ ન કરે અને મિસ ઓપરેશનલ થાય તો જ રીએક્ટર બ્લાસ્ટ થાય છે. આ બધું જોવાનું કામ જે તે ઓપરેટરનું હોય છે. કારણ કે, કામદારોને ટેક્નિકલી એટલો બધો આઈડીયા નથી રહેતો. ઓપરેટરની ઉપર શિફ્ટ ઈન્ચાર્જ હોય છે ઓપરેટરથી મેનેજ ન થાય તો તે શિફ્ટ ઈન્ચાર્જને જાણ કરે છે અને શિફ્ટ ઈન્ચાર્જની ઉપર મેનેજર આવે છે. (કોઈ મિસ ઓપરેશનના કારણે કોઈના દ્વારા બરાબર ધ્યાન ન આપવાના કારણે જ આવા બ્લાસ્ટ થતા હોય છે. નહીંતર બધું બરાબર ચાલતું હોય તો બ્લાસ્ટ નથી થતો) બ્લાસ્ટમાં જવાબદાર કોણ?આ ઘટનામાં કંપનીની અને કેટલીક એજન્સીઓની બેદરકારી પણ સામે આવી છે. જ્યારે કોઈ કંપની GIDCમાં મેન્યુફેક્ચરીંગ કરવાની હોય ત્યારે સૌથી પહેલા GIDCમાંથી પરમિશન લેવાની હોય છે. જેમ કે, ડ્રોઈંગ, ફાયર સેફ્ટી, વર્કર સેફ્ટી પછી સ્ટ્રક્ચર ઊભું થઈ જાય ત્યારે ફેક્ટરી ઈન્સ્પેક્ટર આવે અને બધું તપાસ કરીને જુએ કે અહીં કોઈ રેસિડેન્સીયલ તો નથી, બધા કાગળીયા છે કે નહીં. આ તમામ બાબતો જોઈને ખાતરી કરાય છે. તે બાદ તે કંપનીનું લાયસન્સ ઈશ્યુ થાય પછી GPCB એન્વાયરમેન્ટ કન્સર્ન આપે પછી કંપનીને પ્રોડક્ટ બનાવવાની પરમિશન મળે અને પછી બધું કામ શરું થાય. આ સિવાય કંપની જે ગામમાં પડતી હોય તે ગામની ગ્રામ પંચાયતમાં રજીસ્ટ્રેશન કરાવવું પડે. કંપનીમાં જેટલા માણસ કામ કરતા હોય તેનો પ્રોફેશનલ ટેક્સ ભરવો પડે. પરંતુ સાયખા GIDCમાં આવેલી વી.કે. ફાર્માકેમ કંપનીએ આમાંથી કોઈ નિયમોનું પાલન નહોતું કર્યું અને કંપનીમાં કામ ચાલુ કરાવી દીધું હતું એટલે આમાં સાયખા GIDC, ફેક્ટરી ઈન્સ્પેક્ટર અને GPCB સામે પણ આંગળી ચિંધાઈ રહી છે. GPCBએ કહ્યું- કંપની સામે કાર્યવાહી થશેઆ મામલે અમે GPCB (ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ)ના નિયામક કે.એમ.વાઘમસ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, કંપનીની કેટલીક પરમિશન લેવાની પ્રોસેસ ચાલુ હતી. અમે આ કંપનીનો રિપોર્ટ અમારી હેડ ઓફિસ મોકલી આપ્યો છે. 1-2 દિવસમાં કંપની પર એક્શન પણ લેવાશે. જરુર પડશે તો પોલીસમાં પણ રિપોર્ટ કરીશું. ભાસ્કરે ફેક્ટરી ઈન્સપેક્ટર સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે, કંપનીએ અમારી પાસે મંજૂરી માટેની પ્રોસેસ કરી હતી, જે કામ પ્રોસેસમાં હતું. આ કંપની શરુ કરે 6 મહિના થયા હતા. પહેલા અહીં બીજી કોઈ કંપની હતી તે કંપનીની કોઈ પ્રોડેક્ટ સફળ ન થતાં તેણે કંપની વેચી દીધી હતી. કંપનીમાં સોલવન્ટ ડીસ્ટીલેશનની પ્રોસેસ કરનાર ઓપરેટરનું મૃત્યુ થઈ ગયું છે. આ સમગ્ર ઘટના મામલે અમે ઈન્કવાયરી કરી રહ્યા છીએ. તેનો રીપોર્ટ બન્યા બાદ તેને અમે આગળ મોકલીશું અને પોલીસમાં આપીશું. સ્થાનિક પોલીસ સાથે કરતાં તેમણે પણ જણાવ્યું કે, GPCB, ફેક્ટરી ઈન્સપેક્ટર અને FLSની ટીમ અમને રિપોર્ટ કરશે પછી અમે તેની પર કાર્યવાહી કરીશું.
બનાસકાંઠા અને વાવ–થરાદ જિલ્લાઓમાં શનિવારે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ હતી. પાલનપુર ખાતે કલેક્ટર કચેરીના મિટિંગ હોલમાં બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જ્યારે થરાદ કલેક્ટર કચેરી ખાતે નવનિયુક્ત જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. બંને બેઠકોમાં સાંસદ, ધારાસભ્યો અને જિલ્લા સ્તરના અધિકારીઓ જોડાયા હતા. સભાસદોએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો અને રજૂ કરાયેલા મુદ્દાઓના જવાબોનું રિવ્યૂ કરવામાં આવ્યો હતો. પાલનપુરની બેઠકમાં કલેક્ટર મિહિર પટેલે જિલ્લામાં મળેલી વિવિધ રજૂઆતો અંગે સંબંધીત અધિકારીઓ પાસેથી કામોની પ્રગતિનો અહેવાલ મેળવી તાત્કાલિક નિરાકરણ માટે સુચના આપી હતી. તેમણે જણાવ્યું કે નાગરિકોને સરકારની યોજનાઓનો સમયસર લાભ મળે તે માટે તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ પણ ઘનિષ્ઠ સંકલન જરૂરી છે. અમલીકરણ અધિકારીઓને વિકાસ કાર્યો નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યો હતો. વાવ–થરાદ જિલ્લા કલેક્ટરે નવીન જિલ્લા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને પ્રાથમિકતા આપીને કામગીરીમાં ઝડપ લાવવા અધિકારીઓને સૂચના આપી હતી. જિલ્લા બનાવવા પછી વિકાસ કાર્યોને વેગવાન બનાવવાની દિશામાં જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. વાવ–થરાદ બેઠકમાં સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય કેશાજી ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા હાજર રહ્યા હતા. જ્યારે બનાસકાંઠાની બેઠકમાં ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, ડીડીઓ એમ.જે. દવે અને અધિક જિલ્લા કલેક્ટર સી.પી. પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા.
નવી ડિઝાઇન જાહેર:પાલનપુરમાં 63 કરોડના ખર્ચે જિલ્લા પંચાયતભવન નવું બનશે
પાલનપુર સ્થિત હાલનું જિલ્લા પંચાયત ભવન લગભગ 45 વર્ષ જૂનું બનેલું છે. ચાર વખત પોપડા ખરવા જેવી ગંભીર ઘટનાઓ બનતા નોકરી કરતા સ્ટાફ કર્મીઓમાં ભયનો માહોલ છે. સમગ્ર સ્થિતિને ધ્યાને લેતા ડીડીઓ એ રાતોરાત ત્રીજા તથા ચોથા માળની કચેરીઓને અન્ય સ્થળે ખસેડવા સૂચના આપી અને 2 જ દિવસમાં કચેરીઓ ખસેડી દેવાઈ જેમાં ચોથા માળની ખેતીવાડી અને પશુપાલન શાખાને ગ્રામ વિકાસ એજન્સી સંકુલના હોલમાં શિફ્ટ કરવામાં આવી છે. જ્યારે આંકડા શાખા ને જિલ્લા પંચાયતના સભાગૃહમાં શિફ્ટ કરવામાં આવી છે. જ્યારે સૌથી વધુ સ્ટાફ જે કચેરીમાં બેસતો હતો તે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગની કચેરીને નવાલક્ષ્મીપુરા પ્રાથમિક શાળા ખાતે ખસેડવામાં આવી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. હવે આ જર્જરિત ભવનને તોડી તેની જ જગ્યાએ નવી ઈમારત ઉભી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. નવી જિલ્લા પંચાયત ભવન માટે કુલ અંદાજિત ખર્ચ આશરે 63 કરોડ છે. જેમાંથી 52 કરોડની વહીવટી મંજુરી મળી ચૂકી છે 6 માળની ઈમારત બનશે, 300 વાહનો પાર્ક થશેજિલ્લા પંચાયત ભવન ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ 6 માળનું નવું જિલ્લા પંચાયત ભવન બનાવાશે. સમગ્ર બિલ્ડિંગમાં તમામ કચેરીઓ પૂર્ણ ફર્નિશ્ડ રૂપે કાર્યરત થશે. કેમ્પસમાં જનહિત માટે વિશાળ ઓડિટોરિયમ હોલ અને સ્ટાફ–મહેમાનો માટે કેન્ટીનની સુવિધા પણ રહેશે. વાહનવ્યવહારને સુગમ બનાવવા આશરે 150 કાર અને 150 ટુ-વ્હીલર માટે કુલ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવશે. નવી ઇમારત આધુનિક સુવિધાઓ સાથે જિલ્લા પંચાયત માટે વધુ સુવ્યવસ્થિત કાર્યસ્થળ પૂરું પાડશે.
SIR અંતર્ગત પાલનપુર શહેરના તમામ મતદાન મથકોમાં મતદારયાદી સુધારણા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.15 16 અને 22 23 નવેમ્બર નિર્ધારિત દિવસો પૈકી પહેલા દિવસે જાણકારીના અભાવે ગણ્યા ગાંઠ્યા લોકોજ પાલનપુરના મતદાન મથકો પર આયોજિત કેમ્પમાં જોવા મળ્યા. ભાસ્કર ટીમે શહેરના જુદા જુદા મતદાન મથકો પર ચાલતી કાર્યવાહી નિહાળી હતી. ઘણા લોકો ઘરના સરનામા બદલીને અન્યત્ર રહેવા ગયા હોવાથી દસ્તાવેજ એકત્ર કરવું મુશ્કેલ બન્યું. કેટલાક મતદારોને ફોર્મ મળ્યા જ નહોતા, જેના કારણે તેઓ ચૂંટણી કાર્ડ લઈને જ બુથ પર પહોંચ્યા હતા. કેટલાક BLO મોબાઇલ પરથી જ ઑનલાઇન ફોર્મ સબમિટ કરતા જોવા મળ્યા હતા. એરોમા સર્કલ પાસે નૂતન હાઈસ્કૂલ ખાતે BLOના ટેબલો ખાલી જોવા મળ્યા. લોકજાગૃતિના અભાવને કારણે લોકોને ક્યાં જવું અને શું કાર્યવાહી કરવી તેની સાર્વજનિક જાણકારી નહોતી. એક જ ટેબલ પર 20–25 ફોર્મ આવવાથી કાર્ય ધીમી ગતિએ ચાલી રહ્યું હતું. એક BLOને 15–16 સોસાયટી અને અંદાજે 1378 ફોર્મની જવાબદારી મળતા કામ ભારમય હોવાનું જણાવ્યું હતું. કેટલાક સ્થળે સસ્તા અનાજના દુકાનદારોને BLO સહાયક તરીકે મુકાતા તેઓ અવઢવમાં મૂકાયા હતા. શિક્ષક વર્ગે પણ ચિંતા વ્યક્ત કરી કે અવિરત કામગીરીને કારણે શિક્ષણ ઉપર અસર પડે છે. ભાસ્કર ટીમે આદર્શ હાઈસ્કૂલની મુલાકાત લીધી ત્યારે 14માંથી 6 શિક્ષકો BLO તરીકે ફરજ બજાવતા જોવા મળ્યા જેના કારણે શાળાનો શિક્ષણક્રમ અસરગ્રસ્ત હતો. યાદીમાં 50 હજારથી વધુ નામ હોવા છતાં સર્ચ ઑપ્શન ન હોવાને કારણે નામ શોધવામાં સમય વેડફાઈ રહ્યો હતો. વિદ્યા મંદિર સ્કૂલમાં શિક્ષકો મતદારોને જાતે યાદીમાંથી નામ શોધી આપી રહ્યા હતા. મીરાગઢ પ્રાથમિક શાળામાં BLOઓએ 2002ની જૂની યાદીમાંથી નામ શોધવો સૌથી મોટો પડકાર હોવાનું જણાવ્યું હતું.
ભાસ્કર ફોટો ઇન્વેસ્ટિગેશન:દિલ્હી દરવાજા- અહીં 2થી 3 વાર ગ્રીન સિગ્નલની રાહ જોવી જ પડે
શાહપુરથી દિલ્હી દરવાજા તરફ રોજ 70 હજારથી વધુ વાહનોની અવરજવર રહે છે અને સૌથી વ્યસ્ત હોવા છતાં દૂધેશ્વરથી આવતાં વાહનોને જવા દેવા તેને સાંકડો બનાવી 21 ફૂટ કરી દેવાયો છે, જ્યારે તેની તુલનાએ દૂધેશ્વરથી ઓછાં વાહનો આવતા હોવા છતાં આ રસ્તો 43 ફૂટ પહોળો રખાયો છે, જેથી આખો દિવસ ટ્રાફિક રહે છે. સ્થિતિ એવી છે કે,આ જંક્શન પર બે ગ્રીન સિગ્નલ પછી નંબર આવે છે. ભાસ્કર એક્સપર્ટસર્કલને રિડિઝાઇન કરવાની જરૂરઅહીં દુકાનોનો સરવેની જરૂર છે. આ કામગીરી કર્યા પછી દબાણ દૂર કરવાં જોઈએ, જેથી રસ્તો થોડો પહોળા થઈ શકે. વાહનોની મૂવમેન્ટ તથા તેના વિશ્લેષણના આધારે સર્કલને સંપૂર્ણપણે રિડિઝાઇન કરવાની જરૂર છે. આમ થાય તો ચારે બાજુના ટ્રાફિકને મેનેજ કરી શકાશે. > પ્રિયંક ત્રિવેદી, રોડ સેફ્ટી એક્સપર્ટ
જેદ્દાહથી આવેલી ફ્લાઇટમાં એક પેસેન્જર દાણચોરીથી સોનું લાવતો હોવાની માહિતી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ને મળી હતી. શરૂઆતમાં પેસેન્જર પાસેથી કંઈ મળ્યું ન હતું. પરંતુ તેની કડક પૂછપરછ કરતાં તેણે સોનાની કેપ્સ્યુલો પ્લેનની સીટ નીચે સંતાડી હોવાની કબૂલાત કરી હતી. ડીઆરઆઈએ પ્લેનમાં તપાસ કરતાં સીટ નીચેથી સોનાની 4 કેપ્સ્યુલ મળી હતી. ચારેયનું વજન કુલ 1250 ગ્રામ થાય છે. શુક્રવારે સવારે જેદ્દાહથી આવેલી ફ્લાઇટને લઈને ડીઆરઆઇની ટીમ પહેલેથી જ સતર્ક હતી. ફ્લાઇટમાંથી પેસેન્જરો ઉતર્યા બાદ શંકાસ્પદ એક પેસેન્જરને અલગ કરીને તેની તલાશી લેવાઈ. શરૂઆતમાં સામાનમાંથી કોઈ વાંધાજનક વસ્તુ મળી ન હતી. જો કે તેની કડકાઈથી પૂછપરછ કરતા તેણે કેપ્સ્યુલો પોતાની પાસેથી દૂર રાખવા પ્લેનની સીટ નીચે સંતાડી દીધી હતી. એરપોર્ટ કર્મચારીની સંડોવણીની તપાસપેસેન્જર અટકાયત કરી તેની પૂછપરછ કરાઈ રહી છે. વધુમાં, આ કન્સાઇનમેન્ટ કોણે લેવાનું હતું અને પ્લેન કે એરપોર્ટનો કોઈ કર્મચારી આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંકળાયેલો છે કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે.
ભાસ્કર એક્સક્લુસિવ:અમદાવાદથી બરૌની જતી ટ્રેન 14મીએ બપોરના બદલે છેક 15મીએ રાત્રે ઉપડી
અમદાવાદથી બરૌની જતી સ્પેશિયલ ટ્રેન નંબર 05262 અમદાવાદથી લગભગ 40 કલાક મોડી ઉપડી હતી. અમદાવાદથી 14 નવેમ્બરે બપોરે 2.20 વાગે ઉપડનાર આ ટ્રેન બરૌનીથી લગભગ 38 કલાક મોડી અમદાવાદ પહોંચતા અહીંથી 15મીએ રાતે લગભગ 11 વાગે બરૌની જવા રવાના થઈ હતી. અમદાવાદથી 40 કલાક મોડી ઉપડેલી આ ટ્રેન ક્યારે બરૌની પહોંચશે તે ખબર નહીં. ટ્રેન નંબર 05261 બરૌનીથી 12 નવેમ્બરના રોજ રાતે 10 વાગે ઉપડવાની હતી. પરંતુ આ ટ્રેન બરૌનીથી જ લગભગ 27 કલાક મોડી 14 નવેમ્બરના રોજ રાતે 1.13 વાગે ઉપડી હતી. આ સ્પેશિયલ ટ્રેનને રોકી રેગ્યુલર ટ્રેનોને આગળ વધારાતી હતી. જેના કારણે 33 કલાકની પેસેન્જરોની મુસાફરી લગભગ 45 કલાકમાં પૂર્ણ થઈ હતી. પેસેન્જરો પ્લેટફોર્મ પર બેસી રહ્યાશહેરમાં રહેતા કેટલાક પેસેન્જરો ઘરે પરત ફર્યા હતા જ્યારે રાજ્યના અન્ય શહેરોમાંથી આવેલા પેસેન્જરોને હોટેલમાં રોકાવાનો વારો આવ્યો હતો. જયારે કેટલાક પેસેન્જરો પ્લેટફોર્મ પર જ બેસી રહ્યા હતા. આ ટ્રેનનો રેક મોડો આવતા રાતે લગભગ 11 વાગે બરૌની જવા રવાના થઈ હતી.
શહેરના એક સિનિયર સિટીઝને તેમના બેંક એકાઉન્ટમાં નોમિનીનું નામ ન રાખતા બેંકે તેમના પુત્રોને પૈસા આપવાનો ઇનકાર કરી દીધો હતો. માતાપિતાના અવસાન બાદ સંતાનોએ વિદેશથી આવીને બેંકમાં રહેલું બેલેન્ચ માગતા ઘટસ્ફોટ થયો હતો. રાણીપ વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટીઝન કેન્દ્ર સરકારની નોકરીમાંથી નિવૃત્ત થયા હતા. તેમણે તેમના બેંક અેકાઉન્ટમાં નોમિની તરીકે કોઈનું નામ નહિ ઉમેરતા બેંકમાં રહેલી મૂડી બેંકે સીઝ કરી દીધી હતી. બીજી તરફ માતાપિતાના અવસાન બાદ વિદેશથી આવેલાં સંતાનોએ બેંકમાં જઈને બેલેન્સ તેમના ખાતામાં તબદીલ કરવા અરજી કરતા બેંકે તે આપવા ઇનકાર કરી દીધો હતો. બેંકે એવું કારણ આપ્યું હતું કે તેમના પિતાએ એકાઉન્ટમાં કોઈ પણ નોમિનીનું નામ ઉમેર્યંુ નહિ હોવાથી બેંક કોઈને નાણાં આપી શકે નહિ. સમગ્ર બનાવ અંગે રિઝર્વ બેંકમાં અને કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી તેમ છતાં કોઈ પરિણામ નહિ મળતા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. હાઈકોર્ટે બેંકને નોટિસ કાઢીને વધુ સુનાવણી સોમવાર પર મુકરર કરી છે. માત્ર સિનિયર સિટીઝન જ નહિ, પરંતુ દરેકને ચેતવણીરૂપ કિસ્સો હાઈકોર્ટમાં નોંધાયો છે. રાણીપ વિસ્તારમાં રહેતા અને કેન્દ્ર સરકારના સેન્ટ્રલ એક્સાઇઝ વિભાગમાંથી નિવૃત્ત થયેલા બિપીન સકસેના અને તેમનાં પત્ની નિરંજનાબહેન એકલાં રહેતાં હતાં. તેમના બે દીકરા અને દીકરી વિદેશમાં સ્થાયી થયાં હતાં. તેમનાં પત્ની નિરંજનાબહેન બીએસએનએલમાંથી નિવૃત્ત થયાં હતાં.બંને પતિ-પત્નીએ જોઇન્ટ બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતું, પરંતુ નિરંજનાબહેનનું અવસાન થતા માત્ર બિપીનભાઈના નામે એકાઉન્ટ હતું. તેમને બેંકના નવા નિયમની જાણકારી નહોતી, તેથી નોમિની તરીકે કોઈનું નામ જોડ્યુ નહોતું, જેના લીધે તેમના અવસાન પછી બેંક એકાઉન્ટમાં 1 કરોડ કરતાં વધુની રકમ બેંક દ્વારા સીઝ કરી દેવાઈ હતી. તેમના બંને સંતાનો વિદેશથી આવીને બેંક પાસે તેમના પિતાના એકાઉન્ટની વિગતો માગી હતી. પિતાની સંપત્તિ પર પોતાનો હક હોવાની પુત્રોએ દલીલ કરીપુત્રોએ કોર્ટમાં એવી દલીલ કરી હતી કે તેમના પિતાની સંપત્તિ પર તેમનો હક છે તેમણે નોમિની ના કર્યુ હોય તો પણ તેના પર તેમનો અધિકાર રહે છે. બેંક તરફથી એવી દલીલ કરી હતી કે, બેંકના નિયમ મુજબ દરેક એકાઉન્ટ હોલ્ડરે તેમના એકાઉન્ટમાં નોમિની રાખવા ફરજીયાત છે જો તેમ કરવામાં ના આવે તો તે રકમ બેંક સીઝ કરી શકે છે.
માવઠાથી રાજ્યના 251 તાલુકાના 16,500 ગામોમાં કુલ 44 લાખ હેક્ટર વિસ્તારના પાકને થયેલા નુકસાન બાદ સરકાર દ્વારા શુક્રવારથી સહાયના ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરાઈ. પરંતુ પહેલાજ દિવસે કામગીરી કરતાં સર્વર બંધ રહેવાના કલાકો વધુ રહ્યા હતા. નબળી ઇન્ટરનેટ કનેક્ટિવિટી, જૂની સિસ્ટમ અને કેટલાક VCE પાસે લોગિન આઈડી-પાસવર્ડ ન હોવાના કારણે ઘણાં ગામોમાં કામગીરી લગભગ અટકી ગઈ હતી. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારની સ્થિતિ સૌથી ખરાબ જોવા મળી હતી. ઉકાઈના આમલીપાડા ગ્રામ પંચાયતમાં VCE હાજર નહોતા, સાથે જ ઇન્ટરનેટ કેબલ કપાયેલા હોવાથી રિપેરિંગનું કામ ચાલતું હતું. VCE પીનેશ ગામીતે જણાવ્યું કે 16 ફોર્મ તેમની પાસે છે, જે ગ્રામસેવક દ્વારા ઓનલાઇન કરાવાશે. બીજી તરફ દુમદા ગ્રામ પંચાયતમાં બપોરે કચેરી બંધ મળી આવતા ફોર્મ ભરવાની કોઈ શક્યતા નહોતી. વરેઠી ગ્રામ પંચાયતમાં પોર્ટલ ખુલતા જ તમારા તાલુકા માટે સ્કીમ ઉપલબ્ધ નથી એવો મેસેજ આવતા એકપણ ફોર્મ ભરાઈ શક્યું નથી. કેટલાક ગામોમાં તો સુવિધાનો જ અભાવ છે. હાંસોટ તાલુકાના ઓભા ગામના ખેડૂત અજય પટેલે જણાવ્યું કે ગામમાં VCE, કમ્પ્યુટર અને પ્રિન્ટરની કોઈ વ્યવસ્થા નથી, તેથી ખેડૂતોને ત્રણ કિમી દૂરનાં ગામોમાં જઈને ફોર્મ ભરવા પડે છે. આસપાસના ચાર ગામના ખેડૂતો એક જ સ્થળે જતાં ભીડ વધવાની પણ શક્યતા છે. રાજ્યના 4 ઝોનમાં પ્રથમ દિવસની સ્થિતિઉત્તર ગુજરાત : કેટલાક વીસીઇને લોગીન માટે આઇડી-પાસવર્ડ ન મળતાં બેસી રહેવાનો વારો આવ્યો હતો. જ્યાં કામગીરી શરૂ થઇ ત્યાં વારંવાર સર્વર ઠપ્પ રહ્યું. ઇન્ટરનેટની સ્પીડ ન મળતાં કામગીરી ન થઇ. દક્ષિણ ગુજરાત : સૂરત, ભરૂચ અને તાપી જિલ્લામાં ખેડૂતો માટે ઓનલાઈન સહાય ફોર્મ પ્રક્રિયા ગંભીર અવ્યવસ્થામાં ચાલી રહી છે. ઘણા ગામોમાં VCE ગેરહાજર રહ્યા, ઇન્ટરનેટ કેબલ કચેરીઓ બંધ રહી હતી. મધ્ય–પૂર્વ ગુજરાત : આણંદ, ખેડા, નડિયાદ, બોટાદ, દાહોદ, પંચમહાલ જિલ્લાના દિવસભર સર્વર ડાઉન અને એરરના કારણે મોટાભાગના ખેડૂતોને ધક્કો પડ્યો. નેટના ધાંધિયા બાદ ઓપરેટરોએ મોબાઇલ નેટથી ફોર્મ ભર્યા હતા. સૌરાષ્ટ્ર : જૂનાગઢના ગામડાઓમાં વેબસાઇટ શરૂ થતાં જ ખાતેદારનું નામ જ ગાયબ થઈ ગયું. અહીં વીસીઈને ખેડૂતોના ફોર્મ ભરવાની સાથે મતદાર સુધારણાની કામગીરીનો હુકમ પણ કરાયેલો છે. અહીં પણ સર્વર ઠપ રહ્યા હતા. ભાસ્કર એક્સપ્લેનરહાલ 15મી જનરેશનના કોમ્પ્યુટર ચાલે છે પણ સરકારી સિસ્ટમમાં 10થી 17 વર્ષ જૂના કોમ્પ્યુટર છેVCEના કોમ્પ્યુટર સિસ્ટમ અને સર્વર સંબંધિત મુશ્કેલીઓના મુદ્દે દિવ્ય ભાસ્કર દ્વારા ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ત્રણ અલગ-અલગ નિષ્ણાતોનો સંપર્ક કર્યો હતો. જો કે, ત્રણેય નિષ્ણાતોએ નામ જાહેર ન કરવાની શરતે પોતાની વાત રજૂ કરી હતી. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, હાલ બજારમાં 15મી જનરેશનના કોમ્પ્યુટરનો સમય ચાલી રહ્યો છે, જ્યારે રાજ્યના મોટાભાગના VCE આજે પણ 10થી 17 વર્ષ જૂના બીજી જનરેશનના કોમ્પ્યુટર પર કામ કરે છે. 2 GB રેમ ધરાવતી આ સિસ્ટમથી કામ તો થઈ શકે છે, પરંતુ સ્પીડ મળતી નથી. પ્રથમ દિવસે રાજ્યભરના VCE અને ખેડૂતોને જે મુશ્કેલીઓ પડી છે, તેમાં સર્વરની ક્ષમતા વધુ જવાબદાર છે.
દારૂ ઝડપાયો:થામણામાં રીક્ષામાંથી 18 હજારના દારૂ સાથે એક શખ્સ ઝડપાયો
ઉમરેઠ પોલીસે બાતમીના આધારે થામણા ગામે રહેતા આકાશ વિષ્ણુભાઈ તળપદા ના ઘરે રાત્રે 11:30 છાપો માર્યો ત્યારે વખતે ત્રણ વ્યક્તિઓ રિક્ષામાંથી પેટીઓ ઉતારી રહ્યા હતા જેમણે પોલીસને જોઈને ભાગવાનું શરૂ કર્યું હતું.એટલે પોલીસે બૂમો પાડી પરંતુ આકાશ પ્રવીણભાઈ તળપદા ત્યાંથી ભાગી ગયો હતો. જ્યારે રીક્ષાની સીટમાંથી ઉતરવા જતા પિયુષ કિરણભાઈ તળપદા રહે ચકલાસી ભાગોળ નડિયાદ હાથમાં આવી ગયો હતો. આ વખતે સ્થળ ઉપર ટોળું એકત્ર થઈ જતા પોલીસ રિક્ષા ને લઈને પોલીસ મથકે પહોંચી હતી. પોલીસે તપાસતારીક્ષાની અંદરથી 188 નંગ કવાટરીયા કિંમત રૂ 18,800 નો માલ મળી આવ્યો હતો. પોલીસે 1 લાખની કિંમતની રીક્ષા ઉપરાંત બે નંગ મોબાઈલ મળી કુલ રૂ 1,28,800 નો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે આ બનાવ અંગે પકડાઈ ગયેલ આરોપી પિયુષ કિરણભાઈ તળપદા ઉપરાંત આકાશ પ્રવીણ તળપદા રહે થામણા તથા મહેન્દ્ર રહે. નડિયાદ ચકલાસી ભાગોળ તથા રીક્ષા ચાલક મળી કુલ ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
આણંદ અક્ષર ફાર્મ ખાતે ભાજપના નવા ચૂંટાયેલા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માન અભિવાદન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નેતાઓ અને ભાજપના કાર્યકરો ઉમટી પડયાં હતા. જેને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમજ બે ડ્રોન કેમેરાની મદદથી નજર રાખવામા આવી રહી હતી. તેનો લાભ લઇને ખિસ્સાકાતરુઓ કાર્યક્રમ ખુસ્સી જઇને 50 થી વધુ કાર્યકરોના ખિસ્સા કાપીને પાકીટ સહિત કિંમતી વસ્તુઓ કાઢી ગયા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલનો રૂ 1.90 લાખનો મોબાઇલ ચોરાઇ ગયો હતો. ભાજપના એક અગ્રણી કાર્યકર કે જેમનું પણ પાકીટ ચોરાઈ જવા પામ્યું હતુ તેમના જણાવ્યા અનુસાર એક બાદ એક મોબાઈલ અને પાકીટોની ચોરી થવા પામતા જ બુમાબુમ થઈ ગઈ હતી, જેને લઈને ત્રણ થી ચાર જેટલા તસ્કરો ફટાફટ સભા સ્થળેથી બહાર નીકળીને બહાર પાર્ક કરેલી રીક્ષામાં બેસીને ફરાર થઈ ગયા હતા.તે શખ્સો શંકાસ્પદ હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસ સમગ્ર કાર્યક્રમના સીસીટીવી ફુટેજ તેમજ ડ્રોન કેમેરાથી થયેલા કવરેજના કુટેજ મેળવીને જો તપાસ કરે તો તસ્કરો ઓળખાઈ જાય તેમ છે. મોટાભાગે તસ્કરો સ્ટેજ અને તેની આસપાસ જ ફરીને ચોરીને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ગંદકીના ગંજ ખડકાયા:આણંદ મનપા હસ્તક કોમ્યુનિટી હોલ નંબર 2 પાસે ગંદકીનું સામ્રાજ્ય
આણંદ મનપા હસ્તક કોમ્યુનિટી હોલ નંબર 2 પાસે ગંદકીનું સામ્રાજ્ય ફેલાઇ ગયેલ છે.ત્યારે આણંદ સેનેટરી વિભાગ દ્વારા કચરા પેટીઓ મુકવામા નહીં આવતા કોમ્યુનિટી હોલમાં લગ્ન કે અન્ય પ્રસંગ હોય તેવા સમયે શહેરીજનોને કચરો ફેંકવા આમ તેમ ભટકાવુ પડે છે. જેના પગલે હાલમાં તંત્રના પાપે રોગચાળો ફાટી નિકળવાનો ભય સતાવી રહ્યો છે.
ધિંગાણુ થયું:ભેટાસી વાટામાં ઝાડ કાપવા મામલે બે પરિવારો વચ્ચે લાકડીઓ ઉછળી
આંકલાવ તાલુકાના ભેટાસી વાટા ગામે આશ્રમ પાછળ રહેતા બે પરિવાર વચ્ચે ખેતરના શેઢા ઉપરના ઝાડ કાપવા બાબતે ઝઘડો થતા લાકડીઓ ઉછળી હતી. જેમાં ત્રણ વ્યક્તિઓને ઇજા થઇ હતી. પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ આઠ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ભેટાસી વાટા સીમમાં આશ્રમ પાછળ ચરામાં રહેતા ગગાભાઈ સુકાભાઈ તળપદા અને કનુભાઈ સનાભાઇ તળપદાના ખેતરનો શેઢો એક જ છે. કનુભાઈ ના ખેતરમાં ઉગેલા વૃક્ષોના ડાળખાનો છાયો ગગાભાઈ ના ખેતરમાં પડતો હોય પાકને નુકસાન થતું હોય તેવો ઘણી વાર ડાળા કાપવાનું કહેતા હતા.પરંતુ આ લોકો ડાળા કાપવા દેતા નહોતા. 12મીએ સાંજના સમયે ગગાભાઈએ કનુભાઈના દીકરા મુકેશની પત્નીને કહ્યું હતું તમે અમારા ઝાડ કેમ કાપવા દેતા નથી આજે હું પોતે ઝાડ કાપવાનો છું.ત્યારે નજીકમાંથી વિજય કનુ તળપદા લાકડી લઈને આવ્યો હતો અને તેણે કહ્યું ડાળખી તો કાપી જુઓ. તેનું ઉપરાણું લઈ તેના પિતા કનુભાઈ સનાભાઇ તળપદા,તેનો ભાઈ પ્રવીણ ઉપરાંત લાલજી ભાઈલાલ તળપદા તરત જ લાકડીઓ લઈને આવ્યા હતા અને આ તમામે ભેગા થઈ ગગાભાઈને લાકડીઓથી બેફામ માર માર્યો હતો અને પછી ગડદા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસે ચાર વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો હતો. સામે પક્ષે કનુભાઈ સનાભાઇ તળપદાએ ચાર વ્યક્તિઓ વિરૂધ ફરિયાદ નોંધાવી હતી
વાહનચાલકોને હાલાકી:સોજિત્રા મહી કેનાલના નાળાના કામને પગલે ટ્રાફિક જામની સમસ્યા ઘેરી બની
આણંદ તારાપુર સોજિત્રા રોડ પર આવેલા નહેર ઉપર આવેલ ગરનાળુ નવુ બનાવવાની કામગીરીમાં ટ્રાફિક જામ અંગે તંત્રની બેદરકારી સામે રોષ પ્રવર્તી રહ્યો છે. સોજીત્રા નજીક મહી કેનાલ પરના નાળાના નવીનીકરણની ચાલી રહેલી કામગીરીએ સોજીત્રા- તારાપુર માર્ગ પર અવરજવર કરતા હજારો વાહનચાલકો માટે ગંભીર સમસ્યા ઊભી થઈ છે. કરોડોના ખર્ચે થનારું આ વિકાસકાર્ય હાલ પુરતું તો સ્થાનિકો માટે માથાનો દુખાવો બની ગયું છે, કારણ કે અપાયેલો વૈકલ્પિક રસ્તો અત્યંત સાંકડો છે. સોજિત્રાના નાગરિક વિશાલ પટેલે જણાવ્યું હતું કે જૂનું નાળું નબળું પડતાં તેને તોડીને નવું બનાવવાનું કામ શરૂ કરાયું છે. તેના પગલે મુખ્ય માર્ગ બંધ થતાં વાહનવ્યવહારને ગામના અંદરના ભાગે માર્ગ બનાવી ડાયવર્જન અપાયું છે તે સાંકડું પડે છે સામે તરફથી આવતા વાહનને આવવા-જવા માટે મુશ્કેલી પડે છે તેમજ ગત રોજ બે ટ્રક ફસાતાં 108 એમ્યુલન્સ પણ અટવાઈ પડી હતી આ ડાયવર્ઝન માર્ગની સ્થિતિ એવી છે કે એકસાથે બે મોટા વાહનો માંડ માંડ પસાર થઈ શકે તેમ છે. સવારના અને સાંજના સમયે જ્યારે વડોદરા આણંદ, કે તારાપુર તરફ જતા-આવતા લોકોની અવરજવર વધી જાય છે ત્યારે અહીં એક કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી જાય છે. લોકોને આ સાત મિનિટના રસ્તા માટે પોણા કલાકથી વધુ સમય વેડફવો પડે છે. આ ડાયવર્ઝન પરથી રેતી, કપચી, સિમેન્ટ લઈને જતી ટ્રકો અને હેવી ડમ્પરો પણ પસાર થાય છે, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા વધુ વિકરાળ બને છે. ટ્રાફિકની આ ભયાવહ સ્થિતિ વચ્ચે રસ્તા પર ટ્રાફિકનું નિયમન કરવા માટે અથવા ટ્રાફિક હળવો કરવાના પ્રયાસો કર્યા નથી ટ્રાફિકના કારણે ધૂળ ઊડે છે આ માર્ગ સોજિત્રાને આસપાસના અનેક ગામો તેમજ તારાપુર હાઈવે સાથે જોડે છે.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:સર્વર ડાઉનને લીધે સમસ્યા : નથી ઉતારાની નકલો નીકળતી કે નથી સહાય ફોર્મ ભરાતા
આણંદ જિલ્લામાં દરેક તાલુકા મથકે મામલતદાર કચેરી અને ગ્રામ પંચાયતમાં 7/12 કે 8/અની નકલ માટે સવારથી ખેડૂતો ધક્કા ખાઇ રહ્યાં છે. સર્વર ટાઉન હોવાથી નકલ નીકળતી નથી. જેના કારણે સહાયના ફોર્મ ભરવાની કામગીરી અટકી પડી છે. આમ સહાયના ફોર્મ ભરવાના બીજા દિવસે મોટાભાગના ગામોમાં ઘણાં ઓછો ફોર્મ ભરાયા છે. આખા રાજ્યમાં ફોર્મ ભરવાની કામગીરી ચાલતી હોવાથી સર્વર ડાઉન થઇ જતાં ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો વખત આવે છે. ત્યારે ગ્રામ સેવકો દ્વારા કરવામાં આવેલા સરવે આધારે સહાય ચુકવામાં આવે તો ખેડૂતોને ઓનલાઇન ફોર્મ ભરવાની ઝંઝટમાં મુકિત મળે તેમ છે. આણંદ જિલ્લામાં ચોમાસુ પાકને 80 ટકા નિષ્ફળ ગયો છે. સરવેની કામગીરી 100 ટકા થઇ ગઇ છે. હાલમાં સહાય મેળવવા માટે ઓનલાઇન ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે. ઓનલાઇન ફોર્મ ભરવા માટે ખેડૂતો પાસે 7/12 અને 8/અની નકલ માંગવવામાં આવે છે. જે પંચાયત કે મામલતદાર કચેરી મળી શકે છે. પરંતુ સર્વર ડાઉન હોવાથી મોટાભાગની પંચાયતોમાં નકલો નીકળતી નથી. તેમજ સહાયના ફોર્મ ભરાતાં નથી. જેને લઇને ખેડૂતોને ધરમધક્કા ખાવાનો વખત આવ્યો છે. સહાય ફોર્મ ભરવા માટે ખેડૂતો પાકની રોપણી બંધ રાખીને પંચાયતમાં જાય છે. ત્યારે સર્વર ડાઉન હોવાથી કલાકો સુધી ઉભા રહેવાનો વખત આવે છે. ખાસ કરીને તારાપુર કે સોજિત્રા તાલુકામાં ખેડૂતો બે દિવસથી ફોર્મ ભરવા ધરમધક્કા ખાવા પડે છે.જેથી ખેડૂતો ત્રાસી ગયા છે. પંચાયત સર્વર બંધ હોવાથી તાલુકા મામલતદાર કચેરી ગયો ત્યાં પણ બંધમાવઠાના કારણે 5 વીઘા ડાંગર પાક નિષ્ફળ ગયો છે. જેથી સહાય મેળવવા માટે ફોર્મ ભરવા માટે પંચાયત કચેરી ગયો હતો. ત્યારે 7/12 અને 8/અની નકલ કાઢવા માટે વીસી પાસે ગયો તો કહ્યું કે સર્વર ડાઉન છે. જેથી નકલ નહીં નીકળે અને ફોર્મ નહીં ભરાય.કલાક બેસો સર્વર ચાલુ થાય તો કાઢી આપવું.જેથી હું તાલુકા મામલતદાર કચેરી ગયો ત્યાં બંધ ડાઉન હતું.> કિરણભાઇ પરમાર ,ખેડૂત, ગોલાણા ગ્રામ સેવકો પાસે ખેડૂતોની માહિતી હોય છે ત્યારે સરકારે સીધી સહાય ચુકવી દેવી જોઇએ દરેક જિલ્લામાં ખેતીવાડી વિભાગ દ્વારા સરવે કરવામાં આવ્યો હતો. ત્યારે ગ્રામ સેવકો પાસે ખેડૂતની તમામ માહિતી હોય છે. તો પછી તેમણે સરવે કર્યો છે. તેના આધારે સહાય ચુકવામાં આવે તો ખેડૂતોને શિયાળુ પાકની રોપણી કામ છોડીને આવવું ના પડે> સંજયભાઇ સોલંકી, ખેડૂત, દેવા,
સુંદર શણગાર:નડિયાદ બસ સ્ટેન્ડ પાસે આવેલા હનુમાન મંદિરે દાદાને સફરજન નો શણગાર કર્યો
નડિયાદ શહેરના નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ શ્રી ભીડભંજન હનુમાન મંદિરે શનિવારના રોજ સફરજનનો અનોખો શણગાર કરવામાં આવ્યો હતો.આ શણગાર માં કુલ 51 કિલો સફરજન નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શનિવારે સવારે 6:30 કલાકે શણગાર આરતી કરી સવારે 8:30 વાગ્યાના અરસામાં રામધુન કરવામાં આવી હતી.દિવસ દરમિયાન ભક્તોએ હનુમાન દાદાના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.ત્યારે રવિવારે સવારથી જ પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.
ટ્રક ભડકે બળ્યું:ગોબલજ ગામ નજીક ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકમાં આગ
ખેડાથી અમદાવાદ નેશનલ હાઈવે ઉપર ગોબલજ ગામ પાસે બ્રિજ ઉપર શનિવારે બપોરે અમદાવાદથી માતરના લીંબાસી તરફ ખાનગી કંપનીના એલ. પી. જીના ખાલી ગેસ સિલેન્ડર ભરીને આવતી ટ્રકમાં એકાએક પાછળના ભાગે ધુમાડાં નીકળતા ડ્રાઇવર સત્વરે ગાડી ઉભી રાખીને ફાયર સેફટીથી આગ બુજાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી હતી અને સ્થિતી ઉપર કાબુ મેળવી લેવાયો હતો.
ખેડા અને માતર તાલુકાની ગ્રામ પંચાયતની હદમાં કેટલીક ખાનગી કંપનીઓ, ગોડાઉન, ફેક્ટરીઓ, હોટલ રિસોર્ટ, વેરહાઉસ, જેવા એકમો આવેલા છે. જોકે, આ એકમો છેલ્લા ઘણા વર્ષોથી ગ્રામ પંચાયત વિસ્તારમાં બાંધકામ આકારણી વગર અને વેરો પંચાયતમાં ભર્યા વગર જ ચાલી રહ્યા છે. જેથી પંચાયતના ચોપડે લાખો રૂપિયાના વેરા વસૂલાતનું નુકસાન મોટા પ્રમાણમાં થતું જોવા મળી રહ્યું છે. હવે ખેડા અને માતર તાલુકાના ગામોમાં તમામ એકમોની આકારણી બાંધકામની વિગત રિપોર્ટ તૈયાર કરીને 10 દિવસમાં રજુ કરવા માટે ટીડીઓ દ્વારા શનિવારે ગામના તમામ તલાટીઓને અને સરપંચને હુકમ કરવામાં આવ્યો છે. ખેડા અને માતર તાલુકામાં ગ્રામ પંચાયત વિસ્તારમાં 500 થી વધુ ફેક્ટરી, ગોડાઉન, કંપનીઓ, વેરહાઉસ, હોટલ - રિસોર્ટ આવેલા છે. દરેક ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી દ્વારા ગામમાં આવેલ એકમોના બાંધકામની આકારણી પંચાયતના નિયમ મુજબ કરીને, વેરો વસુલવાનો હોય છે. જોકે ખેડા અને માતર તાલુકામાં અનેક એકમો એવા છે કે જેની બાંધકામ આકારણી હજુ સુધી પંચાયતના ચોપડે થઈ ન હોય. જેથી ગ્રામપંચાયતને દર વર્ષે લાખો રૂપિયાના વેરાનું નુકસાન થાય છે. ગ્રામ પંચાયત દ્વારા નિતી નિયત મુજબ બાંધકામની પૂરેપૂરી આકારણી કરીને દર મહિને લેવામાં આવતો પ્રોફેશનલ ટેક્સ જેવો વેરો પંચાયતમાં વસૂલવામાં આવે તો ગ્રામ પંચાયતમાં લાખો રૂપિયાની આવક થઈ શકે છે. છેલ્લા ઘણાં સમયથી ખેડા અને માતર તાલુકામાં ઉદ્યોગ એકમો ગ્રામ પંચાયતની વગર બાંધકામ મંજૂરી અને બાંધકામ આકારણી વગર ધમધમી રહ્યા છે જેની સામે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે દરેક ગામમાં ગ્રામ પંચાયતના તલાટી જોડે અહેવાલ મંગાવીને તપાસ કરવામાં આવે તો છેલ્લા દસ વર્ષમાં લાખો રૂપિયાથી વધુનું વેરા વસુલાતનું કૌભાંડ બહાર આવી શકે છે. માતર અને ખેડા તાલુકાના દરેક તલાટીઓ પાસે ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા તમામ એકમોની વિગત અને આકારણી બાંધકામની વિગત 10 દિવસમાં મંગાવવામાં આવી છે. છેલ્લા 4 વર્ષમાં જે ગામોમાં નવી બનેલ તમામ મિલકતોની આકારણી થયેલ છે કે કેમ?, પંચાયત દ્વારા બાંધકામ રજા ચિઠ્ઠી આપેલ છે કે કેમ?, જે ગ્રામ પંચાયતોમાં નવા બાંધકામ મિલકતની આકારણી કરવાની બાકી હોય તો સત્વરે આકારણી કરીને 10 દિવસમાં રિપોર્ટ કરવાનું તલાટીને જણાવવામાં આવ્યું છે. એકમ ચાલુ હશે અને આકારણી નહીં થઇ હોય તો દંડાત્મક કાર્યવાહીજો કોઈ ગ્રામ પંચાયતમાં એકમ ચાલુ હશે અને તેના મિલકત બાંધકામ આકારણી આજદિન સુધી કરવામાં નહીં આવી હોય તેવી મિલ્કત સામે દંડકીય કાર્યવાહી કે સરકારી નીતિ નિયમ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે તેવું ટીડીઓ જણાવ્યું હતું. > વ્રજ પટેલ, તાલુકા વિકાસ અધિકારી અને ખેડા ટીડીઓનો ચાર્જ, માતર
ફરિયાદ:સાટામાં પરણાવેલ દીકરીને લેવા ગયેલ પિયરિયાં ઉપર સાસરિયાંઓનો હુમલો
હિંમતનગર અડીને આવેલ જૂના બળવંતપુરામાં શનિવારે સવારે સાટામાં પરણાવેલ જીવાપુર ગામની દીકરીને લેવા આવેલ પિયરિયાંઓએ અમારી દીકરી ક્યાં છે અમોને સોંપી દો કહી સાસરિયા વાળા ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલી ગાડીમાંથી લાકડી લઇ આવી મારતાં યુવતી લોહીલુહાણ થઇ ગઇ હતી. આ દરમિયાન આજુબાજુના લોકો દોડી આવતાં જાનથી મારી નાખવાની ધમકી આપીને ચાર શખ્સો ફરાર થઇ ગયા હતા. એ ડિવિઝન પોલીસમાં 5 જણા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. જૂના બળવંતપુરા ઓડ વાસમાં રહેતા અને જીવાપુરમાં અલ્પેશભાઇ જયંતીભાઇ ઓડ સાથે પરણાવેલ નીરૂબેનના સાટામાં નાના ભાઇ અરવિંદ સાથે નીરૂબેનની નણંદ હેતલબેનના લગ્ન થયા હતા તા.15-11-2025 રોજ સવારે 11 વાગ્યાના સુમારે નીરૂબેનના સાસરિયાં અશોકભાઇ જેસલભાઇ ઓડ, શૈલેષભાઇ જયંતીભાઇ ઓડ, શામળભાઇ જેસલભાઇ ઓડ અને કિરણભાઇ શામળભાઇ ઓડ એમની સાથે અન્ય લોકોને લઇ બે ગાડીમાં સામાજીક રીતે વાતચીત કરવા આવ્યા હતા અને અમારી દીકરી હેતલબેન ક્યાં છે એેની અમોને સોંપી દો તેમ કહેતા નીરૂબેનના પિતા ગોવિંદભાઇએ તમારી દીકરી અહીં આવી નથી આવશે એટલે સોંપી દઇશું કહેતા અશોકભાઇ જેશલભાઇ ઓડ, શૈલેષભાઇ જયંતીભાઇ ઓડ, શામળભાઇ જેસલભાઇ ઓડ અને કિરણભાઇ શામળભાઇ ઓડ અપશબ્દો બોલવા લાગતાં ગોવિંદભાઇએ અપશબ્દો બોલવાની ના પાડતાં તમામે ઝપાઝપી કરી માર મારવાનો શરૂ કર્યો હતો. દરમિયાનમાં કિરણભાઇ શામળભાઇ ઓડ ગાડીમાંથી લાકડી લઇ આવ્યા હતા અને નીરૂબેનના કાકાની દીકરી કોમલબેનને કપાળમાં લાકડી ઝીંકી દીધી હતી. નીરૂબેનના પરિવારને માર મારતાં બૂમાબૂમ થતાં આજુબાજુમાંથી લોકો દોડી આવ્યાં હતા અને આ ચારેય જણા જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા. નીરૂબેનની ફરિયાદને આધારે એ ડિવિઝન પોલીસે તમામ ચાર જણા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
ગ્રાઉન્ડ રિપોર્ટ:SIR: અંતરિયાળ વિસ્તારમાં આંતરરાજ્યલગ્ન થતાં હોવાથી પુરાવા લાવવા મુશ્કેલ
એસઆઈઆરની કામગીરીઅંતર્ગત શનિવારે જે તે મતદાનમથક પર કેમ્પ કરી ફોમસ્વીકારવાનો પ્રારંભ કરતાં જે વિસ્તારમાં સ્થળાંતર અનેબહારથી આવી વસવાટ કરાયોછે. તે તમામ જગ્યાએ વર્ષ 2002ની મતદાર યાદીનો પૂરાવો રજૂ કરવામાં સૌથી મોટી સમસ્યા સર્જાઇ રહી છે. જિલ્લાના ખેડબ્રહ્મા- પોશીના તાલુકાના અંતરિયાળઆદિવાસી વિસ્તારમાં અન્યરાજ્યોમાં બેટી વ્યવહારના સંબંધોછે ત્યાં મોટાભાગે પિયરમાંથીપુરાવો લાવવાની બાબત સૌથીમોટી સમસ્યા બની રહી છે .તોહિંમતનગર જેવા શહેરીવિસ્તારમાં પણ જૂનીમતદારયાદીમાં બાપ- દાદા-દાદીના નામ શોધવામાં મુશ્કેલીનડી રહી છે. બીએલઓએમહદ્દઅંશે ફોર્મ વિતરણ કરી દીધુંછે પરંતુ ફોર્મ ભરવામાં ખૂટતીવિગતોને કારણે બહુ ઓછીસંખ્યામાં ફોર્મ લઈને લોકો આવીરહ્યા છે. બહુમાળી ભવન ખાતે ડી.એલ.આર. બુથમાંરહેમાનભાઇએ જણાવ્યું હતું કે, અમારા ઘરમાં બે વ્યક્તિને છોડીને તમામના નામ છે, તમામના ફોર્મ ભરીને આપ્યા છે પરંતુ મારા બે દીકરાના ફોર્મ આવ્યા ન હતા.અહીંથી ફોર્મ મેળવી ભર્યા છે સભ્યોના નામ શોધવામાંઘણો સમય જાય છેપોલોગ્રાઉન્ડમાં માણેકકૃપાબુથમાં 75 વર્ષના રાકેશભાઇનેઓનલાઇન નામ શોધવામાંતકલીફ પડી છે. બી.એલ.ઓ.એદ્વારા મતદાર યાદી આપવાનીસાથે નામ શોધી આપ્યું હતું.અન્ય મતદાર હિતેષભાઇનાજણાવ્યુ કે 2002ની યાદીમાંઘરના તમામ સભ્યોના નામશોધવામાં ઘણો સમય જાય છે. પોશીના : 40 ટકાથી પણવધુ લોકોનો બેટા-બેટીવ્યવહાર રાજસ્થાનમાંસરકારની સૂચના અંતર્ગતબીએલઓની બુથ કામગીરીશનિવારે શરૂ કરાતાં મતદારોફોર્મ માટે બુથ ઉપર આવ્યા હતા.જેમાં પોશીના તાલુકામાં અન્યરાજ્યના વતની અને લગ્ન કરીનેસ્થાયી થયેલા સ્ત્રી મતદારોનીતેમના પિયર પક્ષની માહિતી માટેસૌથી મોટી સમસ્યા સર્જાઈ છે. આવનારા સમયમાં આ મામલેઅસંતોષ પેદા થાય તો નવાઈનથી. કારણકે પોશીના વિસ્તારમાંવસતા 40 ટકાથી પણ વધુલોકોનો બેટા બેટી વ્યવહારરાજસ્થાન સાથે હોઈ સ્થાનિકબીએલઓને પણ માહિતી માટેતકલીફ પડી રહી છે જ્યારેઅભણ મતદારોનની ફોર્મભરવાની કામગીરી બીએલઓદ્વાર કરાઇ રહી છે. જેથી સરનીકામગીરીમાં તકલીફ પડી રહી છે.
આણંદ જિલ્લામાં એસઆઇઆરહેઠળ મતદાર યાદી સુધારણાકાર્યક્રમ અંતર્ગત ગામે ગામ ફોર્મવહેંચવામાં આવી રહ્યાં છે. જો કેકેટલાંક ગામોમાં વર્ષો અગાઉફરજ બજાવતા 10થી વધુશિક્ષકનું હજુ પણ બીએલઓતરીકે ચાલુ છે.તેઓને જે તેગામમાં બુથની કામગીરી સોંપાઇછે. આવા બુથ પર ફોર્મ વિતરણનું કામ અટવાઇ ગયું છે.ઇન્દ્રણજના એક બુથના શિક્ષકનીબદલી બોટાદ થયે 2 વર્ષથી વધુસમય થઇ ગયો છતાં તાલુકાકક્ષાએ તેમના નામબીએલઓમાંથી કમી ન કરતાંઆજે પણ બોલે છે. બીએલઓ નહોવાથી શાળાના બાળકો પાસેગામમાં મતદાર ફોર્મનું વિતરણકરવામાં આવી રહ્યું છે. જેનેલઇને ગ્રામજનો રોષ વ્યકત કર્યોહતો. ભાસ્કર ઇનસાઈડબદલી થયેલા શિક્ષકોના નામ કાઢવાની તસ્દી ના લેતા આ પરિસ્થિતિ સર્જાઇ આણંદ જિલ્લાના 7 વિધાનસભા મત વિસ્તારના ગ્રામ્ય વિસ્તારની શાળાઓના શિક્ષકોને ચૂંટણી કામગીરી આપવાનું કામ મામલતદાર દ્વારા કરવામાં આવે છે. પરંતુ મામલતદાર કે તેમના સ્ટાફને બદલી થઇ ગયેલા શિક્ષકોની નામ યથાવત જોવા મળે છે. જેના કારણે કેટલાંક ગામોમાં બદલી થયેલા શિક્ષકના નામે અને નંબરે ફોર્મ છપાઇ ગયા છે. તો વળી કેટલાંક ગામોમાં બીએલઓ હજુ સુધી ફોર્મ વહેંચવા નીકળ્યાં નથી. તો વળી કેટલાંક વિદ્યાસહાયકો અગાઉ હતાં તેમના નામ પણ બીએલઓમાં બોલે છે. જે હાલ શિક્ષક તરીકે કામ કરતાં નથી. જેથી તેઓ જે તે ગામમાં જતા નથી. તેના કારણે કામગીરી ખોરંભે પડી છે. છેવાડાના ગામોમાં જવું મુશ્કેલ બને ત્યાં મહિલાબીએલઓ માટે સહાયક બીએલઓ મુકવામાં આવ્યાંઆણંદ જિલ્લામાં 300થી વધુ મહિલા બીએલઓ તરીકે ફરજસોંપવામાં આવી છે. પરંતુ છેવાડા ગામો કે કેટલાંક વિસ્તારમાંમહિલાઓ જવું મુશ્કેલ બને છે. જેથી આવા બુથ પર ફોર્મ વિતરણનુંકામ અટકે નહીં તેથી તેવી મહિલાઓ અરજી કરે તો તેને સહાયકબીએલઓ આપવામાં આવ્યાં છે.બીએલઓ અને સહાયબીએલઓ સાથે મળીને કામગીરી કરવાની સુચના આપવામાં આવીછે.
વીજકાપ:બોરસદ ચોકડી વિસ્તારમાં આજે 7 કલાકનો વીજકાપ
આણંદમાં દર રવિવારે વિજ લાઈટ કાપનો સિલસીલો જાળવી રાખ્યો હોય તેમ બોરસદ ચોકડીના એન્જલ ફીડર 7 કલાક બંધ રહશે. ત્યારે સમગ્ર પંથકના 4 હજારથી વધુ વિજ ધારકોને હાલાકી ભોગવવી પડશે. આણંદના બોરસદ ચોકડી થી જીટોડીયા રોડ ઉપરના એન્જલ ફીડરમાં વિજ લાઇનની મરામત કરવાનો નિર્ણય કર્યો છે.જેને લઈને રવિવાર સવારે 7.30 થી બપોરે 2 કલાક સુધી લાઈટો બંધ રહેશે.
રાજકુમાર રાવઅને પાત્રલેખાની ચોથી લગ્નતિથીએ પુત્રી અવતરી
પતિ-પત્નીએ સોશયલ મીડિયા હેન્ડલસ દ્વારા પોતાની ખુશી શેર કરી મુંબઇ - રાજકુમાર રાવ અને પાત્રલેખાની ચોથી લગ્નતિથી ૧૫ નવેમ્બરના રોજ તેમને ત્યાં પ્રથમ સંતાન પુત્રીનો જન્મ થયો છે. પતિ-પત્નીએ સંયુક્ત રીતે પોતાની આ ખુશીને સોશિયલ મીડિયા પર શેર કરી હતી. યુગલે ઇન્સ્ટાગ્રામ પર શેર કરતાં લખ્યું હતુ ંકે,અમારી ચોથી એનિવરસરીએ એક બાળકીનો જન્મ થયો છે. જેણે અમારા જીવનને ખુશીઓથી ભરી દીધું છે.
નમસ્તે, કાલના મોટા સમાચાર જોઈએ તો દિલ્હી બોમ્બ બ્લાસ્ટ કરનાર આતંકી મોહમ્મદ ઉમર નબીનો નવો વીડિયો સામે આવ્યો છે. ડેડિયાપાડામાં વિકાસ કામોની ભેટ આપવા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત પહોંચ્યા હતા અને ત્યાં કામ કરતા બિહારના લોકોને મળ્યા હતા. તેમણે વિપક્ષો પર પ્રહાર કર્યા હતા. IPLમાં મોટી ઉથલ-પાથલ થઈ છે. KKRએ વેંકટેશ અને રસેલને રિલિઝ કરી દીધા છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. બિહારમાં ચૂંટણી પરિણામો પછી રાજકીય હલચલ તેજ બની છે. CMના ચહેરા માટે મનોમંથન થઈ શકે છે. 2. વક્ફ સુધારા કાયદા પર સુપ્રીમ કોર્ટના વચગાળાના નિર્ણય સામે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા રામલીલા મેદાનમાં વિરોધ પ્રદર્શન 3. શેખ હસીનાની સજા પહેલા બાંગ્લાદેશમાં હિંસાનું કવરેજ 4. દોહા ખાતે રાત્રે 8 વાગે રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ ટી-20 ટુર્નામેન્ટ અંતર્ગત ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. કાલના મોટા સમાચારો 1. દિલ્હી બ્લાસ્ટના આતંકવાદી ઉમરનો નવો વીડિયો-ફોટો સામે આવ્યો:ફરીદાબાદમાં દુકાનમાં ફોન ચાર્જ કરતો જોવા મળ્યો; અલ-ફલાહ યુનિવર્સિટી વિરુદ્ધ 2 FIR દાખલ દિલ્હી બોમ્બ વિસ્ફોટોમાં સંડોવાયેલા આતંકવાદી ડૉ. મોહમ્મદ ઉમર નબીનો સીસીટીવી ફૂટેજ શનિવારે સામે આવ્યો હતો. આ વીડિયો દિલ્હી બોમ્બ વિસ્ફોટના 12 દિવસ પહેલાનો છે. 29 ઓક્ટોબરના રોજ, ફરીદાબાદમાં એક દુકાનમાં રહેલો ઉમર પોતાનો ફોન એક દુકાનદારને ચાર્જ કરવા માટે આપતો જોવા મળે છે. આ 25 સેકન્ડના વીડિયોમાં, ઉમર એક બેન્ચ પર બેઠો જોવા મળે છે, તેની પાસે એક બેગ છે. તે બેગમાંથી પોતાનો મોબાઇલ ફોન કાઢે છે અને દુકાનદારને આપે છે. તેની પાસે બીજો મોબાઇલ ફોન પણ જોવા મળે છે. ઉમર બેન્ચ પર બેઠો રહે છે, ગભરાયેલો દેખાય છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ગમછો લહેરાવી PMનું સ્વાગત:સુરતમાં મોદી બોલ્યા- બિહારે જાતિની રાજનીતિને ઠુકરાવી, જે લોકો હારી ગયા છે તેમને આઘાતમાંથી બહાર નીકળતાં મહિનાઓ લાગશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે (15 નવેમ્બર) ગુજરાત પહોંચ્યા હતા. તેમણે સુરતમાં નિર્માણાધીન મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોરનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેમણે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાની મુલાકાત લીધી હતી અને દેવમોગરા મંદિરમાં પાંડોરી માતાને પ્રાર્થના કરી હતી. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આદિવાસી સમુદાયો દ્વારા પાંડોરી માતાને કુળદેવી માનવામાં આવે છે. વડાપ્રધાને ડેડિયાપાડામાં 4 કિલોમીટરનો રોડ શો પણ કર્યો હતો, જ્યાં રસ્તાના કિનારે હજારો આદિવાસી લોકો જોવા મળ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 3. IPLની ટીમમાં મોટી ઊથલપાથલ થઈ:KKRએ વેંકટેશ-રસેલને રિલીઝ કર્યા; CSKએ 11 ખેલાડીઓને છૂટા કર્યા; પંજાબે મેક્સવેલ-ઇંગ્લિસને છોડ્યા કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ IPL ઇતિહાસના ત્રીજા સૌથી મોંઘા ખેલાડી વેંકટેશ અય્યરને રિલીઝ કર્યો છે. તો ટીમ સાથે 12 વર્ષથી જોડાયેલા આન્દ્રે રસેલને પણ રિલીઝ કરીને સૌને ચોંકાવ્યા છે. એટલે કે આ બંને ખેલાડીઓએ મિની ઓક્શનમાં ઉતરવું પડશે. IPL કમિટીએ શનિવારે રીટેન, રિલીઝ અને ટ્રેડ લિસ્ટ જાહેર કરી. તેના મુજબ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ મથિશા પથિરાના, ડેવોન કોનવે અને રચિન રવીન્દ્રને રિલીઝ કર્યા છે. ટીમે કુલ 11 ખેલાડીઓને રિલીઝ કર્યા છે. તો KKRએ વેંકટેશ અય્યરને ગયા વર્ષે મેગા ઓક્શનમાં 23.75 કરોડમાં ખરીદ્યો હતો. જ્યારે આન્દ્રે રસેલ 12 કરોડમાં રીટેન થયો હતો. બીજી તરફ પંજાબે 5 પ્લેયર્સને રિલીઝ કર્યા, જેમાં ગ્લેન મેક્સવેલ અને જોશ ઇંગ્લિસ જેવા મોટા નામો છે.વાંચો સંપૂર્ણ સમાચાર 4. રાજસ્થાનના 10 શહેરોમાં સીઝનનું સૌથી ઓછું તાપમાન રેકોર્ડ:ફતેહપુરમાં તાપમાન 5 ડિગ્રી સુધી પહોંચ્યું; MPમાં કોલ્ડવેવ, શહડોલમાં 7.2 ડિગ્રી સાથે સૌથી ઠંડું હિમાલયથી ફૂંકાતા બર્ફીલા પવનોને કારણે ઉત્તર અને મધ્ય ભારતમાં તાપમાનમાં ઘટાડો થયો છે. રાજસ્થાનમાં આ સિઝનમાં પહેલીવાર તાપમાન 5 ડિગ્રીથી નીચે ગયું છે. સીકર, અલવર અને ફતેહપુર (સીકર) સહિત 10થી વધુ શહેરોમાં સીઝનનું સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. મધ્યપ્રદેશમાં સતત કોલ્ડવેવ ચાલુ છે. ખાસ કરીને ભોપાલ, ઇન્દોર, ઉજ્જૈન, સાગર, ગ્વાલિયર અને જબલપુર વિભાગોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે છે. ગુરુવાર-શુક્રવાર રાત્રે શહડોલ સૌથી ઠંડુ શહેર હતું, જે પહેલીવાર 7.2 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. શિવપુરી બીજા ક્રમનું સૌથી ઠંડુ શહેર હતું, જ્યાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી નોંધાયું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 5. બિહારની હાર બાદ ખડગેના ઘરે બેઠક:રાહુલ ગાંધી પણ હાજર; કોંગ્રેસે કહ્યું- ચૂંટણીમાં ગોટાળા થયા, બે અઠવાડિયામાં પુરાવા આપીશું બિહાર ચૂંટણીમાં કારમી હાર બાદ, કોંગ્રેસ પાર્ટીએ શનિવારે દિલ્હીમાં તેની પ્રથમ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠક પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને યોજાઈ હતી, જ્યાં રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ અને અજય માકન હાજર હતા. બેઠકમાં નેતાઓએ ચૂંટણી પરિણામોની સમીક્ષા કરી, સંગઠનાત્મક ખામીઓ પર ચર્ચા કરી અને ભવિષ્યની રણનીતિ માટે સૂચનો આપ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટી હવે એ સમજવાનો પ્રયાસ કરી રહી છે કે બિહારમાં તેને આટલી કારમી હાર કેમ મળી. વાંચો સંપૂર્ણ સમાચાર 6. પાકિસ્તાની સાથે મળી ચાલતા માનવ તસ્કરી રેકેટનો પર્દાફાશ:નોકરીના નામે વિદેશ લઈ જઈ સાયબર ફ્રોડ કરાવતા, 41 લોકોને મોકલ્યાનો ઘટસ્ફોટ; દંપતી સહિત ત્રણ ઝડપાયા ગુજરાત સ્ટેટ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા સાયબર સ્લેવરી (સાયબર ગુલામી) રેકેટનો મોટો પર્દાફાશ કરતા જૂનાગઢના પતિ-પત્ની સહિત 3 એજન્ટોને ઝડપી પાડ્યા છે. આ ગેંગ પાકિસ્તાનના બે ભાઈઓ સાથે મિલીભગત કરતા હતા અને દેશ-વિદેશમાં યુવક-યુવતીઓને નોકરીના નામે છેતરતાં હતાં. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે, ગેંગની રીતસરની મોડસ ઓપરેન્ડી હતી. તેઓ યુવક-યુવતીઓને ડેટા એન્ટ્રી અથવા આસાન ઓનલાઈન કામ આપવાની લાલચ આપી વિદેશ મોકલતા. વાંચો સંપૂર્ણ સમાચાર 7. SIRની કામગીરીમાં હાજર ન થતા શિક્ષકો સામે ધરપકડ વોરંટ:રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની CMને ઉગ્ર રજૂઆત, શિક્ષણના ભોગે કરાવાતી BLOની કામગીરીમાંથી મુક્તિ આપવા માગ રાજ્યભારના શિક્ષકોને SIR (special intensive revision) એટલે કે, ખાસ મતદાર યાદી સુધારણા ઝૂંબેશની કામગીરી સોંપવામાં આવી છે. આ કામગીરીમાં હાજર ન થતાં કેટલાંક શિક્ષકો સામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આજે (15 નવેમ્બર) રાજકોટ અને અમદાવાદમાં શિક્ષકો અને શૈક્ષિણીક સંઘો દ્વારા કલેક્ટર મારફતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : ભાજપે કહ્યું-બધા સાથે વાત કર્યા પછી CM ફેસ નક્કી કરીશું:JDUએ કહ્યું- બિહારમાં ફક્ત નીતિશ જ, ચિરાગ મુખ્યમંત્રીને મળ્યા; પટનામાં રાજકીય હિલચાલ તેજ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ભારતના પાંચ પડોશી દેશો ચીનથી નોટો છપાવી રહ્યા છે:નેપાળે 43 કરોડ નોટ છાપવા માટે ટેન્ડર આપ્યું; સસ્તું છાપકામ યુએસ અને યુકેથી બજાર છીનવી રહ્યું છે વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : કોલકાતા HCએ કહ્યું- સગીરો પણ આગોતરા જામીન લઈ શકે છે:જુવેનાઇલ કાયદામાં પ્રતિબંધનો ઉલ્લેખ નથી; હાલમાં ફક્ત 18 વર્ષથી વધુ ઉંમરના લોકો જ હકદાર વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ વિદેશી કર્મચારીઓને સસ્તા નોકર ગણાવ્યા:કહ્યું- અમારે તેમની જરૂર નથી; H-1B વિઝા ખતમ કરવાની તૈયારીમાં અમેરિકા વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : આ અઠવાડિયે સોનું ₹4,694 મોંઘુ થઈને ₹1.25 લાખને પાર:ચાંદી ₹11,092 મોંઘી થઈ; સોનામાં ₹48,632નો અને ચાંદીમાં ₹73,350નો વધારો વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : રવીન્દ્ર જાડેજા હવે રાજસ્થાન તરફથી રમશે:રીવાબાએ 'ખમ્મા ઘણી' લખીને જાહેરાત કરી, RRમાં સેમસનની જગ્યાએ ટ્રેડ કર્યો, જડ્ડુની 4 કરોડ ફી ઘટી વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : 16 નવેમ્બરે વૃશ્ચિક સંક્રાંતિ:સૂર્ય તુલા રાશિથી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે, સંક્રાંતિ પર નદીમાં સ્નાન કરવાની અને સૂર્યની પૂજા કરવાની પરંપરા વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન ખબર હટકે બેંગલુરુના મંદિરમાં એલિયનની પૂજા તમિલનાડુના સેલમ જિલ્લામાં, પુજારી લોગનાથને સિદ્ધર ભક્તિયા નામનું એક અનોખું મંદિર બનાવ્યું છે. અહીં, તેઓ એલિયન્સને દેવતા તરીકે પૂજે છે. તેમનો દાવો છે કે ભગવાન શિવે પ્રથમ એલિયન્સનું સર્જન કર્યું હતું અને તેમની પાસે વિશ્વને આફતોથી બચાવવાની શક્તિ છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. છૂટાછેડા-6 : આધેડ પતિ પોર્નસાઇટ પર પત્નીના વીડિયો મૂકતો:પતિએ પત્નીને કહ્યું, મને તારું ગર્ભાશય કાઢીને આપી દે; અમદાવાદ-સુરતમાં દાદા-દાદી કેમ ડિવોર્સ લઈ રહ્યાં છે? 2. ગાંધીનગર નજીક RRUમાં પોલીસ ભરતીથી લઈ AI સેક્ટરના વીકએન્ડ કોર્સ:500થી 1 હજાર રૂપિયા ફી, ઓનલાઇન એડમિશન પ્રોસેસની આ રહી A ટુ Z માહિતી 3. અનંત, તેજસ્વી, મૈથિલી કેમ જીત્યા ને તેજપ્રતાપ કેમ હાર્યા?:20 VIP સીટની સ્થિતિ; બાહુબલી રીતલાલ-હુલાસ પાંડે હાર્યા, ખેસારી કેમ પાછળ રહી ગયા? 4. ભાસ્કર એક્સક્લૂસિવ : દિલ્હી બ્લાસ્ટ પહેલા નમાજ પઢી, પછી પાર્કિંગમાં રાહ જોઈ:કારની બેટરી સાથે જોડાયેલ ડેટોનેટર, સાડા ત્રણ કલાક પછી લાલ કિલ્લા પર વિસ્ફોટ કરવાનું કાવતરું 5. ભાસ્કર એક્સપ્લેનર : શું નીતિશની 'બીમારી' પણ એક સ્ટ્રેટેજી:રાજકારણ છોડવાનું મન બનાવી ચૂકેલા નીતિશ 10મી વખત CM બનવાની નજીક; તેમના પલટાઈને આવવાના રોચક કિસ્સા 6. ગાંધીનગર નજીક RRUમાં પોલીસ ભરતીથી લઈ AI સેક્ટરના વીકએન્ડ કોર્સ:500થી 1 હજાર રૂપિયા ફી, ઓનલાઇન એડમિશન પ્રોસેસની આ રહી A ટુ Z માહિતી 7. ભાસ્કર એક્સક્લૂસિવ : ગુજ્જુ 'સાઇકલ ગેંગ'ની બોલિવૂડ સ્ટાઈલ ચોરી!:'દીપક તિજોરીનો સ્વેગ, આખા અમદાવાદને બતાવવાનો પ્રયાસ'; 'ગેટ સેટ ગો'ની એક્ટ્રેસ જિનલ બેલાણી સાથે ખાસ વાતચીત કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ: મિથુન રાશિના લોકોને શુભ સમાચાર મળશે; કન્યા જાતકોને સમસ્યાનું સમાધાન મળતાં ચિંતા દૂર થશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
સૌરાષ્ટ્ર, તારાપુર અને ખંભાતના ગામો પીવાનું પાણી પુરૂ પાડતા કનેવાલ તળાવ મોગલ શાસનમાં દરમિયાન કુદરતી રીતે તૈયાર થયું હતું. 525 હેકટરમાં ફેલાયેલા તળાવમાં પાણી સંગ્રહની ક્ષમતા 595 એમપીએફટી છે. તળાવનું 80 વર્ષ અગાઉ સમારકામ કરાયું હતું. ત્યારબાદ કયારે સમારકામ ન કરતાં તળાવ ફરતે આવેલા પાળા નબળા પડી ગયા હતા. તળાવમાં કાંપ વધી જતાં પાણીની સંગ્રહ ક્ષમતા પણ ઘટી ગઇ હતી. જેથી રાજ્ય સરકારે રૂ 52.85 કરોડના ખર્ચે તળાવનું નવીનીકરણ કરીને તેની ક્ષમતા પુન:595 એમપીએફટી કરવા માટેનું કામ ચાર માસથી હાથ ધર્યું હતું. જેનું કામ 70 ટકા પૂર્ણ થઇ ગયું છે. જાન્યુઆરી માસના બીજા સપ્તાહ સુધીમાં કામગીરી પુર્ણ કરીને મહી કેનાલ થકી પાણી ભરી સૌરાષ્ટ્રના ગામોમાં પાણી પુન: શરૂ કરાશે.
ફરિયાદ:મટવાકૂવા વિસ્તારમાં અગાઉની અદાવતમાં માર મારનાર ચાર સામે ફરિયાદ
કલોલના મટવાકુવા વિસ્તારમાં આવેલા અલીવાસમા રહેતા યુવક અને તેના કાકાના દિકરા પર અગાઉ ની અદાવતમાં ચાર શખ્સો એ હુમલો કર્યો હતો. ઈંટો તેમજ લોખંડની પાઇપ થી માર મારતાં ચકચાર મચવા પામી હતી. પોલીસે ઈજાગ્રસ્તની ફરીયાદ આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કલોલ શહેર ના મટવાકુવા વિસ્તારમાં આવેલ અલીવાસમા રહેતા અહેસાન સબીરભાઈ મલેકે લખાવેલી ફરીયાદ પ્રમાણે ગત તા 13 નવેમ્બર ના રોજ રાત્રીના 11.30 કલાકે તેઓ પોતાના ઘરે હતા. તે વખતે તેમનો કાકાનો દીકરો મોઈન અને તેની પત્ની ફાતીમા બન્ને તેમના ઘરે આવતા હતા. તે વખતે રસ્તામાં સાદીક સમશેરભાઈ મિર્ઝા, રજાક ગુલાબભાઈ મિર્ઝા, તોફીક સાબીરભાઈ મલેક તેમજ માહીર લિયાકતભાઈ મિર્ઝા મળી આવ્યા હતા. અને અગાઉ થયેલ ઝઘડાની અદાવત રાખી તેમના પિતરાઈભાઈ મોઈન સાથે ગાળા ગાળી કરી ગડદા પાટું નો માર મારવા લાગ્યા હતા. કે દરમિયાન તેની પત્ની ફાતીમા બચાવવા વચ્ચે પડતા તેમની સાથે પણ ગાળાગાળી કરવા લાગ્યા હતા. બોલાચાલી નો અવાજ સાંભળી અહેસાન ભાઈ પણ દોડી ગયા હતા. અને મારા મારવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા ચારે શખ્સો એ તેમના પર પણ લોખંડી પાઈપ તેમજ ઈંટો થી હુમલો કરી દીધો હતો. મારમાર્યો બાદ હવેથી અમારું નામ દઈશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ ઘાયલ ત્રણે સારવાર માટે કલોલ સિવિલ હોસ્પિટલ ગયા હતા.
ગાંધીનગર જિલ્લાના નાગરિકોની સુખાકારી અને સુવિધાઓને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં કલેક્ટર સમક્ષ કલોલ અને માણસાના ધારાસભ્યોએ પોતાના મત વિસ્તારના ગેરકાયદેસર દબાણો સહિતની સમસ્યાઓ રજૂ કરી હતી. જેનો તાત્કાલિક નિકાલ લાવવા કલેકટર દ્વારા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર મેહુલ કે. દવેના અધ્યક્ષસ્થાને નવેમ્બર માસની જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા વિકાસ કાર્યો અને વહીવટી પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લાના ધારાસભ્યોએ તેમના મતવિસ્તારના મુખ્ય પ્રશ્નો રજૂ કર્યા હતા. જેમાં કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર દ્વારા કલોલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવા અને ગેરકાયદેસર દબાણ જેવા સ્થાનિક પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે માણસાના ધારાસભ્ય જે.એસ. પટેલ દ્વારા સહકારી મંડળીઓ અને ખેડૂતોને લગતી મહત્વપૂર્ણ કામગીરીને નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા તથા માણસાના વિકાસ માટે વિવિધ સરકારી ગ્રાન્ટોની ફાળવણી અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત સંકલન બેઠકમાં વીજળી, રોડ-રસ્તાની ગુણવત્તા, બસ સ્ટેન્ડની સુવિધાઓ અને નેશનલ હાઇવે ઓથોરિટી સંબંધિત વિકાસ કામોના પ્રશ્નોની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
જુગારીઓની ધરપકડ:ઉવારસદ ગામમાંથી 5 જુગારી જુગાર રમતા પોલીસે પકડ્યા
વિશાલ વનુજી ઠાકોર અને શંકરજી કાળાજી ઠાકોરને જુગાર રમતા ઝડપી લીધા હતા. જેમની પાસેથી 15 હજાર ઉપરાંતની રોકડ કબજે કરીને આ જુગારીઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી. પોલીસને મળેલી બાતમીના આધારે દરોડા પાડી જુગારીઓને ઝડપી લીધા હતા. અચાનક પોલીસ આવી ચઢતાં જુગારીઓમાં ભાગદોડ મચી ગઇ હતી.
શિક્ષકોએ નારાજગી વ્યક્ત કરી:BLOના કામ માટે અલગથી કેડર રચો શિક્ષકોને શૈક્ષણિક કાર્ય માટે બાકાત રાખો
શાળાના બાળકોના શિક્ષણના ભોગે શિક્ષકોની પાસે બીએલઓની કામગીરી કરાવવામાં આવી રહી છે. જોકે બીએલઓની કામગીરી માટે ચૂંટણી પંચમાં અલગથી કેડર ઉભી કરવામાં આવે તેવી માંગણી સાથે શિક્ષકોએ નારાજગી વ્યક્ત કરી છે. વધુમાં બાળકોના શિક્ષણના ભોગે શિક્ષકોની પાસે બીએલઓની કામગીરી કરાવવાની સાથે સાથે કોઇ ભૂલ કરે તો ધરપકડનું વોરંટ ઇશ્યુ કરીને ડંડાવાળી પોલીસની ભૂમિકા ચૂંટણીતંત્ર કરીને શિક્ષકોનું અપમાન કરવામાં આવી રહ્યું હોવાથી શિક્ષકોમાં નારાજગીનો સૂર ઉઠતા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ, ગાંધીનગર દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. શાળાઓમાં બાળકોને ભણાવવા માટે શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. પરંતું રાષ્ટ્રીય કામગીરીના ભાગરૂપે શિક્ષકોની પાસે બિનશૈક્ષણિક કામગીરી કરાવીને બાળકોને શિક્ષણથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. તેની સાથે સાથે શિક્ષકો બીએલઓની મિટીંગ કે કામગીરીમાં હાજર રહે નહી તો ગુનેગારની જેમ ધરપકડનું વોરંટ ઇશ્યુ કરીને માનસિક શોષણ કરવામાં આવી રહ્યું છે. આથી શિક્ષકોને પોતાની ગરીમાને અપમાનજનક સ્થિતિમાં મુકીને બીએલઓની કામગીરી કરવાની ફરજ પડી રહી છે. ત્યારે શિક્ષકોના અપમાન કરતા અને દમનકારી ધરપકડ વોરંટની પ્રથા કાયમી માટે નાબુદ કરવામાં આવે તેવી માંગણી શિક્ષક આલમમાં ઉઠી રહી છે. કેમ કે કોઇપણ અધિકારીએ શિક્ષણતો એક શિક્ષક પાસેથી જ લીધું હોવા છતાં તેમની ગરીમાને જાળવવામાં ચૂંટણી તંત્ર ઉણું ઉતરી રહ્યું હોય તેમ શિક્ષકોને લાગી રહ્યું છે. બીએલઓની કામગીરીમાં મતદારે પોતાનું ફોર્મ જાતે ભરવાનો નિયમ છે. પરંતું અમુક કિસ્સાઓમાં મતદારોના ફોર્મ પણ બીએલઓને જાતે ભરવાની ફરજ પડી રહી છે. શિક્ષકોને શિક્ષણનું કામ કરવા દો એવી માગ ઉઠી છે. અન્ય 12 કેડરોને કામગીરી સોંપાય તો 1 ટકા શિક્ષકોની જરૂર પડેબીએલઓની કામગીરી શિક્ષકો સહિત અન્ય 12 કેડરોને સોંપવાનો રાજ્ય ચૂંટણીપંચ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. તેમ છતાં તેની અમલવારી જિલ્લા ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવતી નથી. જો બીએલઓની કામગીરી અન્ય 12 કેડરોને સોંપવામાં આવે તો શિક્ષકો માત્ર 1 ટકા જ જરૂર પડી શકે છે. આથી બાળકોનું શિક્ષણ પણ બગડે નહી અને બીએલઓની કામગીરી પણ અટકે નહી.
વધુ 40 ખેડૂતોની અટકાયત:વાંઢીયામાં વીજ ટાવર વળતર વિવાદ યથાવત
ભચાઉ તાલુકાના વાંઢીયા ગામે અદાણી કંપની દ્વારા ખેતરોમાં વીજ ટાવરના ફાઉન્ડેશન નાખવાની કામગીરી સામે વળતરના મુદ્દે ખેડૂતોની લડત ઉગ્ર બની છે. વીજ ટાવરની કામગીરી પોલીસના બંદોબસ્ત હેઠળ ચાલી રહી છે, જેના વિરોધમાં છેલ્લા ચાર દિવસમાં કુલ 340થી વધુ ખેડૂતોની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. ગત ચાર દિવસથી જે વિસ્તારમાં કામગીરી ચાલી રહી છે, તે સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, અદાણી કંપની પોલીસના બળનો ઉપયોગ કરીને ખેતરોમાં કામ કરાવી રહી છે. ચોથા દિવસે પણ વિરોધ કરવા ગયેલા 40 જેટલા ખેડૂતોની પોલીસે અટકાયત કરીને તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. છેલ્લા ત્રણ મહિનાથી આ વિવાદ ચાલી રહ્યો છે. જે ખેતરોમાં ટાવરનું કામ ચાલી રહ્યું છે તેની આસપાસના ખેતરોમાં પણ ખેડૂતોને ખેતીનું કામ કરવા જવા દેવામાં આવતા નથી. મુખ્ય રસ્તો પણ પોલીસે બંધ કરી દીધો છે અને ત્યાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. સ્થાનિકોનું કહેવું છે કે, આ રસ્તેથી પસાર થનારા કોઈપણ વ્યક્તિને સીધા બસમાં બેસાડીને અટકાયત કરવામાં આવે છે. ખેડૂતો અને સ્થાનિકો ઈચ્છી રહ્યા છે કે વહીવટી તંત્ર તાત્કાલિક આ વિવાદમાં દખલગીરી કરીને યોગ્ય નિરાકરણ લાવે, જેથી ખેડૂતોને ન્યાય મળી શકે અને વિસ્તારમાં શાંતિ સ્થપાય.
ઉનાવામાં પાણીની ટાંકી બનાવાશે:9 ગામોમાં પાણીની સમસ્યાનો અંત, નવા બોરકૂવાને મંજૂરી
આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાને દુર કરવા માટે નવ ગામોમાં બોરકુવાને મંજુરી આપવામાં આવી છે. વધુમાં ઉનાવા ગામમાં રૂપિયા 16.81 લાખના ખર્ચે પીવાના પાણીની 5000 લીટર ક્ષમતાની ટાંકીના કામને મંજુરી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતીની બેઠકમાં આપવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારના મતદારોને રીઝવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તેમ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની મળેલી બેઠકમાં પીવાના પાણીના કામોને આપવામાં આવેલી મંજુરી પરથી લાગી રહ્યું છે. તેમાં જિલ્લાના નવ ગામોમાં પીવાના પાણી માટે બોરકુવાની મંજુરી આપવામાં આવી છે. તેમાં નવીન બોર અને પંપીગ મશીનરી, એસેસરીઝ, વીજળીકરણ સહિતના કામોને આવરી લેવામાં આવ્યા છે. જિલ્લાના નવ ગામોમાં માણસા તાલુકાના હરણાહોડા, ચડાસણા, રાજપુરા અને બાપુપુરા ગામ છે. ગાંધીનગર તાલુકાના ટીંટોડાનું કૃષ્ણપુરા, રાયપુર ગામમાં બોરકુવા મંજુર કરાયા. જ્યારે કલોલ તાલુકાના રકનપુર અને વાંસજડા ગામના બોરકુવાને મંજુરી આપી છે. જ્યારે ઉનાવા ગામમાં પીવાના પાણીના સ્ટોરેજ માટે રૂપિયા 16.81 લાખના ખર્ચે 5000 લીટર પાણીની ક્ષમતાવાળી ટાંકીના કામને પણ મંજુર કરવામાં આવ્યા હતા.
બેંક ઓફ બરોડા ક્ષેત્રીય કાર્યાલય - ગાંધીનગર ક્ષેત્ર દ્વારા તારીખ 3 થી 15 નવેમ્બર 2025 દરમ્યાન કિસાન પખવાડા (આઠમા સંસ્કરણ) કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત કિસાન રથને વિવિધ ગામમાં ફેરવીને ખેડૂતો સુધી બેંક તથા ભારત સરકાર ની વિવિધ યોજનાઓની માહિતી, પ્રચાર અને પ્રસાર કરવામાં આવ્યા હતા. કિસાન પખવાડા કાર્યક્રમ 2025નો મુખ્ય હેતુ પરંપરાગત ખેતી તથા ખેતીમાં નવીનીકરણ અને ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આત્મનિર્ભર ભારત ના સર્જનનો હતો. કિસાન પખવાડા કાર્યક્રમ દરમ્યાન બેંક ની વિવિધ ધિરાણ યોજનાઓ જેવી કે ડિજિટલ લોન, બરોડા કિસાન ક્રેડિટ કાર્ડ, ટ્રેક્ટર લૉન, બરોડા કિસાન પ્રાઇડ, ક્ષેત્ર વિશેષ યોજનાઓ, કૃષિ ને લગતા સાધનોની લૉન, સ્વ સહાય જૂથ / સંયુક્ત જવાબદારી જૂથ (SHGs/JLGs), ગોલ્ડ લૉન, ખેડૂત ઉત્પાદક સંગઠનો, ફૂડ અને એગ્રો પ્રોસેસિંગ યુનિટ વગેરે ની માહિતી આપવામાં આવી હતી. કિસાન પખવાડા કાર્યક્રમ દરમ્યાન કુલ 14 કરોડ થી વધારે રકમની લોન 250થી વધારે ખેડૂત ભાઈઓ તથા સ્વ સહાય જૂથને આપવામાં આવી હતી. આ કાર્યક્રમ ના ભાગ રૂપે ચંદ્રાલા મુકામે ભવ્ય કિસાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બેંકની વિવિધ યોજનાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કિસાન મેળાના મુખ્ય અતિથિ તરીકે ચંદ્રાલા ગ્રામ પંચાયતના સરપંચ રામકૃષ્ણ ડી. પટેલ અને બેંક ઓફ બરોડા, ક્ષેત્રીય કાર્યાલય ગાંધીનગરના ક્ષેત્રીય પ્રમુખ અરુણ કુમાર ગુપ્તા (ડેપ્યુટી જનરલ મેનેજર) ઉપસ્થિત રહ્યા હતા, જેમના હસ્તે ખેડૂત ભાઈઓને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન બેંક ઓફ બરોડા ગાંધીનગર ક્ષેત્રીય કાર્યાલયના, ગ્રામીણ અને કૃષિ વિભાગના અધિકારી દુર્ગેશ ગોદારા, દ્વારા વિવિધ કૃષિ યોજનાઓ ની માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે, બેંક ઓફ બરોડા, ચંદ્રાલા શાખાના શાખા પ્રબંધક સંજય ઠાકોર દ્વારા આભાર વિધિ વ્યક્ત કરાઈ હતી.
સિદ્ધિ:શહેરના ખેલાડીએ એક્વાટિક ચેમ્પિ.માં ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા
રાજકોટ ખાતે ૧૪ મી ગુજરાત રાજ્ય સ્વિમિંગ માસ્ટર એકવાટિક ચેમ્પિયન શિપ-૨૦૨૫ ટુર્નામેન્ટ નું આયોજન થયેલ. જેમાં ગુજરાતના અનેક જુદા જુદા વયજૂથના ખેલાડીઓ એ ભાગ લીધેલ. ગાંધીનગરના ગૌરવ એમ. મકવાણાએ ૨૦૦ મી. ફ્રી સ્ટાઇલ, ૧૦૦ મી. બટરફ્લાય , ૧૦૦ મી. બ્રેસ્ટ સ્ટ્રોક માં ગોલ્ડ મેડલ અને ૪૫૦ મી. ફ્રી સ્ટાઇલ માં સિલ્વર મેડલ મેળવી કુલ ત્રણ ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ મેળવ્યો હતો.
ઉત્કૃષ્ટ પ્રદર્શન:ગાંધીનગરના કુમકુમ કલાગૃપના નાટકને મુંબઇમાં બે એવોર્ડ મળ્યા
લાયન્સ ક્લબ ઓફ બલસાર દ્વારા તાજેતરમાં અખિલ ગુજરાત/ મુંબઈ એકાકી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સંસ્થાઓ દ્વારા 20 થી વધુ નાટક રજૂ કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં ગાંધીનગરના કુમકુમ કલા ગ્રુપ દ્વારા દિગ્દર્શક નાટક રજૂ કરવામાં આવ્યું હતું. જેને સ્પર્ધામાં શ્રેષ્ઠ મૌલિક નાટક તરીકેનો એવોર્ડ મળ્યો હતો. આ નાટકના અભિનેતા રાજ ગઢવીને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ગાંધીનગર સર્કલ દ્વારા ખાસ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પહેલ હેઠળ સમગ્ર ગુજરાતમાં ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં આવેલી સરકારી શાળાઓની માળખાગત સુવિધાઓ વધારવા માટે રૂ. 1.50 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) હેઠળ સામુદાયિક વિકાસ માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ગાંધીનગર સર્કલે રાજ્યભરની સરકારી શાળાઓમાં ડિજિટલ અને માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવવાના હેતુથી મેગા ચેરિટી ઇવેન્ટનું આયોજન કર્યું હતું. આ પહેલ હેઠળ, SBIએ રાજ્યના ઘણા જિલ્લાઓને આવરી લેતી ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોમાં આશરે 300 સરકારી શાળાઓને ₹1.50 કરોડના આવશ્યક શૈક્ષણિક અને તકનીકી સાધનોનું દાન કર્યું છે. દાનમાં આપવામાં આવેલી વસ્તુઓમાં કમ્પ્યુટર સિસ્ટમ્સ, પ્રિન્ટર્સ, સ્માર્ટ ટીવી, પ્રોજેક્ટર, ઇન્વર્ટર, આરઓ વોટર પ્યુરિફાયર, વોટર કૂલર, સીલિંગ ફેન, બેંચ અને કપ બોર્ડ અને અન્ય આવશ્યક સાધનોનો સમાવેશ થાય છે.
એલસીબીએ રેઇડ કરી:34.55 લાખના બીયરના ગુનામાં ફરાર બે બુટલેગર ઝડપાયા
મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામની સીમમાં એલસીબીએ રેઇડ કરી રૂપિયા 34.55 લાખની કિંમતનો બીયરનો જથ્થો ઝડપી લીધો હતો જે ગુનામાં ફરાર થઇ ગયેલા કોટાયા અને ઉનડોઠનો બુટલેગર પોલીસને હાથ લાગ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમ નાસતા ફરતા આઓપીઓને ઝડપી લેવા તપાસમાં હતી.એ દરમિયાન મુળ કોટાયા ગામનો અને હાલ માંડવીમાં રહેતા આરોપી હરી હરજી ગઢવી અને ઉનડોઠના ગોવિંદ વાલા ગઢવીને માંડવીમાંથી દબોચી લીધા છે.ગત 26 સપ્ટેમ્બરના રાત્રે પેટ્રોલિંગ કરતી એલસીબીની ટીમે બાતમીને આધારે ઝરપરા ગામની સીમમાં અંબાજી વેરહાઉસની પાછળના ભાગે બાવળની ઝાડીઓમાં દરોડો પાડ્યો હતો. એ દરમિયાન રૂપિયા 34.55 લાખની કિંમતનો બીયરની જથ્થો પોલીસને મળી આવ્યો હતો.આ ઉપરાંત રેઇડ દરમિયાન કાર,ટ્રક અને કન્ટેનર સહીત રૂપિયા 40.50 લાખની કિંમતના છ વાહનો પણ કબ્જે કરાયા હતા.જોકે દરોડો પાડ્યો ત્યારે બન્ને બુટલેગર પલાયન થઇ જતા પોલીસને હાથ લાગ્યા ન હતા.જેને માંડવી શહેર વિસ્તારમાંથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
SIRની પ્રક્રિયા:સ્થળાંતરિત થયેલા મતદારોનો બૂથ પર ધસારો,2002ની યાદી મામલે પણ વ્યાપક પ્રશ્નો
ગાંધીનગરમાં ચાલી રહેલીમતદાર યાદીની ઘનિષ્ઠચકાસણી - SIRની પ્રક્રિયાઅંતર્ગત મતદારોના નામોનામેપીંગ અને અન્ય કોઇપણ પ્રશ્નોમાટે તમામ મતદાન બૂથ પરબીએલઓને રૂબરૂ હાજરરાખવામાં આવ્યા હતા. આદરમિયાન સ્થળાંતરિત થયેલામતદારોનો સૌથી વધુ ધસારોબૂથ પર જોવા મળ્યો હતો. ગાંધીનગરમાં સરકારીકર્મચારીઓનું પ્રમાણ વધારેહોવાથી સ્થળાંતરિત મતદારોનીસંખ્યા પણ અન્ય શહેરો કરતાવધારે રહેતી હોય છે. આ ઉપરાંતહજારોની સંખ્યામાં સરકારીઆવાસો ખાલી કરાવીને તોડીપડાયા હોવાથી તે સરનામેનોંધાયેલા મતદારો પણ અન્યવિસ્તારોમાં સ્થળાંતરિત થયા છે. આથી તેમનો સંપર્ક બીએલઓદ્વારા થઇ શકતો નહીં હોવાથીબૂથ પર આવા મતદારોની સંખ્યાસવિશેષ જોવા મળી હતી. આઉપરાંત 2002ની મતદારયાદીમાં નામ શોધવાની પણલાંબી કવાયત મતદારો બૂથ પરકરતા જોવા મળ્યા હતા. સોસાયટીઓમાંપ્રમુખની મદદ લેવાઇશહેરના નવ વિકસિતવિસ્તારોમાં ફ્લેટ અનેસોસાયટીઓમાં બીએલઓ દ્વારાપ્રમુખ- મંત્રી સહિતનાહોદ્દેદારોની મદદ લેવામાં આવીહતી. તેમને જ ફોર્મ આપીનેસોસાયટીના સભ્યોને વિતરણકરાવાઇ રહ્યું છે અને ભરેલા ફોર્મપરત લેવાની તારીખ પણઆપવામાં આવી રહી છે.રહિશોને કોઇ પ્રશ્નો હોય તોસામૂહિક બેઠક પણ કરવામાંઆવી રહી છે.
અસામાજિક તત્વોનો આતંક:કાપડની દુકાનમાં બે શખસનો હંગામો
જામનગર શહેરના પટેલ કોલોની શેરીનં-11, વ્રજમંગલ એપાર્ટમેન્ટમાં રહેતી પીન્કીબેન અવિનાશભાઈ સરકાર (ઉ.વ.35) નામની બંગાળી મહિલા ગેલેરીયા કોમ્પલેક્સમાં લેડીઝ રેડીમેટ કપડાની દુકાન ચલાવતા હોય, અને ગત તા.13ના સાંજના તેણી પોતાના દુકાને હતી. ત્યારે દુકાન પાસે આરોપી મોસીન અને દિવ્યરાજસિંહને અપશબ્દો બોલવાની વેપારી મહિલાએ અપશબ્દો બોલવાની ના પાડતા બન્ને શખસો ઉશ્કેરાઈ ગયા હતા અને દુકાનમાં ઘુસીને હંગામો મચાવ્યો હતો અને દુકાનમાં કાચ તોડવાનો પ્રયાસ કર્યો હતો. લાકડાના ધોકા વડે દુકાન સંચાલિકાને મારવા જતાં દુકાનમાં કામ કરતી મહિલા વચ્ચે પડતા તેમને પગમાં મારી મુંઢ ઈજા પહોંચાડી હતી. હવે અમને કંઈ કીધું છે તો મારી નાખીશુ તેમ ધમકી આપી હતી.
અક્સ્માત સર્જાયો:મોટરસાયકલ સાથે ગાય અથડાતા યુવાનનું મોત
દ્વારકાથી મીઠાપુર જઈ રહેલા યુવાનના બાઈક આડે ગાય ઉતરતા બાઈક સ્લીપ થતાં થયેલી ગંભીર ઈજામાં યુવાનનું મૃત્યુ થતા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દ્વારકામાં મુરલીધર ટાઉનશિપ ખાતે રહેતા રજતકુમાર રમેશભાઈ કોટક નામના 31 વર્ષના યુવાન ગુરૂવારે સાંજના સમયે તેમના જીજે 16 એએચ 7681 નંબરના બાઇક પર મીઠાપુરથી દ્વારકા જઈ રહ્યા હતા. તે દરમિયાન ભીમરાણા ગામ પાસે તેમના બાઇક આડે એકાએક ગાય ઉતરી આવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક સ્લીપ થઈ જતા બાઈક ચાલક રજતકુમારને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની મૃતકના પિતા રમેશભાઈ જયંતીભાઈ કોટકએ મીઠાપુર પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી દીધો છે. આશાસ્પદ પુત્રના મોતથી પરિવારમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા નજીક માંઝા ગામે ચારણ ગઢવી સમાજની દિકરીઓને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તે હેતુસર આઈ શ્રી સોનલ કન્યા છાત્રાલયનું ભવ્ય નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. તા.27-11ના સોનલમાંના મહાપ્રયાણના દિવસે શ્રી સોનલ આદેશ અમલીકરણ એજ્યુકેશન એન્ડ ચેરી.ટ્રસ્ટ ખંભાળીયા દ્વારા સંતો મહંતો અને સમાજના અગ્રણીઓના ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરવામાં આવશે. આ અંતર્ગત ચારણ ગઢવી સમાજના અગ્રણીઓ સામતભાઈ રૂડાચ, પરબતભાઇ માયાણી, ભોલાભાઈ સાખરા, આલાભાઈ જામ, રાણસીભાઈ સંધિયા, રાજાભાઈ રૂડાચ, અરવિંદભાઈ હરગાણી, રઘુભાઈ રૂડાચ, મહેશભાઈ મોવર, ડલુભાઈ સાખરા સહિત આગેવાનો દ્વારા ચારણ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને ગામડે ગામડે માં સોનલે જોયેલા સપના ચારણ સમાજ દીકરા દીકરીઓ શિક્ષિત થાય સમાજની દીકરીઓ આગળ વધે તે સંદેશો લઈને ખંભાળીયાના વિજયનગર, પરોડીયા, માંઢા, બેહ, નાના આસોટા, મોટા આસોટા, રાણ લિબડી, ભાટિયા, સુઇનેશ, મઢી, ભોગાત સહિતના ગામોનો પ્રવાસ હાથ ધરવામાં આવ્યો હતો. ચારણ સમાજના ભાઈઓ બહેનોને આ શિક્ષણ કાર્યમાં સહભાગી થવા આહવાન કરવામાં આવ્યું હતું. બીજે દિવસે ધૂમથર, મોવાણ, પીપરીયા, માધુપુર, પીપળીયા, માળી, શેરડી, ભાડથર, ભારા બેરાજા, ભીંડા, લલીયા, ભટ્ટગામ, માંજા સહિતના ગામોમાં અગ્રણીઓ ગામડે ગામડે પ્રવાસ કરવામાં આવ્યો હતો. ભૂમિ પૂજનના દિવસે ધર્મસભા, દાતાઓનું સન્માન, શિક્ષણ સભા, રાસ ગરબા, પ્રસાદી અને સંતવાણી કાર્યક્રમ આ તકે સરકારી નોકરી કરતી દિકરીઓને સન્માન અને પ્રવચન સહિતનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યમાં ઉપસ્થિત રહેવા સમસ્ત ચારણ ગઢવી સમાજ દ્વારા ખાસ ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
પ્રશ્નોનું નિરાકરણ:લોકોના વિવિધ પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા કલેક્ટરની તાકીદ
ભુજ ખાતે યોજાયેલી સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં લોકોના વિવિધ પ્રશ્નોનું ઝડપભેર નિરાકરણ લાવવા કલેક્ટર દ્વારા સબંધિત અધિકારીઓને સુચના આપવામાં આવી હતી. કલેક્ટર આનંદ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ રોડ રસ્તાઓનું સમારાકામ, ખેતી સહાય, પેયજળ વિતરણ અને આરોગ્ય અંગે, અબડાસા ધારાસભ્યએ પાર્કિંગ, ટ્રાફિક સમસ્યા, વોટરશેડ, કેનાલ રિપેરીંગ, નેશનલ હાઈવ-સ્ટેટ હાઈવે અને જીએસઆરડી દ્વારા રોડ રસ્તાનું સમારકામ, કંપનીમાં સ્થાનિકોને રોજગારી, નખત્રાણામાં ટાઉનહોલ માટે જમીન ફાળવણી, જાબરી અને તલ-લૈયારી ડેમનું કાર્ય, જુના હક્કપત્રો, નખત્રાણા બાયપાસ કાયદો અને વ્યવસ્થા, આરટીઓ અને પોલીસ દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટ અને દંડની વસૂલાત, એસટી બસ, ગૌચર જમીન, પેયજળ શુદ્ધતા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે નેશનલ હાઈવેથી નાગોર ગામની રોડ કનેક્ટિવીટી, ભુજ-ભીમાસર હાઈવે સમારકામ, પીવાના પાણીનું આયોજનપૂર્વક વિતરણ વગેરે બાબતે, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ કંડલા પોર્ટને કનેક્ટ કરતા રોડ પર ડાયવર્ઝન અને ટ્રાફિક નિયમન, ખેડૂતોને સિંચાઈ માટે પાણી, માંડવી મુન્દ્રા ધારાસભ્ય અનિરૂદ્ધ દવેએ કન્યુઝ્યુમર પેટ્રોલ પંપના ધારાધોરણ સ્પેશિયલ ઈકોમોનિક ઝોનમાંથી વિકાસકાર્ય માટે મંજૂરી વિશે રજૂઆત કરી હતી. સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પુરૂષોત્તમ મારવાડાએ ડુમરાના ખેડૂતોની સાંથણીની જમીનના હક્કો, નર્મદા કેનાલ સર્ધન લિંક કામગીરી બાબતે ખેડૂતોની રજૂઆતો, અબડાસા વિસ્તારના ઘોરાડ અભ્યારણ્યમાં વીજ કનેક્શન વગેરે પ્રશ્નો મૂક્યા હતા. કલેક્ટરે સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ લાવવા અધિકારીઓને સૂચના આપી હતી. બેઠકમાં પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, નિવાસી અધિક કલેક્ટર ડી.પી.ચૌહાણ, નાયબ વન સંરક્ષક આયુષ વર્મા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકનિકુંજ પરીખ સહિત જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
108ની ટીમની સરાહનીય કામગીરી:કલ્યાણપુરમાં 108 એમ્બ્યુલન્સે અધૂરા માસે બાળકને જન્મ કરાવ્યો
દ્વારકા જિલ્લાના જુવાનપુર ગામના વાડી વિસ્તારમાં કામ કરતા એક ખેત મજુર યુવાનની પત્ની સાહિરાબેનને એકાએક પ્રસુતિની પીડા ઉપડતા આ ઈમરજન્સી 108 નો સંપર્ક કરવામાં આવ્યો હતો. રામનગર 108 ની ટીમ દ્વારા આ સ્થળે જઈને 108 ના ઈ.એમ.ટી. સવદાસભાઈ નંદાણીયા અને પાયલોટ સાગર વાળા દ્વારા મહિલાને પ્રસૂતિ માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા. ત્યારે એકાએક મહિલાને પ્રસુતિ પીડા વધી જતા 108 એમ્બ્યુલન્સમાં જ આ મહિલાની અધૂરા માસે પ્રસુતિ કરવામાં આવી હતી. પ્રસુતિ દરમિયાન બાળકના ગળામાં ગર્ભનાળ વીંટાયેલું હોવાનું 108ની ટીમને ધ્યાન આવ્યું હતું. અહીં નવજાત બાળકને શ્વાસમાં તકલીફ થતી હોવાથી કૃત્રિમ શ્વાસ આપવામાં આવ્યા હતા. અને મહિલાની સફળ પ્રસુતિ કરાવતા, માતાએ બાળકને જન્મ આપ્યો હતો. નવજાત બાળક અને માતાને જરૂરી સારવાર આપી, 108 દ્વારા ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ રીતે માતા અને નવજાત બાળકનો જીવ 108 દ્વારા બચાવાયો હતો. આમ, 108 એમ્બ્યુલન્સ પુનઃ એક વખત આશીર્વાદરૂપ સાબિત થઈ છે. જેથી 108 માત્ર નંબર નહિ, જીવાદોરી પણ માનવામાં આવે છે.
તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા ઉચ્ચકક્ષાએ રજૂઆત:રાવલની હનુમાનધાર પ્રા. શાળા નજીક રખડતા ઢોરની સમસ્યા
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે આવેલ હનુમાનધાર પ્રાથમિક શાળા રખડતા ઢોરની સમસ્યા તથા ગંદવાડ અંગે જિલ્લા કલેકટર સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. શાળામાં અભ્યાસ કરતા બાળકોની સુરક્ષા અને સલામતી તેમજ જાહેર આરોગ્ય હેતુ શાળા પાસે જ થતાં ગંદવાડ અને ઉકરડાને દૂર કરવા પણ માંગ કરવામાં આવી છે. રાવલ નગરપાલીકાના ચીફ ઓફીસર દ્વારા તાત્કાલીક સમસ્યાઓનું નિરાકરણ લાવવા માંગ ઉઠી છે. લાંબા સમયથી આ સમસ્યાઓને લઈને વાલીગણમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે. રખડતા પશુઓ અને સફાઈના અભાવે ફેલાયેલી ગંદકીના કારણે શાળામાં રોગચાળો ફાટી નીકળે તેવી પણ દહેશત ફેલાઈ છે. જેથી શાળામાં કોઈ દુર્ઘટના સર્જાય અને રખડતા પશુઓનો કોઈ છાત્ર ભોગ બને તો જવાબદારી કોની રહેશે? તેવો વાલીગણમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે.
દારૂ ઝડપાયો:શહેરમાં મકાનમાંથી દારૂની 576 બોટલો સાથે શખસ ઝબ્બે
જામનગર શહેરના શંકર ટેકરી સિદ્ધાર્થ નગર વિસ્તારમાં એક રહેણાક મકાનમાંથી સીટી સી ડિવિઝન પોલીસે 576 નંગ ઈગ્લિશ દારૂની બાટલીનો માતબર જથ્થો કબજે કરી લઈને મકાન માલિકની ધરપકડ કરી છે. જ્યારે દારૂનો જથ્થો સપ્લાયર કરનારનું નામ ખુલતા પોલીસે તેને ફરારી જાહેર કર્યો છે. શહેરના શંકર ટેકરી સિદ્ધાર્થ કોલોની શેરી નંબર -2 માં રહેતા જીતેન્દ્ર ઉર્ફે પિન્ટુ દેવજીભાઈ પરમાર નામના શખસે પોતાના રહેણાક મકાનમાં ઇંગલિશ દારૂનો માતબર જથ્થો વેચાણ માટે આયાત કર્યો હોવાની સીટી સી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી. જે બાતમીના આધારે પઉતારવામાં આવ્યો છે, અને તેનું ખાનગીમાં વેચાણ કરાઈ રહ્યું છે. જે બાતમી ના આધારે ગઈ રાત્રે પોલીસે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન મકાનમાંથી કુલ 576 ઈગ્લિશ દારૂની બાટલી નો માતબર જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે રૂ. 1,15,200ની કિંમતનો ઇંગ્લીશ દારૂ કબજે કરીને મકાન માલિક જીતેન્દ્ર દેવજીભાઈ પરમાર ની અટકાયત કરી લીધી છે. પોલીસની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દારૂ નો જથ્થો જામનગરમાં રહેતા પ્રેમ ભદ્રા દ્વારા સપ્લાય કરાયો હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કરીને શોધખોળ હાથ ધરી છે. એસપી ડો. રવિમોહન સૈનીએ ચાર્જ સંભાળતા જ દારૂ, જુગાર ઉપર પોલીસે ધોંસ બોલાવી છે.
આજે પણ ખાસ ઝુંબેશ:મતદારયાદી સુધારણા માટે મતદારોમાં જોવા મળતો ઉત્સાહ
ભારતના ચૂંટણીપંચના આદેશ મુજબ કચ્છ જિલ્લાના છ વિધાનસભા મતવિસ્તારોમાં તા. 1/1/2026 ની લાયકાતની તારીખના સંદર્ભમાં ‘ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલો છે. આ કાર્યક્રમ અંતર્ગત ખાસ ઝુંબેશના પ્રથમ દિવસે શનિવારે મતદારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. જિલ્લાના તમામ મતદાન મથકો પર બુથ લેવલ ઓફિસરો અને બુથ લેવલ સુપરવાઇઝરો હાજર રહ્યા હતા. કચ્છના મતદારોએ આ કેમ્પનો વિપુલ પ્રમાણમાં લાભ લીધો હતો. BLOઓ દ્વારા મતદારોને એન્યુમેરેશન ફોર્મ કઈ રીતે ભરવું તેની સમજૂતી આપવામાં આવી હતી. આ કેમ્પમાં એક વિશેષ પહેલરૂપે BLO દ્વારા મતદારોને વર્ષ 2002 ની મતદાર યાદીમાં તેમનું પોતાનું, માતા-પિતાનું તથા દાદા-દાદીનું નામ શોધી આપવામાં આવ્યું હતું. સાથે જ, એન્યુમેરેશન ફોર્મ ભરવામાં પણ મદદ કરવામાં આવતા, મતદારોએ ફોર્મ ભરીને પરત કર્યા હતા. ચૂંટણી તંત્રના જણાવ્યા અનુસાર, ઝુંબેશના પ્રથમ દિવસને સારો પ્રતિસાદ મળ્યો છે. કલેક્ટર દ્વારા મતદાન કેન્દ્રની મુલાકાત લેવાઈકાર્યક્રમના મોનિટરિંગ અને નિરીક્ષણ માટે ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા ભુજ સિટીના મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. આ ઉપરાંત, છ વિધાનસભા મતવિસ્તારોના લગત મતદાર નોંધણી અધિકારીઓ (ERO) અને મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ (AERO) દ્વારા પણ ફીલ્ડ વિઝીટ કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાએથી વર્ગ-1 અને વર્ગ-2 ના અધિકારીઓએ પણ મતદાન મથકોની મુલાકાત લઈને હાજર લોકોના પ્રતિસાદ જાણ્યા હતા અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આજે અને આવતા શનિ-રવિના કેમ્પચૂંટણી તંત્રની ભલામણ છે કે જે મતદારોએ હજુ સુધી આ ઝુંબેશનો લાભ લીધો નથી, તેઓ આગામી દિવસોમાં યોજાનાર ખાસ કેમ્પમાં અવશ્ય ભાગ લે. આ પ્રકારના ખાસ ઝુંબેશ કેમ્પ આવતીકાલે તા. 16/11 ના રોજ, તેમજ તા. 22/11 અને તા. 23/11 ના રોજ પણ યોજાનાર છે. તમામ મતદારોને પોતાનું ફોર્મ ભરીને BLOને પરત આપી દેવા માટે અપીલ કરવામાં આવી છે.
યુવક વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયો:જમીન પડાવી લેવા વ્યાજખોરની રૂ.15 લાખની પઠાણી ઉઘરાણી
જામનગર શહેરના યુવકને 5 ટકા વ્યાજે લીધેલા રૂ.10 લાખની વ્યાજખોરે એક જ માસમાં રૂ.15 લાખની પઠાણી ઉઘરાણી કરીને જમીનનો વેચાણ કરાવી લઈને ધમકીઓ આપતા મામલો પોલીસ મથકમાં પહોંચ્યો છે. શહેરના ખોજા ગેઇટ વિસ્તારમાં રહેતા સબીર હુસેનભાઈ હમીરકા (ઉ.વ.42) નામના યુવાને પૈસાની જરૂરિયાત હોવાથી મસીતીયા ગામના હાજી હમીરભાઈ ખફીને શહેરના એસ.ટી.બસ સ્ટેશન પાસે માલધારી હોટલે મળ્યો હતો અને રૂ.10 લાખની જરૂરિયાત હોવાનું કહેતા આરોપી હાજી ખફીએ 5 ટકા વ્યાજની વાત કરી હતી. જેથી યુવક સહમત થયો હતો. રૂ.10 લાખ વ્યાજે લીધા હોય અને રૂ.50 હજાર એડવાન્સ વ્યાજ ચુકવી દીધુ હતું. તેમ છતાં આરોપીએ થોડા દિવસ પછી આપેલા રૂપિયાનું લખાણ કરાવવા બોલાવ્યો હતો અને યુવકની મેમાણા ગામમાં આવેલી જમીનનું વેચાણ કરારનું લખાણ બળજબરીથી કરાવી લીધુ હતું. બાદમાં યુવકને ફોન કરીને રૂ.15 લાખની પઠાણી ઉઘરાણી કરી હતી અને અપશબ્દો બોલવા લાગ્યો હતો. જમીન કોઈને વેચવા નહીં દઉ તેમ કહી ધમકી આપી હતી. જેથી યુવકે સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હાજી ખફી સામે ગુનો નોંધીને ધરપકડ માટે શોધખોળ આરંભી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાજખોરો ફરી ધીમે ધીમે માથું ઉંચકી રહ્યા છે. વ્યાજ વટાવના ગુનાઓ નોંધાઈ રહ્યા છે. અગાઉ પોલીસે વ્યાજખોરો સામે આરંભેલી ઝુંબેશના પગલે થોડા મહિનાઓ માટે વ્યાજખોરો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. જેઓ ફરી મેદાનમાં આવ્યા હોય તેમ ગુનાઓ નોંધાય છે.
જંગલી પશુઓની દહેશત:ધ્રોલના ખેંગારકા ગામમાં જંગલી પશુના હુમલાથી 22 ઘેટાના મોત
ધ્રોલ તાલુકાના ખેંગારકા ગામે જંગલી પશુએ રાત્રીના સમયે માલધારીનાં ઘેટાંના વાડામાં હુમલો કરતાં એકસાથે 22 ઘેટાંના મોત નિપજ્યા માલધારી સમાજમાં તેમજ ધ્રોલ પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. તો ધ્રોલ વેટરનીટી ઓફીસર તેમજ વન વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચીને રોજકામ કરવામાં આવ્યું હતું. જાણવા મળતી વિગતો અનુસાર ધ્રોલ તાલુકાનાં ખેંગારકા ગામે રહેતા માલધારી ભીખાભાઈ દેવાભાઈ ઠુંગાના વાડામાં ગત રાત્રે અચાનક કોઈ જંગલી જાનવર ત્રાટક્યું હતું. રાત્રિના ઘોર અંધારામાં આ જાનવરે વાડામાં રહેલા ઘેટાં પર હુમલો કર્યો હતો. સવારના સમયે જ્યારે ભીખાભાઈ અને તેમના પરિવારે વાડામાં જઈને જોયું ત્યારે 20 થી 22 જેટલા ઘેટાંના મૃતદેહ જોવા મળ્યા હતા. આ ઘટના જોઈને માલધારી પરિવાર હતપ્રભ બની ગયો હતો. પશુપાલન કરી ગુજરાન ચલાવતા માલધારી પરિવાર માટે એકસાથે 22 ઘેટાંના મોતનાં બનાવથી આઘાત સાથે આર્થિક નુકસાન પણ થયું છે. ભીખાભાઈ ઠુંગા અને તેમનાં પરિવારે મુખ્ય આવકનો સ્ત્રોત ગુમાવ્યો હતો. ઘટનાની જાણ થતા જ ધ્રોલ વેટરનીટી ઓફિસર ડો. ધેટીયા તથા વન વિભાગ નો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. વેટરનીટી ડોક્ટર જણાવ્યા પ્રમાણે પ્રાથમિક દૃષ્ટિએ આ હુમલો કોઈ જંગલી પશુ દ્વારા કરવામાં આવ્યો હોવાનું જણાય છે. આ બનાવથી ખેંગારકા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ છવાયો હતો. ભાસ્કર ઇનસાઇડધ્રોલમાં અવારનવાર પશુઓ પર જંગલી જનાવરના હુમલાધ્રોલ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અવાર-નવાર જંગલી પશુઓના હુમલાથી ઘેટા-બકરાઓના મોત નિપજતાં હોવાના બનાવો સામે આવે છે. પરંતુ વન વિભાગ દ્વારા અત્યાર સુધી ક્યાં જંગલી પશુઓ દ્વારા હુમલો કરવામાં આવે છે. તે બનાવ અંગે ખુલાસો કરવામાં આવ્યો નથી. તો ધ્રોલ પંથકમાં ઘેટા-બકરાઓ ચોરાયાના પણ છેલ્લા દશ માસમાં બે થી ત્રણ ગુનાઓ પણ નોંધાયા છે.
કાર્યવાહી સ્થગિત:મુન્દ્રા રોડ પર દબાણ દૂર કરવાની કામગીરી પર હાઇકોર્ટનો આદેશ આવતા કાર્યવાહી સ્થગિત
ભુજ મુન્દ્રા રોડ પર કે.કે.હોસ્પિટલની બાજુમાં વર્ષોથી વસવાટ કરતા માલધારી સમુદાયના પરિવાર સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ હોવાની મામલતદારને કરવામાં આવેલી ફરિયાદના પગલે શુક્રવારે સવારે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ બપોરે હાઇકોર્ટથી સ્ટેટસકો (યથાસ્થિતિ જાળવી રાખો)નો આદેશ આવતા કામગીરી બંધ કરવામાં આવી હતી. આ અંગે શહેર મામલતદાર તેજસ પટેલે જણાવ્યું કે, આ આદેશ અનુસાર 90 દિવસનો સમય આપવામાં આવે છે, ત્યાં સુધી ન્યાયિક તપાસમાં દબાણ નથી તેવું પુરવાર થાય તો આગળ કામગીરી ન થાય. પરંતુ સરકારી જમીન પર દબાણ છે તેવું પુરવાર થાય તો તે અનધિકૃત બાંધકામ સરકાર ખસેડી શકે. માલધારીઓ તરફથી હાઇકોર્ટના વકીલ અમન એ. સમાએ આપેલી વિગત મુજબ આ પરિવારો તેમના પશુ સાથે નાના વાડા અને કાચા ઘરમાં પેઢીઓથી રહે છે. બીપીએલ કાર્ડ અને લાઈટ બિલ જેવા પુરાવાઓ ધરાવે છે. કોઈ પૂર્વ નોટિસ આપ્યા વગર ગેરરીતિપૂર્વક રોજનામું તૈયાર કરવામાં આવ્યું હતું. કલમ 61 અને કલમ 202 ની નોટિસ બહાર પાડવામાં આવી પરંતુ બંને 17 ઓક્ટોબરના રોજ સર્વ કરવામાં આવી. કાયદા મુજબ 90 દિવસની સ્ટેચ્યુટરી અપીલ ઉપલબ્ધ હતી. તેમ છતાં 13 નવેમ્બરે મામલતદાર અને પોલીસ દળ સ્થળ પર પહોંચી એક તરફી કાર્યવાહી કરી હતી. ગુજરાત હાઇકોર્ટમાં તાત્કાલિક સુનાવણી કરીને સ્થિતિ સંપૂર્ણ જાળવવી તેઓ આદેશ મેળવ્યો છે. ગુજરાત ટ્રિબ્યુનલ સમક્ષ આગામી દિવસોમાં સુનાવણી થશે. તો બીજી તરફ જે મહેસૂલી વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી તે અધિકારી શહેર મામલતદાર તેજસ પટેલે કામગીરી અંગે સ્પષ્ટતા કરી હતી કે, ચાર મહિનાનો સમય આપ્યો હતો. 13 સપ્ટેમ્બરે કલમ 61 એટલે કે દબાણ સાબિત થયાની નોટિસ તેમજ 13 ઓક્ટોબર ના રોજ કલમ 202 એટલે કે સરકારી જગ્યા છે તો પણ દબાણ હટ્યું નથી તે નોટિસ આપી હતી. સ્ટેટસકો મુજબ 90 દિવસની મુદ્દત મળે છે. આગામી 17 ડિસેમ્બર સુધી ન્યાયિક પ્રક્રિયા બાદ હાઇકોર્ટમાંથી જે આદેશ આવશે તે મુજબ કામગીરી થશે. જોકે અમે માનવીય અભિગમ જાળવીને સામાન કાઢવા માટેનો સમય પણ આપ્યો હતો. સમગ્ર કામગીરી કાયદા અને સરકારી નિયમને આધીન કરવામાં આવશે.
સામસામે ગુનો:ભુજની ઓફીસમાં શેર બજારના રૂપિયા મામલે મારામારી કરાઈ
શહેરમાં આવેલ ટાઈમસ્ક્વેર બિલ્ડીંગની ઓફીસમાં શેર બજારના રૂપિયા બાબતે બોલાચાલી થયા બાદ છરી અને ધોકાથી મારામારી થઇ હતી જે મામલે સામસામે 7 વિરુદ્ધ ગુનો નોધાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ મિરજાપરમાં રહેતા ફરિયાદી બીજલભાઈ દેવરા રબારીએ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે આરોપી જાવેદ સવાણી,તેના નાના ભાઈ અને એક અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ ટાઈમસ્ક્વેર બિલ્ડીંગમાં આરોપીની ઓફીસ આવેલી છે જેની નજીકમાં ફરિયાદીની ચાની હોટલ હોવાથી આરોપી સાથે પરિચય થયો હતો. જે બાદ ફરિયાદીએ શેર બજારમાં રોકાણ કરવા આરોપીને રૂપિયા 1 લાખ આપ્યા હતા.જરૂરીયાત પડતા રૂપિયાની માંગણી કરી ત્યારે આરોપીએ 17 હજાર આપી બાકીના રૂપિયા બાબતે બોલાચાલી કરી હતી અને છરી તેમજ ધોકાથી ફરિયાદીને ઈજા પહોચાડી હતી. જ્યારે સામા પક્ષે ફરિયાદી જાવેદ ઝુલફીકાર સવાણીએ આરોપી બીજલ રબારી,રાણા રબારી,સાજણ રબારી અને એક અજાણ્યા વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે.આરોપીઓએ રૂપિયા બાબતનું મનદુઃખ રાખી ઓફીસનો કાચનો દરવાજો તોડી નાખ્યો હતો અને ધોકાથી માર મારી ઈજા પહોચાડી હતી.સમગ્ર મામલે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

23 C