SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

25    C
... ...View News by News Source

ખેડૂતો માટે સારા સમાચાર:છોટાઉદેપુર જિલ્લાને 2727 મેટ્રિક ટન યુરિયા ખાતરનો જથ્થો ફાળવાયો

છોટાઉદેપુર જિલ્લાને 2727 મેટ્રિક ટન યુરિયા ખાતરનો જથ્થો ફાળવી આપવામાં આવ્યો હતો. રવિ ઋતુમાં ખેડૂતોને જરૂરી યુરિયા ખાતરનો જથ્થો સમયસર ઉપલબ્ધ થઇ રહે તેના માટે રાજ્ય સરકાર દ્વારા છોટાઉદેપુર જિલ્લાને તાત્કાલિક 2727 મેટ્રિક ટન યુરિયા ખાતરનો જથ્થો ફાળવી આપવામાં આવ્યો છે. જેમાં રણોલી રેક પોઈન્ટ ઉપરથી જી.એન.એફ.સી કંપનીનો 827 મેટ્રિક ટન, ભરુચ રેક પોઈન્ટ ઉપરથી જી.એસ.એફ.સી કંપનીનો 400 મેટ્રિક ટન તેમજ પ્લાન્ટ ઉપરથી 400 મેટ્રિક ટન અને રણોલી રેક પોઈન્ટ ઉપરથી ઇફ્ફો કંપનીનો 1100 ટન એમ કુલ 2727 મેટ્રિક ટન જથ્થો આ અઠવાડિયામાં ફાળવી આપવામાં આવ્યો છે. તે પૈકી 1460 ટન જથ્થો સપ્લાય કરી દેવામાં આવેલ છે અને બાકીનો 1267 ટન જથ્થો આગામી 3 દિવસમા સપ્લાય કરી દેવામાં આવનાર છે. તેમજ કૃભકો કંપની તરફથી પણ બાય રોડ યુરિયા ખાતરનો જથ્થો સપ્લાય કરવાનું ચાલુ છે. તેમજ જિલ્લાના તમામ ખેડૂતોને જરૂરિયાત મુજબનું પૂરતું ખાતર મળી રહે તે માટે ડીસેમ્બર માસ માટે કુલ 10000 મેટ્રિક ટન યુરિયા ખાતરની ડીમાંડ કરાઈ છે. આથી તમામ ખેડૂતોને હાલ તેમની જરૂરિયાત જેટલું જ ખાતર ખરીદ કરવા નાયબ ખેતી નિયામક (વિ) કચેરી તરફ થી વિનંતી કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:29 am

રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ માહિતી આપી:23.02 લાખ સાઇબર ફરિયાદમાં રૂ.7,130 કરોડ ઠગાતા બચાવાયા

ગુજરાત સહિત દેશભરમાં વધી રહેલા સાઇબર ક્રાઇમને અંકૂશમાં લેવા માટે સરકારે 2021માં 14 સી હેઠળ સિટીઝન ફાઇનાન્સિયલ સાઇબર ફ્રોડ રિપોર્ટિંગ એન્ડ મેનેજમેન્ટ સિસટમ લોન્ચ કરી હતી. જેના અમલ બાદથી દેશમાં 23.02 લાખ ફરિયાદો નોંધાઇ. જેમાં 7,130 કરોડ થી વધુની રકમ ઠગાતા બચાવાઇ છે. આ માહિતી રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ સંસદમાં પૂછેલા પ્રશ્નના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી બંદી સંજયકુમારે આપી હતી. પરિમલ નથવાણીએ મંત્રીના ઉલ્લેખથી જણાવ્યું કે બેન્કો, નાણાકીય સંસ્થાઓના સહકારથી સરકારે 10-9-24ના રોજ સાઇબર ગુનેગારોની ઓળખ જાહેર કરતી રજિસ્ટ્રી લોન્ચ કરી હતી. જેના થકી સાઇબર ઠગોના 24.67 લાખ લેયર 1 મ્યુલ એકાઉન્ટ ઓળખી કાઢી 8031 કરોડ રૂપિયાના ટ્રોન્ઝેક્શન ડિક્લાઇન કરવામાં આવ્યા છે. 11.14 લાખથી વધુ સિમકાર્ડ IMEI બ્લોક કરાયાઆ સિસ્ટમની માહિતી આપતી તેમણે જણાવ્યું કે સરકારના 14 સી ખાતે એક અત્યાધુનિક સાઇબર ફ્રોડ મિટિગેશન સેન્ટર (સીએફએમસી)ની સ્થાપના કરાઇ છે. જ્યાં અગ્રણી બેન્કો, નાણાકીય સંસ્થાઓ, પેમેન્ટ એગ્રીગેટર્સ, ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ, આઇટી ઇન્ટરમિડિયેટરીઝ અને રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોની કાયદા અમલીકરણ એજન્સીઓના પ્રતિનિધિઓ સાબઇર ગુનાખોરીને ડામવા સહયોગ સાથે ત્વરિત કાર્વાહી કરી રહ્યા છે. તેથી અત્યાર સુધી પોલીસના રિપોર્ટ આધારે 11.14 લાખથી વધુ સિમકાર્ડ અને 2.96 લાખથી વધુ આઇએમઇઆઇ બ્લોક કરી દીધા છે. જ્યારે સિસ્ટમની મદદથી 16,840 સાઇબર આરોપીઓની ધરપકડ કરાઇ છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:29 am

તસ્કરી:ગોડાઉનમાંથી કર્મચારી 3.74 લાખનાં 1496 શર્ટ ચોરી ગયો

ઘીકાંટા ખાતે કર્ણાવતી પ્લેટીનિયમમાં આવેલ બી.એલ.ગારમેન્ટ શર્ટના હોલસેલની દુકાનના ગોડાઉનમાંથી કર્મચારીએ રૂ.3.74 લાખના 1495 શર્ટની ચોરી કરી હતી. આ અંગે દુકાનના માલિકે સીસીટીવ ફુટેજ ચેક કરતાં કર્મચારી રોહિત જગતીયા ચોરી કરતો નજરે પડ્યો હતો. બનાવ અંગે દુકાનના માલિક ઘોડાસરમાં રહેતા 36 વર્ષીય હિતેશ પટેલે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 26 નવેમ્બરના રોજ સવા અગિયાર વાગે તેઓ પોતાની દુકાનમાં બેઠા હતાં, ત્યારે વેપારી મિત્ર રાજેન્દ્રસિંહ ચુડાવતે તેમને ફોન કરીને તેમની દુકાને બોલાવ્યો હતો. મિત્રએ જાણ કરેલી કે, સવારે 9 વાગે તમારું ગોડાઉન ખુલ્લું હતું અને તમારે ત્યાં નોકરી કરતો રોહિત ગોડાઉનમાંથી શર્ટના કાર્ટુનો લઇ જતો હતો. આ વાત સાંભળીને મિતેશે તરત જ દુકાનનાં સીસીટીવી ફુટેજ તપાસતા રોહિત શર્ટના કાર્ટુનોની ચોરી કરીને જઇ રહેલો નજરે pપડ્યો હતો. આ બનાવ અંગે દુકાનદારે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હવે વધુ કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:27 am

ભાસ્કર વિશેષ:આજે માગસર સુદ પૂનમ, તિથિનો ક્ષય હોવા છતાં વ્રતની પૂનમ મનાવાશે, સત્યનારાયણની કથાના વાચન વિશેષ દિવસ

આજે માગસર સુદ પૂનમ એટલે ભગવાન દત્તાત્રેય જયંતી. આ વખતે પૂનમનો ક્ષય છે છતાં શ્રદ્ધાળુઓ વ્રતની પૂનમ ઉજવશે. જ્યોતિષાચાર્ય આશિષ રાવલ કહે છે, માગસર સુદ પૂનમે ભગવાન વિષ્ણુના પૂજન સાથે ભગવાન સત્યનારાયણની કથાના વાચન અને પ્રસાદ વિતરણનું માહાત્મ્ય હોય છે. આ પૂનમે ત્રિદેવના અંશસમાન ગવાન દત્તાત્રેયનો જયંતી હોવાથી દત્ત મંદિરોમાં દત્ત ચાલીસા, દત્તજપ, ગુરુચરિત્ર પાઠનું પઠન કરવાથી બ્રહ્મા-વિષ્ણુ-મહેશની એકસાથઃ કૃપા પ્રાપ્ત થાય છે. નોકરી-ધંધામાં ઉન્નતિ માટે આજે એકટાણું કે ઉપવાસ કરવાથી વિશેષ લાભ મળે છે. બ્રાહ્મણને સફેદ કે પીળી વસ્તુ સાથે વસ્ત્રનું દાન કરવાનું માહાત્મ્ય પણ શાસ્ત્રોમાં વર્ણિત છે. મહાસતિના કૂખે ત્રિદેવે જન્મ લીધો ‘શ્રીમદ્ ભાગવત્’માં આલેખાયેલા દત્તાત્રેય ચરિત્રમાં ભગવાન દત્તાત્રેયના જન્મ, કર્મનુઅઅં વર્ણન છે. નડિયાદનો બ્રહ્મર્ષિ હંહ્કૃત પાઠશાળાને પ્રધાનાચારૂય ડૉ. અમૃતલાલ ભોગાયતા એ વિશે કહે છે, ઋષિ અત્રિ અને મહાસતિ અનસુયા બ્રહ્માજી, ભગવાન વિષ્ણુ અને દેવાધિદેવના ધ્યાનમાં મગ્ન હતાં. આથી લક્ષ્મીજી અને માતા પાર્વતીએ ઈર્ષ્યાવશ ત્રિદેવને ઋષિયુગલની પરીક્ષા કરવા કહ્યું. ત્રિદેલ સતિ અનસૂયા પાસે ગયા અને સ્નાનાદિ ક્રિયા પછી નિર્વસ્ત્ર થઈને ભોજન કરાવવા કહ્યું. મહાસતિએ વિનંતિ સ્વીકારી અને ત્રણેય દેવો પર પાણીનો છંટકાવ કર્યો, ત્યાં દેવો બાળસ્વરૂપ થઈ ગયે પછી સતિ અનસુયાએ સ્તનપાન કરાવ્યું. એ પછી દેવીઓ અને ઋષિ અત્રિ ત્યાં પહોંચ્યા. ઋષિએ દેવોને પુનઃ મૂળ સ્વરૂપ આપ્યાં અને અવતરણ કરવા વિનંતિ કરી. ત્રિદેવે પ્રાર્થના સ્વીકારી અને સતિ અનસુયાની કૂખે જન્મ લીધો. એટલે દત્તાત્રેયને ત્રણ મુખ, છ હાથ છે. બ્રહ્માજીની જેમ જ્ઞાનનું સર્જન, ભગવાન વિષ્ણુની જેમ જ્ઞાનનું જતન અને હમેશ્વરનો જેમ અજ્ઞાનનો નાશ, આ ત્રણેય ગુણનાં ભગવાન દત્તાત્રેયમાં દર્શન થાય છે. પ્રકૃતિને ગુરુ બનાવવાના પ્રથમ ઉપદેશક ગુરુ દત્તાત્રેયે સૌપ્રથમ પ્રકૃતિને ગુરુ બનાવવાનો ઉપદેશ આપ્યો હતો. અને એ રીતે પ્રકૃતિનું જતન કરવાની શીખ આપી હતો. જળ, વાયુ, સમુદ્ર, આકાશ, સૂર્ય, મધમાખી, પિંગળા, ભમરો, ચન્દ્ર, હરણ, કુમારિકા, અજગર, બગલો, કરોળિયો, કબૂતર, હાથી, પતંગિયું, એવા 24 ગુરુ એમણે બનાવ્યા હતા. ગિરનારમાં દત્તાત્રેય ભગવાનનું પ્રાચીન મંદિર તથા તેમની પરિક્રમા કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:26 am

ભાસ્કર એક્સક્લુસિવ:બીએલઓ માટેનું વળતર નક્કી પણ‎સહાયકો હજી વળતર માટે નિ:સહાય‎

ભરૂચ જિલ્લામાં એસઆઈઆરની કામગીરી હવે પૂર્ણ થવા તરફ જય રહી છે. ત્યારે હાલ બીએલઓને કેટલાક સહાયકો ફાળવવામાં આવ્યા છે. ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમે કેટલાક બીએલઓ અને સહાયકો સાથે વાતચીત કરીને હાલની પરિસ્થિતિ જાણવાની કોશિશ કરી હતી. તેમાં જાણવા મળ્યું હતું કે, સહાયકો ફાળવતા બીએલઓની કામગીરી ઝડપી બની છે. પરંતુ કેટલાક લોકો ફોમ પરત આપી નહીં જતાં બીએલઓ લિસ્ટ બનાવીને તેમના ઘરે ઘરે જઈને ફોમ પરત લેવાની કામગીરી કરી રહ્યા છે. તો બીજી તરફ એક સહાયકે જણાવ્યુ હતું કે, બીએલઓ માટે વળતર નક્કી કરવામાં આવ્યું પણ સહાયક માટે વળતરની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. અને બીએલઓ તમામ કામગીરી સહાયક પાસે દબાણ કરીને કરાવવામાં આવે છે. તેવું જણાવવામાં આવ્યું હતું. એક બીએલઓએ કામગીરી માટેના 50 જેટલા ફોર્મ ભરીને ઓનલાઈન કરવા માટે મામલતદાર માં આપ્યા ને 11 જેલા દિવસ વિત્યા છતાં ઓનલાઈન કરવામાં આવ્યા નથી તેવી માહિતી આપી હતી. હાલ 2002 ની યાદીમાં નામ, માતા-પિતા કે દાદા-દાદીની નામ નહીં હોય તો જન્મ પ્રમાણપત્ર સહિત 12 પુરાવામાં થી એક પુરાવો ફરજિયાત માગવામાં આવ્યો છે. સહાયક: ઉપરથી સહાયક તરીકે તમામ કામગીરી મારી પાસે કરાવવામાં આવે છેમને સહાયક તરીકે મૂકવામાં આવી છે પણ સહાયક તરીકેના કોઈ હુકમ આપવામાં આવ્યા નથી. ફક્ત ફોન કરીને જણાવવામાં આવ્યું હતું. ઉપરથી સહાયક તરીકે મુક્તા બીએલઓ બધું કામ મારી પાસે કરાવે છે. અને બીએલઓને ઉપરથી કામગીરી માટે દબાણ કરતાં બીએલઓ મને કામગીરી માટે દબાણ કરી રહ્યા છે. બીએલઓ-2: સહાયકો આપતા કામ‎ઝડપી બનતાં 96 ટકા કામગીરી પૂર્ણ‎એસઆઈઆરની કામગીરી માટે શરૂઆતમાં ઘણી તકલીફ પડી હતી. પણ સહાયકો આપતા કામ ખૂબ ઝડપી બનતા 96 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હાલ જે લોકોના નામ, વાલીના નામ કે દાદા-દાદીના નામ 2002ની યાદીમાં નહીં હોય તેમની પાસે પુરાવા લેવા માટે કહેવામા આવ્યું છે. કામગીરી માટે દબાણ કરવા આવતું નથી જેથી રાત્રિના ઊંઘ પણ સારી આવી રહી છે. સરકારે સહાયકોની ફાળવણી કરતાં સરની કામગીરી ઝડપી બની‎બીએલઓની કામગીરી માટે અમને સહાયકો ફાળવ્યા છે જે અમને મદદ રૂપ થઇ રહ્યા છે. જેના કારણે કામગીરી ઝડપી બની છે. 2002ના લિન્ક વગરનાનું જન્મનું પ્રમાણપત્ર ફરજિયાત માગવામા આવ્યું છે. જેથી લોકોને અમે ફોન કરીને પ્રમાણપત્ર માગી રહ્યા છે. લોકો ફોર્મ આપવા આવી રહ્યા નથી જેથી તેઓની લિસ્ટ બનાવીને ઘરે ઘરે જઈને ફોર્મ લાવવા પડશે. ઉપરથી 4 ડિસેમ્બર સુધી કામગીરી પૂરી કરી આપવા માટે જણાવવામાં આવ્યું છે. થય શકે તેમ લાગતું નથી હજુ 226 જેટલા ફોમ લેવાના બાકી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:26 am

ભાસ્કર એનાલિસિસ:બેચલર ઓફ આર્કિટેક્ટ: છેલ્લાં પાંચ વર્ષમાં વિદ્યાર્થિનીઓની સંખ્યા 23 ટકા સુધી વધી

એસીપીસી (એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ)એ હાથ ધરેલી બેચલર ઓફ આર્કિટેક્ટ(બી આર્ક)ની શૈક્ષણિક વર્ષ 2025-26ના વર્ષ માટેની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જેમાં છેલ્લા પાંચ વર્ષોમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ સંખ્યામાં નોંધપાત્ર વઘારો થયો છે. પ્રવેશ મેળવનારા છોકરા- છોકરીઓમાંથી પણ છોકરીઓમાં પ્રવેશને લઈને વિશેષ ઝોક જોવા મળી રહ્યો છે. ક્રિએટિવ સેટિસફેક્શન અને વ્હાઈટ કોલર સોફ્ટ બ્રાન્ચ હોવાના કારણોસર પ્રવેશમાં છોકરાઓની તુલનાએ છોકરીઓનું પ્રમાણ વધારો જોવા મળ્યો છે. છેલ્લાં 5 વર્ષો 2021થી 2025 દરમ્યાન હાથ ધરાયેલી પ્રવેશ પ્રક્રિયામાં પ્રવેશ મેળવનારી છોકરીઓની ટકાવારી વધીને 54 ટકાથી 60 ટકા સુધી પહોંચી છે. જ્યારે 2021થી 2025ના વર્ષમાં છોકરાઓ- છોકરીઓની ઓવરઓલ પ્રવેશની ટકાવારી 61 ટકાથી વધીને 85 ટકા સુધીની થઈ ગઈ છે. એસીપીસીએ 20 જેટલી આર્કિટેક્ટ કોલેજોની 1232 બેઠકો પરની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરી હતી. જે અંતર્ગત કુલ 1051 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાતા પ્રવેશની ટકાવારી 85 ટકાની થઈ છે. એન્જિનિયરીંગની તુલનાએ બી આર્કની બ્રાન્ચ સોફ્ટ બ્રાન્ચ છે. જેમાં ડિઝાઈનિંગ વર્ક વધારે હોય છે. છોકરીઓ આ વર્ક ઓફિસમાં બેસીને કરી શકે છે અને વળી કોર બ્રાન્ચ સિવિલ એન્જિનિયરીંગમાં ફીલ્ડ વર્ક હોય છે.’ છેલ્લાં પાંચ વર્ષમાં સરકારી-ખાનગી કોલેજોની સ્થિતિ વર્ષ સરકારી સીટ પ્રવેશ ખાનગી કુલ સીટ પ્રવેશ ટકા 2025 2 100 66 18 1132 985 85.30 2024 2 87 67 18 1262 859 68.64 2023 2 88 71 19 1308 741 58.16 2022 2 88 73 19 1316 745 58.26 2021 2 88 82 21 1408 841 61.69 ઇનહાઉસ જોબ હોવાથી છોકરીઓને વધુ પસંદછોકરીઓને ક્રિએટિવ ફીલ્ડ પસંદ હોવાથી તેઓ છોકરાઓની તુલનાએ વધુ પ્રમાણમાં બી આર્કનો કોર્સ પસંદ કરે છે. કોઈ પણ છોકરાને બી આર્કનુ શિક્ષણ મેળવ્યા પછી આર્થિક સ્થિરતા મેળવીને સેટલ થવુ ખૂબ જ જરૂરી હોય છે. આર્કિટેક્ટના સેલ્ફ ફાઈનાન્સ કોર્સની ફીનુ વાર્ષિક ધોરણ 1 લાખથી 4 લાખ જેટલુ હોય છે, આ ફીનુ ધોરણ સામાન્ય પરિવારના છોકરાઓ પરવડતું નથી. આર્થિક રીતે સદ્ધર છોકરીઓને બી આર્ક બાદ ફોટોગ્રાફી, જર્નાલિઝમ કરી શકે છે. (આર્કિટેક્ટ કોલેજના પ્રિન્સિપાલ ડો રમન જ્યોત શ્રીવાસ્તવાના જણાવ્યાં પ્રમાણે ) - એક્સપર્ટ

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:25 am

પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન:બીજામૃત અને જીવામૃત અંગે 125 ખેડૂતોને તાલીમ અપાઇ

ભરૂચ તાલુકાનાં શાહપુરા અને અંકલેશ્વરના સુરવાડી ગામે પ્રાકૃતિક ખેતી કરવા માટે ઇચ્છા ધરાવતા 125 જેટલા ખેડૂતોને સત્પાલભાઈના સુપરવિઝન હેઠળ તાલીમ આપવામાં આવી હતી. જેમાં પ્રાકૃતિક ખેતીના પાયાના પાંચ આયામો વિશે ખાસ સમજણ આપવામાં આવી હતી. જેમાં રવિ પાક અને બાગાયતી પાકો સફળતાપૂર્વક કરી શકાય તે માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં બંને ગામમાં તાલીમાર્થી ખેડૂતોને લાઈવ નિદર્શન કરીને બીજામૃત અને જીવામૃત કઈ રીતે બનાવવું અને તેમાં શું કાળજી રાખવી તેમજ બીજામૃત અને જીવામૃતનો કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો તે વિષય પર વિશિષ્ટ ભાર મૂકવામાં આવ્યો હતો. રાસાયણિક ખેતીની જમીન, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય પર થતી ગંભીર સમસ્યાઓનું દુષ્પરિણામો વિશે જણાવવામાં આવ્યું હતું. સાથે સ્વદેશી અભિયાન અંતર્ગત ખેડૂતોએ સ્વદેશી ચીજ વસ્તુઓ અને સેવાઓ ઉપયોગ કરીને દેશના આર્થિક વિકાસમાં સહયોગ આપવા સપત લેવામાં આવી હતી. ખેડૂતો સ્વદેશી રીતે અને પ્રકૃતિ માંથી મળતા આયમોથી પ્રાકૃતિક રીતે ખેતી કરતા થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. તાલીમનું આયોજન કૃષિ સખી અને કોમ્યુનિટી રિસોર્સ પર્સન સીઆરપીના સંયુક્ત ક્રમે યોજાયું હતું. પ્રાકૃતિક ખેતી ઉત્પાદનનું વેચાણ માટે 49 વેચાણ કેન્દ્ર કાર્યરતજિલ્લામાં પ્રાકૃતિક ખેતી ઉત્પાદનનું વેચાણ કરવા માટે 49 વેચાણ કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે. જ્યાં ખેડૂતો તેમની પ્રાકૃતિક રીતે ઉગાડેલા પાકનું ઊંચી કિમતે વેચાણ કરી શકે છે. જિલ્લામાં પ્રાકૃતિક ખેતી પાકમાં મુખ્ય પાકોમાં તુવેર, કપાસ, શેરડી, શાકભાજી, ફળ પાકો અને કઠોળ સહિતના પાકો કરવામાં આવે છે. જેના વેચાણ માટે પણ આત્મા વિભાગે આયોજન કર્યું છે. પ્રાકૃતિક ખેતી કરવાથી ખેડૂતને શું લાભ થશે‎પ્રાકૃતિક રીતે ખેતી કરવાથી ખેડૂતોનો ખર્ચ શૂન્ય થઈ જાય છે. સાથે જમીનની ફળદ્રુપતા માં‎વધારો થાય છે. ખેડૂતો જાતે દેશી ગાયના મળ મૂત્ર માંથી પ્રાકૃતિક ખાતર અને દવા‎બનાવી શકે છે. દેશી ગાય પાળતા ખેડૂતોને દર મહિને રૂ.900 ની સહાય આપવામાં આવે‎છે. તેમજ પ્રાકૃતિક રીતે ખેતી કરીને પકવેલા પાકમાં પોસ્ટિક નું પ્રમાણ પણ વધુ હોય છે.‎

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:22 am

અદૃશ્ય ઘા:અકસ્માતથી તો બચી ગયા, પણ આજેય રોડ પર ધબકારા વધી જાય છે, સિવિલમાં મહિને 4થી 5 લોકો કાઉન્સેલિંગ માટે આવે છે

અકસ્માતોના વધી રહેલા કેસ વચ્ચે હવે લોકો શારીરિક નહીં, માનસિક ‘ઇજા’ સાથે હોસ્પિટલ પહોંચી રહ્યા છે. ટુવ્હીલરચાલકો અને પરિવાર સાથે મુસાફરી કરનારામાં અકસ્માત બાદ ગભરામણ, ઊંઘ તૂટવી, મોટા અવાજથી ચોંકી જવું, વાહન નજીક આવે ત્યારે ડર વધવો જેવા પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (પીટીએસડી) લક્ષણો વધી રહ્યા છે. સોલા, અસારવા સિવિલમાં દર મહિને 4-5 દર્દી નોંધાય છે. કિસ્સો-1 : બસ અથડાતાં રહી ગઈ હતી, આજે તેના અવાજ માત્રથી ધ્રૂજી ઊઠું છુંબે મહિના પહેલાં જ્યારે બસ એક ફૂટના અંતરે આવી ત્યારે જાણે મોત દેખાઈ ગયું. ત્યારથી સ્કૂટર પર બેસવું તો દૂર, રસ્તા પર નીકળતાં જ ધબકારા વધી જાય, બસનો અવાજ સાંભળતાં શરીર કંપી જાય અને રાત્રે ઊંઘ ઊંડી જાય છે. ડર એટલો વધી ગયો છે કે કેબ-રિક્ષા પર નિર્ભર થવું પડ્યું. કાઉન્સેલિંગ અને શ્વાસની કસરતો બાદ ધીમે ધીમે ફરી સ્કૂટર ચલાવી રહી છું. - યુવતી કિસ્સો-2 : માથામાં ઇજા થઈ ત્યારથી ડર પેસી ગયો, બાઇક પર બેસવાનું બંધ કર્યુંએસજી હાઈવે પરનો અકસ્માત આજે પણ મને હચમચાવી દે છે. અચાનક પાછળથી કાર અથડાઈ અને અમે પડી ગયા. દીકરાના માથા પર લાગેલી ઈજાએ અમારી દુનિયા હચમચાવી દીધી. ત્યાર બાદથી તે બાઈક દેખાતાં જ રડી પડતો. બાઇક પર બેસવાનું બંધ કરી દીધું હતું. કાઉન્સેલિંગથી હવે થોડી શાંતિ મળી રહી છે. મારી હિંમત પાછી મેળવી રહ્યો છું. - નોકરિયાત પીટીએસડીમાં મગજ કોઈ ઘટનાને સુરક્ષિત હોવા છતાં જોખમી માને છેપીટીએસડીમાં મગજ એ ઘટના સુરક્ષિત હોવા છતાં જોખમી તરીકે જ સ્વીકારે છે. તેની સારવારમાં અમે ટ્રોમા સંબંધિત વાતચીત થેરાપી, શ્વાસ નિયંત્રણ પદ્ધતિ અને જરૂર પડે તો દવા આપીએ છીએ. 6થી 8 સેશનમાં મોટા ભાગના દર્દીઓને 60 ટકા સુધી રાહત મળે છે. ગંભીર કેસોમાં 2થી 3 મહિના સુધી સતત સારવાર જરૂરી છે. - ડો. દીશા વસાવડા, ક્લિનિક ઇન્ચાર્જ પીટીએસડીનાં સામાન્ય લક્ષણોઅકસ્માતની યાદો વારંવાર આવવી - રાત્રે ઊંઘ તૂટી જવી અથવા ડરી જવું - કોઈ મોટો અવાજ સાંભળતાં ચોંકી જવું - કામમાં ધ્યાન ન રહેવું - બેચેની અને ચિંતા વધવી

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:21 am

વાયુસેનાની આકાશગંગા ટીમ પેરાગ્લાઇડિંગ કરશે‎:ભરૂચમાં શનિ અને રવિવારના‎રોજ હેલિકોપ્ટરનો એર - શો‎

ભરૂચમાં શનિવાર અને રવિવારના રોજ વાયુસેનાની સારંગ હેલિકોપ્ટર ટીમ અને આકાશગંગાની પેરા ગ્લાઇડિંગ ટીમ તેના કરતબો બતાવશે. બંને દિવસે સવારે 9.30 થી 11.30 વાગ્યા સુધી એર શો યોજવામાં આવશે. ભારતીય વાયુસેનાની વિશ્વ પ્રસિદ્ધ સારંગ હેલિકોપ્ટર એરોબેટિક ટીમ તેમજ આકાશગંગા સ્કાઈડાઇવિંગ ગુજરાતમાં પ્રથમ તેનો એર શો કરવા જઇ રહી છે. સંરક્ષણ ક્ષેત્રમાં કારર્કિદી બનાવવા માગતા યુવાનોને પ્રોત્સાહન મળે તે માટે આ એર શોનું આયોજન કરાયું છે. 7 ડિસેમ્બરનો દિવસ ભારતમાં સશસ્ત્ર દળો ધ્વજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેનો હેતુ દેશના સૈનિકો, ભૂતપૂર્વ સૈનિકો તથા શહીદ વીર જવાનોને સન્માન આપવાનો છે. આ એર શો અમરતપુરા પાટીયા પાસે બની રહેલી હવાઇ પટ્ટી ખાતે યોજાશે. ભારતીય વાયુસેનાના મકરપુરા એરફોર્સ સ્ટેશનના વીંગ કમાન્ડર આર્દશ ઠાકુર અને મહિલા અધિકારી નંદીની સહિત બીડીએમએ તથા ભરૂચ સિટીઝન કાઉન્સીલના હોદ્દેદારો હાજર રહયાં હતાં. ભાસ્કર ગાઇડ‎ભરૂચ તરફથી જતા વાહનોએ રાજપીપળા‎‎ચોકડી પાસેથી યુ ટર્ન લેવો પડશે‎અમરતપુરા એર શોના સ્થળે પહોંચવા માટે ભરૂચથી જતાં લોકોએ નેશનલ હાઇવે 48 પરથી રાજપીપળા ચોકડી પાસે પહોંચી ત્યાંથી યુ ટર્ન લેવાનો રહેશે. રાજપીપળા ચોકડીથી અમરતપુરા આવતી વેળા ત્રણ દરવાજા બનાવવામાં આવ્યાં છે. એક ગેટ પરથી વાહનો પાર્કિંગમાં જઇ શકશે. બીજા ગેટ પરથી અધિકારીઓ તથા ઇમરજન્સીના વાહનો જઇ શકશે જયારે ત્રીજા ગેટ પરથી દર્શકો જઇ શકશે. ‎કાર્યક્રમની રૂપરેખા‎સવારે 9.30 થી 10.45 : રિમોટ કંટ્રોલ્ડ એરો મોડેલ શો સવારે 11 થી 11.30 : સ્કાઇ ડાઇવિંગ અને સારંગ હેલિકોપ્ટર ડીસ્પ્લે

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:19 am

વેધર રિપોર્ટ:ભરૂચનું લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી ઘટી જતાં ઠંડી વધી ગઇ

ભરૂચ જિલ્લામાં લઘુત્તમ તાપમાન એક જ દિવસમાં 5 ડિગ્રી ઘટી જતાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા બે દિવસથી ઠંડીનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે. જેના કારણે લોકો ફરી ગરમ કપડાં પહેરીને વહેલી સવારે જતા નજરે પડ્યા હતા. આમ જિલ્લામાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન ઘટીને 30 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ઘટીને 16 ડિગ્રી નોંધાયું છે. ભેજનું પ્રમાણ વધીને 40 થી 85 ટકા અને પવનની ગતિ 12 કિમી પ્રતિ કલાકની રહી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન 19 થી 20 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા સેવાઇ રહી છે. તેથી આગામી દિવસમાં ઠંડીનો ચમકારો વધુ અનુભવાશે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:17 am

ભાસ્કર વિશેષ:50 પૈસામાં કસરત : કોમનવેલ્થની તૈયારી કરાવતા અમદાવાદના અખાડા

કાંકરિયા તળાવના ગેટ નંબર 3થી અંદર પ્રવેશીએ તો પક્ષીઓના કલબલાટ વચ્ચે લોખંડની અથડામણનો ખડિંગ ખડિંગ અવાજ સંભળાય. એ અવાજ કાંકરિયાની 1938થી ચાલતી અંબુભાઈ પુરાણી વ્યાયામશાળાનો છે. અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત 40થી વધારે અખાડા રોજ હજારો યુવાનોને કસરત કરાવે છે. સૌથી મજાની વાત એ છે કે રોજની કસરતનો સરેરાશ ખર્ચ અડધા રૂપિયાથી પણ ઓછો થાય છે. કેમ કે વર્ષની ફી 160 જેવી જ છે. એમાંય બહેનો માટે તો એનાથીય ઓછી છે. જિમમાં મોંઘી ફી ભરી નથી શકતા એવા યુવાનો આવી વ્યાયામશાળામાં નિમયિત કસરત માટે આવે છે. એકલી કાંકરિયા શાળામાં જ રોજના 400થી વધારે કસરતાર્થીઓની હાજરી નોંધાય છે. ભારત સરકાર ફીટ ઈન્ડિયા મૂવમેન્ટ ચલાવે છે, ગુજરાતમાં કોમનવેલ્થ સહિતના રમતોત્સવનું આયોજન પણ થવાનું છે. એ વચ્ચે ચાલતા આ અખાડા હકીકતે તો રમતવીરોને મોકળું મેદાન પુરું પાડે છે. હા એ માટે આ અખાડાઓમાં થોડી સુવિધા વધે, થોડો પ્રચાર-પ્રસાર થાય અને ત્યાં કામ કરનારા ટ્રેઈનરોને વધારે પ્રોત્સાહન મળે એ પણ જરૂરી છે. પાંચ વખત મિસ્ટર ઈન્ડિયા, સાત વખત મિસ્ટર ગુજરાત રહી ચૂકેલા અને વિશ્વ કક્ષાએ બૉડી બિલ્ડિંગમાં ભાગ લઈ ચૂકેલા રજનિકાંત પરમાર અહીં જ તાલીમબદ્ધ થયા છે. છેલ્લા પંદરેક વર્ષમાં તેઓ 800થી વધારે યુવાનોને વિનામૂલ્યે તાલીમ આપીને શરીરસજ્જ કરી ચૂકયા છે. નિયમિત કેમ્પ પણ કરે છે. કેરળમાં તો ત્યાંની દેશી રમત દર્શાવતા અખાડા રીતસર પ્રવાસીઓને આકર્ષે છે અને સરકાર તેને બરાબર પ્રમોટ પણ કરે છે. અહીં આવતા ખેલાડીઓને આ સાધનો એટલા બધા માફક આવી જાય છે કે તેમને આધુનિક જિમમાં ફાવતું નથી. કાંકરિયાના આ અખાડામાં તો સદભાગ્યે શરીરના તમામ ભાગની કસરત થઈ શકે એવા પચ્ચીસેક પ્રકારના ઉપકરણો છે.ગુજરાતીઓની ઓળખ વેપારી પ્રજા તરીકેની છે. હવે તેમાં કરસતબાજ તરીકે ઉમેરો કરી શકાય એમ છે. કેમ કે આવા દેશી અખાડામાં અનેક યુવાનો સજ્જ થઈ રહ્યા છે. ઑલિમ્પિક અને કોમનવેલ્થ જેવા આંતરદેશી રમતોત્સવમાં પણ વેઈટ લિફ્ટિંગ સહિતની સ્પર્ધાઓ હોય છે, જેની પ્રાથમિક તૈયારી અહીં થાય છે. સ્પર્ધા ફરીથી શરૂ થવી જોઈએબારેક વર્ષ પહેલા આંતર અખાડા સ્પર્ધા થતી. મીનિ ઓલિમ્પિક જેવી એ સ્પર્ધાને કારણે જેમની પાસે આર્થિક સગવડ ઓછી છે એવા યુવાનોને ઘણું પ્રોત્સાહન મળતું હતું. એ સ્પર્ધા હવે બંધ છે. ફરીથી શરૂ થાય તો કોમનવેલ્થ જેવી રમતોના ખેલાડીઓ ઘરઆંગણે જ મળતાં થાય.’ - રજનીકાંત પરમાર, મિસ્ટર ઈન્ડિયા અને બૉડી બિલ્ડર

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:17 am

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી:ભરૂચમાં 2 કલાકમાં 50 લારી પર તપાસ ગંદકી બદલ 2 હજારનો દંડ

ભરૂચ શહેરના શકિતનાથ વિસ્તારમાં ઉભી રહેતી ખાદ્ય વસ્તુઓની લારીઓ તથા હોટલોમાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમોએ તપાસ હાથ ધરી હતી. 2 કલાકમાં 50થી વધારે લારીઓની તપાસ કરી સ્વચ્છતા જાળવવા નહિ બદલ 2 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. ફૂડ એન્ડ ડ્ગ્સ વિભાગે ચટણી, ખીરા સહિતની વસ્તુઓના નમૂનાઓ લઇને તપાસ માટે મોકલ્યાં છે. ભરૂચ નગર સેવા સદન તેમજ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ શહેરમાં ખાદ્ય સલામતી સુનિશ્ચિત કરવા માટે શક્તિનાથ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. શહેરમાં સતત વધતા સ્ટ્રીટ ફૂડના ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને લારીઓ અને ખાણીપીણીની દુકાનો પર વિગતવાર તપાસ કરવામાં આવી હતી. અધિકારીઓએ લારીઓ પર રાખવામાં આવતી સાફ સફાઈ, કચરાનાં વ્યવસ્થિત નિકાલ, ખાદ્યપદાર્થોની ગુણવત્તા તેમજ તેના સંગ્રહની પદ્ધતિ અંગે નિરીક્ષણ કર્યું હતું. કેટલીક જગ્યાએ થોડા સુધારા જરૂરી જણાતા માલિકોને તાત્કાલિક સૂચનાઓ આપવામાં આવી હતી. પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલના જણાવ્યા મુજબ 2 કલાકમાં 50થી વધારે લારીઓની તપાસ કરી સ્વચ્છતા જાળવવા નહિ બદલ 2 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. ફૂડ એન્ડ ડ્ગ્સ વિભાગે ચટણી, ખીરા સહિતની વસ્તુઓના નમૂનાઓ લઇને તપાસ માટે મોકલ્યાં છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:16 am

સુવિધા:નવી આધાર એપમાં ઘરેબેઠાં જ નામ, સરનામું- મોબાઇલ નંબર બદલી શકાશે

હવે તમે ઘેરબેઠાં આધાર કાર્ડમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર બદલી શકો છો. સરકારે નવી આધાર એપમાં આ સુવિધા શરૂ કરી દીધી છે તેમજ સરનામું, નામ અને ઇ-મેલ આઈડી પણ અપડેટ કરવાની સુવિધા ટૂંક સમયમાં શરૂ થશે. નવી ડિજિટલ સર્વિસની જાહેરાત આધારને રેગ્યુલેટ કરતી સંસ્થા યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ કરી છે. આ બદલાવ માટે યુઝર્સને કોઈ ડોક્યુમેન્ટની જરૂર પડશે નહીં. એપ પર OTP વેરિફિકેશન અને ફેસ ઓથેન્ટિકેશનથી બધું જ બદલી શકાશે. આ સર્વિસથી દૂરના વિસ્તારોમાં રહેતા લોકો, સિનિયર સિટિઝન અને સ્થળાંતર કરનારાઓને સરળતા રહેશે. હવે આધાર કાર્ડમાં નોંધાયેલો મોબાઇલ નંબર બદલવા માટે તમારે કોઈ સેન્ટર જવાની જરૂર નહીં પડે. UIDAIએ નવી આધાર એપમાં મોબાઇલ નંબર અપડેટ કરવાની સુવિધા સત્તાવાર રીતે શરૂ કરી છે. સાથે જ નામ, સરનામું અને ઈ-મેલ આઈડી બદલવાની સેવા પણ જલદી જ ઉમેરવામાં આવશે. આ નવી સર્વિસનો સૌથી મોટો ફાયદો એ છે કે યુઝરને કોઈ દસ્તાવેજ અપલોડ કે સબમિટ કરવાની જરૂર નથી. એપમાં માત્ર OTP વેરિફિકેશન અને ફેસ ઓથેન્ટિકેશનથી અપડેટ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. અંતરિયાળ વિસ્તારોના લોકો, વયસ્ક નાગરિકો અને વારંવાર સ્થળ બદલતા લોકો માટે આ સેવા ખાસ ફાયદાકારક બનશે. આધાર કાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ શા માટે જરૂરી છે?આધાર કાર્ડ દેશની સૌથી મોટી ઓળખ સેવા છે, જેમાં 130 કરોડથી વધુ લોકોનો ડેટા જોડાયેલો છે. મોબાઇલ નંબર એનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ છે, કારણ કે એનાથી OTP દ્વારા બેંક એકાઉન્ટ, સરકારી સબસિડી, ઇન્કમટેક્સ વેરિફિકેશન અને ડિજિટલ સેવાઓ જેવી કે ડિઝીલોકર સુધી એક્સેસ મળે છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:16 am

ટ્રાફિકની સમસ્યા વકરી:અંકલેશ્વર હાઇવે પર ફરી એક વખત‎ટ્રાફિકજામ, 4 કિમી સુધી કતાર લાગી‎

અંકલેશ્વરમાં આવેલો આમલાખાડીનો સાંકડો બ્રિજ ટ્રાફિકનું એપી સેન્ટર બની ગયો છે. ફરી એક વખત વડોદરાથી સુરત તરફ જતી લેનમાં 4 કિમીનો ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. ટ્રાફિકજામમાં અટવાયેલા વાહનોના કારણે હવા પ્રદૂષણમાં વધારોથયો હતો. વાહનોના ધૂમાડાના કારણે હવામાં ઉડતી રજકણો ( પીએમ) 2.5 અને 10ના પ્રમાણમાં વધારો થયો હતો. આમલાખાડી પાસેનો સાંકડો બ્રિજ વાહનચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગયો છે. સપ્તાહમાં 3 થી 4 દિવસ આમલાખાડી બ્રિજથી વર્ષા હોટલ સુધી વાહન કતાર લાગી રહી છે. આ અંતર વચ્ચે બે -બે ચોકડીના ઓવરબ્રિજ હોવા છતાં ટ્રાફિક સમસ્યા નું નિર્માણ થાય છે. સ્થાનિક વાહન કરતા અંકલેશ્વર માંથી પસાર થતા વાહન કતાર લાગી જવા પામે છે. બુધવારના રોજ પણ ચાર કિમી સુધી વાહનોની કતાર લાગી ગઇ હતી. ભરૂચ અને વડોદરાને જોડતા નેશનલ હાઇવે પર મોટા ભાગના બ્રિજ સાંકડા પડી રહ્યા હોવાથી ટ્રાફિક જામની સમસ્યા દિવસે દિવસે વિકટ બની રહી છે. 4 કિમીનું અંતર કાપતા 90 મિનિટ લાગે છેઆમલાખાડી બ્રિજ પાસે થતાં ટ્રાફિકજામના કારણે ચાર કિમીનું અંતર કાપતા 90 મિનિટનો સમય લાગી રહયો છે. ચાર કિમીનું અંતર કાપતા વાહનચાલકોને વધારે સમય લાગી રહયો છે. વાહનો ચાલુ રાખવામાં આવતાં હોવાથી તેમાંથી નીકળતાં ધૂમાડાઓ હવાનું પ્રદૂષણ વધારી રહયાં છે. ઉદ્યોગો ચીમનીઓ ચાલુ રાખતાં હોવાથી હવા પ્રદૂષણ વધી રહયું છે તેવામાં વાહનોના ધૂમાડાઓ પ્રદૂષણની માત્રા વધારી રહયાં છે. એક સપ્તાહથી એકયુઆઇ 150ને પાર કરી ગયો છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:15 am

નબળી કામગીરી:વડાલી-ખેડબ્રહ્મા હાઈવે પર રેલવે અન્ડરબ્રિજની સમારકામ કરેલી જાળી 10 દિવસમાં ફરી તૂટી ગઈ

વડાલી-ખેડબ્રહ્મા હાઈવે પર નવનિર્મિત રેલવે અન્ડરબ્રિજની ગુણવત્તા અને તંત્રની બેદરકારી ફરી એકવાર છતી થઈ છે. માત્ર ચાર મહિના અગાઉ જ લોકો માટે ખુલ્લો મુકાયેલો આ અન્ડરબ્રિજ તંત્રના ‘ભ્રષ્ટ કારોબાર’ નું જીવતું જાગતું ઉદાહરણ બની ગયો છે. ​અન્ડરબ્રિજમાં પાણીના નિકાલ માટે લગાવવામાં આવેલી જાળી 10 દિવસ પૂર્વે તૂટી જતાં દિવ્ય ભાસ્કરે અહેવાલ પ્રકાશિત કર્યો હતો. મીડિયામાં સમાચાર આવતાં તંત્રએ તાત્કાલિક જાળીનું સમારકામ કરીને સંતોષ માની લીધો હતો. હદ તો ત્યાં થઈ કે, તંત્રએ કરેલું આ હલકું સમારકામ માત્ર 10 દિવસમાં જ ફરી તૂટી પડ્યું છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:09 am

દારૂનો મોટો જથ્થો પકડાયો:મોડાસાના દાવલી પાસે ટ્રકમાંથી રૂ. 15.19 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

મોડાસા તાલુકાના દાવલીમાંથી પસાર થતાં શામળાજી-હિંમતનગર હાઇવે ઉપરથી ચિનાઈ માટીની આડમાં રૂ.15 .19 લાખનો વિદેશી દારૂ બિયરનો જથ્થો ભરીને પસાર થઈ રહેલી ટ્રકને એલસીબીએ ઝડપી પાડી ચાલક સહિત બે શખ્સોની અટકાયત કરીને વોન્ટેડ આરોપીની શોધખોળ હાથ ધરી છે. એલસીબીનો સ્ટાફ પોલીસ ઇન્સ્પેક્ટર એમએચ ઝાલાના નેતૃત્વ હેઠળ પેટ્રોલિંગમાં હતો. બાતમી આધારે રાજસ્થાનથી ટ્રક નંબર આરજે 09 જીઈ 28 78માં ચાલક વિદેશી દારૂનો જથ્થો ભરીને જતાં અટકાવીને તેની તલાસી લેતા દારૂ બિયરની પેટી નંગ 145 મળી હતી. પોલીસે રૂ.1519 440ની કિંમતની વિદેશી દારૂની બોટલ ટીન નંગ 29 04 અને ચિનાઈ માટી મોબાઇલ તેમજ ટ્રક સહિત 3052874નો મુદ્દામાલ કબજે લઈ ચાલક લક્ષ્મણ લાલ કિશન લાલજી કિર રહે હપા ખેડી નિકુમ જિલ્લો ચિત્તોડગઢ અને નરેન્દ્ર ભાઈ બાલકિશન માંગીલાલ રાવ રહે નપાવલી જિલ્લો ચિત્તોડગઢ અને વોન્ટેડ આરોપી પપ્પુ લાલ રામલાલ કિર રહે નપાવલી નીકુમ તાલુકો ભદ્રેશર જિલ્લો ચિત્તોડગઢ રાજસ્થાન સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:09 am

સ્વચ્છતા પાછળનો ખર્ચ પાણીમાં ગયો:મોડાસા નગરપાલિકાનો ખાડે ગયેલો વહીવટ 180 સ્ટાફ, 25 વાહનો છતાં શહેરમાં ગંદકી

મોડાસા શહેર અરવલ્લી જિલ્લાનું હેડ ક્વાર્ટર બન્યું હોવા છતાં, નગરપાલિકાના અણઘડ વહીવટને કારણે ચારે તરફ ગંદકીને લઈ ટીકાનું પાત્ર બની છે. વડાપ્રધાન દ્વારા સ્વચ્છ ભારત મિશન ચલાવાઈ રહ્યું છે, ત્યારે મોડાસામાં સ્વચ્છતાનો અભાવ હોય તેવો ઘાટ સર્જાયો છે. મોડાસા પાલિકાના ચીફ ઓફિસર ભદ્રેશ પટેલના જણાવ્યા મુજબ, 9 વોર્ડમાં સફાઈ અને સેનિટેશન માટે 180 જેટલો સ્ટાફ અને 25 જેટલા વાહનો રાખવામાં આવ્યા છે. આમ જનતાના ટેક્સના લાખો રૂપિયા સફાઈ પાછળ ખર્ચ થઈ રહ્યા છે. પગાર, ડીઝલ વગેરે મળીને સેનિટેશન પાછળ દર મહિને ₹ 20 લાખ ઉપરાંતનો ખર્ચ કરવામાં આવે છે. આટલો મોટો ખર્ચ થવા છતાં પણ મોડાસા શહેરમાં નર્કાગાર જેવી સ્થિતિ છે. શહેરીજનોને લાગે છે કે તેમના ટેક્સના પૈસા પાણીમાં ગયા છે, કારણ કે તેમને સુવિધાના નામે મીંડું મળે છે. ગંદકીનું સામ્રાજ્ય ઉત્સવ વેલી સોસાયટી, ખેર સર્કલ, રામપાર્ક ગ્રાઉન્ડ વિસ્તાર જેવી અનેક જગ્યાઓએ ઊભું થયું છે. એટલું જ નહીં, અરવલ્લી જિલ્લા કલેક્ટર, પોલીસ વડા અને જિલ્લા વિકાસ અધિકારી જેવા મુખ્ય વહીવટકર્તાઓના નિવાસ્થાનની આસપાસ પણ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. યોગ્ય સફાઈના અભાવે શહેરમાં રોગચાળો ફેલાય તેવી પ્રબળ શક્યતા ઊભી થતાં, નગરપાલિકાના વહીવટ સામે ઉગ્ર આક્રોશ ઊભો થયો છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:08 am

કાર્યવાહી:વાવડી ગામે ખનિજ વિભાગે લાઇમ સ્ટોન ખનન સામે કાર્યવાહી કરી

વાવડી ગામે ગેરકાયદેસર રીતે ચાલતા લાઇમસ્ટોન (બેલા)ના ખનનની કામગીરી સામે કાર્યવાહી હાથ ધરી હતી. જિલ્લામાં થતી બિનઅધિકૃત ખનિજ વહન - ખનન - સંગ્રહની પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા ભૂસ્તર વિજ્ઞાન અને ખાણ ખનિજ વિભાગ બોટાદ દ્વારા કરવાહી કરવા આવી રહી છે. આ અંતર્ગત ગઢડાના વાવડી ગામ ખાતે આકસ્મિક તપાસ દરમિયાન બિલ્ડીંગ લાઇમસ્ટોન (બેલા) ખનિજનું ખાણ કામ ચાલુ જોવા મળતા સ્થળ ઉપરથી પથ્થર કાપવાની ચકરડી 3, ટ્રેક્ટર 3 મળીને આશરે રૂપિયા પાંત્રીસ લાખનો મુદામાલ સીઝ કરીને કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી બી. એમ. જાલોંધરાએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:08 am

ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું:ઇડરના સપ્તેશ્વર મહાદેવ મંદિર નજીક શૌચાલયની ગંદકીથી દર્શનાર્થીઓ પરેશાન

ઇડરના સપ્તેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલા શૌચાલયની ગંદકીથી દર્શનાર્થીઓ પરેશાન થઇ રહ્યા છે. ઇડરના સપ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે હજારોની સંખ્યામાં દરરોજ લોકો દર્શનાર્થે આવતા હોય છે. પરંતુ શૌચાલયની ગંદકીના કારણે ભકતોમાં આ બાબતને લઇને નારાજગી જોવા મળી રહી છે. સપ્તેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલા શૌચાલયમાં સમયસર સાફસફાઇ કરવામાં આવતી નથી. જેથી શૌચાલયમાં ગંદકીના ઢગ જોવા મળી રહ્યાં છે. તો હાથ ધોવાના વોશબીશીનમાં પણ પાણીની સગવડ નથી તથા ટબમાં અહીં આવતા લોકો દ્વારા પાનની પિચકારીઓ મારવામાં આવી રહી છે અને ગંદકી ફેલાવવામાં આવી રહી છે. આ ઉપરાંત આ શૌચાલયમાં ટબ સાથે જોડાયેલી પાઇપો તૂટેલી હાલતમાં છે. તેમજ લોકો દ્વારા યુરિન કરાયા બાદ યુરિનના નિકાલની વ્યવસ્થામાં કચરો ભરાઇ રહેતો હોવાથી યુરિન નિકાલ થતુ નથી અને શૌચાલયમાં જ ભરાઇ રહે છે. જેની વાસના કારણે આસપાસમાંથી પસાર થતાં દર્શનાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, આ પરિસ્થિતિ માટે ફકત પ્રસાસન જ જવાબદાર નથી પરંતુ મંદિરમાં દર્શનાર્થે આવતા લોકો પણ એટલા જ જવાબદાર છે. કારણ કે તેમના દ્વારા જ આ ગંદકી ફેલાવામાં આવી રહી છે. તંત્ર દ્વારા યોગ્ય સાફસફાઇ પણ કરવામાં આવતી ન હોવાનું પણ કારણ છે. પ્રશાસનની આ બેદરકારી સામે સ્થાનિકો અને અહીં દર્શને આવતા ભક્તોમાં રોષ સહિત સફાઈ વ્યવસ્થા તાત્કાલિક સુધારવાની માંગ ઉઠી રહી છે તેમ રાજકમલસિંહે જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:07 am

ખેતી વિશેષ:મોડાસાના લચ્છાઈ પાસે ખેડૂતે ડ્રેગન ફ્રૂટ અને તાઇવાન જાતના જામફળની બાગાયતી ખેતી કરી પ્રેરણા રૂપ બન્યા

અરવલ્લી જિલ્લામાં પરંપરાગત ખેતીની જૂની પદ્ધતિઓને પડકારતાં, નવી પેઢીના ખેડૂતો આધુનિક અને બાગાયતી ખેતી અપનાવીને આર્થિક સમૃદ્ધિનો નવો દાખલો રચી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના મૂળ વતની મિતેષભાઈ જેમણે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ધોડિયા ગ્રામ પંચાયત વિસ્તારમાં લચ્છાઇ ગામે આશરે 18 એકર જમીનમાં ડ્રેગનફ્રૂટ અને છ એકર જમીનમાં તાઇવાન પ્રજાતિના જામફળ તેમજ બટાકાની વૈજ્ઞાનિક અને પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે. જે ખેડૂતો માટે પ્રેરણા રૂપ બની રહી છે મોડાસા તાલુકાના ધોડિયા ગામ પંચાયત વિસ્તારમાં આવેલા હીરા આ ફાર્મના મેનેજરે જણાવ્યું હતું કે, બાગાયત વિભાગના માર્ગદર્શન અને સતત સહયોગથી અમે અહીં આધુનિક તકનીકો અને પ્રાકૃતિક ખેતપદ્ધતિઓ અપનાવી છે. ખાસ કરીને તાઇવાન પ્રજાતિનું જામફળ અને ડ્રેગનફ્રૂટનું વાવેતર ખૂબ જ સફળ રહ્યું છે. હાલમાં જામફળનો પાક પણ બજારમાં પહોંચી રહ્યો છે અને બજારમાં તેની માંગ અને ભાવ બંને સારા મળી રહ્યા છે. આ સાથે જ 20-25 જેટલાં લોકોને રોજગારી પણ મળી રહી છે. આ સફળતા મિતેષભાઈની મહેનતની સાથે રાજ્ય સરકારના બાગાયત વિભાગની સક્રિય ભૂમિકાનું પણ મુખ્ય ગણવામાં આવી રહી છે. બાગાયતી વિભાગ દ્વારા ખેડૂતોને ટેકનિકલ માહિતી, ટ્રેનિંગ, ગુણવત્તાયુક્ત રોપા તેમજ સબસીડીની પ્રક્રિયામાં સહયોગ મળતા જેનાથી ખેડૂતોમાં નવા પાકો અપનાવવાની હિંમત અને આત્મવિશ્વાસ વધી રહ્યો છે. ખેડૂતે જણાવ્યું હતું કે આ ખેતીથી પાણીનો વધુ પડતો વપરાશ ઘટે છે, જમીનની ફળદ્રુપતા જળવાય છે અને બજારમાં મળતા ઊંચા ભાવને કારણે ખેડૂતોની આર્થિક રીતે પગ ભર થઈ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:06 am

ખેડૂતોને ભારે નુકસાની:બોટાદના ખેડૂતે 50 વીઘામાં વાવેલી ડુંગળી લોકોને મફતમાં આપી દીધી

ડુંગળીના પુરતા ભાવ ન મળતા બોટાદના ખેડૂત મનસુખ ભાઈ મગનભાઈ પરમારે પોતાના 50 વીઘાના ખેતરમાં વાવેલ ડુંગળીનો પાક લોકોને મફતમાં આપવાનું શરૂ કરતા મોટી સંખ્યામાં લોકો ખેડૂતના ખેતરે પહોંચી જરૂરિયાત મુજબ જાતેજ ડુંગળી લઈ રહ્યા છે. ડુંગળીનો ભાવ પ્રતિ કિલો 3 થી4 રૂપિયા મળતો હોવાથી ખેડૂતને વાવેતરનો ખર્ચ પણ નીકળતો ન હોવાથી મનસુખભાઈ પરમાર એ તેના 50 વિઘાના ખેતરમાં વાવેળ ડુંગળી કાઢીને લોકોને મફત આપવાનો નિર્ણય કરતા મોટી સંખ્યામાં લોકો ખેડૂતના ખેતરે પહોંચી જરૂરિયાત મુજબ જાતેજ ડુંગળી લઈ રહ્યા છે. 50 વિઘા માં ડુંગળીનું વાવેતર કરતા તેમને એક વિઘે આશરે 25 હજાર રૂપિયા જેટલો ખર્ચ થયો હોવાનું તેઓએ જણાવ્યું હતું. ડુંગળીના ભાવ ના આવતા તેમને થયેલ ખર્ચ પણ વસૂલ કરવો મુશ્કેલ બન્યો છે. ડુંગળીના ભાવ ન મળવા બાબતે ખેડૂત મનસુખભાઈ પરમાર સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે ડુંગળીના ભાવ ગગડવા પાછળના કારણોમાં માવઠાને કારણે પાકને થયેલું નુકસાન અને સરકાર દ્વારા ડુંગળીની નિકાસ બંધ કરવાનો નિર્ણય મુખ્ય છે. આ પરિસ્થિતિને કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂત મનસુખભાઈએ જણાવ્યું કે, જો સરકાર દ્વારા તેમને યોગ્ય મદદ મળે તો તેઓ ખેત શ્રમિકો ને પણ મદદ કરી શકે તેમ જણાવ્યું હતું. - મનસુખભાઈ પરમાર, ખેડૂત

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:06 am

ગેરરીતિ નાથવાનો પ્રયાસ:કુલપતિ દ્વારા કોલેજોમાં ગેરરીતિની રજૂઆતો મળતા વિશેષ ચાર ચાર સભ્યોની વિશેષ ચાર કમિટીઓ બનાવી

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન ઉત્તર ગુજરાતનું 600 થી વધુ કોલેજો મંજૂરી બાદ પણ દર વર્ષે થઈ રહેલી એલઆઇસી કમિટીની તપાસ માત્ર કાગળ ઉપર છે. ઉપરાંત અનેક કોલેજો નિયમ વિરોધ આડેધડ કોઈપણ સુવિધાઓ વગર ચાલી રહી હોવાની રજૂઆતો મળતા કુલપતિ દ્વારા હવે માત્ર રજૂઆત વાળી કોલેજે જ નહીં પરંતુ સંલગ્ન ઉત્તર ગુજરાતની તમામ કોલેજોમાં નિયમોના પાલનની સાથે શૈક્ષણિક સુવિધાઓ માટે જરૂરી તમામ સુવિધાઓ તેમજ સ્ટાફ સાથે શૈક્ષણિક માહોલ અને છાત્રોને અપાઈ રહેલ શૈક્ષણિક કાર્યની સ્થિતિ જેવા વિવિધ તમામ નવા કોમન એક્ટ અંતર્ગત જરૂરી બાબતોની ચકાસણી માટે વિશેષ ચાર ચાર સભ્યોની ચાર કમિટીઓ બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં મંજુર કરીને તૈયાર કરવામાં આવી છે. દરેક કમિટીમાં ચાર સભ્યો હશે. જેમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ એક સભ્ય, એક વિશેષ તજજ્ઞ અને કોલેજના પ્રોફેસર મળી આ 4 સભ્યોની એક ટીમ જિલ્લાની કે જિલ્લા બહારની કોઈપણ કોલેજમાં તપાસ માટે વિચાર કરીને કોલેજને માત્ર એક દિવસ પૂર્વે જ જાણ કરશે અને સ્થળ ઉપર તમામ ડોક્યુમેન્ટ અને જરૂરી સુવિધાઓ અંગેના પુરાવા સહિતની વિગતો ચકાસણી માટે તૈયાર રાખવા સૂચના આપશે. બીજા દિવસે જઈને આ ટીમ તેની ખરાઈ કરીને નિરીક્ષણ બાદ રિપોર્ટ તૈયાર કરશે જે કુલપતિને રજૂ કરવામાં આવશે. ભાસ્કર ઇનસાઇડ કોઈનું રજીસ્ટ્રેશન ખોટું , તો કોઈ પાસે સુવિધા કે સ્ટાફ‎નહી તેવી 14 કોલેજોની અરજી યુનિવર્સિટીમાં મળી છે‎યુનિવર્સિટી દ્વારા કોલેજોની તપાસ અંગે કમિટી બનાવવા અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે અલગ અલગ કોલેજો દ્વારા સામસામે અથવા વિરોધાભાસમાં કોલેજનું રજીસ્ટ્રેશન ખોટું હોવાનું , સ્થળ સુવિધાઓ ના હોવાનું , કોલેજ પાસે પોતાનું મકાન કે જમીન ના હોવાની તો સ્ટાફ કે સુવિધા ના હોવાના આક્ષેપો સાથેની તપાસ માટે કુલ 14 કોલેજો સામે અરજીઓ આવી છે. જે ના માટે કુલપતિ દ્વારા સ્પેશિયલ એક યુનિવર્સિટીના કુલપતિ સહિતના ચાર સભ્યોની કમિટી તપાસ માટે રચીને તપાસ શરૂ પણ કરી દેવામાં આવી છે. પરંતુ આ 14 જ નહીં અન્ય કોલેજોમાં અવારનવાર આક્ષેપો ઉઠતા હોય તમામ કોલેજોમાં તપાસ માટે આ ચાર અલગ કમિટીઓ બનાવી છે. કોલેજનો રિપોર્ટ નેગેટિવ હશે તો તેના જોડાણ રદ થશે‎કુલપતિ ડૉ.કે.સી.પોરિયાએ જણાવ્યું હતું કે‎‎આ કમિટી એક દિવસ પૂર્વે કોલેજને તમામ‎‎ડોક્યુમેન્ટ અને સ્ટાફ સાથે જરૂરી‎‎સુવિધાઓની ચકાસણી અંગે જાણ કરશે.‎બીજા દિવસે ટીમ સ્થળ ઉપર આખો દિવસ રોકાશે અને તમામ જરૂરી‎બાબતોનું નિરીક્ષણ કરીને રિપોર્ટ તૈયાર કરશે જેમાં ખાસ કરીને‎શૈક્ષણિક માહોલ અને સુવિધાઓ જે શરતો મુજબ નહીં હોય તો તેના‎નકારાત્મક રિપોર્ટ તૈયાર કરીને લાવશે અને તેના આધારે કોલેજની‎જોડાણ રદ કરવામાં આવશે. નવા શૈક્ષણિક વર્ષથી તેને સંખ્યા‎ફાળવણી કરાશે નહીં. આ રિપોર્ટ સરકારમાં રજૂ કરાશે.‎

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:02 am

કુલપતિના નામે ઠગાઈ:ઉ.ગુ.યુનિ.ના કુલપતિના નામનું ફેક વોટ્સએપ એકાઉન્ટ બનાવી સબંધીઓ પાસે પૈસા માંગ્યા

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં કુલપતિ ડૉ.કે.સી. પોરીયાએ જણાવ્યું હતુંકે વોટ્સ-એપ એપ્લિકેશનમાં 77839 33264 નંબર ઉપર મારા ફોટોનું પ્રોફાઈલ રાખીને પ્રોફેસરો તેમજ નજીકના સ્નેહીઓને વાતચીત કરવા માટે મેસેજ કરવામાં આવી રહ્યા છે. તેમની પાસે રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરવા માટે કહી રહ્યા છે. મારું બીજા કોઈ નંબર ઉપર એકાઉન્ટ નથી મારો પર્સનલ નંબર ઉપર જ છે. મારા નામ કોઈના ઉપર મેસેજ આવે અથવા કોઈ માંગણી કરે તો સ્વીકારવી નહીં. આ બાબતે તાત્કાલિક મને અને પોલીસનો જાણ કરવા અપીલ છે. ઓટીપી ના આવતો હોય સરળતાથી વોટ્સએપ ફેક એકાઉન્ટ બને છે , એપ્લિકેશનઓમાં પરમિશન આપવી નહીં : સાયબર એક્સપર્ટ પીઆઇ આર.એચ. સોલંકીએ જણાવ્યું હતું કે હાલના સમયમાં whatsapp એપ્લિકેશન માં કોઈપણ વ્યક્તિ સરળતાથી whatsapp ઉપયોગ કરી શકે છે. જેમાં તમારો પ્રોફાઈલ નો ફોટો પણ DP માં મૂકી શકે છે. આમાં કોઈ OTP ની જરૂર ના હોય લોકો ફેક એકાઉન્ટ બનાવે છે. એક એકાઉન્ટ થી બચવા માટે બને ત્યાં સુધી તમારો ફોટો પ્રોફાઈલમાં રાખવો નહી. સાથે કોઈપણ નવા નંબર ઉપરથી આવતા મેસેજ ની ખરાઈ કર્યા વગર વિશ્વાસ કરવો નહીં. જો કોઈ પૈસાની માગણી કરે તો આપતા પહેલા જે તે વ્યક્તિના નામ આપે તેને તેના પર્સનલ નંબર ઉપર ફોન કરીને વાતચીત કરી લેવી જોઈએ જેનાથી ખરાઈ થઈ શકે છે. સૌથી અગત્યનું મોબાઇલમાં અપલોડ કરવામાં આવતી એપ્લિકેશનઓમાં કેમેરા ગેલેરી જેવી મહત્વની પરમિશન આપવી નહીં જેનાથી તમે ફોર્ડથી બચી શકો છો.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:59 am

સન્માન:વડાલીના શારદા હાઇ સ્કૂલના આચાર્ય કૌશિક મહેતા શ્રેષ્ઠ આચાર્ય સન્માનિત

વડાલી સ્થિત શારદા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આચાર્ય કૌશિક મહેતાને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ નેતૃત્વ અને પ્રતિબદ્ધતા બદલ શ્રેષ્ઠ આચાર્યનો પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત કરાયો છે. આ સન્માન નવી દિલ્હી સ્થિત ઓલ ઇન્ડિયા પ્રાઇવેટ સ્કૂલ એસોસિએશન દ્વારા રાજકોટ ખાતે ગાર્ડી વિદ્યાપીઠ યુનિવર્સિટીમાં આયોજિત એક સમારોહમાં પ્રદાન કરવામાં આવ્યું હતું. આ પુરસ્કાર આચાર્ય મહેતાની શિક્ષણ પ્રત્યેની સમર્પણ ભાવના અને ઉત્કૃષ્ટ નેતૃત્વ ક્ષમતાને દર્શાવે છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ વડાલી વિસ્તાર અને શાળા પરિવારમાં ખુશીનો માહોલ છે. વડાલીના ન્યૂ એજ્યુકેશન ટ્રસ્ટના વડા ગંગારામ પટેલે આચાર્ય મહેતાને અભિનંદન પાઠવ્યા હતા અને આ સિદ્ધિને વડાલી વિસ્તાર માટે ગર્વની વાત ગણાવી હતી.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:58 am

હિંમતનગર:સા.કાં. જિલ્લા પંચાયત, હિંમતનગર તા. પં.નું રોટેશન જાહેર

ચાર દિવસ અગાઉ સાબરકાંઠા જિલ્લાની સાત તાલુકા પંચાયતમાં રોટેશન જાહેર થયા બાદ બુધવારે સાબરકાંઠા જિલ્લા પંચાયત અને હિંમતનગર તાલુકા પંચાયતની બેઠકોનું રોટેશન જાહેર કરાયું હતું. જેમાં જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકોમાં હિંમતનગર તાલુકાની સવગઢ બેઠક અને ઈડર તાલુકાની એક બેઠકની બાદબાકી થઈ છે જ્યારે હિંમતનગર તાલુકા પંચાયતમાં અપેક્ષા મુજબ જ સવગઢ અને કાકણોલ-2 બે બેઠકોની બાદબાકી થતા કુલ 28 બેઠકો થઈ છે જેમાં બળવંતપુરા બેઠકનું નામ નવા બેઠક થઈ ગયું છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:56 am

SIRની કામગીરી:સા.કાં.માં સરની કામગીરી 95થી 100 ટકા પૂર્ણ

સાબરકાંઠા સરની કામગીરી 95થી 100 ટકા પૂર્ણ થવા આવી છે. બી.એલ.ઓ.ને ચૂંટણી તંત્ર દ્વારા સહાયક અપાતા કામગીરીમાં ઝડપ આવી છે. જેના કારણે જિલ્લામાં સરની કામગીરી લગભગ પૂર્ણતાના આરે આવી છે. સાબરકાંઠા જિલ્લામાં મોટાભાગના બીએલઓની કામગીરી 95 ટકા જેટલી થઇ ગઇ છે. હાલમાં 1282 બીએલઓમાંથી 388 જેટલા બીએલઓએ 100 ટકા કામગીરી પૂર્ણ કરી દીધી છે. બી.એલ.ઓ.ને ચૂંટણી તંત્ર દ્વારા એમ્યુનરેશન ફોર્મ વિતરણ, ફોર્મ કલેકશન, એપમાં મેપિંગની કામગીરી સોંપવામાં આવેલી હતી. જેમાં ત્રણ દિવસમાં ફોર્મ વિતરણ કરીને ફોર્મ પરત મેળવવાના હતા. ત્યારબાદ તેનું ડીઝીટાઇઝેશન કરવાનું હતું. બી.એલ.ઓ.ને આ કામમાં માનસિક અને શારિરીક તકલીફ પડતાં ચૂંટણી તંત્ર દ્વારા સહાયકો મૂકવામાં આવ્યાં હતાં. જેના લીધે બી.એલ.ઓ.ની કામગીરી થોડી સરળ બની હતી. 1200 મતદારો ધરાવતા બીએલઓએ જણાવ્યું હતું કે, સહાયક મળવાથી ફોર્મનું કલેકશન ઝડપી થયું તથા તેનું મેપિંગ કરવામાં પણ ઝડપ આવવાથી સરની કામગીરીમાં ગતિ આવી જેના કારણે હાલમાં મારે 95 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઇ ગઇ છે . બાકીના પાંચ ટકા કામગીરી એકાદ બે દિવસમાં પુરી થઇ જશે. 800 મતદારની યાદી ધરાવતા બી.એલ.ઓ.એ જણાવ્યું કે, સહાયકના કારણે કામમાં ગતિ આવી છે. સહાયક અમને ઘણો ઉપયોગી સાબિત થયો છે. હાલમાં મારી કામગીરી લગભગ 100 ટકા પૂર્ણ થવા આવી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:55 am

કમોસમી માવઠાની અસર:અરવલ્લી જિલ્લામાં માવઠાની અસરના કારણે બટાકાના પાકની વાવણી મોડી થઈ રહી છે : ખેડૂતો

અરવલ્લી જિલ્લામાં કમોસમી માવઠાના કારણે શિયાળુ પાકોની વાવણીના સમયમાં માઠી અસર જોવા મળી રહી છે. અરવલ્લી જિલ્લામાં ગત નવેમ્બર માર્ચમાં અંદાજિત 15000 હેક્ટર કરતાં વધુ જમીનમાં બટાકાના પાકની વાવણી થઈ ચૂકી હતી. તેની જગ્યાએ કમોસમી માવઠાના કારણે ખેડૂતો બટાકાના પાકની વાવણીમાં મોડા પડતા જિલ્લામાં નવેમ્બર માસમાં 11,437 હેક્ટર જમીનમાં બટાકા આ પાકની વાવણી થઈ છે. માવઠાના કારણે મગફળીના પાકની વાવણી વાળા ખેતરોમાં ખેડૂતો સમયસર બટાકાના પાકની વાવણી ન કરી શકતા નવેમ્બર માસમાં જિલ્લામાં માત્ર 11,437 હેક્ટર જમીનમાં બટાકાના પાકને વાવણી થઈ છે. બાયડ તાલુકામાં અને ધનસુરા તાલુકામાં અને તેમાં ખાસ કરીને દોલપુર કંપામાં પણ આ વર્ષે ખેડૂતો બટાકાના પાકની વાવણીમાં મોડા પડ્યા હોવાનું જણાવી રહ્યા છે. ધનસુરા તાલુકામાં માત્ર 29 50 હેક્ટરજમીનમાં બટાકાના પાકની વાવણી થઈ છે. જ્યારે જિલ્લામાં સૌથી વધુ બાયડ તાલુકામાં 5,261 હેક્ટર જમીનમાં બટાકાના પાકની વાવણી થઈ છે. સૌથી ઓછી ભિલોડા તાલુકામાં માત્ર 59 હેક્ટર જમીનમાં બટાકાની પાકની વાવણી થઈ છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:54 am

હુડાનો વિરોધ:હવે સહકારી આગેવાનોનું આંદોલનને સમર્થન

હુડા સંકલન સમિતિ અને ખેડૂતો દ્વારા સહકારી સંસ્થાઓના તમામ ડિરેક્ટરો, તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યોને તેમનું સ્ટેન્ડ ક્લિયર કરવા અલ્ટીમેટમ આપી બુધવારે મિટિંગનું આયોજન કરતા સાબરડેરીના ત્રણ ડિરેક્ટર નાગરિક બેંકના ચાલુ અને પૂર્વ ચેરમેન, ડિરેક્ટરો તાલુકા સંઘ અને એપીએમસીના ચૂંટાયેલા સદસ્ય જિલ્લા પંચાયતના હિંમતનગર તાલુકાના ચૂંટાયેલા સદસ્યો હાજર રહ્યા હતા ખેડૂતોની સાથે ચર્ચા કરી ભૂલાહુડા રદ કરવા માટે ધારાસભ્યને રજૂઆત કરનાર હોવાનું કહી તમામ આગેવાનો દ્વારા આંદોલનને સંપૂર્ણ સમર્થન આપવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:53 am

દારૂ ઝડપાયો:ભાભરમાં ખેતરમાંથી 241 બોટલ વિદેશી દારૂ ઝડપાયો

ભાભર પોલીસ મંગળવારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પોલીસે મામલતદાર કચેરીના પાછળના વિસ્તારમાં આવેલ રણધીરસિંહ વિક્રમસિંહ રાઠોડના ખેતરમાંથી જુવારના પુળા નીચે પ્લાસ્ટિકના ધાબળાથી ઢાંકીને છુપાવેલ રૂ.51 હજારની દારૂની 241 બોટલ ઝડપી પાડ્યો હતો. જ્યારે આરોપી રણધીરસિંહ વિક્રમસિંહ રાઠોડ ઘટના સ્થળ પરથી નાસી ગયો હતો.પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:50 am

યુરિયા ખાતર માટે રઝળપાટ:ઝેરડામાં યુરિયા ખાતર માટે વહેલી સવારથી ખેડૂતોની લાંબી કતારો

ડીસા તાલુકાના ઝેરડા પંથકમાં રવિ સિઝનના પાક, ખાસ કરીને તંબાકુ માટે જરૂરી યુરિયા ખાતરની ગંભીર અછત સર્જાતા ખેડૂતો ભારે મૂંઝવણ અનુભવી રહ્યા છે. છેલ્લા લગભગ 20 દિવસથી ખાતર માટે ખેડૂતોને વહેલી સવારથી જ કડકડતી ઠંડીમાં લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે છતાં પૂરતું ખાતર મળતું નથી.સાથે ઘરના કામકાજ પડતા મૂકી ખેડૂત પરિવારમાંની મહિલાઓને પણ લાઇનમાં ઊભા રહેવું પડે છે. દુકાનો આગળ લાઇન લાગે છે પરંતુ ઉપલબ્ધ સ્ટોક ઓછો હોવાથી બધાને ખાતર મળતું જ નથી. અછતને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. રવિ સિઝનનું મહત્વપૂર્ણ સમય હાથમાંથી નીકળી ન જાય તે માટે ખેડૂતોએ સરકારને તાત્કાલિક ખાતર ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:49 am

જાગૃતતા રેલી‎નું આયોજન:પાલનપુરમાં દિવ્યાંગ દિવસની ઉજવણી 350 દિવ્યાંગજનો સાથે જાગૃતતા રેલી

પાલનપુરના મમતા મંદિરમાં વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે દિવ્યાંગ સપ્તાહની ઉજવણી અંતર્ગત બુધવારે જાગૃતતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે લીલી ઝંડી દર્શાવી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીમાં 350 દિવ્યાંગજનો સાથે સંસ્થાના હોદ્દેદારો તથા અધિકારી-કર્મચારી વર્ગ જોડાયો હતો. દિવ્યાંગજનોના અધિકારો, સમાનતા, સશક્તિકરણ અને શિક્ષણ અંગે લોકજાગૃતિ ફેલાવવાના હેતુથી પાલનપુર શહેરના મુખ્ય માર્ગો પર આ રેલી યોજાઈ હતી. રેલીમાં જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી હિતેશભાઈ પટેલ સાથે તેમનો સ્ટાફ, પાલનપુર વકીલ એસોસિએશનના પ્રતિનિધિઓ, પી.આઈ. પટણી અને તેમનો સ્ટાફ, એનએબી પાલનપુરના પ્રતિનિધિઓ, તેમજ પ્રતિષ્ઠિત દિવ્યાંગ વ્યક્તિઓએ ઉપસ્થિત રહી સહભાગ નોંધાવ્યો હતો. મમતા મંદિરના નિયામક મહેન્દ્રભાઈ પટેલ, મદદનીશ નિયામક ડૉ. અતીનભાઈ જોશી અને લોકલ કમિટીના સભ્યો પણ રેલી દરમિયાન જોડાયા હતા. કુલ 350 દિવ્યાંગ વ્યક્તિઓ તથા સ્પેશિયલ બી.એડના તાલીમાર્થીઓ સહિત અંદાજે 550 લોકો હાજર રહ્યા હતા . રેલીનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગજનોના અધિકારો અંગે સમાજમાં જાગૃતિ ફેલાવવાનો અને મમતા મંદિર દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓને આપવામાં આવતા શૈક્ષણિક લાભોની જાણકારી જનસામાન્ય સુધી પહોંચાડવાનો રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:45 am

સામાજિક સમરસતાના દર્શન થયા:પાલનપુરના સાંગલા ગામે બાબા રામદેવપીરની પ્રતિષ્ઠામાં તમામ સમાજના લોકો જોડાયા

પાલનપુરના સાંગલા ગામે શ્રી બાબા રામદેવપીરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠામાં તમામ સમાજના લોકો જોડાઇને સમરસતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતુ. આ પ્રસંગે 100 વર્ષના પૂજ્ય રાજેન્દ્રગીરી મહારાજે નાત જાતના ભેદભાવ દૂર કરવા અને એકજૂથ થવા સંદેશો આપ્યો હતો. સાંગલા ગામમાં શ્રી બાબા રામદેવપીરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાઅને મંદિરનું નવ નિર્માણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરમ પૂજ્ય સંત શ્રી રાજેન્દ્રગીરી મહારાજ (જેથી ગામ)એ નાત જાતના ભેદભાવ દૂર કરવા અને એકજૂથ થવા સંદેશો આપ્યો હતો. પ્રાણ પ્રતિષ્ઠા તેમજ યજ્ઞ, મૂર્તિ સ્થાપના, શિખર પૂજનમાં સમસ્ત હિન્દુ સમાજની તમામ જ્ઞાતિ અને સમાજના લોકો કોઈપણ ભેદભાવ વગર જોડાઇને સમરસતાનું ઉદાહરણ પુરૂ પાડયું હતુ. મહોત્સવના મુખ્ય દાતા સામાજિક સમરસતા પ્રાંતના સદસ્ય ડો. ગીરધરભાઇ પટેલ રહ્યા હતા. આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ડો. પી. એલ. દેસાઇ, ડો. હિતેન્દ્ર ભાવસાર, વિશ્વ હિન્દુ પરિષદના બનાસકાંઠા વિભાગ મંત્રી બાબુભાઈ ચડોખીયા, સામાજિક સમરસતા પ્રાંત સદસ્ય પ્રકાશભાઈ ધારવા, સાંગલા ગામના સરપંચ રમેશભાઈ ચૌધરી, ઘેમરભાઈ ગાડરિયા, કનૈયાલાલ શ્રીમાળી, શામળભાઇ પરેચા, ગોરધનપુરી ગૌસ્વામી, નારણભાઇ વાલ્મિકી, વશરામભાઈ રૂપાવટ, ખેમાજી ઠાકોર, ગુલાબચંદ મેવાડા સાથે ગામની દીકરીઓન તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહી હતી. 50 વર્ષ અગાઉ સ્થાપના કરાઈ છે પરમ પૂજ્ય રાજેન્દ્રગીરી મહારાજ દ્વારા આજથી આશરે પચાસ વર્ષ પહેલા ગામમાં શિવજીના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. તેમની પ્રેરણાથી આ મંદિરમાં પણ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ ગામને હિન્દુ ગામ સમરસ ગામ બનાવ્યું હતું. તેઓની ઉંમર 100 વર્ષ આસપાસની હોવા છતાં જોમ જુસ્સા સાથે નાત જાતના ભેદભાવ દૂર કરવા સામાજીક સમરતાનું કાર્ય કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:43 am

નાયબ મુખ્યમંત્રી કરશે‎ લોકાર્પણ:વડગામમાં લાઇબ્રેરી,પાલનપુરમાં ઈન્ડોર હોલ અને ડીસામાં રમત સંકુલ ખુલ્લું મુકાશે

બનાસકાંઠામાં આજે રૂ. 27.56 કરોડના વિકાસ કાર્યોને નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થવાથી શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે નવી ગતિ મળશે. વડગામમાં આધુનિક લાઇબ્રેરી, પાલનપુરમાં ઈન્ડોર હોલ અને ડીસા ખાતે રમત સંકુલ જેવા પ્રોજેક્ટોથી યુવાનોને વધુ સુવિધાઓ પ્રાપ્ત થશે, છતાં રમતવીરો માટે હોસ્ટેલ, સ્વિમિંગ પૂલ અને 400 મીટર સિન્થેટિક ટ્રેકની ખોટ વર્તાઈ રહી છે. જિલ્લામાં આધુનિક શિક્ષણ અને રમતગમત સુવિધાના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.27.56 કરોડના વિવિધ પ્રોજેક્ટનું આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વડગામ ખાતે આધુનિક લાઇબ્રેરી, પાલનપુર ખાતે મલ્ટી પર્પઝ ઈન્ડોર હોલ અને ડીસા ખાતે તાલુકા કક્ષાના રમત સંકુલનું ઉદ્ઘાટન કરવામાં આવશે. પાલનપુરમાં રૂ.9.20 કરોડના ખર્ચે બનેલ મલ્ટી પર્પઝ ઈન્ડોર હોલમાં બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, જુડો, જીમ, શુટિંગ રેન્જ જેવી રમતો રમી શકાશે.જ્યારે આઉટડોરમાં ફૂટબોલ ગ્રાઉન્ડ, એથ્લેટિક્સ ટ્રેક, કોર્ટ્સ જેવી રમતો રમાશે. અહીં CCTV, લોકર રૂમ, ફર્સ્ટ એઇડ, ફાયર સિસ્ટમ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જ્યારે ડીસામાં રૂ.14.35 કરોડના ખર્ચ 28,329 ચો.મી. વિસ્તાર માં બનેલ તાલુકા રમત સંકુલમાં લોન ટેનિસ, બાસ્કેટબોલ, સ્કેટિંગ, કબડ્ડી, ખો-ખો, લોન્ગ જમ્પ જેવી રમતો રમાશે. અહીં આંતરિક રસ્તા, પાર્કિંગ, લેન્ડસ્કેપિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. જિલ્લામાં હજુ પણ હોસ્ટેલ, સ્વિમિંગ પૂલ અને 400 મીટરનો સિન્થેટિક ટ્રેક નથી બનાસકાંઠા જિલ્લામાં હજુ પણ રમતવીરો(છોકરા-છોકરી) માટે 150-150 બેડની હોસ્ટેલ, સ્વિમિંગ પૂલ અને 400 મીટરનો સિન્થેટિક ટ્રેક નથી. જેના કારણે ખેલાડીઓને અગવડતા પડે છે. ખેલાડીઓ માંગ કરી રહ્યા છે કે, આ સુવિધાઓ તાત્કાલિક મળે તો આવનાર સમયમાં જિલ્લાના વધુ રમતવીરો સુવિધાનો લાભ લઈને પોતાનું પ્રદર્શન સારી રીતે કરી શકે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:42 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:પાલનપુરમાં ફૂટપાથ પર વાહનોનું પાર્કિંગ લોકો રસ્તા પર ચાલવા મજબૂર

પાલનપુરમાં આંતરિક માર્ગોની આજુબાજુ 50 વર્ષ અગાઉ બનાવેલા શોપિંગ સેન્ટરોમાં વાહન પાર્કિંગની સુવિધા નથી. પરંતુ 10 વર્ષ અગાઉ બનેલા શોપિંગ સેન્ટરોમાં પાર્કિગના નિયમોનો અમલ કરાયો છે. જ્યાં નિયમોનું પાલન થાય છે કે કેમ તેની દિવ્ય ભાસ્કરની ટીમે સ્થિતિ તપાસતાં સામે આવ્યું હતુ કે, ગુરૂનાનક ચોક નજીકની એસ. બી. આઇ. બેંક જ્યાં ખસેડવામાં આવી છે તે જહાંનઆરા બાગ સામેના શોપિંગમાં પાર્કિંગની વ્યવસ્થા છે. પરંતુ બેંક સામે જાહેર માર્ગની બાજુમાં જ વાહનો પાર્ક કરી રહ્યા છે. ત્યાંથી આગળ જતાં ગલબાભાઇના પુતળા પાસેના શોપિંગ સેન્ટરમાં પણ આવી જ હાલત છે. અહિંયા એચ. ડી. એફ. સી. બેંક, આઇ. ડી. એફ. સી. બેંક, યશ બેંક, સહિત અનેક દુકાનો આવેલી છે. જેની આગળ જ જાહેર માર્ગ ઉપર બાઇક પાર્ક કરવામાં આવી રહ્યા છે. આગળ જતાં ગઠામણ દરવાજા વિસ્તારમાં સ્ટેશનરી, હોસ્પિટલો સહિત અનેક દુકાનો આવેલી છે. અહિંયા પણ પાછળના ભાગે પાર્કિગની સુવિધા છે. પરંતુ ફોર વ્હિલર અને ટુ વ્હિલર જાહેર માર્ગની બાજુમાં જ પાર્ક થઇ રહ્યા છે. સીટીલાઇટ રોડ નજીક દુકાનોની ગલીઓમાં પાર્કિંગ છે. પાવર હાઉસમાં પે- પાર્કિંગ છે. છતાં ત્યાં વાહનો પાર્ક કરવામાં આવતા નથી. નગરપાલિકામાં વર્ષ 2021માં ટાઉન પ્લાનીંગ કમિટીની બેઠકમાં શહેરના જુદાજુદા સ્થળોએ બંધ પડેલા પાર્કિંગ ખુલ્લા કરવા, પાર્કિંગની સ્થિતિ જાણવાનો ઠરાવ કરાયો હતો. પરંતુ તે પછી નિયમિત તપાસ થઇ નથી. જેના કારણે આ સમસ્યાનો ઉકેલ આવતો નથી. સીટીલાઈટ રોડ ગલબાભાઈની પ્રતિમા સામે

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:40 am

ગંભીર ટ્રાફિક સમસ્યા સર્જાઈ:હારિજ હાઈવે પર મગફળી ભરેલી 150 ટ્રકોની 1 કિમી લાંબી કતાર

બનાસકાંઠામાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીનો સ્ટોક હારિજ-ચાણસ્મા હાઈવે પરના પ્રાઇવેટ ગોડાઉનોમાં ભરવામાં આવી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહથી રોજબરોજ મગફળી ભરેલી ટ્રકો ઉમટી પડતા ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ છે. બુધવારે સોઢવ બસ સ્ટેન્ડ નજીકનાં બે ગોડાઉનોમાં 150 જેટલી ટ્રકો એકસાથે પહોંચતા હાઈવે પર 1 કિલોમીટરથી વધુ લાંબી લાઇન જામી હતી. ગોડાઉનોમાં ખાલી થવામાં વિલંબ થતાં વાહનોની કતાર હાઈવે પર જામી હતી. જેના કારણે અન્ય વાહનચાલકોને પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:36 am

રેલી દ્વારા મહિલાઓએ રોષ કર્યો આક્રોશ:સમીના ગાજદીનપુરા ગામે મહિલાઓએ દારૂનું વેચાણ બંધ કરવા રેલી કરી વિરોધ પ્રદર્શિત કર્યો

સમીના ગાજદીનપુરામાં ગામમાં ગેરકાયદેસર દારૂના વેચાણને કારણે ઘરના પુરુષો અને દીકરાઓ નશાના રવાડે ચડી રહ્યા હોય મહિલાઓએ આ દૂષણને જડમૂળમાંથી દૂર કરવાનો સંકલ્પ લઈ ગામની મહિલાઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કરવા રસ્તા પર ઉતરીને રેલી અને નારાબાજી સાથે મહિલાઓનો મોટો સમૂહ એકત્ર થઈ દારૂના વેચાણ સામે રેલી સ્વરૂપે ગામમાં ફર્યો હતો. દારૂ વેચાણ બંધ કરો ના આક્રોશભર્યા નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. આ પ્રદર્શન દરમિયાન, મહિલાઓએ ગામમાં ચાલતા દારૂના અડ્ડા ઉપર ઉપર દારૂનું વેચાણ બંધ કરવા માટે રસ્તા ઉપર જ હોબાળો મચાવ્યો હતો. સાથે દારૂ વેચાણ બંધ નહીં થાય તો જનતા રેડની ચીમકી આપી હોવાનો કથિત વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા. ગામના આગેવાને નામ ના આપવાની શરતે માહિતી આપતા જણાવ્યું હતું કે મહિલાઓએ દારૂનું વેચાણ કરનારા તત્ત્વોને સ્પષ્ટ શબ્દોમાં માત્ર 5 દિવસનું અલ્ટિમેટમ આપી દીધું છે. મહિલાઓએ સત્તાવાર ચીમકી ઉચ્ચારી છે કે, જો 5 દિવસની અંદર ગામમાં ગેરકાયદે પ્રવૃત્તિ બંધ નહીં થાય, તો અમે મહિલાઓ હવે કાયદાને હાથમાં લઈશું. મોટી સંખ્યામાં એકત્ર થઈને પોલીસને બોલાવીને દારૂ વેચનારાઓને ખુલ્લેઆમ પકડાવી દઈશું. ગામમાં દારૂ વેચાતો નથી કે જનતા રેડ થઈ નથી : PSIસમી પીએસઆઈ એ.પી.જાડેજા જણાવ્યું હતું કે ગામમાં કોઈ જગ્યાએ દારૂ વેચાતો નથી.આજુબાજુથી દારૂ પીને આવ્યો હોય કોઈ દારૂડિયાના ત્રાસના કારણે કદાચ મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શિત કર્યો હશે. અમને દારૂ વેચાણ બાબતે કોઈ વર્ધી કે જાણ કરવામાં આવી નથી.કોઈ જનતા રેડ થઈ નથી. કોઈએ વીડિયો વાયરલ કરી આ ખોટી રીતે પોલીસને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:35 am

ચોરીનો ભેદ ઉકેલાયો:સંખારીના ચેહર માતાના મંદિરમાં ચોરી કરનાર શખ્સ ગામનો નીકળ્યો

પાટણ તાલુકાના સંખારી ગામે આવેલા ચેહર માતાના મંદિરમાં ચાંદીના છત્તરની ચોરી થતાં ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ હતી. મંદિરમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં શખ્સ કેદ થઈ જતા ચોરીનો ભેદ ઉકેલાયો છે. સંખારી ગામે આવેલ રબારી સમાજના ચેહર માતાના મંદિરમાં સોમવારે બપોરે ચોરીની ઘટના બની હતી સાંજે રબારી સમાજ લાકો મંદિરે દર્શન કરવા જતાં ચાર ચાંદીના છત્તર ન જોવા મળતા ચોરી થયાનું અનુમાન થતા જ રણુંજ પોલીસને જાણ કરી હતી. પોલીસે મંદિરના સીસીટીવી ફૂટેજ ચકાસતા ગામનો જ ચેતન દિનેશભાઇ પરમાર ચાંદીના છત્તરની ચોરી કરતાં કેમેરામાં કેદ થયો હતો. રણુંજ પોલીસે શખ્સને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તેણે ચાંદીના છત્તરની ચોરીની કબૂલાત કરી હતી.ગામનો જ યુવક મંદિરમાં ચોરી કરતો ઝડપાતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. એક મહિના અગાઉ પણ આજ મંદિરમાંથી ચાંદીના 10 છત્તરની ચોરી થઈ હતી.તેની પણ કબૂલાત કરી હતી. પોલીસે આરોપી ચેતન પરમારને મંદિરની જગ્યા ઉપર લઈ જઈને રિકન્ટ્રકશન કર્યું હતું. આ ચોરીમાં ગામનો ભરતભાઇ ગોવાભાઈ પરમાર પણ સામેલ હોવાનું આરોપીએ કબુલ્યું હતું. ગામમાં થઈ રહેલ મંદિર ચોરીની ઘટનાઓને લઈને એક દિવસ અગાઉ જ ગામના સરપંચ સહિતના સભ્યો ગામ પંચાયત આગળ જ હડતાળ ઉપર બેઠા હતા અને ચોરોને પકડવા માટે માંગ કરી હતી.હાલમાં રણુંજ પોલિસે ચોરીનો મુદામાલ કઈ જગ્યાએ વેચ્યો હતો.તે દિશા તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:34 am

વાહનોનાં વેચાણમાં 40%નો ઉછાળો‎:પાટણ જિલ્લામાં GST ઘટાડાથી ગત વર્ષ કરતા 72 દિવસમાં 380 કાર,3404 બાઈક વધુ વેચાયા

પાટણ જિલ્લાના ઓટોમોબાઇલ બજારમાં આ વર્ષે નવરાત્રી (22 સપ્ટેમ્બર-2025) પછી ધૂમ મચી ગઈ છે. કેન્દ્ર સરકારે ફોર-વ્હીલ અને ટુ-વ્હીલ વાહનો પર GSTમાં 10 ટકાના કરેલા તોતિંગ ઘટાડાના કારણે ગ્રાહકોને ડાઉન પેમેન્ટમાં સીધો 20% જેટલો મોટો ઘટાડો થયો હોય પરિણામે જિલ્લામાં 72 દિવસના સમયગાળામાં કુલ 1386 નવી કાર અને 10418 બાઈક-એક્ટિવાનું વેચાણ થયું છે. આરટીઓ કચેરીના સત્તાવાર આંકડાઓ અનુસાર, આ વર્ષે થયેલું વેચાણ ગત વર્ષની સરખામણીએ ઘણું વધારે છે. ગત વર્ષે આ જ સમયગાળામાં 1006 કાર અને 7014 બાઈક-એક્ટિવા વેચાયા હતા. વર્ષ 2024માં કાર 1006 અને બાઇક / એક્ટિવા 7014 વેચાયા હતા. વર્ષ 2025 માં આ સમય ગાળામાં કાર 1386 અને બાઈક અને એક્ટિવા 10,418 વેચાણ થઈ છે.વેચાણમાં આટલો મોટો ઉછાળો આવવા પાછળ મુખ્યત્વે બે કારણો જવાબદાર છે. જેમાં GSTનો ફાયદો થતા ડાઉન પેમેન્ટમાં મોટો ઘટાડો સાથે તે સમય દરમિયાન દૂધ મંડળીની ડેરીઓમાં પગાર વધારો આવ્યો હોય ખેડૂતો પાસે આવક થતા ખરીદીમાં વધારો થયો છે. કારમાં રૂ.1 લાખ, બાઇકમાં 6500નો ફાયદોકાર શોરૂમ મેનેજર નિલેશ દવેએ જણાવ્યું હતું કે, GST ઘટાડાથી ગ્રાહકોને ₹65,000નો સીધો ફાયદો થયો, જે શો રૂમની સ્કીમ સાથે મળીને લગભગ ₹1 લાખ સુધી પહોંચી ગયો હતો. તેના લીધે બુકિંગ એટલા બધા હતા કે નવી કાર માટે 20 દિવસનું લાંબું વેઇટિંગ નોંધાયું હતું. બાઈક શોરૂમના મેનેજર અનિલ ભારથી ગોસ્વામીએ કહ્યું કે, GSTના કારણે ₹6500નો ફાયદો થયો. પરંતુ, સૌથી મોટું કારણ ડાઉન પેમેન્ટનું ઓછું થવું અને પશુપાલકોને દૂધ મંડળી મારફતે ₹2200નો વધારાનો લાભ મળવો છે. આર્થિક રાહત મળતા બાઈક-એક્ટિવાની ખરીદીનો ક્રેઝ વધ્યો અને 7 દિવસનું વેઇટિંગ જોવા મળ્યું હતું.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:33 am

ખેડૂતોમાં ચિંતાનો માહોલ:સરસ્વતીના મેલુસણમાં દાંતીવાડા કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ફરી વળતા પાક નિષ્ફળ જવાની ભીતિ

સરસ્વતી તાલુકાના મેલુસણ ગામ નજીકથી પસાર થતી દાંતીવાડા કેનાલમાં ઉપરવાસમાંથી રાત્રિના સમયે જરૂરિયાત કરતાં વધુ પાણી છોડવામાં આવતાં કેનાલ ઓવરફ્લો થઈ હતી. કેનાલનું પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોએ મહા મહેનતે વાવેતર કરેલા પાકોમાં પાણી ફરી વળતા પાક નુકસાનની ભીતિ ઉભી થતા ખેડૂતોમાં સિંચાઈ વિભાગની બેદરકારી સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતોં.ઓવરફ્લોનું પાણી ધનાસરા-મેલુસણ રોડ પર વહીને દુકાનોના પટાંગણમાં ઘૂસી જતાં વેપારીઓને પણ મોટું નુકસાન થયું છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે દિવસ દરમિયાન પાણી ઓછું હોય છે, પરંતુ રાત્રે છેવાડાની કેનાલોમાં પાણીનો પ્રવાહ એકાએક વધી જવાથી આ સ્થિતિ સર્જાય છે. પાકમાં પાણી ભરાતા દિવેલાનો પાક નિષ્ફળ જવાની ગંભીર ચિંતા ઊભી થઈ છે, જ્યારે વેપારી અણદાભાઈ જોષીના મતે, બિલ્ડિંગ મટીરીયલ સહિતનો સામાન પલળી જતાં નુકસાની થયું હોવાનું જણાવ્યું હતું. ભાસ્કર ઇનસાઇડહલકી ગુણવત્તાનું કામ સાથે નાના નાળા હોય કેનાલ ઓવરફલો થઈ રહી છે કેનાલમાં થોડા સમય પહેલાં જ રીપેરીંગ કામકાજ થયું હોવા છતાં, પાણી છોડતા અનેક જગ્યાએ તિરાડો અને પોલાણ દેખાવા લાગ્યા છે, જેના પરથી હલકી ગુણવત્તાવાળું કામ થયાની બુમરાડ ઉઠી છે. આ ઉપરાંત, હાઈવે પર કેનાલના નાળા નાના હોવાથી પાણીના નિકાલમાં અડચણ ઊભી થાય છે. ગયા વર્ષે પણ આ જ સમસ્યા સર્જાઈ હતી અને ખેડૂતોએ મોટા નાળા મૂકવાની માંગ કરી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતાં આ વર્ષે પણ પાણી છોડતા ઓવરફ્લો થયા ખેતરો ભરાઈ ગયા છે. તેવું ખેડૂતોએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:31 am

નાયબ ‎‎મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મળ્યો એવોર્ડ:સિદ્ધપુરના યાજ્ઞિક ચૌહાણને અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડ-2025 એનાયત કરાયો

ગુજરાતના સાંસ્કૃતિક વારસાની જાળવણી અને કલા સંવર્ધનના કાર્યમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ અતુલ્ય વારસો સંસ્થા દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત ભવ્ય સમારંભમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે યાજ્ઞિક ચૌહાણને થિયેટર (નાટ્ય) ક્ષેત્રે તેમની વિશેષ સિદ્ધિ બદલ એવોર્ડ એનાયત થયો હતો. ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરને લોકો સુધી પહોંચાડવાના ભગીરથ કાર્ય સાથે સંકળાયેલા 80 જેટલા ઉપાસકોનું આ પ્રસંગે સન્માન કરાયું હતું. લોકસાહિત્ય, હેરિટેજ, લેખન અને કલા સહિતના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરનારા બાળકો, યુવા અને વડીલોની આ એવોર્ડ માટે પસંદગી કરી હતી. સિદ્ધપુરના વતની યાજ્ઞિક ચૌહાણે થિયેટરના માધ્યમથી ગુજરાતની કલા અને સંસ્કૃતિને જીવંત રાખવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હોય જે બદલ આ એવોર્ડ આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છે. આ સન્માનથી પાટણ જિલ્લાના કલા જગતમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. કાર્યક્રમમાં પૂર્વ મુખ્ય સચિવ પી.કે.લહેરી અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડો. હર્ષદભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:29 am

વાહનચાલકોની હાલત ‎‎કફોડી બની:પાટણમાં કોલેજ રોડ પર એક સાઇડનો રસ્તો બંધ કરતા વાહનચાલકોને હાલાકી

પાટણના કોલેજ રોડ ઉપર પાણીની સ્ટ્રોમ ડ્રેનેજ વોટર લાઇન નાખવાની તેમજ રોડની કામગીરીને લઈને ઠેર-ઠેર ખોદકામ કરવામાં આવતા વાહનચાલકોની હાલત કફોડી બની છે. ​પાટણ શહેરના મુખ્ય માર્ગ પૈકીના એક એવા કોલેજ રોડ પર બનાવેલ ટી આકારના ઓવરબ્રિજ નીચે છેલ્લા કેટલાક સમયથી સ્ટ્રોમ વોટરની પાઇપલાઇન તેમજ રોડની કામગીરી હવે શહેરીજનો માટે મુસીબત બની ગઈ છે. કોલેજ રોડ પર એકસાથે ત્રણથી વધુ સ્થળોએ ખોદકામ અને ચેમ્બર બનાવવાની કામગીરી ચાલતી હોવાથી વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રોડ પરથી પસાર થવું માથાના દુખાવા સમાન બની ગયું છે. જિલ્લા વિકાસ અધિકારીના નિવાસસ્થાન તરફના રોડનો કામગીરી ચાલુ છે. જેના કારણે અવરજવરનો એક માત્ર રસ્તો બંધ થઈ ગયો છે.અને કામગીરીના કારણે આખો રોડ સાંકડો થઈ ગયો છે. એક તરફ ધૂળના ગોટેગોટા ઉડે છે તો બીજી તરફ ખોદકામના કારણે ઠેર-ઠેર કપચી અને માટીના ઢગલા પડ્યા છે.વહેલી સવાર અને સાંજના સમયે વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:27 am

અકસ્મતાને નોતરું:તાવડીયા રોડ પર નદી-દીવાલ વચ્ચે માટી ધોવાઇ જતાં જોખમ

મહેસાણા તાલુકાના પીલુદરા થી તાવડીયા ગામ ના રસ્તા ઉપર નાની રૂપેણ આવેલ છે. જેમાં સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડી ભરવામાં આવે છે તેની બાજુ માં ચિત્રોડીપુરા ગામ જવા કાચો રસ્તો આવેલ છે, જ્યાંથી લોકો અવરજવર કરે છે. આ નાની રૂપેણ અને રસ્તા વચ્ચે સુજલામ સુફલામ યોજના મહેસાણા દ્વારા સંરક્ષણ દિવાલ બનાવેલ છે, પરંતુ દિવાલ અને નદી વચ્ચે માટી પુરાણ નહીં કરવાથી નાના બાળકો તેમજ પશુ ઓ અંદર પડવાથી અકસ્માત થવાનો ભય રહે છે. આશરે 6 માસ પહેલા દિવાલ બનાવી છે રસ્તા અને પાણી ના વહેલા વચ્ચે સંરક્ષણ દિવાલ બનાવી છે, દિવાલ અને પાણી ના વહળો વચ્ચે માટી પુરાણ કરેલ નથી .જેથી સત્વરે માટી પુરાણ કરી રસ્તો સમતલ થાય તેવી માંગ છે. આ અંગે નાયબ કાર્યપાલક ઇજનેર સુજલામ સુફલામ ને લેખિત જાણ કરી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:25 am

બેંકની ચૂંટણીમાં ઉમેદવારી કરનારા ઉમેદવારો દ્વિધામાં:ખેરાલુ નાગરિક સહ.બેન્કની ચૂંટણી પરનો સ્ટે 15 ડિસેમ્બર સુધી લંબાયો

ખેરાલુ નાગરિક સહકારી બેન્કની બહુચર્ચિત ચૂંટણી પ્રક્રિયા સામે ચાલી રહેલા કાનૂની જંગમાં બોર્ડ ઓફ નોમિનીઝ કોર્ટે ચૂંટણી પ્રક્રિયા પરનો સ્ટે જે આજે પૂરો થતો હતો, તેને 15મી ડિસેમ્બર સુધી લંબાવ્યો છે. બેંકના વકીલે કરેલી દલીલોને લઈ બેંકની ચૂંટણી સામે સવાલ ઊભા થયા છે. બેન્કે એવી દલીલ કરી છે કે, અમે આ પ્રકારે પાછલી ત્રણ ટર્મથી ચૂંટણી કરીએ છીએ અને અન્ય બેન્કો પણ કરે છે. જોકે, સહકારી કાયદાનુસાર અને રિઝર્વ બેંકના નિયમોનુસાર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ નહોતી. જેથી આ સમગ્ર મામલો એક તપાસનો વિષય બનતો હોઈ ફરિયાદી પક્ષના વકીલે 12 સુધી બેંકની ચૂંટણી સામે લંબાયેલો મનાઈ હુકમ વધુ લંબાવવા માંગણી કરી હતી. જે અરજીને વંચાણે લઈ બોર્ડ ઓફ નોમિનીઝ કોર્ટે મનાઈહુકમ 15 ડિસેમ્બર સુધી લંબાવતો હુકમ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:22 am

ઉ.ગુ.માં સિઝનનું 62.34% વાવેતર:12.02 લાખ હેક્ટરના અંદાજ સામે 7.49 લાખ હેક્ટરમાં વાવેતર,ઘઉંનો હિસ્સો 25% અને રાઇનો હિસ્સો 22% રહ્યો

શિયાળાની સિઝનમાં ઉત્તર ગુજરાતની 12.02 લાખ હેક્ટર જમીનમાં વાવેતરના અંદાજ સામે અત્યાર સુધીમાં 7.49 લાખ હેક્ટર સાથે સિઝનનું 62.34% વાવેતર પૂર્ણ થયું છે. જેમાં સૌથી વધુ 1.93 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે, જે કુલ વાવેતરનો 25.76% હિસ્સો છે. જ્યારે 1.67 લાખ હેક્ટરમાં રાઈનું વાવેતર થયું છે, જે કુલ વાવેતરના 22.30% હિસ્સા બરાબર છે. આ ઉપરાંત બટાટાનું 1,18,081 હેક્ટર, ઘાસચારાનું 1,00,395 હેક્ટર, ચણાનું 63,448 હેક્ટર, તમાકુનું 32,514 હેક્ટર, જીરૂનું 27,718 હેક્ટર, શાકભાજીનું 14,805 હેક્ટર, મકાઈનું 9,661 હેક્ટર, વરીયાળીનું 7,924 હેક્ટર, અજમોનું 4,745 હેક્ટર, સવાનુ 3,271 હેક્ટર, ઇસબગુલનું 1,241 હેક્ટર, મેથીનું 792 હેક્ટર, લસણનું 365 હેક્ટર, ડુંગળીનું 235 હેક્ટર, ધાણા 189 હેક્ટર અને અન્ય પાકોનું 3,737 હેક્ટર વાવેતર પૂર્ણ થયું છે. ઉ.ગુ.ના 5 જિલ્લામાં વાવેતરની સ્થિતિ

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:22 am

તસ્કરોનો તરખાટ:વિજાપુર ગેસ્ટહાઉસના ધાબા પરથી તસ્કરો એસીના કોમ્પ્રેસર ચોરી ગયા

વિજાપુર શહેરમાં ચોરો ધાબા ઉપર લગાવેલા એસીના કોમ્પ્રેસર ચોરી ગયા છે. સ્થાનિક પોલીસે ગુનો નોંધી ચોરોની શોધખોળ હાથ ધરી છે. વિજાપુરના ટીબી રોડ પર આવેલી હરદ્વાર સોસાયટીમાં રહેતા મહેશભાઈ ઈશ્વરભાઈ પટેલ શિવાલિક પ્લાઝા બિલ્ડીંગમાં બાલાજી હોટેલ એન્ડ ગેસ્ટ હાઉસ ચલાવે છે. ગત 8 ઓક્ટોબરના રોજ નિત્યક્રમ મુજબ સવારે તેમણે ગેસ્ટ હાઉસ ખોલ્યું હતું અને બપોરના સમયે ગેસ્ટ હાઉસના ધાબા ઉપર જતાં એસીના જે આઉટડોર લગાવેલા ખુલ્લા પડ્યા હતા અને તેમાંથી બધો સામાન વેરણ છેરણ પડ્યો હતો. આઉટડોર મશીનમાં લગાવેલા કમ્પ્રેસર અને કોપરની પાઇપો મળી આવી ન હતી. આજુબાજુ તપાસ કર્યા બાદ તેમના ગેસ્ટ હાઉસના ધાબા ઉપરથી રૂ.1.20 લાખની કિંમતના કમ્પ્રેસર અને કોપરની પાઇપનો સામાન કોઈ ચોરી કરી ગયું હોવાનું માલુમ પડ્યું હતું. આથી વિજાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:20 am

વિદેશ મોકલનાર એજન્ટના માનસિક ત્રાસથી કંટાળેલ વિજાપુરના સોખડાના યુવકે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મહેસાણા વિદેશ મોકલવા માટેનું કામ કરનાર એજન્ટ અને ઉછીના આપેલ રૂપિયા પરત નહીં આપનાર મિત્રના ત્રાસથી વિજાપુર તાલુકાના સોખડા ગામના યુવકે ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મૃતકની પત્નીની ફરિયાદ આધારે વસઈ પોલીસે બંને સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સોખડા ગામના પિયુષભાઈ ભોળાભાઈ પટેલે ગત 18 નવેમ્બરના રોજ તેમના ઘરના ઉપરના માળે રૂમમાં પંખાની સાથે બાંધેલ પાઇપ ઉપર દોરડું બાંધી ગળે ફાંસો ખાધો હતો. કુકરવાડા દવાખાને લઈ જતાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક પિયૂષભાઈએ તેમના ગામના સુનિલ રમણભાઈ પટેલને બંને પતિ પત્નીનું પોર્ટુગલ જવા માટેનું કામ રૂ.38.50 લાખમાં આપ્યું હતું. પોર્ટુગલ પહોંચ્યા બાદ તમામ રકમ ચૂકવવાની વાત થઈ હતી. ત્રણ મહિના બાદ સુનિલભાઈએ તમારા વિઝા આવી ગયા છે, તમે પૈસા ચુકવી દો તો કામ આગળ ચાલે તેમ કહેતાં પિયુષભાઈએ અમે ત્યાં પહોંચ્યા પછી તમને પૂરેપૂરું પેમેન્ટ અમારા સંબંધી ચૂકવી દેશેની વાત કરી હતી. પરંતુ સુનિલભાઈ પહેલા પેમેન્ટ નહીં ચૂકવો તો વિઝા કેન્સલ કરાવી દઈશનું કહી પૈસા ભરવા દબાણ કરતો હતો. રૂ.20 લાખ આપી દીધા પછી બાકીના પૈસાની એજન્ટ કડક ઉઘરાણી કરી ત્રાસ આપતા હોવાથી યુવકે ફાંસો ખાઈને જીવાદોરી કાપી હતી. આત્મહત્યા કરવાનો મોબાઇલથી મેસેજ કયો હતોમરતાં પહેલા પિયુષભાઈએ પોતાના મોબાઇલમાંથી વિસનગરના મિત્ર ભાવિકભાઈને 18 નવેમ્બરના રોજ સવારે 7-33 વાગે આંગડિયા પેઢીની ચિઠ્ઠી અને હું પટેલ પિયુષ ભોળાભાઈ સભાન અવસ્થામાં આત્મહત્યા કરવા જઈ રહ્યો છું તેનું કારણ વિસનગરના પટેલ ભાવિકભાઈ છે, જેમનો મોબાઇલ નંબર 99256 60270 છે. મેં તેમને 15 લાખ રૂપિયા 4 ઓક્ટોબરના રોજ આપ્યા હતા. હવે તે પાછા આપવામાં આનાકાની કરે છે. હું અને મારો પરિવાર આત્મહત્યા કરવા જઈ રહ્યા છીએ. જ્યારે તેમના બીજા મોબાઇલથી તેમણે એજન્ટ સુનિલ પટેલને 15 ઓક્ટોબરના રોજ એક મેસેજ થકી ચેટિંગ કર્યું હતું. જેમાં હું પિયુષ ભોળાભાઈ પટેલ સભાન અવસ્થામાં આત્મહત્યા કરું છું. તેનું કારણ મને અને મારા પરિવારને પટેલ સુનીલકુમાર રમણલાલ દ્વારા અમારી પાસેથી પાસપોર્ટ લઈને અમને ઓસ્ટ્રેલિયા મોકલવાની વાત કરી હતી પણ તે ના કરીને પોર્ટુગલના વિઝા કરાવ્યા તે પૈસા પેટે અમારી પાસે ઉઘરાણી કરીને મને અને મારી પત્નીને ફોન ઉપર ધમકીઓ આપીને ડરાવે છે માટે હું આ પગલું ભરું છું, તેના માટે તમામ જવાબદાર સુનિલભાઈ છેનું લખ્યું હતું.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:18 am

દબાણ કરાયા દૂર:કસ્બામાં નવો રોડ બનાવવા 20 દબાણો તોડાયાં, તા.પં. સામે ફૂટપાથ માટે હટાવાશે

મહેસાણા શહેરમાં બુધવારે મનપાની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કસ્બામાં ચોકની લીમડીથી આંબેડકર ચોક થઇ કસ્બા ચોક સુધીમાં રોડ સાઇડના ઓટલા, પાળીઓ, શૌચાલય સહિતનાં 20 દબાણો જેસીબીથી દૂર કરવામાં આવ્યા હતા. દબાણ ટીમ આવતાં દુકાન, મકાન આગળના શેડ રહીશો જાતે ખોલવા લાગ્યા હતા. દબાણમાં રહેલી મકાનની દીવાલ તોડી પાડી હતી. અહીં અંડરગ્રાઉન્ડ વરસાદી લાઇન નખાયા પછી રોડ નવીનીકરણ કામ દબાણના લીધે છ મહિનાથી અટવાયેલું હતું. હવે દબાણ દૂર થતાં આ રોડનું અંદાજે રૂ.85 લાખના ખર્ચે નવીનીકરણનું કામ શરૂ થશે. જ્યારે હૈદરચોકથી તાલુકા પંચાયત તરફના રસ્તા સાઇડ બેકરીભંગારનો સામાન સહિત 4 દુકાન આગળના‎ઓટલા તોડી પડાયા હતા. ઝુલેલાલ સર્કલથી‎હૈદરી ચોક સુધી તાલુકા પંચાયત સામેના‎રસ્તા સાઇડ આઇકોનિક ફુટપાથ પેચ કામ‎શરૂ કરાયું છે અને હાલ ઝુલેલાલ સર્કલથી‎ગુરુનાનક સોસાયટી સુધી કામગીરી પહોંચી‎છે. હવે આગળ કબ્રસ્તાનની દીવાલ‎દબાણમાં આવે છે, ત્યાંથી દબાણ તોડવામાં‎આવનાર છે. આ રોડ સાઈડમાં છેક‎હૈદરીચોક સરોવર પોલીસ ચોકી સુધીમાં‎આવતાં દબાણો દૂર કરી ફુટપાથ સૌંદર્યકરણ‎કરવામાં આવશે. કબ્રસ્તાનની દીવાલ દૂર ન‎કરવા અંગે મનપામાં રજૂઆત પહોંચી હતી .‎આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર‎એ.બી. મંડોરીએ કહ્યું કે, કબ્રસ્તાનની દીવાલ‎દબાણમાં આવતી હોઇ દૂર કરાશે.‎કબ્રસ્તાનની અંદર કેટલીક કબર પણ શિફ્ટ‎કરવા સૂચવાયું છે. લોકો માટે અને લોકોની‎સુખાકારી માટે ફુટપાથ બની રહી છે, તેનાથી‎વધુ ન હોઈ શકે. અપેક્ષા લોકોનો સહકાર‎મળવો જરૂરી છે. થોડા દિવસોમાં દીવાલ દૂર‎કરી ફુટપાથ કામ આગળ વધશે.‎ વિસનગર લિંક રોડ પર જગ્યા ખૂલ્લી કરાશે બિલાડી બાગથી માનવ આશ્રમ સુધીના વિસનગર લિંક રોડને આઇકોનિક બનાવવામાં નવા ડિવાઇડર નંખાઇ ગયા છે. હાલ યુજીવીસીએલ રોડ સાઇડ પેચ બનાવી આગળ કામ વધ્યું છે. આ સાઇડ પછી સામે સહયોગ તરફના રસ્તા સાઇડ ડેવલપ કરવામાં આવશે. મનપા દ્વારા આ રોડમાં આવતાં દબાણોનો સર્વે પૂર્ણતાએ છે અને રોડ સેન્ટરથી રસ્તા પૈકીમાં આવતાં દબાણો દૂર કરી એલ વોલ બનાવવા ફુટપાથ, પાર્કિંગ સાથે જગ્યાનું સૌંદર્યકરણ કરાશે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:12 am

ઇમાનદારીનો પરિચય:મહિલાએ કાગળમાં વીંટાળેલી સોનાની 3 વીંટીઓ અજાણતાં કચરાગાડીમાં નાંખી દીધી, કામદારોએ કચરો ફેંદી શોધી આપી

મહેસાણા શહેરમાં ઘરે ઘરે કચરો લેવા આવતી ગાડીમાં અજાણતાં એક મહિલાએ કાગળમાં વિંટાળેલી સોના-ચાંદીની ત્રણ વીંટીઓ પણ કાગળ સાથે નાંખી દીધી હતી. એકાદ કલાક પછી પતિએ વીંટી મૂકેલો કાગળ નહીં મળતાં પત્નીને પૂછ્યું ત્યારે ખબર પડી કે ગાડીમાં નાખેલ કાગળમાં તો વીંટીઓ હતી. આથી તરત કોલ કરીને જાણ કરતાં એજન્સીના કામદારોએ ગાડીમાં કચરામાંથી આ વીંટીઓ શોધી આપી હતી. કચરા ગાડીમાં ભૂલથી ત્રણ વીંટીઓ નખાઇ ગઇ છે અને તે કાગળમાં વીંટાળેલી છે તેવી જાણ માલિકે કરતાં નાગેશ કોર્પોરેશનના ઝોનલ મેનેજર જલુભાઇએ તરત જીયો ટેગીંગથી ગાડીનું લોકેશન મેળવ્યું અને તેના ડ્રાઇવરને કોલ કરી ડમ્પિંગ સાઇડ ગાડી લઇને બોલાવી વીંટીઓ શોધી આપી હતી. શોધતાં 20 મિનિટ લાગીઝોનલ મેનેજર જલુભાઇ દેસાઇએ કહ્યું કે, ગાડીનું લોકેશન ટ્રેક કરી અધવચ્ચેથી બોલાવી લીધી હતી. કચરામાં શોધખોળમાં 20 મિનિટ લાગી હતી. કારણ કે, ટીસ્યુ પેપર જેવા કાગળમાં વીંટીઓ હતી. ગાડીનો ફેરો ભલે બીજો થાય પણ કિમતી વસ્તુ હોઇ અધવચ્ચેથી ગાડી પરત બોલાવી. વીંટી મળ્યા પછી ફરી તે રૂટમાં કચરો લેવા ગાડી મોકલી હતી.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:11 am

ભાસ્કર ફોલોઅપ:કડીના યુવકને ડિજિટલ એરેસ્ટ કરી પડાવેલા 10 લાખથી દેશમાં 48 જગ્યાએ ડીઝલ પુરાવ્યું

કેટલાક દિવસો પૂર્વે કડીના વૃદ્ધ તેમજ મહેસાણાના નિવૃત્ત તબીબને 10 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી રૂ.40 લાખ તેમના ખાતામાંથી ટ્રાન્સફર કરાવનાર સાયબર ઠગ ટોળકી દ્વારા જે ખાતાઓમાં રૂપિયા જમા કરાવાયા છે . તે તમામ ખાતાઓની તપાસ હાથ ધરતાં કડીના વૃદ્ધ પાસેથી ટ્રાન્સફર કરાવેલા રૂ.10 લાખ પૈકી 7.98 લાખ દેશમાં અલગ અલગ 48 ખાતાઓમાં ટ્રાન્સફર કરાયા હતા અને આ ખાતામાંથી તમામ રૂપિયા થકી પેટ્રોલ પંપથી અલગ વાહનોમાં ડીઝલ પુરાવી દેવામાં આવ્યું છે. સાઇબર ઠગોની આ નવી મોડસ ઓપરેન્ડીને લઈ પોલીસ પણ ચોંકી ઉઠી છે. ગત 12 નવેમ્બરના રોજ કડીના વૃદ્ધને અજાણ્યા મોબાઈલ નંબરથી આવેલા વીડિયો કોલમાં સામે પોલીસના ડ્રેસમાં બેઠેલા શખ્સે પોતે મહારાષ્ટ્ર પોલીસમાંથી બોલે છે અને તેના ખાતામાં સાયબર ફ્રોડના રૂ.4.90 કરોડ જમા થયા છે અને તમારા ઉપર ગુનો દાખલ કરવાનો છેનું કહી વૃદ્ધના ખાતામાંથી રૂ.10 લાખ આરટીજીએસ મારફતે ટ્રાન્સફર કરાવ્યા હતા. આ કેસની મહેસાણા સાઇબર ક્રાઇમ પોલીસની ટીમે તપાસ હાથ ધરતાં મુખ્ય જે ત્રણ ખાતામાં 10 લાખ રૂપિયા ટ્રાન્સફર થયા હતા. તેમાંથી દેશના અલગ અલગ 48 ખાતામાં રૂ.7.98 લાખ ટ્રાન્સફરકરાવી, આ રૂપિયા થકી વિવિધ વાહનોમાં‎ડીઝલ પુરાવી દેવામાં આવ્યું છે. સામે‎અજાણ્યા શખ્સોએ કમિશન આપીને પેટ્રોલ‎પંપ પાસેથી રોકડા રૂપિયા લઈ લીધા છે.‎ સામાન્ય રીતે જેના ખાતામાં સાયબર ફ્રોડ‎રૂપિયા જમા થયા છે અને તેને ઉપાડી જે‎માણસ થકી અન્યને અપાય છે તે પોલીસની‎તપાસમાં ખબર પડી જાય છે અને તેઓ‎ઝડપાઈ જાય છે. જેને લઇ સાયબર ઠગની‎ટોળકી દ્વારા આ નવી મોડસ ઓપરેન્ડી‎અપનાવવામાં આવી છે.‎ મહેસાણાના નિવૃત્ત તબીબના રૂ.30 લાખ ઉપડી ગયા‎સાઇબર ક્રાઇમના બીજા ગુનામાં, મહેસાણાના નિવૃત્ત તબીબને સળંગ 10 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી રૂ.30 લાખ જે ખાતાઓમાં ટ્રાન્સફર કરાવ્યા છે, તે તમામ રાજસ્થાન, મુંબઈ, મધ્યપ્રદેશના ઇન્દોર સહિત અન્ય રાજ્યના અલગ અલગ ખાતાં હોવાનું અને આ તમામ રૂપિયા તે ખાતામાંથી ઉપાડી પણ લેવાયાંનું બહાર આવ્યું છે. મહેસાણાની ટીમ આ ખાતાઓની ડિટેઇલ તપાસી રહી છે. જેને આધારે આગામી દિવસોમાં અન્ય રાજ્યના ઠગોની પણ ધરપકડ થઇ શકે છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:10 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:ત્રણ કિમી સીસી રોડનું કામ પૂરું થતાં આઠ મહિના લાગશે બહુચરાજી તરફ જવા ભારે વાહનોને આઠ કિમીનું ચક્કર

મહેસાણાના પાલાવાસણા સ્થિત જનપથ હોટેલ સામેથી બહુચરાજી તરફ જતો લગભગ 3 કિમીનો માર્ગ રૂ.29 કરોડના ખર્ચે નવીન સીસી રોડ બનાવવાનું કામ હાથ ધરાયું છે. આ સીસી રોડનું કામ આગામી જુલાઇ 2026 સુધીમાં પૂર્ણ કરાશે. હાલમાં મહેસાણા શહેર તરફના ભાગમાં રોડની એક બાજુ બંધ કરીને કામ શરૂ કરવામાં આવ્યું છે, તેથી વાહનો હાલ એક જ બાજુથી પસાર થઈ રહ્યા છે. વિશ્વસનીય સૂત્રો જણાવે છે કે, આગામી બે દિવસમાં નવા ડાયવર્ઝન રૂટનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ થશે. ભારે વાહનો સુવિધા સર્કલથી શિવાલા સર્કલ થઇને પાલાવાસણા સર્કલના માર્ગે અવર-જવર કરી શકશે. જેમાં ભારે વાહનોએ આઠ કિમીનું ચક્કર કાપવું પડશે. જ્યારે નાનાં વાહનો નાગલપુર ગામમાં જઈને મહેસાણા તરફ આવવાનું ડાયવર્ઝન અપાશે. શહેરને ભારે વાહનોની હેરાનગતિથી રાહત મળશે હાલના માર્ગે મહેસાણાથી બહુચરાજી તરફ જવા માટે સુવિધા સર્કલ સુધીનું અંતર 5 કિમી છે, જેને પાર કરવામાં લગભગ 9–10 મિનિટનો સમય લાગે છે. ડાયવર્ઝન લાગુ થવાથી નાના વાહનો સુવિધા સર્કલથી સીધા નાગલપુર થઈ મહેસાણામાં આવી શકશે. આ માર્ગ 4 કિમીનો છે અને તેને પાર કરવામાં આશરે 9 મિનિટ લાગશે. ભારે વાહનો માટે સુવિધા સર્કલથી શિવાલા સર્કલ અને ત્યાર બાદ પાલાવાસણા સર્કલનો માર્ગ અપનાવવો પડશે. આ આખું અંતર 8 કિમીનું થઈ જાય છે અને તેને પાર કરવામાં આશરે 15 મિનિટનો સમય લાગે છે. ભારે વાહનોની શહેર તરફની અવરજવર બંધ થતાં આરટીઓ અને જલભવન વિસ્તારમાં વારંવાર થતો ટ્રાફિકજામ ઘટશે. ઉપરાંત, સુવિધા સર્કલથી શહેરમાં પ્રવેશતા ભારે વાહનોની સંખ્યા પણ ઘટશે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:07 am

કમકમાટીભર્યો અકસ્માત:સિગ્નલ આપ્યા વિના ટર્ન લેતા બાઇક ચાલકનું અકસ્માતમાં મોત

નેશનલ હાઈવે 53 હાઇવે પર વ્યારાના ખુશાલપુરા ગામની સીમ નજીક બુધવારે કન્ટેનર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા મોટરસાયકલ ચાલક ને ગંભીર ઈજા પહોંચતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઉચ્છલ તાલુકાના વડદેખુર્દ ગામ ના રહેતા અને માછલી વેચવાના ધંધા સાથે જોડાયેલા ધીરૂભાઈ સાજીયાભાઈ ગામીત ઉંમર 40 પોતાની હોન્ડા સાઇન મોટરસાયકલ (નં. GJ-26-AD-5722) પર સોનગઢથી બારડોલી તરફ જઇ રહ્યા હતા. ત્યારે આશરે 10:30 વાગ્યે ખુશાલપુરા નજીક આવેલ રેલ્વે બ્રિજ પાસે આવેલા યુ-ટર્ન પર બારડોલી તરફથી આવતા કંટેનર ટ્રક નં. NL-01-AC-5042 ના ચાલકે કોઈપણ પ્રકારનું સાઇડ અથવા વૉર્નિંગ સિગ્નલ આપ્યા વગર ગેરકાયદેસર રીતે યુ-ટર્ન લેતા ધીરૂભાઈની બાઇક સાથે અક્સ્માત થયો હતો. જેમાં ધીરૂભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. મૃતકના ભાઈ દસિયાભાઈ ગામીતે વ્યારા પોલીસે ફરિયાદ નોંધાવતાં ટ્રક ચાલક સામે બેદરકારીપૂર્વક ગફલતથી ડ્રાઈવિંગ કરી મોત નિપજાવવાના ગુનામાં કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:03 am

શ્વાન આડું ઉતરતા અકસ્માત:રસ્તામાં અચાનક કૂતરું આવી જતા બાઇક સ્લીપ થતા બનેલી ઘટના

ગણદેવીમાં રહેતા મિતુલ અનિલભાઇ છત્રીવાલા તા. 28 નવેમ્બર ના રોજ સાંજે 8 વાગ્યાના સુમારે મિતુલ અનિલભાઈ છત્રીવાલા (ઉ.વ. 31) તેમની બાઇક (નં. GJ-21-BS-9702) પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારીને જઈ રહ્યા હતા. માણેકપોર-ટંકોલીગામ, વિનાયક વડાપાંવની દુકાન પાસેના સ્ટેટ હાઇવે રોડ પર પસાર થતા હતા ત્યારે અચાનક તેમની બાઇકની આગળ અચાનક કૂતરૂં આવી જતાં તેઓ સ્લીપ થઈને પડી ગયા હતા. અકસ્માતમાં મિતુલભાઈને હાથ-પગના ભાગે સામાન્ય અને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થતા તેમને સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. નવસારીમાં હાલ રખડતા કૂતરાઓને લઇ વહીવટી તંત્ર દ્વારા ખસીકરણની કામગીરી ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:00 am

અદ્ભુત પ્રદર્શન:વ્યારાની ધ્રુવી પંચાલે ખેલો ઇન્ડિયામાં સાધ્યું નિશાન અને મેળવ્યો ગોલ્ડ મેડલ

સફળતા એક દિવસમાં નહીં, પરંતુ એક દિવસ જરૂર મળે છે. ધોરણ-7માં જાગેલો જુસ્સો આજે રાષ્ટ્રીય મંચ પર ચમક્યો; ૨૦૨૮ ઓલિમ્પિકમાં દેશને ગોલ્ડ અપાવવાનો લક્ષ્યાંક મારે મારા માતા-પિતાનું નામ રોશન કરવું છે, આ વિચારને હકીકતમાં ફેરવવા સતત અને સખત મહેનતની જરૂર પડે છે. તાપી જિલ્લાની વ્યારા નગરની દીકરી ધ્રુવી આશિષ પંચાલે આ વાત સાબિત કરી બતાવી છે. તાજેતરમાં રાજસ્થાનમાં યોજાયેલી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2025માં ધ્રુવીએ 10 મીટર એર રાઇફલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને જિલ્લા તથા રાજ્યનું ગૌરવ વધાર્યું છે. ધ્રુવી જણાવે છે કે, કે.બી. પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતી વખતે ડી.એલ.એસ.એસ. સ્કીમ હેઠળ તેને પ્રથમવાર પ્રેક્ટિસની તક મળી. પ્રથમ જ ડિસ્ટ્રિક્ટ મેચમાં ગોલ્ડ મેડલ મળતાં તેનો આત્મવિશ્વાસ બમણો થઈ ગયો. ધીમે ધીમે તે રાજ્ય સ્તરથી રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચી. એસ.ડી. જૈન કોલેજના સહયોગથી તેણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું અને ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતી ખેલો ઇન્ડિયા ગેમ્સમાં પ્રવેશ મેળવ્યો હતો. શુટિંગમાં મન અને શ્વાસ પર નિયમન‎અને એકાગ્રતા મહત્વની‎ગોલ્ડ મેડાલીસ્ટ ધ્રુવી પંચાલના જણાવ્યા મુજબ રાઇફલ શૂટિંગ એ શરીરની સાથે સાથે મનની રમત છે, જેમાં સ્ટાન્સ લેવો, શ્વાસનું નિયમન અને ટ્રિગર દબાવવાની ટેક્નિકની સાથે મનને નિયંત્રિત કરવું પડે છે. ધ્રુવીએ મુશ્કેલીઓ વચ્ચે પણ સફળતાનું સચોટ નિશાન સાધ્યું છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:00 am

વડોદરા મામલતદાર કચેરી પાસેનો કટ બન્યો 'ડેથ ટ્રેપ':એક જ જગ્યા પર એક જ પેટર્નથી ત્રણ એક્સિડન્ટ, વાહનચાલકોની જીવલેણ ટક્કર CCTVમાં કેદ

અકસ્માત તો આપણે ઘણા જોયા હશે પરંતુ, એવી સ્થિતિ ભાગ્યે જ સર્જાઈ હશે કે, એક જ જગ્યા પર એક જ પેટર્નથી એક કરતા વધુ અકસ્માત સર્જાયા હોય અને તે તમામ અકસ્માત CCTVમાં કેદ થયા હોય. વડોદરાના સમા વિસ્તારમાં મામલતદાર કચેરી પાસે આ પ્રકારની આશ્ચર્યજનક અકસ્માતોની વણઝાર એક પછી એક ઘટી હતી. આ વિચિત્ર અકસ્માત અંગે ગતરોજ સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને ત્રણેય અકસ્માતના લાઇવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. એક જ જગ્યાએ ત્રણ દિવસમાં ત્રણ અકસ્માતવડોદરા શહેરના સમા વિસ્તારમાં મામલતદાર કચેરી પાસે ચાર રસ્તા પર અકસ્માતોની સિલસિલો જાણે અટકવાનું નામ જ ન લે તે પ્રકારે એક બાદ એક ત્રણ દિવસમાં ત્રણ અકસ્માત સામે આવ્યા છે. આ તમામ અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. રાહતની વાત એ છે કે આ તમામ અકસ્માતમાં કોઈ વ્યક્તિનો જીવ નથી ગયો પણ આ અકસ્માતના ફૂટેજ જોઈ તમે પણ ચોંકી જશો. એક અકસ્માતમાં બાઈકનો ભુક્કો બોલાવે એવો વિચિત્ર અવાજ આવ્યોઆ ત્રણેય અકસ્માતમાં પહેલી ઘટના ગત 30 નવેમ્બરે બપોરે પોણા ત્રણ વાગ્યાની આસપાસ બની છે, જેમાં બે બાઇક વચ્ચે જોરદાર ટક્કર થાય છે જેમાં બંને વ્યક્તિના બાઇક ફંગોળાઈ બંને વ્યક્તિ નીચે પટકાતા નજરે પડે છે. આ બાદ તે જ સાંજે છ વાગ્યા બાદ એક સાથે ત્રણ બાઇકની એક સાથે ટક્કર થાય છે જેમાં જાણે બાઈકનો ભુક્કો બોલાવે એવો વિચિત્ર અવાજ આવે છે, જેમાં ચાર લોકોને ઇજાઓ પહોંચે છે. આ સાથે આ જ જગ્યા પર ગત રોજ એક એક્ટિવાચાલકને કાર ચાલક અડફેટે લે છે. આ તમામ અકસ્માત એક જ જગ્યાએ ત્રણ દિવસમાં સર્જાય છે. બાઈકચાલકે વાહન હંકારવામાં બેદરકારી દાખવતા ફરિયાદી ગંભીર ઈજાગ્રસ્તસમા વિસ્તારમાં આવેલ મામલતદાર કચેરીની પાસે આવેલા કટ પર અકસ્માતનો ભોગ બનેલ બાઈક ચાલક નિતીન રાઠોડે નોંધાવેલી ફરિયાદ મુજબ અજાણ્યા શખસે આ જગ્યા પર પોતાનું બાઇક બેદરકારીપૂર્વક હંકારી ફરિયાદીની બાઇક સાથે અથડાવી ફરિયાદીના પગના અંગૂઠામાં અને બે આંગળીઓમાં ફેક્ચર કરી સાથે જ પાછળ બેસેલ તેઓના મિત્ર ભરતસિંહ મહિડાને ચહેરાના ભાગે તથા નાકના ભાગે ફેક્ચર કરી આંખની કીકીમાં ક્રેક કરી ઇજાઓ પહોંચાડી ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ સમા પોલીસ મથકમાં નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 12:05 am

રાજકોટ-વેરાવળ લોકલ ટ્રેનના એન્જિનમાં ખામી સર્જાતા અટકી:શાપુર સ્ટેશને બાળકો સાથે મુસાફરો પાણી વગર હેરાન-પરેશાન, રેલવે સામે લોકોમાં રોષ; કલાકો બાદ ફરી ટ્રેન રવાના

રાજકોટ-વેરાવળ રૂટ પર દોડતી લોકલ ટ્રેનના મુસાફરોને મધ્યરાત્રિએ અણધારી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શાપુર રેલવે સ્ટેશન ખાતે ટ્રેનના એન્જિનમાં ખામી સર્જાતા ટ્રેન અટકી પડી હતી. દોઢ કલાક બાદ ટ્રેન ફરી રવાના થઈ હતી. ટ્રેન શરૂ ન થતાં મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને રેલવે વિભાગના બેદરકાર વલણ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. શાપુર રેલવે સ્ટેશન પર પહોંચતા જ ખામી સર્જાઈ હતીટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોએ જણાવ્યું હતું કે, રાત્રે અંદાજિત 9 વાગ્યે ટ્રેન શાપુર રેલવે સ્ટેશન પર પહોંચી ત્યારે તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જોકે, કલાકો વીતવા છતાં પણ રેલવે તંત્ર દ્વારા ખામી દૂર કરવાની કે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવાની કામગીરી ન કરાતા મુસાફરો હેરાન-પરેશાન થઈ રહ્યા છે. ટ્રેન સંચાલક કોઈ સ્પષ્ટ જવાબ આપતા નથીરાજકોટથી મુસાફરી કરતા કિશોરભાઈ જીયાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ કલાકથી અહીં ટ્રેનમાં ખામી સર્જાઈ છે. મુસાફરો, ખાસ કરીને નાના બાળકો, ખૂબ જ હેરાન થઈ રહ્યા છે. ટ્રેન સંચાલક દ્વારા પણ કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નથી કે આ ટ્રેન ક્યારે શરૂ થશે, જેના કારણે અનિશ્ચિતતાની સ્થિતિ છે. પીવાના પાણીની પણ કોઈ વ્યવસ્થા નથીકેશોદ જવા માટે પરિવાર સાથે મુસાફરી કરી રહેલા વજુભાઈએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા એક કલાકથી અહીં શાહપુર ખાતે ટ્રેન બંધ પડી છે, પરંતુ કોઈ પણ પ્રકારનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. અમને આશા હતી કે ઇલેક્ટ્રોનિક એન્જિન આવ્યા પછી ટ્રેનની સેવા ઝડપી બનશે, પરંતુ હાલ એવી જગ્યાએ ટ્રેન બંધ થઈ છે કે જ્યાં બાળકોને પીવા માટે પાણીની પણ કોઈ વ્યવસ્થા નથી. રેલવે તંત્ર દ્વારા કોઈ સહકાર કે પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં ન આવીમુસાફરોનો આક્ષેપ છે કે, કટોકટીની આ સ્થિતિમાં રેલવે તંત્ર દ્વારા મુસાફરોને કોઈ સહકાર કે પ્રાથમિક સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી નથી. મુસાફરોએ રેલવે તંત્ર વહેલી તકે જાગીને તાત્કાલિક અસરથી ટ્રેનની ખામી દૂર કરાવે અથવા મુસાફરોને આગળના સ્થળે પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવે તેવી આક્રોશ સાથે માગ કરી છે.

દિવ્ય ભાસ્કર 3 Dec 2025 11:31 pm

યાત્રી કૃપયા ધ્યાન દે:બાંદ્રા ટર્મિનસ–ભુજ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન, પશ્ચિમ રેલવેની નવી જાહેરાત

રેલવેમાં મોટાભાગના લોકો મુસાફરી કરતા હોય છે ત્યારે પશ્ચિમ રેલવે મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને બાંદ્રા ટર્મિનસથી ભુજ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેન સંપૂર્ણપણે રિઝર્વ રહેશે અને તેમાં AC 3-ટિયર કોચ અવેલેબલ રહેશે. દર 15 દિવસે ચાલનારી આ ટ્રેનની કુલ 24 ફેરા રહેશે. બાંદ્રા ટર્મિનસથી ભુજ જતી ટ્રેન નંબર 09037 દર ગુરુવાર અને શનિવારે બપોરે 2:40 વાગ્યે પ્રસ્થાન કરીને બીજા દિવસે સવારે 5:50 વાગ્યે ભુજ પહોંચશે. આ ફેરા 6 ડિસેમ્બર, 2025થી 15 જાન્યુઆરી, 2026 સુધી ચાલુ રહેશે. તે જ રીતે ભુજથી બાંદ્રા ટર્મિનસ જતી ટ્રેન નંબર 09038 દર શુક્રવાર અને રવિવારે સાંજે 17.40 વાગ્યે નીકળશે અને બીજા દિવસે સવારે 8.30 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ફેરા 7 ડિસેમ્બર, 2025થી 16 જાન્યુઆરી, 2026 સુધી ચાલશે. ટ્રેન બંને રૂટમાં બોરીવલી, વાપી, સુરત, ભરુચ, વડોદરા, આનંદ, અમદાવાદ, ધ્રાંગધ્રા, સામાખ્યાલી, ભચાઉ અને ગાંધીધામમાં રોકાણ કરશે. આ ટ્રેનોની બુકિંગ 4 ડિસેમ્બર, 2025થી તમામ PRS કાઉન્ટરો અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.

દિવ્ય ભાસ્કર 3 Dec 2025 11:19 pm

જૈન દેરાસરની 75 હજારની દાનપેટી ચોરી:ડોક્ટરના ક્લિનિકમાં દર્દી બનીને આવેલા ગઠિયો 5 લાખ લઈને ફરાર

પાલડીમાં આવેલી ધનુષધારી સોસાયટીમાં રહેતા સુમિતીલાલ જૈન પાલડીના અશોકનગર બસ સ્ટેન્ડ સામે આવેલા શ્રી 1008 શ્રી ચિંતામણી પાર્શ્વનાથ દિગંબર જૈન મંદિરમાં ત્રણ વર્ષથી અધ્યક્ષ છે. ગત તા. 2 ડિસેમ્બરના રોજ સવારે દેરાસરના પૂજારી મનીષભાઇ ઔદિચ્યએ દેરાસરના અધ્યક્ષ સુમિતીલાલને ફોન કરીને દેરાસરના ઉપરના માળે આવેલા મંદિરના દરવાજાનું તાળું તૂટ્યું હોવા અંગે જાણ કરી હતી. જેથી, સુમિતીલાલે ત્યાં તપાસ કરી તો મુખ્ય દરવાજાનું લોક તૂટેલી હાલતમાં હતું. મંદિરમાં રાખેલી જીવદયાની દાનપેટી ચોરી થયેલી હતી. દાનપેટીમાં આશરે 70થી 80 હજારની રકમ હતી. અધ્યક્ષ સુમિતીલાલે પૂજારીને આ બાબતે પૂછતા તેમણે જણાવ્યું કે, આગલા દિવસે બપોરે તે દેરાસરને લોક મારીને નીકળી ગયા હતા. બીજા દિવસે સવારે દેરાસરમાં અન્ય દર્શનાર્થીઓ સાથે આવ્યા ત્યારે તાળું તુટેલું હતું. જેથી આ મામલે પોલીસને જાણ કરાતા પાલડી પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. દર્દી બનીને આવેલો ગઠિયો ડોક્ટરના પાંચ લાખ ચોરી ગયોઇન્કમટેક્સ પાસે આવેલા હરસિદ્ધ ચેમ્બર્સમાં હર્ષિતભાઇ આચાર્ય દવાખાનું ધરાવે છે. ગત તા. 30મીએ તેમના માતા-પિતા દવાખાને હાજર હતા. ત્યારે બે શખ્સો આવ્યા હતા અને એક શખ્સે દર્દી તરીકે રાજકુમાર શર્મા નામ જણાવીને ફાઇલ બનાવડાવી હતી. જે બાદ આ શખ્સ હર્ષિતભાઇના પિતા પાસે જઇને બેસી ગયો હતો. તેમણે પહેરેલી ઘડિયાળ વિશે વાત કરીને ઘડિયાળ કઢાવીને ટેબલ પર મૂકાવીને વાતોમાં ભોળવીને પાછળ પડેલા પાંચ લાખ ચોરીને તેના સાગરિતને આપીને બંને ફરાર થઇ ગયા હતા. આ મામલે વાડજ પોલીસે તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 3 Dec 2025 11:12 pm

રાજકોટ ક્રાઇમ ન્યૂઝ:ફાયરિંગ કેસમાં હથિયાર આપનાર MP થી ઝડપાયો, આરોપી રાજ્યનો મુખ્ય સપ્લાયર નિકળ્યો

રાજ્યભરમાં હથિયાર સપ્લાય કરનાર મધ્યપ્રદેશના સપ્લાયરને એસઓજી ટીમે ઝડપી પાડ્યો છે. મંગળા રોડ પર સરાજાહેર ફાયરિંગના બનાવની તપાસ કરતા એસઓજી હથિયાર સપ્લાય નેટવર્કની મુખ્ય કડી સુધી પહોંચી હતી અને સપ્લાયરનું નામ ખુલતા જ એસઓજીની ટીમ એમપી ખાતે દોડી ગઈ હતી અને હથિયારના સપ્લાયરને ઉઠાવી રાજકોટ લાવવા તજવીજ હાથ ધરી હતી. ગત તા.29 ની રાતે જંગલેશ્વરમાં રહેતી કુખ્યાત રમા સંધીનો પતિ જાવીદ જુણેજાને ફેફસાની બીમારીથી પીડિત હોય જેથી તેમને મંગળા મેઈન રોડ પર આવેલ પ્રગતી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં.મોડી રાત્રીના 3 વાગ્યાની આસપાસ રમા સંધીની ત્રણ પુત્રી તેમના પુત્રો સાથે હોસ્પિટલ બહાર બેઠી હતી ત્યારે એક બાઈક અને એક કારમાં પેંડા ગેંગના મેટિયો ઝાલા, ભયલું ગઢવી સહિત ચાર શખ્સો ઘસી આવ્યાં હતાં અને ધડાધડ ફાયરીંગ કરી દિધું હતી. જ્યારે સામા પક્ષે પણ સંજય ઉર્ફે સંજલો અને સમીર ઉર્ફે મુર્ગો સહિતની ટોળકીએ ફાયરીંગ કર્યા હતા. જે મામલે પેંડા ગેંગના 17 સભ્યો વિરુદ્ધ ગુજસીટોક એકટ હેઠળ આકરી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. આ દરમીયાન પકડાયેલ હથિયારના સપ્લાયર રાજેશસિંગ ઉર્ફે રાજા વિરુદ્ધ રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ સહીત રાજ્યભરમાં હથિયારધારાના 12 ગુના નોંધાઈ ચુક્યાનું એસઓજીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત રાજા વિરુદ્ધ એમપીમાં પણ હથિયાર, મારામારી સહીતના 3 ગુના નોંધાઈ ચુક્યા છે. 13 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના ગુનામાં મોનાર ચીહલાને પાંચ વર્ષની સખત કેદ અને રૂપિયા 50 હજારનો દંડ 13 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના ગુનામાં મોનાર રાણાભાઇ ચીહલાને રાજકોટની કોર્ટે પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે રૂ.50 હજારનો દંડ પણ ફટકાર્યો છે. રાજકોટ એસ.ઓ.જી.ટીમને ખાનગી બાતમી મળી હતી કે તા.24/09/2023 ના એક શખ્સ બહારથી માદક પદાર્થ મંગાવી વેચાણ કરવા આવી રહ્યો છે જે શખ્સ 150 ફુટ રીંગ રોડ પર કારમાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે કારમાં આવી રહેલા મોનારને પકડી તેની પાસેથી 12.86 ગ્રામનો માદક પદાર્થ મેફેડ્રોનનો જથ્થો કબજે કર્યો હતો. જે અંગેનો કોર્ટ કેસ ચાલી જતા 16 દસ્તાવેજી પુરાવા તથા 6 સાહેદો તપાસ્યા બાદ આરોપીને કોર્ટે 5 વર્ષની સખત કેદ અને રૂ.50,000 ના દંડની સજા ફટકારી છે. મોર્નિંગ વોક કરતા વેપારીના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ કરતો કુખ્યાત ચોર ઝડપાયો રેસકોર્સ રિંગરોડ પર વોકિંગ કરવા નીકળેલા વેપારી યુવાનના ગળામાં ઝોંટ મારી રૂ.38 હજારનો પેન્ડલ સહિતનો સોનાનો ચેન આંચકી લીધો હતો. જે અંગે પ્રદ્યુમનનગર પોલીસે તપાસ હાથ ધરી ચિલઝડપ કરનાર રીઢા ચોર મેહુલ ઉર્ફે ભુરીને ઝડપી લીધો હતો.રૈયા ટેલિફોન એકસચેન્જ પાસે રહેતા પુનીતભાઇ દિપકભાઈ ગણાત્રા (ઉ.વ. 30) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ભક્તિનગર સ્ટેશન પ્લોટ શેરી નં. 7 માં ચિરાગ ટ્રેડિંગ નામની ઓફીસ છે. ગત તા. 29/11/2025 ના રોજ સવારના 7.30 વાગ્યા આસપાસ તેઓ ઘરેથી બાઇક લઈ રેસકોર્ષ રીંગરોડ ખાતે વોકિંગ કરવા માટે ગયા હતા. જે દરમિયાન 8.30 વાગ્યા આસપાસ એન.સી.સી ચોક તથા ઈન્કમટેક્ષ ઓફીસની વચ્ચે પહોંચતા પાછળથી એક બાઇક ચાલક આવ્યો હતો અને વેપારીના ગળામાં પહેરેલ સોનાનો ચેઈન આંચકી નાસી ગયો હતો. જેથી પ્રદ્યુમનનગર પોલીસે આ ઘટનામાં રીઢા ચોર મેહુલ ઉર્ફે ભુરી મામો ધનજી જેઠવા(ઉ.વ. 28 રહે. કૈલાશનગર શેરી નં. 2,નવલનગર-9ના છેડે, મવડી પ્લોટ) ને ઝડપી લીધો હતો. પોલીસે આ શખસની પુછતાછ કરતા તેણે સોનાનો ચેન અને પેન્ડલ સોની વેપારીને વેચી દીધાનું જણાવતા પોલીસે સોની વેપારી પાસેથી સોનાનો ઢાળીયો કબજે કર્યો હતો. સોની વેપારીની ભૂમિકા અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે. જો તેણે ખ્યાલ હોવા છતા ચોરીનો આ ચેઇન ખરીદ્યો હોવાનું સામે આવશે તો તેની સામે પણ ગુનો નોધવામાં આવશે. કુખ્યાત શખસ મેહુલ સામે શહેરના અગલ અલગ પોલીસ સ્ટેશનમાં ચિલઝડપ- ચોરી સહિતના 31 ગુના નોંધાઇ ચૂકયા હોવાનુ જાણવા મળ્યું છે. વિદેશી દારૂની 60 બોટલ સાથે વેપારી ઝડપાયો, જૂનાગઢના શખ્સ પાસેથી લાવ્યાની કબૂલાત કાલાવડ રોડ પર આવેલ ક્રિસ્ટલ મોલ પાછળથી દારૂ ભરેલી કાર એલસીબી ઝોન-2 ટીમે ઝડપી પાડી હતી. દારૂ ભરેલી કાર સાથે ભૌમિક પારેખ નામના વેપારીની ધરપકડ કરી હતી. જયારે દારૂનો જૂનાગઢનો સપ્લાયર કલ્પેશ ઉર્ફે લાલાનું નામ ખુલતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. એલસીબી ઝોન-2ની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ટીમને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, કાર નંબર જીજે-03-જેસી-8990 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરવામાં આવ્યો છે અને હાલ આ કાર કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ પાછળ શિલ્પન બંગલોઝના ગેટ પાસે પાર્ક કરેલી છે. જે બાતમીના આધારે ટીમ સ્થળે દોડી ગઈ હતી અને કારને કોર્ડન કરી ચેક કરતા તેમાંથી રૂ. 78 હજારની કિંમતની દારૂની 60 બોટલ મળી આવતા પોલીસે દારૂ, કાર, મોબાઈલ મળી કુલ રૂ. 4.03 લાખના મુદ્દામાલ સાથે કાર માલિક ભૌમિક યોગેશ પારેખ (ઉ.વ. 37 રહે. શિલ્પન બંગ્લોઝ નં.- 8, ક્રિસ્ટલ મોલ પાછળ, ઘનશ્યામનગર મેઇન રોડ, જ્યોતિનગર ચોક)ની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલ શખ્સે કેફિયત આપી હતી કે, તે દારૂનો જથ્થો જુનાગઢના કલ્પેશ ઉર્ફે લાલા પાસેથી લઈ આવ્યો હતો અને અહીં છૂટકમાં વેચાણ કરવાની ફિરાકમાં હતો. પરંતુ તે પૂર્વે જ પોલીસે તેને દબોચી લીધો હતો.ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ શખ્સ વિરુદ્ધ દારૂ સહિતના ત્રણ ગુના અગાઉ નોંધાય ચૂક્યા છે. પત્ની સાથે મૈત્રી કરારથી રહેલા આધેડને પતિ સહિત 4 શખ્સોએ માર માર્યો ગોવર્ધન ચોક પાસે સુખસાગર શેરીમાં રહેતાં અને ડ્રાઇવિંગનું કામ કરનાર મૈયાભાઈ પોપટભાઈ બોળીયા(ઉ.વ. 50) નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રેવા ઓળકિયા, રાજુ ઓળકિયા અને અન્ય બે અજાણ્યા શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે, બે વર્ષ પૂર્વે રેવા ઓળકિયાના પત્ની ભીખુબેન સાથે પ્રેમ સંબંધ હોવાથી મૈત્રી કરાર કરી 10 દિવસ સાથે રહ્યા હતા. આ બાબતે રેવા ઓળકિયાએ ઝઘડો કરી મારકૂટ કરી હતી ત્યારે આધેડે પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી. સમાજના લોકોની સમજાવટથી ઘરમેળે સમાધાન કરી લીધું હતુ. જે દરમિયાન ગઈકાલે સાંજે 5.45 વાગ્યા આસપાસ આધેડ તેના મોટર સાઇકલ પર માલધારી ફાટકથી સાંઈબાબા સર્કલ પાસે ઉન્નતી એરિયા પાસે પહોંચતા રેવા ઓળકિયા, રાજુ ઓળકિયા અને અન્ય બે અજાણ્યા શખ્સોએ રોકી અહીંયા કેમ રખડે છે? તેમ પૂછતા આધેડે જણાવ્યું કે, કામથી આવ્યો છું. ત્યારે ચારેય ગાળો આપતા હતા જોકે ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઈને રેવાએ લોખંડનો પાઈપ આધેડને ડાબા પગમાં માર્યો હતો. જ્યારે રાજુએ લાકડાના ધોકો જમણા પગમાં માર્યો હતો. તેમની સાથેના અજાણ્યા શખસોએ ઢીકાપાટુનો માર મારતા આધેડ બુમ પાડવા લાગતા ચારેય શખસો નાશી ગયા હતા. જે બાદ આધેડે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ચારેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સૌરાષ્ટ્રમાં ટ્રાન્સફોર્મરોમાંથી કોપર, એલ્યુમીનીયમના વાયરોની ચોરી કરતો શખ્સ ઝબ્બે સરધાર ગામ પાસે વાડી વિસ્તારમાં વીજ પોલમાં ટ્રાન્સફોર્મરોમાંથી કોપર તથા એલ્યુમીનીયમના વાયરોની ચોરી અંગેની ફરીયાદ આજીડેમ પોલીસમાં નોંધાઇ હતી. આ ગુનામાં બાતમીના આધારે કોપર વાયર ચોરીના ગુનામાં સામેલ વિજય ઉર્ફે ભગો વાલજી વાઘેલા (ઉ.વ.28) (રહે.ભાવનગર રોડ ખોડીયાર નગર અને હાલ હોસ્પિટલ ચોક બ્રીજ નીચે) ને ઝડપી પાડ્યો હતો. પોલીસની તપાસમાં આરોપી રાજકોટ, ભાવનગર, ધોળકા, સુરેન્દ્રનગર, બોટાદ, જસદણ, ગોંડલ, શાપર-વેરાવળ સહિતના ગામ નજીક વાડી વિસ્તારમાં વીજ પોલમાંથી ટ્રાન્સફોર્મરમાંથી કોપર અને એલ્યુનિયમના વાયર ચોરીના 13 ગુનામાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે.

દિવ્ય ભાસ્કર 3 Dec 2025 10:34 pm

ગોધરા નજીક ST બસમાં યુવતી સાથે છેડછાડ:કંડક્ટર સામે ફરિયાદ, હાલોલમાં પરિણીતાને સાસુ-પતિનો ત્રાસ

ગોધરા તાલુકાના કેવડિયા ગામ નજીક એક એસટી બસમાં યુવતી સાથે છેડછાડનો બનાવ બન્યો છે. આ મામલે યુવતીએ બસ કંડક્ટર વિરુદ્ધ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, 2 ડિસેમ્બરના રોજ યુવતી ગીતામંદિર ડેપોથી પીટોલ બોર્ડર જતી બસમાં મુસાફરી કરી રહી હતી. ગોધરા સ્ટેશન બાદ મોટાભાગના મુસાફરો ઉતરી ગયા હતા. ત્યારબાદ કેવડિયા ગામ નજીક બસ કંડક્ટર યુવતીની બાજુની ખાલી સીટ પર આવીને બેસી ગયો હતો. યુવતીના આક્ષેપ અનુસાર, કંડક્ટરે અચાનક તેનો હાથ પકડીને પોતાના મોઢા તરફ ખેંચી ચુંબન કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ તરત જ તેનો હાથ છોડી વિરોધ કર્યો હતો. આ પછી કંડક્ટરે યુવતીનું સરનામું અને મોબાઇલ નંબર પૂછપરછ કરવાનું શરૂ કર્યું, જેનાથી યુવતી ભયભીત થઈ ગઈ હતી. બનાવ બાદ યુવતીએ તરત જ દાહોદ રહેતા પોતાના જીજાજીને ફોન અને વ્હોટ્સએપ મેસેજ કરીને જાણ કરી હતી. જીજાજીએ યુવતીને લાઇવ લોકેશન મોકલવાનું કહ્યું અને પોતાના મિત્રો સાથે દાહોદ નજીક બસ રોકાવાની જગ્યાએ પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને તેમણે કંડક્ટરને ઠપકો આપ્યો હતો. પ્રારંભમાં યુવતી અને પરિવારજનો દાહોદ એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ગયા હતા, પરંતુ બનાવ ગોધરા તાલુકા પોલીસ હદમાં આવતો હોવાથી તેઓને ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન મોકલવામાં આવ્યા હતા. બાદમાં યુવતી, તેના જીજાજી અને માતા-પિતાએ હાજર રહી કંડક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે ફરિયાદ નોંધાવી હતી. હાલોલમાં પરિણીતાએ સાસુ અને પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવીબીજા એક બનાવમાં, હાલોલ તાલુકાની તુલસીવિલા સોસાયટીમાં રહેતી એક પરિણીતાએ સાસુ અને પતિ વિરુદ્ધ માનસિક તથા શારીરિક હેરાનગતિ અંગે ગોધરા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, 29 વર્ષીય પરિણીતાના લગ્ન એપ્રિલ 2024માં ભરતસિંહ દિલીપસિંહ સોલંકી સાથે થયા હતા. લગ્નના થોડા સમયમાં જ ઘરમાં કલેશ શરૂ થયો હતો. પરિણીતાનું કહેવું છે કે સાસુ પ્રેમીલાબેન ઘરકામ બાબતે સતત ટકોરો કરતા અને અપમાનજનક શબ્દોમાં સંસ્કાર પર સવાલ ઉઠાવતા હતા. સાસુ દ્વારા નોકરાણીની જેમ કામ કરવું પડશે જેવી વાતો કરવામાં આવતી હોવાથી પારિવારિક તણાવ વધતો ગયો હતો. પતિ ભરતસિંહનું વર્તન પણ ધીમે ધીમે આક્રમક બનતું ગયું હોવાનું પરિણીતાએ જણાવ્યું છે. પ્રેગ્નન્સી દરમિયાન પતિ દ્વારા ગર્ભ રાખવા મનાઈ કરાઈ હોવા છતાં પરિણીતાએ ગર્ભ રાખ્યો હતો, ત્યારબાદ પતિ અને સાસુ બંને તરફથી માનસિક ત્રાસ વધી ગયો હતો. પરિણીતાના આરોપ મુજબ, પતિએ અનેકવાર ગાળો, ધમકી તેમજ મારઝૂડ પણ કર્યો હતો. ગત 18 ડિસેમ્બર 2024ના રોજ જ્યારે પરિણીતાના ભાઈ-ભાભી તેમને સાસરીમાં મૂકવા ગયા, ત્યારે સાસુએ તેમને ઘરમાં પ્રવેશવા દીધા નહોતા અને અહીં રહેશે તો મારો છોકરો પાછો નહીં આવે તેવી ધમકી આપી હતી. બાદમાં 27 માર્ચ 2025ના રોજ પરિણીતાએ ગોધરા સિવિલ હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હોવા છતાં પતિ કે સાસુ હોસ્પિટલમાં જોવા પણ આવ્યા નહોતા. સમાજજનોએ આ મુદ્દો ઉકેલવાનો પ્રયાસ કર્યો છતાં સાસરિયાવાળા કોઈ વાતચીત માટે તૈયાર ન થતા, આ ઘટનાઓ બાદ પરિણીતાએ ગોધરા મહિલા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ કેસની પ્રાથમિક તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 3 Dec 2025 10:17 pm

ડાંગ જિલ્લામાં પ્રાઇવેટ ડોકટરોનો પરિસંવાદ:આરોગ્ય વિભાગનું આયોજન આરોગ્ય સેવાઓને વધુ સુદ્ઢ બનાવવા સંકલ્પ

ડાંગ જિલ્લામાં જાહેર આરોગ્ય તંત્ર અને ખાનગી ક્ષેત્ર વચ્ચે સંકલન મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ પરિસંવાદ યોજાયો હતો. આહવા સ્થિત જિલ્લા પંચાયતના સભાખંડમાં આયોજિત આ કાર્યક્રમમાં 42 થી વધુ ખાનગી પ્રેક્ટિસ કરતા ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હિમાંશુ ગામીતના માર્ગદર્શન હેઠળ આ પરિસંવાદ યોજાયો હતો. પરિસંવાદ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિવિધ કાર્યક્રમોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આમાં માતૃ-બાળ કલ્યાણ, રાષ્ટ્રીય રસીકરણ, કુટુંબ કલ્યાણ યોજના, ટી.બી. નિયંત્રણ, સંકલિત રોગ સર્વેલન્સ, વેક્ટરજન્ય રોગ નિયંત્રણ, બિનચેપી રોગો, માનસિક આરોગ્ય, ઈ.એન.ટી., કુપોષણ અને એન.આર.સી./સી.એમ.સી. સંબંધિત કામગીરી તથા લક્ષ્યાંકોનો સમાવેશ થાય છે. ડોકટરોને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સ અધિનિયમ-2010ની કાયદાકીય જોગવાઈઓ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, જિલ્લામાં માતા-બાળ મૃત્યુદર ઘટાડવા, સગર્ભા માતાઓની વહેલી નોંધણી, અતિજોખમી કેસોની ઓળખ, કટોકટીની ગાયનેક સારવાર માટે સમયસર રેફરલ, સંસ્થાકીય પ્રસૂતિમાં વધારો, ટીનએજ ગર્ભાવસ્થા નિયંત્રણ, ઓછા વજનવાળા અને ગંભીર રીતે બીમાર શિશુઓની વિશેષ સારવાર, તેમજ કુપોષિત બાળકોને એન.આર.સી./સી.એમ.ટી.સી.માં દાખલ કરવા જેવા મુદ્દાઓ પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગે ખાનગી ડોકટરોને જિલ્લામાં ઉદ્ભવતા પડકારજનક પરિબળોથી અવગત કર્યા હતા. તેમને પરસ્પર સહયોગ દ્વારા જનસમુદાયને વધુ અસરકારક, સુલભ અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પૂરી પાડવા અપીલ કરવામાં આવી હતી. આ પરિસંવાદમાં જિલ્લા ક્ષય અધિકારી ડો. બિનેશ ગામીત, આહવા સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. મીતેશ કુનબી, ડો. ભાવિન પટેલ અને જિલ્લા રોગચાળા અધિકારી ડો. નિલકેતુ પટેલ સહિત અન્ય ખાનગી પ્રેક્ટિસ કરતા ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 3 Dec 2025 10:10 pm

NID અમદાવાદના 22 વર્ષીય વિદ્યાર્થીએ સ્વદેશી ડ્રોન ડિઝાઇન કર્યું:પોલીસ-આર્મીના જવાનોને મદદરૂપ થવા ડ્રોન તૈયાર, સર્વેલન્સ-ક્વિક રિસ્પોન્સ માટે કામ લાગશે

NID અમદાવાદમાં અભ્યાસ કરતા 22 વર્ષીય વિદ્યાર્થીએ સ્વદેશી ડ્રોન ડિઝાઇન કર્યું છે. વિદ્યાર્થીઓના ટેક્ટિકલ કોમ્યુનિકેશન પ્રોજેક્ટના ભાગ રૂપે NID અમદાવાદના વિદ્યાર્થીએ STRIX નામનું સ્વદેશી ડ્રોન ડિઝાઇન કર્યું છે. STRIX એ ભારતમાં ઝડપી પ્રતિભાવ પોલીસ અને આંતરિક સુરક્ષા કામગીરી માટે રચાયેલ ક્ષેત્ર-ઓપ્ટિમાઇઝ્ડ સર્વેલન્સ ડ્રોન છે. અત્યારે જે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવે છે તે ચાઇના કંપનીના હોવાથી ડેટા લીક થવાનો ડર હોય છે. જેથી NID અમદાવાદના વિદ્યાર્થીએ સ્વદેશી ડ્રોન ડિઝાઇન કર્યું છે. જે દેશની આંતરિક સુરક્ષા માટે પોલીસ અને આર્મી માટે મદદરૂપ થઈ શકે છે. સ્વદેશી ડ્રોનની ડિઝાઇન મંજૂર થઈ ગઈ છે. હવે ફંડ મળ્યા બાદ પ્રોડક્શન શરૂ કરવામાં આવશે. દેશની આંતરિક સુરક્ષા માટે નાની સાઇઝમાં ડ્રોન ડિઝાઇન કરાયુંપોલીસ માટે સર્વેલન્સ ડ્રોન ઈન્ડિયામાં માત્ર એક જ કંપની બનાવે છે. તેની સાઇઝ પણ મોટી હોવાથી ઓછામાં ઓછા બેથી ત્રણ લોકોની ડ્રોનનો ઉપયોગ કરવા માટે મદદ લેવી પડતી હોય છે. જેથી આ બધી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને NID અમદાવાદના વિદ્યાર્થીએ ડ્રોન ડિઝાઇન કર્યું છે. દેશની આંતરિક સુરક્ષા માટે નાનો ડ્રોન ડિઝાઇન કરવામાં આવ્યું છે. જે ડ્રોનનો એક જ વ્યક્તિ હોય તો પણ તેનો સરળતાથી ઉપયોગ કરી શકે છે. તેમજ બેગમાં લઈને પણ તે પ્રકારની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. ચાઈનીઝ બ્રાન્ડના ઉપયોગથી ડેટા લીક થવાનો ડરઅત્યારે મોટા ભાગના ડ્રોન ચાઇનીઝ કંપની બનાવી રહી છે. જેથી ચાઈનીઝ બ્રાન્ડનો ઉપયોગ કરવામાં આવી ડેટા લીક થવાનો ડર પણ રહેતો હોય છે. જેથી NIDના વિદ્યાર્થી મોનીશે તેનું પણ પૂરતું ધ્યાન રાખ્યું છે. તમામ સ્વદેશી પાર્ટ બનાવીને ડ્રોન તૈયાર કરવામાં આવ્યો છે. જેથી ડેટ લોક થવાનો પણ કોઈપણ પ્રકારનો ડર ન રહે. સ્વદેશી ડ્રોન હોવાથી અત્યારે ડિઝાઇનની તમામ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. નાના ડ્રોન કોઈ સ્વદેશી કંપની બનાવતી નથીદિવ્ય ભાસ્કરની સાથેની વાતચીતમાં મોનીશ બફાનાએ જણાવ્યું હતું કે, ISR ડ્રોન ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ ડ્રોન દેશની આંતરિક સુરક્ષા માટે ઉપયોગ કરવામાં આવી શકે છે. અત્યારે પોલીસ જે ડ્રોનનો ઉપયોગ કરે છે તે ચાઈનીઝ બ્રાન્ડના છે. તે ઇન્ડિયા બહાર બને છે કારણ કે નાના ડ્રોન બનાવતી બીજી કોઈ સારી કંપની નથી. મોટા ડ્રોન ઘણી બધી કંપની બનાવી રહી છે, પરંતુ નાના ડ્રોન કોઈ સ્વદેશી કંપની બનાવતી નથી. ચાઇનીઝ ડ્રોનનો કોઈ પાર્ટ ખરાબ થાય તો તેને કંપનીમાં મોકલવામાં આવે છે. જે બાદ કંપનીના તે બે ત્રણ મહિના પછી રિપેર કરીને પરત મોકલી આપે છે. આ ડ્રોન એક જ વ્યક્તિ બેગમાં રાખીને લઈ જઈ શકે છે અત્યારે ઉપયોગમાં આવતા ડ્રોનને લઈને મોનીશ બફાનાએ જણાવ્યું હતું કે, ડ્રોન ચાઇનીઝ કંપની બનાવતી હોવાથી કોઈ સિક્રેટ મિશન માટે ઉપયોગ કરવામાં આવે તો તેનો ડેટા ચાઇનીઝ સુધી પહોંચી જાય છે. ઘણી વખત એવું પણ જોવા મળ્યું છે કે ચાઈનીઝ પ્રોડક્ટ ઉપયોગ કરીએ તો તેનો ડેટા ચાઇનીઝ જોડે પહોંચી જાય છે. જેથી આ ડ્રોનને એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે જો કોઈ પાર્ટ ખરાબ થાય તો તેને નીકાળી નવો પાર્ટ લગાવી શકાય છે. પોલીસ ફોર્સ માટે ઈન્ડિયામાં એક જ કંપની છે જે સર્વેલન્સ ડ્રોન બનાવે છે. જેના ડ્રોન એટલા મોટા હોય છે કે ઓછામાં ઓછા બે વ્યક્તિની જરૂર પડતી હોય છે. આ ડ્રોન એક જ વ્યક્તિ બેગમાં રાખીને લઈ જઈ શકે છે અને તેનો ઉપયોગ કરી શકે છે. આ ડ્રોનમાં અલગ અલગ કેમેરા અને સેન્સર લગાવી શકાય છે. જે પ્રકારની પરિસ્થિતિ હોય છે તેના આધારે ડ્રોન સેટ કરી શકાય છે. આ ડ્રોન 120 મીટર સુધીની ઊંચાઈ પર જઈ શકે છેવધુમાં મોનીશે જણાવ્યું હતું કે, દેશની આંતરિક સુરક્ષા માટે સ્વદેશી અને નાનો ડ્રોન કોઈ બનાવતું નહોતું. જેથી અમે તમામ પાર્ટ સ્વદેશી બનાવીને ડ્રોન તૈયાર કર્યું છે. અત્યારે પહેલો ફેઝ પૂર્ણ થઈ ગયો છે હવે બીજા ફેઝ માટે મૂકવામાં આવ્યો છે. DRDOને ડ્રોન બનાવ્યો તો તેમણે પણ મારો ડ્રોન પસંદ આવ્યો હતો. પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, આર્મી STRIX ડ્રોનનો ઉપયોગ કરી શકે તે માટે તૈયાર કરવામાં આવ્યો છે. જે 120 મીટર સુધીની ઊંચાઈ પર જઈ શકે છે. રજિસ્ટ્રેશનની કામગીરી ચાલુસરકારમાં અત્યારે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પણ ચાલી રહી છે. આર્મીમાં પણ અત્યારે કોઈ નાના ડ્રોન નથી જેથી સર્વેલન્સ અને ક્વિક રિસ્પોન્સને ધ્યાનમાં રાખીને આ ડ્રોન ડિઝાઇન તૈયાર કરવામાં આવ્યો છે. અત્યારે રજિસ્ટ્રેશનની કામગીરી ચાલી રહી છે. કેટલીક ખામીઓ દૂર કરવાનું કામ ચાલી રહ્યું છે. જે બાદ એપ્રિવલ મળ્યા બાદ તમામ પોલીસ ફોર્સ સુધી ડ્રોન પહોંચી જશે.

દિવ્ય ભાસ્કર 3 Dec 2025 10:04 pm

4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા:જૂનાગઢમાં 'ગુજસીટોક' હેઠળ 4 આરોપીઓ વોન્ટેડ, કુલ 31 ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓના પોસ્ટર શહેરના અલગ અલગ વિસ્તારોમાં લાગ્યા

ગુજરાતમાં શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થાનું શાસન સ્થાપિત કરવાના નિર્ધાર સાથે, જૂનાગઢ પોલીસે સંગઠિત ગુનાખોરી સામેનું અત્યંત આક્રમક પગલું ભર્યું છે.ઘી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઈમ (G.C.T.O.C. - ગુજસીટોક) એક્ટ-૨૦15 હેઠળ જૂનાગઢના ચાર ખતરનાક આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને, તેમની ધરપકડ માટેની ઝુંબેશ તેજ કરી છે.આ આરોપીઓ અગાઉ કુલ 31 ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે, જે તેમની ગુનાહિત પ્રવૃત્તિઓની ભયાનકતા દર્શાવે છે.કાયદાના આ કડક અમલથી સમાજમાં અશાંતિ ફેલાવનારા તત્વો સામે પોલીસની સજ્જતા પુરવાર થઈ છે, જે નાગરિકોની સલામતી અને સુરક્ષાને સુનિશ્ચિત કરે છે. ગુજસીટોકનો સકંજો: સંગઠિત ગુનાખોરી પર પ્રહાર ​નાયબ પોલીસ અધિક્ષક કચેરી જૂનાગઢ ગ્રામ્ય વિભાગ તરફથી જાહેર કરાયેલી વિગતો અનુસાર, જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના હેઠળ આ ગુનાહિત ટોળકી વિરુદ્ધ ગુજસીટોક એક્ટની જુદી જુદી હેઠળ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.ગુજસીટોક કાયદો એવા ગુનેગારો વિરુદ્ધ લાગુ કરવામાં આવે છે, જેઓ એક ટોળકી બનાવીને સંગઠિત રીતે અપરાધ આચરતા હોય છે.આ કાયદા હેઠળ કાર્યવાહી કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય, રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિને ડહોળવાનો પ્રયાસ કરનારા તત્વોને મૂળમાંથી ઉખાડી ફેંકવાનો છે. ​ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે જણાવ્યું કે,આ ચારેય આરોપીઓ ભાવેશ ઉર્ફે ભાવીન ખોડાભાઈ બઢ, દિલીપ ઉર્ફે દિલા ભગાભાઈ છેલાણા, નિલેશ ઉર્ફે નીલુ ખોડાભાઈ બઢ, અને જાદવ ઉર્ફે લાખો સાંગાભાઈ હુણ પર ગુનો દાખલ થયા બાદથી જ પોલીસ પકડથી દૂર છે. પોલીસે તેમના રહેઠાણ, છુપાવાના આશ્રય સ્થાનો તેમજ ઉઠક-બેઠકના સ્થળો પર સઘન તપાસ કરી હોવા છતાં, આ આરોપીઓ જાણી જોઈને અને ઇરાદાપૂર્વક પોતાની ધરપકડ ટાળીને નાસતા ફરી રહ્યા છે. ​નાસતા ફરતા ગુનેગારો: કાયદાકીય કાર્યવાહી ​સંગઠિત ગુના આચરતી આ ટોળકી વિરુદ્ધ કાયદાકીય સકંજો વધુ કડક બનાવવા માટે, પોલીસે વિશેષ કાર્યવાહી હાથ ધરી છે. નામદાર સ્પેશ્યલ જજ/પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ, સ્પેશ્યલ ગુજસીટોક/સેશન્સ કોર્ટ, રાજકોટ કોર્ટમાંથી B.N.S.S. કલમ-72 મુજબનું બિનમુદતી વોરંટ કઢાવવામાં આવેલું છે.આનો અર્થ એ છે કે જ્યાં સુધી આ આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી આ વોરંટ અમલમાં રહેશે. ​આ ચારેય આરોપીઓ એક જ ગુનાહિત ટોળકીના સભ્યો છે. પોલીસના સત્તાવાર દસ્તાવેજો મુજબ, તેમના વિરુદ્ધ અગાઉ કુલ 31 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે. આ આંકડો સ્પષ્ટપણે દર્શાવે છે કે આ ટોળકીની ગુનાહિત પ્રવૃત્તિઓનું પ્રમાણ ઘણું ગંભીર અને વ્યાપક છે. આવા ગુનેગારોને પકડવા એ જૂનાગઢ જિલ્લાની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટેની પ્રાથમિકતા છે.​માહિતી આપનારને ઇનામ અને ગુપ્તતાની ખાતરી ​આ રાષ્ટ્રવ્યાપી ઝુંબેશમાં જૂનાગઢ પોલીસે સામાન્ય જનતાને પણ સહકાર આપવા માટે ખાસ અપીલ કરી છે. પોલીસે ખાતરી આપી છે કે આ આરોપીઓની સચોટ માહિતી આપનારનું નામ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે, જેથી માહિતી આપનારની સલામતી જળવાઈ રહે.સરકારના ધારાધોરણ મુજબ માહિતી આપનારને ઇનામ પણ આપવામાં આવશે.પોલીસે અપીલ કરી છે કે જો આ આરોપીઓ પૈકી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ કે કોઈ સ્થાને જોવામાં આવે, તો તાત્કાલિક ગ્રામ્ય ડીવાયએસપી રવિરાજસિંહ પરમારનો પર સંપર્ક કરવો

દિવ્ય ભાસ્કર 3 Dec 2025 10:00 pm

હિંમતનગરમાં મતદારયાદી સુધારણા બેઠક યોજાઈ:જિલ્લા ચૂંટણી અધિકારી અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા

સાબરકાંઠા જિલ્લામાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠક હિંમતનગર ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હેઠળ જિલ્લામાં પૂર્ણ થયેલી અને બાકી રહેલી કામગીરીની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બૂથ લેવલ ઓફિસર (BLO) દ્વારા હાઉસ-ટુ-હાઉસ મુલાકાત દરમિયાન જે મતદારોના ગણતરી ફોર્મ જમા કરાવવાના બાકી છે, તેમને સમજાવીને ફોર્મ જમા કરાવવા અનુરોધ કરાયો હતો. વધુમાં, પક્ષ તરફથી નિમણૂક પામેલા BLOને મતદારોને EF ફોર્મ (ગણતરી ફોર્મ) ભરવામાં, 2002ની યાદીમાં તેમના નામ શોધવામાં અને વૃદ્ધ, બીમાર, દિવ્યાંગ, ગરીબ તેમજ અન્ય સંવેદનશીલ જૂથના મતદારોને મદદરૂપ થવા અપીલ કરવામાં આવી હતી. ખાસ કરીને જે મતદારોને ફોર્મ ભરવામાં તકલીફ પડતી હોય, તેમને સહાય પૂરી પાડવા જણાવાયું હતું. આગામી તા. 16 ડિસેમ્બર, 2025 (મંગળવાર)ના રોજ પ્રાથમિક મતદારયાદી પ્રસિદ્ધ થનાર છે. આ પ્રિ-ડ્રાફ્ટ રોલ માટે BLO દ્વારા સંબંધિત રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટ (BLA) સાથે યોજાનારી બેઠકોમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી. મતદારયાદીની ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત કોઈ પાત્ર નાગરિક બાકાત ન રહે અને કોઈ અપાત્ર વ્યક્તિનો સમાવેશ ન થાય તે રીતે ક્ષતિરહિત મતદારયાદી તૈયાર કરવા માટે માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોનો સાથ-સહકાર માંગવામાં આવ્યો હતો. કાર્યક્રમની સુધારેલી સમયસૂચિ પણ રજૂ કરવામાં આવી હતી:

દિવ્ય ભાસ્કર 3 Dec 2025 9:49 pm

અકસ્માત કેસમાં આરોપી ડ્રાઈવરને 9 વર્ષ બાદ છ મહિનાની સજા:લક્ઝરી બસની અડફેટે શાળાએ જતાં 15 વર્ષના વિદ્યાર્થીના મોત કેસમાં કોર્ટનો ચુકાદો

વર્ષ 2015માં સુરતના પાલનપુર પાટિયા ખાતે એક લક્ઝરી બસની અડફેટે શાળાએ જઈ રહેલા 15 વર્ષના કિશોર વિદ્યાર્થીના મૃત્યુના કેસમાં કોર્ટે નવ વર્ષ બાદ ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી ડ્રાઇવરને કસૂરવાર ઠેરવીને 6 મહિનાની સજાનો હુકમ કર્યો છે. કોર્ટે ચુકાદામાં સ્પષ્ટ નોંધ્યું હતું કે, માત્ર પીડિતની ઉંમર 15 વર્ષ હતી એ હકીકત આરોપીને બચાવ માટે માન્ય નથી. સ્કૂલે જતા વિદ્યાર્થીને બસ ચાલકે પાછળથી ટક્કર મારી હતીકેસની વિગતો મુજબ, આ ઘટના તા. 18મી જૂન, 2015ના રોજ સવારે સવા સાત કલાકે બની હતી. મૃતક કિશોર પોતાના સાથી વિદ્યાર્થી સાથે બાઇક પર શાળાએ જઈ રહ્યો હતો, ત્યારે પાલનપુર પાટિયા ખાતે લક્ઝરી બસના ચાલકે પાછળથી ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં કિશોરનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે તેના સાથી વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટના બાદ પોલીસે આરોપી ડ્રાઇવર હેમંત તુલસીરામ પટેલની ધરપકડ કરી હતી અને બાદમાં તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીનું મોત આરોપીની ગફલતભરી ડ્રાઇવિંગનું પરિણામઆ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું હતું કે, અકસ્માતની રીતરસમ પરથી સ્પષ્ટ થાય છે કે આ મૃત્યુ આરોપીની ગફલતભરી ડ્રાઇવિંગનું સીધું પરિણામ છે. કોર્ટે નોંધ્યું કે જો અકસ્માતની કડી, સમય, વાહન તથા આરોપીની વચ્ચે સઘન અને અવિચ્છિન્ન સાંકળ ઊભી થતી હોય, તો આરોપી વિરુદ્ધ ફોજદારી ગુનાના તત્વો સંપૂર્ણપણે પૂરતા પ્રમાણમાં સ્થાપિત થાય છે. આથી, આઈપીસી કલમ 304એ -બેદરકારીથી મૃત્યુ નિપજાવવાની કાનૂની આવશ્યકતાઓ પૂર્ણ થાય છે. વધુમાં, બસની ઝડપ, અસરની તીવ્રતા, માર્ગની સ્થિતિ અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થયેલું હોવાના પુરાવા પરથી મોટર વાહન અધિનિયમની કલમ 177 તથા 184 હેઠળનું 'ડેન્જરસ ડ્રાઇવિંગ' અને ટ્રાફિક નિયમોના ભંગનું ગુનાહિત કૃત્ય પણ પુરવાર બને છે. કોર્ટે આરોપી ડ્રાઈવરને કસૂરવાર ઠેરવી 6 મહિનાની સજાનો હુકમ કર્યોકોર્ટે પોતાના ચુકાદામાં એક મહત્વની વાત નોંધી કે, પીડિત 15 વર્ષનો હતો, એ હકીકત માત્ર આરોપી માટે બચાવ રૂપે માન્ય નથી. કોર્ટે સજા સંભળાવતી વખતે કહ્યું કે, આપણે ગુનેગારોને મારી નાંખવાના હોતા નથી, પરંતુ તેમની દરકાર કરવી જોઈએ કે જેથી તે ભવિષ્યમાં કોઈ ગુનો ન કરે અને વ્યવસ્થિત નાગરિક બની શકે. તમામ પુરાવાઓ અને સંજોગોને ધ્યાનમાં રાખીને, કોર્ટે આરોપી ડ્રાઇવર હેમંત પટેલને કસૂરવાર ઠેરવી 6 મહિનાની સજાનો હુકમ કર્યો હતો. આ ચુકાદો દર્શાવે છે કે અકસ્માતના ગંભીર કેસોમાં કોર્ટ આરોપીની બેદરકારીને હળવાશથી લેતી નથી.

દિવ્ય ભાસ્કર 3 Dec 2025 9:48 pm

અમદાવાદ ગ્રામ્ય કોર્ટે બે આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા:રિલાયન્સ સિક્યુરિટીના નામે નકલી ટ્રેડિંગ એપ બનાવી, ઓસવાલ પંપમાં રોકાણનું કહી ફરિયાદી પાસે 83.50 લાખ પડાવ્યા

અમદાવાદ સાઇબર ક્રાઈમ પોલીસ મથકે ચાલુ વર્ષે એક ફરિયાદ નોધાઇ હતી. જેમાં ભાવનગર અને અમરેલીના બે આરોપી આનંદ જોશેતા અને દીપક ગોહિલની સાઇબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરીને અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટમાં 12 દિવસના રિમાન્ડની માગ સાથે રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટે આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ઓસવાલ પંપના શેરોમાં 83.50 લાખનું રોકાણ કરાવ્યું હતું આ કેસની વિગતો જોતા આરોપીઓએ ફેસબુક ઉપર રિલાયન્સ સિક્યુરિટી નામની જાહેરાત મૂકી હતી. જેના થકી તે ફરિયાદીને વોટ્સેપ ગ્રુપમાં એડ કર્યો હતો અને તેમની સાથે વોટ્સેપ ચેટ અને વોટ્સેપ કોલિંગ દ્વારા અલગ અલગ શેરમાં રોકાણ કરવા અને રોજના 05 ટકાથી 30 ટકાના પ્રોફિટની લાલચ આપી હતી. તેઓએ SEBI ના લેટરપેડ ઉપર અલગ અલગ બેંક ખાતાની વિગતો મોકલી હતી. ઓસવાલ પંપમાં શેરોમાં 83.50 લાખનું રોકાણ કરાવ્યું હતું. આરોપીઓએ જુદા જુદા શેરોમાં 3.75 કરોડ ભરવા જણાવ્યું હતુંવળી એપમાં શેરમાં રોકાણ પણ બતાવતું હતું. આરોપીઓએ ફરિયાદીને જુદા જુદા શેરોમાં રોકાણ માટે 3.75 કરોડ રૂપિયા ભરવા જણાવ્યું હતું, પણ તે ફરિયાદી પાસે નહીં હોવાથી તેમને ભરેલા પૈસા ઉપાડવા માટે જણાવ્યું હતું. જો કે આરોપીઓ જણાવ્યું હતું કે બ્રોકરેજ જ નહીં આપો તો પૈસા ઉપાડી શકાશે નહીં.આમ પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જાણીને ફરિયાદીએ ફરિયાદ લખાવી હતી. આરોપીઓ ભેગા મળી કેટલા એકાઉન્ટ ખોલાવ્યા છેઅમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટમાં બંને આરોપીઓના રિમાન્ડ માંગતા સરકારી વકીલ એમ.એસ. શેખે રજૂઆત કરી હતી કે, આરોપીઓના બેંક એકાઉન્ટ, મોબાઈલ અને ગુનામાં વપરાયેલા સીમકાર્ડની વિગતો જાણવાની છે. સહ આરોપીઓ અંગે માહિતી મેળવવાની છે. આરોપીઓ ભેગા મળી કેટલા એકાઉન્ટ ખોલાવ્યા છે, કેટલા નાણા ઉપાડ્યા છે, કેટલાનો આંગડિયા પેઢી મારફતે વહીવટ કર્યો છે, તેની તપાસ કરવાની છે. સાયબર ક્રાઈમના ગુનેગારે 5 થી 6 કરોડ રૂપિયા ઉપાડ્યાઆરોપીઓ પૈકી આનંદ જોશેતા સાયબર ક્રાઇમનો રીઢો ગુનેગાર છે. જેને જુદા જુદા બેંક ખાતામાંથી આશરે 5 થી 6 કરોડ રૂપિયા ઉપાડ્યા છે, તેની તપાસ કરવાની છે. આરોપીઓ કોના નામે બેન્ક એકાઉન્ટ ખોલતા હતા, કોને કેટલા નાણા આપતા હતા તે જાણવાનું છે. આરોપીઓ પાસેથી મળેલા કોરા ચેકની તપાસ કરવાની છે. તેમના મોબાઈલ અને સીમકાર્ડની ટેકનિકલ તપાસ કરવાની છે. આ કેસમાં મૂળ સુધી પહોંચવા આરોપીઓની પોલીસ કસ્ટડીની જરૂર છે. SEBI નો નકલી લેટરપેડ કોણે તૈયાર કર્યો ? ક્યાં તૈયાર કર્યો તે જાણવાનું છે.

દિવ્ય ભાસ્કર 3 Dec 2025 9:34 pm

દિનદહાડે લૂંટ કરતી ત્રિપુટી ઝડપાઈ:રાજકોટના લીમડા ચોક પાસે બેંકમાંથી નીકળતા ચાંદીના વેપારીને છરી બતાવી રૂ.2.50 લાખ લૂંટી લીધા

રાજકોટના લીમડા ચોક સહિતના એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં સ્થાનીક પોલીસના કહેવાતા પેટ્રોલિંગ વચ્ચે ધોળા દિવસે લૂંટની ઘટના સામે આવી હતી. 25 વર્ષીય ચાંદીનો વેપારી ઉજ્જવલ બેંકમાંથી રોકડ ઉપાડી બહાર આવતાં જ મહિલા સહિત ત્રિપુટી ત્રાટકી હતી અને છરીની અણીએ રૂ.2.50 લાખની લૂંટ ચલાવી નાસી છૂટતાં ચકચાર મચી ગઇ હતી. જોકે એ ડિવિઝન પોલીસ આરોપી સુધી પહોંચે તે પહેલા જ એલસીબી ઝોન-2 ની ટીમે એક મહિલા સહિત 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમની પાસેથી અઢી લાખની રોકડ, કાર મળી 3.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવ અંગે રાજકોટના મોચીનગર શેરી નં.6 માં રહેતાં શીફાનભાઈ અર્શાદભાઈ પરમાર (ઉં.વ.25) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મહિલા સહિત 3 અજાણ્યા શખ્સો સામે એ ડિવિઝન પોલીસમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, તેઓ હોલસેલ ચાંદીનો વેપાર કરે છે. ધંધામાં ભાગીદાર તરીકે હેતભાઇ વિપુલભાઇ પંચમીયા છે. ગઈકાલે બપોરના સાડા બારેક વાગ્યાની આસપાસ તે તેના ભાગીદાર હેતભાઇ સાથે લિમડા ચોક પાસે, ધીરજ સ્ટોરની બાજુમા આવેલ ઉજજીવન બેંકમા ધંધાના રૂપીયા ઉપાડવા માટે ગયેલ હતાં. તેમનો ભાગીદાર હેતભાઈ બેંકની બહાર ઉભો હતો. યુવાને પોતાના બેંક એકાઉન્ટમાંથી રૂ.2.50 લાખ ઉપાડેલ અને તે રૂપીયા તેમના ટયુશન બેગમાં રાખેલ હતા. જે બાદ તે બેંકમાથી બહાર આવતો હતો ત્યારે એક અજાણી મહિલા પણ તેમની સાથે બહાર આવેલ અને બહાર પહોંચેલ તો ભાગીદાર હેતને જોયો નહી.જે દરમિયાન સામેથી 2 અજાણ્યા શખ્સો તેમની પાસે આવી નામ અને સરનામું પૂછી તથા તારા બેગમા શું છે તેમ પુછવા લાગ્યા હતા પરંતુ યુવાન તેમને ઓળખતો ન હોય તેથી તમે કોણ છો તેવુ પૂછ્યું હતુ. જોકે આ અજાણ્યા 2 શખ્સોમાંથી એક શખ્સે તેના કમરના ભાગે રાખેલ છરી બતાવી અને કહ્યુ હતુ કે, આ બેગ અમને આપી દે નહીતર અમે તને મારી નાખશું.આ દરમિયાન તેની પાછળ જે મહિલા બેંકમાથી બહાર આવી હતી. તેણે યુવાનનું બેગ ખેંચીને જતી રહી હતી. બે શખ્સોમાંથી એક શખ્સ ત્યા પડેલ વ્હાઇટ સ્કુટર લઈને જતો રહ્યો હતો અને અન્ય શખ્સ પણ તેની પાછળ દોડીને જતો રહ્યો હતો. જે બાદ થોડી જ વારમા ભાગીદાર હેતભાઇ પાર્કીંગ તરફથી તેની પાસે આવ્યા અને બેંકમાથી ઉપાડેલ રૂ.2.50 લાખ બાબતે પુછતા યુવાને તેની સાથે બનેલ બનાવની વાત કરી હતી. તે વખતે હેતે કહ્યુ કે, તુ જયારે બેંકમા ગયો ત્યારે હુ કોમ્પલેક્ષના પાર્કીંગમા હતો ત્યારે મારી પાસે એક અજાણ્યો શખ્સ આવ્યો અને મને તારા વિષે વાત કરી કહેલ કે, તારો જે મિત્ર બેંકમા ગયો છે તેને બોલાવ નહીતર હુ તને મારીશ. થોડીવાર પછી આ શખ્સ ત્યાથી જતો રહેલ હતો. જે વાતથી બંને ભયભીત થતા પોતપોતાના ઘરે જતાં રહ્યા હતા અને બાદમાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ સ્થાનિક પોલીસ તપાસ કરે તે પહેલાં જ એલસીબી ઝોન-2 ટીમે ત્રણેય શખ્સોને પકડી પાડ્યા હતા. જે ખ્યાતીબેન પ્રફુલભાઇ ઠાકર (ઉ.વ.29, રહે. હુડકો ચોકડી ફાયર બ્રીગેડ પાસે, રાજકોટ), યશ ચંદ્રમોહનભાઇ ભારદ્વાજ (ઉ.વ.24, રહે. હુડકો ક્વાટર, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ) અને ભાવીનભાઇ મહેશભાઇ રાયઠઠા (ઉ.વ.36, રહે. વિરાણી ચોક પ્રેમ એપાર્ટમેન્ટ, રાજકોટ) ને ઝડપી પાડ્યા છે. જેમની પાસેથી રૂ.2.50 લાખની રોકડ, રૂ.1 લાખની કાર અને ગુનાના કામે ઉપયોગમાં લેવાયેલી છરી કબજે કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 3 Dec 2025 9:23 pm

45 પોલીસકર્મીઓની આંતરિક બદલી:મહેસાણા જિલ્લા પોલીસ વડા દ્વારા 10 દિવસમાં બીજી મોટી ફેરબદલ કરાતા પોલીસ બેડામાં ખળભળાટ, જુઓ લિસ્ટ

મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ વહીવટી કારણોસર જિલ્લામાં ફરજ બજાવતા 45 પોલીસકર્મીઓની આંતરિક બદલીઓ કરી છે. આ બદલીઓનો આદેશ બુધવારે મોડી સાંજે જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસ કોન્સ્ટેબલની જિલ્લાના અલગ-અલગ પોલીસ મથકોમાં બદલીબદલીના આદેશ મુજબ જિલ્લાની મુખ્ય અને સંવેદનશીલ ગણાતી બ્રાન્ચો જેમ કે લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને પેરોલ ફર્લોમાં ફરજ બજાવતા મોટાભાગના પોલીસ કોન્સ્ટેબલની જિલ્લાના અલગ-અલગ પોલીસ મથકોમાં બદલી કરવામાં આવી છે. દસ દિવસમાં બીજી વખત મોટી સંખ્યામાં ફેરફારનોંધનીય છે કે, આ પહેલા પણ માત્ર દસ દિવસ અગાઉ જિલ્લામાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓની બદલીઓ કરવામાં આવી હતી. દસ દિવસના ટૂંકા ગાળામાં બીજી વખત આટલી મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓની આંતરિક ફેરબદલી થતાં જિલ્લા પોલીસ બેડામાં ખરભળાટ મચી જવા પામ્યો છે. પોલીસ વડા દ્વારા જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનાવવા અને વહીવટી સરળતા માટે આ બદલીઓ કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 3 Dec 2025 9:22 pm

સુરતમાં વૃદ્ધની છોકરીની ઉંમરની મહિલા TRB કર્મી સાથે શરમજનક ઘટના:મહિલા કર્મીએ રોંગ સાઈડમાં વાહન ચલાવતા અટકાવતા અપશબ્દો બોલી વર્દી ખેંચી, પોલીસે આધેડની ધરપકડ કરી

સુરતના વરાછા વિસ્તારમાંથી એક શરમજનક અને ગંભીર ઘટના સામે આવી છે. જ્યાં એક વૃદ્ધને રોંગ સાઈડ વાહન ચલાવતા રોકવા માટે ફરજ પર હાજર મહિલા ટ્રાફિક બ્રિગેડ કર્મચારી સાથે ગાળાગાળી કરી તેમની વર્દી પણ ખેંચી હતી. આ બાબત ધ્યાનમાં આવતા જ વૃદ્ધને વરાછા પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા. હાલ વરાછા પોલીસ દ્વારા વૃદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે. SITCO ના કામના કારણે રસ્તો ડાઈવર્ટ કરાયો હતોસુરતના વરાછા વિસ્તારમાં રેલવે સ્ટેશનના ડેવલોપમેન્ટનું SITCO ના કામના કારણે ગીતાંજલિ પેટ્રોલ પંપ પાસેના મુખ્ય રસ્તાને ડાઈવર્ટ કરવામાં આવ્યો છે. આ ડાયવર્ઝનના કારણે અનેક વાહનચાલકો ટ્રાફિકથી બચવા માટે રોંગ સાઈડ વાહન ચલાવી રહ્યા છે, જેનાથી અકસ્માતનું મોટું જોખમ ઊભું થયું છે. આ ગેરરીતિને ડામવા માટે સુરત ટ્રાફિક પોલીસે એક ખાસ ડ્રાઈવ શરૂ કરી છે, જેમાં રોંગ સાઈડ જનારા લોકો સામે ફરિયાદ સુધીની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. રોંગ સાઈડ આવતા વૃદ્ધને મહિલા TRB કર્મચારીએ રોક્યા હતાઆ ડ્રાઈવ દરમિયાન વરાછા નાયરાં પેટ્રોલ પંપ પાસે રોંગ સાઈડ વાહન ચલાવતા 62 વર્ષના ભુરાભાઈ સંઘાણી નામના એક વૃદ્ધને ફરજ પર હાજર મહિલા TRB કર્મચારી અને ટ્રાફિક કોન્સ્ટેબલે રોક્યા હતા. નિયમભંગ બદલ રોકવામાં આવતા વૃદ્ધ ભુરાભાઈ ગુસ્સે ભરાયા હતા. ભુરાભાઈ સંઘાણીએ ભાન ભૂલીને પોતાની દીકરીની ઉંમરની મહિલા TRB કર્મચારી સાથે ગાળા ગાળી શરૂ કરી દીધી હતી. વૃદ્ધે ફરજમાં રૂકાવટ કરી મહિલા કર્મચારીની વર્દી ખેંચી હતીભુરાભાઈએ માત્ર અભદ્ર ભાષાનો ઉપયોગ જ નહોતો કર્યો, પરંતુ જાહેર રસ્તા પર તેમની ફરજમાં રૂકાવટ કરી મહિલા કર્મચારીની વર્દી પણ ખેંચી હતી. ફરજ પર રહેલી મહિલા કર્મચારી સાથેનું આ ગેરવર્તન અસહ્ય હતું. તેથી આ ઘટનાબાદ મહિલા કર્મચારી અને આધેડ વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ ટ્રાફિક પોલીસે તાત્કાલિક પગલાં લેતા 62 વર્ષીય ભુરાભાઈ સંઘાણી સામે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરજમાં રૂકાવટ અને ગેરવર્તનનો ગુનો દાખલ કરાવ્યો છે. વરાછા પોલીસે ગુનો દાખલ થતાની સાથે જ ઝડપી કાર્યવાહી કરી ભુરાભાઈ સંઘાણીની ધરપકડ કરી હતી.

દિવ્ય ભાસ્કર 3 Dec 2025 9:15 pm

સુરતમાં સ્વચ્છતા અને ફૂડ ચેકિંગની મેગા ડ્રાઇવ:ડુમસ બીચ પર 103 સેમ્પલ લેવાયા, 4.36 લાખનો દંડ વસૂલાયો; નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 51 સંસ્થાઓને નોટિસ ફટકારાઈ

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય પ્રવાસન સ્થળો અને પ્રવેશ દ્વારો પર સ્વચ્છતા અને ફૂડ ક્વોલિટી ચેકિંગની મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય સફાઈના ઉચ્ચ ધોરણો જાળવવાનો અને ફૂડ સેફ્ટી સુનિશ્ચિત કરવાનો હતો. આ દિવસે, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા ડુમસ બીચ ખાતે ફૂડ વિભાગ દ્વારા 68 સંસ્થાઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના 103 સેમ્પલ લેવામાં આવ્યા હતા અને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 51 સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી હતી. શહેરને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે સઘન અભિયાનઆ ઝુંબેશ માત્ર ફૂડ સેફ્ટી પૂરતી મર્યાદિત નહોતી. સુરત મનપાએ શહેરને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે પણ એક સઘન અભિયાન ચલાવ્યું હતું. આ અંતર્ગત 674 સંસ્થાઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. કાયદાનું ઉલ્લંઘન કરનારા વિક્રેતાઓ અને હોલસેલરો પાસેથી 140 કિલોગ્રામ સિંગલ યુઝ/પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. આ પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ બદલ વિક્રેતાઓ પાસેથી વહીવટી ખર્ચ રૂપે 4,36,400ની મોટી રકમ વસૂલ કરવામાં આવી હતી. કચરાપેટી ન રાખતી 72 સંસ્થાઓને નોટિસ આપીવધુમાં, શહેરના મુખ્ય પ્રવેશ દ્વારો અને જાહેર સ્થળો પર સ્વચ્છતા જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઝુંબેશમાં ડુમસ બીચ, ચોક બજારનો ફોર્ટ, બોટોનિકલ ગાર્ડન, મુખ્ય રેલવે/બસ સ્ટેશન, ઉધના રેલવે/બસ સ્ટેશન અને અડાજણ બસ સ્ટેશન જેવા મહત્વના સ્થળોએ સાફ-સફાઈ અને સ્કેપીંગ-બ્રસીંગની કામગીરી કરવામાં આવી હતી. સેનિટેશન ટીમે પ્રવાસન સ્થળ અને ટ્રાન્સપોર્ટ હબ ખાતે કુલ 260 સંસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું અને કચરાપેટી ન રાખતી 72 સંસ્થાઓને નોટિસ આપી હતી. યાત્રાધામો અને પ્રવાસન સ્થળોએ સ્વચ્છતા જાળવવા અપીલઆ સમગ્ર આયોજન નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા વીડિયો કોન્ફરન્સ મારફતે આપવામાં આવેલા નિર્દેશોના અનુસંધાનમાં થયું હતું, જેમાં તેમણે રાજ્યના યાત્રાધામો અને પ્રવાસન સ્થળોએ સ્વચ્છતા જાળવવા, કચરાના નિકાલ માટે ડોર ટુ ડોર ગાડી મારફત સુચારુ અમલીકરણ કરવા, અને શૌચાલયોની સ્વચ્છતા સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો.

દિવ્ય ભાસ્કર 3 Dec 2025 9:15 pm

11,360 કરોડના 27 મેગા પ્રોજેક્ટ્સની ચોથી રિવ્યુ મીટિંગ:CMનો કડક નિર્દેશ-'સમયસર પૂર્ણ કરો, ક્વોલિટીમાં ઝીરો કોમ્પ્રોમાઇઝ', જિલ્લા કલેક્ટરોને માર્ગદર્શિત કરવા મહેસૂલ વિભાગને સૂચના

રાજ્યના સર્વાગી વિકાસને વધુ વેગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા માટે બુધવારે ગાંધીનગરમાં ચોથી ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં કુલ રૂ. 11,360 કરોડના 27 પ્રોજેક્ટ્સની કામગીરી અંગે વિગતવાર ચર્ચા અને પ્રેઝન્ટેશન થયું હતું. મુખ્યમંત્રીએ સ્પષ્ટ નિર્દેશ આપ્યો કે તમામ પ્રોજેક્ટ્સ નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ થવા જોઈએ અને ક્વોલિટીમાં કોઈ પ્રકારનો કોમ્પ્રોમાઇઝ ન થવો જોઈએ. જમીન સંબંધિત મુદ્દાઓના ઝડપી ઉકેલ માટે જિલ્લા કલેક્ટરોને માર્ગદર્શિત કરવા મહેસૂલ વિભાગને સૂચના આપવા તેમણે જણાવ્યું. શહેરી વિકાસ વિભાગના 15 પ્રોજેક્ટ્સની વિગતવાર સમીક્ષાઆ રિવ્યુ બેઠકમાં રેલવે સંબંધિત 6 પ્રોજેક્ટ્સ, ઉદ્યોગ-ખાણ વિભાગના 6 પ્રોજેક્ટ્સ અને શહેરી વિકાસ વિભાગના 15 પ્રોજેક્ટ્સની વિગતવાર સમીક્ષા કરવામાં આવી. જેમાં રેલવેના સામખીયાળી–ગાંધીધામ ચાર માર્ગીયકરણ, રાજકોટ–કાનાલુસ લાઈન ડબલિંગ, નલિયા–વયોર અને નલિયા–જખૌ નવી લાઈન, તેમજ મોટી આદરજ–વિજાપુર અને વિજાપુર–આંબલીયાસણ ગેજ કન્વર્ઝનની કામગીરીની સ્થિતિ અંગે રેલવે અધિકારીઓએ માહિતી આપી. ડીપ સી ડિસ્પોઝલ યોજના સમયસર પૂર્ણ થાય તે અંગે CMએ ભાર મૂક્યોઉદ્યોગ-ખાણ વિભાગ અંતર્ગત ધોલેરા ગ્રીનફિલ્ડ એરપોર્ટ ફેઝ-1, નવસારીના PM Mitra પાર્કમાં 65 MLD પાણી પુરવઠા યોજના, મોરબીના રફાળેશ્વર ખાતે ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ, બલ્ક ડ્રગ પાર્ક ડેવલપમેન્ટ અને ભરૂચના સાયખામાં 90 MLD ડીપ સી ઈફ્લુએન્ટ ડિસ્પોઝલ પાઈપલાઇન જેવા પ્રોજેક્ટ્સની પ્રગતિ રજૂ થઈ. ખાસ કરીને ડીપ સી ડિસ્પોઝલ યોજના સમયસર પૂર્ણ થાય તે અંગે CMએ ભાર મૂક્યો. કયા કયા પ્રોજેક્ટસ પર સમીક્ષા કરાઈશહેરી વિકાસ વિભાગના 15 પ્રોજેક્ટ્સમાં અમદાવાદમાં 14 મેગા વોટ વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટ, ખારીકટ કેનાલ ડેવલપમેન્ટના પાંચ ફેઝ, ગાંધી આશ્રમ ડેવલોપમેન્ટ, વાડજ PPP મોડલ હેઠળ ઝૂંપડપટ્ટી પુનર્વસન પ્રોજેક્ટ, જામનગર લાલપુર બાયપાસ ફોર લેન ફ્લાયઓવર, સુરત BRTS ક્રોસિંગ ફ્લાયઓવર અને જૂનાગઢ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ પ્રોજેક્ટ જેવા કાર્યની સમીક્ષા થઈ. પ્રોજેક્ટ્સ ઇન્ટિગ્રેટેડ અને હોલિસ્ટિક ડેવલપમેન્ટના પથદર્શકમુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત @2047 વિઝનને અનુરૂપ વિકસિત ગુજરાતના નિર્માણ માટે આ બધા જ પ્રોજેક્ટ્સ ઇન્ટિગ્રેટેડ અને હોલિસ્ટિક ડેવલપમેન્ટના પથદર્શક છે. અત્યાર સુધીની ત્રણ બેઠકોમાં કુલ 67 પ્રોજેક્ટ્સની સમીક્ષા થઈ ચૂકી છે અને તે બેઠકોમાં આપેલા સૂચનોના અનુસંધાને થયેલી કામગીરીનો આ બેઠકમાં પણ વિસ્તૃત વિચાર–વિમર્શ થયો. આ બેઠકમાં મુખ્ય સચિવ એમ.કે. દાસ, મુખ્ય સલાહકાર ડો. હસમુખ અઢિયા, સલાહકાર એસ.એસ. રાઠૌર, રેલવેના D.R.M., તેમજ વિવિધ વિભાગોના અગ્ર સચિવો હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 3 Dec 2025 9:11 pm

રાપરમાં તળાવમાં ડૂબી જવાથી બે બાળકીઓના મોત:જાટાવાડા ગામે કોળી પરિવારની દીકરીઓનો કરુણ અંત

રાપર તાલુકાના જાટાવાડા ગામે તળાવમાં ડૂબી જવાથી કોળી પરિવારની બે બાળકીઓના મોત થયા છે. આ ઘટના ગઈકાલે બની હતી, જેમાં 14 વર્ષીય દયાબેન નાગાજી કોળી અને 15 વર્ષીય આરતી રાણાભાઈ કોળીનો સમાવેશ થાય છે. જાટાવાડા ગામની સીમમાં આવેલા તળાવના પાણીમાં આ બંને બાળકીઓ અકસ્માતે પડી ગઈ હતી. પરિવારજનો દ્વારા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ગ્રામજનોએ આ અંગે તલાટીને જાણ કરી હતી. તલાટીએ રાપર તાલુકા મામલતદાર એચ.બી. વાઘેલા અને વિકાસ અધિકારી ખોડુભા વાઘેલાને પત્ર દ્વારા જાણ કરી હતી. આ ઘટનાની જાણ ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, રાપર નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડે, ચીફ ઓફિસર તરુણદાન ગઢવી અને ભચાઉ નગરપાલિકા પ્રમુખ પેથાભાઈ રાઠોડને પણ કરવામાં આવી હતી. ત્યારબાદ રાપર અને ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમને કેમેરા સાથે ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. રાપર તાલુકા મામલતદાર દ્વારા પણ સ્થળ પર ટીમ મોકલી સતત પાણીમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. કેમેરાની મદદથી બંને બાળકીઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, અને આ ઘટનાથી વાગડ વિસ્તારમાં શોક વ્યાપી ગયો છે.

દિવ્ય ભાસ્કર 3 Dec 2025 9:07 pm

માણસા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ગંભીર અકસ્માત:મોતિયાના ઓપરેશન માટે ગયેલા વૃદ્ધાને ડોક્ટરની કારે અડફેટે લીધા, સારવાર દરમિયાન મોત

માણસા સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ડોકટરની બેદરકારીભર્યા ડ્રાઇવિંગને કારણે એક વૃદ્ધાને મોતને ભેટવાનો વખત આવ્યો છે. માર્ગ અકસ્માતની આ દુર્ઘટનામાં મોતીયાના ઓપરેશન માટે સિવિલ ગયેલા વૃદ્ધાનું ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ અંગે માણસા પોલીસે ઓર્થોડિક ડોકટર વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. રિવર્સમાં કારચાલકે દિવુબેનને જોરદાર ટક્કર મારીગામના મૂળ રહેવાસી અને હાલ બારેજા ખાતે રહેતા વિક્રમભાઈ ગણપતભાઈ ઓડે ફરિયાદ કરી છેકે, તેમના દાદી દિવુબેન મોતિયાના ઓપરેશન માટે તેમના ફોઈના દીકરાની પત્ની ગંગાબેન સાથે ગઈકાલે માણસા સિવિલ હોસ્પિટલ ખાતે ગયા હતા. આ દરમિયાન દિવુબેન હોસ્પિટલના કમ્પાઉન્ડમાં બેઠા હતા ત્યારે GJ-01-RB-4738 નંબરની એક ફોરવ્હીલ કારના ચાલકે પોતાની ગાડી બેદરકારીપૂર્વક રિવર્સમાં ચલાવી હતી. આ અકસ્માતમાં કારે દિવુબેનને જોરદાર ટક્કર મારતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન મહિલાનું મોતજેના પગલે તાત્કાલિક અસરથી દિવુબેનને માણસા સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, પરંતુ તેમની હાલત નાજુક જણાતા તેમને વધુ સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની દાદી દિવુબેનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ મામલે માણસા પોલીસે ગુનો દાખલ કરી તપાસ કરતા કાર ચાલક ઓર્થોપેડીક ડો. ધ્રુવ પટેલ હોવાનું સામે આવ્યું છે. આ અંગે માણસા પોલીસના વિશ્વસનીય સુત્રોએ કહ્યું કે, ડૉક્ટરે પોતાનો ગુનો કબૂલી લીધો છે. જેની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 3 Dec 2025 9:03 pm

શું લોકોની જિંદગી જશે પછી તમે કામ કરશો?:વિરાટનગરમાં આગ મામલે મ્યુનિ. કમિશનરે અધિકારીઓને ખખડાવ્યા, કહ્યું- કોઇપણ બેદરકારીના કારણે જીવ જશે તો હું કાર્યવાહી કરીશ

અમદાવાદ શહેરના વિરાટનગર ઓવરબ્રિજ પાસે વ્રજશ્વરી કોમ્પ્લેક્સમાં આગ લાગવા મામલે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ઉત્તર ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર તેમજ ચીફ ફાયર ઓફિસરનો ઉધડો લીધો હતો. ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે આગના ઘટનાસ્થળ ઉપર આગનો મેસેજ મળ્યાના દોઢ કલાક બાદ પહોંચ્યા હતા. જેને લઈને મ્યુનિ કમિશનર તેમના ઉપર ગુસ્સે ભરાયા હતા. મ્યુનિ કમિશનરે કહ્યું હતું કે, તમે ઘટનાસ્થળ ઉપર મોડા પહોંચ્યા હતા જેની સામે ચીફ ઓફિસરે જવાબ આપ્યો હતો કે, તેઓ ઇન્ટરવ્યૂમાં હતા જેથી કમિશનરે કહેવું પડ્યું હતું કે, તમારૂં સૌ પ્રથમ કામ આગ બુજાવવાનું છે. મ્યુનિ કમિશનરે જાહેરમાં અધિકારીઓને કહેવું પડ્યું હતું કે, શું લોકોની જિંદગી જશે પછી તમે કામ કરશો? 'અધિકારીઓનો ઉધડો લઈ કહ્યું તમને સસ્પેન્ડ કેમ નહીં કરવા'મ્યુનિસિપલ કમિશનરે વિરાટનગર ઓવરબ્રિજ પાસે જે કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી તેની બીયુ પરમિશનને લઈને ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરને પૂછ્યું હતું, ત્યારે તેઓએ કહ્યું હતું કે, અગાઉ તેને નોટિસ આપવામાં આવી છે. બિલ્ડિંગ જર્જરીત થઈ ત્યારે તેનો ભાગ રિપેર કરાવી લેવામાં આવ્યો હતો. જોકે, મ્યુનિસિપલ કમિશનરે બિલ્ડિંગ કેમ સીલ ન મારવામાં આવી તેને લઈને ઉધડો લઈ લીધો હતો અને તમને સસ્પેન્ડ કેમ નહીં કરવા તેની શો કોઝ નોટિસ પણ આપવા સૂચના આપી હતી. જ્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પણ તમારી સીધી જવાબદારી બને છે તેવું કહ્યું હતું. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારીઓ પોસ્ટમેન જેવી કામગીરી કરે છે એવા શબ્દો કહેવા પડ્યા હતા. કોઈપણ બેદરકારીના કારણે નાગરિકનો જીવ જશે તો હું કાર્યવાહી કરીશશહેરના ઉત્તર ઝોનમાં ગટરના ઢાંકણાને કારણે થયેલા વાહનચાલકના મોત મામલે પણ ગંભીર નોંધ લીધી હતી. સીસીઆરએસમાં જે ફરિયાદ આવે છે તેનો નિકાલ કરવા માટેની સૂચના આપી હતી. જો કોઈપણ બેદરકારીના કારણે નાગરિકનો જીવ જશે તો હું અધિકારીઓ સામે કાર્યવાહી કરીશ તેવી કડક સૂચના પણ આપી હતી. શહેરમાં સિવિક સેન્ટરોને લઈને પણ મ્યુનિસિપલ કમિશનરે પ્રશ્ન કર્યો હતો કે, શહેરમાં બોપલ અને ઘુમા વિસ્તારના નાગરિકો થલતેજ સિવિક સેન્ટર પર આવશે? જરૂર પડે એક વોર્ડમાં બે સિવિક સેન્ટરની જરૂર પડે ત્યાં બે સિવિક સેન્ટર બનાવો. પે એન્ડ પાર્કિંગનો મુદ્દો ફરી એકવાર ચર્ચાયોશહેરમાં કેટલા પેન્ટ એન્ડ પાર્ક આવેલા છે તે અંગે પ્રશ્ન કરતા 56 જેટલા પેન્ટ એન્ડ પાર્ક હોવા અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નિરાંત પરીખે જણાવ્યું હતું. શહેરમાં ફ્લાય ઓ‌વર અને ઓ‌વરબ્રિજ નીચે જ્યાં પાર્કિંગ થઇ રહ્યા છે તેના નાણાં વસૂલવા માટે પણ મ્યુનિસિપલ કમિશનરે આદેશ આપ્યો હતો. શહેરમાં ટ્રાફિક ભારણ ઘટે તે દિશામાં કામ કરવા પણ સૂચના આપી હતી. હાઇરાઝ બિલ્ડિંગમાં જ્યાં જ્વલનશીલ પદાર્થ સચવાય છે તેવા બિલ્ડિંગને સીલ કરવા સૂચના અપાઇ હતી.

દિવ્ય ભાસ્કર 3 Dec 2025 8:55 pm

SEBI દ્વારા નાણાકીય સાક્ષરતા સેમિનાર યોજાયો:બોટાદની ઉમિયા મહિલા કોલેજમાં વિદ્યાર્થિનીઓને માર્ગદર્શન અપાયું

બોટાદના લાઠીદડ સ્થિત ઉમિયા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આજે ( 3 ડિસેમ્બર )ના રોજ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) દ્વારા પ્રેરિત 'નાણાકીય સાક્ષરતા' સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં કોલેજની કોમર્સ અને આર્ટ્સ ફેકલ્ટીની 250થી વધુ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલા વિદ્યાર્થીનીઓમાં બચત, રોકાણ અને નાણાકીય આયોજન અંગેની સમજ કેળવવાનો હતો, જેથી તેઓ ભવિષ્યમાં આત્મનિર્ભર બની શકે. SEBIના અધિકારી અને નાણાકીય નિષ્ણાત નૈમિશભાઈએ મુખ્ય વક્તા તરીકે હાજરી આપી હતી. નૈમિશભાઈએ વિદ્યાર્થીનીઓને શેરબજાર અને ડીમેટ એકાઉન્ટ, SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન)નું મહત્વ, નાણાકીય બચત અને બજેટિંગ, કોમોડિટી એક્સચેન્જમાં રોકાણની તકો, અને રોકાણકારોના રક્ષણ માટે SEBIની માર્ગદર્શિકા વિશે સરળ ભાષામાં માહિતી આપી હતી. તેમણે વાસ્તવિક ઉદાહરણો દ્વારા આ વિષયો સમજાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના પ્રિન્સિપાલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. પ્રિન્સિપાલે વિદ્યાર્થીનીઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, આજના યુગમાં માત્ર ડિગ્રી મેળવવી પૂરતી નથી, નાણાકીય જ્ઞાન એ સમયની માંગ છે. આ પ્રસંગે કોલેજના તમામ પ્રોફેસરો અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીનીઓ તરફથી પ્રશ્નોત્તરી સેશન પણ રાખવામાં આવ્યું હતું, જે ખૂબ જ ઇન્ટરેક્ટિવ રહ્યું હતું. આ સેમિનાર વિદ્યાર્થીનીઓના સર્વાંગી વિકાસ માટે કોલેજ દ્વારા કરવામાં આવતા પ્રયાસોનો એક ભાગ હતો.

દિવ્ય ભાસ્કર 3 Dec 2025 8:52 pm

લુણાવાડાના ધામોદ ગામ પાસે કેનાલમાં ડૂબેલા કિશોરનો મૃતદેહ મળ્યો:લુણાવાડા નગરપાલિકાની ફાયર ટીમે સુજલામ સુફલામ કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢ્યો

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ધામોદ ગામ પાસેથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાંથી ગુરુવારે એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો છે. આ કિશોર ગઈકાલે કેનાલમાં ડૂબી ગયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, બાલાસિનોરના ગોરપુરા ગામનો 17 વર્ષીય કિશોર ધામોદ ગામની સીમમાં નીલગીરીના વાવેતરવાળા ખેતરમાં ઉધઈની દવા છાંટવા ગયો હતો. મશીન ચાલુ કરવા માટે કેનાલમાંથી પાણી ભરવા તે નીચે ઉતર્યો હતો. આ દરમિયાન તેનો પગ લપસી જતાં તે કેનાલના પાણીમાં તણાઈ ગયો અને ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. લુણાવાડા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમે કિશોરની શોધખોળ હાથ ધરી હતી. બીજા દિવસે ગુરુવારે સવારે કેનાલમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. કિશોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 3 Dec 2025 8:49 pm

છેલ્લે માતાને ફોનમાં કહ્યું-'20 હજાર મોકલાવો નહિતર મારી નાખશે':ઉધના-ગોડાદરામાં ડબલ મર્ડરની આશંકા ખોટી પડી, ગુમ મિત્ર ઈજાગ્રસ્ત મળ્યો; 2 આરોપીઓની ધરપકડ

સુરતના ઉધના વિસ્તારના એક 23 વર્ષીય યુવકની પૈસાની લેતીદેતીના મામલે ઘાતકી હત્યા કરવામાં આવી છે. યુવક ઘરેથી ગુમ થયાના 1 દિવસ બાદ ગોડાદરાના એક ખુલ્લા પ્લોટમાંથી તેનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે હત્યાના ગુનામાં 2 આરોપીઓની ધરપકડ કરી છે અને લાપતા રહેલા મૃતકના મિત્રને પણ ઈજાગ્રસ્ત હાલતમાં શોધી કાઢ્યો છે. બોથડ પદાર્થ વડે હત્યા અને મૃતદેહની ઓળખગોડાદરા પોલીસના જણાવ્યા મુજબ, મહાકાળીનગર સોસાયટી, ઉધનામાં રહેતા શોએબ ફિરોઝ શેખ (ઉં.વ. 23)નો મૃતદેહ રાજહંસ ફેબ્રિઝો માર્કેટની પાછળ ઝાડી-ઝાંખરામાં મળી આવ્યો હતો. મૃતકના શરીર પર ગળા, મોઢા, જમણી આંખ, છાતી, પેટ અને પીઠના ભાગો પર બોથડ પદાર્થ માર્યાના ગંભીર નિશાનો અને ઉઝરડા જોવા મળ્યા હતા. આ અંગે જાણ થતાં શોએબની માતા શકીલાબાનુ ફિરોજ શેખને બોલાવવામાં આવ્યા હતા, જેઓ પુત્ર ગુમ થવાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પણ પહોંચ્યા હતા. માતાએ મૃતદેહની ઓળખ પોતાના પુત્ર શોએબ તરીકે કરી હતી અને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. છેલ્લી વાતચીતમાં 20,000ની માંગણીમાતા શકીલાબાનુની ફરિયાદ મુજબ શોએબ ડિસેમ્બર 1ના રોજ બપોરે જમીને ઘરેથી નીકળ્યો હતો. સાંજે ફોન કરતાં તેણે જણાવ્યું હતું કે, તે લિંબાયતના મારુતીનગર ખાતે મિત્ર નાઝીમ ઉર્ફે ભાંજા સાથે છે. જોકે, બીજા દિવસે સવારે, શોએબના મોબાઈલ પર રીંગ વાગવા છતાં કોઈએ ફોન ન ઉપાડ્યો. ચોંકાવનારી વાત એ છે કે, સવારે આશરે 8 વાગ્યે મિત્ર નાઝીમના ફોન પરથી શોએબે માતા સાથે વાત કરી અને કહ્યું હતું કે, 1,00,000ની લેવડ-દેવડ છે પરંતુ, હાલમાં તમે મને 20,000 મોકલાવી આપો, જેથી આ લોકો મને તથા નાઝીમ ઉર્ફે ભાંજાને માર ન મારે. ત્યારબાદ તરત જ ફોન કટ કરી દેવાયો હતો અને શોએબ તેમજ નાઝીમના ફોન બંધ થઈ ગયા હતા. ગુમ થયેલો મિત્ર ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યોશોએબની માતા જ્યારે નાઝીમ ઉર્ફે ભાંજાના ઘરે તપાસ કરવા પહોંચ્યા ત્યારે તે પણ ગુમ હતો. લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે નાઝીમની બહેન પણ તેના ભાઈના ગુમ થવા અંગે જાણ કરવા હાજર હતી. શરૂઆતમાં શોએબના મોત બાદ નાઝીમ પણ ગુમ હોવાથી ડબલ મર્ડરની આશંકા સેવાઈ રહી હતી. જોકે, ડીસીપી કાનન દેસાઈએ જણાવ્યું છે કે, આ કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમણે લાકડાના ફટકા વડે શોએબની હત્યા કરી હતી, જે પૈસાની લેતીદેતીનો મામલો હતો. ડીસીપીએ વધુમાં જણાવ્યું કે, જે મિત્ર નાઝીમ ઉર્ફે ભાંજા મિસિંગ હતો, તે પણ મળી આવ્યો છે. તેને પણ માર મારવામાં આવ્યો હતો અને તેની પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલમાં, પોલીસે હત્યાનો ગુનો નોંધીને પકડાયેલા 2 આરોપીઓ વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 3 Dec 2025 8:42 pm

મોરબીના પૂર્વ શિક્ષક સંઘ પ્રમુખને 10 વર્ષની કેદ:કોર્ટે દુષ્કર્મ અને IT એક્ટ કેસમાં 5.20 લાખનો દંડ પણ ફટકાર્યો

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ વિજયભાઈ સરડવાને દુષ્કર્મ અને આઈટી એક્ટના કેસમાં મોરબીની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને રૂપિયા 5.20 લાખનો દંડ પણ કર્યો છે. આ કેસ વર્ષ 2018માં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. એક શાળાની શિક્ષિકાએ ફરિયાદ નોંધાવી હતી કે, વિજયભાઈ સરડવાએ 26 જાન્યુઆરી, 2017થી 28 ફેબ્રુઆરી, 2018 દરમિયાન તેમની સાથે મિત્રતા કેળવી હતી. પરણિત હોવા છતાં છૂટાછેડા લઈ લગ્ન કરવાના ખોટા વાયદા કરીને તેમને લલચાવ્યા હતા. ફરિયાદીને રાજકોટ ખાતેના ફ્લેટ પર લઈ જઈ અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા અને તેમના બિભત્સ વીડિયો ક્લિપ ઉતારી લીધી હતી. જ્યારે ફરિયાદીએ આરોપીનું ધાર્યું કરવાની ના પાડી, ત્યારે તેણે આ વીડિયો અને ફોટોગ્રાફ્સ ફરિયાદીના સગા-સંબંધીઓને વોટ્સએપ દ્વારા મોકલી આપ્યા હતા. આ કૃત્યથી ફરિયાદીની સગાઈ અને લગ્નજીવનમાં ભંગાણ પડ્યું હતું. આરોપીએ ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટનાઓ બાદ શિક્ષિકાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આરોપી વિજયભાઈ સરડવાની ધરપકડ કરી હતી. આ કેસ મોરબીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ કે.આર. પંડ્યા સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો. જિલ્લાના મદદનીસ સરકારી વકીલ એન.ડી. કારીયા દ્વારા રજૂ કરવામાં આવેલી દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપી વિજયભાઈ કેશવજીભાઈ સરડવા (ઉંમર 42, રહે. બોની પાર્ક, ધરતી ટાવર, રવાપર, મોરબી) ને દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે આરોપીને 10 વર્ષની સખત કેદ અને જુદી જુદી કલમો હેઠળ કુલ રૂપિયા 5.20 લાખનો દંડ ફટકાર્યો છે. કોર્ટે એવો પણ આદેશ કર્યો છે કે, જો આરોપી દંડની રકમ ભરે, તો તે રકમ ભોગ બનેલી ફરિયાદીને વળતર પેટે ચૂકવવામાં આવે. જો આરોપી દંડ ભરવામાં નિષ્ફળ જાય, તો ફરિયાદીએ વળતર મેળવવા માટે કોર્ટમાં અરજી કરીને કાર્યવાહી કરવાની રહેશે.

દિવ્ય ભાસ્કર 3 Dec 2025 8:42 pm

ભારતની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોમાં ક્રૂની અછત, 200 ફ્લાઈટ્સ રદ; કંપનીએ માફી માંગી

Indigo Airlines Flight Issue : દેશની સૌથી મોટી એરલાઈન્સ ઈન્ડિગોએ ક્રૂની અછત, ટેકનિકલ ખામી સહિત અનેક કારણોસર 200થી વધુ ફ્લાઈટો રદ કરી દીધી છે. રિપોર્ટ મુજબ, બેંગલુરુ-મુંબઈ સહિત ઘણાં એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટો રદ થવા ઉપરાંત મોડી પડી છે. કંપનીએ કહ્યું છે કે, સંચાલક સ્ટાફની અછત હોવાના કારણે આ સમસ્યા સર્જાઈ છે. ટેકનિકલ ખામીના કારણે ફ્લાઈટો રદ કરવી પડી : ઈન્ડિગો પ્રવક્તા ઈન્ડિગો એરલાઈન્સના પ્રવક્તાએ કહ્યું કે, ‘ઘણા દિવસોથી ટેકનિકલ ખામીની સમસ્યા, એરપોર્ટ પર ભીડભાડ, સંચાલન સંબંધિત જરૂરિયાતોના કારણે અનેક ફ્લાઈટોમાં વિલંબ થયો છે, જ્યારે કેટલીક ફ્લાઈટો રદ કરવી પડી છે.

ગુજરાત સમાચાર 3 Dec 2025 8:19 pm

હળવદમાં ધંધામાં મંદીથી કંટાળી યુવાનનો આપઘાત:સોની વેપારીએ ઘરમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

હળવદમાં આર્થિક સંકળામણના કારણે એક સોની વેપારી યુવાને પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. આનંદ પાર્ક સોસાયટીમાં રહેતા 43 વર્ષીય ચિરાગભાઈ રજનીકાંતભાઈ ઝિઝુવાડીયાએ પોતાના ઘરમાં છતના પંખા સાથે દોરી બાંધીને આ પગલું ભર્યું હતું. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ચિરાગભાઈ સોની કામનો ધંધો કરતા હતા, પરંતુ ધંધો વ્યવસ્થિત ચાલતો ન હોવાથી તેઓ આર્થિક સંકળામણ અનુભવી રહ્યા હતા. આ કારણે તેમને મનોમન લાગી આવતા તેમણે આત્મહત્યાનો માર્ગ અપનાવ્યો. ઘટના બાદ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. મૃતકના પત્ની શીતલબેન ચિરાગભાઈ ઝિઝુવાડીયા (40)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 3 Dec 2025 8:14 pm

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું:મકાન ભાડે આપવા પહેલાં ભાડુઆતની વિગતો પોલીસને આપવી ફરજિયાત

ભાવનગર જિલ્લામાં મકરસંક્રાંતિ અને હોળી જેવા આવનારા તહેવારો દરમિયાન આતંકવાદી અથવા ગુનેગાર તત્વો ભાડાના મકાનો કે ઉદ્યોગોમાં લેબર તરીકે રહી સ્થાનિક સ્થિતિની રેકી કરી ગુનાહિત પ્રવૃત્તિ અંજામ આપી શકે છે, એવી શક્યતા વચ્ચે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.ડી.ગોવાણીએ જાહેરનામું બહાર પાડ્યું છે. હવે જિલ્લામાં કોઇપણ મકાન માલિકે મકાન ભાડે આપવા પહેલાં ભાડુઆતની વિગત, દસ્તાવેજો અને ફોટા મેળવી સંબંધિત પોલીસ સ્ટેશને જાણ કરવી ફરજિયાત રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને આ આદેશ 60 દિવસ સુધી અમલમાં રહેશે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામુ જાહેર કરવામાં આવ્યુંઆગામી દિવસોમાં મકરસંક્રાંતિ, હોળી જેવા તહેવારો આવનાર હોય,તહેવારો દરમ્યાન આતંકવાદીઓ તથા ગુનેગારો અન્ય શહેર, રાજય કે દેશમાંથી આવી કોઇ સ્થાનિક વ્યકિતના માલિકીના મકાન ભાડે રાખીને તેમજ ભાવનગર જિલ્લામાં આવેલ વિવિધ ઇન્ડસ્ટ્રીઝમાં લેબર તરીકે મજુરી કામ કરી સ્થાનિક જગ્યા વગેરેનો સર્વે-રેકી કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈને તેઓની ત્રાસવાદી તથા ગુનાહિત પ્રવૃતિઓને અંજામ આપવાની શકયતા નકારી શકાય નહિ, જેથી ભાવનગર જિલ્લામાં જાહેર સલામતી અને સુલેહ શાંતિ જળવાઇ રહે.જેને લઈ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.ડી.ગોવાણીએ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું. પોલીસ સ્ટેશને જાણ કર્યાં સિવાય કોઈપણ વ્યક્તિને મકાન ભાડેથી ન આપવા ફરમાવ્યુંઆ જાહેરનામાંમાં સમગ્ર ભાવનગર જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ શહેરી વિસ્તારો, ઔદ્યોગિક વિસ્તારો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કોઇ પણ મકાન માલિક આ માટે આવા મકાન માલિકે પોતાના હસ્તકના મકાનો ભાડે આપતા પહેલા આવા મકાન તથા ભાડુઆતોના નામ ,સરનામાની વિગતો જેમાં નં.મકાન માલિકનું નામ તથા ભાડે આપેલ મકાનની વિગત,ક્યાં વિસ્તારમાં, ચો.મી.બાંધકામ,મકાન ભાડે આપવા સત્તા ધરાવતાં વ્યક્તિનું નામ,મકાન ક્યારે ભાડે આપેલ છે તથા માસિક ભાડું કેટલું?, જે વ્યક્તિઓને ભાડે આપેલ છે તેમનાં પાકા નામ,સરનામાં, ફોટા,પાસપોર્ટ,ડ્રાઈવીગ લાયસન્સ,પાનકાર્ડ પુરાવારૂપે સાથે આપવા,મકાન માલિકોને ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્યકિતનું નામ ,સરનામા , ફોટા ,પાસપોર્ટ ,ડ્રાઇવીંગ લાયસન્સ , પાનકાર્ડ પુરાવારૂપે સાથે આપવાના રહેશે‌. અને સંબંધિત પોલીસ સ્ટેશને જાણ કર્યાં સિવાય કોઈ પણ વ્યક્તિને તેઓ હસ્તકના મકાન ભાડેથી નહીં આપવા ફરમાવ્યું છે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશેઆ જાહેરનામું સમગ્ર ભાવનગર જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ શહેરો-ગામોનાં મકાન માલિકોને લાગુ પડશે.આ જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી 60 દિવસ સુધી અમલમાં રહેશે.આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-223 મુજબ શિક્ષાને પાત્ર થશે. જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલાં લેવા હેડકોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારી ને અધિકૃત કરવામાં આવ્યાં છે. લોકોને મકાન કે દુકાન ભાડે આપનાર વ્યક્તિની પૂરતી ખરાઈ કરવા અપીલઆ અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.ડી. ગોવાણી એ જણાવ્યું હતું કે ભૂતકાળના અનુભવોને ધ્યાને લેતા કોઈપણ ગુનાખોરી અથવા આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે બહારથી આવતા ઈસમો આશરો લઈ શકે છે, એવી સંભાવના ધ્યાને રાખી ભાવનગર જિલ્લામાં તમામ શહેરી વિસ્તારો, ગ્રામ્ય વિસ્તારો અને ઔદ્યોગિક વિસ્તારોમાં અજાણ્યા વ્યક્તિઓને મકાન ભાડે આપતા પહેલા તેમની સંપૂર્ણ વિગતો લેવાનું અને સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કરવા બાબતે આ જાહેરનામું પાડવામાં આવ્યું છે. આજે જાહેરનામું લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને અને કોઈ ગુનાહિત કૃત્ય ન બને તે બાબતોને ધ્યાનમાં રાખીને બહાર પાડવામાં આવ્યું છે. આ સાથે લોકોને પણ અપીલ કરું છું કે તમે જ્યારે તમારું કોઈ પણ મકાન કે દુકાન અથવા અન્ય કોઈ વસ્તુ ભાડે આપો ત્યારે ભાડે લેનાર વ્યક્તિની પૂરતી ખરાઈ કરો અને નિયત નમૂના પત્રક મુજબ તમારી નજીકના પોલીસ સ્ટેશનમાં આ બાબતે જાણ કરો.

દિવ્ય ભાસ્કર 3 Dec 2025 8:13 pm

શંકરભાઈ ચૌધરીનો જન્મદિવસ 'સેવા દિન' રૂપે ઉજવાયો:બનાસકાંઠામાં મેડિકલ કેમ્પ, રક્તદાન સહિત અનેક સેવા કાર્યો કરાયા

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો જન્મદિવસ બૃહદ બનાસકાંઠા જિલ્લામાં ‘સેવા દિન’ રૂપે ઉજવાયો હતો. આ ઉજવણી અંતર્ગત મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેશન, વૃક્ષારોપણ અને તિથિ ભોજન સહિતના અનેક સેવા કાર્યોનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે બૃહદ બનાસકાંઠા જિલ્લાના વિવિધ 15 સ્થળોએ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા હતા, જેમાં 5,000 થી વધુ રક્ત બોટલો એકત્રિત કરવામાં આવી. દિયોદર ખાતે સૌથી વધુ 1155 લોકોએ રક્તદાન કર્યું હતું. બનાસ ડેરી અને બનાસ મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે કુલ 07 મેડિકલ કેમ્પોનું આયોજન 1 થી 7 ડિસેમ્બર સુધી કરવામાં આવ્યું છે. વાવ-થરાદ જિલ્લાના પીલુડા, થરાદ, નારોલી, ભોરોલ, મોટી પાવડ, ડુવા અને દાંતા સહિતના વિસ્તારોમાં યોજાયેલા આ કેમ્પોમાં અત્યાર સુધીમાં 12,600 થી વધુ નાગરિકો, બાળકો અને મહિલાઓએ આરોગ્ય સેવાનો લાભ લીધો છે. વાવ-થરાદ જિલ્લાના વાવ, સુઈગામ, ભાભર, લાખણી, દિયોદર, ધરણીધર સહિતના તાલુકાઓની પ્રાથમિક શાળાઓમાં તિથિ ભોજનનું આયોજન કરાયું હતું. થરાદ વિધાનસભા વિસ્તાર હેઠળની તમામ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને પણ તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, થરાદ મત ક્ષેત્રની 08 શાળાઓમાં જરૂરિયાતમંદ બાળકોને ચોપડાનું વિતરણ કરાયું હતું. થરાદ તાલુકાના દરેક શિવ મંદિરમાં 05-05 બિલિપત્રનું વાવેતર અને 10 ગામોમાં કુલ 550 તુલસીના છોડનું વાવેતર કરવામાં આવ્યું. વડગામ તાલુકાના દરેક ગામમાં 1 વડનું વાવેતર કરી કુલ 110 વડના છોડ રોપવામાં આવ્યા હતા. થરાદ મત વિસ્તારની મોટાભાગની ગૌશાળાઓમાં ગાયો માટે ઘાસ અને ગોળનું વિતરણ કરાયું હતું. સિવિલ હોસ્પિટલ અને આંગણવાડી કેન્દ્રો ખાતે દર્દીઓ અને બાળકોને ફળ વિતરણ તેમજ વિચરતી અને વિમુક્ત જાતિના બાળકોને સ્વેટર વિતરણ જેવી સેવા પ્રવૃત્તિઓ પણ સફળતાપૂર્વક યોજાઈ હતી. લાખણી, માંગરોળ અને થરાદ ખાતે અધ્યક્ષના દીર્ઘાયુષ્ય તથા સારા સ્વાસ્થ્ય માટે યજ્ઞોનું પણ આયોજન કરાયું હતું.

દિવ્ય ભાસ્કર 3 Dec 2025 8:00 pm

Editor's View: સરહદની સિયાસત:રાજનાથનાં 'સિંધ' નિવેદનથી પાકિસ્તાન ગભરાયું, નેપાળે ચીનના ઈશારે 'કાલાપાની' નોટ પર છાપ્યું.

1947માં રેડક્લિફ નામના એક અંગ્રેજે ભારતના નકશા પર એક લીટી દોરી હતી અને લાખો લોકોના જીવ ગયા હતા. આજે, વર્ષ 2025 પૂરું થવા આવ્યું છે, ત્યારે ઈતિહાસ ફરીથી એ જ ભૂલનું પુનરાવર્તન કરી રહ્યો છે. ઉત્તરમાં આપણું પડોશી નેપાળ ચીનના ઈશારે ભારતની જમીન પોતાની છે એવું કહીને નોટ પર છાપી રહ્યું છે, પૂર્વમાં બાંગ્લાદેશના આર્મીના પૂર્વ બ્રિગેડીયર જનરલ કહી રહ્યા છે ભારતના ટુકડા થશે ત્યારે જ બાંગ્લાદેશમાં શાંતિ આવશે અને પશ્ચિમમાં આપણો બીજો પડોશી દેશ પાકિસ્તાન ડરના માર્યો ભારતના આખેઆખા ત્રણ રાજ્યો એટલે કે ગુજરાત, રાજસ્થાન અને હરિયાણાને પોતાનું કહી રહ્યો છે. શું આ માત્ર કોઈ નેતાઓના બફાટ છે? ના... આ સાઉથ એશિયામાં શરૂ થયેલું એક નવું કાર્ટોગ્રાફિક વોર એટલે કે નકશાનું યુદ્ધ છે. આજે આપણે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ વચ્ચેના આ નવા 'બોર્ડર વિવાદ' અને પડદા પાછળ રહેલા ચીનની વાત. નમસ્કાર, સૌથી પહેલા તો આપણે આ ત્રણેય બનાવોની તારીખો જોવાની અને તેમાંથી ક્રોનોલોજી સમજવાની જરૂર છે. સરહદની સિયાસત23 નવેમ્બરઃ રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું, સિંધ ભારતમાં પાછું આવી શકે છે.25 નવેમ્બરઃ પાકિસ્તાની નેતાનો ગુજરાત-રાજસ્થાન સહિત 3 રાજ્ય પર દાવો 28 નવેમ્બરઃ નેપાળે 100 રૂપિયાની નોટમાં ભારતના વિસ્તારો દેખાડ્યા 3 ડિસેમ્બરઃ ભારતના ટુકડા નહીં થાય ત્યાં સુધી બાંગ્લાદેશમાં શાંતિ નહીં સ્થપાય એવું નિવેદન એક જ અઠવાડિયામાં ચાર અલગ-અલગ ઘટના!ભારતના પાડોશી દેશો ચારેબાજુથી એક વિચિત્ર પ્રકારની ઘેરાબંધી કરી રહ્યા છે. આ ઘટનાઓ અલગ-અલગ નથી, પણ એકબીજા સાથે જોડાયેલી છે. આ છે બોર્ડર પોલિટિક્સ 2.0. રશિયા-યુક્રેનની જેમ યુદ્ધ જમીન પર નહીં, પણ નકશાઓમાં અને લોકોની લાગણીઓમાં લડવામાં આવી રહ્યું છે. સૌથી પહેલા તાજેતરની એટલે કે નેપાળની વાત કરીએ. નેપાળની રાષ્ટ્રીય બેંકે 28 નવેમ્બરે 100 રૂપિયાની નવી ચલણી નોટ બહાર પાડી છે. જેમાં ભારતના ઉત્તરાખંડના 3 ભાગ એટલે કે લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાને નોટમાં નેપાળે પોતાના ગણાવ્યા છે. હકીકતમાં આ વિસ્તારો ભારતના છે. નેપાળના આ દાવાનું મૂળ 1816ની સુગૌલી સંધિમાં છે. તે સમયે અંગ્રેજો અને ગોરખા રાજા વચ્ચે નક્કી થયું હતું કે 'મહાકાલી નદી' એ ભારત અને નેપાળ વચ્ચેની સરહદ ગણાશે. પણ નદીનું ઉદ્ગમ સ્થાન કયું? એ સ્પષ્ટ ન થયું. બસ, આ જ અસ્પષ્ટતાનો ફાયદો આજે ચીનના જોરે નેપાળ ઉઠાવી રહ્યું છે. આ વિસ્તારો ભારત માટે કેમ મહત્વના છે, તે સમજવું જરૂરી છે. નેપાળની નજર વિસ્તાર: લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાલોકેશન: ઉત્તરાખંડનો પિથોરાગઢ જિલ્લોદાવો: આ ત્રણેય વિસ્તાર નેપાળના છે ભારતનું હિત ટ્રાય-જંકશનઃ ભારત, નેપાળ અને ચીનની બોર્ડર અહીં મળે છેચીન પર નજરઃ ઊંચાઈ પર હોવાથી ચીનની સેના પર વોચ રાખવી સરળધાર્મિક મહત્ત્વઃ કૈલાશ માનસરોવર યાત્રાનો સૌથી ટૂંકો રસ્તો (લિપુલેખ પાસ) ચીન નેપાળના ખભે બંદૂક ફોડે છેનેપાળ આટલી હિંમત કરી રહ્યું છે કારણ કે તેની પાછળ સીધો હાથ ચીનનો છે. નેપાળની નોટો ચીનમાં છપાય છે, અને ચીન ભારતને ઘેરવા માટે નેપાળના ખભે બંદૂક ફોડી રહ્યું છે.હવે આવીએ બીજા અને ક્રોનોલોજી મુજબ સૌથી પહેલા બનાવ પર. 23 નવેમ્બરે દિલ્હીમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ભલે સિંધ આજે પાકિસ્તાનમાં છે, પણ સભ્યતાની દૃષ્ટિએ તે ભારતનો જ ભાગ છે. શું ખબર? કાલે ઉઠીને સરહદો બદલાઈ પણ જાય. આ નિવેદનથી પાકિસ્તાનમાં ભૂકંપ આવી ગયો. અને તેના જવાબમાં 25 નવેમ્બરે સિંધના મંત્રી સૈયદ સરદાર અલી શાહે પાકિસ્તાન એસેમ્બલીમાં બૂમરાણ મચાવી દીધી કે, જો ભારત સિંધ પર દાવો કરે છે તો અમારો દાવો પણ ગુજરાત, રાજસ્થાન અને હરિયાણા પર છે. પાકિસ્તાનનો ગુજરાત પરનો દાવો માત્ર આ મંત્રી પૂરતો સીમિત નથી. આ કાવતરું જૂનું છે. તમને યાદ હશે, ઓગસ્ટ 2020માં પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન ઈમરાન ખાને પાકિસ્તાનનો એક નવો જ પોલિટિકલ મેપ જાહેર કરી દીધો હતો. જેમાં તેમણે સત્તાવાર રીતે ગુજરાતના જૂનાગઢ અને માણાવદરને પાકિસ્તાનનો ભાગ ગણાવ્યા હતા. એટલે કે, પાકિસ્તાન છેલ્લા 5 વર્ષથી આ ષડયંત્ર રચી રહ્યું છે. એક રીતે જોવા જઈએ તો ભારતની આઝાદી પછીથી જ પણ અત્યારના મંત્રીનું નિવેદન એ જ જૂની તૂટેલી રેકોર્ડનું રિપીટેશન છે. હવે સવાલ એ થાય કે પાકિસ્તાન આવું કેમ કરે છે? કારણ છે 'ડર'. સિંધ ગુમાવવાનો ડર. ચાલો સિંધ વિશે થોડું જાણીએ. પાકિસ્તાનને સિંધ ગુમાવવાનો ડરવસ્તીઃ 5.5 કરોડ (બીજો સૌથી મોટો પ્રાંત)આર્થિક તાકાતઃ GDPમાં 30% યોગદાનબંદરઃ કરાચી અને બિન કાસિમ રાજકીય ડરઃ 'જિયે સિંધ કૌમી મહાઝ' (JSQM)ની આઝાદીની માગ આવું છે સિંધ અને ભારતનું કનેક્શનપાકિસ્તાન હાલ કટોરો લઈને ફરે છે. કરાચી તેને 60-70% કમાવીને આપે છે. જો સિંધ હાથમાંથી ગયું તો પાકિસ્તાન પૂરું થઈ જશે. રાજનાથ સિંહે બરાબર આ જ 'દુખતી નસ' દબાવી છે. એટલે ધ્યાન ભટકાવવા માટે પાકિસ્તાન ગુજરાત-રાજસ્થાનનાં બહાના કાઢે છે. તેના ઈતિહાસ પર નજર કરીએ તો 1947 પહેલાં સિંધ, ગુજરાત અને મહારાષ્ટ્ર એક જ 'બોમ્બે પ્રેસિડેન્સી' નો ભાગ હતા. 1913માં હરચંદ્રાય નામના હિંદુ નેતાએ સિંધ માટે લડત આપી હતી. પણ કમનસીબે ભાગલામાં સિંધ પાકિસ્તાનમાં ગયું. 1971માં પાકિસ્તાન તૂટ્યું અને બાંગ્લાદેશ બન્યું ત્યારે સાબિત થઈ ગયું હતું કે નકશાની લીટીઓ પથ્થર પરની લકીર નથી હોતી. આજે પાકિસ્તાનને એ જ ડર છે કે ભારત ક્યાંક બાંગ્લાદેશ પાર્ટ-2 ન કરી બેસે. આ માટે જ સિંધ અને ભારતનું કનેક્શન જાણવું અતિ મહત્વનું છે. સિંધ અને ભારતનું કનેક્શનસંસ્કૃતિઃ મોહેંજો-દડો સિંધમાં આવેલું હિન્દુ વસ્તીઃ 5.5 કરોડ, સૌથી વધુ હિન્દુ વસ્તી રહે આઝાદીની માગઃ 'સિંધુ દેશ' માટે વર્ષોથી આંદોલનો ચાલે રાષ્ટ્રગીતઃ ભારતનાં રાષ્ટ્રગીતમાં પણ 'સિંધ' શબ્દનો ઉલ્લેખ બાંગ્લાદેશના આર્મી ચીફનો બફાટચોથો મુદ્દો જે બાંગ્લાદેશથી વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે છે. બાંગ્લાદેશના નિવૃત બ્રિગેડિયર જનરલ અબદુલ્લાહિલ અમાન આઝમીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બફાટ કર્યો છે. જેનો વીડિયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમણે નિવેદન આપ્યું છે કે, “જ્યાં સુધી ભારતના ટુકડા નહીં થાય ત્યાં સુધી બાંગ્લાદેશમાં સંપૂર્ણપણે શાંતિ નહીં આવે.” આ પહેલીવાર નથી જ્યારે આઝમીનું આવું નિવેદન સામે આવ્યું હોય. જમાત એ ઈસ્લામીના પ્રમુખ રહી ચુકેલા ગુલામ આઝમના દીકરા અને બાંગ્લાદેશના પૂર્વ જનરલ આઝમી અગાઉ પણ ભારત વિશે આવા ભડકાઉ ભાષણ આપી ચૂક્યા છે. બાંગ્લાદેશમાં જ્યારથી Gen Z બળવા પછી સરકાર પલટાઈ છે ત્યારથી ભારતના સંબંધોમાં ખટાશ આવી છે. અલગ-અલગ નેતાઓએ ભારત વિરુદ્ધ નિવેદનો આપ્યા છે પણ આ નિવેદને તો હદ વટાવી છે. વિદેશ મંત્રાલય હવે શું જવાબ આપશે તે જોવાનું રહેશે. અને હવે છેલ્લે વાત કરીએ આપણા ઘરની, ગુજરાતની. પાકિસ્તાની મંત્રીએ ગુજરાત માગ્યું, તો શું આપણે ચિંતા કરવાની જરૂર છે? જરાય નહીં. ગામડાંમાં કહેવત છે ને કે, પોતાનું ઘર સંભાળાતું ન હોય અને પાડોશીના ઓટલા પર દાવો કરવા નીકળ્યા. પાકિસ્તાનની હાલત એવી જ છે. પરંતુ, ગુજરાત માટે આ સેન્સેટિવ મુદ્દો એટલે બને છે કારણ કે આપણી સરહદ સિંધ સાથે જોડાયેલી છે. કચ્છ અને સિંધનું કલ્ચર આજે પણ મળતું આવે છે. જો સિંધમાં અશાંતિ ફેલાય, તો તેની સીધી અસર કચ્છ બોર્ડર પર જોવા મળી શકે છે. બીજી તરફ, ગુજરાતમાં વસતો સિંધી સમાજ આજે પણ પોતાની માતૃભૂમિ (સિંધ) પ્રત્યે લાગણી ધરાવે છે. રાજનાથ સિંહનું નિવેદન એ સિંધી સમાજની દાયકાઓ જૂની વેદના પર મલમ જેવું છે. અને છેલ્લે..... એક વાત સમજી લેવી જરૂરી છે. નકશા પર લીટીઓ દોરવી સહેલી છે, પણ જમીન પર કબજો જમાવવો મુશ્કેલ છે. નેપાળે સમજવું પડશે કે ચીનના ખોળામાં બેસીને તે 'હિમાલયની રક્ષા' નથી કરી શકવાનું, અને પાકિસ્તાને સમજવું પડશે કે ગુજરાત કે રાજસ્થાન માગતા પહેલાં, જે 'સિંધ' આજે તેમની પાસે છે, તેને સાચવી લે તો પણ ઘણું છે. કારણ કે, ઈતિહાસ ગવાહ છે, જ્યારે જ્યારે સભ્યતા અને રાજકીય નકશા વચ્ચે ટક્કર થઈ છે, ત્યારે જીત હંમેશા સભ્યતાની જ થઈ છે. કદાચ એટલે જ રાજનાથ સિંહે કહ્યું છે કે, સિંધ ભારતનો આત્મા છે.સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર)

દિવ્ય ભાસ્કર 3 Dec 2025 7:58 pm

વલસાડ જિલ્લાની ધરમપુરમાં વાહન ચેકિંગમાં 15 બિલ વગરના મોબાઈલ જપ્ત:₹3.74 લાખનો મુદ્દામાલ જપ્ત, બે આરોપીની ધરપકડ

વલસાડ જિલ્લાની ધરમપુર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બિલ વગરના 15 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. આ કાર્યવાહીમાં ₹3.74 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ધરમપુરના આસુરા ચાર રસ્તા નજીક પોલીસ ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન GJ-15-CD-9715 નંબરની મારૂતિ અલ્ટો કારને રોકવામાં આવી હતી. કારમાં સવાર કલ્પેશભાઈ રમેશભાઈ પટેલ (ઉં. 48, રહે. વલસાડ છીપવાડ રોડ) અને વિજયભાઈ વસ્તીમલ શાહ (ઉં. 51, રહે. પારડી અરીહંત વિલેજ) પાસેથી પોલીસે પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન બંને ઇસમોએ સંતોષકારક જવાબ ન આપતા, પોલીસે કારની તલાશી લીધી હતી. ક્લીનર સાઈડમાં રાખેલી કાપડની થેલીમાંથી 15 નવા મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જેમના કોઈ બિલ કે દસ્તાવેજ રજૂ કરી શકાયા ન હતા. આથી, પોલીસે બંનેને ધરમપુર પોલીસ સ્ટેશન લઈ જઈ વધુ કાર્યવાહી કરી હતી. પોલીસે 15 મોબાઈલ ફોન (અંદાજિત કિંમત ₹2.74 લાખ) અને કાર (કિંમત ₹1 લાખ) સહિત કુલ ₹3.74 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. BNS કલમ 106 હેઠળ પંચનામું તૈયાર કરવામાં આવ્યું છે. બંને આરોપીઓ વિરુદ્ધ BNS કલમ 35(1)(ઇ) હેઠળ ગુનો નોંધી તેમની અટકાયત કરવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 3 Dec 2025 7:58 pm

હિંમતનગરમાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી:દિવ્યાંગ બાળકોની સંસ્થામાં 50 દિવ્યાંગોને સાધન સહાય અપાઈ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મોતીપુરા વિસ્તારમાં આવેલી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થામાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 50 દિવ્યાંગોને સાધન સહાય અપાઈ હતી. આ કાર્યક્રમ મંગળવારે સમાજ સુરક્ષા અધિકારી મનીષભાઈ જોશીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર વી.એ.ગોપલાણી પણ આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન દિવ્યાંગોને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. હિંમતનગર તાલુકાના કુલ 50 દિવ્યાંગોને સાધન સહાય પૂરી પાડવામાં આવી, તેમજ સમાજ સુરક્ષા ખાતા દ્વારા મળતા વિવિધ લાભો વિશે જાણકારી આપવામાં આવી હતી. આ પ્રસંગે માનસિક દિવ્યાંગ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. સંસ્થા તરફથી દિવ્યાંગોને મિષ્ટાન ભોજન પણ પીરસવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 3 Dec 2025 7:57 pm

ટીબીનાં દર્દીઓમાં ચિંતાજનક વધારો:રાજકોટમાં 2 વર્ષમાં 83 બાળકો સહિત 5,134 દર્દીઓ નોંધાયા, મનપા દ્વારા ટીબી સેન્ટરો, આરોગ્ય કેન્દ્રોમાં નિઃશુલ્ક સારવાર, દર્દીઓને માસિક રૂ.1000 આપે છે સરકાર

રાજકોટમાં ટીબીનાં દર્દીઓમાં ચિંતાજનક વધારો થયો છે. વ્યસન અને કુપોષણની નાગચૂડમાં ફસાયેલી યુવા પેઢી અને ઉગતી પેઢી એવાં બાળકોમાં કેન્સરની જેમ ટીબી (ક્ષય) નું પ્રમાણ પણ વધી રહ્યું છે. રાજકોટમાં જાન્યુઆરી 2024થી નવેમ્બર 2025 વચ્ચે 83 બાળકો સહિત 5,134 ટીબીનાં દર્દીઓ મળી આવ્યા છે. આ આંકડો સ્વાસ્થ્ય વિભાગ માટે એક ગંભીર પડકાર ઊભો કરે છે. જોકે મનપા દ્વારા 6 ટીબી સેન્ટરો તેમજ તમામ આરોગ્ય કેન્દ્રોમાં ટીબીના દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે. તેમજ સરકાર દ્વારા દર્દીઓને માસિક રૂ. 1000 પણ આપવામાં આવે છે. આગામી 24 માર્ચનાં વર્લ્ડ ટીબી દિવસ પૂર્વે રાજકોટને ટીબીથી મુક્ત કરવા માટે હાલમાં કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટ મનપાનાં સિટી ટીબી ઓફિસર ડો. પરેશભાઈ કડીયાએ દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ટીબી નાબૂદ કરવા માટે સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ટીબીના દર્દીઓને શોધી યોગ્ય સારવાર આપવા 100 દિવસનું કેમ્પેઈન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક દર્દીઓની તપાસ અને સારવાર કરવામાં આવી છે. તેમજ સરકાર દ્વારા આવા દર્દીઓને ખાતામાં માસિક રૂ. 1000 જમા કરાવવામાં આવી રહ્યા છે. કેમ્પઈન બાદ પણ રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા સતત અભિયાન ચાલુ રાખવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ જાન્યુઆરી 2024થી નવેમ્બર 2024 દરમિયાન 2,148 કેસ મળ્યા હતા. જ્યારે નવેમ્બર 2024થી માર્ચ 2025 દરમિયાન 763 કેસ મળી આવ્યા હતા. અને ડિસેમ્બર 2024થી 30 નવેમ્બર 2025 સુધીમાં 2,223 દર્દીઓ સામે આવ્યા હતા. આમાં જાન્યુઆરી 2024થી નવેમ્બર 2025 સુધીમાં રાજકોટમાં કુલ 5,134 ટીબીનાં દર્દીઓ મળી આવ્યા છે. તાજેતરના સર્વેક્ષણમાં મળેલા 2,223 ટીબી પેશન્ટોમાં ઉંમર પ્રમાણે વિભાજન વધુ ચિંતાજનક છે. જેમાં 0થી 14 વર્ષની ઉંમરના બાળ દર્દીઓ, 83 તો 15થી 59 વર્ષની ઉંમરના 1,732 દર્દીઓ અને 60 વર્ષથી વધુ ઉંમરનાં 408 દર્દીઓ નોંધાયા છે. એટલે કે હાલમાં કિશોરવયના અને યુવાનોમાં પણ વ્યસનને કારણે ટીબીનું પ્રમાણ વધ્યું છે. આજની યુવા પેઢીમાં દારૂ, સિગારેટ, પાન મસાલા, ગુટખા જેવા વ્યસનો ઘર કરી રહ્યા છે. ક્ષણિક આનંદ માટે આ યુવા વર્ગ ધીમે ધીમે ટીબી કે કેન્સર જેવી ગંભીર બીમારીને આમંત્રણ આપીને પોતાને અને પોતાના પરિવારને બરબાદ કરી રહ્યા છે. કિશોર કે તરુણ વયના બાળકોથી માંડીને 40-45 વર્ષ સુધીના યુવાનો સતત ધૂમ્રપાન કે પાન મસાલા ચાવતા નજરે પડે છે. સરકારે શૈક્ષણિક સંકુલથી 100 મીટરના અંતરમાં કોઈપણ પ્રકારના વ્યસનને આમંત્રણ આપે તેવા ગુટખા, પાન મસાલા, સિગારેટ વગેરેનું વેચાણ નહીં કરવા માટે કડક સૂચના આપી હોવા છતાં અનેક જગ્યાએ તેનો અમલ થતો નથી. આ પાછળ વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને શિક્ષણ તંત્રની ગુનાહિત બેદરકારી જવાબદાર ગણાય છે. આરોગ્ય વિભાગના પ્રયાસો અને સારવાર કેન્દ્રો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટીબીના દર્દીઓને સારવાર આપવા માટે અલગ અલગ છ જેટલા સિટી ટીબી સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે, જેમાં અત્યાર સુધીમાં 2,223 જેટલા દર્દીઓને સારવાર અપાઈ ચૂકી છે. ગત જાન્યુઆરીથી નવેમ્બર 2024 દરમિયાન હુડકો આરોગ્ય કેન્દ્રમાં 388, ચંપકભાઈ વોરા ટીબી સેન્ટરમાં 190, જંકશન પ્લોટ આરોગ્ય કેન્દ્રમાં 395, મવડી ખાતે આરોગ્ય કેન્દ્રમાં 774 અને નંદનવન આરોગ્ય કેન્દ્રમાં કુલ 701 દર્દીઓને સારવાર અપાઈ ચુકી છે. આગામી 24 માર્ચે વર્લ્ડ ટીબી ડે આવી રહ્યો છે, ત્યારે રાજકોટને પણ સંપૂર્ણપણે ટીબી મુક્ત કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ અભિયાનનો મુખ્ય હેતુ ટીબીના છુપાયેલા કેસને તાત્કાલિક શોધી ટ્રીટમેન્ટ શરૂ કરી ટીબી ફેલાતો અટકાવવાનો છે. વર્ષ 2015ની સરખામણીએ હાલ 80 ટકા કેસ ઓછા છે, પરંતુ હજુપણ સ્થિતિ ચિંતાજનક છે. આરોગ્ય વિભાગનો સ્ટાફ હાઈરિસ્ક દર્દીઓને ઘેર ઘેર જઈને શોધે છે. અને તેઓનું નિદાન કરે છે. જેમાં જે પરિવારમાં ટીબીનો કોઈ દર્દી હોય તેના પરિવારજનો, ડાયાબિટીસના પેશન્ટ અને જેઓને સતત બીડી-સિગારેટ કે દારૂ પીવાની ટેવ હોય તેમજ જેમની ઉંમર 60 વર્ષથી વધુ હોય તેવા દર્દીઓની તપાસ કરી લક્ષણો જણાય તો રિપોર્ટ કર્યા બાદ તરત જ સારવાર શરૂ કરવામાં આવે છે. એક ટીબીનો દર્દી 10થી વધુ લોકોને ચેપ લગાડી શકે છે કારણ કે આ રોગ ઉધરસ અને ધૂમ્રપાન જેવા વ્યસનથી ઝડપથી ફેલાય છે. ત્યારે ટીબી નાબુદી માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 3 Dec 2025 7:50 pm

રામપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ એથલેટિક્સમાં સિદ્ધિ મેળવી:ખેલ મહાકુંભ-2025માં વિવિધ સ્પર્ધામાં ઈનામો જીત્યા

ખેલ મહાકુંભ-2025 અંતર્ગત બોટાદ જિલ્લામાં આયોજિત રમતોત્સવમાં ગઢડા તાલુકાની શ્રી રામપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ એથલેટિક્સ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. શાળાના ખેલાડીઓએ તાલુકા કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ઇનામો જીત્યા છે. અંડર-9 વયજૂથમાં, માંગુડા નિમેશભાઈએ બ્રોડ જમ્પમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે ડેકાણી શ્વતે બ્રોડ જમ્પમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.અંડર-11 વયજૂથમાં, બાવળીયા ઈશાનભાઈએ 50 મીટર દોડમાં બીજો નંબર મેળવ્યો હતો. જાદવ જયદીપભાઈએ બ્રોડ જમ્પમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તાલુકા કક્ષાની આ સ્પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને શ્રી રામપરા પ્રાથમિક શાળાના પરિવારે અભિનંદન પાઠવ્યા હતા. ખેલાડીઓને તાલીમ અને માર્ગદર્શન આપનાર શિક્ષકોની મહેનતને પણ બિરદાવવામાં આવી હતી. આ સફળતા જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ માટે પણ પ્રોત્સાહનરૂપ બની રહેશે.

દિવ્ય ભાસ્કર 3 Dec 2025 7:49 pm

મહીસાગર LCBએ ઇન્વર્ટર-બેટરી ચોરને ઝડપ્યો:ચોરીના મુદ્દામાલ સાથે ગોધરાના આરોપીની લુણાવાડાથી ધરપકડ

મહીસાગર LCBએ લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી એક ઇન્વર્ટર અને એક બેટરી મળી આવી હતી, જે ગોધરાથી ચોરી કરવામાં આવી હોવાનું તેણે કબૂલ્યું હતું.પોલીસ અધિક્ષક સફીન હસનની સૂચના બાદ, LCB પીઆઈ એમ.કે. ખાંટના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફ લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન ચોપડા ગામ પાસે રસ્તા પર એક શંકાસ્પદ ઇસમ પ્લાસ્ટિકનો થેલો લઈને ફરતો જોવા મળ્યો હતો. LCB સ્ટાફે તેને રોકીને થેલાની તપાસ કરતા તેમાંથી એક ઇન્વર્ટર અને એક બેટરી મળી આવી હતી. પૂછપરછ કરતા, ઇસમે આ મુદ્દામાલ ગોધરાથી ચોરી કર્યો હોવાનું જણાવ્યું હતું. આરોપીની ઓળખ અતુલ કિશોરભાઈ ચૌહાણ (ઉં.વ. 31, રહે. ગોધરા, જિ. પંચમહાલ) તરીકે થઈ છે.મહીસાગર LCBએ આરોપી અતુલ ચૌહાણ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

દિવ્ય ભાસ્કર 3 Dec 2025 7:45 pm

ગીર સોમનાથમાં ખાતરની અછત:સુત્રાપાડાના ટીંબડી ડેપો પર માત્ર 2-3 થેલી ખાતર મળતા રોષ

ગીર સોમનાથ જિલ્લામાં રવિ પાકની મોસમ વચ્ચે ખાતરની ભારે તંગી સર્જાઈ છે. સુત્રાપાડાના ટીંબડી ખાતે ગુજકોમસોલ દ્વારા ખાતરનું વેચાણ થઈ રહ્યું છે, પરંતુ પૂરતા જથ્થાના અભાવે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતો સવારથી જ ખાતર ડેપો પર લાંબી કતારોમાં ઊભા રહે છે. સુત્રાપાડા તાલુકાના વાવડી ગામના પરબતભાઈ અને આણંદપરા ગામના જગદીશભાઈ છાત્રોડિયાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, અમે સવારના 6 વાગ્યાથી લાઇનમાં હતા, પરંતુ ખાતરની ગાડી આવી ત્યારે માત્ર 2 થી 3 થેલી ખાતર જ આપવામાં આવ્યું. એક વીઘામાં તો આટલું ખાતર એક જ વારે જરૂર પડે છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, હાલ રવિ પાક જેવા કે ઘઉં, જીરું અને ચણા માટે ખાતરની અત્યંત જરૂર છે. પૂરતું ખાતર ન મળવાથી પાકના ઉત્પાદન પર વિપરીત અસર થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોને વારંવાર ખાતર ડેપો પર ધક્કા ખાવા પડે છે. આ અંગે પ્રાચીના ટીંબડી ખાતે આવેલા ગુજકોમસોલ ખાતર ડેપોના સુપરવાઈઝર સંજય વાળાએ સ્પષ્ટતા કરી હતી કે, ડિમાન્ડ મુજબ ઉપરથી ખાતરનો જથ્થો આવતો નથી, તેથી તમામ ખેડૂતોને થોડું થોડું ખાતર આપીને વ્યવસ્થા ચલાવવી પડી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે જો સરકાર સમયસર પૂરતો જથ્થો ઉપલબ્ધ નહીં કરાવે તો રવિ પાકને ભારે નુકસાન થવાની સંભાવના છે. ખેડૂત સમુદાયે રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક ખાતરની પૂરતી સપ્લાય શરૂ કરવાની માંગ કરી છે, જેથી તેમને રાહત મળી શકે.

દિવ્ય ભાસ્કર 3 Dec 2025 7:37 pm

બોટાદ LCBએ ખોવાયેલો મોબાઈલ પરત કર્યો:'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ અરજદારને મળ્યો ફોન

બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ એક ખોવાયેલો મોબાઈલ ફોન તેના મૂળ માલિકને પરત કર્યો છે. સરકારે ખોવાયેલા/ચોરાયેલા મોબાઈલની જાણકારી માટે બનાવેલા C.E.I.R. પોર્ટલનો અસરકારક ઉપયોગ કરીને આ કામગીરી કરવામાં આવી હતી. બોટાદના ભાંભણ રોડ, શ્રીજી પાર્ક, માતાવાડી વિસ્તારમાં રહેતા કેવલભાઈ મુકેશભાઈ જાંબુકિયાનો VIVO કંપનીનો T1 મોડલનો મોબાઈલ ફોન, જેની કિંમત આશરે રૂ. 10,000/- હતી, તે તા. 02/10/2025 ના રોજ બોટાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ખોવાઈ ગયો હતો. બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માના માર્ગદર્શન હેઠળ અને LCB PI એ.જી. સોલંકીની દેખરેખ હેઠળ, LCB ટીમે C.E.I.R. પોર્ટલનો ઉપયોગ કરીને આ ખોવાયેલો મોબાઈલ શોધી કાઢ્યો હતો. ત્યારબાદ, 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત કેવલભાઈ જાંબુકિયાને તેમનો મોબાઈલ પરત કરવામાં આવ્યો. પોતાનો ખોવાયેલો મોબાઈલ પરત મળતા અરજદાર કેવલભાઈએ બોટાદ પોલીસની આ સરાહનીય કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. બોટાદ LCB દ્વારા કરવામાં આવેલી આ કામગીરીથી નાગરિકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.

દિવ્ય ભાસ્કર 3 Dec 2025 7:37 pm

ડાંગમાં સરકારે દ્રષ્ટિહીન મહિલાને આપ્યો રહેણાંક પ્લોટ:વિશ્વ દિવ્યાંગ દિવસ પર આપી ભેટ, ભટકતા જીવનનો અંત આવ્યો

ડાંગ જિલ્લામાં વિશ્વ દિવ્યાંગ દિવસના અવસરે એક દ્રષ્ટિહીન મહિલાને રહેણાંક પ્લોટ ફાળવવામાં આવ્યો છે. સુબીર તાલુકાના અંતરિયાળ ગૌહાણ ગામની સુનિતાબેન રમેશભાઈ સુર્યવંશી, જેઓ સો ટકા દ્રષ્ટિવિહીન અને જમીન વિહોણા હતા, તેમને ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ પ્લોટ ફાળવીને તેમના ભટકતા જીવનનો અંત લાવવામાં આવ્યો છે. સુનિતાબેન ગૌહાણ ગામમાં માતાપિતાના છત્રછાયા વગર અને કોઈ સ્થાયી ટેકા વિના જીવન પસાર કરી રહ્યા હતા. તેમની પાસે રહેવા માટે પોતાની જમીન ન હોવાથી તેઓ લાંબા સમયથી ભટકતું જીવન જીવી રહ્યા હતા. આ સ્થિતિમાં તેમણે ડાંગ કલેક્ટર કચેરીમાં રહેઠાણ માટે જમીન આપવા અરજી કરી હતી. અરજી મળતાં જ વહીવટી તંત્રએ આ મામલે સંવેદનશીલ અભિગમ અપનાવ્યો. કલેક્ટર કચેરીની જમીન શાખાએ તાત્કાલિક પ્રાંતીય અને તાલુકા સ્તરના મહેસુલી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપીને ફાળવણી પ્રક્રિયા ઝડપી બનાવી. આ પ્રક્રિયાના ભાગરૂપે, સુબિર તાલુકાના જામાલા ગામના નવા સર્વે નંબર 42 હેઠળની સરકારી પડતર જમીનમાંથી 150 ચોરસ મીટર જમીન સુનિતાબેનને રહેણાંક હેતુ માટે ફાળવવામાં આવી છે. પ્લોટ ફાળવાતા સુનિતાબેને જણાવ્યું કે તેઓ લાંબા સમયથી જમીનની તંગીને કારણે ભટકતું જીવન જીવી રહ્યા હતા, પરંતુ હવે સ્થાયી રીતે રહેવાની તક મળતાં તેમના જીવનમાં સ્થિરતા આવશે. વિશ્વ દિવ્યાંગ દિવસના રોજ જ આ જમીન ફાળવણી થવી એ જિલ્લા વહીવટી તંત્રની સંવેદનશીલતા દર્શાવે છે. આ કાર્યવાહી ડાંગના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા દિવ્યાંગોને મુખ્ય પ્રવાહમાં લાવવા અને સરકારની કલ્યાણકારી નીતિઓને વાસ્તવિક અર્થમાં અમલમાં મૂકવામાં મદદરૂપ થશે.

દિવ્ય ભાસ્કર 3 Dec 2025 7:33 pm