આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના પલોલ ગામમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભુલાભાઈ જોરાભાઈ પટેલ પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રી વિશ્રામ કર્યો હતો. આ સાદગીપૂર્ણ રાત્રી રોકાણ દરમિયાન તેમણે ગ્રામીણ સંસ્કૃતિ અને ગ્રામજીવનને નજીકથી અનુભવ્યું હતું. સવારે વહેલા ઉઠીને રાજ્યપાલશ્રીએ શાળાના ઓરડામાં જ યોગ અને પ્રાણાયામ કરીને પોતાના દિવસની શરૂઆત કરી હતી.ત્યારબાદ, રાજ્યપાલશ્રીએ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને ભણી-ગણીને આગળ વધવા અને વ્યક્તિત્વ વિકાસ કરીને સમાજ, રાજ્ય તથા દેશના વિકાસમાં યોગદાન આપવા પ્રેરણા આપી હતી. આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, શાળાના કર્મચારીઓ, સરપંચ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાત્રી રોકાણ બાદ ગ્રામજનોએ રાજ્યપાલશ્રીને ભાવભીની વિદાય આપી હતી.
પારડી સ્થિત ફ્રે. એગ્નેલ સ્કૂલનો 9મો વાર્ષિકોત્સવ તાજેતરમાં ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં શાળાના આશરે ૮૦૦ વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. જેમાં નૃત્ય, ગીત અને નાટકોનો સમાવેશ થતો હતો, જેને ઉપસ્થિત દર્શકોએ સરાહના આપી હતી. વાર્ષિકોત્સવ દરમિયાન, વિદ્યાર્થીઓએ 'ગુડ ટચ – બેડ ટચ' અને બાળ લગ્નના ઉન્મૂલન અંગે જાગૃતિ ફેલાવતું એક નાટક રજૂ કર્યું હતું. આ નાટક મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલા 'ભારતને બાળલગ્નમુક્ત બનાવો' 100 દિવસીય અભિયાનના ઉદ્દેશને અનુરૂપ હતું. આ પ્રસંગે, શૈક્ષણિક, રમતગમત અને અન્ય સહપાઠ્ય પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષક-શિક્ષણેતર સ્ટાફ, સંચાલક મંડળ અને શાળાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જામનગરમાં વૃદ્ધ મહિલાના ચેઈન લૂંટનો ભેદ ઉકેલાયો:રિક્ષાચાલક સહિત બે આરોપીઓની ધરપકડ
જામનગરમાં બે દિવસ પહેલાં એક વૃદ્ધ મહિલા પાસેથી રૂ. 1.50 લાખના સોનાના ચેઈનની લૂંટનો ભેદ સિટી એ-ડિવિઝન પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે આ ગુનામાં રિક્ષાચાલક સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી લૂંટાયેલો સોનાનો ચેઈન અને ગુનામાં વપરાયેલી રિક્ષા કબજે કરવામાં આવી છે. તાજેતરમાં ન્યૂ સાધના કોલોનીમાં રહેતા 77 વર્ષીય મણીબેન સમસુદીનભાઈ પુંજાણી અને તેમના પતિ ચાલીને જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી આવેલા એક અજાણ્યા શખ્સે મણીબેનને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીએ રૂ. 1.50 લાખનો સોનાનો ચેઈન લૂંટી લીધો હતો અને મણીબેનને ધક્કો મારી પાડી દેતા તેમને શરીરે મુંઢમાર અને છોલછાલની ઈજાઓ થઈ હતી. લૂંટ ચલાવ્યા બાદ આરોપી તેના સાથી સાથે રિક્ષામાં બેસીને ફરાર થઈ ગયો હતો. આ અંગે મણીબેનની ફરિયાદના આધારે સિટી એ-ડિવિઝન પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પીઆઈ એન.એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસ ટીમોએ ઘટનાસ્થળની આસપાસના અને કમાન્ડ કંટ્રોલના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. જેમાં આરોપીઓ જે સીએનજી રિક્ષા લઈને આવ્યા હતા તેનો રજિસ્ટ્રેશન નંબર GJ-25-V-0908 જણાઈ આવ્યો હતો. આ નંબરના આધારે પોલીસે રિક્ષાની શોધખોળ શરૂ કરી હતી. વોચ દરમિયાન સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે આ સીએનજી રિક્ષા ઠેબા ચોકડી તરફથી જામનગર આવી રહી છે અને તેમાં બે શખ્સો બેઠા છે. આ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી સીએનજી ઓટો રિક્ષા સાથે બે આરોપીઓને ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં અતુલ દિલીપભાઈ રાજકોટિયા (ઉં.વ. 24, રિક્ષા ડ્રાઈવર, રહે. કડિયા પ્લોટ, કામદાર ચોક, કમલાબાગ પોલીસ સ્ટેશન પાસે, પોરબંદર, મૂળ રહે. મહુવા રોડ, સુંદરીયાવાસ પાછળ, અધ્યાપન સ્કૂલ પાછળ, સાવરકુંડલા, જિ. અમરેલી) અને કરણ ઉર્ફે ગઠીયો હિંમતભાઈ સોલંકી (ઉં.વ. 21, દેવીપૂજક, રહે. ખાપટ, નાગબાપાના મંદિર પાસે, ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન, પોરબંદર) નો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી લૂંટાયેલો સોનાનો ચેઈન, સીએનજી ઓટો રિક્ષા, એક મોબાઈલ ફોન (કિંમત રૂ. 5,000) અને છરી સહિત કુલ રૂ. 3,05,010 નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે બંને આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.
વેરાવળ-ડારી ટોલનાકા પર માર્ગ સલામતી અભિયાન:વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા જાગૃત કરાયા
વેરાવળ-ડારી ટોલ પ્લાઝા ખાતે માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના પાલન અંગે વિશેષ જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્કાયલાર્ક ઇન્ફ્રા એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત આ ટોલનાકાના સ્ટાફે આ કાર્યક્રમ હાથ ધર્યો હતો. આ અભિયાન અંતર્ગત, ટોલનાકા પરથી પસાર થતા દ્વિચક્રીય, ચાર-ચક્રીય અને ભારે વાહનો પર માર્ગ સલામતી સંબંધિત સ્ટીકરો લગાવવામાં આવ્યા હતા. વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે વિસ્તૃત માહિતી અને સમજણ પણ પૂરી પાડવામાં આવી હતી. ટોલનાકાના સ્ટાફ સભ્ય લાલાભાઇ આહીરે જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતો ઘટાડવા અને વાહનચાલકોમાં જવાબદાર ડ્રાઇવિંગની ભાવના વિકસાવવા માટે આ અભિયાન શરૂ કરાયું છે. વાહનચાલકોને હેલ્મેટ પહેરવા, સીટબેલ્ટનો ઉપયોગ કરવા, મર્યાદિત ઝડપે વાહન ચલાવવા અને ડ્રાઇવિંગ દરમિયાન મોબાઇલનો ઉપયોગ ટાળવા અંગે ખાસ સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત, નિયમિત ટોલ ચુકવણીના મહત્વ વિશે પણ સમજાવવામાં આવ્યું હતું અને ટોલનાકા પર સહકાર આપવા વાહનચાલકોને અપીલ કરવામાં આવી હતી. આ અભિયાનને અનેક વાહનચાલકોએ આવકાર આપ્યો હતો અને ટોલ સ્ટાફના જાગૃતિ પ્રયાસોની પ્રશંસા કરી હતી. ટોલનાકાના સ્ટાફ સભ્ય પરબતભાઈ બારડે જણાવ્યું હતું કે, ભવિષ્યમાં પણ આવા જાગૃતિ કાર્યક્રમો યોજી માર્ગ સલામતી અંગે લોકોમાં વધુ જાગૃતિ લાવવામાં આવશે. આ કાર્યક્રમમાં લાલાભાઇ આહીર, પરબતભાઈ બારડ સહિત ટોલનાકાના અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચના ઇરફાન મુન્શીમાં 'ખેલ ઉત્સવ 2025' ઉજવાયો:બાળકોમાં રમતગમત પ્રત્યે રુચિ વિકસાવવાનો હેતુ
ભરૂચના મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ઇરફાન મુન્શી દ્વારા મુન્શી સંકુલ ખાતે 'સ્પોર્ટ્સ ડે – ખેલ ઉત્સવ 2025'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાના બાળકોમાં રમતગમત પ્રત્યે રુચિ કેળવવાનો અને તેમના શારીરિક તેમજ માનસિક વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો. આ ખેલ ઉત્સવનું ઉદ્ઘાટન વિદેશથી પધારેલા મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું. કે.જી. વિભાગના બાળકોએ રનિંગ રેસ, રસ્સા ખેંચ અને બલૂન રેસ જેવી વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. રમતોમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે આવેલા વિદ્યાર્થીઓને ઇનામો અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આચાર્યશ્રીએ રમતગમતના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે, રમતગમતથી બાળકોમાં શિસ્ત, આત્મવિશ્વાસ અને ટીમભાવના જેવા ગુણો વિકસે છે. આનંદમય અને ઉત્સાહપૂર્ણ વાતાવરણ વચ્ચે 'ખેલ ઉત્સવ 2025' સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં 'ઘર ઘર સંપર્ક અભિયાન'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન 14 ડિસેમ્બર 2025થી 04 જાન્યુઆરી 2026 સુધી ચાલશે, જેમાં સંઘના સ્વયંસેવકો ઘરેઘરે જઈ સમાજ સાથે સંવાદ કરશે. જિલ્લાના વિભાગ સંઘચાલક શામજીભાઈ દુધાત્રાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, સંઘનું શતાબ્દી વર્ષ સમગ્ર ભારતમાં ઉજવાઈ રહ્યું છે. વિશ્વ સંવાદ કેન્દ્ર – સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા આ વિશાળ સંપર્ક અભિયાનનું આયોજન કરાયું છે. આ અભિયાનમાં કુલ 2.50 લાખ સ્વયંસેવકો જોડાશે. તેમાં ગુજરાત પ્રાંતમાંથી 1.90 લાખ અને સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી 60 હજાર સ્વયંસેવકોનો સમાવેશ થાય છે. આ સ્વયંસેવકો ગામડાઓ, નગરો, શહેરો, સોસાયટીઓ અને મોહલ્લાઓમાં ઘરેઘરે જઈ સંઘના વિચારો અને કાર્યપદ્ધતિ વિશે માહિતી આપશે. અભિયાન માટે 90 લાખ પત્રિકાઓ છાપીને જનતામાં વિતરણ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 'ઘર ઘર સંપર્ક અભિયાન' દરમિયાન સંઘ દ્વારા સમાજને 'પંચ પરિવર્તન'ના વિચાર સાથે જોડવામાં આવશે. સ્વયંસેવકો પરિવારો સાથે પાંચ મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ પાંચ મુદ્દાઓમાં સામાજિક સમરસતા (જાતિભેદ દૂર કરવો), પર્યાવરણ સંરક્ષણ (પાણી બચત, વૃક્ષારોપણ, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ત્યાગ), કુટુંબ પ્રબોધન (પરિવારભાવ મજબૂત કરવો), સ્વદેશી જીવનશૈલી (ભાષા, ભોજન, વસ્ત્ર, વ્યવહારમાં સ્વનો ભાવ) અને નાગરિક કર્તવ્ય બોધ (સંવિધાનિક કર્તવ્યોનું પાલન, જાહેર સંપત્તિનું સંરક્ષણ) નો સમાવેશ થાય છે. અભિયાન પૂર્ણ થયા બાદ સંપર્ક કરાયેલા ગામો અને ઘરોની વિગતવાર યાદી તૈયાર કરાશે. 'પંચ પરિવર્તન'ના મુદ્દાઓમાં રસ ધરાવતા લોકોને સંઘ પ્રવૃત્તિમાં જોડવાનો પ્રયાસ કરાશે અને સંઘ પરિચય વર્ગો શરૂ કરવામાં આવશે. આ અભિયાનમાં બહેનો પણ મોટી સંખ્યામાં જોડાવા ઉત્સુકતા દર્શાવી રહી છે. અનેક સોસાયટીઓ, એપાર્ટમેન્ટ્સ અને ગામોના આગેવાનોએ સ્વયંસેવકોને તેમના વિસ્તારમાં સંપર્ક માટે આમંત્રણ આપ્યું છે. સંપર્ક અભિયાન માટેનું સાહિત્ય નગર અને તાલુકા એકમ સુધી પહોંચી ગયું છે, અને અંતિમ તબક્કાની તૈયારીઓ ચાલી રહી છે.
આણંદ જિલ્લામાં એક અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે. ટ્રક અને પિકઅપ ડાલુ અથડાતા બે લોકોના મોત થયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને વાહનની ટક્કર બાદ ભયાનક આગ ફાટી નીકળી હતી. જેમાં એક પુરુષ અને એક મહિલા જીવતા ભડથુ થઇ ગયા હતા. પિકઅપમાં જ્વલનશીલ પ્રવાહી ભરેલું હતુંઆ ઘટના અંગે મળતી માહિતી મુજબ આણંદ જિલ્લાના આંકલાવના અંબાવ ટોલ પ્લાઝા નજીક વાસદ-બગોદરા માર્ગ પર મોડી રાત્રે લગભગ 2 વાગ્યાના અરસામાં એક પિકઅપમાં સમારકામ ચાલુ હતું ત્યારે ટ્રકે ટક્કર મારી હતી. પિકઅપ વાહનમાં કાર્બામાં જ્વલનશીલ પ્રવાહી ભરેલું હતું. ટક્કર થતાં જ આ પ્રવાહીના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની લપેટમાં આવતા બંને વાહનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. મહિલા-પુરુષના મૃતદેહો બળીને ખાખઆગને કારણે પિકઅપમાં સવાર મહિલા અને પુરુષના મૃતદેહો પણ સંપૂર્ણપણે બળી ગયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને વાહનો ઓળખી ન શકાય તેવા બની ગયા હતા. દુર્ઘટનાની જાણ થતાં જ આંકલાવ પોલીસ ટીમ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતકોની ઓળખ માટે તપાસ હાથ ધરીપોલીસે માર્ગ પરનો અવરોધ દૂર કરવાની અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત આગ લાગવાનું ચોક્કસ કારણ અને મૃતકોની ઓળખ કરવા માટે વધુ તપાસ શરૂ કરી છે. આ અકસ્માતને કારણે વાસદ-બગોદરા માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિકને અસર થઈ હતી, જેને બાદમાં પોલીસ દ્વારા નિયંત્રિત કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરમાં રિક્ષા-બાઇક વચ્ચે ટક્કર બાદ ભીષણ આગ, મહિલા જીવતી ભૂંજાઈ ત્રણેક દિવસ અગાઉ એટલે કે 12 ડિસેમ્બરના રોજ અંકલેશ્વર-વાલિયા રોડ પર આવેલા કોસમડી ગામ નજીક એક અત્યંત કરૂણ અકસ્માત સર્જાયો હતો. બાઇક અને રિક્ષા વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં બંને વાહનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં રિક્ષામાં સવાર એક મહિલાનું જીવતી ભૂંજાઈ જવાથી કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાના CCTVમાં કેદ થઇઆ સમગ્ર ઘટનાના CCTVમાં કેદ થઇ હતી. જેમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે, સૌથી પહેલાં બે ટુવ્હીલર વાહન એકબીજા સાથે ધડાકાભેર અથડાય છે. એ જ સમયે સામેથી એક ટ્રક આવે છે, અને ટ્રકની પાછળ એક રીક્ષા આવે છે. રીક્ષાચાલક બ્રેક મારવા જતાં કાબૂ ગુમાવી દે છે અને રીક્ષા પલટી મારી દૂર ફંગોળાઇ જાય છે. જ્યારે ટુવ્હિલર પણ ગળોટીયું ખાઇને ફેંકાય છે. રીક્ષા સાથેની આ જોરદાર ટક્કર બાદ અચાનક ભયાનક આગ ભભૂકી ઉઠે છે. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો...
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે પવિત્ર એકાદશીના રોજ અને 224મા 'શ્રી સ્વામિનારાયણ' મહામંત્ર પ્રાગટ્ય દિન નિમિત્તે ભવ્ય અને અનોખો દિવ્ય સંગીતમય શણગાર કરવામાં આવ્યો હતો. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આ શણગાર યોજાયો હતો. શ્રી કષ્ટભંજનદેવ દાદાને તબલા, હારમોનિયમ, વીણા, બેંજો, મંજિરા, સિતાર, ગિટાર અને ઢોલ સહિતના વિવિધ સંગીતનાં વાદ્યોથી મનોહર રીતે શણગારવામાં આવ્યા હતા. સવારે 5:45 કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. આ ઉપરાંત, મંદિર પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરાયું હતું. આ અવસરે હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન માધ્યમથી દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
વેરાવળ બંદર રોડની ઘરફોડનો ભેદ ઉકેલાયો:એલસીબી પોલીસે આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધો
ગીર સોમનાથ એલ.સી.બી. પોલીસે વેરાવળમાં બંદર રોડ પર આવેલી વિકાસ એજન્સી નામની હાર્ડવેર દુકાનના ગોડાઉનમાં ગત 8મી તારીખે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી લીધો છે. પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદ મુજબ, કોઈ અજાણ્યા શખ્સે દુકાન અને ગોડાઉનના બંધ ડેલામાં પ્રવેશ કરી મોટી બારીનો કાચ તોડી નાખ્યો હતો. દુકાનમાંથી આઈસ પ્લાન્ટ અને બોઈલ પ્લાન્ટમાં વપરાતા લોખંડના 3 વાલ્વ (રૂ. 6,000), આશરે 16 કિલો એલ્યુમિનિયમની જૂની પટ્ટીઓ (રૂ. 3,200), લોખંડની પાણીની ઇલેક્ટ્રિક મોટર (રૂ. 5,000) અને આશરે 15 કિલો વજનના લોખંડના 3 પાઇપ (રૂ. 1,500) મળી કુલ રૂ. 15,700નો મુદ્દામાલ ચોરી થયો હતો. આ ઉપરાંત, આશરે રૂ. 15,000નું નુકસાન પણ થયું હતું. આ મામલે પોલીસમાં બી.એન.એસ.–2023ની કલમ 305(એ), 331(3) અને 324(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે, આરોપી મુકેશભાઈ ઉર્ફે મહેશ કરશનભાઈ પરમાર (ઉંમર 30), જે મૂળ ઇણાજ પાટિયા પાસે શંકર મંદિર નજીક, તા. વેરાવળનો રહેવાસી છે અને હાલ ગોરખમઢી ઓવરબ્રિજ પાસે, તા. સુત્રાપાડા રહે છે, તેને વેરાવળના તાલાળા નાકા વિસ્તારમાંથી ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
જામનગરમાં રહેણાંક મકાનમાંથી દારૂ ઝડપાયો:135 બોટલ દારૂ, મોબાઈલ સાથે બે શખ્સોને LCBએ પકડ્યા
જામનગર શહેરમાં LCB પોલીસે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 135 બોટલ દારૂ અને એક મોબાઈલ ફોન સહિત ₹18,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શરૂ સેક્શન રોડ પર કુકડા કેન્દ્ર પાસે આવેલા સંત કબીર આવાસમાં ઇમ્તીયાઝ રસીદભાઈ લાખા સંધીના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે ઇમ્તીયાઝ રસીદભાઈ લાખા સંધી (ઉ.વ. 29, ડ્રાઇવિંગ) અને સંદિપ જાદવજીભાઈ વડેસા કોળી (ઉ.વ. 26, ડ્રાઇવિંગ)ને દારૂના જથ્થા સાથે પકડી પાડ્યા હતા. જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક આર.બી. દેવધાની સૂચનાથી જિલ્લામાં દારૂ-જુગારની બદી નાબૂદ કરવા માટે LCBના PI વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ PSI સી.એમ. કાંટેલીયા, PSI પી.એન. મોરી અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળેલી ખાનગી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પરથી ₹13,500ની કિંમતના 135 નંગ ઇંગ્લિશ દારૂના ચપલા (કુલ 24.3 લીટર) અને ₹5,000ની કિંમતનો એક મોબાઈલ ફોન જપ્ત કર્યો હતો. આ અંગે ઘનશ્યામભાઈ ડેરવાળીયાએ ફરિયાદ નોંધાવી હતી અને ભરતભાઈ ડાંગરે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પારડી પોલીસે મ્યુલ બેંક એકાઉન્ટ મારફતે આચરાયેલી કરોડો રૂપિયાની સાયબર ઠગાઈનો પર્દાફાશ કર્યો છે. વલસાડ જિલ્લા SP યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ, સાયબર ફ્રોડ માટે બેંક એકાઉન્ટ ભાડે આપનારાઓ સામે કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી, જેના આધારે આ તપાસ હાથ ધરવામાં આવી હતી. પારડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, 26 ફેબ્રુઆરી 2025 થી 25 નવેમ્બર 2025 દરમિયાન મોબાઈલ દ્વારા વિવિધ રાજ્યોમાં થયેલી સાયબર ઠગાઈના નાણાં મ્યુલ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ ગુનો 14 ડિસેમ્બર 2025ના રોજ જાહેર થયો હતો. સાયબર ક્રાઈમ સેલ, CID ક્રાઈમ ગુજરાત દ્વારા SAMANVAYA પોર્ટલ પરથી મળેલી માહિતીના આધારે તપાસ કરતા વાપીની કોટક મહિન્દ્રા બેંકના એક ખાતામાં શંકાસ્પદ વ્યવહારો જોવા મળ્યા હતા. આ ખાતા સહિત અન્ય બેંક ખાતાઓમાં કુલ રૂ. 17,22,547/-નું ટ્રાન્ઝેક્શન થયું હતું, જેમાંથી રૂ. 14,40,820/- ATM અને ચેક દ્વારા ઉપાડી લેવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં ગણેશભાઈ બાબુભાઈ નાયકા (રહે. તિઘરા, પારડી) અને મિતેશભાઈ દિપકભાઈ કો. પટેલ (રહે. પારનેરા, વલસાડ) આ કાવતરામાં સામેલ હોવાનું બહાર આવ્યું છે. તેઓ સાયબર ઠગાઈના નાણાં માટે બેંક એકાઉન્ટ ભાડે આપતા હતા અને ખોલાવતા હતા. આરોપીઓ લાલચ આપીને પોતાના સગાં-સંબંધીઓના નામે પણ બેંક ખાતાઓ ખોલાવતા હતા અને તેમના ચેકબુક, ATM કાર્ડ તથા પાસબુકનો ઉપયોગ કરતા હતા. આ મામલે પારડી પોલીસ સ્ટેશને ભારતીય ન્યાય સંહિતા 2023 અને IT એક્ટ 2000ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવથી લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવા છતાં વાદળછાયું વાતાવરણને કારણે ઠંડકનો અહેસાસ વધુ થઈ રહ્યો છે. નલિયામાં અગાઉના 11.4 ડિગ્રીની સરખામણીએ 1.4 ડિગ્રીનો વધારો થઈને 12.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાતા તે રાજ્યનું સૌથી ઠંડું સ્થળ બન્યું છે, જ્યારે વડોદરામાં 13 ડિગ્રી અને રાજકોટમાં 13.4 ડિગ્રી સાથે ઠંડીની અસર જોવા મળી છે. અમદાવાદમાં 16.2 ડિગ્રી તાપમાન રહ્યું છે. વાદળછાયા વાતાવરણને કારણે ઠંડકનો અનુભવરાજ્યમાં હાલ મિશ્ર વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે પરંતુ, વાદળછાયા વાતાવરણને કારણે ઠંડકનું અનુભવ થઈ શકે છે. તાપમાનની વાત કરીએ તો નલિયામાં સૌથી ઓછું લઘુતમ તાપમાન નોંધાયું છે. નલિયામાં અગાઉ 11.4 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું, જેમાં 1.4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈને નલિયામાં 12.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. નલિયા બાદ સૌથી ઠંડુ શહેર વડોદરા નોંધાયું છે. વડોદરામાં 13 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદની વાત કરીએ તો 16.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જુદા-જુદા શહેરોમાં નોંધાયેલા લઘુતમ તાપમાનઅમદાવાદમાં 16.2 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 13 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 15.4 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 14.3 ડિગ્રી સેલ્સિયસ, દમણમાં 15.6 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 14.8 ડિગ્રી સેલ્સિયસ, દીવમાં 15.6 ડિગ્રી સેલ્સિયસ, દ્વારકામાં 18.6 ડિગ્રી સેલ્સિયસ, કંડલામાં 16 ડીગ્રી સેલ્સિયસ, નલિયામાં 12.8 ડિગ્રી સેલ્સિયસ, ઓખામાં 21 ડિગ્રી સેલ્સિયસ, પોરબંદરમાં 17.2 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 13.4 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં 16.4 ડિગ્રી સેલ્સિયસ તો વેરાવળમાં 18.2 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.
ગુજરાત રાજ્યના પ્રોસિક્યુશન નિયામક અને સુરેન્દ્રનગર જિલ્લા સરકારી વકીલની કચેરી દ્વારા સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ જિલ્લાના અધિકારીઓ માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ સુરેન્દ્રનગર શહેરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે યોજાઈ હતી. આ તાલીમમાં ત્રણેય જિલ્લાના સરકારી વકીલો, મામલતદારો, સરકારી હોસ્પિટલના તબીબી અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ 'ડાઈંગ ડેકલેરેશન' વિષય પર અધિકારીઓને માહિતગાર કર્યા હતા. તાલીમ દરમિયાન, દરેક વિભાગ એકબીજાના સંકલનમાં રહીને કામ કરે તો જિલ્લામાંથી અસામાજિક પ્રવૃત્તિઓ જડમૂળથી નાબૂદ કરી શકાય તે અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ત્રણેય જિલ્લાના અધિકારીઓએ ખાસ ઉપસ્થિતિ નોંધાવી હતી.
રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા નશાના વેપાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 'SAY NO TO DRUGS' મિશન અંતર્ગત રાજકોટમાં માદક પદાર્થોના વેચાણને અટકાવવા માટે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે SOGની ટીમે ચોક્કસ બાતમીના આધારે કોઠારીયા ચોકડી પાસે દરોડો પાડીને ગાંજાના જથ્થા સાથે એક રિક્ષાચાલક પુરુષ અને એક ગુનાહિત ઇતિહાસ ધરાવતી મહિલાને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 4 કિલોથી વધારે ગાંજો સહિત રૂ. 2 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શંકાસ્પદ હાલતમાં મળી આવેલા પુરુષ-મહિલાની તપાસમાં ગાંજો મળ્યોપ્રાપ્ત વિગત મુજબ SOG શાખાની ટીમ તેના પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, કેટલાક શખસો ગાંજાના જથ્થા સાથે હેરફેર કરી રહ્યા છે. આ બાતમીના આધારે તા. 14/12/2025ના રોજ કોઠારીયા ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જતી સર્વિસ રોડ પર ખોડિયાર ટેકરીની સામે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં મળી આવેલા એક પુરુષ અને મહિલાની તપાસ કરતા તેમની પાસેથી માદક પદાર્થ ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. મહિલાની અગાઉ પણ ગુનાહિત પ્રવૃતિઓમાં સંડોવણી પોલીસે 40 વર્ષીય આરોપી મુસ્તાકભાઇ હબીબભાઇ નાકાણી (રહે. કોઠારીયા સોલવન્ટ) અને 30 વર્ષીય કરીનબેન ઉર્ફે ફરીદાબેન કરીમભાઇ શાહમદાર (રહે. કોઠારીયા સોલવન્ટ)ની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મુસ્તાકભાઇ રીક્ષા ડ્રાઇવીંગનો વ્યવસાય કરે છે, જ્યારે કરીનબેન કપડાના લે-વેચના વેપાર સાથે સંકળાયેલા છે. ખાસ વાત એ છે કે, આરોપી કરીનબેન અગાઉ પણ રાજકોટ ગ્રામ્યના શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળના ગુનામાં સંડોવાયેલા હોવાનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસે 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યોપોલીસે આ દરોડા દરમિયાન કુલ રૂ. 2,11,250 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 4.025 કિલોગ્રામ ગાંજો જેની કિંમત રૂ. 2,01,250 થાય છે, તે ઉપરાંત રૂ. 5,000 ની કિંમતનો એક વીવો કંપનીનો મોબાઈલ અને રૂ. 5,000 ની કિંમતનો એક રેડમી કંપનીનો મોબાઈલ ફોન તથા અન્ય વસ્તુઓ કબજે લેવામાં આવી છે. આ મામલે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે આ ગાંજાનો જથ્થો તેઓ ક્યાંથી લાવ્યા હતા અને કોને સપ્લાય કરવાનો હતો. તે સહિતના મુદ્દે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
સુરતના ગોડાદરા વિસ્તારમાં 1 ડિસેમ્બરે બનેલા ડબલ મર્ડરકાંડમાં મુખ્ય આરોપી કુખ્યાત બુટલેગર 'શિવા ટકલા' હજુ પણ પોલીસ પકડથી દૂર છે. માત્ર 20 હજારની ઉઘરાણી માટે ત્રણ યુવાનોનું અપહરણ કરી લોખંડના સળિયા અને લાકડાથી ઢોર માર મારવા ઉપરાંત અસ્તરાથી વાળ-મૂછ કાપી અપમાનિત કરવાની ક્રૂરતા આચરનાર આરોપીઓએ સોએબ શેખ અને નાઝીમની હત્યા કરી હતી, જ્યારે ત્રીજા યુવાન ઈર્શાદે માંડ-માંડ જીવ બચાવ્યો હતો. પોલીસે અત્યાર સુધીમાં વધુ ત્રણ આરોપીઓ સહિત કુલ પાંચની ધરપકડ કરી છે, પરંતુ મુખ્ય સૂત્રધાર શિવા ટકલા હજુ ફરાર રહેતા પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે. 12 દિવસ વીતી ગયા હોવા છતાં મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂરબુટલેગર શિવા ટકલાની ક્રૂરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે માત્ર માર જ નહોતો માર્યો, પરંતુ યુવાનોને કોઈને મોઢું બતાવવા લાયક નહીં રાખીએ તેવી ધમકી આપી અસ્તરા વડે તેમના અડધા વાળ, મૂછ અને આંખની ભ્રમર કાપી નાખી હતી. આ પ્રકારનો વિકૃત આનંદ લીધા બાદ ગંભીર ઈજાઓને કારણે સોએબનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે નાઝીમની લાશ છેક મહારાષ્ટ્ર બોર્ડર પાસેથી મળી આવી હતી. 12 દિવસ વીતી ગયા હોવા છતાં, ડબલ મર્ડર કરનાર આ કુખ્યાત બુટલેગર હજુ પણ પોલીસ પકડથી બહાર છે. પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરીગોડાદરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ આ કેસમાં સતત દોડધામ કરી રહી છે. ગોડાદરા પોલીસે આ ડબલ હત્યાકાંડમાં સંડોવાયેલા ત્રણ લોકોની અગાઉ ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં શુભમ ઉર્ફે સની કાલિયા (ઉ.વ. 22) અને મંગલ ઉર્ફે વિક્કી યાદવ (ઉ.વ. 21) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગુનામાં સંડોવાયેલા એક સગીર વયના બાળકિશોરને પણ પોલીસ દ્વારા ડિટેઈન કરવામાં આવ્યો છે. જોકે, મુખ્ય સૂત્રધાર શિવા ટકલા હજુ પણ પોલીસને હાથતાળી આપી રહ્યો છે. આરોપીઓ સુરત છોડીને યુપી ભાગી રહ્યા હતાઘટના બાદ પકડાઈ જવાના ડરે આરોપીઓ સુરત છોડીને ભાગી ગયા હતા. ગોડાદરા સર્વેલન્સ સ્ટાફને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો મારફતે માહિતી મળી હતી કે આરોપી શુભમ ઉર્ફે સની યુપી ભાગી ગયો છે. પોલીસે તાત્કાલિક એક ટીમ ઉત્તર પ્રદેશના જોનપુર જિલ્લામાં રવાના કરી હતી અને ત્યાંના જગદીશપુર ખાતેથી તેને દબોચી લીધો હતો. તેની પૂછપરછમાં મંગલ ઉર્ફે વિક્કીની સંડોવણી પણ સામે આવતા પોલીસે તેને પણ ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો. કોણ છે આ બુટલેગર શિવા ટકલા?શિવા ટકલા ગોડાદરા વિસ્તારમાં દારૂના અડ્ડા ચલાવવા માટે કુખ્યાત છે. તેની સામે અગાઉ પણ હોમગાર્ડની હત્યા અને પોલીસ ટીમ પર હુમલા જેવી ગંભીર ફરિયાદો નોંધાઈ ચુકી છે. તે વિસ્તારમાં પોતાનો દબદબો જાળવવા માટે કોઈ પણ હદે જઈ શકે છે તેવું સ્થાનિકોનું કહેવું છે. આ ડબલ મર્ડરની ઘટના બાદ ગોડાદરા પોલીસની કાર્યશૈલી પર પણ સવાલો ઉઠી રહ્યા છે કે આટલો મોટો ગુનેગાર 12-12 દિવસ સુધી કેવી રીતે ફરાર રહી શકે છે? અત્યાર સુધી કુલ 5 આરોપીની અટકાયતઆ ગુનામાં પોલીસે અત્યાર સુધીમાં કુલ 4 પુખ્ત વયના આરોપીઓ અને 1 સગીરને ઝડપી પાડ્યા છે. અગાઉ પોલીસે જાલમ ઉર્ફે જગદીશ કલાલ અને આસીફ શેખની ધરપકડ કરી હતી. પકડાયેલા તમામ આરોપીઓ ગુનાની શરૂઆતથી અંત સુધી શિવા ટકલાની સાથે હોવાનું અને ત્રણેય યુવાનો પર અત્યાચાર ગુજારવામાં સામેલ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ BNS ની કલમ 103(1) (હત્યા) સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ફરાર બુટલેગરને પકડવા માટે ચક્રો ગતિમાનહાલમાં ગોડાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમની ટીમ મુખ્ય આરોપી શિવા ટકલાને પકડવા માટે તેના સંભવિત આશ્રયસ્થાનો અને સગા-સંબંધીઓની પૂછપરછ કરી રહી છે. શિવા ટકલા જેલના સળિયા પાછળ ન જાય ત્યાં સુધી મૃતકના પરિવારજનોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરત શહેર પોલીસ માટે હવે શિવા ટકલાને પકડવો એ પ્રતિષ્ઠાનો સવાલ બની ગયો છે. આવનારા દિવસોમાં પોલીસ આ કુખ્યાત બુટલેગર સુધી ક્યારે પહોંચે છે તે જોવું રહ્યું.
અમદાવાદના સૌથી જાણીતા એવા રતનપોળમાં કુર્તા અને શેરવાનીની દુકાનમાં રાતે આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 9 ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. એક કલાકની ભારે જેહમત બાદ સંપૂર્ણપણે આગ કાબૂમાં આવી હતી. પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. દુકાનમાં કુર્તા અને શેરવાનીનો મોટા પ્રમાણમાં જથ્થો હતો. જે બળીને ખાખ થઈ ગયો છે. ફાયર અને પોલીસ દ્વારા આ મામલે હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રાતે 8 વાગ્યે ફાયર બ્રિગેડને દુકાનમાં આગ લાગ્યાનો કોલ આવ્યો હતોફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ ગઈકાલે 14 ડિસેમ્બરના રોજ રાત્રે 8:00 વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે, શહેરના હાથીખાના વિસ્તારમાં રતનપોળમાં આવેલી એક દુકાનમાં આગ લાગી છે, જેના પગલે ફાયરબ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. ત્યારબાદ ઘટના સ્થળે પહોંચતા જીલ એન્ટરપ્રાઇઝ નામની કુર્તા અને શેરવાનીની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. જેના પગલે વધુ ફાયર ફાઈટર બોલાવવામાં આવ્યા હતા અને કુલ 9 જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી. દુકાનમાં રહેલો જથ્થો સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયો કુર્તા અને શેરવાનીની હોલસેલની દુકાન હતી જેના કારણે મોટા પ્રમાણમાં આગ ફેલાઈ ગઈ હતી. દુકાનમાં રહેલો જથ્થો સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયો હતો. આગના કારણે આજુબાજુ ની દુકાનમાં પણ આગ ન ફેલાય તેને ધ્યાનમાં રાખી કામગીરી કરવામાં આવી હતી જોકે રતનપોળ વિસ્તાર ખૂબ સાંકડો હોવાના કારણે પણ મીની ફાઈટરની મદદ લેવી પડી હતી. ગાડીઓ બહાર રાખી અને પાઇપ અંદર દુકાન સુધી ખેંચીને આગને કાબુમાં લેવી પડી હતી. એક કલાક બાદ આગ સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ હતી. આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
અમદાવાદના મેમ્કો ચાર રસ્તા પાસે રસ્તા વચ્ચે કેક કાપી રહેલા પાંચ યુવકોને લક્ઝરી બસના ડ્રાઇવરે સાઇડમાં ખસવા કહ્યું તો તેઓ ઉશ્કેરાઈ ગયા અને ટ્રાવેલ્સ ઓફિસમાં ઘૂસીને તોડફોડ કરી વેપારી મહેન્દ્રકુમાર ચૌધરી અને તેમના પુત્રને બેરહેમીથી માર માર્યો હતો. એક આરોપી છરી બતાવતો પણ CCTVમાં નજરે પડી રહ્યો છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે અને શહેર કોટડા પોલીસે આ ફૂટેજની મદદથી આરોપીઓ સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. જાહેર રસ્તામાં યુવકોને કેક કાપતા અટકાવતા ઉશ્કેરાયામેમ્કો પાસે રહેતા મહેન્દ્રકુમાર ચૌધરી ટ્રાવેલ્સ અને કાર્ગોનો વેપાર કરે છે. ગત 12 ડિસેમ્બરે તેઓ ઓફિસમાં હતા ત્યારે તેમની લક્ઝરી બસના ડ્રાઇવર રાજુભાઈએ ફોન કરીને જણાવ્યું કે, મેમ્કો ચાર રસ્તા બ્રિજના છેડે કેટલાક યુવકો રસ્તા વચ્ચે ઊભા રહીને કેક કાપી રહ્યા છે. રાજુભાઈએ તેમને સાઇડમાં ખસવા કહ્યું તો તે ગુસ્સે થઈ ઝઘડો કરવા લાગ્યા. ટ્રાવેલ્સ ઓફિસમાં ઘૂસી તોડફોડ કરીઆ જાણીને મહેન્દ્રકુમારે પોતાના કર્મચારી રમેશભાઈને ત્યાં મોકલ્યા. રમેશભાઈએ યુવકોને સમજાવીને બસને રવાના કરી અને પછી બસને ઓફિસના પાર્કિંગમાં મૂકી. ત્યારબાદ આ યુવકો મહેન્દ્રકુમારની ઓફિસમાં ઘૂસી આવ્યા અને ત્યાં તોડફોડ કરી તેમને તથા તેમના પુત્રને માર માર્યો. પોલીસને ફોન કરતા આરોપીઓ ફરારએક શખસે છરી પણ બતાવી હતી. છરી બતાવી ટ્રાવેલ્સ માલિક અને તેના પુત્રને ઢોર માર માર્યો હતો.જેથી, પોલીસને ફોન કરતા તમામ શખસો ફરાર થઈ ગયા હતા. મહેન્દ્રભાઇએ અમરીશ, રાહુલ, વિવેક અને અજાણ્યા બે શખસો સામે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
બારડોલી ધુલીયા ચોકડી પાસે આવેલા ભંગાર અને પ્લાસ્ટિકના ગોડાઉનોમાં આજે (15 ડિસેમ્બર) ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આગની આ ઘટનામાં 11થી વધુ ગોડાઉનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે. તમામ ગોડાઉનોમાં રહેલો પ્લાસ્ટિક અને ભંગારનો સામાન બળી ગયો છે. પ્લાસ્ટિકના ગોડાઉનોમાં આગ લાગવાના કારણે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. સ્થિતિની ગંભીરતા જોતા પ્રાંત અધિકારી દ્વારા આ ઘટનાને મેજર કોલ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. 15થી વધુ ફાયર ફાઈટર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. બારડોલી, કામરેજ, વ્યારા, પી.ઈ.પી.એલ. (PEPL), અને હોજીવાલા સહિતની વિવિધ સ્થળોની ફાયર ટીમો આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો કરી રહી છે. ગોડાઉનોમાં પ્લાસ્ટિકનો સામાન વધુ હોવાના કારણે ફાયર ટીમને આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. આ પણ વાંચો, થરાદ APMC જીરું ફેક્ટરીમાં આગ સુરત જિલ્લા ફાયર ઓફિસર પી. બી. ગઢવીએ જણાવ્યું હતું કે, આગના ધૂમાડાના મોટા ગોટેગોટા 2 કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાતા હતા. પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા છે. ઘટનાસ્થળની તસવીરો... અમે આ સમાચારને સતત અપડેટ કરી રહ્યા છીએ….
યુગ અભિયાન ફાઉન્ડેશન અને સંલગ્ન સંસ્થાઓ દ્વારા શ્વાનો ઉપર થતાં અત્યાચાર બંધ થાય તેવા સંદેશા સાથે વડોદરા શહેરમાં બાઈક રેલી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વડોદરા શહેરમાં અબોલા પશુઓ માટે કાર્યરત સંસ્થાઓ દ્વારા એકત્રિત થઈને શ્વાનો માટે રેમ્પ વોકનું આયોજન, બાઈક રેલીનું આયોજન, તેમજ ભીમનાથ નજીક આવેલ મેદાન ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ થકી મનુષ્ય અને શ્વાનો વચ્ચેનો નિસ્વાર્થ પ્રેમ વધુ ગાઢ બને તેમજ અબોલા પશુઓ ઉપર થતો અત્યાચાર બંધ થાય તેવો સંદેશો સમાજ સુધી પહોંચાડવાનો હતો. આ કાર્યક્રમનું આયોજન યુગ અભિયાન ફાઉન્ડેશન, ઝી કેર ફાઉન્ડેશન, વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ, ધ ફોર લેગ ચેરીટેબલ ટ્રસ્ટ, મેહુલ સુથાર એન્ડ ટીમ, ધ રાઇડર્સ ગ્રુપ અને ડમરુંવાલા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડનના ગુજરાતના ઉપાધ્યક્ષ દિવ્યાંગ ગાંધી તેમજ પ્રાણીપ્રેમી વોર્ડ નંબર 2 ના કાઉન્સિલર રશ્મિકા વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં એક રખડતા શ્વાનની અનોખી કહાની વિશે લખાયેલ ભુરી શોર્ટ ફિલ્મનાં પોસ્ટર નું લોન્ચિંગ કરાયું હતું. આ શોર્ટ ફિલ્મની પ્રસ્તુતિ ડાર્કમેટર એન્ટરટેનમેન્ટ દ્વારા કરવામાં આવી છે અને આ શોર્ટ ફિલ્મનું લેખન અને નિર્દેશન પ્રિન્કેશ પ્રજાપતિ દ્વારા કરવામાં આવશે.
કડીના બુડાસણ ગામે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત પંડિત દીન દયાલ સેવા સંકુલમાં ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટની સાધારણ સભા યોજાઈ હતી, જેમાં ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલએ હાજરી આપી હતી. આ પ્રસંગે નીતિન પટેલે ધર્માંતરણ અને હિન્દુ સમાજમાં વિભાજન અંગે ચિંતા વ્યક્ત કરી હતી, અને કહ્યું હતું કે હિન્દુઓને ઓછા કરવાનો લક્ષ્ય રાખીને ધર્માંતરણની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. ધર્માંતરણ મુદ્દે નીતિન પટેલના મુખ્ય મુદ્દાઓ: ટ્રસ્ટના પ્રમુખ જગદીશભાઈ પટેલે ટ્રસ્ટની વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે સમૂહલગ્ન અને આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ સંકુલના નિર્માણ માટે કરેલા દાન (જેમ કે શબરીધામમાં રૂ. 1 કરોડનું દાન) વિશે માહિતી આપી હતી. ટ્રસ્ટના મંત્રી બળદેવ ગીરી ગૌસ્વામી સહિત અનેક અગ્રણીઓ આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા.
પાટણના અનાવાડા ખાતે પૂજ્ય રમેશભાઈ ઓઝાની ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં આયોજિત ગૌ ભાગવત કથાને સફળ બનાવનારા સેંકડો કાર્યકર્તાઓ માટે એક ભાવ સ્મરણ, ભાવદર્શન અને અનુભવ કથન કાર્યક્રમ યોજાયો હતો. આ કથા સમગ્ર દેશભરમાં ધ્યાનાકર્ષક રહી હતી. છ મહિનાથી વધુ સમયનું સમયદાન અને શ્રમદાન કરનાર કાર્યકર્તાઓએ અનેક સમિતિઓ તથા પેટા સમિતિઓ દ્વારા કરેલા પ્રયત્નોને કારણે આ કથા પાટણ પંથકમાં જ નહીં, પરંતુ ગુજરાતમાં તમામ દ્રષ્ટિએ ઐતિહાસિક અને ભવ્ય બની હતી. મુકુંદ પ્રકાશજી મહારાજના આશીર્વાદ સાથે યોજાયેલી આ બેઠકમાં તમામ સમિતિઓના કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. મુકુંદ પ્રકાશજી મહારાજે સૌને ખેસ, મોમેન્ટો તથા પ્રસાદ આપી કથાની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ બેઠકમાં ઉપસ્થિત અનેક કાર્યકર્તાઓએ કથા દરમિયાનના પોતાના અનુભવોનું વર્ણન કર્યું હતું. તેમણે હજારોની સંખ્યામાં ભક્તોની હાજરી હોવા છતાં કોઈ અનિચ્છનિય ઘટના ન બનવી, સ્વચ્છ પરિસર, રસોડાનું સુચારુ આયોજન, બેઠક વ્યવસ્થા, ડાયરામાં અનુશાસન, ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ સુવિધા, ઇલેક્ટ્રિક વાહનોની સુંદર વ્યવસ્થા અને પાણી વ્યવસ્થા જેવી બાબતો પરના અનુભવો વર્ણવ્યા હતા. આ તબક્કે મુકુંદ પ્રકાશજી મહારાજે જણાવ્યું હતું કે, સૌના ભવ્ય પુરૂષાર્થને નવાજવા માટે તેમની પાસે કોઈ શબ્દો નથી. ગૌ માતા અને દૈવી શક્તિએ જ સૌને આ કાર્ય માટે નિમિત્ત બનાવ્યા છે. શંકરાચાર્ય સહિત દેશભરના અનેક પૂજ્ય સંતોનું પાટણમાં આગમન થયું અને સૌને દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું તે ગૌ માતાની કૃપા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં પ્રથમ વખત સુરભી યજ્ઞ, ભાગવતનું સંપૂર્ણ પારાયણ અને અનુષ્ઠાન વૈદિક સરસ્વતી નદીના કિનારે થવું એ સૌના માટે અનેરો મોકો હતો. તેમણે આહ્વાન કર્યું હતું કે આવનારા સમયમાં ગૌ માતા માટે આ કથા શ્રદ્ધા વધારવાનું કામ કરશે અને આપણું કામ હવે શરૂ થયું છે. તેમણે સૌને પોતાના નાના-મોટા સામાજિક અને પારિવારિક કાર્યક્રમો ગૌશાળા ખાતે કરવા વિનંતી કરી. આ ભાવદર્શન કાર્યક્રમમાં 400થી વધુ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો જોડાયા હતા. કથાના મુખ્ય દાતા ચેતનભાઈ વ્યાસે સૌને ભોજન પ્રસાદ કરાવ્યો હતો. નરેન્દ્ર સિંહ જાડેજાના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાગવત કથાને સફળ બનાવવા બદલ ચેતનભાઈ વ્યાસે તથા દિનેશભાઈ જોષીએ સૌનો આભાર માન્યો હતો.
સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં રવિવારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકરોએ એક યુવકને 'લવ જેહાદ'ના આક્ષેપ હેઠળ ઘેરીને જાહેરમાં બેરહેમીથી માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં શહેરમાં કાયદો-વ્યવસ્થા કથળી હોવાના ગંભીર સવાલો ઉભા થયા છે. ટ્રાફિક પોલીસની હાજરી વચ્ચે પણ હુમલો થયો હોવા છતાં હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી, જ્યારે ABVPએ આ ઘટનાને કોલેજ વિદ્યાર્થિનીની હેરાનગતિ સામે 'સ્વરક્ષણ' ગણાવ્યું છે. કોલેજની વિદ્યાર્થિનીને હેરાન કરતો હોવાનો આક્ષેપABVPના જોઈન્ટ સેક્રેટરી શુભમસિંગ રાજપૂતે પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે, આ યુવક ઘણા સમયથી એક કોલેજની વિદ્યાર્થિનીને હેરાન કરતો હતો અને તેનો પીછો કરી રહ્યો હતો. આ વિદ્યાર્થિની ABVPના જ એક કાર્યકરની બહેન હોવાનું બહાર આવ્યું છે. અનેક ચેતવણીઓ આપવા છતાં યુવક ન માનતા, જ્યારે તે અઠવાલાઇન્સ પાસે દેખાયો ત્યારે કાર્યકરોએ તેને સમજાવ્યો હતો પરંતુ, તે માનવા તૈયાર નહોતો. ટ્રાફિક પોલીસની હાજરી વચ્ચે ઘટના ઘટીવાયરલ થયેલા લાઈવ વીડિયોમાં સૌથી ચોંકાવનારુ દ્રશ્ય એ હતું કે, જ્યારે કાર્યકરો યુવકને મારી રહ્યા હતા ત્યારે ત્યાં ટ્રાફિક પોલીસના જવાનો પણ હાજર હતા. પોલીસકર્મીઓએ કાર્યકરોને રોકવાનો ઉપરછલ્લો પ્રયાસ કર્યો ખરો, પરંતુ ABVPના કાર્યકરોમાં કાયદાનો જરા પણ ડર હોય એવું દેખાયું નહીં. પોલીસની હાજરીમાં જ યુવકનો કોલર પકડીને તેને જાહેરમાં અપમાનિત કરવામાં આવ્યો અને તે હાથ જોડીને માફી માંગતો હોવા છતાં તેને ફટકારવામાં આવ્યો હતો. યુવક પાસે વાળ ખેંચીને માફી મંગાવાઈઆ વીડિયોમાં જોઈ શકાય છે કે, આક્રોશિત કાર્યકરોએ યુવકને મુક્કાનો સ્વાદ ચખાડ્યો હતો. એક તબક્કે યુવકના વાળ ખેંચી, યુવાન માફી માંગતો પણ નજરે આવે છે. આ દૃશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલો ઉભા થયા છે. લવ જેહાદના આક્ષેપો વચ્ચે જાહેરમાં આ રીતે હિંસા આચરવી તે ટોળાશાહી તરફ ઈશારો કરી રહી છે. ફરિયાદ વગર પોલીસની 'વેઈટ એન્ડ વોચ' નીતિઆ સમગ્ર મામલે ઉમરા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધતા ચોંકાવનારી વિગત મળી છે કે, આટલી મોટી હિંસા છતાં હજુ સુધી કોઈપણ પક્ષ તરફથી સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી. જોકે, પોલીસનું કહેવું છે કે વાયરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. બીજી બાજુ, ABVPના કાર્યકરોએ સ્પષ્ટ કર્યું છે કે, તે પોતાની બહેન-દીકરીઓની સુરક્ષા માટે કોઈ પણ હદે જઈ શકે છે. તેમનું કહેવું છે કે, જો પોલીસ રોમિયોગીરી કરનારા તત્વો સામે કડક પગલાં ન ભરે તો યુવા સંગઠનોએ મેદાને આવવું પડે છે.
ખાતમુહૂર્ત:રૂ.5 કરોડના ખર્ચે નિર્માણ પામશે સિહોર તાલુકા પંચાયતનું અદ્યતન બિલ્ડીંગ
સિહોરમાં રૂ.5 કરોડના ખર્ચે 1275 સ્કેવર મી. એરીયામાં તાલુકા પંચાયત ભવનનું નિર્માણ થશે જેનું ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતુ. સિહોરમાં ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાના હસ્તે તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન મીયાણીની ઉપસ્થિતિમાં સિહોર તાલુકા પંચાયતના નવિન ભવનનું ખાતમુહૂર્ત કરાયું હતુ. રૂ.5 કરોડના ખર્ચે 1275 સ્કેવર મીટર એરીયામાં સિહોર તાલુકા પંચાયતના નવિન ભવનનું બાંધકામ કરવામાં આવશે. સિહોર તાલુકા પંચાયતના નવિન ભવનમાં ગ્રાઉન્ડ તેમજ ફર્સ્ટ ફ્લોરના બાંધકામમાં પંચાયત સંલગ્ન વિવિધ કચેરીઓ, કોન્ફરન્સ હોલ, ટ્રેનીંગ હોલ, પાર્કિંગ, વરસાદી પાણીના સંગ્રહ માટે રેઈન વોટર હાર્વેસ્ટીગ, ઈન્ટર્નલ સી.સી. રોડની સુવિધાઓથી સજ્જ હશે. સિહોરમાં યોજાયેલા ભૂમિપૂજન કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ લીલાબેન મકવાણા, પ્રાંત અધિકારી ભૂમિબેન વાટલીયા, TDO ,જિલ્લા પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ સહિત અધિકારીઓ- પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
હેરાનગતિ:ઓવરબ્રિજના કામથી ડાયવર્ઝન રૂટ પર ટ્રાફિકની સમસ્યા
સિહોર ઘાંઘળી રોડ પર આવેલ ફાટક 205 બી પર ઓવરબ્રિઝનું કામ ઘણા સમયથી ચાલી રહ્યું છે અને આ કામ હજુ વધુ સમય સુધી ચાલનાર હોય ત્યારે તંત્ર દ્વારા માંગણી મુજબ ત્યાં લોકહિત માટે દર મહિને રૂટ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવે છે તંત્રના જાહેરનામાં મુજબ રૂટ માત્ર ટુ-વ્હીલર તથા ફોર વ્હીલર વાહનોની અવરજવર માટેનો સિહોરથી વાયા સિહોર જીઆઈડીસી થઈ ઘાંઘળી-વલ્લભીપુર તરફ જતા વાહન વ્યવહાર માટે મોટા વાહનોની અવર-જવર માટે સિહોરથી વાયા સિહોર જીઆઈડીસી થઈ ઘાંઘળી-વલ્લભીપુર તરફ જતા વાહન વ્યવહાર માટે ભાવનગર-રાજકોટ હાઇવે ઉપર સિહોર ખાતે આવેલ દાદાની વાવથી રાજપરા (ખોડીયાર)થી નવાગામ (ચીલોડા) થી રંગોલી ચોકડી ભાવનગર-વલ્લભીપુર હાઇવે રોડ ઉપર કરદેજથી ઉંડવીથી નેસડાથી ઘાંઘળી તરફના ડાયવર્ઝન રસ્તા પરથી વાહનો પસાર કરવાના વલ્લભીપુર તરફથી વાયા ઘાંઘળી સિહોર જીઆઈડીસી થઇ સિહોર શહેર તરફ આવતા વાહન વ્યવહાર માટે વલ્લભીપુર-ભાવનગર હાઇવે ઉપર ઘાંઘળીથી નેસડાથી ઉંડવીથી કરદેજથી રંગોલી ચોકડી થઇ ભાવનગર-રાજકોટ હાઇવે ઉપર નવાગામથી રાજપરાથી સિહોર શહેર દાદાની વાવ તરફના ડાયવર્ઝન રસ્તા પરથી વાહનો પસાર કરવાના પરંતુ ઉપરોક્ત જાહેરનામાં મુજબ સિહોર નેસડા ફાટકનો તથા અંડરબ્રિજનો ઉપયોગ કરી મોટા વાહનો ડાબી સાઈડમાં આવેલી સોસાયટીઓ તેમજ ગુરુકુળ નજીકથી ટૂંકા માર્ગે પસાર થઈ ટ્રાફિક કરી રહ્યા છે સ્કૂલ નજીકથી હેવી વાહનો પસાર થવાથી અકસ્માતોની સંભાવના પણ વધી હોય તેમજ સાંજના સમયે પણ ભારે માત્રામાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે તો આ અંગે સોસાયટીના રહીશો દ્વારા જાહેરનામાનો કડક અમલ થાય તેવી માંગ ઉઠવા પામી છે. વળાંકમાં નાના વાહનચાલકોને હાલાકીસિહોરથી નેસડા ફાટકથી તેમજ સ્વામિનારાયણ ગુરુકુળ પાસે મોટા ટ્રક, હેવી ડમ્પર સહિતના વાહનો જ્યારે જીઆઈડીસી તરફ વળી રહ્યા હોય ત્યારે તેઓ વળાંક લઈ નથી શકતા અને આગળ પાછળ પોતાનું વાહન ચલાવવું પડે છે ત્યારે તેની સામે અને પાછળ નાના વાહનો અને ફોર વ્હીલની લાઇનો લાગી ગઇ હોય છે ત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે અને સાંજના સમયે જે પરિસ્થિતિ ઊભી થાય છે કે ન પૂછો વાત! આ માટે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવા જરૂરી બન્યું છે.
ભવ્ય સામૈયું થશે:છ' રી પાલિત સંઘનો આજે પાલિતાણામાં પ્રવેશ
પંન્યાસ નીતિરત્ન વિજયજી મા.સા.ના સંયમ જીવનના 25 વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે તથા કુલદીપક મુનિ જયગુણરત્ન વિજયજી મા.સા.ના ત્રણ વર્ષના સંયમ પર્યાય નિમિત્તે આ પોષ દશમીના દિવસોમાં સોનગઢથી પાલીતાણા છ'રી પાલિત સંઘનું આયોજન પ્રેમભુવનભાનુ સમુદાયના મેવાડ દેશોદ્ધારક આચાર્ય જીતેન્દ્ર સૂરીશ્વરજી મા.સા., 451 દીક્ષા દાનેશ્વરી આચાર્ય ગુણરત્ન સુરીશ્વરજી મા.સા.ના દિવ્ય આશીર્વાદથી આજીવન ચરણોપાસક 490 શ્રમણી ગણનાયક પ.પૂ. આચાર્ય રશ્મિરત્ન સુરિશ્વરજી મા.સા., પંન્યાસ જીતરત્ન વિજયજી મા.સા.,પંન્યાસ નીતિરત્ન વિજયજી મા.સા. આદિ સાધુ ભગવંતોની તથા પ્રવર્તિની સાધ્વીજી પુણ્યરેખાશ્રીજી મા.સા. તથા તેમના શિષ્યાઓની નિશ્રામાં કરવામાં આવેલ. ખારવા (રાજસ્થાન) નિવાસી વર્તમાન બેલગામના શ્રીમતી મંજુબેન દેવેન્દ્રભાઈ ગાંધી, શ્રેયાંસભાઈ, ચેતનાબેન, ગીતિક્ષાબેન પરિવાર દ્વારા સંઘનું આયોજન કરવામાં આવેલ છે. આ છ'રી પાલિત સંઘમાં 300 જેટલા આરાધકો જોડાયા છે. દક્ષિણ ભારતના હૈદરાબાદ, બેલગામ, સુરત, રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં આરાધકો આ સંઘમાં જોડાયા છે. આઠ વર્ષના બાળકથી માંડી 80 વર્ષના વૃદ્ધ પણ આ છ'રી પાલિત સંઘમાં જોડાયા છે. સંઘમાં સદગુરુ વંદના, માતૃ પિતૃ વંદના, ગીરી વધામણા સહિત જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો યોજાયેલ. સંઘના તમામ આરાધકે જુદા જુદા 6 નિયમોનું અવશ્ય પાલન કરવું પડે છે. સંઘમાં મુમુક્ષુ અક્ષ કુમાર પાદરૂ નિવાસીનું સન્માન કરાયું હતું. મંગળવારે ગિરિરાજ ઉપર દાદાના દરબારમાં તીર્થમાળા પહેરવાનો કાર્યક્રમતા.13 ના સોનગઢથી આ સંઘ નીકળી રાજેન્દ્ર વિદ્યાધામ પહોંચેલ. તા.14 ના સંઘ અઢીદ્વીપ પહોંચેલ. તા.15 સોમવારે સંઘ પાલીતાણામાં પહોંચશે. અહીં સંઘનું ભવ્ય સામૈયું થશે. શેઠ આ. ક. પેઢીમાં સંઘપતિઓનું સન્માન થશે. ત્યારબાદ ભવ્ય બેન્ડ વાજા, બગી, મંડળીઓ સાથે ભવ્ય વરઘોડો નીકળશે અને જય તળેટીએ પહોંચશે તા.16 ને મંગળવારે ગિરિરાજ ઉપર દાદાના દરબારમાં તીર્થમાળા પહેરવાનો કાર્યક્રમ યોજાશે.
ગામ ગામની વાત:સાલડી સ્કૂલમાં ભણતાં ચાર ગામોનાં છાત્રો માટે નિ:શુલ્ક બસસેવા
મહેસાણા તાલુકાનું સાલડી ગામ આરસીસી પાકા રોડ, પીવાના પાણી, ગટર તેમજ સ્ટ્રીટલાઇટની સુવિધાથી સજ્જ છે. હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાના બાળકો માટે કોમ્પ્યુટર લેબ સહિત શિક્ષણની સગવડ છે. સ્કૂલમાંમાં અભ્યાસ માટે ચરાડુ, ખાટા અંબા, શંકરપુરા, વાળીનાથ સહિત ચાર ગામોમાંથી ભણવા આવતાં વિદ્યાર્થીઓને લાવવા- લઈ જવા માટે નિ:શુલ્કમાં બસની સુવિધા આપવામાં આવે છે. ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સહિત આધુનિક સુવિધાઓ ધરાવે છે. ગામની 4000ની જનસંખ્યામાં 1000 લોકો વિદેશ અને અમદાવાદમાં રહે છે. ગામમાં પ્રાથમિક શાળાથી લઇ ધોરણ 12 સુધી શિક્ષણની વ્યવસ્થા છે. પ્રાથમિક શાળામાં 350 અને હાઈસ્કૂલમાં 300 વિદ્યાર્થીઓ ભણે છે. ગામમાં સેવા સહકારી મંડળી, દૂધમંડળી, આંગણવાડી પણ છે. તેમજ પાકા રોડથી જોડાયેલું હોઇ કલોલ, મહેસાણા, હિંમતનગર સુધીની બસો આવે છે. ગામનું રામજી મંદિર તેમજ સ્વયંભૂ પીંપળેશ્વર મહાદેવ ગામલોકોની આસ્થાના મુખ્ય કેન્દ્રો છે. પીંપળેશ્વર મંદિરે દર વર્ષે શ્રાવણ માસમાં લોકમેળો ભરાય છે. ગામમાં સ્વચ્છતા માટે સરકારે સાયકલો આપી છે, પરંતુ ટ્રેક્ટર મળે તો સફાઇ કામગીરી વધુ સારી રીતે થઇ શકે તેમ સરપંચ ગેમરજી ઠાકોરે જણાવ્યું હતું. વસતી સાક્ષરતા પીપળેશ્વર મહાદેવ પ્રસિદ્ધ સ્થળ કનેક્ટિવિટી જિલ્લા મથકથી અંતર સાલડીથી હિંમતપુરા રોડ અને આરોગ્ય સબ સેન્ટરનું મકાન બનાવોસાલડી હાઈસ્કૂલમાં અભ્યાસ માટે હિંમતપુરાથી વિદ્યાર્થીઓ આવે છે. પરંતુ સાલડીથી હિંમતપુરા ચાર કિલોમીટરનો રોડ ન હોઇ હાલાકી પડે છે. જો આ રોડ બનાવાય તો વિદ્યાર્થીઓ અને ગામલોકો માટે ખૂબ ઉપયોગી બની શકે તેમ છે. ગામમાં આરોગ્ય સબ સેન્ટરનું મકાન જર્જરિત થતાં તોડી પાડવામાં આવ્યું છે અને હાલ ખાનગી મકાનમાં ચાલે છે. સરકાર દ્વારા મકાન માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે તો તેનું કામ ઝડપથી થાય તો ગ્રામજનોને લાભ મળી રહે છે.
ચેઇન સ્નેચિંગનો મામલો:શહેરમાં બે મહિલાના ગળામાંથી સોનાના ચેનની ઉઠાંતરી કરાઇ
શહેરના શાંતિ દર્શન ફ્લેટ કાળુભા રોડ ખાતે રહેતા પારસભાઈ દેવેન્દ્રભાઈ શાહ ના વૃદ્ધ માતા પ્રફુલાબેન ગત તા. 30 જુલાઈ ના તેમના નિવાસસ્થાન ની બાજુમાં આવેલ તૃપ્તિ દેરાસરમાં પ્રતિક્રમણ કરી પરત તેના ઘરે આવતા હતા ત્યારે તેના ફ્લેટની લીફ્ટ માં કોઈ અજાણ્યા ઈસમે તેણીના ગળામાં પહેરેલ રૂપિયા એકાદ લાખનો સોનાનો ચેન આંચકી લઈ ગયા ની ફરીયાદ તેમજ વિદ્યાનગર અંધ ઉદ્યોગ શાળાની પાછળ શાલીભદ્ર એપાર્ટમેન્ટ ફ્લેટ માં રહેતા સ્મિતાબેન નરેન્દ્રભાઈ વોરા ગત તા. 17 સપ્ટેમ્બર ના જૈન દેરાસર થી પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે નિશ્રા એપાર્ટમેન્ટ પાસે પહોંચતા એક બ્લેક કલરના એકટીવા પર આવી કોઈ અજાણા શખ્સે તેણીના ગળામાં પહેરેલ રૂપિયા એક લાખ વીસ હજાર રૂપિયાની કિંમતનો સોનાનો ચેન આંચકીને નાસી છૂટ્યો હોવાની બંને ફરિયાદો સિનિયર સિટીઝન હોવાને કારણે લાંબા સમય બાદ નીલમબાગ પોલીસ મથકમાં નોંધાવત પોલીસે તપાસ હાથ ધરી હતી.
સાડા આઠ વર્ષ પહેલાં બ્રોડગેજ લાઈન નાખવા તીર્થધામ બહુચરાજીને જોડતી અમદાવાદ-રણુંજ વાયા કલોલ, કડી, કટોસણ રોડ મીટરગેજ ટ્રેન સેવા બંધ કરાઇ હતી. બ્રોડગેજ લાઈન તૈયાર થઇ ગયા બાદ દોઢ વર્ષથી માલગાડી દોડાવાઇ રહી છે. પરંતુ, પેસેન્જર ટ્રેનો હજુ સુધી શરૂ કરવામાં નહીં આવતાં ચુંવાળ પંથકની જનતામાં રેલવે તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે બહુચરાજી વેપારી મહામંડળે વડાપ્રધાન સહિતને લેખિત રજૂઆત કરી સાબરમતીથી તીર્થધામ બહુચરાજી સુધી આ ટ્રેન ચાલુ કરવા માંગણી કરી છે. કલોલ-કડી -કટોસણ -બહુચરાજી -રણુંજ બ્રોડગ્રેજ રેલવે લાઈન માટે આજથી સાડા આઠ વર્ષ પહેલાં 15 સપ્ટેમ્બરથી ટ્રેનો બંધ કરાઈ હતી. આ પ્રોજેક્ટનું કામ માર્ચ-2025માં પૂરું થવાનું હતું. જેને આજે સાત મહિના થઈ ગયા છે અને દોઢેક વર્ષથી બહુચરાજી મારુતિ સુઝુકી પ્લાન્ટથી કટોસણ સુધી માલગાડી દોડી રહી છે. કટોસણથી અમદાવાદ સુધી બ્રોડગ્રેજ લાઈન તૈયાર થતાં કટોસણ સુધી પેસેન્જર ટ્રેન શરૂ કરાઇ છે. બહુચરાજી ખરીદી માટે લોકો બીજે વળી જતાં ધંધાને અસરવેપારી મહામંડળના મંત્રી ચંપકલાલ શાહ અને સહમંત્રી પરેશભાઇ પટેલે જણાવ્યું કે, અમદાવાદ-રણુંજની ટ્રેનો સાડા આઠ વર્ષથી બંધ હોવાથી બહુચરાજીમાં સ્ટેશન બજાર સહિતની જૂની બજારોમાં વેપાર-ધંધાને મોટી અસર થઇ છે. કારણ કે, કટોસણથી બ્રાહ્મણવાડા સુધીના લોકો ટ્રેનમાં ખરીદી માટે અહીં આવતાં. જે ટ્રેનો બંધ થતાં અન્યે સ્થળે વળી ગયા છે. આ ટ્રેન મા બહુચરના દર્શનાર્થે આવતાં યાત્રિકો માટે ખૂબ ઉપયોગી છે. તેમજ બહુચરાજી ઓટોમોબાઇલ હબ બનતાં દેશભરમાંથી યુવાનો અહીં રોજગારી માટે આવતાં હોઇ જો ટ્રેનો શરૂ થાય તો તેમને પણ સીધી ટ્રેનનો લાભ મળી શકે છે. હાલ બેસવા માટે મહેસાણા કે અમદાવાદ જવું પડે છે.
ભવ્ય સ્વાગતયાત્રા યોજાઈ:સંગીતા સાંખટની ભાવનગર ખાતે સ્વાગત યાત્રા યોજાઈ
ભાવનગર : સીઆઇએસએફ તાલીમ પૂર્ણ કરી સંગીતા સાખટ આજે ભાવનગર ખાતે આવેલ ત્યારે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સાખંટ પરીવાર. સરદાર યુવા મંડળ ભાવનગર અને આર્ય કુળ કન્યા વિદ્યાલય દ્વારા આજે સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાવનગર શહેરના ટોપ થ્રી સર્કલથી ભવ્ય સ્વાગત યાત્રા યોજાઈ હતી અને આ યાત્રા અધેવાડા ગામે લઈ જવામા આવી હતી. સામાન્ય પરિવારની દીકરી સંગીતા સાંખટ CISFમાં પસંદગી પામી હતી તામીલનાડુના ચેન્નાઈ ખાતે 11 મહીનાની તાલીમ પૂર્ણ કરી છે. આ તાલીમમાં સમગ્ર ભારતમાંથી 1700થી વધારે તાલીમાર્થીઓ હતી તેમાંથી માત્ર એક જ પસંદગી કેપ્ટન માટે થઈ હતી અને તે ભાવનગરની શ્રમીક પરીવારની દીકરી સંગીતા કેશુભાઈ સાંખટ હતી તેનુ ખુલ્લી જીપમાં સ્વાગત કરાયું હતું.
સૌરાષ્ટ્ર સમાચાર ગ્રાઉન્ડ રિપોર્ટ:શહેરમાં સીએનજીના કંપનીના પંપ પર ડિઝિટલી નાણા ન સ્વિકારાતા મુશ્કેલી
એક તરફ સરકાર દ્વારા ડિઝીટલ કરન્સી બધા સ્થળોએ સ્વિકારાય અને તેનો ઉપયોગ વ્યાપક થાય તેવી જાહેરાત કરવામાં આવે છે પરંતુ ભાવનગર શહેરમાં સીએનજીના કંપનીના પંપ આવેલા છે તેમાં ડિઝીટલ પદ્ધતિએ નાણા સ્વિકારાતા નથી જેથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ભાવનગર અમદાવાદ હાઈવે પર વરતેજ ફાટક નજીક આવેલ ગુજરાત ગેસ કંપનીના CNG પંપ ખાતે ઓનલાઈન પેમેન્ટ નહી સ્વીકારતા ગ્રાહકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આ અંગે મળતી માહિતી મુજબ આ ગેસ રિફિલિંગ પંપના સંચાલકો દ્વારા ડીજીટલ પેમેન્ટ સ્વીકારવામાં આવતું નથી અને કેશમાં જ પેમેન્ટ લેવાનો દુરાગ્રહ રાખવામાં આવતો હોય તેના કારણે ગ્રાહકોને છુટા પૈસા માટે પંપના કર્મચારીઓ સાથે માથાકૂટ થાય છે કારણકે ઉપરના છુટા પૈસા પરત આપતા નથી. દાખલા તરીકે ગેસનુ બિલ ₹.458.35 પૈસા થાય તો ગ્રાહક કાતો ઉપરના ₹.8.35 પૈસા છુટા આપવા પડે અથવા તો તમારે ₹.460 રાઉન્ડ ફીગરમાં ચુકવણી કરવી પડે જેના કારણે ગ્રાહકને વધારાના ₹.2.35 પૈસા જતા કરવા મજબુર થવું પડે છે.ઘણા ગ્રાહકો કહી રહ્યા છે કે આ ઉપરના તફાવતના પૈસા ના ખેલના કારણે જ ડીજીટલ પેમેન્ટ લેવા માટે નનૈયો કરવામાં આવે છે. આ સમસ્યા દુર કરવા માટે ગુજરાત ગેસના અધિકારીઓએ ડીજીટલ પેમેન્ટ સ્વીકારવા માટે કડક સૂચના આપવામાં આવે તેવી ગ્રાહકોની પ્રબળ માંગણી છે. ભાવનગરમાં પેટ્રોલ પંપ ખાતે જરૂરી સુવિધાઓનો અભાવભાવનગરમાં આવેલા કેટલાક પેટ્રોલ પંપ ખાતે જરૂરી સુવિધાઓ હોતી નથી. ખાસ કરી વાહનોમાં વિનામૂલ્યે હવા ભરવા માટે સ્ટાફ હોતો નથી. હવા ભરવાનું મશીન હોય તો ખરાબ થયેલું હોય છે. માલિકો પગાર બચાવવા આવું કરતા હશે તો આ સુવિધા તત્કાલ ચાલુ થાય તે માટે તંત્રએ યોગ્ય પગલાં લેવા જોઇએ.
મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા સરાહનીય કાર્ય:મહિલા હેલ્પલાઇન ટીમે કાયદો સમજાવી બાળલગ્ન અટકાવ્યા
181 મહિલા હેલ્પલાઇનમાં એક જાગૃત નાગરિકનો ફોન આવેલ કે ભાવનગર જિલ્લામાં દીકરીના લગ્ન થવાના હોય અને લગ્ન થવાને એક દિવસની વાર હોય અને તે દીકરીની લગ્ન માટેની ઉંમર ના હોય બાળલગ્ન થવાના હોય તેવી જાણ મળતા 181 ટીમના ફરજના કર્મચારીઓ સ્થળ પર દોડી ગયેલ સ્થળ પર જઈને કાયદાની જાણકારી આપી બાળ લગ્ન થતા અટકાવ્યા હતા. મહિલા હેલ્પલાઇન ટીમને જે જાણકારી મળેલી તે મુજબ દીકરીને ત્યાં લગ્ન મંડપ હોય જેથી દીકરી અને તેની માતાને મળેલ અને તેમનુ કાઉન્સેલીગ કરેલ દીકરીના લગ્ન કંકોત્રી અને ઉમરના દસ્તાવેજો પૂરાવા મેળવી વિગતો તપાસતા જાણવા મળેલ કે લગ્ન માટે દીકરી પરિપક્વ ના હોય જેથી આ લગ્ન થઈ શકે તેમ ના હોય તેમ દીકરીના પરિવારને કાયદાકીય રીતે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ હેઠળ ગુનો બનતો હોવાની વિશેષ જાણકારી આપી હતી. આ બાળક લગ્ન અટકાવવા અભય ટીમે જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારી તથા 1098 ચાઈલ્ડ હેલ્પલાઇનને જાણ કરે તથા સમાજ સુરક્ષા અધિકારીને આ બાબતે જાણ કરેલ અને તેઓ સ્થળ પર આવ્યા હતા. તેઓને સમગ્ર હકીકત જણાવેલ તેઓને બાળ લગ્ન અટકાવવા માટેની આગળની કાર્યવાહી એમને સોંપેલી. આમ, 181 મહિલા હેલ્પ લાઇન ટીમ દ્વારા લગ્નના આગળના દિવસે જ બાળ લગ્ન અટકાવેલ હોય.
256 આવાસોમાં ભાડુઆતના સર્વેમાં ખુલાસો:ફુલસરના 104 સરકારી આવાસમાં લાભાર્થીને બદલે ભાડુઆત મળ્યા
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 2548 ઇ ડબલ્યુ એસ 1 પ્રધાનમંત્રી આવાસ યોજના પૈકી ફાઇનલ પ્લોટ નંબર 30, શિવ શક્તિ પાર્ક સામે, ફુલસર ખાતેના 256 આવાસોમાં ભાડુઆત બાબતનો સર્વે વિભાગની જુદી જુદી ટીમો બનાવી સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેક્ષણ દરમિયાન કુલ 104 આવાસોમાં મૂળ લાભાર્થી કરતા અન્ય આસામીઓ રહેતા હોવાનું ફલિત થતાં મૂળ લાભાર્થીઓને અન્ય રહેણાકકર્તા ભાડુઆતને ત્રણ દિવસમાં આવાસ ખાલી કરવા તાકીદે નોટિસ આપીને આવાસો ખાલી કરવા જાણ કરવામાં આવી છે અન્યથા આવા આવાસોના સીલીંગ કરવા ઉપરાંત દંડનીય કાર્યવાહી કરવામાં આવશે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના ઘરવિહોણા કુટુંબોને પોતાના ઘરનું ઘર મળી રહે તે હેતુથી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અલગ અલગ સ્થળો પર આવાસોના બાંધકામ કરવામાં આવ્યા છે જે પૈકી 2548 ઇ ડબલ્યુ એસ એક પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ યોજનાના આવાસો લાભાર્થીઓને લોકાર્પણ કરી સોંપી દેવામાં આવ્યા છે. યોજનાની ગાઈડલાઈન અને અરજીપત્રકની શરતો મુજબ લાભાર્થી કબજા ફાળવણીથી સાત વર્ષ સુધી આવાસ વેચાણથી આપી શકતા નથી તેમજ ભાડાથી કે અન્ય કોઈ રીતે સગા સંબંધીઓ કે આસામીઓને રહેણાકીય કે અન્ય કોઈ ઉપયોગ માટે પણ આપી શકતા નથી તેમ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના ઇજનેરે જણાવ્યું છે. તેમજ આગામી દિવસોમાં અન્ય સ્થળ ઉપર આવેલા આવાસોના સર્વે કરીને ભાડે આપેલા આવાસોના સીલીંગ કરવાની કામગીરી હાથ ઉપર લઈ કાર્યવાહી કરવામાં આવશે તે બાબતની સંબંધિત જાહેર જનતાને નોંધ લેવા જણાવ્યું છે.
કાર્યવાહી:શહેરમાં 24 દિવસમાં ફરી રૂ.9.55 લાખનું એમડી ડ્રગ્સ ઝડપાયું
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે મહેસાણામાંથી 24 દિવસમાં બીજી વાર એમડી ડ્રગ્સ ઝડપ્યું છે. શનિવારે તરેટી જવાના રસ્તે રામદેવ પીર મંદિર પાસેથી રૂ.9.55 લાખના 318 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે મધ્યપ્રદેશના શખ્સને વોન્ટેડ બતાવાયો છે. એસએમસીની ટીમે શનિવારે તળેટીના રસ્તેથી રાજસ્થાનના જોધપુરના લુણી ગામના શ્યામલાલ બાબુલાલ બિસ્નોઈને 318 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પકડી લીધો હતો. તેની પાસેથી રૂ.9.55 લાખનું ડ્રગ્સ, રૂ.10 હજારનો મોબાઇલ અને રૂ.1170 રોકડ મળી રૂ.9,67,150નો મુદ્દામાલ કબજે લીધો હતો. આ શખ્સ મધ્યપ્રદેશના રીંકેશ પાટીદાર નામના શખ્સ પાસેથી એમડી ડ્રગ્સ લાવીને ગ્રાહકોને વેચતો હોવાનુંપૂછપરછમાં બહાર આ વ્યું છે. મહેસાણા પંથકમાં સાત મહિનામાં એમડી ડ્રગ્સનો આ ત્રીજો કેસ છે. આ અગાઉ ગત 20 નવેમ્બરે માલ ગોડાઉન રોડ પરથી રૂ.10.86 લાખનું ડ્રગ્સ તેમજ 7 મહિના પહેલાં શોભાસણ બ્રિજ પાસેથી રૂ.9.83 લાખનું ડ્રગ્સ પ કડાયું હતું. ડ્રગ્સ લેવાની આદતે પેડલર બની ગયોએસએમસીના સૂત્રોએ કહ્યું કે, શ્યામલાલ બિશ્નોઇ મધ્યપ્રદેશના રીંકેશ પાટીદાર પાસેથી આ ડ્રગ્સ ખાવા માટે લેતો હતો. રીંકેશે તેને કહ્યું કે, હું તને ખાવા ડ્રગ્સ આપીશ અને હું કહું તે ગ્રાહકોને પહોંચાડવાનું એ મ નક્કી થયેલું. એટલે, દશેક દિવસ પહેલાં આ ડ્રગ્સનો જથ્થો રીંકેશ પાસેથી શ્યામલાલ લાવ્યો હતો અને મહેસાણામાં ગ્રાહકને આપવા આવ્યો હતો. પરંતુ, ગ્રાહક ડ્રગ્સ લેવા આવે તે પહેલાં તેને દબોચી લીધો હતો.
ખરીફ પાકનું વાવેતર:એક પખવાડિયામાં વાવેતરમાં 51 હજાર હેકટરનો વધારો થયો
આ વર્ષે પાછોતરા વરસાદ અને માવઠાએ ખરીફ પાકને ભારે નુકશાન કર્યા બાદ હવે ભાવનગર જિલ્લામાં હવે ઠંડીનો માહોલ ધીમી ગતિએ જામતો હોય શિયાળુ પાકના વાવેતરમાં છેલ્લાં એક જ પખવાડિયામાં 51 હજાર હેકટરનો વધારો થયો છે. આજથી 15 દિવસ પહેલા ભાવનગર જિલ્લામાં કુલ વાવતેર 23,400 હેકટર હતુ તે હવે વધીને 74,400 હેકટરના આંકને આંબી ગયુ છે. એક પખવાડિયામાં ટકાવારી પ્રમાણે વાવેતરમાં ત્રણ ગણાથી વધુ વધારો થયો છે. ડુંગળીનું સર્વાધિક 26,400 હેકટરમાં વાવેતર થયું છે. રવિ (શિયાળુ) સિઝનમાં 6 જિલ્લાના ખેડૂતોને 20મી નવેમ્બરથી 8ને બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરાયો હતો. જ્યારે રાહત પેકેજની પણ જાહેરાત કરવામાં આવી છે. તો બીજી બાજુ ઠંડીનો આરંભ થઇ ગયો છે. હાલ ગુજરાતમાં ગરીબોની કસ્તૂરી ગણાતા ડુંગળીનું વાવેતર 49,900 હેકટરમાં થયું છે તેની સામે એકલા ભાવનગર જિલ્લામાં જ ડુંગળીનું વાવેતર 26,400 હેકટર થયું છે. એટલે કે સમગ્ર ગુજરાતમાં ડુંગળીનું કુલ વાવેતર થયું છે તેના 52.91 ટકા વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું છે. જિલ્લામાં આ વર્ષે ઘઉનું વાવેતર 17,500 હેકટરના આંકને આંબી ગયું છે. ચણાનું વાવેતર 14,200 હેકટર થયું છે. શાકભાજીનું વાવેતર 2,200 હેકટર થયું છે. જ્યારે ઘાસચારાનું વાવેતર 13,000 હેકટર થયું છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે રવિ પાકનું વાવેતર વધે તેવી સંભાવના છે ત્યારે ઘઉં, ડુંગળી અને ચણાના વાવેતરમાં આ વખતે વધારો થવાની શકયતા છે. ડુંગળીના વાવેતરના પ્રથમ 5 જિલ્લા વાર્ષિક સરેરાશ 65 ટકા વિસ્તારમાં ડુંગળીનું વાવેતરભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં શિયાળુ વાવેતરમાં ડુંગળીનું છેલ્લાં ત્રણ વર્ષમાં સરેરાશ વાવેતર 75,774 હેકટરમાં થાય છે અને તેમાં ગત વર્ષે આ સમયગાળા સુધીમાં વાવેતર 44,298 હેકટરમાં થઇ ગયેલું તે આ વર્ષે પણ 49,893 હેકટર થઇ ગયું છે. આમ, ગુજરાતમાં ડુંગળીનું વાવેતર તેની એવરેજના 65.84 ટકા થઇ ગયું છે.
ફરિયાદ:મહેસાણા ઉત્કર્ષ વિદ્યાલયમાં મસ્તી કરી રહેલા છાત્રને શિક્ષકે સોટી મારતાં થાપાના ભાગે ઇજા
મોટીદાઉ સ્થિત ઉત્કર્ષ વિદ્યાલયમાં મિત્રો સાથે મસ્તી મજાક કરનાર છાત્રને સોટીથી માર મારતાં થાપાના ભાગે ઈજા થઇ હતી. જે મામલે વાલીએ શિક્ષક વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહેસાણા શહેરમાં એરોડ્રામ રોડ યશોદાનગરમાં રહેતા અરવિંદભાઇ પરષોત્તમભાઇ પટેલનો, ઉત્કર્ષ વિદ્યાલયમાં ધોરણ 8માં ભણતો પુત્ર રેયાંશ (14) શુક્રવારે સવારે શાળામાં ટેસ્ટ આ પવા ગયો હતો. ટેસ્ટ પૂરો થતાં મિત્રો અંદરો અંદર વાતચીત કરી મસ્તી મજાક કરતા હતા. જે શિક્ષક નીલ પટેલ સાંભળી ગયા હતા. શનિવારે શાળામાં રેયાંશ અને તેના મિત્રોને ઉભા રાખી મારો ઇરાદો બાળકને સુધારવાનો હતો : શિક્ષક શિક્ષક નીલ પટેલે કહ્યું કે, ટેસ્ટ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ ચોરી કરતાં, ટકોર કરવા છતાં નહીં માનતાં મેડમે હું એચઓડી હોવાથી મને વાત કરી. એટલે આ 4-5 બાળકોને સોટી મારેલી. ઇરાદો બાળકોમાં શિસ્ત આવે અને સારી રીતે ટેસ્ટ આપે તેવો હતો. વિદ્યાર્થી અમારા જ છે, થોડા તે દુશ્મન હોય. અન્ય કોઇ વાલીને વાંધો નથી, ઉલ્ટાનું શિક્ષક સુધારા માટે કરે તેવું ફોનમાં કહ્યું હતું. આચાર્ય ગોવિંદભાઇ પટેલે કહ્યું કે, વાલીનો ફોન આવતાં ખબર પડેલી પછી શિક્ષકને ઠપકો આપ્યો છે. શારીરિક શિક્ષા નકરી શકાય, તપાસ કરાવીશુંજિલ્લા શિક્ષણાધિકારી બી.એન. પટેલે જણાવ્યું કે, કોઈ વિદ્યાર્થીનેશારીરિક સજા કરી હશે તો શાળામાં જરૂરથી ટીમ મોકલીને તપાસકરાવાશે અને તેમાં જવાબદાર હશે તેની સામે શિક્ષાત્મક પગલાં લેવાપણ સૂચવાશે. બાળકને શારીરિક શિક્ષાની મનાઈ છે.
ભાસ્કર એનાલિસીસ:જિલ્લામાં નો મેપિંગવાળા 71274 મતદારે ટકી રહેવા આધાર પુરાવા રજૂ કરવા પડશે
મહેસાણા જિલ્લામાં મતદાર યાદી ખાસ સુધારણા (SIR)ની કામગીરીમાં ગણતરી ફોર્મ સ્વીકારીને ડિઝિટાઇઝ કરવાનો તબક્કો રવિવારે મધરાતથી પૂરો થઇ ગયો છે. જિલ્લામાં કુલ 17,91,905 મતદારો પૈકી મેપિંગ અને નો મેપિંગના અંદાજે 15,97,563 (85.18 ટકા) મતદારોનો સમાવેશ આગામી તા.19મીએ પ્રસિદ્ધ થનાર ડ્રાફ્ટ યાદીમાં થશે. જે પૈકી નો મેપિંગવાળા 71,274 (3.98 ટકા) મતદારોએ નોટિસ મળે એટલે ફોર્મ પાછળ સૂચવેલા 13 આધાર પુરાવા પૈકી કોઇ એક પુરાવો નોટિસ આપનાર સંબંધિત કર્મચારીને આપવો પડશે. જ્યારે મૃતક, સ્થળાંતરિત, પત્તો નથી, ડુપ્લીકેટ મળી કુલ 1,94,106 (10.83 ટકા) મતદારોના નામ ડ્રાફ્ટ યાદીમાં જોવા મળશે નહીં એટલે કે રદ થશે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એ.બી. પરમારે કહ્યું કે, જે મતદારોનાં નામ વર્ષ 2002ની યાદી સાથે મેપિંગ થયાં નથી પણ બીએલઓને 13 પૈકીના કોઇ એક પુરાવા સાથે ફોર્મ આપેલું છે, તેમને નોટિસ ઘરે આવશે. પરંતુ, તેમણે નવા પુરાવા આપવાની જરૂર નથી. બીએલઓ કે જે કર્મચારીને નોટિસની જવાબદારી સોંપાય તે મતદારની સહી લેશે. નો મેપિંગમાં ઘણા ખરા મતદારોએ બીએલઓને ફોર્મ સાથે આધાર પુરાવા આપેલા છે. આધાર પુરાવા નથી આપ્યા તેમને સુનાવણીમાં સક્ષમ અધિકારી સમક્ષ ઉપસ્થિત રહીને રજૂ કરવાના રહેશે. નોટિસ આપવાની શરૂઆત સંભવત તા.19મી પછી, સૂચના મળ્યે શરૂ થશે અને એક મહિનાનો સમયગાળો આ કામગીરી મળશે. મતદાર સુનાવણી માટે આસિસ્ટન્ટ નિમાશેજિલ્લાની સાત વિધાનસભામાં નો મેપિંગવાળા 71,274 મતદારો પૈકી ખેરાલુમાં 4441, ઊંઝામાં 8483, વિસનગરમાં 9914, બહુચરાજીમાં 8367, કડીમાં 12107, મહેસાણામાં 17080 અને વિજાપુરમાં 10882 મતદારોનો સમાવેશ થાય છે. મતદાર તરીકે આધાર પુરાવા માટે નોટિસમાં તેમને સાંભળવાની તક આપવા સુનાવણી યોજાશે. મતદારોની સુનાવણી સમય મર્યાદામાં થઇ શકે તે માટે વિધાનસભા દીઠ, ચૂંટણી અધિકારી દ્વારા આસિસ્ટન્ટની નિયુક્તિ કરાશે. મહેસાણામાં 16 જેટલા કર્મચારીઓની આસિસ્ટન્ટ ચૂંટણી અધિકારી તરીકે નિમવા દરખાસ્ત ચાલી રહી છે. આ એઇઆરઓ રોજ 50ને સુનાવણીમાં બોલાવે તો સમય મર્યાદામાં કામ પૂરું થશે.
બાળકી સાથે જધન્ય કૃત્ય:શહેરમાં વર્ગ-2ના નિવૃત અધિકારીએ ઘરે આવતી બાળા પર દુષ્કર્મ આચર્યુ
ભાવનગર શહેરને હચમચાવી દેનાર એક ઘૃણાસ્પદ ઘટનાએ શહેરમાં ભારે રોષ અને આક્રોશ ફેલાવ્યો હતો. વર્ગ-2ના એક નિવૃત્ત અધિકારીએ તેના ઘરે આવતી સગીર બાળકી સાથે દુષ્કર્મ આચરતા માનવતા, વિશ્વાસ અને બાળ સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા હતા. જેને લઈ શહેરભરમાં ભારે રોષ વ્યાપ્યો હતો. શહેરના કાળિયાબીડ વિસ્તારમાં ભક્તિનગર લીલા સર્કલ પાસે રહેતા નિવૃત્ત ક્લાસ–ટુ અધિકારી હસમુખ ઉર્ફે ઋષિ પંડ્યા સામે સગીર બાળકી સાથે દુષ્કર્મ આચર્યાનો ગંભીર ગુનો નોંધાયો હતો. આરોપી હસમુખ ઉર્ફે ઋષિ પંડ્યાએ પોતાના ઓળખીતા પરિવાર સાથે સારો વ્યવહાર રાખી વિશ્વાસ જીત્યો હતો. સગીરાના માતા–પિતા નોકરી કરતા હોવાથી રોજ સ્કૂલેથી દીકરીને લાવવા–મોકલવાનો સમય ન રહેતો હોવાનો લાભ લઈ આરોપીએ સ્કૂલેથી લાવવા–મોકલવાની તથા ઘરે રમવા મોકલવાની જવાબદારી સ્વીકારી હતી. ફરિયાદ મુજબ, બનાવના સમયે આરોપીના ઘરે તેની પત્ની તથા દીકરો હાજર ન હતા. પત્ની અને દીકરો કામથી ઘરેથી બહાર ગયા હોવાનું અને ઘરમાં કોઈ ન હોવાનો લાભ લઈ આરોપીએ પોતાના ઘરે સગીર બાળકી સાથે ઘૃણાસ્પદ દુષ્કર્મ આચર્યું હતું. આરોપીનો દીકરો અપરિણીત હોવાનું પણ તપાસ દરમિયાન બહાર આવ્યું હતું. બાળકીઓની સલામતી બાબતે અંધ વિશ્વાસ ન રાખોઆ ઘટના વાલીઓ માટે કડક ચેતવણીરૂપ સંદેશ છે કે નાની દીકરીઓની સલામતી બાબતે કોઈપણ વ્યક્તિ પર, ભલે તે ઓળખીતો કે વિશ્વસનીય જણાતો હોય, અંધ વિશ્વાસ રાખવો જોખમી સાબિત થઈ શકે છે. બાળકોની અવરજવર, સંપર્ક અને દિનચર્યા અંગે સતત સતર્કતા રાખવી અને કોઈપણ શંકાસ્પદ બાબત તાત્કાલિક ધ્યાનમાં લઈ કાર્યવાહી કરવી અત્યંત જરૂરી છે તેવું તપાસનીસ અધિકારી પી.આઈ એ.ડી ખાંટે જણાવ્યું હતું. આરોપી જિલ્લા સહકારી મંડળીમાં અધિકારી હતોઆરોપી હસમુખ ઉર્ફે ઋષિ પંડ્યા ભાવનગરના બહુમાળી ભવન ખાતે જિલ્લા સહકારી મંડળીમાં ક્લાસ–ટુ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યો હતો અને હાલ નિવૃત્ત હતો. જાહેર સેવામાં રહેલો અને સમાજમાં ભદ્ર છબી ધરાવતો વ્યક્તિ આવા અમાનવીય ગુનામાં સંડોવાયો હોવાની વાત સામે આવતા સમગ્ર શહેરમાં ભારે આક્રોશ ફેલાયો હતો. બનાવની જાણ થતાં પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહેસાણા શહેરના હાર્દ સમા મોઢેરા રોડ પર સ્વામિનારાયણ મંદિરથી કાવેરી સ્કૂલ સુધીના અંદાજે 500 મીટર અંતરમાં દર ચોમાસે વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાય છે. આ વિસ્તાર વિશેષ નીચાણવાળો હોવાથી વરસાદી પાણી કલાકો સુધી રોડ પર ભરાઈ રહેતું હોઇ વાહનચાલકો અને 40થી વધુ સોસાયટીના રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સમસ્યાના કાયમી નિવારણ માટે મહાનગરપાલિકાએ ખાસ આયોજન સાથે 1.5 બાય 1.5 મીટર ક્ષેત્રફળની આરસીસી બોક્સ ગટર બનાવવાની કામગીરી હાથ ધરી છે. આ બોક્સ ગટરની પાણી નિકાલ ક્ષમતા હાલની પાઇપલાઇનની તુલનામાં 33 ટકા વધુ છે. બોક્સ ગટરમાં એકત્રિત થતું વરસાદી પાણી કાવેરી સ્કૂલ બાદ આગળ વધતી વરસાદી પાણી નિકાલની લાઈનમાં જોડાશે જેથી પાણી ઝડપી અને સરળતાથી ખારી નદી તરફ વહેંચાઈ શકે. પરિણામે ચોમાસા દરમિયાન રોડ સાઈડમાં ભરાતું પાણી ઝડપથી ઉતરી જઈ નિકાલ થશે. 23 કરોડમાં વરસાદી પાણી નિકાલ અને રોડનું કામ ચાલી રહ્યું છે. મોઢેરા રોડને આઇકોનિક બનાવવાનું ને સાથે કાવેરી સ્કૂલથી ખારી નદી સુધી વરસાદી લાઇનનું કામ ચાલુ મોઢેરા રોડ પર કાવેરી સ્કૂલથી દેદિયાસણ સુધી 1.6 કિમી અંતરમાં રસ્તાની બંને સાઇડ 1200 ડાયાની વરસાદી પાણી નિકાલની પાઇપલાઇન નંખાશે. આગળ દેદિયાસણથી નેળિયા થઇને ખારી નદી સુધી 2 કિમી અંતરમાં 1400 ડાયાની વરસાદી લાઇન નંખાશે. આ સાથે આ આખાયે રસ્તાનું ડામર રિસરફેસિંગ કરાશે. આ બંને કામના સંયુક્ત પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂ.23 કરોડ ખર્ચાશે. નાગરિકોને સુરક્ષિત તથા સુગમ માર્ગ સુવિધા મળશે. આ ઉપરાંત, મોઢેરા રોડને મનપા દ્વારા આઇકોનિક બનાવવાની કામગીરી પણ સમાંતર ચાલી રહી છે.
છેતરપિંડી:શહેરમાં ડેટિંગ એપથી ગોલ્ડ ટ્રેડિંગમાં શખ્સ સાથે 17 લાખની છેતરપિંડી
ભાવનગર શહેરમાં ડેટિંગ એપના માધ્યમથી થયેલી સાયબર છેતરપિંડીની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જેમાં અપરિણીત યુવાનને વિશ્વાસમાં લઈ ગોલ્ડ ટ્રેડિંગના નામે 17 લાખ રૂપિયાનો ચૂનો ચોપડાયો હતો. શિવનગર સોસાયટી, બોરતળાવ વિસ્તારમાં રહેતા અને પોતાનો વ્યવસાય કરતા નિલેશ હંસરાજભાઈ પોશિયાએ ભાવનગર સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના લગ્ન થયા ન હોવાના કારણે તેઓ યુવતીની શોધમાં ‘બંબલ’ નામની ડેટિંગ એપનો ઉપયોગ કરતા હતા. આ દરમિયાન સોના મુખરજી નામની યુવતી સાથે સંપર્ક થયો હતો અને બાદમાં બંને વચ્ચે વોટ્સએપ પર વાતચીત શરૂ થઈ હતી. વાતચીત દરમિયાન યુવતીએ પોતે ગોલ્ડ ટ્રેડિંગ કરતી હોવાનું જણાવી નિલેશભાઈને પણ તેમાં રોકાણ કરવા માટે પ્રલોભન આપ્યું હતું. યુવતીએ https://m.enturyinternationalus.cc/ નામની લિંક મોકલી તેમાં મોબાઈલ નંબર, ઈ-મેલ અને આધાર કાર્ડ સહિતની વ્યક્તિગત વિગતો ભરાવવાની સૂચના આપી હતી. સાઇટ પર ગોલ્ડ ટ્રેડિંગ શરૂ કરવા માટે મિનિમમ 500 ડોલરનું રોકાણ ફરજિયાત હોવાનું જણાવતા, ભારતીય ચલણ મુજબ આશરે રૂ.40,000 જેટલી રકમ નિલેશભાઈએ ગૂગલ પે મારફતે શરૂઆતમાં રોકાણ કરી હતી. તેમાં તેમને અંદાજે રૂ.6,000 જેટલો નફો દેખાતા તેમનો વિશ્વાસ વધુ મજબૂત થયો હતો. આ પછી અલગ અલગ સમયે તેમણે વધુ રોકાણ કરતા કુલ રૂ.17,00,047 લાખ જેટલી મોટી રકમ ગોલ્ડ ટ્રેડિંગમાં મૂકી દીધી હતી. જ્યારે નફાની રકમ ઉપાડવાની કોશિશ કરી ત્યારે સાઇટ દ્વારા નફા સહિતની કુલ રકમ પર 10 ટકા કરન્સી કન્વર્ઝન ફી ભરવાની માગણી કરવામાં આવી હતી. આ તબક્કે શંકા જાગતા નિલેશભાઈએ વધુ કોઈ ટ્રાન્જેક્શન ન કરતા સમગ્ર મામલો સાયબર ફ્રોડ હોવાનું સમજી ભાવનગર સાયબર ક્રાઈમ વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી. ડેટિંગ એપના આડમાં વિશ્વાસ બાંધીને થતી આ પ્રકારની સાયબર છેતરપિંડી સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી છે અને નાગરિકો લાલચભરી ઑનલાઇન ટ્રેડિંગ ઓફરો તથા અજાણ્યા સંપર્કોથી સાવચેત રહેવું જોઈએ. ભાવનગર જ નહી રાજ્યભરમાં ડેટીંગએપ કે અન્ય માધ્યમથી સાયબર ક્રાઈમના ગુન્હા વધી રહ્યા છે આ સાથે અમદાવાદ જેવા મહાનગરોમાં ડિઝિટલ એરેસ્ટના બનાવોમાં લાખો રૂપિયા વસુલવામાં આવી રહ્યા છે ત્યારે સાયબર ક્રાઈમ સેલે સતર્કતા દાખવવી જરૂરી છે
મંડે પોઝિટીવ:આંખો અને પાંખોના સહારે વિદેશી પક્ષીઓ આવી પહોંચ્યા
ભાવનગરને હંમેશા વિદેશી પક્ષીઓનું મોસાળ કહ્યુ છે. ભાવનગરના જલપ્લાવિત ક્ષેત્રોમાં હાલ પોતાની આંખો અને પાંખોના સહારે ફ્લેમિંગો, પેલિકન, રાજ હંસ, કુંજ, સ્પોટ ડેબીલ ડક, લડાખી ધોમડો (બ્રાઉન હેડડેગલ) સહિતના અનેક પક્ષીઓ જોવા મળી રહ્યાં છે. યુરોપ ખંડ સહિતના દેશોમાં કડકડતી ઠંડીથી બચવા આ ઋતુ પ્રવાસ ખેડતા પંખીઓ સેંકડો વર્ષોથી ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આવે છે. અને આ યાત્રા ઉનાળાનો આરંભ થયે પૂર્ણ થાય છે. શિયાળો શરૂ થતા ભાવનગરમાં મહેમાન બનીને આવેલા દેશ-વિદેશના પક્ષીઓ ફ્લેમિંગો હંજ અથવા તો સુરખાબ જે મોટો યુરોપથી આવે છે તથા નાનો હંજ આફ્રિકાથી આવે છે. ગુજરાતનું રાજ્ય પક્ષી હંજ છે. હંજ આખા ભારતદેશ માં ક્યાંય નહીં પણ કચ્છના નાના રણમાં માળો કરે છે. રાજહંસ જે લડાખ, રશિયા, મોંગોલિયા તરફથી આવેલ છે . પેણ પેલીકન જે ગુલાબી પેણ તથા રૂપેરી પેણ હંગેરી મધ્ય એશિયા ઈરાન – ઈરાકથી છેક ભાવનગર સુધી આવે છે. ગુજરાત રાજ્યમાં બે જાતની પેણ આવે છે. પેલપેલીકન જે પણ કચ્છના નાના રણમાં માળો કરે છે તેવું જોવા મળેલ છે. પીળીચાંચ ઢોંક થોડા રંગીન શરીર મુખ્યત્વે સફેદ પાકમાં લીલાશ પડતા કાળા પટા છાતીએ કાળો પટો હોય છે. પક્ષીવિદ જયસિંહ ગોહિલે વધુ માહિતી આપણા જણાવ્યું હતુ કે આપણે ત્યાં છ જાતના ધોમડા શિયાળામાં આવે છે. લડાખી ધોમડો (બ્રાઉન હેડડેગલ) પીળાપગ ધોમડો શિયાળો અહીં ગાળી પોતાના વતન સાયબેરીયા જતો રહે છે. કરકરો વતન યુરોપ મધ્ય એશિયા બાજુથી આપણે ત્યાં શિયાળો નહીં પણ ચોમાસામાં જ આવે છે. પક્ષીઓના શરીરમાં કુદરતી હોકાયંત્ર જેવી રચનાછેક યુરોપથી દર વર્ષે ભાવનગરમાં ચોક્કસ સ્થળે યાયાવર પંખીઓ ક્યા પથદર્શકના આધારે આવતા હશે તો પ્રશ્ન સૌ કોઈને ઉદ્દભવે તે સ્વાભાવિક છે આ અંગે એક થિયરી મુજબ આ પક્ષીઓના શરીરમાં કુદરતી રીતે જ હોકાયંત્ર જેવી રચના કુદરતી રીતે જ બક્ષીસ મળી હોય છે. આ પંખીઓમાં જે વયસ્ક પક્ષી હોય છે. તેમના મગજમાં તેમના પ્રવાસ માર્ગનો નકશો કંડારાઈ જાય છે. બાદમાં નાના પંખીઓ વયસ્ક પંખીઓની પાછળ આ લાંબી મુસાફરી ખેડે છે. આ કુદરતી બક્ષીસને લીધે જ નાજૂક પક્ષીઓ હીમાલયને ઓળંગી ભારત પહોંચી જાય છે.
મંડે પોઝિટીવ:શિક્ષકે 21 વર્ષમાં 20 લાખના અનુદાનથી શાળાને સમૃદ્ધ બનાવી
ભાવનગર જિલ્લા પંચાયત સંચાલિત પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળાને લોકભાગીદારીથી અનુપમ શાળા બનાવી છે. 20 લાખથી વધુનું અનુદાન લાવી બાળકોના સર્વાંગીણ વિકાસનો નૈતિક પ્રયત્ન કર્યો છે. મૂળ ખેડૂત પરિવારમાં જન્મેલા નાથાભાઈ ચાવડા મૂળ દર્શકની કર્મ ભૂમિ માઇધાર ગામના વતની અને છેલ્લા 21 વર્ષથી પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે સેવા બજાવે છે. મુસ્લિમ વિસ્તારમાં આવેલી આ શાળા કોઈ ધર્મના ભેદભાવ વગર આ શિક્ષક બાળકો સહિત તેમના વાલીઓના કલ્યાણ માટે યથાગ પ્રયત્ન કરી સરકારનું સૂત્ર ભાર વગરનું શિક્ષણ ચરિતાર્થ કરેછે. શાળામાં ભૌતિક સુવિધા સહિત બાળકો માટે સામાજિક સસ્થાઓ પાસેથી દાન લાવીને શાળાને અનુપમ બનાવી છે. 15 હજાર કલાકથી વધુનું સમય દાન અને આર્થિક સહયોગ પણ આ શિક્ષક આપે છે. બાળદેવો ભવઃ નું સૂત્ર સાકર કરવા મુલ્ય શિક્ષણ સહિત માનવઘડતરના પાઠો શીખવવામાં આવે છે. શાળા ને અનુપમ બનાવવા શત્રુંજય યુવક મંડળ દ્વારા ભજન ભોજન ખંડ અને આદિનાથ ધ્યાન કેન્દ્ર પણ બનાવ્યું છે.બાળકોને પીવાના પાણી માટે પરબ અને આદર્શ ભોજન જમવા ડિશની વ્યવસ્થા સહિત અતિથિ ગૃહ અને લાઇબ્રેરી સહિત જીવન મૂલ્યો માટે એક બાલ એક છોડ સહિત દફતર, નોટબુક વગેરેનું યોગદાન મળ્યું છે. રાહી ફાઉન્ડેશન દ્વારા દરેક શાળા પ્રવેશોત્સવ દરમિયાન એકાવન હજારની સ્ટેશનરી સહિત ગરમ કપડાં અને દાદા દાદી સંમેલન માટે ધાબળાના યોગદાન માટે ત્રીસ હજારનું દર વર્ષે યોગદાન તેમજ શ્રાવિકા બહેનો દ્વારા કૌશલ્ય વર્ધન કેન્દ્ર માટે શિવણ મશીન જેના દ્વારા ધોરણ આઠની દરેક બહેનો શિવણ કામ શીખી શકે. આ ઉપરાંત આદિનાથ રમકડાની ગાડી અને દર મહિને તમામ બાળકોને ફ્રૂટ વિતરણ સહિત આરોગ્ય માટે ફ્રી આરોગ્ય સેવા આમ લોક ભાગીદારીથી શાળા નહીં સમાજ માટે સેવા આશ્રમ બની આ શાળા વિવિધ સામાજિક સંદેશાઓ પણ આપે છે.ઘસાઈ ને ઊજળા થવાની આ શિક્ષક ની વૃતિ પ્રેરણા રૂપ છે. વેકેશનમાં પણ પોતાનો સમય આપી શાળા સ્વછતા સહિત સમર કૅમ્પોનું પણ આયોજન આ શિક્ષક દ્વારા કરવામાં આવે છે. આ શિક્ષક પોતાના સર્વ બાળકોની તમામ મૂંઝવણો દૂર કરે છે. મેડિકલ ભથ્થું બાળકોના વિકાસમાં ખર્ચે છેનાથાભાઇ ચાવડા ભાર વગરના ભણતર, સમય દાન સાથે આર્થિક સહયોગ પોતાને મળતું મેડિકલ ભથ્થું એક હજાર દર મહિને બાળકોના સર્વાંગીણ વિકાસ માટે વાપરે છે, ચિત્રકૂટ સહિત સાંદિપની સન્માન પણ પ્રાપ્ત થયું છે. કોરોના કાળમાં ઉકાળા વિતરણની સામાજિક સેવા દ્વારા વિવિધ સંસ્થાઓએ બહુમાન કર્યું હતુ.
પ્રાદેશિક સંતુલિત વિકાસને મૂર્તિમંત કરવાના લક્ષ્ય સાથે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાને પગલે ગુજરાત સરકાર દ્વારા આગામી જાન્યુઆરી - 2026માં રાજકોટ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનું આયોજન કર્યું છે. જેનો હેતુ સૌરાષ્ટ્ર ક્ષેત્રના દરેક જિલ્લામાં રહેલી વિશિષ્ટ ઔદ્યોગિક શક્તિઓને વૈશ્વિક રોકાણકારો સમક્ષ રજૂ કરવાનો અને આકર્ષવાનો છે. આ સંદર્ભમાં, સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર તરીકે જાણીતો સુરેન્દ્રનગર જિલ્લાનું અર્થતંત્ર તેના કૃષિ ઉત્પાદનો, મજબૂત ટેક્સટાઇલ માળખું અને સૌથી મહત્ત્વનું, મીઠાના વિશાળ ઉત્પાદન પર આધારિત છે. જે તેને સોલ્ટ-બેઝ્ડ કેમિકલ ઉદ્યોગો માટે એક આદર્શ હબ બનાવવાની સંભાવના ધરાવે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં રોકાણની સૌથી મોટી અને મહત્વપૂર્ણ તક મીઠા પર આધારિત કેમિકલ ઉદ્યોગોમાં રહેલી છે. અહીં ખારું પાણી અને અનુકૂળ જમીન ઉપલબ્ધ હોવાથી મીઠું ઓછા ખર્ચે ઉપલબ્ધ થઈ શકે છે. રોકાણકારો અહીં સોલ્વે પ્રક્રિયા અથવા આધુનિક સિન્થેટિક પદ્ધતિઓ દ્વારા સોડા એશના મોટા પાયાના પ્લાન્ટ અથવા આધુનિક મેમ્બ્રેન સેલ ટેકનોલોજી આધારિત ક્લોર-આલ્કલી પ્લાન્ટ્સ સ્થાપી શકે છે. માળખાગત અને નીતિગત અનુકૂળતા સુરેન્દ્રનગર કચ્છ-રાજકોટ રિજિયનમાં આવેલું હોવાથી બંદરો અને ઔદ્યોગિક ક્લસ્ટર્સ સાથે સારી કનેક્ટિવિટી છે. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) જમીન, વીજળી અને પાણી જેવી જરૂરી સુવિધાઓ પૂરી છે. સરકારની નીતિઓ સબસિડી, સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત, મૂડી રોકાણ સહાય આકર્ષક રોકાણ વાતાવરણ પૂરું પાડે તો સુરેન્દ્રનગર ગુજરાતના કેમિકલ ક્લસ્ટર્સ વડોદરા, દહેજ, ભરૂચ માટે સપ્લાય ચેઇન હબ તરીકે કાર્ય કરી શકે છે. ઔદ્યોગિક વિકાસને વેગ આપવા ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામનું આયોજન રાજકોટ ખાતે યોજાનાર કચ્છ સૌરાષ્ટ્ર પ્રદેશની વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સીસ તેમજ જિલ્લા સ્તરીય કાર્યક્રમ ખૂબ જ મહત્વનો છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વિકાસ, રોકાણ અને ઉદ્યોગોને નવી દિશા આપવા માટે તા.19 ડિસેમ્બરે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ - VGRC અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામયોજન થવા જઈ રહ્યું છે. જેમાં તમામ ઉદ્યોગો, MSMEs, એસોસિએશન્સ, સ્ટાર્ટઅપ્સ તથા યુવા ઉદ્યોગકારોને વિવિધ ઇવેન્ટમાં ભાગ લેવા અનુરોધ કર્યો છે. > રાજેન્દ્રકુમાર પટેલ, જિલ્લા કલેકટર
મંડે પોઝિટીવ:ગાંધી હોસ્પિટલમાં 600 ચોમી જમીનમાં દર્દીઓના પરિવારના 100 સભ્યને રહેવા વિશ્રામગૃહ બનશે
પોતાના સ્વજનોની સારવાર માટે દૂર-દૂરના ગામોમાંથી સરકારી જનરલ-સિવિલ હોસ્પિટલ ખાતે આવતા અનેક લોકોને શહેરોમાં રહેવા-જમવાની સુવિધાઓ ઉપલબ્ધ થતી નથી. દર્દીઓના સગા-સંબંધીઓની આ સમસ્યાને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના માટે રહેવા-જમવાની સુવિધાઓ ધરાવતા વિશ્રામગૃહ બનાવવાનો સંવેદનશીલ અભિગમ દાખવ્યો છે. જે અંતર્ગત કેટલીક સરકારી સિવિલ-જનરલ હોસ્પિટલો ખાતે રેન બસેરા-વિશ્વામ ગૃહ બનાવવામાં આવશે. પરિણામે હવે સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી સરકારી ગાંધી હોસ્પિટલમાં પણ વિશ્રામ ગૃહનો ધમધમાટ શરૂ થયો છે. જેના કારણે અહીં હોસ્પિટલે આવતા દર્દીઓના પરિવારજનોમાં પણ રાહતની લાગણી ફેલાઇ છે. કારણ કે ગાંધી હોસ્પિટલમાં દૈનિક 450થી વધુ ઓપોડી નોંધાતા દર્દીઓની ભીડ રહે છે. જેમાં જરૂરીયાતમંદ દર્દીઓને સારવાર માટે દાખલ પણ કરવામાં આવે છે. આ અંગે સીડીએમઓ ડો.ચૈતન્યકુમાર પરમારે જણાવ્યું કે, હોસ્પિટલમાં અંદાજે 9થી વધુ વોર્ડ આવેલા છે અને કુલ 150 બેડની વ્યવસ્થા છે. હાલ હોસ્પિટલમાં દાખલ થયેલા એક દર્દી સાથે એક સભ્ય સાથે રહી શકે છે. દર્દીના પરિવારજનો અલગથી રહી શકે તે માટે ઉચ્ચકક્ષાએથી આયોજન છે. જેના માટે ગાંધી હોસ્પિટલમાં આવેલી 600 ચોરસ મીટર જમીનનું પણ એક માસ પહેલા માપણી થઇ ગઇ છે. પીએમ રૂમ અન્ય જગ્યાએ ખસેડાશેહોસ્પિટલનો પીએમ રૂમ છે તેની બાજુમાં જ વિશ્રામ ગૃહની જમીનની પસંદગી કરાઈ છે. વિશ્રામ ગૃહ જ જો બાજુમાં બનશે તો દર્દીના સભ્યોને વિશ્રામ માટે વિક્ષેપ પડી શકે તેમ છે. આથી આ જગ્યાની બાજુમાં રહેલો પીએમ રૂમ બાધારૂપ જણાશે તો તેને અન્ય જગ્યાએ ખસેડાશે તેવી વિગતો બહાર આવી હતી. વિશ્રામગૃહમાં આ મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ થશેદર્દીઓના સગા સંબંધીઓને સ્વચ્છ આરામદાયક રૂમો, શુદ્ધ ભોજન અને પીવાના પાણી સહિતની મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ વિશ્રામ ગૃહ સંપૂર્ણપણે લોકહિતના ઉદ્દેશ સાથે તૈયાર કરવામાં આવશે.
ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીએ ધંધામાં સેટ કરી આપવાનું અને ઓફિસ ખોલી આપવાનું કહી બેંક મેનેજર યુવક પાસેથી અલગ-અલગ ક્રેડિટ કાર્ડ ઉપર બેંકમાંથી નાણાં ઉપડાવી, ગોલ્ડ લોન, કાર લોન લેવડાવી તેમજ કાર ગીરવે મુકાવી ઠગાઈ આચરી છે. યુવક પાસેથી ગઠિયાએ બેંક એકાઉન્ટમાં, આંગડિયા મારફતે તેમજ હાથોહાથ રોકડ મળી એમ કુલ રૂ.2.46 કરોડની છેતરપિંડી આચરતા પોલીસે ફરિયાદ નોંધી આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં શહેરના કોઠારિયા મેઈન રોડ ગોકુલ પાર્ક શેરી નં.3 બ્લોક નં.1માં રહેતા અને ગોંડલ રોડ સત્ય વિજય આઈસક્રીમ સામે આવેલ યશ બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતા રાજ ગોરધનભાઈ યાદવ( ઉં.વ.27) દ્વારા ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે કરણપરા શેરી નં.18 લોહાણા મહાજનવાડી વાળી શેરીમાં રહેતા અને મોરબીમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા હેનિલ હિતેશભાઈ રાઠોડ(ઉં.વ.29)નું નામ આપ્યું હતું. રાજે ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ 2018માં તેની મુલાકાત આ હેનિલ સાથે થઈ હોય બાદમાં બંને વચ્ચે ધંધાકીય વાતચીત થઈ હતી. ત્યારબાદ ગત તા.15/01/2022ના રોજ આ હેનિલ રાઠોડ તેને યાજ્ઞિક રોડ ઇમ્પિરિયલ હોટેલ પાસે મળેલ અને તેનો ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો દેશ-વિદેશમાં ફેલાયેલો છે. તેવી વાત કરતા તે બોલ્યો કે, તેની ઓફિસ મોરબીમાં સનાળા રોડ પર આવેલી છે. આવી જ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ તેને રાજકોટમાં પણ ખોલવાની છે. જો તારે મારી જેમ આ કામ કરવું હોય તો રૂપિયા આપ તો હું તને પાર્ટનર બનાવી દઈશ અને તને એગ્રીમેન્ટ કરી આપીશ, તેમજ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ બનાવી દઈશ, જે તું સંભાળજે. આપણો ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો હું તને સેટ કરી આપીશ. તેમ કહી તેને વિશ્વાસમાં લઈ પહેલા રૂ.10 લાખ કટકે-કટકે રાજ પાસેથી મેળવી લીધા હતા. ત્યારબાદ કરોડો રૂપિયાની ઠગાઇ આચરી હતી. ગઠિયાએ કહ્યું, ‘તારું ફેમિલી મરી જશે તોય રૂપિયા આપવાનો નથી’યુવકે તેના પિતા સાથે હેમિલના ઘરે જઈ પૈસા પરત આપવાનું કહેતા આ હેનિલ બોલ્યો, ‘તારાથી થાય તે કરી લે. તું અને તારા મમ્મી પપ્પા મરી જશો તો પણ હું તમારા રૂપિયા આપવાનો નથી. મારે પોલીસમાં ઘણી ઓળખાણ છે. તું મારું કંઈ બગાડી નહીં શકે. હવે રૂપિયાની ઉઘરાણી કરવા ઘરે આવતો નહીં, નહીંતર ખોટા પોલીસ કેસમાં ફિટ કરી દઈશ તેમ કહી ગાળો ભાંડવા લાગ્યો હતો.
શહેરની ભાગોળે આજી ડેમ વિસ્તારમાં રહેતી ચાર સંતાનની માતા સાથે બળજબરીથી મિત્રતા કેળવી તેના વાળ ખેંચી ચુંબન કરી તેનો વીડિયો ઉતારી લીધો હતો અને તે વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી એક વર્ષ સુધી આવું કૃત્ય કરી પરિણીતા પાસેથી આરોપીએ મોબાઇલ પણ ખરીદ કરાવ્યો હતો. આ કૃત્યમાં આરોપીની બહેન અને તેના એક મિત્રએ પણ મદદગારી કરી હતી. આજી ડેમ વિસ્તારમાં રહેતી ચાર સંતાનની માતા 42 વર્ષની પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની પાડોશમાં સંજના મનોજ ગોહેલ રહે છે અને આ સંજનાની ઘરે તેનો ભાઇ દીપક ઉર્ફે દીપુ ડોન શાંતિલાલ ઓળવિયા આવતો હતો. દીપક આવે ત્યારે સંજના આ પરિણીતાને બેસવા બોલાવતી હતી. ગત તા.14 જાન્યુઆરી 2023ને મકરસંક્રાંતિના દિવસે પરિણીતાના બાળકો અગાશી પર પતંગ ચગાવતા હતા ત્યારે દીપુ તેના બહેનના ઘરે આવ્યો હતો અને સંજનાએ બોલાવતાં પરિણીતા તેના ઘરે ગઇ હતી ત્યારે સંજનાએ કહ્યું હતું કે, મારો ભાઇ દીપુ ડોન છે તેની સાથે મિત્રતા નહીં રાખે તો તે તારા પરિવારના લોકોને મારી નાખશે, દીપકે તે દિવસે પરિણીતાના વાળ ખેંચી તેને પછાડી દઇ ચુંબન કરી લીધા હતા અને તેનો વીડિયો ઉતારી લીધો હતો. દીપુ જ્યારે આવતો ત્યારે સંજના પરિણીતાને બોલાવતી હતી અને પરિણીતા જવાની ના કહેતો દીપક કહેતો તારા પતિના પગ ભાંગી નાખીશ અને સંજના ઢીકાપાટુનો માર મારતી હતી. દીપક શારીરિક અત્યાચાર ગુજારતો હતો અને આવું એક વર્ષ સુધી ચાલ્યું હતું. પરિણીતાએ એક વખત ઘરે જવાની ના કહી તો દીપુના મિત્ર સંદીપે ગાળો ભાંડી હતી અને દીપુએ કહ્યું હતું કે, આપણા બંને વચ્ચેના પ્રેમસંબંધની કોઇને વાત કરીશ તો આપણા બંને વચ્ચેના વીડિયો ફરતા કરી નાખીશ તેમજ દીપુએ મોબાઇલ ખરીદી આપવાનું કહેતા ડરી ગયેલી પરિણીતાએ મોબાઇલ પણ દીપકના નામે ખરીદી તેને આપ્યો હતો. આટલી હરકતો બાદ પણ ત્રણેયનો ત્રાસ ચાલુ રહેતા એક વખત પરિણીતાએ પોલીસમાં અરજી કરી હતી ત્યારે હવે હેરાન નહીં કરે અને ફોટા ડિલીટ કરી નાખશે તેવી વાત કરતાં અરજી પાછી ખેંચી લીધી હતી. જોકે ત્યારબાદ પણ ત્રાસ ચાલુ રહેતા અંતે પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
શહેરના નાનામવા મેઇન રોડ અંબિકા ટાઉનશિપ શાંતિવન બિલ્ડિંગના ત્રીજા માળે ફ્લેટમાં રહેતા પ્રવિણાબેન જીવનભાઈ કાથરોટિયા(ઉં.વ.61) નામના વૃદ્ધાએ એ જ બિલ્ડિંગના પાંચમા માળેથી ઝંપલાવી આપઘાત કરી લેતા લોકોનું ટોળેટોળું ઊમટી પડ્યું હતું. બનાવની 108ને જાણ કરતાં વૃદ્ધાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ અહીં ખૂબ જ ટૂંકી સારવાર દરમિયાન તબીબે મૃત જાહેર કરતા મૃતકના પરિવારમાં ઘેરો શોક છવાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં રાજકોટ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ બી.વી. સરવૈયા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં, આપઘાત કરનાર પ્રવિણાબેન અગાઉ માણાવદરમાં શિક્ષિકા તરીકે નોકરી કરી ચૂક્યા છે. હાલમાં પ્રવિણાબેન અને તેમના પતિ જીવનભાઈ કાથરોટિયા બંને નિવૃત જીવન જીવી રહ્યા હતા. પતિ-પત્ની બંને નિવૃત્ત શિક્ષક-શિક્ષિકા હોય અને સંતાનો પણ નોકરી-વ્યાપારના વ્યવસાય સાથે જોડાયેલા હોય જેમાંનો એક પુત્ર ઇમિટેશનનું કારખાનું ધરાવે છે અને અન્ય પ્રાઇવેટ નોકરી કરે છે. નિવૃત્તિ બાદ દંપતી નાના દીકરા સાથે રહી સુખી સંપન્ન જીવન વ્યતિત કરતા હતા. રવિવારે સવારે નવેક વાગ્યે બિલ્ડિંગના પાંચમા માળે અગાશી પર કપડાં સૂકવવા ગયા બાદ તેણીએ આ પગલું ભરી લીધું હતું. નિવૃત્ત શિક્ષિકાએ ક્યા કારણસર આ પગલું ભરી લીધું તે અંગે કારણ જાણવા પોલીસે તપાસ યથાવત્ રાખી છે.
વેપારીએ કર્યો આપઘાત:ઈમિટેશનના વેપારીનો પોતાની વાડીએ ગળાફાંસો ખાઈ આપઘાત
સંત કબીર રોડ ખાતે ઈમિટેશનની દુકાન ધરાવતા વૃદ્ધ વેપારીએ અમદાવાદ પરિચિતની ખબર અંતર પૂછવા ગયા બાદ રાજકોટ પરત આવી સાયપર ગામે આવેલી પોતાની વાડીએ જઈ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. કુવાડવા પાસે સાયપર ગામે પોતાની વાડીમાં દેવરાજભાઈ ખોડાભાઈ ગઢિયાએ પોતાની વાડીની ઓરડીમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા 108ને જાણ કરતા 108ની ટીમે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. દેવરાજભાઈ સંત કબીર રોડ પર ઇમિટેશનની દુકાન ધરાવે છે. ગત તા.12ના તેઓ અમદાવાદ પરિચિતની ખબર અંતર પૂછવા ગયા હતા. અમદાવાદથી રાજકોટ પરત આવ્યા બાદ ઘરે જવાને બદલે વાડીએ જવાનું શા માટે પસંદ કર્યું? તે જાણવા કુવાડવા રોડ પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
સફલા એકાદશી:એકાદશીના અધિષ્ઠાતા દેવ શ્રીનારાયણ, દીપદાનનું વિશેષ મહત્ત્વ
પંચાંગ પ્રમાણે માગશર વદ અગિયારસને સોમવાર તા.15 ડિસેમ્બરના દિવસે સફલા એકાદશી છે. સફલા એકાદશીના અધિષ્ઠાતા દેવ શ્રીનારાયણ છે. આ એકાદશી પણ ઉત્તમ એકાદશીઓમાં એક છે. આ દિવસ અંગે શાસ્ત્રી રાજદીપ ભાઈ જોષીએ જણાવ્યું હતું કે, આજે વિષ્ણુ ભગવાનનું પૂજન અર્ચન કરવાનું વિશેષ મહત્ત્વ છે. સવારના વહેલા ઊઠી સ્નાન કરવાના જળમાં ગંગાજળ નાખી સ્નાન કરવાથી આ વ્રત શ્રેષ્ઠ ગણાય છે. ત્યારબાદ વિષ્ણુ ભગવાનનું અથવા શ્રીકૃષ્ણ ભગવાનનું વિધિવત પૂજન કરવું, પૂજનમાં પંચામૃતથી સ્નાન કરાવવું, ચંદનના ચાંદલા ચોખા કરી વસ્ત્ર, જનોઈ, ફૂલ, અબીલ, ગુલાલ, કંકુ, અર્પણ કરવા, ધૂપ-દીપ અર્પણ કરવા, નૈવેદ્યમાં, સોપારી અને ખાસ કરીને સાથે તલની બનાવેલ વસ્તુ ધરાવી, વિષ્ણુ સહસ્રના નામ પણ બોલી શકાય. જેમ શેષનાગ શ્રેષ્ઠ છે, સર્વ પક્ષી સમુદાયમાં ગરુડ શ્રેષ્ઠ છે, યજ્ઞોમાં અશ્વમેધ યજ્ઞનો અગ્રતાક્રમ છે, દેવોમાં વિષ્ણુ શ્રેષ્ઠ છે, મનુષ્યોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, એ પ્રકારે સર્વ વ્રતોમાં એકાદશી વ્રત શ્રેષ્ઠ વ્રત છે. આ એકાદશીના રોજ દીપદાનનો વિશેષ મહિમા છે. સફલા એકાદશીનો બોધસફલા એકાદશીનો બોધ કહે છે તમે ગમે તેટલા ગેરમાર્ગે હો પરંતુ જો તમારે સારું બનવું છે, શાસ્ત્ર પુરાણના નિયમો પાળવા છે, જીવનના નિયમો પાળવા છે તો ભગવાન તમારી સહાય કરે જ છે, તમારું જીવન બદલાઇને જ રહેશે, પરંતુ શાસ્ત્રો પુરાણોના નિયમો પાળવા જરૂરી છે.
બજારમાં મળતી કેમિકલયુક્ત શાકભાજીથી સ્વાસ્થ્યને થતી અસરોને ધ્યાનમાં લઈ હવે શહેરના લોકો સ્વસ્થ વિકલ્પ તરફ આગળ વધી રહ્યા છે. દૈનિક જીવનમાં વધતા રોગો, ખોરાકમાં ઝેરી દવાઓ અને ભેળસેળ સામે જાગૃતિ આવે તે માટે શહેરના સોરઠિયાવાડી સર્કલ પાસે રહેતા દીપ્તિબેન મોલિયાએ ઘરની ટેરેસને જ ઓર્ગેનિક ખેતીનું કેન્દ્ર બનાવ્યું છે. ટમેટાં, ભીંડો, રીંગણ, મરચાં સહિતના શાકભાજી માત્ર ખર્ચ ઘટાડે છે એટલું જ નહીં, પરંતુ પરિવારને તાજું, પોષણયુક્ત આહાર પૂરો પાડે છે. ઘરની 100 વારની જગ્યામાં ત્રીજા માળ પર આવેલી અગાશી પર 300થી વધુ પ્લાન્ટ ઉગાડેલા છે. ચાર વર્ષ પહેલાં કરેલી શરૂઆતમાં એક વર્ષ સફળતા ન મળી, પરંતુ અત્યારે 70% જરૂરિયાત પૂરી થઈ જાય છે. આ પરથી તેઓએ જાતે પકાવો જાતે ખાવાનું સૂત્ર સાર્થક કર્યું. ઓર્ગેનિક રીતે શાકભાજી ઉગાડવા માટે માટીમાં અલગ અલગ વસ્તુ મિક્સ કરવી પડે અલગ અલગ માત્રાનો ઉપયોગ થાય, પરંતુ ઘરમાંથી જ વધતી ચાની ભૂકી, શાકભાજીના લીલી તથા સૂકી છાલ તથા ગાર્ડનમાંથી સુકા પાંદડાં એકઠા કરી તેનું જ કુદરતી ખાતર બનાવી ઘરનો કચરો ઘરમાં જ રાખો સૂત્ર અપનાવ્યું. જેમાં મોટાભાગે કડવા લીમડાના પાનનો ઉપયોગ કરવાથી માટીમાં પણ જીવાત આવતી નથી. દીપ્તિબેન નવરંગ નેચર ક્લબની સંસ્થા સાથે તો એક વર્ષથી જોડાયેલા છે, પરંતુ તેઓ આ કાર્ય સોશિયલ મીડિયામાં ઇન્ટરવ્યૂ ઓર્ગેનિક ખેતીના વીડિયો જોઈને જાતે આ કાર્ય શીખ્યા છે. અને હાલ તેઓ ફોન ઉપર તથા મુલાકાતીઓને નિ:શુલ્ક જ્ઞાન પણ આપે છે. હવે કોઈને આ કાર્ય સહેલાઈથી શીખવું હોય તેની માટે રાજકોટ ઓર્ગેનિક ગાર્ડન નામની ગુજરાતી ચેનલ પણ શરૂ કરી છે. આ ઉપરાંત તેઓ પ્લાન્ટમાંથી જ વિવિધ દવાઓ પણ બનાવે છે જેમાં તીખી મરચી, લસણ, આદુને ક્રશ કરી તેના પાણીમાં થોડું માઈલ્ડ શેમ્પૂ ઉમેરી છાંટે છે જેથી જીવાત આવતી નથી. વિવિધ રંગ તથા કલરના શાકભાજી,ફળોશાકભાજી : ગાર્ડનિંગમાં બારેમાસ ગુવાર, ભીંડો, મરચાં સહિતના શાકભાજી ઊગે છે. અત્યારે ત્રણ પ્રકારના લીંબુ જેમાં વેરિગેટેડ લેમન પ્લાન્ટમાં અંદરથી ગુલાબી અને બહારથી કેસરી રંગના લીંબુ ઉગાડ્યા છે, દેશી તથા ચેરી એમ બે પ્રકારના ટમેટાં, ગુલાબી રીંગણી તથા ઓળાના બી વગરના એમ ત્રણ પ્રકારના રીંગણા, મરચાં તથા કેપ્સીકમ, બે પ્રકારની દૂધી, કારેલા ઉગાડ્યા છે જેમાં રીંગણાનો પ્લાન્ટ તો બે વર્ષ જૂનો છે. ફ્રૂટિંગ પ્લાન્ટસ : ફળોમાં અત્યારે ચીકુ, ચેરી, પપૈયા, ચાઈનીઝ ઓરેન્જ, ત્રણ જાતની શેતૂર, બે પ્રકારના જામફળ તથા દ્રાક્ષનો વેલો છે. હબ્સ વેરાઈટી : અત્યારે હબ્સ વેરાઈટીમાં તુલસી, બ્રાહ્મી, લેમન ટી, ખરખોડી તથા તેજાના, તમાલ પત્રનો પ્લાન્ટ છે. જેમાં બ્રાહ્મીથી આયુર્વેદિક, વાળ માટે, માનસિક રોગ તથા યાદશક્તિ માટે ફાયદાકારક છે, ખરખોડીથી હીમોગ્લોબિન અને આંખની દૃષ્ટિ વધે છે તથા છ મહિના નયણાકોઠે આ પાન ખાવાથી આંખના નંબર પણ દૂર થાય છે. આ ઉપરાંત તેજાનાના પ્લાન્ટમાં એક જ પાંદડામાં જુદા જુદા પાંચ પ્રકારના મરી મસાલાનો સ્વાદ આવે છે. ગાર્ડનિંગ કરવાથી અલગ જ દુનિયા લાગીગાર્ડનિંગ કરતા દીપ્તિબેન સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગાર્ડનિંગ કરવાથી કુદરતી શાંતિ મળે છે તથા આ કાર્ય કરવાથી માનસિક અને શારીરિક માટે ફાયદાકારક છે. ગાર્ડનિંગ કર્યા બાદ અલગ જ દુનિયા લાગે છે તથા અહીં જુદા જુદા પક્ષીઓ આવે છે જેના અવાજથી પણ મનને શાંતિ મળે છે. ગાર્ડનિંગ માટે દરરોજ બે કલાકનો સમય ફાળવવો જ પડે છે. ચાની ભૂકી, ફળ, શાકભાજીની સૂકી-લીલી છાલ, સુકા પાંદડાંનો ઉપયોગ કરી ‘ઘરનો કચરો ઘરમાં જ રાખો’ સૂત્ર અપનાવ્યું દરેક ઋતુમાં પ્લાન્ટની માવજત કઈ રીતે રાખવામાં આવે?શિયાળાની ઋતુ ચાલતી હોવાથી પ્લાન્ટને કે તેના મૂળને ઠંડી ન લાગે તે માટે માટીની ઉપર સુકાયેલા પાનનું લેયર ગોઠવી દેવાય છે. ઉનાળાની ઋતુમાં પ્લાન્ટ ઉપર સીધો તડકો ન આવે તે માટે ગ્રીન નેટ નાખવી પડે છે તથા દિવસમાં બે વખત વોટિંગ કરવું પડે છે. ચોમાસાની ઋતુમાં ખાસ ડ્રેનેજ હોલ હોય તેવા જ કુંડા રખાય છે.
મંડે પોઝિટીવ:દિવાળી બાદ વીજ વિભાગની દિવાળીરોજના 100 ઘરમાં લાગતાં સ્માર્ટમીટર
દિવાળી સમયે કામગીરી ધીમી થઈહતી હવે અંદાજે રોજ 100 નીઆસપાસ સ્માર્ટ મીટર લગાવવામાંઆવી રહ્યા હોવાનું વીજવિભાગમાંથી જણાવ્યુ છે. ભરૂચશહેરમાં જુલાઈ મહિના સુધી 17હજાર જેટલા સ્માર્ટ મીટર મૂકવામાંઆવ્યા હતા. ત્યારબાદ કેટલાકકારણોસર કામગીરી ધીમી પડીહતી. પરંતુ દિવાળી બાદ ફરી કામઝડપી બનાવવામાં આવી રહ્યું છે.જેના પરિણામે અંદાજે 130દિવસમાં 3 હજાર જેટલા સ્માર્ટમીટર મૂકી દેવામાં આવ્યા છે. હવેધીરે ધીરે લોકો જાગૃત થતાં હાલકોઈ વિવાદ વગર સ્માર્ટ મીટરમૂકવાની કામગીરી ચાલી રહી છે.સેન્ટ્રલાઇઝ કોન્ટ્રાક્ટ એજન્સીસ્માર્ટ મીટર મૂકી રહી છે.રોજસરેરાશ 400 થી 500 સ્માર્ટ મીટરમૂકવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. સ્માર્ટ મીટરને લઈને લોકોમાંગેરસમજ દૂર થાય માટે વીજવિભાગે પહેલા સરકારી કચેરી,વીજ વિભાગની કચેરી, વીજવિભાગના કર્મચારીઓ તેમજઆગેવાનો ના મીટરોને બદલીનેસ્માર્ટ મીટર કર્યા હતા. આમ ભરૂચશહેરમાં અંદાજે 185600 વીજગ્રાહકો આવેલા છે તેમાથી 20હજારથી વધુને સ્માર્ટ મીટર લાગીગયા છે. શંકા હશે તો બીજું ચેક મીટર પણ લગાડાશેવીજ ગ્રાહકોને જો મીટરઝડપથી ફરે છે જેવી શંકા હોયતો સ્માર્ટ મીટર સાથે બીજું ચેક મીટર લગાવી આપવામાં આવે છે.અને મહિને બંનેનું રીડિંગ તપાસ કરવામાં આવે. તો બંનેના સરખારીડિંગ આવશે. જેથી લોકોને સ્માર્ટ મીટર અપનાવવામાં વાંધો આવશેનહીં. સ્માર્ટ મીટર મૂક્યા બાદ બિલ પણ મહિને આવી જશે અનેપોતાના ફોનમાં વીજ વિભાગની એપ્લિકેશનથી જોઈ શકશે. દિવાળી બાદ સ્માર્ટ મીટર મૂકવાની કામગીરી વધીહાલ ભરૂચ શહેરમાં સેન્ટ્રલાઇઝ કોન્ટ્રાક્ટ એજન્સી સ્માર્ટ મીટરમૂકવાની કામગીરી અમારા વીજ વિભાગના સુપરવિઝનમાં કરવામાંઆવી રહી છે. હાલ 50 થી 100 જેટલા સ્માર્ટ મીટર રોજ મૂકવામાંઆવી રહ્યા છે. તેને વધારી ને સરેરાસ રોજ 500 શુધી લઈ જવામાંઆવશે. દિવાળી બાદ સ્માર્ટ મીટર મૂકવાની કામગીરી ઝડપી બની છે.યુ.પી.ઉદવાડીયા, ડીજીવી સીએલ ભરૂચ બિનજરૂરી વીજવપરાશ ઘટાડી શકાશેસ્માર્ટ મીટરથી ગ્રાહક સતતઅપડેટ રહે, પ્રતિદિનનો વીજવપરાશ ફોનમાં જોઈ શકાશે.બિનજરૂરી વીજ વપરાશ ઓછોકરી તમારી બચત કરી શકાશે.સ્માર્ટ મીટર મૂક્યા બાદ મહિનેબિલ આવતા ઓછું બિલસરળતાથી કરી શકાશે. જે વ્યક્તિપાસે સ્માર્ટ ફોન નહીં તો મેસેજનામાધ્યમથી પણ વીજ વપરાશજાણી શકાશે. જે લાઈનનીસમસ્યા હશે તો સ્માર્ટ મીટરનામાધ્યમથી વિભાગને જાણ થશે.
રાજકોટ શહેરનું યુવાધન નશાના ખપ્પરમાં ખૂંપી રહ્યું છે, પોલીસ કહેવા પૂરતાં દરોડા પાડીને કામગીરી કર્યાની વાહવાહી લૂંટી રહી છે, જો પોલીસ સાચા અર્થમાં દારૂ અને ડ્રગ્સના ધંધાર્થીઓ સામે કડક કાર્યવાહી કરતી હોત તો પોલીસની કામગીરીના દાવા મુજબ શહેરમાં ડ્રગ્સ કે દારૂ મળતો જ ન હોત, પરંતુ નશો કરનારને દારૂ કે ડ્રગ્સ આસાનીથી મળે છે જે સાબિત કરે છે કે પોલીસની કાર્યવાહી માત્ર દેખાવરૂપ છે. શહેરના એક જાગૃત નાગરિકે નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યું હતું કે, ગુંદાવાડી મેઇન રોડ પર પાનની એક દુકાનમાં પાનના ઓઠા હેઠળ મેફેડ્રોન ડ્રગ્સનું વેચાણ થાય છે, પડીકીમાં ડ્રગ્સ વેેચાય છે, વેચવા માટે કેટલાક શખ્સો ખાસ રાખવામાં આવ્યા છે. ઓટો રિક્ષામાં પણ ડ્રગ્સની ડિલિવરી થાય છે, આ પાનના દુકાનદારને એક કોર્પોરેટર સાથે સારો ઘરોબો હોવાથી તેની છત્રછાયાથી પોલીસ સાથે સેટિંગ કરી લે છે. આવા તો અનેક વિસ્તારો છે, ડ્રગ્સના કુખ્યાત પેડલર રમા સહિતના લોકો ડ્રગ્સ સાથે ઝડપાયા બાદ જેલમાંથી છૂટીને ફરીથી એજ ગોરખધંધા કરે છે, રાજકોટ શહેરમાં દારૂ-ડ્રગ્સની પાર્ટી હવે સામાન્ય બની રહી છે, દારૂના ટ્રક પકડી પોલીસ શહેરને નશામુક્ત કરવાની વાતો કરે છે, પરંતુ તે એક ટ્રક પાછળ અન્ય કેટલી ટ્રક શહેરમાં ઘૂસી જાય છે તેવા સવાલો લોકો ઉઠાવી રહ્યા છે. સામાન્ય શહેરીજનોને દારૂ અને ડ્રગ્સનું વેચાણ ક્યાં થાય છે તેની જાણ છે તો પોલીસને જાણ ન હોય તે શક્ય નથી, પરંતુ પોલીસની મિલીભગત અને હપ્તાખોરી નશાના કારોબાર માટે જવાબદાર છે. નશાનો વેપલો કરતાં કેટલાક શખ્સોના સામાજિક પ્રસંગોમાં પણ કેટલાક પોલીસ કર્મચારીઓની હાજરીવાળી તસવીરો અગાઉ ફરતી થઇ છે જે પોલીસ અને ગુનેગારોનો સંબંધ સ્પષ્ટ કરે છે. પોલીસ અધિકારીઓએ તેમના સ્ટાફ પાસે નશાનો કારોબાર કરનારની યાદી મેળવવાને બદલે તેની સાથે કેટલા પોલીસ કર્મચારીઓ સંડોવાયેલા છે તેની યાદી તૈયાર કરાવવાની જરૂરિયાત છે.
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી:સમરસ-આરબીએ માટે પ્રતિષ્ઠાનો જંગ ચૂંટણીમાં યુવા મતદારો બનશે નિર્ણાયક
રાજકોટ બાર એસોસિએશનની આગામી તા.19મીના રોજ ચૂંટણી યોજાનાર છે ત્યારે આ ચૂંટણી બન્ને જૂથ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન બની રહી છે. બાર એસોસિએશનની આ ચૂંટણીમાં ભાજપ પ્રેરિત સમરસ અને આરબીએ પેનલ વચ્ચે કાંટે કી ટક્કર થવાના સંકેતો મળી રહ્યા છે ત્યારે આ ચૂંટણીમાં યુવા મતદાર વકીલો નિર્ણાયક બનશે તેવા સંકેતો મળી રહ્યા છે. રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં કુલ 4300 આસપાસ મતદાર છે જેમાં 2020 બાદ ચૂંટણીમાં યુવા મતદારોનું મહત્ત્વ વધ્યું છે. છેલ્લા ત્રણેક વર્ષની ચૂંટણીના આંકડા જોઇએ તો અંદાજે 60થી 65 ટકા મતદાન થાય છે. આ ચૂંટણી બન્ને જૂથ માટે પ્રતિષ્ઠાના જંગ સમી હોય બન્ને પક્ષોએ કાર્યાલય ખોલી નાખ્યા છે. ગત તા.8મીથી બન્ને પક્ષ દ્વારા વિવિધ એસોસિએશનના મતદારોને મનાવવા અને મતો અંકે કરવા માટે નાસ્તા પાર્ટી, ભોજન સમારંભો સહિતના કાર્યક્રમોનો ધમધમાટ ચાલી રહ્યો છે. યુવા મતદારો કોની સાથે રહેશે તેના પર જીતનો મદાર હોવાનું કહેવાય રહ્યું છે. 2020 બાદ 1500થી વધુ યુવા વકીલો મતદાર તરીકે બારમાં જોડાયા છે. ચૂંટણી પૂર્વે સેક્રેટરીએ રાજીનામું આપ્યાની અને ત્યારબાદ તેમને ચૂંટણી લડવા દેવા અને ન લડવા દેવા બે જૂથ વચ્ચે બીસીજી, બીસીઆઇ અને હાઇકોર્ટમાં ચાર કાનૂની જંગ ખેલાયા છે. મનપાની ચૂંટણીમાં એક વોર્ડમાં થાય તેટલો ખર્ચ થવાનો અંદાજરાજકોટ બારની ચૂંટણી છેલ્લા ત્રણેક વર્ષથી હાઇપ્રોફાઇલ બની રહી છે, અગાઉ આ ચૂંટણીમાં ઉમેદવારની ઇમેજના આધારે મતદાન થતું હતું જ્યારે હવે આ ચૂંટણીમાં પણ મનપા અને વિધાનસભાની જેમ મતદારોને આકર્ષવા વાતાવરણ ઊભું કરવાની સિસ્ટમ અમલી બની છે. મહાનગરપાલિકાની એક વોર્ડની ચૂંટણીમાં ઉમેદવારોને અંદાજે રૂ.30થી 50 લાખનો ખર્ચ થતો હોય છે તેમ આ ચૂંટણીમાં પણ બન્ને પક્ષોને તેટલો જ ખર્ચ થતો હોવાની ચર્ચા થઇ રહી છે. જોકે આ ખર્ચ અલગ-અલગ ગ્રૂપો ઉપાડી લેતા હોવાથી ચોક્કસ અંદાજ આવતો હોતો નથી.
અગાઉ રાજકોટ સહિત રાજ્યભરમાં લગ્નની નોંધણી સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં થતી હતી જેમાં 2008થી રાજ્ય સરકારે ફેરફાર કરી લગ્નની નોંધણી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં ફરજિયાત કરી દીધી છે. રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા 17 વર્ષમાં મેરેજ સર્ટિફિકેટ નોંધણીની સંખ્યામાં બમણો વધારો નોંધાયો છે. વર્ષ 2008માં જ્યાં 3,604 લગ્ન નોંધાયા હતા, ત્યાં 2025નું ડિસેમ્બર પૂરું થવામાં હજુ સમય બાકી હોવા છતાં અત્યાર સુધીમાં 7,300થી વધુ દંપતીના લગ્ન નોંધણી થઈ ચૂકી છે. આ આંકડા શહેરમાં વધતી કાનૂની જાગૃતિ અને દસ્તાવેજી પ્રક્રિયાઓ પ્રત્યે લોકોના વિશ્વાસને સ્પષ્ટ કરે છે. આજના સમયમાં લગ્ન માત્ર સામાજિક વિધિ નહીં, પરંતુ અનેક કાનૂની અને પ્રશાસનિક કામો માટે આધારભૂત દસ્તાવેજ બની ગયા છે. આઈ-કાર્ડમાં નામ બદલાવું, ચૂંટણી કાર્ડમાં સુધારો, પાસપોર્ટમાં ફેરફાર, ડ્રાઇવિંગ લાઇસન્સમાં નામ ફેરફાર, બેન્ક અને અન્ય સરકારી પ્રમાણપત્રોમાં નામ નોંધાવવું, વિદેશ પ્રવાસ માટેની પ્રક્રિયા, વિઝા, વારસાઈ નોંધ તેમજ ‘આંબો’ બનાવવાની કાર્યવાહી જેવા અનેક કારણોસર લોકો લગ્ન નોંધણી કરાવે છે. મેરેજ સર્ટિફિકેટ વગર આ પ્રક્રિયાઓ અઘરી બનતી હોવાથી લોકો સમયસર નોંધણી તરફ વળ્યા છે. મહાનગરપાલિકાની ડિજિટલ સુવિધાઓ અને સરળ પ્રક્રિયાઓએ પણ આ વધારામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ઓનલાઈન એપ્લિકેશન, સ્પષ્ટ માર્ગદર્શિકા અને સમયબદ્ધ સેવાઓના કારણે લોકોમાં વિશ્વાસ વધ્યો છે અને નોંધણી પ્રક્રિયા સરળ બની છે. ખાસ કરીને યુવા પેઢી કાનૂની સુરક્ષા અને ભવિષ્યની સુવિધાઓને ધ્યાનમાં રાખીને લગ્ન નોંધણીને જરૂરી ગણે છે. આ વૃદ્ધિ સમાજમાં કાનૂની સચેતનતા, દસ્તાવેજી શિસ્ત અને જવાબદારીના ભાવને દર્શાવે છે. મેરેજ સર્ટિફિકેટ માત્ર કાગળનો દસ્તાવેજ નહીં, પરંતુ દંપતીના હક્કો, સુરક્ષા અને ભવિષ્યની વ્યવસ્થાઓ માટે મહત્ત્વપૂર્ણ આધાર બની રહ્યો છે.
પ્લોટ ફાળવણી વિવાદ:એસઓયુના ટાઉન પ્લાનરનો ખુલાસો મારી પાસે નકશા મંજૂર કરાવાયાં જ નથી
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વરમાં સરકારી જગ્યામાં 13 અધિકારીઓને ફાળવવામાં આવેલાં પ્લોટનો વિવાદ વકરી રહયો છે. 2019માં બે વર્ષમાં બાંધકામ પૂર્ણ કરવાની શરતે 13 અધિકારીઓને સરકાર તરફથી પ્લોટની ફાળવણી કરાઇ હતી. ચાર અધિકારીઓએ શરત ભંગ કર્યો હોવાનું કારણ આગળ ધરી નર્મદા કલેકટરે આ ચાર પ્લોટ શ્રીસરકાર કરવા માટે આદેશ કર્યો છે. કલેકટરના આદેશ બાદ અધિકારીઓને ફાળવણી કરવામાં આવતાં પ્લોટનો વિવાદ વકરી રહયો છે. એસઓયુ ખાતે ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતાં મનન શાહનો સંપર્ક કરવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, જે જગ્યા પર અધિકારીઓએ બાંધકામ કર્યું છે અને તેમણે ટાઉન પ્લાનિંગમાં પોતાના મકાનનો નકશો મંજૂર કરાવ્યો હોય કે આવી કોઈ મંજૂરી આપી હોય એવી તેમના ધ્યાનમાં નથી. જો ટાઉન પ્લાનરની વાત સાચી માનવામાં આવે તો 9 અધિકારીઓએ સરકારની મંજૂરી વિના જ પ્લોટ પર બાંધકામ કરી દીધાં છે. કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ 2019ની સાલમાં નર્મદા જિલ્લામાં વિવિધ સ્થળોએ ફરજ બજાવતાં ઉચ્ચ અધિકારીઓએ ગરૂડેશ્વરમાં સરકારી યોજના હેઠળ 135 ચોરસ મીટરના પ્લોટ લઇ લીધાં હતાં. આ પ્લોટ પર બે વર્ષમાં બાંધકામ કરી દેવાના હતાં પણ ચાર અધિકારીઓએ બાંધકામ નહિ કરતાં આ પ્લોટ પરત લેવા માટે કલેકટરે આદેશ કર્યો છે. બીજી તરફ જે અધિકારીઓએ સરકારી પ્લોટ પર બંગલા બનાવ્યાં છે તેનો ઉપયોગ હાલ સ્ટે હોમ તરીકે કરવામાં આવી રહયો છે.
રિધ્ધી પંચાલ દેશભરમાં હાલ સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણી કરી રહી છે અને તેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે. ભરૂચમાં સરદાર વલ્લભભાઇ પટેલના નામથી પાલિકાએ બનાવેલાં સરકારી શોપિંગ સેન્ટરની દુર્દશા જોવા મળી રહી છે. 35 વર્ષ પહેલાં બનાવવામાં આવેલાં સરદાર શોપિંગમાં રોજના 150 દુકાનો આવેલી છે. આ દુકાનોમાં રોજના 1,000થી વધારે ગ્રાહકો તથા ટયુશન કલાસીસમાં 1,500થી વધારે છાત્રોની અવરજવર રહેતી હોય છે પણ શોપિંગની મરામત કરાવવામાં આવતી નહિ હોવાથી મોટી હોનારતનો ભય રહેલો છે. શક્તિનાથ વિસ્તારમાં આવેલા નગરપાલિકાની માલિકીના 35 વર્ષ જુના સરદાર શોપિંગ સેન્ટરની હાલત અત્યંત ખરાબ છે.35 વર્ષ જુના આ કોમ્પ્લેક્સમાં નથી તો કોઈ પણ પ્રકારની સુવિધાઓ નથી. પાલિકા હસ્તક હોવા છતાં શૌચાલયની દુર્દશા જોવા મળી રહી છે. શૌચાલયમાં પ્રવેશ પણ કરી ન શકાય તેટલી દુર્ગંધ આવી રહી છે. 35 વર્ષ જૂની ઇમારત હોવાથી છાશવારે તેના પોપડા ખડી રહયાં છે. વેપારીઓએ અનેક વખત નગરપાલિકા તથા કલેકટર કચેરીમાં રજૂઆત કરી છે. 2017માં 1.25 કરોડની ગ્રાન્ટફાળવાય, કામ નથી થયુંછેલ્લા 25 વર્ષથી આ શોપિંગમાં મારી દુકા આવેલી છે. અમે 2014થી સીઓ તેમજ પ્રમુખને સુવિધાઓને લઈને રજૂઆતો કરી છે. અહીંયા એટલી ગંદકી છે અને એટલું જર્જરિત છેદાદર બનાવાયા નથી 2017-18માં 1.25 કરોડની ગ્રાન્ટ ફાળવાય સર્વે પણ થયો કામ નથી થયું. > સુરેશ વસાવા,માજી પ્રમુખ,સરદાર શોપિંગ,ભરૂચ છતના સળિયા પણ દેખાવાલાગતા અકસ્માતનો ભયઆટલા વર્ષોમાં એવી હાલત જર્જરિત થઇ ગઈ છે.સૌથી વધારે બીજા માળના સમારકામની જરૂર છે.ચાલવાનની લોબી આખી બેસી ગઈ છે. પોપડા પડીને સળિયા દેખાતા થઇ ગયા છે.આ તાત્કાલિક ધોરણે કામ થવું જોઈએ. > પ્રદીપસિંહ રાજ, ઉપ્રમુખ, સરદાર શોપિંગ શોપિંગનું રેટ્રોફીટીંગપધ્ધતિથી રિપેરિંગ શક્યભરૂચના શકિતનાથ વિસ્તારમાં આવેલાં સરદાર શોપિંગ સેન્ટરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. વર્ષોથી મરામતના અભાવે માળખાને વ્યાપક નુકસાન થયેલું જોવા મળી રહયું છે.નગરપાલિકાનો એ રીતનો અભિપ્રાય છે કે ત્રીજો માળ ઉતારી દઈએ અને બાજુના પહેલો અને ગ્રાઉન્ડ ફ્લોર રહેવા દઈએ.ગ્રાઉન્ડ ફલોર અને ફર્સ્ટ ફલોરને રહેવા દઇ અન્ય ફલોર ઉતારી લેવામાં આવે. પરંતુ આ રીતે રીપેરિંગ શકય જ નથી. આ રીતે કામગીરી કરવામાં આવે તો નીચેના કોલમથી લઈને બીમમાં દરેકમાં તિરાડો પડી શકે છે.અત્યારે ઘણી બધી ટેકનોલોજી છે.એમાં રેટ્રોફીટીંગની પણ નવી પદ્ધતિ આવી છે.આ પદ્ધતિથી બિલ્ડીંગનું રીપેરીંગ કરવું હિતાવહ છે. > અક્ષય શાહ આર્કીટેક,સરદાર શોપિંગ,ભરૂચ
શહેરના હાર્દસમા વિસ્તાર જ્યુબિલી બાગમાં આવેલા અરવિંદભાઇ મણિયાર કોમ્યુનિટી હોલ આશરે દોઢ વર્ષ જેટલો સમય બંધ રહ્યા બાદ તેના રિનોવેશનનું કામ પૂર્ણ થઇ જતા હવે જાન્યુઆરીમાં ફરીથી સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે લોકાર્પણ કરવામાં આવનાર છે. મહાનગરપાલિકા દ્વારા અરવિંદભાઇ મણિયાર કોમ્યુનિટી હોલનું સંચાલન ખાનગી પાર્ટીને સોંપવા વિચારણા હાથ ધરવામાં આવી છે અને બીજીબાજુ અત્યાર સુધી તેનું ભાડું પ્રતિ દિવસ રૂ.2500 હતું જેમાં 140 ટકાનો વધારો કરી રૂ.6000 કરવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ એસ્ટેટ શાખાએ દરખાસ્ત કરી છે. જ્યુબિલી બાગમાં આવેલો અરવિંદભાઇ મણિયાર કોમ્યુનિટી હોલ કે જે પહેલાં કોનટ હોલ તરીકે ઓળખાતો હતો જે જર્જરિત થઇ જતા મહાનગરપાલિકાએ હોલને બંધ કરી રિનોવેશનની કામગીરી હાથ ધરી હતી અને તેને અંદાજે રૂ.1 કરોડથી વધુના ખર્ચે અત્યાધુનિક બનાવ્યો છે. જેમાં અરવિંદભાઇ મણિયાર હોલને સેન્ટ્રલી એ.સી. બનાવવા ઉપરાંત તેમાં જે 603 સાદી ખુરશીઓ હતી તે બદલીને 519 પુશબેક ખુરશીઓ મૂકવામાં આવી છે. જ્યારે સાઇડની દીવાલોમાં એકોસ્ટિક પેનલિંગનું કામ કરવામાં આવ્યું છે. આ કારણે બહારનું ધ્વનિ પ્રદૂષણ હોલમાં આવશે નહી અને હોલમાં કાર્યક્રમો દરમિયાન થનાર અવાજ બહાર જશે નહીં. મેઇન સ્ટેજમાં નવું વૂડન ફ્લોરિંગ કરાયું છે. તેમજ હોલમાં જૂનો અને સાદો પડદો હતો તે દૂર કરીને તેના સ્થાને મિકેનિકલ ઓપરેટેડ પડદો મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત જનરેટરની સાથોસાથ અદ્યતન લાઇટિંગ સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. તેમજ ગ્રીનરૂમ અને ટોઇલેટનું પણ રિનોવેશન કરાયું છે. હોલમાં પ્રવેશતા પહેલાં રજવાડી ગેટની એન્ટ્રી પણ ધ્યાનાકર્ષક બનાવાઇ છે. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ અરવિંદભાઇ મણિયાર કોમ્યુનિટી હોલનું અગાઉ શિફ્ટ દીઠ રૂ.2500 ભાડું હતું. હવે આ હોલમાં મહાપાલિકાના અન્ય ઓડિટોરિયમ જેવી સુવિધા ઉપલબ્ધ થતા તેનું ભાડું રૂ.2500થી વધારીને રૂ.6000 કરવા આગામી સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત કરાશે. આ હોલનું સંચાલન સંભાળનાર એજન્સીને મનપા મેન્ટેનન્સ ગ્રાન્ટ આપશે તેમ જાણવા મળે છે. સંતોષ પાર્કના હોલના ભાડા નક્કી કરવા સ્ટેન્ડિંગમાં દરખાસ્તવિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલના રિનોવેશનની કામગીરી પણ મહાનગરપાલિકા દ્વારા પૂર્ણ કરી લેવામાં આવી છે અને તેના ભાડાદર નક્કી કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત કરાશે. તેમજ રૈયા રોડ પર સંતોષ પાર્કમાં નવા બનેલા કોમ્યુનિટી હોલના બે યુનિટના લોકાર્પણ પણ જાન્યુઆરીમાં કરાશે અને તેના ભાડાદર નક્કી કરવા આગામી સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત કરાશે.
ગુનાનો ભેદ ઉકેલ્યો:લીલેસરા વિસ્તારમાંથી પોલીસે ચોરીના 5.82 લાખ સાથે 1ને ઝડપ્યો
ગોધરાના વેજલપુર રોડ, ચીખોદ્રા ખાતે આવેલા પ્લાસ્ટિક ભંગારના ગોડાઉનની ઓફિસમાં ટેબલના ડ્રોઅરમાંથી ભંગારના લે-વેચના રોકડા રૂા.5.82 લાખની ચોરી થઈ છે. ચોરી કરનાર ઇસમ કાળી કલરની થેલીમાં રૂપિયા લઈ ગોધરા જીઈબી પાસેથી મેઘવાળવાસ તરફ જઈ રહ્યો છે. બાતમીથી ગોધરા જીઈબીથી મેઘવાળવાસ તરફ જતા રસ્તા ઉપર ખાનગી વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબના શખ્સને પકડી તેની અંગઝડતી તપાસ કરતા તેની પાસેથી ચોરીના રોકડા રૂપિયા મળી આવ્યા હતા. અંગઝડતી દરમિયાન રૂા.5.82 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલ આરોપીની ઓળખ મુનવ્વર ઉર્ફે મુના અબ્દુલસતાર ભોલ તરીકે કરી છે. પકડાયેલ મુનવ્વરની પુછપરછ દરમ્યાન તેણે કબૂલાત કરી કે, 8 ડિસેમ્બરે રાત્રિના ઉમરભાઈની ઓફિસમાં ટેબલના ડ્રોઅરમાં સફેદ કવરો તથા છુટ્ટી નોટોના બંડલ રાખતા જોઈ લીધા હતા. ઓફિસમાંથી બધા ઘરે ગયા બાદ તેણે રાત્રિના 9 વાગ્યે ટેબલનું ડ્રોઅર હાથથી ખેંચતાં અંદરનું તાળું તૂટી જતા તેમાં રહેલા રોકડા રૂપિયા ચોરી લીધા હતા. આ કબૂલાત તથા તપાસના આધારે ગોધરા શહેર બી ડિવિઝનના ઘરફોડ ચોરીના અગાઉના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
ભાસ્કર એક્સપોઝ:અનુભવ હોય કે ન હોય પ્રોફેસરો હવેપીએચડીની ગાઈડશીપ કરી શકશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચ.ડી ગાઈડશિપને લઈને ફરી એક વખત વિવાદ વકર્યો છે. થોડા સમય પહેલા યુજીસી રેગ્યુલેશનને આગળ ધરીને 200થી વધુ યુ.જી. ટીચરની પીએચ.ડી. ગાઇડશિપ ફ્રીઝ કરી દેનાર વાઇસ ચાન્સેલરે શૈક્ષિક સંઘની રજૂઆત બાદ યૂ-ટર્ન લીધો છે અને કેમ્પસ પર ફરજ બજાવતા અધ્યાપકોને વગર અનુભવે પીએચ.ડી. ગાઇડશિપ આપવાનો અને કોલેજોમાં ભણાવતા અધ્યાપકોને પી.જી. અનુભવના સર્ટિફિકેટના આધારે પીએચ.ડી.ગાઇડશિપ આપવાનો નિર્ણય અમલી કરી દેતા શિક્ષણ જગતમાં હોબાળો મચી ગયો છે. યુજીસીના રેગ્યુલેશન, યુનિવર્સિટી ઓર્ડિનન્સ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના ઠરાવ વચ્ચે હવે વાઇસ ચાન્સેલરના નિર્ણયોએ જ સવાલો ઊભા કરી દીધા છે. શૈક્ષણિક જગતમાં ચર્ચા છે કે શું હવે બોર્ડ ઓફ મેનેજમેન્ટનો નિર્ણય માત્ર કાગળ પરનો ઔપચારિક ઠરાવ બની ગયો છે? યુજીસી રેગ્યુલેશન 2009 દરમિયાન યુનિવર્સિટીઓને પોતાની રીતે નિયમ નક્કી કરવાની છૂટ હતી. આ આધારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સિન્ડિકેટમાં પીએચ.ડી ઓર્ડિનન્સ ઘડી કાઢ્યો હતો. તેમાં સ્પષ્ટ જોગવાઈ હતી કે પીજીમાં ચાર વર્ષનો અનુભવ અને પાંચ સંશોધનપત્રો ધરાવતા અધ્યાપકોને અથવા યુજીમાં આઠ વર્ષનો અનુભવ અને પાંચ સંશોધનપત્રો ધરાવતા અધ્યાપકોને જ ગાઈડશિપ અપાશે. ત્યારબાદ યુજીસી રેગ્યુલેશન 2016માં સુધારો કરીને માત્ર ત્રણ સંશોધનપત્રો ધરાવતા અધ્યાપકોને ગાઈડશિપ આપવા જોગવાઈ કરી, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પોતાનો જુનો નિયમ યથાવત્ રાખ્યો. 2022ના યુજીસી રેગ્યુલેશનમાં પણ 2016નો નિયમ જળવાયો અને તેમાં કોમન સ્ટેચ્યુટ એક્ટ જોડાયો, જેમાં પીજીમાં વાસ્તવિક શિક્ષણ અનુભવને મહત્ત્વ આપવામાં આવ્યું હતું. આ નિયમના આધારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 200થી વધુ યુજી અધ્યાપકોની ગાઈડશિપ માન્યતા ફ્રીઝ કરી હતી. પરિણામે આ મુદ્દે વ્યાપક રજૂઆતો કરવામાં આવી અને તા.28-3-2025ના રોજ મળેલી બોર્ડ ઓફ મેનેજમેન્ટની આઠમી સભામાં વાઇસ ચાન્સેલરની ઉપસ્થિતિમાં નિર્ણય લેવાયો કે ત્રણ વર્ષનો પીજી અનુભવ ધરાવતા કોલેજ અધ્યાપકોને ગાઈડશિપ આપવી તેમજ યુનિવર્સિટી શિક્ષકોને 3 વર્ષના શૈક્ષણિક અનુભવ બાદ ગાઈડશિપ મંજૂર કરવી. આ નિર્ણય વચ્ચે પીએચ.ડી એડમિશન 2024-25ના પ્રથમ રાઉન્ડમાં માત્ર 110 સીટો જાહેર કરવામાં આવી. આ દરમિયાન એક શૈક્ષણિક સંઘે બોર્ડ ઓફ મેનેજમેન્ટના નિર્ણયને પડકારતા રજૂઆત કરી કે અનુભવની કોઈ જરૂર નથી અને સીધી ગાઈડશિપ આપવી જોઈએ. વધુમાં, અધ્યાપકોના વોટ્સએપ ગ્રૂપમાં તાત્કાલિક પેપર સબમિટ કરવા મેસેજ પણ ફરતા થયા હતા. આ તમામ વચ્ચે આશ્ચર્યજનક રીતે વાઇસ ચાન્સેલરે બોર્ડ ઓફ મેનેજમેન્ટના ઠરાવથી ઉપરવટ જઈને છ જેટલા અધ્યાપકોને ગાઈડશિપની મંજૂરી આપી દીધી છે અને તેને વહીવટી મંજૂરી જ બાકી છે. કુલપતિના નિર્ણય સામે ઉઠતા સવાલો 01. બોર્ડ ઓફ મેનેજમેન્ટનો ઠરાવ અમલમાં કેમ નથી? 02. વાઇસ ચાન્સેલર પોતે જ લીધેલા નિર્ણયથી કેમ હટ્યા? 03. ખાનગી કોલેજના પીજી સર્ટિફિકેટ કેટલા વિશ્વસનીય? 04. શું ગાઈડશિપ માટે હવે અનુભવનું કોઈ મૂલ્ય નથી? યુનિ.નું સંચાલન કોના હાથમાં: વીસીના કે શૈક્ષિક સંઘના?કુલપતિના આ નિર્ણય બાદ યુનિવર્સિટીમાં અનેક સવાલો ઉઠ્યા છે. “જો બોર્ડ ઓફ મેનેજમેન્ટના નિર્ણયોને જ વાઇસ ચાન્સેલર બદલી શકે, તો યુનિવર્સિટીનું શાસન તંત્ર કોના આધાર પર ચાલે છે?” યુનિવર્સિટીનું સંચાલન કોના હાથમાં છે ?કુલપતિના કે પછી શૈક્ષિક સંઘના? ખાનગી કોલેજોએ અધ્યાપકોને અનુભવના સર્ટિે.ની કરી લહાણીસૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યુજીના અધ્યાપકો પીજીમાં ભણાવતા હોવાનું સર્ટિફિકેટ લાવે તો પીએચડી ગાઇડશિપ આપવાનો નવો નિર્ણય કરાતા પીજી અભ્યાસક્રમ ચલાવતી ખાનગી કોલેજો તરફ અધ્યાપકોએ દોટ મૂકી છે. જેના પરિણામે આ ખાનગી અને મુક્ત કોલેજોના પીજી અનુભવના સર્ટિફિકેટ પણ સવાલોના ઘેરામાં છે. એક મુક્ત કોલેજમાં માત્ર પાંચ પીજી વિદ્યાર્થીઓ હોવા છતાં ત્યાંથી 40-40 અધ્યાપકોને પીજી અનુભવના સર્ટિફિકેટ અપાયા હોવાની ચર્ચાએ પ્રક્રિયાની વિશ્વસનીયતા પર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે.
ભાસ્કર ઈનસાઈડ:પંચમહાલ જિલ્લાના 5 તાલુકામાંથી ગેરકાયદે ખનીજ ભરેલી 7 ટ્રક ઝડપાઇ
પંચમહાલ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે પાંચ તાલુકાઓમાં દરોડા પાડી ગેરકાયદે રેતી ભરેલી સાત ટ્રકો ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં કુલ રૂા.2.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને દંડકીય કાર્યવાહી હાથ ધરી છે. પંચમહાલ ખાણ ખનીજ વિભાગની ટીમો જાંબુઘોડા, ઘોઘંબા, મોરવા હડફ, કાલોલ અને શહેરા તાલુકામાં ચેકિંગ પર હતી. આ દરમિયાન મળેલી બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. જાંબુઘોડા પંથક, ઘોઘંબાના ગોદલી, મોરવા હડફ, કાલોલના દેલોલ અને શહેરાના ધામણોદ ગામ ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન, રોયલ્ટી પાસ વિના અથવા નિયમોનો ભંગ કરીને ગેરકાયદે રીતે રેતીનું વહન કરતી 7 ટ્રકો ઝડપાઈ હતી. ખાણ ખનીજ વિભાગે સ્થળ પરથી આ 7 ટ્રકો સાથે ડ્રાઈવર અને ક્લીનર સહિત કુલ 12 ઈસમોની અટકાયત કરી હતી. તંત્ર દ્વારા જપ્ત કરાયેલા તમામ વાહનોને ગોધરા કલેક્ટર કચેરી ખાતે સીઝ કરીને સુરક્ષિત રાખવામાં આવ્યા છે. ઝડપાયેલા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખનીજ વિભાગના લોકેશન ગ્રૃપમાં મુકીને એલર્ટ કરે છેજિલ્લામાં ખનીજ માફિયાઓ વોટસઅપ ગ્રૃપો બનાવ્યા છે. ખનીજ ટીમ કચેરીમાંથી કાર્યવાહી કરવા જિલ્લામાં નીકળે ત્યારે ખનીજ માફિયાઓ તેઓના લોકેશન ગ્રૃપમાં મુકીને ખનીજ માફિયાઓને એલર્ટ કરે છે. અગાઉ વોટસઅપ ગ્રૃપમાં મેસેજ કરનાર સામે કાર્યવાહી કરી હતી. તેમ છતા ખનીજ વિભાગના કર્મચારીઓની રેકી ખનીજ માફિયો કરી રહ્યા છે. કલેકટર કચેરીની બહાર ખનીજ માફિયાઓ અડીંગો જમાવીને બેસી રહે છે.
તપાસ ઝુંબેશ:પશ્ચિમ રેલવેએ એપ્રિલથી નવેમ્બર દરમિયાન ટિકિટ ચેકિંગથી ₹140 કરોડનો વિક્રમી દંડ વસૂલ્યો
પશ્ચિમ રેલવેએ મહેસૂલી નુકસાન અટકાવવા અને મુસાફરીમાં શિસ્ત જાળવવા માટે વ્યાપક ટિકિટ તપાસ ઝુંબેશ ચલાવી હતી. જેના પરિણામે એપ્રિલથી નવેમ્બર, 2025 સુધીના 8 મહિનાના સમયગાળામાં લગભગ ₹140 કરોડ રૂપિયાનો મોટો દંડ વસૂલવામાં આવ્યો છે. આ આંકડો ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં 50% થી વધુની નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યુ હતું કે, રેલવેના ટિકિટ તપાસ સ્ટાફે મુંબઈની ઉપનગરીય લોકલ ટ્રેનો, લાંબા અંતરની મેલ/એક્સપ્રેસ ટ્રેનો, પેસેન્જર સેવાઓ અને હોલિડે સ્પેશિયલ ટ્રેનોમાં સઘન તપાસ અભિયાન ચલાવ્યા હતા. એપ્રિલથી નવેમ્બર, 2025 દરમિયાન 21.70 લાખથી વધુ ટિકિટ વગરના/અનિયમિત મુસાફરો અને બુક ન કરેલા સામાનના કેસ પકડીને લગભગ ₹14 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. માત્ર નવેમ્બર મહિનામાં જ 2.80 લાખથી વધુ અનિયમિત મુસાફરીના કેસ શોધીને ₹18.25 કરોડ રૂપિયાની રકમ વસૂલવામાં આવી, જે ગયા વર્ષની તુલનામાં 40%થી વધુનો વધારો દર્શાવે છે. એસી લોકલ ટ્રેનો પર ધ્યાન એસી ઉપનગરીય લોકલ ટ્રેનોમાં ગેરકાયદે મુસાફરી રોકવા માટે વિશેષ તપાસ અભિયાન ચલાવવામાં આવ્યા હતા. એપ્રિલથી નવેમ્બર દરમિયાન એસી લોકલમાં લગભગ 75 હજાર દંડના કેસ શોધી કાઢવામાં આવ્યા અને ₹ 2.40 કરોડ રૂપિયાથી વધુની વસૂલાત થઈ હતી. જે ગયા વર્ષ કરતાં 85% વધુ હતી. રેકોર્ડ બનાવનાર અધિકારીને સન્માનપશ્ચિમ રેલવેના આ ઉત્કૃષ્ટ પ્રદર્શનમાં મુખ્યમથક, ચર્ચગેટ ખાતે ફ્લાઈંગ સ્ક્વોડમાં ડેપ્યુટી ચીફ ટિકિટ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા આશુતોષ કુમાર સિંહનું પ્રદર્શન પ્રેરણારૂપ રહ્યું હતું. તેમણે માત્ર જાન્યુઆરીથી નવેમ્બર, 2025 સુધી 9200થી વધુ કેસ શોધીને અત્યાર સુધીની સૌથી વધુ ₹1.08 કરોડ રૂપિયાની વસૂલાત કરી હતી. સિંહનો દૈનિક સરેરાશ સંગ્રહ લગભગ ₹40 હજાર જેટલો રહ્યો હતો.
કાર્યવાહી:અલિરાજપુરમાં 1 વર્ષથી સીલ 5 કરોડના ખેરના લાકડા કબજે લઇ માંડવી લવાશે
ગુજરાતના સુરતની વન વિભાગની ટીમે અલિરાજપુરના માલવઇ ગામે લાકડા ડેપો ઉપર જઇને ત્યાં એક વર્ષથી જપ્ત કરીને રાખી મુકેલા પાંચ કરોડ રૂપિયાના ખેરના લાકડા કબજે કરીને પોતાની સાથે લઇ જવાની કાર્યવાહી શરૂ કરી હતી. ગત વર્ષે જૂન માસમાં ગેરકાયદે ખેરની હેરાફેરી વેળા મળેલા આ લાકડા માલવઇના ડેપોમાં સીલ કરીને રાકી મુક્યા હતાં. ગુજરાતના સુરત વન વિભાગની ટીમે માંડવી કોર્ટના આદેશથી લાકડા લઇ જવાની કાર્યવાહી કરાઇ હતી. માલવઇમાં શાલીમાર એન્ટરપ્રાઇઝ નામક એક ડેપોમાં ગત વર્ષે છાપો મારીને ખેરના લાકડા જપ્ત કરાયા હતાં. અધિકારીઓના જણાવ્યા મુજબ આ લાકડા ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના જંગલોમાંથી ગેરકાયદેસર રીતે કાપીને માલવઇ લઇ જવાતા હતાં. ત્યાંથી નકલી ટ્રાંજિટ પાસ(ટીપી) દ્વારા તે દિલ્હી અને હરિયાણાની કાથા ફેક્ટરીઓમાં મોકલવામાં આવતા હતાં. આ તપાસનો રેલો ગોધરા સુધી ગયો છે. ગોધરાનો મુખ્ય આરોપી હાલ વિદેશ ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળ્યુ છે. આ પ્રકરણમાં માલવઇના લાકડાના પીઠાના મેનેજરની ધરપકડ કરાઇ હતી પરંતુ તે જામીન મુક્ત છે. ત્રણ આરોપીને એનઆઇએ, ઇડીએ નેપ કર્યા છેડેપો ઉપર સાઇટ ઇન્પેક્શન માટે આવ્યો છું. મને જે જાણકારી મળી છે તે મુજબ આ કેસમાં જે ત્રણ આરોપી છે તેમને એનઆઇએ,ઇડીએ નેપ કર્યા છે. તેમને મહારાષ્ટ્રમાં પણ નેપ કર્યા છે. ખેતના લાકડાની તસ્કરીનું મોટુ ગ્રુપ છે.જે સાતથી આઠ સ્ટેટમાં ફેલાયેલું છે.- ડો.મહેન્દ્રસિંહ કછવાહ, સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યૂટર વાઇલ્ડ લાઇફ 3 વર્ષમાં 195 કરોડના ટ્રાન્જેક્શન સામે આવ્યા 1600 ઘન મીટર આશરે 2000 ટન ખેરના લાકડા ગોડાઉનમાં રાખેલા હતાં. તેની બજાર કિંમત પાંચ કરોડ રૂપિયાથી વધુ છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ નેટવર્ક દ્વારા આશરે 195 કરોડના ટ્રાન્જેક્શન સામે આવ્યા છે. માંડવી કોર્ટના આદેશથી અલિરાજપુર પોલીસના સહકારથી આ જપ્ત લાકડા માંડવી કોર્ટના અધિકાર ક્ષેત્રમાં લઇ જવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.- એચ.આર યાદવ, ફોરેસ્ટ અધિકારી,સુરત
મહિલા સશક્તિકરણની વાતો તો ઘણી થાય છે, પણ રાજકોટમાં આ શબ્દોને છેલ્લા 18 વર્ષથી વાસ્તવિકતામાં બદલી રહ્યું છે. શ્રી હરિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ‘વી કેન ગ્રૂપ’ આ માત્ર એક સંસ્થા નથી, પણ 20 હજારથી વધુ બહેનોના આત્મવિશ્વાસનું સરનામું છે. 18 વર્ષ પહેલાં સંસ્થાના સ્થાપક ડૉ.પીનાબેન કોટકે સંકલ્પ લીધો હતો કે સ્ત્રી માત્ર ‘ગૃહિણી’ બનીને ન રહેવી જોઈએ, પણ તે ઘર અને સમાજની મજબૂત ‘નિર્ણયકર્તા’ બનવી જોઈએ. આજે આ વારસાને ડૉ.તૃપ્તિબેન અને ડૉ.શિવાનીબેન જેવી ઉચ્ચ શિક્ષિત ડૉક્ટર્સની ટીમ આગળ વધારી રહી છે. આ ટીમ માત્ર વ્યવસાય જ નહીં, પણ મહિલાઓના સ્વાસ્થ્ય અને માનસિક સશક્તિકરણનું પણ ધ્યાન રાખે છે. મહિલાઓમાં કોઈ અભણ હતું, કોઈમાં કોઠાસૂઝ ન હતી, પરંતુ રાજકોટની સંસ્થાએ 18 વર્ષમાં 20 હજાર બહેનોને ટ્રેનિંગ આપી, આજે કોઈ ઉદ્યોગસાહસિક તો ઘણી મહિલા આત્મનિર્ભર બની! પરંપરાથી આધુનિકતા સુધીની તાલીમ સંસ્થાની વિશેષતા એ છે કે, અહીં સમયની સાથે કદમ મિલાવવામાં આવે છે. બહેનોને પગભર કરવા માટે અહીં અનેકવિધ કોર્સ ચાલે છે. સેવાનો અનોખો ભેખ ‘વી કેન ગ્રૂપ’ની સંવેદનશીલતાનું શ્રેષ્ઠ ઉદાહરણ તેમના સેવાકાર્યો છે. મહિલા દિન પર એક જ દિવસમાં 400 બહેનોને માસ્ટર ટ્રેનિંગ આપીને રેકોર્ડ સર્જ્યો હતો. એટલું જ નહીં, આ વર્ષે 9 વિધવા અને જરૂરિયાતમંદ બહેનોને ‘પ્લે હાઉસ’ અને એક બહેનને ‘બ્યુટી પાર્લર’નું સંપૂર્ણ સેટઅપ વિનામૂલ્યે ભેટ આપીને સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવી છે. ફેશન ડિઝાઈન, હસ્તકલા, બ્યુટીપાર્લર, સોશિયલ મીડિયા માર્કેટિંગ, કમ્પ્યૂટર સહિતની ટ્રેનિંગ અપાય છે પાર્લરનું સેટઅપ મળ્યું, આજે કોઈ પાસે હાથ લાંબો કરવો પડતો નથી આ પ્રોજેક્ટ હેઠળ મને જરૂરી સાધનો અને માર્ગદર્શન સાથેનું સંપૂર્ણ ‘પાર્લર સેટઅપ’ મૂડી રોકાણ વગર મળ્યું, તેનાથી મારું વર્ષોનું સપનું સાકાર થયું છે. આ મારા માટે માત્ર એક વ્યવસાય નથી, પણ નવા જીવનની શરૂઆત છે. > નિકિતાબેન અનડકટ, તાલીમાર્થી 2015માં પ્લેહાઉસનું સેટઅપ આપ્યું, જે આજે પણ આવકનું સાધન છે ગ્રૂપના પ્રોજેક્ટ હેઠળ અમને ફ્રી પ્લે હાઉસ સેટઅપ પૂરું પાડવામાં આવ્યું છે. તે મારા માટે એક મોટી તક અને સપોર્ટ સાબિત થયું. 2015મા સ્ટાર્ટ કરેલું આ પ્લેહાઉસ અત્યારે 63 બાળકોની કિલકારીઓથી ગૂંજી રહ્યું છે. > પ્રીતિબેન ચૌહાણ, તાલીમાર્થી તાલીમથી બિઝનેસની હિંમત મળી, આજે પોતાનું બુટિક ચાલવું છું સંસ્થામાંથી સીવણની તાલીમ લઈને પોતાનું બુટિક શરૂ કર્યું છે. ‘સ્વયંસિદ્ધા પ્રોજેક્ટ’ થકી મને માત્ર સીવણની તાલીમ જ નહીં, પરંતુ મારામાં છુપાયેલી સર્જનાત્મકતા અને બિઝનેસ કરવાની હિંમત મળી.> સ્વાતિબેન સોલંકી, તાલીમાર્થી આયુર્વેદ પ્રોડક્ટની તાલીમ લીધી, પછી સ્વતંત્ર બિઝનેસ શરૂ કર્યો વી કેન ગ્રૂપમાંથી આયુર્વેદના નિષ્ણાતો પાસેથી તાલીમ લેવાથી મને પ્રોડક્ટ્સ વિશેની સચોટ અને વૈજ્ઞાનિક માહિતી મળી. આયુર્વેદિક પ્રોડક્ટ્સ અને બિઝનેસની માહિતી લઈને મારો સ્વતંત્ર બિઝનેસ શરૂ કર્યો છે. > બંશીબેન કુબાવત, તાલીમાર્થી
દાહોદ શહેરમાં પ્રથમ વખત એક જ દિવસમાં મુસ્લિમ સમુદાયના શ્રદ્ધાળુઓનો એક મોટો સમૂહ ઉમરાહની પવિત્ર યાત્રા માટે રવાના થવા જઈ રહ્યો છે. 15 ડિસેમ્બરે દાહોદના કુલ 169 શ્રદ્ધાળુઓનો એક સમૂહ ઇસ્લામ ધર્મના પવિત્ર સ્થળો એવા મક્કાહ અને મદીનાની પવિત્ર ઉમરાહ યાત્રા માટે એકસાથે રવાના થશે. આટલા મોટા સમૂહની યાત્રાનું સમગ્ર આયોજન અને આગેવાની પીર સૂફી સૈયદ મુહમ્મદ હસીબુલ હસન શાહ સાહેબ કરશે. પીર સાહેબની આગેવાનીમાં યાત્રા યોજાઈ રહી હોવાથી અનુયાયીઓમાં અને શ્રદ્ધાળુઓમાં યાત્રા પૂર્વે ભારે ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી રહી છે. મહત્વપૂર્ણ છે કે એક સપ્તાહ પહેલાં આ ઉમરાહ યાત્રા માટે રવાના થનારા શ્રદ્ધાળુઓની સંખ્યા 155 હતી. જે હવે વધીને 169 પર પહોંચી ગઈ છે. આ તમામ શ્રદ્ધાળુઓ 15મી ડિસેમ્બર, સોમવારના રોજ અમદાવાદ જવા રવાના થશે. ત્યાંથી તેઓ બપોરના સમયે 3:30 વાગ્યા અને 5:00 વાગ્યાની ફ્લાઇટ દ્વારા આ ધાર્મિક યાત્રા માટે પવિત્ર ભૂમિ તરફ પ્રયાણ કરશે.
મંડે પોઝિટીવ:ગોધરાના 3 યુવાનોએ એક હાથે ક્રિકેટ રમી ખેલ મહાકુંભમાં મેદાન ગજવ્યું
અકસ્માત કે શારીરિક ખામી જીવનમાં ક્યારેય અવરોધ બની શકે નહીં, જો મનમાં મક્કમ હિંમત હોય. આ વાતને સાચી ઠેરવી છે પંચમહાલ જિલ્લાના ત્રણ યુવાનોએ, જેમણે એક હાથ ન હોવા છતાં સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ક્રિકેટના મેદાનમાં પોતાનું કૌવત બતાવી સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ગોધરા ખાતેના કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલ અસ્થિ વિષયક ખામી સ્પેશિયલ ખેલ મહાકુંભ 2025માં આ ત્રણે યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બોલિંગ હોય કે બેટિંગ, આ યુવાનો એક હાથે અદ્ભુત કરતબ બતાવે છે, જે જોઈને સામાન્ય વ્યક્તિ પણ દંગ રહી જાય. નટવરસિંહ પટેલ (ગામ-સાંપા) અને પ્રકાશકુમાર સોલંકી વિક્રમસિંહ (ગામ- હમીરપુરા પીંગડી) એ અકસ્માતમાં પોતાનો હાથ ગુમાવ્યો છે, જ્યારે રમેશભાઈ પટેલ (ગામ-ઝેરા છારીયા, ગોધરા) હાથની ખામીથી દિવ્યાંગ છે. જોકે,આ ત્રણે માટે તેમનો એક હાથ જ આત્મવિશ્વાસનું સૌથી મોટું શસ્ત્ર છે. છેલ્લા ઘણા વર્ષોથી આ યુવાનો ક્રિકેટ રમી રહ્યા છે. અમદાવાદ, વડોદરા સહિત અન્ય શહેરોમાં યોજવામાં આવતી દિવ્યાંગ ક્રિકેટ ટુર્નામેન્ટ્સમાં પણ નિયમિત રીતે ભાગ લેવા જાય છે. સ્પેશિયલ ખેલ મહાકુંભમાં તેમના જોશ અને પ્રદર્શનને જોઈ અન્ય ખેલાડીઓ અને દર્શકો દ્વારા પણ તેમને બિરદાવવામાં આવ્યા હતા. આ ત્રણે યુવાનો દ્વારા સાબિત કરી દેવામાં આવ્યું છે કે, ખામી નહીં,પરંતુ ખેલ ભાવના જ મહત્ત્વની છે.'' તેમની આ કહાણી અને હિંમત હજારો લોકો માટે પ્રેરણારૂપ બની રહેશે. હાથ નથી, પણ જુસ્સો ડબલ! અકસ્માતમાં હાથ ગુમાવનાર અને દિવ્યાંગતા ધરાવતા જિલ્લાના ત્રણ યુવાનો નટવરસિંહ,પ્રકાશકુમાર અને રમેશભાઈએ સ્પેશિયલ ખેલ મહાકુંભ 2025માં ક્રિકેટના મેદાનમાં ધમાલ મચાવી.માત્ર એક હાથ હોવા છતાં, તેઓ બોલિંગ અને બેટિંગમાં એવા કરતબ બતાવે છે કે જોવાવાળા દંગ રહી જાય.અમદાવાદ-વડોદરામા પણ ટુર્નામેન્ટ રમી ચૂકેલા આ યુવાનોએ સાબિત કર્યું કે, સંકલ્પ હોય તો સફળતા અવશ્ય મળે છે.
ગામ ગામની વાત:વિરપુરનું હાંડિયા ગામ લાઇટ, પાણી અને રસ્તા ધરાવતું આદર્શ ગામ
વિરપુર તાલુકાનું હાંડિયા ગામ જે વિરપુરતાલુકા મથકથી 7 કિમી દૂર સાઠંબા જતા રોડઉપર આવેલ છે. વિરપુર તાલુકાનું સ્વચ્છ અનેઆદર્શ ગામ કહી શકાય. આ ગામની વસ્તી1200 છે. અહીંયા ભ્રમભટ્ટ (બારોટ), પંચાલ,સુથાર સમાજના મુખ્ય વસવાટ છે. આ ગામમાંખેતી પશુપાલક સાથે નોકરિયાત અનેધંધાર્થીઓ પણ છે. વિરપુર તાલુકાનું આદર્શગામ ગણાવી શકાય કારણ કે આ ગામની અંદરપાણી, લાઇટ અને રસ્તાની પ્રાથમિક સગવડસુવિધા ધરાવતું ગામ છે. પશુપાલકો હોવા છતાંગામની સ્વછતા પણ ખૂબ સરસ છે. આ ગામનારસ્તાઓ ઉપર રાત્રિ સમય સ્ટ્રીટ લાઇટનીસુવિધાથી સજ્જ કરવામાં આવેલી છે. ગામનાબહાર મુખ્ય રસ્તો તે વિકાસ પથ આવેલો છે.ગામમાં શ્રીકૃષ્ણ પંથી પ્રણામી, સતકૈવલ સાહેબ,શિવાલય તેમજ હનુમાનજીના આબેહૂબ મંદિરઆવેલ છે. ગામમાં પ્રાથમિક શાળા અનેહાઈસ્કૂલ સાથે કોમ્યુનિટી હોલની પણ સુવિધાપર્યાપ્ત કરવામાં આવેલ છે. હાલના સમયહાંડિયા ગ્રામ પંચાયતની સંપૂર્ણ બોડી મહિલાસભ્ય તમામ મહિલા છે. સાથે ગામમાં કોઈબાળક કુપોષણ નથી, કોઈ બાળક અપમૃત્યુ નથીકોઈ રક્તપિત કે ટીબી ના દર્દી નથી. આમ એકસુખી સંપન્નની સાથે સ્વસ્થ ગ્રામજનોછે. ગામમાં સર્વધર્મ સર્વ સંપ્રદાય અને સર્વજાતિનો સંપ આ ગામમાં જોવા મળે છે. આગામમાં ક્યારેય પોલીસની જરૂર પડતી નથી.અહીંયા કોઈને ઝઘડો મારામારી કે ઘરેલુંહિંસાનો કોઈ અણબનાવ બનવા પામ્યોનથી.ગ્રામજનોમાં કોઈ વ્યસની કુટેવ દેખાયનહીં તેવું આ ગામ સાચેજ એક આદર્શ ગામ છે. ગ્રામજનોની આશા હુંપૂરી કરી શકું છુંઅમારું હાંડિયા ગામ જેમાં પાણીલાઇટ શેરી રસ્તાની સગવડ સાથેગ્રામજનો દ્વારા સ્વછતા અનેધાર્મિકતાના દર્શન થાય તેવું ગામછે. ગ્રામજનો હળી મળી એકસંપથી એક બીજાને સુખ દુઃખમાંમદદ કરી માનવતા મહેકાવે છે.જેથી આ ગામના વિકાસના કાર્યોકરવામાં મને ખૂબ આનંદ અનુભવુંછું મને ગર્વ છે. મને આ પદ ઉપરબેસાડી ગ્રામજનોની આશા હું પૂરીકરી શકું છું.- જિજ્ઞાસાબેન જે.બારોટ, હાંડિયા ગ્રામ પંચાયત, મહિલા સરપંચ ગામની વસ્તી : 1000 સાક્ષરતા : 100 ટકા જિલ્લા મથકથી અંતર : 37 કિમી કનેક્ટિવિટી : ડામર માર્ગ રસ્તો પ્રસિદ્ધિ સ્થળ : શિવાલય અને સતકૈવલ મંદિર
રાજકોટ મવડી પ્લોટ નજીક રહેતી અને પ્રથમ પતિ સાથે છૂટાછેડા બાદમાં બીજા યુવક સાથે પ્રેમલગ્ન કર્યા છતાં સુખ ન મળતા સાસુ-નણંદના ત્રાસથી કંટાળી પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. “તમને બંનેને મિલકતમાં કાઈ જ ભાગ આપવો નથી, બંને અહીંથી નીકળી જાઓ.’ સાસુએ એમ કહેતા પરિણીતાએ પગલું ભરી લીધું હતું. પરિણીતાએ જણાવ્યું હતું કે, નાની-નાની વાતમાં સાસુ સહિતના ત્રાસ આપતા હતા અને નણંદ સાસુની કાનભંભેરણીકરતા હતા. આ બનાવમાં માલવિયાનગર પોલીસ મથકમાં શહેરના મવડી પ્લોટ શ્રીનાથજી સોસાયટી શેરી નં.6માં રહેતા સપનાબેન ધવલભાઈ ડાંગર(ઉં.વ.38) દ્વારા નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સાસુ ગીતાબેન દિલીપભાઈ ડાંગર અને નણંદ જ્યોતિબેન જીગાભાઈ મકવાણાનું નામ આપ્યું છે. સપનાબેને ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેણીના પ્રથમ લગ્નથી દશેક વર્ષ પૂર્વે મુંબઈ મુકામે થયા હતા અને ત્યાં તેણીએ છૂટાછેડા કરી નાખેલ હતા. બાદમાં પાંચ વર્ષ પૂર્વે તેણીએ મવડી પ્લોટ શ્રીનાથજી સોસાયટી શેરી નં.06માં રહેતા ધવલ દિલીપભાઈ ડાંગર સાથે લવમેરેજ કર્યા હતા. તેના સાસુ ગીતાબેન તેમનાથી અલગ રહેતા હોય પતિ-પત્ની બંને બીજા માળે રૂમમાં અલગથી રહેતા હતા. તેણીના લગ્ન થયા બાદ થોડા દિવસો સુધી લગ્નજીવનમાં સઘળું સારી રીતે રહ્યું બાદમાં સાસુ અને નણંદ સાથે માથાકૂટ થવા લાગી હતી. તેણીના સાસુ તું માવતરેથી કશું ન લાવી હોય એ મુદ્દે ઝઘડો કરી મેણાંટોણાં મારતા હોય અને નણંદ પણ તેમાં સામીલ હોય જે મોરબી તેના સાસરિયેથી ફોનમાં સાસુની કાન ભંભેરણી કરતી અને જેથી સાસુને પતિએ સમજાવવા જતા સાસુએ પતિ અને તેના વિરુદ્ધમાં 15 દિવસ પહેલાં પોલીસમાં અરજી કરતા જેના હાલમાં જ જામીન મેળવ્યા હતા. ત્યારબાદ બપોરના બારેક વાગ્યા આસપાસ સાસુ જ્યોતિબેને તેણીને કહ્યું હતું કે,”તમને બંનેને કાઈ જ ભાગ આપવો નથી, બંને અહીંથી નીકળી જાઓ.’ જે બાબતે પતિને વાત કરતા સાસુ દેકારો મચાવવા લાગ્યા હોય બાદમાં સાંજના ચારેક વાગ્યે સાસુ સતત ઝઘડો કરી માનસિક ત્રાસ આપતા હોય જે તેનાથી સહન ન થતા તેણીએ ફિનાઈલ ગટગટાવી લીધું હતું. આ મામલે મહિલાની ફરિયાદના આધારે માલવિયાનગર પોલીસે સાસુ-નણંદ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગામ લોકોનો જુસ્સો:ગામના લોકોએ ત્રણ દિવસમાં 3.5 કિમી લાંબો રસ્તો બનાવી દીધો, જેથી હેન્ડપંપ લગાવી શકાય
ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ધ્રોઈ ગામના લોકોએ ત્રણ દિવસમાં જ ગામને જોડતો 3.5 કિલોમીટરનો રસ્તો તૈયાર કરી દીધો.વાસ્તવમાં ગામમાં બોર માટે બોરવેલની ગાડી આવવાની હતી, પરંતુ રસ્તાના અભાવે આવી શકી નહીં. ગામમાં પહેલીવાર હેન્ડપંપ લાગવાની આશા જાગી તો ગામના લોકોએ જાતે જ કુહાડી-તગારા ઉઠાવીને અને પહાડી જમીનને કાપીને રસ્તો બનાવી દીધો. અત્યાર સુધીમાં ગામમાં આવવા માટે માત્ર પગદંડીઓ જ હતી. થોડા દિવસો પહેલાં સામાજિક કાર્યકર્તા મિતલબેન પટેલ જ્યારે અહીં તળાવના કામ માટે આવ્યા ત્યારે તેમને ખબર પડી કે ગરમીઓમાં આ તળાવ સૂકાઈ જાય છે અને ગામની મહિલાઓ ચાર-ચાર કિમી દૂરથી માથા પર ઘડા રાખીને પાણી લાવતી હતી. તેમણે ગામમાં હેન્ડપંપ લગાવવાની વ્યવસ્થા કરી. પરંતુ બોરવેલની ગાડી પહોંચી શકે તેમ નહતી. આ પછી ગામના લોકો પગદંડીને રસ્તો બનાવવામાં જોતરાઈ ગયા. રસ્તા વચ્ચે આવતાં મોટા-મોટા પથ્થરોને તોડીને હટાવી દીધા હતા. આ ગામ નહીં પણ ગામની જે દીકરીઓ બીજા ગામોમાં પરણાવેલી છે, તે ગામોમાં જમાઈઓને ખબર પડતા તેઓ પણ રસ્તો બનાવવા માટે દોડી આવ્યા હતા. ગામના કાલુભાઈ કહે છે- રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા અને પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલને પણ ઘણી વખત રસ્તા અને પાણી માટે વિનંતી કરી ચૂક્યા છે. તંત્રને પણ રસ્તા-પાણી માટે ઘણી વિનંતીઓ કરી, પરંતુ માત્ર આશ્વાસન જ મળ્યું હતું.
ભાસ્કર ઈનસાઈડ:રાસલીના યુવાનોએ જનતા રેડ પાડી ગેરકાયદેસર રેતી ખનન કરતા 5 મશીન અને 4 હાઈવા ઝડપ્યાં
પાવી જેતપુર પાસે રતનપુર ગામની હદમાં ઓરસંગ નદીમાં ગેરકાયદે રેતી ખનન ચાલતું હતું. જેના પર મોટી રાસલી ગામના યુવાનો દ્વારા જનતા રેડ કરીને 5 મશીન અને 4 હાઈવા ટ્રક ઝડપી પાડીને ખાણ ખનીજ વિભાગને સુપ્રત કરી છે. છોટાઉદેપુર જિલ્લો રેતી ખનન માટે સ્વર્ગ સમાન બની ગયો છે. જેને લઇને બહારના જિલ્લાઓમાંથી મોટા પાયે રેતી માફીયાઓ અહીંયા આવીને રેતીનો ધંધો કરે છે. અને કરોડો રૂપિયાનો ધંધો કરી રહ્યા છે. જેમાં કેટલીક ઠેકાણે કાયદેસર લિઝના નામે બે નંબરમાં રેતી ખનન કરતા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. જેનો તાદૃશ્ય પુરાવો પાવીજેતપુરના રતનપુર ખાતે જોવા મળ્યો છે. રતનપુર ગામની હદમાં ઓરસંગ નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું હતું. જેના ઉપર શનિવારે સાંજે મોટી રાસલી ગામના યુવાનો દ્વારા જનતા રેડ પાડવામાં આવી હતી. આ જનતા રેડ દરમિયાન સ્થાનિક યુવાનો દ્વારા 4 હાઈવા ટ્રક અને 5 મશીન ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ ખાન ખનિજ વિભાગને જાણ કરતા ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરીને 5 મશીન અને 4 હાઈવા ટ્રક ઝડપી પાડ્યા હતા. છોટાઉદેપુર જિલ્લામાં ઠેર ઠેર ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યાની બૂમો ઉઠે છે. પરંતુ ખાણ ખનિજ વિભાગ માત્ર કાગજી કાર્યવાહી તે પણ નામ પુરતી કરતા હોવાની ચર્ચાઓ ચાલે છે.જિલ્લાના પાવીજેતપુર પાસે શિહોદ, શિથોલ, લોઢણ, વાઘવા, વાંકી તેમજ પંચમહાલની સરહદે આવેલ કણજીપાણીમાં ચાલતા સ્ટોક ઉપર યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે તો મોટા પાયે ચાલતા ગેરકાયદે રેતી ખનનનો પર્દાફાસ થાય તેમ છે. અધિકારીઓ ગાડી લઈ જવા કહેતા હતાખાણ ખનિજની ગાડી ત્યાં ઊભી હતી, ત્યાં ગનમેન મૂક્યોહતો. મારે એવું કહેવું છે કે ગનમેન રાત દિવસ મૂકે છે. તોમેં અધિકારીને એ જાણ કરી કે આ કેટલું બધું બે નંબર ચાલેછે. ત્યાંથી અધિકારીને જાણ કરી પછી અમે અહીંયા આવીનેગાડીઓ પકડી. પછી અધિકારીને લઈને અંદર ગયા,ગનમેન ડાયવર્ઝન પર મૂકે છે. ત્યાં શું સાચવવા મુકે છે ?ગનમેન ચાર ચાર મૂકે છે, આટલું બધું બે નંબર ચાલે છે તોએમને ધ્યાન ડાયવર્ઝન પર શું રાખવાનું ? અધિકારીઓગાડી લઈ જવા કહેતા હતા. અધિકારીઓને આ નથી દેખાતુંઅહીં કેટલું બેનંબર ચાલે છે કેટલો ભ્રષ્ટાચાર ચાલે છે ? આકોઈની નજર હેઠળ ચાલે છે. આ બધા અધિકારીઓની મિલીભગત છે. > પ્રવીણ રાઠવા, સ્થાનિક યુવક, મોટી રાસલી આ બધું સ્થાનિકો અને લિઝ હોલ્ડરોનું ચાલી રહ્યું છેશિહોદ ડાયવર્ઝન પાસે સિકયુરિટી મૂકતા યુવાનોનું ટોળું આવ્યું અને સિક્યુરિટીને જણાવતા તેઓએ અધિકારીઓને જાણ કરીને બોલાવ્યા હતા. ત્યારે ગ્રામજનોએ મોટી રાસલી પાસે એક સ્ટોક ઉપર 4 ગાડીઓ પડી છે. તમે પહેલા એ પકડો. અમારી ગાડી ત્યાં ગઈ ત્યાં 4 ગાડીઓ મૂકી રાખી હતી. આ લોકોએ રસ્તામાંથી રોકીને અમને બોલાવ્યા ન હતા. આ બધું સ્થાનિક લોકો અને લિઝ હોલ્ડરોનું બધું ચાલી રહ્યું છે. > વિપુલ સોલંકી, ઇન્ચાર્જ ભૂસ્તરશાસ્ત્રી, છોટા ઉદેપુર (ટેલિફોનીક વાતચીત મુજબ) બે દિવસ પહેલાં રેતીના સ્ટોક પર રેતી ઠલવાઈ રહી હતીસમગ્ર મામલો મોટી રાસલી બસ સ્ટેન્ડ પાસે બે દિવસ પહેલા ચાલુ થયેલા રેતીના સ્ટોક પર રેતી ઠલવાઈ રહી હતી. જે ગ્રામજનોની નજરમાં આવતા ગામના યુવાનો દ્વારા જનતા રેડ કરી હતી. અને સ્ટોક પરથી 4 હાઈવા ટ્રક ઝડપી પાડ્યા બાદ તપાસ કરતા ઓરસંગ નદીમાંથી આ રેતી ભરી લાવવાની જાણ થતા યુવાનો અંદર નદીમાં જતા ત્યાં 5 મશીનો દ્વારા ગેરકાયદે રેતી ખનન કરવામાં આવતું હતું.
સુરત : સુરત શહેરમાં ઐતિહાસિક ધરોહર અને પ્રાચીન મંદિર, દહેરાસર, પારસી અગિયારીઓ અને ખ્વાજા દાન દરગાહ ધરાવતો કોટ વિસ્તાર સ્માર્ટ સિટીના વિકાસમાં દબાણ અને દૂષણથી ખદબદી રહ્યો છે. પ્રજાના અવાજની આ શ્રેણીમાં મૂળ એટલે કે, અસ્સલ સુરતી લાલાઓએ પોતાની હૈયાવરાળ નહીં પરંતુ આક્રોશ ઠાલવ્યો હતો. દરેક શેરીઓમાં ખાડા રાજ, ગોપી તળાવનો અધૂરો વિકાસ, દબાણોથી લોકો ત્રસ્ત છે, અશાંતધારાનું યોગ્ય અમલ ન થતા સુરતીઓ જ ઘર છોડીને અન્ય સ્થળે સ્થળાંતર માટે મજબૂર થયા છે. ચૌટાબજારમાં વાહન તો શું ચાલવાની જગ્યા નથી, મોતી ટોકિઝ પાસે અડધા રસ્તા પર દબાણ ચૌટાબજારમાં દુકાનોની બહાર જ લોકોએ કરેલા દબાણના કારણે અહીં વાહન ચલાવવાનું તો દૂર રહ્યું લોકોને ચાલવા માટે પણ જગ્યા મળતી નથી. મોતી ટોકિઝ નજીક ફેરિયાઓએ એકબાજુનો રોડ જ કબજે કરી લીધો છે. દિવસે અહીં વાહનો ચલવવામાં ઘણી તકલીફ પડે છે.
ભાવનગર શહેર નજીક આવેલા વરતેજ ગામ નજીક ભવ્ય જિલ્લા જેલ બનાવવામાં આવી રહી છે. વર્ષ 2018થી આ જિલ્લા જેલનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું, જે હવે પૂર્ણતાના આરે છે. 40 એકર(100 વીઘા) જમીનમાં 90 કરોડના ખર્ચે બની રહેલી આ જેલનું હવે 10 ટકા જ કામ બાકી રહ્યું છે. આગામી માર્ચ 2026 સુધીમાં જેલ તૈયાર થઈ જવાની શક્યતા છે. શહેરના વરતેજ નજીક આવેલા ફરિયાદકા ગામ પાસે બની રહેલી વિવિધ સુવિધાસભર આ જિલ્લા જેલનું કામ કુલ 4 ફેઝમાં વહેંચવામાં આવ્યું હતું. જેમાંથી 3 ફેઝનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને ફેઝ-4નું કામ પણ 90 ટકા જેટલું પૂર્ણ થઈ ગયું છે. પુરુષ કેદીઓ માટે યાર્ડ અને 30 બેરેકજેલમાં પુરૂષ કેદીઓ માટે 5 યાર્ડ બનશે અને મહિલા કેદી માટે 1 યાર્ડ બનશે. જેલ ક્ષમતા 660 કેદીની રહેશે. જેમાં 30 બેરેક હશે. જ્યારે 1 બેરેકમાં 20 કેદીને રાખી શકાશે. મહિલા કેદી માટે બનવવામાં આવેલા એક યાર્ડમાં 2 બેરેક હશે, જેની કેપેસિટી 40ની રહેશે. તેમજ 20 કેદી માટે હાર્ડકોર બેરક બની રહી છે. હથિયાર ધારી ગાર્ડ માટે 3 માળનું આધુનિક બિલ્ડીંગ બનશેનવી જેલના પરિસર ફરતે 5 ટાવર બનવવામાં આવી રહ્યા છે અને જિલ્લા જેલના તમામ જગ્યાઓ સીસીટીવીથી સજ્જ કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા જેલના કર્મચારી માટે 94 ક્વાર્ટર પણ બનવવામાં આવી રહ્યા છે, સાથે હથિયાર ધારી ગાર્ડ માટે 3 માળનું આધુનિક બિલ્ડીંગ બનાવાશે. જૂની જેલમાં 387ની ક્ષમતા સામે 740 કેદી રાખ્યા છે: જેલ સુપ્રિ.આ અંગે ભાવનગર જિલ્લા જેલ સુપ્રિટેન્ડન્ટ ડી.ડી પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લાની જૂની જેલ છે એ 1918માં બનાવેલી છે. હાલ ભાવનગરની જૂની જિલ્લા જેલની કેપેસિટી 387 કેદીની છે, જેની સામે આજની તારીખે 740 કેદીને રાખવામાં આવ્યા છે. સરકારના જે વિકાસશીલ કાર્યો છે તેમાં પણ જેલને પાછળ રાખવામાં આવેલ નથી. જેલને પણ સરકારના જે વિકાસના કામો છે એમાં જેલને પણ આવરી લેવામાં આવી છે. '4 ફેઝમાં કામો થયા હતા મંજૂર''હાલ ભાવનગર જિલ્લાની નવી જેલનું વરતેજ નજીક આવેલા ફરિયાદકા ગામ પાસે નિર્માણ થઈ રહ્યું છે. જે નવી જેલ બનાવવા માટે અંદાજિત 90 કરોડથી વધુના ખર્ચે ચાર ફેઝમાં કામ મંજૂર થયેલા છે, જેમાં ત્રણ ફેઝના કામો પૂર્ણ થયેલા છે. 660 કેદીની ક્ષમતા ધરાવતી આ જેલમાં 620 પુરુષ અને 40 મહિલા કેદીને રાખી શકાશે.' 'કેદીઓને કોર્ટમાં રજૂ કરવા વીડિયો કોન્ફરન્સિગ હોલ'આજના સમયમાં નવા કાયદાના સુધારા પ્રમાણે તમામ આરોપીઓને કોર્ટમાં વીસી મારફત રજૂ કરવામાં આવે છે, તે મુજબ આ જેલમાં પણ એ સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. નવી જેલ બનાવવાની શરૂઆત વર્ષ 2018થી કરવામાં આવી હતી. પરંતુ ફેઝ વાઇઝ કામો મંજૂર થયા હોવાથી થોડું મોડું કામ થયું છે અને ફેઝ-4 નું કામ અંતિમ તબક્કામાં છે. ટૂંક સમયમાં આ જેલ સરકાર હસ્તક જેલ હસ્તક સોંપવામાં આવશે. 'કેદીઓ ઉદ્યોગનું શીખે એવા પ્રયત્નો કર્યા છે' જિલ્લા જેલ સુપ્રિટેન્ડન્ટે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય જેલ વડા ડો.કે.એલ.એન.રાવના અથાગ પ્રયત્નથી જેલમાં કેદીઓ પણ સકારાત્મક વિચાર કરે ઉદ્યોગોનું કામ શીખે એવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. અંગ્રેજોના સમયમાં જેલમાં સમાજના દુષણો હતા એ લોકોને રાખવામાં આવતા હતા, પણ અત્યારે જેલમાં આવેલા જે બંદીવાનો છે એ પણ એક સમાજનો ભાગ છે. આ બંદીવાનો પણ કોઈ કામ ન હોવાના કારણે કોઈવાર ગુસ્સામાં આવીને ગુનાઓ આચરતા હોય છે. જેથી એમને પણ સુધારવાની એક તક મળે એટલે હાલના તબક્કે જેલને સુધારાત્મક કારાગૃહ કહેવાય છે. સુધારાત્મક કામો કરવામાં આવે છે.
‘ઑન 2 કૂક મશીન મોબાઈલમાં એપ્લિકેશન સાથે કનેક્ટેડ છે. જેમાં અત્યારે તમે વિવિધ ક્વિઝિન્સની 300થી વધુ આઇટેમ્સ બનાવી શકો છો. કેટલી માત્રામાં તમારે એ આઈટમ બનાવવી છે, એ સિલેકટ કરશો એટલે એપ્લિકેશનમાં તમને કહેશે કે, તે વાનગી બનાવવા માટે તમારે મશીનમાં કઈ કાચી સામગ્રી કેટલા પ્રમાણમાં અંદર ઉમેરવાની છે. એ બધું જ અંદર ઉમેરી મશીનનું ઢાંકણ બંધ કરીને ઑન કરી દો. 5-10 મિનિટમાં કોઈ પણ આઈટમ બનીને એકદમ તૈયાર થઈ જશે. જે વાનગી બનાવતા તમારે ફુલ અટેન્શન સાથે એકથી દોઢ કલાક થતો હશે એ ફક્ત 5-10 મિનિટમાં તૈયાર થઈ જશે.’ આ શબ્દો છે અમદાવાદ સ્થિત આંત્રપ્રેન્યોર સનંદન સુધીરના... સનંદન એટલે ‘ઓન 2 કૂક’ના ફાઉન્ડર. ‘ઓન 2 કૂક’ એક એવું ‘જાદુઇ’ મશીન છે, જે લિટરલી 5-10 મિનિટમાં તમે કહો એ ડિશ તૈયાર કરી આપે છે. તમારે ફક્ત તેની મોબાઇલ એપ્લિકેશનમાંથી કઈ ડિશ બનાવવી છે તે સિલેકટ કરવાનું અને મશીનને રો-મટિરિયલ (શાક, તેલ-મસાલા વગેરે) આપી દેવાનું; બસ તમારું કામ થઈ ગયું. ફક્ત પાંચથી દસ મિનિટમાં તમારી ગરમાગરમ ટેસ્ટી ડીશ બનીને તૈયાર હશે! એવું શું છે આ મશીનમાં? કેવી રીતે બનાવ્યું? તેના આ મેજિકનું સિક્રેટ શું છે? આ બધી જ વાતો જાણીશું ‘સ્ટાર્ટઅપ સ્ટોરીઝ’ના આજના એપિસોડમાં. યસ્સ, દિવ્ય ભાસ્કર પર આજથી શરૂ થઈ રહી છે નવી સિરીઝ, ‘સ્ટાર્ટઅપ સ્ટોરીઝ’. જેમાં આપણે જાણીશું ગુજરાતનાં પાંચ ઇનોવેટિવ સ્ટાર્ટઅપ્સ વિશે. તેના આંત્રપ્રેન્યોરની લાઈફ અને સ્ટ્રગલથી લઈ સ્ટાર્ટઅપની આજ સુધીની લાઈફ વિશે. ગુજરાતનાં એવાં પાંચ સ્ટાર્ટઅપ, જેમણે વિચાર્યું કે, આપણે કશું હટકે કરીએ, લોકોના જીવનમાં બદલાવ લાવીએ, ભીડથી થોડા દૂર થઈએ; અને એમણે કરી બતાવ્યું, ફક્ત ગુજરાતને જ નહિ, આખી દુનિયાને બતાવી દીધું કે, અમે ગુજરાતીઓ શું કરી શકીએ છીએ. તો ચલો, આજના આપણાં આંત્રપ્રેન્યોર સનંદનભાઈ સાથે વાતોના ‘વડા’ બનાવીએ અને ટેસ્ટ કરીએ એમની ડિલિશિયસ સ્ટાર્ટઅપ જર્નીને… ચટપટી વાનગીઓ બનાવતા મશીનને બનાવનાર સનંદનભાઈ પણ એટલા જ ચટપટા સ્વભાવના છે. હસી-મજાકવાળો સ્વભાવ, શાર્પ માઇન્ડ અને ઇનોવેશનની તડપ. ભારત-પાકિસ્તાનનું યુદ્ધ ચાલતું હતું અને...‘1965માં ભારત-પાકિસ્તાનનું ભીષણ યુદ્ધ ચાલુ હતું. એ ટાઈમે રાત્રે 8:35 વાગ્યાના અંધારામાં હિમાચલ પ્રદેશમાં મારો જન્મ થયો હતો.’ હસતાં હસતાં જ સનંદનભાઈએ વાતની શરૂઆત કરી, ‘મારા પપ્પા પંજાબી, જાલંધરમાં હાર્ડવેરની નાનકડી ફેક્ટરી ચલાવતા. મારાં મમ્મી હિમાચલી છે. જાલંધરમાં મારો ઉછેર થયો ને 17 વર્ષની ઉંમરે HSC પાસ કરીને મિકેનિકલ એન્જિનિયરિંગ કરવા IIT જમશેદપુર ભાગ્યો. જમશેદપુર એ સમયે બિહારમાં હતું. બિહારે મારું ઘડતર કર્યું. પહેલાં તો જતાંવેંત જ રેગિંગથી મારું ‘સ્વાગત’ કર્યું. ત્યાં જઈને મને ખબર પડી કે જાતિવાદ પણ હોય છે. પંજાબમાં તમને કોઈ નહિ પૂછે કે, તમારી જાત શું છે? બિહારમાં કોલેજ પહોંચ્યો ને બસમાંથી ઊતર્યો ત્યાં જ એક જોરથી ઝાપટ પડી… ‘લાફો મારીને મને પૂછ્યું, કૌન જાત હો?’સનંદનભાઈનું બિહારમાં ‘સ્વાગત’ થઈ ગયું હતું, ‘બે મિનિટ તો મને સ્વીકારતાં થઈ કે, અહીં થયું છે શું? કેમ કે આમ અચાનકથી કોઈ લાફો મારી દે તો શું સમજવાનું? લાફો મારી મને પૂછ્યું, ‘કૌન જાત હો?’ (‘તારી જાતિ શું છે?) હવે જાત શું એ તો મને ખબર જ નહોતી. મેં કીધું જાત શું છે? એ તો મને નથી ખબર, મારું નામ સનંદન સુધીર છે, અમે પંજાબના હડિયાબાદથી છીએ. પહેલાં અમારી સરનેમ શર્મા હતી, પણ પછી સુધીર થઈ ગઈ. પરંતુ જાત નથી ખબર. પહેલા ત્રણ દિવસ તો મેં બરાબરનો માર ખાધો, ઘણું રેગિંગ થયું પણ પછી કંટાળીને મેં ઘરે ફોન કર્યો કે, મને સમજાવો કે જાત શું હોય છે? ઘરેથી કહ્યું કે આપણે બ્રાહ્મણ છીએ, એવું કહી દેજે.(હડિયાબાદમાં બ્રાહ્મણોએ જે તે સમયે મુઘલો સામે લડત કરી હતી, તેમાં જે પરિવારમાંથી કોઈ શહીદ થયું એમની અટક ‘ધીર’ થઈ ગઈ, અને જે પરિવારમાં એકથી વધુ સદસ્યો શહિદ થયા એમની સરનેમ ‘સુધીર’ થઈ ગઈ હતી.) ‘બિહારમાં મને ઘણું જોવા મળ્યું, મારાં મમ્મી ટીચર, પપ્પા બિઝનેસમાં, એટલે સારી લાઈફસ્ટાઇલ જીવીને આવ્યો હતો. એમાં સીધું બિહાર મળ્યું. મેં એ ચાર વર્ષમાં મેં ભણવાની સાથે તીર-કમાન છરી-ચાકાં ચાલતાં પણ જોયા છે, લોકો રસ્તે જતા કૂતરાંને વીંધી નાખે એવું પણ જોયું છે, બે વ્યક્તિઓ ભાગીને જતી હોય ને સામે કોઈ રોકીને તલવારથી એના હાથ કાપી નાખે એવાં ભયાનક દૃશ્યો પણ જોયાં છે. શરૂઆતી દિવસોમાં જ આ બધું મેં મારી આંખેથી જોયું, પણ પછી નક્કી કરી લીધું કે, હું હવે આ બધાની વચ્ચે રહેતા શીખીશ જ. ધીમે ધીમે આદત પડી ગઈ.’ ‘બે થપ્પડ મારે તો પ્રસાદની જેમ ખાઈ લેવાની’અમે જરા કૂતુહલથી પૂછ્યું કે, રેગિંગમાં શું શું થતું? સનંદનભાઈ કહે, ‘અરે, અમને લાલચોળ કરી દે એવું મારતા. પહેલાં બે-ચાર લાફા મારે, પછી બે-ચાર સવાલો પૂછે, પછી એમની સામને કહે એવું નાચવાનું. પણ પછી એ લોકો મિત્રો બની જાય, જમવા પણ લઈ જાય ને સિટીમાં પણ ફેરવે. ઇન શોર્ટ, રેગિંગ ઈન્ટ્રોડક્શનનો રસ્તો હતો. એટલે પછી તો હું આ બધાથી ટેવાઇ ગયો. ‘બે-ચાર લાફા પડશે એ જ ને, પણ સાથે નવા નવા મિત્રો બનશે.’ એમ વિચારી રોજ રાત્રે નવા મિત્રો બનાવવા નીકળી પડતો. કેમ કે પહેલી વાર કોઈ મારે તો તમને બીક લાગે, બીજી વાર મારશે તો બીક લાગે, પણ પછી ટેવ પડી જાય કે, આ રસ્તો છે, પણ સામે કાંઠે મજા છે. હું નાનો હતો ત્યારે અમારા ઉત્તર ભારતમાં એક કહેવત સાંભળી હતી કે, ‘પુરુષો જો રાત્રે મહિલાઓને એક-બે થપ્પડ મારી દે તો એને પ્રસાદ સમજી લઈ લેવું, એ કોઈ મોટો પ્રશ્ન નથી.’ અલબત્ત, આ વાત યોગ્ય નથી અને સ્ત્રીઓ કે કોઇપણ વ્યક્તિ ઉપર હાથ ઉપાડવો કોઈ કાળે યોગ્ય નથી, પરંતુ મેં તેને પોઝિટિવલી લઇને, આ રેગિંગને પ્રસાદને જેમ લીધો અને ધીમે ધીમે ટેવાઇ ગયો.' ‘રેસ્ટોરાંમાં માથાકૂટ થઈ, તો હું નજીકથી જોવા ગયો!’સુધીરભાઈએ વાત ચાલુ રાખી, ‘આ બધાની મારા જીવન પર ઘણી અસર પડી. કોલેજ પછીનો એક કિસ્સો કહું. IIT કરીને હું પંજાબ પાછો આવી ગયો હતો. એક રેસ્ટોરાંમાં અમે ફેમિલી સાથે જમવા ગયા હતા ને ત્યાં થોડા લુખ્ખાઓની ગાડી આવી ને પાછળ પોલીસની 2-3 ગાડીઓ આવી. લુખ્ખાઓ જોર શોરથી આવી સીધા જ અંદર રેસ્ટોરાંના રસોડામાં ઘૂસ્યા. બધું જ પબ્લિક બહાર ભાગ્યું. પણ મને ઊલટાની ઉત્સુકતા થઈ. જ્યાં બધા બહાર ભાગતા હતા ત્યાં હું અંદર જોવા ગયો કે એ લોકો શું કરે છે. બિહારે મારામાં આ પરિવર્તન લાવી દીધું હતું. જીવનમાંથી ડર ભાગી ગયો ને કોન્ફિડન્સ આવી ગયો.’ IIT પછીના એજ્યુકેશન પર વાત કરતાં સનંદનભાઈ કહે, ‘IIT કર્યા પછી મને ડિઝાઇનમાં રસ પડ્યો, તો અમદાવાદ આવી NID (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન)માં એડમિશન લીધું. પાસ થઈ GEH (જનરલ ઇલેક્ટ્રિક હેલ્થકેર)ના RD સેન્ટર બેંગલોરમાં જોબ શરૂ કરી, જે MRI સિસ્ટમ, સિટી સ્કેન મશીન વગેરે વસ્તુઓ ડિઝાઇન કરી નવી બનાવે છે. ત્યાં જ્યારે પહેલી વાર મેં MRI મશીનને ખુલ્લુ જોયું તો મારી આંખો પહોળી થઇને ખુલ્લી રહી ગઈ કે, એક મશીનની અંદર આટલી બધી ટેક્નોલોજી હોય? આટલું ઊંડાણમાં? અમે ભણ્યા એ તો કશું ભણ્યા જ નથી. 1997થી 2007 સુધી 10 વર્ષ ત્યાં કામ કર્યું ને બધું અલગ અલગ શીખ્યા. ત્યાંથી નીકળ્યો એટલે થોડો કોન્ફિડન્સ આવી ગયો કે, હવે કોઈ ને કોઈ પ્રોડક્ટ તો હું બનાવી જ લઇશ.’ એવું મશીન હોવું જોઇએ, જે નીચેથી ગેસ, ઉપરથી ઓવન હોયતો કંપનીની શરૂઆત કેવી રીતે કરી? ફાઉન્ડર સુધીરે વાત માંડી, ‘હું જ્યારે બેંગલોર હતો ત્યારે ત્યાં જમવાનો સૌથી મોટો પ્રોબ્લેમ હતો. કશું ખાવાનું સરખું ન મળે. એ સમયે 1998ના અરસામાં માઇક્રોવેવ ઓવન આપણે ત્યાં હજુ નવાં નવાં એન્ટર થયાં હતાં. 45 હજાર રૂપિયાનું ઓવન ને સાથે મોટી ચોપડી આવે, જેમાં 300થી વધુ ડિશની રેસિપી લખેલી હોય. મને એમ કે આ એક ઓવન લઈ લઇશ તો મારો જમવાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. પણ એવું કશું ન થયું. 3-4 રેસિપીથી વધુ કશું ન બન્યું. ઉપરથી બધું જાતે બનાવી બનાવીને ખાવું પડતું. લગ્ન પહેલાં ચાર વર્ષ સુધી મેં આમ જાતે જ જમવાનું બનાવ્યું. ગેસ પર ગ્રેવી બનાવું અને ઓવનમાં શાકભાજી. એ સમયે મારા મિત્રો મારા ઘરે જમવા બહુ આવતા, એ લોકોને મારું બનાવેલું બહુ ભાવતું. મને વિચાર આવ્યો કે, એવું કોઈ મશીન હોવું જોઇએ કે જેમાં માઇક્રોવેવ ઉપરથી ગરમ કરી દે અને ગેસ નીચેથી, તો ખાવાનું જલ્દી બની જાય.’ પ્રોડક્ટ છોડો, એપ બનાવોત્યારે જ પ્રોડક્ટ બનાવી નાખી? સનંદનભાઈ કહે, ‘ના રે ના, એ સમયે તો મને ખાલી વિચાર આવ્યો હતો. મેં GEમાં મારો આઇડિયા પણ આપ્યો, પણ એ ગ્લોબલ લીડર્સે મારો ઇન્ડિયન આઇડિયા પાસ ન કર્યો. મેં મારું કામ ચાલુ રાખ્યું ને સાઇડમાં પ્રયાસ પણ. 2007 સુધી GEમાં ઘણી બધી ઇન્ટરનેશનલ ટીમ્સ સાથે કામ કરી, 2008માં ફરી અમદાવાદ આવી ગયો. અહીં આવી IIMમાં ફરી પિચ આપી. એ લોકોને પણ મનમાં ન બેઠું. એ ટાઈમે IIT ફક્ત એપ્સ સ્ટાર્ટઅપમાં જ ઇન્વેસ્ટ કરતું, તો મારો ચાન્સ ન લાગ્યો. એ લોકો મને પણ કહેવા માંડ્યા કે, તમે પણ કોઈ એપ બનાવો, તમને ફૂડમાં રસ હોય તો ખાવાની એપ બનાવો, પણ એપ બનાવો. મેં કહ્યું છોડો યાર, મારે તો પ્રોડક્ટ જ બનાવવી છે, આપકો આપકા ઇન્વેસ્ટમેન્ટ મુબારક, મુજે મેરા આઇડિયા.’ અને અમારું મિશન ‘On2Cook’ શરૂ થયુંતો પછી ઇન્વેસ્ટમેન્ટ? ફાઉન્ડર સાહેબ કહે, ‘હું સમજી ગયો કે, ખાલી આઇડિયા પર તો ઇન્વેસ્ટમેન્ટ મેળવવું અઘરું થશે, પહેલાં કોઈ પ્રોડક્ટ તો બનાવવી જ પડશે. એટલે મેં અને મારી વાઈફે મળીને એક બીજી કંપની ખોલી, ‘ઇન્વેન્ટ ઈન્ડિયા’. જેમાં અમે ડિઝાઇન સર્વિસ પૂરી પાડતાં. મતલબ કે, તમારી પાસે કોઈ સ્ટાર્ટઅપ આઇડિયા છે, પણ એની પ્રોડક્ટ કે કોઈ ડિઝાઇન નથી, તો એ અમે બનાવી આપીશું. પૈસા માટે અમે ઇન્વેન્ટ ઈન્ડિયા શરૂ કર્યું અને 10 વર્ષ સુધી ચલાવ્યું, થોડાં વર્ષોમાં એ ઓટો મોડ પર આવી ગયું, મતલબ એ પછી અમારે એમાં કશું વધારે કરવા જેવું રહ્યું નહીં, હવે અમારી સિનિયર ટીમ જ એ બધું સંભાળી લે છે. હવે અમારું મુખ્ય મિશન હતું, ‘On2Cook’.’ ‘ઓન 2 કૂક’ની ગાડી પાટે ચડી ત્યાં કોરોના આવી ગયોસુધીરભાઈએ વાત ચાલુ રાખી, ‘પૈસાનું સેટિંગ થતાં અમે ફરી ઑન2કૂક પર કામ ચાલુ કર્યું. 2017-18માં અમને પેટન્ટ મળી પણ ગઈ. US અને UK બંને જગ્યાએ ગ્રાન્ટ થઈ ગયું. હવે અમે રાજા હતા. અમે પૂરી એનર્જી એના પર લગાવી દીધી કે, હવે તો આ પ્રોડક્ટને મોટી કરીશું જ. ચાર-પાંચ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ પણ કર્યું. પરંતુ ગાડી પાટે ચડી ત્યાં કોરોના આવી ગયો. દોઢ વર્ષ સુધી ફરી બધું બંધ થઈ ગયું. પણ એ ટાઈમને અમે ટેસ્ટિંગમાં લગાવી દીધો અને મહેનત ચાલુ રાખી. જેવું થોડું ખૂલ્યું કે તરત જ અમે 200-300 રેસ્ટોરાંને મળ્યા ને પ્રોડક્ટ બતાવી. અમને ઘણા ફીડબેક મળ્યા કે શું શું ઇમ્પ્રુવ થઈ શકે છે. એ પછી USના CESમાં (કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક શો - અમેરિકાની બહુ જ મોટી ઇવેન્ટ, જેમાં કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સની દુનિયાભરની અવનવી પ્રોડક્ટને શોકેસ કરવામાં આવે, તેમાં) પણ ભાગ લીધો અને બાદમાં શાર્ક ટેન્કમાં પણ ગયાં.’ ‘શાર્ક ટેન્કમાં અશનીર ગ્રોવરે મને ‘શાકાલ’ કહ્યો’ત્યાં ઇન્વેસ્ટમેન્ટ મળ્યું? સનંદનભાઈ કહે, ‘શાર્ક ટેન્કમાંથી ઇન્વેસ્ટમેન્ટ તો ન મળ્યું પણ એનાથી લોકોને અમારી પ્રોડક્ટ વિશે જાણ થઈ અને મને ઓળખતા થયા. એ સમયે અમારી પાસે રેવન્યુ નહોતી એટલે એમણે ઇન્વેસ્ટમેન્ટ ન આપ્યું. ત્યાં અશનીર ગ્રોવરે મને (‘શાન’ ફિલ્મના વિલન) ‘શાકાલ’ સાથે પણ કમ્પેર કર્યો, એમાં ઘણાં મીમ્સ બન્યા ને લોકો સુધી મારું અને મારી પ્રોડક્ટનું નામ પહોંચ્યું. એ પછી અમને બે-ચાર મહિનામાં જ બીજેથી ઇન્વેસ્ટમેન્ટ મળી ગયું ને ઓક્ટોબર 2022માં ‘ઓન2કૂક પ્રાઈવેટ લિમિટેડ કંપની’ પણ કરી દીધી. ઇન્વેસ્ટર મયુર દેસાઇએ મેજર ઇન્વેસ્ટમેન્ટ કર્યું ને અમારી કંપની દોડતી થઈ. ચારેબાજુથી બધું મળી અમને ₹25 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ મળી ગયું.’ ‘અમારું મશીન 15 દિવસ સતત ચલાવતા રહો, કશું નહીં થાય’સનંદનભાઈએ વાત આગળ ધપાવી, ‘અમે પ્રોડક્ટને ઓર ડેવલપ કરી અને માર્કેટમાં લોન્ચ કરી. પ્રોડક્ટના 500 પીસ પણ બનાવ્યા. એમાંથી થોડા જ ટાઈમમાં 400 પ્રોડક્ટ વેચાઈ પણ ગઈ અને 100 પ્રોડક્ટ અમે ટ્રાયલ માટે રાખી. અમે ગેરંટીથી કહી શકીએ છીએ કે, તમે અમારી પ્રોડક્ટને 15 દિવસ સુધી રાત-દિવસ સતત ચલાવતા રહેશો, તો પણ એમાં કશું જ નહીં થાય અને તે એકદમ બરોબર ચાલશે.’ જેવું કામ, એવું જ નામ‘ઓન ટુ કૂક’ નામ પાછળની સ્ટોરી શું છે? ઓન ટુ કૂકનાં ‘ફોઈબા’ સુધીર હસ્યા, ‘સિમ્પલ છે, જેવી પ્રોડક્ટની ડિઝાઇન એવું નામ. એક ઢાંકણું છે, જે કૂકિંગ પોઈન્ટ પર છે, અંદર જે વસ્તુ કૂક થઈ રહી છે એના પર છે. બસ, ઑન ટુ કૂક (રસોઈની ઉપર). એક બીજું રિઝન એ પણ હતું કે કોઈ પણ ક્રિએટરનું માઇન્ડ કોઈ ને કોઈ વસ્તુ પર હોય છે. એ રીતે મારું ફોકસ ફક્ત ને ફક્ત કૂકિંગ પર જ છે. મતલબ કે અમારી કંપનીનું ફોકસ ફક્ત રસોઈ પર જ છે, ઑન ટુ કૂક.’ તમારી કેટલા લોકોની કંપની છે ને કેટલાનું ટર્નઓવર કરી લે છે? સુધીરભાઈ હસતાં હસતાં કહે, ‘જ્યારે શરૂ કર્યું ત્યારે હું એકલો જ હતો, પણ ધીમે ધીમે લોકોને જોડતો ગયો ને અત્યારે અમે 140-150 લોકોની ટીમ સાથે કામ કરીએ છીએ. પૈસાની વાત કરીએ તો, ઓન2કૂકનું ₹15-20 કરોડનું ટર્નઓવર થઈ જાય છે અને ઇન્વેન્ટ ઈન્ડિયાનું ₹20-22 કરોડ જેવું ટર્નઓવર થઈ જાય છે.’ આ પહેલાં કોઈ જોબ કે બિઝનેસ કર્યો હતો? સનંદનભાઈ સલાહ આપતા કહે, ‘પહેલાં GEમાં નોકરી પણ કરી, વચ્ચે પેન્ટિંગ્સ પણ વેચ્યા, બીજા એક-બે બિઝનેસ માટે પણ ટ્રાય કરી, પણ છેલ્લે નક્કી કર્યું કે, ‘જોબ ને બિઝનેસ બંને સાથે ન થાય.’ તમારે એક તો છોડવું જ પડે. એટલે બધુ મૂકી બિઝનેસમાં તૂટી પડ્યો. અત્યારે અમે પતિ-પત્ની મળી કંપની સાથે ચલાવીએ છીએ, હું મેન્યુફેક્ચરિંગ પાર્ટ સંભાળું છું, પ્રોડક્ટ બનાવું છું. પણ એ પ્રોડક્ટ માટેનો બિઝનેસ આખો મારી વાઈફ જ્યોતિ હેન્ડલ કરે છે. એનું ફોકસ ફક્ત પૈસા પર ને મારુ ફક્ત ટેકનોલોજી પર. જ્યોતિ CEO છે અને હું CTO. આ પહેલાં અમારે બીજો બિઝનેસ કરવો પડ્યું એનું કારણ એ જ હતું કે, કોઈ પ્રોડક્ટ બિઝનેસમાં ઇન્વેસ્ટ કરવા તૈયાર જ નહોતું, દરેકે ITમાં જ સ્ટાર્ટઅપ કરવું હતું. એમાં જેવો થોડો પણ ફાયદો થયો એટલે તરત જ ઑન ટુ કૂક શરૂ દીધું.’ જાદુઈ મશીનઃ ફિલ ઇટ, શટ ઇટ, ફરગેટ ઇટ!સનંદનભાઇ પોતાની પ્રોડક્ટ વિશે ગર્વભેર સમજાવતાં કહે, ‘ઑન 2 કૂક મશીન મોબાઈલમાં એપ્લિકેશન સાથે કનેક્ટેડ છે. જેમાં અત્યારે તમે વિવિધ ક્વિઝિન્સની 300થી વધુ આઇટેમ્સ બનાવી શકો છો. આવનારા સમયમાં આ આંકડો વધીને એક હજાર વાનગીઓનો થઈ જશે! કેટલી માત્રામાં તમારે એ આઈટમ બનાવવી છે, એ સિલેકટ કરશો એટલે એપ્લિકેશનમાં તમને કહેશે કે, તે વાનગી બનાવવા માટે તમારે મશીનમાં કઈ કાચી સામગ્રી કેટલા પ્રમાણમાં અંદર ઉમેરવાની છે. એ બધું જ અંદર ઉમેરી મશીનનું ઢાંકણ બંધ કરીને ઑન કરી દો. 5-10 મિનિટમાં કોઈ પણ આઈટમ બનીને એકદમ તૈયાર થઈ જશે. જે વાનગી બનાવતા તમારે ફુલ અટેન્શન સાથે એકથી દોઢ કલાક થતો હશે એ ફક્ત 5-10 મિનિટમાં તૈયાર થઈ જશે.’ સનંદનભાઈ આગળ કહે, ‘દુનિયામાં બે પ્રકારના લોકો છે, એકને રસોઈ બનાવતા આવડે છે અને એકને નથી આવડતું. બંને માટે અલગ અલગ મેસેજ છે. જેને રસોઈ આવડે છે, એમને કહીશ કે, તમને અડધા પૈસામાં 70% ઝડપથી દુનિયાનું સૌથી ટેસ્ટી ફૂડ મળશે. જ્યારે બીજા પ્રકારના જે લોકોને જમવાનું બનાવતા આવડતું જ નથી, એમને કહીશ કે, ‘ભાઈ (કે બહેન) તમારાં મનમાં જે વિચાર આવે એ વાનગી વિચારો, એપમાંથી સિલેકટ કરો, ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરો, અને ચપટી વગાડતાંમાં બેસ્ટ ટેસ્ટવાળું ફૂડ તૈયાર મળશે! કોઈ જ ટેન્શન લેવાની જરૂર નથી.’ ઘર, કેફે, રેસ્ટોરાંઃ રસોઈ બનાવતો અલાદ્દીનનો જાદુઈ ચિરાગતમારી પ્રોડક્ટ B2B જ છે એટલે કે રેસ્ટોરાં વગેરેને જ વેચો છો કે સામાન્ય કસ્ટમર પણ ખરીદી શકે છે? સનંદનભાઈ કહે, ‘અમે કોઈ એવું લિમિટેશન નથી રાખ્યું, પણ અત્યારે આ પ્રોડક્ટની કિંમત ₹1.20 લાખ જેવી છે, એટલે પોતાના ઘર માટે વસાવતા કસ્ટમર ઓછા મળે છે, પરંતુ જે કેફે અને રેસ્ટોરાંમાં અમારી પ્રોડક્ટ જાય છે, એમના ઘણા માલિકોએ એમના ઘર માટે ખરીદી છે. જો કોઈને લેવું હોય તો એ લોકો ખરીદી જ શકે છે, કોઈ ના નથી. બાકી મોટે ભાગે રેસ્ટોરાં અને કેફે અમારી પ્રોડક્ટ ખરીદે છે, જેમાં હોક્કો, કાફા, ટીપોસ્ટથી લઈ જસ્સી દે પરાઠે સુધીની ઘણી મોટી બ્રાન્ડ્સ અમારી કસ્ટમર છે. અમારો ટાર્ગેટ છે કે, આ ફાઇનાન્શિયલ વર્ષમાં અમે 3 હજાર પ્રોડક્ટ વેચવાનો, જે ઓલમોસ્ટ પૂરો થઈ જશે. અમારાં નવાં નવાં મશીનોનું પ્રોડક્શન પણ ચાલુ જ છે.’ 10 મિનિટમાં 10 લોકોનું જમવાનું તૈયાર!અત્યારે એક જ પ્રોડક્ટ છે? સુધીરભાઈ કહે, ‘હા, અત્યારે આ એક પ્રોડક્ટ છે, અને હજુ આના જેવી જ બીજી બે-ત્રણ પ્રોડક્ટ અમે ડેવલપ પણ કરી રહ્યા છીએ. એક વખતમાં આ મશીન 3 કિલો જેટલું જમવાનું બનાવી શકે છે. અને જે બીજું બનાવીએ છીએ એ 10 લિટર જેટલું બનાવી શકે છે. ઉદાહરણ તરીકે તમારે પાસ્તા બનાવવા છે તો બે કિલો પાસ્તા ફક્ત 7 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. બાકી તો 4-5 લોકો માટે બનાવવું હોય તો 4-5 મિનિટમાં તૈયાર. જો તમારે બિરયાની બનાવવી છે, તો 15 લોકો ખાઈ શકે એટલી 3 કિલો બિરયાની ફક્ત 10 મિનિટમાં તૈયાર થઈ જશે. 10 મિનિટમાં 10 લોકોનું જમવાનું તૈયાર!’ ‘આવતાં 10 વર્ષોમાં તો 100 દેશમાં અમારી પ્રોડક્ટ વેચાતી હશે’તમારું સૌથી મોટું ટાર્ગેટ ઓડિયન્સ કોણ છે? સુધીરભાઈ કહે, ‘સૌથી વધુ તો ક્લાઉડ કિચન, રેસ્ટોરાં અને નાના કેફે જ ખરીદે છે. જે લોકોએ એકથી વધુ આઉટલેટ બનાવવી છે, એ સૌથી વધુ અમારી પ્રોડક્ટ ખરીદે છે. જેથી કોઇપણ વ્યક્તિ ગમે તે બ્રાન્ચમાં એક વાનગી બનાવે છતાં તેમને દરેક ઠેકાણે એકસરખો ટેસ્ટ મળી રહે. એટલું જ નહિ, અમારું આ મશીન વિદેશમાં પણ એટલી જ વેચાય છે. દુબઈમાં અમરા ડિસ્ટ્રિબ્યુટર છે, UKમાં શરૂ થઈ રહ્યું છે. 2030 સુધીમાં 10 દેશમાં અમારી પ્રોડક્ટ વેચાતી હશે, બાકી આવતાં 10 વર્ષોમાં તો 100 દેશોમાં પહોંચી જઈશું.’ યંગ આંત્રપ્રેન્યોર્સને શું સલાહ આપશો?સનંદનભાઈ ફિલ્મી સ્ટાઇલમાં કહે, ‘એક જ વાત કહીશ, ‘છોડને કા નહીં, કુછ ભી હો જાયે.’ અમારા 15 પ્રોટોટાઈપ નિષ્ફળ ગયા પછી આ આઈટમ બની છે. હું ત્રણ નિષ્ફળતા પછી પણ છોડી શકતો હતો ને 14 પછી પણ છોડી શકતો હતો, પણ મંડ્યું રહેવાનું. એક દિવસ સફળતા મળશે જ.’
સમૂહ લગ્નનું આયોજન:‘છૂટાછેડાના વધી રહેલા બનાવોને રોકવા માટે સમાજના આગેવાનોએ જ પ્રયત્ન કરવો પડશે’
ગુજર ક્ષત્રિય યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઠમાં સમૂહ લગ્ન સમારોહમાં 22 યુગલો તે પ્રભુતામાં પગલા માંડ્યા હતા ગઢપુર રોડ મંણીબા ફાર્મ ખાતે યોજાયેલા સમૂહ લગ્ન સમારોહમાં સુરત ઉપરાંત વિવિધ શહેરમાંથી જ્ઞાતિના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આગેવાનોએ સમાજલક્ષી માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં સમગ્ર સમાજમાં સળગતો પ્રશ્ન છુટાછેડાનો છે. તેને અટકાવવા માટે આગેવાનોએ પ્રયત્ન કરવો પડશે. ગયા વર્ષે સમૂહ લગ્નમાં જોડાઈને લગ્ન કર્યા હોય અને બીજા વર્ષે તે યુગલના છુટાછેડા થઈ ગયા હોય તેવા ઘણા બનાવો જોવા મળતાં હોય છે. આવા સંજોગોમાં બંને પરિવારોએ સમજદારી કેળવવી પડશે. 20-22 વર્ષ સુધી જે પરિવારમાં રહીને દીકરી મોટી થઈ હોય પિયર છોડીને નવા પરિવારમાં આવે છે ત્યારે તેને સેટ થતાં સમય લાગે છે માટે સમજદારી કેળવવી જોઇએ. સમૂહ લગ્નમાં અનેક અગ્રણીઓ હાજર રહ્યાસમૂહ લગ્નમાં સુરતની વિવિધ સંસ્થાઓના આગેવાનો, રાજકીય, સામાજીક અગ્રણીઓ, સરકારી અધિકારીઓ ઉપરાંત ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ રાજકોટ, જૂનાગઢ, જામનગર, મહુવા, સાવરકુંડલા, તળાજા, વાપી સહિતના વિવિધ શહેરોના અગ્રણીઓ હાજર રહ્યા હતા. યુવા પ્રમુખ વિનોદ ગોહિલ સહિતના હોદ્દેદારો અને યુવા ટીમે કાર્યક્રમની વ્યવસ્થા સંભાળી હતી.
ખભે બેસાડી પૂરમાંથી બહાર કાઢી ભૂલાય?:6 વર્ષ પછી પૃથ્વીસિંહને જોઇ દીકરીઓ ગદગદ
ટંકારા પોલીસ મથકમાં મારું પ્રથમ પોસ્ટીંગ હતું અને તે સમયે એટલે 2019ના ઓગસ્ટ મહિના 9 અને 10 ઓગસ્ટના રોજ ભારે વરસાદને પગલે ટંકારા જામનગર હાઈવે પર ખાખરા પુલ પાસે મારી ડ્યુટી હતી. અમારી ડ્યુટી પૂર્ણ થતા અમે પોલીસ મથકે પરત ફર્યા હતા અને ત્યાંથી અમને મેસેજ મળ્યો કે આખી રાત થયેલા વરસાદ અને જબલપુર ગામનું તળાવ તૂટી જતા પાણીનો મોટો પ્રવાહ કલ્યાણપર ગામને જોડતા રોડ પર આવેલા આશાબા પીર તરીકે જાણીતી વસાહતમાં પહોંચ્યો છે અને ત્યાં રહેતા અનેક પરિવાર ફસાયા છે. આ મેસેજ મળતા જે તે સમયના અમારા પી એસ આઈ લલીતા બગડા ,સીનીયર પોલીસ કર્મી ફિરોઝભાઈ અને હું એમ ત્રણ લોકો અહી પહોંચ્યા હતા. છુટાછવાયા વિસ્તારના કાચા ઝુંપડામાં રહેતા લોકો ફસાયા હતા સૌ પ્રથમ અમે નજીક રહેતા લોકો બહાર કાઢી તેમનો જીવ બચાવ્યો હતો. કાંગશિયા પરિવારના લોકો જે સ્થળે રહેતા હતા ત્યાં ૪ ફૂટ કરતા પણ વધારે પાણી હતું બનાવ વખતે બાળકીના પિતા પણ હાજર ન હતા તેઓ અન્ય સ્થળે ફસાઈ ગયા હતા જેથી અમે ઝડપથી શક્ય લોકોને ઉંચકી બહાર કાઢયા હતા આ દરમિયાન બે દીકરી માત્ર 8 કે 9 વર્ષની હતી જે પાણીના પ્રવાહમાં નીકળી શકે તેવી સ્થિતિ ન હતી. અન્ય પોલીસ સ્ટાફ ફસાયેલા લોકોને બહાર કાઢવામાં વ્યસ્ત હોવાથી મેં બાળકીઓને ખભે બેસાડી સુરક્ષિત ઉચાઇ વાળા ઢોરાં વિસ્તાર સુધી લઇ જવા પ્રયાસ કર્યો હતો. લગભગ એકથી દોઢ કિમી સુધી પાણીમાં ચાલી બાળકીઓને બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો. આ શબ્દ છે 2019માં એક સાથે બે દીકરીને ખભે બેસાડી ૪ ફૂટ ઊંડા પાણીમાંથી બહાર કાઢી લગભગ દોઢ કિમી સુધી ચાલી સુરક્ષિત સ્થળે પહોચાડનાર કોન્સ્ટેબલ પૃથ્વીરાજ સિંહ રણજીતસિંહ જાડેજાના... આજે પણ પૃથ્વીરાજસિંહને જોઇબન્ને બાળકી વિભોર બની જાયબીજી તરફ જે બે બાળકીને પૃથ્વીરાજ સિંહે બચાવી હતી તે ભાનુ(દેવુ) દિનેશ રાઠોડ અને આશા દિનેશ રાઠોડ, પૈકી આશા બાળકી ધોરણ 8માં અભ્યાસ કરી રહી છે જયારે મોટી ભાવુ દીકરી પિતાના કામમાં મદદરૂપ બની રહી છે. બન્ને દીકરીઓ આજે પણ પૃથ્વીરાજ સિંહને જોઈ તુરત ભાવવિભોર થઇ જાય છે બન્ને બહેનોને તે દિવસની ઘટના સંપૂર્ણ પણે યાદ છે કે તે દિવસે પાણીમાં કેવી રીતે ફસાયા હતા અને પૃથ્વીરાજ સિંહ તેમજ તેમની સાથે ના પોલીસ કર્મીઓ દેવદૂત બનીને મોતના મુખમાંથી બહાર લાવ્યા હતા. પિતા દિનેશભાઈ એ સમય યાદ કરી ગદગદિત બની જાય છે અને કહે છે કે પોલીસ કર્મીના લીધે જ મારી દીકરીઓ બચી શકી છે, નવજીવન મળ્યું છે. જ્યાં સુધી તેઓ ટંકારા પોલીસ મથકમાં ફરજ પર હતા ત્યારે એ ઘટના બાદ પણ અવાર નવાર તેઓને મળવા આવતા અને ખબર અંતર પૂછવા આવે છે ક્યારેક બિસ્કીટ અને નાસ્તો પણ લઈને આવતા. નાની દીકરી અભ્યાસમાં તેજસ્વીછે, નોકરી કરવાનું તેનું સ્વપ્નપિતા દિનેશભાઇએ જણાવ્યું હતું કે મારી નાની દીકરી હોંશિયાર છે અને તેને નોકરી કરવાનું સ્વપ્ન છે. જો કે આ ઘટના બાદ તંત્ર દ્વારા આ પરિવારને સુરક્ષિત સ્થળે પ્લોટની ફાળવણી કરવામાં આવી છે.મકાન માટે આર્થિક મદ્દદ માટે અરજી કરી છે પણ હજુ રકમ મંજૂર ન થતા હજુ જૂના સ્થળે રહીએ છીએ.મોટી દીકરી દેવુંએ અભ્યાસ છોડી દીધો છે અને મને મજુરી કામમાં મદદરૂપ થાય છે.
ભાસ્કર એક્સક્લુસિવ:સુરત હવે બનશે CA કરિઅરનું ગેટવે કોલેજોમાં હશે એકાઉન્ટિંગ મ્યુઝિયમ
સુરત હવે માત્ર કાપડ અને હીરાનું જ નહીં, પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) કરિઅરનું પણ મુખ્ય પ્રવેશદ્વાર બનવા જઈ રહ્યું છે. ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)ની વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ (WIRC) એ ગુજરાતની સ્કૂલો અને કોલેજોમાં 30 જેટલા ‘’એકાઉન્ટિંગ મ્યુઝિયમ’’ સ્થાપવાની મહત્ત્વકાંક્ષી યોજના જાહેર કરી છે, જેમાં સુરત સહિત રાજ્યના અન્ય આઠ શહેરોને આવરી લેવામાં આવ્યા છે. ICAI-WIRCના સભ્ય બિશન શાહે જણાવ્યું હતું કે, “ગણિતમાં રસ ધરાવતા વધુને વધુ વિદ્યાર્થીઓ સ્કૂલ-કોલેજ સ્તરેથી જ એકાઉન્ટિંગ ફીલ્ડની તમામ વિગતો મેળવે અને CAની કારકિર્દીની પસંદગી કરે તે હેતુસર આ ઉપક્રમ હાથ ધરાયો છે.” આ સમગ્ર કવાયતનો હેતુ સ્કૂલ અને કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓમાં એકાઉન્ટિંગના વ્યવસાય પ્રત્યે રુચિ વધારવાનો અને દેશમાં CA પ્રોફેશનલ્સની સંખ્યામાં વધારો કરવાનો છે. આ મ્યુઝિયમ ચાર ભાગમાં હશે 1. ઇતિહાસ અને ઉત્ક્રાંતિ: 2. પ્રાચીન પુરાવાઓ અને પદ્ધતિઓ: 3. ભારતમાં CA વ્યવસાયનો વિકાસ: ભારતમાં એકાઉન્ટિંગ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના પ્રોફેશનના વિકાસ પર કેન્દ્રિત હશે. 4. પ્રદર્શિત દસ્તાવેજો: આ છે ‘’એકાઉન્ટિંગ મ્યુઝિયમ’’એકાઉન્ટિંગ મ્યુઝિયમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને લોકોને એકાઉન્ટિંગના ઇતિહાસ, ઉત્ક્રાંતિ અને મહત્ત્વ વિશે માહિતગાર કરવાનો છે. આ મ્યુઝિયમ હિસાબોના નિયમો સમજાવવાની સાથે ઇતિહાસમાં ગણતરી અને રેકોર્ડ રાખવાની પદ્ધતિઓ કેવી રીતે બદલાઈ છે તે દર્શાવે છે. ICAI-WIRC દ્વારા સ્થપાઈ રહેલા આ મ્યુઝિયમ ખાસ કરીને વિદ્યાર્થીઓને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના વ્યવસાય પ્રત્યે રસ જગાવવા બનાવાશે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'
મંડે પોઝિટીવ:હાશ ! હવે મોરબીના રસ્તાની હાલત સુધરશે,શહેરના આઠ રોડ ડામરથી મઢી નવા બનાવાશે
મોરબી શહેરના અને ભાગોળના અસપાસના માર્ગોની હાલત લાંબા સમયથી અંત્યત ખરાબ હોવાથી લોકોના મનમાં હવે મોરબીમાં સારા રોડ બનશે કે નહીં તેવી અનિશ્ચિતતા સર્જાઈ છે. પણ લોકોની આવી ધારણા ખોટી પાડવા સરકાર અને મનપા હવે રહી રહીને મેદાને આવ્યું છે. સરકારની સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ લીલીઝંડી મળતા મોરબી મનપાએ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં 13.99 કરોડના 8 રોડને નવા ડામર રોડ બનાવવાની મંજૂરી આપી છે. જોકે કામ જ્યાંરથી શરૂ થાય ત્યારે પરંતુ લોકોને એક બાબતની ધરપત મળી છે કે આવનારા સમયમાં રસ્તા સારા મળશે. આ રસ્તાઓ પરથી ખાડાનુંનામોનિશાન મિટાવી દેવાશેમોરબીના નવલખી રોડથી શ્રધ્ધા પાર્ક સુધી રોડનું કામ રૂ.1.19 કરોડના ખર્ચે, જૂની પોસ્ટ ઓફસથી નજરબાગ ફાટક સુધી રોડનું કામ રૂ.73 લાખના ખર્ચે, સુપર ટોકીઝથી આસ્વાદ પાન સુધી રોડનું કામ રૂ.17 લાખના ખર્ચે , સ્ટેટ હાઈવેથી રોહિદાસ પરા સુધી રોડનું કામ રૂ.2.44 કરોડના ખર્ચે, વાવડી ગામથી નંદીઘર સુધી રોડનું કામ રૂ.3.80 કરોડના ખર્ચે, ઉમીયાનગરથી જુના રફાળેશ્વરની ફાટક સુધી રોડનું કામ રૂ. 1.79 કરોડના ખર્ચે, કાલીન્દ્રી નદીથી જુના ઘુંટુ રોડ સુધી રોડનું કામ રૂ.2.32 કરોડના ખર્ચે, ઈડન ગાર્ડનથી બોરીયા પાટી નાલા સુધી રોડનું કામ રૂ.1.55 કરોડના ખર્ચે કરવામાં આવશે.આ તમામ રોડના કામો ટૂંક સમયમાં શરૂ કરવાનો મનપાએ નિર્દેશ આપ્યો છે. સમયમર્યાદામાં કામ પૂરા કરવા કમિશનની સૂચનામનપાએ હવે સુસ્તી ઉડાડી છે અને રોડ રસ્તાના કામ, સફાઇ ઝુંબેશ આદર્યા છે ત્યારે આ કામો યોગ્ય રીતે થાય છે કે નહીં તેની મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેએ ચકાસણી કરી હતી અને કામોના લેઆઉટ તથા ચાલતા કામની સમીક્ષા કરીને કામને સમય મર્યાદામાં પૂર્ણ કરવા એજન્સીને સૂચના આપી હતી. સૂરજબાગ, શંકર આશ્રમ,બજરંગ અખાડાના વિકાસનાકામ હાથ પર લેવાયામોરબીમાં જાહેર ઉદ્યાનો, બાગની હાલત લાંબા સમયથી બદતર છે. તેમજ બજરંગ અખાડા જીમની ઇમારત સાવ ખખડી ગઇ હતી. આથી મોરબી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને સુવિધા પુરી પાડવા માટે 5.12 કરોડ રૂપિયાના ખર્ચે સૂરજબાગ, 2.17 કરોડ રૂપિયાના ખર્ચે શંકર આશ્રમ તથા 1.87 કરોડ રૂપિયાના ખર્ચે બજરંગ અખાડા જીમના ડેવલપમેન્ટના કામ કરવા આયોજન કરાયું છે. આ માટે એજન્સીને વર્ક ઓર્ડર આપીને આ કામો શરૂ કરવામાં આવ્યા છે. મનપા બન્યા પછી સ્વાભાવિક છે કે લોકોની અપેક્ષાઓ વધી જાય અને પાલિકા વખતે થયેલા કડવા અનુભવો ફરી ન કરવા પડે તેવું લોકો ઇચ્છી રહ્યા છે અને તેમાંયે રસ્તા, ટ્રાફિક અને સફાઇ તેમજ પાણી મુદે અનેક વિસ્તારોમાંથી ફરિયાદોનો મારો શરૂ થયો છે ત્યારે મનપાએ આળસ ખંખેરી છે પરંતુ જોવાનું એ રહે છે કે કામને મંજૂરી મળ્યા પછી નિયત સમયમર્યાદામાં કામ શરૂ થાય અને પૂર્ણ થાય તેનું સઘન ચેકિંગ થાય.અને મનપાના અધિકારીઓ આ બાબતને ગંભીરતાથી લે.
વરાછામાં લોકોનો વિરોધ, CMને રજૂઆત:‘કોટેજ ઇન્ડસ્ટ્રીઝને લીધે બહેન, દીકરીનું નીકળવું મુશ્કેલ બનશે’
ટી.પી સ્કીમ નં 4 (અશ્વિનીકુમાર-નવાગામ), ફાયનલ પ્લોટ 23, સી તથા 52 બી-2વાળી જમીન રહેણાંક કે ઇન્ડસ્ટ્રિયલ ઝોનમાં શિફ્ટ કરાઈ છે. જો કે, સ્થાનિકોએ કોર્મશીયલ કે કોટેજ ઇન્ડસ્ટ્રીના આયોજનો રદ કરવા કચેરીઓમાં અરજી કરી છે અને કોર્ટમાં જવાની પ્રોસેસ પણ શરૂ કરી છે. ઉપરાંત મુખ્યમંત્રીને લેખિત રજૂઆતો કરી છે. ધર્મિષ્ઠા પાર્ક અને આસપાસની સોસાયટીના રહીશોનું કહેવું છે કે શાંતિ જોખમાશે તથા પ્રદૂષણ અને અસામાજિક પ્રવૃત્તિ પણ વધશે. રહીશોએ વેપારીઓ, દલાલો અને જાહેર જનતાને પણ અપીલ કરી છે કે, આ વિવાદિત જગ્યા પર બુકિંગ કરતા પહેલા ગંભીરતાથી વિચારે. કારણ કે સ્થાનિકો આ પ્લાનિંગને રદ કરાવવા મક્કમ છે. તેમના મતે, ‘અમે અહીં ધર્મિષ્ઠા પાર્ક સોસાયટીમાં 25થી 30 વર્ષથી શાંતિથી રહીએ છીએ. 2023માં જ્યારે આ ઇન્ડસ્ટ્રિયલ બુકિંગ આવ્યું ત્યારે પણ વિરોધ કર્યો હતો. તાજેતરમાં જ બાજુના વિસ્તારમાં બુટલેગર વોર થતાં તલવારો અને છરા ઉછળ્યા હતા. જો અહીં ઇન્ડસ્ટ્રીઝ આવશે તો આવું ન્યુસન્સ કાયમી બની જશે અને બહેન-દીકરીઓનું બહાર નીકળવું મુશ્કેલ થઈ જશે. અમે આ પ્રોજેક્ટનો અંત સુધી વિરોધ કરીશું. જો માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરાશે. હાલમાં આ મુદ્દો સમગ્ર વરાછા વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
સુરતના ઉદ્યોગકારે સફરજનના વેસ્ટમાંથી ‘વિગન લેધર’ બનાવ્યું છે. હિમાલિયા ગ્રુપ હિમાચલ પ્રદેશમાં બે ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ ચલાવે છે, જ્યાં સફરજનનું જ્યુસ બનાવ્યા પછી વેસ્ટ નીકળે છે. હિમાચલમાં એપલ વેસ્ટને સીધું કચરામાં નાંખી શકાય એમ ન હોવાથી મોટો પડકાર ઊભો થયો હતો. આ વેસ્ટનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે કંપનીએ સંશોધન કરતાં વિચાર આવ્યો કે, આ વેસ્ટમાંથી લેધર જેવું મટિરિયલ બનાવી શકાય છે. કંપનીએ રિસર્ચ કરી આખરે સફરજનના વેસ્ટમાંથી વિગન લેધર બનાવવામાં સફળતા મળી હતી. કંપનીએ આ પ્રોડક્ટ હવે ટ્રેડમાર્ક માટે અરજી પણ કરી છે. લેધરની વૈશ્વિક બજારમાં પણ માંગ થઈ રહી છે. ઈથેનોલ ઉત્પાદનમાં સંશોધનનો માર્ગ પણ ખુલ્લો થયોકંપનીએ એપલ સ્પિરિટ માટે પણ લાઈસન્સ મેળવી લીધું છે. આ માટે ફ્રાન્સની એક કંપની સાથે ટાઈઅપ કરવામાં આવ્યું છે. આ ફળના કચરાથી સ્પિરિટ ઉત્પાદનના સંશોધન અને વિકાસને સક્ષમ બનાવશે. ફળના કચરાથી સ્પિરિટ ઉત્પાદનને કારણે પેટ્રોલિયમ ક્ષેત્રમાં તેનો વધતો ઉપયોગ ધ્યાનમાં લેતા, કચરામાંથી ઈથેનોલ ઉત્પાદનના નવા દ્વાર ખુલશે સુરતના ઉદ્યોગકારોના નવીનતા આધારિત આ પ્રયત્ને માત્ર એપલ વેસ્ટના નિકાલની સમસ્યા ઉકેલી નથી, પરંતુ વૈશ્વિક બજારમાં વન-પ્રોડક્ટ વેસ્ટ મેનેજમેન્ટ અને વિગન લેધરની એક નવી દિશા પણ ઊભી કરી છે. કોટન સ્પિનિંગ યાર્નનો અમારો વ્યવસાય છેસફરજનમાંથી નીકળતા વેસ્ટનો ઉપયોગ સતત ચિંતાનો વિષય બની ગયો હતો. લાંબા ગાળાના રિસર્ચ બાદ અમે સમજ્યા કે આ વેસ્ટમાંથી ઉત્તમ ગુણવત્તાનું વિગન લેધર બનાવી શકાય એમ છે. આજે આ લેધર ચાઈનાની પ્રતિષ્ઠિત કંપનીઓને સેમ્પલિંગ અને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે, ઉપરાંત માંગ પણ થઈ રહ્યું છે.’ > રવિ રાજ દેસાઈ, મેનેજિંગ ડિરેક્ટર, હિમાલિયા ગ્રુપ
વેપારીનું અપહરણ:‘તારા ભાઈ પાસેથી 4થી 5 કરોડ લેવાના છે, તે કેમ આપતો નથી,’ કહી વેપારીનું અપહરણ
મોરબીમાં રહેતા અને પીપળી જેતપર રોડ પર આવેલા કોયો સિરામિક ફેક્ટરી સામે મોબાઈલની દુકાન ચલાવતા એક યુવક તેની દુકાને હતા ત્યારે તેના ભાઈના મિત્રો અને કેટલાક શખ્સ આવી પહોચ્યા હતા અને તારા ભાઈ પાસેથી રૂ 4 થી 5 કરોડ લેવાના છે કહી અપહરણ કરી લઇ ગયા હતા. જે અંગેની જાણ તેના પરિજનોને થતા તેઓએ પોલીસ કન્ટ્રોલમાં ફરિયાદ કરતા પોલીસે અલગ અલગ ટીમ બનાવી યુવકનું અપહરણ કરનાર ત્રણ શખ્સને ઝડપી લઇ યુવકને છોડાવ્યો હતો પોલીસે આરોપીઓ પાસેથી ચાર મોબાઈલ અને કાર સહિત 10.40 લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની વિગત જોઇએ તો ત્રાજપર ચોકડી નજીક રવી નગરમાં રહેતા અને મોબાઈલની દુકાન ચલાવતા અમરતસિંગ ભુરાસિંગ ઉર્ફે ભૂરો સોઢા નામના વેપારી તેની દુકાને સુતા હતા ત્યારે તેમના ભાઈ નરસિંગના મિત્ર પીયુષ પટેલ તેમજ નવઘણ અને અન્ય લોકો આવી પહોંચ્યા હતા અને બળજબરી કરી પોતાની કારમાં લઇ ગયા હતા અને પાવડીયારી કેનાલ પાસે લઇ જઇ માર માર્યો હતો અને કારમાં કહેવામાં આવ્યું કે અમારે તારા ભાઈ પાસેથી 4 થી 5 કરોડ રૂપિયા લેવાના છે. જો કે આ ઘટનાની પરિવારને જાણ થતા જિલ્લા પોલીસ કંટ્રોલને ફરિયાદ કરવામાં આવતાં પોલીસ હરકતમાં આવી હતી અને ચોતરફ નાકાબંધી કરવામાં આવી હતી. એ વખતે શંકાસ્પદ જીજે3 એફડી 7997 નંબરની કાર પસાર થતાં તેને અટકાવી અમરતસિંગ ભુરાસિંગ ઉર્ફે ભૂરો સોઢાને છોડાવ્યો હતો અને નવઘણ ઉર્ફે ખુટીયો વેલજીભાઈ સોઢા, ભગીરથ રતિલાલ થોરીયા, અને પિયુષ હસમુખભાઈ લોરીયાની ધરપકડ કરી કાર સહિત 10.40 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
ગામ ગામની વાત:સરસ્વતીના ઉંદરામાં ગ્રામજનો સહયોગથી લાઈબ્રેરીથી મેદાન સુધીની સગવડો
સરસ્વતી તાલુકાના ઉંદરા ગામમાં પાછલા વર્ષોની સરખામણી એ 6 માસથી ઉડીને આંખે વળગે તેવો વિકાસ સાધ્યો છે. ગ્રેજ્યુએટ અને યુવા સરપંચ તરીકે લાડજીજી ઠાકોર ગામના સર્વાંગી વિકાસ માટે પોતાની તમામ શક્તિ કામે લગાડી ગામને વિકાસના ઉત્તમ શિખર સુધી પહોંચાડવા કમર કસી રહ્યા છે ત્યારે ગામમાં પ્રાથમિક સુવિધાઓ વીજળી, રસ્તા, પીવાના પાણી, ગટર લાઈન, શૌચાલય સહિતના વિવિધ વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે. ગામના દરેક વડિલ અને યુવાવર્ગને સાથે રાખી ગામમાં લાઈબ્રેરી અને મેદાનમાં જરૂરિયાત સગવડો ઊભી કરી ગામમાં શિક્ષણનો વ્યાપ વધે તેવા પ્રયાસો હાથ ધરાયા છે. ગામમાં લોકોનું આરોગ્ય જળવાય તે માટે વિવિધ મેડિકલ કેમ્પનું પણ સમયે સમયે આયોજન કરાય છે. ઉંદરા ગામમાં ગંદકી અને ઉકરડાના ઢગ દૂર કરી માર્ગોની સાફસફાઈ કરવામાં આવી છે ગામમાં દરેક મહોલ્લામાં પાણી પહોંચે અને સ્મશાન ભૂમિમાં 1200 વૃક્ષારોપણ કરી સ્મશાન ભૂમિને રમણીય બનાવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો. વરસાદી પાણીથી જે વિસ્તારો તહસ નહસ થઈ પાણી ભરાઈ જતા હતા, તેવા વિસ્તારોમાં અંડરલાઇન ગટર નિર્માણ કરી પ્રજા સુખકારીનું સર્વોત્તમ કામગીરી યુવા સરપંચની આગેવાનીમાં ગ્રામજનો અને સભ્યોના સહયોગથી થઈ છે. ઉપરાંત મહિનામાં બે વાર ગામની સફાઈ કરવામાં આવે છે. ગામની દિકરીઓએ રમતગમતમાં ક્ષેત્રે પણ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. અને ગામની દિકરીએ રાજય કક્ષાએ બીએડમાં એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. ટૂંક સમયમાં ખૂટતા કામ પૂર્ણ થશે ગામ સિવાય પેટા પરામાં બાકી રહેલા વિકાસના પણ કામો પુરજોશમાં ચાલુ છે. જેને લઈ આગામી દિવસોમાં આસપાસના વિસ્તારોમાં તમામ ખૂટતા કામો પૂર્ણ થશે તેવું જણાવ્યું હતું.
વેધર રિપોર્ટ:રાત્રિનો પારો 1.3 ડિગ્રી વધ્યો છતાં ઠંડીનું જોર યથાવત
છેલ્લા 3 દિવસથી શહેરમાં ફુલગુલાબી ઠંડી અનુભવાઇ રહી છે. શનિવારે સિઝનની 13.8 ડિગ્રી સાથે હાઇએસ્ટ ઠંડી નોંધાયા પછી રવિવારે પારો 1.3 ડિગ્રી વધ્યો હતો. જો કે, ઠંડીનું જોર યથાવત રહ્યું હતું. આગામી બે દિવસમાં રાત્રિનો પારો બે ડિગ્રી સુધી વધી શકે છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર રવિવારે શહેરનું મહત્તમ તાપમાન 34.8 ડિગ્રી અને લઘુતમ 15.1 ડિગ્રી નોંધાયું હતું. શનિવાર કરતા મહત્તમમાં 1 ડિગ્રી અને લઘુતમમાં 1.3 ડિગ્રીનો વધારો થયો હતો. આ સાથે જ ઉત્તર દિશાથી 4 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાયા હતા.
‘ઓપરેશન મ્યુલ હન્ટ’ અંતર્ગત સુરત શહેરમાં 3921 શંકાસ્પદ બેંક ખાતાઓની તપાસ શરૂ કરી છે, જેમાંથી અત્યાર સુધીમાં 3046 બેંક ખાતાની તપાસ પૂર્ણ કરવામાં આવી છે. જેમાં મોટાવરાછા, ઉત્રાણ, સરથાણા, કોસાડ, વરાછા અને અમરોલીમાં સૌથી વધારે બેંક ખાતા ભાડે આપનારા અને બીજાના ખાતા લેનારા તપાસમાં સામે આવ્યા છે. બેંક ખાતા તો ભાડેથી લઈ પાસવર્ડ અને યુઝરનેમ બનાવી વિગતો વિદેશમાં મોકલી આપતા હતા. એટલું જ નહિ ટોળકી સુરતમાં બેસી ઓનલાઈન સાયબર ફ્રોડના ખાતામાંથી ચેક અને એટીએમથી રૂપિયા પણ ઉપાડી પાછા વિદેશમાં બેઠેલી ગેંગને યુએસડીટી મારફતે ટ્રાન્સફર કરી દેતા હતા. જેમાં સુરતમાં બેઠેલી ગેંગના સાગરિતોને ટ્રાન્જેકશનો પર મોટું કમિશન મળતું હતું. ખાસ કરીને મોટાવરાછા અને ઉત્રાણને ઓનલાઈન સાયબર ફ્રોડના ‘હબ’ તરીકે ઓળખવામાં આવી રહ્યા છે. આર્થિક તંગી કે 5–10 હજારની લાલચમાં આવી કેટલાક લોકોએ પોતાના નામના બેંક ખાતા ભાડે આપ્યા હોવાની વાત તપાસમાં સામે આવી છે. કિસ્સા નં : 1મહિલાએ યુપીથી 17 હજાર ખર્ચી આવી 4.20 લાખ જમા કરાવ્યાએક મહિલા દિવ્યાંગ પતિ અને સંતાન સાથે 17 હજાર ખર્ચીને સુરત આવી હતી અને 4.20 લાખ જમા કરાવ્યા હતા. આ રકમ સાયબર ફ્રોડની હોવાથી ખાતુ ફ્રીઝ થયું હતું. તેણીએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે ‘મારા પતિનો મિત્ર ગંગારામ સુરતમાં રહે છે, તેણે મારા પતિને કહ્યું કે વતનમાં રૂપિયાની જરૂર છે, જેથી હું ઓનલાઇન ટ્રાન્સફર કરું છું. આથી મહિલાના પતિએ પત્નીનો ખાતા નંબર આપ્યો હતો. ગંગારામે 4.20 લાખ જમા કર્યા પછી તે રકમ ગંગારામના ફેમિલીને પણ આપી હતી. જો કે, ત્યાર બાદ ખાતુ ફ્રીઝ થઈ ગયું હતું. આથી આ રકમ સાયબર ફ્રોડની હોવાની ખબર પડી હતી. પોતાના દીકરા પર રેલો ન આવે તે માટે ગંગારામના પિતાએ આ રકમ મહિલાને આપી દીધી હતી. કિસ્સા નં : 2બદામ શેકનું 25 હજારનું પેમેન્ટ ઓનલાઈન લેતા ખાતું ફ્રીઝ થયુંકાપોદ્રા મરઘા કેન્દ્ર પાસે પાલિકાના આવાસમાં રહેતો 21 વર્ષીય યુવક જ્યુસની લારી ચલાવે છે. થોડા દિવસ પહેલાં તેના બેંક ખાતામાં બદામ શેકનું 25 હજારનું ઓનલાઈન પેમેન્ટ જમા થયું હતું. યુવકે અગાઉ કોઈ પાર્ટીનો ઓર્ડર લીધો હતો, જેનું પેમેન્ટ ગ્રાહકે ઓનલાઈન કર્યું હતું. આ રકમ ઓનલાઈન સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા બેંક ખાતામાંથી મોકલવામાં આવી હતી, જેના કારણે યુવકનું ખાતું ફ્રીઝ કરી દેવાયું હતું. બીજી તરફ પોલીસે નોટિસ આપી જવાબ લેવા બોલાવ્યો ત્યારે તેને ખબર પડી હતી. પોલીસે તેના નિવેદનો લીધા હતા. જો કે તેની ગુનાહિત પ્રવૃતિ કે સાયબર ફ્રોડ બાબતની સીધી સંડોવણી જણાઈ ન હતી, જેથી જવા દેવાયો હતો. કિસ્સા નં : 3અમરોલીનો ટેમ્પોચાલક મિત્રની મદદ કરવામાં ભેરવાઈ ગયોઅમરોલીમાં રહેતો ટેમ્પોચાલકે મિત્રની મદદ કરવામાં ભેરવાયો અમરોલીમાં રહેતા ટેમ્પોચાલકે મિત્રની મદદ કરવામાં ભેરવાયો છે. હિરેન નામના શખ્સનું બેંક ખાતુ બંધ થયું હતું. આથી હિરેને ટેમ્પોચાલક મિત્રને આ બાબતે વાત કરી હતી. ટેમ્પોચાલકે પોતાનું બેંકખાતુ મિત્રને આપ્યું, તેજ મિત્રએ તેના ખાતામાં 2 લાખની રકમ નખાવી બાદમાં એટીએમથી ઉપાડી પણ લીધી હતી. પછી ટેમ્પોચાલકનું ખાતુ ફ્રીઝ થયું હતું. આથી ચાલકે મિત્રને વાત કરી તો તેણે કલીયર કરી આપવાની વાત કરી હતી. જ્યારે પોલીસ ટેમ્પોચાલકના ઘરે આવી ત્યારે તેને ખબર પડી કે 2 લાખની રકમ તેના ખાતામાં આવી તે સાયબર ફ્રોડની હતી. ત્યારે મિત્રની પોલ ખુલી હતી. હાલમાં તેનો મિત્ર ફરાર છે. શહેરની 68 બેંકોના ગ્રાહકોએ 3,921 ખાતાં ભાડેથી આપ્યાં હતાં, જેમાં સૌથી વધુ ખાતાં આ બેંકોનાં છે
પાટણમાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના યજમાન પદે વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી મહિલા વોલીબોલ ટૂર્નામેન્ટ – 2025નું 10થી 14 ડિસેમ્બર દરમિયાન આયોજન કરાયું હતું.જેનું રવિવારે સમાપન થયું છે.મહાકુંભમાં વેસ્ટ ઝોનની 5 રાજ્યની 93 યુનિવર્સિટીઓની ટીમ ભાગ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.જેમાં ગુજરાતની ટીમોએ પણ મેદાન માર્યું હતું. ફાઇનલ મુકાબલો રોમાંચક રહ્યો હતો, જેમાં આખરે રાજસ્થાનની પંડિત દિનદયાલ યુનિવર્સિટી, સીકરની ટીમ વિજયી બની અને સુવર્ણ પદક (ગોલ્ડ મેડલ) જીત્યું હતું. જોકે, ગુજરાત માટે ગૌરવની વાત એ રહી કે વડોદરાની સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીએ જોરદાર ટક્કર આપી રજત પદક (સિલ્વર મેડલ) હાંસલ કર્યું હતું. કાંસ્ય પદક માટેની લડાઈમાં જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી વિજેતા બની હતી. આ ઉપરાંત, મહારાજા ગંગા સિંહ યુનિવર્સિટી, બીકાનેર ચોથા સ્થાને રહી હતી. પાટણ યુનિવર્સિટીએ આયોજનને લઈને ખેલ જગતમાં પ્રશંસા મેળવી છે. જ્યાં મહિલા સશક્તિકરણ, ટીમવર્ક અને શિસ્તના ઉત્તમ પાઠ જોવા મળ્યા હતા. આ ટૂર્નામેન્ટ યુનિવર્સિટી કક્ષાએ રમતગમતને પ્રોત્સાહન આપવામાં સીમાચિહ્નરૂપ સાબિત થઈ છે.
શંખેશ્વર તાલુકાના પાડલા ગામે મજૂરીના પૈસા ન મળતા એક મજૂરે તેના નોકરીદાતા, તેમની પત્ની અને પુત્ર પર છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટના મધરાત્રે બે વાગ્યે બની હતી. હુમલામાં ઘાયલ થયેલા ત્રણેયને પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા છે. પાડલા ગામના અલી ઉર્ફે અલ્યારખાન ભટ્ટી તેમના તબેલામાં પશુઓને ઘાસપૂળો કરવાની છૂટક મજૂરી માટે ગામના સોહિલ રસુલખાન કુરેશીને રાખતા હતા. 12 ડિસેમ્બર રાત્રે 8 વાગ્યે સોહિલે અલી ભટ્ટી પાસે છેલ્લા એક મહિનાના બાકી મજૂરીના પૈસાની માંગણી કરી હતી. અલીભાઈએ સગવડ થશે ત્યારે પૈસા આપવાનું જણાવ્યું હતું. મજૂર સોહિલ કુરેશી મધરાત્રે લગભગ બે વાગ્યે અલી ભટ્ટીના ઘર પાસે પહોંચ્યો હતો. તેણે જોરજોરથી બૂમો પાડી અને ગાળો બોલી, કેમ તમે મજૂરીના પૈસા આપતા નથી તેમ કહીને સૂતેલા અલી ભટ્ટીના ગળાના ભાગે છરી મારી દીધી હતી. અલી ભટ્ટીની પત્ની મેમુદાબીબીએ છરી પકડી લેવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે તેમના 12 વર્ષીય પુત્ર અરશદને ઇબ્રાહિમકાકાને ફોન કરવા કહ્યું. અરશદ ફોન કરી રહ્યો હતો ત્યારે સોહિલે તેને હાથના બાવડાના ભાગે છરીનો બીજો ઘા માર્યો હતો. પુત્રને બચાવવા વચ્ચે પડેલી માતા મેમુદાબીબીને પણ હાથ અને ખભા પર છરીના ઘા વાગ્યા હતા. ત્રણેય જણાએ બૂમરાડ પાડતા ગામના લોકો જાગી ગયા હતા. લોકો ભેગા થતા હુમલાખોર સોહિલ નાસી ગયો હતો. ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 દ્વારા પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અલી ભટ્ટી બેભાન અવસ્થામાં સારવાર લઈ રહ્યા છે જ્યારે તેમના પુત્ર અરશદને પેટના ભાગે ઓપરેશન બાદ સર્જીકલ વિભાગમાં અને મેમુદાબીબીને ઇમરજન્સી વોર્ડમાં સારવાર અપાઈ રહી છે.આ અંગે મેમુદાબીબી અલ્યારખાન ભટ્ટીએ શંખેશ્વર પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ફરિયાદ:બાવલચુંડી સરપંચના પુત્રની હત્યાના આક્ષેપ સાથે લાશ સ્વીકારવા ઇનકાર
વડગામ તાલુકાના બાવલચુંડી ગામના સરપંચના પુત્રનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતાં સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાયો છે. ન્યાયની માંગ સાથે પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, જેના પગલે મામલો ગંભીર બનતા ડીવાયએસપી, પીઆઇ સહિત ઉચ્ચ અધિકારીઓની એસઆઇટી (SIT)ની રચના કરી છે. વડગામ તાલુકાના બાવલચુંડી ગામના સરપંચના પુત્ર અજય ચૌહાણ 17 દિવસ અગાઉ બાવલચુંડી-છાપી રોડ પર એક અવાવરું જગ્યાએ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. ગંભીર હાલતમાં તેને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં રવિવારની સવારે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે ગામ અને આસપાસના વિસ્તારમાં રોષની લાગણી ફેલાઈ હતી.પરિવારજનોનો આક્ષેપ કર્યો હતો કે, પોલીસ દ્વારા સમયસર અને યોગ્ય રીતે ફરિયાદ લેવામાં આવી નહોતી, જેના કારણે ન્યાય મળવામાં વિલંબ થયો છે. આરોપીઓને પકડવામાં નહીં આવે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવતા અને ઉચ્ચ કક્ષાની તપાસ માટે SITની રચનાની માંગ ઉઠતા મામલાની ગંભીરતા જોતા ડીવાયએસપી અને પીઆઇ સહિતના ઉચ્ચ અધિકારીઓની વિશેષ તપાસ ટીમ (SIT)ni રચવામાં આવી હતી. પોલીસે ગોળ ગોળ જવાબ આપીને 3 દિવસ સુધી ફેરવ્યો મૃતકના પિતા અને ગામના સરપંચ વિનોદભાઈએ જણાવ્યું હતું કે, મારા પુત્રનો અકસ્માત થયો ત્યારે ગુરુવારની રાત્રે સાત વાગ્યે હું છાપી પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવા ગયો હતો. જેથી પોલીસે ગોળ ગોળ જવાબ આપીને ત્રણ દિવસ સુધી મને ફેરવ્યો હતો અને મારી ફરિયાદ લીધી ન હતી. અને મને એવું કહેવામાં આવે છે કે કોઈ રાજકારણનુ દબાણો હોય તો અમને જાણ કરો એવું જણાવ્યું હતું.
સુવિધા:પાટણમાં વાળીનાથ ચોક વિસ્તારમાં માઈનોર કેનાલ પાળ પર ગાર્ડન બનશે
પાટણ શહેરમાં વાળીનાથ ચોક ખાતે માઈનોર કેનાલની પાળ સરસ્વતી જળાશય યોજનામાંથી હરિયાળું ગાર્ડન તૈયાર થઈ રહ્યું છે.જેનાથી નજીકના રહેણાંક વિસ્તારોના લોકો માટે હવે વોકિંગ, વ્યાયામ અને બાળકોના મનોરંજન માટે નજીકમાં જ સુવિધા ઉપલબ્ધ થશે. પાટણ શહેરમાં ઊંઝા ત્રણ રસ્તાથી વાળીનાથ ચોક થઈ હરિહર મહાદેવ મંદિર તરફ જતી માઇનોર કેનાલની પાડીને સ્વચ્છ, સુરક્ષિત અને ઉપયોગી બનાવવા માટે સરસ્વતી જળાશય યોજના દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરી છે. કેનાલની પાડ ઉપર અનિયમિત અવરજવર, કચરો ફેંકવાની પ્રવૃત્તિ અને અસ્વચ્છતા અટકાવવા માટે તારની કાંટાળી ફેન્સિંગ કરી ગાર્ડન વિકસાવી રહ્યો છે, જેનાથી વિસ્તારનું રૂપ જ બદલાઈ રહ્યું છે. આ ગાર્ડન અંતર્ગત સ્થાનિક નાગરિકોને આરોગ્યલક્ષી સુવિધા મળે તે માટે વોકિંગ કરી શકાય તેવો ફૂટપાથ બનાવ્યો છે. સાથે સાથે વાતાવરણને શુદ્ધ અને હરિયાળું બનાવવા વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરાયું છે. ગાર્ડન વિકસતા આ વિસ્તાર હવે માત્ર કેનાલની પાડ નહીં રહી, પરંતુ લોકો માટે આરામ અને સ્વચ્છ હવા માણવાનું કેન્દ્ર બનશે. બાળકો અને વૃદ્ધ સમય પસાર કરી શકે તેવી સુવિધાઓ હશે સરસ્વતી જળાશય યોજનાના અધિકારીઓએ જણાવ્યું કે માઈનોર કેનાલની પાળ પર હરિયાળું ગાર્ડન તૈયાર થઈ રહ્યું છે. બાળકો માટે રમી શકે તેવા સાધનો પણ ગાર્ડનમાં ફીટ કરાશે. જેના કારણે પરિવાર સાથે આવનાર નાગરિકો માટે આ સ્થળ વધુ આકર્ષક બનશે. ખાસ કરીને નજીકના રહેણાંક વિસ્તારોના લોકો માટે હવે વોકિંગ, વ્યાયામ અને બાળકોના મનોરંજન માટે નજીકમાં જ સુવિધા ઉપલબ્ધ થશે. બાળકો અને વૃદ્ધ સમય પસાર કરી શકેતેવી સુવિધાઓ હશેસરસ્વતી જળાશય યોજનાના અધિકારીઓએ જણાવ્યું કે માઈનોરકેનાલની પાળ પર હરિયાળું ગાર્ડન તૈયાર થઈ રહ્યું છે. બાળકો માટે રમીશકે તેવા સાધનો પણ ગાર્ડનમાં ફીટ કરાશે. જેના કારણે પરિવાર સાથેઆવનાર નાગરિકો માટે આ સ્થળ વધુ આકર્ષક બનશે. ખાસ કરીનેનજીકના રહેણાંક વિસ્તારોના લોકો માટે હવે વોકિંગ, વ્યાયામ અનેબાળકોના મનોરંજન માટે નજીકમાં જ સુવિધા ઉપલબ્ધ થશે.
સંબંધોની મિઠાશ:ગુજરાતની 150 પુત્રવધૂએ પત્ર લખી સંભળાવ્યા કિસ્સા..કેવી રીતે સાસુ મા બની ગઈ
મારી માતાએ તો મને જન્મ આપ્યો પરંતુ મારી સાસુ માએ મને દુનિયામાં કેવી રીતે જીવવું તે શીખવ્યું છે... લગ્ન થયા ત્યારે મને ચિંતા થતી કે નવા ઘરમાં શું થશે, પરંતુ સાસુએ પુત્રી કરતાં પણ વધુ સ્નેહ આપ્યો...આ તે પુત્રવધૂઓનો અનુભવ છે, જેમણે તેમની સાસુને લખેલા પત્રમાં કંડાર્યો છે. 20 ડિસેમ્બરે આવી 20 સાસુને સન્માનિત કરાશે, જેમણે પુત્રવધૂઓને પુત્રી સમાન માની અને ખૂબ પ્રેમ આપ્યો. આ સન્માન સમારોહ પીપી સવાણી ગ્રુપ 20 ડિસેમ્બરે સુરતમાં આયોજિત કરશે. પીપી સવાણી ગ્રૂપના અધ્યક્ષ મહેશ સવાણીએ જણાવ્યું હતું કે, 17 વર્ષથી આયોજિત સમૂહ લગ્નમાં અત્યાર સુધીમાં 5,386 દીકરીના લગ્ન થયા. અમે આ જ દીકરીઓ પાસેથી પત્ર લખાવી સાસુ વિશે જણાવવા કહ્યું હતું. જેમાં 150થી વધુ પુત્રવધૂએ પત્ર લખ્યો તેમાંથી 20 પસંદ કર્યા છે. સપોર્ટ સિસ્ટમ... આખા ઘરનું ખાવાનું બનાવે છે મારા સાસુ-સસરાએ મને પુત્રવધૂ નહીં, પણ દીકરી તરીકે સ્વીકાર કરી છે. તેઓ શરૂથી જ કહેતા હતા કે તને પુત્રવધૂ નહીં પણ દીકરીની જેમ રાખીશું. જ્યારે હું ઓફિસમાં હોઉં છું ત્યારે મારી સાસુ મને ફોન કરીને પૂછે છે કે તું શું ખાવાનું પસંદ કરીશ, હું બનાવીને રાખું. હું ઓફિસથી આવું છું, ત્યારે મારી સાસુ અને દેરાણી મને આરામ માટે કહે છે. > વિરલ (પુત્રવધૂ), નીતાબેન લીંબાસિયા (સાસુ) મમ્મી જેવી... મારી સાસુ મારી ઉલટી સાફ કરતી પ્રેગ્નેન્સી વખતે કંઈ પણ ખાતી તો ઉલટી થઈ જતી, ત્યારે મારી સાસુ ઉલટી સાફ કરતા હતા. મને ક્યારેય કોઈ વાતે રોકે નહીં. ક્યારે પણ અમારી વચ્ચે આજ સુધી ઝઘડો થયો નથી. મારી સાસુ ખરેખર મારી મમ્મી જેવી છે. હું ના પાડું છતાં પણ તેઓ મારૂ અડધું કામ કરે છે. જો હું ઊંઘતી હોવ અને મોડું થઈ જાય તો પણ મને જગાડતા પણ નથી.> ચાંડેગરા સ્નેહલ (પુત્રવધૂ), લીલાવતી બેન (સાસુ) આવું પણ સાસરિયું...મમ્મી, બહેન બધું જ મારી સાસુ મા મને ક્યારેય એવું નથી લાગ્યું કે હું મારા મમ્મી અને પરિવારને છોડીને મારા સાસરે આવી છું. મારા મમ્મીથી વધારે મારી સાસુમા ધ્યાન રાખે છે. ખાવાનું બનાવતા નહોતું આવડતું. મારી સાસુએ મને બધું ખૂબ પ્રેમથી શીખવ્યું. મારી સાસુમાં મને મારા મમ્મી, બહેન અને મારી બહેનપણીઓ નજર આવે છે. કોઈ ભૂલ થઈ જાય છે તો પણ મને પ્યારથી સમજાવે છે. > જલ્પા ભેસારા (પુત્રવધૂ), ગીતાબેન ભેસારા (સાસુ) પુત્રવધૂ નહીં દીકરી... ફોન કરી સાસુ પૂછે શું જમવાનું બનાવું મને ઘરના કામ નથી આવડતાં. ઘરના તમામ લોકોનું ભોજન તેઓ બનાવે છે. તેમનું વર્તન ક્યારેય પણ સગી માતાથી ઓછું નથી. નોકરી વખતે જ્યારે મને વધારે સમય બહાર રહેવાનું થતું હોય, ત્યારે તેમનું મન ઘરમાં લાગે નહીં. ડિલીવરી વખતે મારી સાસુએ ખૂબ સંભાળ રાખી હતી. તેમને ક્યારેય પણ માતાની ગેરહાજરીનો અહેસાસ થવા દીધો નથી. > પરમાર અનિતા (પુત્રવધૂ), પુષ્પા બેન જેઠવા (સાસુ) સહયોગ... માતા-પિતાની સેવા માટે પિયર જવા દીધી જ્યારે મારા પિતા બીમાર હતા, ત્યારે હું તેમની સેવા કરી શકું, તેથી મને પિતા પાસે રહેવાની છૂટ આપી. પિતાની તબિયત સુધરી ગઈ, તો પણ હું તેમની દેખભાળ માટે ચાર મહિના સુધી મારા પિયરમાં રહી. મારી સાસુએ હંમેશાં મને પૂરો સહયોગ આપ્યો. કિંમતી વસ્તુ તો કોઈ પણ આપે, પણ મારા સાસુ-સસરાએ મને સમયનો સહયોગ આપ્યો, જે સૌથી કિંમતી છે. > વઘાસિયા રીનલ (પુત્રવધૂ), હંસાબેન રાસડિયા (સાસુ)
ડિજિટાઇઝેશન:પાટણમાં 12,19,104 પૈકી 11,11,553મતદારોનાં ગણતરી ફોર્મનું ડિજિટાઇઝેશન
પાટણમાં SIR અંતર્ગત પ્રભારી સચિવ મમતા વર્માની અધ્યક્ષતામાં પાટણ કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ હતી.જેમાં ડિજિટાઇઝેશનની કામગીરીમાં પાટણ જિલ્લો સમગ્ર રાજ્યમાં દ્વિતીય ક્રમાંકે હોવાની ગૌરવપૂર્ણ નોંધ લેવાઈ હતી. બેઠકમાં SIR અંતર્ગત પાટણ જિલ્લામાં કરેલી કામગીરી અંગે પ્રભારી સચિવ મમતા વર્માને વિગતવાર માહિતી આપી હતી.જેમા પાટણ જિલ્લામાં કુલ 12,19,104 મતદારો પૈકી 11,11,553 મતદારોનું ગણતરી ફોર્મ મળેલ હોય ડિઝીઈટાઈઝેશન પૂર્ણ કરાયું છે જે પૈકી 28,000 મતદારોનું મેપિંગ (2002ની મતદાર યાદીમાં નામ) શોધી શકાયું નથી જ્યારે 107551 મતદારોનાં ગણતરી ફોર્મ પાછા મળ્યા નથી જેથી તેમના નામ મતદાર યાદીમાં સમાવેશ થશે નહી. બેઠકમાં જિલ્લામાં નોંધાયેલા 25,425 મૃત્યુ પામેલ મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવાની કાર્યવાહી, તેમજ 13,034 શોધી ન શકાય તેવા કે ગેરહાજર મતદારો અંગે લેવાયેલ પગલાં અંગે પણ સમીક્ષા કરી હતી. સાથે જ, મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ભરાયેલા વિવિધ ફોર્મ (નવા નોંધણી, સુધારા, અંગે)ની પ્રાપ્તિ બાદ થયેલી કાર્યવાહી અંગે પણ ચર્ચા કરી હતી. સમીક્ષા બેઠક દરમિયાન પ્રભારી સચિવ મમતા વર્માએ મતદાર યાદીની ચોકસાઈ પારદર્શિતા અને સમયબદ્ધ પૂર્ણતા માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું તેમજ બાકી રહેલી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા.બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને ક્લેક્ટર તુષાર ભટ્ટ, નાયબ ચૂંટણી અધિકારી પી.વાય ગોસ્વામી, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભાસ્કર એક્સક્લુસિવ:પાટણ શહેરમાં નવી ભૂગર્ભ યોજનાનો DPR પ્લાન તૈયાર, મંજૂરી માટે GUDCને મોકલી
પાટણ શહેરના લાખો નાગરિકોને ગટર ઓવરફ્લો, જામ થયેલી ચેમ્બરો અને દુર્ગંધની કાયમી સમસ્યામાંથી મુક્તિ મળે માટે પાટણ નગરપાલિકા દ્વારા શહેર માટે 116 કરોડની નવીન ભૂગર્ભ ગટર યોજનાની મહત્વાકાંક્ષી દરખાસ્ત ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની (GUDC), ગાંધીનગર સમક્ષ સત્તાવાર રીતે રજૂ કરી છે. આ યોજના માત્ર વર્તમાન નહીં,2055 એટલે કે આગામી 30 વર્ષની જરૂરિયાતોને ધ્યાને રાખીને તૈયાર કરી છે, જે પાટણના ભવિષ્યને સ્વચ્છ અને સ્વસ્થ બનાવશે. જો મંજૂર થશે તો આગામી 30 વર્ષ સુધી શહેર ગટરની સમસ્યામાંથી મુક્ત બનશે. શહેરની હાલની ગટર વ્યવસ્થા, નિકાસની ક્ષમતા અને વિસ્તાર વાર સમસ્યાઓનો ધવલ એન્જિનિયર્સની ટીમે સૂક્ષ્મ સર્વે કરીને ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કર્યો છે. આ DPRમાં વર્ષ 2055 માટે પાટણ શહેરની અંતિમ ડિઝાઇન વસ્તી 3,82,635 શહેરમાં રહેતી હશે તેવો અંદાજ માનવામાં આવ્યો છે. આ આંકડાના આધારે નવી ગટર લાઈનો, મેનહોલ, પમ્પિંગ સ્ટેશન અને આધુનિક એસ.ટી.પી. (STP)ની ક્ષમતાનો ટેકનિકલ ડિઝાઇન તૈયાર કરાયો છે. યોજનાની ગ્રોસ કિંમત 116 કરોડ છે, જ્યારે નેટ કિંમત રૂ. 84 કરોડ થવાં જાય છે.આ દરખાસ્ત GUDC સમક્ષ મંજૂરી માટે રજૂ કરાઈ છે અને મંજૂરી મળતા જ આ પ્રોજેક્ટ પાટણ શહેરની સ્વચ્છતા, જાહેર આરોગ્ય અને શહેરી વિકાસ માટે એક માઇલસ્ટોન સાબિત થશે. પાટણ શહેર માટે નવી ભૂગર્ભ ગટર યોજના તૈયાર કરવાની જવાબદારી ધવલ એન્જિનિયર્સને સોંપી હતી. ધવલ એન્જિનિયર્સની ટીમે પાટણ શહેરમાં રૂબરૂ સ્થળ મુલાકાત લઈ,નગરપાલિકાના અધિકારીઓ, ચીફ ઓફિસર તથા ટેકનિકલ સ્ટાફ સાથે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી.શહેરની હાલની ગટર વ્યવસ્થા, નિકાસની ક્ષમતા અને વિસ્તાર વાર સમસ્યાઓનું સૂક્ષ્મ સર્વે કરી યોજના તૈયાર કરી છે. ગટર લાઈન કનેક્શનથી વંચિત 8થી વધુ વિસ્તારો લાઇન કનેક્શનમાં સામેલ થઈ જશેપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર અને પ્રોજેક્ટ એન્જિનિયરના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટમાં શહેરમાં બાકી રહી ગયેલા તમામ વિસ્તારો તેમજ જ્યાં ભૂગર્ભ ગટર બ્લોક છે કે તૂટી ગયેલી છે તેવા મુખ્ય વિસ્તારોને આવરી લેવાયા છે. ખાસ કરીને, મીરા દરવાજા, રોટરીનગર, સબજેલ રોડ, રેલવે સ્ટેશન વિસ્તાર, મોતીસા દરવાજા, કેનાલ રોડ, હર્ષનગર વિસ્તાર, ટીબી ત્રણ રસ્તા અને પદ્મનાભ ચોકડી આસપાસના વિસ્તારોમાં ગટર ઓવરફ્લો,ચેમ્બરો જામ થવી અને દુર્ગંધ જેવી વર્ષો જૂની સમસ્યાઓનો કાયમી ઉકેલ આવશે.તમામ વિસ્તારોને આવરી લઈ આગામી 30 વર્ષને ધ્યાને રાખીને પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
હાઇકોર્ટે સરકારને ટકોર કરી:તમે ટૂરિઝમનો વિકાસ કરો છો પણ પક્ષીઓના ભોગે ટૂરિઝમ વિકસાવીને શું કરશો?:
નળસરોવર અને નડાબેટ પક્ષીઓની સેન્ચુરીમાં વિદેશી પક્ષીઓ શિયાળામાં આવતા બંધ થઈ ગયાં હોવાની જાહેરહિતની અરજી હાઇકોર્ટમાં કરી છે. હાઇકોર્ટે સરકારને ટકોર કરી હતી કે તમે ટૂરિઝમનો વિકાસ કરો છો પણ પક્ષીઓના ભોગે ટૂરિઝમ વિકસાવીને શું કરશો? સચિવને આ મામલે શું પગલા લીધા તેનો જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. એડવોકેટ ગૌતમ જોશીએ એવી દલીલ કરી હતી કે ,સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોની હાઇકોર્ટ પાસે માહિતી માગી હતી. જેમાં 15 રાજ્યોએ સોગંદનામું કર્યું છે. કચ્છના નડાબેટ અને અમદાવાદ નજીક નળસરોવરમાં દર વર્ષે શિયાળામાં 5 લાખથી વધુ વિદેશી પક્ષીઓ આવતાં હતાં. પરંતુ લુણી નદી નજીક આવેલા નડાબેટ નજીક સરકારે સોલાર પેનલ લગાવી દીધી છે. સોલાર પેનલ મોટી સંખ્યામાં હોવાથી જળાશયો નાશ પામ્યાં છે. નળ સરોવરમાં ફ્લેમિંગો આવતાં બંધ થઈ ગયાંઅરજીમાં એવી રજૂઆત કરાઈ હતી કે, ફ્લેમિંગો માટે વરસાદી પાણી ભરાયા બાદ કુદરતી રીતે જે ઇકોલોજી સિસ્ટમ વિકાસ પામે છે તે નળ સરોવરમાં નષ્ટ થઈ ગઈ છે જેના કારણે ફ્લેમિંગો આવતાં બંધ થઈ ગયાં છે. માનવ હસ્તક્ષેપ ન હોય તેવી જ જગ્યાઓ પર પક્ષીઓ આકર્ષાય છે.

28 C