વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં અંબિકાધામ એપાર્ટમેન્ટના બે માળની ગેલેરી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જેમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ ની ઘટના સ્થળે દોડી ગઈ હતી અને 20 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે સોસાયટીમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે બારીઓ કાપીને લોકોને બહાર કાઢ્યા હતા. અમે અંદાજે 15થી 20 જેટલા લોકોને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા ફાયર ઓફિસર અમિત ચૌધરીએ જણાવ્યું હતું કે, અંબિકાધામ સોસાયટી નામનું બિલ્ડિંગ છે, જે ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળનું છે. આ બિલ્ડિંગમાં બીજા અને ત્રીજા માળની ગેલેરી ધરાશાયી થઈ હતી. આ ઘટનાની જાણ થતા જ વડોદરા ફાયર ઇમરજન્સી સર્વિસની વિવિધ ટીમો, જેવી કે પાણીગેટ, ગજરાવાડી, GIDC અને દાંડિયાબજાર ફાયર સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બીજા માળના 3થી 4 મકાનો અને ત્રીજા માળના 3થી 4 મકાનોના પરિવારો ફસાયા હતા. અમે અંદાજે 15થી 20 જેટલા લોકોને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા છે. અમે પહોંચ્યા બાદ બાકીના તમામ લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી લીધા તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમે લેડર (સીડી) અને બ્રોન્ટો સ્કાયલિફ્ટ જેવી અલગ-અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરીને રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડ્યું છે. અમે જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા તે પહેલાં એક મહિલાને ઈજા થઈ હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું. જોકે, અમે પહોંચ્યા બાદ બાકીના તમામ લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી લીધા છે. બારી કાપીને અમે લોકોને બહાર કાઢ્યાતેઓએ જણાવ્યું હતું કે, આ કામગીરીમાં લગભગ દોઢ થી બે કલાક જેટલો સમય લાગ્યો. જી.ઈ.બી.નો પાવર સપ્લાય કાપવામાં અને બ્રોન્ટો ઓપરેટ કરવામાં નડતરરૂપ થતા ઝાડ અને જીવંત વાયરોને કારણે થોડી વાર લાગી હતી. બાકી મારી ટીમ સીડી લગાવીને તરત જ દરેક ઘરમાં પહોંચી ગઈ હતી અને બધાને સુરક્ષિત કરી લીધા હતા. અમારે અમુક દરવાજા અને બારીઓ કાપવા પડ્યા હતા. કારણ કે બરોબર દરવાજાની સામે જ સિમેન્ટના બ્લોક અને સ્ટ્રક્ચરનો કાટમાળ પડ્યો હતો, જેથી દરવાજા ખુલી શકે તેમ નહોતા એટલે બારી કાપીને અમે લોકોને બહાર કાઢ્યા. 'પપ્પા ગેલેરી પડી ગઈ છે અને હજુ છોકરાઓ બહાર નથી ઉતર્યા'એક સ્થાનિકે જણાવ્યું હતું કે, અત્યારે મને મારા પુત્રનો ફોન આવ્યો કે, પપ્પા ગેલેરી પડી ગઈ છે અને અત્યારે લોકો અંદર જ છે, હજુ છોકરાઓ બહાર નથી ઉતર્યા. એટલે મેં સાંભળતાની સાથે જ તરત જ અહીં આવ્યો. ગેલેરી પડવા અંગે આજે બપોરે જ વાત થઈ હતી. 5:00 વાગ્યે વાત થઈ હતી કે ગેલેરી રિપેર કરાવવાની છે, તો મેં કીધું કે 'વાંધો નહીં, આપણે કરાવી દઈશું'. એટલામાં તો અત્યારે ફોન આવ્યો કે આવું થઈ ગયું છે, એટલે હું દુકાન બંધ કરીને સીધો ઘરે આવ્યો. ગેલેરી રિપેરિંગ તો અમે વચ્ચે એકવાર કરાવી હતી. પણ આજે 5 વાગ્યે જ વાત થઈ હતી કે, ગેલેરી ફરીથી રિપેર કરાવવી પડશે. મેં હા પણ પાડી હતી કે આપણે કરાવી દઈશું, પણ એટલામાં તો આ ગેલેરી પડી ગઈ છે. 'અચાનક બનેલી આ ઘટનાથી અમે ગભરાઈ ગયા હતા'સ્થાનિક પ્રાપ્તિ પવારે જણાવ્યું હતું કે, આ ઘટના લગભગ રાત્રે 8:30થી 9:00 વાગ્યાની વચ્ચે બની હતી. હું નોકરી પરથી આવીને હજુ ઘરમાં ખુરશી પર બેસીને ટીવી જોઈ રહી હતી, એટલામાં જ અચાનક જોરદાર 'સનનન' અવાજ આવ્યો. મને પહેલા તો સમજાયું નહીં કે, શું થયું પણ તરત જ અહેસાસ થયો કે મકાનનો ભાગ ધરાશાયી થયો છે. ખૂબ જ ડર લાગે એવી પરિસ્થિતિ હતી. અચાનક બનેલી આ ઘટનાથી અમે ગભરાઈ ગયા હતા કે હવે શું થશે? નીચે કઈ રીતે ઉતરીશું? એ સમયે મનમાં ઘભરામણ અને અનિશ્ચિતતાનો માહોલ હતો. બચાવ કામગીરી માટે આવેલી ટીમે અમને દોરડું બાંધીને ખૂબ જ સાવચેતીપૂર્વક મકાનમાંથી બહાર કાઢ્યા હતા. આ બિલ્ડિંગમાં અંદાજે 30 જેટલા મકાનો (બ્લોક) છે, જેમાં ઘણા પરિવારો વસવાટ કરે છે.
અમદાવાદ શહેરના ફાયર વિભાગના એક કર્મચારીએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું છે. ફાયરના કર્મચારીએ યુવતી જ્યારે સગીર વયની હતી ત્યારે પ્રેમજાળમાં ફસાવી હતી અને બાદમાં તેની સાથે મુલાકાત કરીને અપહરણ કરીને દુષ્કર્મ કર્યું હતું .આરોપીએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને અનેક વાર સંબંધ બાંધ્યો હતો. ફક્ત આટલું જ નહિ લાંબા સમય બાદ આરોપીએ ભોગ બનનારનો સંપર્ક કરીને તેને ધમકીઓ આપીને મળવા બોલાવી હતી. ભોગ બનનાર ધમકીથી ડરીને મળવા જતા આરોપીએ જાહેર રોડ પર છેડતી કરતા લોકોએ તેને અને તેના સાગરિતને ઢોર માર માર્યો હતો. આ સમગ્ર મામલે વાડજ અને સોલા પોલીસ સ્ટેશનમાં કુલ ત્રણ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. ફાયર વિભાગના ડ્રાઇવરે સગીરાને પ્રેમજાળમાં ફસાવીશહેરના કોટ વિસ્તારમાં રહેતી 18 વર્ષની યુવતી અભ્યાસ કરે છે. યુવતીના ઘર નજીક રહેતા ફાયર વિભાગના ડ્રાઇવર તોહીત મલેકે તેને પ્રેમ જાળમાં ફસાવી હતી. બંને રિવરફ્રન્ટ પર મળ્યા ત્યારે યુવતીના પિતા આવી ગયા હતા, જે બાદ તોહીત સામે ફાયર વિભાગમાં ફરિયાદ થતાં તોહીત અને તેના પરિવારનું મકાન ખાલી કરાવી દીધું હતું. તોહીત તેના પરિવાર સાથે ગોમતીપુર સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેવા ગયો હતો.જે બાદ યુવતીએ પણ તેનો ફોન બંધ કરી દીધો હતો. જ્યારે લાંબા સમય બાદ યુવતીએ ફોન ચાલુ કર્યો ત્યારે તોહીતે ફોન કર્યો હતો. તોહીત મલેકે 5 લોકો સામે માર મારવા બાબતે વાડજ પોલીસને ફરિયાદ આપીતોહીત અને યુવતીના ઓળખીતા અમાન મિર્ઝાએ નંબર આપતા તોહીતે તેને ફોન કરીને મારી નાખવાની ધમકી આપી હતી. તોહીતે ગાળાગાળી કરીને બીભત્સ શબ્દો બોલીને યુવતીને મળવા બોલાવી હતી. તોહીતની ધમકીથી વશ થઇને નાછૂટકે યુવતી તેને ઉસ્માનપુરા ગાર્ડન પાસે મળવા ગઇ હતી ત્યારે તોહીત તેને ગાળો બોલતો હોવાથી યુવતી ત્યાંથી ચાલવા લાગી હતી. આ દરમિયાન તોહીતે તેને ખેંચીને લાફો માર્યો હતો. આરોપી તોહીતે ઇમોશનલ વાતો કરીને યુવતીને હોટલમાં લઇ જઇને દુષ્કર્મ કર્યુંયુવતીએ બૂમાબૂમ કરતા લોકોએ આવીને તોહીત અને તેના સાગરિત અમાનને ઢોર માર મારીને પાઠ ભણાવ્યો હતો. પોલીસને જાણ કરાતા વાડજ પોલીસે છેડતી કરનાર તોહીત મકબુલ મલેક અને તેના સાગરિત અમાન મિર્ઝા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જ્યારે તોહીત મલેકે પણ પાંચ લોકો સામે માર મારવા બાબતે વાડજ પોલીસને ફરિયાદ આપી છે. ભોગ બનનાર જ્યારે સગીર વયની હતી ત્યારે આરોપી તોહીતે તેને ઇમોશનલ વાતો કરી હતી. બાદમાં સોલા વિસ્તારમાંથી તેનું અપહરણ કરીને હોટલમાં લઇ જઇને દુષ્કર્મ આચરતો હતો.આરોપીએ વીડિયો ઉતારીને વાયરલ કરવાની ધમકી આપી હતી. જે મામલે સોલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
દેશમાં વૈશ્વિક ઓળખ ધરાવનાર વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના વૈશ્વિક દરજ્જાને જાળવી રાખવા માટે યુનેસ્કો ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ (ઇકોમોસ)નું સંયુક્ત પ્રતિનિધિમંડળ આજે 17 માર્ચના રોજ અમદાવાદની મુલાકાતે આવવાનું છે. પાંચ દિવસ અમદાવાદ ખાતે આ પ્રતિનિધિ મંડળ રહેશે. વર્લ્ડ હેરિટેજ સિટીમાં ઓળખ ધરાવતા એવા કોટ વિસ્તારમાં કાલુપુર રેલવે સ્ટેશન, ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ, દાણાપીઠ ફાયર સ્ટેશન અને મ્યુનિસિપલ કોર્પોરેશનના જુના હેરિટેજ બિલ્ડીંગના ચાર પ્રોજેક્ટ્સના ડેવલપમેન્ટ મામલે કેટલાક પ્રશ્નો હોવાથી આ પ્રતિનિધિ મંડળ મુલાકાતે આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. 18 માર્ચે મ્યુનિસિપલ ઓફિસ ખાતે મહત્વની બેઠકસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ યુનેસ્કોનું પ્રતિનિધિ મંડળ આજે મોડી રાત્રે અમદાવાદ ખાતે આવી પહોંચશે, ત્યાર બાદ 18 માર્ચના રોજ દાણાપીઠ મ્યુનિસિપલ ઓફિસ ખાતે એક મહત્વની બેઠક યોજાશે. આ બેઠકમાં યુનેસ્કો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો અને ઇકોમોસના ટેકનિકલ રિવ્યુ પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે. ચાર પ્રોજેક્ટ્સના ડેવલપમેન્ટ મામલે ચર્ચા થવાની શક્યતાકાલુપુર રેલવે સ્ટેશન પ્રિસિન્ટ ડેવલોપમેન્ટ, ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ એવા બંને પ્રોજેક્ટના કારણે કોટ વિસ્તારમાં આવેલી ઐતિહાસિક ઇમારતોને નુકસાન થવાનું જોખમ હોવાની બાબતો તેમજ હેરિટેજ ઇમારતોને થઈ રહેલા નુકસાનને રોકવા શું કરવામાં આવ્યું તેની સમીક્ષા પણ કરાશે. દાણાપીઠ ફાયર સ્ટેશનમાં પાર્કિંગને લઈને વધુ મોટી સમસ્યા ઊભી થશે એ બાબતો ઉપર પણ ચર્ચા થાય તેવી શક્યતા છે. ફાયર સ્ટેશન અને કાલુપુર રેલવે સ્ટેશનની મુલાકાત લેશે19 માર્ચના રોજ સવારના સમયે ઇકોમોસના એક્સપર્ટ એલિઝાબેથ વાઈન્સ અને યુનેસ્કોના એકસપર્ટ રોલેન્ડ લિન પોતે દાણાપીઠ ફાયર સ્ટેશન અને કાલુપુર રેલવે સ્ટેશનની રૂબરૂ મુલાકાત લેશે. આ પ્રોજેક્ટ્સ સ્થળ પર કેવા દેખાય છે અને તેનાથી આસપાસના ઐતિહાસિક માળખા પર શું અસર પડી રહી છે તેનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવશે. 21 માર્ચે મ્યુ. કમિશનર સાથે બેઠક બાદ દિલ્હી પરત ફરશેઆ પાંચ દિવસીય 'રિયેક્ટિવ મોનિટરિંગ મિશન' દરમિયાન ટીમ દ્વારા ભદ્રના કિલ્લાના સંરક્ષણ, સરદાર પટેલ મ્યુઝિયમના સંરક્ષણ, ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ સહિતના ચાલી રહેલા પ્રોજેક્ટનું પણ નિરીક્ષણ કરાશે. 21 માર્ચના રોજ મ્યુનિસિપલ કમિશનર સાથેની અંતિમ બેઠક બાદ આ ટીમ દિલ્હી પરત ફરશે. યુનેસ્કોનો આ રિપોર્ટ અમદાવાદના વર્લ્ડ હેરિટેજ સિટી મહત્વનું સાબિત થશે.
ભાવનગર એસઓજી પોલીસ દ્વારા શહેરના જવાહર મેદાન નજીક વાલ્મીકીવાસ સામે બિનઅધિકૃત રીતે રાખવામાં આવેલા કોડીન ફોસ્ફેટ નશાકારક કફ સીરપના જથ્થા સાથે એક શખસને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે ઝડપાયેલ શખ્સ પાસેથી 607 બોટલ નશાકારક કફ સીરપ તથા મોબાઇલ મળી કુલ રૂ. 89,408નો મુદ્દામાલ જપ્ત કરી એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એસઓજી કચેરીથી મળતી માહિતી મુજબ પોલીસને મળેલી બાતમીના આધારે એસઓજી સ્ટાફે ભાવનગર શહેરના જવાહર મેદાન સામે રસાલા કેમ્પ, મફતનગર જવાહર મેદાનથી ક્રેસન્ટ સર્કલ જવાના રસ્તે વાલ્મીકીવાસ સામે બિનઅધિકૃત રીતે રાખેલ કોડીન ફોસ્ફેટ નશાકારક કફ સીરપના જથ્થા સાથે એમદ ઉર્ફે અહેમદભાઈ અલ્તાફભાઈ સેતા ઉ.વ. 27 રહે. દાંતીયાવાળી શેરી, દિવાનપરા રોડ, ભાવનગરને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલ શખસ પાસેથી કોડીન ફોસ્ફેટ નશાકારક કફ સીરપની 607 બોટલ કિ.રૂ. 87,408 તથા એક મોબાઇલ કિ.રૂ. 2,000 મળી કુલ કિ.રૂ. 89,408 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. શખસને ઝડપી તેની સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી અને એસઓજીના એ.એસ.આઇ દ્વારા નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ઇરાન-ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચે ફાટી નીકળેલાં યુદ્ધને લઇને ભારત દેશમાં ગેસ સિલિન્ડરનો કકળાટ ચાલુ થવા પામ્યો છે ત્યાં સુધી કે તેનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. તો ઘણાં સ્થળે કાળાં બજાર થતાં હોવાની પણ ફરિયાદો ઉઠી છે. તેવા સમયે કંપની દ્રારા એક વોટ્સએપ નંબર તાકીદે જાહેર કરીને નાગરિકો તેમને સીધી ફરિયાદ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવા અને તેનો 24 કલાકમાં જ નિવેડો લાવવાની માંગણી ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ અને ગ્રાહક ક્રાંતિ ફાઉન્ડેશન દ્રારા કરવામાં આવી છે. ફક્ત એટલું જ નહીં પરંતુ, પેટ્રોલમાં થતી ચોરી રોકવા માટે પણ પેટ્રોલ પંપમાં એક જસાઇઝની પાઇપ રાખવામાં આવે અને આ પાઇપ વ્હાઇટ કલરની રાખવામાં આવે. જેથી, ગ્રાહક તેમાં રહેલાં પેટ્રોલની સ્થિતિ જોઇ શકે. ગ્રાહક દિવસની સરકાર સહિત વિવિધ સંસ્થાઓ દ્રારા ઉજવણી કરવામાં આવી હતીગઇકાલે તા. 15 મી માર્ચના રોજ વિશ્વ ગ્રાહક દિવસની સરકાર સહિત વિવિધ સંસ્થાઓ દ્રારા ઉજવણી કરવામાં આવી હતી. આ વિશ્વ ગ્રાહક દિવસ નિમિત્તે ગ્રાહક સુરક્ષા ગ્રાહક સત્યાગ્રહ ગ્રાહક ક્રાંતિ ફાઉન્ડેશનના પ્રમુખ સૂચિત્રા પાલની આગેવાની હેઠળ ફાઉન્ડેશનના સભ્યો બળવંતભાઇ વાઘેલા સહિતના અન્ય સભ્યો આજે સોમવારે ભારતની અગ્રણી પેટ્રોલિયમ તથા ગેસ કંપનીઓ જેવી કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનને હાલની પરિસ્થિતિમાં ગ્રાહકોની વ્હારે આવવા આવેદન થકી લલકાર અને પડકાર ફેંક્યો છે.હાલમાં રોજબરોજ સંસ્થાને ફોન ઉપર ગેસ સિલિન્ડરની વિતરણ વ્યવસ્થા સામે અનેક ફરિયાદ આવતા કરોડો ગ્રાહકોના પ્રતિનિધિ તરીકે સંસ્થાના પ્રમુખ સુચિત્રા પાલની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળ સાથે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ગુજરાત રાજ્ય કાર્યાલય તથા અમદાવાદ ઝોનના અધિકારીશ્રીઓની રૂબરૂ મુલાકાત લઇને ગ્રાહકલક્ષી માંગણી અને રજૂઆત સાથે આવેદનપત્ર આપ્યું હતું. આ અંગે ગ્રાહક સુરક્ષા ગ્રાહક સત્યાગ્રહ ગ્રાહક ક્રાંતિ ફાઉન્ડેશનના પ્રમુખ સૂચિત્રા પાલે જણાવ્યું છે કે, ડિલિવરી પૂરી થાય ત્યાં સુધી ડિલિવરી પર્સને આ પ્રક્રિયામાં કોઈ હસ્તક્ષેપ કરવાનો રહેતો નથીવધુમાં તેમણે પેટ્રોલ ડીઝલ જેવા પ્રવાહી ઇંધણ માટેની ઉપયોગમાં લેવાતી કાળી રંગની પાઇપલાઇનને કારણે ગ્રાહકોને ખરેખર ઇંધણની ડિલિવરી શરૂ થયાની તથા પૂરી થયાની જાણકારી મળતી નથી. તેને બદલે પારદર્શક પાઇપ રાખવી જોઈએ. દરેક પેટ્રોલ પંપ ઉપર ગ્રાહકોને જથ્થાની ડીલેવરી આપવા માટેની પાઇપ દર એક જગ્યાએ એક સરખી જોવા મળતી નથી પાઇપની વધુમાં વધુ લંબાઈ નું માપ નક્કી કરી જાહેર કરવું જોઈએ. અને પેટ્રોલ ડીઝલ ડીલેવરીની કામગીરી ઓટો મોડમાં હોવા છતાં પણ ડિલિવરી પર્સન દ્વારા અવારનવાર નોઝલ પકડી પેટ્રોલ કે ડીઝલ ભરતી વખતે કટ કરવામાં આવે છે. જેના કારણે ઝટકાં વાગતાં હોવાનું જોવા મળે છે. ખરેખર તો ચોક્કસ વજન કે ચોક્કસ રકમના જથ્થાની ડિલિવરી માટેનું સેટિંગ ગોઠવાઈ ગયા પછી ડિલિવરી પર્સન દ્વારા નોઝલને પકડી રાખવાની જરૂરિયાત રહેતી નથી. સેટિંગ ઓટો મોડમાં હોય ત્યારે જથ્થાને ડિલિવરી પૂરી થાય ત્યારે ઓટોમેટીક મશીન બંધ થઈ જાય ડિલિવરી શરૂ થાય ત્યાંથી ઇંધણની ડિલિવરી પૂરી થાય ત્યાં સુધી ડિલિવરી પર્સને આ પ્રક્રિયામાં કોઈ હસ્તક્ષેપ કરવાનો રહેતો નથી. તેમ છતાં પણ પેટ્રોલ પંપના ડિલિવરી પર્સન નોઝલને પકડી કંટ્રોલ કરે છે તેમાં સુધારો કરવાની પણ માંગણી કરી છે. ગ્રાહકો ફોન ઉપરથી પોતાની ફરિયાદનું સ્ટેટસ જોઈ શકે પેટ્રોલ પંપ ઉપર ગ્રાહકોને જ્યારે પણ કોઈ ફરિયાદ કરવી હોય ત્યારે લેખિત ફરિયાદ ઉપરાંત ઓનલાઈન ફરિયાદની પણ સીધી સાદી સરળ વ્યવસ્થા ઉપલબ્ધ થવી જોઈએ. જેથી અર્ધ શિક્ષિત ગ્રાહકો પણ કંપનીના જાહેર કરેલ whatsapp નંબર ઉપર ઓડિયો કે વીડિયો મેસેજથી ફરિયાદ કરી શકે તથા સાથોસાથ એવી વ્યવસ્થા પણ થવી જોઈએ કે, ગ્રાહકો ફોન ઉપરથી પોતાની ફરિયાદનું સ્ટેટસ જોઈ શકે તેમ જ જાણી શકે તથા ફરિયાદ ઉપર થયેલ કાર્યવાહીને જાતે જ જોઈ શકે. આ ઉપરાંત કંપનીએ મળેલ ફરિયાદોના નિરાકરણની વિગતો ફરિયાદીના નંબર ઉપર જાહેર કરી જણાવવી જોઈએ. ઇન્ડિયન ઓઇલ કંપનીના અધિકારીઓએ આવેદનપત્ર સ્વીકારી રૂબરૂ ચર્ચા કરી ગ્રાહક હિતને લગતી કોઈપણ રજૂઆત અને માંગણીમાં યોગ્ય અને સાનુકૂળ સહકાર આપવામાં આવશે તેવી મૌખિક ખાતરી આપી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નોન ટીચિંગની 59 જગ્યા પર ભરતી માટેની આજે 16 માર્ચના પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ખાનગી એજન્સીને પરીક્ષાની કામગીરીની સોંપણી તેમજ અનામત નીતિનો અમલ ન કરાયાના આક્ષેપ NSUI દ્વારા કરવામાં આવ્યો હતો. લેખિત પરીક્ષા લેવામાં આવશે તો કોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી પણ આપવામાં આવી હતી. જોકે આ વચ્ચે આજે વર્ગ 3 ની કાયમી ભરતી માટે લેખિત પરીક્ષા A લેવામાં આવી હતી જેમાં 1174 માંથી 767 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. દરમિયાન સાંજે પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે જેમાં કોઈ વાંધો સૂચનો હોય તો 19 માર્ચ સુધીમાં રજૂ કરી શકશે. જે બાદ ફાઈનલ આન્સર કી જાહેર થશે અને તેમાં મેરીટમાં આવતા ઉમેદવારો આગામી 19 એપ્રિલના યોજાનારી પરીક્ષા B આપશે. ઉમેદવાર ભુવનેશ્વરી ગોહેલે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઘણા વર્ષો પછી આ ભરતી આવી છે અને તેથી અમને ખૂબ જ સારી તક મળી છે. હાલ એમસીક્યુ આધારિત પરીક્ષા છે અને તેમાં પાસ થયા બાદ બીજી પરીક્ષા આપવાની રહેશે. જ્યારે સદગુરુ મહિલા કોલેજ ખાતેના સેન્ટર ઇન્ચાર્જ અમિત જોશી એ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સ્ટાફ ભરતી માટેની પરીક્ષા આ કોલેજમાં લેવામાં આવી રહી છે. જેમાં 480 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નોન-ટીચિંગની કાયમી જગ્યા ભરવા માટે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં યુનિવર્સિટીના રિક્રૂટમેન્ટ સેલ દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાત ક્રમાંક RC/21/2025 થી RC/44/2025 હેઠળની કુલ 59 જગ્યાઓ માટે આજે 16 માર્ચના સવારે 11 થી 12.30 દરમિયાન પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 1174 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જોકે તેમાંથી 767 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આજે પ્રથમ પરીક્ષા-A યોજવામાં આવી હતી. જે MCQ આધારિત રહેશે. પરીક્ષા-A 100 ગુણની હતી. જેનું પેપર એવરેજ અઘરું નિકળ્યુ હતુ. જેમાં નેગેટિવ માર્કિંગની પદ્ધતિ રાખવામાં આવી હતી . નેગેટિવ માર્કિંગના નિયમ અનુસાર 0.25 ગુણ પ્રતિ ખોટા જવાબ દીઠ કાપવામાં આવશે. સરળ શબ્દોમાં કહીએ તો, જો કોઈ ઉમેદવારના 4 પ્રશ્નોના જવાબ ખોટા પડે, તો સાચા જવાબોમાંથી 1 ગુણ ઓછો થશે. પરીક્ષા-A માં પાસ થનારા અથવા લાયક ઠરનારા ઉમેદવારો માટે ત્યારબાદ પરીક્ષા-B નું આયોજન કરવામાં આવશે. પરીક્ષા-B માટેની સંભવિત તા. 19 એપ્રિલ નક્કી કરવામાં આવી છે.
બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે ગઢડા તાલુકાના ઈશ્વરીયા ગામના ખેડૂત નિતુભા કરણુભા ગોહિલની હત્યા કેસમાં ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી કિરણ ઉર્ફે કરો ભાઈલાલ પઢીયારને આજીવન કેદની સજા ફટકારી છે. આ ઘટના 16 ડિસેમ્બર, 2023ના રોજ બની હતી, જ્યારે ખેડૂત નિતુભા ગોહિલની હત્યા કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું કે મૃતક ખેડૂતે પોતાની જમીન આરોપી કિરણ પઢીયારને ભાગીયા તરીકે વાવવા આપી હતી. આરોપીનો બાજુની જમીન વાવતા ભાગીયાની દીકરી સાથે પ્રેમ સંબંધ હતો. દીકરીના પિતાએ આ અંગે મૃતક ખેડૂતને ફરિયાદ કરી હતી, જેના કારણે નિતુભા ગોહિલે આરોપીને ઠપકો આપ્યો હતો. આ ઠપકાની દાઝ રાખીને આરોપી કિરણ પઢીયારે ખેડૂતની હત્યા કરી હતી.
બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વિધાનસભા ગૃહમાં સિંહોના સંરક્ષણ અને જાળવણી માટે વિવિધ માંગણીઓ રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં સિંહોની સંખ્યા સતત વધી રહી છે, જ્યારે આફ્રિકામાં તેમની સંખ્યા ઘટી રહી છે. ધારાસભ્ય મકવાણાએ સિંહોના રહેણાંક વિસ્તારમાં થઈ રહેલા વધારા પર ભાર મૂક્યો. છેલ્લા બે વર્ષમાં બોટાદ જિલ્લામાં સિંહોએ તેમના પરિવારો સાથે વસવાટ શરૂ કર્યો છે. તેમણે મંત્રી સમક્ષ બોટાદ તાલુકાના ઢાંકણિયા ગામ નજીક આવેલા મોટા બીડ (જંગલ)માં કાળિયારની મોટી સંખ્યા હોવાથી ત્યાં સિંહોનો કાયમી વસવાટ થાય અને એક જંગલ સફારી બનાવવામાં આવે તેવી માંગ કરી. મકવાણાએ સિંહોના અકુદરતી મૃત્યુની વધતી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરી. તેમણે રાજ્ય સરકારને આવા મૃત્યુ રોકવા માટે ચોક્કસ પગલાં ભરવા અને સિંહોનું રક્ષણ કરતા માલધારી સમાજ તથા રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી જેવા સિંહ પ્રેમીઓને પ્રોત્સાહન આપવા વિનંતી કરી. વધતા સિંહ વિસ્તારને કારણે નેશનલ હાઈવે પર સિંહો વારંવાર જોવા મળે છે, જેનાથી અકસ્માતોનું પ્રમાણ વધે છે. આથી અકસ્માતો ઘટાડવા માટે રાજ્ય સરકાર નક્કર આયોજન કરે તેવી પણ તેમણે માંગણી કરી.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં બેફામ રીતે ખાણો ખોદી અને પથ્થરની ચોરી કરવામાં આવતી હોય તે પ્રકારની ફરિયાદો પોલીસ વિભાગ અને તંત્રને મળી હતી, જે આધારે સુરેન્દ્રનગરના લીમડી ડીવાયએસપી, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા, સાયલા પોલીસની ટીમો, સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમો અને સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસની ટીમો દ્વારા સંયુક્ત ઓપરેશન બહાર પાડવામાં આવ્યું હતું. સાયલા તાલુકાના સુદામડા ગામે સીમ વિસ્તારમાં સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદેસર ખાણો ખોદવામાં આવી હોવાનો પણ ધડાકો થયો હતો. આ સંદર્ભે 5 જેટલી ગેરકાયદેસર ખાણો જપ્ત કરવામાં આવી હતી અને તપાસ કામગીરી શરૂ કરવામાં આવી હતી. તપાસમાં ગેરકાયદેસર રીતે ખોદકામ કરી અને બ્લેકટ્રેપ કરવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું. 38 જેટલા ડમ્પર, 14 જેટલા હિટાચી મશીન જપ્ત આ સંદર્ભે રેડ દરમિયાન ત્યાંથી 38 જેટલા ડમ્પર, 14 જેટલા હિટાચી મશીન મળી આવ્યા હતા જે તમામ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે ખોદકામ કરવામાં આવેલા પથ્થરનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે અને સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં છે. રેડ દરમિયાન પીઆઇ, પીએસઆઇઓ અને 100થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત રાખવામાં આવ્યા હતા અને રેડ દરમિયાન 18 કરોડથી વધુની રકમના મુદ્દામાલ જપ્ત કરી અને ખનીજ માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પથ્થરનું ગેરકાયદેસર ખોદકામ કરી કાળી કમાણી સ્થળ ઉપર દરોડા પાડી અને ગેરકાયદેસર પથ્થરની પાંચ જેટલી ખાણો ઝડપી પાડવામાં આવી છે. સ્થળ પર અગાઉ ખાણ ખનીજ વિભાગ પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા પણ દરોડા પાડવામાં આવ્યા છે, તે છતાં પણ આ જગ્યા ઉપર કોઈ પણ પ્રકારનું ખોદકામ બંધ કરવામાં આવી રહ્યું નથી. પથ્થરનું ગેરકાયદેસર ખોદકામ કરી, કપચી બનાવી, બેફામ વેચાણ કરી અને કાળી કમાણી કરવામાં આવતી હોવાનું પણ બહાર આવ્યું છે. આ સમગ્ર નેટવર્ક ચલાવતા ખનીજ માફિયાઓ વિરોધમાં તપાસ ચાલી રહી છે. હાલના તબક્કામાં આ સમગ્ર તપાસ ખનીજ વિભાગને સોંપવામાં આવી હોવાનું પણ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલું દ્વારા જણાવવામાં આવ્યું છે. માપણી અને દંડ આપવાની પ્રક્રિયા શરૂ : SP પ્રેમસુખ ડેલુંસુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા આ સંદર્ભે જણાવવામાં આવ્યું હતું કે, પોલીસ વિભાગની ટીમોને મળેલી ખાનગી બાતમીના આધારે લીંબડી ડીવાયએસપી અને તેમની ટીમો દ્વારા આ સંયુક્ત ઓપરેશન બહાર પાડવામાં આવ્યું છે. 38 જેટલા ડમ્પરો, 14 જેટલા મશીનો જપ્ત કરવામાં આવ્યા છે. ખનીજની સૌથી મોટી રેડ આ માનવામાં આવી રહી છે, જેને લઇને ખનીજ માફીઆઓમાં પણ ફાફડાટ ફેલાયો છે. હાલના તબક્કામાં કેજીએફ જેટલી મોટી ખાણો કોના દ્વારા ખોદવામાં આવી તે દિશામાં તો તપાસ ચાલી રહી છે. પરંતુ જે માપણીની પ્રક્રિયા છે, દંડ આપવાની પ્રક્રિયા છે તે ખાણ ખનીજ વિભાગને કામગીરી સોંપવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા અને મહામંત્રી ભાવેશભાઈ મકવાણાનું સુરેન્દ્રનગરના નમો કમલમ્ ખાતે તળપદા કોળી સમાજના અગ્રણી આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા સંગઠનમાં વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં તળપદા કોળી સમાજના ભાવેશભાઈ મકવાણાને ભાજપના મહામંત્રી તરીકે પસંદ કરવામાં આવતા સમાજમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. આ ખુશી વ્યક્ત કરવા માટે સુરેન્દ્રનગર-વઢવાણ શહેરના તળપદા કોળી સમાજના અગ્રણી આગેવાનો નમો કમલમ્ ખાતે એકઠા થયા હતા. તેમણે નવનિયુક્ત પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા અને મહામંત્રી ભાવેશભાઈ મકવાણાનું ભાવભર્યું સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા.
વૈશ્વિક સ્તરે યુદ્ધની સ્થિતિ અને ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા તોતિંગ વધારાની સીધી અસર હવે સુરતના શાન સમાન ટેક્સટાઈલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. સુરતના સચિન GIDC ખાતે આજે રેપિયર જેકાર્ડ એસોસિએશનની એક મહત્વની બેઠક મળી હતી, જેમાં યાર્ન અને ઝરીના રો-મટીરિયલમાં થયેલા 40% સુધીના ભાવ વધારા સામે લડવા માટે કડક નિર્ણયો લેવામાં આવ્યા છે. સચિન GIDCમાં 900થી વધુ વિવર્સની બેઠકસુરતની શાન ગણાતી 70 હજાર કરોડની રેપિયર જેકાર્ડ ઇન્ડસ્ટ્રી હાલ અત્યંત પડકારજનક તબક્કામાંથી પસાર થઈ રહી છે. એસોસિએશનના પ્રમુખ સી.કે. માનિયાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં અંદાજે 900 જેટલા વિવર્સ પ્રત્યક્ષ હાજર રહ્યા હતા. પ્રમુખે જણાવ્યું હતું કે, ક્રૂડ ઓઈલના ભાવ વધારાને કારણે યાર્ન અને ઝરી જેવા રો-મટીરિયલમાં 30 થી 40% નો વધારો થયો છે. જેના કારણે હવે નવા સોદામાં 30% ભાવ વધારો કરવો અમારી મજબૂરી બની ગઈ છે. સોશિયલ મીડિયા પર 'ભાવ વધારા'નું અભિયાનવેપારીઓ અને ગ્રાહકોને ભાવ વધારાની સચોટ જાણકારી મળે તે માટે એસોસિએશને આધુનિક રસ્તો અપનાવ્યો છે. હવે દરેક વિવર પોતાના લેટરપેડ પર ભાવ વધારાની વિગતો લખીને મંગળવારથી ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સ એપ સ્ટેટસ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરશે. આ પારદર્શક પદ્ધતિ દ્વારા ટેક્સટાઈલ માર્કેટના તમામ વેપારીઓને નવા ભાવની જાણ કરવામાં આવશે. સુરતની 7,000 કંપનીઓ અને 4,000 વિવર્સ પર જોખમસુરતમાં રેપિયર જેકાર્ડના અંદાજે 4,000 વિવર્સ છે અને 7,000 જેટલી નાની-મોટી કંપનીઓ આ વ્યવસાય સાથે જોડાયેલી છે. રો-મટીરિયલ મોંઘું થતા ઉત્પાદન ખર્ચ પણ 35% થી વધુ વધી ગયું છે. આ સ્થિતિમાં જો જૂના ભાવે કામ ચાલુ રાખવામાં આવે તો ઉદ્યોગ પડી ભાંગે એવી ભીંતિ છે. આથી જ એસોસિએશને એકસંપ થઈને આવતીકાલથી નવા સોદામાં 30% પ્લસ ભાવ સાથે કામ કરવાનો આદેશ આપ્યો છે. પેમેન્ટ સાયકલ માટે 45 દિવસની ડેડલાઈનબેઠકમાં પેમેન્ટને લઈને પણ મહત્વના સુધારા કરવામાં આવ્યા છે. હવેથી તમામ જૂના પેમેન્ટો જે 45 દિવસથી ઉપરના છે તે તાત્કાલિક ક્લિયર કરવાના રહેશે. નવા માલના વેચાણ પર મહત્તમ 45 દિવસની મુદત આપવામાં આવશે. જો વેપારી 45 દિવસમાં પેમેન્ટ નહીં કરે, તો તેના પર ફરજિયાત 1.5% વ્યાજ વસૂલવામાં આવશે. આ નિર્ણયથી વિવર્સની આર્થિક સ્થિતિને ટેકો મળશે. 90 દિવસથી વધુ વિલંબ કરનારા વેપારીઓ 'બ્લેકલિસ્ટ' થશેએસોસિએશને વેપારીઓ માટે લાલ આંખ કરતા જણાવ્યું છે કે, કોઈપણ સંજોગોમાં પેમેન્ટ 90 દિવસની અંદર પૂરું કરવાનું રહેશે. જો કોઈ વેપારી 90 દિવસ સુધી પેમેન્ટ નહીં ચુકવે, તો એસોસિએશન દ્વારા તેવા વેપારીઓના નામ જાહેર કરવામાં આવશે અને તેમને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે. આ યાદી પેપર અને સોશિયલ મીડિયામાં ખુલ્લી મૂકવામાં આવશે જેથી અન્ય વિવર્સ તેમની સાથે છેતરાય નહીં. ઓર્ડર મુજબ જ યાર્નની ખરીદીવર્તમાન અનિશ્ચિતતાને જોતા વિવર્સને સલાહ આપવામાં આવી છે કે, તેમની પાસે જેટલો ઓર્ડર હોય એટલા જ જથ્થામાં યાર્નની ખરીદી કરવી. બજારમાં માલનો ભરાવો ન થાય તે માટે વધારાનું પ્રોડક્શન ન કરવા સૂચના અપાઈ છે. જો કામ ન હોય તો મશીનો બંધ રાખીને પ્રોડક્શન કંટ્રોલ કરવા જણાવાયું છે, જેથી માર્કેટમાં સપ્લાય અને ડિમાન્ડનું સંતુલન જળવાઈ રહે. વેપારી મિત્રોને સહકાર આપવા અપીલસી.કે. માનિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, યુદ્ધની સ્થિતિ અને કાચા માલના ભાવ વધારાને કારણે અમારું કોસ્ટિંગ આસમાને પહોંચ્યું છે. અમે વેપારી મિત્રોને અપીલ કરીએ છીએ કે તેઓ આ પરિસ્થિતિને સમજે અને 30% ભાવ વધારા સાથે નવા સોદામાં સહકાર આપે. આ મજબૂરીના નિર્ણયમાં તમામ વિવર્સે એકજૂથ થઈને આગળ વધવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.
ગાંધીનગરના સુઘડના શિખર બંગ્લોઝમાં તસ્કરોએ ધાબાનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશીને બીજા માળે આવેલા બેડરૂમમાં કબાટનું સેફ તોડીને 28.50 લાખ રોકડા તેમજ 10 તોલા સોનાના દાગીના મળીને આશરે 45 લાખની ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાની ફરિયાદ ઇન્ફોસિટી પોલીસ ચોપડે નોંધાઈ છે. મણિભાઈ તેમના પત્ની સાથે વતનમાં ગયા હતાગાંધીનગરના સુઘડના શિખર બંગલોમાં રહેતા 74 વર્ષીય મણીભાઈ પટેલ પ્રાઇવેટ નોકરીમાંથી નિવૃત થયા છે. જેમનો દીકરો કૃણાલ આર.કે. ઇમેજિંગ કંપની નામે સોનોગ્રાફી અને એક્સરે મશીનની ડિલિરશિપ ધરાવે છે. મણિભાઈ તેમના પત્ની સાથે ગત 13 માર્ચે મિત્રની જીવત ચર્યા પ્રસંગે વતનમાં ગયા હતા, જ્યારે તેમનો પુત્ર ક્રુણાલ તેના પરિવાર સાથે સુરત ગયો હતો અને મકાનની ચાવી પડોશીને આપી રાખી હતી ત્યારે 14મી માર્ચે રાત્રે આઠ વાગ્યાની આસપાસ તેમનો પુત્ર સુરતથી પરત આવી ઘરેથી કપડાં લઈ વતનમાં પરિવાર પાસે પહોંચ્યો હતો. જેનો લાભ ઉઠાવી તસ્કરોએ બંગલાના ત્રીજા માળે ધાબા પરથી ઘરમાં પ્રવેશવા દરવાજો બળપ્રયોગ કરીને તોડી નાખ્યો હતો. બાદમાં બીજા માળે આવેલા બેડરૂમમાં કબાટનું સેફ તોડીને ઘરફોડ ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. પરિવારે તપાસ કરાવતા ચોરીનો મામલો સામે આવ્યોઆ અંગે પાડોશીએ મકાનમાં તોડફોડના પ્રયાસની જાણ કરી ત્યારે મણીભાઈના પરિવારે તપાસ કરાવતા ચોરીનો મામલો સામે આવ્યો હતો. જેના પગલે મણિભાઈ પરિવાર સાથે પરત આવી ગયા હતા. અને તપાસ કરતા કબાટના સેફમાં મુકેલા રૂ.28.50 લાખ રોકડા ,10 તોલા વજનના સોનાના 17 વિવિધ ઘરેણાં અને 500 ગ્રામ ચાંદીના દાગીના મળી કુલ રૂ. 44.90 લાખની માલમત્તાની ચોરી થઈ હોવાની જાણ થઇ હતી. આ ચોરાયેલા ઘરેણાંમાં બે સોનાના મંગળસૂત્ર, પાંચ ચેન, પ્લેટિનમ મિક્સ્ડ ઘરેણાં, હીરા જડિત પેન્ડલ, બંગડીઓ અને ચાંદીના સિક્કાઓ હતા. પોલીસે હાઈ-વેના CCTV ચેક કરી તપાસ હાથ ધરીજેમાં ચાંદીના 10 સિક્કાઓ પૈકી એક સિક્કા પર સી.આર. પાટીલનું નામ અંકિત થયેલું હતું. આ અંગે ઈન્ફોસિટી પીઆઈ વી આર ખેરે જણાવ્યું કે, તસ્કરો સોસાયટીની કમ્પાઉન્ડ વોલ કૂદીને પ્લાસ્ટિકના છજા થકી ધાબા સુધી પહોંચ્યા હતા. સોસાયટીના મેન ગેટ સિવાયના સીસીટીવી બંધ હાલતમાં છે. પોલીસ ડોગ સોસાયટીથી થોડે દૂર આવેલા ખેતર સુધી જઈને અટકી ગયો હતો. હાલમાં આ મામલે હાઈવે વિસ્તારના સીસીટીવી ચેક કરવાની તજવીજ ચાલી રહી છે.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત 'સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્ષ્પો 2026'નું સોમવારે ભવ્ય સમાપન થયું. સરસાણાના એક્ઝિબિશન સેન્ટર ખાતે ચાર દિવસ સુધી ચાલેલા આ મેળાએ બિઝનેસ અને મનોરંજનના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ વર્ષે એક્ષ્પોમાં માત્ર નવી ગાડીઓનું પ્રદર્શન જ નહીં પણ રુંવાડા ઉભા કરી દે એવા બાઇક સ્ટંટ શોએ મુલાકાતીઓના દિલ જીતી લીધા હતા. ખાસ કરીને રવિવારે તો માનવ મહેરામણ એ રીતે ઉમટ્યું હતું કે, આખું સેન્ટર ‘હાઉસફુલ’ જેવી સ્થિતિમાં જોવા મળ્યું હતું. બાઇક સ્ટંટ શોમાં સાહસના દ્રશ્યો જોઈ સુરતીઓ સ્તબ્ધ થયાઆ વખતના ઓટો એક્ષ્પોનું સૌથી મોટું આકર્ષણ 'બાઇક સ્ટંટ શો' રહ્યો હતો. કુશળ પ્રોફેશનલ રાઇડર્સ દ્વારા જ્યારે હવામાં બાઇક જમ્પ કરાવવામાં આવી અને એક ટાયર પર કરતબો બતાવવામાં આવ્યા ત્યારે દર્શકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. તાળીઓના ગડગડાટ વચ્ચે રાઇડર્સે જોખમી વળાંકો અને સ્પીડ સાથે જે રીતે બાઇક કંટ્રોલ કરી તેણે યુવાનોમાં ભારે ક્રેઝ જગાડ્યો હતો. સ્ટંટ જોવા માટે એટલી ભીડ જામી હતી કે, લોકોએ ઉભા રહીને પણ આ રોમાંચક પળોને પોતાના કેમેરામાં કેદ કરી હતી. 4 દિવસમાં 6 મહિના જેટલો બિઝનેસચેમ્બરના પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, આ એક્ષ્પોમાં અપેક્ષા કરતા વધુ પ્રતિસાદ મળ્યો છે. સામાન્ય રીતે ઓટો ડીલર્સને જે ઇન્કવાયરી અને સેલ્સ ટાર્ગેટ પૂરો કરવામાં 6 મહિના લાગે છે એટલો બિઝનેસ માત્ર 4 દિવસમાં જ મળી ગયો છે. કાર અને ટુ-વ્હીલર સેગમેન્ટમાં એટલી બધી જેન્યુન ઇન્કવાયરી આવી છે કે એક્ઝિબિટર્સ ગદગદિત થઈ ગયા છે. અનેક લોકોએ તો ઓન-ધ-સ્પોટ પસંદગી કરીને એડવાન્સ ચેક આપી પોતાની મનપસંદ સવારી બુક કરાવી લીધી હતી. રવિવારે રેકોર્ડબ્રેક 50 હજાર લોકો ઉમટ્યાએક્ષ્પોના આંકડાઓ પર નજર કરીએ તો, પ્રથમ દિવસે 7,880 અને બીજા દિવસે 14,740 લોકો આવ્યા હતા. જોકે, રવિવારે રજાના દિવસે સુરતીઓએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને એક જ દિવસમાં 50,000થી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. સોમવારે છેલ્લા દિવસે પણ 15,000 લોકો આવતા, કુલ મુલાકાતીઓનો આંકડો 87,000ને વટાવી ગયો હતો. ટુ-વ્હીલર સેગમેન્ટમાં તો સ્થિતિ એવી હતી કે ડિસ્પ્લેમાં મુકાયેલા વાહનો પણ ગ્રાહકોએ સ્થળ પર જ ખરીદી લીધા હતા. દેશમાં સૌથી વધુ એડવેન્ચર ડ્રાઇવિંગનો રેકોર્ડસાહસના શોખીનો માટે જીપ દ્વારા તૈયાર કરવામાં આવેલું 'પ્રુવીંગ ગ્રાઉન્ડ' ચર્ચાનો વિષય બન્યું હતું. અહીં ખાડા-ટેકરા, ઉબડખાબડ રસ્તા અને ઊંચા ઢોળાવ પર જીપ ચલાવવાનો લ્હાવો 87 હજાર મુલાકાતીઓમાંથી હજારો લોકોએ લીધો હતો. આયોજકોના મતે, એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં એડવેન્ચર ડ્રાઇવિંગનો અનુભવ લેનારા લોકોનો આ આંકડો સમગ્ર ભારતમાં સૌથી વધુ છે. લોકોએ જાતે સ્ટીયરિંગ પકડીને ઓફ-રોડિંગનો સાચો રોમાંચ અનુભવ્યો હતો. વિન્ટેજ કારોની શાન અને ભવિષ્યની ટેકનોલોજીનો સંગમએક્ષ્પોમાં એક તરફ લેટેસ્ટ EV અને લક્ઝરી કાર હતી તો બીજી તરફ વિન્ટેજ કાર સેગમેન્ટે વડીલો અને ઇતિહાસપ્રેમીઓને આકર્ષ્યા હતા. દાયકાઓ જૂની રજવાડી કારોની ચમક અને તેની જાળવણી જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ એક્ષ્પોએ સાબિત કરી દીધું છે કે, સુરતનું ઓટોમોબાઈલ માર્કેટ તેજીમાં છે. ચેમ્બરના આ પ્રયાસથી ગ્રાહકોને એક જ છત નીચે તમામ બ્રાન્ડ્સ જોવાની તક મળી અને ડીલરોને મોટું પ્લેટફોર્મ પ્રાપ્ત થયું.
વડોદરા શહેરમાં બે વર્ષ પૂર્વે આવેલા પૂર બાદ રાજ્ય સરકાર દ્વારા વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવા ઉપરાંત ભવિષ્યમાં પૂર ન આવે તે માટેના પ્રયાસો હાથ ધરવામા આવ્યા છે. વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની કામગીરી માટે કમિટીનું ગઠન કરવાં આવ્યું હતું, જેઓ દ્વારા ચોથો રિપોર્ટ સબમીટ કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં કમિટીએ નદીમાં ઠાલવાયેલા કન્સ્ટ્રક્શન વેસ્ટ અને ડ્રેનેજના દુષિત પાણી અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ બંનેને કમિટીએ નદીના કાયાકલ્પના સૌથી મોટા અવરોધ ગણાવ્યા છે. કચરાનો વૌજ્ઞાનિક ઢબે નિકાલ જરૂરીહ્યૂમન રાઈટ કમિશને વિશ્વામિત્રી નદીની રિવાઇવલ કામગીરી માટે નેહા સરવટે, રોહિત પ્રજાપતિ, ડો.રણજીતસિંહ દેવકર, ડો. જીતેન્દ્ર ગવળી અને મિતેશ પંચાલની કમિટી બનાવી હતી. જેઓ દ્વારા હાલમાં ચોથો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે, અગાઉના અહેવાલોમાં ઉલ્લેખ કર્યા મુજબ, કન્સ્ટ્રક્શનના કચરાના નિકાલના સ્થળો લાંબા સમયથી ઓળખવામાં આવ્યા છે. વારસાગત કચરા સહિતની હદ અને જથ્થો, વહેલી તકે નક્કી કરવાની જરૂર છે. જો તેમ નહીં થાય તો એ કાયાકલ્પના પ્રયાસોમાં સૌથી મોટી અવરોધોમાંની એક છે. કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ થવો જોઈએ. જળચરોને નુકસાન ન થાય તે જોવાની જરુરરિપોર્ટમાં જણાવ્યા અનુસાર કાટમાળ સાફ કરવાની પ્રક્રિયા દરમિયાન કોઈપણ જળચર પ્રજાતિ જોખમમાં ન આવે તે સુનિશ્ચિત કરવા માટે અત્યંત સાવચેતી રાખવી જોઈએ. કાટમાળ દૂર કરવાની પ્રક્રિયામાં સંરક્ષણ યોજનાઓને સમાવિષ્ટ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે મગર, ફ્લૅપશેલ કાચબા અને અન્ય અગ્રણી વન્યજીવન જેવી સંવેદનશીલ પ્રજાતિઓ માટે મહત્વપૂર્ણ સંવર્ધન મેદાનો અને રહેઠાણો સ્થાપિત કરવા. વન્યજીવન નિષ્ણાતોની સલાહ લેવી જોઈએ અને કાટમાળ દૂર કરતી વખતે સ્વયંસેવકો અને બચાવ ટીમો સ્થળ પર હાજર રહેવી જોઈએ. જામ્બુઆ લેન્ડફિલનો કચરો નદી કિનારાને પ્રદુષિત કરે છેમ્યુનિસિપલ સોલિડ વેસ્ટ માટેના લેન્ડફિલ્સ ઐતિહાસિક રીતે નદી કિનારાના વિસ્તારમાં સ્થિત છે. વિશ્વામિત્રી નદી પર વડસર લેન્ડફિલ બંધ છે અને હાલનું સ્થાન વિશ્વામિત્રી નદીની મુખ્ય ઉપનદી જાંબુવા નદી પર છે. એવું સ્થાપિત થયું છે કે આ લેન્ડફિલ્સમાંથી નીકળતો કચરો પાણી અને નદી કિનારાને પ્રદૂષિત કરે છે. VMC દ્વારા તાજેતરમાં ડિસિલ્ટિંગ પહેલ દરમિયાન, વડસર સ્થાન પરથી નોંધપાત્ર ઘન કચરો અને CD કચરો દૂર કરવામાં આવ્યો છે. જોકે, હજુ પણ ઘણો કચરો સાફ કરવાનો બાકી છે. જાંબુવા લેન્ડફિલ પરનો કચરો નદીમાં વહે છે, જે તેને વધુ પ્રદૂષિત કરે છે અને નદી કિનારાના વિસ્તારોને ખરાબ કરી રહ્યો છે. અટલાદરા ખાતેના પ્રોસેસિંગ યુનિટ્સને અપગ્રેડ કરવા જોઈએનદી કિનારાના વિસ્તારોમાંથી દૂર કરવામાં આવતા મ્યુનિસિપલ સોલિડ કચરાના સંગ્રહ, અલગીકરણ, સારવાર, પ્રક્રિયા અને રિસાયક્લિંગ માટે સ્પષ્ટ વ્યૂહરચના સ્થાપિત કરવાની જરૂર છે. અટલાદરા ખાતેના પ્રોસેસિંગ યુનિટ્સને દરરોજ નિકાલ થતા કચરાના જથ્થાનું સંચાલન કરવા માટે અપગ્રેડ કરવા જોઈએ. ઉપયોગી ઉત્પાદનો માટે ઘન કચરાના રિસાયક્લિંગ માટે VMC, શિક્ષણવિદો, NGO, રિસાયકલર્સ અને ઉદ્યોગો વચ્ચે સહયોગ સ્થાપિત કરવાની જરૂર છે; આ પ્રયાસમાં CSR પહેલને સંકલિત કરી શકાય છે. નદીમાં 38 ગટરો થકી પાણી ઠલવાય છેVMC અને GPCB એ ફક્ત વિશ્વામિત્રી નદીમાં જ 38 ગટર વ્યવસ્થાઓ ઓળખી કાઢી છે. ગેરકાયદેસર જોડાણો અને ઉપનદીઓ, તળાવો અને ભીનાશવાળી જમીનમાં ગટર વ્યવસ્થાઓ ઓળખવા માટે વરસાદી પાણીના નિકાલ સહિત ડ્રેનેજ નેટવર્કનું સંપૂર્ણ દસ્તાવેજીકરણ કરવાની જરૂર છે. અટલાદરા, તરસાલી અને ગજરાવાડી STPની ક્ષેત્ર મુલાકાત દરમિયાન અવલોકનોના વિગતવાર વિશ્લેષણના પરિણામો બાકી છે અને તેથી આ વિશ્વામિત્રી સમિતિ દ્વારા આગામી અહેવાલમાં ગટર વ્યવસ્થા અંગેનો એક અલગ અહેવાલ રજૂ કરવામાં આવશે.
મોરબીના કંડલા બાયપાસ રોડ પર નજીવી બાબતે વેપારી અને તેના ભાઈ પર હુમલો થયો છે. ટ્રક હટાવવાની વાત પર શરૂ થયેલા ઝઘડામાં આરોપીઓએ શોરૂમમાં ઘૂસી સીસીટીવી કેમેરાનું ડીવીઆર તોડી નાખ્યું હતું. એટલું જ નહીં, પિસ્તોલ બતાવી જાનથી મારી નાખવાની અને અપહરણ કરવાની ધમકી પણ આપી હતી. આ મામલે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.ફરિયાદ મુજબ, કંડલા બાયપાસ રોડ પર દેશી ડાયરો હોટલ પાસે આવેલા ઉમા સ્ટીલ ફર્નિચર શોરૂમના માલિક ઉમેશભાઈ ત્રિભોવનભાઈ મેરજા (ઉં.વ. 36) અને તેમના ભાઈ ચિરાગભાઈના શોરૂમ નજીક એક ટ્રક ઊભો હતો. ટ્રક હટાવવા બાબતે રણજીતભાઈ જેસીંગભાઇ ચાવડા સાથે તેમની બોલાચાલી થઈ હતી.બોલાચાલી બાદ રણજીતભાઈએ દિનેશભાઈ ગગુભાઈ મકવાણા અને અન્ય ચાર અજાણ્યા ઈસમોને બોલાવ્યા હતા. દિનેશભાઈ પોતાની ફોર્ચ્યુનર ગાડીમાંથી ધોકો લઈને આવ્યા હતા અને ઉમેશભાઈને માર મારવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓ ગેરકાયદેસર રીતે ઉમેશભાઈની માલિકીની મિલકતમાં પ્રવેશ્યા હતા. રણજીતભાઈએ દુકાનમાં રાખેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર તોડી નાખી નુકસાન પહોંચાડ્યું હતું. તેમણે પોતાની પાસે રહેલી ગ્રે કલરની નાની પિસ્તોલ જેવું હથિયાર બતાવી ઉમેશભાઈ અને તેમના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત, દિનેશભાઈએ ઉમેશભાઈને ગાળો આપી અપહરણ કરી લઈ જવાની ધમકી આપી હતી. આરોપીઓ બળજબરીપૂર્વક ડીવીઆર પોતાની સાથે લઈ ગયા હતા.આ સમગ્ર ઘટના અંગે ઉમેશભાઈ મેરજાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રણજીતભાઈ જેસીંગભાઇ ચાવડા (રહે. મીરા પાર્ક સોસાયટી, વાવડી રોડ, મોરબી), દિનેશભાઈ ગગુભાઈ મકવાણા (રહે. ધર્મસૃષ્ટિ સોસાયટી, મોરબી) અને અન્ય ચાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં આગામી 4 દિવસ કમોસમી વરસાદની આગાહી:સુરેન્દ્રનગરના ખેડૂતોને સાવચેતી રાખવા અપીલ
ગુજરાતમાં આગામી ચાર દિવસ, એટલે કે 18 માર્ચથી 21 માર્ચ, 2026 દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. આ આગાહીને પગલે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને પાક રક્ષણ માટે આગોતરા સાવચેતીના પગલાં લેવા ખેતીવાડી વિભાગ દ્વારા ખાસ અનુરોધ કરાયો છે. ખેતીવાડી વિભાગે ખેડૂતોને કમોસમી વરસાદથી થતા પાક નુકસાનથી બચવા માટે કેટલીક સૂચનાઓ આપી છે. જો ખેતરમાં કાપણી કરેલો પાક ખુલ્લામાં હોય, તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવો. જો પાક ખસેડવો શક્ય ન હોય, તો તેને પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવો અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવવો, જેથી વરસાદનું પાણી પાકના ઢગલાને નુકસાન ન પહોંચાડે. આ ઉપરાંત, આ સમયગાળા દરમિયાન જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ ટાળવા જણાવાયું છે. બિયારણનો જથ્થો પલળે નહીં તે રીતે સુરક્ષિત રાખવા પણ ખેડૂતોને સૂચના અપાઈ છે. ખેડૂતોની સાથે સાથે માર્કેટિંગ યાર્ડના વેપારીઓ અને ખેડૂત મિત્રોને પણ સાવચેતી રાખવા અનુરોધ કરાયો છે. એ.પી.એમ.સી.માં રહેલા અનાજ અને ખેતપેદાશોને શેડ નીચે અથવા સુરક્ષિત રીતે ઢાંકીને રાખવા જોઈએ. વરસાદની આગાહીવાળા દિવસો દરમિયાન વેચાણ અર્થે પાકને યાર્ડમાં લાવવાનું ટાળવું અથવા પૂરતી સુરક્ષા સાથે જ લાવવો. ખેતીવાડીને લગતી વધુ જાણકારી કે માર્ગદર્શન માટે ખેડૂતોએ પોતપોતાના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી અથવા જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવો. કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર 1800 180 1551 પરથી પણ જરૂરી માહિતી મેળવી શકાશે. જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અગમચેતી એ જ સલામતીના મંત્રને અનુસરીને ખેડૂતોને કમોસમી વરસાદથી થતા નુકસાનથી બચવા અપીલ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પંથકમાં સગીરાને ગર્ભવતી બનાવનાર 60 વર્ષના આધેડને કોર્ટમાં રજૂ કરાયા બાદ સુરેન્દ્રનગર જેલ હવાલે કરવામાં આવ્યો છે. બાળકને જન્મ આપનારી સગીરા હાલ ડોકટરોની દેખરેખ હેઠળ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પાટડી પંથકમાં 60 વર્ષના આધેડે સગીરાને ગર્ભવતી બનાવતા તેણે બાળકને જન્મ આપ્યો હતો. આ ઘટનાની જાણ ડોકટરે પોલીસને કરતા દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી 60 વર્ષના આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, સગીરા આરોપીના ઘરે ઘરકામ કરવા જતી હતી. તે દરમિયાન આરોપીએ સગીરાને લલચાવી-ફોસલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું, જેના પરિણામે તે ગર્ભવતી બની હતી. આરોપી આધેડને સોમવારે પાટડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને સુરેન્દ્રનગર જેલ હવાલે કરાયો છે. બીજી તરફ, બાળકને જન્મ આપનારી સગીરાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટનાને કારણે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે.
વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં વર્ષ 2022માં સગીર બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચરવાના કેસમાં વડોદરા પોક્સો કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે અને રૂપિયા 10 હજારનો દંડ પણ ફટકાર્યો છે. આરોપી પ્રફુલ ઉર્ફે કાળીયા સોલંકી 7 વર્ષના માસુમ બાળકને કબુતરનું ઈંડું બતાવવાના બહાને તેના ઘરમાં લઈ ગયો હતો અને બળજબરીપૂર્વક આરોપીએ બાળકને ઘરમાં એકલો જોઈ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. ઘટના બાદ ડરી ગયેલો માસુમ બાળક ગભરાઈ ગયો હતો અને જેમ તેમ કરીને આરોપીના કબજામાંથી છૂટીને પોતાના ઘરે દોડી ગયો હતો. ત્યારબાદ પરિવારના સભ્યો ઘરે આવ્યા ત્યારે બાળકે સમગ્ર હકીકત જણાવી હતી. ત્યારે પરિવારના પગ નીચેથી જમીન પણ સરકી ગઈ હતી આ બનાવની ગંભીરતા સમજી પરિવારજનોએ તુરંત પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી પ્રફુલ સોલંકીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસની સુનાવણી વડોદરાની ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ (પોક્સો)માં ચાલી હતી. સુનાવણી દરમિયાન રજૂ થયેલા આધાર પુરાવા અને સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં રાખીને મેજિસ્ટ્રેટે આરોપી પ્રફુલ ઉર્ફે કાળીયા અશોક સોલંકીને કસૂરવાર ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો છે અને દંડ ન ભરે તો વધુ 6 માસની સજાનો હુકમ કર્યો છે.
રાજકોટના જામનગર રોડ પરનાં નાગેશ્વર વિસ્તારમાં ગાંધીગ્રામ પોલીસની ટીમે બાતમીના આધારે દરોડો પાડી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપી પાડી છે. ગાંધીગ્રામ પોલીસની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે નાગેશ્વર એપાર્ટમેન્ટ પાસે પડેલી સફેદ રંગની અર્ટિગા કાર નંબર GJ-03-ML-5663માં દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો છે. પોલીસે 1.87 લાખનો દારૂ અને અર્ટિગા મળી 6 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યોપોલીસે ઘટનાસ્થળે પહોંચી કારની તપાસ કરતા પાછળની સીટમાંથી ખાખી કલરના બોક્સ મળી આવ્યા હતા. આ બોક્સમાંથી 180 mlની શરાબની કુલ 720 બોટલો મળી આવી હતી. જેની કિંમત 1,87,200 થાય છે. પોલીસે 1.87 લાખનો દારૂ અને અર્ટિગા કાર મળી કુલ 6,87,200નો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ પોલીસે દારૂની હેરાફેરી કરનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. મૈત્રી કરારના વિવાદમાં હાથ-પગ ભાંગી નાખવાની ધમકી મળતા યુવકે ઝેરી પ્રવાહી પીધુરાજકોટના ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે રહેતા 32 વર્ષીય આશિષ રમેશભાઈ રામોલિયાએ ગઈકાલે સાંજે 6:30 વાગ્યે ગુંદાસરા ફાટક પાસે ઝેરી પ્રવાહી પી લેતા તેમને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આશિષભાઈએ આક્ષેપ કર્યો છે કે વર્ષ 2022માં ફેસબુકના માધ્યમથી કેશોદની એક પરિણીત યુવતી સાથે સંપર્ક થયો હતો, ત્યારબાદ બંનેએ મૈત્રી કરાર કરી એક વર્ષ સાથે વિતાવ્યું હતું. જોકે, બાદમાં મૈત્રી કરાર છૂટો થતા યુવતી પરત તેના પતિ પાસે જતી રહી હતી. 3 દિવસ પહેલા તેમના પર કાર ચડાવી દેવાનો પણ પ્રયાસ થયો હતોઆ વિવાદને પગલે યુવતીના પરિચિતો જેન્તીભાઈ બારસીયા, ધીરુભાઈ વાળંદ, પૃથ્વીરાજ સિંહ ઉર્ફે કાનો અને મનીષભાઈ ભલસોડ ઉર્ફે ટકો સતત માનસિક - શારીરિક ત્રાસ આપતા હતા. આશિષભાઈના જણાવ્યા મુજબ, દોઢ વર્ષ પહેલા તેમનું અપહરણ કરી ઢોર માર મારવામાં આવ્યો હતો અને 3 દિવસ પહેલા તેમના પર કાર ચડાવી દેવાનો પણ પ્રયાસ થયો હતો. ગઈકાલે બપોરે પૃથ્વીરાજસિંહ ઉર્ફે કાનાએ આવીને હાથ-પગ ભાંગી નાખવાની અને શાકભાજીનો ગલ્લો સળગાવી દેવાની ધમકી આપતા કંટાળીને તેમણે આ પગલું ભર્યું હતું. અગાઉ કારખાનું ચલાવતા આશિષએ આ વિવાદોને કારણે ધંધો પણ ગુમાવવો પડ્યો હોવાનું જણાવ્યું છે. હાલ પોલીસે આ મામલે નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નટેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી કરનાર કુખ્યાત તસ્કર ઝડપાયોરાજકોટના 80 ફૂટ રોડ પર આવેલા નટેશ્વર મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે કોઠારીયા કોલોનીમાં રહેતા અને વાહન લે-વેચનો વ્યવસાય કરતા વેપારી વિરભદ્રસિંહ માનુભા જાડેજાએ ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ગત તા. 14ના રોજ વહેલી સવારે આશરે 4:15 વાગ્યે એક અજાણ્યા શખસે મંદિરમાં પ્રવેશ કરી 4 દાનપેટીઓના લોક તોડી તેમાંથી આશરે 10,000ની રોકડ રકમની ચોરી કરી હતી. આરોપી અગાઉ ચોરી સહિતના 31 ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો આ ઉપરાંત તસ્કર મંદિરમાંથી 500ની કિંમતની પિતળની ટંકોરી અને 300ની કિંમતની સ્ટીલની ડોલ પણ ચોરી કરી ગયો હતો. મંદિરના પુજારી ગોવિંદપરી ગૌસ્વામીએ આ અંગે ટ્રસ્ટીઓને જાણ કરતા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા, જેમાં સમગ્ર ચોરીની ઘટના કેદ થઈ હતી. આ ગુનાનો ભેદ ઉકેલવા માટે ભક્તિનગર પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં ટેકનિકલ સોર્સીસ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ ચાલુ હતી. તે દરમિયાન બાપુનગર બગીચા પાસે એક શંકાસ્પદ શખ્સ હોવાની બાતમી મળી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મેહુલ ઉર્ફે ભૂરી ઉર્ફે મામો ધનજીભાઈ જેઠવા નામના શખ્સને ઝડપી લીધો હતો. આરોપીની પૂછપરછમાં તેણે નટેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે તેની પાસેથી 5500ની રોકડ, પિતળની ટંકોરી અને સ્ટીલની ડોલ સહિત 6300નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલ આરોપી અગાઉ ચોરી સહિતના 31 ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે અને અનેકવાર પાસા હેઠળ જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે. મવડી વિસ્તારમાં બ્યુટીપાર્લર ચલાવતી 23 વર્ષીય યુવતીનો આપઘાતરાજકોટનાં મવડીની મીરાબાઈ ટાઉનશીપમાં 23 વર્ષીય બંસી સોલંકીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. મૃતક બ્યુટી પાર્લર ચલાવતી હતી. આપઘાતનું કારણ જાણવા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. મળતી વિગત મુજબ, મવડી વિસ્તારમાં રહેતા 23 વર્ષીય બંસીબેન પ્રવિણભાઈ સોલંકી ગઈકાલે બપોરે 3:30 વાગ્યા આસપાસ પોતે પોતાના ઘરે હતા ત્યારે ગળાફાંસો ખાઈ જતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં લાવતા ડોક્ટરે મૃત જાહેર કરેલ હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, બંસી તેના ભાઈ અને માતા પિતા સાથે રહેતી હતી. તેમના પિતા નોકરી કરે છે અને પોતે બ્યુટી પાર્લર ચલાવતી હતી. યુવતીના આપઘાતથી પરિવારમાં આઘાત વ્યાપી ગયો છે કયા કારણોસર યુવતીએ પગલું ભર્યું તે જાણવા માટે તાલુકા પોલીસએ વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં કોમ્બિંગ નાઈટ, છરી સાથે 12 અને નશાની હાલતમાં 18 શખસો ઝડપાયારાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પોલીસ દ્વારા સમયાંતરે ખાસ ડ્રાઈવ અને કોમ્બિંગ નાઈટનું આયોજન કરવામાં આવે છે. ગઈકાલે રાત્રે રૈયાધાર વિસ્તારમાં જલારામ ચોક નજીક એક યુવકની હત્યાની ઘટના બની હતી ત્યારે યોજાયેલી કોમ્બિંગ નાઈટમાં કુલ 30 શખ્સો પોલીસની ઝપટે ચડી ગયા હતા. જેમાં પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાંથી છરી જેવા ઘાતક હથિયારો સાથે રાખીને રખડતા 12 શખ્સો અને જાહેર રોડ પર નશાની હાલતમાં નીકળેલા 18 નસેડીઓને દબોચી લીધા હતા. ઝડપાયેલા તમામ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં હથિયાર સાથે પકડાયેલા શખ્સોમાં ભક્તિનગર પોલીસે રવિ દલસાણીયા અને અબઝલ ઉર્ફે બાપુ યાશીનભાઈ કાદરીને ઝડપ્યા હતા. જ્યારે રાજકોટ તાલુકા પોલીસે દર્શન ભાનુશંકરભાઈ મહેતા, જગદીશ ઉર્ફે જગો રાજુભાઈ સાડમિયા અને ધ્રુવતસિંહ દિલીપસિંહ વાઘેલાની ધરપકડ કરી હતી. આ ઉપરાંત એ ડિવિઝન પોલીસે ભીલો ચારોલીયા, ગાંધીગ્રામ પોલીસે ગૌતમ ભિખુભાઈ રામાણી, યુનિવર્સિટી પોલીસે અજીતસિંહ પ્રવિણસિંહ તોમર, પ્રનગર પોલીસે કાર્તિક મહેશભાઈ સોલંકી, બી ડિવિઝન પોલીસે હનીફ હાસમભાઈ પાળા, એરપોર્ટ પોલીસે હસુ વેરશીભાઈ પરમાર અને થોરાળા પોલીસે ઓધવ બચુભાઈ સનુરાને છરી સાથે પકડી પાડ્યા હતા. જ્યારે અન્ય 18 જેટલા શખ્સો નશાની હાલતમાં ઝડપાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પિતાના ત્રાસથી ઘર છોડી અમદાવાદ ભાગી ગયેલા સગીરને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે શોધી કાઢ્યોરાજકોટના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહેતા અને મૂળ રાજસ્થાનના જોધપુરના વતની પરિવારનો 16 વર્ષનો સગીર પુત્ર ગત તા. 11 ના રોજ ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો. આ સમયે માતા-પિતા વતનમાં હતા અને મોટો ભાઈ વિવેક શાકભાજી લેવા ગયો હતો. વિવેક ઘરે પરત ફરતા ભાઈ ગુમ હોવાનું જણાયું હતું અને તેનો ફોન પણ બંધ આવતો હતો. આ બાબતે માતા ભારતીબેન સાવરીયાએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. કેસની ગંભીરતા જોઈ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે ટેકનિકલ સોર્સ અને હ્યુમન રિસોર્સના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે સગીર અમદાવાદમાં છે. ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી સગીરને અમદાવાદથી સલામત રીતે શોધી કાઢ્યો હતો. પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું હતું કે, પિતા અવારનવાર મારકૂટ કરતા હોવાથી કંટાળીને પુત્ર અમદાવાદની કોઈ હોટલમાં કામ કરી લેશે તેવું વિચારીને ઘરેથી ભાગી ગયો હતો. હાલ પોલીસે સગીરનો કબજો પરિવારને સોંપી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં દારૂની મહેફિલ માણી પરત ફરતા કચ્છના 5 મિત્રો ઝડપાયામોરબી રોડ પર વેલનાથપરા ઓવરબ્રિજ પાસે ગત રાત્રે પેટ્રોલિંગમાં રહેલી બી ડિવિઝન પોલીસની ટીમે શંકાસ્પદ રીતે સર્પાકાર ચાલતી કારને અટકાવી તપાસ હાથ ધરી હતી. પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ અને ટીમ દ્વારા રાત્રિના 12:30 વાગ્યા આસપાસ કાર નંબર GJ 12 CG 3520 ને રોકી ચાલક ભાવિન ભર્યાની પૂછપરછ કરતા તે નશાની હાલતમાં હોવાનું જણાયું હતું. તેની સાથે કારમાં સવાર અન્ય મિત્રો હાર્દિક દેવજીભાઈ ચાવડા, ઇન્દ્રજીત માયાભાઈ ચાવડા, ધ્રુવ ભરતભાઈ મહેશ્વરી અને દીપેન શામજીભાઈ મકવાણા પણ નશામાં ધૂત હાલતમાં મળી આવ્યા હતા. આ તમામ શખસો કચ્છના માંડવી, ભુજ અને ગાંધીધામ વિસ્તારના વતની છે અને રાજકોટમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ પાંચેય મિત્રો લગ્ન પ્રસંગમાં દારૂની પાર્ટી કર્યા બાદ મોડી રાત્રે પરત વતન જઈ રહ્યા હતા, ત્યારે પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે કારચાલક સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને અન્ય ચાર શખસો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 16 વર્ષીય સગીરાનું કારખાનાની લિફ્ટમાં માથું આવી જતા ગંભીર ઈજારાજકોટમાં 16 વર્ષીય સગીરાનું કારખાનાની લિફ્ટમાં માથું આવી જતા ગંભીર ઈજા થઈ હતી. સોખડાના કારખાનામાં આ ઘટના બની હતી. ઇજાગ્રસ્ત સગીરાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આ 16 વર્ષીય સગીરા સોખડા ગામે રહે છે. આજે સવારે 10 સોખડા ગામે કારખાનામાં કામ કરતી હતી તે દરમ્યાન કોઈ કારણે લિફ્ટમાં માથું આવી જતા સારવાર માટે ખસેડવામાં આવી છે પોલીસે આ બનાવ અંગે હકીકત જાણવા માટે વધુ તપાસ હાથ ધરી હતી.
મિડલ ઇસ્ટ દેશોમાં ચાલી રહેલા યુદ્ધના પરિણામે પેટ્રોલીયમ અને ગેસની અછત સર્જાઇ રહી છે. ગુજરાત શહીદ દેશભરમાં LPG ગેસની અછત વર્તતા ગેસની બોટલની કાળા બજારીએ સામાન્ય લોકોના જીવન પર ખૂબ મોટી અસર જોવા મળી રહી છે. રાંધણ ગેસની ચાલી રહેલી અછતના પગલે ગોમતીપુર વિસ્તારમાંથી 9 ભરેલા ગેસના બોટલની ચોરીના બનાવ સામે આવ્યો છે. ગેસના બાટલા ડિલિવરી કરતી જતી વખતે લોડીંગ રિક્ષામાંથી બાટલા ચોરાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. ગેસ એજન્સીકર્મીએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર સામે ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. લોડીંગ રિક્ષામાં 3 ગેસના ભરેલા બોટલ કોઈએ ચોરી કરી લીધા મળતી માહિતી મુજબ મેઘાણીનગરમાં રહેતા 60 વર્ષીય ઉમાશંકર વર્મા કેરોલ ગેસ સર્વિસમાં નોકરી કરે છે અને ગોડાઉનમાં ઇન્ડેન ગેસના બાટલાની આવક તથા જાવકનો હિસાબ રાખવાનુ કામકાજ ગોમતીપુર છીકણીવાળા ચેમ્બર ખાતેથી કરે છે. તેમના વાંચ ખાતેના ગોડાઉનમાં 17 માણસો કામ કરે છે. ફેબ્રુઆરી મહિનામાં ગોડાઉનમાં કામ કરતો ડિલિવરી બોયે તેમને જણાવ્યું કે, બપોરના સમયે ગોમતીપુરમાં ગેસના બાટલાની ડિલિવરી કરવા ગયો હતો ત્યારે લોડીંગ રિક્ષામાં 3 ગેસના ભરેલા બોટલ કોઈએ ચોરી કરી લીધા છે. એક મહિનામાં કુલ 9 ગેસના ભરેલા બોટલ ચોરાઈ ગયા26 ફેબ્રુઆરીએ બીજા ડિલિવરી બોયે તેમને જણાવ્યું કે, ગોમતીપુરમાં ઉષા રોડ પાસે આવેલી સુવાપંખીની ચાલીમાં ગેસના બોટલની ડિલિવરી કરવા ગયો હતો ત્યારે લોડીંગ રિક્ષામાંથી ગેસના ભરેલા 4 બોટલ પણ ચોરાઈ ગયા હતા. ત્રીજો ડીલીવરી બોય ગત 13 માર્ચે ગોમતીપુર હોજવાળી મસ્જીદ ખાતે ગેસના બોટલની ડિલિવરીકરવા ગયો હતો. જે લોડીંગ રીક્ષામાં રહેલા ભરેલા ગેસના 2 બોટલ ચોરી થઇ ગયા હતા. આ અંગે કેરોલ ગેસ સર્વિસમાં છેલ્લા એક મહિનામાં કુલ 9 ગેસના ભરેલા બોટલ ચોરાઈ જતા આ અંગે ઉમાશંકરે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર સામે ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
નકલી લવાદ તરીકે હુકમો કરનાર મોરીસ ક્રિશ્ચન સામે વર્ષ 2011માં વકીલ ન હોવા છતાં એક પક્ષકાર તરફે વકીલના ડ્રેસમાં ઉપસ્થિત થવાના આરોપમાં અમદાવાદ મેટ્રો કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જોકે, સાહેદો ફરી જતા અને પુરાવાના અભાવે તેને નિર્દોષ છોડવામાં આવ્યો છે. ફેમિલી કોર્ટમાં સનદ વગર જ છુટાછેડાના કેસમાં વકીલ તરીકે હાજરી આપીકેસની વિગતો જોતા 9 સપ્ટેમ્બર, 2011ના રોજ નવરંગપુરા ખાતે આવેલી જૂની હાઇકોર્ટ બિલ્ડીંગની ફેમિલી કોર્ટમાં સનદ વગર જ છુટાછેડાના એક કેસમાં મોરિસ પક્ષકાર તરફે વકીલ તરીકે ઉપસ્થિત થયો હતો. જેને લઈને વકીલોએ હોબાળો મચાવ્યો હતો અને પોલીસ બોલાવવામાં આવી હતી. વકીલોને ગેરસમજ થતા હોબાળો મચ્યો આરોપી તરફ રજૂઆત કરાઈ હતી કે, મોરિસ ક્રિશ્ચન ઇન્કમટેક્સ બાર એસોસિએશનનો સભ્ય હતો. તે તેના કામ અર્થે જ ઇન્કમટેક્સ ગયો હતો પરંતુ, વકીલોને ગેરસમજ થતા હોબાળો મચ્યો હતો. સરકારી વકીલે દલીલ કરી હતી કે, મોરિસ પાસે સનદ ન હોવા છત્તા તે વકીલ તરીકે હાજર થયો હતો. બાર કાઉન્સિલમાં તે વકીલ તરીકે નોંધાયેલો પણ ન હતો. તેને વકીલાત પત્ર પણ રજૂ કર્યું નહોતું. સાહેદો ફરી જતા અને પુરાવા ન મળતા નિર્દોષ જાહેર કર્યોજોકે, આ કેસમાં સાહેદો ફરી ગયા હતા તેમજ યોગ્ય પુરાવાનું એકત્રીકરણ ન કરાયું નહોતું. તેને અસીલ સાથે ઠગાઈ કરી હોવાનું પુરવાર થયું ન હતું. આથી ગુનો સાબિત ન થતા તેને મેટ્રો કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો.
સુરતના અમરોલી વિસ્તારમાં માનવતાને લજવતી એક ઘટનામાં પોક્સો કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. માત્ર 12 વર્ષ અને 5 માસની માસૂમ બાળકી, જે હજુ જીવનના પાઠ શીખી રહી હતી, તેને હવસખોર પાડોશીએ પોતાની જાળમાં ફસાવી ગર્ભવતી બનાવી દીધી હતી. આ ચકચારી કેસમાં 9મા એડિશનલ સેશન્સ જજે આરોપી રબીઉલ શેખને મરણ જાય ત્યાં સુધીની સખત કેદ અને પીડિતાને 10 લાખના વળતરનો હુકમ કર્યો છે. સારવાર માટે ગયેલી માસૂમ પર પડોશીએ ગુજાર્યો અત્યાચારઆ બનાવની વિગત એવી છે કે, ફેબ્રુઆરી 2025માં અમરોલીના કોસાડ આવાસમાં રહેતી 12 વર્ષની બાળકી શારીરિક તકલીફને કારણે પાડોશમાં રહેતા આરોપી રબીઉલ શેખના ઘરે દવા લેવા માટે ગઈ હતી. પડોશી હોવાના નાતે વિશ્વાસ રાખીને ગયેલી બાળકી પર આરોપીએ નજર બગાડી હતી. રબીઉલે માસૂમ બાળકીના અડધા કપડાં કાઢી નાખી, તેની મરજી વિરુદ્ધ 2 વાર શારીરિક સંબંધ બાંધી જઘન્ય અપરાધ આચર્યો હતો. 12 વર્ષની ઉંમરે સગીરા ગર્ભવતી બનીઆ ઘટનાના થોડા સમય બાદ બાળકીના શરીરમાં ફેરફારો દેખાવા લાગ્યા હતા. જ્યારે પરિવારને શંકા ગઈ અને તપાસ કરાવી ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો કે 12 વર્ષની આ માસૂમ બાળકી ગર્ભવતી (Pregnant) થઈ ગઈ છે. આ સમાચાર સાંભળતા જ પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. રમત-ગમતની ઉંમરે બાળકી પર આવી આફત આવી પડશે તેની કોઈએ કલ્પના પણ કરી નહોતી. ગર્ભપાત માટે તાત્કાલિક કાર્યવાહીઅમરોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર જે.બી. વનારને જ્યારે આ કેસની જાણ થઈ, ત્યારે તેમણે કેસની ગંભીરતાને સમજી તાત્કાલિક પગલાં ભર્યા હતા. પીડિતા સગીર હોવાથી અને તેની શારીરિક-માનસિક સ્થિતિ નાજુક હોવાથી, પોલીસ દ્વારા તબીબી નિષ્ણાતોની સલાહ લેવામાં આવી હતી. બાળકીના ગર્ભ ટર્મિનેશન માટેની કાયદેસરની તજવીજ હાથ ધરવામાં આવી હતી, જેથી તેના જીવ પરનું જોખમ ટાળી શકાય. 46 વર્ષીય રબીઉલ શેખની ધરપકડઆ કેસનો મુખ્ય આરોપી 46 વર્ષીય રબીઉલ ઉર્ફે રબીઉલ માજત શેખ છે. તે મૂળ પશ્ચિમ બંગાળના નદીયા જિલ્લાનો વતની છે અને સુરતમાં કોસાડ આવાસમાં રહેતો હતો. 46 વર્ષના આધેડ વ્યક્તિએ પોતાની દીકરી સમાન બાળકી સાથે આવું અમાનવીય કૃત્ય આચરતા સમગ્ર પંથકમાં રોષ ફાટી નીકળ્યો હતો. પોલીસે 26/04/2025ના રોજ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી હતી. ગુનો નોંધાયાના ટૂંકા ગાળામાં જ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધીપીઆઈ જે.બી. વનાર અને તેમની ટીમે વૈજ્ઞાનિક પુરાવાઓ, મેડિકલ રિપોર્ટ્સ અને DNA સેમ્પલ જેવા મહત્વના પુરાવાઓ એકત્ર કર્યા હતા. બાળકી ગર્ભવતી હોવાનો રિપોર્ટ આરોપી વિરુદ્ધ સૌથી મજબૂત પુરાવો સાબિત થયો હતો. પોલીસે 27/05/2025ના રોજ એટલે કે ગુનો નોંધાયાના ટૂંકા ગાળામાં જ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધી હતી, જે પોલીસની પ્રસંશનીય કામગીરી દર્શાવે છે. સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલેલી કાયદાકીય જંગઆ કેસ સ્પેશિયલ કેસ (પોક્સો) નં. 151/2025 તરીકે સુરત કોર્ટમાં નોંધાયો હતો. સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી કે, આ માત્ર બળાત્કાર નથી પરંતુ એક બાળકીના ભવિષ્યનો નાશ છે. 12 વર્ષની ઉંમરે ગર્ભવતી થવાથી બાળકીને જે માનસિક અને શારીરિક યાતના ભોગવવી પડી છે, તેના માટે આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ. છેલ્લા શ્વાસ સુધી જેલ અને 10 લાખનું વળતર16/03/2026ના રોજ પોક્સો કોર્ટે તમામ પુરાવાઓનું મૂલ્યાંકન કર્યા બાદ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. કોર્ટે આરોપી રબીઉલ શેખને આજીવન કેદ એટલે કે છેલ્લા શ્વાસ સુધીની સખત કેદ ની સજા ફટકારી છે. આ ઉપરાંત આરોપીને 50,000 રૂપિયાનો દંડ અને ભોગ બનનાર બાળકીને તેના ઉજ્જવળ ભવિષ્ય અને સારવાર માટે દસ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. ચુકાદો આપતા કોર્ટે કડક ટિપ્પણી કરી કે, બાળકો સાથે થતી જાતીય સતામણી અટકાવવા માટે વિધાનમંડળ દ્વારા પોક્સો એક્ટ જેવો કડક કાયદો બનાવવામાં આવ્યો છે. સમાજમાં આવી અમાનવીય હરકતો ક્યારેય સહન કરવામાં આવશે નહીં. આ ચુકાદાથી પીડિતાને ન્યાય મળ્યો છે અને સમાજમાં એક દાખલો બેસાડવામાં આવ્યો છે કે, કાયદાના હાથ ખૂબ લાંબા છે.
મોરબી તાલુકા પંચાયતની બોડીના પાંચ વર્ષ પૂર્ણ:પ્રમુખે સદસ્યો-કર્મચારીઓનો સન્માન સમારોહ યોજ્યો
મોરબી તાલુકા પંચાયતની વર્તમાન બોડીએ પાંચ વર્ષની મુદત સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ નિમિત્તે તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ દ્વારા સદસ્યો અને કર્મચારીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની સુખાકારી વધારવા માટે સહયોગ આપનારા સૌનું સન્માન કરાયું હતું. આ સન્માન સમારોહમાં ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, સંગઠનના હોદ્દેદારો તેમજ પ્રમુખ અશોકભાઈ દેસાઈના મિત્રો અને પરિવારજનો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌનું મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એક વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું. મોરબી તાલુકા પંચાયત ખાતે છેલ્લા 35 વર્ષથી આઉટસોર્સમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા દિલીપભાઈની સેવાઓને બિરદાવવામાં આવી હતી. તેમની નિષ્ઠાવાન સેવા બદલ તાલુકા પંચાયત પરિવાર, તલાટી મંત્રીઓ અને કોન્ટ્રાક્ટરો તરફથી તેમને એક એક્ટિવા ભેટ આપવામાં આવ્યું હતું.
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બે બાળકીના બાળલગ્ન તંત્ર દ્વારા સમયસર અટકાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, કડાણા તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં બે બાળકીઓના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોર બાદ લગ્ન થવાના હતા અને વરરાજા જાન લઈને પહોંચે તે પહેલાં જ તંત્ર હરકતમાં આવ્યું હતું. બાળલગ્ન અંગેની જાણ થતાં મહીસાગર જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ટીમે પરિવારોને સમજાવીને બંને બાળકીના લગ્ન અટકાવ્યા હતા. સમયસર કાર્યવાહી થતાં બે બાળકીઓના બાળલગ્ન થતાં પહેલાં જ અટકાવવામાં સફળતા મળી છે. તંત્ર દ્વારા પરિવારજનોને બાળલગ્ન કાયદેસર ગુનો હોવાનું સમજાવવામાં આવ્યું હતું અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે ચેતવણી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, મહીસાગર જિલ્લામાં હાલ ચાલી રહેલી લગ્નસરાની સિઝનમાં તંત્ર દ્વારા અત્યાર સુધીમાં આઠ જેટલા બાળલગ્ન અટકાવવામાં આવ્યા છે. આ કિસ્સાઓમાં પણ વાલીવારસને બાળ લગ્ન કાયદા અંગે સમજણ આપવામાં આવી છે.
સુરેન્દ્રનગરના આનંદ ભવન ખાતે ત્રિ-દિવસીય કૃષિ મેળાનું સમાપન થયું. પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા અને ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓથી માહિતગાર કરવાના હેતુથી આ મેળાનું આયોજન કરાયું હતું. કૃષિ કલ્યાણ એસોસિએટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 'આત્મા' પ્રોજેક્ટ અને ખેડૂત તાલીમ કેન્દ્ર-સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે વિશેષ તાલીમ અને સેમિનાર યોજાયા હતા. મેળામાં અંદાજે 80 જેટલા પ્રદર્શન સ્ટોલ્સ દ્વારા ખેડૂતોને ખેતીલક્ષી અદ્યતન સાધનો અને પદ્ધતિઓની જાણકારી અપાઈ હતી.આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ મધ્યપ્રદેશના કૃષિ નિષ્ણાત આકાશ ચોરસિયા રહ્યા હતા, જેઓ ભારતભરમાં બહુસ્તરીય ખેતી માટે જાણીતા છે. તેમણે ઉપસ્થિત ખેડૂતોને ઓછા ખર્ચે અને મર્યાદિત જગ્યામાં વધુ ઉત્પાદન કેવી રીતે મેળવવું તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને આધુનિક મોડેલ અપનાવી આર્થિક રીતે સધ્ધર બને તેવો સંદેશ અપાયો હતો. મેળામાં સુરેન્દ્રનગર જિલ્લાના 1,000થી વધુ પ્રગતિશીલ ખેડૂતોએ ભાગ લઈ કૃષિ જ્ઞાન મેળવ્યું હતું. પ્રાકૃતિક ખેતીમાં 'બાયો ઈનપુટ'ની ઉપલબ્ધતા એક મુખ્ય પડકાર છે, જેનો આ કાર્યક્રમમાં ઉકેલ રજૂ કરાયો હતો. 'આત્મા' પ્રોજેક્ટ અને જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના સંકલનથી 33 જેટલી સ્વયં-પ્રેરિત સહકારી મંડળીઓના સેક્રેટરીઓ આ અભિયાનમાં જોડાયા છે. ગ્રીન કમાન્ડો દ્વારા તૈયાર કરાતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત 'દસપર્ણી અર્ક' જેવા જૈવિક ખાતરો હવે આ મંડળીઓ મારફતે ગ્રામ્ય સ્તર સુધી ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, 70થી વધુ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સીધા ગ્રાહકો સાથે જોડવા માટે 'સૃષ્ટિ નેચરલ ફાર્મર પ્રોડ્યુસર કંપની' સાથે જોડાણ કરાયું છે, જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે અને ગ્રાહકોને શુદ્ધ આહાર મળી રહે. આ મેળા દરમિયાન જિલ્લાના 20થી વધુ ખેડૂતોએ જંગલમાંથી કેશુડાના ફૂલ વીણીને ગ્રીન કમાન્ડોને દસપર્ણી અર્ક બનાવવા માટે સપ્લાય કર્યા હતા. આત્મા પ્રોજેક્ટ દ્વારા આવા ખેડૂતોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ સમગ્ર આયોજનમાં 'આત્મા'ના પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરતભાઈ પટેલ, જિલ્લા રજિસ્ટ્રાર કોમલબેન ચૌધરી, સૃષ્ટિ નેચરલના શૈલેષભાઈ, ગ્રીન કમાન્ડોના જયદીપભાઈ અને કૃષિ કલ્યાણ એસોસિએટના મંથનભાઈ ચાવડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા સ્ટાફની મહેનતથી આ મેળો જિલ્લાના કૃષિ ક્ષેત્રે નવી દિશા સૂચક બન્યો છે.
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના વારોદર ગામ પાસે બે મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં વાંસદેલિયા ગામના દિલીપભાઈ વણઝારા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, વાંસદેલિયા ગામના દિલીપભાઈ વણઝારા પોતાની મોટરસાયકલ પર કોઈ કામ અર્થે મોરવા તરફ જઈ રહ્યા હતા. તે સમયે વારોદર ગામ નજીક તેમની બાઇકનો અન્ય એક મોટરસાયકલ સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં દિલીપભાઈને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને હાથના ભાગે ફ્રેક્ચર પણ થયું હતું. અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત દિલીપભાઈને તાત્કાલિક મોરવા હડફ હોસ્પિટલ લઈ ગયા હતા. તેમની હાલત નાજુક જણાતા, પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે.
ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના પડઘા હવે ભારતના સામાન્ય નાગરિકોના રસોડા સુધી પહોંચ્યા છે. યુદ્ધની આડમાં ગેસ સિલિન્ડરના ભાવ વધારાની સાથે સાથે અનેક જગ્યાએ કૃત્રિમ અછત અને કાળાબજારની ફરિયાદો ઉઠી છે. આ ગંભીર મુદ્દે ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ અને ગ્રાહક ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા તંત્ર સામે મોરચો માંડવામાં આવ્યો છે. ફાઉન્ડેશનના પ્રમુખ સુચિત્રા પાલ અને બળવંતભાઇ વાઘેલા સહિતના પ્રતિનિધિ મંડળે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) ના ગુજરાત રાજ્ય કાર્યાલયના અધિકારીઓની રૂબરૂ મુલાકાત લઈને ગ્રાહકોની વેદના વાચા આપી હતી. ગેસ સિલિન્ડર વિતરણમાં ગેરરીતિના આક્ષેપોવિશ્વ ગ્રાહક દિવસ (15 માર્ચ) ની ઉજવણીના બીજા જ દિવસે સંસ્થાએ આક્રમક વલણ અપનાવ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ગેસ એજન્સીઓ દ્વારા હાલમાં સિલિન્ડરનું બુકિંગ લેવામાં આનાકાની કરવામાં આવે છે. એટલું જ નહીં, જે ગ્રાહકોએ અગાઉથી બુકિંગ કરાવ્યું છે તેમને સમયસર ડિલિવરી મળતી નથી. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, ઓનલાઇન નાણાં ચૂકવી દીધા હોવા છતાં ડિલિવરી વખતે ગ્રાહકો પાસેથી વધારાના 60 રૂપિયા વસૂલવામાં આવે છે. આ લૂંટ રોકવા માટે કંપની દ્વારા તાકીદે WhatsApp નંબર જાહેર કરી 24 કલાકમાં ફરિયાદનો નિકાલ કરવાની વ્યવસ્થા ગોઠવવા માંગ કરવામાં આવી છે. પેટ્રોલમાં થતી ચોરી રોકવા 'પારદર્શક પાઈપ'ની માંગપેટ્રોલ પંપ પર થતી છેતરપિંડી અટકાવવા માટે ફાઉન્ડેશને એક ક્રાંતિકારી સૂચન કર્યું છે. હાલમાં પેટ્રોલ ભરવા માટે વપરાતી પાઈપ કાળા રંગની હોવાથી ગ્રાહકને ઇંધણનો પ્રવાહ દેખાતો નથી. આ પાઈપ 'વ્હાઇટ' અને 'પારદર્શક' હોવી જોઈએ જેથી ગ્રાહક જોઈ શકે કે પેટ્રોલ ખરેખર પસાર થઈ રહ્યું છે કે નહીં. વધુમાં, દરેક પંપ પર પાઈપની લંબાઈ એકસમાન રાખવી જોઈએ. સંસ્થાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે મશીન ઓટો મોડમાં હોવા છતાં ડિલિવરી પર્સન નોઝલને પકડી રાખીને 'કટ' મારે છે, જેનાથી ગ્રાહકને ઓછું પેટ્રોલ મળે છે. આ પ્રક્રિયામાં માનવીય હસ્તક્ષેપ બંધ કરવાની માંગણી કરાઈ છે. ડિજિટલ ફરિયાદ નિવારણ તંત્રની જરૂરિયાતગ્રાહકોની સગવડ માટે માત્ર લેખિત નહીં પણ ઓનલાઇન વ્યવસ્થા પણ મજબૂત બનાવવાની રજૂઆત કરાઈ છે. ખાસ કરીને અર્ધ-શિક્ષિત ગ્રાહકો WhatsApp પર ઓડિયો કે વિડિયો મેસેજ દ્વારા પોતાની ફરિયાદ નોંધાવી શકે તેવી સુવિધા અને ફરિયાદનું સ્ટેટસ લાઈવ જોઈ શકાય તેવી સિસ્ટમ વિકસાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ઈન્ડિયન ઓઈલના અધિકારીઓએ આ તમામ ગ્રાહકલક્ષી માંગણીઓ પર હકારાત્મક પ્રતિસાદ આપતા યોગ્ય સહકારની ખાતરી આપી છે.
જામનગર શહેરના સીટી 'એ' ડિવિઝન પોલીસે ઘરફોડ ચોરીના વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. કુખ્યાત તસ્કર એજાજ ઉર્ફે એજલો અને તેના બે સાગરીતો સહિત કુલ ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમની પાસેથી લાખોની કિંમતના સોનાના દાગીના, રોકડ અને મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે. 15 માર્ચ 2026ના રોજ સીટી 'એ' ડિવિઝનનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, વિજય કાનાણી, યોગેન્દ્રસિંહ સોઢા અને કિશોર ગાગીયાને સંયુક્ત બાતમી મળી હતી કે, ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ એજાજ ઉર્ફે એજલો ચાલબાજ શેખ ગુજરાતીવાડ વિસ્તારમાં નવા ગુનાને અંજામ આપવા માટે આંટાફેરા કરી રહ્યો છે. પોલીસે વોચ ગોઠવીને એજાજ શેખને ઝડપી લીધો હતો. એજાજની તલાશી લેતા તેની પાસેથી રૂ. 4,32,500ની કિંમતના સોનાના દાગીના (કડલી, ચેન અને પેન્ડલ), રૂ. 17,000 રોકડા, રૂ. 80,000નો આઈફોન 16-પ્રો અને અન્ય ચાર શંકાસ્પદ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આરોપી એજાજની પૂછપરછમાં તેણે ચોરીનો અન્ય મુદ્દામાલ તેના મિત્રો શકીલ અનવરભાઇ ખફી (રહે. મસીતીયા) અને સાહીલ રહીમભાઇ સેતા (રહે. જામનગર) ને સાચવવા આપ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ બંને શખ્સોને ચાંદીબજાર બુગદા પાસે દાગીના વેચવાની પેરવીમાં હતા ત્યારે દબોચી લીધા હતા. તેમની પાસેથી સોનાની વીંટીઓ અને બુટીઓ સહિત કુલ રૂ. 3,02,900ના દાગીના અને ત્રણ મોંઘા મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ રૂ. 7,35,400ના સોનાના દાગીના, રૂ. 17,000 રોકડ રકમ અને રૂ. 1,31,000ની કિંમતના આઠ મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 8,83,400નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મુખ્ય આરોપી એજાજ ઉર્ફે એજલો રીઢો ગુનેગાર છે. તેની વિરુદ્ધ જામનગર, રાજકોટ અને કચ્છ સહિતના જિલ્લાઓમાં અત્યાર સુધીમાં અંદાજે 22 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પોલીસની આ કાર્યવાહીથી ઘરફોડ ચોરીના બે વણશોધાયેલ ગુનાઓ ડિટેક્ટ થયા છે. હાલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
પોરબંદરના ખાપટ વિસ્તારમાં આવેલી કરોડો રૂપિયાની સરકારી જમીન પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાપટના સર્વે નંબર 416 માં આવેલી અંદાજે 27,200 ચોરસ મીટર ખેતીલાયક અને 1,000 ચોરસ મીટર રહેણાંક જમીન પરથી દબાણ હટાવવામાં આવ્યું છે. આ દબાણ કરાયેલી જમીન પર બાજરો અને ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું હતું. રહેણાંક વિસ્તારમાં 17 જેટલા આસામીઓ દ્વારા નાના ઝૂંપડા અને 5-6 પાકા મકાનો પણ બનાવવામાં આવ્યા હતા. ખુલ્લી કરાવવામાં આવેલી આ જમીનની બજાર કિંમત અંદાજે 8 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી છે. દબાણકર્તાઓએ તેમનો માલસામાન ફેરવવા માટે 10 દિવસની મુદત માંગી હતી, જેને તંત્ર દ્વારા મંજૂર કરવામાં આવી છે. આ મુદત બાદ જગ્યા સંપૂર્ણપણે ખાલી કરી દેવામાં આવશે. સરકાર દ્વારા આ જમીન પર આવાસ યોજના બનાવવાનું આયોજન છે. પોરબંદરના છાંયા વિસ્તારમાં બે જગ્યાએ અને ખાપટ વિસ્તારમાં એક જગ્યાએ આવી આવાસ યોજનાઓ સાકાર થશે. તંત્રએ સ્પષ્ટ સૂચના આપી છે કે જો દબાણકર્તાઓ સ્વૈચ્છિક રીતે દબાણ દૂર નહીં કરે તો સરકારી રાહે કડક કાર્યવાહી કરવામાં આવશે. ભવિષ્યમાં ફરીથી દબાણ ન થાય તે માટે આ જગ્યા પર સતત દેખરેખ રાખવામાં આવશે.
ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલી પાંખની પાંચ વર્ષની મુદત આજે 16મી માર્ચના રોજ પૂર્ણ થતાની સાથે જ વહીવટી ધુરા હવે અધિકારીઓના હસ્તક ગઈ છે. આવતીકાલ 17મી માર્ચથી જિલ્લા પંચાયત સહિત જિલ્લાની ત્રણ મુખ્ય તાલુકા પંચાયતોમાં વહીવટદારના શાસનનો સત્તાવાર પ્રારંભ થશે. આ ફેરફારને પગલે હવે આગામી સામાન્ય ચૂંટણીઓ યોજાય અને નવી બોડી સત્તા સંભાળે ત્યાં સુધી તમામ વહીવટી નિર્ણયો સરકારી અધિકારીઓ દ્વારા લેવામાં આવશે. પ્રમુખપદે શિલ્પાબેન પટેલ અઢી વર્ષ રહ્યાં ગાંધીનગર જિલ્લા પંચાયતના ઈતિહાસમાં 2021ની ચૂંટણીઓ અનેક રીતે યાદગાર રહી હતી. જિલ્લા પંચાયતના ઈતિહાસમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમતી સાથે સત્તાના સૂત્રો સંભાળ્યા હતા. 17મી માર્ચ, 2021ના રોજ ભાજપ શાસિત બોડીએ શપથ લીધા હતા, જેમાં પ્રથમ અઢી વર્ષ માટે દિલીપ પટેલ પ્રમુખ પદે રહ્યા હતા. ત્યારબાદ નિયમાનુસાર સત્તા પરિવર્તન થતા બાકીના અઢી વર્ષ માટે પ્રમુખપદનો તાજ શિલ્પાબેન જયેશભાઈ પટેલના શિરે મૂકવામાં આવ્યો હતો. આજે 16મી માર્ચે પાંચ વર્ષની મુદત પૂર્ણ થતા જિલ્લા પંચાયતમાં રાજકીય ગરમાવો શાંત પડ્યો છે. મુદત પૂર્ણ થવાની સાથે જ પ્રોટોકોલ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અધિકારીઓના વાહનો જમા કરી દેવાયાજિલ્લા પંચાયતના પદાધિકારીઓ પૈકી માત્ર પ્રમુખને જ સરકારી વાહનની સુવિધા પ્રાપ્ત થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રમુખની ગાડી જમા કરાવી દેવાની તજવીજ આજ સાંજથી જ શરૂ કરી દેવામાં આવી હતી. આવતીકાલે સવારે વિધિવત રીતે આ વાહન તંત્રને સોંપી દેવામાં આવશે.આ સાથે જ પ્રમુખ ઉપપ્રમુખ અને વિવિધ સમિતિઓના ચેરમેનોના હોદ્દાઓનો પણ અંત આવ્યો છે. જેના કારણે જિલ્લા પંચાયત ભવનમાં નેતાઓની ભીડને બદલે હવે માત્ર અધિકારીઓની અવરજવર જોવા મળશે. વહીવટદારોની નિમણૂક સાથે વહીવટી શાસન અમલીજિલ્લા પંચાયતની સાથોસાથ જિલ્લાની ચાર પૈકી ત્રણ તાલુકા પંચાયતો કલોલ, માણસા અને દહેગામમાં પણ ચૂંટાયેલી બોડીની મુદત પૂર્ણ થઈ છે. પરિણામે આ ત્રણેય તાલુકાઓમાં પણ આજથી વહીવટદારોની નિમણૂક સાથે વહીવટી શાસન અમલી બન્યું છે. જોકે, ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી અલગ સમયે યોજાઈ હોવાથી તેની મુદત હજુ બાકી છે, પરિણામે ત્યાં હાલ વહીવટદાર મૂકવાની જરૂરિયાત ઊભી થઈ નથી. કયા અધિકારીની નિમણૂક થશે તેની ચર્ચાગાંધીનગર જિલ્લા પંચાયત અને ત્રણેય તાલુકા પંચાયતોમાં વહીવટદાર તરીકે સરકાર કયા અધિકારીની પસંદગી કરશે તે બાબતે ભારે ચર્ચાઓ ચાલી રહી છે. સામાન્ય રીતે જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારી અથવા કલેક્ટર કક્ષાના અધિકારીને જવાબદારી સોંપવામાં આવતી હોય છે. હવે જ્યારે લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રતિનિધિઓ મેદાનમાંથી બહાર છે ત્યારે ગ્રામ્ય વિસ્તારના વિકાસકામોની ગતિ જાળવી રાખવી એ વહીવટદારો માટે મુખ્ય પડકાર બની રહેશે.
હિંમતનગર નગરપાલિકાએ સેવાસેતુ કાર્યક્રમ યોજ્યો:5 વોર્ડના 923 અરજદારોને વિવિધ સેવાઓનો લાભ મળ્યો
હિંમતનગર નગરપાલિકા દ્વારા આજે નગરપાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના વોર્ડ નંબર 2, 8, 9, 10 અને 11 સહિત પાંચ વોર્ડના નાગરિકો માટે ગોકુલનગર રેલવે ફાટક પાસે આવેલા સિવિક સેન્ટરમાં આ કાર્યક્રમ યોજાયો હતો. સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ચાલેલા આ કાર્યક્રમમાં કુલ 923 અરજદારોએ વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય અરજદારોની રજૂઆતો અને અરજીઓનો ગુણદોષના આધારે સ્થળ પર જ નિકાલ કરવાનો હતો. સેવાસેતુના માધ્યમથી નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાધા વગર એક જ દિવસમાં વિવિધ કાર્ડ અને દાખલાઓ સહિતના લાભો મળી રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન સૌથી વધુ લાભાર્થીઓ આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડ અને આવકના દાખલા મેળવવા માટે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત હેલ્થ ચેકઅપ કેમ્પમાં પણ નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કેમ્પમાં ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી તપાસો કરવામાં આવી હતી. સેવાસેતુ કાર્યક્રમમાં આવકનો દાખલો, આધારકાર્ડ, ક્રિમિલેયર સર્ટિફિકેટ, રેશનકાર્ડ સંબંધિત કામગીરી, મા અમૃતમ્ અને મા વાત્સલ્ય યોજના, વિધવા સહાય, વૃદ્ધ નિરાધાર સહાય અને આદિજાતિ વિભાગની યોજનાઓ જેવી સેવાઓ ઉપલબ્ધ હતી. જન્મ-મરણના દાખલા, લગ્ન નોંધણી, ગુમાસ્તા ધારા લાયસન્સ અને આકારણી પત્રક સહિતની સેવાઓ પણ પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નગરપાલિકા ઉપપ્રમુખ સવજીભાઈ ભાટી, નગરપાલિકા ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી, મામલતદાર રોનકસિંહ પઢારીયા, નગરપાલિકાના સદસ્યો તેમજ પાલિકાના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગ્લુ ટ્રેપના ખરીદ, વેચાણ, ઉત્પાદન સામે શિક્ષાત્મક કાર્યવાહી અંગે રાજ્ય સરકાર દ્વારા ચાલુ બજેટ સત્રમાં બિલ મુકાશે કે કેમ તે અંગે સરકારી વકીલે આજે હાઇકોર્ટ સમક્ષ જવાબ આપ્યો હતો. જે મુજબ મેટર અત્યારે સરકાર હસ્તક છે અને આગામી સમયમાં વિધાનસભામાં બિલ મુકવાની શક્યતા છે. જોકે, ચાલુ સત્ર 25 માર્ચે પૂર્ણ થતું હોવાથી ગુજરાત હાઇકોર્ટે આ મેટર એડવોકેટ જનરલના ધ્યાને મૂકવા અને પ્રિન્સિપલ સેક્રેટરીને એફિડેબિટ ફાઇલ કરવા હુકમ કરીને વધુ સુનાવણી 18 માર્ચના રોજ રાખી છે. 60 દિવસનું જાહેરનામું નિષ્ક્રિય થતા જ ગ્લુ ટ્રેપનું વેચાણ બજારમાં ચાલુઉલ્લેખનીય છે કે અગાઉ ચોમાસુ સત્રમાં આ બિલ મૂકવાની વાત થઈ હતી પરંતુ, સત્ર માત્ર બે દિવસ ચાલ્યું હોવાથી બિલ મુકી શકાય નહોતું. વળી અરજદારે જણાવ્યું હતું કે, કલેકટર દ્વારા ગ્લુ ટ્રેપ પર પ્રતિબંધનું જાહેરનામું 60 દિવસ જ અસ્તિત્વ ધરાવતું હોવાથી તે જાહેરનામું નિષ્ક્રિય થતા જ ગ્લુ ટ્રેપનું વેચાણ બજારમાં થઈ રહ્યું છે. રાજ્ય સરકારે કેટલાક સંશોધન કરવાની જરૂર છેઅગાઉ આ મુદ્દે હાઇકોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, પ્રાણીઓ પરની ક્રુરતાનો કાયદો કેન્દ્ર સરકારનો છે અ્ને સમવર્તી યાદીમાં હોવાથી તેથી રાજ્ય સરકારે કેટલાક સંશોધન કરવાની જરૂર છે. જે માટે સંબંધિત વિભાગોની એક બેઠક મળી હતી. જેમાં ગ્લુ ટ્રેપના ઉપયોગ, ઉત્પાદન અને વેચાણને BNSની ધારા-325 હેઠળ ગુનો ગણવાનો પ્રસ્તાવ છે. આ પ્રસ્તાવને ગૃહ વિભાગ દ્વારા લેજીસ્લેટિવ અને પાર્લામેન્ટ્રી ડિપાર્ટમેન્ટ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. જેથી કરીને વિધાનસભામાં નવું સંશોધન અમલી બની શકે. હાઇકોર્ટે કહ્યું હતું કે, તેનું કામ સરકારને સલાહ આપવાનું નથીપાર્લામેન્ટ્રી વિભાગ દ્વારા કેટલાક સુધારા કરવા પ્રસ્તાવ ગૃહ વિભાગને પરત મોકલવામાં આવ્યો હતો. જેથી તેમને કેટલોક સમય આપવામાં આવે. અરજદારે જણાવ્યું હતું કે, વિધાનસભાનું ત્રણ દિવસનું ચોમાસુ સત્ર પૂર્ણ થયું છે. જેમાં સુધારો મૂકી શકાયો નથી. હવે વિધાનસભાનું સત્ર ફેબ્રુઆરી મહિનામાં મળશે અથવા સરકાર વટહુકમ લાવીને તેમાં સુધારો કરી શકે છે. જોકે, હાઇકોર્ટે કહ્યું હતું કે તેનું કામ સરકારને સલાહ આપવાનું નથી. ઓથોરિટી હાઇકોર્ટના નિર્દેશ અનુસાર યોગ્ય કાર્યવાહી કરશે. 5 સપ્ટેમ્બર,2023ના રોજ પરિપત્ર બહાર પાડીને તેના ઉપર પ્રતિબંધ મૂક્યોગુજરાત રાજ્યમાં અને સંપૂર્ણ દેશમાં ગ્લુ ટ્રેપના ઉપયોગ, વેચાણ અને ઉત્પાદન ઉપર પ્રતિબંધ છે. પ્રિવેન્શન ઓફ ધ ક્રુઅલ્ટી ટુ એનિમલ એક્ટ 1960 અંતર્ગત PETAની અરજી ઉપર ગુજરાત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડ દ્વારા 5 સપ્ટેમ્બર, 2023ના રોજ પરિપત્ર બહાર પાડીને તેના ઉપર પ્રતિબંધ મૂક્યો છે. તેના કડક અમલીકરણ માટે આ અરજી કરવામાં આવી છે. ગ્લુ ટ્રેપ પર ઉંદર, ખિસકોલી પક્ષીઓ વગેરે ચોંટી જાય છે. જેથી તેઓ ભૂખ, તરસથી રિબાય છે, તેમનો શ્વાસ રૂંધાય છે, તેઓ તેમાંથી નીકળી ન શકતા તેઓ પોતાના જ અંગોને બચકાં ભરે છે, જેથી ઘાયલ થવાથી તેનું લોહી વહે છે. ખૂબ જ દયનીય રીતે તેમનું મૃત્યુ થાય છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 સાયન્સની પરીક્ષાઓ આજે સંપન્ન થઈ છે. ગોધરા સહિત રાજ્યભરમાં અંતિમ દિવસે બાયોલોજીનું પેપર લેવાયું હતું. પરીક્ષા કેન્દ્રોની બહાર નીકળેલા વિદ્યાર્થીઓના ચહેરા પર રાહતનો ભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. વિદ્યાર્થીઓના મતે, બાયોલોજીનું પેપર એકંદરે સરળ હતું. ખાસ કરીને એમસીક્યુ (MCQ) વિભાગમાં સારા ગુણ મેળવવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. પાર્ટ-બી માં કેટલાક પ્રશ્નો તાર્કિક અને કન્સેપ્ટ આધારિત હોવાથી વિદ્યાર્થીઓએ પોતાની સમજણ મુજબ જવાબો આપ્યા હતા. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, શિક્ષકોના માર્ગદર્શન અને વર્ષભરની સઘન મહેનતને કારણે તેઓ પરીક્ષા સારી રીતે આપી શક્યા. લાંબા સમયની તૈયારીઓ બાદ હવે વિદ્યાર્થીઓ આગામી બે-ત્રણ દિવસ આરામ કરવાની યોજના ધરાવે છે. જોકે, આ આરામ લાંબો સમય ચાલશે નહીં, કારણ કે સાયન્સના વિદ્યાર્થીઓ માટે હવે પછીનો મુખ્ય પડકાર 'ગુજકેટ' (GUJCET) ની પરીક્ષા છે. થોડા દિવસોના વિરામ બાદ વિદ્યાર્થીઓ ફરીથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓમાં જોડાશે. બોર્ડની મુખ્ય પરીક્ષાઓ પૂર્ણ થતા વાલીઓ અને વિદ્યાર્થીઓએ રાહત અનુભવી છે.
ગઈકાલે દમણના દેવકા વિસ્તારમાં સેન્ડી રિસોર્ટ સામે મુખ્ય માર્ગ પર બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઓવરટેક કરવાના પ્રયાસમાં મારુતિ ઈગ્નિસ અને હ્યુન્ડાઇ અલકાઝાર કાર ટકરાઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, બંને વાહનોના ટાયર અને અન્ય સ્પેરપાર્ટ્સ છૂટા પડીને રસ્તા પર વિખેરાઈ ગયા હતા. આ ઘટનાને પગલે માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. માહિતી મુજબ, બંને કારમાં સવાર લોકો વલસાડ શહેરના વતની અને એકબીજાના પરિચિત હતા. તેમણે અંદરોઅંદર જ મામલાનું સમાધાન કરી લીધું હતું, જેના કારણે પોલીસ ચોપડે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ ન હતી. વાહનોના ચાલકો પોતપોતાના વાહનોને સમારકામ માટે લઈ ગયા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બંને ક્ષતિગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વીકેન્ડ દરમિયાન દમણમાં સહેલાણીઓની ભારે ભીડ રહે છે. આ કારણે માર્ગો પર વાહનોની સંખ્યા વધી જાય છે, જેના પરિણામે આવા અકસ્માતોની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે.
ભરૂચ જિલ્લામાં બાંધકામ શ્રમિકો માટે આરોગ્ય સુવિધાઓ સુલભ બનાવવાના હેતુથી નવા ધનવંતરી આરોગ્ય રથ અને મોબાઇલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ તથા ઈએમઆરઆઈ ગ્રીનહેલ્થ સર્વિસના સહયોગથી આ રથ શરૂ કરાયો છે. જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા સહિતના મહાનુભાવોએ રથને લીલીઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો. આ ધનવંતરી આરોગ્ય રથ ભરૂચ જિલ્લાની વિવિધ બાંધકામ સાઇટો અને કડિયાનાકા વિસ્તારોમાં જઈ શ્રમિકોને નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ પૂરી પાડશે. તેમાં તાવ, શરદી-ખાંસી જેવી સામાન્ય બીમારીઓ માટે દવાઓ, સગર્ભા મહિલાઓની તપાસ, જનરલ ચેકઅપ અને લેબોરેટરી દ્વારા લોહીના ટેસ્ટ જેવી સેવાઓનો સમાવેશ થાય છે. ભરૂચ જિલ્લામાં અગાઉથી ૮ ધનવંતરી આરોગ્ય રથ કાર્યરત હતા. આ નવા રથના ઉમેરા સાથે, જિલ્લામાં આરોગ્ય સેવાઓ વધુ વ્યાપક બનશે. આ લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આરતી પટેલ, કારોબારી સભ્ય ધર્મેશ મિસ્ત્રી, આરોગ્ય કમિટીના ચેરમેન અનિલ વસાવા અને જંબુસર તાલુકા પંચાયતના પ્રમુખ નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના નિરીક્ષક પી.કે. પટેલ અને પ્રોજેક્ટ મેનેજર કીંજલ પટેલ સહિતના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.
ગાંધીનગરના ઈન્દ્રોડા ગામના પ્રવેશદ્વાર પાસે આવેલા જ રોડ પર વારંવાર સર્જાતા ગંભીર અકસ્માતોને રોકવામાં તંત્રની નિષ્ફળતા સામે ગ્રામજનોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. તાજેતરમાં જ આ સ્થળે વધુ એક આશાસ્પદ યુવાનનું અકસ્માતમાં કરૂણ મૃત્યુ નીપજતા ઈન્દ્રોડાના સમસ્ત ગ્રામજનોએ કલેક્ટર કચેરીમાં ઉગ્ર રજૂઆત કરી તાકીદે સ્પીડ બ્રેકર અને ટ્રાફિક સુરક્ષા વ્યવસ્થાની માંગ કરી છે. ત્યારે આજે ખુદ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ સ્થળ વિઝિટ કરી વાસ્તવિક સ્થિતિનો ચિતાર જાણ્યો હતો. ટ્રાફિક નિયંત્રણ ન હોવાને કારણે વાહનચાલકો બેફામ ગતિએ પસાર થાય ગાંધીનગરના ઈન્દ્રોડા ગામના પ્રવેશદ્વાર પાસેનો જ રોડ છેલ્લા ઘણા સમયથી અકસ્માત સંભવિત વિસ્તાર બ્લેક સ્પોટ બની ગયો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર અહીં રસ્તા પર સ્પીડ બ્રેકર કે કોઈ ટ્રાફિક નિયંત્રણ ન હોવાને કારણે વાહનચાલકો બેફામ ગતિએ પસાર થાય છે. જેના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે. થોડા સમય પહેલા જ સુદાનના એક યુવાનના મૃત્યુની ઘટના હજુ તાજી છે ત્યાં ફરી એકવાર અકસ્માત સર્જાતા ગ્રામજનોમાં ઘેરા શોકની સાથે તંત્ર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે. વહીવટી તંત્રને સ્પીડ બ્રેકર મૂકવા માટે રજૂઆતો કરવામાં આવી હતીઆ બાબતે ગ્રામજનોએ લેખિતમાં આક્ષેપ કર્યો છે કે, અગાઉ પણ અનેક વખત સંબંધિત વિભાગો અને વહીવટી તંત્રને સ્પીડ બ્રેકર મૂકવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. આમ છતાં તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ જ નક્કર કે અસરકારક કામગીરી કરવામાં આવી નથી. તંત્રની આ ઉદાસીનતાના કારણે જ વારંવાર લોકોના જીવ જઈ રહ્યા છે . આગામી દિવસોમાં ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડશેસમસ્ત ઈન્દ્રોડા ગ્રામજનોએ તંત્રને અંતિમ વિનંતી કરતા રજૂઆત છે કે, જો તાત્કાલિક અસરથી આ સ્થળે સ્પીડ બ્રેકર મૂકવા અને ટ્રાફિક સુરક્ષા વધારવાની કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે. આ આંદોલનને કારણે સર્જાનારી તમામ પરિસ્થિતિ અને જવાબદારી વહીવટી તંત્રની રહેશે. વૈજ્ઞાનિક ઢબે બમ્પ બનાવવામાં આવે અને ટ્રાફિક પોલીસની વ્યવસ્થા ગોઠવવામાં આવેઈન્દ્રોડાના ગ્રામજનોની મુખ્ય માંગણી છે કે, ઇન્દ્રોડા જંક્શનને સત્તાવાર રીતે અકસ્માત સંભવિત વિસ્તાર જાહેર કરી ત્યાં વૈજ્ઞાનિક ઢબે બમ્પ બનાવવામાં આવે અને ટ્રાફિક પોલીસની વ્યવસ્થા ગોઠવવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ નાગરિકને જીવ ગુમાવવો ન પડે.
રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા જિલ્લા અને તાલુકા પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા સુચારૂ રીતે પાર પાડવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આયોગ દ્વારા 16 માર્ચ, 2026ના રોજ જાહેર કરાયેલા આદેશ મુજબ જૂનાગઢ જિલ્લામાં ચૂંટણી અધિકારી તેમજ મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા માટે અધિકારીઓની નિમણૂકગુજરાત પંચાયત ચૂંટણી નિયમો, 1994 મુજબ જિલ્લા પંચાયત અને સંબંધિત તાલુકા પંચાયતની બેઠકો માટે ચૂંટણી કામગીરી સંભાળવા માટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની ભલામણના આધારે અધિકારીઓને આ જવાબદારી સોંપવામાં આવી છે. નિમણૂક કરાયેલા અધિકારીઓ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તમામ વહીવટી અને કાયદાકીય કામગીરી સંભાળશે. ઉમેદવારીથી લઈ મત ગણતરી સુધીની જવાબદારીરાજ્ય ચૂંટણી આયોગના આદેશ મુજબ ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ મતદાર યાદી, ઉમેદવારી પ્રક્રિયા, મતદાન તેમજ ગણતરી જેવી ચૂંટણી સંબંધિત તમામ કામગીરીનું સંકલન કરશે. આ નિમણૂક સાથે આવનારી પંચાયત ચૂંટણીની તૈયારીઓ હવે વધુ ઝડપથી આગળ વધશે. રાજ્ય ચૂંટણી આયોગે આ અંગે સંબંધિત જિલ્લાઓના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી કાર્યવાહી અમલમાં મુકવા જણાવ્યું છે.
ચારુસેટ વિદ્યાર્થીઓએ MyoNova પેચ વિકસાવ્યો:DMD દર્દીઓને પીડારહિત સારવાર, મેકર ફેસ્ટમાં ગોલ્ડ એવોર્ડ
ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન રમણભાઈ પટેલ કોલેજ ઓફ ફાર્મસી (RPCP) અને અશોક એન્ડ રીટા પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપી (ARIP) ના વિદ્યાર્થીઓએ સ્વાસ્થ્ય ક્ષેત્રે ક્રાંતિકારી સંશોધન કર્યું છે. તેમણે ‘MyoNova’ નામનો એક હર્બલ આધારિત માઇક્રોનીડલ ટ્રાન્સડર્મલ પેચ વિકસાવ્યો છે, જે ડ્યુચેની મસ્ક્યુલર ડિસ્ટ્રોફી (DMD) જેવી ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ માટે અત્યંત સહાયરૂપ સાબિત થશે. આ પેચ પીડારહિત માઇક્રોનીડલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઈન્જેક્શન વગર સીધી ત્વચા મારફતે શરીરમાં દવા પહોંચાડે છે. આ સંશોધનનો મુખ્ય હેતુ સ્નાયુઓના સોજા ઘટાડવાનો અને દર્દીઓને પીડારહિત આરામદાયક સારવાર પૂરી પાડવાનો છે. આ પ્રોજેક્ટ RPCPના વિદ્યાર્થીઓ શ્રેયા મુકુલ પટેલ, ક્રિષા પટેલ, કૌશલ પટેલ, આર્યન ચૌધરી અને ARIPની વિદ્યાર્થીની શ્રેયા રિતેશ પટેલે તૈયાર કર્યો છે. આ ટીમને ડો. કેવલ રાવલ અને ડો. ક્રિષ્ના વ્યાસનું માર્ગદર્શન મળ્યું હતું. આ પ્રોજેક્ટની ઉપયોગિતાને ધ્યાને રાખીને તેને 'મેકર ફેસ્ટ કોમ્પિટિશન-2026' માં ગોલ્ડ એવોર્ડથી નવાજવામાં આવ્યો છે. આ ઉપરાંત, તે પ્રતિષ્ઠિત યુરેકા સ્પર્ધામાં પણ ઝોનલ ફાઇનલિસ્ટ તરીકે પસંદ થયો હતો. હર્બલ અને આધુનિક ટેકનોલોજીનો આ સમન્વય તબીબી ક્ષેત્રે નવી આશા જગાવે છે.
જામીન અરજી કોર્ટે ફગાવી:વડનગરના 2.11 કરોડના રોકાણ કૌભાંડમાં મુખ્ય આરોપીના જામીન કોર્ટે ફગાવ્યા
વડનગરની ‘ચેહર એન્ટરપ્રાઇઝ’ પેઢીના નામે રોકાણકારો સાથે અંદાજે 2.11 કરોડની છેતરપિંડી આચરવાના કેસમાં મહેસાણા સેશન્સ કોર્ટે મુખ્ય આરોપીની જામીન અરજી નામંજૂર કરી છે. સરકારી વકીલની ધારદાર દલીલો અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી સેશન્સ જજ એ.એલ. વ્યાસ સાહેબે આરોપીને જામીન પર મુક્ત કરવાનો ઇન્કાર કર્યો હતો. રોકાણકારોને માસિક વ્યાજની લાલચ આપી વિશ્વાસમાં લેવામાં આવ્યાઆ કેસની વિગત મુજબ વડનગરમાં ‘ચેહર એન્ટરપ્રાઇઝ’ નામની સંસ્થા ખોલીને આરોપી સોની જિતેન્દ્ર અને તેના સાથીદારોએ લોકો પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. રોકાણકારોને માસિક આકર્ષક વ્યાજ આપવાની લાલચ આપી વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા. જોકે નિર્ધારિત સમય મર્યાદા બાદ પણ રોકાણકારોને ન તો વ્યાજ મળ્યું કે ન તો તેમની મુદ્દલ રકમ પરત કરવામાં આવી. આ અંગે વડનગર પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાતા પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો હતો. કરોડોની સંડોવણી અને ગુનાની ગંભીરતા જોતા આરોપીને જામીન આપી શકાય નહીંજેલવાસ દરમિયાન આરોપી દ્વારા જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન સરકારી વકીલ ભરતકુમાર જી. પટેલે સખત વિરોધ નોંધાવતા દલીલ કરી હતી કે, આરોપીએ નિર્દોષ રોકાણકારોના લાખો રૂપિયા પચાવી પાડ્યા છે અને આ એક ગંભીર આર્થિક ગુનો છે. જો આવા કિસ્સામાં જામીન આપવામાં આવે તો તપાસ પર અસર પડી શકે તેમ છે. અદાલતે સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, કરોડો રૂપિયાની સંડોવણી અને ગુનાની ગંભીરતા જોતા આરોપીને જામીન આપી શકાય નહીં. આ ચુકાદાના પગલે આર્થિક છેતરપિંડી આચરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં રહેતી એક સિનિયર સિટીઝન મહિલાએ પોતાની દીકરી દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ સાથે અભયમ ટીમનો સંપર્ક કર્યો હતો. મહિલાનો કોલ મળતા અભયમ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાઉન્સેલિંગ શરૂ કર્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ અભયમને જણાવ્યું હતું કે, તેમના પતિના અવસાન બાદ તેઓ પોતાના મકાનમાં એકલા રહે છે. તેમને એક દીકરો અને એક દીકરી છે. દીકરો વિદેશી કંપનીમાં નોકરી કરે છે અને પરિણિત છે. દીકરીના લગ્ન થયા હતા અને તેને એક દીકરો તથા એક દીકરી છે, પરંતુ જમાઈના અવસાન બાદ બાળકો નાના હોવાથી માતાએ દીકરીને બાળકો સાથે પોતાના ઘરે રહેવા બોલાવી લીધી હતી. મહિલાએ વધુમાં કહ્યું કે, દીકરીને સાસરી તરફથી મળેલું ઘર તેના સસરાએ આપ્યું હતું. જે ઘર વેચીને દીકરીને તે પૈસાથી વિદેશમાં નોકરી કરવા મોકલવામાં આવી હતી. હાલમાં તેની પાસે પૈસા ન હોવાથી તે માતા પાસે ઘર ખરીદી આપવાની માંગણી કરે છે અને રોજ રડીને તથા દબાણ કરીને માનસિક ત્રાસ આપે છે. છેલ્લા બે વર્ષથી માતા તેને સમજાવવાનો પ્રયાસ કરે છે, છતાં તે સમજવા તૈયાર નથી. મહિલાના દીકરાએ પણ જણાવ્યું હતું કે તેઓ પોતાની માતાની તમામ જરૂરિયાતો પૂરી પાડે છે, પરંતુ તેમની બહેન માતા પાસેથી 25 લાખ રૂપિયાની માંગણી કરે છે તેમજ માતાની એફ.ડી. તોડાવવા માટે પણ દબાણ કરી રહી છે.આ અંગે અભયમ ટીમે મહિલાની દીકરીને કાઉન્સેલિંગ કરીને સમજાવ્યું કે સિનિયર સિટીઝન માતાને માનસિક ત્રાસ આપવો કે ધમકી આપવી કાયદેસર ગુનો છે અને પૈસા કે ઘર માટે દબાણ કરવું યોગ્ય નથી. અભયમ ટીમની સમજણ બાદ દીકરીએ પોતાની ભૂલ સ્વીકારી અને હવે પછી માતાને કોઈ પણ પ્રકારની હેરાનગતિ નહીં કરે તેવી ખાતરી આપી હતી. ત્યારબાદ અભયમ ટીમ દ્વારા બંને પક્ષ વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું હતું.
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની 35મી દીક્ષા જયંતીના પાવન અવસરે સંયમ અને શાસન પ્રભાવનાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરમ ગુરુદેવને માનવતા અને જીવદયા અત્યંત પ્રિય છે, ત્યારે આ અવસરને યાદગાર બનાવવા માટે તેમના દ્વારા પ્રેરિત 'અર્હમ યુવા સેવા ગ્રુપ, ભાવનગર' દ્વારા એક અદભૂત જીવદયા પ્રકલ્પ Kindness Kit ગુરુદેવના શ્રીચરણોમાં અર્પણ કરવામાં આવ્યો છે. શું છે આ 'Kindness Kit' ની વિશેષતા?આ કિટમાં અબોલ જીવો જેવા કે ગાય, કૂતરા, કીડી અને કબૂતર માટેના આહારને અલગ-અલગ પ્લાસ્ટિક જારમાં અત્યંત વ્યવસ્થિત રીતે પેક કરવામાં આવ્યો છે. તેમાં ગાયો માટે પૌષ્ટિક રાજધાન, કૂતરા માટે બિસ્કિટ, કીડીઓ માટે કીડિયારું અને કબૂતર માટે જુવારનો સમાવેશ થાય છે. આ કિટ દ્વારા કોઈપણ વ્યક્તિ સરળતાથી જીવદયાનું કાર્ય કરી શકે છે અથવા અન્યને ભેટ આપીને આ પુણ્યશાળી કાર્યમાં જોડી શકે છે. દેશભરમાં 15000 થી વધુ કિટ્સનું વિતરણસમસ્ત ભારતના અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા લોકાર્પણના પ્રથમ દિવસે જ સમગ્ર દેશમાં 15000 થી વધુ કાઈન્ડનેસ કિટનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં ભાવનગર અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા 500 થી વધુ કિટ્સ વિતરિત કરીને જીવદયાની જ્યોત પ્રજ્વલિત કરવામાં આવી છે. જૈન અને જૈનેતર દરેક વ્યક્તિ આ સેવાનો લાભ લઈ અબોલ જીવોને આહાર અર્પણ કરી શકે છે.
હિંમતનગરમાં મીની ટેમ્પો ઘરમાં ઘૂસ્યો:માટલાના વેપારીને મોટું નુકસાન, સદનસીબે જાનહાનિ ટળી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના છાપરિયા વિસ્તારમાં આજે સાંજે એક મીની ટેમ્પો રહેણાંક ઘરમાં ઘૂસી ગયો હતો. આ ઘટનાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, અંકિત મિલ્ક પેલેસના મીની ટેમ્પોના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે વાહન રોડ પર પાર્ક કરેલી એક કારને ટક્કર મારી સીધું જ ઘરમાં ઘૂસી ગયું હતું. જે ઘરમાં ટેમ્પો ઘૂસ્યો તે માટલાના વેપારીનું હતું. અકસ્માતમાં ઘરની અંદર અને બહાર રાખેલા મોટા પ્રમાણમાં માટલા તૂટી ગયા હતા, જેના કારણે વેપારીને આર્થિક નુકસાન થયું છે. ઘટના બનતા જ આસપાસના લોકોના ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. સદનસીબે, આ સમગ્ર અકસ્માતમાં કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નથી કે કોઈ જાનહાનિ થઈ નથી.
સુરેન્દ્રનગરમાં રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની અધ્યક્ષતામાં પોલીસ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ ઉપરાંત, તેમના હસ્તે ત્રણ દિવસીય ચેસ સ્પર્ધાનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો. ડીજીપી કપ અંતર્ગત આયોજિત આ ચેસ સ્પર્ધામાં વિવિધ જિલ્લાના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ભાગ લેશે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂએ સ્પર્ધા અંગે માહિતી આપી હતી. આઈજી નિર્લિપ્ત રાય અને એસપી પ્રેમસુખ ડેલૂએ પોતે ચેસ રમીને કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. સમીક્ષા બેઠકમાં આઈજી નિર્લિપ્ત રાય અને એસપી પ્રેમસુખ ડેલૂએ સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. ગુના નિવારણ અને કાયદાના ચુસ્ત પાલન માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. રાજ્યમાં શાંતિ અને સુરક્ષા જાળવવા પોલીસ સતત કાર્યરત હોવાનું જણાવાયું હતું. ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાય તેમની પ્રામાણિકતા અને 'સુપર કોપ' તરીકેની છબી માટે જાણીતા છે. તેમની કાર્યશૈલી અંગે વિવિધ મંતવ્યો પ્રવર્તે છે, જેમાં કેટલાક તેમને 'સિંઘમ સ્ટાઈલ' અધિકારી માને છે. તાજેતરમાં તેઓ રાજ્ય મોનિટરિંગ સેલ (SMC) નું નેતૃત્વ કરતા હતા અને હવે તેમને રાજકોટ રેન્જની જવાબદારી સોંપવામાં આવી છે.
શામળાજી પાસેના ડુંગરો પર ભીષણ આગ:વનરાજી બળીને ખાખ, વન વિભાગે કાર્યવાહી હાથ ધરી
અરવલ્લી જિલ્લાના શામળાજી નજીકના ડુંગરો પર સોમવારે સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં ડુંગર પરની વનરાજી બળીને ખાખ થઈ ગઈ હતી. આગની શરૂઆતમાં ડુંગર પર ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. રાત થતાં અને પવનના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી અને તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. ઉનાળાની શરૂઆત થતાં જ અરવલ્લીના ડુંગરોમાં આગ લાગવાની ઘટનાઓ સામાન્ય બની જાય છે. જોકે, આ આગ કુદરતી રીતે લાગે છે કે કોઈ દ્વારા લગાડવામાં આવે છે તે અંગે દર વર્ષે રહસ્ય અકબંધ રહે છે.
પાલનપુરના ચડોતરમાં આવેલા GHV વ્હીકલ ફિટનેસ સેન્ટરના એક કર્મચારીને લાંચ લેતા પાટણ ACBએ ઝડપી પાડ્યો છે. રહેમતુલ્લા ઘોરી નામના આ કર્મચારીએ CNG રિક્ષાના ફિટનેસ સર્ટિફિકેટ માટે રૂ. 3000ની લાંચ માંગી હતી. પાટણ ACBને ગુપ્ત માહિતી મળી હતી કે, ચડોતર સ્થિત GHV ફિટનેસ સેન્ટર ખાતે વાહનોના કોમર્શિયલ ફિટનેસ સર્ટિફિકેટ આપવા માટે અરજદારો પાસેથી રૂ. 500 થી રૂ. 50,000 સુધીની લાંચ લેવામાં આવે છે. આ બાતમીના આધારે ACBએ છટકું ગોઠવ્યું હતું. એક અરજદારને તેમની CNG રિક્ષાનું કોમર્શિયલ વ્હીકલ ફિટનેસ સર્ટિફિકેટ કઢાવવાનું હતું. આ માટે આરોપી રહેમતુલ્લા ઘોરીએ નિયત ફી રૂ. 980 ઉપરાંત વધારાના રૂ. 3000ની લાંચની માંગણી કરી હતી. ACBના ડીકોય છટકા દરમિયાન, આરોપી રહેમતુલ્લા ઘોરીએ અરજદાર પાસેથી રૂ. 3000ની લાંચ સ્વીકારતા તેને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. પાટણ ACBની ટીમે લાંચની રકમ સાથે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહી પાલનપુર તાલુકાના ચડોતર ગામમાં, ડીસા-પાલનપુર હાઈવે પર આવેલા GHV વ્હીકલ ફિટનેસ સેન્ટર ખાતે કરવામાં આવી હતી.
ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ માહિતી આધારે ચિત્રા થી સીદસર ગામ તરફ જવાના રોડ પર સીતાનગર પાસેથી ઇંગ્લિશ દારૂ ભરેલી કાર સાથે એક શખ્સની ધરપકડ કરી હતી અને આ અંગે ત્રણ શખ્સો વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકે થી જણાવા મળતી વિગતો અનુસાર શહેરના અલગ અલગ વિસ્તારોમાં પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન ચોક્કસ માહિતી આધારે ચિત્રા વિસ્તારથી સિદસર ગામ તરફ જવાના રોડ પર સીતાનગર પાસે ઊભેલી એક કાર નંબર GJ 03 HK 2850 ને અટકમાં લઈ કારમાં સવાર શખ્સને અટકાયતમાં લઈ નામ સરનામું પૂછવા સાથે કારની તલાસી હાથ ધરી હતી, જેમાં અટક કરાયેલ શખ્સે પોતાનું નામ દેવાંગ ઉર્ફે કાનભા ભીખુ ડોડીયા ઉ.વ.29 રહે.પ્લોટ નંબર 98 સીતાનગર ચિત્રા વાળો હોવાનું જણાવેલ તથા કારમાંથી વિના પાસ પરમિટે ઇંગલિશ દારૂની 384 નંગ બોટલ મળી આવેલ આ દારૂ અંગે પૂછતા તેણે જણાવ્યું હતું કે, દેસાઈનગર ઝવેરભાઈની વાડી ખાતે રહેતા જયેશ વલ્લભ રાઠોડ અને ચીકો નામના શખ્સે આ દારૂ સાચવવા માટે આપ્યો હોવાનું જણાવ્યું હતું, પોલીસે ઇંગ્લિશ દારૂ તથા કાર મળી કુલ રૂ.2,30,720 નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ શખ્સને ઇંગલિશ દારૂ તથા કાર સાથે ડી ડિવિઝન પોલીસને હવાલે કરી ત્રણેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી અને સરદાર પટેલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલો 'ચરોતર સાહિત્ય ઉત્સવ-2026' સંપન્ન થયો છે. શિક્ષણ અને સાહિત્યની પવિત્ર ભૂમિ પર આયોજિત આ મહોત્સવમાં સાહિત્યકારો, શિક્ષણવિદો અને અગ્રણીઓની હાજરીમાં સાહિત્યિક ચેતનાનો પર્વ ઉજવાયો હતો. ઉત્સવના પ્રારંભે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાએ પ્રેરણાદાયી ઉદબોધનમાં જણાવ્યું હતું કે, સાહિત્ય એ માત્ર શબ્દોની રમત નથી, પરંતુ જીવન જીવવાની કળા છે. તેમણે ડિજિટલ યુગમાં પણ પુસ્તકોનું મહત્વ અકબંધ હોવાનું જણાવી, યુવા પેઢીને વાંચન તરફ પાછા વળવા અને પોતાના વારસાને સમજવા પર ભાર મૂક્યો હતો. જહાએ વધુમાં ઉમેર્યું કે ચરોતરી બોલીમાં રહેલું માધુર્ય અને મક્કમતા ગુજરાતી ભાષાનું ગૌરવ છે. જો યુવા પેઢી આ વારસાને સમજશે, તો જ સંસ્કૃતિ જીવંત રહેશે. સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિરંજન પટેલે શિક્ષણ અને સાહિત્યના આંતરસંબંધો પર પ્રકાશ પાડતા કહ્યું કે, સાહિત્ય વગરનું શિક્ષણ અધૂરું છે. તેમણે રાવજી પટેલ, જોસેફ મેકવાન અને ધીરુબેન પટેલ જેવા સમર્થ સર્જકોના પ્રદાનને યાદ કરી ચરોતરના સાહિત્યિક વારસાને વિશ્વ ફલક પર લઈ જવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે સાંસદ મિતેશ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્લામેન્ટમાં ગુજરાતી સહિત 11 ભાષાઓમાં ભાષણની છૂટ આપી પ્રાદેશિક ભાષાઓનું ગૌરવ વધાર્યું છે. વલ્લભસ્વામીદાસજીએ મોટી સંખ્યામાં ઉપસ્થિત યુવાનોને જોઈને આનંદ વ્યક્ત કર્યો હતો, જ્યારે અકાદમીના મહામાત્ર જયેન્દ્રસિંહ જાદવે ચરોતરની ધરતીને 'પ્રતાપી ભૂમિ' ગણાવી મહેમાનોનું સ્વાગત કર્યું હતું. બે દિવસીય મહોત્સવ દરમિયાન 'ચરોતરનો સર્જક પ્રવાહ' અને 'યુવા કવિ સંમેલન' જેવા સત્રોમાં પ્રીતમ, રાવજી પટેલ અને ઈશ્વર પેટલીકરના સાહિત્ય પર ગહન ચર્ચા થઈ હતી. બીજા દિવસે પ્રભાતફેરી અને 'નડિયાદની સાક્ષર ત્રિપુટી' પર વિશેષ સત્ર યોજાયું હતું. મહોત્સવના અંતિમ તબક્કે ધ્રુવ ભટ્ટની નવલકથા પર આધારિત નાટક 'અકૂપાર'ના મંચન સાથે આ સાહિત્યિક પર્વનું રંગારંગ સમાપન થયું હતું.
રાજકોટ રેન્જ જેલ આઈજી ગિરીશ પંડ્યાએ સોમવારે મોરબી સબ જેલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપી હતી. પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, મોરબીમાં બનનારી નવી જેલ સંપૂર્ણપણે સીસીટીવી કેમેરાથી સજ્જ હશે, જેનાથી કેદીઓ પર સતત નજર રાખી શકાશે. આઈજી પંડ્યાએ સવારે મોરબી સબ જેલની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી અને ચેકિંગ કામગીરી હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન જેલમાંથી કોઈ પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવી ન હતી. ત્યારબાદ તેમણે જેલના અધિકારીઓ અને સ્ટાફ સાથે બેઠક યોજી હતી, જેમાં મોરબી જિલ્લાના એસપી મુકેશ કુમાર પટેલ અને ડીવાયએસપી જે.એમ. આલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આઈજી પંડ્યાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને પત્રકારોને વધુ માહિતી આપતા જણાવ્યું કે, હાલમાં 50 ટકા કેદીઓને વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. ભવિષ્યમાં આ સંખ્યા વધારવાના પ્રયાસો ચાલી રહ્યા છે. તેમણે સ્વીકાર્યું કે, વર્તમાન જેલમાં ક્ષમતા કરતાં વધુ કેદીઓ છે અને મંજૂર મહેકમ કરતાં 20 ટકા સ્ટાફ ઓછો છે. મોરબી જિલ્લા માટે નવી જેલ મંજૂર કરવામાં આવી છે અને તેનું કામ ઝડપથી પૂર્ણ કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. આ નવી જેલમાં કેદીઓની દરેક ગતિવિધિ પર સીસીટીવી કેમેરાની 'ત્રીજી આંખ' દ્વારા સતત નજર રાખવામાં આવશે, જેથી સુરક્ષા અને વ્યવસ્થા સુનિશ્ચિત કરી શકાય.
ભારત સરકારે 2027માં દેશવ્યાપી વસ્તી ગણતરી હાથ ધરવાની મંજૂરી આપી છે. આ દેશની પ્રથમ ડિજિટલ જનગણના હશે, જે બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો, ઘરયાદી અને મકાનોની ગણતરી (House Listing Operation – HLO), 20 એપ્રિલથી 19 મે, 2026 દરમિયાન હાથ ધરાશે. આ તબક્કામાં ગણતરીદારો દ્વારા મુખ્યત્વે આવાસની સ્થિતિ, કુટુંબને ઉપલબ્ધ સુવિધાઓ અને અસ્કયામતો સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવશે. આ માટે ગણતરીદારો સ્માર્ટફોનમાં નિર્ધારિત મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરશે. પાટણ જિલ્લામાં આ કામગીરીના સુચારુ અમલ માટે તૈયારીઓ તેજ બની છે. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ચાર્જ અધિકારીઓ (મામલતદારો અને ચીફ ઓફિસરો)ની તાલીમ પૂર્ણ થયા બાદ, હાલમાં ફિલ્ડ ટ્રેનર્સ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ તાલીમ નિવાસી અધિક કલેક્ટરના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, પાટણ ખાતેના નવા કોન્ફરન્સ હોલમાં 16, 17 અને 18 માર્ચ, 2026 દરમિયાન યોજાઈ રહી છે. માસ્ટર ટ્રેનર તરીકે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના આસિસ્ટન્ટ પ્રોફેસર આનંદ પટેલ અને સ્ટેટ નોડલ ઓફિસર લોકેન્દ્રસિંહ ફિલ્ડ ટ્રેનર્સને તાલીમ આપી રહ્યા છે. આ જનગણનામાં નાગરિકોને સ્વ-ગણતરી (Self-Enumeration) કરવાની સુવિધા પણ મળશે. નાગરિકો 5 એપ્રિલ, 2026 થી 19 એપ્રિલ, 2026 દરમિયાન નિર્ધારિત વેબ પોર્ટલ મારફતે પોતાની વિગતો ઓનલાઈન નોંધાવી શકશે. આ જનગણના પ્રક્રિયા દેશના આયોજન, વિકાસ અને વિવિધ કલ્યાણકારી યોજનાઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેથી, તમામ નાગરિકોને આ પ્રક્રિયામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
સુરતમાં ગત 14 માર્ચના રોજ માનવતા અને જનજાગૃતિનો એક અનોખો સંગમ જોવા મળ્યો હતો. શહેરના યશવી ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત તૃતીય સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલાં પાડનાર 101 પિતાવીહોણી દીકરીઓ લગ્નની વિધિઓના બે દિવસ બાદ હોસ્પિટલ પહોંચતા કુતૂહલ સર્જાયું હતું. આ દીકરીઓએ હાથમાં મહેંદી અને લાલચૂડી સાથે સર્વાઈકલ કેન્સર સામે રક્ષણ આપતી HPV વેક્સિન મુકાવી સમાજને એક નવો રાહ ચીંધ્યો હતો. પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓ માટે અનોખી ભેટ યશવી ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ સમૂહલગ્નમાં જે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે અથવા જેઓ આર્થિક રીતે નબળા વર્ગમાંથી આવે છે, તેવી 101 દીકરીઓના લગ્ન ધામધૂમથી કરાવવામાં આવ્યા હતા. જોકે, માત્ર લગ્ન કરાવીને જવાબદારી પૂર્ણ કરવાને બદલે ફાઉન્ડેશને આ નવવધૂઓના ભાવિ સ્વાસ્થ્યની પણ ચિંતા કરી હતી. પીએમ મોદીના વિઝન અને સી.આર. પાટીલના જન્મદિનની અનોખી ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની દીકરીઓને સર્વાઈકલ કેન્સરથી મુક્ત રાખવા માટે HPV વેક્સિનેશન પર ભાર મૂક્યો છે. આ વિઝનને આગળ ધપાવતા અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે, યશવી ફાઉન્ડેશને તમામ 101 નવવધૂઓને આ મોંઘી રસી મફતમાં અપાવવાનો નિર્ણય કર્યો હતો. યશવી ફાઉન્ડેશનના સેક્રેટરી ગાયત્રીબેને જણાવ્યું હતું કે, લગ્ન એ નવા જીવનની શરૂઆત છે, અને અમે ઈચ્છીએ છીએ કે આ દીકરીઓ સ્વસ્થ જીવન જીવે. કેન્સર જેવી જીવલેણ બીમારી સામે રક્ષણ એ જ સાચું કરિયાવર છે. મહિલા કર્મચારીઓએ પણ લીધી રસી માત્ર નવવધૂઓ જ નહીં, પણ આ સામાજિક કાર્યમાં જોડાયેલી ફાઉન્ડેશનની મહિલા કર્મચારીઓએ પણ HPV રસી મુકાવીને જાગૃતિનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. લાયન્સ કેન્સર હોસ્પિટલના તબીબોની ટીમ દ્વારા આ રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તબીબોએ આ પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે, જો દરેક સામાજિક સંસ્થાઓ આ રીતે આગળ આવે તો ભારતને સર્વાઈકલ કેન્સર મુક્ત બનાવી શકાય છે.
ડાંગમાં મજૂરીના હિસાબ બાબતે ચપ્પુથી હુમલો:ત્રણ આરોપી સુરતથી ઝડપાયા, આહવા પોલીસે કાર્યવાહી કરી
ડાંગ જિલ્લાના આહવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મજૂરીના હિસાબ બાબતે થયેલી બોલાચાલી દરમિયાન ચપ્પુથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડવાના ગુનામાં આહવા પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે. પોલીસે સુરતમાંથી ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી હતી. પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ (IPS), સુરત વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગુનાઓ અટકાવવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવ (IPS) અને નાયબ પોલીસ અધિક્ષક કે.આર. ડીમરીના માર્ગદર્શન હેઠળ આહવા પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી. ફરિયાદી મહેશ અશોકભાઈ પરમાર અને સાક્ષી શૈલેષ અશોકભાઈ પરમાર સહિત અન્ય લોકો સાથે ઇટના ભઠ્ઠા ઉપર મજૂરીના રૂપિયા અંગે હિસાબ બાબતે આરોપીઓ સાથે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ શૈલેષના પેટના ભાગે ચપ્પુનો ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ મામલે આહવા પોલીસ સ્ટેશન ખાતે તા. 10 માર્ચ 2026ના રોજ ગુનો નોંધાયો હતો. ગુનો નોંધાયા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આહવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. પટેલના નેતૃત્વમાં ટીમો બનાવી આરોપીઓને શોધવા માટે ખાસ કામગીરી શરૂ કરવામાં આવી. હ્યુમન સોર્સીસ અને ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીઓ સુરત ખાતે હોવાનું જાણવા મળતાં પોલીસ ટીમે ત્યાં પહોંચી તેમને ઝડપી પકડી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં રાજુ વિનુ ચુડાસમા, અશ્વિન વિનુ ચુડાસમા અને રોશનીબેન રાજુ ચુડાસમાનો સમાવેશ થાય છે. આ તમામ હાલ મૂળચોંડ, તા. આહવા, જી. ડાંગના રહેવાસી છે અને મૂળ રૂપાવટી ગામ, તા. મહુવા, જી. ભાવનગરના વતની છે. આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એસ. રાજપુત, પોલીસ હેડ કોન્સ્ટેબલ સુનિલ પાંડુભાઈ, પ્રકાશ કાશીરામભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રણજીત ધનજીભાઈ, પ્રકાશ સાધુરામભાઈ અને અશોક મુકુંદભાઈએ પ્રશંસનીય કામગીરી બજાવી હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માણસા તાલુકાના આનંદપુરા (વેડા) ગામે ધોળા દિવસે તસ્કરોએ તરખાટ મચાવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અર્બુદાનગર સોસાયટીમાં રહેતા અને આરોગ્ય વિભાગમાંથી નિવૃત્ત થયેલા વૃદ્ધ ખેડૂતના બંધ ઘરને નિશાન બનાવી તસ્કરોએ અંદાજે રૂ. 36 લાખથી વધુની કિંમતના સોનાચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી પલાયન થઈ જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. નવાઈની વાત એ છે કે, આ ચોરી થયેલા મોટાભાગના દાગીના ફરિયાદીના સાળાએ સાચવવા માટે મૂક્યા હતા. હાલમાં તો માણસા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી પત્નીને હવનમાં મુકી ખેતરે ગયાં હતાંમાણસા તાલુકાના આનંદપુરામાં રહેતા 63 વર્ષીય કનૈયાલાલ કુબેરભાઈ ચૌધર 2021માં આરોગ્ય વિભાગમાં એમ્બ્યુલન્સ વાન ચાલક તરીકે નિવૃત્ત થયા છે અને હાલ ખેતીકામ કરે છે. તેમણે માણસા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત 15 માર્ચના રોજ સવારે 10.30 વાગ્યાના અરસામાં કનૈયાલાલ ખેતરમાં ઘઉં કાઢવા માટે ગયા હતા. તે જ દિવસે તેમના મોટાભાઈ રમણભાઈના ઘરે માતાજીનો હવન હોવાથી તેઓ તેમની પત્ની રાજીબેનને ત્યાં મૂકીને ખેતરે ગયા હતા. ઘરે પરત ફરતા સામાન વેરવિખેર હતોત્યારે બપોરે આશરે પોણા એક વાગ્યાની આસપાસ જ્યારે રાજીબેન હવન પતાવીને ઘરે પરત ફર્યા ત્યારે ઘરની લોખંડની જાળીના દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું. બાદમાં અંદર તપાસ કરતા તિજોરીઓના લોક ખુલ્લા હતા અને સામાન વેરવિખેર પડેલો હતો. તિજોરીની ચાવીઓ પણ સામે લટકતી હતીનવાઈની વાત છે કે, ઘરમાં લાખોની મત્તા પડી હોવા છતાં તિજોરીની ચાવીઓ બાજુમાં જ હૂક પર લટકતી હોવાથી તસ્કરોને ચોરી કરવામાં સરળતા રહી હતી. જે અંગે વધુ તપાસ કરતા પ્રથમ રૂમની તિજોરીમાંથી રૂ. 18,000ની રોકડ અને બીજા રૂમની તિજોરીમાંથી મોટા સોનાચાંદીના દાગીના ગાયબ હતા. તસ્કરોએ તમામ દાગીના પર હાથ સાફ કર્યોફરિયાદીમાં જણાવ્યા મુજબ, તેમના સાળા અમૃતભાઈ શીવાભાઈ ચૌધરી (રહે. આમજા)ના નવા મકાનનું બાંધકામ ચાલતું હોવાથી તેમણે સુરક્ષાના હેતુથી અંદાજે બે માસ પહેલા પોતાના કિંમતી ઘરેણાં કનૈયાલાલના ઘરે સાચવવા માટે મૂક્યા હતા. તસ્કરોએ આ તમામ દાગીના પર હાથ સાફ કર્યો છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરીઆ અંગે ખેડૂતે 3 તોલાના સોનાના બાજુબંધ કિ.રૂ. 4.20 લાખ, સાડા પાંચ તોલાનું મંગળસૂત્ર કિં.રૂ. 7.70 લાખ, પોણા ત્રણ તોલાની સોનાની ચેન કિં.રૂ. 3.85 લાખ, સોનાનો સેટ, વીંટીઓ અને કાનની બુટ્ટીઓ મળી કુલ રૂ.35.88 લાખના દાગીના તથા રૂ. 18,000 રોકડ મળીને કુલ રૂ. 36.06 લાખની મતાની ચોરી હોવાની ફરિયાદ નોંધાવી છે.
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલ દ્વારા “એક ભારત શ્રેષ્ઠ ભારત” સંદર્ભે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને સંબોધન કર્યું હતું. પ્રિન્સિપાલ સંજય વકીલે જણાવ્યું કે સરદાર પટેલની પ્રેરણા અને સેવા આજના યુવાનોને દેશભક્તિ તરફ દોરી જાય છે. તેમણે ભારતની વિવિધ સંસ્કૃતિ, ઇતિહાસ, પરંપરા અને ભવ્ય વારસાને જાળવવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. વકીલે દેશના વિકાસ માટે ભાઈચારાની ભાવના, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની આપલે અને એકતા ઊભી કરવી જરૂરી હોવાનું જણાવ્યું. તેમણે ઉમેર્યું કે કોઈપણ દેશની પ્રગતિનો આધાર તેની સલામતી, શાંતિ અને સૌહાર્દપૂર્ણ વ્યવહાર હોય છે. દેશના લોકો એકબીજા સાથે જોડાય, તેમના વિચારોની આપલે કરે તથા તેમની ભાષા, બોલી અને જ્ઞાનનું આદાનપ્રદાન કરે તે અત્યંત મહત્વપૂર્ણ છે. પ્રિન્સિપાલ વકીલે કહ્યું કે 'એક ભારત શ્રેષ્ઠ ભારત' માત્ર એક સૂત્ર નથી, પરંતુ એક આંદોલન છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જ્યારે વિશ્વ યુદ્ધના માહોલમાં જીવી રહ્યું છે, ત્યારે ભારતની અખંડિતતા, સંસ્કૃતિ, ભાઈચારો, એકતા અને બંધુત્વની ભાવના વિશ્વશાંતિની સ્થાપના કરી શકે છે. આ કાર્યક્રમમાં કોલેજના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદના કુમકુમ મણિનગર મંદિરના સંતો 18 થી 20 માર્ચ દરમિયાન કચ્છમાં સત્સંગ પ્રચાર અર્થે વિચરણ કરશે. આ દરમિયાન 20 માર્ચે માધાપર ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમનો પાટોત્સવ ઉજવાશે. 18 માર્ચ, બુધવારના રોજ કુમકુમ મંદિરના સંતો માધાપર મંદિરે પધારશે. ત્યાંથી તેઓ ભાકાસર અને બળદીયા સહિતના ગામોમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ સાથે પધરામણી કરીને કથા-વાર્તાનો લાભ આપશે. 19 માર્ચ, ગુરુવારના રોજ ભૂજ અને દહીંસરા સહિતના ગામોમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ અને સંતોની પધરામણી થશે. આ ઉપરાંત, માંડવી દરિયા કિનારે શ્રી હરિકૃષ્ણ મહારાજનો અભિષેક કરીને સત્સંગ સભા યોજવામાં આવશે. 20 માર્ચ, શુક્રવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ – માધાપર ખાતે પાટોત્સવ ઉજવાશે. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પૂજન-અર્ચન અને અભિષેક કરવામાં આવશે. ત્યારબાદ શ્રી અબજીબાપાશ્રીની વાતોની પારાયણ યોજાશે અને શ્રી સ્વામિનારાયણ ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવશે. વિવિધ ગામોથી પધારેલા હરિભક્તો આરતી કરશે. આ પ્રસંગે કથામૃતનું પાન શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી અને શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી કરાવશે. શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, કચ્છની ભૂમિ પર શ્રી જીવનપ્રાણ બાપાશ્રી પ્રગટ થયા હતા. તેમના પ્રતાપે કચ્છનો સર્વાંગી વિકાસ થયો છે. તેમણે ઉમેર્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય ગ્રંથ વચનામૃત ઉપર શ્રી અબજી બાપાશ્રીએ કરેલી રહસ્યાર્થ પ્રદિપિકાટીકા આજે દરેક મંદિરો અને ઘરોઘરમાં વંચાય છે. આ ટીકાના કારણે શ્રી સ્વામિનારાયણ ભગવાનને યથાર્થ રીતે ઓળખી શકાય છે. આ ગ્રંથ ભારતીય સંસ્કારોને ટકાવી રાખવામાં મદદરૂપ થયો છે, જેના પરિણામે યુવાનો પણ વ્યસનમુક્ત અને સદાચારયુક્ત જીવન જીવતા થયા છે.
ગીર સોમનાથ પોલીસે ચેક બાઉન્સ કેસમાં નાસતા ફરતા એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી સામે કુલ રૂ. 19.50 લાખના દાવા સાથે ત્રણ અલગ-અલગ કોર્ટના સજા વોરંટ અમલમાં હતા. કાયદેસરની કાર્યવાહી બાદ આરોપીને જુનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યો છે. જુનાગઢ રેન્જના ડીઆઇજીપી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાએ જિલ્લાભરમાં સજા વોરંટ અને પકડ વોરંટના આરોપીઓને ઝડપી પાડવા કડક સૂચનાઓ આપી હતી. આ સૂચનાઓના આધારે, જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.આર. ગોસ્વામીની ટીમે બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના બીટ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ હરસુખ સુરાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ મહેશ પુંજાભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ હિતેષ ભીમાભાઈએ સંયુક્ત બાતમીના આધારે આદ્રી ગામ વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો. પકડાયેલ આરોપીનું નામ અબ્દુલકરીમ જમાલ કબીરાણી (ઉંમર 50) છે, જે સુપાસી ગામ, મસ્તાના મંજિલ, મફતીયાપરા વિસ્તાર, તા. વેરાવળ, જી. ગીર સોમનાથનો રહેવાસી છે. પોલીસ તપાસમાં તે વેપાર ધંધા સાથે સંકળાયેલ હોવાનું સામે આવ્યું છે. આરોપી સામે ધી-નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ કલમ-138 હેઠળ કુલ રૂ. 19,50,000ના દાવા સાથે ત્રણ સજા વોરંટ અમલમાં હતા. જેમાં પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ જજ, વેરાવળ કોર્ટના ક્રિમિનલ એપ્લિકેશન નં. 69/2024 માં એક વર્ષની સાદી કેદ, ક્રિમિનલ એપ્લિકેશન નં. 92/2024 માં બે વર્ષની સાદી કેદ, અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, વેરાવળ કોર્ટના ફોજદારી કેસ નં. 997/2020 માં એક વર્ષની સાદી કેદનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીને ઝડપી પાડી, કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ નામદાર કોર્ટના આદેશ મુજબ જુનાગઢ જિલ્લા જેલમાં મોકલી આપ્યો છે.
ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડની કોર્પોરેટ ઓફિસમાં ચાલતા કથિત ભ્રષ્ટાચાર અને અન્યાયી વલણ સામે આજે મહેસાણા કલેક્ટર કચેરી ખાતે ન્યાયની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. UGVCLના પૂર્વ આસિસ્ટન્ટ સેક્રેટરીના પતિ પૂનમચંદ વણકરે કલેક્ટરને પત્ર પાઠવીને સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે. નિયમો નેવે મૂકી પ્રમોશન આપ્યાનો આક્ષેપરજૂઆતમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓએ પરસ્પર મેળાપીપણું કરીને બે કર્મચારીઓને સરકારી મંજૂરી કે જરૂરી નિયમો વગર ખોટી રીતે ઉચ્ચ હોદ્દા પર પ્રમોશન આપી દીધું છે. આ કર્મચારીઓને ઉંચા પગાર-ભથ્થાં આપી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું પણ જણાવાયું છે. પૂનમચંદ વણકરે માંગ કરી છે કે આ બંને કર્મચારીઓ પાસેથી વ્યાજ અને પેનલ્ટી સાથે તમામ રકમ વસૂલવામાં આવે. 2007ના એક જૂના કેસમાં નાણાં ભરવાની નોટિસ પધરાવી દઈને પજવણી કરવામાં આવીઆ સમગ્ર મામલે 'ઊલટા ચોર કોટવાલ કો દંડે' જેવો ઘાટ સર્જાયો હોવાનું ફરિયાદીનું કહેવું છે. આક્ષેપ મુજબ તેમની પત્ની પાસે આ કથિત કૌભાંડની વિગતો હોવાથી તેમને નિશાન બનાવવામાં આવ્યા છે. તેમની પત્નીની નિવૃત્તિના માત્ર 18 દિવસ બાકી હતા ત્યારે જ સત્ય દબાવવાના આશયથી વર્ષ 2007ના એક જૂના કેસમાં નાણાં ભરવાની નોટિસ પધરાવી દઈને પજવણી કરવામાં આવી રહી છે. ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં લેવાને બદલે પ્રામાણિક કર્મચારીને હેરાન કરવામાં આવતા હોવાનો ગંભીર ગણગણાટ શરૂ થયો છે. UGVCL ના એમ.ડી.નો બચાવબીજી તરફ આ ગંભીર આક્ષેપો અંગે જ્યારે UGVCL ના મેનેજિંગ ડિરેક્ટર નો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે આ મામલે મૌન સેવ્યું હતું. તેમણે ટૂંકમાં જણાવ્યું હતું કે, આ સમગ્ર વિવાદ અત્યારે કોર્ટના આધીન છે અને બંને પક્ષો વચ્ચેનો મામલો ન્યાયતંત્ર પાસે હોવાથી તેઓ આ વિષય પર કોઈ પણ ટિપ્પણી કરવા માંગતા નથી.હવે જોવાનું એ રહેશે કે કલેક્ટર કચેરીમાં થયેલી આ રજૂઆત બાદ આ કથિત ભરતી અને પ્રમોશન કૌભાંડમાં કોઈ તપાસના આદેશ આપવામાં આવે છે કે કેમ.
ગણપત યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં “ડીજીટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ધી ફ્યુચર ઓફ ગવર્નન્સ ઇન ઇન્ડિયા: પાથવેઝ ટુ વિકસિત ભારત–2047” વિષય પર 11મી બાય-મન્થલી ‘અટલ બિહારી વાજપેયી પબ્લિક પોલિસી ટોક સિરીઝ’નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. યુ. વી. પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગના નેજા હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે નિવૃત આઈ.એ.એસ. અધિકારી અને જીએસટી નેટવર્કના સ્થાપક સીઈઓ પ્રકાશ કુમાર ઉપસ્થિત રહ્યા હતા. ડિજિટલ ટેક્નોલોજી અને જાહેર નીતિનું મહત્વકાર્યક્રમની શરૂઆતમાં ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીના એક્ઝિક્યુટિવ ડીન ડૉ. કિરણ અમીને સ્વાગત પ્રવચન આપ્યું હતું. તેમણે રાષ્ટ્રીય વિકાસમાં ડિજિટલ ટેક્નોલોજી અને જાહેર નીતિની સભાનતાના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. ડિજિટલ ગવર્નન્સના મજબૂત સ્તંભોમુખ્ય વક્તા પ્રકાશ કુમારે જણાવ્યું હતું કે, આધાર, યુપીઆઈ (UPI) અને ડિજી-લોકર એ ભારતના ડિજિટલ ગવર્નન્સના મજબૂત સ્તંભો છે. ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર (DPI) દ્વારા શાસન વ્યવસ્થામાં પારદર્શિતા આવી છે અને કરોડો નાગરિકો સુધી સરકારી સેવાઓ સરળતાથી પહોંચી રહી છે. આધુનિક ટેક્નોલોજીઓ ‘વિકસિત ભારત-2047’ના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં પાયાની ભૂમિકા ભજવશે. વિદ્યાર્થીઓ સાથે સંવાદ અને માર્ગદર્શનઆ સત્રમાં મિકેનિકલ, મેકેટ્રોનિક્સ અને ઓટોમોબાઇલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી દ્વારા ડિજિટલ ગવર્નન્સ અને ફિનટેક ક્ષેત્રે માર્ગદર્શન મેળવ્યું હતું. સમગ્ર આયોજન બદલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉ. ગણપતભાઈ પટેલ અને વહીવટી મંડળનો આભાર માનવામાં આવ્યો હતો. આ સત્ર થકી વિદ્યાર્થીઓને ડિજિટલ અર્થતંત્રમાં રહેલી ઉજ્જવળ તકો વિશે ઊંડું જ્ઞાન પ્રાપ્ત થયું હતું.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં આગામી ચેટી ચંદ, રામનવમી અને રમજાન જેવા તહેવારો પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક વેરાવળ સીટી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગઢવીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયના વિવિધ સમાજોના પ્રમુખો, આગેવાનો તેમજ સામાજિક અને સેવાકીય સંસ્થાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન તહેવારો શાંતિપૂર્ણ અને ભાઈચારા સાથે ઉજવાય તે અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. પી.આઈ. જે.એન. ગઢવીએ સમાજના આગેવાનોને અફવાઓ, ગેરસમજ કે ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓથી દૂર રહી શાંતિ જાળવવા અને પોલીસને સહકાર આપવા અપીલ કરી હતી. પી.આઈ. ગઢવીએ જણાવ્યું હતું કે, વેરાવળમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. કોઈપણ અસામાજિક તત્વો દ્વારા કાયદો ભંગ કરવાનો પ્રયાસ કરાશે તો કડક કાર્યવાહી કરાશે. શાંતિ સમિતિની બેઠક બાદ વેરાવળ સીટી પી.આઈ. જે.એન. ગઢવીની આગેવાનીમાં શહેરમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચ મુખ્ય બજારો, વ્યસ્ત માર્ગો અને રાજમાર્ગો પરથી પસાર થઈ હતી. ફ્લેગ માર્ચમાં વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના PSI રાયજદા, PSI પ્રજાપતિ, મહિલા પોલીસ કર્મચારીઓ અને GRDના જવાનો જોડાયા હતા. પોલીસે શહેરમાં ફૂટ પેટ્રોલિંગ પણ કર્યું હતું. આનાથી લોકોમાં સુરક્ષાની ભાવના મજબૂત થાય અને અસામાજિક તત્વો પર નજર રાખી શકાય. ફ્લેગ માર્ચ દરમિયાન પોલીસનો મોટો કાફલો મુખ્ય વિસ્તારોમાંથી પસાર થતાં નાગરિકોમાં વિશ્વાસ વધ્યો હતો. ફ્લેગ માર્ચ દ્વારા પોલીસે અસામાજિક તત્વોને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે, ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાનાર અથવા કાયદો વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરાશે. પોલીસ તંત્રએ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો નો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. વેરાવળ શહેરમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે દરેક નાગરિકનો સહકાર જરૂરી હોવાનું પણ જણાવાયું હતું.
આણંદ સ્થિત અમૂલ ડેરીએ ઓડ ખાતેના સિમેન સ્ટેશનમાં અમૂલ ગૌસોર્ટ અને અમૂલ GE-NOVA સેક્સડ સીમેન લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યું છે. દૂધાળા પશુઓની આનુવંશિક ક્ષમતા સુધારવાના મહત્વપૂર્ણ અભિયાનના ભાગરૂપે આ લેબ્સ શરૂ કરવામાં આવી છે. અમૂલ ડેરીના ચેરમેન શાભેસિંહ પરમારના હસ્તે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમૂલ ડેરીના વાઈસ ચેરમેન વિજય પટેલ,ABS-USAના ચીફ ઓપરેટિંગ ઓફિસર જીમ-લો, અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર ડૉ.અમિત વ્યાસ અને GCMMFના મેનેજિંગ ડિરેક્ટર ડૉ.જયેન મહેતા સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને નિયામક મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર ડૉ.અમિત વ્યાસે સંઘના નિયામક મંડળને અમૂલના 1952થી ચાલી આવતા સંવર્ધન ઇતિહાસ વિશે માહિતી આપી હતી. તેમણે પ્રવાહી સીમેનના ઉત્પાદનથી લઈને આધુનિક IVF લેબ સુધીની પ્રગતિની વિગતો રજૂ કરી હતી. ઉદ્ઘાટન કરાયેલી પ્રથમ લેબ 'અમૂલ ગૌસોર્ટ સેક્સડ સીમેન લેબ' છે, જે NDS-NDDBના સહયોગથી વિકસાવવામાં આવી છે. આ પ્રસંગે NDDBના સિનિયર જનરલ મેનેજર ડૉ.નિલેશ નાઈ પણ હાજર રહ્યા હતા. બીજી લેબ 'અમૂલ જી-નોવા સેક્સડ સીમેન લેબ' એબીએસ જીનસ, યુએસએ સાથેની ભાગીદારીમાં બનાવવામાં આવી છે અને તે વાર્ષિક 0.7 મિલિયન ડોઝનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. આ નવી સુવિધા દર વર્ષે કુલ 1.4 મિલિયન સેક્સડ સીમેન ડોઝનું ઉત્પાદન કરવા માટે સક્ષમ છે. અમૂલ સીમેન સ્ટેશન સી.એમ.યુ. એ-ગ્રેડ અને આઈ.એસ.ઓ.9001:2015 પ્રમાણિત છે, જેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 10 મિલિયન પરંપરાગત ડોઝ અને 0.8 મિલિયન સેક્સડ સીમેન ડોઝ છે. હાલમાં, અમૂલ મિલ્ક શેડમાં પરંપરાગત અને સેક્સડ સીમેન બંનેના 1.5 મિલિયન ડોઝ સપ્લાય કરવામાં આવે છે. આ ઉપરાંત, ભારતભરમાં વિવિધ સહકારી સંસ્થાઓ અને સરકારી એજન્સીઓને 6.5 મિલિયનથી વધુ ડોઝનું વેચાણ થાય છે. નવા વિકસિત સેક્સડ સીમેન ફક્ત અમૂલના દૂધ ઉત્પાદકોની જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાં વધતી જતી માંગને પણ પૂરી કરશે. વિશ્વસનીય બોવાઇન જિનેટિક ભાગીદાર બનવાની પ્રતિબદ્ધતા સાથે, અમૂલનો હેતુ ભારતને વૈશ્વિક ડેરી ઉદ્યોગમાં અગ્રણી તરીકે સ્થાપિત કરવાનો છે.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ની ફેકલ્ટી ઓફ કોમર્સ હેઠળના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ બિઝનેસ મેનેજમેન્ટ દ્વારા Print Ads That Persuade: A Hands-On Consumer Psychology Workshop નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ 16 માર્ચ ના રોજ ફેકલ્ટી ઓફ કોમર્સના મુખ્ય બિલ્ડિંગના કોમ્પ્યુટર લેબ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં બિઝનેસ કન્સલ્ટન્ટ અને ચકલી કન્સલ્ટિંગના સ્ટ્રેટેજિક એડવાઇઝર મૌલિક ચૌહાણ રિસોર્સ પર્સન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જાહેરાતોમાં ગ્રાહક મનોવિજ્ઞાનના સિદ્ધાંતો વિશે વિસ્તૃત સમજૂતી આપી હતી. ચૌહાણે વિદ્યાર્થીઓને સર્જનાત્મક વિચારધારા, અસરકારક લખાણ (કોપી) અને આકર્ષક દ્રશ્યોનો ઉપયોગ કરીને પ્રિન્ટ જાહેરાતો કેવી રીતે બનાવવી તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિદ્યાર્થીઓએ આ હેન્ડ્સ-ઓન પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને જૂથમાં પોતાની પ્રિન્ટ જાહેરાતો ડિઝાઇન કરી. આ સમગ્ર કાર્યક્રમનું સંકલન ડૉ. સંદીપકુમાર પ્રજાપતિ અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આયોજન સમિતિ દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન પ્રજ્ઞેશ બી. શાહ અને ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ બિઝનેસ મેનેજમેન્ટના હેડ શ્યામલ પ્રધાનનો સહકાર અને માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારીને કારણે આ વર્કશોપ શૈક્ષણિક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થયો.
પાટણ શહેરના નીલમ સિનેમા પાસે ગત 12 માર્ચે યુસુફખાન પઠાણની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. આ ચકચારી કેસમાં પાટણ પોલીસે મુખ્ય શૂટર સહિત ચાર આરોપીઓને હથિયારો સાથે ઝડપી પાડ્યા છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેની સામે કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ગત 12 માર્ચના રોજ પાટણ શહેરમાં જાહેર માર્ગ પર સ્વિફ્ટ કારમાં સવાર યુસુફખાન પઠાણ પર અંધાધૂંધ ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસ મુખ્ય આરોપીઓ સુધી પહોંચવામાં સફળ રહી હતી. પોલીસે આ કેસમાં ઝહીર ઉર્ફે ખોખરો અબ્બાસખાન બેલીમ, સાહિદ સાજીદ શેખ, ઇમરાનખાન મહમદખાન બલોચ અને એજાજ ઉર્ફે વેતીયો રસુલભાઈ સિપાઈની ધરપકડ કરી છે. તેમની પાસેથી ગુનામાં વપરાયેલ મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા ચારેય આરોપીઓને પાટણની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે ગુનાના મૂળ સુધી પહોંચવા, હથિયારો અને અન્ય કાવતરાખોરો અંગેની વિગતો મેળવવા માટે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે, બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
લાયન્સ ક્લબ ઓફ બરોડા દ્વારા તેના ભૂતપૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર સ્વ. લાયન વિશ્વજીત મહેતાની સ્મૃતિમાં છેલ્લા 10 વર્ષથી વ્યાખ્યાન શ્રેણીનું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત આ વર્ષનું વિશેષ વ્યાખ્યાન આજે ગદાપુરા સ્થિત લાયન્સ હોલ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. આ કાર્યક્રમમાં અંદાજે 150 જેટલા સભ્યો અને પ્રબુદ્ધ નાગરિકોએ હાજરી આપી હતી. આબોહવા પરિવર્તન: એક વૈશ્વિક પડકારઆ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે દેશના જાણીતા વૈજ્ઞાનિક અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ડૉ. શૈલેષ નાયક ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આબોહવા પરિવર્તન અને સમાન ભવિષ્ય: એક પરિપ્રેક્ષ્ય (ભવિષ્ય પૃથ્વી) વિષય પર ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. ડૉ. શૈલેષ નાયકે જણાવ્યું હતું કે, જલવાયુ પરિવર્તન એ વર્તમાન સમયનો સૌથી મોટો વૈશ્વિક પડકાર છે. આવનારી પેઢી માટે પર્યાવરણનું સંતુલન જાળવી રાખવું હોય તો અત્યારથી જ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને સતત સંશોધન પ્રક્રિયા સાથે જોડાવું અનિવાર્ય છે. સમાજ જાગૃતિમાં લાયન્સ ક્લબનું યોગદાનકાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232F1 ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર MJF લાયન CA દીપક સુરાણા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું કે લાયન્સ ક્લબ માત્ર સેવાકીય પ્રવૃત્તિઓ જ નહીં, પરંતુ પર્યાવરણ અને સામાજિક મુદ્દાઓ પર જનજાગૃતિ ફેલાવવાનું કાર્ય પણ નિષ્ઠાપૂર્વક કરી રહી છે. લાયન્સ ક્લબ ઓફ બરોડાના પ્રમુખ લાયન ગૌરાંગ પંડયા અને સચિવ લાયન એડવોકેટ દેવેન્દ્ર પારેખે સ્વ. વિશ્વજીત મહેતાના સેવાકાર્યોને યાદ કરતા જણાવ્યું હતું કે, આ વ્યાખ્યાનમાળા દ્વારા તેમનો જ્ઞાન અને જાગૃતિનો સંદેશ સમાજ સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ છે. કાર્યક્રમમાં શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ, શિક્ષકો અને જ્ઞાનપ્રેમી નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સર્વોચ્ચ નિર્ણય લેનારી સંસ્થા 'અખિલ ભારતીય પ્રતિનિધિ સભા'ની બેઠક હરિયાણામાં યોજાઇ હતી. આ બેઠકમાં સંગઠનાત્મક માળખાને લઈને ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે. સંઘ હવે દેશભરમાં કેન્દ્રીય વિસ્તરણ કરવા જઈ રહ્યું છે. ખાસ કરીને ગુજરાતમાં હવે બે પ્રાંતને બદલે ત્રણ 'સંભાગ' સાથે નવું માળખું કાર્યરત થશે. ગુજરાતમાં ઉત્તર ગુજરાત, ગુજરાત અને સૌરાષ્ટ્ર એમ ત્રણ સંભાગ બનાવવામાં આવશે. એક સંભાગમાં 2થી 3 કરોડ વસ્તીનો સમાવેશ કરશે. 'ઘર ઘર સંપર્ક અભિયાન' દ્વારા અંદાજે 10 કરોડ પરિવારો સુધી પહોંચવાનો પ્રયત્નહરિયાણામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આગામી સમય માટે મોટું રણશિંગુ ફૂંક્યું છે. 1500 જેટલા પ્રતિનિધિઓની હાજરીમાં મળેલી આ બેઠકમાં સંઘના વ્યાપ અને કાર્યપદ્ધતિમાં ધરમૂળથી ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે. સંઘે દેશભરમાં કરેલા 'ઘર ઘર સંપર્ક અભિયાન' દ્વારા અંદાજે 10 કરોડ પરિવારો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે. હવે સંઘનો લક્ષ્યાંક તાલુકા સ્તરે જઈને 'સદભાવ સંમેલન' યોજવાનો છે, જેમાં દરેક સમાજના લોકોને એક મંચ પર લાવવામાં આવશે. દેશભરમાં અત્યાર સુધી 36 હજારથી વધુ હિન્દુ સમ્મેલન થયારાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘના પ્રાંત સંઘચાલક ડો . ભરત પટેલે જણાવ્યું હતું કે વર્તમાનમાં સંઘની દેશભરમાં 88,949 દૈનિક શાખા, 32,606 સાપ્તાહિક મિલન, 13,211 સંઘ મંડળી મળી કુલ 1,34,766 શાખાઓ ચાલે છે. દેશભરમાં સંઘ અને ભગિની સંસ્થાઓ દ્વારા 96,045 સેવાકાર્યો ચાલી રહ્યા છે. ગુજરાત પ્રાંતમાં સંઘ અને ભગિની સંસ્થાઓ દ્વારા 2,688 સેવાકાર્યો ચાલી રહ્યા છે. દેશભરમાં અત્યાર સુધી 36 હજારથી વધુ હિન્દુ સમ્મેલન થયા છે. સંત શિરોમણિ સદગુરુ રવિદાસજીના 650માં પ્રાગટ્ય વર્ષ નિમિત્તે સંઘ દ્વારા દેશભરમાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ગુજરાતમાં અગાઉ સંઘનું કામ 'ગુજરાત પ્રાંત' અને 'સૌરાષ્ટ્ર પ્રાંત' એમ બે ભાગમાં વહેંચાયેલું હતુંરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બંગલુરુ ખાતે 13-15 માર્ચ 2026 દરમિયાન યોજાઈ ગઈ. આ પ્રતિનિધિ સભામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મા. સરસંઘચાલક શ્રી મોહનજી ભાગવત, સરકાર્યવાહ મા. દત્તાત્રેય હોસબાલે, તમામ છ સહ સરકાર્યવાહ સહિત વિવિધ સંગઠનોના 1487 કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત માટે આ બેઠકમાં સૌથી મોટો નિર્ણય લેવાયો છે. અત્યાર સુધી ગુજરાતમાં સંઘનું કામ 'ગુજરાત પ્રાંત' અને 'સૌરાષ્ટ્ર પ્રાંત' એમ બે ભાગમાં વહેંચાયેલું હતું. પરંતુ હવે ભૌગોલિક સુધારા સાથે ત્રણ સંભાગની રચના કરવામાં આવી છે. આ બદલાવ પાછળનું મુખ્ય કારણ 'વહીવટી સરળતા' છે. સંઘનું માનવું છે કે નીચેથી આવતો ફીડબેક ઉપર પહોંચવામાં અને ઉપરથી લેવાયેલા નિર્ણયો નીચે અમલી કરવામાં સમય લાગે છે. સામાજિક સમરસતા અને 'પંચ પરિવર્તન' જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવીગુજરાતમાં વર્તમાનમાં 1610 દૈનિક શાખા, 1270 સાપ્તાહિક મિલન તથા 1133 સંઘમંડળી છે. આ શાખાઓમાં 60 ટકા વિદ્યાર્થીઓ અને 40 ટકા વ્યવસાયિક શાખાઓનો સમાવેશ થાય છે. ગુજરાતમાં વર્તમાનમાં કુલ 2688 સેવાકાર્યો ચાલી રહ્યા છે. સંઘની રચનામાં કુલ 46 પ્રાંતો છે, જેમાંથી 37 પ્રાંતોની માહિતી પ્રમાણે દરેક ઘર અને દરેક ગામમાં સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 3.89 લાખ ગામો અને શહેરોમાં 31,000 વિસ્તારોના 10.02 કરોડ પરિવારોનો સંપર્ક કરવામાં આવ્યો છે. તમામ ઘરોમાંથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. આ દરમિયાન સામાજિક સમરસતા અને 'પંચ પરિવર્તન' જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. સ્વયંસેવકોએ 55,000 મુસ્લિમ ઘરો અને 54,000 ખ્રિસ્તી ઘરોમાં પણ સંપર્ક કર્યો હતોગૃહ સંપર્ક અભિયાનમાં કેરળમાં સામ્યવાદી (કમ્યુનિસ્ટ) વિચારધારા ધરાવતા ઘરો પણ હતા અને ભિન્ન પૂજા પદ્ધતિ પાળતા પરિવારો પણ હતા. સ્વયંસેવકોએ 55,000 મુસ્લિમ ઘરો અને 54,000 ખ્રિસ્તી ઘરોમાં પણ સંપર્ક કર્યો હતો, જ્યાં તમામ સ્થળોએ તેમનું ભવ્ય સ્વાગત થયું હતું. દેશભરમાં અત્યાર સુધી 36 હજારથી વધુ હિન્દુ સમ્મેલન થયા છે (અમુક પ્રાંતોમાં સમ્મેલન થવાના બાકી છે.) અરુણાચલ પ્રદેશ અને અંદમાન અને નિકોબાર સહિત પૂરા દેશમાં સંઘ શતાબ્દી વર્ષના કાર્યક્રમો ઉત્સાહભેર આયોજિત થઈ રહ્યાં છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26નાં અંતિમ તબક્કામાં વેરા વસૂલાતની ઝુંબેશ તેજ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેરના 4,38,442 જેટલા પ્રામાણિક કરદાતાઓએ પોતાના નૈતિક અને નાગરિક ધર્મને સમજીને કુલ રૂ. 400.89 કરોડનો મિલકત વેરો તથા પાણી વેરો ભરપાઈ કરીને મહાનગરપાલિકાની તિજોરી છલકાવી દીધી છે. હવે જ્યારે આ નાણાકીય વર્ષ પૂર્ણ થવાને આડે ગણતરીના 15 દિવસો બાકી છે, ત્યારે બાકી રહેલા રૂ. 55 કરોડના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 31 માર્ચ સુધી મિલકત અને પાણીવેરો મળીને રૂ. 10,000 સુધીની વ્યાજમાફી યોજના ચાલુ રાખવામાં આવી છે. તો નાગરિકોની સુવિધા માટે રજાના દિવસોમાં કચેરીઓ ખુલ્લી રાખવાનો નિર્ણય લેવાયો છે. ગતવર્ષની તુલનાએ 31,144 કારદાતા અને 10 કરોડની આવક વધી રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખા દ્વારા કરવામાં આવેલા સઘન આયોજન અને જનજાગૃતિના પ્રયાસોના પરિણામે આ વર્ષે કરદાતાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગત નાણાકીય વર્ષ 2024-25 ના સમાન ગાળા દરમિયાન 4,07,276 કરદાતાઓએ રૂ. 390.86 કરોડનો વેરો ભર્યો હતો. તેની સરખામણીએ ચાલુ વર્ષે 31,166 વધુ નાગરિકોએ વેરો ભરીને પોતાની જાગૃતિનો પરિચય આપ્યો છે. આ વધારાના કારણે મહાનગરપાલિકાની આવકમાં રૂ. 10.03 કરોડનો સીધો વધારો નોંધાયો છે, જે શહેરના વિકાસ કામો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. રૂ. 10,000 સુધી વ્યાજ માફી,નાગરિકો માટે સુવર્ણ તક મહાનગરપાલિકાએ કરદાતાઓ પરનો આર્થિક બોજ ઘટાડવા અને બાકી વેરો વસૂલવા માટે પ્રોત્સાહક વ્યાજ માફી યોજના અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત મિલકત વેરામાં રૂ. 5,000 અને પાણી વેરામાં રૂ. 5,000 એમ મળીને કુલ રૂ. 10,000 સુધીની વ્યાજ માફી આપવામાં આવી રહી છે. જે નાગરિકોનો લાંબા સમયથી વેરો બાકી છે, તેમના માટે દંડની રકમમાં રાહત મેળવીને દેવું ચૂકવવાની આ છેલ્લી અને શ્રેષ્ઠ તક છે. તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે 31 માર્ચ પહેલાં વેરો ભરીને આ આર્થિક લાભ મેળવી લેવો જોઈએ. રજાના દિવસોમાં પણ કચેરીઓ ધમધમશે મનપાએ માર્ચ એન્ડિંગના ધસારાને ધ્યાનમાં રાખીને અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં નાગરિકોને હાલાકી ન પડે તે માટે તંત્રએ કચેરીઓના સમયમાં ફેરફાર કર્યો છે. ખાસ કરીને નોકરીયાત વર્ગ રજાના દિવસે સરળતાથી વેરો ભરી શકે તે માટે રવિવાર અને જાહેર રજાઓમાં પણ વેરા બારીઓ ખુલ્લી રાખવામાં આવશે. * 25 માર્ચ સુધીનું આયોજન: તમામ બીજા અને ચોથા શનિવાર, રવિવાર તેમજ તહેવારોની રજાઓ સહિત તમામ વોર્ડ ઓફિસ, સિવિક સેન્ટર અને ઝોનલ કચેરીઓ સવારે 9:30 થી સાંજે 5:00 કલાક સુધી કાર્યરત રહેશે. * 26 થી 31 માર્ચ સુધીનું આયોજન: નાણાકીય વર્ષના છેલ્લા અઠવાડિયામાં વધતા ધસારાને પહોંચી વળવા માટે સમય વધારીને સવારે 9:30 થી સાંજે 6:10 કલાક સુધીનો કરવામાં આવ્યો છે. આ દિવસોમાં પણ કોઈ રજા પાળવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકાએ વર્ષ 2025-26 માટે કુલ રૂ. 455 કરોડનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. હાલની સ્થિતિએ રૂ. 400.89 કરોડ એકત્ર થઈ ચૂક્યા છે અને બાકીના રૂ. 55 કરોડ મેળવવા માટે વસૂલાત શાખા, અસેસમેન્ટ સેલ અને રિકવરી સેલને સક્રિય કરવામાં આવ્યા છે. આ માટે બાકીદારોને નોટિસ આપવાની સાથે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા પણ નાગરિકોને વેરો ભરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. ઓનલાઈન વેરો ભરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે, જેથી નાગરિકો ઘરે બેઠા પણ કોઈપણ વિલંબ વગર પોતાનો વેરો ભરી શકે છે.
છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ગૈડીયા ગામે ચાલતી રેતીની લીઝ પર ગ્રામજનોએ 'જનતા રેડ' કરી હતી. ગ્રામજનોએ લીઝ સંચાલક પર નિર્ધારિત હદ બહાર અને રાત્રી દરમિયાન રેતી ખનન કરવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. ઓરસંગ નદી રેતી માફિયાઓ માટે એક મહત્વપૂર્ણ સ્ત્રોત બની છે, જ્યાં કાયદેસર અને ગેરકાયદેસર બંને રીતે રેતી ખનન પ્રવૃત્તિઓ ચાલે છે. ગૈડીયા ગામે લીઝ સંચાલક દ્વારા હદ બહાર અને કેટલીકવાર રાત્રી દરમિયાન પણ ગેરકાયદેસર ખનન કરાતું હોવાના આક્ષેપો ઘણા સમયથી થઈ રહ્યા હતા. આ આક્ષેપોને પગલે આજે સવારે ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને નદીમાં ચાલતું રેતી ખનન તાત્કાલિક બંધ કરાવી દીધું હતું. આ 'જનતા રેડ' દ્વારા ગ્રામજનોએ રેતી ખનન પ્રવૃત્તિઓ સામે પોતાની નારાજગી અને વિરોધ વ્યક્ત કર્યો હતો. ગામના યુવક અલ્પેશ રાઠવાએ જણાવ્યું હતું કે, લીઝ માફિયાઓનું જોર એટલું વધી ગયું છે કે તેઓ આડેધડ રેતી ખનન કરે છે. કાયદેસર લીઝ હોવા છતાં, મશીનોનો ઉપયોગ ગેરકાયદેસર રીતે રેતી ભરવા માટે થાય છે. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ આવે ત્યારે મશીનો હટાવી લેવાય છે અને તેઓ ગયા પછી ફરીથી ગેરકાયદેસર ખનન શરૂ થઈ જાય છે. તેમણે અધિકારીઓ દ્વારા ફોન ન ઉપાડવા અને કાર્યવાહી ન કરવા અંગે પણ ફરિયાદ કરી હતી. ગ્રામજનોએ 'જનતા રેડ' દરમિયાન ચાલુ હિટાચી મશીનોના વીડિયો પણ રેકોર્ડ કર્યા હોવાનું જણાવ્યું હતું. ગૈડીયા જૂથ ગ્રામ પંચાયતના તલાટી ચક્ષુલ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગ્રામજનો દ્વારા રેતી ખનન બાબતે મૌખિક જાણ કરવામાં આવતા સરપંચ, તલાટી અને ગ્રામજનો દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવી હતી. ગેરકાયદેસર ખનન અટકાવવા માટે કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, 9 ફેબ્રુઆરી, 2026ના રોજ ભૂસ્તર શાસ્ત્રીની કચેરી, કલેક્ટર, મામલતદાર બોડેલી અને ખાણ ખનીજ ઇન્સ્પેક્ટરને વોટ્સએપ, ટેલિફોન અને લેખિતમાં જાણ કરવામાં આવી છે અને ઓરસંગ નદીમાં થતા ગેરકાયદેસર રેતી ખનનને અટકાવવા કાર્યવાહી ચાલુ છે.
છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા 'અ' વર્ગમાં સમાવેશ થયા બાદ પ્રથમ વખત બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નગરપાલિકાની સામાન્ય સભામાં કુલ 75 કરોડ રૂપિયાનું બજેટ 1 કરોડ રૂપિયાની પુરાંત સાથે મંજૂર કરાયું હતું. આ સામાન્ય સભા નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કોળીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. શહેરમાં વિકાસલક્ષી કાર્યોને ધ્યાનમાં રાખીને આ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. બજેટમાં શહેરના માર્ગ-મકાન, સફાઈ વ્યવસ્થા, પાણી પુરવઠો, સ્ટ્રીટલાઇટ, ગટર વ્યવસ્થા અને નગર વિકાસના વિવિધ પ્રોજેક્ટ્સ માટે જોગવાઈ કરવામાં આવી છે. 'અ' વર્ગમાં સમાવેશ થયા બાદનું આ પ્રથમ બજેટ હોવાથી તેને નગરપાલિકા માટે ઐતિહાસિક અને વિકાસમુખી બજેટ તરીકે જોવામાં આવી રહ્યું છે. સ્થાનિક નાગરિકોમાં પણ આ બજેટને લઈને આશા જાગી છે કે છોટાઉદેપુર શહેરમાં વિકાસના કાર્યોને વધુ ગતિ મળશે.
સુરતના ડિંડોલી વિસ્તારમાં 15 માર્ચને રવિવારે ભયાનક લોહિયાળ ખેલ ખેલાયો હતો. કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલના જન્મદિન નિમિત્તે યોજાયેલા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરીને પરત ફરી રહેલા આશિષસિંગ રાજપૂત નામના યુવકને 8થી 10 શખસે ઘેરીને હત્યા કરી નાખી હતી. આ હત્યામાં ભાજપના સક્રિય કાર્યકર પવનસિંગ અને તેના પુત્ર અભિષેકનું નામ ખુલતા રાજકીય ગરમાવો આવી ગયો છે. ભાજપના જ કાર્યક્રમમાં લોહી આપીને નીકળેલા યુવકનું રસ્તામાં લોહી રેલાતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતક આશિષસિંગ રાજપૂત તેના મિત્રો સાથે નીલગીરી વિસ્તારમાં રક્તદાન કરવા ગયો હતો. ત્યાંથી પરત ફરતી વખતે ડિંડોલી તળાવ પાસે શ્રીકૃષ્ણ એસી મોલ નજીક જેવો તે પોતાની ગાડીમાંથી નીચે ઉતર્યો, કે તરત જ પાછળથી એક કાર અને 4-5 બાઈક પર આવેલા હુમલાખોરોએ તેને ઘેરી લીધો હતો. હુમલાખોરો પાસે તીક્ષ્ણ હથિયારો હતા. જાહેરમાં જ આશિષ પર છરા અને કોયતાથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ભયાનક દૃશ્ય જોઈને રાહદારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા આશિષને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો. ઉત્તરાયણના ઝઘડાની અદાવતમાં ખેલાયો લોહિયાળ ખેલઆ હત્યાની પૃષ્ઠભૂમિ બે મહિના અગાઉ ઉત્તરાયણના દિવસે બંધાઈ હતી. ગોડાદરામાં આવેલી આશિષના ભાઈની હોટેલમાં પવનસિંગનો પુત્ર અભિષેક નશાની હાલતમાં ધમાલ કરતો હતો. ગ્રાહકોને તકલીફ પડતી હોવાથી આશિષે તેને ત્યાંથી જવા કહ્યું હતું, જેમાં બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ સામાન્ય વાતમાં પવનસિંગના પુત્ર અભિષેકે આશિષને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અદાવતમાં પવનસિંગના પુત્રએ અગાઉ આશિષના ભાઈનું અપહરણ પણ કરાવ્યું હોવાના આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે. પવનસિંગના ડરથી યુવક UP ભાગી ગયો હતો, પરત આવતા જ શિકાર બન્યોમૃતક આશિષના પિતા રાઘવસિંહના જણાવ્યા અનુસાર, પવનસિંગ અને તેના સાથીઓ સતત ધમકીઓ આપતા હોવાથી આશિષ ડરનો માર્યો છેલ્લા બે મહિનાથી સુરત છોડીને ઉત્તર પ્રદેશ જતો રહ્યો હતો. તે હજુ ચાર-પાંચ દિવસ પહેલા જ સુરત આવ્યો હતો. રવિવારે સી. આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા કેમ્પમાં તે ઉત્સાહભેર રક્તદાન કરવા ગયો હતો. હુમલાખોરો તેની પર વોચ રાખીને જ બેઠા હતા અને તક મળતા જ તેને મોતને ઘાટ ઉતારી દીધો. કોણ છે પવનસિંગ?આ હત્યામાં જેનું નામ મુખ્ય સૂત્રધાર તરીકે ઉછળ્યું છે તે પવનસિંગ ગોડાદરા વિસ્તારનો ભાજપનો સક્રિય કાર્યકર છે. પરિવારનો આક્ષેપ છે કે, તે ભાજપના કોર્પોરેટર અમિતસિંગ રાજપૂતનો ખાસ માણસ છે અને તેમની જ ઓફિસમાં બેસે છે તથા કામકાજ સંભાળે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, પવનસિંગ અગાઉ વોર્ડ નંબર 26નો પ્રમુખ પણ રહી ચૂક્યો છે. આ જ કારણસર ડિંડોલી પોલીસ પવનસિંગ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આનાકાની કરતી હોવાનો આક્ષેપ પરિવારે કર્યો છે. પોલીસ કમિશનર કચેરીએ મહિલાઓનો હોબાળોહત્યાની ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો અને મહિલાઓ પોલીસ કમિશનર કચેરીએ ન્યાયની માગ સાથે પહોંચ્યા હતા. પરિવારે આક્રોશ સાથે જણાવ્યું છે કે, જ્યાં સુધી ભાજપના કાર્યકર પવનસિંગ અને તેના પુત્ર અભિષેક વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં નહીં આવે અને તેમની ધરપકડ નહીં થાય, ત્યાં સુધી તેઓ મૃતક આશિષના અંતિમ સંસ્કાર કરશે નહીં. મહિલાઓએ પોલીસ પર આક્ષેપ કર્યો હતો કે, રાજકીય વગના કારણે આરોપીઓને છાવરવામાં આવી રહ્યા છે. અભિષેકસિંગની નશાખોરી અને આતંકથી વિસ્તાર ત્રસ્તસ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, પવનસિંગનો પુત્ર અભિષેક અવારનવાર નશાની હાલતમાં વિસ્તારમાં ધાકધમકી આપતો રહે છે. આશિષના મિત્રોએ જણાવ્યું કે, અભિષેક અવારનવાર હોટલમાં જઈને બિનજરૂરી માથાકૂટ કરતો હતો. ઉત્તરાયણના દિવસે જ્યારે આશિષે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે પવનસિંગના પુત્રએ પોતાનું અહમ ઘવાયું હોવાનું માનીને આખા પરિવારને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું અને સતત ધાક-ધમકી આપવાનું ચાલુ રાખ્યું હતું. આશિષના ભાઈ પર પણ થયો હતો હુમલોમાત્ર આશિષ જ નહીં, તેના ભાઈ અને મિત્ર ગોપાલ પર પણ અગાઉ હુમલા થઈ ચૂક્યા છે. અન્ય એક પીડિત યુવકની માતા ગુડ્ડીસિંહે રડતા-રડતા જણાવ્યું કે, મારા છોકરાને પણ પવનસિંગના પુત્રએ કિડનેપ કર્યો હતો અને ખૂબ માર માર્યો હતો. તેઓ વારંવાર ધમકી આપતા હતા કે જો પોલીસ કેસ કરશો તો જાનથી મારી નાખીશું. અમિત કોર્પોરેટરની ઓફિસમાં પવનસિંગ બેસે છે એટલે આ લોકો રાજકારણ રમી રહ્યા છે. લોહી આપવા ગયો અને પોતે જ લોહીલુહાણ થયોઆ કિસ્સો ખૂબ જ કરુણ છે કારણ કે આશિષ એક સામાજિક કાર્યમાં સહભાગી થવા ગયો હતો. રક્તદાન જેવા પવિત્ર કાર્યમાં જોડાઈને જ્યારે તે બહાર નીકળ્યો, ત્યારે તેની પાછળ મોત ભમતું હતું. હુમલાખોરોએ આશિષ પર એટલી ક્રૂરતાથી ઘા કર્યા હતા કે આસપાસના લોકો તેને બચાવવાની હિંમત પણ કરી શક્યા નહોતા. રસ્તા પર આશિષનું લોહી રેલાયું હતું, જે દ્રશ્યો જોઈને હોસ્પિટલે ઉમટેલા લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. પોલીસ કમિશનર કચેરીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનડિંડોલી અને ગોડાદરા વિસ્તારમાં પવનસિંગ અને તેના પુત્રના ત્રાસથી અનેક લોકો પરેશાન હોવાનું હવે સપાટી પર આવી રહ્યું છે. પોલીસ કમિશનર કચેરી ખાતે વિરોધ કરવા પહોંચેલી મહિલાઓએ માંગ કરી છે કે પવનસિંગનું નામ પણ એફઆઈઆરમાં દાખલ કરવું જોઈએ. જો પોલીસ નિષ્પક્ષ તપાસ નહીં કરે અને કોર્પોરેટરના માણસ હોવાને કારણે આરોપીઓને બચાવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. પોલીસ તપાસ અને આરોપીઓની શોધખોળહાલમાં પોલીસે આ મામલે તપાસ તેજ કરી છે. પ્રાથમિક તપાસમાં અભિષેકસિંગ (પવનસિંગનો પુત્ર), પવનસિંગ, આકાશસિંગ, ગણેશ પાંડે અને સતિષ મરાઠીની ભૂમિકા સામે આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવીને હુમલાખોરોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. જોકે, હજુ સુધી મુખ્ય આરોપી પવનસિંગ અને તેનો પુત્ર પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળ્યું છે. રાજકીય છત્રછાયાના કારણે ગુનેગારો બેફામ?પરિવારે જણાવ્યું છે કે, જો પવનસિંગ ખરેખર ભાજપના કોર્પોરેટર અમિત સિંગની ઓફિસમાં બેસતો હોય, તો શું તેની સામે કડક કાર્યવાહી થશે? સત્તાધારી પક્ષના કાર્યકર્તાઓ અને તેમના સંતાનો જ્યારે પોતે જ કાયદો હાથમાં લે છે, ત્યારે સામાન્ય જનતાની સુરક્ષા પર સવાલો ઊભા થાય છે. આશિષની હત્યાએ સુરતના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર સવાલિયા નિશાન લગાવી દીધું છે. પરિવારે આક્રંદ સાથે કહ્યુ-અમારા ઘરે ચૂલો નથી સળગ્યોઆશિષના મોતથી તેના પરિવાર પર આભ ફાટ્યું છે. નાની ઉંમરના બાળકો અને પરિવારની મહિલાઓ આઘાતમાં છે. આશિષની માતા અને અન્ય મહિલાઓએ જણાવ્યું કે, કાલથી અમારા ઘરે ચૂલો નથી સળગ્યો, બાળકોએ પાણી પણ નથી પીધું. જે યુવાન દીકરો રક્તદાન કરીને પુણ્ય કમાવવા ગયો હતો, તેનો મૃતદેહ જોઈને અમે કઈ રીતે જીવીશું? પવનસિંગના પુત્રએ અમારો આખો પરિવાર બરબાદ કરી દીધો.
ભાવનગર શહેરના કાળાનાળા, તખ્તેશ્વર તથા ગીતા ચોક જેવા વર્ષો જૂના હિન્દુ વસવાટ ધરાવતા વિસ્તારોમાં હાલ અશાંત ધારો અમલમાં હોવા છતાં કેટલાક તત્વો દ્વારા ખોટા નામે અથવા છળકપટથી મિલકતોના સોદા પાડવામાં આવતા હોવાની રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, સ્થાનિક રહીશો અને 'હિન્દુ હિત રક્ષા મંચ' દ્વારા તંત્રને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં શંકાસ્પદ ગતિવિધિઓ વધી છેશહેરના જુદા-જુદા વિસ્તારોના સ્થાનિક રહીશો અને 'હિન્દુ હિત રક્ષા મંચ' દ્વારા આજરોજ મદદનીશ કલેકટર પ્રતિભા દહીયાને રહીશો દ્વારા રજુઆત કરવામાં આવી હતી, જેમાં ગીતા ચોક, કાળાનાળા, કાળુભા રોડ, રાધા મંદિર અને વાઘાવાડી રોડ જેવા વિસ્તારોમાં આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સઓમાં કાર્ટન સ્ક્વેર, ટ્રેડ સેન્ટર, અંજનેય ફ્લેટ વગેરેમાં શંકાસ્પદ ગતિવિધિઓ વધી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, જમીન માફિયાઓ અને કેટલાક બિલ્ડરો હિન્દુઓની મિલકતો સસ્તા ભાવે પડાવી લેવા માટે કાવતરા કરી રહ્યા છે. બીજા લોકોના નામે મિલકતો ખરીદી પાછળથી કબજો મેળવે છેઅશાંત ધારાના કાયદાથી બચવા માટે અન્ય વ્યક્તિઓના નામે મિલકતો ખરીદી પાછળથી કબજો મેળવવામાં આવે છે તેમજ રાધા મંદિર જેવા પ્રાચીન અને ઐતિહાસિક મંદિરોની આસપાસના વિસ્તારોમાં પણ માથાભારે તત્વો દ્વારા મકાનો જોવા આવવાનું અને દબાણ ઉભું કરવાનું શરૂ કરાયું છે, ત્યારે હાદાનગર અને ગીતાચોક જેવા વિસ્તારોમાં રાત્રિના સમયે અસામાજિક તત્વોના જમેલા થતા હોવાથી મહિલાઓ અને બાળકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ સોસાયટીઓને અશાંત ધારા હેઠળ આવરી લેવા માગઆશ્ચર્યજનક રીતે આ સોદાઓમાં હિન્દુ સમાજના જ કેટલાક વ્યક્તિઓ વચેટિયા બનીને પોતાના જ સમાજને નુકસાન પહોંચાડી રહ્યા હોવાનો રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રહીશોએ માંગ કરી છે કે, હાદાનગર તેમજ સર્વોદય, સત્યનારાયણ અને સ્નેહમીલન જેવી સોસાયટીઓને સત્વરે અશાંત ધારા હેઠળ આવરી લેવામાં આવે એવી પણ માંગ કરવામાં આવી છે.
પાલનપુર નગરપાલિકાએ ઘરવેરા અને વ્યવસાય વેરાના બાકીદારો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. ચીફ ઓફિસર જીગરભાઈ પટેલની સૂચનાથી આશરે 500 મિલકત ધારકો અને વેપારીઓને નોટિસ પાઠવવામાં આવી છે. નગરપાલિકાએ બાકી વેરો નિર્ધારિત સમયમર્યાદામાં ભરવા તાકીદ કરી છે. જો સમયસર વેરો જમા નહીં કરાય, તો સંબંધિત મિલકતોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં પણ વેરા વસૂલાત માટેની ઝુંબેશ વધુ સઘન બનાવવાની તૈયારી દર્શાવવામાં આવી છે.
નવસારીમાં 41 મિલકતો સીલ:અવધ રેસિડેન્સીમાં વેરા વસૂલાત, 4 દિવસમાં 65 લાખની રિકવરી
નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા બાકી વેરાદારો સામે કડક કાર્યવાહીનો દોર યથાવત રાખવામાં આવ્યો છે. ઇટાળવા સ્થિત 'અવધ રેસિડેન્સી'માં 41 રહેણાક મિલકતોને સીલ કરવામાં આવી છે. પાલિકાએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો 24 કલાકમાં વેરો નહીં ભરાય તો વીજળી અને પાણીના કનેક્શન કાપવા સુધીના પગલાં લેવામાં આવશે. મિલકતધારકોને અગાઉ અનેકવાર નોટિસ પાઠવી વેરો ભરવા તાકીદ કરવામાં આવી હતી. તેમ છતાં, લાંબા સમયથી વેરો બાકી રાખનાર મિલકતધારકો સામે આજે કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી 41 મિલકતોને પેપર નોટિસ સાથે સીલ કરવામાં આવી છે. પાલિકાની આક્રમક કામગીરીને પગલે અનેક મિલકત માલિકોએ સ્થળ પર જ બાકી વેરાની ચુકવણી કરવાની તૈયારી દર્શાવી હતી. મળતી માહિતી મુજબ, છેલ્લા 4 દિવસમાં તંત્રએ કુલ 65 લાખ રૂપિયાની રોકડ રિકવરી મેળવી છે. આ કામગીરીને પરિણામે નવસારી મહાનગરપાલિકાની કુલ વેરા રિકવરીનો આંકડો 79% સુધી પહોંચી ગયો છે. મહાનગરપાલિકાએ આ મામલે કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે સીલ કરાયેલી મિલકતોને 24 કલાકની અંતિમ તક આપવામાં આવી છે. જો નિર્ધારિત સમયમાં વેરો નહીં ભરાય તો આગામી દિવસોમાં વીજળી કાપ, પાણી કનેક્શન અને ડ્રેનેજ કનેક્શન કાપવાની તજવીજ હાથ ધરાશે. વેરા વસૂલાતની કામગીરીમાં કોઈપણ પ્રકારની રાજકીય કે અન્ય ભલામણોને વશ થયા વગર કામગીરી ચાલુ રાખવામાં આવશે. નવસારી મહાનગરપાલિકાએ તમામ મિલકતધારકોને સમયસર વેરો ભરીને શહેરના વિકાસકાર્યોમાં સહભાગી બનવા અપીલ કરી છે. સીલિંગ જેવી કડક કાયદેસરની કાર્યવાહીથી બચવા માટે મિલકતધારકોએ પાલિકાના વેરા વિભાગનો સંપર્ક કરવા જણાવાયું છે.
જામનગર ગ્રામ્ય ડિવિઝન પોલીસે ગુનેગારો અને અસામાજિક તત્વો પર કડક કાર્યવાહી કરી છે. પોલીસે PGVCL ટીમ સાથે મળીને લિસ્ટેડ બુટલેગરો, હિસ્ટ્રીશીટરો અને ડ્રગ્સ પ્રવૃત્તિમાં સંડોવાયેલા શખ્સોના ઘરે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ ₹12.60 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગ્રામ્ય પોલીસ અધિક્ષકની સૂચના મુજબ, પંચ-એ, ધ્રોલ, જોડીયા, કાલાવડ ટાઉન અને કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ કાફલાએ PGVCLની ટીમને સાથે રાખીને 'સર્જિકલ સ્ટ્રાઈક' જેવી કાર્યવાહી કરી હતી. આ ઓપરેશન દરમિયાન કુલ 106 બુટલેગર, હિસ્ટ્રીશીટર અને ડ્રગ્સ માફિયાઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી. તેમાંથી 35 ગુના વીજ ચોરીના નોંધાયા હતા, જેમાં કુલ ₹12.60 લાખનો વીજ દંડ વસૂલવામાં આવ્યો. આ ઉપરાંત, પ્રોહિબિશન (દારૂ)ના ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ સૂત્રો અનુસાર, સામાન્ય રીતે ગુનેગારો જેલમાંથી છૂટ્યા પછી ફરી ગુનાખોરી તરફ વળતા હોય છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ગુનેગારોના આર્થિક નેટવર્ક પર પ્રહાર કરવાનો છે. દરોડા દરમિયાન અનેક નામચીન શખ્સોના ઘરે ડાયરેક્ટ વીજ લંગરિયા અને મીટર સાથેની ચેડાં પકડાયા હતા. પોલીસ સૂત્રએ જણાવ્યું હતું કે, ગુનેગારોમાં કાયદાનો ભય જળવાઈ રહે અને તેઓની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર આર્થિક રીતે પણ લગામ લાગે તે હેતુથી આ ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. અસામાજિક તત્વોને કડક ચેતવણી આપવામાં આવી છે કે આગામી સમયમાં પણ પોલીસ દ્વારા આ પ્રકારના આકરા પગલાં ચાલુ રાખવામાં આવશે.
PNG-LPG બંને હશે તો LPG સરેન્ડર કરવું પડશે રાજ્યમાં ગેસ પુરવઠાની સ્થિતિને જોતા સરકારનો નિર્ણય.. જો પીએનજી કનેક્શન એટલે કે ગેસ લાઈન અને એલપીજી બંને કનેક્શન હોય તો બુધવાર સુધીમાં એલપીજી સરેન્ડર કરાવવું પડશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગેસની અછત-કારખાના બંધ થતા શ્રમિકોનું પલાયન મોરબીમાં સિરામીકના 250 કારખાના બંધ થતા પરપ્રાંતીય શ્રમિકો પરિવાર સાથે વતન જવા નીકળ્યા.. વાંકાનેર રેલવે સ્ટેશન પર શ્રમિકોની ભીડ જોવા મળી. આ તરફ સુરતમાં પણ ગેસની અછતને કારણે શ્રમિકો તેમના વતન જવા રવાના થયા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચાર સગીરોએ ધો.10ના વિદ્યાર્થીને ચપ્પુ માર્યું સુરતના પાંડેસરામાં આર્મી ઈન્ટરનેશનલ સ્કૂલની બહાર ચાર સગીરોએ ધો.10માં ભણતા વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો કર્યો. ફંક્શનમાં ડાન્સ સમયે પગ વાગવાની વાતમાં હુમલો કર્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પ્રાથમિક શાળામાં હોબાળો, શિક્ષિકાની બદલી ગીર સોમનાથના ઉનાની ખાપટ સ્કૂલમાં 390 વિદ્યાર્થીઓએ શૈક્ષણિક કાર્યનો બહિષ્કાર કર્યો. સ્કૂલના શિક્ષિકાએ કરેલા દુર્વ્યવહાર અને વિદ્યાર્થિનીઓના ચરિત્ર પર કરેલા આક્ષેપોને પગલે વિદ્યાર્થીઓએ અને વાલીઓએ વિરોધ કર્યો હતો.આખરે શિક્ષિકાની બદલી કરી દેવામાં આવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઝઘડો શાંત કરવા પહોંચેલી પોલીસ પર હુમલો વડોદરામાં પારિવારિક ઝઘડો થાળે પાડવા પહોંચેલી પોલીસ પર હુમલાની ઘટના બની. દંપતીએ મારામારી કરી પથ્થરના છૂટ્ટા બ્લોક ફેંક્યા..જેમાં એલઆરડી જવાન અને ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સિઝનની પહેલી કેસર કેરીની આવક ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝનની પહેલી કેસર કેરીની આવક...આ વર્ષે કેરીની આવક 8 દિવસ વહેલી જોવા મળી.. પહેલા દિવસે 200 બોક્સની આવક થઈ. એક બોક્સનો ભાવ 5500 સુધી બોલાયો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હાટકેશ્વર બ્રિજની મંથર ગતિની કામગીરીથી વિરોધ અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી ધીમી ગતિએ ચાલતા સ્થાનિક વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ કર્યો.એટલું જ નહીં આગામી ચૂંટણીમાં પરિણામ ભોગવવા માટેની ચીમકી પણ ઉચ્ચારી છે. છેલ્લા 6 મહિનાથી બ્રિજને તોડવાની કામગીરી ચાલી રહી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પતિએ મિત્રો પાસે કરાવ્યું પત્ની પર દુષ્કર્મ સુરતના કાપોદ્રા વિસ્તારમાં પ્રેમલગ્ન કરનાર પરિણીતા સાથે પતિના મિત્રોએ સામુહિક દુષ્કર્મ આચર્યું. આ કુકર્મમાં પતિ પણ સામેલ હતો. .દારુના નશામાં પતિએ જ પરિણીતાને તેના મિત્રોના હવાલે કરી દીધી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કિંજલ રબારીએ વીડિયો પોસ્ટ કરી સ્પષ્ટતા કરી લોકગાયિકા કિંજલ રબારીએ પ્રેમ લગ્ન પર યુ ટર્ન લીધો. કિંજલે પોતે વીડિયો બનાવીને સ્પષ્ટતા કરી કે તે રાહ ભટકી ગઈ હતી, તે પોતાના પરિવાર સાથે જ રહેવા માગે છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નશામાં ધૂત કારચાલકે પાર્ક કારને ટક્કર મારી અમદાવાદના રબારી કોલોની વિસ્તારમાં નશામાં ધૂત કારચાલકે પાર્ક કરેલી કારને જોરદાર ટક્કર મારી. કારમાં બેઠેલા યુવકનો માંડ બચાવ થયો. કારના આગળના ભાગનો કુચ્ચો બોલાઈ ગયો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
દેશમાં ગેસ પુરવઠાની અછત વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ અને સરકારી અનાજ-કેરોસીન એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદી સુરતની મુલાકાતે પહોંચ્યા છે. તેમણે સુરત કલેક્ટર સાથે મુલાકાત કરી કેરોસીન વિતરણ વ્યવસ્થા અંગે ગંભીર ચર્ચાઓ કરી હતી. જોકે, આ મુલાકાત દરમિયાન તેમણે ગેસની તંગીને નકારી કાઢીને વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા, જેનાથી રાજકીય ગરમાવો આવી ગયો છે. ગેસની અછત એ 'માનવસર્જિત' આફત: પ્રહલાદ મોદીસુરત કલેક્ટર કચેરી ખાતે મીડિયા સાથેની વાતચીતમાં પ્રહલાદ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, 'દેશમાં હાલ જે સ્થિતિ સર્જાઈ છે તે માત્ર માનવસર્જિત છે. ગેસની કોઈ જ અછત નથી.' તેમણે દાવો કર્યો હતો કે ગેસ બુકિંગના આંકડાઓમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે અને ટૂંક સમયમાં જ પરિસ્થિતિ સામાન્ય થઈ જશે. તેમના મતે, લોકોના મનમાંથી જ્યારે તંગીનો ડર નીકળી જશે, ત્યારે આ સમસ્યા આપોઆપ ઉકેલાઈ જશે. વિપક્ષનું 'અરાજકતા ફેલાવવાનું ષડયંત્ર'પ્રહલાદ મોદીએ ગેસ અને અનાજની અછત મુદ્દે હોબાળો મચાવતા વિપક્ષી દળોને આડે હાથ લીધા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે, વિરોધ પક્ષે દેશની અંદર અરાજકતા ફેલાવવા માટે આ કૃત્રિમ હોબાળો ઊભો કર્યો છે. વાસ્તવમાં જનતાને કોઈ તકલીફ છે જ નહીં. તેમણે ઉમેર્યું હતું કે વિપક્ષ માત્ર જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યો છે, જ્યારે સરકાર પાસે તમામ પ્રકારના પુરવઠાનું પર્યાપ્ત આયોજન છે. ત્રણ વર્ષ બાદ કેરોસીન વિતરણની હિલચાલરાજ્યમાં લાંબા સમયથી બંધ પડેલી કેરોસીન વિતરણ વ્યવસ્થા ફરી શરૂ થાય તેવા સંકેતો પ્રહલાદ મોદીએ આપ્યા છે. તેમણે જણાવ્યું કે, સરકાર દ્વારા નવી પોલિસી બનાવવામાં આવી રહી છે, જેમાં ત્રણ વર્ષ બાદ ફરીથી કેરોસીન વિતરણમાં મુકાશે. આ માટે તેઓ વડોદરા અને સુરતમાં અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. સરકાર ઈચ્છે છે કે લોકો ગેસની ચિંતા છોડે, આ (ગેસ) નથી તો આ (કેરોસીન) છે, તેવા અભિગમ સાથે જનતાને ભૂખ્યા ન રાખવાની ખાતરી આપવામાં આવી રહી છે. શ્રમજીવીઓના પલાયન પર સૂચક નિવેદનસુરતમાંથી શ્રમજીવીઓ વતન તરફ જઈ રહ્યા છે તેવા પ્રશ્ન પર પ્રહલાદ મોદીએ તેને માનવ સ્વભાવ ગણાવ્યો હતો. તેમણે કોરોનાકાળનું ઉદાહરણ આપતા કહ્યું કે, કોરોના વખતે પણ આપણે અહીં જ રહ્યા હતા, કોઈ ભૂખ્યું મર્યું નથી. પરંતુ શ્રમજીવી વર્ગની માનસિકતા હોય છે કે સહેજ પણ તકલીફ દેખાય એટલે તેમને વતન યાદ આવી જાય છે. તેમણે કામદારોના પલાયનને ગંભીર સમસ્યા માનવાને બદલે એક સામાન્ય પ્રતિક્રિયા ગણાવી હતી. કેરોસીન સપ્લાયની ગેરંટી માટે સરકાર સામે શરતએસોસિએશનના પ્રમુખ તરીકે પ્રહલાદ મોદીએ વેપારીઓના હિતની વાત પણ કરી હતી. તેમણે કહ્યું કે, જો સરકાર અમને લાંબા ગાળા માટે કેરોસીન સપ્લાયની ગેરંટી આપે, તો જ અમે નવા બેરલ અને સાધન-સામગ્રીની ખરીદીની તૈયારી કરી શકીએ. જો સરકાર ગેરંટી ન આપે, તો સ્ટોરેજની વ્યવસ્થા સરકારે કરી આપવી જોઈએ. આ અંગે તેઓ ટૂંક સમયમાં સરકાર સાથે ઉચ્ચ સ્તરીય વાટાઘાટો પણ કરવાના છે. કલેક્ટર સાથેની મુલાકાત અને ભવિષ્યનું આયોજનપ્રહલાદ મોદીએ સુરત કલેક્ટર સાથેની બેઠકમાં કેરોસીન ક્યારે અને કેવી રીતે મળશે તે અંગેની વિગતવાર રજૂઆત કરી હતી. હાલમાં જે જથ્થો ફાળવવામાં આવ્યો છે તેને તેમણે પર્યાપ્ત ગણાવ્યો છે. આગામી દિવસોમાં વિતરણ વ્યવસ્થા વધુ સુદ્રઢ બને તે માટે તેઓ સતત સરકારી તંત્રના સંપર્કમાં છે. જોકે, તેમના ગેસની અછત ન હોવાના નિવેદને સુરતના સામાન્ય મધ્યમવર્ગીય પરિવારોમાં ચર્ચા જગાવી છે.
નવસારીમાં રાંધણ ગેસની અછતની વાતો અફવા:પુરવઠા વિભાગે એજન્સીવાર આંકડા જાહેર કર્યા, ગૃહિણીઓને રાહત
નવસારી જિલ્લામાં ઘરેલુ ગેસ સિલિન્ડરની અછત અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જોકે, જિલ્લા પુરવઠા વિભાગે આ મામલે સ્પષ્ટતા કરી છે કે જિલ્લામાં ગેસની કોઈ તંગી નથી. પુરવઠા અધિકારીએ ગ્રાહકોને ભ્રામક વાતોથી દૂર રહેવા અને નિશ્ચિંત રહેવા અપીલ કરી છે. જિલ્લા પુરવઠા અધિકારી ડો. કે.પી. પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં કાર્યરત તમામ ગેસ એજન્સીઓ પાસે બુકિંગની સામે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ફેલાવવામાં આવતી અછતની વાતો પાયાવિહોણી છે. વહીવટી તંત્ર દ્વારા ગેસ વિતરણ વ્યવસ્થા પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. પુરવઠા વિભાગ દ્વારા નવસારી જિલ્લાની વિવિધ એજન્સીઓમાં પ્રતિદિન ગેસ સિલિન્ડરની ઉપલબ્ધતાના સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડાઓ દર્શાવે છે કે ગ્રાહકો માટે પૂરતા સિલિન્ડર ઉપલબ્ધ છે. ઇન્ડિયન ગેસ એજન્સીઓ દ્વારા પ્રતિદિન ઉપલબ્ધ રાંધણગેસ સિલિન્ડરની સંખ્યા નીચે મુજબ છે: અષ્ટગામ ઇન્ડિયન ગેસ એજન્સી: 24, ફડવેલ ઇન્ડિયન ગેસ એજન્સી: 25, કેવલવ્યા ગેસ એજન્સી: 69, ખેરગામ ઇન્ડિયન ગેસ એજન્સી: 5, મહુવર ઇન્ડિયન ગેસ એજન્સી: 25, રામદૂત ઇન્ડિયન ગ્રામીણ વિતરક: 99, ટાંકલ ગેસ એજન્સી: 6. અન્ય એજન્સીઓ જેવી કે જુમર ગેસ સર્વિસ પાસે 306, ભારત ગેસ એજન્સી પાસે 220, ક્રિષ્ના ગેસ પોઇન્ટ પાસે 331, પાડી વાલા ગેસ સર્વિસ પાસે 77, આર એન દેસાઈ પાસે 921, આર એન દેસાઈ નવસારી પાસે 388 અને ત્રિદેવ ગેસ એજન્સી પાસે 358 સિલિન્ડર ઉપલબ્ધ છે. આ ઉપરાંત, ફાલ્કન ગેસ એજન્સી પાસે 268, ગુંજન ગેસ એજન્સી પાસે 801, પ્રેમાભાઈ દુર્લભભાઈ મિસ્ત્રી પાસે 492, અંબે ગેસ એજન્સી પાસે 132, શ્રીનાથ ગેસ એજન્સી પાસે 73, મેહુલ ગેસ એજન્સી પાસે 736 અને નવસારી ગેસ એજન્સી પાસે 380 સિલિન્ડર પ્રતિદિન વિતરણ માટે ઉપલબ્ધ રહે છે. વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલા આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે જિલ્લામાં ગેસની સપ્લાય ચેઈન મજબૂત છે. ગ્રાહકોએ ગભરાવાની કે સંગ્રહખોરી કરવાની કોઈ જરૂર નથી.
ગોધરા નગરપાલિકાના પ્રમુખ જયેશ ચૌહાણે પોતાની અઢી વર્ષની ટર્મના અંતિમ દિવસે શહેરના વિકાસ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે ભુરાવાવ વિસ્તારના વર્ષોથી પડતર મુખ્ય રસ્તાઓની સમસ્યાનો ઉકેલ લાવતા કરોડોના ખર્ચે નવા રસ્તા બનાવવાની મંજૂરી આપી છે. આ યોજના હેઠળ, ગણેશનગરથી નાલંદા સ્કૂલ અને મહાદેવ રોડ સુધીના લાંબા રસ્તા માટે કુલ 1 કરોડ 61 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ કામગીરી ત્રણ અલગ-અલગ તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત, તત્વ નમકીનથી આયુષી જનરલ સ્ટોર સુધીનો બિસ્માર રસ્તો પણ 18 લાખ રૂપિયાના ખર્ચે નવો બનાવવામાં આવશે. આ બંને રસ્તાઓ માટેની ટેન્ડર પ્રક્રિયા આજથી જ શરૂ કરી દેવામાં આવી છે. ટેન્ડર આવતીકાલે પ્રસિદ્ધ થશે અને આગામી 21 દિવસની પ્રક્રિયા બાદ યુદ્ધના ધોરણે રસ્તાનું કામ શરૂ કરવામાં આવશે. પ્રમુખે નગરજનો અને ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રમુખે જણાવ્યું હતું કે, અમે નગરજનોને ખાતરી આપી હતી કે અમારા શાસન દરમિયાન આ રસ્તાઓનું કામ પૂર્ણ કરીશું. આજે તેની મંજૂરી અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને અમે અમારું વચન નિભાવ્યું છે. આગામી ચૂંટણી પહેલા આ બંને રસ્તાઓ સંપૂર્ણપણે તૈયાર થઈ જશે. આ વિકાસકાર્યોની જાહેરાતથી ભુરાવાવ વિસ્તારના રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ જાહેરાત નગરપાલિકાના તમામ કોર્પોરેટરો અને સ્ટાફની હાજરીમાં કરવામાં આવી હતી.
ઉકાઈ મત્સ્યોદ્યોગ કચેરીમાં ACBનો સપાટો:સબસીડીના બદલામાં લાંચ લેતા અધિકારી રંગેહાથ ઝડપાયો
તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલી મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરીમાં ફરજ બજાવતા મદદનીશ મત્સ્યોદ્યોગ અધિક્ષક તેજસ રમેશભાઈ ચૌધરીને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ ₹6,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. આ અધિકારી કેન્દ્ર સરકારની 'પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના' હેઠળ માછીમારોને મળતી સબસીડીના બદલામાં લાંચ લેતો હતો. ACBને ગુપ્ત માહિતી મળી હતી કે ઉકાઈ સ્થિત મત્સ્યોદ્યોગ કચેરીમાં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત લાભાર્થીઓને બાઈક તથા ઇન્સ્યુલેટેડ બોક્સ ખરીદવા માટે મળતી સબસીડીના અવેજમાં અધિકારીઓ દ્વારા રૂ.5,000 થી રૂ.8000 સુધીની લાંચ ઉઘરાવવામાં આવે છે. આ માહિતીની ખરાઈ કરવા માટે ACBએ એક જાગૃત નાગરિકનો સહકાર મેળવી છટકું ગોઠવ્યું હતું. આરોપી તેજસ ચૌધરીએ યોજના હેઠળ પસંદગી પામેલા લાભાર્થી પાસેથી ખરીદેલ સાધનોની સબસીડી મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરવાની પ્રક્રિયાના બદલામાં રૂ.6,000ની માંગણી કરી હતી. આજે ઉકાઈ ખાતેની કચેરીમાં જ જ્યારે આરોપીએ આ રકમ સ્વીકારી, ત્યારે પૂર્વ આયોજિત પ્લાન મુજબ ACBના PI કે.જે. ધડુક અને તેમની ટીમે દરોડો પાડી આરોપીને લાંચની રકમ સાથે ઝડપી લીધો હતો. ACB એ સ્થળ પરથી લાંચની રકમ રિકવર કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઓપરેશન ACB સુરત એકમના મદદનીશ નિયામક આર.આર. ચૌધરીના સુપરવિઝન હેઠળ અને ACB વડોદરાના નાયબ નિયામક બળદેવ દેસાઈ (IPS) ના માર્ગદર્શનમાં પાર પાડવામાં આવ્યું હતું.
યુદ્ધના કારણે સર્જાયેલી વૈશ્વિક ઉર્જા કટોકટી અને સંભવિત ગેસ અછતની સ્થિતિને પહોંચી વળવા સુરત જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. સુરત જિલ્લા કલેક્ટર સૌરભ પારઘીએ સોમવારે કલેક્ટર કચેરી ખાતે એક ઉચ્ચસ્તરીય સંકલન બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, શહેરમાં પાઈપ્ડ નેચરલ ગેસ (PNG)ના જેટલા પણ કનેક્શન વહીવટી મંજૂરીના કારણે અટવાયેલા છે, તેને આગામી 7 દિવસમાં પૂર્ણ કરવામાં આવે. ખાસ કરીને 200 જેટલી અરજીઓ જે લાંબા સમયથી પેન્ડિંગ છે તેને પ્રાથમિકતા આપવા સૂચના અપાઈ છે. 7 દિવસમાં 200 કનેક્શનને મંજૂરીકલેક્ટર સૌરભ પારઘીએ જણાવ્યું હતું કે, અમારી પાસે હાલમાં અંદાજે 200 જેટલી અરજીઓ પાઈપલાઈન ગેસ માટે પેન્ડિંગ છે. આ અરજીઓમાં મોટાભાગે ઔદ્યોગિક એકમો, હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ એવા એકમો છે જ્યાં ગેસની જરૂરિયાત અનિવાર્ય છે. અમે આ તમામ પેન્ડિંગ એપ્લિકેશન્સનો નિકાલ માત્ર એક અઠવાડિયામાં (7 દિવસમાં) કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. આ નિર્ણયથી શહેરના વેપાર-ઉદ્યોગ અને આરોગ્ય ક્ષેત્રને મોટી રાહત મળશે. મંજૂરીના અવરોધો દૂર કરવા સંકલન બેઠકઘણી વખત નેશનલ હાઇવે ઓથોરિટી (NHAI) અથવા માર્ગ અને મકાન વિભાગ (RB) ની પરમિશનના કારણે ગેસ લાઇન નાખવાની કામગીરીમાં વિલંબ થતો હોય છે. આ પ્રશ્નોના નિરાકરણ માટે બેઠકમાં ગુજરાત ગેસ કંપની, SMC અને અન્ય અમલીકરણ એજન્સીઓના અધિકારીઓને હાજર રખાયા હતા. કલેક્ટરે આદેશ આપ્યો છે કે આંતર-વિભાગીય સંકલન સાધીને કોઈ પણ પ્રકારના NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) ના કારણે કામ અટકવું જોઈએ નહીં. ગેસના કાળાબજાર સામે પોલીસ અને પુરવઠા વિભાગની સંયુક્ત તપાસએલપીજી (LPG) સિલિન્ડરના બ્લેક માર્કેટિંગ સામે પણ તંત્ર કડક બન્યું છે. કલેક્ટરે જણાવ્યું કે, બ્લેક માર્કેટિંગ અટકાવવા માટે અમે ખાસ ટીમો બનાવી છે. પોલીસ અને પુરવઠા વિભાગ સંયુક્ત રીતે આકસ્મિક તપાસ કરી રહ્યા છે. જો કોઈ ગેસ એજન્સી કે ડિલર ગેરરીતિ કરતા ઝડપાશે તો તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. તંત્રનો હેતુ સામાન્ય નાગરિકોને છેવાડા સુધી ગેસનો પુરવઠો મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. ગ્રાહકો સીધી ફરિયાદ કરી શકશેનાગરિકોની સુવિધા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક ખાસ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. જો કોઈ ગ્રાહકને ગેસ વિતરણમાં સમસ્યા હોય, કનેક્શન મેળવવામાં મુશ્કેલી પડતી હોય અથવા કાળાબજારની કોઈ માહિતી હોય, તો તેઓ આ નંબર પર ફરિયાદ નોંધાવી શકશે. કલેક્ટરે ખાતરી આપી છે કે આ હેલ્પલાઇન પર આવતી ફરિયાદોનું ત્વરિત નિરાકરણ લાવવા માટે ટીમોને સજ્જ કરવામાં આવી છે. રાજ્ય અને કેન્દ્રની સૂચનાઓનું પાલનવૈશ્વિક યુદ્ધની સ્થિતિને જોતા ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ સુરતમાં 'ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સ'ની રચના કરવામાં આવી છે. આ ફોર્સ આવશ્યક સેવાઓના રેશનાલાઈઝેશન (વ્યાજબી વહેંચણી) માટે કામ કરશે. કલેક્ટરે ઉમેર્યું કે, અમારો મુખ્ય હેતુ એલપીજી સિલિન્ડર પરનું ભારણ ઘટાડવાનો છે. જેટલા વધુ કનેક્શન PNGમાં કન્વર્ટ થશે એટલી જ ગેસની વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે. નાગરિકોને પેનિક ન થવા અપીલઅંતમાં કલેક્ટરે ગ્રાહકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, ઘરગથ્થુ એલપીજી વપરાશકર્તાઓ, હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ માટે ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. પુરવઠામાં કોઈ સમસ્યા નથી. તેમણે નાગરિકોને વિનંતી કરી કે જરૂરિયાત કરતા વધારે ગેસ સંગ્રહ કરવાની કે ગભરાવાની જરૂર નથી, કારણ કે પેનિકના કારણે બજારમાં કૃત્રિમ અછત સર્જાવાની શક્યતા રહે છે. LPG માટે રાજ્ય હેલ્પલાઇન નંબર 1800-232-0222, રાજ્યમાં LPG અંગેના કોઈ પ્રશ્ન માટે નાગરિકોને રાજ્ય હેલ્પલાઇન નંબર 1800-232-0222નો સંપર્ક કરવાનું જણાવવામાં આવ્યું છે.
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
છેલ્લા 10 વર્ષથી ચાલી રહેલા ચર્ચિત દલિતકાંડ કેસમાં આજે, 16 માર્ચ 2026ના રોજ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો છે. લાંબી કાનૂની પ્રક્રિયા બાદ અદાલતે આ કેસમાં 5 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે, જ્યારે અન્ય આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. 2016ની 11 જુલાઈએ ઉનાના સમઢીયાળા ગામે કથિત ગૌરક્ષકો દ્વારા 4 અનુસૂચિત જાતિના યુવાનોને માર માર્યો હતો અને અર્ધનગ્ન કરીને ઝાયલો ગાડી પાછળ બાંધી ઉનામાં જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. FIR અને લાંબી કાનૂની લડતજિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ ચુકાદા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, કેસની શરૂઆતમાં નોંધાયેલી FIRમાં અનેક આરોપીઓના નામ સામેલ હતા. જોકે, 1 દાયકા સુધી ચાલેલી કોર્ટ કાર્યવાહી, સાક્ષીઓની જુબાની અને રજૂ કરાયેલા પુરાવાઓને આધારે કોર્ટે 5 શખસને ગુનામાં સંડોવાયેલા ગણી દોષિત જાહેર કર્યા છે. દોષિત ઠરેલા આરોપીઓની યાદી સજા પર દલીલો આવતીકાલેકોર્ટે આરોપીઓને દોષિત જાહેર કર્યા છે, પરંતુ તેમને કેટલી સજા થશે તે અંગેનો નિર્ણય હાલ મોકૂફ રાખવામાં આવ્યો છે. અદાલતના જણાવ્યા અનુસાર, આવતીકાલે 17 માર્ચ 2026ના રોજ બચાવ પક્ષ અને સરકારી પક્ષના વકીલો સજાની અવધિ અંગે આખરી દલીલો કરશે. આ દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટ પોતાનો અંતિમ ફેંસલો સંભળાવશે. અન્ય આરોપીઓ નિર્દોષ મુક્તઆ કેસમાં સામેલ અન્ય તમામ આરોપીઓ વિરુદ્ધ પૂરતા પુરાવા ન મળતા કોર્ટે તેમને નિર્દોષ જાહેર કરી છોડી મૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, 10 વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા આ સંવેદનશીલ કેસ પર સ્થાનિક લોકો અને વિવિધ સામાજિક સંગઠનોની નજર હતી. આવતીકાલે સજાની જાહેરાત સાથે જ આ લાંબી કાનૂની લડતનો અંતિમ પડાવ પૂર્ણ થશે.
દિવ્ય ભાસ્કર એપ અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
કંચન પ્રોજેક્ટ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો:ભરૂચની નારાયણ અરીના સોસાયટીમાં નાગરિકોને માહિતી અપાઈ
ભરૂચના શ્રવણ ચોકડી નજીક આવેલી નારાયણ અરીના સોસાયટી ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'કંચન' પ્રોજેક્ટ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સોસાયટીના રહેવાસીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન, નાગરિકોને ઘરેલુ ભીના કચરામાંથી જૈવિક ખાતર (કમ્પોસ્ટ) બનાવવાની સરળ અને અસરકારક પદ્ધતિ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. રસોડામાંથી નીકળતા ભીના કચરાનો યોગ્ય ઉપયોગ કરીને ગુણવત્તાસભર ખાતર કેવી રીતે તૈયાર કરી શકાય તેનું પ્રત્યક્ષ નિદર્શન પણ કરાયું હતું. આ પ્રસંગે સેજલ કાપડિયાએ જણાવ્યું હતું કે, જો દરેક નાગરિક પોતાના ઘરના સ્તરે જ કચરાનું વિભાજન અને યોગ્ય સંચાલન શરૂ કરે, તો શહેરને સ્વચ્છ અને પર્યાવરણને સુરક્ષિત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકાય છે. તેમણે ઉમેર્યું કે 'કંચન' પ્રોજેક્ટનો મુખ્ય હેતુ કચરાને સંપત્તિમાં પરિવર્તિત કરી પર્યાવરણનું સંરક્ષણ કરવાનો છે. કાર્યક્રમના અંતે, નાગરિકોને 'કંચન' પ્રોજેક્ટમાં જોડાઈ ઘરેલુ કચરાનું સંચાલન કરવા અને સ્વચ્છતા તથા પર્યાવરણ જાળવણીમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી હતી.
સુરતની 22 વર્ષીય પેરા બેડમિન્ટન ખેલાડી અનિશાકુમારી અરુણકુમાર મહતોએ હૈદરાબાદ ખાતે 6 થી 10 માર્ચ 2026 દરમિયાન યોજાયેલી 7મી નેશનલ પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપ-2026માં કાંસ્ય પદક (બ્રોન્ઝ મેડલ) મેળવીને સુરત અને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. માત્ર 4 વર્ષની ઉંમરે એક અકસ્માતમાં જમણો પગ ગુમાવનાર અનિશાએ પોતાની શારીરિક મર્યાદાને ક્યારેય આડે આવવા દીધી નથી. એક વર્ષનો સંઘર્ષ અને મોટી સિદ્ધિઅનિશાએ બેડમિન્ટનની વ્યવસ્થિત તાલીમ વર્ષ 2025માં જ શરૂ કરી હતી. ટૂંકા ગાળામાં રાષ્ટ્રીય સ્તરે પદક જીતવો એ તેની સખત મહેનત અને દ્રઢ નિશ્ચયનું પરિણામ છે. તે હાલ કોચ રાહુલ મહેતા અને મનન પટેલના માર્ગદર્શન હેઠળ દરરોજ 2 કલાક સઘન પ્રેક્ટિસ કરે છે. રમતમાં આટલી ઊંચાઈ હાંસલ કરવા છતાં તે શિક્ષણને પણ એટલું જ મહત્વ આપે છે અને અભ્યાસ તેમજ રમત વચ્ચે સચોટ સંતુલન જાળવી રહી છે. ડાયેટ અને ફિઝિકલ ટ્રેનિંગ પર ભારમેદાન પર પ્રભુત્વ મેળવવા માટે અનિશા માત્ર રેકેટ પકડવા પૂરતી સીમિત નથી. તે દોડ જેવી ફિઝિકલ ટ્રેનિંગ અને પ્રોપર ડાયેટ પ્લાન પર પણ ખાસ ધ્યાન આપે છે. તેની આ સફળતા બદલ પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાતના મેનેજર ગૌરવ પરીખ અને પેરા સ્પોર્ટ્સ એસોસિએશન-સુરતના મેનેજર આનંદ શાહે તેને અભિનંદન પાઠવ્યા હતા. લક્ષ્ય હવે ઓલિમ્પિક ગોલ્ડઅનિશાનું હવે પછીનું લક્ષ્ય ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ગોલ્ડ મેડલ જીતવાનું છે. તેની આ સફર અનેક યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત બની છે. તે માને છે કે જો સંકલ્પ મજબૂત હોય તો કોઈપણ પડકારને તકમાં ફેરવી શકાય છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવામાં આવી રહેલી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાના છેલ્લા પેપરની પરીક્ષા યોજાઈ હતી. બાયોલોજીના પેપર સાથે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ છે. લાંબા સમયથી ચાલી રહેલી પરીક્ષાના અંતિમ પેપર હોવાથી વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી. પરીક્ષામાં તમામ પેપર સરળ પૂછાયા અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થતા વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, વેકેશનના બદલે વિદ્યાર્થીઓ આગામી પરીક્ષાની તૈયારીઓમાં લાગી જવાના છે. મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે નીટ સહિતની પરીક્ષાઓની તૈયારીઓ પણ વિદ્યાર્થીઓ શરૂ કરી દીધી છે. અંતિમ પેપરના દિવસે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાના અંતિમ પેપરના દિવસે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદ સહિત રાજ્યભરના પરીક્ષા કેન્દ્રોમાં શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે પરીક્ષા યોજાઈ હતી. પરીક્ષાના અંતિમ દિવસે બાયોલોજીનું પેપર આપવા આવેલા વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો બહાર પર વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. ફિઝિક્સ અને કેમિસ્ટ્રી જેવા મહત્વના વિષયોના પેપર સરળ પૂછાયા હતા. જેના કારણે તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે પેપર સોલ્વ કરવું સરળ બન્યું હતું. બોર્ડની પરીક્ષાઓ દરમિયાન પણ મોટાભાગના કેન્દ્રોમાં શાંતિપૂર્ણ માહોલ રહ્યો હતો. મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે NEET મહત્વપૂર્ણ ગણાયલાંબા સમયથી પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત રહેલા વિદ્યાર્થીઓ માટે હવે થોડી માનસિક રાહત મળી છે. જોકે, ઘણા વિદ્યાર્થીઓ માટે વેકેશન જેવી સ્થિતિ નથી. ખાસ કરીને મેડિકલ અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં આગળ અભ્યાસ કરવાની ઇચ્છા ધરાવતા વિદ્યાર્થીઓ હવે આગામી પરીક્ષાની તૈયારીમાં લાગી જવાના છે. મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે NEET મહત્વપૂર્ણ ગણાય છે. જેથી બોર્ડની પરીક્ષા પૂર્ણ થતાં જ અનેક વિદ્યાર્થીઓ NEETની તૈયારી શરૂ કરી દેવાના છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ મેડિકલ કોલેજમાં એડમિશન મળે તેવી અપેક્ષા રાખી રહ્યા છે. એક-બે દિવસનો બ્રેક લઈને ફરીથી તૈયારીઓ શરૂ કરી દઈશુંવિદ્યાર્થી આદિત્ય શાહે જણાવ્યું હતું કે, પરીક્ષા પૂર્ણ થતા ઘણું બધું ટેન્શન દૂર થશે પરંતુ, નીટની પરીક્ષાઓ માટેની પણ શરૂ કરી દીધી છે. એક-બે દિવસનો બ્રેક લઈને ફરીથી તૈયારીઓ શરૂ કરી દઈશું. છેલ્લા ઘણા સમયથી તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. જોકે હવે મોક ટેસ્ટ ના આધારે જેમાં ભૂલ થઈ રહી છે તે સુધારવાનો પ્રયાસ કરીશું. વિદ્યાર્થીની હેલી શાહે જણાવ્યું હતું કે, આ વખતે ફિઝિક્સનું પેપર થોડું સરળ હતું, કેમેસ્ટ્રીના MCQ થોડા અઘરા પૂછાયા હતા. છેલ્લી પરીક્ષા હોવાથી તેનું એક્સાઈટમેન્ટ વધારે છે. પરંતુ હવે આગામી પરીક્ષાઓની તૈયારીઓ પણ શરૂ કરી દઈશું. MCQની તૈયારીઓ સાથે-સાથે પણ કરી છે. બોર્ડની પરીક્ષા પૂર્ણ થતા અડધું ટેન્શન દૂર થયું છે પરંતુ, કોલેજમાં એડમિશન મેળવવા માટે આગામી પરીક્ષાઓ પણ મહત્વની રહેવાની છે. મેડિકલ અથવા પેરા મેડિકલ ફિલ્ડમાં જવાનો વિચાર છે જેથી તે પ્રમાણેની તૈયારીઓ પણ કરી છે. આગામી પરીક્ષાઓની તૈયારીને લઈને પણ થોડું ટેન્શન રહેવાનું છેવિદ્યાર્થીની પ્રાપ્તિ મોદીએ જણાવ્યું હતું, તમામ પેપર સરળ પૂછાતા પરીક્ષા સારી ગઈ છે તેમજ ગુજકેટની પરીક્ષા માટેની તૈયારી પણ શરૂ કરી દીધી છે. થોડું ટેન્શન દૂર થશે પરંતુ આગામી પરીક્ષાઓની તૈયારીને લઈને પણ થોડું ટેન્શન રહેવાનું છે. નીટમાં જો સારા માર્ક આવી જાય તો મેડિકલ ફિલ્ડમાં જવા નહીં ઈચ્છા છે. નહિતર પછી ફાર્મસી કરવાનો વિચાર કર્યો છે.
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી નવી સિવિલ હોસ્પિટલ ખાતે માનવતાના અભિગમ સાથે એક વિશેષ સેવાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આ સેવાકાર્ય શરૂ કરાયું છે, જેનો મુખ્ય હેતુ સ્વજન ગુમાવનાર પરિવારજનોને મુશ્કેલ સમયમાં મદદરૂપ થવાનો છે. નિઃશુલ્ક કફન અને કોફિન બોક્સની સુવિધાનવી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે સ્વ. મંજુલાબેન રમેશચંદ્ર પટેલના સ્મરણાર્થે આ પ્રવૃત્તિ વેગવંતી બની છે. શહેર સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ, ફોસ્ટા પ્રમુખ કૈલાશ હકીમ, પૂર્વ ઉપાધ્યક્ષ છોટુભાઈ પાટીલ તથા પૂર્વ નગરસેવક દિનેશ રાજપુરોહિતના વિશેષ સહયોગથી હવે મૃતદેહ માટે જરૂરી કફન, પ્લાસ્ટિક અને અન્ય સામગ્રી વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. સૌથી મહત્વની બાબત એ છે કે, જો કોઈ મૃતદેહને વિમાન કે ટ્રેન મારફતે વતન લઈ જવાનો હોય, તો તેના માટે જરૂરી મોંઘા 'સ્પેશિયલ કોફિન બોક્સ' પણ હવેથી મફત ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત, જે પરિવારો અંગદાનનો ઉમદા નિર્ણય લે છે, તેમના સ્વજનના દેહને પણ સન્માનજનક વિદાય આપવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પરિવારજનો માટે ચા-પાણી અને કર્મચારીઓનું સન્માનમાત્ર અંતિમ વિધિની સામગ્રી જ નહીં, પરંતુ પોસ્ટમોર્ટમ રૂમની બહાર કલાકો સુધી રાહ જોતા પરિવારજનોની સુવિધા માટે નિઃશુલ્ક ચા-પાણીની વ્યવસ્થા પણ કાર્યરત કરવામાં આવી છે. આ પ્રસંગે હોસ્પિટલના સફાઈકર્મીઓના સમર્પણને બિરદાવવા માટે તેઓને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડો. ધારિત્રી પરમાર, ટી.બી. વિભાગના વડા ડો. પારૂલ વડગામા સહિત ઈકબાલ કડીવાલા, ડો. કેતન નાયક અને નર્સિંગ એસોસિએશનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સ્માર્ટ સિટી સુરતમાં સફાઈ પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે પરંતુ, વાસ્તવિકતા કંઈક અલગ જ હોવાનું સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ સુરત મહાનગરપાલિકાની મિકેનિકલ સ્વીપિંગ કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. 15 માર્ચ, 2026ની રાત્રે મોટા વરાછા વિસ્તારમાં સફાઈ કરી રહેલા સ્વીપર મશીનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં મશીન સફાઈ કરવાને બદલે રોડ પર ગંદકી ફેલાવતું જોઈ શકાય છે. મશીન રોડ પરનો કચરો ઉપાડવાને બદલે તેને હવામાં ઉડાડી રહ્યું છેવીડિયોમાં જોવા મળે છે કે, રાત્રિના અંદાજે 11:26 વાગ્યે મોટા વરાછામાં SMCનું સ્વીપર મશીન નંબર GJ 05 GV 2796 કામ કરી રહ્યું હતું. જોકે, આ મશીન રોડ પરનો કચરો ઉપાડવાને બદલે તેને હવામાં ઉડાડી રહ્યું છે અને રોડની સાઈડમાં કચરાનો ઢગલો કરી રહ્યું છે. સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે સુરતીઓના ટેક્સના 265 કરોડ રૂપિયા આ 16 મશીનો પાછળ ખર્ચવામાં આવ્યા છે, પરંતુ આ મશીનો ખરેખર સફાઈ કરે છે કે પછી માત્ર ગંદકી કરી રહ્યું છે. સુરતીઓના પરસેવાની કમાણીનો ધુમાડોવીડિયો ઉતારનાર વ્યક્તિએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, 21 કરોડના એક એવા 16 મશીનો પાછળ કુલ 265 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ સુરતીઓના પરસેવાની કમાણી છે. સફાઈના નામે આ મશીનો માત્ર રોડ પર ગંદકી કરી રહ્યા છે. જે કચરો મશીને અંદર ખેંચવો જોઈએ, તે રોડની સાઈડમાં એમ જ પડ્યો છે. સુરત શહેર સફાઈમાં પ્રથમ ક્રમે આવવા માટે સતત પ્રયત્નો કરી રહ્યું છે, ત્યારે ગ્રાઉન્ડ લેવલ પર આવી બેદરકારી તંત્રની પોલ ખોલે છે. જો મિકેનિકલ સ્વીપર મશીનો આ રીતે જ કામ કરશે, તો શહેરના રસ્તાઓ ક્યારેય સ્વચ્છ થઈ શકશે નહીં. શું આ મશીનોના મેન્ટેનન્સમાં ખામી છે? કે પછી ઓપરેટરો દ્વારા જાણીજોઈને આવી બેદરકારી દાખવવામાં આવે છે?
નકલી પોલીસ બની ₹8 લાખનો તોડ:હિંમતનગરમાં એ ડિવિઝન પોલીસે બે આરોપીઓની ધરપકડ, તપાસ ચાલુ
હિંમતનગરમાં નકલી પોલીસ બનીને આઠ લાખ રૂપિયાનો તોડ કરનાર બે આરોપીઓની એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. આ ઘટના એક મહિના પહેલા બની હતી, જે અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ કાર્યવાહી કરવામાં આવી છે. ગત 10 ફેબ્રુઆરીના રોજ, આરોપીઓએ હિંમતનગરના એક વ્યક્તિ પાસેથી અફીણની પડીકી મંગાવી હતી. પડીકી આપનાર વ્યક્તિને બાદમાં નકલી પોલીસે ધમકાવીને દસ લાખ રૂપિયાની માંગણી કરી હતી. લાંબી રકઝક બાદ આખરે આઠ લાખ રૂપિયા આપીને મામલો પતાવવામાં આવ્યો હતો. આઠ લાખ રૂપિયા આપ્યા પછી, જ્યારે ફરિયાદીને આ લોકો નકલી પોલીસ હોવાની જાણ થઈ, ત્યારે અફીણની પડીકી આપનાર વ્યક્તિના સાળા સુરેન્દ્ર સત્યનારાયણ સુથાર દ્વારા હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે તાત્કાલિક કાર્યવાહી કરીને બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં હિંમતનગરના કાંકરોલ રોડ પર સ્વામિનારાયણ મંદિર પાછળ રહેતા વીરેન્દ્રકુમાર રોશનલાલ ખટીક અને પ્રાંતિજના સોનાસણના રહેવાસી વિપુલકુમાર રેવાભાઈ વણકરનો સમાવેશ થાય છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે ઈસમોની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, અફીણની પડીકી આપનાર વ્યક્તિની પણ અગાઉ NDPS કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં હાલ 'એક વ્યક્તિ અને બે હોદ્દા'નો વિષય ભારે ચર્ચામાં આવ્યો છે. પક્ષના શિસ્તબદ્ધ માળખામાં સામાન્ય રીતે એક વ્યક્તિને એક જ જવાબદારી સોંપવાનો નિયમ હોય છે પરંતુ, રવિનાબેન મેઘનાથી નામના કાર્યકરને શહેર અને જિલ્લા એમ બંને સંગઠનમાં સ્થાન મળતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે. આ મામલે ભાજપના જ પૂર્વ યુવા ઉપપ્રમુખ તેજસ જોશી ઉર્ફે પપ્પુએ ગંભીર આક્ષેપો કરીને સંગઠનની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. આ વિવાદ માત્ર હોદ્દા પૂરતો સીમિત નથી રહ્યો પરંતુ, શહેર અને જિલ્લા પ્રમુખના નિવેદનોમાં જોવા મળેલી વિરોધાભાસી વાતોએ પક્ષની આંતરિક શિસ્ત પર પણ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધું છે. સંગઠનનો નિયમ છે કે એક ઘરમાં એક જ હોદ્દો હોવો જોઈએભાજપના પૂર્વ યુવા ઉપપ્રમુખ તેજસ જોશી ઉર્ફે પપ્પુએ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, જૂનાગઢ શહેર ભાજપ અધ્યક્ષ ગૌરવભાઈ રૂપારેલિયા પોતાને સંગઠનથી પણ ઉપર સમજી રહ્યા હોય એવું લાગે છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, સંગઠનનો નિયમ છે કે એક ઘરમાં એક જ હોદ્દો હોવો જોઈએ પરંતુ, અહીં તો એક જ વ્યક્તિને બે-બે અલગ અલગ સંગઠનમાં હોદ્દા આપીને ગંભીર ભૂલ કરવામાં આવી છે. તેજસ જોશીએ વધુમાં સવાલ ઉઠાવ્યો હતો કે, શું જૂનાગઢ શહેરમાં ભાજપ પાસે એવા કોઈ સક્ષમ કાર્યકર્તાઓ નથી કે, પ્રમુખે જિલ્લાના કાર્યકર્તાઓને શહેરની ટીમમાં સામેલ કરવા પડે છે? તેમણે રવિનાબેન મેઘનાથીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, તેમને જૂનાગઢ શહેર યુવા મોરચામાં મંત્રી બનાવવામાં આવ્યા છે અને સાથે જ જિલ્લાની ટીમમાં વંથલી તાલુકાના કારોબારી સભ્ય તરીકે પણ જવાબદારી સોંપાઈ છે. મુદ્દો જાહેર થયો ત્યારે ગણતરીની મિનિટોમાં જ રવિનાબેનનું રાજીનામું વાયરલઆ વિવાદમાં સૌથી વધુ શંકાસ્પદ બાબત રવિનાબેન મેઘનાથીના રાજીનામાના પત્રની છે. તેજસ જોશીએ આક્ષેપ કર્યો છે કે, જ્યારે આ મુદ્દો જાહેર થયો ત્યારે ગણતરીની મિનિટોમાં જ રવિનાબેનનું રાજીનામું સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું હતું. આ પત્રમાં ન તો કોઈ તારીખનો ઉલ્લેખ છે, ન તો પક્ષનું નામ કે લેટરપેડ છે. આથી એવું જણાઈ રહ્યું છે કે, આ રાજીનામું માત્ર વિવાદને દબાવવા માટે ઉતાવળે તૈયાર કરવામાં આવ્યું હોય. તેજસ જોશીએ પ્રદેશ નેતાગીરીને પણ વિનંતી કરી છે કે, વારંવાર નાની ભૂલો કરતા સ્થાનિક નેતાઓને સમજાવવામાં આવે કારણ કે કાર્યકર્તાઓ હવે આ બધું જોઈ રહ્યા છે. પ્રમુખના મતે આમાં કોઈ મોટો વિવાદ નથીજૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયાએ આ સમગ્ર વિવાદને નકારતા પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે શહેરની યુવા ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે રવિનાબેન અપારનાથીનું નામ વિચારવામાં આવ્યું હતું. પરંતુ જેવો ખ્યાલ આવ્યો કે તેમને જિલ્લા સંગઠનમાં પણ હોદ્દો મળેલો છે ત્યારે તેમણે નૈતિકતાના ધોરણે સામેથી રાજીનામું આપી દીધું હતું. પ્રમુખના મતે આમાં કોઈ મોટો વિવાદ નથી અને પ્રક્રિયા મુજબ જ બધું થયું છે. જોકે, તેમના સોશિયલ મીડિયા પેજ પર રવિનાબેનને હોદ્દો આપ્યાની પોસ્ટ હજુ પણ ચર્ચાનો વિષય બની છે. આ બહેન પહેલા વંથલી રહેતા હતા અને હવે શહેરમાં રહે છે એટલે તે શહેરની ટીમમાંબીજી તરફ, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાના નિવેદનમાં ભારે અસ્પષ્ટતા જોવા મળી હતી. શરૂઆતમાં તેમણે એવો બચાવ કર્યો હતો કે, રવિનાબેન અગાઉ કિરીટભાઈ પટેલની ટીમમાં હતા અને હાલ તેમની ટીમમાં કોઈ હોદ્દો ધરાવતા નથી. તેમણે એવું પણ કહ્યું કે, આ બહેન પહેલા વંથલી રહેતા હતા અને હવે શહેરમાં રહે છે એટલે તે શહેરની ટીમમાં છે પરંતુ, જ્યારે તેમને યાદ અપાવવામાં આવ્યું કે ગત 2 માર્ચે તેમણે પોતે જ પોતાના સોશિયલ મીડિયા પર મુકેલી જિલ્લા કારોબારીની યાદીમાં રવિનાબેનનું નામ છે ત્યારે તેઓ અચાનક ચોંકી ગયા હતા. તેમણે સ્વીકાર્યું હતું કે, કદાચ તેમનું નામ તેમાં હશે અને આ મામલે હવે તેઓ તપાસ કરીને કંઈક પગલાં લેશે. આમ, એક હોદ્દા માટે મહેનત કરતા અનેક પાયાના કાર્યકર્તાઓ જ્યારે હાંસિયામાં ધકેલાઈ રહ્યા છે ત્યારે એક જ વ્યક્તિને બે સ્તરે મહત્વ મળતા જૂનાગઢ ભાજપમાં અસંતોષની લાગણી જન્મી છે. પ્રમુખોની અજાણતા અને ઉતાવળે અપાયેલા રાજીનામાએ આ વિવાદમાં ઘી હોમવાનું કામ કર્યું છે. હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ ભાજપ આ મામલે જૂનાગઢના સ્થાનિક નેતૃત્વ સામે કેવા પગલાં ભરે છે અથવા આ વિવાદને આંતરિક રીતે શાંત કરી દેવામાં આવે છે.
હિંમતનગરના કઠવાડીયામાં રસ્તા બાબતે જૂથ અથડામણ:યુવાનની છરીના ઘા મારી હત્યા, 4 ઘાયલ, 15 સામે ફરિયાદ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કઠવાડીયા ગામે રવિવારે સાંજે ખેતરમાં જવાના રસ્તાના જૂના વિવાદમાં બે જૂથો સામસામે આવી ગયા હતા. 15 જેટલા વ્યક્તિઓના ટોળાએ ધારદાર હથિયારો અને લાકડીઓ સાથે પરિવાર પર હુમલો કરતા 31 વર્ષીય યુવાનની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી છે. આ હિંસક ઘટનામાં અન્ય 4 વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. ખેતર પાસે લોહિયાળ ખેલ ખેલાયોહિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર, રવિવારે સાંજે 7:30 કલાકે કઠવાડીયા ગામની સીમમાં રણજીતસિંહ મગનસિંહ ઝાલાના ખેતર પાસે આ લોહિયાળ ખેલ ખેલાયો હતો. ખેતરના રસ્તા બાબતે ચાલી રહેલા જૂના ઝઘડાની અદાવતમાં વિશાલસિંહ ખોડસિંહ ઝાલા સહિત 15 લોકોનું ટોળું છરી, લાકડી અને પથ્થરો સાથે તૂટી પડ્યું હતું. હુમલાખોરોએ સુરપાલસિંહ માનસિંહ ઝાલા અને તેમના પરિવાર પર હુમલો કર્યો હતો. જેમાં ઉશ્કેરાયેલા વિશાલસિંહ ઝાલાએ ધર્મેન્દ્રસિંહ ભારતસિંહ ઝાલા (ઉંમર 31)ને પાંસળીના ભાગે છરીનો જીવલેણ ઘા માર્યો હતો, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. ઈજાગ્રસ્તો આ હુમલામાં અન્ય પરિવારજનોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા: સુરપાલસિંહ ઝાલા: વિશાલસિંહ, વિરેન્દ્રસિંહ અને કમલેશસિંહે છરી વડે શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી. વિશાલસિંહ વિરેન્દ્રસિંહ ઝાલા: લાકડીઓ વડે માર મારવામાં આવ્યો. માનસિંહ જાલમસિંહ ઝાલા અને વિલાસબા વિરેન્દ્રસિંહ ઝાલા: પથ્થરમારો કરીને ઈજા પહોંચાડાઈ. 15 શખસ સામે હત્યાનો ગુનો દાખલઘટના બાદ સુરપાલસિંહ ઝાલાએ હિંમતનગર ગ્રામ્ય પોલીસમાં 15 વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિશાલસિંહ ખોડસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ ખોડસિંહ ઝાલા, કમલેશસિંહ વિજયસિંહ ઝાલા સહિતના આરોપીઓ વિરુદ્ધ હત્યા અને રાયોટિંગનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ગામમાં તંગદિલી ન ફેલાય તે હેતુથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મૃતક: ધર્મેન્દ્રસિંહ ભારતસિંહ ઝાલા (31 વર્ષ) ઈજાગ્રસ્તો: સુરપાલસિંહ ઝાલા, માનસિંહ ઝાલા, વિલાસબા ઝાલા અને વિશાલસિંહ ઝાલા. મુખ્ય આરોપીઓ: વિશાલસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ ઝાલા, કમલેશસિંહ ઝાલા સહિત કુલ 15 વ્યક્તિઓ (તમામ રહે. કઠવાડીયા).
સાબરકાંઠા જિલ્લાના રાયગઢ ખાતે આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવા અને લોકોમાં સકારાત્મક વર્તણૂક પરિવર્તન લાવવા માટે સામાજિક વર્તણૂક પરિવર્તન સંચાર (SBCC) કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રાજ સુતરીયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રાજ સુતરીયાએ નાગરિકોને રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી આરોગ્ય યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ખાસ કરીને ગર્ભાશયના મુખના કેન્સરથી બચાવ માટે કિશોરીઓમાં HPV રસીકરણના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે સમાજમાં આરોગ્યલક્ષી જાગૃતિ વધારવા માટે સૌને સક્રિય સહભાગી બનવા અપીલ કરી હતી. કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા આરોગ્યલક્ષી મુદ્દાઓ અંગે લોકોમાં વૈજ્ઞાનિક સમજણ વિકસે અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરણા મળે તે હેતુથી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું. પીઅર એજ્યુકેટરોએ રોલ પ્લે, પ્રદર્શન અને સંવાદાત્મક રજૂઆત દ્વારા ગ્રામજનોને સરળ અને અસરકારક રીતે આરોગ્ય સંદેશાઓ પહોંચાડ્યા હતા. આ કાર્યક્રમમાં ક્ષયરોગ (TB) નિવારણ અને સમયસર સારવાર, વ્યસનમુક્ત અને સ્વસ્થ જીવનશૈલી, સંતુલિત પોષણ અને માતા-બાળ આરોગ્ય જેવા મહત્વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન અપાયું હતું. અતિ જોખમી સગર્ભા માતાઓની સમયસર ઓળખ અને સંભાળ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગામના સરપંચ જેસીંગભાઈ પટેલ, અદાપુરના મેડિકલ ઓફિસર, આરોગ્ય વિભાગની ટીમ, સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ વધુ એક વખત પોતાની કાર્યદક્ષતા સાબિત કરી છે. પંચમહાલ જિલ્લાના ગોધરાના રહેવાસી કલ્પનાબેનના 2.600 કિલો વજન ધરાવતા નવજાત શિશુને જન્મજાત ગંભીર ખામી હોવા છતાં જટિલ સર્જરી દ્વારા નવું જીવન પ્રદાન કરવામાં આવ્યું છે. શું હતી બાળકની ગંભીર બીમારી?બાળકના જન્મ બાદ તુરંત જ માલૂમ પડ્યું હતું કે તે 'ટ્રેકિઓ-ઈસોફેજિયલ ફિસ્ટ્યુલા' નામની ગંભીર બીમારીથી પીડાય છે. આ સ્થિતિમાં બાળકની અન્નનળી અને શ્વાસનળી પરસ્પર જોડાયેલી હોય છે. આ ખામીને કારણે બાળક જે દૂધ પીએ તે સીધું ફેફસામાં જવાની દહેશત રહે છે, જે નવજાત માટે જીવલેણ બની શકે છે. બાળકની નાજુક સ્થિતિ જોઈ તેને જન્મના માત્ર 11 કલાકમાં જ ગોધરાથી વડોદરા રિફર કરાયું હતું. પડકારજનક સર્જરી અને સઘન સારવારહોસ્પિટલમાં દાખલ થયાના બીજા જ દિવસે નિષ્ણાત સર્જરી ટીમ દ્વારા ઓપરેશનનો નિર્ણય લેવાયો હતો. ઓછું વજન અને ઇન્ફેક્શનના જોખમ વચ્ચે આ પડકારજનક સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. ત્યારબાદ 10 દિવસ સુધી બાળકને મિકેનિકલ વેન્ટિલેટર પર રાખી સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. 'ડાઈ સ્ટડી' દ્વારા ખાતરી કર્યા બાદ જ બાળકને રજા આપવામાં આવી હતી. સરકારી સુવિધા બની આશીર્વાદરૂપખાનગી હોસ્પિટલમાં આ સારવારનો દૈનિક ખર્ચ 20 થી 25 હજાર રૂપિયા ઉપરાંત સર્જરીનો લાખોનો ખર્ચ થતો હોય છે. જોકે, એસ.એસ.જી. હોસ્પિટલમાં 24 દિવસની સઘન સારવાર અને ઓપરેશન સંપૂર્ણપણે વિનામૂલ્યે કરવામાં આવ્યા હતા. બાળરોગ વિભાગના વડા ઓમપ્રકાશ શુક્લાના માર્ગદર્શન હેઠળ રિંકી શાહ, વૈશાલી ચનપુરા, કશ્યપ પંડ્યા સહિતની ટીમે આ સફળતા હાંસલ કરી છે. પિતા કલ્પેશભાઈએ તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો.

27 C