LPG Cylinder Crisis : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાનના યુદ્ધના કારણે ગેસનો સપ્લાય અસર થતા ભારતમાં રસોઈ ગેસની અછત ઉભી થવાની અફવાઓ ચાલી રહી છે. આ કારણે અનેક ગ્રાહકો જરૂર ન હોવા છતાં LPG સિલિન્ડરનું બુકિંગ કરી રહ્યા છે. હવે આ મામલે પેટ્રોલિયમ મંત્રાલયની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ છે, જેમાં સ્પષ્ટ કહેવાયું છે કે, મધ્ય-પૂર્વના દેશોમાંથી છ ટેન્કર અને એક LPG ભરેલા 22 ટેન્કર ભારત આવી રહ્યા છે. મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે, ભારત પાસે એલપીજીનો પૂરતો ભંડાર છે અને આ પરિસ્થિતિ વચ્ચે પણ ટેન્કરો ભારત આવી રહ્યા છે. આ સાથે મંત્રાલયે એમ પણ કહ્યું છે કે, 29 રાજ્યોમાં કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય ફરી શરૂ કરી દેવામાં આવી છે.
વડોદરાના સામાજીક આગેવાન દ્વારા ક્રિકેટર હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન વિરુદ્ધ રાષ્ટ્રધ્વજના અપમાન અને સ્ટેડિયમમાં બિભત્સ વર્તન કરવા બદલ પોલીસ સ્ટેશમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, રાષ્ટ્ર ધ્વજનું અપમાન અને અમદાવાદ સ્ટેડિયમાં બિભત્સ વર્તન કર્યાનો આક્ષેપ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા વિરુદ્ધ તિરંગાના અપમાનને લઈને અગાઉ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદ બેંગલુરુના શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં પુણેના વકીલ વાજીદ ખાન બિડકરે કરી હતી. તિરંગાનું સન્માન ન કરવાના આરોપ સાથે પોલીસમાં અરજીભારતની T20 વર્લ્ડકપ જીત બાદ અમદાવાદમાં ઉજવણી દરમિયાન પંડ્યા પર તિરંગાનું સન્માન ન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે આજે વડોદરામાં કારેલીબાગ પોલીસ મથકમાં કેટલાક સામાજિક આગેવાન દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવા અરજી આપવામાં આવી છે. આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, ટીમ ઈન્ડિયાની જીત બાદ મેદાન પર ઉજવણી કરતા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. એક વીડિયોમાં પંડ્યા પોતાના ખભા પર તિરંગો ઓઢીને મેદાન પર નાચતા અને દોડતા જોવા મળી રહ્યા છે. પોતાની ગર્લફ્રેન્ડ સાથે સ્ટેજ પર સૂતેલા જોવા મળ્યાઆરોપ છે કે ઉજવણી દરમિયાન પંડ્યા પોતાની ગર્લફ્રેન્ડ સાથે સ્ટેજ પર સૂતેલા જોવા મળ્યા હતા, જ્યારે તે સમયે પણ તેમના ખભા પર તિરંગો હતો. સાથે ઈશાન કિશને પણ તિરંગાનું અપમાન કર્યું છે ત્યારે બંને સામે ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગ કરી છે. જાગૃત નગરી અને સામાજિક આગેવાન રાજેશકુમાર ગોયલે આ મામલે જણાવ્યું હતું કે, આજે અમે કારેલીબાગ પોલીસ મથકમાં આવ્યા છીયે. ભારત દેશનો રાષ્ટ્રધ્વજ તિરંગાનું અપમાન કરવામાં આવ્યું છે.
ઉડ્ડયન ક્ષેત્રે ગુજરાતનો દબદબો:MRO Xpo India 2026માં ‘સ્ટેટ ઓફ ધ યર’ એવોર્ડથી સન્માનિત
નવી દિલ્હી ખાતે આયોજિત પ્રતિષ્ઠિત ‘MRO Xpo India 2026’માં ગુજરાતના ફાળે વધુ એક સુવર્ણ સિદ્ધિ આવી છે. ભારતના ઉડ્ડયન નકશા પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખતા ગુજરાતને ‘MRO સ્ટેટ ઓફ ધ યર’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. વિમાનની જાળવણી (Maintenance), સમારકામ (Repair) અને ઓવરહોલ (Overhaul) એટલે કે MRO ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે રાજ્ય સરકારે કરેલા અવિરત પ્રયાસોનું આ પરિણામ છે. વ્યૂહાત્મક આયોજન અને પ્રગતિશીલ નીતિઓમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કુશળ માર્ગદર્શન હેઠળ ગુજરાતે ઉડ્ડયન ક્ષેત્રે અનેક નવા આયામો સર કર્યા છે. રાજ્યની પ્રગતિશીલ નીતિઓ અને દીર્ઘદ્રષ્ટિ ધરાવતા આયોજનના કારણે આજે ગુજરાત સમગ્ર ભારતમાં MRO ઉદ્યોગ માટે એક ‘મોડેલ સ્ટેટ’ તરીકે ઉભરી આવ્યું છે. ગુજરાત સરકાર વતી ગુજરાત રાજ્ય એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (GUJSAIL) દ્વારા આ એવોર્ડ સ્વીકારવામાં આવ્યો હતો. GUJSAIL અને અમદાવાદ એરપોર્ટનું મહત્વનું યોગદાનઅમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર અત્યાધુનિક MRO હેંગરનો વિકાસ એ GUJSAILનું એક સીમાચિહ્નરૂપ યોગદાન છે. આ સુવિધાને કારણે વિવિધ એરલાઇન્સ અને MRO સંસ્થાઓને વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ થયું છે. આ પ્રકારની માળખાગત સુવિધાઓએ ગુજરાતને વૈશ્વિક રોકાણકારો માટે એરોસ્પેસ ક્ષેત્રે પ્રથમ પસંદગીનું સ્થળ બનાવ્યું છે. રોકાણકારો અને કુશળ માનવશક્તિનું કેન્દ્રગુજરાત પાસે હાલમાં સુવિકસિત એરપોર્ટ નેટવર્ક અને તકનીકી રીતે સજ્જ કુશળ માનવશક્તિનો વિશાળ સંગ્રહ છે. એરોસ્પેસ અને વિમાન જાળવણી ક્ષેત્રે નવીનતા લાવવા અને ઉદ્યોગો વચ્ચે સહયોગ વધારવા માટે સરકારની સતત પ્રતિબદ્ધતા આ એવોર્ડ દ્વારા સાબિત થઈ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ માન્યતા ભારતની ઉડ્ડયન ક્ષમતાઓને મજબૂત કરવાના અને ગુજરાતને ‘ગ્લોબલ એવિએશન હબ’ તરીકે સ્થાપિત કરવાના વિઝનને વધુ વેગ આપશે.
ગુજરાતના પશુપાલકો અને ગૌસેવા કરતી સંસ્થાઓ માટે ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે એક દિવાળી જેવો ઉમદા અને પ્રજાલક્ષી નિર્ણય લીધો છે. 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'ના કાર્યક્ષેત્રમાં ધરખમ વધારો કરતા સરકારે ગૌશાળા અને પાંજરાપોળની નોંધણીની સમયમર્યાદા લંબાવી દીધી છે. પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગેની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, હવે રાજ્યની વધુ ગૌસેવી સંસ્થાઓ આ યોજનાનો લાભ મેળવી શકશે. શું છે આ મહત્વપૂર્ણ સુધારો?અગાઉના નિયમ મુજબ, માત્ર 31-03-2022 પહેલા પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી સંસ્થાઓ જ આ સહાય મેળવવા માટે પાત્ર હતી. જોકે, વર્ષ 2023-24 બાદ અસ્તિત્વમાં આવેલી નવી સંસ્થાઓને આ યોજનાનો લાભ મળતો નહોતો. પશુપાલકો અને વિવિધ ટ્રસ્ટોની રજૂઆતને ધ્યાને રાખીને, હવે 30 જૂન, 2025 સુધીમાં નોંધાયેલી તમામ ગૌશાળા-પાંજરાપોળને આ યોજના હેઠળ આવરી લેવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય આગામી નાણાકીય વર્ષ એટલે કે 01-04-2026થી અમલી બનશે. 100થી વધુ નવી સંસ્થાઓને ફાયદોનોંધણીની સમયમર્યાદામાં કરાયેલા આ ફેરફારને કારણે રાજ્યની અંદાજે 100થી વધુ નવી ગૌસેવી સંસ્થાઓ યોજનાના દાયરામાં આવશે. જેના પરિણામે અંદાજે 10 કરોડ રૂપિયાની વધારાની સહાય આ સંસ્થાઓમાં આશ્રય લેતા અબોલ પશુઓના નિભાવ માટે ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી ગૌશાળાઓની આર્થિક સ્થિતિ મજબૂત થશે અને પશુઓની જાળવણી વધુ સારી રીતે થઈ શકશે. 3 વર્ષમાં 1,364 કરોડની સહાયમંત્રી જીતુભાઈ વાઘાણીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2022-23માં અંબાજી ખાતેથી આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ પાંજરાપોળ અને ગૌશાળાને પશુ દીઠ દૈનિક 30 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષના આંકડા જોઈએ તો, સપ્ટેમ્બર-2025 સુધીમાં રાજ્યની 1600થી વધુ સંસ્થાઓના 4.50 લાખથી વધુ પશુઓ માટે કુલ 1,364 કરોડ રૂપિયાની સહાય સીધી ચૂકવી દેવામાં આવી છે. સેવાભાવી પ્રવૃત્તિને આર્થિક પીઠબળરાજ્ય સરકારના આ ઉદાર અભિગમ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ગૌશાળાઓ દ્વારા થતી સેવાકીય પ્રવૃત્તિઓને આર્થિક બળ પૂરું પાડવાનો છે. મુખ્યમંત્રીના આ નિર્ણયથી ગૌવંશના હિતમાં ચાલતા ટ્રસ્ટોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ગૌમાતાના પોષણ અને સંવર્ધન માટે પ્રતિબદ્ધ સરકારનો આ નિર્ણય રાજ્યમાં પશુપાલન ક્ષેત્રે નવી ક્રાંતિ લાવનારો સાબિત થશે.
અમદાવાદ શહેરમાં સાયબર ઠગાઈના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. સાયબર ગઠિયાઓ અલગ-અલગ મોડસ ઓપરેન્ડી અપનાવીને લોકોને નિશાન બનાવતા હોય છે. આવો જ એક બનાવ શહેરના વેજલપુર વિસ્તારમાં સામે આવ્યો છે, જેમાં દુબઇમાં રહેતા દીકરાને કરીયાણું મોકલવા જતા નિવૃત્ત વૃદ્ધ સાયબર ઠગોના શિકાર બન્યા હતા. વૃદ્ધે ઓનલાઇન કુરિયર કંપનીનો નંબર મેળવી ફોન કર્યો હતો. જે બાદ અચાનક વૃદ્ધના બેંક એકાઉન્ટમાંથી 1.90 લાખ ટ્રાન્સફર થઈ ગયા હતા. છેતરપિંડી થઈ હોવાનું સામે આવતા વૃદ્ધે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કુરિયર બુકિંગ માટે માત્ર 5 રૂપિયાનું ઓનલાઇન ટોકન ભરવા જણાવ્યુંશહેરના વેજલપુર વિસ્તારમાં રહેતા અને સિંચાઇ વિભાગમાંથી નિવૃત્ત થયેલા એક વૃદ્ધનો દીકરો દુબઇમાં રહે છે. દીકરાને કુરિયર મારફતે કરીયાણું મોકલવાનું હોવાથી વૃદ્ધે ગુગલ પર સર્ચ કરીને કુરિયર કંપનીનો નંબર મેળવ્યો હતો. આ નંબર પર સંપર્ક કરતા ફોન ઉપાડનાર શખ્સે પોતે સરખેજની કુરિયર કંપનીમાંથી બોલતો હોવાની ઓળખ આપી હતી. જે બાદ ગઠિયાએ કુરિયર બુકિંગ માટે માત્ર 5 રૂપિયાનું ઓનલાઇન ટોકન ભરવા જણાવ્યું હતું. જેથી વૃદ્ધે મોબાઇલ મારફતે 5 રૂપિયાનું પેમેન્ટ કરી દીધું હતું. ત્યારબાદ ગઠિયાએ તેમના ઘરે આવીને કુરિયર લઇ જવાની વાત કરી હતી. જોકે કોઈ પણ કુરિયર લેવા માટે તેમના ઘરે આવ્યું નહોતું. બે દિવસમાં 5 ટ્રાન્ઝેક્શન કરીને 1.90 લાખ ઉપાડી લીધાવૃદ્ધે 20 નવેમ્બરના રોજ પોતાના બેંક એકાઉન્ટમાં 2 લાખનો ચેક જમા કરાવ્યો હતો. ત્યારબાદ તેમના મોબાઇલ પર બેંકના ટ્રાન્ઝેક્શન સંબંધિત મેસેજ આવવાનું બંધ થઈ ગયું હતું. શંકા જતાં વૃદ્ધ બેંકમાં તપાસ કરવા પહોંચ્યા હતા. બેંકમાં તપાસ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી. તેમના બેંક એકાઉન્ટમાંથી 23 અને 24 નવેમ્બરના બે દિવસ દરમિયાન કુલ પાંચ ટ્રાન્ઝેક્શન કરીને 1.90 લાખ ઉપાડી લેવાયા હોવાનું સામે આવ્યું હતું. જેથી વૃદ્ધે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વેરાવળમાં 15 માર્ચે વિરાટ હિન્દુ સંમેલન યોજાશે:સનાતન સંસ્કૃતિના સંરક્ષણ અને સામાજિક એકતા હેતુ આયોજન
વેરાવળના 60 ફૂટ રોડ પર આવેલા અટલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ (સ્વિમિંગ પૂલ) ખાતે 15 માર્ચ, 2026 (રવિવાર) ના રોજ સાંજે 5 વાગ્યાથી વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનનો મુખ્ય હેતુ હિન્દુ સમાજને જાગૃત, સંગઠિત અને શક્તિશાળી બનાવવાનો તેમજ સનાતન સંસ્કૃતિનું સંરક્ષણ અને સામાજિક એકતા વધારવાનો છે. હિન્દુ સંમેલન સમિતિના ઉપાધ્યક્ષ એડવોકેટ મુકેશ મોરીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સંમેલનને સફળ બનાવવા માટે જાહેર જનતા, માતાઓ, બહેનો અને દીકરીઓને ખાસ ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેમણે તમામ હિન્દુઓને જાગૃત સનાતની તરીકે આ બેઠકમાં અચૂક હાજર રહેવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમની વ્યવસ્થાના ભાગરૂપે, બહેનો માટે અલગ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમિતિ વતી અનિસ રાચ્છે વધુમાં જણાવ્યું હતું કે, કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અલ્પાહારની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે. વલસાડમાં બૂથ સ્તરના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યા બાદ તેઓ વાંસદા તાલુકાના જામલિયા ખાતે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV) પહોંચ્યા હતા. અહીં તેમણે 300 જેટલી વિદ્યાર્થિનીઓ સાથે મુલાકાત કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ વિદ્યાલયમાં એવી 300 દીકરીઓ અભ્યાસ કરે છે જેમણે પોતાના માતા કે પિતા અથવા બંને ગુમાવ્યા છે. ભાજપ સરકાર દ્વારા BPL પરિવારની આવી દીકરીઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે રહેવા-જમવાની ઉત્તમ વ્યવસ્થા સાથે આ સંસ્થા કાર્યરત છે. પ્રદેશ અધ્યક્ષે વિદ્યાર્થિનીઓ સાથે બેસીને ભોજન લીધું હતું અને સંસ્થાના સંચાલકો સાથે શિક્ષણલક્ષી ચર્ચાઓ કરી હતી. જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, તેમણે જવાબદારી સંભાળી ત્યારથી ફૂલહાર કે બુકેને બદલે પુસ્તકો સ્વીકારવાનો આગ્રહ રાખ્યો છે. અત્યાર સુધીમાં 11 લાખથી વધુ પુસ્તકો એકત્ર થયા છે, જે ગુજરાતના અંતરિયાળ અને ગરીબ વિસ્તારના બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા વિતરિત કરવામાં આવે છે. આ પ્રવાસ દરમિયાન પ્રદેશ અધ્યક્ષની સાથે સ્થાનિક આગેવાનો અને મંત્રીઓ પણ જોડાયા હતા. વાંસદા તાલુકાના સતીમાલી ગામે ₹1.20 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવનિર્મિત પ્રાથમિક શાળાના મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નેતાઓએ જણાવ્યું કે સરકારનો આ પ્રયાસ છેવાડાના માનવી સુધી શિક્ષણની સુવિધા પહોંચાડવાનો છે. પોતાના વ્યસ્ત પ્રવાસના અંતે જગદીશ વિશ્વકર્મા દક્ષિણ ગુજરાતના આસ્થાના કેન્દ્ર સમાન ઉનાઈ માતાજીના મંદિરે દર્શનાર્થે પહોંચશે. અહીં તેઓ સાંજની આરતીમાં સહભાગી થશે અને માતાજીના આશીર્વાદ મેળવી આગળના જિલ્લાના પ્રવાસ માટે રવાના થશે. ગણદેવીના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી નરેશ પટેલ જણાવ્યું હતું કે, ‘આજે વાંસદા તાલુકાના જામલિયા ખાતે ૩૦૦ જેટલી વિદ્યાર્થિનીઓ નિવાસ સાથે ભણે છે એવી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, જેનું બે માંથી કોઇનો એક પેરેન્ટ્સ હોય અથવા બંને ન હોય એવા બીપીએલ પરિવાર હોય છે, એવા પણ પરિવારને શોધી-શોધીને આવા પરિવારની દીકરીઓ શિક્ષણથી વંચિત ન રહી જાય તેનું ધ્યાન રાખીને અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારે વાંસદા જેવા ઊંડાણના તાલુકામાં ૩૦૦ જેટલી વિદ્યાર્થિનીઓના નિવાસ સાથે માતબર રકમ ખર્ચીને એની નિવાસની ચિંતા કરી, એની બીજી વ્યવસ્થાની ચિંતા કરીને આ જ્યારે અહીંયા વિદ્યાલય ચાલે છે.’ ‘આનંદની વાત એ છે કે અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ગઈ કાલથી દક્ષિણ ગુજરાતના વલસાડના પ્રવાસે હતા. આજે વલસાડના બૂથ લેવલના કાર્યકર્તા સાથેનું સંમેલન હતું, વાર્તાલાપ હતી. ત્યાંથી એમને એમ થયું કે વાંસદાના કાર્યકર્તાઓને પણ મળવું જોઈએ અને ખાસ કરીને એમનો સ્વભાવ એ પ્રકારનો છે કે જ્યારથી પ્રદેશ અધ્યક્ષ બન્યા છે તે પહેલા પણ મંત્રી હતા, એ હર હંમેશ માટે આવી કોઈ આશ્રમશાળા હોય, ગ્રાન્ટેડ હોસ્ટેલ હોય, કોઈ વિદ્યાલય હોય એવી જગ્યા પસંદ કરીને અચાનક જાય છે ત્યાં બાળકો સાથે ભોજન લે છે, સંસ્થાના લોકો સાથે પણ મુલાકાત લે છે અને ખૂબ પ્રોત્સાહિત કરવાના એમના પ્રયત્નો હોય છે.’ ‘બાળકોને પણ ખૂબ પ્રોત્સાહિત કરે છે. આનંદની વાત એ છે કે જ્યારથી પ્રમુખ બન્યા ત્યારથી એ બુકેથી નહીં, ફૂલહારથી નહીં પણ બુકથી, ચોપડાથી એમનું સ્વાગત થાય એ એમના પ્રયત્ન રહ્યા છે. આજે જ એમની વાતમાં એમણે કહ્યું કે અત્યાર સુધીમાં 11લાખથી પણ વધારે બુકો આવી છે અને એ બુકો ગુજરાતની અંદર જે આવો ગરીબ વિસ્તાર હોય એવા વિસ્તારો પસંદ કરીને વિદ્યાર્થીઓને એ બુકો આપવામાં આવે છે, પ્રોત્સાહિત કરવામાં આવે છે. એ પ્રકારના ખૂબ સારા વિચારો સાથે અમારા પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીનો વિસ્તાર વધે એ તો પ્રયત્ન કરે જ છે પણ ગુજરાતની પ્રજા પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સુખાકારી તરફ, ગરીબમાં ગરીબ શિક્ષણથી વંચિત ન રહી જાય એને ખૂબ સારું શિક્ષણ મળે એ પણ સતત ચિંતા કરતા આવ્યા છે.’ 'આજે અહીંયાથી ડાંગના પ્રવાસે ગયા છે અને સાંજે ફરી પાછા રિટર્નમાં આ જ વાંસદા તાલુકાની અંદર લોકોનું આસ્થાનું સ્થળ દક્ષિણ ગુજરાત નહીં પણ સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રના લોકોનું આસ્થાનું સ્થળ મા ઉનાઈ માતાજીના મંદિરે સાંજે રિટર્નમાં આવવાના છે. ત્યાં આરતીનો લાભ પણ લેવાના છે અને ત્યાં ભોજન લઈ આગળના જિલ્લામાં રવાના થશે એ પ્રકારનો આજનો એમનો કાર્યક્રમ હતો. અમને પણ અમારા અધ્યક્ષ ભૂરાભાઈ, અમારા પ્રભારી શંકરભાઈ આ બધા લોકોને સાથે રહેવાનો અવસર મળ્યો. આજે ૧ કરોડ ૨૦ લાખ રૂપિયાની પ્રાથમિક શાળા આ જ તાલુકાની અંદર સતીમાલીની અંદર એના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું, ત્યાં પણ જવાનું થયું. ફરીવાર આ બાળકો ૩૦૦ જેટલી દીકરીઓ જે અભ્યાસ કરે છે એને શુભકામના પાઠવું છું અને આપના માધ્યમ દ્વારા જે રીતે વાંસદાની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારે કાળજી રાખીને એના સર્વાંગી વિકાસ થાય, વ્યક્તિ વિકાસ નહીં પણ દરેક લોકોનો વિકાસ થાય એ દિશામાં પણ કામ કર્યું છે ત્યારે હું આજે જ્યારે અચાનક જગદીશભાઈનો અહીંયા પ્રવાસ થવાના કારણે આનંદની વાત છે'
અમદાવાદની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર માનવતાના અનોખા ઉદાહરણ તરીકે ઉભરી આવી છે. છેલ્લા એક અઠવાડિયામાં થયેલા બે મહત્વપૂર્ણ અંગદાન અને પેશીદાનના કિસ્સાઓએ અનેક પરિવારોમાં ખુશીની લહેર લાવી દીધી છે. એક 21 વર્ષીય યુવાનના અંગદાનથી 4 લોકોને નવજીવન મળ્યું છે, જ્યારે બીજા કિસ્સામાં પરિવારે આંખો અને ચામડીનું દાન કરીને દર્દીઓને નવી આશા પૂરી પાડી છે. શ્રમિક યુવાનના અંગદાનથી 4 લોકોને જીવતદાનઝારખંડના રાંચીના વતની 21 વર્ષીય રાહુલ મુંડા પાવાગઢ પાસે હાલોલમાં એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા. બ્રેઈન હેમરેજ થતા 12 માર્ચે તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં 13 માર્ચે ડોક્ટરોએ તેમને 'બ્રેઈન ડેડ' જાહેર કર્યા હતા. દુઃખની આ ઘડીમાં અંગદાન ટીમની સમજાવટથી પિતા રામુભાઈએ દીકરાના અંગો દાન કરવાનો હૃદયસ્પર્શી નિર્ણય લીધો. રાહુલના અંગદાનથી 1 લીવર, 1 સ્વાદુપિંડ અને 2 કિડની પ્રાપ્ત થઈ છે, જેનું પ્રત્યારોપણ સિવિલ મેડીસિટીની કિડની હોસ્પિટલમાં કરવામાં આવશે. ગીતામંદિરના પરિવારે પેશીદાન કરી નિભાવી સામાજિક જવાબદારીઅન્ય એક કિસ્સામાં, અમદાવાદના ગીતામંદિર વિસ્તારના 52 વર્ષીય જયેશભાઈ ચાવડાનું સારવાર દરમિયાન અવસાન થયું હતું. કાઉન્સેલર જીતેન્દ્ર પુવાર અને પત્રકાર હિતેશ રાઠોડના માર્ગદર્શન હેઠળ પરિવારે સામાજિક જવાબદારી સ્વીકારી જયેશભાઈની 2 આંખો અને સ્કીન (ચામડી)નું દાન કર્યું. 12 માર્ચે લેવાયેલું આ દાન દાઝેલા દર્દીઓ અને દ્રષ્ટિહીન લોકો માટે આશીર્વાદરૂપ બનશે. તબીબી અધિક્ષક ડો. રાકેશ જોષીના જણાવ્યા મુજબ, સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 229 બ્રેઈન ડેડ વ્યક્તિઓ દ્વારા અંગદાનથી 736 દર્દીઓને નવું જીવન મળ્યું છે. હોસ્પિટલને અત્યાર સુધી કુલ 421 કિડની, 203 લીવર, 73 હ્રદય, 34 ફેફસા, 19 સ્વાદુપિંડ, 2 નાના આંતરડા, 6 હાથ, 41 સ્કીન અને 190 આંખો મળી કુલ 989 અંગ-પેશીઓનું દાન પ્રાપ્ત થયું છે.
CM ભૂપેન્દ્ર પટેલ આજે ભરૂચ જિલ્લાની મુલાકાતે આવ્યાં છે. ભરૂચના ઝાડેશ્વર સ્થિત સ્વામીનારાયણ મંદિર સંકુલ ખાતે આજે યોજાયેલા વિકાસ ઉત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અંદાજિત રૂ. 1350.68 કરોડના કુલ 139 વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત, માર્ગ અને મકાન, આરોગ્ય, શિક્ષણ, શહેરી વિકાસ, રમતગમત તથા મહેસૂલ વિભાગના વિવિધ પ્રકલ્પોને આ કાર્યક્રમમાં ગતિ આપવામાં આવી. જિલ્લા પંચાયત દ્વારા રૂ.309 કરોડના 95 વિકાસકાર્યો હાથ ધરાયા છે, જેમાં ગ્રામ્ય માર્ગો અને માયનોર બ્રિજના નિર્માણનો સમાવેશ થાય છે. તે ઉપરાંત નર્મદા પરિક્રમાર્થીઓ માટે 8 વિશ્રામ હોલ, રૂ. 16 કરોડના ખર્ચે 64 ગ્રામ પંચાયત ઘરો, શિક્ષણ ક્ષેત્રે નવા વર્ગખંડો તથા આરોગ્ય સેવાઓ માટે 8 પેટા આરોગ્ય કેન્દ્રોના મકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માર્ગ અને મકાન વિભાગ હેઠળ અંકલેશ્વર–રાજપીપલા હાઈસ્પીડ કોરિડોર અને અંકલેશ્વર એર સ્ટ્રીપ ફેઝ-2 સહિત કુલ રૂ.985 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. આ વિકાસકાર્યો દ્વારા ભરૂચ જિલ્લાના માળખાગત વિકાસને નવી ગતિ મળશે.
સુરત શહેર પોલીસ દ્વારા હાલમાં મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા નકલી ડોક્ટરો વિરૂદ્ધ એક વિશેષ અભિયાન છેડવામાં આવ્યું છે. આ કડીમાં સચિન પોલીસે બાતમીના આધારે વાંઝ ગામમાં દરોડા પાડીને એક એવા 'ડોક્ટર'ને ઝડપી પાડ્યો છે, જેની શૈક્ષણિક લાયકાત જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ કથિત ડોક્ટર ધો. 10 નાપાસ હોવા છતાં એલોપેથિક દવાઓ અને તબીબી સાધનો વડે ગંભીર બીમારીઓની સારવાર કરતો હતો. બાતમીના આધારે સચિન પોલીસે ઓચિંતો દરોડો પાડ્યોસચિન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વાંઝ ગામ ખાતે આવેલા આકાશ કોમ્પ્લેક્સમાં 'આશા ક્લિનિક' નામે એક દવાખાનું ચાલી રહ્યું છે. આ ક્લિનિકમાં કોઈપણ માન્ય ડિગ્રી વગર એક વ્યક્તિ એલોપેથિક દવાઓ અને મેડિકલ સાધનોનો ઉપયોગ કરી દર્દીઓની સારવાર કરી રહ્યો છે. આ બાતમીના આધારે સચિન પોલીસે આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસરોની ટીમ સાથે રાખીને આકાશ કોમ્પ્લેક્સના રૂમ નંબર 1માં ઓચિંતો દરોડો પાડ્યો હતો. ધો.10 નાપાસ 40 વર્ષીય સંજીત વિશ્વાસની ધરપકડપોલીસની તપાસમાં બહાર આવ્યું કે, આ ક્લિનિક ચલાવનાર વ્યક્તિનું નામ સંજીત નિલકોમલ વિશ્વાસ (ઉં.વ. 40) છે. તે મૂળ પશ્ચિમ બંગાળના નદીયા જિલ્લાના ધનતલાનો વતની છે. જ્યારે પોલીસે તેની પાસે મેડિકલ પ્રેક્ટિસ માટેની જરૂરી ડિગ્રીઓ માંગી, ત્યારે તે એક પણ કાગળ રજૂ કરી શક્યો નહોતો. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે, આ નકલી ડોક્ટર માત્ર ધોરણ 10માં પણ નાપાસ થયો છે, છતાં તે નિષ્ણાત ડોક્ટરની જેમ દર્દીઓને તપાસીને હાઈ-ડોઝ દવાઓ આપતો હતો. ક્લિનિકમાંથી એલોપેથિક દવાઓ અને તબીબી સાધનો મળ્યાસુરત શહેર પોલીસ કમિશનરની સૂચના મુજબ, નકલી ડોક્ટરો સામેની આ કાર્યવાહીમાં પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું. સચિન પોલીસ સ્ટેશનના સ્ટાફે સરકારી મેડિકલ ઓફિસરોની ટીમને સાથે રાખીને 'આશા ક્લિનિક' પર ત્રાટક્યા હતા. રેડ દરમિયાન ક્લિનિકમાંથી મોટી માત્રામાં એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન, સ્ટેથોસ્કોપ અને અન્ય તબીબી સાધનો મળી આવ્યા હતા, જે પોલીસે કબજે કર્યા છે. ડિગ્રી વગર માનવ જીવન સાથે ગંભીર છેડછાડપોલીસ તપાસમાં એ વાત સ્પષ્ટ થઈ છે કે, સંજીત વિશ્વાસ પાસે એલોપેથિક દવાઓ લખવા કે વાપરવા માટેનું કોઈ લાયસન્સ નહોતું. મેડિકલ ડિગ્રી વગર આ રીતે એલોપેથિક દવાઓનો ઉપયોગ કરવો એ દર્દીના જીવન માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. ખાસ કરીને ગ્રામ્ય અને શ્રમિક વિસ્તારના ભોળા લોકો ઓછી ફીના લોભમાં આવા નકલી ડોક્ટરો પાસે સારવાર કરાવતા હોય છે, જે ક્યારેક જીવલેણ પણ નીવડે છે. પશ્ચિમ બંગાળથી આવી સુરતમાં જમાવ્યો અડ્ડોઝડપાયેલો આરોપી સંજીત વિશ્વાસ મૂળ પશ્ચિમ બંગાળના બસ્તા માટપડા ગામનો વતની છે. તે સુરતના સચિન વિસ્તારમાં આવીને વસ્યો હતો અને ભાડાની જગ્યામાં ક્લિનિક ખોલી બેઠો હતો. સુરતના આ પટ્ટામાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો વસવાટ કરે છે, જેમને નિશાન બનાવીને આ નકલી ડોક્ટર પોતાનો કાળો કારોબાર ચલાવતો હતો. પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે તે કેટલા સમયથી અહીં પ્રેક્ટિસ કરી રહ્યો હતો અને તેની સાથે અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ. સચિન પોલીસની કાયદેસરની કાર્યવાહીઆ મામલે સચિન પોલીસે સંજીત નિલકોમલ વિશ્વાસ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. તેની વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ અને માનવ જિંદગી જોખમાય તે રીતે બેદરકારી દાખવવા બદલ વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ન્યાયતંત્રમાં વર્ષો સુધી ચાલતા કેસોના ભારણને હળવું કરવા અને પક્ષકારોને ઝડપી તેમજ સસ્તો ન્યાય મળી રહે તેવા હેતુથી, રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, ન્યુ દિલ્હીના આદેશાનુસાર આજે જૂનાગઢ ખાતે વર્ષ 2026ની પ્રથમ 'રાષ્ટ્રીય મેગા લોક અદાલત'નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના ઉપક્રમે અને હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ લોક અદાલતમાં હજારો પરિવારો માટે ન્યાયિક પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢ ફેમિલી કોર્ટ તથા તેની અંતર્ગત આવતી વંથલી, વિસાવદર અને કેશોદની ક્લસ્ટર ફેમિલી કોર્ટોમાં પારીવારિક વિવાદોના નિકાલ પર ભાર મૂકવામાં આવ્યો હતો. ફેમિલી જજ પી.એચ. સિંહના નેતૃત્વમાં યોજાયેલી આ અદાલતમાં કુલ 248 પારીવારિક કેસો મૂકવામાં આવ્યા હતા. જેમાંથી ન્યાયાધીશ અને સ્ટાફના હકારાત્મક અભિગમને કારણે 243 કેસોમાં પક્ષકારો વચ્ચે સમાધાન થયું હતું. આ પ્રક્રિયાથી અનેક તૂટતા પરિવારો ફરી એક થયા છે અને મહિલાઓને ભરણપોષણની રકમ સમયસર મળતી થઈ છે. જૂનાગઢ જિલ્લા અદાલત ખાતે ડિસ્ટ્રિક્ટ જજ દવેના માર્ગદર્શન હેઠળ વિવિધ કેસો માટે અલગ-અલગ બેન્ચો કાર્યરત કરવામાં આવી હતી. આ લોક અદાલતમાં પીજીવીસીએલના વીજ બિલના વિવાદો, રાષ્ટ્રીયકૃત બેંકોના લેણાં, દીવાની કેસો, ફોજદારી સમાધાન પાત્ર કેસો તેમજ પોલીસ દ્વારા કરવામાં આવેલા ટ્રાફિક અને વાહનને લગતા કેસોનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવ્યું હતું. ગત વર્ષે 2100 જેટલા કેસોનો નિકાલ થયો હતો, જેની સરખામણીએ આ વર્ષે વધુ કેસોના નિકાલનો અંદાજ છે. લોક અદાલતમાં પક્ષકારોએ કોર્ટના લાંબા સ્ટેજ જેવા કે જવાબ, પુરાવા કે દલીલોની પ્રક્રિયામાંથી પસાર થવું પડતું નથી. વધુમાં, લોક અદાલતમાં સમાધાન થતા પક્ષકારોને કોર્ટ ફી પેટે ભરેલી રકમ 100% રિફંડ મળે છે, જે પક્ષકારો માટે આર્થિક રીતે ફાયદાકારક સાબિત થાય છે. આજના આયોજનમાં એમ.એ.સી.પી. (મોટર અકસ્માત વળતર)ના 17 કેસોમાં કુલ ₹47,64,000 ની રકમના વળતરના ઓર્ડર કરવામાં આવ્યા હતા. આ આયોજનને સફળ બનાવવા જૂનાગઢ જિલ્લા બાર એસોસિએશન, પોલીસ અધિક્ષક અને તેમની ટીમ, તેમજ બેંક અને ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશનના અધિકારીઓએ જહેમત ઉઠાવી હતી. 'લીગલ સર્વિસીસ ઓથોરિટી એક્ટ' ની કલમ 19 હેઠળ થયેલું આ આયોજન સમાજમાં સુમેળ સ્થાપિત કરવામાં અસરકારક રહ્યું છે. વકીલો અને પક્ષકારોના પ્રતિસાદ બાદ ન્યાયતંત્ર દ્વારા આગામી લોક અદાલતોમાં પણ પક્ષકારોને સક્રિય ભાગ લેવા જણાવવામાં આવ્યું છે.
સુરત શહેરના સિટી લાઈટ વિસ્તારમાં રવિવારે આયોજિત થનાર 'સુરક્ષિત ભારત' કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ મોટા વિવાદમાં ફસાયો છે. મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેની તસ્વીર સાથેના પોસ્ટરો વાઇરલ થતા જ સામાજિક અને રાજકીય વર્તુળોમાં તીખી પ્રતિક્રિયા જોવા મળી છે. વિવાદ વધતા આખરે આયોજકોએ વિવાદાસ્પદ બેનરો હટાવવાની ફરજ પડી છે. ગોડસેના વંશજની હાજરીથી વિવાદની શરૂઆતસિટી લાઈટ સ્થિત મહેશ્વરી ભવન ખાતે 'શ્રીરામ કૃષ્ણ સેવા સમિતિ' દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘સુરક્ષિત ભારત: સનાતન અતીત, વર્તમાન અને ભવિષ્યના પડકાર અને સમાધાન’ વિષય પરના આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નથુરામ ગોડસેના વંશજ અજિંક્ય ગોડસેને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ આમંત્રણ અને પોસ્ટરોમાં ગોડસેના ફોટાને કારણે શહેરમાં ચર્ચા જાગી હતી. શહેરભરમાં લાગ્યા વિવાદાસ્પદ પોસ્ટરો અને બેનરોઆ કાર્યક્રમના પ્રચાર માટે સુરતના અનેક મુખ્ય માર્ગો પર મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા. આ બેનરોમાં ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેની તસ્વીરને 'દેશભક્ત' તરીકે રજૂ કરવાનો પ્રયાસ થયો હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. આ દ્રશ્યો સામે આવતા જ ગાંધીવાદી વિચારધારા ધરાવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ‘જે ધરતી ગાંધી-સરદારની છે, ત્યાં તેમના હત્યારાનું મહિમામંડન કઈ રીતે સહન કરી શકાય?’વિવાદ વધતા જ કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલાએ આ મામલે લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી. તેમણે જણાવ્યું કે, જે ધરતી ગાંધી અને સરદારની છે, ત્યાં તેમના હત્યારાનું મહિમામંડન કઈ રીતે સહન કરી શકાય? તેમણે આ કાર્યક્રમને લોકશાહી મૂલ્યોની વિરુદ્ધ ગણાવી તાત્કાલિક અસરથી રદ કરવાની માંગણી કરી હતી. વહીવટી તંત્ર અને પોલીસની ભૂમિકા સામે સવાલોઅસલમ સાયકલવાલાએ વહીવટી તંત્ર પર નિશાન સાધતા સવાલ ઉઠાવ્યો હતો કે, શું પોલીસ અને પાલિકા તંત્રને આટલા મોટા પોસ્ટરો દેખાયા નથી? તેમણે આક્ષેપ કર્યો હતો કે તંત્ર આ મામલે જાણીજોઈને નિષ્ક્રિય રહ્યું છે. જ્યારે સામાન્ય જનતા કે ગરીબો પર કાર્યવાહી કરવાની હોય ત્યારે તંત્ર બહુ સક્રિય બને છે, તો અહીં કેમ ઢીલું વલણ અપનાવાયું? ગરીબોના લારી-ગલ્લા હટાવવામાં અગ્રેસર રહેતા તંત્રએ હોર્ડિંગ્સ હટાવવામાં કેમ મોડું કર્યું?કોંગ્રેસ નેતાએ સુરત મહાનગરપાલિકાની ઝાટકણી કાઢતા કહ્યું કે, પાલિકાનું તંત્ર ગરીબોની લારી-ગલ્લા હટાવવા માટે તો બહુ સક્રિય રીતે અગ્રેસર રહે છે, પરંતુ શહેરની મધ્યમાં લાગેલા આવા વિવાદાસ્પદ હોર્ડિંગ્સ હટાવવામાં કેમ મોડું કર્યું? તેમણે તંત્રને આ કાર્યક્રમ સામે કડક વલણ અપનાવવા અપીલ કરી હતી. ‘હવે કાર્યક્રમમાં નથુરામ ગોડસે અંગે કોઈ ચર્ચા કરવામાં આવશે નહીં’ચારેબાજુથી ઘેરાયા બાદ આયોજક નરેન્દ્ર સાહુએ સ્પષ્ટતા કરી છે કે, વિરોધને ધ્યાને રાખીને અમે તમામ વિવાદાસ્પદ પોસ્ટરો અને બેનરો હટાવી દીધા છે. તેમણે વધુમાં જણાવ્યું કે હવે કાર્યક્રમમાં નથુરામ ગોડસે અંગે કોઈ ચર્ચા કરવામાં આવશે નહીં અને માત્ર સનાતન મહાસંઘના સંસ્થાપક ડો. ગૌતમ ખટ્ટર જ મુખ્ય વક્તા તરીકે હાજર રહેશે. ઉમરા પોલીસની મંજૂરી હજુ સુધી બાકીઆ વિવાદ એટલો વકરી ગયો છે કે ઉમરા પોલીસ મથક દ્વારા રવિવારના આ કાર્યક્રમને હજુ સુધી સત્તાવાર પરવાનગી આપવામાં આવી નથી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કાયદો-વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે. વિવાદાસ્પદ પાસાઓ દૂર કર્યા બાદ જ આગળની કાર્યવાહી નક્કી થશે.
સાબરમતી રેલવે સ્ટેશનથી મણિનગર તરફ રીક્ષામાં જતા મહિલાનું પર્સ ઝૂંટવી 19.43 લાખના દાગીના અને રોકડ રકમ ચોરી કરનાર બે ચોરને ઝોન 2 ડીસીપીના એલસીબી સ્કોડે ઝડપી પાડ્યા છે.આરોપીઓ મોજશોખ માટે ચોરી કરતા હતા.આ ચોરી કરીને પણ આરોપીઓ મુંબઈ અને અજમેર ફરવા જતા રહ્યા હતા.આરોપીઓ પાસેથી 8.50 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. 24 ફેબ્રુઆરીના રોન વહેલી સવારે એક મહિલા તેમના દીકરા સા સાબરમતી રેલવે સ્ટેશનથી મણિનગર તેમના ઘરે રીક્ષામાં બેસીને જઈ રહ્યા હતા.મહિલા માધુપુરાના બારડોલપુરા પહોચ્યા ત્યારે એક ટુ વ્હીલર પર બે શખ્સ આવ્યા હતા જેમણે રીક્ષામાંથી મહિલાનું પર્સ ઝૂંટવી લીધું હતું.બંને મહિલાનું પર્સ લઈને નાસી ગયા હતા.પર્સમાં દાગીના,રોકડ અને મોબાઇલ સહિત 19.43 લાખનો સામાન હતો.બનાવ અંગે માધવપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ઝોન 2 ડીસીપી ભરત રાઠોડના એલસીબી સ્કોડના પીએસઆઈ કે.ડી પટેલ અને તેમની ટીમે 150થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા જેમાં બે શંકાસ્પદ આરોપી દેખાતા હતા.પોલીસે અગાઉના ગુનાના આધારે બે આરોપીઓની ઓળખ કરી હતી.અગાઉ રાણીપમાં પણ આ જ પ્રકારે ચોરી થઈ હતી તે આરોપી હાલ જામીન પર હતા જેથી પોલીસે તેની તપાસ કરતા બે આરોપીઓએ ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તારિક પટેલ (રહે - જુહાપુરા વેજલપુર) અને સોયેબ ઉર્ફે મામા રંગરેજ (રહે - બેરલ માર્કેટ દાણીલીમડા)ની ધરપકડ કરી હતી.આરોપીઓએ મુદ્દામાલમાંથી અડધો મુદ્દામાલ વેચવા ત્રીજા આરોપી અતીયાર શેખને આપ્યો હતો.હાલ ત્રીજો આરોપી ફરાર છે.પકડાયેલા આરોપીઓએ મોજશોખ માટે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.આરોપીઓ ચોરી કર્યા બાદ મુંબઈ અને અજમેર ફરવા માટે પણ ગયા હતા.બંને આરોપીઓ વિરુદ્ધ કુલ 12 જેટલા ગુના નોંધાયેલા છે
અમદાવાદના મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ દ્વારા વડોદરાના ગોત્રી વિસ્તારમાં એક સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજરી આપી હતી. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાન પર સંતો અને હરિભક્તો દ્વારા પુષ્પાભિષેક કરવામાં આવ્યો હતો. કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ સ્ટ્રેસ મેનેજમેન્ટ વિષય પર પ્રવચન આપ્યું હતું, જ્યારે શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ સત્સંગ સુખદાયી વિષય પર પ્રેરણાદાયી ઉદ્બોધન કર્યું હતું. સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આજે માનસિક તણાવને કારણે દર વર્ષે વિશ્વમાં બે કરોડ લોકો આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આપણે ક્યારેય આત્મહત્યા ન કરવી જોઈએ. જીવનમાં સુખ અને દુઃખ દિવસ-રાતની જેમ વારાફરતી આવતા રહે છે, ત્યારે દુઃખના સમયે ધીરજ રાખવી અત્યંત જરૂરી છે. તેમણે ઉમેર્યું કે ઘણા લોકો દુઃખી હોવાથી તણાવમાં રહે છે અને તેને ભૂલવા માટે રાત્રે ઊંઘની ગોળીઓ લે છે, છતાં તેમને ઊંઘ આવતી નથી. તણાવમુક્તિ માટે ગોળીઓની નહીં, પરંતુ ભગવાનનું ધ્યાન કરવાની જરૂર છે. શાંતિ મેળવવા માટે મેડિસિન નહીં, મેડિટેશનની આવશ્યકતા છે. સંત પ્રેમવત્સલદાસજીએ સૌને ભગવાનનું ધ્યાન કરવાની ટેવ પાડવા વિનંતી કરી. તેમણે કહ્યું કે સવારે ઉઠીને અને રાત્રે સૂતી વખતે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. આજના સમયમાં લોકો સવારે ઉઠતાની સાથે અને સૂતી વખતે મોબાઈલના દર્શન કરે છે, જેના કારણે માનસિક તણાવ વધે છે. તેના બદલે ભગવાનના દર્શન કરીને દિવસનો પ્રારંભ કરવો હિતાવહ છે. તેમણે વધુમાં જણાવ્યું કે પુરુષાર્થ અવશ્ય કરવો જોઈએ, પરંતુ પુરુષાર્થ કર્યા પછી વ્યવહારની ચિંતા ભગવાનને સોંપી દેવી જોઈએ. પિતા ક્યારેય પુત્રનું અહિત કરતા નથી, તેમ ભગવાન આપણું ક્યારેય અહિત નહીં કરે તેવો શ્રી સ્વામિનારાયણ ભગવાન પર વિશ્વાસ રાખવાથી માનસિક તણાવમાંથી મુક્ત થઈ શકાય છે. આ પ્રસંગે સાધુ પ્રેમવત્સલદાસજીએ વડોદરા શહેર સાથે શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંબંધોને યાદ કર્યા. તેમણે જણાવ્યું કે શ્રી સ્વામિનારાયણ ભગવાન ઈ.સ. ૧૮૧૦માં વડોદરા પધાર્યા હતા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ (બીજા)ને શ્રી હરિ પ્રત્યે અત્યંત ભાવ હતો અને તેમણે હાથીની અંબાડી પર શ્રી સ્વામિનારાયણ ભગવાનને બેસાડીને ભવ્ય શોભાયાત્રા કાઢી હતી. સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ વડોદરામાં સત્સંગના પ્રવર્તનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત, સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીએ વડોદરામાં વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કર્યો હતો, જે પ્રસંગ સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયો છે.
દેશભરમાં રાંધણ ગેસના પુરવઠાને લઈને સર્જાયેલી અસમંજસની અસર હવે મહેસાણા જિલ્લામાં પણ ઘેરી બની રહી છે. જિલ્લાની ગેસ એજન્સીઓ બહાર વહેલી સવારથી જ ગ્રાહકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ઉનાળાના આકરા તડકામાં લોકો પોતાનો ધંધો-રોજગાર છોડીને કલાકો સુધી ગેસ સિલિન્ડર મેળવવા માટે રાહ જોઈ રહ્યા છે, જેના કારણે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પેનિક બુકિંગ અને સર્વરની સમસ્યાગેસ એજન્સીના સંચાલક રાકેશ શાહના જણાવ્યા અનુસાર કંપની તરફથી પુરવઠો પૂરતા પ્રમાણમાં આવી રહ્યો છે.પરંતુ લોકોમાં ફેલાયેલા ડરને કારણે 'પેનિક બુકિંગ' વધી ગયું છે. અગાઉ જ્યાં દૈનિક 500-600 સિલિન્ડરની માંગ રહેતી હતી તેની સામે અત્યારે 1500થી વધુ લોકો ઉમટી રહ્યા છે. આ અચાનક વધેલા ધસારાને કારણે IVRS બુકિંગ સર્વર પણ ક્રેશ થઈ ગયું છે.જેનાથી ઓનલાઇન બુકિંગમાં મુશ્કેલી પડી રહી છે. જે ગ્રાહકો પાસે બે સિલિન્ડર છે તેઓ પણ ભવિષ્યની ચિંતામાં અત્યારથી જ લાઈનોમાં ઊભા રહી રહ્યા છે, જે ખરેખર જરૂરી નથી. કોમર્શિયલ ગેસનો સપ્લાય બંધ : હોટલ ઉદ્યોગ મુશ્કેલીમાંઘરેલું વપરાશના ગેસને પ્રાધાન્ય આપવા માટે હાલમાં કોમર્શિયલ ગેસ (વ્યાપારી વપરાશ) નું પ્રોડક્શન અને રિફિલિંગ બંધ કરી દેવામાં આવ્યું હોવાનું સંચાલકોએ સ્વીકાર્યું છે. આ નિર્ણયને કારણે હોટલો, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલા સંચાલકોને મોટો ફટકો પડ્યો છે. અનેક હોટલ માલિકોને ગેસના અભાવે એકમો બંધ કરવાની નોબત આવી છે. જનતાની હાલાકી: નોટબંધી જેવો માહોલસ્થાનિક ગ્રાહકોના જણાવ્યા મુજબ, બુકિંગ માટેના ફોન નંબર છેલ્લા એક અઠવાડિયાથી લાગતા નથી. સવારના 7-8 વાગ્યાથી લાઈનમાં ઉભા રહેવા છતાં બપોર સુધી વારો આવતો નથી. ખાસ કરીને જે પરિવારો પાસે માત્ર એક જ સિલિન્ડર છે, તેમના રસોડામાં ચૂલો સળગવો મુશ્કેલ બન્યો છે. લોકોએ આ સ્થિતિની સરખામણી નોટબંધી સમયની લાઈનો સાથે કરી છે. તંત્ર અને એજન્સીઓ દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. રોહિત પ્રજાપતિ એ જણાવ્યું કે હું સવારે 9:30 વાગ્યાનો અહીંયા આવ્યો છું.મારી મમ્મી માટે ગેસનો બાટલો લેવા માટે. અત્યારે પોણો એક થઈ ગયો છે.પણ હજી મારો નંબર આવ્યો નથી.બુકિંગ માટેનો જે ફોન નંબર છે તે છેલ્લા એક અઠવાડિયાથી બંધ છે.એટલે મેં એપ્લિકેશન દ્વારા બુકિંગ કરાવ્યું છે.પરિસ્થિતિ એવી છે કે નોટબંધીના સમયથી શરૂ થયેલી લાઈનો હવે રસોડા સુધી ગેસના બાટલા સુધી પહોંચી ગઈ છે. પ્રજા ખૂબ હેરાન થઈ રહી છે. લોકો સવારના 7 વાગ્યાથી આ ઉનાળામાં અને ધગધગતા તડકામાં લાઈનોમાં ઉભા છે અને પોતાના વારાની રાહ જોઈ રહ્યા છે. સૌથી મોટી તકલીફ એવા લોકોને છે જેમની પાસે માત્ર એક જ ગેસનો બાટલો છે. તેમને સમયસર ગેસ મળતો નથી જેના કારણે જમવાનું બનાવવામાં અને રસોઈ કરવામાં ખૂબ મુશ્કેલી પડે છે. રજનીકાંત ભાઈ જોષીએ જણાવ્યું કે અમે આઠ વાગ્યાના સાહેબ આવ્યા છીએ હજી નંબર આવ્યો નથી. અને આ બાટલાની લાઈન એટલી બધી છે અને પાછું કંઈક કાર્યવાહી કર્યા વગર તો આપતા નથી એટલે સમય ઘણો થઈ ગયો છે.આમાં કંઈક કારણ કે બધા કંઈક ને કંઈક કામ કરે,બધા પોતાનો ધંધો વ્યાપાર મૂકીને આવ્યા હોય એટલે થોડુંક બધાનું ધ્યાન રાખવું જોઈએ એ પ્રમાણે કંઈક કાર્યવાહી કરવી જોઈએ.
વડોદરા શહેરના પ્રતાપનગર રેલવે યાર્ડમાં આવેલ વર્કશોપ પાસે સ્ક્રેપમાં આગનો બનાવ સામે આવ્યો હતો. આ આગના બનાવને લઈ દોડધામ મચી જવા પામી હતી. બનાવને લઈ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જો કે ફાયર વિભાગને આ સ્ક્રેપમાં આગ પર કાબૂ મેળવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. વર્કશોપ પાસે સ્ક્રેપના ગોડાઉનમાં વહેલી સવારે આગશહેરના પ્રતાપનગર ખાતે આવેલા રેલવે યાર્ડમાં આવેલ વર્કશોપ પાસે વહેલી સવારે આગનો બનાવ સામે આવ્યો હતો. આ આગ વર્કશોપ પાસે રહેલા સ્ક્રેપના ગોડાઉનમાં લાગી હતી. જેમાં પતરા, પાઇપ અને અન્ય સામાન ભરેલો હતો. આગ લાગતા અહીંયા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ અંગેની જાણ ગાજરાવાડી ફાયર સ્ટેશનને કરતા ટીમ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો. અઢી કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયોફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી સ્ક્રેપના ગોડાઉનમાં આગ પર નિયંત્રણ મેળવવા ભારે જહેમત ઉઠાવી પડી હતી. અહીંયા રહેલા ફાયરના સાધનો દ્વારા પણ આગ કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો જો કે આગ એટલી વિકરાળ બની કે ફાયર વિભાગની ટીમે સત્તત પાણીનો મારો ચલાવ્યો હતો. અહીંયા સમાન વધુ હોવાથી સમય વધુ લાગ્યો હતો. ફાયર વિભાગે અઢી કલાકની ભારે જહેમત આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગતા અહીંયા રહેલા કેટલાક ઝાડને પણ નુકસાન થયું છે. સાથે સ્ક્રેપમાં રહેલ મોટા ભાગનો સમાન બળીને ખાખ થઈ ગયો હતો. વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે કચરામાં આગ લાગી આ સાથે શહેરના માંજલપુર વિસ્તારમાં વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે કચરામાં આગ લાગી હતી. સાથે તાંદલજા વિસ્તારમાં ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા કેબલો બળી ને ખાખ થઈ ગયા હતા. સાથે જિલ્લામાં રામપુરા પાદરા પાસે ઇકો કારમાં આગ લાગતા કાર બળીને ખાખ થઈ ગઈ હતી.
ગુજરાતીમાં કહેવત છે કે ઊંટના અઢારે અંગ વાંકા, પરંતુ આ અઢારે વાંકા અંગ વાળું ઊંટ વડોદરા શહેરના રસ્તાઓ ઉપર ફસાઈ ગયું હતું. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રોડ વચ્ચે પાણીના વાલ્વના કાણામાં આ ઊંટનો પગ એવો ફસાયો કે તેને કાઢવામાં નાકે ફીણ આવી ગયું. સ્થાનિક રહીશો અને ઊંટના માલિકે મહામહેનતે આ ઊંટનો પગ બહાર કાઢ્યો. ત્યારે સ્થાનિકોમાં એવો પણ ગણગણાટ જોવા મળ્યો કે આ તો ઊંટના નહીં પરંતુ પાલિકાના અઢારે વાંકા છે. ઊંટનો પગ ગરક થઇ ગયો હતો અને તે રોડ ઉપર જ બેસી ગયુંવડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાંથી એક ઊંટલારી પસાર થઇ રહી હતી. સામાન્ય રીતે ઉનાળાના સમયમાં જ્યાં પાણીની અછત હોય છે તેવા પ્રદેશોમાંથી અનેક લોકો ઊંટ સાથે હિજરત કરે છે. તેવો જ એક પરિવાર પસાર થઇ રહ્યો હતો દરમિયાન અચાનક રોડ ઉપર પાલિકાની લાઈન ઉપરના લોખંડના ઢાંકણાની બાજુમાં વાલ્વના હોલમાં ઊંટનો પગ ગરક થઇ ગયો હતો અને તે રોડ ઉપર જ બેસી ગયું હતું. ઊંટ કણસતું રહ્યું અને લોકો બચાવવાનો પ્રયાસ કરતા રહ્યાં નાનકડા હોલમાં ઊંટનો પગ ફસાઈ જતા તેને અસહ્ય પીડા થઇ રહી હતી અને તે કણસતું રહ્યું હતું. શરૂઆતમાં તો ઊંટના માલિકે તેનો પગ બહાર કાઢવાના પ્રયાસો કર્યા ત્યાર બાદ અન્ય લોકો પણ તેઓની મદદે આવ્યા અને મહામહેનતે ઊંટનો પગ બહાર કાઢી તેને દર્દમાંથી મુક્તિ અપાવી હતી. ઊંટને પગના ભાગે ઇજા પણ પહોંચી હતી. જો કે એક તબક્કે આસપાસ લોકોની ભીડ જમા થઇ ગઈ હતી. લોકોની સુખાકારી વધારવામાં આવે તેવી પણ માગણી ઉઠીશહેરમાં અનેક વિસ્તારમાં રોડની વચોવચ જ આ પ્રકારના ઢાંકણા મૂકી દેવાયા છે. કેટલાક વિસ્તારોમાં તો સમારકામ બાદ તેને જો યોગ્ય રીતે પુરાણ ન કરવામાં આવે તો વાહનચાલકોએ ભારે હાલાકી વેઠવી પડી રહી છે. શહેરમાં અનેક સ્થળોએ હાલમાં ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી ના કારણે પણ ખાડાઓ ખોદી નાખવામાં આવ્યા છે. ત્યારે પાલિકા દ્વારા લોકોની સુખાકારી વધારવામાં આવે તેવી પણ માગણી ઉઠી છે.
ગાંધીનગરના સુઘડમાં રહેતા સાનિધ્ય બિલ્ડરના 25 વર્ષીય ઋષભ પટેલના આપઘાત કેસમાં જાન્યુઆરી મહિનાથી વોન્ટેડ ત્રણ આરોપીઓ નેપાળમાં આશરો લઇ રહ્યા હોવાનું ઇન્ફોસિટી પોલીસની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. જેના પગલે હવે ગાંધીનગર પોલીસ આરોપીઓ સુધી પહોંચવા માટે નેપાળ પોલીસના સંલકનમાં રહી માઇક્રો પ્લાનિંગ સાથે તપાસનો ધમધમાટ શરૂ કરવાની છે. ઋષભ 25 જાન્યુઆરીએ સાઈટ પર જવાનું કહી ઘરેથી નીકળી ગયો હતોગાંધીનગર કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા 25 વર્ષીય ઋષભ પટેલની આત્મહત્યા કેસમાં ઇન્ફોસિટી પોલીસ સ્ટેશને મૃતકના પિતા પ્રવિણભાઈએ ચાર શખસોના નામજોગ આત્મહત્યા દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. સુઘડ ખાતે અપોલો હોસ્પિટલ નજીક આવેલા શિખર બંગ્લોઝમાં રહેતા ઋષભ પ્રવિણભાઈ પટેલના લગ્ન તા. 12 જાન્યુઆરીના રોજ થયા હતા. લગ્નના 13 દિવસ બાદ એટલે કે 25 જાન્યુઆરીના રોજ તે સાઈટ ઉપર જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. જોકે તે પરત નહીં ફરતા પરિવારજનો દ્વારા તેની શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ ઋષભનો ક્યાંય પત્તો લાગ્યો નહોતો. મૃતદેહ ઘરથી 39 કિમી દૂર કડી-નર્મદા કેનાલમાંથી મળ્યોદરમિયાન 26 જાન્યુઆરીના રોજ ઋષભની કાર રાયપુર નર્મદા કેનાલ પાસે બહુચર પાન પાર્લર નજીકથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. જેની અંદર તપાસ કરતા પરિવારને દાગીના, મોબાઈલ અને રોકડ રકમની સાથે બે પેજની અંતિમ ચિઠ્ઠી પણ મળી હતી. 28 જાન્યુઆરીના રોજ ઋષભનો મૃતદેહ ઘરથી 39 કિમી દૂર કડી નર્મદા કેનાલમાંથી મળી આવ્યો હતો. ઋષભે સ્યુસાઇડ નોટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર સહિત ચાર શખસના માનસિક ત્રાસથી કંટાળીને આ પગલું ભરી રહ્યો હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો. તો બીજી તરફ ઋષભે લખેલી સુસાઈડ નોટમાં પોતાની પત્નીને સંબોધીને લખ્યું હતું કે હેલી બેટા (પત્ની)… ખુશ રહેજે, મને તારા જ માણસોએ મરવા માટે મજબૂર કર્યો છે, તેમને સજા અપાવજે. ઋષભના મોત બાદ ત્રણેય આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયાપોલીસ ચોપડે ફરિયાદ દાખલ થતા જ કલ્પેશ ઉર્ફ તલાટી અંબાલાલ પટેલ (હાલ રહેવાસી એ/802, નેસ્ટ રેસીડન્સી, કેરાહેજા રોડ કોબા) મનિષ ઉર્ફ સ્પલેન્ડર સોમાભાઇ પટેલ (રહે. બી/101, શિખર રેસીડન્સી, નાના ચિલોડા), ક્રિશાલ અરવિંદભાઇ ઉર્ફ વિકમભાઇ પટેલ (રહે.સી/702, બેવરલી હિલ્સ, નાના ચિલોડા) અને મહિપાલસિંહ રાઠોડ (તાબુંલ પાર્ન પાર્લર બેવરલી કોમ્પલેક્ષ, રહે.નાના ચિલોડા) ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. ક્રિકેટ સટ્ટાના રૂપિયાની લેતીદેતીનું કારણ બહાર આવ્યુંબાદમાં પોલીસના હાથમાં મહિપાલસિંહ રાઠોડ આવી ગયો હતો. જેણે પોલીસ રિમાન્ડ દરમિયાન વટાણા વેરી દેતા સમગ્ર પ્રકરણ ક્રિકેટ સટ્ટા બેટિંગના રૂપિયાની લેતીદેતીનું હોવાનું બહાર આવ્યું હતું. જેમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર તારાબેન પટેલના પુત્ર મનીષ ઉર્ફે સ્પ્લેન્ડર, કલ્પેશ ઉર્ફે તલાટી અંબાલાલ પટેલ, ક્રિશાલ પટેલ દ્વારા સટ્ટાના 70થી 80 લાખની ઉઘરાણી કરવામાં આવતી હતી. મનીષ ઉર્ફે સ્પ્લેન્ડર અને સાણંદ ખાતે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતો કલ્પેશ ઉર્ફે તલાટી જે આઇડીથી ઋષભ સટ્ટો રમતો હતો એ આઇડી પાસવર્ડ આરોપીઓ તરફથી આપવામાં આવેલું હતું. જે સટ્ટા બેટિંગ પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હતી. મૃતકની પત્નીએ પતિના આપઘાત માટે જવાબદાર ન હોવાનો દાવો કર્યોજોકે ઋષભ પૈસા ચૂકવવામાં ગલ્લા તલ્લા કરતો હોવાથી તેને માર મારી ટોર્ચર કરાયો હતો. આખરે ઋષભે કેનાલમાં આપઘાત કરી લીધો હતો. ત્યારે પોલીસે ઋષભની પત્ની હેલીની પણ પૂછતાછ કરતાં પારિવારિક સંબંધોના લીધે કલ્પેશ ઉર્ફે તલાટીને તે મામા કહીને બોલાવતી હોવાનો ખુલાસો થયો છે. પોલીસ સમક્ષ હેલીએ મામા કલ્પેશ તલાટી પતિના આપઘાત માટે જવાબદાર નહિ હોવાનો પણ દાવો કર્યો હતો. બીજી તરફ ઋષભ પટેલ જે પૈસા સટ્ટામાં હારી ગયો હતો. એ પૈસા આગળ ચૂકવવા માટે કલ્પેશ ઉર્ફે તલાટીએ તેનું માણસા નું મકાન પણ અંદાજિત 65 લાખમાં વેચી માર્યું હતું. તેમ છતાં ઋષભ પૈસા પરત કરવાની કોઈ દરકાર કરતો નહોતો. વધુમાં પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છેકે ભૂતકાળમાં ઋષભ નકલી માર્કશીટ કેસમાં સંડોવાયેલો હતો. આરોપીઓ નેપાળમાં છુપાયું હોવાનું બહાર આવ્યુંજોકે આ સમગ્ર મામલે ગુનો દાખલ થતાં જ મનીષ ઉર્ફે સ્પ્લેન્ડર, કલ્પેશ ઉર્ફે તલાટી અને ક્રિશાલ પટેલને પકડવા ઇન્ફોસિટી પીઆઇ વી આર ખેરની ટીમોએ ત્રણેયના આશ્રય સ્થાનો પર દરોડા પાડી પરિવાજનોની પણ પૂછતાછ હાથ ધરી હતી. પરંતુ કોઈ ફળદાયી હકીકત મળી આવી હતી. ત્યારે પોલીસે એક પછી એક કડીઓ જોડીને તપાસનો દોર ચાલુ રાખતા આરોપીઓ નેપાળમાં છુપાયા હોવાનું બહાર આવ્યું છે. આ અંગે વિશ્વસનીય સુત્રોએ કહ્યુ કે, આરોપીઓ નેપાળમાં નજીકના પરિચિત મારફતે આશરો મેળવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. નેપાળ વિઝા ફ્રી હોવાથી ત્રણેય ત્યાં છુપાઈને બેસી ગયા છે. જેના પગલે નેપાળ પોલીસના સંકલનમાં રહીને ત્રણેયને ઝડપી લેવા તખ્તો ગોઠવામાં આવી રહ્યો છે.
ગુજરાતમાં સ્ટાફ નર્સ વર્ગ-3ની ભરતી પ્રક્રિયા ફરી વિવાદના ઘેરામાં આવી છે, જેમાં આરોગ્ય વિભાગે ડિસક્વોલિફાય લિસ્ટમાં નામ હોવા છતાં એક યુવતીને નિમણૂક પત્ર આપી દીધાનો યુવરાજસિંહનો આક્ષેપ છે. આ ભરતીમાં જવાબોની એક ખાસ 'ABCD' પેટર્નનો ઉપયોગ થયો હોવાના વિગતો પણ સામે આવી હતી. આ સાથે જ, યુવરાજસિંહ જાડેજાએ બાકરોલ દૂધ મંડળીનું 300 લીટર દૂધ નકલી હોવાનો ગંભીર આક્ષેપ કરીને સવાલો ઉઠાવ્યા છે. આમ, એક તરફ સરકારી ભરતીમાં થતી ગેરરીતિઓ અને બીજી તરફ સામાન્ય જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી દૂધના કૌભાંડોએ રાજ્યમાં ચર્ચા જગાવી છે. 1903 જગ્યાઓ માટે ભરતી ને વિવાદયુવરાજસિંહ જાડેજાના જણાવ્યા મુજબ, આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયેલી સ્ટાફ નર્સ વર્ગ-3ની ભરતી (જાહેરાત ક્રમાંક COH/202425/1) પ્રક્રિયામાં ગંભીર ગડબડીઓ થઈ હોવાની શંકા છે. રાજ્યની સરકારી હોસ્પિટલો અને સામુહિક આરોગ્ય કેન્દ્રો માટે 1903 જગ્યાઓ માટે આ ભરતી જાહેર કરવામાં આવી હતી. 5 ઓક્ટોબર 2024 થી 3 નવેમ્બર 2024 સુધી ફોર્મ ભરાયા હતા અને 9 ફેબ્રુઆરી 2025ના રોજ લેખિત પરીક્ષા યોજાઈ હતી, જેમાં અંદાજે 53,500થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. સત્તાવાર મેરિટ લિસ્ટમાં નથી છતાં નિમણૂક પત્ર કેવી રીતે?જાડેજાના આક્ષેપ મુજબ સોશિયલ મીડિયામાં “શિવાનીબેન ભરતભાઈ ડાકી” નામની ઉમેદવારને સ્ટાફ નર્સ તરીકે નિમણૂક પત્ર મળ્યાની પોસ્ટ વાયરલ થઈ છે. પરંતુ સત્તાવાર મેરિટ લિસ્ટ તપાસતા આ ઉમેદવારનું નામ પસંદગી યાદીમાં જોવા મળતું નથી. ઉલટું તેઓ ડિસ્ક્વોલિફાઈડ ઉમેદવારોની યાદીમાં હોવાનું જણાય છે. તેથી પરીક્ષામાં નાપાસ થયેલી વ્યક્તિ પાસે આરોગ્ય વિભાગનો સહી-સિક્કાવાળો નિમણૂક પત્ર કેવી રીતે પહોંચ્યો તે ગંભીર પ્રશ્ન ઉભો થયો હોવાનું તેમણે જણાવ્યું છે. 'ઓર્ડર સાચો હોય તો ભરતી પ્રક્રિયામાં મોટી ગડબડ હોય શકે'યુવરાજસિંહ જાડેજાએ દાવો કર્યો છે કે જો આ ઓર્ડર સાચો હોય તો ભરતી પ્રક્રિયામાં મોટી ગડબડ થઈ હોવાનું સાબિત થાય છે અને જો ઓર્ડર નકલી હોય તો કોઈ ગેંગ દ્વારા લાખો રૂપિયામાં નકલી નિમણૂક પત્રો બનાવવાનો રેકેટ ચાલતો હોવાની સંભાવના નકારી શકાય નહીં. તેમણે આ મામલે તટસ્થ તપાસ કરવાની માંગ પણ ઉઠાવી છે. 'બાકરોલ દૂધ મંડળી દૂધ પીવાલાયક નથી'બીજી તરફ જાડેજાએ દૂધમાં ભેળસેળના મુદ્દે પણ સવાલો ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ અમૂલ ડેરીના ક્વોલિટી એસ્યોરન્સ રિપોર્ટમાં આણંદ જિલ્લાના બાકરોલ દૂધ મંડળીમાંથી લેવાયેલા કેટલાક દૂધના નમૂનાઓ ‘અસામાન્ય’ જાહેર થયા છે. રિપોર્ટ મુજબ મંડળીના 6 સભાસદોના દૂધના સેમ્પલમાં દૂધ સિવાયના અન્ય પદાર્થોની હાજરી જોવા મળી હોવાનું જણાવાયું છે. ભેળસેળમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવા માંગજાડેજાએ આ મુદ્દે કહ્યું કે દૂધમાં આવી ભેળસેળ ગ્રાહકોના આરોગ્ય માટે ગંભીર જોખમ બની શકે છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધો માટે આ સ્થિતિ ચિંતાજનક છે. તેમણે માંગ કરી કે ભેળસેળમાં સંડોવાયેલા લોકો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને સમગ્ર નેટવર્ક બહાર લાવવા માટે ઉચ્ચસ્તરીય તપાસ કરવી જોઈએ. તંત્ર શું કાર્યવાહી કરે છે તે પર સૌની નજર આ બંને ઘટનાઓએ રાજ્યના વહીવટી તંત્ર સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. એક તરફ નાપાસ ઉમેદવાર પાસે નિમણૂક પત્ર પહોંચે છે તો બીજી તરફ લાખો ગ્રાહકો સુધી પહોંચતા દૂધમાં ભેળસેળ પકડાય છે. આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા જેવી મહત્વની વ્યવસ્થાઓમાં આવી ગડબડ સામે આવતા હવે તટસ્થ તપાસ અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. જનતા અને યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલા આવા મામલાઓમાં જવાબદાર સામે કડક પગલાં લેવામાં આવશે કે નહીં તે હવે જોવા જેવું રહેશે.આક્ષેપો બાદ હવે બંને મુદ્દાઓને લઈને તંત્ર શું કાર્યવાહી કરે છે તે પર સૌની નજર છે. આ પણ વાંચો1903 નર્સિંગ સ્ટાફની ભરતી શંકાના દાયરામાં:આન્સર કીમાં ક્રમિક એબીસીડીમાં જવાબ રાજ્ય સરકાર દ્વારા 9 ફેબ્રુઆરીએ લેવામાં આવેલી નર્સિગ ભરતીની પરીક્ષાની આન્સર કી જાહેર કરવામાં આવતા જ વિવાદ સર્જાયો છે. આન્સર કીમાં દરેક પ્રશ્નના જવાબ એબીસીડી ક્રમમાં આવતા હોવાના કારણે પરીક્ષાર્થીઓએ સોશિયલ મીડિયામાં સવાલો ઉઠાવતા કોંગ્રેસે પણ આ મુદ્દે ઝંપલાવ્યું છે અને તપાસની માગ કરી છે. તો બીજી તરફ જીટીયુ દ્વારા આ મામલે સ્ટાફ નર્સ પરીક્ષાનું પેપર કાઢનાર એક્સપર્ટ પાસે મંગાયો જવાબ માગવામાં આવ્યો છે. (વાંચો સંપૂર્ણ સમાચાર)
ભાણવડમાં ફ્લડ લાઈટ ચોરીનો ભેદ ઉકેલાયો:ગડુ ગામનો યુવાન ₹21,010ની લાઈટ સાથે ઝડપાયો
ભાણવડ તાલુકાના રૂપામોરા ગામ ખાતે આવેલી ગૌશાળામાંથી ફ્લડ લાઈટ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે ગડુ ગામના એક યુવાનને ઝડપી પાડી તેની પાસેથી ₹21,010ની કિંમતની ચોરાયેલી લાઈટો કબજે કરી છે. થોડા દિવસો પહેલા રૂપામોરા ગામની ગૌશાળામાંથી આશરે ₹21,010ની કિંમતની કુલ 15 ફ્લડ લાઈટોની ચોરી થઈ હતી. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા તપાસ શરૂ કરવામાં આવી હતી. આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ ભાણવડના ઈન્ચાર્જ ડીવાયએસપી વી.પી. માનસેતાના માર્ગદર્શન હેઠળ ભાણવડ પોલીસ મથકના પી.આઈ. સી.એલ. દેસાઈ અને તેમની ટીમે સઘન તપાસ હાથ ધરી હતી. ચોક્કસ બાતમીના આધારે પોલીસે ભાણવડ તાલુકાના ગડુ ગામના રહેવાસી અને ઈલેક્ટ્રીકની દુકાન ચલાવતા કૌશિક કિશોરભાઈ કારેણા (ઉ.વ. 26) ને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન ચોરીની ઘટનાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે તેની પાસેથી ચોરી કરેલી ₹21,010ની કિંમતની ફ્લડ લાઈટો તેમજ ₹15,000ની કિંમતનું એક મોટરસાયકલ કબજે કર્યું હતું. આમ, કુલ ₹36,010નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરીમાં ભાણવડ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નારણભાઈ બેલા, જીતુભાઈ જામ, કિશોરસિંહ જાડેજા અને લાલાભાઈ ખાટલીયા સહિતના પોલીસ કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા આગામી સંગઠનાત્મક લક્ષ્યો અને પક્ષની મજબૂતી માટે સોમવારે, 16 માર્ચના રોજ પાટણ જિલ્લાના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ વિશ્વકર્માજીનો આ પાટણ જિલ્લાનો પ્રથમ પ્રવાસ છે. તેમના આ પ્રવાસને લઈને ભાજપ કાર્યાલય ખાતે એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ઉપસ્થિત જિલ્લા પ્રભારી સત્યેન કુલાબકરે જણાવ્યું હતું કે, પ્રદેશ અધ્યક્ષના પ્રવાસની શરૂઆત સવારે 9.45 કલાકે ચાણસ્મા શહેરથી થશે. તેઓ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી પિંપળેશ્વર મહાદેવના દર્શન કરશે. ત્યારબાદ સવારે 10 કલાકે ચાણસ્માની સુરાણી વાડી ખાતે 17-ચાણસ્મા વિધાનસભાના કાર્યકર સંમેલનને સંબોધિત કરી સંગઠનલક્ષી માર્ગદર્શન પૂરું પાડશે. બપોરે 12.30 કલાકે જગદીશભાઈ વિશ્વકર્મા પાટણ તાલુકાના બુથ નં. 240ના બુથ પ્રમુખના નિવાસસ્થાને સાદગીપૂર્વક ભોજન લઈ પાયાના કાર્યકરોનું મનોબળ વધારશે. બપોર બાદ પ્રદેશ અધ્યક્ષ પાટણ શહેરમાં વિવિધ કાર્યક્રમોમાં જોડાશે. જેમાં બપોરે 1.45 કલાકે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી હોલ ખાતે શહેરના બિન-રાજકીય પ્રતિષ્ઠિત નાગરિકો અને બૌદ્ધિકો સાથે વિશેષ સંવાદ યોજાશે. ત્યારબાદ બપોરે 2 કલાકે પાટણ APMC ખાતે 18-પાટણ વિધાનસભાના કાર્યકર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 4 કલાકે જિલ્લા ભાજપ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે સંગઠનના હોદ્દેદારો સાથે મહત્વની બેઠક યોજાશે. દિવસના અંતે તેઓ સાંજે 6.30 કલાકે વીર મેઘમાયા સ્મારક ખાતે દર્શન કરી વંદન કરશે. રાત્રે 7 કલાકે પાટણ શહેરના બુથ પ્રમુખના નિવાસસ્થાને ભોજન લઈ પ્રવાસ પૂર્ણ કરશે. આ મુલાકાત આગામી દિવસોમાં પાટણ જિલ્લામાં ભાજપના સંગઠનને વધુ વેગવંતુ બનાવશે તેમ માનવામાં આવી રહ્યું છે. આ બેઠકમાં જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધવ, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, મહામંત્રી સંજયભાઈ પટેલ, લાલજીભાઈ દેસાઈ, બાબુજી ઠાકોર, પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, લેશભાઈ રાજગરો અને મીડિયા કન્વીનર જયેશભાઈ દરજી સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા.
ભરૂચની કોર્ટ દ્વારા મૂળ બિહારના 21 વર્ષીય આરોપી તબરેઝ અન્સારીને 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના કેસમાં વર્ષ 2018માં આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી. જેની સામે તેને ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જો કે હાઇકોર્ટે આ અપીલ ફગાવી દઈને ભરૂચની કોર્ટના હુકમને યોગ્ય ઠરાવ્યો છે. મોબાઇલમાં ગેમ બતાવવાની લાલચ આપીને ઘરના ધાબે લઈ ગયો હતોઆરોપી સામે બાળકીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ભરૂચની કોર્ટે 15 સાહેદ અને 30 પુરાવા તપાસીને આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. આરોપી ફરિયાદીના ઘરે કન્સ્ટ્રક્શનના કામે ગયો હતો. જ્યાં સામે જ ફરિયાદીના સસરાનું ઘર આવેલું હતું. આરોપી બાળકીને મોબાઇલમાં ગેમ બતાવવાની લાલચ આપીને ઘરના ધાબે લઈ ગયો હતો. જ્યાં બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આરોપીએ શાળા છોડ્યાનો ખોટું પ્રમાણપત્ર પણ રજૂ કર્યું હતુંઆરોપી તરફે પોતે સગીર હોવાની રજૂઆત કરવામાં આવી હતી. વળી તે સંદર્ભે શાળા છોડ્યાનો ખોટું પ્રમાણપત્ર પણ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ કોર્ટે તેની અસલ ઉમર જાણવા ઓસિફિકેશન ટેસ્ટ કરવાનો હુકમ કર્યો હતો. જે મુજબ આરોપીની ઉંમર 18 વર્ષથી વધુ, તેમજ 21 વર્ષની હોવાનું જાણવા મળ્યું હતું. કોર્ટે બાળકીની મૌલિક તપાસ કરી હતી જેમાં તેણે આરોપીને ઓળખી બતાવ્યો હતો. હાઇકોર્ટે આરોપીની દલીલ નકારી ભરૂચ કોર્ટે કરેલી સજા યથાવત રાખીઆરોપી પાસે બાળકી હોવાનું જાણતા બાળકીની દાદીએ આરોપીને બૂમ પાડી હતી, પરંતુ તેને બાળકીને છોડી નહોતી. બાદમાં બાળકીના દાદાએ આવીને હોકારો કરતા તેણે બાળકીને છોડી હતી. આરોપી તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, પ્રોસિફિકેશન શંકા રહિત કેસ સાબિત કરવામાં નિષ્ફળ્યું ગયું છે. જો કે હાઇકોર્ટે આરોપીની દલીલ નકારી નાખતા ભરૂચની કોર્ટ દ્વારા કરાયેલ સજા યથાવત રાખી હતી.
વૈશ્વિક પરિસ્થિતિઓ વચ્ચે અમદાવાદ જિલ્લાના નાગરિકો માટે રાહતના સમાચાર છે. જિલ્લા કલેક્ટર સુજીતકુમાર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે જિલ્લામાં LPG ગેસનો પુરવઠો સંપૂર્ણપણે સુરક્ષિત અને પર્યાપ્ત છે. તાજેતરમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં વિતરણ વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં છેવાડાના માનવી સુધી ગેસ સિલિન્ડર પહોંચાડવા માટે ખાસ 'માઈક્રો-પ્લાનિંગ' તૈયાર કરવામાં આવ્યું છે. ગેરરીતિ આચરનારાઓ સામે કડક કાર્યવાહીની સૂચનાબેઠક દરમિયાન કલેક્ટરે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ગેસ સિલિન્ડરની કાળાબજારી, સંગ્રહખોરી કે ઘરેલુ ગેસનો વ્યાવસાયિક હેતુ માટે ગેરકાયદેસર વપરાશ જરા પણ ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે પોલીસ અને પુરવઠા વિભાગને આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાયદાકીય પગલાં લેવા આદેશ આપ્યા છે. ગેસ એજન્સીઓની પણ નિયમિત ચકાસણી કરવા માટે સૂચના આપવામાં આવી છે. આવશ્યક સેવાઓને અપાશે પ્રાથમિકતાસામાન્ય નાગરિકોની સાથે સાથે હોસ્પિટલ, શાળાઓ, હોસ્ટેલ અને સામાજિક કલ્યાણની સંસ્થાઓ જેવી અનિવાર્ય સેવાઓને ગેસ પુરવઠો મળતો રહે તે માટે તંત્ર સજ્જ છે. આ ક્ષેત્રોને વિતરણ વ્યવસ્થામાં પ્રાથમિકતા આપવામાં આવશે જેથી જનસેવા ખોરવાય નહીં. ડિજિટલ મોનિટરિંગથી રખાશે બાજ નજરતંત્ર દ્વારા ગેસ પુરવઠાની વ્યવસ્થાને પારદર્શક બનાવવા માટે ડિજિટલ મોનિટરિંગ સિસ્ટમ અમલમાં મુકાઈ છે. વોટ્સએપ ગ્રુપ અને દૈનિક સ્ટોક રિપોર્ટિંગ દ્વારા અધિકારીઓ અને ગેસ એજન્સીઓ વચ્ચે સીધું સંકલન સ્થાપિત કરાયું છે. આ સિસ્ટમ દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સિલિન્ડરની ઉપલબ્ધતાની સતત દેખરેખ રાખવામાં આવશે. કલેક્ટર સુજીતકુમારે નાગરિકોને વિનંતી કરી છે કે તેઓ કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે અને બિનજરૂરી સંગ્રહખોરી ન કરે. જો ક્યાંય પણ ગેરરીતિ જણાય તો તુરંત વહીવટી તંત્રનો સંપર્ક કરવા જણાવાયું છે. આ બેઠકમાં ઓઇલ કંપનીઓના પ્રતિનિધિઓ, પોલીસ અને પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ નગરપાલિકાના ચૂંટાયેલા 44 સભ્યો અને વર્તમાન બોર્ડનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં પાલિકા સંકુલ ખાતે વિદાય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર સહિતના કર્મચારીઓએ પ્રમુખ હિરલ પરમાર અને અન્ય પદાધિકારીઓનું સન્માન કરી તેમને વિદાય આપી હતી. જોકે, શાસક પક્ષના કેટલાક અને વિપક્ષના કોર્પોરેટરો આ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા. વિદાય સમારોહમાં પાલિકા પ્રમુખ હિરલ પરમાર સહિતના સભ્યોને શાલ ઓઢાડી અને ફૂલહાર પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. પાલિકાના કર્મચારીઓએ પાંચ વર્ષની વહીવટી કામગીરી દરમિયાન મળેલા સહયોગ બદલ તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન 44 સભ્યોએ પોતાના વિસ્તારમાં વિકાસના અનેક કામો કર્યા હતા. રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટો અને આર્થિક સહાયથી શહેરના માળખાગત વિકાસને વેગ મળ્યો હતો, અને જનતાના પ્રશ્નોના નિકાલમાં આ બોર્ડે મહત્વની ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમનું સંચાલન જય રામી દ્વારા કરવામાં આવ્યું હતું. ચીફ ઓફિસર હિરલ ઠાકરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે તેમની 17 વર્ષની કારકિર્દીમાં પાટણ નગરપાલિકાનો અનુભવ મિશ્ર રહ્યો છે, જેમાં સારા સમયની સાથે પડકારજનક સમયનો પણ સામનો કરવો પડ્યો છે. તેમણે છેલ્લા આઠ મહિનામાં સભ્યો સાથે આત્મીયતા કેળવાઈ હોવાનું જણાવતા દેવચંદ ઉર્ફે દેવકાભાઈ અને જયેશભાઈ જેવા સભ્યોની કામગીરીની પ્રશંસા કરી હતી. ઠાકરે ખાસ નોંધ્યું હતું કે દેવકાભાઈ GEB સહિતના પ્રશ્નોમાં ત્વરિત નિરાકરણ લાવતા હતા, જ્યારે જયેશભાઈ જવાબદાર અને લાગણીશીલ કાર્યકર તરીકે 108ની ભૂમિકા ભજવતા હતા. વહીવટી પડકારો અંગે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે ઘણી વખત કામ કરવામાં બિનજરૂરી અવરોધો ઊભા કરવામાં આવતા હતા. કેટલાક કિસ્સામાં કામ કરવાની ઈચ્છા હોવા છતાં કામ મુલતવી રાખવા કે કારોબારીમાં ફાઈલો રોકી રાખી સામાન્ય સભા સુધી ન પહોંચવા દેવા જેવા પ્રયાસો થતા હતા. આના કારણે જનતામાં એવી છાપ પડતી હતી કે પાલિકા કામ નથી કરતી અને ઘણીવાર સ્ટાફે લોકોનો રોષ પણ સહન કરવો પડતો હતો. જોકે, તેમણે ઉમેર્યું હતું કે મંચ પર ઉપસ્થિત મેમ્બરોના સહયોગથી એક નવી સિસ્ટમ બનાવી આ પડકારોને પાર કરવામાં આવ્યા છે. નગરપાલિકાની મુદત પૂર્ણ થતા હવે આગામી સમયમાં સામાન્ય ચૂંટણીઓ યોજાશે, જેને લઈને શહેરમાં રાજકીય ગરમાવો શરૂ થયો છે.
દેશભરમાં રાંધણ ગેસના બાટલા માટે સર્જાયેલી લાંબી કતારો અને વધતા જતા ભાવોના વિરોધમાં આજરોજ ભાવનગર શહેરના હાર્દ સમા એવા ઘોઘાગેટ ચોક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા પોસ્ટરો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, આ વેળાએ પોલીસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી, આપ દ્વારા વિરોધ પ્રદર્શન દરમિયાન 'આપ'ના કાર્યકરોએ હાથમાં બેનરો રાખ્યા હતા, જેમાં ભાજપના નેતાઓ દ્વારા ગેસનું કાળું બજાર કરવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા, સામાન્ય જનતા ગેસ માટે લાઈનોમાં ઉભી છે અને બીજી તરફ કાળું બજાર થઈ રહ્યું છે, જે હવે સહન કરવામાં નહીં આવે, મોંઘવારીના વિરોધમાં કાર્યકરોએ લાકડાના બળતણનો ભારો સળગાવી પોતાનો રોષ વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો હતો, કાર્યકરોનું કહેવું હતું કે ગેસના ભાવ એટલા વધી ગયા છે કે, સામાન્ય માણસે ફરી ચૂલા પર રસોઈ કરવાનો વારો આવ્યો છે, જ્યારે કાર્યકરો બળતણ સળગાવવાનો પ્રયાસ કરવા જતા પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકરોની પોલીસે તેમની અટકાયત કરી હતી, આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
નવસારીના વિરાવળ સ્મશાનગૃહને ગુજરાત ગેસની નોટિસ:2030 સુધીમાં મફત ગેસ સપ્લાય તબક્કાવાર બંધ કરાશે
નવસારીના વિરાવળ ખાતે આવેલા સ્મશાનગૃહને ગુજરાત ગેસ કંપની દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. આ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે આગામી સમયમાં સ્મશાનગૃહને મળતો વિનામૂલ્યે ગેસ સપ્લાય તબક્કાવાર બંધ કરી દેવામાં આવશે. આ નિર્ણયને પગલે કોંગ્રેસ અને સ્મશાન ટ્રસ્ટે ભારે રોષ વ્યક્ત કર્યો છે. ગુજરાત ગેસ લિમિટેડ (GGL) દ્વારા પાઠવવામાં આવેલી નોટિસ મુજબ, અત્યાર સુધી સ્મશાનભૂમિના ગેસ બિલની ચુકવણી 'સેતુ' (SETU - Socio Economical Transformation Upliftment Society) સંસ્થા દ્વારા CSR હેઠળ કરવામાં આવતી હતી. હવે નવો 'ફેઝ્ડ ટ્રાન્ઝિશન પ્લાન' અમલમાં મુકાયો છે. આ યોજના હેઠળ, નાણાકીય વર્ષ 2025-26માં SETU 100% ચુકવણી કરશે. ત્યારબાદ, વર્ષ 2026 થી 2029 દરમિયાન ટ્રસ્ટનો ફાળો દર વર્ષે 25% લેખે વધતો જશે. આખરે, વર્ષ 2029-30 થી ગેસ વપરાશનો સંપૂર્ણ 100% ખર્ચ ટ્રસ્ટે પોતે ભોગવવો પડશે. વિરાવળ સ્મશાન ભૂમિ અગ્નિ સંસ્કાર સહાયક ટ્રસ્ટના ટ્રસ્ટી શૈલેષ માલીએ નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈને પત્ર લખી આ મામલે મધ્યસ્થી કરવા વિનંતી કરી છે. પત્રમાં જણાવાયું છે કે, કંપની તરફથી મળેલી નોટિસ માનવતાની અંતિમ સેવાને અડચણરૂપ બની રહી છે. માલીએ વધુમાં જણાવ્યું કે, મધ્યમ અને ગરીબ પરિવારો માટે વિનામૂલ્યે અગ્નિસંસ્કારની સેવા આશીર્વાદરૂપ છે, જે સરકારના સહયોગથી ચાલુ રહેવી જોઈએ. નવસારી શહેર કોંગ્રેસના પ્રમુખ દિપક બારોટે જણાવ્યું કે, જો આ સબસિડી બંધ થશે, તો આગામી સમયમાં એક મૃતદેહના અંતિમ સંસ્કારનો ખર્ચ અંદાજે ₹5000 સુધી પહોંચી શકે છે, જે સામાન્ય માણસની કમર તોડી નાખશે. સ્મશાન ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, જો ગેસ મોંઘો થશે તો તેની સીધી અસર પર્યાવરણ પર પડશે. ગેસ મોંઘો થતા લોકો ફરીથી પરંપરાગત લાકડા તરફ વળશે, જેનાથી વૃક્ષોનું નિકંદન નીકળશે. નવસારી અને આસપાસના 30 ગામોના લોકો આ સ્મશાનગૃહનો ઉપયોગ કરે છે. રોજના 15 થી 18 અંતિમ સંસ્કાર ગેસ પર થાય છે, જે હવે ખર્ચાળ બનશે અને ગરીબ પરિવારોને મોટો ફટકો પડશે. જૂનો અનુભવ: 2015-16માં જ્યારે ગેસ સશુલ્ક હતો ત્યારે એક બોડી દીઠ ₹1500 થી ₹1800 ખર્ચ થતો હતો, જે વર્તમાન ભાવ મુજબ અનેકગણો વધી શકે છે. સ્મશાન ટ્રસ્ટ અને સ્થાનિક અગ્રણીઓએ સરકાર અને ગુજરાત ગેસ કંપનીને આ સંવેદનશીલ મુદ્દે પુનઃવિચારણા કરવા અપીલ કરી છે. આ મામલે નવસારી શહેરના કોંગ્રેસ પ્રમુખ દિપક બારોટે જણાવ્યું કે, હમણાં જાણવા મળતી માહિતી મુજબ આ સરકાર હાલમાં ગેસની સમસ્યાથી તો લોકો પીડાય છે, રાંધણ ગેસ અને ઘરેલું ગેસ તેમજ કોમર્શિયલ ગેસમાં તો લોકો આંદોલન પર ઉતર્યા છે. પણ હમણાં મને જાણવા મળ્યું છે તે મુજબ આવનારા સમયમાં જે આ સ્મશાનગૃહોને ગેસ સપ્લાય થાય છે અને CSR માં જે સરકાર તરફથી સબસીડી મળતી હતી, તે સબસીડી આવનારા સમયમાં કેન્સલ થાય એવું લાગે છે. જેને લઈને મોંઘવારીમાં લોકોનું આ સરકારે જીવવાનું તો દુષ્કર બનાવ્યું છે, પણ મરણ પણ મોંઘું થવાનું છે અને મૃતકના પરિવારજનોને એક મૃતદેહ બાળવા માટેના લગભગ પાંચેક હજારનો ખર્ચો આગામી સમયમાં આવશે એવું મને લાગી રહ્યું છે ત્યારે સરકારની આ પ્રકારની નીતિનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. નવસારી શહેરને અડીને આવેલી વિરાવળ સ્મશાન ભૂમિના ટ્રસ્ટી શૈલેષ માલી જણાવે છે કે, નવસારી સ્મશાનભૂમિ અગ્નિ સંસ્કાર સહાયક ટ્રસ્ટ. વર્ષોથી વિનામૂલ્યે અગ્નિ સંસ્કારની સેવા આપતી એક સંસ્થા નવસારીમાં એક આખું સેવાનું પ્રદાન કરી રહી છે. હાલમાં જ ગુજરાત ગેસ કંપની દ્વારા અમને એક નોટિસ પાઠવવામાં આવી કે આપને જે આપવામાં આવતો વિનામૂલ્યે ગેસ સમયાંતરે 2030 સુધીમાં અમે એને સદંતર બંધ કરી દઈશું અને તમારે એને માટેની જે પણ મૂલ્ય થશે જે પણ વેલ્યુ થશે એ પૂરેપૂરી તમારે ભરપાઈ કરવી પડશે. શૈલેષ માલીએ વધુમાં જણાવ્યું કે, સરકાર અને કંપનીને આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે માનવ જીવનનો આ અંતિમ સંસ્કારની ડબદબાભરી શ્રદ્ધાંજલિ આપવી હોય, સામાન્ય માણસ એને પોતે આટલી મોંઘવારીના જમનામાં એને જીરવી શકતો હોય તો આવો એક ભારણ આવવાથી એક સામાન્ય પરિવાર એક ગરીબ પરિવાર કચડાઈ જતો અમને દેખાઈ રહ્યો છે. તો આપના માધ્યમથી હું જરૂરથી એવું કહેવા માંગીશ કે સરકાર અને કંપની આ બાબતે વિચાર વિમર્શ કરીને જે અમને આપતી સગવડો જે વિનામૂલ્યે ગેસ જે કંપનીઓ અમને આપી રહી છે એ ગેસ અમને મળતો રહે આવનારા વર્ષોમાં અને સામાન્ય પરિવારને પણ એને માટેની જે એના પર આવી પડેલું દુઃખ છે એ સહન કરવાની શક્તિમાં આપને સૌ સરકાર, પરિવાર, સંસ્થા આપણે સૌ સાથે મળીને સહભાગી બનીએ તો એ એક મોટી શ્રદ્ધાંજલિ અર્પિત કરેલી દેખાશે. કદાચ માની લો કે કદાચ કંપની અને સરકાર આ બાબતે ગંભીરતા ન દાખવે તો જ્યારે પરિવાર પર આવી એક પૈસા ચૂકવીને અગ્નિ સંસ્કાર કરવાનો સમય આવશે તો એ ઘણો વિચારવા જેવો પ્રશ્ન છે કારણ કે જે તે સમયે પણ અમે જ્યારે 2015-16 માં જ્યારે ગેસ બિલ ભરતા હતા ત્યારે જે તે સમયના ભાવ પ્રમાણે હું ગણું તો એક બોડી પાછળ 1500થી 1800 રૂપિયાનો ગેસ એક બોડી પાછળ વપરાતો હતો અને આજના સમયમાં આજની કંપનીનો શું ભાવ છે એનાથી હું અજાણ છું પણ છતાં પણ જો એવો જો કોઈક બોજો આવી પડે તો એ પરિવાર ઉપર જે આવી પડેલું દુઃખ છે એ સહન કરવા માટે આપણે સહભાગી તો ન બનીએ પણ એ બિચારો એ જે ખર્ચ છે એ ખર્ચને કમ્પલસરી ભરવા માટે એ સક્ષમ ન બની શકે. અને સંસ્થા અમારી સંસ્થા એવી છે કે અમારી સંસ્થાનું બંધારણ એવું કહે છે કે અમારે વિનામૂલ્યે આ સેવા આપવાની છે પણ આ તો કંપની અને સરકાર જો આ બાબતે અમારા પર દબાણ લાવે તો અમારે બી અમારે ચોક્કસપણે આ બાબતે વિચારવું રહ્યું કે બંધારણમાં પણ ફેરફાર કરવાનો અમારી એક ફરજ બની જશે. શૈલેષ માલીએ વધુમાં કહ્યું કે, સામાન્ય માણસ જે આજે ગરીબ પરિવારો જે અહીં અગ્નિ સંસ્કારનો લાભ લે છે અમારા નવસારી શહેરની આજુબાજુના હું માનીશ તો 25થી 30 એવા ગામડાઓ છે કે જે આ સંસ્થાનો ઉપયોગ કરે છે અને અહીંની જે સગવડોનો લાભ લે છે અને એવરેજ હું તમને જણાવીશ તો નવસારી શહેરમાં 15થી 18 બોડી આ સંસ્થા એવરેજ અગ્નિ સંસ્કારનું એક સુપેરે આયોજન જે અમે મૂક્યું છે એનો લાભ લોકો લે છે અને અમારા સૌની ટ્રસ્ટીગણોની અમારી સંસ્થાની બી એવી લાગણી છે કે આ બાબતે સરકાર ગંભીરતાથી નોંધ લે અને આવનારા દિવસો જ્યારે પર્યાવરણ માટે બી જોખમી છે પર્યાવરણની આપણે ચિંતા કરીએ છીએ તો આપણે ફરીથી જ્યારે એક સમાજ આ પર્યાવરણના સંતુલન માટે ગેસ ફર્નેશ તરફ વળ્યો છે તો એ લાકડા તરફ ફરીથી ન વળે અને પર્યાવરણની આપણે અસુરક્ષાનો ભય પેદા ન કરીએ એ માટે પણ આપણે સૌએ ચિંતા કરવાની જરૂર છે.
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ભાજપ દ્વારા બુથ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસને 'ચોમાસાના દેડકા' સાથે સરખાવી હતી અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલનું નામ લીધા વિના તેમના પર પ્રહારો કર્યા હતા. નાણામંત્રી કનુ દેસાઈ સહિતના દિગ્ગજોની હાજરીમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો હુંકાર કરવામાં આવ્યો હતો. કાર્યકરોને સંબોધતા જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, આગામી ચૂંટણીમાં 10,000 ઉમેદવારો મેદાનમાં ઉતરશે, પરંતુ કોંગ્રેસની હાલત એવી છે કે તેમની પાસે 10,000 કાર્યકરો પણ નથી. તેમની રેલીઓમાં 100 માણસો ભેગા કરવા પણ મુશ્કેલ પડે છે. તેમણે ઉમેર્યું કે, જેમ ચોમાસું આવતા દેડકા બહાર નીકળે છે, તેમ ચૂંટણી આવતા જ કોંગ્રેસીઓ દેખાવા લાગે છે. વિશ્વકર્માએ રાહુલ ગાંધી અને કોંગ્રેસના સાંસદો પર કટાક્ષ કરતા કહ્યું કે, તેમને આદિવાસી કે સામાન્ય જનતાના પ્રશ્નોમાં કોઈ રસ નથી. તેઓ માત્ર સંસદના કેમ્પસમાં ચા-બિસ્કિટની મજા માણે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું જે રીતે અપમાન થયું છે, તેનો બદલો જનતા આગામી ચૂંટણીમાં લેશે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે, રાજ્યમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની 10 હજારથી વધુ બેઠકો પર આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે, પરંતુ ગુજરાત કોંગ્રેસ પાસે 10 હજાર જેટલા કાર્યકર્તાઓ પણ નથી. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલનું નામ લીધા વિના વિશ્વકર્માએ તેમના પર પ્રહાર કરતા કહ્યું કે, આ વિસ્તારમાં કેટલાક બહુરૂપી આવે છે. જે રીતે રાવણે બહુરૂપી બની સીતાજીનું અપહરણ કર્યું હતું, તેમ આ લોકો આદિવાસી સમાજના નામે બહુરૂપી બનીને સમાજને ભ્રમિત કરવાનું કામ કરી રહ્યા છે. આ સંમેલન ધરમપુરના માલનપાડા ખાતે યોજાયું હતું. જેમાં નાણામંત્રી કનુ દેસાઈ અને વલસાડ જિલ્લાના ભાજપના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય એજન્ડા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે બુથ લેવલનું આયોજન કરવાનો હતો. ધરમપુર અને કપરાડા વિધાનસભાના મોટી સંખ્યામાં કાર્યકરો આ સંમેલનમાં ઉમટી પડ્યા હતા.
નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટીના આદેશ અનુસાર, સમગ્ર દેશની સાથે વડોદરામાં પણ વર્ષની પ્રથમ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ વડોદરાની જિલ્લા અદાલત અને તાલુકા અદાલતોમાં હજારો કેસોનો પરસ્પર સમજૂતી દ્વારા નિકાલ કરવામાં આવ્યો હતો. મોટર અકસ્માતના કેસોમાં કરોડોનું વળતર અપાવવામાં સફળતાઅદાલતી કાર્યવાહીના લાંબા સમય અને ખર્ચાળ પ્રક્રિયામાંથી મુક્તિ અપાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ લોક અદાલતમાં કરોડો રૂપિયાના વળતરના કેસોનો અંત આવ્યો હતો. આ વખતની લોક અદાલતમાં સૌથી મોટું આકર્ષણ મોટર અકસ્માત વળતર (MACP) ના કેસો રહ્યા હતા, જેમાં પક્ષકારોને કરોડો રૂપિયાનું વળતર અપાવવામાં સફળતા મળી હતી. વર્ષો સુધી ચાલતા કેસોનો પતાવટ ખૂબ જ ટૂંકા ગાળામાં અને પરસ્પર સમજૂતીથી કરવામાં આવ્યો હતો. એક વર્ષના ટૂંકા ગાળામાં 1.35 કરોડનું વળતરએક વર્ષના ટૂંકા ગાળામાં જ ગો ડિજિટ વીમા કંપની દ્વારા એક પક્ષકારને રૂ.1.35 કરોડનું માતબર વળતર ચૂકવવાનું ઐતિહાસિક સમાધાન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે અકસ્માતના કેસોમાં વળતર મેળવતા વર્ષો વીતી જતા હોય છે, પરંતુ અહીં વીમા કંપની અને પક્ષકાર વચ્ચેની સંમતિથી ત્વરિત ન્યાય મળ્યો હતો. આવી જ રીતે, કરજણ તાલુકાના એક કિસ્સામાં પણ પક્ષકારો વચ્ચે ₹1.05 કરોડના જંગી વળતર પર સંમતિ સધાઈ હતી. આ બંને કેસોમાં થયેલા સમાધાનને કારણે અસરગ્રસ્ત પરિવારોમાં ભારે આનંદ અને સંતોષની લાગણી જોવા મળી હતી. જિલ્લામાં 3 હજારથી વધુ ચેક રિટર્નના કેસોનો કાયમી ઉકેલલોકઅદાલતને મળેલી આ સફળતા પાછળ છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી સઘન પ્રી-કન્સિલિએશન પ્રક્રિયા જવાબદાર છે. આ પ્રક્રિયાને કારણે વડોદરા જિલ્લામાં 3000થી વધુ ચેક રિટર્નના કેસોનો કાયમી ઉકેલ આવ્યો છે, જે ન્યાયતંત્ર પરનું ભારણ ઘટાડવામાં મદદરૂપ થશે. આ ઉપરાંત, 100થી વધુ અકસ્માત ક્લેમ કેસો અને અનેક પેટી ઓફેન્સ એટલે કે નાના ગુનાઓને પક્ષકારોની કબૂલાતના આધારે પૂર્ણ કરવામાં આવ્યા હતાં. પક્ષકારોને કોર્ટના ધક્કામાંથી મુક્તિવડોદરા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, લોક અદાલતનો મુખ્ય હેતુ જ પક્ષકારોને કોર્ટના ધક્કામાંથી મુક્તિ અપાવી ત્વરિત, સસ્તો અને ઘરઆંગણે ન્યાય આપવાનો છે. આ ભગીરથ કાર્યમાં વકીલો, ન્યાયાધીશો અને પક્ષકારોનો સહયોગ અત્યંત પ્રશંસનીય રહ્યો હતો, જેના પરિણામે હજારો પરિવારોને કાયદાકીય વિવાદોમાંથી કાયમી છુટકારો મળ્યો છે.
હળવદના સરંભડા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મોબાઈલમાં રિલ્સ જોતા અને કામમાં બેદરકારી દાખવતા 25 વર્ષીય યુવાન રવિ શંકર નાયકને તેની માતાએ ઠપકો આપ્યો હતો. આ ઠપકાથી લાગી આવતા યુવાને વાડીની ઓરડીમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ હળવદ તાલુકાના સરંભડા ગામની સીમમાં કેશવલાલ પટેલની વાડીએ મજૂરી કામ કરતા રવિ નાયકે આ અંતિમ પગલું ભર્યું હતું. ઘટનાની જાણ થતાં જ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મૃતક યુવાનના ભાઈ માન્યા શંકર નાયક (ઉં.વ. 23) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસે આ મામલે અકસ્માત મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક વિગતો અનુસાર, રવિ મોબાઈલમાં સતત રિલ્સ જોતા હતા અને મજૂરી કામમાં ધ્યાન આપતો ન હતો. આ બાબતે તેમની માતાએ તેમને ઠપકો આપ્યો હતો, જેના કારણે તેમને મનોમન લાગી આવતા તેમણે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
સુરત શહેર ખાણીપીણી માટે પ્રખ્યાત છે, ત્યાં છેલ્લા કેટલાક સમયથી નકલી ખાદ્ય પદાર્થોના વેચાણનું દૂષણ વકરી રહ્યું છે. જનતાના આરોગ્ય સાથે થઈ રહેલા આ ચેડાં રોકવામાં સુરત મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું હોવાના ગંભીર આક્ષેપો સાથે આમ આદમી પાર્ટીના નેતા કલ્પેશ બારોટે મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનને એક પત્ર લખીને ફૂડ વિભાગના જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાની ઉગ્ર માગણી કરી છે. નકલી ઘી, ભેળસેળિયા તેલ, પનીર અને અખાદ્ય મસાલાઓનું ઝેર લોકોના પેટમાં!છેલ્લા કેટલાક મહિનાઓમાં સુરતના વિવિધ વિસ્તારોમાંથી નકલી ઘી, ભેળસેળિયા તેલ, પનીર અને અખાદ્ય મસાલાઓના મોટા જથ્થા પકડાઈ રહ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે આ દરોડા ફૂડ વિભાગ દ્વારા નહીં, પરંતુ સુરત પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા પાડવામાં આવી રહ્યા છે. કલ્પેશ બારોટે પોતાના પત્રમાં આ મુદ્દો ઉઠાવતા જણાવ્યું છે કે, જે કામ ખરેખર મહાનગરપાલિકાના ફૂડ વિભાગનું છે, તે કામ અત્યારે પોલીસ વિભાગે કરવું પડી રહ્યું છે. આ બાબત જ ફૂડ વિભાગના અધિકારીઓની નિષ્ફળતા અને નિષ્ક્રિયતાનો જીવતો જાગતો પુરાવો છે. 'ચીફ ફૂડ ઇન્સ્પેક્ટરની ઘોર બેદરકારી ને ભેળસેળીયાએ બેફામ'આ વિવાદના કેન્દ્રમાં ચીફ ફૂડ ઇન્સ્પેક્ટર ભાવેશ બ્રહ્મભટ્ટની કામગીરી રહી છે. કલ્પેશ બારોટે સીધો આક્ષેપ કર્યો છે કે ચીફ ફૂડ ઇન્સ્પેક્ટરની રહેમનજર હેઠળ અથવા તો તેમની ઘોર બેદરકારીને કારણે શહેરમાં ભેળસેળ કરનારા તત્વોને મોકળું મેદાન મળી ગયું છે. જ્યારે પોલીસ બાતમીના આધારે લાખો રૂપિયાનો નકલી મુદ્દામાલ ઝડપી પાડે છે, ત્યારે ફૂડ વિભાગના અધિકારીઓ માત્ર નમૂના લેવા પૂરતા જ સ્થળ પર પહોંચે છે. પોતે સ્વતંત્ર રીતે કોઈ મોટી કામગીરી કરવામાં કે નેટવર્ક તોડવામાં નિષ્ફળ રહ્યા છે. 'ફૂડ વિભાગના અધિકારીઓ માત્ર એસી ઓફિસોમાં બેસી રહ્યા'પત્રમાં સુરત પોલીસ કમિશનર અને SOGની ટીમની કામગીરીની મુક્તકંઠે પ્રશંસા કરવામાં આવી છે. બારોટે લખ્યું છે કે, પોલીસ વિભાગ પોતાની મૂળભૂત જવાબદારીઓ ઉપરાંત નાગરિકોના સ્વાસ્થ્યની રક્ષા માટે પણ સક્રિય છે, જ્યારે મનપાના ફૂડ વિભાગના અધિકારીઓ માત્ર એસી ઓફિસોમાં બેસી રહ્યા હોય તેવું પ્રતીત થાય છે. ફૂડ વિભાગના ઈન્સ્પેક્ટરો ફિલ્ડમાં જઈને ચેકિંગ કરવાને બદલે કેમ નિષ્ક્રિય છે, તે તપાસનો વિષય છે. ચીફ ફૂડ ઇન્સ્પેક્ટર સામે કાર્યવાહીની માગકલ્પેશ બારોટે મનપા કમિશનરને ભૂતકાળની ઘટનાની યાદ અપાવતા જણાવ્યું કે, અગાઉ સેન્ટ્રલ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી સામે ફરજમાં બેદરકારી બદલ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. વહીવટી તંત્રએ ત્યારે જે રીતે કડક વલણ અપનાવ્યું હતું, તેવું જ વલણ અત્યારે ચીફ ફૂડ ઇન્સ્પેક્ટર ભાવેશ બ્રહ્મભટ્ટ સામે પણ અપનાવવું જોઈએ. જો જવાબદાર ઉચ્ચ અધિકારીઓ સામે પગલાં લેવામાં નહીં આવે, તો નીચેના સ્તરના કર્મચારીઓમાં શિસ્તનો અભાવ રહેશે અને જનતાના સ્વાસ્થ્ય સાથે જોખમ વધતું જશે.
જામનગર નજીક ચંગા ગામના પાટીયા પાસે માલવાહક વાહન અને ઇકો કાર વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં મોટી ગોપ ગામના માતા-પુત્ર સહિત ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી છે. પૂરપાટ ઝડપે આવતા માલવાહક વાહને ઇકો કારને ટક્કર મારતા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઈકોને સુઝુકીએ ટક્કર મારીજામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામના રહેવાસી ઋષિકેશ મહેશ જોશી પોતાની ઇકો કાર (DD-01-C-6007) માં માતા ગૌરીબેન (50) અને ભાભી ક્રિષ્નાબેન (30) સાથે મોટી ગોપથી જામનગર તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન ચંગા ગામના પાટીયા પાસે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી સુઝુકી કેરી માલવાહક ગાડી (GJ-10-TY-1977) ના ચાલકે ઇકો કારને જોરદાર ટક્કર મારી હતી. કારનો કચ્ચરઘાણ વળ્યોટક્કર એટલી પ્રચંડ હતી કે ઇકો કાર માર્ગ પર જ પડીકું વળી ગઈ હતી અને માલવાહક વાહન કાર સાથે અથડાયા બાદ નજીકના વીજપોલ સાથે ટકરાયું હતું. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા ઋષિકેશ, ગૌરીબેન અને ક્રિષ્નાબેનને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ કાર્યવાહીઆ બનાવ અંગે ઋષિકેશ જોશીએ માલવાહક વાહનના ચાલક વિરુદ્ધ પંચકોશી B-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.વી. છૈયાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ અને વોન્ટેડ રીઢો આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી જશપાલસિંગ ઉર્ફે બચ્ચુસિંગ મનજીતસિંગ દુધાણી (શિકલીગર), (ઉંમર 24, રહે. મહાકાળીનગર, વિશ્વામિત્રી બ્રિજ નીચે વડોદરા)ની ધરપકડ કરી છે. આ આરોપી અગાઉ વડોદરામાં 16 ગુન્હામાં ઝડપાઇ ચુક્યો છે. એક લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપાયોક્રાઈમ બ્રાન્ચની ટીમને પેટ્રોલિંગ દરમિયાન વિશ્વામિત્રી બ્રિજ નીચે શંકાસ્પદ હાલતમાં મોપેડ લઈને જતા આરોપીને ઝડપી પૂછપરછ કરી હતી. દરમ્યાન તેની પાસેથી ચાંદીનું એક બિસ્કીટ-એક સિક્કો (કુલ રૂ. 28600), રોકડ રૂ. 23500, વિવો મોબાઇલ (રૂ. 5000) તથા મોટરસાયકલ (રૂ.50000) સહિત કુલ રૂ. 107100નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. આરોપીએ બે ઘરફોડ ચોરીની કબૂલાત કરીપૂછપરછમાં આરોપીએ છેલ્લા પાંચ દિવસમાં વડોદરામાં આચરેલી બે ઘરફોડ ચોરીઓ જેમાં ગોત્રી અને અને સીટી પોલીસ મથકમાં ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. આ ઉપરાંત આરોપી જાન્યુઆરી 2026માં મકરપુરા પો.સ્ટે.માં નોંધાયેલ GCTOC ગુના તથા અમદાવાદના ઇસનપુરમાં આચરેલા ચાર ઘરફોડ-વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું જણાયું છે. તે આ ગુનાઓમાં ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો. આરોપી 16 ગુનાઓમાં પકડાઈ ચૂક્યો આરોપીનો ગુનાહીત ઇતિહાસની વાત કરવામાં આવે તો તે અગાઉ વડોદરા શહેરમાં કુલ 16 ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે અને એક વખત પાસા હેઠળ જેલ પણ ગયો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત સરકારે રાજ્યના યુવાનોને કૌશલ્યબદ્ધ કરવા અને શ્રમિકોના સર્વાંગી ઉત્થાન માટે કમર કસી છે. વર્ષ 2026-27ના અંદાજપત્રમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે 2,902 કરોડની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે. મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ આ બજેટને 'વિકસિત ભારત @ 2047'ના વિઝનને સાકાર કરનારું ગણાવ્યું છે. યુવા સશક્તિકરણ અને નવી યોજનાઓરાજ્યના યુવાનોની રોજગારક્ષમતા વધારવા માટે 'નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન' અંતર્ગત 226 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ITI શિક્ષણને આધુનિક બનાવવા માટે 'PM-સેતુ યોજના' હેઠળ 200 કરોડના ખર્ચે હબ-એન્ડ-સ્પોક મોડલ વિકસાવાશે. ખાસ કરીને દીકરીઓને ટેકનિકલ શિક્ષણમાં પ્રોત્સાહિત કરવા 'નમો કૌશલ્ય લક્ષ્મી યોજના' અમલી બનાવાઈ છે, જેમાં 1 વર્ષના કોર્સ માટે 15,000 અને 2 વર્ષના કોર્સ માટે 24,000ની આર્થિક સહાય અપાશે. શ્રમિકો માટે સામાજિક સુરક્ષાનું કવચશ્રમિકોના કલ્યાણ માટે સરકાર 'શ્રમિક અન્નપૂર્ણા યોજના'નો વ્યાપ વધારી રહી છે. 200 કરોડના ખર્ચ સાથે નવા 300 અન્નપૂર્ણા બુથ શરૂ થશે, જ્યાં માત્ર 5 રૂપિયામાં પૌષ્ટિક ભોજન મળશે. રહેઠાણ માટે 'શ્રમિક બસેરા યોજના' હેઠળ 150 કરોડ અને આરોગ્ય સેવાઓ માટે 50 નવા 'ધનવંતરી આરોગ્ય રથ' ઉમેરવા 160 કરોડ ફાળવાયા છે. મીઠાના અગરીયાઓ માટે સોલાર પેનલ ધરાવતા આવાસો માટે 25 કરોડની જોગવાઈ કરાઈ છે. વધુમાં, અકસ્માત વીમા પેટે 3.5 લાખ અને સિલીકોસીસ પીડિતોને સારવાર તથા મરણોત્તર સહાયમાં વધારો કરાયો છે. રોજગારી અને ઔદ્યોગિક વિકાસના આંકડાગુજરાત આજે દેશમાં સૌથી ઓછો બેરોજગારી દર ધરાવતું રાજ્ય છે. ભારતનો સરેરાશ બેરોજગારી દર 3.2% છે, જ્યારે ગુજરાતનો દર માત્ર 1.1% છે. વર્ષ 2025-26 દરમિયાન 1,215 ભરતીમેળા દ્વારા 2,60,878 ઉમેદવારોને રોજગારી મળી છે. રાજ્યમાં 559 ITI માં 2,18,516 બેઠકો કાર્યરત છે. ઔદ્યોગિક ક્ષેત્રે પણ ઉત્સાહજનક વૃદ્ધિ જોવા મળી છે; છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં નવા 1,016 કારખાનાઓની નોંધણી સાથે કુલ સંખ્યા 51,033 પર પહોંચી છે. ડ્રોન ટેકનોલોજી અને ભવિષ્યનું લક્ષ્યભવિષ્યની ટેકનોલોજીને ધ્યાને રાખીને રાજ્યમાં 6 DGCA માન્ય ડ્રોન પાઇલટ તાલીમ કેન્દ્રો કાર્યરત છે. કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા 600 થી વધુ પાઇલટ અને 1,200 થી વધુ તાલીમાર્થીઓને ડ્રોન મેન્યુફેક્ચરિંગની તાલીમ અપાઈ છે. સરકારનું આગામી લક્ષ્ય 4-5 વર્ષમાં 60,000 થી વધુ લોકોને અત્યાધુનિક તાલીમ આપીને 'વિકસિત ગુજરાત'ના પાયાને મજબૂત કરવાનું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2026-27 માટે ગ્રામ વિકાસ વિભાગનું અત્યાર સુધીનું સૌથી મોટું 5,479 કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે. ગત વર્ષના 4,700 કરોડના બજેટની તુલનામાં આ વખતે 779 કરોડનો ધરખમ વધારો કરવામાં આવ્યો છે. ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, સરકાર ગ્રામીણ માળખાકીય સુવિધાઓ અને આજીવિકાના સાધનોને વધુ મજબૂત કરવા માટે મક્કમ છે. ઘરના સપનાને મળશે નવી પાંખોગામડાંમાં વસતા ગરીબ પરિવારોને પોતાનું પાકું ઘર મળે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ કુલ 1,755 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજનામાં આદિજાતિ લાભાર્થીને 2,72,820 અને બિન-આદિજાતિ લાભાર્થીને 2,32,920ની સહાય આપવામાં આવશે. વિશેષ વાત એ છે કે, જે લાભાર્થીઓનું ઘર રૂફ કાસ્ટ (ધાબા) લેવલ પર પહોંચશે, તેવા 18,000 લોકોને વધારાની 50,000ની સહાય આપવા માટે 90 કરોડ અલગથી ફાળવાયા છે. ગંદા પાણીના નિકાલ માટે નવી ટેકનોલોજીગામડાંઓને સ્વચ્છ રાખવા માટે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત 737.91 કરોડની જોગવાઈ કરાઈ છે. ખાસ કરીને પ્રવાહી કચરાના વ્યવસ્થાપન માટે 50 કરોડની નવી જોગવાઈ સાથે રાજ્યના 400 ગામોમાં 'એન્ડ ડ્રેન ટ્રીટમેન્ટ' (End Drain Treatment) પદ્ધતિ અમલી બનાવવામાં આવશે, જેથી ગંદા પાણીનું યોગ્ય શુદ્ધિકરણ થઈ શકે. 100ના બદલે હવે 125 દિવસ કામશ્રમિકોના હિતમાં મોટો નિર્ણય લેતા મનરેગા (VB-GRAM-G) યોજના માટે 1,500 કરોડ ફાળવવામાં આવ્યા છે. હવે શ્રમિકોને વર્ષમાં 100 દિવસના બદલે 125 દિવસની સશ્રમ સવેતન રોજગારીની ગેરંટી આપવામાં આવશે. જો નિર્ધારિત સમયમાં રોજગાર પૂરો પાડવામાં તંત્ર નિષ્ફળ જશે, તો નિયમ મુજબ બેરોજગારી ભથ્થું પણ ચૂકવવામાં આવશે. મહિલા સશક્તિકરણ: 'લખપતિ દીદી' ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા માટે 'લખપતિ દીદી સશક્તિકરણ યોજના' હેઠળ 48 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. દર વર્ષે 10,000 અનુભવી મહિલાઓને તેમના વ્યવસાયના પેકેજિંગ અને મૂલ્યવર્ધન (Scaling-up) માટે મદદ કરાશે. સખી મંડળની બહેનો પોતાની પ્રોડક્ટ્સ વેચી શકે તે માટે મહાનગરપાલિકા અને પ્રવાસન સ્થળોએ 20 કરોડના ખર્ચે 'ગ્રામ હાટ' બનાવવામાં આવશે. ઉપરાંત, આ ઉત્પાદનોને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ઓનલાઈન વેચવા માટે 25 કરોડની માર્કેટિંગ સપોર્ટની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ પત્રકાર પરિષદમાં ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડા, સચિવ ધનંજય દ્વિવેદી, લોચન સહેરા અને નીતિન સાંગવાન સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
રાજકોટની 26 વર્ષીય યુવતી છેલ્લા 3 વર્ષથી પોતાના પતિ પાસે કેનેડા જવા માટે તે ભારતીય પાસપોર્ટ મેળવવા મથામણ કરી રહી છે, પરંતુ તે સફળ થઈ રહી નથી. તેની પાસે ભારતીય હોવાના અનેક માન્ય પુરાવા છે. જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર આઈડી, ડ્રાઇવિંગ લાયસન્સ અને તે ઇન્કમ ટેક્સ પણ ભરે છે, છતાં ભારતીય પાસપોર્ટ તેના માટે મેળવવો દુષ્કર બની રહ્યો છે. પાસપોર્ટ માટે તેને ભારતીય નાગરિકતાના પુરાવાની જરૂર છે, અને નાગરિકતા માટે વિદેશી પાસપોર્ટની જરૂર છે. તેની પાસે આ બંનેમાંથી એક પણ નથી અને એક વગર બીજું મળવું અશક્ય છે. યુવતીનો જન્મ વર્ષ 2000માં મોઝામ્બિકમાં થયો ને માતા-પિતા ભારતીયઅંતે 26 વર્ષીય યુવતીએ ન્યાય માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. કેસની વિગતો મુજબ યુવતીનો જન્મ વર્ષ 2000માં મોઝામ્બિકમાં થયો હતો, તેના માતા-પિતા ભારતીય નાગરિકો હતા. મોઝામ્બિકમાં પૂરની સ્થિતિ સર્જાતા, તેના માતા-પિતા તેને લઈને ભારત પરત ફર્યા હતાં. તે સમયે તેની ઉંમર માત્ર 18 દિવસની હતી. આ પરિવાર મોઝામ્બિક સરકાર દ્વારા જારી કરાયેલ ઇમરજન્સી સર્ટિફિકેટ પર ભારત આવ્યો હતો. યુવતીનો ઉછેર અને અભ્યાસ ભારતમાં જ થયો છે. તેની પાસે તમામ માન્ય ઓળખપત્રો છે અને તે આવકવેરો પણ ભરે છે. યુવતીએ NRI સાથે લગ્ન કર્યાવર્ષ 2023માં યુવતીએ કેનેડાના કેલગરીમાં વર્ક પરમિટ પર રહેતા એક NRI સાથે લગ્ન કર્યા. પતિ પાસે વિદેશ જવા માટે તેણે વર્ષ 2023માં પાસપોર્ટ માટે અરજી કરી હતી. જન્મની નોંધણી ન થઈ હોવાથી પાસપોર્ટ આપવાનો ઇનકાર કરાયોજો કે તેનો જન્મ ભારતમાં ન થયો હોવાથી અને નાગરિકતા અધિનિયમની કલમ 4 હેઠળ મોઝામ્બિકમાં ભારતીય દૂતાવાસમાં તેના જન્મની નોંધણી ન થઈ હોવાથી તેને પાસપોર્ટ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે પાસપોર્ટ સત્તાવાળાઓ દ્વારા માંગવામાં આવેલા દસ્તાવેજો મેળવવા માટે નવી દિલ્હીમાં મોઝામ્બિક હાઈ કમિશન અને મોઝામ્બિકમાં ભારતીય દૂતાવાસ સાથે પ્રક્રિયા હાથ ધરી હતી. 'ભારતીય નાગરિકતાનું નેચરલાઈઝેશન સર્ટિફિકેટ જોઈશે'પ્રથમ અરજી બંધ થયા બાદ તેણે ફરીથી અરજી કરી. પ્રાદેશિક પાસપોર્ટ કચેરીની સલાહ મુજબ તેણે મોઝામ્બિકમાં ભારતીય દૂતાવાસ દ્વારા તેના જન્મ પ્રમાણપત્રને પ્રમાણિત કરાવવાની પ્રક્રિયા શરૂ કરી. જો કે જ્યારે તેણે આ પ્રક્રિયા પૂર્ણ કરી, ત્યારે 9 મે, 2025ના રોજ તેને જણાવવામાં આવ્યું કે માત્ર પ્રમાણિત જન્મ પ્રમાણપત્ર પૂરતું નથી. તેને પાસપોર્ટ માટે ભારતીય દૂતાવાસ દ્વારા જારી કરાયેલ જન્મ નોંધણી પ્રમાણપત્ર અથવા ભારતીય નાગરિકતા નોંધણીનું પ્રમાણપત્ર, અથવા ભારતીય નાગરિકતાનું નેચરલાઈઝેશન સર્ટિફિકેટ જોઈશે. અંતે યુવતીએ હાઈકોર્ટમાં અરજી કરીતેણી પોતાની પાસેના તમામ દસ્તાવેજો સાથે નાગરિકતા પ્રમાણપત્ર માટે રાજકોટ કલેક્ટર કચેરીએ પહોંચી હતી. ત્યાં 13 મે,2025ના રોજ કલેક્ટર કચેરીના અધિકારીએ તેની પાસે વિદેશી પાસપોર્ટ માંગ્યો, જે તેની પાસે ક્યારેય હતો જ નહીં. આ વિચિત્ર સમસ્યાનો કોઈ ઉકેલ ન મળતા યુવતીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. કેનેડા જઈને તેના પતિ સાથે રહેવા માંગતેણે રજૂઆત કરી છે કે, તેની પાસે વિદેશી પાસપોર્ટ ન હોવાથી તે ભારતીય નાગરિકતા અથવા નેચરલાઈઝેશનનું પ્રમાણપત્ર મેળવવાની સ્થિતિમાં નથી. તેણે હાઈકોર્ટ પાસે હસ્તક્ષેપની માંગ કરી છે જેથી તે કેનેડા જઈને તેના પતિ સાથે રહી શકે. આ કેસની સુનાવણી બાદ હાઇકોર્ટે સરકારી વકીલને નિર્દેશ આપ્યો છે કે તેઓ યોગ્ય પગલાં લે અને 5 મે, 2025 ના અરજદારના પત્રવ્યવહારના સંદર્ભમાં આગામી સુનાવણી પહેલાં સોગંદનામું કરે.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ અને તપોભૂમિ ગણાતા બગસરાના આંગણે પૂજ્ય મોરારિબાપુના વ્યાસપીઠે ગવાઈ રહેલી માનસ મેઘાણી રામકથા તેના સાતમા દિવસે ભક્તિ અને સાહિત્યના અનોખા સંગમ સમાન બની રહી હતી. કથાના સાતમા દિવસે શિવ વિવાહના પ્રસંગે શ્રોતાઓ કરુણા અને આનંદના સાગરમાં હિલોળા લેતા જોવા મળ્યા હતા. મેઘાણી: એક શબ્દથી આકાશને બાથમાં લેનાર સર્જકપૂજ્ય મોરારિબાપુએ મેઘાણીના સાહિત્યિક કદ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, મેઘાણી માત્ર એક શબ્દ દ્વારા આખું આકાશ પોતાની બાથમાં લઈ લેવાની ક્ષમતા ધરાવે છે. બાપુએ ઉમેર્યું કે, મેઘાણીનો શબ્દ સીધો હૃદયને સ્પર્શ કરે છે, જેમાં કોઈ જાતિ વિકાર નથી. તેઓ આપણી સંસ્કૃતિનું મોંઘુ ઝવેરાત છે. બાપુએ પોતાની જીવનશૈલીના 5 મહત્વના અંગો – પાટ, પાટલો, પોથી, પાટિયું અને પ્રવચનનો ઉલ્લેખ કરીને મેઘાણીના શબ્દોની ગરિમા ગાઈ હતી. શિવ વિવાહના પ્રસંગે કરુણા સભર માહોલકથાના ક્રમમાં આજે સતીના પુનઃજન્મ બાદ હિમાલયને ત્યાં પાર્વતી રૂપે થયેલું અવતરણ અને ત્યારબાદ ભગવાન શિવ સાથેના વિવાહનો પ્રસંગ બાપુએ અત્યંત ભાવુક રીતે રજૂ કર્યો હતો. આ દિવ્ય પ્રસંગ સાંભળીને ઉપસ્થિત વિશાળ જનમેદની ભાવવિભોર થઈ ગઈ હતી. સાહિત્યિક કૃતિઓનું લોકાર્પણ અને મહાનુભાવોની ઉપસ્થિતિકથાના પ્રારંભમાં વિવિધ સાહિત્યિક પુસ્તકોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં બહાદુરભાઈ વાળાની રચના 'કલબલિયા', ડો. વિક્રમભાઈ પુજાબાપુ વાળાની કૃતિ 'અલખના આરાધક', ડો. સંજય દવે લિખિત 'લોક સંવેદના સર્જક મેઘાણી' અને નીતિન વડગામા સંપાદિત 'રામકથા માનસ સંવાદ'નું વિમોચન થયું હતું. આ પ્રસંગે સાહિત્યકારો, પત્રકારો અને કલાકારોનો જમાવડો જોવા મળ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોમાં અભેસિંગ રાઠોડ, ચલાલાના મહંત પૂજ્ય મહાવીર બાપુ, સતાધારના પૂજ્ય મહંત વિજય બાપુ તથા મેઘાણીના પૌત્ર નાનકભાઈ મેઘાણી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ભાવિકો ઉમટી પડ્યા હતા, જેના કારણે બગસરા ભક્તિમય બની ગયું હતું.
સરસ્વતી તાલુકાના અઘાર ગામ પાસે રામદેવપીરના આશ્રમ નજીક માર્ગ ઓળંગી રહેલા 37 વર્ષીય યુવકને મોટરસાઈકલ ચાલકે ટક્કર મારતા ગંભીર ઈજાઓ થઈ હતી. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકનું ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અઘાર ગામના રહેવાસી અને GEBમાં ફરજ બજાવતા ગાંડાજી શંકરજી ઠાકોરે આ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આ ઘટના 13 માર્ચ 2026 ના રોજ સાંજના સમયે બની હતી. ગાંડાજી ઠાકોર નોકરી પરથી પરત આવી રહ્યા હતા ત્યારે તેમના પુત્ર પ્રકાશકુમાર (ઉંમર 37) ઘરનો પંખો રિપેર કરાવવા માટે પિતાને આપવા અઘાર રોડ પર આવેલા રામાપીરના આશ્રમ પાસે આવ્યા હતા. પ્રકાશકુમાર રોડ ક્રોસ કરી રહ્યા હતા તે સમયે ડીસા તરફથી GJ 24 BB 0064 નંબરની મોટરસાઈકલ પર ધારેશજી જયંતીજી ઠાકોર પૂરઝડપે અને ગફલતભરી રીતે બાઈક ચલાવીને આવ્યા અને પ્રકાશકુમારને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પ્રકાશકુમારને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેમના નાક અને કાનમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. ઘટના બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત યુવક અને બાઈક ચાલક બંનેને ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસ બાદ પ્રકાશકુમારને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત સર્જનાર બાઈક ચાલક ધારેશજી ઠાકોર પણ ઈજાગ્રસ્ત થયો હોવાથી તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. સરસ્વતી પોલીસે આ મામલે BNS કલમ 281, 125(a), 125(b), 106(1) તેમજ મોટર વાહન અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં હાલમાં વર્તાઈ રહેલી કોમર્શિયલ ગેસના બાટલાની તીવ્ર અછતની સીધી અસર હવે સામાજિક પ્રસંગો પર જોવા મળી રહી છે. ગોડાદરા વિસ્તારમાં ઉત્તર ભારતીય સમૂહ વિવાહ સમિતિ દ્વારા આયોજિત દ્વિતીય સમૂહ વિવાહ સમારોહમાં ગેસના બાટલા ન મળતા આયોજકોએ પરંપરાગત પદ્ધતિ અપનાવી છે. 15,000 થી વધુ લોકોના જમણવાર માટે આયોજકોએ દક્ષિણ ગુજરાતના ગામડાઓમાંથી ખાસ 2000 કિલો લાકડા મંગાવ્યા છે અને મેદાનમાં લાકડાના ચૂલા ખડકી દેવામાં આવ્યા છે. 51 યુગલો પ્રભુતામાં પગલાં પાડશે, પણ જમણવારનું સંકટ દૂર કરવા રાત-દિવસ મહેનતગોડાદરા ખાતે યોજાનારા આ ભવ્ય પ્રસંગમાં 51 યુગલો લગ્નગ્રંથિથી જોડાવા જઈ રહ્યા છે. સમિતિએ અગાઉથી જ 15,000 મહેમાનો અને જાનૈયાઓ માટે આમંત્રણ પાઠવી દીધા હતા. જોકે, છેલ્લી ઘડીએ કોમર્શિયલ ગેસના બાટલાનો પુરવઠો ન મળતા આયોજકો ચિંતામાં મુકાયા હતા. મહેમાનોને જમાડ્યા વગર ન મોકલવાના સંકલ્પ સાથે સમિતિએ તાબડતોબ ગામડાઓનો સંપર્ક કરી લાકડાની વ્યવસ્થા કરી હતી. 2000 કિલો લાકડાની ‘એન્ટ્રી’ અને મેદાનમાં ધમધમ્યા ચૂલાસમૂહ લગ્ન સમિતિના ટ્રસ્ટી અમરસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, અમને ખબર પડી કે ગેસના બાટલાની અછત છે, પણ અમે મહેમાનોને આમંત્રણ આપી દીધું હતું. જાનૈયાઓને જમાડ્યા વગર તો ન જ મોકલાય. એટલે અમે તરત જ ગામડાઓનો સંપર્ક કર્યો અને ગઈકાલે રાત્રે જ 2000 કિલો લાકડાનો જથ્થો સુરત આવી પહોંચ્યો. અત્યારે લાકડા પર જ રસોઈ બની રહી છે અને તે ખૂબ જ સ્વાદિષ્ટ બની રહી છે. મેનૂમાં શું છે? 14 વાનગીઓનો રસાસ્વાદગેસની અછત છતાં આયોજકોએ મેનૂમાં કોઈ કાપ મૂક્યો નથી. લાકડાના ચૂલા પર કુલ 14 જેટલી અલગ-અલગ વાનગીઓ તૈયાર કરવામાં આવી રહી છે.રસોઈયાઓ દ્વારા ગઈ રાતથી જ દૂધીનો હલવો અને લાંબો સમય લેતી વાનગીઓ બનાવવાનું શરૂ કરી દેવાયું હતું.લાકડાના ધીમા તાપે રંધાતી રસોઈનો સ્વાદ પણ અનોખો હોય છે, જેનો આનંદ મહેમાનો માણશે.રસોઈની ટીમનો દાવો છે કે સાંજ સુધીમાં તમામ 14 વાનગીઓ તૈયાર થઈ જશે. જૂના દિવસો યાદ આવ્યા: કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતસ્થાનિક કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જ્યારે ગેસની સુવિધા નહોતી ત્યારે લોકો લાકડા પર જ રસોઈ બનાવતા હતા. આજે ગેસની અછતે અમને ફરીથી એ જૂના દિવસોની યાદ અપાવી દીધી છે. અમે વિચાર્યું કે કેમ ફરીથી 'બેક ટુ બેઝિક' ન જઈએ? એટલે જ અમે લાકડાના ચૂલા બનાવીને આ ભવ્ય જમણવારની તૈયારી પૂર્ણ કરી છે. અછત વચ્ચે પણ આયોજકોની હિંમતસુરત અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી કોમર્શિયલ ગેસનો પુરવઠો ખોરવાયો છે. આવી સ્થિતિમાં હોટલ અને કેટરિંગ ઉદ્યોગ મુશ્કેલીમાં છે, પરંતુ આ સમૂહ લગ્ન સમિતિએ વૈકલ્પિક વ્યવસ્થા કરીને અન્ય આયોજકો માટે પણ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે સંકટ સમયે હિંમત હારવાને બદલે રસ્તો કાઢવો જોઈએ.
જૂનાગઢ શહેરની સુંદરતા અને ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાને રાખીને મહાનગરપાલિકા પ્રશાસન દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પૂર્વ મંજૂરી મેળવ્યા વગર જાહેરાત બોર્ડ પ્રદર્શિત કરનાર એક એજન્સી સામે મહાનગરપાલિકાએ દંડનાત્મક કાર્યવાહી કરી અન્ય જાહેરાતકર્તાઓ માટે દાખલો બેસાડ્યો છે. નિયમોનું ઉલ્લંઘન પડ્યું ભારેપ્રાપ્ત વિગત મુજબ, જૂનાગઢ મહાનગરપાલિકાની હદમાં 'પારેવડી ડિઝાઇનર' દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં આવેલા કિયોસ્ક પોલ ઉપર કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી વગર જાહેરાત બોર્ડ લગાડવામાં આવ્યા હતા. આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈને કમિશનર તેજસ પરમાર (IAS) દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને નાયબ કમિશનર જે.પી.વાજા અને આસિસ્ટન્ટ કમિશનર (ટેક્સ) કે.જી.ટોલીયાના માર્ગદર્શન હેઠળ ટેક્સ સુપ્રીટેન્ડન્ટ મનોજ રૂપાપરાની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. રૂ. 15,000 નો દંડ અને બાહેધરીમનપાની ટીમે તા. 11/03/2026 ના રોજ પારેવડી ડિઝાઇનર પાસેથી નિયમોના ભંગ બદલ રૂ. 15,000 ના દંડની વસૂલાત કરી હતી. આટલું જ નહીં, એજન્સી પાસે એવી બાહેધરી પણ લેવામાં આવી છે કે ભવિષ્યમાં આવી ભૂલનું પુનરાવર્તન થશે નહીં. આ સાથે જ તમામ ગેરકાયદેસર બોર્ડ એજન્સીએ પોતાના ખર્ચે જ ઉતારી લેવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. નાગરિકો અને સંસ્થાઓને અપીલમહાનગરપાલિકા દ્વારા એક અખબાર યાદી જાહેર કરીને સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, શહેરના કોઈપણ વિસ્તારમાં જાહેરાત કે અન્ય પ્રવૃત્તિ કરતા પહેલા તંત્રની પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય છે. મંજૂરી વગરની પ્રવૃત્તિઓ સામે આગામી દિવસોમાં પણ આ જ રીતે સખ્ત કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
સાણંદ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં છુપાયેલી રમતગમતની પ્રતિભાને નિખારવા અને યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાના ઉમદા હેતુ સાથે ‘ખેલે સાણંદ સ્પોર્ટ્સ લીગ’ સીઝન-3 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ લીગના સુપર લીગ રાઉન્ડની મેચો ગુરુવારે ચાંગોદર ખાતે અત્યંત ઉત્સાહપૂર્ણ અને રસાકસીભર્યા માહોલમાં સંપન્ન થઈ હતી. મેદાન પર ખેલાડીઓનો જોશ અને પ્રેક્ષકોનો ઉત્સાહ જોતા સમગ્ર વાતાવરણ રમતમય બની ગયું હતું. 12 ટીમો વચ્ચે ખેલાયો જંગસુપર લીગના આ મહત્વપૂર્ણ તબક્કામાં કુલ 12 ટીમોએ ભાગ લીધો હતો, જેમની વચ્ચે 12 જેટલી રોમાંચક મેચો રમાઈ હતી. આ સ્પર્ધાઓમાં મુખ્યત્વે U-14 બોયઝ ખો-ખો અને U-14 ગર્લ્સ કબડ્ડી જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક શ્રેણીમાં 6-6 ટીમોએ મેદાનમાં ઉતરી પોતાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. કુલ 12 મેચો દરમિયાન ખેલાડીઓમાં અદભૂત ઉર્જા અને જીતવાની જીજીવિષા જોવા મળી હતી. વિજેતા ટીમોનું શાનદાર પ્રદર્શનમેદાન પર ખેલાડીઓએ પોતાની ચપળતા અને વ્યૂહરચનાથી સૌના દિલ જીતી લીધા હતા: U-14 બોયઝ ખો-ખો: આ વિભાગમાં પીલુપુરા અને તાજપુરની ટીમોએ મેદાન માર્યું હતું. ખેલાડીઓએ શાનદાર સંકલન અને ટીમવર્કનું પ્રદર્શન કરી પોતપોતાના ઝોનમાં વિજય મેળવ્યો હતો. U-14 ગર્લ્સ કબડ્ડી: આ શ્રેણીમાં સારી અને કોલાટની દીકરીઓએ પોતાની મક્કમતા અને રમત કૌશલ્યના જોરે જીત હાંસલ કરી હતી. તેમની વ્યૂહરચના પ્રેક્ષકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. સ્થાનિક નેતૃત્વ અને સુચારૂ આયોજનઆ ટુર્નામેન્ટની સફળતા પાછળ સ્થાનિક સમુદાય અને નેતૃત્વનો અમૂલ્ય સહયોગ રહ્યો છે. ચાંગોદરના સરપંચ બહાદુરભાઈ શંકરભાઈ ઠાકોર તથા મુનાભાઈએ સમગ્ર કાર્યક્રમના સંચાલનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. મેદાનની તૈયારીથી લઈને ખેલાડીઓ માટે પૌષ્ટિક ભોજન અને અન્ય તમામ પાયાની જરૂરિયાતો પૂરી પાડવામાં તેમણે વિશેષ જહેમત ઉઠાવી હતી. વિજયી ભારત ફાઉન્ડેશનનો અભિગમવિજયી ભારત ફાઉન્ડેશનના નેજા હેઠળ આયોજિત 'ખેલે સાણંદ' અભિયાન માત્ર એક રમત નથી, પરંતુ ગ્રામીણ યુવાનો માટે પોતાની કુશળતા વિકસાવવાનું એક સબળ પ્લેટફોર્મ છે. ‘ટીમ ખેલે સાણંદ’ દ્વારા જણાવાયું હતું કે, “આપણા ગામડાઓના એથ્લેટ્સમાં રહેલું સમર્પણ પ્રેરણાદાયી છે. આ પહેલ ગ્રામીણ ભારતમાં સ્પોર્ટ્સ કલ્ચરને મજબૂત કરી ભવિષ્યના ચેમ્પિયન્સ તૈયાર કરવામાં પાયાનો પથ્થર સાબિત થશે.”
જરાતના સાંસ્કૃતિક અને શૈક્ષણિક કેન્દ્ર વડોદરામાં ટેકનોલોજી ક્ષેત્રે એક નવું સોપાન ઉમેરાયું છે. એઆઈ પાવર ડિજિટલ એન્જિનિયરિંગ ક્ષેત્રની અગ્રણી ટેક કન્સલ્ટિંગ કંપનીએ શહેરમાં 'અદિતિ એઆઈ લેબ' (Aditi AI Lab) કાર્યરત કરી છે. આ લેબનો મુખ્ય ઉદ્દેશ્ય અત્યાધુનિક એપ્રેન્ટીસશિપ અભ્યાસક્રમ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કુશળ એન્જિનિયર્સ તૈયાર કરવાનો છે. પ્રેક્ટિકલ તાલીમ અને મેન્ટરશિપ પર ભારઅદિતિ લેબ્સનું લક્ષ્ય ગુજરાતની યુવા એન્જિનિયરિંગ પ્રતિભાઓને માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન નહીં, પરંતુ વાસ્તવિક જગતના પ્રેક્ટિકલ એઆઈ કૌશલ્યથી સજ્જ કરવાનું છે. આ માટે સંસ્થા દ્વારા યોગ્ય મેન્ટરશિપ પૂરી પાડવામાં આવશે. જે કંપનીઓ હાલમાં એઆઈ ટેકનોલોજી અપનાવી રહી છે, તેમની સતત બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ પ્રતિભાઓને ગ્લોબલ એક્સપોઝર આપવામાં આવશે, જેથી તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ક્ષમતા સાબિત કરી શકે. ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં સહભાગીવર્તમાન સમયમાં ઔદ્યોગિક સંસ્થાઓ પોતાની પરંપરાગત કાર્યશૈલીને આધુનિક બનાવી રહી છે. કાર્યો ઓટોમેટિક થાય અને ઇન્ટેલિજન્ટ ડિજિટલ પ્લેટફોર્મનું નિર્માણ થાય તે માટે એઆઈનો સ્વીકાર ઝડપથી વધી રહ્યો છે. અદિતિ લેબ એઆઈ ઈનોવેશનને એવા ઉકેલોમાં ફેરવશે જે સીધા કંપનીઓના વિકાસમાં મદદરૂપ થાય. આ પહેલ શિક્ષણ અને ઉદ્યોગો વચ્ચેના અંતરને ઘટાડવા માટે એક સેતુ સમાન સાબિત થશે. 12 મહિનાનો ખાસ એપ્રેન્ટીસશીપ પ્રોગ્રામઆ લેબ હેઠળ 12 મહિનાનો એક વિશેષ એઆઈ એપ્રેન્ટીસશીપ પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે. આ કોર્સ આશાસ્પદ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સને ઉદ્યોગ જગત માટે તૈયાર પ્રોફેશનલ્સમાં પરિવર્તિત કરશે. આ પ્રોગ્રામમાં જોડાનાર યુવાનોને રિયલ-વર્લ્ડ એઆઈ સિસ્ટમ્સ બનાવવાની પ્રત્યક્ષ તાલીમ મળશે. તેઓ ટેલિકોમ, ફિન્ટેક અને મેન્યુફેક્ચરિંગ જેવા મહત્વના ક્ષેત્રોના લાઈવ પ્રોજેક્ટ્સ પર કામ કરશે. આ ઉપરાંત, ડેટા એન્જિનિયરિંગ, મોડેલ ડેવલપમેન્ટ અને ઓપરેશનલ મોડેલ્સ વિકસાવવાની જટિલ કુશળતા પણ કેળવશે.
દિવ્યાંગ વ્યક્તિઓના જીવનમાં ગતિશીલતા લાવવા અને તેમને આર્થિક તથા સામાજિક રીતે સ્વાવલંબી બનાવવાના ઉમદા હેતુ સાથે વડોદરા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા એક વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યાંગજનોને સ્વાવલંબન તરફ એક પગલું ના સૂત્ર હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં દિવ્યાંગ લાભાર્થીઓને અત્યાધુનિક સાધનોનું વિતરણ કરી તેમને સ્વનિર્ભરતાની ભેટ આપવામાં આવી હતી. ઉચ્ચસ્તરીય નેતૃત્વ હેઠળ સાધન વિતરણગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા તેમજ રાજ્યમંત્રી ડૉ. મનીષાબેન વકીલની ગરિમામય ઉપસ્થિતિમાં રાજ્યવ્યાપી દિવ્યાંગ સાધન વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના અનુસંધાને અને નિયામક વિક્રમસિંહ જાદવના માર્ગદર્શન હેઠળ વડોદરા ખાતે સ્થાનિક કક્ષાએ આ વિશેષ વિતરણ કેમ્પ યોજાયો હતો. 41 લાભાર્થીઓને મળી નવી ગતિવડોદરા જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી કુલ 41 દિવ્યાંગ લાભાર્થીઓએ આ કેમ્પમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. લાભાર્થીઓની જરૂરિયાત અને શારીરિક સ્થિતિની યોગ્યતાને ધ્યાને રાખીને તેમને મોટોરાઈઝ્ડ ટ્રાયસિકલ તેમજ જોયસ્ટિક વ્હીલચેર અર્પણ કરવામાં આવી હતી. આ સાધનો મળવાથી દિવ્યાંગો હવે અન્ય પર નિર્ભર રહેવાને બદલે પોતાની દૈનિક પ્રવૃત્તિઓ અને વ્યવસાયિક કાર્યો વધુ સરળતાથી કરી શકશે. સાધનોની જાળવણી અને ઉપયોગ અંગે માર્ગદર્શનજિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ભગીરથસિંહ ચુડાસમાએ કેમ્પ દરમિયાન હાજર રહીને તમામ લાભાર્થીઓને વિતરણ કરાયેલા સાધનોના ઉપયોગ અંગે વિસ્તૃત સમજ આપી હતી. તેમણે મોટોરાઈઝ્ડ ટ્રાયસિકલ અને જોયસ્ટિક વ્હીલચેરની સંભાળ, ચાર્જિંગ અને લાંબા ગાળાની જાળવણી કેવી રીતે કરવી તે બાબતે ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેથી લાભાર્થીઓ આ આધુનિક સાધનોનો મહત્તમ લાભ ઉઠાવી શકે. સરકારની કલ્યાણકારી યોજનાઓનો આભારસમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા સમાજ સુરક્ષા કચેરીની ટીમ દ્વારા અત્યંત સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું. આધુનિક સહાય મેળવ્યા બાદ લાભાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને તેમણે સરકારશ્રીની આ કલ્યાણકારી યોજના બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ સાધનો દિવ્યાંગો માટે માત્ર પરિવહનનું સાધન નહીં, પરંતુ તેમના જીવનમાં આત્મવિશ્વાસ વધારવાનું માધ્યમ બનશે.
મોરબી જિલ્લા SOG ટીમે લીલાપરથી નવાગામ તરફ જતા રસ્તા પર આવેલી એક નાસ્તાની દુકાન પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન દુકાનમાંથી 2.606 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજો, રોકડ રકમ, વજન કાંટો અને મોબાઈલ ફોન સહિત કુલ ₹1,16,800 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. SOG ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને લીલાપરથી નવાગામ તરફ જતા રસ્તા પર, એકવાસેરા સેનેટરીવેર કારખાના સામે આવેલી પતરાની નાસ્તાની દુકાનમાં ગાંજાનું વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી આરોપી ઉદયભાઈ રામખેલાવન વર્મા (હાલ રહે. લીલાપરથી નવાગામ તરફ જવાના રસ્તે, એકવાસેરા સેનેટરી કારખાના પાસે; મૂળ રહે. ઉત્તરપ્રદેશ) ની ધરપકડ કરવામાં આવી હતી. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 2.606 કિલોગ્રામ ગાંજો, ગાંજાના વેચાણથી મળેલા ₹1400 રોકડા, એક વજન કાંટો અને એક મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે હવે આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.
ખેલ મહાકુંભ 2025:વડોદરાની સ્વિમિંગ ટીમનો દમદાર દેખાવ, કુલ 115 પદકો સાથે મેદાન માર્યું
ગુજરાતના સૌથી પ્રતિષ્ઠિત અને વિશાળ ગણાતા રમત ઉત્સવ 'ખેલ મહાકુંભ'માં વડોદરાના સ્વિમર્સે પોતાની પ્રતિભાનો પરચો આપતા અપ્રતિમ સફળતા હાંસલ કરી છે. રાજ્યભરના હજારો ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડતા આ મહાકુંભમાં વડોદરાની સ્વિમિંગ ટીમે શાનદાર પ્રદર્શન કરી કુલ 115 પદકો પોતાના નામે કર્યા છે. જેમાં 43 ગોલ્ડ, 23 સિલ્વર અને 19 બ્રોંઝ પદકોનો સમાવેશ થાય છે. આ વિજય સાથે વડોદરાએ ફરી એકવાર સ્વિમિંગ ક્ષેત્રે પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. ત્રણ તબક્કામાં યોજાઈ હતી સ્પર્ધાખેલ મહાકુંભ 2025ની રાજ્ય સ્તરની સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન ગુજરાતના વિવિધ શહેરોમાં ત્રણ અલગ-અલગ તબક્કામાં કરવામાં આવ્યું હતું. જેની શરૂઆત 18 અને 19 જાન્યુઆરી 2026ના રોજ વડોદરાથી થઈ હતી, જ્યાં ઓપન એજ બોયઝ અને ગર્લ્સ કેટેગરીના મુકાબલા યોજાયા હતા. ત્યારબાદ 13 અને 14 ફેબ્રુઆરી 2026ના રોજ ભાવનગર ખાતે અંડર-11, અંડર-14 અને અંડર-17 બોયઝ કેટેગરીની સ્પર્ધાઓ યોજાઈ હતી. અંતિમ તબક્કામાં 22 અને 23 ફેબ્રુઆરી 2026 દરમિયાન હિંમતનગરમાં ગર્લ્સ કેટેગરીની સ્પર્ધાઓ સંપન્ન થઈ હતી. સ્ટાર પરફોર્મર્સ: માધવ દાઉદીયા અને શિવમ કુમારની ચમકઆ સમગ્ર સ્પર્ધામાં વડોદરાના ખેલાડીઓએ વ્યક્તિગત રીતે પણ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. અંડર-17 કેટેગરીમાં માધવ નિલેશભાઈ દાઉદીયા 05 ગોલ્ડ મેડલ જીતીને 'સ્ટાર પરફોર્મર' તરીકે ઉભરી આવ્યા છે. જ્યારે નાની ઉંમરની અંડર-11 કેટેગરીમાં શિવમ કુમારે 02 ગોલ્ડ મેડલ જીતીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. પદક વિજેતા ખેલાડીઓની લાંબી યાદી વડોદરાને ગૌરવ અપાવનારા અન્ય મુખ્ય પદક વિજેતાઓમાં નીચે મુજબના ખેલાડીઓનો સમાવેશ થાય છે: આઝિક્યા સિંહ: 04 ગોલ્ડ, 01 સિલ્વર અવની સિંહ: 04 ગોલ્ડ, 01 બ્રોંઝ જયવલ જાની: 03 ગોલ્ડ, 01 બ્રોંઝ જયદીપ કિથોરિયા: 03 ગોલ્ડ, 01 સિલ્વર અનુશ્યા કૈથવાસ: 03 ગોલ્ડ, 01 સિલ્વર, 01 બ્રોંઝ સ્મૃતિ સિંહ: 03 ગોલ્ડ, 01 સિલ્વર, 01 બ્રોંઝ ઓમ કદમ: 02 ગોલ્ડ, 03 બ્રોંઝ સાંવી પટવા: 02 ગોલ્ડ, 02 સિલ્વર હર્ષ મહેશ્વરી: 01 ગોલ્ડ, 01 સિલ્વર, 03 બ્રોંઝ પ્રશિવ જોશી: 01 ગોલ્ડ, 01 સિલ્વર, 02 બ્રોંઝ આ ઉપરાંત ચિરાગ નેગી, આરુષ લાંજેવાર, શુભમ મેર, પ્રિષા પંચોલી, હિમધી ચૌહાણ અને સારા સરોહાએ પણ ગોલ્ડ મેડલ જીતીને ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. સિલ્વર અને બ્રોંઝ મેડલ જીતનાર ખેલાડીઓમાં કાશ્વી સિંહ (04 સિલ્વર), જિનલ પિત્રોડા, રેણુકા પહુ, વૈષ્ણવી કુનવારિયા, ભાવ્યા મહેતા અને અન્ય ઉભરતા ખેલાડીઓનો સમાવેશ થાય છે. સફળતા પાછળનું સીક્રેટ: સખત તાલીમ અને માર્ગદર્શનઆ ઐતિહાસિક સફળતા રાતોરાત મળી નથી. આ તમામ સ્વિમર્સ વડોદરાના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) હેઠળ મહિનાઓથી કઠોર તાલીમ લઈ રહ્યા છે. કોચ કૃષ્ણ પંડ્યા અને વિવેક સિંહ બોરલિયાના ટેકનિકલ માર્ગદર્શન તેમજ ટ્રેનર્સ સુબોધ કુમાર અને બિપિન કુમારની શારીરિક તાલીમે આ ખેલાડીઓને માનસિક અને શારીરિક રીતે સજ્જ કર્યા છે. ખેલાડીઓની સતત મહેનત, શિસ્ત અને કોચિંગ સ્ટાફના સમર્પણને કારણે આજે વડોદરાનું નામ રમતગમત જગતમાં ગુંજતું થયું છે.
મોરબી-રાજકોટ હાઇવે પર ટંકારાના વીરપર ગામ નજીક એક જીવલેણ અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ૩૦ વર્ષીય યુવાન ઘનશ્યામભાઈ નંદરામભાઇ વિશ્વકર્માનું કરુણ મોત નીપજ્યું હતું. મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના નવલખી રોડ પર વીબોક્સ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કાર્યરત ઘનશ્યામભાઈ વીરપર ગામ પાસે બા ની વાડી નજીક રોડ પર ઊભા હતા. તે સમયે એક અજાણ્યા વાહન ચાલકે તેમને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં તેમને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ થઈ હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ બનાવ અંગે મૃતકના મોટા ભાઈ સંતોષ નંદરામભાઇ વિશ્વકર્મા (૩૧)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને ફરાર આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
જિલ્લાના સરસ્વતી તાલુકાના વાયડ ગામમાં વરઘોડો કાઢવા જેવી બાબતે એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે ભયાનક હિંસક અથડામણ સર્જાઈ છે. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદે આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પથ્થરમારો અને ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ લોહિયાળ સંઘર્ષમાં 20 પુરુષો અને 5 મહિલાઓ સહિત કુલ 25 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેના પગલે સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. જૂની અદાવતમાં લોહિયાળ જંગ વાયડ ગામમાં વરઘોડો કાઢવા બાબતે રાઠોડ અને જાદવ સમાજના બે જૂથો વચ્ચે લાંબા સમયથી મનદુઃખ ચાલી રહ્યું હતું. ગત શુક્રવારે પોલીસ બંદોબસ્ત હેઠળ ગામમાં એક વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ બાબતની અદાવત રાખીને આજે સવારે જ્યારે જાન જઈ રહી હતી, ત્યારે અચાનક ટોળાએ ઘાતક હથિયારો સાથે હીચકારો હુમલો કરી દીધો હતો. જોતજોતામાં બંને પક્ષો સામસામે આવી ગયા હતા અને ગામ રણમેદાનમાં ફેરવાઈ ગયું હતું. 25 લોકો લોહીલુહાણ, ધારપુર સિવિલમાં દોડધામ આ હિંસક અથડામણમાં પથ્થરમારો અને હથિયારોના ઘા વાગવાથી 20 થી વધુ પુરુષો અને 5 મહિલાઓ લોહીલુહાણ થઈ હતી. ઘટના બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સિહોરી અને ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ધારપુર હોસ્પિટલના RMMO રમેશભાઈએ જણાવ્યું હતું કે, બંને પક્ષના થઈને કુલ 24 થી વધુ લોકો હાલ સારવાર હેઠળ છે. હોસ્પિટલ પરિસરમાં પણ ઈજાગ્રસ્તોના પરિવારજનોના ટોળા ઉમટી પડ્યા હતા. ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ઘટનાની ગંભીરતા જોતા સરસ્વતી પોલીસનો મોટો કાફલો તાત્કાલિક વાયડ ગામમાં ઉતારી દેવામાં આવ્યો છે. હાલ ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા હુમલાખોરોને ઝડપી પાડવા અને કાયદેસરની કાર્યવાહી કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
ગુજરાતને વૈશ્વિક કુશળતાના હબ તરીકે સ્થાપિત કરવાના મક્કમ નિર્ધાર સાથે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે. ગાંધીનગર ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિમાં નિયામક રોજગાર અને તાલીમની કચેરી તથા અદાણી સ્કિલ્સ અને એજ્યુકેશન વચ્ચે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના યુવાનોને ઉદ્યોગોની બદલાતી જરૂરિયાતો મુજબ તૈયાર કરી તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે રોજગારી મેળવવા સક્ષમ બનાવવાનો છે. ઉદ્યોગોની જરૂરિયાત મુજબ તૈયાર થશે 'સ્કિલ્ડ' યુવાનોઆ પ્રસંગે સંબોધન કરતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, કુશળ માનવબળ એ 'વિકસિત ભારત'ના સ્વપ્નને સાકાર કરવા માટેનો મજબૂત પાયો છે. આ MoU અંતર્ગત રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITIs) માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માત્ર પરંપરાગત શિક્ષણ જ નહીં, પરંતુ આધુનિક ટેકનોલોજી અને ઇન્ડસ્ટ્રી-સ્પેસિફિક સ્કિલ્સનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન આપવામાં આવશે. આ તાલીમ યુવાનોને ભવિષ્યના પડકારો અને ઉદ્યોગોની માગને અનુરૂપ તૈયાર કરશે, જેથી તેમની કારકિર્દીના નવા દ્વાર ખુલશે. સોલાર, વિન્ડ અને લોજિસ્ટિક્સ સેક્ટર્સ પર ભારઆ સમજૂતી અંતર્ગત યુવાનોને એવા ક્ષેત્રોમાં તૈયાર કરવામાં આવશે જેમાં રોજગારીની વિપુલ તકો રહેલી છે. ખાસ કરીને સોલાર એનર્જી, વિન્ડ એનર્જી, પોર્ટ્સ એન્ડ લોજિસ્ટિક્સ તથા કન્સ્ટ્રક્શન ટેકનોલોજી જેવા વિષયો પર વિશેષ તાલીમ કેન્દ્રિત કરવામાં આવશે. રાજ્યની પસંદગીની ITIs માં અદ્યતન 'સ્કિલ લેબ્સ'ની સ્થાપના કરવામાં આવશે. આ લેબ્સમાં વિદ્યાર્થીઓને માત્ર થીયરી નહીં પરંતુ પ્રત્યક્ષ ઉદ્યોગ અનુભવ (Hands-on training) અને ઇન્ડસ્ટ્રી એક્સપોઝર મળશે, જે તેમના આત્મવિશ્વાસમાં વધારો કરશે. 'વિકસિત ભારત @2047' વિઝન આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર તાલીમાર્થીઓને માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. મંત્રીએ ઉમેર્યું હતું કે આ પહેલ વડાપ્રધાનના 'વિકસિત ભારત @2047' અને 'સ્કિલ ઇન્ડિયા'ના વિઝનને સાકાર કરવામાં પૂરક સાબિત થશે. હજારો યુવાનોને ગુણવત્તાયુક્ત તાલીમ મળવાથી ગુજરાતમાં રોજગારના નવા વિકલ્પો ઉભા થશે અને ઉદ્યોગોને સ્થાનિક સ્તરે જ કુશળ કારીગરો મળી રહેશે. આ કાર્યક્રમમાં શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવ લોચન સહેરા, રોજગાર અને તાલીમ નિયામક નીતિન સાંગવાન, મંત્રીના અંગત સચિવ જે.બી.વદર સહિત ઉચ્ચ અધિકારીઓ અને અદાણી ગ્રુપના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
શહેરની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ ફરી એકવાર પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે. 12 માર્ચ 2026 ના રોજ કે. એસ. સ્કૂલ ઓફ મેનેજમેન્ટ એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી દ્વારા આયોજિત આંતર-કોલેજિયેટ ઇવેન્ટ “ટેક્નોમંત્ર 2026” માં કોલેજના વિદ્યાર્થીઓએ અનેક સ્પર્ધાઓમાં વિજેતા બની સંસ્થાનું નામ રોશન કર્યું છે. ટગ ઓફ વોરમાં મેદાન માર્યુંશારીરિક ક્ષમતા અને અદભૂત ટીમવર્કની કસોટી કરતી ‘ટગ ઓફ વોર’ સ્પર્ધામાં પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજની ટીમે મેદાન માર્યું હતું. સંકલન અને અતૂટ નિશ્ચય સાથે રમીને આ ટીમે પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો. આ વિજેતા ટીમમાં ઉન્નતિ તપોધન, વિશ્વા પટેલ, પ્રાચી બાંભણીયા, તિથિ આદેશરા અને તૃપ્તિ ભાવસારનો સમાવેશ થાય છે. સર્જનાત્મક સ્પર્ધાઓમાં દ્વિતીય સ્થાનમાત્ર રમતગમત જ નહીં, પરંતુ બૌદ્ધિક અને સર્જનાત્મક કૌશલ્યમાં પણ વિદ્યાર્થીઓએ કાઠું કાઢ્યું હતું. ‘પિક્શનરી’ સ્પર્ધામાં ઉન્નતિ તપોધન અને મોક્ષ મિસ્ત્રીએ પોતાની ત્વરિત વિચારશક્તિના જોરે બીજો ક્રમ મેળવ્યો હતો. તેવી જ રીતે, ‘રિવર્સ ચૅરેડ્સ’ સ્પર્ધામાં તિથિ આદેશરા અને પ્રાચી બાંભણીયાની જોડીએ પ્રભાવશાળી તાલમેલ બતાવીને બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. કૂકિંગમાં પણ નવીનતાનો સ્પર્શઆધુનિક કૌશલ્યોની સાથે વિદ્યાર્થીઓએ ‘કૂક વિધાઉટ ફાયર’ (અગ્નિ વિના રસોઈ) સ્પર્ધામાં પણ પોતાની કળા પીરસી હતી. આ સ્પર્ધામાં મોક્ષ મિસ્ત્રી અને હાની પંચાલે પોતાની નવીન વાનગીઓ અને આકર્ષક પ્રસ્તુતિ દ્વારા નિર્ણાયકોના દિલ જીતી લીધા હતા અને બીજો ક્રમ પોતાના નામે કર્યો હતો. માર્ગદર્શન અને પ્રોત્સાહનવિદ્યાર્થીઓની આ ભવ્ય સફળતા પાછળ કોલેજના ફેકલ્ટી સભ્યો ડૉ. હેતલ દોશી અને ડૉ. બીના પટેલનું સચોટ માર્ગદર્શન રહ્યું હતું. આ ઉપરાંત, આચાર્ય ડૉ. એન. ડી. શાહના દૂરંદેશી નેતૃત્વ અને સતત પ્રોત્સાહનને કારણે વિદ્યાર્થીઓ આટલી ઉંચાઈએ પહોંચી શક્યા છે. કોલેજ મેનેજમેન્ટ અને તમામ સ્ટાફ મિત્રોએ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી છે.
સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. ભેસ્તાન વિસ્તારમાં જ છેલ્લા 24 કલાકમાં ઘર પાસે રમતા બે બાળક પર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી છે. પહેલી ઘટનામાં બાળકના મોઢા પર શ્વાને એટલી હદે બચકાં ભર્યા હતા કે ગાલનો ભાગ ફાટી ગયો હતો. તો આજે પણ 3 વર્ષીય બાળક પર કૂતરાએ હુમલો કરી માથા સહિતના શરીરના ભાગે 25થી વધઉ બચકા ભર્યા હતાં. ઉલ્લેખનીય છે કે, રોજના સુરચ સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઈટના 100થી વધુ કેસ સામે આવી રહ્યાં છે. શ્વાનોથી બાળકોના જીવને જોખમ હોવા છતાં મહાનગરપાલિકા કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ વર્તી રહી છે. ઘટના 1: સંગમ સોસાયટીમાં 3 વર્ષીય સોમ ગોરા ભોગ બન્યોભેસ્તાન વિસ્તારની સંગમ સોસાયટી પાસે આજે 14 માર્ચની સવારે 3 વર્ષીય સોમ ગોરા પર શ્વાને હુમલો કર્યો હતો. સવારે સોમ જ્યારે ઘર પાસે રમી રહ્યો હતો, ત્યારે શ્વાને સીધો જ તેના હુમલો કરી બચકાં ભરવાનું શરૂ કર્યું હતું. આસપાસના લોકોએ દોડી આવી બચાવ્યોશ્વાને સોમ ગોરાના માથા, મોઢા અને પગના ભાગે 25થી વધુ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બાળકની બૂમો સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહામુસીબતે બાળકને શ્વાનના જડબામાંથી છોડાવ્યું હતું. લોહીલુહાણ હાલતમાં સોમને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર કરાવવામાં આવી રહી છે. ઘટના 2: ગણેશનગરમાં 4 વર્ષીય અંશ કુશવાહના ગામે બચકું ભર્યુંભેસ્તાન વિસ્તારના ગણેશનગરમાં રહેતા 4 વર્ષીય અંશ કુશવાહ નામનો બાળક પોતાના ઘર પાસે મિત્રો સાથે ગઈકાલે રમી રહ્યો હતો. આ દરમિયાન અચાનક એક હિંસક શ્વાન તેની પાછળ પડ્યું હતું. બાળક કંઈ સમજે તે પહેલાં શ્વાને તેને જમીન પર પાડી દીધો હતો અને તેના ગાલ પર બચકું ભરી ગાલનો ભાગ ફાડી નાખ્યો હતો. મોઢા પર ગંભીર ઈજા થવાને કારણે અંશને પણ તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલની ભયાનક સ્થિતિ, રોજ 100થી વધુ કેસસુરત સિવિલ હોસ્પિટલના આંકડાઓ અત્યંત ચિંતાજનક છે. હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર, દરરોજ શહેરમાંથી 100થી વધુ કેસ ડોગ બાઈટ (શ્વાન કરડવા) અને કેટ બાઈટના આવી રહ્યા છે. હોસ્પિટલના કેમ્પસમાં વહેલી સવારથી જ લોકો હડકવાની રસી મુકાવવા માટે લાંબી લાઈનો લગાવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં આવતા કેસોમાં મોટાભાગે નાના બાળકો અને વૃદ્ધો હોય છે, જેઓ શ્વાન સામે પોતાનો બચાવ કરી શકતા નથી.
વિશ્વને યોગની તાકાતનો અહેસાસ કરાવનાર અને ભારતીય સંસ્કૃતિના વારસાને વૈશ્વિક મંચ પર પ્રતિષ્ઠા અપાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી આજે 21 જૂન સમગ્ર વિશ્વમાં 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' તરીકે ઉજવાય છે. આ શૃંખલામાં વર્ષ 2026ના 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વતૈયારીના ભાગરૂપે ગુજરાતમાં એક નવી ઊર્જાનો સંચાર થયો છે. ગાંધીનગર સ્થિત નવા MLA આવાસ ખાતે આયોજિત 'કર્ટન રેઝર' ઇવેન્ટ સાથે જ 100 દિવસના કાઉન્ટડાઉનનો ગરિમાપૂર્ણ પ્રારંભ કરવામાં આવ્યો છે. ધારાસભ્યોની પ્રેરક હાજરીમાં 'કર્ટન રેઝર' ઇવેન્ટગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજીના નેતૃત્વમાં આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના વિવિધ ધારાસભ્યોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને યોગ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. એક કદમ યોગમય વિધાનસભા તરફ ના સૂત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમે રાજકીય નેતૃત્વ દ્વારા સમાજને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો મજબૂત સંદેશ આપ્યો છે. છેવાડાના માનવી સુધી પહોંચશે યોગનો પ્રભાવઆ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર યોગ દિવસની ઉજવણી પૂરતો સીમિત નથી, પરંતુ 'કોમન યોગ પ્રોટોકોલ' (Common Yoga Protocol) દ્વારા જન-જનને શારીરિક અને માનસિક રીતે સુદ્રઢ બનાવવાનો છે. યોગ એ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ જીવન જીવવાની એક સંપૂર્ણ કળા છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો સંકલ્પ છે કે યોગનો આ વ્યાપ રાજ્યના છેવાડાના ગામ સુધી પહોંચે અને દરેક નાગરિક આ પ્રાચીન પરંપરાનો લાભ લેતા થાય. આગામી 100 દિવસનું એક્શન પ્લાનઆજના આ ભવ્ય પ્રારંભ બાદ હવે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ટીમ આગામી 100 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં સક્રિય રહેશે. રાજ્યના તમામ જિલ્લાઓ અને તાલુકા મથકોએ વિવિધ યોગ શિબિરોનું આયોજન કરવામાં આવશે. આ વ્યાપક પ્રચાર-પ્રસાર અભિયાન દ્વારા 21 જૂન પહેલા ગુજરાતના ખૂણેખૂણે યોગમય વાતાવરણ તૈયાર કરવામાં આવશે, જેથી ગુજરાત દેશનું સૌથી સ્વસ્થ અને સજાગ રાજ્ય બની શકે.
ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશનના જવાનોએ કુંભારવાડા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ માહિતી આધારે રેલવે ફાટક પાસે ખુલી જગ્યામાં પૈસા પાના વડે તીન પત્તીનો જુગાર રમતા છ શખ્સોને 45 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઇ તમામ વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર બોરતળાવ પોલીસ સ્ટેશનના જવાનો કુંભારવાડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન ચોક્કસ માહિતી આધારે રેલવે ફાટક પાસે આવેલ અંડર બ્રિજ નજીક રેડ કરતા છ શખ્સો ગોળ કુંડાળ વળીને પૈસા પાના વડે તીન પત્તીનો જુગાર રમતા રંગે હાથ ઝડપાયા હતા. જેમાં ભીમદેવ મહિપતસિંહ ગોહિલ ઉંમર વર્ષ.52, રહે.વિઠલવાડી બાવળિયા હનુમાન મંદિર સામે ભાયાણીની વાડી તુલસીનગર, સલીમ મનસુરભાઈ સુમરા ઉંમર વર્ષ.53, રહે.કુંભારવાડા, નયુદ્દીન રફીકભાઈ બેલીમ ઉંમર વર્ષ.30, રહે.કુંભારવાડા, સલીમ હાજીભાઈ મજરા ઉંમર વર્ષ.42, રહે.કુંભારવાડા, સકીલ ગફાર શેખ ઉંમર વર્ષ.35 રહે.કુંભારવાડા અને મહંમદહુસૈન આરીફભાઈ કુરેશી ઉંમર વર્ષ.21 રહે.કુંભારવાડા વાળાઓને સ્થળ પરથી જુગારનું સાહિત્ય તથા જુગારના પટમાં પડેલ રોકડા રૂપિયા 45,360 કબ્જે કરી તમામ વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગારધારા એક્ટ 12 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
જામનગરમાં પ્રથમ લોક અદાલત:15 જેટલી સંસ્થાઓએ ભાગ લીધો, 9500થી વધુ કેસોનો નિકાલ થશે
જામનગરમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ એન. આર. જોશીના નેતૃત્વ હેઠળ 14 માર્ચ 2026ના રોજ વર્ષની પ્રથમ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ અદાલતમાં 9,500થી વધુ કેસોના નિકાલ માટે રાખવામાં આવ્યા છે. આ કેસોની સુનાવણી કુલ 27 કોર્ટમાં વિવિધ ન્યાયાધીશો દ્વારા હાથ ધરવામાં આવશે. બેંકો, ઇલેક્ટ્રિસિટી બોર્ડ અને ટેલિફોન કંપનીઓ સહિત આશરે 15 જેટલી સંસ્થાઓએ આ લોક અદાલતમાં ભાગ લીધો છે. લોક અદાલતમાં પ્રી-લિટિગેશન અને પોસ્ટ-લિટિગેશન એમ બંને પ્રકારના સમાધાનકારી કેસોનો સમાવેશ થાય છે. જેમાં મુખ્યત્વે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસો, મેટ્રિમોનિયલ કેસો, ઇલેક્ટ્રિસિટી બોર્ડના બાકી લેણાંના કેસો, ઇ-ચલણ અને MACPના કેસો તેમજ કબૂલાતપાત્ર અન્ય તમામ કેસોનો નિકાલ કરવામાં આવશે. હાલ આ કેસોના નિકાલની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જામનગરના જ્યુડિશિયલ ઓફિસર, કોર્ટ સ્ટાફ અને વકીલ મિત્રોનો સારો સહકાર મળી રહ્યો છે. લોક અદાલતનો મુખ્ય ઉદ્દેશ્ય પક્ષકારો વચ્ચે સુખદ સમાધાન લાવી વર્ષો જૂના કેસોનો ઝડપી નિકાલ કરવાનો છે.
અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં એક હચમચાવી નાખતો બનાવ સામે આવ્યો છે. અકસ્માત સર્જનારા કારચાલકને સમજાવવા ગયેલા એક વૃદ્ધને કારના બોનેટ પર બેસાડી કારચાલકે કાર ભગાડી મૂક્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વીડિયોમાં સિનિયર સિટીઝન કહી રહ્યા છે કે, 'હજી કહું છું કેસ નથી કરવો' તેમ છતા કારચાલકે પોતાની કાર ઉભી રાખવાના બદલે રસ્તા પર પૂરપાટ ઝડપે દોડાવી રહ્યો છે. આ મામલે હજી સુધી પોલીસ સ્ટેશન સુધી કોઈ ફરિયાદ આવી ન હોય પોલીસે વાઈરલ વીડિયોના આધારે તપાસ કરી કારચાલકની શોધખોળ હાથ ધરી છે. શુક્રવારે રાત્રે નિકોલમાં કારચાલકે અકસ્માત સર્જયો હતોનિકોલમાં ખોડિયાર મંદિર પાસે 13 માર્ચે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ GJ-13 CB 2908 નંબરની I-10 કારના ચાલકે એક અકસ્માત સર્જ્યો હતો.અકસ્માત બાદ એક વૃદ્ધ વ્યક્તિ કારચાલકને સમજાવવા આવ્યા હતા ત્યારે કારચાલકે ત્યાંથી વૃદ્ધ ઉપર ગાડી ચડાવી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો.જોકે વૃદ્ધ વ્યક્તિ કારના બોનેટ ઉપર ચડી ગયા છતાં કાર ચાલકે કાર ઊભી રાખવાની જગ્યાએ વૃદ્ધને બોનેટ ઉપર બેસાડીને 500 મીટર જેટલી કાર ચલાવી હતી.આ બનાવનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાઇરલ થઈ રહ્યો છે. પોલીસે કારના નંબરના આધારે તપાસ હાથ ધરીવાયરલ વિડીયોના આધારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઇ બી.એસ વાઘેલા જણાવ્યું હતું કે હાલ અમારી પાસે કોઈ ફરિયાદ કરવા આવ્યો નથી. પરંતુ અમે ગાડીના નંબરના આધારે તપાસ કરી રહ્યા છે.સાથે ટ્રાફિક પોલીસ પર કાર ચાલકની તપાસ કરી રહી છે. આ સમાચાર પણ વાંચોઃલાલ દરવાજા વિસ્તારમાં બેફામ કારચાલકે 3થી 4 વાહનને ટક્કર મારી અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં લકી ટી સ્ટોલ પાસે બેફામ બનેલા કારચાલક દ્વારા ત્રણથી ચાર વાહનને ટક્કર મારવી હોવા અંગેનો બનાવ બન્યો છે. ચાલક ત્રણથી ચાર વાહનને ટક્કર મારીને એલિસબ્રિજ તરફ ભાગ્યો હતો, જ્યાં સ્થાનિક લોકોએ પીછો કરી અને કારચાલકને ઝડપી પાડ્યો હતો. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, કારચાલક શાહપુર તરફથી પૂરપાટ ઝડપે ગાડી લઈને આવી રહ્યો હતો અને ત્યાંથી પણ ત્રણથી ચાર વાહનને ટક્કર મારી લાલ દરવાજા લકી સ્ટોલ પાસે ટક્કર મારી હતી. એક એક્સેસ ગાડીને જોરદાર ટક્કર મારી હતી. આ ઘટનામાં કેટલા લોકોને ઈજા થઈ છે તે અંગે હજી માહિતી મળી નથી. એલિસબ્રિજ પાસે ચાર રસ્તા નજીક કારચાલકને સ્થાનિક લોકોએ પકડી પાડ્યો હતો અને તરત જ ટ્રાફિકના TRB જવાનો આવી ગયા હતા. સ્થાનિક લોકો અને TRB જવાનો દ્વારા આરોપીને પકડી એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવામાં આવ્યો હતો. (સંપૂર્ણ સમાચાર વાંચો)
અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં સિલિકોન વેલ્થ મેનેજમેન્ટ કંપનીમાં રોકાણ કરવાનું કહીને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવનાર સિદ્ધાર્થ રાવલ સામે વધુ બે ફરિયાદ નોંધાઈ છે. સરખેજ પોલીસ સ્ટેશનમાં સિદ્ધાર્થ રાવલ સામે 42 લાખ રૂપિયાની ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. સિદ્ધાર્થે લોકોને શરૂઆતમાં રોકાણ કરવાનું કહીને સારું એવું વળતર પણ આપ્યું હતું, પરંતુ થોડા સમય બાદ વળતર આપવાનું બંધ કરીને ઠગાઈ કરી હતી. સરખેજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. દર મહિને 10%ના લેખે વળતર ચૂકવી આપવાનું જણાવ્યુંપાલડીમાં રહેતા આશીનીબેન શાહે ફરિયાદ નોંધાવી છે કે, તેઓ વર્ષ 2021માં સિદ્ધાર્થના સંપર્કમાં આવ્યા હતા. જેમાં તેમને સિલિકોન વેલ્થ મેનેજમેન્ટ કંપનીના કર્મચારી અને માલિકે રોકાણ પર દર મહિને 10%ના લેખે વળતર ચૂકવી આપવાનું જણાવ્યું હતું. જેથી આશીનીબેને 10 લાખનું રોકાણ કર્યું હતું, જેમાં તેમને શરૂઆતમાં વળતર આપવામાં આવ્યું હતું. જે બાદ વળતર આપવાનું બંધ કરી દીધું હતું. આશાનીબેને મૂડી પરત માંગતા વાયદા કરીને મૂડી પરત આપી ન્હોતી. આશાનીબેન સહિત અન્ય લોકો સાથે પણ આ રીતે જ પૈસા પડાવ્યા હતા જેથી સરખેજ પોલીસે 20 લાખની છેતરપિંડી મામલે સિદ્ધાર્થ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપીએ મૂડી પરત ન આપી અલગ અલગ બહાના બનાવ્યાસેટેલાઈટમાં રહેતા કલ્પનાબેન શાહે પણ સિદ્ધાર્થ રાવલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, વર્ષ 2022માં તેમનો સંપર્ક સિલિકોન વેલ્થ મેનેજમેન્ટ કંપની સાથે થયો હતો. જેમાં શેર માર્કેટમાં રોકાણ કરવાની સારી પોલીસી જણાવી સારું વળતર આપવાની લાલચ આપી હતી. જેથી કલ્પનાબેને 8.50 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. કલ્પનાબેનને શરૂઆતમાં રોકાણ પર વળતર આપવામાં આવતું હતું. જ્યારે કલ્પનાબેને તેમની મૂડી પરત માગી ત્યારે પરત આપવામાં આવી નહોતી અને અલગ અલગ બહાના બનાવવામાં આવતા હતા. બીજી ફરિયાદમાં 22 લાખની છેતરપિંડી અંગે ગુનો નોંધી તપાસકલ્પનાબેને સિદ્ધાર્થ રાવલની ઓફિસ અને રહેઠાણ ખાતે તપાસ કરી તો તે ત્યાં પણ હાજર ન હતો. કલ્પનાબેન સહિત અન્ય ચાર લોકો પાસે પણ આ જ રીતે અલગ અલગ રકમ લઈને ઠગાઈ કરવામાં આવી હતી. સરખેજ પોલીસે બીજી ફરિયાદમાં સિદ્ધાર્થ રાવલ વિરુદ્ધ 22 લાખની છેતરપિંડી મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ભરૂચ રેલવે પોલીસ અને શી ટીમે સતર્કતા દાખવી ઘરેથી નીકળી ગયેલી એક યુવતી અને તેની નાનકડી બાળકીનું પરિવાર સાથે ભાવુક પુનઃમિલન કરાવ્યું હતું. રેલવે ટ્રેનો અને રેલવે હદ વિસ્તારમાં મહિલાઓ તથા બાળકો સામેના ગુનાઓ અટકાવવા માટે વિશેષ સૂચનાઓ અપાઈ છે. આ માર્ગદર્શન હેઠળ, ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ. દેસાઈના નેતૃત્વમાં પોલીસ ટીમ સતત કાર્યરત છે. તારીખ 13 માર્ચ, 2026ના રોજ બપોરે આશરે 12 વાગ્યે એક મુસાફરે ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનને એક યુવતી અને તેની નાનકડી બાળકી વિશે જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં યુવતીની ઉંમર 22 વર્ષ અને તે બોરીવલી વેસ્ટ, મુંબઈની રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. તેની સાથે આશરે 3 વર્ષની બાળકી હતી. પોલીસે યુવતીને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તેને પોતાના પિયરમાં ભાઈના લગ્ન પ્રસંગે જવાનું હતું. જોકે, તેણે ઘરમાં કોઈને જાણ કર્યા વિના દીકરીને સાથે લઈ આંગણવાડી જઈ રહી છું એમ કહી ઘરેથી નીકળી ગઈ હતી. ત્યાર બાદ તે કોઈ ટ્રેનમાં બેસીને ભરૂચ રેલવે સ્ટેશન પર આવી પહોંચી હતી. પરિસ્થિતિની ગંભીરતા સમજી ભરૂચ રેલવે પોલીસે યુવતીને સમજાવી તેના પતિનો મોબાઈલ દ્વારા સંપર્ક કર્યો. પતિને ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન પર બોલાવવામાં આવ્યા હતા. જરૂરી દસ્તાવેજો અને નિવેદન લીધા બાદ યુવતી પોતાની ઈચ્છાથી પતિ સાથે ઘરે જવા તૈયાર થઈ હતી. પોલીસે યોગ્ય કાર્યવાહી પૂર્ણ કરીને યુવતી અને તેની બાળકીનો કબજો તેના પતિને સોંપ્યો હતો. લાંબા સમય પછી પરિવારનું પુનઃમિલન થતાં ભાવુક ક્ષણો સર્જાયા હતા.
રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણા દ્વારા ગેરકાયદે બાંધકામ અને પ્લાન કમ્પ્લીશનના નામે સામાન્ય નાગરિકો પાસેથી લાખો રૂ.ની લાંચ માંગવામાં આવતી હોવાના કથિત વિડીયો વાયરલ થતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. આ ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આક્રમક રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરોએ શહેરના સર્કિટ હાઉસ ખાતે પહોંચીને ગંગાજળ છાંટી 'શુદ્ધિકરણ'નો કાર્યક્રમ યોજ્યો હતો. તેમજ રામધૂન બોલાવી આશ્ચર્યજનક વિરોધ કરતા જ પોલીસ દ્વારા ટીંગાટોળી સાથે અટકાયત કરાઈ હતી. કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપના શાસકો સરકારી મિલકતો જેવી કે સર્કિટ હાઉસને પોતાનો અડ્ડો બનાવીને ત્યાં બેસીને જનતાને લૂંટવાનું કામ કરી રહ્યા છે. વાયરલ થયેલા વિડીયોમાં પણ પૂર્વ કોર્પોરેટર દ્વારા 3 લાખ, 4 લાખ અને તેમાંથી 1.50 લાખ રૂ. જેવી રકમની લેતીદેતીની વાતો કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, સર્કિટ હાઉસના કોન્ફરન્સ રૂમ ખોલાવવા માટે દબાણ કરવામાં આવતું હોવાનો ઉલ્લેખ પણ તેમાં કરવામાં આવ્યો છે. ઘટનાને ગંભીર ગણાવતા કોંગ્રેસે માગ કરી છે કે સર્કિટ હાઉસના સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવે જેથી સત્ય બહાર આવી શકે. NSUIનાં પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના નેતા આદિત્યસિંહ ગોહિલે જણાવ્યું કે, છેલ્લા 2-3 દિવસથી રાજકોટની જનતામાં અને મીડિયા દ્વારા ભાજપના પૂર્વ નગરસેવક અનિલ મકવાણા જે રીતે સામાન્ય નાગરિકો પાસેથી પ્લાન કમ્પ્લીશન અને ખોટા બાંધકામના નામે 3 લાખ, 4 લાખ અને તેમાંથી 1.50 લાખ રૂ. લેવાની વાતો કરી રહ્યા છે તે ગંભીર બાબત છે. સર્કિટ હાઉસના ટેબલ ઉપરથી એવું કહેવામાં આવે છે કે કોન્ફરન્સ રૂમ ખોલી આપો, આ અમારું સર્કિટ હાઉસ છે અને અમારે અહીં બેસવાનું જ હોય. વધુમાં તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષ દ્વારા આજે સર્કિટ હાઉસનું શુદ્ધિકરણ કરવા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ભાજપના શાસકો સર્કિટ હાઉસને પોતાનો અડ્ડો બનાવીને જનતાને લૂંટવાનું કામ કરી રહ્યા છે. અમે સર્કિટ હાઉસના મેનેજરને પણ અમે પૂછ્યું છે કે કયા ધારાસભ્યના દબાણથી તેમને કોન્ફરન્સ રૂમ ખોલવાની પરવાનગી આપવામાં આવી? અંતમાં તેમણે જનતાને અપીલ કરી હતી કે જો કોઈ પણ ભાજપનો સત્તાધીશ તમને દબાવતો હોય કે તોડ કરતો હોય, તો શહેર કોંગ્રેસ કાર્યાલયનો સંપર્ક કરજો, કોંગ્રેસ તમને ન્યાય અપાવશે. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ સર્કિટ હાઉસમાં બેસીને રામધૂન બોલાવી હતી અને 'ભાજપ હાય હાય' ના સૂત્રોચ્ચાર કર્યા હતા. કાર્યકરોએ હાથમાં બેનરો રાખ્યા હતા જેમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધનાં સૂત્રો અને સીસીટીવી જાહેર કરવાની માગ કરવામાં આવી હતી. કોંગ્રેસના આગેવાને જણાવ્યું હતું કે, તેઓ સર્કિટ હાઉસના મેનેજરને આ મુદ્દે પૂછવા આવ્યા છે કે કયા ધારાસભ્યના દબાણ હેઠળ કોન્ફરન્સ રૂમ ખોલવાની પરવાનગી આપવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શનની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા ટીંગટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસ પક્ષે જનતાને અપીલ કરી છે કે જો કોઈ ભાજપના સત્તાધીશો દ્વારા તેમને દબાવવામાં આવતા હોય કે તોડ કરવામાં આવતો હોય, તો તેઓ શહેર કોંગ્રેસ કાર્યાલયનો સંપર્ક કરે, કોંગ્રેસ તેમને ન્યાય અપાવવાનું કામ કરશે. આ ઘટનાએ હાલ રાજકોટના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે.
સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ગેરકાયદેસર ગેસ સિલિન્ડરના વપરાશ અને સંગ્રહખોરીને રોકવા માટે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત પુરવઠા અધિકારીઓની ટીમોએ સ્થાનિક હોટલો, રેસ્ટોરન્ટ્સ અને ખાણી-પીણીના એકમો પર આકસ્મિક તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન, ખાસ કરીને વ્યાપારી હેતુ માટે ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડરના જથ્થાની ચકાસણી કરવામાં આવી હતી. હોટલ સંચાલકો નિયમ મુજબના સિલિન્ડરનો ઉપયોગ કરે છે કે કેમ અને વધુ સંગ્રહ કરવામાં આવ્યો છે કે કેમ તેની સ્થળ પર તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત, જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કાર્યરત એલ.પી.જી. ગેસના ગોડાઉનો ખાતે પણ પુરવઠા વિભાગ દ્વારા તપાસનો દોર લંબાવવામાં આવ્યો હતો. ગોડાઉનોમાં રહેલા સ્ટોક રજિસ્ટરની એન્ટ્રીઓ અને ત્યાં ઉપલબ્ધ પ્રત્યક્ષ જથ્થાની ચકાસણી કરવામાં આવી હતી. ગેસના જથ્થામાં કોઈ વિસંગતતા જણાય અથવા સંગ્રહખોરી થતી હોય તો તેને અટકાવવા માટે કડક સૂચનાઓ અપાઈ હતી. જિલ્લા પુરવઠા નિરીક્ષકો દ્વારા આગામી સમયમાં પણ વિવિધ સ્થળોએ આવી ચકાસણી સતત ચાલુ રાખવામાં આવશે. ગ્રાહકોના હિતનું રક્ષણ કરવા અને રાંધણ ગેસ કે કોમર્શિયલ ગેસના અનધિકૃત વેચાણ અને સંગ્રહખોરી અટકાવવા માટે વહીવટી તંત્ર સંપૂર્ણપણે કટિબદ્ધ છે.
સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગે ગેસ સિલિન્ડરના ગેરકાયદેસર વપરાશ અને સંગ્રહખોરી અટકાવવા કડક ઝુંબેશ શરૂ કરી છે. આ અંતર્ગત, પુરવઠા અધિકારીઓની ટીમોએ સ્થાનિક હોટલો, રેસ્ટોરન્ટ્સ અને ખાણી-પીણીના એકમો પર આકસ્મિક તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન, વ્યાપારી હેતુ માટે ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડરના જથ્થાની ચકાસણી કરવામાં આવી હતી. હોટલ સંચાલકો નિયમ મુજબના સિલિન્ડરનો ઉપયોગ કરે છે કે કેમ અને વધુ સંગ્રહ કરવામાં આવ્યો છે કે કેમ તેની સ્થળ પર તપાસ કરાઈ હતી. આ ઉપરાંત, પુરવઠા વિભાગે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કાર્યરત એલ.પી.જી. ગેસના ગોડાઉનોમાં પણ તપાસ કરી હતી. ગોડાઉનોમાં સ્ટોક રજિસ્ટરની એન્ટ્રીઓ અને ઉપલબ્ધ પ્રત્યક્ષ જથ્થાની ચકાસણી કરવામાં આવી હતી. ગેસના જથ્થામાં કોઈ વિસંગતતા જણાય કે સંગ્રહખોરી થતી હોય તો તેને અટકાવવા તંત્ર દ્વારા કડક સૂચનાઓ અપાઈ છે. જિલ્લા પુરવઠા નિરીક્ષકો દ્વારા આગામી સમયમાં પણ વિવિધ સ્થળોએ આવી ચકાસણી ચાલુ રાખવામાં આવશે. વહીવટી તંત્ર ગ્રાહકોના હિતનું રક્ષણ કરવા અને રાંધણ ગેસ કે કોમર્શિયલ ગેસના અનધિકૃત વેચાણ અને સંગ્રહખોરી અટકાવવા કટિબદ્ધ છે.
બોટાદમાં પકા શેઠની વાડીથી તુલસી નગરનો રસ્તો બિસ્માર:સ્થાનિકોને મુશ્કેલી, તાત્કાલિક રસ્તો બનાવવા માંગ
બોટાદ શહેરના વોર્ડ નંબર ૮ માં પકા શેઠની વાડીથી તુલસી નગર સુધીનો રસ્તો છેલ્લા ચાર વર્ષથી બિસ્માર હાલતમાં છે. સ્થાનિકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ રસ્તો મારુતિ નગર, પકા શેઠની વાડી, તુલસી નગર, મહાદેવ નગર, રામદેવ નગર અને મોહન નગર જેવા અનેક વિસ્તારોને શહેર સાથે જોડે છે. વરસાદી સિઝનમાં અહીં પાણી ભરાઈ જાય છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને, ખાસ કરીને શાળાએ જતા વિદ્યાર્થીઓને, ભારે હાલાકી ભોગવવી પડે છે. રસ્તા પર ગંદા પાણી ભરાવાને કારણે અકસ્માતનો ભય પણ સતત રહે છે. સ્થાનિક રહેવાસીઓએ આ અંગે તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી રસ્તાના સમારકામ કે નવા રસ્તા બનાવવાની કામગીરી શરૂ થઈ નથી. આના કારણે સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિકો અને વિદ્યાર્થીઓએ તાત્કાલિક રસ્તો બનાવવાની માંગ કરી છે અને જો કામગીરી શરૂ નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સ્થાનિક રહિશ હરેશભાઈ હડાળીયાએ આ માહિતી આપી હતી. આ અંગે નગરપાલિકાના સદસ્ય રવજીભાઈ વાટુકિયાએ જણાવ્યું હતું કે, પકા શેઠની વાડી વિસ્તારથી તુલસીનગર સુધીનો રસ્તો છેલ્લા ચારેક વર્ષથી ખરાબ છે. આ બાબતે નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, ૨૦૨૬-૨૭ની ગ્રાન્ટમાં આ રસ્તાનો સમાવેશ કરીને વહેલામાં વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે.
શહેરના આંબાવાડી વિસ્તારમાં રહેતા 58 વર્ષીય વિધવા મહિલા ના બંધ મકાનના તાળા તોડી, તેમના નણંદ અને નણંદોયાએ ગેરકાયદે પ્રવેશ કરી મકાન પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ ઘોઘા રોડ પોલીસ મથકે નોંધાઈ હતી, આ બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર અમીબેન આશિષભાઈ રૈયા ઉ.વ.58, રહે.આંબાવાડી, મંગળામાતાના મંદિર પાસે એકલા રહે છે, તેમણે પોતાની નણંદ જાગૃતિ અને નણંદોયા રાજીવભાઈ મહેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં તેમના પતિના અવસાન બાદ તેઓ આ મકાનમાં રહે છે આ મિલકત બાબતે અગાઉથી જ કોર્ટમાં વિવિધ કેસો પેન્ડિંગ છે, ગઈકાલે તા.13 માર્ચના રોજ સાંજે જ્યારે અમીબેન પોતાના કામે બહાર ગયા હતા, ત્યારે પાછળથી નણંદ જાગૃતિ અને રાજીવએ મકાનના મુખ્ય દરવાજા અને ઉપરના ભાગના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અમીબેન જ્યારે સાંજે 6 વાગ્યે ઘરે પરત ફર્યા ત્યારે ઘરને અંદરથી તાળા મારેલા હતા અને આરોપીઓ બાલ્કનીમાં જોવા મળ્યા હતા, વધુમાં, અમીબેને આક્ષેપ કર્યો છે કે તેમના મોબાઈલમાં કનેક્ટ થયેલા ઘરના સીસીટીવી કેમેરા પણ આરોપીઓએ ડિસ્કનેક્ટ કરી નાખ્યા છે, જેથી ઘરમાં શું નુકસાન થયું છે તેની વિગત જાણી શકાઈ નથી, આ મિલકત બાબતે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે નણંદે સાસુ પાસેથી ગિફ્ટ ડીડ કરાવી મકાન પચાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છે, જેની સામે કોર્ટમાં કેસ પેન્ડિંગ છે,અમીબેને 'રાઈટ ટુ રેસિડેન્સ' હેઠળ પણ મનાઈહુકમ માંગેલો છે જે તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ બાબતે યોગ્ય પગલાં લેવા હુકમ કરવામાં આવ્યો હતો, હાઈકોર્ટના આદેશ અને વિવિધ સિવિલ તેમજ ડોમેસ્ટિક વાયોલેન્સના કેસો ચાલુ હોવા છતાં, આરોપીઓએ ગેરકાયદેસર રીતે મકાનમાં પ્રવેશ કરતા અમીબેને પોલીસની મદદ માંગી છે અને અમીબેન એ ઘોઘા રોડ પોલીસ મથકે બી.એન.એસ ની કલમ 329(3) તથા 54 મુજબ જાગૃતિ રાજીવભાઈ મહેતા અને રાજીવ આર.મહેતા વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો હતો, પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગર શહેરના નીલમબાગ પોલીસ સ્ટેશનના જવાનો શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન ચોક્કસ માહિતી આધારે વિઠ્ઠલવાડી વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપ પાછળ ખુલી જગ્યામાં સરા જાહેર જુગાર રમતા 10 શખ્સોને રોકડ રકમ તથા જુગારના સાહિત્ય સાથે ઝડપી લઇ તમામ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો, ગતરોજ નીલમબાગ પોલીસ સ્ટેશનના જવાનો પોલીસ મથકે હેઠળના અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન ચોક્કસ માહિતી આધારે વિઠલવાડી વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપ પાછળ ખુલી જગ્યામાં રેડ કરતા 10 શખ્સો ગોળ કુંડાળું વળીને પૈસા પાના વડે તીન પત્તીનો જુગાર રમતા હાથો હાથ ઝડપાયા હતા, ઝડપાયેલ ઈસમોમાં વિનોદ ખીમજીભાઈ મકવાણા ઉંમર વર્ષ 33 રહે.સિહોર, મુકેશ મનહરલાલ પરમાર ઉંમર વર્ષ 45 રહે. ભાવનગર, અશોક વીરજીભાઈ બારૈયા ઉંમર વર્ષ.28 રહે ભાવનગર, ગૌતમ નારાયણભાઈ ગીદવાણી ઉંમર વર્ષ 35 રહે.ભાવનગર, હેમરાજ નરેન્દ્રસિંહ ગોહિલ ઉંમર વર્ષ.40 રહે.ભાવનગર, મહાવીર રમુભા ગોહિલ ઉંમર વર્ષ.45 રહે.ભાવનગર, રમેશ ખોડાભાઈ ખસિયા ઉંમર વર્ષ.44 રહે.ભાવનગર, વીરભદ્ર ગંભીરસિંહ ગોહિલ ઉંમર.48 રહે.ભાવનગર, પ્રતિપાલ નરેન્દ્રસિંહ ગોહિલ ઉંમર વર્ષ.35 રહે.ભાવનગર, અને અશોક રમુભા ગોહિલ ઉંમર વર્ષ 44 રહે.ભાવનગર વાળા ને સ્થળ પરથી જુગારનું સાહિત્ય તથા જુગારના પટમાં પડેલ રોકડા રૂપિયા 27,310 સાથે ઝડપી લઇ તમામ વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા એક્ટ 12 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહેસાણા જિલ્લાનું વિજાપુર અને તેનો કાંઠા વિસ્તાર જે ઉત્તમ ગુણવત્તાના બટાકા માટે જાણીતો છે, ત્યાં આજે ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની છે. ગત વર્ષે જે બટાકા ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયા હતા, તે જ આ વર્ષે ખેડૂતોની કમર તોડી રહ્યો છે. બજારમાં બટાકાના ભાવમાં 60 ટકા જેટલો તોતિંગ ઘટાડો નોંધાતા ખેડૂતો પાયમાલ થવાનાં આરે છે. ખર્ચ વધ્યો અને ઉત્પાદન ઘટ્યુંસ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, આ વર્ષે બિયારણ, ખાતર, મજૂરી અને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં ધરખમ વધારો થયો છે. એક વીઘા દીઠ ખેતીનો ખર્ચ રૂ 30,000થી રૂ35,000 સુધી પહોંચ્યો છે, જેની સામે માંડ રૂ 20,000ની આવક થઈ રહી છે. ગત વર્ષે પ્રતિ 20 કિલો (એક મણ)ના ભાવ રૂ. 250થી રૂ. 450 સુધી મળતા હતા, જે ચાલુ વર્ષે ઘટીને માત્ર રૂ. 80થી રૂ.150ની વચ્ચે આવી ગયા છે. હરીપુરા જેવા ગામોમાં તો સ્થિતિ એવી છે કે, વેપારીઓ રૂ. 100માં પણ માલ લેવા તૈયાર નથી, પરિણામે ખેતરોમાં બટાકાના પહાડ જેવા ઢગલા ખડકાયા છે. કોલ્ડ સ્ટોરેજ હાઉસફુલ, વેપારીઓની ઉદાસીનતામબલખ ઉત્પાદનને કારણે વિસ્તારના તમામ કોલ્ડ સ્ટોરેજ હાલ હાઉસફુલ થઈ ગયા છે, જેના કારણે સંગ્રહ કરવાની પણ જગ્યા નથી. બીજી તરફ ગત વર્ષની સરખામણીએ બજારમાં સ્ટોક વધુ હોવાથી વેપારીઓ પણ ખરીદીમાં ઉદાસીનતા દાખવી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, હવે મજૂરોના પૈસા ચૂકવવા પણ લોઢાના ચણા ચાવવા જેવું કામ બની ગયું છે. સરકાર પાસે સહાયની માગવિજાપુર APMCના ચેરમેન રાજુ પટેલે પણ ખેડૂતોની વહારે આવતા સરકારને નમ્ર અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે ખેડૂતો અત્યારે ગંભીર આર્થિક સંકટમાં છે. ત્યારે સરકારે ટ્રાન્સપોર્ટેશન અથવા અન્ય કોઈ રીતે તાત્કાલિક સહાય જાહેર કરવી જોઈએ. હરીપુરાના ખેડૂત ઝવેર પટેલે ચેતવણીના સૂરમાં જણાવ્યું હતું કે, જો સરકાર આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ખેડૂતોનો સાથ ઈચ્છતી હોય તો સરકારે તુરંત રાહત પેકેજ જાહેર કરી ખેડૂતોની સામે જોવું જોઈએ.
બરોડા ડેરીનું રાજકારણ દિવસે ને દિવસે ગરમાટો પકડી રહ્યું છે. ડેરીમાં આમ તો વર્તમાન પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના ઉમેદવારો બિનહરીફ જાહેર થઇ ગયા છે, પરંતુ ડેસર બેઠક ઉપર ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. ત્યારે ડેસરની બે દૂધ મંડળીઓને ઓડિટ માટેની નોટિસ આપ્યા બાદ દૂધ મંડળીઓ દ્વારા અવગણના કરાતા જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા રાત્રિના સમયે મામલતદાર તેમજ સ્થાનિક પોલીસને સાથે રાખીને બંને દૂધ મંડળીઓના તાળા તોડી દફતર કબજે કરવાની કવાયત કરી હતી. 10 માર્ચે નોટિસ પાઠવવામાં આવી હતીઅગાઉ 10 માર્ચના રોજ વેજપુર અને પ્રતાપપુરા દૂધ મંડળીને જિલ્લા રજિસ્ટર તરફથી ઓડિટ માટેની નોટિસ પાઠવવામાં આવેલી હતી. તેમ છતાં તેઓ દ્વારા મંડળી ઉપર હાજર હોવા છતાં પણ ઓડિટ કરવા દેવામાં આવ્યું નહોતું. તેથી ઓડિટર દ્વારા જિલ્લા રજિસ્ટ્રારને જાણ કરતા જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો કે, જો તમને દફતર ના આપે તો મામલતદારને જાણ કરી કલમ 83 મુજબની નોટિસ આપી પોલીસ પ્રોટેક્શન સાથે દફતર કબજે કરવું. આ હુકમના આધારે બંને મંડળીઓ પર જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા નિમાયેલા ઓડિટરને મોકલી દફતર કબજે કરવાની કામગીરી કરવામાં આવી હતી. મામલતદારે જવાબ આપવાનું ટાળ્યુંસમગ્ર મામલે દિવ્ય ભાસ્કરની ટીમે મામલતદાર સોનલબેનને ફોન કર્યો હતો, ત્યારે તેઓએ આ અંગે રજિસ્ટ્રારને પૂછવા કહ્યું હતું અને સમગ્ર મામલા અંગે જવાબ આપવાનું ટાળ્યું હતું. ત્યારબાદ તેઓએ પોતાનો ફોન સ્વીચઓફ કરી દીધો હતો. જિલ્લા રજિસ્ટ્રાર અભિષેક સુવાએ જણાવ્યું હતું કે, ઓડિટર્સ દ્વારા દૂધ મંડળી ખાતે ઓડિટ કરવા મુલાકાત લેવાઈ હતી, પરંતુ તેઓ દફ્તરનો કબજો આપતા ન હતા, જેથી અમારા ઉપર આ અંગેનો પત્ર આવતા અમારા દ્વારા સ્થાનિક મામલતદારને જાણ કરવામાં આવી હતી અને પોલીસની મદદથી દફ્તર કબજેે લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી. MLA ઇનામદાર અને ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગબરોડા ડેરીમાં આમેય સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર ભૂતકાળમાં અનેકવાર આરોપો લગાવી ચૂક્યા છે. ત્યારે હાલમાં ડેરીની ચૂંટણી પહેલા ડેસર બેઠક ઉપર પ્રતિષ્ઠાનો જંગ જોવા મળી રહ્યો છે. ડેસર બેઠક પર ભાજપે સુરપાલસિંહને મેન્ડેડ આપ્યું છે, ત્યારે કુલદિપસિંહે પક્ષના મેન્ડેડની અવગણના કરી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના કટ્ટર હરીફ તરીકે કુલદીપસિંહ ભૂતકાળમાં રહી ચુક્યા છે. ત્યારે આ બેઠક એ બંને માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે. 2021થી ઓડિટ બાકી હોવાની શક્યતાAઆ બંને દૂધ મંડળીઓના ઓડિટ 2021થી બાકી હોવાનું જાણવા મળી રહ્યું છે. વિગતો અનુસાર દૂધ મંડળીઓને નોટિસ આપી 1 એપ્રિલ, 2024થી 31 માર્ચ, 2025 સુધીના હિસાબોના ઓડિટ માટેની જાણ કરાઈ હતી. ત્યારે દૂધ મંડળીઓએ એમ જણાવ્યું હતું કે, ચાલુ હિસાબી વર્ષમાં હજુ 15 દિવસ જેટલો સમય બાકી છે, જેથી 31 માર્ચ પછી જરૂરી દસ્તવેજો આપીશું. કારણ કે 2021થી ઓડિટ બાકી છે. ત્યારે તેની સાથે આ હિસાબોનું તાગ કેવી રીતે મેળવી શકાશે તે પણ એક પ્રશ્ન છે. ત્યારે દૂધ મંડળીઓમાં અડધી રાતે તાળા તોડી ઓડિટ કરવાની શું ફરજ પડી તેવી ચર્ચાએ પણ વેગ પકડ્યો છે. વર્તમાન પ્રમુખ અને ઉપપ્રમુખને પણ શો કોઝ નોટિસબરોડા ડેરીના વર્તમાન પ્રમુખ અને ઉપપ્રમુખને રાજ્યના સહકારી વિભાગ દ્વારા શો કોઝ નોટિસ આપવામાં આવી છે. આ નોટિસ અંગેનો જવાબ 13 માર્ચના રોજ આપવાનો હતો. જો કે તેમાં પણ તારીખ પડી છે અને હવે આગામી 23 માર્ચના રોજ આ અંગેનો જવાબ રજૂ કરવામાં આવશે. બરોડા ડેરીની ચૂંટણની આગામી 18 માર્ચના રોજ યોજાશે.
પાટણના જાણીતા ફિઝિશિયન ડૉ. હમીદભાઈ મનસુરીની પુત્રી ડૉ. રિયા મનસુરીએ મુંબઈની ડી.વાય. પાટીલ મેડિકલ કોલેજમાંથી DM કાર્ડિયોલોજીની ડિગ્રી ગોલ્ડ મેડલ સાથે પ્રાપ્ત કરી છે. આ સિદ્ધિ સાથે તેઓ મનસુરી સમાજના પ્રથમ મહિલા કાર્ડિયોલોજિસ્ટ બન્યા છે, જેનાથી પાટણનું ગૌરવ વધ્યું છે. ડૉ. રિયાએ તબીબી ક્ષેત્રે આ ઉચ્ચ સિદ્ધિ તેમના માતા-પિતા, ડૉ. હમીદ મનસુરી અને મુમતાઝ મનસુરીના માર્ગદર્શન હેઠળ મેળવી છે. તેમણે પોતાનો પોસ્ટ ગ્રેજ્યુએટ (PG) અભ્યાસ પણ આ જ ડી.વાય. પાટીલ મેડિકલ કોલેજમાંથી પૂર્ણ કર્યો હતો. તેમની આ સફળતા બદલ મનસુરી સમાજ સેવા મંડળ, પાટણ અને મન્સુર હેલ્પીંગ હેન્ડ પરિવાર દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. ડૉ. રિયાની આ સિદ્ધિએ તબીબી જગતમાં પાટણ જિલ્લાનું નામ રોશન કર્યું છે અને સમાજ માટે પ્રેરણારૂપ બની છે.
વિધાનસભામાં મહિલા અને બાળ વિકાસ વિભાગને લગતા પ્રશ્નો દરમિયાન કુપોષણ અને વિધવા સહાય યોજનાનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં રહ્યો હતો. રાજ્યમાં કુપોષણ ઘટાડવાના સરકારના દાવાઓ વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં હજારો બાળકો કુપોષિત હોવાના આંકડા સામે આવતા ગૃહમાં તીવ્ર ચર્ચા જોવા મળી હતી. વિભાગના મંત્રી ડૉ. મનીષા વકીલે ગૃહમાં જવાબ આપતા જણાવ્યું હતું કે રાજ્યને કુપોષણમુક્ત બનાવવા સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને તેના પરિણામે ધીમે ધીમે કુપોષણના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે આહાર પદ્ધતિમાં આવેલા બદલાવ અને કેટલીક સ્થાનિક પરિસ્થિતિઓને કારણે કેટલાક વિસ્તારોમાં હજુ પણ કુપોષણ જોવા મળે છે. આ મુદ્દે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગૃહમાં મંત્રીને ઘેર્યા હતા. બંને વચ્ચે આંકડાઓને લઈને સામસામે તર્કવિતર્ક જોવા મળ્યો હતો અને મંત્રીને આંકડાઓ અંગે સ્પષ્ટતા કરવી અઘરી પડી હતી. સાબરકાંઠા જિલ્લામાં 16 હજારથી વધુ બાળકો કુપોષિતઆ દરમિયાન અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં કુપોષણના આંકડાઓ રજૂ કરતાં મંત્રીએ જણાવ્યું કે અરવલ્લી જિલ્લામાં અનેક તાલુકાઓમાં 6412 કુપોષિત બાળકો નોંધાયા છે, જ્યારે સાબરકાંઠા જિલ્લામાં લગભગ 16 હજારથી વધુ બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે બાયડ વિસ્તારમાં 853 બાળકો કુપોષિત છે. મંત્રી મનીષા વકીલને આંકડાઓ અંગે સ્પષ્ટતા કરવી અઘરી પડીઆ મુદ્દે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગૃહમાં મંત્રીને ઘેર્યા હતા. મેવાણી અને મંત્રી મનીષા વકીલ વચ્ચે આંકડાઓને લઈને સામસામે તર્કવિતર્ક જોવા મળ્યો હતો અને મંત્રીને આંકડાઓ અંગે સ્પષ્ટતા કરવી અઘરી પડી હોવાનો માહોલ ઉભો થયો હતો. ‘આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને ફોર્ટિફાઇડ પૂરક પોષણ આહાર આપવામાં આવે છે’ચર્ચા દરમિયાન સરકાર તરફથી જણાવાયું હતું કે રાજ્યના આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને ફોર્ટિફાઇડ પૂરક પોષણ આહાર આપવામાં આવે છે. ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા ગંભીર કુપોષિત બાળકો માટે ખાસ પોષણ સહાય અને આરોગ્ય સેવા પણ આપવામાં આવી રહી છે. ‘વિધવા સહાયમાં છેલ્લા 6 મહિનામાં લાભાર્થીઓની સંખ્યા કેમ ઘટી’બીજી તરફ ગૃહમાં વિધવા સહાય યોજના અંગેનો મુદ્દો પણ ગરમાયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પ્રશ્ન ઉઠાવી પૂછ્યું હતું કે વર્ષ 2025ના છેલ્લા છ મહિનામાં અમદાવાદ શહેર અને જિલ્લામાં વિધવા સહાય યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા કેમ ઘટી છે. તેમણે દાવો કર્યો હતો કે અગાઉ આ યોજનામાં લાભાર્થીઓની સંખ્યા વધુ હતી. ‘દરેક પાત્ર મહિલાને યોજનાનો લાભ મળી રહ્યો છે’આ પ્રશ્નના જવાબમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી ડૉ. મનીષા વકીલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે અગાઉ ઇન્દિરા ગાંધી પેન્શન યોજના હેઠળ આવતી બહેનોને હવે ગંગા સ્વરૂપ યોજનામાં માઇગ્રેટ કરવામાં આવી રહી છે. વર્ષ 2024-25 દરમિયાન અમદાવાદ શહેર અને જિલ્લામાં એક લાખથી વધુ લાભાર્થી બહેનોને ગંગા સ્વરૂપ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે અને રાજ્યની દરેક પાત્ર મહિલાને યોજનાનો લાભ મળી રહ્યો છે. પ્રશ્ન પૂછનાર અનેક ધારાસભ્યો ગૃહમાં ગેરહાજર રહેતા અધ્યક્ષે નોંધ લીધીચર્ચા દરમિયાન અધ્યક્ષે નોંધ્યું કે પ્રશ્ન પૂછનાર અનેક ધારાસભ્યો ગૃહમાં ગેરહાજર રહે છે. આ બાબતે તેમણે બંને પક્ષોના દંડકોને વિનંતી કરી કે પ્રશ્ન પૂછનાર ધારાસભ્યો ગૃહમાં હાજર રહે તેવી સભ્યોને સૂચના આપવામાં આવે, કારણ કે ગેરહાજરી યોગ્ય નથી. આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોના પોષણની સ્થિતિ પર સવાલ ઉઠ્યાવિધાનસભામાં કુપોષણના આંકડાઓ સામે આવતા ખાસ કરીને ઉત્તર ગુજરાતના આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોના પોષણ અને આરોગ્ય અંગેની સ્થિતિ પર ફરી એકવાર પ્રશ્નો ઉભા થયા છે.
શહેરના રાજપથ ક્લબની સામે આવેલી સોસાયટીના એક મકાનમાં લાખોના દાગીનાની ચોરીનો બનાવ બન્યો છે. ઘરમાં 15 દિવસથી કામ કરતા નોકરે જ 11 લાખના દાગીનાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. ચોરી અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. સોનાની બંગડી, મંગળસૂત્ર, સેટ, વીંટી સહિત 11 લાખના દાગીનાની ચોરીબોડકદેવમાં રહેતા કાજલબેન પટેલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ રાજપથ ક્લબની સામે આવેલી રંગીન પાર્ક સોસાયટીમાં રહે છે. તેઓ એક સામાજિક પ્રસંગમાં ગોંડલ ગયા હતા. જે બાદ પરત આવીને દાગીના બેડરૂમમાં લાકડાના કબાટમાં મૂક્યા હતા. 24 ફેબ્રુઆરીએ કાજલબેન જ્યારે દાગીના લેવા ગયા ત્યારે કબાટમાંથી દાગીના ગાયબ હતા. સોનાની બંગડી, મંગળસૂત્ર, સેટ, વીંટી સહિત કુલ 11 લાખના દાગીનાની ચોરી થઈ હતી. આ દાગીના 15 દિવસથી તેમના ઘરે કામ કરતા લીલારામે ચોરી કર્યા હોવાની જાણ થતા કાજલબેન વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સાયલેન્સર ચોર ગેંગનો તરખાટ:સેકટર 13માં નંબર પ્લેટ વગરની I-20 કારમાં આવી બે ઈકોના સાયલેન્સર ચોરી ફરાર
ગાંધીનગરના સેક્ટર-13 વિસ્તારમાં તસ્કરો રહેણાંક વિસ્તારમાં પાર્ક કરેલી બે મારુતિ ઇકો ગાડીઓમાંથી સાયલેન્સરની ચોરી કરીને ફરાર થઇ જતા સ્થાનિકોમાં પોતાના વાહનોની સુરક્ષાને લઈ ચિંતામાં મુકાઈ ગયો છે. આ મામલે સેક્ટર-13માં રહેતા વેપારી અજાણ્યા ત્રણ ઇસમો વિરુદ્ધ ફરિયાદ આપતા સેકટર 7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાડોશીએ ચોરીની જાણ કરીગાંધીનગરના સેક્ટર 13/એ, પ્લોટ નંબર 673/2 માં રહેતાને ચીઝ પનીરનો ધંધો કરતા બિજેશ પરમારે પોતાની ઇકો ગાડી ગત 29 ડિસેમ્બર, 2025ના સાંજે સેક્ટર-13ના ખુલ્લા પ્લોટમાં પાર્ક કરી હતી. બીજા દિવસે સવારે જ્યારે પડોશમાં રહેતા કમલેશ પરમારે તેમની ગાડીનું સાયલેન્સર ચોરાયું હોવાની જાણ કરી ત્યારે બિજેશ પરમારે પોતાની ગાડી તપાસતા તેમાંથી પણ સાયલેન્સર ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદબાદમાં ગાડી ચાલુ કરતા જ અવાજ બદલાઈ ગયો હતો અને નીચે જોતા બોલ્ટ ખુલ્લા હાલતમાં મળી આવ્યા હતા. આ સમગ્ર ઘટના પાડોશમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેના ફૂટેજની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, 30 ડિસેમ્બરના રોજ વહેલી સવારે એક સફેદ કલરની આઈ-20 ગાડી ત્યાં આવી પહોંચી હતી. આ નંબર પ્લેટ વગરની ગાડીમાંથી ત્રણ અજાણ્યા શખ્સો ઉતરીને બંને ઇકો ગાડીઓના કુલ 60 હજારની કિંમતના સાયલેન્સરની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરીઆ ઘટના અંગે શરૂઆતમાં ખાનગી રાહે તપાસ કર્યા બાદ અને ઇન્સ્યોરન્સ કંપની દ્વારા પોલીસ ફરિયાદનો આગ્રહ રાખવામાં આવતા આખરે ભોગ બનનાર વેપારીએ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
સુરત પોલીસે ત્રણ રાજ્યની જેલોમાં ઓપરેશન પાર પાડીને વર્ષોથી નાસતા-ફરતા ત્રણ ખતરનાક આરોપીઓને શોધી કાઢ્યા છે. જેમાં વરાછાની 2 કરોડની લૂંટનો મુખ્ય સૂત્રધાર, પોક્સો એક્ટનો આરોપી અને 12 વર્ષથી વોન્ટેડ વાહન ચોરનો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપી અલગ-અલગ ગુનાઓમાં મહારાષ્ટ્ર, બિહાર અને રાજસ્થાનની જેલોમાં કેદ હોવાનું ટેકનિકલ સર્વેલન્સની મદદથી સામે આવ્યું છે. વરાછાની 2 કરોડની 'ક્રિપ્ટો' લૂંટનો માસ્ટર માઈન્ડ પકડાયોવરાછા પોલીસ મથકમાં નોંધાયેલા ₹2 કરોડની લૂંટના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતો-ફરતો આરોપી મોહમદ જવાદ ફારૂખભાઇ બોરા હાલ નાગપુર મધ્યસ્થ જેલમાં હોવાનું બહાર આવ્યું છે. 2022માં આરોપીઓએ 'શ્રી સિદ્ધિ એન્ટરપ્રાઇઝ' નામે ફેક આંગડિયા પેઢી ખોલી હૈદરાબાદના વેપારીને ક્રિપ્ટો કરન્સી આપવાના બહાને સુરત બોલાવ્યા હતા. વેપારી 6 કરોડ રોકડા લઈને આવ્યા ત્યારે આરોપીઓએ ફેક સ્ક્રીનશોટ બતાવી ઝપાઝપી કરી 2 કરોડની લૂંટ ચલાવી હતી. આરોપી જવાદ મહારાષ્ટ્રમાં પણ છેતરપિંડીના અનેક ગુનામાં સંડોવાયેલો છે. સગીરા પર દુષ્કર્મ ગુજારી બિહાર ભાગી ગયેલો સુરજ જેલભેગોઉમરા પોલીસ સ્ટેશનમાં 2019માં નોંધાયેલા અપહરણ અને બળાત્કાર (POCSO)ના ગુનાનો આરોપી સુરજ સુબોધ સીંગ પણ પોલીસના સકંજામાં આવ્યો છે. આરોપીએ 16 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી શારીરિક સંબંધ બાંધ્યા હતા. ભોગ બનનાર સગીરા મળી આવી હતી, પરંતુ સુરજ ફરાર થઈ ગયો હતો. ક્રાઈમ બ્રાંચની તપાસમાં જાણવા મળ્યું કે તે બિહારની મોતીહારી મધ્યસ્થ જેલમાં ખૂનના કેસમાં બંધ છે. તેની સામે બિહારમાં પણ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. 12 વર્ષથી વોન્ટેડ 'ડોન' જેવો વાહન ચોર રાજસ્થાનની જેલમાંથી મળ્યોખટોદરા પોલીસ મથકમાં 2012માં થયેલી બોલેરો ગાડીની ચોરીના કેસમાં 12 વર્ષથી નાસતો ફરતો રાજુરામ બાદરારામ બિશ્નોઇ આખરે ટ્રેસ થયો છે. ડુપ્લીકેટ ચાવીથી ગાડી ચોરી કરનાર આ આરોપી સામે રાજસ્થાન, હરિયાણા અને ગુજરાતમાં મળીને કુલ 32થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. હત્યા, હત્યાની કોશિશ, NDPS (ડ્રગ્સ), લૂંટ અને આર્મ્સ એક્ટ જેવા ગુનાઓમાં સંડોવાયેલો આ રીઢો ગુનેગાર હાલ જોધપુર સેન્ટ્રલ જેલમાં કેદ હોવાનું ખૂલ્યું છે. પોલીસનો એક્શન પ્લાન: હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સજે આરોપીઓ લાંબા સમયથી પકડાતા નહોતા, તેમના વતનના સરનામા અને સગા-સંબંધીઓની વિગતો ખાનગી બાતમીદારો દ્વારા મેળવવામાં આવી હતી. ત્યારબાદ ટેકનિકલ વર્કઆઉટ કરતા માલૂમ પડ્યું હતું કે આ ત્રણેય આરોપીઓ અન્ય રાજ્યોમાં ગુના આચરી જેલમાં સજા કાપી રહ્યા છે અથવા કાચા કામના કેદી તરીકે બંધ છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસપકડાયેલા આરોપીઓ પૈકી રાજુરામ બિશ્નોઇનો ઇતિહાસ સૌથી ચોંકાવનારો છે. તેની સામે રાજસ્થાનના અલગ-અલગ જિલ્લાઓમાં ડ્રગ્સની હેરાફેરીના 10થી વધુ કેસ, હત્યાના પ્રયાસના 5 કેસ અને લૂંટના અનેક કેસ નોંધાયેલા છે. તેવી જ રીતે મોહમદ જવાદ મહારાષ્ટ્રમાં ફેક ડોક્યુમેન્ટ્સ અને છેતરપિંડીના 5 ગુનામાં સંડોવાયેલો છે. આ ગુનેગારો જેલમાંથી બહાર આવીને ફરી સુરતમાં ગુના આચરે તે પહેલા જ સુરત પોલીસે તેમને 'ટ્રેસ' કરી લીધા છે. ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડની તજવીજક્રાઈમ બ્રાંચે આ ત્રણેય આરોપીઓને જે તે રાજ્યની જેલોમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે સુરત લાવવાની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે વરાછા, ઉમરા અને ખટોદરા પોલીસ મથકોને જાણ કરી દેવામાં આવી છે. નામદાર કોર્ટમાંથી પરવાનગી મેળવીને ટૂંક સમયમાં પોલીસની ટીમ નાગપુર, મોતીહારી અને જોધપુર રવાના થશે અને આરોપીઓનો કબજો મેળવી સુરત લાવશે.
હિંમતનગરની હિંમત હાઈસ્કૂલમાં શનિવારે ગ્રાહક સુરક્ષા અને જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ વિશ્વ ગ્રાહક સુરક્ષા દિવસ, 15 માર્ચ, નિમિત્તે યોજવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય એસ.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને ગ્રાહક અધિકારો વિશે જાગૃત કરાયા. કાર્યક્રમની શરૂઆત વ્યાયામ શિક્ષક બી.આર.પટેલ દ્વારા યોગ અને પ્રાણાયામથી કરવામાં આવી હતી. ગ્રાહક સુરક્ષા, જાગૃતિ અને ગ્રાહકના અધિકારો વિશે આચાર્ય એસ.એસ.પટેલ, ડી.પી.ભટ્ટ, જે.એમ.શાહ અને વાય.આઈ.જોશી દ્વારા વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ શાળાની કન્ઝ્યુમર ક્લબ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં સુપરવાઇઝર એસ.કે.મનાત, પી.જે. મહેતા, સમગ્ર સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સુપરવાઇઝર એસ.કે.મનાત દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.
કાળઝાળ ઉનાળાની શરૂઆત સાથે જ ભાવનગરમાં હીટવેવની અસરો વર્તાવા લાગી છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે જેમાં રાજમાર્ગો પર અવર-જવર કરતા લોકો માટે પીવાના પાણી અને ઓ.આર.એસ. (ORS) ની સુવિધા સાથેના જુદાં જુદાં 22 સ્થળોએ મંડપ અને પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તેમજ હીટસ્ટ્રોકથી બચવા માટે તંત્રએ ગાઈડલાઈન જાહેર કરી નાગરિકોને સાવચેતી રાખવા અને તડકાથી બચવા ખાસ અપીલ કરવામાં આવી છે, તંત્ર દ્વારા શહેરના નીચે મુજબના 22 મુખ્ય સર્કલો અને ચોક પર આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેમાં નિલમબાગ સર્કલ, R.T.O. સર્કલ, સરદારનગર સર્કલ, ઘોઘા સર્કલ, મહિલા કોલેજ સર્કલ, શિવાજી સર્કલ, મંત્રેશ સર્કલ, Top 3 સર્કલ, રામમંત્ર મંદિર સર્કલ, ભગવતી સર્કલ, કુંભારવાડા સર્કલ, બોરડી ગેટ ચોક, ગંગાજળિયા તળાવ, ખારગેટ ચોક, શિશુવિહાર સર્કલ, કાળાનાળા સર્કલ, જશોનાથ સર્કલ, લીલા સર્કલ, વિરાણી સર્કલ, દિલબહાર ESR, ક્રેસન્ટ સર્કલ તથા ચાવડી ગેટ ચોક સહિતના સ્થળો પર ઉપલબ્ધ છે, આ અંગે આરોગ્ય અધિકારી આર.કે.સિન્હાએ જણાવ્યું હતું કે, અત્યારે જ્યારે ગરમીના કારણે હીટસ્ટ્રોક અને લૂ લાગવાના ચાન્સીસ હોય ત્યારે એના માટે ખાસ કરીને અમે પબ્લિકને સાવચેતી માટે એવું રાખીએ છીએ કે ખુલ્લા પગે ન ચાલવું, તડકામાં ના નીકળવું, બહુ જરૂરી હોય તો જ માર્કેટમાં કે કોઈપણ કામ હોય એ માટે જવાનું રાખવું, નહીતર જરૂર ન હોય બહાર જવાનું ટાળવું. અને સાથે-સાથે ટોપી પહેરવી, પાણીનો ખૂબ વપરાશ વધારે રાખવો. તરસ લાગે કે ન લાગે પાણી પીવાનું રાખવાનું, છાયડામાં ચાલવાનું, જરૂર હોય તો છત્રી લઈને ચાલવું, તો એનાથી હીટસ્ટ્રોક અને લૂ લાગવાના ચાન્સીસમાં ઘટાડો થાય અને લીંબુ પાણી જે આપણા દેશી છે એ પીવાનું રાખીએ તો વધારે સારું અને ઉનાળામાં વધારે પડતી સુગરની વસ્તુઓ જેવી કે ચા અને કોલ્ડ ડ્રિંક્સ હોય તો એનું સેવન ટાળવું જોઈએ.
જામનગર જિલ્લામાં સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં અદાલતે આરોપીને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે 17 હજાર રૂપિયાનો દંડ પણ કર્યો છે. આ ઘટના વર્ષ 2022માં બની હતી. કેસની વિગતો અનુસાર, વર્ષ 2022માં ઉત્તર ગુજરાતના એક જિલ્લામાંથી ખેતમજૂર પરિવાર લાલપુર તાલુકાના એક ગામમાં મજૂરી કરવા આવ્યો હતો. આ દરમિયાન ખેતમજૂર દંપતી વતનમાં ગયા હતા, ત્યારે તેમની 3 વર્ષ અને 1 માસની પુત્રીને કનુ કજભાઈ બારીયા નામના શખ્સે લાલચ આપીને બદકામ કરવાના ઈરાદે અપહરણ કર્યું હતું. આ અંગે લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તપાસ હાથ ધરી આરોપી કનુ કજભાઈ બારીયાની ધરપકડ કરી હતી. ત્યારબાદ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન અગેઈન્સ્ટ સેક્સ્યુઅલ ઓફેન્સ (પોક્સો) કાયદા હેઠળની ખાસ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ કેસ પોક્સો અદાલતમાં ચાલી જતાં, પુરાવાઓ અને સરકારી વકીલ મુકેશભાઈ જાનીની દલીલોને ધ્યાનમાં રાખીને અદાલતે બંને પક્ષોને સાંભળ્યા હતા. અદાલતે આરોપીને દોષિત ઠેરવી અપહરણના ગુનામાં 7 વર્ષની અને દુષ્કર્મના કેસમાં 10 વર્ષની સખત કેદની સજા તેમજ 17 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
રાજકોટની AIIMS હોસ્પિટલના MBBS ના વિદ્યાર્થી અને ઇન્ટર્ન ડોક્ટરે પરાપીપળીયા રેલવે ફાટક પાસે આજે 14 માર્ચના વહેલી સવારે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જેમાં તેમની પાસેથી પોલીસને સ્યુસાઇડ નોટ મળી આવી છે. જેમાં મેન્ટલી ડિસ્ટર્બ હોવાને કારણે જીવન ટૂંકાવી દેવાનું અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યો છે. આ યુવાને દોઢ માસ પૂર્વે આપઘાતનો પ્રયાસ કર્યો હતો જોકે તે વખતે પરાપીપળીયાના ગ્રામજનોએ તેને બચાવી લીધો હતો પરંતુ આ વખતે તે જ જગ્યાએ આપઘાત કરવા પહોચેલા યુવાનને કોઈ બચાવી ન શક્યું. પુત્રના સ્યુસાઇડની જાણ થતા રાજસ્થાન રહેતા માતા પિતા શોકમાં ગરકાવ થઈ ગયા છે. મૂળ રાજસ્થાનનો અને હાલ રાજકોટની AIIMS હોસ્પિટનો MBBS નો વિદ્યાર્થી આજે વહેલી સવારે 4 વાગ્યા આસપાસ મેડિકલ હોસ્ટેલથી નિકળ્યો હતો અને તે બાદ 4.45 વાગ્યા આસપાસ પરાપીપળીયા રેલવે ટ્રેક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. જેથી ગાંધીગ્રામ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સ્યુસાઇડ નોટ મળી આવી છે. જેમાં પોતે મેન્ટલી ડિસ્ટર્બ હોવાને કારણે આપઘાત કરી રહ્યો હોવાનો ઉલ્લેખ છે. હાલ આ યુવાનના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો છે. યુવાન મૂડ રાજસ્થાનનું હોવાથી તેમના માતા-પિતાને જાણ કરવામાં આવી છે. જેથી તેઓ રાજસ્થાનથી નીકળી ગયા છે અને તેમના આવ્યા બાદ યુવાનનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે. જોકે ડોક્ટર બનવાનું સ્વપ્ન લઈને બેસેલા યુવાનના સ્યુસાઇડથી પરિવારમાં કાળો કલ્પાંત ફેલાઈ ગયો છે. મેડિકલના વિદ્યાર્થીએ ગત 28 જાન્યુઆરીના પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તે વખતે પણ તે વહેલી સવારે હોસ્ટેલમાંથી નીકળ્યો હતો અને ત્યારબાદ પરાપીપળીયા રેલ્વે ટ્રેક પાસે પહોંચી ગયો હતો. મેડિકલનો વિદ્યાર્થી ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરે તે પૂર્વે જ ગ્રામજનો દ્વારા આ યુવાનને બચાવી લેવામાં આવ્યો હતો. AIIMS હોસ્પિટલના જણાવ્યા પ્રમાણે, આ યુવાન મેન્ટલી ડિસ્ટર્બ હતો અને તે વખતે તેનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતુ. જે બાદ તેના માતા પિતાને ત્યાં મોકલી દેવાયો હતો. જે પછી આ યુવાન AIIMS હોસ્પિટલના કેમ્પસમાં રહેતો ન હતો. જોકે પોલીસનું કહેવું છે કે, તે મેડિકલ હોસ્ટેલમાં જ રહેતો હતો અને વોર્ડને જ આ વિદ્યાર્થી છાત્રના મૃતદેહને ઓળખી બતાવ્યો હતો. હાલ યુવાન પાસેથી સ્યુસાઇડ નોટ મળી આવી છે. જેના આધારે મેડિકલના વિદ્યાર્થીએ કયા કારણોથી આપઘાત કર્યો તે અંગે તપાસ શરૂ કરી છે.
છેલ્લા ત્રણ દિવસથી સોશિયલ મીડિયા અને ઉત્તર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી લોક ગાયિકા કિંજલ રબારીના આંતરજ્ઞાતિ લગ્ન વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પોતાની મરજીથી લગ્ન કર્યા હોવાના દાવા અને સુરક્ષાની માંગણી કરતા વીડિયો શેર કર્યા બાદ, મોડી રાત્રે બે સમાજના આગેવાનોની બેઠક મળી હતી, જેમાં કિંજલને તેના પરિવારને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શું હતો સમગ્ર મામલો? રાધનપુરના સિનાડ ગામની વતની અને 'કોયલ કંઠી' ગાયિકા તરીકે જાણીતી કિંજલ રબારીએ અશોક ચૌધરી નામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ લગ્નની જાહેરાત કિંજલે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને કરી હતી. કિંજલે આક્ષેપ કર્યો હતો કે, તેણે પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હોવાથી તેને મારી નાખવાની અને અપહરણની ધમકીઓ મળી રહી છે. તેણે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પાસે સુરક્ષાની માગ કરી હતી. એટલું જ નહીં તેણે સમાજના બેવડા ધોરણો પર પ્રહાર કરતા કહ્યું હતું કે, જ્યાં સુધી હું કમાતી હતી ત્યાં સુધી સારી હતી, પણ અંગત નિર્ણય લીધો તો હું ખોટી થઈ ગઈ? સમાજની મધ્યસ્થી અને મોડી રાત્રે લેવાયેલો નિર્ણય આ મામલે રબારી અને ચૌધરી સમાજ વચ્ચે તણાવ વધતા બંને સમાજના આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ, ચૌધરી સમાજના આગેવાનોએ કિંજલ રબારીને તેના પરિવારને પરત સોંપવાની બાહેંધરી આપી હતી. મોડી રાત્રે કિંજલ રબારી અને અશોક ચૌધરીને અલગ કરવામાં આવ્યા હતા અને કિંજલને તેના પિયર પક્ષ (પરિવાર)ને સોંપી દેવામાં આવી છે. જે વીડિયોમાં કિંજલ મક્કમતાથી કાયદાકીય લડત આપવાની વાતો કરતી હતી, તે તમામ વીડિયો અને પોસ્ટ તેણે ઇન્સ્ટાગ્રામ પરથી ડીલીટ કરી દીધા છે. ચર્ચા અને સવાલો કિંજલ રબારીએ અગાઉ વીડિયોમાં સ્પષ્ટ કહ્યું હતું કે, તે પોતાની મરજીથી સાસરે ગઈ છે અને વકીલ મારફતે પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે. જોકે, અચાનક પોસ્ટ ડીલીટ થવી અને તેને પરિવારને સોંપી દેવામાં આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. શું આ સમાધાન કિંજલની મરજીથી થયું છે કે પછી સામાજિક દબાણ હેઠળ તે મોટો પ્રશ્ન લોકમુખે ચર્ચાઈ રહ્યો છે. કોણ છે કિંજલ રબારી? એક સામાન્ય પરિવારમાંથી આવતી કિંજલે રાધનપુરની સરકારી શાળામાંથી સંગીતની સફર શરૂ કરી હતી. ભજન અને લગ્ન ગીતો દ્વારા તેણે સમગ્ર ગુજરાતમાં નામના મેળવી છે. તેના ભાઈ અને શાળાના શિક્ષકોના પ્રોત્સાહનથી તે આજે જાણીતી લોક કલાકાર બની છે. હાલ પૂરતો આ વિવાદ થાળે પડ્યો હોય તેમ લાગે છે, પરંતુ એક ગાયિકા જેણે પોતાની સુરક્ષા માટે સરકાર પાસે ગુહાર લગાવી હતી, તેનું ફરી પરિવાર પાસે પરત ફરવું એ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર મા અંબાના મંદિર પરિસરમાં દારૂ અને નોનવેજની મિજબાનીનો શરમજનક વીડિયો વાઇરલ થયા બાદ સમગ્ર રાજ્યમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે તંત્રએ 10 પૂજારી અને એક રસોઈયાને સસ્પેન્ડ કરી કડક કાર્યવાહી કરી છે, પરંતુ હવે આ પ્રકરણમાં વીડિયોમાં દેખાતા સગીર યુવકે મીડિયા સમક્ષ ચોંકાવનારો ખુલાસો કરતા મામલામાં નવો વળાંક આવ્યો છે. સગીરના આક્ષેપ મુજબ, મંદિરમાં જ સેવા આપતા પૂજારીએ તેને નશામાં ધૂત કરી પરાણે વીડિયો ઉતરાવ્યો હતો અને આ સમગ્ર ઘટના પાછળ તેને મોહરો બનાવીને મંદિરને બદનામ કરવાનું કોઈ મોટું ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ, પૂજારીઓ દાનપેટીમાંથી પૈસા ચોરતા હોય તેવો અન્ય એક વીડિયો પણ સામે આવતા યાત્રાધામની સુરક્ષા અને પવિત્રતા સામે અનેક સવાલો ઊભા થયા છે. 'બોલ ને, ખા ને, મોઢું આમ કર' તેમ કહીને વીડિયો ઉતારતા હતાસગીર યુવકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ઘટના બેસતા વર્ષની સાંજે બની હતી. તે તેના મિત્ર અભિષેકસિંહ ચૌહાણ, જે મંદિરમાં પૂજારી તરીકે સેવા આપે છે, તેના કહેવાથી ત્યાં રોકાવા માટે ગયો હતો. સગીરે જણાવ્યું કે અભિષેક પોતે જ દારૂ લઈને આવ્યો હતો અને તેને સોડામાં મિક્સ કરીને પીવડાવી દીધો હતો. નશાની હાલતમાં અન્ય શખ્સો તેને 'બોલ ને, ખા ને, મોઢું આમ કર' તેમ કહીને ઉશ્કેરતા હતા અને તેનો વીડિયો ઉતારતા હતા. સગીરે આરોપ લગાવ્યો છે કે, આ વીડિયો છગનભાઈ ડાભી નામના શખ્સે ઉતાર્યો હતો. આ ઘટનામાં અભિષેક ચૌહાણ, જીગો ડાભી, ભગુડો વાઘેલા અને નિખિલ ગોસ્વામી જેવા શખ્સો હાજર હોવા છતાં માત્ર સગીરનો જ વીડિયો કેમ ઉતારાયો તે એક મોટો પ્રશ્ન છે. 7-8 લોકો હાજર હોવા છતાં એક જ છોકરાનો વીડિયો વાઇરલ કર્યોસગીરના મોટા ભાઈએ પણ આ મામલે પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, તેના ભાઈને એક મોહરો બનાવીને આ અસામાજિક તત્વોએ ટાર્ગેટ કર્યો છે. ત્યાં 7થી 8 લોકો હાજર હોવા છતાં માત્ર એક જ છોકરાનો વીડિયો વાઇરલ કરવા પાછળ કોઈ મોટું ષડયંત્ર હોવાની આશંકા પરિવારે વ્યક્ત કરી છે. ભાઈએ વધુમાં ઉમેર્યું કે, મારો ભાઈ હજુ નાની ઉંમરનો છે, તેને જે કંઈ પણ કરાવ્યું છે તે આ શખ્સોએ આગળ ધરીને કરાવ્યું છે. આ ઘટના પાછળ કોઈ રાજકારણ હોય કે મંદિરને બદનામ કરવાની ચાલ, અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે સાચી હકીકત બહાર લાવવામાં આવે. નોંધનીય છે કે, આ વિવાદ બાદ મંદિર પરિસરમાં અન્ય એક વીડિયો પણ વાઇરલ થયો છે, જેમાં પૂજારીઓ દાનપેટીમાંથી પૈસા કાઢી પોતાના ખિસ્સામાં ભરતા દેખાય છે. આ ઘટનાઓને પગલે જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મંદિરના શુદ્ધિકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોંગ્રેસના કાર્યકરોએ મંદિર પરિસર અને ભંડારામાં ગૌમૂત્ર અને ગંગાજળ છાંટીને પવિત્રતા જાળવવાનો પ્રયાસ કર્યો છે. સગીરના પરિવારે સ્પષ્ટ કર્યું છે કે, તેઓ પોલીસ તપાસમાં સંપૂર્ણ સહકાર આપશે અને દોષિતો સામે કડક કાર્યવાહીની માગ કરી છે. હવે જોવાનું એ રહે છે કે પોલીસ આ 'ષડયંત્ર'ના મૂળ સુધી ક્યારે પહોંચે છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જાળવી રાખવા તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા કલેક્ટર કે.એસ.યાજ્ઞિકના નિર્દેશ હેઠળ, જિલ્લા પુરવઠા વિભાગે સાયલા અને પાટડી તાલુકાઓની ગેસ એજન્સીઓ પર આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ બજારમાં ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે અને વિતરણ વ્યવસ્થા સુચારુ રહે તે સુનિશ્ચિત કરવાનો છે.જિલ્લા પુરવઠા અધિકારી એ.જી.ગજ્જરના સીધા સંકલન હેઠળ આ તપાસ હાથ ધરાઈ હતી. સાયલા અને પાટડી તાલુકાઓમાં આવેલી ગેસ એજન્સીઓના ગોડાઉન અને વિતરણ કેન્દ્રો પર ગેસ સિલિન્ડરના જથ્થાની ભૌતિક ચકાસણી કરવામાં આવી હતી.તપાસ દરમિયાન, એજન્સીઓ દ્વારા રાખવામાં આવતા સ્ટોક રજિસ્ટરની પણ ઝીણવટભરી ચકાસણી કરાઈ હતી. સરકારી નિયમો મુજબ, સ્ટોક રજિસ્ટરમાં નોંધાયેલ વિગતો અને વાસ્તવિક જથ્થા વચ્ચે કોઈ તફાવત છે કે કેમ તે તપાસવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે આગામી સમયમાં પણ આવી તપાસ ચાલુ રાખવામાં આવશે.
ખનિજ ચોરીનો આરોપી જેલ હવાલે:ચોટીલા નાયબ કલેક્ટરે પ્રતાપ બોરીચાને લીંબડી સબ જેલમાં મોકલ્યો
ચોટીલાના નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ ગેરકાયદેસર ખનિજ ચોરી અને સરકારી કર્મચારીઓ સાથે ઝપાઝપી કરવાના આરોપી પ્રતાપ ઉર્ફે લાલો આપાભાઈ બોરીચા (રહે. થાનગઢ) ને લીંબડી સબ જેલ હવાલે કર્યો છે. આરોપી જામીન રજૂ કરવામાં નિષ્ફળ રહેતા આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસની વિગત મુજબ, ગત તારીખ 24 ડિસેમ્બર, 2025 ના રોજ ચોટીલા મામલતદાર કચેરીનો સ્ટાફ તપાસના કામે હતો. તે દરમિયાન આરોપી પ્રતાપ બોરીચા કર્મચારીઓની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યો હતો અને ગેરકાયદેસર ખનિજ ચોરી માટે રેકી કરતો હતો. જ્યારે કર્મચારીઓએ તેને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે તેમની સાથે ઝપાઝપી કરી, માથાકૂટ કરી અને ધમકીઓ આપી હતી. આ ઘટના બાદ, નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ 26 ડિસેમ્બર, 2025 ના રોજ આરોપીની ધરપકડ માટે વોરંટ ઇસ્યુ કર્યું હતું. થાનગઢ પોલીસે આરોપીને ધરપકડ વોરંટની અમલવારી માટે આજે કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટમાં, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 ની કલમ 135 (1) મુજબ આરોપીને 26 ડિસેમ્બર, 2026 ના રોજ ઇસ્યુ કરાયેલો હુકમ વાંચી સંભળાવવામાં આવ્યો હતો. આરોપીએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. ત્યારબાદ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 ની કલમ 135 (3) હેઠળ તપાસ હાથ ધરી, આરોપીને સરકારી કર્મચારી વર્ગ 3 ના રૂપિયા 50,000 ના જામીન રજૂ કરવાનો લેખિત હુકમ કરવામાં આવ્યો હતો, જે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી માન્ય રહે. જોકે, પ્રતાપ ઉર્ફે લાલો બોરીચા માંગ્યા મુજબના જામીન રજૂ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. આથી, નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ આરોપીનું જેલ વોરંટ ભરી થાનગઢ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એ.સી. ચાવડાને બજવણી અર્થે આપી, આરોપીને લીંબડી સબ જેલ હવાલે મોકલી આપ્યો હતો.
અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા કાલુપુરની ધના સુથારની પોળમાં મોડી રાત્રે બંગાળી કારીગરો દ્વારા માણવામાં આવતી દારૂ અને નોનવેજની મહેફિલ પર સ્થાનિકે રેડ પાડી હતી. અંબાજી માતાના મંદિર પાસે આવેલી ચોખાવટીયાની પોળમાં ચાલતી આ મહેફિલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં કાલુપુર પોલીસ દોડતી થઈ હતી, જોકે પોલીસે મહેફિલના બદલે માત્ર પીધેલાનો ગુનો નોંધી સંતોષ માનતા રહીશોમાં રોષ જોવા મળ્યો છે. પરપ્રાંતિય કારીગરોની પોલીસ નોંધણી અને મકાનમાલિકોની બેદરકારી સામે પણ સવાલો ઉભા થયા છે. દારૂ અને નોનવેજની મહેફિલને લઈને સ્થાનિકે દરોડો પાડ્યોઅમદાવાદના કોટ વિસ્તાર એવા ખાડિયા અને કાલુપુર વિસ્તારમાં ચાંદીની ભઠ્ઠીઓ આવેલી છે, જેમાં બંગાળ અને અન્ય રાજ્યોમાંથી કારીગરો નોકરી માટે આવતા હોય છે. કાલુપુરના ધના સુથારની પોળમાં મકાનમાં રહેતા બંગાળીઓ દ્વારા દારૂ અને નોનવેજની મહેફિલ માણવામાં આવતી હોવાને લઈને સ્થાનિકે દરોડો પાડ્યો હતો. 'દારૂની મહેફિલનો નહીં પરંતુ પીધેલાનો કેસ કર્યો'કાલુપુર પોલીસ સ્ટેશનના PI એચ. આર વાઘેલાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દારૂના ક્વાર્ટર મળી આવ્યા હતા જેથી તેમના સામે દારૂની મહેફિલનો નહીં પરંતુ પીધેલાનો કેસ કર્યો છે અને તેઓ રોજ રૂટિનમાં નોનવેજ ખાતા જ હોય છે. બંગાળી કારીગરોની અને ભાડે રહેતા હોવા અંગેની પોલીસ સ્ટેશનમાં નોંધણી કરવામાં આવી છે કે નહીં એની તપાસ કરવી પડશે. જો નોંધણી નહીં કરવામાં આવેલી હોય તો મકાનમાલિક વિરુદ્ધ કાર્યવાહી કરીશું. ભૂતકાળમાં રજૂઆતો આવી હતી ત્યારે અમે કાર્યવાહી કરી હતી. અત્યારે હાલમાં કોઈ રજૂઆત આવી નથી. ત્રણ-ચાર લોકો બેસીને દારૂ નોનવેજ ખાઈ રહ્યાં હતાઅમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલી ધના સુથારની પોળમાં ચોખાવટીયાની પોળ આવેલી છે. જેમાં એક મકાનમાં કેટલાક બંગાળી કારીગરો રહે છે, જેનાથી સ્થાનિક મૂળના રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે. પરપ્રાંતિયો બહારથી લોકોને બોલાવીને દારૂની મહેફિલ માણતા હોવાને લઈને ગઈકાલે 13 માર્ચના રોજ મોડી રાત્રે સ્થાનિક રહીશ દ્વારા બંગાળી કારીગરોની રાત્રે ચાલતી દારૂ અને નોનવેજની મહેફિલ પર દરોડો પાડ્યો હતો. પોલીસને દારૂની મહેફિલ ચાલતી હોવાથી અંગે જાણ કરવામાં આવી હતી. સ્થાનિક વ્યક્તિએ વીડિયો પણ ઉતાર્યો હતો. જેમાં દારૂના ક્વાર્ટર પડેલા હતા અને ત્રણથી ચાર લોકો બેસીને નોનવેજ પણ ખાઈ રહ્યાં હોવાનું બતાવવામાં આવ્યું હતું. સ્થાનિકે ઉતારેલા વીડિયોમાં ઘરની સ્થિતિ શું હતી?યુવકે વીડિયો ઉતારવાનું ચાલુ કર્યું ત્યારે ત્યાં ત્રણ લોકો નોનવેજ જમવા બેઠા હતા જ્યારે બાજુમાં એક-બે વ્યક્તિ નશાની હાલતમાં બેઠા દેખાઈ રહ્યાં હતા. સાથે દારૂના ક્વાર્ટર પણ વીડિયોમાં દેખાડતા યુવક બોલતો હતો કે, દારૂ પીવાના ધંધા કરો છો, પીવા માટે લોકોને બહારથી બોલાવો છો અને ગાડીઓ વચ્ચે મૂકી દો છો. જુઓ આ બધા બહારથી આવીને દારૂ પીવે છે. બંગાળી સમાજના લોકોને લોકો ઘર આપે છે અને બધા દારૂ પીવે છે. આમના શેઠને બોલાવો. બે-ત્રણ વાગ્યા સુધી ગાડીઓ વચ્ચે મુકો છો અને આ બધા ધંધા કરો છો. બધાને કાલુપુર પોલીસમાં આપવાના છે. 'સાહેબ સામે ઊભા છે અને કાયદો હાથમાં લઈ લઉં એવું થઈ ગયું છે'જ્યારે અન્ય એક વીડિયો પણ ઉતારવામાં આવ્યો હતો જેમાં નોનવેજ ખાય છે અને પોલીસ આવ્યા એટલે નોનવેજ સંતાડી દીધું. સાહેબ સામે ઊભા છે અને કાયદો હાથમાં લઈ લઉં એવું થઈ ગયું છે. દારૂના બાટલા પણ મળ્યા છે. ભાડે કેટલા લોકો રહે છે એ તો ખબર જ નથી. લોકોને બહારથી બોલાવીને નોનવેજ ખાય છે અને દારૂ પીવે છે. યુવકે આ વીડિયો બનાવી વાઇરલ પણ કર્યો હતો અને પોલીસને આપવામાં આવતા કાલુપુર પોલીસે દારૂ પીધેલા હોવા અંગેનો કેસ કર્યો છે. પોલીસની નિષ્ક્રિયતાને લઈ સ્થાનિકોએ જાતે રેડ પાડવી પડે તેવી સ્થિતિકાલુપુર પોલીસ સ્ટેશન વિસ્તાર કોટ વિસ્તાર છે, જેમાં અનેક નાના મોટા ગોડાઉન આવેલા છે. જેમાં બહારથી પરપ્રાંતિય લોકો કારીગર તરીકે નોકરી કરે છે અને કેટલાક લોકો મકાન ભાડે રાખીને રહે છે. વારંવાર કારીગરો માલ સામાન અને પૈસા લઈને જતા રહેતા હોવા અંગેની પણ ઘટના બને છે, જ્યારે મકાન ભાડે રાખેલા હોય છે તેમાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય છે, પરંતુ કાલુપુર પોલીસની નિષ્ક્રિયતાના કારણે સ્થાનિક લોકોને જાતે દરોડા પાડવા પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ જે લોકો દુકાનો ગોડાઉનમાં બહારના રાજ્યમાંથી આવતા કારીગરોને નોકરીએ રાખે છે તેમની નોંધણી કરાવીને પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની હોય છે, પરંતુ મોટાભાગના કારીગરોની કાલુપુર પોલીસ સ્ટેશનમાં નોંધ ન હોવા અંગેનું જાણવા મળ્યું છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી હતી, જેનાથી પરેશાન થયેલા લોકોને હવે થોડો રાહતનો અહેસાસ થયો છે. પવનની દિશામાં બદલાતા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. જો કે, હજુ પણ મોટાભાગના શહેરોમાં તાપમાન 38 ડિગ્રી સુધી નોંધાયું છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી બે દિવસ 18 અને 19 માર્ચ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી પણ કરી છે. પવનની દિશા બદલાતા તાપમાન હજુ ઘટશેગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ ગરમીનો પ્રચંડ પ્રકોપ જોવા મળી રહ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 42 ડિગ્રીની આસપાસ પહોંચી જતા લોકો આકરો તાપ સહન કરવો પડ્યો હતો. અમદાવાદમાં થોડા દિવસ પહેલાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી પહોંચ્યું હતું, જે સામાન્ય કરતાં લગભગ 4થી 5 ડિગ્રી વધુ નોંધાયું હતું. હવે પવનની દિશામાં ફેરફાર થતા તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો છે. 24 કલાકમાં તાપમાન 2થી 3 ડિગ્રી ગગડ્યુંછેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થયો છે. ગુજરાતવાસીઓને આજથી એટલે કે, 14 માર્ચથી ગરમીમાંથી આશિક રાહત મળશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. તો બીજી તરફ 24 કલાક માટે કચ્છ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. બે દિવસ અનેક વિવિધ જિલ્લાઓમાં માવઠાંની આગાહીહવામાન વિભાગ મુજબ 18 અને 19 માર્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. 18 માર્ચે કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં હળવો વરસાદ થવાની સંભાવના છે. જ્યારે 19 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપી જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધની સીધી અને ગંભીર અસર હવે એશિયાના સૌથી મોટા ગણાતા ઊંઝાના મસાલા બજાર પર જોવા મળી રહી છે. યુદ્ધના કારણે સર્જાયેલી અસ્થિરતાને પગલે ઊંઝાના વેપારીઓના કરોડો રૂપિયા દરિયાની વચ્ચે અટવાઈ જતાં સમગ્ર વેપારી આલમમાં ચિંતા અને અનિશ્ચિતતાનો માહોલ વ્યાપી ગયો છે. ઊંઝાથી વિદેશ મોકલાયેલો માલ અટવાયોહાલની પરિસ્થિતિ મુજબ ઊંઝાથી વિદેશ મોકલવામાં આવેલા અંદાજે 200થી 250 જેટલા કન્ટેનરો ટ્રાન્ઝિટમાં અટવાઈ ગયા છે. આ કન્ટેનરોમાં જીરું અને વરિયાળી સહિતના કિંમતી મસાલાઓનો જથ્થો ભરાયેલો છે. માલ સમયસર ગંતવ્ય સ્થાને ન પહોંચવાને કારણે અને પેમેન્ટ અટકી જવાથી વેપારીઓની અંદાજે રૂ 200થી 500 કરોડ જેવી માતબર રકમ ફસાઈ હોવાનું જાણવા મળે છે. વીમા કંપનીઓએ હાથ ઉંચા કરી દેતા નિકાસકારોની મુશ્કેલી વધીસૌથી ગંભીર સ્થિતિ વીમા ક્ષેત્રે સર્જાઈ છે. યુદ્ધના જોખમને ધ્યાનમાં રાખીને હાલમાં કોઈ પણ વીમા કંપની શિપિંગ લાઇન માટે વીમો લેવા તૈયાર નથી. વીમા વગર આંતરરાષ્ટ્રીય બજારમાં માલ મોકલવો અત્યંત જોખમી હોવાથી ઊંઝાથી થતી મસાલાની નિકાસ હાલમાં લગભગ અશક્ય બની ગઈ છે. નિકાસકારો માટે આ સ્થિતિ 'પડતા પર પાટું' સમાન સાબિત થઈ રહી છે. શિપિંગ ભાડામાં તોતિંગ વધારોઊંઝા APMCના ચેરમેન દિનેશ પટેલના જણાવ્યા અનુસાર ઊંઝામાં થતા કુલ મસાલા વેપારના 40થી 45% હિસ્સો નિકાસ પર નિર્ભર છે. ખાડી યુદ્ધની સ્થિતિને કારણે નિકાસમાં મોટો અવરોધ આવ્યો છે. જે શિપિંગ લાઇનના ભાડા અગાઉ 1500 ડોલર આસપાસ હતા, તે વધીને હવે 4500થી 5000 ડોલર સુધી પહોંચી ગયા છે. વધુમાં, ઇન્શ્યોરન્સ મળવો મુશ્કેલ હોવાથી નિકાસનો કારોબાર અત્યારે લગભગ ઠપ્પ જેવો છે. ખેડૂતો પર આર્થિક ફટકાની ભીતિજોકે હાલમાં સ્થાનિક (ડોમેસ્ટિક) માગ સારી છે, પરંતુ જો યુદ્ધ લાંબુ ચાલશે તો તેની માઠી અસર ખેડૂતો પર પણ પડશે. હાલ ગુજરાતમાંથી દરરોજ 25થી 30 હજાર બોરીની આવક થઈ રહી છે અને ખેડૂતોને રૂ. 3800થી 4500 સુધીના ભાવ મળી રહ્યા છે. શિપિંગ લાઈનો 4 હજાર ડોલર વોર સરચાર્જના નામે ઉઘરાવી રહી છે: અશ્વિન નાયકફાઉન્ડર ચેરમેન FISS અને ઈસબગુલ એસોસિયેશનના પ્રમુખ અશ્વિન નાયકે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે અમારી સંસ્થા જે FISS છે એમાં 600થી વધારે મેમ્બરો છે. એમાં 100થી 150 એક્સપોર્ટર અને બાકીના 400થી 450 આખા ભારતમાં વેપાર કરવાવાળા વેપારીઓ જોડાયેલા છે. છેલ્લા 15 દિવસથી યુદ્ધની જે પરિસ્થિતિ ઉભી થઈ છે એના કારણે જે 100થી 150 અમારા એક્સપોર્ટરો છે એ બધા જ અત્યારે તકલીફમાં છે. ‘શિપમેન્ટો દોઢા-બમણા ભાડામાં જઈ રહ્યા છે’એના સિવાય જે કન્ટેનરો નવા મોકલવાના હોય એના ઉપર તો 4થી 5 હજાર ડોલર માગે જ છે પર્ટીક્યુલરલી મિડલ ઈસ્ટ માટે. પણ જે ચઢી ગયા હતા એના ઉપર પણ એ લોકો વોર સરચાર્જ લે છે. આ દેશ સિવાય યુરોપ, અમેરિકા અને દુનિયાના જે બાકીના દેશો છે એમાં જે 1200-1500 ડોલરનું કન્ટેનર હતું, એના અત્યારે 2500-3000 ડોલર ભાડા શિપિંગ લાઈનો માગી રહી છે અને આ શિપમેન્ટો હવે દોઢા-બમણા ભાડામાં જઈ રહ્યા છે. ‘10,000 કરોડથી વધારેનું એક્સપોર્ટ માત્ર ઉત્તર ગુજરાતમાંથી થાય છે’ઉત્તર ગુજરાતમાંથી જીરું, વરિયાળી, મેથી, ધાણા, તલ અને ઈસબગુલ આ બધી જ પ્રોડક્ટ્સ મોટી માત્રામાં એક્સપોર્ટ થાય છે. 10,000 કરોડથી વધારેનું એક્સપોર્ટ ખાલી ઉત્તર ગુજરાતમાંથી આ બધી પ્રોડક્ટ્સનું થાય છે. ‘પેમેન્ટ સાયકલ અટકી પડી’કન્ટેનરોમાં એક તો જે વધારાના ભાડા માંગી રહ્યા છે એના લીધે દરેક કન્ટેનરે 4થી 5 લાખથી વધારે ભાડા ચૂકવવા પડી રહ્યા છે અને પેમેન્ટની જે સાયકલ હતી એ પણ અટકી ગઈ છે. માર્ચ મહિનો આપણો અકાઉન્ટિંગ વર્ષ ક્લોઝિંગનો છે અને એના લીધે અત્યારે મુશ્કેલીઓ વધી રહી છે. ‘સરકાર ઇન્ટરફિયર કરી શિપિંગ લાઈનોને સૂચના આપે’અમારી માંગણી છે કે સરકાર આમાં ઇન્ટરફિયર કરીને શિપિંગ લાઈનોને સૂચના આપે કે વોર સરચાર્જના નામે લૂંટ ના ચલાવે. શિપિંગ લાઈનો અને વેપારીઓ વચ્ચે સમન્વય રહે એના માટે જો સરકાર કામ કરે તો આપણું એક્સપોર્ટ વધારે ઇફેક્ટ થયા વગર એક્સપોર્ટરોને નુકશાન વગર ચાલતું રહે. ‘મહિનામાં 25થી 30 ટ્રક કે કન્ટેનરની મુવમેન્ટ થતી હતી, એ અત્યારે 5થી 10 પર આવી ગઈ’વેપારીઓ અત્યારે મુશ્કેલીમાં છે, પૈસાની સાયકલ અને માલોની મુવમેન્ટ અટકી ગઈ છે. મહિનામાં જે 25થી 30 ટ્રક કે કન્ટેનરની મુવમેન્ટ થતી હતી એ અત્યારે 5થી 10 કન્ટેનર પર આવી ગઈ છે. માર્ચ મહિનામાં જે નવો પાક આવવાની સિઝન હોય ત્યારે આવી મુશ્કેલીના લીધે ખેડૂતોને પણ માલના યોગ્ય ભાવ નથી મળી રહ્યા કારણ કે એક્સપોર્ટરો ખરીદી કરવાથી થોડા દૂર થઇ રહ્યા છે.
બોટાદ-કુંડળી માર્ગે કાર-બાઇક અકસ્માત:એકનું ઘટનાસ્થળે મોત, એક ગંભીર રીતે ઘાયલ
બોટાદ અને કુંડળી ગામ વચ્ચે મોડી રાત્રે કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઇક સવાર એક યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવાનને ગંભીર ઈજાઓ થઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક અને ઈજાગ્રસ્ત બંને યુવાનો કુંડળી ગામના હોવાની પ્રાથમિક માહિતી . અકસ્માત બાદ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યારે ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, આ બંને યુવાનો બોટાદ APMC માં ચણા મૂકીને પોતાના ગામ કુંડળી પરત ફરી રહ્યા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ને વધુ તપાસ હાથ ધરી.
ગીર સોમનાથના જળાશયોમાં જુલાઈ સુધી પૂરતું પાણી:પીવા અને સિંચાઈની ચિંતા ટળી, વરસાદ ખેંચાશે તો કાપ શક્ય
ગીર સોમનાથ જિલ્લામાં ઉનાળાની શરૂઆત વચ્ચે પાણીની સ્થિતિ રાહતભરી છે. જિલ્લાના પાંચેય મુખ્ય જળાશયોમાં હાલ પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આથી, પીવાના પાણી અને ખેતી માટેની સિંચાઈની ચિંતા મોટાભાગે ટળી છે. સિંચાઈ વિભાગના જણાવ્યા અનુસાર, વર્તમાન સ્થિતિ મુજબ જુલાઈ મહિના સુધી પાણી પુરવઠો સરળતાથી ચાલુ રાખી શકાય તેમ છે. સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર જે.કે. કારાવદરાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લાના પાંચેય જળાશયોની વર્તમાન સ્થિતિ સંતોષકારક છે. જોકે, તેમણે ઉમેર્યું હતું કે, જો આગામી જૂન અને જુલાઈ મહિનામાં ચોમાસું મોડું પડે અથવા વરસાદ ઓછો પડે તો પાણી વ્યવસ્થાપન માટે કડક પગલાં લેવાની જરૂર પડી શકે છે. ગીર જંગલ વિસ્તારમાં આવેલો હિરણ-1 ડેમ, જે કમલેશ્વર ડેમ તરીકે પણ ઓળખાય છે, તે હાલ 97.92 ટકા ભરાયેલો છે. આ ડેમમાં અંદાજે 100 એમસીએફટી પાણીનો જથ્થો ગીરના વન્યજીવો માટે આરક્ષિત રાખવામાં આવે છે. આ ઉપરાંત, તાલાળા અને મેંદરડા તાલુકાના નવ ગામોને સિંચાઈ માટે પણ આ ડેમમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે. જિલ્લાનો સૌથી મોટો જળાશય હિરણ-2 ડેમ વેરાવળ નજીક ઉમરેઠી ગામે આવેલો છે અને હાલ 77.74 ટકા ભરાયેલો છે. આ ડેમમાંથી પાણી પુરવઠા બોર્ડ દ્વારા 55 ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા, સોમનાથ ટ્રસ્ટ અને સુત્રાપાડા નગરપાલિકાને પણ પીવાનું પાણી અહીંથી આપવામાં આવે છે. હિરણ-2 ડેમમાંથી વેરાવળ અને તાલાળા તાલુકાના 23 ગામોને સિંચાઈ માટે પાણી મળે છે. ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ, સુત્રાપાડા અને ઇન્ડિયન રેયોન ઇન્ડસ્ટ્રીઝ, વેરાવળને પણ આ જળાશયમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે. કોડીનાર તાલુકાનો શિંગોડા ડેમ હાલ 78.82 ટકા ભરાયેલો છે, જેમાંથી 12 ગામોને સિંચાઈ માટે અને 23 ગામોને પીવાના પાણીનો પુરવઠો થાય છે. ગીર ગઢડામાં આવેલો મચ્છુન્દ્રી ડેમ 89.32 ટકા ભરાયેલો છે અને તેમાંથી 21 ગામોને સિંચાઈ તથા 32 ગામોને પીવાનું પાણી આપવામાં આવે છે. ઉના તાલુકાનો રાવલ ડેમ 93.74 ટકા ભરાયેલો છે, જ્યાંથી 16 ગામોને સિંચાઈ અને આશરે 70 ગામોને પીવાના પાણીનો પુરવઠો કરવામાં આવે છે. આમ, જિલ્લાના પાંચેય જળાશયોમાં હાલ પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાથી ઉનાળામાં પાણીની મોટી સમસ્યા ઊભી થવાની શક્યતા નથી. જોકે, જો ચોમાસું મોડું પડે તો પાણીના સંચાલન માટે કેટલાક નિયંત્રણાત્મક પગલાં લેવા પડી શકે છે.
લેકલર ઇન્ડિયાએ દિવ્યાંગ બાળકો માટે 10 લાખ આપ્યા:દહેજમાં CSR હેઠળ અસ્મિતા વિકાસ કેન્દ્રને ચેક અર્પણ
ભરૂચ જિલ્લાના દહેજમાં આવેલી લેકલર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે દિવ્યાંગ બાળકોના વિકાસ માટે રૂ. 10 લાખનો ચેક અર્પણ કર્યો છે. કંપનીએ તેની CSR પ્રવૃત્તિઓ અંતર્ગત ત્રાલસા અસ્મિતા વિકાસ કેન્દ્રના પ્રતિનિધિઓને આ ચેક સુપરત કર્યો હતો. આ કાર્યક્રમમાં જર્મનીથી આવેલા પેટ્રિક મૂફ, સુરેશ વાસની અને પ્લાન્ટ હેડ નિલેશ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા. અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા કંપનીના સતત સહયોગ અને પ્રોત્સાહન બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, જર્મની સ્થિત લેક્લરના બોર્ડ સભ્યો 9 થી 12 માર્ચ દરમિયાન ભારતની મુલાકાતે આવ્યા છે. આ મુલાકાત દરમિયાન આ CSR પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી.
ચીખલી પોલીસે ₹12.53 લાખનો દારૂ ઝડપ્યો:ચોખાની કુસકી નીચે સંતાડેલો જથ્થો, બોલેરો પિકઅપ સાથે એક ઝડપાયો
નવસારીના ચીખલી પોલીસે મજીગામ નેશનલ હાઈવે પરથી ચોખાની કુસકીના કટ્ટા નીચે સંતાડેલો ₹12.53 લાખનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં એક બોલેરો પિકઅપ સાથે મધ્યપ્રદેશના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ઉનાના બે શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા છે. ચીખલી પોલીસ મથકની સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે મુંબઈથી અમદાવાદ તરફ જતી એક બોલેરો પિકઅપમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પર મજીગામ પાસે ભીખુ ચિકન સેન્ટર સામે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ બોલેરો (GJ-32-T-7165) ને અટકાવી તપાસ કરતા, ડાલામાં ચોખાની કુસકી ભરેલા 15 કટ્ટા નીચેથી વિદેશી દારૂના 94 બોક્સ મળી આવ્યા હતા. પોલીસે પિકઅપમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની વ્હીસ્કી અને ટીન બિયર સહિત કુલ 4,248 નંગ બોટલો (821.04 લિટર) જપ્ત કરી છે. આ દારૂની બજાર કિંમત ₹7,48,080 આંકવામાં આવી છે. દારૂ ઉપરાંત, પોલીસે ₹5 લાખની કિંમતની બોલેરો ગાડી અને એક મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે. આમ, કુલ ₹12,53,080નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસે સ્થળ પરથી મહેશ જીલીયા ગાવડ (રહે. ઈન્દોર, મૂળ ઝાબુઆ, મધ્યપ્રદેશ) નામના આરોપીની ધરપકડ કરી છે. દારૂનો જથ્થો ભરાવી આપનાર અને પાયલોટિંગ કરનાર મનુભાઈ દીપુભાઈ ગોહિલ (રહે. સીમર, તા. ઉના) અને જથ્થો મંગાવનાર હરેશ દીપુભાઈ ગોહિલ (રહે. સીમર, તા. ઉના) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે આ બંનેને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ₹7,48,080ની કિંમતનો 4,248 નંગ વિદેશી દારૂ અને બિયર, ₹5,00,000ની મહિન્દ્રા બોલેરો પિકઅપ અને ₹5,000નો એન્ડ્રોઇડ મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. આ સફળ કામગીરી ચીખલી પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.એસ. કોરાટ, પીએસઆઈ એચ.એચ. ફડદુ અને સર્વેલન્સ ટીમના જવાનો દ્વારા કરવામાં આવી હતી. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાટણમાં સદારામ કન્યા હોસ્ટેલના બાંધકામનો પ્રારંભ:ચીફ ઓફિસર હિરલબેન ઠાકરના હસ્તે શુભારંભ કરાયો
પાટણ શહેરમાં ઠાકોર સમાજની દીકરીઓ માટે સદારામ કન્યા હોસ્ટેલના બાંધકામનો પ્રારંભ થયો છે. પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરના હસ્તે આ કરોડો રૂપિયાના પ્રોજેક્ટનો શુભારંભ કરાયો હતો. આ હોસ્ટેલ સદારામ સેવા સમિતિ દ્વારા હાઈવે પર નિર્માણ પામશે. સદારામ સેવા સમિતિ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવીને આગળ વધે તે માટે શૈક્ષણિક સુવિધાઓ ઊભી કરવા સક્રિય પ્રયાસો કરી રહી છે. આ પહેલના ભાગરૂપે, પાટણમાં બંસી કાઠિયાવાડી હોટલ અને મેટ્રો સોસાયટી સામે આધુનિક સુવિધાઓ ધરાવતી કન્યા છાત્રાલયનું થોડા સમય અગાઉ ખાતમુહૂર્ત કરાયું હતું. ચીફ ઓફિસર હિરલ ઠાકરે જેસીબી મશીન પર ફૂલહાર ચડાવી, શ્રીફળ વધેરી અને જેસીબી મશીનમાં બેસીને પાંચ પાવડા મારીને બાંધકામ કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે ઠાકોર સમાજની દીકરીઓના શિક્ષણ માટેના આ પ્રયાસને બિરદાવ્યો હતો. આ પ્રસંગે સદારામ સેવા સમિતિ દ્વારા ચીફ ઓફિસર હિરલ ઠાકરનું સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના અગ્રણી વિનયસિંહે ચીફ ઓફિસરને સિંહણ અને રાણી લક્ષ્મીબાઈ સમાન ગણાવ્યા હતા. નવઘણજી ઠાકોરે જણાવ્યું હતું કે, સમાજમાં ક્રાંતિ લાવવા માટે દીકરીઓના શિક્ષણ પર ભાર મૂકવો જરૂરી છે, કારણ કે દીકરીઓ ભણશે તો આખો સમાજ તારશે. આ કાર્યક્રમમાં ઠાકોર સમાજની દીકરી લતાબેન, જેઓ સરકારી અધિકારી બન્યા છે, તેમનું પણ ચીફ ઓફિસરના હસ્તે સન્માન કરાયું હતું. લતાબેને તેમના પ્રથમ બે પગાર સમાજની હોસ્ટેલની દીકરીઓ માટે અર્પણ કર્યા હતા. આ પ્રસંગે સદારામ સેવા સમિતિના હોદ્દેદારો નવઘણજી ઠાકોર, મંગાજી ઠાકોર, મોઘજીજી ઠાકોર, વિનયસિંહ દરબાર, ડો. મનોજ ઠાકોર સહિત સમાજના અગ્રણીઓ, કાર્યકરો અને હોસ્ટેલમાં રહી ભણતી દીકરીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સુરત શહેરમાં વધતી ગરમી અને હિટવેવના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ વચ્ચે એક કરુણ ઘટના પ્રકાશમાં આવી છે. પોતાની લાડકવાઈ દીકરીને ધોરણ-12 કોમર્સની બોર્ડની પરીક્ષાના કેન્દ્ર પર મૂકીને પરત ફરી રહેલા કઠોર પ્રાથમિક શાળાના શિક્ષક રસ્તામાં જ બેભાન થઈ ઢળી પડ્યા હતા અને ટૂંકી સારવાર બાદ તેમનું નિધન થયું હતું. મૃતક પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતામળતી માહિતી પ્રમાણે, મૂળ ભાવનગર અને કામરેજ વિસ્તારમાં આવેલી અંબિકા રેસિડન્સીમાં 50 વર્ષીય ભવાનભાઈ સીથરભાઈ હડિયા પરિવાર સાથે રહેતા હતા. તેઓને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. ભવાનભાઈ કઠોર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દીકરી દીપ્તિની હાલ ધોરણ 12 કોમર્સની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. જેથી તે રોજ દીકરીને પરીક્ષા કેન્દ્ર પર મુકવા જતા હતા અને ત્યાંથી પરત લેવા પણ જતા હતા. પુત્રને મોબાઈલનું સ્ટેન્ડ આપવા જઈ રહ્યા હતા અને ઢળી પડ્યાગતરોજ બપોરે ભવાનભાઈ પોતાની ધોરણ-12 કોમર્સમાં અભ્યાસ કરતી પુત્રી દિપ્તીને સેક્રેટરીયલ પ્રેક્ટિસનું બોર્ડનું પેપર હોવાથી આબ્રામા પી.પી. સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ સ્કૂલમાં બોર્ડના પરીક્ષા કેન્દ્ર પર મોપેડ પર મૂકવા ગયા હતા. પુત્રીને પરીક્ષા કેન્દ્ર પર મુક્યા બાદ તેઓ મોટા વરાછા ખાતે એ.આર. મોલમાં આવેલી પોતાના પુત્રની ઓફિસ તરફ જવા નીકળ્યા હતા. તેઓ પુત્રને મોબાઈલનું સ્ટેન્ડ આપવા જઈ રહ્યા હતા. અચાનક બનેલી આ ઘટનાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યોમોટા વરાછા ખાતે સુદામા ચોક નજીક અતિશય ગરમીના કારણે ભવનભાઈને ડિહાઇડ્રેશન થયું હતું. જેના કારણે તેઓને ચક્કર આવતા તેઓ ચાલુ મોપેડ પરથી બેભાન થઈ રોડ પર ઢળી પડ્યા હતા. આસપાસના લોકોએ તરત જ તેમને બેભાન હાલતમાં સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. અચાનક બનેલી આ ઘટનાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પિતાના મોતને પગલે બંને સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. આ અંગે વધુ તપાસ ઉત્રાણ પોલીસ કરી રહી છે. પિતાના મોતના સમાચાર વચ્ચે પરીક્ષા આપીઆ ઘટનામાં સૌથી વધુ હૃદયસ્પર્શી બાબત પુત્રી દિપ્તીની હિંમત રહી છે. એક તરફ પિતાના મોતના સમાચાર મળ્યા હતા, તેમ છતાં પિતાનું સપનું પૂરું કરવા દિપ્તીએ ભારે હૈયે ધીરજ રાખીને સેક્રેટરીયલ પ્રેક્ટિસનું પેપર પૂર્ણ કર્યું હતું. એટલું જ નહીં, આગામી 17મી માર્ચે આવનારું છેલ્લું પેપર પણ તે આપશે તેવો મક્કમ નિર્ધાર કર્યો છે.
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને રેલવે માલપરિવહન ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. હાપા યાર્ડ ખાતે રૂ. 35.41 કરોડના ખર્ચે માલગાડીના વેગનની જાળવણી અને મરામત માટે અત્યાધુનિક સંયુક્ત વેગન શેડનું નિર્માણ કાર્ય ગતિ શક્તિ યુનિટ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે. રેલવે તંત્ર દ્વારા માત્ર 1.5 વર્ષના ટૂંકા ગાળામાં આ પ્રોજેક્ટનું 95 ટકા કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે, જે રેલવેની કાર્યક્ષમતાનો પરિચય આપે છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં માત્ર રાજકોટ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરનાં વેપાર ઉદ્યોગને તેનો મોટો લાભ મળશે. અને ઉદ્યોગકારોનાં માલસમાનનું પરિવહન ઝડપી બનવાની સાથે રેલવેની આવકમાં પણ વધારો થશે. રોડ સેફ્ટી (ચર્ચગેટ) ના મુખ્ય વહીવટી અધિકારી અમિત મનુવાલ અને રાજકોટ ડીઆરએમ ગિરિરાજ કુમાર મીનાના માર્ગદર્શન હેઠળ મુખ્ય પ્રોજેક્ટ મેનેજર સુધીર દુબે અને તેમની ટીમ દ્વારા આ નવો વેગન શેડ બનાવાયો છે. જે 172 મીટર લાંબો અને 25 મીટર પહોળો છે, તો તેની ઊંચાઈ 16.5 મીટર રાખવામાં આવી છે. આધુનિક સ્થાપત્ય શૈલી મુજબ તેમાં ટ્રસ વગરની હળવા વજનની પ્રોફ્લેક્સ રૂફ શીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શેડની અંદર વેગનની મરામત માટે પણ 3 રેલવેટ્રેક બિછાવવામાં આવ્યા છે. અધિનિક વેગન શેડમાં ભારે મશીનરીના ઉપયોગ સામે ફ્લોરિંગ સુરક્ષિત રહે તે માટે ખાસ હાર્ડોનાઈટ ફ્લોરિંગ તૈયાર કરાયું છે. કર્મચારીઓની સુરક્ષા અને કાર્યક્ષમતા વધારવા માટે વેગનના ઉપરના ભાગના નિરીક્ષણ માટે ઇન્સ્પેક્શન ગેન્ટ્રી અને દર 17 મીટરના અંતરે ઇન્સ્પેક્શન પ્લેટફોર્મની સુવિધા આપવામાં આવી છે. આ સુવિધાને કારણે કર્મચારીઓ હવે અત્યંત સુરક્ષિત રીતે વેગનની તપાસ કરી શકશે. તેમજ વેગન શેડની સાથે સાથે અહીં કર્મચારીઓની સુવિધા માટે એક આધુનિક વહીવટી ભવન પણ નિર્મિત કરવામાં આવ્યું છે. અન્ય સુવિધાઓની વાત કરીએ તો 78 મીટર લાંબા આ ભવનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 10 અને પ્રથમ માળે 12 રૂમ બનાવવામાં આવ્યા છે. જેમાં રેલવેમાં કાર્યરત મહિલા કર્મચારીઓની સુવિધા માટે અલગ મહિલા વિશ્રામ ખંડની વિશેષ વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, આખા પરિસરમાં સીસી રોડ, અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક અને વિશાળ પાર્કિંગ એરિયા વિકસાવવામાં આવ્યો છે, જેથી કામકાજ દરમિયાન શિસ્ત અને સુવિધા જળવાઈ રહે. આ નવા શેડના નિર્માણથી રાજકોટ ડિવિઝનની માલવાહક ક્ષમતામાં અનેકગણો વધારો થશે. રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, આ સુવિધા શરૂ થવાથી હાપા યાર્ડમાં ભીડ ઘટશે અને વેપારીઓ તેમજ ઉદ્યોગોને માલ લોડિંગ માટે વેગન વધુ ઝડપથી મળી રહેશે. આધુનિક ટેકનિકલ પરીક્ષણો હવે સ્થાનિક સ્તરે જ શક્ય બનતા સમય અને નાણાંની પણ મોટી બચત થશે. આમ, આ નવો વેગન શેડ રેલવેની આવકમાં વધારો કરવાની સાથે સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગ માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે. ઉલ્લેખનીય છે કે અગાઉ અહીં રોજ માત્ર 12 વેગનની મરામત થતી હતી, હવે તે ક્ષમતા વધીને દરરોજ 56 વેગન સુધી પહોંચશે. આ ઉપરાંત, દર મહિને થતું રૂટિન ઓવરહોલિંગ (ROH) આઉટટર્ન પણ 70 વેગનથી વધીને 125 થી વધુ થવાની અપેક્ષા છે. સૌથી મોટો ફાયદો એ થશે કે 'સીક' એટલે કે ખરાબ થયેલા વેગન જે પહેલા સરેરાશ 10 દિવસે રિપેર થતા હતા, તે હવે માત્ર 3 દિવસમાં તૈયાર થઈ જશે. જેને લઈને માલપરિવાહન ઝડપી બનવાની સાથે રેલવે તંત્રની આવકમાં વધારો થશે.
જામનગરમાં વહેલી સવારે ઝાકળ છવાઈ, વિઝિબિલિટી ઘટી:ઉનાળા વચ્ચે શિયાળા જેવો અનુભવ, મિશ્ર ઋતુનો અહેસાસ
જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે વહેલી સવારે ગાઢ ઝાકળ છવાઈ હતી. માર્ચ મહિનામાં ઉનાળાની શરૂઆત વચ્ચે વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી હતી, જેના કારણે લોકોને શિયાળા જેવો અનુભવ થયો હતો. ઝાકળ એટલી ઘટ્ટ હતી કે જામનગર શહેરને જોડતા હાઈવે અને ગ્રામ્ય પંથકોમાં વિઝિબિલિટી નોંધપાત્ર રીતે ઘટી ગઈ હતી. વાહનચાલકોને વહેલી સવારે વાહનોની લાઈટો ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી. ખેતરોમાં ઝાકળના બિંદુઓ જામતા સુંદર દૃશ્યો સર્જાયા હતા. હવામાન નિષ્ણાતોના મતે, સમુદ્ર કિનારાના વિસ્તારોમાં હવામાં ભેજનું પ્રમાણ વધવા અને રાત્રિના તાપમાનમાં ઘટાડો થવાને કારણે ઉનાળાની શરૂઆતમાં પણ ઝાકળ જોવા મળે છે. આ એક મિશ્ર ઋતુ જેવી સ્થિતિ છે, જેમાં વહેલી સવારે ઠંડક અને ઝાકળનો અનુભવ થાય છે, જ્યારે બપોરે આકરો તડકો અને ગરમી વર્તાય છે. આ પ્રકારના મિશ્ર વાતાવરણની લોકોના સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. શરદી, ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શનના કિસ્સાઓ વધવાની શક્યતા છે. આ ઉપરાંત, ખેતીમાં તૈયાર પાક પર ઝાકળની સંભવિત અસર અંગે ખેડૂતોમાં ચિંતા અને ચર્ચા જોવા મળી રહી છે.
ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થતાં જ તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. આ કાળઝાળ ગરમી વચ્ચે અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ વન વિભાગ દ્વારા સિંહો અને અન્ય વન્યપ્રાણીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ડિવિઝન હેઠળ આવતી 8 રેન્જમાં 250 જેટલા પીવાના પાણીના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે. 8 રેન્જમાં પાણીના સ્ત્રોત કાર્યરત આ વ્યવસ્થા ધારી ગીર પૂર્વ ડિવિઝનની ખાંભા તુલસીશ્યામ, દલખાણીયા, હડાળા, પાણીયા પોઈન્ટ, સરસિયા, સાવરકુંડલા, જસધાર અને આંબરડી પ્રવાસન રેન્જ સહિતના વિસ્તારોમાં કરવામાં આવી છે. કેટલાક પોઈન્ટ પર પવનચક્કી દ્વારા પાણી ભરવામાં આવે છે, જ્યારે મોટાભાગના પોઈન્ટ પર ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ પોઈન્ટ્સ ગીર જંગલ અને રેવન્યુ વિસ્તાર બંનેમાં કાર્યરત છે. બીટગાર્ડને સોંપાઈ વિશેષ જવાબદારી જૂનાગઢના ચીફ ફોરેસ્ટ કન્ઝર્વેટર (CF) રામ રતન નાલાના માર્ગદર્શન હેઠળ, ધારી ગીર પૂર્વ ડીવીઝનના ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (DCF) વિકાસ યાદવે દરેક રેન્જમાં પાણીના પોઈન્ટ નિયમિત ભરવા માટે સૂચનાઓ આપી છે. આ કામગીરી માટે દરેક રેન્જમાં બીટ ગાર્ડ કક્ષાના કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. વન્યજીવોનું સ્થળાંતર રોકવા પ્રયાસ વન વિભાગ દ્વારા ઉભી કરાયેલી આ વિશેષ પાણી વ્યવસ્થા સિંહો ઉપરાંત હરણ, નીલગાય અને પક્ષીઓ સહિતના વન્યપ્રાણીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે, જેઓ કાળઝાળ ગરમીમાં પાણીની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે. ગીર પૂર્વમાં 40 ડિગ્રી તાપમાન, સિંહો માટે 250 પાણીના પોઈન્ટ ગીર પૂર્વ ડિવિજનના DCF વિકાસ યાદવએ જણાવ્યું હતું કે, આપ બધાને ખબર છે કે હવે ઉનાળાની સીઝન ચાલુ થઈ ગઇ છે. તાપમાન વધી રહ્યું છે. આપણી સૌરાષ્ટ્રની તપોભૂમિમાં સાવજ રહે છે અને એની સાથે સાથે ઘણા બધા વન્ય પ્રાણી પણ અહીંયા નિવાસ કરે છે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને પાણીની સમસ્યા ન સર્જાય તે માટે વિશેષ વ્યવસ્થા ગીર પૂર્વ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ટેકનોલોજી અને કુદરતી સ્ત્રોતનો સમન્વય આમાં સૌર ઉર્જા દ્વારા સંચાલિત ઘણા બધા પાણીના પોઇન્ટો છે, અમુક પોઇન્ટો પવનચક્કી દ્વારા ચાલે છે. અમુક એવા વિસ્તારો પણ છે જ્યાં થોડીક દુર્ગમતા હોય. ત્યાં પાણીના ટેન્કર દ્વારા પાણી ભરવામાં આવી રહ્યું છે. ગીરમાંથી ઘણી બધી નદીઓ પસાર થાય છે. જેમાં સાત મોટી નદીઓનો પણ સમાવેશ થાય છે. જેમાં ગીર પૂર્વ વન વિભાગમાં શેત્રુંજી અને મચ્છુન્દ્રી મોટી નદીઓ છે. ગીરના 'સાવજ' માટે વન વિભાગ સજ્જ આ સિવાય પ્રાકૃતિક પાણીના સ્ત્રોતની વાત કરીએ તો કુટિયા અને કોતર પણ અહીંયા છે. પણ, છતાં જ્યારે જ્યારે ટેમ્પરેચર વધે છે તો પાણીની સમસ્યા ઉભી થઈ શકે છે. જેથી પાણીની અછતને ધ્યાનમાં રાખીને 250 જેટલા પાણીના પોઇન્ટ્સ ગીર પૂર્વ વન વિભાગમાં મેન્ટેન કરવામાં આવી રહ્યા છે. ધારી ગીર પૂર્વ ડિવિજન ડીસીએફ વિકાસ યાદવએ કહ્યું કે, પાણીના પોઇન્ટ ઉપર જે બીટગાર્ડ છે એમની જવાબદારી નક્કી કરવામાં આવી છે કે, એમને દરેક દિવસે પાણીના પોઇન્ટ જોવાનું રહેશે. જેમાં કેવી રીતે એનું મેન્ટેનન્સ થાય છે, એની સાફસફાઈ થાય છે, ભેજ મેન્ટેન અને મોઈશ્ચર મેન્ટેન થાય છે કે કેમ એ જોવાનું રહેશે. જંગલમાં એના માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જેલમાં કાચા કામના કેદીનું મોત:હૃદયરોગના હુમલાથી 70 વર્ષીય વૃદ્ધનું મોત
સુરેન્દ્રનગર સબ જેલમાં કાચા કામના 70 વર્ષીય કેદી ખીમા સોમાભાઈ સાબંડનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે. જેલ સત્તાવાળાઓ દ્વારા તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં રાત્રે 11:03 વાગ્યે તેમનું મૃત્યુ થયું હતું. ખીમા સોમાભાઈ સાબંડ ખાખરાથળના પશુપાલક હતા અને 15 સપ્ટેમ્બર, 2020ના રોજ ઉકાભાઈ પર જીવલેણ હુમલો કરી તેમનું મોત નીપજાવવાના કેસમાં આરોપી હતા. બે મહિના પહેલા પણ તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો, ત્યારે તેમને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. ગત રાત્રે 10:30 કલાકે તેમને ફરીથી હૃદયરોગનો હુમલો આવ્યો હતો. જેલ સત્તાવાળાઓએ તાત્કાલિક તેમને હોસ્પિટલ પહોંચાડ્યા હતા, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો ન હતો. આ ઘટના અંગે જેલ સત્તાવાળાઓએ એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી, જ્યાં અકસ્માતે મોતની નોંધ કરી પીઆઈ આર. એમ. સંગાડા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
વેરાવળ ડિવિઝન હેઠળ પીજીવીસીએલ દ્વારા બાકીદારો સામે હવે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. વીજ બિલની બાકી રકમ વસુલવા માટે આગામી 17 માર્ચના રોજ મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ યોજવામાં આવી રહી છે, જેમાં એકસાથે 82 ટીમો મેદાનમાં ઉતરી બાકીદારો સામે કાર્યવાહી કરશે. સમયસર બિલ નહીં ભરનારાઓ માટે આ ડ્રાઇવ ચેતવણીરૂપ બની છે. પીજીવીસીએલ વેરાવળના કાર્યપાલક ઇજનેર જી.બી. વાઘેલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગત 25 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ અત્યંત સફળ રહી હતી. આ અભિયાન દરમિયાન માત્ર એક જ દિવસમાં બાકીદારો પાસેથી આશરે ₹2.23 કરોડ જેટલી રકમ પીજીવીસીએલમાં જમા થઈ હતી. આ સફળતા બાદ હવે ફરી એક વખત વધુ કડક અને વ્યાપક અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. 17 માર્ચે યોજાનારી આ ડ્રાઇવમાં વેરાવળ ડિવિઝનની કુલ સાત સબ ડિવિઝનોમાં 82 જેટલી ટીમો તૈનાત કરવામાં આવશે. જેમાં આમ કુલ મળી 82 ટીમો એકસાથે મેદાનમાં ઉતરી બાકી બિલ ધરાવતા ગ્રાહકોના વીજ જોડાણ કાપવાની કાર્યવાહી કરશે. કાર્યપાલક ઇજનેર વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે બાકીદારોને બિલ ભરવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે પીજીવીસીએલ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રજાના દિવસોમાં પણ કલેક્શન સેન્ટરો ચાલુ રાખવામાં આવશે અને કર્મચારીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. ડિવિઝનની તમામ સબ ડિવિઝનમાં કેશ કલેક્શન સેન્ટર કાર્યરત રહેશે, જેથી ગ્રાહકો પોતાની બાકી રકમ સરળતાથી જમા કરી શકે. આ ઉપરાંત ગ્રાહકો માટે ઓનલાઈન પેમેન્ટની સુવિધા પણ ઉપલબ્ધ છે, જેથી કોઈપણ ગ્રાહક ઘરે બેઠા પોતાની બાકી રકમ ચૂકવી શકે. પરંતુ પીજીવીસીએલ તંત્રએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જે બાકીદાર ગ્રાહકો હજુ પણ બિલ ભરવામાં ઉદાસીનતા દાખવશે તેમના વીજ જોડાણો 17 માર્ચે યોજાનારી મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ દરમિયાન નિઃસંકોચ કાપી નાખવામાં આવશે. કાર્યપાલક ઇજનેર જી.બી. વાઘેલાએ તમામ બાકીદાર વીજ ગ્રાહકોને અપીલ કરી છે કે ડિસ્કનેક્શન જેવી સ્થિતિથી બચવા માટે સમયસર બિલની ચુકવણી કરી દેવી.

32 C