પોતાની ખાણીપીણી માટે જાણીતા સુરત શહેર પર હાલમાં ગેસની અછતનું ગ્રહણ લાગ્યું છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે, વેપારીઓએ લાચારીમાં પોતાની દુકાનો બંધ કરવી પડી રહી છે. શહેરના પોશ ગણાતા અઠવા ગેટ વિસ્તારમાં આવેલી જાણીતી ‘શ્યામ શુદ્ધ શાકાહારી વેજ બિરયાની’ શોપની બહાર માલિકે એક પોસ્ટર લગાવ્યું છે, જેના પર લખ્યું છે: “Sorry, We're Closed Due to LPG Shortage.” ગેસ સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાને કારણે વેપારીઓ રસોઈ બનાવી શકતા નથી, જેને પરિણામે ગ્રાહકોને ખાલી હાથે પરત ફરવું પડે છે. વૈશ્વિક યુદ્ધની સ્થાનિક અસરઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધને કારણે 'હોર્મુઝની સામુદ્રધુની' (Strait of Hormuz) માર્ગેથી થતો ગેસ અને તેલનો પુરવઠો ખોરવાયો છે. ભારત પોતાની જરૂરિયાતનો મોટો હિસ્સો આ માર્ગે આયાત કરે છે. સુરત જેવા ઔદ્યોગિક શહેરમાં ગેસની માંગ હંમેશા વધુ રહેતી હોય છે, ત્યારે આ આંતરરાષ્ટ્રીય કટોકટી હવે સ્થાનિક લારી-ગલ્લા અને રેસ્ટોરન્ટ માલિકોની રોજીરોટી છીનવી રહી છે. ભાવ વધારાનો બેવડો મારમાત્ર અછત જ નહીં, પરંતુ ગેસના ભાવમાં થયેલા તોતિંગ વધારાએ પણ વેપારીઓની કમર તોડી નાખી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. કેટલીક જગ્યાએ તો સિલિન્ડર મેળવવા માટે વેપારીઓએ નિયત ભાવ કરતાં પણ વધુ કિંમત ચૂકવવી પડી રહી છે. સ્થાનિકોની વ્યથાઆ અંગે પડોશના એક દુકાનદારે જણાવ્યું હતું કે, આ બિરયાની રેસ્ટોરન્ટ છેલ્લા એક મહિનાથી બંધ છે. અહીં ગુણવત્તાયુક્ત બિરયાની બનાવવામાં આવતી હતી, પરંતુ લાંબા સમયથી ગેસની બોટલ ન મળવાને કારણે અને સતત પડતી મુશ્કેલીઓને લીધે માલિકે આખરે દુકાન બંધ કરવાનો નિર્ણય લીધો છે.
હાલ ઇરાન-ઇઝરાયલ વોરને પગલે વિશ્વભરમાં ગેસનું સંકટ છવાયેલું છે. આ સ્થિતિ વચ્ચે હવે લોકોને 1 એપ્રિલથી અનેક વસ્તુઓના ભાવમાં વધારો ઝીંકાયો છે. ત્યારે અદાણી CNGના ભાવમાં આજે પ્રતિ કિલોએ 1.50નો તોતિંગ વધારો ઝીંકાયો છે. સીએનજીના ભાવમાં 1.21ના ઘટાડા બાદ 3 વખતના વધારાથી CNG 2.60 જેટલો મોંઘો થયો છે. જેથી નવો ભાવ 83.77 રૂપિયા થયો છે. આ વધારાને પગલે હવે આજથી અદાણી CNG 83.77 રૂપિયામાં વેચાશે. અદાણી ગ્રૂપ દ્વારા CNGના ભાવમાં 2026ની શરૂઆતમાં જ 1.21નો ભાવ ઘટાડો કર્યો હતો. પરંતુ તેના બાદ ચાર માસમાં સતત ત્રીજી વખત વધારો સીએનજીમાં ભાવ વધારો ઝીંક્યો હતો. આ ભાવવધારાથી રીક્ષાચાલકો પર મોટી મુસીબત આવશે. કારણ કે, 2025 બાદ હવે 2026 નું વર્ષ પણ મોંઘવારીનું બની રહ્યું છે. વર્ષ 2025માં અદાણી CNGમાં ચાર વખત ભાવ વધારો કરાયો હતો. હવે 2026માં પણ ચાલુ જ છે. વર્ષ 2025 માં ચાર વખતનો ભાવ વધારો 3.40 રૂપિયા હતો. તો વર્ષ 2026 ની શરૂઆતમાં પહેલા એકવાર ઘટાડો અને બે વારના વધારા બાદ હવે અદાણી CNG નો ભાવ 83.77 રૂપિયા પર પહોંચી ગયો છે. હાલ ઈરાન-અમેરિકા-ઈઝરાયેલમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસની અછત જોવા મળી રહી છે. આ વચ્ચે અનેક દેશોમાં ગેસનું સંકટ જોવા મળી રહ્યું છે. સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝ બંધ હોવાને કારણે ગેસનો પુરવઠો પહોંચી નથી રહ્યો. તો બીજી તરફ લોકો પીએનજી તરફ વળી રહ્યા છે. કોમર્શિયલ ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે. આવામાં હવે અદાણી સીએનજીનો ભાવવધારો કમરતોડ સાબિત થઈ શકે છે.
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ શહેરના વોર્ડ નંબર-1માં આવેલા નિઝામપુરા વિસ્તારમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. અહીં આવેલી અસ્મિતા પાર્ક સોસાયટી તેમજ આસપાસની અન્ય સોસાયટીઓના રહીશોએ પાણીની ગંભીર સમસ્યાથી કંટાળીને પોસ્ટર અને બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો છે. સોસાયટીની બહાર મોટા બોર્ડ લગાવીને રહીશોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, “જ્યાં સુધી પાણી નહીં, ત્યાં સુધી વોટ નહીં.” સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે જ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, અવારનવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. 30 વર્ષથી ભાજપના શાસનમાં પણ પાણીથી વંચિત છીએ: સ્થાનિક રહીશએક સ્થાનિક રહીશે પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, જ્યારે અમે મત આપીએ છીએ ત્યારે અમારી પ્રાથમિક જરૂરિયાત ગટર, પાણી અને રોડ-રસ્તાની સુવિધા મળવી જોઈએ. અમે છેલ્લા 30 વર્ષથી ભાજપના શાસનમાં હોવા છતાં પ્રાથમિક જરૂરિયાત એવા પીવાના પાણીથી વંચિત છીએ. સ્થાનિક કોર્પોરેટરને અનેકવાર રજૂઆતો કરી, પરંતુ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. ‘જો યોગ્ય ઉમેદવાર નહીં હોય તો અમે નોટામાં મતદાન કરીશું’રહીશે વધુમાં જણાવ્યું કે, વર્તમાન ધારાસભ્ય કેયુર રોકડિયા જ્યારે 2022માં મેયર હતા, ત્યારે પણ અમે રજૂઆત કરી હતી. તે સમયે તેમણે આશ્વાસન આપ્યું હતું, છતાં આજે પણ પાણીની સમસ્યા જૈસે થે છે. ધારાસભ્ય બન્યા બાદ તેમને પત્ર લખી રજૂઆત કરતા તેમણે પોતાની ગ્રાન્ટમાંથી ફાળવણી કરી સમસ્યા ઉકેલવાની ખાતરી આપી હતી, પરંતુ હજુ સુધી કોઈ કામ થયું નથી. જો આ ચૂંટણીમાં કોઈ નિષ્ઠાવાન વ્યક્તિ ઉમેદવાર તરીકે નહીં હોય, તો અમે ચોક્કસપણે ‘નોટા’માં મતદાન કરીશું. કામ કરશે તેને જ અમારો વોટ મળશે: સમીરભાઈઅન્ય એક સ્થાનિક રહીશ સમીરભાઈએ જણાવ્યું હતું કે, અમને છેલ્લા 30 વર્ષથી પાણીની સમસ્યા છે. છેલ્લા 10 વર્ષથી તો અમે સતત રજૂઆતો કરી રહ્યા છીએ, પરંતુ કોઈ ઉકેલ આવતો નથી. કોર્પોરેશન પાસે પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ અહીં આયોજનનો (પ્લાનિંગનો) અભાવ છે. જે નેતા અમારું કામ કરશે, તેને ચોક્કસથી વોટ મળશે.
વલસાડ પોલીસમાં આંતરિક બદલીઓ:ડુંગરા PI એસ.પી. ગોહિલને GIDCનો હવાલો સોંપાયો
વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાએ જિલ્લામાં આંતરિક બદલીના આદેશો કર્યા છે. આ અંતર્ગત ડુંગરા પોલીસ મથકના પીઆઈ એસ.પી. ગોહિલને વાપી GIDC પોલીસ મથકની જવાબદારી સોંપવામાં આવી છે. વાપી GIDCના પીઆઈ અમીરાજસિંહ રાણાની સુરત ગ્રામ્ય ખાતે બદલી થતાં આ જગ્યા ખાલી પડી હતી. આ બદલીઓ વલસાડ જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા અને વહીવટી કારણોસર કરવામાં આવી છે. પીઆઈ ગોહિલની નિમણૂક બાદ ડુંગરા પોલીસ મથક ખાતે ગત ગુરુવારે રાત્રે તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. આ વિદાય સમારોહમાં પોલીસ સ્ટાફ અને વિસ્તારના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પીઆઈ ગોહિલના કાર્યકાળમાં થયેલી પ્રજાલક્ષી કામગીરી અને ગુનાખોરી ડામવા માટેના પ્રયાસોને સૌએ બિરદાવ્યા હતા. પીઆઈ એસ.પી. ગોહિલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, સ્થાનિક લોકો અને પોલીસ સ્ટાફના સહકાર વગર સારી કામગીરી શક્ય નથી. કાર્યક્રમના અંતે સાથી કર્મચારીઓ અને અગ્રણીઓ દ્વારા પીઆઈ ગોહિલ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને આતશબાજી પણ કરવામાં આવી હતી.
જામનગરમાં વાતાવરણમાં એકાએક પલટો:સવારથી અમીછાંટણા શરૂ, ઉનાળામાં ચોમાસા જેવો માહોલ
હવામાન વિભાગની આગાહી મુજબ જામનગર શહેરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. આજે સવારથી જ શહેરમાં ધીમી ધારે વરસાદી છાંટા પડવાના શરૂ થયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી ગરમી વચ્ચે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું રહ્યું હતું. વહેલી સવારથી જ સૂર્યના દર્શન થયા ન હતા અને વાદળછાયું વાતાવરણ છવાયું હતું. વાતાવરણમાં આવેલા આ અચાનક બદલાવને કારણે ગરમીથી પરેશાન લોકોને આંશિક રાહત મળી છે. આકાશમાં વરસાદ ગાજતો હોય તેવા અવાજો પણ સંભળાયા હતા.
નારણપુરામાં હનુમાન જયંતિએ રામોત્સવ ઉજવાયો:માતૃશક્તિ જિલ્લા સંયોજિકાના નિવાસે કાર્યક્રમ યોજાયો
કર્ણાવતી મહાનગરના નારણપુરા જિલ્લામાં હનુમાન જયંતિ નિમિત્તે રામોત્સવનું આયોજન કરાયું હતું. આ ઉત્સવ વિશ્વ હિન્દુ પરિષદના નારણપુરા જિલ્લાના સંયોજકના નિવાસે ઉજવાયો હતો. કાર્યક્રમમાં શ્રી હનુમાનજી અને શ્રી રામજીના ભજન-કીર્તન કરવામાં આવ્યા હતા. માતૃશક્તિના સંયોજક નેહાબેન વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આચાર પદ્ધતિથી સત્સંગનો પ્રારંભ કરાયો હતો, જેમાં હનુમાન જયંતિ નિમિત્તના ભજન, રામજી રાજાના ભજન અને તેમની સ્તુતિ કરવામાં આવી હતી. આરતી અને તિલક સાથે ભારતીય સંસ્કૃતિ મુજબ સત્સંગ સંપન્ન થયો હતો. આ પ્રસંગે ઉત્તર પ્રાંતના સહસંયોજક ચંદ્રિકાબેન, રન્ના પાર્ક પ્રખંડ સંયોજક નીતાબેન અને સોલા પ્રખંડ સંયોજિકા જયશ્રીબેન સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સમાપન જયઘોષ અને આરતી સાથે કરવામાં આવ્યું.
ગાંધીનગરના ચિલોડા વિસ્તારમાં એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સ (ANTF) એ પૂર્વ બાતમીના આધારે નશાના કારોબારનો પર્દાફાશ કર્યો છે. હિંમતનગર-સુરત રૂટની એસ.ટી. બસમાં માદક પદાર્થની હેરાફેરી થઈ રહી હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બે પેડલરોને રૂ .5.97 લાખની કિંમતના 11 કિલો 940 ગ્રામ ગાંજા સાથે દબોચી લીધા છે. જેમાં મુખ્ય સૂત્રધાર ડભોડાનો મીત પ્રજાપતિ હોવાનું સામે આવ્યું છે.આ મામલે પોલીસે કુલ ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હિંમતનગરથી સુરત જતી બસમાં જતા હોવાની બાતમી મળીએન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એસ. ઝાલા અને તેમની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે હિંમતનગરથી સુરત જતી બસમાં બે ઇસમો નશાકારક જથ્થા સાથે મુસાફરી કરી રહ્યા છે અને તેઓ ચિલોડા સર્કલ પાસે ઉતરવાના છે. આ બાતમીના આધારે પોલીસે ચિલોડા સર્કલ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બપોરના સમયે એસ.ટી. બસ ત્યાં આવી પહોંચતા બાતમી મુજબના બે શખ્સો થેલા સાથે નીચે ઉતર્યા હતા, જેમને પોલીસે તુરંત કોર્ડન કરી લીધા હતા. પ્લાસ્ટિકની 12 કોથળીઓમાં ભરેલો ગાંજો મળી આવ્યોઆ અંગે પોલીસે જણાવ્યું કે,પકડાયેલા શખ્સોની ઓળખ વિરાજ પરેશકુમાર સોલંકી (રહે. મોટી ભાગોર,ડભોડા, ગાંધીનગર) અને આદિત્ય મથુરભાઇ બારૈયા (રહે. અમદાવાદ, મૂળ પંચમહાલ) તરીકે થઈ છે. તપાસ દરમિયાન તેમની પાસેના થેલાઓમાંથી કુલ 12 પ્લાસ્ટિકની કોથળીઓમાં ભરેલો ગાંજો મળી આવ્યો હતો. જેની એફએસએલ અધિકારી એ પણ પુષ્ટિ કરી છે. જેનું કુલ વજન 11.940 કિલોગ્રામ અને કિંમત અંદાજે 5,97,000 રૂપિયા છે. બંને આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેઓ આ જથ્થો હડાદ ગામ પાસે રહેતા નાગજીભાઇ ગલબાભાઇ બુબડીયા પાસેથી લાવ્યા હતા. આ માટે તેમણે નાગજીભાઇને રોકડા અને પેટીએમ દ્વારા કુલ 1.30 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. આ જથ્થો ડભોડાના ડેલુ વાસમાં રહેતા મિત પ્રજાપતિ નામના શખ્સને પહોંચાડવાનો હતો. બંને આરોપીઓ પાસેથી ગાંજા ઉપરાંત બે મોબાઈલ ફોન અને બસની ટિકિટો મળી કુલ 6,07,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ચિલોડા પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી નાગજીભાઇ અને મિત પ્રજાપતિને પકડવા ચક્રો ગતિમાન કરી આ નેટવર્કમાં જોડાયેલા અન્ય લોકોની શોધખોળ શરૂ કરી છે.
બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચડોતર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી માટે યોજાશે. બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં છેલ્લા અઢી વર્ષથી વહીવટદારનું શાસન હતું. હવે સાડા સાત વર્ષના લાંબા ગાળા બાદ જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેને કારણે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જિલ્લાના વિભાજન બાદ બનાસકાંઠા જિલ્લા પંચાયતની બેઠકોમાં ફેરફાર થયો છે. અગાઉની 66 બેઠકોની સામે હવે 48 બેઠકો પર ચૂંટણી યોજાશે. બનાસકાંઠા જિલ્લા પંચાયતની કુલ 48 બેઠકો પર ચૂંટણી થશે. આ ઉપરાંત, જિલ્લામાં આવેલી કુલ 10 તાલુકા પંચાયતોમાં 240 બેઠકો પર ચૂંટણી યોજાશે. તાલુકાવાર બેઠકોની વિગત જોઈએ તો: પાલનપુરમાં 34, વડગામમાં 28, દાંતામાં 20, હડાદમાં 16, અમીરગઢમાં 20, ડીસામાં 38, ઓગડમાં 20, ધાનેરામાં 26, દાંતીવાડામાં 18 અને કાંકરેજમાં 20 બેઠકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જિલ્લામાં ત્રણ નગરપાલિકાઓની ચૂંટણી પણ યોજાશે. જેમાં પાલનપુર નગરપાલિકામાં 44 વોર્ડ, ડીસા નગરપાલિકામાં 44 વોર્ડ અને ધાનેરા નગરપાલિકામાં 28 વોર્ડ પર મતદાન થશે.
ગુજરાત હાઇકોર્ટે પતિને હત્યા નહીં, પરંતુ સઅપરાધ માનવવધ માટે દોષિત ઠરાવવાનો ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો છે. આ કેસમાં આરોપી પતિએ પત્નીને પોતાના પ્રેમી સાથે ઘરમાં જ આપત્તિજનક સ્થિતિમાં જોતાં હુમલો કર્યો હતો અને એમાં પત્નીનું મોત થયું હતું. આ કેસની ટ્રાયલ ચાલી જતા પંચમહાલ, ગોધરાની કોર્ટે આરોપી પતિને સઅપરાધ માનવવધ માટે દોષિત ઠરાવ્યો હતો અને 05 વર્ષ સખત કેદની સજા ફટકારી હતી. સ્વબચાવમાં હુમલો કરતાં પત્નીનું મૃત્યુ થયું હોવાની દલીલ કરી હતીજેની સામે તેણે હાઇકોર્ટમાં અપીલ કરી હતી અને સ્વબચાવમાં હુમલો કરતાં પત્નીનું મૃત્યુ થયું હોવાની દલીલ કરી હતી. જેને માનવાનો હાઇકોર્ટે ઇનકાર કર્યો હતો અને ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો હતો. હાઇકોર્ટે નોંધ્યું હતું કે ટ્રાયલ કોર્ટનો ચુકાદો યોગ્ય છે અને તેને આરોપીને IPC 304 અંતર્ગત કેસના તમામ પાસા અને ગુણદોષની ચકાસણી કર્યા બાદ કાયદાની જોગવાઇઓને ધ્યાનમાં લઇ ચુકાદો આપ્યો છે. આ સંજોગોમાં પતિની અપીલ રદ કરવામાં આવે છે. ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખવામાં આવે છે. આ ઘટના પંચમહાલ જિલ્લાની છે. જેમાં આરોપી પતિ 1997ના વર્ષની એક રાત્રે સાડા બાર વાગ્યાના સુમારે તેના સરકારી ક્વાર્ટર ખાતે પરત આવ્યો હતો. ત્યારે તેણે તેની પત્નીને તેના પ્રેમી સાથે આપત્તિજનક સ્થિતિમાં જોઇ હતી. પત્નીનું આવું કૃત્ય જોતાં પતિએ પારો ગુમાવ્યો હતો અને તે સમયે પત્નીએ તેની ધમકી પણ આપી હતી અને કહ્યું હતું કે જો તે તેમની વચ્ચે આવશે તો તેને જીવવા નહીં દે. તેથી વિવાદ સર્જાયો હતો અને ગરમાગરમી થતાં પતિએ પત્નીને મારી હતી અને દિવાલ સાથે માથું પણ પછડાવ્યું હતું. પતિએ આ હુમલા દરમિયાન તિક્ષ્ણ હથિયારનો ઉપયોગ પણ કર્યો હતો. પત્નીને ગંભીર ઇજાઓ થઇ હતી અને તેને સારવાર માટે લઇ ગયા હતા. જો કે ગંભીર ઇજાઓના પગલે તેનું મૃત્યુ થયું હતું.
પાટણ નગરપાલિકામાં નવા નાણાકીય વર્ષ 2026-27 માટે સંયુક્ત વેરા સ્વીકારવાની કામગીરી 6 એપ્રિલ, 2026થી શરૂ થશે. હાલમાં ઇ-નગર સોફ્ટવેરના અપડેશન અને ઇયર એન્ડિંગની પ્રક્રિયાને કારણે 5 એપ્રિલ, 2026 સુધી વેરા સ્વીકારવા સહિતની તમામ ઓનલાઇન કામગીરી બંધ રાખવામાં આવી છે. પાલિકા તંત્ર દ્વારા કરદાતાઓ માટે નવા વર્ષના વેરા ભરવા અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. રાજ્ય સ્તરે વેરા શાખાના કોમ્પ્યુટરો અને ડેટા જનરેટ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. વેરા સોફ્ટવેરને નવા વર્ષ મુજબ અપડેટ કરવામાં આવી રહ્યું હોવાથી હાલમાં ટેકનિકલ કારણોસર વેરા સ્વીકારવાની કામગીરી સ્થગિત છે. આ સોફ્ટવેર અપડેટ થયા બાદ 6 એપ્રિલથી નગરપાલિકામાં રાબેતા મુજબ વેરા ભરી શકાશે. નગરપાલિકા વિસ્તારના તમામ નાગરિકો અને કરદાતાઓને જાણકારી મળી રહે તે હેતુથી પાલિકાની વેરા શાખાની બહાર લેખિત સૂચના પણ પ્રદર્શિત કરવામાં આવી છે. આ સૂચનામાં 5 એપ્રિલ, 2026 સુધી વેરા સ્વીકારવાની અને ઇ-નગર સોફ્ટવેર સંબંધિત તમામ કામગીરી બંધ રહેશે તેમ જણાવાયું છે.
રાધનપુરની મોટર અકસ્માત વળતર ક્લેઈમ ટ્રિબ્યુનલે (કોર્ટે) એક અકસ્માતમાં મૃત્યુ પામેલા બે શિક્ષકોના પરિવારજનોને કુલ ₹1,11,29,900નું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. આ ઘટના 3 ઓક્ટોબર, 2023ના રોજ સમી તાલુકાના નાયકા અને સમી વચ્ચે બની હતી. એક કાર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં નિવૃત્ત શિક્ષક ટોકરભાઈ તેજાભાઈ પરમાર (રહે. દુદાખા) અને સમી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા સરકારી શિક્ષક માધાજી લાખાજી ઠાકોર (રહે. નાની ચંદુર, તા. સમી)નું મૃત્યુ થયું હતું. આ મોટર અકસ્માત વળતર કેસમાં રાધનપુર કોર્ટની ટ્રિબ્યુનલના જજ આર. આર. ચૌધરીએ ચુકાદો આપ્યો હતો. કોર્ટે અકસ્માત સર્જનારા કાર ચાલક અને વીમા કંપનીને વળતર ચૂકવવા આદેશ કર્યો છે. ટોકરભાઈના પરિવારને ₹25,03,700 અને માધાજીના પરિવારને ₹86,26,200નું વળતર મળશે. મૃતક ટોકરભાઈના પત્ની લીલાબેન અને પુત્રો મેહુલ તથા મનોજે ₹50 લાખના વળતરની માંગણી કરી હતી. જ્યારે માધાજીના પત્ની લીલાબેન ઠાકોર અને પુત્ર કુલદીપે ₹3 કરોડના વળતર માટે રાધનપુર કોર્ટમાં તેમના વકીલ મારફત કેસ દાખલ કર્યો હતો. કોર્ટે બંને પક્ષોની રજૂઆતો સાંભળી હતી અને બંને મૃતકોની આવક તેમજ સંભવિત આવકના પુરાવા ધ્યાનમાં લીધા હતા. આ આધારે, કોર્ટે કાર ચાલક અને વીમા કંપનીને ઉપરોક્ત રકમનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલી પનીર, મિલાવટી મસાલા અને ભેળસેળિયા દૂધના કૌભાંડોએ માઝા મૂકી છે. આ ગંભીર સ્થિતિને જોતા રાજ્ય સરકારે સુરત ઝોન સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતને મોટી ભેટ આપી છે. રાજ્ય સરકાર દ્વારા સુરતમાં 50 કરોડના માતબર ખર્ચે અત્યાધુનિક ફૂડ એન્ડ ડ્રગ્સ ટેસ્ટિંગ લેબોરેટરી બનાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આ લેબ શરૂ થવાથી માત્ર ખોરાક જ નહીં, પણ નકલી દવાઓ વેચતા માફિયાઓ પર પણ સકંજો કસાશે. હાઈટેક મશીનરીથી સેકન્ડોમાં દૂધની શુદ્ધતા તપાસાશેઅત્યાર સુધી દૂધમાં પાણી કે યુરિયાની ભેળસેળ તપાસવા માટે લાંબી પ્રક્રિયા કરવી પડતી હતી, પરંતુ નવી લેબમાં એવી અત્યાધુનિક ટેકનોલોજી હશે જે ગણતરીની સેકન્ડોમાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેશે. રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ પાનસુરીયાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, દૂધમાં યુરિયાની હાજરી છે કે વધુ પડતું પાણી, તેનો ટેસ્ટ આ લેબમાં ત્વરિત પ્રાપ્ત થશે. જેનાથી સામાન્ય જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા તત્વોને પકડવા સરળ બનશે. નકલી દવાઓ અને સીરપ પર તવાઈસુરત અને આસપાસના જિલ્લાઓમાં માત્ર ખાદ્ય પદાર્થો જ નહીં, પરંતુ દવાઓમાં પણ ભેળસેળના કિસ્સાઓ ચિંતાનો વિષય બન્યા છે. ખાસ કરીને બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી દવાઓ અને કફ સીરપ બજારમાં વેચાઈ રહી છે. આ હાઈટેક લેબમાં ડ્રગ્સના ટેસ્ટિંગ માટે ખાસ સાધનો વસાવવામાં આવશે. જો કોઈ દવા ડુપ્લીકેટ હશે અથવા તેમાં નિયત માત્રા કરતા અલગ તત્વો હશે, તો તેનું સચોટ રિપોર્ટિંગ અહીં થશે. 14 દિવસમાં ફાઈનલ રિપોર્ટરાજ્ય સરકારે આ પ્રોજેક્ટ માટે સુરતમાં જગ્યા ફાળવી દીધી છે અને બજેટમાં 50 કરોડની જોગવાઈ પણ કરી છે. આ લેબ માત્ર સુરત શહેર પૂરતી સીમિત નહીં રહે, પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાત ઝોન માટે આશીર્વાદરૂપ બનશે. અહીં ખોરાક અને દવાઓના ટેસ્ટિંગ માટે 14 દિવસની અંદર તમામ રિપોર્ટ આપી દેવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અત્યાર સુધી ઘણા સેમ્પલ વડોદરા કે અન્ય જગ્યાએ મોકલવા પડતા હતા, હવે અહીં જ નિકાલ આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને મોબાઈલ લેબ સાથે સંકલનહાલમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા ફૂડ લેબ ચલાવવામાં આવે છે, સાથે જ 32 જેટલી મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ વાન કાર્યરત છે. જોકે, આ મોબાઈલ લેબમાં મર્યાદિત ટેસ્ટિંગ જ શક્ય હોય છે. નવી બનનારી સ્ટેટ ઓફ આર્ટ લેબોરેટરી આ તમામ વ્યવસ્થાને બેકઅપ પૂરું પાડશે. જ્યારે મોબાઈલ વાનમાં કોઈ શંકાસ્પદ સેમ્પલ જણાશે, ત્યારે વધુ ઊંડાણપૂર્વકની તપાસ માટે તેને આ હાઈટેક લેબમાં મોકલવામાં આવશે. લેબ ક્વોલિટી અને આંતરરાષ્ટ્રીય ધોરણો પર વિશેષ ભારઆ લેબની સૌથી મોટી વિશેષતા તેની 'ક્વોલિટી' હશે. અહીં વસાવવામાં આવનારા સાધનો આંતરરાષ્ટ્રીય સ્તરના હશે, જેથી તેના રિપોર્ટ કોર્ટમાં પણ મજબૂત પુરાવા તરીકે ટકી શકે. મંત્રી પાનસુરીયાએ ઉમેર્યું કે, ફૂડ અને ડ્રગ્સના વિવિધ પેરામીટર્સ તપાસવા માટે નિષ્ણાતોની ટીમ તહેનાત રહેશે. રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય દક્ષિણ ગુજરાતને મિલાવટમુક્ત બનાવવાનો છે અને આ 50 કરોડની લેબ તે દિશામાં સુરક્ષા કવચ સાબિત થશે.
સોના-ચાંદીમાં મહાકડાકો બોલાશે, ક્રૂડ ઓઈલ પણ ધરાશાયી થઈ જશે, ડરામણી 'ભવિષ્યવાણી'
Gold & Silver Price Crash Warning: જાણીતા અમેરિકન માર્કેટ એનાલિસ્ટ અને 'ElliottWaveTrader.net'ના સ્થાપક એવી ગિલ્બર્ટ(Avi Gilburt) દ્વારા સોના અને ચાંદીના ભાવમાં મોટા ઘટાડાની ચેતવણી આપવામાં આવી છે. ગિલ્બર્ટના ટેકનિકલ વિશ્લેષણ મુજબ, સોનાના ભાવમાં હજુ પણ 20% જેટલો ઘટાડો થઈ શકે છે, જે આંતરરાષ્ટ્રીય બજારમાં 4775 ડોલરથી ઘટીને 3800 ડોલર પ્રતિ ઔંસ સુધી જઈ શકે છે. ભારતીય રૂપિયામાં આ ઘટાડો અંદાજે 1.18 લાખની આસપાસ હોઈ શકે છે. ગિલ્બર્ટનું માનવું છે કે બજારમાં અત્યારે જે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે તે 1980ના દાયકા જેવો છે અને રોકાણકારોએ અત્યારે સાવધ રહેવાની જરૂર છે.
હિંમતનગર A ડિવિઝન PIને અનોખી વિદાય:ફૂલડાં વરસાવી ઘોડા પર સવાર કરી ડીજે સાથે વરઘોડો નીકળ્યો
હિંમતનગર A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PI પી.એમ. ચૌધરીની બદલી થતાં તેમને અનોખી વિદાય આપવામાં આવી હતી. પોલીસકર્મીઓએ ફૂલડાં વરસાવી, ઘોડા પર સવાર કરાવી અને ડીજે સાથે વરઘોડો કાઢી તેમને વિદાય આપી. PI પી.એમ. ચૌધરીની સુરત ખાતે બદલી થતાં તેમને ફરજમુક્ત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પોલીસ સ્ટેશન પરિવારે તેમના માટે વિદાય સમારંભનું આયોજન કર્યું હતું. વિદાય સમારંભ કાર્યક્રમ બાદ, PI ચૌધરીએ પાઘડી ધારણ કરી ઓફિસમાંથી બહાર આવ્યા હતા. આ સમયે પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ તેમના પર સુગંધિત ફૂલડાં વરસાવ્યા હતા. ત્યારબાદ તેમને ઘોડા પર બેસાડી, ડીજેના તાલે પોલીસ લાઈનમાં વિદાય વરઘોડો કાઢવામાં આવ્યો હતો. વરઘોડા બાદ સ્ટેજ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સૌએ PI ચૌધરીને શુભેચ્છાઓ પાઠવી હતી. અંતે, પોલીસ સ્ટેશન પરિસરમાં સૌએ સાથે ભોજન લીધું હતું અને ફરજની યાદગીરી રૂપે ભેટ આપી વિદાય આપી હતી.
લીમખેડાના માંન્લીમાં મકાનમાં આગ:પરિવાર અને પશુઓ સમયસર બહાર નીકળતા મોટી જાનહાનિ ટળી
લીમખેડા તાલુકાના માંન્લી ગામે ગત રાત્રિએ એક મકાનમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં મહેશભાઈ પ્રતાપભાઈ પટેલનું આખું મકાન અને ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે, પરિવારના સભ્યો અને પશુઓનો આબાદ બચાવ થયો હતો, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, મહેશભાઈનો પરિવાર રાત્રિનું ભોજન પતાવીને સૂવાની તૈયારી કરી રહ્યો હતો. રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ મકાનના એક ભાગમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા જ પરિવારના સભ્યોએ સમયસૂચકતા વાપરી તાત્કાલિક મકાનમાંથી બહાર નીકળી ગયા હતા. તેમણે ઘરના આંગણે બાંધેલા પશુઓને પણ સમયસર છોડી દેતા તેમનો જીવ બચી ગયો હતો. મહેશભાઈનું મકાન કાચું અને લાકડાનું બનેલું હોવાથી તેમજ રાત્રિના સમયે પવનનું જોર વધુ હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની જ્વાળાઓ એટલી ઊંચી ઉઠી હતી કે દૂરથી પણ સ્પષ્ટ દેખાતી હતી. ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણી વડે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ દેવગઢ બારિયા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક માંન્લી ગામે પહોંચી હતી. ઇમરજન્સી સેવા 108 અને લીમખેડા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જોકે, ફાયર ટીમ પહોંચે તે પહેલા જ લાકડાનું મકાન સંપૂર્ણપણે બળી ગયું હતું. ફાયર વિભાગે આગને વધુ ફેલાતી અટકાવી તેના પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. આ અગ્નિકાંડમાં મહેશભાઈ પટેલના મકાનમાં રહેલું અનાજ, જીવનજરૂરી સામાન અને રોકડ રકમ સહિતની તમામ ઘરવખરી બળીને ભસ્મીભૂત થઈ ગઈ છે. કોઈ જાનહાનિ ન થઈ હોવા છતાં, આ આગે પરિવારને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. હાલ પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા નુકસાનીનો અંદાજ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરેન્દ્રનગર શહેરમાં બજરંગબલી હનુમાન દાદાની જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. શહેરના વિઠલપ્રેસ રોડ પર આવેલા બળીયા હનુમાનજીના મંદિરે ભાવિક ભક્તો દ્વારા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. મંદિરે ડીજે સાઉન્ડ અને નાશિક ઢોલના તાલે ભવ્ય આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દર વર્ષની પરંપરા મુજબ, રાજાભાઈ સર્વોદય શોરૂમવાળા દ્વારા કેક કાપીને ધજા ચડાવવામાં આવી હતી. આ ઉપરાંત, ગાંઠીયા, સેવ-બુંદી અને મોહનથાળ સહિતના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉમેશભાઈ જીવણી (માં આશાપુરા ઇલેક્ટ્રિકવાળા) પણ કેક કાપવાના કાર્યક્રમમાં જોડાયા હતા. પરી એનિમેશનવાળા પરેશભાઈ અને હિતેશભાઈ સહિતના આગેવાનો તથા વેપારી મિત્રોના સહયોગથી આ ભગીરથ સેવા કાર્ય સંપન્ન થયું હતું. દાદાના ભાવિક ભક્તોએ પ્રાર્થના કરી હતી કે દાદાની કૃપાથી દર વર્ષે આવા જ ભવ્ય કાર્યક્રમોનું આયોજન થતું રહે.
ગીર સોમનાથમાં કમોસમી વરસાદ:વેરાવળ સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે રસ્તાઓ પર પાણી
ગીર સોમનાથ જિલ્લામાં આજે વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વેરાવળ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સવારે આશરે 5:30 વાગ્યે કમોસમી વરસાદ શરૂ થયો હતો. ભર ઉનાળાની ગરમી વચ્ચે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. આકાશમાં ઘેરા વાદળો છવાઈ ગયા હતા અને વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે પવન ફૂંકાયો હતો. ગાજવીજ સાથેના વરસાદથી સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી. માત્ર 15થી 20 મિનિટ સુધી પડેલા મુશળધાર વરસાદને કારણે શહેર અને ગામડાંના રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે સવારે બહાર નીકળેલા લોકો અને વાહનચાલકોને થોડા સમય માટે અવરજવરમાં મુશ્કેલી પડી હતી. આ કમોસમી વરસાદની ખેડૂતો પર મિશ્ર અસર જોવા મળી શકે છે. એક તરફ ગરમીથી રાહત મળતા કેટલાક પાકને ફાયદો થઈ શકે છે, જ્યારે બીજી તરફ અચાનક પડેલા ભારે વરસાદથી અમુક પાકને નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે.
GPSC દ્વારા આયોજીત પરીક્ષાના પ્રશ્નના જવાબના વિવાદના મામલે હાઇકોર્ટમાં ચાલી રહેલા એક કેસની સુનવણીમાં કોર્ટે GPSCની ભારે ઝાટકણી કાઢી હતી. કોર્ટે GPSCના વલણ અને વર્તણૂકમાં માત્રને માત્ર અહંકાર હોવાની અત્યંક આકરી ટકોર કરી હતી અને ત્રણ વારના નિર્દેશની અવગણના બદલ કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ કેસની સુનાવણીમાં હાઇકોર્ટ અગાઉ GPSCના પેપર સેટર્સ ઉપર સવાલો ઉઠાવી ચૂકી છે. તમારા ચેરમેન અને સેક્રેટરી પોતાની જાતને કોર્ટની ઉપર માને છે?કોર્ટે GPSCના વકીલને કહ્યું હતું કે તમે અગાઉ જે નિવેદન કર્યું હતું એ મુજબનો ઠરાવ ક્યાં છે? તમારા સેક્રેટરી આ કોર્ટનું સીટીંગ પુરું થવાની રાહ જોઇ રહ્યા છે? તમારા ચેરમેન અને સેક્રેટરીને કોર્ટમાં બોલાવવાથી કોર્ટ ખચકાશે નહીં. તમારા ચેરમેન અને સેક્રેટરી પોતાની જાતને કોર્ટની ઉપર માને છે અને કોર્ટના વારંવાર કહેવા છતાં શા માટે સોગંદનામું કરતા નથી? શું તેઓ રોસ્ટર બદલાવવાની રાહ જોઈ રહ્યા છે? શા માટે તેમની વિરૂદ્ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ ના પાઠવવામાં આવે? નોંધપાત્ર છે કે અર્થશાસ્ત્રના એક પ્રશ્નના વિવાદનો આ મામલો છે અને એમાં હાઇકોર્ટે અગાઉ આદેશ કર્યો હોવા છતાંય GPSC યોગ્ય જવાબ આપી રહ્યું નથી. તેથી અગાઉ તો હાઇકોર્ટે GPSCના સોગંદનામાને આંખમાં ધૂળ નાંખવા સમાન પણ ગણાવ્યું હતું અને ઝાટકણી કાઢી હતી. તેમ છતાં 20મી માર્ચના આદેશમાં હાઇકોર્ટે GPSCને એક વધુ તક આપી હતી અને સ્પષ્ટ સોગંદનામું કરવાનું કહ્યું હતું. હાઇકોર્ટે 16 અને 20 માર્ચના રોજ કરેલા આદેશ મુજબનું GPSCએ સોગંદનામું કર્યું નહોતું અને તેથી હાઈકોર્ટે ફરી એકવાર ભારે નારાજગી દર્શાવી હતી. કોર્ટે એક તબક્કે એવી ટકોર પણ કરી હતી કે GPSC અત્યંત વિશાળ સંસ્થા હોવાનો દાવો કરે છે. તે વર્ષે 200 એટલે કે દર બીજા દિવસે એક પરીક્ષા લે છે. તેમ છતાંય આ બધાની જવાબદારી લેવા તૈયાર નથી. તે ફક્ત પોતાને પરીક્ષાના વ્યવસ્થાપક તરીકે જણાવીને સત્તાઓ ભોગી રહ્યું છે, પરંતુ જવાબદારી પેપર સેટરના માથે નાખી રહ્યું છે. કોર્ટે અગાઉના આદેશ કરીને તમને પુરતી તક આપી છે, પરંતુ તેમ છતાંય તેનું વલણ માત્ર અને માત્ર અહંકાર ભર્યું છે. હવે આ કેસની વધુ સુનાવણી 07 એપ્રિલના રોજ રાખવામાં આવી છે. જેમાં ગવર્મેન્ટ પ્લીડર GPSC વતી જવાબ રજૂ કરે તેવી શક્યતાઓ છે. ગુજરાત હાઈકોર્ટે આ કેસમાં ગુજરાત જાહેર સેવા આયોગ GPSCને કૌટિલ્યના અર્થશાસ્ત્રના મૂળ લખાણ ખાસ કરીને 1915 માં પ્રકાશિત થયેલા પ્રથમ અંગ્રેજી અનુવાદને રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. GPSC પરીક્ષામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબની સચોટતા બાબતે કોર્ટરૂમમાં થયેલી દલીલો બાદ આ આદેશ આપવામાં આવ્યો હતો. આ નિર્દેશ ત્યારે આવ્યો જ્યારે GPSCના વકીલે કોર્ટને જાણ કરી કે વિવાદિત પ્રશ્ન પુસ્તકની તે ચોક્કસ આવૃત્તિમાંથી જ બનાવવામાં આવ્યો હતો. 2025ની GPSC પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નમાં ઉમેદવારોને કૌટિલ્યના અર્થશાસ્ત્ર વિશેના બે વિધાનોનું મૂલ્યાંકન કરવા માટે કહેવામાં આવ્યું હતું. પ્રથમ કે પુસ્તક સંસ્કૃતમાં લખાયેલું હતું અને બીજું તે અર્થશાસ્ત્ર સાથે સંબંધિત છે. એક માર્ક માટે રહી ગયેલી ઉમેદવારે આન્સર કી હાઇકોર્ટમાં પડકારી એક ઉમેદવાર જે ભરતી પ્રક્રિયાના બીજા રાઉન્ડ માટે લાયક ઠરવામાં માત્ર એક ગુણ માટે પાછળ રહી ગઈ હતી, તેણે GPSCની સત્તાવાર આન્સર-કીને પડકારી હતી. તેણીએ દલીલ કરી હતી કે આન્સર-કીમાં આપવામાં આવેલો જવાબ ખોટો હતો. જવાબની સચોટતા અંગે વિવાદ ઊભો થયો આપવામાં આવેલા વિકલ્પો આ મુજબ હતા. A:માત્ર એક, B:માત્ર બે, C:એક અને બે બંને અને D:ઉપરનામાંથી કોઈ નહીં. ઉમેદવારે તેના જવાબ તરીકે 'C' પસંદ કર્યો હતો, પરંતુ GPSC તેની સાથે અસંમત હતું. જેના કારણે જવાબની સચોટતા અંગે વિવાદ ઊભો થયો હતો. ઉમેદવારના વકીલોએ રજૂઆત કરી હતી કે GCERT અને NCERTના પુસ્તકો દર્શાવે છે કે તેનો જવાબ સાચો હતો. જો કે GPSC આ વાત સાથે સહમત ન થયું અને તેના વકીલે ભારપૂર્વક જણાવ્યું કે પ્રશ્ન ફક્ત મૂળ લખાણ એટલે કે 1915 માં પ્રકાશિત અર્થશાસ્ત્રના અંગ્રેજી અનુવાદમાંથી બનાવવામાં આવ્યો હતો. હાઈકોર્ટે GPSC ને તે પેપર સેટરની ઓળખ જાહેર કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો જેમણે પ્રશ્ન તૈયાર કરવા માટે આ મૂળ લખાણ પર ભરોસો કર્યો હતો, ખાસ કરીને જ્યારે GPSC નો જવાબ તે શાળાના પાઠ્યપુસ્તકો સાથે મેળ ખાતો ન હતો. જેને GPSC પોતે ઉમેદવારો માટે સંદર્ભ સામગ્રી તરીકે સૂચવે છે. GPSC તે આવૃત્તિ રજૂ કરવામાં નિષ્ફળGPSC તે આવૃત્તિ રજૂ કરવામાં નિષ્ફળ રહ્યું અને તેના બદલે પુસ્તકની માત્ર એક PDF કોપી રજૂ કરી. જો કે GPSC એ જણાવ્યું કે તે PDF ના સ્ત્રોતને ઓળખવામાં અસમર્થ છે. આ બાબતે હાઇકોર્ટે GPSC ની ટીકા કરતા તેને જિદ્દી અને અહંકારી ગણાવ્યું અને પોતાની ભૂલ ન સ્વીકારવા બદલ ઠપકો આપ્યો હતો. કોઈ મૂળ પુસ્તક રજૂ ન કરવામાં આવતા કોર્ટે GPSC એ પરીક્ષાનો પ્રશ્ન તૈયાર કરવા માટે જે લખાણનો ઉપયોગ કર્યો હતો તેની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. કોર્ટે GPSC સચિવને એક એફિડેવિટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો કે જ્યારે મૂળ સ્ત્રોત ઉપલબ્ધ ન હોય, ત્યારે શું એવા પુસ્તકમાંથી પ્રશ્નો તૈયાર કરવા યોગ્ય છે કે જેની ભૌતિક નકલ ઉપલબ્ધ નથી અને જે સોર્સમાંથી PDF ડાઉનલોડ કરવામાં આવી હતી તે પણ ઉપલબ્ધ નથી ? જો આવી પ્રથા માન્ય હોય, તો એ પણ સ્પષ્ટ કરવું જોઈએ કે આવા પુસ્તકની અધિકૃતતા કેવી રીતે નક્કી કરવામાં આવે છે.
અમદાવાદના બહુચર્ચિત સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસમાં કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરની જામીન અરજી અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ ખાતે આવેલ ચિલ્ડ્રન કોર્ટે ફગાવી નાખ્યા બાદ, આ અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થઈ હતી. હાઇકોર્ટે આ અરજીને મંજૂર રાખતા કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને જામીન આપ્યા છે. આ પણ વાંચો: અગાઉ ઝઘડો થતાં શિક્ષકોએ કહ્યું હતું, 'એકબીજાને સોરી બોલી દો’, સેવન્થ ડે સ્કૂલે કર્યો હતો ઢાંકપિછોડો ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટે સમક્ષ રજૂ કરાયેલા રિપોર્ટ મુજબ કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર અગાઉ ઓબ્ઝર્વેશન હોમમાંથી ભાગી ગયો હતો. વળી હત્યાની ઘટના પહેલા મૃતક કિશોર પણ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને હેરાન કરતો હતો. હત્યાની ઘટના બાદ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને સેવન્થ ડે સ્કૂલે કાઢી મૂક્યો છે, તે ગુસ્સા વાળા સ્વભાવનો છે. 17 જેટલા સાક્ષીને ચકાસવામાં આવ્યાઆ કેસની ટ્રાયલ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ ચાલુ થઈ ગઈ છે. ચાર્જશીટમાં કુલ 55 સાક્ષી છે, જે પૈકી 17 જેટલા સાક્ષીને ચકાસવામાં આવ્યા છે. પ્રોબેશન ઓફિસરે હાઇકોર્ટ સમક્ષ રિપોર્ટ મૂક્યો હતો. રાજ્ય સરકારે ગુનાની ગંભીરતાને ટાંકીને જામીન અરજીનો સખત વિરોધ કર્યો હતો. મૃતક સગીરની માતાના વકીલે પણ જામીન અરજીનો વિરોધ કર્યો હતો. હાઇકોર્ટે જ્યુવેનાઈલ જસ્ટિસ એક્ટની જોગવાઈઓને વિગતવાર ટાંકીને સમજાવ્યું હતું કે તેનો હેતુ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકમાં સુધાર લાવવાનો અને તેનું પુનર્વસન કરવાનો છે. કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર પોતે સ્કૂલે જતું બાળક છે અને કેસ ચાલવામાં સમય લાગશે તે બાબતને ધ્યાનમાં રાખીને, કિશોરને તેના પિતા દ્વારા 10 હજાર રૂપિયાના વ્યક્તિગત બોન્ડ રજૂ કરવાની શરતે જામીન પર મુક્ત કરવામાં આવે છે. શું હતી ઘટના? અમદાવાદમાં 19 ઓગસ્ટને મંગળવારે ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી નજીવી બાબતમાં ધો-10ના વિદ્યાર્થીએ ધો-10ના સ્ટુડન્ટને બોક્સ કટર મારી દીધું હતી. ત્યાર બાદ 20 ઓગસ્ટને બુધવારની સવારે મણિનગરની હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનું મોત થઈ ગયું હતું, જેને પગલે બાળકનાં પરિવારજનોએ સ્કૂલે પહોંચી પ્રિન્સિપાલ સહિતના સ્ટાફને માર મારી તોડફોડ કરી હતી. આ ઉપરાંત સ્કૂલે દોડી આવેલા 2000 જેટલા લોકોએ 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી, એટલે કે 4 કલાક સ્કૂલ આસપાસના વિસ્તારને બાનમાં લીધા હતા. ઉલ્લેખનીય છે કે સગીર આરોપી વિદ્યાર્થી શાહઆલમનો રહેવાસી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26 એપ્રિલે એક જ તબક્કામાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની 10,005 બેઠકોની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભાજપ સહિતના પક્ષોએ ઊમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ કરી છે. ભાજપના નિરીક્ષકો દાવેદારોને સાંભળશે3 એપ્રિલ ગુરૂવારના રોજ અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં નિરીક્ષકો ઉમેદવારી નોંધાવવા આવતા દાવેદારોને સાંભળશે, ત્યારે ભાજપના ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવવા માટે જે ફોર્મ ભરાવવામાં આવે છે તેમાં દાવેદારીના ફોર્મ ઉપરાંત એક અન્ય ફોર્મ પણ ભરાવવામાં આવી રહ્યું છે. જેમાં છેલ્લી ત્રણ ચૂંટણીની માહિતી ભરવાની છે જેમાં કયા વર્ષમાં ચૂંટણી લડ્યા છે. તેમાં હાર થઈ કે જીત થઈ તેની વિગતો ભરવાની રહેશે. અગાઉ કોઈ પદ મેળવી ચૂક્યા છે કે તેની પણ વિગતો આપવાની રહેશે. આગામી ચૂંટણીમાં અનેક નવા ચહેરાઓને તક મળશેઉલ્લેખનીય છે કે, 2 એપ્રિલના રોજ ગાંધીનગરમાં ભાજપની સેન્ટ્રલ ઈલેકશન કમિટી (CEC)ની બેઠક મળી હતી. જેમાં આગામી ચૂંટણીમાં 60 વર્ષથી ઉપરના અને 3 ટર્મ લડી ચૂકેલા કોર્પોરેટરોને રિપિટ નહીં કરવા પાર્ટીએ મન બનાવી લીધું હોવાનું જાણવા મળ્યું હતું. એટલે કે આગામી ચૂંટણીમાં અનેક નવા ચહેરાઓને તક મળશે.
નખત્રાણા તાલુકાના નિરોણામાં આવેલ લયવારા વાસમાં અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઈક વીજપોલ સાથે ભટકાતા ગંભીર ઈજાઓને કારણે 25 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું.જ્યારે અબડાસા તાલુકાના ભવાનીપર નજીક અરટીકા કારે બાઈકને હડફેટે લેતા વૃદ્ધ બાઈક ચાલકનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ નિરોણા ગામના 25 વર્ષીય કાનજી સામતભાઈ આહીરનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું.બનાવ 2 એપ્રિલના સાડા બાર વાગ્યાના અરસામાં બન્યો હતો.હતભાગી યુવક બાઈક પુરઝડપે ચલાવીને જઈ રહ્યો હતો. એ દરમિયાન લયવારા વાસમાં બાઈક વીજપોલ સાથે ભટકાયો હતો.અકસ્માતમાં યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવને પગલે નિરોણા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.બીજી તરફ નલિયા પોલીસ મથકે ફરિયાદી દિનેશ પરષોત્તમભાઈ ભાનુશાલીએ આરોપી અરટીકા કાર નંબર જીજે 10 સીએન 5936 ના ચાલક સામે ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 31 માર્ચના બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં બન્યો હતો.જેમાં ફરિયાદીના 65 વર્ષીય પિતા બાઈક લઇને ખેતરથી ઘરે આવી રહ્યા હતા.ત્યારે ભવાનીપર-બીટ્ટા હાઈવે પર આરોપીએ બાઈકને ટક્કર મારી હતી.જેમાં ગંભીર ઈજાઓ પહોચતા ફરિયાદીના પિતાનું મોત થયું હતું.બનાવને પગલે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ બાઈકને ટક્કર મારી હતી.જેમાં ગંભીર ઈજાઓ પહોચતા ફરિયાદીના પિતાનું મોત થયું હતું.બનાવને પગલે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કર્યો હતો.બનાવને પગલે નિરોણા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.બીજી તરફ નલિયા પોલીસ મથકે ફરિયાદી દિનેશ પરષોત્તમભાઈ ભાનુશાલીએ આરોપી અરટીકા કાર નંબર જીજે 10 સીએન 5936 ના ચાલક સામે ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 31 માર્ચના બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં બન્યો હતો.જેમાં ફરિયાદીના 65 વર્ષીય પિતા બાઈક લઇને ખેતરથી ઘરે આવી રહ્યા હતા.ત્યારે ભવાનીપર-બીટ્ટા હાઈવે પર
ટીબી મુક્ત પંચાયત અભિયાન:ભચાઉમાં ટીબી ફ્રી પંચાયતોના સરપંચો સન્માનાયા
વિશ્વ ક્ષય દિવસ નિમિતે તાલુકા હેલ્થ ઓફિસ ભચાઉ, સીએચસી ભચાઉ તથા મેરા યુવા ભારત ભુજના સંયુક્ત ઉપક્રમે ભચાઉ સીએચસી ખાતે જાગૃતિ અને સન્માન કાર્યક્રમ યોજાયું હતું. કાર્યક્રમમાં ક્ષયરોગ અંગે જાગૃતિ સાથે આરોગ્ય સેવાઓમાં કામગીરી બદલ કર્મીઓને સન્માન કરાયા હતા. કાર્યક્રમ દરમિયાન ટીબી ફ્રી પંચાયત તરીકે નોંધપાત્ર કામગીરી કરનાર 7 પંચાયતોના સરપંચોને તાલુકા હેલ્થ ઓફિસર ડો. રોહિત અને સીએચસી ભચાઉના સુપ્રિટેન્ડેટ ડો.કુમારના હાથે ઈનામ આપી સન્માનિત કરાયા હતા. ઉપરાંત, વર્ષ દરમિયાન ટીબી શોધમાં પ્રથમ ત્રણ ક્રમે રહેલા મેડિકલ ઓફિસર ડો. નિખિલેશ પટેલ (એમડી ,વાગડ હોસ્પિટલ), ડો. દુર્ગેશ પટેલ, ડો. અભિષેક ઠક્કર (આરોગ્યમ) ને પ્રમાણપત્ર આપી બિરદાવ્યા હતા. જિલ્લા ટીબી અધિકારી દ્વારા રાજ્ય સ્તરીય કાર્યક્રમને ઉપસ્થિતિઓએ ઓનલાઇન સાંભળ્યો હતો. સાથે જ વિભાગના વિવિધ કેડરમાં શ્રેષ્ઠ કામગીરી બદલ પાર્થ પટેલ અને કુલદીપસિંહ, હિતેશ ટાંક, પ્રિયંકાબેન, ભાવનાબેન, ઝહીરભાઈ, પ્રદીપભાઈ તેમક અનિલભાઈ ચાવડાને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે તબીબો દ્વારા ક્ષય રોગ સામેની લડતમાં માત્ર સારવાર જ નહીં, પરંતુ સમયસર નિદાન, જાગૃતિ અને જનભાગીદારી અંગે પણ જાણકારી આપી હતી, ટીબીથી પીડાતા દર્દીઓને રાશન કીટનું વિતરણ પણ કરાયું હતું. કાર્યક્રમને સફળ બનાવાવા નિલેશભાઈ, દિશાબેન સુથાર, પટેલભાઈએ સહયોગ આપ્યો હતો, તેમજ આભારવિધિ નિલેશભાઈએ કરી હતી.
PGVCLની સરાહનીય કામગીરી:પૂર્વ કચ્છના 38 ગામોએ વીજબીલમાં નોંધાવ્યો ‘ઝીરો પેન્ડન્સી’નો વિક્રમ
પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ ભચાઉ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક સમયથી બાકી વીજ બિલોની વસૂલાત માટે મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન પૂર્વ કચ્છ જિલ્લાના 38 ગામોએ ઉત્તમ આર્થિક શિસ્ત અને જાગૃતિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. નાણાકીય વર્ષ પૂર્ણ થતા 31 માર્ચના રોજ આ ગામોના તમામ ગ્રાહકોએ પોતાનું 100 ટકા વીજ બિલ ભર્યું છે અને ‘ઝીરો પેન્ડન્સી’નો રેકોર્ડ નોંધાવ્યો છે. PGVCL દ્વારા જાન્યુઆરી મહિનાથી તાલુકા સ્તરે ટીમો બનાવી બાકી લેણાંની વસૂલાત માટે કામગીરી શરૂ કરાઈ હતી. તંત્રની આ કામગીરીને ગ્રામ્યજનતાએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો અને સ્વયં આગળ આવી બાકી બિલો ચૂકવ્યા હતા. કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં આ પ્રકારની જાગૃતિ અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે. PGVCL તંત્રએ આ કામગીરી બદલ તમામ ગામોના ગ્રાહકોનો આભાર વ્યક્ત કર્યો છે. સમયસર વીજ બિલ ચુકવવાથી વીજ પુરવઠાની સુવિધામાં સુધારો અને નેટવર્કના વિકાસ માટે પણ મદદરૂપ બનશે. 100% વીજ બિલ ચુકવનારા ગામનાભચાઉ પંથકના ચોબારી, નેર, અમરસર, લાખાવટ, દેશલપર, અને ફતેપર, મેઘપર, બંધડી, બનીયારી, સુખપર, ભુજપર, કુંજીસર, પાંકડસર , નીલપર ગામએ સો ટકા સિદ્ધિ મેળવી છે. જયારે રાપર પંથકના સોનાલવા, છાપેડા વાંઢ, પાલનપર, ઝંગરા, બાલાસરી ગામોનો સમાવેશ થાય છે. બાલાસર પેટા વિભાગીયમાં લાલા હિરાણી વાંઢ, ફાફડા વાંઢ, શંભુ વાંઢ, ખોરોડી વાંઢ, પગી વાંઢ સારણ વાંઢ જયારે સામખીયાળી પેટા વિભાગીયમાં ભાસવાણ, ગોડપર, ખોડાસર, લાખાપર, લગધીરગઢ, ચાંદ્રોડી. તો ભીમાસર પેટા વિભાગીયમાં ફુલપર, નદિલા વાંઢ, ખેડુકા વાંઢ, ભક્તાવારી વાંઢ, કાનપર, ગામના રહિશોએ પોતાની નૈતિક ફરજ અદા કરી છે.
બુટલેગર થયો બેફામ:મંગળવારે એલસીબીની રેડમાં ફરાર થયેલો બુટલેગર ગુરૂવારે ફરી દારૂ વેચતો ઝડપાયો !
સામાન્ય રીતે પોલીસનો દરોડો પડ્યા બાદ આરોપીઓ બીકને કારણે ભૂગર્ભમાં ઉતરી જતા હોય છે. પરંતુ પશ્ચિમ કચ્છમાં બુટલેગરો એટલા બેફામ બન્યા છે કે,બે દિવસ પહેલા એલસીબીએ દરશડીમાં દરોડો પાડી રૂપિયા 12.75 લાખનો દારૂ પકડ્યો ત્યારે ભાગી ગયેલો બુટલેગર જાણે પોલીસની કોઈ બીક ન હોય તેમ એકટીવા પર દારૂ વેચવા નીકળ્યો હતો જેને સ્થાનિક પોલીસે રૂપિયા 25 હજારની કિંમતના દારૂ અને બીયર સાથે ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ગઢશીશા પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન બાતમી મળી હતી કે,આરોપી ભાવસંગજી ભગુભા જાડેજા દરશડીથી બિલેશ્વર જતા રોડ પર સાકરીયા પીરની દરગાહ પાસે પોતાની કબ્જાની એકટીવામાં દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરી રહ્યો છે. બાતમીને આધારે પોલીસે સ્થાનિકે તપાસ કરતા આરોપી હાજર મળી આવ્યો હતો. જેની પાસેથી રૂપિયા 25 હજારની કિંમતનો દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે,એલસીબીએ મંગળવારે દરશડીમાં દરોડો પડ્યો ત્યારે રૂપિયા 12.75 લાખનો દારૂનો જથ્થો પકડાયો હતો. એ દરમિયાન આરોપી ભાવસંગજી પોલીસને હાથ લાગ્યો ન હતો. આરોપીઓ બે કારમાં રાખેલ દારૂનો જથ્થો છુપાવવા માટેની પેરવીમાં હતા અને અચાનક પોલીસ આવી જતા ભાગી છુટ્યા હતા. જોકે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પોલીસને હાથ લાગ્યો હતો. પોલીસની આ કાર્યવાહી બાદ આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ આરોપીને જાણે કોઈ બીક ન રહી હોય તેમ બુધવારે એકટીવા પર દારૂનો વેચાણ કરવા નીકળતા ઝડપી લેવાયો હતો.
જાહેરાત પોકળ નીકળી:એપ્રિલમાં એક સાથે ત્રણ મહિનાનું રાશન મળવાની વાત હજુ હવામાં
સરકાર દ્વારા કરવામાં આવતી જાહેરાતો સામાન્ય જનતા માટે હાલાકી સર્જી શકે છે, તેનો જીવંત દાખલો એપ્રિલ મહિનાના પ્રારંભે જ જોવા મળ્યો છે. ગત 19 માર્ચના રોજ ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન દ્વારા સત્તાવાર X (ટ્વિટર)એકાઉન્ટ પર જાહેરાત કરાઈ હતી કે એપ્રિલ, મે અને જૂનનું રાશન એકસાથે અપાશે. પરંતુ વાસ્તવિકતા એ છે કે એપ્રિલ શરૂ થઇ ગયો છતાં રેશનિંગની દુકાને પહોંચતા ગરીબ લોકોને ખાલી હાથે પરત ફરવું પડી રહ્યું છે. જાહેરાત મુજબ, લાભાર્થીઓને સુવિધા રહે તે હેતુથી ત્રણ મહિનાનો જથ્થો એકસાથે આપવાની વાત હતી. જોકે, આ જાહેરાતના અમલીકરણ માટે જરૂરી એવા ‘લેખિત આદેશ’ હજુ સુધી જિલ્લા પુરવઠા વિભાગ સુધી પહોંચ્યા જ નથી. આશ્ચર્યની વાત તો એ છે કે ખુદ પુરવઠા વિભાગના કર્મચારીઓ સ્વીકારી રહ્યા છે કે તેમને પણ આ અંગેની જાણકારી માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી જ મળી છે ! કોઈ સત્તાવાર પરિપત્ર કે સૂચના મળી નથી. સરકારની જાહેરાત પર વિશ્વાસ મૂકીને અનેક ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો છેલ્લા બે દિવસથી સસ્તા અનાજની દુકાનો પર રાશન લેવા પહોચી રહ્યા છે. જ્યારે દુકાનદારો કહી રહ્યા છે કે “અમારી પાસે કોઈ સૂચના કે જથ્થો નથી”, ત્યારે આ જનતાની સ્થિતિ દયનીય બની જાય છે. રેશનિંગના દુકાનદારો પણ મૂંઝવણમાં છે કારણ કે તેમની પાસે ન તો વધારાનો સ્ટોક છે, ન તો સરકાર તરફથી કોઈ દિશા-નિર્દેશ.
સાયબર ઠગાઈ:માધાપરના વૃદ્ધે એપ્લીકેશન ફાઈલ ખોલતા 99 હજારની સાયબર ઠગાઈ
માધાપરમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધે વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી આવેલી ફાઈલ ડાઉનલોડ કરતા જ રૂપિયા 99 હજાર ગુમાવવાનો વારો આવ્યો હતો.યુનિયન બેંકના લોગો જેવી ફાઈલ ખુલી ન હતી અને અલગ અલગ 6 ટ્રાન્ઝેક્શનથી ખાતામાંથી રૂપિયા ઉપાડી ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ માધાપરમાં રહેતા ફરિયાદી ગીરીશભાઈ દેવજીભાઈ સોનેજીએ માધાપર પોલીસ મથકે અજાણ્યા આરોપી સામે ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 18 માર્ચના બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં બન્યો હતો. ફરિયાદીને પોતાના મોબાઈલમાં વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી એપ્લીકેશન ફાઈલ આવેલી હતી.યુનિયન બેંકના લોગો જેવી ફાઈલ દેખાતા ફરિયાદીએ બેંકની વિગતો હોવાનું સમજી ફાઈલને ડાઉનલોડ કરી હતી.પરંતુ ત્યારબાદ ફાઈલ ખુલી ન હતી. જેથી ફરિયાદીએ તે સમયે વોટ્સએપમાંથી બહાર નીકળી ગયા હતા.ત્યારબાદ સાંજે પોણા સાત વાગ્યાના અરસામાં ફરિયાદીને મોબાઈલમાં મેસેજ આવ્યા હતા જેમાં પોતાના યુનિયન બેંકના ખાતામાંથી છ અલગ અલગ ટ્રાન્ઝેક્શન થયેલા હતા અને રૂપિયા 99,990 ઉપાડી ગયા હતા. જેથી ફરિયાદી તાત્કાલિક બેંક ગયા હતા અને તપાસ કરતા ઓનલાઈન ફ્રોડ થયેલો હોવાનું સામે આવ્યું હતું.જે મામલે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર ફરિયાદ લખાવી હતી.સમગ્ર મામલે માધાપર પોલીસે અજાણ્યા આરોપી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ધી કચ્છ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેન્ક લી. (KDCC Bank) દ્વારા ગત નાણાંકીય વર્ષના અંતે રૂ. 325 લાખના ઐતિહાસિક ચોખ્ખા નફા સાથે કુલ બિઝનેસ રૂ. 793 કરોડે પહોંચાડવાની મોટી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. આ સાથે વર્ષના અંતે બેન્કનું નેટ NPA 0% રહેવા પામ્યું છે. બેન્કની કામગીરી અંગે માહિતી આપતા જણાવાયું છે કે, બેન્કની ડિપોઝીટમાં વધારો થઈને રૂ. 525.16 કરોડ થયેલ છે, જે બેન્ક પ્રત્યે ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ દર્શાવે છે. રિઝર્વ બેન્કના નિયમ મુજબ થાપણદારોની થાપણ વિમાથી સુરક્ષિત છે અને અન્યની સરખામણીમાં ઊંચો વ્યાજદર થાપણદારોને ચૂકવવામાં આવે છે. બેન્કનો CD રેશિયો 51.09% રહેલ છે. બેન્ક દ્વારા કરંટ એકાઉન્ટ ધારકોને નિયમોને આધિન NEFT, RTGS કોઈપણ ચાર્જ વગર કરી આપવામાં આવે છે. તેમજ બેન્ક દ્વારા ચાલુ વર્ષથી ડીજીટલ સેવાઓ મોબાઇલ બેન્કીંગ સાથે “UPI” ના માધ્યમ દ્વારા G-pay, PhonePay અને QR ની સેવાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. બેન્ક દ્વારા વર્ષ દરમિયાન રૂ. 268 કરોડનું ધિરાણ કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો અને પશુપાલકોને પાક ધિરાણમાં રૂ. 1254 લાખની વ્યાજ સહાય ચૂકવવામાં આવતા ખેડૂતોને 0% વ્યાજે પાક ધિરાણ પૂરું પાડવામાં આવેલ છે. દેશના વડાપ્રધાન અને સહકાર મંત્રીના “સહકારથી સમૃદ્ધિ” મંત્ર અંતર્ગત છેવાડાના માનવી સુધી બેન્કની સુવિધા પહોંચાડવા 25 જેટલી નવી બહુહેતુક મંડળીઓની રચના કરવામાં આવેલ છે અને 158 મંડળીઓને સરકારશ્રીની કોમ્પ્યુટરાઈઝેશન યોજનામાં જોડવામાં આવેલ છે. બેન્કના ચેરમેન દેવરાજભાઈ કે. ગઢવીએ આ ઐતિહાસિક પ્રગતિ બદલ તમામ થાપણદારો, સહકારી સંસ્થાઓ, ખેડૂતો, પશુપાલકો, ગ્રાહકો, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, નાબાર્ડ, RBI, સરકાર, સાંસદ, ધારાસભ્યો તેમજ બેન્કના સૌ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. પશુપાલકોને દર માસે રૂ. 45 થી 50 કરોડનું ચુકવણુંબેન્ક દ્વારા સરહદ ડેરી સાથે જોડાયેલા પશુપાલકોને દર માસે રૂ. 45 થી 50 કરોડનું ચુકવણું વિનામુલ્યે કરવામાં આવે છે, જે વર્ષના અંતે અંદાજીત રૂ. 500 કરોડની આજુબાજુ થાય છે. સરહદ ડેરી સાથે જોડાયેલ 34000 પશુપાલકોને તથા બેન્કના તમામ ગ્રાહકોને તેમના જ ગામમાં રોકડ નાણાં મળી રહે તે હેતુથી 520 મંડળીઓને માઈક્રો એ.ટી.એમ. (Micro ATM) આપવામાં આવ્યા છે. જેથી પશુપાલકો અને ગ્રામજનોને ઘરબેઠા બેન્કીંગ સુવિધા મળી રહે છે.
ગમખ્વાર અકસ્માત સર્જાયો:સૈયદપર પાસે છોટાહાથીએ પાછળથી ટક્કર મારતા ગાંધીધામના યુવકનું મોત નીપજ્યું
ભુજથી ગાંધીધામ જતા હાઈવે પર સૈયદપર પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં ગાંધીધામથી ગુડથર મતિયા દેવના મેળે પગપાળા જતા ચાર યુવકોને પાછળથી આવતા છોટાહાથીએ ટક્કર મારતા એક યુવકનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ ઈજાગ્રસ્ત થયા હતા. ગાંધીધામના ફરિયાદી મનીષ ગોપાલભાઈ મહેશ્વરીએ પદ્ધર પોલીસ મથકે ટાટા મદનીયુ નંબર જીજે 12 બીટી 2615 ના ચાલક સામે ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 1 એપ્રિલના બપોરે અઢી વાગ્યાના અરસામાં બન્યો હતો ફરિયાદી અને સનીભાઈ રાયશીભાઈ મહેશ્વરી,પ્રિન્સભાઈ મોહનભાઈ પાતળીયા અને ગરવા દીપકભાઈ પ્રવીણભાઈ પગપાળા મતિયા દેવના દર્શને જઈ રહ્યા હતા.એ દરમિયાન સૈયદપર પાટીયા પાસે પહોચ્યા ત્યારે આરોપી ચાલકે ચારેયને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માત બાદ ચારેયને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.જ્યાં ગરવા દીપક પ્રવીણભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.તેમજ ફરિયાદીને સામાન્ય ઈજાઓ પહોચી હતી જ્યારે અન્ય બે યુવકો ઈજાગ્રસ્ત હોવાથી સારવાર તળે રાખવામાં આવ્યા હતા.સમગ્ર મામલે પદ્ધર પોલીસે આરોપી ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માધાપર હાઈવે પર 2 બાઈક ભટકાતા એકનું મોતમાધાપર હાઈવે પર આવેલી તુલસી હોટલ સામે અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર ઈજાઓને કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.જે મામલે ગાંધીધામના ફરિયાદી પ્રીતમભાઈ ખેતશીભાઈ ચારણે માધાપર પોલીસ મથકે આરોપી બાઈક નંબર જીજે 12 એચઈ 7751 ના ચાલક સામે ગુનો નોધાવ્યો છે. માધાપરમાં રહેતા ફરિયાદીના ભાઈ ભરતભાઈ અને તેમના પત્ની બાઈક લઇને મોરારીબાપુની રામકથા સંભાળવા જતા હતા.ત્યારે આરોપી બાઈક ચાલકે ટક્કર મારતા ભરતભાઈને માથાના ભાગે ઈજાઓ પહોચી હતી જેથી સ્થાનિકે સારવાર બાદ અમદાવાદ લઇ જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
સિટી એન્કર:લીંબુ હૉલસેલમાં 110 માં વેચાય, જયારે છૂટકમાં 200
ભુજમાં ઉનાળાની શરૂઆત સાથે જ લીલા શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શાકભાજીના હોલસેલ માર્કેટની સરખામણીએ છૂટક બજારમાં ભાવ વધુ હોવાના કારણે સામાન્ય ગ્રાહકોને વધારાનો આર્થિક બોજ સાથે શાકભાજી ખરીદવા પડે છે. હોલસેલમાં રૂ. 10થી 45 સુધીમાં મળતા શાકભાજી રૂ. 80 થી 100 સુધીમાં વેચાય છે. ઉનાળાની ઋતુ શરૂ થતાં પાણીદાર શાકભાજીની માંગ વધતી જાય છે. લીંબુ હોલસેલમાં રૂ. 110- 120 માં વેચાય છે. જયારે છુટકમાં રૂ.200 સુધીમાં વેચાય છે. તેવી જ રીતે ગુવારનો ભાવ રૂ. 60- 80 અને છૂટકમાં રૂ.120 માં વેચાય છે. વટાણા, ભીંડા અને ફલાવર જેવા સામાન્ય શાકભાજી જે લોકો પોતાના રોજીદા જીવનમાં વપરાશ કરતા હોય છે, છેલ્લા 2થી 3 મહિના જે સામાન્ય ભાવમાં મળતા શાકભાજીના ભાવ હવે ઊનાળામાં વધતા જોવા મળ્યા છે. હોલસેલ અને છૂટક ભાવ વચ્ચે રૂ. 30થી 60 સુધીનો તફાવત જોવા મળી રહ્યો છે. વેપારીઓ મુજબ, ઉનાળામાં માલ જલદી બગડવાની શક્યતા, પરિવહન ખર્ચ, સ્ટોરેજ, મજૂરી અને અન્ય ખર્ચને ભાવવધારાનું કારણ ગણાવે છે, પરંતુ ગ્રાહકોના મત મુજબ આટલો ભાવફેર યોગ્ય લાગતો નથી. મોંઘાદાટ લીંબુની ખરીદી કરતી ગૃહિણીઓ માટે સ્થિતિ મુશ્કેલ બનીસંસ્કાર નગરમાં રહેતા પ્રતિભા બહેનના જણાવ્યા અનુસાર લીંબુના વધતા ભાવને લઈને તેઓ તથા તેમના પરિવારના અન્ય સભ્યો લીંબુની જગ્યાએ શાક બનાવામાં ટમેટા અથવા વિનેગરનો ઉપયોગ કરે છે. તેમની સાથે રહેલા બહેનનું પણ કહેવું એ જ હતું કે અમે મધ્યમ વર્ગથી આવ્યે છીએ અને શાકભાજીના એટલા ભાવ અમારા મહિનાના બજેટને વિખેરી નાખે છે જેના લીધે અમે તો એક ટાઈમ અલગ અલગ દાળ ખાવાનું ચાલુ કર્યું છે અને તેમાં પણ લીંબુની જગ્યાએ લીંબુના ફૂલ અથવા આમચૂર પાવડરનો ઉપયોગ કરીયે છીએ. જેને લીધે અમારે એક ટકના શાકભાજીનો ખર્ચ બચે. કારણ કે થોડા થોડા વધેલા ભાવ મહિના અંતે મોટો ખર્ચ ઉભો કરે છે. હજી પણ ભાવ વધવાની શક્યતાશહેરનાં વેપારીએ જણાવ્યું કે, લીંબુના ભાવ જેવી રીતે ઉનાળાની ઋતુ આગળ વધશે તેવી જ રીતે 250 ને પાર થવાની શક્યતા છે. સાથે જ ટમેટા, ગુવાર, ચોળી, ભીંડા, ફ્લાવર, કોબીના ભાવમાં પણ વધારો થવાની શકયતા છે. હૉલસેલ એન છૂટક બજારના ભાવ કિલોમાં
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:પાલિકાની 44 બેઠક માટે 225થી વધુ ફોર્મ ઉપડ્યા !
ચૂંટણી આયોગ દ્વારા નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થતાં જ રાજ્યભરમાં રાજકીય ગરમાવો વધ્યો છે. ચૂંટણી એપ્રિલના અંતિમ સપ્તાહ અથવા મેના પ્રથમ સપ્તાહમાં યોજાવાની શક્યતા હોવાથી છેલ્લા બે અઠવાડિયાથી રાજકીય હલચલ તેજ બની ગઈ હતી, પરંતુ હવે તારીખો જાહેર થતાં જ માત્ર 25 દિવસના ટૂંકા સમયગાળામાં જીત મેળવવા માટે તમામ રાજકીય પક્ષો એક્શન મોડમાં આવી ગયા છે. કોંગ્રેસે બુધવારથી સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરી દીધી છે, જ્યારે ભાજપે ગુરુવારે સવારથી ભુજ, અંજાર અને ગાંધીધામ ખાતે આ પ્રક્રિયા શરૂ કરી છે. માઇક્રો પ્લાનિંગ માટે ઓળખાતા ભાજપે ચૂંટણી જાહેર થાય તે પહેલાંથી જ તૈયારીઓ ગોઠવી રાખી હતી, પરંતુ હવે કાર્યકર્તાઓ, પદાધિકારીઓ, પ્રભારીઓ અને નિરીક્ષકો સાથે મળીને બેઠકદીઠ જીત સુનિશ્ચિત કરવા માટે સતત બેઠકો અને આયોજન શરૂ કર્યું છે. ભુજ સ્થિત ભાજપના મુખ્ય મથક ‘કમલમ’ ખાતે સવારથી જ ભારે ભીડ જોવા મળી હતી. ખાસ કરીને ભુજ નગરપાલિકાની 44 બેઠક માટે 225થી વધુ દાવેદારોએ ફોર્મ ઉપાડ્યા હતા. જુના અને નવા ચહેરાઓ જોવા મળ્યા હતા. લખપત, અબડાસા, માંડવી અને ભુજ વિસ્તારમાંથી દાવેદારો ફોર્મ લેવા તેમજ સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવા ઉમટી પડ્યા હતા. ખાસ કરીને માંડવી બેઠક માટેના દાવેદારોને બોલાવી તેમની રજૂઆતો સાંભળવામાં આવી હતી. આ પ્રક્રિયામાં નિરીક્ષકો તરીકે નિયુક્ત થયેલા પૂર્વ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત, પૂર્વ મંત્રી સરદારભાઈ ચૌધરી અને વસુબેન ત્રિવેદી સાથે જિલ્લા સંગઠન પ્રભારી ફલજીભાઈ ચૌધરીએ દાવેદારોની વાતો ધ્યાનથી સાંભળી હતી. સાંજ સુધી આ પ્રક્રિયા સતત ચાલી રહી હતી. ટિકિટ મેળવવા માટે દાવેદારોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. રાજકીય ઉચ્ચ હોદ્દેદારો સુધી પહોંચવા માટે લોબિંગની પ્રક્રિયા પણ તેજ બની ગઈ છે. બીજી તરફ પૂર્વ નગરસેવકો અને પંચાયત સભ્યો ફરીથી ઉમેદવારી મળશે કે નહીં તે અંગે અનિશ્ચિતતામાં જોવા મળી રહ્યા છે. હાલ તબક્કે સેન્સ પ્રક્રિયાને પ્રથમ પગથિયું માનવામાં આવી રહ્યું છે. અંતિમ ઉમેદવાર યાદી જાહેર થવામાં હજી સમય બાકી છે, પરંતુ આ પ્રક્રિયાએ રાજકીય ગતિવિધિઓને વધુ ગતિ આપી છે. આગામી દિવસોમાં ઉમેદવારોની પસંદગી, પ્રચારની રણનીતિ અને મતદારોને આકર્ષવા માટેના પ્રયાસો વધુ તેજ બનશે તે નિશ્ચિત છે. પરિવારમાં ત્રણ વખત ચૂંટણી લડ્યા હોય તેમને ઉમેદવારી નહીંભારતીય જનતા પાર્ટી એન્ટી ઇન્કમબસી ઉપાય શોધતી હોય તેમ સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણી માટે જે પરિવારે ત્રણ વખત ચૂંટણી લડી હોય તેમને ટિકિટ નહીં આપે તેવું પક્ષના સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. એક અર્થ એવો પણ નીકળે કે ગત ટર્મમાં જે કામગીરી થઈ હોય તે પ્રત્યેની નારાજગીનો ભોગ ન બનવું પડે તેમજ બેઠક ચોક્કસ જીત મળે તે માટેનો એક પ્રયત્ન ગણી શકાય. તો બીજી તરફ ભાજપમાં અંદરથી છાનો અસંતોષ પણ જોવા મળ્યો કે કોંગ્રેસમાંથી આવેલા નવા કાર્યકરોને તક આપવા માટે લાલ જાજમ પાથરી દીધી છે. જે હોય તે પણ નો રિપીટ થિયરી કે પરિવારમાં ત્રણ ચૂંટણી નહીં લડી શકે, આ બંને લોકોની નારાજગીથી બચવા માટેનું કારણ ગણવામાં આવે છે ભાજપની સેન્સ પ્રક્રિયા : ભુજ પાલિકાની પ્રક્રિયા આજે પણ તે પહેલા જ ફોર્મ ઉપાડમાં અભૂતપૂર્વ ઉત્સાહ
સુમનદીપ વિદ્યાપીઠ ખાતે યુનિવર્સિટી ખાતે 13મો વાર્ષિક દીક્ષાંત સમારોહ યોજાયો હતો. સુમનદીપ વિદ્યાપીઠના દીક્ષાંત સમારોહમાં મેડિકલ, ડેન્ટલ, ફાર્મસી, ફિઝિયોથેરાપી, નર્સિંગ અને એલાઈડ હેલથકરે અને ડી.એ.એસ.એલ.પી સહિત વિવિધ ફેકલ્ટીના કુલ 831 વિદ્યાર્થીઓને ડિગ્રી અને ડિપ્લોમા એનાયત કરવામાં આવ્યા હતા. 33 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે નેશનલ કમિશન ફોર એલાઈડ એન્ડ હેલ્થકેર પ્રોફેશન્સ ના અધ્યક્ષ ડો. યજ્ઞા શુક્લા, અતિથિ વિશેષ તરીકે સુમનદીપ વિદ્યાપીઠના ફાઉન્ડર પ્રેસિડેન્ટ ડો. મનસુખ શાહ, પ્રમુખ ડૉ. દિક્ષિત શાહ સહિત ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય અતિથિ ડૉ.યજ્ઞા શુક્લાએ વિદ્યાર્થીઓને અભિનંદન આપતા જણાવ્યું કે, આરોગ્ય ક્ષેત્રમાં નૈતિકતા, કરુણા અને નવીનતા અત્યંત મહત્વપૂર્ણ છે. વાઈસ ચાન્સેલર ડૉ. રાજેશ ભારાણેએ શૈક્ષણિક વિકાસ, સંશોધન પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી અને વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી.
વડોદરામાં ચૂંટણીનો રણશિંગુ ફૂંકાયું:પાલિકાના ઉમેદવાર હવે 9 લાખ સુધી ખર્ચ કરી શકશે, આચારસંહિતા લાગુ
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો જાહેર કરવામાં આવતાંની સાથે જ વડોદરા સહિત રાજ્યભરમાં ‘આદર્શ આચારસંહિતા’ અમલી બની છે. આ જાહેરાત સાથે જ વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ અને પારદર્શી બનાવવા માટે 5 નાયબ કલેક્ટર અને ખાસ જમીન સંપાદન અધિકારીને ચૂંટણી અધિકારી તરીકે જવાબદારી સોંપાઈ છે. જ્યારે મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે 4 મામલતદાર અને 2 સિટી સર્વે સુપરિન્ટેન્ડેન્ટની નિમણૂક કરવામાં આવી છે. આચાર સંહિતાના કડક નિયમો, શું થાય અને શું નહીં? ઓળખ સ્લિપમાં ચિહ્ન રાખ્યું તો ગુનો બનશેમતદાનના દિવસે (26 એપ્રિલ) મતદારોને આપવાાં આવતી ઓળખ સ્લીપ માત્ર સફેદ કાગળ પર હોવી જોઈએ. આ ઓળખ સ્લિપ પર જે તે ઉમેદવારનું નામ, તેના પક્ષનું નામ કે ચિહ્ન દર્શાવી શકાશે નહીં. જો ઓળખ સ્લિપમાં ચિહ્ન રાખવામાં આવશે તો ગુનો બનશે. આ ઉપરાંત જે તે મતદાન મથકની 200 મીટરની ત્રિજ્યામાં આવતા વિસ્તારમાં કોઇ પણ પ્રકારના મંડપ બાંધવા પર પણ પ્રતિબંધ રહેશે. આચાર સંહિતાના ભંગ બદલ શહેરના ચૂંટણી અધિકારીઓનો સંપર્ક કરી શકાશે
ફોટોગ્રાફી પ્રેમીઓ માટે ખાસ ‘સ્ટિલ સ્ટોરીઝ’ નામનું સોલો પ્રદર્શન આયોજિત થયું છે, જેમાં ફોટોગ્રાફર વૈશાલી જાડાવાલાએ પોતાના અનોખા દ્રષ્ટિકોણથી જીવનના વિવિધ પાસાઓને રજૂ કર્યા છે. પ્રદર્શનનું ઉદ્ઘાટન ગુરુવારે સાંજે 5 વાગ્યે થયું હતું, જે 5 એપ્રિલ સુધી બપોરે 12થી સાંજે 6 વાગ્યા સુધી પ્રદર્શન ખુલ્લું રહેશે.આ પ્રદર્શનનું આયોજન અલકાપુરી સ્થિત આર્ટ ગેલેરી ખાતે કરવામાં આવ્યું છે. વૈશાલી જાડાવાલાએ પોતાના કેમેરામાં મોર, વિવિધ પક્ષીઓ તેમજ માનવીય લાગણીઓ દર્શાવતા ક્ષણોને સુંદર રીતે કેદ કર્યા છે. ખાસ કરીને સૂર્યાસ્તના દ્રશ્યો, પ્રકૃતિના રંગો અને માનવીના અભિવ્યક્તિપૂર્ણ પળો પ્રદર્શનને વિશેષ બનાવે છે.
વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણીઓ 26 એપ્રિલના રોજ યોજાશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પગલે જિલ્લા ભાજપે વંદે કમલમ અને કરજણ એપીએમસીમાં અંતિમ સેન્સ પ્રક્રિયા કરી હતી. વાઘોડિયા, પાદરા, કરજણ અને વડોદરા તાલુકામાં 550થી વધુએ દાવેદારી નોંધાવી હતી. મોડી રાત સુધી પ્રક્રિયા ચાલી હતી. 1 એપ્રિલના રોજ બે જૂથમાં કરાયેલી સેન્સ પ્રક્રિયામાં સાવલી, ડેસર, ડભોઈ તાલુકા અને શિનોરની બેઠકો માટે 500થી વધુએ દાવેદારી નોંધાવી હતી. ઉલ્લેખનિય છે કે, વંદે કમલમ ખાતે મોટી સંખ્યામાં દાવેદારો પોતાના બાયોડેટા લઈને પહોચ્યાં હતાં. જ્યારે રાતે 9 વાગ્યા બાદ પણ નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની કામગીરી કરવામાં આવી હતી. મહત્વનું છે કે, સેન્સ લેવાની પ્રક્રિયા બાદ નિરીક્ષકોની ટીમ 3 પેનલ બનાવીને દાવેદારોના નામ પ્રદેશમાં મોકલી આપશે. ત્યારબાદ પ્રદેશ દ્વારા બેઠક મુજબ ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરતા જ ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલુ થઈ જશે. ભાસ્કર ઇનસાઇડ: વડુ પંચાયતના કોંગ્રેસના પૂર્વ સભ્યે સોશિયલ મીડિયામાં હિસાબો આપ્યાવડુ બેઠકના ગત ટર્મના કોંગ્રેસના સભ્ય અર્જુનસિંહ પઢીયારે લોકો સમક્ષ સોશિયલ મીડિયામાં લાઈવ આવીને 10 વર્ષમાં કરેલા કાર્યોના હિસાબ આપ્યાં હતાં. જિલ્લા પંચાયતની વડું બેઠક આ વખતે મહિલા અનામત છે. જેથી અર્જુનસિંહ પઢીયાર ચૂંટણી નહીં લડી શકે. તેમણે જણાવ્યું કે, મારા બદલે મારા પત્ની ચૂંટણી લડશે. હિસાબ આપ્યા બાદ દરેકને કેલેન્ડર પણ આપવાનું આયોજન છે. સેન્સ પ્રક્રિયામાં રાત્રે 9 વાગ્યા સુધી 550 લોકોએ દાવેદારી કરી
શહેરના વોર્ડ 4માંથી ભાજપમાંથી પહેલીવાર ચૂંટાઈને આવેલાં કાઉન્સિલર પિન્કીબેન સોની બીજી ટર્મમાં મેયર બન્યાં હતાં. જોકે તેઓ બિન અનુભવી હોવાથી અને કોઈ ગાઈડ-લાઈન ન મળી હોવાથી વિવાદમાં રહ્યાં હોવાનો બળાપો તેમના જ સાથી કાઉન્સિલરે ઠાલવ્યો છે. કાઉન્સિલર રાખી શાહે મેયરની કાર્યક્ષમતા સામે સવાલો ઉઠાવતાં ભારે ચર્ચાસ્પદ બન્યું છે. પાલિકાની ચૂંટણીની તારીખો જાહેર થવા સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી છે. જેમાં વોર્ડ 4નાં કાઉન્સિલર રાખીબેન શાહ ખોડિયારનગર ખાતે પ્રદેશથી આવેલી નિરીક્ષકોની ટીમને સેન્સ આપવા પહોંચ્યાં હતાં. મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, મેયર પહેલી વખતનાં કાઉન્સિલર હતાં એટલે બધું કમ્પલિટલી ટેકલ ન કરી શક્યાં. તેમને કોઈ ગાઈડ-લાઈન પણ ન મળી, જેથી તેઓ વિવાદમાં રહ્યાં છે. નિખાલસ ભાવે મેયરની સ્થિતિ અંગે કરેલી સ્પષ્ટતાને કારણે તેઓનું નિવેદન શહેરભરમાં ચર્ચાસ્પદ બન્યું છે. જોકે તેઓએ સાથી કાઉન્સિલર તરીકે મેયર પિન્કીબેન સોનીએ તેમને ઘણો સપોર્ટ કર્યો છે તેમ કહી બચાવ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેઓએ વધુમાં કહ્યું હતું કે, નો રિપીટ થીયરી આવે તો તેમના પતિ મનોજ શાહ દાવેદાર રહેશે. મહત્વનું છે કે, પાલિકાની સામાન્ય સભામાં લીધેલા નિર્ણય અથવા બજેટની બેઠક દરમિયાન વિપક્ષને સસ્પેન્ડ કરવાની બાબત હોય, મેયરની ભૂમિકા મોટેભાગે શહેરભરમાં ચર્ચાનું કારણ બની હતી.
ભારત 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમીના લક્ષ્ય તરફ વધી રહ્યું છે, ત્યારે ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલ, ગુજરાતની પહેલથી ગુજરાતી ઉદ્યોગકારો માટે મોરેશિયસ ‘એન્ટ્રી પોઈન્ટ’ બનવા જઈ રહ્યું છે. મોરેશિયસ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇકોનોમિક ડેવલપમેન્ટ બોર્ડ સાથે બેઠકમાં ફિનટેક, લોજિસ્ટિક્સ, ફાર્મા અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં સહકારના દ્વાર ખુલ્યા છે. મોરેશિયસ પાસે 10થી વધુ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ છે, જેના કારણે વિશ્વની 70% વસ્તી ધરાવતા બજારો સુધી ગુજરાતી માલ-સામાન સરળતાથી પહોંચી શકશે. ‘મોરેશિયસ ફ્રીપોર્ટ’નો ઉપયોગ કરીને ઉદ્યોગસાહસિકો માત્ર 3% કોર્પોરેટ ટેક્સ ભરીને આફ્રિકા અને યુરોપમાં નિકાસ કરી શકશે. 54 દેશો સાથે થયેલા ડબલ ટેક્સેશન એવોઇડન્સ એગ્રીમેન્ટને કારણે બેવડો ટેક્સ ભરવો પડશે નહીં. ગુજરાતી ઉદ્યોગકારો માટે નવું સીમા ચિહ્ન બનશેગુજરાતી ઉદ્યોગ જગત માટે આ માત્ર સ્થાનિક નહીં પણ વૈશ્વિક બનવાની વ્યૂહરચના છે. મોરેશિયસ દ્વારા આપણે આફ્રિકાના ઝડપથી વિકસતા બજારોમાં મજબૂત સ્થાન જમાવી શકીશું. > વિરલ ચૌધરી, અધ્યક્ષ, ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલ, ગુજરાત
ઠગાઈ:મહિલાકર્મીના મોબાઇલ થકી લોન લીધી,1.92 લાખ ઠગી વેપારી ફરાર
સેન્ટ્રલ એસ.ટી. ડેપોની શ્રીજી હેલ્પ સેન્ટર નામની ઓફિસના સંચાલકે મહિલાકર્મીના મોબાઈલમાં પોતાની ફિંગર પ્રિન્ટ અને પાસવર્ડ સેટ કરી રૂ. 1 લાખની લોન સહિત 1.92 લાખની ઠગાઇ કરી હતી. મહિલાએ નાણાં પરત માંગતા આરોપીઓ ઓફિસને તાળા મારી ફરાર થઈ ગયા છે. કોયલી રોડ રહેતા મહિલા મોહન મેરીયાની ઓફિસમાં કમ્પ્યુટર ઓપરેટર હતા. નવેમ્બર 2025માં મોહને ઉછીના રૂ.69,300 લીધા હતા. મહિલાના મોબાઈલમાં એપ ઈન્સ્ટોલ કરી પાસવર્ડ સેટ કરી રૂ.1 લાખની લોન લીધી હતી. મહિલાના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. તેમાં 33 હજારનું દેવું કર્યું હતું. શંકા થતા મહિલાએ સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. એક્સપર્ટ વ્યૂ : અન્યને બાયોમેટ્રિક્સ રજિસ્ટ્રેશન ન કરવા દો - આશિષ પટેલ, સાયબર એક્સપર્ટ
વેંકટેશ બાલાજી મંદિરમાં ભક્તિમય માહોલ સર્જાયો:વેંકટેશ બાલાજીનો અભિષેક થયો,સુંદરકાંડના પાઠ યોજાયા
રાવપુરાના વેંકટેશ બાલાજી મંદિરે હનુમાન જયંતિએ ભવ્ય ઉજવણી કરાઇ હતી. હનુમાન જયંતિ નિમિત્તે ગુરુવાર, 2 એપ્રિલના રોજ વહેલી સવારથી જ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. સવારે 8 વાગ્યે ભગવાન હનુમાનજીનો વિશેષ મહા અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સવારે 9 વાગ્યાથી સંગીતમય સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને વાતાવરણ પવિત્ર બની ગયું હતું. મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજન જુબિલી બાગ સામે આવેલ આ ઐતિહાસિક મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જયંતિ નિમિત્તે વિશેષ શણગાર અને પૂજા અર્ચના કરવામાં આવી હતી. મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી દર્શનમાં કોઈ અગવડ ન પડે. સમગ્ર દિવસ દરમિયાન ભક્તોની ભીડ જોવા મળી હતી અને પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
વીજળી ડૂલ થતાં 20 હજાર લોકો પરેશાન:દશરથમાં થાંભલામાં પક્ષી અથડાતાં વાયર તૂટ્યો,અઢી કલાક વીજળી ડૂલ
દશરથના ઔદ્યોગિક ક્ષેત્ર બ્રૂક ફીલ્ડ્સ પાસે એક વીજ થાંભલા પર મોટું પક્ષી અથડાતાં વાયર તૂટી ગયો હતો, જેને પગલે સમગ્ર વિસ્તારમાં વીજળી ડૂલ થઇ ગઇ હતી. જેને પરિણામે અઢી કલાક સુધી આ વિસ્તારના 20 હજાર જેટલા રહીશોને હેરાન થવાનો વારો આવ્યો હતો. આ ઘટના સાંજે 5 વાગ્યાના સુમારે બની હતી. જોકે એમજીવીસીએલે 3 ટીમોને કામગીરી સોંપતાં અઢી કલાકની જહેમત બાદ વીજ પુરવઠો પૂર્વવત થયો હતો. અચાનક જ વીજ પુરવઠો ખોરવાઇ જતાં ગરમીને લીધે રહીશો હેરાન થયા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ અમે છાણી સ્થિત કચેરીના નંબર 99789 35594 પર સંખ્યાબંધ કોલ કર્યા, પણ કોઇ ફોન કેટલાય સમય સુધી ઉપાડતું ન હતું. છેવટે 7-30 વાગ્યાના સુમારે વીજ પુરવઠો પૂર્વવત થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. વાયર તૂટતાં 3 જમ્પર અને સેફ્ટી સ્વિચ પણ બળી જતાં સ્થિતિ કથળીવાયર તૂટવાને લીધે એમજીવીસીએલના 3 જમ્પર અને 1 સબ સ્ટેશન પાસેની સેફ્ટી સ્વિચમાં આગ લાગતાં બળી ગઇ હતી. એક સાથે આટલા મોટા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતાં એમજીવીસીએલે 8 સભ્યોની 3 ટીમ બનાવી કામગીરી શરૂ કરી હતી. બેંકના એટીએમમાં નાણાં ભરવા માટે આવેલી ટીમ 1 કલાક બેસી રહીદશરથ સ્ટેશન પાસે નેશનલાઇઝ બેંકના એટીએમમાં નાણાં ખલાસ થવાથી રૂપિયા સાથે એક વાન આવી હતી. જોકે અચાનક લાઇટો ડૂલ થતાં કામ શરૂ થઇ શક્યું નહોતું. તેમણે 1 કલાક રાહ જોવી પડી હતી. એ ટીમ રોકાઇ કે જતી રહી તે જાણવા મળ્યું ન હતું.
ટ્રેનમાં મુસાફરોને યાત્રાનો સારો અનુભવ મળે તે માટે રેલવેએ નોંધપાત્ર સુધારા કરવા કવાયત હાથ ધરી છે. હવે માત્ર એસી ટ્રેનના કોચ જ સુઘડ નહીં હોય, જનરલ ડબામાં પણ નિયમિત સફાઇ કરાશે. એટેન્ડન્ટ એસી કોચમાં ચાદર-તકિયાની કામગીરી સુધી મર્યાદિત નહીં રહે, હવે કોચમાં નાનો ફોલ્ટ સર્જાય તો રિપેરિંગ કરવું પડશે. આગ જેવી ઘટનામાં તેની જવાબદારી વધશે. ઉપરાંત યાત્રીઓને તકલીફ પડે તો પહેલી મદદ તેની હશે. રેલવેનાં સૂત્રોના જણાવ્યા મુજબ કેટલાક મહિનાથી રેલ મદદથી ડેટા વિશ્લેષણ કરાતું હતું. તેમાં મુસાફરોને કોચમાં સફાઇ મુદ્દે અસંતોષ વધુ હોવાનું જણાતાં નવા નિયમો લાગુ પાડવાની પહેલ કરી છે. પ્રારંભિક તબક્કે 85 ટ્રેનોમાં તેને લાગુ પડાશે. ટ્રેન કોચમાં દર બે કલાકે સફાઇ કરાશે. જોકે રેલવે આ કામગીરીનો કોન્ટ્રાક્ટ આપશે. જેમાં એજન્સીની પસંદગી માટે પણ આ જ બાબતો પર વધુ ભાર મૂકાશે. અગાઉ ધો.10 પાસ ઉમેદવારો આ કામગીરી માટે મૂકાતા હતા, હવે ધો.12 પાસ અને આઇટીઆઇનો ક્રાઇટેરિયા રખાયો છે. ટ્રેનમાં કામગીરી કરતા કર્મી મુસાફરોને સામેથી ટ્રેનમાં અપાતી સેવા વિશે પૃચ્છા કરશે અને તેમનું વર્તન સહાનુભૂતિ પૂર્ણ હશે. આ માટે તેમને તાલીમ પણ અપાઈ રહી છે. જ્યારે ફીડબેક એનાલિસીસમાં ટ્રેનમાં મુસાફરો પાણીની ઉપલબ્ધિ, કોચની સફાઇ, બેડરોલ સર્વિસ, સ્ટાફની વર્તણૂક અને ઇલેક્ટ્રિકલ ફોલ્ટના મુદ્દે સૌથી વધુ ફરિયાદો કરે છે. વડોદરા ડિવિઝનમાં ઉકેલ ઝડપી બન્યો
મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. સુરત શહેરના વોર્ડ નંબર 1 એટલે કે જહાંગીરપુરા, વરિયાવ, છાપરાભાઠા અને કોસાડ વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કેવી કામગીરી થઈ છે. અહીં થયેલા વિકાસ અને થઈ રહેલા વિકાસને લઈ મતદારો શું કહી રહ્યા છે. તે જાણવા માટે દિવ્ય ભાસ્કરની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર વોર્ડ નંબર 1માં પહોંચી હતી. કેટલાક લોકો અહીંના વિકાસથી ખુશ છે તો કેટલાક મતદારો આક્રોશિત જોવા મળ્યા હતા. વોર્ડ નંબર એકની અંદર ઠેર ઠેર કચરાના ઢગલાઓ અને સરકારી સ્કૂલ ન હોવાનો દાવો કરી આક્રોશ વ્યક્ત કર્યો.છાપરાભાઠા અને વરીયાવ વચ્ચેથી પસાર થતી ખાડી પણ ગંદકી ખદબત્તી હોવાનું પણ જોવા મળ્યું હતું. એટલું જ નહીં કોસાડ વિસ્તારમાં મહિલાઓની સુરક્ષાઓ પર સવાલો જનતાએ ઉઠાવ્યા. આ સાથે જ છેલ્લા પાંચ વર્ષમાં કોર્પોરેટર દેખાયા ન દેખાયો હોવાનો જનતાએ રોષ ઠાલવી કહ્યું કે અમે અમારા વોર્ડના કોર્પોરેટરોને તો ઓળખતા જ નથી. જ્યારે રેસીડેન્શિયલ વિસ્તારોમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટિંગની પરમિશનો કોર્પોરેટરોની મહેરબાનીથી આપવામાં આવતી હોવાનો જનતાએ આક્ષેપ કર્યો હતો. 'ચૂંટણી આવે એટલે બધા દોડ્યા આવે'ગીતાબેન ચોટલિયાએ જણાવ્યું હતું કે, અમરોલી વિસ્તારમાં સરકારી સ્કૂલ જ નથી. બીજી સ્કૂલમાં છોકરાઓને ભણાવવા પોસાય એમ જ નથી.કોર્પોરેટરોને તો ઓળખા જ નથી.એટલું જ નહીં કોર્પોરેટરો જોવા પણ નથી આવતા કે સ્કૂલ છે ક્યાં? ઘરના ખર્ચા, હીરામાં મંદી, સાડીઓમાં મંદી, બધાયમાં મંદી છે. ગેસના બાટલા પણ મળતા નથી.મત દેવો જ નથી આ વખતે કોઈને.ચૂંટણી આવે એટલે બધા દોડ્યા આવે, 'આમાં દેજો મત, આમાં દેજો મત'. મત શેમાં દેવો? રાજલ દવેએ મહિલા સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યોવોર્ડ નંબર એકના સ્થાનિક રહેવાસી રાજલ દવેએ કહ્યું કે, આ વિસ્તારમાં બે મહિલા કોર્પોરેટર છે. જ્યારે મત માંગવા આવ્યા ત્યારે જોયા હતા. બાકીના પાંચ વર્ષમાં જોયા નથી. આ વિસ્તારમાં મહિલાની સુરક્ષા નથી, કોઈ પણ હાલતા-ચાલતા છેડતી કરી શકે છે. એવા ઘણા કિસ્સા પણ આ વિસ્તારમાં જોવા મળ્યા છે. મર્ડરના કિસ્સા પણ જોવા મળી રહ્યા છે. ટ્રાફિકની સમસ્યા ખૂબ મોટી: વિપુલભાઈસ્થાનિક વિપુલભાઈએ જણાવ્યું હતું કે, અમરોલી વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં ટ્રાફિકની જ મોટામાં મોટી સમસ્યાઓ છે. તાપી નદીના બ્રિજ પર સવારથી લઈ સાંજ સુધી ટ્રાફિક હોય છે. ટ્રાફિકની સમસ્યાનું કોઈ સમાધાન થતું નથી. કોઈ કામ સમયે પૂર્ણ થયા નથી. એ સાથે જ રોડ રસ્તા ખોદી નાખવામાં આવે છે અને થીગડા મારી દેવામાં આવે છે.ભાજપના ચાર કોર્પોરેટર છે. એમાંથી એક પણ ક્યારેય કોઈ જગ્યાએ જોવા મળતા નથી. બસ ખાલી વાત થાય છે. કોઈને નામ પણ નથી આવડતા કોર્પોરેટરના. 'અમરોલીમાં ખૂબ સારી વ્યવસ્થા અને સુવિધા'લાલજીભાઈએ પણ ટ્રાફિક સમસ્યા મુદ્દે હૈયાવરાળ ઠાલવી.કહ્યું કે ગજેરા સર્કલ સુધી ટ્રાફિક થાય છે એનું નિરાકરણ આવે તો મહેરબાની. હું કોઈ નેતાનો માણસ નથી, હું આમ નાગરિક છું. રોજ આ રોડ ઉપર અવર-જવર કરું છું મને ખબર છે ટ્રાફિક કેટલું છે કેટલું નથી.ટ્રાફિકની સમસ્યા સિવાય લાલજીભાઈએ વિકાસ કાર્યોના પણ વખાણ કર્યાં. વધુમાં કહ્યું કે રોડ-રસ્તા બધું સારું છે. શાંતિ પણ છે કે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. બહુ સારી વ્યવસ્થા અને સુવિધાઓ પણ સારી છે. કોર્પોરેટરો આ વિસ્તારમાં આવે તો ઓળખીને!રેખા તારાએ મોંઘવારી અને મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે હાલની સ્થિતિ પ્રમાણે આ વિસ્તારમાં ઈન્ડસ્ટ્રીયલ એરિયા વધી રહ્યો છે. ત્યારે મહિલાઓને બહાર નીકળવામાં થોડો પ્રોબ્લેમ થઈ રહ્યો છે. પ્રાથમિક સુવિધા મુદ્દે પણ રોષ વ્યક્ત કરીને કહ્યું રસ્તા ખરાબ છે, રાતના સમયે સ્ટ્રીટ લાઈટ નથી ચાલુ રહેતી. કોર્પોરેટરોને તો જોયા જ નથી એવી વાત કરી. જો કે આશ્ચર્યની વાત તો એ છે કે કોર્પોરેટરો આ વિસ્તારમાં આવે તો એમને ઓળખીએને. આ સરકારને મત દેવાય નહીં: હર્ષદભાઈ સવાણીહર્ષદભાઈ સવાણીનું કહેવું છે કે જ્યાં કોસાડ ગાર્ડન છે, જ્યાં સિનિયર સિટીઝન લોકો કસરત કરવા, વોકિંગ કરવા જાય છે ત્યાં બધા દારૂડિયાઓ હોય છે. ત્યાં પોલીસ કંઈ જતી નથી કે કોઈ SMCના સાહેબ નથી જોતા. તેની બહાર રોજ ગટર છલકાય છે. રોજ કોર્પોરેશનવાળા માણસો આવે છે ટેન્કર લઈને, બધા પૈસા ખાવા બેઠા છે. બધા કોર્પોરેટરોને ઓળખીએ છીએ, બધાની છઠ્ઠી જાણીએ છીએ. પૈસા સિવાય કાંઈ થતું નથી. કોઈ કામ કરતું નથી. એની ઓફિસે જઈએ સહી કરાવવા તોય ધક્કા ખાવા પડે છે કે અત્યારે સાહેબ નથી. સાહેબ પૈસા લેવાની ઉતાવળમાં હોય ને! મત હવે આ વખતે આવે ને ત્યારે ખબર પડે. આ વખતે આવે? સોસાયટી આખી વિરોધમાં જ છે, હું એક નહીં. 'બસ અધિકારીઓ મનમાની કરીને રોડ ખોદી નાખે છે, પછી થીગડા મારે'અમિત તાડાએ જણાવ્યું હતું કે, કચરાના ઢગલાઓ છે અને રાત્રિના સમયે સળગાવવામાં આવે છે. એટલે વાતાવરણ પ્રદૂષણ વાળું થઈ જાય છે. વારંવાર રજૂઆતો કલેક્ટર, કોર્પોરેટરને કરી છે, મેયર સુધી, કમિશનર સુધી અરજીઓ કરી છે. પરંતુ નિરાકરણ હજુ સુધી થયું નથી. રેસીડેન્શિયલ વિસ્તારોમાં પણ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગની પરમિશનો આપવામાં આવે છે કોર્પોરેટરોની મહેરબાનીથી.અરજી કે ફરિયાદ કરી તો કોઈ જવાબ પણ આપતું નથી. બસ અધિકારીઓ મનમાની કરીને રોડ ખોદી નાખે, પછી થીગડા મારી દે છે રોડ ઉપર, ભલેને લોકો પરેશાન થયા રાખે. કોર્પોરેટરોને ફોન કરીએ તો આવું કામ અટકાવેલું હોય જ્યારે આપણે આંદોલન કરવા નીકળ્યા કે ભાઈ આ કામ શા માટે કરીએ છીએ, ત્યારે એ ખાલી બતાવવા આવે કે ભાઈ આ કામ તો સરકારી કામ છે, કરવા દો. કારણ કે એમાં તો એને અંદર ખિસ્સામાં પડતા હોય છે, એટલે ખાલી અમે કામ અટકાવીએ નહીં એટલે આવે છે. બાકી સારા કામની કે અમારી ફરિયાદો સ્વીકારવા માટે કોઈ આવતું નથી.
BCA વિવાદ:એપેક્ષની બેઠક મુદ્દે લેલેને વળતો ઇ-મેલ, સેક્રેટરી તરીકે તમારો કાર્યકાળ પૂરો થયો
બરોડા ક્રિકેટ એસોસિયેશનમાં ચૂંટણીનું કોકડું હજી કોર્ટમાં ગૂંચવાયેલું છે. દરમિયાન બુધવારે બીસીએના માનદ સેક્રેટેરી અજિત લેલેએ એપેક્ષની બેઠક બોલાવવાના ઇ-મેલે વિવાદ સર્જ્યો હતો. હવે આજે એપેક્ષ મેમ્બર કલ્યાણ હરિભક્તિએ આ સંદર્ભે સેક્રેટરીને વળતો ઇ-મેલ કર્યો છે. જેમાં તેમણે હાઇકોર્ટની માર્ગદર્શિકાની વાતને ટાંકી સેક્રેટરી તરીકે તમારો કાર્યકાળ પૂરો થયો છે તેવો ઉલ્લેખ કરીને આ રીતે મર્યાદિત સભ્યોને જ બેઠક માટે આમંત્રિત કરી એપેક્ષની બેઠક બોલાવવી બિન સત્તાવાર, ગેરકાયદે અને કાનૂની મંજૂરી વિનાની ગણાવી હતી. આ રીતે બેઠક બોલાવવા પાછળ બદઇરાદો છે તેવો સીધો આક્ષેપ કરતાં તેમણે જણાવ્યું છે કે, પાછલી મંજૂરીઓ, નિમણૂકો અને કોન્ટ્રાક્ટ્સ અને અન્ય વહીવટી કામગીરી સહિતના મહત્ત્વના નિર્ણયો માટેની દિશામાં કામગીરીનો પ્રયાસ પણ હાઇકોર્ટની આ સંદર્ભે કરલી માર્ગદર્શિકાની ઘોર અવહેલના છે. સૂત્રોના જણાવ્યા મુજબ સેક્રેટરી દ્વારા 11 સભ્યો પૈકીના 7 એપેક્ષ સભ્યોને જ ઇ-મેલ કરીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં તેમણે આ સંદર્ભે જ્યાં માર્ગદર્શિકાનું ઉલ્લંધન થતું હોય તે સ્થિતિમાં કાનૂની કાર્યવાહી કરવાની શક્યતા અંગેની ચીમકી પણ ઉચ્ચારી છે. અન્ય સભ્યોને શા માટે આમંત્રિત ન કરાયા તે પ્રશ્નકલ્યાણ હરિભક્તિએ જણાવ્યું કે, જેમની મેટર હમણાં કોર્ટમાં છે તે સભ્યોને શા માટે આમંત્રિત ન કરાયા તે સમજાતું નથી. આ વિશે સેક્રેટરીને સવાલો પૂછાવા જોઇએ. આ સંદર્ભે અજિત લેલેનો વારંવાર ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો પણ પ્રતિક્રિયા મળી શકી ન હતી.
ભાયલીમાં રાજ્ય સરકારે અશાંતધારો અમલી બનાવ્યો છે. મહેસૂલ વિભાગે 30 માર્ચે પ્રસિદ્ધ કરેલા નવા જાહેરનામા અનુસાર જે.પી. રોડ પોલીસ મથકની હદમાં તાંદલજાની 500 મીટરની ત્રિજ્યામાં આવતા ભાયલીના ટીપી-3 અને 4ના વિવિધ પ્લોટ,સર્વે નંબરોનો સમાવેશ અશાંત વિસ્તારની યાદીમાં કર્યો છે. સરકારે 21 જાન્યુઆરી, 2025ના રોજ બહાર પાડેલા જાહેરનામામાં સુધારો કરી આ નિર્ણય લીધો છે. ધારાસભ્ય શૈલેષ મહેતાની રજૂઆત બાદ વહીવટી તંત્રે કરેલા સરવેના આધારે ભાયલીના ચોક્કસ સર્વે નંબરને 5 વર્ષ માટે અશાંત જાહેર કર્યા છે. જેથી આ વિસ્તારોમાં મિલકત વેચવા કે હસ્તાંતરિત કરવા કલેક્ટરની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત થશે.ધારાસભ્યે ભાયલીમાં અશાંતધારો લાગુ કરવા 9 જુલાઈ,2025ના રોજ ના. કલેક્ટરને પત્ર લખ્યો હતો. જેમાં જણાવ્યું કે, ભાયલીની દક્ષિણ-પૂર્વ દિશાએ આવેલું તાંદલજા ‘ગુજરાત અશાંત વિસ્તાર અધિનિયમ, 1991’ હેઠળ સૂચિબદ્ધ છે. ભવિષ્યમાં કાયદો-વ્યવસ્થા સુચારુ રહે તે માટે તાંદલજાને અડી આવેલા ભાયલીના ટીપી-3 અને ટીપી-4 ના ફાઈનલ પ્લોટ અને સર્વે નંબરોની તપાસ કરી અશાંત વિસ્તારની સૂચિમાં ઉમેરવા ભલામણ કરી હતી. શહેરના મુખ્ય વિસ્તારો જ્યાં અશાંતધારો લાગુ છે 1. સિટી પોલીસ સ્ટેશન વિસ્તાર જેમાં માંડવી, ગેંડીગેટ, પાણીગેટ, તેની આસપાસની પોળ.2. વાડી, ગાજરાવાડી અને આસપાસના રહેણાક વિસ્તાર.3. કારેલીબાગ-ફતેગંજના વિસ્તાર, નવાપુરા- રાવપુરાના સંલગ્ન વિસ્તારો.4. પાણીગેટ દરવાજાની અંદર અને બહારના વિસ્તારો.5. ગોરવા અને જેપી રોડ, ભાયલીના ચોક્કસ સર્વે નંબરો ધરાવતી સોસાયટી. અશાંતધારાનો ભંગ થતાં રહીશોએ રામધૂન કરીતાંલદજાના અક્ષર આર્યનામ ફ્લેટના રહીશોની રજૂઆત છે કે, અમારા ફ્લેટની સામે જ બીજા ફ્લેટની સ્કીમ મૂકાઈ છે. જેમાં સ્થાનિક કોર્પોરેટરના ભાઈ રાજવીરસિંહ ચુડાસમાનું નામ છે, જે સ્કીમનો વહીવટ કરશે. જ્યારે અન્ય બે ભાગીદાર સોહિલ મેમણ અને કૈયુમ મેમણ છે. જેથી હિંદુઓની વસતીમાં લઘુમતી કોમના લોકોને મકાન મળે તો કાયદો અને વ્યવસ્થા જોખમાય તેમ હોવાથી ફ્લેટની સ્કીમ માટે લીધેલી અશાંતધારાની પરવાનગી રદ કરવા રહીશોએ કલેક્ટર કચેરી પહોંચીને રામધૂન બોલાવી હતી.
હવામાન વિભાગ દ્વારા 3 એપ્રિલ એટલે કે આજે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખસા કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, દ્વારકા, પોરબંદર અને જામનગરમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે. દાસે જણાવ્યું કે, 2 સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ સાથે 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. 3 એપ્રિલે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ વરસાદ શક્યતાઃ અંબાલાલહવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ) સર્જાવા જઈ રહ્યો છે, જેની અસર દેશના ઉત્તરી પર્વતીય પ્રદેશોમાં થવાની શક્યતા છે. ગુજરાતના ભાગોમાં પવનની ગતિ લગભગ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. તો કેટલાક ભાગોમાં 60થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ સાથે 3 એપ્રિલે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક વધુ વરસાદ થવાની શક્યતા છે. દ્વારકાના ભાગમાં હવામાન પલટાશે, જામનગરના ભાગો અને આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના રાજકોટના ભાગો અને કચ્છના ભાગોમાં હવામાનમાં મોટો પલટો આવશે અને વરસાદ થવાની શક્યતા છે. 2 એપ્રિલના જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં કરા સાથે વરસાદઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ અને સૌરાષ્ટ્રમાં 2 એપ્રિલના રોજ અચાનક કમોસમી વરસાદ ખાબક્યો હતો. ભુજ તાલુકાના ખાવડા પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ પડતા ખાવડા, મિરઝાપર, સુખપર, માનકુવા સહિતના ગામોમાં તેમજ જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં કરા સાથે પડેલા વરસાદને કારણે રસ્તાઓ પર સફેદ ચાદર પથરાઈ ગઈ હોય એવા દૃશ્યો સર્જાયા હતા. ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
રાજ્યમાં મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું યુગલ ફૂંકાઈ ચુક્યું છે ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં 2 અને 3 એપ્રિલના રોજ ઉમેદવારોની પસંદગી માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અમદાવાદના 24 વોર્ડમાં પ્રથમ દિવસે 70થી વધારે દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. પૂર્વ કોર્પોરેટરોથી દીકરા દીકરીઓ અને પૂર્વ હોદ્દેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. ત્યારે દિવ્ય ભાસ્કર પાસે કેટલાક મુખ્ય દાવેદારો અને સંભવિત ઉમેદવારોના નામ આવ્યા છે. જે પોતાના વોર્ડમાં ઉમેદવાર તરીકે પોતાની દાવેદારી કરી છે અને સંભવિત ઉમેદવાર પણ બની શકે છે. અમદાવાદમાં ભાજપની સેન્સ પ્રક્રિયા ગુરુવારે સવારથી શરૂ થઈ હતી જેમાં જે પૂર્વ કોર્પોરેટરો અનામત રોટેશનના કારણે કપાઈ ગયા છે તેના સિવાયના જે કોર્પોરેટરો છેલ્લી ટર્મમાં કોર્પોરેટર હતા તેવા તમામ કોર્પોરેટરોએ ફરીથી ચૂંટણી લડવા માટે દાવેદારી નોંધાવી છે. રાણીપ, ચાંદખેડા, જોધપુર, સરખેજ, વેજલપુર, અમરાઈવાડી, શાહીબાગ, અસારવા, શાહપુર, નવરંગપુરા, વાસણા, પાલડી, ઓઢવ, કુબેરનગર, સરદાર નગર, નિકોલ, નરોડા, સહિતના વિસ્તારોના પૂર્વ કોર્પોરેટરો અને શહેરના ઉપપ્રમુખ મંત્રી અને વોર્ડ મહામંત્રીઓ દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી છે. સરખેજ વોર્ડની જનરલ બેઠક પર SC ઉમેદવારોએ ટિકિટ માગીસરખેજ વોર્ડમાં અંદાજિત 19 હજાર મતદારો અનુસૂચિત જાતિના હોય જનરલ બેઠક હોવા છતા અનુસૂચિત સમાજના 65 દાવેદારો દ્વારા ટિકિટની માગણી કરવામાં આવી છે. જેમાં અનુસૂચિત જાતિના ડો. અલ્પેશ સોલંકી, પ્રતીક ઝાલા, વિવેક પરમાર, ભરત ચાવડા, પૂજા સોલંકી, જ્યોતિ વાણિયા, પારુલ મકવાણા, ગોપાલ ચૌહાણ, રાજન ચૌહાણ, રાકેશ સુર્યવંશી, હિરેન મકવાણા, હિરેન સોલંકી, વિજય પરમાર, રમેશ વેગડા, નિકુંજ સોલંકી, અરવિંદ પરમારે દાવેદારી કરી છે. ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસે મંજુબેન સોલંકી જનરલ બેઠકમાં મેન્ડેટ આપ્યું હતું. જેમાં મંજુબેન સોલંકીને 10785 વોટ મળ્યા હતા હવે ભાજપમાં જનરલ બેઠકમાં પણ અનુસૂચિત જાતિના મેન્ડેડ આપવાની માગ કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે તમામ પાર્ટીએ તૈયારી તેજ કરી દીધી છે. ત્યારે 5 વર્ષ દરમિયાન જનતાના પ્રતિનિધિઓએ જનતા માટે કેટલો વિકાસ કર્યો છે તે જાણવા માટે દિવ્ય ભાસ્કર વેજલપુર વોર્ડમાં પહોંચ્યું હતું. 5 વર્ષમાં મતદારોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે જનપ્રતિનિધિઓએ કોઈ મહેનત કરી છે કે નહીં તેમજ જનપ્રતિનિધિનો ચૂંટણી બાદનો રિપોર્ટ કેવો છે તે જાણવાનો દિવ્ય ભાસ્કરે પ્રયાસ કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 20 વર્ષથી ભાજપનું શાસન અને વેજલપુર વોર્ડમાં તમામ કોર્પોરેટર ભાજપના હોવા છતાં લોકોએ સમસ્યાઓને લઈને ભારે રોષ વ્યક્ત કર્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કરોડોનું બજેટ ધારાસભ્ય પણ ભાજપના છતાં નાગરિકો પ્રાથમિક સુવિધાને લઈને હાલાકી ભોગવી રહ્યા છે. વર્ષો જૂની પાણી ભરાવવાની સમસ્યાનો નિકાલ લાવવામાં પણ કોર્પોરેટર નિષ્ફળ ગયા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. અનેક રજૂઆત કરવા છતાં ગટર ઉભરાવવાની, પાણી ભરાવવાની, બ્રિજની ધીમી કામગીરી જેવી સમસ્યાથી નાગરિકો આજે પણ હાલાકીમાં વેઠવવા મજબૂત બન્યા છે. 5 વર્ષમાં જનપ્રતિનિધિઓએ કેટલો વિકાસ કર્યો તે પૂછવા માટે દિવ્ય ભાસ્કર જ્યારે પહોંચ્યું ત્યારે મતદારોએ સમસ્યાઓનો મારો કરી દીધો. અમારો વિસ્તાર તો અમદાવાદ શહેરની બહારનો હોય એવું લાગે છે- વિપુલ ત્રિવેદીવેજલપુર વોર્ડના રહેવાસી વિપુલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, વેજલપુર બોર્ડ જાણે અમદાવાદ શહેરની બહારનો વિસ્તાર હોય એવું લાગી રહ્યું છે. તાલુકામાં આવતું હોય તેવી અનુભૂતિ વર્ષોથી કરી રહ્યા છીએ. વેજલપુર વોર્ડમાં શૌચાલય સહિતની પ્રાથમિક સુવિધાનો અભાવ છે. જીવરાજપાર્ક ચાર રસ્તા પર સૌથી વધુ ટ્રાફિક રહેતો હોય છે ત્યાં લાઇટનો અભાવ છે. ટ્રાફિકની સમસ્યા તો એટલી હદે છે કે કંટાળી ગયા છીએ. વેજલપુર વોર્ડમાં ભાજપના કોર્પોરેટરો અને ધારાસભ્ય છે પરંતુ જાણે આ વિસ્તાર સરળતાથી જીતી જતા હોય અમારી સમસ્યા સામે કોઈ ધ્યાન આપતું નથી. નેતાઓ ઉદ્ઘાટન સમયે જ હાજર રહે છે- રક્ષિતવેજલપુર વોર્ડના રહેવાસી રક્ષિતભાઈએ જણાવ્યું હતું કે, વેજલપુર વોર્ડમાં ઘણા સમયથી ખાનગી શાળાઓ બની રહી છે, પરંતુ સરકારી શાળા બની રહી નથી. બીજા વોર્ડમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ પણ બની રહી છે પરંતુ વેજલપુર વોર્ડમાં સતત ઉપેક્ષા કરવામાં આવી રહી છે. કોર્પોરેટરને વોટ આપીને જીતાડીએ છીએ પરંતુ તે લોકો શિક્ષણ જેવા પાયાના ક્ષેત્રમાં પણ જરાય પણ ધ્યાન આપતા નથી. કોર્પોરેટરો માત્ર અને માત્ર ઈનોગ્રેશનમાં અને ફોટા પડાવતી વખતે જ તેમની હાજરી જોવા મળતી હોય છે. ક્યાંય પણ વિકાસલક્ષી કામગીરી કરતા જોવા મળતા નથી. લોકોને રજૂઆત સાંભળવાનું તો દૂર પરંતુ ફોન પણ ઉપાડતા નથી અને ફોન પર ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા હોય છે. વેજલપુરમાં વિકાસના દાવા થાય છે પણ ક્યાંય દેખાતો નથી- પ્રકાશ પંડ્યાવેજલપુર વોર્ડમાં રહેતા પ્રકાશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, વેજલપુર વોર્ડમાં કહેવાય છે કે ઘણો વિકાસ કર્યો છે પરંતુ ક્યાય પણ દેખાતો નથી. અમારો સૌથી મોટો પ્રશ્ન એ છે કે અમારી સોસાયટીમાં એક ઇંચ પણ વરસાદ પડે તો ઘરમાં પાણી ઘૂસી જાય છે. તેમજ આસપાસની દુકાનોમાં પણ પાણી ભરાઈ જાય છે. પાણીના નિકાલની અનેક વખત અરજીઓ કરી છે પરંતુ તેનો નિકાલ આવતો નથી. વરસાદ સમયે પાણી ભરાવાથી ગાડીઓ બંધ થઈ જાય છે. અનેક વખત રજૂઆત કરવા છતાં તેનો કોઈ નિકાલ આવતો નથી. ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તે ક્યાં વાપરવી તે બધું કોર્પોરેટરના હાથમાં હોય છે, ક્યાં ગોઠવવું અને કઈ રીતે ગોઠવવો એ સૌ કોઈ જાણે છે. વેજલપુર વોર્ડનો વિકાસ જેવો થવો જોઈએ તેવો થયો જ નથી. 27 વર્ષથી નેતાઓ પાણીની સમસ્યાનો નિકાલ લાવી શક્યા નથી- રાજેન્દ્ર પરમારરાજેન્દ્રભાઈ પરમારે જણાવ્યું હતું કે, શ્રીનંદ નગર વિભાગ 1,2,3,4, વેજલપુર બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં ચોમાસામાં ખૂબ જ પાણી ભરાઈ જાય છે. આજ દિન સુધી અનેક નેતાઓ આવ્યા અને અમે રજૂઆત કરી કે આનો નિકાલ લાવો. છેલ્લા 27 વર્ષથી એક પણ નેતાએ પાણીની સમસ્યાનો નિકાલ લાવ્યો નથી. ફરિયાદ કરીએ ત્યારે કોર્પોરેશનમાંથી ટીમ મોકલી અને પાણીનો નિકાલ લાવી દે છે. પરંતુ કાયમી ઉકેલ લાવવા કોઈ કામ કરવામાં આવતું નથી. ચોમાસામાં ઘરમાં પાણી ભરાઈ જાય છે આખી રાત પાણીમાં બેસી રહેવું પડે છે. જે બાદ ફાયર ફાઈટર આવે અને પાણીનો નિકાલ કરે ત્યાં સુધી રાહ જોવી પડે છે. કોર્પોરેટરો નિકાલ કરવાનું વચન તો આપે છે પરંતુ કામ થતું નથી. ગોકળગતિએ ચાલતા બ્રિજની કામગીરીના કારણે પરેશાનીઃ પ્રકાશ શ્રીમાળીવેજલપુર વોર્ડના રહેવાસી પ્રકાશભાઈ શ્રીમાળીએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ થી ચાર વર્ષથી વેજલપુરમાં બની રહેલો બ્રિજની કામગીરી પૂરી થતી નથી. તેના કારણે ટ્રાફિકની સમસ્યા ખૂબ વધી ગઈ છે. આસપાસના લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે. પાર્કિંગની પણ કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવી નથી. બ્રિજની કામગીરી પૂરી ન થતા ટ્રાફિકની સમસ્યાથી કંટાળી ગયા છીએ. જે લોકોના રસ્તા પર ઘર છે તે લોકો તો કંટાળી ગયા છે. લોકો તો ઘર છોડીને જતા પણ રહ્યા છે. કારણકે આટલો બધો ટ્રાફિકમાં કોણ રહેવું પસંદ કરે ? કોર્પોરેટરો ક્યારે પણ કોઈના ફોન પણ ઉપાડતા નથી અને રજૂઆત અનેક વખત કરી પરંતુ કોઈ સાંભળવા વાળું હોવું જોઈએ ને. બ્રિજની કામગીરી કેટલે પહોંચી છે તે પણ કોઈ જોવા આવતું નથી. 'રોડ પર રોડ બનાવી દેવાતા પાણી ભરાવાની સમસ્યા'ગાયત્રી સોસાયટીમાં રહેતા કલ્પેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વોર્ડનો વિકાસ તો થયો છે પરંતુ તેની સામે ખાડા પણ એટલા જ પડેલા છે. ફૂટપાથ જે બનાવ્યું છે તે તો દુકાનદારોને ધંધો કરવા માટે બનાવ્યું હોય એવું લાગે છે. મંદિરની આગળ જ ફુટપાથ પર લોકો પાર્કિંગ કરીને જતા રહે છે. ગાયત્રીનગર સોસાયટીમાં છેલ્લા 20 વર્ષથી પાણી ભરાય છે. પાણી ભરાવાનું કારણ એ છે કે રોડ ખોદતા નથી અને રોડ પર રોડ બનાવવામાં આવી રહ્યા છે. ત્રણ ત્રણ ફૂટ રોડ ઊંચા થઈ જતા સોસાયટીઓમાં પાણી ભરાઈ જાય છે. પક્ષ હોય તે વિરોધ પક્ષ પાણીનો નિકાલ લાવવા માટે કોઈપણ કામ કરતા નથી. રજૂઆત તો લેખિત પણ કરી ફોટો પણ આપ્યા છતાં આજ સુધી કશું થતું નથી. કોર્પોરેટર અને ધારાસભ્ય આવે તેવું કહે છે કે થઈ જશે થઈ જશે પરંતુ કામ થતું નથી. એવું પણ કહે છે કે તમારે સોસાયટી ખાડામાં છે પરંતુ જે તે સમયે અમારી સોસાયટી ખાડામાં ન હતી પરંતુ રોડ ત્રણ ફૂટ ઊંચા કરી દેતા સોસાયટી ખાડામાં જતી રહી છે. ગટરો ઉભરાવાની સમસ્યાથી સ્થાનિકો પરેશાનમહેન્દ્રભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, અમારી પાણીની સમસ્યા છે ઘણા લોકો આવીને જતા રહ્યા પરંતુ અમારી સમસ્યા દૂર થતી નથી. પાણીના નિકાલ માટેની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી નથી. ગટરના પાણી ઉભરાવાથી અમારા માટે તો કાયમી ચોમાસું છે. ચોમાસામાં તો દૂર પરંતુ ઉનાળામાં પણ રજૂઆત કરી કરીને થાકી ગયા છીએ. પરંતુ કોઈ પણ જોવા આવતું નથી. જોવા માટે આવે છે પરંતુ જોયા બાદ આવતીકાલે થઈ જશે તેવું આશ્વાસન આપી પરત આવતા જ નથી. ફોટા પણ પાડી જાય છે પરંતુ આગળની કોઈ કાર્યવાહી કરતા નથી. અમારો સોસાયટીનું ગટરના પાણી સોસાયટીની બહાર જતા જ નથી. કોર્પોરેશન જો સોસાયટીની બહાર પાણી નીકળવાનો રસ્તો કરી આપે તો અમારા સોસાયટીના ગટરના પાણી સોસાયટીમાં ન ભરાય. શ્રીનંદનગરના રહેવાસી મગનભાઈએ જણાવ્યું હતું કે, મોટો મોટો વિકાસ થયો છે. પરંતુ પાણી ભરવાની સમસ્યાનો કોઈ નિકાલ થતો નથી. ગટરો પણ ઉભરાઈ જે છે જેમાં કારણ ગંદકીમાંથી પસાર થવું પડે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જોવા માટે આવે છે પરંતુ સમસ્યાનો કોઈ નિકાલ કરતા નથી. રજૂઆત કરી કરીને હવે તો થાકી ગયા છીએ. ફોટો પાડીને અધિકારીઓ જતા રહે છે પરંતુ કામ કરતા નથી. બહારની ગટર લાઇનનું પાણી ઉભરાય છે અને પાણી અમારી સોસાયટીમાં આવી જાય છે. ચોમાસામાં તો ઘૂંટણ અને કમર સુધી પાણી ભરાયેલા હોય છે. મંદિર હોવા છતાં ગંદકીમાંથી પસાર થઈને દર્શન કરવા જવું પડે છે. ચારે બાજુ ગટર જ ઉભરાઈ જાય છે. બધાને રજૂઆત કરીએ છીએ પરંતુ કોઈ પણ સાંભળતું નથી. રેખાબેને જણાવ્યું હતું કે, અમારે સૌથી મોટી સમસ્યા ગટરની છે. દરરોજ ગટર ઉભરાય છે જેના કારણે છોકરાઓ પણ પડી જાય છે. ગટરના પાણી ભરાતા મચ્છર પણ કરડે છે અને ચોમાસામાં પાણી ભરાઈ જાય છે. જેના કારણે હું પણ અત્યારે બીમાર છું અને મારે પણ બાટલા ચડે છે. ચોમાસામાં તો કમર સુધી પાણી ભરાઈ જાય છે જેથી બહાર જ નીકળી શકતા નથી. અનેક વખત રજૂઆત કરી છે પરંતુ જોવા કોઈપણ આવતું નથી. ચૂંટણી સમયે વાયદાઓ કરી કરીને જતા રહે છે પરંતુ તે બાદ દેખાતા જ નથી. એ લોકોને ગરજ હોય ત્યારે જ આવે છે બાકી આવતા જ નથી. આકાશ પરમારે જણાવ્યું હતું કે, વિકાસ થયો છે પરંતુ ડ્રેનેજ લાઇનની સૌથી મોટી સમસ્યા આ વિસ્તારમાં છે. એવી સ્થિતિ સર્જાઈ છે કે ગટરના પાણીમાંથી જ પસાર થવું પડે છે. ગટરના પાણી ભરાઈ જવાથી મચ્છરનો ત્રાસ વધી જાય છે. જેથી નાના છોકરાઓ બીમાર પણ પડી જાય છે.
આજવા રોડ પર રહેતા દંપતી વચ્ચે સવારનો નાસ્તો બનાવવા મુદ્દે ઝઘડો થયો હતો. જેને પગલે પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી હતી. તે પછી આખો દિવસ પતિનો કૉલ ન આવતાં મહિલાએ અભયમની મદદ લીધી હતી. અભયમની ટીમ મહિલાને લઈને તેમના ઘરે પહોંચી હતી અને પતિનું કાઉન્સેલિંગ કર્યું હતું. જે બાદ પતિ ખાતરી આપી હતી કે, તે હવે ક્યારેય પત્નીને ઘરમાંથી બહાર નહીં કાઢી મૂકે અને તેની સાથે સારો વ્યવહાર કરશે. આજવા રોડ પર રહેતા પ્રકાશભાઈ (નામ બદલ્યું છે) કરિયાણાની દુકાન ચલાવે છે. તેમણે ઘરના તમામ કામ માટે કામવાળા બહેન રાખ્યાં છે. જેથી તેમની પત્ની રાખીબહેન (નામ બદલ્યું છે)ને કોઈ કામ ન કરવું પડે. રાખીબહેનને સવારે માત્ર નાસ્તો જ બનાવવાનો હોય છે. જોકે મંગળવારે રાખીબહેને નાસ્તો બનાવ્યો ન હોવાથી પતિએ તેમની સાથે ઝઘડો થયો હતો. પત્નીએ કહ્યું હતું કે, મારી તબિયત સારી ન હોવાને કારણે નાસ્તો નથી બનાવ્યો. છતાં પ્રકાશભાઈએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી હતી અને કહ્યું હતું કે, તારે જ્યાં જવું ત્યાં જા, પણ ઘરે ન આવતી. જેથી રાખીબહેન ઘરમાંથી નીકળી ગયાં હતાં. તેઓને લાગ્યું હતું કે, પતિનો ગુસ્સો શાંત થશે ત્યારે કૉલ કરીને બોલાવી લેશે. જોકે રાત સુધી પતિનો કૉલ ન આવતાં તેઓએ અભયમને કૉલ કરીને સમગ્ર ઘટના જણાવી હતી. જેથી અભયમની ટીમ રાખીબહેને લઈને તેમના ઘરે પહોંચી હતી. ટીમે પ્રકાશભાઈને સમજાવ્યા હતા કે, તમારી પત્નીની તબિયત 3 દિવસથી ખરાબ હોવાથી તે નાસ્તો બનાવી શકતાં નથી, આવી નાની વાતમાં ઘરમાંથી કાઢી ન મૂકાય. આવી અવસ્થામાં તેમની મદદ કરવી જોઈએ. જેથી પ્રકાશભાઈ રાખીબહેન પાસે માફી માગતાં મામલો થાળે પડ્યો હતો. બંને સમયનું જમવાનું બનાવવા બહેન રાખ્યાં છે, પત્નીએ માત્ર નાસ્તો બનાવવાનો છેઃપતિઅભયમની ટીમ પ્રકાશભાઈના ઘરે પહોંચી ત્યારે તેમણે ટીમને જણાવ્યું કે, પત્નીને કોઈ કામ ન કરવાં પડે તે માટે કામવાળાં બહેન રાખ્યાં છે. બંને સમયનું જમવાનું બનાવવા માટે પણ બહેન આવે છે, માત્ર સવારે નાસ્તો બનાવવાનો હોય છે, તે પણ તે નથી બનાવતી. જેથી મેં તેને પાઠ ભણાવવા માટે ઘરમાંથી કાઢી મૂકી હતી.
ખનીજ વિભાગની કડક કાર્યવાહી:વાંકાનેર પંથકમાં ખનીજ માફિયાઓ પર ધોંસ, રૂ. 1.70 કરોડનો મુદ્દામાલ કબજે
છેલ્લા થોડા સમયથી ભૂમાફિયાઓ પર ખાણ અને ખનીજ વિભાગે ધોંસ બોલાવી છે અને ચાર ડમ્પર તેમજ એક એસ્કેવેટર સહિતના 1.07 કરોડના સાધનો કબજે લઇ તેના માલિકો પાસેથી દંડ વસુલવાની કાર્યવાહી તેજ બનાવાઇ છે. વાંકાનેર તાલુકામાં Dy.S.P. સમીર સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ બી.વી. પટેલ, પીએસઆઇ ડી.વી. ખાંભલા તથા સ્ટાફ દ્વારા તાલુકા પંથકમાં ખનીજ ચોરી બાબતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મેસરીયા પંથકમાંથી ત્રણ ખનીજ ભરેલા તથા એક ખાલી ડમ્પર પકડી પાડવામા આવ્યા હતા, જ્યારે તાલુકાના ભેરડા વિસ્તારમાંથી એક ડમ્પર સાથે સહિતના કરોડોના સાધનો પકડી પાડ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી ખનીજ માફીયાઓ બેલગામ બની ગયા હતા જેને પોલીસ કે ખનીજ વિભાગનો કોઈ જ પ્રકારનો ડર જ ન હોય તેવી રીતે બેખૌફ બની ખનિજનું ખનન તથા ગેરકાયદે વહન કરી રહ્યા હતા. તેના પર ધોંસ બોલાવવા પોલીસ અને ખાણ ખનીજ ખાતું સાગમટે ત્રાટક્યું હતું. ખનીજ માફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા ખનીજ માફિયાઓમાં ભયનો માહોલ છવાયો ગયો છે. તાલુકા પોલીસ ટીમે સવારથી જ પંથકમાં ચેકિંગ કામગીરી શરૂ કરી હતી જેમાં કુલ ચાર ડમ્પર તથા એક એસ્કેવેટર જપ્ત કરી ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી ત્યારે ખનીજ વિભાગે પણ આળસ ખંખેરવી પડી હતી, માલિકોને દંડ ફટકારવાની ગતિવિધિ તેજ કરી છે. પોલીસે ચાર ડમ્પર જેની 1.20 કરોડ રૂપિયા તેમજ એક એસ્કેવેટર કે જેની કિંમત રૂપિયા 50 લાખ મળી કુલ 1.70 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
મનપાની 52 બેઠકો માટે મૂરતિયાઓનો રાફડો:મહાનગરપાલિકાની 52 બેઠક માટે નવ ગણાં 491 દાવેદાર !
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 13 વોર્ડની 54 સીટ માટે 491 ભાજપ કાર્યકરોએ ટિકિટ માંગી છે. ગત ચૂંટણીમાં સંયુક્ત પાલિકામાં 13 વોર્ડ જ હતા તેમ છતાં 242 કાર્યકરોએ ટિકિટ માંગી હતી. આ વખતે વોર્ડ નં.9માં સૌથી વધુ 52 કાર્યકરોએ ટિકિટ માંગી છે. જે ખરેખર તમામ વોર્ડના સભ્યો બરાબર છે. ખાસ કરીને આ વોર્ડમાં માળોદ અને ખેરાળી બે ગામ ભળતા ગામડામાંથી પણ કાર્યકરોએ ઉમેદવારી કરી છે. સુરેન્દ્રનગર મહાનગર પાલિકાની પહેલી ચૂંટણીનો બુંગીયો વાગી ચૂકયો છે. 491 ભાજપ કાર્યકર્તાઓએ આ વખતે સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો છે. વોર્ડ નં.9 બાદ સૌથી વધુ વોર્ડ નં.3માં 32એ ટિકિટ માંગી છે. મહત્વની બાબત એ છે કે, પાલિકાના વહિવટના સારા જાણકાર છે અને કાયદાની સાથે નિયમો પણ સારી રીતે જાણે છે તેવા પીઢ નેતાઓએ ટિકિટ માંગવાનું ટાળ્યું છે. ભાજપની પરંપરા રહી છે કે ટિકિટ માંગવાનો બધાયને અધિકાર છે. ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, પ્રદેશ કારોબારી સભ્ય મહેશભાઇ મોદી અને પાલનપુરના ધારાસભ્ય અનીકેતભાઇ ઠકકરે ઉમેદવાર કાર્યકરોને સાંભળ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઇ ટમાલીયાના માર્ગદર્શનથી પ્રભારી પ્રતાપભાઇ ખાચર, શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઇ રાવલ અને વિપુલભાઇ ચૌહાણ સહિતની ટીમે વ્યવસ્થા સંભાળી હતી. ટેકનીકલ રણનીતિ : ફોર્મમાં સો.મીડિયા ફોલોઅર્સ જણાવવા ફરજિયાતમનપાની ચૂંટણીમાં જ્યારે ઉમેદવારે ફોર્મ ભરવાના હોય છે ત્યારે સામાન્ય રીતે ઉમેદવારનું સભ્ય પદ કેટલા સમયથી પક્ષમાં સક્રિય અને શું શું કામગીરી કરી તેની વિગતો માંગવામાં આવી હતી. પરંતુ આ ચૂંટણીના ઉમેદવારી ફોર્મમાં ઉમેદવારની સોશિયલ મીડિયામાં સક્રિયતા તપાસવા ખાસ કરીને કેટલા ફોલોઅર્સ છે તેની પણ વિગતો માંગવામાં આવી છે. આમ જેના ફોલોઅર્સ ઓછા તેની ટિકિટ કપાશે તે નક્કી તેવી ચર્ચા છે. મનપાની ચૂંટણીમાં આટલા ઉમેદવારોએ દાવેદારીની વિગત 50% નવા ઉમેદવારો સામે વહિવટનો મોટો પડકારમનપાની આ પહેલી ચૂંટણીમાં હાલની સ્થિતિ જોતા સૌથી વધુ નવા ચહેરાને સ્થાન અપાઇ શકે છે. યુવા ટીમને મનપાના વહિવટ અને સદસ્યો, ચેરમેનની સત્તાનું વિશેષ જ્ઞાન નથી. આથી 80% નવા ચહેરાઓના હાથમાં સત્તા આવશે તો મોટો પડકાર ઉભો થશે. ઉમેદવારો વધવાના મુખ્ય કરણો ભાસ્કર ઇનસાઇડ: 3 ટર્મ, 60 વર્ષની આયુ, પરિવારવાદનો નિયમ જળવાય તો અનેકની ટિકિટ કાપશેભાજપે પોતાની નવી ઉમેદવારની ટીમ તૈયાર કરવા માટે 60 વર્ષથી વધુની ઉંમરના, 3 ટર્મ ચૂંટણી લડી ચૂકેલા હોય તેવા અને પરિવારના સભ્યોને ટિકિટ ન આપવાનો નિર્ણય લીધો હોવાની હાલ ચર્ચા છે. જો પક્ષ ખરેખર આ નિયમનું ચુસ્ત પણે પાલન કરે તો અત્યારે જે લોકોએ ટિકિટ માંગી છે તેમાંથી ઘણા લોકોની ટિકિટ કપાઇ શકે છે. ભાસ્કર એક્સપર્ટ: ટિકિટ કપાશે તેઓના ક્રોસ વોટિંગ થઇ શકે છેઆટલી મોટી સંખ્યામાં જ્યારે ભાજપના કાર્યકર્તાઓએ ટિકિટ માંગી છે ત્યારે ટિકિટ માત્ર 52 વ્યકિતને જ મળવાની છે. આથી જે લોકોએ માત્ર નામ ખાતર ટિકિટ માંગી છે તેમાં કોઇ વાંધો નહી આવે પરંતુ જે ખરેખર સાચા દાવેદાર છે, પક્ષ અને પોતાના વોર્ડમાં સક્રિય છે તેવા લોકોની ટિકિટ કપાશે તો ક્રોસવોટીંગની શકયતાઓ વધી જશે. પરંતુ સામે કોંગ્રેસ નિષ્ક્રિય છે. આથી લોકો પાસે ભાજપ સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. પરિણામે અંતે ભાજપનું પલડુ ભારે રહી શકે છે. - કે.સી.શાહ, પૂર્વ સદસ્ય (એક્ષપર્ટ)
સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષ ગરમીનો પારો સતત વધઘટ વાળો રહ્યો છે. ત્યારે માર્ચ માસમાં ગરમીનો છેલ્લા 10 વર્ષનો પારો મહતમ તાપમાન સુધી પહોંચવામાં સૌથી ઓછા દિવસો લાગ્યા છે. જિલ્લામાં આ વર્ષ માર્ચ માસનું હાઇએસ્ટ મહત્તમ તાપમાન 42.9 ડિગ્રી રહ્યું છે. જે માત્ર 10 દિવસમાં ગરમીનો પારો વધતા લાગ્યા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 25.6 ડિગ્રી રહ્યું છે જેને માત્ર11 દિવસ લાગ્યા છે. સામાન્ય રીતે માર્ચ મહિનાની શરૂઆત સાથે આકરા ઉનાળાની શરૂઆત થઇ જતી હોય છે. ત્યારે મહત્તમ ગરમી સુધી પહોંચતા સામાન્ય રીતે 20થી 28 દિવસનો સમય લાગે છે. ત્યારે જિલ્લામાં આ વર્ષ માર્ચ તાપમાનની દ્રષ્ટીએ ઉતાર ચઢાવ વાળો રહ્યો છે. જેમાં શરૂઆતમાં મધ્યમ તાપમાન બાદ બાદ મહિનાના અંતમાં વાતાવરણ પલ્ટાને કારણે ગરમી ઘટી તથા સપ્તાહમાં ઉનાળાની અસર ઓછી વર્તાયા બાદ અંતના દિવસોમાં ફરી તાપમાન વધ્યું હતું. આ વર્ષ એપ્રિલની શરૂઆતમાં વર્તાતી હોય તેમ 42 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું હતું. ત્યારે જૂના વર્ષોના તાપમાન સાથે સરખાવીએ તો આ વર્ષનો માર્ચ મહિનો જિલ્લામાં છેલ્લા 10 વર્ષના તાપમાનની દ્રષ્ટીએ સૌથી વધુ મહત્તમ જે બપોર બાદ નોંધાય છે તેના 42 તાપમાનના પારા સુધી પહોંચવામાં સૌથી ઓછા 10 દિવસો લાગ્યા છે. જ્યારે લઘુત્તમ તાપમાન જે રાત્રી બાદ નોંધાય છે તેના હાઇએસ્ટ 25 ડિગ્રી સુધી પહોંચતા 11 દિવસ લાગ્યા છે. વાતાવરણ પલટો, કમોસમી વરસાદે તાપમાન આ વર્ષ ઓછુ કર્યું20 માર્ચે વાવાઝોડુ, વરસાદ અને 4 દિવસ સુધી વાતાવરણ પલ્ટાને કારણે માર્ચમાં અંતિમ દિવસો થોડી રાહત થઈ. છેલ્લા દિવસો દરમિયન લઘુત્તમ તાપમાન 23.5 અને મહત્તમ 35.3 રહ્યું હતું. ગત વર્ષ માર્ચે લઘુતમ 23.6 અને મહત્તમ 37.5 ડિગ્રી રહ્યું હતું. માર્ચમાં મહત્તમ તાપમાન સુધી પહોંચવામાં લાગેલા દિવસો
ફરિયાદ:શીશલી ગામે મહિલા સહિત 3 શખ્સનો યુવતી પર હુમલો
પોરબંદરના શીશલી ગામે યુવતીના પિતા અને યુવતી સાથે શખ્સોને મનદુખ હોય જે મનદુઃખના કારણે મહિલાઓએ યુવતીને માર માર્યો હતો જ્યારે શખ્સે યુવતીને ગાળો કાઢી ધમકી આપ્યા અંગેની ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના શીશલી ગામે નવાપરા પાણીના ટાંકા પાસે રહેતી જ્યોતિબેન ભરતભાઈ મોઢાના પિતા તથા આરોપીઓ માયાબેન સંજય મોઢા, તેજલબેન વિજય અને અમિત સંજય મોઢાને ત્રણ વર્ષ પહેલા મારામારી અને ઝઘડો થયેલ હતો, જે બાબતે આરોપીઓ વચ્ચે મનદુઃખ હતું. જેને કારણે માયાબેન અને તેજલબેને જ્યોતિબેનને ઢીકા પાટુનો માર મારી ગાળો કાઢી હતી જ્યારે અમિતે જ્યોતિબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે જ્યોતિબેને ફરિયાદ નોંધાવતા પોલીસે માયાબેન, તેજલબેન અને અમિત સામે જાણવાજોગ દાખલ કરી આગળની તપાસ બગવદર પોલીસ ચલાવી રહી છે.
પોરબંદર જિલ્લામાં યોજાનાર મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કલોરશીપ (CGMS) 2026 ની પરીક્ષા દરમ્યાન પરીક્ષા કેન્દ્રો આસપાસ લોકો એકત્ર ન થાય અને પરીક્ષાર્થીઓને ખલેલ ન પડે તેમજ પરીક્ષા શાંતિ અને એખલાસભર્યા વતાવરણમાં યોજાય તેમ માટે એકથી વધુ લોકોને એકત્ર થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ પરીક્ષા કેન્દ્રોની આસપાસના 200 મીટરના વિસ્તારમાં ઝેરોક્ષ મશીન દ્વારા કોપીઓ કરવા પર મનાઇ ફરમાવવામાં આવી છે. બિનઅધિકૃત વ્યકિતઓ પરીક્ષાની કામગીરીને દખલ પહોંચાડે નહી તે હેતુથી પોરબંદર જિલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રેખાબા સરવૈયા દ્વારા પોરબંદર જિલ્લા ખાતેના નિયત કેન્દ્ર કે ઝોનલ ઓફીસ ખાતે તા.04.04.2026 ના રોજ સવારે 10.30 થી બપોરના 13.30 કલાક સુધી પરીક્ષા કેન્દ્રોની આસપાસના 100 મીટરના વિસ્તારમાં કોઇપણ માર્ગ ઉપર કે ચોકમાં ગલીઓમાં બે કે બે કરતા વધારે સંખ્યામાં લોકોએ એકઠા થવું નહીં. સરઘસો કાઢવા નહી, સુત્રો પોકારવા નહી, લાઉડ સ્પીકર કે અન્ય રીતે ધોંધાટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કેન્દ્ર નજીક ઝેરોક્ષ મશીન ચાલુ રાખવા મનાઈપોરબંદર જિલ્લા ખાતેના પરીક્ષા કેન્દ્રોની આસપાસના 200 મીટરના વિસ્તારની ઝેરોક્ષ મશીન દ્રારા કોપીઓ કરવાનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ કે મશીનધારકોએ તેમના ઝેરોક્ષ મશીન ચાલુ રાખવા નહી તેમજ પરીક્ષા કેન્દ્રોના પરિસરમાં કે પરીક્ષા ખંડોમાં ગેરરીતી કે ચોરીઓના દુષણો ન થાય તે હેતુથી મોબાઇલ, કેલ્કયુલેટર, ડીઝીટલ વોચ, કોઇપણ પ્રકારના ઇલેકટ્રીકલ, મીકેનીકલ, ઇલેકટ્રોનિક ઉપકરણો તેમજ ગેરરીતી આચરવા કોમ્યુનીકેશન થઇ શકે એવા કોઇ પણ પ્રકારના સાધનો કે ઉપકરણો લઇ જવા ઉપર મનાઇ ફરમાવવામાં આવી છે. જેથી કોઇ ગેરરિતી કે પરીક્ષામાં ચોરી લક્ષી પ્રવૃતિઓને રોકી શકાશે.
કામગીરી:મનપા વિસ્તારમાં 20 એપ્રિલથી પ્રથમ તબક્કાનીવસ્તી ગણતરી 350થી વધુ સ્ટાફ દ્વારા શરૂ થશે
પોરબદર મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી 20 એપ્રિલથી વસ્તી ગણતરીની પ્રકિયા શરૂ કરવામાં આવશે જેમાં પ્રથમ તબક્કામાં મનપા વિસ્તારમાં રહેલ મકાનોની વિગતો એકત્રિત કરવામાં આવશે.આ વિગતો માટે દરેક મકામ દીધી 34 પ્રકારની વિગતો પૂછવામાં આવશે તો મનપા વિસ્તારમાં 3 ભાગમાં 450 થી વધુ સ્ટાફ આ ગણતરીમાં જોડાશે ત્યારે આ ગણતરીને લઈને આગામી દિવસોમાં સ્ટાફને પણ તાલીમ આપવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા અમુક રાજ્યમાં વસ્તી ગણતરીનો 1 એપ્રિલથી પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે રાજ્યમાં પણ વસ્તી ગણતરીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પણ વસ્તી ગણતરી અંગેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મનપા દ્વારા આગામી 20 એપ્રિલથી પ્રથમ તબક્કાની વસ્તી ગણતરીનો પ્રારંભ કરવામાં આવશે. આ વસ્તી ગણતરીમાં પ્રથમ તબક્કામાં મનપા વિસ્તારમાં આવેલ મકાનો અંગે વિગતો એકત્રિત કરવામાં આવશે. મનપા દ્વારા મનપા વિસ્તારમાં વસ્તી ગણતરી માટે 3 ભાગ કરવામાં આવ્યા છે. જેમાં અંદાજે 380 જેટલા ગણતરીદાર તેમજ 70 જેટલા સુપરવાઈઝર સહિતના અધિકારીઓ ખાસ જોડાશે. આ ગણતરીમાં જોડાયેલ કર્મીઓને આગામી દિવસોમાં ખાસ તાલીમનું પણ આયોજન કરવામાં આવશે.આ તાલીમમાં ગણતરી અંગે ખાસ માર્ગદર્શન આપવામાં આવશે. ગણતરી આખી ડિઝીટલ રીતે કરવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા આ વસ્તી ગણતરી આખી ડીઝીટલ રીતે કરવામાં આવશે.જેમાં સ્ટાફ દ્વારા મોબાઈલ સોફ્ટવેર મારફતે ગણતરીની તમામ વિગતો સબમિટ કરવામાં આવશે. આ ગણતરીમાં સેલ્ફ આઈ.ડી. મારફતે ગણતરી કરી સ્વ ડેટા સબમિટ કરી શકશે.
દુર્ગંધથી લોકો પરેશાન:ખુદ મનપાના બિલ્ડિંગમાં શૌચાલયની અવદશા !
પોરબંદર મહાનગર પાલિકાના બિલ્ડિંગમાં જ સ્વચ્છતાની હાલત અત્યંત ખરાબ હોવાનું સામે આવ્યું છે. મનપા બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ શૌચાલયમાં ગંદકી અને અવ્યવસ્થાની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે, જેના કારણે અહીં આવનારા નાગરિકો અને કર્મચારીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે. શૌચાલયમાં પાર્ટીશન તૂટેલી હાલતમાં છે અને ગંદા પાણીના નિકાસ માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે ફ્લોર પર ગંદુ પાણી ફેલાઈ રહે છે. આ ગંદકીના કારણે ત્યાં ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે, ઉલ્લેખનીય છે કે, અહીં અનેક વિભાગમાં અરજદારો આવતા હોય છે અને ગ્રાઉન્ડ ફ્લોરના શૌચાલયનો ઉપયોગ કરે છે ત્યારે આ શૌચાલયની અવદશાના કારણે કેટલાક અરજદારો ત્યાં જવાનું ટાળી રહ્યા છે. ફ્લોર પર ગંદુ યુરિનલ પાણી ભરાઈ રહેતા અંદર જવું મુશ્કેલ બન્યું છે. મહાનગર પાલિકાના બિલ્ડિંગમાં આ પ્રકારની બેદરકારી જોવા મળી રહી છે.
ભાસ્કર બ્રેકિંગ:પોરબંદરથી હવે મુંબઈની જેમ વડોદરા માટે પણ એરોપ્લેન સેવા ઉપલબ્ધ બનશે
આગામી દિવાળી અગાઉ પોરબંદર થી વડોદરા એક કલાકમાં પહોંચી જવાશે, કારણ કે વડોદરા એરપોર્ટ થી આ વર્ષે ઓક્ટોબરમાં ત્રણ સ્થળ માટેની એર ટેકસીની ફ્લાઈટ શરૂ થવાની છે આ ત્રણ સ્થળમાંથી એક સ્થળ પોરબંદર પણ છે. આ સેવા શરુ થતા પોરબંદરથી હવે મુંબઈની જેમ વડોદરા માટે પણ એરોપ્લેન સેવા ઉપલબ્ધ બનશે. જેથી હવાઈ મુસાફરી માટે હંમેશા પાછળ રહી ગયેલા પોરબંદરને આ ફલાઈટ મળતા 9 કલાકનો રસ્તો 1 કલાકમાં કાપી શકાશે. પોરબંદર અને વડોદરા વચ્ચેની હવાઈ સેવાને ઉડાન સ્કીમ અંતર્ગત વીમાની ઓપરેટર કંપનીને મંજૂરી અપાય છે. હવે કેટલીક ઔપચારિકતા બાકી છે આ સેવા અંતર્ગત વિમાનમાં આઠ મુસાફરો હવાઈ સફર કરી શકશે. એટલું જ નહીં ટિકિટના દર પણ આકર્ષક રખાશે આ સેવા શરૂ કરાતા પોરબંદર અને વડોદરાના ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેનને રોકાણ કરવા માટે અનુકૂળતા ઊભી થશે. તે સિવાય વડોદરામાં અભ્યાસ કરતા પોરબંદરના વિદ્યાર્થીઓને પણ પોરબંદર વડોદરા વચ્ચે આવવું જવું સરળ બની જશે. ઉડાન ઉડે દેશ કા આમ નાગરિક અંતર્ગત સરકારે પ્રાદેશિક કનેક્ટિવિટી વધારવા પર ભાર મૂક્યો છે, જેમાં સરકાર વાયાબીલીટી ગેપ ફંડિંગ આપશે, એટલે વિમાની ભાડું સામાન્ય નાગરિકને પણ પરવળશે. ઉલ્લેખનીય છે કે અત્યારે પોરબંદર થી મુંબઈ અઠવાડિયામાં બે દિવસ જવાની ફ્લાઈટ છે, પણ હવે પોરબંદર થી બરોડા જવાની પણ ફ્લાઈટ શરૂ થતા શહેરના પ્રવાસન, બિઝનેસ, ઉદ્યોગ અને મેડિકલ ટુરીઝમને વેગ મળશે. તે ઉપરાંત અહીંથી વડોદરા ભણવા જતા વિદ્યાર્થીઓને પણ પોતાના વતન આવવા માટે એક નવી યુટીલીટી મળશે. વડોદરા જવા માટે અત્યારે લાગતા 9 થી 10 કલાકના રસ્તામાં ઘટાડો થશે અને હવે આ સેવા મારફતે વડોદરા જવા માટે લોકો એક કલાકમાં પહોંચી શકશે. માત્ર રૂ.10માં ચા, રૂ.20માં નાસ્તો: ઉડાન કાફેનું આકર્ષણહવાઈ મુસાફરીને સામાન્ય માણસ સુધી પહોંચાડવા માટે એરપોર્ટ પર ખાસ ''ઉડાન કાફે'' શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ કાફેમાં મુસાફરોને એરપોર્ટના મોંઘા ભાવથી મુક્તિ મળશે અને માત્ર રૂ. 10 માં ચા તથા રૂ. 20 માં સમોસા જેવો નાસ્તો મળી રહેશે. સરકાર દ્વારા ઓપરેટરોને સબસિડી અપાતી હોવાથી ફ્લાઈટની ટિકિટના દરો પણ મધ્યમ વર્ગને પરવડે તેવા આકર્ષક રાખવામાં આવશે. અગાઉ જે અમદાવાદની ફ્લાઈટ બંધ થઈ હતી તેનો વિકલ્પ પણ બની શકશે પોરબંદર થી અમદાવાદ જવા માટે પહેલા એક ફ્લાઇટ શરૂ કરવામાં આવી હતી,જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. પરંતુ પાછળથી કોઈને કોઈ કારણોસર આ ફ્લાઈટ બંધ થઈ જતા પોરબંદરના પ્રવાસીઓને અમદાવાદ સુધીની હવાઈ સેવા બંધ થઈ ગઈ હતી. હવે ફરી જ્યારે આ સેવા શરૂ થવા જઈ રહી છે ત્યારે અમદાવાદ નહીં તો વડોદરા સુધી પણ પોરબંદર વાસીઓને જવા મળશે તો તેમને ગુજરાત સાથેનું એર કનેક્શન મળી જશે જેથી આ ફ્લાઈટ અમદાવાદની ફ્લાઈટનો વિકલ્પ પણ બની શકશે.
પોરબંદર જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઉનાળુ પાકનું વધુ વાવેતર નોંધાયું છે.આ વર્ષે જિલ્લામાં ઉનાળુ પાક માટે પૂરતી પિયતના પાણીની વ્યવસ્થા હોવાથી ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 7741 હેકટરમાં વધારા સાથે કુલ 13361 હેકટરમાં ઉનાળુ પાકનું વાવેતર નોંધાયું હતું તો ગત વર્ષે જિલ્લામાં કુલ 5620 હેકટરમાં બાજરી, મગ,તલ અને શાકભાજીનું વાવેતર નોંધાયું હતું. પોરબંદર જિલ્લામાં આ વર્ષે ચોમાસા દરમ્યાન પુષ્કળ વરસાદ પડ્યો હતો તેમજ ખાસ કરીને દિવાળી દરમ્યાન પણ જિલ્લામાં 2 થી 7 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો જેથી પોરબદર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં આવેલ સ્થાનિક જળાશયોમાં પૂરતા પાણીનો સ્ટોક ઉપલબ્ધ થયો હતો જેથી જિલ્લાના ખેડૂતો દ્વારા ખરીફ પાક બાદ શિયાળું પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું ત્યારે શિયાળું પાક તૈયાર થતા હવે ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર કરી રહ્યા છે. પોરબંદર જિલ્લામાં આ વર્ષે ખેડૂતોને ઉનાળુ પાક માટે પૂરતા પ્રમાણમાં પિયતના પાણીની વ્યવસ્થા હોવાથી ઉનાળુ પાકના વાવેતરમાં વધારો થયો છે.પોરબંદર જિલ્લામાં આ વર્ષે કુલ 13361 હેકટરમાં બાજરી, મગ, તલ, શાકભાજી અને ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું હતું તો ગત વર્ષ જિલ્લામાં 21 માર્ચ સુધીમાં 5620 હેકટરમાં બાજરી, મગ, તલ, શાકભાજી અને ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું હતું. વર્ષ 2026માં ઉનાળુ પાકનું વાવેતરબાજરી-325 હેકટર મગ-7750 હેકટર અડદ-125 હેકટર તલ-1190 હેકટર શાકભાજી-210 હેકટર ઘાસચારો-3726 હેકટર કુલ-13361 હેકટર
વાતાવરણ:લઘુતમ તાપમાન 2.7 ડિગ્રી વધીને 21.3 ડિગ્રી નોંધાયું
માવઠાની આગાહીને પગલે પોરબંદરમાં પવન ફૂંકાયો હતો. મહતમ તાપમાન 32.4 ડિગ્રી યથાવત રહ્યું છે જ્યારે લઘુતમ તાપમાન 2.7 ડિગ્રી વધીને 21.3 ડિગ્રી સુધી પહોંચ્યું છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 6 ટકા વધીને 55 ટકા નોંધાયું છે.માવઠાની આગાહીને પગલે પોરબંદરમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન ફૂંકાયો હતો. અને છૂટાછવાયા વરસાદી છાંયા પડ્યા હતા. પોરબંદરમાં ગઈકાલે બુધવારે મહતમ તાપમાન 32.4 ડિગ્રી નોંધાયું હતું અને લઘુતમ તાપમાન 18.6 ડિગ્રી સુધી પહોંચ્યું હતું જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 49 ટકા રહ્યું હતું, જેની સામે ગુરુવારે મહતમ તાપમાન 32.4 ડિગ્રી યથાવત રહ્યું છે અને લઘુતમ તાપમાન 2.7 ડિગ્રી વધીને 21.3 ડિગ્રી નોંધાયું છે જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 6 ટકા વધીને 55 ટકા રહ્યું છે. ભેજનું પ્રમાણ વધી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓની તારીખ જાહેર થઈ છે ત્યારે પોરબંદર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત તેમજ ત્રણેય તાલુકા પંચાયતમાં તા. 26 એપ્રિલના ચૂંટણી યોજાશે. પોરબંદર મહાનગર પાલિકાના 13 વોર્ડ તેમજ જિલ્લા પંચાયતની 18 અને પોરબંદર તાલુકા પંચાયતની 22, રાણાવાવ તાલુકા પંચાયતની 16 અને કુતિયાણા તાલુકા પંચાયતની 16 સીટ એટલેકે જિલ્લા પંચાયતની 18 અને ત્રણેય તાલુકા પંચાયતની 54 સીટ માટે તા.6 એપ્રિલથી ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે. તા.11 એપ્રિલ સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. ત્યારબાદ ઉમેદવારોના ફોર્મની ચકાસણી તા.13 એપ્રિલ અને ઉમેદવારી પત્ર પાછી ખેંચવાની તારીખ 15 એપ્રિલ છે. મતદાન તા. 26 એપ્રિલ તેમજ તા.28 એપ્રિલના મત ગણતરી યોજાશે. પોરબંદર મનપાના 13 વોર્ડની વાત કરીએ તો મનપા વિસ્તારમાં કુલ 166871 મતદારો છે, જ્યારે પોરબંદર જિલ્લા પંચાયતના 234910 મતદારો, તાલુકા પંચાયતના 132109 મતદારો, રાણાવાવ તાલુકા પંચાયતના 47857 અને કુતિયાણા તાલુકા પંચાયતના 54944 મતદારો નોંધાયેલ છે.આચાર સંહિતાના અમલ તેમજ અધિકારી કર્મચારીઓની બદલી તેમજ રજા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમજ બદલી કરી શકાશે નહિ. સરકારી સેવાઓ અને જાહેર સાહસોમાં નિમણૂક આપી શકાશે નહિ. મતદાન મથકની સંખ્યાપોરબંદર મનપા વિસ્તારના 13 વોર્ડમાં 191 મતદાન મથક રહેશે જ્યારે પોરબંદર તાલુકા પંચાયતમાં 22 મતદાર મંડળોની સંખ્યા અને 155 મતદાન મથક, રાણાવાવ તાલુકા પંચાયતમાં 16 મતદાર મંડળોની સંખ્યા અને 61 મતદાન મથક તેમજ કુતિયાણા તાલુકા પંચાયતમાં 16 મતદાર મંડળોની સંખ્યા અને 71 મતદાન મથક રહેશે.
બેઠક:0 ટકા સર્વિસ ચાર્જ કરનારી કંપનીને કામ મળતા રૂા. 40 લાખનું નુકસાન થતું બચ્યું
જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાથી સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક કાર્યકારી અધ્યક્ષ સંજય મણવરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ, વહીવટી પ્રક્રિયાને વેગ આપવા અનેક ક્રાંતિકારી નિર્ણયો લેવાયા છે. જેમાં સૌથી નોંધપાત્ર નિર્ણય અમૃત 2.0 અર્બન ચેલેન્જ ફંડ અંતર્ગત ''મ્યુનિસિપલ બોન્ડ'' બહાર પાડવાનો છે. જૂનાગઢ મનપાના ઇતિહાસમાં પ્રથમ વખત ટેક્ષેબલ બોન્ડ બહાર પાડીને વિકાસના કામો માટે ભંડોળ એકત્ર કરવાની દિશામાં કમિશ્નરને સત્તા સોંપવામાં આવી છે. આ બેઠકમાં મેયર ધર્મેશ પોશીયા, ડે.મેયર આકાશ કટારા અને અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં શહેરની માળખાગત સુવિધાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે આઉટસોર્સિંગ દ્વારા મેનપાવર પૂરો પાડવા માટેની ટેન્ડર પ્રક્રિયામાં એલ-1તરીકે આવેલી અમદાવાદની એજન્સીના ભાવો મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વોર્ડ નં. 14માં આરસીસી પાઈપલાઈન અને સિવિલ રિપેરિંગના કામોને પણ મંજૂરી આપી જનસુખાકારીના કામોને પ્રાથમિકતા અપાઈ છે. આ બેઠકમાં શાસકપક્ષના નેતા મનન અભાણી, દંડક કલ્પેશ અજવાણી તેમજ સમિતિના સભ્યો વીનસ હદવાણી, નિલેશ પીઠીયા અને અન્ય કોર્પોરેટરઓ હાજર રહ્યા હતા. અમૃત 2.0 અર્બન ચેલેન્જ ફંડ અંતર્ગત અમલીકરણ થશે, એટલે કે આ યોજના હેઠળ કોઈ રકમ લેવી હોય તો બોન્ડ આપવા પડશે. શહેરના મોટા વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે નાણાકીય ભંડોળ ઉભું કરવામાં આ ખૂબ જ કામ આવશે. મનપા પ્રથમ વખત ટેક્ષેબલ બોન્ડ બહાર પાડશે, જે આર્થિક આત્મનિર્ભરતા તરફનું પગલું છે.
તસ્કરી:વેપારીના મકાનમાંથી રૂા. 3.17 લાખના સોનાના દાગીનાની ચોરી
મેંદરડામાં એક વેપારીના મકાનને નિશાન બનાવી કબાટના લોક તોડી તસ્કરો શખ્સો રૂ. 3.17 લાખની કિંમતના સોનાના ઘરેણાંની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. મેંદરડામાં સરકારી દવાખાના પાછળ રહેતા અને વેપારી પરાગભાઈ જેઠાલાલ ચંદે ગત તારીખ 15 માર્ચના રોજ ઘરના હોલમાં લાકડાના સાદા કબાટમાં અગાઉથી સોનાનો ચેઇન, રૂપિયા 2 લાખની રોકડ પડી હતી અને સોનાનું કડુ, મંગળસૂત્ર, સોનાનો ચેઇન કબાટમાં રાખી પત્ની આઉટ સ્ટેટ ફરવા ગયા હતા. જ્યારે તેના માતા પિતા ઘરે હતા. 29 માર્ચના રોજ રાત્રિના ફરીને પરત આવ્યા હતા. જ્યારે 1લી એપ્રિલના રોજ સાંજે ઘરના હોલમાં રાખેલા લાકડાના કબાટનું લોક તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું. કબાટમાં તપાસ કરતા અંદર રાખેલું રૂપિયા 3,17,644ની કિંમતના 39.900 ગ્રામ વજનના સોનાના કડા ગાયબ હતા. તેઓ જ્યારે ફરવા ગયા ત્યારે સોનાના અન્ય દાગીના સાથે આ કડા પણ કબાટમાં સુરક્ષિત રાખ્યા હતા. તસ્કરોએ માત્ર આ કડાની તારીખ 15/03/2026 થી 01/04/2026 દરમિયાન ચોરી થયાની ફરિયાદના આધારે તપાસ કરી છે.
ધરપકડ:બોગસ લર્નિંગ લાયસન્સ કેસ, આરોપીઆફ્રિકાથી જૂનાગઢ આવતા દબોચ્યો
બોગસ લર્નિંગ લાયસન્સ કેસમાં 10 વર્ષથી ફરાર આરોપી આફ્રિકાથી આવતા પોલીસે શહેરના મુલ્લાવાડામાંથી દબોચી લીધો હતો. મુલ્લાવાડામાં આવેલ અલીફ પ્લાઝા એપાર્ટમેન્ટમાં રહેતો ઇમરાન ગફારભાઈ મચ્છર નામના શખ્સ વિરુદ્ધ વર્ષ 2016માં ખોટા લર્નિંગ લાયસન્સ બનાવવાનો ગુનો વિવિધ કલમ મુજબ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. ગુનો આચરી શખ્સ છેલ્લા 10 વર્ષથી નાસતો ફરતો હતો. દરમિયાન હ્યુમન સોર્સ આધારે બાતમી મળી હતી કે આરોપી ઈમરાન ગફાર ગુનો કર્યા બાદ ભારત છોડી આફ્રિકા જતો રહ્યો હોય અને 15 દિવસ પહેલા આફ્રિકાથી જૂનાગઢ ખાતે આવ્યો છે. આ બાતમી આધારે એ ડિવિઝન પીઆઇ એસ. કે. દેસાઈના માર્ગદર્શનમાં સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઇ વાય. એન. સોલંકીની ટીમે તપાસ કરતા 44 વર્ષીય આરોપી ઇમરાન મચ્છર શહેરના મુલ્લાવાડામાંથી મળી આવતા તેને અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. કોંગોમાં મેનેજરની નોકરી કરતો પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, 'જ્યારે તેને ઝેરોક્ષની દુકાન હતી ત્યારે બોગસ લર્નિંગ લાઇસન્સ બનાવ્યા હતા. બાદમાં દુકાન વેચી નાખી હતી અને ગુનો આચરી આફ્રિકા નાસી ગયો હતો જ્યાં કોંગો ખાતેના એક સ્ટોરમાં મેનેજરની નોકરી કરતો હતો.'
વાતાવરણમાં પલટો:2 દિવસ કમોસમી વરસાદની આગાહી, તાપમાન ઘટીને 33.5 ડિગ્રી નોંધાયું
વાતાવરણમાં પલટો આવતા ગુરુવારે જૂનાગઢ સહિત સોરઠમાં મહત્તમ તાપમાન ઘટીને 33.5 ડીગ્રી નોંધાયું હતું જેના પગલે ભરઉનાળે ગરમીની જગ્યાએ ઠંડક અનુભવાઈ હતી. આ વર્ષે ઉનાળાની ઋતુ ડામાડોળ થઈ ગઈ છે. ઉનાળાની શરૂઆતને દિવસો વીતી જવા છતાં હજુ પણ આકરી ગરમી શરૂ થઈ નથી. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી ઉનાળાના દિવસોમાં બેવડી ઋતુ અનુભવાઇ રહી છે. ગુરુવારે સવારે જૂનાગઢ સહિતના વિસ્તારોના વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો હતો. સવારથી વાદળછાયું હવામાન રહ્યું હતું. ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે શરૂ થયેલી સવારે બાદ બપોરના મહત્તમ તાપમાન ઘટીને 33.5 ડિગ્રી નોંધાયું હતું. આ સ્થિતિ વચ્ચે હવામાન વિભાગ દ્વારા તારીખ 3 અને 4 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 એપ્રિલ બાદ ઉનાળાની શરૂઆતઆગામી 2-3 દિવસ તાપમાન 34 થી 35 ડીગ્રી વચ્ચે રહેશે અને સૌરાષ્ટ્રમાં હળવો કમોસમી વરસાદ થવાની આગાહી છે. જેની અસરથી તાપમાન આગામી 10 દિવસ સુધી સામાન્ય અને સામાન્ય કરતાં ઓછું રહેશે. ઉનાળાની શરૂઆત એપ્રિલના ત્રીજા સપ્તાહમાં એટલે કે 12 એપ્રિલ થી થશે અને મહત્તમ તાપમાન 40 ડિગ્રી પર પહોંચવાની શક્યતા છે. > ધીમંત વઘાસીયા, હવામાન અધિકારી
ચેકિંગ:જેલની અંદર રહેલા કેદી સામે ત્રીજી ફરિયાદ, મોબાઇલ મળ્યો
જૂનાગઢ જીલ્લા જેલમાં સિપાઇની ફરજ બજાવતા ભરત યુ. વાળાને જેલનો કાચા કામનો આરોપી અયાન ઉર્ફે પાંચીયો અમીન મૂળિયા જેલમાં અન-અધિકૃત રીતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. આ બાતમી આધારે 2 એપ્રિલના રોજ મધરાત્રે જેલની ઝડતી સ્ક્વોડ દ્વારા અયાન ઉર્ફે પાંચીયો સાથેના કેદી ઈમ્તિયાઝ ઉર્ફે બકરો ઈબ્રાહીમ હિંગોરજા તથા નદીમ ઉર્ફે નીક્કી મુન્નાભાઈ ચંદાણીની સલામતી વિભાગની બેરેક નંબર 11માં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ બેરેકમાં રહેલા કાચા કામના આરોપી અયાન ઉર્ફે પાંચીયો અમીનભાઈ મુળીયાના બિસ્તરની તલાશી લેતા તેના તકિયા નીચેથી કી-પેડ વાળો ફોન મળી આવ્યો હતો. આ ફોનમાં સિમકાર્ડ પણ કાર્યરત હતું. જેની સાથે વિસ્તારની બાજુમાં પડેલી બ્લુ કલરની પ્લાસ્ટિકની ડબ્બી ચેક કરતા તેમાંથી લાલ કલરના કેબલ સાથેનું સફેદ કલરનું એડેપ્ટર અને દરેકની બંધ ટ્યુબલાઈટની પટ્ટીમાં ભરાવેલ ટુ પીન હોલ્ડર પણ મળી આવ્યું હતું. આ અંગે ફરિયાદ થઇ છે. અગાઉ જેલમાં તમાકુ બાબતે ફરિયાદ અગાઉ પણ આ કેદી પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો. એ પછી જેલ બહારથી બીડી, તમાકુ, ગુટખા સહિતની પ્રતિબંધિત વસ્તુઓનું પોટલું મોપેડ ચાલકે જેલની અંદર ફેંક્યુ હતુ આ મોપેડ આ કેદીના નામનુ હોવાથી ફરિયાદ થઇ હતી.
કાર્યવાહી:જામનગરમાં આયુ.યુનિવર્સિટી કેમ્પસમાં મદદનીશ ઈજનેર 4.52 લાખની લાંચ લેતાં ACBના છટકામાં
જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી ચેમ્બર સેન્ટ્રલ પબ્લીક ર્વક ડીપાર્ટમેન્ટની કચેરીમાં ઈલેક્ટ્રીક શાખામાં મદદનીશ ઈજનેર તરીકે ફરજ બજાવતા વિજયકુમાર બાબુલાલ મીના પોતાની ફરજ પર આજે હતા. જામનગરના લાખાબાવળ ગામના પાટીયા પાસે હાઈવે રોડ પર આવેલી ગુજરાત આયુર્વેદ યુનિર્વસિટી તથા ડબલ્યુ.એચ.ઓ.દ્વારા સંયુક્તમાં દવાઓના રિસર્ચ સેન્ટરમાં ઈલેકટ્રીકની કામગીરીનો અને દેવભુમિ દ્વારકા તાલુકાના મોજપ ગામે આવેલ બી.એસ.એફ.મરી તાલીમ કેન્દ્રના ઈલેક્ટ્રીક સરસામાન ફીટીંગ કરવાની કામગીરીનો કોન્ટ્રાકટર ફરિયાદીને મળ્યો હતો. જેના બીલ પાસ કરાવવા માટે ફરિયાદી પાસેથી રૂ.4.52 લાખની લાંચ માંગવામાં આવી હતી. જે લાંચ કોન્ટ્રાકટરના ભાગીદાર આપવા માટે તૈયાર ન હતા. જેથી તેમણે જામનગર એસીબીમાં ફરિયાદ નોંધાવતા રાજકોટ એસીબી મદદનીશ નિયામક જે.ડી.મેવાડાની સુચનાથી એસીબી પીઆઈ આર.એન.વિરાણીએ ટીમના બલદેવસિંહ વાઘેલા સહિતના સ્ટાફ સાથે આજે બપોર બાદ ગુજરાત આયુ.યુનિ.ના કેમ્પસમાં કચેરીમાં છટકુ ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન ફરિયાદીના મિત્ર પાસેથી રૂ.4.52 લાખની લાંચ સ્વીકારી હતી અને ફોનમાં ફરિયાદી સાથે રકમ મળ્યાની કબુલાત કરતા જ એસીબી ટીમ પહોંચી ગઈ હતી અને રંગેહાથ ઝડપી લીધો છે.
હુકમ:ભુજિયા કોઠાના રિસ્ટોરેશનમાં નિયમોનું ઉલ્લઘંન, દિલ્હી NMAનો તપાસનો આદેશ
જામનગરના ઐતિહાસિક ધોરહર ભુજિયો કોઠોના થયેલા રિસ્ટોરેશન કાર્ય સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે, તજજ્ઞો અને વારસા પ્રેમીઓના મતે, આ રિસ્ટોરેશન પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષો અધિનિયમ 1958ના મૂળભૂત સિધ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે. જે અંગે ઉઠેલી ફરિયાદોના આધારે દિલ્હીની નેશનલ મોન્યુમેન્ટસ ઓથોરીટી (NMA)એ તપાસના આદેશ આપ્યા છે. શહેરના ભુજીયા કોઠાના શિલ્પોને રિસ્ટોર કરવાને બદલે તેમની આસપાસ નવી દિવાલો ચણીને તેમને અડધા ઢાંકી દેવામાં આવ્યા હોય, જે આંતરરાષ્ટ્રીય સંરક્ષણ સિધ્ધાંતોની વિરૂધ્ધ છે. જ્યારે સમગ્ર સ્થાપત્યને નવો ઓપ આપવામાં આવ્યો, ત્યારે આ મહત્વના શિલ્પોને કેમ રિસ્ટોર કરવામાં આવ્યા નથી. તેમજ ઘણા શિલ્પોને જર્જરિત હાલતમાં જ કેમ છોડી દેવાયા છે. આનાથી પથ્થરમાં ભેજ ઉતરી શકે છે, જે લાંબે ગાળે આ અમૂલ્ય વારસાનો નાશ કરશે. પુરાતત્વીય નિયમો મુજબ રિસ્ટોરેશનનો અર્થ જેવું હતું તેવું જાળવવું થાય છે, નહીં કે તેે નવું બનાવવું. જામનગરના આ સ્મારકમાં સૌંર્દયના નામે ઈતિહાસના મૂળ પુરાવાઓ અને શિલ્પોની અવગણના કરવામાં આવી છે. જે અંગે જામનગરમાંથી ફરિયાદો ઉઠી હતી. આ સ્મારક પર થઈ રહેલા બિન-શાસ્ત્રીય કામ પ્રાચીન શિલ્પોને ચણતરમાં દબાવી દેવા અને સ્મારકની મૂળ ઓળખ સમાન સેન્ડસ્ટોન (પથ્થર) પર આધુનિક ટાઈલ્સના બિનઅધિકૃત ઉપયોગ અંગે ભુજિયા કોઠાના વિવાદાસ્પદ રિનોવેશન અંગે ચાલી રહેલી ચર્ચામાં કેન્દ્ર સરકાર તરફથી વળાંક આવ્યો છે. મનપા વિભાગે હવે નવી દિલ્હીને જવાબ આપવો પડશે. દિવાલ પર પાંખવાળા સિંહનું ચિત્ર દોરવામાં આવ્યું...! ઈતિહાસ સાથે છેડછાડ : આધુનિક ચાઈનીઝ શૈલીના સિંહનું ચિત્રણ સમારક પર જે પાંખવાળા સિંહનું ચિત્ર દોરવામાં આવ્યું છે, તે ભારતીય કે જામનગરની કલાશૈલી સાથે કોઈ લેવાદેવા ધરાવતું નથી. આ એક આધુનિક ડિજિટલ ગ્રાફિક છે. જે પૂર્વ એશિયન (ચાઈનીઝ) કલાથી પ્રભાવિત છે. પ્રાચીન ભારતીય વ્યાલ કે ગજસિંહની શૈલીને બદલે આવી આધુનિક અને વિદેશી શૈલીના ચિત્રો દોરવા એ ઈતિહાસનું ખોટું નિરૂપણ છે. નકલી બ્રિક પેટર્ન દ્વારા અસલી સ્થાપત્યનું આવરણ ભુજિયો કોઠો તેના વિશિષ્ટ પથ્થર અને ખરબચડા ટેક્સચર માટે જાણીતો હતો, જે 400 વર્ષનો ઈતિહાસ દર્શાવતો હતો. રિસ્ટોરેશનમાં આ અસલી પથ્થરને છુપાવી તેના પર આધુનિક બ્રિક સ્ટાઈલ પેટર્ન (નકલી ઈંટો જેવી ભાત) લગાવી દેવામાં આવી છે. કાયદાકીય રીતે, સંરક્ષિત સ્મારકની મૂળ બાહ્ય સપાટીમાં ફેરફાર કરવોએ ગેરકાયદેસર છે. આ ફેરફાર સ્મારકને ઐતિહાસિક ઈમારત મટાડીને એક આધુનિક થીમ પાર્ક જેવો દેખાવ આપે છે.
ધર્મોત્સવ:છોટીકાશી જામનગરમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી, મંદિરો જય શ્રી રામના નારાથી ગુંજ્યા
છોટીકાશી જામનગરમાં હનુમાન જયંતિ નિમિતે સવારથી હનુમાન મંદીરોમાં જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યા હતા. તો વિશ્વવિખ્યાત બાલા હનુમાન મંદીરે ભવ્ય આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી થઈ હતી. તો ફૂલિયા હનુમાન મંદિરના પુજારીએ સિંદરપાન કર્યુ હતું. જામનગરમાં હનુમાન જયંતિની ભક્તિભાવ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેરમાં આવેલા વિશ્વ વિખ્યાત બાલાહનુમાન મંદીર, દાંડીયા હનુમાન, ફુલિયા હનુમાન દાદા, લીંબડીયા હનુમાન દાદા સહિતના જુદા જુદા નામોથી બિરાજમાન હનુમાન દાદાના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારથી હનુમાનથી દાદાના મંદીરોમાં ભક્તો ઉમટ્યા હતા. જેમાં શહેરના બાલા હનુમાન મંદીરમાં મંગળા આરતીમાં ભક્તોજનો ઉપટ્યા હતા. તો રામધુન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. તેમજ ફુલી્યા હનુમાન દાદાના મંદિરે આજે હનુમાન જયંતિના દિને પુજારી દ્વારા સિંદુરાપા કરવાની પરંપરા છે., જે આ જે પણ નિભાવવામાં આવી હતી. વર્ષોથી ચાલતી પરંપરા જાળવી રાખી હતી. તો શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા હનુમાન દાદાના મંદિરો ખાતે મહાપ્રસાદના પણ આયોજન કરવામાં આવ્યા હતા. તો મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજનો કરવામાં આવ્યા હતા. તો વિશ્વ વિખ્યાત બાલા હનુમાનજીના મંદિરે ચાલતી અખંડ રામધુનમાં પણ ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.
હવામાન:અમરેલીમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદ પડવાની આગાહી
અમરેલીમાં આજે મહત્તમ તાપમાન 35.5 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે ન્યુનત્તમ તાપમાન 20.6 ડીગ્રી સુધી નોંધાયું હતું. બીજી તરફ હવામાં ભેજનું પ્રમાણ 72 ટકા જેટલું ઊંચું નોંધાતા ઉકળાટનો અનુભવ પણ લોકો કરી રહ્યા હતા. પવનની ગતિ પ્રતિ કલાક 4.2 કિલોમીટર રહી હતી. જેના કારણે વાતાવરણમાં થોડો ઠંડકનો અહેસાસ થયો હતો. અમરેલી જિલ્લામાં આજે આકાશમાં કાળા ડીબાંગ વાદળો દેખાતા ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. આગામી દિવસોમાં આકાશમાં વાદળછાયું વાતાવરણ યથાવત રહી શકે છે અને ક્યાંક છૂટોછવાયો વરસાદ પણ પડી શકે છે. 15 દિવસ પૂર્વે અમરેલી પંથકમાં ભારે પવન સાથે માવઠું પડ્યું હતું. જેના કારણે કેરીના પાકને નુકશાન થયું હતું.
વિકાસ કાર્યો:બગસરાના ગામોમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત
બગસરા તાલુકાના માણેકવાડા ગામે સરકાર દ્વારા ડી.એમ.એફ. યોજના અંતર્ગત અંદાજિત રૂપિયા 3 કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું હતું. આ ફંડના ઉપયોગથી ગામના વિવિધ વિકાસકાર્યો હાથ ધરવા માટે માણેકવાડા ગ્રામ પંચાયત દ્વારા લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. ઉપરાંત મોટા મુંજીયાસર ગામે પાણીનો કૂવો અને પાણીની પાઇપલાઇન માટે અંદાજિત રૂ. 35 લાખ, બ્લોક રોડ માટે રૂ. 20 લાખ તથા ગટર લાઇન માટે રૂ. 15 લાખ તેમજ અમરેલી જિલ્લા પંચાયત દ્વારા ડેમ માટે ફાળવેલ અંદાજિત રૂ. 12 લાખના કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. નાના મુંજીયાસર ગામે અંદાજિત રૂ. 83.60 લાખના ખર્ચે નિર્માણ પામેલ પ્રાથમિક શાળા અને રૂ. 36 લાખના ખર્ચે બનાવાયેલ પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે શીલાણા ગામે અંદાજિત રૂ. 36 લાખના ખર્ચે નિર્માણ પામેલ પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય જે.વી. કાકડિયા, મનોજભાઈ મહીડા, પ્રદીપભાઈ ભાખર, હરેશભાઈ ખેતાણી તથા દિલીપભાઈ ગોધાણી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.
ફરિયાદ:બાબરામાં નોટિસ આપવા ગયેલા પોલીસ કર્મચારી ઉપર સ્થાનિક શખ્સનો હુમલો
બાબરા શહેરના આડી શેરી વિસ્તારમાં મોટા રામજી મંદિર પાસે પોલીસ પર હુમલો થયાની ઘટના સામે આવી છે, નોટીસ બજાવવા ગયેલા એક પોલીસ કર્મચારીને મારમારી ઇજાગ્રસ્ત કર્યાની રાવ આવી છે. બાબરા શહેર વિસ્તારમાં કાલે મોડી રાત્રે આ ઘટના બની હતી. બાબરામાં રહેતા અને પોલીસ કર્મચારી શીવાભાઇ કેશુભાઇ મકવાણા (ઉં.વ.41) દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. કે, બાબરામા જ રહેતો શ્યામ હિંમતભાઇ તેરૈયાને એક ગુનાના સંદર્ભે નોટિસ આપવા માટે પોલીસ કર્મચારી અનોપસિંહ ગગજીભાઇ સોલંકી ગયા હતા. જે વાત તેઓને નહીં ગમતા કર્મચારીને આપશબ્દો બોલી માથાકુટ કરી તેમને મારવા દોડ્યો હતો. આ અંગે જાણ થતા શીવાભાઇ મકવાણા સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારે તેમને પણ અપશબ્દો બોલી પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી અને બંને પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં શીવાભાઇ મકવાણાને ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે બાબરા પોલીસ દ્વારા શ્યામ તેરૈયા વિરુદ્ધ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમરેલી જિલ્લાની 6 નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જે પૈકી ધારી નગરપાલિકાની ચૂંટણી પ્રથમ વખત યોજાશે. થોડા સમય પહેલા 5 ગામો મર્જ કરી ધારી નગરપાલિકા બનાવવામાં આવી હતી અને અહીં પ્રથમ ચૂંટણીમાં જ ત્રીપાંખીયા જંગના એંધાણ વર્તાઈ રહ્યા છે. બીજી તરફ ધારીમાં મોડી રાત સુધી ભાજપની સેન્સ પ્રક્રિયા ચાલુ હતી. ધારી ઉપરાંત પ્રેમપરા, વેકરીયાપરા, હરિપરા અને નવાપરા એમ પાંચ ગ્રામ પંચાયતોને મેળવી અહીં નગરપાલિકાનું સર્જન કરવામાં આવ્યું છે.નવી નગરપાલિકાની રચના થતા આ પાંચેય ગ્રામ પંચાયતનું અસ્તિત્વ પૂર્ણ થયું છે. વળી આ પાંચેય ગ્રામ પંચાયતોના કારણે ધારી તાલુકા પંચાયતમાં હવે બે સીટ ઘટી ગઈ છે. અગાઉ તાલુકા પંચાયતની 18 સીટ હતી. હવે 16 સીટ બચી છે. તાલુકા પંચાયતના કુલ મતદારોની સંખ્યા પણ ઘટી છે. નવી ધારી નગરપાલિકામાં કુલ 7 વોર્ડની રચના કરવામાં આવી છે. શહેરના 23072 મતદારો મળી 28 સભ્યોને ચૂટી કાઢશે. પ્રથમ વખતની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ બનાવાઈ છે. કોંગ્રેસ દ્વારા અગાઉ સેન્સ લેવાઈ હતી. જ્યારે આજે સાંજે માયાબેન કોડનાની સહિત ત્રણ નિરીક્ષક દ્વારા મોડી રાત સુધી સેન્સ પ્રક્રિયા ચલાવાઈ હતી. અહીં ખાંભા વિસ્તારની સેન્સ પ્રક્રિયા આવતીકાલે પણ શરૂ રહેશે. ધારી નગરપાલિકામાં પ્રથમ ચૂંટણીમાં જ ત્રીપાંખીયો જંગ થવા જઈ રહ્યો છે. કારણ કે ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ બળ લગાવ્યું છે. ભાજપ અને કોંગ્રેસના નારાજ લોકો પર પણ આમ આદમી પાર્ટીની મીટ છે. આ વિસ્તારમાં અગાઉ પણ આમ આદમી પાર્ટીએ તાલુકા અને જિલ્લા પંચાયતમાં કુલ 4 સીટો જીતી હતી. તો બીજી તરફ ભાજપના બે જુથ હોય ગ્રામ પંચાયતની ગત ચૂંટણીમાં ભાજપની બે પેનલો ઉભી રહી હતી. જેને પગલે સત્તાતો ભાજપના હાથમાં આવી હતી પણ જુથવાદ પણ સામે આવી ગયો હતો. એક પરિવારના 5 એ ટિકીટ માંગીધારીમાં આજે ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન વેકરીયાપરા વિસ્તારમાંથી એક જ ભુવા પરિવારના પાંચ પાંચ સભ્યોએ ટીકીટ માંગી હતી. પરિવારમાં એકથી વધુ ટીકીટ મંગાઈ હોય તેવા અનેક મામલા જોવા મળ્યા છે. અમરેલી પાલિકા, અમરેલી-કુંકાવાવ તા. પંચાયત માટે 450 દાવેદાર અમરેલી પાલિકા ઉપરાંત અમરેલી- કુંકાવાવ તાલુકા પંચાયત તથા આ વિસ્તારની જિ. પંચાયતની 4 સીટ માટે ભાજપ દ્વારા સેન્સ લેવાતા 450 દાવેદારે ફોર્મ ભરી પોતાની દાવેદારી રજુ કરી છે.
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ગંગાપુર ગામ પાસે એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલી એક ઇકો વાનના ચાલકે બાઇક સવાર પરિવારને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં દોઢ વર્ષના માસૂમ બાળક અને 15 વર્ષીય કિશોરી સહિત કુલ 4 લોકોના કરુણ મોત નીપજ્યા છે. પોલીસે અકસ્માત સર્જનાર વાન ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ચીકદા તાલુકાના ઓલગામ સ્થિત મંદિર ફળિયામાં રહેતા 67 વર્ષીય હાવલાભાઈ હથિયાભાઈ વસાવા બાઇક પર પરિવારના સભ્યોને લઈને ગંગાપુર દવાખાને જઈ રહ્યા હતા. તેમની સાથે બાઇક પર ઉમરપાડાના રૂઢિગવાણ ગામના બાજુબેન રાકેશભાઈ વસાવા, 15 વર્ષીય સુહાની વસાવા અને દોઢ વર્ષનો માસૂમ વિરમ વસાવા સવાર હતા. ગંગાપુર પાસે ઇકો વાને ટક્કર મારતા ચારેય વ્યક્તિઓ રોડ પર ફંગોળાયા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે હાવલાભાઈ, બાજુબેન અને માસૂમ વિરમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત 15 વર્ષીય સુહાનીને તાત્કાલિક રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ ટૂંકી સારવાર બાદ તેણે પણ જીવ ગુમાવ્યો હતો. આમ, વાન ચાલકની બેદરકારીએ હસતા-રમતા પરિવારના ચાર સભ્યોનો ભોગ લીધો છે. હાલ ડેડીયાપાડા પોલીસે વાન ચાલકની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.
રાજકારણના આટાપાટા:કોંગ્રેસી પરિવારની બે મહિલાઓએ ભાજપમાંથી ટિકીટ માગી
રાજયમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓની જાહેરાત કરી દેવામાં આવી છે. નર્મદા જિલ્લામાં કોંગ્રેસના જ એક પીઢ નેતાના પરિવારમાં ડખો ઉભો થયો છે. નેતાના પરિવારની જ બે મહિલાએ એક જ બેઠક પરથી ભાજપમાંથી ટિકિટની માગણી કરી છે. નર્મદા કોંગ્રેસના એક પીઢ આગેવાનના પરિવારની 2 મહિલાઓએ એક જ બેઠક પરથી ભાજપની ટિકિટ માંગી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.હવે આ કોંગ્રેસના પીઢ નેતા ક્યા એની રાજકીય મોરચે ચર્ચાઓ હાલ ચાલી રહી છે. તો આ ટિકિટની માંગણી કરાવવામાં ભાજપના જ એક પીઢ સહકારી નેતાનો હાથ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીઓ ની જાહેરાત થઈ ગઈ છે. નર્મદા જિલ્લામાં 6 તાલુકા અને એક નગરપાલિકા ની ચૂંટણી યોજાવાની છે. ભાજપના મેન્ડેટ પરથી ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાલ રાજપીપળા કમલમ ખાતે ચાલી રહી છે. નિરીક્ષકોની ટીમ એક પછી એક તમામ લોકોને સાંભળી રહ્યા છે. ત્યારે આ તમામની વચ્ચે નર્મદા કોંગ્રેસના એક પીઢ આગેવાન અને વર્ષોથી કોંગ્રેસ પર પોતાની મજબૂત પક્કડ ધરાવનારા નેતાના પરિવારની 2 મહિલાઓએ નર્મદા જિલ્લા પંચાયતની એક જ બેઠક પરથી ભાજપની ટિકિટ માંગી હોવાનું રાજકીય સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. હવે કોંગ્રેસ નેતાના પરિવારની બે મહિલાઓએ એક જ બેઠક પરથી ભાજપની ટિકિટ માંગતા ભાજપ પણ દ્વિધામાં મુકાયું છે. ઉલ્લેખનીય છે કે આ ટિકિટની માંગણી કરાવવામાં ભાજપના જ એક પીઢ નેતાનો હાથ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
ચોકાવનારી બાબત સામે આવી:દેહરી બેઠકની મતદાર યાદીમાંથી 1400થી વધુ મતદારોના નામ ગાયબ
દેહરી તાલુકા પંચાયત ઉમરગામ બેઠકની મતદાર યાદીમાંથી 1400 થી વધુ મતદારોના નામો ગાયબ થઈ દહાડ ગામની અંદર સમાવેશ થઈ ગયા હોવાની ચોકાવનારી બાબત સામે આવતા સામે ચૂંટણી સમયે સ્થાનિક નેતાઓમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી જાહેર થતા વિવિધ રાજકીય પક્ષોએ ઉમેદવારો નક્કી કરવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે ત્યારે દેહરી વિસ્તારના ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારોએ ફોર્મ ભરવાનું હોય મતદાર યાદીમાં પોતાનું નામ ભાગ નંબર અને ક્રમ નંબરની તપાસણી કરી રહ્યા હોય તે વખતે ધ્યાનમાં આવ્યું હતું કે 5-દેહરી તાલુકા પંચાયત ઉમરગામની બેઠકની મતદાર યાદીમાંથી દેહરી ભંડારીવાડ, પતરાગઢ રામવાડી, બગરીયા, ભીંડીયા ફળિયાના આખા વિસ્તારના અંદાજે 1400 થી વધુ મતદારોના આખા વોર્ડના નામો ગાયબ હોવાનું સામે આવ્યું છે. આ બાબત સામે આવતા દેહરી ગામના સરપંચ ધનેશભાઈ, ઉપસરપંચ ઉમેશભાઈ તથા પંચાયતના સભ્ય નીતિનભાઈ અને માજી ઉપસરપંચ રાજેશભાઈ તાત્કાલિક ઉમરગામ મામલતદાર કચેરીએ ચૂંટણી શાખામાં પહોંચ્યા હતા અને મામલતદારને મળીને સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરી હતી. અને મતદાર યાદીમાંથી દેહરી ભંડારવાડ પતરાગઢ રામવાડી બગરિયા અને ભીંડીયા ફળિયાના મતદારોના નામો નીકળી ગયા હોવાનું અને આ નામો ઉમરગામ તાલુકા પંચાયત 3-દહાડની મતદારયાદીના ભાગ નંબર 4 અને 5 માં જતા રહ્યા હોવાનુ જણાવ્યું હતું. તાત્કાલિક ઘટતુ કરવા મતદાર યાદીમાં સુધારો કરવા નામો દાખલ કરવા રજૂઆત કરી હતી. વધુમાં આ બાબતે સ્થાનિક આગેવાનોએ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકર તથા તાલુકા ભાજપ પ્રમુખ નિરવભાઈ શાહને જાણ કરી ચૂંટણી અધિકારીનુ આ બાબતે ધ્યાન દોરવા જણાવ્યું હતું.
રિટાયર્ડ પોસ્ટ માસ્તર દ્વારા નાણામંત્રીને રાવ:વલસાડના ઉંટડીમાં તળાવ કચરાથી ઢંકાઇ જતા ફરિયાદ
વલસાડ તાલુકામાં આવેલ ઉંટડી ગામે આવેલ મોટું તળાવ હાલ કચરાના ઢગમાં ઢંકાઇ જતા ગંદકીનો સામ્રાજ્ય જોવા મળી રહ્યો છે અને તેને લઇ આરોગ્યને ખતરો જણાવી રિટાયર્ડ પોસ્ત માસ્તરે આ અંગે નાણામંત્રીને લેખિતમાં ફરિયાદ કરી નિવારણ લાવવા જણાવ્યું છે. વલસાડ તાલુકાના ઉંટડી બજાર વિસ્તારમાં રહેતા અને વાપી પોસ્ટ ઓફિસમાં પોસ્ત માસ્તર તરીકે ફરજ બજાવી ચૂકેલા દિપકભાઇ જયંતિલાલ ટેલરે નાણાંમંત્રી કનુભાઇ દેસાઇને એક પત્ર લખી જણાવ્યું કે, ઉંટડી ગામમાં મુખ્ય બજાર વિસ્તારમાં એક મોટું તળાવ છે. જેમાં ગામના સ્થાનિકો દ્વારા કપડા ધોવાથી તેમજ આજુબાજુના ઢોર ઢાખર દ્વારા ઉક્ત તળાવનું પાણી ગંદુ થતું જોવા મળે છે. તેનાથી ગંદા પાણી જન્ય રોગ ફેલાવવાનું જોખમ જોવા મળે છે. કચરાથી ઢંકાઇ જતા તળાવમાં પાણી ક્યાં છે તે પણ દેખાતું નથી. આ બાબતે દિપકભાઇએ સ્થાનિક અધિકારીઓને અનેકવાર રજૂઆત કરી છતાં કોઇ નક્કર પરિણામ મળ્યું નથી. સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોની તંદુરસ્તીને સર્વોપરિ ગણીને વિવિધ યોજનાના અમલીકરણ માટે પ્રતિબદ્ધ છે. ત્યારે આ બાબતને ગંભીરતાથી લઇ સકારાત્મક પગલા લેવા અપીલ કરાઇ છે.
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો શંખ ફુંકી દેવામાં આવ્યો છે ત્યારે રાજકીય ગરમાટો ફરી વળ્યો છે. ભાજપ, કોંગ્રેસ, આપ સહિત પાર્ટીઓ કામે લાગી ગઇ છે. યોગ્ય ઉમેદવારની પસંદગી માટે વલસાડમાં ભાજપ દ્વારા સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજના હોલમાં પાર્ટીના દાવેદારો પાસે ઉમેદવારી માટે પાર્ટીના ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં પાર્ટીએ તમામ જરૂરી વિગતો ફોર્મમાં ભરવા જણાવ્યું છે. દાવેદારોએ ચૂંટણી લડવા ટિકિટ મેળવવા જે ફોર્મ રજૂ કર્યા હશે તેમની ચકાસણી કરી નિર્ણય લેવામાં આવશે. જેના પગલે ચૂંટણીની જાહેરાતના બીજા જ દિવસે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી માટે ઉમેદવારીનો નોંધાવવા પહેલા પાર્ટીના ફોર્મ ભરવા દાવેદારો મોટી સંખ્યામાં જોવા મળ્યાં હતા. ભારતીય જનતા પાર્ટી ગુજરાત સ્થાનિક સંસ્થા જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત ચૂંટણી-2026ની ઉમેદવારી માટે ઈચ્છા ધરાવતા વ્યક્તિઓને એક ફોર્મ ભરવા જણાવવામાં આવ્યું છે. સેન્સથી યોગ્ય ઉમેદવારની પસંદગી કરવામાં સરળતાઉમેદવારી નોંધાવવા માટે પાર્ટીના ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરાઇ હતી.ગુરૂવારે તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી માટે યોગ્ય ઉમેદવારના ચયન માટે પાર્ટી સ્તરના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં મોટી સંખ્યામાં ટિકિટ માગનારા ઇચ્છુકો જોવા મળ્યાં હતા.> રાકેશ પટેલ,ભાજપના દાવેદાર તાલુકા, જિલ્લાની બેઠક પર 5થી7 દાવેદારો વલસાડ તાલુકામાં વલસાડ, ચણવઈ, પારનેરા, નાનકવાડા, વાંકલ, પારડી સાંઢપોર, અટગામ, ડુંગરી, કકવાડી- દાંતી તેમજ, કોસંબાગામના સ્થાનિક દાવેદારોએ ગુરુવારે ફોર્મ ભર્યા હતા. લોક ચર્ચા એ છે કે, જ્યારે એક સીટ માટે પાર્ટીના 6થી 7 ઉમેદવારો ફોર્મ ભરે છે, તો તેમાંથી એક જણને જ ટિકિટ મળે અને જો ટિકિટ ન મળે તો નારાજગી થવાની સંભાવના છે. જેના પરિણામે દાવેદારો અંદરખાને પાર્ટી વિરોધમા પણ કામ કરી શકે છે એવી ભીતી સેવાઈ રહી છે. ભાજપે ફોર્મમાં વિગતો માગીઉમેદવારીઓએ પોતાનો પૂરો બાયોડેટા, ફોર્મમાં ભરવોપડે છે. સંગઠનમાં અગાઉ કોઈ જવાબદારી સંભાળીહોય કે, ભૂતકાળમાં ચૂંટણી લડ્યા હોય તે અંગેની યોગ્યવિગત ફોર્મમાં રજૂ કરવાની રહેશે. દાવેદાર ઉમેદવારઅન્ય પક્ષમાં કોઈ જવાબદારી હોય તો તેની વિગત પણઆપવી પડશે. આ ઉપરાંત ફોજદારી ગુના સંદર્ભે કોઈપોલીસ કેસ થયો છે? જો હોય તો પોલીસ કેસની સંખ્યાતેમજ બે ફોટા બીડવાના રહેશે.જોકે, સોશ્યિલમીડિયામાં ફોલવર્સને પણ ધ્યાનમાં લેવાય છે.
લોકાર્પણ:સરોંડા પંચાયત કચેરી તથા આંગણવાડીઓનું લોકાર્પણ
સરોંડા ગામે પંચાયત કચેરી (ગ્રામ સચિવાલય) તથા આંગણવાડીઓનું લોકાર્પણ કરાયું હતું. ઉમરગામ તાલુકાના સરોંડા ગામે સરપંચ શ્રી રંજનાબેન સંદીપભાઈ રાઠોડની આગેવાની હેઠળ સરકારની સીડીપી 5 અંતર્ગત 16.75 લાખ તથા લોકફાળાથી અંદાજિત 55 લાખના ખર્ચે ભવ્ય પંચાયત કચેરીનું મકાન નિર્માણ કરાયું છે. જેનું લોકાઅર્પણ ગત તા 31 માર્ચના દિને ધારાસભ્ય રમણભાઈ પાટકરના વરદ હસ્તે કરાયું હતું. આ પ્રસંગે દાતાશ્રીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. મકાન નિર્માણ માટે દાતાઓ તરફથી દાન પ્રાપ્ત કરી સુંદર મકાન નિર્માણ કરવા બદલ ધારાસભ્ય રમણભાઈ પાટકરે સરોડા ગામના સરપંચ રંજનાબેન સંદીપભાઈ રાઠોડના વખાણ કર્યા હતા. આ પ્રસંગે માજી જિલ્લા પંચાયત સભ્ય ભરતભાઈ જાદવ, ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ ડો. નીરવભાઈ શાહ, દિલીપભાઈ ભંડારી, મુકેશભાઈ પટેલ, અલકાબેન શાહ, દિપકભાઈ મિસ્ત્રી આજુબાજુ ગામના સરપંચ શ્રીઓ, આગેવાનો, ગ્રામજનોની ઉપસ્થિતિ રહી હતી. આ નિમિત્તે દાતાનો આભાર વ્યક્ત કરવા માટે તેમને સન્માનિત કરાયા હતા.
વલસાડ જિલ્લા ચિત્રશિક્ષક સંઘના 50મો સુવર્ણજયંતિ પ્રસંગે કાર્યક્રમમાં નિવૃત્ત ચિત્ર શિક્ષકો અને ચિત્ર સ્પર્ધા,રંગોળી સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંઘના મહામંત્રી ભરતકુમાર આર.પટેલ દ્વારા વર્ષ દરમિયાન થયેલ પ્રવૃતિ વિશેની માહિતીનો અહેવાલ રજૂ કર્યો હતો. વાઘછીપા હાઈસ્કૂલ ખાતે યોજિત કાર્યક્રમમાં જિલ્લાકક્ષા અને તાલુકાકક્ષાએ ઊજળો દેખાવ કરનારા વિદ્યાર્થીઓ,સંનિષ્ઠ વિદ્યાર્થીઓ શીધ્ર ચિત્રસ્પર્ધા, રંગોળી સ્પર્ધામાં ઊજળો દેખાવ કરનારાઓનું સન્માન સાથે નિવૃત ચિત્ર શિક્ષકોનું સન્માન કરાયું હતું. ચિત્ર પ્રદર્શનમાં બાળ કલાકાર તરીકે ફલેષા વિપુલ પટેલના સુંદર ચિત્રો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.યોગેશભાઈ નાયક જશુભાઈ નાયક આટૅ ફાઉન્ડેશન નવસારી જીતેન્દ્ર એ. પરમાર,મહામંત્રી ચિત્ર શિક્ષક મહામંડળ ગુજરાત રાજ્ય, મુખ્ય મહેમાન મહેન્દ્રભાઈ પટેલ પ્રાચાર્ય જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વલસાડ ઉપસ્થિત રહ્યા હતા.
ભાસ્કર એનાલિસિસ:વાપી મનપામાં વોર્ડ નં.2માં સૌથી વધારે 29 દાવેદારો, વોર્ડ નં-7 અને 11માં ઓછા
વાપી મહાનગરપાલિકાની ચૂંટણી 26 એપ્રિલે યોજાવાની છે,જે પૂર્વે વાપી સેન્ટ્રલ ઓફ એકસીલન્ટ ખાતે ભાજપના નિરીક્ષકોએ બે દિવ સુધી સતત વોર્ડ વાઇઝ દાવેદારોને સાંભળ્યા હતાં.જેમાં મનપાના કુલ 13 વોર્ડમાં સૌથી વધારે દાવેદારો વોર્ડ નં.2માં 29 છે.જયારે વોર્ડ નં.7,11માં સૌથી ઓછાં 11 દાવેદારોનો સમાવેશ થાય છે.13 વોર્ડના કુલ 320થી દાવેદારો ફોર્મ લઇ ગયા હતાં. બે દિવસમાં 260 વધુ દાવેદારોએ ટિકિટ માગી છે.હવે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડમાં કોના નામો ફાઇનલ થાય છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.વાપી મહાનરપાલિકાની ચૂંટણીની જાહેરાત સાથે જ રાજકીય માહોલમાં ગરમાટો વ્યાપી ગયો છે.ભાજપની સેન્ચ લેવાની પ્રક્રિયા ગુરૂવારે સાંજે પૂર્ણ થઇ હતી. વોર્ડ નં-5માં ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળશે વોર્ડ નં.5માં જિ.ભાજપ ઉપપ્રમુખ-વીઆઇએ પ્રમુખ સતિષ પટેલ,નોટિફાઇડના માજી પ્રમુખ હેમંત પટેલ,માજી કારોબારી મનોજ પટેલ,પિનલ પટેલ,ધર્મેન્દ્ર ચૌહાણ,રવિ નરેન્દ્ર પટેલ,નરેન્દ્ર પટેલ,દેવેન્દ્ર પટેલ,સન્ની પટેલ,સોહિલ ખેરાની,રાજનારાયણ તિવારી,ધીરજભાઇ,ગીરીશ દેસાઇ,દેવલ દેસાઇ,ગીતાબેન પટેલ,ભારતીબેન ચૌહાણ,રશ્મીકાબેન મહેતા,યામિની દેસાઇ,ડીકીના પંચાલ,પ્રિયા પટેલ,કવિતા ઘુમધુરિયા,ભાજપ નેતા વિરાજ દક્ષિણી સહિતના દાવેદારોના સમાવેશ થાય છે. 4 બેઠક માટે 23 દાવેદારો મેદાને છે.દાવેદારોમાં ઉદ્યોગપતિ, વકીલ, ભાજપ નેતા સહિતનો સમાવેશ થાય છે. બીજ તરફ મનપાના ટાઉન વિસ્તારમાં આવેલા વોર્ડ નં.9માં ઉજળીયાત વર્ગના ઉમેદવારો વચ્ચે રસાકસી જોવા મળી રહી છે. જોકે, હાલ તો આ મામલો શાંત દેખાય રહ્યો છે. પરંતુ ચૂંટણી પહેલા ખરેખરીની ધમાલ જોવા મળશે. વાપી ડુંગરામાં ભાજપે કોંગ્રેસના નેતા પાસે દાવેદારી કરાવી બાજી ફેરવી વાપીના ડુંગરા ગત પાલિકની ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડયો હતો.જેને લઇ આ વખતે કોંગ્રેસના માજી પાલિકા સભ્ય વિનોદભાઇ પટેલે ભાજપમાંથી વોર્ડ નં-4 ડુંગરામાંથી સામાન્ય બેઠક પર દાવેદારી કરી હતી. ભાજપે ગુપ્ત મિશન હાથ ધરી કોંગ્રેસને ઝટકો આપ્યો છે,પરંતુ ભાજપના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વોર્ડ 1થી 6ના બુધવારે સેન્ચ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કોંગ્રેસના નેતાએ બીજા દિવસે દાવેદારી નોંધાવી છે. જે નિયમ વિરુદ્ધ અને પાર્ટીના શિસ્ત મુજબ નથી.જેથી ડુંગરા વિસ્તારમા રાજકીય માહોલમાં ગરમાટો વ્યાપી ગયો છે.અહી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ થવાનો હતો જે પૂર્વે ભાજપે ગુપ્ત ઓપરેશન હાથ ધર્યુ હતું. ભાજપના ઉમેદવારોને ટિકીટ આપ્યા બાદ દાવેદારી કરનારા અન્ય પક્ષોમાંથી પણ ફોર્મ ભરી શકે તેવી ચર્ચા ચાલી રહી છે. 11 ગામોના માજી સરપંચોની ટિકિટ પાકી ?મનપામાં સમાવિષ્ટ 11 ગામોના માજી સરપંચોએ પણ ભાજપની સેન્ચ પ્રક્રિયામાંભાગ લીધો હતો. મનપાના અમલીકરણ પૂર્વે ટિકિટ આપવાની શરતે પંચાયતનોજે-તે સમયે મનપમાં સમાવિષ્ટ અંગે લેટરપેડ આપ્યો હોવાનું કહેવાય છે,હવે 11ગામોના માજી સરપંચો પણ મનપાના વહીવટમાં આવશે કે કેમ તે સવાલ લોકોનામનમાં ઉઠી રહ્યો છે. જો કે કેટલાક માજી સરપંચો સામે ગામમાં નારાજગી પણછે.જેની અસર ચૂંટણીમાં થશે કે કેમ તે પરિણામના દિવસે ખબર પડશે. કયા વોર્ડમાં કેટલા દાવેદારો
ચીખલી તાલુકામાં તાલુકા- જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા ભાજપમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. જિ. પં.ની 8 બેઠકો માટે 36 અને તાલુકા પંચાયતની 28 બેઠકો માટે 65 દાવેદારોએ નિરીક્ષકો સમક્ષ દાવેદારી નોંધાવી હતી. જિલ્લા પંચાયતની રૂમલા બેઠક પર સૌથી વધુ 10 મૂરતિયાઓએ દાવેદારી કરી હતી. મજીગામમાં મનાભાઈના ફાર્મમાં ભાજપના નિરીક્ષક તરીકે આણંદના ધારાસભ્ય યોગેશભાઇ, પ્રદેશ મંત્રી ઊર્મિલાબેન વસાવા તથા જે.પી.પટેલ સમક્ષ તાલુકામાં જિલ્લા પંચાયતની ખૂંધ, ઘેજ, સાદકપોર, સમરોલી, વાંઝણા, કુકેરી, રૂમલા, માંડવખડક સહિતની 8 બેઠક માટે 36 દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી. રૂમલાની બિનઅનામત સામાન્ય બેઠકમાં વર્તમાન જિલ્લા પંચાયત સભ્ય બાલુભાઇ પાડવી ઉપરાંત મણિલાલ દેશમુખ,દિનેશભાઇ મહાકાળ સહિત સૌથી વધુ 10 જણાંએ દાવેદારી નોંધાવી છે. સમરોલીની સામાન્ય સ્ત્રી માટેની બેઠક પર વાસંતીબેન પટેલ, શિવાની દર્શનભાઈ, વૈશાલીબેન પ્રકાશભાઇ, સોનાલીબેન, શોભનાબેન તથા હરસિદ્ધિબેન પટેલ સહિત છ દાવેદારોએ, ઘેજની ઓબીસી સ્ત્રી માટે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અમીતાબેન પટેલ ઉપરાંત ચાર,ખૂંધની એસટી સ્ત્રી બેઠક પર વર્તમાન સભ્ય રમીલાબેનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત માલતીબેન અને વિરાંગીબેન, કુકેરીની એસટી સ્ત્રી બેઠક પર ડો.નેહાબેન પટેલ, ભાવિકાબેન, જ્યોતિબેન, માંડવખડકની સામાન્ય સ્ત્રી બેઠક માટે ગીતાબેન ગાવિત, ઉષાબેન, જેસ્વીબેન જ્યારે વાંઝણાની એસટી સામાન્ય બેઠક પર વાંઝણાના નલિન પટેલ ઉપરાંત હિતેન્દ્ર પટેલ, રશ્મિકા જગદીશ અને અક્ષય પટેલનો સમાવેશ થાય છે. જ્યારે તાલુકા પંચાયતની 28 બેઠક માટે 65 દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. દાવેદારી દરમિયાન તાલુકા ભાજપ પ્રમુખ મયંકભાઇ મહામંત્રી સમીરભાઇ ઉપરાંત પાર્ટીના ચૂંટણી ઇન્ચાર્જ ડો.અશ્વિનભાઇ, કલ્પેશભાઇ દેસાઇ, દિપકભાઇ સમરોલી સહિત એ ખડેપગે હાજર રહી જરૂરી વ્યવસ્થા પુરી પાડી સફળ આયોજન કર્યું હતું. ભાજપના ઉમેદવારોના માપદંડ પર સૌની મીટ તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને કેટલીક બેઠકો પર ભાજપમાં ભારે રસાકસી જોવા મળી રહી છે. જોકે ભાજપ દ્વારા વર્ષોથી પક્ષમાં નિષ્ઠાપૂર્વક, પ્રજાલક્ષી કામ કરનારા પક્ષને વફાદાર એવા સિનિયર આગેવાનોને પ્રાધાન્ય આપવામાં આવશે કે પછી નવા નિશાળિયાઓને તે જોવું રહ્યું. મોવડી મંડળ દ્વારા કેવા માપદંડો અપનાવામાં આવશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
મદદ કરવાના બદલે દારૂ લેવા પડાપડી:દુવાડા પાટિયા પાસે કાર અકસ્માત બાદ અડધા કલાકમાં દારૂના કાર્ટૂન સાફ
24 કલાક વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા ને.હા.નં. 48ના દુવાડા પાટિયા પાસે મળસ્કે કાર ડિવાઈડરમાં અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ કારમાં દારૂના કાર્ટૂન હોય લોકો દારૂ લૂં ટી ગયા હતા. એંધલ હાઇવેના દુવાડા પાટિયા પાસે ગુરૂવારના રોજ મળસ્કે 5 કલાકે કાર (નં. જીજે-15-સીએફ-1530)ના ચાલકે કાબુ ગુમાવતા કાર ધડાકાભેર ડિવાઈડરમાં અથડાઇ હતી. આ અકસ્માત જોઈ હાઇવે પર જતા વાહનો થંભી ગયા હતા અને કારમાં બેસેલાઓને બચાવવા દોડી આવ્યા હતા પરંતુ કારમાં દારૂના કાર્ટુન હોય બધા કારમાંથી દારૂ લઇને ભાગી ગયા હતા. જેમ જેમ બધાને ખબર પડી તેમ લોકો દારુ લેવા પડાપડી કરવા લાગી ગયા હતા અને જોત જોતામાં 30 મિનિટમાં દારૂના કાર્ટૂન સાફ કરી ગયા હતા. આ અકસ્માતમાં એક ચાલક જ હતો જે પણ અકસ્માત થતા ભાગી છૂટ્યો હતો. બાદમાં 7.30 કલાકે હાઇવેની પેટ્રોલિંગ જીપે કારને સીધી કરી બાજુમાં મૂકી ગયા હતા પરંતુ અકસ્માતમાં પડેલ કારની બોડીનો સામાન ત્યાં જ વેરવિખેર મૂકી ગયા હતા. આમ હાઇવેની પેટ્રોલિંગ જીપના કર્મચારીઓ ઘણી જગ્યાએ અકસ્માત બાદ પડેલ કાચ કે અન્ય સામાનની સાફ સફાઈ કરતા નથી, જેને લઈને કોઈ મોટી દુર્ઘટના સર્જવાનો ભય રહેલો છે. તો હાઇવેના અધિકારીઓએ આવા બેદરકારી દાખવતા કર્મચારીઓ ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ.
નવસારી જેસીઆઇ દ્વારા પાંચ ગોળ પ્રજાપતિ સમાજના સભ્યો માટે સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજની વાડીમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે યોગ્ય કારકિર્દી પસંદગી અંગે માર્ગદર્શન આપવાનો હતો. આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે એસ. એસ. અગ્રવાલ એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ ડો. દીપેશ શુક્લાએ વિદ્યાર્થીઓને આધુનિક સમયમાં ઉપલબ્ધ વિવિધ કારકિર્દી વિકલ્પો, ઉચ્ચ અભ્યાસની તકો તેમજ પોતાની ક્ષમતા અને રસ અનુસાર યોગ્ય ક્ષેત્ર પસંદ કરવાની મહત્વતા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમના પ્રેરણાદાયક સંબોધનથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધ્યો હતો. આ સેમિનારમાં 500થી વધુ સભ્યો એ લાભ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન જેસીઆઇ પ્રમુખ જેસી હિતેશ પવાર, ઉપપ્રમુખ જેસી જેસલ શાહ તેમજ જેસી સંકેત પટેલ, જેસી રાહુલ સોની, જેસી જય સચલા અને જેસી રૂપેશ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને વિદ્યાર્થીઓ અને સમાજના સભ્યો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો.
ધરા ધ્રુજતા લોકોમાં ભયનો માહોલ:વાંસદા અને ડાંગમાં વહેલી સવારે 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
ડાંગ અને વાંસદા તાલુકામાં સવારે 5:27 વાગ્યે ભૂકંપના આંચકાથી લોકો ફફડી ઉઠ્યા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ મહારાષ્ટ્ર સરહદ તરફ નોંધાયું હતું. વાંસદા તાલુકામાં સવારે 5.27 વાગ્યે 3.4ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધરા ધ્રૂજતા લોકો ઊંઘમાંથી ફફડી ઉઠ્યા અને જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા હતા. સીસ્મોલોજી સેન્ટરની પ્રાથમિક માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ મહારાષ્ટ્ર સરહદ તરફ નોંધાયું છે. ખાસ કરીને જૂજ ડેમ પટ્ટાના ગામોમાં સૌથી વધુ અસર જોવા મળી, જ્યાં ઘરનાં વાસણો ખખડાયા, બારીઓ-દરવાજા ધ્રૂજી ઉઠ્યા અને કેટલાક સ્થળોએ લોકો ઘરમાંથી બહાર નીકળી ગયા હતા. સ્થાનિકોમાં ચર્ચા છે કે ડેમ વિસ્તારને કારણે છેલ્લા કેટલાક સમયથી ભૂસ્તરીય હલચલમાં વધારો નોંધાઈ રહ્યો છે અને આ પહેલાં પણ નાના આંચકા અનુભવાયા હતા. આજે આવેલા આંચકાથી આ ભીતિને વધુ ગાઢ બનાવી દીધી છે. રાહતની વાત એ છે કે હાલ સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ મળ્યા નથી, છતાં લોકોમાં હજુ પણ ફરી આંચકો આવવાની ભીતિ યથાવત જોવા મળી રહી છે. સ્થાનિક લોકોમાં હવે સવાલ ઉઠી રહ્યો છે કે વાંસદા-જૂજ ડેમ પટ્ટો શું ભૂકંપ માટે સંવેદનશીલ ઝોન બની રહ્યો છે ? તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને અફવાથી દૂર રહી સાવચેત રહેવા સૂચના અપાઇ છે. લોકોમાં ચિંતા પ્રસરીઉનાળામાં દર વર્ષે વાંસદા પંથકમાં અવારનવાર ભૂકંપના આંચકા આવવા હવે સહજ બની રહ્યું છે. પરંતુ દર વર્ષે માત્ર એકથી બેની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવતો રહ્યો છે. જે હાલ આવેલા ભૂકંપના આંચકા કરતા ઘણો નાનો છે. આ વખતે ભૂકંપનો આંચકો જે તિવ્રતાથી આવ્યો તે જોતા લોકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં 5 વર્ષ અગાઉની ગત પાલિકાની ચૂંટણી કરતા વિસ્તાર વધવા છતાં મતદાન મથકો 7 ઘટ્યા છે,જેનું કારણ ગયેલ મતદાર છે. સામાન્યતઃ પાલિકા યા મહાપાલિકામાં વિસ્તારમાં વધારો થાય તો ચૂંટણીમાં મતદાન મથકોની સંખ્યા પણ વધતી જોવા મળી છે. જોકે આ વખતે નવસારીમાં એથી વિપરીત બન્યું છે. સને 2021માં નવસારી વિજલપોર પાલિકાની ચૂંટણી થઈ હતી ત્યારે 199 મતદાન મથકો ઉપર મતદાન થયું હતું. હવે 5 વર્ષ વીત્યા શહેરમાં નજીકના 4 ગામો જોડી મહાપાલિકા બનાવવામાં આવી છે અને તેની પ્રથમ ચૂંટણી જાહેર થઈ છે. આ ચૂંટણીમાં મતદાન મથકો ઘટી 192 જગ્યાએ જ મતદાન થશે. વિસ્તાર વધવા છતાં બુથ ઘટવાનું કારણ જાણવા મળ્યા મુજબ 5 વર્ષ અગાઉની ચૂંટણીમાં મતદાર 2.18 લાખ જેટલા હતા, જે ઘટી હાલ 1.87 લાખ થઈ ગયા છે. મતદારના ઘટાડો થતા મતદાન માટેના બુથ પણ ઘટ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે વિસ્તાર વધવા છતાં અને 5 વર્ષ વિતવા છતાં મતદાર વધવાની જગ્યાએ ઘટવાનું કારણ ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશ ‘સર’ છે,જેમાં મોટી સંખ્યામાં મતદાર કમી થયા છે.
સાયબર ઠગોની કરતૂત:વેપારીની પત્નીનું સો. મીડિયા એકાઉન્ટ્સ હેક કરી ઠગે તેના મિત્રો પાસે નાણાં માંગ્યા
આજના સમયમાં આપણી ડિજિટલ ઓળખ એ આપણી સામાજિક આબરૂ સમાન છે. સાયબર ઠગબાજો હવે લોકોના બેંક ખાતાની સાથે-સાથે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પણ નિશાન સાધી રહ્યા છે. તાજેતરમાં નવસારીમાં બનેલી આ ઘટના સાબિત કરે છે કે તમારી એક નાનકડી ભૂલ (ઓટીપી શેર કરવો) તમને અને તમારા સ્નેહીજનોને કેટલી મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. નવસારીના એક વેપારી દ્વારા નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ કોઈ અજાણ્યા શખ્સે તેમની પત્નીના વોટ્સએપ ગ્રુપમાંથી પોતે રિમૂવ થઈ ગયા હોવાનું બહાનું બતાવી વિશ્વાસમાં લઈ ઓટીપી મેળવી લીધો હતો. આ ઓટીપી દ્વારા ગઠિયાએ પહેલા પત્નીનું વોટ્સએપ, ત્યારબાદ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરી લીધા હતા. આરોપીએ પત્નીના પ્રોફાઇલ પિક્ચરનો દુરુપયોગ કરી, સંપર્કમાં રહેલા લોકો અને સંબંધીઓ પાસે પત્નીના નામે નાણાંની માંગણી શરૂ કર્યાનું ધ્યાને આવતા પોલીસમાં તે અંગે ફરિયાદ નોંધાવી હતી. સાયબર ફ્રોડથી બચવા આટલુ કરો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા કે રિમૂવ થવા માટે ક્યારેય કોઈ ઓટીપીની જરૂર પડતી નથી. (ટુ-સ્ટેપ વેરિફિકેશન) ચાલુ કરો: આ સૌથી અગત્યનું સુરક્ષા કવચ છે. તમારા વોટ્સએપના સેટીંગ્સ > એકાઉન્ટ > ટુ-સ્ટેપ વેરીફિકેશનમાં જઈને તેને ટર્ન ઓન કરો અને તમારો પોતાનો 6 આંકડાનો પિન સેટ કરો.જો તમે આ ચાલુ રાખ્યું હશે, તો હેકરને ઓટીપી મળી જશે તો પણ તે પિન વગર તમારું વોટ્સએપ ખોલી શકશે નહીં. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પણ આ સેટિંગ ચાલુ રાખો. >ચિરાગ લાડ, સાયબર એડવોકેટ
મહાત્મા ગાંધીજીએ મીઠા સત્યાગ્રહ કરવા અમદાવાદ સાબરમતી આશ્રમથી દાંડી સુધી કૂચ કરી ત્યારે 2 એપ્રિલના રોજ વાંઝ ગામે રાત્રિ રોકાણ કર્યું હતું અને બીજા દિવસે 3 એપ્રિલના રોજ વાંઝ ગામથી નીકળી દિવસે નવસારીના ધામણ ગામે આવ્યા હતા. અહીં બપોરનું ભોજન કર્યું અને વિરામ પણ કર્યો હતો. જે માર્ગ પરથી ધામણ આવ્યા ત્યાં સ્થાનિકોની ભીડ બાપુને સન્માનવા જામી હતી. ધામણથી બપોરબાદ બાપુ નવસારી જવા નીકળ્યા અને પહોંચ્યા હતા. અહીં બાપુને સાંભળવા ઐતિહાસિક તે સમયે 25 હજાર લોકો ઉમટ્યા હોવાનું જુના લખાણોમાં જાણવા મળે છે. તે સમયે સારી વ્યવસ્થા થાય તે માટે એક પારસી સજ્જને લાઇટ ફિટીંગ કરવામાં પણ મદદ કરી હતી. બાપુએ રાત્રિ રોકાણ દુધિયા તળાવ વિસ્તારમાં આવેલ ઘાંચીની વાડીમાં કર્યું હતું. અહીં બાપુને થેલી પણ અપાઇ હતી. નવસારી રાત્રિ રોકાણ કર્યા બાદ 4 એપ્રિલે દાંડીકૂચ પદયાત્રીઓ વિજલપોર તરફ ગયા હતા. વિજલપોરમાં તેલી મિલમાં રોકાણ કર્યું નવસારીથી 4 એપ્રિલના રોજ નિકળી બાપુ નજીકના વિજલપોર પહોંચ્યાં હતા અહીં આવેલ માયાભાઇ તેલીના કમ્પાઉન્ડમાં રોકાણ કર્યું હતું. અહીં સ્થાનિક અગ્રણી ડો.ખંડુભાઇ દેસાઇ વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા. વિજલપોરથી બપોર બાદ કરાડી મટવાડ તરફ જવા રવાના થયા હતા.
નવસારી શહેરમાં રહેણાંક વિસ્તારો વચ્ચે ગેરકાયદેસર રીતે ચાલતા ભંગારના ગોડાઉન હવે જીવલેણ જોખમ બની ગયા છે, છતાં મહાનગરપાલિકાનું તંત્ર મૌન સાધી બેઠું હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે. દશેરા ટેકરી વિસ્તાર સહિત શહેરના વિવિધ ભાગોમાં બંધ મકાનોને ભંગારના ગોડાઉનમાં ફેરવી દેવામાં આવ્યા છે, જ્યાં કોઈપણ પ્રકારના ફાયર સેફ્ટી સાધનો વિના જ જોખમી સામગ્રીનો સંગ્રહ કરવામાં આવે છે. તાજેતરમાં મહાનગરપાલિકા વિસ્તારમાં છેલ્લા એક મહિનામાં જ ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે, છતાં તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. વિજલપોરના રામનગર, વિઠ્ઠલ મંદિર નજીક, શિવાજી ચોકથી ફાટક રોડ, દશેરા ટેકરી, નહેરુનગર, છાપરા રોડ કબ્રસ્તાન વિસ્તાર અને બંદર રોડ જેવા રહેણાંક વિસ્તારોમાં ખુલ્લેઆમ આવા ગોડાઉન ધમધમી રહ્યાં છે. આ ગોડાઉનમાં પ્લાસ્ટિક, કેમિકલ ભરેલા પીપા સહિત તાત્કાલિક આગ પકડી લે તેવી સામગ્રીનો સંગ્રહ થાય છે. કોઈ પણ સમયે શોર્ટ સર્કિટ કે નાની ચીંગારીથી પણ આગ ફાટી નીકળે તેવી સ્થિતિ હોવા છતાં સુરક્ષાના કોઈ સાધનો રાખવામાં આવતા નથી. સૌથી ગંભીર બાબત એ છે કે ગોડાઉન ચલાવતા વેપારીઓ ત્યાં રહેતા પણ નથી, જેથી અકસ્માત સમયે જવાબદારી નક્કી કરવી મુશ્કેલ બની જાય છે. આગ વખતે ફાયર બ્રિગેડ પણ લાચાર દશેરા ટેકરી વિસ્તારમાં આગ લાગવાની ઘટનામાં ફાયર બ્રિગેડ 30 મિનિટમાં પહોંચી હતી પરંતુ સાંકળા રસ્તાઓને કારણે ગોડાઉન સુધી વાહન પહોંચી શક્યું નહતું. 100 ફૂટથી વધુ પાઈપ લંબાવીને આગ બુઝાવવી પડી હતી. આ ઘટનામાં 7 ઘરો આગની ઝપેટમાં આવ્યા હતા, જેમાંથી 3 સંપૂર્ણ બળી ગયા અને 4 ઘરોને નુકસાન થયું હતું. >આશિષ રાઠોડ, સ્થાનિક સેફ્ટી નામે શૂન્ય, અંદર શું ચાલે કોઈ જાણતું નથી ભંગારના ગોડાઉન પતરાના શેડમાં બનાવવામાં આવે છે જેથી અંદર શું સંગ્રહ થાય છે તે બહારથી દેખાતું નથી. સલામતીના કોઈ સાધનો નથી અને રહેણાંક વચ્ચે આવા ગોડાઉન જીવલેણ સાબિત થઈ શકે છે. વેપારીઓ પોતે ત્યાં રહેતા પણ નથી, જેથી જોખમ સ્થાનિક લોકો માટે વધે છે. >સુશીલભાઈ વર્મા, નવસારી તંત્ર માટે ચેતવણી સમાન સ્થિતિ..આવતીકાલે મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા મહાનગરપાલિકા દ્વારા આવા ગેરકાયદેસર ગોડાઉન સામે કડક કાર્યવાહી કરવી અત્યંત જરૂરી બની છે. નહિતર ‘આગ પછી તંત્ર જાગે’ જેવી પરંપરા ફરી એકવાર જાનહાનિનું કારણ બની શકે છે. સ્થાનિકોમાં ભારે રોષ, કલેક્ટરને રાવદશેરા ટેકરી અને બાલાપીર દરગાહ નજીકના રહેવાસીઓએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી આ ગેરકાયદેસર ગોડાઉન તાત્કાલિક બંધ કરાવવા માંગ ઉઠાવી છે. જાન્યુઆરીમાં થયેલી આગની ઘટનામાં મોટી દુર્ઘટના ટળી હોવા છતાં તંત્ર હજી સજાગ બન્યું નથી. રહેવાસીઓનો સ્પષ્ટ આક્ષેપ છે કે ભરચક વસ્તીમાં આવા ગોડાઉન ‘ટાઈમ બોમ્બ’ સમાન છે અને ભવિષ્યમાં મોટી જાનહાનિ સર્જાઈ શકે છે. હવે તંત્ર કડક કાર્યવાહી કરી આવા ગોડાઉન સીલ કરે તેવી માંગ ઉઠી રહી છે.
જ્ઞાનસાધના પરીક્ષાનું 4 એપ્રિલે આયોજન:14,500 વિદ્યાર્થી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની પરીક્ષા આપશે
ભરૂચ જિલ્લામાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષાનું 4 એપ્રિલે આયોજન કરાયું છે. જેમાં 14,500 વિદ્યાર્થીઓ માટે 55 પરીક્ષા કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષામાં પાસ થઈને મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને ધો- 9 થી 10 સુધી વર્ષે 6 હજાર અને 11 થી 12 ધોરણ માં વર્ષે 7 હજાર સ્કોલરશિપ આપવામા આવશે. જિલ્લામાં શનિવારે જ્ઞાન સાધના સ્કોલરશીપ ની પરીક્ષા યોજાશે. આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા સારી આર્થિક સ્થિતિ ન ધરાવતા અને હોશિયાર વિદ્યાર્થીઓ ના અભ્યાસ મા સહાય મળી રહે તે માટે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાનું આયોજન કરવામાં આવે છે. આ યોજનાનો લાભ ધો-9 થી 12 સુધીના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. આ ક્સોટી કુલ 120 માર્ક ની હોય છે. જેનો સમય 150 મિનિટ નો રાખવામાં આવેલ છે. જેને લઈને જિલ્લામાં 4 એપ્રિલે જ્ઞાન સાધના સ્કોલરશીપ ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 14,500 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેઓની બેઠક વ્યવસ્થા 55 કેન્દ્રો પર કરવામાં આવી છે. પરીક્ષાનો સમય 11 થી 1:30 દરમિયાન રાખવામાં આવ્યો છે. જેમાં સ્થળ સંચાલક, વહીવટી મદદનીશ, ક્લાર્ક, રિલીવર અને સેવક મળી અંદાજે 270 થી વધુ કર્મચારીઓ કેન્દ્રો પર ઉપસ્થિત રહેશે. પરીક્ષામાં પાસ થઈને મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામા આવશે. તમે જણાવેલી રકમ સામાન્ય રીતે સરકારી કે ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે હોય છે. જો વિદ્યાર્થી આ પરીક્ષા પાસ કરીને ખાનગી (Private) શાળામાં પ્રવેશ મેળવે, તો સરકાર દ્વારા ધોરણ 9-10 માટે વાર્ષિક 22 હજાર અને ધોરણ 11-12 માટે વાર્ષિક 25 હજાર સુધીની સહાય આપવામાં આવે છે. જિલ્લાના કેન્દ્રોની માહિતી
ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો:કાલરી પાસે ટ્રેક્ટરની ટ્રોલી પાછળ ટકરાતાં બાઇકચાલકનું મોત થયું
બહુચરાજી તાલુકાના કાલરી ગામ પાસે આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરઝડપે જઈ રહેલી મોટરસાયકલ આગળ જતી ટ્રેક્ટરની ટ્રોલી પાછળ ધડાકાભેર અથડાતા 19 વર્ષીય ચાલક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ચાણસ્મા તાલુકાના મણીપુરા ગામના 19 વર્ષિય આકાશજી રમેશજી ઠાકોર ગુરુવાર વહેલી સવારે આશરે 3 વાગ્યે પોતાની બાઇક (GJ-18-FD-7876) લઈને તેના બે મિત્રો અલ્કેશજી અને નિખિલજી સાથે નીકળ્યા હતા. સવારે 4:30 કલાકે જ્યારે તેઓ કાલરી ત્રણ રસ્તાથી મોઢેરા તરફ જઈ રહ્યા હતા, ત્યારે મહાદેવના મંદિર પાસે આકાશજીએ પોતાની બાઈક પૂરઝડપે હંકારી આગળ જતી ટ્રેક્ટરની ટ્રોલીના પાછળના ભાગે ભટકાડી દીધી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે આકાશજીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ઈજાગ્રસ્ત મિત્રોને તાત્કાલિક શંખલપુર સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખસેડાયા હતા.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ગૃહમંત્રી અમિત શાહના નિવેદનના રહ્યા. શાહે કહ્યું કે તેઓ 15 દિવસ સુધી પશ્ચિમ બંગાળમાં રહેશે, જેથી મમતાને હરાવી શકાય. બીજા મોટા સમાચાર ચાંદીના ભાવમાં આવેલા 12 હજાર રૂપિયાના ઘટાડાને લઈને રહ્યા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી પુડુચેરીમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. આ દરમિયાન તેઓ 2 કિલોમીટર લાંબો રોડ શો કરશે. 2. ભારતીય નૌસેનામાં INS તારાગીરી વૉરશિપ સામેલ કરવામાં આવશે. કાલના મોટા સમાચારો 1. ભારત બોલ્યું- હોર્મુઝમાં નાવિકો ગુમાવનાર અમે એકમાત્ર છીએ:આ સંકટનો ઉકેલ વાતચીતથી જ શક્ય છે, ઓનલાઈન બેઠકમાં 60 દેશો સામેલ થયા બ્રિટનની પહેલ પર હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે એક મોટી ઓનલાઈન બેઠક યોજાઈ હતી, જેમાં 60થી વધુ દેશોએ ભાગ લીધો હતો. આ બેઠકમાં ભારત તરફથી વિદેશ સચિવ વિક્રમ મિસરી હાજર રહ્યા હતા. બેઠકમાં વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે હોર્મુઝ સંકટમાં અત્યાર સુધી માત્ર ભારતના જ નાગરિકો માર્યા ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હોર્મુઝ સંકટમાં અત્યાર સુધીમાં 3 ભારતીય નાવિકો માર્યા ગયા છે, જેઓ બધા વિદેશી જહાજો પર કામ કરી રહ્યા હતા. ભારતે કહ્યું કે આ સમગ્ર સંકટનો ઉકેલ માત્ર વાતચીત અને શાંતિથી જ આવી શકે છે. ભારતે તમામ દેશોને અપીલ કરી કે તણાવ ઓછો કરે અને પરસ્પર વાતચીત દ્વારા માર્ગ શોધી કાઢે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. પશ્ચિમ બંગાળમાં 7 ઈલેક્શન ઓબ્ઝર્વર બંધક, સુપ્રીમ નારાજ:કહ્યું- અમને ખબર છે કે આ કોણે કર્યું, મતદાર યાદીમાંથી નામ કમી થવા પર સતત બીજા દિવસે પ્રદર્શન સુપ્રીમ કોર્ટે ગુરુવારે પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં SIR સાથે સંકળાયેલા 7 ચૂંટણી નિરીક્ષકોને બંધક બનાવવાની ઘટના પર નારાજગી વ્યક્ત કરી. સુપ્રીમે કહ્યું- તેમને નવ કલાક સુધી બંધક બનાવી રાખવામાં આવ્યા. ખાવા-પીવાનું પણ મળ્યું નહીં. આ ઘટના સુનિયોજિત અને ઉશ્કેરણીજનક લાગે છે. તેનો હેતુ ન્યાયિક અધિકારીઓનું મનોબળ તોડવાનો અને ચૂંટણી પ્રક્રિયાને રોકવાનો છે. CJI સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ પંચોલીની બેન્ચે કહ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે. બેન્ચે રાજ્યના ગૃહ સચિવ, ડીજીપી અને અન્ય અધિકારીઓ પાસેથી તેમની નિષ્ક્રિયતા પર જવાબ માંગ્યો. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ચંદીગઢમાં પંજાબ BJP હેડક્વાર્ટરની બહાર બ્લાસ્ટ:ગ્રેનેડ પાકિસ્તાનનો હોવાનું સામે આવ્યું, 2 શંકાસ્પદ લોકોની શોધખોળ ચંદીગઢમાં BJPના પંજાબ મુખ્યાલયની બહાર બુધવારે સાંજે 5 વાગ્યે બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ પછી ત્યાં પાર્કિંગમાં ઉભેલી ઘણી ગાડીઓના કાચ તૂટી ગયા. BJP ઓફિસની દીવાલ પર 70થી 80 છરા જેવા નિશાન બની ગયા છે. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ ગ્રેનેડની પિન ખોલીને તેને ફેંકીને ભાગી રહ્યો છે. આ દરમિયાન ધમાકાનો અવાજ પણ સંભળાય છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો BJP ઓફિસ પર થયેલા હુમલાનો છે. તપાસમાં આ ગ્રેનેડ પાકિસ્તાન બનાવટનો હોવાનું સામે આવ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. AAPએ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના ઉપનેતા પદ પરથી હટાવ્યા:કહ્યું- ગૃહમાં પાર્ટી વતી નહીં બોલે; ગિર્ગ વર્કર્સ-રીચાર્જ જેવા મુદ્દા ઉઠાવી ચૂક્યા છે આમ આદમી પાર્ટી (AAP) એ ગુરુવારે સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના ઉપનેતા પદ પરથી હટાવી દીધા છે. તેમની જગ્યાએ આ પદ રાજ્યસભા સાંસદ અશોક મિત્તલને આપવામાં આવ્યું છે. પાર્ટીએ રાજ્યસભા સચિવાલયને પત્ર લખીને આ માહિતી આપી. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે સદનમાં પાર્ટી તરફથી બોલવાનો સમય ન આપવામાં આવે. રાઘવ 2022થી પંજાબથી રાજ્યસભા સાંસદ છે. તેમનો કાર્યકાળ 2028 સુધીનો છે. પાર્ટીએ આ નિર્ણયનું કારણ જણાવ્યું નથી. જોકે, તેમણે લાંબા સમયથી પાર્ટીથી અંતર બનાવી લીધું હતું અને AAPને લઈને કોઈ નિવેદન આપી રહ્યા ન હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ટ્રમ્પના ભાષણ પછી સોના-ચાંદીના ભાવ તૂટ્યા:સોનામાં ₹3,263, ચાંદીમાં ₹13 હજારનો ઘટાડો; ઈરાન યુદ્ધથી 34 દિવસમાં સોનું ₹16 હજાર સસ્તું થયું અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો ચાલુ છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, ગુરુવારે 10 ગ્રામ 24 કેરેટ સોનું 5,346 રૂપિયા ઘટીને 1.46 લાખ રૂપિયા થયું છે. આ પહેલા બુધવારે તે 1.51 લાખ પર હતું. જ્યારે, એક કિલો ચાંદી 15,176 રૂપિયા ઘટીને 2.25 લાખ રૂપિયા થઈ ગઈ, જે 25 માર્ચે 2.40 લાખ રૂપિયા પર હતી. અમેરિકા-ઇરાન યુદ્ધને કારણે સોનું 34 દિવસમાં 13,590 અને ચાંદી 42,040 સસ્તી થઈ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. LRD ભરતીની શારીરિક કસોટીનું પરિણામ જાહેર:14 જૂને લેખિત પરીક્ષા, ચેક કરો તમારું નામ ગુજરાત રાજ્યમાં લોકરક્ષક ભરતી પ્રક્રિયામાં મહત્વનો તબક્કો પૂર્ણ થયો છે. લોકરક્ષક કેડરની શારીરિક કસોટી પૂર્ણ થતાં તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તા. 21 જાન્યુઆરી, 2026થી રાજ્યના 15 કેન્દ્રો પર યોજાયેલી શારીરિક કસોટી સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ ઉમેદવારો હવે પોતાનું પરિણામ ઓનલાઇન જોઈ શકે છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ વિભાગના વર્ગ-3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક દળ (LRD) કેડરની કુલ 13,591 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં LRDની શારીરિક કસોટી માટે 10 લાખ લોકોએ દોડમાં ભાગ લીધો હતો, જેમાંથી 1.10 લાખ લોકો ઉત્તિર્ણ થયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 7. મિલ્ક પનીર છે કે એનાલોગ, હોટલ-રેસ્ટોરન્ટમાં ફરજિયાત બોર્ડ લાગશે:નકલી, સબ-સ્ટાન્ડર્ડ પનીરનું વેચાણ રોકવા સરકાર એક્શન મોડમાં; અસલી પનીરને આ રીતે ઓળખો જો તમે હોટલ કે રેસ્ટોરન્ટમાં પનીરની વાનગીઓના શોખીન હોવ તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્ત્વના છે. રાજ્યમાં સતત વધી રહેલા નકલી અને સબ-સ્ટાન્ડર્ડ પનીરના વેચાણને રોકવા માટે હવે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કડક સૂચના આપી છે કે હવેથી રાજ્યની તમામ હોટલ, રેસ્ટોરન્ટ અને કેટરિંગ સંચાલકોએ ગ્રાહકોને પીરસવામાં આવતું પનીર અસલી છે કે 'એનાલોગ', તેની જાણકારી ફરજિયાતપણે બોર્ડ પર પ્રદર્શિત કરવી પડશે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : અમિત શાહે કહ્યું- 15 દિવસ બંગાળમાં જ રહીશ:મમતાને ઘરમાં જ હરાવવાના છે, TMCને ઉખેડીને બંગાળની ખાડીમાં ફેંકી દો વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ટ્રમ્પે ફ્રાન્સના રાષ્ટ્રપતિની ઠેકડી ઊડાવી, મેક્રોને કહ્યું- માપમાં રહો:ટ્રમ્પે કહ્યું- પત્નીના હાથે થપ્પડ ખાધા કરે છે, ખરાબ વ્યવહાર કરે છે વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : TMCનું ચૂંટણી મેનેજમેન્ટ સંભાળતી I-PACને ત્યાં EDના દરોડા:દિલ્હી-બેંગલુરુ, હૈદરાબાદમાં EDની તપાસ, કોલસા કૌભાંડ સાથે સંકળાયેલો મામલો વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : નેપાળમાં એવરેસ્ટ કૌભાંડનો પર્દાફાશ:ખાવામાં બેકિંગ સોડા ભેળવીને બીમાર કરતા હતા, પછી હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાવીને વધુ કમાણી કરતા વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : PPF એકાઉન્ટમાંથી દર મહિને ₹61 હજારની કમાણી:₹1.03 કરોડનું ફંડ પણ તૈયાર થઈ જશે, જાણો શું છે તેનો 15+5+5 ફોર્મ્યુલા વાંચો સંપૂર્ણ સમાચાર 6.ધર્મ તહેવાર જ્યોતિષ : સર્જાયો દુર્લભ ‘ત્રિગ્રહી યોગ’:મંગળનું મીન રાશિમાં 'મંગળ' ગોચર; વૃષભ, મિથુન, કર્ક સહિત 8 રાશિઓ પર સંકટમોચન ખુશખુશાલ વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ ₹167.2 કરોડમાં વેચાયું ‘યશોદા-કૃષ્ણ’નું પેઇન્ટિંગ રાજા રવિ વર્માના પ્રખ્યાત ‘યશોદા અને કૃષ્ણ’ના પેઇન્ટિંગની મુંબઈમાં ₹167.2 કરોડમાં હરાજી થઈ. 130 વર્ષ જૂના આ પેઇન્ટિંગ સાયરસ પૂનાવાલાએ ખરીદી છે. આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ભારતીય પેઇન્ટિંગે લાઈવ ઓક્શનમાં આટલી મોટી કિંમત હાંસલ કરી હોય. ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor's View: પેટ્રોલ-ડીઝલ ને ગેસ માટે ફરી લાઇનો લાગી શકે:બીજો રૂટ પણ બંધ કરી દેવાની ઇરાનની ધમકી, 20 મિનિટમાં ટ્રમ્પે 18 ફાંકા માર્યા, હોર્મુઝ ખોલવા 35 દેશ મેદાને 2. ભાસ્કર સિરીઝ: ‘તારા પર પ્રેતાત્માનો પડછાયો છે, બાપુ જ તેને હટાવી શકશે’: દોઢ કલાક સુધી આસારામે સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું, એપિસોડ-24માં જુઓ માતા-પિતાએ જ દીકરીને આસારામની રૂમમાં મોકલી 3. જામનગરની દીકરી જજની ખુરશી સંભાળશે:2 વાર નિષ્ફળતા મળી છતાં હિંમત ન હારી, ઘૂંઘટની મર્યાદા પણ પાળી અને ઇતિહાસ પણ રચ્યો 4. આજનું એક્સપ્લેનર:ટ્રમ્પ હોર્મુઝ નહીં ખોલાવે, ન તો પરમાણુ બોમ્બનું યુરેનિયમ જપ્ત કરશે; ટ્રમ્પના 4 મોટા સંકેત, ઈરાન યુદ્ધમાં આગળ શું થશે? 5. ભાસ્કર એનાલિસિસ : ગુજરાતમાં દારૂની પરમિટ આપવા કેવા સગવડિયા નિયમો?:આરોગ્યના નામે પરવાનગી લેવાના ફોર્મમાં કારણો અગાઉથી છાપ્યા; ડૉક્ટરો, WHOના રિપોર્ટે સરકારી તર્કની પોલ ખોલી 6. દુનિયામાં પહેલી ચૂંટાયેલી વામપંથી સરકાર કેરળમાં બની:ઈન્દિરાના કહેવાથી નહેરૂએ સરકાર બરતરફ કરી; આજે લેફ્ટ કેમ કેરળમાં જ બચ્યો? 7. ઉનાળામાં પથરીનું જોખમ વધુ:ભારતમાં 12% લોકો આ સમસ્યાથી પીડિત, જાણો કઈ ભૂલોના લીધે થાય છે કિડની સ્ટોન; બચવા માટે 12 ટિપ્સ અપનાવો 8. બ્લેકબોર્ડ-હટ્ટો-કટ્ટો ભરતી થયો, સેનાએ વિકલાંગ બનાવીને મોકલી દીધો:8 મહિના કોમામાં રહ્યો, ભાનમાં આવ્યો તો ખબર પડી - મને આર્મીમાંથી કાઢી મૂક્યો છે કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ: કન્યા-મકર રાશિના જાતકો નવી સિદ્ધિઓ હાંસલ કરશે, સિંહ-વૃશ્ચિક રાશિના જાતકોએ સ્વાસ્થ્ય બાબતોમાં સાવધ રહેવું (સંપૂર્ણ રાશિફળ વાંચો)
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 11 એપ્રિલે ફોર્મ ભરવાની અંતિમ તારીખ હોય ભાજપ, કોંગ્રેસ, આપ સહિતની પાર્ટીઓએ ઉમેદવારોની પસંદગી કરવા કવાયત તેજ કરી છે. કોંગ્રેસ દ્વારા પણ મોટાભાગની મહાનગરપાલિકાઓમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. સેન્સ પ્રક્રિયા દરમિયાન એક તરફ ભાજપમાં રાફડો ફાટ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસ માટે રેસના ઘોડા શોધવા મુશ્કેલ બન્યા હોય એવી સ્થિતિ છે. સુરતને બાદ કરતા અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં કોંગ્રેસને બેઠક દિઠ માત્ર ચાર થી પાંચ દાવેદારો જ મળ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાની એક બેઠકની સામે ફક્ત 3 દાવેદારઅમદાવાદ મહાનગરપાલિાકના 48 વોર્ડની 192 બેઠક માટે કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. અમદાવાદ મનપાની ચૂંટણી લડવા એક તરફ ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટ્યો છે તો બીજી તરફ કોંગ્રેસને રેસના ઘોડા મળવા મુશ્કેલ બન્યા છે. 92 બેઠક માટે કોંગ્રેસમાંથી ફક્ત 602 કાર્યકર્તાઓ દાવેદારી કરી છે. શહેરના કેટલાક વોર્ડ તો એવા છે કે જ્યાં 4 થી 5 લોકોએ જ દાવેદારી કરી છે. કયા ઝોનમાં કેટલા કેટલા દાવેદાર?અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે 7 ઝોનમાં 602 જેટલા કાર્યકાર્તાઓએ ચૂંટણી લડવા માટેની ઈચ્છા દર્શાવી છે.જેમાં કયા ઝોનમાં કયા વોર્ડ આવે છે અને કેટલા કાર્યકર્તાઓએ દાવેદારી કરી છે તે ગ્રાફિક્સની મદદથી સમજીએ. અમદાવાદ મનપામાં કોંગ્રેસ માટે અસ્તિત્વ ટકાવવાનો સવાલઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા 20 વર્ષથી ભાજપનું શાસન છે. જ્યાં 20 વર્ષથી કોંગ્રેસ શાસનમાં આવવા માટે અનેક પ્રયાસ કરી રહી છે, પરંતુ જોઈએ તેવું પરિણામ જ કોંગ્રેસને મળતું નથી. જેથી કોંગ્રેસ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અસ્તિત્વ ટકાવી રાખવા માટેની ચૂંટણી બની જવાની છે. છેલ્લા ઘણાં સમયથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપનું શાસન હોવાથી શહેર કોંગ્રેસનું સંગઠન ના બરાબર જોવા મળી રહ્યું છે. જેથી જમીની સ્તરે સંગઠનને ફરી બેઠું કરવાનું છે. તેમજ રાહુલ ગાંધીએ ચૂંટણીમાં રેસના ઘોડા કોણ છે અને લગ્નના ઘોડા કોણ છે તે નક્કી કરીને પછી ઉમેદવારોને મેદાને ઉતારવા માટે આદેશ કર્યો હતો. પરંતુ કોંગ્રેસ માટે એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે રેસના ઘોડા શોધવામાં પણ ફાંફા પડી ગયા છે. કોંગ્રેસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડવામાં કોઈને રસ નથી તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસે 7 જેટલા ઝોન બનાવ્યા હતા. જ્યાં બે બે નિરીક્ષક દ્વારા સેન્સ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. ત્યારે અમદાવાદના 48 વોર્ડમાં ચૂંટણી લડવા માટે કુલ 602 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ જ ચૂંટણી લડવા માટે ઈચ્છા વ્યક્ત કરી છે. ત્યારે કેટલાક વોર્ડમાં તો ગણ્યા ગાંઠ્યા લોકોએ જ બાયોડેટા આપીને ચૂંટણી લડવા માટેની ઈચ્છા વ્યક્ત કરી છે. ઘાટલોડીયા થલતેજ, ગોતા, ચાંદલોડિયા, બોડકદેવ વોર્ડમાં માત્ર 4થી 5 જેટલા લોકોએ જ ચૂંટણી લડવા માટેની ઈચ્છા વ્યક્ત કરી છે. અમદાવાદ સિવાય રાજ્યની જૂની અન્ય 5 મહાનગરપાલિકાઓ કે જ્યાં ચૂંટણી યોજાવાની છે ત્યાં પણ સુરત સિવાય બહુ ઓછા દાવેદાર સામે આવ્યા છે. અમદાવાદ મનપામાં છેલ્લા 20 વર્ષથી ભાજપનું શાસનઅમદાવાદ મહાનગરપાલિકામાં છેલ્લા બે દાયકાથી ભાજપનો દબદબો છે. છેલ્લી બે ચૂંટણીની વાત કરીએ તો 2015માં પાટીદાર આંદોલન સમયે કોંગ્રેસને 48 બેઠકો મળી હતી. પરંતુ, 2021માં માત્ર 25 બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. જ્યારે રાજકોટ મનપામાં 20 વર્ષથી અને સુરત, વડોદરા, ભાવનગર, જામનગરમાં 30 વર્ષથી સત્તાથી બહાર છે. રાજ્યમાં 26 એપ્રિલે યોજાશે પાલિકા પંચાયતની ચૂંટણી માટે મતદાનગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થતા જ આદર્શ આચારસંહિતાનો અમલ થઈ ચૂક્યો છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)

30 C