SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

33    C
...

જામનગરમાં ગુજસીટોક એક્ટ હેઠળ પોલીસની કાર્યવાહી:જેલમાંથી કબ્જો મેળવી 8 આરોપીઓ છ દિવસના રિમાન્ડ પર, ફરાર અન્ય 3 આરોપીઓની શોધખોળ ચાલુ

જામનગર પોલીસે સંગઠિત ગુનાખોરી પર અંકુશ મેળવવા માટે ગુજસીટોક (GUJCTOC) એક્ટ હેઠળ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાય અને પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે આઠ આરોપીઓને જેલમાંથી કબ્જો મેળવી છ દિવસના રિમાન્ડ પર લીધા છે. આ કેસમાં ફરાર અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ ચાલુ છે. જામનગરમાં દહેશત ફેલાવતી અને અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી અલ્તાફ ગફાર ખફી ગેંગ અને અસલમ કરીમ ખીલજી ગેંગ વિરુદ્ધ પગલાં લેવાયા છે. અલ્તાફ ખફી ગેંગ સામે કુલ 52 ગુનાઓ નોંધાયેલા છે. એલ.સી.બી. અને એસ.ઓ.જી.ની ટીમે ગેંગના મુખ્ય સૂત્રધાર અને કોર્પોરેટર અલ્તાફ ગફાર ખફી સહિત 10 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ આરોપીઓમાં સમીર શકિલ ચૌહાણ, જુનેદ ઉર્ફે જુનીયો, ઈસ્તીયાક કુરેશી, મોસીન ઉર્ફે પચાસીયા, તોહિતખાન ઉર્ફે પપ્પુ, તબરેજ હાલાણી, હમીદ ઉર્ફે રાંજો, અબુસુફીયાન કુરેશી અને ઓસમાણ મુસા ખફીનો સમાવેશ થાય છે. પકડાયેલા આ 10 આરોપીઓના 23 એપ્રિલ, 2026 સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. અસલમ ખીલજી ગેંગ સામે 46 ગુનાઓ નોંધાયેલા છે. આ ગેંગના સાગરીત ગની ઉંમર બશરની ધરપકડ કરવામાં આવી છે, જેના 20 એપ્રિલ, 2026 સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. અગાઉ પણ પોલીસે અસલમ ખીલજી ગેંગના ૧૭ અને અલ્તાફ ખફી ગેંગના 1 આરોપીને ઝડપી પાડ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં આ તમામ આરોપીઓને સાબરમતી (અમદાવાદ), લાજપોર (સુરત), વડોદરા, રાજકોટ અને મોરબી જેલ સહિત રાજ્યની વિવિધ જેલોમાં મોકલી દેવાયા હતા. આ સમગ્ર ઓપરેશન તપાસનીસ અધિકારી જયવીરસિંહ ઝાલા (DySP જામનગર)ની રાહબરી હેઠળ LCB પી.આઈ. વી.બી. ચૌધરી, SOG પી.આઈ. બી.એન. ચૌધરી તથા પીએસઆઈ એમ.વી. ભાટીયા અને તેમની ટીમો દ્વારા અત્યંત ગુપ્તતા અને કુશળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. આ કાર્યવાહીથી જામનગરના રીઢા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 2:57 pm

વેરાવળમાં રવિવારે વીજ પુરવઠો બંધ:19 એપ્રિલે 11KV અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી થશે

વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરી દ્વારા 19 એપ્રિલ, 2026, રવિવારના રોજ વીજ પુરવઠો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. સવારે 10 થી બપોરે 4 વાગ્યા સુધી 11 KV ગર્લ્સ સ્કૂલ ફીડરમાં અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરીને કારણે ખારવાવાડ, હરિજનવાસ, બકાલા માર્કેટ, મચ્છી માર્કેટ, ભાંડા શેરી, માવજી મૂળજી બિલ્ડીંગ, ધાવા ખાના, બાટલી મઢી, સાગર ભુવન, કામનાથ ચોક અને ખારા કુવા સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાશે. વીજ ગ્રાહકોને નોંધ લેવા જણાવાયું છે કે સમારકામ પૂર્ણ થયા બાદ કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના વિના વીજ પુરવઠો ફરીથી ચાલુ કરી દેવામાં આવશે. વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરીના ઇમરજન્સી ફોલ્ટ સેન્ટરના નંબર 96876 33787 અને 02876 22210 છે. વીજ સંબંધિત કોઈપણ સમસ્યા માટે આ નંબર પર સંપર્ક કરી શકાય છે. પરિવારના સભ્યોની સલામતી માટે વીજ સ્થાપન પર યોગ્ય ક્ષમતાની ELCB (અર્થ લીકેજ સર્કિટ બ્રેકર) લગાવવી જરૂરી છે. ELCB લગાવવાથી વીજ અકસ્માતનું જોખમ ઘટાડી શકાય છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 2:54 pm

'અમે પાટીદારોએ દંડા ખાધા, ભાગો છો કેમ?' કથીરિયા સામે આક્રોશ:મહિલાઓએ ભાજપ નેતાઓને આડે હાથ લીધા, કહ્યું- સત્તા તમારી છે તો કામ કેમ નથી થતું?

સુરત શહેરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, પરંતુ આ વખતે ભાજપના નેતાઓ માટે પ્રચાર કરવો લોઢાના ચણા ચાવવા જેવો સાબિત થઈ રહ્યો છે. શહેરના વોર્ડ-3 (વરાછા)માં ભાજપે અલ્પેશ કથીરિયાની પત્ની કાવ્યા પટેલની ટિકિટ આપી છે. આજે (18 એપ્રિલ) અલ્પેશ કથીરિયા પોતાની ટીમ સાથે ગ્રીન ઝોન સોસાયટીમાં પ્રચાર અર્થે જતા જનતાના રોષનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક પાટીદાર મતદારોએ નેતાઓને રોકડું પરખાવતા કહ્યું હતું કે, ‘અમે આંદોલન વખતે પાટીદારોએ દંડા ખાધા છે, તો અત્યારે સવાલ પૂછીએ છીએ તો તમે ભાગી કેમ જાઓ છો?’ અલ્પેશ કથીરિયા જ્યારે સોસાયટીમાં પ્રવેશ્યા ત્યારે તેમને અપેક્ષા હશે કે ફૂલહારથી સ્વાગત થશે, પરંતુ અહીં ચિત્ર ઉલટું હતું. પાટીદાર યુવાનોએ અલ્પેશને જૂની યાદો યાદ કરાવતા કહ્યું કે, જે આંદોલન માટે સમાજે લાઠીઓ ખાધી અને કેસો વેઠ્યા, તે શક્તિનો ઉપયોગ હવે સત્તામાં ગયા પછી કેમ નથી થતો? અલ્પેશની સફાઈ અને મતદારોની દલીલોજ્યારે ભીડ વધી અને સવાલોનો મારો શરૂ થયો, ત્યારે અલ્પેશ કથીરિયાએ શાંતિ જાળવવાનો પ્રયાસ કરતા કહ્યું, અમે ક્યાં ભાગીએ છીએ? જવાબ તો આપીએ જ છીએ. જોકે, જનતાનો આક્રોશ અલ્પેશના આશ્વાસનથી શાંત થાય તેમ નહોતો. યુવકોએ સીધો રસ્તાનો મુદ્દો પકડ્યો અને પૂછ્યું કે, જો ભાજપની સત્તા છે તો કામ કેમ અટકેલા છે? અલ્પેશે 'કોર્પોરેટર બન્યા પછી કામ થશે' તેવી વાત કરી, પણ જનતાએ તેમને વર્તમાન સત્તાના જવાબદાર ગણીને ભીંસમાં લીધા હતા. ચર્ચા દરમિયાન જ્યારે મામલો ગરમાયો ત્યારે અલ્પેશ કથીરિયા અને તેમની ટીમે લોકોને વીડિયો ઉતારવાની મનાઈ કરી હતી. કહ્યું, અમે કોઈના દુશ્મન નથી, વીડિયો બંધ કરો. મહિલાઓએ DJ બંધ કરાવી રસ્તાની સમસ્યા ગણાવીભાજપના ઉમેદવારોના સ્વાગત માટે સોસાયટીમાં ડીજે વગાડવામાં આવી રહ્યું હતું અને સમર્થકો હારતોરા કરી રહ્યા હતા. આ ભપકા વચ્ચે સોસાયટીની ગૃહિણીઓ બહાર આવી હતી અને ડીજે બંધ કરાવી દીધું હતું. મહિલાઓનો આક્રોશ હતો કે, જ્યારે વિસ્તારમાં રસ્તાના ઠેકાણા નથી, ખાડાઓનું સામ્રાજ્ય છે, ત્યારે આટલો મોટો દેખાડો શા માટે? જે વ્યક્તિએ થોડીવાર પહેલા ઉમેદવારને ખેસ પહેરાવ્યો હતો, તે જ વ્યક્તિએ સુવિધાના અભાવે નેતાઓનો ઉધડો લેવાનું શરૂ કર્યું હતું. શિક્ષણ અને સરકારી સ્કૂલોની દયનીય સ્થિતિ પર પ્રહારવાત માત્ર રસ્તાઓ પૂરતી મર્યાદિત ન રહી, પણ સરકારી શિક્ષણ વ્યવસ્થા સુધી પહોંચી હતી. યુવાનોએ નેતાઓને પૂછ્યું કે, સરકારી શાળાઓની હાલત જુઓ, કોઈ મધ્યમ વર્ગનો માણસ પોતાના બાળકને ત્યાં મોકલવા માંગતું નથી. ખાનગી શાળાઓની ફી સિસ્ટમ બેફામ છે, તેમાં તમે શું સુધારો કર્યો? નેતાઓએ સુરતમાં નવી સ્કૂલો બની હોવાનો દાવો કર્યો હતો, પરંતુ લોકોએ તેને માત્ર કાગળ પરની વાતો ગણાવીને ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. ‘સાત કમળ’ લાવવાના લક્ષ્ય સામે જનતાના પાયાના સવાલોભાજપ જ્યારે તમામ બેઠકો જીતવાનો દાવો કરી રહી છે, ત્યારે યુવાનોએ કટાક્ષ કરતા કહ્યું કે, તમારે સાત કમળ (તમામ બેઠકો) જીતવી હોય તો જનતાના કામ પણ કરવા પડશે. લાઈટ, ગટર અને પાણી જેવી પાયાની જરૂરિયાતો માટે પણ જો જનતાએ વલખાં મારવા પડતા હોય, તો કયા મોઢે મત માંગવા આવો છો? નેતાઓએ જ્યારે એમ કહ્યું કે, અમે બધું જ કામ કર્યું છે, ત્યારે લોકોએ પુરાવા માંગ્યા હતા અને ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. 20 વર્ષના સપોર્ટ સામે સુવિધાના નામે મીંડુંસ્થાનિકોએ નેતાઓને યાદ અપાવ્યું હતું કે, આ વિસ્તાર છેલ્લા 20 વર્ષથી ભાજપને સપોર્ટ કરતો આવ્યો છે, તેમ છતાં આજે પણ ગટરો ઉભરાય છે અને રસ્તા પર ખાડા છે. તમે જ્યારે મત લેવા આવો છો ત્યારે મોટા મોટા વાયદા કરો છો અને જીત્યા પછી ભૂલી જાઓ છો, તેવો ગંભીર આક્ષેપ યુવાને કર્યો હતો. સોસાયટીના લોકોએ એકસૂરે જણાવ્યું હતું કે, સમસ્યા કોઈ એક વ્યક્તિની નથી, આખી સોસાયટીના રસ્તા ચોમાસામાં નર્ક સમાન બને છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 2:54 pm

મહેસાણામાં આધુનિક કેરી પેકિંગ અને પ્રોસેસિંગ પ્લાન્ટ તૈયાર:વિદેશ સુધી ગુજરાતી કેરીનો સ્વાદ પહોંચશે; સંઘાણીએ કહ્યું, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોકાર્પણ કરશે

મહેસાણામાં આધુનિક કેરી પેકિંગ અને પ્રોસેસિંગ પ્લાન્ટ કાર્યરત થવા જઈ રહ્યો છે, જેનાથી ગુજરાતી કેરીનો સ્વાદ હવે સાત સમુંદર પાર વિદેશો સુધી પહોંચશે. ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ અત્યાધુનિક પ્લાન્ટનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે. 'કોંગ્રેસ દેશની સ્થિતિ સમજવામાં અસમર્થ રહી છે'ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ અનેક મુદ્દાઓ પર મહત્વપૂર્ણ નિવેદનો આપતાં રાજકીય અને કૃષિ ક્ષેત્રે ચર્ચા જગાવી છે. મહિલા અધિનિયમ બિલની નામંજૂરી મુદ્દે તેમણે કહ્યું કે, વિદેશમાં જન્મેલા લોકો દેશની વાસ્તવિક પરિસ્થિતિ સમજી શકતા નથી અને કોંગ્રેસ દેશની સ્થિતિ સમજવામાં અસમર્થ રહી છે. તેમણે એ પણ યાદ અપાવ્યું કે, ભૂતકાળમાં વિપક્ષ કાશ્મીરનો મુદ્દો યુનોમાં લઈ ગયા હતાં. 'અત્યાચાર અને ગોળીબારની ઘટનાઓ બાદ રાજ્યમાં કોંગ્રેસનો સફાયો થયો'સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે સંઘાણીએ ગુજરાતની જનતાને એડવાન્સ અભિનંદન પાઠવ્યા અને ભાજપને મળતા સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો. સંઘાણીએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે, ખેડૂતો પર થયેલા અત્યાચાર અને ગોળીબારની ઘટનાઓ બાદ રાજ્યમાં કોંગ્રેસનો સફાયો થયો છે.કૃષિ અને નિકાસ ક્ષેત્રે ગુજકોમાસોલે મોટું પગલું ભર્યું છે. 'કેરી અને શાકભાજીની નિકાસ આંતરરાષ્ટ્રીય બજારોમાં કરાશે'દિલીપ સંઘાણીએ કહ્યું, મહેસાણામાં આધુનિક કેરી પેકિંગ અને પ્રોસેસિંગ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવશે. આ પ્લાન્ટ મારફતે ગુજરાતી કેરી અને શાકભાજીની નિકાસ અમેરિકા અને યુરોપ જેવા આંતરરાષ્ટ્રીય બજારોમાં કરવામાં આવશે. પ્રોડક્ટની માંગને ધ્યાનમાં રાખીને અગાઉ સર્વે પણ કરવામાં આવ્યો છે. આજથી મેંગો ફેસ્ટિવલની શરૂઆતગુજકોમાસોલ ખાતે આજથી મેંગો ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવી છે. સંઘાણીએ જણાવ્યું કે, ગુજકોમાસોલ ખેડૂતોની સંસ્થા છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે સતત કાર્યરત છે. સંસ્થા ખેડૂતો પાસેથી સીધી કેરી ખરીદી કરશે, જેથી ગ્રાહકોને સારી ગુણવત્તાની કેરી સસ્તા ભાવે ઉપલબ્ધ થશે. કૃષિ ઉત્પાદનોના પ્રચાર-પ્રસારને પણ વેગતેમણે વધુમાં જણાવ્યું કે, આધુનિક મીડિયા દ્વારા માહિતી તરત જ લોકો સુધી પહોંચે છે અને તેનાથી કૃષિ ઉત્પાદનોના પ્રચાર-પ્રસારને પણ વેગ મળે છે. ગુજકોમાસોલ દ્વારા ખેડૂતોને લાભ મળે અને ગુજરાતના કૃષિ ઉત્પાદનોને વૈશ્વિક બજારમાં ઓળખ મળે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 2:29 pm

મહીસાગરમાં ‘પ્રોજેક્ટ સહકાર’ હેઠળ બાળકોનું ચેકઅપ:ખાનગી તબીબોના સહયોગથી લુણાવાડામાં આરોગ્ય તપાસ યોજાઈ

મહીસાગર જિલ્લાને કુપોષણ મુક્ત કરવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લા કલેક્ટર અર્પિત સાગર દ્વારા શરૂ કરાયેલા ‘પ્રોજેક્ટ સહકાર’ના નવા તબક્કા હેઠળ લુણાવાડાની આયુષ હોસ્પિટલ ખાતે બાળકોના આરોગ્યની તપાસનો ખાસ કાર્યક્રમ યોજાયો હતો. આ અભિયાન અંતર્ગત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આંગણવાડીઓ દત્તક લેવામાં આવી છે. તેનો મુખ્ય હેતુ આંગણવાડીઓમાં આવતા અત્યંત ઓછા વજનવાળા (SAM) અને મધ્યમ ઓછા વજનવાળા (MAM) બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવવાનો છે, જેના પર તંત્ર સીધી દેખરેખ રાખી રહ્યું છે. આજરોજ લુણાવાડાની આયુષ હોસ્પિટલ ખાતે યોજાયેલા તપાસ કેમ્પમાં જિલ્લા કલેક્ટર અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિધ્ધાર્થ અને ઇન્ચાર્જ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી સી. આર. પટેલીયા ઉપસ્થિત રહ્યા હતા. બાળરોગ નિષ્ણાંત ડો. શૈલેષ પંચાલ અને સ્ત્રીરોગ નિષ્ણાંત ડો. નિશાંત પટેલ દ્વારા બાળકોની શારીરિક તપાસ કરી જરૂરી તબીબી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ અભિયાનમાં ખાનગી ક્ષેત્રના નિષ્ણાંત તબીબોએ પણ સેવાઓ આપવા હાથ લંબાવ્યો છે અને તેઓ સમયાંતરે સેવા આપશે. આર.બી.એસ.કે. (RBSK) ટીમની મદદથી ઓછા વજનવાળા બાળકોને હોસ્પિટલ સુધી લાવી તેમની બ્લડ ટેસ્ટ અને એક્સ-રે જેવી સઘન તપાસ કરવામાં આવશે. નિદાનના આધારે જે બાળકોને વધુ સારવાર કે વિશેષ ખોરાકની જરૂર છે, તેમની યાદી તૈયાર કરી આગળનું ફોલો-અપ લેવામાં આવશે. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, ખાનગી અને સરકારી તબીબો તેમજ વહીવટી તંત્રના સંકલનથી ચાલતો આ ‘પ્રોજેક્ટ સહકાર’ મહીસાગર જિલ્લાને સંપૂર્ણપણે કુપોષણ મુક્ત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 2:27 pm

સંતરામપુર પ્રોહીબિશન કેસનો ફરાર આરોપી પકડાયો:મહીસાગર પેરોલ ફર્લો શાખાએ દાહોદમાંથી ઝડપ્યો, એક વર્ષથી ફરાર હતો

મહીસાગર જિલ્લાની પેરોલ ફર્લો શાખાએ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી નૈનેષ વાલસિંગભાઈ ડામોરને દાહોદ જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી 17 એપ્રિલ, 2026ના રોજ કરવામાં આવી હતી. પંચમહાલ-ગોધરા રેન્જ IGP વિધિ ચૌધરી અને મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસનના નિર્દેશ મુજબ, 1 એપ્રિલ, 2026 થી 30 એપ્રિલ, 2026 સુધી નાસતા-ફરતા આરોપીઓ અને વોન્ટેડ ગુનેગારોને પકડવા માટે વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઇવ અંતર્ગત, પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઈ બી.પી. પટેલ અને તેમની ટીમને આરોપી નૈનેષ ડામોર (રહે. મઘાનીસર, તા. ઝાલોદ, જિ. દાહોદ) રાત્રિના લગ્ન પ્રસંગમાંથી વહેલી સવારે ચાર વાગ્યા આસપાસ તેના ઘરે આવવાનો હોવાની ચોક્કસ માહિતી મળી હતી. આ માહિતીના આધારે, પેરોલ ટીમે ઝાલોદ ખાતે આરોપીના ઘરે તપાસ કરતા તેને તેના મકાન બહાર ફળિયામાંથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ બાદ ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરાવી તેને આગળની કાર્યવાહી માટે સંતરામપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ પ્રોહી કલમ 65(એ)(ઇ), 98(2), 81 તથા બીએનએસએસ કલમ 111(બી) મુજબ ગુનો નોંધાયેલો છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 2:18 pm

ભાવેણાનો 304 મો સ્થાપના દિન:મંત્રી જીતુભાઈ વાઘાણીની પ્રેરણાથી બ્લડ ડોનેશન કેમ્પમાં 304 માં જન્મદિવસ નિમિતે 304 બોટલ રક્ત એકત્ર કરાયું

આવતીકાલે પુષ્પાંજલિના કાર્યક્રમો યોજાશે કેબિનેટ મંત્રી અને લોકપ્રિય ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી પ્રેરિત 'ભાવનગર જન્મોત્સવ સમિતિ' દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવનગરનો સ્થાપના દિવસ ભવ્ય રીતે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે ભાવનગર તેના સ્થાપનાના 304 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે જોકે, મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની આચારસંહિતા અમલી હોવાને કારણે અગાઉ નિર્ધારિત ભવ્ય સાંસ્કૃતિક કાર્નિવલ હાલ પૂરતો મોકૂફ રખાયો છે, પરંતુ સેવાકીય અને શ્રદ્ધાંજલિના કાર્યક્રમો સાથે ભાવેણાનો જન્મોત્સવ ધામધૂમથી મનાવવામાં આવશે. ​ભાવનગરના 304 મા સ્થાપના દિન નિમિત્તે આજે શનિવારના રોજ એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, હરિ દર્શન એક્સપોર્ટનું મેદાન નિલમબાગ ખાતે મંત્રી જીતુભાઈ વાઘાણીની પ્રેરણાથી હરિકૃષ્ણ એક્સપોર્ટ રિતેશભાઈ લખાણી અને હિતેશભાઈ ગઢાળી દ્વારા આ કેમ્પ યોજાશે, સ્થાપના વર્ષને અનુરૂપ 304 બોટલ રક્ત એકત્ર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે, આવતીકાલે ​અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે એટલે કે 19 એપ્રિલ રવિવારના રોજ ભાવનગરના સ્થાપક અને પ્રજાવત્સલ રાજવીઓને ભાવવંદના કરવામાં આવશે જેમાં ​સવારે 10 કલાકે મોતીબાગ ખાતે મહારાજા ભાવસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ તથા દરબારી કોઠાર સમાધિ સ્થળે શ્રદ્ધાસુમન અર્પણ. કરવામાં આવશે, કેબિનેટ મંત્રી ​જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ​જન્મોત્સવ સમિતિ દ્વારા અગાઉ કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહીર, સાંઈરામ દવે અને કિંજલ દવે જેવા દિગ્ગજ કલાકારો સાથે ત્રણ દિવસીય કાર્નિવલનું આયોજન કરાયું હતું, પરંતુ આચારસંહિતાના કારણે આ જાહેર કાર્યક્રમો હાલ મોકૂફ છે, જે આગામી દિવસોમાં યોજાશે તેમ જણાવ્યું હતું,

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 2:04 pm

દહેજમાં 3.16 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો:પંજાબની ટોળકીના 6 આરોપીઓ ઝડપાયા, મુદ્દામાલ જપ્ત

ભરૂચ જિલ્લામાં આવેલા દહેજ ઉદ્યોગ વિસ્તારમાં મોટી ચોરીની ઘટનાનો દહેજ પોલીસ દ્વારા સફળ ભેદ ઉકેલવામાં આવ્યો છે.દહેજ સ્થિત ગુજરાત ફ્લોરો કેમિકલ લિમિટેડ કંપનીમાં થયેલી રૂપિયા 3.16 કરોડની ચોરી મામલે પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને ચોરી ગયેલ કિંમતી મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. ભરૂચ જિલ્લાના દહેજ ડિવિઝનનો એસસી એસટી સેલના ડીવાયએસપી ડો.અનિલ સીસારાએ ચાર્જ લેતા જ મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. ડૉ.અનિલ સીસારા ના માર્ગદર્શન હેઠળ દહેજ પીઆઈ હિતેશ ઝાલા અને તેમની ટીમે મોટી સફળતા પ્રાપ્ત કરી છે.જેમાં દહેજની ગુજરાત ફ્લોરો કેમિકલ લિમિટેડમાં નવા પ્લાન્ટના બાંધકામ દરમિયાન ચાલુ પ્લાન્ટનો કિંમતી મશીનરી અને પાર્ટ્સ અટાલી ગામની સીમમાં આવેલી વી-લોજિસ્ટિક્સના વેરહાઉસમાં સંગ્રહિત કરવામાં આવ્યા હતા.આ દરમિયાન તસ્કરોને આ અંગે માહિતી મળતા 15 અને 16 એપ્રિલની રાત્રિ દરમિયાન વેરહાઉસને નિશાન બનાવવામાં આવ્યું હતું.તસ્કરોએ વેરહાઉસનો પાછળનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદાજે રૂપિયા 3.16 કરોડના કિંમતી પાર્ટ્સની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ દહેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ તપાસ શરૂ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન પોલીસ દ્વારા હિસ્ટ્રીશીટરોની હલચલ પર નજર રાખવામાં આવી હતી. આ દરમિયાન પંજાબ રાજ્યની એક શંકાસ્પદ ટોળકી દહેજ વિસ્તારમાં ફરતી હોવાની માહિતી મળતા પોલીસે વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી. પરિણામે, પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી ચોરી કરાયેલા મોટાભાગનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરી અંગે ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ટીમ દ્વારા ટેક્નિકલ સર્વેલન્સ અને માનવ ગુપ્તચર જાળવણીના આધારે આ મોટી ચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસની ઝડપી કામગીરીને કારણે કરોડો રૂપિયાના માલ સાથે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસ દ્વારા આરોપીઓની વધુ પૂછપરછ ચાલુ રાખવામાં આવી છે, તેમજ આ ટોળકી અન્ય કોઈ ગુનાઓમાં સંકળાયેલી છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 2:04 pm

વેરાવળમાં 19 એપ્રિલે પાવર કટ રહેશે:ગર્લ્સ સ્કૂલ ફીડરના વિસ્તારોમાં સવારે 10 થી સાંજે 4 સુધી વીજ પુરવઠો બંધ

વેરાવળ PGVCL શહેર પેટા વિભાગીય કચેરી દ્વારા 19 એપ્રિલ, 2026 (રવિવાર) ના રોજ વીજ પુરવઠો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. 11 કેવી ગર્લ્સ સ્કૂલ ફીડરમાં અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરીને કારણે સવારે 10 થી બપોરે 4 વાગ્યા સુધી પાવર સપ્લાય બંધ રહેશે. નાયબ ઈજનેર ડી.ડી. ડોડીયાના જણાવ્યા અનુસાર, આનાથી ખારવાવાડ, હરિજનવાસ, બકાલા માર્કેટ, મચ્છી માર્કેટ, ભાંડા શેરી, માવજી મૂળજી બિલ્ડીંગ, ધાવા ખાના, બાટલી મઢી, સાગર ભુવન, કામનાથ ચોક અને ખારા કુવા જેવા વિસ્તારો પ્રભાવિત થશે. કામગીરી પૂર્ણ થયા બાદ કોઈપણ પૂર્વ સૂચના વિના વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે. તેથી, વીજ ગ્રાહકોને તેમના વીજ ઉપકરણોનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે. હાલમાં, પ્રી-મોન્સૂન કામગીરી અને અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રોનિક વાયરિંગના ફિટિંગ કામકાજને કારણે અન્ય કેટલાક વિસ્તારોમાં પણ વીજ પુરવઠો બંધ રાખવાની ફરજ પડે છે. વીજ ગ્રાહકોને તેમના વિસ્તારમાં પાવર બંધ રહેવા અંગેની જાણકારી મેળવવા માટે PGVCL પેટા વિભાગીય કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 2:03 pm

હવે AI ગીતોના તાલે ગૂંજશે વોર્ડ-13ની ગલીઓ:ભાજપના ઉમેદવારે AIથી હાઈટેક પ્રચાર, કઈ જ્ઞાતિને કયો મેસેજ જોઈએ છે તે AI નક્કી કરશે

આજના ટેકનોલોજીના યુગમાં ચૂંટણી પ્રચાર હવે માત્ર સભાઓ અને પત્રિકાઓ પૂરતો મર્યાદિત રહ્યો નથી. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 13ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ પ્રચારમાં આધુનિક ટેકનોલોજીનો મજબૂત ઉપયોગ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. ખાસ કરીને ‘પ્રચાર AI’નો ઉપયોગ કરીને મતદારો સુધી પહોંચવાની આ પદ્ધતિ હાલમાં સુરતભરમાં ચર્ચાનો વિષય બની છે. ઉમેદવારો હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી એવા ગીતો અને કન્ટેન્ટ તૈયાર કરી રહ્યા છે જે સીધા જ મતદારોના હૃદય અને મગજમાં સ્થાન બનાવી લે છે. સંદીપ ચલકવાલા: AI કોર્સ પાસ કરી ચૂંટણી મેદાનમાં ઉતર્યાવોર્ડ નંબર 13ના ભાજપના ઉમેદવાર સંદીપ ચલકવાલા પોતે ટેક-સેવી નેતા તરીકે ઉભરી આવ્યા છે. તેમણે જણાવ્યું કે, તેમણે પોતે AI જનરેટિવ અને AI ડેટા એનાલિસિસનો ઓનલાઈન કોર્સ પૂર્ણ કર્યો છે. આ શીખેલી કળાનો ઉપયોગ તેમણે રાજકારણમાં પ્રચાર-પ્રસાર માટે કર્યો છે. જ્યારે સામાન્ય રીતે નેતાઓ પરંપરાગત પ્રચારમાં વ્યસ્ત હોય છે, ત્યારે સંદીપ ચલકવાલાએ ડેટા અને ટેકનોલોજીના સંગમથી પ્રચારને વધુ ઝડપી અને ચોકસાઈપૂર્વક બનાવવાનો પ્રયાસ કર્યો છે. તેમનો આ અભિગમ યુવા મતદારોમાં વિશેષ આકર્ષણ જમાવી રહ્યો છે. AI જનરેટેડ ગીતોમાં વણાયા વોર્ડના વિકાસના કામોચૂંટણી પ્રચારને વધુ રસપ્રદ બનાવવા માટે ઉમેદવારો દ્વારા 4 ખાસ AI બેઝ સોંગ લોન્ચ કરવામાં આવ્યા છે. આ ગીતોની વિશેષતા એ છે કે તેમાં માત્ર સંગીત જ નથી, પરંતુ વોર્ડ નંબર 13ના તમામ મુખ્ય વિસ્તારો, ત્યાંના રહેવાસીઓની જ્ઞાતિઓ અને જૂના સુરતની ભૌગોલિક ઓળખને આવરી લેવામાં આવી છે. આ ગીતો દ્વારા મતદારોને જણાવવામાં આવી રહ્યું છે કે ભાજપના શાસનમાં વિસ્તારમાં કયા વિકાસના કામો થયા છે અને ભવિષ્યનું વિઝન શું છે. સંગીતમય પ્રચારને લીધે લોકોમાં આ માહિતી લાંબા સમય સુધી યાદ રહે છે. મતદાન ક્રમાંક યાદ રાખવા માટે ‘મ્યુઝિકલ ફોર્મ્યુલા’ઘણીવાર મતદારો ઉમેદવારોના નામ તો જાણતા હોય છે, પરંતુ મતદાન મથક પર જઈને તેમના ક્રમાંક બાબતે મૂંઝવણ અનુભવતા હોય છે. આ સમસ્યાનો ઉકેલ પણ AI ગીતોમાં લાવવામાં આવ્યો છે. ગીતના શબ્દોમાં ચારેય ઉમેદવારોના નામ અને તેમના મતદાન ક્રમાંકનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સંદીપ ચલકવાલાના જણાવ્યા મુજબ, લોકોને લખાણ કરતા ગીતો જલ્દી યાદ રહી જાય છે. જ્યારે મતદાર મતદાન મથકે જશે, ત્યારે આ ગીતની ધૂન અને ક્રમાંક તેમના મનમાં હશે, જે ભાજપના પક્ષમાં મતદાન કરવામાં સરળતા કરી આપશે. ડેટા એનાલિસિસ: કઈ જ્ઞાતિને કયો મેસેજ જોઈએ છે તે AI નક્કી કરશેમાત્ર ગીતો જ નહીં, પરંતુ ઉમેદવારોએ AI ડેટા એનાલિસિસનો પણ ભરપૂર ઉપયોગ કર્યો છે. વોર્ડના મતદારોના ડેટા પર રિસર્ચ કરીને કયા વિસ્તારમાં કયા પ્રકારની જરૂરિયાતો છે અને કઈ જ્ઞાતિના લોકો કયા મુદ્દાઓથી પ્રભાવિત છે, તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ એનાલિસિસના આધારે હવે ટેલર-મેડ (વ્યક્તિગત) મેસેજ મોકલવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યા મુખ્ય હોય, તો ત્યાંના લોકોને તે સંદર્ભે પાલિકાના આયોજનોની માહિતી AI દ્વારા ફિલ્ટર કરીને મોકલવામાં આવશે. જૂના સુરતની ઓળખ અને આધુનિકતાનો સમન્વયવોર્ડ નંબર 13 એ સુરતનો ઐતિહાસિક વિસ્તાર છે. અહીંની ગલીઓ અને મહોલ્લાઓ પોતાની આગવી ઓળખ ધરાવે છે. AI સોંગ્સમાં આ જૂના સુરતની ધરોહરને જાળવી રાખીને તેમાં આધુનિકતાનો તડકો લગાવવામાં આવ્યો છે. પ્રચારમાં આ પ્રકારનો પ્રયોગ કરવાથી એક તરફ વૃદ્ધોને પોતાની સંસ્કૃતિ જોવા મળે છે, તો બીજી તરફ નવી પેઢીને ટેકનોલોજીનો રોમાંચ લાગે છે. ઉમેદવારોનો દાવો છે કે આ ‘હાઈટેક પ્રચાર’થી ચૂંટણીમાં ભાજપને મોટો ફાયદો થશે અને વિરોધીઓ માટે આ ટેકનિકલ ટક્કર ઝીલવી મુશ્કેલ બનશે. ભાવિ આયોજન, ટેકનોલોજી દ્વારા સીધો લોકસંપર્કસંદીપ ચલકવાલા અને તેમની ટીમે સ્પષ્ટ કર્યું છે કે સુરત મહાનગરપાલિકામાં ચૂંટાયા પછી પણ તેઓ AI ટેકનોલોજીનો ઉપયોગ ચાલુ રાખશે. આમ, વોર્ડ નંબર 13માં ‘ડિજિટલ ઈન્ડિયા’ના સપનાને સ્થાનિક સ્તરે સાકાર કરવાની આ એક મજબૂત શરૂઆત ગણી શકાય. પ્રચારના અંતિમ દિવસોમાં હવે આ AI ગીતો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ધૂમ મચાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 1:12 pm

રાજકોટમાં મહિલા સફાઈ કામદારની દયનીય સ્થિતિ:ચાલુ નોકરીએ પેરાલીસીસગ્રસ્ત થતા એજન્સીએ માત્ર 1 મહિનાનો પગાર આપી હાથ અધ્ધર કર્યાનો આરોપ, તંત્રએ એજન્સીને તાકીદ કરી ટૂંક સમયમાં પ્રશ્નનો ઉકેલ લાવવા આદેશ આપ્યા

રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારોના હક્કો અને તેમની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરના વોર્ડ નં. 6/બ હેઠળ માંડા ડુંગર વિસ્તારમાં સફાઈ કામગીરી કરતા એક મહિલા સફાઈ કામદાર ગંભીર બીમારીનો ભોગ બન્યા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા તેમને રઝળતા મૂકી દેવામાં આવ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે રાજકોટ કામદાર યુનિયન દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. બીજી તરફ, પર્યાવરણ વિભાગના અધિકારીનાં જણાવ્યા મુજબ ભોગ બનનાર દ્વારા અગાઉ આ બાબતની જાણ કરવામાં આવી નથી. આ અંગેની જાણ થતાં જ એજન્સીને નિયમ મુજબના તમામ લાભો આપવા માટે તાકીદ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં આ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે. રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં. 6/બ માં JK સિક્યુરિટી સર્વિસ પાસે સફાઈનો કોન્ટ્રાક્ટ છે. આ એજન્સી હેઠળ છેલ્લા લાંબા સમયથી ઉષાબેન જયેશભાઈ વેગડા સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા હતા. મળતી માહિતી મુજબ, ઉષાબેન જ્યારે પોતાની ફરજ પર જઈ રહ્યા હતા, ત્યારે અચાનક જ તેમને પેરાલિસિસ (લકવો) નો ગંભીર હુમલો આવ્યો હતો. આ આકસ્મિક બીમારીને કારણે તેઓ શારીરિક રીતે અશક્ત બની ગયા છે. હાલમાં તેમની સ્થિતિ એટલી ગંભીર છે કે તેઓ અડધી રોટલી પણ જાતે ખાઈ શકતા નથી. પરિવારમાં કમાનાર વ્યક્તિ તરીકે માત્ર ઉષાબેન જ હતા, કારણ કે તેમના પતિની અગાઉ હત્યા થઈ ચૂકી છે. આવા કપરા સમયે જ્યારે તેમને આર્થિક અને સામાજિક ટેકાની જરૂર હતી, ત્યારે JK સિક્યુરિટી સર્વિસ દ્વારા માત્ર 1 મહિનાનો પગાર ચૂકવીને ત્યારબાદ ઉષાબેનનો પગાર બંધ કરી દેવામાં આવતા કામદાર યુનિયન દ્વારા આ મામલે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. કામદાર યુનિયન અનુસાર ESICનાં નિયમો કામદાર યુનિયન પ્રમુખ પારસભાઈ બેડિયાએ જણાવ્યું કે, ભારત સરકારની કર્મચારી રાજ્ય વીમા યોજના (ESIC) મુજબ, કોઈપણ કામદાર જો ફરજ દરમિયાન કે સેવાના સમયગાળામાં બીમાર પડે, તો તેને અનેક પ્રકારની સુરક્ષા મળવાપાત્ર છે. ઉષાબેન પાસે ESIC કાર્ડ હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા તેમને જરૂરી લાભોથી વંચિત રાખવામાં આવ્યા છે. ESIC ના નિયમ મુજબ કામદારને આજીવન મફત સારવાર, દવાઓ અને જરૂર પડે તો ઓપરેશનની સુવિધા મળવી જોઈએ. ખાસ કરીને પેરાલિસિસ જેવી ગંભીર બીમારીમાં 'એક્સટેન્ડેડ સિકનેસ બેનિફિટ' હેઠળ કામદારને આશરે 80% જેટલો પગાર 2 વર્ષ સુધી મળવાપાત્ર હોય છે. વધુમાં, જો કામદાર કાયમી અશક્ત બને, તો તેને અશક્તતા લાભ હેઠળ પેન્શનનો હક્ક મળે છે. 'દિવ્યાંગજન અધિકાર અધિનિયમ 2016' (RPWD Act) મુજબ, કોઈ પણ કર્મચારી અશક્ત બને તો તેને નોકરીમાંથી કાઢી શકાતો નથી, પરંતુ તેને વૈકલ્પિક કામ આપવું પડે છે અથવા પૂર્ણ વળતર ચૂકવવું પડે છે. વધુમાં પારસ બેડિયાએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, બીમારીના કારણે કામ પર ન આવી શકતા કોન્ટ્રાક્ટર દ્વારા ઉષાબેનનો પગાર બંધ કરી દેવામાં આવ્યો છે. ઉષાબેનના પતિનું અગાઉ અવસાન થયું હોવાથી ઘરની આર્થિક સ્થિતિ પણ અતિશય નબળી છે. આ ગંભીર પરિસ્થિતિમાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર 1 મહિનાનો પગાર આપીને બાકીનો પગાર અટકાવી દેવામાં આવ્યો છે. કામદાર યુનિયને માંગણી કરી છે કે ઉષાબેનને તાત્કાલિક અસરથી ESIC ના તમામ લાભો અપાવવામાં આવે અને કોન્ટ્રાક્ટર દ્વારા અટકાવવામાં આવેલો પગાર વ્યાજ સાથે ચૂકવવામાં આવે. સાથે જ નિયમોનું ઉલ્લંઘન કરનાર JK સિક્યુરિટી સર્વિસ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની અથવા તેમનો કોન્ટ્રાક્ટ રદ કરવાની માંગ પણ કરવામાં આવી છે. યુનિયને ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં આ સફાઈ કામદારને યોગ્ય ન્યાય નહીં મળે, તો સંવિધાનના માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જોકે સમગ્ર વિવાદ અંગે પર્યાવરણ વિભાગના અધિકારી વિવેકભાઈ ચાવડાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ઉષાબેન દ્વારા આ અંગે અગાઉ કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નહોતી. આમ છતાં, તંત્ર દ્વારા તેમને છેલ્લા 1 મહિનાનો પગાર ચૂકવી દેવામાં આવ્યો છે. હાલમાં જ્યારે તેમની ગંભીર સ્થિતિ અંગેની જાણકારી મળી છે, ત્યારે તાત્કાલિક ધોરણે એજન્સીને ઉષાબેનને નિયમ મુજબ મળતા તમામ લાભો આપવાની કડક તાકીદ કરવામાં આવી છે. એજન્સીએ પણ આ બાબતે ત્વરિત કાર્યવાહી કરવાની ખાતરી આપી છે, જેના કારણે ટૂંક સમયમાં જ ઉષાબેનને બાકી નીકળતા લાભો અને આર્થિક સહાય મળી રહે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ ફરજ દરમિયાન પેરાલીસીસનો હુમલો આવતા ઉષાબેન શારીરિક અશક્ત બની ગયા છે. હાલમાં તેમની સ્થિતિ એટલી ગંભીર છે કે તેઓ અડધી રોટલી પણ જાતે ખાઈ શકતા નથી. પરિવારમાં કમાનાર વ્યક્તિ તરીકે માત્ર ઉષાબેન જ હતા, કારણ કે તેમના પતિની અગાઉ હત્યા થઈ ચૂકી છે. આવા કપરા સમયે તેમને આર્થિક અને સામાજિક ટેકાની જરૂર છે. ત્યારે આ કપરા સમયમાં મહાનગરપાલિકાના સત્તાધીશો હવે આ માનવીય અભિગમ સાથેના કેસમાં કેટલી ઝડપથી ન્યાય અપાવે છે તેના પર સૌની નજર ટકેલી છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 1:06 pm

બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તૈયારીઓ તેજ:જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ

બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2026માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. આ સંદર્ભે, પાલનપુર સ્થિત કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચૂંટણી નિરીક્ષક આર. એન. પંડ્યા અને નિવાસી અધિક કલેકટર સી.પી.પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં તમામ મતદાર મંડળોના ચૂંટણી અધિકારીઓ અને ચૂંટણી નોડલ અધિકારીઓ હાજર રહ્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલે જણાવ્યું હતું કે, મતદારો શાંતિપૂર્ણ અને સુવિધાસભર વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવી અનિવાર્ય છે. તેમણે મતદાન મથકો પરની મૂળભૂત સુવિધાઓ (AMF/BMF), સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ વિભાગની તૈયારીઓ, સ્ટાફનું યોગ્ય ડિપ્લોયમેન્ટ અને આદર્શ આચાર સંહિતાના કડક અમલવારી અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત, તાલીમ કાર્યક્રમો, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) અને VVPAT ની કમિશનિંગ પ્રક્રિયા, સ્ટ્રોંગ રૂમ, મતગણતરી કેન્દ્રોની વ્યવસ્થા, પોસ્ટલ બેલેટ અને સર્વિસ વોટર્સ માટેની સુવિધાઓ તેમજ ડિસ્પેચિંગ અને રીસિવિંગ સેન્ટરોની કામગીરી પર પણ ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓને મતદાન મથકો પર પીવાના પાણી, આરોગ્ય સેવાઓ, ઇવીએમ નિદર્શન, કંટ્રોલ રૂમની સુવિધા, શેડો એરિયા મતદાન મથકો અને ઝોનલ રૂટના આયોજન અંગે સૂચનાઓ અપાઈ હતી. જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદાન દરમિયાન મોબાઇલ ફોનના ઉપયોગ પરના પ્રતિબંધ સહિત ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ તમામ કામગીરી સમયસર અને પારદર્શક રીતે પૂર્ણ કરવા અધિકારીઓને ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ચૂંટણી એ લોકશાહીનો પાયો છે અને તેનું સફળ સંચાલન એ આપણી નૈતિક તેમજ વહીવટી જવાબદારી છે. ચૂંટણી નિરીક્ષક આર. એન. પંડ્યાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંપૂર્ણપણે નિષ્પક્ષ, પારદર્શક અને મુક્ત વાતાવરણમાં યોજાય તે અત્યંત જરૂરી છે. મતદારો કોઈપણ પ્રકારના ભય કે દબાણ વિના પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે સુનિશ્ચિત કરવું એ દરેક અધિકારીની જવાબદારી છે. તેમણે કોઈપણ પક્ષ કે ઉમેદવાર પ્રત્યે ભેદભાવ રાખ્યા વિના આદર્શ આચાર સંહિતાનું પાલન થાય તે માટે કડક દેખરેખ રાખવા જણાવ્યું હતું. આ બેઠકમાં તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ચૂંટણી પ્રક્રિયાને સફળતાપૂર્વક પાર પાડવા માટે પરસ્પર સંકલન સાથે કામગીરી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 12:56 pm

'111 ફ્લેટના રહીશોને ઈગ્નોર કરો છો, શરમ નથી આવતી':સૂત્રોચ્ચાર કરી સ્થાનિકોની ચૂંટણી બહિષ્કારની ચીમકી, સોલા રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડના ફ્લેટમાં પાર્કિંગને બારોબાર પ્લાન પાસ કરી હટાવી દેવાયું

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ પ્રચાર-પ્રસારનો જંગ શરૂ થયો છે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે પ્રજાજનોમાં ભારે આક્રોશની વચ્ચે સોલા રોડ વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની અભિષેક હાઇટ્સ નામના ફ્લેટના રહીશોને ફાળવવામાં આવેલું પાર્કિંગ બીજા મકાનોના રીડેવલોપમેન્ટ માટે ફાળવી દેવામાં આવતા રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રાતોરાત પ્લાનમાં ફેરફાર કરી અને રહીશોની કોઈપણ પ્રકારની મંજૂરી કે જાણ વિના પાર્કિંગને તોડી નાખવામાં આવ્યું હતું. સમગ્ર મામલે સ્થાનિક લોકો દ્વારા બેનરો દર્શાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. જો આ બાબતે કોઈ યોગ્ય નિરાકરણ નહીં આવે તો ચૂંટણીના બહિષ્કારની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે. 'અભિષેક એપાર્ટમેન્ટના આગળના ભાગે પાર્કિંગ ફાળવ્યું હતું'રહીશોનોનું કહેવું છે કે નારણપુરા વોર્ડમાં સોલા રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડની અભિષેક હાઈટ્સ નામની 111 ફ્લેટની રહેણાંક સ્કીમ છે. વર્ષ 2016-17માં બનાવવામાં આવેલા ફલેટના પાર્કિંગ માટે આગળ આવેલા અભિષેક એપાર્ટમેન્ટના 64 ફ્લેટની આગળના ભાગે પાર્કિંગ ફાળવવામાં આવ્યું હતું. ફ્લેટના પાર્કિંગનો પ્લાન પણ તેમાં દર્શાવવામાં આવ્યો હતો અને રહીશોને દસ્તાવેજ કરી આપવામાં આવ્યા હતા. તેમાં પાર્કિંગનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે. 99 વર્ષના ભાડાપટ્ટે AMC દ્વારા પાર્કિંગ ફાળવેલું છે. 'બિલ્ડરે તોડી પાડી પતરા મારી દીધા'અભિષેક એપાર્ટમેન્ટના રીડેવલોપમેન્ટની કામગીરી દરમિયાન આ પાર્કિંગની જગ્યાને 9 એપ્રિલે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અભિષેક એપાર્ટમેન્ટનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો તે બિલ્ડર દ્વારા તોડી પાડવામાં આવી. બિલ્ડર દ્વારા પતરા મારી અને બેરિકેટિંગ કર્યા બાદ પાર્કિંગની જગ્યા અભિષેક એપાર્ટમેન્ટના રી ડેવલપમેન્ટ માટે લઈ લેવામાં આવી હતી. જે અંગે અભિષેક હાઇટ્સના રહીશોને જાણ થતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત હાઉસિંગ બોર્ડમાં તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે પાર્કિંગનો પ્લાન બદલી નાખવામાં આવ્યો છે અને આગળના ભાગે અન્ય જગ્યાએ પાર્કિંગ ફાળવી દેવામાં આવ્યું છે. વાંધા અરજી કરી છતાં પ્લાનમાં ફેરફારઅભિષેક એપાર્ટમેન્ટના રીડેવલપમેન્ટ માટેના પ્લાનની કામગીરી ચાલી રહી હતી. ત્યારે અભિષેક હાઈટ્સ ફ્લેટના રહીશો સાથે ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ દ્વારા વાતચીત કરવામાં આવી હતી. જોકે અભિષેક હાઈટ્સના રહીશોએ તેમનું પાર્કિંગ યથાવત રાખવા માટે જ કહ્યું હતું. જે અંગેની વાંધા અરજી પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અભિષેક હાઈટ્સ ફ્લેટના રહીશોએ આપી દીધી હતી. તેમ છતાં પણ પ્લાનમાં ફેરફાર કરી દેવામાં આવ્યો હોવાને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સરકાર પાસે ન્યાયની માંગણી કરવામાં આવી છે. 'અમારી જાણ બહાર પાર્કિંગનો નવો પ્લાન મંજૂર'અભિષેક હાઈટ્સના રહેવાસી જયેશ વરુએ જણાવ્યું હતું કે 2016-17 વર્ષમાં ફ્લેટનું પઝેશન આપવામાં આવ્યું હતું. ફ્લેટના આગળના ભાગે 992 મીટર જગ્યા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લાનમાં પાર્કિંગ માટે ફાળવવામાં આવેલી હતી. વિરોધ અને વાંધા અરજી હોવા છતાં અમારી જાણ બહાર નવો પ્લાન મંજૂર કરી અને નવા રીડેવલોપમેન્ટ માટે બિલ્ડરને જગ્યા ફાળવી દેવામાં આવી છે. જેની સામે અમારા કોમન પ્લોટમાં જગ્યા ફાળવી દેવામાં આવી છે. નવા પ્લાનમાં પંપરુમ અને ફાયર સેફટી સિસ્ટમ પણ બતાવવામાં આવી નથી. જો વાહનો પાર્ક થયેલા હોય તો ગાડી પણ ન નીકળી શકે એવી સ્થિતિ ઊભી થાય છે. ત્યારે અમે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરીએ છીએ જો આ બાબતે નિરાકરણ નહીં આવે તો અમે ચૂંટણીમાં બહિષ્કાર પણ કરીશું. ‘અમને ઈગ્નોર કર્યાં, શરમ નથી આવતી’સોસાયટીના સેક્રેટરી વિજય ઠક્કરે જણાવ્યું હતું કે અમારી કોઈપણ પ્રકારની પરમિશન લીધા વિના દાદાગીરી કરી અને પતરા મારી પાર્કિંગની જગ્યા લઈ લેવામાં આવી છે. સ્થાનિક રહીશોને પૂછવામાં આવ્યું નથી. અમને ઇગ્નોર કર્યા છે આ લોકોને શરમ નથી આવતી. ગુજરાત હાઉસિંગ બોર્ડ જેવી મોટી ઓથોરિટી હોવા છતાં પણ તેઓ સાંભળતા નથી. કોઈપણ પરવાનગી લીધા વિના પ્લાન પાસ કરી નાખ્યો છે. શું બધે પૈસાનો જ ખેલ થતો હોય છે.પાર્કિંગને બિલ્ડર પચાવી પાડવા માંગે છે: શિવાંગીની શાહસ્થાનિક શિવાંગીની શાહે જણાવ્યું હતું કે, અમારા ફ્લેટમાં કોમન પ્લોટ, પાર્કિંગ અને નાનો બગીચો આવેલો છે. જ્યાં નાના બાળકો રમતા હોય છે અને સિનિયર સિટીઝનને બેસવાની વ્યવસ્થા છે. કોમન પ્લોટ અને પાર્કિંગની જગ્યામાં નાના મોટા પ્રસંગો અમે કરતા હોઈએ છીએ. ત્યારે આગળની જગ્યામાં ફાળવેલા પાર્કિંગને બિલ્ડર પચાવી પાડવા માંગી રહ્યા છે ત્યારે જો આ જગ્યા લઈ લેશે તો અમારે વાહન પાર્કિંગ ક્યાં કરવા જઈશું. અમને ખૂબ જ તકલીફ પડશે, અમારે ન્યાય જોઈએ છીએ.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 12:49 pm

ખીરું ખાવાથી બે બાળકીના મોત મામલે FSLનો રિપોર્ટ આવ્યો:કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી, હવે વધુ કોકળું ગુચવાયું; પોલીસ મોતનું કારણ જાણવા તપાસ કરશે

ચાંદખેડામાં ખીરું ખાવાથી બે બાળકીઓના મોત મામલે FSLનો રિપોર્ટ આવ્યો છે. પોલીસે FSLનો રિપોર્ટ મેળવીને તપાસ કરી રહી છે. જોકે FSL રિપોર્ટમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો નથી. FSLનો રિપોર્ટ આવતા પોલીસ માટે તપાસ વધુ અઘરી થઈ છે. હવે પોલીસ મોતનું કારણ જાણવા તપાસ કરશે. શું છે સમગ્ર ઘટના? ચાંદખેડામાં મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ધનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. તેમાંથી ઢોસા બનાવી ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી. જેમાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રી નામની બાળકીના મોત નિપજ્યાં હતા. ઘટના બાદ ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુના દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને ખીરાની ક્વોલિટી જાણવા ઘનશ્યામ ડેરી પર FSLની ટીમે સેમ્પલ લીધા હતા.(વાંચો સંપૂર્ણ અહેવાલ) ત્રણ માસની દીકરીનો 4 દિવસે મૃતદેહ બહાર કાઢ્યો હતોગત 7 એપ્રિલના રોજ FSLની હાજરીમાં ત્રણ માસની બાળકી રાહાનો ચાર દિવસે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. પરિવારે 4 એપ્રિલે બાળકીના મોત બાદ મૃતદેહની અંતિમવિધિ કરી હતી.(વાંચો સંપૂર્ણ અહેવાલ) બાળકીઓના પિતા વિમલ પ્રજાપતિને પૂછપરછ માટે ચાંદખેડા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. પત્નીની ડાયરીના પાનાઓમાં ડેથ સિક્રેટ્સ પોલીસે ભાવનાની ઘરે તપાસ કરતા ત્યાંથી એક ડાયરી મળી છે, જેમાં પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હોવાનો ઉલ્લેખ મળી આવ્યો છે. તેમજ શિવ મંદિરની માનતા રાખી હતી. તેને મિશ્રી નામની એક પુત્રી હતી અને બીજી દીકરીનો પણ જન્મ થયો એ પહેલાની આ ડાયરી છે.આ કેસમાં પારિવારિક ઝગડા,આર્થિક સંકડામણ, પુત્ર પ્રાપ્તિની ઈચ્છા કે અન્ય કોઈ કારણ હોય શકે છે. બપોર બાદ બાળકીઓના પિતા વિમલ પ્રજાપતિને કે.ડી હોસ્પિટલમાંથી રજા આપતા પૂછપરછ માટે ચાંદખેડા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો.(વાંચો સંપૂર્ણ અહેવાલ) ઘરમાંથી ચાદર, બાળકોની દવા અને વાસણ સહિતની વસ્તુઓ કબ્જે લેવાઈ ત્યાર બાદ મૃતક બાળકીઓના ઘરમાં પણ FSLની ટીમે ઝીણવટભરી તપાસ કરી હતી. આ દરમિયાન ચાદર, કપડા, ખીરું ભરવામાં આવ્યું તે વાસણ, બાળકોની દવા સહિતની ચીજવસ્તુઓ કબજે કરી હતી.(વાંચો સંપૂર્ણ અહેવાલ) વિમલ ખીરું લઈ ક્યાંથી ક્યાં ગયો તેની તપાસ વિમલ પ્રજાપતિ જે સમયે દુકાનમાંથી ઢોંસાનુ ખીરૂ લીધુ ત્યારે લઈને તે કેટલા વાગે ઘરે પહોંચે છે. તેના માટે પોલીસે CCTV ફૂટેજ તપાસવાના શરૂ કર્યાં છે. પોલીસ મિનિટ ટુ મિનિટનું મોનીટરીંગ કરશે. ઢોંસાનું ખીરૂ લઈને વિમલ સીધો ઘરે જ ગયો હતો કે પછી ક્યાંય રોકાયો હતો, તેની ઉંડાણ પુર્વક તપાસ થશે. આ સિવાય ડેરીથી લઈને વિમલના ઘર સુધી જેટલા પણ CCTV કેમેરા છે, તેના તમામ ફુટેજ ચેક કરાશે. પોલીસનું માનવુ છે કે જો ડેરીના ખીરામાં પ્રોબ્લેમ હોય તો અન્ય ગ્રાહકોને પણ ફૂડ પોઈઝનિંગની અસર થવી જોઈએ, પરંતુ તેવું નહી થતા અંતે કંઈક અજુગતુ બન્યુ હોય તેવી પોલીસને શંકા છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 12:49 pm

લાઈવ મેચ જોઈને સટ્ટો રમતા બે ઝડપાયા:મધ્યપ્રદેશથી અમદાવાદ મેચમાં સ્પેશિયલ સટ્ટો રમવા આવેલો યુવક મોદી સ્ટેડિયમમાંથી દબોચાયો

ગઈકાલે 17 એપ્રિલે નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં કોલકત્તા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મેચ હતી. જે મેચ દરમિયાન બે શખ્સો સતત મોબાઈલમાં સટ્ટો રમતા હતા, ત્યારે ઝોન 2 ડીસીપીના Lcb સ્કોડ અને ચાંદખેડા પોલીસે બંનેની ધરપકડ કરી છે. બંને શખ્સ વિરુદ્ધ અલગ અલગ ગુનો નોધી તપાસ કરવામાં આવી રહી છે. બે સટ્ટોડીયાઓની ધરપકડપોલીસે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી બે સટ્ટોડીયાઓની ધરપકડ કરી છે. જેમાં સેટેલાઈટ વિસ્તારમાં આવેલા પાશ્વ ટાવરમાં રહેતો સૌમિલ અરવિંદ ભાવનગરી અને મધ્યપ્રદેશમાં આવેલા દેવાસ જીલ્લામાં રહેતા ગૌરાંગ બબેલેને લાઈવ મેચ જોઈને ઓનલાઈન સટ્ટો રમતા ઝડપી લીધા છે. જય નામના વ્યકિત પાસેથી ક્રિકેટ સટ્ટાની આઈડી ખરીદી હતીગૌરાંગ સ્પેશિયલ સટ્ટો રમવા માટે મધ્યપ્રદેશથી અમદાવાદ આવ્યો હતો. સૌમિલની પુછપરછમાં સામે આવ્યુ છે કે, તેને જય નામના વ્યકિત પાસેથી ક્રિકેટ સટ્ટાની આઈડી ખરીદી હતી. સૌમિલની ધરપકડ ઝોન 2ની લોકલ ક્રાઈમ બ્રાંચે કરી છે. જ્યારે ગૌરાંગને ચાંદખેડા પોલીસે ઝડપી પાડ્યો છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 12:44 pm

‘ભાજપના દબાણ દેખાતા નથી?, દલાલી બંધ કરો’:બેનરો-ઝંડા હટાવવા મુદ્દે AAP અને મ્યુ. કોર્પોરેશન વચ્ચે ભારે હોબાળો

સુરતના વરાછા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સુરત મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણના દૃશ્યો સર્જાયા હતા. વોર્ડ નંબર 3માં AAPના ચૂંટણી કાર્યાલય પાસે લાગેલા બેનરો અને ઝંડા ઉતારવા આવેલી ટીમનો કાર્યકરોએ વિરોધ કરી ભાજપના ઈશારે કામગીરી થતી હોવાનો આક્ષેપ કર્યો હતો. ભાજપના દબાણ દેખાતા નથી?, AAP કાર્યકરોનો વેધક સવાલઘટનાસ્થળે હાજર AAPના કાર્યકરોએ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, શહેરમાં અનેક જગ્યાએ ભાજપના ગેરકાયદે બેનરો અને ઝંડા લાગેલા છે, ત્યાં તમારી ટીમ કેમ નથી જતી? કાર્યકરોએ સીધો આક્ષેપ કર્યો હતો કે, શાસક પક્ષના ઈશારે જાણીજોઈને આમ આદમી પાર્ટીના પ્રચાર સાહિત્યને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે. કાર્યકરોએ અધિકારીઓને ભાજપના કાર્યાલય પર જઈને પણ તપાસ કરવા પડકાર ફેંક્યો હતો. ચૂંટણી આચારસંહિતા કે પક્ષપાત?, વિવાદ વકર્યોSMCની ટીમે આ કામગીરીને રૂટિન અને ચૂંટણી આચારસંહિતાના પાલનનો ભાગ ગણાવ્યો હતો. જોકે, AAPના કાર્યકરોએ દલીલ કરી હતી કે, તેમની પાસે ઓફિસ અને પ્રચાર માટેની તમામ જરૂરી મંજૂરીઓ છે. આ દરમિયાન 'ભાજપની દલાલી બંધ કરો' જેવા ઉગ્ર સૂત્રોચ્ચારથી વાતાવરણ તંગ બની ગયું હતું. મામલો એટલો બિચક્યો હતો કે કામગીરી કર્યા વિના જ પરત ફરવું પડતું હતું. વીડિયો વાઇરલ થતા રાજકારણ ગરમાયુંઆ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાઇરલ થયો છે. જેમાં AAPના ઉમેદવાર અને કાર્યકરો મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડી અટકાવતા અને અધિકારીઓ સાથે દલીલ કરતા નજરે પડે છે. સ્થાનિક લોકોમાં પણ આ ઘટનાને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. ચૂંટણીના આ માહોલમાં વહીવટી તંત્રની નિષ્પક્ષતા સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. લોકોનો મિજાજ પરિવર્તન કે પુનરાવર્તન?આપના કાર્યકરે કેમેરા સામે જણાવ્યુ હતું કે, અમે ઈમાનદારીથી કામ કર્યું છે એટલે ભાજપ ગભરાઈ ગયું છે. જનતા બધું જોઈ રહી છે અને આ વખતે મતના માધ્યમથી જવાબ આપશે. બીજી તરફ SMC તંત્રનું કહેવું છે કે કોઈ પણ પક્ષના ગેરકાયદે દબાણો ચલાવી લેવામાં આવશે નહીં. હવે જોવાનું એ રહેશે કે આ વિવાદ આગામી મતદાન પર કેટલી અસર પાડે છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 12:37 pm

શાંતિનગર પાસે દલિત દંપતી પર હુમલો:દંપતિને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી ત્રણ શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી

શહેરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા એક અનુસૂચિત જાતિના દંપતી પર રાત્રિના સમયે વોકિંગ દરમિયાન ત્રણ શખ્સો દ્વારા હુમલો કરી, જ્ઞાતિવિશે શબ્દો બોલી અપમાનિત કર્યા હોવાની મહિલાએ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે નીલમબાગ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ​ફરિયાદી પ્રગતીબેન હિમાંશુભાઈ શાહએ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.16/4/2026 ના રોજ રાત્રે આશરે 10 વાગ્યાના સુમારે તેઓ અને તેમના પતિ હિમાંશુભાઈ શાંતિનગરના નાકા પાસે વોકિંગ ફૂટપાથ પર બેઠા હતા, આ દરમિયાન એક મહિલા અને બે પુરુષો ત્યાં આવ્યા હતા અને અહીં ચડ્ડા પહેરીને કેમ બેઠા છો ? તેમ કહી તકરાર શરૂ કરી હતી, ​જ્યારે દંપતીએ પોતાની જ્ઞાતિ 'વણકર' હોવાનું જણાવ્યું, ત્યારે આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ ઢેઢા-ભંગી અહીંથી હાલતા થાઓ કહી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા, વાત આટલેથી ન અટકતા આરોપીઓએ હિમાંશુભાઈને ગાલ પર લાફા ઝીંકી દીધા હતા અને ઢીકાપાટુનો માર માર્યો હતો, આરોપી પૈકીના એક શખ્સે સિમેન્ટનો બ્લોક મારી દેવાની કોશિશ કરી હતી અને નાક પર ઈજા પહોંચાડી હતી, ​સાથે રહેલી મહિલા આરોપીએ પણ ફરિયાદી પ્રગતીબેન સાથે ઝઘડો કરી, તેમને પછાડી દઈ મૂંઢ ઈજાઓ પહોંચાડી હતી. આરોપીઓએ એવી ધમકી પણ આપી હતી કે, આ દરબારનો એરિયો છે, અહીં ફરી દેખાયા તો જાનથી મારી નાખીશું, ઈજાગ્રસ્ત દંપતીને 108 મારફતે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, ઈજાગ્રસ્ત દંપતીની પાછળ આરોપી હોસ્પિટલ પણ પહોંચ્યો હતો અને ત્યાં ફરીથી હજુ સમજી જજે, નહિતર રહેવું મુશ્કેલ થઈ જશે તેવી ધમકી આપી હતી, ​મિત્રની મદદથી તપાસ કરતા હુમલો કરનાર શખ્સોના નામ પુષ્પજીતસિંહ પ્રવિણસિંહ જાડેજા, તેમના પત્ની અને પુત્ર મિત જાડેજા હોવાનું ખુલ્યું હતું, આથી નીલમબાગ પોલીસે આ ત્રણેય વિરુદ્ધ બી.એન.એસ ની કલમ 115(2), 351(2), 351(3), 54 તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ પ્રતિબંધ અધિનિયમ 3(1)r, 3(2)(va) હેઠળ ગુનો નોંધાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 12:25 pm

હળવદમાં જમીન વિવાદે દંપતી પર હુમલો:6 શખ્સોએ માર મારતા હોસ્પિટલે ખસેડાયા

હળવદના મયાપુર ગામે જમીન વિવાદને લઈ એક દંપતી પર છ શખ્સોએ હુમલો કર્યો હતો. આરોપીઓએ આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેમ કહીને દંપતીને માર માર્યો હતો. આ ઘટનામાં દંપતીને ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે મયાપુર ગામના બળદેવભાઈ ભૂદરભાઈ કંઝારીયા (50)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે દિલીપભાઈ ધરમશીભાઈ પટેલ, મુન્નાભાઈ ભરવાડ અને તેમની સાથે આવેલા ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે. ફરિયાદ મુજબ, આરોપીઓ બળદેવભાઈની ગામોટિયું નામની વાડીએ આવ્યા હતા. તેમણે બળદેવભાઈ અને તેમના પત્ની રમીલાબેન સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી. દિલીપભાઈ અને મુન્નાભાઈએ લાકડાના ધોકા વડે તથા ઢીકાપાટુનો માર માર્યો હતો, જ્યારે અન્ય ચાર અજાણ્યા શખ્સોએ પણ દંપતીને માર માર્યો હતો. પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આ જમીન ફરિયાદીની વડીલોપાર્જિત ખેતીની જમીન છે. બળદેવભાઈના પિતા ભૂદરભાઈ કંઝારીયાએ આ જમીન વેચી દીધી હતી, જે બાબતે હળવદ કોર્ટમાં હાલ પણ કેસ ચાલી રહ્યો છે. આરોપીઓ આ જમીનનો કબજો લેવા આવ્યા હોવાનું સામે આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 12:25 pm

₹2200ની લેતી-દેતીમાં મિત્રની હત્યા:ડિંડોલીમાં ઘર પાસે જ લોહીલુહાણ હાલતમાં યુવક મળ્યો

સુરતના ડીંડોલી વિસ્તારમાં 2200 રૂપિયા જેવી સામાન્ય રકમની લેતીદેતીમાં મિત્ર એ મિત્રને ચપ્પુના ઘા મારીને પતાવી દીધો હોવાની ઘટના સામે આવી છે. નવાગામ ડીંડોલીના ચેતન નગરમાં રહેતો 20 વર્ષીય શુભમ કિશોર વાઘ મોડીરાત્રે તેના ઘરની બહાર ઉભો હતો. આ સમયે હુમલાખોરો બે ટુ-વ્હીલર લઈને આવ્યા હતા. શુભમે જ્યારે તેમાના નિલેશ નામના શખ્સ પાસે પોતાના બાકીના 2200 રૂપિયાની માંગણી કરી, ત્યારે મામલો બિચક્યો હતો. સામાન્ય બોલાચાલી અને ધક્કામુક્કી બાદ હુમલાખોરે શુભમ પર હુમલો કરી દીધો હતો. મેં નજરે જોયું, પગ ધ્રૂજવા લાગ્યાઃ પ્રત્યક્ષદર્શીઘટના સમયે ત્યાં હાજર મંદાબેન નામના મહિલાએ સમગ્ર ઘટના નજરે જોઈ હતી. તેમણે જણાવ્યું કે, હું દુકાન પર સાબુદાણા લેવા ઉભી હતી, ત્યારે જ બે ગાડી પર છોકરાઓ આવ્યા. પૈસા બાબતે માથાકૂટ ચાલી રહી હતી. જ્યારે પેલા છોકરાએ પૈસા માંગ્યા તો સામેવાળાએ ગાળ આપી અને તરત જ ચપ્પુ કાઢી લીધું. તેણે શુભમની જાંઘ પર અનેક ઘા માર્યા. દૃશ્ય જોઈને મારા પગ ધ્રૂજવા લાગ્યા હતા. મંદાબેન તરત જ શુભમની માતાને બોલાવવા ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં શુભમ લોહીથી લથબથ થઈ ચૂક્યો હતો. હોસ્પિટલ પહોંચે તે પહેલા જ દમ તોડ્યોહુમલાખોરો પાંચની સંખ્યામાં હોવાનું કહેવાય છે, જેમાંથી એક શખ્સે ઘાતક હથિયારથી હુમલો કર્યો હતો. ઘટના બાદ હુમલાખોરો નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત શુભમને તાત્કાલિક ધોરણે ડીંડોલીની બાબા મેમોરિયલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, હુમલો એટલો જોરદાર હતો અને શરીરના નાજુક ભાગે ઘા વાગવાને કારણે રક્તસ્ત્રાવ વધુ થઈ ગયો હતો. હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ શુભમને મૃત જાહેર કર્યો હતો, જેને પગલે પરિવારમાં ભારે આક્રંદ મચી ગયો હતો. પોતાના પૈસા માંગવામાં શું કોઈ ગુનો છે?પરિવાર અને પાડોશીઓના જણાવ્યા મુજબ, શુભમની કોઈ ભૂલ નહોતી. તેણે સામેવાળા પર હાથ પણ ઉપાડ્યો નહોતો. તે માત્ર પોતાના હકના પૈસા માંગી રહ્યો હતો. સ્થાનિકોમાં એ વાતનો રોષ જોવા મળી રહ્યો છે કે આજના સમયમાં સામાન્ય રકમ માટે પણ લોકો કોઈનો જીવ લેતા અચકાતા નથી. મંદાબેને દુઃખ સાથે ઉમેર્યું કે, બિચારો માર ખાઈને મરી ગયો, ખાલી એક ગાળ અને પૈસાના લીધે આવું થયું. પોતાના જ પૈસા માંગવામાં શું કોઈ ચોરી છે? ડીંડોલી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટઆ હત્યાની જાણ થતા જ ડીંડોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હુમલાખોરોને પકડવા માટે વિવિધ ટીમો બનાવી છે અને સીસીટીવી ફૂટેજ તેમજ પ્રત્યક્ષદર્શીઓના નિવેદન આધારે તપાસ શરૂ કરી છે. મોડી રાત્રે બનેલી આ ઘટનાએ સુરતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 12:21 pm

અમદાવાદમાં ભાજપનું 13 બેઠક પર વધારે ફોકસ:કોંગ્રેસની પેનલ તોડી ભાજપની જીત અને ગુમાવેલી એક બેઠક પાછી મેળવવા CM સહિતના નેતાઓ મેદાને ઉતર્યા

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સૌથી મહત્વની એવી અમદાવાદ મનપામાં તમામ 48 વોર્ડની બેઠકો ઉપર જીત મેળવવા માટે ભાજપના તનતોડ પ્રયાસ શરૂ થયા છે. અમદાવાદની 192 બેઠકોમાંથી 52 બેઠકો ઉપર ભાજપનું સૌથી વધારે ફોકસ છે. કોંગ્રેસના પ્રભુત્વ અને જ્યાં ભાજપ નબળું સાબિત થઈ શકે છે એવા 13 વોર્ડની બેઠકો પર જીત મેળવવા માટે રાજ્યના મુખ્યમંત્રીથી લઈને તમામ નેતાઓ- કાર્યકર્તાઓને જીત તેમજ ડેમેજ કંટ્રોલ માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. શહેર ભાજપના નેતાઓ અને યુવા મોરચાની ટીમને આ વોર્ડમાં વધારે ધ્યાન આપીને પ્રચાર જોર શોરથી કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી આવતીકાલે સાંજે કુબેરનગરમાં રોડ શો કરી શકેસૂત્રો મુજબ કુબેરનગર વોર્ડમાં જીત મેળવવા માટે રાજ્યના મુખ્યમંત્રી આવતીકાલે સાંજે રોડ શો કરી શકે છે. ભવ્ય બાઇક રેલી સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો કુબેરનગર વોર્ડમાં રામેશ્વર ચાર રસ્તાથી લઇ ભાર્ગવ રોડ સુધી ભવ્ય કેસરિયા રેલી યોજાઇ શકે છે. જેને લઈને શહેર ભાજપ દ્વારા તૈયારી કરવામાં આવી છે. કોંગ્રેસ પેનલ તોડવા અને ડેમેજ કંટ્રોલ માટે ભાજપની મથામણ192 બેઠકોમાંથી 160થી વધુ બેઠકો જીતવાના નિર્ધાર સાથે ભાજપ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના પ્રભુત્વ વાળી અને જ્યાં ભાજપ નબળી હોય એવા વોર્ડ પર સર્વે કરવામાં આવ્યો હતો. કેટલાક વોર્ડમાં ભાજપના જ આંતરિક વિખવાદના કારણે ભાજપ નબળી સાબિત થઈ શકે છે. કોંગ્રેસની પેનલ તોડવા અને ડેમેજ કંટ્રોલ કરવા માટે શહેર ભાજપ દ્વારા રણનીતિ તૈયાર કરવામાં આવી છે. માત્ર એક જ બેઠક ગુમાવી તેવા વિસ્તારમાં ફોકસજ્યાં ભાજપની આખી પેનલ નથી અને માત્ર એક જ બેઠક ગુમાવી છે એવી ચાંદખેડા, ઇન્ડિયા કોલોની, અમરાઈવાડી બેઠકને જીતવા માટે ભાજપ દ્વારા વધારે મહત્વ આપવામાં આવ્યું છે. જેના માટે ગ્રુપ મીટીંગો અને યુવા મોરચાને જવાબદારી સોંપવામાં આવી છે. જમાલપુર, દરિયાપુર, બહેરામપુરા, દાણીલીમડામાં એડીચોટીનું જોરઅમદાવાદ શહેર ભાજપનું 48 વોર્ડમાંથી 13 વોર્ડ ઉપર સૌથી વધારે ધ્યાન આપી રહ્યું છે. કોંગ્રેસના પ્રભુત્વ વાળી જેટલી પણ બેઠકો છે જેમાં મુસ્લિમ વિસ્તારમાં પણ ભાજપના કોર્પોરેટરો જીત મેળવે તેના માટે રણનીતિ નક્કી કરવામાં આવી છે. કોંગ્રેસના પ્રભુત્વ વાળી એવી જમાલપુર, દરિયાપુર, બહેરામપુરા, દાણીલીમડા તેમજ કુબેરનગર બેઠકોમાં પેનલ તોડી ભાજપના ઉમેદવારને જીતાડવા મહેનત કરવામાં આવી રહી છે. જ્યાં એક એક સીટ ભાજપે ગુમાવી છે તેને ફરીથી મેળવવા પર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે. કૂબેરનગર વોર્ડમાં પ્રચાર માટે CM ભુપેન્દ્ર પટેલ મેદાનમાંકોંગ્રેસનું પ્રભુત્વ ધરાવતી અને જ્યાં હિન્દી ભાષી મતદારો પણ વધુ છે જ્યાં ભાજપ જીત મેળવી શકે છે. એવી કુબેરનગરની બેઠકને જીતવા માટે શહેર ભાજપનું ફોકસ પહેલાથી જ રહ્યું છે અને આ વિસ્તારમાં જીત મેળવવા માટે ખુદ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ઉતારવામાં આવ્યા છે. ગ્રુપ મીટીંગો અને યુવા મોરચાની ટીમો દ્વારા અલગ અલગ બેઠકો કરવામાં આવી રહી છે. અલગ અલગ સોસાયટીઓ અને વોર્ડમાં ખુદ ભાજપના કાર્યકર્તાઓ પ્રચાર કરવા માટે જઈ રહ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૌ પ્રથમ કુબેરનગર મધ્યસ્થ કાર્યાલય ખાતે મુલાકાત લઈને વોર્ડમાં જીત મેળવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. ઇન્ડિયા કોલોની બોર્ડમાં સંઘવીની જાહેર સભા યોજાઈ હતીઅમરાઈવાડી વોર્ડ ખાતે પણ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કાર્યાલયની મુલાકાત લીધી હતી અને આ વિસ્તારની પ્રજા ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારોના જીતાડે તેને લઈને માર્ગદર્શન આપ્યું હતું. ઇન્ડિયા કોલોની બોર્ડમાં પણ જીત મેળવવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેર સભા યોજવામાં આવી હતી. દર્શક ઠાકરને આ વિસ્તારોની જવાબદારી સોંપાઈ ડેમેજ કંટ્રોલ કરવા માટે શહેર મહામંત્રીઓ અને અન્ય નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. ચાંદખેડા, અમરાઈવાડી, બાપુનગર, લાંભા વોર્ડની શહેર મહામંત્રી દર્શક ઠાકરને જવાબદારી સોંપવામાં આવી છે સાથે યુવા મોરચાની ટીમ દ્વારા જોરશોરથી વિસ્તારોમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. 160થી વધુ બેઠકો મેળવવા માટેનું ભાજપનું જોર શરૂ થયું છેઇન્ડિયા કોલોની. સૈજપુર બોઘા, સરસપુર- રખિયાલ અને સરદારનગર જેવી બેઠકો ઉપર જીત મેળવવા માટે શહેર મહામંત્રી ગૌતમ કથીરીયાને પણ જવાબદારી સોંપવામાં આવી છે. યુવા મોરચાના પ્રમુખ કેતુ પટેલ અને તેમની ટીમ દ્વારા તમામ 13 વોર્ડની બેઠકોમાં અલગ અલગ વોર્ડમાં દરરોજ પત્રિકા રાઉન્ડ અને ઉમેદવારો સાથે પ્રચારની જવાબદારી આપવામાં આવી છે. ભાજપ 48 વોર્ડમાંથી 13 સિવાયના બાકીના વોર્ડમાં મજબૂત છે અને આખી પેનલનો વિજય નિશ્ચિત માનીને ભાજપ ચાલી રહ્યું છે, ત્યારે બાકીના આ વોર્ડમાં જીત મેળવી 160થી વધુ બેઠકો મેળવવા માટેનું જોર શરૂ થયું છે. કયા કયા વોર્ડમાં ફોક્સ કુબેરનગર ઇન્ડિયાકોલોનીઅમરાઈવાડીચાંદખેડા દરિયાપુર શાહપુર જમાલપુર દાણીલીમડા બહેરામપુરાબાપુનગર સરસપુર - રખિયાલ ખાડિયા સરદારનગર

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 12:09 pm

જીવના જોખમે મતદાન કરશે મતદારો!:ગોધરામાં ચૂંટણી અધિકારીની કામગીરી પર સવાલો ઉઠ્યાં; જે બિલ્ડિંગને તંત્રએ જર્જરિત ગણાવી ત્યાં ગોઠવાશે વોટિંગ બુથ

ગોધરા નગરપાલિકા ચૂંટણીને લઈને એક ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરના વોર્ડ નંબર-9 માટે બે મતદાન મથકો એક એવા સરકારી બિલ્ડિંગમાં ફાળવવામાં આવ્યા છે, જેને પ્રશાસન દ્વારા જ ભયજનક જાહેર કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી મતદારોની સુરક્ષા અને સલામતી પર સવાલો ઉભા થયા છે. જર્જરિત ઇમારત અને તંત્રની ચેતવણી આ મામલો ગોધરા તાલુકા પંચાયતની જૂની બિલ્ડિંગનો છે, જે લાંબા સમયથી અત્યંત જર્જરિત અને બિસ્માર હાલતમાં છે. પ્રશાસને પોતે જ આ બિલ્ડિંગને ભયજનક ગણાવી તેનો ઉપયોગ ન કરવા અને બિલ્ડિંગમાં પ્રવેશ કરનાર વ્યક્તિ પોતાની જવાબદારી પર રહેશે તેવા નોટિસ બોર્ડ મૂક્યા છે. નિરીક્ષણ વગર એસી ચેમ્બરમાંથી લેવાયો નિર્ણય? આવી જોખમી ઇમારતમાં મતદાન મથકો ફાળવવામાં આવતા ચૂંટણી અધિકારીની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. ચર્ચાઈ રહ્યું છે કે, ચૂંટણી અધિકારીએ મતદાન મથકોનું નિરીક્ષણ કર્યા વિના જ પોતાની ચેમ્બરમાં બેસીને આ નિર્ણયો લીધા છે, જેના કારણે મતદારોની સલામતી જોખમમાં મુકાઈ છે. વિપક્ષનો આકરો વિરોધ આ ગંભીર બેદરકારી સામે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અજીતસિંહ ભટ્ટી અને સ્થાનિક આગેવાનોએ વિરોધ નોંધાવ્યો છે. ભટ્ટીએ જણાવ્યું હતું કે, તંત્ર એક તરફ બિલ્ડિંગને ભયજનક જાહેર કરે છે તો બીજી તરફ હજારો મતદારોને ત્યાં વોટ આપવા બોલાવે છે. આ લોકોના જીવ સાથે ચેડાં છે. સમય રહેતા તાત્કાલિક ધોરણે આ મતદાન મથકો સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે. લોકશાહીના પર્વમાં સલામતી ક્યાં? આ ઘટનાથી એ પ્રશ્ન ઉભો થાય છે કે, ભયજનક જાહેર કરાયેલા બિલ્ડિંગમાં મતદાન મથકો ફાળવતા પહેલા નિરીક્ષણ કેમ કરવામાં ન આવ્યું? શું મતદારોની સુરક્ષા અને સલામતી તંત્ર માટે કોઈ મહત્વ ધરાવતી નથી?

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 12:08 pm

ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત:ગેસની બોટલ ઉપર ચઢી લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધી જીવ ટૂંકાવ્યો, મિત્રો દરવાજો તોડી રૂમ અંદર ગયા ને સ્તબ્ધ થઈ ગયા

સુરત શહેરના વરાછા વિસ્તારમાં એક 26 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. અશ્વિનીકુમાર રોડ પર રહેતા નિખિલ વસાવે નામના યુવકે પોતાના ઘરે લોખંડના એંગલ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. મોડી રાત્રે જ્યારે મિત્રો ઘરે પહોંચ્યા ત્યારે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. હાલ પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ગેસની બોટલનો ટેકો લઈ ફાંસો ખાધોમળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રનો અને હાલ સુરતમાં અશ્વિનીકુમાર રોડ પર કિરણ ડાયમંડની પાછળ રહેતો 26 વર્ષીય નિખિલ વસાવે એમ્બ્રોડરીના કારખાનામાં કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. ગત રાત્રિના સમયે નિખિલે ઘરમાં રહેલી ગેસની બોટલ ઉપર ચડી, ઉપર રહેલા લોખંડના એંગલ સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. મિત્રોએ દરવાજો તોડ્યો ને મિત્રની લાશ જોઈનિખિલના મિત્રો જ્યારે રાત્રે ઘરે પહોંચ્યા ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. લાંબા સમય સુધી ખટખટાવવા અને બૂમો પાડવા છતાં નિખિલે દરવાજો ન ખોલતા મિત્રોને શંકા ગઈ હતી. અંતે મિત્રોએ દરવાજો તોડીને અંદર પ્રવેશતા જ તેમના હોશ ઊડી ગયા હતા. નિખિલ લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. હેબતાઈ ગયેલા મિત્રોએ તાત્કાલિક આ અંગે પોલીસ અને 108ને જાણ કરી હતી. યુવકના આપઘાતનું કારણ અકબંધઘટનાની જાણ થતા જ અશ્વિનીકુમાર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પંચનામું કરી દુપટ્ટો કાપી નિખિલને નીચે ઉતાર્યો હતો અને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે, હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. નિખિલે આ પગલું કેમ ભર્યું તે હજુ જાણી શકાયું નથી. પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ સુસાઈડ નોટ પણ મળી આવી નથી. અશ્વિનીકુમાર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી પરિવારજનો અને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 12:06 pm

ડેપ્યુટી CM ડાંગની મુલાકાતે:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પૂર્વે ભાજપનું શક્તિ પ્રદર્શન; હર્ષ સંઘવી 'વિકાસ સંકલ્પ સભા'માં વિશાળ જનસભાને સંબોધશે

ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીની મુલાકાત રાજકીય ગરમીમાં વધારો કરી રહી છે. આ મુલાકાતને ભાજપ માટે એક વ્યૂહાત્મક પગલું માનવામાં આવે છે, જે ચૂંટણી પહેલા પક્ષને મજબૂત કરવામાં મદદરૂપ થઈ શકે છે. મુલાકાત દરમિયાન, ડેપ્યુટી મુખ્યમંત્રી સૌપ્રથમ આહવા ખાતે આવેલા બીરસા મુંડા સર્કલ પર પહોંચી આદિવાસી સમાજના વીર યોદ્ધા ભગવાન બીરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. આ પગલું આદિવાસી મતદારો સાથે ભાવનાત્મક જોડાણ મજબૂત કરવાની દિશામાં મહત્વપૂર્ણ ગણાય છે. ત્યારબાદ તેઓ ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે યોજાનારી “વિકાસ સંકલ્પ સભા”માં વિશાળ જનસભાને સંબોધશે. હાલ જિલ્લામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે, ત્યારે આ સભા ભાજપ માટે શક્તિ પ્રદર્શન સમાન બની શકે છે. સંઘવી પોતાના સંબોધનમાં રાજ્ય સરકારના વિકાસ કાર્યોને ઉજાગર કરશે અને પક્ષના ઉમેદવારોને સમર્થન આપવા જનતાને અપીલ કરશે તેવી શક્યતા છે. તેઓ સ્થાનિક મુદ્દાઓને પણ સ્પર્શી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરશે. સભાને સફળ બનાવવા માટે સ્થાનિક કાર્યકરો અને આગેવાનો દ્વારા જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ગામડાઓ સુધી સંપર્ક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેથી વધુમાં વધુ લોકો સભામાં ઉપસ્થિત રહે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું છે. ડાંગમાં આ વખતે ચૂંટણી જંગ ત્રિપાંખિયો અને રોમાંચક બની રહ્યો છે, ત્યારે રાજ્યના ટોચના નેતાની હાજરી રાજકીય સમીકરણોમાં ફેરફાર લાવી શકે છે. હવે જોવાનું રહેશે કે હર્ષ સંઘવીની આ મુલાકાત મતદારોના મન પર કેટલો પ્રભાવ પાડે છે અને ભાજપને કેટલી મજબૂતી આપે છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 11:54 am

આર્થિક તંગીમાં ભાઈએ બહેનને અન્ય જ્ઞાતિમાં ‘વેચી’ દીધી:સાસરીયામાં પાંચ વર્ષ સુધી અસહ્ય શારીરિક અને માનસિક ત્રાસ સહન કરવો પડ્યો, અભયમે મદદ કરી નવી જિંદગી અપાવી

મહેસાણા પંથકમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં કૌટુંબિક સંબંધો અને માનવતા બંને પર પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે. આર્થિક સંકળામણથી ઘેરાયેલા એક ભાઈએ પોતાની સગી બહેનની મજબૂરીનો લાભ લઈ તેને અન્ય જ્ઞાતિના યુવક સાથે પરણાવીને જાણે ‘વેચી’ દીધી હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ કમનસીબ મહિલાએ લગ્નના પાંચ વર્ષ સુધી અસહ્ય શારીરિક અને માનસિક ત્રાસ વેઠ્યા બાદ અંતે 181 અભયમ હેલ્પલાઇનની મદદથી આઝાદી મેળવી છે. ‘ભાઈએ બહેનના અન્ય જ્ઞાતિમાં લગ્ન કરાવ્યા’પરિવારની ગરીબી દૂર કરવાના બહાને ભાઈએ બહેનના લગ્ન અન્ય જ્ઞાતિમાં કરાવી દીધા હતા. લગ્નજીવનના પાંચ વર્ષ દરમિયાન દંપતીને ત્રણ વર્ષની દીકરી હોવા છતાં પતિનો સ્વભાવ શંકાશીલ રહ્યો હતો. પતિ સતત મહિલાના ચારિત્ર્ય પર શંકા કરી તેને અમાનવીય રીતે માર મારતો હતો. પતિના અસહ્ય ત્રાસથી કંટાળીને મહિલાએ પોતાની લાડકવાયી દીકરીને સાસરીમાં મૂકીને ઘર છોડવાનો નિર્ણય લીધો હતો. ‘સાસરીવાળાઓએ રૂમમાં પૂરી દીધી’ઘર છોડ્યા બાદ રસ્તા પર લાચાર હાલતમાં ભટકતી આ મહિલા પર એક જાગૃત નાગરિકની નજર પડતા તેમણે માનવતાના ધોરણે તેને આશરો આપ્યો હતો અને પાડોશી ગામમાં રહેવાની વ્યવસ્થા કરી હતી.મહિલા લગભગ છ મહિના સુધી સુરક્ષિત રહી પરંતુ કમનસીબે સાસરી પક્ષના લોકોની નજર તેના પર પડતા તેમણે તેને બળજબરીથી ઉપાડીને પોતાના ઘરે લાવી રૂમમાં પૂરી દીધી હતી. પિંજરામાં કેદ થયેલા પક્ષીની જેમ મહિલાએ ફરીથી અત્યાચારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હિંમત હાર્યા વગર તેણે 181 અભયમ હેલ્પલાઇનનો સંપર્ક સાધ્યો હતો. અભયમ મદદે આવતા મહિલાને નવી જિંદગી મળીકોલ મળતાની સાથે જ અભયમની ટીમ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે બંધ રૂમમાંથી મહિલાને મુક્ત કરાવી તેને સુરક્ષિત સ્થળે ખસેડી હતી. કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ જણાવ્યું હતું કે સાસરીમાં તેનો જીવ જોખમમાં છે અને તે ભારે અસુરક્ષા અનુભવે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અભયમની ટીમે મહિલાને કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડી તેને સુરક્ષિત આશ્રય સ્થાન ખાતે ખસેડી હતી. આમ 181 અભયમની સમયસૂચકતા અને મદદને કારણે લાંબા સમયથી અત્યાચારનો સામનો કરી રહેલી આ મહિલાને આખરે નવો શ્વાસ મળ્યો છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 11:52 am

હોર્મુઝ સ્ટ્રેટ ખૂલ્યા બાદ પણ યુદ્ધના ભણકારા! ટ્રમ્પનું ઈરાનને અલ્ટિમેટમ- ડીલ કરો નહીંતર ફરી થશે હુમલો

(IMAGE - IANS) Trump Warns Iran: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એકવાર ફરી પોતાના આક્રમક અંદાજમાં જોવા મળ્યા છે. એક તરફ તેઓ ઈરાન સાથે યુદ્ધ ખતમ થવાની ખુશીમાં વ્હાઈટ હાઉસમાં 'પાર્ટી' કરવાની વાત કરી રહ્યા છે, તો બીજી તરફ તેમણે ખુલ્લી ચેતવણી આપી છે કે જો નિર્ધારિત સમય સુધીમાં કોઈ સમજૂતી નહીં થાય, તો ફરીથી બોમ્બમારો શરૂ થઈ શકે છે.

ગુજરાત સમાચાર 18 Apr 2026 11:48 am

હિંમતનગર કેન્દ્રીય વિદ્યાલય અન્ડર-14 ફૂટબોલ સ્પર્ધામાં વિજેતા:ટીમ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

અમદાવાદ કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા આયોજિત 55મી અન્ડર-14 ફૂટબોલ સ્પર્ધામાં હિંમતનગરની પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલયની ટીમે વિજય મેળવ્યો છે. આ બે દિવસીય સ્પર્ધા હિંમતનગરમાં યોજાઈ હતી, જેમાં વિજેતા ટીમ હવે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધા 16 અને 17 તારીખે પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય, હિંમતનગર ખાતે યોજાઈ હતી. જેમાં પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય હિંમતનગર, અમદાવાદ કેન્ટ, ગાંધીનગર કેન્ટ, AFS વડોદરા, AFS જામનગર, જૂનાગઢ અને સામાણા સહિત કુલ સાત ટીમોએ ભાગ લીધો હતો. લીગ રાઉન્ડ બાદ સેમીફાઇનલ અને ફાઇનલ મેચ રમાઈ હતી. શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ચાર ટીમો સેમીફાઇનલમાં પહોંચી હતી: પીએમ શ્રી કે.વી. હિંમતનગર, પીએમ શ્રી કે.વી. AFS વડોદરા, પીએમ શ્રી કે.વી. અમદાવાદ કેન્ટ અને પીએમ શ્રી કે.વી. ગાંધીનગર કેન્ટ. ફાઇનલ મેચ પીએમ શ્રી કે.વી. હિંમતનગર અને પીએમ શ્રી કે.વી. વડોદરા વચ્ચે રમાઈ હતી. નિર્ધારિત સમયમાં મેચ અત્યંત રોમાંચક રહી હતી. અંતે, પેનલ્ટી શૂટ-આઉટ દ્વારા હિંમતનગરની ટીમે વિજય મેળવી ચેમ્પિયન બનવાનું બહુમાન પ્રાપ્ત કર્યું હતું. આ વિજય બાદ, હિંમતનગરની આ ટીમ આગામી રાષ્ટ્રીય કક્ષાની ફૂટબોલ સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. સ્પર્ધાના સમાપન સમયે, વિજેતા ખેલાડીઓને મેડલ્સ અને પ્રમાણપત્રો એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ટીમની આ સફળતા પાછળ વિદ્યાલયના આચાર્ય મહેન્દ્ર પ્રસાદ, ઇન્ચાર્જ રમત-ગમત શિક્ષક કપિલ ગાંધર્વ, કોચ તરુણ સુતરિયા અને લોકલ એસ્કોર્ટ કેયુર પટેલનું સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન રહ્યું હતું. નિવૃત્ત રમત શિક્ષક બી.એસ. પટેલનો ફાળો પણ અત્યંત મહત્વનો રહ્યો હતો. સમગ્ર શાળા પરિવાર અને હિંમતનગરના રમતપ્રેમીઓએ વિજેતા ટીમને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે શુભકામનાઓ પાઠવી છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 11:47 am

ભરૂચના વેજલપુરમાં ચૂંટણી વચ્ચે આગજની:4 બાઈક1 રિક્ષા બળીને ખાખ,અજાણ્યા તત્વોએ પાર્ક કરેલા વાહનને નિશાન બનાવ્યા; તપાસ શરૂ

ભરૂચના વેજલપુર વિસ્તારમાં મોડી રાત્રે આગજનીની ઘટના સામે આવી છે. રાજ્યમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે બનેલી આ ઘટનાથી સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. અજાણ્યા અસામાજિક તત્વોએ પાર્ક કરેલા વાહનોને નિશાન બનાવી આગ ચાંપી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. રાત્રિના આશરે 1:45 થી 2:00 વાગ્યાના સમયગાળા દરમિયાન વેજલપુરના ગામડિયાવાડ અને વાણિયાવાડ વિસ્તારમાં રહેણાંક વિસ્તારોમાં ઉભેલા વાહનોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં કુલ 4 બાઈક અને 1 રિક્ષા આગની ઝપેટમાં આવી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. આગ લાગતા જ સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી. રહીશોએ તાત્કાલિક આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પહેલા જ વાહનોને ભારે નુકસાન પહોંચી ગયું હતું. ચૂંટણીના સંવેદનશીલ સમયે બનેલી આ ઘટના પાછળ કોઈ ચોક્કસ ગેંગનો હાથ છે કે શાંતિ ભંગ કરવાનો પ્રયાસ છે, તે અંગે અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. સ્થાનિકો દ્વારા તાત્કાલિક આરોપીઓને પકડી પાડવાની માંગ કરવામાં આવી છે. સ્થાનિક નાગરિકોએ પોલીસ તંત્રને સીસીટીવી ફૂટેજના આધારે ઝડપથી તપાસ આગળ ધપાવી દોષિતોને કડક સજા કરવાની માંગ કરી છે. પોલીસે આ ઘટનાની ગંભીરતાથી તપાસ હાથ ધરી છે અને લોકોને પોતાના વાહનોની સુરક્ષા માટે વધુ સાવચેત રહેવા અપીલ પણ કરી છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 11:43 am

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના PSI પર છરીથી હુમલો:ભાટ ગામ પાસે એમડી ડ્રગ્સની રેડમાં આરોપીએ હુમલો કર્યો, ઈજાગ્રસ્ત પોલીસકર્મી હોસ્પિટલમાં

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર ગત મોડી રાત્રે હુમલો થયો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ એમડી ડ્રગ્સની રેડ માટે ભાટ ગામ પાસે ગઈ હતી. આ દરમિયાન આરોપી અને પોલીસની કારનો અકસ્માત થયો હતો, ત્યારે આરોપીએ PSI પર છરીથી હુમલો કર્યો હતો. જોકે પોલીસે 300 ગ્રામ જેટલું ડ્રગ્સ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી છે. ઇજાગ્રસ્ત પોલીસકર્મી સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે. એમડી ડ્રગ્સ લઈને જતા યુવકને પકડવા ફિલ્મી દ્રશ્યો સર્જાયા'તાક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, અમદાવાદના ભાટ ગામ વિસ્તારમાં એમડી ડ્રગ્સ લઈને એક યુવક કારમાં પસાર થવાનો છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે કારને રોકવાની કોશિષ કરી હતી. પરંતુ યુવક નહી ઉભા રહેતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતાં. યુવકની કાર અને ક્રાઈમ બ્રાંચની કાર એકબીજાને અથડાતા અકસ્માત સર્જાયો હતો. યુવકે છરી કાઢીને PSIને મારી દીધીઅકસ્માત થતાની સાથે જ યુવક કારમાંથી ઉતર્યો હતો અને ક્રાઈમ બ્રાંચની ટીમ પર હુમલો કરવા લાગ્યો હતો. યુવકે પોતાની પાસે રહેલી છરી કાઢી હતી અને PSI પર હુમલો કર્યો હતો. PSIને ઈજા થતાની સાથે જ અન્ય ક્રાઈમ બ્રાંચના પોલીસકર્મીઓએ યુવકને ઝડપી લીધો હતો. યુવકની કારમાંથી 25 લાખથી વધુનું ડ્રગ્સ મળ્યુંક્રાઈમ બ્રાંચે યુવકની ધરપકડ કરી છે અને તેની કારની તપાસ કરી હતી. જેમાંથી 25 લાખથી વધુનું એમડી ડ્રગ્સ મળી આવ્યુ હતું. ઈજાગ્રસ્ત પીએસઆઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ પણ વાંચો 10 દિવસ પહેલાં અમદાવાદમાં પોલીસકર્મીની હત્યાનો પ્રયાસ અમદાવાદના મેમ્કો વિસ્તારમાં માથાભારે શખ્સે મેઘાણીનગર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પર દંડાથી હુમલો કર્યો હતો. કોન્સ્ટેબલ અને માથાભારે શખ્સને એક દિવસ પહેલા ગાર્ડનમાં બેસવા મામલે બોલાચાલી થઈ હતી. જેની અદાવત રાખીને શખ્સે પોલીસ કર્મચારી પર હુમલો કર્યો હતો. જે અંગે શહેરકોટડા પોલીસ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી. (વાંચો સંપૂર્ણ સમાચાર)

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 11:33 am

હેમરાજસિંહ મહારાઉલ ભાજપમાંથી સસ્પેન્ડ:બોડેલી APMCના પૂર્વ ચેરમેનને છ વર્ષ માટે પક્ષે કર્યા સસ્પેન્ડ; ભાજપે ટિકિટ ન આપતાં બળવો કર્યો હતો

બોડેલી APMCના પૂર્વ ચેરમેન હેમરાજસિંહ મહારાઉલને ભાજપ દ્વારા છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે આ નિર્ણયથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. હેમરાજસિંહ મહારાઉલ બોડેલી અને સંખેડા APMCના પૂર્વ ચેરમેન તેમજ બોડેલી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ છે. તેમને ભાજપ દ્વારા ટિકિટ ન અપાતા તેમણે બળવો કર્યો હતો. તેમણે બોડેલીની પાણેજ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ભાજપના કેટલાક આગેવાનોએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ ચૂંટણી લડવાના પોતાના નિર્ણય પર અડગ રહ્યા હતા. આથી, છોટા ઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા ભાજપ દ્વારા એક દિગ્ગજ નેતા સામે લેવાયેલા આ કડક પગલાથી રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. પાણેજ બેઠક પર હેમરાજસિંહ મહારાઉલની અપક્ષ ઉમેદવારીને કારણે સ્પર્ધા વધુ રોમાંચક બનવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 11:32 am

પાલનપુરમાં ચૂંટણી પ્રચાર માટે નેતાઓને પ્રવેશબંધી:પ્રાથમિક સુવિધાઓના અભાવે પોસ્ટર વોર, સ્થાનિકોનો રોષ

બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે પાલનપુર નગરપાલિકામાં રાજકીય ગરમાવો વધ્યો છે. ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ શહેરના અનેક વોર્ડમાં 'પોસ્ટર વોર' શરૂ થયો છે. પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે રોષે ભરાયેલા મતદારોએ નેતાઓને ચૂંટણી પ્રચાર માટે વિસ્તારમાં ન આવવાની ચીમકી ઉચ્ચારી છે. આ પોસ્ટર વોરમાં ક્યાંક રાજકીય નેતાઓ અને કાર્યકરોની પ્રવેશબંધીના બોર્ડ લાગ્યા છે, તો ક્યાંક કોંગ્રેસના નામ સાથે પ્રચાર માટે ન આવવાના પોસ્ટર જોવા મળ્યા છે. આનાથી રાજકીય માહોલ ગરમાયો છે અને પીડિત મતદારોનો રોષ સપાટી પર આવ્યો છે. શહેરના વોર્ડ નંબર 8ના કાળા હનુમાન વિસ્તારમાં આવેલી સીટી શાશ્વત સોસાયટીના રહીશો પણ છેલ્લા પાંચ વર્ષથી નેતાઓના વર્તનથી નારાજ છે. વિસ્તારમાં ગંદા અને વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલી સ્થાનિક મહિલાઓ સહિતના લોકોએ વિરોધ પ્રદર્શન કરી નેતાઓને ચૂંટણી પ્રચાર માટે વિસ્તારમાં ન આવવા સ્પષ્ટ ચીમકી આપી છે. આ અંગે સીટી શાશ્વત સોસાયટીના રહીશ પટેલ રજનીકાંત રામાભાઈએ જણાવ્યું હતું કે, અમને પાંચ વર્ષથી પાણીની સમસ્યા છે. અમે ઘણી અરજીઓ કરી છે, પરંતુ તેનો કોઈ નિકાલ આવ્યો નથી. રજનીકાંતભાઈએ વધુમાં જણાવ્યું કે, આ વર્ષથી અમે નક્કી કર્યું છે કે દરેક ચૂંટણીનો વિરોધ કરીશું. જ્યાં સુધી અમારી સમસ્યાનો નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે અલગ અલગ રીતે વિરોધ કરતા રહીશું. આ સ્થિતિ ભાજપ અને કોંગ્રેસ બંનેના ગઢ ગણાતા વોર્ડમાં જોવા મળી રહી છે, જ્યાં નેતાઓને પ્રવેશબંધીના બોર્ડ લાગી ગયા છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 11:27 am

નવસારીમાં 'આપ'ના બે નેતા ભાજપમાં જોડાયા:પૂર્વ ઉપપ્રમુખ અને ગત વિધાનસભા ઉમેદવારનો ભાજપ પ્રવેશ

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. નવસારી જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP) ને મોટો ફટકો પડ્યો છે. 'આપ'ના બે અગ્રણી નેતાઓ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાતા નવસારીના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આમ આદમી પાર્ટીના પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ કલ્પેશ વાડોદરિયા અને ગત વિધાનસભા ચૂંટણીમાં 'આપ'ના ઉમેદવાર રહેલા ગોપાલ ઢોલરિયા ભાજપમાં જોડાયા હતા. તેઓ પોતાના સમર્થકો સાથે નવસારી શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 9 ના ભાજપના નવા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આયોજિત જાહેર સભામાં જોડાયા હતા. નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહે બંને નેતાઓને કેસરીયો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. આ ઘટનાને 'આપ' માટે એક મોટો ઝટકો માનવામાં આવે છે. રાજકીય વિશ્લેષકોના મતે, નવસારી જિલ્લામાં ભાજપ પહેલેથી જ મજબૂત સ્થિતિમાં છે. હવે ભાજપ કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટીના અસ્તિત્વને પણ નબળું પાડવાની રણનીતિ અપનાવી રહ્યું છે. જિલ્લા ભાજપ પ્રમુખે આડકતરો ઈશારો કર્યો હતો કે ભાજપ માટે હવે કોઈ સ્પર્ધા રહી નથી. કલ્પેશ વાડોદરિયા અને ગોપાલ ઢોલરિયા જેવા સક્રિય ચહેરાઓ ભાજપમાં ભળતા નવસારીમાં આમ આદમી પાર્ટીનું સંગઠન નબળું પડવાની શક્યતા છે. ખાસ કરીને પાટીદાર પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં ભાજપ પોતાની પકડ વધુ મજબૂત બનાવી રહ્યું છે, જે આગામી દિવસોમાં વિપક્ષ માટે ચિંતાનો વિષય બની શકે છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 11:22 am

ભર ઉનાળે વરસાદની આગાહી વચ્ચે શિયાળા જેવો માહોલ:વહેલી સવારે શહેર ગાઢ ધુમ્મસથી ઢંકાયું; તાપમાન 4°Cના વધારા સાથે 38.8°Cએ પહોંચ્યું

સુરતમાં આજે વહેલી સવારે કુદરતનું અનોખું રૂપ જોવા મળ્યું હતું. સામાન્ય રીતે એપ્રિલ મહિનાના મધ્યમાં સુરતીઓ કાળઝાળ ગરમીની અપેક્ષા રાખતા હોય છે, તેના બદલે આજે વહેલી સવારે શહેર ગાઢ ધૂમમ્સના આઘોશમાં જોવા મળ્યું હતું. વહેલી સવારે વિઝિબિલિટી એટલી ઓછી થઈ ગઈ હતી કે સામેની બિલ્ડિંગો પણ દેખાતી બંધ થઈ ગઈ હતી, જેના કારણે વાહનચાલકો અને નોકરીયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વાહનચાલકો લાઈટો ચાલુ રાખી નીકળવા મજબૂરવહેલી સવારથી જ શહેરના અડાજણ, પાલ, વેસુ, સરથાણા, લસકાણા અને વરાછા સહિતના વિસ્તારોમાં ગાઢ ધૂમમ્સ છવાઈ ગયું હતું. ધૂમમ્સ એટલું ગીચ હતું કે હાઈવે અને મુખ્ય રસ્તાઓ પર વિઝિબિલિટી ઘટીને નહિવત થઈ ગઈ હતી. સવારે નોકરીએ જતા લોકો અને સ્કૂલ બસોના ડ્રાઈવરોએ ભર ઉનાળે હેડલાઈટ ચાલુ રાખીને વાહન ચલાવવાની નોબત આવી હતી. આ દૃશ્યો જોઈને સુરતીઓને ઉનાળામાં શિયાળાનો અહેસાસ થયો હતો. માવઠાની આગાહી વચ્ચે ધૂમમ્સથી પાકને જોખમહવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. તેવામાં અચાનક છવાયેલા આ ધૂમમ્સને કારણે ખેતીના પાક પર જોખમ તોળાઈ રહ્યું છે. ખાસ કરીને કેરી અને ઉનાળુ પાકને આ ભેજવાળા વાતાવરણથી નુકસાન થવાની ભીતિ સેવાતા દક્ષિણ ગુજરાતના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હવામાન વિભાગની આગાહીની અસર?રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં ભેજનું પ્રમાણ વધતા અને પવનની દિશા બદલાતા આ પ્રકારની સ્થિતિ સર્જાઈ હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. એક તરફ સુરતમાં ગરમીનો પારો 24 કલાકમાં 4 ડિગ્રી વધીને 40 ડિગ્રી નજીક પહોંચવાની તૈયારીમાં છે, ત્યારે બીજી તરફ આ પ્રકારનું ધૂમમ્સ હવામાનમાં મોટા ફેરફારના સંકેત આપી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 11:12 am

અમરેલીમાં સ્કૂલ બસ ખાળિયામાં ખાબકી, 20 વિદ્યાર્થી ઘાયલ:ચલાલાથી ગોપાલગ્રામ જતી બસનો અકસ્માત, પોલીસ તપાસ શરૂ

અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં ચલાલાથી ગોપાલગ્રામ જતા માર્ગ પર ઓ.પી. ઝાટકિયા હાઈસ્કૂલની બસનો અકસ્માત થયો હતો. ડ્રાઈવરે સંતુલન ગુમાવતા બસ રોડ નીચે ખાળિયામાં ઉતરી ગઈ હતી, જેમાં 20 જેટલા વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. આ ઘટના ગોપાલગ્રામ નજીક બની હતી. અકસ્માત થતા જ વિદ્યાર્થીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. વિદ્યાર્થીઓની બૂમાબૂમ સાંભળી આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. મોટી દુર્ઘટના ટળતા વાલીઓ અને શાળા સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક ચલાલાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા ચલાલા પોલીસ પણ સ્થળ પર અને હોસ્પિટલ પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. કેટલાક ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને અમરેલી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર વચ્ચે અકસ્માતના સમાચાર મળતા જ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ, ઉમેદવારો અને કાર્યકરો ચલાલા આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા. હોસ્પિટલમાં નેતાઓની ભીડ જામી હતી, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક અને સારવારમાં પણ મુશ્કેલી સર્જાઈ હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થી રોનક વાળાએ જણાવ્યું હતું કે, તેઓ મીઠાપુરથી ગોપાલગ્રામ સ્કૂલ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં આ ઘટના બની. બસ ખાળિયામાં ઉતરી ગઈ હતી. રોનકના જણાવ્યા મુજબ, 5 વિદ્યાર્થીઓને અમરેલી સારવાર માટે લાવવામાં આવ્યા છે, જ્યારે અન્ય વિદ્યાર્થીઓની ચલાલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર ચાલી રહી છે. બસમાં કુલ 20 થી 25 વિદ્યાર્થીઓ સવાર હતા.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 11:04 am

ફૂટપાથ પર રમકડા વેચતા આશાબેનને ફોન આવ્યો ને નસીબ ખુલ્યું:મારી પાસે સગવડ નથી કહેતા જ કોંગ્રેસે સપોર્ટ કર્યો, અમદાવાદના શાહપુરમાં પાથરણાવાળી મહિલા ચૂંટણી લડશે

ચૂંટણીમાં દરેક પાર્ટી એક બીજા પર એવો આક્ષેપ કરતી હોય છે કે પરિવારના લોકોને જ ટિકિટ આપવામાં આવે છે. છતાં પણ દરેક પાર્ટી નેતાના દીકરાને ટિકિટ આપી ચૂંટણી મેદાને ઉતારતી હોય છે. તેમજ રાજકીય જગતમાં સામાન્ય રીતે અનુભવી અને સ્થાપિત નેતાઓને ટિકિટ મળતી હોય છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસે માસ્ટરસ્ટ્રોક રમ્યો છે. ગુજરી બજારમાં રમકડાંના પાથરણાથી ગુજરાન ચલાવતા મહિલા કાર્યકર્તા આશાબેન દંતાણીને શાહપુર વોર્ડમાં સામાન્ય સ્ત્રી અનામત બેઠક પરથી ટિકિટ આપી ચૂંટણી મેદાને ઉતાર્યા છે. આશાબેનને કોંગ્રેસમાંથી ફોન આવ્યો ને નસીબ ખુલ્યું. મારી પાસે સગવડ નથી કહેતા જ કોંગ્રેસે સપોર્ટ કર્યો. રમકડાં વેચીને ગુજરાન ચલાવતા આશાબેનને કોંગ્રેસે ટિકિટ આપીઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસે શાહપુરમાંથી આશાબેન દંતાણીને ઉમેદવાર બનાવતા એક સામાન્ય મહિલાની અસામાન્ય સફર શરૂ થઈ ગઈ છે. ગુજરી બજારમાં ફૂટપાથ પર રમકડાં વેચીને ગુજરાન ચલાવતા આશાબેન હવે લોકોના હકો માટે લડવા મેદાનમાં ઉતરી છે. દિવસભર મહેનત કરીને પરિવારનું પેટ ભરનારા આશાબેન લોકોની સમસ્યા અને મુદ્દાઓનું નિરાકરણ લાવવા માટે ઘર ઘર સુધી જઈ રહ્યાં છે. આશાબેન માટે ચૂંટણી માત્ર સત્તા મેળવવાનો માર્ગ નથી, પરંતુ જીવનભરના સંઘર્ષને અવાજ આપવાનો પ્રયાસ છે. પૈસાની સગવડ ન હોવાથી ચુંટણી લડવાનો ઇનકાર કર્યો હતોછેલ્લા 25 વર્ષથી આશાબેન દંતાણી ગુજરી બજારમાં બેસે છે ત્યાં રમકડાં વેચી પોતાનું ગુજરાન ચલાવે છે. કોંગ્રેસમાં ટિકિટ માટે આશાબેન દંતાણીએ કોઈપણ પ્રકારની દાવેદારી નોંધાવી નહોતી. છતાં પાર્ટીએ પાથરણા પર વસ્તુ વેચીને રોજગાર કરતી એક સામાન્ય મહિલા કાર્યકરને તક આપી મતદારોને આકર્ષવા માટે માસ્ટરસ્ટ્રોક રમ્યો છે. આશાબેનનું જીવન સામાન્ય નાગરિકની જેમ સંઘર્ષભર્યું રહ્યું છે. જેથી આશાબેનને આશા પણ નહતી કે તેમને ચૂંટણી લડવાની તક મળશે. જેથી ચૂંટણી લડવા માટે કહેવામાં આવ્યું ત્યારે તેમણે પૈસાની સગવડ ન હોવાથી ચુંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ આજે પાર્ટી અને પેનલ સાથે મળીને ચૂંટણી જીતાડવા માટે કામ કરી રહી છે. 'ચૂંટણી જીતવા પૈસા નહીં જનતાનો વિશ્વાસ જીતવો ખૂબ જરૂરી'કોઈપણ ચૂંટણીમાં પ્રચાર અને જીતવા માટે સૌથી વધુ જરૂર પૈસાની પડતી હોય છે. પૈસા વગર કોઈપણ ચૂંટણી લડવી મુશ્કેલ થઈ જતી હોય છે. પરંતુ શાહપુર વોર્ડમાં આશાબેન દંતાણી તેમની પેનલ સાથે જનતાનો વિશ્વાસ જીતીને ચૂંટણી જીતવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. તેમજ આશાબેન દંતાણીને જનતા સાથે જોડાયેલા ઉમેદવાર તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે. ગરીબોની આશા આશાબેનના નારા સાથે શાહપુર વોર્ડમાં આખી પેનલ લોકોના ઘર ઘર સુધી જઈને પ્રચાર કરી રહી છે. આખી પેનલ લોકોના ઘરે ઘરે જઈને મતદારોનો વિશ્વાસ માટેના પ્રયાસ કરી રહી છે. તેમજ ઉમેદવારોનું માનવું છે કે, ચૂંટણી જીતવા માટે પૈસા નહીં જનતાનો વિશ્વાસ જીતવો ખૂબ જરૂરી છે. 'ફોન આવ્યો ત્યારે મેં કહ્યું હતું કે....'શાહપુર વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર આશાબેન દંતાણીએ જણાવ્યું હતું કે, મને કોંગ્રેસે ટિકિટ આપી એની ખુબ ખુશી છે. રસ્તા પરથી અમને ક્યાંથી ક્યાં લાવીને બેસાડી દીધા છે. તમામ સમાજ અમારી સાથે જ છે. જેથી ચૂંટણી માટે પૈસાની જરૂર નથી પ્રજામાં સાથ અમે સહકારની જરૂર છે. અમે સ્વપ્નમાં પણ નહતું વિચાર્યું કે કોંગ્રેસ અમને ટિકિટ આપશે. ચૂંટણી લડવા માટે ફોન આવ્યો ત્યારે મેં કહ્યું હતું કે, મારી પાસે એટલી સગવડ નથી તો પાર્ટીએ સપોર્ટ કર્યો જેથી ચૂંટણી લડવાની તૈયારી કરીએ છીએ. 'ધંધો પણ ચાલુ રાખીએ છીએ અને પ્રચાર પણ કરીએ છીએ'પૈસાથી નહીં જનતાનો વિશ્વાસ જીતીને ચૂંટણી લડીશું તેવું કહેતા આશાબેને જણાવ્યું હતું કે, ગુજરી બજારમાં જૂના રમકડા વેચવાનું કામ કરું છું. તેમજ બાકીના દિવસ ફૂટપાથ પર રમકડા વહેંચીએ છીએ. કોંગ્રેસે આ વખતે અમારા જેવા લોકોને ટિકિટ આપી તે ગર્વની વાત કહેવાય છે. ધંધો પણ ચાલુ રાખીએ છીએ અને પ્રચાર પણ કરીએ છીએ. 'અનેક પથારાવાળા લોકોને પણ ખૂબ સમસ્યાઓ'તેને વધુમાં કહ્યું કે, જનતાને પાણી, ગટર અને રોડ રસ્તાની સમસ્યાનું નિરાકરણ લાવવાનું વચન આપી વિશ્વાસ જીતીએ છીએ. મારા જેમ અનેક પથારાવાળા લોકોને પણ ખૂબ સમસ્યાઓ છે. એક જગ્યાએથી ઉઠાવીને બીજી જગ્યાએ બેસવામાં આવે છે જેથી તે લોકો પણ હેરાન થાય છે. જેથી અમારી ઈચ્છા એવી છે કે તેમને સારી જગ્યા ફાળવવામાં આવે. 'આ વખતે અમે એક ટ્રમ્પ કાર્ડનો ઉપયોગ કર્યો છે'શાહપુર વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર અકબર ભટ્ટીએ જણાવ્યું હતું કે, ગયા પાંચ વર્ષમાં અમે જ્યાં જ્યાં કામ કર્યું છે ત્યાં અમને ઘણો સપોર્ટ મળી રહ્યો છે. અમારી સાથે ટીમમાં પૂર્વક કોર્પોરેટર છે, યુવાનો ઉમેદવાર છે અને આ વખતે અમે એક ટ્રમ્પ કાર્ડનો ઉપયોગ કર્યો છે. જેમાં ગરીબ ઘરમાંથી પાથરણાવાળા બહેન આશાબેનને ટિકિટ આપી છે. દેવીપૂજક સમાજમાંથી આજ સુધી કોઇએ ટિકિટ આપી નથી જ્યાં અમે તેમને ટિકિટ આપી છે. જે પ્રજાની વચ્ચે રહેતો હોય છે અને પ્રજાનો વ્યક્તિ હોય છે તેને પૈસાની જરૂર હોતી નથી. જેથી ઓછા પૈસા ખર્ચ કરી આશાબેન સાથે આખી પેનલ ચૂંટણી લડી રહી છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 10:59 am

હિંમતનગરમાં પક્ષીઓ માટે 500 કુંડાનું વિતરણ:ભારત વિકાસ પરિષદ અને ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક વિતરણ કરાયું

હિંમતનગરમાં ભારત વિકાસ પરિષદ અને સ્વ. સાયરકુંવર નારાયણસિંહ રાઠોડ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી પક્ષીઓ માટે 500 પાણીના કુંડાનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ મહાકાલી માતાજીના મંદિર પરિસરમાં નગરજનોને કરાયું હતું. આ કાર્યક્રમ શનિવારે સવારે મહાવીરનગરથી કાંકરોલ રોડ પર આવેલા મહાકાલી માતાજીના મંદિર પરિસરમાં યોજાયો હતો. ગરમીની સિઝનમાં પક્ષીઓને પાણી મળી રહે તે હેતુથી ભારત વિકાસ પરિષદના હોદ્દેદારો દ્વારા આ કુંડાનું વિતરણ કરાયું હતું.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 10:42 am

GCAS પોર્ટલની ખામીઓ સામે ABVP મેદાને:ખાનગી યુનિવર્સિટીઓને પણ પોર્ટલ હેઠળ લાવવાની માંગ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) પોર્ટલની પ્રવેશ પ્રક્રિયામાં રહેલી ખામીઓ સામે વિરોધ પ્રદર્શન કર્યું છે. ABVPએ આ ખામીઓ તાત્કાલિક દૂર કરવા અને ખાનગી યુનિવર્સિટીઓને પણ આ પોર્ટલ હેઠળ લાવવાની માંગ કરી છે. GCAS પોર્ટલ દ્વારા સંચાલિત પ્રવેશ પ્રક્રિયામાં વારંવાર સર્વર ડાઉન થવા જેવી ટેકનિકલ સમસ્યાઓ જોવા મળી રહી છે. રજિસ્ટ્રેશન માટે ₹300ની ફી અને 33 જેટલા લાંબા રાઉન્ડને કારણે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. ABVP નો મુખ્ય વાંધો ખાનગી યુનિવર્સિટીઓને આ પોર્ટલમાંથી બાકાત રાખવાનો છે. આના કારણે વિદ્યાર્થીઓને ખાનગી સંસ્થાઓમાં ઊંચી ફી ચૂકવીને પ્રવેશ લેવાની ફરજ પડે છે, જેનાથી સરકારી અને સંલગ્ન કોલેજોની સ્થિતિ નબળી પડી રહી છે. અગાઉ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. આથી, ABVP એ હવે આક્રમક વલણ અપનાવ્યું છે અને આર્ટ્સ કોલેજ બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન તેમજ સૂત્રોચ્ચાર કર્યા હતા. ABVP એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો આ મુદ્દે યોગ્ય કાર્યવાહી નહીં થાય, તો આગામી સમયમાં ગુજરાતના તમામ શૈક્ષણિક કેમ્પસોની બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શનો કરવામાં આવશે. વિદ્યાર્થીઓના હિતમાં લેવાનારા આ નિર્ણયની જવાબદારી સરકારની રહેશે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 10:42 am

લોકોનો વિરોધ જોઈને ભાજપમાં ફફડાટ?:જેમ વિસાવદરમાં નેતાઓને ગામડા ખૂંદવા પડ્યા હતા, તેમ હવે સુરતમાં ગલીએ-ગલીએ ધૂળ ઉડાડે છે: મનોજ સોરઠિયા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના રણશિંગા ફૂંકાઈ ચૂક્યા છે, ત્યારે સુરતમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી અને વોર્ડ નંબર 4ના ઉમેદવાર મનોજ સોરઠિયાએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, સુરતમાં ભાજપનો ડર હવે સ્પષ્ટ રીતે સપાટી પર આવી ગયો છે. નેતાઓ ગલીઓમાં ધૂળ ઉડાડતા થયામનોજ સોરઠિયાએ ભાજપની રણનીતિ પર કટાક્ષ કરતા કહ્યું કે, આ વખતે સુરતની અંદર ભાજપને પોતાની હાર દેખાઈ રહી છે. જે મોટા નેતાઓ ક્યારેય જનતાની વચ્ચે દેખાતા નહોતા, તેઓ આજે સોસાયટીઓ અને સાંકડી ગલીઓમાં પ્રચાર કરવા મજબૂર બન્યા છે. ભાજપના દિગ્ગજ નેતાઓ ગલીએ-ગલીએ ધૂળ ઉડાડતા જોવા મળે છે, જે તેમની નબળાઈ અને ડરની નિશાની છે. વિસાવદરના જંગની યાદ અપાવીતેમણે વિસાવદરની પેટાચૂંટણીના ઉદાહરણ સાથે ભાજપને ઘેરતા કહ્યું કે, વિસાવદરમાં જ્યારે ગોપાલ ઈટાલિયા મેદાનમાં હતા, ત્યારે જે ગામડાઓમાં તલાટી મંત્રી પણ નહોતા જતા, ત્યાં આખી કેબિનેટ, મંત્રીઓ અને મુખ્યમંત્રીએ ઉતરવું પડ્યું હતું, એ જ સ્થિતિ આજે સુરતમાં જોવા મળી રહી છે. ભાજપને ખબર પડી ગઈ છે કે જનતા હવે તેમનાથી વિમુખ થઈ રહી છે. સુરતીઓ 'વિસાવદરવાળી' કરશેસોરઠિયાએ વધુમાં ઉમેર્યું કે, વિસાવદરના લોકોએ ભાજપને જે રીતે પરચો બતાવ્યો હતો અને સાબિત કર્યું હતું કે જો કામ નહીં કરો તો સત્તા પરથી ફેંકી દઈશું, એ જ ઇતિહાસ સુરતમાં દોહરાવાશે. સુરતના લોકો આ વખતે ભાજપના પાપનો ઘડો ફોડવા તૈયાર છે અને સંપૂર્ણ પરિવર્તન લાવીને જ ઝંપશે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 10:31 am

3 વર્ષના ગુમ બાળકને વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યું:હસતા-રમતા આવેલા દીકરાને જોઈને માતા-પિતાની આંખો હર્ષના આંસુથી છલકાઈ

સુરત શહેરના વરાછા વિસ્તારમાં જવાહરનગર સોસાયટી પાસે ઘર આંગણે રમતા-રમતા ગુમ થયેલા ત્રણ વર્ષના માસૂમ બાળકને વરાછા પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેના પરિવાર સાથે મિલાપ કરાવ્યો છે. સીસીટીવી ફૂટેજ અને સોશિયલ મીડિયાના વ્યાપક ઉપયોગ દ્વારા પોલીસે આ સફળ કામગીરી પાર પાડી છે. પિતા જમવા બેઠા ને માસૂમ રમતા-રમતા નજર બહાર થઈ ગયોમળતી માહિતી પ્રમાણે, વરાછાની જવાહરનગર સોસાયટીમાં રહેતા મુન્નાકુમાર મહંતો જેઓ સિલાઈ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, તેઓ ગત રોજ બપોરે દોઢ વાગ્યાના સુમારે ઘરે જમવા આવ્યા હતા. આ સમયે તેમનો 3 વર્ષનો પુત્ર કાર્તિક ઘર પાસે રમી રહ્યો હતો. જોકે, થોડી જ વારમાં કાર્તિક અચાનક નજરથી ઓઝલ થઈ ગયો હતો. પરિવારે આસપાસના વિસ્તારમાં ભારે શોધખોળ કરી હોવા છતાં બાળકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. અંતે ગભરાયેલા પિતાએ વરાછા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસની સક્રિયતા, 52 CCTV કેમેરા તપાસ્યાબાળક ગુમ થયાની ગંભીરતાને સમજીને વરાછા પોલીસ ઈન્સ્પેક્ટર એ.આર. વાળાના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પીએસઆઈ એ.જી. પરમાર અને તેમની સર્વેલન્સ ટીમે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાની કામગીરી શરૂ કરી હતી. પોલીસે ટૂંકા સમયમાં આશરે 52 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. સો. મીડિયા અને એનાઉન્સમેન્ટથી સફળતા મળીસીસીટીવી ફૂટેજની સાથે-સાથે પોલીસે બાળકના ફોટા સોશિયલ મીડિયાના ગ્રુપોમાં વાયરલ કર્યા હતા અને સ્થાનિક વિસ્તારમાં લાઉડસ્પીકર દ્વારા એનાઉન્સમેન્ટ પણ શરૂ કરાવ્યું હતું. ટેકનિકલ સર્વેલન્સ અને માનવીય સ્ત્રોતો (હ્યુમન સોર્સ) ની મદદથી પોલીસને ચોક્કસ કડી મળી હતી કે બાળક રણજીતનગર વિસ્તારમાં જોવા મળ્યું છે. માતા-પિતાની આંખોમાં હર્ષના આંસુપોલીસની ટીમે રણજીતનગર ખાતેથી માસૂમ કાર્તિકને હેમખેમ શોધી કાઢ્યો હતો અને તેને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. પોતાના ખોવાયેલા કાળજાના કટકાને ફરીથી સામે જોઈને માતા મમતાદેવી અને પિતા મુન્નાકુમારની આંખોમાં હર્ષના આંસુ છલકાઈ આવ્યા હતા. વરાછા પોલીસની આ ઝડપી અને સંવેદનશીલ કામગીરીની સમગ્ર વિસ્તારમાં પ્રશંસા થઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 10:26 am

લીંબડીમાં પતિ-પત્ની જીવતા ભૂંજાયા:મકાનમાં આગ લાગતાં દંપતીનું મોત, એકને બચાવી લેવાયો; લોકોએ કહ્યું- ચાર્જીંગમાં રહેલો મોબાઇલ ફાટ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં આવેલી વોરા સોસાયટીમાં ગત (17 એપ્રિલે) મોડી રાત્રે એક રહેણાક મકાનમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. જેમાં પતિ-પત્નીનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટનામાં એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો છે. આગને કારણે ઘર બળીને ખાખ થઈ ગયું છે, જ્યારે મૃતકોના પરિવારજનોએ વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મોડી રાત્રે આ મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ તપાસનો વિષય છે, પરંતુ બે પ્રકારની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે: આ ભયાનક આગમાં શબ્બીર બુરહાનભાઈ અને રસીદાબેન શબ્બીરભાઈએ જીવ ગુમાવ્યો છે. ઘરમાં હાજર અન્ય એક વ્યક્તિને ફાયરની ટીમ અને સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક રેસ્ક્યૂ કરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તંત્રની બેદરકારીના આક્ષેપ ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓ અને મૃતકના પરિવારજનોએ લીંબડી નગરપાલિકાના તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે: ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિતના અગ્રણીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિની માહિતી મેળવી હતી. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. આગ લાગવાનું સાચું કારણ અને ફાયરની સેવાઓમાં થયેલા વિલંબ અંગેના મુદ્દાઓ તપાસનો મુખ્ય વિષય બન્યા છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર વોરા સોસાયટી અને લીંબડી શહેરમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે. અમે આ સમાચારને સતત અપડેટ કરી રહ્યા છીએ…

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 10:17 am

ધનવાન પિતાનો 'ગરીબ' પુત્ર! હાઈકોર્ટે કન્ટેમ્પ્ટ દાખલ કરી:ઝવેરીના પુત્રએ મિલકત પરિવારની હોવાનું કહી આવક છુપાવી; કોર્ટનો ડેન્ટિસ્ટ પત્ની-દીકરીને ₹50 હજાર ભરણપોષણ ચૂકવવા આદેશ

ગુજરાત હાઈકોર્ટમાં એક પત્નીએ ઝાલોદની ફેમિલી કોર્ટના હુકમ સામે અપીલ દાખલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ફેમિલી કોર્ટે પત્ની અને પુત્રી માટે ભરણપોષણની માંગણી કરતી અરજી ફગાવી દીધી હતી. અરજદાર પત્નીએ પોતાના માટે ₹30 હજાર અને પુત્રી માટે ₹20 હજાર પ્રતિ માસ ભરણપોષણની માંગણી કરી હતી. કોર્ટે ઇન્કમટેક્સ રિટર્નની તપાસ કરી, પતિએ આવકની કોલમ ખાલી છોડી હતીપત્નીનો દાવો હતો કે, તેનો પતિ ઝવેરાતનો વ્યવસાય કરે છે અને વાર્ષિક ₹20 લાખથી વધુ કમાણી કરે છે. સામા પક્ષે પતિએ દલીલ કરી હતી કે, તે માત્ર તેના પિતાને વ્યવસાયમાં મદદ કરે છે અને તેની પાસે કોઈ સ્વતંત્ર આવક નથી; તમામ મિલકતો પણ તેના પિતા અને પરિવારની છે. જોકે, હાઈકોર્ટે પતિના ઇન્કમટેક્સ રિટર્ન સહિતના વિવિધ દસ્તાવેજોની ચકાસણી કરી હતી, જેના આધારે પત્નીનો દાવો યોગ્ય જણાયો હતો. હાઈકોર્ટે પતિને ધનવાન પિતાનો ગરીબ પુત્ર કહીને કટાક્ષ કર્યો હતો. કોર્ટે પતિના વલણને My way or the highway જેવી ફિલસૂફી ગણાવી નોંધ્યું કે, પતિ જાણી જોઈને તેની સાચી આવક છુપાવી રહ્યો છે. પતિએ સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો મુજબ એફિડેવિટ તો ફાઈલ કરી હતી, પરંતુ તેમાં આવક અને મિલકતની કોલમ જાણી જોઈને ખાલી છોડી દીધી હતી. માતા-દીકરીને ₹50 હજાર ભરણપોષણ ચૂકવવા આદેશસાચી નાણાકીય વિગતો ન આપીને સુપ્રીમ કોર્ટના આદેશોનો અનાદર કરવા બદલ હાઈકોર્ટે પતિ સામે કન્ટેમ્પટ (અદાલતની અવમાનના)ની કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ હાઈકોર્ટે ફેમિલી કોર્ટના નિર્ણયને રદ કરી, પતિને તેની પત્ની અને સગીર પુત્રીને દર મહિને કુલ ₹50 હજાર ભરણપોષણ તરીકે ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે. પત્ની ડેન્ટિસ્ટ હોવા છતાં સાસરીયાના કહેવાથી પ્રેક્ટિસ છોડી હતીહાઈકોર્ટે નોંધ્યું હતું કે, પતિ પાસે મોંઘી લક્ઝરી કાર અને અનેક મિલકતો હોવા છતાં તે પોતાની જવાબદારીમાંથી બચવા માટે ખોટા બહાના બનાવી રહ્યો છે. પત્નીએ રજૂઆત કરી હતી કે તે પોતે ડેન્ટિસ્ટ છે, પરંતુ સાસરી પક્ષના આગ્રહથી તેણે પ્રેક્ટિસ છોડી દીધી હતી અને હાલ તેની પાસે આવકનું કોઈ સાધન નથી. વધુમાં, તેણે પતિ પર બીજા લગ્ન કર્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 9:43 am

RTE અરજીની તારીખ 23 એપ્રિલ સુધી લંબાવાઈ:પાટણમાં 700 અરજી રદ, 1750ને મંજૂરી; 895 બેઠક પર પ્રવેશ

પાટણ જિલ્લામાં ચાલુ શૈક્ષણિક સત્ર માટે RTE હેઠળ ધોરણ 1માં ખાનગી શાળાઓમાં મફત પ્રવેશ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. જિલ્લાની કુલ 103 શાળાઓમાં 895 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ તંત્રને અત્યાર સુધીમાં કુલ 2650 જેટલી અરજીઓ મળી છે. આ અરજીઓની ચકાસણી કરવામાં આવી રહી છે, જેમાં 700 અરજીઓ વિવિધ કારણોસર રદ કરવામાં આવી છે. જ્યારે અત્યાર સુધી 1750 અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. અરજી કરવાની અંતિમ તારીખ 17 એપ્રિલ હતી, જે હવે લંબાવીને 23 એપ્રિલ કરવામાં આવી છે. કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે 23 એપ્રિલ પછી કુલ કેટલી અરજીઓ આવી છે તેનો ચોક્કસ આંકડો ઉપલબ્ધ થશે. ગત વર્ષે RTE હેઠળ 1077 બેઠકો ફાળવવામાં આવી હતી, જેમાંથી 963 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. તે સમયે 45 અરજીઓ રદ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 9:41 am

‘ભાજપ સત્તામાં આવશે તો જાહેર સ્થળે સાધારણ સભા યોજાશે’:મહેસાણામાં પ્રદેશ મહામંત્રીએ કહ્યું- પેનલના ઉમેદવારની હારનું કારણ ઉમેદવાર કે કાર્યકર બનશે તો ભવિષ્યમાં હોદ્દો નહીં મળે

મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ હવે પૂરેપૂરો જામ્યો છે. ભાજપ દ્વારા ચૂંટણીલક્ષી ગતિવિધિઓ તેજ કરી દેવામાં આવી છે.જેના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં મધ્યસ્થ કાર્યાલયોના ઉદ્ઘાટનનો દોર શરૂ થયો છે. ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટે મહેસાણા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9 અને વોર્ડ નંબર 6ના મધ્યસ્થ કાર્યાલયોનું વિધિવત ઉદ્ઘાટન કરી તેને કાર્યકરો માટે ખુલ્લા મૂક્યા હતા. પેનલના ઉમેદવારની હારનું કારણ ઉમેદવાર કે કાર્યકર બનશે તો ભવિષ્યમાં હોદ્દો નહીં મળેઆ ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતા ભાજપ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટે પક્ષના ઉમેદવારો અને કાર્યકરોને શિસ્તબદ્ધ રીતે કામ કરવા સ્પષ્ટ સૂચના આપી હતી. તેમણે પક્ષમાં આંતરિક જૂથવાદ સામે લાલ આંખ કરતા ચીમકી ઉચ્ચારી હતી કે જો પેનલના કોઈ પણ ઉમેદવારની હારનું કારણ પક્ષનો જ કોઈ ઉમેદવાર કે કાર્યકર બનશે, તો ભવિષ્યમાં તેને પક્ષમાં કોઈ પણ પ્રકારનો હોદ્દો આપવામાં આવશે નહીં. આ નિવેદનથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જાહેર સ્થળે સાધારણ સભા યોજાશેવધુમાં તેમણે વહીવટી પારદર્શિતા પર ભાર મૂકતા સૂચન કર્યું હતું કે, જો મહાનગરપાલિકામાં ભાજપ સત્તા પર આવશે તો મહેસાણાના નાગરિકોની હાજરીમાં જાહેર સ્થળે સાધારણ સભા યોજવામાં આવશે જેથી જનતાના પ્રશ્નોનું સીધું નિરાકરણ લાવી શકાય. આ પ્રસંગે તેમણે મહિલા અનામત બિલ મુદ્દે વિપક્ષ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે લોકસભામાં મહિલા અનામત બિલનો કોંગ્રેસ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો તે અત્યંત દયનીય છે. ભાજપ હંમેશા મહિલાઓના સશક્તિકરણ માટે કટિબદ્ધ હોવાનો દાવો પણ તેમણે આ તકે કર્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 9:37 am

હિંમતનગર બસ સ્ટેન્ડ સામે લારીમાંથી લાશ મળી:અજાણ્યા શખસનો મૃતદેહ મળતાં ચકચાર, પોલીસ તપાસ શરૂ

હિંમતનગરના બસ સ્ટેન્ડ સામે રોડ કિનારે એક લારીમાંથી અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવ્યો છે. સ્થાનિકોએ આ અંગે ૧૦૮ અને બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, શનિવારે સવારે બસ સ્ટેન્ડ સામે રોડ કિનારે મૂકેલી એક લારીમાં આ અજાણ્યા શખ્સનો મૃતદેહ જોવા મળ્યો હતો. માહિતી મળતા જ ૧૦૮ એમ્બ્યુલન્સ અને બી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતક ભિક્ષુક જેવો લાગતો હતો અને તેની ઓળખ થઈ શકી ન હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હાલ પોલીસે મૃતકની ઓળખ કરવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 9:37 am

છોટા ઉદેપુરમાં ₹6.35 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:વસંતગઢ પાસેથી બે બાઇક પર લઈ જવાતો જથ્થો પકડાયો

છોટા ઉદેપુર જિલ્લાના વસંતગઢ પાસેથી બે બાઇક પર લઈ જવાતો ₹6,35,178/- નો વિદેશી દારૂ ઝડપાયો છે. આ મામલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલને દારૂની આ ખેપ અંગે ગુપ્ત માહિતી મળી હતી. જેના આધારે ટીમે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન કદવાલ તાલુકાના વસંતગઢ પાસેથી બે બાઇક પર 2085 બોટલ વિદેશી દારૂ લઈ જતા બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓની ઓળખ જયંતીભાઈ વરસનભાઈ રાઠવા અને નીલેશ કેશરભાઈ રાઠવા (બંને રહે. વીરપુર, તા.જી. છોટા ઉદેપુર) તરીકે થઈ છે. પોલીસે વિદેશી દારૂ અને બાઇક સહિત કુલ ₹8,50,178/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં અન્ય આઠ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. છોટા ઉદેપુર સરહદી જિલ્લો હોવાથી પરપ્રાંતમાંથી દારૂ ઘુસાડવાના પ્રયાસો અવારનવાર થતા રહે છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 9:35 am

લિંબાયતમાં કોંગ્રેસની મિટિંગમાં ભાજપના કાર્યકરોનો હંગામો:જય શ્રીરામના નારા લગાવ્યા, કહ્યું- મારી સોસાયટી છે, વોટ માંગવા આવ્યા છો, 5 વર્ષથી ક્યાં ગાયબ હતા

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરમાં રાજકીય પારો ગરમાયો છે ત્યારે લિંબાયત વિસ્તારમાં પ્રચાર દરમિયાન હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. અહીં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને-સામને આવી જતાં વાતાવરણ તંગ બની ગયું હતું. કોંગ્રેસની શેરી મીટિંગ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ ત્યાં પહોંચી ગયા હતા અને બંને પક્ષો વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું. ખાસ કરીને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સતત 'જય શ્રી રામ'ના નારા લગાવવામાં આવતા મામલો વધુ બિચક્યો હતો, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે. ભાજપ કાર્યકર્તાએ મહિલા ઉમેદવારને ઘેર્યાઘટનાની વિગત મુજબ, લિંબાયતના મદનપુરા વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા આગામી મનપા ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક શેરી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના ઉમેદવારો જ્યારે મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે ભાજપનો ખેસ અને ટોપી પહેરેલો એક કાર્યકર્તા અચાનક ત્યાં પહોંચી ગયો હતો. તેણે કોંગ્રેસના મહિલા ઉમેદવારને સીધો સવાલ કર્યો હતો કે, આ મારી સોસાયટી છે, તમે અત્યારે વોટ માંગવા આવ્યા છો પણ છેલ્લા પાંચ વર્ષથી તમે ક્યાં ગાયબ હતા?. આ સવાલને પગલે મીટિંગમાં અફરાતફરી મચી ગઈ હતી. મહિલા ઉમેદવારે બચાવમાં જણાવ્યું હતું કે તેઓ સતત સમાજ સેવા કરી રહ્યા છે, પરંતુ ભાજપના કાર્યકર્તાએ તેમની દલીલ ફગાવી દીધી હતી. જય શ્રીરામના નારા સાથે વિરોધશાબ્દિક ટપાટપી બાદ મામલો ત્યારે વધુ ગરમાયો જ્યારે ભાજપના કાર્યકર્તાએ જોરશોરથી સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. કોંગ્રેસની સભાની વચ્ચે જ ‘જય શ્રી રામ’ના નારા લગાવવામાં આવ્યા હતા. ભાજપના કાર્યકર્તાએ બૂમ પાડીને કહ્યું, એક જ શાહી, જય શ્રી રામ! તેની સાથે જોડાયેલા અન્ય લોકોએ પણ આ નારામાં સૂર પુરાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. ભાજપના કાર્યકર્તાઓનો દાવો છે કે વિપક્ષ માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે, જ્યારે કોંગ્રેસે આને ભાજપની ગુંડાગીરી અને પ્રચારમાં ખલેલ પહોંચાડવાનું કાવતરું ગણાવ્યું છે. ડોર-ટુ-ડોર પ્રચારમાં ઘર્ષણ વધતા તંત્ર એલર્ટસુરત મનપાની ચૂંટણીમાં અત્યારે દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. ખાસ કરીને લિંબાયત, વરાછા અને કતારગામ જેવા વિસ્તારો સંવેદનશીલ મનાય છે. મદનપુરાની આ ઘટના બાદ ચૂંટણી પંચ અને સ્થાનિક પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું છે. ભાજપ દ્વારા 'હિન્દુત્વ' અને 'વિકાસ'ના મુદ્દે પ્રચાર કરવામાં આવી રહ્યો છે, જેની સામે કોંગ્રેસ સ્થાનિક પ્રશ્નોને વાચા આપી રહી છે. જોકે, આ રીતે પ્રચાર દરમિયાન સામસામે આવી જવાની ઘટનાઓએ અન્ય ઉમેદવારોની ચિંતામાં પણ વધારો કર્યો છે. આગામી દિવસોમાં સુરતના અન્ય વોર્ડમાં પણ આવા જ દ્રશ્યો સર્જાય તેવી શક્યતા નકારી શકાતી નથી. સ્થાનિક મતદારોમાં મિશ્ર પ્રતિસાદમદનપુરાની આ બબાલ બાદ સ્થાનિક રહીશોમાં પણ બે ફાટા જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો ભાજપના કાર્યકર્તાના સવાલને યોગ્ય ઠેરવી રહ્યા છે કે જનપ્રતિનિધિઓએ પાંચ વર્ષ જનતાની વચ્ચે રહેવું જોઈએ. બીજી તરફ, કેટલાક લોકોનું માનવું છે કે કોઈ પણ પક્ષને પોતાનો પ્રચાર કરવાનો લોકશાહી ઢબે અધિકાર છે અને તેમાં નારાબાજી કરીને ખલેલ પહોંચાડવી એ અયોગ્ય છે. 'જય શ્રી રામ'ના નારાના સહારે મતદારોના ધ્રુવીકરણનો પ્રયાસ થઈ રહ્યો હોવાની ચર્ચાઓ પણ લિંબાયતના ગલીઓમાં સંભળાઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે આ વિવાદ આગામી મતદાન પર કેવી અસર પાડે છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 9:28 am

સુરતના તાપમાનમાં 4°Cનો વધારો; સુરેન્દ્રનગર 41.2°C સાથે સૌથી ગરમ:આજે અનેક શહેરોનું વાતાવરણ વાદળછાયું રહી શકે; કાલથી 3 દિવસ માવઠાની સંભાવના

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યના સુરત સિવાય અન્ય જિલ્લાઓના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી. હાલમાં ગુજરાતના 6 શહેરોમાં ગરમીનો પારો 40Cને પાર પહોંચી ગયો છે. રાજકોટને પાછળ છોડીને સુરેન્દ્રનગર 41.2C સાથે સૌથી ગરમ શહેર નોંધાયું છે. છેલ્લા 24 કલાકમાં સુરતના મહત્તમ તાપમાનમાં 4Cનો વધારો નોંધાયો છે, જ્યારે ભાવનગરમાં 2Cનો વધારો થયો છે. બીજી તરફ, ગાંધીનગર અને રાજકોટના તાપમાનમાં 1Cનો ઘટાડો નોંધાયો છે. 19થી 21 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદની આગાહીને પગલે વિવિધ શહેરોમાં તાપમાન 2થી 4 ડિગ્રી ઘટી શકે છે. આજે અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આવતીકાલથી 3 દિવસ કમોસમી વરસાદની આગાહીહવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા મુજબ, હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જેનો પ્રભાવ ઉત્તર-પશ્ચિમ ભાગોમાં જોવા મળી રહ્યો છે. સાથે-સાથે, દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાન અને આસપાસના રાજસ્થાન વિસ્તારમાં સમુદ્ર સપાટીથી આશરે 0.9 કિમી ઊંચાઈએ ચક્રવાતી પરિભ્રમણ રચાયું છે. તેમજ ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનથી દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ સુધી ટ્રફ લાઇન પસાર થઈ રહી છે, જે આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર લાવી શકે છે. વરસાદની આગાહી મુજબ, 19થી 21 એપ્રિલ વચ્ચે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. માછીમારો માટે રાહતની વાત એ છે કે, આગામી પાંચ દિવસ માટે કોઈ ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. દરિયાકાંઠા વિસ્તારોમાં પવનની ગતિ 15થી 20 નોટ્સ વચ્ચે રહેવાની સંભાવના છે. એપ્રિલના અંતમાં કાળઝાળ ગરમી પડશેઃ અંબાલાલ પટેલહવામામ નિષ્ણાત અંબાલાલ પટેલ આગાહી કરતા કહ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે 19, 20 અને 21 એપ્રિલે બોટાદ, ભાવનગર, જૂનાગઢ, અમદાવાદ, વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા સહિતના ભાગોમાં વાતાવરણમાં પલટો આવશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે છે. પંચમહાલના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. દરિયો તોફાની બનવાની સાથે દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં કરા પડવાની પણ સંભાવના છે. આગામી 26, 27, 28 એપ્રિલના રોજ વધુ ગરમી પડવાની આગાહી છે. રાજ્યમાં એપ્રિલના અંતમાં મહત્તમ તાપમાન 42થી 43 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ શકે છે. 29 એપ્રિલથી લગભગ મેની શરૂઆતમાં ફરી હવામાનમાં પલટો આલશે, જેમાં 11થી 20 મેમાં અરબસાગરમાં હલચલ જોવા મળશે. 23 મે આસપાસ દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે. મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબસાગરમાં ફરી એક હલચલ જોવા મળશે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 9:09 am

ધારાસભ્ય કિરીટ પટેલે કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયોનું ઉદ્ઘાટન કર્યું:પાલિકાના 47 લાખના સફાઈ ટેન્ડરમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરી નિશાન સાધ્યું

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આગામી નગરપાલિકા ચૂંટણી માટે કોંગ્રેસના વોર્ડ નંબર 4 અને 11ના ઉમેદવારોના મધ્યસ્થ કાર્યાલયોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે પાલિકાના સફાઈ ટેન્ડરોમાં ભ્રષ્ટાચાર અને વધતા વેરા મુદ્દે શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. વોર્ડ નંબર 4ના ઉમેદવારો પટેલ વર્ષાબેન, પટેલ વિષ્ણુભાઈ, દરબાર વંદનાબેન અને વર્મા હર્ષદકુમારના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું. તેવી જ રીતે, વોર્ડ નંબર 11ના ઉમેદવારો અરુણાબેન મહેન્દ્રભાઈ પટેલ, આશાબેન ઘેમરભાઈ રબારી, ડી.એન. પટેલ અને ભવાનજી વરસાજી ઠાકોરના કાર્યાલય પણ ખુલ્લા મુકાયા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો અને સમર્થકો હાજર રહ્યા હતા. કાર્યાલયના ઉદ્ઘાટન બાદ જનસભાને સંબોધતા ધારાસભ્ય કિરીટ પટેલે પાટણ નગરપાલિકાના આર્થિક વહીવટ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, જો ઘરમાં આવક બમણી થાય અને છતાં દેવું વધે, તો તેનો અર્થ કાં તો ચોરી થઈ રહી છે અથવા મેનેજમેન્ટમાં ખામી છે. પાટણ નગરપાલિકાની સ્થિતિ પણ આવી જ હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. પટેલે ખાસ કરીને માતરવાડીથી બોડીયા રોડ સુધીના હાઈવેની સફાઈ પાછળ દર વર્ષે થતા 47 લાખ રૂપિયાના ખર્ચનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે આટલો ખર્ચ કરવા છતાં રોડ ક્યારેય સાફ દેખાતા નથી. પ્રજાના પૈસા અને બમણા કરાયેલા વેરાનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું. ધારાસભ્યએ પાટણના ઐતિહાસિક ગૌરવ 'પાટણની પ્રભુતા'નો ઉલ્લેખ કરતા કહ્યું કે, પાટણનું ગૌરવ ત્યારે જ પરત આવી શકે જ્યારે તેના વહીવટદારો સ્વચ્છ અને પ્રામાણિક હોય. તેમણે વિરોધ પક્ષ પર ભ્રષ્ટાચાર અને કોન્ટ્રાક્ટમાં ટકાવારી લેવાના આક્ષેપો કર્યા હતા અને મતદારોને ચૂંટણી સમયે નાણાંની વહેંચણી સામે સજાગ રહેવા ચેતવ્યા હતા. અંતમાં, તેમણે મોંઘવારીના મુદ્દે સરકારને ઘેરતા જણાવ્યું હતું કે ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ ગેસના બાટલાના ભાવ 1500 રૂપિયા સુધી પહોંચી જશે. તેથી, મતદારોએ સજાગ રહીને યોગ્ય નિર્ણય લેવાની જરૂર છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 8:15 am

વોર્ડ નં. 4 માં સુવિધાઓના નામે 'મીંડું':'લાઈટો વારંવાર જતી રહે છે, પાણીના કોઈ ઠેકાણા નથી',આ વખતે તો સુવિધા આપશે તો જ મત આપીશું' : જનતામાં ભારે આક્રોશ

રાજ્યની નવી બનેલી 15 મહાનગરપાલિકામાં સત્તાના સમીકરણો તેજ બન્યા છે. એપ્રિલના આકરા તાપની વચ્ચે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં પણ ચૂંટણીનો પારો ગરમાયો છે. ખાસ કરીને વોર્ડ નં. 4, જે રાજકીય રીતે અત્યંત મહત્વનો ગણાય છે, ત્યાં સ્થાનિકોમાં તંત્ર અને શાસકો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વોર્ડ નં. 4: ભૌગોલિક અને રાજકીય સ્થિતિ આ વોર્ડમાં બહુચર હોટલ વિસ્તાર, વર્ધમાન કોલોની, જંક્શન રોડ, ખીજડીયા હનુમાન મંદિર, ટાંકી ચોક, જેલ ચોક, ગાયત્રી પાર્ક અને વાદીપરા જેવા મહત્વના વિસ્તારોનો સમાવેશ થાય છે. ત્રિપાંખીયો જંગ અને રાજકીય ગણિત સુરેન્દ્રનગર જિલ્લામાં હાલમાં સાંસદથી લઈને પંચાયતો સુધી ભાજપનું એકહથ્થુ શાસન છે. જોકે, આ વખતે સ્થિતિ બદલાઈ શકે છે. લોકોનો આક્રોશ: ટેક્સ વધ્યો પણ સુવિધા ઘટી વોર્ડ નં. 4ના રહીશોના મતે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ વેરામાં તો તોતિંગ વધારો થયો છે, પરંતુ પાયાની સુવિધાઓ કથળી ગઈ છે. સ્થાનિકોએ પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી. જેમાં દિલિપ વ્યાસે પાણી અને ગટરની ગંભીર સમસ્યા વિશે જણાવતાં કહ્યું હતું કે, અહીંથી અનેક પ્રમુખો ચૂંટાઈને ગયા છે, છતાં 5-6 દિવસે માંડ પાણી મળે છે. લોકોએ પર્સનલ ટેન્કરો મંગાવવા પડે છે. કિરણબેન રાવલે જણાવ્યું હતું કે, હોટલોના ગટર કનેક્શનને કારણે ગંદકી ઉભરાઈને રોડ પર આવે છે. એટલું જ નહીં સાત-સાત દિવસ સુધી પીવાનું પાણી આવતું નથી. મીરેન માચુકીયાએ જણાવ્યું હતું કે, પાણી અનિયમિત છે અને જે આવે છે તે પણ દુર્ગંધવાળું અને ગંદકીવાળું હોય છે. આ વોર્ડમાં સૌથી વધુ હોસ્પિટલો, સ્કૂલો અને શાકભાજી માર્કેટ આવેલી છે, છતાં સફાઈના નામે શૂન્યતા છે. હોટલના કચરાને કારણે રખડતા ઢોરોનો જમાવડો રહે છે, જે અકસ્માતને નોતરે છે. હીનાબેન (વાદીપરા)એ કહ્યું હતું કે, સફાઈ કામદારો ગટરમાં જ કચરો નાખી દે છે અને અડધેથી જ પાછા વળી જાય છે. એટલે આ વખતે તો સુવિધા આપશે તો જ મત આપીશું. ચૂંટણી ટાણે જ દેખાતા નેતાઓ લાભુબેન ડાભીએ જણાવ્યું હતું કે, ચૂંટણી આવે ત્યારે જ નેતાઓ મત માંગવા આવે છે, પછી કોઈ ડોકાતું પણ નથી. લાઈટો વારંવાર જતી રહે છે અને પાણીનો કોઈ ઠેકાણો નથી. સુરેન્દ્રનગરના વોર્ડ નં. 4માં આ વખતે મતદારોનો મિજાજ આક્રમક છે. નવા ઉમેરાયેલા 21,316 મતદાર હાર-જીતનો નિર્ણય કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. ભાજપ માટે પોતાના ગઢને સાચવવો પડકારજનક છે, કારણ કે જનતા હવે 'કામ નહીં તો મત નહીં'ના મૂડમાં જણાઈ રહી છે. ----આ પણ વાંચો વોર્ડ નં.2માં બિસ્માર રસ્તા, ગટર, પાણી સહિતની સમસ્યાથી રોષ દિવ્યભાસ્કર ડિજિટલની ટીમ મતદારોનો મિજાજ જાણવા માટે સુરેન્દ્રનગરના વોર્ડ નં 2માં પહોંચી હતી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વોર્ડ નં 2માં વોર્ડ-2માં જૂની સર્કિટ હાઉસ વિસ્તાર, મહાદેવ મંદિર વિસ્તાર, ચર્ચ વિસ્તાર, સરદાર સોસાયટી સહિત કેટલીય સોસાયટીઓનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં બિસ્માર રસ્તા, ગટર, પાણી, સફાઈ સહિતની સમસ્યાઓ જોવા મળી રહી છે. વેરો ભરવા છતાં પણ પ્રાથમિક સુવિધાઓ ન મળવાથી લોકોમાં ખુબ આક્રોશ જોવા મળ્યો હતો. વોર્ડ નંબર 2નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… રસ્તા પર ઢોરનો આતંક અને નળમાં પાણીની તંગી:શું આ જ છે સુરેન્દ્રનગરની 'મહાનગરપાલિકા'? રાજ્ય સરકાર દ્વારા સુરેન્દ્રનગરને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ હવે પ્રથમવખત ચૂંટણીનો જંગ ખેલાવા જઈ રહ્યો છે. એપ્રિલ માસની કાળઝાળ ગરમીની સાથે અહીં રાજકીય પારો પણ ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને શહેરનો વોર્ડ નંબર 9, જેમાં ખેરાડી, ભોગાવો નદી કાંઠાનો વિસ્તાર, જંબુદ્વીપ નગર, સંજીવની સોસાયટી અને માંડવરાયજી નગર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે, ત્યાં અત્યારે જનતામાં શાસકો સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. દિવ્યભાસ્કર ડિજિટલની ખાસ સિરીઝ અંતર્ગત જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર તપાસ કરવામાં આવી ત્યારે, વિકાસના પોકળ દાવાઓની પોલ ખુલી ગઈ હતી. વોર્ડ નંબર 9નો ગ્રાઉન્ડ રીપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… ટેક્સ વધારા સામે સુવિધાની અપેક્ષા રાખતા મતદારો દિવ્ય ભાસ્કર ડિજિટલની ખાસ શ્રેણીમાં આજે આપણે વાત કરીશું સુરેન્દ્રનગરના વોર્ડ નં. 10 ની, જે રાજકીય દ્રષ્ટિએ અત્યંત વ્યૂહાત્મક અને મહત્વનો ગણાય છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. 10ના સીમાંકનમાં રતનપર મોરબી પુલ વિસ્તાર, મિલન ચાલી, રતનપર શેરી 8થી 17, રેલવે લાઈન, સ્વામિનારાયણ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, મહાલક્ષ્મી મંદિર વિસ્તાર, રેલવે સ્ટેશન, દેરાસર અને મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વોર્ડ નંબર 10નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… '15 વર્ષથી અહિં રોડ બન્યા નથી, ગટરની કોઈ સુવિધા નથી' મતદારોનો મિજાજ જાણવા માટે દિવ્યભાસ્કરની ટીમ સુરેન્દ્રનગરના વોર્ડ નં 11માં પહોંચી હતી. રાજકીય દ્રષ્ટિએ આ વોર્ડ અત્યંત મહત્વનો ગણાય છે. આ વિસ્તારના મતદારોએ વિવિધ મુદ્દે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં સાંસદ, 5 વિધાનસભા, 1 જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને 5 નગરપાલિકા આ તમામ જગ્યાએ ભાજપનું એકહથ્થુ શાસન છે. સંયુક્ત પાલિકા હતી જેમાં પણ ભગવો જ લહેરાયો હતો. ગત ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર હતી. જોકે, આ વખતે ચૂંટણીમાં AAPએ પણ ઝંપલાવ્યુ છે. જેથી હવે અહિં ત્રિપાખીયો જંગ જોવા મળશે. વોર્ડ નંબર 11નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… 'વઢવાણને સ્મશાન બનાવી દીધું' સુરેન્દ્રનગર મનપાનો વોર્ડ નં. 12, જે ઐતિહાસિક વઢવાણનો મુખ્ય હિસ્સો છે, ત્યાં વિકાસની વાતો વચ્ચે સ્થાનિકોમાં ભારે આઘાત અને આક્રોશ જોવા મળી રહ્યો છે. વોર્ડ નં. 12ના રહીશો અને રાજકીય અગ્રણીઓએ તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. લોકોનું માનવું છે કે, મહાનગરપાલિકા બન્યા બાદ વઢવાણની ગરિમાને ઠેસ પહોંચી છે. વોર્ડ નંબર 12નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો…

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 8:00 am

ક્યાંક પ્રચારનો ગરમાવો તો ક્યાંક જનતાનો રોષ:CMનું હેલિકોપ્ટર બગડ્યું ને ભાજપના ઉમેદવારનું સોગંદનામું ચર્ચામાં, ગુજરાતમાં ચૂંટણીનો સંગ્રામ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે આખરી તબક્કામાં પ્રવેશ્યો છે. ફોર્મ ખેંચવાની મુદ્દત પૂરી થતાની સાથે જ મેદાનમાં રહેલા ૨૫ હજારથી વધુ ઉમેદવારોએ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવ્યું છે. ગઈકાલના હાઈવોલ્ટેજ ડ્રામા બાદ આજે રાજ્યભરમાં રાજકીય ઘટનાક્રમોએ નવી દિશા પકડી હતી. બાયડમાં CMના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી, રોડ માર્ગે પ્રવાસ ખેડ્યોઅરવલ્લીના સાઠંબા ખાતે ચૂંટણી પ્રચારમાં આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હેલિકોપ્ટરમાં ઉડાન ભરતા પહેલા જ ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પાયલોટે સુરક્ષાના કારણોસર હેલિકોપ્ટર હવામાં લેવાનો ઇનકાર કરતા મુખ્યમંત્રીએ સમય ગુમાવ્યા વગર સાબરકાંઠાનો તેમનો બાકીનો પ્રવાસ રોડ માર્ગે પૂર્ણ કર્યો હતો. હર્ષ સંઘવી વિરુદ્ધ મનોજ સોરઠીયાસુરતનું રાજકારણ અત્યારે આક્ષેપ-પ્રતિઆક્ષેપથી ગાજી રહ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિપક્ષો પર પ્રહાર કરતા કહ્યું કે, “લુખ્ખા-ટપોરીઓનો વારો લાગી ગયો છે, હવે બીજાનો વારો આવશે.” જેના વળતા જવાબમાં AAPના મનોજ સોરઠીયાએ ચીમકી આપી કે, “જો ભાજપ ‘ભૂપતવાળી’ (તોડજોડ) કરશે તો જનતા આ વખતે ‘વિસાવદરવાળી’ (હાર) કરાવશે.” સોગંદનામાનો વિવાદ: BA પહેલા MAની પદવી?સુરતના વોર્ડ નં.29ના ભાજપના ઉમેદવાર સુધા પાંડેના સોગંદનામાએ ભારે ચર્ચાઓ જગાવી છે. વિગતો મુજબ તેમણે 1997માં BA અને 1996માં MA પૂરું કર્યાનું દર્શાવ્યું છે. ગ્રેજ્યુએશન પહેલા માસ્ટર્સ કેવી રીતે થઈ શકે? એવા સવાલો સાથે વિપક્ષોએ ચૂંટણી તંત્ર પર સત્તાના દબાણ હેઠળ ફોર્મ મંજૂર કરવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના ‘લોકશાહી બચાવો’ ધરણાં અને મોંઘવારીનો વિરોધચૂંટણી પ્રક્રિયામાં સત્તાધારી પક્ષ દ્વારા કથિત ગેરરીતિઓના વિરોધમાં આજે કોંગ્રેસે વડોદરા, સુરત અને જૂનાગઢ સહિત રાજ્યભરમાં ધરણાં પ્રદર્શન કર્યા હતા. રાજકોટમાં તો કોંગ્રેસ કાર્યાલયમાં ગેસના ભાવવધારાના વિરોધમાં દેશી ચૂલા સળગાવી રસોઈ બનાવી અનોખો વિરોધ પ્રદર્શિત કરાયો હતો. ચૂંટણી જંગ હવે જામ્યો છે, ક્યાંક વાયદાઓની વર્ષા છે તો ક્યાંક વહીવટી વિસંગતતાઓના સવાલો. જનતા કોના પર કળશ ઢોળશે તે તો 26 એપ્રિલે જ ખબર પડશે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 8:00 am

તમિલનાડુમાં વેકેશન માણવા જતા શિક્ષકોની વાન ખીણમાં ખાબકી, 9ના કરૂણ મોતથી PM મોદી પણ દુઃખી

Tamilnadu Accident 9 Died News: તમિલનાડુના વાલપરાઈમાં શુક્રવારે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. કેરળથી પ્રવાસે આવેલા શિક્ષકો અને તેમના પરિવારજનોની વાન ઉંડી ખીણમાં ખાબકતા 9 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં અન્ય કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ગુજરાત સમાચાર 18 Apr 2026 7:31 am

CBSE:ધો.10ની બીજા તબક્કાની પરીક્ષા માટે 20 સુધી ફોર્મ ભરી શકાશે

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ વર્ષ 2026ની શૈક્ષણિક વ્યવસ્થામાં ક્રાંતિકારી ફેરફાર કરતા ‘ટુ બોર્ડ એક્ઝામ સ્કીમ’ (બે બોર્ડ પરીક્ષાની પદ્ધતિ)નો અમલ શરૂ કરી દીધો છે. આ નવી વ્યવસ્થા હેઠળ જે વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષામાં નબળું પ્રદર્શન કરી શક્યા છે, તેમને મે-2026માં યોજાનારી બીજી બોર્ડ પરીક્ષામાં પોતાના માર્કસ સુધારવાની સુવર્ણ તક મળશે. બોર્ડ દ્વારા આ માટે લિસ્ટ ઓફ કેન્ડિડેટ્સ (LOC) ફોર્મ ભરવાની સત્તાવાર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. રેગ્યુલર ફીના પ્રથમ તબક્કામાં 16 એપ્રિલ (બપોરે 12 વાગ્યાથી)થી 20 એપ્રિલ (રાત્રે 12 વાગ્યા સુધી) ફી ભરી શકાશે. જ્યારે બીજા તબક્કામાં લેટ ફી સાથે 21 એપ્રિલથી 22 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે. CBSEની ધો.10માં બીજી બોર્ડ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં ન રહે તે માટે CBSEએ સ્પષ્ટ કર્યું છે કે, મે મહિનાની પરીક્ષાનો સિલેબસ અને પેટર્ન એ જ રહેશે જે મુખ્ય પરીક્ષામાં હતો. આનાથી મૂલ્યાંકનમાં સમાનતા રહેશે અને વિદ્યાર્થીઓએ નવા ટોપિક્સ તૈયાર કરવાની જરૂર પડશે નહીં. વિદ્યાર્થીઓ વધુમાં વધુ 3 વિષયોમાં પોતાનો સ્કોર સુધારી શકશે. વાલીઓ અને વિદ્યાર્થીઓએ ખાસ જણાવાયું છે કે, ઓફલાઈન ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. ફી માત્ર ઓનલાઈન જ ભરવાની રહેશે, ચેક કે ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) માન્ય ગણાશે નહીં. ફોર્મ માત્ર સત્તાવાર વેબસાઈટ પરથી જ ભરવું, ફી ભર્યા વગરનું ફોર્મ આપોઆપ રદ ગણાશે, લેટ ફી ભરવાથી બચવા માટે 20 એપ્રિલ પહેલા જ પ્રોસેસ પૂર્ણ કરી લેવી. ખાનગી વિદ્યાર્થીઓ માટે ખાસ ગાઈડલાઈન જાહેરબોર્ડે ખાનગી વિદ્યાર્થીઓ માટે ખાસ ગાઈડલાઈન જાહેર કરી છે. જે વિદ્યાર્થીઓ શૈક્ષણિક સત્ર 2024-25માં ‘કમ્પાઉન્ડમેન્ટ’ (પૂરક) શ્રેણીમાં આવ્યા હતા. એવા વિદ્યાર્થીઓ જે 2024-25માં પૂરક પરીક્ષામાં હતા, પરંતુ 2026ની મુખ્ય પરીક્ષામાં હાજર રહી શક્યા નહોતા. આ તમામ વિદ્યાર્થીઓને ‘થર્ડ ચાન્સ કમ્પાઉન્ડમેન્ટ કેટેગરી’ હેઠળ પરીક્ષા આપવાની તક આપવામાં આવશે

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 6:37 am

વરતેજ પોલીસે રોફ જમાવનાર શખ્સની ધરપકડ કરી:બિલ્ડીંગ મટીરિયલ મારી પાસેથી જ ખરીદવું તેમ કહી શખ્સે ઓજ સ્કૂલમાં તોડફોડ કરી

ભાવનગરના ભંડારીયા ખાતે ઓજ સ્કુલના નવા બનતા બિલ્ડીંગની સાઇટ ઉપર એક શખ્સે રોફ જમાવ્યો હતો. સ્કુલના કર્મચારી પાસે જઇ બિલ્ડીંગ મટીરીયલ મારી પાસેથી જ ખરીદવું તેમ કહી, ક્રમચારી પાસેથી પાંચ હજાર પડાવી લઇ ફરાર થયો હતો અને ફરી બિલ્ડીંગની સાઇટ ઉપર આવી તોડફોડ કરી, આતંક મચાવતા ઓજ સ્કુલના સાઇટ સુપરવાઇઝરે ભંડારીયાના શખ્સ વિરૂદ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી અને ભંડારીયાના શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા અને ઓજ સ્કુલમાં સાઇડ સુપરવાઇઝર તરીકે નોકરી કરતા સંદીપભાઇ દીપસંગભાઇ ચૌહાણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ભંડારીયા ખાતે ઓઝ સ્કુલના નવા બનતા બિલ્ડીંગ ઉપર જયપાલસિંહ ગોહિલ નામનો શખ્સ ધસી આવ્યો હતો. જે બાદ તેમના કર્મચારી મનીષભાઇ મહેતાને કહેલ કે, બિલ્ડીંગ બનાવવાનું તમામ મટીરીયલ અત્યાર સુધી જેની પાસેથી લીધેલ હોય એ વાંધો નથી પરંતુ હવેથી બધુ જ મટીરીયલ્સ મારી પાસેથી લેવાનું છે નહીં તો તમારી અને તમારી સાહેબોની ખેર નથી અને જો લેવું ના હોય તો દર મહીને પૈસા આપવા પડશે તેમ કહી, કર્મચારી પાસેથી પાંચ હજાર પડાવી ફરાર થઇ ગયો હતો. જે બાદ ફરી બિલ્ડીંગના બે પ્લોટ ઉપર આવી, બિલ્ડીંગમાં સુતેલા મજુરોને ધમકાવ્યા હતા અને તોડફોડ કરી રૂા. 1,25,000નું નુકશાન કરી, રોફ જમાવી ફરાર થઇ જતાં સંદીપભાઇ ચૌહાણે જયપાલસિંહ ગોહિલ (રહે. ભંડારીયા) વિરૂદ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 6:36 am

પાલિતાણામાં ડુંગરા પર 2 દિવસમાં બે લૂંટની ઘટના:શેત્રુંજય ડુંગર ઉપર તમિલનાડુના યાત્રાળુને લૂંટવાનો પ્રયાસ, લૂંટારૂઓને શોધવા પોલીસે ડુંગરા ખૂંધ્યા

ભાવનગરના પાલિતાણામાં અખાત્રીજમાં મોટી સંખ્યાંમાં જૈન યાત્રાળુઓ વરસી તપના પારણા માટે આવે છે. ત્યારે અખાત્રીજ અગાઉ જ બે દિવસમાં બે લૂંટની ઘટના નોંધાતા યાત્રાળુઓમાં ભારે ભયનો માહોલ ફેલાઇ ગયો છે. શેત્રુંજી ડુંગર ઉપર જાત્રા કરી રહેલા તમીલનાડુના યાત્રીને કડવો અનુભવ થયો છે. ડુંગરા ઉપર ચાર જેટલા લૂંટારૂઓ મોટા છરા સાથે ધસી આવ્યા હતા અને યાત્રાળુને છરા બતાવી ગળામાં પહેરેલા ચેઇન આંચક્યો હતો અને ઝપાઝપી દરમિયાન ચેઇનના ત્રણ કટકા થઇ જતાં લૂંટનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. જે ઘટના બાદ પાલિતાણામાં ચકચાર મચી જતાં ભાવનગરથી મસમોટો પોલીસનો કાફલો ડુંગરા ઉપર ધસી ગયો હતો અને લુંટારૂઓને શોધ‌વા ડુંગરા ખોળ્યા હતા. જે દરમિયાન ત્રણ શંકાસ્પદ લૂંટારૂઓ હાથ લાગ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પાલિતાણામાં અખાત્રીજના તહેવાર દરમિયાન અનેક જૈન શ્રધ્ધાળુઓ સમગ્ર દેશમાંથી ઊમટી પડે છે. આ વખતે અખાત્રીજના દિવસે પાલિતાણામાં સમગ્ર દેશમાંથી 600 જેટલા તપસ્વીઓને પારણા કરાવવા માટે 25 હજારથી વધુ શ્રધ્ધાળુઓની ઉમટી પડે તેવી શક્યતાઓ રહેલી છે. જ્યારે આજે સવારના સુમારે તમીલનાડું ખાતે રહેતા દિનેશકુમાર ત્રિલોકચંદજી જૈન તેમના પરિવાર સાથે પાલિતાણા ખાતે આવ્યા હતા અને પરિવાર સાથે સવારના પાંચ વાગ્યે ડુંગર ઉપર જાત્રા શરૂ કરી હતી. જે વેળાએ જંગલ વિસ્તારમાંથી ચાર લૂંટારૂઓ મોટા છરા સાથે ધસી આવ્યા હતા અને દિનેશકુમારે ગળામાં પહેરેલ સોનાના ચેઇનની ચીલઝડપ કરી હતી પરંતુ ઝપાઝપી દરમિયાન સોનાના ચેઇનના ત્રણ કટકા થઇ જતાં, લૂંટારૂઓ વીલા મોઢે ફરાર થઇ ગયા હતા. જે ઘટનાની જાણ પોલીસને થતાં ભાવનગરથી એલ.સી.બી. તેમજ અન્ય પોલીસ સ્ટાફ ધસી ગયો હતો અને લૂંટારૂઓને શોધવા માટે ડુંગરામાં લૂંટારૂઓની શોધખોળ શરૂ કરી હતી. જે મામલે ત્રણ શંકાસ્પદ લૂંટારૂઓ હાથ લાગ્યા હતા. આ મામલે ફરિયાદ નોંધાઇ હતી. આ જ રસ્તે ગઇકાલે મહિલાને પણ લૂંટી લેવાઇ હતીશેત્રુંજી ડુંગર ઉપર યાત્રાળુને લૂંટી લેવાયા હતા. તે જ સ્થળથી પાંચસો મીટરના અંતરમાં ગઇકાલે એક મહિલા યાત્રાળુને પણ લૂંટી લેવામાં આવી હતી. જો કે, મહિલા યાત્રાળુઓએ ડરના મારે લૂંટારૂઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ ન કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે બે દિવસમાં બે યાત્રાળુને લૂંટી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે. ઘટના બાદ આણંદજી કલ્યાણજી પેઢીની ઊંઘ ઊડી!તમિલનાડુંથી જાત્રા કરવા આવેલા યાત્રાળું સાથે પાલિતાણાના ડુંગરમાં લૂંટની નિષ્ફળ ઘટના બાદ આણંદજી કલ્યાણજી પેઢીની ઊંઘ ઊડી છે. ઘટના બાદ પેઢી દ્વારા એક લેટરપેટ જાહેર કરવામાં આવ્યો છે અને જેમાં ગિરીરાજના મોટા રસ્તે તથા ઘેટીપાગ રસ્તે 36 સોલાર સી.સી.ટી.વી. કેમેરા લાગડવાનું શરૂ કર્યું છે તેમજ આ જ રસ્તે સિક્યુરીટી ગાર્ડ વધારશે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 6:36 am

વીજકાપ:ક્રેસન્ટ સર્કલ, હિમાલયા મોલ સહિતના વિસ્તારોમાં વીજકાપ

પી.જી.વી.સી.એલ. ભાવનગર સિટી-1 ડિવિઝન દ્વારા શહેરમાં પ્રિ-મોન્સૂન સહિત વીજળી લાઈન મરામત કામગીરી અનુસંધાને આગામી તા.20મી થી 22મી એપ્રિલ-2026 સુધી ત્રણ દિવસ જુદા-જુદા વિસ્તારોમાં વીજકાપ લદાયો છે. પી.જી.વી.સી.એલ.ની કામગીરી અનુસંધાને શ્રી સાંઈનાથ ફિડર અને મોદી ઓર્ગેનાઈઝર ફિડર નીચેના ક્રેસન્ટ સર્કલ, હિમાલયા મોલ સહિતના વિસ્તારોમાં કામગીરી દરમિયાન સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી 6 કલાકનો વીજકાપ જાહેર કરાયો છે. શહેરમાં તા.20મી અપ્રિલને સોમવારે 11 કે.વી. શ્રી સાંઈનાથ ફિડર (આંશિક)માં મરામત કામગીરી દરમિયાન પ્રભુદાસ તળાવ ચોક, બોરડી ગેટ ચોક, ગીતાચોકથી મહિલા કોલેજ સુધીનો વિસ્તાર, ગેલેકસી-૭ ફ્લેટ, ડોન ચોક થી કેસેટ સર્કલ, ડોન ચોક થી ગીતા ચોક, કૃષ્ણ જૈન દેરાસર તેમજ આજુબાજુનો વિસ્તાર, ગીતા ચોક થી બોરડી ગેટ પોલિસ ચોકી સુધી નો વિસ્તાર, હિરામોતી ફ્લેટ, મન્નત હાઇટ્સ અને સકિના પાર્ક આજુબાજુના વિસ્તારમાં વીજળીનો પુરવઠો બંધ રહેશે. ઉપરાંત તા.21મી અપ્રિલને મંગળવારે 11 કે.વી. શ્રી સાંઈનાથ ફિડર (આંશિક)માં મરામત કામગીરી દરમિયાન સાંઈબાબા મંદિર પાસેનો વિસ્તાર, લા-મીરા ફ્લેટ, આરાધના ફ્લેટ, કેસન્ટથી મેઘાણી સર્કલ, મેઘાણી સર્કલ, વિરભદ્ર અખાડો, સેનેટરીવાળો ખાંચો તેમજ આજુબાજુનો સમગ્ર વિસ્તારમાં વીજળીનો પુરવઠો બંધ રહેશે. તેમજ તા.22મી અપ્રિલને બુધવારે મોદી ઓર્ગેનાઈઝર ફિડર નીચે આવતા હિમાલયા મોલ, મેકસસ સિનેમા (એચ.ટી. કનેક્શન), રિલાયન્સ પ્રોગ્રેસિવ (એચ.ટી. કનેક્શન) મોદી ઓર્ગેનાઈઝર (એચ.ટી.કનેક્શન), એન્જિબિટર (એચ.ટી.), ક્રોમા (એચ.ટી), શેલ પેટ્રોલ પમ્પ, વિક્ટોરિયા હાઈટસ, વિક્ટોરિયા એમ્બસ, એક્સજોટીકા, પ્લાનેટ પેટ્રોલીયમ, ઇસ્કોન મેગા સિટિ, ગેટ નંબર-1 તેમજ આજુબાજુનો વિસ્તાર, હોટેલ સરોવર પોર્ટિકો, વિક્ટોરિયા બ્લીસ, ક્રુષ્ણ પાર્ક સોસાયટી આજુબાજુના વિસ્તારમાં વીજકાપ રહેશે. પી.જી.વી.સી.એલ. દ્વારા મરામતની કામગીરી વહેલું પૂર્ણ થયે કોઈપણ જાતની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુનઃ શરૂ કરી દેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 6:34 am

વેધર રિપોર્ટ:ગરમી વધી, બપોરે તાપમાન 2.2 ડિગ્રી વધીને 39.2 ડિગ્રી થઇ ગયું

ભાવનગર શહેરમાં આજે તાપમાનમાં પુન: વધારો થયો છે અને મહત્તમ તાપમાનનો પારો વધીને 39.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા બપોરના સમયે ગરમી વધી હતી. સાથે રાત્રે લઘુત્તમ ઉષ્ણતામાન પણ વધીને 24.5 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા રાત્રે પણ બફારો વધ્યો હતો. હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમ વિક્ષેપ) અને પૂર્વ-પશ્ચિમ ટ્રફની સિસ્ટમ સક્રિય હોવાને કારણે આવતી કાલ તા.18મીએ ગરમીનો પારો યથાવત્ રહેશે. ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે 2.2 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 39.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન પણ 24 કલાક અગાઉ 22.8 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે વધીને 24.5 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા બપોર અને રાતના સમયે ગરમી અને બફારો વધી ગયા હતા. આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 55 ટકા હતુ તે આજે સાંજે પણ 32 ટકા રહેતા બપોરે ગરમી સાથે બફારો ભળતા આખો બપોર ઉકળાટનો અનુભવ થયો હતો. શહેરમાં સવારે પવનની ઝડપ 6 કિલોમીટર હતી તે આજે સાંજે વધીને 14 કિલોમીટર થઇ ગઇ હતી. તા.19 અને 20 એપ્રિલ દરમિયાન ભાવનગર સહિત સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 6:33 am

25 હજાર યાત્રિકોની હાજરીમાં થશે વર્ષીતપની પૂર્ણાહુતિ:તીર્થનગરી પાલિતાણામાં અખાત્રીજના દિવસે 600થી વધુ વર્ષીતપના તપસ્વીઓ ઇક્ષુરસથી પારણા કરશે

જૈનોમાં મોટામાં મોટા અને મહાન તપ એવા વર્ષીતપના પારણા સોમવારે અખાત્રીજના દિવસે પાલીતાણા શત્રુંજય ગિરિરાજ ખાતે જય તળેટી પાસે આવેલ પારણા ઘર ખાતે 600 જેટલા વર્ષીતપના તપસ્વીઓના પારણા થશે. જયારે સાધુ- સાધ્વીજી મા. સા. ના પારણા જુદા જુદા ઉપાશ્રયોમાં થશે. 600 જેટલા આરાધકો અખાત્રીજ ના વર્ષીતપના પારણામાં જોડાનાર છે. આ પ્રસંગે પાલીતાણા ખાતે અનેક પૂજ્ય આચાર્ય ભગવંતો સહિત સાધુ સાધ્વીજી મ.સા. ઉપસ્થિત રહેશે તેમજ ભાવનગર, રાજકોટ, અમદાવાદ, કચ્છ, મુંબઈ, બેંગ્લોર, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં આરાધકો અને જૈન શ્રેષ્ઠિઓ, દાતાઓ અને ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહેશે. વર્ષીતપના તપસ્વીઓને શેરડીના રસથી પારણા કરાવવામાં આવશે. તપસ્વીઓ વહેલી સવારમાં ગિરિરાજની યાત્રા કરશે. ગીરીરાજ ઉપર પ્રથમ તીર્થંકર ભગવાન શ્રી ઋષભદેવને શેરડીના રસથી પ્રક્ષાલ કરશે. આ દિવસે તપસ્વીઓ સવારના 5.30 કલાકે ગીરીરાજની યાત્રાનો પ્રારંભ કરશે. શ્રી ઋષભદેવ ભગવાનને વર્ષમાં ફક્ત એક જ વાર અખાત્રીજના દિવસે શેરડીના રસથી પ્રક્ષાલ કરવામાં આવે છે. સવારના 10 વાગે તપસ્વીઓ યાત્રા પૂરી કરી પારણાઘરમાં આવશે અને શેરડીના રસથી પારણા કરશે. વર્ષો પહેલા ફક્ત પાલીતાણા અને હસ્તિનાપુર એમ બે જ જગ્યાએ વર્ષીતપના તપસ્વીઓના પારણા કરવામાં આવતા હતા પરંતુ હવે તો ગામેગામ વર્ષીતપના તપસ્વીઓના પારણા થઈ રહ્યા છે. વર્ષીતપની કઠિન તપશ્ચર્યાવર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાને દીક્ષા લીધા બાદ વર્ષ પૂરું થયા પછી શેરડીના રસ વડે પારણું કરેલ. તેના પ્રતિક રૂપે વર્ષીતપની કઠિન તપસ્યા બાદ જૈનો અખાત્રીજ ના દિવસે શેરડીના રસથી પારણું કરે છે. વર્ષીતપની તપશ્ચર્યા બહુ જ કઠિન હોવાનું જૈનો માની રહ્યા છે. ધર્મશાળામાં ફાઇવસ્ટાર હોટલ કરતા પણ વધુ ભાડુંપાલિતાણામાં આવેલ તમામ ધર્મશાળાઓમાં ફાગણ શુદ તેરસ, અખાત્રીજ, દિવાળી અને મોટા પ્રસંગના દિવસોમાં ત્રણ દિવસના પેકેજ આપવામાં આવે છે. અને જે ધર્મશાળા આખુ વર્ષ ખાલી હોય તેને લઇને લાઇફાય ધર્મશાળા દ્વારા રૂપીયા 5 હજારથી 18 હજાર 3 દિવસનુ ભાડુ લઇ ઉઘાડી લૂંટ ચલાવાય છે. ધર્મશાળા તો માત્ર ટોકન ચાર્જથી સર્વોને મળવી જોઇએ. ફાઇવસ્ટાર હોટલથી વધુ ભાડુ લેવામાં આવેલ છે. અને તેનુ બુકીંગ પણ છ મહિના પહેલા થઇ જાય છે.ધર્મશાળાતો સેવાભાવના માટે હોય છે. ત્યારે હોટલ કરતા પણ ઉંચા ભાડુ તે પણ સર્વ સાધારણ ખાતે નામે ઉઘરાવાય છે. જે એક શરમ જનક વાત કહી શકાય ધર્મશાળા તો ઠીક પણ સાથે આવેલ ભોજન શાળામાં પણ સવાર, બપોર, સાંજના જમણના ભાવમાં પણ વધારો કરી દેવામાં આવે છે. ધર્મશાળામાં માત્ર નિભાવ માટે ખર્ચની જરૂર હોય છે. પારણા પાલિતાણામાં જ શા માટેઆદિનાથ પ્રભુના પારણા હસ્તિનાપુર ખાતે થયેલા જ્યાં આદિનાથ દાદા બિરાજમાન છે. પરંતુ જે લોકો ત્યાં સુધી જઈ શકતા નથી અને પાલીતાણા શેત્રુંજય ગિરિરાજ કે જ્યાં આદિનાથ દાદા બિરાજમાન છે અને આ તીર્થધામનું પણ અનેરૂં મહત્વ છે. તેથી વર્ષીતપના પારણાનું મહત્વ રહેલું છે. જૈન ધર્મ માં વર્ષીતપનું મહત્વવરસે પ્રભુની કૃપા ત્યારે વર્ષીતપની શરૂઆત થાય છે અને પામીએ પ્રભુની કૃપા ત્યારે વર્ષીતપ પૂર્ણ થાય છે. આદિશ્વર ભગવાન ફાગણ વદ-8 ને દિવસે દીક્ષા ગ્રહણ કરી દરરોજ આહાર નિમિત્તે ગામેગામ વિચરવા લાગ્યા પરંતુ તે સમયે આહાર વહોરવાની વિધિ નહીં જાણતા હોવાથી લોકો પ્રભુને વસ્તુઓ ભેટ ધરતાં પરંતુ સર્વથા ત્યાગી હોવાથી પ્રભુ કોઈ વસ્તુને અડતા નહિ. આમ વિચરતાં વિચરતાં ગોચરીના અભાવે ઉપવાસો ચાલુ રહ્યા, જે 13 માસ અને 10 દિવસ બાદ શ્રેયાંસકુમારના હસ્તે પ્રભુને ઈક્ષુરસ વહોરવાથી પ્રથમ પારણું થયું. આમ આ તપોધર્મનો પ્રારંભ થયો. અન્ય તપ 8,15,30,60 કે 90 દિવસના હોય છે. આ એક માત્ર તપ એવું છે જે 400 દિવસ એટલે કે 13 માસ અને 10 દિવસનું હોય છે અને તેમાં એકાસણા વગેરે કશું આવતું નથી એટલે વર્ષીતપ મહાન ગણાય છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 6:32 am

GMBની નવી પોલિસીમાં ઉદ્યોગને ખુંચતા મુદ્દા રજૂ કરાયા:શિપ રિસાયકલિંગના પડતર પ્રશ્નો અંગે એસો.ની ચીફ સેક્રેટરી શુક્લાને રજૂઆત

અલંગના શિપ રીસાયકલિંગ વ્યવસાયને લગત પડતર અને નડતર પ્રશ્નો અંગે ગુજરાત રાજ્યના પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી હરિત શુક્લાની મુલાકાત દરમિયાન પ્રેઝન્ટેશન સાથે રજૂઆત કરી હતી. શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ઇન્ડીયા)ના ઉપ-પ્રમુખ રમેશભાઇ મેંદપરાના જણાવ્યા પ્રમાણે, પ્રિન્સિપલ સેક્રેટરીએ અલંગમાં આંતરરાષ્ટ્રી માપદંડ મુજબના હોંગકોંગ કન્વેન્શન મુજબ કામગીરી થઇ રહી હોવા અંગે રૂબરૂ નિહાળી અને સંતોષ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત દરેક પ્લોટમાં કામદારો માટે સલામતીના સાધનો અને વ્યવસ્થા ઉપલબ્ધ હોવા અંગે પણ કાર્યવાહીને બિરદાવી હતી. એસોસિએશન દ્વારા અલંગના સર્વાંગી વિકાસને અવરોધતા મુદ્દાઓ જેવા કે, જીએમબીની નવી પોલીસીમાં ફેરફાર, રેગ્યુલર એલપીજી સપ્યાલ આપવા, વેસ્ટ ડિસ્પોઝલ ચાર્જમાં કરવામાં આવેલા વધારાને નાબૂદ કરવા અને અન્ય પડત પ્રશ્નો અંગે પ્રિન્સિપલ સેક્રેટરીને રજૂઆત કરી હતી અને તેઓએ નિરાકરણ માટે આશ્વાસન આપ્યુ હતુ. મથાવડાના નવા પ્લોટ ઉપર દિગ્ગજોનો ડોળોમથાવડાના દરિયાકાંઠે જીએમબી દ્વારા નવા 9 શિપ બ્રેકિંગ પ્લોટનું નિર્માણ થવાનું છે તેના પર અલંગના દિગ્ગજ શિપ બ્રેકરો અને જૂથ દ્વારા કબજો જમાવી શકાય તેના અંગે સરકારના મંત્રીઓને પડખે ચડાવવાનું શરૂ કરાયુ છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 6:29 am

એક-એક ઇન્વોઇસ ચેક કરવાની માથાકૂટનો અંત:GST કરદાતાઓ માટે મોટી રાહત IMS ઑફલાઇન ટૂલ લોન્ચ કરાઈ

દેશના લાખો જીએસટી કરદાતાઓ માટે રાહતના સમાચાર છે. જીએસટી પોર્ટલ દ્વારા તાજેતરમાં ઇન્વોઇસ મેનેજમેન્ટ સીસ્ટમ (IMS)ની ઓફલાઇન યુટિલિટી (વર્ઝન 1.0) લોન્ચ કરવામાં આવી છે. આ નવી સુવિધાનો મુખ્ય હેતુ ઇનવોઇસ મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ ડેટા પ્રોસેસિંગને વધુ ઝડપી અને સરળ બનાવવાનો છે. આ નવી સુવિધા ખાસ કરીને મોટા પ્રમાણમાં ઈન્વોઇસ સંભાળતા વેપારીઓ, એકાઉન્ટન્ટ લોકોને ઉપયોગી બનશે. જીએસટી તળે IMS સિસ્ટમ 2024માં શરૂ કરવામાં આવી હતી, જેમાં કરદાતાઓ સપ્લાયરો દ્વારા અપલોડ કરાયેલા ઈન્વોઇસને સ્વીકારવા, નકારવા અથવા પેન્ડિંગ રાખવાની સુવિધા મળે છે. હવે નવી ઑફલાઇન યુટિલિટી ઉમેરાતા આ પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બનશે. આ યુટિલિટી દ્વારા કરદાતા ઈન્વોઇસને એક્સલ ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકે છે અને એક સાથે ઘણા ઈન્વોઇસ પર કાર્યવાહી કરી શકે છે. આથી એક-એક ઈન્વોઇસને અલગથી તપાસવાની જરૂરિયાત ઘટશે અને સમય બચશે. ઑફલાઇન ટૂલ દ્વારા બલ્ક એક્શન કરવાની સગવડ મળતા ભૂલોની શક્યતા ઘટે છે અને ઈનપુટ ટેક્સ ક્રેડિટ (વેરાશાખ) દાવા વધુ ચોક્કસ બને છે. અગાઉ કરદાતાઓને પોર્ટલ પર મેન્યુઅલ પ્રક્રિયા કરવી પડતી હતી, જેથી સમય વધુ લાગતો અને ભૂલો થતી. હવે ઑફલાઇન ટૂલ દ્વારા ડેટા તૈયાર કરી પછી પોર્ટલ પર અપલોડ થાય છે, જેનાથી પ્રોસેસ વધુ સરળ બનશે. પોર્ટલ ધીમું હોય ત્યારે ઓફલાઇન વરદાન સમાનરિટર્ન ફાઇલિંગના અંતિમ દિવસોમાં જ્યારે જીએસટી પોર્ટલ ધીમું ચાલતું હોય, ત્યારે આ ઓફલાઇન ટૂલ વેપારીઓ અને ટેક્સ પ્રોફેશનલ્સ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. કરદાતાઓ આ યુટિલિટી જીએસટીની સત્તાવાર વેબસાઇટ પર ડાઉનલોડ સેક્શનમાં જઈને મેળવી શકે છે. - ભરતભાઈ શેઠ, વરિષ્ઠ ટેક્સ કન્સલટન્ટ કરદાતાઓને થતા મુખ્ય ફાયદાજીએસટીમાં ઇન્વોઇસ મેનેજમેન્ટ સીસ્ટમ સાથે નવી ઓફલાઇન યુટિલિટી શરૂ કરવામાં આવતા સેંકડો ઇનવોઇસ ધરાવતા વેપારીઓએ હવે પોર્ટલ પર એક-એક ક્લિક કરવાની જરૂર નથી. તેઓ બલ્કમાં કામ કરી શકશે. નબળા ઇન્ટરનેટ જોડાણવાળા વિસ્તારોમાં પણ હવે જીએસટીનું કામ અટકશે નહીં. એક્સેલ ફોર્મેટ હોવાથી ડેટાને ફિલ્ટર કરવો અને આંતરિક રેકોર્ડ સાથે સરખાવવો સરળ બનશે, જેનાથી ભૂલની શક્યતા ઘટશે. આ સુવિધા એક્સેલ પર આધારિત હોવાથી સામાન્ય એકાઉન્ટન્ટ પણ તેનો સરળતાથી ઉપયોગ કરી શકશે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 6:28 am

RTE પ્રવેશ પ્રક્રિયા:RTEની 1125 બેઠકો સામે 4000થી વધુ ફોર્મ ભરાયા, હજૂ23મી સુધી સંખ્યા વધશે, 1 બેઠક માટે 4 વિદ્યાર્થી વચ્ચે સ્પર્ધા

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ખાનગી સ્કૂલોમાં ધોરણ 1માં 25 ટકા બેઠકોમાં વિના મૂલ્યે પ્રવેશ માટેની રાજ્ય સરકારની ઓનલાઈન કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા આજ (ચાથી એપ્રિલ)થી શરૂ થઈ રહી છે. 2026-27ના શૈક્ષણિક વર્ષ માટેની આ પ્રવેશ પ્રક્રિયામાં તા.4થી 17 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. આ વર્ષે બેઠકોમાં ઘટાડો થતા 84 હજારથી વધુ બેઠકો છે. જેમાં ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આજે 17 એપ્રિલ રાત્રે 12 વાગ્યા સુધી રાખવામાં આવી હતી પરંતુ હવે આરટીઇ હેઠળ પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો કરીને આ ફોર્મ તારીખ 23 એપ્રિલના ગુરુવાર સુધી વેબ પોર્ટલ પર ઓનલાઈન ભરી શકાશે તેમ જણાવાયું છે. શહેરમાં 1125 બેઠકોની પ્રવેશ ક્ષમતા સામે 4000થી વધુ આજ દિવસ સુધીમાં ફોર્મ ભરાયા છે અને તારીખ વધારતા આ આંકડો વધીને 5000 પણ થઈ શકે. આ વર્ષે રાજ્યની 9709 ખાનગી સ્કૂલોમાં ધોરણ 1માં 25 ટકા બેઠકો મુજબ 84,228 બેઠકો છે. જેમાં ગુજરાતી માધ્યમની 41411, અંગ્રેજી માધ્યમની 40262 અને હિન્દી માધ્યમની 2235 અને અન્ય માધ્યમની 320 બેઠકો છે. પાળી પદ્ધતિમાં ચાલતી 56 સ્કૂલો છે. સવાર-બપોર પાળીનો પણ વાલીને આ વર્ષે અલગથી વિકલ્પ મળશે. જેમાં વાલીની પસંદગી હશે પ્રવેશ ફાળવાયો હશે તેમાં જ સ્કૂલે પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે. આરટીઈ હેઠળ કુલ 13 કેટેગરીના બાળકોને અગ્રતાક્રમમાં મેરિટ મુજબ પ્રવેશ અપાય છે. https;/rte.orpgujarat.com વેબસાઈટ પરથી હવે 23મી એપ્રિલ સુધી ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી શકશે. શિક્ષણ વિભાગે વર્તમાન શૈક્ષણિક વર્ષથી આરટીઈની પ્રવેશ પ્રક્રિયામાં 13 અગ્રતા કેટેગરીમાં ઈડબ્લ્યુએસ કેટેગરીનો સમાવેશ કર્યો છે. આ વર્ષથી વાલીની આવકની મર્યાદા રૂા. 6 લાખ કરવામાં આવી છે. અગાઉ આ આવક મર્યાદા રૂા.1 લાખથી દોઢ લાખ હતી જે ગત વર્ષથી વધારવામાં આવી છે. આ કારણોને લીધે પ્રવેશ માટે ભરાયેલા ફોર્મ રદ કરવામાં આવ્યા આ વર્ષે પ્રવેશ આપવાના અગ્રતા ક્રમમાં ફેરફાર : આવક મર્યાદા 6 લાખગત વર્ષે 11માં અગ્રતાક્રમે એસસી-એસટી તથા 12માં ક્રમે એસઈબીસી-અન્ય પછાત વર્ગના અને 13માં ક્રમે જનરલ કેટેગરીના બાળકો હતા. જ્યારે આંગણવાડીના બાળકોનો અગ્રતાક્રમ 9માં ક્રમે હતો. પરંતુ આ વર્ષે આંગણવાડીના બાળકોને 12માં ક્રમે એટલે કે ઈડબલ્યુએસથી પણ પાછળ મુકાયા છે. એસઈબીસી સાથે અન્ય પછાતવર્ગને બદલે ઈડબલ્યુએસનો સમાવેશ કરાયો છે. આ રીતે આરટીઈ અંતર્ગત પ્રવેશમાં અગ્રતા ક્રમમાં ફેરફાર કરાયો છે. વાલીની આવક મર્યાદા 6 લાખ કરાઈ છે. RTEમાં પ્રવેશ માટે કયા દસ્તાવેજો આપવા પડશેરહેઠાણનો પુરાવો, વાલીનુ જાતિનું પ્રમાણપત્ર, જન્મનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઈઝનો કલર ફોટોગ્રાફ્સ, વાલીનું આવકનું પ્રમાણપત્ર, બીપીએલ-બાળકનું આધારકાર્ડ, વાલીનું આધારકાર્ડ. શહેરમાં ગત વર્ષની સ્થિતિ

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 6:25 am

સિટી એન્કર:11 કે.વી.ના 141 ફીડરોમાં નખાશે MVCC કેબલ

પી.જી.વી.સી.એલ. દ્વારા વિવિધ સ્કીમ અંતર્ગત વીજળી વિતરણ ક્ષેત્રે ધરમૂળથી ફેરફારો કરાઈ રહ્યા છે. જેમાં વીજળીના વિતરણમાં ઉપયોગમાં લેવાતા કેબલની સમયાનુસાર ફેરબદલી કરવામાં આવી રહી છે. પી.જી.વી.સી.એલ. ભાવનગર સર્કલ કચેરી નીચે આવતા વિસ્તારોમાં 11 કે.વી.ના 141 ઇલેક્ટ્રિક ફિડરોમાં MVCC (મીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર) કેબલ નાખવામાં આવશે ત્યારે ભાવનગર જિલ્લાના શહેરી ઉપરાંત દરિયા કિનારાના વિસ્તારોમાં પ્રથમ તબક્કામાં 440 કિ.મી.માં કામગીરી થઇ છે. MVCC કેબલની કામગીરીમાં ભાવનગર સર્કલમાં પ્રથમ તબક્કામાં ભારત સરકારની રિવેમ્પ ડિસ્ટ્રીબ્યૂશન સેક્ટર સ્કીમ અન્વયે ભાવનગર સિટી-1, ભાવનગર રૂરલ, મહુવા અને પાલિતાણા ડિવિઝનમાં 11 કે.વી.ના કુલ 22 ઇલેક્ટ્રિક ફિડરોમાં 225 કિ.મી. સુધીના વિસ્તારને આવરી લેવાયો છે. તો પી.જી.વી.સી.એલ.ની સિસ્ટમ ઈમ્પ્રુવમેન્ટ સ્કીમ અન્વયે 70.79 કરોડના ખર્ચે 11 કે.વી.ના કુલ 57 ઇલેક્ટ્રિક ફિડરોમાં 1078 કિ.મી.માંથી 215 કિ.મીમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સિટી એન્કર PGVCL ભાવનગર સર્કલમાં ડિવિઝન પ્રમાણે MVCC કેબલની કામગીરી

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 6:23 am

બિલ્ડરને ધમકી:ડિમોલિશનનો ડર બતાવી બિલ્ડર પાસે 2 લાખની ખંડણી માંગી 10 હજાર પડાવાયા

શહેરના લાલગેટ વિસ્તારમાં બાંધકામની સાઇટ પર તોડબાજો ફોટો પાડી પાલિકામાં ખોટી અરજી કરી બિલ્ડિંગનું ડિમોલીશન કરી દેવાની બિલ્ડરને ધમકી આપી 2 લાખની માંગણી કરી હતી. બિલ્ડરે રૂપિયા ન આપતા જાનથી મારી નાખવાની ધમકી આપી જબરજસ્તી 10 હજારની રકમ પડાવી હતી. વારંવાર હેરાનગતિને કારણે બિલ્ડર રઈશ શેખે લાલગેટ પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે તોડબાજ રિઝવાન અબ્દુલ રબ આઝાદ(રહે,આઝાદ મંજીલ, મુગલીસરા)ની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે. લાલગેટ માછલીપીઠ ખાતે બિલ્ડર નવી બિલ્ડિંગનું બાંધકામ કરી રહ્યા છે. આ બાંધકામ બાબતે તોડબાજો બિલ્ડરને કહ્યું કે તમે ખોટી રીતે બાંધકામ કરી બહુ પૈસા કમાયા છો, હવે તમારૂ બાંધકામનું ડિમોલીશન કરાવીને રહીશ, એમ કહીને 2 લાખની માંગણી કરી હતી. ત્યાર પછી તોડબાજો 11મી એપ્રિલે તેની બાંધકામની સાઇટ પર ગયો હતો. જ્યાં રૂપિયાની માંગણી કરી હતી. બિલ્ડરે આપવાની ના પાડતા સાઇડ પરથી લોખંડનો સળિયો લઈ મારવાની ધમકી આપી હતી. ડરને મારે બિલ્ડરે તે વખતે 10 હજારની રકમ આપી દીધી હતી. ત્યાર પછી બાકીની રકમ માટે બિલ્ડરને દબાણ કરતો હતો. આરોપીએ અન્ય લોકો પાસે પણ રૂપિયા પડાવ્યા છે કેમ? તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 6:20 am

ભાસ્કર એનાલિસીસ:RTEમાં 9172 ભૂલકાંઓ પ્રવેશમાંથી બહાર શહેરનાં 4માંથી 2 ફોર્મમાં ઓલપાડનો દાખલો

આરટીઇમાં વાલીઓની ઉતાવળથી ભૂલકાઓ પ્રવેશ પ્રક્રિયામાંથી બહાર ફેંકાઈ રહ્યા છે. આવકના દાખલામાં શહેરને બદલે ઓલપાડનો સિક્કો અને સબ-રજિસ્ટ્રાર વિનાના ભાડા કરારને કારણે 9,172 બાળકો પ્રવેશમાંથી બહાર ફેંકાયા છે. શહેરમાં 19% અને ગ્રામ્યમાં 34% ફોર્મ રિજેક્ટ થતા વાલીઓમાં ચિંતા વધી છે, જેના કારણે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ વાલીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. અનેક વાલીઓના ડોક્યુમેન્ટ્સ તૈયાર ન હોવાથી તેમના બાળકો પ્રવેશથી વંચિત રહ્યા છે. જેથી શિક્ષણ વિભાગે વાલીઓના હિતને જોતા ફોર્મ ભરવાની મુદત 23 એપ્રિલ કરી છે. હવે રજિસ્ટ્રેશન 40 હજારથી વધીને 55 હજારને પાર પહોંચી શકે છે. 25% ફોર્મમાં વાલીઓ સબ-રજિસ્ટ્રાર વિનાનો ભાડા કરાર આપી રહ્યા છે એડમિશન મેળવવું હવે નસીબનો ખેલ40,356માંથી 9,172 ફોર્મ રદ થવા પાછળ વાલીઓની ટેકનિકલ ભૂલ બહાર આવી છે. 16,881 બેઠકો સામે 28,402 માન્ય અરજીઓ અને હજુ વધનારા ફોર્મ જોતા આગામી દિવસમાં એડમિશન મેળવવું હવે નસીબનો ખેલ જેવું બની ગયું છે. કામની વાત | આ કેસોથી જાણો કે વાલીઓ કઈ કઈ ભૂલ કરી રહ્યા છે આંકડાઓ પર એક નજર

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 6:19 am

જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલનું આયોજન:બાયર-સેલર મીટમાં US-રશિયા સહિત 6 દેશના ખરીદારો જોડાયા

GJEPC (જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ)ની બાયર-સેલર મીટમાં 6 દેશોના 17 ખરીદદારો જોડાયા હતા, જ્યારે સુરતની 16 કંપનીઓએ ભાગ લીધો હતો, જેમાં રશિયા, યુએસએ, બ્રાઝિલ, બલ્ગેરિયા, કોલમ્બિયા અને પોલેન્ડથી બાયરો ડાયમંડ અને જ્વેલરીની ખરીદી કરવા આવ્યા હતા. આ મીટમાં પહેલીવાર સ્ટડેડ ડાયમંડ જ્વેલરી નેચરલ અને લેબગ્રોન બંને પર ફોક્સ કરવામાં આવ્યું હતું. મીટનું મુખ્ય આકર્ષણ ફેક્ટરી વિઝિટ્સ રહ્યું હતું. 13 અને 14 એપ્રિલ દરમિયાન દરેક વિદેશી બાયરને સીધા મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાં લઈ જવામાં આવ્યા હતા. તેમને બે દિવસમાં 8 ફેક્ટરીની મુલાકાત કરાવાઈ હતી. દરેક મુલાકાત માટે લગભગ 45 મિનિટનો સમય ફાળવાયો હતો. વિઝિટ્સ માટે જિયોગ્રાફિકલ પ્લાનિંગ, કોઓર્ડિનેટર સિસ્ટમ અને સેન્ટ્રલ મોનીટરીંગથી સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. જ્વેલરી મેન્યુફેક્ચરિંગ માટે નવો સ્કોપ‘આ મીટથી સ્પષ્ટ થાય છે કે સુરત હવે વેલ્યુ એડેડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગમાં પણ વૈશ્વિક સ્થાન મજબૂત કરી રહ્યું છે. ફેક્ટરી વિઝિટ મોડલથી ટ્રાન્સ્પરન્સી-ટ્રસ્ટ વધે છે, જે આંતરરાષ્ટ્રીય વેપારમાં સૌથી મહત્વનું છે. આ ઇવેન્ટ સફળ મોડલ બની શકે છે, જેને ભવિષ્યમાં અન્ય ક્લસ્ટર્સમાં અમલમાં મૂકી શકાય.’ > જયંતી સાવલિયા, GJEPC, રિજિયનલ ચેરમેન

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 6:15 am

ઉધનામાં ભાઠેના રોડ પર ગુરુવારે મોડી રાત્રિની ઘટના:ફોન તફડાવીને ચોર ખાડીમાં કૂદ્યો પણ ગૂંગળાઈ જતાં બૂમો પાડી, ફાયરે કાઢ્યો

ઉધના ભાઠેના રોડ પર પાસે ગુરુવારે રાત્રે 11:55 વાગ્યે એક યુવકે મોબાઈલ ચોરીને ભાગતી વખતે ખાડીમાં ઝંપલાવ્યું હતું. ઉધના ફાયર સ્ટેશનની ટીમે ઘટનાસ્થળે પહોંચી યુવકને ખાડીમાંથી બહાર કાઢ્યો હતો. બહાર કાઢતી વખતે યુવકની હાલત ગંભીર હતી. વાત કરવાની સ્થિતિમાં ન હતો માત્ર ‘બચાવો-બચાવો’ બોલી રહ્યો હતો. ખાડીમાં જમા થયેલા કચરાને કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તેની પ્રાથમિક ઓળખ જુનૈદ (30) તરીકે થઈ છે. આ ઘટનાની જાણ રામેશ્વર નગરના તુષાર રાણાએ ફાયર વિભાગને કરી હતી, ત્યારબાદ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું હતું. યુવકને સ્મીમેર ખસેડાયો હતો. લિંબાયત પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે યુવકને પકડાઈ જવાનો ડર હતો.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 6:14 am

લિંબાયતના ઊંટવૈદના કેસમાં ચુકાદો:બિહારની ફેક ડિગ્રીથી હોમિયોપેથી સારવાર કરનાર ઠગને 3 વર્ષની સજા

18 વર્ષ અગાઉ લિંબાયતમાં બોગસ ડિગ્રીના આધારે હોમિયોપેથી ડોક્ટર બની ક્લિનિક ચલાવનાર આરોપી દેવનારાયણ પટેલને કોર્ટે ગુનેગાર ઠેરવી 3 વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી. કોર્ટે ચુકાદામાં નોંધ્યું કે, જો કોઈ લાયકાત ન ધરાવતો ઇસમ ડોક્ટર જેવા ગંભીર પ્રોફેશનમાં લોકોની સારવાર કરશે તો સમાજમાં લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડવાની પૂરેપૂરી શક્યતા છે. અભણ કે આર્થિક સ્થિતિ પણ સારી ન હોય તેવા લોકો આવા ઇસમો પાસેથી સારવાર લેતા હોય છે. આવા બનાવો દિવસે-દિવસે વધી રહ્યા છે અને રાજ્ય સરકાર પણ વારંવાર ડ્રાઈવ ચલાવી તેમની સામે કાર્યવાહી કરે છે. લિંબાયત પોલીસે તપાસ કરતા આરોપી પોતે ડોક્ટર ન હોવા છતાં ડોક્ટરની લાયકાતવાળી ડિગ્રીઓ-સર્ટિફિકેટો બી.આર. આંબેડકર બિહાર યુનિવર્સિટી, મુઝફ્ફરપુરની બોગસ ડિગ્રીઓ મેળવીને ક્લિનિક ખોલી લોકોની સારવાર શરૂ કરી દીધી હતી. 7 વર્ષ સુધીની સજાની જોગવાઈIPC-471 બનાવટી દસ્તાવેજો ખરા તરીકે ઉપયોગ કરવા બાબતની છે. દસ્તાવેજ કે ઇલેક્ટ્રોનિક રેકોર્ડ ખોટા હોવાનું જાણતા હોવા છતાં કપટપૂર્વક તેનો ઉપયોગ કરે તેને આ કલમ લાગુ પડે છે. ઉપરાંત 467 એ ઠગાઈ કરવાના હેતુથી ખોટા દસ્તાવેજ બનાવવા બાબત છે, જેમાં 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 6:13 am

ઠગાઈ:SBIનો લોગો ચોંટાડી રૂ. 999માં નોંધણી, સ્પોર્ટ્સ કિટની લાલચ આપી ડુમસ મેરેથોનના નામે ઠગાઈ

સાઇબર માફિયાઓએ 19મીએ ડુમસમાં મેરેથોનના નામે નકલી ઈવેન્ટ બનાવી ઠગાઈનો પ્રયાસ કર્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી લિંકમાં SBIને સ્પોન્સર બતાવી 999 રૂપિયામાં રજિસ્ટ્રેશન માંગવામાં આવતું હતું. જો કે બેંકની પરવાનગી વગર જ લોગોનો ઉપયોગ કરાયો હતો. SBIએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ડુમસ બીચ ખાતે 10 કિમીની મેરેથોન યોજાનાર હોવાનું જણાવી સોશિયલ મીડિયા પર લિંક વાયરલ કરાઈ હતી, જેમાં ભાગ લેનારાઓને 999 રૂપિયામાં રજિસ્ટ્રેશન કરાવવા જણાવાયું હતું. આ લિંકમાં સ્પોર્ટ્સ શૂઝ, ટી-શર્ટ, રિફ્રેશમેન્ટ, ગુડીઝ બેગ, મેડલ અને સર્ટિફિકેટ આપવાની લાલચ આપી હતી. આ સાથે જ ઇવેન્ટને પ્રતિષ્ઠિત બતાવવા SBIને મુખ્ય સ્પોન્સર તરીકે દર્શાવવામાં આવી હતી. જો કે, આ શંકાસ્પદ મામલો SBIના ધ્યાન પર આવતાં સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. SBI દ્વારા ડુમસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવાયું છે કે અજાણ્યા શખ્સોએ બેંકના લોગોનો ગેરકાયદે ઉપયોગ કર્યો છે. બેંકના અધિકારીઓએ પોલીસને જણાવ્યું હતું કે, ‘આ મેરેથોન અંગે SBI તરફથી કોઈ પણ પ્રકારની પરવાનગી કે સ્પોન્સરશિપ આપવામાં આવી નથી. બેંકના નામે લોકો પાસેથી પૈસા પડાવવાની આ યોજના હોઈ શકે છે અને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ટૂંકમાં, આ ઈવેન્ટ સાથે બેંકને કોઈ લેવાદેવા નથી અને આવા નકલી બેનર તથા લિંક્સથી લોકોએ સાવચેત રહેવું જોઈએ.’ ડોમેન પ્રોવાઈડરને જાણ કરાતાં લિંક બ્લોક કરી દેવાઈસોશિયલ મીડિયા પર કાર્યરત લિંકને હટાવવા અમે ડોમેન પ્રોવાઈડરને લેખિત જાણ કરી હતી, જેના પરિણામે હાલમાં આ લિંક બ્લોક કરી દેવામાં આવી છે. અત્યાર સુધી મેરેથોનના નામે કોઈ પણ વ્યક્તિ સાથે છેતરપિંડી થઈ હોય તેવી કોઈ ફરિયાદ અમારી પાસે આવી નથી. > એમ.વી.પટેલ, પીઆઈ, ડુમસ પોલીસ સ્ટેશન

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 6:13 am

ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:પહેલી ટર્મમાં 12 સમિતિની 271 બેઠક, બીજીમાં માત્ર 197, ઓછી મીટિંગ કરનારા 12માંથી 7 ચેરમેનની ટિકિટ કપાઈ

સુરત મહાનગરપાલિકાની આવનારી ચૂંટણી પહેલાં પાર્ટી દ્વારા ઉમેદવારી પસંદગીમાં કામગીરીને મુખ્ય માપદંડ બનાવવામાં આવ્યો હોઈ એ વાતને પણ નકારી શકાય એમ નથી. કારણકે ખાસ કરીને સમિતિઓના ચેરમેનના પ્રદર્શનના આધારે જો નિર્ણય લેવાયો એમ કહી શકાય. એટલે જ 12માંથી 7 ચેરમેનને ટિકિટ આપવામાં નહીં આવી હોય. નજર કરીએ સમિતિની મીટિંગની તો પાલિકાની 2021ની ટર્મમાં પ્રથમ અઢી વર્ષ (12 માર્ચ 2021 થી 11 માર્ચ 2023) દરમિયાન 12 સમિતિઓએ મળીને કુલ 271 બેઠક યોજી હતી. જ્યારે બીજા અઢી વર્ષના ટર્મ (12 સપ્ટેમ્બર 2023 થી 11 માર્ચ 2026) દરમિયાન માત્ર 197 બેઠક યોજાઈ હતી. આ નોંધપાત્ર ઘટાડાએ વિકાસ કાર્યોની ગતિ પર સીધી અસર પાડી હોવાનું માનવામાં આવે છે. સમિતિઓની બેઠકોએ નીતિગત નિર્ણયો અને કામોની મંજૂરી માટે મહત્વપૂર્ણ હોય છે, જેથી તેની સંખ્યા ઓછી રહેવી એ કામગીરીમાં ઢીલાશ દર્શાવે છે. પાર્ટીએ આ વખતે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ફક્ત પદ પર રહેવું પૂરતું નથી, પરંતુ કામગીરીમાં સક્રિયતા અને પરિણામ આપવું પણ જરૂરી છે. અપવાદ એક જ, ઓછી મીટિંગ કરનાર નેન્સી શાહને ટિકિટ પાલિકાની સમિતિઓમાં સૌથી અગત્યની ગણાતી સ્થાયી સમિતિની બીજા ટર્મની કુલ મીટિંગ પહેલા ટર્મથી એક વધુ થઈ છે. સ્થાયી સમિતિની તા.12-3-2021 થી તા.8-9-2023 સુધી 135 મિટીંગ થઈ હતી.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 6:12 am

ગુજરાત યુનિ.ના કુલસચિવ સામે NSUI દ્વારા ભ્રષ્ટાચારનો આક્ષેપ:પિયુષ પટેલે કન્વેન્શન સેન્ટરના હવાલો પોતાની પાસે રાખ્યો, ભાડાની કેટલીક રકમ બારોબર વસૂલાતી હોવાનો દાવો

ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરના સંચાલનને લઈને કુલસચિવ પિયુષ પટેલ વિવાદમાં સપડાયા છે. યુનિવર્સિટીના એસ્ટેટ વિભાગને બદલે કુલસચિવે તમામ સત્તા પોતાની પાસે રાખી આર્થિક ગેરરીતિ આચરી હોવાના ગંભીર આક્ષેપો NSUI અને પૂર્વ પ્રોફેસરો દ્વારા કરવામાં આવ્યા છે. આ મામલે છેલ્લા એક વર્ષના બુકિંગ અને હિસાબોનું ઓડિટ કરવાની માંગ પ્રબળ બની છે. કુલસચિવ પિયુષ પટેલ દ્વારા સત્તાનો દુરુપયોગNSUIના નેતા વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોઈ પણ નિર્ધારિત ભાડું નક્કી કર્યા વગર સેન્ટર ભાડે આપવામાં આવે છે. ભાડાની કેટલીક રકમ આરટીજીએસ મારફતે યુનિવર્સિટીમાં જમા થાય છે, જ્યારે કેટલીક રકમ કુલસચિવ પોતે રોકડમાં સ્વીકારતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કન્વેન્શન સેન્ટરના સમારકામ અને બજેટમાં ભ્રષ્ટાચારપૂર્વ પ્રોફેસરોએ આક્ષેપ કર્યો છે કે કુલસચિવ તરીકે મુખ્ય હોદ્દો ધરાવવા છતાં, તેઓ કન્વેન્શન સેન્ટરના વધારાના હવાલા પેટે અલગથી મહેનતાણું અને ચાર્જ એલાઉન્સ મેળવી રહ્યા છે. એટલું જ નહીં કન્વેન્શન સેન્ટર અગાઉ વર્ષો સુધી ખાનગી કંપની ગાંધી કોર્પોરેશન પાસે હતું, જેનાથી યુનિવર્સિટીને કરોડોનું નુકસાન થયું હતું. તાજેતરમાં યુનિવર્સિટીએ 30 કરોડના ખર્ચે આ સેન્ટરનું સમારકામ કરાવ્યું છે. આ તોતિંગ ખર્ચમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની શક્યતા સેવાઈ રહી છે, જેની યોગ્ય તપાસ કરવા માંગ ઉઠી છે. NSUI દ્વારા તપાસની માંગ એસ્ટેટ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, કન્વેશન સેન્ટરનું ભાડું અમને ખબર નથી. તે કુલસચિવ સાહેબ જ નક્કી કરે છે. એસ્ટેટ વિભાગના શૈલેષ ગોસ્વામી પાસે જ્યારે કન્વેશન સેન્ટરના બુકિંગની વિગત માંગવામાં આવી, ત્યારે તેમણે જણાવ્યું હતું કે, અત્યાર બધો સ્ટાફ ઇલેક્શનની કામગીરીમાં છે એટલે વિગત મળશે નહીં.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 6:00 am

'30 વર્ષ થયા એક ગટર લાઈન પણ નાખી શકતા નથી':'બોડકદેવનો વિકાસ થયો નથી, 10 વર્ષમાં કોર્પોરેટરોએ તેનો વિકાસ કર્યો'; ગટર, પાણીની સમસ્યાઓથી સ્થાનિકો ત્રસ્ત

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ મતદારોને રિઝવવા માટે જોરશોરથી પ્રચાર કરી રહી છે. દરેક પાર્ટી ચૂંટણી જીતવા માટે મતદારોને અલગ અલગ વચન આપી રહી છે. જેથી દિવ્ય ભાસ્કર ટીમ બોડકદેવ વોર્ડ નં.19માં મતદારોનો શું મૂડ છે તે જાણવા માટે પહોંચી હતી. ચૂંટાઈને આવેલા જનપ્રતિનિધિઓએ પાંચ વર્ષમાં જનતા માટે કેટલો વિકાસ કર્યો અને હજુ પણ મતદારોની શું સમસ્યા છે. જેનો ઉકેલ જનપ્રતિનિધિઓ લાવી શકાય નથી તે જાણવાનો પ્રયાસ ટીમે કર્યો છે. જેમાં સ્થાનિકોમાં વિકાસના પ્રશ્રો પૂછતાં જ રોષ જોવા મળ્યો હતો. 'બોડકદેવનો વિકાસ થયો નથી, 10 વર્ષમાં કોર્પોરેટરોએ તેનો વિકાસ કર્યો'જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, બોડકદેવ વોર્ડનો વિકાસ થયો નથી પરંતુ 10 વર્ષમાં કોર્પોરેટરોએ તેમનો વિકાસ કરી દીધો છે. પોતાની પ્રાઇવેટ સ્કુલ બનાવીને સોસાયટીના સરકારી બોર્ડ પર પોતાની સ્કૂલનું નામ લખાવડાવી દીધું છે. રોડ તૂટી જાય છે લાઈટ બંધ થઈ જાય છે તો ફોન કરીએ તો કોઈ જવાબ આપતું નથી. 35 વર્ષથી ગામમાં રહીએ છીએ છતાં પણ ગટર લાઈન જોડવામાં આવી નથી. રોડમાં માત્ર ડામર પાથરી દેવાયાનો કોંગ્રેસના ઉમેદવારે આક્ષેપ કર્યોબોડકદેવ વોર્ડના મોટા ભાગના વિસ્તારમાં રોડ રસ્તા સારા હોવાનું સામે આવ્યું હતું. પરંતુ તેમાં માત્ર ડામર પાથરી દેવામાં આવ્યો હોવાનો કોંગ્રેસના ઉમેદવારે આક્ષેપ કર્યો છે. જજીસ બંગલો પોલીસ ચોકીથી મોકા ચાર રસ્તા સુધીનો રોડ નવો બનાવવામાં આવ્યો હતો. થોડા દિવસ પહેલા જ બનેલા રોડ માત્ર ડામર પાથરી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. તેમજ ટેન્ડરિંગમાં પૈસા ખાઈને કામગીરી સોંપવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કોંગ્રેસના ઉમેદવારોએ કર્યો હતો. ગટર, પાણી અને રોડની સમસ્યાથી સ્થાનિકોમાં રોષજો કે અન્ય વિસ્તારમાં રોડ રસ્તાની કોઈ સમસ્યા જોવા મળી નથી. પરંતુ વર્ષોથી બોડકદેવ ગામમાં કોઈ વિકાસ ન થયો હોય અને લોકોની સમસ્યાનું કોઈ નિરાકરણ ન થાય હોય તેવું ધ્યાને આવ્યું હતું. બોડકદેવ ગામમાં જતા જ રસ્તાઓમાં ખાડા જોવા મળ્યા હતાં. તેમજ ગામમાં રહેતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ગટર, પાણી અને રોડની સમસ્યાનો કોઈ ઉકેલ ન આવ્યો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. તેમજ પીવાના પાણી માટે કોર્પોરેટરને ફોન કરીએ તો તે ફોન પણ ન ઉપાડતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. બોડકદેવ વોર્ડ જેના નામથી ઓળખાય છે ત્યાં રહેતા લોકો આજ પણ પાણીની સમસ્યાનો સામનો કરતા હોવાનું સામે આવ્યું હતું. 'ટેક્સ ભરવા છતાં મને પૂરતું પાણી મળતું નથી'સ્થાનિક વિમળાબેને જણાવ્યું હતું કે, અમારી રજૂઆત કોઈપણ સાંભળતો નથી. ગટર ઉભરાઈ જાય છે તો જોવા પણ કોઈ આવતું નથી. ચૂંટણી આવે ત્યારે જ નેતાઓ જોવા મળે છે બાકી મોઢું બતાવવા પણ કોઈ આવતું નથી. અમારે એકલાને નહીં પરંતુ બધા જ લોકોને મુશ્કેલી પડી રહી છે. ટેક્સ ભરવા છતાં મને પૂરતું પાણી મળતું નથી. જમીન છે એટલા માટે ટેક્સ ખૂબ ભરીએ છીએ. તો તેની સામે સગવડ મળવી જોઈએ પરંતુ મળતી નથી. 'દરરોજ ગટરો ઉભરાય છે, ખાડા પડી ગયા છે અને પીવાનું પાણી આવતું નથી'આશાબેને જણાવ્યું હતું કે, અમારા ત્યાં દરરોજ ગટરો ઉભરાય છે, પરંતુ કોઈ પણ જોવા માટે આવતું નથી. અનેક ખાડા પડી ગયા છે અને પીવાનું પાણી પણ આવતું નથી. રોજ ફોન કરીએ છીએ રોજ અરજી કરીએ છીએ. પાણી છોડવાવાળો એવું કહે છે કે અમે તો પાણી છોડીએ છીએ તો પછી અમારા સુધી કેમ પહોંચતું નથી ? 11 વાગ્યે પાણી આવે તે શું કામનું નોકરી ધંધે જતા રહીએ છીએ. કોઈ જોવા પણ આવતું નથી અને અરજી કરીએ તો એક દિવસ સફાઈ કરે તે બાદ કોઈ કામ કરતા નથી. વોટ આપીએ છીએ છતાં પણ કોઈ અમારી પરિસ્થિતિ જોવા આવતું નથી. '4 સોસાયટીમાં તો પાણી આવતું જ નથી'દૂધાભાઈએ જણાવ્યું હતું કે, બોડકદેવનો કોઈ વિકાસ કરવામાં આવતો જ નથી. લાઇટ બંધ થઈ જાય તો કેટલાય ફોન કરીએ છતાં પણ કોઈ આવતું નથી. પાણીની ફરિયાદ કરીએ તો છતાં પણ તેનું કોઈ નિરાકરણ આવતું નથી. અમે કીધું કે માણસ બદલી નાખો પણ બદલવામાં આવતા નથી. રજૂઆત કરીએ તો પાણી આવશે આવશે એવું કહે છે પણ 4 સોસાયટીમાં તો પાણી આવતું જ નથી. અમારાં માટે અલગથી લાઇન નાખવામાં આવી છતાં પાણીની સમસ્યા રહે છે. પાણી ન આવે તો ન્હાવા માટે અન્ય કામ માટે ઘણી તકલીફ પડે છે. બધા લોકો ચોર ભેગા ગયા છે અને કોઈ વિકાસ કરતા નથી. '30 વર્ષ થયા એક ગટર પણ નાખી શકતા નથી'કાળાજીએ જણાવ્યું હતું કે, વોટ લેવા માટે જ આવે છે બાકી કોઈ આવતું જ નથી. કેટલી વખત રજૂઆત કરી પરંતુ કોઈ સાંભળવા માટે જ તૈયાર નથી. ગટરો ઉભરાય ત્યારે ઘરમાં રહેવાય નહીં તેવી પરિસ્થિતિ થાય છે. ફોન જ ઉપાડતા નથી તો કોને રજૂઆત કરવી. કુતરુ 40 લોકોને કરડ્યું ફોન કરીએ તો કોઈ ઉપાડવા માટે પણ આવતું નથી. 'અમારે પૈસા આપીને પ્રાઇવેટ કામ કરાવવું પડે છે'ભલાભાઈએ જણાવ્યું હતું કે, પાંચ વર્ષમાં કોઈ જોવા આવતું જ નથી. ગટરની, પાણીની લાઈટની બધી સમસ્યાઓ છે. અનેક વખત ફોન કર્યા બાદ પણ કોઈ આવતું નથી. જેથી અમારે પૈસા આપીને પ્રાઇવેટ માણસો બોલાવીને કામ કરાવવું પડે છે. 'કોઈપણ કોર્પોરેટર ફોન ઉપાડતા નથી'સ્થાનિક જગદીશ ઠાકોરે કહ્યું કે, કોઈપણ પાર્ટીના નેતા હોય ચૂંટાઈને આવો અને કામ કરો તેવી જ અમારી આશા છે. માત્ર ખાલી નામથી જ ઓળખીયે છીએ બાકી કોઈ દિવસ જોયા પણ નથી. કોર્પોરેટર કોણ તે આસપાસના લોકોને પણ ખબર નથી. કોઈપણ કોર્પોરેટર ફોન ઉપાડતા નથી અને જવાબ પણ આપતા નથી. ગટર સાફ કરવા માટે પણ માણસો આવે ત્યારે ફોટો પાડીને જતા રહે છે. ગટર પણ યોગ્ય રીતે સાફ કરવામાં આવતી નથી. 'નેતાઓના ઘર આગળ સારી કામગીરી, અને અમારા ઘરે તો પાણી પણ આવતું નથી'અમૃતભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે, બોડકદેવમાં અત્યારે યોગ્ય સાફ-સફાઈ કરવામાં આવતી નથી. કોર્પોરેશનની સ્કૂલ હતી જેમાં અમારો બાળકો ભણતા હતા તે પણ લઈ લેવામાં આવે છે. નેતાઓએ પોતાના ઘર આગળ સારી કામગીરી કરી છે, પરંતુ અમારા ઘરે તો પાણી પણ આવતું નથી. પૈસા આપવાથી બીજી જગ્યાએ પાણી આપવામાં આવે છે. સૌથી વધુ વસ્તી ઠાકોરોની છે અને તમામ લોકોએ અનેક વખત ફરિયાદ કરી છે છતાં પણ પાણી આવતું નથી. તેમજ કોઈ રજૂઆત પણ સાંભળતું નથી. આજ સુધી કોઈપણ કોર્પોરેટર અહીંયા જોવા માટે આવ્યા નથી. ચૂંટણી આવી છે જેથી હવે બધા રેલી લઈને આવશે અને કહેશે કે પાણી ન આવતું હોય તો કહેજો પરંતુ અત્યાર સુધી ક્યાં સુઈ ગયા હતા. 'ટેન્ડરિંગમાં પૈસા ખાઈને કામગીરી સોંપવામાં આવે છે'બોડકદેવ વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર જીતેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે, બોડકદેવ વોર્ડના કોર્પોરેટરોએ કોઈપણ કામગીરી કરી નથી. તેમના ઘરે આવે, પાર્ટીમાં આવે તેવી જ કામગીરી સારી રીતે કરી છે. રોડ માત્ર ડામર પાથરીને બનાવી દેવામાં આવ્યો છે. ટેન્ડરિંગમાં પૈસા ખાઈને કામગીરી સોંપવામાં આવે છે. ગાર્ડન પણ રૂપિયા આવે તે માટે અમુલ વાળાને પાડી આપી દીધા છે. જ્યાં સિનિયર સીટીઝન માટે શૌચાલયની પણ વ્યવસ્થા કરવામાં આવી નથી. અંગ્રેજો કરતાં પણ ખરાબ નીતિવાળા લોકો શાસન કરી રહ્યા છે. લોકો પાસેથી રૂપિયા કઈ રીતે પડાવવા તેમાં સૌથી વધુ ધ્યાન અપાય છે. પ્રજાને ઘરે જઈને ડરાવવા અને ધમકાવવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 6:00 am

પ્રચાર માથે પડ્યો, લોકો ઘેરી વળ્યા:ટેકેદારોએ નાગરીકનું બાવડું પકડી હડસેલ્યો; ઉમેદવારોના સોગંદનામામાં જબરા લોચા, ડિગ્રીનો ડખો ને ફરિયાદ

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 6:00 am

પરિણીતાએ જીવન ટૂંકાવ્યું:લવમેરેજ બાદ માવતરે સંબંધ તોડી નાખતા પરિણીતાનો આપઘાતનો પ્રયાસ

રાજકોટ શહેરના મોરબી રોડ પર સેટેલાઇટ ચોક નજીક આવેલી આસ્થા વેન્ટિલા સોસાયટીમાં રહેતી 36 વર્ષીય પરિણીતાએ પ્રેમલગ્ન બાદ માવતર તરફથી તિરસ્કાર મળતા આપઘાતનો પ્રયાસ કર્યો છે. મહિલાએ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બનાવની પ્રાપ્ત માહિતી મુજબ, ઉષાબેન રવિભાઈ મહેતા (ઉ.વ. 36)એ પોતાના ઘરે કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. બનાવની જાણ થતાં પરિવારજનો દ્વારા તેમને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિણીતાના પતિ રવિભાઈએ જણાવ્યું હતું કે, ઉષાબેને દોઢ વર્ષ પહેલા પ્રથમ પતિ સાથે ડિવોર્સ લઈને તેમના સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ લગ્ન પરિવારની મરજી વિરુદ્ધ થતા પિયર પક્ષે તેમના સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા. માવતર તરફથી બોલાવા ન મળતા ઉષાબેન છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવ અને ડિપ્રેશનમાં રહેતા હતા. જેથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:54 am

કરુણ ઘટના સામે આવી:‘બેટા, હું તને લેવા આવ્યો છું…’ કાકાના સ્વપ્ન બાદ એસિડ પી યુવાનનો આપઘાત

રાજકોટ શહેરમાં માનસિક તણાવની એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં કાકાના સ્વપ્નથી ભાવનાત્મક રીતે હચમચી ગયેલા એક યુવાને એસિડ પી આત્મઘાતી પગલું ભરતાં બે મહિનાની લાંબી સારવાર બાદ તેનું મોત નીપજ્યું છે. યુવાનના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. બનાવની મળતી માહિતી મુજબ, શહેરના લાલા લજપતરાય ટાઉનશીપ વિસ્તારમાં રહેતા અને ઝડુસ હોટલ નજીક નિવાસ કરતા કેવલ કમલેશભાઈ સુરાણી(ઉ.વ. 25)એ ગત 27 ફેબ્રુઆરીના રોજ પોતાના ઘરે અગમ્ય કારણોસર એસિડ પી લીધું હતું. ઘટનાની જાણ થતાં પરિવારજનોએ તાત્કાલિક તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તેમની ગંભીર હાલતમાં સારવાર શરૂ કરવામાં આવી હતી. લાંબી સારવાર બાદ તેમની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જોકે, શુક્રવારે અચાનક તેમની તબિયત ફરી લથડતા પરિવારજનો તેમને ફરી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવારજનોએ તાલુકા પોલીસ મથકના એએસઆઈ ડી.સી. જોષીને જણાવ્યું હતું કે, મૃતક કેવલ બે ભાઈઓમાં મોટો હતો અને સલૂનમાં કામ કરી પરિવારને આર્થિક રીતે સહારો આપતો હતો. ચાર વર્ષ પહેલાં તેના પ્રિય કાકાનું અવસાન થયું હતું, જેના કારણે તે અંદરથી તૂટ્યો હતો. ઘટનાથી થોડા દિવસો પહેલાં તેને સ્વપ્ન આવ્યું હતું, જેમાં તેના કાકા તેને કહી રહ્યા હતા— “બેટા, હું તને લેવા આવ્યો છું…”. આ સ્વપ્ન બાદ કેવલ વધુ માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયો હતો અને અંતે આઘાતમાં આવી આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. આ સમગ્ર મામલે તાલુકા પોલીસે નોંધ લઈને વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:54 am

ભાસ્કર એક્સક્લુસિવ:APAAR ID હજુ 80% બન્યા, બાકી 20% માટે શાળાઓમાં કેમ્પ, જુન-26 સુધી 100%નો લક્ષ્યાંક

શિક્ષણ વિભાગે હવે વિદ્યાર્થીઓના શૈક્ષણિક ડેટાને ડિજિટલ પ્લેટફોર્મ પર સુરક્ષિત કરવા માટે ‘APAAR ID’ (ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજીસ્ટ્રી) બનાવવાની કામગીરીને ‘સેચ્યુરેશન મોડ’ પર મૂકી છે. સમગ્ર ગુજરાતમાં આશરે 70થી 80 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, જેમાં રાજકોટ જિલ્લામાં 90 ટકા જેટલી કામગીરી થઇ છે. જોકે, હજુ પણ અનેક વિદ્યાર્થીઓના આધાર કાર્ડમાં વિસંગતતા હોવાથી કામગીરી અટકી છે, જેને પૂર્ણ કરવા માટે તંત્રએ 30 જૂન, 2026ની ડેડલાઈન નક્કી કરી છે. રાજ્યમાં 80% જેટલા વિદ્યાર્થીના APAAR ID બન્યા છે, બાકીના 20% માટે શાળાઓમાં દર શનિવારે કેમ્પ રાખવા શિક્ષણ વિભાગે સુચના આપી છે. જૂન-26 સુધી 100%નો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લાની મોટાભાગની શાળાઓમાં ડેટા વેરિફિકેશન અંતિમ તબક્કામાં છે. તંત્ર દ્વારા કામગીરીને વેગ આપવા માટે દર શનિવારે શાળાઓમાં ખાસ ‘સેચ્યુરેશન કેમ્પ’નું આયોજન કરવા સુચના આપવામાં આવી છે. મુખ્ય સમસ્યા એ સામે આવી રહી છે કે ઘણા વિદ્યાર્થીઓના આધાર કાર્ડમાં નામ કે જન્મતારીખ સ્કૂલ રેકોર્ડ સાથે મેચ થતા નથી અથવા આધાર સાથે મોબાઈલ નંબર લિંક નથી. આ ટેકનિકલ ખામીઓને કારણે ID જનરેટ કરવામાં વિલંબ થઈ રહ્યો છે. કામગીરી અટકવાના કારણો | ડેટા મિસમેચ, એરર સહિતના કારણો જવાબદાર નુકસાન | એડમિશન, પરિણામ, શિષ્યવૃત્તિ પર અસર, યોજનાથી વંચિત રહી જવાની ભીતિ APAAR ID સરળતાથી બને તે માટે વાલીઓએ આટલું ધ્યાન રાખવું જોઇએ

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:51 am

ગરમીથી ત્રાહીમામ:રાજકોટમાં આકરી ગરમી, 15 દી’માં 30ને હિટસ્ટ્રોકની અસર

એપ્રિલ ની શરૂઆત થતા ગરમી નો પારો દિવસે દિવસે વધવા લાગ્યો છે અને લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે છેલ્લા 15 દિવસ માં 30 વ્યક્તિ ને હીટવેવની અસર હેઠળ સારવાર અપાઈ છે. સિવિલ હોસ્પિટલમાં હીટવેવને લઈને ખાસ વોર્ડ તૈયાર કરાયો છે જો કે તેમાં હજુ સુધી એકપણ કેસ આવ્યો નથી તેવુ અધિક્ષક જણાવે છે. 108ના આકડા પર નજર કરીએ તો રાજકોટમાં છેલ્લા 15 દિવસ માં હીટવેવની અસર હેઠળ અલગ અલગ ઇમરજન્સી સબબ 30 વ્યક્તિને સારવાર ખસેડવામાં આવ્યા છે ભારે ગરમીના કારણે 25 ને તાવ તથા બે વ્યક્તિ ને ઝાડા ઉલટી અને ત્રણ વ્યક્તિ બેભાન થયાના બનાવ સામે આવ્યા છે. શુક્રવારે રાજકોટનું મહત્તમ તાપમાન 40.9 ડિગ્રી નોંધાયું હતું. હીટવેવના કારણે આરોગ્ય વિભાગે એડવાઇઝરી જાહેર કરી લોકોને ગરમી સામે રક્ષણ મેળવવા અંગે માહિતી અને સાવચેતી રાખવાની સૂચના અને ઇમરજન્સી માં નજીકના આરોગ્ય કેન્દ્ર નો સંપર્ક કરવાં અનુરોધ કરવામાં આવે છે. રાજકોટ શહેરમાં હજુ એક મહિનો આકરી ગરમી પડશે. આ દરમિયાન ક્યારેક પારો 42 ડિગ્રી કરતા પણ વધી જાય તેવી શક્યતા છે. આવી આકરી ગરમીમાં ખાસ કરીને બપોરના સમયે કામ સિવાય બહાર ન નીકળવાની સલાહ આપી છે. આ જ કારણે રાજકોટ શહેરમાં બપોરે 1થી 4 દરમિયાન ટ્રાફિક સિગ્નલ પણ બંધ રખાયા છે જેથી તડકામાં વાહન ચાલકોને ઉભા રહેવુ ન પડે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:48 am

મહિલાઓની સુરક્ષા મુદ્દે ફરી સવાલો ઊભા થયા:58ની ઉંમરે શરમ વેચી ખાધી! 19 વર્ષની યુવતી સાથે જાહેરમાં અશ્લીલ હરકત કરી

રાજકોટ શહેરમાં મહિલાઓની સુરક્ષા મુદ્દે ફરી સવાલો ઊભા થયા છે. મવડી મેઇન રોડ પર 19 વર્ષની યુવતી સાથે 58 વર્ષના શખ્સે જાહેરમાં એવી શરમજનક હરકત કરતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ઉંમરના આ પડાવે સંસ્કારનું પાલન કરવાને બદલે આ શખ્સે ‘રોમિયોગીરી’ કરી પોતાની જ ઉંમરને કલંકિત કરી છે. મળતી વિગતો મુજબ, મવડી વિસ્તારમાં રહેતી 19 વર્ષની યુવતી કામસ્થળે તબિયત બગડતા ઘરે જવા નીકળી હતી. તેણે પોતાની માતાને ફોન કરીને બોલાવ્યા બાદ મહાકાળી માતાજીના મંદિર સામે એક્ટીવા પાર્ક કરી રાહ જોઈ રહી હતી. ત્યારે મવડી ચોકડી તરફથી લાલ રંગની પ્લેઝર મોપેડ પર આવેલ એક અજાણ્યો વૃદ્ધ ત્યાં આવી ઊભો રહ્યો. થોડી જ વારમાં આ શખ્સે તમામ હદો વટાવી દીધી. અચાનક યુવતીની એક્ટીવા પર પાછળ બેસી જઈ તેણે શારીરિક અડપલા શરૂ કર્યા અને તેની છાતી પર હાથ ફેરવવાનો નિર્લજ્જ પ્રયાસ કર્યો. આ અચાનક ઘટનાથી ગભરાયેલી યુવતીએ તરત જ નીચે ઉતરી બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા. લોકો ભેગા થતા ‘વૃદ્ધ રોમિયો’ ની હકીકત બહાર આવી ગઈ. એટલામાં યુવતીની માતા પણ પહોંચી ગઈ અને 181 પર કોલ કરતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી પોલીસે આરોપીને કાબૂમાં લઈને માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ કાર્યવાહી શરૂ કરી. પકડાયેલ આરોપી મવડી મેઈન રોડ ઉદયનગર શેરી નં.2/6ના ખૂણે રહે છે. તેનું નામ પંકજ મનસુખભાઈ પાટડીયા(ઉ.વ.58) હોવાનું સામે આવ્યું છે. ઉંમરનાં આ પડાવે આવી નીચ હરકતો કરનાર આરોપીને લઈને લોકોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો છે. પોલીસે યુવતીની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:47 am

સિટી એન્કર:સાસરિયાના ત્રાસથી પરિણીતાના ગર્ભમાં જ બાળકનું મોત થયું, પતિએ ચરિત્ર પર શંકા કરી ડીએનએ ટેસ્ટ કરાવ્યો!

રાજકોટ શહેરમાં ઘરેલુ હિંસા અને ત્રાસનો વધુ એક ગંભીર બનાવ સામે આવ્યો છે. સાસરિયાના સતત શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી 32 વર્ષીય પરણીતાએ ગર્ભમાં રહેલા બાળકને ગુમાવ્યું હોવાનો આક્ષેપ સાથે પતિ સહિતના સાસરિયા સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પતિએ પત્નીના ચરિત્ર પર શંકા રાખી પિતૃત્વ સાબિત કરવા DNA ટેસ્ટ કરાવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવમાં, ન્યૂ જાગનાથ વિસ્તારમાં રહેતી વિશાખાબેન નીરવભાઈ માઘવાણી(ઉં.વ.32)એ મહિલા પોલીસ મથકમાં સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, તેના લગ્ન વર્ષ 2025માં નીરવ માઘવાણી સાથે થયા હતા. લગ્નના શરૂઆતના એક મહિના સુધી બધું સામાન્ય રહ્યું, પરંતુ ત્યારબાદ પતિ દ્વારા નાની બાબતોમાં ઝઘડા શરૂ કરવામાં આવ્યા હતા. પતિ દારૂ પીને ઘરે આવતો અને ગાળાગાળી કરતો હતો. સાથે જ પત્ની પર શંકા કરીને મોબાઈલ વાપરવા અને પિયર પક્ષ સાથે વાતચીત કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાંઆવ્યો હતો. પીડિતાના આક્ષેપ મુજબ, સાસુ ભાવનાબેન દ્વારા વારંવાર મેણા-ટોણા મારવામાં આવતા હતા અને એક પ્રસંગે રસોઈ કરતી વખતે તેમનો હાથ દઝાડવામાં આવ્યો હતો. સાસરિયાઓ દ્વારા પિયરેથી પૈસા લાવવા માટે પણ દબાણ કરવામાં આવતું હતું. નણંદ દ્વારા ઘરકામ બાબતે સતત ટિપ્પણીઓ કરી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. વિવાદ વધતા 10 ઓગસ્ટ 2025ના રોજ પરણીતાએ 181 અભયમ હેલ્પલાઈન બોલાવવી પડી હતી. તે સમયે તે ગર્ભવતી હતી, પરંતુ સતત તણાવ અને ઝઘડાના કારણે ગર્ભમાં બાળકના ધબકારા અસામાન્ય બન્યા હતા. અંતે ગર્ભમાં જ બાળકનું મૃત્યુ થતાં ગર્ભપાત કરાવવો પડ્યો હતો. આટલું ઓછું હોય તેમ, પતિએ પત્નીના ચરિત્ર પર શંકા રાખી DNA ટેસ્ટ પણ કરાવ્યો હોવાનો આક્ષેપ છે. હાલ પરણીતા પોતાના પિયરમાં રહે છે અને ન્યાય માટે પોલીસનો સહારો લીધો છે. પોલીસે પતિ, સાસુ, સસરા અને નણંદ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:47 am

ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:80 ફૂટના રોડ પર ડામરનું 1 સ્પીડ બ્રેકર બનાવવા 57600થી વધારેખર્ચ થાય છે છતાં મનપા 1988ની ગાઈડલાઈનને વળગી રહી છે

રાજકોટ મહાનગરપાલિકા ઘણા કિસ્સાઓમાં જૂની પધ્ધતિને વળગી રહે છે અને તેનાથી પ્રજાના પૈસાનું ધોવાણ થાય છે. તેવો એક કિસ્સો સ્પીડ બ્રેકરને લઈને છે. જેમાં 2018માં નવા નિયમ આવ્યા હોવા છતાં મનપા 1988ના નિયમ મુજબ જ કામ કરે છે અને ત્રણ ગણો ખર્ચ કરી નાખે છે. ઈન્ડિયન રોડ કોંગ્રેસે સ્પીડ બ્રેકર માટે 1988માં ગાઈડલાઈન તૈયાર કરી હતી. જે મુજબ મનપા સ્પીડ બ્રેકર બનાવે છે જો કે તેમાં પણ ઉંચાઈમાં અનેક નિયમભંગ થાય છે. 2018માં નવી ગાઈડલાઈન આવી જેમાં ટ્રાફિક હળવો કરવાના વિષય પરઅલગ અલગ કારના સ્પીડ બ્રેકર મુકવાનુ કહ્યુ છે. ખાસ કરીને શહેરી વિસ્તારમાં ફક્ત ડામરને બદલે રબ્બરના સ્પીડ બ્રેકર મૂકવા કહ્યુ છે. ડામરનો સ્પીડ બ્રેકર બનાવવો હોય તો તેનો ખર્ચ એક મીટરના 3600 રૂપિયા થાય છે. જો 80 ફૂટના રોડ પર એક સ્પીડ બ્રેકર બનાવવુ હોય તો 8600 થાય છે. જ્યારે રબરના સ્પીડબ્રેકરનો ખર્ચ પ્રતિ મિટર 1200 રૂપિયા છે એટલે કે 80 ફૂટના રોડ પર 28800 રૂપિયા થાય છે. રબ્બરને બદલે ડામર વાપરીને 80 ફૂટના રોડ પર એક સ્પીડ બ્રેકરના 57600 રૂપિયા વધુ ચૂકવે છે. પ્રતિ મિટર 240 રૂપિયાનો વધારાનો ખર્ચ મનપા નવી ગાઈડલાઈનને બદલે હજુ જૂની વિચારધારામાં રહેતી હોવાથી થઈ રહ્યો છે. નવી ગાઈડલાઈનમાં સ્પીડ બ્રેકરની ઉંચાઈ 10 સેમીથી વધુ ન હોવી જોઈએ જ્યાર હાલ જે રીતે ઢોળા બનાવી દેવાયા છે તેના કારણે સિનિયર સિટીઝનના હાડકા તૂટ્યાના પણ બનાવ બન્યા છે તેથી મનપાએ હવે 7 વર્ષ પહેલાની નવી વિચારધારા અપનાવવાની જરૂર છે. રબ્બરના સ્પીડ બ્રેકર ઝડપથી લાગી જાય છે, ગાઈડલાઈનમાં એટલે જ સમાવાયુંટ્રાફિક સેફ્ટી અને રોડ યુઝર કમ્ફર્ટને ધ્યાને લઈ IRC 99 – 2018ની Guidelines for traffic calming measures in urban and rural areas માટે વિવિધ પ્રકારના સ્પીડ બ્રેકરના ધારાધોરણ એટલે કે સ્ટાન્ડર્ડ નક્કી કર્યા છે. અકસ્માતો અને અકસ્માતની ભયાનકતા અટકાવવા સ્પીડ બ્રેકરની સાઈઝ, ઉંચાઇ, ઢાળ, પહોળાઈ અને કલર માર્કિંગના સ્ટાન્ડર્ડ નક્કી કરાયા છે. જેમાં ડામર ઉપરાંત પ્રિ ફેબ્રિકેટેડ રબ્બર અથવા પીવીસીના સ્પીડ બ્રેકર લોખંડના ખીલાથી ફિટ કરાય છે. આ કિસ્સામાં મેઈનટેનન્સ અને ગુણવત્તા પર ખાસ ધ્યાન રાખવુ પડે કારણ કે સ્પીડ બ્રેકર તુટે તો લોખંડના ખીલાથી ટાયરને નુકશાન થઈ શકે છે. ફાયદો એ છે કે ખુબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. - બી.વી. હસોડા, નિવૃત્ત ઈજનેર, માર્ગ અને મકાન વિભાગ દર મહિને પોલીસ 100 સ્પીડ બ્રેકરની ભલામણ કરે છે, નવી ગાઈડલાઈન ફગાવતા મનપા લાખો રૂપિયાની બચત ગુમાવે છેપોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસની ટ્રાફિક બ્રાન્ચ દર મહિને સરેરાશ 35થી 40 સ્થળે સ્પીડબ્રેકર મૂકવા ભલામણ કરે છે. એક સ્થળે બે તરફ સ્પીડ બ્રેકર મૂકવાના હોવાથી 90થી 100 બનાવવાના હોય છે. નાનામાં નાના રોડના 40 ફૂટ ગણીયે તો એક સ્પીડબ્રેકરનો ખર્ચ 43200 થાય છે. 100 બનાવવા માટે 43.20 લાખ રૂપિયા ખર્ચે છે. નવી ગાઈડલાઈન અપનાવે તો રબરના સ્પીડબ્રેકરનો મહિને 14.40 લાખ થાય. મનપા આ રીતે નવી ગાઈડલાઈન ફગાવી દઈને 28.80 લાખની બચત ગુમાવી રહી છે. સ્પીડ બ્રેકરની ખાસ ગ્રાન્ટ નથી, ખાડા બુરવાના બજેટમાંથી કપાય છે!સ્પીડ બ્રેકર બનાવવા માટે મનપાએ કોઇ અલગથી બજેટની જોગવાઈ નથી કરી. તે ખર્ચ ખાડા બૂરવાની ગ્રાન્ટમાંથી જ થાય છે. આ કારણે જેટલા સ્પીડ બ્રેકર બને તેટલા ખાડા ઓછા બુરાઈ રહ્યા છે. રાજકોટ શહેરમાં ચોમાસા બાદ રોડ પર ખુબ ખાડા પડી જાય છે જેને બુરવામાં વાર લાગે છે કારણ કે મોટાભાગનું બજેટ સ્પીડ બ્રેકરમાં વપરાય છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:43 am

આપઘાત:બી. જે. મેડિકલની વિદ્યાર્થિનીનો આપઘાત

બી. જે. મેડિકલ કૉલેજમાં જૂનાગઢના કેશોદ પાસેના ગામની વિદ્યાર્થિની જીઆ ડાકીએ ગત સોમવારે હોસ્ટેલમાં પંખા સાથે દુપટ્ઠો બાંધી આત્મહત્યા કરી લીધી હતી. મહત્ત્વનું છે કે તેણે બપોરના 3.45 વાગ્યા સુધી મિત્રોને મેસેજ કર્યા હતા અને પછી અચાનક આત્મહત્યા કરી હતી. બી. જે. મેડિકલ કૉલેજના ડીન અને સિવિલના માનસિક રોગ વિભાગના વડા ડૉ. મિનાક્ષીબહેન પરીખના કહેવા પ્રમાણે જીઆ ગામથી આવ્યા પછી એકલતા અનુભવતી હતી. બે મહિના સુધી તે ગુમસુમ રહેતી હોવાથી સ્ટુડન્ટ કાઉન્સેલિંગ સેન્ટરમાં પણ આવી હતી. અહીં તેનું કાઉન્સેલિંગ કરાયું હતું, તે ફોલોઅપમાં પણ આવી હતી. પરંતુ એક-દોઢ મહિનાથી સારું હોવાનું કહીને કાઉન્સેલિંગ માટે આવતી નહોતી. તેની પાસેથી મળેલી સ્યુસાઇડ નોટમાં પણ એકલતાનું કારણ જણાવાયું છે. ઘરથી દૂર આવનારા વિદ્યાર્થીઓ એકલતા, તણાવ કે અન્ય કોઇ સમસ્યામાં ન સપડાય ચે માટે સ્ટુડન્ટ કાઉન્સેલિંગ સેન્ટર બનાવાયું છે, વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે હૉસ્પિટલ કે કૉલેજમાં કામનું ભારણ હવે પહેલાં જેટલું નથી. મોટે ભાગે કામનું ભારણ રેસિડન્સશિપમાં વધુ રહે છે જ્યારે જીઆ અંડર ગ્રેજ્યુએટ હોવાથી કામના ભારણ કરતાં એકલતાને કારણે પગલું ભર્યાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:40 am

બ્લૂમબર્ગ રિપોર્ટ:5 વર્ષમાં 5 વખત બદલાઇ એશિયાના અમીરની ખુરશી

5 વર્ષમાં એશિયાના સૌથી અમીર વ્યક્તિની ખુરશી 5 વખત બદલાઇ છે. બ્લૂમબર્ગ દ્વારા જાહેર કરાયેલા વર્લ્ડ બિલિયોનર્સ ઇન્ડેક્સ મુજબ, ગૌતમ અદાણી એકવાર ફરી મુકેશ અંબાણીને પાછળ છોડી એશિયાના સૌથી વધુ અમીર વ્યક્તિ બની ગયા છે. ગૌતમ અદાણી 8.59 લાખ કરોડ સાથે 19મા અને મુકેશ અંબાણી 8.42 લાખ કરોડની સંપત્તિ સાથે 20મા ક્રમે છે. યાદીમાં 6 ગુજરાતી સહિત 23 ભારતીય અબજપતિ સામેલ છે. તેમની કુલ સંપત્તિ 51 લાખ કરોડ છે, જે ભારત સરકારના 2026-27ના બજેટ 52 લાખ કરોડ જેટલી છે. ગૌતમ અદાણી (2026) મુકેશ અંબાણી એશિયામાં નંબર 1- કોણ ક્યારે? દેવા, શેરના ભાવમાં વધઘટથી ફેરફાર થતો રહ્યો ઇલોન મસ્ક વિશ્વમાં સૌથી ધનિક, ગૂગલના લેરી પેજ બીજા ક્રમે ટોપ-10 પાસે 240 લાખ કરોડ, 500 ધનિકોની સંપત્તિના 24% 6 ગુજરાતીની સંપત્તિ 21 લાખ કરોડ રાજ્યના 16 વર્ષના કુલ બજેટથી વધુબ્લૂમબર્ગની યાદીમાં અદાણી-અંબાણી સહિત 6 ગુજરાતી સામેલ છે. તેમની કુલ સંપત્તિ 21 લાખ કરોડ રૂપિયા છે. જ્યારે 2010-11થી 2026-27 દરિયાન 16 વર્ષમાં રાજ્ય સરકારનું કુલ બજેટ 20 લાખ કરોડ થાય છે. દિલીપ સંઘવી 2.23 લાખ કરોડ સાથે 107મા ક્રમે, સમીર મહેતા 80 હજાર કરોડ સાથ 433, પંકજ પટેલ 77 હજાર કરોડ સાથ 447 અને સુધીર મહેતા 76 હજાર કરોડ સાથે 456મા ક્રમે છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:34 am

આયુર્વેદિક ડોક્ટરોને એલોપેથી દવા લખવાની છૂટ મળશે?:આયુર્વેદ ડૉક્ટરોને એલોપેથી દવા લખવા મુદ્દે કરાયેલી રિટને નેશનલ કમિશનનો ટેકો

આયુર્વેદિક ડૉક્ટરોને એલોપેથી દવાઓ લખવાની મંજૂરી આપવા મુદ્દે ચાલી રહેલી કાનૂની પ્રક્રિયામાં વળાંક આવ્યો છે. હાઈકોર્ટમાં પેન્ડિંગ અરજીને નેશનલ કમિશન ઓફ ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિને ટેકો આપ્યો છે ‘ઓલ ગુજરાત આયુર્વેદ મેડિકલ ઍસોસિયેશન’ દ્વારા કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરાઈ છે કે બીએએમએસ કોર્સમાં તેમને મોડર્ન મેડિસિન એટલે કે એલોપેથીની પણ તાલીમ આપવામાં આવે છે. તેમ છતાં હાલના નિયમો મુજબ તેઓને એલોપેથી દવાઓ લખવાની કરવાની મંજૂરી નથી, જેના કારણે પ્રેક્ટિસમાં મર્યાદા ઊભી થાય છે. આયુર્વેદ ડૉક્ટરને તાલીમ અને જ્ઞાનના આધારે મર્યાદિત રીતે એલોપેથી દવાઓ લખવાની કાનૂની છૂટ આપવામાં આવે. ગ્રામ્ય વિસ્તારોમાં ડૉક્ટરોની અછત વચ્ચે આ નિર્ણયથી દર્દીઓને વધુ ઝડપથી સારવાર મળી શકે.અરજીમાં 2018ના સુપ્રીમ કોર્ટના આદેશનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં ઈન્ટિગ્રેટેડ મેડિસિન સિસ્ટમ હેઠળ તાલીમ લીધેલા ડોક્ટરોને રાહત આપવામાં આવી હતી. આ કેસમાં નેશનલ કમિશન ઓફ ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિનદ્વારા અરજીને ટેકો આપવામાં આવ્યો છે, જે અરજદારો માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આથી રાજ્ય સરકાર અને મેડિકલ સંસ્થાઓ પર દબાણ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ ગુજરાત મેડિકલ કાઉન્સિલે આ માંગનો વિરોધ નોંધાવ્યો છે. તેમનું કહેવું છે કે એલોપેથી પ્રેક્ટિસ માટે માત્ર એમ બી બી એસ લાયકાત ધરાવતા ડોક્ટરોને જ મંજૂરી હોવી જોઈએ, જેથી દર્દીઓની સલામતી જળવાઈ રહે.ગુજરાત હાઈકોર્ટે અરજી સ્વીકારીને રાજ્ય સરકાર સહિત સંબંધિત પક્ષોને નોટિસ પાઠવી છે અને આ કેસને 2006થી પેન્ડિંગ સમાન અરજી સાથે સાંભળવાનો નિર્ણય લીધો છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:31 am

ઐતિહાસિક વસઈ કિલ્લો 8 મહિનાથી દરવાજા વિહોણો

ગત વર્ષે પૂરમાં દરવાજો ધોવાઈ ગયો હતો પુનઃ સ્થાપનાનો પ્રસ્તાવ મંજૂૂર થઈ ચૂક્યો છે, ટૂંક સમયમાં કામ શરુ થવાનું આશ્વાસન મુંબઈ - ઐતિહાસિક વસઈ કિલ્લાનો દરવાજો ઓગસ્ટ ૨૦૨૫માં પડેલા ભારે વરસાદમાં ધોવાઈ ગયો હતો. જોકે, આઠ મહિના પછી પણ આ દરવાજા પુનઃપ્રસ્થાપિત થયા નથી. આર્કિયોલોજી વિભાગના દાવા મુજબ આ દરવાજાના સમારકામનો પ્રસ્તાવ મંજૂૂર થઈ ગયો છે અને તેની કામગીરી ટૂંક સમયમાં શરુ કરાશે.

ગુજરાત સમાચાર 18 Apr 2026 5:30 am

બ.કાં.માં 4 માસમાં PITનો બીજો કેસ:પાલનપુરમાં નશીલા પદાર્થો વેચનાર રીઢા ગુનેગારને વડોદરાની સેન્ટ્રલ જેલ મોકલાયો

પાલનપુરમાં નશીલા પદાર્થોના વેચાણમાં સંડોવાયેલ રીઢા ગુનેગાર અને અગાઉના ગુનામાં જામીન પર છૂટ્યા બાદ પણ તે ફરી નાર્કોટિક્સની પ્રવૃત્તિમાં સંડોવાયેલો હોવાનું સામે આવતા PIT હેઠળ કેસ કરી તેને વડોદરા સેન્ટ્રલ જેલ મોકલી દેવાયો હતો. જિલ્લામાં છેલ્લા ચાર મહિનામાં PIT હેઠળનો આ બીજો કેસ નોંધાયો છે. પાલનપુરમાં હેરોઈન સહિતના નશીલા પદાર્થોના વેચાણમાં સંડોવાયેલા રીઢા ગુનેગાર ઈશ્વરભાઈ ઉર્ફે હેન્ડલ કેશાભાઈ સલાટ સામે પોલીસે PIT NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરી તેને વડોદરા સેન્ટ્રલ જેલ મોકલી દીધો છે. આરોપી માનસરોવર ફાટક વિસ્તારમાં રહેતો હતો અને અગાઉ જામનગર તેમજ બનાસકાંઠામાં NDPSના બે ગુનામાં પકડાઈ ચૂક્યો હતો.. ડ્રગ્સ હેરાફેરી રોકવાનું કામ PIT NDPS એક્ટનું છે બનાસકાંઠા જિલ્લા એસઓજી પીઆઈ એસ.એમ.પટણીએ જણાવ્યું હતું કે,PIT NDPS Act માદક પદાર્થોની હેરાફેરી રોકવા માટેનો અટકાયતી કાયદો છે. સામાન્ય NDPS Act ગુનો થયા બાદ કાર્યવાહી કરે છે, PIT NDPS ગુનો અટકાવવા માટે અગાઉથી જ કડક પગલાં લે છે. રાજ્ય અથવા કેન્દ્ર સરકારના સચિવ સ્તરના અધિકારી આ કાયદા હેઠળ 1 વર્ષ સુધી, અને ગંભીર કેસમાં 2 વર્ષ સુધી ટ્રાયલ વગર જેલમાં રાખી શકે છે. જામીન મળવા મુશ્કેલ હોય છે અને માત્ર એડવાઈઝરી બોર્ડ સમક્ષ રજૂઆત થઈ શકે છે. ડ્રગ્સનું ઉત્પાદન, વેચાણ, હેરાફેરી, ફાઈનાન્સિંગ અથવા આશરો આપતા લોકો સામે કાર્યવાહી થઈ શકે છે. ગેરકાયદે કમાયેલી મિલકતો પણ જપ્ત થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:30 am

સિવિલના ડેન્ટલ વિભાગે બાળકને થતી ખાવાની તકલીફ દૂર કરી‎:પાલનપુર સિવિલમાં ડોક્ટરોએ બાળકના તૂટી ગયેલા જડબાની એક કલાકમાં સર્જરી કરી

દાંતા તાલુકાના ચેખલા ગામે 10 ફૂટ ઊંચા શેડ પરથી નીચે પડતાં 7 વર્ષીય બાળકના મોઢામાંથી ભારે રક્તસ્ત્રાવ થવા છતાં પાલનપુર સિવિલ હોસ્પિટલના ડેન્ટલ વિભાગે માત્ર એક કલાકમાં સફળ સર્જરી કરી બાળકના તૂટી ગયેલા જડબાને ફરીથી યોગ્ય બનાવ્યું હતું. દાંતા તાલુકાના ચેખલા ગામે 7 વર્ષીય રાહુલભાઈ પશુના શેડ ઉપરથી અંદાજિત 10 ફૂટ ઊંચાઈ પરથી નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતમાં તેને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને લોહી નીકળી રહ્યું હતું. પડતાની સાથે જ બાળક બેહોશ થઈ જતા પરિવારજનોમાં ગભરાટ ફેલાયો હતો.પરિવારે 108 મારફતે બાળકને અંબાજી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. ત્યાં તબીબોએ પ્રાથમિક સારવાર આપી રક્તસ્ત્રાવ બંધ કર્યો હતો. ત્રણ દિવસની સારવાર બાદ વધુ સારવાર માટે તેને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયો હતો. સિવિલના ડેન્ટલ વિભાગને તપાસ દરમિયાન બાળકના મોઢામાં ભારે સોજો અને જડબું તૂટી ગયેલું હોવાનું જણાતા સીટી સ્કેન કરવામાં આવ્યો હતો. જેમાં જડબામાં ફ્રેક્ચર સ્પષ્ટ થતાં તાત્કાલિક સર્જરીનો નિર્ણય લેવાયો હતો.સિવિલ સુપરિન્ટેન્ડન્ટ ડો.સુનિલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ ડોક્ટરોની ટીમે લગભગ એક કલાકમાં સફળ સર્જરી કરી હતી. ઇન્ટ્રાઓરલ ટેક્નિકથી જડબું સ્થિર કરાયું અને બાળકને ખાવામાં સરળતા રહે તે માટે ખાસ સ્પ્લિન્ટ મુકાયું હતું. સારવાર બાદ બાળક સંપૂર્ણ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ડોક્ટરોએ બાળકના તૂટી ગયેલા જડબાની એક કલાકમાં સર્જરી કરી હતી

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:30 am

કાઉન્સેલિંગ:ડોળીયા બાઉન્ડ્રી પાસે એક સપ્તાહથી ભટકતી નિરાધાર મહિલાને છત મળી

સુરેન્દ્રનગર જિલ્લાના ડોળીયા બાઉન્ડ્રીથી એક સેવાભાવી વ્યક્તિએ 181 મહિલા હેલ્પલાઇન ટીમને તેમની મદદ લેવા માટે બોલાવેલ સેવાભાવી વ્યક્તિએ જણાવ્યું કે રાજકોટ હાઇવે પર ચોટીલા તરફ જતા ડોળીયા બાઉન્ડ્રી એ એક પીડિત મહિલા માર્ગ પર ભટકતા હતા ઘણા સમયથી નાગેશ્વર આશ્રમની બાજુમાં આવેલ ઓટલા ઉપર બેઠેલા છે. જેથી તે પીડિતાના આશ્રય માટે મદદ માંગેલ. 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં કોલ આવતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જેમાં કાઉન્સિલર મેત્રા રીંકલ કોન્સ્ટેબલ મનીષાબેન નાકિયા તેમજ પાયલોટ મહેશભાઈ સભાડ ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટના જાણી અને પૂછપરછ કરતા એવું જાણવા મળેલ કે ઘણા સમયથી પીડિતી હતી અને અલગ અલગ વિસ્તારમાં ભટક્યા કરતી હતી. અંદાજે એક અઠવાડિયાથી તે નાગેશ્વર આશ્રમની બહાર ઓટલે બેઠેલ છે. જેથી આશ્રમના બાપુએ તેમને જમવાનું આપેલ વાત કરવા ની ટ્રાય કરેલ પરંતુ તે બાપુને કાંઈ જણાવતા નથી માટે બાપુએ પીડિતાને આશ્રય મળે માટે ગામના સરપંચ‌ના છોકરાને વાત કરેલી સરપંચના દીકરાએ શિવાલય સેલટર હોમ જશાપરના પ્રમુખ નીતાબેન જાની જોડે કોન્ટેક કરી તેમને પીડિતાને લેવા માટે બોલાવેલ નીતાબેનની જોડે ટીમ પણ ઘટના સ્થળે હાજર હતી. પરંતુ પીડિતા ગભરાઈ ગયેલ તે તેમનું સાચું સરનામું પણ જણાવતા ન હતા. બંને ટીમે તેમને સાત્વના આપી તેમજ તે વાનમાં બેસવા તૈયાર થતા ન હતા. ઘણા પ્રયાસ કરી પછી લાગણી તેમજ પ્રેમ ભાવથી ખૂબ સમજાવી પીડિતા મહિલાને તેમની વાનમાં બેસવા તૈયાર કરેલ પછી તે આશ્રય જવા માટે રાજી થઈ ગયેલ પીડિતાને ન કોઈ ઘર હોય ન કોઈ પરિવાર હોય સતત રસ્તે જીવન પસાર કરતા હોય માટે તેમને આશ્રય તેમજ સુરક્ષાની ખૂબ જ જરૂર જણાય 181 મહિલાને ખૂબ પ્રયત્ન કરી મહિલાને શિવાલય સેલટર હોમમાં આશ્રય અપાવેલ હતો.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:30 am

ગમખ્વાર અકસ્માત સર્જાયો:પોરબંદરના ભડ ગામ નજીક બાઇક આડે ખૂટીયો ઉતરતા એકનું મોત, એક ઘાયલ

પોરબંદરના ભડ ગામ નજીક એક બાઇક આડે અચાનક ખૂટીયો ઉતરતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બાઈકમાં સવાર એક યુવાનનું મોત થયું હતું તો એક યુવાનને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે પોરબંદરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદર જિલ્લાના માર્ગો પર રઝળતા ઢોરનો આતંક વધ્યો છે.આ રઝળતા ઢોરને લઈને અવાર નવાર અકસ્માતના બનાવો પણ સામે આવતા હોય છે.પોરબંદરના ભડ ગામ નજીક એક બાઇક આડે અચાનક ખૂટીયો ઉતરતા ગંભીર અકસ્માત સર્જાયો હતો .બિરલા કોલોનીના ઇન્દિરાનગરમાં મહાકાળી મંદિર પાસે રહેતા ચૌહાણ મુકેશ રવજીભાઈ તથા શિયાળ માનવ જયદેવ નામના બંને યુવાનો ભડ ગામેથી પોરબંદર ગુરુવારે રાત્રે બાઈક મારફતે આવી રહ્યા હતા ત્યારે ભડ ગામ નજીક બાઈક આડે એકાએક ખુતીયો ઉતરતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈકમાં સવાર ચૌહાણ મુકેશ રવજીભાઈનું મોત થયું હતું તો અન્ય એક યુવાનને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો. પોરબંદર રાજકોટ, પોરબંદર દ્વારકા અને પોરબંદર સોમનાથ હાઇવે ઉપરાંત અન્ય માર્ગો પર દર મહિને રઝળતા પશુઓને લીધે અનેક નાના મોટા અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે આવા અકસ્માતમાં ભૂતકાળમાં લોકો ઈજાગ્રસ્ત બન્યા છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:30 am

ઝઘડાનું મનદુ:ખ રાખી શખ્સે હુમલો કર્યો‎:મહિયારી ગામે માતા પુત્ર પર શખ્સનો હિચકારો હુમલો

કુતિયાણાના મહીયારી ગામે અગાઉના મનદુઃખમાં એક શખ્સે માતા પુત્રને લોખંડના પાઈપ વડે માર મારી ગંભીર ઈજાઓને પહોચાડી જાતિ પ્રત્યે હડધૂત કર્યાની ફરિયાદ નોંધાઈ છે. કુતિયાણાના મહીયારી ગામે રહેતા વિજય માલદેભાઈ સોલંકીને દશેક દિવસ પહેલા આ ગામના કરણ પરબત પરમાર નામના શખ્સ સાથે બોલાચાલી તથા ઝઘડો થયેલ હતો, જે વાતનુ મનદુખ રાખી શખ્સે યુવાનને તથા યુવાનના માતા મંજુબેનને જેમ ફાવે તેમ ભુંડી ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરી. લોખંડના પાઈપ વડે માર મારી શરીરે ઢીકા પાટુનો માર મારી મુંઢ ઇજા પહોચાડી હતી અને મંજુબેનને માથાના ભાગે લોખંડના પાઈપનો એક ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે કરણ પરબત પરમાર સામે ગુન્હો નોંધી આગળની તપાસ કુતિયાણા પોલીસ ચલાવી રહી છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:30 am

સાંઢિયાવાડની ઘટના:પાણી સમજી એસિડનો ઘૂંટડો પી જતા પરિણીતા સારવારમાં

પોરબંદરના છાંયા એસએસસી રોડ પર સાંઢિયાવાડમાં રહેતી એક પરણિતાએ પાણી સમજીને એસિડનો ઘૂંટડો પીવાઈ જતા તેણીને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે જાણવાજોગ દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોરબંદરના છાંયા એસએસસી રોડ પર સાંઢિયાવાડમાં રહેતી આરતીબેન વિજયભાઈ આગઠ નામની 26 વર્ષીય પરણિતાએ ગત તા. 16/4ના રોજ સવારે પોતાના ઘરે ઘરકામ કરતા હતા ત્યારે પાણી સમજીને એસિડની બોટલ માંથી એક ઘૂંટડો પીવાઈ જતા આ પરણિતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે પરણિતાએ પાણી સમજીને એસિડની બોટલ માંથી એક ઘૂંટડો પીવાઈ ગયો હોવાનું પોલીસ ચોપડે જાહેર કર્યું છે. પોલીસે જાણવાજોગ દાખલ કરી આગળની તપાસ ડીવાયએસપી ઋતુ રાબા ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:30 am

શારીરિક માનસિક ત્રાસ આપી પત્નીને માર માર્યો‎:રાણાવાવના રાણા વરવાળા ગામે પરિણીતાને પતિનો ત્રાસ

રાણાવાવના રાણા વરવાળા ગામે રહેતો એક પરણિતાને તેના પતિએ ઝગડો કરી બોલાચાલી કરી ગાળો કાઢી લાકડી વડે શરીરે માર મારી શારીરિક માનસિક ત્રાસ આપ્યા અંગેની પરણિતાએ ફરિયાદ નોંધાવી છે. રામજીભાઈ જીવણભાઇ ધૂમલીયાની પુત્રી મનીષાબેનના લગ્ન રાણાવાવના રાણા વરવાળા ગામે વાડી વિસ્તારમાં વિઠલ નથુભાઈ ઓડેદરા સાથે થયા છે. લગ્ન જીવન દરમ્યાન મનીષાબેન સાથે તેનો પતિ વિઠલ અવાર નવાર નાની નાની વાતોમાં બોલાચાલી તથા ઝઘડો કરી જેમ ફાવે તેમ ગાળો આપી, ઢીકા પાટુનો માર મારી શારીરિક માનસિક રીતે ત્રાસ આપ્યો હતો અને તાજેતરમાં આ પરિણીતાના પતિએ મનીષાને બંને પગના સાથળના ભાગે લાકડી વડે માર મારી એક લાકડીનો ઘા માથાના ભાગે મારી લોહી નિકળતી ઇજા પહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત પરણિતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે પરણિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે વિઠલ નથુભાઈ ઓડેદરા સામે ગુન્હો નોંધી આગળની તપાસ રાણાવાવ પોલીસ ચલાવી રહી છે.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:30 am

શિક્ષણ પદ્ધતિનું નિરીક્ષણ કર્યું‎:સુરક્ષા એજન્સીના ઉચ્ચ અધિકારીઓએ આર્ય કન્યા ગુરુકુલ, CBSE સ્કૂલની મુલાકાત લીધી

પોરબંદર રિયર એડમિરલ શ્રીતનુ ગુરુ (વિશિષ્ટ સેવા મેડલ), ફ્લેગ ઓફિસર કમાંડિંગ ગુજરાત નેવલ એરિયા તથા તેમની પત્ની સોમા ગુરુએ પોરબંદરની આર્ય કન્યા ગુરુકુલ, CBSE સ્કૂલની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન મહેમાનોને ગુરુકુલની અનોખી શિક્ષણ પદ્ધતિ અંગે માહિતગાર કરવામાં આવ્યા, જેમાં શિક્ષણ સાથે સંસ્કાર, શિસ્ત, સાંસ્કૃતિક મૂલ્યો અને સર્વાંગી વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. શાળાના શૈક્ષણિક, શારીરિક, નૈતિક અને આધ્યાત્મિક વિકાસ માટેના કાર્યક્રમો જેમ કે અભ્યાસ, રમતગમત, સંગીત, નૃત્ય, યોગ, ધ્યાન અને મૂલ્ય આધારિત શિક્ષણ વિશે વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. મહેમાનોને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાનો અવસર મળ્યો તેમજ તેમણે નેતૃત્વ વિકાસ પ્રવૃત્તિઓ, રમતગમતમાં સિદ્ધિઓ, સાંસ્કૃતિક તાલીમ અને હોસ્ટેલ આધારિત શિક્ષણ પદ્ધતિનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દ્વારા મહેમાનોને આર્ય કન્યા ગુરુકુલના વિશિષ્ટ શિક્ષણ માહોલને નજીકથી સમજવાનો અવસર મળ્યો અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની પ્રશંસા કરી હતી.શાળાના વ્યવસ્થાપન, પ્રિન્સિપલ, સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ આ પ્રેરણાદાયી મુલાકાત અને માર્ગદર્શન માટે મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:30 am

મતદાર જાગૃતિ અંગે પ્રેરણા અપાઇ:કમલાબાગ ખાતે 50થી વધુ મહિલાએ અમે‎અવશ્ય મતદાન કરીશું'' અંગે શપથ લીધા‎

સ્થાનિક સ્વરાજ્ય એકમો જિલ્લા, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગર પાલિકાની સામાન્ય/ મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ 2026 યોજાનાર છે. આગામી ચૂંટણીમાં મતદાન કરવા અંગે પોરબંદર જિલ્લામાં જાગૃતિ વધે તે માટે વિવિધ મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન ચાલુ રહ્યું છે. જે અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પોરબંદરના માર્ગદર્શનમાં સ્વેપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી વી.કે. પરમારની ટીમ દ્વારા કમલા નહેરુ બાગ, પોરબંદર ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.. સ્ત્રી નિકેતન સંસ્થા, પોરબંદર દ્વારા ચૈત્ર માસ ઉત્સવ પ્રસંગે વન ભોજન અને દાબડા ઉજવણી પ્રસંગે ઉપસ્થિત 50 થી વધુ મહિલાઓ, સ્ત્રી નિકેતનના પ્રમુખ ઉષાબેન હાથી, કમિટીના સદસ્યો અને દુર્ગાબેન લાદીવાલા વગેરે સન્નારીઓ દ્વારા મતદાર જાગૃતિ માટે શપથ લેવામાં આવેલ. ઉપરાંત સંસ્થાના પ્રમુખ અને સદસ્ય બહેનોએ કમલાબાગ જેવા જાહેર સ્થળ પર મતદાર જાગૃતિ અંગે શપથ લઇ, સમાજના લોકોને વધુ ને વધુ મતદાન કરવા માટે ખાસ અપીલ કરી હતી. કાર્યક્રમના પ્રારંભે સ્વેપ ટીમના ડૉ. જીગ્નેશ પ્રશ્નાણી દ્વારા વધુને વધુ મતદાન કરવા અંગે અપીલ કરી હતી. આ અંગે બહેનોને મતદાર જાગૃતિ અન્વયે માર્ગદર્શન આપવામાં આવેલ હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વેપ મદદનીશ નોડેલ અધિકારી સંદિપ સોની સહિત સ્વેપ ટીમના બધા સદસ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 18 Apr 2026 5:30 am