રાજકોટનો વોર્ડ-15 છેલ્લા 15 વર્ષથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. ગત ચૂંટણીમાં આ એકમાત્ર એવો વોર્ડ હતો જ્યાં ભાજપના સૂપડા સાફ થયા હતા અને ચારેય બેઠકો પર કોંગ્રેસના કોર્પોરેટરો ચૂંટાયા હતા. જોકે, આ વખતે સ્થિતિ બદલાયેલી છે. એક તરફ ભાજપ આ ગઢ તોડવા મથી રહ્યું છે, તો બીજી તરફ જનતા પાયાની સુવિધાઓના અભાવે રોષમાં છે. ત્યારે લોકોને શું સમસ્યા છે અને છેલ્લા પાંચ વર્ષમાં શું બદલાયું છે, કેટલા વિકાસ કાર્યો થયા છે. આ તમામ સવાલોના જવાબ માટે ભાસ્કરની ટીમે વોર્ડ-15માં ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. 'જર્જરિત આવાસ ગમે ત્યારે પડે તેનો ડર લાગે છે'આજી વસાહતમાં વાંબે આવાસ યોજનામાં 200 આવાસ આવેલા છે. ત્યાંના સ્થાનિક રહેવાસી કંચનબેને જણાવ્યું હતુ કે, 18 વર્ષથી અહીં રહીએ છીએ પણ કોઈ ધ્યાન આપતું નથી. ગટરની કુંડીઓ ખુલ્લી છે. ક્વાર્ટર્સ જર્જરિત હાલતમાં છે અને ગમે ત્યારે પડે તેવો ડર લાગે છે. જે કામ કરશે તેને જ મત આપીશું. 'ખાડા પડ્યા છે, રસ્તો રીપેર કરતા નથી'આજી GIDC મેઈન રોડ ઉપર ફેક્ટરી ધરાવતા મનીષ લાખાણીએ જણાવ્યુ હતું કે, છેલ્લા 3 વર્ષથી પાઇપલાઇન નાખ્યા રાખે છે, તેથી ખાડા પડી ગયા છતાં રસ્તો રીપેર કરતા નથી. અહીં GIDCમાં ગુજરાત સરકાર અને કોર્પોરેશન પણ ટેક્સ ઉઘરાવે છે. ડબલ ટેક્સ ભરીએ છતાં પ્રાથમિક સુવિધાથી વંચિત છીએ. ગત વર્ષે માર્ચ માસમાં GIDCના હોદેદારો આવ્યા હતા અને આ રસ્તો બનાવવા રુપિયા 7 કરોડ મંજૂર થયા હોવાની વાત કરી હતી. જો કે હજુ સુધી રોડનું નામ નિશાન નથી. 'મત આપવા જવું કે નહીં તે વિચારવું પડે'અહીંથી પાવર ટ્રાન્સમિશન, હાર્ડવેર અને કિચનવેરની વસ્તુઓ આફ્રિકા અને યુરોપમાં એક્સપોર્ટ થાય છે.કોંગ્રેસના કોર્પોરેટરો અહી આવતા જ નથી જ્યારે ચૂંટણી હોય ત્યારે પ્રચાર કરવા માટે આવે છે. જૂના કોર્પોરેટરોને રીપીટ કરવાથી કોઈ ફાયદો થાય તેવું લાગતું નથી. જેથી હવે અમારે મત આપવા જવું કે નહીં તે પણ વિચારવું પડે તેમ છે. 'ઓવરબ્રિજ અને અંડર બ્રિજની જરૂરિયાત છે'શહેર કોંગ્રેસના માલધારી આગેવાન હરેશ ભારાઈએ જણાવ્યું હતુ કે, આજીડેમથી કોઠારીયા ચોકડી સુધી જવા અનેક વખત બ્રિજની માંગણી કરવામાં આવી અને માત્ર કાગળ ઉપર પાસ થયો છે. છેલ્લા બે વર્ષમાં જ સૌથી વધુ વાહન ચાલકોના મૃત્યુ થયેલા છે. જેનું નિવારણ લાવવા માટે હાઈવે ઉપર ઓવરબ્રિજ અને અંડર બ્રિજની જરૂરિયાત છે. આ રસ્તો 20 વર્ષમાં બન્યો નથી. જેથી તાત્કાલિક આ રોડ બનાવવામાં આવે તો ઘણા બધા અકસ્માતો અટકી શકે છે. 'બધા ચૂંટણી વખતે આવે, પછી કોઈ ડોકાતું નથી'સ્થાનિક ભોલાભાઈ રબારીએ જણાવ્યું હતું કે, મોટો ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલો છે તેમ છતાં પણ આ બ્રિજ પર રોંગ સાઈડમાં અવરજવર કરવી પડે છે. અત્યાર સુધીમાં અનેક અકસ્માતો થઈ ચૂક્યા છે પરંતુ તેનું નિવારણ હજુ સુધી આવ્યું નથી. ભાજપ હોય કે કોંગ્રેસ હોય બધા ચૂંટણી વખતે આવે છે અને કહે છે કે આમ કરશું અને તેમ કરશું. બાકી કોઈ ડોકાતું નથી અને ચૂંટાઈ ગયા પછી કોઈ જવાબ દેવા પણ આવતું નથી. 'કોંગ્રેસના કોર્પોરેટરો ધ્યાન આપતા નથી'સત્યમ પાર્ક સોસાયટીમાં રહેતા મહેન્દ્રભાઈ વ્યાસે જણાવ્યું હતુ કે, બાળકો માટે આંગણવાડી નથી. આ ઉપરાંત બાળકો અને વૃદ્ધો માટે ગાર્ડનની સુવિધા નથી. છેલ્લા 15 વર્ષથી કોંગ્રેસનું શાસન છે અને આ વિસ્તારમાં 4000 લોકો વસવાટ કરે છે. ચોમાસામાં પુષ્કળ પાણી ભરાય છે. કોઈ સમસ્યા બાબતે રજૂઆત કરવામાં આવે તો તે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સાંભળવામાં આવે છે પરંતુ કોંગ્રેસના અહીંના કોર્પોરેટરો ધ્યાન આપતા નથી. 'સફાઈ થતી નથી અને ભૂગર્ભ ગટરની સમસ્યા'સ્થાનિક પ્રીતિબેન ભાયાણીએ જણાવ્યું હતું કે, મચ્છરોનો ત્રાસ ખૂબ જ વધારે છે. હું એટલું જ કહેવા માગીશ કે પહેલા તમે પબ્લિકને સારી વસ્તુ આપો ત્યારપછી વોટ માગવા માટે આવો. તો ચુનારવાડ વિસ્તારમાં રહેતા ધર્મેશભાઈએ જણાવ્યું હતુ કે, કોર્પોરેટર ચક્કર મારવા પણ આવ્યા નથી. સફાઈ થતી નથી અને ભૂગર્ભ ગટરની સમસ્યા છે. પીવાનું પાણી દૂષિત આવે છે અને રસ્તા પણ ખરાબ છે. ચોમાસામાં ઘર સુધી નદીનું પાણી આવી જાય છે. આ સોસાયટીમાંથી કોઈને મત આપવાનો થતો જ નથી. મારા વોર્ડમાં લોકોને કોઈ સમસ્યા નથી:વશરામ સાગઠીયામહાનગરપાલિકાના વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં રૂપિયા 116 કરોડના વિકાસ કામો કરવામાં આવ્યા છે. હજુ અમારા વિસ્તારમાં DI પાઇપલાઇન નાખવાની કામગીરી બાકી છે. આ ઉપરાંત ચોમાસામાં વરસાદી પાણી ભરાય છે તેવા આરાધના સોસાયટી, વિજયનગર સોસાયટી, આંબેડકર નગરમાં પાઈપલાઇન નાખવાની યોજના છે. ‘ભાજપનું કામ રોડા નાખવાનું છે’હાઈવે પર રોંગ સાઈડમાં જવાને કારણે અકસ્માતો થાય છે. ત્યારે આજી ડેમથી ગોંડલ ચોકડી સુધી ટ્રાફિક જામની સમસ્યા છે તે બાબતે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાને અનેક વખત રજૂઆતો કરેલી છે. જો કે એક જ જવાબ મળે છે કે નેશનલ હાઈવેનું કામ ચાલુ છે. જે પૂર્ણ થયા બાદ મુશ્કેલી દૂર થઈ જશે. ભાજપનું કામ રોડા નાખવાનું છે પરંતુ સરકારી અધિકારીઓને કઈ રીતે પ્રેશર અને વિનંતી કરવી જોઈએ તે આવડે છે અને તેના કારણે મારા વોર્ડમાં લોકોને કોઈ સમસ્યા નથી અને બાકીના વિકાસ કામો આગામી પાંચ વર્ષમાં પૂર્ણ થઈ જશે. 'કોંગ્રેસ પાસેથી ભાજપ વોર્ડ છીનવી લેશે'ભાજપના સક્રિય કાર્યકર અને ઉમેદવાર નિલેશ હેરભાએ જણાવ્યું હતું કે, સૌથી મોટી સમસ્યા ખરાબ રસ્તાઓની છે. 15 વર્ષથી અહીં કોંગ્રેસનું શાસન છે તેમ છતાં પણ લાઈટના પ્રશ્નો છે. TC બદલાવાની સાથે ઈલેક્ટ્રીક કામ કરાવવામાં તેઓ નિષ્ફળ ગયા છે. સરકારી શાળામાં વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણ મળે છે પરંતુ માધ્યમિક શાળા નથી. હાઈસ્કૂલ માટેની માંગણી પણ કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા કરવામાં આવી નથી. આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પાસેથી આ વોર્ડ છીનવી લેશે અને આગામી 5 વર્ષમાં આ વોર્ડની સકલ ફેરવી નાખીશું.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન 26 એપ્રિલે યોજાવાનું છે. એ પહેલા દિવ્ય ભાસ્કરની ટીમ વિવિધ વોર્ડના ગ્રાઉન્ડ રિપોર્ટ કરી રહી છે. જેમાં ભાસ્કરની ટીમ પહોંચી હતી વોર્ડ-17મા. જ્યાં કેવો વિકાસ થયો છે, સમગ્ર વિસ્તારની શું પરિસ્થિતિ છે. અહીંના લોકો શું ઇચ્છી રહ્યા છે. લોકોનો શું છે મિજાજ છે તેની માહિતી મેળવી હતી. આ વોર્ડમાં હજી પણ પ્રાથમિક સુવિધાઓથી લોકો વંચિત છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યાં કે હજી પણ ગંદુ પાણી, ગંદકી, ડ્રેનેજ, રસ્તાઓની સમસ્યાઓ સતાવી રહી છે. દંતેશ્વર ગામમાં ટેકરા ફળિયામાં તો સૌથી મોટી સમસ્યા પાણી અને શૌચાલયની છે. અહીં 275 મકાનમાં માત્ર 4 શૌચાલય છે અને એમાં પણ શૌચાલય ગંદકીથી ખદબદે છે. જ્યારે દંતેશ્વર તળાવ પાસેના નળમાંથી લોકો પાણી ભરવા મજબૂર છે. 'નેતાઓ હાથ જોડીને મત માંગવા આવે છે'દંતેશ્વર વિસ્તારના ટેકરા ફળિયામાં રહેતા ગુંજાબેને જણાવ્યું હતું કે, પાણીની ખૂબ જ મોટી સમસ્યા છે. પીવાનું પાણી એટલું ગંદુ આવે છે કે અમારે મજબૂરીમાં બહારથી 10 કે, 15નો પાણીનો જગ મંગાવવો પડે છે. અમે ઘણી વાર રજૂઆત કરી, પણ કોઈ સાંભળતું નથી. જ્યારે ચૂંટણી આવે ત્યારે જ સરકાર અને નેતાઓ હાથ જોડીને મત માંગવા આવી જાય છે. 'નેતાને અમારા ઘરના પગથિયા નહીં ચઢવા દઈએ'ગુંજાબેને વધુમાં જણાવ્યું હતું કે, અહીં તળાવ પણ ગંદુ થઈ ગયું છે. ત્યાં વોચમેન મૂકવામાં આવ્યા છે, છતાં લોકો કચરો નાખે છે. વોચમેન કંઈ બોલતા નથી, બસ સૂઈ જ રહે છે. આવી પરિસ્થિતિમાં અમારે જીવવું મુશ્કેલ બની ગયું છે. આ વખતે જો કોઈ નેતા અહીં આવશે તો અમે અમારા ઘરના પગથિયા ચઢવા પણ નહીં દઈએ. જ્યાં સુધી અમારી સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે મત આપીશું નહીં. 'શૌચાલય ન હોવાથી શરમજનક સ્થિતિમાં મુકાવું પડે'દંતેશ્વર વિસ્તારના ટેકરા ફળિયામાં રહેતા સ્થાનિક જયશ્રીબેને જણાવ્યું હતું કે, અમારે સૌથી મોટી સમસ્યા શૌચાલયની છે. અહીં શૌચાલયની કોઈ વ્યવસ્થા નથી. અમારે અડધી રાત્રે પણ પાણીનો ડબ્બો ભરીને બહાર જવું પડે છે, અથવા તો તળાવના કિનારે બેસવું પડે છે. બીજું અમે શું કરીએ? અહીં કોઈ વ્યવસ્થા નથી અને આજુબાજુથી લોકો અવરજવર કરતા હોય ત્યારે અમારે ખૂબ જ શરમજનક સ્થિતિમાં મુકાવું પડે છે. ‘ઓછી સુવિધા કેવી રીતે ચાલે’જયશ્રીબેને વધુમાં જણાવ્યું હતું કે, મોદી સરકાર વાતો તો કરે છે, પણ અમને હજુ સુધી કોઈ સુવિધા મળી નથી. અમે કહીએ છીએ કે જો સરકાર અમને તળાવમાંથી પાઈપ લાઈન નાખી આપે તો અમે જાતે મહેનત કરીને પણ ઘરે શૌચાલય બનાવી લઈએ. અહીં અંદાજે 275 જેટલા ઘરો છે. આખા વિસ્તારમાં માત્ર એક જ સાર્વજનિક શૌચાલય છે. જેમાં મહિલાઓ માટે બે અને પુરુષો માટે બે બ્લોક છે. એમાંથી પણ એક તો ભરાઈ ગયું છે, એટલે અત્યારે માત્ર એક જ ચાલુ છે. લોકો વધુ છે તો ઓછી સુવિધા કેવી રીતે ચાલે? 'ખુલ્લી કાંસનો પ્રશ્ન ઘણા લાંબા સમયથી'તરસાલી વિસ્તારમાં દર્શનમ્ એન્ટીકામાં રહેતા રવિકાંતભાઈએ જણાવ્યું હતું કે, ખુલ્લી કાંસનો પ્રશ્ન ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે. અત્યાર સુધી આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. અમે નિયમિત રીતે ટેક્સ વગેરે તમામ ચૂકવણી કરીએ છીએ. તેમ છતાં આ પ્રશ્ન હજી પણ ત્યાંનો ત્યાં જ અટવાયેલો છે. હાલત એવી છે કે મકાનની અંદર પણ આ દુર્ગંધ ફેલાયેલી રહે છે. 'મકરપુરા મેઈન રોડ પર વારંવાર અકસ્માતો થાય છે'માંજલપુર વિસ્તારમાં રહેતા સ્થાનિક પરેશભાઈ પટનીએ જણાવ્યું હતું કે, આ મકરપુરા મેઈન રોડ છે. અહીં વારંવાર અકસ્માતો થાય છે, જેમાં કેટલાય લોકોના મોત થયા છે અને કેટલાય લોકો હોસ્પિટલ ભેગા થયા છે. વારંવાર રજૂઆતો કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. અહીં ઘણા લોકો મર્યાં છે અને ઘણાને ગંભીર ઈજાઓ પણ થઈ છે. 'સરકાર જાણે વધુ લોકોના ભોગ લેવાય તેની રાહમાં છે'પરેશભાઈ પટનીએ વધુમાં કહ્યું કે સરકાર જાણે હજુ વધુ લોકોના ભોગ લેવાય તેની રાહ જોઈને બેઠી હોય તેમ લાગે છે! મેં સ્થાનિક કોર્પોરેટરને પણ રજૂઆત કરી હતી કે અહીં સર્કલ બનાવવાની જરૂર છે અથવા સ્પીડ બ્રેકર મૂકવાની જરૂર છે. પણ કઈ કામ થતા નથી. હવે ચૂંટણી આવી છે એટલે નેતાઓ ફરવા નીકળશે. 'કોઈ પણ કોર્પોરેટર અહીં જોવા મળ્યા નથી'અલવાનાકામાં આવેલા કમલેશ્વરનગર રહેતા પ્રવીણભાઈ પરમારએ જણાવ્યું હતું કે, સૌથી મોટી સમસ્યા તો પાણીની છે. પાણી પૂરતા પ્રમાણમાં અને નિયમિત આવતું નથી. બીજી બાબત એ છે કે અહીં સાફ-સફાઈ બિલકુલ થતી નથી, કચરો અને ગંદકીના ઢગલા જોવા મળે છે. આજ સુધી કોઈ પણ કોર્પોરેટર અહીં જોવા મળ્યા નથી કે મુલાકાત લીધી નથી. જે માણસ અમારા વિસ્તારમાં સારી રીતે કામ કરશે, વ્યવસ્થિત સુવિધાઓ આપશે, અમે તેને જ કોર્પોરેશનમાં લાવીશું. જે કામ નથી કરતા તેમને હવે કોઈ સ્થાન નથી. 'મચ્છરોનો ત્રાસ વધી જાય છે'અલવાનાકામાં આવેલા કમલેશ્વરનગરના સ્થાનિક રાહુલ માલીએ જણાવ્યું હતું કે, ચોમાસામાં મેદાનનું બધું પાણી રોડ પર આવી જાય છે. આ પાણી ભરાઈને સીધું ગલીઓ સુધી પહોંચે છે. જેના કારણે મચ્છરોનો ત્રાસ વધી જાય છે અને બાળકો વારંવાર બીમાર પડે છે. 'કામ થઈ જશે તેવી લાલચ આપે'રાહુલ માલી વધુમાં જણાવ્યું હતું કે, ખરાબ રસ્તાને કારણે ઘણીવાર ટ્રાફિક જામ થઈ જાય છે. ખાસ કરીને જ્યારે ગણેશ ઉત્સવ જેવા તહેવારો હોય અને લોકો ગણપતિજીની મૂર્તિઓ લઈને નીકળે, ત્યારે આ ખાડાઓને કારણે મૂર્તિ ખંડિત થવાનો પણ ડર રહે છે. સામાન્ય દિવસોમાં તો અહીં નેતા આવતા નથી, પણ જ્યારે ચૂંટણી નજીક હોય ત્યારે બધા તપાસ કરવા આવે છે અને કામ થઈ જશે તેવી લાલચ આપે છે. પણ ચૂંટણી પછી કોઈ દેખાતું નથી. નવી લાયબ્રેરીમાં 150 વિદ્યાર્થીઓ બેસી શકશેવોર્ડ નંબર 17માં આવતા માંજલપુર વિસ્તારમાં બનેલી નવી લાયબ્રેરીમાં 150 વિદ્યાર્થીઓ બેસીને અભ્યાસ કરી શકે છે તે વ્યવસ્થા કરવામાં આવી છે. એ આગામી પેઢી માટે ભવિષ્ય ઉજ્જવળ બનાવશે. આ ઉપરાંત વિસ્તારના મુખ્ય રસ્તાઓ સારા છે. પરંતુ ઇન્ટર્નલ રસ્તાઓ ખૂબ ખરાબ છે. તેના ઉપર ધ્યાન આપવામાં આવ્યું નથી. 'તળાવોના બ્યુટીફિકેશન પાછળ કરોડો રૂપિયા ખર્ચે'કોંગ્રેસના આગેવાન પાર્થ પટેલે જણાવ્યું હતું કે,'ટેકરાવાળા ફળિયા'માં પાણીની તંગી ખૂબ જ ગંભીર છે. બીજી મોટી સમસ્યા શૌચાલયની છે. અહીં માત્ર બે જ સામૂહિક શૌચાલય ફાળવવામાં આવ્યા છે. તળાવમાં કેટલી ગંદકી છે! સરકાર તળાવોના બ્યુટીફિકેશન પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે, પણ અહીં જનતાના ટેક્સના પૈસાનો વ્યય થતો હોય તેવું લાગે છે. પ્રજા ટેક્સ ભરે છે પણ બદલામાં પાયાની પ્રાથમિક સુવિધાઓ પણ નથી મળતી, જે ખરેખર શરમજનક બાબત છે. મુખ્ય રસ્તાઓ નવા બનાવી દીધા:શૈલેષ પાટીલવોર્ડ નંબર 17ના ભાજપના પૂર્વ કાઉન્સિલર શૈલેષ પાટીલે જણાવ્યું હતું કે, સૌથી પહેલા તો વર્ષ 2021માં ભારતીય જનતા પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂકીને ટિકિટ આપી હતી, તે બદલ હું તેમનો આભારી છું. મારું એક જ ધ્યેય હતું કે વોર્ડ નંબર 17માં એક પણ રોડ બાકી ન રહે. તે મુજબ અમે આશરે 50 કરોડ રૂપિયાના ખર્ચે મુખ્ય રસ્તાઓ નવા બનાવી દીધા છે. માંજલપુરમાં અદ્યતન લાઈબ્રેરી તૈયાર થઈ રહી છે જેનું ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે. 'નાના-મોટા પ્રશ્નોનો ઉકેલ લાવીશું'તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, બે નવા ગાર્ડન બનાવ્યા છે અને માંજલપુર નાકા પાસે 'વડીલ વિશામો' તૈયાર કરવામાં આવ્યો છે. રૂપારેલ કાંસ માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. હવે ફક્ત સ્ટેન્ડિંગ કમિટીમાં પાસ થવાની રાહ જોવાય છે, ત્યારબાદ તે કામ પણ ઝડપથી શરૂ થઈ જશે. ડ્રેનેજના જે નાના-મોટા પ્રશ્નો છે, તે પણ આવનારા સમયમાં ઉકેલી દેવામાં આવશે. યુવાનો માટે અમે વોર્ડમાં 20 જેટલા ગણપતિ શેડ બનાવ્યા છે, જેથી યુવાનોને ઉત્સવ દરમિયાન સુવિધા રહે અને તેઓ પક્ષ સાથે જોડાયેલા રહે. આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે વિકાસની ગતિ પકડાઈ છે, તે અવિરત ચાલુ રહેશે.
જૂનાગઢના ઝાંઝરડા રોડ પર સ્થિત સુપ્રસિદ્ધ શ્રી ખેતલીયા દાદાની જગ્યાના મહંત રામાનંદ ગુરુ અખંડાનંદ સાધુની સનસનાટીભરી હત્યાના પ્રકરણમાં લાંબી કાયદાકીય લડત બાદ જૂનાગઢ સેશન્સ કોર્ટે ચુકાદો જાહેર કર્યો છે. ન્યાયાલયે પુરાવાઓની કડી જોડવામાં નિષ્ફળ રહેલા તપાસ પક્ષની ખામીઓને ધ્યાને રાખી, શંકાનો લાભ આપીને મુખ્ય આરોપી જુસબ અલારખા સહિત તમામ 6 જીવિત આરોપીઓને આ કેસમાંથી નિર્દોષ મુક્ત કરવાનો આદેશ કર્યો છે. જોકે, અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્ય આરોપી જુસબ અલારખા સામે અન્ય ગંભીર ફોજદારી ગુનાઓ પડતર હોવાથી તેનો જેલવાસ હજુ ચાલુ રહેશે. જમીન વિવાદ અને હત્યાનું કાવતરુંઘટનાની વિગતો મુજબ, વર્ષ 2012 માં ઝાંઝરડા ગામના સર્વે નંબર 35 અને 37 ની 'જયનગર' તરીકે ઓળખાતી કિંમતી જમીનના વેચાણ અને કબજા બાબતે મોટો વિવાદ સર્જાયો હતો. આરોપીઓએ આ જમીન હડપવા અને માલિકો પાસેથી નાણાં પડાવવા માટે ગુનાહિત કાવતરું રચ્યું હોવાનો પોલીસનો દાવો હતો. આ વિવાદમાં મધ્યસ્થી અથવા અડચણરૂપ બનેલા મહંત રામાનંદ ગુરુની 21 ડિસેમ્બર 2012ના રોજ મંદિર પરિસરમાં જ અતિ નજીકથી ગોળી મારીને કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાથી સમગ્ર જૂનાગઢ અને સાધુ સમાજમાં ભારે આક્રોશ ફેલાયો હતો. કાયદાકીય કાર્યવાહી અને આરોપીઓન્યાયાલય સમક્ષ રજૂ કરાયેલા તહોમતનામા મુજબ, આ કેસમાં કુલ 11 આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 147, 148, 149, 302 (હત્યા), 120-બી (ગુનાહિત કાવતરું) અને હથિયાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ 11 આરોપીઓમાં નીચે મુજબના વ્યક્તિઓનો સમાવેશ થાય છે લાંબી ટ્રાયલ દરમિયાન 11 પૈકી 5 આરોપીઓના કુદરતી કારણોસર મૃત્યુ નીપજ્યા હતા, જ્યારે બાકીના 6 આરોપીઓ સામે કેસ ચાલ્યો હતો. તમામ 6 આરોપીઓને આ કેસમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યાઆ કેસના આરોપી પક્ષના વકીલ દીપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, તપાસ એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલા 69 સાક્ષીઓ અને 200થી વધુ દસ્તાવેજી પુરાવાઓ ગુનાની કડી જોડવા માટે અપૂરતા છે. ન્યાયાધીશ શ્રી ડી. જી. દવેએ બંને પક્ષોની દલીલો અને કાયદાકીય પાસાઓને તપાસ્યા બાદ ઠેરવ્યું હતું કે, સરકારી પક્ષ આરોપીઓ વિરુદ્ધ ગુનો નિઃશંકપણે સાબિત કરી શક્યો નથી. પરિણામે, 'બેનિફિટ ઓફ ડાઉટ' આપીને તમામ 6 આરોપીઓને આ કેસમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.જોકે આ કેસમાં નિર્દોષ છૂટકારો થયો હોવા છતાં, આરોપી જુસબ અલારખા સામે ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તેની ગુનાહિત પૃષ્ઠભૂમિ અને પડતર કેસોને જોતા, મહંત હત્યાકેસમાં મુક્તિ મળવા છતાં તે હજુ પણ જેલના સળિયા પાછળ જ છે. બીજી તરફ, 14 વર્ષની લાંબી કાનૂની લડત બાદ ખેતલીયા દાદાની જગ્યાના આ હત્યાકાંડના કેસમાં આખરે કોર્ટે પડદો પાડ્યો છે.
ધોરણ-12 સાયન્સમાં A ગ્રૂપના વિદ્યાર્થીઓની એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની JEE (જોઇન્ટ એન્ટ્રેન્સ એક્ઝામિનેશન) મેઈનનું બીજા અને ફાઇનલ તબક્કાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. જેમાં પ્રથમ સિઝનમાં ગુજરાતમાં મોખરે રહેલો રાજકોટ એલન ઇન્સ્ટિટ્યૂટનો વિદ્યાર્થી નિમય પુરોહિત બીજી સિઝનમાં પણ સ્ટેટ ફર્સ્ટ રહ્યો છે. જેને 100 પર્સન્ટાઇલ મેળવી ઓલ ઇન્ડિયામાં 16મો રેન્ક મેળવ્યો છે. જ્યારે સુરતના શૌર્ય ખેમકાએ ઓલ ઈન્ડિયા 179મો રેન્ક મેળવ્યો છે. તબીબ માતાપિતાના સંતાને એન્જિનિયરીંગ ક્ષેત્ર પસંદ કર્યુંવિદ્યાર્થી નિમય પુરોહિતના પિતાનું નામ હર્ષલભાઈ છે અને માતાનું નામ દર્શનાબેન છે. જેઓ બંને ફિઝિયોથેરાપિસ્ટ છે. માતા-પિતા ડૉક્ટર હોવા છતાં પોતે એન્જિનિયરિંગનુ ક્ષેત્ર પસંદ કરવા અંગે જણાવ્યું હતું કે, છઠ્ઠા ધોરણથી મેથ્સ પસંદ હતુ અને તેથી એન્જિનિયરિંગ ક્ષેત્ર પર પસંદગી ઉતારી અને ત્યારબાદ અહીં પહોંચ્યો. હવે JEE એડવાન્સમાં સારા માર્ક્સ લાવી આઈઆઈટી મુંબઈમાં એન્જિનિયરિંગ કરવાનું સ્વપ્ન છે. 26 ઉમેદવારોએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યાઆ મહત્વપૂર્ણ પરીક્ષામાં પ્રથમ ફેઝમાં જાન્યુઆરીમાં 13 લાખથી વધુ ઉમેદવારો સામેલ થયા હતા. જ્યારે બીજા ફેઝમાં આઠ લાખથી વધુ કોમન ઉમેદવાર સામેલ થયા હતા. દેશમાં કૂલ 26 ઉમેદવારોએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. જેમાં પાંચ-પાંચ ઉમેદવારો તેલગાંણા અને આંધ્રપ્રદેશના , ચાર રાજસ્થાનના, ત્રણ દિલ્હીના અને બબ્બે ઉમેદવાર મહારાષ્ટ્ર અને હરિયાણાના છે. જ્યારે ચંડીગઢ, બિહાર, તમિલનાડુ, ઓડિશા અને ગુજરાતના એક એક ઉમેદવારે આ સિદ્ધિ મેળવી છે. સુરતના શૌર્યએ ઓલ ઈન્ડિયા 179મો રેન્ક મેળવ્યોસુરતના શૌર્ય ખેમકાએ જેઈઈ મેઈન પરીક્ષામાં સમગ્ર દેશમાં 179મો ક્રમ હાંસલ કરી ઝળહળતી સફળતા મેળવી છે. આ સિદ્ધિ પાછળ તેની અથાગ મહેનત રહેલી છે; તેણે છેલ્લા પાંચ મહિનાથી દરરોજ 13 થી 14 કલાક સખત પરિશ્રમ કર્યો હતો. શૌર્યના જણાવ્યા અનુસાર, કોચિંગ સેન્ટરના શિક્ષકોએ તેના ડાઉટ્સ સોલ્વ કરવામાં ખૂબ મદદ કરી હતી અને તેણે સતત રિવિઝન કરવા પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જેના પરિણામે તે આ મુકામ સુધી પહોંચી શક્યો છે. સંપૂર્ણ રિઝલ્ટ જોવા આ લિંક પર ક્લિક કરો
ભાવનગર મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર દરમિયાન એક દુઃખદ ઘટના સામે આવી છે. કુંભારવાડા વોર્ડ નંબર-2માં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ, સભા શરૂ થાય તે પહેલાં જ લાઈટિંગનું કામ કરી રહેલા એક સ્થાનિક યુવાનને વીજ કરંટ લાગતા તે થાંભલા પરથી નીચે પટકાયો હતો. આ ગંભીર દુર્ઘટનાને પગલે કોંગ્રેસે તાત્કાલિક અસરથી આજની જાહેર સભા રદ કરવાનો નિર્ણય લીધો છે. લાઈટનો છેડો લગાવવા માટે તે વીજપોલ પર ચડ્યોમળતી માહિતી મુજબ ભાવનગરના કુંભારવાડા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આવેલી સરકારી શાળા પાસે રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભાની તૈયારીઓના ભાગરૂપે આરિફભાઈ નામનો સ્થાનિક યુવાન લાઈટિંગ ફિટિંગનું કામ કરી રહ્યો હતો. તે દરમિયાન લાઈટનો છેડો લગાવવા માટે તે વીજપોલ પર ચડ્યો ત્યારે અચાનક તેને જોરદાર વીજ કરંટ (ઈલેક્ટ્રિક શોક) લાગ્યો હતો. શોક લાગતાની સાથે જ તે થાંભલા પરથી સીધો નીચે પટકાયો હતો. યુવાન અકસ્માતે વીજ કરંટનો ભોગ બન્યો ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને કાર્યકરો દોડી આવ્યા હતા. યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે સર્ટી (Sir T) હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટના બાદ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા કિશોરભાઈ કંટારિયાએ જણાવ્યું હતું કે, આજરોજ કુંભારવાડા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં શક્તિસિંહ ગોહિલની જાહેર સભાનું આયોજન હતું. સભાના કામકાજ દરમિયાન સ્થાનિક યુવાન અકસ્માતે વીજ કરંટનો ભોગ બન્યો છે. આ દુઃખદ ઘટનાને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પક્ષ દ્વારા આજની જાહેર સભા રદ કરવામાં આવી છે. ભાવનગરમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે અને તમામ પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. સભા સ્થળે સર્જાયેલી આ દુર્ઘટનાને કારણે કાર્યકરોમાં ગમગીની છવાઈ ગઈ હતી અને સભામાં એકઠા થયેલા લોકો પણ વિખેરાઈ ગયા હતા.
વરાછાવાસીઓને મોટી રાહત:વરાછાથી સ્ટેશન જવા માટે 'સબરસ ગરનાળુ' નાના વાહનો માટે ફરી ખુલ્લું મુકાયું
સુરત રેલ્વે સ્ટેશનના રિડેવલોપમેન્ટ અને મોર્ડનાઇઝેશનની કામગીરી હાલ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. SITCO કંપની દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરી અને મેટ્રો રેલના પ્રોજેક્ટને કારણે શહેરના હાર્દ સમાન રેલ્વે સ્ટેશન વિસ્તારના અનેક રસ્તાઓ પર ડાયવર્ઝન અને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકોની સુવિધા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતીસુરત રેલ્વે સ્ટેશન ખાતે મેટ્રો રેલની કામગીરી અને ફ્લાય ઓવર બ્રિજ બનાવવાની પ્રક્રિયા ચાલુ હોવાથી લંબે હનુમાન રોડથી દિલ્હી ગેટ તરફ જતા માર્ગ પર આવેલું સબરસ ગરનાળુ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરવામાં આવ્યું હતું. આ ગરનાળુ બંધ થવાને કારણે વરાછા તરફથી આવતા વાહનોએ ફરજિયાતપણે આયુર્વેદિક ગરનાળાનો ઉપયોગ કરવો પડતો હતો. જેના કારણે આયુર્વેદિક ગરનાળા અને તેની આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકનું ભારણ અતિશય વધી ગયું હતું અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. વાહનચાલકોને પડતી મુશ્કેલીઓ અને ટ્રાફિકજામની સમસ્યાના નિરાકરણ માટે નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક સેક્ટર-1ની કચેરીએ નિર્ણય લીધો છે કે, સબરસ ગરનાળાને ફરીથી ખુલ્લું મૂકવામાં આવશે. જોકે, હાલ આ ગરનાળાનો ઉપયોગ માત્ર નાના વાહનો જ કરી શકશે. કયા વાહનો પસાર થઈ શકશે? ટુ-વ્હિલર, થ્રી-વ્હિલર (રિક્ષા) અને ફોર-વ્હિલર (કાર) જેવા નાના વાહનો આ ગરનાળામાંથી પસાર થઈ શકશે. સબરસ ગરનાળુ ખુલ્લું થવાથી શહેરના વરાછા તરફથી આવતા વાહનો હવે કોઈપણ અવરોધ વગર દિલ્હી ગેટ અને સુરત રેલ્વે સ્ટેશન તરફ જઈ શકશે. અત્યાર સુધી જે ટ્રાફિક આયુર્વેદિક ગરનાળા પર કેન્દ્રિત હતો, તે હવે વિભાજિત થશે, જેનાથી પોદ્દાર આર્કેડ અને સ્ટેશન મેઈન રોડ પરનું ભારણ ઘટશે. સહારા દરવાજાથી રેલ્વે સ્ટેશન તરફ આવતા વાહનચાલકો પણ હવે સબરસ ગરનાળાનો ઉપયોગ કરી શકશે, જેનાથી સહારા દરવાજા જંક્શન પર ટ્રાફિક જામ ઓછો થશે.
રવિવારની મજા આફતમાં ફેરવાઈ:ડુમસ ખાતે અચાનક આવેલી ભરતીમાં કાર અને રિક્ષા પાણીમાં ગરકાવ
સુરતનું ફેવરિટ પિકનિક ડેસ્ટિનેશન ગણાતા ડુમ્મસ ખાતે રવિવારની રજાની મજા માણવા હજારોની સંખ્યામાં ઉમટી પડેલા સુરતીલાલાઓ માટે સાંજનો સમય કપરો સાબિત થયો હતો. દરિયામાં આવેલી અચાનક ભરતીને કારણે કિનારાની આસપાસ પાર્કિંગ કરેલા વાહન પાસે પાણી પહોંચી જતા અફરાતફરી મચી ગઈ હતી અને જોતજોતામાં અનેક વાહનો દરિયાના ખારા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. લોકો વાહનો મૂકીને દરિયાની નજીક ગયા હતારવિવાર હોવાથી ડુમ્મસના સુલતાનાબાદ અને લંગરના કિનારે લોકો વાહન પાર્ક કરીને દરિયાની ઠંડી લહેરખીઓ માણવા અને ખાણીપીણીની લિજ્જત માણવા આવ્યા હતા. કિનારા પર રેતીના ભાગે જ્યાં સામાન્ય રીતે લોકો વાહનો પાર્ક કરતા હોય છે ત્યાં સેંકડો ટુ-વ્હીલર, ફોર-વ્હીલર અને પેસેન્જર રિક્ષાઓની પાર્ક કરી હતી. લોકો વાહનો મૂકીને દરિયાની નજીક ગયા હતા, પરંતુ તેઓ એ વાતથી અજાણ હતા કે ભરતીનો સમય નજીક છે. લોકો વાહનો કાઢવા માટે મરણિયા પ્રયાસ કરતા જોવા મળ્યા અચાનક દરિયાના મોજાં કિનારાને આંબી ગયા હતા. જો જોતામાં પાણી જે વાહનો રેતીમાં પાર્ક હતા, તેની આસપાસ દરિયાના પાણીનો ઘેરાવો વધી ગયો હતો. પાણીનું સ્તર એટલું ઝડપથી વધ્યું કે લોકોને પોતાના વાહનો ત્યાંથી હટાવવાનો પણ સમય મળ્યો નહીં. સેંકડો લોકો દરિયાના પાણીની વચ્ચે પોતાના વાહનો કાઢવા માટે મરણિયા પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. આ આખી ઘટનાનાનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે દરિયાના પાણીમાં રિક્ષાઓ ફસાઈ હતી તેને ધક્કા મારીને બહાર કાઢવામાં આવી રહી છે અને સાથે ફોરવીલ ચાલકોના ગાડીના ટાયર પણ ફરી જતા જોવા મળી રહ્યા છે અને અનેક મોટરસાયકલ પડી ગયેલી જોવા મળી રહી છે.
ધોરણ-12 સાયન્સમાં A ગ્રૂપના વિદ્યાર્થીઓની એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની JEE (જોઇન્ટ એન્ટ્રેન્સ એક્ઝામિનેશન) મેઈનનું બીજા અને ફાઇનલ તબક્કાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે જેમાં પ્રથમ સિઝનમાં ગુજરાતમાં મોખરે રહેલો રાજકોટ એલન ઇન્સ્ટિટ્યૂટનો વિદ્યાર્થી નિમય પુરોહિત બીજી સિઝનમાં પણ સ્ટેટ ફર્સ્ટ રહ્યો છે. જેને 100 પર્સન્ટાઇલ મેળવી ઓલ ઇન્ડિયામાં 16 મો રેન્ક મેળવ્યો છે. જેમના માતા -પિતા તબીબ છે પરંતુ, તેને છઠ્ઠા ધોરણથી મેથ્સ પસંદ હોવાથી તેને એન્જિનિયરિંગ ક્ષેત્ર પસંદ કર્યું છે. હાલ તે JEE એડવાન્સની પરીક્ષા માટેની તૈયારી કરી રહ્યો છે અને ત્યારબાદ મુંબઈ IITમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરવાનું સ્વપ્ન છે. વિદ્યાર્થી નિમય પુરોહિતના પિતાનું નામ હર્ષલભાઈ છે અને માતાનું નામ દર્શનાબેન છે. જેઓ બંને ફિઝિયોથેરાપિસ્ટ છે. માતા-પિતા ડૉક્ટર હોવા છતાં પોતે એન્જિનિયરિંગનુ ક્ષેત્ર પસંદ કરવા અંગે જણાવ્યું હતું કે, છઠ્ઠા ધોરણથી મેથ્સ પસંદ હતુ અને તેથી એન્જિનિયરિંગ ક્ષેત્ર પર પસંદગી ઉતારી અને ત્યારબાદ અહીં પહોંચ્યો. હવે JEE એડવાન્સમાં સારા માર્ક્સ લાવી આઈઆઈટી મુંબઈમાં એન્જિનિયરિંગ કરવાનું સ્વપ્ન છે. સંપૂર્ણ રિઝલ્ટ જોવા આ લિંક પર ક્લિક કરો
વાપી ચૂંટણી પ્રચારમાં 'બકાભાઈ'ની એન્ટ્રી:તારક મહેતા ફેમ કલાકારને જોવા લોકો ઉમટ્યા
વાપી મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય ચૂંટણીને કારણે શહેરનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો મતદારોને આકર્ષવા માટે સઘન પ્રયાસો કરી રહ્યા છે. આ પ્રચારમાં ભાજપે ગ્લેમરનો ઉમેરો કર્યો છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના જાણીતા કલાકાર બકાભાઈ, જેમનું મૂળ નામ કાંતિભાઈ જોશી છે, તેઓ ભાજપના ઉમેદવારોના સમર્થનમાં મેદાનમાં ઉતર્યા છે. તેમણે ભાજપના કાર્યકરો અને ઉમેદવારો સાથે વાપીના વિવિધ વોર્ડમાં પદયાત્રા યોજી હતી. બકાભાઈને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પ્રચાર દરમિયાન તેમણે પોતાની આગવી શૈલીમાં લોકોને ભાજપને મત આપવા અપીલ કરી હતી. ભાજપ દ્વારા વધુમાં વધુ મતદાન થાય અને તેના ઉમેદવારો વિજયી બને તે માટે ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ઉમેદવારો વિવિધ સોસાયટીઓમાં જઈને ઓટલા બેઠકો કરી રહ્યા છે અને સ્થાનિક પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી રહ્યા છે. વાપી મહાનગરપાલિકા બન્યા બાદ આ પ્રથમ ચૂંટણી હોવાથી સમગ્ર રાજ્યની નજર આ જંગ પર મંડાયેલી છે. સામા પક્ષે, કોંગ્રેસ પણ ડોર-ટુ-ડોર પ્રચાર દ્વારા ભાજપને જોરદાર ટક્કર આપી રહી છે. આ ચૂંટણીમાં ગ્લેમર અને વિકાસના મુદ્દાઓની મતદારો પર શું અસર થાય છે તે જોવું રસપ્રદ રહેશે.
ગાંધીનગરની સેક્ટર-15માં આવેલી અને વિદ્યાર્થીઓ માટે આશરો ગણાતી આંબેડકર હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા 21 વર્ષીય એન્જિનિયરિંગના વિધાર્થીએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ભવિષ્યમાં એન્જિનિયર બનીને પરિવારનું નામ રોશન કરવાના સપના જોનાર આશાસ્પદ યુવાને અચાનક આવું પગલું ભરી લેતા તેના મિત્ર વર્તુળ અને પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રૂમમાં અગમ્ય કારણોસર ફાંસો ખાઈ લીધોમળતી વિગતો અનુસાર મૂળ અમરેલી જિલ્લાના કુકાવાવનો રહેવાસી 21 વર્ષીય રાજન નરેશભાઈ ધાંધલ ગાંધીનગરમાં રહીને એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. તે સેક્ટર-15 સ્થિત આંબેડકર હોસ્ટેલમાં રહેતો હતો. આ ઘટના સમયે રાજને પોતાના રૂમમાં અગમ્ય કારણોસર ફાંસો ખાઈ લીધો હતો. લાંબા સમય સુધી રાજનની રૂમમાંથી કોઈ પ્રતિસાદ ન મળતા તેના સાથી મિત્રોને શંકા ગઈ હતી. જ્યારે મિત્રોએ રૂમમાં જઈને જોયું તો રાજન ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જેના પગલે હોસ્ટેલના અન્ય વિદ્યાર્થીઓ પણ દોડી આવ્યા હતા અને તાત્કાલિક હોસ્ટેલ પ્રશાસનને જાણ કરવામાં આવી હતી. બાદમાં બેભાન અવસ્થામાં યુવકને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ફરજ પરના હાજર તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. હોસ્પિટલ પરિસરમાં રાજનના મિત્રો અને પરિચિતોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. હોનહાર મિત્રને ગુમાવવાથી હોસ્ટેલના અન્ય વિદ્યાર્થીઓમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. પરિવારજનોને જાણ કરી પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરાઈઆ બનાવ અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ હોસ્પિટલ અને ત્યારબાદ હોસ્ટેલના રૂમ પર પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ આપઘાત પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. શું અભ્યાસનું ભારણ હતું, કોઈ માનસિક તણાવ હતો કે અન્ય કોઈ અંગત કારણ તે દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે. પોલીસ દ્વારા મૃતક યુવકના પરિવારજનોને જાણ કરી પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અમરેલીથી ગાંધીનગર અભ્યાસ માટે આવેલા યુવાને આપઘાત કરી લેતા તેના વતન કુકાવાવમાં પણ સન્નાટો વ્યાપી ગયો છે.
સુરતના ઉધના વિસ્તારમાં હેડગેવાર પાસે આવેલા વાત્સલ્ય એવન્યુમાં દીકરાએ વૃદ્ધ માતાની હત્યા નિપજાવતા ચકચાર મચી છે. પુત્રએ દિવ્યાંગ પિતા પર હુમલો કરતા માતા વચ્ચે પડ્યા હતા. પુત્રએ જોરથી ધક્કો મારતા પટકાયેલા માતાનું મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જમવા જેવી બાબતમાં થયેલા ઝઘડા બાદ હત્યાસરતના ઉધના વિસ્તારમાં આવેલા હેડગેવાર પાસેના વાત્સલ્ય એવન્યુમાં એક ચોંકાવનારી ઘટના બની છે. રવિવારે રાત્રે આશરે 11 વાગ્યાના અરસામાં આરોપી મેહુલ ઉર્ફે મોન્ટુ વાણિયાએ ઘરમાં ખાવા જેવી ક્ષુલ્લક બાબતે હોબાળો મચાવ્યો હતો. મેહુલે તેની 70 વર્ષીય માતા પ્રતીક્ષાબેન અને પિતા હર્ષદભાઈ સાથે ઝઘડો શરૂ કર્યો હતો. તેની ફરિયાદ હતી કે તેના માટે અને તેની દીકરી હિયા માટે જમવાનું કેમ નથી બનાવ્યું? આ નાની એવી વાત જોતજોતામાં હિંસક બની ગઈ હતી. આવેશમાં આવીને મેહુલે તેના પિતા હર્ષદભાઈ પર હુમલો કરી દીધો હતો. ઝઘડો એટલો ઉગ્ર હતો કે મેહુલ તેના વૃદ્ધ પિતાનું ગળું દબાવવા લાગ્યો હતો. પિતાને તરફડતા જોઈને 70 વર્ષીય માતા પ્રતીક્ષાબેન પોતાના પતિને બચાવવા વચ્ચે પડ્યા હતા. પુત્રનો ગુસ્સો એટલો સાતમા આસમાને હતો કે તેણે પોતાની સગી માતા સાથે પણ ઝપાઝપી કરી હતી. મેહુલે પ્રતીક્ષાબેનને એટલા જોરથી ધક્કો માર્યો કે તેઓ છાતીના ભાગે નીચે પટકાયા હતા. જમીન પર પટકાતાની સાથે જ પ્રતીક્ષાબેન બેભાન થઈ ગયા હતા. પરિવારજનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો, પરંતુ પેરામેડિકલ સ્ટાફે તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. ઉધના પોલીસે હત્યારા પુત્રની કરી ધરપકડઘટનાની જાણ થતા જ ઉધના પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક પ્રતીક્ષાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. આરોપી મેહુલ ઉર્ફે મોન્ટુ (ઉંમર 33 વર્ષ) વિરુદ્ધ પોતાની જ માતાની હત્યાનો ગુનો દાખલ કરીને તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીએ આવેશમાં આવીને કરેલા આ કૃત્યથી સમગ્ર વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો છે. પોલીસે અત્યારે આરોપીની સઘન પૂછપરછ શરૂ કરી છે. આરોપીની પત્ની પાંચ વર્ષ પહેલા છોડીને જતી રહી હતીઉધના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. રાઠોડે આ કેસ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આરોપી મેહુલનો સ્વભાવ અત્યંત ઝઘડાળુ હતો. તેના આવા વર્તનને કારણે જ પાંચ વર્ષ પહેલાં તેની પત્ની તેને છોડીને જતી રહી હતી. મેહુલને 8 વર્ષની એક દીકરી છે. પત્નીના ગયા પછી પણ મેહુલના વર્તનમાં કોઈ સુધારો આવ્યો નહોતો. તે અવારનવાર નાની નાની વાતોમાં ઘરમાં ક્લેશ કરતો હતો અને માતા-પિતાને હેરાન કરતો હોવાનું પણ સામે આવ્યું છે. આરોપી મેહુલ છેલ્લા ઘણા સમયથી બેરોજગાર હતો અને ઘરમાં કોઈ આર્થિક મદદ કરતો નહોતો. ઘરનું ગુજરાન ચલાવવાની જવાબદારી મેહુલની મોટી બહેન અને સમાજના લોકો ઉપાડતા હતા. મેહુલ કામધંધો કરવાને બદલે આખો દિવસ ઘરમાં જ રહેતો અને રાત્રે દારૂના નશામાં કે અન્ય કોઈ કારણે હોબાળો કરતો હતો. આર્થિક તંગી અને બેરોજગારીને કારણે ઘરમાં માનસિક તણાવનું વાતાવરણ રહેતું હતું, જે અંતે હત્યામાં પરિણમ્યું. આ પરિવારની સ્થિતિ પહેલેથી જ દયનીય હતી. મેહુલના પિતા હર્ષદભાઈ અગાઉ પ્રાઈવેટ નોકરી કરતા હતા, પરંતુ પાંચ વર્ષ પહેલાં એક અકસ્માતમાં તેમણે પોતાનો પગ ગુમાવવો પડ્યો હતો. અપંગતાને કારણે તેઓ હવે નોકરી કરવા સક્ષમ નહોતા. એક તરફ અપંગ પિતા અને બીજી તરફ વૃદ્ધ માતા, આ બંનેની સેવા કરવાને બદલે મેહુલે તેમને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જે પિતાના સહારે પરિવાર ચાલતો હતો, તે જ પિતાનું ગળું દબાવવા મેહુલ ખચકાયો નહીં. દીકરીના લગ્ન બાદ માતા-પિતા એકલા પડી ગયા હતામૃતક પ્રતીક્ષાબેનની દીકરીના લગ્ન થઈ ગયા હતા અને તે સાસરે રહેતી હતી, જોકે તે અવારનવાર પિયર આવતી-જતી રહેતી હતી. ઘરમાં માત્ર વૃદ્ધ દંપતી, મેહુલ અને તેની 8 વર્ષની દીકરી રહેતા હતા. પડોશીઓના જણાવ્યા મુજબ, મેહુલ રોજ કોઈને કોઈ બહાને ઝઘડો કરતો જ રહેતો હતો. રવિવારની એ કાળી રાત્રે જમવાની બાબત માત્ર એક બહાનું બની અને મેહુલે પોતાની જ જનેતાનો જીવ લઈ લીધો. હાલમાં પોલીસે મેહુલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.
સુરત શહેરમાં છેલ્લા ચાર-પાંચ વર્ષથી ચોમાસા દરમિયાન ખાડીપૂરની સમસ્યા એક ગંભીર અને કાયમી સંકટ બની ગઈ છે. દર વર્ષે જ્યારે તાપી નદીના ઉપરવાસમાં ભારે વરસાદ પડે છે ત્યારે સુરતની ખાડીઓના જળસ્તરમાં અચાનક વધારો થતાં તટીય વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે. આ સમસ્યાના કારણે લાખો નાગરિકોને આર્થિક નુકસાન વેઠવું પડે છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. આ જટિલ સમસ્યાના કાયમી નિરાકરણ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા હવે રાષ્ટ્રીય સ્તરની નિષ્ણાત સંસ્થાઓની મદદ લેવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, કેન્દ્ર સરકારના બે મુખ્ય વિભાગોસેન્ટ્રલ વોટર કમિશન (CWC) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઇડ્રોલોજી (NIH)ના નિષ્ણાતોની એક ઉચ્ચ સ્તરીય એક ટીમ આજે સુરતની મુલાકાતે આવી પહોંચી છે. મ્યુનિસિપલ કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ આ ટીમે શહેરની ભૌગોલિક સ્થિતિ, ખાડીઓના વહેણ અને પૂરના ડેટાનો અભ્યાસ શરૂ કરવામાં આવશે. ટાઉન પ્લાનિંગ દરમિયાન ખાડી ક્ષેત્રની અવગણના કરાઈ હતીપર્યાવરણ સુરક્ષા સમિતિ અને પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ જેવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. અહેવાલમાં જણાવ્યા મુજબ, સુરતના વિકાસ માટે જે ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમ બનાવવામાં આવી, તેમાં ખાડી ક્ષેત્રની અવગણના કરવામાં આવી છે. ખાડીઓના કુદરતી પ્રવાહમાં અવરોધ ઊભો કરતા કાયદેસર અને ગેરકાયદેસર બાંધકામો આ પૂરની સમસ્યા માટે મુખ્ય જવાબદાર ગણાયા છે. કુદરતી જળમાર્ગો પર થયેલા અતિક્રમણને કારણે વરસાદી પાણીના નિકાલની ક્ષમતા ઘટી ગઈ છે. ઈનવાઈટ ડિઝાસ્ટર જૂન 2024ના અહેવાલમાં પણ આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી હતી કે જ્યાં સુધી ખાડીઓના પ્રવાહને અવરોધતા પરિબળો દૂર કરવામાં નહીં આવે, ત્યાં સુધી સુરતને પૂરથી બચાવવું અશક્ય છે. ગેરકાયદેસર ઝીંગા તળાવોના ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવીખાડીપૂરના ઉકેલ માટે તંત્ર દ્વારા તાકીદના પગલાં લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ખજોદ વિસ્તારમાં કાંકરા ખાડી પાસે ફેલાયેલા અંદાજે 41 ચોરસ કિ.મી. વિસ્તારમાં બનેલા ગેરકાયદેસર ઝીંગા તળાવોના ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ તળાવો ખાડીના પાણીના કુદરતી નિકાલમાં મોટો અવરોધ ઉભા કરતા હતા. ગુજરાત સરકારના ડ્રેનેજ વિભાગ દ્વારા આ આખું ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. તંત્રનું આયોજન છે કે, મે 2026 સુધીમાં મીંઢોળા નદીને મળતી તમામ ખાડીઓની સફાઈ અને અવરોધ દૂર કરવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવે, જેથી આગામી ચોમાસામાં પૂરનું જોખમ ઘટાડી શકાય.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ચૂંટણી પ્રચાર માટે વડોદરા જિલ્લાની મુલાકાત પહોંચ્યા હતા. અહીં કોયલીમાં વિજય સંકલ્પ સભાનો સંબોધી હતી. અમે લોકોની પ્રાથમિક જરુરિયાતો પૂરી કરવામાં સફળ રહ્યા- CMસભાને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, છેલ્લા એક અઠવાડિયાથી ચૂંટણીના માહોલમાં હું અનેક જિલ્લાઓમાં ફર્યો છું. બધે જ વાતાવરણ કમળમય બનેલું છે અને પ્રજા તરફથી સારું સમર્થન મળી રહ્યું છે. તેમણે ગુજરાતની પાછલી અને વર્તમાન પરિસ્થિતિની તુલના કરતા કહ્યું, ગુજરાતની કેવી પરિસ્થિતિ હતી અને આજે આપણે ક્યાં આવ્યા છીએ, તેનો વિચાર કરો. લોકોની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવામાં અમે સફળ રહ્યા છીએ. વડોદરાના ગામડાઓને ક્લોરાઈડયુક્ત પાણીથી મુક્તિ અપાવીવડોદરા જિલ્લાના ઉદાહરણ આપતા તેમણે કહ્યું, પહેલાં વડોદરાના ગામોમાં ક્લોરાઇડયુક્ત પાણી આવતું હતું. અમે 559 ગામોમાં 800 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે પાણીની વ્યવસ્થા કરી છે. જળસંચયના કામો પણ સારી રીતે થઈ રહ્યા છે. દરેક ધારાસભ્યને 50 લાખ રૂપિયા જળસંચય માટે આપવામાં આવ્યા છે. રોડનું નેટવર્ક વિકસાવવામાં આવ્યું છે અને અગાઉ કરતાં સારો વિકાસ થયો છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું, દરેક ચૂંટણીમાં વિપક્ષોએ પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા, પરંતુ હાર્યા પછી કોઈ પાછા આવ્યા નથી. માત્ર ભાજપના ઉમેદવાર જ હારે કે જીતે તો પણ પ્રજા વચ્ચે રહે છે. વિકાસની રાજનીતિ પાછળ પૈસાનું આયોજન પણ જરૂરી છે. નરેન્દ્ર ભાઈ મોદીએ અહીં નાણાકીય મજબૂત પાયો નાખ્યો છે. કોયલીની સ્થાનિક સમસ્યાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, કોયલીમાં ડ્રેનેજની સમસ્યા છે. મને જે રજૂઆતો મળી છે તે કામો ઝડપથી મંજૂર કરીશું. ગુડ ગવર્નન્સના કારણે ખૂબ મોટા ફાયદા થયા છે. ખેડૂતો માટે ખેતીની જમીનલક્ષી સુવિધાઓ સરળ બનાવી છે. અંતમાં મુખ્યમંત્રીએ અપીલ કરી કે, 26 તારીખે મન મુકીને મતદાન કરજો.
ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જેની જવાબદારી છે તે જ પોલીસ વિભાગની ગાડીનો ઉપયોગ ચોરી જેવા કૃત્યમાં થયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલા ગુડા આવાસની સોસાયટીના પાર્કિંગમાં પોલીસની લાલબત્તી વાળી બોલેરો જીપમાં આવેલા એક શખસે કારની વ્હીલ પ્લેટની ચોરી કરી સનસનાટી મચાવી દીધી છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થતા પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો છે. પોલીસની ગાડીમાં ચોરીની પ્લેટને લઈને બિન્દાસ બહાર રવાનામળતી વિગતો અનુસાર, કુડાસણ સ્થિત ગુડા દ્વારા તૈયાર કરાયેલા શ્યામા પ્રસાદ મુખરજી નગરના બેઝમેન્ટ પાર્કિંગમાં ગત રાત્રિના સમયે એક સફેદ રંગની કાર પાર્ક કરી હતી. આ દરમિયાન સોસાયટીના મેઈન ગેટથી પોલીસની લાલબત્તી અને સરકારી લખાણ ધરાવતી એક બોલેરો જીપ અંદર પ્રવેશે છે. CCTVમાં જોઈ શકાય છે કે, આ બોલેરો જીપનો ચાલક પહેલા પાર્કિંગમાં આંટાફેરા મારી મોકો શોધે છે. જેવો રસ્તો ક્લિયર દેખાય છે કે તરત જ તે સફેદ કારની બાજુમાં પોતાની જીપ ઉભી રાખે છે. ત્યારબાદ નિર્લજ્જતાની હદ વટાવતા આ શખસ પોલીસની ગાડીમાંથી નીચે ઉતરે છે અને ગણતરીની મિનિટોમાં સફેદ કારની વ્હીલ પ્લેટ કાઢી લે છે. ચોરી કરેલી આ પ્લેટ તે ફરી પોલીસની ગાડીમાં જ મૂકીને બિન્દાસ્ત રીતે સોસાયટીની બહાર રવાના થઈ જાય છે. ચોરીને અંજામ આપનાર શખ્સ ડ્રાઈવર નીકળ્યોસોસાયટીના એક જાગૃત નાગરિકના ધ્યાને આ બાબત આવતા તેમણે તુરંત સીસીટીવી ચેક કર્યા હતા. જેમાં પોલીસની ગાડી જોઈ તેઓ પણ અચંબિત થઈ ગયા હતા. આ મામલે પુરાવા સાથે ઇન્ફોસિટી પોલીસ મથકમાં રજૂઆત કરવામાં આવતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. આ ઘટનાની ગંભીરતાને જોતા ઇન્ફોસિટી પોલીસ ઇન્સ્પેક્ટર વી.એસ. શાહ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં ચોરીને અંજામ આપનાર શખ્સ કરાર આધારિત ડ્રાઇવર હોવાનું સામે આવ્યું છે. આરોપી ડ્રાઈવરને ઝડપી પાડવા ચક્રો ગતિમાનઆ અંગે ઇન્ફોસિટી પીઆઈ શાહે કહ્યુ કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ લાલબત્તી વાળી બોલેરો જીપ અન્ય જિલ્લાની છે. હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ડ્રાઈવર કોણ છે અને કયા જિલ્લાના અધિકારી કે કચેરી સાથે સંકળાયેલો છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાએ સરકારી વાહનોના દુરુપયોગ અને ડ્રાઈવરોની નિમણૂક પ્રક્રિયા સામે મોટા સવાલો ઉભા કર્યા છે. હાલ તો પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી આરોપી ડ્રાઈવરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પાટણના વિલાજ પાર્ટી પ્લોટ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં પૂર્વ શહેર પ્રમુખ લાલેશ ઠક્કર 50થી વધુ સમર્થકો સાથે ફરી કોંગ્રેસમાં જોડાયા હતા. તેમણે ભાજપના શાસનમાં ભ્રષ્ટાચારના 'મીઠાઈના પડીકા' વહેંચાયા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસના ઉત્તર ઝોન પ્રભારી સુભાષીની યાદવે લાલેશ ઠક્કર અને તેમના સમર્થકોને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. લાલેશ ઠક્કર અગાઉ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, પરંતુ હવે તેઓ પોતાના મૂળ પક્ષમાં પરત ફર્યા છે. રાજકીય વિશ્લેષકો માને છે કે તેમના પુનઃપ્રવેશથી પાટણ શહેર અને જિલ્લામાં કોંગ્રેસ પક્ષને ફરી વેગ મળશે. કોંગ્રેસમાં પરત ફર્યા બાદ સભાને સંબોધતા લાલેશ ઠક્કરે જણાવ્યું હતું કે તેઓ પોતાના ઘરે પરત ફર્યા છે. તેમણે ઉમેર્યું કે છેલ્લા 4 વર્ષ દરમિયાન ભાજપે તેમને પક્ષમાં લેવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમની વિચારધારા હંમેશા કોંગ્રેસ સાથે રહી છે. ઠક્કરે પાટણ નગરપાલિકાના કોંગ્રેસ શાસનને યાદ કરતા 'નગરપાલિકા આપના દ્વારે' જેવા કાર્યક્રમોનો ઉલ્લેખ કર્યો હતો, જ્યારે ભાજપના શાસનમાં માત્ર ભ્રષ્ટાચાર જ જોવા મળ્યો હોવાનો દાવો કર્યો હતો. તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર એટલો વ્યાપક હતો કે ખુદ ભાજપના પ્રદેશ મહામંત્રીએ પાટણમાં 'નો રિપીટ થિયરી' લાગુ કરવી પડી અને 44માંથી એક પણ કોર્પોરેટરને ફરી ટિકિટ આપવામાં આવી ન હતી. લાલેશ ઠક્કરે ભાજપના કોર્પોરેટરો પર મીઠાઈના પેકેટમાં પૈસા ભરીને ભ્રષ્ટાચાર કરવાનો સીધો આક્ષેપ કર્યો હતો. ઠક્કરે જનતાને સંબોધતા કહ્યું કે જો મીઠાઈના પેકેટમાં પૈસા આપીને કામ કરાવવું હોય તો ભાજપને મત આપો, પરંતુ જો પ્રજાના દ્વારે સેવા આપતું શાસન જોઈતું હોય તો કોંગ્રેસને મત આપો. આ સંકલ્પ સભામાં આગામી ચૂંટણીલક્ષી રણનીતિ અને પક્ષના સંગઠનને મજબૂત કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. સભાના અંતે કોંગ્રેસની વિચારધારાને જન-જન સુધી પહોંચાડવાનો સંકલ્પ લેવાયો હતો અને પૂર્વ શહેર પ્રમુખના પુનઃપ્રવેશથી કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો.
જૂનાગઢના ગિરનાર પર્વતની ગોદમાં આવેલા પૌરાણિક શ્રી જટાશંકર મહાદેવ મંદિરની જગ્યામાં વન વિભાગ દ્વારા કરવામાં આવતી કથિત કનડગત અને પાયાની સુવિધાઓના અભાવનો મામલો હવે રાજ્ય સરકારના ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે. આ ગંભીર મુદ્દે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના વહીવટી અધિકારીએ જૂનાગઢ જિલ્લા કલેક્ટરને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે જટાશંકર મહાદેવના મહંતશ્રીને પૌરાણિક મંદિરની જગ્યામાં થતી હેરાનગતિ રોકવા બાબતે મળેલી રજૂઆત પરત્વે નિયમાનુસાર જરૂરી કાર્યવાહી કરી યોગ્ય ઉકેલ લાવવો. આ આદેશ બાદ હવે સ્થાનિક વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે અને પૌરાણિક સ્થાનકને ન્યાય મળવાની આશા જાગી છે. આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે જટાશંકર મંદિરના મહંત બાલ બ્રહ્મચારી પૂર્ણાનંદ ગુરૂજી બાલાનંદ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા લલિતભાઈ પરસાણાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. મહંતે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે ગિરનારની જૂની સીડી પર 500 પગથિયાં પાસે આવેલું આ મંદિર અતિ પ્રાચીન છે, જ્યાં વર્ષે લાખો ભક્તો દર્શનાર્થે આવે છે. ખાસ કરીને મહાશિવરાત્રી અને શ્રાવણ માસમાં અહીં ભક્તોનો ભારે ધસારો રહે છે. જોકે, આટલા મહત્વના ધાર્મિક સ્થળ હોવા છતાં તંત્ર દ્વારા અહીં પીવાના પાણી કે શૌચાલય જેવી ન્યૂનતમ સુવિધાઓ પણ આપવામાં આવી નથી. ઉલટાનું, જ્યારે સાધુ-સંતો પોતાની મહેનત અને ખર્ચે યાત્રિકો માટે સુવિધા ઉભી કરે છે, ત્યારે વન વિભાગ દ્વારા તેને તોડી પાડવામાં આવે છે. મહંતની રજૂઆતને પગલે વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ આક્રમક વલણ અપનાવ્યું હતું અને રાજ્ય સરકારના નાયબ મુખ્યમંત્રી કાર્યાલય, ઉદ્યોગ અને ખાણ વિભાગ તેમજ વન મંત્રીને પત્ર લખીને આકરા સવાલો કર્યા હતા. લલિત પરસાણાએ રજૂઆતમાં જણાવ્યું હતું કે યાત્રિકો તડકા, ઠંડી અને વરસાદથી બચી શકે તે માટે તેમજ ધાર્મિક વિધિઓ જેવી કે યજ્ઞ-હવન કરી શકે તે માટે મહંત દ્વારા ત્યાં પતરાનો એક શેડ બનાવવામાં આવ્યો હતો. આ શેડ નીચે થોડા સમય પહેલા જ ધારાસભ્ય અને કોર્પોરેટરોની હાજરીમાં ભાગવત કથાનું પણ આયોજન થયું હતું. તેમ છતાં વન વિભાગે કોઈ પણ પૂર્વ જાણકારી વગર આ ડોમ તોડી પાડવાનું કૃત્ય કર્યું છે, જે લાખો શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચાડનારી ઘટના છે. તેમણે વધુમાં સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે એક તરફ સરકાર ભવનાથ અને ગિરનારના વિકાસના મોટા દાવા કરે છે અને 'ત્રિપલ એન્જિન' સરકાર હોવાની વાતો કરે છે, તો બીજી તરફ પૌરાણિક સ્થાનો પર વસતા સાધુ-સંતોને હેરાન કરવામાં આવે છે. ગિરનારની ચારેય દિશામાં ગેરકાયદેસર હોટલો અને ફાર્મ હાઉસ સામે વન વિભાગ મૌન સેવીને બેઠું છે, પરંતુ જ્યારે સાધુઓ યાત્રિકોની સુવિધા માટે સામાન્ય પતરાનો શેડ બનાવે છે ત્યારે તંત્ર સક્રિય થઈ જાય છે. લલિત પરસાણાએ માગ કરી હતી કે ઈન્દ્રેશ્વર મહાદેવની જેમ જટાશંકર મહાદેવ મંદિરનો પણ વિકાસ થવો જોઈએ અને યાત્રિકો માટે વિશ્રામની કાયમી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ. હાલમાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના હસ્તક્ષેપ બાદ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સરકારે આ મામલે ગંભીર નોંધ લઈને કલેક્ટરને પત્ર પાઠવતા હવે વન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રએ આ પૌરાણિક મંદિરની ગરિમા જળવાય અને ત્યાં આવતા ભાવિકોને મુશ્કેલી ન પડે તે દિશામાં કામગીરી કરવી પડશે. આ વિવાદે જૂનાગઢના સ્થાનિક રાજકારણ અને ધાર્મિક ક્ષેત્રોમાં ભારે ચર્ચા જગાડી છે, કારણ કે આ પૌરાણિક સ્થાન સાથે હજારો ભક્તોની લાગણીઓ જોડાયેલી છે. આગામી દિવસોમાં કલેક્ટર દ્વારા લેવામાં આવનારા પગલાં પર સૌની મીટ મંડાયેલી છે.
ચોટીલાના આંગણે ભક્તિ અને શૌર્યનો અનોખો સંગમ રચાયો હતો. કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત ભવ્ય લોક ડાયરામાં લોક કલાકારોએ એવી રમઝટ બોલાવી કે શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ પ્રસંગે કલાકારો પર ભારતીય ચલણની સાથે વિદેશી ડોલરનો પણ વરસાદ જોવા મળ્યો હતો. ભક્તિ અને શૌર્યની જમાવટનવા સુરજદેવળ ધામ ખાતે સૂર્યનારાયણ ભગવાનના ઉપવાસ પૂર્વે આ ખાસ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતથી જ વાતાવરણમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ગુજરાતના ખ્યાતનામ કલાકારો કિર્તીદાન ગઢવી અને દેવાયત ખવડે પોતાની કલા પીરસીને ડાયરાની રોનક વધારી હતી. કિર્તીદાન ગઢવીએ પોતાના મધુર કંઠે સૂર્યનારાયણ ભગવાનના રાસડા અને ભજનોની પ્રસ્તુતિ કરી સમગ્ર માહોલને ભક્તિમય બનાવી દીધો હતો. તો દેવાયત ખવડે શૌર્યરસ અને લોક સાહિત્યની વાતો દ્વારા શ્રોતાઓમાં જોમ અને જુસ્સો ભરી દીધો હતો. નોટો અને ડોલરનો અવિરત વરસાદજ્યારે કલાકારોએ શૌર્ય ગીતો અને ભજનોની રમઝટ બોલાવી, ત્યારે ચાહકો અને શ્રદ્ધાળુઓએ મન મૂકીને નોટો ઉડાડી હતી. આ ડાયરામાં ખાસ આકર્ષણનું કેન્દ્ર સોનાની વર્ક વાળી નોટો રહી હતી. આ ઉપરાંત રૂ.10થી લઈને રૂ.500 સુધીની ભારતીય નોટોનો વરસાદ થયો હતો. મોટા પ્રમાણમાં વિદેશી ચલણ ડોલર પણ કલાકારો પર ન્યોછાવર કરવામાં આવ્યા હતા. સમાજની એકતાનું પ્રતીકઆ કાર્યક્રમ માત્ર મનોરંજન પૂરતો મર્યાદિત ન રહેતા કાઠી ક્ષત્રિય સમાજની એકતા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યો હતો. નવા સુરજદેવ ધામના પવિત્ર આંગણે યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ અને યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. મોડી રાત સુધી ચાલેલા આ ડાયરામાં ગુંજતા શૌર્ય ગીતોએ સમગ્ર વિસ્તારને ગજવી દીધો હતો.
ભાવનગરમાં આણંદ એસીબીની ટીમ સફળ ટ્રેપ કરી ભાવનગર ફાયર બ્રિગેડના ડેપ્યુટી ફાયર ઓફિસર અને વચેટિયાને રૂપિયા 2 લાખની લાંચે લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. ફરિયાદી કોન્ટ્રાક્ટરે સરકારી શાળાઓમાં ફીટ કરેલા ફાયર સેફ્ટીના સાધનોનું એનઓસી મેળવવા બદલ ઓનલાઈન અરજી કરી હતી. જે આપવાના બદલામાં રૂપિયા પાંચ લાખની માગણી કરાતા એસીબીમાં ફરિયાદ કરવામાં આવી છે. આણંદ એસીબીની ટીમે છટકું ગોઠવી ડેપ્યુટી ફાયર ઓફિસર અને વચેટિયાને રૂપિયા બે લાખની લાંચે લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. રૂપિયા 2 લાખની લાંચ લેતા ડેપ્યુટી ફાયર ઓફિસર અને વચેટિયો ઝડપાયાભાવનગર જિલ્લામાં આવેલી અલગ અલગ સરકારી શાળાઓનાં બિલ્ડીંગોમા ફાયર સેફ્ટીને લગતાં સાધનો ઈન્સ્ટોલમેન્ટ કરવા માટે પેટા કોન્ટ્રાક્ટ ધરાવતા એક કોન્ટ્રાક્ટરે જિલ્લાની 79 શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનો ફીટ કરી ઇન્સ્ટોલમેન્ટ કામ પૂર્ણ કરી ફાયરબ્રિગેડ વિભાગમાં ડેપ્યુટી રીઝનલ ફાયર ઓફિસર પાસેથી સેફ્ટી પ્લાન એપ્રુવલ તથા ફાયર સેફ્ટી સર્ટીફીકેટ એપ્રુવલ મેળવવા ઓનલાઇન અરજી કરી હતી. જેમાં મંજૂર થયેલ અરજીઓ તથા મંજૂરી માટે બાકી અરજીઓના વ્યવહાર માટે ફાયરબ્રિગેડના ડેપ્યુટી રીઝનલ ઓફિસર ક્લાસ -2 મહેશ અમૃતલાલ પટેલએ અરજદાર પાસે રૂપિયા પાંચ લાખની લાંચ માંગી હતી. આ લાંચ અરજદાર આપવા માંગતા ન હોય આથી લાંચ પેટે પ્રથમ રૂપિયા 50 હજાર ડેપ્યુટી ઓફિસર મહેશના મળતીયા પ્રકાશ ગિરીશ ચૌહાણ વાળા હસ્તક લીધાં હતાં અને અરજદારે મહેશને જાણ કરી લાંચ પેટે આપવાના 4.50 લાખ પૈકી ૨ લાખની વ્યવસ્થા થઈ હોવાનું જણાવી આ લાંચ માટે સ્થળ જણાવવા જણાવ્યું હતું. દરમ્યાન અરજદારે આણંદ એસીબીની ટીમ ને જાણ કરી સરટી હોસ્પિટલના ગેટ નંબર ૨ પાસે છટકું ગોઠવ્યું હતું. દરમ્યાન મહેશ રૂપિયા 2 લાખની લાંચ લેવા આવતા આણંદ એસીબીની ટીમે મહેશને લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધો હતો અને તેના મળતીયા ગિરીશ ચૌહાણને પણ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ ઘટનાને પગલે લાંચીયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો.
રાજકોટમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં રાજકોટ શહેરના એરપોર્ટ ફાટક નજીક આવેલ સ્વસ્તિક સોસાયટી પાસે પૂરપાટ ઝડપે આવેલ કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લઇ નાસી છુટતા અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત સર્જી કાર ચાલક માનવતા દાખવાના બદલે બાઈક ચાલક યુવકને સારવાર અર્થે ખસેડવા બદલે અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો જો કે સદનસીબે અકસ્માતના પગલે બાઈક ચાલકને કોઈ ગંભીર ઇજા થવા પામી ન હતી પરંતુ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બપોરના 2 વાગ્યા આસપાસ બાઈક ચાલક શેરીમાંથી મુખ્ય રસ્તા તરફ વળાંક લઇ આગળ વધી રહ્યો છે અને અચાનક પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે યુવકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. પિતાએ ઠપકો આપતા યુવકનો આપઘાત રાજકોટ શહેરના ચુનારાવાડ ચોક નજીક શિવાજીનગરમાં રહેતા કિશન ઓળકિયા નામના યુવકે ગઇકાલે સાંજના 6 વાગ્યા આસપાસ ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેણે સારવાર દરમિયાન દમ તોડી દેતા મોત નીપજ્યું હતું. બનાવ અંગે થોરાળા પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલી તપાસમાં મૃતક યુવાન અપરિણીત હતો અને કોઈ કામધંધો ન કરતો હોવાથી પિતાએ કામ કરવા બાબતે ઠપકો આપતા જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. ગંજીવાડામાં પહેલા માળેથી પડી ગયેલા આધેડનું મોત ગંજીવાડામાં પહેલા માળેથી પડી ગયેલા જીતેન્દ્રભાઈ રાઠોડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જીતેન્દ્રભાઈ મેઘજીભાઈ રાઠોડ (ઉં.વ.49) ગત તા.18.04.2026ના રોજ પોતાના ઘરે હતા ત્યારે પહેલા માળથી પડી જતા પ્રથમ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ જી.ટી.શેઠ હોસ્પિટલમાં દાખલ થયા હતા અહીંયા સારવાર બાદ રજા લઈ પોતાના ઘરે સારવાર લેતા હતા દરમિયાન આજરોજ સવારે 6.45 વાગ્યે તબિયત લથડતા બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે જાણ થોરાળા પોલીસને કરવામાં આવતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાગળ કાર્યવાહી હાથ ધરી હતી. ગાંજાના જથ્થા સાથે પાન-બીડીનો ધંધાર્થી પકડાયો ગાંધીગ્રામ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એસ.કે. ચોકની બાજુમા ગંગેશ્વર મહાદેવ મંદિર વાડી શેરીમા એક શખ્સ આવવાનો છે તેના કબ્જામાં ગાંજાનો જથ્થો છે તેવી ચોક્કસ બાતમીના આધારે ટીમે દરોડો પાડી શંકાસ્પદ હાલતમાં રહેલ શખ્સને અટકાવી તેનું નામ પુછતા નરસિંહ નાગર (ઉ.વ.45) જણાવ્યું હતું. પોલીસે તલાસી લેતા તેની પાસેથી રૂ.16 હજારની કિંમતનો 320 ગ્રામ ગાંજો મળી આવતા ધરપકડ કરી પુછપરછ કરતા રાજકોટમાં રહેતો એક સફાઈ કામદાર તેને ગાંજો સપ્લાય કરી ગયો હોવાનું અને તે પોતાની દુકાનેથી જ છૂટકમાં ગાંજો વેંચતો હોવાનું જણાવ્યું હતું. હાલ પોલીસે મોબાઈલ નંબરના આધારે સપ્લાયર શખ્સની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પકડાયેલ શખ્સને અગાઉ પણ રેસકોર્ષ નજીકથી પ્રદ્યુમનનગર પોલીસે ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. સગા ભત્રીજાએ વિરુધ્ધ વૃદ્ધાએ નોંધાવી ફરિયાદ રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે સુવર્ણ ભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતાં કાંતાબેન પ્રવિણભાઈ વિરોજા (ઉ.વ.80)ના માનસિક રીતે બિમાર પુત્રનાં નામની જમીનનો છળકપટ પૂર્વક સાટાખત કરાવી લઈ જમીનને વિવાદીત બનાવવા માટે કોર્ટમાં ખોટો દાવો દાખલ કરવા અંગે આરોપી પરસોતમ મૈયાભાઈ અકબરી અને અંકિત શૈલેષ ભાલોડી વિરુદ્ધ રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદી કાંતાબેને જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં પાંચ પુત્રી અને બે પુત્ર છે. મોટો પુત્ર અલ્પેશ માનસિક રીતે અસ્વસ્થ છે અને નાનો પુત્ર મયુર પરિવાર સાથે અલગ રહે છે. તેમના પતિની કોટડાસાંગાણીના અરડોઈ ગામે વારસાઈ જમીન છે. જે પુત્ર અલ્પેશનાં નામે છે. ગત નવેમ્બર મહિનામાં ઘરે નોટીસ આવતા જાણવા મળ્યું હતું કે, આરોપી પરસોતમ અને તેના સગા ભાઈના પુત્ર અંકિતે ભેગા મળી તેનો પુત્ર અલ્પેશ માનસિક રીતે અસ્વસ્થ હોવાથી તેનો ગેરલાભ લઈ તેને વાતોમાં ભોળવી બાલાજી હોલ નજીક આવેલી નોટરીની ઓફીસમાં લઈ જઈ સાટાખતમાં સહી કરાવી લીધી હતી. દસ્તાવેજ કરવા બાબતે નોટીસ મળી ત્યારે તેમને આ અંગે જાણ થઇ હતી જેથી કોટડાસાંગાણી પોલીસમાં અરજી કરી હતી. પરિણામે બંને આરોપીઓએ પૂર્વયોજીત કાવતરાનાં ભાગરૂપે તેમની જમીનને વિવાદીત બનાવવાનાં ઈરાદે તેમના વિરુદ્ધ કોર્ટમાં ખોટો દાવો દાખલ કર્યો હતો જે દાવો હાલ ચાલુ છે. આ અંગે તેમણે પોલીસ કમિશનરને અરજી કરી હતી. જેના આધારે તાલુકા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હીરાસર એરપોર્ટ નજીક હાઈવે પર મોડી રાતે વાહનો ઉપર પથ્થરમારો માણાવદર રહેતાં કિશોરભાઈ મોહનભાઈ સુરેજા (ઉ.વ.56) પોતાના પરિવારજનો સાથે ટેમ્પો ટ્રાવેલ્સ ભાડે કરી નાથદ્વારા દર્શનાર્થે જઇ રહ્યા હતા. રાત્રે 11.30 આસપાસ હીરાસર એરપોર્ટ પાસે પહોંચ્યા ત્યારે અચાનક ટેમ્પો ઉપર પથ્થરના ઘા આવ્યા હતાં જેના કારણે કાચ ફુટી જતાં તેના ટૂકડા ઉડીને ટેમ્પોમાં બેઠેલા કિશોરભાઈને લાગી જતાં લોહી નીકળવા માંડયા હતાં જેથી તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે એરપોર્ટ પોલીસને જાણ કરી હતી. પત્થરમારો કરી નાસી જતા કોઇ ટીખળીનું આ કૃત્ય છે કે પછી વિકૃત આનંદ માણવા નશાખોરે આવુ કર્યુ તેને લઇ એરપોર્ટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહાનગરપાલિકાના સુપરવાઇઝર ઉપર પૈસાની લેતી-દેતી મામલે હુમલો થોરાળા વિસ્તારમાં આવેલ સર્વોદય સોસાયટી 11માં રહેતો વિશાલ માવજીભાઈ પારઘી (ઉ.વ.37) રાત્રે 12.30 વાગ્યે ઘર નજીક હતો ત્યારે રોહિત નામના શખ્સે ઝઘડો કરી છરીથી હુમલો કરી હાથમાં ઇજા પહોંચાડતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. વિશાલના ભાઈ સંજયએ પોલીસને જણાવ્યું હતું કે વિશાલ રાજકોટ મહાનગરપાલિકામાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. રોહિત સાથે રૂ.2100ની લેતીદેતી મામલે માથાકુટ ચાલતી હતી જેથી રોહિતે પૈસાની ઉઘરાણી કરી બોલાચાલી કરી છરીથી હુમલો કર્યો છે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દારૂના કેસમાં પકડાયેલ સંબંધીના સમાધાન માટે બોલાવી યુવક પર તલવાર અને ધારીયા વડે હુમલો રાજકોટ શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગરુડ ગરબી ચોક પાસે ગઈકાલે મોડી રાત્રે લોહીયાળ અથડામણની ઘટના બની હતી. દારૂના જૂના કેસમાં સમાધાન કરવાના બહાને બોલાવીને ચાર શખ્સોએ એક યુવક પર તલવાર અને ધારીયા જેવા ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા સાકીરખાન હમીદખાન યુસુફી (ઉં.વ.27) નામના યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં ડોક્ટરોએ તેને જમણા પગના ઢીંચણના ભાગે ગંભીર ફ્રેક્ચર હોવાનું જાહેર કર્યું કરતા હાલ એ ડિવિઝન પોલીસે BNS કલમ 118(1), 117(2), 352, 351(3), 3(5) તેમજ જી.પી. એક્ટની કલમ 135(1) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉનાળા વેકેશન દરમિયાન મુસાફરોની વધારાની ભીડને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા ઉધના (સુરત) અને મધુબની વચ્ચે સાપ્તાહિક અનરિઝર્વ્ડ 'ટ્રેન ઓન ડિમાન્ડ' સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ (જનરલ) કોચ સાથે દોડશે, જેનાથી યુપી-બિહાર તરફ જતા મુસાફરોને મોટી રાહત મળશે. આ સાથે અન્ય ત્રણ વલસાડ-દુર્ગાપુર, ઉધના-દુર્ગાપુર અને સાબરમતી-દુર્ગાપુર વચ્ચે સ્પેશિયલ ભાડા સાથે 'ટ્રેન ઓન ડિમાન્ડ' દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. ટ્રેનનું સમયપત્રક અને ફેરા ટ્રેનનું સ્ટોપેજ અને રૂટઆ ટ્રેન તેના રૂટ દરમિયાન બંને દિશામાં નીચેના મુખ્ય સ્ટેશનો પર ઉભી રહેશે: આ ટ્રેનમાં કુલ 19 LHB કોચ હશે, જેમાં 17 અનરિઝર્વ્ડ જનરલ કોચનો સમાવેશ થાય છે. આ ટ્રેન સ્પેશિયલ ફેર પર દોડશે. મુસાફરોની જાણકારી માટે સ્ટેશનો પર સતત જાહેરાત કરવામાં આવશે અને નોટિસ બોર્ડ પર સમયપત્રક પ્રદર્શિત કરવામાં આવશે. પશ્ચિમ રેલવે દ્વારા ઉનાળા દરમિયાન મુસાફરોનો વધારાનો ધસારો ઘટાડવા માટે વલસાડ, ઉધના અને સાબરમતીથી પશ્ચિમ બંગાળના દુર્ગાપુર માટે ખાસ સ્પેશિયલ ટ્રેનો ( દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રેનો સંપૂર્ણપણે ઈલેક્ટ્રીક ટ્રેક્શન પર ચલાવવામાં આવશે. રેલવે દ્વારા તમામ સ્ટેશન માસ્તરોને આ ટ્રેનોની સમયસારણી નોટિસ બોર્ડ પર પ્રદર્શિત કરવા અને સતત એનાઉન્સમેન્ટ કરવા સૂચના આપવામાં આવી છે જેથી મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે. મુસાફરો આ ટ્રેનોનું રિઝર્વેશન રેલવે કાઉન્ટર અથવા IRCTCની વેબસાઈટ પરથી કરી શકશે. વલસાડ-દુર્ગાપુર, સ્પેશિયલ (09143 /09144 )આ ટ્રેન વલસાડ થી તારીખ 25 એપ્રિલ 2026ના રોજ બપોરે 12:50 કલાકે ઉપડશે અને 27 એપ્રિલના રોજ વહેલી સવારે 04:20 કલાકે દુર્ગાપુર પહોંચશે. પરતમાં દુર્ગાપુરથી આ ટ્રેન 27 એપ્રિલના રોજ સવારે 07:00 કલાકે ઉપડીને બીજા દિવસે એટલે કે 28 એપ્રિલે સાંજે 17:30 કલાકે વલસાડ પરત ફરશે. આ ટ્રેન ભેતાણ, નંદુરબાર, ભુસાવળ, જબલપુર અને ગયા જેવા મુખ્ય સ્ટેશનો પર ઉભી રહેશે. ઉધના-દુર્ગાપુર-ઉધના સ્પેશિયલ (09175/09176):સુરત વિસ્તારના મુસાફરોની સુવિધા માટે ઉધનાથી દુર્ગાપુર વચ્ચે બે ટ્રીપનું આયોજન કરાયું છે. ટ્રેન નંબર 09175 ઉધનાથી તારીખ 26 અને 27 એપ્રિલના રોજ સવારે 08:35 કલાકે ઉપડશે. જ્યારે સામે પક્ષે ટ્રેન નંબર 09176 દુર્ગાપુરથી 27 અને 28 એપ્રિલના રોજ રાત્રે 23:50 કલાકે ઉપડશે. આ ટ્રેનમાં 17 એલએચબી કોચ હશે, જેમાં જનરલ અને સ્લીપર કોચની સુવિધા ઉપલબ્ધ રહેશે. સાબરમતી-દુર્ગાપુર-સાબરમતી સ્પેશિયલ (09413/09414):અમદાવાદના સાબરમતી સ્ટેશનથી તારીખ 24 એપ્રિલના રોજ સાંજે 18:25 કલાકે આ ટ્રેન ઉપડશે, જે મહેસાણા, પાલનપુર, આબુ રોડ, જયપુર અને કાનપુર થઈને 26 એપ્રિલે સવારે 09:15 કલાકે દુર્ગાપુર પહોંચશે. વળતી મુસાફરીમાં આ ટ્રેન દુર્ગાપુરથી 26 એપ્રિલે બપોરે 12:15 કલાકે ઉપડી 28 એપ્રિલે વહેલી સવારે 03:00 કલાકે સાબરમતી પરત આવશે.
મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના હરસુંડલ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી અને VCE લાંચ લેતા એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાઈ ગયા છે. જમીનના દસ્તાવેજોમાં વારસાઈ હક દાખલ કરવાના બદલામાં લાંચની માંગણી કરનાર બંને આરોપીઓ સામે એસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરિવારના સભ્યોના નામ દાખલ કરવા ફરિયાદી પાસે લાંચ માગીફરિયાદીના પિતાના અવસાન બાદ તેમના પરિવારના સભ્યોના નામ વડીલોપાર્જિત જમીનના ખાતામાં દાખલ કરવાના હતા. આ કામગીરી માટે હરસુંડલ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી વિવેકભાઈ કિરીટભાઈ ચૌધરી અને VCE વિશાલકુમાર સેંધાજી ઠાકોરે ફરિયાદી પાસે પ્રતિ એકાઉન્ટ દીઠ 4000 લેખે કુલ 12000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે મહેસાણા એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. એસીબીએ લાંચની રકમ રિકવર કરી કાર્યવાહી હાથ ધરીફરિયાદીની ફરિયાદને આધારે એસીબીએ આજના દિવસે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. આ દરમિયાન આરોપીઓએ ફરિયાદી સાથે લાંચ અંગે હેતુલક્ષી વાતચીત કરી હતી.રકઝકના અંતે લાંચની રકમ 10,000 રૂપિયા નક્કી કરવામાં આવી હતી, જે સ્વીકારતા જ આરોપીઓ એસીબીના અધિકારીઓ દ્વારા હરસુંડલ ગ્રામ પંચાયત કચેરી ખાતે જ ઝડપાઈ ગયા હતા. એસીબીએ આરોપીઓ પાસેથી લાંચની 10,000 રૂપિયાની રકમ રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર સફળ ઓપરેશન મહેસાણા એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. ચાવડા અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. આ ટ્રેપમાં ગાંધીનગર એસીબીના મદદનીશ નિયામક એ.કે. પરમાર અને અમદાવાદ એસીબીના નાયબ નિયામક હરેશ મેવાડાનું સુપરવિઝન રહ્યું હતું.
ગોધરા નગરપાલિકા ચૂંટણી પ્રચાર તેજ બન્યો:આકરી ગરમી વચ્ચે ઉમેદવારો મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે
ગોધરા નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. એપ્રિલ મહિનાની કાળઝાળ ગરમી વચ્ચે પણ ઉમેદવારો મતદારોને રીઝવવા માટે સઘન પ્રચાર કરી રહ્યા છે. રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારોએ પ્રચારની રણનીતિમાં કોઈ કસર છોડી નથી. દિવસ દરમિયાન ઢોલ-નગારા સાથે ડોર-ટુ-ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ઉમેદવારો આકરા તાપ વચ્ચે પણ મતદારોના ઘરે-ઘરે જઈને આશીર્વાદ અને મત માંગી રહ્યા છે. દિવસના તાપથી બચવા માટે ઉમેદવારો રાત્રિના સમયે શેરી સભાઓનું આયોજન કરી રહ્યા છે. આ સભાઓમાં તેઓ પોતાનો વિકાસલક્ષી એજન્ડા રજૂ કરે છે અને સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે આશ્વાસન આપે છે. મતદારો પણ જાગૃત બનીને પોતાના વોર્ડના વિકાસની અપેક્ષા સાથે ઉમેદવારોની વાત સાંભળી રહ્યા છે. 26 એપ્રિલના રોજ મતદાન થવાનું છે, જેના માટે તમામ પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. આ આકરી ગરમી વચ્ચે કરવામાં આવેલો પ્રચાર કોના માટે ફળદાયી નીવડે છે તે જોવું રસપ્રદ રહેશે.
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો ચર્ચાના ચકડોળે ચઢ્યા છે. થોડા દિવસો પહેલા વોર્ડ નંબર 29 ના ઉમેદવાર સુધા પાંડેના 'પહેલા MA અને પછી BA' ના વિવાદ બાદ હવે વોર્ડ નંબર 27 ના ભાજપના રિપીટ ઉમેદવાર ભાઈદાસ પાટીલના એફિડેવિટમાં ગંભીર વિસંગતતા સામે આવી છે. વર્ષ 2021 માં પોતાની જાતને 'ધોરણ 10 પાસ' ગણાવનાર ઉમેદવાર હવે 2026 માં 'ધોરણ 10 નાપાસ' હોવાનું જાહેર કરતા સુરતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. શૈક્ષણિક લાયકાતમાં મોટો તફાવતગત વર્ષ 2021ની મહાનગરપાલિકાની ચૂંટણીમાં જ્યારે ભાઈદાસ પાટીલે ઉમેદવારી નોંધાવી હતી, ત્યારે તેમણે ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલા સોગંદનામામાં પોતે ધોરણ 10 પાસ હોવાનું દર્શાવ્યું હતું. જોકે, આશ્ચર્યની વાત એ છે કે વર્ષ 2026ની વર્તમાન ચૂંટણીમાં તેમણે રજૂ કરેલા એફિડેવિટમાં પોતાની શૈક્ષણિક લાયકાત બદલીને 'ધોરણ 10 નાપાસ' કરી દીધી છે. એક જ વ્યક્તિ દ્વારા પાંચ વર્ષના અંતરે રજૂ કરવામાં આવેલા બે અલગ-અલગ સત્તાવાર દસ્તાવેજોમાં ભણતરના આ આંકડાઓ જોઈને મતદારો પણ અસમંજસમાં મુકાયા છે. સુધા પાંડેના 'ડિગ્રી કાંડ' જેવી જ પેટર્નઆ ઘટનાક્રમે સુરત ભાજપના જ અન્ય એક ઉમેદવાર સુધા પાંડેની યાદ તાજી કરી દીધી છે. સુધા પાંડેએ પણ પોતાના સોગંદનામામાં અજીબોગરીબ દાવો કર્યો હતો કે તેમણે માસ્ટર ઓફ આર્ટસ (MA) પહેલા કર્યું અને બેચલર ઓફ આર્ટસ (BA) પછીથી કર્યું. જ્યારે આ મામલે હોબાળો મચ્યો ત્યારે તેમણે 'ટાઈપિંગ મિસ્ટેક' નો બચાવ કર્યો હતો. બરાબર એવી જ રીતે ભાઈદાસ પાટીલ પણ હવે પોતાના બચાવમાં ટાઈપિંગ એરરનું શરણું લઈ રહ્યા છે, જે ભાજપ માટે શરમજનક સ્થિતિ સાબિત થઈ શકે છે. ભાજપ ઉમેદવાર ભાઈદાસ પાટીલની સ્પષ્ટતાઆ વિવાદ વકરતા ભાઈદાસ પાટીલે મીડિયા સમક્ષ પોતાની સફાઈ રજૂ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ગત વર્ષે પણ મારી શૈક્ષણિક લાયકાત ધોરણ 10 નાપાસ જ હતી, પરંતુ તે સમયે સોગંદનામું તૈયાર કરનારની ટાઈપિંગ મિસ્ટેકને કારણે 'નાપાસ' ની જગ્યાએ 'પાસ' લખાઈ ગયું હતું. આ વખતે મેં સત્ય વિગતો ભરી છે અને પુરાવા તરીકે ધોરણ 10 નાપાસની જ LC (લિવિંગ સર્ટિફિકેટ) રજૂ કરી છે. જોકે, પ્રશ્ન એ ઉભો થાય છે કે 2021માં જ્યારે આટલી મોટી ભૂલ થઈ હતી ત્યારે તેમણે સુધારો કેમ નહોતો કર્યો? વોર્ડ નંબર 27માં પાર્ટીએ ફરી મૂક્યો છે વિશ્વાસભાઈદાસ પાટીલ ભાજપના સક્રિય કાર્યકર છે અને પાર્ટીએ તેમના પર ફરી એકવાર વિશ્વાસ મૂકીને વોર્ડ નંબર 27 માંથી ટિકિટ આપી છે. પાર્ટીએ જ્યારે ઉમેદવારોને રિપીટ કરવાનો નિર્ણય લીધો ત્યારે શૈક્ષણિક લાયકાતના જૂના રેકોર્ડ્સ કેમ ન ચકાસ્યા તે અંગે પણ આંતરિક ચર્ચાઓ શરૂ થઈ છે. કાર્યકરોમાં ગણગણાટ છે કે ઉમેદવારોના આવા વિવાદોને કારણે પાયાના કાર્યકરોની મહેનત પર પાણી ફરી વળે છે અને વિપક્ષને પ્રહાર કરવાની તક મળે છે. વિપક્ષ દ્વારા આક્રમક તેવર અને પ્રશ્નોની ઝડીભાઈદાસ પાટીલના સોગંદનામાનો મામલો સામે આવતા જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ભાજપ પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. વિપક્ષી નેતાઓનું કહેવું છે કે, ભાજપના ઉમેદવારો જનતાને ગેરમાર્ગે દોરવામાં પાવરધા છે. જો એક ઉમેદવાર પોતાની લાયકાત વિશે સાચું બોલી શકતા ન હોય, તો તેઓ જનતાના કામો કઈ રીતે પારદર્શક રીતે કરશે? સુધા પાંડે અને ભાઈદાસ પાટીલ બંને કિસ્સામાં 'ટાઈપિંગ મિસ્ટેક' નું બહાનું કાઢવામાં આવ્યું છે, જે હવે ગળે ઉતરે તેમ નથી.
મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા આજે તેનું સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું હતું. આ સંકલ્પ પત્રમાં માળખાકીય સુવિધાઓ, પર્યાવરણ અને ટ્રાફિક સમસ્યા જેવા મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય ભવિષ્યમાં લોકોની સુખાકારીમાં વધારો કરવાનો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે આ સંકલ્પ પત્ર જાહેર કરાયું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અનિરુદ્ધ દવે, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતી રાજકોટિયા, જિલ્લાના પ્રભારી ગજેન્દ્ર સક્સેના, જિલ્લા ભાજપના મહામંત્રી નિર્મલ જારીયા, તપન દવે અને ચતુર મકવાણા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંકલ્પ પત્રમાં માળખાકીય સુવિધાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. જેમાં રોડ-રસ્તા, ડ્રેનેજ સિસ્ટમ, શુદ્ધ પાણીની વ્યવસ્થા, આઇકોનિક રોડનું નિર્માણ, મચ્છુ નદીનું શુદ્ધિકરણ અને રિવરફ્રન્ટ ડેવલપમેન્ટનો સમાવેશ થાય છે. શહેરના ઝડપી વિકાસ માટે નવા ભળેલા વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામો અટકાવવા અને સુનિયોજિત વિકાસ માટે નવી ટીપી સ્કીમો બનાવીને તેનો ઝડપથી અમલ કરવાની પણ યોજના છે. આ ઉપરાંત, મોરબીના વિવિધ વિસ્તારોમાં બાગ-બગીચા અને સિનિયર સિટીઝન પાર્ક બનાવવા, તળાવોનું નવીનીકરણ, વોકિંગ ટ્રેક, લાઇટિંગ અને બોટિંગ જેવી સુવિધાઓ વધારવાનો પણ સમાવેશ થાય છે. મહિલા સશક્તિકરણ, પશુ નિયંત્રણ, સાંસ્કૃતિક ભવન, ઓડિટોરિયમ, નાગરિક સુવિધાઓ, વ્યવસાયિક બજાર, રોજગારી અને રખડતા શ્વાનનું નિયંત્રણ જેવા અનેક મુદ્દાઓને પણ સંકલ્પ પત્રમાં આવરી લેવાયા છે. જનભાગીદારી દ્વારા મોરબીમાં પરિવર્તન લાવવા માટે દર મહિને મેયર અને કમિશનર સાથે સીધો સંવાદ યોજીને લોકોની પાયાની સમસ્યાઓનો સ્થળ પર જ નિકાલ કરવાની વ્યવસ્થા કરાશે. વિવિધ વિસ્તારોમાંથી વડીલોના અનુભવનો ઉપયોગ કરીને એક સમિતિ બનાવવામાં આવશે, જેમના સૂચનો મેળવીને શહેરનો આયોજનબદ્ધ વિકાસ કરવામાં આવશે. ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું કે, મોરબીના લોકોને કલ્પનાથી પણ વિશેષ મોરબી બનાવવા માટે આ લોક સંકલ્પ કરવામાં આવ્યો છે.
ચૂંટણી પૂરી થાય નહીં ત્યાં સુધી વડોદરા શહેરના અનેક સ્ટેમ્પ વેન્ડરોના લાયસન્સ રિન્યુ નહીં થતાં હોવાથી કરોડો રૂપિયાના દસ્તાવેજો અટવાઈ ગયા છે. જેથી સ્ટેમ્પ વેન્ડરોના લાયસન્સ ઝડપથી રીન્યુ કરવાની માંગ સાથે વડોદરાના જાણીતા વકીલ કમલ પંડ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. મુખ્યમંત્રીને લખેલા પત્રમાં વડોદરાના જાણીતા વકીલ કમલ પંડ્યાએ જણાવ્યું હતું કે, દર વર્ષે સ્ટેમ્પ વેન્ડરોના લાયસન્સ એપ્રિલ માસમાં રીન્યુ કરવામાં આવે છે. માર્ચ થી એપ્રિલ સુધી તેઓના લાયસન્સ આપેલા હોય છે. આ રૂટીન વર્ક છે. ગુજરાતમાં દરેક શહેર અને જીલ્લામાં આ પ્રકારે સ્ટેમ્પ વેન્ડરોના લાયસન્સો આપવામાં આવેલ છે. અને ઉપર મુજબના પ્રોસીજર મુજબ તેઓના લાયસન્સ રીન્યુ થાય છે. સદરહું સ્ટેમ્પ વેન્ડરોના લાયસન્સો નાયબ કલેકટરશ્રી ધ્વારા રીન્યુ થાય છે. હાલમાં ઓનલાઈન ની પ્રથા પણ સ્ટેમ્પ માટે છે. પરંતુ ઘણી કોર્ટ કેસોમાં જે સ્ટેમ્પ રજુ કરવાના હોય છે તે ટ્રેઝરીમાં ચલણ ભરી સ્ટેમ્પ મેળવી તેના પર ઓર્ડરો ટાઈપ થાય છે અને તે જે તે સંસ્થામાં રજુ કર્યે થી આગળનો પ્રોસેસ થાય છે. અને તે સ્ટેમ્પ જ કોર્ટમાં વેલીડ ગણાય છે. આપે દરેક અધિકારીને લોકોના કામો તાત્કાલિક ધોરણે થાય અને કામ કરતી સરકારનો દાખલો બેસે તે રીતે કામગીરી કરવા જણાવો છો. પરંતુ અધિકારીઓ એક યા બીજા બહાના હેઠળ પ્રજાને ત્રાસ આપવાની જ પ્રક્રિયા કરે છે. હાલમાં એપ્રિલ માસમાં સ્ટેમ્પ વેન્ડરના લાયસન્સો રીન્યુ કરવા માટે તમામ સ્ટેમ્પ વેન્ડરોએ એપ્લીકેશન આપી દીધેલ છે. પરંતુ ચુંટણી ના બહાના હેઠળ કોઈપણ અધિકારી રુટીન કામ કરવા તૈયાર નથી. ખરેખર આ પ્રોસેસ રેગ્યુલર છે. ઓરલી ફોન દ્વારા પણ ટ્રેઝરીમાં સુચના આપે કે જે જુના સ્ટેમ્પ વેન્ડરો છે તેઓના લાયસન્સ રીન્યુ ગણાશે તો પણ પ્રજાને મુશ્કેલી પડે નહિં. હાલમાં આ પ્રક્રિયાને કારણે પ્રજા ના કામો અટવાયેલ છે. ચુંટણી પછી લાયસન્સ રીન્યુ કરવા જણાવે છે. જયારે વડોદરા શહેરના કલેકટર આજે પણ રુટીન કામ એટલે કે કેસોની સુનાવણી અને રોજબરોજની કાર્યવાહી પણ કરી રહ્યાં છે. જો કલેકટરને સમય હોય તો નાયબ કલેકટરને સ્ટેમ્પ વેન્ડરોના લાયસન્સ રીન્યુ કરવા અંગે વાંધો હોઈ શકે નહિં. લાયસન્સ ઈલેકશન પછી રીન્યુ થશે તો તેમાં 5-7 દિવસ નીકળી જશે અને 5-7 દિવસ પછી કોર્ટોમાં વેકેસન શરુ થશે. આ સંજોગોમાં સ્ટેમ્પ માટે ત્રાસ ભોગવતા પ્રજાને બીજા એક માસ સુધી રોકાવું પડશે. એટલે કે કોર્ટ ખુલશે ત્યારે પ્રોસેસ થશે. હાલમાં આ પરિસ્થિતિ મોટા ભાગના ગુજરાતના શહેરોમાં અને જીલ્લામાં છે. આ સંજોગોમાં આપ સાહેબને વિનંતી છે કે, સત્વરે સ્ટેમ્પ વેન્ડરોના લાયસન્સો રીન્યુ કરવા અથવા ઓરલી જે તે ટ્રેઝરીને જાણ કરી રેગ્યુલર સ્ટેમ્પો મળે તેવી વ્યવસ્થા કરવા વિનંતી છે.
મોરબીના મયુરપુલ પર ત્રિપલ અકસ્માત:ઈકો કારે બ્રેક મારતાં પાછળ આવતી બે કાર અથડાઈ, કોઈ જાનહાનિ નહીં
મોરબીના મયુરપુલ પર સોમવારે સાંજે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. એક ઈકો કારે બ્રેક મારતા તેની પાછળ આવી રહેલી બે અન્ય કાર એક પછી એક અથડાઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટના મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી શહેરમાં આવતા મુખ્ય માર્ગ મયુરપુલ પર બની હતી. અકસ્માતને કારણે પુલ પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને ત્રણેય વાહનોને નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતા જ જિલ્લા ટ્રાફિક શાખાના પીએસઆઈ દિલીપ ઠક્કર સહિતનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. ટ્રાફિક પોલીસે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવવાની કામગીરી હાથ ધરી હતી. વાહનો હટાવ્યા બાદ પુલ પરનો ટ્રાફિક પુનઃ કાર્યરત કરવામાં આવ્યો હતો, જેનાથી વાહનવ્યવહાર સામાન્ય બન્યો હતો.
ખેતરમાં કામ કરતા યુવકનો કાન છૂટો પડ્યો:કાલોલના વાટા રીછીયા ગામે લોખંડની એંગલ વાગતા ગંભીર ઈજા
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વાટા રીછીયા ગામે ખેતરમાં કામ કરતી વખતે એક યુવકને ગંભીર અકસ્માત નડ્યો હતો. લોખંડની એંગલ વાગવાને કારણે યુવકનો કાનનો ભાગ છૂટો પડી ગયો હતો, જેને પગલે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટના આજે વાટા રીછીયા ગામના ખેતરમાં બની હતી. કલર કામ કરી રહેલા સોલંકી મહેશ નામના યુવકને કામ દરમિયાન લોખંડની તીક્ષ્ણ એંગલ કાનના ભાગે વાગી હતી. આ ગંભીર ઈજાને કારણે તેમનો કાન છૂટો પડી ગયો હતો. અકસ્માત થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં મહેશભાઈને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ઈજાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. હાલમાં યુવકની સારવાર ચાલી રહી છે.
દુનિયાનું 20-22% ઓઇલ જ્યાંથી સપ્લાય થાય છે, એ હોર્મુઝનો દરિયો અત્યારે ઉકળી રહ્યો છે. ચિંતાની વાત એ છે કે, હવે ભારત પણ એની રડારમાં આવી ગયું છે. બે દિવસમાં ઈરાની ગનબોટ્સે બે ભારતીય જહાજ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું છે. આ તરફ અમેરિકાએ ઈરાનના 900 ફૂટ લાંબા જહાજ ટોસ્કાના એન્જિન રૂમ પર ગોળીઓ વરસાવીને દરિયામાં ઊભું રાખી દીધું છે. ચીનથી આવતાં આ જહાજને અમેરિકન નેવીએ મધદરિયે રોકી દીધું છે. આ સ્થિતિમાં આવતીકાલની ઇસ્લામાબાદ શાંતિમંત્રણા પર સંકટનાં વાદળો ઘેરાયાં છે. અને ઈઝરાયેલ લેબનોનનાં 55 ગામ ગળી ગયું છે. એવામાં ઈરાને ઘાતક ખૈબર-શેકન મિસાઈલો તેલ અવીવ તરફ તાકી દીધી. આજે આપણે યુદ્ધમાં ગ્લોબલ ગેમના ગેમ્બલની વાત કરીએ... નમસ્કાર... દક્ષિણ લેબનોનમાં ઈઝરાયેલની સૈન્ય કાર્યવાહી હવે માત્ર ઓપરેશન નથી રહી, પણ તે એક કાયમી જીઓગ્રાફિકલ ચેન્જ બાજુ આગળ વધી રહી છે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ એટલે કે IDFએ 20 એપ્રિલની સવાર સુધીમાં જે ડેટા જાહેર કર્યો છે તે ચોંકાવનારા છે. ઈઝરાયેલ હવે લેબનોનની સરહદની અંદર 5 થી 10 કિલોમીટરની એક ફોરવર્ડ ડિફેન્સ લાઈન નામની સિક્યોરિટી લાઈન બનાવી કરી રહ્યું છે. આ લાઈનનો મતલબ એ છે કે ઈઝરાયેલ હવે માત્ર સરહદની રક્ષા નથી કરી રહ્યું, પણ લેબનોનની જમીન પર પોતાનો દાવો ઠોકીને પોતાનું ડોમિનન્સ વધારીને બફર ઝોન બનાવી રહ્યું છે. ઈઝરાયલનો લેબનોનના ગામો પર કબજો પણ સવાલ થાય કે ઈઝરાયલ આવું કેમ કરી રહ્યું છે? તો જવાબ છે હિઝબુલ્લાહનો ખાત્મો... હિઝબુલ્લાહ ઈઝરાયલના ઉત્તરના ભાગો પર સતત ડ્રોન અને રોકેટના મારા ચલાવી રહ્યું છે. જેના કારણે તે વધુ આક્રામક થયું છે. ઈઝરાયેલની 5 બ્રિગેડે નેવીની મદદથી લેબનોનના 55 ગામો પર કબજો કરી લીધો છે. આ જ વાત હિઝબુલ્લાહ માટે અત્યાર સુધીનો સૌથી મોટો ફટકો છે. ઈઝરાયલે હિઝબુલ્લાહના 1,800થી વધુ લડવૈયાઓને પતાવી દીધા છે અને પ્રોક્સી ગ્રુપને પતાવવા મેદાને છે. હિઝબુલ્લાહની હથિયાર સપ્લાય પર ફટકો આમાં સૌથી મોટી વાત એ છે કે ઈઝરાયેલનો ટાર્ગેટ ખાલી હિઝબુલ્લાહના લડવૈયાઓ નથી, પણ સ્મગલિંગ પણ રૂટ છે. હિઝબુલ્લાહના સીરિયાથી લેબનોન આવતા હથિયારોના જથ્થાને રોકવા માટે લેબનોનના લિતાની નદી પરના પુલને ઈઝરાયલે નિશાન બનાવ્યું છે અને તોડી પાડ્યું છે. જોકે અપડેટ એવી છે કે લિતાનીના ઓપ્શનમાં લેબનોનની નાબાતીહ અને ટાયરના કેટલાક પુલો ફરી ખુલ્યા છે, જે સ્થાનિક વસ્તી માટે પણ રાહત હોઈ શકે, પણ સૈન્ય દ્રષ્ટિએ તે હજુ પણ જોખમી વિસ્તાર છે. ઈઝરાયલને ઈરાનનો વળતો પ્રહાર ઈઝરાયલની એગ્રેસિવનેસ દેખાડે અને ઈરાન ચૂપ બેસે તેવું બને? ગઈ રવિવારે રાત્રે ઈરાને તેની સૌથી એડવાન્સ ગણાતી ખૈબર-શેકન મિસાઈલોની તૈનાતી કરી છે. આ મિસાઈલો ઈઝરાયલના આયર્ન ડોમ નામની એર ડિફેન્સને નબળી પાડી શકે છે. સોલિડ-ફ્યુઅલ પર ચાલતી આ મિસાઈલો ખૂબ જ ઝડપી છે અને હુમલાના એન્ડ પોઈન્ટ સુધી પોતાનો રસ્તો પણ બદલી શકે છે. આવું કરીને ઈરાન ઈઝરાયલને મેસેજ આપવા માગતું હશે કે, જો ઈઝરાયેલ ઈરાનના પ્રોક્સી ઠેકાણાઓ પર હુમલો કરવાનું ચાલુ રાખશે, તો તેહરાન સીધું તેલ અવીવ કે હાઈફા ઓઈલ રિફાઈનરીને નિશાન બનાવતા અચકાશે નહીં. ઈરાન પાસે હજુ કેટલો દારૂગોળો? અમેરિકાની ઈન્ટેલિજેન્સ એજન્સીના મતે, ઈરાન પાસે હજુ પણ 70% મિસાઈલ સ્ટોક પડેલો છે. ઈરાન અત્યારે તેની અંડર ગ્રાઉન્ડ ટનલો અને પર્વતોની વચ્ચે છુપાયેલા લોન્ચ પેડ્સને એક્ટિવ કરી રહ્યું છે. આ એશિયાના એનર્જી માર્કેટ અને વર્લ્ડ પીસ માટે ખતરાની ઘંટડી છે. અમેરિકાએ ઈરાની જહાજને પકડી પાડ્યું જ્યારે જમીન પર આટલું ટેન્શન હોય, ત્યારે દરિયો કેવી રીતે શાંત રહી શકે? 19 એપ્રિલ 2026ની રાતે નોર્થ અરબ સાગરમાં જે ઘટના બની, તેણે અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધોમાં લાગેલી આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. ઈરાનનું 900 ફૂટ લાંબુ મહાકાય માલવાહક જહાજ M/V ટોસ્કા, ચીની બંદરથી ઈરાન તરફ જઈ રહ્યું હતું, તેને અમેરિકી નેવીના મહાકાય યુદ્ધ જહાજ USS સ્પ્રુઅન્સે ઉત્તર અરબ સાગરમાં અટકાવ્યું. US નેવીએ ચીનથી આવતું ઈરાની જહાજ મધદરિયે અટકાવ્યું અમેરિકાનો દાવો છે કે આ જહાજમાં કેમિકલ કાર્ગોના નામે પ્રિસિઝન મિસાઈલ બનાવવા માટેનો કાચો માલ, એટલે કે સોડિયમ પરક્લોરેટ લઈ જવામાં આવી રહ્યો હતો. જ્યારે જહાજે ચેતવણીઓને ધ્યાનમાં ન લીધી, તો અમેરિકી નેવીએ ટોક્સાના એન્જિન રૂમમાં 3 રાઉન્ડ ફાયરિંગ કરીને જહાજને દરિયાની વચ્ચે જ લાચાર કરી દીધું. આ કોઈ સામાન્ય જપ્તી નહોતી, પણ દરિયાઈ કાયદાઓ અને સોવેર્નિટીને સીધી ચેલેન્જ હતી. ઈરાને તેને સશસ્ત્ર દરિયાઈ ચાંચિયાગીરી ગણાવી છે, જ્યારે અમેરિકા તેને આતંકવાદ વિરોધી કાર્યવાહી તરીકે જોઈ રહ્યું છે. ઈરાન-અમેરિકાના ઈગોએ યુદ્ધ ભડકાવ્યું હવે તમે આ ઘટનાને બીજી રીતે પણ સમજો. આપણે સૌ જાણીએ છીએ કે આવતીકાલે પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાનની યુદ્ધ રોકવા મીટિંગ થવાની હતી. પણ અમેરિકાએ ઈરાની જહાજ પર ફાયરિંગ કરી અને અધવચ્ચે રોકી દીધું અટલે ઈસ્લામાબાદ ટોક્સ પર પાણી ફરી ગયું છે. આ હુમલા પછી ઈરાને શાંતિ મંત્રણાના ટેબલ પર આવવાની ઘસીને ના પાડી દીધી છે. આનાથી એ સાબિત થાય છે કે મિડલ ઈસ્ટના દરિયામાં હવે વેપાર નહીં, પણ શક્તિ પ્રદર્શન સર્વોપરી બન્યું છે. હોર્મુઝ સ્ટ્રેટઃ દુનિયાની ડોક ને ઈરાનની તલવાર દુનિયાના કુલ તેલ વેપારનો 20-22% હિસ્સો જ્યાંથી પસાર થાય છે તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અત્યારે યુદ્ધનું સેન્ટર પોઈન્ટ બની ગયું છે. ઈરાને આ જળમાર્ગને પોતાની જાગીરની જેમ વાપરવાનું શરૂ કર્યું છે. 17 એપ્રિલે જ્યારે ઈરાને કોમર્શિયલ જહાજો માટે હોર્મુઝ ખોલ્યું, ત્યારે લાગ્યું કે તણાવ ઘટશે. પણ ઈરાનની શરતો અને અમેરિકાના ઈગોએ આખી વાત પર પાણી ફેરવી દીધું. હોર્મુઝની હઠઃ ઈરાન-અમેરિકા નમતું નથી જોખતા હવે ઈરાને માગ કરી છે કે અમે હોર્મુઝ ફરી ત્યારે જ ખોલીશું જ્યારે હોર્મુઝથી નીકળતું દરેક જહાજ ઈરાનને દરિયાઈ ટોલ ટેક્સ (ટ્રાન્ઝીટ) એટલે કે રૂપિયા ચૂકવે. એક શરત એવી પણ છે કે હોર્મુઝથી અમેરિકા અને ઈઝરાયલના જહાજો નહીં નીકળી શકે. ત્રીજી શરત એવી છે કે જે રૂટ પરથી ઈરાન કહે તે રૂટ પરથી જ જે-તે દેશના જહાજોને નીકળવું પડશે. હોર્મુઝમાં ફરી સન્નાટો છવાયો અમેરિકાએ આને બ્લેકમેલિંગ કહી અને ઈરાન સામે ઝૂકવાની ઘસીને ના પાડી દીધી. છેલ્લે થયું એવું કે હોર્મુઝ ફરીથી બંધ થઈ ગઈ. આની અસર ખાલી અમેરિકા અને ઈરાનને જ નહીં પણ આખી દુનિયાને ખરાબ રીતે થઈ. જે હોર્મુઝમાંથી રોજ કરોડો બેરલનું તેલ નીકળવાનું હતું તે ફરી બંધ થઈ ગયું છે અને અત્યારે ત્યાં સન્નાટો છવાઈ ગયો છે. જો કે યુદ્ધ જહાજોની ગર્જના તો છે જ છે. ઈરાને ભારતને પણ લપેટે લીધું પશ્ચિમ એશિયાનો આ જંગ હવે ખાલી ઈઝરાયેલ કે ઈરાન પૂરતો નથી રહ્યો, તેની લપેટમાં ભારત પણ આવી ગયું છે. 2026ના એપ્રિલ મહિનાનું આ ત્રીજું અઠવાડિયું ભારતીય વિદેશ નીતિ અને ઉર્જા સુરક્ષા માટે કસોટીની ક્ષણ સાબિત થઈ રહ્યું છે. 18 એપ્રિલ 2026ની સાંજ ભારતીય નેવીના ઇતિહાસમાં એક કાળી ઘટના તરીકે નોંધાશે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા બે ભારતીય રાષ્ટ્ર ધ્વજવાળા જહાજો પર ઈરાને ફાયરિંગ કર્યું છે. ભારતીય જહાજ જગ અર્નવ અને સન્માર હેરાલ્ડ હોર્મુઝ પાર કરીને ભારત આવી રહ્યું હતું ત્યારે ઈરાની ગનબોટ્સે અચાનક ગોળીઓનો મારો ચલાવ્યો. ભારતીય જહાજના કેપ્ટને ઈરાનને રડારમાં કહ્યું કે, તમે જ નીકળવાની પરમિશન આપી છે. તો ફરી કેમ ગોળીઓ ચલાવી રહ્યા છો? અમને પાછા જવા દો આ ઓડિયો પણ સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. બનાવમાં સન્માર હેરાલ્ડ જહાજની બારીઓના કાચ તૂટી ગયા હતા. હોર્મુઝમાં હુમલો ને દિલ્લીમાં દંગલ આ ઘટના પછી નવી દિલ્હીમાં હલચલ મચી ગઈ છે. ભારતના વિદેશ મંત્રાલયે તાત્કાલિક અસરથી ઈરાની રાજદૂત મોહમ્મદ ફતહલીને સમન્સ પાઠવ્યા હતા. ભારતે ચોખ્ખાં શબ્દોમાં ઈરાનને વોર્નિંગ આપી કે, ભારતીય ખલાસીઓ અને જહાજોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. જો કે સામેની બાજુ ઈન્ટરનેશનલ ન્યૂઝ રિપોર્ટ્સની માનીએ તો અત્યારે પણ 22 જેટલા ભારતીય જહાજો પર્શિયન ગલ્ફમાં ફસાયેલા છે. આ જહાજોની સિક્યોરિટી ઈન્ડિયન નેવીના હાથમાં છે અને તેઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે જેથી કોઈ છમકલું ન થાય. ભારતની ચિંતા તેના જહાજો અને લોકો ભારત માટે સૌથી મોટી ચિંતા આપણા ફસાયેલા 22 જહાજો અને તેમાં રહેલા ભારતીય ક્રૂ મેમ્બર્સ છે. વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે તમામ ભારતીય ખલાસીઓ સુરક્ષિત છે, પરંતુ પર્શિયન ગલ્ફમાં વધતો તણાવ તેમને જોખમમાં મૂકી રહ્યો છે. દેશ ગરિમા નામના ભારતીય જહાજે હિંમત બતાવીને હોર્મુઝ ઓળંગ્યું છે, પણ BW લોયલ્ટી જેવા જહાજો હજુ પણ ત્યાં જ અટવાયેલા છે. ગ્લોબલ ઈકોનોમી પર વજ્રાઘાત જ્યારે હોર્મુઝ બંધ થાય છે, ત્યારે તેની સીધી અસર આપણા ખિસ્સા પર પડે છે. આજ સવારથી જ ગ્લોબલ માર્કેટમાં ગભરાટનું વાતાવરણ છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ 17 એપ્રિલે 90 ડોલર પ્રતિ બેરલ હતા તે આજે ઉછળીને 96 ડોલરને પાર પહોંચ્યા છે. જો આવું આમને આમ ચાલું રહેશે તો, તેલના ભાવ આભ આંબશે તે નક્કી છે. આનાથી વૈશ્વિક મોંઘવારી પણ આવી શકે તેમ છે. ક્રુડ ઓઈલ જ નહીં શેર બજારમાં પણ આની માઠી અસર થઈ છે. ભારતીય શેર બજાર લાલ નિશાનમાં ટ્રેડ કરી રહ્યું છે. ઈન્વેસ્ટર્સ ડરી રહ્યા છે કે જો તેલ મોંઘું થશે તો ફૂગાવો વધી શકે તેમ છે અને જો આવું થાય તો વ્યાજ દરોમાં પણ વધારો આવી શકે. ઈસ્લામાબાદ મંત્રણા પર સંકટનાં વાદળ પશ્ચિમ એશિયાની આ કટોકટીમાં 21 એપ્રિલ એટલે કે આવતીકાલનો દિવસ આખા વિશ્વ માટે આશાનું કિરણ બનીને આવવાનો હતો. પણ આ સ્થિતિમાં બન્ને દેશો વચ્ચે હવે શું થાય છે તેના પર દુનિયાની નજર મંડાયેલી છે. એવા ચાર કારણ છે જેનાથી મંત્રણા પર પાણી ફરી શકે છે. 1. ટોસ્કા જહાજની જપ્તી ઈરાન માટે આ સૌથી મોટો આઘાત હતો. મંત્રણાના 24 કલાક પહેલા જ અમેરિકાએ ઈરાનના મહાકાય જહાજ ટોસ્કા પર ફાયરિંગ કરીને તેને જપ્ત કરી લીધું. ઈરાને તેને પીઠમાં છરો ભોંકવા જેવી ઘટના ગણાવી. તેહરાનનું માનવું છે કે એક તરફ અમેરિકા શાંતિની વાત કરે છે અને બીજી બાજુ ઈરાનના જહાજો પર હુમલા કરે છે. 2. અમેરિકાની કડક શરતો અમેરિકાએ મીટિંગ ટેબલ પર આવવા માટે એવી શરત મૂકી હતી કે ઈરાને તેના પરમાણુ પ્રોગ્રામને હંમેશા માટે ભૂલવો પડશે અને હોર્મુઝ પરની પકડ છોડવી પડશે. સામેની બાજુ ઈરાનને આ બિલકુલ બરદાશ્ત ન હતું કે તેમના દેશની અંદરની વાતમાં બીજો કોઈ દેશ આવીને દખલ કરે. 3. સુરક્ષાની ચિંતા અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આવતીકાલની ઈસ્લામાબાદની મીટિંગમાં આવવાના હતા, પણ મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને ઈરાની ગનબોટ્સની એક્ટિવિટીને કારણે સુરક્ષા એજન્સીઓએ આ મુલાકાતને જોખમી ગણાવી હતી. 4. બ્લોકેજની મડાગાંઠ ઈરાન ઈચ્છતું હતું કે પહેલા અમેરિકા તેના બંદરો પરથી નૌકાબંધી હટાવે, જ્યારે અમેરિકાની શરત હતી કે પહેલા ઈરાન હોર્મુઝના જલડમરુંમાંથી આંતરરાષ્ટ્રીય જહાજોને ફ્રી કરે. શું આપણે ત્રીજા વિશ્વયુદ્ધ તરફ? આ આખી ઘટનાનાના બધા ડોટ્સને જોડવામાં આવે તો એક મોટું ચિત્ર સામે આવે છે કે હવેનો સમય વધુ બદતર અને ભયાનક હોઈ શકે છે. ઈઝરાયલ અત્યારે દક્ષિણ લેબનોનમાં બફર ઝોન બનાવવાના પ્રયાસો કરી રહ્યું છે તેનાથી સમજ પડે છે કે યુદ્ધ વધુ લંબાઈ શકે તેમ છે. ઈઝરાયલી ડિફેન્સ મિનિસ્ટર કાત્ઝના સ્ટેટમેન્ટ જણાવે છે કે તે હિઝબુલ્લાહને જ નહીં પણ લેબનોનને પણ નબળું પાડીને ત્યાં પોતાનું ડોમિનેન્સ વધારવા માગે છે. જેથી ભવિષ્યમાં ફરી આ મુદ્દો ક્યારેય સામે ફેણ ચઢાવીને ઉભો ન રહે. બીજી બાજુ, ઈરાને તેનું ટ્રુ પ્રોમિસ-4 ઓપરેશન ચલાવીની મિસાઈલ્સ તહેનાત કરી છે તે કહી જાય છે કે ઈરાન વહે વધુ આક્રામક બન્યું છે. આથી હોર્મુઝમાં પણ ટેન્શન વધી શકે છે અને સામેની બાજુ અમેરિકા પણ ઈરાન પર હવાઈ હુમલા કરવા બેતાબ બન્યું છે. આ યુદ્ધ મીડલ ઈસ્ટથી બહાર નીકળીને આખી દુનિયાને લપેટામાં લઈ લેશે. અને છેલ્લે... ટ્રમ્પે જ્યારે દુનિયાને ભરડામાં લીધી હતી ત્યારે યુરોપ ભારતની શક્તિ જાણીને સામે ચાલીને ફ્રી ટ્રેડ ડિલ કરવા પહોંચ્યું હતું. જો કે અમેરિકા કહે અમે કેમ બાકી રહીએ? તેણે પણ ફેબ્રુઆરીમાં ભારત સાથે ડિલ પાર પાડી હતી. આ વાત ફરી આપણે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે આજથી ત્રણ દિવસ સુધી આ જ ડિલ મામલે વોશિંગ્ટનમાં ચર્ચા ચાલશે. યુદ્ધની મિસાઈલ્સ વચ્ચે મીટિંગ શું બદલાવો લઈને આવશે તેના પર નજર રહેશે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
સુરત શહેરની SOGએ આજરોજ શોર્ટકટથી કરોડપતિ બનવાના સપના જોતા ત્રણ શખસોને ડિંડોલી વિસ્તારમાંથી 1.07 કરોડના પ્રતિબંધિત 'એમ્બરગ્રીસ' (વ્હેલ માછલીની ઉલ્ટી) સાથે ઝડપી પાડ્યા છે. આ આઘાતજનક કિસ્સામાં પકડાયેલા મુખ્ય આરોપીઓમાં B.Com સુધીનો અભ્યાસ કરી ચૂકેલો અને ઓનલાઇન શોપિંગ કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતો અમરીશ મિશ્રા પણ સામેલ છે, જેની સાથે બે રિક્ષાચાલકો પણ આ ગેરકાયદેસર વેપારમાં સંડોવાયેલા હતા. ભરૂચના માછીમારો પાસેથી મેળવેલા આ કિંમતી પદાર્થને સુરતમાં વેચવા નીકળેલી આ ટોળકીનો પોલીસે ચોક્કસ બાતમીના આધારે પર્દાફાશ કરી વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્લાસ્ટિકની થેલીમાં શંકાસ્પદ પદાર્થ સાથે ત્રણ યુવક ફરતા હતાસુરત SOGના DCP રાજદીપ સિંહ નકુમ અને તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ડિંડોલી વિસ્તારમાં આર.જે.ડી. બિઝનેસ પ્લાઝા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. તપાસ દરમિયાન ત્રણ શંકાસ્પદ યુવાનો પાસેથી પ્લાસ્ટિકની થેલીમાં 1.071 કિલોગ્રામ વજનનો શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો. FSL અને નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ પદાર્થ કિંમતી 'એમ્બરગ્રીસ' હોવાનું પુષ્ટિ પામ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત 1,07,10,000 રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં (1) અમરીશ જયપ્રકાશ મિશ્રા, (2) સોનુ ઉર્ફે બબલુ દેવીપ્રસાદ ઉપાધ્યાય અને (3) સંદીપ ક્રિપાશંકર ઉપાધ્યાયનો સમાવેશ થાય છે. ત્રણેય આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના જોનપુર જિલ્લાના વતની છે. ભરુચના માછીમારો પાસેથી લીધો હતો આ માલઆ કેસમાં સૌથી આઘાતજનક બાબત એ છે કે, મુખ્ય આરોપી અમરીશ મિશ્રા B.Com સુધીનો અભ્યાસ કરી ચૂક્યો છે અને તે ફ્લિપકાર્ટમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરતો હતો તેમછતાં શોર્ટકટથી અમીર બનવાની લાલચે તેણે આ રસ્તો અપનાવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ માલ તેમને ભરૂચના કાવી કંબોઈ વિસ્તારના માછીમારો ધીરુ વાઘેલા અને ઉમેશ ભાલિયાએ આપ્યો હતો. અમરીશ મિશ્રા આ ધીરુનો બનેવી થાય છે અને તે છેલ્લા એક અઠવાડિયાથી સુરતમાં ગ્રાહકની શોધમાં હતો. 'એમ્બરગ્રીસ' એટલે શું? (ફ્લોટિંગ ગોલ્ડ)એમ્બરગ્રીસ એ સ્પર્મ વ્હેલ માછલીના પાચનતંત્રમાં બનતો એક મીણ જેવો પદાર્થ છે. જ્યારે વ્હેલ માછલી તેને ઉલ્ટી દ્વારા બહાર કાઢે છે, ત્યારે તે દરિયામાં તરતો જોવા મળે છે. શરૂઆતમાં દુર્ગંધ મારતો આ પદાર્થ વર્ષો સુધી દરિયાના પાણી અને સૂર્યપ્રકાશના સંપર્કમાં રહેવાથી સુગંધિત બની જાય છે. વિશ્વના સૌથી મોંઘા પરફ્યુમમાં 'ફિક્સેટિવ' તરીકે તેનો ઉપયોગ થતો હોવાથી તેને 'તરતું સોનું' (Floating Gold) પણ કહેવામાં આવે છે. વોન્ટેડ માછીમારોને પકડવા પોલીસના ચક્રો ગતિમાનભારતમાં વ્હેલ માછલી એક સુરક્ષિત પ્રજાતિ છે અને તેના કોઈપણ અંગ કે પદાર્થનો વેપાર કરવો એ 'વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ, 1972' હેઠળ ગંભીર ગુનો છે. પોલીસે આ કેસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને પકડાયેલા આરોપીઓને વધુ તપાસ માટે ગુજરાત ફોરેસ્ટ વિભાગ (ડુમ્મસ) ને સોંપવાની તજવીજ કરી છે. હાલમાં મુખ્ય માછીમારો ધીરુ વાઘેલા અને ઉમેશ ભાલિયાને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. સુરત પોલીસના ડીસીપી રાજદીપ સિંહ નકુમે લોકોને ચેતવણી આપી છે કે, ટૂંકી મહેનતે પૈસા કમાવવાની લાલચમાં યુવાનો પોતાનું ભવિષ્ય બગાડી રહ્યા છે, પરંતુ પોલીસ આવી કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સહન કરશે નહીં અને કડક પગલાં લેશે.
મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે, પરંતુ પ્રચારની શરૂઆતમાં જ વોર્ડ નં.9માં ભાજપના ઉમેદવારોના બોર્ડને લઈને સર્જાયેલી સ્થિતિએ સમગ્ર જિલ્લામાં કુતૂહલ જગાવ્યું છે. સામાજિક વિવાદને કારણે અહીં ત્રણ દિવસમાં ત્રણ વાર મધ્યસ્થ કાર્યાલયના બોર્ડ બદલવાની નોબત આવી છે, જે કદાચ ગુજરાતની ચૂંટણીના ઈતિહાસમાં પ્રથમ ઘટના હોઈ શકે છે. શું છે સમગ્ર વિવાદ?મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે. વોર્ડ નં. 9 માં ભાજપની પેનલ જાહેર થયા બાદ, ઉમેદવાર હિરેન કરોતરા સામે કોઈ સામાજિક પ્રશ્ન ઉભો થયો હતો. આ વિવાદની અસર સીધી ચૂંટણી પ્રચાર પર જોવા મળી. 3 દિવસમાં 3 વખત બેનરો બદલાયાશરૂઆતમાં ચારેય ઉમેદવારોના નામ અને ફોટા સાથેનું પરંપરાગત બોર્ડ લગાવાયું હતું. વિવાદ વકરતા હિરેન કરોતરાનો ફોટો હટાવી દેવાયો અને માત્ર ત્રણ ઉમેદવારોના ફોટા રાખવામાં આવ્યા. આનાથી 'પેનલ તૂટી' હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું. વિવાદ વધુ ગરમાતા ગણતરીની કલાકોમાં ત્રીજું બોર્ડ આવ્યું, જેમાં હવે એકપણ ઉમેદવારનો ફોટો કે નામ નથી. જિલ્લા ભાજપ પ્રમુખની સ્પષ્ટતાઆ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકતા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયાએ જણાવ્યું હતું કે, ઉમેદવાર સામેનો સામાજિક પ્રશ્ન જૂનો છે અને માત્ર ચૂંટણી સમયે ભાજપને બદનામ કરવા માટે તેને ઉછાળવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે વોર્ડ નં. 9 ના ભાજપના ચારેય ઉમેદવારો એકજૂથ છે. તેઓ સાથે હતા, છે અને રહેશે. સામાજિક પ્રશ્નોને સામાજિક રીતે ઉકેલી લેવામાં આવશે. તમામ ઉમેદવારોને સાથે મળીને જ પ્રચાર કરવાની કડક સૂચના 'કમલમ' દ્વારા આપી દેવામાં આવી છે. લોકોમાં ચર્ચાનું કેન્દ્રસામાન્ય રીતે ચૂંટણીમાં વિરોધ પક્ષો વચ્ચે ખેંચતાણ જોવા મળતી હોય છે, પરંતુ અહીં ભાજપના જ મધ્યસ્થ કાર્યાલય પર વારંવાર બદલાતા બોર્ડ કાર્યકરો અને મતદારોમાં અનેક તર્ક-વિતર્ક જન્માવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ સંગઠન આ સામાજિક વિવાદને શાંત પાડીને ચારેય ઉમેદવારોને ખરેખર મેદાનમાં સાથે ઉતારી શકશે કે કેમ? આ પ્રશ્નનો જવાબ તો આગામી પ્રચારના દિવસોમાં જ મળશે.
મહેસાણા શહેરના એક વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. સોસાયટીમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા 8 વર્ષની બાળકીને પોતાની કેબિનમાં બોલાવી તેની સાથે છેડતી કરવામાં આવી હોવાની ચોંકાવનારી ફરિયાદ મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાતા ચકચાર મચી ગઈ છે. સોસાયટીની કેબીનમાં બાળકીને બોલાવી છેડતી કરીગત 18 એપ્રિલના રોજ સવારે 10.30 વાગ્યાના અરસામાં ફરિયાદીની 8 વર્ષની ભાણી સોસાયટીના પરિસરમાં રમી રહી હતી. આ દરમિયાન સોસાયટીમાં ફરજ બજાવતા આરોપી સિક્યુરિટી ગાર્ડ મણિલાલ લક્ષમણભાઈ રાવત, જે મૂળ કૂકસ ગામનો રહેવાસી છે, તેણે બાળકીને પોતાની સિક્યુરિટી કેબિનની અંદર બોલાવી હતી.કેબિનમાં પ્રવેશ્યા બાદ આરોપીએ બાળકીને ડરાવી-ધમકાવી હતી કે, હું તને જે બતાવું તે તારે જોવાનું છે અને આ વાત તારે કોઈને કહેવાની નથી, જો તું આ વાત કોઈને કહીશ તો હું તને જાનથી મારી નાખીશ. બાળકીએ હકીકત જણાવતા પરિવારજનો ચોંકી ઉઠ્યાઆ પ્રકારની ધમકી આપીને આરોપીએ પોતાની પેન્ટની ચેઈન ખોલીને અશ્લીલ કૃત્ય કરી બાળકીની છેડતી કરી હતી. ઘટનાને પગલે બાળકી ખૂબ જ ડરી ગઈ હતી અને બાદમાં તેણે સમગ્ર હકીકત પરિવારજનોને જણાવતા તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. પોતાની ભાણી સાથે થયેલી આ ગંભીર ઘટના અંગે બાળકીના મામાએ તાત્કાલિક મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે બીએનએસ કલમ 79, 351(3) તથા પોસ્કો એક્ટની કલમ 12 હેઠળ ગુનો નોંધીને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરમાં બ્લીન્કીટનું વેચાણ અટકાવાયું:અસ્વચ્છતા, પેસ્ટ કંટ્રોલના અભાવે ફૂડ શાખાએ કાર્યવાહી કરી
જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શરુ સેક્શન રોડ પર આવેલી બ્લીન્કીટ કોમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ નામની ઓનલાઈન સપ્લાય કરતી પેઢી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. હાઈજેનિક સ્થિતિ અને લાયસન્સની શરતોના ઉલ્લંઘન બદલ પેઢીનું તમામ ઓનલાઈન વેચાણ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવામાં આવ્યું છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પેઢીમાં સ્વચ્છતા સંબંધિત નિયમોનું પાલન થતું ન હતું. સ્ટોરમાં આવેલા કોલ્ડ રૂમમાં શાકાહારી અને માંસાહારી ખાદ્ય પદાર્થોને અલગ રાખવા માટે કોઈ વ્યવસ્થા નહોતી. આ ઉપરાંત, પેસ્ટ કંટ્રોલ (જીવજંતુ નિયંત્રણ) માટે પણ સંતોષકારક કામગીરી જોવા મળી નહોતી, અને ફૂડ સેફ્ટીના માપદંડોનું ઉલ્લંઘન થતું હતું. ફૂડ અધિકારી પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જામનગર મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમે ગત તારીખ 18 એપ્રિલ 2026 ના રોજ આ પેઢીનું ઓચિંતું નિરીક્ષણ કર્યું હતું. લાયસન્સની શરતોના ઉલ્લંઘન બદલ બે દિવસ અગાઉ પેઢીને નોટિસ આપવામાં આવી હતી, છતાં કોઈ સુધારો ન થતાં ફરી તપાસ હાથ ધરવામાં આવી હતી. પેઢીને જરૂરી સુધારા કરવા અને સંબંધિત સર્ટિફિકેટ તથા દસ્તાવેજો કચેરીએ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી પેઢી લાયસન્સની તમામ શરતોનું પાલન નહીં કરે અને યોગ્ય સુધારો નહીં લાવે, ત્યાં સુધી વેચાણ પરનો પ્રતિબંધ ચાલુ રહેશે. જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી જાળવવા માટે આવી કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે.
મહેસાણા તાલુકાના છઠીયારડા ગામમાં રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે સફળ દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન કુલ 40 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે ત્રણ આરોપીઓને રંગે હાથે ઝડપી લીધા છે. જ્યારે મુખ્ય આરોપી સહિત સાત જેટલા શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ખેતરમાં વિદેશી દારૂનું કટિંગની બાતમી મળતાં જ દબોચાયામળતી માહિતી મુજબ SMCની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, છઠીયારડા ગામમાં આવેલા નુમાનખાન પઠાણના ખેતરમાં વિદેશી દારૂનું કટિંગ ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે SMC ના PSI ડી. એ. તુવર અને તેમની ટીમે તુરંત જ ખેતર પર ઓચિંતો દરોડો પાડ્યો હતો. 18 લાખની 5074 બોટલો સાથે 3 ઝડપાયાદરોડા દરમિયાન સ્થળ પરથી વિદેશી દારૂની 5074 નંગ બોટલો મળી આવી હતી. જેની કુલ કિંમત 18,03,935 રૂપિયા જેટલી થવા જાય છે. દારૂ ઉપરાંત ઘટનાસ્થળ પરથી બે ઈનોવા કાર પણ ઝડપાઈ છે.જેની કિંમત 22 લાખ રૂપિયા આંકવામાં આવી છે. આ ઉપરાંત મોબાઈલ ફોન સહિત કુલ 40,08,935 રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે. મુખ્ય સૂત્રધાર સહિત 7 વોન્ટેડઘટનાસ્થળેથી વિપુલજી ઠાકોર, નરેશજી ઠાકોર અને મદરજી ઠાકોર નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં આ સમગ્ર રેકેટના મુખ્ય સૂત્રધાર તરીકે છઠીયારડાના આનંદ રમેશ રાવળનું નામ સામે આવ્યું છે. આ ઉપરાંત નુમાનખાન અયુબખાન પઠાણ (રહે. છઠીયારડા) અને અમિત ઠાકોર (રહે. લણવા) સહિત કુલ સાત આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. હાલમાં SMCની ટીમે મહેસાણા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
ઉનાના ગુપ્તપ્રયાગ આશ્રમ ખાતે ઓલ ઈન્ડિયા સાધુ સમાજના પ્રમુખ મુક્તાનંદબાપુની પ્રેરણાથી નિઃશુલ્ક ટિફિન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેવા ઉના, દીવ, દેલવાડા અને ધોધલા સહિતના વિસ્તારોમાં પૂરી પાડવામાં આવશે. 'હરિઓમ અન્ન સેવા' નામની આ પહેલ અંતર્ગત વૃદ્ધો, દિવ્યાંગો અને નિરાધાર લોકોને સવાર-સાંજ ભરપેટ ભોજન પૂરું પાડવામાં આવશે. આ સેવા દ્વારા જરૂરિયાતમંદોને નિયમિત ભોજન મળી રહેશે. આ નિઃશુલ્ક અન્ન સેવા માત્ર ઉના-દીવ વિસ્તાર પૂરતી સીમિત નથી, પરંતુ જૂનાગઢ, બિલખા, ચાપરડા અને મુનિ પળી જેવા અન્ય સ્થળોએ પણ વૃદ્ધો અને દિવ્યાંગોને ભોજન પૂરું પાડવામાં આવે છે. પરમ પૂજ્ય મુક્તાનંદબાપુનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈ ભૂખ્યું ન સૂવે તે છે, અને આ સેવા દ્વારા તેમનો આ લક્ષ્ય સાર્થક થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઉના-દેલવાડા ખાતે આવેલા ગુપ્તપ્રયાગ આશ્રમમાં સવાર-સાંજ અન્નક્ષેત્ર દર્શનાર્થીઓ તેમજ ત્યાંના વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો માટે પહેલેથી જ કાર્યરત છે.
જૂનાગઢના ઐતિહાસિક અને પવિત્ર ગિરનાર ક્ષેત્રમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવાદે હવે નવું સ્વરૂપ ધારણ કર્યું છે. આગામી 23 એપ્રિલના રોજ યોજાનારી મહારેલી પૂર્વે જૂનાગઢનો જૈન સમાજ ભય અને ચિંતાના ઓથાર નીચે જીવી રહ્યો છે. આજે જૂનાગઢના વિવિધ જૈન સંઘોના પ્રતિનિધિઓએ રેન્જ આઈજી અને પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટને મળીને એક ભાવુક આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદનપત્રમાં જૈન સમાજે પોતાની સુરક્ષા અને ધાર્મિક લાગણી દુભાવા અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. જૈન સમાજનું કહેવું છે કે અહિંસક અને શાંતિપ્રિય લઘુમતી સમુદાયને જાણીજોઈને સોફ્ટ ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યો છે.જૂનાગઢના શ્રી મૂર્તિપૂજક જૈન સંઘ, સ્થાનકવાસી જૈન સંઘ અને લોકાગચ્છ જૈન સંઘ સહિતના તમામ લોકોએ એકસૂરે વહીવટી તંત્રને જણાવ્યું છે કે આગામી 23 તારીખે યોજાનારી રેલીનું નેતૃત્વ કરનારા કેટલાક તત્વોનો ઈતિહાસ ગુનાહિત રહ્યો છે. તેમની વાણી અને વર્તન સામાજિક સૌહાર્દ બગાડનારા છે. જૈન સમાજે પોતાની આત્મા કંપી ઉઠે તેવો ભય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો આજે આ તત્વોને રોકવામાં નહીં આવે તો ભવિષ્યમાં તેઓ અન્ય પવિત્ર ધર્મસ્થાનો પર પણ અનધિકૃત કબજો જમાવવાનો પ્રયાસ કરશે. આવેદનપત્રમાં સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે કે 23 એપ્રિલની રેલી અટકાવવામાં આવે અને જૈન વસાહતો તથા મંદિરોની સુરક્ષા માટે પોલીસનું પેટ્રોલિંગ વધારવામાં આવે. આ રજૂઆત બાદ સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ હિતેશ સંઘવીએ મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવતા જણાવ્યું હતું કે આજે હું અને મારી સાથે મૂર્તિપૂજક સંઘના વીરેનભાઈ વસા, લોકાગચ્છ જૈન સંઘ અને દિગંબર સંઘના અટવાભાઈ સહિત સમગ્ર જૈન સમાજના પ્રતિનિધિઓ આઈજી સાહેબને મળવા આવ્યા હતા. હિતેશ સંઘવીએ રોષે ભરાઈને કહ્યું હતું કે અત્યારે અમુક તત્વો શાંત પાણીમાં પથરા ફેંકીને જૂનાગઢ જ નહીં પણ સમગ્ર ભારતમાં હજારો વર્ષોથી સાથે રહેતા સનાતન હિંદુ અને જૈનો વચ્ચે મતભેદો ઊભા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે લોકો શાંતિથી જીવી રહ્યા છે ત્યાં અશાંતિ ફેલાવવાનું આ એક મોટું કાવતરું છે. હિતેશ સંઘવીએ ધર્મસ્થાનકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતા વધુમાં જણાવ્યું હતું કે 23મી તારીખની રેલી દરમિયાન અમારા કોઈ ધર્મસ્થાનકો પર હુમલો ન થાય તેવી અમે ખાસ રજૂઆત કરી છે. લોકશાહીમાં સૌને પોતાના વિચારો રજૂ કરવાનો અધિકાર છે તેમાં અમને વાંધો નથી પણ તે પ્રક્રિયા શાંતિપૂર્ણ હોવી જોઈએ. આ ઉપરાંત તેમણે જૈન તીર્થંકરો વિશે થતી અભદ્ર ટિપ્પણીઓ અંગે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો. સંઘવીએ જણાવ્યું હતું કે સનાતન અને જૈન ધર્મ એક જ સિક્કાની બે બાજુ છે, પરંતુ જે લોકો રાજકારણમાં અત્યારે ઝીરો થઈ ગયા છે તેઓ હીરો બનવા માટે સંત તરીકેની ભાષા મર્યાદા ગુમાવી રહ્યા છે. તેઓ હરિગીરી મહારાજ ને હરિયો અને ગિરીશભાઈ જેવા ને ગીરીયો જેવા અપમાનજનક શબ્દો વાપરી રહ્યા છે અને જૈન તીર્થંકરો વિશે ખોટું બોલીને જૈન સમાજના બાળકો અને મોટેરાઓના હૃદયને ઠેસ પહોંચાડી રહ્યા છે. અંતમાં હિતેશ સંઘવીએ ભગવાન મહાવીર સ્વામી, ઋષભદેવ અને નેમિનાથ પ્રભુના અહિંસાના માર્ગનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે અમારો સંદેશ હંમેશા જીવો અને જીવવા દો રહ્યો છે. અમે પોલીસ પ્રશાસનને માત્ર એટલી જ વિનંતી કરી છે કે બહારથી જે નકારાત્મક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે તેનાથી કોઈ અઘટિત ઘટના ન બને. પોલીસ વિભાગ દ્વારા અમને સંપૂર્ણ ખાતરી આપવામાં આવી છે કે જૈન સમાજ નિર્ભય બનીને પૂજા-અર્ચના કરી શકશે અને સુરક્ષાની પૂરી વ્યવસ્થા કરવામાં આવશે. આમ, ગિરનારના મુદ્દે અત્યારે જૂનાગઢમાં ભારે તણાવભરી શાંતિ જોવા મળી રહી છે અને પોલીસ તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકરોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ આવેદનપત્ર અમદાવાદ જિલ્લાના ધંધુકામાં થયેલી ધર્મેશ ભરવાડની હત્યાના મામલે આપવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, 18 એપ્રિલ 2026ના રોજ ધંધુકામાં યુવક ધર્મેશ ગમારાની હત્યા થઈ હતી. આ ઘટનાને પગલે કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સંગઠનોએ આ ઘટનાને ગંભીરતાથી લઈ દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આવેદનપત્રમાં સંગઠનો દ્વારા મુખ્યત્વે આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી, કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવો, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પગલાં લેવા અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવાની માંગ કરવામાં આવી છે. તેમણે સામાન્ય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકાર તાત્કાલિક પગલાં ભરે તેવી પણ અપીલ કરી છે. આ આવેદનપત્ર સુપરત કરતી વખતે સુરેશ માલવિયા, સુનિલ શાહ, અનિલ વણઝારા, યશ દોશી, યક્ષ બ્રહ્મભટ્ટ, તીર્થ જયસ્વાલ સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.
સમાજમાં માસૂમ દીકરીઓ અને અસહાય વ્યક્તિઓ પર થતા અત્યાચારો સામે ન્યાયતંત્રએ ફરી એકવાર લાલ આંખ કરી છે. ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે 15 વર્ષની માનસિક અસ્વસ્થ કિશોરીને ચોકલેટની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર આરોપી જયંતીજી ભલાજી ખાંટ (ઠાકોર) ને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. જ્યારે ભોગ બનનાર સગીરાને 4 લાખનું વળતર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મારફતે ચૂકવવા પણ કોર્ટે આદેશ કર્યો છે. ચોકલેટની લાલચ આપી માનસિક દિવ્યાંગ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતુંઆ કેસની વિગત મુજબ, 18 જુલાઈ 2022ના રોજ ગાંધીનગરના સેક્ટર-30 વિસ્તારમાં રહેતા આરોપી જયંતીજી ખાંટે 15 વર્ષની માનસિક રીતે અસ્વસ્થ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આરોપીએ સગીરાને ચોકલેટ આપવાની લાલચ આપી પોતાના એક્ટિવા પર બેસાડી સેક્ટર-30માં આવેલા એક બંધ મકાનમાં લઈ ગયો હતો. જ્યાં સગીરાની મરજી વિરુદ્ધ બળજબરીથી શારીરિક સંબંધ બાંધી જઘન્ય અપરાધ આચર્યો હતો. આ મામલે 20 જુલાઈ 2022ના રોજ સેક્ટર-21 પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના સમયમાં આરોપીની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. આ કેસ ગાંધીનગરના બીજા એડિશનલ સેશન્સ જજ એસ. વી. શર્માની કોર્ટમાં ચાલવા પર આવ્યો હતો. પોક્સો એક્ટ હેઠળ 20 વર્ષની સખત કેદની સજાજેની સુનાવણી દરમિયાન સરકારી વકીલ સુનિલ એસ. પંડ્યાએ દલીલો કરતા જણાવ્યું હતું કે, આરોપીએ પીડિતાની માનસિક સ્થિતિનો ગેરલાભ ઉઠાવીને અત્યંત ગંભીર ગુનો કર્યો છે. સમાજમાં આવા કિસ્સાઓ અટકાવવા અને દાખલો બેસાડવા માટે આરોપીને સખતમાં સખત સજા થવી અનિવાર્ય છે. સરકારી વકીલની આ રજૂઆતો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખીને કોર્ટે આરોપીને પોક્સો એક્ટ હેઠળ 20 વર્ષની સખત કેદ અને 10 હજારનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત ભોગ બનનાર કિશોરીને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મારફત 4 લાખનું વળતર આપવાનો પણ મહત્વનો આદેશ કર્યો છે.
ધંધુકામાં ધર્મેશ ભરવાડની હત્યાનો મામલે આંતરરાષ્ટ્રીય હિંદૂ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળે અમદાવાદ ક્લેકટર ઓફીસ ખાતે બેનર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સાથે જ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. છેલ્લા 10 વર્ષમાં 5 જેટલી હત્યાના બનાવ મામલે ધંધુકામાં કાયદો વ્યવસ્થા કથડી હોવાની રજૂઆત કરવામાં આવી છે. આરોપીને ફાંસીની સજા આપવા હિંદૂ સંગઠનની માગઆવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ધર્મેશ ભરવાડ કેસમાં હજુ યોગ્ય ન્યાય નથી મળ્યો અને ત્યાં વધુ એક જેહાદીએ ભરવાડ યુવાનની હત્યા કરવામાં આવી છે. વળી આ હત્યા બાઇક ટકરાવવા જેવી સામાન્ય બાબતમાં કરવામાં આવી છે. આરોપીઓને ફાંસીની સજા થાય અને ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ પણ વાંચો- ધંધુકા હત્યા કેસમાં SITની રચના જિલ્લામાં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાશેબીજી તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે ધંધુકામાં બનેલી ઘટનાને લઈને તંત્ર એક્શનમાં આવ્યું છે. ઘટનામાં પોલીસ કાર્યવાહી સાથે ઘટનાની ચૂંટણી પ્રક્રિયા પર અસર ન પડે તેનું પણ ધ્યાન અપાઈ રહ્યું છે. દરેક જિલ્લાઓમાં સંવેદનશીલ વિસ્તારમાં કરવામાં આવતી વ્યવસ્થા જેવી જ ધંધુકામાં સંવેદનશીલ વિસ્તારમાં વ્યવસ્થા કરવામાં આવશે. ધંધુકામાં ધર્મેશ ભરવાડાની હત્યા ઘટના બાદ ફરી સર્વે કરી કેટલાક વિસ્તાર સંવેદનશીલ વિસ્તારમાં ઉમેરાય તેવી શક્યતા છે. સંવેદનશીલ વિસ્તારમાં વધુ પોલીસ બંદોબસ્ત ફાળવી ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવે તેવી શક્યતાઓ છે. પોલીસ સાથે સંકલન કરીને જિલ્લા વહીવટી તંત્ર ધંધુકામાં ચૂંટણી વ્યવસ્થાપનની કામગીરી કરશે. ધંધુકાનો જાણો શું હતો બનાવ ધંધુકામાં બે વ્યક્તિ વચ્ચે બાઇક ઓવરટેક કરવા મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ માથાકૂટ જોતજોતામાં હિંસક ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ હતી. સંઘર્ષ દરમિયાન એક વ્યક્તિને હાડકામાં ફ્રેક્ચર થયું હતું, જ્યારે સામા પક્ષે તીક્ષ્ણ હથિયાર (છરી) વડે પગના ભાગે ગંભીર ઘા ઝીંક્યા હતા. વધુ પડતું લોહી વહી જવાને કારણે ઘાયલ યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. અહીં ક્લિક કરી વાંચો શું હતો આખો બનાવ…
અખાત્રીજે 10,000 લોકોને શેરડી રસનું વિતરણ:મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અનોખી સેવા
મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ દ્વારા અખાત્રીજના પવિત્ર દિવસે અમદાવાદમાં 10,000થી વધુ લોકોને મફત શેરડીના રસનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવાકાર્ય સેટેલાઇટ વિસ્તારમાં આવેલા પ્રેરણાતીર્થ દેરાસર રોડ પર, એચબી કાપડિયા સ્કૂલ સામે ગોપાલ આવાસ ખાતે યોજાયું હતું. વર્તમાન સમયમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે, ત્યારે લોકોને રાહત આપવા અને પૌષ્ટિક પીણું પૂરું પાડવાના હેતુથી આ આયોજન કરાયું હતું. હવામાન નિષ્ણાતો દ્વારા પણ કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે, જેમાં દિવસ દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ અપાઈ છે. આ પ્રસંગે, જૈન ધર્મ અનુસાર અક્ષયતૃતીયાના વર્ષીતપના પારણા નિમિત્તે દેરાસરોમાં ભગવાનના અભિષેક માટે, સાધુ-સાધ્વીજી ભગવંતોને વહોરાવવા માટે અને વર્ષીતપના તપસ્વીઓને વિનામૂલ્યે શેરડીનો રસ પૂરો પાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત, જાહેર જનતા પણ અમર્યાદિત માત્રામાં રસ પી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સેવાકાર્ય માટે એક સંપૂર્ણ ટ્રક ભરીને 10 ટન ઓર્ગેનિક શેરડી મંગાવવામાં આવી હતી. મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ અને શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ માનવસેવા, રાષ્ટ્રસેવા, સમાજસેવા અને ધર્મસેવા સહિતની 45થી વધુ પ્રવૃત્તિઓ અવિરતપણે ચલાવી રહ્યા છે. શેરડી રસ વિતરણનો કાર્યક્રમ સવારે 10:30 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. આ કાર્યક્રમના આયોજનમાં વીરુભાઈ અલગોતર સહિત સંસ્થાના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.
રાજકોટ મહાપાલિકાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે વોર્ડ નં 13માં કોંગ્રેસના ઉમેદવારોએ એક અનોખો પ્રચાર હાથ ધરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. સામાન્ય રીતે ચૂંટણી સમયે ઉમેદવારો માત્ર વચનો આપતા હોય છે, પરંતુ અહીં કોંગ્રેસના ઉમેદવારોએ 'પહેલા કામ અને પછી મત'ની નીતિ અપનાવીને પ્રજાના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવાનો પ્રયાસ કર્યો છે. આ વોર્ડના સ્થાનિક રહીશોએ જ્યારે રોડ રસ્તાના ખરાબ હાલતની ફરિયાદ કરી, ત્યારે ઉમેદવારોએ કોઈ સરકારી તંત્રની રાહ જોયા વગર પોતે જ પાવડો અને તગારું લઈ રોડ રિપેર કરવાનું કામ કર્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર સુનિલ ચાવડીયાએ જણાવ્યું હતું કે, વિકાસનાં નામે ભાજપ ઝીરો છે. પ્રાપ્ત વિગત મુજબ વોર્ડ નં 13માં કોંગ્રેસના પેનલના ઉમેદવારો શાંતાબેન મકવાણા, સુનિલ ચાવડીયા, સૂર્યકાન્ત કણસાગરા અને હેમાંગી ગોંડલીયા જ્યારે પ્રચાર માટે નીકળ્યા હતા, ત્યારે તેમને સ્થાનિકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. આ વિસ્તારમાં રોડનું કામ લાંબા સમયથી અટકેલું હોવાથી અને ઠેર-ઠેર ખાડાઓ પડી ગયા હોવાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ખાસ કરીને આસપાસની 10 જેટલી સોસાયટીઓના રહીશો માટે મુખ્ય માર્ગ સુધી પહોંચવું પણ મુશ્કેલ બની ગયું હતું. સ્થાનિકોની વેદના સાંભળીને ઉમેદવારોએ આશ્વાસન આપવાને બદલે તાત્કાલિક પગલાં ભરવાનું નક્કી કર્યું. તેઓએ હાથમાં પાવડો અને તગારું લીધું અને રસ્તા પર પડેલા મોટા ખાડાઓ પૂરવાનું તેમજ રસ્તો ઉબડ-ખાબડ હતો તેને સમથળ કરવાનું કામ શરૂ કરી દીધું. આ દ્રશ્યો જોઈને સ્થાનિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ અનોખા પ્રચારથી લોકો પ્રભાવિત થયા હતા. અને હાલ રાજકોટમાં ચૂંટણી પ્રચાર માત્ર સભાઓ અને રેલીઓ પૂરતો મર્યાદિત ન રહેતા 'એક્શન મોડ'માં આવી ગયો હોવાની ચર્ચાઓ વહેતી થઈ હતી. કોંગ્રેસના ઉમેદવાર સુનિલ ચાવડીયાએ શાસક પક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં રોડનો પ્રશ્ન અત્યંત ગંભીર છે. લગભગ 10 જેટલી સોસાયટીના લોકોને મેઈન રોડ સુધી પહોંચવામાં 1 કલાક જેટલો સમય લાગી જાય છે. આ ઈન્ડસ્ટ્રીયલ ઝોન છે, જ્યાં ઉદ્યોગોને પણ માળખાગત સુવિધાઓના અભાવે મોટું નુકસાન થઈ રહ્યું છે. ભાજપ વિકાસની મોટી મોટી વાતો કરે છે, પરંતુ જમીની હકીકત એ છે કે વિકાસના નામે ભાજપ ઝીરો છે. તેમણે વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું કે, મેં એવી વાત સાંભળી છે કે આ વોર્ડમાં ભાજપે રૂ. 42 કરોડનો ખર્ચ કર્યો હોવાનો દાવો કર્યો છે, પરંતુ આટલા કરોડો રૂપિયા ગયા ક્યાં? જમીન પર ક્યાંય કામ દેખાતું નથી. એક મહિનાથી આ મુખ્ય રસ્તો બંધ હાલતમાં છે અને લોકો ત્રસ્ત છે. ભાજપના લોકો માત્ર વોટ લેવા માટે જ નીકળે છે, પણ જનતાની પીડા તેમને દેખાતી નથી. કોંગ્રેસના ઉમેદવારોએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે તેમનો આ પ્રયાસ માત્ર ચૂંટણી જીતવા માટેનો ગતકડું નથી. અમે અત્યારથી જ કામ ચાલુ કરી દીધું છે. ચૂંટણીમાં જીત મળે કે ન મળે, પરંતુ અમે પ્રજાને હેરાન થવા દઈશું નહીં. અમને જે જે ફરિયાદો મળી રહી છે, તેને અમે અમારા સ્તરે ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જો શાસકો 42 કરોડ રૂપિયા વાપર્યા છતાં રોડ ન બનાવી શકતા હોય, તો અમે શ્રમદાન કરીને પણ પ્રજાને રસ્તો કરી આપીશું. ઉલ્લેખનીય છે કે, આ પ્રચાર દરમિયાન ઉમેદવારોને માત્ર રસ્તા જ નહીં, પરંતુ પાણી, ગટર, ડ્રેનેજ અને શિક્ષણને લગતા અનેક પ્રશ્નો જાણવા મળ્યા હતા. એક સરકારી શાળાની સામે ગંદકી અને કચરાના ઢગલા જોઈને ઉમેદવારોએ રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જે સ્થળે બાળકો ભણવા આવતા હોય ત્યાં આવી ગંદકી હોવી એ શાસકોની નિષ્ફળતા છે. રાજકોટના આ વોર્ડમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ આ અનોખો પ્રચાર અત્યારે સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
બસ કે બસ સ્ટેશન પરિસરમા ધુમ્રપાન ન કરવા, પાન મસાલાની પીચકારી ન મારવા અને કચરો ડસ્ટબીનમા નાખવા અપીલ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ના ભાવનગર વિભાગ દ્વારા મુસાફરોને સ્વચ્છ અને સુખદ વાતાવરણ પૂરું પાડવા માટે 'સ્વચ્છતા હી સેવા' ના મંત્રને ખરા અર્થમાં સાર્થક કરવાની નેમ લેવામાં આવી છે વારંવારની અપીલ અને સમજાવટ છતાં બસ સ્ટેશન કે બસોમાં ગંદકી ફેલાવતા અને તમાકુનું સેવન કરી જાહેર સ્થળોએ ગંદકી ફેલાવનારા ઈસમો સામે હવે તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં માર્ચ દરમિયાન ભાવનગર વિભાગના વિવિધ 8 ડેપો માંથી 256 જેટલા ઈસમો પાસેથી કુલ રૂ.6470 નો દંડ વસૂલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમા માહે-માર્ચ-26 દરમિયાન ભાવનગર વિભાગના અલગ અલગ ડેપો ખાતે આવી કાર્યવાહી જેમા અધિનિયમની અલગ અલગ કલમો હેઠળ જેવા કે જાહેર સ્થળો એ ધુમ્રપાન કરવું, સીધી કે આડકતરી રીતે અધિનિયમ ના ભંગ બાબતે કુલ 256 ઈસમો પાસેથી દંડ પેટે રૂા.6470 ની રકમ વસુલવામા આવેલ હતી, જેમાં ભાવનગર ડેપોમાં કેઈસની સંખ્યા 34 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ.780, તળાજા ડેપો કેઈસ ની સંખ્યા 29 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ.860, મહુવા ડેપો કેઈસની સંખ્યા 34 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ.1540, પાલીતાણા ડેપો કેઈસની સંખ્યા 29 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ.585, ગારીયાધાર ડેપો કેઈસની સંખ્યા 35 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ.390, બરવાળા ડેપો કેઈસની સંખ્યા 30 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ.730, બોટાદ ડેપો કેઈસની સંખ્યા 34 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ.945, ગઢડા ડેપો કેઈસની સંખ્યા 31 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ.640 આમ, કુલ 256 કેઈસ દ્વારા રૂ.6470 દંડ પેટે લેવામાં આવ્યા હતા, આ તકે એસ. ટી. પ્રશાસન દ્વારા મુસાફર જનતાને પુન; વિનંતી કરવામા આવે છે કે આવી દંડનાત્મક કાર્યવાહીથી બચવા મુસાફર જનતા જાતે જ સ્વચ્છતા જાળવે અને અન્યોને પણ સ્વચ્છતા જાળવવા સમજાવે જેમ કે બસ કે બસ સ્ટેશન પરિસરમા ધુમ્રપાન ન કરવુ, પાન મસાલાની પીચકારી ન મારવી, અને જયાં ત્યાં કચરો ન ફેકી ડસ્ટબીન જ મા નાખવો જેથી નિગમના દરેક મુસાફરોને સ્વચ્છ અને આરોગ્ય પ્રદ વાતાવરણ મળી રહે તે માટે નમ્ર અપીલ કરવામાં આવી છે.
હિરેન ખેની ARA ના સ્પોર્ટ્સ ચેરમેન બન્યા:યુવા પ્રેસિડેન્ટ તરીકે પણ જવાબદારી સંભાળશે
અમદાવાદ રિએલ્ટર્સ એસોસિએશન (ARA) એ વર્ષ ૨૦૨૬-૨૦૨૮ના કાર્યકાળ માટે નવી કારોબારીની જાહેરાત કરી છે. આ જાહેરાત અંતર્ગત હિરેનભાઈ પ્રવીણભાઈ ખેનીને સ્પોર્ટ્સ ચેરમેન અને યુવા પ્રેસિડેન્ટ એમ બે મહત્વપૂર્ણ પદો પર નિયુક્ત કરવામાં આવ્યા છે. હિરેનભાઈ ખેની સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ, વૈષ્ણોદેવી (અમદાવાદ) ના સક્રિય સભ્ય છે. તેઓ લાંબા સમયથી સામાજિક ક્ષેત્રે, ખાસ કરીને રમતગમત અને યુવા પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે.તેમની આ નિમણૂકથી રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા યુવાનો અને સમાજમાં સકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો છે. આ સિદ્ધિ બદલ સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ વૈષ્ણોદેવીના પ્રમુખ હિતેષભાઈ રામોલીયા, ઉપપ્રમુખ અંકિતભાઈ હિદડ, મંત્રી કેવિનભાઈ રાખોલિયા અને સમગ્ર કારોબારી સમિતિએ હિરેનભાઈને અભિનંદન પાઠવ્યા હતા. સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, હિરેનભાઈના નેતૃત્વ હેઠળ સંગઠનની રમતગમત પ્રવૃત્તિઓને વેગ મળશે અને યુવાનો માટે નવી તકોનું નિર્માણ થશે. પોતાની નિમણૂક બદલ હિરેનભાઈએ ARAના હોદ્દેદારો અને સમાજના અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે યુવાનોમાં એકતા, શિસ્ત અને વ્યવસાયિક કૌશલ્ય વધારવા માટે કટિબદ્ધતા દર્શાવી હતી.
ઈએસઆઈસી મણિનગર વિભાગના નિવૃત્ત કર્મચારીઓનું સ્નેહમિલન તા. ૧૮ એપ્રિલ, ૨૦૨૬ના રોજ વી. ડી. શાહના નિવાસસ્થાને યોજાયું હતું. આ પ્રસંગે સંગીતની મહેફિલ અને ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રૂખસાના જરીવાલા અને રીટા શાહ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અનિલ ખરેએ ઉપસ્થિતોનું સ્વાદિષ્ટ મીઠાઈથી સ્વાગત કર્યું, જ્યારે રમેશ સિંહ રાજપૂતે નુક્તી (ઉડદ જલેબી) દ્વારા સૌનું અભિવાદન કર્યું હતું. યજમાન દ્વારા કોલ્ડ ડ્રિંક્સ પણ પીરસવામાં આવ્યા હતા. ઉપસ્થિત સૌ સભ્યોએ વાતચીત, હળવી રમૂજ અને ESICના જૂના દિવસોની યાદો તાજી કરી હતી. ત્યારબાદ કરાઓકે સિસ્ટમ પર ગીતો ગાવાનો કાર્યક્રમ શરૂ થયો. કિશોરકુમાર, મુકેશ, મોહમ્મદ રફી, હેમંતકુમાર જેવા રેટ્રો ગાયકોના જૂના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં કિરીટ ઠક્કર અને જગદીશ પટેલ સહિત અન્ય સભ્યોએ પણ ભાગ લીધો હતો. કેટલાક ઝડપી ગીતો સૌએ સાથે મળીને ગાયા હતા. સંગીત કાર્યક્રમ પછી, એન. સી. પુરાણીએ રમેશ સિંહ રાજપૂતને શાલ અર્પણ કરીને સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત, તેમણે લેખકને ખેસ (દુપટ્ટો) અને નેપકિન પેક આપીને સન્માનિત કર્યા હતા. ત્યારબાદ, સૌએ અંતાક્ષરી રમીને આનંદ માણ્યો હતો. કાર્યક્રમના અંતે, યજમાન દ્વારા ભાજી પાવ, પુલાવ અને છાશની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનો સૌએ સ્વાદ માણ્યો હતો. આ ભોજન સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. આ પ્રસંગે પાનસરે, બી. વી. રાણા, અશોક મહેતા, હર્ષા વ્યાસ, જનક ભટ્ટ, કે. બી. વણકર, બિપિનભાઈ મોદી, રમણભાઈ અને કેનેડામાં હોવાથી સુરેશ ઠાકર જેવા કેટલાક સાથીદારો અંગત કારણોસર હાજર રહી શક્યા ન હતા. યજમાન વી. ડી. શાહ અને તેમના પરિવારના સભ્યોનો ઉષ્માભર્યા સ્વાગત અને ઉત્તમ વ્યવસ્થા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે ત્યારે પાટણ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હારીજ તાલુકાના અડિયા ગામે કોંગ્રેસની એક જાહેર સભામાં નામચીન બુટલેગરોએ સ્ટેજ પર સ્થાન મેળવી, જાહેરમાં પોતાના કાળા કારોબારની કબૂલાત કરતા જિલ્લાના રાજકારણમાં મોટો વંટોળ ઉભો થયો છે. ધારાસભ્યની હાજરીમાં સ્ટેજ પરથી બુટલેગરોનું સંબોધનઆ વિવાદ ચાણસ્મા વિધાનસભા હેઠળ આવતી હારીજ તાલુકાની મોકા જિલ્લા પંચાયત બેઠકના પ્રચાર દરમિયાન સર્જાયો હતો. કોંગ્રેસના ઉમેદવાર અલ્પેશ ઠાકોરના સમર્થનમાં આયોજિત આ સભામાં ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોર પણ ઉપસ્થિત હતા. તેમની હાજરીમાં જ કેટલાક સ્થાનિક શખ્સોએ માઈક સંભાળ્યું હતું અને પોતે દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું સ્વીકારીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ તંત્ર અને કોંગ્રેસની રણનીતિ સામે ગંભીર સવાલોસોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, આ શખ્સોએ જાહેરમાં કબૂલ્યું કે તેઓ બુટલેગર છે. જોકે, તેમણે એવી ખાતરી પણ આપી હતી કે તેઓ હવે આ ધંધો બંધ કરી દેશે અને વિસ્તારમાં દારૂબંધી કરાવશે. આ કબૂલાતને પગલે સ્થાનિકોમાં બે મુખ્ય સવાલો ચર્ચાઈ રહ્યા છે કે જો આ લોકો ખુલ્લેઆમ દારૂ વેચતા હતા, તો પાટણ પોલીસ અત્યાર સુધી શું કરી રહી હતી? અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવાને બદલે તેમને રાજકીય મંચ કેમ આપવામાં આવ્યો? ગુનેગારોને પ્રોત્સાહન આપવું કેટલું યોગ્ય? રાજ્યમાં એક તરફ કડક દારૂબંધીના દાવા કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ ચૂંટણી જીતવા માટે ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોનો સહારો લેવો તેને લોકો 'લોકશાહીનો તમાશો' ગણાવી રહ્યા છે. વિરોધ પક્ષો અને જાગૃત નાગરિકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ છે. ચૂંટણી પ્રચારમાં મર્યાદાઓનું ઉલ્લંઘન કરીને ગુનેગારોને પ્રોત્સાહન આપવું એ લોકશાહી માટે ખતરનાક સંકેત છે.
નિકોલ રોડ પર બાપા સીતારામ મઢુલીનો 21મો પાટોત્સવ:સુંદરકાંડ, શોભાયાત્રા અને મહાપ્રસાદનું આયોજન કરાયું
અમદાવાદના નિકોલ રોડ પર આવેલી સરિતા સોસાયટી ખાતે બજરંગદાસ બાપાના 21મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે સુંદરકાંડ, શોભાયાત્રા અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. પાટોત્સવના ભાગરૂપે શનિવારે સાંજે સુંદરકાંડનું પઠન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં સોસાયટીના બાળકો અને વડીલો સહિત મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ રવિવારે બજરંગદાસ બાપાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં સરિતા સોસાયટીના રહેવાસીઓ તેમજ આસપાસના વિસ્તારના લોકો ઉત્સાહભેર જોડાયા હતા અને ધાર્મિક વાતાવરણનો અનુભવ કર્યો હતો. સાંજે સરિતા સોસાયટી દ્વારા બાપાના સાનિધ્યમાં મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. ભાવિક ભક્તોએ બાપાના દર્શન કરી પ્રસાદીનો લાભ લીધો હતો. સામાજિક અગ્રણીઓએ પણ આ આયોજનમાં સહયોગ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ગાંધીનગર નજીક આવેલા પેથાપુર ખાતેના આશરે 535 વર્ષ જૂના પૌરાણિક શ્રી નેમિનાથ દિગંબર જૈન દેરાસરમાં અખાત્રીજ, 19 એપ્રિલ, 2026ના રોજ ધ્વજા-રોહણ અને શાંતિવિધાનનો કાર્યક્રમ યોજાયો હતો. આચાર્ય 108 સુધીન્દ્ર સાગરજી મહારાજના સાનિધ્યમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે પેથાપુર ગામમાં ભગવાનની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. સૌધર્મ ઇન્દ્રનો ચઢાવો મુકેશભાઈ પરીખે લીધો હતો, જ્યારે ધ્વજા-રોહણનો લાભ અજયભાઈ રમણલાલ શાહે પ્રાપ્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં 20 જેટલા સામાન્ય ઇન્દ્રોએ પણ ભાગ લીધો હતો, જેમાં અજયભાઈ રમણલાલ શાહ, રાજેન્દ્રભાઈ કોઠારી (મુંબઈ), કંચનબેન દિનેશચંદ્ર શાહ સહિતના ધર્મપ્રેમીઓનો સમાવેશ થાય છે. આ પ્રસંગે મંદિરના જીર્ણોદ્ધાર અંગે કોઠારી, શાહ અને પરીખ પરિવારના સભ્યો સાથે વર્તમાન ટ્રસ્ટી મંડળ દ્વારા બેઠક યોજવામાં આવી હતી. ભવિષ્યમાં શ્રી નેમિનાથ દિગંબર જૈન મંદિરને અતિશય ક્ષેત્ર તરીકે વિકસાવવા માટે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
DPS ગાંધીનગર ધોરણ 10 બોર્ડમાં ઉત્તમ પરિણામ:99.4% સર્વશ્રેષ્ઠ, 118 વિદ્યાર્થી 90%થી વધુ ગુણ મેળવ્યા
દિલ્હી પબ્લિક સ્કૂલ, ગાંધીનગરના વિદ્યાર્થીઓએ CBSE ધોરણ 10 બોર્ડના પરિણામોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. શાળાના કુલ 118 વિદ્યાર્થીઓએ 90%થી વધુ ગુણ મેળવી શૈક્ષણિક શ્રેષ્ઠતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિદ્યાર્થીઓના તેજસ્વી પ્રદર્શનમાં ગ્રેસી પટેલે શ્રેષ્ઠ પાંચ વિષયોમાં 99.4% ગુણ મેળવીને શાળામાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જ્યારે વિધાત્ર પટેલે મુખ્ય પાંચ વિષયોમાં 98.6% ગુણ સાથે અગ્રસ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. શાળાએ શ્રેષ્ઠ પાંચ વિષયોમાં 85.78% અને મુખ્ય પાંચ વિષયોમાં 81.26% નો સરેરાશ નોંધાવ્યો છે, જે શૈક્ષણિક ગુણવત્તા અને સાતત્યપૂર્ણ પ્રદર્શન દર્શાવે છે. આ સફળતા પાછળ શાળાના સંચાલક મંડળ, આચાર્ય તથા શિક્ષકોનું પ્રતિબદ્ધ માર્ગદર્શન, વિદ્યાર્થીઓની અવિરત મહેનત અને વાલીઓનો વિશ્વાસપૂર્ણ સહકાર મુખ્ય આધાર રહ્યા છે. શાળા સંચાલને વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને આ અદ્ભુત સફળતા બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.
સાબરકાંઠા જિલ્લામાં ભાજપે 10 કાર્યકરોને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. આ કાર્યવાહી હિંમતનગર અને ઈડર નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષના આદેશ વિરુદ્ધ અપક્ષ ઉમેદવારી કરવા બદલ કરવામાં આવી છે. પ્રદેશ ભાજપના નિર્દેશ બાદ જિલ્લા સંગઠને આ નિર્ણય લીધો છે. જિલ્લા ભાજપ પ્રમુખ કનુ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્રદેશ ભાજપ દ્વારા અગાઉથી જ ઉમેદવારોની પસંદગી કરીને મેન્ડેટ આપવામાં આવ્યા હતા. તેમ છતાં કેટલાક કાર્યકરોએ પક્ષના નિર્ણયનો અનાદર કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. સસ્પેન્ડ કરાયેલા કાર્યકરોમાં ઈડર નગરપાલિકાના વોર્ડ નંબર 1 માંથી ચાર, વોર્ડ નંબર 2 માંથી બે અને વોર્ડ નંબર 7 માંથી ત્રણ ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, હિંમતનગર નગરપાલિકાના વોર્ડ નંબર 6 માંથી પણ એક અપક્ષ ઉમેદવારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાજપ દ્વારા સસ્પેન્ડ કરાયેલા કાર્યકરોના નામ આ મુજબ છે: હિંમતનગર પાલિકાના વોર્ડ નંબર 6 માંથી દીપક સવજી ભાટી. ઈડર પાલિકાના વોર્ડ નંબર 1 માંથી જયસિંહ રાધાકિશન તંવર, પારુલબેન જેકીકુમાર કોઠારી, પ્રદીપ નગીનદાસ શાહ અને મનીષાબેન જીજ્ઞેશ પંડ્યા. વોર્ડ નંબર 2 માંથી ફીરોજાબાનુ નસીબખાન બલોચ અને સંજય કાલીદાસ ભોઈ. વોર્ડ નંબર 7 માંથી કેવલ વિશાલકુમાર દોશી, રમિલાબેન દિનેશ પટેલ અને કમળાબેન હિંમત વણઝારા. આ તમામ 10 કાર્યકરોને હિંમતનગર અને ઈડર નગરપાલિકામાં પક્ષ વિરુદ્ધ જઈને ઉમેદવારી કરવા બદલ ભાજપમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
ભાવનગર શહેરમાં થોડા દિવસ પૂર્વે હાદાનગર વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી યુવાનની માતા શાકમાર્કેટમાં વસ્તુ લેવા જાય તે વેળાએ બે શખ્સો અપશબ્દો બોલી છેડતી કરતા હોય જે બાબતે યુવાન શખ્સોને થોડા દિવસ પહેલા સમજાવવા ગયેલ જેની દાઝ રાખી આઠ શખ્સોએ યુવાનના ઘર પર પથ્થરમારો તેમજ બાઈકની તોડફોડ કરી હતી. જે મામલે યુવાને બોરતળાવ પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો હતો. જેને પગલે પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી 8 શખ્સોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મહિલાની છેડતીથી મામલો બિચક્યોમળતી વિગતો અનુસાર, હાદાનગર વિસ્તારમાં રહેતા યુવાને હરેશ ઉર્ફ ભાકો ગોવિંદ પરમાર, રાહુલ હરેશ પરમાર, હર્ષિલ હરેશ પરમાર, હર્ષદ રમેશ ચૌહાણ, વિરલ રમેશ ચૌહાણ, હાદો ઉર્ફે દેરી, અમિત ડાભી, અને રામો ઉર્ફે ઓઢી વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, યુવાનની માતા જ્યારે પણ માર્કેટમાં ચીજ વસ્તુની ખરીદી કરવા માટે જતી હોય ત્યારે શખ્સો ખરાબ નજર નાખી એલ ફેલ બોલતા હોય આ અંગે યુવાનની માતાએ શખ્સોને ટપારતા શખ્સોએ યુવાનની માતા સાથે અડપલા કરી બાવડું પકડી પછાડી દીધી હતી અને યુવાનએ પણ ઠપકો આપ્યો હતો. સ્કૂટરોની તોડફોડ કરી ઘર પર પથ્થર મારોઆ વાતની આઠેય શખ્સોએ દાઝ રાખી ધોકા પાઇપ તથા લાકડી જેવા હથિયારો સાથે યુવાનના ઘરે આવ્યા હતાં, તેના ઘર બહાર પાર્ક કરેલ સ્કૂટરોની તોડફોડ કરી ઘર પર પથ્થર મારો તથા સોડા બોટલના ઘા કર્યા હતાં અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે બોરતળાવ પોલીસ મથકમાં 8 શખ્સો સામે BNS એક્ટ 115(2), 352, 351(3), 75, 324(4), 125, 189(2), 191(2), 191(3), 190 તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુન્હો નોંધાયો હતો. 8 શખસોની ધરપકડજે આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હરેશ ઉર્ફે ભાકો ગોવિંદભાઇ પરમાર, રાહુલ હરેશ પરમાર, હર્ષિલ હરેશભાઇ પરમાર, હર્ષદ રમેશભાઈ ચૌહાણ, વિરલ હરેશભાઇ ચૌહાણ, હાદો ઉર્ફે દેરી, અમિત ડાભી, રામો ઉર્ફે ઓઢી રહે. તમામ ભાવનગરના રહેવાસીઓ ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગોધરા તાલુકાના અંદરના મુવાડા પ્રાથમિક શાળામાં વીજ કનેક્શન કાપી નાખવામાં આવતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કાળઝાળ ગરમીમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અજાણ્યા શખ્સે આ કૃત્ય આચર્યું હતું, જેના કારણે શાળામાં પંખા અને લાઈટ વિના અભ્યાસ કરવો પડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ૧૮ એપ્રિલના રોજ એક અજાણ્યો વ્યક્તિ શાળામાં આવ્યો હતો. તેણે પોતાને મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL) નો કર્મચારી ગણાવી સ્માર્ટ મીટર લગાવવાની વાત કરી હતી. શાળાના આચાર્યએ તેની પાસે ઓળખપત્ર માંગતા તે બતાવી શક્યો ન હતો અને ત્યાંથી જતો રહ્યો હતો. જોકે, તે જ સાંજે ફરી આવીને તેણે શાળાનું વીજ કનેક્શન કાપી નાખ્યું હતું. આ ઘટનાના પરિણામે, ૧૯ અને ૨૦ એપ્રિલે વિદ્યાર્થીઓને પંખા અને લાઈટ વિના ગરમીમાં અભ્યાસ કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત, મધ્યાહન ભોજન બનાવવામાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ હતી. મહત્વપૂર્ણ છે કે, આ શાળા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે બૂથ તરીકે પણ ફાળવવામાં આવી છે, જેના કારણે સમસ્યા વધુ ગંભીર બની છે. આ મામલે શાળાના આચાર્યએ કાંકણપુર સબ ડિવિઝનના અધિકારીઓને લેખિત રજૂઆત કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. MGVCL અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે વિભાગ તરફથી કોઈ કર્મચારીને મોકલવામાં આવ્યો ન હતો અને આ કૃત્ય કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું છે. હાલમાં સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.
જૂનાગઢના ચોબારી ફાટકથી ઝાંઝરડા રોડ તરફ જતા મુખ્ય માર્ગ પર મહાનગરપાલિકાના તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. આ રસ્તા પર લાંબા સમયથી એક કદાવર સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યું હતું, પરંતુ તેના પર કોઈ પણ પ્રકારના સફેદ પટ્ટા કે સાવચેતીના ચિહ્નો ન હોવાને કારણે તે 'મોતનું સ્પીડ બ્રેકર' બની ગયું હતું. આ સ્પીડ બ્રેકર અંધારામાં કે દૂરથી વાહનચાલકોને દેખાતું ન હોવાથી રોજબરોજ ત્રણથી ચાર અકસ્માતો અહીં સામાન્ય બની ગયા હતા. દિવ્ય ભાસ્કર દ્વારા બે દિવસ પહેલા આ સમસ્યા અંગે અહેવાલ રજૂ કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તેમ છતાં વહીવટીતંત્રના પેટનું પાણી હલ્યું નહોતું. અંતે, તંત્રની રાહ જોયા વગર એક જાગૃત નાગરિકે પોતે જ આ જવાબદારી ઉપાડી લીધી છે. જૂનાગઢના જાગૃત નાગરિક ચેતનભાઈ પરમાર પોતે પણ આ સ્પીડ બ્રેકર પરથી પસાર થતી વખતે અચાનક ઝટકો લાગવાને કારણે ઈજાગ્રસ્ત થયા હતા. તેમણે જોયું કે આ રસ્તે અનેક વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ અને શાળાઓએ જતા બાળકો પસાર થાય છે, જેમના જીવ પણ જોખમમાં છે. તંત્રની નિષ્ક્રિયતા જોઈને ચેતનભાઈએ નિશ્ચય કર્યો કે જે પીડા તેમણે ભોગવી છે તે અન્ય કોઈ નાગરિકે ન ભોગવવી પડે. આ ઉમદા હેતુ સાથે તેમણે પોતાના ૨ થી ૩ હજાર રૂપિયાના વ્યક્તિગત ખર્ચે કલર લાવીને સ્પીડ બ્રેકર પર સફેદ પટ્ટા મારવાનું કામ શરૂ કર્યું છે. ચેતનભાઈએ સ્પષ્ટ જણાવ્યું હતું કે આમાં તેમનો કોઈ રાજકીય હેતુ નથી અને તેઓ માત્ર એક જાગૃત નાગરિક તરીકે બીજાના જીવ બચાવવા આ કામગીરી કરી રહ્યા છે. આ સેવાકાર્યમાં સ્થાનિકોનો પણ પૂરો સહયોગ સાંપડ્યો છે. નજીકમાં જ આવેલી મહાદેવ મોટર્સના માલિક બબન પંડિતે આ બાબતે ભારે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ રોડ પર અકસ્માતોની હારમાળા સર્જાય છે. બે દિવસ પહેલા જ એક ટ્રેક્ટર પસાર થતી વખતે બમ્પના કારણે જોરદાર ઉછળ્યું હતું અને તેમાં બેઠેલો મજૂર ટાયર નીચે આવતા માંડ બચ્યો હતો. આ વિસ્તારમાં હોસ્પિટલો અને શાળાઓ વધુ હોવાથી અહીં સતત ટ્રાફિક રહે છે, છતાં મનપાના અધિકારીઓ તેમની એસી ચેમ્બરમાં બેસીને માત્ર કાગળ પર જ કળા કરી રહ્યા હોય તેવું લાગે છે. અધિકારીઓ અને પદાધિકારીઓ માત્ર અકસ્માત થાય ત્યારે હોસ્પિટલે ફોટા પડાવવા પહોંચી જાય છે, પરંતુ અકસ્માત અટકાવવા માટે કોઈ નક્કર પગલાં લેતા નથી. અન્ય એક સ્થાનિક નાગરિક નિલેશભાઈએ પણ તંત્રની નીંભરતા પર પ્રહાર કરતા કહ્યું હતું કે જે કામ મહાનગરપાલિકાએ કરોડોના બજેટમાંથી કરવાનું હોય તે કામ આજે એક સામાન્ય નાગરિકે પોતાના ખિસ્સામાંથી પૈસા ખર્ચીને કરવું પડી રહ્યું છે. થોડા સમય પહેલા જ અહીં એક વૃદ્ધ મહિલા બાઈક પરથી નીચે પછડાતા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને થોડા મહિનાઓ પહેલા બે યુવકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો. આટલી જાનહાનિ અને અકસ્માતો પછી પણ જો તંત્ર ન જાગે તો જૂનાગઢના લોકોએ હવે પોતાના જીવની ચિંતા જાતે જ કરવી પડશે અને દરેક અસુવિધા સામે જાતે જ લડવું પડશે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રોડ, ગટર અને પાણી માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે, પરંતુ નાની એવી સ્પીડ બ્રેકરની કામગીરીમાં પણ અણઆવડત અને બેદરકારી છતી થઈ રહી છે. અત્યારે સ્થિતિ એવી નિર્માણ પામી છે કે જો આ નીંભર તંત્ર ગંભીર ઘટનાની રાહ જોઈને બેસી રહેશે, તો આગામી સમયમાં જૂનાગઢના રસ્તાઓ હોસ્પિટલના ખાટલામાં ફેરવાઈ જશે તેવી ભીતિ છે. ચેતનભાઈ પરમાર જેવા જાગૃત નાગરિકોની આ કામગીરી તંત્રના મોઢા પર લપડાક સમાન છે અને તે સાબિત કરે છે કે હવે જનતાએ પોતાના રક્ષણ માટે પોતે જ રસ્તા પર ઉતરવું પડશે.
સુરત રેલવે સ્ટેશન જેવા અતિ વ્યસ્ત વિસ્તારમાં એક લક્ઝુરિયસ થાર કારના ચાલકની બેદરકારીને કારણે મોટી જાનહાનિ ટળી હતી. સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 તરફ જવાના પ્રતિબંધિત માર્ગ અને નો-પાર્કિંગ ઝોનમાં ઘુસી આવેલા એક નબીરાએ પોતાની થાર 'રોક્સ' રિવર્સ લેતી વખતે સુરક્ષા દીવાલને ધડાકાભેર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રેલવેની મિલકતને મોટું નુકસાન થયું છે, જ્યારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ચાલકની અટકાયત કરી છે. થાર અથડાતા દીવાલને નુકસાન થયુંમળતી માહિતી મુજબ, સવારે અંદાજે 10:30 વાગ્યે સી-એરિયામાં ફરજ પર તૈનાત કોન્સ્ટેબલ રાજેશ કુમારે વોકી-ટોકી પર સંદેશ આપ્યો હતો કે પ્લેટફોર્મ નંબર 1 પાસે એક વાહને સુરક્ષા દીવાલ તોડી પાડી છે. સંદેશ મળતા જ ASI સુનિલ પાટીલ અને ભંવર સિંહ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ત્યાં તપાસ કરતા કાળા રંગની થાર ROXX (MH 04 MU 5999) દીવાલ તોડીને અત્યંત જોખમી હાલતમાં ઊંઘી લટકેલી જોવા મળી હતી. ઘટનાની ગંભીરતાને જોતા રેલવેના ટેકનિકલ અધિકારીઓ અને SSE (વર્કસ) નવીન યાદવ તેમજ ડેપ્યુટી CMI આનંદ શર્માએ સ્થળ પર જ સંયુક્ત તપાસ હાથ ધરી હતી. એન્જિનિયરિંગ વિભાગના અંદાજ મુજબ, નુકસાનની રકમ 22,088 રૂપિયા છે. સ્ટેશનની મજબૂત સુરક્ષા દીવાલ ધરાશાયી થઈ ગઈ છે. રેલવે એક્ટ કલમ 154 અને 159 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કોણ છે આ નબીરો?પોલીસે સ્થળ પરથી કાર ચાલકની અટકાયત કરી હતી. પકડાયેલા યુવકની ઓળખ નવીન અશોક બંસલ (ઉં.વ. 21, રહે. સિંગર રેસીડેન્સી, વેસુ, સુરત) તરીકે થઈ છે. પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે તે ભૂલથી નો-પાર્કિંગ ઝોનમાં વાહન લઈ આવ્યો હતો અને ગભરામણમાં રિવર્સ લેવા જતાં કાર દીવાલ સાથે અથડાવી દીધી હતી. RPFની કડક કાર્યવાહીરેલવે સુરક્ષા દળ (RPF) દ્વારા નબીરા સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. તેને રેલવે કોર્ટમાં હાજર રહેવા માટેની નોટિસ ફટકારવામાં આવી છે. સદનસીબે જે સમયે આ ટક્કર વાગી તે સમયે ત્યાં કોઈ મુસાફર હાજર ન હોવાથી મોટી હોનારત ટળી હતી, નહિતર સુરત સ્ટેશન પર આજે લોહીના ફુવારા ઉડ્યા હોત. પ્રતિબંધિત માર્ગ પર લક્ઝુરિયસ કાર કેવી રીતે ઘુસી ગઈ તે તપાસનો વિષય છે. હાલમાં અમે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ASI સુનિલ પાટીલને સોંપી છે.
જામનગર શહેરમાં શેરબજારમાં થયેલા મોટા નુકસાનને કારણે એક યુવાને આત્મહત્યા કરી છે. રાજપાર્ક વિસ્તારમાં રહેતા 35 વર્ષીય યુવાને ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અકસ્માત મોત નંબર 17/2026 મુજબ, મૃતકનું નામ દેવાંગભાઈ પ્રવીણભાઈ પોપટ (ઉંમર 35) છે. તેઓ રાજપાર્ક, ડિવાઇન હોસ્પિટલ પાછળ, જામનગર ખાતે રહેતા હતા. છેલ્લા છ મહિનાથી તેઓ શેરબજારમાં ટ્રેડિંગ કરતા હતા અને તેમને આશરે 25 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. આ આર્થિક નુકસાનને કારણે તેઓ માનસિક તણાવમાં હતા. પોલીસ તપાસ અનુસાર, 7 એપ્રિલ 2026ના રોજ સાંજે લગભગ ૪:૩૦ વાગ્યે દેવાંગભાઈએ પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. પરિવારજનોએ તેમને તાત્કાલિક જી.જી. હોસ્પિટલ ખસેડ્યા હતા. 13 દિવસની સારવાર બાદ ગઈકાલે તેમનું અવસાન થયું હતું. મૃતકની પત્ની દિવ્યાબેન દેવાંગભાઈ પોપટે આ બનાવ અંગે પોલીસને જાણ કરી હતી. સીટી બી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ પી. કે. વાઘેલાએ બી.એન.એસ.ની કલમ ૧૯૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના સચીન GIDC વિસ્તારમાં વર્ષ 2023માં બનેલી ચકચારી હત્યાની ઘટનામાં અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો છે. લૂમ્સના કારખાનામાં મજૂરી કામ કરતા અશોકકુમાર ઉર્ફે રામુ કનોજીયાની હત્યાના આરોપમાં પકડાયેલા ચાર યુવકોને સુરતની સેશન્સ કોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે. બચાવ પક્ષના વકીલોની ધારદાર દલીલો અને મુખ્ય સાક્ષીઓના નિવેદનોમાં વિરોધાભાસને પગલે કોર્ટે આરોપીઓને શંકાનો લાભ આપી જેલમુક્ત કરવાનો આદેશ કર્યો છે. શું હતી સમગ્ર ઘટના? માર્ચ 2023નો એ લોહિયાળ કિસ્સોઆ ઘટનાની વિગતો મુજબ, 13 માર્ચ 2023ના રોજ રાત્રિના સમયે સચીન GIDC રોડ નંબર 3 પર આવેલા શ્રીરામ વે બ્રીજ પાસે લોહીલુહાણ હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઓળખ અશોકકુમાર ઉર્ફે રામુ કનોજીયા તરીકે થઈ હતી, જે સ્થાનિક લૂમ્સના કારખાનામાં મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. 14 માર્ચની સવારે જ્યારે તેમનો મૃતદેહ રસ્તાના કિનારે પડ્યો હોવાની જાણ થઈ, ત્યારે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મૃતકના ભાઈ જીતેશકુમારે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં અજાણ્યા શખ્સો સામે હત્યાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. પોલીસે તપાસ કરીને 4 આરોપીની ધરપકડ કરી હતીઘટનાની ગંભીરતાને જોતા સચીન GIDC પોલીસે ત્વરિત તપાસ શરૂ કરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે અશોકકુમારના શરીર પર નાની-મોટી અનેક ઈજાઓ હતી, જે બોથડ પદાર્થ અથવા હુમલાને કારણે થઈ હોવાનું અનુમાન હતું. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની માહિતીના આધારે પોલીસે કરણસિંગ ઉર્ફે રાની, મૈયાદીન ઉર્ફે બટકા, અનંત ઉર્ફે આનંદ માંજી અને કેશનપાલ ઉર્ફે પંડીત નામના ચાર શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસનો દાવો હતો કે આ ચારેય આરોપીઓએ અંગત અદાવત અથવા સામાન્ય ઝઘડામાં અશોકકુમારને મોતને ઘાટ ઉતાર્યો હતો. મુખ્ય સાક્ષી જુબાનીમાં ફરી ગયા હતાકેસની સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષ (સરકાર પક્ષ) દ્વારા અનેક પંચ સાહેદો અને દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. જોકે, કેસ ત્યારે નબળો પડ્યો જ્યારે નજરે જોનાર હોવાનું મનાતા મુખ્ય સાક્ષી ગીરજાશંકર પોતાની જુબાનીમાં ફરી ગયા હતા. ગીરજાશંકરે પોલીસને આપેલા અગાઉના નિવેદનને કોર્ટમાં સમર્થન આપ્યું ન હતું. આ ઉપરાંત, અન્ય પંચ સાહેદો પણ બનાવ કેવી રીતે બન્યો અને કોણે હત્યા કરી તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપી શક્યા ન હતા. ફરિયાદી પક્ષ આરોપીઓ વિરુદ્ધ મજબૂત સાંકળ બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો. 'કેસ સાબિત કરવા માટે પુરાવા અપૂરતા'આ કેસમાં બચાવ પક્ષે વકીલ રિધ્ધિશ મોદી, મુકુંદ રામાણી અને આર.જી. પારેખ હાજર રહ્યા હતા. તેમણે કોર્ટમાં દલીલ કરી હતી કે પોલીસ પાસે આરોપીઓ વિરુદ્ધ કોઈ પણ નક્કર વૈજ્ઞાનિક કે સંજોગોવસાત પુરાવા નથી. પોલીસે માત્ર શંકાના આધારે આ નિર્દોષ યુવાનોની ધરપકડ કરી છે. વકીલોએ રજૂઆત કરી હતી કે જ્યારે મુખ્ય સાક્ષીઓ જ બનાવને સમર્થન નથી આપી રહ્યા અને પંચનામાની વિગતોમાં પણ વિસંગતતા છે, ત્યારે આરોપીઓને સજા આપી શકાય નહીં. બચાવ પક્ષની દલીલોને ગ્રાહ્ય રાખીને અદાલતે સ્વીકાર્યું કે કેસ સાબિત કરવા માટે પુરાવા અપૂરતા છે. એક વર્ષથી જેલમાં બંધ ચારેય યુવકો છૂટકારોબંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુરતની અદાલતે અવલોકન કર્યું હતું કે ફોજદારી ન્યાયશાસ્ત્રના સિદ્ધાંત મુજબ જ્યાં સુધી ગુનો નિશંકપણે સાબિત ન થાય ત્યાં સુધી કોઈને દોષિત ઠેરવી શકાય નહીં. આ કેસમાં સાક્ષીઓ ફરી જવાથી અને પુરાવાની કડીઓ તૂટી જવાથી ફરિયાદી પક્ષ પોતાનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે. પરિણામે, અદાલતે ચારેય આરોપીઓ - કરણસિંગ, મૈયાદીન, અનંત અને કેશનપાલને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરવાનો હુકમ કર્યો છે. આ ચુકાદા સાથે જ એક વર્ષથી જેલમાં બંધ ચારેય યુવકોના છુટકારાનો માર્ગ મોકળો થયો છે.
ભાવનગરમાં પ્રોબેશનર IASના ડ્રાઈવર લાંચ લેતા હોવાનો વીડિયો સામે આવ્યા બાદ સમગ્ર રાજ્યમાં પ્રશાસન પર પ્રશ્નો ઊભા થયા છે. આ ઘટનાએ સરકારને તંત્રમાં શિસ્ત અને પારદર્શિતા વધારવા માટે કડક પગલાં લેવા પ્રેર્યા છે. તેના ભાગરૂપે ગુજરાત સરકારે સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા ડ્રાઈવરના ગણવેશ (ડ્રેસ)ના કલરમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. સરકારી કચેરીઓના ડ્રાઈવરોના ગણવેશમાં ફેરફારસામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા ગાંધીનગરથી જારી કરાયેલા આદેશ અનુસાર, અગાઉ નક્કી કરાયેલ ડ્રેસ કોડમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જૂના નિયમ મુજબ ડ્રાઈવરો માટે પેન્ટનો કલર સ્ટીલ ગ્રે અને શર્ટનો કલર લાઇટ ગ્રે રાખવામાં આવ્યો હતો. હવે નવા નિર્ણય પ્રમાણે પેન્ટ માટે ઘાટો બદામી (Brown/Walnut) અને શર્ટ માટે આછો બદામી (Almond) કલર નક્કી કરવામાં આવ્યો છે. ભાવનગર લાંચ કાંડ બાદ સરકારનો નિર્ણયસરકારે આ નિર્ણય પાછળનો હેતુ સ્પષ્ટ રીતે જાહેર કર્યો નથી, પરંતુ સૂત્રો મુજબ તંત્રમાં કર્મચારીઓની ઓળખ સરળ બને, એકરૂપતા જળવાઈ રહે અને જવાબદારીની ભાવના મજબૂત થાય તે માટે આ પગલું લેવામાં આવ્યું છે. ભાવનગરની ઘટનાએ બતાવ્યું કે, કચેરીઓમાં કામ કરતા સ્ટાફની કામગીરી પર વધુ નજર રાખવાની જરૂર છે, જેને ધ્યાનમાં રાખીને સરકાર હવે સિસ્ટમમાં નાના-મોટા ફેરફારો કરીને કડક સંદેશ આપવાની કોશિશ કરી રહી છે. સંબંધિત વિભાગોને ડ્રેસકોડનું કડક પાલન કરવા સૂચનાઆ આદેશ રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં લાગુ પડશે અને સંબંધિત વિભાગોને તેનું કડક પાલન કરવા સૂચના આપવામાં આવી છે. અગાઉના આદેશમાં દર્શાવેલ અન્ય શરતો યથાવત રાખવામાં આવી છે, એટલે કે ડ્રેસ કોડ સિવાયના નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 'ગેરવર્તણૂક માટે કોઈ સહનશીલતા નહીં રાખવામાં આવે'રાજ્યભરના સરકારી ડ્રાઈવરોમાં આ નવા ગણવેશ અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેટલાક કર્મચારીઓ આ નિર્ણયને સામાન્ય પ્રશાસકીય ફેરફાર તરીકે જોઈ રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેને ભાવનગર લાંચ કાંડ બાદ સરકાર દ્વારા આપવામાં આવેલા સંકેત તરીકે લઈ રહ્યા છે કે હવે તંત્રમાં બેદરકારી અથવા ગેરવર્તણૂક માટે કોઈ સહનશીલતા નહીં રાખવામાં આવે. આ રીતે, એક વિડિયોથી શરૂ થયેલી ઘટના હવે રાજ્યસ્તરે નીતિગત ફેરફાર સુધી પહોંચી છે, જે આગામી સમયમાં તંત્રની કાર્યપદ્ધતિ પર કેવી અસર કરે છે તે જોવાનું રહેશે.
બનાસકાંઠા જિલ્લાના વડગામમાંથી અપહરણ થયેલા એક બાળકની તપાસ દરમિયાન પોલીસે આંતરરાજ્ય બાળ તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. વડગામ પોલીસ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની સંયુક્ત કાર્યવાહીમાં મુખ્ય સૂત્રધાર મુરુગન સહિત 3 શખસની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગે અત્યાર સુધીમાં ગુજરાત, દિલ્હી, તેલંગાણા સહિત 4 રાજ્યોમાં કુલ 8 નવજાત બાળકોનો સોદો કર્યો હોવાની કબૂલાત કરી છે. તપાસનો ઘટનાક્રમ અને ધરપકડ6 એપ્રિલના રોજ વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક બાળકનું અપહરણ થયું હતું. ટેક્નિકલ ઇન્ટેલિજન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઉપયોગથી પોલીસે તપાસ હાથ ધરી સૌપ્રથમ મુંબઈ-વડોદરા હાઈવે પરથી એક સગીર એજન્ટ સહિતના આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ સગીરની માતા પણ અગાઉ બાળ તસ્કરીના ગુનામાં આંધ્રપ્રદેશની જેલમાં હોવાનું સામે આવ્યું છે.આરોપીઓની પૂછપરછમાં મુખ્ય દલાલ મુરુગનનું નામ ખુલતા વડગામ પોલીસે તેલંગાણાના કાગઝનગરથી તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેના અન્ય 2 સાગરીતો કાસરપ્પુ તિરુપતિ અને કેલેટી ગંગાધરને પણ દબોચી લેવામાં આવ્યા હતા. IVF સેન્ટરથી બાળ તસ્કરી સુધી પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ ગેંગ અગાઉ IVF સેન્ટરોમાં તંદુરસ્ત મહિલાઓને દાખલ કરાવી કમિશન મેળવવાનું કામ કરતી હતી. જોકે, વધુ નફાની લાલચમાં તેઓ નવજાત બાળકોની તસ્કરીના ગુનામાં સંડોવાયા હતા. તેઓ ગરીબ વાલીઓ પાસેથી બાળકો મેળવી નિસંતાન દંપતીઓ અથવા અન્ય એજન્ટોને ઊંચી કિંમતે વેચતા હતા. કુલ 8 બાળકોનું વેચાણપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગે અત્યાર સુધીમાં 4 રાજ્યના બાળકો વેચ્યા છે: દાંતા-વડગામ (ગુજરાત): 2 બાળકો હૈદરાબાદ (તેલંગાણા): 3 બાળકો મુંબઈ (મહારાષ્ટ્ર): 2 બાળકો દિલ્હી: 1 બાળક વધુ તપાસ ચાલુપોલીસે સગીર એજન્ટ પાસેથી બાળક વેચાણના રોકડા 1.5 લાખ રૂપિયા જપ્ત કર્યા છે. આ રેકેટમાં હૈદરાબાદની શિવારાણી અને મુંબઈના રોહિદાસ સહિત અન્ય 4થી 5 શખસોની સંડોવણી પણ સામે આવી છે, જેમને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે. બનાસકાંઠાના અન્ય એક કેસમાં દાંતા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મહિલા અનામત બિલ મુદ્દે ભાજપ પર કર્યા પ્રહાર કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે મહિલા અનામત બિલ મુદ્દે ભાજપ ભ્રમ ફેલાવતી હોવાનો આક્ષેપ કર્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચંડોળા તળાવ મુદ્દે ધારાસભ્યએ મત માગ્યા ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે ચંડોળા તળાવનો મુદ્દો ઉઠાવી મત માંગ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાભી રીવાબાએ નણંદ નયનાબાને શુભકામના પાઠવી રાજકોટમાં આવેલા રીવાબા જાડેજાએ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા નણંદ નયનાબાને શુભેચ્છા પાઠવી..સાથે જ કહ્યું કોંગ્રેસને જડબાતોડ જવાબ મળશે તો સામે નયનાબાએ કહ્યું એ તો 28 તારીખે ખબર પડશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કાળા વાવટા ફરકાવી જીગ્નેશ મેવાણીનો વિરોધ કોંગ્રેસના સ્ટાર પ્રચારક જીગ્નેશ મેવાણીનો કાળા વાવટા ફરકાવી અને નારેબાજી કરી વિરોધ કરવામાં આવ્યા..ચાંદખેડા બાદ રખિયાલ -સરસપુર વોર્ડમાં પણ ટિકિટના વિવાદ મામલે મેવાણીને વિરોધનો સામનો કરવો પડ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મમતાને હરાવવા ભાજપે દોડાવી ટ્રેન સુરતના ઉધના રેલવે સ્ટેશનથી 1300 શ્રમિક સાથેની 'વોટર્સ સ્પેશિયલ' એસી ટ્રેન રવાના થઈ. આ ટ્રેનનો ખર્ચ ભાજપ ભોગવશે.. ગઈકાલે આ જ સ્ટેશન પર યુપી બિહારના શ્રમિકો સાથે લાઠીચાર્જ કરાયો હતો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પોલીસે મુસાફરો પર લાઠીચાર્જ કર્યાનો ઈનકાર તો આ અફરાતફરીની સ્થિતિની સમીક્ષા કરવા પહોંચેલા પશ્ચિમ રેલવ વિભાગના જનરલ મેનેજર રામાશ્રય પાંડેએ કહ્યું કે કોઈ મુસાફર પર લાઠીચાર્જ થયો નથી. જો કે પોલીસનો લાઠીચાર્જ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રિક્ષાને ટક્કર મારી BMW AMTS બસ સ્ટેન્ડમાં ભટકાઈ અમદાવાદના નિકોલમાં બીએમડબ્લ્યુ કાર ચાલકે રિક્ષાને ટક્કર મારી અને એએમટીએસ બસ સ્ટેન્ડમાં ઘૂસી ગઈ. ટક્કર એટલી ખતરનાક હતી કે ગાડી અને બસ સ્ટેન્ડ બંનેનો કચ્ચરઘાણ વળી ગયો. રિક્ષાચાલક ગંભીર હાલતમાં છે, જ્યારે કારચાલક 2.5 કરોડની ગાડી મૂકી ફરાર થઈ ગયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એક્ટિવા ટકરાયાનો ઠપકો આપતા છરીના ઘા માર્યા અમરેલીમાં પણ ધંધૂકા જેવો બનાવ બન્યો..બીનાકા ચોકમાં પાનની દુકાને ઊભેલા શખ્સને એક્ટિવા ટકરાવ્યું.. જેનો ઠપકો આપતા તેને ઉપરાઉપરી છરીના 3 ઘા ઝિંકી દીધા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અર્ટિગાની ટક્કરે એક જ પરિવારના ત્રણના મોત સુરતના અનાવલમાં અર્ટિગા કારે ટક્કર મારતા એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા. બાઈક સવાર યુવક, તેની પત્ની અને સાસુનું મોત નીપજ્યું, જ્યારે 6 વર્ષના બાળકનો આબાદ બચાવ થયો છે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આજે ગુજરાત vs મુંબઈનો મુકાબલો અમદાવાદના નમો સ્ટેડિયમમાં આજે ગુજરાત vs મુંબઈનો મુકાબલો. નમો સ્ટેડિયમમાં મુંબઈ આજ સુધી એક પણ મેચ જીતી નથી.. રોહિત શર્મા મેચ રમશે કે નહીં તે હજુ સસ્પેન્સ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
શ્રી પારકર યુવક મંડળ અમદાવાદ દ્વારા 19 એપ્રિલ, 2026ના રોજ રવિવારે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ જોધપુર, સેટેલાઇટ સ્થિત જલારામ હોલ ખાતે યોજાયો હતો. આ રક્તદાન શિબિરમાં સમાજના ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રથમા બ્લડ સેન્ટર દ્વારા કુલ 151 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. રક્તદાનના આ ભગીરથ કાર્ય બદલ પ્રથમા બ્લડ સેન્ટર દ્વારા શ્રી પારકર યુવક મંડળના કાર્યકર્તાઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સિલ્વર ઓક યુનિવર્સિટીએ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે IEEE સ્ટુડન્ટ બ્રાન્ચના સમર્પિત 'વર્કસ્પેસ'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે IEEE પ્રવૃત્તિઓ માટે ફાળવવામાં આવેલું આ ભારતનું પ્રથમ અદ્યતન વર્કસ્પેસ છે. આ પ્રસંગે IEEE MGA ગવર્નન્સ કમિટીના સભ્ય અને ONGCના પૂર્વ ચીફ જનરલ મેનેજર ડૉ. દીપક માથુર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે આવા પ્લેટફોર્મ વિદ્યાર્થીઓને વૈશ્વિક ટેક્નિકલ કૌશલ્યો સાથે જોડવામાં અને ઉદ્યોગ જગતની માંગ મુજબ સજ્જ કરવામાં મદદરૂપ થશે. સિલ્વર ઓક યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ પૂનમ અગ્રવાલ અને વાઇસ પ્રેસિડેન્ટ જનક ખાંડવાલા પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. નવનિર્મિત વર્કસ્પેસ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર કેન્દ્રિત છે. તેમાં હાઈ-એન્ડ કમ્પ્યુટર સિસ્ટમ ધરાવતી વર્કશોપ સ્પેસ, સંશોધન અને વ્યૂહાત્મક ચર્ચાઓ માટે કોન્ફરન્સ એરિયા તેમજ રિક્રિએશનલ ઝોનનો સમાવેશ થાય છે. આ વર્કસ્પેસના માધ્યમથી વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતા સીમિત ન રહેતા ઇનોવેશન, રિસર્ચ, આઇડિએશન અને ટેક્નિકલ અપલિફ્ટમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. આ સુવિધા તેમની કલ્પનાશક્તિને વાસ્તવિકતામાં બદલવાનું સક્ષમ માધ્યમ બનશે. સિલ્વર ઓક યુનિવર્સિટી વૈશ્વિક સ્તરના શિક્ષણ અને આધુનિક એક્સપોઝરની પોતાની પરંપરાને સતત વેગ આપી રહી છે. IEEE જેવી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથેના તેના જોડાણને આ વર્કસ્પેસ એક નવો આયામ આપશે. અહીંથી પ્રશિક્ષિત યુવા પ્રતિભાઓ ભવિષ્યના ટેક્નોલોજી લીડર્સ અને નવોન્મેષી સંશોધકો તરીકે ઉભરી આવશે તેવી અપેક્ષા છે. આ અદ્યતન સુવિધાના ઉદ્ઘાટન પ્રસંગે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. સૌરિન શાહ, એડવાઈઝર ડૉ. એમ. એન. પટેલ અને રજિસ્ટ્રાર ડૉ. મિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. કોલેજ ઓફ ટેક્નોલોજીના ડીન અને IEEE ગુજરાત સેક્શનના પ્રોફેશનલ એક્ટિવિટી ચેર ડૉ. સાત્વિક ખારા, એચ.ઓ.આઈ. ડૉ. જૈમિન દવે, કોમ્પ્યુટર વિભાગના વડા પ્રો. મયુરેશ કુલકર્ણી અને ફેકલ્ટીગણમાંથી પ્રો. પરિમલ પટેલ, પ્રો. ગૌરવ તિવારી, ડૉ. મોનાલી સુથાર અને પ્રો. દિગંત પરમાર પણ હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીમાં GCAS મારફતે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા માટે મહત્વની મિટિંગ યોજવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટી ખાતે મળેલી મિટિંગમાં તમામ સરકારી યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ અને ફેકલ્ટીના અધિકારીઓ હાજર રહ્યા હતાં. ધોરણ 12ના પરિણામ પૂર્વે જ સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટી ખાતે મળેલી મિટિંગમાં આ વખતે 3 રાઉન્ડમાં જ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગત વખતે 30 રાઉન્ડ સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલી હતી. તેમજ જે વિદ્યાર્થીને પ્રવેશ મળે તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યાનું કન્ફર્મેશન પણ આપવું પડશે. GCAS પોર્ટલની અનેક ખામીઓથી વિદ્યાર્થીઓને પરેશાનીછેલ્લા 2 વર્ષથી રાજ્યની તમામ 15 સરકારી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓને GCAS મારફતે પ્રવેશ આપવામાં આવે છે. જો કે GCAS પોર્ટલની અનેક ખામીઓના કારણે છેલ્લા બે વર્ષથી અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા હતા. તેમજ GCAS પોર્ટલની ખામીઓના કારણે પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેવો પડ્યો હતો. ABVPએ GCAS પોર્ટલને બંધ કરવા માટેની માંગ કરી હતીજેથી તેનો ફાયદો ખાનગી યુનિવર્સિટીઓને થતો હતો. જેથી ABVP દ્વારા છેલ્લા ઘણા સમયથી GCAS પોર્ટલને બંધ કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે. નહિતર ખાનગી યુનિવર્સિટીઓને પણ GCASમાં સમાવવા માટેની સરકાર પાસે માંગ કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીમાં અધિકારીઓની મિટિંગ યોજાઈ GCASમાં રહેતી ક્ષતિઓ દૂર કરવા ઉચ્ચ શિક્ષણ વિભાગ જાગ્યું છે. જોકે GCAS પોર્ટલને બંધ કરવાની માંગ વચ્ચે સરકાર દ્વારા તેમાં સુધારા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે પણ GCAS પોર્ટલમાં છે તેને દૂર કરવા માટે ગુજરાત યુનિવર્સિટીમાં સરકારી યુનિવર્સિટીઓ વિવિધ ફેકલ્ટીના અધિકારીઓની મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગમાં ચર્ચા બાદ ફાઈનલ ડ્રાફ્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. જે બાદ છેલ્લા બે વર્ષથી પ્રવેશ કાર્યમાં થઈ રહેલા વિલંબને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવશે. મહત્વનું છે કે દર વર્ષે 30 - 30 રાઉન્ડ સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલતી હતી પરંતુ હવે તેને ત્રણ રાઉન્ડમાં જ પૂરી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ચર્ચા બાદ કોન્સ્યુલેટેડ ગુજરાત યુનિવર્સિટી રિપોર્ટ સબમિટ કરાયોગુજરાત યુનિવર્સિટીની પ્રવેશ સમિતિના કો ઓર્ડીનેટર એન.કે. જૈને જણાવ્યું હતું કે, પ્રવેશ પ્રક્રિયા 2026-27ના સંદર્ભમાં GCAS પોર્ટલ પર દરેક કોર્સની એલીજીબીલીટી અને મેરીટ રૂલ્સ સરખા થાય તે માટે મિટિંગ રાખવામાં આવી હતી. જેમાં 15 સરકારી યુનિવર્સિટીના સંદર્ભમાં એક મિટિંગ રાખવામાં આવી હતી. દરેક યુનિવર્સિટીના ફેકલ્ટી વાઈઝ અધિકારીઓ અને અધ્યાપકો હાજર રહ્યા હતા. જેથી આ ચર્ચા બાદ કોન્સ્યુલેટેડ ગુજરાત યુનિવર્સિટી રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે. જેનો રીવ્યુ થયા બાદ એવું નક્કી કરવામાં આવ્યું છે કે દરેક યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટીના પ્લેટફોર્મ પર આવીને રીવ્યુ મીટીંગ કરી હતી. જેમાં કોઈ સુધારા વધારા હોય કે કોઈ એડિશન હોય તો કે કોઈ વસ્તુ ઉમેરવાની થતી હોય તો કોન્સ્યુલેટેડ રિપોર્ટનો ફરી ફાઈનલ ડ્રાફ્ટ તૈયાર કરી શકાય. ત્રણ રાઉન્ડમાં જ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાનું આયોજનબે વર્ષ સુધી વિદ્યાર્થીઓને તકલીફ થઈ હોવાનો સ્વીકાર કરી એન.કે. જૈને જણાવ્યું હતું કે, જે સરકારને સબમિટ કરવામાં આવશે જેથી કોઈપણ વિદ્યાર્થી કોઈપણ યુનિવર્સિટીમાં પ્રવેશ લેવા માંગતો હોય તો તેને લાયકાત પ્રમાણે કોર્સ જોવા મળે અને મેરીટ પ્રમાણે ફાળવણી થઈ શકે તે માટે એકરૂપતા તૈયાર કરવા માટે મીટીંગ કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટી 2012થી પ્રવેશ પ્રક્રિયા કરી રહી છે. જેમાં સરળતાથી વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકતા હતા. પરંતુ તે બાદ સરકારે 15 સરકારી યુનિવર્સિટીઓને એક પ્લેટફોર્મ પર લાવવામાં આવી હતી. શરૂઆતના તબક્કામાં એકરૂપતા ન હોવાને કારણે બે વર્ષ સુધી વિદ્યાર્થીઓને તકલીફનો સામનો કરવો પડ્યો હતો. વધુમાં એન.કે. જૈને જણાવ્યું હતું કે, જેથી સરકારે સલાહ સૂચન પ્રમાણે GCAS પોર્ટલને ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા થતી હતી તેના સંદર્ભમાં પોર્ટલને મોડીફાઇ કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ જેટલા અગત્યના મુદ્દા નક્કી કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીને પ્રવેશ મળે પછી તે પ્રવેશ કન્ફર્મ કરે કે સિક્યોર ન કરે તે બાદ પણ તે બીજી વખત તે કોર્સમાં રીપીટ ના થાય તે માટે જ્યાં સુધી કન્ફર્મેશન ન આવે ત્યાં સુધી તે બીજા રાઉન્ડમાં શકશે નહીં. જેથી ખોટા ખોટા જે રીપીટેશન અને લાંબા લાંબા રાઉન્ડ થયા તે અટકાવી શકાશે. ત્રણ રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થાય તે બાદ કેટલી જગ્યા ખાલી રહેશે તેના આધારે આગળના તબક્કામાં પ્રવેશ રાઉન્ડ કરવામાં આવશે. પોર્ટલ માટે જે ડેવલપમેન્ટ કરવાનું હતું તે કરી દેવામાં આવ્યું છે. મેરીટ રૂલ્સ અને એલિજીબીલીટી રુલ્સ પોર્ટલમાં એન્ટર થઈ જાય તે બાદ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર અભિયાન તેજ બન્યું છે. આ સંદર્ભમાં, આમ આદમી પાર્ટી (AAP) ના સાંસદ માલવિન્દ્રસિંગ કાંગ ભરૂચની મુલાકાતે આવ્યા હતા, જેનાથી રાજકીય ગરમાવો વધુ વધ્યો છે. AAP ઉમેદવારોને સમર્થન આપવા અને પ્રચારને વેગ આપવા માટે આવેલા સાંસદ કાંગે પ્રચાર અભિયાન શરૂ કરતા પહેલા પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મજબૂત પ્રદર્શન કરશે અને જીત મેળવશે. તેમણે જિલ્લાના લોકોને અપીલ કરતા કહ્યું કે, એક વખત આમ આદમી પાર્ટીને તક આપો, અમે વિકાસ અને પારદર્શક શાસન આપીશું. તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP) પર નિશાન સાધતા જણાવ્યું કે, ભાજપને સત્તામાં આવતા દાયકાઓ લાગ્યા, જ્યારે AAPએ ટૂંકા ગાળામાં બે રાજ્યોમાં સરકાર બનાવી પોતાની ક્ષમતા સાબિત કરી છે. સાંસદ કાંગે વધુમાં આક્ષેપ કર્યો કે વર્તમાન સરકાર દ્વારા AAPના કાર્યકરો અને સમર્થકોને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોલીસ કાર્યવાહી દ્વારા તેમને ડરાવવામાં આવે છે. તેમ છતાં, અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળ પાર્ટી સતત આગળ વધી રહી છે અને જનસમર્થન મેળવી રહી છે. સાંસદ કાંગના આગમનથી ભરૂચમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં નવી ઉર્જાનો સંચાર થયો છે. આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર વધુ તેજ બનવાની શક્યતાઓ છે.
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે આવેલા શ્રી રામદેવપીર ધૂણા ખાતે વૈશાખ સુદ બીજની રાત્રે બાબા રામદેવપીરનો પાટ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પાટ દર્શન અને પૂજનનો લાભ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન ભજન ભક્તિભાવપૂર્વક રજૂ કરવામાં આવ્યા હતા. અલખ ધૂણાના મહેન્દ્રભાઈ વ્યાસે રૂપાદે માલદેની કહાણી વર્ણવી હતી. આ ઉપરાંત, તેમણે ગંગા અવતરણની કથા પણ રજૂ કરી હતી. પ્રમોદભાઈ વ્યાસે પણ ગંગા અવતરણ નિમિત્તે વક્તૃત્વ આપ્યું હતું. આ ભજન સત્સંગમાં કલાકારો મુકેશભાઈ મહેતા, ગંગેટના બારોટજી, મહેન્દ્રભાઈ વ્યાસ, નિરંજનભાઈ દવે, વિષ્ણુભાઈ યોગી અને બળવંતસિંહ દરબાર સહિત અન્યોએ ભજનોની રમઝટ બોલાવી હતી. બાળક બેન્જો વાદક ચિરાગ પટણી (ગોચનાદે) એ પણ પોતાની કલાથી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. અમેરિકામાં રહેતા ગામના ચમનભાઈ મફતલાલ પટેલે અખંડ દીવાનો લાભ લીધો હતો. આવતા અધિક માસમાં મુખ્ય યજમાન તરીકેનો લાભ કુણઘેરના વિપુલસિંહ કરસનજી રાઠોડે લેવાની જાહેરાત કરી હતી, જેને ઉપસ્થિત સૌએ તાળીઓથી વધાવી લીધી હતી. આજના પાટ પૂજન અને ભોજનના દાતા તરીકેનો લાભ ચંદ્રુમાણા ગામના સુંડાજી બાબુજી કલ્યાણજી ઠાકોર (ચાંદસા પરિવાર) એ લીધો હતો.
મોરબીના સનાળા રોડ પર આવેલી અરિહંત સોસાયટીના રહીશોએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષોના નેતાઓને મત માંગવા ન આવવા માટે સોસાયટીના પ્રવેશદ્વાર પર બોર્ડ લગાવ્યા છે. રોડ-રસ્તા, પાણી અને ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો લાંબા સમયથી ઉકેલાયા ન હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 9 માં આવેલી આ સોસાયટીમાં છેલ્લા સાતથી આઠ વર્ષથી રોડ, ગટર અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. આ સમસ્યાઓ અંગે અગાઉ પણ અનેક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ તેનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. અગાઉની ચૂંટણીઓ દરમિયાન પણ આ પ્રશ્નો ઉકેલવાની ખાતરીઓ આપવામાં આવી હતી. તે સમયે તાત્કાલિક ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું અને સામાન પણ મોકલવામાં આવ્યો હતો, પરંતુ તે માત્ર એક દેખાડો જ સાબિત થયો. આ ખાતમુહૂર્ત લોકોને મૂર્ખ બનાવવા માટે હતું કે કેમ, તે આજદિન સુધી સ્પષ્ટ થયું નથી. પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો ન ઉકેલાતા રોષે ભરાયેલા સોસાયટીના લોકોએ આખરે આ કડક પગલું ભર્યું છે. સોસાયટીના બંને પ્રવેશદ્વાર પર સ્પષ્ટપણે લખેલા બોર્ડ દ્વારા તેમણે પોતાની વેદના અને રાજકીય નેતાઓ પ્રત્યેનો અવિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ ઘટના મોરબીના અન્ય વિસ્તારોમાં ચાલી રહેલા ચૂંટણી પ્રચાર વચ્ચે લોકોની સમસ્યાઓ પ્રત્યેની ઉપેક્ષાને ઉજાગર કરે છે.
ગોધરા સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં શ્વાન કરડવાના 7 થી 8 કેસ નોંધાયા છે, જે શહેરમાં રખડતા શ્વાનોના વધતા ત્રાસને દર્શાવે છે. આ ઘટનાઓ શહેરના વિવિધ વિસ્તારોમાંથી, ખાસ કરીને સિગ્નલ ફળિયા અને તેની આસપાસના વિસ્તારોમાંથી સામે આવી છે. ગોધરા સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસરે નાગરિકોને સાવચેત રહેવા અને તાત્કાલિક સારવાર લેવા અપીલ કરી છે. હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં નોંધાયેલા આ કેસોમાં મોટાભાગના ભોગ બનનાર દર્દીઓ ગોધરાના સિગ્નલ ફળિયા વિસ્તારના રહેવાસીઓ છે. હોસ્પિટલ તંત્ર દ્વારા તમામ દર્દીઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર અને એન્ટી-રેબીઝ રસીકરણ (ARV) સહિતની જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. આ અંગે વધુ માહિતી આપતા ગોધરા સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. યશરાજ ઠાકોરે જણાવ્યું હતું કે, આજે ઇમરજન્સી વિભાગમાં શ્વાન કરડવાના 7 થી 8 કેસ નોંધાયા છે, જેમાં સિગ્નલ ફળિયા વિસ્તારના કેસ વધુ છે. તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે, જો કોઈને પણ શ્વાન કરડે અથવા શ્વાનનો હુમલો થાય, તો તાત્કાલિક હોસ્પિટલ આવી એન્ટી-રેબીઝ વેક્સિન (ARV) ઇન્જેક્શન અને જરૂરી સારવાર લેવી અનિવાર્ય છે. ડો. ઠાકોરે ચેતવણી આપી હતી કે, જો સમયસર સારવાર ન લેવામાં આવે તો 'હડકવા' (Rabies) જેવી જીવલેણ બીમારી થઈ શકે છે, જેનો કોઈ ઈલાજ નથી. તેમણે લોકોને આ બાબતે ગંભીરતા દાખવવા અને સાવચેતી રાખવા જણાવ્યું હતું.
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે દરજી પરિવારોના કુળદેવી શ્રી બ્રહ્માણી માતાનો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. આ પ્રસંગે ગામ અને બહારગામથી આવેલા દરજી પરિવારોએ માતાજીના દર્શન, યજ્ઞ અને પ્રસાદનો લાભ લીધો હતો. દરજી પરિવારો દ્વારા દર વર્ષે બ્રહ્માણી માતાનો પાટોત્સવ ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ માતાજીનો યજ્ઞ કરવામાં આવ્યો હતો, જેમાં જગદીશભાઈ ઉમેદભાઈ દરજીએ મુખ્ય યજમાન તરીકે યજ્ઞનો લાભ લીધો હતો. શાસ્ત્રી ભરતભાઈ દવે, અજીતભાઈ દવે અને મહેશભાઈ શાસ્ત્રી સહિતના વિદ્વાનોએ શાસ્ત્રોક્ત વેદોક્ત મંત્રોચ્ચાર સાથે યજ્ઞ વિધિ સંપન્ન કરાવી હતી. આ ધાર્મિક પ્રસંગે કાંતિભાઈ દરજી, જેન્તીભાઈ દરજી, હરગોવનભાઈ, નવીનભાઈ, રમેશભાઈ, બકાભાઇ અને પ્રવીણભાઈ દરજી સહિત મોટી સંખ્યામાં પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. પાટોત્સવના આ પવિત્ર અવસરે કૌશિકભાઈ ધુડાભાઈ દરજી તરફથી ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
કુમકુમ મંદિરમાં ભગવાનને ચંદનના વાઘા ધરાવાયા:5 કિલો ચંદન 7 દિવસ ઘસીને તૈયાર કરાયા
અમદાવાદના મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે ૧૯ એપ્રિલ, રવિવારના રોજ ભગવાન શ્રી સ્વામિનારાયણને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવ્યા હતા. વૈશાખ માસની કાળઝાળ ગરમીમાં ભગવાનને શીતળતા મળે તે હેતુથી આ શણગાર કરવામાં આવ્યા હતા. આ શણગાર માટે પાંચ કિલો ચંદનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. છેલ્લા સાત દિવસથી કિશોરો અને યુવાનો દ્વારા પથ્થર પર ચંદન ઘસીને આ વાઘા તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, ભગવાનને ચંદનના શણગાર ધરાવ્યા બાદ તેમાંથી ગોટીઓ બનાવવામાં આવે છે. આ ગોટીઓનો ઉપયોગ શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંતો અને હરિભક્તો કપાળમાં તિલક કરવા માટે કરે છે. વૈશાખ માસમાં સખત ગરમી પડતી હોય છે, ત્યારે ભક્તો ભગવાનને પ્રસન્ન કરવા માટે વિવિધ સેવાઓ કરે છે. આધુનિક સમયમાં લોકો ગરમીથી બચવા પંખા, એરકુલર કે એરકન્ડીશનરનો ઉપયોગ કરે છે અને મંદિરોમાં પણ ભગવાનને ઠંડક આપવા માટે એ.સી. અને પાણીના ફુવારા ગોઠવવામાં આવે છે. જોકે, જ્યારે આ સાધનો ઉપલબ્ધ ન હતા, ત્યારે ભક્તો હાથથી પંખો નાખીને અને ચંદનના લાકડાને પથ્થર પર ઘસીને તેનો લેપ તૈયાર કરી ભગવાનના શણગાર કરતા હતા, જેને ચંદનના શણગાર કહેવાય છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વયં વચનામૃત ગ્રંથના છેલ્લા પ્રકરણના ૨૩મા વચનામૃતમાં ઋતુ અનુસાર ભગવાનની સેવા કરવાનો આદેશ આપ્યો છે. આ પરંપરાને અનુસરીને કુમકુમ મંદિરમાં છેલ્લા ૪૦ વર્ષથી ચંદન વાઘાના શણગાર કરવામાં આવે છે. આ ઉપરાંત, અખાત્રીજના દિવસનું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે જગન્નાથપુરી અને અમદાવાદમાં યોજાતી રથયાત્રાના રથોના નિર્માણ કાર્યનો પ્રારંભ થાય છે. ભગવાન પરશુરામનું પ્રાગટ્ય પણ આ જ દિવસે થયું હતું અને સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં ચંદનના વાઘા ધરાવવાનો પ્રારંભ પણ આ જ દિવસથી થાય છે.
સુરતમાં શ્રી ઉમરા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા 423 વર્ષિતપ પારણા પંચાહિકા જિનભક્તિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવ માતૃ પારૂબેન મયાચંદજી વર્ધાજી આરાધના ભવન ખાતે યોજાયો હતો. આ મહોત્સવ આચાર્ય કુલચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં યોજાયો હતો. તેમની સાથે આચાર્ય પૂર્ણચંદ્રસાગરસૂરીશ્વરજી મ.સા. અને પ્રવચનકાર આચાર્ય રશ્મિરાજસૂરીશ્વરજી મ.સા. સહિતના વિદ્વાન સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવનો પ્રારંભ વિક્રમ સંવત 2082ના ચૈત્ર વદ-14, ગુરુવાર, તા. 16 એપ્રિલ 2026ના રોજ થયો હતો. પારણાનો મુખ્ય કાર્યક્રમ સુરતના સરસાણા ડોમ, ખજોદ ચોકડી સ્થિત કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયો હતો. વિક્રમ સંવત 2082ના વૈશાખ સુદ-3, સોમવાર, તા. 20 એપ્રિલ 2026ના રોજ રજવાડી પારણોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા.
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકા પંચાયતની 6-ચિતરીયા બેઠકની સામાન્ય ચૂંટણી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. આ નિર્ણય ભાજપના ઉમેદવાર લીનાબેન લક્ષ્મણસિંહ નિનામાના અવસાનને કારણે લેવામાં આવ્યો છે. આ બેઠક (અનુસૂચિત આદિજાતિ સ્ત્રી) માટે 26 એપ્રિલ, 2026 ના રોજ મતદાન યોજાવાનું હતું. ઉમેદવાર લીનાબેન નિનામાનું 17 એપ્રિલ, 2026 ના રોજ બીમારીના કારણે નિધન થયું હતું. ગુજરાત પંચાયત ચૂંટણી નિયમો 1994 ના નિયમ 23 મુજબ, વિજયનગરના ચૂંટણી અધિકારી અને મામલતદાર દ્વારા આ બેઠકનું મતદાન મોકૂફ રાખવાનો સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે. હવે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નવો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યા બાદ જ આ બેઠક માટેની આગામી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
મોરબીના રવાપર ગામ પાસે આવેલી લોટસ સોસાયટીના એક એપાર્ટમેન્ટમાં બપોરના સમયે મીટર બોક્સ પાસે આગ લાગી હતી. આ ઘટનામાં ધડાકા થતાં સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. રવાપર ગામથી ઘૂનડા ગામ તરફ જવાના રસ્તા પર આવેલા લોટસ સોસાયટીના A-3 એપાર્ટમેન્ટમાં આ આગ લાગી હતી. મીટર બોક્સ પાસે અચાનક આગ લાગ્યા બાદ ધડાકા થવા માંડ્યા હતા. આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી. ઘટનાની જાણ થતાં જ મહાનગરપાલિકાનો ફાયર વિભાગ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવીને આગને સફળતાપૂર્વક કાબૂમાં લીધી હતી. આગને કારણે એપાર્ટમેન્ટનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. બાદમાં વીજ કંપનીના સ્ટાફે સ્થળ પર આવીને વીજ પુરવઠો ફરીથી કાર્યરત કર્યો હતો.
• ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત આ કેસની તપાસમાં સાયબર ફ્રોડનો આંક 2500 કરોડને પાર રાજકોટ ગ્રામ્ય પોલીસને સાયબર ફ્રોડમાં ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત મોટી સફળતા મળી છે જેમાં દેશવ્યાપી 1500 કરોડનું સાયબર ફ્રોડ 2500 કરોડથી વધુ પહોંચી ગયું છે અને આ કેસમાં વધુ 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અત્યાર સુધી આ કેસમાં પોલીસે કુલ 17 આરોપીઓને ઝડપી પાડ્યા બાદ આજે વધુ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે રાજકોટ અને જામનગર જિલ્લાના વતની હોવાનું સામે આવ્યું છે. યસ બેન્કના પર્સનલ બેન્કર મૌલિક કમાણી, એક્સિસ બેન્કના મેનેજર કલ્પેશ ડાંગરીયા અને યસ બેન્કના પૂર્વ પર્સનલ બેન્કર અને હાલ HDFC બેન્કમાં ફરજ બજાવતા અનુરાગ બાલધાની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓ દ્વારા પોતે બેંકમાં કામ કરતા હોવાથી બેન્ક મેનેજર સાથ મળી કમિશન અને રૂપિયા કમાવવાની લાલચમાં સાયબર ફ્રોડ કરતા આરોપીઓ સાથે મળી બેન્કિંગ પ્રોસેસ તેમજ રોકડ રકમની લેવડ દેવડ સહિતના કામોમાં મદદરૂપ બની દેશવ્યાપી કૌભાંડમાં સહયોગી બનતા પોલીસે તેની ધરપકડ કરી બેન્કમાંથી તેમનો ઓરીજીનલ ડેટા મેળવી બાદમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે મહિના કરતા વધુ સમયથી ચાલતી આ તપાસમાં અત્યાર સુધી આ કેસમાં કુલ 2500 કરોડથી વધુનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરએ જણાવ્યું હતું કે, ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત રાજકોટ જિલ્લા પોલીસ ટિમ દ્વારા ચાલી રહેલી તપાસમાં આજે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં બે બેન્કના પર્સનલ બેન્કર અને એક બેન્ક મેનેજરનો સમાવેશ થાય છે. પકડાયેલ આરોપીઓમ મૌલિક રામજીભાઉ કમાણી જે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પાતા મેઘપર ગામનો રહેવાસી છે જેને પોતે BBAનો અભ્યાસ કર્યા બાદ યસ બેન્કમાં પર્સનલ બેન્કર તરીકે નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. આરોપી મૌલિક કમાણી આ કેસમાં અગાઉ પકડાયેલ આરોપી મનિષ કમાણી, જય નાદપરા, રૂષિત રૈયાણી તથા લાલાભાઇ ઝાલાવડીયા સાથે સતત સંપર્કમાં રહી આરોપીઓ સાથે મળી લોકોની જાણ બહાર તેમના નામની પેઢીઓના પ્રોપરાઇટર તરીકેના બેન્ક એકાઉન્ટ યસ બેંકમાં ખોલાવવામાં મદદ કરી હતી. એટલું જ નહિ હાઇ વેલ્યૂ ટ્રાનજેક્શન કરવામાં પણ મદદ કરી જ્યારે લેવડ દેવડ અંગે બેન્કિંગ સિસ્ટમમાં કોઈ પણ એલર્ટ આવે ત્યારે તાત્કાલિક બૅન્ક મેનેજર આરોપી કલ્પેશ ડાંગરિયા કોઈ પણ પ્રકારની ખરાઈ કર્યા વગર બેન્કના ઉપરી અધિકારીઓને પોતાની ઓથોરિટીનો દૂરૂપયોગ કરી એલર્ટ હટાવવાની કામગીરી પોતાના અંગત લાભ તથા કમિશનના હેતુથી કરતો હતો. અને રોકડ રકમની લેવડ દેવડ કરવામાં પણ મદદરૂપ થતો હતો. આ ઉપરાંત બીજા આરોપી તરીકે કલ્પેશ ડાંગરીયાની ધરપકડ કરવામાં આવી છે જે પોતે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના શીતળા ગામનો રહેવાસી છે અને પોતે અગાઉ જામકંડોરણા, મોવિયા અને પડધરીમાં યસ બેંકના મેનેજર તરીકે કામ કરતો હાલ એક્સિસ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવી રહ્યો છે. આરોપી કલ્પેશની મુલાકાત યાજ્ઞિક ઉર્ફે લાલા ઝાલાવાડીયા સાથે થઇ હતી જેને હજુ પકડવાનો બાકી છે. ફરાર આરોપી યાજ્ઞિક ઉર્ફે લાલાએ કલ્પેશની મુલાકાત ઋષિત રૈયાણી સાથે કરાવી હતી. કલ્પેશ ડાંગરીયાએ જ અગાઉ પકડાયેલા આરોપીઓને APMCનો લેટર લઇ આવી સબમિટ કરાવશો તો રોકડ લેવડ દેવડ અને ટ્રાન્ઝેક્શનમાં કોઈ મુશ્કેલી નહિ આવે તેવી સલાહ આપી હતી. યસ બેન્કમાં દરેક બ્રાન્ચ હોમ બ્રાન્ચ ગણવામા આવતી હોવાથી આરોપી કલ્પેશ પોતાની બ્રાન્ચમાં પૈસા ન હોય ત બીજી બેંકમાં સંપર્ક કરાવી રોકડ રકમ ઉપાડવામાં પણ સાયબર માફિયાઓને મદદ કરતો હતો. જયારે ત્રીજા એક આરોપી અનુરાગ બાલધાની ધરપકડ કરવામાં આવી છે જે પોતે જામકંડોરણાના સ્થાનિક રહેવાસી છે. અનુરાગ હાલ HDFC બેન્કમાં કામ કરે છે જે અગાઉ યસ બેંકમાં પર્સનલ બેન્કર તરીકે કામ કરતો હતો. અનુરાગ બાલધાએ હોન્ડલમાં બેસી નરેન્દ્ર નામના વ્યક્તિના નામથી રકાઉન્ટ ખોલ્યું હતું જે એકાઉન્ટ ઋષિત રૈયાણી નામનો આરોપી છે તેમના દ્વારા ખોલવામાં આવ્યું હતું. એકાઉન્ટ ઓપનિંગ ફોર્મ ચેકબુક સહીત તમામ વેરિફિકેશનમાં નરેન્દ્રના બદલે ઋષિત રૈયાણીએ જ સહી કરી હતી. ઋષિત રૈયાણી નરેન્દ્ર ન હોવા છતાં તમામ ફોર્મ સાચા હોવા તરીકે ની સહી આરોપી અનુરાગ બાલધા એ કરી હતી. હાલ આ તમામ ત્રણ આરોપીની ધરપકડ કરી બેન્ક પાસેથી ઓરીજીનલ ડોક્યુમેન્ટ અને ફોર્મ પણ માંગવામાં આવી રહ્યા છે જેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. જેથી વધુ કેટલા ખોટ ડોક્યુમેન્ટ અને ખોટા એકાઉન્ટ ઓપન કરવામાં આવ્યા છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપીઓ દ્વારા મોટા ભાગે ગોંડલ અને રાજકોટ APMCના લેટર નો ઉપયોગ બેન્ક એકાઉન્ટમાં કર્યો હોવાનુ અને અત્યાર સુધી કુલ આ ગુન્હામાં કૂલ 85 બેન્ક એકાઉન્ટમાં 1930 એન.સી.સી.આર.પી. અરજીઓની સંખ્યા 535 જેટલી છે. જેમાં કૂલ રીપોર્ટેડ સાયબર ફ્રોડની રકમ 74 કરોડ કરતા વધુ છે. તથા આ તમામ બેન્ક એકાઉન્ટમાં થયેલ ટોટલ ટ્રાન્જેકશનની રકમ 2500 કરોડ કરતા પણ વધુ હોવાનું તપાસમાં સામે આવતા સરકારમાં રિપોર્ટ કરી આ કેસમાં સીએની મદદ મેળવી તપાસ કરવામાં આવી રહી છે જેથી આગામી દિવસોમાં સાયબર ફ્રોડ અને આરોપીઓનો આંકડો વધે તેવી પુરેપુરી શક્યતા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે મેં પોલીસ તપાસમાં આ કેસમાં આરોપીઓના એકાઉન્ટમાં માત્ર સાયબર ફ્રોડ જ નહિ પરંતુ ગેમિંગ તેમજ GSTમાં રૂપિયાની પણ આપલે થતી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. આરોપીઓ મોટા ભાગે યસ બેન્ક, એક્સિસ બેન્ક અને ICICI બેંકમાં જ એકાઉન્ટ ખોલાવતાં હોવાનું અને માર્કેટિંગ યાર્ડની પેઢીનો ઉપયોગ કરતા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કારણ કે એગ્રિકલચર પેઢીને ટેક્સમાંથી મળતી રાહતના કારણે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શનની માહિતી સરકારી વિભાગ સુધી પહોંચી ન શકે અને તેઓ આશાનીથી રોકડ રકમ તેમજ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરી સાયબર ફ્રોડની રકમનો ઉપાડ કરી આગળ મોકલી શકે.
ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે આજે પ્રતિષ્ઠિત લીલાવતી હોસ્પિટલની નવી શાખાનો પ્રારંભ થયો છે, જે ગુજરાતના આરોગ્ય ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ મીલનો પથ્થર સાબિત થવાની અપેક્ષા છે. અત્યાધુનિક સુવિધાઓ અને અનુભવી ડોક્ટરોની ટીમ સાથે શરૂ થયેલી આ હોસ્પિટલમાં દર્દીઓને ઉચ્ચ ગુણવત્તાવાળી તેમજ પરવડે તેવી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ખાસ કરીને હૃદયરોગ (કાર્ડિયોલોજી), કેન્સર (ઓન્કોલોજી) અને ન્યુરોલોજી જેવી જટિલ બીમારીઓ માટે વિશેષ વિભાગો ઉભા કરવામાં આવ્યા છે, જેથી ગંભીર દર્દીઓને પણ સ્થળ પર જ શ્રેષ્ઠ સારવાર મળી શકે. ગુજરાત અને રાજસ્થાનના દર્દીઓને મુંબઈ લાંબુ નહી થવું પડેહોસ્પિટલના ટ્રસ્ટી પ્રશાંત મહેતાએ જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટીમાં શરૂ થયેલી આ હોસ્પિટલ ગુજરાત માટે આરોગ્ય ક્ષેત્રે નવી દિશા આપશે. મુંબઈની લીલાવતી હોસ્પિટલ જેવી જ અદ્યતન ટેકનોલોજી અને સુવિધાઓ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી ગુજરાત અને રાજસ્થાનના દર્દીઓને હવે મુંબઈ સુધી લાંબી મુસાફરી કરવાની જરૂર નહીં પડે. શરૂઆતના તબક્કામાં હોસ્પિટલમાં 120 બેડની સુવિધા ઉપલબ્ધ રહેશે, જેમાં 60 ફૂલ-ટાઈમ ડોક્ટર્સ અને 60 રેસિડેન્ટ ડોક્ટર્સની ટીમ સતત સેવા આપશે. ખાસ વાત એ છે કે પ્રારંભિક 30 દિવસ સુધી દર્દીઓ માટે ફ્રી OPD સુવિધા પણ ઉપલબ્ધ રાખવામાં આવી છે, જેનાથી સામાન્ય લોકોને મોટો લાભ મળશે. વિશ્વસ્તરીય આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો આ પ્રયાસ મહત્વપૂર્ણ આ ઉપરાંત હોસ્પિટલ દ્વારા ગિફ્ટ સિટી નજીક એર એમ્બ્યુલન્સ માટે પણ જગ્યા માગવામાં આવી છે. આ સુવિધા ખાસ કરીને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ જેવા ઇમર્જન્સી કેસમાં અત્યંત ઉપયોગી સાબિત થશે, જેથી સુરત અથવા વડોદરા જેવા શહેરોમાંથી અડધા કલાકમાં અંગો હોસ્પિટલ સુધી પહોંચાડી શકાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના વિઝન મુજબ ગિફ્ટ સિટી અને આસપાસના 20-25 કિ.મી. વિસ્તારમાં વસતા લોકોને વિશ્વસ્તરીય આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો આ પ્રયાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
માલપુર તાલુકામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા મામલતદાર જાગૃતિબેન મકવાણાને આવેદનપત્ર સુપરત કરાયું હતું. આ આવેદનપત્ર ધંધુકા ખાતે હિન્દુ યુવાન ધર્મેશ ભરવાડની હત્યાના વિરોધમાં આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય બજરંગ દળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરોએ ધર્મેશ ભરવાડના હત્યારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમણે આરોપીઓને તાત્કાલિક ફાંસીની સજા આપવાની પણ રજૂઆત કરી હતી. કાર્યકરોએ દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક પગલાં ભરવા અને દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. આવેદનપત્ર સુપરત કરતી વખતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના મનીષભાઈ કોઠારી, પંડ્યા અમરીશભાઈ, સંતોષભાઈ વ્યાસ, લાલજીભાઈ ભગત, સોની રમેશભાઈ, સોની કેતનભાઈ, ભરવાડ હીરાભાઈ, સંજયભાઈ ભરવાડ, પ્રવીણભાઈ, વિક્રમભાઈ અને ચૌહાણ ભરતભાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 700થી વધુ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, ત્યારે વડોદરા જિલ્લાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારનું નિવેદન સામે આવ્યું છે. જાહેર સભામાં તેઓએ કહ્યું હતું કે, ધારત તો 24 બેઠકોમાંથી કેટલીય બેઠકો બિનહરીફ કરાવી શકત, પણ આપણે ચૂંટણી ચાલુ રાખવી છે. કોંગ્રેસવાળા ફોર્મ ભરી ગયા છે. હું ધારત તો 24 બેઠકોમાંથી કેટલીય બેઠકો બિનહરીફ કરાવી શકત, પણ તમને લોકોને મજા ન આવે એટલે ન કરાવી.ચૂંટણી ચાલુ રહે તો જ ઉમેદવારો મતદારો પાસે જાય, મતદારોનું ઋણ તેમને ખબર પણ પડે, અમને મત આપ્યા છે, અમને જીતાડ્યા છે. ‘કયા વોર્ડમાં કોણ શું કરે છે તે મને ખબર છે’તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમને જીતાડ્યા તો અમારે પાંચ વર્ષ લોકોના કામ કરવા પડે. બાકી 24 માટે કેટલાય સામેથી આવીને કહેતા હતા કે, ગોઠવી આપો. બરોડા ભાગોળ મને સપોર્ટ આપે 24 બેઠકોમાંથી 24 પાક્કી. કયા વોર્ડમાં કોણ શું કરે છે તે મને ખબર છે. કોની જોડે બેસે છે તે પણ મને ખબર છે. ચા પીતા-પીતા શું વાતો કરે છે એ બધું જ મારા ધ્યાન પર છે. તેઓએ ઉમેર્યું હતું કે, પરિણામ આવી જાય અને પછી નેતા બની જઇએ, તો લોચો પડે. મજૂર તો હું પોતે જ છું. ચૂંટણી જીતવાના છે. એ વિશ્વાસ છે, પણ જો આમાંથી એક પણ ઉમેદવાર ફેલ ગયો, તો હું પોતે ફરીથી આ જ રીતે જાહેર સભા કરીશ અને જનતાને કહીશ કે - 'જુઓ, આ ઉમેદવારને આપણે જીતાડીને લાવ્યા હતા, પણ હવે તે નવરો જ નથી અને હું જાહેરમાં જ એનું રાજીનામું લેવડાવી દઈશ. હું કોઈ મજાક નથી કરી રહ્યો. તમારે જનતાને સમય આપવો જ પડશે. 'બેન્ડ' તો પણ વગાડું છું.
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીએ મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે મુખ્ય જિલ્લા તબીબી અધિકારી અને સિવિલ સર્જન ચૈતન્ય પરમાર સાથે હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્યલક્ષી સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. કલેક્ટરે હોસ્પિટલના વિવિધ વિભાગોની જાત તપાસ કરી દર્દીઓને અપાતી સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સેમ્પલ કલેક્શન રૂમ, ઓપરેશન થિયેટર, નવજાત શિશુ સારવાર કેન્દ્ર (SNCU), મિડવાઈફરી લીડ કેર યુનિટ, સર્જિકલ વોર્ડ, મેલ વોર્ડ અને આઈ (Eye) OPDની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, કલેક્ટરે હોસ્પિટલના રજીસ્ટરની સઘન ચકાસણી કરી હતી. તેમણે વોર્ડમાં દાખલ દર્દીઓ સાથે સંવાદ સાધી તેમને મળતી સારવાર અંગેનો પ્રતિભાવ મેળવ્યો હતો. હોસ્પિટલ સ્ટાફની કામગીરી, ઇન્ડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ (IPD) અને બેડ ઓક્યુપન્સી રેટ જેવી બાબતોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આરોગ્ય સેવાઓ ઉપરાંત, કલેક્ટરે વિવિધ રાષ્ટ્રીય કાર્યક્રમો અને યોજનાઓના અમલીકરણ અંગે ચર્ચા કરી હતી. જેમાં પોસ્ટમોર્ટમ, મેડિકો-લીગલ કેસ, બાળકોને અપાતી રસીઓ, DEIC, એન્ટી-રેબીસ ક્લિનિક, ન્યુટ્રીશન રિહેબિલિટેશન સેન્ટર (NRC), ART ક્લિનિક અને HIV ટ્રેન્ડ, NVHCP, NOHP અને MTP ક્લિનિક જેવી સેવાઓનું મૂલ્યાંકન કરાયું હતું. સાથે જ, વાહન અકસ્માત સહાય યોજના, સાધન સહાય યોજના, CM સેતુ યોજના અને RPWD એક્ટ-2016ના અમલીકરણ, મેડિકલ બિલ અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટના અમલીકરણની પણ સમીક્ષા કરાઈ હતી. તેમણે હોસ્પિટલની તાજેતરની સિદ્ધિઓ અને સુધારાઓ વિશે પણ જાણકારી મેળવી હતી. મુલાકાતના અંતે, કલેક્ટરે હોસ્પિટલના માળખાગત વિકાસ પર ભાર મુકતા પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા અને પાવર બેકઅપ માટે જનરેટર જેવી પાયાની જરૂરિયાતો અંગે તંત્રને જરૂરી સૂચનો આપ્યા હતા. તેમણે હોસ્પિટલ પ્રશાસનને તાકીદ કરી હતી કે છેવાડાના માનવીને ગુણવત્તાયુક્ત આરોગ્ય સુવિધાઓ મળવી જોઈએ અને સારવાર અર્થે આવતા કોઈપણ દર્દીને અગવડતા ન પડે તેની ખાસ તકેદારી રાખવી.
ગુજરાત રાજ્યમાં હિન્દુ સંગઠનના વ્યક્તિઓ પર હુમલા અને હત્યાના બનાવો વધી રહ્યા છે. આ સંદર્ભે, ધંધુકા શહેરમાં ધર્મેશ માલધારી નામના હિન્દુ યુવકની હત્યાના વિરોધમાં બોટાદમાં આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ, બોટાદ દ્વારા 20 એપ્રિલ, 2026ના રોજ સાધુ-સંતો સાથે બોટાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં ધર્મેશ માલધારીની હત્યાના આરોપીઓને કડકમાં કડક સજા, જેમાં ફાંસીની સજાનો પણ સમાવેશ થાય છે, તેની માંગ કરવામાં આવી હતી. સંગઠનોએ આવા બનાવો હિન્દુ સમુદાય પર બંધ થાય તેવી અપીલ કરી હતી. વધુમાં, રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવીને આરોપીઓને તાત્કાલિક ફાંસીની સજા અપાવવા અને પીડિત પરિવારને યોગ્ય મદદ કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીએ મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે મુખ્ય જિલ્લા તબીબી અધિકારી અને સિવિલ સર્જન ડો. ચૈતન્ય પરમાર સાથે હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્યલક્ષી સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. કલેક્ટરશ્રીએ હોસ્પિટલના વિવિધ વિભાગોની જાત તપાસ કરી દર્દીઓને અપાતી સેવાઓનું સીધું નિરીક્ષણ કર્યું. તેમણે સેમ્પલ કલેક્શન રૂમ, ઓપરેશન થિયેટર, નવજાત શિશુ સારવાર કેન્દ્ર (SNCU), મિડવાઈફરી લીડ કેર યુનિટ, સર્જિકલ વોર્ડ, મેલ વોર્ડ અને આઈ (Eye) OPDની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, તેમણે હોસ્પિટલના રજીસ્ટરની સઘન ચકાસણી કરી. વોર્ડમાં દાખલ દર્દીઓ સાથે આત્મીય સંવાદ સાધી, તેમને મળતી સારવાર અંગેનો પ્રતિભાવ મેળવ્યો હતો. હોસ્પિટલ સ્ટાફની કામગીરી, ઇન્ડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ (IPD) અને બેડ ઓક્યુપન્સી રેટ જેવી બાબતોની પણ તેમણે સમીક્ષા કરી. કલેક્ટરશ્રીએ આરોગ્ય સેવાઓ ઉપરાંત વિવિધ રાષ્ટ્રીય કાર્યક્રમો અને યોજનાઓના અમલીકરણ અંગે ચર્ચા કરી. જેમાં પોસ્ટમોર્ટમ, મેડિકો-લીગલ કેસ, બાળકોને અપાતી રસીઓ, DEIC, એન્ટી-રેબીસ ક્લિનિક, ન્યુટ્રીશન રિહેબિલિટેશન સેન્ટર (NRC), ART ક્લિનિક અને HIV ટ્રેન્ડ, NVHCP, NOHP અને MTP ક્લિનિક જેવી સેવાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. તેમણે વાહન અકસ્માત સહાય યોજના, સાધન સહાય યોજના, CM સેતુ યોજના અને RPWD એક્ટ-2016ના અમલીકરણ, મેડિકલ બિલ અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટના અમલીકરણની પણ સમીક્ષા કરી. હોસ્પિટલની તાજેતરની સિદ્ધિઓ અને સુધારાઓ વિશે પણ તેમણે જાણકારી મેળવી. મુલાકાતના અંતે, કલેક્ટરશ્રીએ હોસ્પિટલના માળખાગત વિકાસ પર ભાર મુક્યો. તેમણે પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા અને પાવર બેકઅપ માટે જનરેટર જેવી પાયાની જરૂરિયાતો અંગે તંત્રને જરૂરી સૂચનો આપ્યા. વધુમાં, તેમણે હોસ્પિટલ પ્રશાસનને તાકીદ કરી કે, છેવાડાના માનવીને ગુણવત્તાયુક્ત આરોગ્ય સુવિધાઓ મળવી જોઈએ અને સારવાર અર્થે આવતા કોઈપણ દર્દીને અગવડતા ન પડે તેની ખાસ તકેદારી રાખવી.
જૂનાગઢ જિલ્લાના રત્નકલાકારો છેલ્લા લાંબા સમયથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી રત્નદીપ સહાય યોજનામાં વહીવટી અવરોધો આવતા આજે રત્નકલાકારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં એકત્રિત થયેલા રત્નકલાકારોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને પોતાની પડતર માંગણીઓ અને સહાયના પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું. આ અહેવાલમાં રત્નકલાકારોએ સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે યોજનાના અમલીકરણમાં ટેકનિકલ ખામીઓને આગળ ધરીને શ્રમિકોને તેમના હકથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. જૂનાગઢ રત્નકલાકાર યુનિયનના લીડર કેતન હીરપરાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે અમે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રત્નકલાકારોની વેદના રજૂ કરી છે. રત્નદીપ સહાય યોજના અંતર્ગત કુલ 2892 જેટલા રત્નકલાકારોએ ઓનલાઈન ફોર્મ ભર્યા હતા, પરંતુ આશ્ચર્યજનક રીતે તેમાંથી માત્ર 676 કલાકારોને જ આર્થિક સહાય પ્રાપ્ત થઈ છે. બાકીના મોટી સંખ્યામાં કલાકારો સહાયથી વંચિત રહી ગયા છે. કેતન હીરપરાએ વધુમાં ઉમેર્યું હતું કે જ્યારે આ બાબતે જિલ્લા ઉદ્યોગ અધિકારીની કચેરીએ તપાસ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે ઘણી અરજીઓમાં માત્ર તારીખને બદલે મહિનો અને વર્ષ લખેલું હોવા જેવી સામાન્ય ટેકનિકલ ક્ષતિઓને કારણે અરજીઓ સીધી જ નામંજૂર કરી દેવામાં આવી છે. તેમણે સરકારને વિનંતી કરી છે કે રત્નકલાકાર વર્ગ અભણ અને અજ્ઞાત હોવાથી આવી નાની ભૂલો થઈ શકે છે, પરંતુ તેના આધારે તેમને સહાયથી વંચિત ન રાખવા જોઈએ અને અરજીમાં સુધારો કરવાની તક આપવી જોઈએ. બીજી તરફ, અન્ય એક અગ્રણી રત્નકલાકાર જિતેન્દ્ર ઠાકરે પણ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે રત્નદીપ સહાય યોજનાના લાભાર્થીઓમાં માત્ર 20 ટકા કલાકારોનો જ સમાવેશ થયો છે, જ્યારે 80 ટકા જેટલો મોટો વર્ગ હજુ પણ આ સહાયની રાહ જોઈ રહ્યો છે. તેમણે કલેક્ટરને તાત્કાલિક ધોરણે આ સહાય મંજૂર કરવા વિનંતી કરી છે. જિતેન્દ્ર ઠાકરે સરખામણી કરતા જણાવ્યું કે સરકારના વિવિધ વિભાગોમાં અધિકારીઓ માટે આઠમો પગાર પણ લાગુ થઈ ચૂક્યો છે અને તેમને મોંઘવારી ભથ્થા જેવી અનેક સુવિધાઓ મળે છે, પરંતુ તેની સામે રત્નકલાકારોની હાલત અત્યંત દયનીય છે. છેલ્લા 20 વર્ષમાં રત્નકલાકારોના મહેનતાણાના દરમાં કોઈ મોટો વધારો થયો નથી, જ્યારે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ બમણા થઈ ગયા છે. જૂનાગઢના રત્નકલાકારોએ સરકાર પાસે ન્યાયની માંગ કરી છે. કલાકારોનું કહેવું છે કે જો વહીવટી તંત્ર માનવીય અભિગમ અપનાવીને અરજીઓની ટેકનિકલ ખામીઓ સુધારવાની મંજૂરી આપે, તો સેંકડો પરિવારોને આર્થિક ટેકો મળી શકે તેમ છે. આવેદનપત્રમાં એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે રત્નકલાકારો આ આર્થિક સ્થગિતતા વચ્ચે જો સહાય મેળવવામાં નિષ્ફળ રહેશે તો તેમની સ્થિતિ વધુ કફોડી બનશે. હવે જોવાનું એ રહેશે કે જિલ્લા વહીવટી તંત્ર અને સરકાર રત્નકલાકારોની આ વ્યાજબી માંગણીઓ પર કેવા પ્રકારના પગલાં ભરે છે.
દમણ પોલીસે કડૈયામાં બે સ્થળે દરોડા પાડ્યા:₹19 લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કર્યો
દમણ પોલીસે ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરી છે. કોસ્ટલ પોલીસ સ્ટેશન કડૈયાના સ્ટાફે બાતમીના આધારે અને પેટ્રોલિંગ દરમિયાન સતર્કતા દાખવી કડૈયામાં બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં ₹19 લાખથી વધુનો વિદેશી દારૂ અને એક લક્ઝરી કાર જપ્ત કરવામાં આવી છે. પ્રથમ દરોડામાં, પોલીસ ટીમ ભીમપોર સ્થિત કુંડ ફળિયા પાસેની સ્મશાન ભૂમિ નજીક પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યાં એક બંધ ગોડાઉન શંકાસ્પદ જણાતા પોલીસે તેની તપાસ કરી હતી. ગોડાઉનમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 485 પેટીઓ મળી આવી હતી, જેની અંદાજિત કિંમત ₹14,06,240/- છે. બીજી કાર્યવાહી શીતલ પેટ્રોલ પંપ પાસે કરવામાં આવી હતી. એક મકાન સામેના પતરાના શેડમાં તપાસ કરતા પોલીસને 116 પેટી વિદેશી દારૂ અને ₹8,225/- ની છૂટક ક્વાર્ટર બોટલો મળી આવી હતી. આ દારૂની અંદાજિત કિંમત ₹4,97,220/- છે. આ જ સ્થળેથી દારૂની હેરાફેરીમાં ઉપયોગ થતી હોવાની શંકા સાથે GJ-05-GU-5617 નંબરની એક કાળા રંગની બોલેરો કાર પણ જપ્ત કરવામાં આવી હતી, જેની અંદાજિત કિંમત ₹4,25,000/- છે. સમગ્ર કાર્યવાહીમાં કુલ 601 પેટી ગેરકાયદેસર દારૂ ઝડપાયો છે, જેની કુલ કિંમત ₹19,11,685/- થાય છે. વાહન સહિત કુલ મુદ્દામાલની અંદાજિત કિંમત ₹23 લાખથી વધુ આંકવામાં આવી છે. પોલીસે જપ્ત કરાયેલો તમામ મુદ્દામાલ આગળની તપાસ અને કાર્યવાહી માટે આબકારી વિભાગને સોંપી દીધો છે. દમણ પોલીસે જણાવ્યું છે કે ગેરકાયદેસર દારૂ વિરુદ્ધનું અભિયાન સતત ચાલુ રહેશે અને આવા ગુનાઓમાં સંડોવાયેલા શખ્સો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આપઘાતનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર છૂટક મંજુરી સેન્ટિંગ કામ કરતો હતો અને આજે રજા પાડી રોકાયો હતો. આ દરમિયાન અગમ્ય કારણોસર સવારે નવ વાગ્યા આસપાસ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. માંજલપુર પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યોઆ યુવક મૂળ બિહારનો હોવાનું સામે આવ્યું છે. તેનું નામ દાનિશ અસજરે ( ઉંમર વર્ષ 20) અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. તે GIDC ગેઈટ સામે આવેલા લકી એપાર્ટમેન્ટમાં શ્રમિક તરીકે કામ કરતો હતો અને સેન્ટિંગનું કામ કરતો હતો. આ પગલું ભરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ યુવકે આજે કામગીરીમાંથી રજા લીધી હતી અને તે કન્સ્ટ્રક્શન સાઇટના ત્રીજા માળે હતો અને ત્યાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનામાં માંજલપુર પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડ્યો છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને તેના પરિવારને સોંપવામાં આવશે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને યુવકે આપઘાત શા માટે કર્યો છે તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે. આ યુવક શ્રમિક તરીકે પોતાના સંબંધી સાથે અહીંયા રહેતો હતો અને સેન્ટીંગનું કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. આ બનવાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. ત્રણ યુવકો વિસ્તારમાં દાદાગીરી કરતા હોવા અંગેનો વિરોધ યુવક દ્વારા કરવામાં આવતા તેના ઉપર દાઝ રાખી અને ગાળો બોલી હથિયારો વડે માર માર્યો હતો. ટી- સ્ટોલ પર હથિયારો વડે તૂટી પડ્યા હતા. લાકડીઓ અને ખુરશીઓ વડે મારતા જીવ બચાવવા માટે યુવક ભાગ્યો હતો. ત્યારે તેનો પીછો કરી અને ફરીથી પકડી અને હથિયારો તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ મામલે બાપુનગર પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. PI બદલાતા અસામાજિક તત્વો ફરી સક્રિય થઈ ગયાશહેરના બાપુનગર વિસ્તારમાં નવા પીઆઇ આવતાની સાથે જ અસામાજિક તત્વો ફરીથી સક્રિય થઈ ગયા છે. બાપુનગર વિસ્તારમાં એકવાર કાયદો વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા યુવકને દોડાવી દોડાવીને માર માર્યો છે. બાપુનગરમાં રહેતા અને સ્ટીમ પ્રેસનું કામ કરતા સાહિલ શેખે બાપુનગર પોલીસ સ્ટેશનમાં અયાન ઉર્ફે માયા, ફૈઝાન ઉર્ફે ભીમ પઠાણ અને આવેશ મિર્ઝા વિરૂદ્ધ હુમલાની ફરિયાદ કરી છે. મોડીરાતે સાહિલ શેખ ટી સ્ટોલ પર ગયો હતો ત્યારે ત્યારે અયાન, ફૈઝાન અને આવેશ આવ્યા હતા. બાપુનગર વિસ્તારમાં તેઓ દાદાગીરી કરતા હોવાને લઈને સાહિલે વિરોધ કર્યો હતો જેને લઈ તેની ઉપર દાજ રાખતા હતા. ત્રિપુટીની દાદીગીરી સામે અવાજ ઉઠાવનાર યુવક પર હુમલોત્રણેયની દાદાગીની સામે સાહિલ વાંધો ઉઠાવતો હોવાથી તેની સાથે બબાલ કરવા આવ્યા હતા. સાહિલ કઈ વિચારે તે પહેલા ત્રણેય માથાભારે તત્વોએ ગાળો આપવાની શરૂ કરી દીધી હતી અને હથિયારો લઈને માર માર્યો હતો. જીવ બચાવવા માટે પોતે ત્યાંથી અજીત મિલ કમ્પાઉન્ડ તરફ ભાગ્યો હતો ત્યારે ત્યાં પણ તેનો પીછો કર્યો હતો અને પાછળથી સાહિલના માથામાં કુહાડી મારતા તે જમીન પર ઢળી પડ્યો હતો. ત્રણેય હુમલાખોરોએ સાહિલને દંડા અને પાઈપથી મારતા હતા. આસપાસના લોકો આવી જતા ત્રણેયે ધમકી આપી કે હવે જો અમારો વિરોધ કર્યો તો તને જાનથી મારી નાખીશુ. ઈજાગ્રસ્ત સાહિલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યારે બાપુનગર પોલીસે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.
જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે કડક કાર્યવાહી કરી છે. ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના નેતૃત્વમાં શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં મધરાતે મેગા કોમ્બિંગ અને સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. આ ઓપરેશનમાં ડીવાયએસપી ઝાલા સાથે વિવિધ પોલીસ સ્ટેશનના પી.આઈ. અને પી.એસ.આઈ. સહિતનો મોટો પોલીસ કાફલો જોડાયો હતો. ચૂંટણી પહેલાં અસામાજિક તત્વો પર નિયંત્રણ મેળવવાનો આ સઘન પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. પોલીસે શહેરના પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો તેમજ જૂના શહેરના સાંકડા વિસ્તારોમાં સઘન કોમ્બિંગ કર્યું. રાત્રિ દરમિયાન શંકાસ્પદ વાહનોનું એફ.એસ.એલ. અને અન્ય ટેકનિકલ સાધનોની મદદથી ઝીણવટભર્યું ચેકિંગ કરાયું હતું. અગાઉ ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોના રહેઠાણો પર પણ તપાસ કરાઈ હતી. તેમની ગતિવિધિઓ પર નજર રાખવા સૂચનાઓ અપાઈ હતી. જાહેર માર્ગો અને ચોક વિસ્તારોમાં પોલીસની હાજરી વધારીને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાનો ભાવ જગાડવાનો પ્રયાસ કરાયો હતો. જામનગર પોલીસ વિભાગે જણાવ્યું કે, ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને લોકો નિર્ભય બનીને લોકશાહીના પર્વમાં ભાગ લઈ શકે તે માટે જામનગર પોલીસ કટિબદ્ધ છે. રાત્રિ પેટ્રોલિંગ અને ચેકિંગની આ પ્રક્રિયા આગામી દિવસોમાં વધુ તેજ બનાવાશે. પોલીસની આ આક્રમક કામગીરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બીજી તરફ, શહેરીજનોમાં તંત્રની આ સતર્કતાને લઈને સંતોષ જોવા મળ્યો છે.
ખેડબ્રહ્મા પ્રચાર સભામાં સાંસદે અનોખી રચના રજૂ કરી:રાધા-કૃષ્ણ પર આધારિત રજૂઆતનો વીડિયો વાયરલ
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ગઢડા શામળાજી ખાતે યોજાયેલી ચૂંટણી પ્રચાર સભામાં એક અનોખો પ્રસંગ જોવા મળ્યો હતો. આ સભામાં ઉપસ્થિત સાંસદ શોભનાબેન બારૈયાએ રાધા અને કૃષ્ણને કેન્દ્રમાં રાખી એક રચના રજૂ કરી હતી. સાંસદે રજૂ કરેલી આ રચનામાં રાધા અને કૃષ્ણ વચ્ચેના સવાલ-જવાબને રજૂ કરાયા હતા. તેમની આ રજૂઆત દરમિયાન સભામાં હાજર શ્રોતાઓ ધ્યાનપૂર્વક સાંભળતા રહ્યા હતા. ચૂંટણી પ્રચાર સભામાં આ પ્રકારની સાહિત્યિક રજૂઆત લોકો માટે નવીન રહી હતી. પ્રેક્ષકો તરફથી આ રજૂઆતને સારો પ્રતિસાદ મળ્યો હતો. આ પ્રસંગનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં લોકો સાંસદની આ કલાત્મક રજૂઆતની નોંધ લઈ રહ્યા છે.
છોટા ઉદેપુરમાં મતદાન જાગૃતિ માટે હ્યુમન ચેઇન બની:કલેક્ટર ગાર્ગી જૈને મતદારોને મતદાન કરવા અપીલ કરી
છોટા ઉદેપુર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મતદારોમાં જાગૃતિ લાવવા માટે એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગાર્ગી જૈનના નેતૃત્વ હેઠળ એક કિલોમીટર લાંબી હ્યુમન ચેઇન બનાવવામાં આવી હતી.આ હ્યુમન ચેઇન છોટા ઉદેપુર નગરના પેટ્રોલ પંપ ચોકડીથી માણેકચોક સુધી લંબાવવામાં આવી હતી. તેમાં શાળાના બાળકો અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આગામી ૨૬ એપ્રિલના રોજ યોજાનારી ચૂંટણીમાં નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા માટે પ્રેરિત કરવાનો હતો. આ પ્રસંગે કલેક્ટર ગાર્ગી જૈને તમામ મતદારોને ચૂંટણીમાં સક્રિયપણે ભાગ લેવા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.
નારી શક્તિ અધિનિયમ બિલ અંગે ભાજપે વડોદરા શહેરમાં આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષા વકીલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસે પણ મહિલા આરક્ષણ બિલની સચ્ચાઈ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ઓલ ઇંડિયા કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી મુકુલ વાસનિકે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા ખાસ હાજર રહ્યા હતા અને મુકુલ વાસનિકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષા વકીલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને ‘ઇન્ડિયા’ ગઠબંધનના પક્ષોની નારી શક્તિ વિરોધી માનસિકતાને કારણે આ સુધારા બિલ પસાર થઈ શક્યું નથી. આ પક્ષોએ નારી શક્તિ વંદન અધિનિયમના અમલમાં અવરોધો ઊભા કરવાનું મોટું પાપ કર્યું છે, જેનાથી દેશની કરોડો મહિલાઓનું મનોબળ તૂટ્યું છે. આઝાદીના દાયકાઓ સુધી એકહથ્થુ શાસન કરનાર કોંગ્રેસ પાર્ટી હંમેશા નકારાત્મક રાજનીતિ જ કરતી આવી છે. દેશના વિકાસ અને નીતિ ઘડતરમાં બહેનોના સન્માનજનક યોગદાનનો આ એક શ્રેષ્ઠ અવસર હતો, પરંતુ કોંગ્રેસે હંમેશાની જેમ તેનો પણ વિરોધ કર્યો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને ‘ઇન્ડીયા’ ગઠબંધને અત્યાર સુધી માત્ર પરિવારવાદને પોષવાનું કામ કર્યું છે. મોદી સાહેબના નેતૃત્વમાં દેશમાં જે રિફોર્મ્સ થઈ રહ્યા છે, તે કોંગ્રેસ કલ્ચરવાળા લોકો સહન કરી શકતા નથી. તેમને ડર છે કે જો આ અધિનિયમ લાગુ થઈ જશે, તો સામાન્ય પરિવારની બહેનોને પણ સંસદ અને વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરવાની તક મળશે. મહિલાઓના હિતોની અવગણના કરવી એ કોંગ્રેસની જૂની આદત છે. કોંગ્રેસના સમયમાં મહિલાઓને બેંક ખાતા, સ્વાસ્થ્ય સુરક્ષા અને ત્રિપલ તલાકમાંથી મુક્તિ જેવી મૂળભૂત સુવિધાઓ અને સ્વતંત્રતાથી પણ વંચિત રાખવામાં આવી હતી. ‘લટકાવવા, ભટકાવવા અને અટકાવવા’નું કોંગ્રેસનું વલણ દેશ માટે ખૂબ નુકસાનકારક રહ્યું છે. તેઓએ કહ્યું કે, કોંગ્રેસે માત્ર મહિલા બિલ જ નહીં, પરંતુ 'વન નેશન વન ઇલેક્શન', SIR, UCC, શરણાર્થીઓને સુરક્ષા આપવાનો કાયદો (CAA), જનધન યોજના, આધાર અને ડિજિટલ પેમેન્ટ જેવા અનેક લોકહિતના સુધારાઓનો પણ વિરોધ કર્યો છે. કોંગ્રેસની આ બે મોઢાની રાજનીતિ આજે જનતા સમક્ષ ખુલ્લી પડી ગઈ છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી શ્રી મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે, મેં ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો રાષ્ટ્રજોગ સંદેશ ચોક્કસ સાંભળ્યો છે. જ્યારે પ્રધાનમંત્રી રાષ્ટ્રના નામે સંદેશ આપે છે, ત્યારે તે ખરેખર રાષ્ટ્રહિતનો સંદેશ હોવો જોઈએ. પરંતુ અહીં એવું જોવા મળ્યું નથી. તેઓ પ્રધાનમંત્રી તરીકે બોલી રહ્યા હતા, પણ તેમનું વક્તવ્ય એક ભાજપના નેતા જેવું વધુ લાગતું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, તેમના 29 મિનિટના ભાષણમાં 58 વાર 'કોંગ્રેસ'નું નામ લેવામાં આવ્યું. તેમણે સતત કોંગ્રેસ અને વિપક્ષ પર આરોપો લગાવ્યા. આ મહિલા અનામત માટેનું સંશોધન નહોતું, પણ જનતાને ગેરમાર્ગે દોરવાનો એક પ્રયાસ હતો. બિલ તો 22 સપ્ટેમ્બર 2023ના રોજ સંસદમાં સર્વસંમતિથી પસાર થઈ ગયું છે, એટલે હવે 'મહિલા અનામત' એ વિષય જ રહ્યો નથી. જો હવે પ્રધાનમંત્રી કે ભાજપના નેતાઓ આ મુદ્દે બોલે છે, તો તે ખોટું છે. તેઓ લોકોની આંખમાં ધૂળ નાખવાનું કામ કરી રહ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રીની દાનત આ સંશોધનને ખરેખર મંજૂર કરવાની નહોતી. તમારી પાસે બે-તૃતીયાંશ બહુમતી નથી, તો શું તમે વિપક્ષ સાથે વાત કરી? વિપક્ષે તો સર્વદલીય બેઠકની માંગ કરી હતી, સંસદીય સમિતિને બિલ મોકલવા કહ્યું હતું, પણ તમે કશું જ ન કર્યું. કોઈ ચર્ચા વગર, સીમાંકનના મુદ્દે ગૂંચવીને છેલ્લી ઘડીએ આ બિલ લાવવામાં આવ્યું. તેઓએ કહ્યું કે, મોદીજીએ વિચાર્યું હશે કે જો બિલ પાસ થશે તો તેઓ મહિલાઓના 'મસીહા' બનશે, અને જો નહીં થાય તો વિપક્ષ પર દોષ ઢોળશે. પણ હવે દેશની જનતા સમજી ગઈ છે. 12 વર્ષથી લોકો તેમને જોઈ રહ્યા છે. તેમની કથની અને કરણી વચ્ચેનો તફાવત હવે સ્પષ્ટ છે. હવે લોકો તેમની આવી વાતોમાં આવવાના નથી.
વિશ્વ હિન્દુ પરિષદનો જિલ્લા અભ્યાસ વર્ગ યોજાયો:નારણપુરા ખાતે સંગઠનના કાર્યકર્તાઓને માર્ગદર્શન અપાયું
અમદાવાદના નારણપુરા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા જિલ્લા અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ગમાં પ્રાંત, વિભાગ, જિલ્લા અને પ્રખંડ સ્તરના કાર્યકર્તાઓ તથા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. અભ્યાસ વર્ગ દરમિયાન કુલ ૯ સત્રો યોજાયા હતા. આ સત્રોમાં પ્રાંત અને વિભાગ સ્તરના અગ્રણીઓએ વિવિધ વિષયો પર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. હર્ષદભાઈ ગિલેટવાળા, નિપુણભાઈ ભટ્ટ, તેજસભાઈ ઓઝા, ગણેશભાઈ રાઠોડ, કૈલાસભાઈ રાજપુરોહિત અને ચંદ્રિકાબેન પટેલ સહિતના વક્તાઓએ સંગઠનના મજબૂતીકરણ અને કાર્યપદ્ધતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંકલન નારણપુરા જિલ્લા મંત્રી દેવલભાઈ પરીખ દ્વારા કરવામાં આવ્યું હતું. અભ્યાસ વર્ગના સમાપન બાદ કાર્યકર્તાઓમાં નવી ઉર્જા અને સંગઠન પ્રત્યે વધુ પ્રતિબદ્ધતા જોવા મળી હતી.
પાટણમાં રિક્ષામાં વૃદ્ધાને છરી બતાવી લૂંટ:મહિલા સહિત ત્રણ આરોપીઓએ દાગીના, રોકડ ઝૂંટવી ધમકી આપી
પાટણ શહેરમાં રિક્ષામાં બેઠેલા એક વૃદ્ધાને છરી બતાવી લૂંટી લેવાની ઘટના સામે આવી છે. રિક્ષાચાલક અને તેના બે સાથીદારોએ વૃદ્ધાના કાનમાંથી સોનાની બુટ્ટીઓ અને રોકડ રકમ મળી કુલ ₹15,600ની મત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ મામલે પાટણ સીટી બી. ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. 65 વર્ષીય શારદાબેન ડીસાથી પાટણ જઈ રહ્યાં હતામૂળ ચાણસ્માના રૂપપુરના અને હાલ મહેસાણા ખાતે રહેતા 65 વર્ષીય શારદાબેન હરગોવનભાઈ રાવળ ગત 18 એપ્રિલ, 2026ના રોજ ડીસાથી પાટણ પોતાની દીકરીના ઘરે આવવા નીકળ્યા હતા. સાંજે આશરે 7:30 વાગ્યે તેઓ પાટણ ટી.બી. ત્રણ રસ્તા પાસે બસમાંથી ઉતરીને ચાલતા જતા હતા. રિક્ષામાં ચાલક ઉપરાંત એક મહિલા અને પુરુષ અગાઉથી હાજર હતાબંસી કાઠિયાવાડી હોટલ પાસે એક કાળા-લીલા રંગની રિક્ષા તેમની પાસે આવી હતી. રિક્ષાચાલકે મોઢા પર રૂમાલ બાંધેલો હતો. તેણે વૃદ્ધાને વિશ્વાસમાં લઈ માત્ર ₹10ના ભાડામાં નિર્ધારિત સ્થળે ઉતારવાનું કહી રિક્ષામાં બેસાડ્યા હતા. રિક્ષામાં અગાઉથી જ પાછળના ભાગે સફેદ ડ્રેસ પહેરેલી એક મહિલા તેની નાની છોકરી સાથે બેઠેલી હતી, જ્યારે ડ્રાઈવરની બાજુમાં પણ એક શખ્સ હાજર હતો. વૃદ્ધાને છરી બતાવી મારી નાખવાની ધમકી આપી, ઓઢણીથી મોઢું બાંધી દીધુંરિક્ષાચાલકે CNG પંપ પર ગેસ ભરાવ્યા બાદ રિક્ષા સિદ્ધપુર રોડ તરફ હંકારી હતી. જ્યારે વૃદ્ધાએ પોતાના ઉતરવાના સ્થળ શાંતિનાથ સોસાયટી પાસે રિક્ષા ઊભી રાખવા જણાવ્યું, ત્યારે રિક્ષામાં બેઠેલી મહિલા અને શખ્સે તેમને ઉતરવા દીધા ન હતા. રિક્ષામાં બેઠેલા શખ્સે છરી બતાવી વૃદ્ધાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને મહિલાએ પોતાની ઓઢણીથી વૃદ્ધાનું મોઢું બાંધી દીધું હતું. સોનાની બે બુટ્ટીઓ બળજબરીથી કાઢી લીધીલૂંટારુઓએ રિક્ષાને એક ખુલ્લા મેદાનમાં લઈ જઈ વૃદ્ધા પાસે રહેલું પાકીટ ઝૂંટવી લીધું હતું, જેમાંથી ₹600ની રોકડ કાઢી લીધી હતી. ત્યારબાદ મહિલાએ વૃદ્ધાના કાનમાં પહેરેલી 4 થી 5 ગ્રામની સોનાની બે બુટ્ટીઓ, જેની કિંમત આશરે ₹15,000 હતી, તે બળજબરીથી કાઢી લીધી હતી. રિક્ષાચાલક, એક મહિલા અને એક અન્ય શખ્સ વિરુદ્ધ ફરિયાદલૂંટ ચલાવ્યા બાદ આરોપીઓએ વૃદ્ધાને રિક્ષામાંથી નીચે ઉતારી દીધા હતા અને ઘટના અંગે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. આ અંગે શારદાબેને પાટણ બી. ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા રિક્ષાચાલક, એક મહિલા અને એક અન્ય શખ્સ વિરુદ્ધ B.N.S.ની કલમ 309(4), 351(3), 126(2), 311, 3(5) તેમજ જી.પી. એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અરવલ્લી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા ધંધુકા હત્યાકાંડના વિરોધમાં આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર નિવાસી અધિક કલેક્ટર ડી.વી. મકવાણાને આપવામાં આવ્યું હતું. ધંધુકા ખાતે હિન્દુ યુવાન ધર્મેશ ભરવાડની હત્યાના કડક વિરોધમાં આ રજૂઆત કરાઈ હતી. અરવલ્લી જિલ્લા રાષ્ટ્રીય બજરંગદળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રાંત મહામંત્રી જયંતિભાઈ પટેલ, કનુભાઈ પટેલ, જિલ્લા મંત્રી પ્રિયંક પોકાર તેમજ ભરવાડ સમાજના અગ્રણી લાલાભાઈ ભરવાડ, રોશનભાઈ, રવિભાઈ, વૈદિકભાઈ અને પ્રકાશભાઈ સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા. તેમણે દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આતંકીઓ સામે કડક કાર્યવાહી કરવાની અને આરોપીઓને તાત્કાલિક ફાંસીની સજા આપવાની માંગ કરી હતી. આ ઉપરાંત, દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના મુદ્દે પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
જામનગર જિલ્લાની લોઠિયા RMSA સરકારી માધ્યમિક શાળામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-૨૦૨૬ પૂર્વે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો. ચૂંટણી શાખા દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે 'મતદાન કેવી રીતે કરવું' તે દર્શાવતો એક ખાસ વીડિયો બનાવવામાં આવ્યો છે. જામનગર શહેર ચૂંટણી અધિકારી અને કલેક્ટરે જામનગરના મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી છે. આ અવસરે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મતદાન જાગૃતિ માટે શપથ લીધા હતા. તમામે લોકશાહી પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવાની પ્રતિજ્ઞા લીધી હતી અને લોકોને આગામી ચૂંટણીમાં મતદાન કરવા સંદેશ આપ્યો હતો. આ ઉપરાંત, નિબંધ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ મતદાનના મહત્વ અને લોકશાહીને મજબૂત કરવા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. રંગોળી સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિના સંદેશાને સુંદર કલાત્મક રીતે રજૂ કર્યો હતો. આ કાર્યક્રમોમાં શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

29 C