અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ગત (9 એપ્રિલ) મોડી રાત્રે 2:24 વાગ્યે અમરેલીના કોસ્ટલ બેલ્ટ સહિતના વિસ્તારોમાં 3.7ની તીવ્રતાનો જોરદાર આંચકો અનુભવાયો હતો. આ ધડાકાભેર આવેલા આંચકાને કારણે રાજુલા, જાફરાબાદ અને સાવરકુંડલા પંથકમાં લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો અને લોકો ઊંઘમાંથી જાગીને રસ્તા પર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ અને અસરગ્રસ્ત વિસ્તારો સીસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભાવનગર જિલ્લાના મહુવા પાસે નોંધાયું હતું. આ આંચકાની સૌથી વધુ અસર નીચે મુજબના વિસ્તારોમાં જોવા મળી હતી: ભયનો માહોલ અને મકાનોમાં તિરાડો રાજુલા શહેરમાં ભૂકંપ એટલો જોરદાર હતો કે, કેટલાક જૂના અને કાચા મકાનોની દીવાલોમાં ઝીણી તિરાડો પડી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. સ્થાનિક રહેવાસી આરીફ સેલોતે જણાવ્યું હતું કે, રાત્રે 2:24 વાગ્યે એક મોટો અને ત્યાર બાદ અન્ય નાના આંચકા અનુભવાયા હતા, જેના કારણે આખું શહેર રસ્તા પર આવી ગયું હતું. પીપાવાવ રોડ પર ઉભેલા ટ્રક ડ્રાઈવર સલીમભાઈએ જણાવ્યું કે, અમે ગાડી પાર્ક કરીને સૂતા હતા ત્યારે, અચાનક ગાડી હલવા લાગી. અમને લાગ્યું કે કોઈ વાહન અથડાયું હશે, પણ બહાર જોયું તો લોકો 'ધરતીકંપ આવ્યો'ની બૂમો પાડતાં દોડી રહ્યા હતા. મુખ્ય વિગતો એક નજરે CCTVમાં કેદ થઈ ઘટના ભૂકંપના સમયે સર્જાયેલી અફરાતફરી અને ધ્રુજારીના દૃશ્યો અનેક રહેણાક વિસ્તારોના CCTV કેમેરામાં કેદ થયા છે, જે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. છેલ્લા આઠ દિવસથી ખાંભા અને સાવરકુંડલાની વચ્ચે સતત અનુભવાઈ રહેલા આંચકાઓને કારણે સ્થાનિક તંત્ર અને ભૂસ્તરશાસ્ત્રીઓ પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. મકાનોમાં તિરાડો પડવા માંડી ! સતત આવી રહેલા ધરતીકંપના કારણે કેટલાક મકાનોમાં તિરાડો પણ પડી રહી હોવાનું સ્થાનિક ગામ લોકો જણાવી રહ્યા છે. સદનસીબે, આ કુદરતી ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટી મિલકતને નુકસાનના સમાચાર નથી, પરંતુ વારંવાર આવતા આંચકાએ લોકોની ઊંઘ હરામ કરી દીધી છે.
26 એપ્રિલે યોજાનારી પાટણ નગરપાલિકાની ચૂંટણી પૂર્વે વોર્ડ નંબર 4માં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. જોકે, આ ગરમાવો વિકાસના કામોને લઈને નહીં, પરંતુ વર્ષોથી વણઉકેલાયેલી સમસ્યાઓને લઈને છે. સિદ્ધેશ્વરી પાર્કથી લઈને ઓવરબ્રિજ નીચેની સોસાયટીઓ સુધી જનતામાં શાસક પક્ષ પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે. મુખ્ય સમસ્યાઓ: નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર રહીશો દિવ્ય ભાસ્કર દ્વારા કરવામાં આવેલા વોર્ડ નંબર 4ના ગ્રાઉન્ડ રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે, જ્યાં પાયાની સુવિધાઓના નામે શૂન્યતા જોવા મળી રહી છે: મહિલાઓનો રૌદ્ર અવતાર: વોટ લેવા આવશો નહીં વોર્ડ નંબર 4 માં ખાસ કરીને મહિલાઓમાં ઉગ્ર રોષ છે. સ્થાનિક રહીશ પાર્વતીબેને આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, છેલ્લા 8 મહિનાથી રજૂઆત કરીએ છીએ પણ કોઈ ડોકાતું નથી. જ્યારે વોટ લેવા હોય ત્યારે નેતાઓ ઘરે આવે છે, પણ અત્યારે કોઈ ફોન પણ ઉપાડતું નથી. ગટરની ગંદકીથી કંટાળીને કેટલીક સોસાયટીના રહીશોએ તો પાલિકા પર ભરોસો મૂકવાને બદલે પોતે ફાળો ઉઘરાવીને ગટર લાઈન નાખવાની ફરજ પડી છે, જે પાલિકાની નિષ્ફળતા છતી કરે છે. વોર્ડ નંબર 4: આંકડાકીય વિગત અને જ્ઞાતિ સમીકરણ જનતાનો સવાલ: ટેક્સ ભરીએ છીએ તો સુવિધા કેમ નહીં? રહીશોનું કહેવું છે કે, તેઓ નિયમિત ઘરવેરો અને નળવેરો ભરે છે, છતાં સ્ટ્રીટ લાઈટો બંધ રહે છે અને અંધારામાં ઝેરી જંતુઓનો ડર લાગે છે. વાળીનાથ ચોકના રહીશોએ સ્વખર્ચે બગીચો બનાવ્યો પણ ત્યાં લાઈટની સુવિધા આપવામાં પાલિકા નિષ્ફળ રહી છે. આગામી 26 એપ્રિલે વોર્ડ નંબર 4ની જનતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને શાસકોને પાઠ ભણાવશે કે કેમ, તે જોવું રહ્યું. પરંતુ હાલ તો 'ચૂંટણી બહિષ્કાર'નો ગુંજતો સૂર નેતાઓની ઉંઘ ઉડાડી રહ્યો છે. --------- આ પણ વાંચો ‘નેતાઓની તિજોરી ભરાઈ ને પ્રજા માટે ગટરો ઉભરાઈ’ દિવ્ય ભાસ્કરની ટીમે પાટણના વોર્ડ નંબર 1ના મતદારોનો મિજાજ જાણ્યો હતો. આ વોર્ડમાં જ્ઞાતિના જટિલ સમીકરણો અને પાયાની સુવિધાઓનો અભાવ આ વખતે મુખ્ય મુદ્દો બનીને ઉભર્યો છે. આ એવો વોર્ડ છે જ્યાં, સત્તાધારી પક્ષ ભાજપના પૂર્વ પ્રમુખો અને દિગ્ગજ નેતાઓ વસે છે છતાં અહીંની જનતા ગટર, પાણી અને ગંદકીના પ્રશ્ને ત્રસ્ત છે. વોર્ડ નંબર 1નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… 3-3 પૂર્વ પ્રમુખના ગઢમાં જનતા ગંદકી-ખાડાઓથી ત્રાહિમામ્ પાટણ નગરપાલિકાની આગામી 26 એપ્રિલની ચૂંટણીને પગલે રાજકીય પારો ગરમાયો છે, પરંતુ વોર્ડ નંબર 2ની વાસ્તવિકતા કંઈક અલગ જ વાર્તા કહે છે. આ એવો હાઈપ્રોફાઈલ વોર્ડ છે, જ્યાં ભાજપના બે પૂર્વ પ્રમુખ (મનસુખ પટેલ, દેવજી પરમાર) અને અન્ય એક પૂર્વ પ્રમુખ મહેન્દ્ર પટેલનું વર્ચસ્વ છે. આમ છતાં, ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ અત્યંત દયનીય છે. દિવ્ય ભાસ્કરની ટીમની મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે, અહી વિકાસ માત્ર કાગળ પર છે અને જનતા પાયાની જરૂરિયાતો માટે પણ તંત્ર સામે ઝઝૂમી રહી છે. વોર્ડ નંબર 2નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… ભાજપનો ગઢ ગણાતો વોર્ડ નં.3 નશાખોરોનો અડ્ડો પાટણ શહેરના વોર્ડ નંબર 3ની સ્થિતિ 'દીવા તળે અંધારું' જેવી જોવા મળી રહી છે. ભાજપના ગઢ ગણાતા આ વિસ્તારમાં વિકાસના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. છીંડીયા દરવાજાથી લઈને પારેવા સર્કલ સુધીની ગંદકી અને સુરક્ષાના અભાવે સ્થાનિકોમાં ભારે રોષ જન્માવ્યો છે. તો બીજી તરફ ભાજપનો ગઢ ગણાતો આ વોર્ડ નંબર 3 જાણે નશાખોરોનો અડ્ડો બની ગયો છે, જ્યાં જુઓ ત્યાં દારૂની બોટલો જોવા મળી રહી છે. વોર્ડ નંબર 3નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો…
ગુજસીટોકના એક આરોપીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેણે જામનગર મહાનગરપાલિકા-JMCની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવા દેવા માટે રાજ્ય સરકારને નિર્દેશ આપવાની માંગ કરી હતી. અરજદાર અલ્તાફ ખફી વતી રજૂઆત કરાઈ હતી કે, તેને પોલીસ જાપ્તા હેઠળ ઉમેદવારી પત્ર ભરવાની મંજૂરી આપવામાં આવે. અરજદાર હાલ પોલીસ રિમાન્ડ હેઠળ છે અને તે ન્યાયિક કસ્ટડીમાં ન હોવાથી તે જામીન માંગી શકે તેમ નથી. જામીન મળે તો પણ ત્રીજી FIRના કારણે ધરપકડ થઈ શકેવધુમાં એવી દલીલ કરવામાં આવી હતી કે, અરજદાર વિરુદ્ધ તાજેતરમાં ત્રણ અલગ-અલગ કેસ નોંધવામાં આવ્યા છે. પ્રથમ FIRમાં તેની ધરપકડ 2 ફેબ્રુઆરીએ થઈ હતી, જેમાં તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. જોકે, ગુરુવારે બીજી FIRમાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને તે કસ્ટોડિયલ ઇન્ટેરોગેશન હેઠળ છે. જો તેને જામીન મળે તો પણ 5 એપ્રિલના રોજ તેની સામે નોંધાયેલી ત્રીજી FIRમાં તેની ધરપકડ થઈ શકે છે. વકીલે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો હવાલો આપી આરોપીને મુક્ત કરવા અપીલ કરીતેના વકીલે વધુમાં રજૂઆત કરી હતી કે, આ પ્રક્રિયામાં ઘણો સમય લાગી શકે છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે. વકીલે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આરોપીને ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવા માટે મુક્ત કરી શકાય છે. હાઈકોર્ટે નીચલી અદાલતને નિર્ણય લેવા નિર્દેશ આપ્યોસુનાવણી બાદ ગુજરાત હાઇકોર્ટે યોગ્ય ઉપાય માટે સંબંધિત કોર્ટનો સંપર્ક કરવા જણાવ્યું હતું. અરજદારે નીચલી અદાલતમાંથી રાહત મેળવવા માટે તેની અરજી પાછી ખેંચી લીધી હતી અને હાઈકોર્ટે નીચલી અદાલતને શુક્રવારે અરજદારની અરજી ઉપર નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો. એક ગુજસીટોક આરોપીએ પોલીસ જાપ્તા હેઠળ ઉમેદવારી પત્ર ભર્યું હતુંકોર્ટના આદેશમાં જણાવવામાં આવ્યું છે ,કે એ સ્પષ્ટ કરવામાં આવે છે કે જો અરજદાર સંબંધિત ફોરમમાં અરજી સાથે સંપર્ક કરે છે, તો સંબંધિત ફોરમ દ્વારા શક્ય તેટલી વહેલી તકે પ્રાધાન્યપણે 10 એપ્રિલ, 2026 સુધીમાં તેના પર વિચાર કરશે. ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન અન્ય એક ગુજસીટોક આરોપી અસલમ ખિલજીને પોલીસ જાપ્તા હેઠળ રિટર્નિંગ ઓફિસર પાસે લઈ જવામાં આવ્યા બાદ તેણે JMC ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું.
કચ્છના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ઘાસિયા મેદાન અને પક્ષીઓના સ્વર્ગ સમાન છારીઢંઢ રામસર સાઈટમાં વન્યજીવનના નિયમોના ઉલ્લંઘનનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થવાની લાલસામાં કેટલાક કથિત ઇન્ફ્લ્યુએન્સર દ્વારા આ સંવેદનશીલ વિસ્તારમાં નોનવેજ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ વન વિભાગ હરકતમાં આવ્યું હતું અને આ મામલે પકડી માફી પણ મંગાવાઈ છે . આશરે ત્રણ અઠવાડિયા જૂના વાયરલ વીડિયોની તપાસ કરતા વન વિભાગને જાણવા મળ્યું હતું કે,પાંચ જેટલા ઈસમોએ પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરી ત્યાં ડ્રોન દ્વારા શૂટિંગ કર્યું હતું અને ઘરેથી લાવેલા નોનવેજની મિજબાની માણી હતી. નખત્રાણા રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિજયકુમાર મોદીએ જણાવ્યું હતું કે, વન વિભાગની ટીમે આ પાંચેય શખ્સોની શોધખોળ કરી તેમને પકડી પાડ્યા હતા. વન વિભાગની કડક પૂછપરછ અને સૂચના બાદ આ તમામ ઇસમોએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને વન વિભાગ સમક્ષ લેખિતમાં માફી માંગી હતી કે પ્રવાસીઓને આકર્ષવા આ પ્રકારના વિડીયો તેઓ બનાવતા હતા. માંસાહાર માટેની સામગ્રી તેઓએ શિકાર કરીને ઊભી કરી કે ઘેરથી લાવ્યા તે ચર્ચાનો અને તપાસનો વિષય છે. ડ્રોન પણ પ્રતિબંધીત હોવા છતાં બેરોકટોક ઉપયોગ કરાયાનું વીડિયોમાં દેખાય છે વનવિભાગની તપાસમાં શિકાર ન હોવાનું ખુલ્યું ; પણ જોખમ મોટુંઆર.એફ.ઓ મોદીએ જણાવ્યું કે, વન વિભાગની પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ થયું છે કે, આ પાર્ટી દરમિયાન કોઈ વન્યપ્રાણી કે પક્ષીનો શિકાર કરવામાં આવ્યો ન હતો, પરંતુ તેઓ ઘરેથી ચિકન લાવ્યા હતા. જોકે, રામસર સાઈટ જેવા અત્યંત સુરક્ષિત અને શાંત વિસ્તારમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ વન્યજીવો માટે જોખમી સાબિત થઈ શકે છે. જે રીતે ગીરના જંગલોમાં નોનવેજ પાર્ટીઓથી વન્યપ્રાણીઓ લલચાઈને માનવ વસાહત તરફ આવે છે, અને ક્યારેક શિકારનો ભોગ બને છે તેવી જ દહેશત અહીં પણ વ્યક્ત કરવામાં આવી છે. રોડ ટુ હેવન પક્ષીઓ માટે ‘હેલ’ ન બનેછારીઢંઢમાં વીડિયો દ્વારા નિયમોનું ઉલ્લંઘન દેખાતું હતું તે સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરાયો છે. ડ્રોનનો ઉપયોગ અને ઘોંઘાટથી સ્થળાંતરિત પક્ષીઓને ખલેલ પહોંચે છે. સમાન સ્થિતિ રોડ ટુ હેવનમાં છે. કલેકટરનું જાહેરનામું છે, અહીં નો ડ્રોન ઝોન જાહેર કરાયો છે પણ ‘રીલ’ ના ચક્કરમાં વ્યૂ મેળવવા માટે કથિત ઇન્ફ્લ્યુએનસર અહીં શૂટ કરે છે જે સુરખાબ માટે અત્યંત જોખમી છે. આ મુદ્દે પોલીસ-વહીવટીતંત્ર અને વનવિભાગે સંયુક્ત કાર્યવાહી કરવી આવશ્યક છે.
પશુ આરોગ્ય શિબિર:કુરનમાં યોજાયેલા પશુ આરોગ્ય શિબિરમાં 98 પશુની સારવાર
કામધેનુ યુનિવર્સિટી સાથે સંકળાયેલા પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, ભુજના પશુચિકિત્સા સારવાર સંકૂલ અને એગ્રોસેલ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમથી 9 એપ્રિલે કુરન ગામે પશુ આરોગ્ય તપાસ, સારવાર શિબિર તથા માર્ગદર્શન ગોષ્ઠી યોજાઈ હતી. આ કાર્યક્રમ દરમ્યાન કુલ 98 પશુઓની તપાસ કરીને તેમને જરૂરી સારવાર અપાઈ હતી જેમાં 20 કેસ દવાઓ દ્વારા સારવારના અને 78 કેસ પ્રજનન તંત્ર સંબંધિત સમસ્યાઓના નોંધાયા હતા. સાથે જ પશુઓને કૃમિનાશક દવા પણ અપાઈ હતી. ડૉ. કે. કે. હડીયા અને ડૉ. હરદીપસિંહ વિજયેતાએ ગાય તથા ભેંસોમાં ગર્ભાશય સંબંધિત રોગોની ઓળખ કરી યોગ્ય સારવાર આપી અને પશુપાલકોને આવી બીમારીઓથી બચવા માર્ગદર્શન આપ્યું હતું. આ સિવાય ડૉ. રાકેશ ભોજાણી, ડૉ. હિરેન બારોટ અને ડૉ. ક્રિષિ પટેલે પણ વિવિધ રોગોના નિદાન અને નિવારણ માટે સક્રિય ભાગ ભજવ્યો હતો.શિબિરમાં 26 ગાયો, 46 ભેંસો, 23 બકરાં, 1 ઘોડી અને 2 ઊંટોની સફળ સારવાર કરાઈ હતી.મહાવિદ્યાલયના આચાર્ય ડૉ. એચ. બી. પટેલે આવા ઉપયોગી પ્રયાસોની પ્રશંસા કરી હતી.
આગામી 26 ડિસેમ્બરના રોજ યોજાનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓની તૈયારીઓ તેજ બની છે, ત્યારે ચૂંટણી કામગીરીના હૂકમોને લઈને શિક્ષકોમાં જોવા મળતી મુંઝવણો અંગે ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વહીવટી તંત્ર સમક્ષ મહત્વની રજૂઆત કરવામાં આવી છે. ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા, રાજ્ય સંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજા અને કોષાધ્યક્ષ કાંતિભાઈ સુથારની આગેવાનીમાં પ્રતિનિધિમંડળે ભુજ પ્રાંત અધિકારી એ.બી. જાદવને રૂબરૂ મળી રજૂઆત કરી હતી. શિક્ષક સંઘે ખાસ કરીને એવી મહિલા કર્મચારીઓ કે જેઓ હાલ પ્રસૂતિ રજા પર છે અથવા જેઓ ધાત્રી માતાઓ છે, તેમના ચૂંટણીલક્ષી હૂકમો માનવીય અભિગમ દાખવી રદ્દ કરવા માંગ કરી છે. આ ઉપરાંત, ગંભીર બીમારીથી પીડાતા અને શારીરિક રીતે અશક્ત શિક્ષકોને પણ આ કપરી ફરજમાંથી મુક્તિ આપવા જણાવાયું છે. રજૂઆતમાં જણાવાયુ છે કે અનેક શિક્ષકોને 12 એપ્રિલના રોજ ટેટ (TET-HS) ની પરીક્ષા આપવા માટે જિલ્લા બહાર જવાનું છે. આ સંજોગોમાં જો તે જ દિવસે ચૂંટણીલક્ષી તાલીમ ગોઠવવામાં આવે તો શિક્ષકોને અન્યાય થઈ શકે તેમ છે, જેથી તાલીમની તારીખોમાં યોગ્ય ફેરફાર કરવા રજૂઆત કરાઈ છે. વધુમાં, બી.એલ.ઓ. (BLO) તરીકે ફરજ બજાવતા શિક્ષકોને પ્રિસાઇડિંગ અધિકારીને બદલે પ્રથમ મતદાન અધિકારી તરીકે નિયુક્ત કરવા પણ સૂચન કરવામાં આવ્યું છે. આ અંગે પ્રાંત અધિકારી અનીલ જાદવે સંઘના હોદ્દેદારોની રજૂઆત સાંભળીને આ તમામ પ્રશ્નો પર હકારાત્મક વલણ અપનાવી યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. આ રજૂઆતમાં સવાઈસિંહ સોઢા, રાણાજી જાડેજા, અનિલ રૂપારેલ સહિત મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા. તંત્રની ખાતરી બાદ શિક્ષક સંઘે આભાર વ્યક્ત કર્યો હતો.
આગામી 26 એપ્રિલના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ પહેલાં દિવ્ય ભાસ્કરે શહેરના કેટલાક નાગરિકોને તેમના વોર્ડના કોર્પોરેટરોના નામ પૂછ્યા હતા. અમદાવાદીઓએ શું-શું કહ્યું જાણવા ઉપરની તસવીર ક્લિક કરો.
શહીદોને શ્રદ્ધાજંલિ અપાઇ:શૌર્ય દિવસની ગાથામાંથી શીખ : ‘હાર ત્યારે થાય છે જ્યારે આપણે મનથી હારીએ’
દર વર્ષે 9 એપ્રિલે શૌર્ય દિવસના ભાગરૂપે સીઆરપીએફ કચ્છની ભારત-પાક આંતરરાષ્ટ્રીય સરહદે સરદાર પોસ્ટ ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. તેના ભાગરૂપે ગુરુવારે પણ શહીદોના બલિદાનને યાદ કરતાં શૌર્ય દિવસ કાર્યક્રમ યોજાયો હતો. ઉજવણી દરમિયાન બેન્ડ સાથે શહીદોને શ્રદ્ધાંજલિ અને વીરતાની ગાથાને યાદ કરાઈ હતી. વર્ષ 1965માં પાકિસ્તાનના ડેઝર્ટ હોક ઓપરેશનનો પ્રતિકાર કરતા સરદાર પોસ્ટ ખાતે સીઆરપીએફની બટાલિયને દુશ્મનની બ્રિગેડને પીછેહટ કરવા મજબૂર કરી હતી. પરાક્રમની ગાથાને યાદ કરતા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત સીઆરપીએફ મુંબઈ ક્ષેત્રના આઈજી વિરેન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે, એ સમયે જવાનોએ 3 હજારથી વધારે દુશ્મનોની સામે બહાદુરીપૂર્વક ટક્કર ઝીલી હતી. સાથે જ નવનિયુક્ત કેડેટ્સને પ્રેરણા આપતા જણાવ્યું કે, શૌર્ય દિવસની ગાથામાંથી શીખ મળે છે કે આપણી હાર ત્યારે થાય છે જ્યારે આપણે મનથી હારી જઈએ. મન મક્કમ રાખીને દેશસેવા કરવી જોઈએ. જવાનોની બહાદુરી અને ભારત દેશની એક ઈંચ પણ જમીન નહીં આપવા દ્ઢ નિશ્ચય સામે દુશ્મનની ફૌજની હાર થઈ હતી. ગાંધીનગર સીઆરપીએફના ડીઆઈજી ધર્મેન્દ્ર સિંહ વિસેનએ કચ્છની સરદાર પોસ્ટ ખાતે શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરીને શૌર્ય દિવસને વીરતાનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવ્યું હતું. સાથે જ શૌર્ય દિવસની ઉજવણીના સહયોગ બદલ બીએસએફનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, યુદ્ધમાં પાકિસ્તાનની 3 હજારથી વધારે સૈનિક ધરાવતી બ્રિગેડે હુમલો કર્યો હતો. ત્યારે સીઆરપીએફના જવાનો માત્ર 150ની સંખ્યામાં જ હાજર હતા છતા પણ તેઓએ વીરતાનો પરિચય આપીને દુશ્મનને પીછેહટની ફરજ પાડી હતી. વળતા પ્રહારથી પાકના 34 સૈનિકો માર્યા ગયા અને 4 જીવતા પકડાયા હતા. દુશ્મનની સાથે લડતા સીઆરપીએફની બીજી બટાલિયનના 7 જવાન શહીદ થયા હતા. કાર્યક્રમમાં બીએસએફ 90 બટાલિયનના કમાન્ડન્ટ વિજયકુમાર, નાયબ પોલીસ અધિક્ષક ડૉ. વિશ્વા શાહ,સીઆરપીએફના ઉપ-કમાન્ડન્ટ અભિજીત કાલે અને આસિસ્ટન્ટ કમાન્ડન્ટ દિનેશ ચંદ્ર ચંદેલ સહિત સીઆરપીએફ અને બીએસએફના ઉચ્ચ અધિકારીઓ, સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા.
ભાસ્કર એક્સક્લુસિવ:પરિવારને 5, સંસ્થાને 25 લિ. કેરોસીન મળશે
ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારની સૂચના અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં રાંધણ ગેસ ઉપરાંત કેરોસીનની જરૂરિયાતને પહોંચી વળવા માટે નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. જેના અનુસંધાને કચ્છમાં કેરોસીન ડીલર એસોસિયેશન અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓના સહયોગથી જિલ્લામાં કેરોસીન વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા જિલ્લાવાર 36 KL (કિલો લિટર) કેરોસીનની ફાળવણી કરવામાં આવી છે. આ જથ્થાનો ઉપયોગ મુખ્યત્વે રાંધવા અને પ્રકાશની વ્યવસ્થા (લાઇટ) માટે જ કરી શકાશે. જેમાં પરિવાર દીઠ 5 લિટર કેરોસીન અને સંસ્થા દીઠ 25 લિટર કેરોસીન એક જ વખત મેળવી શકશે. જો કે કેરોસીન મેળવવા ઈચ્છતા લોકો માટે NIC દ્વારા ઓનલાઈન URL: https://ipds.gujarat.gov.in/ પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. જે-તે તાલુકા સ્તરેથી જ્યારે ઓછામાં ઓછા 12,000 લિટર (1 ટેન્કર લોડ) કેરોસીનની ઓનલાઈન માંગણી નોંધાશે, ત્યારે તાત્કાલિક અસરથી તે તાલુકાના નિયત કરેલા પેટ્રોલ પંપ પરથી વિતરણ શરૂ કરી દેવામાં આવશે. ટ્રાન્સપોર્ટેશન અને અન્ય આનુષંગિક ખર્ચાઓને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા ભાવ નક્કી કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લામાં કેરોસીનનો ભાવ પ્રતિ લિટર ₹63.26 થી ₹64.07 ની વચ્ચે રહેશે. આ 6 પેટ્રોલ પંપ પર મળશે કેરોસીન ચૂલા સળગે છે, તેવા વિસ્તારો બાકાત રખાયાકચ્છ જિલ્લામાં 6 તાલુકાઓમાં કેરોસીન વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, પરંતુ આયોજનની કમનસીબી એ છે કે જેમાં અબડાસા, લખપત અને માંડવી શહેરનો સમાવેશ જ કરાયો નથી. આ એવા વિસ્તારો છે જ્યાં ગરીબી અને અંતરિયાળ ભૂગોળને કારણે હજુ પણ હજારો ગૃહિણીઓ ધુમાડાથી ભરેલા ચૂલા પર રસોઈ બનાવે છે. સરકારની ‘ઉજ્જવલા’ યોજનાના અજવાળા હજુ આ સરહદી ગામડાં સુધી પહોંચ્યા નથી. જ્યારે સૌથી વધુ જરૂરિયાત અહીંના અંતરિયાળ વિસ્તારના લોકો અને માલધારીઓને છે, ત્યારે તેમને જ આ યોજનાથી બાકાત રાખવામાં આવતા તંત્રની નીતિ સામે સવાલો ઉઠ્યા છે.
દાંપત્ય અને ઘરેલુ સબંધોમાં સર્જાતી તકરારોને સમયસર સમજણથી સુખદ રીતે ઉકેલી શકાય છે. હાલમાં ભુજ સ્થિત જિલ્લા ન્યાયાલયના મિડીયેશન સેન્ટર ખાતે ફરીવાર એક દંપતીનું દાંપત્ય જીવન તૂટતા પહેલા બચાવી લેવામાં આવ્યું હતું. ચારેક વર્ષથી દંપતી સાથે રહેતા હતા અને જેમાં એમને કોઈ સંતાન ન હતું. પતિની આવક ઓછી હોવાથી એમા ઘરનું ગુજરાત ચલાવવું મુશ્કેલ બની જતું હતું. એવામાં અચાનક એક દિવસ પતિને કામ મળવાનું બંધ થઈ ગયું. હવે આર્થિક સ્ત્રોત બંધ થઈ જતાં દંપતી વચ્ચે તકલીફો વધવા લાગી. ઘણીવાર બંને વચ્ચે નાની-નાની બાબતોમાં તકરાર થવા લાગ્યો. ઘર ચલાવવું એટલું મુશ્કેલ થઈ ગયું હતું કે, અંતે પતિની પરવાનગી વગર જ કે તેમને ખબર ન પડે તેમ પત્નીએ ઘરની ચીજ-વસ્તુઓ વેચવાની શરૂ કરી દીધી હતી. આ કેસમાં મિડીયેટર દ્વારા પ્રથમ બેઠકમાં બંને પક્ષોની વચ્ચે રહેલી ગેરસમજોને દૂર કરવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં મિડીયેટના માર્ગદર્શન તેમજ બંને પક્ષોની સકારાત્મકતાને કારણે સંબંધિત વિવાદના મુદ્દાઓ પર સહમતી સાધી હતી. અંતે, પતિએ રહેવા માટે મકાનની વ્યવસ્થા કરી, નવું કામ શોધી અને કમાણી કરી ઘર ચલાવવાની જવાબદારી ઉઠાવવા સહમત થયા હતા. સાથે જ પત્નીએ પણ પતિને આત્મહત્યા જેવુ પગલું ન ભરવા વચન આપ્યું. માત્ર એક બેઠકમાં જ જટીલ જણાતો આ લગ્ન વિષયક પ્રશ્ન 4 એપ્રિલે ઉકેલાતા મામલાનું સમાધાન થયું હતું. બંનેએ છુટ્ટા થવાનું નક્કી કર્યું હતુંપરિસ્થિતિ ત્યાં સુધી કપરી બની ગઈ હતી કે, રહેવા માટે ભાડે મકાનની વ્યવસ્થા પણ થઈ શકે તેમ નહતી. ઘણીવાર પતિએ ગુસ્સામાં આવી પત્નીને અપશબ્દો બોલેલા. જેથી પત્નીને દુઃખ લાગતા પતિને આત્મહત્યા કરવાની ધમકી આપી, અંતે બંનેએ છુટ્ટા થવાનું નક્કી કર્યું. જોકે આ કેસ કોર્ટમાં ઔપચારિક રીતે દાખલ થાય તે પહેલાં તેને મિડીએશન સેન્ટર ખાતે પ્રિ-લિટિગેશન (ઉજાસ) તરીકે રજીસ્ટર કરાયો હતો.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:સ્થાનિક સ્વરાજ્યની 448 સીટ માટે 867 ફોર્મ ઉપડ્યા, 31 ભરાયા
કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ ભરવા માટે હવે માત્ર બે દિવસ બાકી રહ્યા છે, ત્યારે અત્યાર સુધીમાં કુલ 1867 ફોર્મનું વિતરણ થયું છે, જેની સામે માત્ર 31 ફોર્મ જ ભરાયા છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત નથી કરાઇ. કચ્છની 9 તાલુકા પંચાયતની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 31 ફોર્મ ભરાયા છે, જેમાં સૌથી વધુ લખપત તાલુકામાં 19 ફોર્મ ભરાયા છે. આ ઉપરાંત ભુજમાં 04 ફોર્મ, મુન્દ્રા 05 ફોર્મ, અબડાસામાં 02 ફોર્મ અને રાપર તાલુકા પંચાયત માટે 01 ઉમેદવારે ફોર્મ ભર્યો છે. હાલમાં માત્ર અપક્ષ અને આમ આદમી પાર્ટી સહિતના અન્ય પક્ષો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. છેલ્લી તારીખ 11 એપ્રિલના રોજ મોટાભાગના ઉમેદવારો ફોર્મ ભરશે. કચ્છની બેઠકવાર ફોર્મની સ્થિતિ
શહેરના ચીટરોએ સસ્તા સોનાના નામે ઠગાઈ આચરવા દેશનો એકપણ ખુણો બાકી રાખ્યો નથી, તેવામાં રાજસ્થાનના વેપારીને બજારભાવ કરતા દસ ટકા ઓછા ભાવે સોનુ આપવાની લાલચ આપી રૂપિયા 61 લાખ પડાવ્યા બાદ દોઢ વર્ષ સુધી અલગ અલગ બહાનાઓ બનાવી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી હીરાલાલ હપ્પારામજી ચૌધરીએ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે ભુજના ગાંધીનગરીમાં રહેતા આરોપી રાહુલ સોની જેનું સાચુ નામ અલ્તાફ હુશેન જત અને હાજી વલીમામદ કકલ સામે ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ સપ્ટેમ્બર 2024માં ફરિયાદીના દીકરાને ફેસબુક પર રાહુલ સોની નામની આઈડી દેખાઈ હતી જેમાં વિવિધ દેશના સોનાના બિસ્કીટ બાબતે વિગતો દેખાઈ હતી. જેથી આરોપીનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદી વાતચીત કર્યા બાદ 14 ઓક્ટોબર 2024ના ભુજ આવ્યા હતા. ત્યારે આરોપીઓએ તેની સાથે મીટીંગ કરી રૂપિયા 7 લાખમાં 100 ગ્રામનું સોનાનું બિસ્કીટ આપ્યું હતું. ફરિયાદી સોનાનુ બિસ્કીટ લઈને ચાલ્યા ગયા બાદ વધુ સોનુ ખરીદવા આરોપીને કહ્યું હતું અને આંગડીયા મારફતે 500 ગ્રામ સોના માટે રૂપિયા 34 લાખ મોકલાવ્યા હતા. જે બાદ આરોપીઓએ વધુ સોનુ ખરીદવાની લાલચ આપી બીજા 34 લાખ પડાવ્યા હત. પરંતુ ફરિયાદીને બિસ્કીટ ન મળતા તેઓ ભુજ આવ્યા હતા. ત્યારે આરોપીએ વિશ્વાસ કેળવવા 1 સોનાનુ બિસ્કીટ આપી અલગ અલગ બહાના બનાવી ફરિયાદી સાથે રૂપિયા 61 લાખની ઠગાઈ આચરી હતી.જે મામલે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઠગાઈનો ભોગ બાદ પણ લાલચ-એલસીબીના ચોપડે ચીટરો અકબંધઆરોપીઓએ ફરિયાદી પાસેથી કુલ 75 લાખ લઇ લીધા બાદ વિશ્વાસ કેળવવા માટે રૂપિયા 14 લાખના 2 સોનાના બિસ્કીટ આપ્યા હતા. ત્યારબાદ દોઢ વર્ષ સુધી અલગ અલગ બહાના બતાવી રૂપિયા કે સોનુ આપ્યું ન હતું. આ દરમિયાન ફરિયાદી અન્ય એક ચીટર ગેંગના હાથે ઠગાઈનો ભોગ બન્યા હતા અને એ મામલે ફરિયાદ પણ કરેલી હતી. ત્યારે બન્ને આરોપીઓ બાબતે તપાસ કરતા કોઈ જાણકારી મળી ન હતી પરંતુ ત્યારબાદ આ બન્ને આરોપીના સાચા નામ જાણવા મળ્યા હતા અને એલસીબી કચેરીમાં તપાસ કરાવતા બન્ને ચીટરો ચોપડા પર ચડેલા દેખાયા હતા.
ભાસ્કર ફોલોઅપ:બોર્ડની પરીક્ષામાં શંકાસ્પદ જણાયેલા 110 છાત્રોનું હિયરીંગ પૂર્ણ, 19 સામે લટકતી તલવાર
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ હવે પેપર ચકાસણી સહિતની કામગીરી આખરી તબક્કામાં છે. આ વર્ષે પરીક્ષા દરમિયાન કચ્છ જિલ્લામાં પ્રત્યક્ષ રીતે એક પણ કોપી કેસ નોંધાયો ન હતો, પરંતુ પરીક્ષા પૂર્ણ થયા બાદ સીસીટીવી ફૂટેજના નિરીક્ષણ દરમિયાન 110 વિદ્યાર્થીઓ શંકાસ્પદ જણાયા હતા. આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારની અધ્યક્ષતામાં મળેલી કમિટીની બેઠકમાં બે દિવસ સુધી સુનાવણી યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ, ખંડ નિરીક્ષક અને આચાર્યોને બોલાવી ફૂટેજ બતાવવામાં આવ્યા હતા. સુનાવણીના અંતે ધોરણ 10 ના 10 અને ધોરણ 12 ના 9 વિદ્યાર્થીઓ શંકાસ્પદ જણાતા તેમનો રિપોર્ટ ગાંધીનગર બોર્ડમાં મોકલવામાં આવ્યો છે. આ 19 વિદ્યાર્થીઓએ હવે તેમના વાલીઓ, ખંડ નિરિક્ષક અને કેન્દ્ર સંચાલકો સાથે ગાંધીનગર બોર્ડ સમક્ષ હાજર થવું પડશે. બોર્ડની ઉચ્ચસ્તરીય કમિટી દ્વારા ફૂટેજની આખરી તપાસ કરવામાં આવશે. જો ચોરી સાબિત થશે તો વિદ્યાર્થીના તે વિષયનું અથવા જરૂર જણાય તો સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ થઈ શકે છે. બેદરકારી બદલ ખંડ નિરીક્ષક અને કેન્દ્ર સંચાલક સામે પણ કડક પગલાં લેવામાં આવશે. મે મહિનામાં પરિણામ જાહેર થવાની શક્યતાસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પરીક્ષાલક્ષી મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને હાલ પરિણામ તૈયાર કરવાની પ્રક્રિયા તેજ ગતિએ ચાલી રહી છે. બોર્ડ દ્વારા મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ધોરણ 12 સાયન્સ તે બાદ ધોરણ 12 કોમર્સ અને છેલ્લે માસના અંતે ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
વાણીયાવાડમાં ઘાતકી હત્યા:રાશનના 4 લાખ માટે બોટલ-દસ્તો ફટકારી વૃદ્ધની હત્યા
શહેરના વાણીયાવાડ વિસ્તારમાં એકાકી જીવન જીવતા અને સાધનિક ચેરીટેબલ ટ્રસ્ટના વૃદ્ધ સંચાલકની હત્યા કરી દેવામાં આવતા ચકચાર ફેલાઈ છે. પ્રમુખસ્વામી નગરમાં રહેતા આરોપીની દુકાનેથી સંસ્થા માટે રાશન ખરીદીના બાકી રહેલા રૂપિયા બાબતે બોલાચાલી બાદ આરોપીએ વૃદ્ધને માથાના ભાગે બોટલ અને દસ્તો ફટકારી મોતને ઘાટ ઉતારી દીધા બાદ 4 કલાક પછી આરોપીએ ખુદ પોલીસ સામે હાજર થઇ કબુલાત આપતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પ્રાપ્ત વિગતો મુજબ શહેરના વાણીયાવાડ વિસ્તારમાં અસ્ટપદા બિલ્ડીંગના બીજા માળે આવેલ ફ્લેટ નંબર ૩માં રહેતા 71 વર્ષીય રશ્મીકુમાર કનકલાલ ભુલાણી(શાહ)ની હત્યા કરી દેવાઈ હોવાની ઘટના સામે આવી છે. જે મામલે હોસ્પિટલ રોડ પર રહેતા મૃતકના ભાઈ ફરિયાદી પંકજભાઈ કનકલાલ શાહે ભુજ શહેરએ ડીવીઝન પોલીસ મથકે પ્રમુખસ્વામી નગરમાં રહેતા આરોપી નીલેશ હસમુખલાલ શાહ સામે ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 8 એપ્રિલના રાત્રે દસ વાગ્યાના અરસામાં બન્યો હતો. ફરિયાદીના ભાઈ સાધનિક ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક હતા. જે સંસ્થા માટે આરોપીની દુકાન પરથી રાશનની ખરીદી કરતા હતા. જેના બાકી રહેતા રૂપિયા માટે આરોપી મૃતકને ઘરે ગયો હતો. જ્યાં બન્ને વચ્ચે બોલાચાલી થતા આરોપીએ મેટલની પાણીની બોટલ મૃતકને માથામાં ફટકારી હતી. ત્યાંથી ન અટકતા આરોપીએ મેટલના દસ્તાથી માથામાં ગંભીર ઈજા પહોચાડી વૃદ્ધને મોતને ઘાટ ઉતારી દીધા હતા. સમગ્ર મામલે ભુજ શહેરએ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ એમ.આર.નકુમ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, મૃતક આરોપી પાસેથી છેલ્લા ત્રણ-ચાર વર્ષથી રાશન ખરીદતા હતા, જેના રૂપિયા 4 લાખ બાકી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હત્યાના બનાવ બાદ આરોપી ખુદ પોલીસ મથકે આવ્યો હતો અને હત્યા નીપજાવી દીધી હોવાની કબુલાત કરતા પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પુરાવાનો નાશ કરવા કેમેરાનો ડીવીઆર કાઢ્યોઆરોપીએ રાત્રે 10 વાગ્યે હત્યાના બનાવને અંજામ આપી દીધા બાદ મૃતકના ઘરમાં લગાડેલ સીસીટીવી કેમેરાનો ડીવીઆર કાઢી લઇ પુરાવાનો નાશ કર્યો હતો. એક સમયે ગુનાથી બચવાનો પ્રયાસ કરનાર આરોપી હત્યાના ચાર કલાક બાદ રાત્રે બે વાગ્યે ખુદ એ ડીવીઝન પોલીસ મથકે હાજર થયો હતો અને પોતે હત્યાના બનાવને અંજામ આપ્યો હોવાની કબુલાત આપતા પોલીસ મૃતકના ઘરે પહોચી હતી. ત્યારે વૃદ્ધનો લોહીલુહાણ મૃતદેહ બેડરૂમમાં પડેલો દેખાયો હતો. જોકે આરોપીએ કેમેરાનો ડીવીઆર શા માટે કાઢ્યો તે સહીતની વિગતો વધુ તપાસ દરમિયાન સામે આવશે.
ઓનલાઇન ફ્રોડ:એચઆરમાંથી છું કહી ઠગે બીઓબીના નિવૃત્ત મેનેજરના ₹18.95 લાખ ઠગ્યા
વાઘોડીયા રોડ પર રહેતા અને બીઓબીમાંથી નિવૃત્ત મેનેજર 72 વર્ષીય ભુપેશચંદ્ર દવે સાથે ઓનલાઇન ફ્રોડની ઘટના બની છે. 17 જાન્યુઆરીએ ઠગોએ ફરિયાદીને વોટ્સએપ કોલ કરી પોતે બીઓબી હેડ ઓફિસ, અલ્કાપુરીના એચઆર ડિપાર્ટમેન્ટમાંથી બોલતા હોવાનું કહી જણાવ્યું કે, બેંકે રિટાયર્ડ કર્મચારીઓ માટે નવા પેન્શન કાર્ડ બહાર પાડ્યા છે, જેમાં મેડિક્લેમ અને ફ્યુઅલમાં 20 ટકા ડિસ્કાઉન્ટ મળશે. વિશ્વાસમાં લેવા ઠગોએ વોટ્સએપ પર ‘BOB HRMS VERIFICATIO.apk’ ફાઇલ મોકલી હતી. મેનેજરે ફાઇલ ઓપન કરી કે તરત જ તેમનો ફોન હેક થઈ ગયો હતો. ઠગે દોઢ કલાક સુધી વીડિયો કોલ ચાલુ રખાવી વિગતો ફોર્મમાં ભરાવી હતી. દરમિયાન ફરિયાદીનો ફોન અન્ય નંબર પર ફોરવર્ડ કરી OTP મેળવી લેવાયા હતા. તેમની 11 FD પર લોન લઈને નાણાં ઉપાડી લીધા હતા. કોલ કટ થયા બાદ જ્યારે ફરિયાદીએ સ્ટેટમેન્ટ ચેક કર્યું ત્યારે જાણવા મળ્યું કે તેમના અને તેમની પત્નીના 4 ખાતામાંથી 11 એફડી પર લોન લઇ ₹18.95 લાખ 10 ટ્રાન્ઝેક્શન કરી ઉપાડી લેવાયા છે. સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રમતગમતમાં ઝળહળતી સિદ્ધિ:એથ્લેટિક્સમાં 5.42 મીટરની છલાંગ લગાવી મયૂરીએ બ્રોન્ઝ મેડલ જીત્યો
છત્તીસગઢનાં જગદલપુર ખાતે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા દેશના સર્વપ્રથમ ‘ખેલો ઈન્ડિયા જનજાતીય ખેલ-મહોત્સવ’માં એથ્લેટિક્સની સ્પર્ધા યોજાઈ હતી. તેમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના એથ્લેટ મયૂરી ગામીતે એથ્લેટીક્સની સ્પર્ધામાં લાંબી કુદની ઈવેન્ટમાં 5.42 મીટરની લાંબી છલાંગ લગાવી સમગ્ર ભારતમાં તૃતીય સ્થાન મેળવી ‘બ્રોન્ઝ મેડલ’ મેળવી સિદ્ધિ હાંસલ કરી છે. તેમ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના ફિઝિકલ એજ્યુકેશન અને સ્પોર્ટ્સના ડિરેક્ટર પ્રો. રણછોડ રથવીએ જણાવ્યુ હતુ. મયૂરી ગામીતને સિદ્ધિ મેળવવા માટે તેના માર્ગદર્શક એથ્લેટીક્સ કોચ પિંકલ આહિર, આસી.પ્રોફેસર નિશા નાઈકોડી અને હરેશ ભવાનીએ માર્ગદર્શન આપ્યુ હતું. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુશળ એથ્લેટ મયુરી ગામીતની આવી વિશિષ્ટ અને વિરલ સિદ્ધિ મેળવવા માટે સમગ્ર ગુજરાત અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું ગૌરવ અને સન્માન વધારવા બદલ સહિત સમગ્ર યુનિવર્સિટી પરિવારે અભિનંદન આપ્યા હતા.
ગુજરાત યુનિવર્સિટી ભાષા સાહિત્ય ભવનના ગુજરાતી વિભાગ દ્વારા વાર્ષિક મુખપત્ર ‘આદ્યાક્ષર’ના વિમોચનનો કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાતી વિભાગમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની ફેલોશિપ મેળવતા વિદ્યાર્થીઓ દ્વારા સઘન અધ્યયન,વિવિધ પ્રવૃત્તિઓ,તથા સર્જનાત્મક અભિવ્યક્તિ અને વર્ષ દરમિયાન થતી અનેકવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓનું દસ્તાવેજીકરણ કરીને ‘આદ્યાક્ષર’ને એક સંદર્ભ ગ્રંથ જેવો ઘાટ આપ્યો. જેમાં વિદ્યાર્થીઓની સ્વરચિત ગદ્ય અને પદ્ય કૃતિઓ સહિત, પ્રશિષ્ટ કૃતિઓના આસ્વાદ સાથે આદિવાસી કલા ધરોહરના સંશોધક ભગવાનદાસ પંચાલ અને શોષિત-પીડિતને દલિત સાહિત્યના સર્જક બી.કેશરશિવમની મુલાકાતની વિગતસભર વાતોથી ‘આદ્યાક્ષર’નું મૂલ્ય ઘણું વધી જાય છે. જ્યા વડોદરાના કવિ નૈષધ મકવાણાએ પોતાની કવિતાની પંક્તિઓ રજૂ કરી હતી. મઝાની જિંદગી છે તો,ઉમળકા કેમ નહીં રાખું? વળી ભીતર નિરખવાનાઅભરખા કેમ નહીં રાખું? સવારે રોજ આવીને,સૂરજ ઊર્જા ભરી આપે, હવા આવે તો ગલગલિયાંઅડપલાં કેમ નહીં રાખું?
કલ્ચર ફેસ્ટ:‘ન્યાય કી પુકાર ડ્રામા’ એ મંચને હચમચાવ્યો,ગરબા, ભરતનાટ્યમનો સંસ્કાર સંગમ ફેસ્ટ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મ.સ.યુનિવર્સિટી આર્ટ્સ વિભાગ દ્વારા ત્રીદિવસય સંસ્કાર સંગમ 2026 કલ્ચર ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનાં ઉદ્ઘાટન કાર્યક્રમમાં એબીવીપી ગુજરાત પ્રદેશ મંત્રી દેવાંશ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમ ત્રણ દિવસ માટે સી.સી.મહેતા ઓડિટોરિયમ હોલમાં યોજાયો. જેમાં દેશના અને વિદેશના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પોતાના સંસ્કૃતિને પ્રસ્તુત કરવામાં આવી હતી. સાથે જ ગુજરાતના પણ અલગ અલગ વિસ્તારના સાંસ્કૃતિક વારસાને પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ ‘વસુધૈવ કુટુંબકમ’ની થીમ ઉપર યોજાયો હતો. જેમાં 3 હજાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ફેશન શો, ડ્રામા વોક સાથે વિદ્યાર્થીઓની પ્રસ્તુતિ કરાઇકથક, ભરતનાટ્યમ, ગરબા સહિતની ગ્રૂપ પ્રસ્તુતિનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ તે સાથે સોલો પર્ફોર્મન્સ પણ યોજાયા હતા. ખાસ કરી વિદ્યાર્થીનીઓ દ્વારા ન્યાય કી પુકાર કરી ડ્રામાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. જેમાં મહિલાઓ પર થતા રેપને લઇ સંવેદનશીલ મેસેજ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં વિવિધ પહેરવેશમાં વિદ્યાર્થીઓએ મહિલાઓની વ્યથાના ડ્રામાં દ્વારા રજૂ કરી હતી. તે સાથે બોલીવુડના ગીતો પર પ્રસ્તુતિ કરાઇ હતી.
ચૂંટણી ઇફેક્ટ:યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં પરીક્ષા પાછળ ઠેલાઇ
એમ.એસ. યુનિ.ની પરીક્ષાને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નડશે. યુનિ.ની સૌથી મોટી ગણાતી કોમર્સ ફેકલ્ટીની એફવાય બીકોમની પરીક્ષા 24 એપ્રિલની જગ્યાએ 1લી મેના રોજ શરૂ થશે. આ ઉપરાંત એમકોમની પરીક્ષા પણ પાછી ઠેલવી પડે તેવી શક્યતાઓ છે. યુનિ.ની મોટાભાગની ફેકલ્ટીમાં પરીક્ષાઓ મે મહિના પહેલા પૂરી કરવાનું આયોજન હતું. જોકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પગલે પરીક્ષાઓ પાછી ઠેલવાનો વારો આવ્યો છે. એફવાય બીકોમની 24 એપ્રિલના રોજ શરૂ થવાની પરિક્ષા હવે 28 એપ્રિલ કે 1લી મેના રોજ શરૂ કરવામાં આવશે. એસવાય બીકોમની પરીક્ષા 17 એપ્રિલથી શરૂ થઈ જે 23 એપ્રિલના રોજ પૂર્ણ થશે.આર્ટસની 21 તારીખથી શરૂ થઈ રહેલી એમએ સેમેસ્ટર 1-2 તથા ટીવાય બીએની પરીક્ષાઓ હવે મે મહિનાના પ્રથમ સપ્તાહમાં યોજાશે. હજી આર્ટસ ફેકલ્ટીના સત્તાધીશોએ નવી તારીખોની રજૂ કરી નથી. પેપર તપાસવાની પ્રક્રિયામાં વિલંબ થશેપરીક્ષાઓ મોડી થવાથી પેપર તપાસવાની પ્રક્રિયામાં વિલંબ થશે. જેની સીધી અસર નવા શૈક્ષણિક સત્રના એડમિશન પર પડી શકે છે. મે મહિનામાં અધ્યાપકોના વેકેશન પ્લાન પર કાતર ફરી શકે તેવી શકયતાઓ છે. મે મહિનાના વેકેશનમાં પણ અધ્યાપકોએ 15 થી 20 દિવસ કામગીરી કરવી પડશે.
મ.સ.યુનિ.ના 500થી વધુ અધ્યાપકોને ચૂંટણીની કામગીરી સોંપવામાં આવી છે. હોમ સાયન્સ અને લો ફેકલ્ટીના ડીન સહિતના સિનિયર અધ્યાપકોને પણ ચૂંટણી ફરજના ઓર્ડર અપાયા છે. જોકે, યુનિ.માં હાલ પરીક્ષાઓ ચાલતી હોવાથી રજિસ્ટ્રારે અધ્યાપકોને આ ફરજમાંથી મુક્તિ આપવા માટે પત્ર લખ્યો છે. અધ્યાપકો ઉપરાંત તમામ બિન-શૈક્ષણિક કર્મચારીઓને પણ ચૂંટણીલક્ષી ઓર્ડર કરવામાં આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પગલે યુનિ.ના અધ્યાપકોને ચૂંટણીની કામગીરી સોંપાઈ છે. તમામ ફેકલ્ટીઓમાં ઓર્ડરની કોપી મળતાની સાથે જ તે કેન્સલ કરાવવા માટે અધ્યાપકો ડીન પાસે દોડી ગયા હતા. અગાઉની ચૂંટણીઓના ડેટાના આધારે આ ઓર્ડર કરવામાં આવ્યા છે. હોમ સાયન્સ ફેકલ્ટીના ડીન સહિતના સિનિયર અધ્યાપકોને પ્રિસાઇડિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેની જવાબદારી અપાઈ છે. મહિલા અધ્યાપકોને પોલિંગ એજન્ટનું કામ સોંપાયું છે. નોન-ટીચિંગ સ્ટાફને ઝોનલ અને આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસરની કામગીરી સોંપાઈ છે. રજિસ્ટ્રાર કે.એમ. ચુડાસમાએ ચૂંટણી અધિકારીને પત્ર લખીને અધ્યાપકોને ચૂંટણી ફરજમાંથી મુક્તિ આપવા વિનંતી કરી છે. તેમજ જે-તે ફેકલ્ટીના ડીને પણ વ્યક્તિગત રીતે પત્ર લખીને પ્રક્રિયામાંથી મુક્તિ આપવા વિનંતી કરી હતી. સંસ્કૃત મહાવિદ્યાલયના 2 અધ્યાપકને 2 ડ્યૂટીના ઓર્ડર અપાયાસંસ્કૃત મહાવિદ્યાલયના બે અધ્યાપકોને ઝોનલ અને પ્રિસાઇડિંગ એમ બંને ડ્યુટીના ઓર્ડર અપાયા છે. એક સાથે બે કામગીરી સોંપાતા અધ્યાપકો મૂંઝવણમાં મુકાયા છે કે કઈ ફરજ બજાવવી. સંસ્કૃત મહાવિદ્યાલયના કુલ 3 કાયમી અધ્યાપકોમાંથી 2ને ચૂંટણી ઓર્ડર મળતા હવે કોલેજનું સંચાલન કેવી રીતે કરવું તે પ્રશ્ન પણ ઊભો થયો છે. મોટી સંખ્યામાં સ્ટાફ ચૂંટણીમાં જશે તો પરીક્ષા ખોરવાશેયુનિ.માં હાલ પરીક્ષાઓને સમય છે. જો આટલી મોટી સંખ્યામાં સ્ટાફ ચૂંટણીમાં જશે તો શૈક્ષણિક કાર્ય ખોરવાશે. અમે કલેક્ટર અને ચૂંટણી અધિકારીને પત્ર લખીને શૈક્ષણિક હિતમાં સ્ટાફને મુક્ત કરવા રજૂઆત કરી છે. > કે.એમ. ચુડાસમા, રજિસ્ટ્રાર, મ.સ.યુનિ. કોન્ટ્રાક્ટ કર્મીને પણ ઓર્ડર, હવે પટાવાળા પણ નહીં મળેયુનિ.ની આર્ટસ અને કોમર્સ ફેકલ્ટીમાં વહીવટી કામકાજ સંભાળતા તમામ બિન-શૈક્ષણિક કર્મચારીઓને ઓર્ડર આપી દેવાયા છે. આમાં 11 મહિનાના ફિક્સ પગાર પર કામ કરતા પટાવાળાઓનો પણ સમાવેશ થાય છે. આ સ્ટાફ વગર, વહીવટી સંચાલન કોણ કરશે?
ભાવનગર મહાનગરપાલિકાની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર 1 (ચિત્રા-ફુલસર-નારી) માં સ્થાનિકોની મૂળભૂત સુવિધાઓના અભાવે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. દિવ્ય ભાસ્કર દ્વારા કરવામાં આવેલ ગ્રાઉન્ડ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, મતદારો સફાઈ, ગટર, પાણી અને ડિમોલિશન બાદ સર્જાયેલી આવાસની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે, જ્યારે ભાજપ અને કોંગ્રેસના પ્રતિનિધિઓ વિકાસના દાવા અને આક્ષેપબાજીમાં વ્યસ્ત છે. 'સમસ્યા દૂર કરે તો મત આપીએ, બાકી દેવો નથી'આ અંગે સ્થાનિક અસ્મિતાબેને જણાવ્યું હતું કે, નિયમિત રીતે પાણી આવે છે, પણ એમાં ગટરની વાસ બહુ આવે છે. જેનાથી અમારા બાળકો બિમાર પડે છે. મત લેવા હોય ત્યારે તો ઘડીએ-ઘડીએ બધા આવો છો, અત્યારે અમારે મત દેવો કે ન દેવો કોઈને એ વિચાર આવે છે અમને. બધી સમસ્યા આ દૂર કરી દે એને મત આપીએ અમે, નકર અમારે કોઈને મત દેવો જ નથી. 'ગટરની લાઈન કે કોઈ સુવિધા નથી મળી'સ્થાનિક કંચનબેન કંટોલીયાએ જણાવ્યું હતું કે, કાંગસીયા વિસ્તારમાં અમારે ગટર લાઈન નથી આવી, કોઈ પણ સુવિધા નથી અને કોઈ પણ વાહન મોટું લાવવું હોય તો અમારે બહુ મુશ્કેલી પડે છે. દવાખાનાનું કામ હોય તો એમ્બ્યુલન્સ પણ નથી આવી શકતી. અમે વેરો રેગ્યુલર ભરી દઈએ છીએ. મત દઈએ છીએ તો પણ કોઈ કામ થતું નથી. કોઈ સારું કામ કરે તો એને અમે મત દઈએ. થોડા ઉંચાઈ ઉપર રહીએ છીએ તો ત્યાં કોઈ સુવિધા મળી નથી. 'મત જોઈએ ત્યાં સુધી સફાઈ થાય'સ્થાનિક ભાવનાબેનએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં સફાઈ નથી થતી અને નથી કચરાવાળો આવતો. જ્યારે મત જોઈએ તો સાહેબો બધા દોડ્યા આવે. મત અમારે શું કામ દેવાના? સફાઈ તો થતી નથી તો શું કામ આ બધું કરવાનું? જ્યારે મત જોતા હોય ત્યાં સુધી સફાઈ થાય. મોંઘવારી વધતી જાય છે તો અમારે મહિલાઓને શું મરવાનું? મત લઈ લે અને પછી ડોકાતાય નથી, આ વખતે અમારે જે કંઈક સારું કામ કરશે એને મત દેવાનો, બાકી કોઈનું જોવાનું જ નથી. '82 મકાન પાડ્યા, અમારો આશરો છીનવાયો'ફુલસરના સ્થાનિક બાલાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, 82 મકાનમાં અમે ભાજપના કાર્યકર્તા છીએ. એમની પાછળ અમે ત્રણથી ચાર વખત ગયા. એમણે એવું કહ્યું કે તમારા મફતનગરને કાંઈ નહીં થાય. હવે અમે એમના આધારે ઉભા રહ્યા. અમારા 82 મકાન પાડવા આવ્યા ત્યારે અમને કોઈ આશરો દીધો નહીં અને અમારો સામાન બધો ભાંગી નાખ્યો. હવે અમારે કોઈ રહેવાનો આશરો નથી. તો અમારે હવે જવાનું કઈ ઠેકાણે. આ કોઈ દીવસ કોઈ ભાજપનો એક કાર્યકર પણ આવ્યો નથી. જેની પાછળ ગયા એને કીધું 'ના કાંઈ નહીં થાય, તમે એવી ઉપાધિ કરો માં. 'ગરીબ માણસનું કામ કરે એમને લાવીશું' સવારમાં 7 વાગ્યામાં આવીને બુલડોઝર ફેરવી દીધું. તો અમારે કઈ ઠેકાણે જવાનું અમારા 82 મકાન પાડ્યા અને મેલડી માતાજીના મંદિર પાસે 22 મકાન પાડ્યા. તો અમે બધા નિરાધાર થઈ ગયા છીએ. કોઈને કાંઈ આશરો છે નહીં. અમારે ગરીબ માણસનું કામ કરે એવા માણસોને રાખવા માંગીએ છીએ. બાકી આવા લુખ્ખા લફંગાનું કાંઈ કામ નથી. અને અહીંયા મત માટે આવતા જ નહીં? અમારે તમારી કાંઈ જરૂરી નથી, તમે અમારું કાંઈ કાર્ય કર્યું નથી. અમે હાવ નિરાધાર છીએ અત્યારે. 'ચૂંટણી પછી કોઈ દેખાતું નથી'કૌશિક પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અત્યારે ફૂલસરમાં આંગણવાડીઓ તો ઘણી છે. પણ અત્યારે મધુવન સોસાયટી, ખારા વિસ્તાર, રાધાકૃષ્ણ સોસાયટી અને કર્મચારીનગર, આ ચારેય વિસ્તારની થઈને એક આંગણવાડી છે એ પણ ભાડે છે. એની અંદર પણ છોકરાઓની સંખ્યા એટલી બધી છે પણ આ એક રૂમની અંદર આ છોકરાઓ યોગ્ય રીતે બેસી પણ નથી શકતા. જેની અવારનવાર અમે રજૂઆતો કરી છે છતા કોઈ નિરાકરણ આવતું નથી. હવે તો અમને વિચાર આવે છે કે મત આપી અમે ખુરશી ઉપર બેસાડીએ છીએ પણ હવે આનું કાંઈ કામકાજ તો થતું નથી, તો હવે અમે કોને મત આપવો. વધુમાં જણાવ્યું કે ચૂંટાઈ જાય પછી અહીંયા કોઈ કાંઈ દેખાતું નથી અને કોઈ કાંઈ ભલામણ કરતું નથી. 30-30 વર્ષથી માત્ર વાયદા કર્યાં છે:કાંતિ ચૌહાણકોંગ્રેસના ઉમેદવાર કાંતિ ચૌહાણે સત્તાધારી પક્ષ પર 'વાલા-દવલા'ની નીતિ રાખવાનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે સફાઈ અભિયાન અને ટેમ્પલ બેલની વ્યવસ્થા અનિયમિત છે, જેના કારણે કચરાના ઢગલા થાય છે. પાણીની નવી ટાંકીઓ છતાં લોકોએ મોટર મૂકવી પડે છે અથવા ટેન્કર મંગાવવા પડે છે. આપણે વિકાસ વિકાસ કહીએ, વિકાસ આવો અમારે ચિત્રા ફુલસરમાં જુઓ કે કઈ પ્રકારનો વિકાસ છે. રોડ રસ્તાથી વિકાસ નથી થતો સામાન્ય માણસ ગરીબ માણસને રોજી રોટી આપે એ વિકાસ સાચો કહેવાય. 100 ટકા અમે આ સમસ્યાનું નિરાકરણ લાવશું. કાંતિ ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે, લોકો અમારી ઉપર વિશ્વાસ મુકે અને અમારી પેનલને જિતાડશે, અમે 100 ટકા લોકોના સંપૂર્ણ કામને વાચા આપી અને આ કામ પૂર્ણ કરાવશું એવી ખાતરી આપીએ છીએ. અને આ લોકો આજે 30-30 વર્ષથી વાયદા કરતા હોય છે, તો પણ એ કામ પૂર્ણ નથી કરી શક્યા. અને કરોડો રૂપિયાની જાહેરાતો કરે છે કે આટલું કરશું અને આટલું કરીશું, ચૂંટણી આવે ત્યારે જ કામ કરવાના. રોડ રસ્તાના ખાતમુહર્ત તાત્કાલિક કરવામાં આવે છે, કા પહેલા નથી કરતા? આ 30-30 વર્ષથી લોકો અત્યારે ત્રાહિમામ પોકારી ગયા છે. '5 વર્ષમાં 200 કરોડથી વધુના કામ થયા'ભાજપના પૂર્વ કોર્પોરેટર ઉપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં આ વિસ્તારમાં 200 કરોડથી વધુના કામો થયા છે. તેમણે પાણીની વ્યવસ્થામાં સુધારો થયો હોવાનું જણાવી ચાર નવા વોટર સોર્સ ઉભા કર્યા હોવાનો દાવો કર્યો છે. તેમણે કોંગ્રેસના કોર્પોરેટર પર ગ્રાન્ટનો દુરુપયોગ માત્ર બાંકડા અને પીંજરા મૂકવામાં કર્યો હોવાનો વળતો પ્રહાર કર્યો છે. ગમે તે સોસાયટીમાં જઈને કહો કે ભાઈ અહીંયા ભારતીય જનતા પાર્ટીએ શું કામ કર્યું છે? જો તમને સોસાયટીમાંથી મિનિમમ એક કામ અથવા ત્રણ કામથી વધારે ગણાવી દે. તમે ગમે તે સોસાયટીમાં ઈન્ટરવ્યુ લઈ શકો છો. વાત થાય કે પાંચ વર્ષમાં એમે ક્યાં ગ્રાન્ટ વાપરી? લોકભાગીદારીમાં અમને દર વર્ષે 30 લાખની ગ્રાન્ટ મળે એટલે પાંચ વર્ષની દોઢ કરોડની ગ્રાન્ટ થાય. અમે 8થી 9 કરોડના કામ લોકભાગીદારીથી કર્યાં. ઉપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે આવા આવાસ પાડી દીધા, લોકોને ઘરવિહોણા કરી દીધા. તો મારે કાંતિભાઈને કહેવું છે કે જેની પાસે આધાર હતા નગરના, તેઓને માત્ર 1 લાખ રૂપિયામાં આવાસ આપવામાં આવ્યા. આખા ભાવનગર મહાનગરપાલિકામાં જ્યાં ડિમોલિશન થયું છે ત્યાં આ એક જ એવી જગ્યા છે કે જેમને ઘરવિહોણા કોઈને કરવામાં નથી આવ્યા. સરકારની રોડ ઉપરની જગ્યા પર હતા. રોડ-રસ્તા કરવા પણ ખૂબ જરૂરી છે, ત્યારે એમને માત્ર 1 લાખ રૂપિયામાં (આવાસ આપ્યા) અને જે 1 લાખ રૂપિયા પણ નહોતા પહોંચી શકતા તેમને બેંક દ્વારા કે અન્ય સંસ્થા દ્વારા 1 લાખ રૂપિયા પણ ફાઇનાન્સ કરાવીને એમને રહેણાંક માટેની સુવિધા કરી છે.
રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ પડઘમ વાગી રહ્યા છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી પણ યોજાઈ રહી છે. અમે પહોંચ્યા છીએ વડોદરા શહેરના વોર્ડ નં-11માં, જ્યાં કેવો વિકાસ થયો છે, સમગ્ર વિસ્તારની શું પરિસ્થિતિ છે. અહીંના લોકો શું ઇચ્છી રહ્યા છે. અહીં લોકોનો શું છે મિજાજ અને આક્રોશ તે આ રિપોર્ટમાં જાણીશું. દિવાળીપુરામાં નળમાં ગટર મિશ્રિત પાણી આવેસૌથી પહેલા અમે વોર્ડ નંબર 11ના દિવાળીપુરા ગામમાં પહોંચ્યા, જ્યાં સૌથી મોટી સમસ્યા પાણીની છે. અહીં ગટર મિશ્રીત પાણી આવે છે. અહીં અંબિકાનગર, રંગ અવધૂત વસાહત અમે અનંત પાર્ક સોસાયટીના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો. અહીં પાણી અને ગટરની સમસ્યાથી લોકો ત્રસ્ત છે. પીવાનું પાણી તો રૂપિયા ખર્ચીને બહારથી લાવવુ પડે છે. અને વાપરવા માટે પણ ઘણીવાર પાણીના ટેન્કર મંગાવવા પડે છે. દિવાળીપુરા ગામમાં આવેલ અંબિકાનગર વસાહતમાં રહેતા કપિલાબેને જણાવ્યું હતું કે, જુઓ ભાઈ, આ અમારી પીવાની પાણીની ટાંકી છે. અહીં ગટરનું બધું ગંદુ પાણી ભેગું થાય છે. અમે આ સમસ્યા ઉકેલવા માટે 40,000 રૂપિયા ખર્ચ્યા છે, રોજ સિમેન્ટની થેલીઓ નાખીને કામ કરાવ્યું, પણ પાણી પાછું આવે છે. હવે તો અમે ટાંકી ભરવાનું જ બંધ કરી દીધું છે. અમારી તકલીફ તો પૂછો જ નહીં! ઘરમાં માણસો વધારે છે અને પાણી ઓછું આવે છે, તેમાંય આવું ગટરનું ગંદુ પાણી આવે તો વાપરવું કેવી રીતે? આ જુઓ, અહીં પથરા પણ ઊંચા-નીચા થઈ ગયા છે, ગંદકી ફેલાય છે અને ઉંદરોનો પણ ત્રાસ વધી ગયો છે. છ-છ મહિના સુધી ખાડા ખોદેલા રહે છે, જે અમે જાતે પુરાવ્યા છે. શું તમે આ બાબતે તમારા સ્થાનિક કોર્પોરેટરને જાણ કરી છે? તેવા સવાલના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે, અહીં કોઈ આવતું નથી ભાઈ! જ્યારે ચૂંટણી આવે અને મત લેવાના હોય ત્યારે જ લાઈનો લાગે છે. અમારું કામ કરવા કોઈ તૈયાર નથી. અમે રાત્રે બે-બે વાગ્યા સુધી જાગીને મજૂરો બોલાવી કામ કરાવ્યું છે, પણ તંત્ર તરફથી કોઈ મદદ મળતી નથી. 'ગટરની ફરિયાદ કરીએ તો નામ પૂરતી કામગીરી કરી જતા રહે છે'અંબિકાનગર વસાહતમાં રહેતા તેજસભાઈ ધોબીએ જણાવ્યું હતું કે, અહીં ગટર સતત ભરેલી જ રહે છે. જ્યારે પણ અમે ફરિયાદ કરીએ ત્યારે કોર્પોરેશનના માણસો આવે છે, ફક્ત એક સળિયો મારીને ગટર ખોલવાનો પ્રયત્ન કરે છે અને પછી જતા રહે છે. તેઓ અમને કહે છે કે તમે મશીનવાળાને બોલાવો કે ટેમ્પાવાળાને બોલાવો. પાંચ મિનિટમાં સળિયો મારીને સહી કરાવીને તેઓ નીકળી જાય છે અને ચાર દિવસ પછી ગટર ફરી ભરાઈ જાય છે. પીવાના પાણીમાં પણ ગટરનું પાણી ભળે છે. ગંદકીના કારણે બીમારીઓ ફેલાઈ રહી છે. નાના છોકરાઓ જ્યારે હાથ-મોઢું ધોવા જાય છે ત્યારે આવું ગંદુ પાણી શરીરમાં જવાથી તેમને પેટમાં દુખાવો અને વાયરસની સમસ્યાઓ થાય છે. આ સમસ્યા છેલ્લા બે-ત્રણ વર્ષથી છે. ગટરની લાઈન આખી નીચે બેસી ગઈ છે. જ્યાં સુધી નવી લાઈન નાખવામાં નહીં આવે ત્યાં સુધી આ સમસ્યા ઉકેલાશે નહીં. અમે ઓનલાઈન અને રૂબરૂ ઘણી ફરિયાદો કરી છે, પણ કાયમી સોલ્યુશન આવતું નથી. ચોમાસામાં તો અમારે ઘર છોડી બીજે રહેવા જવું પડે છેઃ ગીતાબેનદિવાળીપુરા ગામની રંગ અવધૂત વસાહતમાં રહેતા ગીતાબેન વઢવાઈએ જણાવ્યું હતું કે, અમારે ચોમાસામાં તો અમારે ઘર છોડીને બીજે રહેવા જવું પડે છે. મારું ઘર નીચાણવાળા વિસ્તારમાં છે, એટલે ઘરમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય છે. ઘરનો બધો સામાન પલળી જાય છે અને ભારે નુકસાન થાય છે. ગત ચોમાસે તો અમારે એક મહિનો ઘરની બહાર રહેવું પડ્યું હતું. અધિકારીઓ અને નેતાઓ આવે છે પણ જોઈને જતા રહે છે, કોઈ નક્કર કામગીરી થતી નથી. કોઈ ઉકેલ આવતો જ નથી. જો તેઓ રૂબરૂમાં આવીને જુએ તો તેમને ખબર પડે કે અમે કેટલી તકલીફમાં જીવીએ છીએ. શાસનમાં કોઈપણ આવે અમારે અમારું કામ થવું જોઈએ- મુકેશ નાયકદિવાળીપુરા વિસ્તારમાં રહેતા મુકેશભાઈ નાયકે જણાવ્યું હતું કે, સાહેબ, અહીં ઘણા સમયથી ગટર લાઈનની ગંભીર સમસ્યા છે. ગટરો ઉભરાવવાને કારણે મચ્છરોનો ભારે ત્રાસ વધી ગયો છે. આને લીધે વિસ્તારના ઘણા લોકો બીમાર પડી રહ્યા છે અને અમારે વારંવાર ડોક્ટર પાસે જવું પડે છે. અહીં વહીવટી તંત્ર દ્વારા લાંબા સમયથી જનરેટર અને પાઇપલાઇનો મૂકી રાખવામાં આવી છે, પરંતુ તેનું કોઈ કાયમી નિરાકરણ આવતું નથી. કોઈ જોવા પણ આવતું નથી. અમે વેરો ભરીએ છીએ, લાઈટ બિલ ભરીએ છીએ, છતાં અમને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી. ચોમાસામાં અહીં ભુવા પડે છે, ખાડાઓ થાય છે અને લોકોના હાથ-પગ ભાંગે છે. જો કામ નહીં થાય તો અમારો મત આપવાનો કોઈ ઈરાદો નથી. કોઈ પણ સરકાર હોય ભાજપ કે કોંગ્રેસ અમને કામ જોઈએ છે. જનતાને અત્યારે બહુ તકલીફ છે. પ્રેશરથી પાણી ન મળતા પૈસા ખર્ચી ટેન્કર મંગાવવું પડે છે- વિભૂતિ પટેલદિવાળીપુરાની અનંત પાર્ક સોસાયટીમાં રહેતા વિભૂતિ પટેલે જણાવ્યું હતું કે, અમારી મુખ્ય સમસ્યા પાણીની છે. છેલ્લા ઘણા સમયથી અમને પૂરતું પાણી મળતું નથી. જ્યારે પણ પાણી આવે છે ત્યારે તેનું પ્રેશર એટલું ઓછું હોય છે કે ઘરકામ પણ માંડ પૂરું થાય. એમાંય ઉનાળામાં તો હાલત વધુ ખરાબ થઈ જાય છે. અમે ઘણી વાર રજૂઆતો કરી, પણ કોઈ સાંભળતું નથી. અમારે 600 રૂપિયા ખર્ચીને પાણીનું ટેન્કર મંગાવવુ પડે છે. છેલ્લા દસ વર્ષથી પાણીની આ સમસ્યા છે. સાથે સાથે ગટર અને રસ્તાની પણ હાલત ખરાબ છે. અમે ટેક્સ ભરીએ છીએ, તો અમને સુવિધા કેમ નથી મળતી? કોર્પોરેશનમાં અનેક વખત રજૂઆતો કરે છે પરંતુ કઈ રિઝલ્ટ મળ્યું નથી. 10 વખત કમ્પ્લેન કરીએ તો એકવાર આવે છે. અમારા વિસ્તારના કોર્પોરેટરને તો અમે ક્યારેય જોયા જ નથી. મારા વિસ્તારના ડેપ્યુટી મેયર છે, પણ અમે એમને ઓળખતા નથી. અહીંથી અમને ગદાપુરા વિસ્તારમાં પહોંચ્યા, જ્યાં લોકોના ઘરોમાં ગટર ઉભરાઈ રહી છે અને વુડાના મકાનમાં તો જીવવું દુષ્કર બની ગયું છે. અહીં ગટર લાઇનો ઉભરાઈ ગઈ છે અને પીવાનું પણ બહારથી લાવવું પડે છે. 'નેતાઓને 50 વાર રજૂઆત કરી પણ થઈ જશેના વાયદા જ આપે છે'ગદાપુરા વિસ્તારમાં રહેતા મહિલા રમીલાબેન માળીએ જણાવ્યું હતું કે, હું તો અહીં વર્ષોથી રહું છું. પહેલા પરિસ્થિતિ આવી નહોતી, પણ હવે તો હદ થઈ ગઈ છે. અમારી ગટર ઉભરાઈ જાય છે. કોર્પોરેશનમાં અને સ્થાનિક નેતાઓને 50 વખત રજૂઆત કરી છે. દરેક વખતે એ લોકો 'થઈ જશે, થઈ જશે' કહીને વાયદા આપે છે, પણ કામ કોઈ કરતું નથી. ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પણ કંઈ કામ કરવાની ના પાડે છે. કોર્પોરેશનના કર્મચારીઓ આવીને પૈસા લઈને કામ કરે છે. તેમ છતાં સરખું કરીને જતા નથી. 'ચૂંટણી આવે એટલે સાડી, પૈસા અને પોટલીઓ આપીને મત ખરીદી લે છે'ગદાપુરા વિસ્તારમાં રહેતા અમરસિંહભાઈએ જણાવ્યું હતું કે, અમે ઘણી વાર રજૂઆતો કરી છે. પણ વૉર્ડ વાળા એવું કહે છે કે આ તો તમારે લાગે છે, તમારે સાફ-સફાઈ કરવાની. હવે તમે જ કહો, અમે વેરો તો બધો જ ભરીએ છીએ, ગટર વેરો પણ ભરીએ છીએ, તો પછી સફાઈ અમારે કેમ કરવાની? તેઓ અમારી પાસેથી પૈસા લે છે પણ કામ નથી કરતા. સફાઈ કામદારો આવે છે ખરા, પણ ઉપર ઉપરથી જોઈને જતા રહે છે. તેઓ પૈસા માંગે છે, અને પૈસા આપ્યા પછી પણ બરાબર કામ નથી કરતા. મેં પોતે 60 વર્ષની ઉંમરે 15 ફૂટ ઊંડી ચેનલમાં ઉતરીને ગટર સાફ કરી છે. જે કામ સફાઈ કામદારો નથી કરી શકતા, તે મારે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, નેતાઓ તો માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે. ચૂંટણી નજીક આવે ત્યારે સાડીઓ, પૈસા અને પોટલીઓ આપીને મતો ખરીદી લે છે. ડેપ્યુટી મેયર ચિરાગભાઈ પણ આ વિસ્તારના છે, પણ તેઓ પણ કંઈ કરતા નથી. અમે અરજીઓ આપી આપીને થાકી ગયા છીએ, પણ બધું જ ઠપ્પ છે. કોઈ સાંભળવા તૈયાર નથી. અમે તો એટલું જ ઇચ્છીએ છીએ કે જે ગટર અને ગંદકીની સમસ્યા છે તેનું કાયમી નિરાકરણ આવે. ગરીબોને માત્ર 2000 રૂપિયા આપીને કે પેન્શન આપીને તમે તેમને ખરીદી ન શકો. અમને સુવિધાઓ જોઈએ છે, જેનો અમે વેરો ભરીએ છીએ. ગટરો એટલી ભરાઈ જાય છે કે વાત જ ન પૂછો- ભરત ભગતિયાગદાપુરા વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં રહેતા ભરતભાઈ ભગતિયાએ જણાવ્યું હતું કે, અમે વુડાના મકાનોમાં જ્યારથી અહીં રહીએ છીએ ત્યારથી જ આ ગંભીર સમસ્યાઓ છે. અહીં કોઈ જોવા પણ નથી આવતું. ગટરો એટલી બધી ભરાઈ જાય છે કે વાત જ ન પૂછો! પરિસ્થિતિ એટલી ખરાબ છે કે નાના છોકરાઓ બહાર રમવા પણ નથી નીકળી શકતા. તમે જોઈ શકો છો આ ગંદકી ચારેબાજુ ફેલાયેલી છે. પીવાનું પાણી તો આવે છે પણ તે સાવ ગટરવાળું જ હોય છે. અંદર ગટરનું પાણી ભળેલું આવે છે. અમારે રોજ બહારથી પાણી ભરી લાવવું પડે છે. અમે ભાથુજીના મંદિરેથી પાણી ભરી લાવીએ છીએ. બધું પાણી અમારે ઊંચકીને લાવવું પડે છે કોઈ નેતા કે અધિકારી આવતું નથી, કોઈ જોવા પણ તૈયાર નથી. અહીંના નેતા ચિરાગભાઈ (ડેપ્યુટી મેયર) છે. પણ તેઓ અહીં ક્યારેય દેખાતા નથી. જો કોઈ નેતા અહીં રહેતા હોય તો તેમને ખબર પડે કે પરિસ્થિતિ કેટલી ખરાબ છે. તમે આખા વિસ્તારમાં ફરીને જુઓ તો જ અંદાજ આવશે કે અહીં કેટલી ગંદકી અને સમસ્યાઓ છે. ગદાપુરા વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં રહેતા રમીલાબેન જણાવ્યું હતું કે, અહીં સૌથી મોટી તકલીફ એ જ છે કે અમારા છોકરાઓને નિશાળે મૂકવા જઈએ ત્યારે રસ્તામાં બધે જ ગંદું પાણી ભરાઈ જાય છે. આ બધું જ પાણી ગંદું અને વાસ મારતું હોય છે. આ કાયમી સમસ્યા છે. ખાસ કરીને ચોમાસામાં તો એટલું બધું પાણી ભરાઈ જાય છે કે છેક ઘર સુધી આવી જાય. રસ્તાઓ કાદવ-કીચડથી ભરાઈ જાય છે. બાળકો બિચારા આટલા પાણીમાં કેવી રીતે ભણવા જાય? એટલે વારંવાર એમની રજાઓ પડી જાય છે. એમના સ્કૂલના ટીચર પણ અમને બોલે છે, પણ આમાં અમારો શું વાંક? ભણતર પણ બગડે છે અને બીમારીનો ડર પણ રહે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી સમસ્યા જોવા માટે કોઈ જ નથી આવતું. કેટલીય વાર રજૂઆત કરી પણ કોઈ ફરક પડ્યો નથી. જ્યારે ચૂંટણી આવે અને મત લેવાના હોય ત્યારે બધા જ નેતાઓ અહીં આંટા મારશે, પણ પછી કોઈ ગરીબ લોકોની હાલત જોવા નથી આવતું કે અમને કેટલી તકલીફ પડે છે. અમારી એક જ માંગણી છે કે આ ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે અને રસ્તાઓ સરખા કરવામાં આવે જેથી અમારા બાળકો સુરક્ષિત રીતે શાળાએ જઈ શકે અને અમારે આવી ગંદકીમાં જીવવું ન પડે. આખા વિસ્તારમાં લોકો પાયાની સુવિધાના અભાવથી ત્રાહિમામ છે- પ્રતાપસિંહ ચાવડાવડોદરા કોંગ્રેસના વોર્ડ નંબર 11ના પ્રમુખ પ્રતાપસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, અમારા વોર્ડના વિવિધ વિસ્તારો જેવા કે અંબિકાનગર વસાહત, રંગઅવધૂત વસાહત અને અનંત પાર્ક સોસાયટી સહિતના વિસ્તારોમાં ડ્રેનેજ, ગટર અને પીવાના પાણીની ગંભીર સમસ્યાઓ છે. ખાસ કરીને ચોમાસામાં તો આખા વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે. લોકો આ બધી પાયાની સુવિધાઓના અભાવે ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને ત્રાહિમામ પોકારી ગયા છે. લોકોનું કહેવું છે કે કોઈ પણ વહીવટદારો તેમની વાત સાંભળતા નથી. પાણી અને ગટરની સમસ્યાઓનો કોઈ ઉકેલ આવતો નથી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અહીંના લોકોના મતે તો તેમણે આ કોર્પોરેટરોને ક્યારેય જોયા જ નથી અને કોઈ તેમને ઓળખતું પણ નથી. લોકોમાં ભારે રોષ છે કે આટલા પ્રતિનિધિઓ હોવા છતાં તેમના પ્રશ્નો વણઉકેલ્યા છે. છેલ્લા 30 વર્ષના શાસન પછી પણ વડોદરામાં રસ્તાઓની હાલત દયનીય છે. ઠેર-ઠેર રસ્તા ખોદી નાખવામાં આવ્યા છે, ટ્રાફિકની સમસ્યા વધી ગઈ છે અને પાયાની સુવિધાઓમાં કોઈ સુધારો થયો નથી. આખા વડોદરામાં અત્યારે આ જ પરિસ્થિતિ છે. છેલ્લા પાંચ વર્ષમાં અમે અહીં ઘણા મોટા કામો કર્યા છે- ચિરાગ બારોટવડોદરા વોર્ડ નંબર 11ના પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 11 આમ તો પહેલેથી જ એક ડેવલપ થયેલો વિસ્તાર છે, કારણ કે તે અન્ય મહત્વના વોર્ડની વચ્ચે આવેલો છે. તેમ છતાં, છેલ્લા 5 વર્ષમાં અમે અહીં ઘણા મોટા કામો કર્યા છે. અમે વોર્ડમાં 24 મીટર અને 30 મીટરના નવા પહોળા રોડ બનાવ્યા છે. અત્યારે બે મોટા બ્રિજ બનાવવાની કામગીરી પણ પ્રગતિમાં છે. એક વાસણા બ્રિજ અને બીજો સનફાર્મા રોડ પર કેનાલ પાસે બ્રિજ બની રહ્યો છે. આ ઉપરાંત, સુભાનપુરામાં લોકોની સુવિધા માટે 10 કરોડના ખર્ચે નવું અતિથિગૃહ તૈયાર કરવામાં આવી રહ્યું છે. શિક્ષણ અને જ્ઞાન માટે ઉત્કર્ષ સ્કૂલ પાસે 4 કરોડના ખર્ચે એક અદ્યતન લાઇબ્રેરી પણ બની રહી છે. આ રીતે રોડ-રસ્તા, ગટર અને પાણી જેવી પાયાની સુવિધાઓ માટે કરોડો રૂપિયાના કામો હાલ પ્રગતિ હેઠળ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ વિસ્તાર હોય ત્યાં સમસ્યાઓ સંપૂર્ણપણે ક્યારેય નાબૂદ થતી નથી, તે તો રહેવાની જ. પરંતુ અમારો મુખ્ય હેતુ તેના ઉકેલ માટે ઝડપથી કામ કરવાનો છે. અમે સતત કામગીરી કરી રહ્યા છીએ અને જ્યાં પણ આવી તકલીફો હશે ત્યાં હજુ પણ વધુ તીવ્રતાથી અને આયોજનબદ્ધ રીતે કામ કરીશું, જેથી લોકોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
ભાવનગરનો એક ખેડૂત પુત્ર જે ક્યારેક CA બનવાના સપના જોતો હતો પણ હવે માલ્ટા નામના દેશથી ચાલીને નીકળ્યો છે અને દિલ્હી સુધી 12 હજાર કિલોમીટરનો રસ્તો કાપીને ઇતિહાસ રચશે. સાથે બેબી વોકર છે, ખભા પર 15 કિલો કચરો એકઠો કરી શકાય તેવી બેગ છે, મનમાં ક્લાયમેટ ચેન્જ સામે લડવાનો મક્કમ નિર્ધાર છે. આ યુવાન એટલે જયદીપ લાખણકિયા. કરિયર બનાવવા ગયેલા જયદીપ સાથે માલ્ટામાં એવું તો શું બન્યું જેના કારણે તેણે આ મિશન શરૂ કર્યું? ચાલીને દિલ્હી સુધી સફર કરવા પાછળનો તેનો ઉદ્દેશ શું છે? આખા દિવસનું શિડ્યુલ શું છે? કેવી-કેવી મુશ્કેલીઓનો સામનો કર્યો? જ્યારે ઇટલીની પોલીસે રોક્યો ત્યારે શું બન્યું હતું? આવા અનેક સવાલો અંગે તેણે દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી. જયદીપ જ્યારે માલ્ટા ગયો ત્યારે ગ્રીસમાં યોજાયેલી 26 દિવસીય કોન્ફરન્સમાં ગેસ્ટ અને પાર્ટિસિપન્ટ તરીકે જવાનો મોકો મળ્યો હતો. કોન્ફરન્સમાં ક્લાયમેટ ચેન્જ સહિતના ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. આ ચર્ચાએ જ જયદીપના મનમાં ક્લાયમેટ ચેન્જ વિશે જાગૃતિ લાવવા માલ્ટાથી ચાલીને ભારત આવવાના મિશનનો પાયો નાખ્યો હતો. હવે તે 18 મહિનામાં 20 દેશોની મુલાકાત લઇ 12 હજાર કિલોમીટરની સફર ખેડીને ભારતમાં તેની યાત્રા પૂર્ણ કરશે. 21મી ફેબ્રુઆરીએ મિશનની શરૂઆતમાલ્ટાના વડાપ્રધાન રોબર્ટ અબેલાના પત્ની લીડિયાએ 21મી ફેબ્રુઆરીએ જયદીપના મિશનની શરૂઆત કરાવી હતી. આ દરમિયાન ભારતીય કોમ્યુનિટી અને ત્યાંના મોટા મોટા એથ્લિટ્સ પણ જોડાયા હતા. જે દિવસે જયદીપના મિશનની શરૂઆત થવાની હતી એ દિવસે સવારે વડાપ્રધાનના પત્નીએ જયદીપને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે અમે તમારા ફ્લેગઓફમાં જોડાઇશું પણ બહું નહીં રોકાઇએ. જ્યારે તેઓ આવ્યા ત્યારે 45 મિનિટ સુધી ત્યાં રોકાયા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે ક્લાયમેટ ચેન્જ માટે આ પ્રકારની ઝુંબેશ પહેલીવાર થઇ રહી છે. આ માટે અમે ગર્વ અનુભવીએ છીએ કે તમે માલ્ટાને પસંદ કર્યું. જ્યારે પણ ઇતિહાસમાં નામ લેવાશે ત્યારે માલ્ટાને પણ લોકો યાદ કરશે. આટલું કહીને વડાપ્રધાનના પત્ની જયદીપને ભેટી પડ્યા હતા. બિલાડી સાથે ક્રૂરતા જોઇ આંસુ આવી ગયાજયદીપ જ્યારે ઇટલીના વીબો મરિના નામના શહેરમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે તેણે એક જગ્યાએ જાળીમાં બિલાડીને ફસાયેલી જોઇ હતી. જયદીપ જ્યારે તેને બચાવવા માટે ગયો ત્યારે તેને આંચકો લાગ્યો કેમ કે બિલાડી જાળીમાં ફસાઇ નહોતી પણ કોઇએ જાણી જોઇને ક્રૂરતાપૂર્વક તેને બાંધી દીધી હતી. જયદીપે બિલાડીને ત્યાંથી કાઢવાના ઘણા પ્રયત્નો કર્યા પણ તે નિષ્ફળ રહ્યાં. જયદીપે સ્થાનિકોની મદદ લેવાની પણ કોશિષ કરી પણ ભાષાની સમસ્યા નડી. એક ટ્રક ડ્રાઇવર તેની મદદે આવ્યો અને તેની પાસે રહેલા પક્કડથી બિલાડીને છોડાવી તો લીધી પણ થોડી જ વારમાં તે તરફડીને મૃત્યુ પામી. આ ઘટનાથી જયદીપ રડી પડ્યો. જયદીપ ત્યાં 5 કલાક સુધી રોકાયો હતો અંતે તેણે મૃત બિલાડીને 17 કિલોમીટર દૂર લઇ જઇને સુરક્ષિત સ્થળે દફનાવી દીધી હતી. તેણે પોતાની 2 દિવંગત બહેનાના નામ પરથી આ બિલાડીનું નામ ક્રિતા પાડ્યું હતું. યાત્રા દરમિયાન જયદીપે તસવીરો કેટલીક તસવીરો પાડીને ભાસ્કરને મોકલી હતી. કેવી રીતે સફરની શરૂઆત થઇ?જયદીપે હાલમાં 42 દિવસથી વધુની સફર પૂરી કરી છે. તેણે પોતાના મિશન વિશે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, ક્લાયમેટ ચેન્જ મોટો વિષય છે. મેં આ બાબતે ભણવાનું અને રિસર્ચ કરવાનું અને મોટા સાયન્ટિસ્ટને સાંભળવાનું શરૂ કર્યું. દરમિયાન એક શબ્દ મારી સામે આવ્યો ક્લાયમેટ ઇનજસ્ટિસ. એ પણ ધ્યાને આવ્યું કે ક્લાયમેટ ચેન્જમાં ભારતનો કોઇ ફાળો નથી છતાં ભારતીયોઓ જ વધુ ભોગવવાનું છે એટલે મેં નક્કી કર્યું કે માલ્ટામાં મારું કરિયર અને બધું છોડીને ભારત પાછો આવીશ. આ રીતે સફરની શરૂઆત કરી. યાત્રા પહેલાં અનેક ગડમથલ ચાલતી હતીયાત્રા શરૂ કરતાં પહેલાં જયદીપના મનમાં અનેક ગડમથલ ચાલતી હતી. તેણે જણાવ્યું કે, ભલે મને માલ્ટામાં સ્કોલરશિપ મળી હોય છતાં પાંચેક લાખ જેટલો ખર્ચો થયો હતો. સામાન્ય પરિવારમાંથી આવતો હોવાના કારણે સૌથી પહેલાં તો એ જ નક્કી કર્યું કે આ પાંચ લાખ રૂપિયા રિકવર કરવા પડશે કેમ કે હું મારા માતા-પિતાને પ્રેશર નહોતો આપવા માંગતો. 'બીજી સૌથી વધારે મથામણ જર્નીનો રૂટ નક્કી કરવાની હતી. આપણો દેશ સારો છે પણ આપણો પાસપોર્ટ એટલો સ્ટ્રોન્ગ નથી એટલે આટલા બધા દેશમાંથી વિઝા કેવી રીતે મેળવીશ તેની ચિંતા હતી.' 'માલ્ટાથી ભારતની આ સફરમાં એવી કોઇ કંપની પાસેથી હેલ્પ લેવા નહોતો માંગતો જે ક્લાયમેટને નુકસાન કરતી હોય એટલે પૈસા ક્યાંથી લાવવા એ પણ ચિંતા હતી. રૂટ ફાઇનલ થઇ ગયો પણ એ પછી પાછો એક પ્રશ્ન આવ્યો કે હવે સાયકલ સફર કરૂં કે ચાલતાં ચાલતાં કરું પણ પછી મેં ચાલતાં ચાલતાં જ સફર પૂર્ણ કરવાનું નક્કી કર્યું.' પદયાત્રાની અસર થશેજયદીપે ચાલીને જ યાત્રા કરવા પાછળનું કારણ જણાવ્યું. તેણે કહ્યું કે, ગાંધીજીએ પણ ક્રાંતિ લાવવા માટે પદયાત્રા કરી હતી. ઘણાં એવા સત્યાગ્રહો પદયાત્રા થકી થયાં હતા જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા પણ હતા એ પછી તેની ઇમ્પેક્ટ પણ આવી હતી. જેથી મેં નક્કી કર્યું કે ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે પણ હવે આ યાત્રા ચાલીને જ પૂરી કરવી છે. રસ્તામાંથી કચરો એકઠો કરી જાગૃતિ લાવેમાલ્ટાથી નીકળતી વખતે જીબેલ નામની એક NGOએ જયદીપને બેગ આપી હતી. જેમાં અંદાજે 15 કિલો સુધી કચરો એકઠો થઇ શકે છે. જયદીપ જ્યાંથી પસાર થાય ત્યાંથી કચરો ઉપાડે છે અને લોકોમાં જાગૃતિ આવે તેવો પ્રયાસ કરે છે. 'મેં મારી સાથે ઓછા કપડાં અને ખાસ ટેન્ટ અને સ્લીપિંગ બેગ લીધી છે. થોડી ઘણી ખાવાની વસ્તુઓ લીધી છે. બાકી તો જે ખાવા મળે એ ખાઇ લેવાનું. બાકી ફ્રૂટ્સ તો મળી જાય છે.હું પાણી પીવા પર ખૂબ ભાર આપું છું, બાકી કોઇ ફિક્સ શિડ્યુલ નથી કેમ કે અહીંયા વાતાવરણ ખૂબ જ ખરાબ છે. એટલું તો નક્કી છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય મારે રોજનું એવરેજ 30 કિલોમીટર તો ચાલવાનું છે તેવો મેં ટાર્ગેટ બનાવ્યો છે.' ઇરાન-પાકિસ્તાન થઇને ભારત આવશેઆ રૂટ અને દેશોની પસંદગી કેવી રીતે કરી એ અંગે પૂછતાં તેણે કહ્યું, મેં જ્યારે આ રૂટ પસંદ કર્યો ત્યારે ઇરાનમાં યુદ્ધ નહોતું ચાલતું. એટલે મેં ઇરાનનો રૂટમાં સમાવેશ કર્યો હતો. આ રૂટ પરથી જઉં તો મારે બહું ફરવા નહોતું જવું પડતું. રૂટમાં મેં પાકિસ્તાનની પણ પસંદગી કરી છે પણ હાલમાં એ અંગે કંઇ વિચાર નથી કર્યો. પાકિસ્તાની એમ્બેસી સાથે વાત થઇ હતી. જેમાં તેમણે મને કહ્યું હતું કે જો તમે 18 દેશ સફળ પૂર્ણ કરશો તો પછી અમારી ઉપર પણ પ્રેશર બનશે અને અમારે તમને વિઝા આપવા પડશે. અમે 99.9% તો વિઝા આપીશું જ. આટલો લાંબો રસ્તો પાર કરવાનો છે ત્યારે ઘણી જગ્યાએ ઇન્ટરનેટ ન પણ હોય. આવા સમયે રસ્તો ભટકી ન જવાય તે માટે જયદીપે પ્લાન B પણ તૈયાર રાખ્યો છે.તેણે કહ્યું કે, મેં માલ્ટાથી ભારત સુધીના બધા જ રૂટની PDF બનાવીને રાખી છે એટલે જે જગ્યાએ ઇન્ટરનેટ નહીં હોય ત્યાં પણ હું સરળતાથી મારા રૂટ પર ડેસ્ટિનેશન સુધી પહોંચી શકીશ. ઇટલીમાં પોલીસે રોકીને ફોટો પડાવ્યોઅત્યાર સુધીની યાત્રામાં જયદીપને સારા અને નરસા એમ બન્ને પ્રકારના અનુભવો થયા છે. આ અનુભવો તેણે શેર કર્યા.તેણે કહ્યું, ઇટલીમાં જ્યારે હું રસ્તા પરથી પસાર થતો હતો ત્યારે મને ત્યાંની પોલીસે રોક્યો હતો. એ પછી મારી પાસે રહેલું એક બેનર પોલીસે જોયું તો તરત જ તેમણે મને કંઇપણ પૂછપરછ કર્યા વગર મારી સાથે ફોટો પડાવ્યો અને મારી પહેલને બિરદાવી હતી. આવું લગભગ પાંચેક વાર મારી સાથે બન્યું હતું. આજ સુધી ક્યારેય કોઇપણ પોલીસે મારો પાસપોર્ટ કે બીજા કોઇ ડોક્યુમેન્ટ ચેક નથી કર્યા. 'થોડા દિવસો પહેલાં વાતાવરણ ખૂબ જ ખરાબ હતું. રેડ એલર્ટ જાહેર કરાયું હતું એટલે કોઇ સુરક્ષિત જગ્યા નહોતી મળી. હું જે એરિયામાં હતો તે અવાવરું હતો. કેટલાક લોકો ત્યાં નશાની હાલતમાં પડ્યાં હતા તો કેટલાક ડ્રગ્સ એડિક્ટ હતા. અંધારું થવા લાગ્યું એટલે એ લોકોએ મારો પીછો કરવાનું શરૂ કર્યો. મને થોડો ડર લાગ્યો એટલે મેં ચાલવાની સ્પીડ વધારી. થોડા સમય પછી લાઇટવાળો વિસ્તાર આવ્યો એટલે થોડી હાશ થઇ. રહેવા માટે કંઇ નહોતું. મારી નજર એક ખંડેર ઘર પર પડી ત્યાં જઇને મારે રોકાણ કરવું પડ્યું કેમ કે ખૂબ પવન સાથે વરસાદ પડતો હતો.' માતાને ખબર પડી તો ભાવુક થઇ ગયાજ્યારે મારી માતાને ખબર પડી કે મારે આવી સ્થિતિમાં રોકાવું પડ્યું છે ત્યારે તેનો મને કોલ આવ્યો હતો. તે ખૂબ જ ઇમોશનલ થઇ ગયા કે તારે આવું બધું કરવાની ક્યાં જરૂર છે? પાછો આવી જા પણ ત્યારે મેં મારા સંકલ્પ વિશે વાત કરી અને કહ્યું કે હજુ આનાથી ખરાબ પરિસ્થિતિનો પણ સામનો કરવો પડી શકે છે. જયદીપ પોતાની સાથે એક બેબી વોકર લઇને નીકળ્યો છે. જેનો પણ રસપ્રદ કિસ્સો છે. તેણે કહ્યું કે, હું જ્યારે આ બેબી વોકર લેવા ગયો ત્યારે ત્યાંના વેપારીએ મને પૂછ્યું કે તમે આ શેના માટે લઇ જાઓ છો. મેં તેને મારો ઉદ્દેશ્ય જણાવ્યો તો તેમણે મને એ વોકર ડોનેશનમાં આપી દીધું. અત્યાર સુધીમાં વોકરમાં 5 થી 6 વાર પંચર પડ્યું હતું. સદભાગ્યે દરેક વખતે ગેરેજ મળી જતું હતું પણ થોડા દિવસ પહેલાં જ્યારે પંચર પડ્યું ત્યારે મને ગેરેજ ન મળ્યું. મારે હજુ 15 કિલોમીટર ચાલવાનું હતું. આવા સમયે મારો પહાડી અનુભવ કામ લાગ્યો. મેં ટાયર ખોલીને તેમાં કચરો ભર્યો અને પાછું ફિટ કરી દીધું. એક યાત્રાએ દ્રષ્ટિકોણ બદલી નાખ્યોસ્કૂલથી માંડીને કોલેજના અભ્યાસ દરમિયાન જયદીપ ટોપર રહ્યો હતો. તેણે કોમર્સનો અભ્યાસ કરીને CAમાં જવાની તૈયારી કરી હતી પણ પછી તેણે તેને લાગ્યું કે મને CAમાં રસ નથી. આના પછી તેણે ટૂર એન્ડ ટ્રાવેલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો હતો.તેણે કહ્યું કે, મારે રિયલ અને રૂરલ ઇન્ડિયા જોવું હતું. એ સમયે મારી ઉંમર 21 વર્ષની હતી. હું કાશ્મીરથી કન્યાકુમારી સુધી ચાલતો પહોંચ્યો હતો. આ દરમિયાન હું નાના ગામડાંઓમાં જઇ નાના-નાના લોકોને મળીને ત્યાંની પરિસ્થિતિ જાણતો હતો. આ યાત્રાએ મારો દ્રષ્ટિકોણ જ બદલી નાખ્યો. ‘જ્યારે કોઇ યુવાન કોલેજમાં આવે ત્યારે તેના સપનાં મોટા હોય છે કે એક સારું ઘર ખરીદવું છે, મોંઘી ગાડીમાં ફરવું છે, દુનિયા જોવી છે. આ ટ્રિપ પછી મને સમજાયું કે જિંદગી જીવવા માટે આટલી બધી જરૂરિયાત નથી. સાદી જિંદગી જ આપણાં માટે સારી છે એટલે મારા સપનાં પણ બદલાઇ ગયા હતા.’ અભ્યાસ માટે માલ્ટા ગયોજયદીપને ધીરે ધીરે સ્પોર્ટસ અને એડવેન્ચરમાં રસ વધતો ગયો. તેણે કહ્યું કે, મેં અમદાવાદની ઇન્વિન્સીબલ NGO જોઇન કરીને ટ્રેકિંગ ઇન્સ્ટ્રક્ટર તરીકે અંદાજે પાંચેક વર્ષ કામ કર્યું હતું. હું લોકોને એડવેન્ચર અને ટ્રેકિંગ કરાવતો હતો. એક સમય આવ્યો કે જ્યારે મને સામેથી માલ્ટા જવાની તક મળી અને એ પણ માત્ર પાંચેક લાખ રૂપિયા, એટલે હું ભણવા માટે માલ્ટા આવ્યો હતો. અંતે પરિવારને મનાવી જ લીધોપરિવારને આ મિશન માટે કેવી રીતે મનાવ્યો તેની વાત કરતા તે કહે છે કે, મેં પરિવારના સભ્યોને આ માટે સમજાવ્યાં કેમ કે દીકરો આવું કંઇ કરતો હોય ત્યારે સ્વાભાવિક છે કે પરિવારના સભ્યોને તેની ચિંતા થાય જ. માલ્ટામાં હું ખૂબ સારી રીતે રહે હતો જ્યારે આ સફરમાં ક્યાં રહીશ, ભોજનમાં શું મળશે તેનું કંઇ નક્કી નથી હોતું પણ અંતે મેં પરિવારને મનાવી લીધો અને તેમણે મને સંમતિ આપી. ક્લીન ભારતનું સપનુંમિશન પૂર્ણ કર્યા બાદ આગળ શું કરવું છે તે અંગે તેણે કહ્યું કે, આ મિશન પૂર્ણ થશે એ પછી હું મારા ગામડેથી ક્લાયમેટ ચેન્જ બાબતે એક ઝુંબેશ શરૂ કરવા માંગુ છું. હું આ અંગે બધાને જાગૃત કરવા માંગુ છું. હું લોકોને સમજાવીશ કે આપણે કચરો કેમ ન કરવો જોઇએ. મારે વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચવું છે કેમ કે તેમને સમજાવવા ખૂબ સરળ છે. જો એક વાર તે સમજી જશે તો એદાક દાયકા પછી ક્લીન ભારત જોવા મળશે.
‘વન ડે વન રોડ’ અંતર્ગત દબાણ હટાવાયા:અકોટા-તાજ હોટેલ રોડ પરથી 30 હોર્ડિંગ્સ-પાકા ઓટલા દૂર કરાયાં
પાલિકા દ્વારા શહેરના માર્ગોને મોકળા કરવા માટે ‘વન ડે વન રોડ’ અંતર્ગત દબાણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત વોર્ડ નં. 12માં અકોટા બ્રિજ ઉતરતા રામપુરાથી તાજ હોટેલ સુધીના માર્ગ પર 10 થી વધુ ઓટલાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. શહેરમાં વન વોર્ડ વન વોર્ડ અંતર્ગત પાલિકાની ટીમે અકોટા રોડ પર કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં દબાણ હટાવવાની કામગીરીમાં TDO વિભાગ, કોમર્શિયલ વિભાગ, એન્જિનિયરિંગ અને ગાર્ડન વિભાગની ટીમોએ સાથે મળીને ઓપરેશન પાર પાડ્યું હતું. માર્ગની બંને બાજુએ નડતરરૂપ અંદાજે 15 થી 30 જેટલા હોર્ડિંગ બોર્ડ અને 8થી 10 જેટલા ગેરકાયદેસર ઓટલાઓ તોડી પાડવામાં આવ્યા હતા. રોડ પર અડિંગો જમાવી ઉભેલી એક ફોર વ્હીલર કાર અને એક પાકું કેબિન પણ દૂર કરી 5 ટ્રક સામાન જપ્ત કરાયો હતો. અકોટા સાથે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા, મેયર ગેટ પાસેના ફૂલના પથારા તેમજ સરદાર એસ્ટેટ અને તરસાલી બસ સ્ટેન્ડ પાસે પણ લારી-ગલ્લાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
અવધૂત ફાટક પાસે ગંભીર અકસ્માત સર્જાયો:એમ્બ્યુલન્સની મોપેડને ટક્કર,10 વર્ષીય બાળક સહિત 3 ઈજાગ્રસ્ત
સનફાર્મા રોડ પર રહેતા 2 બાળકોને પાડોશી યુવક મોપેડ પર ફરવા લઈ ગયો હતો. અવધૂત ફાટક પાસે ખાનગી એમ્બ્યુલન્સે મોપેડને અડફેટે લેતા 2 બાળકો રોડ પર પટકાતા તેઓને ઈજા પહોંચી હતી. મોપેડ ચાલક યુવકને પણ સામાન્ય ઈજા થઇ હતી. ત્રણેયને સારવાર માટે સયાજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેઓને રજા આપી દેવાઇ હતી. રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતા શુભાંગીનીબેન પરમારના પતિ રાજુભાઇનુ મોત એક મહિના પહેલા જ હૃદયરોગના હુમલાના કારણે થયું હતું. તેમનો 10 વર્ષીય દીકરો મીત બુધવારે રાત્રે પિતાની વ્યથામાં રડી રહ્યો હતો અને બહાર જવાની જીદ પકડી હતી. જેથી શુભાંગીનીબેને પાડોશી યુવકને મીત અને 17 વર્ષીય દીકરી જાહ્નવીને મેળામાં લઈ જવા કહ્યું હતું. યુવક બાળકોને લઈને માંજલપુર અવધૂત ફાટક સામે આવેલા મેળામાં ફરવા માટે લઈ ગયો હતો. ત્યાંથી રાત્રે 12 વાગ્યે તેઓ ઘર તરફ જવા નીકળ્યા હતા. ફાટક તરફથી પૂર ઝડપે આવી રહેલી એમ્બ્યુલન્સે યુવકના મોપેડને અડફેટે લીધું હતું. જેના કારણે જાહ્નવી, મીત અને યુવક રોડ પર પટકાતા તેઓને ઈજા પહોંચી હતી. એમ્બ્યુલન્સનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયોઅવધૂત ફાટક પાસે જ્યારે અકસ્માત થયો ત્યારે એમ્બ્યુલન્સ ડ્રાઈવરે યુવકને જણાવ્યું હતું કે, તમને એમ્બ્યુલન્સમાં હૉસ્પિટલમાં લઈ જાઉં છું. જોકે થોડી વારમાં ડ્રાઈવર એમ્બ્યુલન્સ લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જેથી અન્ય વાહન ચાલક યુવતીએ 108માં કોલ કરતા એમ્બ્યુલન્સ આવી હતી અને ત્રણેયને સયાજી હૉસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા.
નવકાર મંત્ર દિવસ ઊજવાયો:નવકાર મંત્ર દિવસની 3 સ્થળે ઉજવણી, 16 હજાર જૈનોએ 17.28 લાખ જાપ કર્યા
જિતો દ્વારા વિશ્વ શાંતિના હેતુથી 3 સ્થળે નવકાર મંત્ર દિવસ ઊજવાયો હતો. આ પ્રસંગે આત્મીયધામ, માંજલપુરમાં ગચ્છાધિપતિ પદ્મશ્રી આચાર્ય નિત્યાનંદસૂરીશ્વરજી મહારાજે નિશ્રા પ્રદાન કરી હતી. ત્રણેય સ્થળે મળી 17.28 લાખ જાપ કરાયા હતા. આત્મીય ધામમાં આયોજિત કાર્યક્રમમાં કન્વીનર પ્રશાંત શાહ અને જિતોના પ્રમુખ પોખરાજ દોશીએ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સમજાવ્યો હતો. આ પ્રસંગે ગચ્છાધિપતિ આચાર્ય નિત્યાનંદસૂરીશ્વરજી મહારાજે માંગલિક વચન ફરમાવ્યા હતા. જ્યારે મોક્ષાનંદજી મહારાજે વલ્લભસૂરી મહારાજનો સંદેશ પાઠવી તમામ જૈનોને એક થવા હાકલ કરી હતી. સવારે લાભાર્થી પ્રકાશ શાહ પરિવાર દ્વારા નવકાર કુંભની શોભાયાત્રા કઢાઈ હતી અને સભા સ્થળે કુંભની સ્થાપના કરાઈ હતી. જિતોના વિમલ બોકડિયાએ કહ્યું કે, કારેલીબાગ સ્વામિનારાયણ મંદિરમાં નવકાર મંત્રનું આયોજન કરાયું હતું. વલ્લભસૂરી સમુદાયના તત્વદર્શન મહારાજે માંગલિક સંભળાવી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. બીજી તરફ સર સયાજીરાવ નગરગૃહમાં આચાર્ય આગમરત્ન મહારાજની નિશ્રામાં જાપ યોજાયા હતા, તેમ શંકર મહેતાએ જણાવ્યું હતું. જૈન અગ્રણી દીપક શાહે કહ્યું કે, ત્રણેય સ્થળોએ મળી 16 હજારથી વધુ જૈન શ્રાવકો મહાજાપમાં જોડાયા હતા. પદ્મશ્રી એવોર્ડી જૈનાચાર્યનું આગમનગચ્છાધિપતિ આચાર્ય નિત્યાનંદસુરી મહારાજ પદ્મશ્રી એવોર્ડ મેળવનાર પ્રથમ આચાર્ય છે. તેઓ 1800 કિમી વિહાર કરી પધાર્યા હતા. મંત્રનાં મૂલ્યો વિશે જાગૃતિ લવાશેચૈત્ર સુદ આઠમને નવકાર દિવસ જાહેર કરાયો છે. નવકાર મંત્ર એ માત્ર મંત્ર નથી, પણ પંચ પરમેષ્ઠી ભગવંતોને કરાતું નમસ્કારનું સૂત્ર છે. નવકાર દિવસની ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીમાં આ મંત્રનાં મૂલ્યો અને તેના પ્રભાવ વિશે જાગૃતિ લાવવાનો છે.
પાલિકાની ચૂંટણી:4 દિવસમાં 939 ઉમેદવારી ફોર્મનું વિતરણ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 11મી સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. જેમાં પાલિકાની ચૂંટણીમાં 19 વોર્ડમાં 4 દિવસમાં 939 ફોર્મનું વિતરણ થયું છે. જેમાંથી આમ આદમી પાર્ટીના 3, કોંગ્રેસના 3, ભાજપમાંથી 1 અને અપક્ષના ઉમેદવાર 1 મળીને 8 ઉમેદવારોએ ફોર્મ ભરી પરત કર્યાં છે. જ્યારે 4 દિવસમાં નગર પાલિકામાં 1657 ફોર્મ, જિલ્લા પંચાયતમાં 280 ફોર્મ અને તાલુકા પંચાયતમાં 950 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, 11 એપ્રિલ ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. તેવામાં ભાજપ શહેરના ઉમેદવારોનું લિસ્ટ 10મીએ રોજ આવી શકે છે. જ્યારે શુક્ર-શનિવારે ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો મોટી સંખ્યામાં ફોર્મ ભરવા માટે પહોંચશે. કલેક્ટર કચેરી સહિતનાં સ્થળો પર ઉમેદવારોની ભીડ જોવા મળશે. 9 એપ્રિલે કુલ 851 ફોર્મનું વિતરણ થયું ફોર્મ ભરનાર ઉમેદવાર વોર્ડ નંબર 19: તાલુકા પંચાયત:
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 144 જેટલાં મુક્ત ચૂંટણી પ્રતીકો જાહેર કરાયાં છે. જેમાં એસી, બેબી વોકર, ફૂગ્ગો, બિસ્કિટ, બ્રેડ ટોસ્ટર, કોબી ફ્લાવર સહિત 144 પ્રતીકો અપક્ષ ઉમેદવાર મેળવી શકે છે. રાજકીય પક્ષોની નોંધણી ભારતના ચૂંટણી પંચમાં કરાય છે. જોકે જે તે પક્ષને મળેલી બેઠકો, વોટશેરના આધારે તેને માન્યતા અપાય છે. રાજ્ય કક્ષાના પક્ષ તરીકેની માન્યતા માટે વિધાનસભાની કુલ બેઠકોની 2 ટકા બેઠકો અથવા લઘુતમ 3 બેઠકો પર પક્ષના ઉમેદવારો વિજેતા થયા હોવા જોઇએ. એક લોકસભાની બેઠક મળેલી હોવી જોઇએ. છેલ્લી ચૂંટણીમાં માન્ય મતોના 8 ટકા મળેલા હોવા જોઇએ. માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો માટે ચૂંટણી પ્રતીક અનામત રાખવામાં આવે છે. જ્યારે પક્ષ 40 સ્ટાર કેમ્પેનેર રાખી શકે છે, જેનો ખર્ચ ઉમેદવારને બદલે પક્ષના ખાતામાં નોંધવામાં આવે છે. બેટ, ઊગતો સૂરજ, ખેડૂત જેવાં મુક્ત પ્રતીકો માટે ડ્રો કરાતો હતોગુજરાતમાં એક સમય હતો કે, બેટ, ઊગતો સૂરજ, ખેડૂત જેવા મુક્ત પ્રતીકોની ઉમેદવારોમાં માગ રહેતી હતી. આવાં પ્રતીકોના ડ્રો કરાતા હતા. જોકે હવે આવાં પ્રતીકો અનામત થઇ ગયાં છે અથવા યાદીમાંથી દૂર કરવામાં આવ્યાં છે. ઘર-રસોડાની વસ્તુનાં 14, સાધનો-વેપારને લગતાં 18 પ્રતીકોનો સમાવેશપ્રતીકોમાં ઘર અને રસોડાને લગતી વસ્તુઓનાં 14 પ્રતીકો, સાધનો અને વેપારને લગતાં 18 પ્રતીકો, ખાદ્ય અને ખેતીને લગતાં 14 પ્રતીકો, વીજળી ઉપકરણો 13, રમત-ગમતનાં 10 અને વાહનોને લગતાં 8 પ્રતીકો છે.
રોડ સેફ્ટી માટે 6 મુદ્દાનો એજન્ડા:ગોલ્ડન સહિતની 4 ચોકડીનાં દબાણનો સફાયો થશે
ગોલ્ડન ચોકડી, આજવા-વાઘોડિયા ચોકડી સહિતની ચોકડીની આસપાસનાં દબાણોનો સફાયો થાય તેવી શક્યતા છે. એનએચ-48 સહિતના રસ્તા પર માર્ગ સલામતી માટે પોલીસ કમિશનર કચેરી, એનએચએઆઇ અને અન્ય રોડ સેફ્ટી એક્સપર્ટ્સની માર્ગ સલામતી બેઠક બુધવારે યોજાઇ હતી. જેમાં વડોદરાની આસપાસના 7 બ્લેક સ્પોટ સહિતના માર્ગ સલામતી વિશેના 6 મુખ્ય મુદ્દાની ચર્ચા કરાઇ હતી. એસટીને બસ સ્ટોપ નક્કી કરવા સૂચના, વૃક્ષોની ટ્રિમિંગ કરાશે, રખડતાં ઢોર દૂર કરાશે દબાણ હટાવવા માટે 3 સત્તામંડળે જોડાવું પડશેએનએચએઆઇ નહીં અન્ય સત્તામંડળે પણ દબાણ દૂર કરવા જોડાવું પડશે. આજવા ચોકડી પર શહેર તરફથી બ્રિજ પહેલાંનો ભાગ પાલિકાનો અને ચોકડી નીચે અને રોડ એનએચએએઆઇ અને ચોકડી બાદ આજવા તરફનો રોડ આરએન્ડબીનો છે. દબાણ હટાવવા તમામે કાર્યવાહી કરવી પડશે. મ. પોલીસ કમિશનર જગદીશ વસાવાએ કહ્યું કે, ગોલ્ડન, આજવા, જાંબુઆ બ્રિજ સહિત 7 બ્લેક સ્પોટ ઓળખ્યા છે. દેણા-કોટાલી નજીકનો કટ બ્લેક સ્પોટમાંથી દૂર કર્યો છે.
બેંક સહિત નાણાકીય સંસ્થામાં વારંવાર કેવાયસીની પ્રક્રિયા લોકો માટે માથાના દુખાવા સમાન બનતી હોય છે. જોકે હવે જીવનભર કેવાયસી માટે દસ્તાવેજો આપવાની જરૂર નથી. સરકારે સેન્ટ્રલ કેવાયસી રેકોર્ડ્સ રજિસ્ટ્રી સિસ્ટમ લાગુ કરી છે. સીકેવાયસી પોર્ટલ પર કેવાયસીમાં જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. તે પછી રજિસ્ટર મોબાઈલ નંબર કે ઈ-મેલ આઈડી પર 14 નંબરનો આંકડો મળશે. જે આપતાં જ કેવાયસી થઈ જશે. આ સિસ્ટમ પેન્શનરો, પીએફના ખાતાધારકો માટે રાહતરૂપ છે. ગુજરાતની કન્વીનર બેંક અને પ્રધાન કાર્યાલય બેંક ઓફ બરોડાએ CERSAI સાથે મળી 2 એપ્રિલે વડોદરામાં સેન્ટ્રલ કેવાયસી રેકોર્ડ્સ રજિસ્ટ્રી (CKYCRR) જાગૃતિ સત્ર યોજ્યું હતું. આ કાર્યક્રમમાં 150 જેટલા સભ્યો હાજર રહ્યા હતા. પોર્ટલ પર દસ્તાવેજ અપલોડ કરવા પડશે 1. CKYC પોર્ટલ પર પોતાના KYC દસ્તાવેજોની નોંધણી કરાવી તેને અપલોડ કરવાના રહે છે. 2. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 14 આંકડાનો CKYC નંબર જનરેટ થાય છે. 3. આ નંબરની જાણ ગ્રાહકને મોબાઈલ પર SMS અને ઈ-મેલ દ્વારા કરવામાં આવે છે. 4. આ નંબરનો ઉપયોગ નાણાકીય સંસ્થામાં કરી શકાય છે, જેથી વારંવાર દસ્તાવેજો આપવા નહીં પડે. જીવનભર દસ્તાવેજો આપવાની જરૂર નહીં રહેસીકેવાયસી હેઠળ 14 આંકનો નંબર આપ્યા બાદ બેંક કે નાણાકીય સંસ્થામાં કેવાયસી માટે દસ્તાવેજો આપવાની જરૂર નથી. 14 આંકડાનો નંબર આપતાં કેવાયસી થઈ જશે. ધારો કે તમે આધારકાર્ડમાં એડ્રેસ ચેન્જ કરાવ્યું, તો કોઈ પણ બેંકમાં અપડેટ કરાવશો તો સીકેવાયસીમાં અપડેટ થઈ જશે. > લોકેશ ગુપ્તા, ચીફ મેનેજર, બેંક ઓફ બરોડા કેવાયસી ન કરાવો તો શું અસર થશે?
કાર્યવાહી:જામનગરમાં રૂ.60 લાખના ચીટીંગમાં આપ સૌરાષ્ટ્ર પ્રભારી સહિત બેની ધરપકડ
જામનગર શહેરના બ્રાસપાર્ટના વેપારીના જીએસટી એકાઉન્ટમાં રૂ.60 લાખ ભરવા માટે મેળવી લઈને આપના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી સહિત બે શખસોએ ચીટીંગ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. જામનગરના રાજકિય વર્તુળોમાં ભારે ચકચાર મચી જવા પામી છે. શહેરના રણજીતસાગર રોડ, પટેલ પાર્ક શેરીનં-11માં રહેતા ભાવેશભાઈ અમૃતભાઈ પરસોત્તમભાઈ તરાવિયા (ઉ.વ.37) નામના વેપારી શ્રી કલ્પ એન્ટરપ્રાઈ નામની બ્રાસ સ્ક્રેપની પેઢી ચલાવે છે. વેપારીને વર્ષ 2025માં જીએસટી વિભાગ દ્વારા નોટીસ મળી હતી. તેઓનું જીએસટી એકાઉન્ટ બ્લોક થઈ ગયેલ હોવાથી ફરી પોતાનું જીએસટી એકાઉન્ટ ચાલુ કરવા માટે જગદિશભાઈ રમેશભાઈ રામોલીયાનો સંપર્ક કર્યો હતો. આરોપી જગદીશ રામોલિયાએ આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્રના પ્રભારી પ્રકાશભાઈ ધીરૂભાઈ દોંગાને વકીલ તરીકે વેપારી સાથે મળાવ્યા હતા. જેથી વેપારીએ તેઓ ઉપર વિશ્વાસ મુકીને વર્ષ 2025ના ઓકટોબર માસના 17 તારીખે રૂ.60 લાખ જીએસટી એકાઉન્ટમાં ભરવા માટે આપ્યાહતા. જીએસટી એકાઉન્ટ બંધ થયેલ હોય તે ચાલુ કરાવવા સહિતની કામગીરી માટે ફી પણ ચુકવવામાં આવી હતી. તેમ છતાં આરોપીઓએ રૂપિયા વેપારીના જીએસટી એકાઉન્ટમાં નહીં ભરી પોતાના અંગત ઉપયોગમાં લઈ ઓળવી ગયા હતા. આજદીન સુધી રૂપિયા પણ પરત ન આપતા વેપારીએ પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે અંગેની પીઆઈ જે.વી.રાઠોડએ તપાસ હાથ ધરી છે અને જગદીશ રામોલીયા અને પ્રકાશ દોંગાની ધરપકડ કરવામાં આવી છે.
જાહેરનામુ:શૈક્ષણિક, ધાર્મિક સ્થળની આસપાસ ચૂંટણી કાર્યાલય ખોલવા પર પ્રતિબંધ
જામનગર મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા તથા જામનગર જિલ્લા પંચાયત તેમજ જામનગર જિલ્લાની કુલ 6 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટેનું મતદાન તા.26/04/2026ને રવિવારના રોજ યોજાનાર છે. જે અંતર્ગત ચૂંટણીના હેતુ માટે ખોલવાનું થતું ચૂંટણી કાર્યાલય મતદાન મથકથી 200 મીટરના વિસ્તારમાં તેમજ કોઈપણ માન્ય શૈક્ષણિક સંસ્થા/ હોસ્પિટલ તેમજ ધાર્મિક સ્થળની લગોલગ ખોલવા માટે પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.એમ.કાથડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આદેશમાં જણાવ્યા મુજબ ચૂંટણીના હેતુ માટે ખોલવાનું થતું ચૂંટણી કાર્યાલય ઉકત ચૂંટણી માટે નિયત થયેલ મતદાન મથકથી 200 મીટરના વિસ્તારમાં તેમજ કોઈપણ માન્ય શૈક્ષણિક સંસ્થા, હોસ્પિટલ તેમજ ધાર્મિક સ્થળ કે તેના પરિસરની લગોલગ ખોલવા માટે પ્રતિબંધ ફરમાવામાં આવે છે. આદેશનું પાલન થાય તે રીતે ખોલવામાં આવેલા ચૂંટણી કાર્યાલયમાં પાર્ટી સિમ્બોલ/ ફોટોગ્રાફ વાળા ફકત એક જ પાર્ટી ફલેગ અને બેનર લગાવી શકાશે. કોઈપણ જાહેર કે ખાનગી મિલકતમાં અનધિકૃત કબજો/દબાણ કરીને ચૂંટણી કાર્યાલય ખોલી શકાશે નહી. સ્થાનિક સતા મંડળના જે કોઈ નિયંત્રણો લાગુ પડતા હશે તેનું પાલન કરવાનું રહેશે. ચૂંટણીના સંદર્ભમાં અમલમાં રહેલી આદર્શ આચાર સંહિતા અને ખર્ચ સબંધી નિયંત્રણોનું પાલન થાય તે જોવાનું રહેશે. આ આદેશનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 હેઠળ શિક્ષાને પાત્ર થશે. તેમ આદેશમાં જણાવવામાં આવ્યું છે.
અમદાવાદ આગામી 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમની યજમાની કરી રહ્યું છે, ત્યારે શહેરમાં આ સ્પોર્ટ્સ કાર્યક્રમ માટેની તૈયારીની સમિક્ષા માટે કોમનવેલ્થ સ્પોર્ટ્સના પ્રેસિડન્ટ ડોનાલ્ડ રૂકારે, સીઇઓ કેટી સેડલિયર સાથે ગેમ્સ એન્ડ એશ્યોરન્સના ડિરેક્ટર ડેરેન હોલ સહિતના પ્રતિનિધિ મંડળ અમદાવાદ ખાતે આવ્યું હતું. મ્યુનિ. કમિશનર બંછા નીધિ પાની દ્વારા આ પ્રતિનિધિ મંડળ સમક્ષ અમદાવાદની તૈયારીની રૂપરેખા આપતું પ્રેઝન્ટેશન તૈયાર કરી બતાવવામાં આવ્યું હતું. મ્યુનિ.ના પ્રેઝન્ટેશનમાં જણાવાયું હતુંકે, અત્યારે અમદાવાદ શહેરમાં નારણપુરા, મેમ્કો અને વસ્ત્રાલ ખાતે 3 સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તૈયાર છે. આગામી દિવસોમાં નવા 11 જેટલા સ્પોર્ટસ કોમ્પલેક્ષ તૈયાર કરવામાં આવશે. તેમજ સ્પોર્ટસને લગતી પ્રવૃત્તિ માટે અમદાવાદ શહેર સંપુર્ણ પણે તૈયાર હોવાનું જણાવાયું હતું, નોંધનીય છેકે, આ પ્રતિનિધિ મંડળે ગઇકાલે જ નારણપુરા સ્પોર્ટસ કોમ્પલેક્ષ તેમજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. આજે રીવરફ્રન્ટ પર આ પ્રતિનિધિ મંડળ સાથે મ્યુનિ.ના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઇ હતી. આ ટીમ આવતીકાલે કાંકરીયા ખાતેના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની મુલાકાત લેશે. તે સિવાય ટીમના કેટલાક સભ્યો આવતીકાલે સરદાર સરોવર ડેમની તેમજ વડોદરાની મુલાકાત લેશે. 11 સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ આગામી દિવસોમાં ગોતા, રાણીપ, નરોડા સહિતના વિવિધ વિસ્તારમાં બનશે. ટીમ દ્વારા પ્રેઝન્ટેશન જોયા બાદ અમદાવાદ દ્વારા ટાઇમ બાઉન્ડ ગુણવત્તાસભર સ્પોર્ટ્સના વિકાસને ગતિ આપવામાં આવી રહી હોવાની બાબતની નોંધ લેવામાં આવી છે. અમદાવાદ શહેરને રમતગમતનું કેન્દ્ર બનાવવા માટેની પણ તૈયારીની પ્રસંશા કરવામાં આવી હતી. આ ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોની પણ મુલાકાત લેવામાં આવી હતી. કોમનવેલ્થ સ્પોર્ટ્સના પ્રેસિડેન્ટ, સીઈઓ અને ડિરેક્ટરે અમદાવાદની સમીક્ષા કરી
અકસ્માત:તાલાળી- સનાળી રસ્તા પર હિટ એન્ડ રનમાં સુરતના યુવાનનું મોત
તાલાળી ગામથી સનાળી ગામે જવાના રોડ પર થયેલા હિટ એન્ડ રન અકસ્માતમાં સુરત નિવાસી એક યુવાનનું મોત થતાં વિસ્તારમાં શોક છવાયો છે. બનાવ અંગે વાડિયા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો છે. ગઈ કાલે સાંજના આશરે આઠ વાગ્યાના સમયે સુરત પંચામૃત સોસાયટી ખાતે રહેતા નયનભાઈ શંભુભાઈ ગોળકિયા (ઉ.વ.34)ના ભાઈ GJ-05-PB-7598 નંબરનું બાઇક લઈને સણોસરા ગામેથી સનાળી તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન તાલાળીથી સનાળી જવાના રસ્તે, સનાળી ગામની હદ નજીક પહોંચતા પાછળથી પૂરઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહન ચાલકે તેમની મોટરસાયકલને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જી ફરાર થઈ ગયો છે. આ અકસ્માતમાં તેઓને માથાના ભાગે ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે ફરિયાદના આધારે વાડિયા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
ફરિયાદ:રાજુલાની યુવતીએ સાસરિયા સામે દહેજ માટે ત્રાસ આપ્યાની રાવ કરી
રાજુલાની એક યુવતીને તેના પતિ અને સાસરીયાઓ દ્વારા લગ્નજીવન દરમિયાન અવારનવાર દહેજની માંગણી કરી માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપતા પતિ સહિત 5 સામે ગુન્હો નોંધાયો છે. હાલ રાજુલાના ફ્રેન્ડ સોસાયટી વિસ્તારમાં રહેતા ક્રિષ્નાબેન ગૌરાંગભાઈ મકવાણા (ઉ.વ.30) એ પોતાના પતિ ગૌરાંગ નરસિંહભાઈ મકવાણા સહિત સાસરીયા પક્ષના પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. કે, તેઓના લગ્ન બાદ તા.17 માર્ચ 2025થી તા.7 જૂન દરમિયાન અમદાવાદ નિર્ણયનગર વિસ્તારમાં આવેલી માધવબાગ સોસાયટી તથા રાજુલા ખાતે રહેતી વખતે પતિ, સાસુ, સસરા, નણંદ અને દિયર દ્વારા દહેજ માટે અવારનવાર માંગણી કરવામાં આવતી હતી. દહેજ ન લાવવાના મુદ્દે સાસરિયા પક્ષ દ્વારા ક્રિષ્નાબેનને મારપીટ કરવામાં આવતી, અપશબ્દો બોલી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી તેમજ વારંવાર મેણા-ટોણા મારી માનસિક અને શારીરિક રીતે હેરાન કરવામાં આવતી હતી. આ સમગ્ર મામલે પતિ ગૌરાંગ નરસિંહભાઈ મકવાણા, હંસાબેન નરસિંહભાઈ મકવાણા, ચેતનાબેન જયેશકુમાર ટાંક, મયુર નરસિંહભાઈ મકવાણા અને નરસિંહ ભગવાનભાઈ મકવાણા સામે ગુનો નોંધાયો છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
ધરપકડ:યુવકનો બિભત્સ વીડિયો ઉતારી 5 લાખની ખંડણી માંગનાર મહિલા સહિત ત્રણ શખ્સ ઝડપાઇ ગયા
જાફરાબાદ તાલુકાના વારાસ્વરૂપ ગામના યુવકને અવાવરૂ જગ્યાએ બોલાવી 5 શખ્સોએ તેનો બિભત્સ વિડીયો ઉતારી મારમારી રોકડ તથા મોબાઈલની લૂંટ કરી પાંચ લાખની ખંડણી માંગવાના કેસમાં પોલીસે મહિલા સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. ખંડણી અને લૂંટ અંગેની ફરિયાદ ગઈકાલે રાજુલા પોલીસ મથકમાં નોંધાઈ હતી. વારાસ્વરૂપ ગામના યુવકને રાજુલાના હિંડોરણા નજીક બાવળની કાંટમાં બોલાવી 5 શખ્સોએ આ કૃત્ય આચર્યું હતું. રાજુલાની સમીનાબેન સબીરભાઈ સેલોત, જીતેન્દ્ર ઉર્ફે જીતુ રાઘવભાઈ ચૌહાણ અને હિંડોરણાના કરણ દંતુભાઈ પટાટ સહિત પાંચ શખ્સોએ આ યુવકને અવાવરૂ જગ્યાએ બોલાવી ઢીકાપાટુનો માર માર્યો હતો અને બાદમાં મહિલા સાથેનો તેનો વિડીયો ઉતારી ધમકી આપી 1950ની રોકડ અને મોબાઈલની લૂંટ કરી હતી. ઉપરાંત 5 લાખની ખંડણી પણ માંગી હતી. રાજુલાના પીઆઈ વી.એમ.કોલાદરા તથા સ્ટાફે આજે આ બારામાં સમીના ઉપરાંત કરણ અને જીતેન્દ્રની ધરપકડ કરી હતી. તેની પાસેથી રોકડ, પાંચ મોબાઈલ અને બાઈક મળી રૂપિયા 77,000નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
કામગીરી:દોલતી ગામમાં જાગૃત નાગરિકે 10 વીઘા ગૌચરની જમીન ખુલ્લી કરાવી
સાવરકુંડલા તાલુકાનાં દોલતી ગામમાં ગૌચરની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. દોલતી ગામની દસ વીઘા જમીન ઉપર દબાણ ખુલ્લુ કરવા જાગૃત નાગરિકે રજુઆત કરી હતી. જેના અનુસંધાને સાવરકુંડલા તાલુકાના દોલતી ગામે 10 વીઘા ગૌચર જમીન ખુલી કરાવેલ છે. દોલતી ગામના જાગૃત નાગરિક શૈલેષભાઈ નાથાભાઈ ચાદુએ સરકારમાં રજૂઆત કરતા દોલતી ગામના સરપંચ કાળુભાઈ વાઘમશી, પંચાયતના સભ્ય નરસિંહભાઈ કાછડ, ભરતભાઈ બલદાણીયા, દાદાભાઈ ચાંદુ તેમજ દોલતી ગામના આગેવાનોએ રમેશભાઈ અને તેમના બે ભાઈઓ પાસેથી 10 વીઘા ગૌચરણ જમીન ખાલી કરી આપેલ હતી. સાવરકુંડલા તાલુકાના દોલતી ગામના જાગૃત નાગરિક શૈલેષભાઈ નાથાભાઈ ચાંદુ દ્વારા આર.ટી.આઈ. કરવામાં આવેલ હતી. તેમાં હજુ દોલતી ગામના 42 જેટલાં દબાણો ગૌચરમાં કરવામાં આવેલ છે. આગામી સમયમાં પંચાયત દ્વારા તમામ દબાણો દુર કરવામા આવશે તેમ જાણવા મળેલ છે.
સારવાર:અમરેલી તાલુકાના બાળકને હૃદયનુંવિનામૂલ્યે ઓપરેશન કરી અપાયું
રાજ્ય સરકારના શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત 0 થી 18 વર્ષના બાળકો માટે આરોગ્ય તપાસ અને જરૂરી સારવાર સંપૂર્ણપણે વિનામૂલ્યે આપવામાં આવે છે. આ યોજનાના ભાગરૂપે અમરેલી તાલુકામાં એક બાળકે હૃદયરોગની સારવાર મેળવી સફળ ઓપરેશન કરાવ્યું છે. અમરેલી તાલુકાની RBSK ટીમ દ્વારા શાળા આરોગ્ય કાર્યક્રમ દરમિયાન બાળકની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન હૃદય સંબંધિત સમસ્યા હોવાનું જણાતા એક બાળકને વધુ સારવાર માટે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. આર.એમ. જોષી, RCHO ડૉ. સિંઘ અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. જાટના માર્ગદર્શન હેઠળ RBSK ટીમના ડૉ. વસીમ ભટ્ટી, ડૉ. સુનેહરા કુરેશી, ઉર્વશી સોલંકી અને દર્શના ગરેજા દ્વારા જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી બાળકને સારવાર માટે મોકલવામાં આવ્યો હતો. જેનું તા. 26 જુલાઈ 2025ના રોજ હૃદયનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. હાલ બાળક સ્વસ્થ છે અને નિયમિત ફોલોઅપ કરવામાં આવી રહ્યો છે.
અકસ્માત:લીલીયામાં સનાળીયાના રસ્તા પર અન્ય રિક્ષાનું મીલર ભટકાતા છકડો રિક્ષા પલ્ટી મારી: 1નું મોત
લીલીયાના સનાળીયા માર્ગ પર છકડો રીક્ષાનો અક્સ્માત થયો હતો. અહીં અન્ય રીક્ષામાં લગાવવામાં આવેલ મીલર છકડો રીક્ષા સાથે ભટકાતા પલ્ટી મારી ખાળીયામાં ઉતરી ગઈ હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. લીલીયાથી ખારા ગામ જતી છકડો રીક્ષા સાથે અન્ય રીક્ષામાં લગાવવામાં આવેલ મીલર અથડાવાથી અકસ્માત સર્જાયો હતો. છકડો રીક્ષામાં 8 મુસાફરો સવાર હતા. રીક્ષા પલ્ટી મારી ખાળીયામાં ઉતરી ગઈ હતી. અકસ્માતની આ ઘટનામાં ખારા ગામના દેવાભાઈ કાનાભાઈ બતાડા (ઉ.વ.60) નું મોત થયું હતું. જ્યારે ખારાના દેવુંબેન અરવિંદભાઈ પરમાર (ઉ.વ.16), યસ્વી મનુભાઈ ગોંડલિયા (ઉ.વ.15) અને પુનાભાઈ શવશીભાઈ માણસુરીયા (ઉ.વ.70)ને ઈજા પહોંચી હતી. તેમને સારવાર અર્થે અમરેલી સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
ભયનો માહોલ:મિતિયાળા ગામ 30 કલાકમાં ભૂકંપના 14 આંચકાથી ધ્રુજ્યું : રાત્રે વધુ 7 વખત કંપન
સાવરકુંડલા તાલુકાના વીરકાથાના મિતિયાળા પંથકમાં ધરતીના પેટાળમાં 10 કિ.મી ની ઊંડાઈ પર સતત હલચલ થઈ રહી છે જેને પગલે ભૂકંપના હળવા આંચકા આવી રહ્યા છે એક પખવાડિયા દરમિયાન બે વખત ભૂકંપ આવ્યા હતા ત્યારબાદ ગઈકાલથી ફરી એકવાર હળવા ભૂકંપનો ચાલુ થયો છે. ગઈકાલ રાતથી આજે સવાર દરમિયાન ભૂકંપના સાત આંચકા અનુભવાયા હતા ગઈકાલે પણ રાતના સમયે સાત આંચકા અનુભવાયા હતા આમ અહીં માત્ર 30 કલાકના ગાળામાં 14 વખત ધરતીકંપ આવ્યો હતો જો કે દરેક વખતે ધરતી કંપની માત્રા હળવી જોવા મળી હતી. રાત્રે 1:14 મીનીટે 3ની તીવ્રતાનો ધરતીકંપનો આંચકો આવ્યો હતો. બાદમાં રાત્રે 1.37 મીનીટ 1.1 ની તિવ્રતાનો, સવારે 8.58 મીનીટે આવ્યો 1.5 ની તિવ્રતાનો આંચકો આવ્યો હતો મીતીયાળા સાથે ભાડ, વાંકિયા, ધજડી, સાકરપરા, ઈંગોરાળા સહિતના ગામોમાં આંચકાનો અનુભવ થયો હતો. ગાંધીનગર સિસમોલોજી વિભાગે ભૂકંપના આંચકાની પુષ્ટિ આપી હતી. મકાનોમાં તિરાડો પડવા માંડી !મીતીયાળામાં સતત આવી રહેલા ધરતીકંપના કારણે કેટલાક મકાનોમાં તિરાડો પણ પડી રહી હોવાનું સ્થાનિક ગામ લોકો જણાવી રહ્યા છે. જોકે અહીં મોટી તીવ્રતાના આંચકા આવતા ન હોય કોઈ મોટું નુકસાન થઈ રહ્યું નથી.
ચૂંટણી:એક જ દિવસમાં તાલુકા પંચાયત માટે 61, જિલ્લા પંચાયત માટે 10 અને પાલિકા માટે 9 ફોર્મ ભરાયા
અમરેલી જિલ્લામાં 11 તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ઉપરાંત 6 નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે આજે એક જ દિવસમાં 80 ફોર્મ ભરાયા હતા. નગરપાલિકા માટે 9, તાલુકા પંચાયત માટે 61 અને જિલ્લા પંચાયત માટે વધુ 10 ફોર્મ ભરાયા છે. જિલ્લામાં કુલ 6 નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. અમરેલી, સાવરકુંડલા, બગસરા, બાબરા, ધારી અને દામનગર પાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ધીમી છે. આજે અમરેલી, સાવરકુંડલા અને બાબરા નગરપાલિકા માટે ત્રણ ત્રણ ફોર્મ ભરાયા હતા. આવી જ રીતે તાલુકા પંચાયતની ચૂંટણીમાં બગસરા અને સાવરકુંડલામાં ધસારો જોવા મળ્યો હતો. બગસરામાં 15 અને સાવરકુંડલામાં 10 ફોર્મ ભરાયા હતા. જ્યારે લીલીયા તાલુકા પંચાયત માટે 9 ફોર્મ ભરાયા હતા. એકંદરે 11 પંચાયતના કુલ 61 ફોર્મ ભરાયા છે. જ્યારે જિલ્લા પંચાયતમાં આજે વધુ 10 ઉમેદવારી સામે આવતા અત્યાર સુધીમાં 17 ફોર્મ ભરાયા છે. હવે ઉમેદવારી નોંધાવવા માટે બે દિવસ બાકી રહ્યા છે. ફોર્મ ભરાવના અંતિમ દિવસે સૌથી વધુ ધસારો જોવા મળશે. બગસરા, ધારી અને દામનગર પાલિકામાં એક હજુ પણ ફોર્મ નહીઅમરેલી જિલ્લાની છ નગરપાલિકા પૈકી બગસરા, ધારી અને દામનગર નગરપાલિકામાં અત્યાર સુધીમાં એક પણ વ્યક્તિએ ઉમેદવારી નોંધાવી નથી. આવી જ રીતે કુંકાવાવ, વડીયા અને ખાંભા તાલુકા પંચાયત માટે પણ હજુ સુધી એકેય ઉમેદવારી થઈ નથી.
કાર્યવાહી:જાફરાબાદમાંથી શંકાસ્પદ પશુનું 16 કિલો માંસ ઝડપાયું
જાફરાબાદ ખાતે લાઈટ હાઉસ રોડ પર આવેલી ફિશરીઝ ઓફિસની સામે શંકાસ્પદ પશુનું માંસ મળી આવતાં પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગઈકાલે સવારે અંદાજે 11:45 કલાકે ફિશરીઝ ઓફિસ સામે એક એક્ટીવા સ્કૂટરમાંથી આશરે 16 કિલો જેટલું શંકાસ્પદ પશુનું માંસ મળી આવ્યું હતું. આ અંગે જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ મનસુખભાઈ મોહનભાઈ શિયાળે જાણ કરી હતી. રૂપિયા 3200નું માસ કબ્જે કરવામાં આવ્યું છે. સાથે જ કિંમત રૂ.20,000નું GJ-14-BC-4682 નંબર વાળું મરૂન કલરનું સ્કૂટર પણ કબજે કરી લેવામાં આવ્યું છે. આ મામલે પોલીસ દ્વારા જાણવાજોગ નોંધ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
DLSS શાળાના છાત્રો ઝળક્યા:અમરેલીના 2 વિદ્યાર્થીએ સુવર્ણ, રજત પદક જીત્યા
અમરેલી ખાતે તા. 4 એપ્રિલના રોજ ઇન્વીઝન ઓર્ગેનાઈઝેશન દ્વારા જિલ્લા કક્ષાની મેરેથોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી અનેક રમતવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં DLSS શાળાના પ્રતિભાશાળી ખેલાડીઓએ ઉત્તમ પ્રદર્શન કરીને સંસ્થાનું અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. અમરેલી ખાતે તા. 4 એપ્રિલના રોજ ઇન્વીઝન ઓર્ગેનાઈઝેશન દ્વારા જિલ્લા કક્ષાની મેરેથોન સ્પર્ધાનું આયોજન સ્પર્ધાની 5 કિલોમીટર દોડમાં શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા, DLSS શાળાના પ્રતિભાશાળી ખેલાડીઓએ ઉત્તમ પ્રદર્શન કર્યું છે. જેમાં દીપાલી મેર શાનદાર દોડ સાથે પ્રથમ સ્થાન મેળવી સુવર્ણ પદક જીત્યો હતો, જ્યારે એંજલ કુકડિયાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી રજત પદક પોતાના નામે કર્યો હતો. બંને ખેલાડીઓની આ સિદ્ધિ તેમની દૃઢ મહેનત, નિયમિત તાલીમ અને નિષ્ઠાનું પરિણામ ગણાય છે. અનુભવી કોચ અને ટ્રેનરોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને સતત તાલીમ આપવામાં આવતી હોવાથી તેઓ વિવિધ સ્પર્ધાઓમાં સફળતા મેળવી રહ્યા છે. આ પ્રસંગે બ્રહ્માકુમારી સેન્ટરના રાજ્યોગીની કિંજલદીદી તેમજ બ્રહ્માકુમારી બહેનોની હાજરીમાં વિજેતા ખેલાડીઓ અને કોચ-ટ્રેનરોનું સન્માન કરવામાં આવ્યું હતું.
છેતરપીંડી:ધારીના જીરા ગામના ખેડૂત સાથે પીએમયોજનાના નામે રૂા. 5.99 લાખની ઠગાઈ
ધારી તાલુકાના જીરા ગામના એક વ્યક્તિ સાથે મોબાઈલ હેકિંગ દ્વારા ઓનલાઈન છેતરપીંડી થયાનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા શખ્સોએ વોટ્સએપ હેક કરીને અને પીએમ યોજનાના નામે APK ફાઈલ ડાઉનલોડ કરાવી બેંક ખાતામાંથી લાખો રૂપિયાની છેતરપીંડી કરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે ધારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. ધારી તાલુકાના જીરા ગામના રહેવાસી અને નોકરી કરતા કનુભાઈ જેરામભાઈ નાકરાણી (ઉ.વ.54)એ ધારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.23 ડિસેમ્બર બપોરથી 29 ડિસેમ્બર સાંજ દરમિયાન અજાણ્યા કોઈ શખ્સોએ તેમના મોબાઈલ ફોનમાં રહેલી વોટ્સએપ એપ્લિકેશન હેક કરી હતી. તેઓએ વોટ્સએપ મારફતે પીએમ યોજના નામની APK ફાઈલ ડાઉનલોડ કરાવી તેને મોબાઈલમાં બેકગ્રાઉન્ડમાં ચાલુ રાખી હતી. ત્યારબાદ કનુભાઈના મોબાઈલમાં આવતા તમામ ટેક્સ્ટ મેસેજ અને OTP મેસેજ પોતાની પાસે ટ્રાન્સફર કરી લીધા હતા. બાદ અજાણ્યા શખ્સો દ્વારા બેંકની એપ્લિકેશન મારફતે રૂપિયા 5,04,000ની લોન મંજુર કરાવી હતી. લોનની રકમ તેમજ ખાતામાં રહેલી અન્ય રકમ મળીને કુલ રૂપિયા 5,99,990 ત્રણ અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરી ઉપાડી લેવામાં આવી હતી. આ અંગે ધરી પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમા કરવા માટે આવેલાં અમદાવાદના યુવાનનું ભેદી સંજોગોમાં મોત થયું છે. અમદાવાદથી ત્રણ મિત્રો પરિક્રમા માટે આવ્યાં હતાં. રણછોડજીના મંદિર પાસે ત્રણેય બેઠા હતાં ત્યારે એક મિત્ર લઘુશંકા કરવા માટે પાર્કિંગમાં ગયો હતો અને બાદમાં તે મૃત હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસે સ્થળ પર તપાસ કરતાં શંકાસ્પદ પાવડર, ફોન સહિતની વસ્તુઓ મળી આવી હતી. અમદાવાદ ઘાટલોડિયા વિસ્તારમાં સીમળાજ એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા 41 વર્ષીય દેવલ મહેન્દ્ર સુથાર તેના મિત્રો જોડે નર્મદા પરિક્રમા કરવા ગત રાત્રીના આવ્યા હતા. અગાઉ તે 4 એપ્રિલને શનિવારના રોજ પરિક્રમા કરીને અમદાવાદ પરત ફર્યા હતા.બીજીવાર નર્મદા પરિક્રમા કરવા આવ્યા હોય નર્મદા પરિક્રમા કરીને રણછોડજી મંદિર પાસે મિત્રો સાથે બેઠા હતા. બાદમાં લઘુશંકા કરવાની કહી પાર્કિંગ વિસ્તારમાં ગયો બહુ સમય થયો ત્યારે આ દેવલ સુથાર પરત નહિ આવતા તેને શોધતા પાર્કિંગ એરિયામાં બેભાન હાલતમાં મળી આવતા તાત્કાલિક સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લઇ જતા જ્યા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. તેની સાથેના મિત્રો અને ફરિયાદી એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં કોઈએ બુંદી સેવ ખવડાવી હતી અને બાદમાં આ ઘટના બની હતી. પોલીસે પંચનામું કર્યું અને સીસીટીવી ફૂટેજ જોતા દેવલ સુથાર કોઈ સફેદ પાઉડરનો ફાંકો માર્યો અને પાણી પીધું હોય તેમ દેખાય રહયો છે. પાર્કિંગમાં લઘુશંકાના બહાને ગયેલાં દેવલને ઉલટી પણ થઇ હતી. સ્થળ પરથી સફેદ રંગનો પાવડર પણ મળી આવ્યો હતો. આ પાવડર અને ફોન સહિતની વસ્તુઓને તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવી છે. મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવીને મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે. રાજપીપલા ટાઉન પોલીસે હાલ અકસ્માત મોત ની ફરિયાદ લીધી છે. દેવલની હત્યા કરવામાં આવી છે કે તેણે ઝેરી પાવડર ખાઇને આપઘાત કર્યો છે તે તપાસનો વિષય બન્યો છે.
ભાસ્કર વિશ્લેષણ:વલસાડમાં પ્રથમ કમોસમી વરસાદ કેરી પાક માટે ઘાતક
વલસાડ જિલ્લાના ખેડૂતોના વાર્ષિક આવકનો મુખ્ય સ્ત્રોત ગણાતા કેરી, ચીકુ, શેરડી અને ડાંગરના પાકને સાચવવો ખેડૂતો માટે ઘાતક થઇ રહ્યું છે. હાલમાં ગ્લોબલ વોર્મિંગના કારણે વારંવાર બદલાતું હવામાન ખેત ઉત્પાદન લેતાં ખેડૂતોનું બ્લડ પ્રેશર વધારી રહ્યું છે. વલસાડ જિલ્લામાં 38 હજારથી વધુ હેકટરમાં કેરીનો પાક આંબાવાડીમાં હતો. બે માસ અગાઉ વાતાવરણની પ્રતિકૂળ અસરના કારણે 65 ટકા મોરવા કાળા પડી ગયા હતા. ગત રાત્રિએ હવામાન બદલાતાં તેજ ઠંડા પવન સાથે આકાશમાં વાદળો છવાઇ ગયા બાદ હળવો કમોસમી વરસાદ શરૂ થઇ ગયો હતો. વલસાડના ચણવઇ, રબડા, બીનવાડા, ઓઝર , પારનેરાપારડી, પારનેરા ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદના છાંટણા ઝાપટા થયા હતા. જો કે દિવસે કાળઝાળ ગરમીના કારણે ત્રસ્ત લોકોને જો કે ઠંડક મળતાં રાહત અનુભવાઇ હતી પરંતું કેરીના પાક લેતા ખેડૂતોની ઉંઘ બગડી હતી. હજી 1 માસ પાકની પરિપક્વતા સાથેની સિઝન માટે બાકી છે ત્યારે વાતાવરણ પર ખેડૂતોના પાકનું ભાવિ નિર્ભૅર રહેશે તેવું જાણવા મળ્યું છે. આ વર્ષે પ્રથમ ફાલ નિષ્ફળ હતું જિલ્લામાં કેરીના પાક માટે સૂર્ય પ્રકાશ, ઠંડી ગરમીનું સંયોજિત અનુકૂળ હવામાન અનિવાર્ય બને છે. શરૂઆતમાં તીવ્ર ગરમી અને અને કાતિલ ઠંડીના વાતાવરણથી આંબાવાડીઓમાં 60 ટકા મોરવા કાળા પડી ગયા હતા. જેના કારણે પ્રથમ ફાલમાં નિષ્ફળતા મળી હતી. બીજા ફાલમાં ફ્લાવરિંગ ઓછું થયું અને પહેલા બચી ગયેલા પાકને હવે કમોસમી વરસાદથી બચાવવો પડે તેની ચિંતા છે. સવાથી દોઢ માસ સિઝનને બાકી છે ત્યારે વાતાવરણ સારુ રહે તે અનિવાર્ય છે. > મહેશ પટેલ, ખેડૂત પાકને બચાવવા કિટનાશક દવાનો બોજવલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જે કમોસમી વરસાદ પડ્યો છે તેનાથી મોટું જોખમ નથી પણ વાડીઓમાં તૈયાર થઇ રહેલા પાક પર વરસાદ પડતાં ખેડૂતો કોઇ જોખમ ખેડવા તૈયાર નથી. જંતુનાશક દવાના ખર્ચા કરવા પડે તો પણ કોઇ ચિંતાના બદલે દવાનો વપરાશ કરવા આર્થિક વધારાનો બોજ પડ્યો છે. વાતાવરણ સ્વચ્છ થતાં પાક સુરક્ષિતવલસાડ જિલ્લામાં કેરીનાપાકનો વિકાસ થઇ રહ્યો છે અને આગામી મેના બીજાસપ્તાહ સુધીમાં પાકપુખ્તપણે તૈયાર થઇ જશે. દરમિયાન રાત્રિથી મળસ્કે દરમિયાન હવામાન બદલાતાં કમોસમી વરસાદ કેટલાક ગામોમાં પડયો હોવાની જાણકારી થઇ હતી. જો કે આંબાવાડીઓમાં ફળ મોટુ થઇ ગયું હોવાના કારણે મોટી અસરનહિ પડે. દરમિયાન ગુરૂવારે સવારે સૂર્યોદય સુધીમાં વાતાવરણ સ્વચ્છ થઇ જતાં સૂર્ય પ્રકાશને લઇ કેરીનો પાક સુરક્ષિત છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જનગણના 2027 અંતર્ગત સ્વ-ગણના પ્રક્રિયામાં ભાગ લઈ, પોતાની જાણકારી જાતે દાખલ કરી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પ્રસંગે તેમણે નાગરિકોને અપીલ કરતા જણાવ્યું કે જનગણના એ એક અત્યંત મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્ય છે, જેમાં પ્રત્યેક નાગરિકની સક્રિય સહભાગિતા અનિવાર્ય છે. તેમણે દરેકને આગ્રહ કર્યો કે નાગરિકો સ્વ-ગણનાની સુવિધાનો મહત્તમ લાભ ઉઠાવે અને નિર્ધારિત સમયમર્યાદામાં પોતાની સટીક જાણકારી પોતે જ ઓનલાઇન દાખલ કરે. વધુમાં તેમણે ઉમેર્યું કે આ પ્રક્રિયા અત્યંત સરળ અને સુવિધાજનક છે, જેનાથી ડેટામાં પારદર્શિતા અને ચોકસાઈ સુનિશ્ચિત થાય છે. નાગરિકો દ્વારા આપવામાં આવેલી સાચી અને પૂર્ણ જાણકારી સરકારને ભવિષ્યની જનકલ્યાણકારી યોજનાઓ અને નીતિઓના નિર્માણમાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે. પ્રશાસકની આ પહેલ સામાન્ય જનતા માટે પ્રેરણાદાયી છે, જેનાથી લોકોમાં જાગૃતિ આવશે અને વધુમાં વધુ નાગરિકો આ પ્રક્રિયામાં જોડાશે.
વાડામાં સફાઇ કરતી વેળા દીપડો ધસી આવ્યો:છરવાડામાં દીપડાનો મહિલા પર હુમલો, બુમો પાડતાં ભાગ્યો
વલસાડના છરવાડા ગામે લાંબા સમય બાદ દીપડો ફરી ગામમાં આવી ચઢતાં ડરનો માહોલ સર્જાયો છે. એક મહિલા પર દીપડાએ હુમલો કરી ઇજા પહોંચાડી ભાગી છુટ્યો હતો. વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારના ડુંગરી નજીક આવેલા છરવાડા ગામમાં ઘણા સમય અગાઉ દીપડો દેખાયો હતો. બાદમાં દીપડાનો કોઇ પત્તો ન હતો. પરંતું મોડી સાંજ દરમિયાન ગામમાં એક દીપડો આંટો મારતા આવી પહોંચ્યો હતો ત્યારે રહેઠાણ વિસ્તારમાં એક મહિલા પોતાના ઘર પાછળ વાડામાં સાફ સફાઇનું કામકાજ કરી રહી હતી ત્યારે અચાનક એક ખૂંખાર દીપડાએ મહિલાને નિશાન બનાવી હુમલો કર્યો હતો. જેનાથી મહિલાને માથાના ભાગે તેમજ પ્રતિકાર કરતા હાથના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જો કે બુમાબુમ થતાં દીપડો ઇજા કરીને વિજળીક ગતિએ ત્યાંથી ઝાડીના ખેતર વિસ્તારમાં ભાગી છુટ્યો હતો.
મતદાર જાગૃતિ અભિયાનનો પ્રારંભ:મંડળીઓ રસીદમાં તથા દૂધની થેલીઓ પર મતદાર જાગૃતિ અંગેનો સંદેશ છપાવશે
વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરવા અંગે નાગરીકોમાં જાગૃતિ આવે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી ભવ્ય વર્માના માર્ગદર્શન અને SVEEP મેનેજમેન્ટના નોડલ અધિકારી દ્વારા જુદી જુદી પ્રવૃત્તિ તથા કાર્યક્રમોનુ આયોજન કરાયુ છે. મતદાર જાગૃતિ કાર્યક્રમ કેલેન્ડર સ્વીપ મેનેજમેન્ટ દ્વારા તૈયાર કરી 7 એપ્રિલથી મતદાર જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરાયો છે. આ અભિયાન હેઠળ આગામી 24 એપ્રિલ સુધી જિલ્લામાં વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાશે. મતદાર જાગૃતિ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ વધુમાં વધુ મતદારોમાં જાગૃતિ લાવવાનો અને મતદાન પ્રત્યે લોકોમાં રસ વધારવાનો છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓ, શિક્ષકો, ગ્રામજનો તથા વિવિધ સંસ્થાઓને જોડીને વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવશે. શૈક્ષણિક સંસ્થાઓમાં મતદાર જાગૃતિ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવું, મતદાન સંકલ્પ, પ્રભાત ફેરી, રેલી વિગેરેનું આયોજન, દૂધ મંડળીઓ સાથે બેઠક કરી તેઓ દ્વારા અપાતી દૂધની રસીદમાં તથા દૂધની થેલીઓ પર મતદાર જાગૃતિ અંગેનો સંદેશ છપાવવો, વિવિધ મંડળીઓ, બજાર સમિતિઓના ભવનો પર બેનર્સ અને પોસ્ટર્સ લગાવવામાં આવશે. યુવા, મહિલા, વયસ્ક મતદારોમાં જાગૃતિ માટે ખાસ કાર્યક્રમો જેવા કે, સિગ્નેચર ડ્રાઈવ, સોશિયલ સાઈટ્સ પર સંદેશા પ્રસારણ, મોબાઇલ સંદેશાઓ જેવા કાર્યક્રમો હાથ ધરાશે. વેબસાઇટ ઉપર પણ જાગૃતિ સંદેશવધુ અવર-જવર રહેતી હોય તેવા જાહેર સ્થળે મતદાર જાગૃતિ અંગેના હોર્ડિગ્સ પ્રદર્શિત કરવા, કચેરીઓ, મંડળો, સંઘો, દવાખાના, શાળાઓ વિગેરેના મકાનો તથા ચોક વિગેરે સ્થળે મતદાન માટેની નિમંત્રણ પત્રિકા છપાવી કે નોટીસ બોર્ડ પર લખી મૂકવી, સરકારી વેબસાઈટસ, 7-12, 8-અ નકલ તેમજ જનસેવા કેન્દ્રની રસીદ પર સંદેશા મુકવા, બસ સ્ટેન્ડ તથા બસો પર પોસ્ટર્સ પ્રદર્શિત કરવા, જિલ્લાના તમામ એસટી ડેપો મેનેજરની નોડલ ઓફીસર તરીકે નિમણુંક કરવી. સરકારી વાહનો તેમજ અન્ય પ્રાઇવેટ વાહનો પર મતદાન જાગૃતિ અંગેના સ્ટીકર લગાડવા, સિનેમાગૃહો, સ્થાનિક સમાચાર એજન્સી, કેબલ ઓપરેટરો દ્વારા વિજ્ઞાપન દ્વારા જાગૃત્તિ, ચૂંટણી સાથે સંકળાયેલ હોય તેવા અધિકારીનું વ્હોટસએપ ગ્રુપ બનાવી સૂચનોનું વહન કરવુ, જિલ્લા અને તાલુકા કક્ષાએ યોજાયેલા કાર્યક્રમો ફેસબુક અન્ય સોશિયલ મીડિયા સાઈટ પર અપલોડ કરાવવાના રહેશે, જેથી ડિજિટલ માધ્યમનો વધુમાં વધુ ઉપયોગ કરી મતદાન અંગે જાગૃતિ ફેલાવી શકાશે.
વલસાડ શહેરમાં નગરપાલિકાની માલિકીના સરકારી પ્રોપર્ટી ઇન્દીરા ગાંધી શોપિંગ સેન્ટરની જર્જરિત થઇ જતાં બુધવારે બાલ્કનીનો સ્લેબ તૂટી પડવાની ઘટના બાદ વેપારીઓએ ગુરૂવારે મોરચો માડી પાલિકા સમક્ષ તાત્કાલિક મરામતની માગ કરી છે. વલસાડ સ્ટેશન રોડ ઉપર ગાંધી લાયબ્રેરી નજીક આવેલા ઇન્દીરા ગાંધી શોપિંગ સેન્ટરના ઉપલાં માળે મોડી સાંજે બાલકનીના છેડાના ભાગે સ્લેબનો ટૂકડો ધરાશાઇ થઇ જતાં નીચે પાર્ક કરેલા વાહનોને ભારે નુકસાન પહોચ્યું હતું.જો કે મોડી સાંજના કારણે અવરજવર ન હોવાથી જાનિહાનિ ટળી ગઇ હતી. આ દરમિયાન નગરપાલિકાના સ્ટાફે આવી દૂકાનો બંધ કરાવી દીધી હતી.આ જર્જિરત શોપિંગ સેન્ટરની બાલકની,પાળી અત્યંત ખખડી ગઇ છે.જેને વર્ષોથી યથાવત સ્થિતિમા જ છોડી દેવાતાં સ્થિતિજોખમી બની રહી છે. જેના કારણે વેપારી અગ્રણી કેતન શાહની આગેવાની હેઠળ વેપારીઓએ નગરપાલિકા ખાતે મોરચા રૂપે પહોંચી સત્તાધીશોને મરામતની રજૂઆત કરી હતી.જેમાં વેપારીઓ દ્વારા જૂના શોપિંગ સેન્ટરોની મરામત કરાવવા અથવા માલિકી ધોરણે આપી દે તો વેપારીઓ મરામત કરાવી દેશે તેવી દલીલો કરાઇ હતી. ઇન્દીરા ગાંધી શોપિંગ સેન્ટરની વહેલી તકે મરામત કરવામાં નહિ આવશે તો આમરણાંત ઉપવાસ સાથે ગાંધી ચિધ્યા માર્ગે આંદોલનની પણ ચીમકી આપવામાં આવી છે. બીજી તરફ પાલિકા શોપિંગ સેન્ટરમાં આવેલી દુકાનોની માલિકી હક્ક પણ વેપારીઓને ન આપતા આક્રોશ જોવા મળી રહ્યો છે. ભવિષ્યમાં મોટી ઘટનાના અણસારને લઇ વેપારીઓમાં ડરનો માહોલ છે.
વલસાડમાં સ્થાનિક ચૂંટણીને લઇ જાહેરનામું:ચૂંટણી પ્રચાર માટે રાત્રીએ લાઉડ સ્પીકર ઉપર પ્રતિબંધ
રાજકીય પક્ષો, ઉમેદવારો ચુટણી પ્રચાર ઝુંબેશ માટે લાઉડ સ્પીકરના ઉપયોગ કરે છે. જે ફક્ત નિયત મંચ કે સભા સ્થળ ઉપરાંત ચુંટણી પ્રચાર માટે ફરતા વાહનો ઉપર પણ લગાવી શહેર, મહોલ્લા, ગામો, ગલીઓમાં ફેરવવામાં આવે છે. જેનાથી અવાજનું પ્રદુષણ, ઘોંઘાટના કારણે વિદ્યાર્થીઓ, વૃદ્ધો, અશક્ત અને બીમાર વ્યક્તિઓને ત્રાસરૂપ થાય છે. આગામી સામાન્ય ચૂંટણીમાં લાઉડ સ્પીકરના વ્યાપક ઉપયોગ ઉપર નિયંત્રણો રાખવા જરૂરી હોવાનું જણાવી રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા લાઉડ સ્પીકરના ઉપયોગ માટે આદેશો કરાયા છે. જે આદેશોને અનુસરીને જિલ્લા મેજિસ્ટ્રેટ ભવ્ય વર્માએ સમગ્ર વલસાડ જિલ્લાના વિસ્તારમાં કોઈપણ રાજકીય પક્ષો, ઉમેદવાર કે તેના કાર્યકરો કે સમર્થકોએ, ચુંટણી પ્રચારના કામે યોજાતી સભા અને સરઘસ કે રેલીમાં લાઉડ સ્પીકરનો સવારના 8.00 કલાક પહેલા અને રાત્રિના 10.00 કલાક પછી ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મુક્યો છે. ચૂંટણી દરમિયાન રાજકીયપક્ષો અને ઉમેદવારો દ્વારા જાહેરમાર્ગની બંને તરફ શેરી,નાકા, જાહેર માલિકીના મકાનો ઉપર વિશાળ પોસ્ટરો, બેનરો કે, રાજકીય નેતાના કટઆઉટ ઉભા કરવામાં આવે છે. જેના ઉપર જિલ્લા કલેક્ટરે પ્રતિબંધ મુક્યો છે. આ આદેશનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી પણ કરી શકાય એમ છે. આ ઉપરાંત ચૂંટણીને લઇને 30 એપ્રિલ સુધી સભા-સરઘસ પણ કાઢી શકાશે નહીં.
શિક્ષણ કાર્ય ખોરવાયું:રાનકૂવામાં શિક્ષકો તાલીમમાં જતા અન્ય શાળાના શિક્ષકે પરીક્ષા લીધી
ચીખલી તાલુકામાં વાર્ષિક પરીક્ષાઓ વચ્ચે શિક્ષકોને ચૂંટણીલક્ષી તાલીમમાં બોલાવાતા શિક્ષણ કાર્ય ખોરવાયું છે, જેના કારણે અનેક શાળાઓમાં માત્ર એક જ શિક્ષકના ભરોસે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની નોબત આવતા અગવડતા સર્જાઇ હતી. ચીખલી તાલુકાની 177 પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક અને ખાનગી શાળાઓમાં 6 એપ્રિલના રોજથી વાર્ષિક પરીક્ષા શરૂ થઈ છે. આગામી 26 એપ્રિલના રોજ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાનાર છે અને તેના માટે ગુરૂવારના રોજ સવારના 10:30 વાગ્યેથી જ ઝોનલ અધિકારીઓ, પ્રિસાઇડિંગ અને આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરોની તાલીમ રાખવામાં આવી હતી. જેને પગલે ચાલુ વાર્ષિક પરીક્ષા દરમિયાન પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોએ ચાલુ પરીક્ષા છોડીને ચૂંટણીલક્ષી તાલીમ લેવા જવાની ફરજ પડી હતી. ચીખલીના રાનકૂવા પટેલ ફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા 2 શિક્ષકો પૈકી બન્નેનો ગુરૂવારના રોજ ચૂંટણીની તાલીમ માટે ઓર્ડર કરાયો હતો. શાળામાં ધોરણ-3થી 5ની ચાલતી વાર્ષિક પરીક્ષામાં વિદ્યાર્થીઓને હાલાકી ન પડે તે માટે તાત્કાલિક ધોરણે રાનકૂવા મુખ્ય પ્રાથમિક શાળામાંથી જે શિક્ષકોનો ચૂંટણીની તાલીમનો ઓર્ડર ન હતો તેને તાત્કાલિક અસરથી પટેલ ફળિયા વર્ગ પ્રા. શાળામાં પરીક્ષા લેવા મોકલવામાં આવ્યા હતા.
ખાણ ખનીજ વિભાગની ડિજિટલ ક્રાંતિ:QR કોડથી જ થશે ખનીજનું વહન, કાગળના પાસનો હવે આવશે અંત
ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજના વહન માટે ક્યુઆર કોડ આધારિત રોયલ્ટી પાસની સિસ્ટમ અમલમાં મુકવામાં આવી છે ત્યારે ચીખલી તાલુકામાં ધમધમતા કવોરી ઉદ્યોગમાં લીઝ હોલ્ડરો, ડ્રાઇવરોને સુગમતા સાથે સમગ્ર વહીવટ પેપરલેસ થવા જઈ રહ્યો છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ વહનની પ્રક્રિયાને પારદર્શક અને ઝડપી બનાવવા, ખનીજ ચોરી પર લગામ કસવા માટે કાગળના રોયલ્ટી પાસના સ્થાને ક્યુઆર કોડ બેઇઝ સિસ્ટમ 1 એપ્રિલથી અમલમાં મુકવામાં આવી છે અને ક્યુઆર કોડ પાસ અને વીટીએમએસ (હિકલ ટ્રેડિંગ મેનેજમેન્ટ સિસ્ટમ)ના ડેટાને એક જ પ્લેટફોર્મ પર લીંક કરવામાં આવી છે. જેનાથી કોઈ વાહન પરમીટ વિના અથવા પરમીટનો સમય પૂરો થયા પછી પણ ખનીજનું વહન કરતું જણાશે તો આ સિસ્ટમ દ્વારા ઓટોમેટિક એલર્ટ જનરેટ થશે. વધુમાં કાગળના પાસમાં છેડછાડ કરી એક જ પાસ પર અનેક ફેરા મારવામાં આવતા હતા તે અશક્ય બનશે. એકવાર ઉપયોગ થયેલ પાસ બીજી વાર ઉપયોગ કરી શકાશે નહીં. ક્યુઆર કોડ આધારિત રોયલ્ટી પાસની સિસ્ટમમાં ખનીજ વહન કરતા હજારો ડ્રાઇવરોને પણ રાહત થશે, કારણ કે તેઓને હવે કાગળનો પાસ સાચવવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. ડ્રાઇવરના મોબાઇલ પર સીધો એસએમએસ આવે અને લીંક પર ક્લિક કરતાની સાથે જ ક્યુઆર કોડવાળો પાસ જોવા મળશે. આ ઉપરાંત લીઝ હોલ્ડરો, સ્ટોક હોલ્ડરોને પણ પાસ માટે ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે. હવેથી તેઓ મોબાઈલ કે કમ્પ્યૂટરના માધ્યમથી એક રૂપિયાના નજીવા ચાર્જમાં રોયલ્ટી પેડ જનરેટ કરી શકશે. આજ રીતે આ સિસ્ટમમાં રેકર્ડ સાચવવાની ઝંઝટમાંથી મુક્તિ મળવા સાથે મોનિટરિંગની પ્રક્રિયા પણ વધુ સરળ થતા કર્મચારીઓને પણ રાહત થશે. નોંધનીય છે કે ચીખલી તાલુકામાં અંદાજે 100ની આજુબાજુ લીઝ ધારકો છે અને તાલુકામાં મોટાપાયે ખનીજના વિવિધ ઉત્પાદનો થાય છે અને તેની સરળ ખનીજ વહનમાં પણ દોઢ થી બે હજાર જેટલા વાહનો સંકળાયેલા છે.
ફરાર આરોપી પકડાયો:મહારાષ્ટ્રના છેતરપિંડીના ગુનામાં ફરાર આરોપી દબોચાયો
નવસારી પોલીસ અધિક્ષક રાહુલ પટેલની સૂચના મુજબ, જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ ઉકેલવા માટે એલસીબી પીઆઇ વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત નવસારી એલસીબી ટીમે મહારાષ્ટ્રના નિઝામપુર પોલીસ મથકે નોંધાયેલ છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. એલસીબી સ્ટાફના અધિકારીઓ અને કર્મચારીઓ જ્યારે પેટ્રોલિંગ અને વર્કઆઉટમાં હતા ત્યારે પોલીસ કોન્સ્ટેબલ અર્જુનભાઈ, નિલેશભાઈ અને વિજયભાઈને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે ટીમ દ્વારા વોચ ગોઠવીને આરોપી સતીષ રાજુભાઈ પટેલ (ઉ.વ. 34, રહે. વાઘલધરા, વલસાડ)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપી વિરુદ્ધ મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના નિઝામપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. આરોપી લાંબા સમયથી પોલીસને થાપ આપી ફરાર હતો. નવસારી એલસીબીએ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી આરોપીનો કબજો નિઝામપુર પોલીસને સોંપ્યો છે. આ કામગીરીમાં એલસીબીના પીઆઇ એસ.વી. આહીર, પીએસઆઇ વાય.જી. ગઢવી અને એમ.બી. ગામીત સહિતના સ્ટાફનો મહત્વનો ફાળો રહ્યો હતો.
બરોડા ક્રિકેટ અસોસિએશન દ્વારા આયોજીત U-19 ઇન્ટર ક્લબ સાઉથ ડિસ્ટ્રિક વન-ડે ટુર્નામેન્ટ 2026-27નું આયોજન વી.એસ.પટેલ કોલેજ ગ્રાઉન્ડ, ચીખલી કોલેજ ગ્રાઉન્ડ, અગ્રવાલ કોલેજ ગ્રાઉન્ડ, નારણલાલા કોલેજ ગ્રાઉન્ડમાં 23 મેચ રમાઇ હતી. જેમાં 10 ટીમને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ટુનામેન્ટ દરમિયાન બેટ્સમેનોએ 6 સદી અને બોલરોએ 7 વખત 5 વિકેટ લઈ સુંદર દેખાવ કર્યા હતા. ફાઇનલ મેચમાં બીલીમોરા વેટરન ક્રિકેટ એસોસિએશન અને R.D ક્રિકેટ એકેડમી વચ્ચે રમાઈ હતી. જેમાં બીલીમોરા વેટરન ક્રિકેટ એસો.એ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા 159 રનમાં ઓલઆઉટ થઇ હતી. જેમાં વિવેક યાદવના 60 રન, વંશ મહેતાએ 50 રન કર્યા હતા. નિલ પટેલે 3 વિકેટ, ફ્રેન્ક પટેલે 2 વિકેટ લીધી હતી. આરવ ભક્તાએ 37 રન, રૂદ્ર પટેલે 26 રન આપી 4 વિકેટ લીધી હતી. આરડીસીએ 160 રન 7 વિકેટે કરી ચેમ્પિયન બની હતી. સમગ્ર ટુર્નામેન્ટ બેસ્ટ બેટ્સમેન આરવ ભકતા, બેસ્ટ બોલર જસ નાયક,પ્લેપર ઓફ ધ ટુર્નામેન્ટ વિવેક યાદવ, રનર્સઅપ બીલીમોરા વેટરન ક્રિકેટ એસોસિએશન, આરડીસીએને ચેમ્પિયન ટ્રોફી જુનિયર સિલેકશન કમિટીના ચેરમેન ખગેશ અમીન, સિલેક્ટર અતુલ પંડ્યા, હેડ ડિસ્ટ્રિક્ટ સંજીવ સાવંત, ડો.મયુર પટેલ, નંદન સાવંત, બી.સી.એ બીલીમોરાના કોચ અને એડમિન અરવિંદ પટેલે ટુર્નામેન્ટનું સંચાલન કર્યું હતું.
છત્તીસગઢમાં તા. 23 માર્ચથી 2 એપ્રિલ દરમિયાન યોજાયેલ ફર્સ્ટ ટ્રાયબલ ખેલો ઇન્ડિયા નેશનલ ગેમ્સમાં નવસારીની પાયલ રાઠવા એ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. જલાલપોરના મીઠાકૂવા વિસ્તારમાં રહેતી પાયલ રાઠવાએ 100 મીટર હર્ડલ્સ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે. આ ઉપરાંત 200 મીટર દોડમાં પણ તેમણે ઓલ ઇન્ડિયા સ્તરે પાંચમો ક્રમ મેળવી નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. આ સિદ્ધિ નવસારી માટે રમતગમત ક્ષેત્રે ગૌરવપૂર્ણ ક્ષણ બની છે. પાયલની મહેનત, સમર્પણ અને લગનથી યુવાનો માટે પ્રેરણારૂપ ઉદાહરણ ઉભું થયું છે.પાયલ રાઠવાએ પોતાની સફળતા માટે પરિવાર, કોચ અને મિત્રોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ‘નવસારી જિલ્લામાં રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા તમામ લોકો માટે આ સિદ્ધિ ગર્વનો વિષય બની છે. 5 વર્ષથી સતત મહેનત કરી મેળવી સિદ્ધી સ્પોર્ટ્સની સિદ્ધિ માટે મેં છેલ્લા ચારથી પાંચ વર્ષથી સતત મહેનત અને પ્રેક્ટિસ કરી છે. ભવિષ્યમાં વધુ સારા પ્રદર્શન માટે હું સતત પ્રયત્નશીલ રહીશ અને મારા દેશ અને રાજ્યનું પણ ગૌરવ વધારીશ.> પાયલ રાઠવા, ખેલાડી
નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નં 10 અને 11 બન્ને મૂળતઃ વિજલપોર વિસ્તારમાં અને પૂર્વ બાજુએ આવ્યા છે. શહેરમાં વિસ્તાર તથા વસ્તી બન્ને રીતે આ વોર્ડ સૌથી નાના છે. હાલમાં મતદારની સંખ્યા જોતા વોર્ડ-10માં 9596 અને વોર્ડ-11માં 10181 છે. બન્ને વોર્ડ મળી કુલ મતદાર 19977 થાય છે, જે શહેરના સૌથી વધુ મતદાર ધરાવતા વોર્ડ-13ના કુલ મતદાર જેટલી જ છે. અગાઉ જ્યારે વિજલપોર પાલિકા અલગ હતી ત્યારે બન્ને વોર્ડના વિસ્તારો તેમાં હતા, ત્યારબાદ નવસારી વિજલપોર પાલિકાનો ભાગ રહ્યાં. મહત્વની વાત એ છે કે થોડા સમય અગાઉ નવસારી મહાપાલિકાનું નવું વોર્ડ સીમાંકન થયું ત્યારે આ બન્ને વોર્ડમાં લગભગ અકબંધ રહ્યાં, એકાદ સોસાયટીનો જ ફેરફાર થયો છે. આ બન્ને વોર્ડ આખા શહેરમાં એ રીતે અનોખો છે, જેમાં બહુમતી મતદાર મૂળતઃ પરપ્રાંતિય છે. જ્યાં વોર્ડ 10 મહત્તમ મતદાર મૂળતઃ મહારાષ્ટ્રીયન છે તો વોર્ડ-11માં બહુમતી મતદાર હિન્દી ભાષી, ઉત્તર ભારતીય છે. મૂળતઃ ગુજરાતી યા સ્થાનિક મતદાર ખૂબ ઓછા છે. બે વોર્ડ મળી કુલ વિસ્તાર 5 ચો.કિમીથી ઓછો છે. રામનગરથી શિવાજી ચોક તરફના વોર્ડ..નવસારીના આ બે વોર્ડની ભૂગોળ જોતા દક્ષિણે રામનગર નજીકના વિસ્તારથી ઉત્તરે શિવાજી ચોક ભણી નો વિસ્તાર આવે છે. મધ્યભાગે સૂર્યનગર, ધીરુ દાજીની વાડી, આંબેડકરનગર, ગોકુળનગર વગેરે વિસ્તાર આવે છે. ડોલી તળાવ પાણી યોજના, વિઠ્ઠલમંદિર વગેરે આ વોર્ડમાં જ આવે છે. 2021માં ભાજપની લીડ દોઢથી બે હજારઆમ તો છેલ્લી ત્રણેક પાલિકાની ચૂંટણીથી આ બન્ને વોર્ડમાં ભાજપ જીતતું રહ્યું છે પણ કોંગ્રેસના સમર્થક પણ નોંધનીય અને પ્રમાણમાં સારા છે. 2008માં કોંગ્રેસ અહીં જીતી પણ હતી. ગત-2021ની ચૂંટણીમાં અહીં ચારેય બેઠકો જીતી હતી. જોકે શહેરના અન્ય વોર્ડમાં જીતનો માર્જિન વધુ હતો તેટલો ન હતો. અહીં દોઢથી બે હજાર જ હતો. ઓછા મતદારે 8 કાઉન્સિલર ચૂંટાશે..થોડા સમય અગાઉ જે ખાસ મતદાર સુધારણા ઝુંબેશ સર કરાઈ હતી, તેમા અહીં પણ ઘણાં મતદાર કમી થયા જેને લઈ હાલ બે વોર્ડમાં 20 હજારથી ય ઓછા મતદાર રહ્યા છે, જે શહેરમાં સૌથી ઓછા છે. ઓછા મતદાર હોવા છતાં અહીં વોર્ડ-10 અને 11 અલગ હોય કાઉન્સિલર ઓછા નહીં પણ એક વોર્ડના 4 એમ કુલ બે વોર્ડના 8 ચૂંટાશે.
ગર્વની વાત:વુમન્સ વન ડે ક્રિકેટમાં નવસારીની 4 ખેલાડી પોતાનુ કૌશલ દાખવશે
10 એપ્રિલથી દહાણુમાં શરૂ થઈ રહેલ મુંબઈ ક્રિકેટ એસોસિએશન આયોજિત વેસ્ટ ઝોન અંડર-17 વુમન્સ વન ડે ક્રિકેટ 40 ઓવર્સ મેચમાં મુંબઈ, મહારાષ્ટ્ર, બરોડા, ગુજરાત અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની ટીમો ભાગ લઈ રહી છે. બરોડા ક્રિકેટ એસોસિએશન ની ટીમમાં નવસારી સ્થિત એસ.એસ. અગ્રવાલ સ્પોર્ટ્સ એકેડેમીની ચાર ખેલાડીઓ મૈત્રી મણિયાર (વાઇસ કેપ્ટન), આધ્યા પટેલ,નિયા પટેલ અને વૃત્તિ નાયકની પસંદગી થઈ છે. એકેડેમીની એક સાથે ચાર ખેલાડીઓ પસંદગી પામતા એકેડેમી પરિવારમાં ખુશીનો માહોલ છવાયો. એટલું જ નહીં નવસારી જિલ્લા માટે પણ આ ગૌરવપ્રદ ઘટના છે. જે માટે અગ્રવાલ એકેડેમીના હેડ કોચ કાંતિ પટેલ, કોચ હિતેશ પટેલ, ચેતન પટેલ, દિવ્યેશ ગામીત,ડો. સંજય પટેલ તથા ટ્રસ્ટી મુકેશ અગ્રવાલ અને અગ્રવાલ એકેડેમી પરિવાર તરફથી ચારેય ખેલાડીઓને અભિનંદન સાથે મેચમાં પ્રસંશનીય દેખાવ કરે એ માટે શુભેચ્છા પાઠવવામાં આવી છે.
એસટી તંત્રની બેદરકારી સામે આવી:નવસારીથી સુરત રૂટની બસમાં હજુ પણ સરકારી પ્રચારના સ્ટીકરો યથાવત
રાજ્યમાં આગામી ચૂંટણીને લઈને આખા વહીવટી તંત્રમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણી પંચ દ્વારા આદર્શ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે જાહેર માર્ગો અને સરકારી મિલકતો પરથી રાજકીય નેતાઓના ફોટાવાળા બેનરો અને પોસ્ટરો હટાવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જોકે, એસટી નિગમની બસોમાં આ નિયમોનું ઉલ્લંઘન થતું હોય તેમ જણાય છે. નવસારીથી સુરત રૂટ પર ચાલતી એસટી બસમાં આશ્ચર્યજનક દ્રશ્યો જોવા મળ્યા હતા. બસની અંદર મુસાફરોને પકડવાના હેન્ડલ હોલ્ડર્સમાં હજુ પણ વડાપ્રધાન અને મુખ્યમંત્રીના ફોટા તેમજ સરકારી યોજનાના પ્રચાર કરતા સ્ટીકરો યથાવત છે. જ્યારે તંત્ર દ્વારા શહેરના મોટા હોર્ડિંગ્સ ઉતારી લેવાયા છે ત્યારે બસની અંદરના આ સ્ટીકરો હટાવવામાં એસટી વિભાગ કેમ પાછળ રહી ગયું તે એક સવાલ છે. મુસાફરોમાં આ ચર્ચાનો વિષય બન્યો છે કે શું એસટી વિભાગને આચારસંહિતાના નિયમો લાગુ પડતા નથી? શું આ તંત્રની આળસ છે કે પછી જાણી જોઈને કરવામાં આવેલી અવગણના? બસ ડેપોમાં જતી હોવા છતાં જવાબદાર અધિકારીઓની નજર આ સ્ટીકરો પર કેમ નથી પડી? ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે જોવાની જવાબદારી વહીવટી તંત્રની છે. તંત્ર બેધારી નીતિ દર્શાવે છે એક તરફ તંત્ર મોટા દાવા કરે છે કે આચારસંહિતાનું કડક પાલન થઈ રહ્યું છે, તો બીજી તરફ હજારો મુસાફરો જેનો ઉપયોગ કરે છે તેવી બસમાં હજુ પણ રાજકીય પ્રચાર ચાલુ છે. આ તંત્રની બેધારી નીતિ દર્શાવે છે. > રમેશભાઇ શાહ, જાગૃત મુસાફર
સુવિધા નહીં તો NOTA:નવસારીના રેલવેમુસાફરોનો તંત્ર-નેતાઓને ખુલ્લો પડકાર
નવસારી રેલવે સ્ટેશનની અને મુસાફરોની સમસ્યા માટે ડીઆરયુસીસીના મેમ્બર દ્વારા મુંબઇમાં મુલાકાત લઈ પ્રશ્નો થી અવગત કરાયા અને રેલવે અધિકારીઓ પણ સમસ્યાઓના નિરાકરણ માટે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. નવસારી રેલવે સ્ટેશન અને મુસાફરોની ટ્રેન અંગેની સમસ્યા બાબતે ગંભીરતા સમજીને ડીઆરયુસીસી અને એક્સ-ઝેડઆરયુસીસી મેમ્બર સંજય શાહે તાકીદે મુંબઇમાં ડીઆરએમ પંકજ સિંહની મુલાકાત લીધી હતી. તેમણે નવસારી સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર-2 અને 3 પર મુસાફરોની હાલાકી દૂર કરવા એસ્કેલેટર અથવા લિફ્ટની સુવિધા આપવા દબાણપૂર્વક રજૂઆત કરી હતી. જેના પગલે ડીઆરએમ એ તાત્કાલિક અન્ય અધિકારીઓને બોલાવી લિફ્ટ સુવિધા માટે જરૂરી સૂચનાઓ આપી દીધી છે. ડીઆરએમ પંકજ સિંહે આ તમામ બાબતોનું વહેલી તકે નિરાકરણ લાવવાની ખાતરી આપી છે અને મહત્વની ટ્રેનોના સ્ટોપેજ માટે સ્થાનિક નેતાઓને પણ દિલ્હી રેલ મંત્રાલયમાં રજૂઆત કરવા સૂચન કર્યું છે. હવે જોવાનું એ રહ્યું કે સ્થાનિક નેતાઓ જાગશે કે મુસાફરોએ હેરાનગતિ ભોગવવી જ પડશે. ભાસ્કર ઇનસાઇડપ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો રાજકીય પક્ષોને અસર વર્તાશેઆગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે જો આ પ્રશ્નો નહીં ઉકેલાય તો રોજ અપડાઉન કરતા 50,000થી વધુ મુસાફરો અને તેમના પરિવારોમાં ફાટી નીકળેલો રોષ રાજકીય પક્ષો માટે મુશ્કેલી સર્જી શકે છે મતને બદલે રાજકીય પક્ષોને નોટાનું બટન દબાવી પોતાનો રોષ વ્યક્ત કરવાની ચીમકી આપી ચૂક્યા છે. મુસાફરોએ સોશ્યલ મીડિયામાં પણ તેનો ખૂબ પ્રચાર કર્યો છે. જેથી કોઇપણ વિસ્તારમાં આ મુદ્દો રાજકીય સ્વરૂપ લઇ શકે તેવી શક્યતાઓ પણ હાલના તબક્કે વર્તાઇ રહી છે. 20 દિવસ પહેલા નવસારીની મુલાકાતે DRM આવ્યા ત્યારે નેતાઓ ન ફરક્યા નવસારી રેલવે સ્ટેશનના રિ-ડેવલપમેન્ટ માટે અંદાજે 20 દિવસ પૂર્વે પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલના ડીઆરએમ પંકજ સિંહ અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લીધી હતી. જોકે, આશ્ચર્ય અને દુઃખની બાબત એ રહી કે, નવસારીના હજારો મુસાફરોની વર્ષો જૂની ટ્રેન સ્ટોપેજ અને સુવિધાની સમસ્યાઓ રજૂ કરવા માટે કોઈ સ્થાનિક રાજકીય અગ્રણી કે નેતા હાજર રહ્યા નહતા. નેતાઓની આ ઉદાસીનતા સામે નગરજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. અધિકારીઓ સમક્ષ આ બાબત ધ્યાને લવાઇ હતી
દંડનીય કાર્યવાહી કરાઈ:બંબુસરથી ઝનોરમાં 19 જોડાણમાં વીજ ચોરી, ગ્રાહકોને 11.55 લાખનો દંડ કરાયો
ભરૂચ તાલુકાના બંબુસર અને ઝનોર ની આસપાસના વિસ્તારમાં વહેલી સવારે સુરતની ટીમે દરોડો પાડીને 19 વીજ જોડાણમાં ક્ષતિ જણાય આવતા રૂપિયા 11.55 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. વીજ વિભાગ તરફથી વીજ ચોરી રોકવા માટે અવાર નવાર આકસ્મિક તપાસ કરવામાં આવી રહી છે. જેને લઈને ગુરુવારે વહેલી સવારે 6 વાગ્યાથી 11 વાગ્યા દરમિયાન સુરત ડીજીવીસીએલની 16 જેટલી ટીમે ભરૂચ તાલુકાના બંબુસર અને ઝનોર ની આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. ટીમના કર્મચારીઓએ વીડિયોગ્રાફી સાથે 738 ઘરોમાં વીજ મીટર અને વાયરોની સઘન તપાસ કરી હતી. ચેકિંગ દરમિયાન 19 ઘરોમાં વીજ ગેરરીતિઓ અને ગેરકાયદેસર વીજ જોડાણો મળી આવ્યા હતા. આ જોડાણો તાત્કાલિક કાપી નાખવામાં આવ્યા હતા અને સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, તેઓને રૂપિયા 11.55 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. દર મહિને ફીડરના લોસીસના આધારે વીજ ચોરી પકડીવીજ વિભાગ જો 100 યુનિટ આપેતો તેની સામે બિલ કેટલા થયા જો100 ની સામે 80 યુનિટના બિલ થયા તો 20 ટકા ચોરી જે તેવિસ્તારમાં થતી હોવાનું સાબિત થાય છે. તેવા ફીડરને શોધવામાંઆવે છે અને તેના પર આવતા કેટલા ગામ છે તે શોધીને તેવિસ્તારમાં વીજ વિભાગની ટીમ તપાસ કરીને વીજ ચોરી કરનારતત્વોને પકડી ને દંડ કરવામાં આવે છે.
તસ્કરો ત્રાટક્યા:અંકલેશ્વરના નવાગામ કરારવેલ ખાતે પરિવારની હાજરીમાં ચોરોનો હાથફેરો
અંકલેશ્વરના નવાગામ કરારવેલ ખાતે પરિવાર ની હાજરી માં તસ્કરોનો હાથફેરો કરી ફરાર થઇ ગયા હતા. તસ્કરો ઘર ના પાછળ ના ભાગે આવેલ દરવાજો તોડી ઘર માં પ્રવેશ્યા હતા. પરિવાર મકાનના આગળ ના ભાગમાં સૂતું હતું ત્યારે તસ્કરોએ ચોરી ને અંજામ આપ્યો હતો. અંકલેશ્વર તાલુકાના નવાગામમાં ચોરીના બનાવ સામે આવ્યો છે. ગામની મસ્જિદ ફળિયામાં રહેતા ઈસ્માઈલ માયતના પરિવાર સાથે આગળ ના ભાગે સુતા હતા તે દરમિયાન ઘરના પાછળના ભાગમાં થી અજાણ્યા ચોર ઘરનો દરવાજો તોડી ઘર માં પ્રવેશ કર્યો હતો. કબાટમાં રહેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી અંદાજે બે લાખ રૂપિયા ની માલમત્તા પર હાથફેરો કરી ફરાર થઇ ગયા હતા. ચોરી માં રૂ. એક લાખ રોકડ પણ ચોરી થઇ હોવાનું સામે આવી રહ્યું છે. ઘટના અંગે ઘરના માલિક ઈસ્માઈલ યુસુફભાઈ માયતના એ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. અને એફ.એસ.એલ , ડોગ સ્કોર્ડ અને ફિંગર પ્રિન્ટ એક્ષ્પર્ટ ની મદદ થી તપાસ શરુ કરી હતી. પોલીસે પરિવાર ની ફરિયાદ આધારે ગુનો નોંધી વધુ તપાસ ના ચક્રો ગતિમાન કર્યા હતા.
વાતાવરણ:રવિવારથી ગરમીનો રાઉન્ડ, તાપમાન 40 ડિગ્રી પહોંચશે
ચાલુ વર્ષે હજુ ઉનાળાની જમાવટ થઈ નથી સવારે અને રાત્રે એકંદરે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. જોકે આગામી રવિવારથી ગરમીનો રાઉન્ડ શરૂ થઈ રહ્યો હોવાનું અને તાપમાન 40 ડિગ્રી પહોંચી શકે છે. જૂનાગઢ હવામાન વિભાગના અધિકારી ધીમંત વઘાસીયાએ ભાસ્કરને જણાવ્યું હતું કે, હજુ શનિવાર સુધી જૂનાગઢ, સોરઠ સહિતના વિસ્તારોમાં સામાન્ય તાપમાન રહેશે. જોકે રવિવારથી ગરમીનો રાઉન્ડ શરૂ થશે. મહત્તમ તાપમાનમાં ક્રમશઃ વધારો જોવા મળશે અને પારો 40 ડિગ્રી પાર થવાની શક્યતા છે. એપ્રિલના અંત સુધી આકરી ગરમીનો સામનો કરવાની માનસિક તૈયારી રાખવી પડશે.
ગીર સોમનાથ પોલીસે 8 વર્ષથી ફરાર ₹3.86 કરોડની છેતરપિંડીના મુખ્ય આરોપીને વડોદરામાંથી ઝડપી પાડ્યો છે. આ આરોપીએ 355 રોકાણકારો સાથે વિશ્વાસઘાત કર્યો હતો. આરોપીએ રીયલ ઈન્ડિયા ઈન્ફાવેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની બનાવી હતી. આ કંપની દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના નોકરીયાત અને મજૂર વર્ગના લોકોને ઊંચા વળતરની લાલચ આપી રોકાણ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ રોકાણકારો સાથે વિશ્વાસઘાત કરીને મોટી રકમની છેતરપિંડી આચરી આરોપી ફરાર થઈ ગયો હતો. જુનાગઢ રેન્જના ડીઆઈજીપી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડવા વિશેષ સૂચના અપાઈ હતી. મીસિંગ સેલની ટીમને મળેલી સચોટ બાતમીના આધારે, આરોપી ધ્રુવ ઉર્ફે મનીષકુમાર રામસમુજ નિષાદ (ઉંમર 53)ને વડોદરાના ગોરવા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો. આરોપી છેલ્લા ઘણા વર્ષોથી પોતાનું નામ અને રહેઠાણ બદલીને ફરાર હતો. આરોપી સામે વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 86/2018 (IPC કલમ 406, 409, 420, 120B તથા GPID એક્ટ કલમ 3) અને ઉના પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 12/2019 (IPC કલમ 406, 409, 420, 120B તથા GPID એક્ટ કલમ 3) હેઠળ ગુના નોંધાયેલા છે. મીસિંગ સેલના ઈન્ચાર્જ પીએસઆઈ જે.આર. ડાંગર, એએસઆઈ શૈલેષભાઈ ડોડીયા, હેડ કોન્સ્ટેબલ પરેશભાઈ ગોહિલ અને કોન્સ્ટેબલ અજીતસિંહ વાળા સહિતની ટીમે આ સફળ કામગીરી કરી છે.
અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં જેલમાં રહેલા આરોપીને વધુ હેરાન ન કરવા અને નવો ગુનો દાખલ ન કરવાના બદલામાં ₹70 હજારની લાંચ માંગનાર કોન્સ્ટેબલ લક્ષ્મણ મોરી વતી વચેટિયો બ્રિજેશ શ્રીમાળી ₹50 હજાર લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયો છે. એસીબીએ સરખેજ સર્કલ પાસે છટકું ગોઠવી વચેટિયાની ધરપકડ કરી છે, જ્યારે આરોપી કોન્સ્ટેબલ હાલ ફરાર થઈ ગયો છે. ગુનો દાખલ ન કરવાના બહાને ₹1.20 લાખની માંગ કરીઘટનાની વિગતો મુજબ, સોલા પોલીસ સ્ટેશનમાં નાણાકીય છેતરપિંડીના એક ગુનામાં આરોપીની ધરપકડ કરી તેને સાબરમતી જેલ મોકલી દેવામાં આવ્યો હતો. આ કેસમાં તપાસ કરી રહેલા કોન્સ્ટેબલ લક્ષ્મણ મોરીએ આરોપીના ભાઈ પાસે ચાર્જશીટ ઝડપથી ફાઇલ કરવા, જામીન અપાવવામાં મદદ કરવા અને અન્ય કોઈ ગુનો દાખલ ન કરવાના બહાને કુલ ₹1.20 લાખની માંગણી કરી હતી. અંતે રકઝક બાદ ₹70 હજાર આપવાનું નક્કી થયું હતું. ₹20,000 ફોન પે મારફતે વચેટિયાને ચૂકવ્યા આ સોદાબાજીના ભાગરૂપે આરોપીના ભાઈએ અગાઉ ₹20,000 ફોન પે (PhonePe) મારફતે વચેટિયા બ્રિજેશ શ્રીમાળીને ચૂકવી દીધા હતા. બાકીના ₹50,000 આપવા માંગતા ન હોવાથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ ફરિયાદના આધારે સરખેજ સર્કલ નજીક આવેલા 'ઉપસરપંચ ટી સ્ટોલ' પર છટકું ગોઠવ્યું હતું. કોન્સ્ટેબલ વતી ₹50,000 સ્વીકારવા બ્રિજેશ ઝડપાયોબ્રિજેશ શ્રીમાળી જ્યારે કોન્સ્ટેબલ વતી બાકીના ₹50,000ની રોકડ રકમ સ્વીકારવા આવ્યો ત્યારે એસીબીએ તેને રંગેહાથ ઝડપી લીધો હતો. આ કાર્યવાહીની ગંધ આવી જતાં મુખ્ય આરોપી કોન્સ્ટેબલ લક્ષ્મણ મોરી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. હાલ એસીબીએ વચેટિયા વિરુદ્ધ કાર્યવાહી કરી ફરાર કોન્સ્ટેબલને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે નીકળેલા ભાજપના પૂર્વ કોર્પોરેટરો અને કાર્યકર્તાઓને સ્થાનિક લોકોના ઉગ્ર વિરોધનો સામનો કરવો પડ્યો હતો. પૂર્વ કોર્પોરેટર વાસંતીબેન પટેલ અને ધનરાજ દેસાઈ સહિતના નેતાઓ જ્યારે ઢોલ-નગારા સાથે ડોર-ટુ-ડોર પ્રચાર કરી રહ્યા હતા, ત્યારે રહીશોએ છેલ્લા પાંચ વર્ષથી પેન્ડિંગ રોડ, ગટર અને લાઈટના પ્રશ્નો મુદ્દે તેમને અટકાવીને ભારે રોષ ઠાલવ્યો હતો. જાગૃત નાગરિકે ઢોલ વગાડતા કાર્યકર્તાઓને અટકાવ્યાચૂંટણીનો માહોલ જામતા જ ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ કમળને મત આપવાની અપીલ સાથે વિવિધ સોસાયટીઓમાં પહોંચી રહ્યા છે. જોકે, બોડકદેવ વિસ્તારમાં પ્રચારમાં નીકળેલા નેતાઓને જોતા જ એક જાગૃત નાગરિકે ઢોલ વગાડતા કાર્યકર્તાઓને અટકાવી દીધા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્થાનિક વ્યક્તિ નેતાઓને પૂછી રહ્યો છે કે, પાંચ વર્ષમાં કોઈ દેખાયું નથી, તો અત્યારે અહીં ક્યાંથી આવ્યા? રોડ તોડી નાખતા રહીશો પરેશાનસ્થાનિકોએ પૂર્વ કોર્પોરેટરો સમક્ષ વિસ્તારની દુર્દશા વર્ણવતા જણાવ્યું હતું કે, વારંવાર રજૂઆતો કરવા છતાં લાઈટના થાંભલા બદલવામાં આવ્યા નથી અને રોડ તોડી નાખવામાં આવ્યા હોવાથી રહીશો પરેશાન છે. આ ઉપરાંત, ગટરો ઉભરાવાની સમસ્યા અને તંત્ર દ્વારા અપાતા નકારાત્મક પ્રતિસાદને લઈને પણ લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. નેતાઓ મતો માટે વિકાસનો પ્રચાર કરવા નીકળ્યારહીશોએ સ્પષ્ટ શબ્દોમાં સંભળાવ્યું હતું કે, પાંચ વર્ષ સુધી પ્રજાના કામોમાં ગેરહાજર રહેલા નેતાઓ હવે મતો માટે વિકાસનો પ્રચાર કરવા નીકળ્યા છે જે અસ્વીકાર્ય છે. આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે અને મતદારો હવે પાયાની સુવિધાઓના અભાવે નેતાઓ સામે સવાલો ઉઠાવતા થયા છે.
રાજુલા પંથકમાં હનીટ્રેપની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં જાફરાબાદ તાલુકાના વારાસ્વરૂપ ગામના એક યુવકને પ્રેમજાળમાં ફસાવી, અવાવરૂ જગ્યાએ બોલાવી તેનું પેન્ટ ઉતરાવી મહિલા સાથે બીભત્સ વીડિયો ઉતારવામાં આવ્યો હતો. આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી 5 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. યુવકનું પેન્ટ ઉતરાવી મહિલા સાથેનો બીભત્સ વીડિયો ઉતાર્યો મળતી માહિતી મુજબ, વારાસ્વરૂપ ગામના યુવકને આ ગેંગના જ એક સભ્ય સાથે અગાઉથી ઓળખાણ હતી. આ ઓળખાણનો લાભ ઉઠાવી અન્ય આરોપીઓ સાથે મળીને એક પૂર્વ આયોજિત કાવતરું રચવામાં આવ્યું હતું. યુવકને રાત્રિના સમયે હિંડોરણા ગામ નજીક બાવળની કાંટમાં બોલાવવામાં આવ્યો હતો. ત્યાં તેને ઢીકાપાટુનો માર મારી, ડરાવી-ધમકાવીને એક મહિલા સાથે તેનો પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ, આરોપીઓએ યુવકનું પેન્ટ ઉતરાવી તેને નિર્વસ્ત્ર કરી મહિલા સાથેનો બીભત્સ વીડિયો ઉતારી લીધો હતો. આટલેથી ન અટકતા, આરોપીઓએ યુવક પાસેથી તેનો મોબાઈલ અને ખિસ્સામાં રહેલી ₹1950ની રોકડ રકમ પણ લૂંટી લીધી હતી. 5 લાખની ખંડણી અને ધમકી ટના બાદ આરોપીઓએ યુવકને ધમકી આપી હતી કે જો તે 5 લાખ રૂપિયા નહીં આપે તો આ બીભત્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવામાં આવશે અને તેને જાનથી મારી નાખવામાં આવશે. ગભરાયેલા યુવકે આખરે રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 5 આરોપીઓ પૈકી 3ની ધરપકડઘટનાની ગંભીરતાને જોતા DYSP નયના ગોરડીયાના માર્ગદર્શન હેઠળ રાજુલા PI વી.એમ. કોલાદરા અને તેમની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસે કુલ 5 આરોપીઓ પૈકી 3ની ધરપકડ કરી લીધી છે. ઝડપાયેલા આરોપીઓના નામ1. સમીનાબેન સબીરભાઈ સેલોત (રાજુલા)2. જીતેન્દ્ર ઉર્ફે જીતુ રાઘવભાઈ ચૌહાણ (રાજુલા)3. કરણ દંતુભાઈ પટાટ (હિંડોરણા) શોધખોળ હેઠળના અન્ય આરોપીઓ1. લખમણભાઈ વાલેરાભાઈ પટાટ2. દેસુરભાઈ વાલેરાભાઈ પટાટ પોલીસે 77,000નો મુદ્દામાલ જપ્ત કર્યોપોલીસે આરોપીઓ પાસેથી લૂંટાયેલ રોકડ, 5 મોબાઈલ ફોન અને બાઈક સહિત કુલ ₹77,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે રાજુલા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(5), 115(2), 351(3), 352, 54 અને 61 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પકડાયેલા ત્રણેય આરોપીઓ રિમાન્ડ પર છે અને પોલીસ અન્ય બે આરોપીઓને પકડવા માટે તપાસ ચલાવી રહી છે. રાજુલા પોલીસે આ હનીટ્રેપના કાવતરાનો પર્દાફાશ કરી ગણતરીની કલાકોમાં સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું છે. જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓએ પોલીસની આ કામગીરીની પ્રશંસા કરી છે.
સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજને શહેરના સર્વાંગી વિકાસ માટે જહાંગીરપુરા અને વેસુ વિસ્તારમાં બે મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. નાણાકીય વર્ષ 2026-27ના બજેટમાં આયોજિત આ પ્રોજેક્ટ્સનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની સવલતો પૂરી પાડવાનો અને નાગરિકોને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે અત્યાધુનિક મંચ આપવાનો છે. આ સુવિધાઓ થકી સુરત હવે રમતગમત અને કળાના મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવશે. જહાંગીરપુરામાં આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સજહાંગીરપુરામાં આશરે 17,000 ચોરસ મીટરના પ્લોટ પર એક ભવ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવશે. આ સંકુલમાં ઓલમ્પિક માપદંડ મુજબનો સ્વિમિંગ પૂલ અને શિખાઉ લોકો માટે 'લર્નર્સ પૂલ' તૈયાર કરાશે. ઇન્ડોર સુવિધાઓમાં અત્યાધુનિક જિમ, બેડમિન્ટન કોર્ટ અને ટેબલ ટેનિસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આજના યુવાનોની પસંદગીને ધ્યાને રાખીને પિકલબોલ, વોલીબોલ અને બોક્સ ક્રિકેટ માટે ખાસ મેદાનો બનાવવામાં આવશે. મુલાકાતીઓ માટે કેફેટેરિયા અને સ્પોર્ટ્સ યુટિલિટી શોપની વ્યવસ્થા પણ અહીં ઉપલબ્ધ રહેશે. ગુજરાતનો પ્રથમ 'સીનર્જી અરેના' પ્રોજેક્ટવેસુમાં શહીદ સ્મારક પાસે 25,000 ચોરસ મીટરની જગ્યામાં 'સીનર્જી અરેના' આકાર લેશે, જે રાજ્યનો પ્રથમ 'ઇન્ટિગ્રેટેડ સ્પોર્ટ્સ અને આર્ટ્સ ફેસિલિટી' પ્રોજેક્ટ હશે. આ સંકુલમાં 1500 લોકોની ક્ષમતા ધરાવતું આધુનિક ઓડિટોરિયમ અને એક્ઝિબિશન કે સેમિનાર માટે 1200 લોકોની ક્ષમતા ધરાવતો કન્વેન્શન હોલ બનાવવામાં આવશે. સામાજિક પ્રસંગો માટે બેન્ક્વેટ હોલ અને બહારથી આવતા કલાકારો કે મહેમાનોના રોકાણ માટે 15 થી 20 હાઈ-એન્ડ હોટેલ રૂમ્સની સુવિધા પણ આ પ્રોજેક્ટનો ભાગ છે. PPP મોડલ અને આધુનિક સંચાલનઆ બંને પ્રોજેક્ટ્સનું સંચાલન પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) ધોરણે કરવામાં આવશે, જેથી પાલિકા પર આર્થિક બોજ ઓછો રહે અને ખાનગી એજન્સીઓના અનુભવનો લાભ મળે. કમિશનરે ડિઝાઇનમાં પાર્કિંગ, ફાયર સેફ્ટી અને દિવ્યાંગો માટેની સુવિધાઓ પર ખાસ ભાર મૂક્યો છે. આ પ્રોજેક્ટ્સના અમલીકરણ માટે એન્જિનિયરિંગ વિભાગને ટેન્ડરિંગ પ્રક્રિયા વેગવંતી કરવા સૂચના આપી દેવામાં આવી છે.
પાલિકા-પંચાયતની ચૂંટણી માટે અંતે ભાજપ દ્વારા પણ ઉમેદવારોની જાહેરાત શરૂ કરી દેવામાં આવી છે. ગુરુવારે (9 એપ્રિલે) સુરેન્દ્રનગર, વડોદરા, દાહોદ, અરવલ્લી, વાવ-થરાદ, ખેડા અને છોટા ઉદેપુર જિલ્લાના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષો દ્વારા આજે પોતાના બાકી રહેતા તમામ ઉમેદવારોના નામની જાહેરાત આજે મોડીરાત સુધીમાં કરી દેશે. આજે પણ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશેભાજપ દ્વારા પાલિકા-પંચાયતના ઉમેદવારોની પસંદગી માટે ત્રણ દિવસીય પાર્લામેન્ટરી બેઠક યોજી હતી. જો કે, કેટલીક બેઠકોની ચર્ચા બાકી રહી ગઈ હોય આજે પણ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. બેઠક મળ્યા બાદ તબક્કાવાર બાકી રહેતી પાલિકા-પંચાયતના ઉમેદવારોની યાદી જાહેર કરાશે. અમદાવાદની તમામ વિધાનસભા દીઠ ભાજપની લીગલ સેલની ટીમ તૈયારઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 192 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટે માર્ગદર્શન પૂરું પાડવા અમદાવાદની તમામ વિધાનસભા દીઠ લીગલ નિષ્ણાંતોની ટીમ તૈયાર કરવામાં આવી છે. લીગલ ટીમો દ્વારા ઉમેદવારી ફોર્મની ચકાસણી કરાયા પછી જ રીટર્નિંગ ઓફિસરને ફોર્મ સુપરત કરવામાં આવશે. દરેક ઉમેદવારને જરૂરી લીગલ ડોક્યુમેન્ટ સાથે રાખવા અને ફોર્મ સાથે સુપરત કરવા, ઉમેદવારી ફોર્મમાં આવશ્યક માહિતી અને વિગતો ભરવામાં મદદ કરવા, ઉમેદવારોએ કઈ જગ્યાએ ફોર્મ સુપરત કરવું, વગેરે માટે માર્ગદર્શન આપશે. આ લીગલ ટીમો દ્વારા ઉમેદવારોએ ભરેલી માહિતી અને વિગતો સાચી છે કે નહીં તેની ચકાસણી કરવી, ખૂટતા ડોક્યુમેન્ટ મંગાવવા, ઉમેદવારી ફોર્મ ભૂલેચૂકે રદ ન થાય તે માટે તમામ પગલાં લેવામાં આવશે. અત્યાર સુધીમાં ભાજપ-કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોની યાદી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના 13 વોર્ડના 52 ઉમેદવારો જાહેરસુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા 13 વોર્ડના 52 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 10 ઉમેદવારો એવા છે કે જેઓ નગરપાલિકામાં પણ હતા. જેઓ ત્રણ ટર્મ ચૂંટણી લડ્યા અને જેમની ઉંમર 60 વર્ષથી વધુ છે, એમના પત્તા કપાયા છે. એમાં સુરેન્દ્રનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યાનો પણ સમાવેશ થાય છે. પૂર્વ નગરપાલિકા ઉપ પ્રમુખ અને કારોબારી ચેરમેનના પણ આ મહાનગરપાલિકા ચૂંટણીમાં પત્તા કપાયા છે. નડિયાદ મહાનગરપાલિકાના 13 વોર્ડના 52 ઉમેદવારોની યાદી જાહેર વડોદરા જિલ્લા પંચાયતની બેઠક માટે ભાજપની યાદી જાહેર, ધારાસભ્યોનું પલડું ભારે જોવા મળ્યુંવડોદરા જિલ્લા પંચાયતની 34 બેઠક માટે ભાજપાએ પોતાની યાદી જાહેર કરી દીધી છે. જો કે આ વખતે મોટાભાગની બેઠકોનું રોટેશન બદલાતા જે નવા ચહેરાઓની અપેક્ષા હતી તેના કરતા જુના જોગીઓના જ પરિવારજનોને ટિકિટો મળી હોવાનું ધ્યાને આવ્યું છે. મોટાભાગની બેઠકો ઉપર ધારાસભ્યોના નિકટના વ્યક્તિઓને જ ટિકિટ અપાઈ હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. જિલ્લાના પાંચ ધારાસભ્યોની દબદબો જિલ્લા પંચાયતની ઉમેદવારીમાં રહ્યો હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. એક દિવસ પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને બાદમાં ભાજપમાંથી રાજીનામુ આપવાની જાહેરાત કરનાર કિરણ રાઠોડને પણ સાચવી લેવામાં આવ્યા છે. સોખડા બેઠક ઉપર તેઓના પત્ની હેમા કિરણ રાઠોડને ટિકિટ આપીને ઘીના ઠામમાં ઘીની ઉક્તિ સાર્થક કરવાની કોશિશ ભાજપ દ્વારા કરવામાં આવી છે. અને કદાચ આ કમિટમેન્ટ સાથે જ કિરણ ઠાકોરને 24 કલાકમાં જ બ્રહ્મજ્ઞાન થયું હશે પુનઃ ભાજપમાં જોડાઈ ગયા છે. જો કે કેટલાક એમ પણ માની રહ્યા છે કે તેઓએ નાક દબાવીને ટિકિટ કઢાવી લીધી છે. તો વડોદરા તાલુકા પંચાયતની કેટલીક બેઠકોમાં પણ વિવાદ સર્જાય તેમ લાગી રહ્યું છે. તાલુકા પંચાયતની સયાજીપુરા તાલુકા પંચાયત બેઠક સામાન્ય હતી એમાં ઓબીસી ઉમેદવર બ્રિજેશ વાસુદેવ ઠાકોરને ટિકિટ આપતા કેટલાકમાં કચવાટ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ગ્રામ્ય કક્ષાનું રાજકારણ કેવા રંગ બતાવે છે તે જોવું રહ્યું. દાહોદ જિલ્લાની જિ.પં.,તા.પં.,ન.પા.ની સંપૂર્ણ યાદી જોવા માટે આ લિંક પર ક્લિક કરો અરવલ્લી જિલ્લાની જિ.પં.,તા.પં., ન.પા.ની સંપૂર્ણ યાદી જોવા માટે આ લિંક પર ક્લિક કરો વાવ-થરાદની જિ.પં.,તા.પં., ન.પા.ની સંપૂર્ણ યાદી જોવા માટે આ લિંક પર ક્લિક કરો કોંગ્રેસની પ્રથમ યાદીમાં 7 મહાનગરપાલિાકના 243 ઉમેદવારો જાહેર થયા હતા પાલિકા-પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ 2021 અને 2015ની ચૂંટણીમાં રાજ્યની જૂની 6 મહાનગરપાલિકાના પરિણામ
ભાવનગર શહેરના કાળુભા રોડ જેવા પોશ વિસ્તારમાં ભાડે રાખેલા બંગલામાં એલસીબીએ (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) દરોડો પાડી વિદેશી દારૂ અને બિયરનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી બે શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર હજુ પોલીસ પકડથી દૂર છે. ભાડાના બંગલામાં ચાલતું હતું ગોડાઉનબાતમીના આધારે એલસીબીએ નાનભાવાડી, કાળુભા રોડ પર આવેલા પ્લોટ નંબર 11/13/બી ના મકાનમાં રેઇડ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મુખ્ય આરોપી હરેશ ઉર્ફે ભયલુ બારૈયાએ આ બંગલો માસિક ₹28,000ના ભાડે રાખ્યો હતો. આ મકાનનો ઉપયોગ દારૂનો જથ્થો ઉતારવા અને ત્યાંથી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ડિલિવરી કરવા માટે કરવામાં આવતો હતો. ઝડપાયેલો મુદ્દામાલપોલીસે રેઇડ દરમિયાન નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે: વિદેશી દારૂ: 3744 બોટલ (કિંમત ₹10,74,816) બિયર: 110 ટીન (કિંમત ₹26,400) વાહનો: 2 એક્સેસ સ્કૂટર (કિંમત ₹1,50,000) મોબાઈલ: 5 નંગ (કિંમત ₹60,000) કુલ કિંમત: ₹12,61,312 ધરપકડ અને તપાસ: પોલીસે સ્થળ પરથી બે આરોપીઓની ધરપકડ કરી છે: સુનિલ રામજીભાઇ મકવાણા (રહે. અકવાડા) પ્રણવ મુકેશભાઇ ડોડિયા (રહે. કાળિયાબીડ) પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે, તેઓ મુખ્ય સૂત્રધાર હરેશ ઉર્ફે ભયલુ બારૈયાના કહેવાથી દારૂની હેરફેર કરતા હતા. હરેશે આ બંને યુવકોને ₹25,000ના માસિક પગાર પર ડિલિવરીના કામ માટે રાખ્યા હતા. મુખ્ય સૂત્રધાર ફરારઆ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હરેશ ઉર્ફે ભયલુ ધનજીભાઇ બારૈયા (રહે. ઘોઘા જકાતનાકા) હાલ પોલીસ પકડથી બહાર છે. નિલમબાગ પોલીસ મથકમાં ત્રણેય શખસો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને LCBએ ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
બોટાદ SOGએ ડિગ્રી વગરના બોગસ ડોક્ટરને પકડ્યો:ગઢડાના નાના ઝીંઝાવદર ગામેથી 43 હજારનો મેડિકલ સામાન જપ્ત
બોટાદ જિલ્લામાં બોગસ ડોક્ટરો સામે પોલીસની કાર્યવાહી ચાલુ છે. તાજેતરમાં, SOG પોલીસે ગઢડા તાલુકાના નાના ઝીંઝાવદર ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. SOG ટીમને પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમી મળી હતી, જેના આધારે તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. તપાસ દરમિયાન, કુમારભાઈ કરમશીભાઈ બાવળીયા નામનો વ્યક્તિ કોઈ માન્ય મેડિકલ ડિગ્રી વગર લોકોની સારવાર કરતો હોવાનું સામે આવ્યું. આરોપી પાસેથી ગ્લુકોઝની બોટલો, ઇન્જેક્શન, દવાઓ અને બીપી માપવાના સાધનો મળી આવ્યા હતા. પોલીસે આશરે 43 હજાર રૂપિયાનો મેડિકલ સામાન જપ્ત કર્યો છે. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોરબંદર રેલવે પોલીસે ટ્રેનમાં ભૂલાયેલો આશરે ₹2.10 લાખની કિંમતનો સોનાનો ચેઈન અને અન્ય જ્વેલરી ભરેલો થેલો તેના મૂળ માલિકને પરત કર્યો છે. રેલવે પોલીસની આ પ્રમાણિક અને ત્વરિત કામગીરીએ મુસાફરોની સુરક્ષા અને તેમના કિંમતી સામાનની જાળવણી પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ ઘટના 07 એપ્રિલ, 2026 ના રોજ બની હતી. કોચુવેલી-પોરબંદર એક્સપ્રેસ ટ્રેન પોરબંદર રેલવે સ્ટેશન પર પહોંચ્યા બાદ, ફરજ પરના ASI અમિતભાઈ પરબતભાઈ, હેડ કોન્સ્ટેબલ રણજીતભાઈ મુળુભાઈ અને કેતનગીરી મનસુખગીરીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન તેમને AC કોચ B/3 માં સીટ નીચેથી એક બિનવારસુ કાળો થેલો મળી આવ્યો હતો. થેલાની તપાસ કરતા તેમાંથી પીળી ધાતુનો ચેઈન, લેડીઝ ઈમીટેશન જ્વેલરી અને કપડાં મળી આવ્યા હતા. રેલવે હેલ્પલાઈન નંબર 138 પર આ થેલા અંગે ફરિયાદ નોંધાઈ હોવાની જાણ થતા પોલીસે મુસાફરનો સંપર્ક કર્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે કેરળના રહેવાસી શીજી રોબર્ટ કાકકારાકુઝેર પોતાના પરિવાર સાથે મુસાફરી કરી રહ્યા હતા અને ઉતાવળમાં પોતાનો સામાન ટ્રેનમાં ભૂલી ગયા હતા. પોલીસે સંપૂર્ણ ખાતરી કર્યા બાદ, આશરે 1.8 ગ્રામનો સોનાનો ચેઈન (જેની કિંમત અંદાજે ₹2,10,000 છે) તથા અન્ય જ્વેલરી અને સામાન ભરેલો થેલો શીજી રોબર્ટને 'તેરા તુજકો અર્પણ' અંતર્ગત પરત સોંપ્યો હતો. પોતાનો કિંમતી સામાન સુરક્ષિત રીતે પાછો મળતા મુસાફર શીજી રોબર્ટે પોરબંદર રેલવે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
16 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો:પોરબંદર પેરોલ ફ્લો સ્ક્વોડે લોનાવાલાથી પકડ્યો
પોરબંદર પેરોલ ફ્લો સ્ક્વોડે 16 વર્ષથી નાસતા ફરતા આરોપી બચ્ચાખાન મોહીદીન ખાનને મહારાષ્ટ્રના લોનાવાલાથી ઝડપી પાડ્યો છે. આ આરોપી કમલાબાગ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2010માં નોંધાયેલા વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ હતો. પોલીસે બાતમીને આધારે કમલાબાગ પોલીસ મથકના ગુનામાં સંડોવાયેલ આરોપી બચ્ચાખાન મોહીદીન ખાન હાલ લોનાવાલા, પુણે ખાતે છુપાયેલો છે. જેના આધારે તેને ઝડપી પાડ્યો હતો પકડાયેલા આરોપીને વધુ કાર્યવાહી માટે કમલાબાગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.પકડાયેલ આરોપીની ઓળખ બચ્ચાખાન મોહીદીન ખાન (ઉંમર 42 વર્ષ) તરીકે થઈ છે. તે બંગલા નં. 11, ફરખાન સોસાયટી, પંગોલી, લોનાવાલા, પુણે, મહારાષ્ટ્રનો રહેવાસી છે.
લોકશાહીમાં મતાધિકાર એ નાગરિકનું સૌથી મોટું શસ્ત્ર છે, અને જ્યારે આ અધિકાર છીનવાય ત્યારે ન્યાયતંત્ર જ આશાનું કિરણ બને છે. વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં મતદાર યાદીમાં થયેલી એક ગંભીર વહીવટી ભૂલ સામે શશાંત મિશ્રા નામના યુવકે ગુજરાત હાઈકોર્ટમાં કાનૂની લડાઈ લડી ઐતિહાસિક વિજય મેળવ્યો છે. શું હતો સમગ્ર વિવાદ?વાપી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5 માં રહેતા શશાંત મિશ્રાનું નામ તંત્ર દ્વારા કોઈ પણ જાણ વગર પાલિકાની યાદીમાંથી હટાવીને નોટિફાઈડ એરિયા (SIR)ની યાદીમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું હતું. આશ્ચર્યની વાત એ હતી કે શશાંત જે એપાર્ટમેન્ટમાં રહે છે, તેના પહેલા, બીજા અને ત્રીજા માળના તમામ રહીશોના નામ પાલિકાની યાદીમાં યથાવત હતા. માત્ર શશાંતનું જ નામ અચાનક બદલી દેવાતા અનેક સવાલો ઊભા થયા હતા. તંત્રની ઉદાસીનતા બાદ હાઈકોર્ટમાં પિટિશન કરી પોતાનું નામ કપાયું હોવાની જાણ થતા જ શશાંતે સ્થાનિક અધિકારીઓ અને કલેક્ટર સમક્ષ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી. જોકે, સરકારી કચેરીઓના ધક્કા ખાવા છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ સંતોષકારક ઉકેલ આવ્યો નહોતો. અંતે, પોતાના બંધારણીય હક માટે તેમણે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. હાઈકોર્ટનો મહત્વનો ચુકાદોહાઈકોર્ટે બંને પક્ષોની દલીલો અને પુરાવાઓને ધ્યાને લીધા બાદ તંત્રની ભૂલ સ્વીકારી હતી. કોર્ટે આદેશ આપ્યો છે કે યુવકનું નામ તાત્કાલિક અસરથી ફરી વાપી મહાનગરપાલિકાની મતદાર યાદીમાં સામેલ કરવું. શશાંત મિશ્રાને વોર્ડ નંબર 5 માં મતાધિકાર અને જરૂર પડે તો ચૂંટણીમાં ઉમેદવારી કરવાનો પણ પૂરેપૂરો હક છે. પીડિત યુવક અને કોંગ્રેસની પ્રતિક્રિયાપીડિત યુવક શશાંત મિશ્રાએ કહ્યું, મને અંદાજે 2 કે 3 તારીખે આ ભૂલની ખબર પડી હતી. આખા બિલ્ડિંગમાં માત્ર મારું જ નામ કઈ રીતે કપાયું તે મોટો પ્રશ્ન હતો. અધિકારીઓએ સાંભળ્યું નહીં એટલે મારે કોર્ટ જવું પડ્યું. આ મારી અને લોકશાહીની જીત છે. વાપી શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ શાહે કહ્યું, શશાંતભાઈ સતત અન્યાય સામે અવાજ ઉઠાવતા રહ્યા છે, એટલે જ કદાચ તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા હોય તેવું લાગે છે. આખા બિલ્ડિંગમાં બધાના નામ હોય અને એક જ વ્યક્તિનું નામ નીકળી જાય તે તંત્રની બેદરકારી ખુલ્લી પાડે છે. આ કિસ્સો વહીવટી તંત્રની બેદરકારી સામે લાલબત્તી સમાન છે. હાઈકોર્ટના આ ચુકાદા બાદ હવે શશાંત મિશ્રા આગામી પાલિકા ચૂંટણીમાં પોતાનો મત આપી શકશે. આ જીતે સાબિત કર્યું છે કે સામાન્ય નાગરિક જો મક્કમ હોય તો તે ન્યાયતંત્રના સહારે તંત્રની ભૂલ સુધરાવી શકે છે.
મોરબી સ્થાનિક સ્વરાજ ચૂંટણી:ચાર દિવસમાં ઓછો પ્રતિસાદ, 255 બેઠકો સામે માત્ર 65 ફોર્મ ભરાયા
મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. કુલ 255 બેઠકો માટે ચાર દિવસમાં માત્ર 65 ઉમેદવારી પત્રો ભરાયા છે. હવે ફોર્મ ભરવા માટે માત્ર બે દિવસ બાકી રહ્યા છે. જિલ્લામાં એક જિલ્લા પંચાયત, એક મહાનગરપાલિકા, ત્રણ નગરપાલિકા અને પાંચ તાલુકા પંચાયત માટે ચૂંટણી યોજાઈ રહી છે. મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો માટે ચાર દિવસમાં કુલ 31 ઉમેદવારી પત્રો ભરાયા છે. ગુરુવારે 22 અને તેના એક દિવસ પહેલા 9 ફોર્મ ભરાયા હતા. હજુ સુધી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા તમામ બેઠકો માટે સત્તાવાર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા નથી. કોંગ્રેસે માત્ર 23 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે. આથી, આગામી બે દિવસમાં મહાનગરપાલિકાની બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવા માટે ભારે ધસારો જોવા મળી શકે છે. જિલ્લાની ત્રણ નગરપાલિકાઓની કુલ 76 બેઠકો પૈકી, ટંકારા પાલિકાની એક બેઠક માટે જ ઉમેદવારી પત્ર ભરાયું છે. અન્ય નગરપાલિકાઓ માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે અપક્ષ ઉમેદવારો દ્વારા હજુ સુધી કોઈ ફોર્મ ભરવામાં આવ્યા નથી. પાંચ તાલુકા પંચાયતની કુલ 98 બેઠકો માટે અત્યાર સુધીમાં 24 ઉમેદવારી પત્રો ભરાયા છે. ગુરુવારે મોરબીમાં 9, વાંકાનેરમાં 5, ટંકારામાં 5 અને હળવદમાં 3 ઉમેદવારી પત્રો દાખલ થયા હતા. મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકો માટે ગુરુવારે 8 ઉમેદવારી પત્રો ભરાયા છે. તમામ તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયત માટે પણ રાષ્ટ્રીય પક્ષો દ્વારા હજુ સુધી સત્તાવાર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા નથી.
દમણમાં સોમનાથ કચીગામ રોડ પર અકસ્માત:બાઈક વીજ થાંભલા સાથે અથડાતા 21 વર્ષીય યુવાનનું મોત
સંઘપ્રદેશ દમણના સોમનાથ કચીગામ રોડ પર બુધવારે મોડી રાત્રે એક માર્ગ અકસ્માતમાં 21 વર્ષીય યુવાનનું મોત થયું છે. બાઈક વીજ થાંભલા સાથે અથડાતા આ દુર્ઘટના બની હતી. મૃતક યુવાનની ઓળખ બિહારના પટનાના વતની અને કચીગામ વિસ્તારમાં વીરલભાઈની ચાલમાં રહેતા અમિત ઉપેન્દ્ર રાય (ઉં.વ. 21) તરીકે થઈ છે. અમિત પોતાની સ્પ્લેન્ડર મોટરસાઈકલ (નંબર DD-03-Q-6833) પર પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો. સોમનાથ કચીગામ રોડ પર અચાનક તેણે બાઈક પરથી કાબુ ગુમાવ્યો હતો. પરિણામે, તેની બાઈક ડિવાઈડર પાસે આવેલા વીજ થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં યુવાન રસ્તા પર પટકાયો હતો અને તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકોના ટોળા ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. લોકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ અને કચીગામ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે લાશનો કબજો મેળવી જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. હાલ પોલીસે મૃતકના પરિવારજનોનો સંપર્ક સાધવાના પ્રયાસો શરૂ કર્યા છે અને આ સમગ્ર બનાવ અંગે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાપી મહાનગરપાલિકા ચૂંટણી:પહેલા દિવસે વિપક્ષના 6 ઉમેદવારોએ ફોર્મ ભર્યા, ભાજપની યાદી હજુ સસ્પેન્સમાં
વાપી મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 52 બેઠકો માટે યોજાનારી આ ચૂંટણીમાં ચોથા દિવસે વિરોધ પક્ષોના માત્ર 6 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. સત્તાધારી ભાજપે હજુ સુધી પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી નથી, જેના કારણે કાર્યકરો અને દાવેદારોમાં ઉત્તેજના જોવા મળી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કુલ 52 બેઠકો માટે અત્યાર સુધીમાં 329થી વધુ ઉમેદવારો ઉમેદવારી ફોમ લઈ ગયા છે. ત્યારે ઉમેદવારી પત્ર ભરવાના ચોથા દિવસે કુલ 6 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આમાં કોંગ્રેસના 2 ઉમેદવાર, આમ આદમી પાર્ટી (AAP)ના 2 ઉમેદવાર અને અન્ય/અપક્ષના 2 ઉમેદવારનો સમાવેશ થાય છે. ભાજપ દ્વારા વાપીમાં પોતાના ગઢને જાળવી રાખવા માટે પ્રદેશ નેતાગીરી દ્વારા ઝીણવટભર્યું મંથન ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ભાજપ પોતાના 52 ઉમેદવારોની સત્તાવાર યાદી આવતીકાલે જાહેર કરી શકે છે. ટિકિટ કપાવાના ભય અને નવા ચહેરાઓને સ્થાન આપવાની વ્યૂહરચના વચ્ચે ભાજપ કયા સમીકરણો સેટ કરે છે તેના પર સૌની નજર રહેશે. 50 ટકા મહિલાઓને અનામત સાથે મહિલાઓનું નેતૃત્વ પણ વધશે. વાપી મહાનગરપાલિકામાં આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળી શકે છે. એક તરફ ભાજપ પોતાનું શાસન ટકાવી રાખવા પ્રયત્નશીલ છે, તો બીજી તરફ કોંગ્રેસ અને AAPએ નાના પાયે શરૂઆત કરીને સત્તાધારી પક્ષને પડકાર ફેંકવાની તૈયારી દર્શાવી છે.
વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આમ આદમી પાર્ટી (AAP) એ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારી દીધા છે, જ્યારે ભાજપ અને કોંગ્રેસમાં હજુ ઉમેદવારોની પસંદગીને લઈ મથામણ ચાલી રહી છે. AAPના જિલ્લા પ્રમુખ જીતુભાઈ દેસાઈના જણાવ્યા અનુસાર, પાર્ટીએ અત્યાર સુધીમાં 20થી વધુ ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં 3 જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયતની બેઠકો માટે ફોર્મ ભરાઈ ચૂક્યા છે. આગામી બે દિવસમાં અન્ય બેઠકો પર પણ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. જીતુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ધરમપુર અને કપરાડા જેવા ડુંગરાળ વિસ્તારોમાં પાણીની ગંભીર સમસ્યા મુખ્ય મુદ્દો બનશે. તેમણે 'અસ્ટોલ યોજના' સદંતર નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ કરતા કહ્યું કે, લોકોને પીવાના પાણી માટે 2 થી 3 કિલોમીટર સુધી રઝળપાટ કરવો પડે છે. આ ઉપરાંત ચોમાસામાં ખરાબ રસ્તાઓની સમસ્યા પણ વિકટ છે. AAP આ જ પાયાના મુદ્દાઓ લઈને જનતાની વચ્ચે જશે. વલસાડ જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકો અને 6 તાલુકા પંચાયતોની 150 બેઠકો માટે ચૂંટણી યોજાશે. અત્યાર સુધીમાં જિલ્લા પંચાયતની 12 અને તાલુકા પંચાયતની 33 બેઠકો પર ઉમેદવારી નોંધાઈ ચૂકી છે. કોંગ્રેસે સંભવિત ઉમેદવારો પાસે ફોર્મ ભરાવવાનું શરૂ કર્યું છે. જ્યારે ભાજપની યાદી શુક્રવારે જાહેર થવાની શક્યતા છે. પાર્લામેન્ટરી બોર્ડની આખરી મહોર બાદ જાહેર થનારા ભાજપના નામો પર હાલ સૌની નજર ટકેલી છે. AAP એ દાવો કર્યો છે કે તેઓ આ વખતે 30 થી 40 ટકા બેઠકો પર વિજય મેળવી મજબૂત પકડ બનાવશે. હવે જોવાનું એ રહેશે કે ભાજપના ઉમેદવારોના નામ જાહેર થયા બાદ આ ચૂંટણી જંગ કેવો વળાંક લે છે.
પત્નીને ભરણપોષણ ન આપવા બદલ પતિને 660 દિવસની જેલની સજા અમદાવાદ ફેમિલી કોર્ટ દ્વારા આપવામાં આવી હતી. જેને હાઈકોર્ટે પણ યથાવત રાખી છે. એક પતિને તેની પત્ની અને બે બાળકોને ભરણપોષણ પેટે 3.97 લાખ રૂપિયા ચૂકવવામાં નિષ્ફળ રહેવા બદલ 660 દિવસની જેલની સજા ફટકારવાના ફેમિલી કોર્ટના આદેશને હાઇકોર્ટે માન્ય રાખ્યો છે. આ મામલે પતિ દ્વારા ફેમિલી કોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો. જે અરજી હાઇકોર્ટે રદ્દ કરી છે, હાઇકોર્ટે અવલોકન કર્યું છે કે ફેમિલી કોર્ટે આદેશ પસાર કરતી વખતે યોગ્ય કારણો આપ્યા છે અને તેથી સમવર્તી તારણોમાં દખલગીરી માટે કોઈ કેસ બનતો નથી. પતિને લાદવામાં આવેલી જેલની સજા અપ્રમાણસર નહોતીહાઇકોર્ટે વધુમાં અવલોકન કર્યું કે, પતિને લાદવામાં આવેલી જેલની સજા અપ્રમાણસર નહોતી. કારણ કે પુરુષે ભરણપોષણનો બાકીનો ખર્ચ ચૂકવવામાં નિષ્ફળ રહેવા બદલ દરેક મહિના માટે દસ દિવસનો સમય હતો. કોર્ટે નોંધ્યું હતું કે ડિફોલ્ટ 66 મહિનાનો હોવાથી, સેટ-ઓફનો લાભ આપ્યા પછી કુલ 660 દિવસની સજા ફટકારવામાં આવી હતી. ઉપરોક્ત હકીકતોને ધ્યાનમાં લેતા ડિફોલ્ટના દરેક મહિના માટે દસ દિવસની સજા અપ્રમાણસર કહી શકાય નહીં. અરજદારે પોતે શરણાગતિ સ્વીકારી હતી અને પોતાની જવાબદારી અને ચૂકવણી કરવામાં અસમર્થતા સ્વીકારી હતી. તેથી ફેમિલી કોર્ટ દ્વારા કોઈ અનિયમિતતા કરવામાં આવી નથી અને રિવિઝનલ અધિકારક્ષેત્રમાં દખલગીરી માટે કોઈ કેસ બનાવવામાં આવતો નથી. પત્નીએ ભરણપોષણ મેળવવા કોર્ટનો સંપર્ક કર્યો હતોમાર્ચ 2002 માં પતિ-પત્નીના લગ્ન થયા હતા. જેનાથી દંપતીને બે બાળકો હતા. પતિના મતે તેમનો સંબંધ ધીમે ધીમે બગડતા ગયા હતા અને પત્ની ઓગસ્ટ 2007 માં ઘર છોડી ગઈ હતી. અલગ થયા પછી પત્નીએ Crpc ની કલમ 125 હેઠળ ભરણપોષણ મેળવવા માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો. મે 2013 માં, ફેમિલી કોર્ટે તેની અરજીને આંશિક રીતે મંજૂર કરી અને પતિને પત્નીને દર મહિને 2,500 રૂપિયા એક બાળકને 2,000 અને બીજા બાળકને 1,500 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. સાથે જ કેસનો ખર્ચ પણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. ભરણપોષણની બાકી રકમ લગભગ ₹3.97 લાખત્યારબાદ પત્ની અને બાળકોએ કલમ 125(3) CrPC હેઠળ વસૂલાતની કાર્યવાહી શરૂ કરી હતી. તે તબક્કે ભરણપોષણની બાકી રકમ લગભગ ₹3.97 લાખ થઈ ગઈ હતી. આ રકમની વસૂલાતની કાર્યવાહી દરમિયાન પતિ સ્વેચ્છાએ ફેમિલી કોર્ટ સમક્ષ હાજર થયો બકો અને સ્વીકાર્યું હતું કે રકમ બાકી છે. તેણે એમ પણ કહ્યું કે તેની પાસે કોઈ મિલકત નથી અને તે જરૂરી રકમ ચૂકવવામાં અસમર્થ છે. તેણે કોર્ટને ઓછી સજા ફટકારવા માટે વિનંતી કરી. ફેમિલી કોર્ટે તેનું નિવેદન નોંધ્યું અને ખાતરી કરી કે તે ભરણપોષણ ચૂકવવામાં નિષ્ફળ રહેવાના કાનૂની પરિણામોને સમજે છે. ત્યારબાદ કોર્ટે દરેક મહિનાના ડિફોલ્ટ માટે દસ દિવસની સાદી કેદની સજા ફટકારી હતી. ડિફોલ્ટ 66 મહિનાથી વધુ લંબાયો હોવાથી કુલ સજા 660 દિવસ થઈ હતી.
સુરત શહેરના રાજમાર્ગો પર વાહન ચાલકો માટે સુરક્ષાનો પ્રશ્ન ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આજે શહેરના અતિ વ્યસ્ત એવા અઠવા બ્રિજ પર એક ચાલુ કારમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. જોકે, સદનસીબે કારમાં સવાર લોકો સમયસૂચકતા વાપરી ઉતરી જતાં મોટી જાનહાનિ ટળી છે. બ્રિજ પર કાળો ડિબાંગ ધુમાડો છવાઈ ગયોમળતી માહિતી મુજબ, અઠવા બ્રિજ પરથી પસાર થઈ રહેલી એક પેસેન્જર કારમાં અચાનક એન્જિનના ભાગેથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. ડ્રાઈવર કંઈ સમજે તે પહેલાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બ્રિજ પર કાળો ડિબાંગ ધુમાડો છવાઈ ગયો હતો. પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યોઆગ લાગતાની સાથે જ કારમાં સવાર તમામ લોકો તુરંત બહાર નીકળી ગયા હતા, જેના કારણે કોઈ ઈજા કે જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતા જ સુરત ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો, ટ્રાફિકજામ અને ભયનો માહોલબ્રિજની વચ્ચે સળગતી કારને કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઓફિસ અને કામકાજના સમયે જ આ ઘટના બનતા ટ્રાફિકજામ સર્જાયો હતો. બ્રિજ પરથી પસાર થતા અન્ય વાહનચાલકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી.
પાટણ જિલ્લાના સાંતલપુર નેશનલ હાઇવે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. ગરામડી ગામ નજીક ટેન્કર અને અલ્ટો કાર વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અલ્ટો કારનો કુરચો બોલી ગયોમળતી માહિતી મુજબ, સાંતલપુર નેશનલ હાઇવે પર ગરામડી ગામના પાટિયા પાસે પૂરઝડપે આવી રહેલા એક ટેન્કર અને અલ્ટો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો પ્રચંડ હતો કે અલ્ટો કારનો કુરચો બોલી ગયો હતો. કારમાં સવાર મુસાફરો લોહીલુહાણ હાલતમાં અંદર ફસાઈ ગયા હતા. એક જ પરિવારના 3 લોકોના મોત, 4 ઈજાગ્રસ્તઅકસ્માતનો ભોગ બનનાર તમામ લોકો વારાહી ગામના મુસ્લિમ ઘાંચી સમાજના હોવાનું જાણવા મળ્યું છે. તેઓ હાજીપીર દર્શન કરી પરત ફરી રહ્યાં હતા. કારમાં કુલ 7 વ્યક્તિઓ સવાર હતા, જેમાંથી 3 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે. 4 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરીઘટનાની જાણ થતા જ સાંતલપુર પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી અને મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ (PM) અર્થે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યા છે. અકસ્માતને પગલે હાઇવે પર થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. હાલમાં સાંતલપુર પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ શહેરના બી-ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના નવાગામ વિસ્તારમાં પોલીસ ચોકીની બિલકુલ સામે ચાલતા દેહવ્યાપારના અડ્ડા પર પોલીસે દરોડો પાડી સુપરવાઇઝર અને એક ગ્રાહકની ધરપકડ કરી છે. કંટ્રોલ રૂમની બાતમીના આધારે ડમી ગ્રાહક મોકલીને કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પોલીસે પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રની યુવતીઓને મુક્ત કરાવી હતી. આ ગેરકાયદે પ્રવૃત્તિના મુખ્ય સંચાલકો હિતેશ ઉર્ફે રાણો અને અમિત ઉર્ફે દાઢી હાલ ફરાર હોવાથી પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે. પોલીસે ખરાઈ કરવા ડમી ગ્રાહક મોકલ્યોદરોડાની વિગત મુજબ, નવાગામ પોલીસ ચોકી સામે આવેલી દ્વારકાધીશ હોટલવાળી શેરીમાં એક કાળા ડેલાવાળા મકાનના પ્રથમ માળે હિતેશ અને અમિત દ્વારા કૂટણખાનું ચલાવવામાં આવતું હતું. પોલીસે બાતમીની ખરાઈ કરવા ડમી ગ્રાહક મોકલ્યો હતો, જેનો સંકેત મળતા જ સ્ટાફે દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી સંચાલક તરીકે કામ કરતો અક્ષય મથુર જમોડ (ઉ.વ. 20) અને શરીર સુખ માણવા આવેલો ગ્રાહક ઋત્વિક વાછાણી ઝડપાયા હતા. તપાસમાં સામે આવ્યું હતું કે આ મકાન હિતેશ ઉર્ફે રાણાની માલિકીનું છે. દેહવ્યાપાર માટે બંગાળથી યુવતી બોલાવીપોલીસ તપાસ દરમિયાન રૂમમાંથી કઢંગી હાલતમાં યુવતીઓ અને ગ્રાહકો મળી આવ્યા હતા. પશ્ચિમ બંગાળથી આવેલી એક યુવતીએ કબૂલાત આપી હતી કે સંચાલકોએ તેને દેહવ્યાપાર માટે બોલાવી હતી અને તે તે જ દિવસે સવારે સુરતથી રાજકોટ આવી હતી. આરોપીઓ ગ્રાહક પાસેથી રૂ. 1,000 વસૂલતા હતા, જેમાંથી રૂ. 500 યુવતીને આપી બાકીના રૂ. 500 કમિશન પેટે પોતે રાખી આર્થિક કમાણી કરતા હતા. ગ્રાહક અને મેનેજરની ધરપકડહાલમાં પોલીસે અક્ષય જમોડ અને ઋત્વિક વાછાણી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જેલહવાલે કર્યા છે. માત્ર બે દિવસ પૂર્વે જ શરૂ થયેલા આ કુટણખાનાના મુખ્ય સૂત્રધારો હિતેશ ઉર્ફે રાણો અને અમિત ઉર્ફે દાઢીને પકડવા માટે પોલીસે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ભાવનગર શહેરમાં રહેણાંક વિસ્તારથી હોસ્પિટલ નોકરી પર જતી યુવતીનો પીછો કરી, પ્રેમ સંબંધ રાખવા દબાણ કરવા બદલ નિલમબાગ પોલીસે મહુવાના ભાદ્રોડ ગામના આફતાબ હબીબભાઈ શેખની ધરપકડ કરી છે. આરોપી યુવતીને ફોટા વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હેરાન કરતો હોવાની ફરિયાદના આધારે પોલીસે આઈ.ટી. એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. યુવતીને ફોન અને વોટ્સએપ મેસેજથી પરેશાન કરતોઘટનાની વિગતો મુજબ, પીડિત યુવતી જ્યારે પોતાના ઘરેથી હોસ્પિટલ ફરજ પર જતી હતી, ત્યારે આરોપી આફતાબ શેખ તેનો પીછો કરી અશોભનીય ઈશારા કરતો હતો. તેણે યુવતીનો મોબાઈલ નંબર મેળવી લીધા બાદ સતત ફોન અને વોટ્સએપ મેસેજ દ્વારા પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. આરોપીએ યુવતી પર પ્રેમ સંબંધ રાખવા માટે સતત દબાણ કર્યું હતું અને જો તે વાત ન માને તો તેના ફોટા વાયરલ કરવાની તેમજ તેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. યુવતીએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીઆ મામલે યુવતીએ હિંમત દાખવી નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુ.ર.નં. 0161/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતાની કલમ 78(1), 78(2), 115(2), 351(2), 351(3) અને આઈ.ટી. એક્ટની કલમ 67 મુજબ ગુનો દાખલ કર્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને નિલમબાગ પોલીસ અને પેરોલ ફર્લો સ્ક્વોડની અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી હતી. પોલીસે આરોપીને ઝડપી પાડ્યોપોલીસે ગણતરીના સમયમાં ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી આફતાબ હબીબભાઈ શેખને ઝડપી પાડ્યો છે. હાલ પોલીસ દ્વારા આરોપી સામે ધોરણસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયાના પ્રારંભિક બે દિવસમાં કુલ પાંચ ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. બુધવારે બે અને ગુરુવારે ત્રણ ફોર્મ ભરાયા છે, જેમાં આમ આદમી પાર્ટીના એક અને ચાર અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. મુખ્ય રાજકીય પક્ષો પૈકી માત્ર 'આપ' એ ખાતું ખોલાવ્યું છે, જ્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો હજુ પ્રતીક્ષામાં છે. વોર્ડ વાઈઝ ઉમેદવારોએ ફોર્મ ભર્યા ભાજપ-કોંગ્રેસની રણનીતિચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ હોવા છતાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર ફોર્મ ભરવામાં આવ્યું નથી. કોંગ્રેસમાં આંતરિક રીતે નામો નક્કી હોવાનું મનાય છે, પરંતુ હજુ સુધી મૌન જળવાયેલું છે. બીજી તરફ, ભારતીય જનતા પાર્ટી શુક્રવારે તેના ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરે તેવી શક્યતા છે, જે બાદ ફોર્મ ભરવાની પ્રક્રિયામાં ગતિ આવશે.
રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે રહેતી 35 વર્ષીય પરિણીતાએ પતિના અન્ય મહિલા સાથેના પ્રેમ સંબંધો અને સાસરિયાંઓના શારીરિક-માનસિક ત્રાસથી કંટાળી યુનિવર્સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. અન્ય સ્ત્રી સાથે વાત કરવાની મનાઈ કરતા ઉશ્કેરાયેલા પતિએ રકાબીનો છૂટો ઘા મારી પરિણીતાને ઈજા પહોંચાડતા તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગત 7 એપ્રિલ 2026ના રોજ બનેલી આ ઘટના બાદ પોલીસે પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લગ્નના છ મહિના બાદ પતિનો અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધવર્ષ 2021માં ગૌરવ વિજયભાઈ દાસાણી સાથે લગ્ન ગ્રંથિથી જોડાયેલા પૂજાબેનને લગ્નના છ મહિના બાદ જ પતિના અન્ય મહિલા સાથેના વોટ્સએપ અને ફોન દ્વારા સંપર્ક હોવાની જાણ થઈ હતી. આ બાબતે વિરોધ કરતા પતિએ અવારનવાર શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જ્યારે આ અંગે પોરબંદર સ્થિત સાસુ હીનાબેન અને સસરા વિજયભાઈને જાણ કરવામાં આવી, ત્યારે તેમણે પુત્રનો પક્ષ લઈને પૂજાબેનને જ ચૂપ રહેવા દબાણ કર્યું હતું. પતિએ ઉશ્કેરાઈને ગાળો આપી હિંસક હુમલો કર્યોપૂજાબેન ગર્ભવતી હતા ત્યારે અને પુત્રના જન્મ બાદ પણ સાસરી પક્ષ દ્વારા માનસિક સતામણી ચાલુ રહી હતી. સાસુ હીનાબેન ઘરકામ બાબતે મેણા-ટોણા મારીને આ ફ્લેટ અમારા નામનો છે, તું અહીંથી નીકળી જા કહીને માનસિક દબાણ લાવતા હતા. વિવાદ ત્યારે વકર્યો જ્યારે પૂજાબેને પુત્રના ભવિષ્ય માટે સાસુ-સસરાને સાથે રહેવા આવવા બાબતે પતિ સાથે ચર્ચા કરી, જેનાથી ઉશ્કેરાઈને ગૌરવભાઈએ ગાળો આપી હિંસક હુમલો કર્યો હતો. પોલીસે પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ ગુનો નોંધ્યોહુમલામાં ડાબા ગાલ અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ થતા હાલ પૂજાબેને પિતાના ઘરે આશરો લીધો છે. યુનિવર્સિટી પોલીસે આ મામલે આરોપી પતિ ગૌરવ, સાસુ હીનાબેન અને સસરા વિજયભાઈ વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
ગુજરાત રાજ્યમાં ખોરાક અને ઔષધ નિયામન તંત્ર દ્વારા 4 એપ્રિલથી 9 એપ્રિલ દરમિયાન પનીર અને તેના એનાલોગ ઉત્પાદનોના વપરાશ અંગે રાજ્યવ્યાપી તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ અંતર્ગત કુલ 2,527 હોટલ-રેસ્ટોરન્ટ અને ખાદ્ય એકમોની તપાસ કરી, નિયમોના ભંગ બદલ 18 એકમોને સીલ કરવામાં આવ્યા હતા અને ₹2.48 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો હતો. ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં શંકાસ્પદ જથ્થાનો નાશ કરી કાયદેસરની નોટિસો ફટકારવામાં આવી હતી. 210 એકમોને વહીવટી નોટિસો પાઠવીઆ વિશેષ તપાસ અભિયાન દરમિયાન તંત્ર દ્વારા કુલ 210 એકમોને વહીવટી નોટિસો પાઠવવામાં આવી હતી. તપાસની કામગીરીમાં ફૂડ સેફ્ટી વાનનો પણ ઉપયોગ કરાયો હતો, જેના દ્વારા 658 એકમોની ચકાસણી કરી 678 નમૂનાઓનું સ્થળ પર પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, લેબોરેટરી પૃથ્થકરણ માટે અલગથી 65 નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા અને અંદાજે 103 કિલો જેટલો શંકાસ્પદ ખાદ્ય જથ્થો બિનઆરોગ્યપ્રદ હોવાના કારણે સ્થળ પર જ નાશ કરાયો હતો. ગ્રાહકોને જાણ કર્યા વગર જ 'એનાલોગ પનીર'નો ઉપયોગતપાસમાં ખાસ કરીને એ બાબત સામે આવી હતી કે અનેક ખાદ્ય એકમોમાં ગ્રાહકોને જાણ કર્યા વગર જ 'એનાલોગ પનીર'નો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. આ પ્રકારની પ્રેક્ટિસ ગ્રાહકોને ભ્રમિત કરતી હોવાનું જણાયું હતું, જેના કારણે તંત્રએ આ બાબતે લાલ આંખ કરી છે. શુદ્ધ પનીરને બદલે સસ્તા વિકલ્પો વાપરતા એકમો વિરુદ્ધ કડક વલણ અપનાવીને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. વેપારીઓને કડક શબ્દોમાં નિયમોનું પાલન કરવાની ચેતવણીતંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા એકમો સામે આગામી સમયમાં પણ આવા અભિયાન સતત ચાલુ રહેશે. વેપારીઓને કડક શબ્દોમાં નિયમોનું પાલન કરવાની ચેતવણી આપવામાં આવી છે, સાથે જ જનતાને પણ ખાદ્ય પદાર્થોની ખરીદી કે વપરાશ સમયે વધુ જાગૃત અને સચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
સ્માર્ટ સિટી અને કાર્યક્ષમ વહીવટના દાવાઓ કરતી સુરત મહાનગરપાલિકા હાલમાં ગંભીર વહીવટી છબરડાને કારણે ચર્ચાનું કેન્દ્ર બની. 2,200 જેટલા પદો માટે ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં તંત્રએ એક એવી ભૂલ કરી છે જેણે પાલિકાના ડિજિટલ ડેટા મેનેજમેન્ટ સામે મોટા સવાલો ઊભા કર્યા છે. અઢી વર્ષ પહેલાં સન્માનપૂર્વક નિવૃત્ત થઈ ચૂકેલા એક મહિલા કર્મચારીને જ્યારે મેનેજરની પોસ્ટ માટેની પરીક્ષાનો કોલ લેટર મળ્યો, ત્યારે માત્ર તે મહિલા જ નહીં પરંતુ સમગ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન અચંબામાં પડી ગયું હતું. 2200 જગ્યાની ભરતી બહાર પડી હતીમહાનગરપાલિકા દ્વારા છેલ્લા બે માસથી વહીવટી માળખાને મજબૂત કરવા અને ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે બઢતી, બદલી અને નવી ભરતીની પ્રક્રિયા પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. આ કવાયત અંતર્ગત વિવિધ કેડરની અંદાજે 2200 જેટલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી, જેમાં મેનેજર જેવી ઉચ્ચ કક્ષાની પોસ્ટનો પણ સમાવેશ થાય છે. પૂર્વ મહિલા કર્મચારીને પરીક્ષાનો કોલલેટર મળ્યોઆ ભરતી પ્રક્રિયાના ભાગરૂપે લાયક ઉમેદવારોને પરીક્ષાના કોલ લેટર ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. મનપામાં પ્રથમ શ્રેણીના ક્લાર્ક તરીકે ફરજ બજાવી ચૂકેલા અને અંદાજે 30 મહિના એટલે કે અઢી વર્ષ પૂર્વે નિવૃત્ત થઈ ગયેલા એક મહિલા કર્મચારીના ઘરે ટપાલ દ્વારા પરીક્ષાનો કોલ લેટર પહોંચ્યો હતો. આ પત્રમાં તેમને મેનેજરની પોસ્ટ માટેની લેખિત પરીક્ષામાં હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી. મ્યુનિસિપલ એમ્પ્લોઈઝ સ્ટાફ યુનિયનના પ્રમુખ મોહમ્મદ ઇકબાલ શેખે જણાવ્યું હતું કે, મહાનગરપાલિકામાં આજે જ્યારે 30,000માંથી 8,000 જગ્યાઓ ખાલી છે, એ ખાલી જગ્યાઓ ભરવા માટે અમારા યુનિયન તરફથી ઘણા લાંબા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી છે અને એના અનુસંધાનમાં અત્યારે 2,200 જેટલી જગ્યાઓ ભરવાની કાર્યવાહી કરવામાં આવી છે, જેને અમે આવકારીએ છીએ. નોકરીની ફરજ દરમિયાન ફોર્મ ભર્યું હતુંપરંતુ આ કાર્યવાહી દરમિયાન એક આશ્ચર્યજનક કિસ્સો અમારા ધ્યાન પર આવ્યો છે. એ કિસ્સામાં એક મહિલા કર્મચારી કે જેઓ દિવ્યાંગ છે અને અઠવા ઝોન ખાતે પોતાની ફરજ બજાવતા હતા અને 31-10-2023ના રોજ પોતાની ફરજમાંથી નિવૃત્ત થયા. એમની ચાલુ નોકરી દરમિયાન જ્યારે મેનેજરની જગ્યાની જાહેરાત પડી ત્યારે એમણે એ માટેનું ફોર્મ પણ ભર્યું અને આ મેનેજરની જે પરીક્ષા છે એ આગામી રવિવારે 14મી તારીખે લેવાનાર છે. મ્યુનિસિપિલ કમિશનરને રજૂઆત કરીતેનો કોલ લેટર આ મહિલા કર્મચારીને મળ્યો ત્યારે એમને પણ ખૂબ આશ્ચર્ય થયું. એમના પરિવારને પણ ખૂબ આશ્ચર્ય થયું. જ્યારે નિવૃત્ત થઈ ગયા કર્મચારી, એમની 58 વર્ષની ઉંમર પૂરી થઈ ગઈ હોય તો પછી આ કોલ લેટર કેવી રીતે નીકળી શકે? એ બાબતે કોઈપણ અધિકારીનું ધ્યાન જ ન ગયું. તો આ પ્રકારે જે કંઈ બેદરકારી થઈ છે, એ બેદરકારીની સામે મ્યુનિસિપલ કમિશનર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવે તે માટે અમારા યુનિયન તરફથી રજૂઆત કરવામાં આવી છે.
રાજ્યભરમાં યોજાનારી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયામાં ઉમેદવારોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો છે. વિવિધ સ્તરે મોટી સંખ્યામાં ફોર્મ ભરાતા રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે, જેના કારણે આગામી સમયમાં અનેક બેઠકો પર રસાકસીભરી જંગ જામવાની શક્યતા છે. મોરબીમાં સૌથી વધુ 31 ફોર્મ નોંધાયામહાનગરપાલિકાઓની વાત કરીએ તો મોરબીમાં સૌથી વધુ 31 ફોર્મ નોંધાયા છે, જ્યારે નડિયાદમાં 16, અમદાવાદમાં 15 અને જામનગરમાં 14 ફોર્મ ભરાતા સ્પર્ધા કઠિન બની છે. જોકે, પોરબંદરમાં એકપણ ફોર્મ ન ભરાતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. નગરપાલિકા સ્તરે પંચમહાલના ગોધરામાં 31 અને શહેરામાં 30 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. આ ઉપરાંત ગાંધીનગરના કલોલમાં 22 અને નર્મદાના રાજપીપળામાં 12 ફોર્મ ભરાયા છે. સાબરકાંઠા અને અમરેલીમાં 17-17 ફોર્મ નોંધાયાજિલ્લા પંચાયતોમાં જૂનાગઢ 25 ફોર્મ સાથે મોખરે છે, જ્યારે ગાંધીનગર, સાબરકાંઠા અને અમરેલીમાં 17-17 ફોર્મ નોંધાયા છે. બીજી તરફ, કચ્છ જિલ્લામાં ઉમેદવારી ફોર્મની સંખ્યા શૂન્ય રહેતા રાજકીય ચર્ચાઓ તેજ બની છે. ખેડબ્રહ્મામાં 32 અને પોશીનામાં 28 ફોર્મ ભરાયાતાલુકા પંચાયત સ્તરે સૌથી વધુ રસાકસી જોવા મળી રહી છે, જેમાં સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 32 અને પોશીનામાં 28 ફોર્મ ભરાયા છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 30 અને જૂનાગઢના માણાવદરમાં 29 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે રાજ્યભરમાં ચૂંટણીને લઈને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ છે. કેટલાક વિસ્તારોમાં ભારે ટક્કર તો કેટલાક વિસ્તારોમાં એકતરફી જીતની સંભાવનાઓ વચ્ચે આ ચૂંટણી ખૂબ જ રસપ્રદ બનવાની છે. મહાનગરપાલિકામાં ફોર્મ ભરાયા નગરપાલિકામાં ફોર્મ ભરાયા જિલ્લા પંચાયતમાં ફોર્મ ભરાયા તાલુકા પંચાયતમાં ફોર્મ ભરાયા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા તેજ બની છે. ગોધરા, શહેરા નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે આજે 9 એપ્રિલે કુલ 91 ઉમેદવારી પત્રો ભરાયા હતા. ગોધરા નગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો માટે અત્યાર સુધીમાં કુલ 421 ઉમેદવારી પત્રોનો ઉપાડ થયો છે. આજ રોજ ભરાયેલા 91 ઉમેદવારી પત્રોમાં જિલ્લા પંચાયત માટે 7, તાલુકા પંચાયત માટે 32, ગોધરા નગરપાલિકા માટે 24 અને શહેરા નગરપાલિકા માટે 28 ફોર્મનો સમાવેશ થાય છે. ગોધરા નગરપાલિકામાં ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે વધુ 115 ઉમેદવારી પત્રોનો ઉપાડ થયો હતો. આ સાથે, ગોધરા નગરપાલિકાની કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે અત્યાર સુધીમાં કુલ 421 ઉમેદવારી ફોર્મ ઉપાડવામાં આવ્યા છે.

28 C