મોરબી જિલ્લામાં હાલ ધો.10, 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. એક તો આ બોર્ડની પરીક્ષા ખુદ જ આકરી કસોટી હોય ત્યારે જીવનમાં પણ અણધારી વિષમ પરિસ્થિતિ આવી પડે તો વિદ્યાર્થીઓ માટે આ બન્ને મોરચે લડવું કઠિન હોય છે. આમ છતાં કેટલાક વિદ્યાર્થીઓ આવી કસોટી સામે હિંમતભેર લડીને બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. અમુક વિદ્યાર્થીઓના પરિવારની આર્થિક અસમાનતાની ખાઈ એટલી ઉંડી હોય છે કે આ અભાવો વચ્ચે ભણવું પડકારજનક હોય છે. આમ છતાં વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસમાં ઓટ દીધી નથી. મને ભણાવવા પિતા જે મહેનતકરે છે તે એળે નહીં જવા દઉંમોરબીના ચામુંડાનગરમાં રહેતો જિજ્ઞેશ રમેશભાઈ મકવાણા હાલ ધો.10ની પરીક્ષા આપી રહ્યો છે. તેના પિતા રમેશભાઈ રીક્ષા ચાલક હોય સામાન્ય આવકમાં પરિવારનું ગુજરાન ચલાવવાની સાથે પુત્રીને સારી સ્કૂલમાં ભણાવી રહ્યા છે. જિજ્ઞેશ કહે છે કે, મારા પિતાએ મારા ઉપર ક્યારેય નંબર વન લાવવા પ્રેશર કર્યું નથી. પણ મને ભણાવવા માટે મારા પિતા જે મહેનત કરી રહ્યા છે. એને લેખે લગાડવા માટે હુંસારો દેખાવ કરીશ. વૃદ્ધાવસ્થા છતાં દાદી મારી ફી ભરેછે, મદદ કરવાની મારી ફરજસામાકાંઠે આવેલી સિદ્ધાર્થ સોસાયટીમાં રહેતા પ્રથમલલિતભાઈ વાઘેલાના પરિવારની આર્થિક પરિસ્થિતિસાવ ડામાડોળ છે. પિતા બીમારીનેકારણે કામ કરવામાં અસક્ષમ હોયકાકાની સાથે દાદીને પણ મજૂરી કામકરવું પડે છે. દાદી સફાઈનું કામ કરીપરિવારને મદદરૂપ થાય છે. જો કેપ્રથમને ભણવામાં ખૂબ જ રુચિહોવાથી ધો.9 સુધીમાં તેજસ્વી રહ્યા બાદ હવે સખતપરિશ્રમ કરીને ઉજ્જવળ પરિણામ મેળવવા ધો. 10નીબોર્ડની પરીક્ષા આપી રહ્યો છે. દાદીના અવસાનના આઘાતજીરવીને પરીક્ષા આપીમોરબીના સામાકાંઠે સોઓરડી મેઈન રોડ ઉપરભઠ્ઠાવાળી લાઇનના નાકે રહેતી સમા માહિનસાજીદભાઈ શરુઆતથી જભણવામાં તેજસ્વી છે અને હાલ ધો.10 બોર્ડની એક્ઝામ આપી રહી છે.પેપર દેવા જાય એ પહેલા તેનાદાદીએ સદાને માટે આંખો મીંચીલીધી હતી. દાદીએ હું પરીક્ષામાં ખૂબઉંચા ગુણે ઉત્તીર્ણ થાઉં એવા સ્વપ્ન જોયા હતા.તેથીએમના સ્વપ્નને સાકાર કરવા કાળજે પથ્થર રાખીનેમહેનત કરીને બોર્ડની પરીક્ષા આપી રહી છું.
વેધર રિપોર્ટ:મોરબીમાં ગરમીનો પારો 35 ડિગ્રીને પાર, બે દિવસમાં 37 સુધી પહોંચશે
હોળી તાપીને ઠંડીએ બિસ્તરા પોટલા બાંધીને વિદાય લીધી છે. એ પહેલા જ ગરમીની શરૂઆત થઈ ચુકી હતી.પરંતુ હવે ઉનાળાના પ્રારંભે બહુ જ ઝડપથી ગરમીનો પારો સડસડાટ ઊંચે ચડી રહ્યો છે. મોરબીમાં આજે તાપમાન 35 ડિગ્રીને આંબી ગયું હતું. જો કે ફાગણીયાની શરૂઆતથી રાત્રે મંદ મંદ ઠંડો પવન અને દિવસભર 27 ડિગ્રી તાપમાન રહ્યું હતું અને એક જ સપ્તાહમાં ઉંચી છલાંગ લગાવી પારો 34 ડિગ્રીએ પહોંચી ગયો છે. હજુ બે ચાર દિવસમાં જ તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો વધારો થશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે. ઉનાળો જાણે અત્યારથી જ મધ્યાહને પહોંચી ગયો હોય ગરમીની શરૂઆતમાં જ ગરમ લુની અનુભૂતિથી જનજીવન ભારે પ્રભાવિત થયું હતું. જો કે, સવારે ભેજનું વાતાવરણ 70 ટકા અને બપોરે 35 ટકા ભેજનું વાતાવરણ રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકે 12 કિમીની રહી હતી. બપોરે ગરમી વચ્ચે પણ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. ગરમીના વધતા પ્રભાવને કારણે બપોરના સમયે રસ્તાઓ પર અવરજવર પણ ઓછી જોવા મળી રહી છે. લોકો તડકાથી બચવા માટે ઘરમાં જ રહેવાનું પસંદ કરી રહ્યા છે જ્યારે શેરડીનો રસ , ઠંડા પીણાં, છાસ અને શરબતની માંગમાં પણ વધારો થયો છે. ડોક્ટરો દ્વારા લોકોને પૂરતું પાણી પીવા અને તડકામાં અનાવશ્યક બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે. એક જ દિવસમાં પાંચ વખત વીજળી ગુલ મોરબીમાં ગરમી વધતાંની સાથે વીજળીના ધાંધિયા શરૂ થઈ જતા લોકો વીજળી વગર ગરમીમાં અકળામણ અનુભવી રહ્યા છે. તેમાંય આજે તો વીજ તંત્રની બેદરકારીએ હદ વટાવી દીધી હતી. શહેરના ઘણા વિસ્તારોમાં આજે એક દિવસમાં પાંચ પાંચ વખત વીજળી ગુલ થઈ જતા લોકોને ભારે હાલાકી પડી હતી. ઉનાળાના પ્રારંભે જ આ સ્થિતિ હોય તો આગળ જતાં કેવી ગંભીર સ્થિતિ સર્જાશે તે સવાલ લોકોને ભારે અકળાવી રહ્યો છે.
મોરબી જિલ્લાના છેવાડા વિસ્તાર ન્યુ નવલખી અને વર્ષામેડી વિસ્તારોમાં રહેતા શ્રમજીવી પરિવારોએ પીવાના પાણીની તીવ્ર અછત સામે આક્રોશ વ્યક્ત કરતાં મુખ્ય રોડ પર ચક્કાજામ કર્યો હતો. અંદાજે 300 થી વધુ પરિવારો છેલ્લા 6 મહિનાથી નિયમિત પાણી પુરવઠો ન મળવાને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, શિયાળાની શરૂઆત સાથે જ છેવાડાના આ વિસ્તારમાં પાણીની સમસ્યા બુમરેંગ બની ગઈ છે. ઘણા પરિવારોને દૂર-દૂરથી પાણી લાવવું પડે છે, જેના કારણે મહિલાઓ અને બાળકોને ખાસ તકલીફ પડે છે. મોરબી પાણી પુરવઠા વિભાગને તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓએ પણ મામલે ધ્યાન દોર્યું છે અને તાત્કાલિક વ્યવસ્થા કરવાનું વચન આપ્યું છે. જોકે, સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે આવા વચનો અગાઉ પણ આવ્યા છે, પરંતુ લાંબા ગાળાનું સ્થાયી ઉકેલ નથી આવ્યો.આ ઘટના મોરબી જિલ્લામાં પાણી પુરવઠાની વ્યવસ્થા અને ઔદ્યોગિક વિસ્તારોમાં રહેતા શ્રમિકોની મૂળભૂત સુવિધાઓ અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. જલ જીવન મિશન જેવી યોજનાઓ હેઠળ નળ જોડાણ વધારવા અને નિયમિત પુરવઠો સુનિશ્ચિત કરવાની માંગ ફરી એકવાર તીવ્ર બની છે. જો કે પાણી પુરવઠાની જવાબદારી સંભાળતા કોન્ટ્રાકટર સ્થળ પર દોડી ગયા હતા અને તેમણે વહેલી તકે પાણી પુરું પાડવાની ખાતરી આપી હતી અને લોકોએ જે પીડા ભોગવી એ હવે નહીં ભોગવવી પડે તેવી ખાતરી મળ્યા બાદ લોકોએ ચક્કાજામ ખોલ્યો હતો. વર્ષામેડી સાથે સતત અન્યાય જ થાય છે વર્ષામેડી ગામમાં છેલ્લા કેટલાય મહિનાથી પાણી નથી મળતું. છેવાડાનું ગામ હોવાના કારણે ક્યારેય તંત્ર ધ્યાન આપતું નથી. અગાઉ રજૂઆત કરી, અલગ અલગ કચેરીમાં ધક્કા કર્યા હતાં છતાં કોઇ જ નિવેડો ન આવતાં જેના કારણે અમે અમારી માગ સરકાર સુધી પહોંચાડવા ચક્કાજામ કરવા મજબુર બન્યા છીએ જો તંત્ર અમારી વાત નહી સાંભળે તો ફરી રોડ બંધ કરી દેશું. > અમિતભાઇ ચાવડા, સ્થાનિક રહેવાસી. રોજ બહારથી પાણી લાવવું કેમ પોસાય?અમે ન્યુ નવલખીમાં રહીએ છીએ અહી કેટલાય મહિનાથી પાણી નથી મળતું પાણી પીવાથી લઇ ઘરકામના કામ માટે પાણી દુર આવવું પડે છે. હવે તો ઉનાળો આવ્યો આખો દિવસ પાણી વીના કેમ જીવવું અમે તંત્ર પાસે પાણી અપાઇ તેવી માંગણી કરીએ છીએ. > ભાનુબેન, સ્થાનિક મહિલા ગામમાં દોઢ કિમી દૂર સમ્પ હોવા છતાં પાણી ન મળતા વિતરણ વ્યવસ્થા સામે સવાલવર્ષામેડી અને ન્યુ નવલખી ગામની વચ્ચે દોઢ કિમી દુર પાણીનો સંપ આવેલ હોય જ્યાંથી ગામમાં નજીકના ઘર સુધી પાણી મળતું હોય પણ બાકીના વિસ્તારમાં પાણી વિતરણ કેમ નથી થતું તે સવાલ છે. ગામ લોકોના મતે સંપમાં જે પાણી વિતરણ માટે મોટર નથી, જેના કારણે આ લોકોને પાણી મળતું નથી. તેથી તો ખરેખર જો માત્ર એક મોટર વાંકે ગામ લોકો પાણી વિહોણા રહેતા હોય તો આ બાબતે તંત્ર દ્વારા તપાસ કરી પાણી ની વ્યવસ્થા ધરાઇ તેવી માંગ ઉઠી છે
વડીયાના મહિલા સરપંચની ધમકી:વિકાસ કામો પ્રગતિમાં હોય ત્યાં જશો તો ફરિયાદ કરી દઈશ
સાયલા તાલુકાની 3000ની વસ્તી ધરાવતા વડીયા ગામે છેલ્લા કેટલાક દિવસથી ગ્રામ પંચાયતો દ્વારા કરવામાં આવતા વિકાસના કામોમાં ગેરરીતિ અને ગેર વ્યાજબી વાઉચરો બનાવતા હોવાના આક્ષેપ સાથે રજૂઆતો થવા પામી છે. વધુમાં નદી વિસ્તારમાં ચાલતા પાણીના સંપના કામ બાબતે અમરશીભાઈ હેમુભાઇએ ફોટા પાડેલા તો સરપંચ દ્વારા ફોન કરીને ધમકાવેલ કે કેમ કામ પર ગયેલા અને ફોટા પાડેલા છે. મજૂરો સાથે માથાકૂટ કરે છે. આ બાબતનો ગ્રામજનોએ ફોનમાં રેકોડિંગ હોવાનું જણાવ્યું હતું. અને મહિલા સરપંચે સાયલા પોલીસને લેખિત ફરિયાદ પણ આપી હોવાનું જણાવ્યું હતું. સરપંચ દ્વારા ખોટી ફરિયાદો કરી ગ્રામ પંચાયતના કામમાં ગેરરીતિ કરતા હોવાનું જણાવીને આ બાબતે યોગ્ય તપાસ કરવા ગ્રામજનો દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું. જેમાં વડીયા ગામે ગ્રામ પંચાયતના સરપંચ જે કોઈ વિકાસના કામ ગામમાં શરૂ થવા પામ્યા છે. અને તે કામ બાબતની ગુણવત્તા અને તપાસ કરતા જાગૃત નાગરિકોને મહિલા સરપંચ તારાબેન મનુભાઈ વસાવા ધમકી આપતા હોવાના આક્ષેપો સાથે વડીયાના બાબુભાઈ ચતુરભાઈ, હમીરભાઈ ગોવિંદભાઈ, જોરુભાઈ ધીરુભાઈ, રણજીતભાઈ મનસુખભાઈ, કિરણભાઈ દુમાદિયા સહિતના ગ્રામજનોએ સાયલા મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને મહિલા સરપંચ દ્વારા ધમકીઓ આપવામાં આવે છે. ગ્રામ પંચાયતના કામો પ્રગતિમાં હોય ત્યાં જવાનું નહીં અને જો તમે કોઈ નાગરીક કામ ઉપર આંટો મારવા જશો તો તમારી વિરૂધ્ધ પોલીસમાં લેખિત ફરીયાદ આપી દઈશ આવી ધમકી આપતા હોવાની લેખિત રજૂઆત કરી હતી. ગ્રામ પંચાયત દ્વારા અનેક કામોમાં ગેરરીતિ થતી હોવાની પણ રજૂઆતો પણ કરવામાં આવી હતી.
રણકાંઠાની બંજર અને ઉજ્જડ જમીનમાં જામફળ, આંબળા, ચિકુ, દાડમ, લીંબુ, બોર સહીત અંજીર, ઈલાયચી, લાલ ચંદનના છોડ વચ્ચે અબોલ પક્ષીઓનો ક્લરવ વચ્ચે જીવન જીવતા આધેડ દંપતીની કહાની એમના જ શબ્દોમાં..... સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના માલણપુર ગામની સીમમાં નર્મદા કેનાલના કિનારે બે વીઘા જમીનમાં પોતાનું ફાર્મ હાઉસ બનાવી હિમ્મતભાઈ પનારાએ પોતાના ફાર્મમાં 500 જામફળના ઝાડ, 30 આંબાના ઝાડ, 30 ચીકુના ઝાડ, 30 દાડમના ઝાડ, 30 લીંબુના ઝાડ, 30 બોરના ઝાડ ઉગાડ્યા છે. ઉપરાંત વિવિધ પ્રકારના ફળોના વૃક્ષોની જાતો જેમાં 7 રાયણ, 7 સંતરા, 7 મોસંબી, 7 સીતાફળ, 7 અંજીર, 20 નાળિયેરી, 7 આંબલા, 3 સેતુર, 3 ગુંદો, 3 તજ, 5 ઈલાયચી, 5 તજપત્તા (તમાલપત્ર), 3 સફરજન, 5 લાલ ચંદન, 2 ગોરસ આંબલી, 2 લક્ષ્મણ ફળ, 2 રામફળ, 2 હનુમાનફળ, 10 જાંબુડા સફળતા પૂર્વક ઉગાડ્યા છે. 66 વર્ષના હિમ્મતલાલ પનારા કહે છે કે, 50 % ફળો અમારા પક્ષીઓ માટે હોય છે. પહેલા અહીં પક્ષીઓની સંખ્યા શૂન્ય હતી. અને અત્યારે વિવિધ 20થી વધુ પ્રકારના 800થી 1000 જેટલા અબોલ પક્ષીઓ આવે છે. દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા હિમ્મતભાઈ પનારાએ જણાવ્યું કે, અમદાવાદમાં ચિત્ર વ્યાયામ શિક્ષક તરીકે 2018માં નિવૃત થયા બાદ મારો શોખ છે કે કુદરત સાથે રહેવું અને પર્યાવરણ બચાવવુ. એમણે વધુમાં જણાવ્યું કે, અહીંયા મેં મારો જે બગીચો ઉછેર્યો છે, જે આજથી પાંચ વર્ષ પહેલા 15 એપ્રિલ, 2021 આ જગ્યામાં મેં પ્રવેશ કર્યો ત્યારે અહીં બાવળનુ જંગલ હતું. જેમાં અહીં મેં જમીન સરખી કરીને એમાં અત્યારે મેં 500 ઝાડ જામફળના ઉછેર્યા છે કે જેમાં એક એક ઝાડ ઉપર એવરેજ 10-15 કિલો જામફળ આવે છે વર્ષે, એ સિવાય ચિકુ, રાયણ, દાડમ, આંબા, જાંબુ, સફરજનના ત્રણ ઝાડ છે, જેમાં આ વર્ષે 300 નંગ સફરજન આવ્યા હતા. એ સિવાય ઈલાયચીના છોડ, તમાલપત્ર જે મસાલામાં વપરાય છે, એ પણ છે. લવિંગ અને તજના પણ છોડ છે, મરીના પણ વેલ છે, ખાવાના પાનની પણ વેલ છે, દ્રાક્ષની વેલ છે. એ સિવાય રામફળ, સીતાફળ, હનુમાનફળ, લક્ષ્મણ ફળ આ ચાર ફળ છે, જેમાં સીતાફળ એ તો કોમન છે, પણ આ ત્રણ જાતના ફળ એ આ વર્ષે મેં ઉગાડ્યા છે. શાકભાજીનું પણ જરૂર પૂરતું વાવેતર કરું છું હું શાકભાજીનું પણ જરૂર પૂરતું વાવેતર કરી લઉં છું. જેમાં મેં રીંગણ, પાપડી છે, ફ્લાવર, કોબીજ, મરચા, ટામેટા છે, આ બધુ હાલમાં છે. આ ફળ જે મારા ત્યાં થાય છે, એ બજારમાં વેચવા કરતા મારા મિત્રો અહીં આવે છે એમને ખવડાવવામાં મને રસ હોય છે.- હિંમતભાઈ પનારા રોજના 100 જાતના પક્ષી બગીચા પર નિર્ભર છે મેં પક્ષીઓનો પ્રેમ પણ જાળવી રાખ્યો છે, મારા ત્યાં અહીં રોજના 100 જાતના પક્ષી આ બગીચા પર નિર્ભર છે, જેમાં ચાર પાંચ જાતની ચકલીઓ છે, કાકા કૌઆ છે, આ બધા પક્ષીઓ મારા 100 જેટલા જામફળ ખાય છે, બગાડે છે એમાં પણ મને ખૂબ મજા આવે છે, એ પણ નેચરનો એક પાર્ટ છે.
આરોગ્ય સેવાઓની દયનીય સ્થિતિ:થાનગઢના નવાગામમાં 4,500ની વસ્તી વચ્ચે સબ સેન્ટરનું બિલ્ડિંગ જર્જરિત
થાનગઢ તાલુકાનું સૌથી મોટું ગામ ગણાતા નવાગામમાં આવેલું પીએચસી (PHC) સબ સેન્ટર હાલ ખંડેર હાલતમાં ફેરવાઈ ગયું છે. બિલ્ડિંગ અતિ જર્જરિત હોવાથી આરોગ્ય કેન્દ્રને તાળા મારી દેવામાં આવ્યા છે. હાલમાં ગામના બાળકોના રસીકરણ અને સગર્ભા મહિલાઓની તપાસ જેવી મહત્વની કામગીરી સ્થાનિક શાળામાં કરવામાં આવી રહી છે. પાયાની સુવિધાઓના અભાવે દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. 4,500થી વધુની વસ્તી ધરાવતા આ ગામમાં આરોગ્ય જેવી પાયાની જરૂરિયાત માટે લોકોએ વલખાં મારવા પડે છે. ગ્રામજનોની માંગ છે કે સબ સેન્ટરનું નવું બિલ્ડિંગ તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે. જો નવું મકાન અને સુવિધાઓ ઉપલબ્ધ થાય તો રસીકરણ અને અન્ય સારવાર સમયસર મળી રહે. લોકમાંગ ઉઠી છે કે તંત્ર જાગે અને આ જર્જરિત મકાનની જગ્યાએ આધુનિક સુવિધાવાળું કેન્દ્ર ઉભું કરે. કોઈ બોર્ડ કે ડોક્ટરોના સંપર્ક નંબર પણ લખવામાં આવ્યા નથીઆયુષ્માન ભારત હેઠળ ચાલતા આ કેન્દ્રથી લોકોમાં રોષ છે. શાળામાં ચાલતી કામચલાઉ ઓપીડીનો કોઈ સમય નક્કી નથી. ત્યાં કોઈ બોર્ડ કે ડોક્ટરોના સંપર્ક નંબર પણ લખવામાં આવ્યા નથી. ગ્રામજનોની ફરિયાદ છે કે હોસ્પિટલના સમય વિશે જાણકારી ન હોવાથી તેમને વારંવાર ધરમધક્કા ખાવા પડે છે. જવાબદાર તંત્ર દ્વારા સામાન્ય સૂચના બોર્ડ મારવાની પણ તસ્દી લેવામાં આવી નથી.
સુરેન્દ્રનગરમાં આંગણવાડી મહિલા ઓએ આઇસીડીએસ વિભાગમા લેખિત રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યા મુજબ આંગણવાડી કાર્યકર આઇસીડીએસ આપેલી કામગીરી સરકારી પોગ્રામોમાં આંગણવાડી કેન્દ્રોમાં બાળકોની હાજરી, પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં જરૂરી એન્ટ્રી, તેમજ તમામ રજીસ્ટર કામગીરી ઓફલાઇન પદ્ધતિથી કરાય છે. નવા સાત જેટલા એપ્લિકેશનનો સરકાર દ્વારા અમલમાં મૂકી તે એફઆરએસ અને એવીટી એપ્લિકેશન તો કોઈ પણ રીતે બરાબર ચાલતા નથી. મોટાભાગનો સમય આ ડાટા એન્ટ્રીમાં જ પસાર થાય છે. સરકારે આપેલ મોબાઈલ ઘણા સમયથી બંધ હાલતમાં છે. પોતાના મોબાઈલથી તમામ ઓનલાઈન કામ કરી રહ્યા હતા. જે હવે હેંગ થવા લાગ્યા છે તે પણ ચાલતા નથી. કેન્દ્ર સરકાર દ્વારા દોઢ વર્ષથી રાજ્ય સરકારને 56 કરોડ રૂપિયા ગ્રાન્ટ આપેલ હોવા છતાં નવા મોબાઈલની વ્યવસ્થા થતી નથી. બજેટમાં પણ આટલી બધી કામગીરીમાં વધારો કરવા છતાં વેતન વધારો જાહેર કરવામાં આવ્યો નથી. હાલના સમયે એવીટી તેમજ અન્ય ઓનલાઈન મોબાઈલ એપ્લિકેશનમાં સતત ટેકનિકલ ખામીઓ, લોગિન / પાસવર્ડ સંબંધિત મુશ્કેલીઓ, સર્વર સમસ્યાઓ, ઓટીપી, તથા એપ્લિકેશન યોગ્ય રીતે કાર્ય ન કરતી હોવાના કારણે, હાજર સંખ્યા કરતાં પણ ઓછા હેડ કાઉન્ટ દેખાડે છે. ખરેખર તો એફઆરએસમાં લાભાર્થીઓએ ખૂબ લાંબો સમય સુધી રાહ જોઈને ઊભા રહેવું પડે છે. ઓનલાઈન કામગીરી માટે બળજબરી ન કરવામાં આવે તેવી માંગ છે. જો તેમ છતાં પ્રેશર કરવામાં આવશે તો અમો આગળ ઉગ્ર આંદોલન કરવા મજબૂર થઈશું. આંગણવાડી વર્કર અને હેલ્પર છે મશીન તો નથી આંગણવાડી દ્વારા કદાપી કામનો ઇનકાર કરેલ નથી. સરકારના તમામ કાર્યક્રમમાં પણ સહયોગી બનેલ છે. આંગણવાડી વર્કર અને હેલ્પર એક મહિલા છે અને માનવ જીવ છે મશીન તો નથી જ. - પાયલબેન
PGVCL એક્શન મોડમાં:40 વીજ કનેક્શનના સીધા થાંભલામાં જોડાણ લીધા, રૂ. 45.12 લાખનો દંડ
પીજીવીસીએલ સુરેન્દ્રનગર વર્તુળ કચેરી દ્વારા વીજચોરી ડામવા માટે એક અભૂતપૂર્વ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં લીંબડી વિભાગીય કચેરીના ભાણેજડા ગામમાં ઇતિહાસમાં પ્રથમ વખત વીજ ચેકિંગ હાથ ધરીને તંત્રએ વીજચોરોમાં ફફડાટ મચાવી દીધો હતો. ભાણેજડા ગામમાં પ્રથમવાર વીજ ચેકિંગ, 101 ઘરમાંથી વીજચોરી પકડાઈ હતી જેમાં 40 કેસ તો સીધા જ જોડાણ વગરની વીજચોરીના હતા. કુલ રૂ.45.12 લાખનો દંડ કરાયો હતો. વીજ કંપની માટે અત્યાર સુધી આ વિસ્તાર વીજ તપાસના દાયરાથી બહાર રહ્યો હતો. આ ઓપરેશનને સફળ બનાવવા અધિક્ષક ઇજનેર એન. એન. અમીનની રાહબરી હેઠળ, પીજીવીસીએલ દ્વારા પોતાની કુલ 9 ટીમોમાંથી 20 ટીમ માત્ર આ એક જ ગામમાં તૈનાત કરવામાં આવી હતી. આ ઓપરેશનની ગંભીરતાને જોતા 13 એસઆરપી જવાનો, 21 પોલીસ કર્મી અને 4 વીડિયોગ્રાફરના કાફલા સાથે આ દરોડા પાડવામાં આવ્યા હતા. ભાણેજડામાં 189 જોડાણોની તપાસ દરમિયાન 32 વીજચોરીના કેસ પકડાયા હતા, જેમાં રૂ.14.72 લાખનો દંડ ફટકારાયો હતો. ભાણેજડા ઉપરાંત કોરડા, મોટા ભાડલા, હડાળા, દેવપરા અને ચુડા વિસ્તારમાં પણ સઘન તપાસ કરવામાં આવી હતી. સમગ્ર ઓપરેશન દરમિયાન કુલ 664 વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવી. કોરડા ગામમાં 161 જોડાણોની તપાસમાં 20 કેસ પકડાયા અને રૂ. 12.20 લાખનો દંડ અપાયો. સમગ્ર ઓપરેશનના અંતે કુલ રૂ. 45.12 લાખના દંડના બિલ ફટકારવામાં આવ્યા છે.
સસ્તા અનાજના દુકાનદારો લડાયક મૂડમાં:બાકી કમિશન અને વધારાની કામગીરી મુદ્દે અસંતોષ ફેલાયો
જિલ્લામાં લાભાર્થીઓને રાશન વિતરણ કરતી સસ્તા અનાજની દુકાનોના સંચાલકો હવે સરકારની નીતિઓ સામે ઉતર્યા છે. ફેરપ્રાઇઝ એસોસીએશનના નેજા હેઠળ દુકાનદારોએ કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું હતું. દુકાનદારોની મુખ્ય રજૂઆત છે કે સરકાર દ્વારા તેમને માત્ર કમિશન એજન્ટ ગણીને કામગીરી તો લેવામાં આવે છે, પરંતુ તેનું યોગ્ય અને સમયસર વળતર ચૂકવવામાં આવતું નથી. જે મોંઘવારીના સમયમાં તેમના માટે આર્થિક સંકટ સમાન છે. અમારે દુકાનદારોને પોષણક્ષમ વળતર ન મળવાના કારણે અમે ખૂબ જ હાલાકી ભોગવવીએ છીએ. મળવા પાત્ર કમિશન સમય મર્યાદામાં મળે એ પરિપત્ર મુજબ પૂરતું મળે તેવી માંગ છે. દુકાન ધારકોની આર્થિક સ્થિતિ વિકટ બની છેરાજ્ય સરકાર અને કેન્દ્રનું કમિશન ત્રુટક આવે છે, નિયમિત મળતું નથી. સરકારની હાઇ સીબીડીસીની કામગીરી આપવામાં આવી તેનું વળતર કેમ નહીં. આમ કમિશન મળતું નથી. સરકારને રજૂઆત કરી છે કે મળવા પાત્ર કમિશનની સ્પષ્ટતા થવી જોઇએ. કમિશન અનિયમિતતાને કારણે દુકાન ધારકોની આર્થિક સ્થિતિ વિકટ બની ગઈ છે.- નારાયણભાઇ ચાવડા, સસ્તા અનાજ દુકાનદાર પ્રમુખ
સુરેન્દ્રનગર જિલ્લામાં કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓ માટે કરોડોના ખર્ચે બનાવેલા 188 આવાસ હાલમાં યોગ્ય તકેદારીના અભાવે ખંડેર બન્યા છે. જિલ્લાના દેગામમાં 70, પાટડીમાં 48, જૈનાબાદમાં 32 અને માલવણમાં 38 આવાસ મળી કુલ 188 આવાસ બનાવાયા હતા. 2005-06માં બનેલા આ આવાસોમાં અગરિયાઓને ઘણા સમય સુધી ન ફળવાતા ખંડેર બની ગયા હતા. 2 વાર રિનોવેશન કરવા છતાં અગરિયા રહેવા નથી આવ્યા. અગરિયાઓએ જણાવ્યું હતું કે, રહેવા જેવા મકાનો જ નથી, હવે તો સાવ ખંડેર બની ગયા છે. અમારે નથી જોઇતું. હાલમાં આવાસોમાં તિરાડો પડી છે. કેટલાક તો તૂટીને જમીનદોસ્ત થઇ ગયા હતા. 2005-06માં નમક મજદૂર આવાસ યોજના હેઠળ મીઠાં સાલ્ટ શેષ ફન્ડમાંથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અંદાજે રૂ. દોઢ કરોડના ખર્ચે 188 આવાસ બનાવાયા હતા. જેમાં એક રૂમ, રસોડું અને સંડાસ-બાથરૂમની વ્યવસ્થા હતી. આ આવાસોમાંની લાઈટો પણ અસામાજિક તત્વો ચોરી કરીને લઈ ગયા હતા. બારી-બારણાં પણ અસામાજિક તત્વો તોડી ગયાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. કોન્ટ્રાક્ટરનું તકલાદી કામ, તંત્રની બેદરકારી કોન્ટ્રાકટરના તકલાદી કામ, તંત્રની બેદરકારીના લીધે એક પણ અગરિયા અહીં રહેવા નથી આવ્યા. અહીં રહેવાનું તો દૂર પણ અહીં કોઈ આવી શકે એવી પણ પરિસ્થિતિ નથી.- દેવાભાઇ સાવડીયા, અગરિયા આગેવાન આગળ શું કરી શકાશે તે અંગે તપાસ કરાશે આ આવાસો સરકારના સોલ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા 20 વર્ષ પહેલા બનાવવામાં આવ્યા હતા. અગરિયાઓને આવાસો સોંપાયા છે કે નહીં અને જે તે સમયે સોંપાયા હોય તો અહીં અગરિયાઓ કેમ રહેવા ન આવ્યા એની તપાસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.- સતિષભાઇ પારેજીયા, જનરલ મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(યુપીએસસી) દ્વારા લેવાયેલી સિવિલ સર્વિસ પરીક્ષાનું પરિણામ જાહેર થતાં સુરેન્દ્રનગર જિલ્લામાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. મૂળીના કળમાદ ગામના ખેડૂત પુત્ર નરેન્દ્ર રાઠોડે 840 રેન્ક અને લીંબડીના આંગણવાડી કાર્યકરના પુત્ર જીતકુમાર નમ્હાએ 606 રેન્ક સાથે અખિલ ભારતીય સેવા માટે પસંદગી પામીને રાષ્ટ્રીય ફલક ઉપર ઝાલાવાડનું નામ રોશન કર્યું છે. લીંબડીમાં રહેતાં આંગણવાડીની મહિલા કાર્યકર રમીલાબેન નમ્હાના પુત્ર જીતકુમારે બીજીવાર યુપીએસસીની પરીક્ષા ક્રેક કરી છે. જીતના પિતાનું વર્ષ-2009માં અવસાન થયું હતું. વિધવા માતા, નાના, નાની, મામા, મામી સાથે રહીને ઉછરેલા જીતે નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો. જીતે જણાવ્યું કે, અલગ-અલગ જગ્યાએ નોકરી કર્યા પછી આઈઆઈટીનું 17 લાખનું પેકેજ છોડી સનદી સેવાની પરીક્ષાની તૈયારીમાં લાગી ગયો હતો. દેશ દુનિયામાં બનતી સાંપ્રત ઘટનાઓ અને અન્ય બાબતોની જાણકારી માટે નિયમિત વાંચન કરવું જરૂરી છે. વર્ષ 2024માં આપેલી પરીક્ષામાં ચોથા પ્રયત્ને 929 રેન્ક મેળવ્યો હતો વધુ એક પ્રયાસ કરી સારો રેન્ક મેળવવાનું બીડું ઝડપ્યું હતું. દેશની સૌથી અઘરી યુપીએસસીની પરીક્ષા 929 રેન્ક સાથે પાસ કર્યા પછી 3 માસ RIMSમાં ફરજ બજાવી હતી. વધુ એક વખત સારો રેન્ક મેળવવા માટે ઈન્ડિયન રેલવે મેનેજમેન્ટ સર્વિસ કોર્સ છોડી દિલ્હી જઈ તૈયારી શરૂ કરી હતી. રોજ 14 કલાક વાંચન કરતો હતો. પરીક્ષા નજીક આવી એટલે વાંચનનો સમય વધારી દીધો હતો. ખુબ મહેનત બાદ લેવાયેલી યુપીએસસી 2025 પરીક્ષામાં પાંચમાં એટેમ્પટ અને ચોથી મેઈન્સમાં 606 રેન્ક સાથે પાસ કરી સફળતા મળી છે. જીતકુમાર નમ્હા, લીંબડી 500ના માસિક પગારે આંગણવાડીમાં નોકરી શરૂ કરી હતી પુત્રની સફળતા અંગે માતા રમીલાબેન વસંતભાઈ નમ્હાએ જણાવ્યું કે, મેં વર્ષ-2003માં રૂ.500ના પગારે આંગણવાડીમાં કામ શરુ કર્યું હતું. પુત્ર જીતે કારકીર્દીને ખૂબ ગંભીરતાથી લીધી છે. સમગ્ર પરિવારે અભ્યાસ માટે શાંત વાતાવરણ પૂરું પાડયું હતું જેમાં તેણે ખૂબ એકાગ્રતાથી અભ્યાસ કર્યો 929 રૅન્ક મેળવ્યા પછી વધુ એકવાર સારો રેન્ક લાવવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. આખરે તેને જે નિશ્ચય કર્યો તેમાં સફળતા મેળવી છે.
સતવારા સમાજનો સમુહ લગ્નોત્સવ યોજાયો:લીંબડીમાં 2 હજાર લોકોએ 16 યુગલને આશિર્વાદ આપ્યા
લીંબડીમાં સતવારા સમાજનો 29મો સમુહ લગ્ન સમારોહ યોજાયો હતો. સંતો, મહંતો, રાજકીય, સામાજિક આગેવાનો સહિત 2,000 લોકો હાજરીમાં 16 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ પ્રસંગે ગુજરાત સમસ્ત સતવારા સમાજના પ્રમુખ શંકરભાઈ દલવાડીએ જણાવ્યું હતું કે શરૂઆતમાં લોકોને એવું હતું કે સમુહ લગ્નમાં દિકરી, દિકરાના પ્રસંગ કરીશું તો સમાજ શું કહેશે? પરંતુ હવે બધું જ બરાબર ચાલી રહ્યું છે. ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે અન્ય સમાજના લોકોએ પણ સમુહ લગ્નની પહેલ કરવી જોઈએ. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે દાતાઓના સહયોગથી 16 દિકરીઓને કરિયાવરરૂપે જીવનજરૂરીયાતની વસ્તુઓ આપવામાં આવી છે. મોટા મંદિરના મહંત લાલદાસબાપુ જણાવ્યું હતું કે હિન્દુ સંસ્કૃતિમાં લગ્નને પવિત્ર બંધન મનાય છે. સતવારા સમાજે 16 દિકરીઓને વેદ-વિધિથી લગ્ન કરાવ્યા તેનો આનંદ થયો છે. સમુહ લગ્ન પ્રસંગે સંતો, મહંતો, રાજકીય અને સતવારા સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે સુરેન્દ્રનગરના નવા 80 ફૂટ રોડ પર આવેલી બાપા સીતારામની મઢુલી ખાતે મારુતિ વસ્તી દ્વારા એક ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી ભાસ્કરભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના ઉદબોધનમાં ધર્મ, રાષ્ટ્ર અને સામાજિક ઉત્થાન માટે પંચ પરિવર્તન એટલે કે સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ, સ્વદેશી અને નાગરિક કર્તવ્યના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે વર્તમાન સમયમાં સંગઠિત હિન્દુ સમાજની ભૂમિકા અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમમાં ધ્રાંગધ્રા ગુરુકુલના વિવેકસાગર સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા, જ્યારે જાણીતા લોક સાહિત્યકાર ગોપાલભાઈ બારોટે પોતાની આગવી શૈલીમાં સાહિત્યિક રજૂઆત કરી કાર્યક્રમમાં ઉત્સાહ વધાર્યો હતો. આ સંમેલનમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા,
ધ્રાંગધ્રા-હળવદ હાઇવે ઉપર સોલડી ટોલનાકા નજીક દેહવ્યાપારમાં ગ્રાહક બાબતની રકઝક હત્યામાં પરીણમી છે. મૂળ કલકત્તાની યુવતીને છરીના ત્રણ ઘા મારતાં મોત નીપજ્યું હતું. પોલીસે ધોળીધારના યુવકને છરી સાથે ઝડપી લીધો હતો. સોલડી ટોલનાકા પાસે બાવળી રોડ ઉપર અવાવરૂ જગ્યામાં બે વર્ષથી દેહવ્યાપારનો ધંધો ચાલતો હતો. ધ્રાંગધ્રા કાપેલી ધાર વિસ્તારમાં રહેતો મેરૂભાઇ વીઠ્ઠલભાઇ વાઘેલા પણ અહીં યુવતી લાવીને ધંધો કરાવતો હતો. ગ્રાહક આવ્યા ત્યારે મેરૂભાઇએ કહ્યું કે, આ મારા ગ્રાહક છે. જેને લઇ બોલાચાલી થતાં (શકીનાબેન) નામ બદલેલ છે. મેરૂભાઇને બે થપ્પડ મારી દીધી હતી. આથી ઉશ્કેરાઇ છરી કાઢીને 3 ઘા મારતાં 30 વર્ષીય યુવતીનું મોત થઇ ગયુ હતું. બરડામાં 2 ઘા અને છાતીમાં દોઢ ઇંચનો ઘા છેક હ્દય સુધી પહોંચી જતાં જીવલેણ સાબિત થયો હતો. યુવતી અમદાવાદથી ઇકોમાં આવી હતીટોલનાકાની બાજુમાં આ ગોરખધંધા બે વર્ષથી ચાલતા હતા.યુવતીઓ રાત્રીના સમયે અમદાવાદથી ઇકો ગાડી લઇને આવતી હતી.સવારે પરત અમદાવાદ જતી રહેતી હતી. યુવતીઓ અવાર-નવાર બદલાતી રહેતી હતી. ગોરખધંધાને કારણે આજુબાજુના લોકો પણ ત્રાસી ગયા હતા. અંતે પાપનો ઘડો ફૂટી ગયો હતો.
ગમખ્વાર અકસ્માત સર્જાયો:ભીલવણ નજીક વાહનની ટક્કરે ખેડૂતનું મોત નીપજ્યું
પાટણ–ડીસા હાઈવે પર ભીલવણ ગામ નજીક અજાણ્યા વાહનની ટક્કરથી એક ખેડૂતનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાયો હતો. હારિજ તાલુકાના કાંસીયાપુરા (માંસા) ગામના રહેવાસી રૂપસિંહજી જગમાલજી ઠાકોર (ઉ.વ. 41) ભીલવણ ગામે ખેતી કામ કરતા હતા. 7 માર્ચે સાંજે આશરે 7:00 તેઓ ભીલવણ ગામના બસ સ્ટેન્ડ નજીક પાટણ–ડીસા હાઈવે પર ચાલતા જતા હતા ત્યારે અજાણ્યા વાહનચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી ટક્કર મારતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. 108 મારફતે તેમને ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, તેમનું મોત થયું હતું. ઘટનાને પગલે પરિવારે અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે તપાસ હાથ ધરી હતી.
અપહરણનો મામલો આવ્યો સામે:હિંમતનગરના બે ગામમાંથી બે સગીરાનું અપહરણ કરાયું
હિંમતનગર તાલુકાના બે ગામમાંથી બે બનાવમાં બે સગીરાનું અપહરણ થતાં એ ડિવિઝન અને ગાંભોઈ પોલીસમાં મોડાસા તાલુકાના અને મેઘરજ તાલુકાના યુવાનો સામે બે ફરિયાદ નોંધાવી હતી. રાયગઢથી હિંમતનગર તાલુકાના ગામની સગીરાનું મોડાસાના ડુઘરવાડા ખાતે રહેતો મીહીર મહેન્દ્રભાઈ પરમાર (મૂળ રહે. મુનાઈ તા.ભિલોડા) લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ ગયો હોવા અંગે સગીરાના પિતાએ આશંકા વ્યકત કરતાં તેની સામે ગુનો નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અપહરણના બીજા બનાવમાં હિંમતનગરના ગઢોડામાંથી મેઘરજ તાલુકાના પાણીબાર ગામનો જયેશ બામના નામનો યુવક 16 વર્ષ 11 માસની સગીરાનું લગ્ન કરવાના ઈરાદે લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ ગયો હોવા અંગે સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા તેની સામે હિંમતનગર એ ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે.
ખેડતસીયા રોડ પર બનાવ:અહીં કેમ ઉભો છો કહી યુવક ઉપર લાકડી, ચપ્પુથી હુમલો
હિંમતનગરના ખેડતાસીયા રોડ પર મહાવીરનગરમાં ટ્રેક્ટર મૂકી તરબૂચ ટેટીનો ધંધો કરી રહેલ યુવકને અન્ય શખ્સે ટ્રેક્ટર લઈ આવી અહીં કેમ ઉભો છે આ જગ્યા અમારી છે ટ્રેક્ટર હટાવી લે કહી લાકડીઓ ફટકારી ચપ્પુ મારતાં દોડી આવેલ અન્ય બે જણાને લાકડીઓ ફટકારી હતી. મહાવીરનગરમાં એસબીઆઈના એટીએમ આગળ ટ્રેક્ટર ઉભું રાખી તરબૂચ ટેટીનો ધંધો કરી રહેલ વિશાલ વાઘેલા નામના યુવકને બીજું ટ્રેક્ટર લઈ આવેલા ગુલાબભાઈ મફાભાઈ વાઘેલા તેમની પત્ની શારદાબેન અને દીકરો રાહુલ ત્રણેય જણાએ તું કેમ અહીં ઉભો છે તારું ટ્રેક્ટર લઈ લે, આ જગ્યા અમારી છે તેમ કહી અપશબ્દો બોલતાં વિશાલે ના પાડતાં લાકડીઓ ફટકારી તરબૂચ કાપવાના ચપ્પુ વડે માથામાં ઘા કરી ઈજાઓ પહોંચાડી હતી. વિશાલને બચાવવા નજીકમાંથી દોડી આવેલ તેના મામા સુરેશભાઈ શંકરભાઈ વાઘેલા અને અતુલકુમારને પણ લાકડીઓ ફટકારી હતી. વિશાલ અને અતુલકુમારને માથામાં ઈજાઓ થઈ હોવાથી તેમને સારવાર અર્થે મોકલ્યા બાદ સુરેશભાઈએ ત્રણેય સામે ફરિયાદ નોંધાવી હતી.
પ્રાંતવેલ નાની સિંચાઈ યોજનાના જળાશયની નહેરની મરામત ન કરતાં ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે. જળાશયમાં પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોને ઉનાળુ સિઝનની વાવણી માટે જળાશયમાંથી નહેર દ્વારા પાણી છોડવામાં આવે તેવી માંગણી ઉઠી છે. પ્રાંતવેલ જળાશયના પાણીથી પ્રાંતવેલ નવા મુવાડા કમરાજ ગોતાપુર ઉભરાણ ટુણાદર મગનપુરા ગોકુલપુરા જેવા ગામડાઓના 450 કરતાં વધુ ખેડૂતોની 750 હેક્ટર કરતાં વધુ જમીન સિંચન થતી હોવાનું પૂર્વ સરપંચ અશોકસિંહે જણાવ્યું હતું. વધુમાં આ વિસ્તારના ખેડૂતોએ જણાવ્યું હતું કે પાંચ વર્ષ અગાઉ અરવલ્લી જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગ દ્વારા નહેરની મરામત અને સફાઈ કામગીરી કરાઇ હતી. ત્યારબાદ સિંચાઈ વિભાગ દ્વારા નહેરની યોગ્ય જાળવણી અને જંગલ કટીંગ જેવી કામગીરી ન કરાતાં નહેરમાં મોટી માત્રામાં ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે. નાની સિંચાઇ યોજનાના આ જળાશયમાં શિયાળુ પાકની વાવણી માટે જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગ દ્વારા પાણી ન છોડાતાં જળાશયમાં હાલ પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાથી ઉનાળુ પાકની સિઝન માટે નહેરમાં તાત્કાલિક સફાઈ કામગીરી અને મરામત કરી પાણી છોડવામાં આવે તેવી ખેડૂતોની માગણી ઉઠી છે.
યુદ્ધની અસર:દૂધસાગર ડેરીમાં ગેસમાં 40% કાપથી બે પાવડર પ્લાન્ટ બંધ કરવા પડે તેવી સ્થિતિ
અમેરિકા–ઇઝરાયેલ દ્વારા ઈરાન સામે છેડાયેલા યુદ્ધના પગલે ખાડી દેશોમાં સર્જાયેલી પરિસ્થિતિના કારણે ગેસ સહિતના ઇંધણમાં શોર્ટેજની અસર જોવા મળી રહી છે. રાજ્ય સરકાર દ્વારા સહકારી સંસ્થાઓને આપવામાં આવતા ગેસ પુરવઠામાં 40 ટકા સુધી કાપ મૂકાતાં મહેસાણાની દૂધસાગર ડેરીના ઉત્પાદન પર તેની અસર થવાની શક્યતા ઉભી થઈ છે. હાલમાં દૂધસાગર ડેરીમાં દૈનિક 25.86 લાખ લિટર દૂધના પ્રોસેસિંગ માટે લગભગ 40 હજાર ક્યુબીક મીટર ગેસની જરૂરિયાત રહે છે, પરંતુ કાપ બાદ હવે માત્ર 24 હજાર ક્યુબીક મીટર ગેસ મળવાની સ્થિતિ છે. ડેરીમાં દૂધ પેશ્ચ્યુરાઈઝેશન, સ્ટીમ જનરેશન, મિલ્ક પાવડર, છાશ અને ઘી સહિતના ઉત્પાદનો માટે ગેસ આધારિત બોઇલરનો વ્યાપક ઉપયોગ થાય છે. મહેસાણા અને પાટણ જિલ્લો તેમજ અડધો ગાંધીનગર જિલ્લાને આવરી લેતી આ ડેરીમાં આવતા દૂધમાંથી રોજ આશરે 19 લાખ લિટર દૂધને પાંચ પાવડર પ્લાન્ટમાં પ્રોસેસ કરીને અંદાજે 200 ટન જેટલો મિલ્ક પાવડર બનાવવામાં આવે છે. ગેસ સપ્લાયમાં ઘટાડાને કારણે બે પ્લાન્ટ બંધ કરવાની સ્થિતિ સર્જાય તો મિલ્ક પાવડરનું ઉત્પાદન 200 ટનથી ઘટીને અંદાજે 150 ટન સુધી આવી શકે છે. દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું કે, તમામ પશુપાલકોનું દૂધ રાબેતા મુજબ લેવામાં આવશે. ગેસ પુરવઠામાં કાપ બાદ ડેરી પાસે ડ્યુઅલ બોઇલરની વ્યવસ્થા છે અને જરૂરી હોય તો ફર્નેસ ઓઈલ આધારિત બોઇલર શરૂ કરવાની વિકલ્પ વ્યવસ્થા અઠવાડિયામાં કાર્યરત થઈ જશે. જેથી મિલ્ક પાવડર સહિતનું ઉત્પાદન યથાવત્ રાખવાનો પ્રયાસ કરવામાં આવશે.
ભાસ્કર એનાલિસિસ:ધોરણ-10 સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર થોડું અઘરું નીકળતાં છાત્રોને માર્કસ ઓછા આવવાનો ડર
ધો. 10માં સ્ટાર્ન્ડડ ગણિતનું પેપર લેન્થી અને થોડું અઘરું પૂછતાં હોંશિયાર વિદ્યાર્થીઓને પણ ટકાવારી ઓછી આવવાનો ડર લાગી રહ્યો છે. જોકે,વિષય નિષ્ણાંતોનું કહેવું છે કે, પેપર લેન્ધી હોવાના કારણે ઘણા વિદ્યાર્થીઓ પેપર પુરુ નહીં કરી શકયા હોય જેથી માર્કસ ઓછા આવી શકે છે.જ્યારે ધો. 12માં ગણિતુનું પેપર એકંદરે સરળ રહેતાં 80 ઉપર માર્કસ છાત્રો મેળવી શકે છે. શારદા વિદ્યાલય વડાલીના શિક્ષક અરજણભાઇ પરમારે જણાવ્યુ હતું કે, એમસીક્યુમાં 24માંથી 24 લાવવા અઘરા, બી સી અને ડી વિભાગમાં 80 ટકા ચોપડીમાંથી પૂછાયું હતું. પરંતુ પેપર લેન્ધી હોવાના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી હોઇ શકે. જૈનાચાર્ય વિદ્યાલય હિંમતનગરના શિક્ષક ભીખાભાઇએ જણાવ્યું હતું કે, આ વખતે 80માંથી 80 લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થશે. હોંશિયાર વિદ્યાર્થીઓને 70 માર્કસ આવી શકે છે. ધો. 10ની પરીક્ષા આપી રહેલ સૌમિલે જણાવ્યું હતું કે, પેપર લેન્ધી હતું અને અપેક્ષા કરતાં થોડું ભારે હતું. તો વિદ્યાર્થિની શ્રેયા પટેલે જણાવ્યું હતું કે,એમસીક્યુ થોડા અઘરા હતા પેપર લેન્ધી હતું. ધો.12 સામાન્ય પ્રવાહમાં રાજ્યશાસ્ત્રના પેપરમાં 443 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે 7 વિદ્યાર્થીઓ ગેરહાજર હતા. આંકડાશાસ્ત્રના પેપરમાં 1735 હાજર અને 15 ગેરહાજર હતા. જ્યારે ધો. 12 વિજ્ઞાનપ્રવાહના ગણિતના પેપરમાં 825 વિદ્યાર્થીઓ હાજર હતા અને 4 વિદ્યાર્થીઓ ગેરહાજર હતા. ધો. 12 વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થી રોહને જણાવ્યું હતું કે, ગણિતના પેપરમાં એમસીક્યુ થોડા અઘરા હતા. જ્યારે પેપર એકંદરે સરળ હતું. અન્ય વિદ્યાર્થીની સંજનાએ જણાવ્યું હતું કે, પેપર ખૂબ સરળ હતું. એકાદ બે એમસીકયુને બાદ કરતાં એમસીક્યુ પણ સરળ હતા. હિંમત હાઇસ્કૂલ હિંમતનગરના ગણિતના શિક્ષક જયેશભાઇ બી.પટેલે જણાવ્યું હતું કે, એકંદરે પેપર સરળ હતું. એમસીક્યુમાં બે ચાર પ્રશ્નોને બાદ કરતાં બાકીના પ્રશ્નો ખૂબ સરળ હતા. વિદ્યાર્થીઓ 80 ઉપર માર્કસ મેળવી શકશે. પુસ્તક આધારિત પેપર હતું: શિક્ષકધોરણ 10 ગણિતના શિક્ષક કેશુભાઇ ચૌધરીએ કહ્યું કે, સ્ટાર્ન્ડડ ગણિતમાં પાંચેક એમસીક્યુ પ્રશ્નો વિદ્યાર્થીઓને વિચારતાં કરી દે તેવા પૂછાયા છે. સ્ટાન્ડર્ડ પ્રમાણે જ ગણિતનું સ્ટાન્ડર્ડ પેપર છે. શિક્ષક ભરતભાઇ પંચાલે કહ્યુ કે, ચાર થી પાંચ એમસીક્યુ પ્રશ્નોમાં વિદ્યાર્થીઓની ખરી કસોટી થઇ છે. જે પ્રશ્નોને સમજવા પડે તો જ ઉત્તર સુધી પહોંચી શકાય. બાકી પેપરના પ્રશ્નોમાં જનરલ વિકલ્પો હોઇ સરળ છે. પુસ્તક આધારિત પેપર છે.
SOGની કાર્યવાહી:મોડાસામાંથી બિલ વિનાના 14 ફોન સાથે શખ્સની ધરપકડ
અરવલ્લી જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મોડાસાના લક્ષ્મી શોપિંગ સેન્ટરમાં આવેલી ગેલેક્સી મોબાઈલ નામની દુકાન પર દરોડો પાડી દુકાનમાંથી બિલ વગરના 14 મોબાઈલ કિં. 56હજાર જપ્ત કર્યા હતા. દુકાનદાર મો.સઈદ સિકંદરભાઈ પટેલ રહે. અલીના રેસીડેન્સી ભેરુંડા રોડ મોડાસા આ મોબાઈલ અંગેના કોઈ પણ માલિકીના બિલ કે પુરાવા રજૂ કરી ન શકતા પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ બીએનએસ સંહિતા 2023ની કલમ 35 (1)(ઇ) અને 106 મુજબ કાર્યવાહી કરી હતી.
ઇડરના કડીયાદરામાં પટેલ પરિવારે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતો પ્રેરણાદાયક નિર્ણય લીધો છે. સ્વ. જેશિંગભાઈ બેચરભાઈ પટેલના નિધન બાદ તેમના પરિવારે બેસણાના પ્રસંગે હાજર રહેલા લોકોને 1000 રોપાનું વિતરણ કરી ગ્રીન શ્રદ્ધાંજલિ અર્પી હતી. માહિતી અનુસાર, કડીયાદરાના વતની જેશિંગભાઈ બેચરભાઈ પટેલનું 6 માર્ચના રોજ અવસાન થયું હતું. પિતાના નિધનથી પરિવાર શોકમાં હોવા છતાં પુત્ર ગીરીશભાઈ પટેલ અને તેમના પરિવારે પિતાની યાદને જીવંત રાખવા માટે સમાજને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવાનો નિશ્ચય કર્યો હતો. તે મુજબ ગીરીશભાઈ પટેલે આશરે 18 હજારના ખર્ચે વિવિધ જાતિના 1000 છોડની ખરીદી કરી હતી. બેસણાના પ્રસંગે મોટી સંખ્યામાં સ્વજનો, સ્નેહીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન હાજર રહેલા દરેક વ્યક્તિને એક-એક છોડ અર્પણ કરાયો હતો. આ પ્રસંગે ગીરીશભાઈ પટેલે જણાવ્યું હતું કે પિતાની સ્મૃતિમાં આપવામાં આવેલા આ છોડ તેમની જીવંત હાજરીનો અહેસાસ કરાવશે. કોઈ દેખાડા માટે નહીં, પરંતુ પર્યાવરણ પ્રત્યેની જવાબદારી સમજાવવા માટે આ પ્રયાસ કરાયો છે. તેમણે સૌને પોતાના આંગણે આ છોડ રોપી તેનું સંતાન સમાન જતન કરવા અનુરોધ કર્યો હતો. બેસણામાં ઉપસ્થિત લોકોએ સહર્ષ સ્વીકારી હતી અને છોડનું સંરક્ષણ કરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.
ભરૂચના ડુંગરી વિસ્તારમાં વાલ્વ બગડી જતાં હજારો લીટર પાણીનો વેડફાટ થઇ રહયો છે. થોડા સમય પહેલાં રૂા.2 કરોડના ખર્ચથી નવી ટાંકી બનાવવામાં આવી હતી. આ ટાંકીના વાલ્વમાં સમસ્યા ઉભી થતાં પાણીનો વેડફાટ થઇ રહયો હોવાની વિગતો સામે આવી છે. ભરૂચમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો.ડુંગરી વિસ્તારમાં ઓવરહેડ ટાંકીનો વાલ્વ ખરાબ થતા હજારો લીટર પાણી રસ્તા પર વહ્યું હતું ભરૂચ શહેરમાં ભર ઉનાળાની વચ્ચે અચાનક ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. શહેરના ડુંગરી વિસ્તારમાં આવેલી ઓવરહેડ પાણીની ટાંકીનો વાલ્વ ખરાબ થઈ જતા હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું હતું. માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તા પર પાણી વહેતા વાહનચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક લોકોનું કહેવું છે કે ઉનાળાના સમયમાં પાણીની ભારે જરૂરિયાત હોય છે ત્યારે આ રીતે પાણીનો બગાડ થવો ચિંતાજનક બાબત છે. પાણી રસ્તા પર વહેતા લોકોમાં તંત્ર સામે આક્રોશ પણ જોવા મળ્યો હતો. મહત્વની વાત એ છે કે આ ઓવરહેડ પાણીની ટાંકી નલ સે જલ યોજના હેઠળ અંદાજે 2 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી હતી. છતાં વાલ્વ ખરાબ થતા પાણીનો વેડફાટ થયો હોવાના કારણે લોકો તંત્રની કામગીરી પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.
હુકમ:વીજતંત્રની બેદરકારીના કેસમાં 12.75 લાખ ચૂકવવા આદેશ
ડોળાસા નજીકના બોડીદર ગામે વીજ શોક થી મૃત્યુ પામનારા યુવાન ના વારસદારો વળતર ચૂકવવા આદેશ કરાયો છે. ગીરગઢડાના બોડીદર ગામના સ્વ.પ્રતાપભાઈ માલાભાઈ વાળાનુ પી.જી.વી.સી.એલ. ની ઘોર બેદરકારી અને નિષ્કાળજી ના કારણે થયેલ મૃત્યુ થયું હતું. કોડીનારના એડવોકેટ પ્રતાપસિંહ વી.ચાવડા ધ્વારા મરણજનાર ના વારસદારો વતી મહે.જુનાગઢના જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમા ફરીયાદ કરાતા રૂા.12,86,800/- નુ 9% લેખે વ્યાજ સહીતનુ વળતર તેમજ રૂા.5,000/- ખર્ચ પેટે ચુકવવા કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. ગીરગઢડા તાલુકાના બોડીદર ગામના પ્રતાપભાઈ માલાભાઈ વાળાની સંયુકત માલીકીની જમીનમાં આવેલ પી.જી.વી.સી.એલ.નુ 10 કે.વી.નુ ટી.સી. આવેલ હોય અને આ ટી.સી. વીજ તંત્ર ની દેખરેદ વગર ભય જનક હતુ. અને પાવર લીક થતો હોય તા.21/6/2022 ના રોજ આ પ્રતાપભાઈ તેઓની વાડીએ ચાલીને જતા હતા. તેવા સમયે ટી.સી.ની બાજુમાથી પસાર થતા શોંટ લાગતા દૂર ફેંકાયા હતા. અને લોખંડ ના તાણીયા ઉપર પડતા ફરી પાછો શોઁટ લાગતા અકસ્માતે સ્થળ પરજ અવસાન થયું હતું.
નગરજનોમાં નારાજગી:ખેડામાં દોઢ મહિનામાં બીજીવાર પાણીની લાઈન તૂટતા હજારો લિટર પાણી વેડફાયુ
ખેડા નગરમાં કેટલાક સમયથી સ્થાનિક તંત્રની કામગીરીથી નગરજનોમાં નારાજગી જોવા મળી છે. સોમવારે બપોરે ખેડા નગરમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ થતા હજારો લિટર પાણી રસ્તા પર વેડફાયું હતું. ખેડામાં વોર્ડ નં. 7માં સોમવાર બપોરે સરદાર માર્કેટ પાસે અચાનક પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા હજારો લિટર પાણી રસ્તામાં રેલાયું હતું. બપોરના સમયે રોડ ઉપરથી પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકોને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો હતો નગરમાં વગર ચોમાસે ચોમાસા જેવી સ્થિતિ થતી સર્જાઈ હતી. સરદાર માર્કેટ પાસે પાણીની પાઇપ લાઇન લીકેજ થતા પાણીનો રેલો સરદાર માર્કેટ થી બજાર સુધી પહોંચ્યો હતો પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થવાનું કારણ જાણવા મળ્યું નથી. નગરજનો તેમજ આજુબાજુના ગામોમાંથી લોકો ખેડા ખાતે બજારમાં ખરીદી કરવા માટે આવતા હોય છે. પાણીની લાઈન તૂટી જતા હજારો લિટર પાણી વેડફાયુ પછી કેટલાક સમય પછી પાલિકાના કર્મચારીઓએ લાઇનમાં થયેલા ભંગાણની મરામત હાથ ધરી હતી. અડધો કલાકમાં પાણીની પાઇપલાઇનનો સાંધો પૂર્યો હતો. જોકે અડધો કલાકમાં હજારો લિટર પાણી વેડફાયું હતું. ખેડામાં વારંવાર પાણીની લાઇનમાં ભંગાણ થતું હોય છે. અગાઉ દોઢ મહિના પહેલા જ વડવાળી શેરીમાં પાણીની લાઇનમાં ભંગાણ થયું હતું. જ્યારે પણ પાણીની પાઇપલાઇન તૂટે એટલે પાલિકા તેમાં સાંધાઓ પૂરીને સંતોષ માની રહી છે.
બેઠક:આરોગ્ય, સ્વચ્છતા, રોડ-રસ્તા સહિત વિકાસ કામો મુદ્દે જરૂરી નિર્દેશ અપાયા
બોટાદ કલેકટર કચેરી ખાતે સાંસદ અને ગ્રાહકોની બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને બોટાદ ખાતે જિલ્લાની ડિસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠક યોજાઈ હતી. જેમાં સરકારની જન કલ્યાણકારી યોજનાઓ-કાર્યક્રમોની કામગીરી અંગે સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં અધ્યક્ષાએ જિલ્લાના વિવિધ વિભાગોના અમલી કરણ અધિકારીઓને તેમના વિભાગો દ્વારા જિલ્લામાં ફાળવેલા લક્ષ્યાંક અનુસાર થયેલી કામગીરી તથા બાકી કામોની વિગતો અને નાણાંકીય ખર્ચની વિગતોની માહિતી મેળવી હતી. આ દરમિયાન તબક્કાવાર તમામ યોજનાઓના અમલીકરણ સંદર્ભે પ્રશ્નો અંગેની પૂર્તતા અને કામો તથા બાકી રહેલા કામોના કારણો સહિત વિસ્તૃત માહિતી સંબંધિત વિભાગો દ્વારા બેઠકમાં આપવામાં આવી હતી. આ બેઠકમાં સાંસદ નિમુબેન બાંભણિયાએ નાગરિકો સરકારી યોજનાઓના લાભથી વંચિત ન રહે તે માટે જરૂરી માર્ગદર્શન કર્યું હતું. જિલ્લામાં લોકોને સ્પર્શતા આરોગ્ય, સ્વચ્છતા, રોડ રસ્તા, વિકાસના કામો, માળખાકીય સુવિધાઓ સહિતના મુદ્દે જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા. દિશા કમિટીના બેઠકમાં જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક ભાર્ગવભાઈ પટેલે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લામાં થયેલા વિકાસ કાર્યોનો ચિતાર અને સરકારની યોજનાના ગ્રાઉન્ડ લેવલ પર થયેલા કામોની વિસ્તૃતમાં માહિતી આપી હતી. આ બેઠકમાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા, ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પરમાર, કલેકટર ડો. જીન્સી રોય, અધિક નિવાસી કલેકટરપી.એલ. ઝણકાત, અગ્રણી મયુરભાઈ પટેલ, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે ગરમીનો પારો આસમાને પહોંચે છે, ત્યારે આપણે ઠંડા પાણી અને છાંયડાની શોધ કરીએ છીએ. પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આકાશમાં ઉડતા એ નન્હા પક્ષીઓ ક્યાં જશે? આ પ્રશ્નનો સચોટ જવાબ આપ્યો છે અમિતભાઈ પટેલે. એક એવું વ્યક્તિત્વ જે પોતાનું કાર સર્વિસ સેન્ટર ચલાવવાની સાથે સાથે પ્રકૃતિના રક્ષક તરીકે પણ ફરજ નિભાવી રહ્યા છે. નવસારીના જલાલપોર વિસ્તારમાં થોડા દિવસ અગાઉ અમીતભાઇને ગોરખ આમલીના વૃક્ષ દેખાયા હતા. આ ઐતિહાસિક વૃક્ષ આશરે 2000થી 3000 વર્ષનું આયુષ્ય ધરાવે છે. આ વૃક્ષ વિલુપ્ત ન થાય અને તેની યોગ્ય જાળવણી થાય તેના માટે અમિતભાઇએ તેના ફળ એકત્ર કર્યા હતા. જેમાંથી અમુક ફળ વન વિભાગને છોડ બનાવવા માટે આપ્યા હતા અને અમુક ફળ પોતાની પાસે રાખી મુક્યા. જેમાંથી તેમણે ઉનાળાની કાળઝાળ ગરમીથી પક્ષીઓને રક્ષણ આપવા માટે માળા બનાવ્યા છે. આ માળા બનાવીને તેઓ અન્ય પર્યાવરણ પ્રેમી અને જેઓ ખરા અર્થમાં તેનો ઉપયોગ કરી શકે તેવા લોકોને આપી રહ્યાં છે. જેથી વધુમાં વધુ લોકો અબોલ પક્ષીઓની મદદ કરી શકે. આ માળા કુદરતી રીતે ઠંડા રહે છે, જે ઉનાળામાં પક્ષીઓના ઈંડા અને બચ્ચાને લૂ (ગરમ પવન) થી બચાવે છે. અમિતભાઇ માત્ર ઉનાળામાં નહીં પણ વર્ષ દરમિયાન પર્યાવરણને લગતી કામગીરીમાં સતત કાર્યરત રહી પર્યાવરણને ઉપયોગી થવાના પ્રયત્નો કરતા રહે છે. પ્લાસ્ટિક વેસ્ટનો સદુપયોગઅમિતભાઈ માત્ર પક્ષીઓ જ નહીં, પણ વધતા જતા પ્લાસ્ટિક પ્રદૂષણ સામે પણ લડી રહ્યા છે. તેમના સર્વિસ સેન્ટર પર એકત્ર થતી નકામી પ્લાસ્ટિકની બોટલોને કચરામાં નાખવાને બદલે તેઓ તેમાં સુંદર છોડ રોપે છે.આ રીતે તૈયાર થયેલા પ્લાન્ટ્સનું લોકોમાં નિઃશુલ્ક વિતરણ કરે છે. આ પ્રવૃત્તિ કોઈ એક દિવસ માટે નહીં, પરંતુ નિયમિત ધોરણે ચલાવે છે. જેનાથી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે.
હાલમાં ગેસના સિલિન્ડરમાં રૂ. 50ના વધારાનો લાભ લેવા એજન્સી દ્વારા ગ્રાહકોને ડિલિવરી ટાઇમ પર ન આપતા હોય ઓફિસમાં આવીને પોતાનો રોષ લોકો વ્યક્ત કરતા હોય છે. જેને જવાબ આપતા એજન્સીના કર્મચારીઓ ગ્રાહકોને સાંભળવા ને બદલે તેમની સાથે બોલાચાલી કરી ઓફિસનો માહોલ ગરમ કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે. નવસારી શહેરમાં આવેલી એક ગેસ એજન્સીમાં દસ દિવસ પહેલા ઓનલાઈન બુકિંગ કરેલ ગેસનો સિલિન્ડર નહીં આવતા હોય જરૂરિયાત હોય તેઓ ગેસ એજન્સીમાં આવ્યા અને આક્રોશ ઠાલવ્યો કે 10 દિવસથી સિલિન્ડર આવ્યા નથી. આ બાબતે કહેવા જતા ગેસ એજન્સીના કર્મચારીઓ ઊલટાનું ગ્રાહક સાથે જીભાજોડી કરતા હોવાના દૃશ્યો સામે આવ્યા છે. આ બાબતે ઓનલાઈન ડિલિવરી માટે બુકિંગ કરાવ્યું પણ કેમ ન આવતા તે બાબત જાણવા ગ્રાહકોની લાઇન લાગી હતી. 23 ફેબ્રુઆરીએ બુકિંગ કરાવ્યા બાદ પણ 7 માર્ચ સુધી સિલિન્ડર ઘરે ન આવ્યોઅમે તો.23 ફેબ્રુઆરીના રોજ ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતું પણ તા.7 માર્ચ છતાં સિલિન્ડર ઘરે આપવા ન આવ્યા. અમારે હવે શું કરવું. ગેસ એજન્સીમાં આવ્યા તો ડિલિવરી કરવાવાળા માણસ રજા પર છે એમ જવાબ આપે છે તો અમારે કરવાનું શું ? ડિલિવરીની જવાબદારી ગેસ એજન્સીની હોય છે. રજૂઆત કરવા જતા ઉગ્રતાથી વાત કરે છે. હાલમાં ભાવ વધારો થવાનો હોય અમને તકલીફ પડશે તેમ ગેસ એજન્સીના ગ્રાહકોએ જણાવ્યું હતું.
ગણદેવી શહેરમાં રખડતા શ્વાનોએ તાજેતરમાં બે માસૂમ બાળકો પર હુમલો કર્યો હતો, જેમાં એક બાળકને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલમાં 17 ટાંકા લેવા પડ્યા હતા. બીજી તરફ, છેલ્લા ત્રણ મહિનામાં સરકારી હોસ્પિટલમાં કુલ 153 ડોગ બાઈટના કેસ નોંધાતા સમસ્યા ગંભીર બની છે. ગણદેવીના ખત્રીવાડ વિસ્તારમાં જળદેવી માતા મંદિર નજીક 5 વર્ષીય માસૂમ બાળક પર એક શ્વાને અચાનક હુમલો કરી તેની ગરદન પાછળ બચકું ભર્યું હતું. જ્યારે બીજા બનાવમાં વડા તળાવની પાળ નજીક એક 5 વર્ષીય બાળકના માથાના ભાગે શ્વાને બચકાં ભરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને 17 ટાંકા લેવા પડ્યા હતા. ગણદેવી સ્થિત સામુહિક આરોગ્ય કેન્દ્રના આંકડા મુજબ ગત ડિસેમ્બર મહિનામાં 55, જાન્યુઆરીમાં 58 અને ફેબ્રુઆરીમાં 40 મળી કુલ 153 ડોગ બાઈટના કેસ નોંધાયા છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં નોંધાતા કેસ આ આંકડા કરતાં વધુ હોવાની ચર્ચા છે.
ચીખલી તાલુકામાં છેલ્લા કેટલાક વર્ષોથી દીપડાઓની હાજરી અને પશુઓ પરના હુમલાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. ખાસ કરીને ચોમાસા બાદ શેરડીની કાપણી સમયે ખુલ્લા ખેતરો થતાં દીપડા ખોરાક અને પાણીની શોધમાં રહેણાંક વિસ્તારો તરફ વળે છે. સાદકપોર જેવી ઘટનાઓ, જ્યાં દીપડાના હુમલામાં મહિલાએ જીવ ગુમાવ્યો, સ્થાનિકોમાં ભયનો માહોલ પેદા કરે છે. ખેડૂતો અને શ્રમિકો માટે ખેતરમાં જવું હવે જોખમી બન્યું છે. હવે ચીખલી વિસ્તાર માત્ર દીપડાઓનો ભ્રમણ માર્ગ જ નહીં, પણ તેમનું કાયમી વસવાટ અને પ્રજનન સ્થળ પણ બની ગયું છે. બોડવાંક ગામે શેરડીના ખેતરમાંથી મળી આવેલા નવજાત બચ્ચા આ વાતની સાબિતી છે. વન વિભાગ દ્વારા પકડાયેલા દીપડાઓને વાંસદા નેશનલ પાર્કમાં છોડવામાં આવે છે, પરંતુ ત્યાં પૂરતા ખોરાક-પાણીના અભાવે તેઓ ફરી માનવ વસ્તી તરફ સ્થળાંતર કરે છે. નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાની મધ્યમાં અદ્યતન રેસ્ક્યુ સેન્ટર બનાવવું અનિવાર્ય છે. આ સેન્ટરમાં ઇજાગ્રસ્ત દીપડાઓ માટે અલગ કંપાર્ટમેન્ટ, ડોક્ટર રૂમ, ફૂડ સ્ટોરેજ અને પીએમ રૂમ જેવી વ્યવસ્થા હોવી જોઈએ. પશુપાલકોને થતા આર્થિક નુકસાન સામે ત્વરિત વળતર અને પૂરતા પાંજરાની ઉપલબ્ધતા જરૂરી છે. જો સમયસર વૈજ્ઞાનિક ઢબે આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે, તો માનવ અને વન્યજીવ બંનેની સલામતી જોખમમાં મુકાતી રહેશે. લેપર્ડ પાર્કનું નિર્માણ ક્યારે?દીપડાઓના સંરક્ષણ-સર્વધન માટે વન વિભાગ દ્વારા રેસ્ક્યુ સેન્ટર ઉપરાંત જંગલ વિસ્તારમાં લેપર્ડ પાર્કનું પણ નિર્માણ કરવામાં આવે તે ઇચ્છનીય છે. આ પાર્કમાં દીપડાઓ સ્વતંત્ર રીતે ટહેલી શકે, ફરી શકે અને મુક્તપણે હરવા ફરવા સાથે પૂરતી માત્રામાં ખોરાક, પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવે આવા પાર્કના નિર્માણથી વનયજીવોના સંરક્ષણ સાથે ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળવા સાથે સ્થાનિકોની રોજગારીમાં પણ વધારો થઈ શકે. બીજી તરફ જંગલ સિવાય ચીખલી સહિતના વિસ્તારમાં માનવ વસ્તીમાં દીપડાઓની અવર જવર પણ ઓછી કરી શકાય તેમ છે. છેલ્લા ત્રણ વર્ષમાં દીપડાએ પશુ પર કરેલા હુમલાની આ છે વિગત ત્રણ વર્ષમાં પાંજરે પુરાયા તેની વિગત માનવ પર હુમલા
અકસ્માતની ભીતિ સર્જાઈ:ખારેલથી ચીખલી જતા હાઇવે પર સફાઇને અભાવે અકસ્માતનો ભય
ગણદેવી તાલુકામાંથી પસાર થતા ને.હા.નં. 48 પર આઇ.આર.બી. દ્વારા હાઇવેની ત્રીજી લાઈન, ડિવાઈડરની બાજુમાં અને ઓવરબ્રિજ પર યોગ્ય સાફ સફાઈને અભાવે કોઈ ગંભીર અકસ્માતનો ભય સેવાય રહ્યો છે. આઈ.આર.બી.પાસે સફાઈ માટે આધુનિક સાધનો હોવા છતાં આવી પરિસ્થિતિ સર્જાય છે જે એક ચિંતાજનક બાબત છે. ખારેલ હાઇવેથી ચીખલી હાઇવે સુધી હાઇવેની ત્રીજી લાઇનમાં રેતી-કપચીના થર જામેલા હોય છે, જેની સાફસફાઇ ન થતા કોઈ ગંભીર અકસ્માત થવાનો ભય સેવાય રહ્યો છે. એંધલ હાઇવે પર પણ નવસારી જતી લાઈન હાઇવે પર આવેલી આઈમાતા હોટલથી એંધલ બસ સ્ટોપ સુધી રેતી કપચીના એટલા થર જામેલા છે કે હાઇવે દેખાતો જ નથી. અહીં આઈ.આર.બી.ના કોઈ સફાઈ સ્ટાફ સાફસફાઈ કરતા નથી, જેને લઈને હાઇવે પરથી ગામમાં આવતા વાહન ચાલકો હાઇવેથી અંદર વળવા જેવી બ્રેક મારે તો વાહન સ્લીપ થઇ જવાના બનાવો બનતા રહે છે, જે આવનાર દિવસોમાં કોઈ મોટો અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. આ અંગે હાઇવેની સુંઠવાડ ઓફીસ ઉપર બેસતા ઇન્ચાર્જ અધિકારીને રૂબરૂ મળી હકીકતથી વાકેફ કર્યા હતા છતાં આ બાબતે બેદરકારી દાખવી રહ્યાં છે જેને લઈને આક્રોશ ફેલાયેલો જોવા મળે છે.
અમદાવાદમાં રમાયેલી રોમાંચક ટી-20 ફાઇનલ મેચનો ઉત્સાહ આખા દેશમાં હતો, ત્યારે નવસારીમાં પણ ક્રિકેટ પ્રેમીઓ માટે ઠેર-ઠેર સામુહિક સ્ક્રિનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ આયોજનના જશ ખાટવાની લ્હાયમાં ભાજપના એક સ્થાનિક નેતાએ સોશિયલ મીડિયા પર જે કરતૂત કરી છે, તે હવે શહેરમાં ચર્ચાનો વિષય બની છે. નવસારીના ઇતિહાસમાં પ્રથમવાર નવસારી મહાપાલિકા દ્વારા લુન્સીકૂઇ મેદાનમાં એલઇડી સ્ક્રિન મૂકીને શહેરીજનો માટે મેચ નિહાળવાનું આયોજન કરાયું હતું. હજારોની મેદનીએ અહીં મેચ માણી હતી. બીજી તરફ, ભાજપ યુવામોરચાએ પણ વિવિધ સ્થળોએ સ્ક્રિનિંગ રાખ્યું હતું. વિવાદ ત્યારે વકર્યો જ્યારે નવસારી જિલ્લા યુવા મોરચાના મહામંત્રી ઉમંગ દેસાઇએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આયોજનની વિગતો શેર કરી. આ પોસ્ટમાં તેમણે લખ્યું કે, ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના આયોજન મુજબ દરેક તાલુકા અને શહેર મથકે લાઈવ પ્રસારણ કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.આ લખાણની સાથે ઉમંગ દેસાઇએ જે તસવીરો અપલોડ કરી તેમાં મનપા આયોજિતના કાર્યક્રમના ફોટા પણ જોડી દીધા હતા. હાઇકમાન્ડને પ્રભાવિત કરવાની આંધળી દોટ પ્રદેશ નેતાગીરી અને હાઇકમાન્ડ સામે પોતાની ઇમેજ સુધારવા અને પોતાની તાકાત બતાવવા માટે સ્થાનિક નેતાઓ સરકારી કે સ્વાયત્ત સંસ્થાના કાર્યક્રમોને પણ પોતાના નામે કરી દેતા અચકાતા નથી. લુન્સીકૂઇના ભીડવાળા ફોટા મૂકીને હાઇકમાન્ડને પ્રભાવિત કરવાનો આ ખેલ હવે સોશિયલ મીડિયાના કારણે ચર્ચાની એરણે ચડ્યો છે.
કુખ્યાત પાર્સલ કાંડ''માં સંકળાયો નવસારીનો યુવક:નવસારીનો યુવક અમેરિકામાં ડોલર અને સોના સાથે ઝડપાયો
મૂળ નવસારીના અને હાલ અમેરિકાના આર્લિંગ્ટનમાં સ્થાયી થયેલા 24 વર્ષીય ગુજરાતી યુવક અનુજ આશિષભાઈ મોદીની ટેક્સાસ પોલીસે મોટી માત્રામાં રોકડ અને સોનાના જથ્થા સાથે ધરપકડ કરી છે. સ્મિથ કાઉન્ટીમાં બનેલી આ ઘટનામાં યુવક અમેરિકામાં ચાલતા કુખ્યાત પાર્સલ કાંડ' અથવા સાયબર ફ્રોડના નેટવર્ક સાથે સંકળાયેલો હોવાનું બહાર આવ્યું છે. ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટીના જણાવ્યાનુસાર, અનુજ મોદી ઇન્ટર સ્ટેટ-20 હાઇવે પર પોતાની કાર હંકારી રહ્યો હતો. ડ્રાઇવિંગ દરમિયાન એક સેમી-ટ્રકની પાછળ જોખમી રીતે ઓછું અંતર રાખીને ગાડી ચલાવવા બદલ હાઇવે પેટ્રોલિંગ ટીમે તેને અટકાવ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને કારમાંથી 1.20 લાખ ડોલર (અંદાજે ₹ 1 કરોડથી વધુ) રોકડા અને સોનાનો જથ્થો મળી આવ્યો હતો. આ યુવાન નવસારી જમીન દલાલનો પુત્ર છે અને તે અભ્યાસ માટે તાજેતરમાં જ અમેરિકા ગયો હતો પ્રાથમિક તપાસ મુજબ, આ મુદ્દામાલ તેણે લોંગવ્યૂની એક મહિલા પાસેથી કલેક્ટ કર્યો હતો. અમેરિકામાં હાલમાં સ્કેમર્સ વડીલોને ડરાવીને તેમના ઘરેથી કિંમતી વસ્તુઓ અને રોકડ મંગાવતા હોય છે, જેમાં અનુજ કુરિયર’ અથવા મની મ્યુલ' તરીકે કામ કરતો હોવાની આશંકા છે. હાલ પોલીસે તેની અટક કરી છે.
વિરોધ:500 વધુ નિવૃત્ત એસટી કર્મીઓ ધરણા માટે દિલ્હી જવા રવાના
ગુજરાત એસટી નિવૃત કર્મચારી સંઘ અમદાવાદના નેજા હેઠળ 500થી વધુ નિવૃત્ત એસટી કર્મચારીઓ પેન્શન બાબતે દિલ્હી જંતર મંતર પર યોજનાર ધરણાના કાર્યક્રમમાં ભાગ લેવા દિલ્હી રવાના થયા છે. પ્રાપ્ત વિગત મુજબ ગુજરાત એસટી નિવૃત કર્મચારી સંઘ કે જેના 18,000 થી વધુ સભ્યો છે. તેના દ્વારા સુપ્રીમ કોર્ટમાં હાયર પેન્શન મેળવવા દાખલ કરેલ સિવિલ એપ્લિકેશનમાં નં-1134/2018, તા.04/1 1/2022નો ચુકાદો કામદારોની તરફેણમાં આવ્યો છે. પરંતુ તેની અમલવારી ઇ.પી.એફ.ઓ. દ્વારા નહીં કરવામાં આવતા ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં અલગ અલગ સંગઠનો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. આ આંદોલનને રાષ્ટ્રવ્યાપી સ્વરૂપ આપવા મહારાષ્ટ્રના બલઢાણા ખાતે અશોકજી રાઉતના વડ પણ હેઠળ રાષ્ટ્રીય વ્યાપી આંદોલન તા.9,10,11-03- 2026ના રોજ દિલ્હી જંતર મંતર મેદાનમાં વિશાળ ધરણાનો કાર્યક્રમ આપ્યો છે. જેમાં દેશમાંથી ઇ.પી.એફ. 1995ના સભાસદો ભાગ લેવા પહોંચવાના છે. આ ધરણામાં ભાગ લેવા ગુજરાત એસટી નિવૃત કર્મચારી સંઘના પ્રમુખ નાનુભાઈ રાવલ મહામંત્રી, કે.કે.દુધાત્રાના વડપણ હેઠળ 500થી વધુ નિવૃત્ત કર્મચારીઓ રવાના થયા છે.
ફરિયાદ:લગ્નની લાલચ આપી યુવતી પર શખસનું દુષ્કર્મ
જામનગર શહેરની એક યુવતિ સાથે ફ્રેન્ડશીપ કર્યા બાદ લગ્નની લાલચ આપીને પરણિત શખસે એકાદ વર્ષથી અવાર-નવાર દુષ્કર્મ આચરતો હોવાની ફરિયાદથી ચકચાર મચી ગઈ છે અને શખસ નાશી છુટતા પોલીસે તેની શોધખોળ આરંભી છે. જામનગર શહેરના એક વિસ્તારમાં રહેતી આશરે 25 વર્ષની એક યુવતિ સાથે પવન ચક્કી વિસ્તારમાં રહેતો આકાશ પ્રકાશભાઈ કનખરા નામના શખ્સે સૌ પ્રથમ ફ્રેન્ડશીપ કરી હતી. જે બાદ પોતે પરણીત હોવાનું છુપાવીને યુવતિને લગ્ન કરવાની લાલચ આપી હતી, અને તેણી સાથે શારીરીક સબંધ બાંધ્યો હતો. પાછળથી યુવતીને માલુમ પડયું હતું કે આકાશ પરણીત છે, અને પોતાની સાથે છેતરપિંડી કરી છે. જેથી તેણે આખરે આ મામલાને સીંટી એ. ડિવિઝન પોલીસ પથકે પહોંચાડ્યો હતો. જ્યાં યુવતીની ફરિયાદના આધારે આકાશ કનખરા સામે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ પી.આઈ. એન.એ. ચાવડાએ ગુનો નોંધ્યો હતો. પોલીસે યુવતીને તબીબી પરીક્ષણ માટે જી.જી.હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. તો ફરિયાદની જાણ થતાં જ આરોપી નાશી છુટતા પોલીસે તેની સઘન શોધખોળ આરંભી છે. સમગ્ર બનાવ મામલે ઊંડાણપૂર્વકની પોલીસે તપાસ હાથ ધરી છે.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:જામનગરમાં એક જ દવાના બે અલગ-અલગ ભાવ, મેડિકલ સ્ટોરની તપાસની અત્યંત જરૂર
લોકોના આરોગ્ય સાથે મહત્વપુર્ણ રીતે સંકળાયેલી દવાઓમાં દવા માફીયાઓ નફાખોરી અને લોકોને ખુલ્લી લૂંટ ચલાવી રહ્યા છે. તે દર્શાવતુ પુરાવા સાથેનો બનાવ સામે આવ્યો છે. આમા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉભા થયા છે. જેમાં એક જ દવાના બે અલગ-અલગ ભાવ અલગ-અલગ દુકાનોએથી લેવામાં આવે છે અને લોકોને છેતરવામાં આવી રહ્યા છે. જામનગર શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા હરપાલસીંઘ તેજેન્દ્રસીંઘ નામના વ્યક્તિએ ગત તા.8 ફેબ્રુઆરીના રોજ શ્રીનાથજી સ્ટોરમાંથી હેપીયર કેપ નામની 15 દવાની સ્ટ્રીપ લીધી હતી. જેની કિંમત રૂ.246.84 વસુલવામાં આવી હતી. આ જ દવા તેને હિરા મેડીકલ સ્ટોરમાંથી બીજા દિવસે લીધી જેની કિંમત રૂ.329.12 વસુલવામાં આવી. એટલે કે રૂ.82.28 વધુ લેવામાં આવ્યા. હવે મોટા ભાગના લોકો દવાઓના ભાવ જોતા નથી અને મેડીકલ સ્ટોરવાળા જે કહે તે પૈસા આપી દે છે. આવી રીતે દવાઓમાં લોકો છેતરપીંડીના ભોગ બની રહ્યા છે. હરપાલસિંહ જાગૃત વ્યક્તિએ આ અગે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને ફરિયાદ કરી છે. પરંતુ તેમાં શું આવે છે તે સમય કહેશે. પરંતુ મેડીકલ સ્ટોરની આ ગોબાચારી સામે લોકોએ જાગૃત થવાની જરૂર છે. નિયમ મુજબ એમઆરપીથી ભાવ ન લઈ શકાય ડ્રગ્સ વિભાગના નિષ્ણાંતનું કહેવું છે કે, દવાઓના ભાવ અલગ-અલગ હોય શકે, અમુક લોકો ડીસ્કાઉન્ટ આપતા હોય, તેના કારણે આવુ થતું હોય છે. બાકી એમઆરપીથી એક પૈસો પણ વધારે ન લઈ શકે. જો લે તો ડીપીસીઓ મુજબ તેના પર કોર્ટ કેસ થઇ શકે.
મિશ્રઋતુ:ઉનાળાનો પ્રારંભ, તો વહેલી સવારમાં આછેરી ધુમ્મસ..
જામનગરમાં ઉનાળાના આરંભ સાથે જ સુર્યદેવતાના આકરા તાપથી લોકો બપોરના સમયે ગરમી અને તાપથી અકળાઈ ઉઠે છે. તો રાત્રિના તેમજ વહેલી સવારમાં અમુક વિસ્તારોમાં આછેરી ધુમ્મરસના કારણે વાતાવરણમાં આંશિક ટાઢોડું જોવા મળી રહી છે. જેથી મિશ્રઋતુના કારણે રોગચાળામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ઉનાળાનો પ્રારંભ થઈ ગયો હોય તેમ સુર્યદેવતાના આકરા મિજાજથી લોકો ગરમીમાં અકળાઈ ઉઠે છે. ત્યારે સોમવારે સવારે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાન 33 ડિગ્રી નોંધાયું હતું. જેથી લોકો બપોરના સમયે ગરમીમાં અકળાઈ ઉઠ્યા હતા. તો લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી નોંધાયું હતું અને ભેજનું પ્રમાણ 67 ટકા અને પવનની ગતિ પ્રતિકલાકના 3 થી 10 કી.મી.સુધીની રહેવા પામી હતી. તો વહેલી સવારમાં અમુક પાણીવાળા વિસ્તારોમાં આછેરી ધુમ્મસ પણ જોવા મળી હતી. જેના કારણે દિવસે ગરમી અને રાત્રિના ઠંડકના કારણે મિશ્રઋતુનો માહોલ જોવા મળી રહ્યો છે. મિશ્રઋતુના કારણે તાવ, શરદી અને ઉધરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે ઉનાળામાં રેકર્ડ બ્રેક ગરમી પડવાની જાણકારો તેમજ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવે છે. હાલ ઉનાળાના પ્રારંભ સાથે જ મહત્તમ તાપમાન 33 ડિગ્રીએ પહોંચી ગયું છે. તો માર્ચ મહિનો પુરો થતાં જ મહત્તમ તાપમાન 40 ડિગ્રીએ પહોંચવાના અણસાર દેખાય રહ્યા છે.
કામગીરી:લગ્નમાંથી ઘરે જતી યુવતીના સોનાના દાગીનાનું બેગ શોધી આપતી પોલીસ
જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં કાર્યરત કરાયેલા સીસીટીવી કેમેરાના આધારે હવે એક જ દિવસમાં રીક્ષામાં સોનાના દાગીના સાથ ભુલાયેલ બેગ અને એક વ્યક્તિનો ખોવાયેલ મોબાઈલ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમે શોધી આપીને મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યા હતા. શહેરના સરદારનગર સાંઢીયાપુલ પાસે રહેતા શીતલબેન ભાવિનભાઈ બકરાણિયા ગત તા.8 માર્ચના રોજ સાંજના સાડા ચાર વાગ્યા આસપાસ તેઓના પરિવાર સાથે વિશ્વકર્માની વાડીમાંથી લગ્ન પ્રસંગમાંથી પંચેશ્વર ટાવર પાસેથી રીક્ષામાં બેસી ઘરે જવા નિકળ્યા હતા. તેઓ રીક્ષમાં જ સોનાના દાગીના રૂ.70 હજારની કિંમતના તેમજ કપડા સાથેનો બેગ ભુલી ગયા હતા. જે અંગેની કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના પીએસઆઈ બી.બી.સિંગલને જાણ કરતા તેઓએ તાત્કાલિક કેમેરાઓ ચેક કરીને રીક્ષા ચાલકની ઓળખ કરીને બેગ પરત મેળવીને મહિલાને પરત આપવામાં આવ્યો હતો. શહેરના દિગ્વિજ્ય પ્લોટમાં રહેતા દીપ ભરતભાઈ કલોલિયા ગત તા.8ના રોજ પોતાનું સ્કુટર લઈને ખંભાળીયા ગેટથી ઘરે જતા હતા. તે દરમ્યાન રસ્તામાં તેઓના પોકેટમાંથી તેનો મોબાઈલ રૂ.15000ની કિંમતનો પડી ગયો હતો. જે અંગેની કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમને જાણ કરતા પોલીસે કમેરા ચેક કરીને મોબાઈલ ઉઠાવનારની ઓળખ કરીને નંબર પરથી શોધી કાઢયો હતો. મૂળ માલિકને પરત સોંપ્યો હતો.
ખેડૂતોને મસમોટો ફટકો:યુદ્ધની આંચ વલસાડના ખેતરો સુધી પહોંચી શાકભાજી એક્સપોર્ટ બંધ,
ઈઝરાયેલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે ભારતના ઉદ્યોગો સાથે ખેડૂતો પર પણ દેખાવા લાગી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ સહિત જિલ્લાના ખેતરો સુધી અસર પહોંચી છે. દેશભરના ઈમ્પોર્ટ-એક્સપોર્ટ વ્યવહારો પર તેની સીધી અસર પડી રહી છે. આ સ્થિતિમાં વલસાડ જિલ્લાના બાગાયતી અને શાકભાજી પકવતા ખેડૂતો પણ મોટી મુશ્કેલીમાં મુકાયા છે. વલસાડ જિલ્લામાં મોટા પ્રમાણમાં ખેડૂતો શાકભાજીની ખેતી કરે છે અને અહીંનું ઉત્પાદન વિદેશોમાં પણ એક્સપોર્ટ કરવામાં આવે છે. ખાસ કરીને દુબઈ સહિતના ખાડી દેશોમાં અહીંથી એક્સપોર્ટ ક્વોલિટીની શાકભાજી મોકલવામાં આવે છે, પરંતુ હાલ ચાલી રહેલા યુદ્ધને કારણે ખાડી દેશોમાં જતાં કન્ટેનરો અટકી જતા શાકભાજીનો એક્સપોર્ટ સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. અગાઉ એક્સપોર્ટ થતી શાકભાજીને ખેડૂતોને સારા ભાવ મળતા હતા, પરંતુ હાલ એક્સપોર્ટ બંધ થતાં બજારમાં જથ્થો વધતા ભાવ ગગડી ગયા છે. જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. એક્સપોર્ટ ક્વોલિટીની શાકભાજી પકવવા માટે ખેડૂતો મોંઘા ભાવના દવા અને ખાતરનો ઉપયોગ કરે છે. ઉપરાંત મજૂરી અને માવજત પાછળ પણ લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. સારા ભાવ અને વધુ નફાની અપેક્ષા સાથે આ વખતે ખેડૂતો એ મોટું રોકાણ કર્યું હતું. પરંતુ યુદ્ધને કારણે એક્સપોર્ટ બંધ થતાં આ ખર્ચ હવે ખેડૂતોના માથે પડી રહ્યો છે. આ પરિસ્થિતિમાં ખેડૂતો હવે વહેલી તકે યુદ્ધ સમાપ્ત થાય તેવી આશા રાખી રહ્યા છે. કારણ કે જો યુદ્ધ લાંબા સમય સુધી ચાલશે તો ઉદ્યોગોની સાથે ખેડૂતોને પણ ભારે નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે. શાકભાજી વિદેશ જઇ રહી નથી વલસાડ જિલ્લામાંથી દુબઈ સહિત ખાડી દેશોમાં શાકભાજી એક્સપોર્ટ થાય છે.હાલ યુદ્ધને કારણે કન્ટેનર ટ્રાન્સપોર્ટ અને શિપમેન્ટ અટક્યા છે.એક્સપોર્ટ ક્વોલિટીની શાકભાજીના બજાર ભાવ ગગડ્યા છે.ખેડૂતોને દવા-ખાતર અને મજૂરીનો લાખો ખર્ચ કરે છે. યુદ્ધ લાંબું ચાલશે તો ખેડૂતોને વધુ નુકસાનની ભીતિ છે. સારી ક્વોલિટીની શાકભાજી વિદેશ જઇ રહી નથી.> જતીનભાઇ દેસાઇ, એક્સપોર્ટ કરનાર ખેડૂત 50 ટન દ્રાક્ષના બે કન્ટેનર રસ્તામાં ફસાયા વલસાડ કેરી માર્કેટના અરુણ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિ છે જેમાં અમારા બે એક્સપોર્ટરો છે.જેના 50 ટન અને 30 ટન દ્રાક્ષના કન્ટેનર રસ્તામાં જ છે. 30થી 35 રૂપિયાના તરબુચનો ભાવ હતો તે હાલ 7થી 8 રૂપિયા થઇ ગયાં છે. સકરટેટી સહિતના ફુટના ભાવો નીચા આવી ગયાં છે. યુદ્ધના કારણે માલ એક્સપોર્ટ થઇ શકતો નથી. જયાં સુધી યુદ્ધ ન અટકે ત્યા સુધી ફુટ માર્કેટને સૌથી વધારે અસર થઇ રહી છે.
પાલિકા વિરોધના વંટોળોમાં:વલસાડ અન્ડરપાસમાંથી બ્લોક ઉખેડવાનો મુદ્દો હવે ગાંધીનગરમાં
વલસાડના મોગરાવાડી અન્ડરપાસના પેવર બ્લોક ઉખેડી નાંખતા ભાજપ શાસિત પાલિકાને રૂ. 8 લાખના નુકસાનનો દાવા સાથે વિવાદ હવે ગાંધીનગર મ્યુ. કમિશ્નર સમક્ષ પહોંચતા પાલિકાના રાજકારણમાં ચહલપહલ સર્જાઇ છે. યુથ કોંગ્રેસના પ્રમુખ મિત દેસાઇએ નુકસાની ભરપાઇ કરાવવા તથા ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ-37 કખા 46ની કલમ (45) ખંડ ક તેમજ કલમ 83,64,85 વગેરેને ધ્યાને લઇ કાર્યવાહી કરવા દાદ મગાઇ છે. તેમાં જણાવ્યા મુજબ મોગરાવાડી અબ્રામાના વોર્ડ નં.3,4,10 અને 11માં અંદાજિત 30 હજારથી વધુ લોકો અન્ડરપાસ બોક્સ કલવર્ટ નં.329નો વર્ષોથી અવરજવર કરે છે.નગરપાલિકામાં સમાવેશ પહેલાં મોગરાવાડી પંચાયત દ્વારા બોક્સ કલવર્ટમાં પંચાયત મંડળ અવરજવરની સગવડતા ધ્યાને લઇ કામો કરતી હતી. મોગરાવાડી ગામનું 14 ઓગષ્ટ 2006થી પાલિકામાં સમાવેશ થયો ત્યારથી નગરપાલિકાની કમિટિઓ,સામાન્ય સભામાં દ્વારા જરૂરી એસ્ટિેમેઇટ મંજૂર કરી ટેન્ડરથી કામો કરી તેમાંથી પાણીના નિકાલ માટેના પંપ,પાઇપલાઇન,વિજ જોડાણ તથા રસ્તા મરામત અને નવા પેવર બ્લોક લગાવવા વલસાડ પાલિકા સ્વકીય ભંડોળમાંથી નિયમ મુજબ ખર્ચ થાય છે. આ ફરિયાદમાં મિત દેસાઇએ આક્ષેપ કર્યો કે,ગત મહિને પાલિકાના ઉપપ્રમુખ તથા સ્થાનિક કેટલાક સભ્યોની હાજરીમાં પેવર બ્લોક ઉખેડી નાંખતાં ખાડા ખાબોચિયાં પડી જતા 30 હજારની વસતી અને વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા. તાત્કાલિકઅન્ડર પાસમાં અબ્રામાના સામાજિક કાર્યકરોએ ખાડા પુરવા શ્રમ યજ્ઞ કરવો પડ્યો હતોઆ મુદ્દે ફરિયાદીએ ઉપપ્રમુખ કે સભ્યો સામે કાયદાકીય કાર્યવાહી કરવા ગાંધીનગર મ્યુનિસિપલ કમિશ્નર સમક્ષ દાદ માગી છે. જો કે અગાઉ મોટાપાયે હોબાળો થતાં ઉપપ્રમુખ તથા સ્થાનિક સભ્યોની હાજરીમાં પાલિકાએ અન્ડરપાસમાં ખાડાઓનું પૂરાણ કરાવી અવરજવર ચાલૂ કરાવી દેતા લોકોને મોટી રાહત મળી હતી પણ વિવાદ અટકાવાનું નામ લેતું નથી. સામાન્ય સભાની મંજૂરી જરૂરી મોગરાવાડી 329 નં.અન્ડરપાસ વર્ષ 2011-12માં અંદાજે રૂ.8 લાખના પેવર બ્લોક લગાવવાનું કામ નિયમ મુજબની તમામ પ્રક્રિયા બાદ સ્વકીય ભંડોળમાંથી કરાયું હતું.જે પાલિકાના રેકર્ડ પર ઉપલબ્ધ છે.જેનો કમિટિ કે સામાન્ય સભામાં કે કોઇપણ અધિકારીની પરવાનગી,સૂચના જરૂરી છે તેવુ યૂથ કોંગ્રેસ પ્રમુખ પાલિકનાા નિયમને ટાંકે છ. દાવો એ પણ છે કે,સત્તાનો દુરૂપયોગ કરી ઉપપ્રમુખ અ્ને સ્થાનિક ભાજપી સભ્યોની પ્રત્યક્ષ હાજરીમાં પાલિકાના વર્ગ-4કામદારોએ પેવર બ્લોક ઉખેડી મેટલનો ગેરકાયદે નિકાલ કર્યો હતો રેલવેનું બોક્સ કલવર્ટ છે જવાબમળતાં હવે ખર્ચ પર પ્રશ્નાર્થયુથ કોંગ્રેસ પ્રમુખ મિત દેસાઇએ કહ્યું કે, 16 ફેબ્રુઆરીના રોજ સિટી પોલીસસ્ટેશન અને પાલિકા COને લેખિત ફરિયાદ આપી હતી.જેનો 20 ફેબ્રુઆરીપાલિકા COએ મોગરાવાડી રેલવે હસ્તકનું વરસાદ પાણીના નિકાલ માટેનુંબોક્સ કલવર્ટ આવેલું છે. જેથી નગરપાલિકા સ્તરેથી પરવાનગી આપવાનીરહેતી નથી તેવો જવાબ આપતાંચીફ ઓફિસરના આ જવાબથી હવે પછી આરેલવે ગરનાળા નં.329માં નગરપાલિકા દ્વારા સ્વકીય ભંડોળમાંથી કોઇપણપ્રકારનો ખર્ચ કરવા અંગે મોટો પ્રશ્નાર્થ ઉપસ્થિત થયો છે.
દારૂના મોટા જથ્થા સાથે ચાલકની ધરપકડ કરાઈ:45 લાખનો દારૂ ભરેલું ડમ્પર ઝડપાયું
વલસાડ એલસીબીની ટીમે પારડીના બગવાડા ટોલનાકા પાસેથી બાતમી આધારે ડમ્પરમાં રેતી નીચે છુપાવેલો45 લાખના દારૂ સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો. પેટ્રોલિંગ દરમિયાન LCBની ટીમને બાતમી મળી હતી કે સેલવાસથી ડમ્પર નં. DD-01-H-9432 દારૂ ભરી અમદાવાદ તરફ જઈ રહ્યું છે. પોલીસે બગવાડા ટોલનાકા પાસે ડમ્પરને અટકાવી તપાસ કરતા ઉપરના ભાગે રેતી હતી જે હાઈડ્રોલિક ટ્રોલી ખાલી કરાવતા રેતી નીચે સંતાડેલ દારૂ-બિયરના કુલ 469 બોક્સ,બોટલ નંગ 15,552 નંગ કિંમત રૂ.45,67,080 અને ડમ્પર રૂ15,00,000 મળી કુલ રૂ.60,72,080નો મુદ્દામાલ કબજે કરી ચાલક શુભલાલ મોતીલાલ સાહુ (રહે. મધ્યપ્રદેશ)ની ધરપકડ કરી હતી. પૂછપરછમાં આ દારૂ સેલવાસના ચિરાગ નામના શખ્સે મોકલાવ્યો હતો, જેને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
ગંભીર અકસ્માત સર્જાયો:સોનવાડા ને. હાઇવે ઉપર અકસ્માતમાં 6 યાત્રીને ઇજા
વલસાડના સોનવાડા હાઇવે પર ચાલુ ટ્રકનું ટાયર અચાનક ફાટતાં જ ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક ડિવાઈડર કૂદીને સામેની લેનમાં ઘૂસી ગઈ હતી. એ સમયે સામેથી આવી રહેલી એસટી બસ સાથે ટ્રક જોરદાર રીતે અથડાઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે બસના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. અકસાન સમયે બસમાં 40થી વધુ મુસાફરો સવાર હતા. ટ્રકને સામેની લેનમાં આવતી જોઈ બસના ચાલકે સ્ફૂર્તિથી બ્રેક લગાવી બસને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ જો ચાલકે સમયસૂચકતા ન દાખવી હોત તો બસ પલટી ખાઈ શકી હોત અને મોટી જાનહાનિ થઈ શકી હોત. અકસાનને પગલે હાઇવે પર થોડો સમય ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પ્રાથમિક અહેવાલ મુજબ 6થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચી છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે ડુંગરી સામુહિક આરોગ્ય કેન્દ્ર તથા વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
નર્મદા જિલ્લામાં 19મી માર્ચથી નર્મદા નદીની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ થઇ રહયો છે. પરિક્રમા દરમિયાન રેંગણથી રામપુરા આવવા માટે ફરજિયાત બોટનો ઉપયોગ કરવો પડતો હોય છે. વહીવટીતંત્રએ રેંગણથી રામપુરા સુધી હોડીસેવા સંચાલનનો ઇજારો અંકલેશ્વરની એજન્સીને રૂા.20 લાખમાં આપ્યો છે. ટેન્ડરની સમગ્ર પ્રક્રિયામાં અધિકારીઓની મિલિભગતથી એક એજન્સીને ફાયદો કરાયો હોવાનો આક્ષેપ સ્થાનિક નાવિકોએ કર્યો છે. સ્થાનિક નાવિકો રૂા.30 ભાડુ લેવા તૈયાર હોવા છતાં તંત્રએ એજન્સીને રૂા.50 ભાડુ વસુલવાની છૂટ આપી હોવાથી દરેક પરિક્રમાવાસીએ એક ફેરાના રૂા.20 વધારે ચૂકવવા પડશે. ચૈત્ર મહિનામાં નર્મદા જિલ્લામાં નર્મદા નદીનું વહેણ ઉત્તર દિશામાં વહેતું હોય છે જેથી એક મહિના સુધી પંચકોશી પરિક્રમા કરવામાં આવે છે. આ વર્ષે એક મહિનામાં 15 લાખ કરતાં વધારે શ્રધ્ધાળુઓ પરિક્રમા કરવા આવે તેવો અંદાજ છે. પરિક્રમા દરમિયાન રેંગણથી રામપુરા ઘાટ આવવા માટે નાવડીમાં બેસવું પડતું હોય છે. આ બંને ઘાટ વચ્ચે હોડી સેવાના સંચાલનને લઇ સ્થાનિક નાવિકો અને તંત્ર વચ્ચે ટકરાવ જોવા મળી રહયો છે. સ્થાનિક નાવિકો પરેશ પટેલ, પરેશ માછી અને ભરત તડવીના જણાવ્યાં અનુસાર ટેન્ડર પ્રક્રિયામાં અધિકારીઓ દ્વારા તેમના મળતીયાઓ સાથે મિલીભગત કરી સરકારની તિજોરીને નુકસાન થાય અને ગત વર્ષના ડિફોલ્ટરને ટેન્ડર આપી શ્રદ્ધાળુઓના ખિસ્સા હળવા થાય તે રીતની ભ્રષ્ટાચાર નીતિ અપનાવવામાં આવી છે. હોડી સેવા માટે ત્રણ વખતટેન્ડરિંગ કરવામાં આવ્યું19મી માર્ચથી નર્મદાની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ થશે.રેંગણઘાટથી રામપુરા વચ્ચે હોડીના સંચાલન માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. ઓનલાઇન હરાજી દરમિયાન રાજેન્દ્ર પટેલ નામના ઇજારદારે 4.50 કરોડની અધધ રકમની બોલી લગાવતાં તેને કોન્ટ્રાકટ આપી દેવાયો હતો. ગત વર્ષે હોડી સંચાલનની હરાજી 19 લાખમાં થઇ હતી પણ આ વર્ષે 4.50 કરોડની બોલી લગાવવામાં આવી હતી. આ ટેન્ડર રદ થતાં ફરીથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં હતાં. હોડીઘાટના સંચાલન માટે 7 એજન્સીઓએ બોલી લગાવી હતી જેમાં અંકલેશ્વરની એજન્સીને રૂા.20 લાખમાં ઇજારો આપવામાં આવ્યો છે. ગત વર્ષે આ કોન્ટ્રાકટ રૂા. 19 લાખમાં આપવામાં આવ્યો હતો. સી કેટેગરીની બોટમાં 12 મુસાફરો બેસાડી શકાય છેમાલવાહક અને મુસાફરોનું વહન કરતી નાવડીઓને અલગ અલગ કેટેગરીમાં વિભાજીત કરવામાં આવે છે. સી કેટેગરીની બોટની લંબાઇ 10 મીટર જેટલી હોય છે અને તેમાં 12 મુસાફરોની વહન ક્ષમતા હોય છે. બી કેટેગરીની બોટમાં 12 કરતાં વધારે મુસાફરોને બેસાડી શકાય છે.
રાજપીપળામાં આરસીસીના રસ્તાના ભૂમિપૂજનના અવસરે સાંસદ મનસુખ વસાવા ફરી વિફર્યા હતાં. આ વખતે તેમણે હરસિધ્ધિ માતાજીના મંદિરના વિકાસને લઇને તેમનો બળાપો ઠાલવ્યો હતો. તેમણે મંદિરનો વહીવટ કથળી રહયો હોવાનો આક્ષેપ કર્યો છે. રાજપીપળામાં નવા રોડના ખાતમુહુર્તના કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા સંગઠનના હોદેદારો પર વિફર્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, હરસિધ્ધિ મંદિરના મકાનો તોડી પાડ્યાં હતાં. આ સંદર્ભમાં તેમણે ભાજપના જ નેતાઓને કહયું હતું કે, બીજી ચિંતા પછી કરો પહેલા કલેકટર સાથે મળી આ મંદિરનું કમ્પાઉન્ડ તોડી પાડ્યું છે એ કામ શરૂ કરાવો. સરકાર કરોડો રૂપિયા વિકાસ માટે આપ્યા છે.જેનો યોગ્ય વહીવટ થાય તે જોવું જરૂરી છે.વધુમાં તેમણે રાજપીપલા માં બનેલ રિંગ રોડ માં અગાવ ભ્રષ્ટચાર થયો છે. આજે વર્ષોથી રાજપીપલા અંકલેશ્વરનો રોડ બનતો નથી એમાં કોન્ટ્રાક્ટરના માણસોએ અધિકારીઓને માર્યા અને કામ બંધ થયું એનો પણ હાલ પાંચ મહિનામાં કોર્ટમાં ઉકેલ આવી ગયો છે. આ રસ્તા માં કોઈ ભ્રષ્ટાચાર ન થાય માટે હું જાતે નજર રાખવાનો છું. નવા આરસીસીના રસ્તાના ભૂમિપૂજનમાં ધારાસભ્ય નાંદોદ ડૉ. દર્શનાબેન દેશમુખ,ભાજપ અધ્યક્ષ નીલ રાવ, પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠા પટેલ, કારોબારી અધ્યક્ષ કુલદીપસિંહ ગોહિલ, મુખ્ય અધિકારી જયકિશન તડવી સહિત મોટી સંખ્યામાં પાલિકા સદસ્યો અને નગરજનો અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ બધાની સામે જ તેમણે નેતાઓની ઝાટકણી કાઢી હતી.
વર્ષથી ખોરંભે થતા ગ્રામજનોમાં રોષ:નાંદોદના નાવરા ગામે પાંચ વર્ષથી પંચાયત ભવનની કામગીરી ખોરંભે
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નાવરા ગામે આજથી આશરે 5 વર્ષ પેહલા ગ્રામ પંચાયત ભવનના નિર્માણનું કામ ચાલુ થયું હતું.જે અચાનક બંધ થઈ જતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. નાવરાના ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી 2 મહિનામા નિર્માણ કાર્ય ચાલુ નહીં થાય તો આવનારી તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરીશું. નાંદોદ તાલુકાના નાવરા ગામના આગેવાનો અટકી પડેલા ગ્રામ પંચાયત ભવન ખાતે ભેગા થયા હતા અને નિર્માણ કાર્ય ચાલુ કરવાની માંગણી તંત્ર અને શાસક પક્ષના નેતાઓને કરી હતી. ગ્રામજનોએ ઉગ્ર સ્વરે જણાવ્યું હતું કે નાવરા ગામનું જૂનું પંચાયત ભવન સારુ હતું છતાં એને તોડી નવું બનાવવાનું ચાલુ કર્યું.અમે અને સરપંચે કહ્યું હતું કે આ જૂના પંચાયત ભવનને ના તોડશો. નવા પંચાયત ભવનનો 20 લાખ રૂપિયા ખર્ચ હતો જેની સામે 4 થી 5 લાખ રૂપિયામાં રિનોવેશન કરી સરકારના પૈસાની બચત કરવા અમે જણાવ્યું હતું. અટકી પડેલા નવા પંચાયત ભવનના કામને ચાલુ કરવા અમે નર્મદા જિલ્લા કલેક્ટરને અરજી આપી છે, તેઓ અહીંયા આવીને જોઈ પણ ગયા હતા છતાં કામ ચાલુ થયું નથી ગ્રામજનોના જણાવ્યા મુજબ આ પંચાયત ભવનનું કામ મનરેગા યોજના હેઠળ મંજૂર થયું છે એવું નર્મદા જિલ્લાના અધિકારીઓએ કહ્યું હતું. તો અમારે એ અધિકારીઓને કહેવું છે કે જો બજેટ ન્હોતું તો જૂનું પંચાયત ભવન તોડી નવું પંચાયત ભવન બનાવવાની જરૂર શું હતી.જો આનું નિરાકરણ નહી આવે તો અમે ગ્રામજનો જેસીબીથી તોડી પાડીશું. અમારા ગામમાં તલાટી અન્ય ગામમાં ચાર્જમા છે તો અમારે કોઈ કામ હોય તો રાજુવાડિયા જવું પડે છે, તલાટી ત્યાં ના મળે રાજપરા અને વરાછા જવું પડે છે.જેને લીધે ગામના વૃદ્ધોને મોટી તકલીફોનો સામનો કરવો પડે છે.નવા બની રહેલા પંચાયત ભવનમાં ઝાડી ઝાંખરા ઊગી ગયા છે.જો આનું નિરાકરણ નહી આવે તો અમે ગ્રામજનો જેસીબીથી તોડી પાડીશું.
ધારાસભ્યની રજૂઆતને પગલે મંજૂરી:સાળંગપુર-બરવાળા 22 કિ.મી. ફોરલેન રોડમાં 125 કરોડ ખર્ચાશે
બોટાદના ધારાસભ્યની રજૂઆતને પગલે બોટાદની જનતા અને સાળંગપુર કષ્ટભંજન દેવના ભક્તો માટે ખુશીના સમાચાર છે. બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણાની રજૂઆત થી બોટાદ-સાળંગપુર-બરવાળ ા રોડ 22.500 કીમી ફોરલેન રૂ.124.40 કરોડથી વધુના ખર્ચે બનશે. તેમજ બોટાદથી સાળંગપુર રોડ પગદંડી સાથે ફોરલેન બનશે. બોટાદ શહેરથી સાળંગપુર કષ્ટભંજનદેવના ભક્તો શનિવારે ચાલીને જતા હોય છે. રોડ નાનો હોવાના કારણે અકસ્માતના બનાવો પણ ખૂબ થવાથી જીવનું જોખમ રહેતું હતું પરંતુ બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણાની મુખ્યમંત્રીને વારંવાર રજુઆતથી બોટાદ સાળંગપુર બરવાળા રોડ ફોર લેન બનશે સાથોસાથ બોટાદથી સાળંગપુર રોડ પગદંડી સાથે ફોરલેન બનશે જેથી હવે કષ્ટભંજનદેવના શ્રધ્ધાળુ ભક્તો ચાલીને દર્શને આવતા તેઓને જીવનું જોખમ રહશે નહીં. સાળંગપુર કષ્ટભંજનદેવનું મંદિર અને બીએપીએસ પ્રમુખ સ્વામીનું સ્મૃતિમંદિર ખૂબ જ પ્રખ્યાત હોવાથી ત્યાં શ્રધ્ધાળુ ભક્તો દર્શન માટે ઉમટી પડતા હોવાથી ટ્રાફિકનો પણ પ્રશ્ન રહેતો હતો પરંતુ હવે ટ્રાફિકનો પ્રશ્ન પણ હલ થશે. સાથોસાથ સાળંગપુર ફરતે બાયપાસ રોડ બનાવવામાં આવશે તેવી બોટાદના ધારાસભ્યએ જણાવેલ છે.
આયોજન:અમરેલી જિલ્લાનાં રાજુલામાં વોકલ ફોર લોકલ'ના સંદેશ સાથે સ્થાનિક લોકોએ લોકડાયરો માણ્યો
રાજુલા નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. 28 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી રાજુલાના મારુતિધામ ગાર્ડન ખાતે યોજાયેલા આ મેળામાં સ્થાનિક હસ્તકલા, ઘરઉદ્યોગ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું અનોખું સંમિશ્રણ જોવા મળ્યું હતું. ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને પાલિકા પ્રમુખ પ્રતિનિધિ મયુરભાઈ દવેના માર્ગદર્શન હેઠળ તેમજ ચીફ ઓફિસર ભાવનાબેન ગૌસ્વામીની દેખરેખમાં યોજાયા હતા. મેળાના દસ દિવસ દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં કાર્યરત હસ્તકલા કારીગરો તથા ઘરઉદ્યોગ ચલાવતી મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલા વિવિધ ઉત્પાદનોના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં હાથથી બનાવેલા પર્સ, રેડીમેડ કપડાં, ભરત-ગૂંથણની વસ્તુઓ, ખાદ્ય સામગ્રી, લિક્વિડ મેળવવાના એટીએમ, વાંસની બનાવટની વસ્તુઓ, રાજુલાના પથ્થરમાં બનેલી કલાત્મક વસ્તુઓ, રેશમી દોરીની આઈટમો તેમજ આયુર્વેદિક ઔષધિઓ જેવા અનેક સ્ટોલ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મેળા દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, રંગોળી સ્પર્ધા, લોકડાયરો, હાસ્ય કાર્યક્રમો અને લોકસાહિત્યના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મેળા દરમિયાન રાજુલાની કન્યાશાળા નં.1ની વિદ્યાર્થિનીઓએ યશોમતીબેનના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કૃતિઓ રજૂ કરી હતી. મેળાના આખરી ચરણ સુધી નિમેષભાઈ વાલસુર, કિશોરભાઈ ધાખડા, શિલ્પાબેન ધોળકિયા, માધવીબેન જોષી અને જાગૃતિબેન જોષી સહિતના આગેવાનો અને ટીમે ખાસ મહેનત કરી હતી.
વાતાવરણ:અમરેલીમાં ગરમીનો પારો 39.5 ડિગ્રી સુધી પહોંચ્યો
અમરેલી જિલ્લામાં ગરમીનો પ્રભાવ ધીમે ધીમે વધી રહ્યો છે. આજે દિવસ દરમિયાન અમરેલીમાં મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી સુધી રહ્યું હતું. જેના કારણે બપોરના સમયે અસહ્ય ગરમી પડી હતી. બીજી તરફ ન્યુનત્તમ તાપમાન 17.6 ડિગ્રી નોંધાયું હતું. અમરેલીમાં હવામાં ભેજનું પ્રમાણ 72 ટકા નોંધાયું હતું. જેના કારણે ગરમી સાથે ભેજવાળું વાતાવરણ અનુભવાયું હતું. પવનની ગતિ પ્રતિ કલાક 3.0 કિલોમીટર નોંધાતા હળવો પવન ફૂંકાતો રહ્યો હતો. ગરમીમાં વધારો થતા બપોરના સમયે શહેરના માર્ગો પર અવરજવર ઓછી જોવા મળી હતી. અમરેલી શહેરની સાથે સાથે ગીર પંથકમાં પણ આકરી ગરમીની શરૂઆત થઈ હતી. ગીરમાં આકરી ગરમી પડી હતી. આ ઉપરાંત અમરેલીમાં ઉનાળાની શરૂઆતમાં પ્રથમ વખત મહત્તમ તાપમાનનો પારો 39.5 ડિગ્રી પર પહોંચ્યો હતો. અમરેલી પંથકમાં આકરી ગરમી પડી હતી. જેના કારણે બપોરના સમયે રસ્તા સુમસામ બન્યા હતા.
કાર્યવાહી:મિલકત સંબંધિત ગુનાઓ આચરનાર વાવડાનો યુવક પાસા હેઠળ જેલમાં
અમરેલી જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ કરીને લોકોમાં ભયનો માહોલ સર્જતા વાવડાના યુવક સામે અમરેલી પોલીસ દ્વારા પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ શખ્સને પાસા હેઠળ મહેસાણાની જિલ્લા જેલમાં ધકેલવાનો હુકમ કર્યો હતો. મુળ જસદણના શિવરાજપુરના વતની અને હાલ બાબરાના વાવડામાં રહેતા વિજય ઉર્ફે વિપુલ ઉર્ફે ડીગ્રી છગનભાઈ ઉર્ફે કાનજીભાઈ સાડમીયા (ઉ.વ.22) સામે ગોંડલ સીટી, સાવરકુંડલા ટાઉન, જામજોધપુર અને ભેંસાણ પોલીસ મથક મળી કુલ 5 ગુના નોંધાયા હતા. મિલકત સંબંધિત ગુના આચરનાર આ યુવક સામે અમરેલી એલસીબીએ જરૂરી પુરાવા એકત્રિત કરી જિલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ પાસાની દરખાસ્ત રજુ કરી હતી. અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ વિકલ્પ ભારદ્વાજ દ્વાર વિજય ઉર્ફે વિપુલ ઉર્ફે ડીગ્રી સાડમીયાને પાસા હેઠળ મહેસાણાની જિલ્લા જેલમાં ધકેલવાનો હુકમ કર્યો હતો. અમરેલી એલસીબીએ આ યુવકને પાસા હેઠળ જેલમાં ધકેલવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
ફરિયાદ:વાંડળીયાની સગીરાની ઝારખંડના યુવક દ્વારા સોશિયલ મીડિયાથી સતત સતામણી
બાબરા તાલુકાના વાંડળીયા પંથકમાં રહેતા પરિવારની સગીર દીકરીને સોશિયલ મીડિયા મારફતે વારંવાર સતામણી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પીડિતાના પિતાએ બાબરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અહીં ખેડૂતે ફરિયાદ નોંધાવી છે કે ઝારખંડ રાજ્યના દેવઘર જિલ્લાના દુબરાજપુર વિસ્તારમાં રહેતા યુસુફ જમરૂદીન અંસારી નામના યુવકે તેમની સગીર દીકરીને લગ્ન કરવાની લાલચ આપી ફોસલાવી અપહરણ કર્યું હતું. આ મામલે અગાઉ પણ બાબરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને આરોપી જામીન પર છૂટ્યો હતો. આરોપીએ જામીન પર છૂટ્યા બાદ પણ પીડિતાને પરેશાન કરવાનું બંધ કર્યું નહોતું. આરોપીએ yusuf_ansari નામના ઇન્સ્ટાગ્રામ આઈડી દ્વારા પીડિતાના એકાઉન્ટ તેમજ વોટ્સએપ પર અલગ અલગ સમયે મેસેજ મોકલ્યા હતા. દરમિયાન આ ઉપરાંત રડતા કાર્ટૂન, શેર-શાયરી અને બંનેના ફોટા સાથેના વીડિયો મોકલી વીડિયો કોલ દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત આરોપીએ પીડિતાનુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો આઈડી અને પાસવર્ડ પોતાની પાસે રાખી પોતાના મોબાઈલમાં લોગિન કરી લીધો હતો. ત્યારબાદ પીડિતાની સગાઈ થયેલા યુવકના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં અશ્લીલ ફોટા સ્ટોરીમાં મૂકી સમાજમાં બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. પીડિતા સગીર હોવાની જાણ હોવા છતાં આરોપીએ સોશિયલ મીડિયા મારફતે જાતીય સતામણી કરી અને પીડિતા ક્યાં છે તે જાણવા માટે મેસેજ પણ કર્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ સમગ્ર મામલે બાબરા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
કામગીરી:ગળધરા ખોડિયાર માતાજીના મંદિરે દુકાનો પર ફૂડ સેફટી ટીમનું ચેકીંગ
અમરેલી જિલ્લા કલેક્ટરની સૂચના અન્વયે જિલ્લામાં અલગ અલગ પવિત્ર યાત્રાધામ ખાતે ખાણીપીણીની દુકાનો પર ફુડ સેફ્ટી ટીમ દ્વારા સમયાંતરે તપાસણી કરવામાં આવી રહી છે. ધારી નજીક પવિત્ર યાત્રાધામ ગળધરા ખોડિયાર મંદિર ખાતે ખાણીપીણીની દુકાનો પર ફૂડ સેફ્ટી ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. ઉપરાંત તમામ દુકાનોને સ્વચ્છતા બાબતે પુરતી કાળજી લેવા અને હાઈજીનિક કન્ડિશન સંબંધિત સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે વિવિધ પ્રકારના ફૂડનો વેપાર કરતા ધંધાર્થીઓને ફૂડ લાઇસન્સ માટેની પ્રક્રિયા હેઠળ નોંધણી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર વર્તુળ કચેરી દ્વારા ફૂડ લાઇસન્સ માટે નોંધણીને લઈને રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આજે ધારીના ગળધરા ખોડિયાર મંદિર ખાતે ખાણીપીણીની દુકાનો પર ફૂડ સેફટી ટીમે ચેકીંગ કર્યું હતું.
કાર્યવાહી:ધાનેરા ગામના બુટલેગર પાસા હેઠળ અમદાવાદની મધ્યસ્થ જેલમાં ધકેલાયો
ધાનેરાના જાડીયા કુવારલા રોડ પર રહેતા બુટલેગર સામે બાબરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો. દરમિયાન ત્યારબાદ આ શખ્સ સામે પોલીસે પાસાની દરખાસ્ત રજુ કરતા અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટે બુટલેગરને પાસા હેઠળ અમદાવાદની મધ્યસ્થ જેલમાં ધકેલવાનો હુકમ કર્યો હતો. બનાસકાંઠાના ધાનેરાના જાડીયા કુવારલા રોડ પર રહેતા અશોક હમીરભાઈ પટેલ (ઉ.વ.38) સામે બાબરા અને નળસરોવર પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. અશકો પટેલ વિરૂદ્ધ પુરાવાઓ એકત્રિત કરી અમરેલી એલસીબીના પીઆઈ એ.ડી. ચાવડાએ પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. આ દરખાસ્ત અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ વિકલ્પ ભારદ્વાજ સમક્ષ મોકલવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે અશોક હમીરભાઈ પટેલને પાસા હેઠળ અમદાવાદની મધ્યસ્થ જેલમાં ધકેલવાનો હુકમ કર્યો હતો. અમરેલી એલસીબી ટીમે તેને પાસા હેઠળ જેલમાં ધકેલ્યો હતો.
તપાસ:1 લાખના બદલામાં 5 ની ઉઘરાણી અને ધમકીથી કંટાળી ગયેલા યુવાને ઝેર પી આપઘાત કર્યો હતો
બોટાદના યમુનેશ નગર વિસ્તારમાં રહેતા એક યુવાને પાડોશીએ કરેલી ઉઘરાણી અને ધમકીઓથી કંટાળી ચાવંડમાં ઉંદર મારવાની દવા પી આત્મહત્યા કરી હતી. આ મામલે મૃતકની પત્ની એ લાઠી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બોટાદના યમુનેશ નગર, હનુમાનજીના મંદિર પાસે રહેતા રસીકભાઇ કરશનભાઇ વાઘેલાએ મનસુખભાઈ શકોરીયાને અગાઉ રૂ. 1લાખ હાથ ઉછીના આપ્યા હતા. આરોપીએ આ રકમ ઉપર 5% વ્યાજના હિસાબે રૂ. 5 લાખની ઉઘરાણી કરવાનું શરૂ કર્યું હતું. રસિક વાઘેલા વારંવાર પૈસાની ઉઘરાણી કરી મારી નાખવાની ધમકીઓ આપતો હતો. જેના કારણે તેઓ માનસિક તણાવમાં આવી ગયા હતા.અને ગત તા.19/10/ આશરે 5 વાગ્યે અમરેલી જિલ્લાના ચાવંડ ગામે ઉંદર મારવાની દવા પી લીધી હતી. ત્યારબાદ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે સોનલબેન મનસુખભાઇ શકોરીયા (ઉ.વ.32), રહે. યમુનેશ નગર, બોટાદ દ્વારા ગઈ કાલે લાઠી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આરોપી રસીક કરશનભાઇ વાઘેલા સામે ગુનો નોંધાવી કાર્યવાહી હાથ ધરી છે.
ટ્રેનની ટિકિટ મેળવવામાં મુશ્કેલી:ઉત્તર ભારતની ટ્રેનોમાં રિગ્રેટ, ફેક્ટરીઓમાં કારીગરોની ઘટ
હોળી-ધુળેટીના તહેવારો પૂર્ણ થયા બાદ લોકો ફરીથી અમદાવાદ પરત આવવા પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે તેમને ટ્રેનની ટિકિટ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. ઉત્તર ભારત તરફથી અમદાવાદ આવતી મોટાભાગની ટ્રેનોમાં રિગ્રેટ મેસેજ મળતા વેઈટિંગ ટિકિટ પણ ઉપલબ્ધ નથી. પરિણામે ઘણા મુસાફરો જનરલ ટિકિટ લઈને ભીડભાડમાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે. હજુ ઘણા શ્રમિકો વતનમાં જ હોવાથી શહેરના વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં કામદારોની અછત જોવા મળી રહી છે. હાલ ફેક્ટરીઓમાં કારીગરોની ઘટ છે: જીસીસીઆઈના પૂર્વ પ્રમુખ શૈલેષ પટવારીએ જણાવ્યું કે, નરોડા, ઓઢવ તેમજ વટવા જીઆઈડીસી વિસ્તારોમાં આવેલી ફેક્ટરીઓમાં કામ કરતા શ્રમિકો દર વર્ષે હોળી-ધુળેટીનો તહેવાર ઉજવવા માટે રજા લઈને વતન જાય છે. આ વર્ષે પણ શ્રમિકો વતન જતા હાલ ફેક્ટરીઓમાં કારીગરોની ઘટ જોવા મળી રહી છે. આગામી 8થી 10 દિવસમાં મોટા ભાગના શ્રમિકો પરત ફરશે. અમદાવાદ આવનારી ટ્રેનોમાં વેઈટિંગની સ્થિતિ ક્યાંથી સ્લીપર થર્ડ સેકન્ડ એસી એસી વારાણસી રિગ્રેટ રિગ્રેટ રિગ્રેટ પટના રિગ્રેટ રિગ્રેટ રિગ્રેટ મુજફ્ફરપુર 163 97 42 હાવડા 289 153 79 પુરી રિગ્રેટ 119 39 દિલ્હી 159 78 33
GIAR દ્વારા રજત જયંતી મહોત્સવની ઉજવણી:ગાંધીનગરમાં 150 હેમ રેડિયો એમેચ્યોર્સ ઉપસ્થિત રહ્યા
ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમેચ્યોર રેડિયો (GIAR) દ્વારા તેની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રજત જયંતી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગાંધીનગર સ્થિત ક્લબ ઓફિસ, સેક્ટર–૨૩ ખાતે યોજાયો હતો. આ સિલ્વર જ્યુબિલી કાર્યક્રમમાં દેશભરના આશરે 150 હેમ રેડિયો એમેચ્યોર્સ જોડાયા હતા. આ સંસ્થાની સ્થાપના 26 જાન્યુઆરી, 2001ના વિનાશક ભૂકંપ બાદ કરવામાં આવી હતી. ભૂકંપ દરમિયાન ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સંદેશાવ્યવહારના મહત્વને સમજીને રાજ્યમાં હેમ રેડિયો પ્રવૃત્તિનો વ્યાપ વધારવાના હેતુથી GIARની રચના થઈ હતી. કાર્યક્રમમાં સંસ્થાના સ્થાપક અને ચેરમેન ડો. ઇ. રાધાકૃષ્ણા, ડો. જગદીશ પંડ્યા તથા પ્રવીણ વલેરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે 2001ના સમયના પડકારો, સંસ્થાની સ્થાપના અને ત્યારબાદ વિવિધ કુદરતી આપત્તિઓ દરમિયાન સંસ્થાએ કરેલી રાહત, બચાવ કામગીરી તેમજ તાલીમ વિશે વિગતવાર માહિતી આપી હતી. આખો દિવસ વિવિધ પ્રવૃત્તિઓથી કાર્યક્રમ સક્રિય રહ્યો હતો. મુખ્ય આકર્ષણરૂપે GIARની ૨૫ વર્ષની સફર અને હેમ રેડિયોના ક્ષેત્રમાં કરેલા યોગદાનને દર્શાવતી ટૂંકી ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ત્રણ મહત્વપૂર્ણ ટેકનિકલ સત્રો યોજાયા હતા, જેમાં નિષ્ણાતોએ રેડિયો ટેકનોલોજીની નવીનતમ માહિતી આપી હતી. કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળના કોલકાતાથી OSCAR એમેચ્યોર રેડિયો ક્લબના સભ્યોની ટીમ, માઉન્ટ આબુ તથા મુંબઈના હેમ સભ્યોએ પણ હાજરી આપી હતી. કાર્યક્રમના અંતે, ઉપસ્થિત તમામ ડેલીગેટ્સને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગુજરાતની 71 નગરપાલિકામાં સરકારના વહિવટદાર નિયુક્ત:ચૂંટણી સુધી મામલતદાર-પ્રાંત અધિકારીઓ સંભાળશે વહીવટ
ગુજરાત સરકારે રાજ્યની 71 નગરપાલિકાઓમાં ચૂંટણી સુધી વહીવટ સુચારૂ રાખવા માટે વહિવટદારની નિમણૂક કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર, નગરપાલિકાની મુદત પૂર્ણ થયા બાદ નવી ચૂંટાયેલી સમિતિ રચાય ત્યાં સુધી સંબંધિત વિસ્તારમાં મામલતદાર અથવા પ્રાંત અધિકારીઓને વહીવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવશે. ગુજરાત નગરપાલિકા અધિનિયમ મુજબ નગરપાલિકાની મુદત પાંચ વર્ષની હોય છે અને મુદત પૂર્ણ થાય તે પહેલાં સામાન્ય ચૂંટણી યોજવાની હોય છે. રાજ્યની અનેક નગરપાલિકાઓની મુદત માર્ચ 2026 સુધીમાં પૂર્ણ થવાની હોવાથી વહીવટી કામકાજમાં વિક્ષેપ ન આવે તે માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના આદેશ મુજબ પાણી, ગટર, લાઇટ, સફાઈ સહિત નાગરિકોને મળતી આવશ્યક સેવાઓ ચાલુ રહે તે માટે વહીવટદાર તમામ જરૂરી કામકાજ સંભાળશે. જોકે તેઓ કોઈ નીતિ સંબંધિત નિર્ણય લઈ શકશે નહીં. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર ઝોનની કુલ 71 નગરપાલિકાઓમાં મામલતદાર અથવા પ્રાંત અધિકારીઓને વહીવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નવી ચૂંટાયેલી સમિતિઓ રચાય ત્યાં સુધી તેઓ નગરપાલિકાઓનો વહીવટ સંભાળશે.
સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા વહીવટી સુગમતાને ધ્યાને રાખીને તારીખ 9 માર્ચ, 2026ના રોજ ત્રણ અલગ-અલગ મહત્વપૂર્ણ આદેશો બહાર પાડીને મ્યુનિસિપલ કોર્પોરેશનના માળખામાં મોટા પાયે ફેરફારો કર્યા છે. આ ફેરફારોમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કક્ષાના ઉચ્ચ અધિકારીઓ, એક્ઝિક્યુટિવ એન્જિનિયરો અને આસિસ્ટન્ટ લો ઓફિસરોની બદલી તથા વધારાના ચાર્જ સોંપવાની કામગીરી કરવામાં આવી છે. વહીવટી તંત્રને વધુ ગતિશીલ બનાવવા અને વિવિધ પ્રોજેક્ટ્સ પર પકડ મજબૂત કરવાના હેતુથી આ વિભાગીય વડાઓની સત્તામાં ફેરફાર અને ઇજનેરોની આંતરિક બદલીઓ કરવામાં આવી હોવાનું જણાયુ છે. વિભાગીય વડાઓના કાર્યક્ષેત્રમાં કરવામાં આવેલા ફેરફાર મુજબ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગૌરવ દિનેશ રમેશને હવે ડ્રેનેજ (સ્ટોર્મ વોટર પ્રોજેક્ટ સાથે), એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ પ્રોટેક્શન સેલ, ખાડી કેનાલ એમ્બેન્કમેન્ટ પ્રોજેક્ટ અને રોડ ડેવલપમેન્ટ વિભાગની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે એવી જ રીતે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (ડેપ્યુટેશન) સુશ્રી નિધિ સિવાચને એકાઉન્ટ વિભાગ, સેન્ટ્રલ એસ્ટાબ્લિશમેન્ટ (R-સેક્શન), આઈ.એસ. વિભાગ અને સેન્ટ્રલ ઓફિસના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સ્વાતિ પી. દેસાઈને આઈ.સી.ડી.એસ., સેન્ટ્રલ સેલ (પ્રોપર્ટી ટેક્સ/વ્હીકલ ટેક્સ), શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ વિભાગ, પ્રોફેશનલ ટેક્સ એન્ડ રિકવરી સેલ, ઓક્ટ્રોય વિભાગ અને ફેક્ટરી તથા ટ્રેડ લાયસન્સ સંબંધિત સ્પેશિયલ સેલની કામગીરી સોંપાઈ છે. ટાઉનડેવલપમેન્ટ વિભાગનો હવાલો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડી. બી. મિસ્ત્રી સંભાળશે, જ્યારે સિટી લિંકની જવાબદારી એડિશનલ સિટી એન્જિનિયર ડી. સી. ભગવાગરને સોંપવામાં આવી છે. સ્પોર્ટ્સ અને સ્પોર્ટ્સ ડેવલપમેન્ટની જવાબદારી આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર જી. આર. જારીવાલાને સોંપાઈ છે, જેમના વિભાગની તમામ ફાઈલો સીધી કમિશનરને મોકલવાની રહેશે. એન્જિનિયરિંગ વિભાગમાં પણ વ્યાપક બદલીઓ જોવા મળી છે, જેમાં કુલ 12 એક્ઝિક્યુટિવ એન્જિનિયર (સિવિલ) ના કાર્યક્ષેત્ર બદલાયા છે. સુજલકુમાર ડી. પ્રજાપતિને સેન્ટ્રલ ઝોનમાંથી રોડ ડેવલપમેન્ટ વિભાગમાં, જ્યારે કામિની સંજય દોશીને ઉત્તર ઝોનમાંથી દક્ષિણ પૂર્વ ઝોન (લીંબાયત) માં બદલી કરવામાં આવી છે. કરણકુમાર જે. ભાવસારને બ્રિજ સેલ અને ICCC ની જવાબદારી મળી છે. મિતા બલવંતલાલ ગાંધીને દક્ષિણ પશ્ચિમ ઝોનમાંથી પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓ સ્વિમિંગ પૂલ, હેરિટેજ સેલ, ગાર્ડન અને સુરત સિટી ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન જેવી વધારાની કામગીરી પણ સંભાળશે. પરેશભાઈ ડી. પટેલને ટ્રાફિક બી.આર.ટી.એસ. પ્રોજેક્ટ અને ટી.ટી.પી. ની જવાબદારી અપાઈ છે. બીજી તરફ, કમલેશભાઈ એલ. વસાવવાની ટ્રાફિક સેલમાંથી ઉત્તર ઝોન (કતારગામ) માં બદલી કરાઈ છે. સતીશભાઈ સી. વસાવવાને હાઈડ્રોલિક વિભાગમાં અને જયંગ આર. જીવણરામજીવાલાને સેન્ટ્રલ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. તેજસકુમાર ટી. પટેલને ટાઉન પ્લાનિંગ વિભાગમાં ઈન્ચાર્જ ટાઉન પ્લાનર તરીકે વધારાની જવાબદારી સોંપાઈ છે. રૂપેશ આર. શાહને દક્ષિણ ઝોન-બી અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં, જ્યારે મૌલિક એમ. રાવને પૂર્વ ઝોન-એ અને સેન્ટ્રલ સ્ટોરની જવાબદારી સોંપવામાં આવી છે. મિનેષકુમાર સી. પટેલને દક્ષિણ પશ્ચિમ ઝોન અને ડુમસ સી-ફેસ ડેવલપમેન્ટની કામગીરી સુપરત કરાઈ છે. કાયદાકીય વિભાગ અને ઝોન લેવલે આસિસ્ટન્ટ લો ઓફિસરોની કામગીરીમાં પણ મહત્વના ફેરફાર કરાયા છે. પી. ડી. ભટ્ટને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં બદલી કરી પશ્ચિમ ઝોનનો વધારાનો હવાલો સોંપાયો છે, તેમજ તેઓ ન્યુ ઈસ્ટ ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાલુ રહેશે. એમ. એસ. પટેલને સેન્ટ્રલ એસ્ટાબ્લિશમેન્ટ (લીગલ) માં મૂકીને લો ઓફિસરનો વધારાનો ચાર્જ અપાયો છે. એ. એ. શેખને લો ડિપાર્ટમેન્ટમાં બદલી કરવામાં આવી છે, જ્યારે ડી. યુ. રાણેને ન્યુ ઈસ્ટ ઝોનના આસિસ્ટન્ટ લો ઓફિસરનો વધારાનો હવાલો સોંપાયો છે. કે. એમ. રાઠોડની બદલી ઉત્તર ઝોનમાં કરવામાં આવી છે અને તેઓ એસેસમેન્ટ એન્ડ રિકવરી ઓફિસર તરીકે કાર્યરત રહેશે. વી. એન. પટેલને દક્ષિણ ઝોન (ઉધના) ના આસિસ્ટન્ટ લો ઓફિસરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ તમામ બદલીઓ તાત્કાલિક અસરથી અમલમાં આવશે અને આગામી આદેશ સુધી અમલમાં રહેશે.
ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સાથે ટ્રાફિકના નિયમનને લઈ ગેરવર્તણૂક કરી સરકારી ફરજમાં રુકાવટ લાવી કોલર પકડી ઝપાઝપી કરી વરદી ઉતારી દેવાની શેખી મારનાર અમદાવાદના પીકઅપ ડાલા ચાલક વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરી કાયદાનો પરચો બતાવી દેવામાં આવ્યો છે. ચાલક પાસે ડ્રાઇવિંગ લાયસન્સ કે ગાડીના પૂરતા કાગળો નહોતાપેથાપુર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અશોકકુમાર રત્નાભાઇ અન્ય હોમગાર્ડ સભ્યો સાથે પેથાપુર ગીરનારી ચાર રસ્તા પાસે ટ્રાફિક નિયમનની કામગીરીમાં હતા. આ દરમિયાન પિકઅપ ડાલા (નંબર: GJ-18-AZ-8659) ને રોકવામાં આવ્યું હતું. જેની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ચાલક પાસે ડ્રાઇવિંગ લાયસન્સ કે ગાડીના પૂરતા કાગળો નહોતા. જ્યારે પોલીસે નિયમ મુજબ દંડ ભરવા અથવા ગાડી જમા કરાવવાનું જણાવ્યું હતું .ત્યારે ચાલક ઉશ્કેરાઈ ગયો હતો. ચાલકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતોતેણે પોલીસ જવાન સાથે બોલાચાલી શરૂ કરી હતી અને કહ્યું હતું કે, તું મારી ગાડી જમા કરીશ તો હું તારી વર્ધી ઉતરાવી દઈશ, મને યાદ રાખજે. ફક્ત એટલું જ નહીં તેણે હેડ કોન્સ્ટેબલનો કોલર પકડીને ઝપાઝપી કરી હતી. આ ઝપાઝપી દરમિયાન ચાલક નીચે પડી ગયો હતો તોય તેણે મીડિયાને બોલાવવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. આ ઘટના બાદ તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમ પર જાણ કરવામાં આવતા સરકારી ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી અને ચાલકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. જેની પૂછપરછમાં આરોપીનું નામ અબ્દુલ સાનીફ અબ્દુલ સલામ રાજપુત (રહે. બાપુનગર, અમદાવાદ) હોવાનું બહાર આવ્યું હતુ. આ અંગે પેથાપુર પોલીસે સરકારી ફરજમાં રુકાવટ અને ધમકી આપવા બદલ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના જર્જરિત આવાસોના પુનઃવિકાસ માટે ચાલી રહેલી ઝુંબેશમાં પનાસ વિસ્તાર માટે એક મહત્વનો વળાંક આવ્યો છે. પનાસ કેનાલ રોડ પર આવેલા 704 EWS આવાસોના રીડેવલપમેન્ટ માટે સતત ચાર વખત ટેન્ડર બહાર પાડવા છતાં કોઈ એજન્સી તૈયાર ન થતાં, હવે પાલિકા તંત્રએ બાજુમાં જ આવેલા અન્ય 480 આવાસોને આ પ્રોજેક્ટમાં ભેળવીને તેને મોટો પ્રોજેક્ટ બનાવવાનો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ, ટી.પી. સ્કીમ નં. 4 (ઉમરા-સાઉથ), ફા. પ્લોટ નં. 134 પર આવેલા 704 EWS આવાસોના પુનઃનિર્માણ માટે અગાઉ વહીવટી મંજૂરી મેળવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, કામનું કદ નાનું હોવાને કારણે અથવા ટેકનિકલ કારણોસર કોઈ કોન્ટ્રાક્ટર કે ડેવલપરે રસ દાખવ્યો નહોતો. ચાર-ચાર પ્રયત્નો નિષ્ફળ જતાં પાલિકાના શાસકો અને અધિકારીઓએ આ પ્રોજેક્ટની 'વાયબિલિટી' વધારવા માટે મંથન શરૂ કર્યું હતું. 480 નવા આવાસોનો પ્રોજેક્ટમાં સમાવેશહાલમાં સ્થાયી સમિતિના અધ્યક્ષશ્રીની મૌખિક સૂચના અને એફોર્ડેબલ હાઉસિંગ વિભાગના સર્વે બાદ, પનાસ ફાઈનલ પ્લોટ નં. 129 પર આવેલા 480 EWS આવાસો (ગણેશ નગર) ને પણ આ યોજનામાં જોડવાનું નક્કી કરાયું છે. આ 480 આવાસો વર્ષ 2002 ની આસપાસ બનેલા છે અને 23 વર્ષથી વધુ જૂના છે. સ્થળ તપાસ દરમિયાન બિલ્ડિંગના સ્ટ્રક્ચરલ મેમ્બર્સ અત્યંત જર્જરિત જણાયા છે, જેના કારણે રહીશોને અગાઉ નોટિસ પણ અપાઈ હતી. હવે આ 480 અને અગાઉના 704 મળીને કુલ 1184 આવાસોનું એક મોટું ક્લસ્ટર તૈયાર કરવામાં આવશે.
ભાવનગર નિલમબાગ પોલીસે જવાહર મેદાનમા ખુલ્લી જગ્યામાં દરોડો પાડી, જાહેરમાં હારજીતનો જુગાર રમતા 3 મહિલા સહિત 7 જુગારીઓને ગંજીપતા અને રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્રણ મહિલાઓ સહિત તમામ જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા હતાઆ અંગે નિલમબાગ પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર, નિલમબાગ પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમિયાન બાતમી મળી હતી કે, શહેરના નવા ગુરુદ્વારા સામે જવાહર મેદાનમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો તથા મહિલાઓ જાહેરમાં ગંજીપાના વડે હાર-જીતનો જુગાર રમે છે, જે મળેલી બાતમી આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી હતી, તપાસ દરમ્યાન ભાવનગરના સાહિલ અમુ ચાવડા, સુરેશ વશરામભાઈ સોલંકી, સંજય ઉર્ફે કુંભાર કરમશીભાઈ ધંધુકિયા, સુનિલ રામજીભાઈ મકવાણા તેમજ અન્ય ત્રણ મહિલાઓ સહિત તમામ જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા હતા, પોલીસે ગંજીપતા અને રોકડ રૂ.16,750 સહિતનો મુદામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના આર્થિક રીતે નબળા અને શ્રમજીવી વિસ્તારના બાળકોને ઉત્તમ શિક્ષણ મળી રહે તે હેતુથી ચલાવવામાં આવતી સુમન હાઈસ્કૂલોના સશક્તિકરણ માટે એક મોટું કદમ ઉઠાવવામાં આવ્યું છે. સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાજેતરમાં સુમન શાળા સેલ વિભાગ મારફતે એક દરખાસ્ત તૈયાર કરી સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. આ દરખાસ્તનો મુખ્ય વિષય સુરત મહાનગરપાલિકા સંચાલિત તમામ સુમન હાઈસ્કૂલોને રાજ્ય સરકાર તરફથી કાયમી ધોરણે ગ્રાન્ટની ફાળવણી કરાવવાનો છે, જેથી શાળાઓનું સંચાલન વધુ સુદ્રઢ અને આર્થિક રીતે સક્ષમ બની શકે. જો સરકાર તરફથી આર્થિક સહાય મળે તો પાલિકા પરનું નાણાકીય ભારણ ઘટશેહાલમાં સુરત શહેરમાં સુમન હાઈસ્કૂલ નંબર-1થી 29 કાર્યરત છે, જ્યાં હજારો વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ મેળવી રહ્યા છે. કમિશનરની દરખાસ્ત મુજબ માત્ર હાલની 29 શાળાઓ જ નહીં પરંતુ, ભવિષ્યમાં જે નવી સુમન હાઈસ્કૂલો શરૂ કરવામાં આવશે, તે તમામ માટે સરકાર પાસે કાયમી ગ્રાન્ટની માંગણી કરવામાં આવશે. આ દરખાસ્ત પાછળનો મુખ્ય તર્ક એ છે કે, જો સરકાર તરફથી આર્થિક સહાય (ગ્રાન્ટ) મળે, તો પાલિકા પરનું નાણાકીય ભારણ ઘટશે અને સ્લમ વિસ્તારના ગરીબ વર્ગના બાળકોને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ અને સંસાધનો ઉપલબ્ધ કરાવી શકાશે. આ પ્રક્રિયાને વહીવટી રીતે વેગ આપવા માટે સુમન શાળા સેલના ખાતાધિકારીને વિવિધ સરકારી વિભાગો સાથે પત્રવ્યવહાર કરવા અને અન્ય જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવા માટે અધિકૃત કરવાની પણ જોગવાઈ રાખવામાં આવી છે. આ સમગ્ર મામલે અંતિમ નિર્ણય લેવા માટે અને લીધેલા નિર્ણયો પર અમલ કરવા માટે મ્યુનિસિપલ કમિશનરને સત્તા આપવા બાબતની દરખાસ્ત હવે સ્થાયી સમિતિ મારફતે સામાન્ય સભામાં રજૂ કરવામાં આવી છે.
વડોદરામાં ગત રોજ ભારત ન્યૂઝીલેન્ડ મેચ બાદ ઠેર ઠેર જીતની હવે ઉજવણી કરવામાં આવી રહી હતી. દરમ્યાન સમા વિસ્તારમાં ડી જે ના તાલે ઉજવણી કરી રહેલા કેટલાક પ્રશંસકોને પોલીસે ધ્વનિ પ્રદૂષણ સંદર્ભે કોલ મળતા સાઉન્ડ બંધ કરવાનું જણાવ્યું હતું. આ દરમિયાન પોલીસકર્મી સાથે ફરજમાં રૂકાવટ કરનાર ત્રણ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પરમિશન વગર જાહેરમાં ડી.જે. વગાડીને નાચગાન કર્યુંગત રાત્રે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ હોવાથી વિસ્તારમાં વધારાનો બંદોબસ્ત ગોઠવાયો હતો. રાત્રિના સમયે બે મોબાઈલ વેનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ અભિલાષા ચાર રસ્તા પાસે પહોંચ્યા ત્યારે જાહેર માર્ગ પર કેટલાક લોકો મોડી રાત્રે કોઈપણ જાતની પરમિશન વગર જાહેરમાં ડી.જે. વગાડીને નાચગાન કરી રહ્યા હતા. પોલીસની કાયદેસરની ફરજમાં રુકાવટ ઉભી કરવામાં આવીઆ દરમિયાન પોલીસકર્મીએ સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવાથી ડી.જે. બંધ કરવા જણાવતાં આરોપીઓએ વિરોધ કર્યો અને કહ્યું કે, ડી.જે. બંધ નહીં થાય, હજુ પાંચ ગીત વાગશે ત્યારે જ બંધ થશે. તમને ડી.જે. બંધ કરવાની વર્ધી કોણે આપી છે? તેનું નામ જણાવો. અહીં કોઈ પાકિસ્તાનનો ઝંડો લગાવ્યો નથી, કોઈ ચોરી કે રેપ થયું નથી, અમે આતંકવાદી નથી, આ ભારત વિરોધી વાત નથી. આરોપીઓએ પોલીસ કર્મચારીઓની કાર્યવાહીમાં અડચણ ઉભી કરી, વિરોધ કર્યો અને વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું. આમ પોલીસની કાયદેસરની ફરજમાં રુકાવટ ઉભી કરવામાં આવી. પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરીઆ ઘટના અંગે સમા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોધવામાં આવી છે. આ કાર્યવાહીમાં પોલીસે જીતેન્દ્ર મધુભાઈ સોલંકી (રહે. ડી-135, સુંદરવન સોસાયટી, ન્યુ સમા રોડ, વડોદરા શહેર ), યજ્ઞેશ મનુભાઈ પટેલ, (રહે. બી-23, સાહેબ કૃપા સોસાયટી, ન્યુ સમા રોડ, વડોદરા શહેર),દેવેન મનુભાઈ જયસ્વાલ, રહે. બી-13, સાહેબ કૃપા સોસાયટી, ન્યુ સમા રોડ, વડોદરા શહેર ) ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગર રોડ શિવાજીનગરમાં રહેતાં લાલજીભાઇ રાજેશભાઇ ચાવડા (ઉ.વ.39) નામના યુવાને રાતે 11 વાગ્યે ઘરે છતના હુકમાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ 108ને કરતા 108ના ઇએમટીએ તપાસી મૃત જાહેર કરતાં થોરાળા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં લાલજીભાઇ છુટક મજુરી કરતાં હતાં અને તેમને સંતાનમાં બે દિકરા છે. ઘરના સભ્યો નીચેના રૂમમાં હતાં ત્યારે લાલજીભાઈ ઉપરના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જો કે આપઘાતનું કારણ સામે ન આવતાં પોલીસે ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. જયારે બીજા બનાવમાં મવડી વિસ્તારમાં રામધણ આશ્રમ પાછળ શ્રીનાથજી પાર્કમાં રહેતા ભાવનાબેન અલ્પેશભાઇ કાકડીયા (ઉ.વ.54)એ સવારે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે સિવિલ હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા જયાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ભાવનાબેન ઘણા સમયથી થાઇરોઇડની બિમારીથી પીડાતા હતા જેનાથી કંટાળી આ પગલુ ભરી લીધાનું પ્રાથમીક તપાસમાં સામે આવ્યું છે. ભાવનાબેનના પતિ અલ્પેશભાઇ કોન્ટ્રાકટર છે અને તેમને સંતાનમાં બે પુત્ર હોવાનું સામે આવ્યું છે. હાલ તાલુકા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી ધરી છે. પત્ની સહિતના સાસરિયાઓના ત્રાસથી કંટાળી હોમગાર્ડ જવાનનો ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસઘંટેશ્વર પાસે આવેલી અમરનાથ સોસાયટીમાં રહેતા બંસીભાઇ રાજેશભાઈ રાજ્યગુરુ નામના યુવાને નવી કોર્ટ પાસે ફિનાઈલ પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે જે પોતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડની નોકરી કરે છે. તેમને આક્ષેપ કર્યો હતો કે, તેમના લગ્ન 8 વર્ષ પહેલા પૂજા નામની યુવતી સાથે થયા હતા. પૂજા લગ્ન કર્યા બાદ એક વર્ષ સારી રીતે રહ્યા બાદ અવાર નવાર માનસિક ત્રાસ આપતી અને ઝઘડો કરી રીસામણે જતી રહેતી હતી તેમજ સાત વર્ષથી પત્ની અને સાસરિયાંઓ ત્રાસ આપે છે અને છૂટાછેડા માટે 10 લાખની માંગણી કરતા જેથી કંટાળી જઈ પગલું ભરી લીધુ હતુ. હાલ પોલીસે નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. 'બીજાના પહેરેલા કપડાં નહીં પહેરવાના' કહીં પતિએ ઠપકો આપતા પરિણીતાએ ફીનાઇલ પી લીધુભીડભંજન સોસાયટીમાં રહેતી મહેક અજયભાઈ રંગપરા (ઉ.વ.25) નામની પરિણીતાએ પોતાના ઘરે ફીનાઇલ પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી છે. મહેકના પતિ ડ્રાઇવિંગ કામ કરે છે અને તે બીજાના કપડા પહેરવા માટે લાવી હતી જેથી પતિએ તેમને ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે તારે બીજાના કપડા પહેરવા નહીં નવા કપડાં લઈ આવીશું અને તને હમણાં જ જન્મદિવસ પર પચાસ હજાર રૂપિયાનો મોબાઈલ લઈ આપ્યો છે તો આપણે શા માટે બીજાના કપડા પહેરવા જોઈએ જેથી મહેકને લાગી આવતા તેમણે આ પગલું કરી લીધું હતું હાલ પોલીસે નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટાફ સિલેક્શન કમિટી આજે 9 માર્ચના રોજ મળી હતી. પ્રિન્સિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગના ડાયરેક્ટર તરીકે ની નિમણૂક હાલ પૂરતી બાકી રાખવામાં આવી છે.સ્ટાફ સિલેક્શન કમિટી દ્વારા ઇજનેર વિભાગમાં બે અધિકારીઓને નિમણૂક આપી છે જ્યારે એસ્ટેટ વિભાગમાં એસ્ટેટ ઓફિસર તરીકે હાલના ઇન્ચાર્જ એસ્ટેટ ઓફિસરને કાયમી એસ્ટેટ ઓફિસર તરીકે નિમણૂક આપી છે. ચાર જેટલા આસિસ્ટન્ટ સીટી સીટી ઇજનેર તરીકે ભરતી આપવામાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી ઇજનેર વિભાગના ઉચ્ચ હોદ્દા પર રહેલા અધિકારીઓ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ રહ્યા છે ત્યારે વધુ એક ઇજનેર વિભાગના અધિકારીએ સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરતા આગામી એક જૂનથી સ્વૈચ્છિક નિવૃત્તિને મંજૂરી આપવામાં આવી છે. સિટી ઈજનેર તરીકે વિજય પટેલની નિમણૂકમ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા કેટલાય સમયથી ઇજનેર વિભાગમાં ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં વોટર રિસોર્સ મેનેજમેન્ટ (WRM)માં ઇજનેરની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી જેમાં અલગ અલગ ઉમેદવારો દ્વારા ભરતી કરવામાં આવી હતી. જોકે હાલમાં ઇન્ચાર્જ સીટી ઇજનેર તરીકે ફરજ બજાવતા વિજયકુમાર પટેલ દ્વારા પણ વિધિવત ભરતીમાં ભાગ લેવામાં આવ્યો હતો અને આજે મળેલી સ્ટાફ સિલેક્શન કમિટીમાં વિજયકુમાર પટેલને જ સીટી ઇજનેર તરીકે નિમણૂક આપવામાં આવી છે. ઇજનેર ખાતામાં એડિશનલ સીટી ઇજનેર તરીકે અનુસૂચિત જનજાતિના અનામત સીટ પર ઉમેદવાર લેવાના હતા જેના માટે ઓનલાઇન જાહેરાત મંગાવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં વોટર વિભાગમાં ફરજ બજાવતા જગદીશ અસારીએ પણ ફોર્મ ભર્યું હતું. મૌખિક ઇન્ટરવ્યૂના આધારે હાલમાં એડિશનલ સીટી ઇજનેર તરીકે નિમણૂક આપવામાં આવી હતી. ઇજનેર વિભાગમાં બે અધિકારીઓને ઓનલાઈન ફોર્મ ભરી અને મૌખિક ઇન્ટરવ્યૂના આધારે લેવાના હતા જેમાં હાલમાં જ ઇજનેર વિભાગમાં ફરજ બજાવતા બંને અધિકારીઓને કાયમી તરીકે જે તે હોદ્દા ઉપર લઈ લેવામાં આવ્યા છે. કાયમી એસ્ટેટ ઓફિસર તરીકે હિતેન્દ્ર મકવાણામ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં એસ્ટેટ ઓફિસર તરીકેની જગ્યા ખાલી પડી હતી. જેને બઢતીથી ભરવાની હતી જેથી ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર તરીકે અને હાલમાં ઇન્ચાર્જ એસ્ટેટ ઓફિસર તરીકે ફરજ બજાવતા હિતેન્દ્ર મકવાણા ને કાયમી એસ્ટેટ ઓફિસર તરીકે નિમણુક આપવામાં આવી છે. એસ્ટેટ વિભાગમાં હવે કાયમી એસ્ટેટ ઓફિસર તરીકે હિતેન્દ્ર મકવાણા ચાલુ રહેશે. ઇજનેર વિભાગમાં સીટી ઇજનેર અને એડિશનલ સિટી ઇજનેર જેવા ઉચ્ચ હોદ્દા પર જ બજાવતા અધિકારીઓ હવે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ રહ્યા છે. તાજેતરમાં જ સીટી ઇજનેર તરીકે ફરજ બજાવતા હરપાલસિંહ ઝાલા દ્વારા સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરવામાં આવી હતી ત્યારે હવે ઇજનેર વિભાગમાં રોડ એન્ડ પ્રોજેક્ટ વિભાગના એડિશનલ સીટી ઇજનેર તરીકે ફરજ બજાવતા શાહ દ્વારા પણ સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાત કરવામાં આવી હતી અને તેની મંજૂરી માંગવામાં આવી હતી જેથી આગામી એક જુન 2026 થી તેઓ ઓફિસર બાદ નિવૃત્ત થશે જેની પણ મંજૂરી સ્ટાફ સિલેક્શન કમિટી દ્વારા આપવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગમાં ડેપ્યુટી સીટી ઇજનેરની ચાર જગ્યા ખાલી પડી છે જેથી તેને બઢતીથી ભરવા માટે આસિસ્ટન્ટ ઇજનેર તરીકે ફરજ બજાવતા ચાર જેટલા અધિકારીઓને બઢતી આપી અને ડેપ્યુટી સીટી ઇજનેર તરીકે નિમણૂક આપવામાં આવી છે. આજે સ્ટાફ સિલેક્શન કમિટી દ્વારા ઇજનેર વિભાગ અને એસ્ટેટ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓને નિમણૂક આપવામાં આવી છે. જોકે એક અધિકારી દ્વારા સ્વૈચ્છિક નિવૃત્તિ માંગવામાં આવતા તેને મંજૂર કરવામાં આવ્યું છે. સ્ટાફ સિલેક્શન કમિટીમાં ડાયરેકટર ઓફ પાર્કસ એન્ડ ગાર્ડન માટે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
ભરૂચ GNFCમાં બોઇલરની ગરમ રાખથી 8 કામદારો દાઝ્યા:તમામને કંપનીની હોસ્પિટલમાં સારવાર અપાઈ
ભરૂચ સ્થિત સરકારી GNFC કંપનીમાં કામગીરી દરમિયાન અકસ્માત સર્જાતા 8 કામદારો દાઝી ગયા હતા. આ ઘટનાને પગલે કંપની પરિસરમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, પ્લાન્ટમાં ચાલી રહેલી પ્રક્રિયા દરમિયાન બોઇલરમાંથી અચાનક ગરમ રાખ ઉડી હતી. આ સમયે નજીકમાં કામ કરી રહેલા 8 કામદારો તેના સંપર્કમાં આવતા દાઝી ગયા હતા. ઘટના બાદ ઇજાગ્રસ્ત કામદારોને તાત્કાલિક સારવાર માટે GNFCની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક કામદાર મોઢાના ભાગે દાઝી ગયો હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય કામદારોને મુખ્યત્વે પગના ભાગે દાઝવાની ઇજા પહોંચી છે. અકસ્માતની જાણ થતા ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ બાદ અકસ્માતનું ચોક્કસ કારણ બહાર આવશે. આ ઘટનાને પગલે કંપનીમાં સુરક્ષા વ્યવસ્થાઓ અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.
વલસાડ તાલુકાના સોનવાડા નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બસ ડ્રાઈવરની સમયસૂચકતાને કારણે મોટી જાનહાની ટળી હતી. બસમાં 40થી વધુ મુસાફરો સવાર હતા. પ્રાથમિક માહિતી મુજબ, મુંબઈથી અમદાવાદ જઈ રહેલા ટ્રક (નંબર WB-23 F 7762)નું ટાયર અચાનક ફાટ્યું હતું. ટાયર ફાટવાને કારણે ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો અને ટ્રક સામેની લેનમાં ઘૂસી ગયો. આ જ સમયે, અમદાવાદથી મુંબઈ તરફ આવી રહેલી ચીખલીયા-વલસાડ રૂટની એસટી બસ સાથે ટ્રકની ટક્કર થઈ. અકસ્માતની ગંભીરતા પારખીને બસના ડ્રાઈવરે તત્કાળ બસને સાઈડમાં ખસેડી દીધી, જેના કારણે ગંભીર જાનહાની ટળી. અકસ્માત બાદ નેશનલ હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક પ્રભાવિત થયો હતો. ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા. જાણ થતાં જ સંબંધિત તંત્ર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાની થઈ નથી, પરંતુ બંને વાહનોને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે. અંગ્રેજી ભવનમાં પ્રોફેસર ડો. કમલ મહેતાએ અંગ્રેજી વિષયની બોર્ડ ઓફ સ્ટડીઝ, એકેડેમીક કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાંથી રાજીનામું આપી દીધુ છે. જેનું કારણ આપતા અધ્યાપકે કહ્યું કે, એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં કોંગ્રેસના નેતા ડૉ. નિદત બારોટના બહેનને કાયમી કરતા પહેલા તેમની ભરતી ખોટી રીતે થઈ હોવાનું કુલપતિને ધ્યાન દોરતા કોંગી નેતા બારોટે મારી સામે નિમ્ન સ્તરના આક્ષેપો કર્યા. જો સત્તા મંડળમાં કોઈ બાબતે કુલપતિને ધ્યાન દોરવામાં આવે તો આ પ્રકારના આક્ષેપો થતા હોય તો તેમાં રહીને શિક્ષણનો ઉધ્ધાર નહીં થાય તેમ વિચારી રાજીનામું આપ્યું છે. યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના પ્રોફેસર ડૉ. કમલ મહેતાએ જૂની તારીખોમાં રિસર્ચ પેપર છપાવી નાખ્યા હોવાનો આક્ષેપ કોંગી નેતા અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય ડૉ.બારોટ દ્વારા કરવામાં આવ્યો હતો. જે બાદ ડૉ.મહેતાએ પણ ડૉ.બારોટને રાક્ષસ ગણાવતા વાક યુધ્ધ ખેલાયું હતુ. જોકે આ વચ્ચે ડૉ. મહેતાએ સત્તા મંડળની ત્રણેય બોડીમાંથી રાજીનામું ધરી દીધું છે. જે બાદ ડૉ. મહેતાએ દિવ્યભાસ્કર ડિજિટલને જણાવ્યું હતું કે, એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં પ્રોબેશન પર રહેલા એસોસીએટ પ્રોફેસરોને કાયમી કરવાનો મુદ્દો આવ્યો હતો. જે અંગે મેં મારો અતિપ્રાય આપ્યો હતો કે સભ્ય ડૉ. બારોટના બહેન ડૉ.શ્રધ્ધાબેનની ભરતીને લઈ વિવાદ થયો હતો. તેમનો અનુભવ પૂર્ણ ન થયો હોવાથી તેમને કાયમી કરતા પહેલા ચકાસી લેવા કુલપતિ ડૉ. ઉત્પલ જોશીને ધ્યાન દોર્યું હતુ. જોકે તે બાદ મારી સામે ડૉ. બારોટે આક્ષેપો શરૂ કર્યા. યુનિવર્સિટીના મુખ્ય હાઉસ ગણાતા સતામંડળમાં જો કઈ બોલવાથી બદનામી થતી હોય અને ખોટા આક્ષેપો થતા હોય તો આ પ્રકારના સત્તા મંડળમાં રહેવાનો કોઈ અર્થ નથી. જેથી મેં રાજીનામું આપ્યુ છે. નોંધનીય છે કે, ગત તા.2 ફેબ્રુઆરીના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય અને પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડૉ.નિદત બારોટે કુલસચિવને કરેલી રજૂઆતમાં જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં કુલપતિ દ્વારા ડૉ. કમલ મહેતાની નિયુક્તિ કરવામાં આવી છે. આ સંદર્ભે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસેથી મને મળેલી RTI ની માહિતીમાં જે વિગત મળી છે. તેમાં ડૉ.કમલ મહેતા દ્વારા પ્રકાશિત સંશોધન પત્રો અને અન્ય પ્રકાશનોની યાદી સામેલ છે. આ યાદી કમલ મહેતા એ પોતે સહી કરીને યુનિવર્સિટીમાં આપેલી છે. જે RTI દ્વારા મને મળી છે. તેમણે પ્રસિદ્ધ કરેલ રિસર્ચ પેપર્સની યાદી ચકાસતા, નીચે મુજબની બાબતો ઉડીને આંખે વળગે છે. જેમકે તેમણે પ્રસિદ્ધ કરેલા સંશોધન પત્રો વર્ષ 2015, 2016, 2017, 2018, 2019, 2020, 2021, 2022 આમ દર વર્ષે એક Vidhyayana નામના ઓનલાઈન જર્નલમાં પ્રસિદ્ધ થયા છે. આપની પહેલાના કુલપતિ ડૉ. નીલાંબરી દવે દ્વારા કમલ મહેતાને EC માટે લાયક ગણ્યા ન હતા અને તેમાં કારણ આપવામાં આવ્યું હતું કે તેમની પાસે પૂરતા પ્રમાણમાં રિસર્ચ પેપર ISSN વાળા જર્નલમાં પ્રસિદ્ધ થયેલ નથી. આમ કમલ મહેતાના રિસર્ચ પેપર ISSN જર્નલમાં કેવી રીતે આવ્યા તે જાણવું જરૂરી લાગતા તેનું ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું અને આ ટેકનિકલ એનાલિસિસને તપસતા નીચે મુજબની બાબતો ધ્યાનમાં આવી છે. 1. બધા જ પેપરને ડાઉનલોડ કરીને તપસતા પહેલી દ્રષ્ટિએ આ પેપર વર્ષ 2014 થી 2022 દરમિયાન પ્રસિદ્ધ થયાં હોય તેવું દેખાય છે પરંતુ PDF ડોક્યુમેન્ટની પ્રોપર્ટી જોવામાં આવે તો આ બધા જ પેપર તા.30/12/2024 ના રોજ અપલોડ કરવામાં આવ્યા હોય તેનો આધાર Vidhyayana ની વેબસાઇટ ઉપરથી જ મળી શકે છે. 2. જર્નલના ઇન્ડેક્સમાં કમલ મહેતાનું નામ દેખાતું નથી કારણ કે જ્યારે જર્નલ પ્રસિદ્ધ થયું ત્યારે તેમનું પેપર નહતું. પાછળથી પેપર અપલોડ કરાતા તેમનું નામ ઇન્ડેક્સમાં નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે IQAC દ્વારા દર વર્ષે NAAC, ને મોકલવાનો થતો AQAR બનાવેલો હોય છે. આ AQAR માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના દરેક અધ્યાપકે પોતે કરેલા સંશોધન સંબંધી વિગતો આપવાની હોય છે. આ વિગતોને આધારે યુનિવર્સિટી દ્વારા મૂલ્યાંકન માટે SSR તૈયાર કરવામાં આવે છે. કમલ મહેતા દ્વારા 2014 થી 2022 સુધીના આ પેપરનો ઉલ્લેખ AQAR માં કરવામાં આવેલ છે કે કેમ તેની પણ તપાસ કરવી જોઈએ. કોઈપણ પ્રોફેસર માટે સિનિયર પ્રોફેસરનું પ્રમોશન મેળવવાના ખોટા ઈરાદાથી, જૂની તારીખમાં સંશોધન પત્રો છપાવવા, તેની વિગત યુનિવર્સિટીમાં રજૂ કરી, પ્રમોશન મેળવવાનો પ્રયાસ કરવો તે અતિ ગંભીર ક્રિમિનલ ગુન્હો છે. રાજ્ય સરકાર પાસેથી ખોટી રીતે વધારાનો આર્થિક લાભ લેવા માટે કરવામાં આવેલું સમજણ પૂર્વકનું ષડયંત્ર છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તા મંડળમાં સભ્ય થવા માટે આપવામાં આવેલા આ ખોટા સંશોધન પત્રોનો ઉપયોગ એ માત્ર ગુનાહિત કૃત્ય નથી પરંતુ ખોટી રીતે લાયક ન હોવા છતાં, કુલપતિને છેતરી ને, સત્તા મંડળમાં સભ્ય બનવા માટેનું જાણી જોઈને કરેલી ગુનાહિત પ્રવૃતિ છે. આગામી દિવસોમાં સિનિયર પ્રોફેસરોના CAS ના ઈન્ટરવ્યૂ થનાર છે. મારી આ ફરિયાદને કમલ મહેતાના ખોટી રીતે સિનિયર પ્રોફેસર થવાના પ્રયાસને અટકાવી, રાજ્ય સરકારને થનાર લાખો રૂપિયાના નુકશાનને અટકાવવું જોઈએ તેવી માંગણી ગણવી. મહેતાની EC માં કરેલી નિયુક્તિને તાત્કાલિક સ્થગિત કરવા માંગણી છે. મારી ફરિયાદ સંદર્ભે તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવી.
જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા દ્વારા જિલ્લાના પોલીસ તંત્રમાં વહીવટી કાર્યક્ષમતા વધારવા અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત જિલ્લામાં ફરજ બજાવતા 9 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે. આ ફેરબદલને પગલે પોલીસ બેડામાં ભારે ચર્ચાઓ જાગી છે અને તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી નવી જગ્યાએ ચાર્જ સંભાળવા સૂચના અપાઈ છે. બદલીની વિગતો મુજબ લીવ રીઝર્વમાં રહેલા વાય.બી. રાણાને હવે જૂનાગઢ શહેરના મહત્વના ગણાતા બી-ડીવીઝન પોલીસ સ્ટેશનની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે બી-ડીવીઝનમાં અત્યાર સુધી ફરજ બજાવતા જે.જે. પટેલની બદલી માંગરોળ ખાતે કરવામાં આવી છે. તેવી જ રીતે માંગરોળમાં કાર્યરત એસ.કે. દેસાઈને હવે જૂનાગઢના એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નિમણૂક આપવામાં આવી છે. ધાર્મિક અને પ્રવાસન દ્રષ્ટિએ મહત્વના એવા ભવનાથ પોલીસ સ્ટેશનમાં પણ ફેરફાર જોવા મળ્યો છે. મેંદરડાના પોલીસ ઇન્સ્પેક્ટર પી.સી. સરવૈયાની બદલી ભવનાથ ખાતે કરવામાં આવી છે. ભવનાથમાં ફરજ બજાવતા એમ.સી. પટેલને શીલ ખાતે મોકલવામાં આવ્યા છે. આ સાથે જ શીલના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી. રાઠોડની બદલી હવે મેંદરડા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.અન્ય ફેરફારોમાં લીવ રીઝર્વમાં રહેલા આર.એ.ચૌધરીને ભેંસાણ ખાતે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. ભેંસાણથી આર.પી. વણઝારાની બદલી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. જ્યારે ટ્રાફિક પોલીસ સ્ટેશનના એચ.કે. હુંબલને લીવ રીઝર્વમાં મૂકવામાં આવ્યા છે. આ તમામ અધિકારીઓએ પોતાની નવી નિયુક્તિના સ્થળે હાજર થઈને તે અંગેનો વિગતવાર અહેવાલ પોલીસ અધિક્ષકની કચેરીને તાત્કાલિક મોકલી આપવા આદેશમાં જણાવાયું છે.
ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરત જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. સુરતના ગોથાણ ગામ ખાતે આયોજિત ભવ્ય 'બૂથ ક્ષેત્રીય સંમેલન'માં તેમણે કાર્યકરોને જીતનો મંત્ર આપી રાજ્યમાં ચૂંટણીલક્ષી રણનીતિના વિધિવત શ્રીગણેશ કર્યા હતા. દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં શક્તિપ્રદર્શનઆ સંમેલનમાં કેજરીવાલની સાથે પક્ષના તમામ મોટા ગજાના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા. જેમાં મુખ્યત્વે0ચૈતર વસાવા (ધારાસભ્ય અને આદિવાસી નેતા) ગોપાલ ઇટાલિયા (ધારાસભ્ય અને સ્ટાર પ્રચારક), ઈસુદાન ગઢવી (પ્રદેશ પ્રમુખ) અને ગોપાલ રાય (દિલ્હીના કેબિનેટ મંત્રી) સહિત રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં ઉમટી પડેલા કાર્યકર્તાઓને સંબોધતા કેજરીવાલે સંવાદ સાધ્યો હતો અને સંગઠનને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. આઝાદીની લડાઈથી લઈ અને આમ આદમી પાર્ટીની લડાઈ સુધીના અનેક દાખલાઓ આ સભામાં ગોપાલ ઇટાલિયાએ વિવાદિત નિવેદન કરતા જણાવ્યું હતું કે, સત્તામાં બેઠેલો માણસ ઉંચી ખુરશી પર બેઠો હોય એટલે એને એમ લાગે કે નાના માણસો કંઈ નહીં કરી શકે, આ તો સામાન્ય માણસ છે, સામાન્ય ખેડૂત છે, સામાન્ય મજૂરી કરતો વ્યક્તિ છે, આ કંઈ નહીં કરી શકે એવું ગાંધીનગરની ઉંચી ખુરશી પર બેઠેલા ભાજપવાળાને લાગતું હોય પણ સામાન્ય માણસ આ દેશમાં શું કરી શકે ને તે આઝાદીની લડાઈથી લઈ અને આમ આદમી પાર્ટીની લડાઈ સુધીના અનેક દાખલાઓ આપણી નજર સામે છે. હું મારા દેશને આઝાદ કરાવીને રહીશદેશમાં અંગ્રેજોની હકુમત હજારો વર્ષો સુધી એમની સરકારો ચાલી અને ગોળીઓ-બંદૂકના ડરથી એમણે શાસન ચલાવ્યું પણ એક સામાન્ય દેશનો નાગરિક ઉભો થયો અને કીધું કે, હું મારા દેશને આઝાદ કરાવીને રહીશ. અંગ્રેજોની ગોળીમાં શું તાકાત છે એ અમારી છાતી અમે બતાવીને જોઈ લઈશું ત્યારે જઈને દેશમાં આઝાદી આવી. અને એટલે એવું કહેવાય છે કે નાનો માણસ જે ધારે એ થાય, પણ નાનો માણસ ધારે તો! આ જ દેશના, ગુજરાતના કરોડો નાના માણસોને વિનંતી કરવા માટે આમ આદમી પાર્ટી આવી છે. આ આમ આદમી પાર્ટીના મંચ ઉપર બેઠેલા સૌ આગેવાનો શા માટે લડાઈ લડે છે? કલેક્ટર-એસપીને 5 લાખ ખવડાવો એટલે કામ કરવા માંડેગોપાલભાઈ કે ચૈતરભાઈ કે ઈસુદાનભાઈ કે અમારા તમામ આગેવાનો... જેટલી શક્તિ, જેટલી બુદ્ધિ, જેટલું બળ ભાજપ સામે લડવામાં લગાવે છે એના કરતા અડધી બુદ્ધિ અને અડધું બળ ભ્રષ્ટાચાર કરવામાં લગાવે તો અત્યારે ક્યાંયના ક્યાંય થઈ જાય એવા સક્ષમ માણસો છે. ચૈતરભાઈ કે હું અત્યારે રાજકારણ છોડી દઈએ અને વેપાર ધંધામાં લાગી જઈએ તો સારામાં સારા રૂપિયા કમાઈએ, ઈજ્જતથી જીવીએ અને કમાયેલા રૂપિયા ભાજપવાળાને કે એને ત્યાં નોકરી કરતા બે-ચાર સાહેબોને ખવડાવી-પીવડાવીએ તોય આપણું બહુ વજન પડ્યા કરે. કલેક્ટરોને 5 લાખ ખવડાવો, એસપી-ડીએસપીને ખવડાવો એટલે તમેય જાણો છો ને હુંય જાણું છું કે કેવું કામ કરવા માંડે. તો શા માટે હેરાનગતિ ભોગવવી? જેલ શા માટે? અમે વેપાર કરીએ, કરોડો કમાઈએ, થોડાક કલેક્ટરને, થોડાક મામલતદારને, થોડાક ધારાસભ્યને કવર મોકલાવીએ અને મજા-મજાનું જીવન જીવી શકીએ એમ છીએ કે નહીં? કયો જોઈએ બધા. ક્યો ભાઈ, મજા-મજાનું એવું જીવન જીવી શકીએ એમ છીએ કે નહીં? (લોકો: હા!) હું વકીલ છું, હાઈકોર્ટમાં વકીલાત કરું, વર્ષે કરોડો રૂપિયા કમાઈએ અને થોડું ઘણું કવર નીચેથી આપ્યા કરીએ તો જિંદગીમાં મારા ઉપર એકેય એફઆઈઆર થાય? ચૈતરભાઈ પર થાય એકેય એફઆઈઆર? ન થાય! ભાજપ અને હર્ષ સંઘવી, સી.આર. પાટીલ પર આકરા પ્રહારોકાર્યક્રમ દરમિયાન 'આપ'ના નેતાઓએ શાસક પક્ષ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ખાસ કરીને સી.આર. પાટીલ અને હર્ષ સંઘવી નિશાને લેતા કેજરીવાલ અને અન્ય નેતાઓએ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા હતા. શિક્ષણ, આરોગ્ય અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર ભાજપ સરકારને ઘેરી હતી. ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવીએ સ્પષ્ટ કર્યું હતું કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 'આપ' પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરશે. ગુજરાતની જનતા હવે પરિવર્તન ઈચ્છી રહી છે અને તેની શરૂઆત સુરતથી થઈ ચૂકી છે. ગોથાણ ખાતેના આ સંમેલનથી પક્ષે સ્પષ્ટ સંકેત આપ્યો સુરત એ આમ આદમી પાર્ટી માટે ગુજરાતનો ગઢ ગણાય છે. ગોથાણ ખાતેના આ સંમેલનથી પક્ષે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેઓ આગામી પાલિકા અને પંચાયતની ચૂંટણીઓમાં ભાજપને સીધી ટક્કર આપવા તૈયાર છે. કાર્યકરોમાં જોવા મળેલો ઉત્સાહ આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફારોના સંકેત આપી રહ્યો છે. ખેડૂતો ખૂબ જ નારાજ છે અને આ વખતે ગુસ્સામાં છેઅરવિંદ કેજરીવાલે સુરતમાં પોતાના સંબોધનની શરૂઆત કેમ છો? મજામાં?થી કરી હતી અને જણાવ્યું હતું કે, આજે તમારી વચ્ચે આવીને ખૂબ સારું લાગી રહ્યું છે. હમણાં છેલ્લા ૧૦-૧૨ દિવસથી અમારા નેતા પ્રવીણ રામ, મનોજ સોરઠીયા અને ઈશુદાન ગઢવી સોમનાથ ભગવાનના ત્યાંથી ગામે-ગામ પદયાત્રા કાઢી રહ્યા છે. જે-જે ગામોમાં તેઓ ગયા, ત્યાં હજારો ખેડૂતોને મળ્યા. ખેડૂતો ખૂબ જ નારાજ છે અને આ વખતે ગુસ્સામાં છે. જ્યાં પણ તેઓ ગયા, લોકોએ એક જ વાત કહી: આ વખતે બોટાદનો બદલો લેવાનો છે. ખેડૂતોને ખૂબ માર માર્યો અને તેમને ઘરમાંથી ખેંચી-ખેંચીને લઈ ગયાતમને ખબર જ હશે કે, બોટાદમાં શું થયું હતું? બોટાદમાં થોડા દિવસો પહેલા કેટલાક ખેડૂતો ભેગા થયા હતા અને 'કરડા પ્રથા' (કરાર આધારિત ખેતીમાં થતા અન્યાય) વિરુદ્ધ શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહ્યા હતા. કોઈ પથ્થર નહોતો ફેંક્યો, કોઈને માર્યા નહોતા. પ્રદર્શન કરવું એ આપણો અધિકાર છે. તેઓ પ્રદર્શન કરી રહ્યા હતા અને પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો. ખેડૂતોને ખૂબ માર માર્યો અને તેમને ઘરમાંથી ખેંચી-ખેંચીને લઈ ગયા. 85 જેટલા ખેડૂતોને મહિનાઓ સુધી જેલમાં રાખવામાં આવ્યા. આજે આખા ગુજરાતના ખેડૂતોમાં જબરદસ્ત વિદ્રોહ અને ગુસ્સો છે. ખેડૂતો ભાજપ પાસેથી બદલો લેવા માંગે છે. આ ચૂંટણીમાં ખેડૂતો ભાજપને પાઠ ભણાવશે. બધું જ ખાઈ ગયા આ ભાજપવાળા છેલ્લા 30 વર્ષથીછેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. ગુજરાતને ચૂસી લીધું પૂરી રીતે. બધું જ ખાઈ ગયા આ ભાજપવાળા, બધું જ ખાઈ ગયા. ખેડૂતોના બીજ ખાઈ ગયા, ખેડૂતોનું ખાતર ખાઈ ગયા, ખેડૂતોનું પાણી પી ગયા, ખેડૂતોના પૈસા ખાઈ ગયા. વેપારીઓનો વેપાર ખાઈ ગયા, બેરોજગારોની રોજગારી ખાઈ ગયા. શાળાઓ ખાઈ ગયા, હોસ્પિટલો ખાઈ ગયા, રસ્તાઓ ખાઈ ગયા, પુલ ખાઈ ગયા. મજૂરોનું મનરેગા ખાઈ ગયા. આ લોકો રેતી ખાઈ ગયા, લોખંડ ખાઈ ગયા, માટી ખાઈ ગયા, બધું જ ખાઈ ગયા આ ભાજપવાળા છેલ્લા 30 વર્ષથી. ચૂસી લીધું એમણે ગુજરાતને! અને જે એમની સામે અવાજ ઉઠાવે છે, એના પર અત્યાચાર કરે છે. જે એમની સામે, ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવે છે, એના પર ખોટા કેસ કરીને એને જેલમાં નાખી દે છે. ચૈતર વસાવાએ રેકોર્ડ માગ્યા તો જેલમાં નાખી દીધાચૈતર વસાવાએ મનરેગામાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો. મનરેગામાં આ લોકો ખોટા રેકોર્ડ ભરે છે. દેખાડી દે છે કે આ કામ થયું, પણ કામ થયું હોતું નથી અને એના પૈસા એમના મંત્રીઓ ખાઈ જાય છે, એમના નેતાઓ ખાઈ જાય છે. ચૈતર વસાવાએ કહ્યું કે મને બધા રેકોર્ડ બતાવો, તો ચૈતર વસાવાને ઉપાડીને જેલમાં નાખી દીધા. ચૈતર વસાવા તમારા લોકો માટે લડી રહ્યા હતા. પ્રવીણ રામે ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો, તો પ્રવીણ રામને ઉપાડીને જેલમાં નાખી દીધા. ચાર મહિના ચૈતર વસાવા જેલમાં હતા, ચાર મહિના પ્રવીણ રામ જેલમાં હતા. જે એમની સામે અવાજ ઉઠાવે છે એને પકડીને જેલમાં નાખી દે છે. આપણા બાળકોને, આપણા આખા પરિવારને બરબાદ કરવામાં લાગેલા છેઆજે આપણા યુવાનો, નવજુવાનો બેરોજગાર ફરી રહ્યા છે. એમની પાસે રોજગાર માંગવા જાય છે તો એ એના હાથમાં નકલી દારૂની બોટલ પકડાવી દે છે. આખા ગુજરાતમાં નકલી દારૂ વેચાઈ રહ્યો છે. કેટલાય બાળકો મરી ગયા નકલી દારૂથી. આપણા યુવાનો રોજગાર માંગે છે, તો એના હાથમાં નકલી દારૂ પકડાવી દે છે. એના હાથમાં પડીકી પકડાવી દે છે – કોકેઈનની પડીકી, હેરોઈનની પડીકી, ગાંજાની પડીકી પકડાવી દે છે. આપણા બાળકોને, આપણા આખા પરિવારને બરબાદ કરવામાં લાગેલા છે, પૂરેપૂરા પરિવારને. પરિવારો બરબાદ થાય તેની આપણે રાહ જોઈ રહ્યા છીએ?મેં ગુજરાતના અનેક ગામોની મુલાકાત લીધી છે. હું એવા કેટલાય પરિવારોને જાણું છું જેમના બાળકો નકલી દારૂ પીવાને કારણે મૃત્યુ પામ્યા છે. હું એવા કેટલાય પરિવારોને જાણું છું જેમના બાળકો ડ્રગ્સના રવાડે ચઢી ગયા છે અને આખા પરિવારો બરબાદ થઈ ગયા છે. પણ કસૂર આપણો છે... આપણો કસૂર છે કે આપણા બાળકો મરી રહ્યા છે, બરબાદ થઈ રહ્યા છે તેમછતાં આપણે જઈને 'કમળ'નું બટન દબાવીએ છીએ. કેમ? આપણે ક્યારે જાગીશું? હજી કેટલા પરિવારો બરબાદ થાય તેની આપણે રાહ જોઈ રહ્યા છીએ? લાખો બાળકોનું ભવિષ્ય બરબાદ થઈ ગયું છેમોરબીનો પુલ પડ્યો, 140 લોકોના મોત થયા. વડોદરામાં પુલ પડ્યો, 22 લોકોના મોત થયા. છેલ્લા 5 વર્ષમાં 12 જેટલા પુલ પડી ગયા છે. આપણે હજી કેટલા લોકોના મોતના સમાચાર સાંભળવા માંગીએ છીએ? આપણે ક્યારે જાગીશું? હજી કેટલા પુલ તૂટવાની રાહ જોઈ રહ્યા છીએ? એક ગરીબ ખેડૂત પોતાની જમીન વેચીને, પત્નીના ઘરેણાં ગીરવે મૂકીને પોતાના બાળકને ભણવા મોકલે છે. તેનો દીકરો અમદાવાદ, સુરત કે રાજકોટમાં રાત-દિવસ મહેનત કરીને ભણે છે અને જ્યારે તે પરીક્ષા આપવા જાય ત્યારે પેપર લીક થઈ જાય છે. દરેક વખતે પેપર લીક થાય છે! લાખો બાળકોનું ભવિષ્ય બરબાદ થઈ ગયું છે. આપણે હજી કેટલા બાળકોનું ભવિષ્ય બરબાદ થાય તેની રાહ જોઈ રહ્યા છીએ? પેપર લીક થતા રહેશે અને આપણે ચૂપ બેસી રહીશું? ભ્રષ્ટાચાર થતો રહેશે અને આપણે ચૂપ બેસી રહીશું? રસ્તાઓ તૂટતા રહેશે અને આપણે ચૂપ રહીશું? સરકારી હોસ્પિટલોમાં આપણા બાળકોના મોત થતા રહેશે અને આપણે કશું જ નહીં કરીએ? પ્રાઈવેટ શાળાઓ આપણને લૂંટતી રહેશે અને આપણે બધું સહન કરતા રહીશું? હર્ષ સંઘવી અને પાટીલના ઘરમાં તો પાણી નથી ભરાતુંઆજે આપણે સુરતમાં બેઠા છીએ. ગયા વર્ષે ચોમાસા દરમિયાન સુરતની જે તસવીરો આખા દેશમાં ટીવી પર આવી હતી તે ભયાનક હતી. થોડો વરસાદ પડે એટલે સુરતમાં ઘરે-ઘરે પાણી ભરાઈ જાય છે. આખા શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે. મોટા-મોટા અમીરોનાં બેડરૂમ અને ડ્રોઈંગરૂમ સુધી પાણી પહોંચી જાય છે. 30 વર્ષના શાસનનું આ પરિણામ છે! હર્ષ સંઘવી પણ સુરતમાં રહે છે, તેના ઘરમાં પાણી નથી ભરાતું. સી.આર. પાટીલ પણ સુરતમાં રહે છે, તેના ઘરમાં પાણી નથી ભરાતું. સરકારી પૈસા જનતા માટે ખર્ચ થવા જોઈએ કે ના થવા જોઈએ?તમારા ઘરમાં પાણી ભરાય છે. આ લોકો તમને કીડા-મકોડા પણ નથી સમજતા અને આપણે તેમની પાછળ પાછળ ફરતા રહીએ છીએ દોસ્તો. આને બદલવું છે કે નથી બદલવું? કંઈક કરવું છે કે નથી કરવું? ભ્રષ્ટાચાર બંધ થવો જોઈએ કે ના થવો જોઈએ? ગુંડાશાહી બંધ થવી જોઈએ કે ના થવી જોઈએ? જનતાની સુનાવણી થવી જોઈએ કે ના થવી જોઈએ? સરકારી પૈસા જનતા માટે ખર્ચ થવા જોઈએ કે ના થવા જોઈએ? તો આ વખતે વિસાવદરવાળી કરી દો! આ વખતે વિસાવદરવાળી કરી દો! વિસાવદરવાળાએ દેખાડી દીધું કે જ્યારે જનતા ઉભી થઈ જાય ત્યારે મોટા-મોટા સિંહાસનો ડોલી જાય છે. અમારા ગોપાલ ઈટાલિયા વિસાવદરથી ઊભા છે. એક નાના સામાન્ય પરિવારનો સામાન્ય માણસ છે. એ નેતાનો દીકરો નથી. ગોપાલ ઈટાલિયા કોઈ અમીર અબજોપતિનો દીકરો નથી. એક ખેડૂતનો દીકરો છે, પોલીસમાં કામ કરતો હતો. નાની એવી નોકરી કરતો હતો પોલીસમાં. એના અંદરનું સ્વમાન જાગ્યું, એણે વિચાર્યું કે મારે દેશ માટે કંઈક કરવું છે. એણે વિચાર્યું કે મારે મારા ગુજરાતના લોકો માટે કંઈક કરવું છે. એણે પોલીસની નોકરી છોડી દીધી! એક આમ આદમીને જીતાડી દીધો જનતાએ પોતેકોઈ પોલીસની નોકરી છોડે છે? કેટલા પૈસા કમાઈ લે છે એક દિવસમાં? એણે પોલીસની નોકરી છોડી દીધી, લાત મારી દીધી! છેલ્લા 15 વર્ષથી સમાજસેવા અને રાજનીતિમાં દર-દરની ઠોકરો ખાતો ફરે છે. તેની સામે મોટા-મોટા નેતાઓ ઉભા હતા વિસાવદરમાં, મોટા-મોટા પૈસાવાળા ઉભા હતા, મોટી-મોટી પાર્ટીઓ ભાજપવાળા, કોંગ્રેસવાળા ઉભા હતા પરંતુ, વિસાવદરની જનતાએ ઠાની લીધું અને તેમણે બધાને હરાવી દીધા અને એક આમ આદમીને જીતાડી દીધો જનતાએ પોતે. ચૂંટણી પૂરી થઈ જાય એટલે દરવાજો નથી ખોલતાહવે આખા ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે દોસ્તો. દર પાંચ વર્ષે આપણે વોટ આપીએ છીએ. દરેક વખતે ચૂંટણીમાં આ નેતાઓ આવે છે, કેવી રીતે આવે છે? હાથ જોડીને ઉભા રહે છે, દરવાજો ખખડાવે છે, હાથ જોડીને ઉભા રહે છે. કરે છે કે નથી કરતા? તમારા પગ પકડે છે, તમારા બાળકને તેડે છે, ફોટા પડાવે છે, બાળકને વહાલ કરે છે. બહુ પ્રેમ બતાવે છે, તમારી દાદીના પગે લાગે છે અને જેવા ચૂંટણી પૂરી થઈ જાય એટલે જ્યારે તમે એમના ઘરે જાઓ ત્યારે કૂતરા છોડી દે છે. દરવાજો નથી ખોલતા, તમને મળતા નથી, ગાળો આપે છે. કહે છે સાહેબ બીઝી છે, સાહેબ બીઝી છે. આપણને મળતા નથી, પાંચ વર્ષ સુધી આ લોકો મળતા નથી. શું કરે છે પાંચ વર્ષ? પૈસા, પૈસા, પૈસા... પૈસા કમાવવામાં લાગી જાય છે. મંત્રી બની જાય તો કેટલીય કોઠીઓ બની જાય છેએક માણસ MLA બની જાય એટલે લાંબી-લાંબી ગાડીઓ આવી જાય છે એના ઘરે. મંત્રી બની જાય તો કેટલીય કોઠીઓ બની જાય છે, મોલ બની જાય છે. મોટા મોટા મોલ છે આ નેતાઓના, મોટી-મોટી પ્રોપર્ટી છે આ નેતાઓની. એમના બાળકોને ટિકિટ મળે છે, MLAની ટિકિટ એમના બાળકોને મળે છે, તમારા બાળકોને નથી મળતી. નથી ભાજપવાળા આપતા કે નથી કોંગ્રેસવાળા આપતા. પોતાના બાળકોને ટિકિટ આપે છે, એમના બાળકો MLA બને છે, એમના બાળકો મંત્રી બને છે. આમ આદમી પાર્ટીમાં એવું નથી હોતું. અમારા બધા નેતાઓ અહિયાં બેઠા છે: ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, હેમંત ખાવા, મનોજ સોરઠીયા, ચૈતર વસાવવા, સાગરભાઈ... અમારા બધા નેતાઓ અહિયાં બેઠા છે અને બીજા પણ ઘણા છે જેમના નામ લેવા હું ભૂલી ગયો છું. બધા જ સામાન્ય પરિવારોમાંથી આવે છે, કોઈ નેતાના સંતાનો નથી દોસ્તો. ખેડૂતના દીકરા છે, શિક્ષકના દીકરા છે, પત્રકારના દીકરા છે, તમારા દીકરા છે. આ બધા તમારા જ બાળકો છે, તમારા ઘરોમાંથી જ આવે છે. આમ આદમી પાર્ટી તમારા બાળકોને ટિકિટ આપશે. હમણાં પંચાયતની ચૂંટણી છે, તમારો દીકરો સરપંચ બનશે, તમારો દીકરો વોર્ડ મેમ્બર બનશે, તમારા બાળકોને ટિકિટ મળશે, નેતાઓના બાળકોને નહીં. કોંગ્રેસ-બીજેપીને વોટ નથી આપવો, પોતાને વોટ આપવો છેઆખા દેશમાં વ્યવસ્થા પરિવર્તન કરવું છે. આ વખતે કોઈ પાર્ટીને વોટ નથી આપવો. કોંગ્રેસને વોટ નથી આપવો, બીજેપીને વોટ નથી આપવો. આ વખતે પોતાને વોટ આપવાનો છે, પોતાની સરકાર બનાવવાની છે, જનતાની સરકાર બનાવવાની છે આ વખતે. જનતાની સરકાર બનશે તો બધા કામ થશે. જનતાની સરકાર બનશે તો જે જનતા કહેશે એ જ કામ થશે. જનતાની સરકાર બનશે તો જનતાની ઈજ્જત થશે. નેતાઓનો ભ્રષ્ટાચાર ખતમ કરવામાં આવશે, નેતાઓની ગુંડાગીરી ખતમ કરવામાં આવશે. જનતાની સરકાર બનશે તો સારી શિક્ષણ વ્યવસ્થા મળશે, ગરીબોને સારું શિક્ષણ મળશે, સારા પુલ બનશે, સારા રસ્તાઓ બનશે, બધાનો ઈલાજ થશે. જેને ટિકિટ મળશે એ પણ ચૂંટણી લડશે અને નહીં મળે એ પણ લડશેઆપના મંત્રી ગોપાલ રાયે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કેન્ડિડેટ બનવા માટે ભલે ગમે તેટલા લોકો તૈયાર હોય પણ કેન્ડિડેટ ફક્ત ચૂંટણી નહીં લડે. ચૂંટણી આખી પાર્ટી લડશે. જેને ટિકિટ મળશે એ પણ ચૂંટણી લડશે અને જેને ટિકિટ નહીં મળે એ પણ ચૂંટણી લડશે. આપણે ગુજરાત માટે લડી રહ્યા છીએ. ભાજપે 50 જેટલા લોકોને જેલમાં ધકેલી દીધા. જૂનાગઢના જિલ્લા અધ્યક્ષને પાસા હેઠળ જેલમાં પૂર્યા. સુરતથી શ્રવણભાઈને પાસામાં પૂર્યા. ચૈતરભાઈ જેવા આપણા અનેક નેતાઓને 3-3 મહિના જેલમાં રાખ્યા. લાઠીચાર્જ કરી રહ્યા છે, અપમાન કરી રહ્યા છે અને દમન ચક્ર ચલાવી રહ્યા છે. હું સુરતવાસીઓને એક જ વાત કહેવા માંગુ છું - આખા ગુજરાતમાં જે દમન ચક્ર ચાલી રહ્યું છે, એ ચલાવનાર વ્યક્તિનું નામ છે હર્ષ સંઘવી. અને હર્ષ સંઘવી સુરતમાં રહે છે. ગયા વખતે આપણે સુરત મહાનગરપાલિકામાં વિરોધ પક્ષની જવાબદારી નિભાવી હતી. આ વખતે લાઠી, ગોળી, જેલ અને પાસા - આ બધાનો જવાબ આપણે સુરત મહાનગરપાલિકા જીતીને આપવાનો છે.
રાજકોટ શહેરના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં શીતળાધારમાં ત્રણ માળીયા ક્વાર્ટરમાં રહેતાં મુળ જુનાગઢના બરવાળા-ભેંસાણના મહિલા પર તેના જ પુરૂષમિત્રએ વહેલી સવારે છરીથી હુમલો કરી ગળા, છાતી, પેટ પર આડેધડ ઘા ઝીંકી દેતાં ગંભીર હાલતમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. પતિ સાથે સાત વર્ષ પહેલા છુટાછેડા લીધા બાદ મહિલાએ ગામના જ પુરૂષ સાથે મૈત્રીકરાર કર્યા હતાં અને રાજકોટ રહેતાં હતાં. જો કે હવે આ પુરૂષમિત્ર મોટા ભાગે રાજકોટ રહેવાને બદલે તેના વતનમાં પત્નિ પાસેજ રહેતો હોવાથી મહિલાએ મૈત્રી છુટી કરવાનું અને ફરી પોતાના અગાઉના પતિ પાસે જવાની વાત કરતા ઉશ્કેરાયેલા પુરૂષ મિત્રએ સવારે આવી અને મહિલાનું મોઢું દાબી દઇ છરીના ઘા ઝીંકી ભાગી ગયો હતો અને હવે પ્રેમિકા પણ મરી ગઈ છે તો મારે જીવીને શું કરવું તેવું વિચારી તેણે પણ ક્વાર્ટરની પાછળથી પસાર થતા રેલવે ટ્રેક પર કૂદી ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો છે. શીતળાધાર 25 વારીયામાં શેરી નં.29માં શંકર ભગવાનના મંદિર પાસે રહેતાં કાજલબેન ભુપતભાઇ ગોંડલીયા (ઉ.વ.45) સવારે 5 વાગ્યે ઘરે હતાં ત્યારે તેના મિત્ર જુનાગઢ ભેંસાણના બરવાળા ગામના હિમત વાળાએ આવી છરીથી હુમલો કરતાં ગળા, છાતી, પેટના ભાગે ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને બનાવ અંગે જાણ કરી હતી. પોલીસ તપાસમાં કાજલબેન મુળ મહારાષ્ટ્રના વતની છે તેમના લગ્ન બરવાળાના ભુપતભાઇ ગોંડલીયા સાથે થયા હતા તેમને સંતાનમાં બે દિકરી અને એક દિકરો હોવાનું સામે આવ્યું છે. કાજલબેનનો સંપર્ક સાતેક વર્ષ પહેલા ગામના જ હિમત નામના શખ્સ સાથે થયો હતો ત્યારથી પતિ પત્ની વચ્ચે ચડભડ થતી હતી આ પછી બન્નેએ છુટાછેડા લઇ લીધા હતાં અને કાજલબેન રાજકોટ હિમત સાથે રહેવા આવી ગયા હતાં. આ બંને મૈત્રી કરારથી રહેતાં હતાં. જો કે હિમત પરણેલો હતો અને તેને સંતાન પણ હોવાથી તે ગામમાં પોતાના પરિવાર સાથે પણ રહેતો હતો અને રાજકોટ કાજલબેન સાથે પણ રહેતો હતો. છેલ્લા કેટલાક સમયથી હિમત મોટે ભાગે ગામડામાં તેના પત્નિ સાથે જ રહેતો જેથી કાજલબેને તેની સાથે મૈત્રી કરાર પુરા કરવાનું નક્કી કર્યુ હતું અને ફરીથી પતિ સાથે રહેવા આવી જાય તેવી વાત થઇ રહી હતી. આ બાબતની જાણ હિમતને થતાં તેને ગમ્યું ન હતું આથી તે સવારે 5 વાગ્યે રાજકોટ આવ્યો હતો અને વાતચીત કર્યા બાદ કાજલબેનનું મોઢુ દબાવી દઇ છરીથી જીવલેણ હુમલો કર્યો હતો અને બાદમાં તે ભાગી ગયો હતો. આ પછી કાજલબેન લોહી નીકળતી હાલતમાં સામે રહેતાં મહિલા પાસે ગયા હતાં અને મદદ માંગતાં તેમણે 108 અને પોલીસને જાણ કરી હતી. હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી આરોપીને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતાં દરમિયાન કાજલબેનને છરીના ઘા ઝીંકનાર હિંમત વાળાએ ક્વાર્ટરની પાછળથી પસાર થતી રેલવે લાઇન પાસે પહોંચી ધસમસતી ટ્રેન હેઠળ ઝંપલાવી દીધું હતું હાલ પોલીસે BNS કલમ 109(1) મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર સસ્તા અનાજ દુકાનદારોએ આવેદનપત્ર આપ્યું:પડતર માંગણીઓ અને કમિશન મોડું મળવા બાબતે રજૂઆત
સુરેન્દ્રનગર જિલ્લાના સસ્તા અનાજના દુકાનધારકોએ તેમની વિવિધ પડતર માંગણીઓ અને કમિશન મોડું મળવા સહિતના મુદ્દે જિલ્લા પૂરવઠા અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું છે. દુકાનદારોએ સરકારી કામગીરીમાંથી મુક્તિ અને સમયસર કમિશન ચૂકવવાની માંગ કરી છે. જિલ્લામાં કુલ 519 સસ્તા અનાજની દુકાનોના લાઇસન્સધારકો છે. આ દુકાનદારોને સરકાર દ્વારા ચૂકવવામાં આવતું કમિશન અનિયમિત અને મોડું મળે છે, જેના કારણે તેમને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત, દુકાનદારોને સસ્તા અનાજના વિતરણ ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓ સંબંધિત કામગીરી પણ સોંપવામાં આવે છે. જેમાં સરકારી યોજનાઓની એપ્લિકેશન ડાઉનલોડ કરવા જેવી કામગીરીનો સમાવેશ થાય છે. દુકાનદારોનું કહેવું છે કે આ વધારાની કામગીરીને કારણે તેઓ અનાજના વિતરણ પર પૂરતું ધ્યાન આપી શકતા નથી, જેનાથી ગ્રાહકોને પણ હાલાકી ભોગવવી પડે છે. આ કામગીરી ખરેખર દુકાનદારોની જવાબદારી નથી. આથી, સુરેન્દ્રનગર જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારોએ જિલ્લા પૂરવઠા અધિકારી સમક્ષ રજૂઆત કરી છે કે તેમને આવી બિનજરૂરી સરકારી કામગીરીમાંથી મુક્ત કરવામાં આવે અને તેમનું કમિશન નિયમિતપણે સમયસર ચૂકવવામાં આવે.
અમદાવાદ શહેરમાં સીનીયર સીટીઝન અને વેપારીઓને ટાર્ગેટ કરીને તેમને હનીટ્રેપમાં ફસાવીને લાખો રૂપિયાનો તોડ કરતી ગેંગના બે મહિલા સહિત ત્રણ સાગરિતોને રામોલ પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે અત્યાર સુધીમાં 20 સીનીયર સીટીઝનોને હનીટ્રેપમાં ફસાવીને લાખો રૂપિયા પડાવ્યા છે. આરોપીઓ ગુનાને અંજામ આપવા દર મહિને રૂ. 50 હજારના ભાડે ગાડીઓ પણ લીધી હતી અને તેમજ આરોપીના ફોનમાં અનેક વેપારીઓ સાથેની ચેટ મળી આવી છે. આરોપી નકલી પીઆઇ બનીને લોકોને ડરાવતો હતો. સમગ્ર મામલે હાલ હની ટ્રેપના કૌભાંડ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રામોલમાં વૃધ્ધ વેપારીને હનીટ્રેપમાં ફસાવીને રૂપિયા પડાવવા અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી. તેમાં પોલીસે અગાઉ ત્રણ આરોપીને ઝડપ્યા હતા. જ્યારે ઝોન-5 એલસીબી સ્કવોડ અને રામોલ પોલીસે સમગ્ર કેસમાં ફરાર એવા રવિન્દ્ર હળવદિયા (રહે.અમદાવાદ), ગીતા ગોહિલ (રહે.અમદાવાદ)અને નસરીન ઉર્ફે નાઝ પઠાણ(મૂળ રહે.વલસાડ)ની ધરપકડ કરી છે. આરોપીમાંથી નસરીને વસ્ત્રાલનાં વેપારીને ફસાવી રામોલમાં આવેલા કર્ણાવતી એન્કલેવ ફ્લેટે મળવા બોલાવ્યો હોવાનું સામે આવ્યુ હતું. સોશિયલ મીડિયાથી સંપર્ક કરી સિનિયર સિટીઝનને ફસાવતાઆરોપીઓ અલગ અલગ શહેરમાં મકાન ભાડે રાખી આ રીતે વેપારી અને વૃદ્ધોનો સોશિયલ મીડિયાથી ફસાવી રૂપિયા પડાવતા હતા. ઘરમાં ભોગ બનનાર આવે એટલે તરત જ રવિન્દ્ર હળવદીયા પોલીસ ઈન્સ્પેક્ટર અને ઉપેશ તેમજ હિતેન પોલીસ કોન્સ્ટેબલ બનીને રેડ કરતા અને લાખો રૂપિયા પડાવી લેતા હતા. રવિન્દ્ર પાસે પોલીસનો યુનિફોર્મ પણ હતો અને તેણે પોતાનાં ફોનમાં પીઆઈનાં યુનિફોર્મ સાથેનો ફોટો પણ એડિટીંગ કરીને બનાવ્યો હતો. જે પણ પોલીસને મળી આવ્યો છે. રામોલ પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 8 દિવસનાં રિમાન્ડ મેળવ્યા છે. આરોપીઓ દર મહિને 50000 રૂપિયાની ગાડી પણ ભાડે રાખતા હતા અને તે લઈ જતા હતા. આરોપીઓએ 20 લોકોને ફસાવી રૂપિયા પડાવ્યાનો ખુલાસોઆરોપીઓએ નરોડા, વિવેકાનંદનગર, કીમ, જામનગર, પાલીતાણા અને વડોદરામાં ગુનાઓ નોંધાયેલા છે અને આ સિવાય તેઓએ 20 લોકોને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવ્યા છે. અલગ અલગ જગ્યાએ આરોપીઓએ ગુના આચાર્ય હોવાને લઈને હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ-પાટડી હાઈવે પરથી પોલીસે ઘાસચારાની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આઈસર ટ્રકમાંથી રૂ. 28.73 લાખથી વધુનો દારૂ અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 38.78 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) દ્વારા જિલ્લામાં પ્રોહીબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા અને તેને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. આ માટે અલગ અલગ ટીમો બનાવી હાઈવે રોડ પર ખાસ પેટ્રોલિંગ હાથ ધરવા અને ચોક્કસ બાતમી આધારે કાર્યવાહી કરવા એલ.સી.બી. સુરેન્દ્રનગરને નિર્દેશ અપાયા હતા. આ સૂચનાના આધારે, એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર જે.જે. જાડેજા, પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ. રાયમાનાઓએ તેમની ટીમો સાથે હાઈવે રોડ પર પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. આ દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. માલવણ-પાટડી હાઈવે પર ફાટક પાસે આવેલી એક બંધ હોટલ નજીકથી એક આઈસર ટ્રક (નંબર RJ-04-GC-7986) શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. ટ્રકની તલાશી લેતા, તેમાં ઘાસચારાની આડમાં છુપાવેલો ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો, જેની કિંમત રૂ. 28,73,520/- આંકવામાં આવી છે, તે જપ્ત કર્યો હતો. આ ઉપરાંત, રૂ. 10,00,000/- ની કિંમતની આઈસર ટ્રક અને રૂ. 5,000/- નો મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આમ, કુલ રૂ. 38,78,520/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે ટ્રક ચાલક પોકરારામ કાનારામ જાટ (રહે. ડીંડાવા, તા. સેડવા, જિ. બાડમેર, રાજસ્થાન) ને ઝડપી પાડી, બજાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન ધારા હેઠળ ગુનો નોંધ્યો છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓમાં દેવારામ જાટ (રહે. રામનગર, જિ. બાડમેર), મોરબી ખાતે દારૂનો જથ્થો મંગાવનાર વ્યક્તિ અને આઈસર ટ્રકના માલિકનો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા આ તમામ આરોપીઓને ઝડપી પાડવા અને તપાસમાં ખુલે તેવા અન્ય નામો સુધી પહોંચવા માટે વધુ કાર્યવાહી ચાલી રહી છે. આ સફળ કામગીરી એલ.સી.બી. સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર જે.જે. જાડેજા, પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ, પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ. રાયમા, એ.એસ.આઇ. અસલમખાન મલેક, પો.હેડ કોન્સ. યશપાલસિંહ રાઠોડ, દશરથભાઇ ઘાંઘર, અજયસિંહ ઝાલા, પો.કોન્સ. સંજયભાઇ પાઠક, પ્રતાપસિંહ રાઠોડ, ગીરીરાજસિંહ જાડેજા અને ડ્રા.એ.એસ.આઇ. અનિરુધ્ધસિંહ ઝાલા સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
રાજકોટ મહાપાલિકાના વર્તમાન શાસકોનો કાર્યકાળ પૂરો થવા આડે માત્ર 1 દિવસ બાકી છે ત્યારે મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરા અને શાસક પક્ષ વચ્ચેનો ગજગ્રાહ છાપરે ચડ્યો છે. આવતીકાલે તારીખ 10નાં મળનારી જનરલ બોર્ડની ખાસ બેઠક પૂર્વે જ કમિશનરે ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિની દરખાસ્ત રજૂ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દેતા ગરમાવો આવી ગયો છે. બજેટમાં સૂચવેલી આ યોજના અનુસાર રૂ. 50,00,000 થી વધુની ફીમાં ચાર ત્રિમાસિક હપ્તાની રાહત આપવાનું નક્કી કરાયું હતું, પરંતુ કમિશનર આ વિવાદાસ્પદ મુદ્દે જોખમ લેવા તૈયાર નથી. સૂત્રોનાં જણાવ્યા મુજબ, કમિશ્નરનાં આ કડક વલણને પગલે શાસકો 'અરજન્ટ બિઝનેસ' દરખાસ્ત લાવીને પોતાનો મનગમતો ખેલ પાડી દે તેવી પૂરી શક્યતા છે. અગાઉ પણ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટની દરખાસ્ત પેન્ડિંગ રાખી કમિશ્નરનું નાક દબાવવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો. આ ગજગ્રાહને કારણે મનપામાં સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે, જેના લીધે સિટી ઇજનેરો, આઈ.ટી. ડાયરેક્ટર અને ડેપ્યુટી સેક્રેટરી જેવી મહત્વની ભરતીઓ લાંબા સમયથી અટકી પડી છે. તો મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન વચ્ચેના આંતરિક મતભેદો પણ સપાટી પર આવ્યા છે, જેને લઈ ઓફિસર્સ સિલેક્શન કમિટીની બેઠક યોજાતી નથી. જંગલેશ્વર ડિમોલિશન અને સૂર્ય કિરણ એર શો જેવા પ્રસંગોએ પણ તંત્ર અને શાસકો વચ્ચેની તિરાડ સ્પષ્ટ દેખાઈ હતી. હવે જોવાનું એ રહે છે કે આવતીકાલની છેલ્લી બેઠકમાં શાસકો વહીવટી પાંખ સામે કેવો વળાંક લે છે. રાજકોટની પ્રજા પર નવા કરબોજ વિના સુવિધાઓનો વરસાદ, સ્ટે. ચેરમેને અઢીવર્ષમાં 4414 કરોડનાં વિકાસ કામો મંજુર કર્યા રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરનો અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન તેમણે શહેરના સર્વાંગી વિકાસ માટે 48 બેઠકો યોજીને રેકોર્ડબ્રેક રૂા. 4414.10 કરોડના વિકાસ કામોને મંજૂરી આપી છે. મહત્વની વાત એ છે કે, આટલા મોટા પાયે કામો મંજૂર કરવા છતાં શહેરીજનો પર એક પણ રૂપિયાનો કરબોજ ઝીંકવામાં આવ્યો નથી. દૈનિક સરેરાશ રૂા. 4.84 કરોડના કામો મંજૂર કરીને વહીવટી તંત્રએ વિકાસની નવી દિશા કંડારી છે. વિકાસ કામોની વિગતવાર માહિતી મુજબ, સૌથી વધુ રૂ. 1111.71 કરોડ રસ્તાના કામો માટે, રૂ. 700.17 કરોડ વોટર વર્ક્સ અને રૂ. 361.12 કરોડ બ્રીજ નિર્માણ માટે ફાળવવામાં આવ્યા છે. તો શહેરમાં તમામ વોર્ડમાં આધાર કેન્દ્ર, આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી અને લાયબ્રેરી જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. સાઉથ ઝોનના લોકો માટે વિશેષ પ્રોજેક્ટ્સ, નવા રિંગ રોડ પર આઇકોનિક બ્રીજ, દરેક ઝોનમાં સ્પોર્ટ્સ સંકુલ અને પર્યાવરણની જાળવણી માટે 13 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, સામાજિક જવાબદારીના ભાગરૂપે જન્મ-મરણની પ્રથમ 5 નકલ વિનામૂલ્યે આપવાની પહેલ કરાઈ છે. મહિલાઓ માટે 'પિંક બસ', મિલકત વેરામાં વ્યાજ રાહત અને દિવ્યાંગો તેમજ વરિષ્ઠ નાગરિકો માટે સીટી બસમાં ફ્રી મુસાફરી જેવી અનેક યોજનાઓ અમલી બનાવીને જયમીન ઠાકરે રાજકોટને આધુનિક સુવિધાઓથી સજ્જ કર્યું છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડ - કોઠારીયા ચોકડી પાસેના બ્રિજને પિલર બ્રિજમાં રૂપાંતરિત કરવાની ચર્ચા થઈ રાજકોટ શહેરમાંથી જતા નેશનલ હાઈવે પર વધતી જતી ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ અને શહેરના સુવ્યવસ્થિત વિકાસ અર્થે ધારાસભ્ય રમેશ ટિલાળાના કાર્યાલય ખાતે સાંસદ પરસોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને નેશનલ હાઈવે પ્રોજેક્ટ ટીમના અધિકારીઓ સાથે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત પરામર્શ કરવા મિટિંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ અને કોઠારીયા ચોકડી પાસે આવેલા બ્રિજને પિલર બ્રિજમાં રૂપાંતરિત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ વિસ્તારની અનેક રહેણાંક સોસાયટીઓને ધ્યાને રાખી, પિલર બ્રિજ બનાવવાથી નીચેના ભાગે પૂરતી જગ્યા પ્રાપ્ત થશે. જે ટ્રાફિકના ભારણને હળવું કરવામાં અને સ્થાનિક વાહન ચાલકોની સુવિધામાં નોંધપાત્ર વધારો કરશે. આ ઉપરાંત કોઠારીયા ચોકડી બ્રિજ, આજી નદી બ્રિજ અને ખોખળદળ નદીના બ્રિજને વર્તમાન જરૂરિયાત મુજબ પહોળા કરવા અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો. આ સાથે જ હાઈવેની બંને બાજુ સુવિધાસભર સર્વિસ રોડના નિર્માણ પર ભાર મૂકવામાં આવ્યો હતો અને ગ્રીનલેન્ડ ચોકડી ખાતે ટ્રાફિકના યોગ્ય સંચાલન માટે આધુનિક ક્રોસિંગ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા બાબતે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કોર્પોરેશન બાદ હવે પંચાયતોમાં વહીવટદાર શાસનની તૈયારી, રાજકીય ગરમાવો રાજકોટ કોર્પોરેશનના વર્તમાન બોર્ડની મુદત પૂર્ણ થતા વહીવટદારોના નામ જાહેર કરાયા છે, ત્યારે હવે સૌની નજર જીલ્લા અને તાલુકા પંચાયતો પર ટકેલી છે. રાજકોટ જીલ્લા પંચાયતની મુદત આગામી 16 માર્ચના રોજ પૂર્ણ થઈ રહી છે. આ સ્થિતિમાં સરકાર વહીવટદાર તરીકે અધિકારીઓની નિમણૂક કરશે કે અગાઉની જેમ પ્રમુખ-ઉપપ્રમુખને જવાબદારી સોંપશે, તેને લઈ સસ્પેન્સ સર્જાયું છે. વર્ષ 2010-2015ની ટર્મ સમયે ચૂંટણીમાં વિલંબ થતા 5 મહિના સુધી પદાધિકારીઓએ વહીવટ સંભાળ્યો હતો. જોકે, આ વખતે કોર્પોરેશનોમાં સચિવ કક્ષાના અધિકારીઓને મુકવામાં આવ્યા હોવાથી હવે પંચાયતોમાં પણ જીલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) કે તાલુકા વિકાસ અધિકારી (ટીડીઓ)ને આ જવાબદારી સોંપાય તેવી પ્રબળ શક્યતા છે. બીજી તરફ, મુદત પૂર્ણ થતી હોવાથી સભ્યો બાકી કામોના હિસાબો મેળવવામાં વ્યસ્ત બન્યા છે. નવા અનામત રોસ્ટરને કારણે અનેક મુરતિયાઓના પત્તા કપાય તેવી ભીતિ વચ્ચે નેતાઓ પોતાના નજીકના સંબંધીઓને ટિકિટ અપાવવા માટે અત્યારથી જ સક્રિય થયા છે. રાજકોટમાં રોગચાળાની સ્થિતિ, ગત સપ્તાહે નોંધાયા સામાન્ય તાવ અને શરદી-ઉધરસના વધુ કેસ રાજકોટ શહેરમાં છેલ્લા સપ્તાહ દરમિયાન નોંધાયેલા રોગચાળાના આંકડા મુજબ, શરદી-ઉધરસના 736 અને સામાન્ય તાવના 613 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુનો 1 કેસ નોંધાયો છે, જ્યારે મેલેરિયા અને ચિકુનગુનિયાનો કોઈ કેસ નોંધાયો નથી. અન્ય રોગોમાં ઝાડા-ઉલટીના 199 અને કમળાના 2 કેસ સામે આવ્યા છે. વર્ષ 2026ની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ કેસોની સંખ્યા જોઈએ તો શરદી-ઉધરસના 9348, સામાન્ય તાવના 7216, ઝાડા-ઉલટીના 1961, ડેન્ગ્યુના 8, મેલેરિયાના 2 અને કમળાના 10 કેસ નોંધાઈ ચૂક્યા છે. રોગચાળાના નિયંત્રણ માટે રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. ગત સપ્તાહ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા 12065 ઘરોમાં પોરાનાશક કામગીરી અને 1605 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું છે. મચ્છર ઉત્પત્તિ સબબ તપાસ હાથ ધરી રહેણાંકમાં 83 અને કોમર્શિયલ એકમોમાં 26 આસામીઓને નોટીસ ફટકારવામાં આવી છે. ઉપરાંત, પાણીજન્ય રોગો અટકાવવા માટે કુલ 975 ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે. સાથે મનપા દ્વારા લોકોને સ્વચ્છતા જાળવવા અને મચ્છરના ઉત્પત્તિ સ્થાનો સર્જાય નહીં તે માટે તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.
ભાવનગર જીલ્લાના ઘોઘા તાલુકાના પીપરાળા ગામે દોઢ વર્ષ પૂર્વે વાડીમાં બકરા ચરાવવા તેમજ નીલગીરીના વૃક્ષો કાપી નાખવાની બાબતે ઠપકો આપતા ઉશ્કેરાયેલા પિતા-પુત્રએ એક સંપ કરી કૌટુંબીક ભાઈ ઉપર તલવાર સહિતના હથિયારો વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવી નાખતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો. પિતા-પુત્રને આજીવન કેદની સજા તેમજ રોકડ 10,000નો દંડ ફટકાર્યો આ અંગેનો કેશ આજરોજ ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં ચાલી જતા કોર્ટે સરકારી વકીલ તેમજ પ્રોસીક્યુશનની અસરકારક દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વગેરે ધ્યાને રાખી હત્યા કેસમાં સંડોવાયેલા પિતા-પુત્રને આજીવન કેદની સજા તેમજ રોકડ 10,000નો દંડ અદાલતે ફટકાર્યો હતો. બંનેએ આડેધડ તલવારના ઘા મારી માથુ છુંદી હત્યા કરી નાસી ગયાઆ બનાવની જાણવા મળેલ વિગતો મુજબ ઘોઘા તાલુકાના પીપરલા ગામે રહેતા વેલજીભાઈ વશરામભાઈ બારૈયા (ઉ.વ.55) ગત તા. 28/7/2024 ના રોજ દુધ ભરીને બાઈક પર પરત આવતા હતા ત્યારે ગામના જ મેહુલ નાનુભાઈ બારૈયા તથા તેના પિતા નાનુભાઈ બચુભાઈ બારૈયાએ પીપરળા ગામે નિશાળ પાસે આવી વેલજીભાઈને આંતરી બંનેએ આડેધડ તલવારના ઘા મારી માથુ છુંદી નાખી હત્યા કરી નાસી ગયા હતા. પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરીઆ અંગે મરણજનાર વેલજીભાઈના ભાઈએ ઘોઘા પોલીસ મથકમાં એવા મતલબની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી કે, આરોપી પિતા-પુત્રએ મરણજનાર વેલજીભાઈની જમીનમાં બકરા ચરાવ્યાં હતા તેમજ નીલગીરીનું ઝાડ કાપી નાખ્યુ હતું. જે બાબતે ઠપકો આપતા બંને અવારનવાર ગાળો આપી ઝઘડો કરતા હતા. આ દરમિયાન તા. 28/7/2024ના રોજ તલવારથી તેની હત્યા કરી નાખી હતી. ફરિયાદ નોંધાવતા ઘોઘા પોલીસે હત્યાનો ગુનો નોંધી બંન્ને આરોપીની ધરપકડ કરી હતી. પ્રત્યેક આરોપીને 10,000નો દંડ અદાલતે ફટકાર્યો હતોઆ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ એચ.એસ.મુળીયાની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ મનોજ આર. જોષી તથા મુળ ફરીયાદી તરફે વકીલ નિતીન જી. નાગરની લેખીત તથા મૌખિક દલીલો, દસ્તાવેજી પુરાવા, સાક્ષીઓની જુબાની વગેરે ધ્યાને લઈ આરોપીઓને કસુરવાન ઠરાવી આરોપી મેહુલ નાનુભાઈ બારૈયા તથા આરોપી નાનુ બચુભાઈ બારૈયાને આજીવન કેદની સજા અને પ્રત્યેક આરોપીને 10,000નો દંડ અદાલતે ફટકાર્યો હતો.
પાટણમાં સત્યનારાયણ કથાનું 48મું આયોજન:દર્દીઓ અને શહેરીજનોના કલ્યાણાર્થે કરાયું પ્રસાદ વિતરણ
પાટણના અગ્રણી ફિઝિશિયન અને ગોપાલકૃષ્ણ ટ્રસ્ટના પ્રમુખ ડો. શંકરભાઈ પટેલ દ્વારા હોસ્પિટલમાં સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથા દર્દીઓ અને શહેરના રહીશોના કલ્યાણાર્થે યોજવામાં આવી હતી. આ સત્યનારાયણ કથાનું સતત 48મી વખત આયોજન કરાયું હતું. આ પ્રસંગે ડો. શંકરભાઈ પટેલ, કાંતાબેન પટેલ, ડો. નૈલેશ પટેલ, સીમાબેન પટેલ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.પરિવારજનો દ્વારા દર્દીઓ અને શહેરીજનોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું.
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના ગણિત વિષયની પરીક્ષા આજે પૂર્ણ થઈ. પરીક્ષા કેન્દ્રોની બહાર નીકળેલા વિદ્યાર્થીઓએ પેપર સરળ હોવાનું જણાવ્યું હતું. ખાસ કરીને 'પાર્ટ-B' સારો રહ્યો હોવાનો તેમનો પ્રતિભાવ હતો. વિદ્યાર્થી શહેઝાદ અંસારીએ જણાવ્યું કે ગણિતનું પેપર અઘરું નહોતું. તેમણે કહ્યું કે, 'પાર્ટ-B' ખૂબ જ સારો રહ્યો, જ્યારે 'પાર્ટ-A' માં થોડી મુશ્કેલી પડી હતી. શિક્ષકોએ કરાવેલી તૈયારીને કારણે પેપર સારું ગયું હોવાનું તેણે ઉમેર્યું. અન્ય એક વિદ્યાર્થી મલેક અયાને જણાવ્યું કે તે ગણિતના પેપરથી સંતુષ્ટ છે. તેના મતે, MCQ (પાર્ટ-A) મધ્યમ હતા, પરંતુ 'પાર્ટ-B' સરળ રહ્યો. શિક્ષકો દ્વારા સમજાવેલા દાખલા અને રીતોમાંથી જ મોટાભાગનું પૂછાયું હોવાનું તેણે કહ્યું. ઇંગ્લિશના પેપર પછી ગણિત માટે એક જ દિવસની રજા હતી, પરંતુ અગાઉ મળેલી ચાર દિવસની રજાઓમાં કરેલી મહેનત ઉપયોગી થઈ. એકંદરે, ગણિતના પેપરમાં 'પાર્ટ-B' વિદ્યાર્થીઓ માટે રાહતરૂપ સાબિત થયો. શિક્ષકો દ્વારા કરાવાયેલ પુનરાવર્તન અને પરીક્ષા પહેલાં મળેલી રજાઓનો સદુપયોગ વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક રહ્યો હોવાનું જણાય છે.
મધ્ય ગુજરાતના મહત્વના જંક્શન સમાન મિયાગામ કરજન રેલવે સ્ટેશન પર મુસાફરોની સુરક્ષા અને સુવિધામાં વધારો કરવા માટે રેલવે પ્રશાસન દ્વારા 12 મીટર પહોળા ફૂટ ઓવર બ્રિજ (FOB) નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને હાથ ધરાયેલો આ પ્રોજેક્ટ હાલ ઝડપી ગતિએ પ્રગતિ કરી રહ્યો છે. આ નવા બ્રિજથી પ્લેટફોર્મ વચ્ચેની અવરજવર વધુ સરળ અને સુવ્યવસ્થિત બનશે. નિર્માણ કાર્યની વર્તમાન સ્થિતિપશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેના દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ પ્રોજેક્ટનું પાયાનું કામ અને માળખાકીય સ્તંભો ઉભા કરવાનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત, ગર્ડર લોન્ચિંગ જેવું જટિલ કામ પણ સફળતાપૂર્વક પૂરું થયું છે. હાલમાં સ્ટેશન પર સીડીઓ, ડેક સ્લેબ અને રૂફિંગ (છત) નું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થવાની આશા છે. ધાર્મિક અને શ્રદ્ધાળુઓ માટે આશીર્વાદરૂપમિયાગામ કરજન સ્ટેશન માત્ર એક રેલવે સ્ટોપ નથી, પરંતુ આસપાસના અનેક ગામો માટે પરિવહનનું મુખ્ય કેન્દ્ર છે. કરજન વિસ્તારમાં આવેલા પ્રાચીન મંદિરો અને ધાર્મિક સ્થળોના દર્શનાર્થે આવતા હજારો શ્રદ્ધાળુઓ આ સ્ટેશનનો ઉપયોગ કરે છે. ખાસ કરીને તહેવારો અને ધાર્મિક પ્રસંગોએ જ્યારે ભીડ વધે છે, ત્યારે આ 12 મીટર પહોળો બ્રિજ મુસાફરોને જોખમમુક્ત અને આરામદાયક મુસાફરીનો અનુભવ કરાવશે. સ્થાનિક અર્થતંત્ર અને શિક્ષણને મળશે પ્રોત્સાહનઆ રેલવે સ્ટેશન સ્થાનિક ખેડૂતો અને નાના વેપારીઓ માટે વડોદરા અને ભરુચ જેવા મોટા બજારો સાથે જોડાવાનું સબળ માધ્યમ છે. કૃષિ ઉત્પાદનોની હેરફેર માટે આ રૂટ ખૂબ જ મહત્વનો છે. આ ઉપરાંત, દૈનિક ધોરણે નોકરી અર્થે જતા શ્રમિકો અને ઉચ્ચ અભ્યાસ માટે અવરજવર કરતા વિદ્યાર્થીઓ માટે પણ આ નવી સુવિધા આશીર્વાદરૂપ સાબિત થશે. સ્ટેશન પર સુવિધા વધતા આસપાસની ટ્રાન્સપોર્ટ સેવાઓ અને નાના વ્યવસાયોને પણ આર્થિક ગતિ મળશે.
ગોધરા પોલીસે લોન અપાવવાના બહાને રૂ.34 લાખની છેતરપિંડીના કેસમાં બે દિવ્યાંગ આરોપીઓનો હાલોલ જેલમાંથી કબજો મેળવ્યો છે. આ બંને આરોપીઓને ગોધરા કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કેસ ગોધરાના ટીમરુના વ્યવસાય સાથે જોડાયેલા વેપારી રૂપેશ જોબનપુત્રા સાથે થયેલી છેતરપિંડીનો છે. તેમને ફાઇનાન્સ કંપનીમાંથી મોટી લોન અપાવવાની લાલચ આપી કુલ 7 જેટલા શખ્સોએ વિશ્વાસમાં લીધા હતા. આ ટોળકીએ લોન પ્રોસેસિંગ અને અન્ય ખર્ચના નામે ટુકડે-ટુકડે રૂ.34 લાખ પડાવી લીધા હતા. પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં વેપારી રૂપેશ જોબનપુત્રાએ ગત 16 નવેમ્બર 2025ના રોજ ગોધરા શહેર એ-ડિવિઝન પોલીસ મથકે સાત શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં સંડોવાયેલા બે દિવ્યાંગ આરોપીઓ શાહિદ ઉર્ફે સાહિલ મીઠા અને ભાવના ગજાનંદ ભટ્ટનો સમાવેશ થાય છે. આ બંને આરોપીઓ અન્ય ગુનામાં હાલોલ જેલમાં બંધ હોવાથી, ગોધરા એ-ડિવિઝન પોલીસે ટ્રાન્સફર વોરંટ મેળવી તેમનો કબજો લીધો હતો. પોલીસે તેમને ગોધરા કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જોકે કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ યોગેશ કિશન ભંમવાણી, મનોજ ચેલારામાણી, યોગેશ ભમવાની, ભાવિક પટેલ, વૈશાલી પટેલ, જીગ્નેશ સોની અને કાળુ આહિરની શોધખોળ અને તપાસ હજુ ચાલુ છે.
પોરબંદરમાં ફૂડ સેફ્ટી વિભાગે 28 ખાદ્ય નમૂના લીધા:56 ફૂડ રજિસ્ટ્રેશન અરજીઓને મંજૂરી અપાઈ
પોરબંદરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ફેબ્રુઆરી મહિનામાં ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે 28 ખાદ્ય નમૂના લેવામાં આવ્યા હતા. આ સાથે, ખાદ્ય વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓની ૫૬ ફૂડ રજિસ્ટ્રેશન અરજીઓને મંજૂરી પણ અપાઈ હતી. ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા ફેબ્રુઆરી મહિના દરમિયાન જિલ્લામાં વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓના નમૂના લેવાયા હતા. ખાદ્ય ઉત્પાદન અને વેચાણ કરતી પેઢીઓની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. ફેબ્રુઆરી માસમાં લેવાયેલા કુલ 28 ખાદ્ય નમૂનાઓમાં દૂધ અને દૂધની બનાવટો (મીઠાઈ)ના 7, પનીરના 2, ઘીનો 1, દ્રાક્ષના 3, ખજૂરના 4, ખાદ્ય તેલના 4, વપરાયેલ તેલના 4 અને સોયા ટોફૂનો 1 નમૂનો સામેલ હતો. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે સમયાંતરે આવા ચકાસણી અભિયાન હાથ ધરવામાં આવે છે.
28 ફેબ્રુઆરી 2026ની એ સવાર. જ્યારે અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર બોંબમારો કરી દીધો. દસ દિવસનાં યુદ્ધમાં આખી દુનિયાની અર્થવ્યવસ્થા ધ્રૂજી ઉઠી છે. જો કે હજુ આ યુદ્ધ કેટલા દિવસ કે મહિનાઓ સુધી ચાલશે એ પણ નક્કી નથી. કારણ કે, ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીના ખાત્મા પછી સત્તાની બાગડોર તેમના પુત્ર મોજતબાએ સંભાળી છે. મોજતબાને બાપ કરતા પણ વધુ કટ્ટર અને ખૂંખાર માનવામાં આવે છે. તેનાં શાસન હેઠળ ઈરાને દુનિયાની આર્થિક નસ સમાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બ્લોક કરી દીધી છે. આ એક એવો દરિયાઈ માર્ગ છે જ્યાંથી દુનિયાનું 20-25% ક્રૂડ ઓઈલ પસાર થાય છે. આજે તેલના ભાવ 72 ડોલરથી કૂદીને 140 ડોલર સુધી પહોંચવા આવ્યા છે અને ગ્લોબલ સપ્લાય ચેઈનને લકવો મારી ગયો છે. આ આગ માત્ર ખાડી દેશો પૂરતી સીમિત નથી, તેની લપેટમાં ભારતનું હિત, ચાબહાર પોર્ટ અને ગલ્ફમાં વસતા 90 લાખ ભારતીયોનું ભવિષ્ય પણ જોખમમાં મુકાયું છે. માટે આજે આપણે ઈઝરાયલ અમેરિકા અને ઈરાન યુદ્ધથી ભારતને થનાર અસર અને ગ્લોબલ ચેઈન ખોરવાતા આપણે કેટલા લેવાદેવા તેની વાત કરીશું. નમસ્કાર. 28 ફેબ્રુઆરી 2026ની વહેલી સવારે ઈરાન સામે અમેરિકાએ ઓપરેશન એપિક ફ્યૂરી અને ઈઝરાયલે ઓપરેશન રોરિંગ લાયન ચલાવ્યું ત્યારે તહેરાનના આકાશને મિસાઈલ્સથી ચીરી નાખવામાં આવ્યું. કોઈને અંદાજ ન હતો કે આ આગથી કોના ઘર બળશે અને કોણ દાઝશે. આ યુદ્ધને આજે આપણે ઈરાનના સત્તા પરિવર્તન, વર્લ્ડ એનર્જી સપ્લાય રૂટનું ફ્રીઝ થવું અને સપ્લાય ચેઈનને થનાર અસર એમ ત્રણ રીતથી સમજીએ. ઈસ્લામિક ક્રાંતિથી વંશવાદ સુધી 1979માં ઈરાનમાં ઈસ્લામિક ક્રાંતિ આવી ત્યારે તેમાં એક વિચાર એવો હતો કે વારસાગતમાં સત્તા ન મળે. પણ ઈરાન ઈઝરાયલ યુદ્ધમાં આ વિચારના ફૂરચા ઉડી ગયા. ઈરાનના સર્વૌચ્ચ નેતા અલી ખામૈનીના ખાત્મા પછી તેમના જ દીકરા મોજતબા ખામૈનીને ઈરાનના નવા સુપ્રીમ લીડર બનાવી દેવામાં આવ્યા છે. વંશવાદને ન સ્વિકારનાર ઈસ્લામિક ક્રાંતિમાં વંશવાદનો જ પાયો નખાયો ત્યારે દુનિયાએ શું કહ્યું તે જાણીએ. મોજતબા પર દુનિયાની પ્રતિક્રિયા IRGCના સહારે સત્તા સુધી મોજતબા એવું કહેવામાં આવી રહ્યું છે કે મોજતબાને સુપ્રીમ લીડર બનાવવા પાછળ ઈરાનની આર્મી રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સનો મોટો હાથ છે. મોજતબાના પિતા અલી ખામૈનીના સમયમાં પણ IRGCએ મદદ કરી હતી અને અત્યારે પણ ગેટકીપર તરીકે પડદા પાછળથી સત્તા ચલાવવા મોજતબાની મદદ કરશે. ઈરાનમાં યુવાનોનો વંશવાદ વિરોધ પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે યુવા પેઢી સહિત ઈરાનના મોટાભાગના લોકોનું કહેવું છે કે ઈરાનને ફરી ઈસ્લામિક શાસન અને મોજતબાનું સુપ્રીમ લીડર બવું પસંદ નથી. યુવાનો અને સુધારાવાદી લિબરલ ઈરાની જુથો ડેથ ટુ મોજતબાના નારા લગાવી રહ્યા છે અને ધાર્મિક વંશવાદનો વિરોધ કરી રહ્યા છે. બાપના મોતનો બદલો લેવા મોજતબા હવે જે કરશે તેના પર નિષ્ણાતો કહી રહ્યા છે કે દુનિયામાં મોટી કે લાંબી ઉથલપાથલ આવી શકે તેમ છે. બની શકે કે ઈરાન ગૃહયુદ્ધમાં ફસાઈ જાય. હોમુર્ઝ બ્લોક, સપ્લાય ચેઈન તૂટી જેની શરૂઆતની અસર ઈરાન પાસેથી પસાર થનાર વેપારી દરિયાઈ માર્ગ હોમુર્ઝના જળમાર્ગ પર જોવા પણ મળી રહી છે. ઈરાને હોમુર્ઝ સ્ટ્રેડ બ્લોક કરી દીધી છે. જેના કારણે વર્લ્ડ સપ્લાઈ ચેઈનની નસ ફાટી ગઈ છે. ચીનને ફાયદો, દુનિયાને સંકટ ઈરાને જાહેરાત કરી છે કે તેઓ માત્ર ચીની ફ્લેગ ધરાવતા જહાજોને જ પસાર થવા દેશે. આનાથી વર્લ્ડ લેવલે ભારત અને બીજા દેશો માટે સ્થિતિ વધુ કપરી બની છે અને ચીનનો દબદબો વધી રહ્યો છે. પણ આપણે ઈરાનથી 4 હજાર કિલોમીટર દૂર બેઠા છીએ તો પણ યુદ્ધની અસર આપણા ખિસ્સાને ગરમ કરી રહી છે અને રસોડાને દજાડી રહી છે. અમેરિકાની નીતિ: નિયો કોલોનિઝમ? ઈરાન અને વેનેઝુએલા પર ડોળા નાખવા પાછળ અમેરિકાનો આશય છે એક્સપર્ટ્સ મુજબ નસાહતવાદ મનાઈ રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાનના નેતા જ નહોતા બદલવા પણ ઈરાનની આખી સિસ્ટમને બદલી નાખવી છે. અમેરિકાના નેતાઓ જે કહી રહ્યા છે તે ચોંકાવનારું છે. માર્કો રૂપિયો અને લિન્ડસે ગ્રેહામ જેવા નેતાઓ ચોખ્ખું કહી રહ્યા છે કે તેમને મિડલ ઈસ્ટના નેચરલ રિસોર્સિઝ પર કબજો જોઈએ છે. ઈરાન લિબિયા-અફઘાન બનવાની ચિંતા વિવેક કાટજુ અને બ્રહ્મા જેવા ભારતીય એક્સપર્ટ્સના કહેવા મુજબ જો અમેરિકા આવુંને આવું ચાલું રાખશે તો ઈરાનના હાલ ટૂંક સમયમાં લિબિયા કે અફઘાનિસ્તાન જેવા થઈ શકે એમ છે. આ બધામાં ભારત ક્યાં છે? હવે આપણે તેની વાત કરીએ. પાકિસ્તાન સહિત ઈસ્લામિક દેશોનું માનવું છે કે હુમલાના 48 કલાક પહેલા ભારતના પ્રધાનમંત્રી ઈઝરાયલ ગયા હતા. સામેની બાજુ ઈઝરાયલનું કહેવું છે કે ઈરાન ઈઝરાયલ યુદ્ધમાં ભારતનો કોઈ રોલ નથી. બીજી બાજુ ભારત ઈઝરાયલ ઈરાન યુદ્ધ મામલે ન્યુટ્રલ નીતિ અપનાવી છે. વિશ્વ અત્યારે એ વિષય પર નઝર ટકાવીને બેઠું છે કે ભારત અમેરિકા અને ઈઝરાયલ બાજુ નમશે કે ઈરાન જેવા દેશોનો સાથ આપશે. યુદ્ધમાં ભારતની ન્યુટ્રલ ડિપ્લોમસી આપણે સૌ જાણીએ છીએ કે ભારત ઈરાનમાં ચાબહાર પોર્ટ બનાવી રહ્યું હતું. આ ખાલી ઈકોનોમિક પોર્ટ નથી પણ તે આપણા માટે પાકિસ્તાનને બાયપાસ કરીને અફઘાનિસ્તાન અને એશિયા સુધી પહોંચવાનો ગોલ્ડન ગેટવે છે. જે અત્યારે એક નાજુક મોડ પર છે. ભારતે ચાબહાર પોર્ટ પર 122 મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. જો યુદ્ધ લાંબુ ચાલી શકે અને ઈરાનમાં સ્થિરતા ન આવે તો આ કિંમત 500 મિલિયન ડોલરને પણ પાર પહોંચી શકે છે. હાલ ઈરાન-ભારતની વેપારી એક્ટિવિટી અને શિપિંગ રૂટ્સ બંધ છે. જો ભારત ઈરાનના ચાબહાર પોર્ટ જેવા પ્રોજેક્ટ્સથી હાથ ઉંચા કરી લે તો ચીન મિડલ ઈસ્ટમાં કબજો કરવા અને આર્થિક ડોમિનન્સ વધારવા બેઠું જ છે. ચાબહાર પોર્ટ પર યુદ્ધની છાયા ભારત અને અમેરિકા વચ્ચે થયેલી 2016ની એક ડિલ અત્યારે ખૂબ ચર્ચામાં છે. નામ છે લોજિસ્ટિક્સ એક્સચેન્જ મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ. જે મુજબ ભારત અને અમેરિકાની સેનાઓ એકબીજાની સુવિધાનો ઉપયોગ લોજિસ્ટિક્સ અને રિફ્યુલિંગ માટે કરી શકે છે. અમેરિકા ઈરાન સામે યુદ્ધના ઓપરેશન્સમાં ભારતીય બંદરો અને ભારતીય બેઝનો ઉપયોગ કરવા દબાણ કરી રહ્યું છે. જો ભારત આ મંજૂરી આપી દે તો ઈરાન-ઈઝરાયલ વોરમાં આપણે ન્યૂટ્રલમાંથી એક સાઈડ એટલે કે અમેરિકા સાઈડ જતા રહીશું કારણ કે આડકતરી રીતે આપણે અમેરિકાને ઈરાન સામે લડવામાં મદદ કરીશું. ટૂંકમાં આપણે પણ યુદ્ધના સીધા ભાગીદાર બની જશું. આ ડિલના કારણે ભારત ન્યુટ્રલ નહીં રહે? થોડા દિવસો પહેલા અમેરિકાએ ઈરાની નેવીના યુદ્ધ જહાજ આયરિસ ડેનાને ડૂબાડ્યું હતું. આ વાત આપણે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે આયરીસ ડેના ભારતીય જળસીમા નજીક તોડી પાડવામાં આવ્યું હતું. કપિલ સિબ્બલ જેવા નેતાનું કહેવું છે કે ભારત મુંગી રીતે અમેરિકાના નિયો કોલોનિઝમને વધારો આપી રહ્યું છે. ભારતીય જળસીમા નજીક ઈરાની જહાજ ડૂબ્યું ભારત માટે સૌથી ચિંતાની વાત છે ગલ્ફ દેશોમાં વસતા 90 લાખથી વધુ ભારતીયોની સિક્યોરિટી. આ માત્ર આંકડો નથી પણ લાખો પરિવારની રોજી રોટી અને ભારતની ઈકોનોમીનો પણ પ્રશ્ન છે. જે ભારતીયો ઈસ્લામિક દેશોમાં કામ કરે છે તેના કારણે દર વર્ષે ભારતને 50-60 બિલિયનનું રેમિટન્સ મળે છે. જે ભારતની વિદેશી કમાણીનો અંદાજે 38 ટકા જેટલો ભાગ છે. યુદ્ધના કારણે મિડલ ઈસ્ટમાં કામ કરતા ભારતીયોની નોકરી છૂટી જાય કે તેમને દેશ પાછા આવવું પડે તો ભારતની જીડીપીમાં 1-5 ટકા જેટલું નુકસાન થઈ શકે એમ છે. ગલ્ફમાં 90 લાખ ભારતીયોની ચિંતા જો આ લોકોને ભારત પાછા પણ લાવવા પડે તો આ ઈતિહાસનું અત્યાર સુધીનું ભારતનું સૌથી મોટું માઈગ્રેશન પણ હોય શકે. હજારો ફ્લાઈટ્સ અને જહાજોની આના માટે જરૂર પડી શકે. કેરળ, તેલંગાણા, યૂપી જેવા અનેક રાજ્યોની ઈકોનોમી ગલ્ફ દેશો પર આધારિત છે. જો ભારતીયોને લાવવા પડે તો તોતિંગ આર્થિક અને લોજિસ્ટિકલ બોજ ભારત પર આવી શકે. હજુ એવી સ્થિતિ નથી આવી પણ જો કદાચ પરિસ્થિતિ વધુ તંગ બને તો આ દિવસો દૂર ન હોય શકે.. હવે આપણે ઈરાન ઈઝરાયલ વોરની જીઓપોલિટીકલ અસરની પણ વાત કરીએ. આપણે વાત કરી તેમ ભારત અને ચીન હાલ વેઈટ એન્ડ વોચની સિચ્યુએશનમાં છે. યુદ્ધથી અમેરિકા નફામાં દુનિયા ખોટમાં હોમુર્ઝ સમુદ્રી માર્ગ બંધ થઈ ગયો છે, જેના કારણે એશિયામાં અને બીજા દેશોમાં ગેસ અને તેલની કિંમતો વધવા લાગી છે. વિશ્વનો સૌથી મોટો LNG નિકાસકાર અમેરિકા આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી અબજો ડોલરનો નફો કાઢી રહ્યું છે. અમેરિકાએ ભારતને રશિયન તેલ ખરીદવા 30 દિવસની છૂટછાટ આપી છે. જે ભારત માટે સારી વાત છે કારણ કે ફરી આપણે રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદી શકીશું. ઈઝરાયલ અત્યારે પોતાના વિસ્તારમાં એવો માહોલ ઉભો કરવા માગી રહ્યું છે જેથી તે પોતાના વિસ્તારની મહાસત્તા બની શકે. તેનાથી મોટી વાત કે અમેરિકાનો તેને સપોર્ટ છે. અને છેલ્લે... જે અમેરિકાએ ઈઝરાયલની મદદથી ઈરાનમાં હુમલો કર્યો છે તેના ધણી ટ્રમ્પને સુપ્રીમ કોર્ટ પછી ઈન્ટરનેશનલ ટ્રેડ કોર્ટે પણ ટેરિફ મામલે તીખો તમતમતો તમાચો માર્યો છે. કહેવાઈ રહ્યું છે કે અમેરિકાએ 14 લાખ કરોડ રૂપિયા પાછા આપવા પડી શકે છે. યુદ્ધમાં સૌથી વધુ જરૂર હથિયારોની પડે અને સૌથી વધુ હથિયારો કયો દેશ બનાવે છે તે આપણે સૌ જાણીએ છીએ. આવા ડામાડોળ પરિસ્થિતિઓ ઉભી કરીને અમેરિકા પોતાનો ફાયદો અને દુનિયાનું નુકસાન જ કરાવી રહ્યું છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચ- સમીર પરમાર)
સુરતના શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ (SRK) ના સ્થાપક અને ભાજપના રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાએ આજે સંસદમાં કરોડો ભારતીયોની લાગણીને વાચા આપતા રતન ટાટાને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન' આપવા માટે સરકારને નમ્ર અપીલ કરી છે. શ્લોક સાથે સંબોધનની શરૂઆતગોવિંદભાઈએ પોતાના સંબોધનની શરૂઆત ભગવદ ગીતાના શ્લોકથી કરી હતી, જેનો સાર હતો કે જે વ્યક્તિ નિશ્ચિત મન અને ભક્તિ સાથે યોગબળ દ્વારા પ્રાણ ત્યાગે છે, તે દિવ્ય પુરુષને પ્રાપ્ત થાય છે. તેમણે રતન ટાટાને એક આવા જ 'દિવ્ય પુરુષ' તરીકે ઓળખાવ્યા હતા. શા માટે ભારત રત્ન?પોતાના વક્તવ્યમાં ગોવિંદભાઈએ રતન ટાટાના જીવન અને કાર્યોના કેટલાક મહત્વના પાસાઓ રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું કે રતન ટાટા માત્ર ઉદ્યોગપતિ નહોતા, પરંતુ ભારતીય વેપાર જગતના નૈતિક માર્ગદર્શક હતા. તેમણે સાબિત કર્યું કે વ્યાપારમાં ઈમાનદારી અને સફળતા એક સિક્કાની બે બાજુ હોઈ શકે છે. ટાટા ટ્રસ્ટ દ્વારા કેન્સર સંશોધન, શિક્ષણ અને ગ્રામીણ વિકાસ માટે જે રીતે સંપત્તિ સમર્પિત કરવામાં આવી છે, તે વિશ્વ માટે ઉદાહરણ છે. મધ્યમ વર્ગના પરિવાર માટે સસ્તી કારનું સપનું પૂર્ણ કર્યું26/11ના મુંબઈ આતંકી હુમલા સમયે ટાટા જૂથના કર્મચારીઓ અને પીડિતો પ્રત્યે રતન ટાટાની સંવેદનશીલતા અને અડગતાએ આખા દેશને પ્રેરણા આપી હતી. મધ્યમ વર્ગના પરિવાર માટે સસ્તી કાર (નેનો) નું સપનું પૂરું કરવા પાછળનો તેમનો ઉદ્દેશ્ય નફો નહીં, પણ દેશવાસીઓની સુખાકારી હતી. યુવા પેઢી માટે આદર્શગોવિંદભાઈએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, રતન ટાટાને ભારત રત્ન આપવો એ માત્ર એક વ્યક્તિનું સન્માન નહીં, પરંતુ 'રાષ્ટ્ર પ્રથમ'ની ભાવનાનું સન્માન છે. આનાથી દેશની યુવા પેઢીને એ સંદેશ જશે કે સફળતાનો ખરો માપદંડ સંપત્તિ નહીં, પણ ચરિત્ર અને સેવા છે. વક્તવ્યના અંતે તેમણે ભારત સરકારને વિનંતી કરી કે કરોડો ભારતીયોની લાગણીને માન આપી શ્રી રતન ટાટાને મરણોત્તર 'ભારત રત્ન' થી નવાજવામાં આવે.
પોરબંદરના ભદ્રકાલી રોડ પર નગરપાલિકા દ્વારા આયોજિત નવા ઓવરબ્રિજ પ્રોજેક્ટ સામે સ્થાનિક વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે. આજે મોટી સંખ્યામાં વેપારીઓએ એકઠા થઈ મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરને આ પ્રોજેક્ટ અટકાવવા અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું. વેપારી મંડળના પ્રતિનિધિ સુરેશભાઈ સોનીએ જણાવ્યું હતું કે, ભદ્રકાલી રોડ ગ્રામ્ય વિસ્તારનો મુખ્ય પ્રવેશદ્વાર છે. અહીં અંદાજે 400થી વધુ વેપારીઓ વર્ષોથી પોતાનો વ્યવસાય કરી રહ્યા છે. જો ઓવરબ્રિજ બનશે તો રસ્તો બ્લોક થઈ જશે, જેના કારણે સેંકડો વેપારીઓની રોજીરોટી છીનવાઈ જવાનો ભય છે. વેપારીઓના મતે, અહીં રેલવે ફાટક માત્ર 5 થી 7 મિનિટ માટે જ બંધ રહે છે, જે કોઈ મોટી ટ્રાફિક સમસ્યા નથી. તેથી ઓવરબ્રિજની જરૂરિયાત નથી. આ ઉપરાંત, ઓવરબ્રિજને કારણે લિમડા ચોક શાક માર્કેટ, એસ.ટી. પિકઅપ બસ સ્ટેન્ડ અને ગલીઓમાં લારી-ગલ્લા ચલાવતા નાના વેપારીઓને પણ આર્થિક નુકસાન થશે. વેપારીઓએ તંત્ર પાસે રેલવે ફાટક માટે કોઈ અન્ય વિકલ્પ શોધવા અથવા આ પ્રોજેક્ટને અન્યત્ર ખસેડવાની માંગ કરી છે, જેથી સ્થાનિક અર્થતંત્ર પર નકારાત્મક અસર ન પડે. વેપારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમના હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે, તો તેઓ ઉગ્ર આંદોલન કરશે.
વડોદરા સ્થિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પાંચ વર્ષના અંતરાલ બાદ 'અર્થરંગ 2026' ફેસ્ટનો પ્રારંભ થયો છે. આ સાંસ્કૃતિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓથી ભરપૂર ફેસ્ટ 9 માર્ચથી 13 માર્ચ 2026 દરમિયાન યોજાઈ રહ્યો છે. લાંબા સમય બાદ આવા કાર્યક્રમો ફરી શરૂ થતાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે. આ ફેસ્ટનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને તેમની સુષુપ્ત પ્રતિભા બહાર લાવવા માટે મંચ પૂરો પાડવાનો છે. શૈક્ષણિક જ્ઞાન ઉપરાંત, આવા કાર્યક્રમો સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ, ટીમવર્ક અને નેતૃત્વ જેવા કૌશલ્યો વિકસાવવામાં મદદરૂપ થાય છે. આ સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓમાં નવી વિચારસરણી, નવીનતા અને સ્પર્ધાત્મક ભાવના પણ વિકસે છે. ફેસ્ટના પ્રથમ દિવસે ઉદ્ઘાટન સમારંભ સાથે કાર્યક્રમોની શરૂઆત થઈ. ત્યારબાદ વન મિનિટ ચેલેન્જ, ફાયરલેસ કુકિંગ, મૉક્ટેલ મેકિંગ, બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ, ગિફ્ટ રેપિંગ, ટી-શર્ટ/કુર્તા પ્રિન્ટિંગ, રંગોળી અને મેહંદી જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ. વિદ્યાર્થીઓએ દરેક સ્પર્ધામાં સક્રિયપણે ભાગ લીધો અને પોતાની કલાત્મકતા તથા સર્જનાત્મકતાનું પ્રદર્શન કર્યું. ફેકલ્ટીનો સમગ્ર કેમ્પસ ઉત્સાહના માહોલથી ગુંજી ઉઠ્યો હતો. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે પાંચ વર્ષ પછી આવી પ્રવૃત્તિઓ ફરી શરૂ થવાથી તેમને પોતાની પ્રતિભા રજૂ કરવાની તક મળી છે. ઘણા વિદ્યાર્થીઓ માટે આ માત્ર સ્પર્ધા નહોતી, પરંતુ નવા મિત્રો બનાવવા અને નવા અનુભવો મેળવવાનો અવસર પણ હતો. આમ, 'અર્થરંગ 2026' ફેસ્ટ માત્ર મનોરંજન પૂરતો સીમિત ન રહેતા, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યો છે.
મોટી કાંટડી પાસે મુખ્ય પાણી લાઈનમાં ભંગાણ:ગોધરા શહેરમાં 10 માર્ચે સવાર-સાંજનો પાણી પુરવઠો બંધ રહેશે
ગોધરા શહેરમાં પાણી પુરવઠાને અસર થઈ છે. ગોધરા તાલુકાના મોટી કાંટડી નજીક નર્મદાની મુખ્ય પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું છે. આ ભંગાણના સમારકામ માટે ગોધરા નગરપાલિકા દ્વારા આવતીકાલે, મંગળવાર, 10 માર્ચના રોજ શહેરમાં સવાર-સાંજનો પાણી પુરવઠો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નગરપાલિકા દ્વારા જણાવાયું છે કે મુખ્ય પાણીની લાઈનમાં ભંગાણ થવાને કારણે પાણીનો પુરવઠો સુચારુ રીતે ચાલુ રાખવો મુશ્કેલ બન્યો છે. તેથી, તાત્કાલિક સમારકામ હાથ ધરવા માટે એક દિવસ માટે પાણીનો સપ્લાય રદ કરવો પડ્યો છે. સમારકામ કામગીરી પૂર્ણ થયા બાદ, બુધવાર, 11 માર્ચથી ગોધરા શહેરમાં રાબેતા મુજબ પાણી પુરવઠો ફરી શરૂ કરવામાં આવશે. નગરપાલિકા તંત્રએ શહેરના તમામ નાગરિકોને આ અંગે અગાઉથી જાણ કરી છે અને જરૂરી પાણીનો સંગ્રહ કરવા તેમજ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સહકાર આપવા અપીલ કરી છે.
ભાવનગર મહાનગરપાલિકાના શાસકોની મુદત પૂર્ણ થવાના છેલ્લા દિવસે શહેર કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ભૂદેવોની ઉપસ્થિતિમાં ગંગાજળ અને ગૌમૂત્ર છાંટીને મહાનગરપાલિકાને શુદ્ધિકરણનો કાર્યક્રમ હાથ ધર્યો હતો. આ અંગે શહેર કોંગ્રેસના પ્રમુખ લાલભા ગોહિલએ આક્ષેપ કર્યો હતો કે ભાજપના શાસનમાં એક પણ કાર્ય એવું નથી જેમાં ભ્રષ્ટાચાર ન થયો હોય, રોડના કોન્ટ્રાક્ટથી લઈને લીઝ પટ્ટા સુધીના તમામ કામોમાં ગેરરીતિ આચરવામાં આવી છે, મહાનગરપાલિકાના વર્તમાન કોર્પોરેટરોનો આજે છેલ્લો દિવસ હોવાથી, કોંગ્રેસે ગંગાજળ અને ગૌમૂત્રનો ઉપયોગ કરી શુદ્ધિકરણ કર્યું હતું. કોંગ્રેસના આ શાસકોએ માત્ર ચૂંટણીલક્ષી કામગીરી જ કરી છે અને ભાવનગરની જનતાની સુખાકારીની સંપૂર્ણ અવગણના કરી છે આ ભ્રષ્ટાચારયુક્ત બની ગયેલી મહાનગરપાલિકાનું શુદ્ધિકરણ કરવા માટે અમે આ કાર્યક્રમ કર્યો છે, ભગવાન પાસે પ્રાર્થના છે કે ભાવનગરની જનતાનું ધ્યાન ન રાખનારા આવા શાસકો ફરી સત્તા પર ન આવે, કોંગ્રેસે આ કાર્યક્રમ દ્વારા આગામી સમયમાં જનતા વચ્ચે જઈ ભાજપના કથિત ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે ખાસ કરીને 'અબોલ શાસકો' જે જનતાના પ્રશ્નો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા છે, તેમને સત્તાથી દૂર રાખવા અપીલ કરવામાં આવી હતી.
અમદાવાદમાં ઐતિહાસિક સાબરમતી આશ્રમના પુનઃવિકાસ કાર્ય સંદર્ભે સુપ્રીમ કોર્ટે આજે આશ્રમ પરિસરમાં 5 હજાર ચોરસ મીટરથી વધુ જમીનના કબજા અંગે રાજ્ય સરકાર હસ્તકના 'મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટ' સામેની અરજીને ફગાવી દીધી છે. આ વિવાદ એક દાયકાથી વધુ સમયથી પેન્ડિંગ હતો. 2014માં, અમુક કબજેદારોએ અમદાવાદની સ્મોલ કોઝ કોર્ટમાં આશ્રમ વિસ્તારમાં આવેલી ત્રણ મિલકતો પર પોતાના હકનો દાવો કર્યો હતો. રાજ્ય સરકારે રિડેવલપમેન્ટ શરૂ કરતા કબજેદારો સુપ્રીમમાં ગયા હતારાજ્ય સરકારે પુનઃવિકાસ પહેલના ભાગરૂપે જૂન, 2025ની આસપાસ 5 હજાર ચોરસ મીટરથી વધુ ખુલ્લા જમીનના પ્લોટ પર કામ શરૂ કર્યું હતું. જેની સામે કબજેદારોએ કાનૂની લડત ચાલુ રાખી છેવટે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે આ અરજીને નકારી નાખી છે અને રાજ્ય સરકાર તથા આશ્રમ ટ્રસ્ટની કામગીરીને યોગ્ય ઠેરવી છે. સરકારી વકીલ જી.એચ.વીર્કે રાજ્ય સરકાર હસ્તકના ટ્રસ્ટ વતી હાજર રહ્યા હતા. તેમણે સુપ્રીમ કોર્ટ સમક્ષ પુનઃવિકાસ પ્રોજેક્ટનો બચાવ કરતા જણાવ્યું હતું કે, આ રાષ્ટ્રીય હિતનો એક સ્થાપિત મુદ્દો છે જેને ફરીથી ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપનો ઈન્કાર કર્યો સુપ્રીમ કોર્ટના આ હસ્તક્ષેપના ઇનકાર સાથે, આશ્રમ પરિસરમાં જમીન એકીકૃત કરવાના ટ્રસ્ટના પ્રયાસોને મોટું કાનૂની સમર્થન મળ્યું છે. હાલમાં ખુલ્લી જમીન પર વિકાસલક્ષી કામો શરૂ થઈ ચૂક્યા છે. સાબરમતી આશ્રમ પુનઃવિકાસ પ્રોજેક્ટનો હેતુ આશ્રમની મૂળ ભાવનાને જાળવી રાખીને, ભારત અને વિશ્વભરના મુલાકાતીઓ માટે તેને વધુ વ્યવસ્થિત અને સુલભ હેરિટેજ સ્થળ બનાવવાનો છે.
સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને માત્ર દવા જ નહીં પણ સ્ટાફ તરફથી હુંફ અને આત્મીયતા મળે તે હેતુથી ગાંધીનગર GMERS સિવિલ હોસ્પિટલના 445 જેટલા નર્સિંગ સ્ટાફ માટે આરોગ્ય સાથી પ્રોજેક્ટ અંતગર્ત સોફ્ટ સ્કીલ ટ્રેનિંગનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. સરકારના આરોગ્ય સાથી પ્રોજેક્ટ અંતગર્ત હોસ્પિટલની છબી બદલવા આ ટ્રેનિંગ દરમ્યાન દર્દીઓ સાથે કેમ વર્તવું તેના ખાસ પાઠ ભણાવવામાં આવશે. આરોગ્ય સાથી પ્રોજેક્ટનો પ્રારંભ કરાયોગાંધીનગર GMERS જનરલ હોસ્પિટલ ખાતે આરોગ્ય સાથી પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો છે. રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત આ પ્રોજેક્ટમાં ઇમરજન્સી સેવાનો બહોળો અનુભવ ધરાવતી સંસ્થા GVK EMRI 108 સહયોગી બની છે. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સેવાની ગુણવત્તા સુધારવાનો છે. દર્દીઓ સાથે સરળ અને સ્પષ્ટ ભાષામાં વાતચીત કરવાની ટ્રેનિંગઆ ટ્રેનિંગ દરમિયાન નર્સિંગ સ્ટાફને દર્દી અને તેમના પરિવારની માનસિક સ્થિતિ સમજી તેમની સાથે માનવીય અભિગમ રાખવો, દર્દીઓ સાથે સરળ અને સ્પષ્ટ ભાષામાં વાતચીત કરી તેમની મૂંઝવણ દૂર કરવી, હોસ્પિટલમાં વધુ ધસારો હોય ત્યારે તણાવ મુક્ત રહી પરિસ્થિતિને સંભાળવી તેમજ હોસ્પિટલના અન્ય વિભાગો સાથે સંકલન સાધી દર્દીને ઝડપી સેવા પુરી પાડવાના પાઠ ભણાવવામાં આવશે. હોસ્પિટલના વહીવટી સ્ટાફે પણ હાજરી આપી હતીમેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. મીતાબેન પરીખે જણાવ્યું હતું કે, ઘણીવાર વ્યસ્તતાને કારણે સ્ટાફ અને દર્દી વચ્ચે સંવાદનો અભાવ સર્જાતો હોય છે. આ આરોગ્ય સાથી' પ્રોજેક્ટ દ્વારા સ્ટાફની કાર્યક્ષમતા વધશે અને દર્દીઓને વધુ સંતોષકારક સેવાઓ મળી રહેશે. આ તાલીમ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ સહિત બાવળા ડિવિઝનલ ટ્રેનિંગ સેન્ટરના એસોસિયેટ પ્રોફેસર ડૉ. આર. જી. શ્રીમાળી, ગાંધીનગર DTT ટ્રેનિંગ સેન્ટરના ડૉ. અનિલ ચૌહાણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ અને હોસ્પિટલના વહીવટી સ્ટાફે પણ હાજરી આપી હતી.
વાપી મહાનગરપાલિકાના ઘરવેરા વિભાગે માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં સઘન ઝુંબેશ ચલાવી છે. આ ઝુંબેશ અંતર્ગત એક હોસ્પિટલ સહિત કુલ 113 કોમર્શિયલ મિલકતોને સીલ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દ્વારા વિભાગે કુલ 95 લાખ રૂપિયાનો વેરો વસૂલ્યો છે. કમિશનર યોગેશ ચૌધરીની સૂચના બાદ, ટેક્સ સુપ્રિન્ટેન્ડેન્ટ રાકેશ ઠક્કરે ત્રણ ટીમો બનાવીને વેરા વસૂલાતનો લક્ષ્યાંક પૂરો કરવા માટે કડક કાર્યવાહી શરૂ કરી છે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ બાકી રહેલા વેરાની ઝડપી વસૂલાત કરવાનો છે. આ કાર્યવાહીમાં, ચલા વિસ્તારમાં આવેલા વિનાયક સેન્ટર ખાતે 10 લાખ રૂપિયાનો વેરો બાકી હોવાથી એક હોસ્પિટલને સીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ચલાના વૈભવ એન્કલેવમાં ટ્રાન્સપોર્ટ ઓફિસ, વાપીના જસ એપાર્ટમેન્ટમાં સલૂન અને હોટલ, તિરુપતિ ટાવરમાં 6 ઓફિસો, તુલસી દર્શનમાં 4 દુકાનો, સાઈ મેજેસ્ટીમાં 4 દુકાનો અને ડુંગરાના મહાવીરનગરમાં 3 ગોડાઉન સહિત અન્ય કોમર્શિયલ મિલકતોને પણ સીલ કરવામાં આવી હતી. મહાનગરપાલિકાએ ચાલુ નાણાકીય વર્ષમાં 85%થી વધુ વેરાની વસૂલાત કરી લીધી છે. બાકી રહેલા કરદાતાઓ સામે પણ કાર્યવાહી ચાલુ છે. વિભાગે જણાવ્યું છે કે, માર્ચ મહિનામાં 6% દંડકીય વ્યાજ લાગુ પડે છે, અને જો 31 માર્ચ સુધીમાં વેરો ભરવામાં નહીં આવે તો 1 એપ્રિલથી બાકી રકમ પર 12% વ્યાજ લાગુ પડશે. દંડકીય વ્યાજ અને સીલિંગ જેવી કડક કાર્યવાહીથી બચવા માટે કરદાતાઓને 31 માર્ચ પહેલાં પોતાનો બાકી પ્રોપર્ટી ટેક્સ જમા કરાવવા અપીલ કરવામાં આવી છે.
ભાવનગરના દીપકચોક નજીક આવેલા આડોડિયાવાસ વિસ્તારમાં વહેલી સવારે પોલીસ દ્વારા વિશાળ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરમિયાન દેશી દારૂ બનાવવાનો આથો તેમજ તૈયાર દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને 25 પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયા હતા. પોલીસે 7 શખ્સોને ઝડપી પાડ્યા છે, જ્યારે કેટલાક શખ્સો ફરાર થતાં તેમની શોધખોળ હાથ ધરાઈ છે. પોલીસ કાફલાએ કોમ્બિંગ હાથ ધર્યુંભાવનગર એસપી નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ શહેરના દીપકચોક નજીક આવેલા આડોડિયાવાસ વિસ્તારમાં આજે વહેલી સવારે શહેરના વિવિધ પોલીસ મથકના પી.આઈ., પીએસઆઈ, પોલીસ કર્મચારીઓ તેમજ ટ્રાફિક પોલીસ સહિતના મોટા પોલીસ કાફલાએ કોમ્બિંગ હાથ ધરી દેશી દારૂના હાટડાઓ અને દારૂ બનાવવાની ભઠ્ઠીઓ પર રેડ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસે દેશી દારૂ બનાવવાનો આથો તેમજ તૈયાર દેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો અને કુલ 25 પ્રોહિબિશનના કેસ નોંધ્યા હતા. રેડ દરમિયાન સ્થળ પરથી પોલીસે 7 શખ્સોને ઝડપી પાડ્યા હતા, જ્યારે 4 થી 5 શખ્સો ફરાર થઈ જતા તેમને ઝડપી પાડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વહેલી સવારે અચાનક પોલીસના ધાડેધાડા ઉતરતા વિસ્તારમાં દેશી દારૂના ધંધાર્થીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 7 આરોપીઓની પોલીસે અટકાયત કરીઆ અંગે સીટી DYSP આર.આર.સિંધાલએ જણાવ્યુ હતુ કે, એસ.પી. નિતેશ પાંડે દેખરેખ હેઠળ એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું. જે કોમ્બિંગમાં 5 (PI), 8 (PSI), 80 જેટલા પોલીસકર્મી, ટ્રાફિકની ક્રેન, ટ્રાફિકનો સ્ટાફ, સાથે આજરોજ શહેરના આડોડીયા વાસમાં સવારે 5:30 વાગ્યાથી એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું.જેમાં આશરે 25 જેટલા પ્રોહીના કેસ કરવામાં આવ્યા.જેમાં દેશી દારૂ બનવવાનો આથો આશરે 3,500 લિટર, કિ.રૂ 17,500. દેશી દારૂ આશરે 350 લિટર, કિંમત રૂપિયા 71,000 આ રેડ દરમિયાન જે હાજર હતા એવા 7 આરોપીને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે અને 4 થી 5 શખ્સ રેડ દરમિયાન નાસી ગયેલા,જેને પોલીસ દ્વારા પકડવાની કાર્યવાહી હાલમાં શરૂ છે.અને 3 જેટલા વાહનો ડિટેઈન કરવામાં આવેલા છે અને 2,500 જેટલો દંડ વસૂલ કરવામાં આવેલો છે.

29 C