મહેસાણાના લાખવડ ગામ પાસે ગત 4 માર્ચના રોજ એક અકસ્માત સર્જાયો હતો.જેમાં ગાંધીધામના એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.આ મામલે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. રોડની સાઈડમાં પાર્ક કરેલી ટ્રેક્ટરની ટ્રોલી સાથે એક્ટિવા અથડાયું હતુંમૂળ બિહારના અને હાલ ગાંધીધામ ખાતે રહી મજૂરી કામ કરતા અજીતપાલ અવધેશપાલ બખુરાભગત દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ તેમનો મોટો ભાઈ રામલખનપાલ અને અન્ય એક સાથી રાજુપાલ ગત 4 માર્ચના રોજ સવારે અગિયાર વાગ્યાના સુમારે એક્ટિવા GJ-02-EL-8883 લઈને લાખવડ ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ઠાકોર સાવધાનજીના ગલ્લા પાસે રોડની સાઈડમાં પાર્ક કરેલી એક ટ્રેક્ટરની ટ્રોલી સાથે એક્ટિવા ધડાકાભેર અથડાયું હતું. સારવાર દરમિયાન રામલખનપાલનું મોતઅકસ્માતમાં એક્ટિવા ચાલક રામલખનપાલ અને પાછળ બેઠેલા રાજુપાલ બંનેને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.108 એમ્બ્યુલન્સ મારફતે બંનેને તાત્કાલિક મહેસાણાની લાયન્સ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન રામલખનપાલનું મોત નીપજ્યું હતું.મૃતક રામલખનપાલ ગાંધીધામમાં રહેતા હતા અને તેમને સંતાનમાં બે દીકરા છે. આ બનાવ અંગે મહેસાણા તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માણસા તાલુકાના આજોલ ગામના મૂળ વતની અને હાલ બંગલોમાં રહી છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા 29 વર્ષીય યુવક સાથે ચાંદખેડાના વિઝા એજન્ટ પિતા પુત્રએ ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને કુલ 16.40 લાખની રકમ પડાવી લઈ ઠગાઈ આચરવામાં આવતા માણસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચાંદખેડામાં રહેતા વિઝા એજન્ટને 2 વર્ષ પહેલા મળ્યો હતોમાણસાના ક્રિષ્ના બંગલોમાં રહી છૂટક મજૂરી કરતા ભાવિક રાજેન્દ્રભાઈ ચાવડા ઓસ્ટ્રેલિયાના વિઝા મેળવવા માટે બે વર્ષ અગાઉ ચાંદખેડા ખાતે રહેતા વિઝા એજન્ટ બંસી નવીનચંન્દ્ર દેસાઈ તથા તેનો દીકરો વરૂણ દેસાઇને મળ્યો હતો. 31.23 લાખનું પેકેજ નક્કી કર્યું એ વખતે ભાવિકને વિશ્વાસમાં લઈ પિતા પુત્રએ જણાવ્યું હતું કે તેઓ ઘણા લોકોને સફળતાપૂર્વક વિદેશ મોકલી ચૂક્યા છે. આથી વિશ્વાસમાં આવીને ભાવિકે 31.23 લાખનું પેકેજ નક્કી કર્યું હતું. જે પૈકી શરૂઆતમાં પ્રોસેસ પેટે 25,000 ફોન-પે મારફતે ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ વધુ વિશ્વાસ કેળવવા એજન્ટોએ ભાવિકના મોબાઈલ પર ઓસ્ટ્રેલિયાના ટુરીસ્ટ વિઝાની નકલ મોકલી હતી. જે જોઈને તેને ખાતરી થઈ હતી કે તેનું કામ થઈ જશે. કુલ 16.40 લાખ એજન્ટોને આપ્યાજેના પગલે તેણે પોતાના મિત્રો અને સંબંધીઓ પાસેથી ઉછીના પાછીના કરી 24 અને 25 જૂન 2025 દરમિયાન 14.15 લાખ આરટીજીએસથી ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ એજન્ટ વરુણ દેસાઈએ ઓસ્ટ્રેલિયાની ટિકિટ બુકિંગના નામે વધુ 2 લાખ પડાવ્યા હતા. આમ, ભાવિકે પોતાની મહેનતના અને ઉછીના લીધેલા કુલ 16.40 લાખ એજન્ટોને આપી દીધા હતા. એજન્ટોએ સર્વર ડાઉનના બહાના કાઢ્યાજોકે ભાવિકે વિઝા અને ટિકિટની વિગતો ઓનલાઈન તપાસી ત્યારે તેમાં કોઈ રેકોર્ડ મળ્યો ન હતો.જેનાથી પોતાની સાથે છેતરપિંડીનો અહેસાસ થયો હતો. બાદમાં એજન્ટો સર્વર ડાઉન હોવાના પોકળ બહાના કાઢવા લાગ્યા હતા. એજન્ટ પિતા-પુત્ર ભૂગર્ભમાં ઉતરી ગયાજયારે ભાવિક વિસત સર્કલ પાસે આવેલી એજન્ટની ઓફિસે અને તેઓના ઘર ઈ/903, શ્રી સરજુગ્રીન્સ, આસ્થા પ્રાઈમની સામે, ચાંદખેડા, અમદાવાદ ખાતે તપાસ કરવા ગયો ત્યારે ઓફિસને તાળાં લટકેલા હતા અને પિતા-પુત્ર બંને મોબાઈલ ફોન બંધ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું માલૂમ પડ્યું હતું. આ અંગે માણસા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
હિંમતનગર અષ્ટવિનાયક મંદિરમાં સંકટચોથની ઉજવણી:ગણપતિદાદાને ફળોનો વિશેષ શણગાર અર્પણ કરાયો
હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં આવેલા વિનાયકનગરના અષ્ટવિનાયક ગણપતિ મંદિરમાં શુક્રવારે સંકટચોથની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગણપતિદાદાને સંતરા, ચીકુ, દ્રાક્ષ અને કેળાનો વિશેષ શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. સંકટચોથની ઉજવણીના ભાગરૂપે, સવારે 5:30 કલાકે ગણપતિદાદાનો અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સવારે 6:15 કલાકે આરતી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. યજમાન સંજયભાઈ એન. સુથાર પરિવાર દ્વારા સવારે 6:45 કલાકે પૂજન-અર્ચન સાથે ધ્વજારોહણ કરાયું હતું. દિવસભર ભક્તોએ અષ્ટવિનાયક ગણપતિદાદાને કરાયેલા ફળોના શણગારના દર્શન કર્યા હતા. મંદિરમાં સાંજે 7:00 કલાકે આરતી કરવામાં આવશે અને રાત્રે 9:19 કલાકે ચંદ્રદર્શન થશે. ભક્ત ગોપી ભોઈના જણાવ્યા અનુસાર, ગણપતિદાદાના દર્શનથી સંકટ સામે રક્ષણ મળે છે અને ભક્તો અષ્ટવિનાયક દાદામાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે.
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિર ખાતે ફરી એકવાર ગંદકી અને ડ્રેનેજ વ્યવસ્થાની સમસ્યા સામે આવતા જવાબદાર તંત્રની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉભા થયા છે. ભગવાન સોમનાથના દર્શન માટે દેશ-વિદેશમાંથી આવતા શ્રદ્ધાળુઓને આસ્થાભેર યાત્રા દરમિયાન ગટરનાં ગંદા પાણીમાંથી પસાર થવું પડે તેવા દ્રશ્યો આજે વહેલી સવારે જોવા મળ્યા હતા. મંદિરના મુખ્ય પ્રવેશ માર્ગ પર આવેલા દિગ્વિજય દ્વાર નજીક ગટર ઓવરફ્લો થતા મુખ્ય રસ્તા પર ગંદા પાણીનો ભરાવો થયો હતો. સવારે આશરે 8 વાગ્યે સર્જાયેલી આ સ્થિતિમાં મંદિર તરફ જતા માર્ગ પર ગટરનું પાણી વહી રહ્યું હતું અને શ્રદ્ધાળુઓ, ખાસ કરીને વયોવૃદ્ધ અને મહિલાઓ માટે આ રસ્તો અત્યંત જોખમી બની ગયો હતો. આસ્થાથી ભરપૂર ભક્તો ભગવાનના દર્શન માટે લાંબી મુસાફરી કરીને આવે છે, પરંતુ તેમને મંદિર નજીક જ ગંદકી અને દુર્ગંધનો સામનો કરવો પડે તે દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ ગણાય. ગટરનાં ગંદા પાણીમાંથી પસાર થવું પડે તેવા દ્રશ્યો જોઈ યાત્રિકોમાં ભારે કચવાટ અને અસંતોષ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં ગટર ઓવરફ્લો થવાની સમસ્યા નવી નથી. વારંવાર મુખ્ય માર્ગ પર ગટરનું પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી રહી છે. છતાં પણ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે કોઈ સચોટ આયોજન કે પગલાં લેવાતા નથી તેવું જણાઈ રહ્યું છે. સોમનાથ જેવા વિશ્વપ્રસિદ્ધ તીર્થધામમાં સ્વચ્છતા અને આધુનિક સુવિધાઓ હોવી જોઈએ ત્યારે અહીં ગટર વ્યવસ્થા જ નબળી હોવાનો પ્રશ્ન લોકો ઉઠાવી રહ્યા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે આ મુદ્દે મંદિર ટ્રસ્ટ અને પાલિકા તંત્ર ની ગંભીરતા બેદરકારી આ ઘટના ઉજાગર કરે છે. ઘટનાની જાણ થતા પાલિકા તંત્ર હરકતમાં આવ્યું અને તાત્કાલિક ગટર સફાઈ માટે કર્મચારીઓને કામે લગાડવામાં આવ્યા હતા. થોડા સમય બાદ ગંદા પાણીની સફાઈ શરૂ કરવામાં આવી, પરંતુ લોકોનો સવાલ છે કે વારંવાર આવી સ્થિતિ સર્જાય પછી તાત્કાલિક કાર્યવાહી કરવી એ ઉકેલ નથી, કાયમી વ્યવસ્થા જરૂરી છે. વિશ્વભરમાં ઓળખ ધરાવતા સોમનાથ મહાદેવના ધામમાં આવી ગંદકીના દ્રશ્યો માત્ર સ્થાનિક તંત્ર માટે નહીં પરંતુ સમગ્ર તીર્થધામની પ્રતિષ્ઠા માટે પણ ચિંતાજનક ગણાય છે. યાત્રાધામમાં સ્વચ્છતા, મજબૂત ડ્રેનેજ વ્યવસ્થા અને જવાબદારીપૂર્ણ તંત્ર કાર્યશૈલીની માંગ હવે વધુ જોરથી ઉઠી રહી છે. સ્થાનિકો અને યાત્રિકોનો સવાલ સ્પષ્ટ છે – વિશ્વપ્રસિદ્ધ સોમનાથ યાત્રાધામમાં જો ગટરનું ગંદું પાણી મુખ્ય માર્ગ પર વહેતો હોય તો સ્વચ્છતા અને વ્યવસ્થાના દાવાઓ કેટલી હદે સાચા છે?
માલણ ખાતે 7 માર્ચે સેવા સેતુ કાર્યક્રમ:પાલનપુર તાલુકાના નાગરિકોને 56 સરકારી સેવાઓનો લાભ મળશે
પાલનપુર તાલુકાના માલણ ખાતે 7 માર્ચ, 2026ના રોજ બપોરે 2 થી સાંજના 6 વાગ્યા દરમિયાન સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ નાગરિકોને સરળતાથી મળે તે હેતુથી આ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમનો લાભ ફતેપુર, પારપડા, ખરોડીયા, હસનપુર, હેબતપુર, સેજલપુરા, માલપુરીયા, સાંગ્રા, બાદરગઢ, રાણપુરીયા, વરવાડીયા, વગદા, જડીયાલ, સુરજપુરા, રૂપપુરા, હાથીદ્રા, પેડાગડા, સદરપુર, ધાણધા, માનપુરા (ક), અસ્માપુરા (ક), કુંપર, વાસડા (ફ), રતનપુર, ચિત્રાસણી, ઉકરડા, લાલાવાડા, કોટડા (ચાં), ગોઢ, આંત્રોલી, મોરીયા, ભાટવડી, ધનિયાણા, મલાણા, વાસણ (ધા), હુસેનપુરા, જશપુરીયા, મેરવાડા (મ), સોનગઢ, સાંબરડા, લુણવા, ઢેલાણા, ભાગળ (પી), પીરોજપુરા (ટાં), અસ્માપુરા (ગો), માણકા, દેલવાડા, ગોપાલપુરા, અલીગઢ, ખેમાણા, ગોળા, વાસડા (મુ), કરજોડા, વિરપુર, આંબલીયાળ, આંબેથા, પીપળી, નળાસર, જસલેણી, રામપુરા (ક), છાપરા, સેદ્રાસણ, સેમોદ્રા, મેરવાડા અને કમાલપુર સહિતના ગામોના નાગરિકોને મળશે. આ સેવા સેતુ કાર્યક્રમમાં નાગરિકોને જાતિ, આવક, નોન-ક્રિમીલેયર પ્રમાણપત્રો, રેશનકાર્ડ સંબંધિત કામગીરી, દાક્તરી તપાસ અને સારવાર, બેંકિંગ સેવાઓ, આધારકાર્ડ, એસ.ટી. બસ પાસ, આર્થિક લાભની વિવિધ યોજનાઓ અને મહેસુલી સેવાઓ સહિત કુલ 56 જેટલી સરકારી સેવાઓ એક જ સ્થળે પૂરી પાડવામાં આવશે. પાલનપુર (ગ્રામ્ય) મામલતદાર દ્વારા ઉપરોક્ત ગામોના નાગરિકોને આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા માટે નિર્ધારિત સ્થળે હાજર રહેવા જણાવાયું છે.
પાટણના સ્થાનિક લેઉવા પાટીદાર સમાજ દ્વારા વડીલ વંદના કાર્યક્રમ અંતર્ગત સમાજના 800થી વધુ વડીલો માટે હરિદ્વાર ખાતે ગંગા તીર્થ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા 21થી 27 માર્ચ દરમિયાન યોજાશે, જેમાં વડીલો શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરશે. આ રેલવે યાત્રા એક મોટી સામાજિક તીર્થ યાત્રા બનવા જઈ રહી છે. તમામ યાત્રાળુઓ 19 અને 20 માર્ચે અલગ અલગ જથ્થામાં પાટણ અને ઊંઝા સ્ટેશનેથી હરિદ્વાર માટે પ્રયાણ કરશે. ઊંઝા સ્ટેશનેથી યોગા એક્સ્પ્રેસ અને ગાંધીનગર - દૌલતપુર ચોક એક્સ્પ્રેસ દ્વારા, જ્યારે પાટણ સ્ટેશનેથી ભાવનગર - હરિદ્વાર એક્સ્પ્રેસમાં યાત્રીઓ મુસાફરી કરશે. વડીલ યાત્રીઓને મુસાફરીમાં અગવડતા ન પડે તે માટે નાસ્તા અને ફૂડ પેકેટ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. દરેક યાત્રીને ધાર્મિક ખેસ અને વિશેષ ઓળખ કાર્ડ અપાશે, જેમાં તેમની આવવા-જવાની ટ્રેનની વિગતો પણ દર્શાવેલી હશે. હરિદ્વારમાં 21 માર્ચથી પ્રેમનગર આશ્રમ ખાતે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરાયું છે, જેમાં વક્તા શ્રી રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીજી કથાનું રસપાન કરાવશે. આ દરમિયાન ગોવર્ધન પૂજા, નંદ ઉત્સવ અને રૂકમણી વિવાહ જેવા ભાગવત ઉત્સવો પણ યોજાશે. સમગ્ર યાત્રા દરમિયાન તમામ યાત્રીઓનો ઉતારો પવિત્ર ગંગા ઘાટે પ્રેમનગર આશ્રમમાં જ રહેશે. આ સમયગાળા દરમિયાન યાત્રીઓને ઋષિકેશ દર્શને પણ લઈ જવાશે. 27મી માર્ચે ભાગવત કથાની પૂર્ણાહુતિ બાદ યાત્રીઓ ટ્રેન વ્યવસ્થા મુજબ પરત ફરશે. યાત્રાના આયોજનના ભાગરૂપે મુખ્ય યજમાન મહેન્દ્રભાઇ જયંતીલાલ પટેલના નિવાસ સ્થાને પત્રિકા લેખનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સમાજના દરેક ઘરે અને મહેમાનોને આમંત્રણ પત્રિકા મોકલીને પોથી યાત્રા તથા તીર્થ યાત્રામાં સામેલ થવા આમંત્રણ અપાશે. યાત્રામાં સામેલ થયેલ પોથી યજમાનના પરિવારજનો પાટણ ખાતે જ પોથી પૂજનનો લાભ લઈ શકે તે હેતુથી યાત્રાના બે દિવસ અગાઉ 18 માર્ચે પાટણમાં ભવ્ય પોથી પૂજન તથા પોથી યાત્રાનું પણ આયોજન કરાયું છે. પોથી યાત્રા શ્રીઘેલિયા હનુમાનથી નીકળી સમાજના દરેક વિસ્તારમાં પરિભ્રમણ કરીને નિજ સ્થળે પરત ફરશે, ત્યારબાદ યાત્રીઓ હરિદ્વાર જવા તૈયારી કરશે.
બોટાદના તરઘરામાં કૌટુંબિક ભાઈઓ વચ્ચે મારામારી:ખેતરના શેઢે ઘાસ લેવા મુદ્દે ઇજા, સામસામે ફરિયાદ
બોટાદ જિલ્લાના તરઘરા ગામે કૌટુંબિક ભાઈઓ વચ્ચે ખેતરના શેઢે ઘાસ લેવા બાબતે મારામારી થઈ હતી. આ ઘટનામાં બંને પક્ષના આશરે ત્રણ જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી. બંને પક્ષોએ સામસામે પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તરઘરા ગામના રહેવાસી જોરુભાઈ ધરમશીભાઈ સાકળીયા અને ભરતભાઈ લાલજીભાઈ સાકળીયા કૌટુંબિક ભાઈઓ છે અને તેમની જમીન બાજુબાજુમાં આવેલી છે. ખેતરના શેઢે ઘાસ લેવા બાબતે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી, જે ઉગ્ર બની મારામારીમાં પરિણમી હતી. આ મારામારીમાં બંને પક્ષના આશરે ત્રણ જેટલા વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટના બાદ, બંને પક્ષોએ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પાળીયાદ પોલીસે ભરતભાઈ સાકળીયા, જોરુભાઈ સાકળીયા સહિત આશરે ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત ગૃહ વિભાગ દ્વારા 37 IPS અધિકારીની બદલી કરી અન્ય જગ્યાએ નિમણૂક કરવામાં આવી છે. ઘણી જગ્યાઓએ પોસ્ટને ડાઉનગ્રેડ (ઉચ્ચ હોદ્દા પરથી નીચેના હોદ્દામાં ફેરવવી) અથવા અપગ્રેડ કરવામાં આવી છે જેથી યોગ્ય ગ્રેડના અધિકારીઓની નિમણૂક કરી શકાય. આ બદલીમાં નિર્લિપ્ત રાયની SMCમાંથી વિદાય આપીને રાજકોટ રેન્જ IG બનાવાયા છે. સાથે જ સમશેર સિંહને નિવૃત્તિના આરે પોસ્ટિંગ અપાયું છે. 1991 બેચના સિનિયર આઈ.પી.એસ શમશેરસિંઘનું એસીબીમાંથી ડેપ્યુટેશન પર જવું અને ત્યાંથી પરત ગુજરાત આવવું એ ભારે ચર્ચાનો વિષય રહ્યો હતો. કારણ, શમશેરસિંઘ જ્યારે ડેપ્યુટેશન પર જવાના હતા ત્યારે તે વિકાસ સહાય બાદ રાજ્યના મોસ્ટ સિનિયર IPS હતા, તેમના જવાથી રાજ્યના નવા DGP કોણ બનશે તે ચર્ચાઓ રહી હતી. હવે જ્યારે શમશેરસિંઘ પરત આવ્યાં છે ત્યારે તેમને સત્તાવાર રીતે 7 જાન્યુઆરીથી વેઈટિંગ ફોર પોસ્ટિંગમાં મુકાયા હતા. આમ બે મહિના બાદ પોસ્ટિંગ મળ્યું છે. સંપૂર્ણ લિસ્ટ જુઓ આ સમાચાર વધુ અપડેટ થઈ રહ્યા છે….
મોરબી મહાનગરપાલિકાની ઈલેક્ટ્રિક શાખા દ્વારા મોરબી શહેરને લાઈટથી ઝળાહળા કરવા માટે સ્ટ્રીટ લાઈટ અને વીજપોલ નાખવાની કામગીરી તેજ કરવામાં આવી છે. જેમાં શનાળાથી ઘુનડા રોડ પર સ્ટ્રીટ લાઈટ સાથે પોલ નાખવાની કરવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. હાલમાં મહેન્દ્રનગરથી પીપળી રોડ સુધી મહાનગરપાલિકા હદ વિસ્તાર સુધી તથા શનાળા સર્કલથી રાજપર રોડ મહાનગરપાલિકા હદ સુધી સ્ટ્રીટ લાઈટ સાથે પોલ નાખવાની કામગીરી ચાલુ છે. આ કામ ટૂંક સમયમાં પૂર્ણ કરી શહેરમાંથી અંધકાર દૂર કરી રોશનીથી ઝળહળા કરવામાં આવશે. મણિમંદિર, ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઇટ્સનો વર્ક ઓર્ડર અપાયોમોરબીના બન્ને મુખ્ય માર્ગોની કામગીરી પૂર્ણ થયા બાદ શહેરના અન્ય જરૂરી માર્ગો પર પણ આવશ્યકતા મુજબ નવા પોલ સ્થાપિત કરી સ્ટ્રીટ લાઈટ લગાવવામાં આવનાર છે. આ ઉપરાંત, મોરબી મહાનગરપાલિકા ઈલેક્ટ્રિકલ શાખા દ્વારા મણી મંદિર તથા ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગ સ્થાપિત કરવા માટેની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરી એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. આ કામ પણ ટૂંક સમયમાં પૂર્ણ કરી મોરબી શહેરને વધુ આકર્ષક અને પ્રકાશિત બનાવવામાં આવશે. આગામી સમયમાં મોરબી શહેરમાં લાઈટને લગતી તમામ સમસ્યાઓનું ઝડપી નિવારણ કરવામાં આવશે અને શહેરની લાઈટિંગ સંબંધિત તમામ જરૂરિયાતો પૂર્ણ થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવશે.
મોરબીમાં હજુ તો કાયદેસર ઉનાળો શરૂ પણ નથી થયો ત્યાં જ પાણીની હૈયાહોળી શરૂ થઈ ગઈ છે. જો કે ગત વર્ષે મેઘરાજા મન મૂકીને અનરાધાર વરસ્યા હોવાથી તમામ જળાશયોમાં ભરપૂર જળરાશી સંગ્રાહાયેલી છે. ખાસ કરીને મોરબીની જીવાદોરી ગણાતો મહાકાય મચ્છુ ડેમ - છલોછલ ભરેલો હોય પણ મનપાના પાપે પંચાસર રોડ ઉપર પાણીની લાઇન તૂટી જતા આસપાસની અનેક સોસાયટીઓ છતે પાણીએ તરસી રહી છે. આથી સ્થાનિકોએ વહેલાસર મનપાએ તૂટેલી પાણીની લાઈનનું યોગ્ય રીપેરીંગ કરે તેવી માંગ કરી છે. મોરબી પંચાસર રોડ ઉપર સત્યમ હોલ પાસે નીકળતી પીવાના પાણીની લાઈનમાં અચાનક ભંગાણ થયું હતું. બે દિવસ પહેલા જ આ પાણી લાઇન તૂટી જવાથી આસપાસની તમામ સોસાયટીમાં પાણી વિતરણ ખોરવાઇ જવા પામ્યું છે. જેમાં સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ આ લાઈનમાં ભંગાણ થવાથી પંચાસર રોડ ઉપર આવેલી અક્ષર પાર્ક, નીરવ પાર્ક, ત્રિમૂર્તિ પાર્ક, સ્વાતિ પાર્ક સહિતની આજુબાજુ બધી સોસાયટીઓમાં પાણી આવતું નથી. જો કે જળ એ જ જીવન હોય અને હાલમાં ઉનાળો શરૂ થયો છે ,પીવાના પાણીની ખપત હવે તો વધવાની અને બીજી તરફ ઘરમાં પાણી આવતું જ ન હોવાથી લોકોને કારણ વગર તરસ્યા રહેવાનો વારો આવ્યો છે. જો પીવાનું પાણી જ ન હોય તો કપડાં ધોવા અને સ્નાન કરવા માટે ક્યાંથી પાણી હોય તેવો સ્થાનિકોએ બળાપો ઠાલવ્યો હતો. હજુ તો ઉનાળાની શરૂઆતમાં આ રીતે પાણીની કટોકટી સર્જાઈ હોય તો ઉનાળાના મધ્યે પાણીની ગંભીર સ્થિતિ થશે એ વિચાર માત્રથી ધ્રુજી ઉઠાય છે. મનપા બન્યા પછી લોકોની અપેક્ષા, જવાબદારી વધ્યામોરબી નગર પાલિકા હતી ત્યારે લોકોને એવા આંબા આંબલી બતાવવામાં આવ્યા હતા કે કોર્પોરેશન બન્યા પછી વેરો વધશે પરંતુ તેની સાથે મેગા સિટીને મળતા લાભો પણ વધશે અને લોકોને પ્રાથમિક સુવિધાથી વંચિત રહેવું નહીં પડે અને લોકોની અપેક્ષાઓ પણ વધે તે સ્વાભાવિક છે પરંતુ બન્યું છે તેનાથી વિપરિત. મનપા બન્યા પછી હજુ પણ એવા અનેક વિસ્તારો છે કે જ્યાં હજુ રોડ, રસ્તા બન્યા નથી, અંતરિયાળ વિસ્તારોને ભૂગર્ભ ગટર, પાણી, રસ્તા, રોશની વગેરે સુવિધા મળતી નથી. કોર્પોરેશન બન્યાના એક વર્ષ કરતાં વધુ સમય થયો છે,અને ત્યારથી અત્યાર સુધીમાં અનેક વાર લોકોએ ચક્કાજામ, ચીમકી, દેખાવો, કચેરીએ હલ્લાબોલ સહિતના કાર્યક્રમો આપી તંત્રને ઢંઢોળવા મથવું પડ્યું છે.
નેત્રમણિ કેમ્પ યોજાયો:મોરબીના જલારામ ધામમાં યોજાયેલા નેત્રમણિ કેમ્પમાં 198 દર્દી લાભાન્વિત
રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબીના સંયુક્ત ઉપક્રમે અયોધ્યાપુરી રોડ પર આવેલા જલારામ ધામ ખાતે સર્વજ્ઞાતિય વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અશોકભાઈ લાલજીભાઈ કાથરાણી પરિવારના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં ૧૯૮ દર્દીઓએ લાભ લીધો હતો, જેમાંથી ૧૨૪ દર્દીઓને વિનામૂલ્યે ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા છે. દર મહિનાની ૪ તારીખે યોજાતા આ કેમ્પની શૃંખલામાં આ ૫૪મો કેમ્પ હતો. ગત ૫૩ મહિનાઓ દરમિયાન કુલ ૧૫,૦૩૮ લોકોએ નિદાનનો લાભ લીધો હતો અને ૬,૮૪૮ લોકોના સફળ ઓપરેશન કરવામાં આવ્યા હતા. આજના ૧૯૮ દર્દીઓ સાથે અત્યાર સુધીમાં કુલ ૧૫,૨૩૬ લોકોનું વિનામૂલ્યે સચોટ નિદાન થયું છે. આ કેમ્પમાં રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના ડો. બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો. કાનજીભાઈ, ડો. સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ અને નિલેશભાઈ રાઠોડ દ્વારા દર્દીઓની આંખની તપાસ કરવામાં આવી હતી. રાજકોટ ખાતે અત્યાધુનિક ફેકો મશીનથી ટાંકા વગરના સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે ઓપરેશન કરવામાં આવશે.આગામી કેમ્પ આવતા મહિનાની ૪ તારીખે યોજાશે. જેમાં લાભ લેવા માટે કોઈ એડવાન્સ બુકિંગની જરૂર નથી.
સંતાનોથી તરછોડાયેલા દેવદૂત સમાન વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોની જિંદગી બેરંગી અને વેરાન હોય છે. કારણ કે, જેના જીવન ઘડતર અને સુખ સમૃદ્ધિ માટે જાત ઘસી નાખી હોય એ સંતાનો જીવનના અંતિમ પડાવમાં માત્ર હુંફની આત્મીય ઈચ્છા રાખતા માવતરને આજકાલ સંતાનો ઘડપણમાં સાચવવા ન પડે કે તેમની સેવા ચાકરી ન કરવી પડે એ માટે વૃદ્ધાશ્રમમાં મોકલી દેતા અચકાતા નથી. આથી સંતાનોના આવા જખ્મોને કારણે વડીલોના જીવનમાં કોઈ રંગ જ બચ્યો ન હોવાની વચ્ચે મોરબીના સામાજિક કાર્યો કરતા યંગ ઇન્ડિયા ગ્રુપ 15 વર્ષથી પારકા પોતાનાની જેમ વૃદ્ધાશ્રમના વડીલો સાથે આત્મીયજન જેવી હૂંફ દર્શાવી રહ્યું છે. મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે 15 વર્ષથી રંગોત્સવની મુઠી ઉંચેરી ઉજવણી કરવાની પરંપરાને ખરા અર્થમાં નિભાવી છે. યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વિકાસ વિદ્યાલયના બાળકો અને વૃદ્ધાશ્રમના વડીલો સાથે રંગોત્સવ મનાવી આ વડીલોને બેરંગી જિંદગીને કલરફુલ બનાવી દીધી હતી. આ રીતે યંગ ઇન્ડિયા ગ્રુપે રંગોત્સવની ઉજવણી કરી હતી. રંગોત્સવની અનોખી ઉજવણી અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેન રબારીએ કહ્યું હતું કે, માવતર ઈશ્વરથી અધિક વિશેષ છે. એમને આપણા ઉછેર, શિક્ષણ, લગ્ન અને સુખ માટે જે કંઈ કર્યું તેનું આ ભવમાં તો ઠીક સાત ભવમાં પણ ઋણ ચૂકવી નહિ શકીએ. સંતાનોની ખુશી માટે પોતાની ખુશીઓનું સદાય બલિદાન આપતા વડીલો જીવનની છેલ્લી ઘડીએ સંતાનો પાસેથી માત્ર આત્મીયતા અને હૂંફની લાગણી ઝંખે છે એના બદલે આપણે એની અવહેલના કરીએ ત્યારે એમના અંતર મનની જે લાગણી દુભાય છે છતાં પણ દુઃખ અંદર છુપાવી સંતાનનું ભલું જ ઈચ્છે છે. આથી અમે ધુળેટીએ એમની સાથે રંગે રમીને વૃદ્ધાશ્રમના વડીલોના સંતાનોની આંખ ઉઘાડવાનો પ્રયાસ કર્યો છે. દીકરા, દીકરીઓની આંખઉઘાડવાનો અમારો પ્રયાસ: સંચાલકરંગોત્સવની અનોખી ઉજવણી અંગે યંગ ઇન્ડિયાગ્રુપના દેવેન રબારીએ કહ્યું હતું કે, માવતર ઈશ્વરથીઅધિક વિશેષ છે. એમને આપણા ઉછેર, શિક્ષણ, લગ્નઅને સુખ માટે જે કંઈ કર્યું તેનું આ ભવમાં તો ઠીક સાતભવમાં પણ ઋણ ચૂકવી નહિ શકીએ. સંતાનોનીખુશી માટે પોતાની ખુશીઓનું સદાય બલિદાનઆપતા વડીલો જીવનની છેલ્લી ઘડીએ સંતાનો પાસેથીમાત્ર આત્મીયતા અને હૂંફની લાગણી ઝંખે છે એનાબદલે આપણે એની અવહેલના કરીએ ત્યારે એમનાઅંતર મનની જે લાગણી દુભાય છે છતાં પણ દુઃખઅંદર છુપાવી સંતાનનું ભલું જ ઈચ્છે છે. આથી અમેધુળેટીએ એમની સાથે રંગે રમીને વૃદ્ધાશ્રમનાવડીલોના સંતાનોની આંખ ઉઘાડવાનો પ્રયાસ કર્યો છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા હાલ શહેરના વિવિધ વિસ્તારોના ઉદ્યાનોના નવિનીકરણનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જે અંતર્ગત હાલ શહેરના સ્ટેશન રોડ પર આવેલા સુરજ બાગનું નવીનીકરણનું કામ ધમધોકાર રીતે ચાલી રહ્યું છે આ નવીનીકરણની કામગીરીમાં જમીનને સમતલ કરવાનું પાયાનું કામ કરવાનું કામ ચાલી રહ્યું છે, આગામી દિવસોમાં અહીં મુખ્ય વોકિંગ ટ્રેક, પ્લે એરિયા મળશે. આ ઉપરાંત બગીચામાં વૃક્ષારોપણ પણ કરવામાં આવશે અને તેમને પૂરતું પાણી મળી રહે તે માટે હાલ પાણીની લાઈન પણ નાખવાની પ્રાથમિક કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે. હાલ આ ગાર્ડનનું 30 ટકા જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે. જો કે ઉનાળુ વેકેશન શરૂ થવાને એક મહિના જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે આ ઉનાળામાં કદાચ બાળકોને આ બગીચામાં રમવા ન પણ મળે અથવા તો લાંબી રાહ જોવી પડે તેવી સ્થિતિ સર્જાય તો પણ નવાઇ નહીં.
મનપા કડક કાર્યવાહી:મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના 336 લાભાર્થીના આવાસ રદ કરાયા
મોરબી મહાનગરપાલિકા દ્વારા લીલાપર રોડ પર આવેલી મુખ્યમંત્રી આવાસ યોજના (IHSDP) હેઠળના 336 આવાસોમાંથી કેટલાકનો ઉપયોગ ન થતો હોય તેમજ ઘણા આવાસોની નિયત થયેલી પૂરેપૂરી રકમ સમયમર્યાદામાં ભરી ન હોવાથી મનપાએ કડક કાર્યવાહી કરી છે. મનપાએ આ નિયમોનું ઉલ્લંઘન કરનારા 336 આવાસોને રદ કરી દીધા છે. મોરબી મનપા દ્વારા વર્ષ 2017માં 400 આવાસોનો કોમ્પ્યુટર ડ્રો કરવામાં આવ્યો હતો. આ ડ્રોમાં સફળ થયેલા 400 લાભાર્થી પૈકી 336 લાભાર્થીઓ યોજનાના નિયમો મુજબ નિયત થયેલી પૂરેપૂરી રકમ સમયમર્યાદામાં ભરવામાં નિષ્ફળ રહ્યા હતા. આ ઉપરાંત, કેટલાક કિસ્સાઓમાં ફાળવેલા આવાસનો લાભાર્થી દ્વારા કાયમી ઉપયોગ ન થતો હોવાનું અથવા તો મૂળ લાભાર્થીને બદલે અન્ય કોઈ વ્યક્તિ આવાસનો ઉપયોગ કરતી હોવાનું સામે આવ્યું હતું. આ તમામ બાબતોને ગંભીરતાથી લઈને 336 લાભાર્થીઓના આવાસ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પાલિકા દ્વારા આ રદ થયેલા આવાસ પરત મેળવીને નવી અરજીઓ મંગાવવામાં આવશે અને પુનઃફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રદ થયેલા 336 આસામીના મૂળ સરનામા અપૂરતા હોવાથી તેમને વ્યક્તિગત જાણ કરવી શક્ય હોવાથી મહાપાલિકા દ્વારા આ યાદી લીલાપર રોડ સ્થિત આવાસ યોજનાની સાઇટ પર બ્લોક મુજબ તેમજ મહાનગરપાલિકા કચેરીના નોટિસ બોર્ડ પર પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ યાદી આગામી તારીખ 13-3-2026 સુધી કચેરી સમય દરમિયાન જોઈ શકાશે. જેની સંબંધિત લાભાર્થીઓએ નોંધ લેવા મનપાએ તાકીદ કરી છે. નો઼ધનીય છે કે મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત વંચિતો કે જેઓ સામાન્ય સંજોગોમાં પોતાનું ઘર બનાવી શકતા નથી તેવા લોકોનો સમાવેશ થતો હોય છે પરંતુ આવા લોકો આવાસ લીધા પછી ત્યાં રહેવા જતા નથી એ પણ હકીકત છે.
ઝઘડો:હિંમતનગરના જોરાપુર ગામમાં પ્રેમસંબંધની અદાવતમાં ઝઘડો
હિંમતનગરના જોરાપુરમાં પ્રેમસંબંધ રાખનાર યુવક હોળીના દર્શન કરવા ગામમાં આવી પરત જતો રહ્યા બાદ તમારો દીકરો ગામમાં આવવાની ના પાડી છે છતાં ગામમાં કેમ આવ્યો હતો કહી લાકડીઓ ફટકારતાં ચાર સામે રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ઈન્દ્રસિંહ બળવંતસિંહ ઝાલાની દીકરીનો તા.5-03-26 ના રોજ ચૂંદડી ઓઢાડવાનો પ્રસંગ હોઈ ચર્ચા માટે તેમના નાનાભાઈ પૃથ્વીસિંહ અને પત્ની બંને રોકાયા હતા. જ્યારે પૃથ્વીસિંહનો દીકરો રાજદીપસિંહ હોળીના દર્શન કરી પરત જતો રહ્યો હતો બધા વાતો કરતા હતા તે દરમિયાન રાજદીપસિંહના પ્રેમસંબંધની અદાવત રાખી કુટુંબીઓ જગદીશસિંહ ચંદ્રસિંહ ઝાલા, વિપુલસિંહ વખતસિંહ ઝાલા, સોમસિંહ નારસિંહ ઝાલા અને કાંતિસિંહ નારસિંહ ઝાલા લાકડીઓ લઈ આવી તમારો દીકરો કેમ ગામમાં આવ્યો હતો. તેને ગામમાં આવવાની ના પાડેલ છે છતાં ગામમાં કેમ આવે છે કહી ઇન્દ્રસિંહ તેમના પુત્ર, પુત્રી અને પત્નીને લાકડીઓ ફટકારી પાડી દીધા હતા તેમને બચાવવા પૃથ્વીસિંહ વચ્ચે પડતા તેમને પણ લાકડીઓ ફટકારી હતી. 4 સામે ફરિયાદ નોંધાઇ હતી.
યુવકે જીવન ટૂંકાવ્યું:ચંદ્રોડામાં 22 વર્ષીય યુવાનની અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા
બહુચરાજી તાલુકાના ચંદ્રોડા ગામની સીમમાં ગુરુવારે એક યુવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં વિસ્તારમાં ચકચાર મચી હતી. બનાસકાંઠા જિલ્લાના શ્રમિક તરીકે અહીં કામ કરતા 22 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ચંદ્રોડા નજીક આવેલા સુરપુરા ગામના દેસાઈ મિહિરભાઈ દેવશીભાઈના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા અમીરગઢ તાલુકાના સુરેલા ગામના પીસરા વિકાસભાઈ મુકેશભાઈ (22)એ ગત રાત્રે ચંદ્રોડા ગામની સીમમાં ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ગુરુવારે બપોરે ખેડૂત ખેતરે પહોંચતા ઘટનાની જાણ થતાં તાત્કાલિક બહુચરાજી પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી લાશનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે બહુચરાજી સિવિલ હોસ્પિટલ મોકલી આપી હતી. જ્યાં ડૉ. વૈભવ પટેલ અને ડૉ. પિયુષ સેનમાની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક વિકાસભાઈ અને તેમના ભાઈ છેલ્લા ત્રણ મહિનાથી અહીં મજૂરી કામ કરતા હતા. હોળીના તહેવાર નિમિત્તે બંને ભાઈઓ પરિવાર સાથે વતન ગયા હતા અને ઘરેથી એકલા જ પરત આવેલા વિકાસભાઈએ કોઈ અગમ્ય કારણસર આ પગલું ભર્યું છે.
રમતોત્સવમાં સુંદર પ્રદર્શન:મહિલા આર્ટસ કોલેજની છાત્રાઓ ખેલકૂદ મહોત્સવમાં રનર્સ અપ રહી
હિંમતનગરમાં વિજાપુર રોડ પર આવેલ મહિલા આર્ટસ કોલેજની વિદ્યાર્થિનીઓએ તાજેતરમાં પાટણમાં યોજાયેલ 35મા આંતર કોલેજ ખેલકૂદ મહોત્સવમાં ભાગ લીધો હતો. જેમાં વિવિધ યુનિ.ની 67 કોલેજોના 798 ખેલાડીઓ જોડાયા હતા. જેમાં હિંમતનગરની એસ.બી મહિલા કોલેજની ટીમ રનર્સઅપ બની હતી. આ બદલ બેસ્ટ એથ્લેટીક ટ્રોફી સ્નેહા ગોડલીયાએ મેળવી છે. ઉપરાંત 02 ગોલ્ડ, 02 સિલ્વર, 01 બ્રોન્ઝ સહિત અન્ય મળી 9 મેડલ્સ મેળવી મહિલા કોલેજની નામ રોશન કરવા બદલ કોલેજના આચાર્ય નાઝિમાબેન, ટ્રસ્ટીઓ, કોચ સંજય યાદવ, ડો.ચિરાગ પટેલ અને અધ્યાપિકા ડો. બિંદુ ગોસ્વામીએ ટીમને બિરદાવી છે. રમતોત્સવ અંતર્ગત ત્રિપલ જમ્પ, લાંબીકૂદ, હથોડા ફેંક અને રિલે દોડમા સ્નેહા ગોંડલીયાએ ઉજ્જવળ દેખાવ કર્યો હતો. જાગૃતિ જારૂએ 04 દોડ વિભાગમાં તથા ભૂમિ કુકડીયાએ હથોડા ફેંકમાં યુનિવર્સિટીના જૂના રેકર્ડ તોડી નવો રેકોર્ડ નોંધાવ્યો છે.
ચોરીનો પ્રયાસ:મોડાસાની માણેકબા સોસાયટીના બંધ મકાનમાં ફરી ચોરીનો પ્રયાસ
મોડાસાની માણેકબા સોસાયટીમાં બે દિવસ અગાઉ બે બંધ મકાનોને નિશાન બનાવીને ચોરોએ 4.18 લાખની ચોરી કરી હતી. તસ્કરોએ આ જ સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવીને ફરીથી ચોરીનો પ્રયાસ કરતાં સોસાયટીના રહીશોની નીંદ હરામ બની છે. તસ્કરોએ બે દિવસમાં સતત માણેકબા સોસાયટીને ટાર્ગેટ કરી પોલીસને ચેલેન્જ કરતાં હોવાની સોસાયટીના રહીશોની ફરિયાદ ઉઠી છે. સોસાયટીમાં અને આરટીઓ રોડ ઉપર પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કામગીરી શરૂ કરવા માંગ કરી છે. મોડાસાની માણેકબા સોસાયટીમાં બે દિવસ અગાઉ 4.18 લાખની ચોરી કર્યા બાદ ચોરોએ ફરી વાર આ જ સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવીને ચોરોએ મહેન્દ્રભાઈ પ્રજાપતિના મકાનના દરવાજાનાં તાળાં તોડી મકાનમાં ઘૂસી ઘરમાં રહેલી ચીજ વસ્તુઓ રફેદફે કરીને પલાયન થઈ જતાં રહીશોમાં ભયનો માહોલ છવાયો છે. સોસાયટીના સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે મકાન માલિક અમદાવાદ રહે છે અને બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી સતત ચોરીનો પ્રયાસ કરી રહ્યા હોવાથી સોસાયટીમાં અને આરટીઓ રોડ ઉપર પેટ્રોલિંગ કામગીરી શરૂ કરવા માંગ કરી છે.
હવામાન વિભાગની આગાહી:24 કલાક બાદ ગરમી 2-3 ડિગ્રી ઘટશે
છેલ્લા 5 દિવસથી સતત વધતી ગરમીને ગુરુવારે આખરે બ્રેક લાગી હતી. દોઢ ડિગ્રીના ઘટાડો થવા છતાં તાપમાન 36 ડિગ્રી પાર રહેતાં આકરી ગરમીનો અનુભવ યાથવત રહ્યો હતો. 8 માર્ચ સુધીમાં ગરમી 2-3 ડિગ્રી ઘટી શકે છે, ત્યાર બાદ ફરી તાપમાન ઊંચકાતાં આકરી ગરમીનો રાઉન્ડ શરૂ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાતમાં ગુરુવારે પ્રતિ કલાકે સરેરાશ 9 કિલોમીટરની ઝડપે ઉત્તર-પશ્ચિમ દિશાનો પવન ફૂંકાયો હતો. પવનની દિશામાં આવેલા ફેરફારના કારણે ભેજનું પ્રમાણ ઘટીને 15થી 45 ટકાની વચ્ચે રહ્યું હતું. પવનની દિશામાં ફેરફાર અને ઘટેલા ભેજના કારણે રાત્રીનું તાપમાન લગભગ સ્થિર રહ્યું હતું. મુખ્ય 5 શહેરોમાં ઠંડીનો 20.6થી 21.5 ડિગ્રીની વચ્ચે રહેતાં રાત્રી દરમિયાન હળવી ઠંડીની સ્થિતિ યથાવત રહી હતી. જ્યારે દિવસનું તાપમાન દોઢ ડિગ્રી સુધી ઘટ્યું હતું.
ભાસ્કર એક્સક્લુસિવ:હુડા રદ થયાના 65 દિવસે પણ નકશા મંજૂર થતાં નથી, બાંધકામ પરવાનગી મળતી નથી
હિંમતનગર પાલિકા વિસ્તારમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ કરી હુડા અમલી બનાવ્યા બાદ ગ્રામ્ય વિસ્તારના પ્રચંડ જન આંદોલનને લઈ સરકારે 65 દિવસ અગાઉ હુડા રદ કર્યાની નોટિફિકેશનમાં પ્રસિદ્ધિ કરવા છતાં અને તમામ નિયંત્રણો રદ કર્યાની સ્પષ્ટતા કરવા છતાં નકશા મંજૂર કરવા બાંધકામ પરવાનગી આપવી સહિતના તમામ કામોને બ્રેક લાગી ગઈ છે. વહીવટી તંત્રએ મંગેલ માર્ગદર્શનનો સરકારે હજુ જવાબ આપ્યો નથી. હુડામાંથી છૂટ્યા બાદ લોકો મોટી હાલાકીનો સામનો કરી રહ્યા છે. સમગ્ર મામલેપંચાયતોમાં જતાં બાંધકામ રજા ચિઠ્ઠીઓ મળતી નહીં હોવાનું હુડામાં સમાવિષ્ટ ગ્રામજનોએ જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે હિંમતનગર શહેરની આસપાસ આવેલ પરબડા, ધાણધા, સવગઢ, કાટવાડ, બોરીયા ખુરાદ, પીપલોદી, હડિયોલ, કાંકરોલ બેરણા, બળવંતપુરા અને નવા 11 ગામનો તા.12-03-24ના રોજ પાલિકા વિસ્તારમાં સમાવેશ કરી બીજી વખત હિંમતનગર શહેરી વિકાસ સત્તા મંડળ હુડા અમલી બનાવતા પ્રચંડ જન આંદોલન ઊભું થયું હતું અને તા.31-12-25ના રોજ ગુજરાત સરકારે નોટિફિકેશનની પ્રસિદ્ધિ કરી આ વિસ્તારની સૂચિત વિસ્તારની તમામ બાબતો અને તેને આનુસંગિક બાબતો માટેના અધિનિયમની જોગવાઈઓના અમલમાંથી મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. પરંતુ આ હુકમને 65 દિવસ જેટલો સમય થવા છતાં તંત્ર દ્વારા આ વિસ્તારમાં પ્લાન મંજૂર કરવા, બાંધકામ રજા ચિઠ્ઠી આપવી સહિતના ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટને બ્રેક લગાડી દેવાઇ છે. જેને પગલે હુડામાંથી છૂટ્યા બાદ નવી મુસીબત ગળે વળગતાં હાલાકી થઇ છે. આ મામલે ઝાકીરહુસેન ફકીર મહંમદ મેમણ, લિયાકત હબીબભાઈ લુહાર સહિતના લોકો જણાવી રહ્યા છે કે સવગઢ, પરબડા માલીવાડા સહિતની તમામ ગ્રામ પંચાયતોમાં જતાં બાંધકામ રજા ચિઠ્ઠીઓ મળતી નથી અન્ય એક રિઅલ એસ્ટેટ ડેવલપરે જણાવ્યું કે એન.એ. મંજૂરી મળી ગયા બાદ ટાઉન પ્લાનિંગમાં નકશા મંજૂર થતાં નથી બધેથી એક જ જવાબ મળી રહ્યો છે કે માર્ગદર્શન માંગવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે કે બીજી વખત હુડા અમલી બનાવતાં હિંમતનગરના 11 ગામોમાં પ્રચંડ જન આંદોલન ઊભું થતાં સરકારે હુડા સ્થગિત કરવાનો હુકમ કર્યો હતો. હું તપાસ કરાવું છું :RDC આ અંગે ટાઉન પ્લાનિંગ વિભાગના અવનીબેન અને ધવલભાઈએ જણાવ્યું કે આરડીસી જ આ બાબતે સ્પષ્ટતા કરી શકશે. આર.ડી.સી કૃષ્ણાબેન વાઘેલાએ જણાવ્યું કે એન.એ તો થઈ જ રહ્યું છે હુડા હતું ત્યારે પણ બાંધકામ રજા ચિઠ્ઠીઓ મળતી હતી. હું તપાસ કરાવું છું. હુડા અંગે જાહેરનામું પ્રસિદ્ધ થયું છે તેમાં કેટલીક સ્પષ્ટતાઓ માટે સરકારમાંથી માર્ગદર્શન માગવામાં આવ્યું છે.
તળાવો ભરાતાં લોકોમાં ખુશીનો માહોલ:પાલનપુર, ડીસા- દાંતીવાડાના 98 તળાવો નર્મદાના પાણીથી ભરાયાં
પાલનપુર, ડીસા અને દાંતીવાડા તાલુકાના 49 ગામોના 98 તળાવોમાં નર્મદાનું પાણી ભરવામાં આવ્યું છે. કસરાથી દાંતીવાડા યોજના હેઠળ પાઇપલાઇન મારફતે 40 ક્યુસેક પાણી છોડવામાં આવતાં ત્રણેય તાલુકાના તળાવો ભરાયા છે. ખાસ કરીને પાલનપુર તાલુકાના ગામોમાં વર્ષોથી ખાલીખમ તળાવોમાં નર્મદાનું નીર પહોંચતાં ગ્રામજનોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. તળાવ કિનારે ગ્રામજનોએ ફૂલ અને નારિયેળ અર્પણ કરી વધામણા કર્યા હતા.અહીંના વિસ્તારોમાં જમીનની અંદર આશરે 150 ફૂટે પથ્થર આવતાં બોરવેલ નિષ્ફળ જતાં હતાં અને સિંચાઈ માટે કોઈ વિકલ્પ ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતો માત્ર ચોમાસા પર નિર્ભર રહેતા હતા. પશુપાલન પણ મુશ્કેલ બન્યું હતું. આ પરિસ્થિતિને લઈને વર્ષ 2017માં ખેડૂતો દ્વારા જન આંદોલન કરવામાં આવ્યું હતું. વિશાળ રેલી યોજી પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ સરકારે સિંચાઈ યોજના મંજૂર કરી કસરાથી દાંતીવાડા સુધી પાઇપલાઇનનું કામ પૂર્ણ કર્યું હતું. યોજનાનું કાર્ય પૂર્ણ થતાં હવે 49 ગામોના 98 તળાવોમાં નર્મદાનું પાણી ભરાયું છે, જેને કારણે ખેડૂતો અને પશુપાલકોને મોટી રાહત મળી છે.
રોડ ઉપર ગંદા પાણી રેલાયા:પાલનપુરના અમીરબાગમાં છ મહિનાથી ભૂગર્ભ ઉભરાતાં રોડ પર ગંદુ પાણી રેલાયું
પાલનપુર શહેરમાં ભૂગર્ભ ગટરની પાઇપલાઇન નાખવામાં આવ્યા બાદ પણ યોગ્ય ઢાળ ન મળતા ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા કેટલાક વિસ્તારોમાં છે. શહેરના વોર્ડ નંબર ત્રણના અમીરબાગ વિસ્તારમાં પણ પાછા છ મહિનાથી આ સમસ્યાનો સામનો સ્થાનિક રહીશો કરી રહ્યા છે. સ્થાનિક રહીશોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે છેલ્લા છ મહિનાથી ભૂગર્ભ ગટરનું પાણી અહીં દરરોજ સવારે બે થી ત્રણ કલાક સુધી પડ્યું રહે છે ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. આ બાબતે વોર્ડના નગરસેવક રાજુભાઈ એ જણાવ્યું કે પાઇપલાઇન દ્વારા ભૂગર્ભ ની લાઈન નો જ્યાં નિકાલ કરવામાં આવે છે તે વિસ્તાર ઉંચાણમાં હોવાથી પાણી બેક મારે છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે વધુ એક નવી પાઇપલાઇન માટેની મંજૂરી મળી છે સમયસર કામગીરી પૂરી કરવામાં આવશે.
પાલનપુરમાં ગઠામણ દરવાજા વિસ્તારમાં આંખની હોસ્પિટલ પાછળના કિર્તિપુરા વિસ્તારમાં આવેલા 150થી વધુ મકાનોમાં રહેતા લોકો નગરપાલિકાનો કરવેરો ભરપાઇ કરે છે. પરંતુ સફાઇ,રસ્તા સહિતની પ્રાથમિક સુવિધા ન મળતાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તેઓ આગામી પાલિકાની ચૂંટણીમાં તેનો જવાબ આપશે તેમ જણાવી રહ્યા છે. પાલનપુરમાં ગઠામણ દરવાજા વિસ્તારમાં આંખની હોસ્પિટલ પાછળ આવેલા કિર્તીપુરાના રહિશો અસુવિધાઓથી પરેશાની ભોગવી રહ્યા છે. અમરતભાઇ પરમાર, હંસાબેન દેવીપૂજક, કસ્તુરભાઇ વાઘેલા સહિતે આક્રોશ પૂર્વક જણાવ્યું હતુ કે, વાર્ષિક સફાઇવેરો રૂપિયા 360 ભરીએ છીએ. પણ માર્ગની બાજુમાં દારૂની ખાલી કોથળીઓ ગંદકીના ઢગલા પડ્યા છે. 100 મીટરનો રસ્તાનો ટુકડો પાંચ વર્ષથી નથી બનાવાયો તેના ઉપર ગટરના ગંદા પાણી ઉભરાઇ રહ્યા છે. માથુ ફાડી નાંખે તેવી બદબૂથી રાત્રે જમી કે સુઇ પણ શકાતું નથી. વારંવાર રજૂઆતો છતાં કોઇ કામગીરી થતી નથી. કિર્તિપુરામાં 100 મીટરનો માર્ગ 5 વર્ષથી બિસ્માર છે. રસ્તાની બાજુમાં કચરાના ઢગલા પડ્યા છે.જેના લીધે ચાલકો પરેશાન થઈ ગયા છે. સભામાં ઠરાવ થયા પછી રોડનું કામ થશે આ અંગે એન્જિનિયર અર્ચિતભાઇ પટેલે જણાવ્યું હતુ કે, પાલિકાના નિયમ મુજબ સ્થાનિક નગરસેવકની રજૂઆત પછી સાધારણ સભામાં ઠરાવ થયા પછી ગ્રાંટ ફાળવણી પછી રોડનું કામ થતું હોય છે.
40 ફૂટ રસ્તાનો નિર્ણય TDOએ અમાન્ય ગણાવ્યો:માહીમાં ગૌચર જમીનમાં રસ્તા કાઢવાનો પંચાયતનો ઠરાવ રદ
વડગામ તાલુકાના માહી ગામે ગૌચરની જમીનમાં 40 ફૂટનો રસ્તો કાઢવા ગ્રામ પંચાયત દ્વારા કરાયેલ ઠરાવને લઈને સર્જાયેલા વિવાદનો અંત આવ્યો છે. અરજદારોની ઉચ્ચ કક્ષાએ ઉગ્ર રજૂઆતો બાદ તાલુકા વિકાસ અધિકારીએ તપાસ કરી વિવાદિત ઠરાવ રદ કરવાનો હુકમ કર્યો છે. વડગામ તાલુકાના માહી ગામે ગ્રામ પંચાયત દ્વારા ગૌચરની જમીનમાં રસ્તો કાઢવા કરાયેલ ઠરાવને રદ કરવામાં આવ્યો છે. ગામના સર્વે નંબર 234 માં 40 ફૂટ પહોળો રસ્તો કાઢવા બહુમતીના જોરે ઠરાવ પસાર કરાયો હતો. જોકે, આ નિર્ણય સામે ગામના કેટલાક જાગૃત નાગરિકોએ સત્તાનો દુરુપયોગ થયો હોવાનો આક્ષેપ કરી વિરોધ નોંધાવ્યો હતો. અરજદારોનું કહેવું હતું કે ગૌચરની જમીન પશુચરાણ માટે અનામત હોય છેઅને ત્યાં રસ્તો કાઢવો કાયદેસર રીતે યોગ્યનથી. આ મુદ્દે ગ્રામ પંચાયત સમક્ષ ઠરાવ રદકરવાની માંગ કરાઈ હતી, પરંતુ ઠરાવયથાવત રાખવામાં આવતા મામલો ઉગ્રબન્યો હતો. અંતે અરજદારો દ્વારા ઉચ્ચકક્ષાએ લેખિત રજૂઆતો કરવામાં આવીહતી. આ મામલે વડગામ તાલુકા વિકાસઅધિકારીએ તપાસના આદેશ આપ્યા હતા. તપાસ દરમિયાન ગૌચર જમીનમાં રસ્તોકાઢવો ગુજરાત પંચાયત અધિનિયમનીજોગવાઈઓ વિરુદ્ધ હોવાનું સામે આવ્યું હતું.જેના આધારે તાલુકા વિકાસ અધિકારીએગ્રામ પંચાયત દ્વારા કરાયેલ 40 ફૂટ રસ્તાનોઠરાવ રદ કરવાનો હુકમ કર્યો છે. બિલ્ડરને લાભ અપાવવા ગૌચરમાંથી અવર-જવર કરાવાતી હતી. સરપંચે બિલ્ડરને ફાયદો કરાવવા રસ્તો આપી દીધો ગૌચરમાંથી રસ્તો આપવાનું કારણ બિલ્ડરને લાભ અપાવવાનો હતો. બિલ્ડરની સોસાયટીમાં જવાનો રસ્તો મુખ્ય હાઇવે થી અંદર ગલીઓમાં થઈને ના જવું પડે એટલે વચ્ચે ગૌચરવાળી જગ્યામાંથી રસ્તો આપી દીધો હતો. જેને લઇ અન્ય સાથી સભ્યોએ વાંધો દર્શાવ્યો હતો અને સમગ્ર મામલો સામે આવ્યો હતો. તાલુકા વિકાસ અધિકારીના હુકમ બાદ ગૌચરમાં ફેન્સીંગ કરી રસ્તાની અવરજવર બંધ કરાશે.
ભાસ્કર ઇમ્પેક્ટ:પાલનપુરમાં શંકુ આકારના બમ્પ ઉપર ઢોળાવ કરાયો
પાલનપુરમાં નગરપાલિકાની પરવાનગી લીધા વિના જ 10થી વધુ સ્થળોએ શંકુ આકારના બમ્પ બનાવી દેવાયા હતા. જેના ઉપર બાઇક સ્લિપ થતાં દંપતિ ઇજાગ્રસ્ત બન્યું હતુ. આ અંગેના અહેવાલ પછી નગરપાલિકા દ્વારા ઉંચા બમ્પોને ઢોળાવ આપવાની કામગીરી શરૂ કરાતાં વાહન ચાલકો હાશકારો અનુભવી રહ્યા છે. પાલનપુરમાં કંથેરિયા હનુમાનથી માલણ દરવાજા માર્ગ ઉપર કમાલપુરા ત્રણ રસ્તા નજીક શંકુ આકારનો ગેરકાયદે બમ્પ બનાવાયો હતો. જેના ઉપર જલોત્રાનું બાઇક સવાર દંપતિ પટકાતાં ગંભીર ઇજા થઇ હતી. આ ઉપરાંત પણ 10થી વધુ ગેરકાયદે બનાવાયા હોવાનું સામે આવ્યું હતુ. નગરપાલિકા દ્વારા ઉંચા બમ્પોને ઢોળાવ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બીજી તરફ પાલનપુર ગઠામણ દરવાજાથી જગાણા ગામે સાંકળતા 4 કિલોમીટરના માર્ગ ઉપર 24 બમ્પો બનાવી દેવાયા હોવાના અહેવાલ પછી માર્ગ અને મકાન વિભાગ દ્વારા બમ્પો તોડવા માટે પોલીસ રક્ષણની માંગણી કરવામાં આવી છે. પાલનપુરમાં શંકુ આકારના બમ્પ ઉપર ઢોળાવ કરાયો હતો.જેથી લોકોને રાહત થઈ હતી. શહેરના માર્ગો ઉપર લગાવેલા પ્લાસ્ટિકના બમ્પ ઉપર ડામર કરી દેવાયો, કેટલાક સ્થળે તૂટી ગયા શહેરના ગુરૂનાનક ચોકના ચારેય દિશાના માર્ગના પ્રારંભે, સરકારી હાઇસ્કુલ, ગલબાભાઇના પુતળા નજીક, ગઠામણ દરવાજા, કોઝી સહિતના વિસ્તારોમાં તંત્ર દ્વારા પ્લાસ્ટિકના બમ્પ બનાવવામાં આવ્યા હતા. જે રોડ પેવર કરતી વખતે બમ્પ ઉપર ડામર ચઢાવી દેવામાં આવ્યો છે. તો કેટલાક સ્થળે બમ્પો તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. તેની પાછળ કરાયેલો ખર્ચ નિરર્થક નિવડ્યો હોવાનું શહેરીજનો જણાવી રહ્યા છે.
રાહદારીઓને પારાવાર મુશ્કેલી:પાલનપુર જનતાનગર માર્ગ ઉપર વાલ્વ લીકેજ થતાં પાણી ભરાયું
પાલનપુર જનતાનગર માર્ગ ઉપર ગુરૂવારે ધરોઇ જુથ યોજનાની પાઇપલાઇનનો વાલ્વ લીકેજ થતાં રિક્ષાના ટાયર ડુબે એટલું પાણી ભરાઇ ગયું હતુ. વગર વરસાદે ભરાયેલા પાણીથી વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન થઇ ગયા હતા. પાલનપુર માલણ દરવાજા ત્રણ રસ્તાથી જનતાનગર ચાર રસ્તા આગળ જાહેર માર્ગ ઉપર પાણી ભરાઇ ગયું હતુ. આ અંગે સાજીદભાઇ મકરાણી સહિત સ્થાનિક વેપારીઓએ આક્રોશ પૂર્વક જણાવ્યું હતુ કે, છેલ્લા પાંચ વર્ષથી આ સ્થળે ધરોઇ જુથ યોજનાની પાઇપલાઇનનો વાલ્વ લીકેજ હોવાથી પાણીનો બગાડ થઇ રહ્યો છે. ગુરૂવારે રિક્ષાના ટાયર ડુબે એટલું પાણી ભરાઇ જતાં વાહન ચાલકો અને રાહદારી પરેશાન થઇ ગયા હતા. વાલ્વનું કાયમી સમારકામ કરવા માટે અવાર- નવાર નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે. મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ પણ કર્યો હતો. આર.ટી.આઇ. દ્વારા માહિતી પણ માંગવામાં આવી છે. પરંતુ નગરપાલિકા દ્વારા કોઇ કામગીરી કરવામાં આવતી નથી. રોડ પર પાણી ભરાતાં રાહદારીઓ હાલાકી વેઠી રહ્યા છે.
ગ્રાહક કોર્ટે આપ્યો ન્યાય:પગ ગુમાવનારને વ્યાજ સાથે 20.64 લાખ ચુકવવા વીમા કંપનીને આદેશ
પાટણ ગ્રાહક સુરક્ષા કમિશને અકસ્માતમાં ટ્રકને પણ ભારે નુકસાન અને પગ ગુમાવનાર રાધનપુરના ટ્રક માલિકને વળતર ચૂકવવામાં ઠાગાઠૈયા કરતી વીમા કંપનીને રૂ.20.64 લાખ 9% વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો છે. રાધનપુરના અરજણસરના રહેવાસી રાવળ દિનેશભાઈ પીરાભાઈ 5 જુલાઈ 2023ના રોજ વરણામા પાસે હાઈવે પર ટ્રક ( GJ-24-X-3574) લઈને જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન ડાબો પગ ઘૂંટણ સુધી કાપવો પડ્યો હતો. આ સાથે જ ટ્રકને પણ મોટું નુકસાન થયું હતું. દિનેશભાઈએ વીમા કંપની પાસેથી ટ્રક અને પર્સનલ એક્સિડન્ટનો વીમો લીધેલો હતો. અકસ્માત બાદ તેમણે અકસ્માત વળતર (હેઠળ ₹15 લાખ અને ગાડીના નુકસાન પેટે ₹19.20 લાખનો કલેઈમ કર્યો હતો. જોકે, વીમા કંપનીએ ખોટી જાણકારી અને અન્ય ટેકનિકલ કારણો આગળ ધરી વળતર ચૂકવ્યું નહોતું. કંપનીના સર્વેયર દ્વારા ગાડીના નુકસાનનો અંદાજ 12.52 લાખથી વધુ હોવા છતાં વળતર અટકાવી રાખ્યું હતું. પાટણ ગ્રાહક કમિશનના પ્રમુખ એન.પી. ચૌધરી અને સભ્ય વી.એમ. સ્વામીની કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી હતી. અવલોકન કર્યું કે વીમા કંપનીએ સેવામાં ખામી દાખવી છે. પરિણામે દિનેશભાઈની બંને ફરિયાદો અંશતઃ મંજૂર કરી વીમા કંપનીને પર્સનલ એક્સિડન્ટ કવર હેઠળ 11.25 લાખ અને વાહનના નુકસાન પેટે 9.39 લાખ (કુલ રૂ.20.64 લાખ) 9 ટકા વ્યાજ વળતર ચૂકવવા હુકમ કર્યો છે. લર્નિંગ લાયસન્સ એ પણ વાહન ચલાવવાની સક્ષમતાની સાબિતી - આ કેસમાં કમિશને મહત્વનું અવલોકન કર્યું કે, અકસ્માત સમયે અરજદાર પાસે ભલે પાકું લાયસન્સ નહોતું, પરંતુ તેમની પાસે MCWG અને LMV કેટેગરીનું લર્નિંગ લાયસન્સ હતું. કાયદાકીય દ્રષ્ટિએ લર્નિંગ લાયસન્સ ધરાવનાર વ્યક્તિ વાહન ચલાવવા માટે સક્ષમ ગણાય છે. માત્ર ટેકનિકલ કારણોસર લાયસન્સ ન હોવાનું બહાનું ધરી વીમા કંપની પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકે નહીં, કારણ કે અરજદાર વાહન ચલાવવા લાયક હતા તે સાબિત થાય છે.
ગ્રાહક કોર્ટનો ચુકાદો:PM રિપોર્ટના અભાવે મોતનો વીમો નકારતાં ગ્રાહક કોર્ટનો રૂપિયા 2 લાખ ચૂકવવા આદેશ
પીએમ રિપોર્ટના અભાવે ખેડૂત પુત્રના મોતનો વીમો નકારતાં ખેડૂતે ગ્રાહક તકરાર કમિશન કોર્ટમાં અરજી કરતાં કોર્ટે સુનાવણીમાં તંત્રની ફટકાર લગાવી રૂp બે લાખનો વીમો મંજૂર કરવા માટે આદેશ કર્યો હતો. પાટણના ટાંકવાસણા ગામના ખેડૂત હમીરજી પુનાજી ઠાકોરના પુત્ર રમેશસિંહનું ગત 7 નવેમ્બર 2023ના રોજ ટ્રેન મુસાફરી દરમિયાન અકસ્માતે નીચે પડી જવાથી કરુણ મૃત્યુ નીપજ્યું હતું. પુત્ર ગુમાવ્યાના શોકમાં ડૂબેલા પિતાએ જ્યારે ખેડૂત પુત્ર હોવાના નાતે ગુજરાત રાજ્ય સામૂહિક જૂથ અકસ્માત વીમા યોજના હેઠળ 2 લાખ રૂપિયાના વળતર માટે અરજી કરી, ત્યારે વીમા નિયામક અને ખેતીવાડી વિભાગે સંવેદનહીનતા દાખવી હતી. તંત્રએ એવી શરત મૂકી કે અકસ્માત સાબિત કરવા માટે પોસ્ટમોર્ટમ (P.M.) રિપોર્ટ અથવા કલેક્ટરનું પ્રમાણપત્ર અનિવાર્ય છે. જોકે, ગ્રામીણ પૃષ્ઠભૂમિ અને જાણકારીના અભાવે પિતાએ તે સમયે પુત્રનું પોસ્ટમોર્ટમ કરાવ્યું નહોતું. આ મામલે પિતાએ 15 માર્ચ 2024ના રોજ પાટણ કલેક્ટરને લેખિત અરજી કરી વૈકલ્પિક પ્રમાણપત્ર મેળવવા પ્રયાસ કર્યો હતો, તેમ છતાં વીમા વિભાગે ટેકનિકલ કારણો આગળ ધરી વળતર નકાર્યું હતું. મહત્વનું છે કે, રેલવે ક્લેઇમ ટ્રિબ્યુનલે આ બનાવને અકસ્માત માનીને પહેલેથી જ વળતરનો આદેશ આપ્યો હતો. અંતે, આ વિવાદ ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં પહોંચ્યો હતો. કમિશને વીમા નિયામકની દલીલો ફગાવતા કડક શબ્દોમાં નોંધ્યું કે, જ્યારે પોલીસ તપાસ, પંચનામું અને રેલવે ટ્રિબ્યુનલના પુરાવા અકસ્માતની પુષ્ટિ કરે છે, ત્યારે માત્ર પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે વળતર રોકવું તે સેવામાં ગંભીર ખામી છે. અદાલતે જિલ્લા કમિશનનો હુકમ યથાવત રાખી, પિતાને 2 લાખ રૂપિયા વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ આપી તંત્રની જડતા સામે માનવીય અભિગમ દાખવ્યો છે.
એઆઈ ટુલ્સ સંમતિ વિના સેલેબ્સને મિમિક કેવી રીતે કરી શકેઃ હાઈકોર્ટનો સવાલ
સેલેબ્સનાં એઆઈ વર્ઝન સાથે ચેટની મંજૂરીની કાયદેસરતા વિશે પ્રશ્ન શિલ્પા શેટ્ટીના પર્સનાલિટી રાઈટ્સ કેસમાં ગૂગલ, ટેનોર ,એન્ટીટી ચેટબોટ કંપનીઓ હાઈકોર્ટમાં હાજર મુંબઈ - મ્બે હાઈકોર્ટે બુધવારે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ (એઆઈ) સાધનોની કાયદેસરતા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. સંમતિ વિના સેલિબ્રિટી વ્યક્તિત્વનું અનુકરણ કરવામાં આવતું હોવાની નોંધ કરી હતી.કોર્ટે પૂછયંહ કે પ્લેટફોર્મ વપરાશકર્તાઓને સંબંધિત સેલિબ્રિટીની સંમતિ વિના અભિનેતાના એઆઈ સંસ્કરણ સાથે ચેટ કરવાની મંજૂરી કેવી રીતે આપી શકે છે.
ભારતે T20 વર્લ્ડ કપની બીજી સેમિફાઈનલમાં ઇંગ્લેન્ડને 254 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ઇંગ્લેન્ડે 246નો સ્કોર કરતા ભારતે 7 રનથી જીત મેળવી ફાઈલનમાં પ્રવેશ મેળવ્યો છે, ત્યારે ભારતે ફાઈનલમાં એન્ટ્રી મારતા જ દિવ્ય ભાસ્કર અમદાવાદીઓની વચ્ચે પહોંચ્યું હતું. અમદાવાદીઓને પૂછ્યું કે, ફાઈનલ કોણ જીતશે ત્યારે બધાના મોઢા પર એક જ નામ હતું. ફાઈનલમાં તો માત્ર ભારત જ જીતશે. ફાઈનલમાં અભિષેક શર્મા ચાલશે કે નહીં પૂછતા બે મિનિટ તો વિચારમાં પડી ગયા. ગુજ્જુઓ સંજુ સેમસન પર ફીદા થયા. ન્યુઝીલેન્ડ સામેની ભારતની રેકોર્ડનું પૂછતા જ જવાબ પણ ડામાડોળ આવ્યો.
પોલીસ કાર્યવાહી:ફરાર લૂંટેરી દુલ્હન ટોળકીનો સાગરિત ઝબ્બે
પાટણ પોલીસે શંખેશ્વરના એક યુવક સાથે રૂ.1.50 લાખની છેતરપિંડી કરવાના કેસમાં લૂંટેરી દુલ્હન ટોળકીના એક સાગરિતની ધરપકડ કરી છે.આરોપી હરેશભાઈ ભરવાડ છેલ્લા 3 મહિનાથી ફરાર હતો. શંખેશ્વર ગામના 40 વર્ષીય યુવક સાથે ધોળકાના આંબેઠી ગામની રેખા તખાભાઈ ઠાકોરનાં લગ્ન કરાવવામાં આવ્યા હતા. આ લગ્નના ખર્ચ પેટે યુવાન પાસેથી રૂ.1.50 લાખની રકમ લેવામાં આવી હતી. લગ્નના એક મહિના બાદ રેખા બીમાર માસીને મળવાના બહાને ઘરેથી નીકળી ગઈ હતી અને પરત ફરી ન હતી. આ ઘટના બાદ યુવકે લૂંટેરી દુલ્હન સહિત લગ્ન કરાવનારા પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ફરાર ખેડા તાલુકાના રઢુ ગામનાં હરેશભાઈ કરશનભાઈ ભરવાડને પાટણ બી-ડિવિઝન પોલીસના ડી-સ્ટાફે સિદ્ધપુર હાઈવે પર આવેલા એલ.પી. ભવન પાસેથી ઝડપી પાડ્યો હતો. બાદમાં શંખેશ્વર પોલીસને સોંપતા પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જમીન પર મુક્ત કર્યો હતો.તેવુ પોલીસે જણાવ્યું હતું.
25 વર્ષથી ગામ બોરથી વંચિત:ભાટસર ગામે જૂથ યોજનામાંથી ઓછું પાણી મળતું હોય બોરની માંગ પણ તંત્રનો ઇનકાર
ચાણસ્મા તાલુકાનું ભાટસર ગામમાં 2500ની વસ્તી અને 1500 જેટલા પશુધન માટે પાણીનો એકમાત્ર સહારો ધરમોડા જૂથ યોજના છે.જે પાઇપ લાઇન મારફતે અપાતું પાણી ગામમાં પૂરતું પહોંચી રહ્યું ના હોય ગ્રામજનોને લાંબા સમયથી પીવાના પાણીની તંગી ભોગવી પડી રહી હોય ગ્રામજનો દ્વારા પાણીની સુવિધા માટે લોકભાગીદારી બોર બનાવવા તૈયાર હોવા છતાં કલેક્ટર દ્વારા બોરની દરખાસ્ત દફતરે કરી દેવામાં આવતા ગ્રામજનોમાં નિરાશા પ્રસરી છે. ભાટસર ગામને હાલ મોઢેરા જૂથ યોજના હેઠળ ધરમોડાથી પાણી આપવામાં આવે છે.આ લાઇન ચાણસ્મા અને બહુચરાજીના અન્ય 25 ગામો સાથે જોડાયેલી હોવાથી પાણીનો પ્રેશર ખૂબ જ ઓછો રહે છે.પરિણામે ભાટસરમાં એકાંતરે દિવસે (ઓતરા દિવસે) પાણી મળે છે. પશુપાલન પર નભતા આ ગામમાં 1500 પશુઓ માટે પાણીની વ્યવસ્થા કરવીએ ગૃહિણીઓ અને ખેડૂતો માટે લોઢાના ચણા ચાવવા જેવું કામ બની ગયું છે. ગામ દ્વારા વારંવાર રજૂઆત બાદ પાણી પુરવઠા વિભાગે હકારાત્મક અભિગમ દાખવી કલેક્ટર કચેરીમાં નવા બોર માટે દરખાસ્ત મોકલી હતી. જોકે કલેક્ટરે પાઇપલાઇન મારફતે પાણી મળી રહ્યું હોય આ અરજી નામંજૂર કરી દીધી છે.સાથે પાણી પુરવઠા વિભાગે પૂરતો જથ્થો આપવાની સૂચના આપી છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે લાઇન છેવાડે હોવાથી ગામને પૂરતું પાણી મળવું ટેકનિકલી અશક્ય છે.તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું. ઉનાળામાં પાણીની સમસ્યા સર્જાશે :સરપંચ ભાટસર ગામના સરપંચ જશુમતીબેન મનહરભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે સરકારના નિયમ મુજબ નવીન બોર માટે લોકભાગીદારીના પૈસા ભરવા પણ તૈયાર છીએ છતાં વહીવટી તંત્ર કેમ સંવેદનહીન બન્યું છે.આગામી સમયમાં ઉનાળો આવી રહ્યો છે.ત્યારે પાણીની સમસ્યાને લઈને ગામલોકો અને પશુઓની હાલત વધુ કફોડી બનશે.
શહેરના સ્લમ વિસ્તારોમાં મકાનોમાં ગરમી ઘટાડવાના ઉદ્દેશથી મહિલા હાઉસિંગ ટ્રસ્ટ (MHT) દ્વારા છેલ્લા બે વર્ષથી કાર્યરત ક્લાયમેટ સ્માર્ટ પાટણ ઇનિશિયેટિવ અંતર્ગત રામનગર-1 હનુમાનપુરામાં તા- 28-02-2026ના રોજ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારના હસ્તે સોલર રિફ્લેક્ટિવ વ્હાઇટ પેઇન્ટ લગાવવાના કાર્યનો શુભારંભ કરાયો હતો. પાટણ શહેરમાં છેલ્લા બે વર્ષથી કોમ્યુનિટી એક્શન ગ્રુપની બહેનો દ્વારા જ પોતાના ઘરની છતો પર આ ખાસ પેઇન્ટ લગાડાઈ રહ્યો છે, જે સૂર્યના તાપને સોષવાને બદલે પરાવર્તિત કરે છે. જેનાથી ઘરની અંદરના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રમુખ હિરલબેન પરમારે વિસ્તારની મહિલાઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે આવાસ યોજના અને સરકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી બહેનોના પાયાના પ્રશ્નો સાંભળ્યા હતા. આ પ્રસંગે મહિલા હાઉસિંગ ટ્રસ્ટના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર ચંદ્રિકાબેન અને તેમની ટીમ હાજર રહી હતી.
પાટણની ગોપાલક હાઈસ્કૂલ ખાતે દેસાઈ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા 215 જેટલી દીકરીઓને નિઃશુલ્ક સર્વાઈકલ કેન્સર વિરોધી રસી આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં સમાજની 9 થી 45 વર્ષની દીકરીઓ હાજર રહી હતી.ચવેલીધામના બળદેવદાસ બાપુએ આગામી બીજા ડોઝ માટેના સંપૂર્ણ દાતા તરીકેની જાહેરાત કરી હતી. પાટણ ખાતે પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈના અધ્યસ્થાને ગોપાલક હાઈસ્કૂલ ખાતે સર્વાઈકલ કેન્સર વિરોધી રસી આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.કુલ 215 જેટલી દીકરીઓને રસી આપવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રણછોડભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં રોગોનું પ્રમાણ વધ્યું છે. શાકભાજી અને ફળોમાં પેસ્ટિસાઈડનો ઉપયોગ થવાના કારણે અવનવા રોગો પણ નાની ઉમરમાં થઇ રહ્યા છે.ત્યારે દેસાઈ સમાજના આગેવાનોએ દીકરીઓની ચિંતા કરીને સર્વાઈકલ કેન્સર વિરોધી રસીના કેમ્પનું નિઃશુલ્ક આયોજન કરી સેવાયજ્ઞ કર્યો છે. સમાજની આ સેવાકીય પહેલથી દીકરીઓમાં કેન્સરનું પ્રમાણ ઘટશે.દીકરીઓ રસીના બન્ને ડોઝ લે તેવી અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં મુખ્યદાતા નિવૃત ડી.વાય.એસ.પી વાઘજીભાઈ દેસાઈ સહિત અન્ય દાતાઓ તેમજ વાળીનાથ ધામના મહંત જયરામગિરી બાપુ,બાલીસણા ધામના કાનજીકાકા,વાગડોદ ધામના મહંત તેમજ, દ્વારકેશ છાત્રાલયના સંચાલક મગનભાઈ રબારી સહિત સમાજિક રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા.કિરણભાઈ દેસાઈ અને ક્રિષ્ના ગ્રુપના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
સરહદી વિસ્તારોને એલર્ટ કરવા નવી સિસ્ટમ સજ્જ કરાઈ:પાટણ શહેર અને 42 સરહદી ગામો સાયરનથી સજ્જ
ભારત પાકિસ્તાનની યુદ્ધની સ્થિતિ બાદ હવે પાટણ શહેર સહિત સરહદી વિસ્તારો એલર્ટ કરવા માટે સાયરન સિસ્ટમથી બનાવવામાં આવ્યા છે. પાટણ શહેરમાં પણ આપત્તિ કે યુદ્ધ જેવી તાત્કાલિક પરિસ્થિતિમાં લોકોને ઝડપી ચેતવણી મળી રહે તે માટે પાટણ નગરપાલિકા દ્વારા અંદાજે રૂ.1 લાખના ખર્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં 8 સ્થળોએ સાયરન સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. તેમાંમાંથી ચાર હેવી સાયરન જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેનો અવાજ લગભગ 5 કિલોમીટર સુધી સંભળાય છે. કુલ 12 સાયરન દ્વારા યુદ્ધ, કુદરતી આપત્તિ, આગ કે ભૂકંપ જેવી પરિસ્થિતિમાં લોકોને તાત્કાલિક એલર્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સાંતલપુર પંથકના આશરે 42 જેટલા સરહદી ગામોમાં તંત્ર દ્વારા સાયરન સિસ્ટમ ગોઠવવામાં આવી છે. ફાંગલી ગામમાં મંદિર ઉપર સાયરન લગાવવામાં આવ્યું છે, જ્યારે જાખોત્રા અને અહેવાલ ગામમાં સાયરન ગ્રામ પંચાયત ખાતે રાખવામાં આવ્યા છે. વૌવા ગામમાં ગ્રામ પંચાયત ઉપર સાયરન લગાવવામાં આવ્યું છે અને વારાહી ગ્રામ પંચાયતમાં પાંચ કિલોમીટર સુધી અવાજ પહોંચે તેવી સાયરન સિસ્ટમ કાર્યરત છે.
બે ગમખ્વાર અકસ્માત સર્જાયા:પાંચોટ સર્કલ અને લાખવડ નજીક બે દિવસમાં બે અકસ્માતમાં બે મોત
3 અને 4 એપ્રિલ બે દિવસ દરમિયાન પાંચોટ સર્કલ અને લાખવડ નજીક બનેલા બે માર્ગ અકસ્માતમાં એક મહિલા અને યુવક બેના મોત થયા હતા. તાલુકા પોલીસે બંનેની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. અમદાવાદ રહેતા પ્રહલાદભાઈ બાબુભાઈ પંચાલ 3 માર્ચના રોજ પોતાની પત્ની ભાવનાબેન સાથે હોળીનો તહેવાર હોય મોટરસાયકલ લઈને તેમના વર્તન સમો મોટા તા. ડીસા ખાતે જવા નીકળ્યા હતા. પાંચોટ બાયપાસ સર્કલ પસાર કરીને તેઓ હરદેસણચોકડી નજીક પહોંચતા આજાણ્યા ચાલકે બાઈક ને ટક્કર મારતા તેમની પત્ની ભાવનાબેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બીજા કિસ્સામાં મૂળ બિહારના અને હાલ ગાંધીધામ રહેતા અજીત પાલ ભગતનો ભાઈ રામ લખન પાલ અવધેશ પાલ પોતાના મિત્ર રાજપાલ જય ભવાન પ્રસાદ પાલ સાથે ચાર માર્ચના રોજ 11 વાગ્યે લાખવડથી મહેસાણા તેમનું એક્ટિવા લઈને આવતા હતા. તે સમયે એક્ટિવા ચલાવી રહેલા રામ લખન પાલે રસ્તામાં સાઈડમાં ટ્રેક્ટર અને ટ્રોલી પાર્ક કરેલ હતી તે ટ્રોલી ને રામ લખન પાલે પોતાનું એક્ટિવા અથડાવતાં રામ લખન પાલનું સારવારમાં મોત થયું હતું.
યુવકે જીવાદોરી કાપી:ચંદ્રોડામાં યુવાને ગળેફાંસો ખાઈ લઇ આત્મહત્યા કરી
બહુચરાજી તાલુકાના ચંદ્રોડા ગામની સીમમાં ગુરુવારે એક યુવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. બનાસકાંઠા જિલ્લાના શ્રમિક તરીકે અહીં કામ કરતા 22 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. સુરપુરા ગામના દેસાઈ મિહિરભાઈ દેવશીભાઈના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા અમીરગઢ તાલુકાના સુરેલા ગામના પીસરા વિકાસભાઈ મુકેશભાઈ (22)એ ગત રાત્રે ચંદ્રોડા ગામની સીમમાં ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ગુરુવારે બપોરે ખેડૂત ખેતરે પહોંચતા ઘટનાની જાણ થતાં તાત્કાલિક બહુચરાજી પોલીસને જાણ કરી હતી. પોલીસ લાશનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે બહુચરાજી સિવિલ હોસ્પિટલ મોકલી આપી હતી. જ્યાં ડૉ. વૈભવ પટેલ અને ડૉ. પિયુષ સેનમાની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
બોર્ડની પરીક્ષા:ધો- 12 માં મનોવિજ્ઞાન પેપર સરળ અને બે પ્રશ્નો ટ્વિસ્ટ કરી પૂછાયા
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ગુરુવારે મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓએ એકંદરે પેપર સહેલું નીકળતા રાહત અનુભવી હતી. હોશિયાર વિદ્યાર્થીઓ પરિણામમાં સારો સ્કોર મેળવશે,જ્યારે એવરેજ વિદ્યાર્થીઓનો પાસિગ રેશિયો વધશે. જોકે પેપરમાં બે ટ્વીસ્ટ પ્રશ્નોએ પરીક્ષાર્થીઓને વિચારતા કર્યા હતા.ડી વિભાગમાં લેન્ધી પ્રશ્નોએ કસોટી કરી હતી. વિષય શિક્ષક મહેશભાઈ ગોસ્વામીએ કહ્યું કે, ગુજરાત રાજ્ય બોર્ડના માળખા પ્રમાણે પેપર હતું. વિભાગ ડીમાં કેટલાક પ્રશ્નો લેંધી હતા. સમય વધુ લઈ લે તેવા પૂછાયા છે. બોધ એટલે શું આ પ્રશ્ન તેમજ અરજી પત્રક અને મુલાકાત કર્મચારીની પસંદગી માટે કેવી રીતે મહત્વની ભૂમિકા ભજવે છે. આ બે પ્રશ્નો સામાન્ય વિદ્યાર્થીઓ માટે અઘરા કહી શકાય, બાકી એવરેજ વિદ્યાર્થીઓ માટે પેપર સરળ છે. મહેસાણા જિલ્લામાં ધો 12 મનોવિજ્ઞાનની પરીક્ષામાં 8068 વિદ્યાર્થીઓ પૈકી 7964 બેઠા હતા, 104 ગેરહાજર નોધાયા હતા.જ્યારે સવારે ધો 12માં વાણિજ્ય જૂથ એકાઉન્ટન્સી એન્ડ ઓડિટીગ પેપર 2માં તમામ 32 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાયો:શેડફા ગામમાં રૂ. 75 લાખના વિદેશી દારૂ સાથે 2 ઝડપાયા
કડી તાલુકાના શેડફા ગામ પાસે બાવલુ પોલીસે સાણંદથી કડી જતા રોડ પર પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં લાખોની કિંમતનો વિદેશી દારૂ (IMFL) અને વાહન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે કુલ 14,481 નંગ વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી છે, જેની અંદાજિત કિંમત ₹ 75,86,800 થાય છે. આ દારૂનો જથ્થો પંજાબની યુનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડ અને પર્નોડ રિકાર્ડ ઇન્ડિયા જેવી જાણીતી કંપનીઓ દ્વારા બનાવવામાં આવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલું ₹ 15,00,000 ની કિંમતનું ટાટા કન્ટેનર (NL-01-AD-3448) પણ પોલીસે કબજે કર્યું છે. આ ઉપરાંત બે મોબાઈલ ફોન અને બૂટ સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ ₹ 92,76,800 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે પંજાબના બે શખ્સો, જશવંત બલદેવરાજ પાલ અને જોબનપ્રીત ગુરુદેવ સિંહની ધરપકડ કરી છે. જ્યારે દારૂનો સપ્લાય કરનાર પંજાબના ગૌરવ અને તેના પિતા, તેમજ અમૃતસરના ગુરબાજસિંહ ઉર્ફે સોના સિંહ સહિત અન્ય પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
મનપાનો હીટ વેવ એક્શન પ્લાન:મહેસાણામાં જાહેર સ્થળોએ ઠંડા પાણી સાથે ઓઆરએસ સુવિધા ઊભી કરાશે
મહેસાણામાં ધીમા પગલે ઉનાળાની ગરમી શરૂ થઇ છે. હવે ઉનાળામાં તાપમાન ઉંચકાશે. ત્યારે મહાનગરપાલિકા તંત્ર દ્વારા ગરમીમાં લોકોને રાહત મળી રહે અને ગરમીની અસરથી બચવા માટેના ઉપાયો સાથે હીટ વેવ એક્શન પ્લાન બનાવવાની તૈયારીઓ શરૂ કરી છે. જેમાં ઉનાળાની વધુ ગરમી શરૂ થશે એટલે રાહતદરના તમામ જાહેર સ્થળો પરના મિનરલ વોટર પ્લાન્ટ ઉપર પીવા માટેના ઠંડા પાણી સાથે ઓઆરએસની સુવિધા ચાલુ કરી દેવાશે, જેથી રાહદારીઓ ઓઆરએસ વાળું પાણી પી ને ગરમી માં ડીહાઇડ્રેશનથી બચી શકે.આ ઉપરાંત મુખ્ય ચાર રસ્તા સર્કલ પાસે જરૂરિયાતમાં ઠંડા પાણીના કેરબા ની સુવિધા કરાશે. મહાનગર પાલિકા બાંધકામ શાખાના સૂત્રોએ કહ્યું કે, ગત વર્ષે ઉનાળામાં સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન સંસ્થા રાહે પતરાની છતવાળા પાંચ ઘરમાં હીટવેટ ગરમી ઓછુ લાગે તે માટે પતરા ઉપર સફેદ કોટીગ કરાયુ હતુ અને તેનાથી ઘરની અંદર 5 ડિગ્રી ગરમી ઓછી થઇ હતી. આ વખતે પણ સંસ્થા રાહે સ્લમ વિસ્તારના વધુ પતરાવાળા મકાનોને સફેદ કોડીગમાં આવરી લેવાના પ્રયાસ કરાશે. ખાસ કરીનેમનપા ઉનાળા દરમિયાન યલો, ગ્રીન, રેડ એલર્ટ જાહેર કરશે. જેમાં રેડએલર્ટમાં શ્રમિકોને કામકાજના સમયમાં બદલાવની માર્ગદર્શિકાઅપાશે. બપોરના સમયે આરામ તેમજ સવારે વહેલા કામનું આયોજનકરાવાશે. શ્રમિક પોઇન્ટો પર વિશ્રામની વ્યવસ્થાઓ જરૂરિયાત મુજબકરાવાશે.
3 ભૂલકાંઓના કરુણ મોત:સીતાપુરમાં તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોનાં મોત
બહુચરાજી નજીક આવેલા સીતાપુર ગામે બુધવારે બપોરે ધુળેટી રમ્યા બાદ તળાવમાં ન્હાવા પડેલા 9 અને 11 વર્ષની ઉંમરનાં ત્રણ બાળકોનાં ડૂબી જવાથી મોત થયાં હતાં. ધુળેટીનો તહેવાર હોઈ રંગોથી મસ્તી કર્યા બાદ સીતાપુર ગામનાં કેટલાક બાળકો ઝોલાસર નામના તળાવમાં ન્હાવા પડ્યા હતા. જેમાં સૌરવ અશોકભાઈ રાઠોડ (11), પાર્થિવ મહેશભાઈ રાઠોડ (9) અને કૌશિક લાલાભાઇ રાઠોડ(9) તળાવના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. આ સમયે હાજર અન્ય બાળકોએ બૂમાબૂમ કરતાં ગામલોકો દોડી આવ્યા હતા અને ત્રણે બાળકોને તળાવમાંથી બહાર કાઢી સ્થાનિક ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં હાજર તબીબે ત્રણેયને મૃત જાહેર કર્યા હતા. આ ત્રણેય બાળકોનું બહુચરાજી સિવિલ હોસ્પિટલમાં ડો. મિલવ પટેલે પોસ્ટ મોર્ટમ કર્યું હતું. મૃતદેહો પરિવારને સોંપાતા તેમના હૈયાફાટ કલ્પાંતથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ ઘટના અંગે હાંસલપુર ગ્રામ્ય પોલીસે અકસ્માત મોત અન્વયે નોંધ કરી છે.
મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં રહેણાંક અને કોમર્શિયલ મળીને કુલ 16,715 મિલકતદારોનો અંદાજે રૂ. 32.35 કરોડનો વેરો બાકી છે. આ બાકીદારોને રાહત આપવા માટે પાલિકા દ્વારા ખાસ વ્યાજ-પેનલ્ટી માફી યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ જો રહેણાંક મિલકતદારો 31 માર્ચ સુધીમાં બાકી વેરો ભરપાઈ કરે છે. તો તેમને વ્યાજ-પેનલ્ટીમાં 100 ટકા માફી મળશે, જ્યારે કોમર્શિયલ મિલકતદારોને 50 ટકા રાહત આપવામાં આવશે. મહેસાણામાં રહેણાંકમાં 11872 મિલકતદારોએ કુલ રૂ. 15.62 કરોડ અને કોમર્શિયલમાં 4843 મિલકતદારોએ કુલ રૂ. 16.73 કરોડ વેરો ભરવાનો બાકી છે. શહેરમાં અંદાજે 10,500 વ્યવસાયકારોએ પ્રોફેશનલ ટેક્સ ભર્યો ન હોવાથી તેમને વ્યાજ અને પેનલ્ટી લાગી છે, જેમાં હવે 50 ટકા સુધીની માફી મળશે. મહેસાણામાં મિલકતવેરાનું બિલ એક મહિનામાં ભરનારને મનપા 10 ટકા રિબેટ આપતી હોય છે, પરંતુ આ એક મહિના દરમિયાન બિલ ન ભર્યું તેમને વધુ 60 દિવસ બિલ ભરવાની સમય મર્યાદા મળે છે. આમ કુલ 90 દિવસમાં વેરા ન ભર્યા હોય તે મિલકત ઉપર 18 ટકા વ્યાજ પેનલ્ટી લાગતી હોય છે. દર વર્ષે આવી મિલકતો પર 18 ટકા વ્યાજ ચઢતા બાકી રકમનો બોજ મિલકતદારોને માથે ચડતો હોય છે. ત્યારે બાકી વેરો ભરવામાં હવે મોટી રકમના કારણે પણ ઘણા ન ભરી શકતા હોય તેમના માટે આ રાહત યોજના ઉપયોગી બનશે. મનપા દ્વારા આ રાહત યોજના 25 દિવસ માટે લાગુ કરવામાં આવી છે. સામાન્ય રીતે, મિલકત વેરાનું બિલ મળ્યાના એક મહિનામાં નાણાં ભરનારને 10 ટકા રિબેટ મળે છે. 90 દિવસ બાદ વેરો ન ભરનાર પર 18 ટકા વ્યાજ પેનલ્ટી વસૂલવામાં આવે છે. જે બાકીદારો મોટી રકમને કારણે વેરો ભરી શકતા ન હતા, તેમના માટે આ યોજના ખૂબ જ ઉપયોગી સાબિત થશે. લોકોને પણ ફાયદો થશે. માર્ચ પછી વેરો નહીં ભરે તેની મિલકતો સીલ કરાશે31 માર્ચ સુધીમાં વ્યાજ-પેનલ્ટી રાહત યોજનાનો લાભ લઈ વેરો ભરપાઈ નહીં કરનાર સામે મનપા કડક કાર્યવાહી શરૂ કરશે. બાકીદારોના પાણી અને ગટરના જોડાણો કાપી નાખવામાં આવશે તેમજ કોમર્શિયલ મિલકતોને સીલ કરવામાં આવશે. છેલ્લા એક મહિનામાં જ મહાનગરપાલિકાએ 52 દુકાનો વેરો બાકી હોવાને કારણે સીલ કરી છે. નોધનીય છે કે, ગત વર્ષે રૂ. 60 લાખ બાકી વેરામાં સહારા બ્રિજ હોટલ સીલ કરાયેલ છે. 3 વર્ષમાં ચાલુ વર્ષે સૌથીવધુ 83 ટકા વેરા વસૂલાતશહેરમાં વર્ષ 2025-26 માટે કુલ1,08,687 મિલકતદારોમાંથી 73,576મિલકતદારોએ અત્યાર સુધીમાં રૂ. 148.72કરોડનો વેરો ભરી દીધો છે. આ વર્ષેવસૂલાતનો આંકડો 83 ટકાએ પહોંચ્યો છે,જે ગત વર્ષ 2024-25 (79%) અને વર્ષ2023-24 (77%)ની સરખામણીએ ઘણોવધારે છે. 31 માર્ચ સુધીમાં આ વસૂલાતનોઆંકડો હજુ પણ વધી શકે છે. શહેરમાં300 મિલકતદારો એવા છે કે જેમનો વેરોરૂ. એક લાખથી વધુ બાકી વેરો મનપાનાચોપડે ચઢ્યો છે.જ્યારે રૂ. 50 હજારથી એકલાખ સુધીના બાકી વેરામાં 700મિલકતદારોનો સમાવેશ થાય છે.
બેફામ ખનીજ માફિયા ઉપર તંત્રની તવાઈ:રાયધણજરમાં બેન્ટોનાઈટ ખનીજની ચોરી પકડાઈ
કચ્છમાં બેફામ બનેલા ખનીજ માફિયાઓ પર લગામ કસવા ભુજ (પશ્ચિમ) ખાણ ખનીજ વિભાગે ફિલ્મી ઢબે અબડાસા તાલુકાના રાયધણજર વિસ્તારમાં માન્ય લીઝની આડમાં ચાલી રહેલા બેન્ટોનાઈટના ગેરકાયદે ખનન પર ત્રાટકીને અંદાજે 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પશ્ચિમ કચ્છ ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા ગુપ્ત માહિતીના આધારે વહેલી પરોઢે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અધિકારીઓની ટીમે મજૂરનો વેશ ધારણ કરી બાઈક પર સ્થળ પર પહોંચી ખનીજ ચોરી ઝડપી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી હ્યુન્ડાઈ એક્સકેવેટર મશીન (R 215) તેમજ બે વાહનો નંબર GJ-12 CV 5022 અને GJ-12 BW 5986 જપ્ત કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, નજીકમાં માન્ય લીઝ આવેલી છે તેની બાજુમાં ગેરકાયદે રીતે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. તંત્ર દ્વારા હાલમાં ખાડાની ચોકસાઈપૂર્વક માપણી હાથ ધરવામાં આવી છે, જેના આધારે લાખો રૂપિયાનો દંડ ફટકારવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ અધિકારી ડી.એસ.બારીયાના માર્ગદર્શનમાં આ કાર્યવાહીમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર જીગર ઠક્કર અને ખુશાલી ગરવા સહિત માઇન્સ સુપરવાઈઝર આશિષ પટેલ, હર્ષદ પ્રજાપતિ, જય કુંડારીયા અને દર્શન જોશી જોડાયા હતા. ભાસ્કર ઇનસાઇડખાણ તંત્રની ટીમે મજૂર બનીને દરોડો પાડ્યોખનીજ માફિયાઓ અત્યંત સતર્ક હોવાથી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ આ વખતે અનોખી રણનીતિ અપનાવી હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, અધિકારીઓ અને કર્મચારીઓ સરકારી ગાડીઓ મૂકીને સામાન્ય બાઈક પર સવાર થઈ મજૂરો જેવા કપડાં પહેરીને રાયધણજર પહોંચ્યા હતા. આ વેશપલટાને કારણે ખનીજ માફિયાઓને વાહનો લઈને ભાગવાનો મોકો મળ્યો નહોતો અને તંત્રએ કડક કાર્યવાહી કરી હતી.
હોમિયોપેથી નિદાન કેમ્પ યોજાયો:આરોગ્ય માટે યોજાતા કેમ્પ થકી પરસ્પર સહકારની ભાવના પણ મજબૂત બને છે
ભુજ લોહાણા મહાજન દ્વારા આરોગ્ય સેવાઓ પ્રત્યેની અખંડ પ્રતિબદ્ધતાને આગળ વધારતા હોમિયોપેથી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાજનના પ્રમુખ ડૉ. મુકેશભાઈ ચંદે, ઉપપ્રમુખ હરેશભાઈ કતિરા, મંત્રી કમલભાઈ કારીઆ, ખજાનચી હિતેશભાઈ ઠક્કર, આરોગ્ય સમિતિના ચેરમેન પલવીબેન ઠક્કર, તેમજ મીતભાઈ પુજારા, હર્ષદભાઈ(હકી) ઠક્કર, ભુપેન્દ્રભાઈ ઠક્કર, દિલીપભાઈ ઠક્કર, ધર્મેન્દ્રભાઈ ચંદે, હરેશભાઈ ઠક્કર, રશ્મિકાંતભાઈ ઠક્કર, હેમંતભાઈ પલણ, પંકજબેન રામાણી, વિધાબેન ગણાત્રા અને કાજલબેન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. યોગીનીબેન જોબનપુત્રા તથા ડૉ. ભૂમિબેન સોમૈયાએ સેવા આપતાં તેમનું હોદેદારોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મહાજનના પ્રમુખે જણાવ્યું હતું કે, મેડિકલ કેમ્પ માત્ર સારવાર પૂરતો સીમિત નથી રહેતો, પરંતુ સમાજમાં આરોગ્ય જાગૃતિ અને પરસ્પર સહકારની ભાવનાને પણ મજબૂત બનાવે છે. સમાજની સુખાકારી માટે આવા સેવા યજ્ઞો સતત યોજાતા રહેશે કાર્યક્રમનું સંચાલન મંત્રી કમલભાઈ કારીઆ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભાર વિધિ પબ્લિકેશન સમિતિના ચેરમેન મીતભાઈ પુજારાએ કરી હતી.
ગર્વની વાત:કચ્છના સંશોધકની આઈઆઈટી દિલ્હી ખાતે પસંદગી કરાઇ
ભુજની લાલન કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલમાં કચ્છ યુનિવર્સિટી ખાતે શેક્સપિયરના અનુવાદનાં ભાષાકીય અને સામાજિક પરિમાણ પર અભ્યાસ કરતા સંશોધકની દિલ્હી આઇઆઇટીમાં પસંદગી કરઈ છે. ડો. મનોજ છાયાનાં માર્ગદર્શનમાં પીએચ.ડી.નો અભ્યાસ કરતા કિશન અતુલભાઇ પંડ્યાની ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી દિલ્હી ખાતે રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે પસંદગી થઈ છે. કમ્પ્યુટેશનલ લિંગવિસ્ટિક્સ અને બહુભાષિય નેચરલ લેન્ગવેજ પ્રોસેસિંગ ક્ષેત્રમાં આઈ.આઈ.ટી. દિલ્હીના મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે અંગ્રેજી તેમજ ગુજરાતી ભાષાઓ પર પ્રભુત્વ ધરાવતા, આ વિષયોમાં લઘુતમ અનુસ્નાતકની પદવી ધરાવતા અને અનુવાદ તેમજ પ્રત્યાયનનો સબળ અનુભવ ધરાવતા ભાષાશાસ્ત્રના અભ્યાસુઓ પાસેથી સમગ્ર ભારતમાંથી અરજીઓ મેળવ્યા બાદ, પસંદગી પ્રક્રિયાના વિવિધ તબક્કાઓના અંતે પંડ્યાને આ પ્રોજેક્ટ માટે પસંદ કરાયા છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ તેઓ ભારત સરકારના ઉપક્રમ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન લેન્ગવેજીસ, મૈસુર ખાતે નેશનલ ટ્રાન્સલેશન મિશનની કાર્યશાળા તેમજ ફેલોશિપ માટે પણ પસંદગી પામ્યા હતા. તદુપરાંત ગુજરાત હાઈકોર્ટ માટે અનુવાદક તરીકે તેમની ઉમેદવારીનો પસંદગી પ્રક્રિયાની યાદીમાં સમાવેશ કરાયો હતો.
ભાડાના મકાનમાં લાલાસરી શાળા:અનામી દાતાએ બાર મહિનાનું ભાડું દાનમાં આપ્યું
રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની પ્રથમ કારોબારી બેઠક કાનપર ખાતે સ્થિત લિંગ માતાજી મંદિરે યોજાઈ હતી. જેમાં રચનાત્મક ચર્ચા-વિચારણા, શિક્ષણક્ષેત્રે ગુણવત્તા વિકાસ અને ભૌતિક સુવિધાઓ સુદ્રઢ બનાવવા અંગે માર્ગદર્શન અપાયું હતું. રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘને કારોબારી બેઠકમાંથી પ્રાપ્ત દિશાદર્શનને અનુસરી હસમુખલાલ ઠક્કરની જહેમતથી લાલાસરી પ્રાથમિક શાળા, તા. રાપર માટે મહત્વપૂર્ણ કાર્ય શક્ય બન્યું છે. આ શાળા રાપરથી અંદાજે બે કિમી દૂર સ્થિત છે. શાળાના ચાર રૂમો તથા અન્ય બાંધકામો જર્જરિત હાલતમાં હોવાને કારણે અને નજીકમાં અન્ય કોઈ સરકારી શાળા ન હોવાને કારણે બાળકો અભ્યાસથી વંચિત ન રહી જાય તે હેતુસર, નવી શાળા ન બને ત્યાં સુધી એસએમસી દ્વારા હેલીપેડ મધ્યે ભાડાના મકાનમાં શાળાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હાલ 175 જેટલા અ.જા., બક્ષીપંચ અને વિચરતી જાતિના દીકરા-દીકરીઓ બાલવાટિકાથી ધો.8 સુધી અભ્યાસ કરે છે. ચાલુ વર્ષનું ભાડું પછાત વર્ગના મોટાભાગે મજૂરી કાર્ય કરતા વાલીઓએ રૂ.200થી 500 ઉઘરાવીને ચૂકવ્યું હતું. હવે તે શક્ય ન જણાતા નવા સત્ર (મે 2026થી એપ્રિલ 2027) માટે એક વાગડપ્રેમી દાતાએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે માસિક રૂ.10,000 લેખે કુલ રૂ.1.20 લાખનું એક વર્ષનું ભાડું આપવાની ઉદારતા દર્શાવી છે. તે ઉપરાંત અન્ય એક દાતાએ શાળાની ખૂટતી સુવિધાઓ પૂર્ણ કરવા અંદાજિત રૂ.25,000નું દાન આપ્યું છે. જેમાં મધ્યાહ્ન ભોજન માટે પતરાંનો કિચન શેડ, બાળકોને રિશેષ અને ભોજન સમયે ધૂળમાં ન બેસવું પડે તે માટે રૂમોના આગળના ભાગે 700 ચોરસ ફૂટમાં કોંક્રેટ કામ, તેમજ ગરમીથી રાહત મળે તે માટે પતરાં ઉપર શણિયાના કોથળા કડી-ચૂનામાં પલાળી ઢાંકવાની વ્યવસ્થા જેવા હંગામી કામોનો સમાવેશ થાય છે. આ કાર્યોથી નવી શાળા ન બને ત્યાં સુધીના સમયગાળા દરમિયાન બાળકોને અનુકૂળતા અને સુલભતા મળશે. વીજળી, પાણી અને પંખા જેવી જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. સમગ્ર કાર્યમાં હસમુખલાલ ઠક્કર, મદદનીશ શિક્ષક, અયોધ્યાપુરી શાળા દ્વારા વિશેષ રસ લઈને સંકલન અને માર્ગદર્શન અપાયું હતું. તેમ રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ભરતસિંહ પરમારે જણાવ્યું હતું.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર દેશના 7 રાજ્યોના રાજ્યપાલ અને બે ઉપ-રાજ્યપાલની નિમણૂકના રહ્યા. બીજા સમાચાર આસામથી છે જ્યાં સુખોઈ જેટ ગુમ થઈ ગયું છે. તો વળી ટી-20 વર્લ્ડકપમાં ભારતે ફાઇનલમાં ચોથી વખત જગ્યા બનાવી લીધી છે. ⏰આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. નેપાળમાં સામાન્ય ચૂંટણીનું પરિણામ આવશે. 5 માર્ચે થયેલા મતદાનમાં 60% સુધી મતદાન થયું. કાલના મોટા સમાચારો 1. બંગાળના રાજ્યપાલ અને લદ્દાખના LGનું રાજીનામું:મમતા બોલ્યાં- મને અમિત શાહે જણાવ્યું કે આરએન રવિ નવા ગવર્નર હશે, આ કેન્દ્રનો એકતરફી નિર્ણય પશ્ચિમ બંગાળની ચૂંટણીના એક મહિના પહેલા રાજ્યપાલ સીવી આનંદ બોસે રાજીનામું આપી દીધું છે. તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિને બંગાળની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. આ દરમિયાન લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર કવિન્દ્ર ગુપ્તાએ પણ રાજીનામું આપી દીધું છે. બોસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું મોકલી દીધું છે. તેઓ હાલમાં દિલ્હીમાં છે. આ દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બોસના રાજીનામા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું. તેમણે કહ્યું, કેન્દ્રીય ગૃહમંત્રીએ મને હમણાં જ જાણ કરી છે કે આરએન રવિને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવી રહ્યા છે. તેઓએ મારી સાથે વાત કરીને સલાહ લીધી નથી. આ કેન્દ્ર સરકારનો એકતરફી નિર્ણય છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. બોમ્બે હાઈકોર્ટે કહ્યું- ગમે ત્યાં નમાઝ પઢવી એ ધાર્મિક અધિકાર:સુરક્ષા સૌથી પહેલા; એરપોર્ટ પાસે શેડમાં નમાઝ પઢવાની પરવાનગી આપવાનો ઇનકાર કર્યો બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે નમાઝ પઢવાની પરવાનગી આપવાનો ઇનકાર કર્યો. કોર્ટે કહ્યું કે સુરક્ષા સાથે કોઈ સમાધાન કરી શકાય નહીં અને કોઈપણ જગ્યાએ નમાઝ પઢવી એ ધાર્મિક અધિકાર માની શકાય નહીં. જસ્ટિસ બીપી કોલાબાવાલા અને જસ્ટિસ ફિરદૌસ પૂનીવાલાની બેન્ચ ટેક્સી અને ઓટો-રિક્ષા ડ્રાઇવરોની એક અરજી પર સુનાવણી કરી રહી હતી. તેમાં માંગ કરવામાં આવી હતી કે એરપોર્ટ પાસે એક અસ્થાયી શેડ હતો, જ્યાં તેઓ નમાઝ પઢતા હતા, જેને ગયા વર્ષે અધિકારીઓએ હટાવી દીધો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 3. વાયુસેનાનું સુખોઈ ફાઈટર જેટ હવામાંથી ગુમ:ટેકઓફ પછી તરત જ રડાર પરથી ગાયબ; સ્થાનિકોનો ધડાકો સાંભળ્યાનો દાવો; સર્ચ ઓપરેશન શરૂ ભારતીય વાયુ સેના (IAF)નું એક સુખોઈ Su‑30MKI ફાઈટર જેટ ગુરુવારે આસામમાં અચાનક રડાર પરથી ગાયબ થઈ ગયું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિમાનનો રડાર સંપર્ક તૂટ્યા બાદ તરત જ સ્થિતિનો પત્તો લગાવવા માટે શોધ અને તપાસ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, Su-30 MKI, જે 4.5 જનરેશનનું એરક્રાફ્ટ છે, તે કાર્બી આંગલોંગ જિલ્લામાં ઉડાન ભરતી વખતે સાંજે લગભગ 7 વાગ્યે ગાયબ થઈ ગયું હતું. કેટલાક અહેવાલો અનુસાર, એરક્રાફ્ટ ક્રેશ થયું છે અને સ્થાનિક લોકોએ ધડાકો પણ સાંભળ્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો 4. નીતિશ કુમારે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી:નીતિશે કહ્યું- નવી સરકારને મારો સહયોગ રહેશે, JDU કાર્યાલયમાં તોડફોડ; તેજસ્વીએ કહ્યું- હાઇજેક કર્યા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગુરુવારે વિધાનસભામાં રાજ્યસભા બેઠક માટે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું. ભાજપ અધ્યક્ષ નીતિન નવીન, રામનાથ ઠાકુર, ઉપેન્દ્ર કુશવાહા અને શિવેશ કુમારે પણ પોતાના ઉમેદવારીપત્ર ભર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. નામાંકન બાદ અમિત શાહે કહ્યું, તેમનો કાર્યકાળ બિહારના ઇતિહાસમાં સુવર્ણ પ્રકરણ તરીકે લખાશે, અને તેમણે બિહારના વિકાસના તમામ પાસાઓને વેગ આપ્યો. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે બિહારને જંગલરાજમાંથી મુક્ત કરાવ્યું છે. તેમણે બિહારના રસ્તાઓ ગામડાંઓ સાથે જોડ્યા જ નહીં, પરંતુ તેમની સ્થિતિ પણ સુધારી. ધારાસભ્ય, સાંસદ, મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી તરીકેના તેમના લાંબા કાર્યકાળ દરમિયાન તેમના કુર્તા પર ક્યારેય ડાઘ લાગ્યો નહોતો. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ટીમ ઈન્ડિયા સતત બીજી ફાઈનલમાં પહોંચ્યું:ઇંગ્લેન્ડને રોમાંચક મેચમાં 7 રને હરાવ્યું, જેકબ બેથલની લડાયક સદી કામ ન આવી ભારતે ચોથી વખત T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ટીમે ગુરુવારે રમાયેલી બીજી સેમિફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડને 7 રને હરાવ્યું. ભારતીય ટીમ અગાઉ 2007, 2014 અને 2024માં પણ ફાઇનલ સુધી પહોંચી ચૂકી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 253 રન બનાવ્યા હતા. 254 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ પર 246 રન જ બનાવી શકી. સંપૂર્ણ સમાચાર વાંચો 6. ચાઈનીઝ સાયબર માફિયાના બે એજન્ટની ધરપકડ:ભારતીયોને કંબોડિયા-મ્યાનમારમાં બંધક બનાવી ટોર્ચર કરતા; જ્યોર્જિયા-સા. આફ્રિકામાં નેટવર્ક ફેલાવવાની તૈયારીમાં હતા સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સ, ગુજરાત પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા સાયબર ફ્રોડ અને માનવ તસ્કરીના નેટવર્ક પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સુરત ખાતે રહેતા કૌશિક અશ્વિનભાઇ પેથાણી અને ધ્રુવ કનુભાઇ ડોબરીયા નામના બે શખસની ધરપકડ કરવામાં આવી છે. આ બન્ને નિર્દોષ યુવાનોને વિદેશમાં ઉચ્ચ પગારવાળી નોકરીની લાલચ આપી કંબોડિયા અને મ્યાનમાર જેવા દેશોમાં સાયબર ગુલામીમાં ધકેલી દેતા હતા. વિદેશમાં ઊંચા પગારની લાલચ આપી નિર્દોષ ભારતીય યુવાનોને મ્યાનમાર, લાઓસ અને કંબોડિયા જેવા દેશોમાં બંધક બનાવી તેમની પાસે સાયબર ફ્રોડ કરાવતી આંતરરાષ્ટ્રીય ગેંગનો ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ મામલે ગુનો દાખલ કરી પોલીસે બે એજન્ટોની ધરપકડ કરી છે. આ શખસો ચાઈનીઝ સાયબર માફિયાઓ સાથે મળીને આ નેટવર્ક ચલાવતા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 7. સ્કૂલ-કોર્ટને બોમ્બની ધમકી, મુખ્ય આરોપી હજુ પોલીસ પકડથી દુર:પશ્ચિમ બંગાળનો યુવક જૂના મેઇલ આઈડી પાસવર્ડ બદલીને રૂ.100થી 200માં વેચતો; પોલીસ માટે બે લેયર વીંધવા મુશ્કેલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સાઇબર સંયુક્ત ઓપરેશન કરીને પશ્ચિમ બંગાળથી સ્કૂલ અને કોર્ટને બોમની ધમકી આપવા મામલે એક આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની તપાસમાં સામે આવ્યું કે, તે માત્ર જૂના મેઇલ આઈડીના પાસવોર્ડ બદલીને 100થી 200 રૂપિયામાં મુખ્ય આરોપીઓને વેચતો હતો. ઝડપાયેલા આરોપીની ઉપર પણ બે લેયરમાં અન્ય આરોપીઓ છે, જે હજુ પણ ફરાર છે. આ મુખ્ય આરોપીઓ વિદેશમાં હોવાની પૂરી શક્યતા છે. જ્યાં સુધી મુખ્ય આરોપીઓ નહિ પકડાઈ ત્યાં સુધી બોમ્બની ધમકી મળવાનું બંધ નહીં થાય તેવું સાયબર ક્રાઈમનું જ કહેવું છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : રાજસ્થાનમાં પારો 38C સુધી પહોંચ્યો:MPના 25 જિલ્લામાં તાપમાન 33Cથી વધુ; ઉત્તરાખંડમાં 8 માર્ચથી વરસાદ-બરફવર્ષાની શક્યતા વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ચીને 35 વર્ષમાં સૌથી ઓછો GDP લક્ષ્યાંક રાખ્યો:2026 માટે 4.5-5% ગ્રોથનો ટારગેટ; એક્સપોર્ટને બદલે સ્થાનિક બજાર પર ફોકસ વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : કેનેડામાં પંજાબી યુટ્યુબર નેન્સી ગ્રેવાલની ચાકુ મારીને હત્યા:માતા બોલ્યા- ખાલિસ્તાનીઓએ કરી; હરિયાણામાં જન્મ, વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરતી હતી વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ :યુદ્ધ વચ્ચે કોલકાતા-દુબઈ ફ્લાઇટ શરૂ:સ્પાઇસજેટ UAEથી દિલ્હી-મુંબઈ માટે 13 સ્પેશિયલ ફ્લાઇટ્સ ચલાવશે; શ્રીનગર સતત પાંચમા દિવસે બંધ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : બચાવેલું સોનું અત્યારે વેંચાય કે ન વેંચાય?:સોનામાં વધારાના માહોલ વચ્ચે 7 હજારનો ઘટાડો; ચાંદીમાં પણ ધરખમ ઘટાડો થયો વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : પાકિસ્તાને વર્લ્ડકપ હારનો ગુસ્સો વન-ડે ટીમ પર ઉતાર્યો:બાબર અને સૈમ બાંગ્લાદેશ સિરીઝમાંથી બહાર, 6 અનકેપ્ડ ખેલાડીઓને તક વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ :ગ્રહોના રાજાનું 'ટ્રિપલ નક્ષત્ર પરિવર્તન':માર્ચમાં સૂર્ય ત્રણવાર ચાલ બદલશે, મિથુન, સિંહ અને મકર રાશિના જાતકો માટે ‘અચ્છે દિન’ની શરૂઆત! વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ વ્યક્તિએ પેન્ટ ઉતારીને રજા માટે પુરાવો આપ્યો લખનૌ રેલ મંડળમાં તૈનાત લોકો પાઇલટ રાજેશ મીણાએ હાલમાં જ પાઈલ્સની સર્જરી કરાવી હતી. તેમણે રજા વધારવા માટે અરજી આપી હતી, પરંતુ અધિકારીએ તે મંજૂર કરી નહીં. ઓફિસ પહોંચીને તેમણે રિપોર્ટ અને દવાઓ પણ બતાવી, છતાં રજા મળી નહીં. ત્યારબાદ ગુસ્સામાં રાજેશે પેન્ટ ઉતારીને ઓપરેશનના ટાંકા બતાવી દીધા. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor’s View: ઈસ્લામિક વર્લ્ડમાં યાદવાસ્થળી:ઈરાન બાદ પાકિસ્તાન પર ટાર્ગેટ લોક? 5 મોરચે પાક. ઘેરાયું, 57 ઈસ્લામિક દેશોમાંથી કોઈનો સાથ નહીં 2. લગ્નના બંધનમાં બંધાયો સચીનનો લાડલો!:વેડિંગ લુકમાં ચમક્યો ક્રિકેટરનો પરિવાર, અમિતાભ, અંબાણી સહિતની હસ્તીઓ મહેમાન બની; પૂર્વ ખેલાડીઓની પત્નીઓનો ગ્લેમર લુક 3. આજનું એક્સપ્લેનર:45 લાખના ઈરાની ડ્રોનને તોડી પાડવા માટે 27 કરોડની અમેરિકી મિસાઈલ; સસ્તા હથિયારોથી કેવી રીતે બદલાશે યુદ્ધનું ગણિત 4. ભાસ્કર એક્સપ્લેનર : બિહારમાં ભાજપના જ CM બનવાના હતા:6 રાજ્યોમાં ભાજપની રણનીતિથી સમજો, આખરે નીતિશને કેમ રાજ્યસભા જવું પડ્યું 5. એક્સક્લૂસિવ : દુબઇમાં ખિસ્સાં ખાલી થયા ને ફ્લાઇટ્સ પણ બંધ થઇ:ગુજરાતીઓ માટે દેવદૂત બન્યો વૈષ્ણવ સંઘ UAE, પીક અપ-ડ્રોપથી લઇને રહેવા જમવાની સુવિધા આપી 6. ઈરાન છ મહિના લડવા તૈયાર, અમેરિકા મહિનો પણ નહીં ટકે:ઈરાની નેતાએ કહ્યું, 'અમારી મોડર્ન મિસાઈલો બાકી, ભારત એપસ્ટીનવાળા સાથે' 7. બ્લેકબોર્ડ: લેન્ડસ્લાઈડમાં બાળકો મરી ગયા, હું બચી ગયો:ભૂલવા માટે દિવસ-રાત દારૂ પીઉં છું; વરસાદ પડે તો ફફડી જાઉં છું, 2 વર્ષથી ઊંઘ્યો નથી 8. 'અંગ્રેજો કરતાં વધુ જુલમ સરકારે અમારી સાથે કર્યો':લિકર કેસમાંથી નિર્દોષ છૂટેલા મનીષ સિસોદિયાએ કહ્યું- પુરાવા વગરની કહાની બનાવી કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ: કન્યા રાશિનો ચંદ્ર અને શુક્રવારનો સંયોગ; વૃશ્ચિક રાશિને અટકેલું ધન પાછું મળશે, મકર-કુંભ રાશિના લોકોનું નસીબ સારું રહેશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
પશુઓને ગંભીર રોગોથી કરાશે સુરક્ષિત:કચ્છના 9.85 લાખ પશુને ‘ખરવા મોવાસા’ રસીકરણનો પ્રારંભ
કચ્છ જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા પશુધનને ગંભીર રોગોથી સુરક્ષિત કરવાના ઉમદા હેતુ સાથે ‘ખરવા મોવાસા’ (FMD) રસીકરણની ખાસ ઝુંબેશનો સોમવારથી વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન હેઠળ સમગ્ર જિલ્લાના અંદાજે 9,85,900 જેટલા ગાય અને ભેંસ વર્ગના પશુઓનું રસીકરણ કરવામાં આવશે. આ ખાસ ઝુંબેશ 1લી માર્ચથી 15મી એપ્રિલ સુધી સતત દોઢ મહિનો ચાલશે. 6 મહિનાથી ઉપરની વયના તમામ ગાય અને ભેંસ વર્ગના પશુઓને આ રસી વિનામૂલ્યે આપવામાં આવશે. પશુપાલકોની સગવડતા માટે સરકારી પશુ દવાખાનાઓ ઉપરાંત ગામે-ગામ ખાસ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રસીકરણની પ્રક્રિયાને વેગ આપવા માટે 23 પશુ ચિકિત્સા અધિકારીઓ, 45 પશુધન નિરીક્ષકો અને 150 પેરાવેટ્સની ટીમ કાર્યરત કરવામાં આવી છે. આ અભિયાનમાં સરહદ ડેરીનો પણ વિશેષ સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. રસીના જથ્થાને સુરક્ષિત રાખવા માટે તાલુકા કક્ષાએ કોલ્ડ ચેઈન જાળવવામાં આવી છે અને કોઈ પણ કટોકટી માટે વધારાનો જથ્થો અનામત રાખવામાં આવ્યો છે. નાયબ પશુપાલન નિયામક ડૉ. આર. ડી. પટેલ અને મદદનીશ પશુપાલન નિયામક ડૉ. વિજયભાઈ દેસાઈએ જિલ્લાના તમામ પશુપાલકોને અનુરોધ કર્યો છે કે, તેઓ પોતાના પશુધનને આ રસી અપાવી ખરવા મોવાસા જેવા જીવલેણ રોગ સામે રક્ષણ અપાવે. જો કોઈ પશુ બીમારી કે અન્ય કારણોસર રસીથી વંચિત રહી જાય, તો તેનો રેકોર્ડ રાખીને પાછળથી અચૂક રસીકરણ કરવામાં આવશે.
સફેદ રણમાં તારીખ 7 અને 8 માર્ચે ‘ગ્લોબલ ગુજરાતી એવોર્ડ’ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, આ કાર્યક્રમમાં સિદ્ધાર્થ રાંદેરિયા, હિતુ કનોડિયા સહિતના જાણીતા કલાકારો ઉપસ્થિત રહેશે. બે દિવસીય આ સમારોહમાં ગુજરાતી ફિલ્મ અને સંસ્કૃતિ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર કલાકારોને એવોર્ડ અપાશે. પ્રથમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે જ્યારે બીજા દિવસે એવોર્ડ વિતરણ થશે. ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સમાં કચ્છના શ્રેષ્ઠિઓનું વિશેષ સન્માન તેમજ વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ એવોર્ડ એનાયત થશે. કચ્છ યાત્રા રિસોર્ટ ખાતે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સનું આયોજન થવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમ દ્વારા ગુજરાતની પ્રતિભા અને સંસ્કૃતિને વૈશ્વિક મંચ પર સ્થાન આપવા પ્રયાસ કરવામાં આવ્યો છે. ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ અંતર્ગત કલા, સંસ્કૃતિ, ક્રિએટર્સ, ફિલ્મ, સંગીત સહિત 40થી વધુ કેટેગરીમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર પ્રતિભાશાળી વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવશે. આ અવસરે કચ્છના વિવિધ ક્ષેત્રે આગવું યોગદાન આપનાર અનેક શ્રેષ્ઠિઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવશે, જે કચ્છ માટે ગૌરવની બાબત છે. અંજાર સચ્ચિદાનંદ મંદિરના ત્રિકમદાસજી મહારાજ, સંગીત ક્ષેત્રે દેશ-વિદેશમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર મ્યુઝિક ડિરેક્ટર, ગાયક, શિક્ષણવિદ અને નાણાકીય સલાહકાર માધાપરના કીર્તિ જાદવજી વરસાણી, વી-કોન્ક્રીટ બિલ્ટેક પ્રા.લિ.ના મેનેજિંગ ડિરેક્ટર જાદવજી વિશ્રામ ગોરસિયાને પણ આ પ્રસંગે સન્માનિત કરવામાં આવશે. તબીબી ક્ષેત્રે નોંધપાત્ર સેવા આપનાર જોગલ વુમન હોસ્પિટલના ડૉ. દેવેન જોગલને પણ એવોર્ડ એનાયત કરાશે. શ્રીરામ સોલ્ટ વર્કસ અને શ્રીરામ કેમફૂડ પ્રા.લિ.ના માલિક બાબુભાઈ ભીમાભાઈ આહીર પણ આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ વ્યવસાયિક ક્ષેત્રે સફળતા સાથે સામાજિક સેવા ક્ષેત્રે પણ સક્રિય છે . જાણિતા ચિત્રકાર બીપીન સોનીને પણ આ અવસરે સન્માનિત કરવામાં આવશે. આ રીતે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ કાર્યક્રમ કચ્છ માટે ગૌરવપૂર્ણ અવસર બની રહેશે અને વિવિધ ક્ષેત્રે કાર્યરત પ્રતિભાશાળી વ્યક્તિઓને પ્રોત્સાહન આપશે.
કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વર્ષ 2026-27 નું વાર્ષિક અંદાજપત્ર પ્રમુખ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, જેને સભ્યો દ્વારા સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. ગુજરાત પંચાયત અધિનિયમ-1993ની કલમ 163 અન્વયે રજૂ કરાયેલું આ બજેટ છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂતનો પ્રયાસ કરાયો છે. શિક્ષણ, આરોગ્ય અને કન્યા કેળવણી જેવા પાયાના ક્ષેત્રોમાં કરેલી જોગવાઈઓ જિલ્લાના સર્વાંગી વિકાસમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે. સામાન્ય સભામાં ચૂંટાયેલા સભ્યો, પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં કચ્છના હિતને ધ્યાને રાખીને આયોજનબદ્ધ ફાળવણી કરવામાં આવી છે. સામાન્ય સભામાં રજૂ થયેલા આ બજેટમાં કન્યા કેળવણી, બેટી બચાવો, કુપોષણ મુક્તિ અને પશુપાલકોની આર્થિક ઉન્નતિ માટેની યોજનાઓને અગ્રતા આપવામાં આવી છે. જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ કચ્છને મોડેલ જિલ્લો બનાવવાના સંકલ્પને દોહરાવ્યો હતો. જિલ્લા પંચાયતના બજેટમાં 134,12,84,000 ઉઘડતી સિલક, 105,97,75,000 અંદાજિત આવક, 240,10,59,000 કુલ ઉપલબ્ધ ભંડોળ, 71,95,77,000 અંદાજિત ખર્ચ અને 168.14 કરોડની અંદાજિત બંધ સિલક (પુરાંત) રજુ કરવામાં આવી હતી. સામાન્ય સભામાં પ્રમુખ દ્વારા અધ્યક્ષ સ્થાનેથી મહત્વપૂર્ણ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. આ દરખાસ્તમાં ખાસ કરીને અગાઉ મંજૂર થયેલા કામોમાં ટેકનિકલ કારણોસર થયેલા ભાવવધારા (SOR Revision) ને પહોંચી વળવા માટે વધારાની રકમની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. સામાન્ય સભામાં રજૂ કરાયેલા ઠરાવ મુજબ, વર્ષ 2020-21 ના જિલ્લા વિકાસ યોજના હેઠળ મંજૂર થયેલા કામોમાં 2024-25 ના નવા SOR મુજબ વધારાના ખર્ચની જરૂરિયાત ઊભી થઈ હતી, જેમાં કુલ મંજૂર વધારાની રકમ રૂ. 8 લાખ અને આ વધારાની રકમ અગાઉના વર્ષોમાં રદ થયેલા કામોની બાકી રહેલી બચત રકમમાંથી ફાળવવામાં આવશે. સભામાં રજૂ કરાયેલા આંકડાકીય અહેવાલ મુજબ મુખ્ય બે કામોમાં નાણાંની પુનઃ ફાળવણી કરવામાં આવી છે, જેમાં વર્ષ 2020-21 ના માંડવી તાલુકાના રામપર ગામે પંચાયત ઘર ઉપર સોલાર પેનલના કામ માટે રૂ. 1,22,763 અને વર્ષ 2021-22 ના નખત્રાણા તાલુકાના જડોદર ગામે પંચાયતી પ્રાથમિક શાળામાં એક ઓરડા બનાવામાં માટે 15 લાખ મંજુર કરવામાં આવ્યા હતા. આ કામ માટે વધુ 6.77 લાખની ફાળવણી કરાઈ છે. મુન્દ્રાના પ્રાગપર જૂથ ગ્રામ પંચાયતના વિભાજન માટે દરખાસ્ત મુકાઇમુન્દ્રા તાલુકાના પ્રાગપર જૂથ ગ્રામ પંચાયતમાંથી પ્રાગપર-૨ નામે નવી ગ્રામ પંચાયત રચવા માટેની દરખાસ્ત આગળ ધપાવવામાં આવી છે. પ્રાગપર જૂથ ગ્રામ પંચાયતના વિભાજન માટે જરૂરી તમામ દસ્તાવેજો સાથે દરખાસ્ત તૈયાર કરી રજૂ કરવામાં આવી છે. આ મુદ્દે પ્રાગપર જૂથ ગ્રામ પંચાયત દ્વારા પણ સત્તાવાર ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. તાલુકા પંચાયત મુન્દ્રાની તા.23/12/2025ના રોજ યોજાયેલી સામાન્ય સભામાં ઠરાવ હેઠળ પ્રાગપર-૨ ગ્રામ પંચાયત રચવા અંગે મંજૂરી આપતા ઠરાવ કરવામાં આવ્યો હતો. તાલુકા વિકાસ અધિકારી દ્વારા જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. પ્રક્રિયા પૂર્ણ થતાં હવે પ્રાગપર જૂથ ગ્રામ પંચાયતમાંથી પ્રાગપર-૨ નામે નવી ગ્રામ પંચાયત બનાવવા અંગેની દરખાસ્ત મંજૂરી માટે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં રજૂ કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત દ્વારા આ દરખાસ્ત સરકાર સમક્ષ મોકલી મંજૂરી મેળવવા માટે ભલામણ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં 240.10 કરોડનું બજેટ મંજૂર બજેટમાં કરાયેલ મુખ્ય ક્ષેત્રવાર જોગવાઈ ગ્રાન્ટ, વિકાસલક્ષી આયોજન
પ્રતીક્ષા યાદીના ઉમેદવારોની ભરતી કરાઈ:કચ્છની અનુદાનિત માધ્યમિક શાળાને નવા 6 શિક્ષક મળ્યા
રાજ્યના શિક્ષણ વિભાગ અને શાળાઓની કચેરીના કમિશ્નર ગાંધીનગર દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારનાં માર્ગદર્શન હેઠળ પ્રતીક્ષા યાદીના અનુદાનિત માધ્યમિક શાળા માટેના ઉમેદવારોની ભરતી કરવામાં આવી હતી. ગુરુવારે ભુજ ખાતે નિમણુંક પત્ર મેળવનારા 6 શિક્ષકોએ સુચારૂ વ્યવસ્થા બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો. જિલ્લા શિક્ષણાધિકારીએ નવી નિમણૂંક મેળવેલ શિક્ષણ સહાયકોને કચ્છના બાળકોને ધગશપૂર્વક શિક્ષણકાર્ય કરાવવા અનુરોધ કર્યો હતો. ભરતી નોડલ વર્ગ 2 અધિકારી બિપીનભાઈ વકીલ તેમજ સિનિયર ક્લાર્ક બિપીનભાઈ નાગુની રાહબરી હેઠળ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની ટીમે કામગીરી સુપેરે પાર પાડી હતી.
પોલીસ ફરિયાદ નોંધાઈ:રામનગરી પાસે છરીની અણીએ સોનાની વિંટી પડાવી લેવાતા પોલીસમાં ફરિયાદ
પશ્ચિમ કચ્છમાં મારામારીના ત્રણ બનાવ બન્યા હતા જેમાં રામનગરી પાસે આરોપીએ બોલાચાલી કર્યા બાદ છરી બતાવી સોનાની વીંટી પડાવી લીધી હતી. જ્યારે સંજોગનગરમાં ધૂળેટી રમતા સમયે આરોપીની રીક્ષા પર કલર ઉડવા બાબતે બોલાચાલી કરી ઝપાઝપી કરી હતી.તેમજ અબડાસા તાલુકાના ડુમરા ગામની વાડીમાં મિત્ર સાથે વાત કરવા બાબતે બે આરોપીઓએ કુહાડી અને ધોકા લઇને આવી બોલાચાલી કરી હોવાની ફરિયાદ નોધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી નૈનાબેન બાબુભાઈ મહેશ્વરીએ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ મથકે આરોપી રમેશ રૂપા મહેશ્વરી સામે ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 4 માર્ચના બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં બન્યો હતો.આરોપીએ ફરિયાદી અને સાહેદ સાથે બોલાચાલી કરી હતી.તેમજ ધકબુશટનો માર મારી ભેઠમાંથી છરી કાઢી ફરિયાદીના ગળા પર મૂકી હતી. જે બાદ આરોપીએ ફરિયાદીની આંગળીમાંથી સોનાની વીંટી પડાવી લઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જયારે બીજી તરફ ફરિયાદી સુગરાબાનુ મુનાફ સુમરાએ એ ડીવીઝન પોલીસ મથકે આરોપી સલીમ ત્રાયા સામે ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 4 માર્ચના સવારે અગિયાર વાગ્યાના અરસામાં બન્યો હતો.ફરિયાદીના દીકરાએ ધૂળેટી રમતા સમયે આરોપીની રીક્ષા પર કલર ઉડાડ્યો હતો.જેથી આરોપીએ ફરિયાદીના ઘરે જઈને બોલાચાલી કરી હતી અને ઝપાઝપી કરી ધકબુશટનો માર માર્યો હતો. આ ઉપરાંત જીતેન્દ્રકુમાર ઉર્ફે બાલા રામકુમારે કોઠારા પોલીસ મથકે આરોપી સુમિત રાજકુમાર ચૌધરી અને અમિત રાજકુમાર ચૌધરી સામે ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 4 તારીખે સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં બન્યો હતો. ફરિયાદી પાસે તેનો મિત્ર વિપિન મળવા માટે આવ્યો હતો.જેથી આરોપીએ તેની સાથે વાત કરાવવાનું કહ્યું હતું.જોકે ફરિયાદીએ વાત ન કરાવતા આરોપીઓ હથીયાર લઈને આવ્યા હતા અને ભૂંડી ગાળો બોલી ધાક ધમકી કરી હતી.
ચોરીનો મામલો આવ્યો સામે:કેમ્પ એરિયામાં નિવૃત શિક્ષકના ઘરમાંથી તસ્કરો 2.80 લાખના દાગીના ચોરી ગયા
શહેરના કેમ્પ એરિયામાં આવેલ ટીબી હોસ્પિટલ નજીક રહેતા નિવૃત શિક્ષકના ઘરમાં તસ્કરે હાથફેરો કર્યો હોવાની ઘટના સામે આવી છે.જાણભેદુ આરોપી તિજોરી ખોલી તેમાંથી રોકડ અને દાગીના સહીત 2.80 લાખનો મુદ્દામાલ ચોરી કરી ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી નિવૃત શિક્ષક સબ્જાઅલી હબીબ ખોજાએ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ મથકે અજાણ્યા આરોપી સામે ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ ગત 15 ફ્રેબ્રુઆરીના તેમના પત્ની દિલસાદબેન જમાતખાનામાં ધાર્મિક પ્રસંગ ગોવાથી દાગીના પહેરીને ગયા હતા. જે બાદ 16 ફ્રેબ્રુઆરીના ઘરે આવી દાગીના બેડરૂમમાં રાખેલ કબાટની તિજોરીમાં મૂકી દીધા હતા.ત્યારબાદ 23 ફ્રેબ્રુઆરીના ફરિયાદીએ પોતાની પત્નીને દાગીનાનું જોખમ ઘરમાં ન રાખવા બાબતે વાતચીત કરી બેંકના લોકરમાં મૂકી દેવા કહ્યું હતું. જેથી ફરિયાદીની પત્નીએ તિજોરી ખોલીને જોતા તેમાં રાખેલ સોનાની બંગડી નંગ-2,લેડીસ અંગુઠી નંગ-5,જેન્ટ્સ અંગુઠી નંગ-1,પોચી-1,જુમ્મર જોડી-1 તેમજ દાગીના વાળા ખાનામાં રાખેલ રોકડ રૂપિયામાંથી પણ અમુક રકમ ઓછી થયેલી દેખાઈ હતી. આરોપીએ તિજોરીમાં રાખેલ કુલ રૂપિયા 2.80 લાખની કિંમતના દાગીનાની ઉઠાંતરી કરી હતી.જેથી ફરિયાદીએ પોતાના ઘરના બારી દરવાજા તપાસતા બધું બરોબર હતું.તેમજ તિજોરીની ચાવી પણ જે જગ્યાએ રાખેલ હતી ત્યાં સલામત દેખાઈ હતી.જેથી ચોરીના બનાવને કોઈ જાણભેદુ આરોપીએ અંજામ આપ્યો હોવાની આશંકા વ્યક્ત કરી હતી. સમગ્ર મામલે બી ડીવીઝન પોલીસ મથકના પીઆઈ ડી.ડી.શીમ્પી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે,હાલ પોલીસે અજાણ્યા આરોપી સામે ગુનો દાખલ કરી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
સિટી એન્કર:કચ્છના ઝેન-જી યુવાનોમાં વધતું ‘ફોમો’નું પ્રમાણ
આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયાના અતિરેકને કારણે યુવાનોના માનસપટ પર ગંભીર અસરો જોવા મળી રહી છે. ભુજની આર.આર. લાલન કોલેજના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા પ્રથમવાર હાથ ધરાયેલા વિશેષ સર્વેક્ષણમાં ફોમો (ફિયર ઓફ મિસિંગ આઉટ) નામની માનસિક સ્થિતિના ચિંતાજનક તારણો સામે આવ્યા છે. મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ. પલ્લવીબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ અને મુલાકાતી અધ્યાપક ધ્યાનિકા કે. પરમાર દ્વારા કચ્છના 18 થી 35 વર્ષના 200 યુવાનોના પ્રતિભાવો એકત્રિત કરાયા હતા. સર્વેક્ષણના તારણો મુજબ, ખાસ કરીને 18 થી 20 વર્ષના ઝેન-જી વર્ગમાં આ માનસિક સ્થિતિ સૌથી વધુ પ્રભાવી જોવા મળી છે. આશ્ચર્યજનક રીતે, પુરુષોની સરખામણીએ યુવતીઓમાં ફોમોનું પ્રમાણ ઘણું ઊંચું નોંધાયું છે. સોશિયલ મીડિયા પર અન્ય મિત્રો કે પરિચિતોની પોસ્ટ જોઈને પોતે કંઈક ગુમાવી રહ્યા છે અથવા બીજાનું જીવન પોતાના કરતા વધુ સંતોષકારક છે તેવી આભાસી લાગણી યુવતીઓના મનમાં ઘર કરી રહી છે. આ સર્વે દર્શાવે છે કે, રજાના દિવસોમાં મિત્રો શું કરી રહ્યા છે તેની સતત જાણ રાખવાની ઈચ્છા અને વારંવાર મોબાઈલ ચેક કરવાની આદત યુવાનોમાં ગંભીર બેચેની પેદા કરી રહી છે. સોશિયલ મીડિયા પર દેખાતી ઝાકઝમાળ અને સતત થતી તુલના યુવાનોમાં નકારાત્મકતા અને માનસિક અશાંતિ વધારી રહી છે. ખાસ કરીને યુવતીઓમાં આત્મવિશ્વાસનો અભાવ જોવા મળે છે કારણ કે તેઓ પોતાની વાસ્તવિક જિંદગીને બીજાના ફિલ્ટર કરેલા ફોટા સાથે સરખાવે છે.વાલીઓએ પોતાના સંતાનોના મિત્ર બનીને તેમને આ આભાસી દુનિયાના જોખમો વિશે જાગૃત કરવા અનિવાર્ય છે. ભાસ્કર નોલેજવાલીઓ માટે લાલબત્તી : તુલના છોડો, મિત્રતા કેળવોયુવાનોમાં વધતી નકારાત્મકતા અટકાવવા વાલીઓની ભૂમિકા સૌથી મહત્વની છે. બાળકોની અન્ય સાથે તુલના કરવાનું બંધ કરવું જોઈએ. ખાસ કરીને 18 થી 20 વર્ષનો યુવાવર્ગ જ્યારે સોશિયલ મીડિયાના પ્રભાવ હેઠળ દબાણ અનુભવતો હોય ત્યારે તેમની સાથે ખુલ્લેઆમ સંવાદ સાધવો જરૂરી છે. કોમ્પિટિશન અને તુલનાત્મક અભ્યાસનો પાઠ ભણાવવાને બદલે તેમને આત્મવિશ્વાસ આપવો જોઈએ. જો વાલીઓ સંતાનો સાથે મિત્ર બનીને રહેશે, તો નકારાત્મક વિચારો અને માનસિક એકલતાના પ્રભાવને ચોક્કસપણે અટકાવી શકાશે. ફોમો : કોઈ ઉજવણી કરે અને આપણે વંચિત રહ્યાની લાગણીફોમો એટલે અન્ય લોકો કોઈ મહત્વપૂર્ણ કે આનંદદાયક ઘટના અનુભવી રહ્યા હોય અને આપણે તેમાંથી વંચિત રહી જઈએ તેવી અંદરથી ઉદભવતી લાગણી. આ પરિસ્થિતિ પાછળ સોશિયલ મીડિયામાં થતી સતત તુલના, લાઈક અને અપડેટ દ્વારા મળતો તાત્કાલિક માનસિક સંતોષ અને પાછળ રહી જવાની અંદર રહેલી ભીતિ, ડર જેવા કારણો જવાબદાર હોઈ શકે છે. આ સર્વેક્ષણ દર્શાવે છે કે, ફોમો આજની યુવા પેઢીમાં એક નોંધપાત્ર સામાજિક-માનસિક પરિબળ બની રહ્યું છે. આત્મસંતોષ, આત્મવિશ્વાસ, ડિજિટલ માધ્યમનો મર્યાદિત ઉપયોગ, પરિવાર-મિત્રો સાથેનો ગુણવત્તાયુક્ત સમય અને સકારાત્મક જીવન દ્રષ્ટિ અપનાવવાથી ફોમોના પ્રભાવને ઘટાડવો શક્ય છે.
વિવાદ સર્જાયો:7 સ્વીપર મશીનનો 7 માસનો ખર્ચ 80 લાખ વર્ષનો 2.69 કરોડનો અંદાજ મૂકાતાં વિવાદ
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત શહેરમાં લેવાયેલા 7 સ્વીપર મશીનના 7 મહિનાનો ખર્ચ રૂ. 80 લાખનો ખર્ચ ચૂકવવા માટેની દરખાસ્ત મુકાઈ છે. જોકે તેની સાથે જ ફેબ્રુઆરી 2026થી માર્ચ 2027 સુધીનો રૂ. 2.69 કરોડનો ખર્ચ અંદાજવામાં આવતા વિવાદ થયો છે. ઉલ્લેખનીય છે કે 7 મહિનાનો ખર્ચ રૂ. 80 લાખ થતો હોય તો 12 મહિનાનો ખર્ચ અંદાજિત રૂ. 1.40 લાખ થવું જોઈએ તેની જગ્યાએ રૂ. 1.29 કરોડ વધારાનો અંદાજ મુકાયો છે. વડોદરા સ્માર્ટ સિટી કંપની દ્વારા સ્માર્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિથ ઇક્વિપમેન્ટ એન્ડ ટુલ્સ હેઠળ 4 નંગ ગારબેજ કોમ્પેકટર મશીન, 4 નંગ સુપર સાકર મશીન, 2 નંગ વીડકટર મશીન અને 6 નંગ રોડ સુપર મશીન તથા 1 નંગ રિસાયકલર મશીનની ઓપરેશન અને મેન્ટેનન્સ સાથે ખરીદવાના આવ્યા હતાં. સ્માર્ટ સિટી મિશનની માર્ચ-2025માં મળેલી બોર્ડ મિટિંગમાં તમામ મશીનરીના ઓપરેશન અને મેન્ટેનન્સ માટે બધું રૂ. 5 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. જે રકમમાંથી મેં 2025 સુધીનું સ્વીપર મશીનનું ચૂકવણું થયું છે. સ્માર્ટ સિટી કંપની દ્વારા ઓપરેશન અને મેન્ટેનન્સ માટે ફાળવેલ બજેટ પૂરું થતાં પાલિકા હસ્તક લઈ લેવા માટે જૂન 2025માં સભામાં મંજૂરી આપવામાં આવી હતી. તેવામાં 7 નંગ સ્વીપર મશીનના જૂન 2025થી માર્ચ 2026 સુધી રૂ. 80.78 લાખનો ખર્ચ તથા ફેબ્રુઆરી 2026થી માર્ચ 2027 સુધીનો કુલ 2.69 કરોડ મંજૂર કરી, કામગીરી સ્માર્ટ સિટીના કોન્ટ્રાક્ટર પાસે કરાવવા તેમજ તેનું ચૂકવણું કરવા માટેની મંજૂરી માટે દરખાસ્ત સ્થાયી સમિતિમાં મુકાઈ છે. જેને પગલે વિવાદ ઉભો થયો છે.
BCAની ચૂંટણી:બીસીએ ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો 16 માર્ચે, વર્તમાન કમિટી જ વહીવટ કરશે
વડોદરાની હાઇપ્રોફાઇલ બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણીમાં ઊભેલા 4 ઉમેદવારોને અયોગ્ય જાહેર કરવા માટેના કેસમાં ચુકાદાની તારીખ હાઇકોર્ટે 5મી માર્ચ જાહેર કરી હતી. જે ગુરુવારે 11 દિવસ લંબાવાયો છે. એટલે હવે ચૂંટણી જંગમાં રોયલ-સત્યમેવ ફાવે છે કે રિવાઇવલ તે વિશેનું સસ્પેન્સ પણ યથાવત રહ્યું હતું. હવે હાઇકોર્ટ ચુકાદો 16મી માર્ચે આપશે. ત્યાં સુધી બીસીએના વહીવટ માટે વચગાળાની વ્યવસ્થા યથાવત્ રહેશે. બીસીએએ ચૂંટણીમાં પ્રમુખ, સેક્રેટરી અને ખજાનચી જેવા પદો માટે પણ ચૂંટણી યોજી હતી. જેમાં પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર અને અમર પેટીવાલેએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ જો કોઇ સતત 9 વર્શ સુધી ક્રિકેટ એસોસિયેશનના હોદ્દા પર રહે તો તે વ્યક્તિ ચૂંટણી માટે આપમેળે અયોગ્ય બને છે. વળી હોદ્દા પર સળંગ બે ટર્મ પછી 3 વર્ષનો કુલિંગ પિરિયડ પણ એવા સભ્ય માટે અનિવાર્ય છે. જેથી વડોદરાના અરજદારો રામચંદ્ર પ્રજાપતિ અને પ્રદીપ સોલંકી દ્વારા આ ચારેય ઉમેદવારોને અયોગ્ય જાહેર કરવા માટે બીસીએના ચૂંટણી અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. પણ આ વાંધા સામે કોઇ નિર્ણય ન લેવાયો અને ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ હાઇકોર્ટે મૌખિક હુકમ કર્યો હતો કે, બીસીએની ચૂંટણીમાં પક્ષકારો ભાગ લઇ શકશે પણ હાઇકોર્ટની મંજૂરી વિના પરિણામ જાહેર કરી શકાય નહીં. બેલેટ પેપરને સુરક્ષિત રાખવાના રહેશે. બીસીએએ ઓમ્બુસમેન્ડની અને અરજદારોએ સુપ્રીમ કોર્ટના નિર્દેશોની અવગણનાની દલીલો કરીબીસીએ વતી રજૂઆત કરાઇ હતી કે, સુપ્રિમ કોર્ટના નિર્દેશ અનુસાર મેમોરેન્ડમ ઓફ એસોસિયેશનમાં સુધારો કરાયો છે. ફરિયાદ માટે ઓમ્બુસમેન્ડની રચના કરાઇ છે. જેના ચેરમેન તરીકે પૂર્વ ચીફ જસ્ટિસ એજે દેસાઇ છે. અરજદારો પાસે ઓમ્બુસમેન્ડનો વિકલ્પની કાનૂની પ્રક્રિયા હોવા છતાં હાઇકોર્ટમાં સીધી અરજી કરી છે. જે અરજી ટકવા પાત્ર નથી. જ્યારે અરજદારોએ રજૂઆતમાં જણાવ્યું કે, બીસીસીઆઇ અને બીસીએ ખાનગી વ્યક્તિઓ નથી. સુપ્રિમ કોર્ટના નિર્દેશોને ક્રિકેટ બોડી (બીસીએ) ભંગ કરી શકે નહીં. અરજદારોના વાંધા ઉપર નિર્ણય લીધા વિના જ ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર કરવી તે લોકશાહીના સિદ્ધાંતોનો સીધો ભંગ છે. અરજી પર મૂક પ્રેક્ષક બની શકાય નહીંઃ હાઇકોર્ટઆ કેસમાં હાઇકોર્ટે બંને પક્ષકારોને સાંભળીને પ્રાથમિક દૃષ્ટિએ નોંધ્યું છે કે, બીસીસીઆઇ અને બીસીએ ખાનગી વ્યક્તિઓ નથી. ચૂંટણી પ્રક્રિયામાં સ્ક્રુટિની એક યાંત્રિક પ્રક્રિયા નથી. અયોગ્ય પ્રક્રિયાઓ સામે આવેલી અરજી પર મૂક પ્રેક્ષક બની શકાય નહીં. સુપ્રિમ કોર્ટના નિર્દેશો ચૂંટણી અધિકારીએ અવગણ્યા છે. આ કેસને મેરિટ પર નક્કી કરવો જરૂરી છે. જોકે ચૂંટણી પ્રક્રિયા જાહેર થયા બાદ તેની પણ અત્યારે સ્ટે આપી શકાય તેમ નથી. જો અરજીને નકારી દેવામાં આવે તો તેનો હેતુ માર્યો જાય તેમ છે.
પ્રોહિબિશનના કેસ:ધુળેટીએ શહેરમાંથી નશાના રંગમાં રંગાયેલા 34 પીધેલાની અટકાયત
ધૂળેટીના દિવસે પોલીસે 34 પીધેલાઓની ધરપકડ કરી હતી. જ્યારે પ્રોહિબિશનના કુલ કુલ 43 કેસ કરી 40 લોકોની અટકાયત કરી હતી. જ્યારે ધૂળેટીની રાતે તરસાલીમાં 23 વર્ષના યુવકે દારૂના નશામાં કારનો અકસ્માત સર્જ્યો હતો. આ ઉપરાંત એમ.એસ.યુના વિદ્યાર્થીએ પુરઝડપે કાર ચલાવીને પેવેલીયન ગ્રાઉન્ડની દિવાલમાં કારનો અકસ્માત કર્યો હતો. ધૂળેટીની રાતે 8 કલાકે 112 પર વર્ધી મળી હતી કે, તરસાલી-સોમા તળાવ રોડ પર ચંદ્રનગર સોસાયટી પાસે અકસ્માત થયો છે. મકરપુરા પોલીસ સ્થળ પર જતાં સફેદ કલરની બલેનો કારનો ચાલક મીત ગીરીશભાઈ પટેલ (ઉ.વ.23,રહે-કેશવપાર્ક સોસાયટી,તરસાલી) દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યો હતો. પોલીસે મીત વિરૂધ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંદ્યો હતો. બીજા એક કિસ્સામાં અભિલાષા ચાર રસ્તા પાસે આવેલી જાધવ પાર્ક સોસાયટીમાં આકાશ રાજેન્દ્ર સહાની (ઉ.વ.22) એમ.એસ.યુમાં બી.કોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. જ્યારે યુવક પાસે ડ્રાઈવીંગ લાઈસન્સ પણ નથી. આકાશ પોતાના મિત્ર આશિષ નિસાની વર્ના કાર લઈને તેના મિત્રો રાજ કોરી અને યશરાજ કુંવર સાથે ડેરીડેન સર્કલથી તેના ઘરે જવા જઈ રહ્યો હતો. દરમિયાન તેને બપોરે 3 વાગે પુરઝડપે પેવેલીયન ગ્રાઉન્ડ પાસેથી જતા તેનો કારના સ્ટેયરીંગ પરથી કાબુ જતો રહેતા તેને દિવાલમાં કારનો અકસ્માત કરી દિધો હતો. જેમાં તમામ યુવકોને સામાન્ય ઈજા થઈ હતી. આ કેસમાં સયાજીગંજ પોલીસે આકાશ વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.
ભાસ્કર ખાસ:બે દિવસ અગાઉ એર લાઇનોએ ~1 લાખ ભાડું લીધું, સાઉદીમાં જ વડોદરાના હજારથી વધુ લોકો ઉમરામાં
ઇઝરાયેલ-અમેરિકા અને ઇરાન વચ્ચેના યુદ્ધથી દુબઇ એરપોર્ટ સાથે વિમાની વહેવાર બુધવારથી ફરી શરૂ થતાં ભારતવાસીઓએ હાશકારો અનુભવ્યો હતો. વડોદરાથી બે દિવસમાં 60થી વધુ લોકો ઉમરા માટે દુબઇ વિમાની માર્ગે પહોંચ્યાં હતા. બીજી તરફ સાઉદીમાં ગયેલા લોકોની ભારત ફરવાની આશા વધુ મજબૂત બની છે. પણ ભાડામાં એરલાઇન્સોએ અઢી ગણો વધારો કર્યો છે. બીજી તરફ માત્ર સાઉદીમાં જ વડોદરાના એક હજારથી વધુ લોકો ઉમરામાં છે. જ્યારે વડોદરાના એડવોકેટ શૈલેશ અમીને એરલાઇન્સો દ્વારા ચલાવાતી ઊઘાડી લૂટ વિશે સોશિયલ મીડિયા પર આક્ષેપો કર્યા હતા. ગુરુવારે ઉમરા માટે ઉપડેલા મુસ્લિમ અગ્રણી ઝુબેર ગોપલાણી ગુરુવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેમણે જણાવ્યુ હતું કે, બે દિવસથી દુબઇનો વિમાની વહેવાર શરૂ થયો છે. પણ સામાન્યત ભાડુ રૂ.14 હજાર હોય છે, પણ આજે ભાડા રૂ.34 હજાર જેટલા છે. એરલાઇન્સોએ યુદ્ધના પગલે અગાઉ ટિકિટો કેન્સલ કરી છે, રિફંડ આપ્યા બાદ હવે ફરી નવેસરથી મોંધાભાવની ટિકિટો ખરીદવી પડી રહી છે. જોકે હાલમાં વડોદરાના લોકો સાઉદી-દુબઇમાં સલામત છે. શૈલેશ અમીને સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે, એરલાઇન્સો દ્વારા ચાર્ટર્ડ ફ્લાઇટ્સ ઉડાવવામાં આવી હતી અને તેની ટિકિટનું ભાડુ રૂ.85 હજાર અને જીએસટીના 18 ટકા વસૂલ્યા હતા. તેમણે વડોદરાના સાંસદ પર પણ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સાંસદે સાઉદીમાં ફસાયેલા લોકોની યાદી મંગાવી પણ પછી કોઇ મદદ કરી નથી. અમે ભારતીય દુતાવાસના નંબરો ઉપર પણ મદદ માગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે તમામ નંબરો ઉપર રેકોર્ડેડ સંદેશાઓ વાગે છે. ઇઝરાયેલમાં વડોદરાના 500થી વધુ લોકો, દરેક ઘરમાં બંકર હોવાથી સુરક્ષિત, પરત ફરવાની ઉતાવળ નહીંઆ યુદ્ધ હજી લાંબુ ચાલે તેવી શક્યતા છે. હાલમાં ઇઝરાયેલમાં વડોદરાના 500થી વધુ લોકો છે. જેમાંથી મોટાભાગના બાંધકામ ઉદ્યોગમાં છે. જ્યારે અન્ય કેટલાક મોલ અને અન્ય કંપનીઓમાં છે. યુદ્ધની સ્થિતિ ગંભીર છે પણ સૌ વડોદરાવાસીઓ સલામત છે. હાલમાં ઇઝરાયેલના એક શકાલ (સ્થાનિક નાણું)ના રૂ.30 છે અને ત્યાં દરેક ઘરમાં ફરજિયાત બંકરનો નિયમ હોવાથી ભારતીયો મોટી સંખ્યામાં ઇઝરાયેલમાં વસે છે. આ ભારતીયોને વતનમાં ફરવાની ઉતાવળ નથી.
રેઇન બો થીમ પર ફેશન શો યોજાયો:ઇન્ડોવેસ્ટર્ન મેઘધનૂષી આઉટફિટમાં ભાવી એન્જિનિયરોનું ફેશન રેમ્પ વોક
એસ.વી.આઇ.ટી કોલેજમાં મલહાર નામે વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બે સિક્વન્સમાં ફેશનશોનું આયોજન કરાયું હતું. ઇન્ડોવેસ્ટર્ન મેઘધનૂષી આઉટફિટમાં ભાવી એન્જિનિયરોએ ફેશન રેમ્પ વોક કર્યું હતું. રેઇનબો થીમ ફેશન શોમાં ડિઝાઇનર્સે માત્ર 2થી 6 હજારના બજેટમાં તૈયાર કરાયેલા આઉટફિટ્સે સાબિત કર્યું કે સ્ટાઇલ માટે મોંઘી બ્રાન્ડ્સ નહીં, પણ કલ્પનાશક્તિ જરૂરી છે. ફીશ કટ અને બટરફ્લાય કટ જેવા ટ્રેન્ડી પેટર્ન્સે રેમ્પ પર આકર્ષણ જમાવ્યું હતું. નેટ, શાઇન ફેબ્રિક અને વિવિધ મટીરિયલ્સથી આઉટફિટ્સ બનાવ્યા હતા. જેમાં ભારતીય અને આધુનિક પશ્ચિમી ટચનું મિશ્રણ જોવા મળ્યું. દરેક ડ્રેસમાં રેઇનબોના રંગો સાથે યુવાનીનો આત્મવિશ્વાસ અને ક્રિએટિવિટી દેખાઈ હતી. સાડી વિથ પ્લાઝો... સાડી ઇન્ડોવેસ્ટર્ન લુકના આઉટફીટમાં લેયર ફીશકટનું બોટમ ક્રિએટ કર્યું હતું. પર્પલ મર્મેડ લુક... ફેશન શોમાં કુલ પાંચ આઉટફીટ તૈયાર કરાયા હતા. જેમાં આ જાંબલી કલરનું ફીશ કટ વાળું નેટમાંથી બનાવેલું મર્મેડ આઉટફીટ 2થી 3 હજારમાં તૈયાર થયું હતું. જે પાર્ટી, રિસેપ્શ માટે એક એલિગન્ટ લુક ક્રિએટ કરે છે. જરદોશી થ્રી... આઇવરી કલરના જરદોશી વર્કના થ્રી પીસ આઉટફીટ માટે 5થી 6 હજારનો ખર્ચો થયો હતો. બટરફ્લાય...પિંક કલરનું બટર ફ્લાઇ આઉટફીટમાં સોફ્ટ ટાપેટા કાપડનો ઉપયોગ કરી 3થ4 હજારમાં તૈયાર કર્યું.
રમતગમતની ભાવના કેળવવાના હેતુથી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે વાર્ષિક ‘સ્પોર્ટ્સ વીક’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતગમત મહોત્સવમાં સંસ્થામાં કાર્યરત 40થી વધુ વિવિધ ટ્રેડના 2 હજારથી વધુ તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પોર્ટ્સ વીક દરમિયાન વોલીબોલ, ખો-ખો, રસ્સાખેંચ, બેડમિન્ટન, ગોળા ફેંક, સ્લો સાયકલિંગ, સંગીત ખુરશી, ડોઝ બોલ અને કેરમ જેવી વિવિધ મેદાની તથા ઇન્ડોર રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા તાલીમાર્થીઓએ પણ ભાગ લઇ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો.
‘સ્વર શક્તિ’ કાર્યક્રમ યોજાશે:હાર્મોનિયમ, ઢોલ પર 15 મહિલાનું મ્યૂઝિક બેન્ડ શાસ્ત્રીય સંગીત પિરસશે
આગામી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચ ‘સ્વર શક્તિ’ કાર્યક્રમ મ.સ.યુનિ.ની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે સાંજે 7.30 વાગ્યે યોજવામાં આવશે. ભારતીય સંગીતમાં મહિલાઓ ફક્ત વોકલમાં જ નહીં પરંતુ વાદ્ય પર પણ પોતાનું યોગદાન આપે છે. જેને બાહર લાવી તેમનું એક બેન્ડ તૈયાર કરવાની આ પહેલ શરૂ કરવામાં આવી છે. આ વિશે ચાર્જઝોનના કિન્નરી હરિયાણી અને સિંગર અશીતા લિમયે જણાવ્યું હતું કે, વડોદરામાંથી એક વ્યાવસાયિક અને વ્યાપારિક રીતે સફળ મહિલા બેન્ડ ઉભુ કરી, જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન આપી શકે તે હેતુથી સમગ્ર આયોજન કરાયું છે. સ્વર શક્તિ કાર્યક્રમમાં શાસ્ત્રીય ગાયન, ગઝલ, લોકસંગીત, સુગમ સંગીત, વાદ્યસંગીત તેમજ આધુનિક સંગીત શૈલીઓ જેવી વિવિધ પરંપરાઓને ઉજાગર કરવામાં આવશે. તેમજ આ બેન્ડમાં વધારેમાં વધારે મહિલાઓ જોડાય અને 15થી વધી તેનું મોટું સ્વરૂપ બને તેવા પ્રયત્નો સાથે સમગ્રા આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ડિયન આઇડોલ ફેમ કાવ્યા લીમયે પર્ફોર્મન્સ આપશેસ્વર સંગીત કાર્યક્રમમાં વડોદરાની 15 થી 50 વર્ષથી વધુ ઉંમરની યુવતીઓ અને મહિલાઓ જોડાઈ છે. આ પહેલનું નેતૃત્વ અશીતા અને સચિન લીમયે દ્વારા કરવામાં આવ્યું છે. ઓલ વુમન બેન્ડની કલાકાર મહિલા-યુવતીઓ વિદ્યાર્થીઓ અને ગૃહિણીઓ છે. તેઓ હાર્મોનિયમ, તબલા, ઢોલ જેવા વાદ્યો સાથે વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરશે. વિશેષ આકર્ષણ તરીકે કાવ્યા લીમયે પણ પર્ફોર્મન્સ આપશે.
જાહેરનામું:શહેરમાં સવારે 5થી રાત્રે 9 વાગ્યા સુધી ભારે વાહનો માટે પ્રવેશ પ્રતિબંધ
ગાંધીનગરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને અકસ્માતો અટકાવવા નાગરિકોની લાંબા સમયની રજૂઆતોના પગલે આખરે જિલ્લા તંત્ર દ્વારા શહેરના તમામ મુખ્ય માર્ગો પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સવારે 5 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી શહેરના જથી ખ સુધીના તમામ માર્ગો અને રોડ નં.7 પર ભારે વાહનો પ્રવેશી શકશે નહીં. અધિક જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામુ બહાર પાડીને આ પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. હાલ આ જાહેરનામુ 2જી ઓગસ્ટ સુધી અમલી રહેશે. મુખ્ય માર્ગો પર પ્રતિબંધના પગલે ભારે વાહનો માટે ક- રોડ અને બાયપાસ રોડ સહિત વિવિધ ડાયવર્ઝન રૂટ પણ જાહેર કરવામાં આવ્યો છે. ગાંધીનગર શહેરમાં વીઆઇપી જ- રોડ, ચ- રોડ અને ઘ- રોડ પર અગાઉથી જ ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હતો. પરંતુ ગ- રોડ, ખ- રોડ અને રોડ નં. 7 પરથી ભારે વાહનો બેરોકટોક પસાર થઇ રહ્યા છે. શહેરમાં નવા વિસ્તારો વિકસ્યા છે. વસ્તી અને વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. આ સંજોગોમા ભારે વાહનો પુરઝડપે પસાર થતા હોવાથી અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. નાગરિકોની રજૂઆતોને ધ્યાનમાં લઇને તાજેતરમાં ધારાસભ્ય રીટાબેન પટેલે પણ ભારે વાહનો માટે પ્રવેશ પ્રતિબંધિત કરવા કલેક્ટરને પત્ર લખ્યો હતો. આ બાબતે પોલીસ અધિક્ષક તરફથી આવેલી દરખાસ્તને ધ્યાનમાં લઇને તંત્રએ જાહેરનામુ બહાર પાડ્યું છે. જે મુજબ ગ-7 (આદિવાડા ત્રણ રસ્તા) થી ગ -1 સર્કલ સુધીનો માર્ગ, ખ-7 સર્કલથી ખ-0 સરગાસણ સર્કલ સુધીનો ખ રોડ અને રોડ નં. 7 પર સેક્ટર-30 સર્કલથી ક-0 ત્રણ રસ્તા સુધીનો માર્ગ ભારે વાહનો માટે પ્રતિબંધિત રહેશે. આ પ્રમાણે ડાયવર્ઝન રૂટ રહેશે
નોકરી ન્યૂઝ:શિક્ષણ સમિતિની અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં 55 શિક્ષકોની ભરતી કરાશે
ગુજરાતી માધ્યમ સિવાયની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછત દૂર કરવા ભરતી કરાશે. શહેરના શિક્ષણ સમિતિમાં અંગ્રેજી માધ્યમની સરકારી સ્કૂલોમાં 55 કરાર આધારિત શિક્ષકોની ભરતી કરાશે. ધો.1થી 5 માટે ધો.12 અને પી.ટી.સી.ની લાયકાત ધરાવતા તથા ધો.6થી 8 માટે સ્નાતક અને તાલીમી ઉમેદવારો અરજી કરી શકશે. શાળાઓમાં ટેટ-1-2 પાસ ઉમેદવારો ઉપલબ્ધ નથી અથવા જ્ઞાન સહાયક યોજના હેઠળ જગ્યાઓ ખાલી છે ત્યાં હવે ટેટ પરીક્ષા પાસ ન હોય તેવા લાયક સ્થાનિક ઉમેદવારોની 11 માસના કરાર આધારિત નિમણૂક કરવાની મંજૂરી અપાઇ છે. પસંદગી પામેલા ઉમેદવારોને જ્ઞાન સહાયક યોજનાના ધારાધોરણ મુજબ માસિક રૂા. 21 હજારનું ફિક્સ માનદવેતન ચૂકવવામાં આવશે. ભરતી પ્રક્રિયાની કાર્યરીતી અંગે જણાવતા પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ડીઇઓ કે શાસનાધિકારીની સૂચના મુજબ શાળા વ્યવસ્થાપન સમિતિ સ્થાનિક કક્ષાએથી અરજી મગાવશે. ધો.1થી 5 માટે પી.ટી.સી.ના ગુણના આધારે અને ધો.6થી 8 માટે બી.એડ.ના ગુણના આધારે મેરીટ યાદી તૈયાર કરી નિમણૂક અપાશે. આ નિમણૂક 11 માસના કરાર માટે અથવા તે જગ્યા પર કાયમી શિક્ષક હાજર ન થાય ત્યાં સુધી બે માંથી જે વહેલું હોય તે સમય માટે રહેશે. સમિતિની 8 અંગ્રેજી અને 13 હિન્દી માધ્યમની શાળાઓમાં અંગ્રેજી શાળામાં 55 જેટલા 11 મહિનાના કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવામાં આવશે. ભાસ્કર ઇનસાઇડજે માધ્યમમાં અભ્યાસ કરેલા હોય તેવા સ્થાનિક ઉમેદવારોને ભરતીમાં અગ્રીમતા આપવામાં આવશેસ્થાનીક ઉમેદવારોને તક મળે તે હેતુથી અંગ્રેજી-હિન્દી કે અન્ય ભાષામાં અભ્યાસ કરેલા ઉમેદવારોને 11 માસના કરાર આધારિત શિક્ષક તરીકે પસંદગી કરવામાં અગ્રિમતા આપવામાં આવશે. જેથી સ્થાનીક ઉમેદવારોને લાભ થાય. સ્થાનીક કક્ષાએ રોજગારી સર્જન થઇ શકે તેવા આશયથી સ્થાનીક ઉમેદવારને પ્રાધન્ય અપાશે.
સત્તાવાર મંજૂરી:મનપાના 1536 PM આવાસના પ્રોજેક્ટને કેન્દ્રની મંજૂરી મળી
ગાંધીનગરમાં હવે ટૂંક સમયમાં મહાનગરપાલિકા દ્વારા પ્રથમવાર પીએમ આવાસ યોજના હેઠળ મકાનોના નિર્માણની કામગીરી શરૂ કરશે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા રજૂ કરવામાં આવેલા EWS-II પ્રકારના કુલ 1536 આવાસોના ડીટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR)ને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ‘એફોર્ડેબલ હાઉસિંગ ઈન પાર્ટનરશીપ’’ (AHP) ઘટક હેઠળ અમલમાં મૂકવામાં આવશે. આ યોજના અંતર્ગત સરકારી અથવા ખાનગી જમીન પર 45 ચોરસ મીટર સુધીના કાર્પેટ એરિયા ધરાવતા આવાસોનું નિર્માણ કરવામાં આવશે. આ આવાસો ખાસ કરીને એવા પરિવારો માટે છે જેઓની વાર્ષિક કૌટુંબિક આવક રૂ. 3 લાખ સુધીની મર્યાદામાં હોય અને જેઓ આર્થિક રીતે નબળા વર્ગ (EWS) ની પાત્રતા ધરાવતા હોય. સરકાર તરફથી મળેલી આ મંજૂરી બાદ હવે વહીવટી પ્રક્રિયાને વેગ આપવામાં આવ્યો છે. આ 1536 આવાસોના બાંધકામ માટેની ટેન્ડર પ્રક્રિયા આગામી ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે, જેથી સમયસર બાંધકામ પૂર્ણ કરી લાભાર્થીઓને આવાસની ફાળવણી કરી શકાય. આ પ્રોજેક્ટ દ્વારા પાટનગરના જરૂરિયાતમંદ પરિવારોને આધુનિક સુવિધાઓ ધરાવતું અને પોસાય તેવા ભાવનું રહેઠાણ ઉપલબ્ધ થશે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં અત્યારસુધી માત્ર ગુડા દ્વારા પીએમ આવાસ યોજના હેઠળ મકાન બનાવવામાં આવતા હતા. હવે પ્રથમવાર ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આ પહેલ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત મનપા દ્વારા રજૂ કરવામાં આવેલા EWS-IIના જિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ (DRR)ને સત્તાવારી મંજૂરી મળી છે.
કામગીરી:સેક્ટર-16 માઈક્રોશોપિંગના 40 દુકાનદારોને મનપાની નોટિસ
ગાંધીનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ સેક્ટર-16 વિસ્તારમાં આવેલી સરકારી માઈક્રોશોપિંગ મિલકતોના લાંબા સમયથી બાકી ભાડાની વસૂલાત માટે કડક કાર્યવાહી શરૂ કરી છે. તંત્રએ 40 ભાડૂઆતોને કુલ ₹28.50 લાખ બાકી ભાડું તાત્કાલિક જમા કરાવવા સત્તાવાર નોટિસ આપી છે. સમયમર્યાદામાં ચુકવણી ન કરનારની મિલકત સીલ કરવાની ચીમકી પણ આપી છે. મહાનગરપાલિકા હસ્તકની સેક્ટર-16ની માઈક્રોશોપિંગ મિલકતોમાં ઘણા ભાડૂઆતો લાંબા સમયથી ભાડું ચૂકવતા ન હતા. એસ્ટેટ શાખાના નિરીક્ષણમાં સામે આવ્યું કે 40 એકમોનું મળીને ₹28,50,000 ભાડું બાકી છે. સરકારી મહેસૂલ વસૂલવા માટે મ્યુનિસિપલ કમિશનરની સૂચના મુજબ આજે તમામ કસૂરવારોને નોટિસની બજવણી કરવામાં આવી છે.મહાનગરપાલિકાએ કહ્યું છે કે નોટિસ મળ્યા બાદ પણ જો બાકી રકમ ભરવામાં આળસ કે વિલંબ થશે તો કોઈ પૂર્વ સૂચના વગર સીલિંગની કાર્યવાહી કરવામાં આવશે.
વારસિયાના 32 વર્ષીય રીક્ષા ચાલકે ગુરુવારે પંખે ઓઢણી બાંધી આપઘાત કર્યો હતો. ચાલક ~350ના રોજના ભાડેથી રીક્ષા ફેરવતા હતા. જોકે તે ભાડું રીક્ષા માલિકને રોજ આપી શકતો નહોતો. વારસીયા પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી હતી. નરેન્દ્રનગરમાં રહેતા 32 વર્ષીય બળદેવ ભાલીયાનો પરિવાર સુરત લગ્ન પ્રસંગે ગયો હતો, ઘરે તેની પત્ની અને દીકરી જ હતા. ગુરુવારે પત્ની દીકરીઓને શાળામાં લેવા ગયા હતા. ઘરે આવ્યા ત્યારે દરવાજો બંધ હતો. પાડોશીઓ પાસે દરવાજો તોડાવ્યો હતો. જ્યાં બળદેવે રૂમના પંખા પર ઓઢણી બાંધીને આપઘાત કરી લીધો હતો. તેને હૉસ્પિટલમાં ખસેડાતાં તબીબે મૃત જાહેર કર્યો હતો. બળદેવના પિતા વિષ્ણુ ભાલીયાએ જણાવ્યું કે, સુરત ગયા ત્યારે આ પગલું ભર્યું.
આવક:હોળીમાં વધારાની બસો દોડાવવાથી જિલ્લા ડેપોને રૂ. 20.31 લાખની આવક
હોળીના તહેવાર દરમિયાન વતન જવા માટે વધતી મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને ગાંધીનગર બસ ડેપો દ્વારા 26 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી ખાસ વ્યવસ્થા કરાઈ હતી. આ સમયગાળા દરમિયાન ગાંધીનગર–અમદાવાદ અને અમદાવાદ–દાહોદ રૂટ પર 153 વધારાની બસો ચલાવવામાં આવી હતી. આ બસો દ્વારા કુલ 300 ટ્રિપ કરવામાં આવી હતી અને કુલ 8852 મુસાફરોએ આ વધારાની બસ સેવાઓનો ઉપયોગ કર્યો હતો. આ વધારાના સંચાલનથી કુલ રૂ. 20,31,878 ની આવક નોંધાઈ હતી. હોળીના દિવસોમાં મોટા પ્રમાણમાં લોકો પોતાના વતન જવા માટે મુસાફરી કરતા હોય છે. જેના કારણે બસ સ્ટેન્ડ અને અન્ય જાહેર પરિવહન સ્થળોએ ભીડ રહેતી હોય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દર વર્ષે પરિવહન વિભાગ દ્વારા વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવે છે. આ વર્ષે પણ મુસાફરોની સંખ્યા વધે તે પહેલાં જ ગાંધીનગર બસ ડેપો દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. 26 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધીના દિવસોમાં મુસાફરોને સુવિધા મળે તે માટે વધારાની બસો ચલાવવામાં આવી હતી. આ વ્યવસ્થા અંતર્ગત ગાંધીનગરથી અમદાવાદ અને અમદાવાદથી દાહોદ રૂટ પર 153 વધારાની બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ બસો દ્વારા કુલ 300 ટ્રિપ કરવામાં આવી હતી જેથી મુસાફરોને તેમના સ્થળે આરામથી પહોંચવા માટે બસ ઉપલબ્ધ રહે. આ વધારાની બસ સેવાઓનો કુલ 8852 મુસાફરોએ ઉપયોગ કર્યો હતો. આ સમયગાળા દરમિયાન વધારાની બસોના સંચાલનથી કુલ રૂ. 20,31,878ની આવક નોંધાઈ હતી.
પથ્થર વડે હુમલો:મહંમદ તળાવ પાસે ધુળેટી રમતા પરિવાર પર પથ્થરો ફેંકી હુમલો
ધૂળેટીના દિવસે મહમદ તળાવ ખાતે આવેલી ઝુપડપટ્ટીઓમાં રહેતા પરિવાર પર મહિલા સહિત 4 લોકોએ જુના ઝઘડાની અદાવત રાખીને છુટા પથ્થરો મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા રીક્ષા ડ્રાઈવીંગ કરતા પ્રેમપ્રકાશ સરગરાએ કુંભારવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. કુંભારવાડા પોલીસે છુટા પથ્થરો મારનાર ભીખાભાઈ ઉર્ફે ભલો જયંતીભાઈ રાજપુત, રીન્કેશ ઉર્ફે અગુ કનુભાઈ રાજપુત, કનુભાઈ જયંતીભાઈ રાજપુત અને કાજલ રીન્કેશ રાજપુત (તમામ રહે-શેરડીનગર,કિશનવાડી) વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. અત્રે નોંધનિય છે કે, પથ્થરો મારવાને કારણે એક સમયે વિસ્તારમાં અરાજકતાભર્યો માહોલ સર્જાયો હતો.
ગુજરાત સરકાર દ્વારા જુલાઈ 2023માં કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ કરાયા બાદ અઢી વર્ષ કરતા વધુ સમય થઈ ગયો છે. જોકે તેમ છતાં એમ.એસ.યુનિવર્સિટીમાં એકેડેમિક કાઉન્સિલની રચના કરવામાં આવી નથી. કોમન યુનિ.એક્ટની જોગવાઈઓ અને મોડલ-કોમન સ્ટેચ્યુટની જોગવાઈઓ મુજબ દરેક યુનિવર્સિટીમાં એકેડેમિક કાઉન્સિલ હોવી ફરજીયાત છે. જોકે હજુ સુધી તેની રચના કરવામાં આવી નથી. એકેડેમિક કાઉન્સિલનું મુખ્ય કામ યુનિવર્સિટીમાં શિક્ષણ, સંશોધન અને મૂલ્યાંકનના ધોરણોનું નિયમન અને જાળવણી કરવાનું છે. કોમન એકટ લાગુ થયા બાદ એકેડેમિક કાઉન્સિલની રચના કરવાની હોય છે પંરતુ તેમ છતાં હજુ સુધી તેની રચના કરવામાં ન આવતા શૈક્ષણિક બાબતો વિશે સમસ્યા વધી રહી છે. બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલના નીતિ માર્ગદર્શિકાને આધીન, શિક્ષણ, સંશોધન, વિસ્તરણ પ્રવૃત્તિઓ, સહયોગ કાર્યક્રમો અને ફેકલ્ટી વર્કલોડ મૂલ્યાંકન સંબંધિત શૈક્ષણિક નીતિઓ ઘડવા અને સુધારવા માટેની જવાબદારી એકેડેમિક કાઉન્સિલની હોય છે. એકેડેમિક કાઉન્સિલ જરૂરિયાત મુજબ બોલાવની હોય છે. વર્ષમાં ઓછામાં ઓછી ચાર વખત બોલાવવી ફરજયાત છે. એકેડેમિક કાઉન્સિલના સભ્યોનો કાર્યકાળ અઢી વર્ષનો રાખવામાં આવ્યો છે. એકેડેમિક કાઉન્સિલમાં સભ્યો તરીકે અધ્યક્ષ કુલપતિ, મેમ્બર સેક્રેટરી રજિસ્ટ્રાર, તમામ ફેકલ્ટીના ડીન અને એસોસિયેટ ડીન, એકઝામ રજિસ્ટ્રાર, એકાઉન્ટ ઓફીસરનો સમાવેશ કરવાનો હોય છે. વીસી નોમિનેટેડમાં એક તૃતિયાંશ સભ્ય મહિલા હોવાં જોઇએવાઇસ ચાન્સેલર દ્વારા એકેડેમિક કાઉન્સિલમાં નામાંકિત કરાયેલા સભ્યોમાં ઓછા એક તૃતીયાંશ સભ્યોમાં મહિલાઓનો સમાવેશ કરવા માટે કોમન એકટમાં જોગવાઇ કરવામાં આવી છે. આ નિયમ પ્રમાણે મહિલાઓનું પ્રતિનિધત્વ વધે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કાઉન્સિલની કામગીરી વીસી દ્વારા નામાંકિત સભ્યો
માંજલપુરમાં વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં હોલી ઉત્સવ અને ડોલોત્સવ 4 માર્ચે યોજાયો હતો. 3 માર્ચે સાંજે 6:30 કલાકથી વૈષ્ણવાચાર્ય દ્વારા હોલી પ્રજ્વલન થયું હતું. વૈષ્ણવોએ હોલિકા પૂજન અને દર્શનનો લાભ લીધો હતો. ઠાકોરજીને સવારે 10:30 વાગે ફૂલોથી સજાવેલી ડોલમાં બિરાજમાન કરીને વ્રજરાજકુમારજી દ્વારા ચોખા, ચંદન, અબિલ, ગુલાલ તથા વિવિધ રંગોથી તેમજ કેસૂડાના જળથી ખેલાવવામાં આવ્યા હતા. વૈષ્ણવાચાર્યે વૈષ્ણવોને પણ રંગોથી અને કેસૂડાના જળથી ખેલાવ્યા હતા. પ્રભુના આ અલૌકિક દર્શનનો તેમજ હોળી ખેલનો 5 હજાર વૈષ્ણવોએ આનંદથી તેમજ હર્ષોલ્લાસથી અનેરો લાભ પ્રાપ્ત કર્યો હતો.
સાંપ્રત સમયમાં સમાજને એકજૂથ રાખવામાં અનેક સમસ્યાઓ આવી રહી છે. તે અંગે વિવિધ સમાજના અગ્રણીઓ પોતાના સમાજમાં બદલાવ લાવી રહ્યા છે. ત્યારે મોચી સમાજ દ્વારા શહેરમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સંમેલન યોજીને જરૂરી બદલાવને બહાલી અપાઇ છે. અગ્રણીઓ દ્વારા હવે તબક્કાવાર પોતાના શહેર અને જિલ્લામાં જઇ સ્થાનિક લેવલે સમાજના લોકોને આ નિર્ણયો સાથે સહમત કરવામાં આવશે. બીજું સંમેલન 2 મહિના બાદ રાજકોટમાં મળશે. 1 માર્ચે મળેલા સંમેલનમાં 210 જેટલા અગ્રણીઓ હાજર રહ્યા હતા. ખાસ કરીને સમાજના મધ્યમ વર્ગને પડતી તકલીફ અંગે સમાજ એક રિવાજ હોય તો તેમને સરળતા રહે તેવા આશયથી આ બદલાવ માટે મંજૂરી આપવામાં આવી છે, તેમ સમાજના અગ્રણી ઘનશ્યામ ચૌહાણે જણાવ્યું હતું. જે બદલાવમાં લગ્ન અને સગાઇ વચ્ચેનો સમય ઓછો કરવા તેમજ સોનું એક તોલાને બદલે એક ગ્રામ આપવાની વાત કરવામાં આવી છે. સંસ્કૃતિનો વારસો જાળવી આધુનિક સમસ્યા મુજબ બદલાવ કરાશેઆધુનિક સમયમાં આવતી સમસ્યાને બદલવા સાથે સંસ્કૃતિને જાળવી રાખવા માટે બદલાવ કરવાનો નિર્ણય કર્યો છે. અગ્રણીઓ સહમત થયા છે. હવે જ્ઞાતિજનોનો મત લેવાશે. જેથી જબરજસ્તીથી નિર્ણય ઠોકી બેસાડ્યો તેમ ન લાગે. > ઘનશ્યામ ચૌહાણ, પ્રમુખ, મોચી એકતા ચેરિટેબલ ટ્રસ્ટ, વડોદરા સમાજ દ્વારા કયા કયા બદલાવ સૂચવાયાં?
ભૂવો પડ્યો:ધુળેટી પર્વે માંજલપુરમાં ડ્રેનેજ લાઇનમાં ભંગાણથી ભૂવો પડ્યો
માંજલપુર જ્યુપિટર ચાર રસ્તા પર મોડી રાત્રે ભૂવો પડ્યો હતો. ઘટનાને પગલે સ્થાનિકો એકત્ર થયા હતા અને વાહન વ્યવહાર અટકાવ્યો હતો. ડ્રેનેજ લાઈનમાં ભંગાણથી ભૂવો પડ્યો હોવાનું સપાટી પર આવતાં પાલિકાની ટીમે બેરિકેડિંગ કરી સમારકામ શરૂ કરાવ્યું હતું. શહેરમાં વગર ચોમાસે ભૂવાનો સિલસિલો યથાવત્ છે. ધુળેટીની રાત્રે માંજલપુર જ્યુપિટર ચાર રસ્તા પર રોડ બેસી ગયો હતો. શરૂઆતમાં નાનો ભૂવો પડ્યા બાદ મોટો થયો હતો. ભૂવામાં કોઈ ગરકાવ ન થાય તે માટે સ્થાનિકોએ આસપાસ પથ્થર મૂકી બેરિકેડિંગ કર્યું હતું. લોકોએ તપાસ કરતાં ડ્રેનેજ લાઈનમાં પડેલા ભંગાણથી ભૂવો પડ્યો હોવાનું જણાયું હતું. બીજી તરફ ભૂવો કેટલો ઊંડો છે તેની બામ્બૂ નાખી ચકાસણી કરાઈ હતી. લોકોનું કહેવું હતું કે, શહેરમાં ભૂવા પડવા માટે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર જવાબદાર છે.
આગ લાગી:વોશિંગ મશીનમાંથી પ્લગ કાઢ્યા બાદ આગ દીવાલના ઓઇલ પેઇન્ટથી પ્રસરતાં દોડધામ
સયાજીગંજમાં પરિણીતાએ વોશિંગ મશીનમાં કપડાં ધોયા બાદ પ્લગ કાઢી લીધા બાદ આગ ભભૂકી હતી. ધુળેટીના દિવસે સવારે 10 વાગ્યાના સુમારે પરશુરામ ભઠ્ઠાના એક ઘરમાં આગ લાગી હતી. વોશિંગ મશીનમાંથી પ્લગ કાઢ્યા બાદ પરિણીતા કપડાં સૂકવવા ગઇ ત્યારે 2 મિનિટમાં જ વોશિંગ મશીનમાં આગ લાગી હતી. વોશિંગ મશીન જે દીવાલને અડકીને હતું તેના પર ઓઇલ પેઇન્ટ હોવાથી દીવાલથી આગ પ્રસરીને જોતજોતામાં બારી પાસે લટકાવેલા પડદાને લાગી ગઇ હતી. ત્યારબાદ પરિવારજનો કંઇ વિચારે તે અગાઉ આ આગમાં એસી પણ ઝપટમાં આવી ગયું હતું. દરમિયાન મકાન માલિકે સમય સૂચકતા દાખવીને પલંગ પરનાં ગાદલાં કાઢી લેતાં આગ વધુ પ્રસરી ન હતી. દરમિયાન ફાયરબ્રિગેડને જાણ કરતાં લાશ્કરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. વોશિંગ મશીનની મોટર પર લોડ આવતાં ગરમ થવાથી આવું શક્ય, મશીન ગેલેરીમાં જ રાખોવોશિંગ મશીનમાં મોટર પર લોડ આવતાં આવું શક્ય બને છે. વોશિંગ મશીનમાં રોટર હોય છે, જે સર્વિસિંગના અભાવે યોગ્ય રીતે ન ફરતું હોય ત્યારે મોટર પર લોડ આવે છે. આ લોડ લાંબા સમય સુધી હોય ત્યારે તે ગરમ થાય છે. જેથી વોશિંગ મશીનનું પ્લાસ્ટિક પણ ગરમ થતાં આગ લાગી શકે છે. વોશિંગ મશીનને બાથરૂમ કે ઘરમાં ન રાખતાં ગેલેરીમાં રાખવું જોઇએ. > કમલેશ ચોકસી, ઇલેક્ટ્રિકલ તજ્જ્ઞ
પાલિકામાં આ ટર્મની છેલ્લી સ્થાયી સમિતિની બેઠક શુક્રવારે મળશે, જે પૂર્વે સ્થાયીના એજન્ડા પર 60 કરોડનાં 55 કામો ચઢતાં ભારે આશ્ચર્ય ફેલાયું છે. મ્યુ. કમિશનર તરફ એક દિવસમાં 51 દરખાસ્ત મોકલાતાં ચર્ચાનો વિષય બન્યો હતો. શુક્રવારે મળનારી સ્થાયીની બેઠક પૂર્વે ભાજપ કાર્યાલય ખાતે મળેલી સંકલનની બેઠકમાં તમામ કામોને લીલી ઝંડી આપવામાં આવી છે. પાલિકામાં શુક્રવારે આ ટર્મની છેલ્લી સ્થાયી સમિતિની બેઠક મળશે. જેમાં કામો રકઝક અને ચર્ચા વિના મંજૂર થાય તેવા ઉદ્દેશ્યથી એકીસાથે 55 કામો એજન્ડા પર મુકાયાં છે. જેમાં તળાવોની સફાઈનાં કામો, વરસાદી ગટરનાં 5 કામો, સોલિડ વેસ્ટનાં 5 કામો, નાળું પહોળું કરવાનાં 2 કામ, વરસાદી ગટરનાં 7 કામ અને ડ્રેનેજ પ્રોજેક્ટના 3 કામ એજન્ડા પર લેવાયાં છે. જ્યારે ડ્રેનેજ અને વરસાદી ગટરનાં 11 કામોને એકી સાથે સ્થાયીમાં મંજૂરી માટે મૂકાતાં ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે. સૂત્રો મુજબ મ્યુ. કમિશનર તરફથી મંગળવારે 51 દરખાસ્તો સભા સેક્રેટરીને મોકલાઈ હતી, જે તમામ કામ એજન્ડા પર લેવાયાં છે. બીજી તરફ ભાજપ કાર્યાલયમાં ગુરુવારે મળેલી સંકલનની બેઠકમાં તમામ કામોને મંજૂરી આપવાનું નક્કી કરાયું છે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે બેઠક દરમિયાન વધારાની દરખાસ્ત પુરવણી દરખાસ્ત તરીકે લઈ તેને મંજૂરી અપાય તેવી પણ પ્રબળ સંભાવના છે. છેલ્લી સ્થાયીમાં કામો ચઢાવવા અધિકારીઓની દોડધામ, મ્યુનિ. કમિશનરની સ્પષ્ટ ‘ના’શહેર ભાજપના નવા પ્રમુખની વરણી બાદ સ્થાયી સમિતિના એજન્ડા પર મુકાયેલાં તમામ કામોને પ્રમાણમાં મંજૂરી મળી રહી છે અને કામો મુલતવી થવાની પરંપરા બંધ થઈ છે. જેથી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ગેલમાં છે. તેવામાં છેલ્લી સ્થાયી સમિતિમાં કામો ચઢે અને તેને કોઈ વિવાદ કે ચર્ચા વિના મંજૂરી મળી જેવા તેવા આશયથી અલગ-અલગ વિભાગના અધિકારીઓમાં દોડધામ મચી હતી. એક પછી એક વિભાગનાં વિવિધ કામોની ફાઈલ મ્યુનિસિપલ કમિશનર કચેરીએ પહોંચી હતી. જોકે મ્યુ. કમિશનરે કામો નહીં મોકલવાની સ્પષ્ટ સૂચના આપતા કેટલાક અધિકારીઓની મનની મનમાં રહી ગઈ હતી. ભાસ્કર ઇનસાઇડકચરામાંથી વીજળી પેદા ન કરી, હવે બાયોગેસ પ્લાન્ટ વિકસાવાશેપાલિકાએ મોટા ઉપાડે કચરામાંથી વીજળી પેદા કરવાનો પ્રોજેક્ટ આપ્યો હતો. જોકે 8 વર્ષમાં એક રૂપિયાની વીજળી બની નથી. હવે પાલિકાએ કચરામાંથી કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ વિકસાવવાનું આયોજન કર્યું છે. પાલિકા અને ભારત સરકારની અગ્રણી રાષ્ટ્રીય સંસ્થા એનઆઇયુએ વચ્ચે એમઓયુ કરવાનું નક્કી કર્યું છે. આ સંસ્થા ફાઇનાન્સિયલ મોડલસ પ્રારંભિક ડીપીઆર તૈયાર કરવા સહિતનું માર્ગદર્શન આપશે.
RTOના ધક્કા બચ્યા:37,523 લોકોએ ઘરે બેઠાં લાઇસન્સ સહિતનાં કામ કરાવ્યાં
વડોદરાવાસીઓ માટે આરટીઓની ફેસલેસ સિસ્ટમ વધુ ભરોસેદાર બની છે. લર્નિંગ લાઈસન્સ, લાઇસન્સમાં સરનામાની ફેરબદલ, લાઇસન્સમાં વ્હીકલનો ફેરફાર કે રિન્યૂઅલ માટે આરટીઓ કચેરી જવાની જરૂર હોતી નથી. ઓગસ્ટથી જાન્યુઆરી દરમિયાન 37,523 લોકોએ ઘરે બેઠાં કામ કરાવ્યાં છે. બીજી તરફ વડોદરામાં આ સમયગાળામાં 4256ને ઘેર બેઠાં લર્નિંગ લાઈસન્સ અપાયાં છે, એટલું જ નહીં પાસ ઉમેદવારોની સંખ્યા 75 ટકા વધી 90 ટકા જેટલી થઇ હોવાનું પ્રાદેશિક વાહન અધિકારીએ જણાવ્યું છે. ઓગસ્ટથી જાન્યુઆરી સુધી 6 મહિનાની આરટીઓની કામગીરીનું એનાલિસીસ કરતાં સૌથી વધુ રિન્યૂઅલ કામગીરી ડિસેમ્બરમાં 6944 થઇ છે. જાન્યુઆરીમાં 268 ઇન્ટરનેશનલ લાઇસન્સ અપાયાં હતાં. આરટીઓ અધિકારીના જણાવ્યા મુજબ, ઘેર બેઠાં લર્નિંગ લાઇસન્સ માટે યુવાપેઢી સૌથી વધુ આકર્ષાઇ છે. આરટીઓ કચેરીમાં વેરિફિકેશન કામગીરી માટે 3, એપ્રૂવલ કામગીરી માટે 3થી 5 અને લાઈસન્સ માટે 6 જેટલો ક્લેરિકલ સ્ટાફ છે. એકાદ મહિનામાં AI ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ કરાશેઆરટીઓ પરિસરમાં AI કેમેરા ફિટ થઈ રહ્યા છે. વાયરિંગ પૂરું થવાના આરે છે. એકાદ માસમાં એઆઇ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ થશે. > કેતન ખપેડ, પ્રાદેશિક અધિકારી, આરટીઓ સૌથી વધુ 6944 લાઇસન્સ રિન્યૂઅલ ડિસેમ્બરમાં થયાં નવેમ્બર-જાન્યુઆરી સુધી 10167 લોકોએ લાઇસન્સ રિન્યૂ કરાયાં
ધુળેટી નિમિત્તે પોલીસ-તંત્રે કેનાલ-નદી નાળામાં નાહવા પર પ્રતિબંધ મૂક્યો હતો છતાં પાણીમાં ઊતરેલા બે લોકોના શહેરમાં મોત નિપજ્યાં હતાં. ગુરુવારે સાંજે 5 વાગ્યાના સુમારે ભીમપુરા કેનાલમાં પગ લપસ્યા બાદ તણાઇ ગયેલા 18 વર્ષીય ટીનેજરનું મોત થયું હતું. સેવાસી ગામમાં પાંચેક મિત્રો સાથે મૂળે યુપીના કાનપુરનો 18 વર્ષીય આશિષ શર્મા રહેતો હતો. તે 4 વર્ષ પૂર્વે ક્રિકેટ શીખવા ખાસ વડોદરા આવ્યો હતો. બુધવારે ધુળેટી નિમિત્તે મિત્રો સાથે ફરવા નીકળ્યો હતો. ધુળેટીની ઉજવણી બાદ તેઓ ભીમપુરા કેનાલ પાસે ગયા હતા. દરમિયાન આશિષનો પગ લપસતાં તે ડૂબવા માંડ્યો હતો. જેથી ગભરાયેલા મિત્રોએ બૂમાબૂમ કરી હતી. છેવટે ફાયરબ્રિગેડને કોલ કરતાં લાશ્કરો અને પોલીસની ટીમો સ્થળે આવી હતી. લાશ્કરોએ તેને શોધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવક મળ્યો હતો. આખરે ગુરુવારે સવારે તેનો મૃતદેહ મળ્યો હતો. તેનું એસએસજીમાં પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતદેહને તેના પિતા ફ્લાઇટમાં વતન લઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, તે માત્ર ક્રિકેટ રમવા-શીખવા જ વડોદરા આવ્યો હતો. તે શૈક્ષણિક અભ્યાસ કરતો હતો કે નહીં તેના વિશે જાણકારી મળી શકી નથી. મિત્ર તરફ પથ્થર ફેંક્યો, માથામાં વાગ્યો અને ડૂબી ગયોઅંકોડિયા કેનાલમાં મંગળવારે રાત્રે 11-30 વાગ્યે નાહવા ઊતરેલા 28 વર્ષીય યુવકનું મોત થયું હતું. મજૂરી કરતો સુકરા આલમ 2 મિત્ર સાથે કેનાલમાં ઊતર્યો હતો. તે તરતો હતો ત્યારે મિત્રે મજાકમાં પથ્થર ફેંકતાં માથામાં વાગ્યા બાદ તણાવા માંડ્યો અને પાણીમાં ગરકાવ થયો હતો. મિત્રોએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. તેના પરિવારજન અનિશ આલમે કહ્યું કે, મિત્રે મજાકમાં પથ્થર ફેંક્યો હોવાથી પગલાં લીધાં નથી. મૃતદેહ ગુરુવારે 16 કિમી દૂર મળ્યો હતો. ક્રિકેટ એકેડેમીમાં આશિષે ટીમને 3 મેચ જીતાડી હતીઆશિષ શર્મા જે એકેડેમીમાં ક્રિકેટ શીખતો-રમતો હતો તે શ્રેયસ એકેડેમીના સંચાલક પંકજ જાનીએ કહ્યું કે, એકેડેમીને 3 મેચોમાં એકલે હાથે જીતાડી હતી. સેવાસીની એકેડેમીના ફિઝિકલ ફિટનેસ ટ્રેનર રાજ વર્માએ કહ્યું કે, તેનો ક્રિકેટ પ્રત્યેનો ઉત્સાહ જબરદસ્ત હતો.
ખાતમુહૂર્ત:ભાયાવદરમાં પુરસંરક્ષણ દિવાલ બનતા લોકોને ચોમાસામાં હાલાકી નહી વેઠવી પડે
અમરેલીના ભાયાવદર, વાવડી અને વાવડીરોડ ખાતે ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભાયાવદર મુકામે 30 લાખના ખર્ચે પુરસંરક્ષણ દિવાલ બનાવાશે. વાવડી-ચોંકી-સનાળા-લા ખાપાદર-ઈશ્વરીયા રોડ ઉપર કુલ 4 નવા સ્લેબ ડ્રેઈન બનાવવામાં આવશે. માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા આ કામગીરી 2 કરોડથી વધુના ખર્ચે કરવામાં આવશે. આ ઉપરાંત વાવડીરોડ ખાતે હાલમાં 2 તળાવ હયાત છે. જેમાં પાણીનો સંગ્રહ સારી રીતે થઈ શકે અને ખેડૂતોને જળ સંચયનો લાભ મળે તે માટે બંને તળાવના રીનોવેશનની કામ 22 લાખના ખર્ચે હાથ ધરાશે. આ કામગીરીનું પણ રાજ્યમંત્રીએ ખાતમુહૂર્ત કર્યું હતું. તાલાળી મુકામે 25 લાખના ખર્ચે નવું પંચાયત ભવન આકાર પામશે. વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ કિશોરભાઈ કાનપરીયા, તાલુકા પંચાયત સભ્ય, ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્ય, સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આયોજન:મહિલાઓમાં વધતા બ્રેસ્ટ કેન્સરમાં જાગૃતિ મુદ્દે શનિવારે સાવરકુંડલાના માર્ગો પર રેલી નીકળશે
સાવરકુંડલા રેલવે સ્ટેશન સામે ખાદી કાર્યાલય કેમ્પસમાં આવેલ વિધાગુરૂ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર નિઃશુલ્ક હોસ્પીટલ દ્વારા મહિલાઓમાં વધતા જતા બ્રેસ્ટ કેન્સર સામે જાગૃતિ ફેલાવવામાં માટે અનોખું આયોજન અને પહેલ કરવામાં આવી છે. સાવરકુંડલામાં એક અનોખી પહેલ વોક ફોર હર અભિયાનનું આયોજન 5 હજાર કદમ બદલ મહિલાઓનું નિઃશુલ્ક બ્રેસ્ટ કેન્સર સ્ક્રિનિંગ કરવામાં આવશે. વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર તથા આશીર્વાદ ફાઉન્ડેશન અમદાવાદના સંયુક્ત ઉપક્રમે વોક ફોર હર નામનું અનોખું આરોગ્ય જાગૃતિ અભિયાન તારીખ 7 માર્ચ શનિવાર ના રોજ સાવરકુંડલામાં યોજાશે. વર્તમાન સમયમાં મહિલાઓમાં વધતા જતા બ્રેસ્ટ કેન્સરના જોખમને ઘટાડવા અને વહેલા નિદાન અંગે જાગૃતિ લાવવા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સ્વાસ્થ્ય માટે ચાલવા પ્રોત્સાહિત કરવાનો તેમજ મહિલાઓના આરોગ્યની સુરક્ષા કરવાનો છે. નિઃશુલ્ક હોસ્પીટલની આ ઝૂંબેશ અંતર્ગત કોઈપણ વ્યક્તિ દ્વારા ચાલેલા દરેક પાંચ હજાર કદમ બદલ એક જરૂરિયાતમંદ મહિલાનું બ્રેસ્ટ કેન્સર માટેનું નિઃશુલ્ક સ્ક્રિનિંગ કરવામાં આવશે. જેમાં મેમોગ્રાફી, સોનોગ્રાફી તથા જરૂરી તબીબી તપાસનો સમાવેશ કરવામાં આવશે. કાર્યક્રમને સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે સમગ્ર આયોજન સુપ્રિટેન્ડન્ટ ડોકટર પ્રકાશ કટારિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે. જેમા તારીખ 07/03 આગામી શનિવારે સવારે આર્ટ્સ અને કોમર્સ કોલેજ સાવરકુંડલા ખાતે શહેરના મુખ્યમાર્ગો પર વોકથોન શરૂ થશે. આ વોકથોન વી.ડી. કાણકિયા કોલેજથી શરૂ થઈ મહાકાલી ચોક, દેવળા ગેટ, ગાંધી ચોક, મેઈન બજાર, સંઘેડિયા બજાર, આઝાદ ચોક, જુનું બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, જનતા બાગ અને રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ માર્ગેથી પસાર થઈ હોમગાર્ડ ઓફિસ ખાતે પૂર્ણ થશે.
રજૂઆત:બગસરામાં રામકથાના સ્થળે જવા - આવવા માટે એસટી બસ શરૂ કરો
બગસરામાં યોજનારી રામકથામાં શહેરથી તથા સ્થળ સુધી આવવા જવા માટે એસટી બસની વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી સામાજિક સંસ્થા દ્વારા માંગ કરવામાં આવી છે. બગસરા શહેરમા મોરારીબાપુના વ્યાસ પીઠ પરથી સંગીતમય શૈલીમા માનસ મેઘાણી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે . આ કથામા શ્રોતાઓને કથા સ્થળે પહોંચવા માટે કોઈ પરેશાનીનો પડે તેમાટે બગસરા એસટી ડેપોના મેનેજરને બગસરા ચેમ્બર ઓફ કોમર્સ અને પેસેન્જર એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી છે. બગસરામાં 7 માર્ચથી શરૂ થતી માનસ મેઘાણી રામ કથાને અનુલક્ષી બગસરા બસ સ્ટેશનથી કથા સ્થળ સુધી લઈ જવા અને પરત મૂકી જવા માટે બસ સેવા પૂરી પાડવા માંગણી કરી હતી. મેનેજર દ્વારા હકારાત્મક અભિગમ અપનાવ્યો હતો. રોજ સવારે 8:30 થી કથાની પૂર્ણાહૂતિનો થાય ત્યાં સુધી બસ શરૂ કરવા ખાતરી આપી હતી.
ભાસ્કર એક્સક્લુઝિવ:આજથી અમરેલીના ટાવરનું રિનોવેશન ઐતિહાસિક ઇમારતને ગાયકવાડી લૂક
અમરેલી શહેરની મધ્યમાં ગાયકવાડી ઇતિહાસની સાક્ષી પૂરતો ટાવર પાછલા ઘણા વર્ષોથી જર્જરીત હાલતમાં ઊભો છે. આ ઐતિહાસિક વિરાસતને બચાવવા અગાઉ ભલે પગલા લેવાયા ના હોય પરંતુ હવે સરકાર દ્વારા આવતીકાલથી આ ટાવરના રીસ્ટોરેશનનું કામ શરૂ કરવામાં આવશે. અને આ રીતે શહેરની ઐતિહાસિક ધરોહરને બચાવવાની શરૂઆત થશે અમરેલીનો ટાવર છેલ્લી બે સદીથી શહેરની ઓળખ બનીને ઉભો છે. ભૂતકાળમાં અમરેલી પર ગાયકવાડ સરકારનું શાસન હતું. ત્યારે એવું મનાય છે કે ગાયકવાડી સુબા વિઠ્ઠલરાવ દેવાજીએ આ ટાવરનું નિર્માણ કરાવ્યું હતું. રાજાશાહી વખતમાં તો આ ઐતિહાસિક ટાવર અમૂલ્ય નજરાણું હતું. પરંતુ આઝાદી બાદ તેની ઉપેક્ષા થવા લાગી હતી. પરિણામે આ ટાવરના નીચેના ભાગે દબાણ પણ થયું હતું અને આટલા વર્ષો સુધી ટાવરની મરામત પ્રત્યે પણ હોય ધ્યાન અપાયું ન હતું. જેના કારણે ટાવરની ઘડિયાળ પણ વર્ષોથી બંધ હાલતમાં છે. હવે સરકાર દ્વારા આ ઐતિહાસિક વિરાસતને બચાવી લેવા કદમ ઉઠાવવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા ટાવરનું રિસ્ટોરેશન કરવામાં આવશે. જેના કામનો આવતીકાલથી આરંભ થશે. રાજ્ય સરકારના મંત્રી જીતુભાઈ વાઘાણી અને કૌશિકભાઇ વેકરીયા દ્વારા આ કામની શરૂઆત કરાવવામાં આવશે. આ તકે સાંસદ ભરતભાઈ સુતરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી વિગેરે આગેવાનો હાજર રહેશે. શહેરની ઓળખ સમો આ ટાવર બજારની મધ્યમાં આવેલો છે અને બે સદીથી અડીખમ ઊભો છે. અગાઉ અમરેલી શહેરમાં ગાયકવાડ સરકારના રાજમહેલનું રીનોવેશન શરૂ કરાયું હતું. આ ઉપરાંત અમરેલીના જુના રેલવે સ્ટેશનને પણ સાચવી લેવાયું છે. શહેરમાં હજુ આવી અનેક ઐતિહાસિક ઇમારતો ઊભી છે.જેને બચાવી લેવાની પણ તાતી જરૂર છે. અમરેલી શહેરની વચ્ચોવચ ગાયકવાડ સરકારના શાસન વચ્ચે આ ટાવરનું બાંધકામ 1800થી 1823ની સાલ વચ્ચે કરાવવામાં આવ્યું હતું ત્યારથી આ ટાવર અડીખમ ઉભો છે. નિમંત્રણ કાર્ડમાં પાલિકા પ્રમુખનું નામ કપાયું અમરેલી શહેરમાં ટાવરના રીસ્ટોરેશનનું કામ થવાનું છે. અને આ કામ સરકાર દ્વારા થઈ રહ્યું છે. ત્યારે તેના નિમંત્રણ કાર્ડમાં સૂચક રીતે નગરપાલિકાના પ્રમુખનું નામ કપાયું છે. હાલમાં પાલિકાની મુદત પૂરી થવામાં છે. તે સમયે શહેરના પ્રથમ નાગરિકનું નામ નિમંત્રણ કાર્ડમાં ન હોય તે ઘણું સૂચક છે. લાઠી અને રાજુલાના ટાવર માટે પણ ધ્યાન આપવાની જરૂરઅમરેલી જિલ્લામાં અમરેલી ઉપરાંત લાઠી રાજુલા વગેરે શહેરમાં પણ ઐતિહાસિક ટાવરો હજુ ઊભા છે. તેની પણ જાળવણી જરૂરી છે. લાઠીમાં ગોહિલ રાજવંશની સાક્ષી સમો ટાવર ઉભો છે. જેની મરામત પણ જરૂરી છે. રાજુલામાં ટાવર પ્રમાણમાં ઠીકઠાક છે.
માગ:અમરેલીના 400 નાના વેપારી ગુજરી બજાર માટે કાયમી જગ્યા ફાળવવા કલેકટર કચેરીએ પહોંચ્યા
અમરેલી શહેરમાં દર રવિવારે ભરાતી રવિવારી બજારના નાના વેપારીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓ અને રોજીરોટીના પ્રશ્ને અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજને એક આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે. વેપારીઓએ રવિવારે ધંધો કરવાની મંજૂરી આપવા અને વ્યવસ્થિત જગ્યા ફાળવવાની માંગ કરી છે. અમરેલીમાં ભરતી આ બજારમાં આસપાસના ગામડાના અને શહેરના અંદાજે 400 જેટલા નાના વેપારીઓ બુટ ચંપલ, કટલેરી અને રેડીમેડ કપડાં વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. અગાઉ આ વેપારીઓ રામજી મંદિરની આગળના બજારમાં બેસતા હતા. ત્યારબાદ નગરપાલિકા દ્વારા તેમને ગર્લ્સ સ્કૂલ સામેના પાર્કમાં જગ્યા ફાળવવામાં આવી હતી, પરંતુ હાલ ત્યાં પણ મુશ્કેલીઓ પડી રહી છે. તહેવારોના સમયે બહારથી આવતા વેપારીઓ અને અન્ય સ્ટોલધારકોને કારણે રવિવારી બજારના કાયમી નાના વેપારીઓને બેસવાની જગ્યા મળતી નથી, જેના કારણે તેમનો વ્યવસાય ખોરવાય છે. આથી વેપારીઓએ માંગ કરી છે કે તેમની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને રવિવારે બજારમાં ધંધો કરવાની છૂટ આપવામાં આવે અને તેમને કાયમી જગ્યા ફાળવવામાં આવે જેથી તેઓ ગૌરવભેર પોતાનો વ્યવસાય કરી શકે તેવી માંગ સાથે આજે અમરેલી નાના વેપારીઓ દ્વારા અમરેલી કલેક્ટર કચેરીએ લેખિત રજૂઆત કરી છે. આ આવેદનપત્રની નકલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સાંસદ સભ્ય ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ મોકલીને યોગ્ય નિરાકરણ લાવવા અપીલ કરવામાં આવી છે.
સેવાયજ્ઞ:ધારી તાલુકાના કમી કેરાળા ગામની સંસ્થાએ 32 મનોદિવ્યાંગ બાળકોને નિઃશુલ્ક આશરો આપ્યો
ધારી તાલુકાના કમી કેરાળા ગામની માનવ સ્મૃતિ સંસ્થા આજે સેવાનું પર્યાય બની છે. ચલાલા-સાવરકુંડલા રોડ પર જન કલ્યાણ વિકાસ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ રહેણાંક વિદ્યાલયમાં 32 મનોદિવયંગ બાળકોને માત્ર આશરો જ નહીં, પરંતુ એક નવું જીવન અને સંસ્કારોનું ભાથું પીરસવામાં આવી રહ્યું છે. તાજેતરમાં ધુળેટીના પવિત્ર પર્વ નિમિત્તે અમરેલી જિલ્લા ખરીદ-વેચાણ સંઘના પ્રમુખ જેન્તીભાઈ પાનસુરીયા અને અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી પ્રકાશભાઈ કારીયાએ સંસ્થાની રૂબરૂ મુલાકાત લીધી હતી. સંસ્થામાં બાળકોને મળતી સુવિધાઓ અને સંચાલકોની નિઃસ્વાર્થ ભક્તિને સરાહી હતી. તેઓએ મુખ્ય સંચાલક હરેશભાઈ કાછડીયા, મનીષાબેન કાછડીયા તથા મધુભાઈ કાછડીયાનું શાલ ઓઢાડી વિશેષ બહુમાન કર્યું હતું અને આ ભગીરથ કાર્યને બિરદાવ્યું હતું. વર્ષ 2022 થી કાર્યરત આ સંસ્થામાં જૂન 2024 થી બાળકોને આધુનિક સુવિધાઓ સાથેનું નિવાસસ્થાન પૂરું પાડવામાં આવે છે. તેમજ અહીં પૌષ્ટિક ભોજનની સાથે યોગ, કસરત, આર્ટ એન્ડ ક્રાફ્ટ અને વોકેશનલ ટ્રેનિંગ અપાઇ છે. બાળકોના શારીરિક વિકાસ માટે ફિઝિયોથેરાપી, સ્પીચ થેરાપી અને રમતગમતનું વિશાળ મેદાન ઉપલબ્ધ છે. આ સંસ્થાની સાડા ત્રણ વીઘા જમીન કમી ગામના લાલજીભાઈ બચુભાઈ શિરોયા પરિવાર તરફથી નિઃશુલ્ક ભેટ આપવામાં આવી છે.
ઠગાઈ:અમરેલી સસ્તા સ્ક્રેપની લાલચમાં ખેડૂતને રૂા. 51 હજારો ચૂનો લાગ્યો
અમરેલીના કેરિયાચાડ ગામે રહેતા ખેડૂત સાથે મુંદ્રા પોર્ટ પરથી સસ્તો ભંગાર મોકલવાના બહાને રૂ. 51 હજારની છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપીએ વિશ્વાસમાં લઈ આંગડિયા મારફતે રકમ મેળવી લીધા બાદ માલ ન મોકલી મારી નાખવાની ધમકી આપી હતી. આશરે આઠ મહિના પહેલા અમરેલી જેશીંગપરા ખાતે કિર્તીભાઇ કુરજીભાઇ ચોડવડિયા (ઉ.વ. 40) જેઓ ખેતીકામ કરે છે, તેમને મુંદ્રાના રહેવાસી પ્રવિણભાઇ પટેલે મુંદ્રા પોર્ટ પરથી સસ્તો સ્ક્રેપ મોકલવાની લાલચ આપી હતી. આ સોદા પેટે ગાડીના ભાડા અને પોર્ટની ડ્યુટી ચૂકવવા માટે ખેડૂત પાસે રકમની માંગણી કરવામાં આવી હતી. જે અલગ અલગ સમયે પડાવી લીધી હતી. ત્યારબાદ જુના માર્કેટિંગ યાર્ડમાં આવેલી એક આંગડિયા પેઢી મારફતે કુલ રૂ. 51,500નું આંગડિયું કરવામાં આવ્યું હતું. પરંતુ લાંબો સમય વીતવા છતાં સ્ક્રેપ ન મળતા કિર્તીભાઇએ પોતાના રૂપિયા પરત માંગ્યા હતા. આ સમયે આરોપી પ્રવિણભાઇ પટેલે પૈસા આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. જ્યારે ખેડૂતે પોલીસમાં જવાની વાત કરી, ત્યારે આરોપીએ જો પોલીસ ફરિયાદ કરશો તો જાનનું જોખમ રહેશે તેવી ધમકી પણ આપી હતી. આખરે તેઓ છેતરાયા હોવાનું સમજાતા કિર્તીભાઇએ ગઈ કાલે પ્રવિણ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ઉજજૈનથી 425 વર્ષ પહેલાં હરસિધ્ધિ માતાજીની રાજપીપળા ખાતે પધરામણી થઇ હતી. ગુરૂવારના રોજ હરસિધ્ધિ માતાજીના પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે શોભાયાત્રા નીકળી હતી. જેમાં માતાજીની પ્રતિમા, હરસિધ્ધિ મંદિર તથા વિવિધ યંત્રોની ટેબ્લોના માધ્યમથી ઝાંખી કરાવવામાં આવી હતી. માતાજીના મંદિરને 1000 કિલો રંગબેરંગી ફૂલોથી શણગારાયુ હતું. પ્રાગટ્ય દિવસે આખો દિવસ ભક્તો હજારોની સંખ્યામાં માતાજીના દર્શને ભક્તો ઉમટ્યા હતાં.
કરુણાંતિકા સર્જાઈ:સિસોદરા ગામ પાસે નર્મદા નદીમાં ડૂબીજવાથી કાયાવરોહણના 3 યુવાનના મોત
ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામના ત્રણ મુસ્લિમ યુવાનના સિસોદરા અને ઓરી ગામની વચ્ચે નર્મદા નદીમાં ડૂબી જવાથી કરૂણ મોત થયાં છે. એર કડિંશન રીપેરિંગનું કામ કરતાં ત્રણેય યુવાનો આખો દિવસ કામકાજ કર્યા બાદ નર્મદા નદીમાં ન્હાવા માટે ગયાં હતાં જેમાં ડૂબી રહેલાં મિત્રને બચાવવા જતાં ત્રણેય પાણીમાં ગરકાવ થઇ ગયાં હતાં. તેઓ સિસોદરા ગામની મસ્જિદમાં એર કડિંશન રીપેરિંગ માટે આવ્યાં હતાં અને બાદમાં ઘરે પરત જતી વેળા તેઓ ન્હાવા પડયાં ત્યારે કરૂણાંતિકા સર્જાઇ હતી. ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામના 20 વર્ષીય મુજામિલ યાસીન ઘાંચી, 26 વર્ષીય ઇબ્રાહિમ યુસુફ મન્સૂરી, 19 વર્ષીય અક્રમ નૂરમહંમદ મન્સૂરી એર કડિંશન રીપેરિંગ કરવાનું કામ કરે છે. તેઓ સિસોદરા ગામની મસ્જિદમાં એસી રીપેરિંગ માટે આવ્યાં હતાં.મસ્જિદમાં આખો દિવસ રીપેરિંગ કર્યા બાદ તેઓ પરત ઘરે જવા માટે નીકળ્યાં હતાં. ઘરે પરત ફરતી વેળા ઓરી અને સિસોદરા ગામ વચ્ચેથી પસાર થતી નર્મદા નદીમાં તેઓ ન્હાવા માટે પડયાં હતાં. ત્રણેય મિત્રોમાંથી એક ઉંડા પાણીમાં ડૂબવા લાગતાં અન્ય બે મિત્રો તેને બચાવવા માટે ગયાં હતાં. ત્રણેયને તરતા આવડતું નહી હોવાથી ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયાં હતાં. બનાવની જાણ થતાં ફાયર તથા પોલીસ વિભાગની ટીમ દોડી આવી હતી. તરવૈયાઓએ ત્રણેયના મૃતદેહ શોધી કાઢયાં હતાં. કાયાવરોહણ ગામે એક સાથે ત્રણ યુવાનોના મોતથી માતમ છવાયો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રેતી ખનન માટે આડેધડ ખોદકામથી ખતરો વધ્યોભરૂચ અને નર્મદા જિલ્લામાં રેતી માફિયાઓ આડેધડ રીતે ખનન કરી રહયાં હોવાથી ઠેર ઠેર ઉંડા ખાડાઓ પડી ગયાં હતાં. રેતીખનન માટે નદીની વચ્ચે ગેરકાયદે પુલિયા બનાવી દેવામાં આવ્યાં છે જેના પરથી રેતી ભરેલી ટ્રકો પસાર થતી હોય છે. રેતીખનનના કારણે નદીની અંદર ઉંડા ખાડાઓ પડી ગયાં છે. આ ખાડાઓમાં પાણી ભરાઇ જવાથી લોકોને ઉંડાઇનો ખ્યાલ આવતો નહિ હોવાથી ઉંડા ખાડાઓમાં ગરકાવ થઇ રહયાં છે. રેતીખનન માટે ખોદવામાં આવેલાં ખાડાઓ અનેક લોકોના ભોગ લઇ રહયાં હોવા છતાં રેતીમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. કિસ્સો : 2 વર્ષ પહેલાં પોઇચા પાસે સુરતના એક જ પરિવારના 7 ડૂબ્યાં હતાં2024ના મે મહિનામાં મુળ અમરેલીના પણ હાલ સુરતના સાણિયા હેમાદમાં રહેતાં એક જ પરિવારના 7 લોકો પોઇચામાં નર્મદા સ્નાન દરમિયાન રેતી માફિયાઓ પર ખોદેલા ખાડામાં ગરકાવ થઇ જતાં મોતને ભેટયાં હતાં. કિનારા પર સ્નાન કરી રહેલાં બાળકો અને વડીલો એકબીજાની નજર સામે જ ઉંડા ખાડામાં ગરકાવ થઇ ગયાં હતાં. આ ઘટના બાદ નર્મદા જિલ્લામાં નદીઓ તથા જળાશયોમાં ન્હાવા પર પ્રતિબંધ મુકાયો હતો. હાલ પણ તંત્રએ જાહેરનામુ બહાર પાડયું છે પણ તેનો અમલ થાય છે કે નહિ તે જોવાની તસદી લેવાતી નથી.
પુત્રને પિતા દ્વારા અપાઈ અનોખી ભેટ:ધરમપુરના આસુરામાં પિતાએ બીજા લગ્ન કરી પુત્રને ંમાતાની ભેટ આપી
ધરમપુર તાલુકામાં પત્ની સાથે છુટા થયાના ચાર વર્ષ પછી પિતાએ બીજા લગ્ન કરી પુત્રને તેના જન્મદિવસે માતાની ભેટ આપી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. આસુરા ગામના તળાવ ફળીયામાં રહેતા સુનિલભાઇ એસ. પટેલએ ઉક્ત માહિતી આપી હતી. પુત્રને જન્મદિવસે આ અનોખી ભેટની કહાની સુનિલભાઇ પટેલના શબ્દોમાં પ્રસ્તુત છે. હું અને મારી પત્ની છૂટા પડ્યા ત્યારે પુત્ર કૃશાંગ ઉર્ફે આયુષ માત્ર 8 વર્ષનો હતો. ઘરમાં મારી વૃદ્ધ માતા અને શિક્ષિકા બહેન છે. બહેન નોકરીએ જાય અને હું પણ કામમાં વ્યસ્ત હોવાથી ઘરમાં એક શૂન્યાવકાશ વર્તાતો હતો. હાલ સાતમા ધોરણમાં અભ્યાસ કરતા મારા 12 વર્ષીય કૃશાંગે પોતાની સમજદારીનો પરિચય આપી મને ફરીથી લગ્ન કરવા વિનંતી કરી હતી. તેણે અનુભવ્યું કે ઘરના સુચારુ સંચાલન અને વડીલોની સારસંભાળ માટે ઘરમાં એક સ્ત્રી પાત્રની હાજરી અનિવાર્ય છે. પુત્રની આ લાગણીમાં મારી માતા અને બહેનએ પણ સૂર પુરાવ્યો હતો. પુત્રની ઈચ્છા અને તેના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને મે બીજા લગ્નનો નિર્ણય લીધો અને આ લગ્ન માટે કૃશાંગના જન્મદિવસની જ પસંદગી કરી બારસોલની તેજલબેન પટેલ સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. મારા લગ્નની જાનમાં પરિવાર, સગાસબંધીઓ સાથે પુત્ર પણ જોડાયો હતો. મારી પત્નીએ પણ લગ્ન સમયે કૃશાંગને પોતાના સગા પુત્રની જેમ રાખવા અને તેને સ્નેહ આપવાનું વચન આપ્યું હતુ. મારા પુત્રએ મારા બીજા લગ્ન કરાવી પુત્રની જવાબદારી અને પરિવારની જરૂરિયાત પુરી કરાવી છે.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા સુથારપાડા APMC માર્કેટમાં વેપારીઓ ન આવતા શાકભાજી ઉગાડતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. હોળી પર્વની રજાને કારણે ગુરુવારે માર્કેટમાં ખૂબ ઓછા વેપારીઓ આવતા ખેડૂતોના લાખો રૂપિયાનું શાકભાજી વેચાણ વગર પડ્યું હોવાનું સામે આવ્યું છે. ગિરનારા ગામના ખેડૂત ધનસુખભાઈ કુંડુએ જણાવ્યું હતું કે આજે સુથારપાડા માર્કેટમાં માત્ર ચાર જેટલા વેપારીઓ જ આવ્યા હતા. જેના કારણે ખેડૂતો દ્વારા લાવવામાં આવેલ મોટા પ્રમાણમાં શાકભાજી વેચાઈ શક્યું નથી અને હવે આ માલ ક્યાં લઈ જવો તે મોટો પ્રશ્ન ઉભો થયો છે. ખેડૂતો દ્વારા માર્કેટમાં કારેલા, દુધી, ભીંડા, કાકડી, શક્કરિયા,કંદ સહિત વિવિધ પ્રકારના શાકભાજી વેચાણ માટે લાવવામાં આવ્યા હતા. પરંતુ વેપારીઓની અછતને કારણે આ તમામ શાકભાજી મોટાપાયે વેચાણ વગર પડી રહ્યું છે. સાંજ સુધી વેપારીઓ ન આવતા હવે ખેડૂતોને આ માલ નાનાપોંઢા APMC બજારોમાં લઈ જવાની ફરજ પડી રહી છે. જેના કારણે પરિવહન ખર્ચ વધે છે અને ખેડૂતોને વધુ હેરાનગતિ ભોગવવી પડી રહી છે. ખેડૂતોની માંગ છે કે સુથારપાડા APMC માર્કેટમાં નિયમિત રીતે પૂરતા વેપારીઓ આવે તેવી વ્યવસ્થા કરવામાં આવે જેથી ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ મળી શકે અને માર્કેટ વ્યવસ્થિત રીતે ચાલે.
વૃધ્ધને માર્યો માર:વલસાડમાં વૃધ્ધને માર મારતાં બે યુવાનોની અટકાયત
વલસાડ શહેરમાં 24 કલાક અવરજવર ધરાવતાં તિથલ રોડ પર એક વૃધ્ધ પર 2 યુવાનો તૂટી પડ્યા હતા. વૃધ્ધને ઉમરની લાજ રાખ્યા વિના આ બંન્ને યુવાનો મોટી બહાદુરી દેખાડતા હોય તેમ માર મારતા લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું.ઓવર ટેઇક કરવાના મામલે આ મારામારી પર યુવાનો ઉતરી આવ્યા હતા. ઘટનાનો વી઼ડિયો વાયરલ થઇ જતાં પોલીસે ગંભીરતા દાખવી વૃધ્ધને જાહેર રોડ પર માર મારનાર બંન્નેને શોધી કાઢી કાયદાનો ભાન કરાવ્યો હતો.કસ્ટડીમાં લઇ સિટી પોલીસે આ યુવાનો પાસે કાન પકડાવી માફી મગાવી હતી.
અદ્યતન પ્રાણી સ્મશાનનું નિર્માણ કરાયું:વલસાડ જિલ્લામાં મૂંગા પશુઓ માટે ‘ભૈરવ મુક્તિધામ’ કાર્યરત
વર્તમાન સમયમાં જ્યારે વધતા શહેરીકરણને કારણે માણસો માટે અંતિમ સંસ્કારની જગ્યા ઓછી પડી રહી છે, ત્યારે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના અરનાલા ગામે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 5 માર્ચ, 2026ના રોજ ગામમાં નાના પ્રાણીઓ માટે સમર્પિત ‘ભૈરવ મુક્તિધામ’ સ્મશાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ અનોખી પહેલ પાછળનો મુખ્ય હેતુ મૃત્યુ પામેલા નાના પ્રાણીઓના સન્માનપૂર્વક અને શાસ્ત્રોક્ત વિધિથી અંતિમ સંસ્કાર કરવાનો છે. સ્પર્શ સંસ્થા દ્વારા રૂ. 3.51 લાખના ખર્ચે આ સ્મશાનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં અરનાલા સ્મશાન સમિતિએ ભૂમિ સહયોગ આપી ઉમદા કાર્ય કર્યું છે. આ પ્રસંગે પારડીના પ્રાંત અધિકારી નીરવ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે આ પવિત્ર સ્થળનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અરનાલા અને પાટી ગામના સરપંચો, ગોઈમાના ગ્રામજનો, તલાટી કમ મંત્રી, તેમજ સ્પર્શ સંસ્થાના ટ્રસ્ટીઓ મહર્ષિ કે. દવે અને ઋતુ એમ. દવે સહિત એડવોકેટ ભૂમિકાબેન ઉપસ્થિત રહ્યા હતા. નીરવ પટેલે જણાવ્યું હતું કે, “આ પહેલ માત્ર પર્યાવરણની જાળવણી નથી, પરંતુ પ્રાણીઓ પ્રત્યેની આપણી જવાબદારી અને કરુણાનું પ્રતીક છે.” ત્યારે આમ, અરનાલા ગામે આ સ્મશાન શરૂ કરીને સમગ્ર વલસાડ જિલ્લામાં પ્રાણીપ્રેમ અને માનવતાની નવી રાહ ચીંધી છે. હવે મળશે સન્માનજનક વિદાય વલસાડ, પારડી, નાનાપોંઢા અને ધરમપુર જેવા વિસ્તારોમાં અત્યાર સુધી પાલતુ કે રખડતા પ્રાણીઓના મૃત્યુ બાદ જગ્યાના અભાવે તેમને દફનાવવા માટે મોટી મુશ્કેલી પડતી હતી. શહેરી વિસ્તારમાં રહેતા પ્રાણીપ્રેમીઓ માટે પોતાના વહાલા શ્વાનના અવસાન બાદ તેની અંતિમ વિધિ ક્યાં કરવી, તે ગંભીર પ્રશ્ન હતો. હવે અરનાલા ખાતે કાર્યરત થયેલું ‘ભૈરવ મુક્તિધામ’ આ સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો છે અહીં ઉપલબ્ધ આ વિશેષ સુવિધાઓનાના પ્રાણીઓના અંતિમ સંસ્કાર માટે ખાસ અલાયદી અને પવિત્રજગ્યા તૈયાર કરવામાં આવી છે. અંતિમ વિધિ માટે જરૂરી લાકડાનીઉપલબ્ધતા સાથે, પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી પ્રાણી માલિકો માટેબેસવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. ‘જે જીવોએ આપણનેસંવેદનશીલ બનાવ્યા, તેમને આદરપૂર્વક વિદાય’ આ ઉમદા સૂત્ર સાથેઅહીં મૂંગા જીવોને ગૌરવપૂર્ણ વિદાય આપવામાં આવશે.
SIAની ચૂંટણી:આજે SIAની ચૂંટણીની ઔપચારિકતા પૂર્ણ થશે
સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની બે વર્ષની ટર્મ માટે 12 કમિટી મેમ્બર માટે આજે 6 માર્ચે સવારે 9 થી સાંજે 5 કલાકે ચૂંટણી યોજશે.સ્ક્રૂટિની કમિટી દ્વારા મતદાન માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન પ્રમુખ અને 12 કમિટી મેમ્બર માટે 6 માર્ચે ચૂંટણી જાહેર થઇ હતી.જેમાં એસ.આઈ એના પ્રમુખ તરીકે માત્ર એક ઉમેદવારી ફોર્મ ભરાતા કૌશિક પટેલ બિન હરીફ ચૂંટાયેલા જાહેર થયા હતા.જ્યારે 12 કમિટી મેમ્બર માટે 13 ઉમેદવારી નોંધાતા ચૂંટણી યોજાઈ રહી છે. 6 માર્ચે ચૂંટણી માટે પાંચ લાઇફ મેમ્બર તથા 613 સભ્યો મળી કુલ 618 મેમ્બરો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.સવારે 9 થી સાંજે 5 કલાક સુધી મતદાન કરી શકશે.સાંજે 6 વાગે મતગણતરી હાથ ધરી તેજ દિવસે પરિણામ જાહેર કરાશે. જોકે એસઆઈએની ચૂંટણીમાં એક કમિટી મેમ્બરના ઉમેદવારે પોતાનો 12 ઉમેદવારની ટીમને ટેકો જાહેર કરી દેતા સરીગામ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ચૂંટણીનો પ્રચાર થયો ન હતો. ચૂંટણી માટેનું નોટિફિકેશન બહાર પાડતા પૂરી પ્રોસેસ પૂર્ણ કરવા મતદાનની ઔપચારિક્તા કરવામાં આવી છે. સ્ક્રુટીની કમિટીના ચેરમેન ડૉ.આર.જે.સિંઘ અને તેની ટીમે ચૂંટણી અને મતગણતરી શાંત માહોલ વચ્ચે સંપન્ન થાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. સિનિયર ઉદ્યોગપતિની રણનીતિના લીધે સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનમાં હરીફ ટીમ ચૂંટણી હારવાના ડરે મેદાનમાં આવી રહી નથી.

28 C