અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં આવેલા બહુચર માતાના મંદિરમાંથી ચાંદીના પતરાની ચોરીનો બનાવ સામે આવ્યો છે. મંદિરમાંથી ચોરી 57 ચાંદીના પતરાની ચોરી કરી છે. આ અંગે વાડજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પૂર્વજોની આકૃતિવાળા ચાંદીના 57 પત્ર ગાયબનવા વાડજના ડાયાભાઈની ચાલીમાં રહેતા દશરથભાઈ સોલંકી રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારના સભ્યો પણ આસપાસમાં રહે છે. દશરથભાઈએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના ઘરની સામે બહુચર માતાનું મંદિર આવેલું છે અને મંદિરની સંભાળ તેમજ પૂજા-અર્ચનાનું કામ તેઓ અને તેમના પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવે છે. ઘટનાના દિવસે દશરથભાઈ કામસર બહારગામ ગયા હતા. ત્યારે તેમના ભાઈએ રાત્રે માતાજીની આરતી કરી મંદિર બંધ કર્યું હતું. જોકે બીજા દિવસે સવારે મંદિર ખોલતા અંદરથી પૂર્વજોની આકૃતિવાળા ચાંદીના 57 પત્ર ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે દશરથભાઈ સોલંકીએ વાડજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર મહાનગરપાલિકા અને એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા ના સહયોગથી કોલવડા સ્થિત ઐતિહાસિક તળાવનું વૈજ્ઞાનિક પદ્ધતિથી પુનઃ નવિનીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આમ હવે 5.42 એકરમાં ફેલાયેલું આ તળાવ આ વિસ્તારના ભૂગર્ભ જળસ્તરને ઊંચા લાવવામાં પાયાની ભૂમિકા ભજવશે. જંગલી વનસ્પતિઓ અને કચરાના કારણે અસ્તિત્વ ગુમાવી રહ્યું હતુંગાંધીનગરમાં પર્યાવરણ જાળવણી અને જળ સંચયની દિશામાં એક પ્રશંસનીય સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. અગાઉ આ તળાવ જંગલી વનસ્પતિઓ અને કચરાના કારણે અસ્તિત્વ ગુમાવી રહ્યું હતું. નવિનીકરણ પ્રક્રિયાના ભાગરૂપે તળાવમાંથી 2 ટનથી વધુ કચરો અને નેલ્ટુમા જ્યુલીફ્લોરા જેવી નુકસાનકારક વનસ્પતિઓનો સંપૂર્ણ નિકાલ કરવામાં આવ્યો છે. તળાવના 580 મીટર લાંબા કાંઠાને ડબલ પાળા પદ્ધતિથી રક્ષિત કરી માટીનું ધોવાણ અટકાવવામાં આવ્યું છે. રહેણાંક વિસ્તારોમાં જળ રિચાર્જિંગની પ્રક્રિયા વેગવંતી બનશેઆ પ્રોજેક્ટની સૌથી મોટી સફળતા તેની સંગ્રહ ક્ષમતામાં થયેલો વધારો છે. 29,000 ઘનમીટર કાંપ કાઢવામાં આવતા તળાવની ક્ષમતા 39,000 ઘનમીટરથી વધીને હવે 69,000 ઘનમીટર થઈ છે. આ વધારાના પાણીના સંગ્રહથી આસપાસના ગ્રામ્ય અને રહેણાંક વિસ્તારોમાં જળ રિચાર્જિંગની પ્રક્રિયા વેગવંતી બનશે. આ સિવાય અહીં વન્યજીવ સંતુલન માટે પણ વિશેષ કાળજી લેવામાં આવી છે. તળાવના મધ્યમાં ત્રણ ખાસ નેસ્ટીંગ આયલેન્ડ તૈયાર કરાયા છે. આ ટાપુઓ સફેદ કાંકણસાર, લટોરો, નાની ડુબકી અને બગલા જેવા સ્થાનિક તેમજ વિદેશી પક્ષીઓ માટે સુરક્ષિત પ્રજનન અને આશ્રયસ્થાન સાબિત થશે. જાહેર કુદરતી સંપદાને માનવીય દખલગીરી અને દબાણોથી મુક્ત રાખવા માટે તળાવની 300 મીટરની પેરીફેરીમાં મજબૂત ફેન્સિંગ લગાડવામાં આવ્યું છે. આગામી ચોમાસામાં આ તળાવ સંપૂર્ણ ક્ષમતા સાથે છલકાશે ત્યારે કોલવડા અને આસપાસના વિસ્તારો માટે તે કુદરતી સૌંદર્ય અને જળ સુરક્ષાનું મુખ્ય કેન્દ્ર બની રહેશે.
અમદાવાદ શહેરના માણેકચોકના એક સોનીને સેટેલાઈટ અને ઇસનપુરના બે ઠગોએ વિશ્વાસમાં લઈને 96 લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો હોવાનો છે. આરોપીઓએ 750 ગ્રામ સોનાનું બિસ્કિટ લઈ રૂપિયા ચૂકવ્યા નહોતા. આ અંગે સેટેલાઈટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પાર્થ દલવાડીએ મોટી-મોટી વાતો કરી વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો ઇસનપુરના સ્મૃતિ મંદિર નજીક આવેલા આલોક બંગલોમાં રહેતા અમિત સોની માણેકચોકમાં સોના–ચાંદીની દુકાન ચલાવી વેપાર કરે છે. લગભગ છ મહિના પહેલા તેમના ઓળખીતાં રાકેશ સોની, (રહે. ઇસનપુરના સુરભી એપાર્ટમેન્ટ)અમિત સોનીની દુકાને આવ્યા હતા. વાતચીત દરમિયાન રાકેશ સોનીએ અમિત સોનીને જણાવ્યું હતું કે, તેમના ઓળખીતાં પાર્થ હરેણ્દ્રભાઈ દલવાડી, જે સેટેલાઈટ વિસ્તારમાં ઇસરો નજીક વર્ધમાન હિલ ખાતે રહે છે. તેઓ સોના–ચાંદીમાં મોટું રોકાણ કરવા માંગે છે અને તેમની પાસે રૂપિયા છે. ત્યારબાદ રાકેશ સોની અમિત સોનીને પાર્થ દલવાડીના સેટેલાઈટ સ્થિત ઘરે લઈ ગયા હતા, જ્યાં પાર્થ દલવાડીએ મોટી-મોટી વાતો કરી વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો હતો. 750 ગ્રામ સોનાનું બિસ્કિટ ખરીદવાની વાત કરી થોડા દિવસ બાદ પાર્થ દલવાડીએ અમિત સોનીને વોટ્સએપ કોલ કરીને સોનાના ભાવ અંગે વાતચીત કરી હતી અને પહેલા 500 ગ્રામ સોનુ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ તેણે 750 ગ્રામ સોનાનો બિસ્કિટ ખરીદવાની વાત કરી અને સોનુ પોતાના ઘરે પહોંચાડવા જણાવ્યું હતું.અમિત સોની સાડા સાત સો ગ્રામ સોનાનો બિસ્કિટ લઈને પાર્થ દલવાડીના ઘરે પહોંચ્યા હતા અને 96 લાખ રૂપિયા માગ્યા હતા.ત્યારે પાર્થ દલવાડીએ તેમને કહ્યું હતું કે માણેકચોકની પીએમ આંગડિયા પેઢીમાંથી રૂપિયા મળી જશે અને ત્યાંથી લેવા જવા જણાવ્યું હતું પરંતુ, અમિત સોની આંગડિયા પેઢીમાં પહોંચ્યા ત્યારે તેમના નામે કોઈ રૂપિયા આવ્યા નહોતા. ત્યારબાદ પાર્થ દલવાડીએ તેમને બે–ચાર દિવસ સુધી રૂપિયા આપવા બાબતે ધક્કા ખવડાવ્યા હતા. છ મહિનાથી રૂપિયા આપવાના મુદ્દે જુદા-જુદા વાયદા કરી સમય પસાર કરાવ્યોઅમિત સોનીએ આ અંગે પોતાના ઓળખીતાં રાકેશ સોની સાથે વાતચીત કરી હતી. રાકેશ સોનીએ પણ પાર્થ દલવાડી સાથે ફોન પર વાત કર્યા બાદ રૂપિયા લેવા માટે મુંબઈ આવવાનું કહ્યું હતું. જોકે રાકેશ સોની મુંબઈ પહોંચ્યા છતાં પાર્થ દલવાડી તેમને મળ્યા નહોતા. છેલ્લા છ મહિનાથી પાર્થ દલવાડી અને રાકેશ સોનીએ રૂપિયા આપવાના મુદ્દે અમિત સોનીને જુદા-જુદા વાયદા કરી સમય પસાર કરાવ્યો હતો. અંતે કંટાળી જઈ અમિત સોનીએ સેટેલાઈટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો શંખનાદ ફૂંકાવાની તૈયારી છે. તે પહેલા જ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નેતા શંકરસિંહ વાઘેલાએ આગામી ચૂંટણીમાં કોંગ્રેસને જરુર હોય તો બિનશરતી મદદની તૈયારી બતાવતા રાજકીય ગરમાવો આવ્યો છે. સુરતની મુલાકાતે આવેલા બાપુએ કહ્યું હતું કે, ભલે તેઓ કોંગ્રેસનો ખેસ ન પહેરે, પરંતુ ભાજપને સત્તા પરથી હટાવવા માટે તેઓ કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોને મજબૂત પીઠબળ પૂરું પાડવા તૈયાર છે. શંકરસિંહ આગામી ચૂંટણીમાં 'બીજેપી વર્સીસ ઓલ'નો નવો નારોશંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, યશવંત સિંહા દ્વારા સ્થાપિત 'ગુજરાત નાગરિક પરિષદ' અને વાસુદેવભાઈ પટેલના નેતૃત્વમાં આગામી કોર્પોરેશન, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં 'ભાજપ વિરુદ્ધ તમામ' (BJP vs All) નો પ્રયોગ કરવામાં આવશે. વાઘેલાના મતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પક્ષના મેન્ડેટ કરતા સ્થાનિક પ્રશ્નો અને પ્રતિષ્ઠિત લોકો વધુ મહત્વના હોય છે. આ અભિયાન અંતર્ગત તેઓ કોંગ્રેસ અને અન્ય પક્ષોને એક મંચ પર લાવી ભાજપની વોટબેંકમાં ગાબડું પાડવાની યોજના બનાવી રહ્યા છે. કોંગ્રેસ સાથેના સંબંધો પર સ્પષ્ટતા કરતા કહ્યું- 'ખેસ નહીં પહેરું પણ સાથ આપીશ'કોંગ્રેસમાં જોડાવાની અટકળો પર પૂર્ણવિરામ મૂકતા શંકરસિંહ વાઘેલાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, મારે કોંગ્રેસમાં જોડાવું નથી કે નથી ખેસ પહેરવો. જોકે, તેમણે ઉમેર્યું હતું કે જો કોંગ્રેસને લાગે કે ભાજપને હરાવવા માટે તેમના માર્ગદર્શન કે સપોર્ટની જરૂર છે, તો તેઓ કોઈ પણ શરત વગર મદદ કરવા તૈયાર છે. આ નિવેદન દર્શાવે છે કે વાઘેલા કોંગ્રેસ માટે એક 'કિંગમેકર'ની ભૂમિકા ભજવવા ઈચ્છે છે, જેથી વિપક્ષી મતોનું વિભાજન અટકાવી શકાય. ભાજપ પર પ્રહાર: 'કોંગ્રેસ મુક્ત'ને બદલે 'કોંગ્રેસ યુક્ત' ભાજપવાઘેલાએ વર્તમાન ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ જે 'કોંગ્રેસ મુક્ત ભારત'ની વાતો કરતું હતું, તે આજે પોતે જ 'કોંગ્રેસ યુક્ત' બની ગયું છે. તેમણે કટાક્ષ કર્યો કે આજે ભાજપમાં અસલી ભાજપના કાર્યકરો શોધવા એટલા જ મુશ્કેલ છે જેટલું સુરતમાં અસલી સુરતીને શોધવું. તેમણે ભાજપને 'ભ્રષ્ટાચારી જનતા પાર્ટી' તરીકે સંબોધીને આક્ષેપ કર્યો કે જૂના અને નિષ્ઠાવાન કાર્યકરોને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે અને આયાતી નેતાઓનું વર્ચસ્વ વધ્યું છે. કોંગ્રેસ માટે વ્યૂહાત્મક તક: વાઘેલાનું માર્ગદર્શન કેટલું કામ લાગશે?કોંગ્રેસ માટે અત્યારે સૌથી મોટો પડકાર પાયાના સ્તરે સંગઠનને મજબૂત કરવાનો છે. વાઘેલાનો બહોળો અનુભવ અને ક્ષત્રિય મતો પર તેમની પકડ કોંગ્રેસ માટે ચૂંટણીમાં સંજીવની સમાન સાબિત થઈ શકે છે. વાઘેલાએ જાહેરાત કરી છે કે તેમને કોઈ ટિકિટ કે પદની લાલસા નથી, આ બાબત કોંગ્રેસના હાઈકમાન્ડ માટે સાનુકૂળ બની શકે છે. જો કોંગ્રેસ વાઘેલાના આ 'બિનશરતી' ટેકાનો યોગ્ય ઉપયોગ કરે, તો ભાજપના ગઢ ગણાતા વિસ્તારોમાં ગાબડું પાડી શકાય તેમ છે. આમ આદમી પાર્ટી પર નિશાન: 'આપ'ને ભાજપની 'બી-ટીમ' ગણાવીસ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 'આપ'ની એન્ટ્રી વિશે વાત કરતા વાઘેલાએ ગંભીર આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીનો જન્મ જ દિલ્હીમાં ભાજપના કાર્યાલયમાં કોંગ્રેસના શાસનને ખતમ કરવાના કાવતરાના ભાગરૂપે થયો હતો. તેમણે સુરતીઓને ચેતવતા કહ્યું કે પંજાબ સરકારના નાણાં અત્યારે ગુજરાતમાં ઠાલવવામાં આવી રહ્યા છે. વાઘેલાના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેઓ વિપક્ષી મતોને 'આપ' તરફ જતા રોકીને સીધા કોંગ્રેસ તરફ વાળવા માંગે છે. ચૂંટણીનો એક્શન પ્લાન: સુરત અને રાજકોટમાં બેઠકોનો દોરવાઘેલાએ અત્યાર સુધીમાં રાજકોટ અને અમદાવાદમાં મહત્વની બેઠકો કરી છે અને હવે સુરતમાં પણ તેમણે સ્થાનિક નેતાઓ અને નાગરિક પરિષદના સભ્યો સાથે ચર્ચા કરી છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સ્તરે એવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનો છે જે પક્ષબંધીથી ઉપર ઉઠીને પ્રજાના કામ કરી શકે. આ રણનીતિ જો સફળ રહે તો આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં સત્તાધારી પક્ષ ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે છે. મારે કોઈ કન્ડિશન ન હોય અને મારે એમાંથી કંઈ લેવાનું નથી.શંકર સિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે,મારો પોતાનો પક્ષ છે. આજનો નહીં, 2019 માં શરૂ કરેલો છે. એક્ટિવલી છે. એ પક્ષ ચાલે જ છે. પણ આજે થોડા દિવસ પહેલાં યશવંત સિંહા આવ્યા હતા અમદાવાદ અને એમણે એક નાગરિક પરિષદ, ગુજરાત નાગરિક પરિષદની સ્થાપના કરેલી. વાસુદેવભાઈ પટેલ જે આવ્યા છે એ એના અધ્યક્ષ છે. અને આવનાર કોર્પોરેશનની ઇલેક્શન્સ છે કે આ લોકલ સેલ્ફ તાલુકા-જિલ્લા પંચાયતની ઇલેક્શન્સ છે, એમાં 'બીજેપી વર્સીસ ઓલ' એ નારો લઈને એ ચાલી રહ્યા છે. એમાં કોંગ્રેસ, આપવાળા જે માને એ ખરા. પ્રતિષ્ઠિત અને સારા લોકો આમાં આવે. એસેમ્બલી, લોકસભા અલગ સવાલ છે, જેમાં પાર્ટી મેન્ડેટ હોય વગેરે વગેરે. સ્થાનિક સ્વરાજ્યમાં સ્થાનિક લોકો જ હોય, એમાં પાર્ટીના મેન્ડેટની જરૂર ન હોય. એવા ઠેકાણે એ પ્રયોગ સુરતમાંય કરવાના છે, પછી મેં રાજકોટ મીટીંગ લીધેલી, અમદાવાદમાં પણ મીટીંગ થઈ ગયેલી છે. એક જે પ્રયોગ છે, જે પોતે વાસુદેવભાઈ કરવાના છે.હું કોંગ્રેસમાં જોડાવાનો નથી, મારે ખેસ નથી પહેરવો. પણ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં હરાવવી હોય અને કોંગ્રેસને એવું લાગે કે આપણા સપોર્ટની જરૂર છે, તો એમાં કઈ મારે કોઈ કન્ડિશન ન હોય અને મારે એમાંથી કંઈ લેવાનું નથી. પંજાબ સરકારના રૂપિયા અત્યારે ગુજરાતમાં ઠાલવવામાં આવે છેતેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આજે ભાજપનો જે નારો હતો કે 'કોંગ્રેસ મુક્ત ભારત' એની જગ્યાએ આખું ભાજપ 'કોંગ્રેસ યુક્ત' બની ગયું છે. આજની ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના એટલા બધા લોકો છે કે 'અસલ ભાજપ શું' એ શોધવું આજે સુરતમાં 'અસલ સુરતી કોણ' એ શોધવા જેવું અઘરું થઈ ગયું છે. ઓરીજનલ ભાજપ તો ખતમ થઈ ગયું છે. આ 'ભ્રષ્ટાચારી જનતા પાર્ટી' અત્યારે ભારતીય જનતા પાર્ટી બની ગઈ છે.મારે કોંગ્રેસનો પટ્ટો પહેરવાનો નથી, મારે કોંગ્રેસની વિધાનસભાની ટિકિટ પણ નથી લેવાની. પણ જો ભારતીય જનતા પાર્ટીને હરાવવામાં એમને લાગે કે મારું કોઈ યોગદાન કામ આવશે તો અમે તૈયાર છીએ, કોઈ વાંધો નથી.આમ આદમી પાર્ટીનો જન્મ જ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં ભેગા થઈને કોંગ્રેસનું 15 વર્ષનું શાસન હટાવવા માટેના કાવતરાના ભાગરૂપે થયો હતો.જે દિલ્હીમાં જન્મ થયો હોય એ બધે જ લાગુ પડે ને. પંજાબ સરકારના રૂપિયા અત્યારે ગુજરાતમાં ઠાલવવામાં આવે છે. મજા કરો, જે કરવું હોય એ કરો, પેલો પટ્ટો પહેરીને.
ગુજરાત રાજ્યની તમામ મહાનગરપાલિકાઓની મુદત પૂર્ણ થતાં જામનગર મહાનગરપાલિકામાં આજથી વહીવટદાર શાસન લાગુ પડી ગયું છે. રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત આરતી કંવરે જામનગર મહાનગરપાલિકાના વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. આ સાથે જ મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક જૂથના નેતા, દંડક અને વિપક્ષના નેતા સહિતના તમામ પદાધિકારીઓની ચેમ્બર પરથી નેમપ્લેટ દૂર કરવામાં આવી છે. હવે કોઈ પણ પદાધિકારી પોતાની ખુરશી પર બેસીને વહીવટ કરી શકશે નહીં. વધુમાં, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક જૂથના નેતા અને વિરોધ પક્ષના નેતા સહિતના કુલ પાંચ સરકારી વાહનોને ગ્રાઉન્ડ કરીને મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવામાં આવ્યા છે. વહીવટદાર આરતી કંવર જામનગરના મેયરની ચેમ્બરમાંથી આગળની વહીવટી કાર્યવાહી હાથ ધરશે.
વાપી રેલવે સ્ટેશન પર રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા ઓપરેશન યાત્રી સુરક્ષા અંતર્ગત એક મુસાફરનો મોબાઇલ ચોરી કરનાર શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે. RPFએ આરોપીને આગળની કાર્યવાહી માટે ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) ને સોંપ્યો છે. RPF નિરીક્ષક આશીષ તિવારીના માર્ગદર્શન હેઠળ ASI નિતિનકુમાર ટંડેલ CCTV મોનિટરિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન, વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 નજીક એક સ્ટોલ પાસે સૂતેલા મુસાફરના ખિસ્સામાંથી એક શંકાસ્પદ વ્યક્તિ સામાન કાઢી ભાગતો જોવા મળ્યો હતો. આ અંગે તરત જ ત્યાં હાજર CPDS સ્ટાફ કોન્સ્ટેબલ ભગીરથને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ RPF સ્ટાફે તાત્કાલિક શંકાસ્પદ વ્યક્તિનો પીછો કર્યો અને તેને પકડી પાડ્યો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે સંતોષકારક જવાબ ન આપતા ભાગવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ તેને RPF વાપી કચેરીમાં લાવવામાં આવ્યો હતો. વાપી રેલવે સ્ટેશનના CCTV ફૂટેજ બતાવીને પૂછપરછ કરતા, આરોપીએ પોતાનું નામ સચિન મારુતિ ચરેકર (ઉંમર 40 વર્ષ, રહેવાસી પુણે, મહારાષ્ટ્ર) જણાવ્યું હતું. તેની તલાશી લેતા તેની પાસેથી બે મોબાઇલ ફોન મળ્યા હતા, જેમાં એક Realme કંપનીનો તેનો પોતાનો અને બીજો OPPO કંપનીનો સ્કાય બ્લૂ કલરનો મોબાઇલ સૂતેલા મુસાફરના ખિસ્સામાંથી ચોરી કર્યો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ RPF સ્ટાફે સૂતેલા મુસાફરને જગાડ્યો, જેમણે પોતાનું નામ પવનકુમાર કપિલકુમાર રાવત (ઉંમર 35 વર્ષ, રહેવાસી સિલવાસા રોડ, વાપી) જણાવ્યું હતું. તેમણે પોતાનો OPPO કંપનીનો મોબાઇલ ચોરી થયો હોવાનું જણાવતા કચેરીમાં રાખેલા સ્કાય બ્લૂ રંગના મોબાઇલને પોતાનો હોવાનું ઓળખ્યો હતો. આ મોબાઇલની અંદાજિત કિંમત આશરે 13,000 રૂપિયા હોવાનું જણાવાયું છે. આ ચોરીના બનાવ અંગે આરોપી સચિન ચરેકરને ચોરાયેલા મોબાઇલ અને ફરિયાદી સાથે GRP વાપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો હતો. GRP વાપી દ્વારા આરોપી સામે CR નં. 227/2026, કલમ 303(2) BNS હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2026 દરમિયાન અત્યાર સુધી RPF વાપી દ્વારા મુસાફરોના સામાન ચોરીના કુલ 6 આરોપીઓને ઝડપી GRPને સોંપવામાં આવ્યા છે. મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ અભિયાન ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.
ભાઈ-બહેનોને પણ મળશે મેડિકલ સુવિધા રાજ્ય સરકારના કર્મચારીઓ પર નિર્ભર ભાઈ-બહેનોને પણ હવે મેડિકલ સારવારનો લાભ લઈ શકશે..અત્યાર સુધી માત્ર માતા-પિતા અને સંતાનોને જ લાભ મળતો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ખાડી દેશોના યુદ્ધ વચ્ચે સી ફૂડ નિકાસ પર અસર અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધ વચ્ચે ગુજરાતના સીફૂડ નિકાસ પર અસર પડી. છેલ્લા ત્રણ-ચાર દિવસમાં નિકાસ માટેના શિપિંગ કન્ટેનરના ભાડામાં નોંધપાત્ર વધારો થયો છે. જ્યારે વિદેશથી આવતા કન્ટેનરોની સંખ્યામાં ઘટાડો થયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સાબરમતી નદીને પહેલી એપ્રિલથી ખાલી કરાશે સાબરમતી નદીને પહેલી એપ્રિલથી 15 જૂન સુધી ખાલી કરવામાં આવશે.. 15મી જૂન સુધી સાબરમતી નદી ખાલી કરાશે..સુભાષબ્રિજનું સ્ટ્રક્ચર તોડવાનું હોવાથી અને વાસણા બેરેજના 18 દરવાજા નવા નાખવાના હોવાથી નદી ખાલી કરાશે.આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હવે કિંજલ રબારીના પ્રેમલગ્ન વિવાદમાં સિંગર કિંજલ દવે, આરતી સાંગાણી બાદ હવે કિંજલ રબારી પણ પ્રેમલગ્નને લઈને વિવાદમાં.. પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા બાદ વીડિયો બનાવી પોલીસ પ્રોટેક્શનની માગ કરી. કહ્યું, મને કે પતિને કંઈ થશે તો પરિવાર જવાબદાર રહેશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અંબાજી મંદિરના ભંડારામાં દારુ-નોનવેજની પાર્ટી જૂનાગઢના ગિરનાર પર અંબાજી મંદિરના ભંડારામાં દારૂ-નોનવેજની પાર્ટી કરાઈ.જ્યાં માતાજીને પ્રસાદ તૈયાર થાય છે તે સ્થળને જ અપવિત્ર કરનાર 10 પૂજારી સહિત 11ની હકાલપટી કરવામાં આવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. ફાયર વિભાગની ત્રણ ગાડીઓ કોર્ટ સંકુલમાં પહોંચી.. આખી બિલ્ડિંગ ખાલી કરી તપાસ હાથ ધરવામાં આવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 15 વર્ષની સગીરાએ બાળકને જન્મ આપ્યો મહેસાણાના લાઘણજમાં 15 વર્ષની સગીરાએ 108માં બાળકને જન્મ આપ્યો. મજૂરીકામ કરતી માતાની દીકરીની એકલતાનો લાભ લઈ યુવકે 6 મહિના સુધી તેને હવસનો શિકાર બનાવી હતી. સાત માસે સગીરાએ બાળકને જન્મ આપ્યો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો LTના એન્જિનિયરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી વડોદરામાં એલ ટીના એન્જિનિયરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો...લગ્ન સંબંધિત મૂંઝવણને કારણે તેમણે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગાંજો વેચવા માટે ફ્લેટ ભાડે લીધોરાજકોટના યુવકે ગાંજો વેચવા ગાંધીનગરમાં મહિને 90 હજારના ભાડાનો લક્ઝુરિયસ ફ્લેટ રાખ્યો હતો..પોલીસે 26 લાખનો ગાંજો, બે આઇફોન, ઇલેક્ટ્રિક વજન કાંટો જપ્ત કરી આરોપીને ઝડપી પાડ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 42 ડિગ્રી સાથે રાજકોટ બન્યું સૌથી ગરમ શહેરમાર્ચની શરુઆતમાં જ ગુજરાતમાં અગનવર્ષા.42 ડિગ્રી સાથે રાજકોટ ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું..9 શહેરોમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરાઈ છે.આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
મધ્ય પૂર્વ ક્ષેત્રમાં બદલાતી પરિસ્થિતિ વચ્ચે ગુજરાત રાજ્યમાં ઘરેલુ LPGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે આ માહિતી આપી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા LPG સિલિન્ડરના અવિરત વિતરણ માટે સતત દેખરેખ અને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવને ધ્યાનમાં રાખીને, રાજ્યમાં ઉપલબ્ધ LPG સ્ટોકનું સુચારુ પરિવહન અને કાર્યક્ષમ વિતરણ સુનિશ્ચિત કરવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગુજરાતમાં આશરે 30 ટકા ઘરેલુ ગેસ PNG પાઈપલાઈન દ્વારા પૂરો પાડવામાં આવે છે, અને PNGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી રાજ્યની સ્થિતિ વધુ અનુકૂળ હોવાનું જણાવાયું છે. તકેદારીના ભાગરૂપે, કેન્દ્ર સરકારના સૂચન મુજબ, જાહેરક્ષેત્રની ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ એક જ ગ્રાહક દ્વારા બે LPG સિલિન્ડરની બુકિંગ વચ્ચે 25 દિવસનો સમયગાળો રાખવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં બિનજરૂરી તણાવ અટકાવવાનો અને LPGનો અનાવશ્યક સંગ્રહ ટાળવાનો છે. કેન્દ્ર સરકારના નિર્ણય અનુસાર, હાલ કોમર્શિયલ LPG સિલિન્ડરના વેચાણને નિયંત્રિત કરવામાં આવ્યું છે. જોકે, હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓને તેમની જરૂરિયાત મુજબ LPGની ફાળવણી યથાવત્ રાખવામાં આવી છે. LPGનો અનાધિકૃત સંગ્રહ, કાળાબજારી, નિયત ઉપયોગ સિવાય અન્ય ઉપયોગ અથવા નિયત કિંમત કરતાં વધુ ભાવ વસૂલવો એ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ–1955 અને LPG કંટ્રોલ ઓર્ડર–2000 મુજબ કાયદેસર ગુનો બને છે. જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું છે કે આવી ગેરરીતિ કરનાર સામે રાજ્ય સરકારના સક્ષમ અધિકારી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ડિંડોલી પોલીસ દ્વારા છેલ્લા 3 વર્ષમાં 2 વખત જેની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી તેવા રીઢા ગુનેગાર ધીરજની તેના જ મિત્રોએ નિર્મમ હત્યા કરી નાખી છે. જ્ઞાન ભારતી હિન્દી સ્કૂલની સામે આવેલા રામદેવનગર ખાતે બનેલી આ ઘટનામાં 5થી વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ધીરજને તેના જ અંગત મિત્રોએ પાઈપ અને બેલ્ટના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. હાલ ત્રણેય આરોપી ફરાર છે. મિત્રો ઘરેથી લઈ જઈ ઢોર માર માર્યો અને પરત ઘરે મૂકી ગયાઘટનાની વિગત એવી છે કે, રામદેવનગરમાં રહેતા ધીરજ નામના યુવકને તેના જ ત્રણ મિત્રો ઘરેથી બોલાવીને બહાર લઈ ગયા હતા. આ ત્રણેય શખસોએ ધીરજને કોઈ અવાવરું જગ્યાએ લઈ જઈ પાઇપ અને બેલ્ટ જેવા હથિયારો વડે બેરહેમીપૂર્વક ઢોર માર માર્યો હતો. માર માર્યા બાદ ગંભીર હાલતમાં ધીરજને તેના જ મકાનમાં પરત મૂકીને શખસો ફરાર થઈ ગયા હતા. મકાનમાં લાવવામાં આવ્યો ત્યારે ધીરજ જીવિત હતો, પરંતુ શરીર પર થયેલા ગંભીર ઈજાઓના કારણે ટૂંક જ સમયમાં તેનું કરુણ મોત નિપજ્યું હતું. સોનુ અને શનિ નામના શખસો સામે હત્યાની આશંકાડિંડોલી પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, હત્યા પાછળ સોનુ અને શનિ નામના બે શખસો સહિત કુલ ત્રણ લોકો સામેલ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણ-ચાર દિવસથી ધીરજ અને આ શખસો વચ્ચે કોઈ બાબતે અણબનાવ ચાલી રહ્યો હતો. આ જૂની અદાવતનો બદલો લેવા માટે આયોજનબદ્ધ રીતે મિત્રોએ જ ધીરજને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું અનુમાન છે. હાલમાં સોનુ અને શનિ સહિતના અતુલ નામના આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. મૃતક ધીરજ સામે પાંચથી વધુ ગુના દાખલહત્યાનો ભોગ બનનાર ધીરજ પોતે પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું પોલીસ દફતરે નોંધાયું છે. તેની સામે અગાઉ લૂંટ, મારામારી જેવા પાંચથી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. વારંવાર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હોવાને કારણે ડિંડોલી પોલીસે તેને બે વખત પાસા હેઠળ જેલમાં પણ મોકલ્યો હતો. મૃતક ધીરજ સિંહ હત્યા કેસમાં આરોપી શની વિજય ચૌહાણ, અતુલ સિંહ બિહારી અને સોનુ ઉર્ફે સોનુ વર્માની શોધખોળ ડિંડોલી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. પોલીસ તપાસમાં પાઇપ અને બેલ્ટના નિશાનો મળ્યાઘટનાની જાણકારી મળતા જ ડિંડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે રૂમની અંદર સઘન તપાસ હાથ ધરતા મૃતકના શરીર પર ગંભીર ઈજાના નિશાનો જોવા મળ્યા હતા. ધીરજના શરીર પર પાઇપ અને બેલ્ટ વડે ફટકારવામાં આવ્યો હોય તેવા ઊંડા ઘા હતા. આરોપીઓએ એટલી હદે ક્રૂરતા દાખવી હતી કે યુવક લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યો હતો. પોલીસે પંચનામાની વિધિ પૂર્ણ કરી મૃતદેહને સ્મીમેર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. આરોપીઓની શોધખોળ શરૂડિંડોલી વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મૃતક યુવક હાલમાં એકલો જ રહેતો હતો, જેનો ફાયદો ઉઠાવી આરોપીઓએ આ કૃત્ય આચર્યું હતું. ડિંડોલી પોલીસે હાલ હત્યાનો ગુનો નોંધી ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે અને અલગ-અલગ ટીમો બનાવી ફરાર આરોપીઓને પકડવા માટેના કાર્યવાહી શરૂ કરી છે.
આઈપીએસ અધિકારી વિધિ ચૌધરીએ પંચમહાલ-ગોધરા રેન્જના અધિક પોલીસ મહાનિરીક્ષક (DIGP) તરીકે વિધિવત રીતે પદભાર સંભાળ્યો છે. ગોધરા રેન્જમાં પોલીસ વહીવટમાં આ એક મોટો ફેરફાર છે. ચાર્જ સંભાળ્યા બાદ તેમણે રેન્જ હેઠળ આવતા જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. હવે મહિલા આઈપીએસ અધિકારી વિધિ ચૌધરીના શિરે સુરક્ષાની જવાબદારી આવી છે. ગોધરા રેન્જ ઓફિસ ખાતે આયોજિત પદગ્રહણ કાર્યક્રમમાં રેન્જના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ગોધરા રેન્જ હેઠળ આવતા ત્રણ મુખ્ય જિલ્લાઓના પોલીસ વડાઓ, જેમાં પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક (SP), દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) અને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક (SP) સહિત અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પદભાર સંભાળ્યા બાદ વિધિ ચૌધરીએ ઉપસ્થિત SP ઓ અને અધિકારીઓ સાથે પ્રારંભિક બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લાઓની ભૌગોલિક સ્થિતિ અને ગુનાખોરીના નિયંત્રણ અંગે ટૂંકમાં ચર્ચા કરવામાં આવી હતી.
અમરેલીની જાણીતા અવધ રેસ્ટોરન્ટમાં એક ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. આજે ગ્રાહકે રૂ. 280નું ટિફિન મંગાવ્યું હતું. ઘરે આવીને પાર્સલ ખોલતા જ ટીફિન સાથે મળેલી છાશમાંથી જીવાત નીકળી હતી. જેથી ગ્રાહક ચોંકી ગયો હતો. સમગ્ર માલે ગ્રાહકની ફરિયાદ બાદ ફૂડ વિભાગની ટીમે તાત્કાલિક રેસ્ટોરન્ટ પર દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. અમરેલી શહેરના ચીતલ રોડ પર રહેતા હાર્દિક જોષીએ જણાવ્યું કે, તેમણે બપોરે એક વાગ્યાની આસપાસ અવધ હોટલમાંથી ટિફિન પાર્સલ કરાવ્યું હતું. ઘરે જઈને પાર્સલ ખોલતા છાશમાં કાળી જીવાત જેવું કંઈક દેખાયું હતું. હાર્દિક જોષીએ આ ઘટનાનો વીડિયો રેકોર્ડિંગ પણ કર્યું હતું. તેમણે આને સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાવ્યું હતું અને ફૂડ વિભાગ દ્વારા આ હોટલની વ્યવસ્થિત તપાસ કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ફૂડ વિભાગ દ્વારા રેસ્ટોરન્ટમાંથી ફૂડના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલને વધુ તપાસ માટે વડોદરાની લેબોરેટરીમાં મોકલવામાં આવશે. જીવાત નીકળવાની ઘટનાને ગંભીરતાથી લઈ ફૂડ વિભાગ દ્વારા રેસ્ટોરન્ટને નોટિસ આપવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી થશે. અમરેલી ફૂડ વિભાગના ઇન્સ્પેક્ટર કિશોર કળસરિયાએ જણાવ્યું કે, અવધ રેસ્ટોરન્ટમાં એક ગ્રાહકની ફરિયાદ મળી હતી કે પાર્સલમાં જીવાત છે. જેથી અમારી ટીમ સેમ્પલ લેવા માટે આવી છે, જે સેમ્પલ વડોદરા જશે. અવધ રેસ્ટોરન્ટને નોટિસ પણ આપવામાં આવશે.
વડોદરા મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને રિવ્યૂ બેઠક મળી હતી. આ બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓ સાથે ચાલી રહેલા કામો અને આગામી સમયમાં હાથ ધરાનાર કામો અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. શહેરમાં ઉનાળાના સમયમાં પાણીની સમસ્યા વિકટ ન બને તે માટે આજવાથી આવતી 125 MLD પાણીની લાઇન આગામી એક મહિનામાં જોડી પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પાણી મળે તેવા પ્રયાસો કરવા સૂચના આપવામાં આવી છે. આજવાથી 125 MLD પાણી શહેરને મળી શકે તેની કામગીરીમ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, પાણીના સોર્સ બાબતને અમે ગંભીરતાથી લઈ રહ્યા છે. આજવાથી 125 MLD પાણી શહેરમાં મળી શકે તે માટેની પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. WTP (Water Treatment Plant) ઓલમોસ્ટ રેડી છે, ઇલેક્ટ્રિકલ પ્લમ્બિંગ કામ ચાલી રહ્યું છે જે અમુક ત્રણ જંક્શન છે SSNL નું એક, NHAI નું એક અને રોડનું એક એના ઉપર કામગીરી ચાલુ છે. 2.8 કિલોમીટરની લાઇનની પણ વિઝીટ કરવાનું પ્લાનિંગ કર્યું છે. અમારી ઈચ્છા છે કે આવતા એક મહિનાની અંદર આ 125 MLDની લાઈન જોડાણ કરીને ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોન માટે પાણી પૂરું પાડી શકાય એ દિશામાં અત્યારે કામગીરી કરવાનું નક્કી કર્યું છે. ડ્રેનેજની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવા સૂચનામ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, શહેરમાં ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે જેના કારણે અનેક જગ્યાએ ખાડા ખોદતા છે તે અંગે તાકીદ કરી છે કે આ કામ માર્ચ-એપ્રિલ સુધી પૂરું કરી દેવાય, જેથી કરીને લોકોની તકલીફ ઓછી પડે, રોડ ડાયવર્સનનું કામગીરી વહેલા પૂરું થઈ જાય એનું પણ આજે રિવ્યુ કરવાનું છે. જાહેરમાં થૂંકશો તો દંડાશોપાલિકા દ્વારા સ્વચ્છતા બાબતે મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાહેરમાં ગંદકી કરનાર સામે દંડનીય કાર્યવાહી કરાઈ રહી છે. આગામી સમયમાં જાહેરમાં થૂંકનાર સામે પણ દંડનીય કામગીરી કરવામાં આવશે. હાલ સુધીમાં 28 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. દુકાનદારો અને ગલ્લા ધારકોને પણ આ અંગેની સૂચના આપવામાં આવી છે. સ્વચ્છતા સૈનિકોનું જાહેરમાં સન્માન કરાશેશહેર જે સ્વચ્છતા કર્મીઓ સારી કામગીરી કરશે તેઓનું સન્માન કરવામાં આવશે. અને સ્વચ્છતા બાબતે જે લોકો ઉત્કૃષ્ટ કામગીરી કરશે તેઓના ફોટો શહેરમાં વિવિધ જગ્યાએ લાગેલી LED સ્ક્રીન ઉપર પણ મૂકવામાં આવશે. આગમી સમયમાં દરેક સોસાયટીમાં જઈને લોકોને સમજાવવામાં આવશે. એક મહિનામાં 400થી વધુ સોસાયટીના રહીશોને સમજ આપવાની કામગીરી હાથ ધરાશે.
મોરબીમાં વૃદ્ધાના આપઘાત કેસમાં 8 આરોપી ઝડપાયા:સ્યુસાઇડ નોટ મળતા પોલીસે મહિલા સહિત 8ની ધરપકડ કરી
મોરબીના એક એપાર્ટમેન્ટમાં વૃદ્ધાએ આપઘાત કર્યા બાદ સ્યુસાઇડ નોટ મળી આવી હતી. આ નોટમાં એપાર્ટમેન્ટના અન્ય લોકો દ્વારા હેરાનગતિનો ઉલ્લેખ કરાયો હતો. પોલીસે આ મામલે એક મહિલા સહિત આઠ આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટના મોરબીના ડિવાઇન પાર્કમાં આવેલા સત્ય બી એપાર્ટમેન્ટમાં બની હતી. 75 વર્ષીય સવિતાબેન છગનભાઈ પાંચોટિયાએ ગત 5 માર્ચ, 2025ના રોજ એપાર્ટમેન્ટના ધાબા પર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. તેમના ઘરમાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. સ્યુસાઇડ નોટ અને મૃતકના પુત્ર નરેન્દ્રભાઈ છગનભાઈ પાંચોટિયા (44)ની ફરિયાદ મુજબ, સવિતાબેનને એપાર્ટમેન્ટમાં રહેતા મનોજભાઈ રમણીકભાઈ આદ્રોજા, વિશાલભાઈ અમરશીભાઈ ઘોડાસરા, નિલેશભાઈ પ્રભુભાઈ બારૈયા, ભાવિકભાઈ કાળુભાઈ વિરમગામ, કેવલ કાળુભાઈ વિરમગામ, રમણીકભાઈ ઉર્ફે ધામી આદ્રોજા, નાનજીભાઈ જીવાણી અને વિલાસબેન સહિત આઠ લોકો દ્વારા ધમકીઓ આપીને હેરાન કરવામાં આવતા હતા. ફરિયાદીએ જણાવ્યું કે, આરોપીઓએ 2024માં તેમના પરિવાર સાથે ઝઘડો કર્યો હતો અને સમાધાનના બહાને અગાસી પર બોલાવીને મારામારી પણ કરી હતી. ત્યારથી સવિતાબેનને વારંવાર ધાકધમકીઓ આપવામાં આવતી હતી, જેનાથી કંટાળીને તેમણે આત્મહત્યાનું પગલું ભર્યું. સ્યુસાઇડ નોટ અને ફરિયાદના આધારે મોરબી એ ડિવિઝન પોલીસે આઠેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે મહિલા સહિત તમામ આઠ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2025-2026ના બજેટમાં દિવ્યાંગો માટે ફાળવવામાં આવેલી જોગવાઈઓ સામે રાજ્યભરના દિવ્યાંગોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા જાહેર કરાયેલી યોજનાઓ અપૂરતી હોવાના આક્ષેપ સાથે આજે દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશના નેજા હેઠળ મોટી સંખ્યામાં દિવ્યાંગો ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયા હતા. આ તકે તેઓએ પોતાની પડતર માંગણીઓ અંગે સરકાર સામે બાયો ચઢાવી ન્યાયની માંગ કરી હતી. 80 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકોને જ મળતા પેન્શન સામે વિરોધદિવ્યાંગ અધિકાર મંચ દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં મુખ્યત્વે પેન્શન અને રોજગારીના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. રાજ્યમાં 80 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકોને જ મળતા પેન્શન સામે વિરોધ દર્શાવતા મંચે માંગ કરી છે કે, 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા તમામ વ્યક્તિઓને સંત સૂરદાસ યોજના હેઠળ પેન્શનનો લાભ મળવો જોઈએ. અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતમાં દિવ્યાંગોને મળતી સહાય ઓછી હોવાનું જણાવી તમામ કેટેગરીના દિવ્યાંગોને માસિક 5000 રૂપિયા સમાન પેન્શન આપવાની રજૂઆત કરવામાં આવી છે. સાયકલ યોજના રદ કરી રાજસ્થાન સરકારની જેમ આધુનિક સ્કૂટી આપવાની માંગરોજગારી અને શિક્ષણ ક્ષેત્રે પણ દિવ્યાંગોએ મહત્વના સુધારાની માંગ કરી છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં 40 ટકા પાસિંગ માર્કની પદ્ધતિ રદ કરવા અને સરકારી ભરતીઓમાં દિવ્યાંગોની ખાલી પડેલી જગ્યાઓ સત્વરે ભરવા માટે માંગ છે. આ ઉપરાંત ટેકનોલોજીના યુગમાં જૂની બેટરીવાળી સાયકલ યોજના રદ કરી રાજસ્થાન સરકારની જેમ આધુનિક સ્કૂટી આપવાની માંગ પણ જોરશોરથી ઉઠાવવામાં આવી છે. દિવ્યાંગ પરિવારોને ઘરવપરાશમાં રાહત મળે તે હેતુથી મફત વીજળી અને ગેસ કનેક્શન આપવાની દરખાસ્ત પણ સરકાર સમક્ષ મૂકવામાં આવી છે. આ માંગણીઓ નહીં સંતોષે તો આ આંદોલન વધુ તેજ બનાવવામાં આવશેસત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયેલા દિવ્યાંગોએ 2016ના દિવ્યાંગ અધિકાર કાયદાના ચુસ્ત અમલીકરણ માટે સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. સંગઠનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, જો સરકાર દિવ્યાંગ સમાજ પ્રત્યે સહાનુભૂતિપૂર્વક વિચારી આગામી દિવસોમાં આ માંગણીઓ નહીં સંતોષે તો આ આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે. બજેટમાં કરવામાં આવેલો અન્યાય દિવ્યાંગોના આત્મસન્માન સામેનો પડકાર હોવાનું જણાવી તેઓએ ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.
આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીની સૂચનાથી જિલ્લા પુરવઠા અધિકારીએ ગેસ પુરવઠો જાળવી રાખવા માટે મામલતદારો અને IOCL-HPCLના અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, ગેસ સિલિન્ડરનો બિનજરૂરી સંગ્રહ કે કાળાબજારી કરનાર સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ અને પી.બી.એમ. એક્ટ હેઠળ કડક ફોજદારી પગલાં ભરવામાં આવશે. ખાસ કરીને, અન્ય સૂચના ન મળે ત્યાં સુધી કોમર્શિયલ સિલિન્ડરના સપ્લાયમાં હોસ્પિટલો અને શાળાઓને પ્રથમ પ્રાથમિકતા આપવા આદેશ કરાયો છે. પુરવઠા અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, જે રહેણાંક વિસ્તારોમાં પી.એન.જી. (PNG) પાઈપલાઈન કનેક્શન કાર્યરત છે, તેવા ગ્રાહકોને હાલની સ્થિતિમાં એલ.પી.જી. બોટલ ન આપવા સૂચના અપાઈ છે. જિલ્લામાં ગેસનો જથ્થો સમયસર પહોંચતો કરવા માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓના બોટલિંગ પ્લાન્ટ અને સેલ્સ ઓફિસરો સાથે સતત સંપર્ક જાળવી રાખવા પણ તાકીદ કરવામાં આવી છે. તંત્રએ જાહેર જનતાને અપીલ કરી છે કે કોઈ પણ પ્રકારની અફવાઓથી પ્રેરાઈને ગેસનો બિનજરૂરી સંગ્રહ ન કરવો. જો કોઈ ગેસ એજન્સી નિયમ કરતા વધુ ભાવ વસૂલે અથવા કાળાબજારી કરે, તો તાત્કાલિક હેલ્પલાઇન નંબર અથવા કલેક્ટર કચેરીએ ફરિયાદ કરવા જણાવાયું છે. આ બેઠકમાં જિલ્લાના મામલતદારો સહિત આઈ.ઓ.સી. અને એચ.પી.સી.એલ.ના નોડલ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.
દિવ્ય ભાસ્કર એપ અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
મહેસાણા જિલ્લામાં મનરેગા યોજના હેઠળ ફરજ બજાવતા ટેકનિકલ કર્મચારીઓએ છેલ્લા પાંચ મહિનાથી પગાર ચૂકવવામાં ન આવતા તંત્ર સામે વિરોધ વ્યક્ત કર્યો છે. ટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકે જુદા-જુદા તાલુકાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી તાત્કાલિક પગાર ચૂકવવાની માંગ કરી છે. 10 તાલુકાઓમાં 17થી વધુ ટેકનિકલ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છેઆવેદનમાં જણાવ્યા મુજબ મહેસાણા જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત કુલ 10 તાલુકાઓમાં 17થી વધુ ટેકનિકલ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. જોકે છેલ્લા ઓક્ટોબર 2024થી ફેબ્રુઆરી 2025 સુધીના પાંચ મહિનાથી તેમને પગાર મળ્યો નથી. જેના કારણે કર્મચારીઓ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પગાર ન મળતા કર્મચારીઓના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હોવાનું કર્મચારીઓએ રજૂઆતમાં જણાવ્યું છે. કર્મચારીઓએ વધુમાં જણાવ્યું છે કે પાંચ મહિનાથી સતત પગાર બાકી હોવા છતાં તંત્ર તરફથી કોઈ યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. જેના કારણે માનસિક તેમજ આર્થિક પરેશાનીઓ વધી રહી છે. હાલત એવી બની છે કે, કેટલાક કર્મચારીઓને જીવન નિર્વાહ માટે અન્ય રોજગારના વિકલ્પો શોધવાની ફરજ પડી રહી છે. ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી ઓફિસનું કામકાજ બંધ કરવાની ફરજ પડશેઆ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કર્મચારીઓએ રાજ્ય સરકાર અને જિલ્લા તંત્રને બાકી રહેલા પાંચ મહિનાના પગારની રકમ તાત્કાલિક ચૂકવવાની માંગ કરી છે. આ સાથે જ ચેતવણી આપી છે કે, જો પગાર અંગે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો તેઓ NO_PAY_NO_WORK ના સૂત્ર સાથે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી ઓફિસનું કામકાજ બંધ કરવાની ફરજ પડશે.આ અંગે કર્મચારીઓએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી તંત્રને ઝડપથી નિર્ણય લેવા અપીલ કરી છે.
પંચમહાલ પેરોલ ફ્લો સ્ક્વોડે ગોધરામાંથી બે વર્ષથી ફરાર બનાવટી દસ્તાવેજના આરોપી સુલેહઉદ્દીન ઉર્ફે સુલેહ મોહંમદ અબ્દુલ મોખતી (સૈયદ)ને ઝડપી પાડ્યો છે. આ આરોપી ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હતો. પંચમહાલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ સક્રિય છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડો. હરેશભાઈ દુધાતની સૂચના બાદ, પેરોલ ફ્લો સ્ક્વોડના પી.એસ.આઈ. બી.એમ. રાઠોડ અને તેમની ટીમ આ દિશામાં કાર્યરત હતી. આ દરમિયાન, એ.એસ.આઈ. રૂપસિંહ કલાભાઈને હ્યુમન સોર્સ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે વોન્ટેડ આરોપી સુલેહઉદ્દીન ઉર્ફે સુલેહ મોહંમદ અબ્દુલ મોખતી (સૈયદ) સૈયદવાડા તળાવ પાસે હાજર છે. આરોપી સુલેહઉદ્દીન વિરુદ્ધ ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બનાવટી દસ્તાવેજો બનાવી છેતરપિંડી કરવાનો ગંભીર ગુનો નોંધાયેલો હતો. તે છેલ્લા બે વર્ષથી ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હતો. બાતમીના આધારે, પેરોલ ફ્લો સ્ક્વોડે ગોધરાના સૈયદવાડા તળાવ પાસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. હાલમાં, આરોપીનો કબજો આગળની કાયદેસરની કાર્યવાહી માટે ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે.
ગોધરાની ધી ઇકબાલ યુનિયન હાઇસ્કુલમાં ધોરણ 12 બોર્ડની પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થીનીની તબિયત લથડી હતી. સેક્રેટરીયલ પ્રેક્ટિસ (SP) વિષયનું પેપર આપી રહેલી વિદ્યાર્થીનીને અચાનક ચક્કર અને ગભરામણ થતા, 108 એમ્બ્યુલન્સ અને ઝોનલ ઓફિસરની સતર્કતાને કારણે તેનું વર્ષ બગડતું બચી ગયું. પરીક્ષાના પ્રથમ કલાક પૂર્ણ થવા આવ્યો ત્યારે આ ઘટના બની હતી. શાળાના કેન્દ્ર સંચાલક અને સુપરવાઇઝર દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીનીને તાબડતોબ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી. સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ વિદ્યાર્થીનીને પ્રાથમિક સારવાર આપી તેમની સ્થિતિ સ્થિર કરી. આ દરમિયાન ઝોનલ ઓફિસર પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. વિદ્યાર્થીનીનું ભવિષ્ય અને તેનું વર્ષ ન બગડે તે માટે, ડોક્ટરોની પરવાનગી અને વિદ્યાર્થીનીની ઈચ્છાશક્તિ જોતા, ઝોનલ ઓફિસરે તેમને પોતાની દેખરેખ હેઠળ ફરી પરીક્ષા કેન્દ્ર પર લાવ્યા. આનાથી વિદ્યાર્થીની પોતાનું 'સેક્રેટરીયલ પ્રેક્ટિસ'નું પેપર પૂર્ણ કરી શક્યા. આ ઘટનાએ દર્શાવ્યું કે વહીવટી તંત્ર માત્ર નિયમોનું પાલન જ નથી કરતું, પરંતુ જરૂર પડ્યે માનવતાવાદી અભિગમ અપનાવી વિદ્યાર્થીઓના હિતમાં પણ કાર્ય કરે છે.
સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલનો જેલવાસ લંબાયો છે. જમીન કૌભાંડ કેસમાં જામીન મુક્ત થવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કરવામાં આવેલી જામીન અરજી નકારી દેવામાં આવી છે. જમીન કૌભાંડ કેસમાં EDએ ધરપકડ કરી હતીસુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જેમના રિમાન્ડ બાદ તેઓ જેલમાં છે. કલેકટર સહિતના સરકારી અધિકારીઓ ઉપર આક્ષેપ છે કે તેઓ જમીન NA કરવાના કરોડો રૂપિયા લેતા હતા. કલેકટર રાજેન્દ્ર પટેલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. અગાઉ ED વતી રિમાન્ડ માંગતા રજૂઆત કરાઈ હતી કે જમીન NA કરવા માટે ભાવ ફિક્સ કરાતો હતો.સરકારી વેબસાઇટ ઉપર આવેલી એપ્લિકેશનની બાજુમાં એક કોલમ ઉમેરી ભાવ લખાતો હતો.આવી 800 અરજીઓ મળી આવી છે. 10 કરોડથી વધુની રકમ ભ્રષ્ટાચારથી એકઠી કરાઈ છે. આરોપીના બે ફોન સહિત હાર્ડ ડિસ્ક, મેક બુક વગેરે 10 ડિવાઈઝ કબ્જે લીધા છે.જમીન NA કરવાના ભાવની 50 ટકા રકમ કલેક્ટરને જતી અને વહીવટ કલેકટરનો PA કરતો હતો. જ્યારે બાકીની રકમ અન્ય અધિકારીઓ વચ્ચે વહેંચાતી હતી. ચેતન કણજારીયા નામના વ્યક્તિએ જમીન NA કરવા 65 લાખ જેટલી રકમ ચૂકવ્યાનું સ્વીકાર્યું છે.
જૂનાગઢની શાન અને ગિરનારના ગૌરવ સમાન એશિયાટિક લાયન્સ હવે ધીરે ધીરે માનવ વસ્તીની નજીક આવેલા કુદરતી સ્ત્રોતો તરફ વળી રહ્યા છે. ઉનાળાના પ્રારંભની સાથે જ ગિરનારના જંગલને અડીને આવેલા ઐતિહાસિક વિલિંગ્ટન ડેમના કાંઠે એક સિંહ યુગલ આરામ ફરમાવતું જોવા મળ્યું હતું. પ્રકૃતિના ખોળે ખીલેલા આ નયનરમ્ય નજારામાં સિંહ અને સિંહણની રોયલ અદાએ સ્થાનિકો અને વન્યજીવ પ્રેમીઓમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. દર વર્ષે જ્યારે ગરમીનો પારો વધવાની શરૂઆત થાય છે, ત્યારે વનરાજા જળ સ્ત્રોતોની શોધમાં અને ઠંડક મેળવવા માટે ડેમ સાઈડના વિસ્તારોમાં પડાવ નાખતા હોય છે. આ સિંહ યુગલ પણ બપોરના સમયે ડેમના કિનારે શાંતિથી આરામ કરી સાંજ પડતા જ ફરી જંગલની ગહનતામાં ઓગળી જતું જોવા મળે છે. ગિરનારના જંગલ વિસ્તારમાં સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, જે વન વિભાગ અને પર્યાવરણ પ્રેમીઓ માટે અત્યંત આનંદના સમાચાર છે. વર્ષ 2025 માં કરવામાં આવેલી સિંહ વસ્તી ગણતરીના આંકડા મુજબ, ગિરનારના જંગલ અને તેની આસપાસના વિસ્તારોમાં કુલ 54 જેટલા સિંહોનો કાયમી વસવાટ હોવાનું સામે આવ્યું છે. આ આંકડો દર્શાવે છે કે ગિરનારનું પર્યાવરણ અને વન વિભાગની જાળવણી સિંહો માટે અનુકૂળ સાબિત થઈ રહી છે. વિલિંગ્ટન ડેમ એ ગિરનારના જંગલની બિલકુલ સરહદ પર આવેલું હોવાથી, અહીં વન્યજીવોની અવરજવર સતત રહેતી હોય છે, પરંતુ સિંહ યુગલનું આ પ્રકારે જાહેરમાં ડેમના કાંઠે આરામ કરવું તે પ્રકૃતિ અને શાસન વચ્ચેના સમન્વયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. વન વિભાગ દ્વારા આ સિંહ યુગલની સુરક્ષા અને જાળવણી માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. જ્યારે આ સિંહ યુગલ ડેમની પાળ પરથી ઉતરીને જંગલ તરફ પ્રયાણ કરી રહ્યું હતું, ત્યારે વન વિભાગના સ્ટાફ દ્વારા તાત્કાલિક ધોરણે મોનિટરિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વનકર્મીઓએ સિંહોને કોઈપણ ખલેલ પહોંચાડ્યા વગર તેમને સલામત રીતે જંગલના સુરક્ષિત વિસ્તારમાં ખસેડવાની કામગીરી અત્યંત કુશળતાપૂર્વક પૂર્ણ કરી હતી. આ દરમિયાન લોકોમાં પણ ભારે કુતૂહલ જોવા મળ્યું હતું, જોકે વન વિભાગે લોકોને સિંહોની નજીક ન જવા અને વન્યજીવ સુરક્ષાના નિયમોનું પાલન કરવા ખાસ સૂચના આપી હતી. પ્રકૃતિના આ અણમોલ વારસાને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા, પરંતુ વન વિભાગના સતત પેટ્રોલિંગને કારણે કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી. જૂનાગઢની ભૌગોલિક સ્થિતિ એવી છે કે અહીં વન્યજીવો અને માનવીઓ વચ્ચેનો સેતુ વર્ષો જૂનો છે. ગિરનારના ડુંગરાઓ અને તેની આસપાસના જળાશયો સિંહો માટે સ્વર્ગ સમાન છે. ખાસ કરીને ઉનાળાના આકરા તડકામાં વનરાજા પાણીની નજીક રહેવાનું પસંદ કરે છે. વિલિંગ્ટન ડેમની આસપાસનું સૌંદર્ય અને ત્યાંની શાંતિ સિંહોને આકર્ષે છે, જે પ્રકૃતિ અને વન્યજીવ સૃષ્ટિના અતૂટ સંબંધને ઉજાગર કરે છે. 2025 ની વસ્તી ગણતરીમાં નોંધાયેલા 54 સિંહોના વસવાટને કારણે હવે આ વિસ્તારોમાં વન વિભાગે પોતાની સજ્જતા વધુ મજબૂત બનાવી છે, જેથી સિંહો અને માનવીઓ બંને સુરક્ષિત રહી શકે અને ગિરનારનું આ નૈસર્ગિક સૌંદર્ય હંમેશા જળવાઈ રહે.
હિંમતનગરમાં પોલીસ ભરતી પ્રક્રિયા પૂર્ણ:51 દિવસમાં 66,980 ઉમેદવારોએ દોડ લગાવી
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે PSI અને લોકરક્ષકની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. 21 જાન્યુઆરી, 2026ના રોજ શરૂ થયેલી આ પ્રક્રિયા 12 માર્ચ, 2026ના રોજ સમાપ્ત થઈ. 51 દિવસ ચાલેલી આ ભરતી પ્રક્રિયામાં કુલ 66,980 ઉમેદવારોએ દોડ લગાવી હતી. ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં મહિલાઓના હસ્તે કેક કાપવામાં આવી હતી. ભરતી દરમિયાન ફરજ બજાવનાર કર્મચારીઓની કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ક્લોઝિંગ સેરેમનીમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, હેડક્વાર્ટર DYSP પાયલ સોમેશ્વર, ભરતી પ્રક્રિયાના SP અને DYSP, PI, PSI અને પોલીસકર્મીઓ સહિત એજન્સીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ પ્રસંગોચિત સંબોધન કર્યું હતું, અને આભાર વિધિ RPI પ્રદીપ પટેલે કરી હતી. હેડક્વાર્ટર DYSP પાયલ સોમેશ્વરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ભરતી પ્રક્રિયા દરરોજ વહેલી સવારે 3.45 વાગ્યે રજિસ્ટ્રેશન સાથે શરૂ થતી હતી. ત્યારબાદ ઉમેદવારોને પ્રવેશ આપીને દોડ, ઊંચાઈ અને છાતી સહિતની શારીરિક તપાસ કરવામાં આવતી હતી. હિંમતનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર 51 દિવસની આ પ્રક્રિયામાં 66,980 ઉમેદવારોએ PSI અને લોકરક્ષકની ભરતી માટે ભાગ લીધો હતો.
પેટલાદ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા ₹13 કરોડથી વધુના વિવિધ વિકાસકામોનું નાણા રાજ્ય મંત્રી કમલેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ એન.કે. હાઈસ્કૂલ પાસે આવેલા સરદાર ચોકમાં યોજાયો હતો. મંત્રી કમલેશ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોથી લઈને શહેરો સુધી સમાન વિકાસ માટે કટિબદ્ધ છે. તેમણે નગરપાલિકા દ્વારા શહેરીજનોની જરૂરિયાત મુજબના કામો કરવા બદલ સરાહનીય કામગીરી ગણાવી હતી. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ નવી સુવિધાઓને સાચવવી એ હવે નગરના નાગરિકોની નૈતિક જવાબદારી છે. લોકાર્પણ કરાયેલા પ્રકલ્પોમાં એન.કે. હાઈસ્કૂલ સ્ટેન્ડ, શેઠ નારણભાઈ પરીખની પ્રતિમાનું અનાવરણ, બ્યુટીફીકેશન સ્પોટ, આધુનિક ગાર્ડન, નવી આંગણવાડી, સ્ટ્રીટ લાઈટ અને પાણીની ટાંકીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વિવિધ વિસ્તારોમાં સીસી રોડ, પેવર બ્લોક, વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેન, વડીલો માટે બેઠક વ્યવસ્થા અને અંતિમ વિસામો જેવા કામો પણ જનતા માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા અગ્રણી સંજય પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જય પટેલ, નગરપાલિકા પ્રમુખ જીગ્નેશ જોષી, શેઠ વ્રજેશભાઈ પરીખ, ઉપપ્રમુખ મનિષાબેન ચૌહાણ, ચીફ ઓફિસર કુણાલ પટેલ સહિતના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
વલસાડ નગરપાલિકા દ્વારા વર્ષ 2026-27 માટે રૂ. 165.77 કરોડની આવક સામે રૂ. 165.04 કરોડના ખર્ચનું પુરાંતલક્ષી બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આ બજેટમાં રૂ. 36.73 કરોડથી વધુની સિલક રહેવાનો અંદાજ છે, જે શહેરના વિકાસ કાર્યોને વેગ આપશે. આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે કુલ રૂ. 1,65,77,16,092 ની આવકનો અંદાજ છે. તેની સામે વિકાસલક્ષી અને વહીવટી ખર્ચ પેટે રૂ. 1,65,04,62,270 ફાળવવામાં આવ્યા છે. આ બજેટમાં તમામ ખર્ચ બાદ કરતાં વર્ષના અંતે પાલિકાની તિજોરીમાં રૂ. 36,73,44,938 ની સિલક રહેવાનો આશાવાદ વ્યક્ત કરાયો છે. વર્ષ 2025-26 ના સુધારેલા અંદાજ મુજબ, પાલિકાની મહેસુલી આવક, ડિપોઝીટ અને એડવાન્સ મળી કુલ રૂ. 116.42 કરોડ નોંધાઈ છે. તેની સામે રૂ. 100.74 કરોડનો ખર્ચ મંજૂર કરાયો છે. પાલિકાના ડેટા શીટ મુજબ, આવકના મુખ્ય સ્ત્રોતમાં મહેસુલી આવક (પાર્ટ 1-એ) સૌથી મોટો હિસ્સો ધરાવે છે, જે અંદાજે રૂ. 52.64 કરોડ રહેવાની શક્યતા છે. આ ઉપરાંત ગ્રાન્ટ અને અન્ય ફંડ દ્વારા પણ આવકનું લક્ષ્ય રખાયું છે. ખર્ચની વાત કરીએ તો, મહેસુલી ખર્ચ અને અન્ય વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ પાછળ મોટો હિસ્સો વાપરવાનું આયોજન છે. વલસાડ નગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શહેરના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. પુરાંતવાળું બજેટ હોવાથી નગરજનોને સુવિધા આપવામાં આર્થિક સંકડામણ નડશે નહીં. આ બજેટને વલસાડ નગરપાલિકાના પ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન અને ચીફ ઓફિસર દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવી છે. આગામી દિવસોમાં આ બજેટ દ્વારા શહેરમાં રસ્તા, પાણી અને સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓ વધુ સુદ્રઢ બનશે તેવી આશા સેવાઈ રહી છે.
સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી અને લૂંટફાટની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વધતી જતી મોંઘવારી અને ગેસના ભાવવધારા વચ્ચે હવે તસ્કરોની નજર લોકોના રસોડા સુધી પહોંચી છે. પુણાગામ વિસ્તારમાં એક શાકભાજી વિક્રેતાના બંધ ઘરને નિશાન બનાવી ચોરોએ લાખોની મત્તા સાથે ગેસનો બાટલો પણ ચોરી લીધો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શું છે સમગ્ર ઘટના?મળતી માહિતી પ્રમાણે, મૂળ સુરેન્દ્રનગરના વતની અને હાલ સુરતના પુણાગામ સ્થિત આશાનગર ઝુપડપટ્ટીમાં રહેતા જીવણભાઈ બચુભાઈ વાઘેલા શાકભાજી વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત રોજ જ્યારે તેઓ પોતાના રોજગાર માટે બહાર ગયા હતા અને ઘર બંધ હતું ત્યારે અજાણ્યા તસ્કરોએ તકનો લાભ ઉઠાવ્યો હતો. ચોરોએ ઘરના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરી ફંફોસીને તેમાં રાખેલા કિંમતી સામાન પર હાથ સાફ કર્યો હતો. 1.65 લાખના દાગીનાની ચોરી થઈતસ્કરો ઘરમાંથી સોના ચાંદીના દાગીના, રોકડા અને ગેસ સિલિન્ડર ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જેમાં સોના-ચાંદીના દાગીના અંદાજે 1.64 લાખની કિંમતના, 30,000 રોકડા, એચપી (HP) કંપનીનો ભરેલો ગેસનો બાટલો (કિંમત અંદાજે 1,000) મળી અંદાજે કુલ 1.95 લાખનો સમાવેશ થાય છે. વધતા ભાવ વચ્ચે 'ગેસ સિલિન્ડર' પણ સુરક્ષિત નથીઆ ઘટનામાં સૌથી વધુ ચર્ચાસ્પદ બાબત એ છે કે તસ્કરો સોના-ચાંદી અને રોકડની સાથે ભરેલો ગેસનો સિલિન્ડર પણ ઉઠાવી ગયા છે. શહેરમાં ગેસના વધતા ભાવ અને સામાન્ય માણસની આર્થિક ખેંચતાણનો ફાયદો ઉઠાવવા હવે તસ્કરો આવી ઘરવખરીની વસ્તુઓ ચોરતા પણ અચકાતા નથી. તસ્કરોનું પગેરું દબાવવા તજવીજ શરૂજીવણભાઈએ આ મામલે પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 1.95 લાખની ચોરીનો ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ઘટના એ વાતનો સંકેત છે કે, હવે રહેણાંક વિસ્તારોમાં સુરક્ષા અને પોલીસ પેટ્રોલિંગ વધારવું અનિવાર્ય બન્યું છે. પોલીસે હાલ આસપાસના CCTV અને બાતમીદારોના આધારે તસ્કરોનું પગેરું દબાવવા તજવીજ શરૂ કરી છે.
સાબરકાંઠા LCBએ હિંમતનગરની AR કન્સલ્ટન્સી પોન્ઝી સ્કીમના મુખ્ય આરોપી અજયસિંહ રજુસિંહ મકવાણાને તલોદના પોયડા ગામેથી ઝડપી પાડ્યો છે. આ આરોપી હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને CID ક્રાઈમ ગાંધીનગર ઝોન એના GPID એક્ટ તથા પ્રોહિબિશન એક્ટ સહિત ત્રણ ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી વોન્ટેડ હતો. તેને હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. સાબરકાંઠા LCBના PI ડી.સી. સાકરિયાએ આપેલી માહિતી મુજબ, PSI આર.જે. જાડેજા, ટેકનિકલ ASI હરેશ પ્રજાપતિ અને પોલીસ સ્ટાફની ટીમે વોન્ટેડ આરોપીઓની તપાસ હાથ ધરી હતી. તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, હિંમતનગરમાં રહેતો અજયસિંહ મકવાણા તલોદના પોયડા ગામે તેના જીજાજીના ઘરે આવ્યો છે. આ બાતમીના આધારે LCB ટીમે સ્થળ પર પહોંચીને અજયસિંહ મકવાણાને ઝડપી લીધો હતો. LCB કચેરીમાં પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, આરોપી અજયસિંહ હિંમતનગરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોન્ઝી સ્કીમ ફ્રોડનો મુખ્ય આરોપી છે. આ ઉપરાંત, તે હિંમતનગર એ ડિવિઝનના પ્રોહિબિશન ગુના અને CID ક્રાઈમ ગાંધીનગર ઝોન એના GPID એક્ટના ગુનામાં પણ છેલ્લા પાંચ મહિનાથી નાસતો ફરતો હતો. હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PI પી.એમ. ચૌધરીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હિંમતનગરમાં સહકારી જીન રોડ પર આવેલા પ્રથમ સ્ક્વેરમાં AR કન્સલ્ટન્સી નામની પોન્ઝી સ્કીમ દ્વારા ત્રણ કરોડ રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાત આચરવામાં આવ્યો હતો. આ અંગે ઓક્ટોબર 2025 માં ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં અગાઉ બેરજુસિંહ લાલસિંહ મકવાણા અને હરેશકુમાર જગદીશચંદ્ર સાધુની ધરપકડ કરવામાં આવી હતી. હવે મુખ્ય આરોપી અજયસિંહ રજુસિંહ મકવાણાની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સાયબર ફ્રોડનો આરોપી પાટણથી ઝડપાયો:LCB એ હિંમતનગર B-ડિવિઝન કેસમાં ફરાર જયરામ ઠક્કરને પકડ્યો
સાબરકાંઠા LCB એ હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાયબર ફ્રોડના ગુનામાં ત્રણ મહિનાથી ફરાર આરોપીને પાટણથી ઝડપી પાડ્યો છે. આરોપીને બી-ડિવિઝન પોલીસને સોંપવામાં આવતા, SOG એ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સાબરકાંઠા LCB PI ડી.સી. સાકરિયાએ આપેલી માહિતી મુજબ, LCB ટીમના જશુભાઈ અને જયદેવસિંહને બાતમી મળી હતી. આ બાતમીના આધારે, હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડના ગુનામાં ત્રણ મહિનાથી નાસતા ફરતા આરોપી જયરામભાઈ ઉર્ફે ભુવાજી દિનેશભાઈ ઠક્કર (ઉંમર ૩૮) પાટણ ખાતે તેના ઘરે હાજર હોવાની ચોક્કસ માહિતી મળી હતી. આ માહિતી મળતા જ LCB ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જયરામભાઈ ઉર્ફે ભુવાજી દિનેશભાઈ ઠક્કરને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેને આગળની કાર્યવાહી માટે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. આ કેસમાં હવે SOG દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
બનાસકાંઠાના 126 તળાવો 'કુદરતી' જાહેર:વડગામ-પાલનપુરમાં નર્મદાના નીર આવશે, જળસંકટનો કાયમી ઉકેલ
બનાસકાંઠાના વડગામ અને પાલનપુર તાલુકાના કુલ 126 તળાવોને સરકારી રેકર્ડમાં 'કુદરતી તળાવ' તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ ઐતિહાસિક નિર્ણયથી હવે આ તળાવોમાં નર્મદાના નીર પહોંચાડી શકાશે, જેનાથી આ વિસ્તારના ખેડૂતો માટે પાણીના કાયમી સંકટનો ઉકેલ આવશે. વડગામ અને પાલનપુર તાલુકામાં વર્ષોથી પાણીની અછત અને ભૂગર્ભજળના ઊંડા ગયેલા તળ એક ગંભીર ચિંતાનો વિષય રહ્યા છે. ખેડૂતોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને, ગુજરાત સરકારે નર્મદા ઉદ્વહન સિંચાઈ યોજના હેઠળ રૂ. 854 કરોડના ખર્ચે ચાર મહત્વાકાંક્ષી પાઈપલાઈન પ્રોજેક્ટ હાથ ધર્યા છે. આ પ્રોજેક્ટ્સમાં મોટી દાઉ-કરમાવત, ડિંડરોલ-મુક્તેશ્વર, કસરા-દાંતીવાડા અને બાલારામ-મલાણા પાઈપલાઈનનો સમાવેશ થાય છે, જે હવે પૂર્ણતાના આરે છે. આ પ્રોજેક્ટના અમલીકરણમાં મુખ્ય અવરોધ એ હતો કે, મહેસૂલી રેકર્ડમાં 'કુદરતી તળાવ' તરીકે નોંધાયેલા જળાશયોમાં જ પાણી ભરી શકાતું હતું. આ સમસ્યાના નિવારણ માટે પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર, વડગામ તાલુકા સરપંચ મંડળના કામરાજ ચૌધરી અને બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલની સક્રિય રજૂઆતો બાદ રાજ્ય સરકારે 24 ડિસેમ્બર 2025ના રોજ એક પરિપત્ર બહાર પાડ્યો. આ પરિપત્ર દ્વારા પ્રાંત અધિકારીઓને તળાવોને 'કુદરતી તળાવ' તરીકે નોંધવાની સત્તા સોંપવામાં આવી. પાલનપુર પ્રાંત અધિકારી કે.પી. ચૌધરીએ જણાવ્યું કે, ભૂગર્ભજળ ઊંડા ઉતરવાને કારણે સર્જાયેલી સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા ચાર મુખ્ય પ્રોજેક્ટ્સને પ્રાધાન્ય અપાયું છે. આ પ્રોજેક્ટ્સની સફળતા માટે મહેસૂલ વિભાગના સહયોગથી તમામ તળાવોને 'નીમ' થયેલા તરીકે નોંધવાની પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે. આ અઠવાડિયે જ સરપંચ એસોસિએશનના સહકાર અને વહીવટી તંત્રની મહેનતથી તળાવોની માપણીની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવી છે. વડગામના 73 અને પાલનપુરના 53 તળાવો હવે સરકારી રેકર્ડમાં કુદરતી તળાવ તરીકે નોંધાયા છે. આનાથી નર્મદાના નીરને છેવાડાના ગામો સુધી પહોંચાડવામાં આવતી તમામ વહીવટી અડચણો દૂર થઈ ગઈ છે અને આ વિસ્તારના પાણીના પ્રશ્નનું કાયમી નિરાકરણ આવશે.
મોરબીમાં ગેસના અભાવે 200 સિરામિક કારખાના બંધ:ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસરથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઠપ્પ
મોરબીમાં છેલ્લા એક સપ્તાહથી પ્રોપેન ગેસની અછતને કારણે આશરે 200 સિરામિક કારખાના બંધ થઈ ગયા છે. આના પરિણામે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર ગંભીર અસર પડી છે, અને દિવસ-રાત ધમધમતા મોરબીના માર્ગો સૂમસામ બન્યા છે. મોરબી અને આસપાસના વિસ્તારોમાં લગભગ 800 સિરામિક કારખાના કાર્યરત છે. આ કારખાનાઓ માટે કાચો માલ લાવવા અને તૈયાર માલનું પરિવહન કરવા માટે હજારો ટ્રકોની અવરજવર રહેતી હતી. જોકે, ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધને કારણે પ્રોપેન ગેસની સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. ગેસની અછતને કારણે પ્રોપેન આધારિત 200 જેટલા સિરામિક કારખાનાઓ બંધ થતાં માલનું પરિવહન પણ અટકી ગયું છે. આ સ્થિતિની સીધી અસર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર પડી છે, જેના કારણે ટ્રકોના પૈડા થંભી ગયા છે. મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ પ્રભાતભાઈ ડાંગરે જણાવ્યું હતું કે, મોરબીમાં દરરોજ 8 થી 9 હજાર ટ્રકોની અવરજવર થતી હતી, જે સિરામિક ઉદ્યોગ માટે કાચો માલ પહોંચાડવા અને તૈયાર માલ લઈ જવા માટે ઉપયોગી હતી. કારખાનાઓ બંધ થતાં વાહનોની અવરજવર ઘટી ગઈ છે, જેનાથી ડ્રાઈવર અને ક્લીનરની રોજગારી પર પણ પ્રશ્નાર્થ ઊભો થયો છે. રાજસ્થાનના ટ્રાન્સપોર્ટરો શુભકર્મ બિશ્નોઈ અને શુભેન્દર કુશવાલે જણાવ્યું કે, યુદ્ધને કારણે ગેસ મળતો બંધ થતાં કારખાનાઓ બંધ થયા છે અને ટ્રકોના પૈડાં થંભી ગયા છે. માર્ચ એન્ડિંગ હોવાથી ટ્રાન્સપોર્ટરોને બેંક લોનના હપ્તા, વાહનોનો વીમો અને ડ્રાઈવર-ક્લીનરના પગાર જેવા ખર્ચાઓ ભરવામાં મુશ્કેલી પડશે.જો આ પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને મોટો આર્થિક ફટકો પડશે અને ગંભીર આર્થિક સંકટનો સામનો કરવો પડશે. તેમણે ઉમેર્યું, મોરબીનો સિરામિક ઉદ્યોગ બંધ થઈ જશે તેવી કોઈએ કલ્પના પણ કરી ન હતી એટલા જ માટે રાજસ્થાન અને દેશના જુદાજુદા રાજ્યોમાંથી ઘણા ટ્રાન્સપૉર્ટર દ્વારા તેઓના ટ્રકમાં રો મટિરિયલ્સ ભરીને મોરબી તેના વાહનને મોકલાવવામાં આવ્યા હતા જો કે, મોરબીમાં ટ્રકો આવી ત્યાં અહી સિરામિક કારખાના બંધ થઈ ગયા છે જેથી બીજા રાજ્યોમાંથી આવેલા ઘણા ડ્રાઈવરો છેલ્લા એક સપ્તાહથી મોરબીમાં ફસાઈ ગયા છે અને હવે કયારે કારખાના ચાલુ થશે અને કયારે તેઓના ટ્રક દોડતા થશે તે અંગેની તેઓને પણ કાશી જ ખબર નથી.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે. વેરાવળ નજીકના આજેઠા ગામના એક યુવક વિરુદ્ધ પીડિત યુવતીની ફરિયાદના આધારે વેરાવળ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદ મુજબ, આરોપી યુવક અને પીડિત યુવતી વચ્ચે સ્નેપચેટ મારફતે ઓળખાણ થઈ હતી. આ ઓળખાણ મિત્રતામાં પરિણમી હતી, જેનો લાભ લઈ આરોપીએ યુવતીને વિશ્વાસમાં લીધી હતી. યુવતીએ આક્ષેપ કર્યો છે કે આરોપી તેને વેરાવળ શહેરની એક ખાનગી હોટેલમાં લઈ ગયો હતો, જ્યાં તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા. આ ઘટના બાદ પણ આરોપી યુવક દ્વારા યુવતી પર દબાણ અને ત્રાસ આપવાનું ચાલુ રહ્યું હતું. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપી યુવતીને સાસણ ગીર વિસ્તારમાં આવેલા ‘સ્પ્રિંગ ફિલ્ડ’ નામના ફાર્મ હાઉસમાં લઈ ગયો હતો અને ત્યાં તેને માર માર્યો હતો. આરોપીએ યુવતી તથા તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનો આક્ષેપ છે. આ સમગ્ર મામલે પીડિત યુવતીએ વેરાવળ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે તેની વિગતવાર ફરિયાદ નોંધી, જેના આધારે આરોપી યુવક વિરુદ્ધ દુષ્કર્મ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, વેરાવળ પોલીસે ફરાર આરોપીની ધરપકડ કરવા માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. આરોપીને ઝડપી પાડવા માટે પોલીસની અલગ અલગ ટીમો દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં સોશિયલ મીડિયા મારફતે થતાં સંબંધો અને યુવતીઓની સુરક્ષા અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. વેરાવળ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સુરતના પ્રવેશ દ્વાર સમાન વરાછા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વહીવટી તંત્ર અને પાથરણાવાળાઓ વચ્ચે ભારે ઘર્ષણની સ્થિતિ જોવા મળી રહી છે. ધારાસભ્ય કુમાર કાનાણીની આકરી રજૂઆત બાદ સુરત મહાનગરપાલિકાએ વરાછા બ્રિજ નીચેથી દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂ કરી હતી. તંત્ર દ્વારા પાથરણાવાળાનો તમામ સામાન ભરી લેતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે તમામ પાથરણાવાળા અને નાના વેપારીઓએ મળીને રેલી કાઢી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. મ્યુ. કમિશનર સામે પાથરણાવાળાએ વ્યથા ઠાલવીભારતીય પથવિક્રેતા મહાસંઘના નેજા હેઠળ આજે મોટી સંખ્યામાં પાથરણાવાળાઓ અને નાના વેપારીઓ એકઠા થયા હતા. બરોડા પ્રિસ્ટેજ વિસ્તારથી તમામે રેલી કાઢી હતી અને ‘અમે અમારો હક માંગીએ છીએ, ભીખ નહિ’, ‘સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ લાગુ કરો’ના નારા લગાવ્યા હતાં. આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. આ રેલી મનપાની મુખ્ય કચેરીએ પહોંચી હતી અને મ્યુનિસિપલ કમિશનરને મળીને પોતાની વ્યથા ઠાલવી હતી. મોટા માથાઓ સામે કાર્યવાહી ન થતાનો આક્ષેપમ્યુનિસિપલ કમિશનર સમક્ષ પાથરણાવાળાએ માગ કરી હતી કે, જો તેમને બ્રિજ નીચેથી હટાવવામાં આવે તો તેમને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે અથવા ચોક્કસ સમયે ધંધો કરવાની છૂટ આપવામાં આવે. આ સાથે શ્રમિકોએ આક્ષેપ કર્યો હતો કે, મોટા માથાઓ સામે કાર્યવાહી કરવાને બદલે તંત્ર માત્ર ગરીબ પાથરણાવાળાઓને નિશાન બનાવી રહ્યું છે. અમે છેલ્લા 20થી 25 વર્ષથી આ જ જગ્યાએ બેસીને ધંધો કરી રહ્યા છે. SMCના અધિકારીઓ દ્વારા અચાનક કરવામાં આવતી કાર્યવાહીથી તેમની રોજીરોટી છીનવાઈ ગઈ છે. અધિકારીઓ દ્વારા કરવામાં આવતી હેરાનગતિ અને માલ-સામાનની જપ્તીને કારણે તેમના પરિવારો ભૂખે મરવાની નોબત આવી છે. સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ હેથળ પાલિકાએ 10 વર્ષમાં કઈ નથી કર્યુઃ જય વ્યાસભારતીય પથવિક્રેતા મહાસંઘના જય વ્યાસે જણાવ્યું હતું કે, અમારું સંગઠન આખા દેશમાં લારી-ગલ્લા અને પથારાવાળાના અધિકાર માટે લડી રહ્યું છે. 2014માં સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ (પથવિક્રેતા કાનૂન) કાયદો આવ્યો હતો. આ કાયદામાં પથારાવાળા અને લારી-ગલ્લાવાળાઓની વ્યવસ્થા કેવી રીતે કરવી તેના વિશે લખાયેલું છે અને આ પ્રમાણે 11 વર્ષમાં સુરત મહાનગરપાલિકાએ આજ સુધી કશું કર્યું નથી. આમાંથી 90%માંથી 10% પણ કામ કર્યું નથી. ‘સંવિધાનની નીચે બનેલા કાનૂનને કમિશનર તમે માનો છો કે નહિ?’ આ મામલે સર્વે પણ થઈ ચૂક્યો છે અને આમાંથી મોટાભાગના લોકોનું નામ પણ છે. આ લોકોની પાસે ઓળખપત્ર પણ છે, જેને નજરઅંદાજ કરીને, જોયા વગર SMC ગુંડાની જેમ પોલીસને લઈ બધા પર રોજ હુમલો કર્યા કરે છે. પોટલાં બાંધે રોજ અને રોજ પૈસા ખાય છે. આ બધી દમનગીરીથી અમે બચવા માટે અમારા કાનૂનનો અમલ માંગી રહ્યા છીએ. આજે વરાછાથી મ્યુનિસિપલ કમિશનર પાસે જઈ રહ્યા છીએ કે, ભાઈ તમે આ કાનૂનનો અમલ કરો. 'અમારા ગરીબની હાય લાગશે', શાકભાજીની લારી ચલાવતી મહિલાઓની આજીજી કુમાર કાનાણીએ શું રજૂઆત કરી હતી?મહાનગરપાલિકામાં મળેલી સંકલન સભામાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ અધિકારીઓનો ઉધડો લીધો હતો. તેમણે વરાછા બ્રિજ નીચે અને વલ્લભાચાર્ય રોડ પર વધતા જતા દબાણો તેમજ ત્યાં ફૂલીફાલી રહેલી અસામાજિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉગ્ર સવાલો કર્યા હતા. કાનાણીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, બ્રિજ નીચે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા લોકોને કારણે સામાન્ય જનતા અને ટ્રાફિક વ્યવસ્થાને ભારે નુકસાન થઈ રહ્યું છે. તેમણે તંત્રને તાત્કાલિક દબાણો દૂર કરવા જણાવ્યું હતું. ધારાસભ્યની આ રજૂઆત બાદ પાલિકાની દબાણ હટાવવાની ટીમ પોલીસ કાફલા સાથે મેદાનમાં ઉતરી હતી. છેલ્લા બે દિવસમાં વરાછા રોડ, બરોડા પ્રિસ્ટેજ, અને સાર્થણા સુધીના વિસ્તારમાં ફ્લાયઓવર નીચે રહેતા 250 થી વધુ લોકોને હટાવવામાં આવ્યા છે. મનપા દ્વારા અનેક ટ્રક ભરીને પાથરણાવાળાઓનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. આ કામગીરીને કારણે વરાછા મેઈન રોડ પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
તાપી જિલ્લાના નિઝર-ઉચ્છલ રોડ પર સોલાર પ્લાન્ટ સામે બે મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ચાર વ્યક્તિઓના મોત થયા હતા, જેમાં ધોરણ-12ની પરીક્ષા આપીને પરત ફરી રહેલા ત્રણ મિત્રોનો સમાવેશ થાય છે. ટક્કર એટલી જોરદાર હતી કે એક બાઇકમાં આગ લાગી હતી અને મૃતદેહો ક્ષતવિક્ષત થઈ ગયા હતા મૃતકોમાં કુકરમુંડા તાલુકાના ગંગથા ગામના અનિકેત રેહમતસિંગ વસાવે (20), અભિજીત મંગલસિંગ વસાવે (18) અને બોરીકુવા ગામના તેમના મિત્ર પિયુષ રાજુભાઈ વળવીનો સમાવેશ થાય છે. આ ત્રણેય મિત્રો ધોરણ-12ની પરીક્ષા આપીને સ્પ્લેન્ડર બાઇક (MH-39-E-8660) પર નિઝરથી વેલદા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન નિઝરથી એક કિલોમીટર દૂર સોલાર પ્લાન્ટ સામે વેલદા તરફથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી પલ્સર બાઇક (MH-39-AP-6513) ના ચાલક નારસિંગ સોન્યા વળવી (રહે. મહારાષ્ટ્ર) એ સ્પ્લેન્ડર બાઇકને અડફેટમાં લીધી હતી. આ અકસ્માતમાં સ્પ્લેન્ડર ચાલક અનિકેત અને પાછળ બેઠેલા અભિજીતને માથાના તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માત સર્જનાર પલ્સર ચાલક નારસિંગ વળવીને પણ માથામાં ગંભીર ઇજા થતાં તેનું પણ ઘટનાસ્થળે જ મોત થયું હતું. બાઇક પર સવાર અન્ય મિત્ર પિયુષ વળવીને ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર માટે ખસેડાયો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું પણ મોત થયું હતું. મૃતકોના પોસ્ટમોર્ટમ બાદ તેમના મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા, જે બાદ તેમની અંતિમક્રિયા કરવામાં આવી હતી. નિઝર પોલીસે આ મામલે મૃતક પલ્સર ચાલક નારસિંગ વળવી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૨૮૧, ૧૦૬(૧), ૧૨૫(A)(B) તથા એમ.વી. એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બિનશૈક્ષણિક સ્ટાફની 59 જગ્યાઓ પરની ભરતીમાં વિવાદ સામે આવ્યો છે. નોન ટીચિંગ સ્ટાફની ભરતી માટે 16 મી માર્ચે લેખિત પરીક્ષા યોજાનારી છે ત્યારે તેમાં અનામત કેટેગરીના ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો હોય NSUI ના નેશનલ કો ઓર્ડીનેટર દ્વારા ભરતી પ્રક્રિયા સ્થગિત કરવા માટે યુનિવર્સિટીના રજીસ્ટ્રારને પત્ર લખ્યો છે. જો અનામતની અમલવારી વિના ભરતી પ્રક્રિયા આગળ વધશે તો કાનૂની રાહે લડત ચલાવવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. આ સાથે જ 16 માર્ચના યોજાનારી આ પરીક્ષાને લઈ યુનિવર્સિટી દ્વારા હોલ ટિકિટ જનરેટ કરી દેવામાં આવી છે. જોકે તેમાં 142 ઉમેદવારોએ ફી ભર્યા બાદ ફાઇનલ સબમિશન ન કરતા તેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. આ ઉપરાંત MCQ પધ્ધતિથી ખાનગી એજન્સી મારફત લેવાનારી આ પરીક્ષામાં OMR આન્સર સીટમાં બારકોડ લગાવવાનો ન હોવાથી ગેરરીતિની શંકા વ્યક્ત થઈ રહી છે. NSUI ના નેશનલ કો ઓર્ડીનેટર ભાવિક સોલંકીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટ્રારને કરેલી રજૂઆતમાં જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા. 19/12/2025 ના રોજ જાહેર કરાયેલી નોન ટીચિંગ સ્ટાફની ભરતીની જાહેરાતનું વિગતવાર અભ્યાસ કરતાં એવું સ્પષ્ટ જણાય છે કે ભારતના બંધારણ હેઠળ લાગુ પડતી અનામત નીતિ તથા ગુજરાત સરકારના લાગુ નિયમોનું યોગ્ય પાલન કરવામાં આવ્યું નથી. ખાસ કરીને કેડર (Cadre) ની યોગ્ય નિર્ધારણા તથા રોસ્ટર આધારિત અનામતના અમલીકરણ બાબતે ગંભીર ભૂલો જોવા મળે છે.મારી માગણી છે કે નીચે દર્શાવેલ મુદ્દાઓને ધ્યાનમાં લઈ ભરતી પ્રક્રિયાની તાત્કાલિક સમીક્ષા કરી અને જરૂરી હોય તો પ્રક્રિયા સ્થગિત કરવામાં આવે. 1. અનામત અંગેનો બંધારણીય અને કાનૂની જોગવાઈઓ સરકારી તથા સરકારી અનુદાનિત સંસ્થાઓમાં ભરતી પ્રક્રિયા માટે અનામત નીતિ નીચેના કાયદાકીય પ્રાવધાનો હેઠળ અમલમાં આવે છે.ભારતના બંધારણનો કલમ 14 – સમાનતાનો અધિકાર, ભારતના બંધારણનો કલમ 16(1)– સરકારી રોજગારમાં સમાન અવસર, ભારતના બંધારણનો કલમ 16(4) – સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને અનામત આપવા માટેની જોગવાઈ, ગુજરાત સરકારની અનામત નીતિ તથા Cadre Based Roster System. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે R.K. Sabharwal v. State of Punjab (1995) 2 SCC 745 ના સ્પષ્ટ જણાવ્યું છે કે, અનામતનો અમલ કેડરની કુલ શક્તિ (Cadre Strength) ના આધારે થવો જોઈએ અને માત્ર ખાલી જગ્યાઓના આધારે નહીં. આ ઉપરાંત Union of India v. Virpal Singh Chauhan (1995) 6 SCC 684 માં પણ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, અનામતનો અમલ યોગ્ય રીતે નિર્ધારિત કેડર અને રોસ્ટર પોઈન્ટ્સના આધારે જ થવો જોઈએ. આથી જ્યાં એક જ કેડરની એકથી વધુ જગ્યાઓ હોય ત્યાં કુલ કેડર શક્તિ ગણવી અને ત્યારબાદ અનામત રોસ્ટર લાગુ કરવો કાયદેસર ફરજિયાત છે. 2. સમાન કેડરની જગ્યાઓને અલગ બતાવી અનામત ટાળવાનો પ્રયાસ જાહેરાત જોતા જણાય છે કે, કેટલીક જગ્યાઓ સમાન હોદ્દો, સમાન પગારધોરણ. સમાન વર્ગીકરણ અને સમાન પ્રકારની ફરજો ધરાવતી હોવા છતાં વિભાગ પ્રમાણે અલગ બતાવવામાં આવી છે. જેના કારણે અનામત રોસ્ટરનો યોગ્ય અમલ થતો નથી.આ પ્રથા R.K. Sabharwal કેસના સિદ્ધાંતોના વિરુદ્ધ છે. નીચે દર્શાવેલ જગ્યાઓ વાસ્તવમાં એક જ કેડરની જગ્યાઓ ગણાય તેવી છે. જેમાં લેબોરેટરી આસિસ્ટન્ટની 8, સ્ટોર કીપરની 3, લેબોરેટરી ટેકનીશ્યનની 3, ટેકનિકલ આસિસ્ટન્ટ કેડરની 2 માં કેડર આધારિત અનામતની સમીક્ષા જરૂરી બને છે. 3. અનામત ન લાગુ કરવાની કાનૂની અસરો જો કેડર આધારિત અનામત લાગુ કરવામાં નહીં આવે તો તે નીચે મુજબના બંધારણીય સિદ્ધાંતોનો ભંગ કરે છે. જેમાં ભારતના બંધારણનો કલમ 14, કલમ 16, રાજ્યની અનામત નીતિના ઉદ્દેશનો ભંગ છે. સુપ્રીમ કોર્ટે અનેક ચુકાદાઓમાં જણાવ્યું છે કે કેડર નિર્ધારણમાં કૃત્રિમ વિભાજન કરીને અનામત નીતિને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કાયદેસર નથી. ઉપરોક્ત કાનૂની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ વિનંતી છે કે, ઉપર દર્શાવેલ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા તાત્કાલિક સ્થગિત કરવામાં આવે, સંબંધિત કેડરની કુલ કેડર શક્તિનું યોગ્ય નિર્ધારણ કરવામાં આવે, ગુજરાત સરકારની અનામત નીતિ મુજબ કેડર આધારિત રોસ્ટર લાગુ કરવામાં આવે, અનામત રોસ્ટર પ્રમાણે નવી સુધારેલી ભરતી જાહેરાત બહાર પાડવામાં આવે, આ પ્રતિનિધિત્વ અંગે યોગ્ય નિર્ણય લઇ જાણ કરવામાં આવે. જો ભરતી પ્રક્રિયા ઉપરોક્ત કાનૂની ખામીઓ દૂર કર્યા વગર આગળ વધારવામાં આવશે તો યોગ્ય ન્યાયિક મંચ સમક્ષ બંધારણીય અધિકારોના અમલ માટે કાનૂની કાર્યવાહી કરવાનો અધિકાર અનામત રહેશે. નોન-ટીચિંગની 59 જગ્યા માટે 1400 ઉમેદવારો મેદાનમાં, 16 માર્ચે પરીક્ષા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નોન-ટીચિંગની કાયમી જગ્યા ભરવા માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં યુનિવર્સિટીના રિક્રૂટમેન્ટ સેલ દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાત ક્રમાંક RC/21/2025 થી RC/44/2025 હેઠળની કુલ 59 જગ્યાઓ માટે ઉમેદવારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે અને કુલ 1400 ફોર્મ ભરાયા છે. હવે આ ઉમેદવારો વચ્ચે સીધી સ્પર્ધા જોવા મળશે. ભરતી માટેની લેખિત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. જે મુજબ, સૌ પ્રથમ પરીક્ષા-A યોજવામાં આવશે, જે તારીખ 16-03-2026 (સોમવાર) ના રોજ લેવામાં આવશે. આ પરીક્ષા OMR આધારિત રહેશે. પરીક્ષા-A 100 ગુણની રહેશે. જેમાં નેગેટિવ માર્કિંગની પદ્ધતિ રાખવામાં આવી છે. નેગેટિવ માર્કિંગના નિયમ અનુસાર 0.25 ગુણ પ્રતિ ખોટા જવાબ દીઠ કાપવામાં આવશે. સરળ શબ્દોમાં કહીએ તો જો કોઈ ઉમેદવારના 4 પ્રશ્નોના જવાબ ખોટા પડે તો સાચા જવાબોમાંથી 1 ગુણ ઓછો થશે. પરીક્ષા-A માં પાસ થનારા અથવા લાયક ઠરનારા ઉમેદવારો માટે ત્યારબાદ પરીક્ષા-B નું આયોજન કરવામાં આવશે. પરીક્ષા-B માટેની સંભવિત તારીખ 26-03-2026 (રવિવાર) નક્કી કરવામાં આવી છે, જે પણ OMR પદ્ધતિથી લેવામાં આવશે. વર્ગ-3 (લેવલ 7 કે તેથી નીચે) ની આ જગ્યાઓ માટેની પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ યુનિવર્સિટીની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારોને પરીક્ષા માટેના હોલ-ટિકિટ તેમના ઈ-મેઈલ અથવા લોગિન આઈડી પર મોકલી આપવામાં આવી છે. પરીક્ષા ફી ભર્યા બાદ ફાઇનલ સબમિટ ન કરતા 142 ઉમેદવારો ગેરલાયક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બિન શૈક્ષણિક કર્મચારીઓની અલગ અલગ સંપર્કની ભરતી માટેની લેખિત પરીક્ષા 16મી માર્ચે યોજાનાર છે ત્યારે તેમાં પરીક્ષા આપનારા ઉમેદવારોની હોલ ટિકિટ જનરેટ કરવામાં આવી છે જોકે 142 ઉમેદવારોને ગેરલાયક ઠેરવવામાં આવ્યો છે. જેનું કારણ એ છે કે આ ઉમેદવારોએ અરજી ફી ભર્યા બાદ અરજી ઓનલાઈન ફાઇનલ સબમિટ કરેલી નથી. જેથી આ ઉમેદવારો લેખિત પરીક્ષા A નહીં આપી શકે. બારકોડ વિના પરીક્ષાથી ચેડાની શંકા યુનિવર્સિટી દ્વારા લેવામાં આવનારી પરીક્ષામાં ઓએમઆર શીટ પર લખેલા બેઠક ક્રમાંક ઉપર કોઈ પ્રકારનું બારકોડ સ્ટીકર નહીં આવે. ખાનગી એજન્સીના હવાલે સીધી આ જવાબવહી કરાશે. જેથી ઉમેદવારોમાં એવી શંકા છે કે પાછળથી આન્સર સીટમાં ચેડા થઈ શકે.
ગુજરાતી પ્રખ્યાત સિંગર કિંજલ દવે, આરતી સાંધાણી બાદ હવે કિંજલ રબારી પણ પ્રેમલગ્ન કરવા પર વિવાદોમાં આવી છે. પરિવારની મરજી વિરુદ્ધ જઈ ચૌધરી સમાજના યુવક સાથે લગ્ન કરી લીધા બાદ હવે સિંગરે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો છે. જેમાં પોતાને અને તેના પતિને જીવનું જોખમ હોવાનું તેમજ પોલીસ પ્રોટેક્શન માટે અપીલ કરતી જોવા મળે છે. તો આવો જાણીએ શું છે સમગ્ર મામલો… 56 સેકન્ડના વીડિયોમાં સિંગર કિંજલ રબારીએ જણાવ્યું કે, મેં ચૌધરી અશોક કુમાર સાથે લગ્ન કર્યાં છે. પરિવારને મનાવવાના મેં ઘણા પ્રયત્નો કર્યાં હતા, પણ તેઓ મારા લગ્નના વિરોધમાં હતા, જેથી ગઈકાલે મેં મારા પતિને જાણ કરતા તેઓ મને આવીને લઈ ગયા હતા. સોશિયલ મીડિયામાં મારા પતિને બદનામ કરવામાં આવી રહ્યા છે. મારા લગ્નને લઈને કોઈ પણ અફવા ફેલાવવી નહીંઃ કિંજલ રબારીવધુમાં જણાવ્યું કે, હું રબારી સમાજને કહેવા માગુ છું કે, મેં મારી મરજીથી લગ્ન કર્યાં છે પણ મને હાલ બદનામ કરવામાં આવી રહી છે જે ખોટું છે. મારા તેમજ મારા પતિના જીવનું જોખમ છે જેથી મેં એડવોકેટનો સંપર્ક કરીને પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી છે. મારા લગ્નને લઈને કોઈ પણ અફવા ફેલાવવી નહીં. મને અથવા મારા પતિને કોઈપણ નુકસાન પહોંચ્યું તો એના માટે મારો પરિવાર જવાબદાર રહેશે. કોણ છે કિંજલ રબારી?સિંગર કિંજલ રબારી રાધનપુરના નાનકડા સિનાડ ગામની છે તેણે ધો-1થી 8 સુધી ગામની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો. આજ શાળામાં ભણતા તેમના મોટાભાઈ કિરણ રબારી શાળામાં ભજન ગાતા હતા. ત્યારે કિંજલે પણ શાળામાં ભજન ગાવાની ઇચ્છા દર્શાવતાં તેના મોટાભાઈએ શિવજીનું ભજન ગાવા માટે આપ્યું હતું. શિક્ષકોના પ્રોત્સાહન થકી સંગીતની દુનિયામાં રુચિ જાગીત્યારબાદ તેની ગીત સંગીતમાં રુચિ જાગી બાદમાં શાળાના શિક્ષકોએ પણ વિદ્યાર્થીનીને પ્રોત્સાહન આપ્યું હતું. શાળામાં કિંજલ સહિત બે ત્રણ બાળ કલાકાર દરરોજ પ્રાર્થના કે ગીત સંગીતની સ્પર્ધામાં અવશ્ય સહભાગી બનતી હતી. તેમનો કોન્ફિડન્સ વધે તે માટે શાળાના આચાર્ય તેજાભાઈ જાદવે શાળામાં સાઉન્ડ સિસ્ટમ વસાવ્યું હતું અને કિંજલબેન સહિતના વિદ્યાર્થીઓને સાઉન્ડ સિસ્ટમના માધ્યમથી માઈક પર ગાવાનો અનુભવ મળ્યો અને ધીમે ધીમે ચડાવ ઉતાર બાદ કિંજલ રબારી ગુજરાતની ફેમસ લોક કલાકાર બની ગઈ. ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં પણ તેમના પ્રોગ્રામો થયા છે. લગ્ન ગીતો, લોકગીતો, માતાજીના અનેક ગીતો ગાયારાધનપુર તાલુકાના નાનકડા સિનાડ ગામની સરકારી પ્રાથમિક શાળાએ ગુજરાતને કોયલ કંઠી સિંગર આપી છે. કિંજલ રબારીએ દેશી લગ્ન ગીતો, લોકગીતો, માતાજીના અનેક ગીતો ગાયા છે. કલાકારની કારકિર્દીમાં તેની ગામની સરકારી પ્રાથમિક શાળાની મહત્વની ભૂમિકા રહી છે. શાળામાં શિક્ષકોએ આપેલા પ્રોત્સાહન થકી તેને સંગીતની દુનિયામાં રુચિ જાગી અને તે કલાકાર બની તેની ઉજ્જવળ કારકિર્દી બનાવી શકી છે.
પાટણના સેવન ઈલેવન કોમ્પ્લેક્સ સ્થિત સદારામ ક્લાસીસ દ્વારા ઠાકોર સમાજના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક કોચિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં પોલીસ કોન્સ્ટેબલ અને PSIની લેખિત પરીક્ષા માટે તાલીમ આપવામાં આવે છે. હાલમાં 200 જેટલા વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ રહ્યા છે. સદારામ ક્લાસીસના સંચાલક દાદુજી ઠાકોરે જણાવ્યું કે, ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શન માટે ગાંધીનગર સુધી જવું પડતું હતું, જેમાં 25,000 થી 30,000 રૂપિયાનો ખર્ચ થતો હતો. આ સમસ્યાના નિરાકરણ માટે પાટણમાં જ આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેથી સમાજના યુવાનો આર્થિક મુશ્કેલી વગર તૈયારી કરી શકે. આ શૈક્ષણિક કાર્યમાં થતો તમામ આર્થિક ખર્ચ સદારામ સેવા સમિતિના ચેરમેન બાબાભાઈ ભરવાડ દ્વારા ભોગવવામાં આવી રહ્યો છે. પોલીસ કોન્સ્ટેબલની એક બેચનો અંદાજિત ખર્ચ 7 લાખ રૂપિયા જેટલો થાય છે, જેમાં 4 મહિના સુધી 400 થી 450 કલાકનું શિક્ષણ અપાય છે. બાબાભાઈ ભરવાડે બે બેચનો સંપૂર્ણ ખર્ચ ઉપાડવાની ખાતરી આપી છે. હાલમાં પોલીસ ભરતી માટેની બે બેચ કાર્યરત છે. આગામી સોમવારથી અગ્નિવીર આર્મી માટેની નવી બેચ પણ શરૂ કરવામાં આવશે. સંસ્થાનું મુખ્ય વિઝન ઠાકોર સમાજના વિદ્યાર્થીઓ માત્ર પોલીસ જ નહીં, પણ ભવિષ્યમાં GPSC અને UPSC જેવી પરીક્ષાઓ પાસ કરી ક્લાસ-1 અધિકારી બને તેવું છે. આ સેવામાં સદારામ સેવા સમિતિના ચેરમેન બાબાભાઈ ભરવાડ ઉપરાંત નવઘણજી ઠાકોર, વિનયસિંહ ઝાલા, મંગાજી ઠાકોર અને મનોજભાઈ ડોક્ટર પણ સહયોગ આપી રહ્યા છે. ક્લાસીસનું સંચાલન દાદુજી ઠાકોર, સત્સંગભાઈ ઠાકોર અને જીવણભાઈ ઠાકોર કરી રહ્યા છે. ભવિષ્યમાં GPSC અને UPSC માટેના ક્લાસીસ પણ શરૂ કરવાની યોજના છે.
ઉનાળાની શરૂઆત સાથે જ વડોદરા શહેરમાં પાણી માટેનો કકળાટ શરૂ થઈ ગયો છે. મહાનગરપાલિકા દ્વારા પૂરતા પ્રમાણમાં પાણી નહીં આપતું હોવાની ફરિયાદો અવારનવાર ઉઠી છે. કેટલાક વિસ્તારોમાં પાણી મળે છે તો તે પીવાલાયક નહીં હોવાના પણ આક્ષેપ છે ત્યારે વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલા સાહિત્યગ્રીન ફલેટના રહીશોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આગમી સમયમાં જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે જો પાણી નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી આપી હતી. ફલેટના 212 મકાનોના રહીશોને હાલાકીવડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલી સાહિત્ય ગ્રીન ફ્લેટના 212 જેટલા મકાનોમાં રહેતા રહીશો પાણી માટે વલખાં મારવા મજબુર બન્યા છે. અવારનવાર રજૂઆત કરવા છતાં પણ પાણીની માંગ સંતોષવામાં નહીં આવતા આજે રહીશોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. અહીં છેલ્લા ત્રણ વર્ષથી પીવાના પાણીની વિકટ સમસ્યા ઉદભવી છે. અનેકવિધ રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. ખારું પાણી આવે છે, જેના કારણે લોકો બીમાર પડે છેસ્થાનિક મહિલા દીપિકાબહેને જણાવ્યું હતું કે, અહીં ખારું પાણી આવી રહ્યું છે જેના કારણે લોકોને તકલીફ પડી રહી છે અને લોકો બીમાર પડે છે. અમે વર્કિંગ વુમન છીએ, કામ પરથી પરત આવીએ તો પાણી જ નથી હોતું. અહીં બાળકો, વૃદ્ધ બધા રહે છે જેઓને પાણીની જરૂર વધુ હોય છે, પરંતુ પાલિકા પૂરતા પ્રમાણમાં પાણી નથી આપતું. પહેલા પાણી આપો પછી વોટ અંગે વિચારીશુંદીપિકાબહેને જણાવ્યું હતું કે, વોટ માગવા તો બધા આવે જ છે, પરંતુ પહેલા પાણી આપો પછી તેના માટે વિચારીશું. જો અમારી સમસ્યાનો નિવેડો નહીં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું. કોર્પોરેશનને અમારા જે કમિટી મેમ્બરો છે એમના દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પણ એનો કોઈ યોગ્ય ઉકેલ આવ્યો નથી. 'અગાઉ ટેન્કર મંગાવતા હતા પણ હવે તે પોષાય તેમ નથી'સ્થાનિક રહીશ હિતેશ ગોરે જણાવ્યું હતું કે, અહીં પાણી પોણો કલાક જ આવે છે અને જે પાણી આવે છે તે 5500 TDS જેટલું હોય છે, જે પીવાલાયક જ નથી હોતું. અગાઉ ટેન્કર મંગાવતા હતા પરંતુ હવે તે પણ પોષાય તેમ નથી. અમારી પ્રાથમિક જરૂરિયાત જ પૂરી થઈ રહી નથી. આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો પછી અમે ચૂંટણી બહિષ્કાર કરીશું. ઉલ્લેખનીય છે કે, શહેરમાં પીવાના પાણીનો કકળાટ હંમેશા જોવા મળે છે. ત્યારે હવે આગામી ચૂંટણીમાં શહેરમાં પાણીના પ્રશ્ન જ મોટી સમસ્યા સમાન સામે આવે તો નવાઈ નહીં.
અમદાવાદના ચાંદખેડા વિસ્તારની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ દુષ્કર્મ આચરવાના ગુનામાં ગાંધનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આસામના શખસને તકસીરવાન ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે ભોગ બનનાર સગીરાને આર્થિક વડતર પેટે 4 લાખ રૂપિયા ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. સગીરાને પ્રેમજાળમાં ફસાવી ગોવા લઈ ગયોઆ કેસની વિગત મુજબ, ગત વર્ષે આસામના બનામલી ગામના હીરા ઉર્ફે હીરોન નેહારદાસ નામના શખસે 16 વર્ષ અને સાત મહિનાની સગીરા સાથે મિત્રતા કેળવી હતી. આરોપીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી કાળુપુર રેલવે સ્ટેશન બોલાવી હતી અને ત્યાંથી તેને ભગાડીને ગોવા લઈ ગયો હતો. પતરાની ઓરડીમાં ગોંધી રાખી દુષ્કર્મ આચર્યુંબાદમાં ગોવામાં એક પતરાની ઓરડીમાં સગીરાને ગોંધી રાખી આરોપીએ જો તું મારું કહેવું નહીં માને તો હું મરી જઈશ તેવી ધમકીઓ આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે સગીરાના વાલીએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું, ત્યારે ગાંધીનગરના બીજા એડિશનલ સેશન્સ જજ એસ.વી. શર્માની કોર્ટમાં આ કેસની સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટે આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારીસરકારી વકીલ સુનિલ પંડ્યાએ ધારદાર દલીલો કરી આરોપીને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી. અદાલતે બંને પક્ષોની દલીલો અને પુરાવાઓને ધ્યાને રાખી આરોપી હીરા દાસને 20 વર્ષની સખત કેદ અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ઉપરાંત પીડિતાને કાનૂની સેવા સત્તા મંડળ મારફતે 4 લાખનું વળતર ચૂકવવા પણ હુકમ કર્યો છે.
પાટણ શહેરને પીવાનું પાણી પૂરું પાડતી પદ્મનાથ ચોકડીથી ખાન સરોવર સુધીની કેનાલમાં પ્રદૂષણ અને અતિક્રમણ મુદ્દે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી છે. તેમણે કેનાલના પાણીમાં જાહેરમાં સ્નાન અને કપડાં ધોવા જેવી પ્રવૃત્તિઓથી લોકોના આરોગ્ય સામે ખતરો હોવાનું જણાવી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે. દીપક પટેલે જણાવ્યું હતું કે, પદ્મનાથ ચોકડીથી સિદ્ધિ સરોવર સુધીની કેનાલની આસપાસની ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો કેનાલના પાણીમાં સ્નાન કરે છે, દાતણ કરે છે અને કપડાં ધોવે છે. શહેર બહારથી આવતા લોકો પણ આ પ્રવૃત્તિઓ કરતા હોવાનું સામે આવ્યું છે. આ અંગે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. ખાસ કરીને, પદ્મનાથ ચોકડી નજીક આવેલા બે છાપરાવાળા લોકો દ્વારા પાણી વધુ પ્રદૂષિત કરવામાં આવી રહ્યું છે. આ દબાણો કોઈના રક્ષણ હેઠળ દૂર કરવામાં આવતા ન હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. શહેરની જનતાને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે ચીફ ઓફિસરને યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે, કારણ કે પ્રદૂષિત પાણીથી રોગો ફેલાવવાનો ભય છે. આ સાથે, પાટણની જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે પદ્મનાથ ચોકડીથી ખાન સરોવર સુધીની કેનાલમાં કચરો, ફૂલ, નારિયેળ, કંકુ, અબીલ અને ગુલાલ જેવી ધાર્મિક સામગ્રી ન નાખે, જેથી પાણી પ્રદૂષિત ન થાય અને શુદ્ધ પીવાલાયક પાણી ઉપલબ્ધ રહે.
સાયબર ગઠિયાઓ રોજ અલગ અલગ બહાના હેઠળ લોકો પાસેથી લાખો રૂપિયા પડાવે છે ત્યારે શહેરના એક વૃદ્ધને શેરબજારમાં રોકાણ કરાવવાનું કહીને ટુકડે-ટુકડે લાખો રૂપિયા પડાવ્યા છે. વૃદ્ધ પાસેથી 63.05 લાખ રૂપિયા લઈને 1.10 લાખ પરત આપ્યા હતા, જ્યારે બાકીના 61.95 લાખ પરત ન આપતા વૃદ્ધે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. ગુગલ પર શેરબજારના રોકાણની જાહેરાત જોઈને રોકાણ માટે લલચાયામણીનગરમાં રહેતા 13 વર્ષીય વૃદ્ધ ખાનગી કંપનીમાંથી પ્રોડક્શન મેનેજર તરીકે નિવૃત્ત થયા હતા.વૃદ્ધ શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટનું કામ કરતા હતા. 17 નવેમ્બર, 2025ના રોજ તેઓ ગુગલ પર સર્ફ કરી રહ્યા હતા ત્યારે શેરબજારના રોકાણની જાહેરાત તેમણે જોઈ હતી. જે બાદ તેઓ ગ્રુપમાં એડ થયા હતા. ગ્રુપમાં અન્ય લોકો સારો નફો થયો હોય તેના સ્ક્રીનશોટ મોકલતા હતા. જેથી, વૃદ્ધને વિશ્વાસ આવી ગયો હતો જેમાં તેમને રોકાણ કરવું હોવાથી તેમણે કંપનીમાં સંપર્ક કર્યો ત્યારે તેમને લિંક મોકલવામાં આવી હતી. જે લિંક ખોલીને વૃદ્ધે તેમાં તેમની તમામ વિગતો ભરી હતી. વૃદ્ધે સાયબર ક્રાઈમમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈવૃદ્ધે શરૂઆતમાં રોકાણ કર્યું જેમાંથી તેમણે 1.10 લાખ રૂપિયા ઉપાડ્યા પણ હતા.જે બાદ વધુ રોકાણ માટે પણ વાતચીત કરીને એપ્લિકેશનમાં અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ 63 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. કુલ રકમમાંથી તેમણે 1.10 લાખ રૂપિયા ઉપાડ્યા હતા જ્યારે બાકીના 61.95 લાખ રૂપિયા ઉપાડ્યા નહતા.જે પૈસા તેમને પરત માગ્યા તો તેમને આપવામાં આવ્યા ન હતા.વૃદ્ધને તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી જેથી સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ઝેઝરી, ખેરવા અને ગેડીયા ગામમાં પીજીવીસીએલ અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં કુલ રૂ. 1.32 કરોડની વીજ ચોરી ઝડપાઈ છે. વીજ ચોરી અટકાવવા માટે પીજીવીસીએલની 37 ટીમોએ પોલીસ વિભાગ સાથે મળીને એકસાથે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન કુલ 612 વીજ કનેક્શનની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 87 ઘરવપરાશના અને 2 કોમર્શિયલ કનેક્શન સહિત કુલ 89 કનેક્શનમાં ગંભીર ગેરરીતિઓ જોવા મળી હતી. 56 ઘરોમાં વીજમીટર વગર જ સીધા લંગરિયા નાખીને એસી, ઇલેક્ટ્રિક સગડી અને ફ્રીજ જેવા ઉપકરણોનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું હતું. આ કાર્યવાહીના ભાગરૂપે કુલ રૂ. 1.32 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. આટલી મોટી રકમના દંડને કારણે વીજ ચોરી કરનારાઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લા એસપી પ્રેમસુખ ડેલુ, ધ્રાંગધ્રા ડિવાયએસપી જે.ડી. પુરોહિત, ડિવાયએસપી વેદિકા બિહાની, કરણ પન્ન અને પીજીવીસીએલના એન.એન. અમીન સહિતના અધિકારીઓની આગેવાની હેઠળ આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન અનેક વીજ ચોરી કરનારાઓ ગામ છોડીને ભાગી છૂટ્યા હોવાના અહેવાલ છે. પાટડીના ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી રકમનો દંડ એકસાથે ફટકારવામાં આવ્યો છે. પીજીવીસીએલના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં પણ વીજ ચોરી અટકાવવા માટે આ પ્રકારની સઘન ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે, જેથી પ્રામાણિક ગ્રાહકોને કોઈ અન્યાય ન થાય.
ગાંધીનગરના ફિરોજપુર ગામની સીમમાં આવેલી શિલ્પ સેન્ટ્રીકા બિલ્ડિંગની નિર્માણાધીન સાઇટના પાંચમાં માળેથી 30 જાન્યુઆરીના રોજ નીચે પટકાવાથી મોત 32 વર્ષીય મેનેજરનું મોત નિપજ્યું હતું. આ મામલાની તપાસમાં નિર્માણાધીન સાઇટ પર સુરક્ષાના નિયમોના ધજાગરા ઉડ્યા હોવાના પગલે મૃતકના વકીલ પિતાની ફરિયાદના આધારે ડભોડા પોલીસે સાઇટ સેફ્ટી ઓફિસર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પાંચમા માળેથી પટકાતા મેનેજરનું મોત નિપજ્યું હતુંગાંધીનગરના ગિફ્ટ સિટી પાસેના ફિરોજપુર ગામની સીમમાં આવેલી શિલ્પ સેન્ટ્રીકા બિલ્ડિંગની નિર્માણાધીન સાઇટ ખાતે ક્લિમાસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં પેસિફિકેશન મેનેજર તરીકે ફરજ બજાવતા 32 વર્ષીય દેવપ્રકાશ શર્મા પાંચમા માળેથી નીચે પટકાતા તેમનું ગંભીર ઇજાઓને કારણે કરૂણ મોત થયું છે. આ મામલે મૃતકના પિતા અને ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના વકીલ શિવદુલાર હરગોવિંદ શર્માએ ડભોડા પોલીસ મથકે સેફ્ટી ઓફિસર વિરુદ્ધ ગંભીર બેદરકારીની ફરિયાદ નોંધાવી છે. મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ ગાંધીનગરમાં સ્થાયી થયેલા દેવપ્રકાશ શર્મા ગત 30 જાન્યુઆરીના રોજ બપોરે ફિરોજપુર ખાતેની શિલ્પ સેન્ટ્રીકા સાઇટ પર બિલ્ડિંગના કાંચ લગાડવા માટેના એન્કર ફાસનર ચેક કરવા માટે પાંચમા માળે ગયા હતા. બેરિકેટિંગના અભાવે અકસ્માત સર્જાયો આ દરમિયાન પાંચમા માળે ગાર્બેજ નિકાલ કરવા માટે બનાવેલી ખુલ્લી જગ્યા પાસે કોઈ પણ પ્રકારનું સુરક્ષા કવચ કે બેરીકેટીંગ ન હોવાથી અંધારામાં સંતુલન ગુમાવતા દેવપ્રકાશ સીધા બીજા માળે પટકાયા હતા. તેમને માથા અને કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાના પગલે મૃતકના પિતા અને પરિવારજનોએ ઘટનાસ્થળની મુલાકાત લેતા જે જગ્યાએથી દેવપ્રકાશ નીચે પટકાયો હતો ત્યાં અકસ્માત બાદ પાઇપો અને લાકડાના પાટિયા વડે બેરીકેટીંગ કરવામાં આવ્યું હતું. ત્યારે કંપનીના જ માણસોએ સ્વીકાર્યું હતું કે અકસ્માત સમયે ત્યાં કોઈ સુરક્ષા સાધનો ન હતા. ત્યારે પોલીસ તપાસમાં પણ એસએચસી પ્રોજેક્ટ પ્રા.લી.ના સેફ્ટી ઓફિસર દિનેશ શ્રી સ્વામીનાથ વર્માએ પોતાની જવાબદારીમાં ઘોર નિષ્કાળજી દાખવી હોવાનું સામે આવ્યું હતું. જો ગાર્બેજ નિકાલની જગ્યાને અગાઉથી કોર્ડન કરવામાં આવી હોત તો આ જીવલેણ અકસ્માત ટાળી શકાયો હોત. મલ્ટીપલ ઈન્જરીના કારણે મેનેજરનું મોત નિપજ્યું હતુંપોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં મૃતદેહના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું હતું કે, ઊંચાઈ પરથી પટકાવાને કારણે યુવાનને મલ્ટીપલ ઇન્જરી અને હેમરેજ થયું હતું, જે તેના મોતનું મુખ્ય કારણ બન્યું હતું. મૃતક છેલ્લા દસ માસથી આ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત હતા. ડભોડા પોલીસે હાલમાં મૃતકના પિતાના નિવેદનના આધારે સેફ્ટી ઓફિસર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરો અને એન્જિનિયરોની સુરક્ષા માટેના માપદંડોનું પાલન કેમ નહોતું કરવામાં આવ્યું તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી છે.
ભાવનગર રેન્જના ચોથા IG તરીકે રાજેન્દ્ર અંસારીએ ચાર્જ સંભાળ્યો. ચાર્જ સંભાળતા પહેલા સાળગપુર હનુમાનજી મંદિર અને રાજપરા ખોડિયાર મંદિર પૂજા અર્ચના કર્યા બાદ રેન્જ ઓફિસ ખાતે તેમને ગાર્ડ ઓફ ઓનર સાથે સન્માન આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લાના પોલીસ અધિકારીઓએ પુષ્પગુચ્છ આપી નવા IGનું સ્વાગત કર્યું. ગાર્ડ ઓફ ઓનર આપી તેમનું સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતુંભાવનગર રેન્જના નવા ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે રાજેન્દ્ર અંસારીએ ચાર્જ સંભાળ્યો છે. ગુરુવારે ભાવનગર સ્થિત IGP કચેરી ખાતે ગાર્ડ ઓફ ઓનર આપી તેમનું સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લાના SP, DYSP, ASP સહિતના પોલીસ અધિકારીઓ અને સ્ટાફે પુષ્પગુચ્છ આપી નવા IG રાજેન્દ્ર અસારીનું સ્વાગત કર્યું હતું. પોલીસ વિભાગના અધિકારીઓએ તેમને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે, રાજેન્દ્ર અંસારી અગાઉ ભાવનગર જિલ્લામાં SP તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. લગભગ 17 વર્ષ બાદ તેઓ ફરી ભાવનગરમાં ઉચ્ચ પદ પર પરત ફર્યા છે અને હવે ભાવનગર રેન્જના IG તરીકે ચાર્જ સંભાળ્યો છે. ચાર્જ સંભાળતા પહેલા રાજેન્દ્ર અંસારીએ સાળંગપુર ખાતે હનુમાનજી મંદિર અને રાજપરા ખાતે ખોડિયાર માતાજી મંદિર દર્શન કર્યા હતા. ત્યારબાદ તેઓ ભાવનગર IGP કચેરી ખાતે પહોંચ્યા અને સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો હતો. પોલીસ દ્વારા એક એક્શન પ્લાન બનાવીને કામગીરી કરવામાં આવશેઆ અંગે નવનિયુક્ત રેન્જ IG રાજેન્દ્ર અંસારીએ જણવાયું હતું કે, પોલીસની સૌથી મહત્વની જે જવાબદારી છે, એ એના કાર્યક્ષેત્રમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઈ રહે તે રીતની છે. ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ અને ખૂબ સારી બને એ રીતે સંયુક્ત રીતે પ્રયાસ કરી અને કામગીરી કરવામાં આવશે. બીજુ વર્તમાન સમયની અંદર સાયબર ક્રાઈમના ગુનાઓ ખૂબ બને છે. જનતામાં અવેરનેસ ફેલાય એ માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી અને જે નાના-મોટા સાયબર ક્રાઈમના ગુનાઓ બને છે, એ ગુનાઓ અટકાવવા માટે ત્રણેય જિલ્લાના પોલીસ દ્વારા એક એક્શન પ્લાન બનાવીને કામગીરી કરવામાં આવશે. તે સાથે જે નશાકારક પ્રવૃત્તિઓ છે એને નાબૂદ કરવા માટે અને અંકુશમાં રાખવા માટે પોલીસ દ્વારા ઘનિષ્ઠ અને સનિષ્ઠ પ્રયાસો કરવામાં આવશે. સાથે-સાથે પોલીસ વેલ્ફેરની જે બાબતો છે જે પોલીસ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે સંકળાયેલી છે એ વેલ્ફેરની તમામ બાબતો ઉપર ધ્યાન આપવામાં આવશે. પોલીસ વિભાગ તરફથી ધ્યાન આપવામાં આવશેબાકી પોલીસ વિભાગની અંદર જે વહીવટી કામગીરી છે, એમાં પેન્ડેન્સીનું પ્રમાણ કેટલું છે એનો એનાલિસિસ કરી અને ખૂબ ઝડપથી એનો નિકાલ થાય અને કામગીરી એકદમ સરળ બને એ રીતે પ્રયાસ કરવામાં આવશે. ત્રણેય જિલ્લાના અરજદારો સિનિયર લેવલના અધિકારીઓને ખૂબ સરળતાથી મળી શકે, એમના પ્રશ્નોની રજૂઆત કરી શકે અને એમની સમસ્યાઓનું નિરાકરણ ખૂબ ઝડપથી આવે એ રીતેની એક રૂપરેખા તૈયાર કરી અને ત્રણેય જિલ્લાના SPને સૂચનાઓ અપાશે, જેથી અરજીઓનું જે ભારણ છે એ ઓછું થાય, અરજીઓનો ત્વરિત નિકાલ થાય અને કોઈ ઘટના બને એ પહેલા એ ઘટનાને નિવારી શકાય. સાથે-સાથે પ્રજાની તમામ પ્રકારની સલામતી એમની સુખાકારી અને શાંતિ બની રહે એ પ્રમાણે પોલીસ વિભાગ તરફથી ધ્યાન આપવામાં આવશે. કોઈ પણ લેન્ડિંગ પોઈન્ટ અહિયાં ના બને એ પ્રકારે પૂરતું અને વિશેષ ધ્યાન આપવામાં આવશેઅત્યારે વર્તમાન સમયમાં જે પરિસ્થિતિ છે તેને ધ્યાને લેતા દરિયાઈ સુરક્ષાને ખૂબ પ્રાધાન્ય આપ્યું છે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા એને સતત મોનીટરીંગ કરવામાં આવે છે. અહીંયા જે પ્રકારે વ્યવસ્થા છે બોટ પેટ્રોલિંગની તેમજ કોસ્ટગાર્ડ સાથે પણ સંકલન કરીને લોકલ જિલ્લા પોલીસ એમની સાથે કામ કરે છે. દરિયાઈ સુરક્ષાને પ્રાધાન્ય આપવામાં આવશે.જે માછીમારો દૂર દરિયામાં માછીમારી કરવા માટે જાય છે એ પોલીસ સાથે સતત સંપર્કમાં રહે, નાની-મોટી કોઈ માહિતી હોય એ જાણકારી પોલીસને આપે. એ સાથે જે દરિયાકિનારા વિસ્તારના જે ગામો છે એ ગામોની અંદર વિઝિટ કરવામાં આવશે, મુલાકાત લેવામાં આવશે, ત્યાંના લોકો સાથે ચર્ચા કરવામાં આવશે અને મેક્સિમમ દરિયા કિનારા ઉપર જે પ્રવૃત્તિઓ થાય છે એ પ્રવૃત્તિઓ ઉપર સતત ધ્યાન આપી અને એવી કોઈ પણ ઘટના ના બને અથવા એવો આપણો કોઈ પણ લેન્ડિંગ પોઈન્ટ અહિયાં ના બને એ પ્રકારે પૂરતું અને વિશેષ ધ્યાન આપવામાં આવશે, તકેદારી રાખવામાં આવશે. સામાન્ય જનતાને રંજાડે એવી પ્રવૃત્તિને ચલાવી લેવામાં આવશે નહીંબાકી જે ભૂતકાળની અંદર જે ગુનાઓ દાખલ થયેલા છે, GST, ભૂ માફિયાઓ, એવા અસામાજિક તત્વો વિરુદ્ધમાં બહુ જ કડકાઈથી કામ લેવામાં આવશે. 'ગુજસીટોક' નો મેક્સિમમ અમે, અમારી પાસે પૂરતા એવિડન્સ હશે તો તેનો ઉપયોગ કરીશું અને આ પ્રકારની પ્રવૃત્તિ કે આ પ્રકારની કોઈપણ સામાન્ય જનતાને રંજાડે એવી પ્રવૃત્તિને ચલાવી લેવામાં આવશે નહીં.
બોરતળાવ પાસેથી લાશ મળી:બોરતળાવના કાંઠે આવેલ પાણી ભરેલા ખાડામાંથી EX આર્મીમેનની લાશ મળી
ભાવનગર શહેરના ચિત્રા પ્રેસક્વાર્ટર પાછળ આવેલ મિલ્ટ્રી સોસાયટીમાં રહેતા વૃદ્ધનો બોરતળાવના કાંઠે આવેલ ગણેશનગર પાછળ પાણી ભરેલા ખાડામાંથી મૃતદેહ મળી આવતા ફાયરબ્રિગેડના જવાનોએ લાશને બહાર કાઢી બોરતળાવ પોલીસને હવાલે કરતા પોલીસે તપાસ હાથ ધરી છે, આ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ચિત્રા પ્રેસક્વાર્ટર પાછળ મિલ્ટ્રીસોસાયટી પ્લોટ નંબર 210 માં રહેતા કિશોરસિંહ સુજાનસિંહ ઝાલા ઘરથી ગુમ થયા હોય દરમ્યાન પરીવારે કિશોરસિંહ ની શોધખોળ હાથ ધરી હતી, જેમાં કોઈએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી કે બોરતળાવનાં કાંઠે આવેલ ગણેશનગર પાછળ પાણી ભરેલા ખાડામાં અજાણ્યા શખ્સની લાશ પડી છે, જે માહિતી મળતાં ફાયરબ્રિગેડ તથા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, જેમાં ફાયરબ્રિગેડના જવાનોએ લાશને ખાડામાંથી બહાર કાઢી લાશને પોલીસને હવાલે કરતાં પોલીસે લાશનો કબ્જો લઈ તપાસ હાથ ધરતા મૃતક ઈન્ડિયન આર્મીમાં ફરજ બજાવી હાલમાં પરીવાર સાથે નિવૃત્ત જીવન પસાર કરતા મિલ્ટ્રી સોસાયટીના કિશોરસિંહ સુજાનસિંહ ઝાલા હોવાનું ખુલવા પામ્યું હતું, મૃતકનાં શરીર પર કોઈ બાહ્ય ઈજાના નિશાન જોવા મળ્યા ન હતા, આથી પોલીસે મૃતકનાં પરીવારને સ્થળ પર બોલાવી લાશનું પંચનામું કરી મોતનું કારણ જાણવા લાશને પીએમ માટે સર ટી હોસ્પિટલમાં મોકલી મૃતકનાં પરીવારના નિવેદનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં આધેડે લીધેલ 40 લાખ રૂપિયા સામે ઉંચા વ્યાજથી રૂ. 1.85 કરોડ માતબર રકમ પડાવી લઈને વધુ રૂપીયા માટે ધમકી આપવાના ગુનામાં અને વડોદરામાં મારામારી કરવાના મળી 2 ગુનાના નાસતા ફરતા આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આર.જી.જાડેજા તથા પીઆઇ એચ.ડી.તુવર નાઓની દોરવણી હેઠળ પીએસઆઈ બી.વી.ગોહીલની ટીમના માણસો મિલ્કત સંબધી જુદા-જુદા ગુનાઓમાં સંડોવાયેલ અને ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓની શોધખોળમાં શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. પેટ્રોલીંગ દરમિયાન માહીતી આધારે મકરપુરા એરફોર્સ રોડ હવેલી પાછળ શિવમ ફલેટ પાસેથી ઇસમ નામે આલાભાઇ ઉર્ફે લાખાભાઈ ભીમભાઇ જલુ (રહે. મહાવીરપાર્ક એ-2, શાંતીકુંજની બાજુમાં મકરપુરા રોડ વડોદરા મૂળ રહે. મગરવાડા ગામ તા.કેશોદ જી.જુનાગઢ રહે.શિવમ ફલેટ, હવેલી પાછળ, એરફોર્સ રોડ મકરપુરા વડોદરા)ને શોધી કાઢ્યો હતો. આ ઇસમની પ્રાથમીક પુછપરછમાં વર્ષ 2024માં ફરીયાદીએ લીધેલ ઉછીના રૂપીયા સામે વધુ વ્યાજ સહીત મોટી રકમ બળજબરીથી કઢાવવા અંગે સુરત શહેરના ડી.સી.બી.પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનામાં સંડોવાયેલો છે અને વર્ષ 2025માં વડોદરા શહેરમાં મારામારી કરી નુકસાન કરવા અંગેના માંજલપુર પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલ છે. આ આરોપી ધરપકડ ટાળવા ફરાર થઇ ગયો હતો. પકડાયેલા આરોપીનું નામ આલાભાઇ ઉર્ફે લાખાભાઈ ભીમભાઇ જલુ રહે. મહાવીરપાર્ક (રહે. એ-2,શાંતીકુંજની બાજુમાં મકરપુરા રોડ વડોદરા મૂળ રહે. મગરવાડા ગામ તા.કેશોદ જી.જુનાગઢ રહે.શિવમ ફલેટ, એરફોર્સ રોડ મકરપુરા વડોદરા) પકડાયેલ આરોપીનો ગુનાહીત ઇતિહાસ આરોપી આલાભાઇ જલુ સામે અગાઉ વર્ષ 2016માં કરેલ મારામારી અંગે નોંધાયેલ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનામાં પકડાયેલ છે.
અમરેલી યાર્ડમાં ધાણાની બમ્પર આવક:4 દિવસથી 3 કિમી લાંબી વાહનોની કતાર, 40 હજાર મણ ધાણાની દૈનિક આવક
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ધાણાની બમ્પર આવક નોંધાઈ રહી છે. છેલ્લા ચાર દિવસથી યાર્ડની બહાર હાઈવે પર ખેડૂતોના વાહનોની ત્રણ કિલોમીટરથી વધુ લાંબી કતારો જોવા મળી રહી છે. દૈનિક 40 થી 45 હજાર મણ ધાણાની આવક થતાં યાર્ડમાં ભારે ભીડ અને દોડધામ મચી છે. અમરેલી જિલ્લાનું આ સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ હોવાથી, અમરેલી અને આસપાસના જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાના ધાણા વેચવા આવી રહ્યા છે. ખેડૂતોને અહીં ધાણાના પ્રતિ મણ રૂ. 2000 થી રૂ. 3000 સુધીના સારા ભાવ મળી રહ્યા છે, જે આકર્ષણનું મુખ્ય કારણ છે. સારા ભાવને કારણે યાર્ડમાં વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ટ્રેક્ટર, ટ્રક અને બોલેરો જેવા વાહનોની લાંબી કતારોને કારણે ખેડૂતોને પોતાના વારાની રાહ જોવામાં લાંબો સમય લાગી રહ્યો છે. યાર્ડની અંદર પણ દિવસભર ખરીદી અને વેચાણની પ્રક્રિયામાં ભારે ગતિવિધિ જોવા મળે છે. ચિતલથી આવેલા ખેડૂત વિનુભાઈ સોરઠીયાએ જણાવ્યું કે, તેઓ વહેલી સવારના ચાર વાગ્યાથી ધાણા લઈને આવ્યા છે અને ગેટ ખુલવાની રાહ જોઈ રહ્યા છે. તેમણે APMC દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓ જેવી કે ચા-પાણી અને નાસ્તાની વ્યવસ્થાની પ્રશંસા કરી. તેમને અહીં રૂ. 2000 થી રૂ. 2700 સુધીના ભાવ મળવાની અપેક્ષા છે. અરડોઈ પંચ દેવળિયાથી આવેલા ખેડૂત ગોવર્ધનભાઈ વામજાએ જણાવ્યું કે તેઓ બે વાહન લઈને ધાણા વેચવા આવ્યા છે. તેમને પ્રતિ મણ રૂ. 2200 થી રૂ. 2300 સુધીના ભાવ મળ્યા છે. તેમણે સ્વીકાર્યું કે ભાવ ખૂબ સારા નથી, પરંતુ અન્ય યાર્ડની સરખામણીમાં અહીં સંતોષકારક છે. તેમને બે દિવસ રાહ જોયા બાદ આજે વારો મળ્યો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડ સેક્રેટરી તુષાર અપાણીએ જણાવ્યુ કે, ‘અંદર હાલમાં ધાણાની ખૂબ જ મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. રોજની 40 થી45 હજાર મણ જેવું દરોજ વેચાણ થાય છે અને ખેડૂતોને 2000 થી લઈને 3000 જેવા સારા એવા ભાવ મળી રહ્યા છે.અંદર બધી પૂરતી વ્યવસ્થા તો છે જ, પરંતુ એકસાથે પાક આવેલો હોય એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં આવક થતી હોય તો અત્યારે આવક પ્રવેશ છે એ બંધ કરવામાં આવતો હોય છે કે જેથી અંદરની વ્યવસ્થા છે એ જળવાઈ રહે. જેવી અંદર અત્યારે વ્યવસ્થા ખાલી થશે એટલે બહારથી જે બધા વાહનો લગભગ 2-3કિલોમીટર, 4 કિલોમીટર જેવી લાંબી લાઇનો થઈ છે, એને પછી અંદર સમાવેશ કરી લઈશું અને બહાર ઉભેલા વાહનો છે એને અમે જરૂર પડે પીવાના પાણી તથા નાસ્તાની અને એવી બધી વ્યવસ્થા કરવામાં આવે છે.અને જિલ્લાની અંદર, આપણા અમરેલી તાલુકા ઉપરાંત આજુબાજુના તાલુકા તેમજ આજુબાજુના જિલ્લામાંથી પણ અત્યારે ધાણાના સારા એવા ભાવ મળતા હોય એટલે ખેડૂતો વેચાણ અર્થે અહીં અમરેલી માર્કેટ યાર્ડની અંદર આવે છે અને ભાવ પણ સારા એવા મળે છે.’
સુરતમાં અવારનવાર દારૂબંધીના લીરેલીરા ઉડાડતી ઘટનાઓ સામે આવે છે, ત્યારે મહાનગરપાલિકા સંચાલિત કોસાડ લેક ગાર્ડનમાં પણ રાત્રિના સમયે દારૂની મહેફિલો જામતી હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. વહેલી સવારે જ્યારે સ્થાનિક લોકો ગાર્ડનમાં પહોંચ્યા, ત્યારે તેઓ દૃશ્યો જોઈને ચોંકી ગયા હતા. ગાર્ડનના ખૂણામાં અને બેસવાના બાંકડાઓ પાસે વિદેશી દારૂની ખાલી બોટલો અને નાસ્તાના પેકેટો વેરવિખેર હાલતમાં મળી આવ્યા હતા. ખાલી બોટલો મળી આવતા પાલિકા તંત્ર અને પોલીસ પ્રશાસનની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. CCTV હોવા છતાં તંત્ર અંધારામાં?અહીં સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થાય છે કે, મહાનગરપાલિકાએ આ ગાર્ડનમાં સુરક્ષા માટે લાખોના ખર્ચે CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. જો ગાર્ડનમાં કેમેરા હોય અને ચોકીદાર તૈનાત હોય, તો પછી અસામાજિક તત્વો અંદર પ્રવેશ્યા કેવી રીતે? શું સિક્યુરિટી ગાર્ડની મિલીભગતથી આ પ્રવૃત્તિ ચાલી રહી છે? કે પછી રાત્રિના સમયે કેમેરા માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે? સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, ગાર્ડનમાં રાત્રિના સમયે પૂરતો પ્રકાશ હોતો નથી અને સુરક્ષાના નામે મીંડું છે, જેનો ફાયદો નશાખોરો ઉઠાવી રહ્યા છે. પોલીસનું માત્ર જાહેરમાર્ગો પર પેટ્રોલિંગઆ ઘટના અમરોલી પોલીસ સ્ટેશનની હદમાં બની છે. ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરાવવાની જવાબદારી પોલીસની છે, પરંતુ જાહેર સ્થળોએ, જ્યાં સીસીટીવી ફૂટેજ અને સિક્યુરિટી જેવી વ્યવસ્થા હોય, ત્યાં પણ જો દારૂની બોટલો મળી આવતી હોય તો પોલીસ પેટ્રોલિંગ પર ગંભીર સવાલો ઉઠે છે. સ્થાનિકોમાં એવો ગણગણાટ છે કે, પોલીસ માત્ર મુખ્ય રસ્તાઓ પર દેખાય છે, પરંતુ અંદરના વિસ્તારો અને ગાર્ડન જેવા સ્થળોએ રાત્રિના સમયે પેટ્રોલિંગનો અભાવ જોવા મળે છે.
શહેરના બહેરામપુરા વિસ્તારમાં રહેતા કિન્નરને વોટ્સએપ ગ્રુપમાં પેટલાદના અખાડાના પાંચ જેટલા કિન્નરો દ્વારા ધમકી આપવામાં આવી છે. જાતિ વિષયક શબ્દો બોલીને અપમાન કર્યું હતું. એક કિન્નરે હું ખુની છું, મારું નામ કેમ લો છો? તારું ખૂન કરી નાખીશ એવી ધમકી પણ આપી હતી. વોટ્સએપ ગ્રુપમાં ધમકી આપવામાં આવતા કિન્નરે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં પાંચ જેટલા કિન્નર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વોટ્સએપમાં જય મેલડી મા નામથી એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છેશહેરના બહેરામપુરા વિસ્તારમાં ગ્રીન ક્રોસ સોસાયટીની બાજુમાં માતાજીનો મઢ આવેલો છે જેમાં હિતેશભાઈ શ્રીમાળી ઉર્ફે સંગીતા દે પાવૈયા તેમના ગુરુ સાનિયા દે અને અન્ય 15 કિન્નરો સાથે રહે છે. નારોલ ગામમાં યજમાન વૃત્તિ ઉઘરાવવાનું કામ કરે છે. વોટ્સએપમાં જય મેલડી મા નામથી એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે, જેમાં આશરે 300 જેટલા કિન્નરો ગ્રુપમાં છે. ગ્રુપ એડમીન તરીકે પેટલાદ અખાડામાં અગાઉ આરતી બાપુના મઢ ખાતે કિન્નર ગ્રુપમાં ઝારા કુવર અને અન્ય કિન્નરની સાથે રહેતા હતા. તેમની સાથે ફાવતું ન હોવાથી જુદા થઈ અને સાનિયા દે સાથે અમદાવાદ રહેવા આવ્યા હતા. જેમ ફાવે તેમ જાતિ વિષયક શબ્દો બોલી અપમાનિત કર્યા હતા10 માર્ચના રોજ સાંજના સમયે જ્યારે સંગીતા દે આરામ કરતા હતા ત્યારે વોટ્સએપમાં જય મેલડી માં ગ્રુપમાં એક વીડિયો મેસેજ આવ્યો હતો. જે વીડિયો જોતા પેટલાદ ખાતે રહેતા આરતી કુવરે વીડિયો ક્લિપ મોકલી હતી. સંગીતા દે ને સંબોધીને મોકલવામાં આવેલી હતી. આરતી કુવર ઉર્ફે સમીરખાન ઝારા કુવર મરાઠી દ્વારા જાતિ વિષયક શબ્દો બોલવામાં આવ્યા હતા અને અપમાનિત કરતી બે વીડિયો ક્લિપ મોકલી હતી. કાજલ કુવર નીલમ કુંવર તથા જ્યોતિ કુવરે સાથે મળીને વોઇસ કોલ ઉપર સંગીતા દે અને તેમના ચેલાઓને જેમ ફાવે તેમ જાતિ વિષયક શબ્દો બોલી અપમાનિત કર્યા હતા પાંચ કિન્નર વિરુદ્ધ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીઝારા કુવરે હું ખૂની છું મારું નામ કેમ લો છો? તારું ખૂન કરી નાખીશ એવી ધમકી આપતા વોઇસ મેસેજ મોકલ્યો હતો. આ વોઈસ રેકોર્ડિંગ અને વીડિયો ક્લિપ પણ પોલીસ સમક્ષ રજુ કરવામાં આવ્યું હતું અને આ બાબતે પાંચ કિન્નર વિરુદ્ધ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પાટણ રોડ પર રિક્ષાની ટક્કરે યુવકનું મોત:19 વર્ષીય એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ, રિક્ષાચાલક ફરાર
પાટણના બોરસણ-રામનગર રોડ પર એક ગંભીર હિટ એન્ડ રન અકસ્માતમાં 19 વર્ષીય યુવક મિત વિષ્ણુ પટેલનું મોત થયું છે. પૂરઝડપે આવતી રિક્ષાએ એક્ટિવાને ટક્કર મારતા આ ઘટના બની હતી. અકસ્માત બાદ રિક્ષાચાલક વાહન છોડીને ફરાર થઈ ગયો હતો. આ મામલે પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ચંદ્રુમાણા ગામના વતની અને હાલ બોરસણ ખાતે રહેતા મિત વિષ્ણુભાઈ પટેલ (ઉંમર 19) ગત 11 માર્ચ, 2026ના રોજ સવારે આશરે 11:00 વાગ્યે તેમના એક્ટિવા પર બોરસણથી પાટણ તરફ જઈ રહ્યા હતા. પદ્મનાથ ચોકડી નજીક બોરસણ-રામનગર રોડ પર સામેથી આવતી રિક્ષાના ચાલકે તેમને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં મિતને માથાના તેમજ શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકના સંબંધી ભૂમિક પ્રહલાદભાઈ પટેલે રિક્ષાચાલક વિરુદ્ધ પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બી.એન.એસ. (B.N.S.) ની કલમ 281, 125(a), 106(1) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 અને 134 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિજયસિંહ રણજીતસિંહ ડાભી આ કેસની તપાસ ચલાવી રહ્યા છે.
કવાંટના માણકા રોડના કામમાં ભ્રષ્ટાચારનો આરોપ:સ્થાનિકોએ હાથથી ડામર ઉખાડ્યો; ફરી રોડ બનાવવાની માંગ કરી
છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના માણકા ગામે નવનિર્મિત રોડમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. આ રોડ બન્યાને માંડ ૨૦ દિવસ થયા છે, છતાં ડામર હાથથી ઉખડી રહ્યો છે અને કાંકરી પણ નીકળી રહી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ રોડ એટલો હલકી કક્ષાનો બનાવવામાં આવ્યો છે કે તેના પરથી વાહનો પસાર થતાં જ કાંકરી ઉખડવા માંડી છે. હાથ વડે ડામર ખેંચતા તે સરળતાથી નીકળી જાય છે, જે કામની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. માણકા ગામમાંથી પસાર થતો આ ડુંગરવાળો રસ્તો વર્ષોથી ખરાબ હાલતમાં હતો, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. વાહનચાલકોને ડુંગર ચઢવામાં પણ મુશ્કેલી પડતી હતી. લોકોની સતત માંગ બાદ તંત્ર દ્વારા આ પાકા ડામર રોડનું નિર્માણ કાર્ય હાથ ધરાયું હતું. છોટા ઉદેપુર જિલ્લો આદિવાસી બહુલ્ય ધરાવતો અને અંતરિયાળ ડુંગરાળ વિસ્તાર છે, જ્યાં આજે પણ ઘણા સ્થળોએ પાકા રસ્તાનો અભાવ જોવા મળે છે. એક તરફ સરકાર છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાની વાતો કરે છે, ત્યારે બીજી તરફ એજન્સીઓ દ્વારા આવા કામોમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિક લોકોને ભય છે કે આગામી ચોમાસામાં આ રોડ સંપૂર્ણપણે તૂટી જશે. તેમણે આ મામલે જવાબદાર એજન્સી સામે તપાસ કરીને રોડનું ફરીથી ગુણવત્તાયુક્ત નિર્માણ કરવાની માંગ કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે આણંદના ચિખોદરા ખાતે ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના સ્વર્ગસ્થ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારની પ્રાર્થનાસભામાં હાજરી આપી હતી. મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને શોકસંતૃપ્ત પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી. સ્વર્ગસ્થ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર 1975થી જાહેરજીવનમાં સક્રિય હતા. તેમણે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત ચિખોદરા ગામના સરપંચ તરીકે કરી હતી. બાદમાં તેઓ 1995માં પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે રાજ્ય સરકારમાં કૃષિ રાજ્ય મંત્રી તરીકે પણ સેવા આપી હતી. ગોવિંદભાઈ પરમાર વર્ષ 2017 અને 2022માં ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે ફરીથી ચૂંટાયા હતા. સ્થાનિક સમાજ જીવનમાં તેમની મજબૂત પકડ હતી. તેમના અવસાનથી આ ક્ષેત્રમાં મોટી ખોટ પડી છે. આ પ્રાર્થનાસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી સંજયસિંહ મહિડા, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી, નાણા રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત અગ્રણીઓમાં જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, ધારાસભ્યો વિપુલભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, યોગેશભાઈ પટેલ, અગ્રણી સંજયભાઈ પટેલ, ભૂતપૂર્વ ધારાસભ્યો જયંતભાઈ બોસ્કી, નિરંજનભાઈ પટેલ, જસુભા, કાંતિભાઈ સોઢા પરમાર, દિલીપભાઈ પટેલ, કેસરીસિંહ સોલંકી, વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા, ભૂતપૂર્વ મંત્રી ભરતસિંહ સોલંકી અને ચારુતર વિદ્યામંડળના ચેરમેન ભીખુભાઈ પટેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ચિખોદરા ગામના સરપંચ નીલમબેન અશોકભાઈ પરમાર, સ્વર્ગસ્થ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના મોટા પુત્ર અશોકભાઈ ગોવિંદભાઈ પરમાર અને નાના પુત્ર હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર, તેમના પત્ની મણીબેન ગોવિંદભાઈ પરમાર, દીકરીઓ ચંપાબેન ગોવિંદભાઈ પરમાર, નીતાબેન અલ્પેશકુમાર ચાવડા અને મીનાબેન રાજેન્દ્રસિંહ ગોહિલ, તેમજ ગોવિંદભાઈ પરમારના ભાઈ મેલાભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો શ્રદ્ધાંજલિ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા.
મોડાસાના શામળાજી રોડ પર આવેલા સીએનજી પંપ પાછળના જંગલ વિસ્તારમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી. ભારે પવનને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ મોડાસા ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ટીમ સાથે સ્થળ પર પહોંચી હતી. ફાયર ફાઈટરોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આ આગમાં જંગલ વિસ્તારની વનરાજી બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે, સીએનજી પંપ નજીક હોવા છતાં કોઈ મોટી દુર્ઘટના ટળી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઉનાળાની શરૂઆત થતા જ આગ લાગવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે.
ગ્રીન સિટી તરીકે ઓળખાતા ગાંધીનગરને હવે પ્લાસ્ટિક મુક્ત બનાવવાના અભિયાનમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. ગાંધીનગર મહાનગરપાલિકા અને ખાનગી કંપનીના સંયુક્ત ઉપક્રમે શહેરમાં પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન માટે આકર્ષક પાણીની બોટલના આકારનીબોટલ શેપ ડસ્ટબિન્સ મૂકવામાં આવી છે. આ પહેલ માત્ર સ્વચ્છતા પૂરતી મર્યાદિત નહીં પરંતુ નાગરિકોમાં પ્લાસ્ટિક રિસાયકલિંગ પ્રત્યે જાગૃતિ લાવવા માટેનો એક પ્રયાસ કરાયો છે. પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન માટે આકર્ષક પાણીની બોટલના આકારની ડસ્ટબિન્સ મૂકવામાં આવીગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન માટે આકર્ષક પાણીની બોટલના આકારની બોટલ શેપ ડસ્ટબિન્સ મૂકવામાં આવી છે. આ માટે મહાનગરપાલિકા દ્વારા શહેરના એવા સ્થળોની પસંદગી કરવામાં આવી છે જ્યાં લોકોની અવરજવર સૌથી વધુ રહેતી હોય છે. હાલમાં પ્રથમ તબક્કા હેઠળ ખ 0 સર્કલ મેક્ડોનાલ્ડ્સ પાસેનો વિસ્તાર,સરગાસણ ઝેડ બ્લુ શો-રૂમ પાસે,સેક્ટર-16 માધવી ડેરી પાસે અને સેક્ટર-9 સરિતા ઉદ્યાન પાસે બોટલ શેપ ડસ્ટબિન્સ મૂકવામાં આવી છે.સામાન્ય રીતે કચરાપેટીઓ જોતા લોકોમાં સૂગ ચડતી હોય છે પરંતુ આ બિન્સને આકર્ષક રીતે પાણીની બોટલ જેવો આકાર આપવામાં આવ્યો છે. પ્લાસ્ટિક સીધું જ રિસાયકલિંગ માટે મોકલવામાં આવશેઆ પાછળનો મનોવૈજ્ઞાનિક હેતુ એ છે કે, લોકો દૂરથી જ સમજી શકે કે આ માત્ર પ્લાસ્ટિકની બોટલો માટે છે. બોટલ્સ ફોર ચેન્જ પ્રોગ્રામ હેઠળ આ બીન્સ દ્વારા એકત્રિત કરવામાં આવેલ પ્લાસ્ટિક સીધું જ રિસાયકલિંગ માટે મોકલવામાં આવશે. જેથી, તે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર ફરીથી ઉપયોગમાં લઈ શકાય. રસ્તા પર કે ગટરમાં પ્લાસ્ટિક ફેંકવાને બદલે આ નિર્ધારિત બિન્સનો ઉપયોગ કરેપર્યાવરણ નિષ્ણાતોના મતે પ્લાસ્ટિક જ્યારે ભીના કચરા સાથે ભળે છે ત્યારે તેને રિસાયકલ કરવું લગભગ અશક્ય બને છે. GMCના સૂત્રોના જણાવ્યા મુજબ જો નાગરિકો પ્લાસ્ટિક વેસ્ટને ઉદભવ સ્થાન પર જ એટલે કે આ બિન્સમાં જ અલગથી નાખે તો તેને અલગ તારવવાની મહેનત ઘટે છે અને પ્રદૂષણ અટકે છે. આ પ્રોજેક્ટ દ્વારા પાટનગરના વેસ્ટ મેનેજમેન્ટ મોડેલને વધુ આધુનિક બનાવવાનો લક્ષ્યાંક છે. શહેરના નાગરિકોને છે કે, તેઓ આ અભિયાનમાં સક્રિયપણે જોડાય. રસ્તા પર કે ગટરમાં પ્લાસ્ટિક ફેંકવાને બદલે આ નિર્ધારિત બિન્સનો ઉપયોગ કરે. જેથી ગ્રીન સિટી ગાંધીનગરને હવે પ્લાસ્ટિક ફ્રી સિટી બનાવવાની દિશામાં આ એક મોટું કદમ સાબિત થશે.
ગઢડામાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનના કામમાં ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાના મટીરીયલના ઉપયોગના આરોપ સાથે નગરપાલિકાના વિપક્ષ નેતા મીત ડાંગરે ફરી મુખ્યમંત્રીને પત્ર લખી ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે. આ પ્રોજેક્ટ અંદાજે ₹23 કરોડના ખર્ચે GUDC ગાંધીનગર અંતર્ગત ઘેલોનદી પર હાથ ધરવામાં આવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે જો દસ દિવસમાં આ મામલે તપાસ શરૂ નહીં થાય, તો 23 માર્ચે ગઢડા શહેર બંધ રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. અગાઉ પણ આ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં ફરી પત્ર લખવામાં આવ્યો છે. આ ડ્રેનેજ લાઇનનું કામ જયંતિ સુપર કન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં આવ્યું છે. વિપક્ષ નેતાનો આરોપ છે કે આ યોજનામાં ગંભીર અનિયમિતતાઓ છે અને હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે. તેમણે દાવો કર્યો છે કે ગટર લાઇનનું યોગ્ય લેવલ ન લેવાતા દૂષિત પાણી બહાર નીકળે છે. ગટરનું પાણી STP (સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) સુધી પહોંચવાને બદલે સીધું પવિત્ર ઘેલા નદીમાં ભળી રહ્યું છે. આના કારણે ઘેલા નદીનું પ્રદૂષણ વધી રહ્યું છે, જે યાત્રાળુઓ અને નાગરિકોના આરોગ્ય સાથે ચેડા સમાન છે. વધુમાં, નવી લાઇન નાખવાની મંજૂરી હોવા છતાં જૂની લાઇન જ યથાવત રાખી હોવાનો પણ આરોપ છે. મીત ડાંગરે આ સમગ્ર મામલે વિજીલન્સ અથવા ક્વોલિટી કન્ટ્રોલ દ્વારા ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે. જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો ગઢડા શહેર બંધ રાખીને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક કારીગરો તથા નાના ઉદ્યોગકારોને કાયમી બજાર ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પહેલ કરી છે. ગુજરાત શહેરી આજીવિકા મિશન અંતર્ગત અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં એક-એક ‘નમો સ્વદેશી અર્બન મોલ’ બનાવવામાં આવશે. આ મોલમાં સ્થાનિક કારીગરો, મહિલા સ્વસહાય જૂથોની બહેનો, શેરી ફેરીયાઓ અને નાના વેપારીઓને પોતાના સ્વદેશી ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવાની સુવિધા મળશે. સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પગલાં લેવામાં આવ્યાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’, ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વોકલ ફોર લોકલ’ જેવા અભિયાનોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર આ પહેલ આગળ ધપાવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શહેરી વિસ્તારોમાં સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળ ગુજરાત શહેરી આજીવિકા મિશન દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી રહી છે. ‘નમો સ્વદેશી અર્બન મોલ’ દ્વારા સ્વદેશી ઉત્પાદનોના વેચાણ માટે આધુનિક અને સુવ્યવસ્થિત બજાર વ્યવસ્થા ઉભી કરવામાં આવશે, જેથી શહેરના લોકો એક જ જગ્યાએથી વિવિધ સ્વદેશી વસ્તુઓ સરળતાથી ખરીદી શકે. ચાર મોટા શહેરોમાં કાયમી સ્વદેશી અર્બન મોલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યોઉલ્લેખનીય છે કે, વર્ષ 2025-26 દરમિયાન રાજ્યની 16 મહાનગરપાલિકાઓમાં પ્લાસ્ટિક ફ્રી ‘સ્વદેશી ફેસ્ટિવલ’ અંતર્ગત સ્વદેશી મેળાઓ યોજાયા હતા. તેમાં સ્થાનિક કારીગરો, સ્વસહાય જૂથો અને નાના વેપારીઓને તેમના ઉત્પાદનો પ્રદર્શિત કરવા માટે તક મળી હતી. હવે આ પહેલને વધુ મજબૂત બનાવવા માટે ચાર મોટા શહેરોમાં કાયમી સ્વદેશી અર્બન મોલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2026-27ના બજેટમાં ‘નમો સ્વદેશી અર્બન મોલ’ અને સ્વદેશી મેળાઓના આયોજન માટે રૂ. 45 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ મોલ શરૂ થતાં સ્થાનિક કારીગરો અને નાના ઉદ્યોગકારોને સ્થિર બજાર મળશે તેમજ ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને વધુ વેગ મળશે.
વલસાડ નગરપાલિકામાં ટાઉન પ્લાનિંગ અને વોટર વર્ક્સ સમિતિના ચેરમેન અમિત દેસાઈએ પોતાના પદ પરથી અચાનક રાજીનામું આપી દીધું છે. આ ઘટનાથી નગરપાલિકાના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. અમિત દેસાઈના આ અચાનક રાજીનામાથી શાસક પક્ષ ભાજપમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ છે. ટાઉન પ્લાનિંગ અને વોટર વર્ક્સ સમિતિ નગરપાલિકાની વિકાસ અને સુવિધા સંબંધિત સૌથી મહત્વપૂર્ણ સમિતિઓમાંની એક ગણાય છે. મળતી માહિતી મુજબ, અમિત દેસાઈએ પોતાના રાજીનામામાં વ્યક્તિગત કામોમાં વ્યસ્તતાને કારણભૂત દર્શાવ્યું છે. જોકે, રાજકીય ગલિયારામાં આ રાજીનામા પાછળ અન્ય કોઈ આંતરિક કારણો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. હવે આ સમિતિના નવા ચેરમેન કોણ બનશે અને ભાજપ સંગઠન આ મામલે શું નિર્ણય લે છે, તેના પર સૌની નજર ટકેલી છે. વલસાડ નગરપાલિકાની રાજનીતિમાં આગામી દિવસોમાં વધુ રાજકીય હલચલ સર્જાય તેવી શક્યતા છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભરૂચ નગરપાલિકા દ્વારા મહિલા સફાઈ કર્મચારીઓ માટે વિશેષ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું. પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પમાં વોર્ડ નંબર 3 અને 4 ની કુલ 39 મહિલા સફાઈ કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ મેડિકલ કેમ્પ દરમિયાન તબીબોની ટીમે બ્લડ પ્રેશર, બ્લડ શુગર અને હિમોગ્લોબિન સહિતની વિવિધ આરોગ્ય તપાસો કરી હતી. આ ઉપરાંત, મહિલાઓને સ્વચ્છતા, પોષણ અને આરોગ્ય જાગૃતિ અંગે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવામાં મહત્વપૂર્ણ યોગદાન આપતી મહિલા સફાઈ કર્મચારીઓના આરોગ્યની કાળજી લેવાના હેતુથી આ કેમ્પ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન તબીબો અને આરોગ્ય સ્ટાફ દ્વારા જરૂરી દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતો અને હાલ ઉત્તરાખંડ ખાતે ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતો આર્મી જવાને આત્મહત્યા કરી લીધી છે. તાજેતરમાં રજા લઈને પરિવારને મળવા આવ્યો હતો. આજે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા ગંભીર હાલતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ શહેરના હાદાનગર વિસ્તારમાં આવેલી સ્નેહમિલન સોસાયટીમાં રહેતા આસિફ જમાલ પરમાર ગત તા.23 ફેબ્રુઆરીના રોજ ફરજ સ્થળેથી રજા લઈને પરિવારને મળવા માટે ભાવનગર આવ્યો હતો. આ દરમિયાન કોઈ અગમ્ય કારણોસર તેણે તેના ઘરે ઝેરી દવા પી લેતા ગંભીર હાલતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન આસિફનું મોત થયું હતું. આત્મહત્યાનું રહસ્ય અકબંધઆ બનાવની જાણ બોરતળાવ પોલીસને થતા પોલીસ સ્ટાફનો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. મૃતકે ક્યાં કારણોસર આજુગતું પગલું ભર્યું તે અંગે કોઈ સત્તાવાર માહિતી જાણવા મળી નથી, વધુમાં પોલીસે પરિવારના નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની સૂચનાથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ લાલ આંખ કરી છે. એસ.ઓ.જી.ની ટીમે ગાજરાવાડી વિસ્તારમાં રેડ કરી મેડિકલ ડિગ્રી વગર એલોપેથિક ક્લિનિક ચલાવતા એક શખ્સને મેડિકલ સાધનો અને દવાઓના જથ્થા સાથે દબોચી લીધો છે. ગુપ્ત બાતમીના આધારે ‘સ્વસ્તિક ક્લિનિક’ પર ત્રાટકી પોલીસ એસ.ઓ.જી. પી.આઈ. જે.આર. ગામીતના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન એ.એસ.આઈ. જયેન્દ્રસિંહ ભીમસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે, ગાજરાવાડીના શિવનગર મહોલ્લામાં આવેલ ‘સ્વસ્તિક ક્લિનિક’માં ધવલ ભરતભાઇ કવાડ નામનો શખ્સ કોઈપણ માન્ય ડિગ્રી વગર એલોપેથિક પ્રેક્ટિસ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને સાથે રાખી ક્લિનિક પર દરોડો પાડ્યો હતો. 7 મહિનાથી ચાલતી હતી ગેરકાયદેસર હાટડી તપાસ દરમિયાન સામે આવ્યું કે, મૂળ ભાવનગરના મહુવાનો વતની ધવલ કવાડ છેલ્લા 7 મહિનાથી આ વિસ્તારમાં ગેરકાયદેસર ક્લિનિક ચલાવી દર્દીઓને એન્ટિબાયોટિક અને સ્ટીરોઈડ જેવી દવાઓ આપી તેમના જીવ જોખમમાં મૂકી રહ્યો હતો. તેની પાસે ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક કે યુનાની સિસ્ટમ્સનું કોઈ રજિસ્ટ્રેશન કે મેડિકલ ડિગ્રી મળી આવી ન હતી. ઝડપાયેલા આરોપી ધવલ કવાડ વિરુદ્ધ ભારતીય નાગરિક ન્યાય સંહિતાની કલમ 125 તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ-1963ની કલમ 30 અને 33 મુજબ પાણીગેટ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. 30,170 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત પોલીસે ક્લિનિકમાંથી વિવિધ મેડિકલ સાધનો અને દવાઓ સહિત કુલ રૂ. 30,170ની મત્તા જપ્ત કરી છે, સ્ટીરોઈડ, એન્ટિબાયોટિક અને પેઈન કિલર દવાઓ તથા સિરપ, ઇન્જેક્શન અને ગ્લુકોઝની બોટલો અને બીપી ઇન્સ્ટ્રુમેન્ટ, ગ્લુકોમીટર, નેબ્યુલાઇઝર અને સ્ટેથોસ્કોપ, UPI સ્કેનર મશીન અને મોબાઈલ ફોન જપ્ત કર્યા છે.
ગીર સોમનાથ જિલ્લામાં કોંગ્રેસના નવા સંગઠન માળખાની રચના પછી સંગઠનાત્મક બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તાલુકા અને શહેર કક્ષાએ પાર્ટીને મજબૂત કરવા કોંગ્રેસ કાર્યકર્તાઓ સક્રિય બન્યા છે. આ સંદર્ભે, સુત્રાપાડા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના નવા વરાયેલા હોદ્દેદારોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ આગામી દિવસોમાં પાર્ટી સંગઠનને ગામ અને વોર્ડ સ્તરે વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી. ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ દ્વારા આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને અત્યારથી જ વ્યૂહરચના ઘડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે આગામી 15મી તારીખે જિલ્લા કક્ષાના કોંગ્રેસ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યાલય લોકાર્પણ કાર્યક્રમમાં રાષ્ટ્રીય કોંગ્રેસના સેક્રેટરી તથા ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અગ્રણી અમિત ચાવડા તેમજ વિપક્ષના નેતા તુષાર ચૌધરી સહિતના અગ્રણી નેતાઓ હાજરી આપશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તાલુકા અને જિલ્લા કક્ષાએ ચૂંટણી સમિતિઓની રચના તેમજ બેઠકોનું આયોજન પણ શરૂ કરવામાં આવ્યું છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે ઉમેદવારો જીતવાની ક્ષમતા ધરાવતા હોય, સ્થાનિક સ્તરે લોકપ્રિયતા ધરાવતા હોય અને સ્વચ્છ છબી ધરાવતા હોય, તેવા ઉમેદવારોને જ ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવશે. આ વખતે કોંગ્રેસ પક્ષ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 50 ટકા ટિકિટ યુવા વર્ગને આપવામાં આવશે. યુવાનોને રાજકારણમાં આગળ લાવવા અને નવા નેતૃત્વને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવાયો હોવાનું જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું. આમ, ગીર સોમનાથ જિલ્લામાં કોંગ્રેસ પક્ષ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને મજબૂત બનાવવાની દિશામાં સક્રિય રાજકીય ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે.
પાટણ SOG પોલીસે સાંતલપુર તાલુકાના બામરોલી ગામે મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી ₹33,103.16નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાટણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમ વારાહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને ખાનગી બાતમી મળી હતી કે બામરોલી ગામે કાનજીભાઈ સોમાભાઈ ઠાકોરના ભાડાના મકાનમાં એક શખ્સ ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે મેડિકલ ઓફિસર અને પંચોને સાથે રાખી દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, મકાનમાંથી કમલેશભાઇ બાબુભાઇ ઠાકોર (રહે. અબલા, તા. ભાભર) નામનો શખ્સ મળી આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે તેની પાસે કોઈ મેડિકલ ડિગ્રી કે લાયસન્સ નથી અને તેણે માત્ર TYBA સુધી અભ્યાસ કર્યો છે. તેમ છતાં તે અનુભવના આધારે દર્દીઓને તપાસી એલોપેથીક દવાઓ અને ઇન્જેક્શન આપી રહ્યો હતો, જે લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી હતું. પોલીસે ઘટનાસ્થળેથી જુદી-જુદી એલોપેથીક દવાઓ, સીરપ, ઇન્જેક્શન, બીપી માપવાનું મશીન, સ્ટેથોસ્કોપ, નેબ્યુલાઈઝર મશીન અને ગ્લુકો મીટર સહિત કુલ ₹33,103.16નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 319(2) અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963ની કલમ 30 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
શહેરની પ્રતિષ્ઠિત ડી.એન. હાઈસ્કૂલના કેમ્પસમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલમાં ધોરણ-11માં અભ્યાસ કરતી સગીરા ધરતીબેન ગોહીલના શંકાસ્પદ મોતને લઈને સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ ઘટનાને આત્મહત્યા નહીં પરંતુ 'હત્યા' ગણાવી આજે અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા આણંદ અને ખંભાત ખાતે વિશાળ રેલી યોજી ન્યાયની માગ કરવામાં આવી હતી. તારાપુરના ફતેપુરાની વતની અને ડી.એન. હોસ્ટેલમાં રહીને ધોરણ-11માં અભ્યાસ કરતી ધરતી ગોહીલનો મૃતદેહ ગત 2 માર્ચે હોસ્ટેલના રૂમમાંથી લટકતી હાલતમાં મળી આવ્યો હતો. શરૂઆતમાં આ ઘટનાને આત્મહત્યા ગણાવવામાં આવી હતી, પરંતુ મૃતદેહની સ્થિતિ અને હોસ્ટેલ પ્રશાસનની ભૂમિકાને લઈને અનેક ગંભીર સવાલો ઉભા થયા છે. કોળી સમાજનો પ્રચંડ વિરોધ અને રેલી આજે સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ક્ષત્રિય કોળી સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. અખિલ ભારતીય કોળી સમાજના નેજા હેઠળ વિજય બારૈયા અને રાજુ સોલંકીની આગેવાનીમાં વિશાળ રેલી કાઢવામાં આવી હતી. દીકરીને ન્યાય આપોના પ્લેકાર્ડ્સ સાથે સમાજના યુવાનો અને અગ્રણીઓએ આણંદ કલેક્ટર કચેરી અને ખંભાત પ્રાંત કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી ધરણા કર્યા હતા. નિવાસી અધિક કલેક્ટર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી આ કેસની નિષ્પક્ષ તપાસની માગ કરવામાં આવી હતી. તપાસ પર ઉઠેલા ગંભીર સવાલો સમાજના અગ્રણીઓએ આવેદનપત્રમાં મુખ્ય ત્રણ મુદ્દા પર શંકા વ્યક્ત કરી છે: કડક કાર્યવાહી કરવામાં નહીં આવે, તો ઉગ્ર આંદોલનની ચીમકી કોળી સમાજે માગ કરી છે કે, આ સમગ્ર પ્રકરણની તપાસ કોઈ ઉચ્ચ સ્તરીય તપાસ એજન્સી દ્વારા કરવામાં આવે. જો આગામી દિવસોમાં કસૂરવારો સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે, તો સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ તેજ કરી છે.
વીરપુરમાં કમળાના 6 શંકાસ્પદ કેસ નોંધાયા:દૂષિત પાણીથી રોગચાળાની આશંકા, આરોગ્ય વિભાગ સતર્ક
મહીસાગર જિલ્લાના વીરપુર શહેરમાં કમળાના શંકાસ્પદ કેસો નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, વીરપુર શહેરના પ્રજાપતિ ફળિયા વિસ્તારમાં અંદાજે છ જેટલા લોકોને કમળો થયો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકો દૂષિત પાણીના કારણે રોગચાળો ફેલાયો હોવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. ટીમે વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી શરૂ કરી છે. આ ઉપરાંત, ક્લોરિન ટેબ્લેટનું વિતરણ, ક્લોરિન ટેસ્ટ, આરોગ્ય જનજાગૃતિ કાર્યક્રમો, સિરમ કલેક્શન અને પાણીના સેમ્પલ લેવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. હાલ સુધીમાં ચાર લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. વધુ બે થી ત્રણ શંકાસ્પદ દર્દીઓ જણાતા તેમના સેમ્પલ પણ લેવાશે. આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર વિસ્તાર પર સતત નજર રાખવામાં આવી રહી છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી હાલ નવસારી જિલ્લાના બે દિવસીય પ્રવાસે છે. પ્રવાસના બીજા દિવસે તેમણે ચીખલી તાલુકાના રૂમલા ગામમાં આવેલા 'મારૂતિ મંથન પ્રાકૃતિક ફાર્મ'ની મુલાકાત લીધી હતી. અહીં તેમણે ખેડૂતો સાથે સંવાદ કર્યો અને પ્રાકૃતિક ખેતી દ્વારા 'વિકસિત ભારત 2047'ના સ્વપ્નને સાકાર કરવા આહવાન કર્યું હતું. પ્રાકૃતિક ખેતીના પ્રખર હિમાયતી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ફાર્મમાં ગાય દોહી હતી. તેમણે પશુપાલકોને વધુ દૂધ ઉત્પાદન માટે પશુ આહારના મહત્વ વિશે માહિતી આપી. ફાર્મના માલિક બિપીન પટેલની મહેનતને બિરદાવતા તેમણે જણાવ્યું કે, અમેરિકાનું ગ્રીન કાર્ડ છોડીને સ્વદેશી ધરતી અને લોકોના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી કરવી એ પ્રશંસનીય છે. રાજ્યપાલે આંબાની કલમો પર લહેરાતા કેસર કેરીના પાકનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જાતે જ પ્રાકૃતિક પદ્ધતિથી બનેલા અસ્ત્રનો સ્પ્રે કર્યો. ખેડૂતોને માર્ગદર્શન આપતા તેમણે જણાવ્યું કે, ફ્લાવરિંગ માટે ગોળ અથવા શેરડીના રસમાં દૂધ મેળવી સ્પ્રે કરવાથી મધમાખીઓ આકર્ષાય છે, જેનાથી ફ્લાવરિંગ વધે છે. આંબામાં મોર (ફૂલ) આવે ત્યારે પાણી ન આપવું જોઈએ તેવી પણ સલાહ આપી. ખેડૂતો સાથેના સંવાદમાં રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીના મુખ્ય પાંચ આયામો વિશે વિસ્તૃત સમજ આપી. આમાં જીવામૃત, બીજામૃત, આચ્છાદન (Mulching), વાપસા અને મિશ્રપાકનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું કે આ પદ્ધતિથી જમીનનું ઓર્ગેનિક કાર્બન વધે છે અને જમીન ફળદ્રુપ બને છે. રાસાયણિક ખેતીને કારણે વધતા કેન્સર જેવા રોગો સામે પ્રાકૃતિક ખેતી એકમાત્ર વિકલ્પ છે. રૂમલા બાદ રાજ્યપાલે નવસારી શહેરમાં આવેલા પ્રાકૃતિક કૃષિ મોલની પણ મુલાકાત લીધી. અહીં તેમણે શાકભાજી અને ખાદ્ય સામગ્રી વેચતા વેપારીઓ સાથે મુલાકાત કરી. શહેરીજનોને ઝેરમુક્ત, ગુણવત્તાયુક્ત આહાર પૂરો પાડવા અપીલ કરી. આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ, કલેક્ટર ક્ષિપ્રા આગ્રે, ડીડીઓ પુષ્પલતા, એસપી રાહુલ પટેલ સહિત ખેતીવાડી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, 2002 હેઠળ ‘કુટુંબ’ ની વ્યાખ્યામાં સુધારો કરીને તેને વધુ વ્યાપક બનાવવામાં આવી છે. આ અંગે સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. સુધારા મુજબ હવે સરકારી કર્મચારી પર આર્થિક રીતે આધારિત હોય અને તેની સાથે રહેતા હોય તેવા ભાઈ-બહેનને પણ તબીબી સારવારનો લાભ મળશે. કુટુંબ ની વ્યાખ્યામાં સુધારોઆરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા.24 ઓગસ્ટ, 2015ના ઠરાવથી લાગુ કરેલ ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, 2015ના નિયમ-2.2માં આપવામાં આવેલ કુટુંબ ની વ્યાખ્યાને બદલે તેના સ્થાને ગુજરાત મુલ્કી સેવા (નોકરીની સામાન્ય શરતો) નિયમો, 2002 ના નિયમ-9(26)માં આપવામાં આવેલ નીચે મુજબની કુટુંબ ની વ્યાખ્યા લાગુ પાડવાની રહેશે. કુટુંબ એટલે યથાપ્રસંગ, સરકારી કર્મચારીની સાથે રહેતા પત્ની અગર પતિ તેમજ તેની સાથે રહેતા અને સર્વથા તેના ઉપર આધારિત ઔરસ કે સાવકા બાળકો. આ ઉપરાંત તેના માતા પિતા, બહેનો, સગીર ભાઈઓ કે જેઓ સાથે રહેતા હોય અને તેના ઉપર સર્વથા આધારિત હોય તેઓનો પણ તેમાં સમાવેશ થાય છે. કુટુંબ શબ્દમાં આ નિયમોના હેતુ માટે, એક કરતાં વધુ પત્નીનો સમાવેશ થતો નથી. સરકારી કર્મચારીના અંગત કાયદા હેઠળ જો દત્તક વિધિ ગ્રહણ કાયદેસર ગણાતી હોય અને તેથી દત્તક લીધેલ બાળકને ઔરસ બાળકનો દરજ્જો પ્રાપ્ત થતો હોય, તો તેણે દત્તક લીધેલ બાળકને કાયદેસર ઔરસ બાળક ગણવામાં આવશે. ઔરસ કે ઓરમાન બાળક, માતા-પિતા, બહેન, સગીર ભાઈ જેઓ સરકારી કર્મચારી સાથે રહેતા હોય અને જેમની બધા સ્ત્રોતોથી થતી પેન્શન સહિતની (પેન્શન ઉપર મળવાપાત્ર થતા હંગામી વધારા સહિતની) માસિક આવક રૂ.500થી વધુ થતી ન હોય તેવા સભ્યો સરકારી કર્મચારી ઉપર પૂર્ણત: આશ્રિત ગણાશે. નિયમમાં કરાયેલા સુધારાનો તુરંત અમલ કરાશેસરકારના નિર્ણય અનુસાર હવે સરકારી કર્મચારી સાથે રહેતા અને તેના પર આર્થિક રીતે આધારિત પરિવારના સભ્યોને સારવાર સંબંધિત લાભોમાં સમાવેશ કરવામાં આવશે. નવા સુધારા મુજબ કર્મચારી સાથે રહેતા માતા-પિતા, પત્ની અથવા પતિ, સંતાનો ઉપરાંત અન્ય નિર્ભર સભ્યોને પણ કેટલીક પરિસ્થિતિમાં લાભ મળવાની જોગવાઈ કરવામાં આવી છે. આ સુધારા બાદ હવે સરકારી કર્મચારીઓને તબીબી સારવાર માટે મળતા લાભોમાં વધુ સ્પષ્ટતા આવશે અને નિર્ભર પરિવારના સભ્યોને પણ યોગ્ય સારવાર સુવિધાનો લાભ મળી શકશે. સરકારે જણાવ્યું છે કે નિયમોમાં કરાયેલ આ સુધારો તરત જ અમલમાં આવશે.
વલસાડ નગરપાલિકાની ખાસ સામાન્ય સભામાં ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની કથળતી કામગીરીને લઈને હોબાળો થયો હતો. સત્તાધારી પક્ષના સભ્યોએ જ આ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો અને સંબંધિત એજન્સીને બ્લેક લિસ્ટ કરવાની માગ કરી હતી. સભ્યોએ રજૂઆત કરી હતી કે નવા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ હોવા છતાં એજન્સી દ્વારા કચરો ઉપાડવામાં બેદરકારી દાખવવામાં આવે છે. ઘણા વિસ્તારોમાં કચરા કલેક્શન વાહનો સમયસર આવતા નથી, જેના કારણે નાગરિકોને મુશ્કેલી પડી રહી છે. સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે એજન્સી માત્ર કાગળ પર કામ બતાવી રહી છે અને વાસ્તવિકતામાં કામગીરીમાં વેઠ ઉતારવામાં આવે છે. તેમણે બેદરકાર એજન્સી સામે માત્ર નોટિસ આપવાને બદલે તાત્કાલિક બ્લેક લિસ્ટ કરીને કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. સામાન્ય રીતે વિપક્ષ સવાલો ઉઠાવતો હોય છે, પરંતુ આ સભામાં વિપક્ષ ચૂપ રહ્યો હતો. ચર્ચા દરમિયાન એ પણ સપાટી પર આવ્યું હતું કે શહેરમાં કચરાના નિકાલ માટે પાલિકા પાસે કોઈ ઠોસ કે યોગ્ય આયોજનનો અભાવ છે. સત્તાધારી પક્ષના સભ્યોના વિરોધ સામે પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ બચાવની સ્થિતિમાં જોવા મળ્યા હતા.
ડાંગમાં કાર 360 ડિગ્રી ફરી ખાડામાં ખાબકી:ચાલકે કાબૂ ગુમાવતાં અકસ્માત, સદનસીબે જાનહાનિ ટળી
ડાંગ જિલ્લામાં માલેગામ-શામગહાન માર્ગ પર એક કાર અકસ્માતનો ભોગ બની હતી. મારૂતિ સુઝુકી નેક્સા સિરીઝની GJ 05 JT 6202 નંબરની કાર રોડ સાઇડના ખાડામાં ખાબકી હતી. સદનસીબે, આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને કારમાં સવાર લોકો સુરક્ષિત રહ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ, કારમાં સવાર બે વ્યક્તિઓ મહારાષ્ટ્રના ઈગતપુરી ખાતે એક લગ્ન સમારોહમાં હાજરી આપ્યા બાદ સુરત પરત ફરી રહ્યા હતા. ડાંગ જિલ્લાના માલેગામથી શામગહાન વચ્ચેના રસ્તા પર પહોંચતા જ ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ ગુમાવતા કાર રોડ પર લગભગ 360 ડિગ્રી જેટલી ફરી ગઈ હતી અને ત્યાર બાદ રોડની સાઇડમાં આવેલા ખાડામાં ખાબકી હતી. અકસ્માત બાદ તરત જ સ્થળ પર લોકો એકઠા થઈ ગયા હતા. આસપાસથી પસાર થતા રાહદારીઓએ તાત્કાલિક મદદ માટે દોડી આવી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. રાહદારીઓની મદદથી કારમાં સવાર બંને લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સાપુતારા પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ સાપુતારા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને અકસ્માતનો ભોગ બનેલા લોકોને સુરત તરફ રવાના થવામાં મદદ કરી હતી. આ અકસ્માત ગંભીર હોવા છતાં કોઈ જાનહાનિ ન થતાં લોકોમાં રાહત જોવા મળી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું કે જો કાર વધુ ઝડપમાં હોત તો આ અકસ્માત વધુ ગંભીર સાબિત થઈ શક્યો હોત.
ઘરેલું ગેસ માટે વિવિધ જિલ્લાઓમાં હજુ પણ લાંબી કતારો જોવા મળી રહી છે. વડોદરામાં આજે સતત બીજા દિવસે ગેસ એજન્સીની બહાર ગેસ લેવા માટે કતાર જોવા મળી હતી. એક તરફ વહીવટી તંત્ર દ્વારા પૂરતો જથ્થો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે તો બીજી તરફ ગેસ સિલિન્ડર મેળવવા માટે લોકો લાંબી લાઇનો લગાવી રહ્યા છે. ઘરેલું ગેસ બુકિંગ બાદ પણ નથી મળી રહ્યાઅમેરિકા - ઈરાન વચ્ચેના યુધ્ધના કારણે ગેસની અછત ઉભી થશે તેવી સંભાવના જોવા મળી રહી છે. જેના કારણે ઘરેલું ગેસ મેળવવા માટે લોકો એજન્સીઓના ધક્કા ખાઈ રહ્યા છે. વડોદરાની વિવિધ ગેસ એજન્સીઓ ઉપર સવારથી જ લોકોની લાઇનો લાગી રહી છે. વડોદરાવાસીઓ ગેસની અછત ઉભી થશે તેવી ધારણા સાથે ઘરમાં રહેલો બીજો સિલિન્ડર પણ ભરાવી રહ્યા છે. જિલ્લામાં એલપીજીનો પૂરતો સ્ટોકવડોદરા જિલ્લા કલેકટર ડો. અનિલ ધામેલિયાએ ગઈકાલે પુરવઠા અધિકારી તેમજ ગેસ કંપનીના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લામાં ગેસની પૂરતો જથ્થો છે. જેથી લોકો પેનિક બુકિંગ ના કરાવે. આ ઉપરાંત ગેસના કાળાબજાર રોકવા માટે મામલતદાર કક્ષાએ ટીમોનું પણ ગઠન કરવામાં આવ્યું છે. જે સતત નજર રાખશે. ઘરેલું વપરાશકર્તાને પ્રાથમિકતા આપવામાં આવશે અને દરેક ગ્રાહકને 25 દિવસના અંતરાલે સિલિન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ત્રણ ગેસ કંપનીઓ દ્વારા રોજ 14,700 બોટલ રિફિલ થાય છેવડોદરા શહેર અને જિલ્લામાં હાલ કુલ મળી 5.44 લાખ જેટલા ઘરેલું ગેસ કનેક્શન અને 12 હજાર જેટલા વાણિજ્ય હેતુના ગેસ કનેક્શન ધારકો છે. હાલમાં આઇઓસીએલ દ્વારા 6 હજાર, એસપીસીએલ દ્વારા પાંચ હજાર અને બીપીસીએલ દ્વારા 3700 જેટલા સિલિન્ડર ફિલિંગ કરવામાં આવે છે. સામાન્ય દિવસોમાં પ્રતિદિન એકંદરે 8 હજાર જેટલા બૂકિંગ આવે છે. તેની સામે પ્રતિદિન ત્રણેય કંપની દ્વારા 14700 બોટલ રિફિલ કરવામાં આવે છે. મતલબ કે, માંગની સામે ફિલિંગની ક્ષમતા વધુ છે. હવે બજારમાં ખોટી માહિતી ફેલાવાના કારણે છેલ્લા કેટલાક દિવસોમાં બૂકિંગની સંખ્યા વધીને 12 હજાર જેટલી થઇ ગઇ છે. એટલે, આ બાબતને ધ્યાને રાખી કોઇ ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરને હવે શેલ દેદુમલ ડેમમાંથી કાયમી પાણીનો સ્ત્રોત મળશે. રાજ્ય સરકારે શહેર માટે 10.31 કરોડ ક્યુબિક ફીટ (CFT) પાણી અનામત રાખવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી સાવરકુંડલાને દરરોજ 80 લાખ લિટર પીવાનું પાણી ઉપલબ્ધ થશે. આ નિર્ણયથી શહેરીજનોમાં ખુશી જોવા મળી છે. આ સીમાચિહ્નરૂપ નિર્ણય સ્થાનિક ધારાસભ્ય મહેશ કસવાળાના સતત પ્રયાસો અને રજૂઆતોને કારણે શક્ય બન્યો છે. તેમના વિઝનથી શહેરને 1000 ફૂટ ઊંડા બોરના ક્ષારયુક્ત પાણીથી મુક્તિ મળશે. અત્યાર સુધી સાવરકુંડલાના નાગરિકો ઉચ્ચ TDS ધરાવતું પાણી પીવા મજબૂર હતા, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હતું. હવે શેલ દેદુમલ ડેમમાંથી શુદ્ધ પાણીની ફાળવણી થતાં, ઘરે-ઘરે ગુણવત્તાયુક્ત પીવાનું પાણી પહોંચશે. આનાથી શહેરની લાંબા સમયથી ચાલી આવતી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે અને ઉનાળામાં પાણીની અછત ભૂતકાળ બની જશે. વાર્ષિક 292 કરોડ લિટર પાણીનો જથ્થો અનામત રાખવાના નિર્ણયથી ઉનાળાના આકરા દિવસોમાં પણ શહેરના જળાશયો છલકાયેલા રહેશે. આનાથી ગૃહિણીઓને પાણી માટે ભટકવું નહીં પડે અને પાણીની વિકટ સ્થિતિનો કાયમી ઉકેલ આવશે. આ ઐતિહાસિક નિર્ણય બદલ ધારાસભ્ય મહેશ કસવાળાએ મુખ્યમંત્રી અને જળસંપત્તિ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે.
વડોદરા શહેરમાં અવારનવાર નાના-મોટા અકસ્માતો વધી રહ્યા છે. જેમાં ખાસ કરીને નશાની હાલતમાં અકસ્માતો વધુ સર્જાઈ રહ્યા છે. જેમાં મંગળવારે(10 માર્ચ) રાત્રે શહેરના દુમાડ પાસે કારને ટક્કર મારી ભાગેલા અમદાવાદના એન્જિનિયર પરાગ ચૌહાણ અને ડૉ. અંકુર ચૌહાણ, ડૉ. ધૈર્ય આચાર્યને સમા-સાવલી રોડ પર કારમાંથી દારૂ પીધેલી હાલતમાં પોલીસે ઝડપી લીધા હતા. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ મિત્રના લગ્નમાં અમદાવાદથી ગાડી લઈને આવ્યા હતા અને રસ્તામાં દારૂ પીધો હતો. બાદમાં પોલીસ આવતા આરોપીઓ ભાન ભૂલ્યા હતા અને મહિલા પોલીસકર્મી સાથે જીભાજોડી પણ કરી હતી જેનો વીડિયો પણ સામે આવ્યો છે. અમદાવાદના 2 ડૉક્ટર અને એન્જિનિયરનો વીડિયો વાઇરલઆ સમગ્ર ઘટના અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. જેમાં બે ડૉક્ટર અને એન્જિનિયર કારને ટક્કર માર્યા બાદ આગળ વધે છે. ત્યારે કેટલાક લોકો આ કારને રોકે છે ત્યારે લોકો સાથે અભદ્ર વર્તન કરતા નજરે પડે છે. સાથે જ મહિલા પોલીસ કર્મી સાથે પણ અભદ્ર ભાષામાં વાત કરતા નજરે પડી રહ્યા છે. પોલીસ પહોંચી ત્યારે કારમાંથી 3 વ્યક્તિ મળી આવ્યાઆ ઘટનાને લઈ જનરક્ષક પોલીસને જાણ થતા તાત્કાલિક ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસને જાગૃત નાગરિકે જાણ કરી હતી કે સમા સાવલી રોડ આઈઓસીએલ પેટ્રોલ પંપની સામે એક શખ્સ નશાની હાલતમાં કાર ચલાવી રહ્યો છે. જેના આધારે પોલીસ સ્થળ પર પહોંચી હતી. જ્યાં એક કારમાં ત્રણ વ્યક્તિ મળી આવ્યા હતા. અકસ્માત થયો હોવાથી કાર ચાલે તેવી સ્થિતિમાં નહોતીપોલીસે તપાસ કરતા ત્રણેય દારૂ પીધેલી હાલતમાં હતા. અકસ્માત થયો હોવાથી તેમની કાર પણ ચાલે તેવી સ્થિતિમાં રહી નહોતી. કારમાંથી અમદાવાદના એન્જિનિયર પરાગ ચૌહાણ અને ડૉ. અંકુર ચૌહાણ, ડૉ. ધૈર્ય આચાર્ય દારૂ પીધેલા પકડાયા હતા. અમદાવાદથી મિત્રના લગ્નમાં વડોદરા આવતાં કારમાં જ દારૂ પીધો હોવાનું હાલમાં પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ મામલે સમા પોલીસે ત્રણેય શખ્સ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર જપ્ત કરી છે. હાલમાં સમા પોલીસે એક અકસ્માત અને પ્રોહિબિશન હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરાગ ચૌહાણને ઓવરસ્પીડિંગના મેમો મળ્યા હતાપરાગ ચૌહાણે ઓગસ્ટ-2024માં ખેડા સોનીપુરમાં ઓવરસ્પિડિંગ કર્યું હતું, જેને લઈ તેને લાયસન્સ ન હોવાનો અને ઓવસ્પિડિંગનો મેમો અપાયો હતો.ઉપરાંત તે જ મહિનામાં પરાગે ગોધરામાં ઓવરસ્પિડિંગ કર્યું હતું અને તેમાં પણ તેને મેમો અપાયો હતો. ઓક્ટોબર-2024માં તેને અમદાવાદમાં ઓવસ્પિડિંગ કરતા ચલણ અપાયું હતું. પરાગને દંડ કરાતો હતો. જોકે તે તેમ છતાં ઓવરસ્પિંડિંગ કરતો હતો તેમ જાણવા મળ્યું છે.
અમીરગઢ પોલીસે ડુંગરપુરી મંદિરે નેજુ ચઢાવ્યું:ફાગણ વદ આઠમના મેળામાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પરંપરા જાળવી
અમીરગઢ પોલીસે ફાગણ વદ આઠમના પરંપરાગત મેળા દરમિયાન ડુંગરપુરી મંદિરે 'નેજુ' ચઢાવ્યું હતું. આ પ્રસંગે ડુંગરપુરીજી મહારાજના મંદિરે ભાતીગળ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ સ્ટાફ અને જીઆરડી જવાનોએ ઢોલ-નગારાના તાલે, હર્ષોલ્લાસ સાથે નાચતા-ગાતા મંદિરે પહોંચી આ વર્ષો જૂની પરંપરાગત 'નેજુ' ચઢાવવાની વિધિ પૂર્ણ કરી હતી. પોલીસે મહારાજના આશીર્વાદ પણ લીધા હતા. મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સુનિશ્ચિત કરવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ બંદોબસ્તમાં 100 જેટલા પોલીસ જવાનો અને જીઆરડી સ્ટાફ તૈનાત કરાયા હતા.
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલા 'સ્કૂલ સ્વચ્છતા અભિયાન' અંતર્ગત થયેલી તપાસનો ચોંકાવનારો મૂલ્યાંકન રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં શહેરની 17 જેટલી સ્કૂલોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. એક તરફ વરાછા ઝોનની સ્કૂલોએ 99 ટકા માર્ક્સ સાથે મેદાન માર્યું છે, તો બીજી તરફ અનેક સ્કૂલોમાં મેદાન અને વર્ગખંડની સફાઈમાં ગંભીર બેદરકારી સામે આવી છે. આ ગંભીર ક્ષતિઓને પગલે શાસનાધિકારી દ્વારા 17 સ્કૂલોના વહીવટદારોને કારણદર્શક નોટિસ ફટકારી તાત્કાલિક ખુલાસો કરવા આદેશ આપવામાં આવ્યો છે. પીવાના પાણીની પરબમાં લીલ અને સેવાળ જામીમૂલ્યાંકન દરમિયાન જે હકીકતો પ્રકાશમાં આવી છે તે અત્યંત ચિંતાજનક છે. સ્કૂલોમાં બાળકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ખાસ કરીને પીવાના પાણીની પરબમાં લીલ અને સેવાળ જામી ગયેલી જોવા મળી હતી, જે બાળકોમાં બીમારી ફેલાવી શકે છે. આટલું જ નહીં, સ્કૂલના શૌચાલયોમાં અસહ્ય દુર્ગંધ આવતી હોવાનું પણ રિપોર્ટમાં નોંધાયું છે. આશ્ચર્યની વાત તો એ છે કે, જે વિજ્ઞાન અને કોમ્પ્યુટર લેબમાં વિદ્યાર્થીઓ આધુનિક શિક્ષણ મેળવે છે, ત્યાં પણ ધૂળના ઢગલા જોવા મળ્યા હતા. કાગળ ઉપર સ્વચ્છતાના મોટા-મોટા દાવા કરતા અને 'ઘોડા દોડાવતા' આચાર્યોની આ મૂલ્યાંકનમાં પોલ ખુલી ગઈ છે. સ્કૂલોને તેમના નબળા દેખાવ બદલ 'સી' ગ્રેડ આપવામાં આવ્યોરિપોર્ટમાં જણાવ્યા અનુસાર, લિંબાયત ઝોનની સ્કૂલ નં. 404, વરાછા ઝોનની સ્કૂલ નં. 8 અને 271, રાંદેર ઝોનની સ્કૂલ નં. 322, 393 અને 88, અઠવા ઝોનની સ્કૂલ નં. 3, 4 અને 134, ઉધના ઝોનની સ્કૂલ નં. 10, 221, 245, 282 અને 283, તેમજ સેન્ટ્રલ ઝોનની સ્કૂલ નં. 36, 37, 50, 53, 126, 128 અને 139માં સ્વચ્છતાનું સ્તર સાવ તળિયે જોવા મળ્યું છે. આ સ્કૂલોને તેમના નબળા દેખાવ બદલ 'સી' ગ્રેડ આપવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ દિવસની શરૂઆત કરે તે પ્રાર્થના ખંડમાં પણ ગંદકીતપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, મેદાન અને ગાર્ડન જેવી પાયાની સુવિધાઓમાં શૂન્ય કામગીરી થઈ છે. એટલું જ નહીં, શિક્ષકો જ્યાં બેસે છે તે સ્ટાફરૂમ અને વહીવટી ઓફિસની સફાઈમાં પણ ઘોર આળસ દાખવવામાં આવી હતી. વિદ્યાર્થીઓ જ્યાંથી દિવસની શરૂઆત કરે છે તે પ્રાર્થના ખંડમાં પણ ગંદકી જોવા મળી હતી. શાસનાધિકારીએ 17 સ્કૂલોને અલ્ટીમેટમ આપ્યુંસરકાર દ્વારા સ્કૂલોમાં સ્વચ્છતા જાળવવા માટે માતબર ગ્રાન્ટ આપવામાં આવે છે, તેમ છતાં સ્કૂલના વહીવટકર્તાઓ કેટલા નિંભર છે તેની સાબિતી આ રિપોર્ટ આપે છે. શાસનાધિકારીએ આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈ તમામ 17 સ્કૂલોને અલ્ટીમેટમ આપી દીધું છે. આ નોટિસને કારણે સ્કૂલના આચાર્યો અને વહીવટકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ગુજરાત વિધાનસભામાં શ્રમ અને કૌશલ વિકાસ વિભાગ તેમજ આદિવાસી વિકાસ વિભાગની માંગણીઓ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા અનેક મહત્વના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. આદિવાસી હકો, શ્રમિકોના પ્રશ્નો, આંગણવાડી-આશા વર્કર બહેનોના વેતન તેમજ વિદ્યાર્થીઓને થતી મુશ્કેલીઓ મુદ્દે સરકાર સામે રજૂઆત કરવામાં આવી હતી. ખોટા આદિવાસીઓને બહાર કાઢવા કાંતિ ખરાડીની માગકોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ આદિવાસી વિભાગની માંગણીઓ પર બોલતાં કહ્યું હતું કે, આદિવાસી વિસ્તારોમાં દીકરીઓ માટે હોસ્ટેલની સુવિધા વધારવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે, વન અધિકાર યોજના હેઠળ ઘણા આદિવાસીઓને હજુ સુધી સનદ આપવામાં આવી નથી, તેથી નિયમ અનુસાર સનદો મંજૂર કરીને આપવી જોઈએ. સાથે જ ખોટા આદિવાસીઓને બહાર કાઢીને સાચા આદિવાસીની ખરાઈ કરવાની પણ માગ કરી હતી. ઉપરાંત આંગણવાડી બહેનોને યોગ્ય વેતન આપવામાં આવે તેવી રજૂઆત પણ કરી હતી. મેવાણીએ કુપોષિત બાળકો- આંગણવાડી બહેનોનો મુદ્દો ઉઠાવ્યોકોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ શ્રમ અને કૌશલ વિકાસ વિભાગની માંગણીઓ પર ચર્ચા દરમિયાન દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હાલમાં મહાજન પરંપરા ગાયબ થઈ ગઈ છે. 150થી વધુ બેઠકો ધરાવતી સરકાર હોવા છતાં આજે પણ 100માંથી 40 બાળકો કુપોષિત છે અને તેમાં મોટા ભાગે આદિવાસી બાળકો છે. વધુમાં મેવાણીએ ઉમેર્યું કે, એમએલએ ક્વાર્ટરમાં કામ કરતા શ્રમિકોએ ફરિયાદ કરી છે કે જો તેઓના વિશે ધારાસભ્ય ફરિયાદ કરશે કે તેમનું કામ યોગ્ય નથી તો કંઈપણ સાંભળ્યા વગર તેમને કાઢી મૂકવામાં આવશે. દરેક કચેરીમાં લઘુતમ વેતન સુનિશ્ચિત કરવા મેવાણીની માગમેવાણીએ રાજ્યની આંગણવાડી અને આશા વર્કર બહેનોની રજૂઆતો સ્વીકારી તેમને યોગ્ય વેતન આપવાની માંગણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, શેરડીના કામદારોને હજુ સુધી 87 કરોડ રૂપિયાનું ચુકવણું બાકી છે અને ઘણા સ્થળોએ આજેય લઘુતમ વેતન મળતું નથી. દરેક કચેરીમાં લઘુતમ વેતન સુનિશ્ચિત કરવું જોઈએ તેવી માગ પણ તેમણે કરી હતી. આ ઉપરાંત ફોર્ડ કંપનીના 140 કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે અને તેમને ટાટા કંપનીમાં સમાવી લેવાની વાત થઈ હતી, પરંતુ હજુ સુધી તે પ્રક્રિયા પૂર્ણ થઈ નથી તે મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો હતો. કોલેજો દ્વારા લેવાતા જાતિના પ્રમાણપત્ર મુદ્દે અનંત પટેલની ચર્ચાશ્રમ અને રોજગાર વિભાગની માંગણીઓ પર કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલએ પણ અનેક મુદ્દાઓ રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, વિસનગરની એક કોલેજમાં વિદ્યાર્થી સાથે અન્યાય થયો હતો અને તપાસમાં ખ્યાલ આવ્યો કે કોલેજને સમયસર શિષ્યવૃત્તિ મળી નહોતી. તેમણે આક્ષેપ કર્યો કે, કેટલાક કોલેજો આદિવાસી વિદ્યાર્થીઓના ઓરિજિનલ પ્રમાણપત્રો પરત આપતા નથી અને ત્રણ વર્ષની ફી ભર્યા બાદ જ પ્રમાણપત્ર આપવાની શરત મૂકે છે, જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથેનો અન્યાય છે. ગ્રામ પંચાયતની મંજૂરી વગર જમીન સંપાદન થતાની રજૂઆત અનંત પટેલે વધુમાં જણાવ્યું કે વર્ગ-3ની ભરતીમાં 157 આદિવાસી વિદ્યાર્થીઓને 40 ટકા કટ ઓફને કારણે નોકરી મળી નથી. ઉપરાંત 17 જાન્યુઆરી, 2017ના રોજ ગુજરાતમાં પેસા એક્ટ લાગુ થયો હોવા છતાં ગ્રામ પંચાયતની મંજૂરી વગર જમીન સંપાદન માટે એજન્સીઓ આવી જાય છે. તેથી પેસા એક્ટનું કડક પાલન થાય તે માટે કાયદો વધુ મજબૂત બનાવવાની જરૂર હોવાનું તેમણે કહ્યું. મોબાઇલ ટાવર માટે ગામોમાં ભાડું આપવામાં આવે છે, પરંતુ ખૂબ ઓછું ભાડું આપવામાં આવતું હોવાની પણ રજૂઆત કરી હતી. રાજ્યમાં ઉત્તર બુનિયાદી શાળાઓ 10 અને ઉચ્ચતર બુનિયાદી શાળાઓ 36 હોવાનું જણાવતાં તેમણે કહ્યું કે, આ શાળાઓમાં સ્ટાફ 24 કલાક સેવા આપે છે, છતાં તેમને માત્ર 30 રૂપિયા જેટલું વધારાનું વેતન આપવામાં આવે છે, જે અન્યાય સમાન છે. કોંગ્રેસ સમયે સ્કૂલ ન હોવાની વાત પર કિરીટ પટેલનો સણસણતો જવાબચર્ચા દરમિયાન એક રસપ્રદ ઘટના પણ બની હતી. ભાજપના ધારાસભ્ય જયંતી રાઠવા કોંગ્રેસ સરકારના સમયમાં શાળાઓ નહોતી એવું કહી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલએ ટોકાટોકી કરતા કહ્યું કે, જો શાળાઓ નહોતી તો આદિવાસી નેતા અમરસિંહ ચૌધરી એન્જિનિયર કેવી રીતે બન્યા? આ પ્રશ્ન પર રાઠવા કોઈ જવાબ આપી શક્યા નહોતા. આ ઉપરાંત ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી બોલતા હતા, ત્યારે અધ્યક્ષે તેમને મૌલિક રીતે બોલવાની ટકોર કરેલ તે સૂચનાને અનુસરતા હતા પણ બોલવાનું ભૂલી જતા ક્ષોભમાં મુકાયા અને વિચારીને ફરી પોતાની રજૂઆત શરૂ કરી હતી. વિધાનસભાની આ ચર્ચામાં આદિવાસી હકો, શ્રમિકોના પ્રશ્નો અને શિક્ષણ સંબંધિત મુદ્દાઓ કેન્દ્રમાં રહ્યા હતા.
જામનગરમાં ગેરકાયદેસર 4 દુકાનો તોડી પડાઈ:મનપાની એસ્ટેટ શાખાએ પાંચહાટડી વિસ્તારમાં કાર્યવાહી કરી
જામનગર મહાનગરપાલિકાએ ગેરકાયદેસર બાંધકામો સામે કડક કાર્યવાહી કરી છે. આજે વોર્ડ નંબર 12 માં આવેલા પાંચહાટડી, મણીયાર શેરી વિસ્તારમાં ચાર ગેરકાયદેસર દુકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આ દુકાનોને જમીનદોસ્ત કરવામાં આવી હતી. આ કાર્યવાહીથી શહેરના દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. મળતી માહિતી મુજબ, પાંચહાટડી વિસ્તારની મણીયાર શેરીમાં કોઈપણ પ્રકારની મંજૂરી મેળવ્યા વગર આ દુકાનોનું બાંધકામ કરી દેવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા દબાણકર્તાઓને અગાઉ 'કારણદર્શક નોટિસ' ફટકારવામાં આવી હતી. નોટિસ બાદ પણ ગેરકાયદે દબાણ દૂર ન કરાતા, આજે મનપાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચીને જેસીબીની મદદથી આ બાંધકામો તોડી પાડ્યા હતા. વોર્ડ નંબર 12ના ગીચ મણીયાર શેરી વિસ્તારમાં થયેલી આ કાર્યવાહીને પગલે આસપાસના રહીશો અને વેપારીઓમાં કુતૂહલ જોવા મળ્યું હતું. જામનગર મનપા દ્વારા આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં રહેલા ગેરકાયદેસર બાંધકામો અને રસ્તા પરના નડતરરૂપ દબાણો દૂર કરવાની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેવા સંકેતો મળ્યા છે. આ ડિમોલિશનની કામગીરીમાં એસ્ટેટ શાખાના અધિકારીઓ અનવર ગજ્જણ, ધર્મેન્દ્રસિંહ સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા. મંજૂરી વગર બાંધકામ કરનારા તત્વો સામે આ કડક કાર્યવાહી થતા ગેરકાયદે બાંધકામ કરનારાઓમાં ભય ફેલાયો છે.
બોટાદ શહેરના વોર્ડ નંબર 9 માં આવેલા લુહાર શેરી/અવેડા ગેટ વિસ્તારમાં પેવર બ્લોક રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપ પ્રમુખ નીરૂબેન ત્રાસડીયા, કારોબારી ચેરમેન જયશ્રીબેન, કોર્પોરેટર છત્રજીતભાઈ ધાધલ, કોર્પોરેટરના પ્રતિનિધિ હરેશભાઈ પંચાળા, પૂર્વ બોટાદ શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, બોટાદ શહેર ભાજપ મહામંત્રી હરેશભાઈ પીઠવા, હર્ષ શાહ અને ઉત્સવ ગોહિલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. લુહાર શેરીના મોટી સંખ્યામાં રહીશો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા પ્રમુખ, ઉપ પ્રમુખ, કોર્પોરેટરો અને અન્ય આગેવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
મોરબીમાં અસામાજિક તત્વોના 4 દબાણ તોડી પડાયા:3 પાકા મકાન સહિત 642 ચો.મી. સરકારી જમીન ખુલ્લી કરાઈ
મોરબીના જેલ રોડ અને બોરીચા વાસ વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો પર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શખ્સો દ્વારા કરાયેલા કુલ ચાર દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં આશરે 642 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાઈ છે. સમગ્ર ગુજરાતમાં સરકારી અને ગૌચરની જમીન પરના ગેરકાયદેસર દબાણો હટાવવા માટે તંત્ર દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત મોરબી શહેરમાં બોરીચાવાસ વિસ્તારના ભરત ઉર્ફે બીકે કાળુભાઈ બોરીચા અને જીગર નામના બે શખ્સો સામે કાર્યવાહી કરાઈ હતી. આ શખ્સો વિરુદ્ધ મારામારી અને પ્રોહિબિશન સહિતના ગુના નોંધાયેલા છે. આ શખ્સો દ્વારા જુદી જુદી ચાર જગ્યાએ દબાણ કરવામાં આવ્યું હતું, જેમાં ત્રણ પાકા મકાન અને એક પતરાની આડશ કરીને બનાવેલો ડેલો શામેલ હતો. આ તમામ ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવા માટે આજે સવારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મોરબીના પ્રાંત અધિકારી, ડીવાયએસપી, પીઆઇ સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ત્રણ જેસીબી મશીનની મદદથી દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દ્વારા આશરે 65 લાખ રૂપિયાની કિંમતની સરકારી જમીનને દબાણમુક્ત કરવામાં આવી છે. ડીવાયએસપીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં પણ મોરબી જિલ્લામાં કોઈપણ અસામાજિક તત્વ દ્વારા સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હશે તો તેને તોડી પાડવામાં આવશે.
લકી યુ ગ્રુપ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે એક ગેટ ટુ ગેધર અને હાઉસી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં 18 થી 22 મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નીલાબેન અને રાખીબેન દ્વારા આ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. હાઉસીના હોસ્ટ તરીકે નીતાએ ભૂમિકા ભજવી હતી. ઓમ ઝાયરા ડાયમંડ આ ઇવેન્ટના મુખ્ય સપોર્ટર હતા. ગિફ્ટ હેત હેલ્પીંગ ચેરીટેબલ ટ્રસ્ટના હેતલબેન ચોકસી અને કોમલબેન ગિફ્ટ સ્પોન્સર તરીકે જોડાયા હતા.
અમદાવાદ સ્થિત 'ગુજરાત કિડની એન્ડ સુપરસ્પેશ્યાલીટી લિમિટેડ' દ્વારા વિશ્વ કિડની દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે સંસ્થા દ્વારા એક વિશેષ અવેરનેસ સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં કિડનીની અનિવાર્યતા, તેની જાળવણી અને આધુનિક સમયમાં વધી રહેલા જોખમો અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. શા માટે ઉજવાય છે આ દિવસ?ઉલ્લેખનીય છે કે, વિશ્વભરમાં દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરુવારે 'વર્લ્ડ કિડની ડે' ઉજવવામાં આવે છે. આ વર્ષે 12 માર્ચના રોજ આ દિવસની ઉજવણી થઈ રહી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને કિડનીના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો અને કિડની ફેલ્યોરના કિસ્સાઓ ઘટાડવાનો છે. કિડનીના રોગોના મુખ્ય કારણો અને લક્ષણોઆજના સમયમાં કિડનીના રોગો એક વૈશ્વિક સમસ્યા બની રહ્યા છે, જે વિશ્વભરમાં 8 કરોડથી વધુ લોકોને પ્રભાવિત કરે છે. સેમિનારમાં નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, ભારતમાં કિડનીના રોગો વધવા પાછળ મુખ્યત્વે ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર અને આનુવંશિક પરિબળો જવાબદાર છે. જો સમયસર લક્ષણો ઓળખવામાં ન આવે તો પરિસ્થિતિ ગંભીર બની શકે છે. કિડનીની નબળાઈના મુખ્ય સંકેતોમાં: હાથ, પગ અથવા ચહેરા પર સોજા આવવા. સતત હાઈ બ્લડપ્રેશર રહેવું. શરીરમાં લોહીની ઉણપ (એનીમિયા) જણાવી. હાડકાની નબળાઈ અથવા દુખાવો થવો. સમયસર તપાસ છે અનિવાર્યગુજરાત કિડની એન્ડ સુપરસ્પેશ્યાલીટી લિમિટેડના ડિરેક્ટર ડૉ. પ્રજ્ઞેશ ભારપોડાએ આ તકે જણાવ્યું હતું કે, કિડનીના રોગોથી બચવું શક્ય છે, પરંતુ તેના માટે સાચી જાગૃતતા અનિવાર્ય છે. જો લોકો સમયસર મેડિકલ ચેકઅપ કરાવે અને હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવે, તો ગંભીર સ્ટેજ પર પહોંચતા પહેલા જ આ રોગથી મુક્તિ મેળવી શકાય છે. તંદુરસ્ત જીવન જીવવા માટે નિયમિત કસરત, પૂરતું પાણી પીવું અને બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે.
ધાંગધ્રા નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળામાં કમલેશ ઉર્ફે શંભુભાઈ મિસ્ત્રીનું સ્ટોલ મુલાકાતીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ મેળામાં સ્થાનિક કલાકારો અને કારીગરોને પોતાની કળા પ્રદર્શિત કરવાનો સુંદર અવસર મળ્યો છે. કમલેશ મિસ્ત્રી વેસ્ટ સામગ્રીમાંથી નવીન અને ઉપયોગી વસ્તુઓ બનાવવાની અનોખી કળા ધરાવે છે. ખાસ કરીને, તેઓ નાળિયેરની કાચલીમાંથી વિવિધ સજાવટી અને રોજિંદા ઉપયોગની વસ્તુઓ બનાવે છે, જે મેળામાં આવેલા લોકોને ખૂબ પસંદ પડી રહી છે. સામાન્ય રીતે ફેંકી દેવામાં આવતી નાળિયેરની કાચલીને તેઓ પોતાની સર્જનાત્મકતા દ્વારા સુંદર કલાત્મક વસ્તુઓમાં પરિવર્તિત કરે છે. આ ઉપરાંત, કમલેશ દ્વારા લાકડામાંથી બનાવવામાં આવેલી વિવિધ પ્રકારની કલાત્મક કૃતિઓ, રમકડાં અને ડેકોરેટિવ વસ્તુઓ પણ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. કમલેશ મિસ્ત્રીનું આ સ્ટોલ માત્ર કલા પ્રદર્શન પૂરતું સીમિત નથી, પરંતુ 'વેસ્ટમાંથી બેસ્ટ' બનાવવાની પ્રેરણા પણ પૂરી પાડે છે. તેમના કાર્ય દ્વારા સમાજમાં સર્જનાત્મકતા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિનો સંદેશ પણ ફેલાઈ રહ્યો છે. સ્વદેશી મેળામાં આવેલા મુલાકાતીઓ કમલેશના સ્ટોલ પર ખાસ રસ દાખવી રહ્યા છે અને તેમની અનોખી કળાને બિરદાવી રહ્યા છે. ધાંગધ્રા શહેરમાં તેમનું આ સ્ટોલ હાલમાં આકર્ષણ અને ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
ગિરનાર પર આવેલા અંબાજી મંદિરના ભંડારામાં દારૂ-નોનવેજની મહેફિલ થઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ખળભળાટ મચ્યો છે.વાઈરલ વીડિયોમાં બે થી ત્રણ લોકો બેફામ ગાળાગાળી કરી કથિત રીતે નોનવેજ આરોગતા અને દારુ પીતા જોવા મળી રહ્યા છે. પવિત્ર ભૂમિ પર આ રીતેની મફેફિલનો વીડિયો વાઈરલ થતા ભક્તોમાં રોષની લાગણી ફેલાઈ છે. મામલાની ગંભીરતાને જોતા તંત્ર દ્વારા તાત્કાલીક અસરથી મંદિરના 10 પૂજારી અને એક રસઈયાને સસ્પેન્ડ કરી મંદિર પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પવિત્ર સ્થળને અપવિત્ર કર્યાનો વીડિયો વાઈરલ થતા કાર્યવાહીમાતાજીના મંદિરના ભંડારામાં નોનવેજ અને દારુ આરોગતા હોવાનો વીડિયો વાઈરલ થયાનો આ ગંભીર મામલો વહીવટી તંત્રના ધ્યાને આવતા જ કલેક્ટર અને મામલતદારની સૂચનાથી તાત્કાલિક તપાસના આદેશો આપવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં તથ્ય જણાતા, મંદિરની ગરિમા લજવનારા 11 કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજમુક્ત (સસ્પેન્ડ) કરી દેવામાં આવ્યા છે. વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ધાર્મિક લાગણી દુભાવનારા કોઈ પણ શખ્સને છોડવામાં આવશે નહીં. સસ્પેન્ડ કરાયેલા પૂજારીઓ અને સ્ટાફની યાદીઆ કૌભાંડમાં સંડોવાયેલા જે 11 લોકો સામે ગાજ પડી છે તેમાં મુખ્યત્વે પૂજારી વર્ગનો સમાવેશ થાય છે.1. કિશોરસિંહ એસ. ચૌહાણ (પૂજારી) 2. તુષારગીરી એમ. ગૌસ્વામી (પૂજારી) 3. પ્રિન્સભાઈ કે. ઠાકર (પૂજારી) 4. ગૌસ્વામી ભરતગીરી ધનગીરી (પૂજારી) 5. ભાર્ગવ કિશોરસિંહ ચૌહાણ (પૂજારી) 6. શૈલેશગીરી એમ. ગૌસ્વામી (પૂજારી) 7. ધવલગીરી બી. ગૌસ્વામી (પૂજારી)8. કાંતિગીરી એ. અપારનાથી (પૂજારી) 9. દેવગીરી જિમ્મીગીરી ગૌસ્વામી (પૂજારી)10. વિજયભાઈ એ. ત્રિવેદી (પૂજારી) 11. સમીયા રામ (રસોયા) શુદ્ધિકરણ અને પોલીસ ફરિયાદની તૈયારીઘટના બાદ મામલતદારની દેખરેખ હેઠળ મંદિર પરિસર અને ખાસ કરીને ભોજનાલયના ભાગને પવિત્ર કરવા માટે શાસ્ત્રોક્ત વિધિ મુજબ 'શુદ્ધિકરણ' કરવામાં આવ્યું છે. એસડીએમ ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી ગિરનાર પર્વત પર આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોવાની વારંવાર ફરિયાદો મળી હતી પરંતુ થોડો સમય પહેલા જો અંબાજી મંદિરના ભંડારામાં મટન અને દારૂ પાર્ટી થતો હોવાનો વિડિયો સામે આવ્યો હતો જેને લઈ મંદિર સાથે જોડાયેલા 10 પૂજારીઓ અને એક રસોઈયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ તમામ લોકોને હંગામી જે સમયે મામલતદાર હેઠળ આ મંદિરની વ્યવસ્થા સંભાળવામાં આવી હતી તે સમયે આ લોકોની નિમણૂક કરાઈ હતી. હાલ આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે અને આગળના સમયમાં જે તપાસમાં સામે આવશે તેને લઈ કસુર વાર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે ઇતિહાસ અને વિવાદની પૃષ્ઠભૂમિ: તનસુખગીરી બાપુના દેવલોક પામ્યા બાદની સ્થિતિગિરનાર અંબાજી મંદિરના વિવાદના મૂળ ઘણા ઊંડા છે. વર્ષો સુધી આ મંદિરનું સંચાલન ગાદીપતિ મહંત તનસુખગીરી બાપુ દ્વારા કરવામાં આવતું હતું. પરંતુ તેમના બ્રહ્મલીન થયા બાદ મંદિરના વહીવટ અને વારસાને લઈને ભારે વિવાદ સર્જાયો હતો. આંતરિક જૂથવાદ અને ગાદી માટેની ખેંચતાણને જોતા, પરિસ્થિતિ વણસે નહીં તે હેતુથી વહીવટી તંત્રએ મંદિરનો વહીવટ પોતાના હસ્તક લીધો હતો. હાલમાં આ મંદિર સરકારી વહીવટદાર હેઠળ કાર્યરત છે. મહંત પદની દાવેદારી પર જોખમ: નાના પીર અને મોટા પીરની મુશ્કેલી વધશેતાજેતરમાં જ અંબાજી મંદિરના કાયમી મહંતની નિમણૂક માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં અનેક ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. આ ઉમેદવારોમાં 'નાના પીર' અને 'મોટા પીર' ના સભ્યોનો પણ સમાવેશ થાય છે. જોકે, આ દારૂ-મટન પાર્ટીના કૌભાંડમાં જે લોકોના નામ ઉછળ્યા છે અથવા જે સ્ટાફની સંડોવણી ખુલી છે, તેના કારણે નાના પીર અને મોટા પીરના જૂથોની દાવેદારી પર મોટું પ્રશ્નાર્થચિહ્ન મુકાયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પવિત્રતા જાળવવામાં નિષ્ફળ ગયેલા આ પક્ષોની મહંત પદ માટેની દાવેદારી કાયમી ધોરણે રદ થઈ શકે છે. ભક્તોની સુરક્ષા અને નવા પ્રોટોકોલઆ ઘટનાએ સિદ્ધ ક્ષેત્ર ગિરનારની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉભા કર્યા છે.હાલમાં માતાજીની નિત્ય સેવા માટે બે જૂના પૂજારીઓને યથાવત રાખીને પૂજા વિધિ ચાલુ રાખવામાં આવી છે.આ સમગ્ર પ્રકરણને કારણે જૂનાગઢના સાધુ-સંતો અને ધર્મપ્રેમી જનતામાં ભારે આક્રોશ છે,અને જવાબદારો સામે કડક જેલવાસની માંગણી ઉઠી રહી છે. મંદિરની પવિત્રતા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવીજૂનાગઢ સિટી મામલતદાર એ.કે. બારૈયાએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાના માધ્યમથી અંબાજી મંદિર પરિસરમાં માંસ અને મદિરાની પાર્ટી થઈ હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા. આ ગંભીર બાબતને ધ્યાને લઈ જૂનાગઢ કલેક્ટર અને પ્રાંત અધિકારીની સૂચના મુજબ તાત્કાલિક અંબાજી મંદિરની મુલાકાત લેવામાં આવી હતી. મીડિયામાં પ્રસિદ્ધ થયેલા વાયરલ વીડિયોના આધારે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. આ અપવિત્ર ઘટનામાં જે લોકોની સંડોવણી જોવા મળી છે, તેવા તમામ ઈસમોને મંદિર પરિસરમાંથી તાત્કાલિક અસરથી હાંકી કાઢવામાં આવ્યા છે અને તેમના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઘટનામાં કુલ 11 લોકો સામે પગલાં લેવાયા છે, જેમાં 10 પૂજારીઓ અને 1 રસોઈયાનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા જ્યારે અંબાજી મંદિરનો વહીવટ સંભાળવામાં આવ્યો હતો, ત્યારે વ્યવસ્થા જાળવવા માટે હંગામી ધોરણે 11 કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હતી. આ તમામ લોકો સરકારી તંત્ર પાસેથી પગાર મેળવતા હોવા છતાં આ અશોભનીય પ્રવૃત્તિમાં સંડોવાયેલા માલૂમ પડ્યા છે. હાલમાં આ તમામની સેવાઓ સમાપ્ત કરી દેવામાં આવી છે. મંદિરની પવિત્રતા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા પૂજા-અર્ચના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે અને નવા હંગામી પૂજારીની નિમણૂક કરી દેવામાં આવી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોના પુરાવાઓને આધારે સરકારના નિયમો મુજબ આ તમામ કસૂરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા ગતિમાં છે. આ ઘટના માટે જવાબદારો સામે FIR કરવામાં આવે- દુષ્યંતગીરી અપારનાથીભીડભંજન મહાદેવ અંબાજી મંદિરમાં વર્ષોથી પૂજા-આરતીની પરંપરા જાળવતા ધનસુખગીરી બાપુના પરિવારના સભ્ય દુષ્યંતગીરી અપારનાથીએ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડિયો અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું છે કે આ વિડિયોમાં તેમના પરિવારનો કોઈ સભ્ય કે નિલકંઠ મહાદેવ અથવા ભીડભંજન મહાદેવ મંદિરના કોઈ પૂજારી સામેલ નથી. વીડિયોની સત્યતા તપાસતા એવું જણાય છે કે તેમાં દેખાતા લોકો નાના છોકરાઓ છે અને આ ઘટના દિવાળીના સમયની હોઈ શકે છે, કારણ કે વીડિયોમાં ફટાકડાના અવાજો સ્પષ્ટપણે સાંભળવા મળી રહ્યા છે. આ અયોગ્ય કૃત્યને ગંભીરતાથી લઈને મંદિરમાં ફરજ બજાવતા કુલ 12 કર્મચારીઓ સામે કડક પગલાં ભરી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં 10 પૂજારી, 1 સફાઈ કામદાર અને 1 ભંડારીનો સમાવેશ થાય છે. આ સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓની યાદીમાં વિજય ત્રિવેદી અને કિશોરગીરીના નામોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. દુષ્યંતગીરીએ સરકાર, પ્રાંત અધિકારી, કલેક્ટર અને મામલતદારને નમ્ર અપીલ કરી છે કે આ ઘટના માટે જવાબદાર વ્યક્તિઓ સામે તત્કાલ FIR દાખલ કરી કડક પોલીસ કાર્યવાહી કરવામાં આવે અને દોષિતો પર આજીવન ગિરનાર આવવા પર પ્રતિબંધ લાદવામાં આવે તેવી માંગ કરી છે.
સુરેન્દ્રનગરમાં મહેતા જ્વેલર્સની બહાર રોડ પરથી એક મહિલાને આશરે બે તોલા વજનનું સોનાનું મંગળસૂત્ર મળ્યું હતું. રાધિકાબા અજયરાજસિંહજી નામના ગ્રાહકે આ મંગળસૂત્ર દુકાન માલિકને પરત કર્યું હતું. નવલગઢ ગામના રાધિકાબા અજયરાજસિંહજીને દુકાનની બહાર રોડ પરથી આ મંગળસૂત્ર મળ્યા બાદ તેમણે તાત્કાલિક મહેતા જ્વેલર્સના સંચાલકોને જાણ કરી હતી. દુકાનના CCTV કેમેરા તપાસતા, આ મંગળસૂત્ર વણા ગામના સોનલબેનનું હોવાનું જાણવા મળ્યું હતું. સંપૂર્ણ ખાતરી કર્યા બાદ, મહેતા જ્વેલર્સ દ્વારા સોનલબેનને તેમનું મંગળસૂત્ર પરત સોંપવામાં આવ્યું હતું. આ ઘટનામાં રાધિકાબા અજયરાજસિંહજીએ દાખવેલી પ્રમાણિકતાની નોંધ લેવામાં આવી હતી.
CVMU હેકાથોન 4.0 સંપન્ન, 364 ટીમોનો જંગ:36 કલાકના મેરેથોન હેકિંગ બાદ વિજેતા ટીમો જાહેર
ચારુતર વિદ્યા મંડળ યુનિવર્સિટી (CVMU) દ્વારા આયોજિત બે દિવસીય 'CVMU હેકાથોન 4.0' નવીનતા અને ટેકનોલોજીના સંગમ સાથે સંપન્ન થઈ છે. ન્યૂ વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 40થી વધુ શૈક્ષણિક સંસ્થાઓની 364 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ હેકાથોનનું સંયુક્ત આયોજન એ.ડી. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (ADIT) અને મધુબેન એન્ડ ભાનુભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MBIT) દ્વારા કરાયું હતું. પ્રારંભિક સ્ક્રુટિની બાદ પસંદ થયેલી 134 ટીમો વચ્ચે 36 કલાકનું સળંગ મેરેથોન હેકિંગ સત્ર યોજાયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ પોતાની ટેકનિકલ કુશળતા અને સમસ્યા નિવારણની ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. આ વર્ષે કોલેજના યુવાનોની સાથે વિવિધ શાળાઓની 20 જેટલી ટીમોએ પણ ભાગ લઈ પોતાના પ્રોટોટાઈપ્સ રજૂ કર્યા હતા. સમગ્ર સ્પર્ધાને મુખ્યત્વે ચાર થીમમાં વહેંચવામાં આવી હતી, જેમાં લાઇફ સાયન્સ એન્ડ એગ્રીકલ્ચર, એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી અને ઇમરજિંગ ટેકનોલોજી જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. ઉદ્ઘાટન સમારોહમાં CVM યુનિવર્સિટીના પ્રમુખ ભીખુભાઈ પટેલ અને પ્રોવોસ્ટ ઇન્દ્રજીત પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમાપન પ્રસંગે મહાનુભાવો દ્વારા વિજેતા ટીમોને બિરદાવી પુરસ્કૃત કરવામાં આવી હતી. ડો. વિશાલ સિંઘ અને ડો. મૌલિકા પટેલના સંસ્થાકીય સમર્થન અને માર્ગદર્શનથી આ કાર્યક્રમ સફળ બન્યો હતો.
CVM યુનિવર્સિટી સંચાલિત જી. જે. પટેલ આયુર્વેદ કોલેજ અને એસ.જી. પટેલ આયુર્વેદ હોસ્પિટલ, નવા વલ્લભ વિદ્યાનગર ખાતે 10 માર્ચ, 2026ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ સંસ્થાના ચેરમેન ભીખુભાઈ પટેલ, પ્રિન્સિપાલ ડૉ. સરિતા ભૂતડા અને હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટિવ અધિકારી કીર્તિ પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો. કાર્યક્રમમાં MBIT કોલેજના ડૉ. મૌલિકા પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે “Happy to Work, Happy at Workplace” વિષય પર પ્રેરણાદાયી વ્યાખ્યાન આપ્યું હતું, જે ઉપસ્થિત તમામ મહિલાઓ માટે માર્ગદર્શક અને પ્રેરણાદાયક બન્યું. આ ઉજવણીમાં કોલેજ અને હોસ્પિટલના મહિલા શિક્ષકગણ, નોન-ટીચિંગ સ્ટાફ, ઇન્ટર્ન વિદ્યાર્થીઓ, પી.જી. વિદ્યાર્થીઓ તેમજ અન્ય સ્ટાફ સહિત કુલ 150થી વધુ મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા મહિલા જીવનના વિવિધ પડાવો દર્શાવતી એક આર્ટ ગેલેરીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોસ્ટર મોડેલ, સ્કેચ આર્ટ વગેરે દ્વારા મહિલાઓના જીવનપ્રવાસનું સુંદર પ્રદર્શન કરાયું. આ ઉપરાંત, રંગોળી દ્વારા પણ મહિલાના જીવનના વિવિધ તબક્કાઓને આકર્ષક રીતે રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે મહિલા સ્ટાફ દ્વારા એક નાનકડો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ રાજ્યોની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતી રજૂઆતો કરવામાં આવી. મનોરંજક રમતોનું પણ આયોજન કરાયું હતું અને ઉપસ્થિત સૌ માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ વુમન ડેવલપમેન્ટ સેલ કમિટી, કોલેજના અન્ય ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
વડોદરા નજીકના નેશનલ હાઈવે-48 પર દેણાબ્રિજથી ગોલ્ડન ચોકડી તરફ જતા સર્વિસ રોડ પરથી હરણી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે અમદાવાદથી સુરત તરફ જતા દારૂના કન્ટેનર ટ્રક અને મહિન્દ્રા પિકઅપમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો 4498 બોટલો-ટીનનો જથ્થો, જેની કિંમત રૂપિયા 23,06,400ના મુદ્દામાલ સાથે ચાર આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે દારૂના કટિંગ પહેલાં રેડ પાડીઆ અંગેની બાતમી હરણી પોલીસને મળી હતી કે, સર્વિસ રોડ પર કન્ટેનરમાંથી પિકઅપમાં દારૂ ઉતારવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે હરણી પોલીસ સ્ટેશનના પોલીસકર્મી મનદીપસિંહ રાજેન્દ્રસિંહ સહિતની ટીમે તાત્કાલિક રેડ કરી અને સ્થળ પર પહોંચીને ચાર આરોપીને ઝડપી પાડ્યા હતા. આરોપીઓએ પૂછપરછ દરમિયાન પોતાની ઓળખ અસીફખાન ઝુબેરખાન (હરિયાણા), હામિદહુસેન દિનમોહમ્મદ (હરિયાણા), અજમલહસન તાહિરહસન પઠાણ (વડોદરા) અને અતિકઅહેમદ વકિલઅહેમદ પઠાણ (વડોદરા) તરીકે જણાવી હતી. પોલીસે ભૂસામાં છુપાવેલા જથ્થો બહાર કાઢ્યોતપાસ દરમિયાન પોલીસને કન્ટેનર અને પિકઅપમાં મિણીયા થેલીઓ તથા લાકડાના ભૂસામાં છુપાવેલા ડ્રમોમાંથી વિવિધ બ્રાન્ડની બોટલો-ટીન મળી આવ્યા હતા. પોલીસે દારૂ ઉપરાંત ચાર મોબાઇલ ફોન, કન્ટેનર ટ્રક અને પિકઅપ સહિત કુલ રૂપિયા 3619400નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે હરણી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સૌરાષ્ટ્રમાં ઉનાળાની શરૂઆતમાં જ જળાશયો ખાલી થવા લાગ્યા છે. રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા સૌરાષ્ટ્રના પાંચ માંથી માત્ર રાજકોટ અને મોરબી જિલ્લામાં 50% પાણી ભરેલું છે. સૌથી ઓછું દ્વારકા જિલ્લાના જળાશયોમાં 22 ટકા પાણી છે. જ્યારે જામનગર જિલ્લાના જળાશયોમાં 38 ટકા તો સુરેન્દ્રનગર જિલ્લાના જળાશયોમાં 35 ટકા પાણી છે. જેથી હવે સૌરાષ્ટ્રના લોકોને પીવાનું પાણી પૂરું પાડવું હોય તો અત્યારથી જ સૌની યોજનાનો આશરો લેવો પડે તેવી પરિસ્થિતિ છે. રાજકોટ જિલ્લા સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર યશ વેગડે જણાવ્યું હતું કે, હાલ સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાના ડેમોની સ્થિતિ અંગે ડેટા કલેક્શનની કામગીરી ચાલુ છે. જેમાં દેવભૂમિ દ્વારકામાં 22 ટકા, જામનગરમાં 38 ટકા, મોરબીમાં 50 ટકા, રાજકોટમાં 53 ટકા અને સુરેન્દ્રનગરમાં 40 ટકા ડેમો ભરેલા છે. સિંચાઈ માટેનું પાણી ડેમોમાંથી આપવામાં આવે છે જ્યારે પીવાના પાણી માટે બાકીના ડેમો રિઝર્વ રાખવામાં આવેલા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સૌની યોજના અંતર્ગત જરૂરિયાત મુજબ ડેમોમાં પાણી ઠલવવામાં આવે છે. આજી 1,2,3 અને ભાદર - 1 ડેમ પર વોટર સપ્લાય માટે આધાર રાખવાનો હોય છે. આ ઉપરાંત છે. આ ઉપરાંત કરમાડ ડેમમાં 18.43 ટકા, ઈશ્વર્યા ડેમમાં 9.33 ટકા, કરણુકી ડેમમાં 13.93 ટકા, ગોંડલી ડેમમાં 11.37 ટકા, વાછપરી ડેમમાં 29.58 ટકા, વેરી ડેમમાં 59.26 ટકા, ભાદર ડેમમાં 49.17 ટકા, સુર્વો ડેમમાં 59.71 ટકા, મોતીસર ડેમમાં 36.05 ટકા, કબીર સરોવર ડેમમાં 12.17 ટકા પાણી છે. આ ઉપરાંત છાપરવાળી 2 ડેમમાં, 26.9 ટકા, ફોફળ એક ડેમમા 56.74 ટકા, ભાદર 2 ડેમમાં 74.41 ટકા, સોડવદર ડેમમાં 39.05 ટકા, મોજ ડેમમાં 43.25 ટકા, ન્યારી એક ડેમમાં 65.19 ટકા, ન્યારી 2 ડેમમાં 57.39 ટકા, ડોંડી ડેમમાં 54.74 ટકા, આજી એક ડેમમાં 79.11 ટકા, લાલપરી ડેમમાં 87.48 ટકા, આજી 2 ડેમમાં 91.11%, આજી 3 ડેમમાં 56.28 ટકા, ખોડાપીપર ડેમમાં 70.67 ટકા જ્યારે ફાડદંગ બેટી ડેમમાં 40.56 ટકા પાણી છે.
ભરૂચમાં 13 માર્ચે ‘નમોત્સવ’ મેગા શો:વડાપ્રધાન મોદીના જીવન પર 100થી વધુ કલાકારો પ્રસ્તુતિ રજૂ કરશે
ભરૂચ શહેરમાં 13 માર્ચે સાંજે 6 વાગ્યે ‘નમોત્સવ’ મેગા મલ્ટીમીડિયા મ્યુઝિકલ શોનું આયોજન કરવામાં આવ્યું છે. દુધધારા ડેરી દ્વારા દુધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ યોજાશે. આ શોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન સંઘર્ષ અને પ્રેરણાદાયી સફરને અનોખી રંગમંચ શૈલીમાં રજૂ કરાશે. બાળપણથી લઈને દેશના વડાપ્રધાન બનવા સુધીની તેમની જીવનયાત્રાને મલ્ટીમીડિયા થિયેટર ફોર્મેટમાં દર્શાવવામાં આવશે. આ મેગા કાર્યક્રમમાં 100થી વધુ કલાકારો ગીત, સંગીત, સાહિત્ય અને નૃત્યના માધ્યમથી વડાપ્રધાનના જીવનપ્રસંગોને જીવંત બનાવશે. કાર્યક્રમને વધુ આકર્ષક બનાવવા માટે દિલધડક નૃત્ય પ્રસ્તુતિઓ, જાજરમાન ડ્રોન શો, ભવ્ય આતશબાજી અને વિશાળ પ્રોપ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રખ્યાત લોકસાહિત્યકાર અને હાસ્ય કલાકાર સાઈરામ દવે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરશે. દુધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ, ભાજપના ઉપપ્રમુખ નિરલ પટેલ અને મહામંત્રી જીગ્નેશ મિસ્ત્રી સહિતના પદાધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. આ અંગે માહિતી આપતા જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે, ભરૂચમાં આ પ્રકારનો ભવ્ય મેગા કાર્યક્રમ પ્રથમવાર યોજાઈ રહ્યો છે, જે શહેર અને જિલ્લાના લોકો માટે ગૌરવની ક્ષણ છે. કાર્યક્રમના આયોજક દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સહકારી ક્ષેત્રના મંત્રી જીતુ વાઘાણી અને જળ સંચય રાજ્ય કક્ષા મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિત જિલ્લાના અનેક આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ મેગા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. કાર્યક્રમ માટે પ્રવેશ પાસ નિઃશુલ્ક રાખવામાં આવ્યા છે અને ભરૂચ જિલ્લાના નાગરિકોને આ ભવ્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજરી આપવા આમંત્રણ અપાયું છે.
રાજકોટ મહાપાલિકાનાં 11માં વહીવટદાર તરીકે રેમ્યા મોહને આજે ચાર્જ સંભાળ્યો હતો. મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચીને તરત જ તેઓએ મ્યુ. કમિશનર તુષાર સુમેરા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરો, અને સિટી ઇજનેરો સાથે બેઠક યોજી રાજકોટ શહેરમાં ચાલતા વિકાસ કામો અંગે વિગતવાર માહિતી મેળવી હતી. આ તકે તેમણે જણાવ્યું હતું કે, આજે મેં વહીવટદાર તરીકે ચાર્જ સંભાળી લીધો છે. આગામી સમયમાં રાજકોટનાં લોકોની રોડ-રસ્તા, પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ બાબતે ખાસ ધ્યાન આપવામાં આવશે. રાજકોટ મનપામાં ચૂંટાયેલી પાંખની મુદત પૂરી થતા જ સરકાર દ્વારા રેમ્યા મોહનની વહીવટદાર તરીકે નિમણુંક કરવામાં આવી છે. જે અંતર્ગત રેમ્યા મોહન સવારે 10 વાગ્યે સરકીટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં મહાપાલિકા કચેરીના અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ ત્યાંથી સીધા મનપા કચેરી ખાતે પહોંચ્યા હતા. અગાઉ જ્યાં મેયર બેસતા હતા તે ચેમ્બરમાં જ રેમ્યા મોહનને સ્થાન આપવામાં આવ્યું હોય તેઓ સીધા ત્યાં પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે મ્યુ. કમિશ્નર સહિતનાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. અને રાજકોટ શહેરમાં હાલ ચાલતા વિકાસ કામોની જાણકારી મેળવી હતી. રેમ્યા મોહન ગાંધીનગરમાં નગરપાલિકાઓના વહીવટી કમિશનર તરીકે ફરજ બજાવે છે અને તેઓને રાજકોટ મહાનગરપાલિકાના વહિવટદાર તરીકે વધારાનો ચાર્જ સુપરત કરવામાં આવ્યો છે. તેઓએ સપ્ટેમ્બર 2019થી રાજકોટના 49માં કલેક્ટર તરીકે સેવા આપી હતી, ખાસ કરીને કોવિડ મહામારી દરમિયાન તેઓની કામગીરી ખૂબ નોંધપાત્ર રહી હતી. રાજકોટ જિલ્લા કલેક્ટર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે સઘન પગલાં લીધા હતા. રસીકરણ અભિયાન અને લોક ડાઉન દરમિયાન કાયદો-વ્યવસ્થા જાળવવામાં તેમની ભૂમિકા મહત્વની રહી હતી. તેમણે ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના ડાયરેક્ટર તરીકે પણ કાર્ય કર્યું છે. અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (GUDM)ના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે પણ સંકળાયેલા છે. રેમ્યા મોહને જણાવ્યું હતું કે, આજથી મેં મારો ચાર્જ સંભાળી લીધો છે. આગામી સમયમાં જનતાના હિતને લક્ષમાં રાખીને તમામ જરૂરી નિર્ણયો લેવામાં આવશે. સાંઢિયા પુલ અને જંગલેશ્વર વિસ્તારના પડતર પ્રશ્નો અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે, વ્યક્તિગત પ્રોજેક્ટ્સની કામગીરીની સમીક્ષા કરીને વહીવટી પ્રક્રિયા મુજબ યોગ્ય સમયે નિર્ણયો લેવામાં આવશે. રાજકોટની જનતાને હાલાકી પડે નહીં તે માટે તંત્ર સંપૂર્ણ સહયોગ સાથે કામગીરી કરશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલના તબક્કે શોર્ટ ટર્મમાં જે સ્ટોપગેપ એરેન્જમેન્ટ તરીકે કામો કરવાના હોય તે બાબતે તમામ વિભાગો સાથે ચર્ચા કરીને નિર્ણયો લેવામાં આવશે. કોઈ ચોક્કસ કામ અંગે અત્યારે ટિપ્પણી કરવી યોગ્ય નથી, પરંતુ પ્રાથમિકતાના ધોરણે કામગીરી આગળ વધારવામાં આવશે. તેમજ જનતાને પાયાની સુવિધાઓ જેવી કે પીવાનું પાણી, રોડ-રસ્તા અને સફાઈ જેવી બાબતોમાં કોઈ અસુવિધા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. શહેરી વિકાસ વિભાગમાં કાર્યરત હોવાથી તેઓ રાજકોટની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ખૂબ નિષ્ઠાપૂર્વક કામ કરી રહી છે અને આગામી સમયમાં પણ પ્રજાલક્ષી કાર્યોને વેગ આપવામાં આવશે. અડધી સદીમાં 11મી વખત વહિવટદારની નિમણૂંક મહાનગરપાલિકાની સ્થાપનાથી અત્યાર સુધીમાં અનેક દિગ્ગજ અધિકારીઓએ વહિવટદાર તરીકે સેવા આપી છે. 1974-75 માં એન. એમ. બ્રિજલાણી, સી.સી. ડોક્ટર, અને કે. ઓ. વરદન જેવા અધિકારીઓએ શાસન સંભાળ્યું હતું. ત્યારબાદ 1980-81 માં આર. રામભદ્રન, 1993-95 દરમિયાન અશોક કોશી અને અશોક નારાયણની નિમણૂંક થઈ હતી. વર્ષ 2000 માં પી.એન. રોય ચૌધરી અને 2005 માં જી. આર. અલોરીયાએ આ પદ શોભાવ્યું હતું. 2020-2021 માં ઉદિત અગ્રવાલ બાદ હવે 2026 માં રમ્યા મોહન આ યાદીમાં સામેલ થશે. શહેરીજનો આશા રાખી રહ્યા છે કે અનુભવી અધિકારીના માર્ગદર્શન હેઠળ ચૂંટણીના સમયગાળામાં પણ શહેરની પ્રાથમિક સુવિધાઓ જળવાઈ રહેશે. ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટાયેલ પાંખની 5 વર્ષની મુદ્દત ગઈકાલે પૂર્ણ થઈ છે. લોકશાહી ઢબે ચૂંટાયેલી બોડીની ટર્મ પૂરી થતાની સાથે જ મનપામાં વહીવટદાર શાસનનો આરંભ થયો છે. જોકે, વહીવટદાર શાસન લાગુ થવાને કારણે નવા વિકાસલક્ષી પ્રોજેક્ટો પર બ્રેક લાગવાની સંભાવના છે. સામાન્ય રીતે રુટીન જાળવણી અને સફાઈ જેવી કામગીરી રાબેતા મુજબ ચાલશે, પરંતુ રોડ-રસ્તા કે અન્ય મોટા પ્રોજેક્ટો માટેની નવી ટેન્ડર પ્રક્રિયા અટકી શકે છે. કોઈપણ નવા પ્રોજેક્ટ માટે કમિશનર વિભાગે દરખાસ્ત તૈયાર કરી સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી માટે મોકલવી પડે છે. આગામી 2 માસ સુધી નવી ચૂંટાયેલી પાંખ અસ્તિત્વમાં ન હોવાથી નીતિ વિષયક મોટા નિર્ણયો લેવામાં મર્યાદાઓ આવી શકે છે, જેના કારણે મે માસ સુધી નવા પ્રોજેક્ટો વિલંબમાં પડી શકે છે.
વૈશ્વિક સ્તરે ચાલી રહેલા ઇઝરાયેલ-ઈરાન સંઘર્ષની સીધી અસર હવે સુરતના આર્થિક કરોડરજ્જુ સમાન ટેક્સટાઈલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. ગલ્ફ દેશોમાં અશાંતિને કારણે ગેસ સપ્લાય ચેઈન ખોરવાતા સુરતના વીવિંગ ઉદ્યોગમાં કોમર્સિયલ ગેસ સિલિન્ડરની ભારે તંગી સર્જાઈ છે. ખાસ કરીને ટ્વિસ્ટેડ યાર્નનો ઉપયોગ કરતા અંદાજે 10,000 જેટલા વીવિંગ યુનિટ્સ આ અછતથી સીધા અસરગ્રસ્ત બન્યા છે. હીટિંગ પ્રોસેસ ખોરવાતા ઉત્પાદન પર માઠી અસરવીવિંગ ઉદ્યોગમાં કાપડના ઉત્પાદન પહેલા યાર્ન (દોરા) પર પ્રક્રિયા કરવી અનિવાર્ય હોય છે. વીવર અગ્રણી અશોક જીરાવાલાના જણાવ્યા અનુસાર, 1200 RPMથી વધુ સ્પીડ ધરાવતા મશીનો પર કાપડ બનાવતા પહેલા યાર્નને હીટ (ગરમી) આપવી પડે છે. આ પ્રોસેસ વગર હાઈ-ક્વોલિટી કાપડ બનાવવું અશક્ય છે. હાલમાં ગેસના અભાવે આ હીટિંગ પ્રક્રિયા ખોરવાઈ છે, જેના કારણે ઉત્પાદન પ્રક્રિયા ધીમી પડી ગઈ છે. 10,000 જેટલા એકમો ગેસની અછતથી પ્રભાવિતદક્ષિણ ગુજરાત વીવિંગ ઇન્ડસ્ટ્રીના ચેરમેન અશોક જીરાવાલાએ પરિસ્થિતિની સ્પષ્ટતા કરતા કહ્યું કે, સુરતમાં કુલ 55,000 જેટલા વીવિંગ યુનિટ્સ કાર્યરત છે. તેમાંથી તમામમાં વરાળ (Steam)નો ઉપયોગ થતો નથી, પરંતુ અંદાજે 30% યુનિટ્સ એવા છે, જ્યાં ટ્વિસ્ટેડ યાર્ન વપરાય છે અને ત્યાં સ્ટીમ આપવી ફરજિયાત છે. આ ગણતરી મુજબ, લગભગ 10,000 જેટલા એકમો ગેસની અછતને કારણે મોટા પાયે પ્રભાવિત થવાની શક્યતા છે. ગલ્ફ દેશોમાં યુદ્ધ અને ONGCના પુરવઠામાં વિક્ષેપવૈશ્વિક બજારમાં ક્રૂડ અને ગેસના ભાવમાં ઉછાળાની સાથે સપ્લાય ખોરવાઈ છે. ઈરાન દ્વારા થઈ રહેલા બોમ્બમારાને કારણે ગલ્ફ દેશોમાંથી આવતો ગેસનો જથ્થો ઓછો થયો છે, જેની અસર ONGC જેવી સરકારી કંપનીઓના પુરવઠા પર પણ પડી રહી છે. સ્થાનિક સ્તરે કોમર્સિયલ સિલિન્ડરનો પુરવઠો છેલ્લા બે દિવસથી અનિયમિત થઈ જતાં ઉદ્યોગકારોની ચિંતામાં મોટો વધારો થયો છે. જરી અને બ્લીચિંગ પ્રક્રિયામાં પણ ગેસની જરૂરિયાતમાત્ર વણાટ જ નહીં, પરંતુ સુરતની શાન ગણાતી જરી ઉદ્યોગમાં પણ હીટિંગ પ્રોસેસ માટે એલપીજી ગેસ અનિવાર્ય છે. આ ઉપરાંત, કાપડને બ્લીચ કરવા અને હેન્ડ પ્રિન્ટિંગના એકમોમાં બોઈલર ગરમ રાખવા માટે પણ ગેસ સિલિન્ડરનો વ્યાપક ઉપયોગ થાય છે. ગેસ વગર આ આખી પોસેસ લાઈન પર અસર પડી છે, જેની ચેઈન રિએક્શન આખા ટેક્સટાઈલ માર્કેટ પર જોવા મળી શકે છે. હજારો મીટર કાપડનું ઉત્પાદન જોખમમાંસામાન્ય ગણતરી મુજબ, એક કોમર્સિયલ ગેસ સિલિન્ડરની મદદથી હજારો મીટર કાપડ તૈયાર કરી શકાય છે. ગેસના અભાવે અત્યાર સુધી હજારો મીટર કાપડનું ઉત્પાદન અટકી પડ્યું છે. જો આગામી દિવસોમાં પુરવઠો રાબેતા મુજબ નહીં થાય, તો ઉત્પાદન ખર્ચ વધશે અને શ્રમિકો માટે પણ કામની અછત સર્જાઈ શકે છે, જેનાથી કારખાનેદારોના બેંક હપ્તા પર પણ અસર પડશે. ટ્વિસ્ટેડ યાર્ન વાપરતા એકમો માટે મોટું સંકટઅશોક જીરાવાલાએ ઉમેર્યું હતું કે, સાઈઝિંગ બીમ યુનિટ્સમાં ભલે વરાળની જરૂર ન હોય, પણ જે યુનિટ્સમાં ટ્વિસ્ટેડ યાર્ન વપરાય છે ત્યાં વરાળ વગર કામ કરવું અશક્ય છે. ગેસની અછતને કારણે આ ચોક્કસ સેગમેન્ટના 10,000 યુનિટ્સમાં કામકાજ ખોરવાયું છે, જે ટેક્સટાઈલની સમગ્ર પ્રોસેસિંગ ચેઈન માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ઉદ્યોગકારોમાં ચિંતા અને આગામી દિવસોજો આગામી થોડા દિવસોમાં ગેસનો પુરવઠો પૂર્વવત નહીં થાય, તો સુરતનો વીવિંગ ઉદ્યોગ આર્થિક મુશ્કેલીમાં મુકાશે. હાલમાં વિવર્સ એસોસિએશન સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. વૈશ્વિક પરિસ્થિતિને કારણે ઊભી થયેલી આ સમસ્યા જો લાંબો સમય ચાલશે, તો ટેક્સટાઈલ માર્કેટમાં કાપડની આવક ઘટી શકે છે અને ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે.
તાપીના મોરદેવી ગામે દીપડો પાંજરે પુરાયો:5 વર્ષનો દીપડો પકડાતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો
તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં આવેલા મોરદેવી ગામે છેલ્લા કેટલાક સમયથી દીપડાના ભય વચ્ચે જીવતા ગ્રામજનો માટે રાહતના સમાચાર આવ્યા છે. ગામના રહેવાસી સંજયભાઈ ચૌધરીના ઘર નજીક વનવિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં આખરે એક કદાવર દીપડો કેદ થયો છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં દીપડાની અવરજવરને પગલે પશુપાલકો અને ખેડૂતોમાં ભારે ફફડાટ વ્યાપેલો હતો. વનવિભાગે આ બાબતને ગંભીરતાથી લઈ સંજયભાઈના ઘર પાસે મારણ સાથેનું પાંજરું ગોઠવ્યું હતું. ગત રાત્રિના સમયે અંદાજે 5 વર્ષની ઉંમરનો દીપડો ખોરાકની શોધમાં આવી ચઢતા પાંજરે પુરાયો હતો. સવારે દીપડો પકડાયાની જાણ થતા જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. બનાવની જાણ વનવિભાગ અને એનિમલ ટીમના સભ્યોને કરવામાં આવતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વનવિભાગે દીપડાનો કબજો મેળવી, તેનું તબીબી પરીક્ષણ કર્યા બાદ તેને ઊંડાણના જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે. દીપડો પકડાતા મોરદેવી ગામના લોકોએ લાંબા સમય બાદ ભયમુક્ત બની રાહતનો શ્વાસ લીધો છે.
સુરતની મુલાકાતે આવેલા ઇફકોના (IFFCO) ચેરમેન દિલીપ સંઘાણીએ હાલમાં રાજ્યમાં પ્રવર્તી રહેલી કોમર્શિયલ ગેસની અછત અંગે મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ગેસની આ સમસ્યા સ્થાનિક નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા યુદ્ધની પરિસ્થિતિને કારણે ઉભી થઈ છે. સમુદ્રી માર્ગો પ્રભાવિત થતા સપ્લાય ચેઈન પર તેની સીધી અસર પડી છે, જેના કારણે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં આ સ્થિતિ જોવા મળી રહી છે. ‘રસોડામાં ગેસ બંધ ન થાય તેવી સરકારની પ્રાથમિકતા’ગેસના વિતરણ અંગે સરકારી નીતિની સ્પષ્ટતા કરતા સંઘાણીએ જણાવ્યું કે, સરકાર પાસે જે સ્ટોક ઉપલબ્ધ છે, તેમાં ઘરેલું ગેસને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી છે. કોઈપણ સંજોગોમાં લોકોના રસોડામાં રસોઈ ગેસ બંધ ન થવો જોઈએ. હોસ્પિટલો અને જીવનજરૂરી સેવાઓને પહેલા ગેસ મળે તેવા લોકહિતના નિર્ણયો લેવામાં આવ્યા છે. વ્યાપાર કે રસોડું? સંઘાણીએ સમજાવ્યું પ્રાથમિકતાનું ગણિતકોમર્શિયલ ગેસ સિલિન્ડર ન મળતા નાના વેપારીઓની મુશ્કેલી અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે, 'કોમર્શિયલ' શબ્દ જ તેની શ્રેણી સ્પષ્ટ કરે છે. આપણે નક્કી કરવાનું છે કે વેપાર બંધ રહે તે વધુ ગંભીર છે કે રસોડું બંધ રહે તે? સરકારે રસોડાને પ્રાથમિકતા આપી છે જે આવકારદાયક પગલું છે. જ્યા સુધી યુદ્ધની સ્થિતિ શાંત નહીં થાય ત્યાં સુધી આપણે સહિયારો પુરુષાર્થ કરીને આ પરિસ્થિતિનો સામનો કરવો પડશે. કાળાબજારી કરનારાઓ સામે લાલ આંખબજારમાં ગેસ સિલિન્ડરની અછત વચ્ચે કાળાબજારી અને સંગ્રહખોરીની ફરિયાદો પર સંઘાણીએ કડક વલણ અપનાવ્યું છે. તેમણે માહિતી આપી હતી કે, સરકાર દ્વારા ગઈકાલે પણ અનેક સ્થળોએ દરોડા પાડીને જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કાળાબજારી કરનારા તત્વો સામે તંત્ર અત્યંત કડક કાર્યવાહી કરી રહ્યું છે અને કોઈને પણ છોડવામાં આવશે નહીં તેવી ખાતરી આપી હતી. સંગ્રહખોરીની જાણ તુરંત પુરવઠા વિભાગને કરવા જનતાને અપીલદિલીપ સંઘાણીએ દિવ્ય ભાસ્કરના માધ્યમથી સામાન્ય જનતાને અપીલ કરી છે કે, જો ક્યાંય પણ ગેસની કાળાબજારી કે ગેરકાયદેસર સંગ્રહખોરી થતી દેખાય, તો તુરંત સ્થાનિક પુરવઠા અધિકારીને જાણ કરવી. જનતાના સહયોગ વિના આવી બદીઓને રોકવી મુશ્કેલ છે, તેથી લોકોએ જાગૃત બનીને સરકારને માહિતી આપવી જોઈએ, જેથી જવાબદારો સામે ત્વરિત પગલાં ભરી શકાય. રૂટિન વ્યવસ્થા જાળવવા પ્રયાસો તેજગેસની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે સરકારના આગામી આયોજન અંગે તેમણે જણાવ્યું કે, ઉપલબ્ધ ચેનલો દ્વારા ઘરેલું ગેસનું વિતરણ વ્યવસ્થિત રીતે થાય તે માટે જરૂરી તમામ રૂટિન વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે. સરકાર વૈશ્વિક સ્થિતિ પર નજર રાખી રહી છે અને સપ્લાય ચેઈન પૂર્વવત્ થાય તે માટે પ્રયત્નશીલ છે. ગેસની અછતથી સુરતના 10,000 વીવિંગ યુનિટ્સ પ્રભાવિત; લોકોની રોજગારી પર પણ સંકટગલ્ફ દેશોમાં અશાંતિને કારણે ગેસ સપ્લાય ચેઈન ખોરવાતા સીધી અસર હવે સુરતના આર્થિક કરોડરજ્જુ સમાન ટેક્સટાઈલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. સુરતના વીવિંગ ઉદ્યોગમાં કોમર્સિયલ ગેસ સિલિન્ડરની ભારે તંગી સર્જાઈ છે. ખાસ કરીને ટ્વિસ્ટેડ યાર્નનો ઉપયોગ કરતા અંદાજે 10,000 જેટલા વીવિંગ યુનિટ્સ આ અછતથી સીધા અસરગ્રસ્ત બન્યા છે. વીવિંગ ઉદ્યોગમાં કાપડના ઉત્પાદન પહેલા યાર્ન (દોરા) પર પ્રક્રિયા કરવી અનિવાર્ય હોય છે. વીવર અગ્રણી અશોક જીરાવાલાના જણાવ્યા અનુસાર, 1200 RPMથી વધુ સ્પીડ ધરાવતા મશીનો પર કાપડ બનાવતા પહેલા યાર્નને હીટ (ગરમી) આપવી પડે છે. આ પ્રોસેસ વગર હાઈ-ક્વોલિટી કાપડ બનાવવું અશક્ય છે. હાલમાં ગેસના અભાવે આ હીટિંગ પ્રક્રિયા ખોરવાઈ છે, જેના કારણે ઉત્પાદન પ્રક્રિયા ધીમી પડી ગઈ છે. દક્ષિણ ગુજરાત વીવિંગ ઇન્ડસ્ટ્રીના ચેરમેન અશોક જીરાવાલાએ પરિસ્થિતિની સ્પષ્ટતા કરતા કહ્યું કે, સુરતમાં કુલ 55,000 જેટલા વીવિંગ યુનિટ્સ કાર્યરત છે, તેમાંથી તમામમાં વરાળ (Steam)નો ઉપયોગ થતો નથી, પરંતુ અંદાજે 30% યુનિટ્સ એવા છે, જ્યાં ટ્વિસ્ટેડ યાર્ન વપરાય છે અને ત્યાં સ્ટીમ આપવી ફરજિયાત છે. આ ગણતરી મુજબ, લગભગ 10,000 જેટલા એકમો ગેસની અછતને કારણે મોટા પાયે પ્રભાવિત થવાની શક્યતા છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ)

32 C