રાજકોટમાં આજે વેલેન્ટાઈન ડેના દિવસે બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ પશ્ચિમ સંસ્કૃતિના અનુકરણના નામે યુવક-યુવતીઓને પરેશાન કર્યા હતા. રાજકોટના રેસકોર્ષ સ્થિત 'લવ ગાર્ડન'માં બપોરના સમયે યુવક-યુવતીએ બેઠા હતા ત્યારે બજરંગદળ અને વિહિપના કાર્યકર્તાઓએ પહોંચી જયશ્રી રામના નારા લગાવતા યુવક-યુવતીઓમાં નાસભાગ મચી હતી. વિહિપના આગેવાને જણાવ્યું હતું કે, યુવક-યુવતીએ ઘરેથી ખોટું બોલી અહીં આવે છે. વેલેન્ટાઈન ડે, રોઝ ડે , પ્રોમિસ ડે ન ઉજવવા જોઈએ આજના દિવસે ઘરે માતાપિતાનું પૂજન કરવું જોઈએ. રાજકોટના 'લવ ગાર્ડન'માં 'જયશ્રી રામ'ના નારા લાગતા નાસભાગ મચીઆજે વેલેન્ટાઈન ડે હોય રાજકોટના રેસકોર્ષ પાસે આવેલા 'લવ ગાર્ડન'માં યુવક-યુવતીઓ આવ્યા હતા અને બેસ્યા હતા. ત્યારે જ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ અહીં પહોંચી જયશ્રી રામના સૂત્રોચ્ચાર કરતા યુવક-યુવતીઓમાં નાસભાગ મચી હતી. આજના દિવસે ઘરે માતાપિતાનું પૂજન કરવું જોઈએ- પરેશ રાવલપરેશ રાવલે જણાવ્યું હતું કે, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આજે પુલવામાં હુમલાના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આજની પેઢી પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળી ગઈ છે. વેલેન્ટાઈન ડે અને રોઝ ડે ની ઉજવણી કરી રહી છે. આજના દિવસે માતૃ પિતૃ પૂજન સહિતના કાર્યક્રમો કરવા જોઈએ. યુવક યુવતીઓ ઘરેથી ખોટું કહીને અહીં ગાર્ડનમાં આવે છે અને ખોટા કામ કરે છે. તેને અટકાવવા માટે અમે આવ્યા છીએ. તેમણે જણાવ્યું કે, વાલીઓએ પણ જાગૃત થવાની જરૂર છે વિદ્યાર્થીઓ ઘરેથી સ્કૂલ અને કોલેજનું કહી નીકળતા હોય છે અને ત્યારબાદ રેસ્ટોરન્ટ કે ગાર્ડનમાં જતા હોય છે અને અંગત પળો માણતા હોય છે.આ સનાતન સંસ્કૃતિની વિરુદ્ધ છે. જેથી અમે અહીં રેસકોર્સ મેદાનમાં એકત્ર થયા છીએ. આ દરમિયાન જયશ્રી રામ અને પશ્ચિમી સંસ્કૃતિનો નાશ કરોના નારા લગાવવામાં આવ્યા હતા.
કોંગ્રેસ આતંકવાદીઓને ખભે બેસાડી દેશના ભાગલા પાડવા માંગે છે: આસામમાં PM મોદીનું સંબોધન
PM Modi In Assam: આસામમાં ચાલુ વર્ષ વિધાનસભાની ચૂંટણી આવશે તે પહેલા જ રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. ચૂંટણી રણમાં રાજનૈતિક પાર્ટીઓએ પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. આ વચ્ચે રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આસામના ડિબ્રુગઢમાં વાયુસેનાના C-130 એરક્રાફ્ટથી પહોંચ્યા હતા. મોરાન બાયપાસ પર ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી (ELF) પર લેન્ડિંગ કર્યું હતું. જે બાદ 3,030 કરોડના ખર્ચે બ્રહ્મપુત્ર નદી પર બનેલા ભાસ્કર વર્મા સેતુ અને IIM ગુવાહાટીના ટેમ્પરરી કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું.
મોરબીના લીલાપર ગામ નજીક પુલ પાસે એક છકડો રીક્ષા પલટી મારી ગઈ હતી. બપોરના પોણા ત્રણ વાગ્યાના અરસામાં બનેલા આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, છકડો રીક્ષા ચાલક લીલાપરથી જોધપર તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન પુલના વળાંક પાસે આગળ જઈ રહેલા ટ્રક ટ્રેલરને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. સામેથી વાહન આવતા, ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જે બાદ રીક્ષા રોડ પર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માત મચ્છુ નદી પરના પુલના લીલાપર તરફના છેડે આવેલા વળાંક પર બન્યો હતો. આ વળાંક એવો છે કે સામેથી આવતા વાહનો દેખાતા નથી, જેના કારણે આ સ્થળે અવારનવાર નાના-મોટા અકસ્માતો થતા રહે છે. અકસ્માત સમયે પાછળથી એક ટ્રક ટ્રેલર પણ આવી રહ્યું હતું, પરંતુ સદનસીબે કોઈ મોટી દુર્ઘટના ટળી હતી. નજીકના કારખાનાના સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી, જેના ફૂટેજ હવે વ્યાપકપણે શેર થઈ રહ્યા છે.
વડોદરા શહેરમાં મહાશિવરાત્રિના પર્વે નીકળનારી પરંપરાગત ‘શિવજી કી સવારી’ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા સજ્જ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ ભવ્ય આયોજનમાં અંદાજે 5 લાખથી વધુની જનમેદની ઉમટવાની શક્યતાને પગલે 9 DCP, 16 ACP, 85 PI અને 175 PSI સહિત કુલ 3500 પોલીસ કર્મચારીઓનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ ઉપરાંત, 450 ટ્રાફિક પોલીસ અને બ્રિગેડ તેમજ 750 હોમગાર્ડ્સ (GSD)ના જવાનો ફરજ બજાવશે. રાજ્યના ગૃહમંત્રીની સુરક્ષા માટે સ્ટેટ રિઝર્વ ફોર્સ (SRF) અને રેપિડ એક્શન ફોર્સ (RAF) પણ તૈનાત રહેશે. હાઈરાઈઝ બિલ્ડિંગો અને બેઝમેન્ટ પાર્કિંગનું સઘન ચેકિંગસંસ્કારી નગરી વડોદરામાં મહાશિવરાત્રિનો તહેવાર ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાય છે. યાત્રા દરમિયાન સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર છેલ્લા એક અઠવાડિયાથી કાર્યરત છે. યાત્રાના રૂટ પર આવતા મકાનોની અગાશીઓ, ધાર્મિક સ્થળો, શોપિંગ સેન્ટરો, થિયેટરો અને હાઈરાઈઝ બિલ્ડિંગોના બેઝમેન્ટ પાર્કિંગનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે. હાઈરાઈઝ બિલ્ડિંગો અને બેઝમેન્ટ પાર્કિંગનું સઘન ચેકિંગસંસ્કારી નગરી વડોદરામાં મહાશિવરાત્રિનો તહેવાર ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાય છે. યાત્રા દરમિયાન સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર છેલ્લા એક અઠવાડિયાથી કાર્યરત છે. યાત્રાના રૂટ પર આવતા મકાનોની અગાશીઓ, ધાર્મિક સ્થળો, શોપિંગ સેન્ટરો, થિયેટરો અને હાઈરાઈઝ બિલ્ડિંગોના બેઝમેન્ટ પાર્કિંગનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે. રૂટ પર સતત ફૂટ પેટ્રોલિંગ અને મોનિટરિંગસુરક્ષા વ્યવસ્થા અંગે પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, તહેવાર પૂર્વે જ શિવજી કી સવારીના રૂટ પર સતત ફૂટ પેટ્રોલિંગ અને રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. PCB, SOG અને DCB સહિતની વિવિધ ટીમો દ્વારા સંવેદનશીલ તથા અતિ-સંવેદનશીલ વિસ્તારોમાં ચકાસણી કરવામાં આવી રહી છે. શહેરમાં શિવજી કી સવારી ઉપરાંત અન્ય 23 સ્થળોએ પૂજા-આરતીના કાર્યક્રમો યોજાવાના છે, જેના માટે પોલીસે આયોજકો સાથે બેઠક કરી જરૂરી સૂચનાઓ આપી છે. ગૃહ રાજ્યમંત્રીની સુરક્ષા અને પોલીસ રિહર્સલમહાશિવરાત્રિના અવસરે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરાના મહેમાન બનવાના છે. તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિશેષ સુરક્ષા કવચ તૈયાર કરવામાં આવ્યું છે. આજે પોલીસ દ્વારા સમગ્ર એક્શન પ્લાનનું રિહર્સલ પણ કરવામાં આવશે, જેથી આવતીકાલે કોઈ ક્ષતિ ન રહી જાય. ભારત-પાકિસ્તાન મેચને લઈ પોલીસ એલર્ટઆવતીકાલે મહાશિવરાત્રિની સાથે જ ટી-20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વોલ્ટેજ મેચ યોજાવાની છે. મેચને કારણે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થવાની શક્યતા છે, જેને પગલે વધારાનો પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે. સોશિયલ મીડિયા દ્વારા કોઈ અસામાજિક તત્વો વાતાવરણ ન ડહોળે તે માટે સાયબર ક્રાઈમ પોલીસને સતત વોચ રાખવાની સૂચના આપવામાં આવી છે.
અમદાવાદના ફતેહવાડીમાં મોડીરાતે બે રાઉન્ડ ફાયરીંગની ઘટના ઘટ્યા બાદ ગઈકાલે(13 ફેબ્રુઆરી) મોડીરાતે બાપુનગરના છેલ્લા બસસ્ટેન્ડ પાસે કાકા ભત્રીજાએ બે યુવક પર છરીઓના ઘા ઝીંકી દીધા છે. ઈજાગ્રસ્ત બંને યુવકોની હાલત નાજુક છે, જ્યારે પોલીસે હત્યાની કોશિષનો ગુનો દાખલ કર્યો છે. સિગારેટ પીવા જેવી બાબતને લઈને કાકા ભત્રીજાએ મોડીરાતે ખુની ખેલ ખેલ્યો હતો. કાકા-ભત્રીજાએ બે યુવક પર છરીના ઘા ઝીંક્યાનિકોલ વિસ્તારમાં આવેલા ઉત્તમનગર ખાતે રહેતા જીતેન્દ્રસિંહ વિશ્વનાથસિંહ ચૌહાણે બાપુનગર પોલીસ સ્ટેશનમાં શીવકુમાર ઉર્ફે લલ્લુ રાજપુત અને દેવ રાજપુત (બંને રહે. ઈન્દિરાનગરના છાપરા, બાપુનગર) વિરૂદ્ધ હત્યાની કોશિષ તેમજ તોડફોડની ફરિયાદ કરી છે. જીતેન્દ્રસિંહ સંયુક્ત પરિવારમાં રહે છે અને વિરાનગર ખાતે આવેલી શિવાલીક હોસ્પિટલની બાજુમાં પાર્વતી એસ્ટેટમાં કાવ્યાઆર્યુહ નામથી સાબુ બનાવવાનું કામ કરે છે. જીતેન્દ્રસિંહ વર્ષોથી વિરાટનગર રહેતો હોવાથી તે અવારનવાર બાપુનગર જતો હતો. બાપુનગરમાં જીતેન્દ્રસિંહ શિવકુમાર અને તેના ભત્રીજા દેવ રાજપુતને સારી રીતે ઓળખે છે. ગઈકાલે(13 ફેબ્રુઆરી) રાતે આઠ વાગ્યાની આસપાસ જીતેન્દ્રસિંહ તેના મિત્ર રવિ રાજપુત તથા રોહન સાથે કાર લઈને બાપુનગર છેલ્લા બસ સ્ટેન્ડ પાસે ગયો હતો. જ્યાં તેણે ગલ્લેથી સિગારેટ ખરીદીને જાહેરમાં પીતા હતાં. તે સમયે શીવકુમાર અને દેવ રાજપુત આવ્યા હતાં. આગળ જઈને સિગારેટ પીવાનું કહ્યું ને બબાલકાકા ભત્રીજાએ આવતાની સાથે જ જીતેન્દ્રને કહ્યું હતું આગળ જઈને સિગારેટ પીવો. બંનેની વાત સાંભળીને જીતેન્દ્રએ જવાબ આપ્યો હતો કે, હું અહીયા જાહેરમાં સીગારેટ પીવુ છું તો તમને શુ તકલીફ છે. જીતેન્દ્રનો જવાબ સાંભળીને શિવકુમાર અને દેવ ઉશ્કેરાયા હતા અને ગાળો આપવા લાગ્યા હતાં. જીતેન્દ્રએ બંનેને ગાળો બોલવાની ના પાડી હતી અને શાંતિથી વાત કરવાનું કહ્યું હતું. છરી કાઢી ને છાતીમાં મારી દીધીબંને એટલા આવેશમાં આવી ગયા કે જીતેન્દ્રને ગાળદાપાટુનો મારમારવા લાગ્યા હતાં. આ સામે જીતેન્દ્રના બંને મિત્રો રોહન અને રવી તેને બચવાવવા માટે વચ્ચે પડ્યા હતા. દરમિયાનમાં દેવ રાજપુતે તેની પાસે રહેલી છરી કાઢી હતી અને રોહનની છાતીમાં મારી દીધી હતી. બંને લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યાતો બીજી તરફ શીવકુમારે પણ છરી કાઢી હતી અને રોહનના માથામાં તેમજ સાંથળના ભાગે મારી દીધી હતી. શિવકુમારે જીતેન્દ્રના બીજા મિત્ર રવિના માથામાં પણ છરી મારી દીધી હતી. રવિ અને રોહન લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા, જેથી જીતેન્દ્રએ બુમાબુમ કરી દીધી હતી. જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરારબન્ને કાકા ભત્રીજાએ મચાવેલા આંતક બાદ તે જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતાં. જીતેન્દ્રએ તરતજ એમ્બ્યુલન્સને ફોન કરી દીધો હતો. રોહન અને રવિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યા તેમની હાલત નાજુક છે. સિગારેટ પીવા જેવી બાબતે જીવલેણ હુમલોઘટનાની જાણ બાપુનગર પોલીસને થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગયા હતા અને જીતેન્દ્રના નિવેદનના આધારે શિવકુમાર અને દેવ વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. સિગારેટ પીવા જેવી સામાન્ય બાબતને લઈને આ હુમલો કરાયો છે કે પછી હકીકત કઈક અલગજ છે તે પોલીસની તપાસ બાદ સામે આવશે.
તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને પેરોલ ફર્લો સ્ક્વોડને મોટી સફળતા મળી છે. સોનગઢના ઓટા ગામેથી પોલીસે લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ ₹7.83 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બાતમીના આધારે, સોનગઢના ઓટા ગામે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. મહારાષ્ટ્ર તરફથી આવતી એક શંકાસ્પદ સફેદ રંગની જીપ કમ્પાસ કાર (નંબર: MH-15-JX-0369) ને રોકવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, પોલીસને જોઈને ચાલકે ગાડી ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને ગાડીને ઘેરી લીધી હતી. આ દરમિયાન ગાડીમાંથી બે ઈસમો ઉતરીને ભાગવા લાગ્યા હતા. પોલીસે તેમાંથી અનિલ રતિલાલ ગામીત (રહે. રાણીઆંબા) ને દબોચી લીધો હતો, જ્યારે અન્ય એક ફરાર થઈ ગયો હતો. વાહન તલાશી દરમિયાન, પોલીસે જીપ કમ્પાસની વચ્ચેની સીટો કાઢીને બનાવેલા ગુપ્ત ખાનાઓ અને ડેકીમાંથી વિદેશી દારૂની કુલ 1642 નંગ નાની-મોટી બોટલો શોધી કાઢી હતી. પોલીસે આ કાર્યવાહીમાં ₹2,53,860/- ની કિંમતનો વિદેશી દારૂ, ₹5,00,000/- ની જીપ કમ્પાસ કાર અને ₹30,000/- ની કિંમતના 4 મોબાઈલ ફોન સહિત કુલ ₹7,83,860/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ દારૂનો જથ્થો સોનગઢનો કુખ્યાત બુટલેગર જયેશ શંકર રાઠોડ મહારાષ્ટ્રથી ઓટા ગામ થઈને મંગાવી રહ્યો હતો. પોલીસે પકડાયેલા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી, મુખ્ય બુટલેગર જયેશ રાઠોડ સહિત અન્ય ચાર ફરાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. આ કેસની વધુ તપાસ માટે ઉચ્છલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
પાટણ સિટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે એક રીઢા ગુનેગારને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછમાં તેણે મોટરસાયકલ, પર્સ અને મોબાઈલની ચોરી કબૂલી હતી. પોલીસે કુલ ₹25,000નો મુદ્દામાલ જપ્ત કરીને ત્રણ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસ ટીમ ખાન સરોવર પાસે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફને મળેલી ગુપ્ત બાતમીના આધારે નંબર પ્લેટ વગરના કાળા કલરના બજાજ પ્લેટિના મોટરસાયકલ સાથે એક શંકાસ્પદ શખ્સને અટકાવવામાં આવ્યો હતો. મોટરસાયકલના એન્જિન અને ચેસીસ નંબરની તપાસ કરતા તે પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનાનું હોવાનું બહાર આવ્યું હતું. પકડાયેલા આરોપીની ઓળખ રંગુજી પ્રવીણજી અરજણજી ઠાકોર (ઉંમર ૨૫, રહે. બાલીસણા, વાળીનાથપરૂ, પાટણ) તરીકે થઈ છે. તેની અંગઝડતી લેતા એક લેડીઝ પાકીટ મળી આવ્યું હતું, જેમાં મૂળ દસ્તાવેજો, સોનાની ચુક અને ₹૫,૫૦૦ રોકડા હતા. આરોપીએ કબૂલ્યું કે તેણે આ પર્સ ૭ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ પાટણ રામજી મંદિરની વાડીમાં લગ્ન પ્રસંગ દરમિયાન ટેબલ પરથી ચોર્યું હતું. તેના ખિસ્સામાંથી વીવો કંપનીનો મોબાઈલ પણ મળ્યો હતો, જે તેણે પાટણ સિટી પોઈન્ટ પાછળની બાંધકામ સાઈટ પરથી ચોર્યો હતો. પોલીસે આરોપી પાસેથી ₹૧૫,૦૦૦નું મોટરસાયકલ, ₹૨,૦૦૦ની સોનાની ચુક, ₹૫,૫૦૦ રોકડા અને ₹૨,૫૦૦નો મોબાઈલ મળી કુલ ₹૨૫,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ રેકોર્ડ મુજબ, પકડાયેલ આરોપી અગાઉ પણ વિસનગર, બાલીસણા અને પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરી, બળાત્કાર અને અપહરણ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે.
બોર્ડની પરીક્ષાઓ નજીક આવતા જ વિદ્યાર્થીઓમાં માનસિક દબાણ વધતું જોવા મળી રહ્યું છે. પાટણની પી.કે. કોટાવાલા આર્ટસ કોલેજના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા કરવામાં આવેલા એક તાજેતરના સર્વેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ અભ્યાસ મુજબ, પાટણ અને સિદ્ધપુર તાલુકાના 84% વિદ્યાર્થીઓ પરીક્ષાને લઈને ભારે ચિંતા અને ભય અનુભવી રહ્યા છે. મનોવિજ્ઞાન વિભાગના એમ.એ. સેમેસ્ટર-4ના વિદ્યાર્થીઓ પંચાલ લાલજી અને કડીવાલા હમેદાફાતેમાએ અધ્યાપકોના માર્ગદર્શન હેઠળ આ સર્વે હાથ ધર્યો હતો. સર્વેમાં સામે આવેલા આંકડા વિદ્યાર્થીઓની કથળતી માનસિક સ્થિતિ તરફ આંગળી ચીંધે છે: 78% વિદ્યાર્થીઓને સતત નાપાસ થવાનો ડર સતાવી રહ્યો છે. 67% વિદ્યાર્થીઓ પોતાની ઈચ્છા વિરુદ્ધ માતા-પિતાના દબાણ હેઠળ તૈયારી કરે છે. 81% વિદ્યાર્થીઓ પરીક્ષાના તણાવને કારણે શારીરિક રીતે બીમાર પડે છે. 92% વિદ્યાર્થીઓએ ઊંઘ ન આવવી અને ખોરાક પ્રત્યે અરુચિ જેવી સમસ્યાઓ સ્વીકારી છે. 68% વિદ્યાર્થીઓ વાંચતી વખતે એકાગ્રતાનો અભાવ અને વારંવાર મોબાઈલ વાપરવાની ઈચ્છા અનુભવે છે. શારીરિક અને માનસિક અસરોસર્વે દરમિયાન વિદ્યાર્થીઓમાં અનેક ગંભીર લક્ષણો નોંધાયા હતા, જેમાં માથાનો દુખાવો, યાદશક્તિમાં ઘટાડો, બેચેની, ઉબકા, ચક્કર અને પાચન સંબંધિત તકલીફો મુખ્ય છે. આશરે 67% વિદ્યાર્થીઓ તો પરીક્ષાનું નામ સાંભળતા જ એટલી ગભરાહટ અનુભવે છે કે તેઓ વાંચેલું પણ ભૂલી જાય છે. આત્મવિશ્વાસમાં ઘટાડો અને નકારાત્મક વિચારો પણ વિદ્યાર્થીઓને સતત ઘેરી વળ્યા છે. તણાવમુક્તિ માટે નિષ્ણાતોની માર્ગદર્શિકાસર્વેક્ષણના અંતે વિદ્યાર્થીઓને આ સ્થિતિમાંથી બહાર લાવવા માટે ચોક્કસ સૂચનો આપવામાં આવ્યા છે. વૈજ્ઞાનિક અભિગમ: પરીક્ષા સમયે વર્ગખંડમાં શાંતિ જાળવવી અને પેપર લખતા પહેલા 5 મિનિટ આંખો બંધ કરીને ધ્યાન (Meditation) ધરવું. જીવનશૈલીમાં સુધારો: દૈનિક આયોજનમાં પૂરતી ઊંઘ, સંતુલિત આહાર અને નિયમિત કસરત કે યોગનો સમાવેશ કરવો. લેખન અને પુનરાવર્તન: માત્ર વાંચવાને બદલે લખવાની આદત રાખવી અને વારંવાર રિવિઝન કરવું. મદદ મેળવો: જો ગભરામણ વધુ હોય તો સંકોચ રાખ્યા વિના મિત્રો, વાલી કે પ્રોફેશનલ કાઉન્સેલરની મદદ લેવી. આ સમગ્ર સર્વેક્ષણને કોલેજના પ્રિન્સિપાલ રીટાબેન પારેખ અને એનજીઈએસના સીડીઓ જય ધ્રુવ દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. નિષ્ણાતોના મતે, વાલીઓએ પણ બાળકો પર અપેક્ષાઓનું ભારણ ઘટાડી તેમને પ્રોત્સાહિત કરવાની જરૂર છે.
રાજપુરમાં NSSનો સાત દિવસીય સેવા કેમ્પ સંપન્ન:યુવાઓએ સ્વચ્છતા, આરોગ્ય અને સેવા દ્વારા ગામમાં છોડી છાપ
મોડાસા તાલુકાના રાજપુર ગામ ખાતે શામળાજી પ્રદેશ સેવા કલજીભાઈ આર. કટારા આર્ટસ કોલેજ શામળાજી દ્વારા આયોજિત રાષ્ટ્રીય સેવા યોજના (એન.એસ.એસ.) અંતર્ગત સાત દિવસીય સેવા કેમ્પ સંપન્ન થયો છે. આ યુવા શિબિર ‘સ્વચ્છ, સ્વસ્થ સમુદ્રગામ’ના બેનર હેઠળ યોજાઈ હતી. કેમ્પના સમાપન સમારોહમાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણ પટેલ અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અરવલ્લી જિલ્લા સંઘના ચેરમેન અને સામાજિક કાર્યકર પ્રભુદાસ પટેલ મુખ્ય મહેમાન હતા. સામાજિક કાર્યકર નિલેશ જોષી, માદેવ ગામના સરપંચ પંકજસિંહ રાઠોડ, રામદેવ મંદિરના ટ્રસ્ટી પનાભાઈ પટેલ સહિત ગામજનો અને રામદેવ ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સાત દિવસીય કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓએ પ્રભાત ફેરીથી દિવસની શરૂઆત કરી હતી. તેમણે યોગ-વ્યાયામ, સ્વચ્છતા અભિયાન, લોકસંપર્ક, રમતગમત, નેત્ર નિદાન કેમ્પ અને પશુ સારવાર કેમ્પ જેવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરી હતી. કોલેજના આચાર્ય અજયભાઈ પટેલે મહેમાનોનું સ્વાગત કરીને કેમ્પની રૂપરેખા અને અહેવાલ રજૂ કર્યો હતો. અધ્યક્ષ અરૂણભાઇ પટેલે જણાવ્યું હતું કે એનએસએસ વિદ્યાર્થીઓમાં સેવા સાથે નેતૃત્વ, ટીમવર્ક, જવાબદારી અને માનવતા જેવા ગુણો વિકસાવે છે. તેમણે ઉમેર્યું કે મોટા બદલાવની શરૂઆત હંમેશા નાના પગલાથી થાય છે. પ્રભુદાસ પટેલે સેવાના અવસરને રામદેવજીની કૃપા ગણાવ્યો અને માતા-પિતાને ભગવાન સમાન માની તેમની સેવા કરવાની ભાવના રાખવા જણાવ્યું. સામાજિક કાર્યકર અને જીવદયા પ્રેમી નિલેશ જોષીએ શિસ્ત, સેવા અને સદભાવનાને દેશ અને સમાજના વિકાસના મુખ્ય સ્તંભ ગણાવ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને આ મૂલ્યો જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો. આ સમગ્ર કેમ્પનું આયોજન પ્રોફેસર ડૉ. સંજય પંડ્યા, ડૉ. જાગૃતિ પટેલ તેમજ રાજપુર ગામ દૂધ ડેરી અને રામદેવજી મંદિર ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવ્યું હતું. સમાપન પ્રસંગે મહાદેવગ્રામના સરપંચ પંકજસિંહ રાઠોડ અને ગામજનોએ આર્ટસ કોલેજ શામળાજીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી વિદાય આપી હતી.
પાંડેસરા વિસ્તારમાં આવેલી મણિનગર સોસાયટીમાં મોડી રાત્રે એક ભેંસના તબેલામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં તબેલામાં બાંધેલા મૂંગા પશુઓ ગંભીર રીતે દાઝી ગયા છે, જ્યારે હજારો રૂપિયાનો ઘાસચારો મળીને ખાક થઈ ગયો છે. તબેલા માલિક દ્વારા આ આગ અકસ્માત નહીં પરંતુ, કોઈના દ્વારા જાણી જોઇને આ આગ લગાવી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્થાનિકોએ તાત્કાલિક જાગી જઈને આગ ઠારવાના પ્રયાસો હાથ ધર્યામળતી માહિતી મુજબ પાંડેસરાના મણિનગર વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી પશુપાલનનો વ્યવસાય કરતા પશુપાલકનો ગાય-ભેંસનો તબેલો આવેલો છે. વહેલી સવારે ત્રણ વાગ્યાની આસપાસ જ્યારે બધા સૂતા હતા ત્યારે અચાનક તબેલામાં અચાનક આગની લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સ્થાનિકોએ તાત્કાલિક જાગી જઈને આગ ઠારવાના પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં મોટું નુકસાન થઈ ચૂક્યું હતું. મૂંગા પશુઓ બન્યા ભોગઆ કમકમાટીભરી ઘટનામાં બે થી ત્રણ ભેંસો ગંભીર રીતે દાઝી ગઈ છે. પશુઓના કરુણ આક્રંદથી આસપાસનો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. પશુપાલકના જણાવ્યા અનુસાર, આ આગમાં ઘાસચારો, સાધન-સામગ્રી અને પશુઓની ઈજા મળીને અંદાજે 70થી 80 હજાર રૂપિયાનું નુકસાન થયું છે. એક મધ્યમવર્ગીય પશુપાલક માટે આ આર્થિક ફટકો ખૂબ જ મોટો છે. 20 વર્ષથી તબેલો ચલાવીએ છીએ પહેલીવાર આવી ઘટના બનીતબેલા માલિકે રાજકુમાર શર્માએ જણાવ્યું હતું કે, અમે અહીં છેલ્લા 20 વર્ષથી તબેલો ચલાવીએ છીએ, પરંતુ આજ દિન સુધી ક્યારેય આવી કોઈ ઘટના બની નથી. આ કોઈ અકસ્માત નથી, પરંતુ અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા ઈરાદાપૂર્વક લગાડવામાં આવેલી આગ છે. રાત્રિના અંધકારનો લાભ લઈ કોઈ અસામાજિક તત્વોએ પશુઓને નુકસાન પહોંચાડવાના આશયથી આ કૃત્ય કર્યું હોવાનું અમને લાગી રહ્યું છે. પોલીસ અને વહીવટી તંત્ર પાસે કડક કાર્યવાહીની માંગઘટનાને પગલે સ્થાનિક પશુપાલકોમાં પણ રોષની લાગણી ફેલાઈ છે. તબેલા માલિકે પોલીસ અને વહીવટી તંત્ર પાસે માંગ કરી છે કે આ મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. જે પણ અસામાજિક તત્વોએ મૂંગા પશુઓના જીવ જોખમમાં મૂક્યા છે અને આર્થિક નુકસાન પહોંચાડ્યું છે, તેમને વહેલી તકે શોધી કાઢીને તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
અમદાવાદ શહેરના વસ્ત્રાપુરમાં એક દંપતી ચાલતું જઈ રહ્યું હતું, ત્યારે બાઈક પર બે શખ્સ આવીને મહિલાના ગળામાંથી સોનાનો દોરો ખેંચવા જતા હતાં. જેમાંથી પાછળ બેઠેલો શખ્સ બાઇક પરથી નીચે પડી ગયો હતો. જેને લોકોએ પકડીને પોલીસને સોંપ્યો હતો. જ્યારે બાઇક ચાલકને વસ્ત્રાપુર પોલીસે ઝડપી લીધો છે. બે શખ્સે સોનાનો દોરો લૂંટ કરવાની કોશિશ કરીવસ્ત્રાપુરમાં રહેતા દિનેશભાઈ ગેહલોત તેમના પત્ની સરોજબેન સાથે 13 ફેબ્રુઆરીને રાત્રે 9 વાગ્યાની આસપાસ જમીને ચાલવા નીકળ્યા હતાં.જજીસ બંગલો રોડથી માનસી સર્કલ બાજુ પતિ-પત્ની ચાલતા જતા હતાં. આ દરમિયાન પકવાન તરફથી એક બાઈક પર અચાનક બે શખ્સ આવ્યા હતા, જેમણે સરોજબેનના ગળામાં રહેલો સોનાનો દોરો લૂંટ કરવાની કોશિશ કરી હતી. એક શખ્સ ચેઈન ખેંચવા જતા પડ્યોજો કે દોરો તૂટ્યો ન હતો અને સરોજબેન નીચે પડી ગયા હતાં. દોરો તોડવાનો પ્રયાસ કરનાર બાઈકની પાછળ બેઠેલો વ્યક્તિ પણ નીચે પડી ગયો હતો. જ્યારે બાઈકચાલક નાસી ગયો હતો. શખ્સને લોકોએ પકડીને પોલીસને સોંપ્યોદંપતિએ બૂમાબૂમ કરતા આસપાસના માણસો ભેગા થયા હતા અને દોરી તોડવાનો કરવાનો પ્રયાસ કરનાર વિજય બોડાણાને ઝડપી લીધો હતો. સ્થાનિકોએ વિજય બોડાણાને ઝડપીને પોલીસને સોંપ્યો હતો. બંને શખ્સની ધરપકડવસ્ત્રાપુર પોલીસે સ્થળ પર પહોંચીને વિજય બોડાણાની પૂછપરછ કરીને તેના સાથી બાઇકચાલક હાર્દિક ચૌહાણની પણ ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે બંને બેરોજગાર છે અને પૈસા માટે આ રીતે ચોરી કરતા હતા. આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ ગુના નોંધાઈ ચૂક્યા છે. વસ્ત્રાપુર પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગોધરાની સાર્વજનિક કોમર્સ કોલેજના એનએસએસ એકમ દ્વારા 14 ફેબ્રુઆરી, 2019ના પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા 40 જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે 'બ્લેક ડે'ની ઉજવણી કરવામાં આવી હતી. આ હુમલો કાશ્મીરના પુલવામા ખાતે થયો હતો, જેમાં સેનાના જવાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રો. અરુણસિંહ સોલંકીએ પુલવામા હુમલાની વિગતવાર માહિતી આપી હતી. કોલેજના પ્રિન્સિપાલ ડો. શૈલેન્દ્ર પાંડેએ 14 ફેબ્રુઆરીના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો, જેમાં વેલેન્ટાઈન ડે, માતૃ-પિતૃ પૂજન દિવસ અને શહીદ દિવસ જેવા વિવિધ પાસાઓની ચર્ચા કરી હતી. વિદ્યાર્થીઓએ શહીદોને યાદ કરીને તેમને શત શત નમન કર્યા હતા. પ્રતિકાત્મક રીતે મીણબત્તીઓ પ્રગટાવીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ શહીદોના પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના પણ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન એનએસએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડો. અરુણસિંહ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે પ્રોફેસર અજીતસિંહ ચૌહાણે આભાર વિધિ કરી હતી.
વિકસિત કેરલમ કાર્યક્રમ અંતર્ગત કેરલાના ભાજપના જનપ્રતિનિધિઓ મુલાકાત આવી પહોચ્યા હતા. તેઓએ વડોદરા મહાનગરપાલિકાની મુલાકાત લીધી હતી. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી તેમજ બજેટ અંગેની તેઓને માહિતી આપવામાં આવી હતી. ભાજપના પ્રતિનિધિઓનું મંડળ વડોદરાની બે દિવસની મુલાકાતે આવ્યુંભાજપાના વિકસિત કેરલમ પ્રોજેક્ટ અંતર્ગત કેરેલાના ભાજપના પ્રતિનિધિઓનું એક મંડળ વડોદરાની બે દિવસની મુલાકાતે આવ્યું છે. આજે સવારે તેઓનું રેલ્વે સ્ટેશન ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ તેઓએ વડોદરા મહાનગરપાલિકાની મુલાકાત લીધી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચાલતા પ્રોજેક્ટ તેમજ મહાનગરપાલિકાની કાર્યશૈલી અંગે તેઓને માહિતી આપવામાં આવી હતી. મેયર પિંકી સોની દ્વારા મહાનગરપાલિકા અંગેની માહિતી આપવામાં આવી હતી. આવતીકાલે યોજાનારી શિવજી કી સવારી કાર્યક્રમમાં પણ જોડાશેમ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, નેતા મનોજ પટેલ, દંડક શૈલેષ પાટીલ, સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ સહિતના આગેવાનોએ કેરલાના જનપ્રતિનિધિઓનું સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ત્રિવેન્દ્રમ મહાનગરપાલિકામાં ભાજપે જીત હાંસલ કરી છે ત્યાર બાદ ત્યાંનું પ્રતિનિધિ મંડળ ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓની મુલાકાત લેશે જેના ભાગરૂપે તેઓ વડોદરા ખાતે બે દિવસ આવ્યા છે. તેઓ આવતીકાલે યોજાનારી શિવજી કી સવારી કાર્યક્રમમાં પણ જોડાશે. ઘણા પ્રોજેક્ટ્સ ખૂબ સારા છે જેને અમે અમલી કરવાના પ્રયાસો કરીશુંમ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, આ પ્રતિનિધિ મંડળ વડોદરા, સુરત જેવી મહાનગરપાલિકાઓની મુલાકાત લેશે અને અહીંની કાર્યપ્રણાલી તેમજ વિવિધ પ્રોજેક્ટની માહિતી મેળવશે. ત્રિવેન્દ્રમ મહાનગરપાલિકાના પ્રતિનિધિમંડળે જણાવ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા અમારું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તે બદલ આભાર. અમે અહીંના પ્રોજેક્ટ અંગેની માહિતી મેળવી છે અને અમારા વિસ્તારમાં તેને કેવી રીતે લાગુ કરી શકાય તે અંગેની પણ ચર્ચા કરી છે. ઘણા પ્રોજેક્ટ્સ ખૂબ સારા છે જેને અમે અમલી કરવાના પ્રયાસો કરીશું
છોટા ઉદેપુર: રૂ. 5.44 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:રંગપુર નાકા પાસેથી બોલેરો ગાડીમાંથી એક આરોપીની ધરપકડ
છોટા ઉદેપુર ટાઉન પોલીસે રંગપુર નાકા પાસેથી રૂ. 5,44,944/- ની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. વાહન ચેકિંગ દરમિયાન બોલેરો ગાડીમાંથી આ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા રંગપુર નાકા પર નિયમિત વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન MP 46 ZE 0396 નંબરની એક બોલેરો ગાડી શંકાસ્પદ જણાતા તેને રોકવામાં આવી હતી. ગાડીની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની કુલ 1944 બોટલો મળી આવી હતી, જેની બજાર કિંમત રૂ. 5,44,944/- આંકવામાં આવી છે. પોલીસે બોલેરો ગાડીના ચાલક કમલેશભાઈ રૂમાલભાઈ અજનાર (રહે. અજનાર ફળિયા, ચિખલકુઇ, તા.જી. અલીરાજપુર) ની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં વિદેશી દારૂ, બોલેરો ગાડી, મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ રૂ. 12,56,044/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, છોટા ઉદેપુર જિલ્લો સરહદી વિસ્તાર હોવાથી પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો અવારનવાર થતા રહે છે. જિલ્લા પોલીસ આવા પ્રયાસોને નિષ્ફળ બનાવવા સતત સક્રિય રહે છે.
અમદાવાદ શહેરના અસારવા વિધાનસભા વિસ્તારમાં આજે વિકાસકાર્યોની શરૂઆત કરવામાં આવી. રાજ્યના શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા દ્વારા વિવિધ જનહિતના પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. કાર્યક્રમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના શાહીબાગ વોર્ડમાં યોજાયો હતો. ગાર્ડનમાં નવા ગજેબોનું, સર્કલનું અને કમળના શિલ્પનું લોકાર્પણઆ દરમિયાન ઇદગાહ સર્કલ ખાતે નવા બનાવેલા ચબૂતરા અને સર્કલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તે ઉપરાંત શાહીબાગ વિસ્તારમાં નમસ્તે સર્કલ નજીક હાજીપુરા ગાર્ડનમાં નવા ગજેબોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. ડફનાળા જંક્શન ખાતે આકર્ષક કમળનું શિલ્પ પણ જાહેર માટે ખુલ્લું મુકાયું. આ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ, સ્થાનિક કાઉન્સિલરો તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા.
રાજપુરમાં NSSનો સાત દિવસીય સેવા કેમ્પ સંપન્ન:યુવાઓએ સ્વચ્છતા, આરોગ્ય અને સેવા દ્વારા જાગૃતિ ફેલાવી
મોડાસા તાલુકાના રાજપુર ગામ ખાતે શામળાજી પ્રદેશ સેવા શ્રી કલજીભાઈ આર. કટારા આર્ટસ કોલેજ, શામળાજી દ્વારા આયોજિત રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અંતર્ગત સાત દિવસીય સેવા કેમ્પ ઉત્સાહભેર સંપન્ન થયો હતો. ‘સ્વચ્છ, સ્વસ્થ સમુદ્રગામ’ના બેનર હેઠળ યોજાયેલા આ યુવા શિબિરમાં વિદ્યાર્થીઓએ ગામમાં અનોખી છાપ છોડી હતી. આ સેવા કેમ્પના સમાપન સમારોહમાં વિવિધ આગેવાનો અને ગ્રામજનોની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલ, મુખ્ય મહેમાન તરીકે અરવલ્લી જિલ્લા સંઘના ચેરમેન અને સામાજિક કાર્યકર પ્રભુદાસ પટેલ હાજર રહ્યા હતા. વિશિષ્ટ અતિથિ તરીકે સામાજિક કાર્યકર નિલેશ જોષી, માદેવ ગામના સરપંચ પંકજસિંહ રાઠોડ, રામદેવ મંદિરના ટ્રસ્ટી પનાભાઈ પટેલ તથા ગામજનો અને રામદેવ ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓએ પ્રભાત ફેરીથી દિવસની શરૂઆત કરી હતી. તેમણે યોગ-વ્યાયામ, સ્વચ્છતા અભિયાન, લોકસંપર્ક, રમતગમત, નેત્ર નિદાન કેમ્પ અને પશુ સારવાર કેમ્પ જેવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરી હતી. કોલેજના આચાર્ય અજય પટેલે મહેમાનોનું સ્વાગત કરતા કેમ્પની રૂપરેખા અને અહેવાલ રજૂ કર્યો હતો. અધ્યક્ષ અરુણ પટેલે પોતાના સંબોધનમાં યુવાઓને વ્યસનમુક્ત રહી દેશના વિકાસ માટે સેવાકીય કાર્યમાં જોડાવા પ્રેરણા આપી હતી. પ્રભુદાસ પટેલે જણાવ્યું હતું કે જે પવિત્ર સ્થાને સેવા કરવાનો અવસર મળ્યો છે તે રામદેવજીની કૃપા છે, અને જીવનમાં જન્મદાતા માતા-પિતાને પણ ભગવાન સમાન માન આપી સેવા કરવાની ભાવના રાખવી જોઈએ. સામાજિક કાર્યકર અને જીવદયા પ્રેમી નિલેશ જોષીએ શિસ્ત, સેવા અને સદભાવના દેશ અને સમાજના વિકાસના મુખ્ય સ્તંભ હોવાનું જણાવી વિદ્યાર્થીઓને આ મૂલ્યો જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો. આ સમગ્ર કેમ્પનું આયોજન પ્રોફેસર ડૉ. સંજય પંડ્યા, ડૉ. જાગૃતિ પટેલ તેમજ રાજપુર ગામ દૂધ ડેરી અને રામદેવજી મંદિર ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવ્યું હતું. સમાપન પ્રસંગે મહાદેવ ગામના સરપંચ અને ગ્રામજનોએ આર્ટસ કોલેજ, શામળાજીનો આભાર વ્યક્ત કરી વિદ્યાર્થીઓને શુભકામનાઓ સાથે વિદાય આપી હતી.
આમ આદમી પાર્ટી(AAP)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીના નેતૃત્વમાં પાર્ટીનું પ્રતિનિધિમંડળ આજે રાજ્યપાલને મળવા રવાના થયું હતું, પરંતુ રાજ્યપાલ તરફથી સમય ફાળવવામાં આવ્યો ન હોવાનું AAPએ જણાવ્યું છે. આ મુદ્દે AAPએ ભાજપ સરકાર અને રાજ્યપાલની કાર્યશૈલી પર સવાલો ઉઠાવ્યા છે. રાજ્યપાલ પોતે ન મળી શકે તો એમના પ્રતિનિધિને આવેદનપત્ર સ્વીકારવા મોકલેપ્રેસ કોન્ફરન્સમાં ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, AAP રાષ્ટ્રીય પાર્ટી છે અને ગુજરાતમાં પાંચ ધારાસભ્યો સાથે સક્રિય રીતે લોકોના પ્રશ્નો ઉઠાવી રહી છે છતાં રાજ્યપાલ તરફથી મુલાકાત માટે સમય આપવામાં આવતો નથી. અગાઉ રાજકોટ ગેમ ઝોન સહિત વિવિધ જાહેર મુદ્દાઓ પર પત્ર આપવામાં આવ્યા હોવા છતાં મુલાકાત ન મળતાં આજે પાર્ટી દ્વારા સત્તાવાર આવેદનપત્ર રાજ્યપાલના કાર્યાલયે સુપરત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. “રાજ્યપાલ પોતે ન મળી શકે તો એમના પ્રતિનિધિને આવેદનપત્ર સ્વીકારવા મોકલે,” એવી માંગ પણ તેમણે કરી. અમેરિકા-ભારત ટ્રેડ ડીલ મુદ્દે ચિંતાઇસુદાન ગઢવીએ અમેરિકા-ભારત વચ્ચે થનારી સંભવિત ટ્રેડ ડીલ મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરી. તેમણે દાવો કર્યો કે જો અમેરિકન કૃષિ અને ડેરી ઉત્પાદનોને શૂન્ય ડ્યુટી સાથે ભારતમાં પ્રવેશ આપવામાં આવશે તો સ્થાનિક ખેડૂતો અને પશુપાલકોને ભારે નુકસાન થશે. “અમેરિકામાં ખેડૂતોને અંદાજે 54 લાખ રૂપિયા સુધીની સબસિડી મળે છે, જેના કારણે તેમનો ઉત્પાદન ખર્ચ ઓછો રહે છે. આવી સબસિડીયુક્ત પ્રોડક્ટ્સ ભારતીય બજારમાં આવશે તો ગુજરાતના ખેડૂતો કેવી રીતે ટકી શકશે?” એમ તેમણે પ્રશ્ન કર્યો. પશુપાલન ક્ષેત્ર અંગે તેમણે જણાવ્યું કે, હાલ દુધના ભાવમાં અસ્થિરતા છે અને નકલી દુધના કેસો પણ સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં વિદેશી ડેરી પ્રોડક્ટ્સને છૂટછાટ આપવામાં આવશે તો સ્થાનિક પશુપાલકો વધુ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. “જો ગુજરાતમાં AAPની સરકાર હોત તો હાલના ભાવ કરતાં ₹15 પ્રતિ લીટર વધારે ભાવ પશુપાલકોને મળતા,” એવો દાવો પણ તેમણે કર્યો. ‘ખેડૂત વિરોધી નિર્ણય’નો આક્ષેપઇસુદાન ગઢવીએ કેન્દ્ર સરકાર અને ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ખેડૂત વિરોધી નિર્ણય લેવાનો આક્ષેપ કર્યો. “ખેડૂતો, પશુપાલકો અને નાના ઉદ્યોગકારો બરબાદ થઈ જાય એવા સોદા કરવા માટે પ્રધાનમંત્રી બનાવ્યા નથી,” એમ કહી તેમણે સરકારને સ્પષ્ટતા કરવા માંગ કરી કે અમેરિકાના કૃષિ ઉત્પાદનોને ભારતમાં કેમ મંજૂરી આપવામાં આવી રહી છે. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે, ભાજપ સરકાર જેટલો સમય સત્તામાં રહેશે, તેટલો ખેડૂતો અને નાના ઉદ્યોગો પતન તરફ ધકેલાશે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખેડૂતો, પશુપાલકો અને નાના ઉદ્યોગકારોને મુદ્દા આધારિત રાજનીતિને મત આપવા અપીલ પણ તેમણે કરી. AAPના પ્રતિનિધિમંડળમાં ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠીયા, પ્રવીણ રામ, બ્રિજરાજ સોલંકી, સામત ગઢવી, ડો. જ્વેલ વસરા, ગૌરી દેસાઈ અને ડો. કરન બારોટ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
અમદાવાદમાં સોલા રોડ પર ભુયંગદેવ ચાર રસ્તા પાસે આવેલી સાધના વિનય મંદિર શાળામાં આજે ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ દ્વારા એક ભવ્ય ‘ફૂડ ફીએસ્ટા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ માત્ર ઉત્સાહ જ નહીં, પણ પોતાની રાંધણકળાનું કૌશલ્ય પણ પ્રદર્શિત કર્યું હતું. વાનગીઓનો ખજાનો અને ગેમ ઝોન વિદ્યાર્થીઓએ સેવ ખમણી, પાસ્તા, પાણીપુરી, ખીચું, વડાપાઉં, ભાજીપાવ, ભુગળા બટેકા અને વિવિધ પ્રકારની ચાટ જેવી વાનગીઓ જાતે તૈયાર કરી હતી. આ ઉપરાંત પેસ્ટ્રી, કેક, કોલ્ડ કોફી અને ફ્રુટ ડીશ જેવા કુલ 20 થી વધુ આઈટમોના સ્ટોલ લગાવી વાલીઓ અને અન્ય વિદ્યાર્થીઓને પીરસ્યા હતા. ખાણી-પીણીની સાથે મનોરંજન માટે ખાસ ગેમ ઝોનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વ્યવસાયિક શિક્ષણની અનોખી પહેલ આ આયોજન પાછળનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ભવિષ્યના શેફ, હોટલ મેનેજમેન્ટ અને રેસ્ટોરન્ટ સંચાલન જેવી વ્યવસાયિક ક્ષમતાઓની તાલીમ આપવાનો હતો. નાના ભૂલકાઓથી લઈને મોટા વિદ્યાર્થીઓએ આર્થિક વ્યવહારો અને ટીમ વર્કનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો.
ગાંધીનગર જિલ્લાના દંતાલી ગામની સીમમાં આવેલી શરત ભંગ થયેલી કરોડો રૂપિયાની કિંમતી સરકારી જમીનને પચાવી પાડવા માટે કાયદાકીય ગૂંચ ઊભી કરી અમદાવાદના જમીન દલાલ સાથે મેળાપીપણું કરી ઠગાઈ આચરવાની ફરિયાદ અડાલજ પોલીસ મથકમાં નોંધાઈ છે. અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતા અને જમીન લે-વેચનો વ્યવસાય કરતા જીગરકુમાર રામભાઈ પટેલે આ ફરિયાદ નોંધાવી છે. અગાઉ શરત ભંગ થવાને કારણે સરકારી જમીન બની હતીફરિયાદ મુજબ દંતાલી ગામના સર્વે નંબર 231માં આવેલી આશરે 8600 ચોરસ મીટર જમીન અગાઉ શરત ભંગ થવાને કારણે સરકારી જમીન બની હતી. આ જમીન નિયમિત કરાવવા માટે મૂળ ખેડૂતોએ વર્ષ 2016માં જયંતિભાઈ અંબાલાલ પટેલ (રહે. કલોલ) અને મયુરભાઈ બળદેવભાઈ પટેલ (રહે. ભાદોલ, તા. કલોલ)ને પાવર ઓફ એટર્ની આપી હતી, પરંતુ તેઓએ કોઈ કામગીરી કરી ન હતી. જાન્યુઆરી-2022માં કાયદેસરનો વેચાણ દસ્તાવેજ કરી જમીનનો કબજો મેળવ્યો ત્યારબાદ વર્ષ 2019માં ખેડૂતોએ જીગરકુમાર પટેલનો સંપર્ક કરતા તેમણે કલેક્ટર કચેરીમાં જરૂરી કાર્યવાહી કરી જમીન નિયમિત કરાવી હતી અને ખેડૂતોને નક્કી કરેલ 1.55 કરોડ રૂપિયાનો અવેજ ચૂકવી જાન્યુઆરી, 2022માં કાયદેસરનો વેચાણ દસ્તાવેજ કરી જમીનનો કબજો મેળવ્યો હતો. ફેબ્રુઆરી 2022માં એકબીજાના નામે રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરાવી લીધો જોકે, આ જમીન કિંમતી બની ગઈ હોવાનું જાણી આરોપીઓએ મેળાપીપણું કરી વર્ષ 2020માં જૂના પાવરના આધારે ખેડૂતોની જાણ બહાર 88.15 લાખની કિંમતનું એક કબ્જા વગરનું બાનાખત ઊભું કર્યું હતું. ત્યારબાદ જીગરે જમીન ખરીદી લીધી હોવાનું જાણતા હોવા છતાં આરોપીઓએ ફેબ્રુઆરી 2022માં તે જ પાવરના આધારે એકબીજાના નામે રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરાવી લીધો હતો. આ બાબતે પોલીસે જયંતિભાઈ અંબાલાલ પટેલ અને મયુરભાઈ બળદેવભાઈ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના રાજ્યમાં શરત ભંગની જમીનોના દુરુપયોગ અને જમીન દલાલીના વધતા કેસો તરફ ધ્યાન દોરી રહી છે. પોલીસે આરોપીઓના બેંક ટ્રાન્ઝેક્શન, દસ્તાવેજો અને જમીનના રેકોર્ડની તપાસ શરૂ કરી છે. આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.
ભારતીય તટરક્ષક દળ (Indian Coast Guard)ની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થયા છે. આ ઐતિહાસિક 'સ્વર્ણિમ વર્ષ' નિમિત્તે પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા 'ડે એટ સી' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોસ્ટગાર્ડના અત્યાધુનિક યુદ્ધ જહાજો અને એરક્રાફ્ટે પોતાની તાકાત અને કાર્યક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું, જેના સાક્ષી 2000થી વધુ લોકો બન્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત પોરબંદરના સમુદ્રમાં કોસ્ટગાર્ડના ૭ જેટલા જહાજોનો કાફલો એકસાથે જોવા મળ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકોને કોસ્ટગાર્ડની કામગીરીથી પરિચિત કરવાનો હતો. આ માટે સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ અને શહેરીજનો સહિત 2000થી વધુ લોકોને વિશેષ વ્યવસ્થા સાથે મધદરીયે લઈ જવામાં આવ્યા હતા. દરિયાઈ સીમાઓની સુરક્ષા કરતી વખતે કોસ્ટગાર્ડના જવાનો કેવી કપરી પરિસ્થિતિમાં કામ કરે છે, તેનું જીવંત નિદર્શન અહીં કરવામાં આવ્યું હતું. આ નિદર્શનમાં રેસ્ક્યુ ઓપરેશન અને ફાયરિંગની દિલધડક કવાયતનો સમાવેશ થતો હતો. કોસ્ટગાર્ડની સ્પીડ બોટની મદદથી દરિયામાં ફસાયેલા માછીમારોને કઈ રીતે બચાવવામાં આવે છે, તેનું જીવંત નિદર્શન કરાયું હતું. આ ઉપરાંત, દરિયાઈ માર્ગે આવતા દુશ્મનો કે ઘૂસણખોરોને કઈ રીતે જડબાતોડ જવાબ આપી શકાય, તે માટે જહાજો પરથી ફાયરિંગની કવાયત પણ દર્શાવવામાં આવી હતી. કોસ્ટગાર્ડની આ અત્યાધુનિક કવાયત અને રેસ્ક્યુ ઓપરેશન નિહાળીને મધદરીયે ગયેલા શહેરીજનો રોમાંચિત થઈ ઉઠ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા સૌને ભારતીય તટરક્ષક દળ માત્ર સરહદોની સુરક્ષા જ નહીં, પરંતુ માછીમારોના જીવ બચાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે તેની પ્રતીતિ થઈ હતી.
ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICMAI) દ્વારા તાજેતરમાં 'RCMC 2024' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગોવા અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 500 થી વધુ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે દીપક નાઈટ્રેટના CFO સંજય ઉપાધ્યાય ખાસ હાજર રહ્યા હતા. ICMAI - WIRCના ચેરમેન મિહિર વ્યાસે જણાવ્યું હતું કે આ સંકલિત પ્રયાસનો હેતુ વ્યવસાયિક સભ્યોને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવાનો છે. AI અને ભાવિ પડકારો પર વિશેષ મંથન સંમેલનમાં કુલ 3 મહત્વપૂર્ણ સેશન રાખવામાં આવ્યા હતા, જેમાં Environment, Social, and Governance (ESG), Artificial Intelligence (AI) અને નેક્સ્ટ જનરેશન લીડર જેવા વિષયો પર ગહન ચર્ચા થઈ હતી. અદાણી, રિલાયન્સ, GSCL અને GNFC જેવી દિગ્ગજ કંપનીઓના CFO અને ઉચ્ચ અધિકારીઓએ આ સેશન્સમાં પોતાના વિચારો રજૂ કર્યા હતા. નિષ્ણાતોએ સ્પષ્ટ કર્યું હતું કે AI ના કારણે નોકરીઓ ઓછી થવાની શક્યતા નહિવત છે, પરંતુ જે લોકો AI માં માસ્ટરી મેળવશે તેમની આવક અને પ્રગતિમાં ચોક્કસ વધારો થશે. કોસ્ટ એકાઉન્ટિંગમાં ટેકનોલોજીનો ઉપયોગ સંસ્થાના સભ્યો દ્વારા કોસ્ટિંગ, પ્રાઈસિંગ ડેવલપમેન્ટ અને ઓડિટની પ્રક્રિયામાં AI નો અસરકારક ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પાર્લામેન્ટના એક્ટ દ્વારા સ્થાપિત આ સરકારી સંસ્થાના સભ્યો 35 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતી કંપનીઓમાં કોસ્ટ ઓડિટ, GST ઓડિટ અને ઇન્ટરનલ ઓડિટ જેવી જવાબદારીઓ સંભાળે છે. જે સભ્યો સમય સાથે બદલાશે અને AI ની ટ્રેનિંગ લેશે, તેમના માટે પ્રોફેશનલ ક્ષેત્રે નવી અને ઉજ્જવળ તકો ઉભી થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામે એક બંધ મકાનમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે પાડોશી જ ચોર હોવાનું શોધી કાઢી તેની ધરપકડ કરી છે. આરોપી પાસેથી રૂ. 12,34,650 નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. ચાર દિવસ પહેલા સોનાસણના ભુરીવાસમાં રહેતા દર્શનાબેન સુનીલભાઈ પટેલના બંધ મકાનમાંથી અજાણ્યા ઇસમે ઘરની ચાવીનો ઉપયોગ કરીને તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. આ અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં રૂ. 14,75,000ની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. સાબરકાંઠા LCBએ આ ગુનાની તપાસ શરૂ કરી હતી. LCBના ઇન્ચાર્જ PI ડી.સી. પરમારના જણાવ્યા અનુસાર, PSI આર.કે. જોષી અને એસ.જે. ચાવડાની ટીમોએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આસપાસના CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન, સોનાસણના ભુરીવાસમાં રહેતા 30 વર્ષીય રાજ ભૂપેન્દ્ર ઈશ્વરભાઈ પટેલની હિલચાલ શંકાસ્પદ જણાતા તેની પૂછપરછ કરવામાં આવી હતી. રાજે ચોરીની કબૂલાત કરતા જણાવ્યું કે, 10 ફેબ્રુઆરી 2026 ના રોજ તેમના સગા-સંબંધીઓના સમૂહ લગ્ન હોવાથી ઘરના તમામ સભ્યો બહાર ગયા હતા. તે સમયે તેણે પાડોશી સુનીલભાઈના ઘરે કોઈ હાજર ન હોવાથી ચાવી વડે તાળું ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરીમાંથી દાગીના ચોરી લીધા હતા. ચોરી કર્યા બાદ રાજ ફરી સમૂહ લગ્નમાં જતો રહ્યો હતો અને સાંજે તેણે ચોરી કરેલા દાગીના તેના ફોઈના દીકરા પ્રતિકકુમાર દિલીપભાઈ પટેલને સાચવવા આપ્યા હતા. LCBએ રાજ પટેલની ધરપકડ કરીને તેની પાસેથી કુલ રૂ. 12,34,650નો ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મુદ્દામાલમાં સોનાના દોરા, મંગળસૂત્ર, વીંટીઓ, બુટ્ટીઓ, ડોકિયું, મગમાળા અને એક મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. વધુ તપાસ માટે આરોપીને પ્રાંતિજ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
મોડાસા તાલુકાની પીએમ શ્રી સાકરીયા પ્રાથમિક શાળામાં માતૃપિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં માતા-પિતા પ્રત્યે આદર અને કૃતજ્ઞતાની ભાવના કેળવવાનો હતો, ખાસ કરીને આધુનિક યુગમાં મોબાઇલના વધતા પ્રભાવ વચ્ચે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાને કંકુ તિલક કરી વંદન કર્યા અને ચરણસ્પર્શ દ્વારા આદર વ્યક્ત કર્યો. આ ભાવુક ક્ષણોએ ઘણા વાલીઓની આંખોમાં ગર્વ અને આનંદના આંસુ લાવી દીધા હતા. વિદ્યાર્થીઓએ માતા-પિતાને સમર્પિત ગીતો પર સુંદર નૃત્ય પ્રસ્તુત કર્યું. ઉપસ્થિત સૌએ આ પ્રદર્શનને બિરદાવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા માતા-પિતા અને સંતાન વચ્ચેનો આત્મીય સંબંધ વધુ મજબૂત બન્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓને મોબાઇલના અતિશય ઉપયોગથી દૂર રહી અભ્યાસ, રમતગમત અને પરિવાર સાથે સમય વિતાવવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો. શાળા શિક્ષણની સાથે સંસ્કારના મૂલ્યોનું સિંચન કરવા સતત પ્રયત્નશીલ છે તે આ કાર્યક્રમથી સ્પષ્ટ થયું. કાર્યક્રમના સમાપ્તિએ વાલીઓએ શાળાના આચાર્ય મિનેશ પંચાલ અને સમગ્ર શિક્ષકગણની પ્રશંસા કરી હતી. તેમણે આવી મૂલ્ય આધારિત પ્રવૃત્તિઓ યોજવા બદલ શાળાનો આભાર માન્યો હતો. મોડાસાની પીએમ શ્રી સાકરીયા પ્રાથમિક શાળાનો આ કાર્યક્રમ સંસ્કાર, સંવેદના અને પારિવારિક મૂલ્યોને પ્રોત્સાહન આપતો એક મહત્વપૂર્ણ સંદેશ બની રહ્યો.
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, અમદાવાદ જિલ્લા શાખા દ્વારા સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન આપવા માટે આ વર્ષે વેલેન્ટાઈન ડેની ઉજવણી એક અત્યંત અનોખી અને માનવીય રીતે કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ દિવસ સામાન્ય રીતે અંગત પ્રેમની અભિવ્યક્તિનો હોય છે, પરંતુ રેડ ક્રોસ દ્વારા તેને સામાજિક જવાબદારી સાથે જોડીને શહેરીજનોને એક નવી રાહ ચીંધવામાં આવી છે. થેલેસીમિયા પીડિત બાળકો માટે વિશેષ ભેટ રેડ ક્રોસ દ્વારા અમદાવાદના શહેરીજનોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ વેલેન્ટાઈન ડેના પવિત્ર દિવસે રક્તદાન કરે, જેથી તેમનું રક્ત થેલેસીમિયા મેજરની ગંભીર બીમારીથી પીડાતા બાળકોને ગિફ્ટ તરીકે મળી શકે. સામાન્ય રીતે આ દિવસે લોકો પોતાના પ્રિય પાત્રોને રોઝ, ચોકલેટ કે રિંગ જેવી મોંઘી ભેટ આપતા હોય છે, પરંતુ તેના બદલે રક્તનું દાન કરીને કોઈનું જીવન બચાવવાની આ પહેલને લોકોએ દિલથી સ્વીકારી છે.અમદાવાદની જનતાનો અભૂતપૂર્વ પ્રતિસાદ રેડ ક્રોસ અમદાવાદના આ અનોખા પ્રયાસને શહેરની જનતાએ ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. અત્યાર સુધીમાં 100 થી વધુ રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક આગળ આવીને રક્તદાન કરવાની તૈયારી બતાવી છે. આ રક્તદાતાઓએ થેલેસીમિયા પીડિત બાળકોને બ્લડ યુનિટ વેલેન્ટાઈન ડેની ગિફ્ટ તરીકે આપવાની સુંદર શરૂઆત કરી છે. રક્તદાતાઓનો આભાર અને સન્માન રેડ ક્રોસ અમદાવાદ દ્વારા આ તમામ રક્તદાતાઓનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો છે. વેલેન્ટાઈન ડેના દિવસે પોતાના અંગત સુખને બાજુ પર રાખીને આ માનવીય અભિયાનમાં જોડાવા બદલ અને થેલેસીમિયાગ્રસ્ત બાળકોના જીવનમાં નવી આશા જગાડવા બદલ સંસ્થાએ રક્તદાતાઓની આ અનોખી ભેટની સરાહના કરી છે.
લિંબાયત વિસ્તારમાં સતત વધી રહેલી મિલકત સંબંધી ગુનાખોરીને ડામવા માટે સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે. લિંબાયત પોલીસ સ્ટેશનની ટીમે બાતમીદારોની મદદથી ઘરફોડના બે મહત્વના ગુનાઓ ઉકેલી નાખ્યા છે. પોલીસે આ મામલે મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના એક રીઢા તસ્કરને કુલ રૂપિયા 10,07,000ના મુદ્દામાલ સાથે ઝડપી પડ્યો હતો. શું છે સમગ્ર ઘટના?લિંબાયત પોલીસ મથકમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાઓને શોધવા માટે પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓની સૂચના હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પી.આઈ. એન.કે. કામળીયા અને સેકન્ડ પી.આઈ. સી.એસ. ઘોકડીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ તપાસમાં હતો. પોલીસ ટીમે શહેરના વિવિધ વિસ્તારોના 50થી વધુ CCTV ફૂટેજ તપાસ્યા હતા. આ તપાસમાં મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે લિંબાયતના શાહપુરા સોસાયટી પાસે વોચ ગોઠવી હતી. ત્યાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવેલા માવીયા ઉર્ફે મુસ્તાક શાહ (ઉં.વ. 29) ને ઝડપી પાડ્યો હતો. આરોપી અગાઉ પણ ઘરફોડના ગુનામાં સંડોવાયેલો છેDCP કાનન દેસાઈએ જણાવ્યું હતું કે, લિંબાયત પોલીસ સ્ટેશનમાં સોના ચાંદી અને અન્ય વસ્તુ આશરે 10 લાખ જેટલી મુદ્દામાલની ચોરી થઈ હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદી ઘર બંધ કરી લગ્ન પ્રસંગમાં ગયો હોય ત્યારે આરોપીએ રેકી કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો ત્યારબાદ પોલીસની ટીમ તપાસ કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી અગાઉ પણ ઘરફોડના ગુનામાં સંડોવાયેલો છે. ઝડપાયેલો આરોપી માવીયા મૂળ મહારાષ્ટ્રના જલગાંવ (ધુલિયા) જિલ્લાના ઈસ્લામપુરાનો રહેવાસી છે અને હાલ લિંબાયતમાં રહેતો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી વિરુદ્ધ અગાઉ લિંબાયત પોલીસ મથકમાં તેમજ વલસાડના વાપી રેલ્વે પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. કરોડોના દાગીના અને મુદ્દામાલ જપ્તપોલીસે આરોપી પાસેથી ચોરી કરેલા સોના-ચાંદીના દાગીના અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ રિકવર કર્યો છે જેમાં સોનાના દાગીના 165.25 ગ્રામ કિંમત આશરે 9,94,000 જેમાં 24 કેરેટ સોનાના બિસ્કિટ, સોનાની વીંટી, હાર, નથણી, બુટ્ટી અને ટીકાનો સમાવેશ થાય છે. આ સાથે 126.00 ગ્રામ ચાંદીના ઝાંઝર અને OPPO કંપનીનો સ્માર્ટફોન રિકવર કરવામાં આવ્યા છે.
અમદાવાદ ખાતે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં શ્રી મહુડી (મધુપુરી) જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક ટ્રસ્ટના 8 ટ્રસ્ટીઓ અને મહેતા, વોરા તથા શાહ પરિવારના પ્રતિનિધિઓએ ટ્રસ્ટ પર લાગેલા આરોપોનો સચોટ જવાબ આપ્યો હતો. ટ્રસ્ટીઓએ જણાવ્યું કે, અંકિત શ્રેણિકભાઈ મહેતા (જેઓ પાસા હેઠળ 19 માસની સજા ભોગવી ચૂક્યા છે) અને જયેશભાઈ મહેતાને તેમના ગુનાહિત ઇતિહાસને કારણે ગત વર્ષે જ સભ્યપદેથી બરતરફ કરવામાં આવ્યા હતા. આ વ્યક્તિઓ હવે ખોટી ઓળખ આપી ભક્તોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સોનાની ચોરીના આરોપો પાયાવિહોણા ટ્રસ્ટ પર લગાવવામાં આવેલા 65 કિલો સોનાની હેરાફેરીના આરોપને ફગાવતા ટ્રસ્ટીઓએ જણાવ્યું કે, મંદિરના સુવર્ણીકરણ માટે ખરીદાયેલા સોનાના કાયદેસરના ટેક્સપેઇડ બિલો ઉપલબ્ધ છે. વર્ષ 2017 થી 2025 સુધીના ઓડિટેડ રિપોર્ટમાં આ તમામ વિગતો નોંધાયેલી છે. લેબોરેટરી ટેસ્ટિંગ અંગે સ્પષ્ટતા કરી કે લેબ રિપોર્ટ સોનાની શુદ્ધતા નક્કી કરે છે, વજન નહીં. વધુમાં, લોકર ખોલવા માટે ત્રણ અલગ-અલગ ટ્રસ્ટીઓની ચાવીઓ અનિવાર્ય હોવાથી કોઈ એક વ્યક્તિ દ્વારા દાગીનાની ચોરી શક્ય જ નથી. ભૂતકાળની ગેરરીતિઓનો ઘટસ્ફોટ પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયું કે વર્ષ 2012માં પૂર્વ ટ્રસ્ટી રશ્મિભાઈ મહેતા કમિશન લેતા પકડાતા તેમણે રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ, તેમના સંબંધી સુનિલભાઈ મહેતાએ વેરભાવમાં 65 કિલો સોનાની ચોરીની ખોટી અરજી માણસા પોલીસમાં કરી હતી, જે તપાસ બાદ રદ થઈ હતી. નોંધનીય છે કે વર્ષ 2023માં નિલેશ મહેતા અને સુનિલ મહેતા (અંકિત અને જયેશ મહેતાના કુટુંબીઓ) મંદિરના ભંડારમાંથી ચોરી કરતા CCTVમાં કેદ થયા હતા, જેમને તાત્કાલિક અસરથી દૂર કરાયા હતા. આ કાર્યવાહીનો બદલો લેવા જ હાલમાં પાયાવિહોણા આરોપો થઈ રહ્યા છે. ટ્રસ્ટીઓની નિયુક્તિ અને મિલકતો અંગે ખુલાસો હાલના ટ્રસ્ટીઓની નિમણૂક ગેરકાયદે હોવાના દાવા સામે વર્ષ 2002 થી 2020 સુધીના દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા, જેમાં ખુદ અંકિત અને જયેશ મહેતાની સમર્થનરૂપ સહીઓ છે. અમદાવાદમાં ખરીદાયેલી પ્રોપર્ટી અંગે ટ્રસ્ટીઓએ સ્પષ્ટ કર્યું કે, આ મિલકતો જૈન સાધુ-સાધ્વીજીઓના વિહાર અને આરામ માટે ટ્રસ્ટના નામે જ ખરીદાઈ છે. તેનો ઉપયોગ કોઈ ટ્રસ્ટીના અંગત ફાયદા માટે થતો નથી. ટ્રસ્ટનો જાહેર પડકાર અંતમાં, ટ્રસ્ટી ભૂપેન્દ્રભાઈ વોરાએ વિશ્વાસ અપાવ્યો કે ટ્રસ્ટ પારદર્શક વહીવટ માટે પ્રતિબદ્ધ છે. તેમણે જાહેર પડકાર ફેંક્યો કે જો ટ્રસ્ટ દ્વારા 1 ગ્રામ સોનાની પણ ઉચાપત સાબિત થશે, તો તમામ ટ્રસ્ટીઓ સ્વેચ્છાએ રાજીનામું આપી દેશે. મહુડી તીર્થ અને ઘંટકર્ણ મહાવીર પ્રભુ પ્રત્યેની ભક્તોની શ્રદ્ધા અડગ રહે તે માટે ટ્રસ્ટ સતત કાર્યરત રહેશે.
ભરૂચના પાંચબત્તી સર્કલનું લોકાર્પણ:₹32 લાખના ખર્ચે તૈયાર, મંત્રી ઈશ્વર પટેલના હસ્તે ઉદ્ઘાટન
ભરૂચ શહેરમાં પાંચબત્તી સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. પી.પી. સાવાણી યુનિવર્સિટીના સહયોગથી આ સર્કલ અંદાજે 32 લાખ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર કરાયું છે. રાજ્યમંત્રી ઈશ્વર પટેલના હસ્તે તેનું ઉદ્ઘાટન થયું હતું. આ સર્કલને પાંચ ફાનસની વિશિષ્ટ રચનાથી તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં વિવિધ પ્રેરણાદાયક સ્લોગનો અને ભરૂચ શહેરની ટૂંકી માહિતી દર્શાવતી તકતીઓ મૂકવામાં આવી છે. આનાથી નાગરિકો અને પ્રવાસીઓને શહેરના ઇતિહાસ અને મહત્ત્વ વિશે જાણકારી મળશે. ઇતિહાસ મુજબ, અંગ્રેજોના સમયમાં વેપાર ક્ષેત્રે ઓળખ ધરાવતા ભરૂચ શહેરના મધ્યમાં વર્ષો પહેલાં લાઇટની સગવડ ન હોવાથી અહીં પાંચ ફાનસ લગાવવામાં આવ્યા હતા. તે સમયથી આ સ્થળ પંચબત્તી તરીકે ઓળખાયું અને સમય જતાં તેનું નામ પાંચબત્તી તરીકે પ્રસિદ્ધ થયું. હવે ભરૂચ નગરપાલિકા અને પી.પી. સાવાણી ટ્રસ્ટ દ્વારા આ સર્કલનું નવીનીકરણ કરીને આધુનિક સ્વરૂપ આપવામાં આવ્યું છે. સર્કલમાં ચંદ્રયાન અને વિદ્યાર્થીઓ માટે પ્રતીકરૂપ પેન્સિલ જેવી કલાત્મક આકૃતિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. આ લોકાર્પણ પ્રસંગે શહેરના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ, જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશ મિસ્ત્રી, ભાજપ મહામંત્રી નિરલ પટેલ, પી.પી. સાવાણી યુનિવર્સિટીના વલ્લભ સવાણી, પાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સર્કલના લોકાર્પણ સાથે ભવિષ્યની યોજનાઓ પણ જાહેર કરવામાં આવી હતી. આવનારા સમયમાં શહેરના અન્ય સર્કલો પર દેશના મહાપુરુષોની પ્રતિમાઓ સાથે નવીનીકરણ કરવામાં આવશે. તેમજ સ્ટેશનથી પાંચબત્તી સુધીના માર્ગને આઇકોનિક રોડ તરીકે વિકસાવવાની યોજના પણ હાથ ધરાશે, જે ભરૂચ શહેરને નવી ઓળખ આપશે.
સુરતના ઐતિહાસિક નવાપુરા-રાણા વોર્ડમાં અશાંત ધારાના કાયદાના ખુલ્લેઆમ ધજાગરા ઉડી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. લઘુમતી વ્યક્તિને મિલકત ટ્રાન્સફર કરવા માટે જે રીતે વહીવટી તંત્રએ મંજૂરી આપી છે, તેના વિરોધમાં સ્થાનિક ધારાસભ્ય અરવિંદ રાણા અને રહીશોએ લડી લેવાનો મૂડ બનાવ્યો છે. આજે જગન્નાથ મહાદેવના મંદિરે વિશેષ આરતીનું આયોજન કરી, ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મંદિરે આરતી કરી અન્યાય સામે અવાજ ઉઠાવ્યોજે સોસાયટીમાં લઘુમતી વ્યક્તિને મકાન વેચવાની પરવાનગી આપવામાં આવી છે, તે જ વિસ્તારમાં આવેલા જગન્નાથ મહાદેવના મંદિરમાં ધારાસભ્ય અરવિંદ રાણા અને સ્થાનિકોએ ભેગા મળીને ભક્તિભાવ સાથે આરતી કરી હતી. આરતી બાદ ધારાસભ્યએ સ્પષ્ટ કર્યું હતું કે આ વિસ્તારની ભૌગોલિક અને સામાજિક પરિસ્થિતિ સાથે ચેડાં કરનાર કોઈ પણ તત્ત્વને ચલાવી લેવામાં આવશે નહીં. ભ્રષ્ટ અધિકારીઓને પદ પરથી હટાવવા જ પડશે- અરવિંદ રાણાધારાસભ્ય અરવિંદ રાણાએ અધિકારીઓ પર સીધો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, જો અધિકારીઓ આંખો બંધ કરીને અથવા ખોટી માહિતીના આધારે નિર્ણયો લેતા હોય, તો તે સ્પષ્ટપણે ભ્રષ્ટાચારનો પુરાવો છે. જે લોકોએ લાખો રૂપિયાની લાંચ લઈને કાયદા વિરુદ્ધ જઈને કામ કર્યું છે, તેને તેમના પદ પરથી હટાવવામાં ન આવે ત્યાં સુધી મારી લડત ચાલુ રહેશે.અને કોઈપણ ભ્રષ્ટ અધિકારીને છોડવામાં આવશે નહીં. 'રિપોર્ટમાં મંદિરની જગ્યાએ મસ્જિદ બતાવી'આ સમગ્ર વિવાદનું મુખ્ય કારણ અધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલો રિપોર્ટ છે. ધારાસભ્યના જણાવ્યા મુજબ, જ્યાં જગન્નાથ મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે, ત્યાં રિપોર્ટમાં 'માઝુમ મસ્જિદ' હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે મસ્જિદ અસ્તિત્વમાં જ નથી અથવા ઘણી દૂર છે, તેને મિલકતની નજીક બતાવીને અન્યને ફાયદો કરાવવા માટે આ મોટો ખેલ ખેલાયો છે. લેખિત વાંધા છતાં મંજૂરી આપતા ભ્રષ્ટાચાર!અરવિંદ રાણાએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે, ધારાસભ્ય તરીકે મેં પોતે અને આજુબાજુના રહીશોએ લેખિતમાં વાંધો રજૂ કર્યો હતો. આમ છતાં, અમારા વાંધાઓને સંપૂર્ણપણે નજરઅંદાજ કરીને કલેક્ટર કચેરીએ પરવાનગી આપી દીધી. આ હકીકત જ ચીસો પાડીને કહી રહી છે કે આમાં મોટો આર્થિક વ્યવહાર થયો છે. 'લોકોને સ્થળાંતર કરવા મજબૂર ન કરો'ધારાસભ્યએ વ્યથા ઠાલવતા કહ્યું કે, જો આ રીતે જ ચાલશે તો આ વિસ્તારના લોકોએ મજબૂરીમાં હિજરત કરવી પડશે. અહીં વર્ષોથી હિન્દુ પરિવારો શાંતિથી રહે છે અને જરીનો વ્યવસાય કરે છે. જો અન્ય ધર્મના લોકો અહીં આવશે તો સંભવિત સંઘર્ષો વધશે અને તહેવારોની ઉજવણીમાં ખલેલ પડશે. હું જનતાની સાથે ઊભો છું જેથી કોઈને પણ પોતાનું ઘર છોડીને જવું ન પડે. ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકીઅરવિંદ રાણાએ વહીવટી તંત્રને અલ્ટીમેટમ આપ્યું છે કે, જો આ ગેરકાયદેસર મંજૂરી તાત્કાલિક રદ કરવામાં નહીં આવે, તો તેઓ સ્થાનિકોને સાથે રાખીને ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે. તેમણે કહ્યું કે ખોટા આધારો પર લેવાયેલા નિર્ણયોને સરકાર સ્તરે રજૂ કરીને રદ કરાવવા માટે તેઓ કટિબદ્ધ છે. 'જે લોકોએ લાંચ લીધી છે, તેને જવાબદાર ઠેરવીને પદ પરથી હટાવો'ધારાસભ્ય અરવિંદ રાણાએ જણાવ્યું હતું કે, જો મંજૂરી આપવા માટે ખોટા કારણો રજૂ કરવામાં આવતા હોય અને અસ્તિત્વમાં ન હોય તેવા બાંધકામોનો ઉલ્લેખ કરવામાં આવતો હોય, તો તે સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર તરફ નિર્દેશ કરે છે. જો અધિકારીઓ આંખો બંધ કરીને અથવા ખોટી માહિતીના આધારે નિર્ણયો લેતા હોય, જેમ કે એવી મસ્જિદનો હવાલો આપવો જેનું કોઈ અસ્તિત્વ જ નથી, તો ચોક્કસપણે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. જે લોકોએ આ કામ માટે લાંચ લીધી છે, તેને જવાબદાર ઠેરવીને પદ પરથી હટાવવામાં ન આવે ત્યાં સુધી હું મારી લડત ચાલુ રાખીશ. 'અમે અહીં વર્ષોથી રહીએ છીએ અને જરીનો ધંધો કરીએ છીએ'સ્થાનિક નવીનભાઈ જરીવાલાએ જણાવ્યું હતું કે, હું અહીં નવાપુરા ભાગળની પીઠ, મણિધર ખાંચામાં રહું છું. અમે અહીં વર્ષોથી રહીએ છીએ અને જરીનો ધંધો કરીએ છીએ. અમે અહીં બધા ગણેશોત્સવ, નવરાત્રીના ગરબા, હોળીના તહેવારો, મહાશિવરાત્રી અને મંદિરની સાલગિરી સહિતના તહેવારો ખૂબ જ શ્રદ્ધાથી ઉજવીએ છીએ. બધા શ્રદ્ધાથી મંદિરમાં પૂજા કરે છે અને દર્શને આવે છે. અમે વર્ષોથી જરીનો ધંધો કરીએ છીએ. 'અમે કોઈ વિવાદમાં પડવા નથી માંગતા'નવીન જરીવાલાએ કહ્યું કે, અમે ઈચ્છતા નથી કે કોઈ વિધર્મી અહીં આવીને અમારા ધર્મમાં અમને ખલેલ પહોંચાડે. અમે કોઈ વિવાદમાં પડવા નથી માંગતા, અમે બસ શાંતિથી રહેવા માંગીએ છીએ. અહીં મસ્જિદ છે જ નહીં. મસ્જિદ તો ઘણી દૂર છે. મસ્જિદ સાથે કોઈ લેવાદેવા નથી. આ મહોલ્લામાં કોઈ મસ્જિદ છે જ નહીં. અહીં બધા હિંદુઓ જ વસે છે અને આજુબાજુના વિસ્તારોમાં નજીક-નજીક પાંચ મંદિરો આવેલા છે. એટલે અહીં હિંદુઓની વસ્તી વધારે છે અને આ મહોલ્લામાં કોઈ વિધર્મી રહેતું નથી.
બોટાદમાં શેરબજારમાં મોટો નફો અપાવવાની લાલચ આપી લોકોને ઓનલાઈન છેતરતી એક ગેંગનો પર્દાફાશ થયો છે. બોટાદ ટાઉન પોલીસે ગઢડા રોડ પરથી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં સંજયજી દલાજી ઠાકોર, વિપુલજી વિનુજી ઠાકોર, વિશાલજી સરદારજી ઠાકોર, રણજીતજી અરવિંદજી ઠાકોર અને કિરણજી ઉમેદજી ઠાકોરનો સમાવેશ થાય છે. પોલીસે તેમને અર્ટીગા કારમાં બેઠેલા ઝડપી પાડ્યા હતા. આરોપીઓ 'માર્કેટ પલ્સ' નામની એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા. તેઓ શરૂઆતમાં રોકાણકારોને નફો બતાવી વિશ્વાસ જીતતા હતા. બાદમાં, ખોટી પીડીએફ મોકલી રોકાણમાં નુકસાન થયું હોવાનું દર્શાવી સંપર્ક તોડી નાખતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી વીવો, સેમસંગ, રીઅલમી અને લાવા કંપનીના મોબાઈલ ફોન તેમજ ડમી સિમકાર્ડ જપ્ત કર્યા છે. બોટાદ ટાઉન પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ LCB PI એમ. એમ. જાડેજાને સોંપી છે. LCB પોલીસે આ ઠગાઈ કેટલા સમયથી ચાલતી હતી, કેટલા લોકો ભોગ બન્યા છે અને 'માર્કેટ પલ્સ' એપની સંપૂર્ણ કાર્યપ્રણાલી શું હતી તે દિશામાં તપાસ શરૂ કરી છે.
મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે હિંમતનગરના કલાકારે સ્વયંભુ ભોલેશ્વર મહાદેવ મંદિરે રંગોળી દ્વારા શિવજીની ભવ્ય પ્રતિમા બનાવી છે. હાથમતી નદી કિનારે આવેલા આ મંદિરમાં આવતીકાલે મહાશિવરાત્રિના મેળા દરમિયાન દર્શનાર્થીઓ આ રંગોળી નિહાળી શકશે. હિંમતનગરના રામનગરમાં રહેતા કલાકાર હિતેશ પંચાલે આ રંગોળી તૈયાર કરી છે. તેમણે મંદિર પરિસરમાં 8 ફૂટ પહોળાઈ અને 10 ફૂટ લંબાઈમાં માટીનું લીપણ કરીને ચિત્રની આઉટલાઈન બનાવી હતી. આ રંગોળીમાં શિવલિંગ પાછળ મહાદેવના પ્રાગટ્યનું દ્રશ્ય દર્શાવવામાં આવ્યું છે. હિતેશ પંચાલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ રંગોળી બનાવવામાં તેમને બે દિવસમાં 10 કલાકથી વધુ સમય લાગ્યો હતો. તેમણે લાલ, વાદળી, પીળો, નારંગી, કથ્થાઈ, કાળો, સફેદ અને લીલો સહિત આઠ અલગ-અલગ રંગોના 14 કિલોથી વધુ જથ્થાનો ઉપયોગ કર્યો છે.
ગોધરામાં MGVCL 70 લાખના બાકી વીજ બિલ વસૂલશે:પશ્ચિમ વિસ્તારમાં 47 ટીમો દ્વારા વિશેષ ઝુંબેશ શરૂ
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં બાકી વીજ બિલની વસૂલાત માટે વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. લાંબા સમયથી વીજ બિલ ન ભરનારા ગ્રાહકો સામે કડક કાર્યવાહીના ભાગરૂપે આ સામૂહિક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ગોધરા પશ્ચિમ સબ-ડિવિઝન હેઠળના વિવિધ વિસ્તારોમાં કુલ ₹70 લાખનું વીજ બિલ બાકી છે. આ મોટી રકમની વસૂલાત સુનિશ્ચિત કરવા માટે MGVCL દ્વારા 47 ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમો ઘરે-ઘરે અને વ્યાપારી એકમો પર જઈને બાકી વીજ બિલની વસૂલાત કરી રહી છે. આ ઝુંબેશમાં મુસ્લિમ A અને B સોસાયટી, ગેની પ્લોટ, સિંગલ ફળિયા, ચેતનદાસ પ્લોટ, મેદા પ્લોટ, વ્હોરવાડ વિસ્તાર, ગોંદરા, નદીપાર, હિલપાર્ક અને મન્સુરી સોસાયટી જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે.
14 ફેબ્રઆરી…આ તારીખ લગભગ દરેક લોકોને યાદ હશે. કારણ કે આજે છે પ્રેમનો દિવસ અને વેલેન્ટાઇન વીકનો છેલ્લો દિવસ એટલે કે વેલેન્ટાઇ ડે…આજે પણ દિવ્ય ભાસ્કર અમદાવાદીઓની વચ્ચે પહોંચ્યું હતું. અમે અમદાવાદીઓને પૂછ્યું કે આખુ વીક અને ખાસ કરીને વેલન્ટાઇન ડે કેવી રીતે સેલિબ્રેટ કરી રહ્યા છો. સવાલ સાંભળતા જ કેટલાક શરમાયા તો કેટલાક હરખાયા તો કેટલાક તો બિન્દાસ્ત રિલેશનશીપ વિશે મન ખોલીને બોલ્યા. વેલન્ટાઇન ડે પર અમદાવાદીઓ કેવી રીતે શરમાયા જોવા માટે તસવીર પર ક્લિક કરો.
જામનગરમાં શહેરના પ્રથમ સિક્સ લેન રોડનું ખાતમુહૂર્ત રાજ્યમંત્રી રિવાબા જાડેજાના હસ્તે કરવામાં આવ્યું. આ રોડ ઓશવાળ સેન્ટર (પાયલોટ બંગલો) થી દિગ્જામ સર્કલ સુધી રૂ. 15.02 કરોડના ખર્ચે બનશે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ખોડીયાર કોલોનીના અતિ ગીચ માર્ગ પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવાનો છે. ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રી રિવાબા જાડેજાએ સ્થળ પર હાજર કોન્ટ્રાક્ટર અને ફરજ પરના અધિકારીઓને ગુણવત્તામાં કોઈપણ પ્રકારનું સમાધાન ન કરવા કડક સૂચના આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, શહેરી વિકાસ માટે આટલું મોટું બજેટ ફાળવવામાં આવ્યું છે ત્યારે કામ ઝડપથી અને ઉચ્ચ ગુણવત્તા સાથે થવું જોઈએ. મંત્રી જાડેજાએ ઉલ્લેખ કર્યો કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ગુણવત્તામાં કોઈ સમાધાન ન કરવા માટે કડક સૂચનાઓ આપી છે. ચોમાસા દરમિયાન રોડની સ્થિતિ અંગેની સામાન્ય જાણકારીને ધ્યાનમાં રાખીને, તેમણે સમયસર અને મજબૂત બાંધકામ પર ભાર મૂક્યો. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજા ઉપરાંત ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, અન્ય નગરસેવકો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટ અંતર્ગત, પાયલોટ બંગલાથી દિગ્જામ સર્કલ સુધીના હાલના ફોરલેન રોડની પહોળાઈ બંને બાજુ 7.50 મીટરથી વધારીને 11.50 મીટર કરવામાં આવશે. આનાથી ભારે વાહનો, મધ્યમ અને નાના ટુ-વ્હીલર વાહનોને તેમની સમર્પિત લેન મળશે, જેનાથી પરિવહન સરળ બનશે. રાહદારીઓની સલામતી માટે બંને બાજુ અલગથી ફૂટપાથની જોગવાઈ કરવામાં આવી છે. ભવિષ્યમાં પાઈપલાઈન, કેબલ અને ગેસ જેવી અન્ડરગ્રાઉન્ડ યુટિલિટીઝ માટે બંને બાજુ યુટિલિટી ડક્ટ (આર.સી.સી.) નું આયોજન કરાયું છે, જેથી રોડને વારંવાર થતું નુકસાન અટકાવી શકાય. વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ પણ બનાવવામાં આવશે. સિક્સ લેન રોડમાં સમાવિષ્ટ મુખ્ય સુવિધાઓમાં 11.50 મીટરનો મેઈન કેરેજ-વે (બંને બાજુ), 1.00 મીટર પહોળો સેન્ટ્રલ લાઈટિંગ ડિવાઈડર, 1.50 મીટરના યુટિલિટી ડક્ટ (બંને બાજુ), યુટિલિટી ડક્ટ ઉપર 1.50 મીટરના ફૂટપાથ (રાહદારીઓ માટે), 4.50 મીટરના સર્વિસ રોડ/પાર્કિંગ (બંને બાજુ), આઈલેન્ડ ડેવલપમેન્ટ, રોડ માર્કિંગ, સાઈનેજીસ, રોડ ફર્નિચર અને સેન્ટ્રલ લાઈટિંગનો સમાવેશ થાય છે.
હિંમતનગરમાં પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારે યોજાયેલી આ રેલી નિવૃત્ત અને શહીદ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ પેરામિલેટ્રી સંગઠન દ્વારા યોજાઈ હતી. આ રેલી શહેરના બસ સ્ટેન્ડથી શરૂ થઈ ટાવર ચોક સ્થિત હિંમત હાઈસ્કૂલના પરિસરમાં સભામાં પરિવર્તિત થઈ હતી. આ રેલી 14 ફેબ્રુઆરી, 2019 ના રોજ પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા પેરામિલેટ્રી ફોર્સના જવાનોને યાદ કરવા અને તેમને શ્રદ્ધાંજલિ આપવાના ઉદ્દેશ્યથી યોજવામાં આવી હતી. રેલી દરમિયાન દેશભક્તિના ગીતો અને નારા ગુંજી ઉઠ્યા હતા. રેલીના માર્ગ પર આવતી ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા અને ટાવર ચોકમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. આ રેલીમાં સાબરકાંઠા સહિત અન્ય જિલ્લાઓમાંથી આવેલા પૂર્વ જવાનો અને તેમના પરિવારો મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમણે શહીદ જવાનોની તસવીરો હાથમાં રાખીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પેરામિલેટ્રી સંગઠનના સભ્યો અને નિવૃત્ત આર્મી જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે, શહીદ જવાનોને યોગ્ય દરજ્જો આપવા અને તેમના પરિવારોને પેન્શન તથા અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી માંગણીઓ ઉઠાવવામાં આવી હતી.
સોલામાં કડવા પાટીદાર યુવા સંગઠન દ્વારા નોકરી મેળો:41 કંપનીઓ જોડાઈ, 400થી વધુ યુવાનોએ નોંધણી કરાવી
શ્રી ઉત્તર ગુજરાત બાર ગામ કડવા પાટીદાર યુવા સંગઠન દ્વારા સોલા ખાતે નોકરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સોલા સાયન્સ સિટી સામે આવેલા શ્રીજીધામ સ્વામિનારાયણ ખાતે યોજાયો હતો. આ નોકરી મેળામાં 41થી વધુ કંપનીઓએ ભાગ લીધો હતો. રોજગારની શોધમાં રહેલા 400થી વધુ યુવાનોએ આ મેળામાં નોંધણી કરાવી હતી. આ આયોજનનો મુખ્ય હેતુ યુવાનોને રોજગારની તકો પૂરી પાડવાનો અને તેમને યોગ્ય કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડવાનો હતો. યુવા સંગઠન દ્વારા સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ કાર્યક્રમને સમાજના વડીલો અને સભ્યો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.
અમદાવાદના મણિનગર સ્થિત કુમકુમ સ્વામિનારાયણ મંદિરમાં ૧૪ ફેબ્રુઆરી, વેલેન્ટાઈન ડેના રોજ એક અનોખો પ્રસંગ યોજાયો હતો. મંદિરના હરિભક્તોએ શ્રી સ્વામિનારાયણ ભગવાનને શાશ્વત પ્રેમના પ્રતીકરૂપે ત્રણ બુકે અર્પણ કર્યા હતા. આ ઉપરાંત, શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને પણ ગુલાબના ફૂલ અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, સંસારમાં મનુષ્યો એકબીજાને જે પ્રેમ કરે છે, તેના કરતાં ભક્તો અને ભગવાનનો પ્રેમ વધુ ઉત્કૃષ્ટ અને શ્રેષ્ઠ ગણાય છે. તેમણે હિન્દુ ધર્મના ઉદાહરણો આપતા કહ્યું કે, શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યે ગોપીઓનો પ્રેમ, શ્રી હનુમાનજીનો રામચંદ્ર ભગવાન પ્રત્યેનો અત્યંત પ્રેમ, અને શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે સચ્ચિદાનંદ સ્વામી તથા દાદાખાચરનો અત્યંત પ્રેમ આવા શાશ્વત પ્રેમના ઉત્તમ દ્રષ્ટાંતો છે. સાધુ પ્રેમવત્સલદાસજીએ વધુમાં જણાવ્યું હતું કે, આ ભક્તો ભગવાન વિના રહી શકતા ન હતા, જે પ્રેમની પરાકાષ્ઠા દર્શાવે છે. જેને જેના પ્રત્યે સાચો પ્રેમ હોય, તે તેના વિના રહી શકતો નથી. ભગવાન પ્રત્યે પ્રેમ કરવાથી જીવનો મોક્ષ થાય છે. તેથી, દરેક મનુષ્યએ પોતાના મોક્ષ માટે ભગવાન પ્રત્યે પ્રેમલક્ષણા ભક્તિ કરીને તેમની સાથે જોડાવું જોઈએ.
હત્યા કેસનો દોઢ વર્ષથી ફરાર આરોપી પકડાયો:અમરેલી પેરોલ ફર્લો સ્ક્વોડે સુરતથી ઝડપી ભાવનગર જેલ મોકલ્યો
અમરેલી જિલ્લા પેરોલ ફર્લો સ્ક્વોડે હત્યાના ગુનામાં દોઢ વર્ષથી ફરાર કાચા કામના કેદી મુકેશ અરજણભાઈ પરમારને સુરતથી ઝડપી પાડ્યો છે. કાયદેસરની કાર્યવાહી બાદ તેને ભાવનગર જિલ્લા જેલ ખાતે ખસેડવામાં આવશે. ભાવનગર જિલ્લાના ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં IPC કલમ 302 અને 326 હેઠળ નોંધાયેલા હત્યાના ગુનામાં 43 વર્ષીય મુકેશ પરમાર ભાવનગર જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવી રહ્યો હતો. ગુજરાત હાઇકોર્ટના આદેશથી તેને 28 જૂન 2024 થી 16 જુલાઈ 2024 સુધી વચગાળાની જામીન રજા મળી હતી. રજા પૂર્ણ થયા બાદ તે સમયસર જેલ ખાતે હાજર ન થતાં 16 જુલાઈ 2024 થી તેને ફરાર જાહેર કરવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ તંત્ર દ્વારા ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પેરોલ ફર્લો ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીની હરકતો પર સતત નજર રાખી હતી. તપાસ દરમિયાન ટીમને જાણવા મળ્યું કે તેની પત્ની અને સંતાનો સુરતના પુણાગામ વિસ્તારમાં રહે છે. કેદી પરિવારને મળવા આવવાનો હોવાની ખાનગી માહિતી મળતાં ટીમ તાત્કાલિક સુરત રવાના થઈ હતી. પુણાગામ, બાપા સીતારામ સોસાયટી, શાક માર્કેટ રોડ વિસ્તારમાં વોચ ગોઠવી આરોપી મુકેશ અરજણભાઈ પરમાર (હાલ રહેવાસી ગીરીરાજ વ્રજભૂમિ, સેક્ટર-2, વરાછા જકાતનાકા, સુરત) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરી પીઆઇ એ.ડી. ચાવડા એલ.સી.બી. અમરેલીના માર્ગદર્શન હેઠળ PSI એન.જી. સાપરા પેરોલ ફર્લો સ્ક્વોર્ડ, એ.એસ.આઇ. એ.એમ. સોલંકી તથા સ્ટાફના સહકારથી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. દોઢ વર્ષથી ફરાર રહેલા હત્યાના ગુનાના કેદીની ધરપકડ અમરેલી પેરોલ ફર્લો ટીમ માટે નોંધપાત્ર સિદ્ધિ ગણાઈ રહી છે.
ઝીંઝુવાડા ગામની કન્યાશાળા અને પે. સે. શાળામાં શિક્ષકોની ભારે ઘટને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે. આ અંગે વિદ્યાર્થીઓએ ગામના સરપંચ હરીભા ઝાલાને રૂબરૂ રજૂઆત કરી હતી. સરપંચે વિદ્યાર્થીઓની સમસ્યાઓ સાંભળી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ખાતરી આપી છે. ઝીંઝુવાડા કન્યાશાળામાં બાલ વાટિકાથી ધોરણ આઠ સુધીમાં કુલ 373 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જિલ્લા આંતરિક બદલી કેમ્પના કારણે આ શાળામાંથી ચાર શિક્ષકોની બદલી થઈ હતી, જેનાથી ચાર જગ્યાઓ ખાલી પડી હતી. 3 ફેબ્રુઆરી, 2026ના રોજ બે નવા જ્ઞાન સહાયક આવ્યા હોવા છતાં, હજુ પણ બે શિક્ષકોની જગ્યા ખાલી છે. વધુમાં, હાજર ચાર શિક્ષકોમાંથી એક શિક્ષક રણમાં ભણાવવા જાય છે. શાળામાં HTAT આચાર્ય પણ ન હોવાથી, વિષય શિક્ષકને આચાર્યનો ચાર્જ સંભાળવો પડે છે, જેનાથી શિક્ષણ કાર્ય પર નકારાત્મક અસર થાય છે. ગ્રામજનો પણ શિક્ષકોની ઘટ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. શ્રી કન્યાશાળા ઝીંઝુવાડામાં ખાલી રહેલી બે જગ્યાઓ પર તાત્કાલિક જ્ઞાન સહાયકની ભરતી કરવા અને HTAT આચાર્યની નિમણૂક કરવા માટે SMC (શાળા વ્યવસ્થાપન સમિતિ)ની બેઠકમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આ જ રીતે, શ્રી પે. સે. શાળા ઝીંઝુવાડામાં બાલ વાટિકાથી ધોરણ આઠ સુધીમાં કુલ 379 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ શાળામાં ધોરણ 1 થી 5 માંથી જિલ્લા આંતરિક બદલી કેમ્પના કારણે બે શિક્ષકોની બદલી થઈ હતી અને એક જ્ઞાન સહાયકે રાજીનામું આપ્યું હતું, જેના પરિણામે કુલ ત્રણ શિક્ષકોની જગ્યા ખાલી પડી છે. આ શિક્ષકોની ઘટને કારણે શાળામાં બાળકોના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે. શ્રી પે. સે. શાળા, ઝીંઝુવાડામાં ખાલી રહેલી ત્રણ જગ્યાઓ પર તાત્કાલિક જ્ઞાન સહાયકની ભરતી કરવાની જરૂર છે. આ માટે પણ SMCની બેઠક બોલાવીને ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની રજૂઆત બાદ, ઝીંઝુવાડાના સરપંચ હરીભા ઝાલા તાત્કાલિક કન્યાશાળા પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓની સમસ્યાઓ સાંભળી હતી. તેમણે આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ખાતરી આપી હતી. સરપંચ હરીભા ઝાલાએ જણાવ્યું હતું કે, ઝીંઝુવાડા ગ્રામ પંચાયત દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ વિભાગને પણ આ અંગે લેખિત રજૂઆત કરવામાં આવશે.
મોરબીમાં વેલેન્ટાઈન ડે પર માતા-પિતા પૂજન:ભારતીય સંસ્કૃતિના જતન માટે સાર્થક વિદ્યામંદિરનો પ્રયાસ
મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં 14 ફેબ્રુઆરી, વેલેન્ટાઈન ડેના રોજ માતા-પિતા પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પશ્ચિમી સંસ્કૃતિને બદલે ભારતીય સંસ્કૃતિનું મહત્વ સમજાવવાના પ્રયાસરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો. શાળાના ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને પોતાના માતા-પિતાનું પૂજન કર્યું હતું. આ પ્રસંગે 50 જેટલા વાલીઓ, શાળાના ટ્રસ્ટી કમલેશ ગુરુજી, પ્રધાનચાર્ય ગણેશ ગુરુજી અને વિવેક ગુરુજી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બાળકોને માતા-પિતા પૂજનનું મહત્વ સમજાવી ભારતીય સંસ્કૃતિનું જતન કરવા પ્રેરણા આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ શાળામાં છેલ્લા ઘણા વર્ષોથી 25 ડિસેમ્બર, નાતાલના દિવસે તુલસી પૂજનનો કાર્યક્રમ પણ યોજાય છે. સાર્થક વિદ્યામંદિરની આ પહેલથી પ્રેરણા લઈને મોરબીની અન્ય ઘણી શાળાઓમાં પણ નાતાલના દિવસે તુલસી પૂજનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લએ જણાવ્યું હતું કે, આવા નાના પ્રયાસો બાળકોને પશ્ચિમી સંસ્કૃતિથી દૂર રાખી ભારતીય સંસ્કૃતિ સાથે જોડવામાં ભવિષ્યમાં ખૂબ સારા પરિણામ આપી શકે છે.
અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં ગાગડીયા નદી પરના બ્રિજ અને માર્ગોના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં વિપક્ષ કોંગ્રેસના શહેર પ્રમુખ સુરેશ ગોયાણીએ ભાજપના સ્થાનિક ધારાસભ્ય જનક તળાવિયાનું વિકાસના કાર્યોને બિરદાવી સન્માન કર્યું હતું. લાઠી શહેરમાં વર્ષો જૂની સમસ્યાનો અંત લાવવા માટે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. રૂ. 7 કરોડના ખર્ચે માર્ગો અને રૂ. 1.41 કરોડના ખર્ચે બ્રિજ સહિતના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં સાંસદ ભરત સુતરિયા, ધારાસભ્ય જનક તળાવિયા અને સ્થાનિક હોદ્દેદારો સહિત ભાજપના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના શહેર પ્રમુખ સુરેશ ગોયાણીની હાજરી પણ સૂચક રહી હતી. ભાજપના પ્રતિનિધિઓ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, ત્યારે વિપક્ષમાંથી કોંગ્રેસના પ્રમુખ સુરેશ ગોયાણીએ જાહેરમાં ધારાસભ્ય જનક તળાવિયાનું સન્માન કરતા સ્થાનિક રાજકારણમાં ચર્ચા જાગી હતી. આ સન્માન અંગે ધારાસભ્ય જનક તળાવિયાએ જણાવ્યું હતું કે, લાગશે વાર પણ આવશે મજા. તેમણે ઉમેર્યું કે, લાઠી શહેરમાં વર્ષોથી બ્રિજની જરૂરિયાત હતી. આજે બ્રિજનું ખાતમુહૂર્ત થતા લાઠી શહેર કોંગ્રેસ પ્રમુખે મારું સન્માન કર્યું છે, કદાચ તેમને પણ વિકાસના કાર્યની ખુશી થઈ હશે, જે પાંચ વર્ષ પહેલાં કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે તેમને દેખાયું ન હતું.
રાજકોટ જિલ્લામાં 10 ફેબ્રુઆરી, 2026ના રોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અભિયાન હેઠળ જિલ્લાના 1 થી 19 વર્ષની વયના કુલ 4,63,968 બાળકોના લક્ષ્યાંક સામે 4,56,852 બાળકોને સફળતાપૂર્વક કૃમિનાશક ગોળી ગળાવવામાં આવી છે. જિલ્લાના 12 સામુહિક આરોગ્ય કેન્દ્રો, 55 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 12 અર્બન હેલ્થ સેન્ટરો અને 348 સબસેન્ટરો હેઠળના 605 ગામોમાં આ કામગીરી સઘન રીતે હાથ ધરવામાં આવી હતી. 17 ફેબ્રુઆરીએ યોજાશે મોપ-અપ રાઉન્ડ જે બાળકો પ્રથમ તબક્કામાં ગોળી લેવાથી વંચિત રહી ગયા છે, તેમના માટે 17 ફેબ્રુઆરી, 2026ના રોજ મોપ-અપ રાઉન્ડ નું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે આરોગ્યની ટીમો દરેક ગામમાં ઘરે-ઘરે જઈને ખાતરી કરશે કે કોઈ બાળક બાકી ન રહી જાય. જો કોઈ બાળક બાકી જણાશે, તો તેને સ્થળ પર જ કૃમિનાશક ગોળી ખવડાવવામાં આવશે. સામાન્ય બીમાર હોય કે અગાઉ ગોળી લીધી હોય તેવા બાળકોને પણ આ દિવસે ગોળી લેવા જાહેર અપીલ કરવામાં આવી છે. વ્યાપક પ્રચાર-પ્રસાર અને જનજાગૃતિ આ અભિયાનને સફળ બનાવવા માટે જિલ્લામાં પત્રિકા વિતરણ, પોસ્ટર અને બેનર ડિસ્પ્લે દ્વારા વ્યાપક પ્રચાર કરવામાં આવ્યો હતો. તાલુકા કક્ષાએ ગ્રુપ મીટિંગ, રોલ પ્લે, કાઉન્સેલિંગ સેશન અને શોર્ટ ફિલ્મો બતાવીને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામનો પણ બહોળો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અંતરિયાળ અને વાડી વિસ્તારો માટે ખાસ મોબાઈલ ટીમો બનાવીને કામગીરી કરવામાં આવી હતી. કૃમિનાશક ગોળીનું મહત્વ બાળકોમાં કૃમિના ચેપને કારણે લોહીની ઉણપ, કુપોષણ, ભૂખ ન લાગવી, પેટમાં દુખાવો અને વજન ઘટવા જેવી હાનિકારક અસરો જોવા મળે છે. આ સમસ્યા સામે રક્ષણ આપવા માટે ભારત સરકાર દ્વારા વર્ષમાં બે વખત કૃમિનાશક ટેબલેટ આપવામાં આવે છે. આ સમગ્ર કામગીરી જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.આર. ફુલમાલીના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે
નવસારીના વાંસદામાં ભાજપ દ્વારા આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી ચૂંટણીઓ અને સંગઠનને મજબૂત કરવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમ પૂર્વે એક વિશાળ રેલી નીકળી હતી, જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ રેલીને કોંગ્રેસના ગઢ ગણાતા વાંસદામાં ભાજપના શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહી છે. રેલીનો પ્રારંભ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવ્યો હતો. આદિજાતિ મંત્રી નરેશ પટેલ, વલસાડના સાંસદ ધવલ પટેલ, આદિજાતિ મોરચાના અધ્યક્ષ ગણપત વસાવા અને ગુજરાત ભાજપના ઉપપ્રમુખ અરવિંદ પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે 'જય જોહાર'ના નાદ સાથે વાંસદા ગુંજી ઉઠ્યું હતું. વાંસદાના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને આ રેલી ગાંધી મેદાન ખાતે પહોંચી હતી, જ્યાં તે એક વિશાળ જનસભામાં પરિવર્તિત થઈ. આ સંમેલનમાં નવનિયુક્ત ત્રણ આદિવાસી નેતાઓનું સમાજ અને પક્ષ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. સંમેલનના સ્થળે આદિવાસી સંસ્કૃતિ અને અસ્મિતાને ઉજાગર કરવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરંપરાગત આદિવાસી વાનગીઓ, પહેરવેશ અને લોકનૃત્યોની પ્રસ્તુતિનો સમાવેશ થાય છે. રેલી દરમિયાન પણ પરંપરાગત આદિવાસી નૃત્ય, ઢોલ-નગારા અને ડીજેની ધૂન પર હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અને કાર્યકરો જોડાયા હતા.
દીકરાની લાલચમાં કેનેડાના PR ધરાવતા ગુજરાતી યુવકે પત્નીને મારકૂટ કરી ત્રાસ આપ્યો હોવાની ઘટના સામે આવી છે. મૂળ રાજકોટના ગોંડલ પંથકની મહિલાના લગ્ન વર્ષ 2010માં મોરબી રહેતા યુવક સાથે થયા હતા. આ પછી સંતાનમાં એક દીકરી આવ્યા બાદ બીજા સંતાનમાં દીકરાની લાલચમાં પત્નીને ગર્ભમાં દીકરી છે કે દીકરો તેના માટે વર્ષ 2018માં ગર્ભપરીક્ષણ કરાવી અને ઝબરદસ્તી બે-બે વખત ગર્ભપાત પણ કરાવ્યું હોવાનો ઉલ્લેખ પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યો છે જેમાં એક વખત વાંકાનેરની શ્રધ્ધા હોસ્પિટલ અને બીજી વખત રાજકોટની સિદ્ધિ વિનાયક હોસ્પિટલમાં ઝબરદસ્તી ગર્ભપાત કરાવવામાં આવ્યું હતું. આ પછી વર્ષ 2025માં IVF કરાવવા માટે થાઈલેન્ડ બે વખત લઇ જવામાં આવી અને ત્યાં પણ મારકૂટ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે જો કે અંતે કંટાળી હિંમત દાખવી મહિલાએ બનાવ અંગે પરિવારને જાણ કરી મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ હર્ષદ કડીવાર, સાસુ ચંપાબેન કડીવાર, અને જેઠ જીજ્ઞેશ કડીવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ આજ દિવસ સુધી સમાજમાં આબરૂ જવાના ડરથી અને દીકરીના ભવિષ્યનું વિચારી 13 વર્ષ સુધી દુઃખ ત્રાસ સહન કર્યો હોવાનું જણાવી સરકાર પાસે ન્યાયની માંગ કરી પતિ વિરુધ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે બેટી બચાવોની વાતો થાય છે પણ પૈસા લઇ ગર્ભપાત કરતા તબીબો સામે કડક કાર્યવાહી અને કડક કાયદા બનાવવામાં આવે તેવી પણ માંગ ભોગબનનાર મહિલા દ્વારા કરવામાં આવી છે. ફરિયાદી અભિલાષાબેન હર્ષદભાઈ કડીવારએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું હાલ મારા માવતરના ઘરે ગોંડલ રહુ છુ. મારે સંતાનમાં એક 12 વર્ષની દીકરી છે. મારા લગ્ન ગઇ તા.29.05.20210ના રોજ હર્ષદભાઈ મનજીભાઈ કડીવાર સાથે થયા છે. અમારા લગ્ન બાદ હું મારા સસરાના ઘરે સંયુક્ત પરીવારમાં રાજકોટ તથા મોરબી રહેતા હતી. અમારા લગ્ન જીવન બાદ આશરે બે વર્ષ સુધી અમારો ઘરસંસાર બરાબર ચાલેલ હતો ત્યારબાદ મારી દિકરીના જન્મ પછી મારા પતિ હર્ષદભાઈ તથા સાસુ ચંપાબેન મનજીભાઇ કડીવાર તથા મારા જેઠ જીજ્ઞેશભાઇ મનજીભાઈ કડીવાર મને અવાર નવાર કહેતા કે અમારા મોભા મુજબ તુ તારા બાપના ઘરેથી કરીયાવર લાવેલ નથી કહી મને મેણા ટોણા મારી માનસીક ત્રાસ આપી મને મારા માતા પિતા સાથે ફોન ઉપર વાત ક રવા દેતા નહી અને મારા માતા-પિતા સાથે સંપર્ક રાખવા દેતા નહી. મારા સાસુ મને રસોઇ બાબતે તેમજ ઘરકામ બાબતે અવાર નવાર મેણાટોણા મારી ત્રાસ આપતા હતા તેમજ આ ત્રણે જણા મને અવાર નવાર ઘરકામ બાબતે મારો ખોટો વાંક કાઢી મને મારકુટ કરતા હતા. અમારા લગ્ન જીવન દરમિયાન મારે બે વખત ગર્ભ રહેલ હોય ત્યારે મારા પતિ તથા સાસુ અને જેઠ મળી મને ગર્ભપાત કરવાનુ કહેતા હું વિરોધ્ધ કરતી હતી તેમ છતા ત્રણેય જણાએ બે વખત ગર્ભપાત કરાવવા મજબુર કરી હતી. 2018માં ગર્ભપરીક્ષણ કરાવી અને ઝબરદસ્તી બે-બે વખત ગર્ભપાત પણ કરાવ્યું જેમાં એક વખત વાંકાનેરની શ્રધ્ધા હોસ્પિટલ અને બીજી વખત રાજકોટની સિદ્ધિ વિનાયક હોસ્પિટલમાં ઝબરદસ્તી ગર્ભપાત કરાવવામાં આવ્યું હતું. મારે સંતાનમાં દિકરી હોય અને મારો ઘરસંસાર તોડવો ન હોય અને મારા માતા પિતાની આબરૂ બચાવવા ત્રાસ સહન કરતી હતી. હું મારા પતિ હર્ષદભાઈ તથા મારી દિકરી એપ્રીલ 2022માં કેનેડા મારા પતિના ધંધા માટે જતા રહ્યા હતા. અને અમે કેનેડા રહેતા હતા ત્યારે મારા પતિ હર્ષદભાઇને નોનવેજ ખાવાની તથા દારૂ પીવાની કુટેવ હોય જેથી હું તેમને નોનવેઝ ખાવાની તથા દારૂ પવાની ના પાડતી તો પતિ મને કહેતા કે હું તારા બાપના પૈસાનો દારૂ નથી પીતો તેમ કહી મને મારકુટ કરતા હતા. દરમ્યાન મારા સસરાના શ્રાદ્વ વિધી માટે સપ્ટેમ્બર 2025માં અમે કેનેડાથી ભારત આવ્યા હતા અને એકાદ અઠવાડીયા પછી હું મારા પતિ તથા મારી દિકરી બધા બેંગકોક ગયા હતા ત્યાં પણ મારા પતિએ મને માર માર્યો હતો જેથી મે મારા મામાને મેસેજ કરી મદદ માંગી હતી. બીજા દિવસે અમે ફલાઇટમાં અમદાવાદ આવ્યા ત્યાં મારા મામા મને તથા દિકરીને તેના ઘરે લઇ ગયા હતા ત્યારે મે મારા ઉપર લોકોએ કરેલ ત્રાસની વાત કરી હતી અને ત્યાંથી હું તથા મારી દિકરી મારા માવતરના ઘરે આવતા રહ્યા છીએ ત્યારથી હું મારી દિકરી સાથે મારા માવતર ના ઘરે ગોંડલ રહુ છુ મારા ડોકયુમેન્ટ તથા મારા સોનાના તમામ દાગીના મારા પતિ પાસે છે જે મે મને આપવા વિનંતિ કરવા છતા મને આપ્યા નથી. હાલ મોરબી મહિલા પોલીસે પતિ સાસુ અને જેઠ વિરુધ્ધ BNS કલમ 85, 115(2), 54 મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
આજે દેશભરમાં વેલેન્ટાઈન ડે ની પ્રેમના પર્વ તરીકે જોરશોરથી ઉજવણી થઈ રહી છે ત્યારે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવાને બદલે રાજકોટની કિસાન ગૌશાળા દ્વારા ભારતીય સંસ્કૃતિને છાજે તે પ્રકારના કાઉ હગ ડે ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગૌ પ્રેમીઓ દ્વારા ગૌ માતાને ગોળ ખવડાવવાની સાથે તેમની પૂજા અને આરતી કરી હતી. 25 વર્ષથી કાર્યરત આ ગૌશાળામાં 1800 થી વધુ ગાયોનો નિભાવ થઈ રહ્યો છે. રાજકોટની કિસાન ગૌશાળાના પ્રમુખ ચંદ્રેશ પટેલે જણાવ્યું હતું કે, આ ગૌશાળામાં છેલ્લા 25 વર્ષથી ગૌમાતાની સેવા કરવામાં આવે છે. અહીં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને ગૌકથાનું પણ આયોજન થાય છે. આજે 14 ફેબ્રુઆરીએ પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણરૂપ વેલેન્ટાઈન ડે ની ઉજવણી થઈ રહી છે તેને બદલે ભારતીય સંસ્કૃતિનો મુખ્ય પ્રાણ ગણાતી ગૌ માતાના સાનિધ્યમાં કાઉ હગ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં ગૌ પ્રેમીઓ દ્વારા ગાયને ગોળ ખવડાવવાની સાથે તેનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. આજે બપોર સુધીમાં 250 જેટલા લોકો કાઉને હગ કરવા માટે આવ્યા હતા. વિદેશમાં ગાયને હગ કરવાના 25 થી 50 હજાર રૂપિયા ખર્ચવામાં આવે છે. જ્યારે આપણી પાસે તો ઘર આંગણે ગૌમાતા છે. જેથી દરેક લોકોએ આ અવસરનો લાભ લેવો જોઈએ. ગૌ માતા થી થતા લાભ અંગે તેમણે જણાવ્યું હતું કે, પૃથ્વી ઉપર અત્યારે લોકોમાં જેટલા પણ રોગ છે તે તમામને નાશ કરતું એકમાત્ર ગૌમૂત્ર છે. ગાય આધારિત ખેતીથી જે અનાજ પાકે છે તે ખૂબ જ ફાયદાકારક હોય છે અને ધરતીનો મુખ્ય ખોરાક ગાયનું છાણ છે. જેથી આપણને ઉપયોગી એવી ગૌમાતાને બચાવીએ. ગૌ માતાનું દૂધ અને તેની પ્રોડક્ટનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખીએ.
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા નજીકથી પોલીસે ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા એક રીક્ષાચાલકને ઝડપી પાડ્યો છે. પોલીસે રીક્ષા અને દારૂ સહિત કુલ 3.77 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે ફલ્લા હાઈવે રોડ પરથી એક રીક્ષામાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી થઈ રહી છે. આ બાતમીના આધારે પોલીસે મોડી રાત્રે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણીના મનીષ યોગેશભાઈ મીનામા નામનો રીક્ષાચાલક GJ-11 U-2595 નંબરની રીક્ષા લઈને પસાર થતાં તેને અટકાવવામાં આવ્યો હતો. રીક્ષાની તલાશી લેતા તેમાંથી કુલ 144 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે 3 લાખ રૂપિયાની કિંમતની CNG રીક્ષા અને 77,000 રૂપિયાનો ઇંગ્લિશ દારૂ મળી કુલ 3,77,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. રીક્ષાચાલક મનીષ મીનામાની વધુ પૂછપરછ ચાલી રહી છે.
બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલા પૌરાણિક નિલકંઠ મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી પર્વ નિમિત્તે યોજાનાર લઘુ રુદ્રી મહાયજ્ઞની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. પવિત્ર ઘેલો નદીના કાંઠે આવેલા આ મંદિરમાં ભક્તિમય માહોલ વચ્ચે યજ્ઞ માટેની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ થઈ ગઈ છે. મંદિર ટ્રસ્ટ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી શિવરાત્રીના પાવન દિવસે લઘુ રુદ્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ આવતીકાલે સવારે ૭ વાગ્યાથી સાંજ સુધી વૈદિક મંત્રોચ્ચાર સાથે આ યજ્ઞ યોજાશે. આ યજ્ઞમાં સ્થાનિક તેમજ બહારગામથી મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપશે તેવી અપેક્ષા છે. મહાયજ્ઞ પૂર્ણ થયા બાદ સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધાર્મિક પ્રવચનો અને ભજન કાર્યક્રમ યોજાશે. મંદિર પરિસરમાં સજાવટ, યજ્ઞવેદીની ગોઠવણી, બેસવાની વ્યવસ્થા અને પ્રસાદ વિતરણ સહિતની તમામ તૈયારીઓ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી છે. શિવરાત્રીના આ પાવન અવસરે ગઢડામાં ફરી એકવાર ધાર્મિક ઉમંગ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મહાયજ્ઞ અંગેની માહિતી મૌલિક ભગતે આપી હતી.
સુરત શહેર સાયબર ક્રાઈમ સેલે ઓનલાઈન ટાસ્ક આપી લોકો સાથે 7.56 લાખની છેતરપિંડીની જાળમાં ફસાવતી ગેંગના એક મુખ્ય ફરાર આરોપીને અમદાવાદથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ધરપકડ કરાયેલ આરોપી સંજય મહેન્દ્રભાઈ પટેલ, બેંક એકાઉન્ટ ભાડે આપીને ફ્રોડના નાણાં સગેવગે કરવામાં મદદ કરતો હોવાનું બહાર આવ્યું છે. વોટ્સએપ અને ટેલિગ્રામ દ્વારા સંપર્ક કરી લોકોને ફસાવતોમળતી માહિતી મુજબ મુજબ, વર્ષ 2023માં એક ફરિયાદીને વોટ્સએપ અને ટેલિગ્રામ દ્વારા સંપર્ક કરી 'દિલ્હી કિકસ્ટાર્ટર લિમિટેડ' અને 'અલીબાબા સબ્સ્ક્રિપ્શન બેનિફિટ્સ ગ્રુપ'ના નામે લલચાવવામાં આવ્યા હતા. આરોપીઓએ ફરિયાદીને યુટ્યુબ વીડિયો લાઈક કરવા, હોટલ અને રેસ્ટોરન્ટને રેટિંગ આપવા જેવા સરળ ટાસ્ક આપી વિશ્વાસ જીત્યો હતો. 7.56 લાખની છેતરપિંડી કરીશરૂઆતમાં વળતર આપીને બાદમાં પ્રીમિયમ ટાસ્કના નામે ફરિયાદી પાસેથી અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ. 7,67,000 ભરાવ્યા હતાં. જેમાંથી માત્ર રૂ. 10,150 પરત કરી, બાકીના રૂ. 7,56,850 હડપ કરી લેતા સુરત સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ હતી. અમદાવાદના નવા નરોડથી સંજય પટેલ ઝડપાયોસાયબર સેલની ટીમ ટેકનિકલ તપાસ કરી રહી હતી. તપાસ દરમિયાન અગાઉ 6 આરોપીઓ પકડાઈ ચૂક્યા હતાં. જ્યારે સંજય પટેલ પોલીસને હાથતાળી આપી નાસતો ફરતો હતો. પી.આઈ. એ.એમ. પરમાર અને તેમની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું અને નવા નરોડા, અમદાવાદ ખાતેથી 33 વર્ષીય સંજય મહેન્દ્રભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે. આરોપી 5.5% કમિશન મેળવતો હતો પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી સંજય પટેલ એમ.કોમ. સુધી ભણેલો છે અને દલાલીનો વ્યવસાય કરે છે. તેણે અગાઉ પકડાયેલા આરોપી જયેશ કોરીનું એક્સિસ બેંકનું કરંટ એકાઉન્ટ ટ્રાન્ઝેક્શન માટે મેળવ્યું હતું. આ એકાઉન્ટમાં થતા ટ્રાન્ઝેક્શન પર તે 5.5% કમિશન મેળવતો હતો અને તે એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાં ફેરવવા માટે કરવામાં આવતો હતો.
જૂનાગઢની પવિત્ર ગિરનાર તળેટીમાં અત્યારે મિની કુંભ સમાન મહાશિવરાત્રીનો મેળો જામ્યો છે. ‘ટુકડો ત્યાં હરિ ઢૂકડો’ની ભાવના સાથે ભવનાથના ખૂણે ખૂણેથી અત્યારે એક જ સાદ સંભળાય છે, ‘આવો બાપા, હરિહર કરતા જાઓ.’ આ વર્ષે કમોસમી વરસાદને કારણે પરિક્રમા બંધ રહેતા મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો છે. લાખો શ્રદ્ધાળુઓની જઠરાગ્નિ તૃપ્ત કરવા માટે તળેટીમાં અનેક અન્નક્ષેત્રો ધમધમી રહ્યા છે, જેમાં 'શ્રી આઈ ખોડીયાર રાસ મંડળ ટ્રસ્ટ' છેલ્લા છ દાયકાથી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. છ જણાનું ભોજન હોવા છતાં સાધુના આશીર્વાદથી બાર જણા તૃપ્ત થયા: પ્રમુખઆ અન્નક્ષેત્રની શરૂઆત પાછળ એક પ્રેરણાદાયી ઇતિહાસ છુપાયેલો છે. ટ્રસ્ટના પ્રમુખ જાદવભાઈ કાકડીયા જણાવે છે કે, વર્ષ 1960માં જ્યારે તેમના વડીલો પ્રથમ વખત ગિરનારની પરિક્રમામાં આવ્યા હતા, ત્યારે એક સાધુના આશ્રમે ભોજન લીધું હતું. તે સમયે છ જણાનું ભોજન હોવા છતાં સાધુના આશીર્વાદથી બાર જણા તૃપ્ત થયા હતા. તે સાધુએ વડીલોને શીખ આપી હતી કે પરિક્રમામાં આવતા ભાવિકોની આંતરડી ઠારવી એ જ સાચી ભક્તિ છે. આ વાત હૈયે ધરીને વર્ષ 1961માં પરિક્રમામાં પ્રથમવાર અન્નક્ષેત્ર શરૂ કરાયું અને 1965થી આ સેવા અવિરત પણે શિવરાત્રી મેળામાં પણ શરૂ કરવામાં આવી. ‘350થી વધુ સ્વયંસેવકો રાત-દિવસ સેવામાં હાજર રહે છે’શરૂઆતમાં માત્ર રવો-ખીચડી જેવી સાદી વાનગીઓથી શરૂ થયેલો આ પ્રવાસ આજે એક વિશાળ વટવૃક્ષ બની ગયો છે. આજે અહીં 350થી વધુ સ્વયંસેવકો રાત-દિવસ સેવામાં હાજર રહે છે. આશ્ચર્યની વાત એ છે કે આ સ્વયંસેવકોમાં અનેક મોટા ઉદ્યોગપતિઓ પણ છે, જેઓ પોતાના હોદ્દાને બાજુ પર મૂકીને ભાવિકોની થાળી પીરસવામાં અને વાસણ સાફ કરવામાં પણ ગર્વ અનુભવે છે. જાદવભાઈ કહે છે કે, હું જ્યારે માત્ર બે રૂપિયા કમાતો હતો ત્યારથી આ સેવામાં જોડાયેલો છું, આજે આ સેવાથી જ પરિવારમાં સુખ-શાંતિ છે. ‘ભોજનમાં દરરોજ 8થી વધુ વાનગીઓ પીરસાય છે’ભોજનની ગુણવત્તા એવી છે કે ભક્તો તેને ફાઈવ સ્ટાર હોટલ સાથે સરખાવે છે. અહીં વપરાતો કાચો માલ સીધો દાતાઓ પાસેથી આવે છે. શુદ્ધ ઘીમાં બનેલા મિષ્ટાન અને સીંગતેલમાં બનેલા ફરસાણની સોડમ આખા મેળામાં પ્રસરેલી હોય છે. દરરોજ અલગ-અલગ વાનગીઓ પીરસાય છે, જેમાં લાડવા, મોહનથાળ, બુંદી, શિરો, ભજીયા, દાળ-ભાત, કઢી-ખીચડી, સંભારો અને રોટલીનો સમાવેશ થાય છે. ભોજનમાં દરરોજ 8થી વધુ વાનગીઓ પીરસવામાં આવે છે. ‘ઓટોમેટિક રોટલી મશીન એક કલાકમાં 6,000થી વધુ ગરમાગરમ રોટલીઓ તૈયાર કરે છે’પીરસવાની ક્ષમતા વધારવા માટે અહીં આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ થાય છે. અન્નક્ષેત્રમાં કાર્યરત ઓટોમેટિક રોટલી મશીન એક કલાકમાં 6,000થી વધુ ગરમાગરમ રોટલીઓ તૈયાર કરે છે. તેમજ માત્ર અડધા કલાકમાં 100 કિલો નાયલોન ખમણ તૈયાર થઈ જાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, દાળ-ભાત અને શાક જેવી પરંપરાગત વાનગીઓ તો આજે પણ મોટા ચુલાઓ પર જ રાંધવામાં આવે છે, જેથી તેનો સોડમ અને સ્વાદ જળવાઈ રહે. ‘અમે છેલ્લા 25 વર્ષથી અહીં જમવા આવીએ છીએ’મેળામાં આવતા મુલાકાતીઓ પણ આ સેવાથી અભિભૂત છે. ખાગેશ્રી ગામના રમાબેન મકવાણા અને ઉપલેટાના કંચનબેન જણાવે છે કે, અમે છેલ્લા 25 વર્ષથી અહીં જમવા આવીએ છીએ. ઘરે પાંચ મહેમાન આવે તો પણ આપણે થાકી જઈએ છીએ, પરંતુ આ લોકો લાખો ભાવિકોને કોઈ પણ જાતની અગવડ વગર અને હસતા મુખે ભોજન પીરસે છે તે ખરેખર વંદનીય છે. વહેલી સવારે નાસ્તામાં ગાંઠિયા, પૌવા, જલેબી અને ગરમાગરમ ચાથી શરૂ થતી આ સેવા મોડી રાત સુધી ચાલુ રહે છે. ‘શિવરાત્રીના પાંચ દિવસમાં અઢી લાખથી વધુ લોકો ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે’શ્રી આઈ ખોડીયાર રાસ મંડળ ટ્રસ્ટ દ્વારા માત્ર અન્ન જ નથી પીરસવામાં આવતું, પરંતુ સેવા, સમર્પણ અને સાચા માનવધર્મનો સંદેશ પણ ફેલાવવામાં આવે છે. શિવરાત્રીના પાંચ દિવસ દરમિયાન અઢી લાખથી વધુ લોકો અહીં ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવે છે. ગિરનારની આ પવિત્ર ભૂમિ પર ચાલતો આ અન્નકૂટ ભક્તિ અને સેવાના અનોખા ત્રિવેણી સંગમ સમાન બની રહ્યો છે.
વેરાવળ ખાતે સમસ્ત પટણી સમાજ અને સમસ્ત મુસ્લિમ સેવા સમાજ દ્વારા શિક્ષણ જાગૃતિ અને વિદ્યાર્થી પ્રોત્સાહન માટે સન્માન સમારોહ યોજાયો. આ પ્રસંગે આધુનિક પટણી કોમ્પ્યુટર સેન્ટર અને મોડર્ન લાઈબ્રેરીનો પણ પ્રારંભ કરાયો. સમારોહમાં ડીવાયએસપી કેડર સહિત વિવિધ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થયેલા યુવાનોને સન્માનિત કરાયા. ધોરણ 9 થી પીએચડી સુધીનો ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન થયું. સમાજના પ્રમુખ અફઝલ પંજાએ એક રોટી ઓછી ખાઓ, પણ બાળકોને ભણાવો નો સંદેશ આપ્યો. કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શિક્ષણને વર્તમાન સમયની સર્વોચ્ચ શક્તિ ગણાવી, વિદ્યાર્થીઓને મહેનત અને સંકલ્પથી આગળ વધવા પ્રેરણા આપી. નવું કોમ્પ્યુટર સેન્ટર યુવાનોને ડિજિટલ યુગ માટે તાલીમ આપશે. લાઈબ્રેરી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક બનશે. આ પ્રસંગે સમાજના આગેવાનો, નગરસેવકો, વેપારીઓ અને શ્રેષ્ઠીઓ પણ હાજર રહ્યા હતા. આ આયોજન દ્વારા સમાજની પ્રગતિ માટે શિક્ષણના મહત્વનો સંદેશ અપાયો. સન્માનિત વિદ્યાર્થીઓ અન્ય માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. આ નવી પહેલ ભવિષ્યમાં વધુ અધિકારીઓ અને વિદ્વાનો તૈયાર કરશે તેવી આશા વ્યક્ત કરાઈ.
અમદાવાદમાં વધતા અકસ્માત વચ્ચે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. વટવા જીઆઇડીસી રોડ પર પૂરઝડપે ગાડી લઈને આવી રહેલા યુવકે કાબૂ ગુમાવતા ગાડી ઝાડ સાથે અથડાઈ હતી.ગાડીની ટક્કર એટલી જોરદાર હતી કે કાર ચાલક યુવકનું સ્થળ પર જ મોત થયું હતું. યુવક સાસરીમાં પત્નીને લેવા જઈ રહ્યો હતો આ દરમિયાન અકસ્માત થયો હતો. સાસરીમાં પત્નીને લેવા જતો હતોગાંધીનગરના વાવોલમાં રહેતો આકાશ ગોસ્વામી નામનો યુવક ચાંગોદરમાં આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આકાશની પત્ની બારેજડી ખાતે પિયરમાં ગઈ હતી. 12 ફેબ્રુઆરીના રોજ આકાશ તેના ઘરેથી પિયર પત્નીને લેવા જઈ રહ્યો હતો. આકાશ પૂર ઝડપે એસન્ટ કાર લઈને વટવા જીઆઇડીસી રોડ પરથી જઈ રહ્યો હતો. આ દરમિયાન સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા ગાડી ઝાડ સાથે અથડાઈ હતી. ગંભીર ઈજા થવાના કારણે સ્થળ પર મોતગાડી ઝાડ સાથે અથડાતા ગણતરીની સેકન્ડોમાં જ આકાશને ગંભીર ઈજા થવાના કારણે સ્થળ પર મોત થયું હતું. આકાશના ત્રણ વર્ષ અગાઉ લગ્ન થયા હતા. ધર્મ મુજબ આકાશને વેડા ગામ ખાતે ગઈકાલે સમાધિ આપવામાં આવી હતી. અકસ્માતમાં પરિવારે 24 વર્ષનો યુવાન દીકરો ગુમાવ્યો છે. સમગ્ર મામલે જે ડિવિઝન ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીમાં વેલેન્ટાઈન ડેના દિવસે 'વાત્સલ્ય દિવસ' તરીકે ઉજવણી કરવામાં આવી હતી. યંગ ઇન્ડિયા ગ્રુપ અને નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે જોય રાઈડનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ઓડી, બીએમડબ્લ્યુ, ફોર્ચ્યુનાર અને રેન્જ રોવર જેવી વૈભવી કારમાં બાળકોને શહેરભરમાં સફર કરાવવામાં આવી હતી. આ જોય રાઈડનો મુખ્ય હેતુ સામાન્ય પરિવારના બાળકોના વૈભવી કારમાં સફર કરવાના સપના પૂરા કરવાનો હતો. ઉદ્યોગકારોના સહયોગથી આયોજિત આ રાઈડમાં બાળકોએ કારના સનરૂફમાંથી બહાર ઊભા રહીને અનોખા આનંદની અનુભૂતિ કરી હતી. માધાપર વાડી કન્યા શાળાના આચાર્ય દિનેશભાઈ વડસોલાએ આ અંગે માહિતી આપી હતી. આ જોય રાઈડ શહેરના શનાળા રોડ પર આવેલા સ્કાઈ મોલ પાસેથી શરૂ કરવામાં આવી હતી. મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, દિનેશભાઈ વડસોલા, ભાનુબેન નગવાડિયા, યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારી, નિર્શિવ ફાઉન્ડેશનના રોહનભાઈ રાંકજા અને આર્ટિબેન રાંકજા સહિતના અગ્રણીઓએ લીલી ઝંડી આપીને તેને પ્રસ્થાન કરાવ્યું હતું. વૈભવી કારમાં બેસીને બાળકોએ ખૂબ મજા કરી હતી. જ્યારે આ કારો શહેરના માર્ગો પરથી પસાર થઈ ત્યારે બાળકોની કિલકારીઓથી માર્ગો ગુંજી ઉઠ્યા હતા. જોય રાઈડ પૂર્ણ થયા બાદ બંને સંસ્થા દ્વારા બાળકોને મોરબીની એક સારી હોટલમાં ભોજન પણ કરાવવામાં આવ્યું હતું.
અમદાવાદ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક સંઘ અને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તેમજ એચ બી કે સ્કૂલ, મેમનગર ના સંયુક્ત ઉપક્રમે ન્યુ એજ્યુકેશન પોલિસી 2020 અને શિક્ષક વિષય અંતર્ગત શૈક્ષણિક સેમિનાર એચ બી કે સ્કૂલ, મેમનગર અમદાવાદ ખાતે યોજાયો હતો.જેમા 500 થી વધુ ગ્રાન્ટેડ શાળાના ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો હાજર રહ્યા હતા. આ પ્રસંગે સમારંભ ના ઉદઘાટક તરીકે નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા) અને અધ્યક્ષ તરીકે ભુપેન્દ્રસિંહ ચુડાસમા (પૂર્વ શિક્ષણ મંત્રી, ગુજરાત) ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ પદે મનુભાઈ રાવલ (સ્થાપક પ્રમુખ, ગુ.રા.ઉ.મા.શિક્ષક સંઘ મહામંડળ ), પંકજભાઈ પટેલ (પૂર્વ પ્રમુખ, ગુ.રા.ઉ.મા.શિક્ષક સંઘ મહામંડળ ), વિમલકુમાર પી મકવાણા (પ્રમુખ, ગુ.રા.ઉ.મા.શિક્ષક સંઘ મહામંડળ ), મુક્તકભાઈ કાપડિયા (મેનેજીંગ ટ્રસ્ટી, એચ બી કે સ્કૂલ, મેમનગર ), પરેશભાઈ પટેલ (મહામંત્રી ગુ.રા.ઉ.મા.શિક્ષક સંઘ મહામંડળ), અજિતકુમાર બી પટેલ (બોર્ડ મેમ્બર , ગુ.મા.અને ઉ.મા. શિક્ષણ બોર્ડ ) તેમજ ડો ભગવાનભાઇ પ્રજાપતિ (DEO અમદાવાદ જિલ્લા ) ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગેશિક્ષણ સુધારક ડૉ.અશોક પટેલે ન્યુ એજ્યુકેશન પોલિસી 2020 અને શિક્ષક વિષય પર વિસ્તૃત માહિતી હતી.આ પ્રસંગે અલ્પેશકુમાર બી જાની (પ્રમુખ અમદાવાદ જી.ઉ.મા. શિક્ષક સંઘ ) તેમજ અમદાવાદ જી.ઉ.મા. શિક્ષક સંઘ ના હોદ્દેદારો, રાજ્ય મહામંડળ ના હોદ્દેદારો બોર્ડ ના સભ્યો, શિક્ષણવિદો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
આંખો આંજી દેતી LED-લાઈટો લગાવતા વાહનચાલકો સામે RTOની લાલ આંખ:મહેસાણામાં બે માસમાં 3 લાખથી વધુનો દંડ
મહેસાણા જિલ્લામાં માર્ગ અકસ્માતો નિવારવા અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે પ્રાદેશિક પરિવહન કચેરી RTO દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને વાહનોમાં નિયમ વિરુદ્ધ લગાડવામાં આવતી તીવ્ર પ્રકાશવાળી વ્હાઈટ LED લાઈટો સામે RTO ઇન્સ્પેક્ટરોએ તડાપીટ બોલાવી છે. છેલ્લા બે મહિના દરમિયાન કરવામાં આવેલી કાર્યવાહીમાં કુલ 3,08,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. 228 કેસો નોંધાયા ને 3 લાખથી વધુનો દંડ RTO ના આંકડા મુજબ જાન્યુઆરી માસમાં તપાસ દરમિયાન કુલ 132 કેસો નોંધાયા હતા.જેમાં વાહનચાલકો પાસેથી 2,12,000 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.જ્યારે ફેબ્રુઆરી માસમાં અત્યાર સુધીમાં 96 કેસો નોંધી 96,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. કંપની ફિટેડ લાઈટોના બદલે વધુ તીવ્રતાવાળી LED લાઈટો હશે તો દંડાશોવાહનચાલકો દ્વારા કંપની ફિટેડ લાઈટોના બદલે બહારથી વધુ તીવ્રતાવાળી LED લાઈટો લગાડવામાં આવે છે. જે રાત્રિના સમયે સામેથી આવતા અન્ય વાહનચાલકોની આંખોમાં આંજી દેતી હોય છે. આ પ્રકારની લાઈટો અકસ્માત માટે મુખ્ય કારણ બનતી હોવાથી RTO દ્વારા રૂટિન ચેકિંગ દરમિયાન આવી લાઈટો દૂર કરાવી દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. આંખો આંજી દેતી એલઈડી લાઈટો લગાવી તો દંડાશોઆ અંગે મહેસાણા RTOના આસિસ્ટન્ટ ઓફિસર જી.જે. સોલંકીએ જણાવ્યું હતું કે, વાહનકંપનીઓ દ્વારા જે લાઈટો ફિટ કરવામાં આવે છે તેના કરતા વધુ તીવ્રતા ધરાવતી લાઈટો લગાવવી એ નિયમ વિરુદ્ધ છે. આવી લાઈટો અન્ય ચાલકો માટે જોખમી સાબિત થતી હોવાથી જિલ્લામાં સતત ચેકિંગ હાથ ધરી કડક પગલાં લેવામાં આવી રહ્યા છે અને આગામી સમયમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેશે.
કાણોદરમાં 'પોષણ સંગમ' કાર્યક્રમ યોજાયો:13 આંગણવાડીના બાળકોના આરોગ્યની ચકાસણી કરાઈ
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર-1 ઘટક અંતર્ગત કાણોદર ગામ ખાતે 'પોષણ સંગમ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ તથા જિલ્લા પ્રોગ્રામ અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ 13 આંગણવાડી કેન્દ્રોના બાળકોના સ્વાસ્થ્યની તપાસ કરાઈ હતી. સનસાઈન હોસ્પિટલના બાળ રોગ નિષ્ણાત ડો. અંજુમ એ. હસન દ્વારા બાળકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. સી.ડી.પી.ઓ. ડીમ્પલ કે. પંચાલ, સી.એચ.ઓ., એફ.એચ.ડબલ્યુ., મુખ્ય સેવિકા તેમજ આંગણવાડી અને આશા વર્કર બહેનોએ કાર્યક્રમને સફળ બનાવવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. આ કાર્યક્રમ દરમિયાન ગામના કુપોષિત (SAM), મધ્યમ કુપોષિત (MAM) અને અતિ ગંભીર ઓછું વજન ધરાવતા બાળકોનું વિશેષ આરોગ્ય પરીક્ષણ કરાયું હતું. તમામ બાળકોને સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા. પોષણ સ્તર સુધારવાના હેતુથી, 'મહિલા કલ્યાણ-નિધિ ટ્રસ્ટ, કાણોદર'ના સહયોગ અને 'પરીખ ફાઉન્ડેશન, મુંબઈ'ના સૌજન્યથી તમામ કુપોષિત બાળકોને પ્રોટીન પાવડર, મલ્ટી-વિટામિન, કેલ્શિયમ અને આયર્ન સીરપ જેવી પોષક તત્વોની કિટનું વિતરણ કરાયું હતું. આરોગ્ય તપાસની સાથે સાથે ઉપસ્થિત વાલીઓને મહત્વપૂર્ણ માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં હૃદય રોગની સમસ્યા ધરાવતા બાળકોને સરકારની યોજનાઓ હેઠળ મળતી નિઃશુલ્ક સારવારની જાણકારી અપાઈ હતી. આ ઉપરાંત, આરોગ્ય પોષણ શિક્ષણ (HNE) અને વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા અંગે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી. આ પ્રસંગે ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા, જેમણે વહીવટી તંત્ર અને સહયોગી સંસ્થાઓના આ પ્રયાસને આવકાર્યો હતો.
વલસાડમાં 11,273 મતદારો ગેરલાયક ઠર્યા:17 ફેબ્રુઆરીએ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે
ભારતના ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી વિશેષ મતદાર યાદી સુધારણા પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી છે. વલસાડ જિલ્લામાં આગામી 17 ફેબ્રુઆરીએ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન, પુરાવાના અભાવે અથવા સુનાવણીમાં હાજર ન રહેવાને કારણે કુલ 11,273 મતદારોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હિમાંશુ સોલંકીએ માહિતી આપતા જણાવ્યું કે, જિલ્લામાં મતદાર યાદીમાં જોવા મળતી લોજિકલ વિસંગતતા (Logical Discrepancy) અને નો-મેપિંગ જેવા કિસ્સાઓમાં વિશેષ તપાસ હાથ ધરવામાં આવી હતી. આવા કુલ 2,85,966 મતદારોને નોટિસ પાઠવવામાં આવી હતી. સુનાવણી દરમિયાન, 11,273 મતદારો કોઈપણ પ્રકારના આધાર-પુરાવા રજૂ કરી શક્યા નહોતા અથવા હાજર રહ્યા નહોતા. પરિણામે, તેમના નામ હાલની યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં મતદારોના આંકડામાં ઘટાડો નોંધાયો છે. ધરમપુરમાં 15,960, વલસાડમાં 40,010, પારડીમાં 75,950, કપરાડામાં 27,174 અને ઉમરગામમાં 78,576 મતદારોના નામોમાં ફેરફાર અથવા કમી નોંધાઈ છે. કુલ મળીને 2,37,670 મતદારોના નામોમાં ફેરફાર/કમી થઈ છે. આંકડાકીય સ્થિતિ પર નજર કરીએ તો, ડ્રાફ્ટ પૂર્વેની યાદીમાં કુલ 13,85,507 મતદારો હતા, જે ડ્રાફ્ટ મતદાર યાદી પછી 11,59,110 થયા. ગેરલાયક ઠરેલા 11,273 મતદારો બાદ હાલના પાત્ર મતદારોની સંખ્યા 11,47,837 છે. આ આંકડાઓ દર્શાવે છે કે જિલ્લામાં મતદાર યાદી વધુ ચોક્કસ અને પારદર્શક બનાવવા માટે વિશાળ અભિયાન હાથ ધરાયું હતું. ચૂંટણી તંત્રએ તમામ નાગરિકોને અપીલ કરી છે કે 17 ફેબ્રુઆરીએ પ્રસિદ્ધ થનારી આખરી યાદીમાં પોતાનું નામ જરૂર ચકાસી લેવું. જો કોઈ મતદારનું નામ ભૂલથી કે અન્ય ક્ષતિને કારણે કમી થઈ ગયું હોય, તો તેઓ પોતાના વિસ્તારના BLO (બૂથ લેવલ ઓફિસર), મામલતદાર કચેરી અથવા મતદાર નોંધણી અધિકારીનો સંપર્ક કરી શકે છે. ફોર્મ નંબર 6 ભરી જરૂરી દસ્તાવેજો સાથે ફરીથી નોંધણી માટે અરજી પણ કરી શકાય છે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હિમાંશુ સોલંકીએ જણાવ્યું હતું કે, 17મી ફેબ્રુઆરીએ આખરી યાદી પ્રસિદ્ધ થશે. તમામ મતદારોને વિનંતી છે કે તેઓ પોતાનું નામ યાદીમાં ચકાસી લે અને જો કોઈ ભૂલ હોય તો ત્વરિત સંપર્ક કરે. ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને શુદ્ધતા જળવાઈ રહે તે માટે આ સુધારણા અભિયાન મહત્વપૂર્ણ ગણાઈ રહ્યું છે.
રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા 37 મામલતદારોની બદલી કરવામાં આવી છે, જ્યારે 165 નાયબ મામલતદારોને પ્રમોશન આપી મામલતદાર તરીકે નિમણૂક અપાઈ છે. આ પ્રમોશન અને બદલીઓમાં સાબરકાંઠા જિલ્લામાંથી 11 નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લામાંથી પ્રમોશન મેળવી અન્ય જિલ્લાઓમાં બદલી પામેલા 11 નાયબ મામલતદારોના નામ અને તેમની નવી નિમણૂક નીચે મુજબ છે: હરેશકુમાર બી. પટેલ (હડાદ, બનાસકાંઠા), મીનલબેન વી. પટેલ (કલેક્ટર ઓફિસ, અરવલ્લી), યોગેશકુમાર એમ. પટેલ (રાહ, વાવ-થરાદ), તકદીરકુમાર યુ. સોલંકી (કલેક્ટર ઓફિસ, અરવલ્લી), સંકેતકુમાર એ. શાહ (વડગામ, બનાસકાંઠા), પ્રિયંકકુમાર બી. પટેલ (મહેસૂલ નિરીક્ષણ કમિશનરની કચેરી, ગાંધીનગર), જૈમીનીબહેન કે. ગોસ્વામી (ચિટનીસ-કમિશનરશ્રી મધ્યાહન ભોજન, ગાંધીનગર), ધવલકુમાર કે. પરમાર (મામલતદાર-PSO-iORA, મહેસૂલ નિરીક્ષણ કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગર), ભાવિકા કે. મોદી (આસિસ્ટન્ટ મેનેજર, ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિ., ગાંધીનગર), હર્ષદકુમાર વી. ચાવડા (ચિટનીસ, અધિક કલેક્ટર સિંચાઈ (ઉત્તર-મધ્ય ગુજરાત), ગાંધીનગર) અને ભાવેશકુમાર ડી. પટેલ (સાઠંબા, અરવલ્લી). આ ઉપરાંત, અન્ય જિલ્લાઓમાંથી પ્રમોશન મેળવી સાબરકાંઠા જિલ્લામાં બદલી પામેલા ત્રણ નાયબ મામલતદારો મામલતદાર બન્યા છે. જેમાં સંગીતાબેન એમ. દેસાઈ (અમરેલીથી વિજયનગર), હિતેન્દ્રકુમાર એમ. ચૌધરી (મહેસાણાથી આસિસ્ટન્ટ પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર-TASP-ખેડબ્રહ્મા), અને કિરણસિંહ એ. વિહોલ (મહેસાણાથી પોશીના)નો સમાવેશ થાય છે. સાબરકાંઠા જિલ્લામાંથી એક મામલતદારની પણ બદલી કરવામાં આવી છે. ચિટનીસ નિલેશ એ. પટેલની બદલી પંચમહાલ જિલ્લામાં ચિટનીસ (મામલતદાર) તરીકે કરવામાં આવી છે.
દેશના ન્યાયાલયોમાં સમાધાનકારી માર્ગે કેસના ઉકેલ માટે વૈકલ્પિક વિવાદ નિરાકરણ મહત્વપૂર્ણ સાબિત થયો છે ત્યારે વર્ષ 2023 માં આ એક્ટ આવ્યા બાદ સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત રાજકોટ ખાતે આર્બિટેશન, મીડિયેશન અને કાન્સિલિએશન એટલે કે લવાદ, મધ્યસ્થિ અને સમાધાન વિષયક કાર્યવાહી પર રાષ્ટ્રીય કક્ષાનો વર્કશોપ યોજાયો હતો. જેમાં ગુજરાત અને દિલ્હી હાઇકોર્ટના ન્યાયમૂર્તિ તેમજ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ સહિતનાએ વિચાર ગોષ્ઠિ કરી હતી. રાજકોટ લીગલ રિસર્ચ ફાઉન્ડેશનના ચેર પર્સન અને પ્રોફેસર ડો.કમલેશ જોષીપુરાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત મુંબઈ સેન્ટર ફોર આર્બિટેશનના સહયોગથી અને ચાર્ટર્ડ એકાઉન્ટ એસોસિએશન, નિરમા યુનિવર્સિટી અને ચેન્નઈની સીમો યુનિવર્સિટીના પ્રયત્નોથી રાજકોટમાં આર્બિટેશન, મીડિયેશન અને કાન્સિલિએશન પર રાષ્ટ્રીય કક્ષામાં વર્કશોપ આયોજિત કરાયો છે. લવાદ, મધ્યસ્થિ અને સમાધાન વિષયક કાર્યવાહી પર યોજાયેલા સેમિનારમાં ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ દોશી અને વાછાણી, દિલ્હી હાઈકોર્ટના ન્યાયમૂર્તિ કારિયા, બાર એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ પ્રશાંત કુમાર તેમજ સૌરાષ્ટ્રના અગ્રણી એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને સંશોધકો સહિતના ઉપસ્થિત રહ્યા છે. ભવિષ્યમાં રાજકોટ લવાદ, મધ્યસ્થિ અને સમાધાન વિષયક કાર્યવાહીનું કેન્દ્ર બને તેવા પ્રયત્નો છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2023 માં Alternative Dispute Resolution એક્ટ અમલમાં મૂક્યો છે ત્યારે તે બાદનો ગુજરાતમાં આ પ્રથમ કાર્યક્રમ છે કે જ્યાં સર્વગ્રાહી વિચાર થશે. વૈકલ્પિક વિવાદ નિરાકરણ (Alternative Dispute Resolution - ADR) એ કોર્ટની ઔપચારિક કાર્યવાહી બહાર સમાધાનકારી માર્ગે વિવાદો ઉકેલવાની પદ્ધતિ છે. તે સમય અને પૈસાની બચત કરે છે વધુ સુગમતા પૂરી પાડે છે અને ઝડપી, સકારાત્મક સમાધાન (જેમ કે મધ્યસ્થી, લવાદ, સમાધાન) લાવે છે.
ઉદયપુર સિટીથી અસારવા વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ૧૮ ફેબ્રુઆરીથી નિયમિતપણે શરૂ થશે. આ ટ્રેનનું ઉદ્ઘાટન ૧૬ ફેબ્રુઆરીના રોજ ઉદયપુરથી કરવામાં આવશે. ઉત્તર પશ્ચિમ રેલવે (NWR) દ્વારા આ અંગેની જાણકારી સોશિયલ મીડિયા પર સમયપત્રક સાથે જાહેર કરવામાં આવી છે. રેલવે વિભાગના સૂત્રો અને NWR દ્વારા અપાયેલી માહિતી અનુસાર, ૧૬ ફેબ્રુઆરીના રોજ ઉદ્ઘાટન સમારોહ યોજાશે. ઉદ્ઘાટન ટ્રેન ઉદયપુરથી બપોરે ૧૨:૨૫ વાગ્યે પ્રસ્થાન કરશે અને સાંજે ૫:૧૫ વાગ્યે અસારવા પહોંચશે. હિંમતનગર રેલવે સ્ટેશન પર આ ટ્રેન બપોરે ૩:૫૦ વાગ્યે આવશે અને ૩:૫૨ વાગ્યે આગળ રવાના થશે. ટ્રેન નંબર ૨૬૯૬૩ અને ૨૬૯૬૪, ઉદયપુર સિટી-અસારવા વંદે ભારત એક્સપ્રેસની નિયમિત સેવા ૧૮ ફેબ્રુઆરી, બુધવારથી શરૂ થશે. આ ટ્રેન મંગળવાર સિવાય સપ્તાહના છ દિવસ ચાલશે. તે ઉદયપુર સિટીથી જાવર, ડુંગરપુર, હિંમતનગર થઈને અસારવા પહોંચશે. ઉદયપુરથી અસારવા તરફની સવારની સેવા સવારે ૬:૧૦ વાગ્યે ઉદયપુરથી ઉપડશે અને સવારે ૧૦:૨૫ વાગ્યે અસારવા પહોંચશે. આ રૂટ પર હિંમતનગર સ્ટેશન પર ટ્રેન સવારે ૯:૦૫ વાગ્યે આવશે અને ૯:૦૭ વાગ્યે ઉપડશે. જ્યારે, અસારવાથી ઉદયપુર તરફની સાંજની સેવા સાંજે ૫:૪૫ વાગ્યે અસારવાથી ઉપડશે અને રાત્રે ૧૦:૦૦ વાગ્યે ઉદયપુર પહોંચશે. આ ટ્રેન સાંજે ૬:૫૩ વાગ્યે હિંમતનગર પહોંચશે અને ૬:૫૫ વાગ્યે ઉદયપુર જવા રવાના થશે. આ વંદે ભારત એક્સપ્રેસમાં કુલ ૮ કોચ હશે, જેમાં ૭ એસી કોચ અને ૧ એક્ઝિક્યુટિવ એસી કોચનો સમાવેશ થાય છે.
સુરતના સિટી લાઇટ વિસ્તારમાં આવેલી નવી બનેલી રુંગટા ઑસ્ટ્રિયા નામની બિલ્ડીંગ નીચે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં આગના ગોટેગોટા દૂર સુધી નજરે પડતા ભયનો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને બે બિલ્ડિંગની વચ્ચેના ભાગમાં આગની જ્વાળાઓ જોવા મળી હતી. આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની પાંચથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
વેલેન્ટાઈન ડે પર ગુલાબના ભાવમાં ઉછાળો:સામાન્ય દિવસમાં 25 રુપિયે વેચાતા ગુલાબનો ભાવ 50એ પહોંચી ગયો
વેલેન્ટાઈન ડે નિમિત્તે પાટણ શહેરમાં ગુલાબ સહિતના ફૂલોની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. આ દિવસે એક ઇંગ્લિશ ગુલાબનો ભાવ ₹50 સુધી પહોંચી ગયો હતો, જે સામાન્ય દિવસોમાં ₹15 થી ₹25 માં મળતો હતો. અમદાવાદ, નાસિક અને બેંગ્લોર જેવા શહેરોમાંથી વિવિધ પ્રકારના ગુલાબ અને ફૂલો પાટણના બજારમાં આવ્યા હતા. માત્ર ગુલાબ જ નહીં, પરંતુ અન્ય ફૂલોના ભાવમાં પણ વધારો થયો હતો. હાલમાં લગ્નની સિઝન ચાલુ હોવાથી ડેકોરેશન માટે ઉપયોગમાં લેવાતા રંગબેરંગી ફૂલોની માંગ પણ વધી છે. ગુલાબ સાથે સેવન્ટી અને અન્ય ફૂલોના કોમ્બિનેશનથી બનતા વિવિધ બુકેની પણ વેલેન્ટાઈન ડે પર ખાસ માંગ રહે છે, જેના ભાવમાં પણ વધારો નોંધાયો હતો. ફૂલોનો વ્યવસાય કરતા રમેશભાઈએ જણાવ્યું હતું કે, વેલેન્ટાઈન ડે નિમિત્તે ગુલાબની માંગ ધારણા કરતાં વધુ રહી હતી. આ ઉપરાંત, 10 પ્રકારના સેવન્ટી ફૂલોની પણ સારી માંગ જોવા મળી હતી. બજારમાં જે ગુલાબ સામાન્ય રીતે ₹20 માં મળતું હતું, તેનો ભાવ ₹50 થઈ ગયો હતો. આમ, દરેક ફૂલના ભાવમાં લગભગ ત્રણ ગણો વધારો જોવા મળ્યો હતો અને બજારમાં તેના ઊંચા ભાવ વસૂલવામાં આવ્યા હતા.
સુરતના ઉન જીલાની નગર વિસ્તારમાં રણમેદાન જેવી સ્થિતિ સર્જાઈ હતી. અહીં એક યુવતી શંકાસ્પદ હાલતમાં જણાતા સ્થાનિક લોકોએ તેને ઘેરી લીધી હતી. જોતજોતામાં વાત વાયુવેગે ફેલાઈ ગઈ કે આ યુવતી બાળક ચોરી કરવા માટે વિસ્તારમાં આવી છે. આ અફવા ફેલાતા જ સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને મોટી સંખ્યામાં લોકટોળું એકત્ર થઈ ગયું હતું. લોકોએ સત્ય જાણ્યા વગર જ યુવતીને પર આક્ષેપો કરવાનું શરૂ કરી દીધું હતું. મહિલાઓ અને બાળકોએ યુવતીને માર માર્યોઆ ઘટનાનો એક ચોંકાવનારો લાઈવ વીડિયો સામે આવ્યો છે, જેમાં ભીડનો ઉગ્ર મિજાજ સ્પષ્ટપણે જોવા મળે છે. માનવતા ત્યારે નેવે મુકાઈ જ્યારે મહિલાઓ પણ જોડાઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, સ્થાનિક મહિલાઓ આ યુવતીને પકડીને બેરહેમીથી મારી રહી છે. એટલું જ નહીં, ત્યાં હાજર નાના બાળકો પણ હાથથી યુવતીને માર મારતા નજરે પડ્યા હતા. જાહેરમાં થયેલા આ હુમલાને કારણે વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે ત્યાં હાજર લોકો યુવતીને ન મારવા કહેતા પણ નજરે આવે છે. ભેસ્તાન પોલીસને લોકોથી યુવતીને છોડાવીઘટનાની જાણ થતા જ ભેસ્તાન પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા પોલીસે યુવતીને સુરક્ષિત રીતે પોલીસ વાનમાં બેસાડી ભેસ્તાન પોલીસ મથકે ખસેડી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું ચોંકાવનારું સત્યભેસ્તાન પીઆઈ અલ્પેશ ગાબાણીએ આ મામલે તપાસ કરતા હકીકત કંઈક અલગ જ બહાર આવી હતી. પોલીસને જાણવા મળ્યું કે જે યુવતીને લોકો 'બાળક ચોર' સમજીને મારી રહ્યા હતા, તે હકીકતમાં અત્યંત ગરીબ પરિવારની છે. આ યુવતી પોતાની માતા સાથે ફૂટપાથ પર રહે છે અને ભિક્ષુક તરીકે ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે. તે સોસાયટીમાં માત્ર ભીખ માંગવા માટે જ ગઈ હતી, પરંતુ એક મહિલાને ખોટી શંકા ગઈ કે તે તેના બાળકને ચોરવા આવી છે. અફવાઓથી દૂર રહેવા પોલીસની કડક અપીલપોલીસે યુવતીની માતાને બોલાવીને નિવેદન લેતા પુષ્ટિ થઈ છે કે તેઓ ભિક્ષુક છે અને કોઈ ગુનાહિત ઈતિહાસ ધરાવતા નથી. ભેસ્તાન પોલીસે સ્થાનિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા કે મૌખિક અફવાઓ પર વિશ્વાસ ન કરવો. શંકાના આધારે નિર્દોષ વ્યક્તિ પર હુમલો કરવો એ કાયદાકીય ગુનો છે.
ગુજરાત સરકારનું વર્ષ 2026-27નું વાર્ષિક બજેટ આવતી 18 ફેબ્રુઆરીએ વિધાનસભામાં રજૂ થવાનું છે. આ વખતે રાજ્યનું બજેટ કદાચ ઐતિહાસિક કદ ધારણ કરી શકે છે. આર્થિક સૂત્રોના અનુમાન મુજબ બજેટનો આકાર ₹3.90 લાખ કરોડથી વધીને ₹4 લાખ કરોડ સુધી પહોંચી શકે છે. બજેટમાં 7-10 ટકાનો વધારો થવાની શક્યતાગત વર્ષ 2025-26માં રાજ્ય સરકારે ₹3.70 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન જી.એસ.ટી. વસુલાત, સ્ટેમ્પ ડ્યૂટી અને ઉદ્યોગ ક્ષેત્રની આવકમાં થયેલા વૃદ્ધિને ધ્યાનમાં લેતા આ વખતે 7થી 10 ટકા જેટલો વધારો થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. અંદાજે ₹20 હજાર કરોડથી ₹30 હજાર કરોડ સુધીનો વધારો થવાની ચર્ચા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, માર્ગ-મકાન, પાણી પુરવઠા, આરોગ્ય-શિક્ષણમાં વધુ ફાળવણીની સંભાવનાઆવતા બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, માર્ગ-મકાન, પાણી પુરવઠા, આરોગ્ય અને શિક્ષણ જેવા પ્રાથમિક ક્ષેત્રોમાં વધુ ફાળવણી થવાની સંભાવના છે. સાથે જ કૃષિ, ઉદ્યોગ અને યુવા રોજગારને પ્રોત્સાહન આપવા નવી યોજનાઓની જાહેરાત પણ થઈ શકે છે. રાજ્ય સરકાર મૂડી ખર્ચમાં વધારો કરીને વિકાસની ગતિને વધુ વેગ આપે તેવી અપેક્ષા છે. જો બજેટનો આકાર ₹4 લાખ કરોડને અડી જાય અથવા પાર કરે, તો તે રાજ્યના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ ગણાશે. હવે 18 ફેબ્રુઆરીએ વિધાનસભામાં રજૂ થનારા સત્તાવાર આંકડાઓ પર સૌની નજર ટકેલી છે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજે શનિવારે ભાવનગર જિલ્લાના એકદિવસીય મુલાકાતે આવી રહ્યા છે, સૌપ્રથમ પાલીતાણામાં ધાર્મિક જીર્ણોદ્ધાર, ત્યારબાદ શહીદ જવાનના પરિવારની પણ મુલાકાત લેશે, ત્યારે બાદ પીએમ ઈ સેવા 50 ઈલેક્ટ્રિક બસોનું લોકાર્પણ કરશે, રતનકલાકારોના બાળકો ને સહાય વિતરણ તથા ચેરિટી ભવનનું ખાતમુહૂર્ત સહિત ધાર્મિક, સામાજિક અને વિકાસલક્ષી વિવિધ પાંચ જેટલા મહત્વના કાર્યક્રમોમાં હાજરી આપી જિલ્લાને નવી ભેટ ધરશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજરોજ ભાવનગર જિલ્લાના વિવિધ વિકાસલક્ષી તથા સામાજિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. જેમાં પ્રથમ સવારે 10:30 કલાકે પાલીતાણા તાલુકાના નાનીમાળ ગામ ખાતે મહાશિવરાત્રીના પાવન પ્રસંગે 12 જ્યોતિર્લિંગ સહિત 17 મંદિરના જીર્ણોદ્ધાર સમારોહ, બપોરે 12:15 કલાકે સિહોર તાલુકાના દેવગાણા ગામ ખાતે શહીદ જવાન મેહુલભાઈ નંદલાલભાઈ સોલંકીના નિવાસસ્થાને પરિવારજનો સાથે મુલાકાત અને આર્થિક સહાય ચેક અર્પણ કરશે, બપોરે 1 કલાકે ભાવનગર અધેવાડા બસ ડેપો, અધેવાડા ખાતે “PM e-Bus Sewa” યોજના અંતર્ગત ઈકો-ફ્રેન્ડલી 50 ઈલેક્ટ્રિક બસો દ્વારા પરિવહન સેવાના લોકાર્પણ કાર્યક્રમ, બપોરે 2 કલાકે સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ, કાળીયાબીડ ખાતે રત્નકલાકારોના બાળકોને સહાય વિતરણ કાર્યક્રમ તેમજ બપોરે 2:40 કલાકે વરતેજ–બુધેલ રોડ, અમર હોટેલની બાજુમાં, સીદસર, ભાવનગર ખાતે સંયુક્ત ચેરિટી કમિશનરની કચેરી તથા જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી, ભાવનગર માટે નવનિર્મિત થનાર “ચેરિટી ભવન”નું ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. 24 કરોડના ખર્ચે 100 બસો માટે પાર્કિગ માટે બસ ડેપો 14 ફેબ્રુઆરીએ નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી લીલી જંડી ફરકાવીને બસ સેવાનું લોકાર્પણ કરનાર છે તે માટે સમગ્ર કાર્યક્રમનો તખ્તો તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને આ લોકાર્પણને લઈને મનપા ના 16 જેટલા અધિકારીઓને જવાબદારી પણ સોંપવામાં આવી છે આમ લાંબા સમય બાદ લોક આતુરતાનો અંત આવ્યો છે ત્યારેે આવતીકાલે શનિવારે બપોરે 12:30 કલાકે અધેવાડા સીટી બસ ડેપો ખાતે પ્રથમ ફેઝનુ લોકાર્પણ યોજાશે, જે માટે શહેરના અધેવાડા નજીક આવેલ ડી-માર્ટ ની સામે અંદાજિત 24 કરોડના ખર્ચે 100 બસો માટે પાર્કિગ, વર્કશોપ બિલ્ડીંગ, એડીમીનીસ્ટ્રેટિવ બિલ્ડીંગ અને ચાર્જીગ HT/LT પેનલ રૂમ સાથેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. બસનું 5 રૂપિયા થી લઈ 20 સુધીનું ભાડું પ્રથમ ફેઝમાં આઠ રૂટ પર સીટી બસ શરૂ કરવામાં આવશે, આ બસમાં ભાડું પણ તદ્દન વ્યાજબી નક્કી કરવામાં આવ્યું છે રૂપિયા 5 થી લઈને 20 રૂપિયા સુધીનાં ટીકીટ દર રાખવામાં આવ્યા છે, 0 થી 3 કિલોમીટર સુધી રૂપિયા 5, 3 થી 5 કિલોમીટર સુધી રૂપિયા 10, 5 થી 8 કિલોમીટર સુધીમાં રૂપિયા 15 તથા 8 કિલોમીટર સુધીમાં 20 રૂપિયા નું ભાડું રાખવામાં આવ્યું છે, આગામી 12 વર્ષ સુધી બીએમસી દ્વારા સીટી બસનું સંચાલન કરવામાં આવશે એવું કમિશનરે જણાવ્યું છે આઠ રૂટ પર સફળતાપૂર્વક ટ્રાયલ પૂર્ણ થયા બાદ રૂટની સંખ્યામાં વધારો કરવામાં આવશે ઉપરાંત અન્ય ફેરફારો પણ કરવામાં આવશે. બસની મુખ્ય વિશેષતાઓ અને સુવિધાઓ આ નવી ઈલેક્ટ્રિક બસો મુસાફરો માટે આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ કરાવશે, સંપૂર્ણ એસી અને હાઈટેક તમામ બસો સંપૂર્ણપણે એરકન્ડિશન્ડ છે બસમાં કેપેસિટી 25 મુસાફરોની બેસવાની ક્ષમતા, સુરક્ષા માટે બસમાં 4 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, દિવ્યાંગો માટે ટ્રાયસિકલ સાથે ચડવા માટેની ખાસ વ્યવસ્થા, ઓટોમેટિક દરવાજા અને મુસાફરો માટે સ્પેશિયલ હેન્ડલ્સ, આ બસ મહત્તમ 75 કિમી/કલાકની ઝડપે દોડી શકશે. રૂટ અને આયોજન શહેર 13 વોર્ડમાં ના અલગ-અલગ 8 રૂટ પર આ બસો દોડાવવાનું આયોજન છે, અંદાજે 8 કિમીની પેરીફેરીમાં આ સેવાનો લાભ મળશે, મુસાફરોની સુવિધા માટે શહેરમાં 150 જેટલા નવા પીકઅપ બસ સ્ટેન્ડ પણ બનાવવામાં આવ્યા છે, મેયર એ જણાવ્યું હતું કે, આ માટે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું,ભાવનગરના લોકોને આ બસ સેવાથી રિક્ષા ભાડામાંથી મુક્તિ મળશે, તેનો મને ખૂબ જ આનંદ છે. ગુજરાતમાં સૌથી પહેલો બસ ડેપો તૈયાર આ સાથે ભાવનગરમાં જે બસ ડેપો બનાવવામાં આવ્યો છે તે 24 કરોડના ખર્ચે ગુજરાતમાં સૌથી પહેલો બસ ડેપો તૈયાર કરી, આજે અમને ગૌરવ છે કે મેયરના નેતૃત્વમાં આ પહેલો ડેપો અને બસ ડિલિવરી મેળવવાની તક મળી છે, સાથે સાથે 14 કરોડના ખર્ચે ઓપરેશન અને મેન્ટેનન્સ માટે, ડ્રાઈવર-કંડક્ટરો માટે પણ મંજૂરી આપી દેવામાં આવી છે, ભાવનગરને 8 રૂટ ઉપર અલગ અલગ જગ્યાએ પ્રાથમિક ધોરણે રૂટો નક્કી કર્યા છે, લોકોને 8 કિલોમીટરની પેરીફેરીમાં આ બસની સુવિધાઓ મળવાની છે, રુટ પરથી નડતરરૂપ દબાણો હટાવ્યા 14 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી ઈ-બસ સેવાનો પ્રારંભ થવા નો છે તેના ભાગરૂપે 17 રુટ નક્કી કરવામાં આવ્યા છે ત્યારે તેના ભાગરૂપે આગામી સમયમાં અંદાજે 50 જેટલી ઈ-બસો ગંગાજળિયા બસ સ્ટેશન ખાતે આવવાની હોવાથી, અને આજુબાજુ લોકો હોય તેઓ તેને ધ્યાનમાં રાખી ને જર્જરિત બિલ્ડીંગ ઉતારી લેવામાં આવી હતી તેમજ મહાનગરપાલિકા દ્વારા વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી, જેમાં બસોની સુચારૂ અવરજવર માટે રોડ પર નડતરરૂપ તમામ કાચા-પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા, તેમજ રુટ પર આવતા તમામ રિક્ષાઓ કે અન્ય વાહનો કે દબાણો અડચણરૂપ હટાવી લેવામાં આવ્યા છે, મહાનગરપાલિકાના 45 માં સ્થાપના દિવસની ઉજવણી પણ કરાશે આગામી 14 ફેબ્રુઆરી એ પીએમ ઈ-સીટી બસ લોકાર્પણ સમારોહ સાથોસાથ ભાવનગર મહાનગરપાલિકા નગરપાલિકા માંથી મહાનગરપાલિકાના માં સ્થાપના થયાના 45 માં સ્થાપના દિવસની ઉજવણી પણ કરવામાં આવનાર છે જે અંતર્ગત લાઈવ મ્યુઝિક બેન્ડ સાથે લોકનૃત્યનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે, આવતીકાલે શનિવારે રાત્રે 8 કલાકે કૈલાસ વાટીકા-બોરતળાવ ખાતે યોજાનાર કોન્સર્ટ માં લેડી સિંગર સાંત્વની ત્રિવેદી અને ખ્યાતનામ ગુજ્જુ અભિનેત્રી મમતા સોની આ પ્રોગ્રામમાં પર્ફોર્મન્સ કરશે, બસ સેવા લોકાર્પણ તથા 45 માં સ્થાપના રાજકીય, સામાજિક, અગ્રણીઓ, કલાકારો સહિતનાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આગામી દિવસોમાં શરૂ થનાર સીટી બસના 17 રૂટ નક્કી કરાયા. ગંગાજળિયા સ્ટેશનથી ટોપથ્રી સિનેમા સુધી ( ગંગાજળિયા તળાવ, માધવ દર્શન, આતાભાઈ ચોક, ડી-માર્ટ, ટોપથ્રી સિનેમા) - 7.15 કિમિ. ઇનર સરર્ક્યુલર ( ગંગાજળિયા તળાવ, ક્રેસન્ટ, વાલકેટ ગેટ, ટેકરી ચોક, બોરડી ગેટ, દિપક ચોક, મહિલા કોલેજ, રવેચી, મંત્રેશ, શિવાજી સર્કલ, દુઃખી શ્યામ, રામમંત્ર, પાણીની ટાંકી, આર.ટી.ઓ, કુંભારવાડા પાણીની ટાંકી, અલકા ટોકીઝ, ચાવડી ગેટ, પાનવાડી, ગંગાજળિયા તળાવ)-17.79 કિમિ. સીદસર સીટીથી રુવાપરી ( સીદસર ગામ ચોક, આર.ટી.ઓ સર્કલ, કલેકટર ઓફીસ, કાળાનાળા સર્કલ, ગંગાજળિયા તળાવ, રૂવાપરી) - 15.79 કિમિ. ગંગાજળિયા તળાવથી અધેવાડા ( ગંગાજળિયા તળાવ, હલુરીયા ચોક, મહિલા કોલેજ સર્કલ, શિવાજી સર્કલ, રીંગરોડ, અધેવાડા ગામ) - 8.14 કિમિ. ગંગાજળિયા તળાવથી માલણકા ( ગંગાજળિયા તળાવ, જશોનાથ સર્કલ, ઘોઘા સર્કલ, ભરત નગર ચોકડી, તરસમિયા, માલણકા ગામ) - 8.67 કિમિ. ગંગાજળિયા તળાવથી અકવાડા (ગંગાજળિયા તળાવ, જશોનાથ સર્કલ, રિલાયન્સ માર્ટ, રેલ્વે સ્ટેડિયમ, શિવાજી સર્કલ, અકવાડાગામ) - 8.13 કિમિ. ગંગાજળિયા તળાવથી ફુલસર (ગંગાજળિયા તળાવ, એસ.ટી સ્ટેન્ડ, વિશ્વકર્મા સર્કલ, આર.ટી.ઓ. સર્કલ, રામદેવનગર, ફુલસર) - 8.70 કિમિ. ગંગાજળિયા તળાવથી ઓઝ સ્કૂલ (ગંગાજળિયા તળાવ, જશોનાથ સર્કલ, શામળદાસ કોલેજ, સરદાર પટેલ ઇન્સ્ટટ્યૂટ, ઓ.એ.જે કોલેજ) - 10.87 કિમિ. ભંડારીયાથી રેલ્વે સ્ટેશન ( ભંડારીયા, અધેવાડા, ટોપથ્રિ સર્કલ, ભરતનગર ચોકડી, જશોનાથ સર્કલ, રેલ્વે ટર્મિનસ) - 25.10 કિમિ. ગંગાજળિયા તળાવથી કમળેજ (ગંગાજળિયા તળાવ, એસ.ટી.સ્ટેન્ડ, વિશ્વકર્મા સર્કલ, નારી ચોકડી, કમળેજ ગામ) - 14.57 કિમિ. સિહોરથી ગંગાજળિયા તળાવ (સિહોર, રંગોળી ચોકડી, નાની ખોડિયાર, નારી ચોકડી, આર.ટી.ઓ. સર્કલ, એસ.ટી.સ્ટેન્ડ, ગંગાજળિયા તળાવ) - 20.70 કિમિ. દેવગાણાથી એસ.ટી.સ્ટેન્ડ ( દેવગાણા, વાળુંકડ હાઈસ્કૂલ, સીદસર, ઇસ્કોન કલબ, એસ.ટી સ્ટેન્ડ, ગંગાજળિયા તળાવ) - 28.34 કિમિ. રેલ્વે સ્ટેશનથી ઘોઘા/મલેકવદર (રેલ્વે સ્ટેશન, ઘોઘા સર્કલ, શિવાજી સર્કલ, સહજાનંદ સ્કૂલ બાયપાસ, ઘોઘા, મલેકવદર) - 19.93 કિમિ. કાળાતળાવથી એસ.ટી.સ્ટેન્ડ (કાળાતળાવ, કામધેનુ ગૌશાળા, ભાવનગર ટર્મિનસ, આર.ટી.ઓ સર્કલ, ભાવનગર પરા) - 12.80 કિમિ. ગંગાજળિયા તળાવથી નેસડા ( ગંગાજળિયા તળાવ, આર.ટી.ઓ સર્કલ, નારી ચોકડી, કરદેજ ગામ, નેસડા ગામ) - 18.92 કિમિ. ગંગાજળિયા તળાવથી સોડવદરા ( ગંગાજળિયા તળાવ, આર.ટી.ઓ સર્કલ, નારી ચોકડી, વરતેજ સીદસર ચોકડી, સોડવદરા) - 14.77 કિમિ. આનંદનગરથી સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક કોલેજ ( આનંદનગર, મહિલા કોલેજ, ઘોઘા સર્કલ, સંસ્કાર મંડળ, હિલપાર્ક ચોકડી, સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક કોલેજ) - 9.21 કિમિ. આ તમામ ઈ-બસ જે તે રૂટ અને ગંતવ્ય સ્થાન સુધી જઈ એજ રૂટ પરથી ગંગાજળિયા પરત ફરશે.
દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ સુરતનું કાપડ બજાર લાંબા સમયથી મંદીના માહોલનો સામનો કરી રહ્યું હતું. ઉત્પાદનથી લઈને ડિસ્પેચ સુધીની તમામ પ્રક્રિયાઓ ધીમી પડી ગઈ હતી. જોકે, ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સાથે જ બજારના સમીકરણો બદલાયા છે. આગામી સમયમાં આવી રહેલી ઈદ અને લગ્નસરાની સિઝનને કારણે અચાનક દેશભરની મંડીઓમાંથી ઓર્ડરનો ધોધ છૂટ્યો છે. આ માગને કારણે સુરતના ટેક્સટાઇલ સેક્ટરમાં લાંબા સમય બાદ એક નવો ઉત્સાહ અને પ્રાણ ફૂંકાયા હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ટ્રકોની સંખ્યામાં ધરખમ વધારોબજારમાં આવેલી તેજીનું સૌથી મોટું પ્રમાણ ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં જોવા મળી રહ્યું છે. માત્ર એક મહિના પહેલા જ્યાં સુરતથી દરરોજ માંડ 150 જેટલી ટ્રકો કાપડનો માલ લઈને રવાના થતી હતી, ત્યાં આજે આ આંકડો વધીને 350થી 400 ટ્રકો સુધી પહોંચી ગયો છે. માલની હેરફેર માટે ટ્રકોની સંખ્યામાં થયેલો આ અચાનક વધારો સૂચવે છે કે છૂટક મંડીઓમાં સુરતના કાપડની માગ કેટલી સારી છે. નજીકના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં એર્ડર મળ્યાંઆ તેજી પાછળનું મુખ્ય કારણ ઈદનો પવિત્ર તહેવાર અને તે જ સમયે શરૂ થઈ રહેલી લગ્નસરાની સીઝન છે. સુરતનું ટેક્સટાઇલ માર્કેટ ખાસ કરીને સાડીઓ, ડ્રેસ મટીરિયલ્સ અને સૂટ-દુપટ્ટા માટે જાણીતું છે. ઈદમાં નવા વસ્ત્રોની ખરીદી અને લગ્ન પ્રસંગોમાં સાડીઓની ભારે માગને કારણે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી મોટા પાયે ઓર્ડર મળી રહ્યા છે. આ ડબલ સિઝનને કારણે વેપારીઓ પાસે અત્યારે શ્વાસ લેવાનો પણ સમય નથી. ટ્રાન્સપોર્ટરોને નવા બુકિંગ બંધ કરવાની નોબતમાલના ડિસ્પેચમાં અચાનક થયેલા વધારાને કારણે ટ્રાન્સપોર્ટ કંપનીઓ પર ભારે દબાણ ઊભું થયું છે. ઘણી ટ્રાન્સપોર્ટ કંપનીઓ પાસે મર્યાદિત સંસાધનો અને ટ્રકો હોવાને કારણે, તેઓ વધારાનો માલ સ્વીકારી શકતા નથી. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે કેટલીક મોટી ટ્રાન્સપોર્ટ એજન્સીઓએ કામચલાઉ ધોરણે નવા બુકિંગ લેવાનું બંધ કરવું પડ્યું છે. આ અગાઉ ક્યારેય ન જોયેલું દબાણ છે, જે સ્પષ્ટ કરે છે કે બજારમાં ખરીદીનું જોર અપેક્ષા કરતા અનેકગણું વધારે છે. સુરતનું આર્થિક કદ અને સીઝનલ વેપારસુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ વાર્ષિક અંદાજે 1.5 લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવે છે. વેપારીઓના મતે, ડિસેમ્બરથી એપ્રિલ સુધીનો સમયગાળો ઉદ્યોગ માટે સૌથી મહત્વનો હોય છે. આ પાંચ મહિનામાં વર્ષના કુલ વેપારના લગભગ 40% જેટલો હિસ્સો પૂર્ણ થાય છે. આ વખતે ઈદ અને લગ્નસરા સાથે હોવાથી ખૂબ સારા વેપારની આશા છે અને આખું માર્કેટ આ તકને ઝડપવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. માર્કેટ ક્લસ્ટર અને વેપારીઓનો ઉત્સાહસુરતમાં અત્યારે 240 થી વધુ ટેક્સટાઇલ માર્કેટ્સનું એક વિશાળ ક્લસ્ટર છે, જેમાં અંદાજે 70,000 જેટલી દુકાનો કાર્યરત છે. આજે તમે દરેક દુકાન અને માર્કેટમાં એક અલગ જ ઉત્સાહ જોઈ શકો છો. ટેમ્પો અને ટ્રકો દ્વારા આખા વિસ્તારમાં માલસામાનની અવરજવર સતત ચાલુ છે. રિંગ રોડ વિસ્તારમાં કાપડના ગાસડાઓની થતી હેરફેર સુરતની આર્થિક રફ્તારની સાક્ષી પૂરી રહી છે. વૈકલ્પિક લોજિસ્ટિક્સનો વધતો ઉપયોગમાત્ર ટ્રકો જ નહીં, પરંતુ લોજિસ્ટિક્સના અન્ય માધ્યમો પણ અત્યારે ફૂલ કેપેસિટી પર ચાલી રહ્યા છે. ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા પડોશી રાજ્યોમાં માલ ઝડપથી પહોંચાડવા માટે વેપારીઓ હવે ખાનગી વાહનો અને લક્ઝરી બસોના પાર્સલ વિભાગનો પણ ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. જે વિસ્તારોમાં ટ્રકો પહોંચતા સમય લાગે તેમ હોય, ત્યાં નાના વાહનો દ્વારા માલ રવાના કરવામાં આવી રહ્યો છે જેથી સિઝન દરમિયાન ગ્રાહકોને સમયસર માલ મળી રહે. આ વખતે ખૂબ સારા વેપારની આશા છેઃ કૈલાશ હકીમફેડરેશન ઓફ ટેક્ષ્ટાઈલ ટ્રેડર્સ એસોસિયેશનના ડિરેક્ટર કૈલાશ હકીમએ જણાવ્યું હતું કે,સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર આશરે 1.5 લાખ કરોડ રૂપિયા છે. ડિસેમ્બરથી એપ્રિલ સુધીની સીઝન, જેમાં તહેવારો અને લગ્નસરા બંનેનો સમાવેશ થાય છે, તે આપણા વાર્ષિક ટર્નઓવરમાં લગભગ 40% હિસ્સો ધરાવે છે. આ વખતે ખૂબ સારા વેપારની આશા છે અને આપણે તેના માટે સંપૂર્ણ રીતે સજ્જ રહેવું જોઈએ. આજે તમે દરેક દુકાન અને માર્કેટમાં એક અલગ જ ઉત્સાહ જોશો. આપણી પાસે 240 માર્કેટ્સનું ક્લસ્ટર છે, જેમાં લગભગ 70,000 જેટલી દુકાનો આવેલી છે. તમે અહીંની ચહલ-પહલ જોઈ શકો છો, જ્યાં ટેમ્પો અને ટ્રકો દ્વારા આખા વિસ્તારમાં માલસામાનની અવરજવર થઈ રહી છે.
શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. જેમાં નડિયાદમાં પોતાના બે બાળકોના LC લેવા પહોંચેલી માતાને લંપટ આચાર્યએ LC લેવા માટે અમદાવાદની હાથીજણની એક હોટલમાં બોલાવી. હેબતાઈ ગયેલી મહિલા હોટલમાં તો પહોંચી, પરંતુ સાથે પરિવાર પણ પહોંચ્યો. ત્યાં લંપટ આચાર્ય પહેલાંથી જ હોટલના રૂમમાં હાજર હતો. બસ પછી શું?, મહિલા અને પરિવારે હોટલમાં ભારે હોબાળો મચાવ્યો. હાલ તો સમગ્ર મામલે વટવા GIDC પોલીસે ગુનો નોંધી શરૂ કરી છે. ‘બાળકોના LC લેવા હોટલમાં આવવું પડશે’નડિયાદ વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાં 37 વર્ષના મહિલાના બે બાળકો અભ્યાસ કરતા હતા. મહિલાએ બાળકોની સ્કૂલ બદલવી હોવાથી બંને બાળકોના LC માટેની અરજી કરી હતી. આ અરજી કર્યા બાદ જ્યારે સ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય કિરીટસિંહ ઝાલાને મળ્યા ત્યારે લંપટ આચાર્યએ મહિલાને કહ્યું હતું કે બાળકોના LC લેવા હોટલમાં આવવું પડશે. હોટલ રૂમમાંથી LC બુક મળીમહિલા આચાર્યના કહ્યા મુજબ અમદાવાદના હાથીજણ સર્કલ પાસે આવેલી રોયલ ઇન હોટલમાં પહોંચી હતી. હોટલના રૂમ નંબર 304માં આચાર્ય પહેલાથી જ હાજર હતો. મહિલા જ્યારે હોટલના રૂમમાં પહોંચી તેની ગણતરીની મિનિટોમાં જ મહિલાના પરિવારના સભ્યો પણ હોટલના રૂમમાં પહોંચ્યા હતા. આ તમામ લોકોએ હોટલમાં હોબાળો કર્યો હતો. આચાર્ય પાસેથી હોટલ રૂમમાંથી જ LC બુક પણ મળી આવી હતી. પરિવારે હોબાળો કરી વીડિયો બનાવ્યોપરિવારે હોબાળો કરીને વીડિયો ઉતારતા આચાર્ય વીડિયોમાં પોતાનું મોઢું ઢાંકતા નજરે પડ્યો હતો. આ સમગ્ર મામલે મહિલાએ વટવા GIDC પોલીસ સ્ટેશનમાં આચાર્ય કિરીટસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે હાલ આચાર્યને નોટિસ ફટકારીને પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે આદેશ કર્યો છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાલ સુધીમાં બે વખત બોન્ડ બહાર પાડવામાં આવ્યા છે, જેમાં રોકાણકારોએ અભૂતપૂર્વ ઉત્સાહ બતાવ્યા બાદ આગામી દિવસોમાં હવે નવો પબ્લિક ઈશ્યુ બહાર પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. બ્લ્યુ બોન્ડનો આ પબ્લિક ઈશ્યુ 200 કરોડનો હશે, જેમાં નાના રોકાણકારો પણ ભાગ લઈ શકે તેવું આયોજન છે. શું છે મ્યુનિસિપલ બોન્ડ અને તેનો ઉપયોગ?મ્યુનિસિપલ બોન્ડ એક પ્રકારનું એવું સાધન છે જે સ્થાનિક સરકારી સંસ્થાઓ, જેમ કે મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અથવા અન્ય સ્થાનિક સત્તાવાળાઓ, દ્વારા જાહેર જનતા પાસેથી ભંડોળ એકત્ર કરવા માટે બહાર પાડવામાં આવે છે. આ બોન્ડ ઇશ્યુ કરીને, મહાનગરપાલિકા રોકાણકારો પાસેથી પૈસા ઉધાર લે છે અને તેના બદલામાં રોકાણકારોને નિશ્ચિત વ્યાજ દરે સમયાંતરે વ્યાજ ચૂકવવાનું વચન આપે છે. બોન્ડની પાકતી મુદત પૂરી થતા, મહાનગરપાલિકા રોકાણકારોને મૂળ રકમ પાછી ચૂકવે છે. આ બોન્ડનો ઉપયોગ સામાન્ય રીતે શહેરના વિકાસ પ્રોજેક્ટ્સ જેમ કે રસ્તાઓનું નિર્માણ, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા સુધારવી, પૂલ બાંધવા, જાહેર પરિવહન સુવિધાઓ વિકસાવવી, બગીચાઓ બનાવવું અથવા અન્ય માળખાકીય સુવિધાઓના નિર્માણ માટે ભંડોળ પૂરું પાડવા માટે થાય છે. એજન્સીની નિમણૂકને સ્ટેન્ડિગમાં મંજૂરી વડોદરા મહાનગરપાલિકાએ અગાઉ બે બોન્ડ બહાર પાડયા હતા. હવે બ્લુ બોન્ડ ના પબ્લિક ઈશ્યુ બહાર પાડવા માટેનો તખ્તો તૈયાર થઇ ચુક્યો છે. આ બ્લુ બોન્ડ થકી જનભાગીદારીથી શહેરની પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટેનો પ્રયાસ કરવામાં આવશે. બજેટમાં બ્લુ બોન્ડ ઈશ્યુ જાહેર કરવા માટેની જાહેરાત બાદ સ્ટેન્ડિંગ સમિતિની બેઠકમાં આ અંગે એજન્સીની નિમણૂક સહિતના કામો મંજૂર કરવા માટેની દરખાસ્ત મુકવામાં આવી હતી, જેને મંજૂરી આપી દેવામાં આવી છે અને તે અંગેની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવી છે. બોન્ડથી રોકાણકારોને શું ફાયદો?કેટલાક રોકાણકારો સલામત રોકાણ કરવા ઉપર ભાર મુકતા હોય છે. કોર્પોરેશને બહાર પાડેલા બોન્ડમાં ફિક્સ વ્યાજ નક્કી કરવામાં આવે છે જે દર છ મહિને તેઓને મળી જાય છે. જ્યારે મુદત પાકે ત્યારે તેઓએ રોકાણ કરેલી રકમ પરત મળી જાય છે. રોકાણકારોને બોન્ડમાં રોકાણ કરવામાં સલામતી એટલા માટે અનુભવાય છે, કારણ કે સરકારી સંસ્થા ક્યારેય ડૂબવાની નથી. આ ઉપરાંત અન્યત્ર ઈન્વેસ્ટ કરવા કરતા સારું અને સલામત વળતર મળે છે. બોન્ડથી કોર્પોરેશનને શું ફાયદો?બોન્ડથી પાલિકાને શું ફાયદો થયો તે અંગે વડોદરા મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારીએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન જો વિકાસના કામો માટે કોઈ બેન્ક પાસે લોન મેળવવા માટે જાય તો પાલિકાએ તેની સામે બમણી સિક્યુરિટી આપવી પડે છે. જ્યારે સામે બોન્ડના કારણે તે વ્યાજદર પણ ઓછું થાય છે. આ ઉપરાંત વડોદરા મહાનગર પાલિકાએ સફળતા પૂર્વક બોન્ડ પાર પાડ્યા, જેના કારણે ભારત સરકારે પાલિકાને રૂ.13 કરોડ ઈન્સેન્ટિવ આપ્યું, જેથી આ વ્યાજમાં પણ બે ટકા ઘટાડો થઇ ગયો. સરળ ભાષામાં સમજીએ તો પાલિકાએ પ્રથમ બોન્ડ 7.15 ટકાએ બહાર પાડ્યો હતો, જેની સામે ભારત સરકારે 13 કરોડ આપ્યા હતાં, જેથી પાલિકાને વ્યાજમાં બે ટકા ઘટાડો થઇ ગયો. આ ઉપરાંત કોર્પોરેશન દર મહિને પાલિકા દ્વારા વ્યાજદરની રકમ અને મુદ્દલની રકમ સાઈડમાં મુકવામાં આવી હતી. વ્યાજ દર છ મહિને ચુકવવામાં આવે છે તે રકમ સિવાયની રકમ ફિક્સ ડિપોઝિટમાં મુકવામાં આવે છે, જેથી પાંચ વર્ષને અંતે તેઓએ મેળવેલા બોન્ડ પેટે તેઓને માત્ર 2થી 2.5 ટકા જ રકમ વ્યાજ ચૂકવવું પડે છે. જે બેંક લોન કરતા ખુબ ઓછું હોય છે. વીએમસી પ્રથમ કોર્પોરેશન જેને ગ્રીન બોન્ડ અંગે ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ મળ્યું કોર્પોરેશને અગાઉ ગ્રીન બોન્ડ બહાર પાડયા હતા. આ બોન્ડ થકી જે પ્રોજેક્ટ ઉભા કરાયા તેના આધારે પ્રદુષણમાં નિયંત્રણ કરવાનો પ્રયાસ કરાયો. અગાઉ ઉંડેરા અને શેરખી એસટીપી બનાવ્યું હતું. આ પ્રોજેક્ટ ડ્રેનેજ માટે હતો. જો આ પ્રોજેક્ટ ન થાય તો પ્રદુષણ કેટલું થશે તે અંગેનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જેના ઉપર ઇન્ટરનેશનલ એજન્સીના માન્ય ઓડિટરોએ ચકાસ્યું અને પેરામીટરમાં બેઠા બાદ વીએમસીને પ્રથમ ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ મળ્યું હતું. જે એશિયામાં પ્રથમ મહાનગરપાલિકા છે. વડોદરાના નાગરિકો પણ બોન્ડ ખરીદી શકશે વડોદરાના સામાન્ય નાગરિકો પણ આગામી સમયમાં પાડનાર ઈશ્યુ ખરીદી શકશે. પાલિકા અંદાજે 10,000ના ગુણાંકમાં રોકાણ કરી શકશે. જેનું ફિક્સ વ્યાજ નક્કી કરવામાં આવશે અને તે બાદ ઈશ્યુ જાહેર કરવામાં આવશે. વડોદરાના નાગરિકો પણ કોર્પોરેશન સાથે એટેચ થાય અને તેની કામગીરીમાં પોતાની જનભાગીદારી છે તેવું સમાજે તેવો આની પાછળ આશય છે. VMCનો બોન્ડ થોડા સમયમાં જ 14.6 ગણો ઓવર-સબસ્ક્રાઈબ થયો હતો 1 માર્ચ, 2024ના રોજ જ્યારે બોન્ડ ઇસ્યુ માટે બીએસઇના ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પર સબ્સ્ક્રિપ્શન થયું ત્યારે માત્ર થોડા સમયમાં જ બોન્ડ 14.6 ગણો ઓવર-સબસ્ક્રાઈબ થયો હતો. કુલ 44 બિડરો દ્વારા રૂ.1460 કરોડની બીડ મેળવી, જે ભારતના મ્યુનિસિપલ બોન્ડ ઇતિહાસમાં સૌથી વધુ સબ્સ્ક્રિપ્શન ધરાવતું ઇસ્યુ બની રહ્યું છે, જે વડોદરા કોર્પોરેશન પ્રત્યે રોકાણકારોના પ્રચંડ વિશ્વાસને દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા કોર્પોરેશન દ્વારા જૂની સિદ્ધિ ટકાવી રાખવા માટે ગત વર્ષે પણ રૂપિયા 100 કરોડના બોન્ડ દ્વારા નાણાં ઉઘરાવવામાં આવ્યા હતા. બોન્ડથી થતા ફાયદા
ભરૂચ મહિલા પોલીસે એક વર્ષના બાળકને માતાને પરત અપાવ્યું:સંવેદનશીલ કામગીરીથી માતા-બાળકનો મિલાપ કરાવ્યો
ભરૂચ મહિલા પોલીસે સંવેદનશીલ કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોલીસે એક વર્ષના બાળકને તેની માતાને સુરક્ષિત રીતે પરત અપાવવામાં સફળતા મેળવી છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ, ભરૂચ મહિલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.એ. આહિર અને તેમની ટીમ મહિલા સંબંધિત પ્રશ્નોમાં મદદરૂપ થવા સતત કાર્યરત છે. આ કેસમાં, મહિલા પોલીસ સ્ટેશનમાં એક અરજદાર મહિલાને બોલાવી પૂછપરછ કરવામાં આવી હતી. મહિલાએ રજૂઆત કરી હતી કે તેના પતિ અને સાસુ તેમના એક વર્ષના બાળકને પોતાની સાથે લઈ ગયા હતા અને તેને પરત આપવાનો ઇનકાર કરતા હતા. ન્યાય મેળવવા માટે તેણીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. આ મામલે, પીએસઆઈ વૈશાલી આહિરે હેડ કોન્સ્ટેબલ શીતલબેનની મદદથી સામા પક્ષને બોલાવી કાઉન્સેલિંગ કર્યું હતું. સમજાવટ અને માર્ગદર્શન બાદ, સામા પક્ષ બાળકને તેની માતાને પરત આપવા સંમત થયો હતો. ત્યારબાદ, બાળકને તેની માતાને સુપરત કરવામાં આવ્યું હતું, જેનાથી માતા-બાળકનો મિલાપ થયો હતો.
DRI તરફથી મળેલી ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)ના અધિકારીઓએ 13 ફેબ્રુઆરી, 2026ના રોજ SVPI એરપોર્ટ, અમદાવાદથી ફ્લાઇટ SG-15 દ્વારા દુબઈ જઈ રહેલા એક પુરુષ મુસાફરને અટકાવ્યો હતો. 100 USD મૂલ્યની કુલ 288 ચલણી નોટો મળીમુસાફરના સામાનની તપાસ અને વ્યક્તિગત તલાશી લેતા તેની ટ્રોલી બેગ, કેરી બેગ અને તેણે પહેરેલા ટ્રાઉઝરના ખિસ્સામાંથી 100 USD મૂલ્યની કુલ 288 ચલણી નોટો, જે દરેકની કિંમત 28,800 USD હતી તે મળી આવી હતી. કસ્ટમ વિભાગના અધિકારીઓની મુસાફરો પર બાજનજરઅમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હમણાંથી હેરાફેરીની ઘટનાઓ વધતી જાય છે. તેને ધ્યાનમાં લઈને કસ્ટમ વિભાગના અધિકારીઓ મુસાફરો પર બાજનજર રાખી રહ્યાં છે. ₹25,81,920ના મૂલ્યનું વિદેશી ચલણ જપ્તતાજેતરમાં કસ્ટમ વિભાગે ગાંજાનો જથ્થા સહિત સોનાની લગડી વગેરે કબજે કર્યા હતા. ત્યાં વળી ડી. આર.આઈ. તરફથી મળેલી માહિતીના આધારે મુસાફરને રોકીને તપાસ કરતા વિદેશી ચલણ- 28,800 USD મળી આવ્યા હતા. જે કસ્ટમ્સ એક્ટ, 1962ની સંબંધિત જોગવાઈઓ હેઠળ ₹25,81,920/- મૂલ્યની વિદેશી ચલણ જપ્ત કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.
પાટણની સ્પેશ્યલ પોક્સો કોર્ટે સગીરાનું અપહરણ અને દુષ્કર્મ કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી રાહુલ ગણપતભાઈ પ્રજાપતિ (ઉ.વ. 24) ને 20 વર્ષની સખ્ત કેદ અને ₹55,000 નો દંડ ફટકાર્યો છે. દંડ ન ભરે તો વધુ ત્રણથી એક માસની કેદની સજા ભોગવવી પડશે. જજ બી.કે. બારોટે આરોપીને બીએનએસ કલમ 137(2) તથા 87 હેઠળ ત્રણ વર્ષની સખ્ત કેદ અને ₹5,000 નો દંડ, તેમજ પોક્સો એક્ટની કલમ 5(એલ) અને 6 હેઠળ 20 વર્ષની સખ્ત કેદ અને ₹50,000 નો દંડ ફટકાર્યો હતો. આ કેસમાં સરકારી વકીલ જનકભાઈ ડી. ઠક્કરે રજૂઆત કરી હતી. કોર્ટે દુષ્કર્મ પીડિતાને ₹1 લાખનું વળતર ચૂકવવા માટે પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને ભલામણ પણ કરી છે. આ કેસની વિગત એવી છે કે, પાટણમાં રહેતી એક સગીરા 8 નવેમ્બર, 2024 ના રોજ ગુમ થઈ ગઈ હતી. તેના પિતાએ આ અંગે ફરિયાદ નોંધાવ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ભોગ બનનાર સગીરા અને આરોપી મળી આવ્યા હતા. તેમના નિવેદનોના આધારે કેસમાં પોક્સો એક્ટની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો હતો. આરોપી અને સગીરા પાટણથી ભાગીને અલગ-અલગ જગ્યાએ રોકાયા હતા અને દ્વારકા જઈને લગ્ન કર્યા હોવાનું સગીરાએ નિવેદનમાં જણાવ્યું હતું. સગીરાએ એમ પણ જણાવ્યું હતું કે આરોપીએ તેની સંમતિથી સંબંધ બાંધ્યો હતો. જોકે, કોર્ટે નોંધ્યું હતું કે ભોગ બનનાર સગીર હોવાથી તેણે આપેલી સંમતિ કાયદેસરની સંમતિ ગણી શકાય નહીં. સગીર સાથે કરવામાં આવેલા લગ્ન પણ કાયદેસરના ગણી શકાય નહીં. આથી, ફરિયાદ પક્ષ પોતાનો કેસ શંકા રહિત પૂરવાર કરવામાં સફળ રહ્યો હોવાનું કોર્ટે જણાવી ઉપરોક્ત સજા ફટકારી હતી.
શહેરની જૈન સ્મશાન ભૂમિમાં અભ્યાસ કરતા 95 જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું છે. ધર્મેશ પટવાના જન્મદિવસ નિમિત્તે તેમની સ્વર્ગસ્થ માતાની સ્મૃતિમાં આ સેવાકીય કાર્ય કરાયું હતું. બાળકોને નોટબુક, પેન્સિલ અને કંપાસ બોક્સ જેવી વસ્તુઓ આપવામાં આવી હતી. જૈન સ્મશાન ભૂમિમાં શોભનાબેન યાદવ સિનિયર કેજીથી ધોરણ 12 સુધીના અંદાજે 95 છોકરા-છોકરીઓને ટ્યુશન આપી ભણાવે છે. આ બાળકો ખુલ્લા વાતાવરણમાં ચાદરા પાથરીને અભ્યાસ કરે છે. દસ દિવસ પહેલા ધર્મેશ પટવાના માતાનું અવસાન થતા તેમના અંતિમ સંસ્કાર માટે પરિવાર અહીં આવ્યો હતો. તે સમયે તેમણે આ બાળકોને ભણતા જોયા અને તેમની અભ્યાસ પ્રત્યેની રુચિથી પ્રભાવિત થયા. આ દ્રશ્ય જોઈને ધર્મેશ પટવાએ શિક્ષિકા શોભનાબેન યાદવની મુલાકાત લીધી હતી. શિક્ષિકાએ બાળકો માટે ચોપડા, નોટબુક, પેન્સિલ, કંપાસ અને પાઉચ જેવી શૈક્ષણિક વસ્તુઓની જરૂરિયાત જણાવી હતી. ધર્મેશ પટવાએ જરૂરી તમામ સામગ્રી પૂરી પાડવાની ખાતરી આપી હતી. આજે ધર્મેશ પટવાના જન્મદિવસ નિમિત્તે તેમણે આપેલું વચન પૂર્ણ કરવામાં આવ્યું. તમામ 95 બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધર્મેશ પટવા, પ્રિયાબેન, એક્ટિવ દિલીપ પટેલ, ગ્રુપના સભ્યો, કોર્પોરેટર મનોજભાઈ અને વિષ્ણુભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. સ્મશાન જેવી જગ્યાએ શિક્ષણ મેળવતા બાળકોને જરૂરી સાધનો મળતા તેમના અભ્યાસમાં સરળતા રહેશે.
ગુજસીટોકનો ફરાર આરોપી ઝડપાયો:બોટાદ LCB એ સબિહા હોસ્પિટલ પાસેથી પકડ્યો
બોટાદ LCB પોલીસે ગુજસીટોકના ગુનામાં જામીન શરત ભંગ કરી ફરાર થયેલા આરોપી જાવેદ ઉર્ફે ટકો ડોન રજાકભાઇ જાંગડની ધરપકડ કરી છે. પોલીસે બાતમીના આધારે તેને સબિહા હોસ્પિટલ પાસેથી દબોચી લીધો હતો. આરોપી જાવેદ ઉર્ફે ટકો ડોન હાઈકોર્ટમાંથી શરતી જામીન પર છૂટ્યો હતો, પરંતુ તેણે જામીનની શરતોનો ભંગ કર્યો હતો. આથી, રાજકોટ ડિસ્ટ્રીક્ટ કોર્ટે તેના જામીન રદ કરીને પકડ વોરંટ ઇશ્યુ કર્યું હતું. આ વોરંટના આધારે LCB પોલીસે તેની ધરપકડ કરી છે.
માળીયા પાસે 1.38 કરોડથી વધુનો દારૂ ઝડપાયો:SMCએ 19,068 બોટલ ભરેલા ટ્રક સાથે 2 પકડ્યા, 9 સામે ગુનો
મોરબી જિલ્લાના માળીયા તાલુકાની ભીમાસર ચોકડી પાસે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. સ્વાગત પેટ્રોલિયમના પાર્કિંગમાં ઉભેલા એક ટ્રકમાંથી દારૂ અને બિયરની કુલ 19,068 બોટલો મળી આવી હતી. આ જથ્થાની બજાર કિંમત 1.38 કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે. પોલીસે દારૂ-બિયર ઉપરાંત ટ્રક, બે મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 1.63 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ પ્રકરણમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. જોકે, મુખ્ય સપ્લાયર સહિત કુલ નવ શખ્સો સામે માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. બાકીના આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. SMCના પી.એસ.આઇ. વી.એન. જાડેજા અને તેમની ટીમે અમદાવાદ-કચ્છ હાઈવે પર ભીમાસર ચોકડી પાસે ટ્રક નંબર RJ 7 JD 2852ને રોકીને તપાસ કરી હતી. આ ટ્રકમાંથી 1,38,04,080 રૂપિયાની કિંમતની 19,068 દારૂ-બિયરની બોટલો મળી હતી. પકડાયેલા આરોપીઓમાં રાજસ્થાનના વિક્રમસિંહ નારણસિંહ ચૌહાણ અને કમલકિશોર પ્રેમરામ મારુનો સમાવેશ થાય છે. દારૂના જથ્થા ઉપરાંત, પોલીસે 25 લાખ રૂપિયાનો ટ્રક, 10,000 રૂપિયાના બે મોબાઈલ ફોન અને 23,580 રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા. આમ, કુલ 1,63,51,160 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પકડાયેલા બે આરોપીઓ ઉપરાંત, મુખ્ય સપ્લાયર રમેશ લખમરામ જાટ (ચંડી રામસર, બાડમેર), બલવીર સોહનદાસ જાટ (લોહર ગામ, હનુમાનગઢ), જબ્બર બીશ્નોઈ (સાચોર, રાજસ્થાન) સામે પણ ગુનો નોંધાયો છે. સામખિયાળી ખાતે દારૂનો જથ્થો મેળવનાર અજાણ્યો શખ્સ, પંજાબના ભટિંડા ખાતે ટ્રક છીનવી લેનાર અજાણ્યો શખ્સ, દારૂનો જથ્થો લોડ કરીને વાહન આપી ગયેલ અજાણ્યો શખ્સ અને ટ્રકના માલિકનો પણ આ ગુનામાં સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દારૂનો આ જથ્થો પંજાબથી રાજસ્થાન થઈને ગુજરાતમાં લાવવામાં આવ્યો હતો. પોલીસે આ દિશામાં વધુ તપાસ શરૂ કરી છે અને ગુનામાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર સહિતના તમામ આરોપીઓને પકડવા માટે કાર્યવાહી કરી રહી છે.
મહિલા થારચાલકે યુવકને ઉડાવ્યો, સ્થળે જ મોત:અક્ષર ચોકથી સન ફાર્મા રોડ તરફ જતાં રસ્તે અકસ્માત
સંસ્કારી નગરી વડોદરામાં રફ્તારનો કહેર યથાવત છે. ગત મોડી રાત્રે શહેરના પશ્ચિમ વિસ્તારમાં એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બેફામ ગતિએ આવતી થાર જીપની ચાલક મહિલાએ યુવકને અડફેટે લેતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ, અકસ્માતની આ ઘટના અક્ષર ચોકથી સન ફાર્મા રોડ તરફ જવાના માર્ગ પર સર્જાઈ હતી. મોડી રાત્રે અભિષેક મોરે નામનો યુવક પોતાના રસ્તે જઈ રહ્યો હતો, ત્યારે ઋષિકાબેન સરનાની નામની મહિલા પોતાની થાર ગાડી લઈને પૂરપાટ ઝડપે આવી રહી હતી. મહિલાએ ગાડી પરનો કાબૂ ગુમાવતા અભિષેકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભીષણ હતી કે અભિષેક મોરેનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું. અકસ્માત થતા જ આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઘટનાની જાણ થતા જ અટલાદરા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતક અભિષેકના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડ્યો છે. આ મામલે મૃતકના પિતા વાસુદેવ રામજીભાઈ મોરેએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં થાર ચાલક મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા આરોપી મહિલા ઋષિકાબેન સરનાનીની અટકાયત કરી છે અને અકસ્માત સમયે મહિલા નશામાં હતી કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. પરિવારમાં શોકનું મોજુંજુવાનજોધ દીકરાના અચાનક મોતના સમાચાર મળતા જ મોરે પરિવાર પર આભ તૂટી પડ્યું છે. વડોદરામાં રાત્રિના સમયે વધતા જતા નબીરાઓના જોખમી ડ્રાઈવિંગ સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે આવેલી PM શ્રી મોડેલ સ્કૂલમાં ભગ્યોદય મેડિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને જિલ્લા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે કિશોરી સ્વાસ્થ્ય સુરક્ષા અભિયાન અંતર્ગત આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ 12 અને 13 ફેબ્રુઆરી, 2026ના રોજ યોજાયો હતો. બે દિવસ ચાલેલા આ કેમ્પમાં કુલ 709 બાળકોએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. નિષ્ણાત ડોકટરો દ્વારા વિદ્યાર્થીનીઓને વ્યાપક આરોગ્ય તપાસ પૂરી પાડવામાં આવી હતી. આ કેમ્પમાં સ્ત્રીરોગ નિષ્ણાત, જનરલ મેડિસિન, આંખના નિષ્ણાત અને ચર્મરોગ નિષ્ણાત દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત, NCD સ્ક્રીનિંગ, સિકલ સેલ અને એનિમિયા ટેસ્ટિંગ જેવી મહત્વપૂર્ણ તપાસ પણ કરવામાં આવી હતી. કિશોરીઓને આરોગ્ય માર્ગદર્શન અને સિકલ સેલ કાઉન્સેલિંગ જેવી સેવાઓ પણ પૂરી પાડવામાં આવી હતી. કેમ્પમાં ભાગ લેનાર તમામ લાભાર્થીઓને મફત દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આંખની તકલીફ ધરાવતા 45 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને નંબરના ચશ્મા પણ વિનામૂલ્યે આપવામાં આવશે. આ પ્રકારના આરોગ્ય કેન્દ્રીય કાર્યક્રમો કિશોરીઓમાં આરોગ્ય જાગૃતિ વધારવા, સમયસર રોગોનું નિદાન કરવા અને તેમના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે.
વલસાડ હાઈવે પર SMCનો સપાટો:19.19 લાખના દારૂ સાથે બે ઝડપાયા, 6 વોન્ટેડ
સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ગાંધીનગરની ટીમે વલસાડ જિલ્લામાં મોટી કાર્યવાહી કરી છે. મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે નં. 48 પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે ઇનોવા કારમાંથી 3208 બોટલ વિદેશી દારૂ અને બીયર સહિત કુલ રૂ. 19.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે છ અન્યને વોન્ટેડ જાહેર કરાયા છે. સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ કોન્સ્ટેબલ વસીમભાઈ બુખારીને મળેલી બાતમીના આધારે શુક્રવારે વહેલી સવારે હાઈવે પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દમણ તરફથી આવતી ઇનોવા કાર (GJ-18-ED-4949) ને આંતરીને તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી બે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં ચિરાગકુમાર નાનુભાઈ પટેલ (રહે. નાની દમણ), જે કારનો ડ્રાઈવર હતો, અને જીગ્નેશભાઈ નારણભાઈ પટેલ (રહે. નાની દમણ), જે હેલ્પર હતો, તેમનો સમાવેશ થાય છે. બંને સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દારૂના કાળા કારોબારમાં સંડોવાયેલા અન્ય છ શખ્સોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. તેમાં દારૂ મોકલનાર ભાવેશ ઉર્ફે ભાવલો દલવાડા (રહે. નાની દમણ), પાયલોટિંગ કરનાર કિરણ ઉર્ફે છનીયો અને નિલેશ ઉર્ફે નિલીયો ઘોડો, તેમજ દારૂનો જથ્થો મંગાવનાર સુરતના સની ઉર્ફે સોહન સહિત અન્ય આરોપીઓનો સમાવેશ થાય છે. તેમની શોધખોળ માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રૂ. 9,08,456/- ની કિંમતની 3208 બોટલ વિદેશી દારૂ, રૂ. 10,00,000/- ની ઇનોવા કાર, રૂ. 10,000/- ના બે મોબાઈલ ફોન અને રૂ. 830/- રોકડ રકમ તથા ફાસ્ટેગનો સમાવેશ થાય છે. કુલ રૂ. 19,19,286/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ સૂત્રો અનુસાર, દમણથી ગુજરાતમાં દારૂની હેરાફેરી રોકવા માટે હાઈવે પર સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ અભિયાન વધુ કડક બનાવવામાં આવશે.
અમેરિકાની કોર્ટમાં ખાલિસ્તાની નેતા પન્નુની હત્યાનું કાવતરું રચ્યાનો આરોપ નિખિલ ગુપ્તાએ સ્વીકાર્યો
Khalistani Pannu News : ખાલિસ્તાની અલગતાવાદી નેતા ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરામાં આરોપી ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાએ અમેરિકાની અદાલતમાં પોતાના ગુનાની કબૂલાત કરી લીધી છે. 13 ફેબ્રુઆરી, 2026ના રોજ મેનહટનની ફેડરલ કોર્ટમાં સુનાવણી દરમિયાન ગુપ્તાએ હત્યાનું કાવતરું ઘડવા અને મની લોન્ડરિંગના આરોપોમાં પોતે દોષિત હોવાનું સ્વીકાર્યું હતું. અગાઉ જૂન 2024માં તેણે આ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા, પરંતુ હવે અમેરિકન મેજિસ્ટ્રેટ જજ સારા નેટબર્ન સમક્ષ અરજી દાખલ કરીને પોતાનો દોષ સ્વીકારી લીધો છે. આ આરોપો સાબિત થવા પર તેને મહત્તમ 40 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આ સમગ્ર કાવતરું વર્ષ 2023માં ત્યારે પ્રકાશમાં આવ્યું હતું જ્યારે અમેરિકન સત્તાવાળાઓએ ન્યૂયોર્ક સિટીમાં પન્નુની હત્યાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પનું ઇરાનને છેલ્લું અલ્ટીમેટમ : એક મહિનામાં પરમાણુ કરાર ન કર્યો તો હુમલો થશે
Donald Trump Threat Iran : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ઇરાનને એક મહિનાની અંદર જ પરમાણુ સમજૂતી કરવાની ચેતવણી આપી છે અને જો એક મહિનામાં સમજૂતી ન થઈ તો અમેરિકાનો હુમલો સહન કરવા તૈયાર રહેવાની ધમકી આપી છે. આ હુમલો ફેઝ-2 હશે અને તે અગાઉ કરવામાં આવેલા હુમલા કરતાં પણ ઘણો ખતરનાક હશે એમ તેમણે જણાવ્યું હતું. ટ્રમ્પે ઇઝરાયેલના પીએમ નેતન્યાહુ સાથે મુલાકાત કરી આમ જણાવ્યું હતું. ટ્રમ્પે કેરેબિયન જળમાં રહેલા નૌકા કાફલાના એક ભાગને બીજાં પ્રબળ વિમાનવાહક જહાજ યુએસએ ગેરાલ્ડ આર ફોર્ડનાં નેતૃત્વ નીચે મધ્ય એશિયા તરફ રવાના કરી દીધો છે.
રાજકોટમાં વસ્તી ગણતરીની કામગીરી આડે મોટું વિઘ્ન સામે આવ્યું છે. આ કામગીરી માટે મનપા તંત્રને 5,000 કર્મચારીઓની જરૂરિયાત છે. જેની સામે મનપા તેમજ મનપા સંચાલિત સરકારી શાળાઓ મળી માત્ર 2,500નો સ્ટાફ હાલ ઉપલબ્ધ છે. એટલે જરૂરિયાત કરતા અડધો જ સ્ટાફ ઉપલબ્ધ હોવાથી અધિકારીઓ મૂંઝવણમાં મુકાયા છે. ખાસ કરીને વર્ષ 2011 પછી લાંબા સમયના અંતરાલ બાદ 20 એપ્રિલ-2026થી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી હોવાથી તેમાં અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આ વખતે રાજકોટના ભૌગોલિક નકશામાં થયેલા મોટા ફેરફારો અને નવા ભળેલા વિસ્તારોને કારણે કામગીરીનું ભારણ વધ્યું છે. જેની સામે સૌથી મોટો પ્રશ્ન સ્ટાફની અછતનો ઉભો થયો છે. જેને લઈ ખાનગી શાળાઓના સ્ટાફની મદદ લેવા સહિતના અન્ય પાસાઓ અંગે ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવી રહ્યો છે. બે તબક્કામાં વસ્તી ગણતરી ને ડિજિટલ માધ્યમથી ડેટા કલેક્શનરાજકોટ મનપાના અધિકારી પ્રણય પંચાલના જણાવ્યા મુજબ, આગામી વસ્તી ગણતરીની પ્રક્રિયા બે તબક્કામાં વિભાજિત કરાઈ છે. આ વખતે ગણતરીની પદ્ધતિમાં પેપરવર્કને બદલે સંપૂર્ણ પ્રક્રિયા ડિજિટલ માધ્યમથી કરવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં માત્ર હાઉસ લિસ્ટિંગ કરવામાં આવશે. આ પછી ફેબ્રુઆરી 2027માં વાસ્તવિક વસ્તી ગણતરી કરવામાં આવશે. જેમાં દરેક વ્યક્તિની વિગતવાર માહિતી જેવી કે, ઉંમર, શૈક્ષણિક લાયકાત, વ્યવસાય અને અન્ય જાણકારી એકત્ર કરવામાં આવશે. ત્યારબાદ વસ્તી ગણતરીનું સાચું પરિણામ સામે આવશે. રાજકોટ મનપા દ્વારા કરવામાં આવેલા માઈક્રો પ્લાનિંગ મુજબ, જેમાં મહાનગરપાલિકાનો પોતાનો સ્ટાફ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સરકારી શાળાઓના શિક્ષકો અને આચાર્યોનો સમાવેશ થાય છે. એક કર્મચારી પર કામનું ભારણ વધી શકેઆમ, જરૂરિયાત કરતા 50 ટકા સ્ટાફ ઓછો હોવાને કારણે કામગીરી સમયસર પૂર્ણ થશે કે કેમ તે બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વસ્તી ગણતરી એ નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવાની પ્રક્રિયા છે, જો સ્ટાફ ઓછો હોય તો એક કર્મચારી પર કામનું ભારણ વધે છે અને ડેટાની ચોકસાઈ પર પણ તેની અસર પડી શકે છે. આ સ્ટાફની ઘટ પૂરી કરવા માટે હવે મનપા તંત્ર દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે. ખાનગી શાળાના સ્ટાફને તાલીમ આપીને મેદાનમાં ઉતારી શકેમનપાનાં ચૂંટણી અધિકારી પ્રણય પંચાલના જણાવ્યા અનુસાર, ઘટતા 2,500 કર્મચારીઓની વ્યવસ્થા કરવા માટે વિવિધ વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં શહેરમાં આવેલી ખાનગી શાળાઓના શિક્ષકો અને બિન-શૈક્ષણિક સ્ટાફને આ સરકારી કામગીરીમાં જોડવા માટે મંજૂરી મેળવવા પ્રક્રિયા ચાલી રહી છે. જો સરકાર તરફથી મંજૂરી મળશે, તો ખાનગી શાળાના સ્ટાફને જરૂરી તાલીમ આપીને મેદાનમાં ઉતારવામાં આવશે. આ સિવાય વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકો અને એલઆઈસી જેવી સંસ્થાઓના કર્મચારીઓની સેવાઓ લેવા માટે કલેક્ટર મારફત પત્રવ્યવહાર કરવામાં આવ્યો છે. સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કર્મચારીઓને પણ કામગીરીમાં સામેલ કરવા અંગે વિચારણા ચાલી રહી છે. તમામ પ્રયાસો બાદ પણ સ્ટાફની અછત હાલ વસ્તી ગણતરી માટે ઘટતા સ્ટાફની પૂર્તિ કરવા માટે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત જેવી તમામ મહાનગરપાલિકાઓમાં સેન્ટ્રલ ગવર્મેન્ટની કચેરીઓ અને CGST જેવી સંસ્થાઓ સાથે સંકલન સાધવામાં આવી રહ્યું છે. જો આ તમામ પ્રયાસો બાદ પણ સ્ટાફની અછત રહેશે, તો સેન્સસ એક્ટની જોગવાઈ મુજબ ખાનગી શાળાઓના શિક્ષકો અને ક્લાર્કની સેવાઓ લેવા અંગે પણ વિચારણા કરવામાં આવશે. હાલ પૂરતી પ્રાથમિકતા સરકારી સ્ટાફને જ આપવામાં આવી રહી છે, પરંતુ જરૂર પડ્યે ખાનગી સ્ટાફની મદદ લેવા માટે ઉપરથી મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અંદાજે 30થી 33 જેટલા વિવિધ પ્રશ્નો પૂછવામાં આવશેવધુમાં તેમણે જણાવ્યું કે, 20 એપ્રિલથી 19મે વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો રહેશે. જેમાં કર્મચારીઓ તમામ લોકોના ઘરે જશે. આ વખતે વસ્તી ગણતરી દરમિયાન ગણતરીદારો જ્યારે લોકોના ઘરે જશે, ત્યારે તેમને અંદાજે 30થી 33 જેટલા વિવિધ પ્રશ્નો પૂછવામાં આવશે. જેમાં પરિવારની સુખ-સુવિધાઓ, વાહનો, શૌચાલયની સુવિધા, પીવાનું પાણી અને ડિજિટલ સાધનોના વપરાશ અંગેની માહિતીનો સમાવેશ થશે. આ તમામ ડેટા સીધો મોબાઈલ એપ કે ડિજિટલ ટેબ્લેટમાં એન્ટર કરવામાં આવશે, જેનાથી ભૂલ થવાની શક્યતા નહિવત રહેશે. રાજકોટની વસ્તી 20 લાખની સપાટીને આસાનીથી વટાવી જશેરાજકોટની વસ્તીના ઇતિહાસ પર નજર કરીએ તો વર્ષ 1981માં શહેરની વસ્તી 4.44 લાખ હતી. 1991માં તે વધીને 5.50 લાખ થઈ. 2001માં આ આંકડો 10.00 લાખ પર પહોંચ્યો. 2011માં છેલ્લી સત્તાવાર ગણતરી મુજબ વસ્તી 13.46 લાખ હતી. જોકે છેલ્લા 15 વર્ષમાં રાજકોટમાં માધાપર, મુંજકા, મોટામૌવા, ઘંટેશ્વર જેવા અનેક નવા વિસ્તારો ભળ્યા છે. શહેરનો વિસ્તાર જે 2011માં મર્યાદિત હતો તે હવે વધીને 161.86 ચોરસ કિલોમીટર થયો છે. આ ભૌગોલિક વિસ્તારના વધારા અને શહેરીકરણની ઝડપને જોતા, તંત્રનો અંદાજ છે કે આ વખતે રાજકોટની વસ્તી 20 લાખની સપાટીને આસાનીથી વટાવી જશે. તંત્ર દ્વારા માઈક્રો પ્લાનિંગ અને તાલીમસ્ટાફની અછત હોવા છતાં, મનપા તંત્ર દ્વારા હાલમાં ઉપલબ્ધ 2,500 કર્મચારીઓ માટે તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં ખાસ ડિજિટલ એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવો, લોકો સાથે કેવી રીતે વાતચીત કરવી અને માહિતીની ગોપનીયતા કેવી રીતે જાળવવી તે અંગે તમામને માર્ગદર્શન આપવામાં આવશે. વસ્તી ગણતરી એ માત્ર માથાની ગણતરી નથી, પરંતુ આગામી 10 વર્ષ માટેની સરકારી યોજનાઓ અને શહેરના વિકાસના રોડમેપ તૈયાર કરવા માટેનો પાયાનો ડેટા છે. તેથી, મનપાએ યુદ્ધના ધોરણે બાકીના 2,500 વ્યક્તિના સ્ટાફની વ્યવસ્થા કરવા પ્રયાસો હાથ ધર્યા છે.
ગિરનારની ગીરી કંદરાઓમાં જ્યારે 'હર હર મહાદેવ'ના નાદ ગુંજે છે અને ભવનાથની તળેટીમાં ભભૂતિધારી સાધુઓ ઉતરે છે, ત્યારે આખી અવધપુરી શિવમય બની જાય છે. આ વર્ષે સરકારે ભવનાથ શિવરાત્રી મેળાને 'મિની કુંભ' જાહેર કર્યો છે, જેના કારણે આસ્થાનો મહેરામણ બમણા વેગે ઉમટ્યો છે. આ મેળાનું સૌથી મોટું આકર્ષણ અહીં આવતા નાગા સાધુઓ અને તેમની અકલ્પનીય તપસ્યા છે. ધૂણી ધખાવી, ચિલમના ધુમાડા સાથે શિવની આરાધના કરતા આ સાધુઓની દુનિયા જેટલી રહસ્યમય છે, એટલી જ શ્રદ્ધાથી ભરેલી છે. આ ભીડ વચ્ચે દિવ્ય ભાસ્કરે ત્રણ એવા સાધુ સાથે મુલાકાત કરી હતી જે આખા મેળામાં સૌથી યુનિક હોય. શિશ પર 11,000 રુદ્રાક્ષમાંથી બનેલું 15 કિલોનો મુગટયુપીના કાશી (બનારસ)થી આવેલા નાગાબાવા ચેતનગીરી હાલ ભવનાથમાં પોતાની શિવભક્તિ માટે ચર્ચામાં છે. તેઓએ પોતાના મસ્તક પર 11,000 રુદ્રાક્ષમાંથી બનેલું 15 કિલો વજનનું ભવ્ય રુદ્રાક્ષ મુગટ ધારણ કર્યું છે. 15 કિલોનું વજન સતત માથા પર રાખીને જીવવું એ સામાન્ય માનવી માટે અશક્ય છે, પરંતુ ચેતનગીરી માટે આ શિવભક્તિનું એક માધ્યમ છે. સાડા પાંચ ફૂટ હાઇટ અને સાડા સાત ફૂટની જટાહવે વાત કરીએ સાડા પાંચ ફૂટ હાઇટ અને સાડા સાત ફૂટની જટા ધરાવતા બીજા યુનિક સાધુની. ગઢડાથી આવેલા જગતગુરુ મહેન્દ્રાનંદ ગીરીના શિષ્ય સંપૂર્ણાનંદગીરીની જટા જોઇને એવું લાગે કે, આવડી મોટી જટા વાસ્તવમાં હોય કે નહીં? 'આ મારા શિવજીનો શણગાર છે'આ અંગે જગતગુરુ મહેન્દ્રાનંદ ગીરીના શિષ્ય સંપૂર્ણાનંદગીરી મહારાજે જણાવ્યું કે હું સ્વામીના ગઢડાથી આવ્યો છું. ઘણો નાનો હતો ત્યારથી જ મેં સંન્યાસ લીધો છે. પરંતુ ભેખ ધારણ નહોતો કર્યો. ગુરુ મહારાજની કૃપા મારા પર થઈ અને 2024માં સંન્યાસ લીધો.સનાતન ધર્મ કઈ રીતે બચી શકે અને સનાતન ધર્મ કઈ રીતે આગળ આવી શકે અને સાધુતામાં કેટલા જીવનો ઉધાર કરી શકીએ તે માટે મેં સંન્યાસ લીધો છે અને વેશ ધારણ કર્યો છે. હાલ શિવરાત્રિના મેળામાં ધૂણી ધખાવી ચિલમ જગાવી અને જટા વધારી શિવની આરાધના કરું છું, તે મારા ભોળીયા નાથની ભક્તિ છે અને મારા શિવજીનો શણગાર છે. 'કામ, ક્રોધ અને મોક્ષનો ત્યાગ કરવો પડે'સાધુનો ભેખ ધારણ કરવા માટે અંદરના કામ, ક્રોધ અને મોક્ષનો ત્યાગ કરવો પડે છે. મને મારા ગુરુ જગદ્દગુરુ મહેન્દ્રાનંદ ગીરી મહારાજે જીવનનો સાચો મંત્ર શીખવ્યો અને હું સાધુ બની સનાતન ધર્મનો વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય તેના માટે અલખની આરાધના કરું છું. 'સાત દિવસે જટાને ધોવામાં આવે છે'આ જટાનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે આ જટા હાલ સાડા સાત ફૂટની છે અને મારી ઊંચાઈ પાંચ ફૂટની છે. સાત દિવસે આ જટાને સારી રીતે ધોવામાં આવે છે અને જટામાં ભસ્મ ભભૂત લગાવવામાં આવ્યા છે. આ જટા માટે ભજન કરવું ખૂબ જરૂરી છે. કારણકે ભજનમાં જેમ કહેવાયું છે કે ભજન વિના મારી ભૂખ નહી ભાંગે તેમ તપસ્યાથી આ મારી જટા વધે છે. કોણીના ભાગેથી શ્વાસ ખેંચીને ચિલમ સળગાવીઆ મેળામાં આકર્ષણનું કેન્દ્ર બનેલા નાગા સાધુ ત્રિવેણી ગીરી મહારાજ પોતાની અનોખી શૈલીમાં ચિલમ પીવા માટે જાણીતા છે. તેઓ દર વર્ષે મેળામાં આવે છે અને નોમના દિવસે ભવનાથ મહાદેવની ધજા ચડ્યા બાદ જ પોતાની ધૂણી ધખાવી ચિલમ ચેતન કરે છે. આ કોઈ સામાન્ય નશો નથી, પરંતુ ગુરુ મહારાજની કૃપા અને વર્ષોની યોગ સાધનાનું પરિણામ છે. મહારાજ જ્યારે પોતાના ખભા પર હાથ રાખી કોણીના ભાગેથી શ્વાસ ખેંચીને ચિલમ સળગાવે છે, ત્યારે સમગ્ર વાતાવરણમાં ઓમકારનો એક અનહદ નાદ ગુંજી ઉઠે છે. તેમના મતે, જે રીતે ઓમકારના જાપમાં શ્વાસોશ્વાસનું મહત્વ છે, તેમ આ ચિલમ સાધનામાં પણ શ્વાસના નિયંત્રણ દ્વારા જ પ્રભુ સાથે સુરતા લગાવી શકાય છે. ‘નશાથી યુવાનોનું ભવિષ્ય અને પરિવાર બંને બરબાદ થઈ રહ્યા છે’આ અનોખી સાધનાની સાથે ત્રિવેણીગીરી મહારાજે જણાવ્યું હતું કે, યુવાનોએ આ સમાજમાં રહીને રાષ્ટ્રહિત, પરિવારહિત અને સમાજ હિત માટે મોટા કાર્યો કરવાના હોય છે. નશાથી યુવાનોનું ભવિષ્ય અને પરિવાર બંને બરબાદ થઈ રહ્યા છે. સાધુઓ ચિલમ પીવે છે કારણ કે તેઓ ભૂતકાળને ભૂલી શિવની ભક્તિમાં લીન થઈ શકે, પરંતુ યુવાનો માટે આ માર્ગ ક્યારેય ઉચિત હોઈ શકે નહીં. વધુમાં મહારાજે યુવાનોમાં રહેલી એક મોટી ગેરમાન્યતા પણ દૂર કરી હતી. ઘણા યુવાનો એવું માને છે કે એકાગ્રતા વધારવા માટે કે માનસિક શાંતિ માટે નશો કરવો જરૂરી છે, પરંતુ મહારાજના મતે જો ખરેખર એકાગ્રતા મેળવવી હોય તો સવારમાં વહેલા ઉઠીને મેડિટેશન (ધ્યાન) કરવું જોઈએ. નશો એ એકાગ્રતાનું સાધન નથી. પરંતુ પતનનું કારણ છે. સાધુ-સંતો અને નાગાબાવાઓની ચિલમ એ તેમની આસ્થા અને ગુરુની આજ્ઞાનું પ્રતીક છે, નશો કરવા માટેનું સાધન નથી. નશાના રવાડે ચડવાને બદલે શારીરિક અને માનસિક સ્વસ્થતા માટે સાચા યોગ માર્ગને અપનાવવો જોઈએ અને જીવન સાર્થક કરવું જોઈએ. રુદ્રાક્ષ: શિવના આંસુ અને તેનું વિજ્ઞાનચેતનગીરીએ રુદ્રાક્ષના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, પુરાણ મુજબ રુદ્રાક્ષ એ ભગવાન શિવના આંસુ છે. શિવની જમણી આંખમાંથી રુદ્રાક્ષ અને ડાબી આંખમાંથી ભદ્રાક્ષ ઉત્પન્ન થયા છે. ભદ્રાક્ષ આકારે લાંબા હોય છે, જ્યારે રુદ્રાક્ષ ગોળ હોય છે. રુદ્રાક્ષ 1 મુખી થી લઈને 24 મુખી સુધીના હોય છે, જેમાં 14 મુખી સુધીના રુદ્રાક્ષ શિવના અને બાકીના વિષ્ણુના મનાય છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી માત્ર આધ્યાત્મિક જ નહીં પણ શારીરિક ફાયદા પણ થાય છે. તે માનસિક શાંતિ આપે છે, લોહીનું દબાણ નિયંત્રિત કરે છે અને મગજમાં નકારાત્મક વિચારોને હાવી થવા દેતા નથી. એક ચુંબકત્વની જેમ તે ધારણ કરનારની અંદર સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરે છે. સનાતન ધર્મની સાત પૂજાઓનું મહત્વ વેદ પૂજા: શાસ્ત્રોનું અધ્યયન અને ગાન.દંડ કમંડલ: સન્યાસ ધર્મનું પ્રતીક.ગોલા ઠુમરા: વિશિષ્ટ પૂજા વિધિ.જુના ભાભડી: પ્રાચીન પરંપરાગત પૂજા.શિશ મુગટ: જે હઠયોગ ચેતનગીરી પોતે કરી રહ્યા છે.ચરણ પાદુકા: ગુરુ અને દેવના ચરણોની પૂજા.કોટિલિંગ: કરોડો શિવલિંગની માનસિક કે પ્રત્યક્ષ આરાધના. કાંટાની પથારી પર સુઈને અને વર્ષો સુધી ઉભા રહીને સાધનાભવનાથના આ મિની કુંભમાં માત્ર ચેતનગીરી જ નહીં, પણ સેંકડો સાધુઓ પોતાની રીતે મહાદેવને રીઝવી રહ્યા છે. કોઈ કાંટાની પથારી પર સુઈને પોતાની ઇન્દ્રિયો પર કાબૂ મેળવવાની તપસ્યા કરે છે, તો કોઈ 'ઠાડેશ્વરી' સાધુ બનીને વર્ષો સુધી ઉભા રહીને ભક્તિ કરે છે. ઘણા સાધુઓ 'મૌન વ્રત' ધારણ કરી અંદરની શાંતિ શોધે છે, તો કેટલાક યોગીઓ શીર્ષાસન અને જટિલ યોગાસનો દ્વારા શરીરને શિવમય બનાવે છે. દિગંબર સાધુઓ માટે શરીર પર લગાવેલી ભસ્મ જ તેમનું વસ્ત્ર છે અને શિવનામ જ તેમનો આધાર છે. મેળાનો માહોલ: ભક્તિ અને સેવાનો સંગમમિની કુંભના બીજા દિવસે ભવનાથ તળેટીમાં પગ મૂકવાની જગ્યા નથી. એક તરફ અખાડાઓમાં નાગા સાધુઓના દર્શન માટે શ્રદ્ધાળુઓની કતાર છે, તો બીજી તરફ અન્નક્ષેત્રોમાં 'હરિહર'નો નાદ ગુંજી રહ્યો છે. સરકાર અને તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, છતાં મેળાનો માહોલ એટલો સહજ છે કે જાણે કૈલાસ પૃથ્વી પર ઉતરી આવ્યો હોય. દેશ-વિદેશના પ્રવાસીઓ સાધુઓની આ જીવનશૈલી અને તેમની અતૂટ શ્રદ્ધા જોઈને અચંબિત છે. પાંચ દિવસ સુધી ચાલનારા આ મેળામાં જેમ-જેમ શિવરાત્રી નજીક આવશે, તેમ-તેમ આ ભક્તિનો રંગ વધુ ઘેરો બનતો જશે. નાગા સાધુઓની રવેડી અને મૃગી કુંડમાં શાહી સ્નાન સાથે આ મેળાનું સમાપન થશે, પણ ત્યાં સુધી ભવનાથમાં શિવ, સાધુ અને ભક્તોનો આ દિવ્ય મેળાપ ચાલુ રહેશે.
BJPના અધિરા નેતાઓએ સોશિયલ મીડિયા ગજવ્યું:ચિરાગ ગોટી કોનો ભાણો?, સોશિયલ મીડિયા પર જબરી ચર્ચાઓ ઉપડી
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’.
અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન ગુજરાતના સૌથી વ્યસ્ત સ્ટેશનોમાંનું એક છે. એમાં પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામને કારણે મુસાફરો અટવાઇ જવાના ઘણા કિસ્સા બને છે. થોડા દિવસો પહેલાં આ રેલવે સ્ટેશનેથી એક યુવતી મળી આવી. ન તો તે બોલી શકતી, ન સાંભળી શકતી. જેના કારણે તેની સુરક્ષા અને ઓળખને લઇને એક મોટો પ્રશ્ન હતો. પરંતુ કોઇ વાર્તાની માફક આ કિસ્સામાં એક એવો વળાંક આવ્યો જેની કોઇએ કલ્પના પણ નહોતી કરી. યુવતી પોતાના નામ, શહેર કે અન્ય કોઇ માહિતી આપવા માસે સક્ષમ નહોતી. તેની સાથે કોઇ અનિચ્છનીય ઘટના ન બની જાય તે માટે પોલીસે ગંભીરતા દાખવી તેને અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળના સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવ્યો. યુવતી ગર્ભવતી અને માનસિક બીમાર હોવાનું ખૂલ્યુંઆ સેન્ટર ટૂંકા ગાળાના રોકાણ માટે બનાવવામાં આવ્યું છે. એટલે જ થોડા દિવસ પછી યુવતીને પાલડી વિકાસ ગૃહ અને ત્યારબાદ તેની માનસિક સ્થિતિને જોતા દિલ્હી દરવાજા સ્થિત માનસિક આરોગ્યની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી. ત્યાંથી આ યુવતી ગર્ભવતી તેમજ માનસિક બીમાર હોવાનું તબીબી રીતે જાણવા મળ્યું. એટલે પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ. આથી, તેને લાંબા ગાળાના આશ્રય અને સંભાળ માટે ઓઢવમાં આવેલા નારી સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવી. આ અંગે અમદાવાદ મહિલા અને બાળ વિકાસ અધિકારી જીગર જસાણીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, સખી વન સ્ટોપ સેન્ટરમાં રેલવે પોલીસ દ્વારા એક કેસ આવ્યો હતો. એ દીકરી માનસિક રીતે દિવ્યાંગ હતી. જેથી તેને સારવાર આપીને રાજ્યના નારી સંરક્ષણ ગૃહ (માનસિક દિવ્યાંગ ગૃહ)માં મોકલાઇ હતી. કોઇ આવે તો યુવતી તેની સાથે જવા તૈયાર થઇ જતીફાલ્ગુની સોલંકી અમદાવાદ અમદાવાદ મહિલા અને બાળ વિકાસ વિભાગમાં ફિલ્ડ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેમણે જણાવ્યું દીકરી અમારે ત્યાં આવી ત્યારે ઘરે જવા માટે બહુ જીદ કરતી હતી. તે દીકરી પોતાનો કપડાંનો થેલો હંમેશા સાથે જ રાખતી હતી. કોઇપણ વ્યક્તિ આવે એટલે મારે તેની સાથે જવું છે તેવું ઇશારાથી જણાવતી, ધમપછાડા કરતી. લખાણ પણ ન ઉકલી શક્યુંઘણા દિવસો વીતી ગયા પણ યુવતીની ઓળખ નહોતી થઇ શકી. યુવતી મુકબધિર હોવાથી તેની સાથે કાઉન્સેલિંગ કરવું ઘણું જ મુશ્કેલીભર્યું હતું. એટલે જ મહિલા અને બાળ વિકાસ વિભાગ, અમદાવાદના ફિલ્ડ ઓફિસર ફાલ્ગુની સોલંકીએ એક આશા સાથે તેની પાસે થોડું લખાણ લખાવ્યું. આ લખાણ વસ્ત્રાપુર ખાતે આવેલી મુકબધિર શાળામાં બતાવ્યું હતું પરંતુ તેઓ પણ તે લખાણ ઉકેલી શક્યા ન હતા. પરંતુ તેના શરીરના બાંધા પરથી તે યુવતી મધ્યપ્રદેશની હોવાનું જણાવ્યું હતું. સ્ટાફે અનામિકા નામ આપ્યુંસરકારી કાગળોમાં તેની કોઇ ઓળખ ન હોવાથી પત્ર વ્યવહાર કરવામાં પણ તકલીફ પડતી હતી. અજાણી યુવતી હોવાથી અમદાવાદ મહિલા અને બાળ વિકાસ અધિકારી જીગર જસાણીએ તે યુવતીનું નામ અનામિકા આપ્યું. આ નામ કચેરીના અધિકારીએ આપ્યું હોવાથી કચેરીના સ્ટાફ માટે યુવતીની ઓળખ થઇ ગઇ હતી પણ તેની અસલ ઓળખ હજુ બાકી હતી. ફાલ્ગુનીબેને જણાવ્યું કે, અમે રેલવે પોલીસને કહ્યું હતું કે આ દીકરી કયા પ્લેટફોર્મ પરથી અને કઇ ટ્રેનમાંથી કેટલા વાગ્યે ઉતરી હતી તે CCTV ચેક કરીને જણાવો. અમે તે દીકરી પાસે લખાણ લખાવડાવ્યું હતું. તે હિન્દી જેવી ભાષામાં લખતી હતી અને વારંવાર શબ્દ રિપીટ કરતી હતી. જેથી ખ્યાલ આવે તેમ નહોતો. આધાર કાર્ડ કઢાવવા ગયા ત્યારે નવો વળાંક આવ્યોછેવટે ફાલ્ગુનીબેને અમદાવાદ મહિલા અને બાળ વિકાસ અધિકારી જીગર જસાણીની મંજૂરીથી યુવતીની ઓળખ માટે તેનું નવું આધાર કાર્ડ કઢાવવા કલેકટર કચેરીમાં કાર્યવાહી કરી ત્યારે સિસ્ટમે ડુપ્લિકેટ આધાર કાર્ડની એરર બતાવી. આ એક મોટો વળાંક હતો કારણ કે તેનો અર્થ એ હતો કે તેનું આધાર કાર્ડ અગાઉ ક્યાંક બનેલું હતું. આધાર કાર્ડ કઢાવવાની જરૂર કેમ પડી તે અંગે ફાલ્ગુનીબેને કહ્યું કે, દીકરી પ્રેગનન્ટ હતી એટલે તેનું મમતા કાર્ડ કઢાવવું જરૂરી હતું. 5 અઠવાડિયા થઇ ગયા હતા એટલે આગળની રસી અપાવવાની ઉપરાંત તેમને આયર્નની દવા પણ અપાવવાની હતી. મમતા કાર્ડ કઢાવવા માટે અમારે આધાર કાર્ડ કઢાવવું જરૂરી હતું. કોમ્પ્યુટર સ્ક્રીન પર પરિવારના સભ્યોની વિગત મળીડુપ્લિકેટ આધાર કાર્ડની એરર આવતા નવરંગપુરામાં આવેલી UIDAIની સ્ટેટ ઓફિસેથી જ આગળની જાણકારી મળી શકે એમ હતી. એટલે જ યુવતીને આ ઓફિસે લઇ જવામાં આવી. જ્યાં આંખો તથા અગૂંઠાની છાપ લઇને આધાર કાર્ડ કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ દરમિયાન બાયોમેટ્રિક પદ્ધતિના કારણે યુવતીના જૂના આધાર કાર્ડની વિગતો કોમ્પ્યુટર સિસ્ટમ પર જોવા મળી. એટલું જ નહીં યુવતીના પરિવારના સભ્યો જેવા કે તેના માતા-પિતા તેમજ ભાઇ-બહેનની વિગતો સ્ક્રીન પર દેખાઇ હતી. તેને જોતાં જ યુવતીના ચહેરા પરના હાવભાવ બદલાઇ ગયા હતા. તેઓ રૂબરૂ મળી ગયા હોય એમ યુવતીના ચહેરા પર સ્પષ્ટ દેખાતું હતું. મધ્યપ્રદેશ પોલીસમાં ફરિયાદ થઇ હતીહવે આગળનું કામ યુવતીના પરિવાર સાથે સંપર્ક સાધવાનું હતું. UIDAIની સ્ટેટ ઓફિસેથી યુવતીના પરિવારના સભ્યોના નામ, સરનામા તેમજ મોબાઇલ નંબર જેવી વિગતો મળી ગઇ હતી. આ માહિતી પરથી ફાલ્ગુનીબેને યુવતીના પરિવારને વીડિયો કોલ કર્યો. સામેની તરફ આ યુવતીની માતા હતી. સ્ક્રીન પર એકબીજાને જોતા જ માતા-પુત્રીની આંખો છલકાઇ ગઇ. માતાએ જણાવ્યું કે તેની દીકરી ત્રણ મહિનાથી ગુમ હતી અને તેમણે મધ્યપ્રદેશમાં પોલીસ ફરિયાદ પણ કરી હતી. ફાલ્ગુનીબેને ઉમેર્યું કે, દીકરીના પિતા-ભાઇ અને બહેનો મધ્યપ્રદેશ રહે છે. જ્યારે તેની માતા અન્ય એક દીકરી સાથે કંડલા પોર્ટ પર મજૂરી કરે છે અને ત્યાં જ રહે છે. દીકરીના સાસરિયામાં ડિસ્પ્યૂટ ચાલતા હતા. જેથી તે માનસિક રીતે ડિસ્ટર્બ થઇ ગઇ હશે. જેથી તે ત્યાંથી સીધી માતા પાસે જવા ટ્રેનમાં બેસી ગઇ હતી. તે કાલુપુર ઉતરી હતી ત્યાંથી રેલવે પોલીસ તેને પકડીને મૂકી ગઇ હતી. દીકરી ગુમ થઇ ગઇ હોવાથી તેના પરિવારે મધ્યપ્રદેશ પોલીસમાં FIR નોંધાવી હતી. અમે લોકોએ તેના પરિવારને એ FIR સાથે લઇ આવવા જણાવ્યું હતું. જેથી અમે જાણી શકીએ કે તેમણે દિકરીને શોધવા માટે પ્રયત્ન કર્યા હતા. 3 મહિના બાદ પરિવારને સોંપાઇથોડા જ દિવસોમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે યુવતીનો પરિવાર અમદાવાદ આવી પહોંચ્યો. તમામ કાયદાકીય પ્રક્રિયા અને ચકાસણી બાદ ત્રણ મહિનાના લાંબા સમયગાળા પછી અનામિકાને તેના પરિવારને સોંપવામાં આવી. બાયોમેટ્રિક પદ્ધતિ આશાનું કિરણફાલ્ગુનીબેને જણાવ્યું, અત્યારસુધીમાં અમારા નારી સંરક્ષણ ગૃહ, ઓઢવમાં બાયોમેટ્રિક પદ્ધતિથી ઓળખનો આ પ્રથમ કેસ છે. હાલ અમારી પાસે માનસિક રીતે દિવ્યાંગ હોય તેવી 49 બહેનો છે. જેમાં અત્યારે અમે પ્રોસેસ કરી રહ્યાં છીએ કે તેમાંથી કેટલાંના આધાર કાર્ડ નીકળેલાં છે અથવા તો નવા આધાર કાર્ડ નીકળે કે પછી ડુપ્લીકેટ તે અમે જાણીશું. જેથી અમે તેના ઘર સુધી પહોંચી શકીએ. બાયોમેટ્રિક પદ્ધતિથી અમે દરેકના ઘર-પરિવારને શોધવાની કોશિષ કરીશું.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર રાજસ્થાનમાં કથાવાચક ઉત્તમ સ્વામી પર બળાત્કારના આરોપ લાગવા સાથે જોડાયેલા રહ્યા. બીજા મોટા સમાચાર PM મોદીની ઓફિસનું સરનામું બદલાવાને લઈને રહ્યા હતા.⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી અસમમાં ₹5000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ લોન્ચ કરશે. 2. પશ્ચિમ બંગાળમાં SIR અભિયાન વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. કાલના મોટા સમાચારો 1. લોકસભામાં 'હરદીપ પુરી રાજીનામું આપો'ના નારા લાગ્યા:વિપક્ષનો હોબાળો, 9 માર્ચ સુધી સ્થગિત; ભાજપના આરોપ- રાહુલ સત્તા મેળવવા માટે દેશના ભાગલા પાડવા માગતા હતા બજેટ સત્રના 13મા દિવસે લોકસભાની કાર્યવાહી માત્ર 10 મિનિટ ચાલી. શુક્રવારે કાર્યવાહી શરૂ થતાંની સાથે જ વિપક્ષના સાંસદોએ 'હરદીપ પુરી રાજીનામું આપો'ના નારા લગાવ્યા. પાંચ મિનિટ પછી ગૃહ સ્થગિત કરવામાં આવ્યું. બપોરે 12 વાગ્યે ગૃહની કાર્યવાહી ફરી શરૂ થઈ. આ વખતે હોબાળા વચ્ચે શિક્ષણ અને કાયદા મંત્રાલયને લગતાં કેટલાંક બિલ રજૂ કરવામાં આવ્યાં. આ પછી અધ્યક્ષ સંધ્યા રાયે લોકસભા 9 માર્ચ સુધી સ્થગિત કરી દીધી. સંસદનું બજેટસત્ર બે તબક્કામાં યોજાવાનું છે. 23 દિવસના વિરામ પછી સત્રનો બીજો તબક્કો 9 માર્ચથી શરૂ થશે અને 2 એપ્રિલ સુધી ચાલુ રહેશે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. વડાપ્રધાન કાર્યાલય ‘સેવા તીર્થ’ ભવનનું ઉદ્ઘાટન:PM બોલ્યા- નોર્થ-સાઉથ બ્લોક બ્રિટિશ શાસનનું પ્રતીક; ગુલામીની માનસિકતામાંથી બહાર નીકળવું જરૂરી વડાપ્રધાન કાર્યાલયનું સરનામું આજથી બદલાઈ ગયું છે. નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવી PM ઓફિસ સેવા તીર્થ અને કર્તવ્ય ભવન 1 અને 2નું ઉદ્ઘાટન કર્યું. PM ઓફિસ અત્યાર સુધી સાઉથ બ્લોકમાં હતું. PM મોદીએ કહ્યું કે નોર્થ બ્લોક અને સાઉથ બ્લોકની ઇમારતો બ્રિટિશ શાસનની હુકુમતનું પ્રતીક હતી. આ ભવનો બ્રિટનના મહારાજની વિચારસરણીને ગુલામ ભારતના જમીન પર ઉતારવાનું માધ્યમ હતું. આપણે ગુલામીની આ માનસિકતામાંથી બહાર નીકળવું જરૂરી હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 3. સોના-ચાંદીના ભાવ ફરી તૂટ્યા:એક કિલો ચાંદી ₹2.42 લાખ પર આવી, 10 ગ્રામ સોનાનો ભાવ દોઢ લાખ થયો; જાણો ખરીદતી વખતે શું ધ્યાન રાખશો? 13 ફેબ્રુઆરીએ સોના-ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર, એક કિલો ચાંદીની કિંમત 17,188 રૂપિયા ઘટીને 2,41,945 રૂપિયા પર આવી ગઈ છે. આ પહેલાં ગુરુવારે તે 2,59,133 રૂપિયા પ્રતિ કિલો હતી, જ્યારે 2 દિવસમાં એની કિંમત 24 હજાર રૂપિયા ઘટી ગઈ છે. 11 ફેબ્રુઆરીએ ચાંદી 2,66,449 રૂપિયા પ્રતિ કિલો હતી. 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 2,899 રૂપિયા ઘટીને 1,52,751 રૂપિયા પર આવી ગઈ છે. આ પહેલાં ગુરુવારે એ 1,55,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું. ઝવેરીબજારમાં 29 જાન્યુઆરીએ સોનાએ 1,76,121 રૂપિયા અને ચાંદીએ 3,85,933 રૂપિયાનો ઓલટાઈમ હાઈ બનાવ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 4. મહામંડલેશ્વર ઉત્તમ સ્વામી પર બળાત્કારના આરોપો:રાજસ્થાનની યુવતીએ દિલ્હી પોલીસને મેઇલ કર્યો; લખ્યું- સમજૂતી માટે ધમકીઓ મળે છે શ્રી પંચ અગ્નિ અખાડાના મહામંડલેશ્વર અને કથાવાચક ઉત્તમ સ્વામી પર રાજસ્થાન નિવાસી એક યુવતીએ દુષ્કર્મ આચરવાનો આરોપ લગાવ્યો છે. યુવતીએ 12 ફેબ્રુઆરીના રોજ દિલ્હી પોલીસ કમિશનરને ઈ-મેલ મોકલીને સુરક્ષાની માગ પણ કરી છે. પીડિતાનું કહેવું છે કે FIR નોંધાવવાની જાણ થતાં જ તેને ધમકીઓ મળવા લાગી છે. ઉત્તમ સ્વામી પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમના નજીકના લોકો સમાધાન માટે દબાણ કરી રહ્યા છે. યુવતીએ મેઇલમાં લખ્યું છે કે તેના અને તેના પરિવાર વિશે અત્યંત ખાનગી માહિતી રાખવામાં આવી રહી છે. તેને નુકસાન પહોંચાડવાની આશંકા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. T20 વર્લ્ડ કપમાં સૌથી મોટો અપસેટ સર્જાયો:ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 23 રનથી હરાવ્યું, કાંગારુઓને પછાડીને ZIM ટૉપ-2માં પહોંચ્યું; મુઝરબાનીએ 4 વિકેટ ઝડપી T20 વર્લ્ડ કપમાં પહેલો અપસેટ જોવા મળ્યો છે. ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 23 રનના માર્જિનથી હરાવ્યું. આ બીજી વખત છે જ્યારે ટીમે T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. તેણે 19 વર્ષ પહેલા 2007માં લીગ રાઉન્ડમાં પણ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા હતા. જવાબમાં, ઓસ્ટ્રેલિયા 19.3 ઓવર પછી 146 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. બ્લેસિંગ મુઝારાબાનીએ 4 વિકેટ લીધી અને તેમને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 6. માયાભાઈના પુત્રનું વધુ એક કારસ્તાન, બસ લઈ ભવનાથ તળેટીમાં પહોંચ્યો:જ્યાં મંત્રી-IAS ચાલીને જાય છે ત્યાં જેલમાંથી છૂટેલો જયરાજ બસ લઈને આવ્યો, કલેક્ટરે આપ્યા તપાસના આદેશ ગિરનારની ગોદમાં ચાલી રહેલા શિવરાત્રીના મીની કુંભ મેળામાં વહીવટી તંત્ર દ્વારા આ વર્ષે VVIP કલ્ચરને દેશવટો આપવાના કડક દાવા કરવામાં આવ્યા હતાં. જોકે, જાણીતા લોક સાહિત્યકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિરે આ તમામ નિયમોના લીરેલીરા ઉડાડ્યા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. જ્યાં મંત્રી-IAS ચાલીને જાય છે ત્યાં જેલમાંથી છૂટેલો જયરાજ પ્રાઈવેટ લકઝુરિયસ બસ લઈને આવે છે. લાખો ભાવિકો જ્યારે કિલોમીટરો સુધી પગપાળા ચાલીને મહાદેવના શરણમાં જઈ રહ્યા છે, ત્યારે જયરાજ આહિર પોતાના મિત્રો સાથે ખાનગી બસમાં સવાર થઈને છેક ભવનાથ તળેટીમાં મોડી રાતે પહોંચતા ભારે વિવાદ સર્જાયો છે. જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસીયાએે તપાસના આદેશ આપ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. સુરતના ખ્યાતનામ બિલ્ડર તુષાર ઘેલાણીના મોત કેસમાં સનસનીખેજ દાવાઓ:પરિવારજનોએ કહ્યું, મહિલા બ્લેકમેલ કરતી, મહિલાએ કહ્યું- આત્મહત્યા નહીં, પણ મર્ડર છે સુરતના ખ્યાતનામ બિલ્ડર અને બિઝનેસમેન તુષાર ઘેલાણીના મોતના 9 દિવસ બાદ સનસનીખેજ દાવાઓ સામે આવ્યા છે. તુષાર ઘેલાણીની 'અંગત મહિલા મિત્ર'એ પોલીસમાં અરજી આપી દાવો કર્યો છે કે બિઝનેસમેને આત્મહત્યા નથી કરી પણ તેમનું મર્ડર થયું છે. અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તુષારભાઈનો પરિવાર તેમનો એટીએમ મશીન તરીકે પૈસા માટે ઉપયોગ કરતો. પરિવાર તેમની કાળજી નહોતો રાખતો તથા માન-સન્માન પણ નહોતા આપતા. 'અંગત મહિલા મિત્ર'એ એવો પણ દાવો કર્યો છે કે દીકરીના લગ્ન માટે તુષારભાઈ ઘેલાણી તેની માતા પાસેથી 20 દિવસ પહેલાં 25 લાખ રૂપિયા ઉછીના લઈ ગયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : રાહુલ ગાંધીએ ખેડૂત સંગઠનોના નેતાઓ સાથે મુલાકાત કરી:કહ્યું- ખેડૂતોના હિતો સાથે કોઈ સમાધાન નહીં, ભારત-અમેરિકા ટ્રેડ ડીલ વિરુદ્ધ આંદોલન પર વાતચીત થઈ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : બાંગ્લાદેશમાં 20 વર્ષ પછી BNPની જીત:તારિક રહેમાન PM બનશે, દેશને 35 વર્ષ પછી મળશે પુરુષ વડાપ્રધાન; PM મોદી-અમેરિકાએ અભિનંદન પાઠવ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : પાકિસ્તાની ડોન અને લોરેન્સ ગેંગ આમને- સામને:શહઝાદ ભટ્ટીએ કહ્યું- લોરેન્સ સાબરમતી જેલમાંથી બહાર આવે એટલે ખેલ ખતમ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ઇઝરાયલી PM ને મળતા જ ટ્રમ્પે ઇરાનને ધમકાવ્યું:એક મહિનાની મુદત આપી, મધ્ય પૂર્વમાં વધુ એક બીજું એરક્રાફ્ટ કેરિયર પણ મોકલ્યું વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : 1 લાખના રોકાણ પર ₹12,000 સુધીની વાર્ષિક કમાણી:ICL ફિનકોર્પનો NCD ઈશ્યૂ 1.74 ગણો ભરાયો, ₹10 હજારથી ઈન્વેસ્ટમેન્ટની શરૂઆત કરી શકાય વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : માહિકાની રિટર્ન ગિફ્ટની રાહ જોતો હાર્દિક પંડ્યા:રેડ રોઝનો બુકે આપ્યો; ગર્લફ્રેન્ડના 'M' અક્ષરનું ટેટૂ કરાવ્યું, માહિકાએ લખ્યું- મેન ઓફ ધ મેચ માય લાઈફ! વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : 15 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ:પતિ-પત્નીએ એકસાથે શિવ-પાર્વતીની પૂજા કરવી જોઈએ, લાલ સાડી અને સુહાગની વસ્તુઓનું દાન કરવું જોઈએ વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ ₹300 માં ખરીદેલું ડોમેન ₹634 કરોડમાં વેચાયું મલેશિયાના ટેક ઉદ્યોગપતિ ઇસ્માઇલે 1993માં માત્ર ₹300 માં 'AI.com' નામનું ડોમેન ખરીદ્યું હતું, જેને તેમણે તાજેતરમાં ₹634 કરોડમાં વેચી દીધું છે. આ અત્યાર સુધીનું સૌથી મોંઘું ડોમેન વેચાણ માનવામાં આવે છે. આ ડોમેનને Crypto.com ના CEO ક્રિસ માર્શઝાલેકે ખરીદ્યું છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: 13 વર્ષ ઉંમર, ઘોડેસવારી-ફેશનની શોખીન કિમ જોંગની દીકરી; શું છે કિમ જુ એની નોર્થ કોરિયાની આગામી તાનાશાહ બનવાની કહાની 2. ફિલ્મી ફેમિલી : સલમાન ખાનને જાહેરમાં મોં પર ચોપડાવી દીધું!: અરિજિત સિંહના પહેલા લગ્ન વર્ષ પણ ન ટક્યા, 400 કરોડથી વધુની સંપત્તિ છતાં સ્લીપર પહેરીને સ્કૂટર પર ફરે 3. ભાસ્કર એક્સપ્લેનર : બાંગ્લાદેશમાં તારિક રહેમાનનું PM બનવું નક્કી: શું આ PAK-ચીન માટે આંચકો અને ભારત માટે સારું રહેશે; જાણો 6 જરૂરી સવાલોના જવાબ 4. બોલિવૂડ ક્રાઇમ ફાઇલ્સ : પ્રોપર્ટી, પ્લાસ્ટિક સર્જરી, પ્રોડ્યુસરની હત્યા!: અરુણ ટિક્કુ કેસની તપાસે ખોલી નવી ડાયરી, 10 વર્ષનું નેક્સસ, 4 હત્યા; પૈસા માટે હનીટ્રેપના કાવતરાનો પર્દાફાશ 5. બાંગ્લાદેશથી ભાસ્કર : હિંદુ-અવામી લીગના મત BNPને મળ્યા, જમાતને હરાવી: હસીનાની સરકાર પાડનારા હાર્યા, હિંદુ વસતિવાળા જિલ્લાઓમાં BNPની એકતરફી જીત 6. Editor's View: એકઝાટકે પાકિસ્તાન ઘૂંટણિયે: ક્રિકેટમાં કાવાદાવા કરવા જતાં કાંડ થઈ ગયો, ICCના માસ્ટર સ્ટ્રોકથી પલટી મારી, જાણો બોયકોટ ડ્રામાની ઇનસાઇડ સ્ટોરી કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ શનિવારનું રાશિફળ: ગ્રહોની અનુકૂળ સ્થિતિ મેષ રાશિ માટે નવી સિદ્ધિઓનું સર્જન કરશે, વૃષભ અને કન્યા જાતકોના પ્રેમ સંબંધો મધુર રહેશે વાંચો સંપૂર્ણ રાશિફળ
કાર્યવાહી:પોરબંદર જિલ્લામાં ગત માસે માત્ર65 ચાલક વિરૂધ્ધ ગુના નોંધાયા
પોરબંદર જિલ્લામાં વધુ સ્પીડથી વાહન ચલાવનાર ચાલકો, અડચણ રૂપ વાહન રાખનાર ચાલકો અને નશો કરી વાહન ચલાવનાર કુલ 65 ચાલક સામે પોલીસે ગત જાન્યુઆરી માસે કાર્યવાહી કરી, દંડ નહીં પરંતુ ગુન્હા નોંધવામાં આવ્યા હતા. પોરબંદર જિલ્લામાં ટ્રાફિક નિયમના ભંગ બદલ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. શહેરમા પુર ઝડપે વાહન ચલાવી ચાલકો અન્ય નિર્દોષ લોકોને અને પશુને હડફેટે લેતા હોય છે. જેને કારણે લોકોને ઈજાઓ પહોંચે છે. ગત જાન્યુઆરી મહિનામાં વધુ સ્પીડથી વાહન ચલાવનાર 15 ચાલકને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે જણાવ્યું હતું કે, વધુ સ્પીડથી વાહન ચલાવનાર ચાલકની પાછળ પોલીસ પીછો કરી તેઓને ઝડપી લેવામાં આવે છે. આવા ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત જિલ્લામાં કેટલાક ચાલકો નડતર રૂપ વાહનો પાર્ક કરતા હોય છે. આવા વાહનોને કારણે ટ્રાફિક જામ સર્જાય છે અને અકસ્માત થવાની ભીતી રહે છે ત્યારે ગત માસે અડચણ રૂપ વાહનો પાર્ક કરનાર 11 વાહન ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધવામાં આવ્યા હતા, જ્યારે જિલ્લામાં કેટલાક તત્વો નશો કરેલ હાલતમાં વાહન ચલાવતા હોય છે. આવા ચાલકો અન્ય તથા પોતાનો જીવ જોખમમાં મૂકે છે. ગત માસે નશો કરેલ હાલતમાં વાહન ચલાવતા 39 શખ્સ સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતો. આવા ચાલકોને દંડ નહિ પરંતુ ગુન્હા નોંધી કોર્ટ કેસ કરવામાં આવી રહ્યા છે. ડિસેમ્બરમાં 119 ગુના નોંધાયા હતા ગત ડિસેમ્બર મહિનામાં અડચણ રૂપ વાહનો પાર્ક કરનાર 6વાહન ચાલકો સામે ગુન્હા નોંધાયા હતા જ્યારે નશો કરી વાહન ચલાવનાર 92 શખ્સ સામે ગુન્હા નોંધાયા હતા અને વધુ સ્પીડમાં વાહન ચલાવતા 21 ચાલક સામે ગુન્હા નોંધવામાં આવ્યા હતા. જાન્યુઆરી માસમાં ગુનાના કેસની સંખ્યા ઘટી છે.
બેઠક:બોર્ડની પરીક્ષાની તૈયારીઓ વેગવંતી બનાવી પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ
પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આગામી બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખી પરીક્ષા સમિતિની મહત્વપૂર્ણ બેઠક જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. કાર્યક્રમનું આયોજન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું. બેઠકમાં જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમારએ પરીક્ષાના અંગે જણાવ્યું કે તમામ વિભાગોને જરૂરી સહકાર માટે પત્ર પાઠવવામાં આવ્યા છે. કેન્દ્ર સંચાલકો સાથે બેઠક પૂર્ણ થઈ ગઈ છે અને માર્ગદર્શિકા મુજબ માર્ગદર્શન તથા તાલીમ આપવામાં આવી છે. કલેક્ટરે સમીક્ષા દરમિયાન જણાવ્યું કે પરીક્ષા સંપૂર્ણ માર્ગદર્શિકા મુજબ યોજાય તે માટે તમામ વિભાગોએ સંકલિત આયોજન કરવું, જરૂર પડે ત્યાં વર્ગ-2 અધિકારીઓને પણ ફરજ સોંપવામાં આવશે, જેથી ગેરરીતિ અટકાવી શકાય. વિદ્યાર્થીઓ નિર્ભય અને સલામત રીતે પરીક્ષા આપી શકે તે માટે તમામ તંત્ર સાથે મળીને કામગીરી કરશે. રાજ્ય કક્ષાની પરીક્ષા સંદર્ભે અગાઉ યોજાયેલી વિડિયો બેઠકમાં શિક્ષણ મંત્રી તથા ઉચ્ચ અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું હતું અને જિલ્લાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં પોલીસ વિભાગ, પશ્ચિમ ગુજરાત વિજ કંપની, રાજ્ય પરિવહન નિગમ, આરોગ્ય વિભાગ, શિક્ષણ સંઘના પ્રતિનિધિઓ, મનોવૈજ્ઞાનિક ટીમ અને અન્ય વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા શિક્ષણ તંત્ર, ઈ.આઈ. નમ્રતાબા વાઘેલા તથા પરીક્ષા સમિતિના સભ્યો દ્વારા જરૂરી આયોજન અને સંકલન કરવામાં આવ્યું હતું.
ચેકિંગ:જાહેરમાં પેમ્પ્લેટ ફેંકતાં વ્યક્તિ સામે મનપા તંત્રએ કાર્યવાહી કરી રૂ.5 હજારનો દંડ ફટકાર્યો
પોરબંદરમાં રિક્ષા દ્વારા પ્રચાર પ્રસાર માટે જાહેરાતની પત્રિકા જ્યાં ત્યાં ફેંકવામાં આવતી હોવાથી મનપા દ્વારા ચાલક સામે કાર્યવાહી કરી રૂ.5 હજારનો દંડ ફટકાર્યો હતો. પોરબંદર મનપા દ્વારા શહેરને સ્વચ્છ અને સુવ્યવસ્થિત રાખવા સતત કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. કમિશનરના માર્ગદર્શન હેઠળ તથા સેનિટેશન ઓફિસર જગદીશ ઢાંકીની હાજરીમાં વોર્ડ નં. 7 વિસ્તારમાં ચેકિંગ દરમિયાન સ્પેશ્યલ આર્ટ એન્ડ ક્રાફટ શોપિંગ સેલ્સ દ્વારા રિક્ષા મારફતે પ્રચાર કરતી વખતે જાહેર માર્ગ પર પેમ્પ્લેટ અને લીફલેટ ફેંકાતા હોવાનું સામે આવતા, આ બાબતે વોર્ડના સેનિટરી સબ ઇન્સ્પેક્ટર દિનેશ સાદીયા દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી પેમ્પ્લેટ ફેંકવાની પ્રવૃત્તિ બંધ કરાવવામાં આવી હતી અને જાહેરમાં કચરો ફેંકવાના ગુનામાં રૂ. 5 હજારનો દંડ ફટકાર્યો હતો.પોરબંદર મનપા દ્વારા તમામ પ્રચાર એજન્સીઓને ચેતવણી આપવામાં આવી છે કે ભવિષ્યમાં જાહેરમાં પેમ્પ્લેટ અથવા લીફલેટ ફેંકવામાં આવશે તો નિયમ મુજબ રૂ. 5 હજાર સુધીનો દંડ વસૂલ કરવામાં આવશે. ઉપનિયમો મુજબ જાહેરમાં કચરો ફેંકવાના કિસ્સામાં રૂ. 100થી રૂ. 5 હજાર સુધીનો દંડ લાગુ પડશે.
જીવામૃત:છાણ, ગૌમૂત્ર, ગોળ, ચણાનો લોટ, અને માટી દ્વારા તૈયાર કરો ખેતી માટેનું અમૃત
પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતીશીલ ખેડુતો માટે ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક કૃષિના પ્રણેતા અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પુસ્તક “પ્રાકૃતિક કૃષિ”માં જીવામૃત બનાવવાની સંપુર્ણ પદ્ધતી સરળ રીતે સમજાવવામાં આવી છે. પુસ્તકમાં જણાવાયુ છે કે, વારંવાર પ્રયોગ કર્યા પછી પરિણામ નીકળ્યુ કે એક એકર જમીન માટે 10 કિ.ગ્રા. છાણની સાથે ગૌમૂત્ર, ગોળ અને દ્વિદળી બીજનો લોટ અથવા ચણાનો લોટ બધુ ભેળવીને ઉપયોગમાં લેવાથી ચમત્કારીક પરિણામ મળે છે. આખરે એક ફોર્મુલા તૈયાર કરવામાં આવી તેનું નામ રાખવામાં આવ્યુ જીવામૃત.જેમાં 10 કિ.ગ્રા. દેશી ગાયનું છાણ, 1.5-2 કિ.ગ્રા. ચણાનો લોટ, 8-10 લીટર દેશી ગાયનું મૂત્ર, 180 લીટર પાણી, 1.5-2 કિ.ગ્રા. ગોળ અને 500 ગ્રામ ઝાડની નીચેની માટી સહિત તમામ વસ્તુઓને પ્લાસ્ટિકના એક પીપમાં નાખીને લાકડાના ડંડાથી મિશ્ર કરવું અને આ મિશ્રણને બે થી ત્રણ દિવસ સુધી સડવા માટે છાયામાં મૂકી દેવુ અને દરરોજ બે વાર સવાર-સાંજ ઘડિયાળના કાંટા ફરવાની દિશામાં લાકડાના ડંડાથી બે મિનીટ ફેરવવું અને જીવામૃતને કોથળાથી ઢાકી દેવું. એના સડવાથી એમોનિયા, કાર્બન ડાઈઓક્સાઈડ, મીથેન જેવા હાનીકારક વાયુઓનું નિર્માણ થાય છે. ઉનાળામાં જીવામૃત બન્યા પછી સાત દિવસ સુધી ઉપયોગમાં લઈ લેવું જોઈએ અને શિયાળામાં 8 થી 15 દિવસ સુધી તેનો ઉપયોગ કરી શકાય. વધુમાં વધુ 7400 કરોડ જીવાણુંઓ જોવા મળ્યાડિસેમ્બર મહિનામાં ગુરુકુલમાં તૈયાર કરવામાં આવેલ જીવામૃત ઉપર એક વૈજ્ઞાનિક સંશોધન કરેલ જેમાં જીવામૃત તૈયાર કર્યાના 14 દિવસ પછી વધુમાં વધુ 7400 કરોડ જીવાણુંઓ (બેક્ટેરિયા) જોવા મળ્યા હતાં. તે પછી તેની સંખ્યા ઘટવી શરૂ થઈ. ગોળ અને ચણાનો લોટ બંનેએ જીવાણુંઓને વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી. છાણ, ગૌમૂત્ર અને માટીને ભેળવવાથી જીવાણુંઓની સંખ્યા ફક્ત ત્રણ લાખ જોવા મળેલ. જયારે તેમાં ચણાનો લોટ ભેળવ્યો તો તેની સંખ્યા વધીને 25 કરોડ થઈ ગઈ અને જયારે આ ત્રણમાં ચણાના લોટની જગ્યાએ ગોળ ભેળવવામાં આવ્યો છે.
પોરબંદર શહેરના દર શિયાળે વિવિધ જળાશયોમાં અન્ય રાજ્ય અને વિદેશથી આવતા પક્ષીઓ મહેમાન બને છે. પોર બંદરના જળાશયોમાં ખારા અને મીઠા પાણી મેળવવા આવતા ફ્લેમિંગો અને કુંજ પક્ષીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.આ વર્ષે દિવાળી સમયે ધોધમાર કમોસમી વરસાદ વરસતા કચ્છના રણમાં શિયાળે પણ પાણી ભરાયેલ જોવા મળી રહ્યા છે જેથી આ પક્ષીઓ પોરબદરને બદલે કચ્છના રણમાં જ રોકાઈ ગયા છે.પોરબંદરમાં તાજેતરમાં યોજાયેલ પક્ષી ગણતરીમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 46574 ફ્લેમિંગો અને 95724 કુંજ પક્ષીઓ ઘટયા છે તો ખાસ પ્રજાતિના 23 પક્ષીઓ વધુ જોવા મળ્યા છે. 2024 -25માં નોંધાયેલા પક્ષીની સંખ્યા પક્ષી ગણતરી દરમ્યાન વર્ષ 2014માં સૌથી વધુ 959358 પક્ષીની સંખ્યા નોંધાઈ હતી જ્યારે વર્ષ 2025ની પક્ષી ગણતરીમાં 226 પ્રજાતિના પક્ષીઓ નોંધાયા હતા. 2025માં કુલ 376937 પક્ષીની સંખ્યા નોંધાઈ હતી. 2026ની પક્ષી ગણતરી : પક્ષીઓના નામ અને તેની સંખ્યા પક્ષી ગણતરી દરમ્યાન વિવિધ વેટલેન્ડ ખાતે નોંધાયેલ મહત્વના પક્ષીઓની સંખ્યામાં કાજિયા પક્ષી 6726, કુંજ પક્ષી 49846, બતક અને હંસ 149418, હંજ 17968, ડૂબકી 2205, ધોમડા અને વા બગલી 27545, બગલા 3200, કાંકણસાર અને ચમચા પક્ષી 1332, જલ માંજર 42 પક્ષી, કલકલિયા 206, અન્ય પક્ષી 82803, પેણ પક્ષી 2455, ભગતડા અને સંતાકુકડી 41443, શિકારી પક્ષીઓ 245, ઢોંક 484, કીચડિયા પક્ષી 18520 અને ખંજન અને ધાનચીડી 1264 પક્ષીની સંખ્યા નોંધાઈ હતી. 2025માં નોંધાયેલા પક્ષીઓ ફ્લેમિંગો:- 64542(2025) કુંજ:- 1,4 5,570(2025) બતક અને હંસ:- 6 7,152(2025) ઘોમડાં અને વા બગલી:-237 96 કિચડિયા:- 11271(2025) અન્ય:- 3 27 03(2025) કુલ:- 3 ,76,937(2025) ખાસપ્રજાતી :-226(2025) પક્ષીઓ રણમાં ઇંડા મૂકી ત્યાં જ રોકાઇ ગયા દર વર્ષે પોરબંદરના વિવિધ જળાશયોમાં જોવા મળતા કુંજ,ફ્લેમિંગો સહિતના પક્ષીઓ આ વર્ષે કચ્છમાં જ રોકાઈ ગયા.આ વર્ષે કમોસમી વરસાદને લીધે કચ્છના રણમાં પાણી ભરાયેલ હોવાથી આ પક્ષીઓ ઈંડા મૂકી ત્યાં જ રોકાઈ ગયા છે. > ઉદયભાઈ વોરા,પક્ષીવિદ
પોરબંદરના માર્કેટયાર્ડ ખેડૂતોની જણસીની આવક થતી હોય છે.યાર્ડમાં મગફળી, ઘઉં, અડદ,જુવાર, ચણા, જીરું સહિતના પાકની આવકમાં નોંધાઇ છે. પોરબંદરના યાર્ડમાં સૌથી વધુ મગફળીની 4000 કિલો આવક અને ભાવ રૂ.1025 થી 1300 બોલાયા હતા જ્યારે સૌથી ઓછી આવક જુવારની રહી હતી.જુવારની 100 કિલો આવક અને ભાવ 1090 બોલાયા હતા. પોરબંદરમાં માર્કેટયાર્ડમાં અલગ અલગ વિભાગમાં ખેડૂતોના પાકની આવક થતી હોય છે.પોરબંદરના માર્કેટયાર્ડ હાલ આવકમાં ઘટાડો નોંધાયો છે. યાર્ડમાં આવેલ તેલીબિયાં વિભાગ,શાકભાજી વિભાગ,ફ્રૂટ વિભાગ સહિતના વિભાગ આવેલ છે ત્યારે પોરબંદરના યાર્ડમાં તેલીબિયાં વિભાગમાં આવતી જણસીની આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે. યાર્ડમાં શુક્રવારે સૌથી વધુ મગફળીની 4000 કિલો, ચણાની 1700 કિલો અને જીરુની 3000 કિલો,ઘાણાની 900 કિલો, ઘઉંની 1400 કિલો આવક જોવા મળી રહી છે.યાર્ડમાં મગફળીના પ્રતિમણે રૂ.1025 થી 1300 ભાવ, જીરુના રૂ.3400 થી 4125 ભાવ અને ચણાના રૂ.1080 થી 1500 સુધીના ભાવ બોલાયા હતા. સૌથી ઓછી આવક જુવારની રહી હતી. જુવારમાં 100 કિલોની આવક નોંધાઈ હતી અને ભાવ 1090 રહ્યા હતા. અડદની 1400 કિલોની આવક નોંધાઈ હતી અને ભાવ રૂ. 1280 થી 1330 રહ્યા હતા. પોરબંદરના યાર્ડમાં હાલ વિવિધ જણસીની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો યાર્ડમાં મગફળીના ભાવ પણ ખેડૂતો ઓછા મળી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. 900 કિલો સોયાબીનની આવક નોંધાઈ યાર્ડ ખાતે શુક્રવારે સોયાબીનની આવક પણ નોંધાઈ હતી. 900 કિલો સોયાબીનની આવક નોંધાઈ છે રૂ.925 થી 1025 સુધીના ભાવ બોલાયા હતા.
આદિપુર સ્થિત તોલાણી કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ ખાતે IQAC હેઠળ આયોજિત આંતરરાષ્ટ્રીય પરિસંવાદ રોલ ઓફ લાઇફ સાયન્સિઝ ઇન વિઝન ઇન્ડીયા 2047માં પોરબંદરની મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજના વનસ્પતિશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો. ભુપેન્દ્રસિંહ જાડેજાએ 2047ના ટકાઉ ભારતના આર્કિટેક્ટ તરીકે વનસ્પતિઓ વિષય પર ઊંડાણપૂર્વકનું વ્યાખ્યાન આપ્યું હતું. આ પરિસંવાદમાં 670થી વધુ પ્રોફેસરો, સંશોધકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વક્તા તરીકે પોરબંદરના ડૉ. ભુપેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, ભારતને 2047 સુધી આત્મનિર્ભર અને ટકાઉ દેશ બનાવવો હોય તો વિકાસમાં વનસ્પતિ કેન્દ્રિત વિચારસરણી અનિવાર્ય છે. વનસ્પતિઓ પર્યાવરણ, અર્થતંત્ર અને સામાજિક સુખાકારીના આધારસ્તંભ છે.જંગલો અને મેન્ગ્રોવ હવામાન પરિવર્તન સામે ઢાલ બની કાર્બન સંગ્રહ કરે છે, દરિયાકાંઠાને કુદરતી આપત્તિથી બચાવે છે અને જૈવવિવિધતા જાળવે છે. ક્ષાર સહનશીલ અને હેલોફાઇટિક વનસ્પતિઓ જમીનની ગુણવત્તા જાળવી રાખી કૃષિ ઉત્પાદન વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.ખાદ્ય અને પોષણ સુરક્ષા અંગે તેમણે એકપાકીય ખેતી છોડીને વૈવિધ્યસભર અને સ્થાનિક પાક પ્રણાલી અપનાવવાની જરૂરિયાત જણાવી હતી. ઔષધીય અને સુગંધિત વનસ્પતિઓનું વૈજ્ઞાનિક સંવર્ધન ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવે છે અને ગ્રીન ઇનોવેશન માટે પરંપરાગત જ્ઞાન સાથે બાયોટેકનોલોજીનું સંકલન જરૂરી ગણાવ્યું હતું. પ્રકૃતિ સાથે સુમેળ રાખતો વિકાસ જ સાચો વિકાસ છે શહેરીકરણ વચ્ચે હરિયાળીનું મહત્વ સમજાવતા ડો. જાડેજાએ કહ્યું હતુંકે વૃક્ષો અને બગીચા પ્રદૂષણ ઘટાડે છે, તાપમાન નિયંત્રિત કરે છે અને માનસિક આરોગ્યમાં સુધારો લાવે છે. પ્રકૃતિ સાથે સુમેળ રાખતો વિકાસ જ સાચો વિકાસ છે તેવું જણાવ્યું હતું.આ પરિસંવાદે જીવન વિજ્ઞાન ક્ષેત્રે ટકાઉ ભારત નિર્માણ માટે નવી દિશા અને દ્રષ્ટિ પ્રદાન કરી હોવાનું પ્રતિભાવો વ્યક્ત થયા હતા.
ઠગાઈ:યુપીની પેઢી પાસેથી ચોખા ખરીદ કરી રૂ.47.35 લાખની છેતરપિંડી
પોરબંદરની એક પેઢીના આરોપીએ યુપીની પેઢી પાસેથી 43 ટન ચોખા મંગાવ્યા હતા અને તે પૈકી રૂ.47.35 લાખ પેમેન્ટ ન ચુકવી અને બહાના બનાવી રકમ અટકાવી રાખી છેતરપિંડી આચરતા આ અંગે ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના નોઘણ રામભાઈ ઓડેદરા નામના આરોપીએ પોતાની ઇન્ફિનિટી કોર્પોરેશન નામની પેઢી મારફત ઉતરપ્રદેશના વિપીનભાઇ ચૈલબિહારી ભટનાગરની એસ.એ.ઓવરસીસ નામની પેઢી પાસેથી તા.20/7/2024 ના રોજ 43 ટન ચોખાની ખરીદી કરેલ જેની બીલ મુજબ કિ.રૂ.49.85 લાખ થતી હતી. તે પૈકી રૂ. 2.50 લાખ રૂપિયાની ચૂકવણી કરી હતી અને બાકી રહેતી રકમ રૂ.47,35,000 આજદિન સુધી ચૂકવ્યા ન હતા. પૂર્વનિયોજિત રીતે શરૂઆતથી જ છેતરપીંડીની મન્સા રાખી માલ મંગાવી પેમેન્ટ ચૂકવ્યું ન હોય અને ખોટા પેમેન્ટ ટ્રાન્સફરના સ્ક્રીનશોટ મોકલી, તારીખ વગરના ચેક આપી અને અલગ-અલગ બહાના બનાવી રકમ અટકાવી રાખી હોવાથી છેતરપીંડી વિશ્વાસધાત કર્યા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે નોઘણ રામ ઓડેદરા સામે ગુન્હો નોંધી આગળની તપાસ એલસીબી પીઆઈ આર.કે. કાંબરિયા ચલાવી રહ્યા છે. ઉલ્લેખનીય છેકે, આરોપીની ઓફિસ દેગામ ગામે હોવાથી ફરિયાદ બગવદર પોલીસ મથકે નોંધાઈ છે.

33 C