SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

32    C
...

આમોદમાં મગરના આતંકનો અંત:વન વિભાગે હુમલાખોર મગરને પાંજરે પકડ્યો, નિકોએ રાહત અનુભવી

ભરૂચ જિલ્લાના આમોદમાં થોડા દિવસોથી ફેલાયેલા મગરના આતંકનો અંત આવ્યો છે. વન વિભાગે હુમલાખોર મગરને પાંજરે પકડ્યો છે, જેનાથી સ્થાનિકોએ રાહત અનુભવી છે. તાજેતરમાં અશરફ પટેલ પર મગરે હુમલો કર્યો હતો, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ હતો. આ ઘટનાને ગંભીરતાથી લઈને વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. અધિકારીઓએ તળાવ વિસ્તારમાં સઘન શોધખોળ કરી હતી. અંતે, હુમલાખોર મગરને પાંજરે પૂરવામાં સફળતા મળી હતી. મગર પકડાતા ગ્રામજનોમાં રાહતની લાગણી પ્રસરી છે, કારણ કે તેઓ રોજિંદા કામકાજ માટે તળાવ અને આસપાસના વિસ્તારોમાં અવરજવર કરતા હોય છે. વન વિભાગે લોકોને જળાશયોની આસપાસ સાવચેત રહેવા અને સતર્કતા જાળવવા અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 3:53 pm

રત્નદીપ યોજનામાં સહાય ન મળતા કલેક્ટરને આવેદનપત્ર અપાયું.:જૂનાગઢના રત્નકલાકારોમાં ઉગે રોષ; 2892 માંથી માત્ર 676 ને જ સહાય મળતા કલેક્ટરને અપાયું આવેદનપત્ર, ટેકનિકલ ભૂલો સુધારવા તક આપવા માંગ.​

​જૂનાગઢ જિલ્લાના રત્નકલાકારો છેલ્લા લાંબા સમયથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી રત્નદીપ સહાય યોજનામાં વહીવટી અવરોધો આવતા આજે રત્નકલાકારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં એકત્રિત થયેલા રત્નકલાકારોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને પોતાની પડતર માંગણીઓ અને સહાયના પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું. આ અહેવાલમાં રત્નકલાકારોએ સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે યોજનાના અમલીકરણમાં ટેકનિકલ ખામીઓને આગળ ધરીને શ્રમિકોને તેમના હકથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. જૂનાગઢ રત્નકલાકાર યુનિયનના લીડર કેતન હીરપરાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે અમે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રત્નકલાકારોની વેદના રજૂ કરી છે. રત્નદીપ સહાય યોજના અંતર્ગત કુલ 2892 જેટલા રત્નકલાકારોએ ઓનલાઈન ફોર્મ ભર્યા હતા, પરંતુ આશ્ચર્યજનક રીતે તેમાંથી માત્ર 676 કલાકારોને જ આર્થિક સહાય પ્રાપ્ત થઈ છે. બાકીના મોટી સંખ્યામાં કલાકારો સહાયથી વંચિત રહી ગયા છે. કેતન હીરપરાએ વધુમાં ઉમેર્યું હતું કે જ્યારે આ બાબતે જિલ્લા ઉદ્યોગ અધિકારીની કચેરીએ તપાસ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે ઘણી અરજીઓમાં માત્ર તારીખને બદલે મહિનો અને વર્ષ લખેલું હોવા જેવી સામાન્ય ટેકનિકલ ક્ષતિઓને કારણે અરજીઓ સીધી જ નામંજૂર કરી દેવામાં આવી છે. તેમણે સરકારને વિનંતી કરી છે કે રત્નકલાકાર વર્ગ અભણ અને અજ્ઞાત હોવાથી આવી નાની ભૂલો થઈ શકે છે, પરંતુ તેના આધારે તેમને સહાયથી વંચિત ન રાખવા જોઈએ અને અરજીમાં સુધારો કરવાની તક આપવી જોઈએ. ​બીજી તરફ, અન્ય એક અગ્રણી રત્નકલાકાર જિતેન્દ્ર ઠાકરે પણ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે રત્નદીપ સહાય યોજનાના લાભાર્થીઓમાં માત્ર 20 ટકા કલાકારોનો જ સમાવેશ થયો છે, જ્યારે 80 ટકા જેટલો મોટો વર્ગ હજુ પણ આ સહાયની રાહ જોઈ રહ્યો છે. તેમણે કલેક્ટરને તાત્કાલિક ધોરણે આ સહાય મંજૂર કરવા વિનંતી કરી છે. જિતેન્દ્ર ઠાકરે સરખામણી કરતા જણાવ્યું કે સરકારના વિવિધ વિભાગોમાં અધિકારીઓ માટે આઠમો પગાર પણ લાગુ થઈ ચૂક્યો છે અને તેમને મોંઘવારી ભથ્થા જેવી અનેક સુવિધાઓ મળે છે, પરંતુ તેની સામે રત્નકલાકારોની હાલત અત્યંત દયનીય છે. છેલ્લા 20 વર્ષમાં રત્નકલાકારોના મહેનતાણાના દરમાં કોઈ મોટો વધારો થયો નથી, જ્યારે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ બમણા થઈ ગયા છે. જૂનાગઢના રત્નકલાકારોએ સરકાર પાસે ન્યાયની માંગ કરી છે. કલાકારોનું કહેવું છે કે જો વહીવટી તંત્ર માનવીય અભિગમ અપનાવીને અરજીઓની ટેકનિકલ ખામીઓ સુધારવાની મંજૂરી આપે, તો સેંકડો પરિવારોને આર્થિક ટેકો મળી શકે તેમ છે. આવેદનપત્રમાં એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે રત્નકલાકારો આ આર્થિક સ્થગિતતા વચ્ચે જો સહાય મેળવવામાં નિષ્ફળ રહેશે તો તેમની સ્થિતિ વધુ કફોડી બનશે. હવે જોવાનું એ રહેશે કે જિલ્લા વહીવટી તંત્ર અને સરકાર રત્નકલાકારોની આ વ્યાજબી માંગણીઓ પર કેવા પ્રકારના પગલાં ભરે છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 3:50 pm

દમણ પોલીસે કડૈયામાં બે સ્થળે દરોડા પાડ્યા:₹19 લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કર્યો

દમણ પોલીસે ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરી છે. કોસ્ટલ પોલીસ સ્ટેશન કડૈયાના સ્ટાફે બાતમીના આધારે અને પેટ્રોલિંગ દરમિયાન સતર્કતા દાખવી કડૈયામાં બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં ₹19 લાખથી વધુનો વિદેશી દારૂ અને એક લક્ઝરી કાર જપ્ત કરવામાં આવી છે. પ્રથમ દરોડામાં, પોલીસ ટીમ ભીમપોર સ્થિત કુંડ ફળિયા પાસેની સ્મશાન ભૂમિ નજીક પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યાં એક બંધ ગોડાઉન શંકાસ્પદ જણાતા પોલીસે તેની તપાસ કરી હતી. ગોડાઉનમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 485 પેટીઓ મળી આવી હતી, જેની અંદાજિત કિંમત ₹14,06,240/- છે. બીજી કાર્યવાહી શીતલ પેટ્રોલ પંપ પાસે કરવામાં આવી હતી. એક મકાન સામેના પતરાના શેડમાં તપાસ કરતા પોલીસને 116 પેટી વિદેશી દારૂ અને ₹8,225/- ની છૂટક ક્વાર્ટર બોટલો મળી આવી હતી. આ દારૂની અંદાજિત કિંમત ₹4,97,220/- છે. આ જ સ્થળેથી દારૂની હેરાફેરીમાં ઉપયોગ થતી હોવાની શંકા સાથે GJ-05-GU-5617 નંબરની એક કાળા રંગની બોલેરો કાર પણ જપ્ત કરવામાં આવી હતી, જેની અંદાજિત કિંમત ₹4,25,000/- છે. સમગ્ર કાર્યવાહીમાં કુલ 601 પેટી ગેરકાયદેસર દારૂ ઝડપાયો છે, જેની કુલ કિંમત ₹19,11,685/- થાય છે. વાહન સહિત કુલ મુદ્દામાલની અંદાજિત કિંમત ₹23 લાખથી વધુ આંકવામાં આવી છે. પોલીસે જપ્ત કરાયેલો તમામ મુદ્દામાલ આગળની તપાસ અને કાર્યવાહી માટે આબકારી વિભાગને સોંપી દીધો છે. દમણ પોલીસે જણાવ્યું છે કે ગેરકાયદેસર દારૂ વિરુદ્ધનું અભિયાન સતત ચાલુ રહેશે અને આવા ગુનાઓમાં સંડોવાયેલા શખ્સો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 3:47 pm

કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રમિકનો આપઘાત:માંજલપુર વિસ્તારમાં યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી, યુવક મૂળ બિહારનો હોવાનું સામે આવ્યું

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આપઘાતનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર છૂટક મંજુરી સેન્ટિંગ કામ કરતો હતો અને આજે રજા પાડી રોકાયો હતો. આ દરમિયાન અગમ્ય કારણોસર સવારે નવ વાગ્યા આસપાસ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. માંજલપુર પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યોઆ યુવક મૂળ બિહારનો હોવાનું સામે આવ્યું છે. તેનું નામ દાનિશ અસજરે ( ઉંમર વર્ષ 20) અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. તે GIDC ગેઈટ સામે આવેલા લકી એપાર્ટમેન્ટમાં શ્રમિક તરીકે કામ કરતો હતો અને સેન્ટિંગનું કામ કરતો હતો. આ પગલું ભરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ યુવકે આજે કામગીરીમાંથી રજા લીધી હતી અને તે કન્સ્ટ્રક્શન સાઇટના ત્રીજા માળે હતો અને ત્યાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનામાં માંજલપુર પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડ્યો છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને તેના પરિવારને સોંપવામાં આવશે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને યુવકે આપઘાત શા માટે કર્યો છે તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે. આ યુવક શ્રમિક તરીકે પોતાના સંબંધી સાથે અહીંયા રહેતો હતો અને સેન્ટીંગનું કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. આ બનવાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 3:45 pm

બાપુનગરમાં ચાની કીટલી પર લુખ્ખાઓનો આતંક, CCTV:સામાન્ય બાબતમાં ત્રણ શખસો એક યુવક પર ધોકા-કુહાડી લઈ તૂટી પડ્યા, દોડાવી દોડાવીને માર્યો

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. ત્રણ યુવકો વિસ્તારમાં દાદાગીરી કરતા હોવા અંગેનો વિરોધ યુવક દ્વારા કરવામાં આવતા તેના ઉપર દાઝ રાખી અને ગાળો બોલી હથિયારો વડે માર માર્યો હતો. ટી- સ્ટોલ પર હથિયારો વડે તૂટી પડ્યા હતા. લાકડીઓ અને ખુરશીઓ વડે મારતા જીવ બચાવવા માટે યુવક ભાગ્યો હતો. ત્યારે તેનો પીછો કરી અને ફરીથી પકડી અને હથિયારો તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ મામલે બાપુનગર પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. PI બદલાતા અસામાજિક તત્વો ફરી સક્રિય થઈ ગયાશહેરના બાપુનગર વિસ્તારમાં નવા પીઆઇ આવતાની સાથે જ અસામાજિક તત્વો ફરીથી સક્રિય થઈ ગયા છે. બાપુનગર વિસ્તારમાં એકવાર કાયદો વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા યુવકને દોડાવી દોડાવીને માર માર્યો છે. બાપુનગરમાં રહેતા અને સ્ટીમ પ્રેસનું કામ કરતા સાહિલ શેખે બાપુનગર પોલીસ સ્ટેશનમાં અયાન ઉર્ફે માયા, ફૈઝાન ઉર્ફે ભીમ પઠાણ અને આવેશ મિર્ઝા વિરૂદ્ધ હુમલાની ફરિયાદ કરી છે. મોડીરાતે સાહિલ શેખ ટી સ્ટોલ પર ગયો હતો ત્યારે ત્યારે અયાન, ફૈઝાન અને આવેશ આવ્યા હતા. બાપુનગર વિસ્તારમાં તેઓ દાદાગીરી કરતા હોવાને લઈને સાહિલે વિરોધ કર્યો હતો જેને લઈ તેની ઉપર દાજ રાખતા હતા. ત્રિપુટીની દાદીગીરી સામે અવાજ ઉઠાવનાર યુવક પર હુમલોત્રણેયની દાદાગીની સામે સાહિલ વાંધો ઉઠાવતો હોવાથી તેની સાથે બબાલ કરવા આવ્યા હતા. સાહિલ કઈ વિચારે તે પહેલા ત્રણેય માથાભારે તત્વોએ ગાળો આપવાની શરૂ કરી દીધી હતી અને હથિયારો લઈને માર માર્યો હતો. જીવ બચાવવા માટે પોતે ત્યાંથી અજીત મિલ કમ્પાઉન્ડ તરફ ભાગ્યો હતો ત્યારે ત્યાં પણ તેનો પીછો કર્યો હતો અને પાછળથી સાહિલના માથામાં કુહાડી મારતા તે જમીન પર ઢળી પડ્યો હતો. ત્રણેય હુમલાખોરોએ સાહિલને દંડા અને પાઈપથી મારતા હતા. આસપાસના લોકો આવી જતા ત્રણેયે ધમકી આપી કે હવે જો અમારો વિરોધ કર્યો તો તને જાનથી મારી નાખીશુ. ઈજાગ્રસ્ત સાહિલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યારે બાપુનગર પોલીસે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 3:42 pm

જામનગરમાં ચૂંટણી પૂર્વે પોલીસનું મેગા કોમ્બિંગ:DYSP ઝાલાના નેતૃત્વમાં સંવેદનશીલ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ

જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે કડક કાર્યવાહી કરી છે. ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના નેતૃત્વમાં શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં મધરાતે મેગા કોમ્બિંગ અને સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. આ ઓપરેશનમાં ડીવાયએસપી ઝાલા સાથે વિવિધ પોલીસ સ્ટેશનના પી.આઈ. અને પી.એસ.આઈ. સહિતનો મોટો પોલીસ કાફલો જોડાયો હતો. ચૂંટણી પહેલાં અસામાજિક તત્વો પર નિયંત્રણ મેળવવાનો આ સઘન પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. પોલીસે શહેરના પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો તેમજ જૂના શહેરના સાંકડા વિસ્તારોમાં સઘન કોમ્બિંગ કર્યું. રાત્રિ દરમિયાન શંકાસ્પદ વાહનોનું એફ.એસ.એલ. અને અન્ય ટેકનિકલ સાધનોની મદદથી ઝીણવટભર્યું ચેકિંગ કરાયું હતું. અગાઉ ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોના રહેઠાણો પર પણ તપાસ કરાઈ હતી. તેમની ગતિવિધિઓ પર નજર રાખવા સૂચનાઓ અપાઈ હતી. જાહેર માર્ગો અને ચોક વિસ્તારોમાં પોલીસની હાજરી વધારીને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાનો ભાવ જગાડવાનો પ્રયાસ કરાયો હતો. જામનગર પોલીસ વિભાગે જણાવ્યું કે, ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને લોકો નિર્ભય બનીને લોકશાહીના પર્વમાં ભાગ લઈ શકે તે માટે જામનગર પોલીસ કટિબદ્ધ છે. રાત્રિ પેટ્રોલિંગ અને ચેકિંગની આ પ્રક્રિયા આગામી દિવસોમાં વધુ તેજ બનાવાશે. પોલીસની આ આક્રમક કામગીરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બીજી તરફ, શહેરીજનોમાં તંત્રની આ સતર્કતાને લઈને સંતોષ જોવા મળ્યો છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 3:37 pm

છોટા ઉદેપુરમાં મતદાન જાગૃતિ માટે હ્યુમન ચેઇન બની:કલેક્ટર ગાર્ગી જૈને મતદારોને મતદાન કરવા અપીલ કરી

છોટા ઉદેપુર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મતદારોમાં જાગૃતિ લાવવા માટે એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગાર્ગી જૈનના નેતૃત્વ હેઠળ એક કિલોમીટર લાંબી હ્યુમન ચેઇન બનાવવામાં આવી હતી.આ હ્યુમન ચેઇન છોટા ઉદેપુર નગરના પેટ્રોલ પંપ ચોકડીથી માણેકચોક સુધી લંબાવવામાં આવી હતી. તેમાં શાળાના બાળકો અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આગામી ૨૬ એપ્રિલના રોજ યોજાનારી ચૂંટણીમાં નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા માટે પ્રેરિત કરવાનો હતો. આ પ્રસંગે કલેક્ટર ગાર્ગી જૈને તમામ મતદારોને ચૂંટણીમાં સક્રિયપણે ભાગ લેવા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 3:29 pm

નારી શક્તિ અધિનિયમ બિલ અંગે કોંગ્રેસ આમને સામને:મનીષા વકીલે કહ્યું: ‘ઇન્ડિયા’ ગઠબંધનની નારી વિરોધી માનસિકતાને કારણે બિલ પસાર ન થયું, મુકુલ વાસનિકે કહ્યું: ભાજપ ખોટું બોલે છે. લોકોની આંખમાં ધૂળ નાંખે છે

નારી શક્તિ અધિનિયમ બિલ અંગે ભાજપે વડોદરા શહેરમાં આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષા વકીલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસે પણ મહિલા આરક્ષણ બિલની સચ્ચાઈ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ઓલ ઇંડિયા કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી મુકુલ વાસનિકે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા ખાસ હાજર રહ્યા હતા અને મુકુલ વાસનિકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષા વકીલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને ‘ઇન્ડિયા’ ગઠબંધનના પક્ષોની નારી શક્તિ વિરોધી માનસિકતાને કારણે આ સુધારા બિલ પસાર થઈ શક્યું નથી. આ પક્ષોએ નારી શક્તિ વંદન અધિનિયમના અમલમાં અવરોધો ઊભા કરવાનું મોટું પાપ કર્યું છે, જેનાથી દેશની કરોડો મહિલાઓનું મનોબળ તૂટ્યું છે. આઝાદીના દાયકાઓ સુધી એકહથ્થુ શાસન કરનાર કોંગ્રેસ પાર્ટી હંમેશા નકારાત્મક રાજનીતિ જ કરતી આવી છે. દેશના વિકાસ અને નીતિ ઘડતરમાં બહેનોના સન્માનજનક યોગદાનનો આ એક શ્રેષ્ઠ અવસર હતો, પરંતુ કોંગ્રેસે હંમેશાની જેમ તેનો પણ વિરોધ કર્યો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને ‘ઇન્ડીયા’ ગઠબંધને અત્યાર સુધી માત્ર પરિવારવાદને પોષવાનું કામ કર્યું છે. મોદી સાહેબના નેતૃત્વમાં દેશમાં જે રિફોર્મ્સ થઈ રહ્યા છે, તે કોંગ્રેસ કલ્ચરવાળા લોકો સહન કરી શકતા નથી. તેમને ડર છે કે જો આ અધિનિયમ લાગુ થઈ જશે, તો સામાન્ય પરિવારની બહેનોને પણ સંસદ અને વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરવાની તક મળશે. મહિલાઓના હિતોની અવગણના કરવી એ કોંગ્રેસની જૂની આદત છે. કોંગ્રેસના સમયમાં મહિલાઓને બેંક ખાતા, સ્વાસ્થ્ય સુરક્ષા અને ત્રિપલ તલાકમાંથી મુક્તિ જેવી મૂળભૂત સુવિધાઓ અને સ્વતંત્રતાથી પણ વંચિત રાખવામાં આવી હતી. ‘લટકાવવા, ભટકાવવા અને અટકાવવા’નું કોંગ્રેસનું વલણ દેશ માટે ખૂબ નુકસાનકારક રહ્યું છે. તેઓએ કહ્યું કે, કોંગ્રેસે માત્ર મહિલા બિલ જ નહીં, પરંતુ 'વન નેશન વન ઇલેક્શન', SIR, UCC, શરણાર્થીઓને સુરક્ષા આપવાનો કાયદો (CAA), જનધન યોજના, આધાર અને ડિજિટલ પેમેન્ટ જેવા અનેક લોકહિતના સુધારાઓનો પણ વિરોધ કર્યો છે. કોંગ્રેસની આ બે મોઢાની રાજનીતિ આજે જનતા સમક્ષ ખુલ્લી પડી ગઈ છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી શ્રી મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે, મેં ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો રાષ્ટ્રજોગ સંદેશ ચોક્કસ સાંભળ્યો છે. જ્યારે પ્રધાનમંત્રી રાષ્ટ્રના નામે સંદેશ આપે છે, ત્યારે તે ખરેખર રાષ્ટ્રહિતનો સંદેશ હોવો જોઈએ. પરંતુ અહીં એવું જોવા મળ્યું નથી. તેઓ પ્રધાનમંત્રી તરીકે બોલી રહ્યા હતા, પણ તેમનું વક્તવ્ય એક ભાજપના નેતા જેવું વધુ લાગતું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, તેમના 29 મિનિટના ભાષણમાં 58 વાર 'કોંગ્રેસ'નું નામ લેવામાં આવ્યું. તેમણે સતત કોંગ્રેસ અને વિપક્ષ પર આરોપો લગાવ્યા. આ મહિલા અનામત માટેનું સંશોધન નહોતું, પણ જનતાને ગેરમાર્ગે દોરવાનો એક પ્રયાસ હતો. બિલ તો 22 સપ્ટેમ્બર 2023ના રોજ સંસદમાં સર્વસંમતિથી પસાર થઈ ગયું છે, એટલે હવે 'મહિલા અનામત' એ વિષય જ રહ્યો નથી. જો હવે પ્રધાનમંત્રી કે ભાજપના નેતાઓ આ મુદ્દે બોલે છે, તો તે ખોટું છે. તેઓ લોકોની આંખમાં ધૂળ નાખવાનું કામ કરી રહ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રીની દાનત આ સંશોધનને ખરેખર મંજૂર કરવાની નહોતી. તમારી પાસે બે-તૃતીયાંશ બહુમતી નથી, તો શું તમે વિપક્ષ સાથે વાત કરી? વિપક્ષે તો સર્વદલીય બેઠકની માંગ કરી હતી, સંસદીય સમિતિને બિલ મોકલવા કહ્યું હતું, પણ તમે કશું જ ન કર્યું. કોઈ ચર્ચા વગર, સીમાંકનના મુદ્દે ગૂંચવીને છેલ્લી ઘડીએ આ બિલ લાવવામાં આવ્યું. તેઓએ કહ્યું કે, મોદીજીએ વિચાર્યું હશે કે જો બિલ પાસ થશે તો તેઓ મહિલાઓના 'મસીહા' બનશે, અને જો નહીં થાય તો વિપક્ષ પર દોષ ઢોળશે. પણ હવે દેશની જનતા સમજી ગઈ છે. 12 વર્ષથી લોકો તેમને જોઈ રહ્યા છે. તેમની કથની અને કરણી વચ્ચેનો તફાવત હવે સ્પષ્ટ છે. હવે લોકો તેમની આવી વાતોમાં આવવાના નથી.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 3:18 pm

વિશ્વ હિન્દુ પરિષદનો જિલ્લા અભ્યાસ વર્ગ યોજાયો:નારણપુરા ખાતે સંગઠનના કાર્યકર્તાઓને માર્ગદર્શન અપાયું

અમદાવાદના નારણપુરા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા જિલ્લા અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ગમાં પ્રાંત, વિભાગ, જિલ્લા અને પ્રખંડ સ્તરના કાર્યકર્તાઓ તથા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. અભ્યાસ વર્ગ દરમિયાન કુલ ૯ સત્રો યોજાયા હતા. આ સત્રોમાં પ્રાંત અને વિભાગ સ્તરના અગ્રણીઓએ વિવિધ વિષયો પર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. હર્ષદભાઈ ગિલેટવાળા, નિપુણભાઈ ભટ્ટ, તેજસભાઈ ઓઝા, ગણેશભાઈ રાઠોડ, કૈલાસભાઈ રાજપુરોહિત અને ચંદ્રિકાબેન પટેલ સહિતના વક્તાઓએ સંગઠનના મજબૂતીકરણ અને કાર્યપદ્ધતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંકલન નારણપુરા જિલ્લા મંત્રી દેવલભાઈ પરીખ દ્વારા કરવામાં આવ્યું હતું. અભ્યાસ વર્ગના સમાપન બાદ કાર્યકર્તાઓમાં નવી ઉર્જા અને સંગઠન પ્રત્યે વધુ પ્રતિબદ્ધતા જોવા મળી હતી.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 3:09 pm

પાટણમાં રિક્ષામાં વૃદ્ધાને છરી બતાવી લૂંટ:મહિલા સહિત ત્રણ આરોપીઓએ દાગીના, રોકડ ઝૂંટવી ધમકી આપી

પાટણ શહેરમાં રિક્ષામાં બેઠેલા એક વૃદ્ધાને છરી બતાવી લૂંટી લેવાની ઘટના સામે આવી છે. રિક્ષાચાલક અને તેના બે સાથીદારોએ વૃદ્ધાના કાનમાંથી સોનાની બુટ્ટીઓ અને રોકડ રકમ મળી કુલ ₹15,600ની મત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ મામલે પાટણ સીટી બી. ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. 65 વર્ષીય શારદાબેન ડીસાથી પાટણ જઈ રહ્યાં હતામૂળ ચાણસ્માના રૂપપુરના અને હાલ મહેસાણા ખાતે રહેતા 65 વર્ષીય શારદાબેન હરગોવનભાઈ રાવળ ગત 18 એપ્રિલ, 2026ના રોજ ડીસાથી પાટણ પોતાની દીકરીના ઘરે આવવા નીકળ્યા હતા. સાંજે આશરે 7:30 વાગ્યે તેઓ પાટણ ટી.બી. ત્રણ રસ્તા પાસે બસમાંથી ઉતરીને ચાલતા જતા હતા. રિક્ષામાં ચાલક ઉપરાંત એક મહિલા અને પુરુષ અગાઉથી હાજર હતાબંસી કાઠિયાવાડી હોટલ પાસે એક કાળા-લીલા રંગની રિક્ષા તેમની પાસે આવી હતી. રિક્ષાચાલકે મોઢા પર રૂમાલ બાંધેલો હતો. તેણે વૃદ્ધાને વિશ્વાસમાં લઈ માત્ર ₹10ના ભાડામાં નિર્ધારિત સ્થળે ઉતારવાનું કહી રિક્ષામાં બેસાડ્યા હતા. રિક્ષામાં અગાઉથી જ પાછળના ભાગે સફેદ ડ્રેસ પહેરેલી એક મહિલા તેની નાની છોકરી સાથે બેઠેલી હતી, જ્યારે ડ્રાઈવરની બાજુમાં પણ એક શખ્સ હાજર હતો. વૃદ્ધાને છરી બતાવી મારી નાખવાની ધમકી આપી, ઓઢણીથી મોઢું બાંધી દીધુંરિક્ષાચાલકે CNG પંપ પર ગેસ ભરાવ્યા બાદ રિક્ષા સિદ્ધપુર રોડ તરફ હંકારી હતી. જ્યારે વૃદ્ધાએ પોતાના ઉતરવાના સ્થળ શાંતિનાથ સોસાયટી પાસે રિક્ષા ઊભી રાખવા જણાવ્યું, ત્યારે રિક્ષામાં બેઠેલી મહિલા અને શખ્સે તેમને ઉતરવા દીધા ન હતા. રિક્ષામાં બેઠેલા શખ્સે છરી બતાવી વૃદ્ધાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને મહિલાએ પોતાની ઓઢણીથી વૃદ્ધાનું મોઢું બાંધી દીધું હતું. સોનાની બે બુટ્ટીઓ બળજબરીથી કાઢી લીધીલૂંટારુઓએ રિક્ષાને એક ખુલ્લા મેદાનમાં લઈ જઈ વૃદ્ધા પાસે રહેલું પાકીટ ઝૂંટવી લીધું હતું, જેમાંથી ₹600ની રોકડ કાઢી લીધી હતી. ત્યારબાદ મહિલાએ વૃદ્ધાના કાનમાં પહેરેલી 4 થી 5 ગ્રામની સોનાની બે બુટ્ટીઓ, જેની કિંમત આશરે ₹15,000 હતી, તે બળજબરીથી કાઢી લીધી હતી. રિક્ષાચાલક, એક મહિલા અને એક અન્ય શખ્સ વિરુદ્ધ ફરિયાદલૂંટ ચલાવ્યા બાદ આરોપીઓએ વૃદ્ધાને રિક્ષામાંથી નીચે ઉતારી દીધા હતા અને ઘટના અંગે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. આ અંગે શારદાબેને પાટણ બી. ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા રિક્ષાચાલક, એક મહિલા અને એક અન્ય શખ્સ વિરુદ્ધ B.N.S.ની કલમ 309(4), 351(3), 126(2), 311, 3(5) તેમજ જી.પી. એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 3:09 pm

ધંધુકા હત્યા વિરોધમાં આવેદનપત્ર સુપરત:અરવલ્લીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા કલેક્ટરને રજૂઆત

અરવલ્લી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા ધંધુકા હત્યાકાંડના વિરોધમાં આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર નિવાસી અધિક કલેક્ટર ડી.વી. મકવાણાને આપવામાં આવ્યું હતું. ધંધુકા ખાતે હિન્દુ યુવાન ધર્મેશ ભરવાડની હત્યાના કડક વિરોધમાં આ રજૂઆત કરાઈ હતી. અરવલ્લી જિલ્લા રાષ્ટ્રીય બજરંગદળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રાંત મહામંત્રી જયંતિભાઈ પટેલ, કનુભાઈ પટેલ, જિલ્લા મંત્રી પ્રિયંક પોકાર તેમજ ભરવાડ સમાજના અગ્રણી લાલાભાઈ ભરવાડ, રોશનભાઈ, રવિભાઈ, વૈદિકભાઈ અને પ્રકાશભાઈ સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા. તેમણે દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આતંકીઓ સામે કડક કાર્યવાહી કરવાની અને આરોપીઓને તાત્કાલિક ફાંસીની સજા આપવાની માંગ કરી હતી. આ ઉપરાંત, દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના મુદ્દે પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 3:03 pm

લોઠિયા RMSA શાળામાં મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાયા:વિડ્યો,નિબંધ, રંગોળી, શપથ દ્વારા વિદ્યાર્થીઓએ મતદાનનો સંદેશ આપ્યો

જામનગર જિલ્લાની લોઠિયા RMSA સરકારી માધ્યમિક શાળામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-૨૦૨૬ પૂર્વે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો. ચૂંટણી શાખા દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે 'મતદાન કેવી રીતે કરવું' તે દર્શાવતો એક ખાસ વીડિયો બનાવવામાં આવ્યો છે. જામનગર શહેર ચૂંટણી અધિકારી અને કલેક્ટરે જામનગરના મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી છે. આ અવસરે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મતદાન જાગૃતિ માટે શપથ લીધા હતા. તમામે લોકશાહી પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવાની પ્રતિજ્ઞા લીધી હતી અને લોકોને આગામી ચૂંટણીમાં મતદાન કરવા સંદેશ આપ્યો હતો. આ ઉપરાંત, નિબંધ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ મતદાનના મહત્વ અને લોકશાહીને મજબૂત કરવા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. રંગોળી સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિના સંદેશાને સુંદર કલાત્મક રીતે રજૂ કર્યો હતો. આ કાર્યક્રમોમાં શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 3:01 pm

ગુજરાતમાં હિટવેવનો ખતરો:જિલ્લા-તાલુકાની હોસ્પિટલમાં 'હીટ વોર્ડ' શરૂ કરાયા, આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં

ગુજરાતમાં વધતી ગરમીને ધ્યાનમાં રાખીને હિટવેવની આગાહી વચ્ચે રાજ્યનું આરોગ્ય વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. ગરમીના વધતા પ્રકોપને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ‘વોર રૂમ’ જેવી તૈયારી કરવામાં આવી છે. રાજ્યભરની સરકારી હોસ્પિટલમાં ખાસ ‘હીટ વોર્ડ’ કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે વિશેષ સારવારની સુવિધા ઉભી કરવામાં આવી છે. જિલ્લા-તાલુકાની હોસ્પિટલમાં ખાસ વોર્ડ બનાવી બેડની વ્યવસ્થા કરાઈહીટ સ્ટ્રોકના ગંભીર કેસોને પહોંચી વળવા માટે દરેક CHC (કોમ્યુનિટી હેલ્થ સેન્ટર)માં 2 બેડ અને જિલ્લા હોસ્પિટલમાં 5 બેડ અનામત રાખવામાં આવ્યા છે. આ બેડોમાં પૂરતી કુલિંગ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેથી દર્દીઓને તાત્કાલિક રાહત મળી રહે. સાથે સાથે હોસ્પિટલમાં જરૂરી દવાઓનો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં ORS કોર્નર ઉભા કરવામાં આવ્યાગરમીથી ડિહાઇડ્રેશનના કેસોમાં વધારો થવાની શક્યતા વચ્ચે હોસ્પિટલમાં ORS કોર્નર પણ ઉભા કરવામાં આવ્યા છે, જ્યાં લોકોને મફત ORS આપવામાં આવશે. SNCU અને ICU જેવા સંવેદનશીલ વિભાગોમાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે જેથી નવજાત શિશુઓ અને ગંભીર દર્દીઓ પર ગરમીની અસર ઓછા થાય. આ સાથે જ હોસ્પિટલમાં શોર્ટ સર્કિટ જેવી દુર્ઘટનાઓ ટાળવા માટે ઇલેક્ટ્રિકલ સિસ્ટમની ચકાસણી કરવામાં આવી રહી છે અને ફાયર સેફ્ટી અંગે કડક સૂચનાઓ આપવામાં આવી છે. આરોગ્ય વિભાગે લોકોને પણ ગરમી દરમિયાન સાવચેત રહેવા, પૂરતું પાણી પીવા અને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવાની સલાહ આપી છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 2:59 pm

વાપી મનપા ચૂંટણીમાં 1.13 લાખ મતદારો માટે 123 મથકો સજ્જ:હીટવેવની આગાહી વચ્ચે વહેલી સવારે મતદાન કરવા અપીલ

વાપી મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી 26મી એપ્રિલે યોજાશે. ચૂંટણી પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે અને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમી અને હીટવેવની સંભાવનાને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. વાપી મનપા વિસ્તારમાં કુલ 1.13 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ મતદારો માટે 123 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. ચૂંટણી અધિકારી વિમલ પટેલના જણાવ્યા અનુસાર, તમામ 123 મતદાન મથકો પર પ્રાથમિક સુવિધાઓ જેવી કે પીવાના પાણીની વ્યવસ્થા, છાંયડો અને બેસવાની સુવિધાની ચકાસણી કરવામાં આવી છે. આ સુવિધાઓ મતદારોને ગરમીમાં કોઈ અગવડ ન પડે તે સુનિશ્ચિત કરવા માટે છે. હીટવેવની આગાહીને પગલે મતદારોને કોઈ તકલીફ ન થાય તે માટે આરોગ્ય વિભાગની ટીમની મદદ લેવામાં આવી છે. ગરમીના ઊંચા પારાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ સાથે ખાસ સંકલન સાધવામાં આવ્યું છે, જેથી કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક મેડિકલ સહાય મળી રહે. ચૂંટણી અધિકારીએ મતદારોને વહેલી સવારે મતદાન કરવા ખાસ અપીલ કરી છે. મતદાન સવારે 7:00 વાગ્યાથી સાંજના 6:00 વાગ્યા સુધી ચાલશે. બપોરની ગરમી અને લૂથી બચવા માટે મતદારો સવારે 10:00 વાગ્યા પહેલા મહત્તમ મતદાન કરી લે તે હિતાવહ છે. વહેલી સવારે મતદાન કરવાથી મતદારોને લાંબી કતારો અને ગરમી બંનેથી રાહત મળશે. વાપીમાં ચૂંટણીને લઈને મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને સુવિધાયુક્ત મતદાન સુનિશ્ચિત કરવા માટે કમર કસવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 2:57 pm

'આ ચોમાસે સૌરાષ્ટ્રની નદી-ડેમ છલોછલો થઈ જશે':અખાત્રીજના પવનની દિશાના આધારે અપાયો વરસાદનો વરતારો, રમણિક વામજાએ કહ્યું- 'ચોમાસું લાંબુ રહેશે'

સૌરાષ્ટ્રમાં આ વર્ષે પણ સારા ચોમાસાના સંકેત છે. જૂનાગઢ જિલ્લામાં રહેતા અને ભડલી વાક્ય, અખાત્રીજના પવનની દિશાના આધારે આગાહી કરતા રમણિક વામજાએ આ વર્ષે લાંબા અને સારા ચોમાસાની આગાહી કરી છે. આગાહીકારે કહ્યું છે કે, આ વર્ષે સૌરાષ્ટ્રના ખેડૂતોએ ચિંતા કરવાની જરુર નથી. અખાત્રીજના પવનની દિશાના આધારે અપાયો વરસાદનો વરતારો​જૂનાગઢ જિલ્લાના વંથલી સોરઠ પંથકના વતની અને છેલ્લા સાડા ત્રણ દાયકાથી પવનની ગતિ તેમજ ખગોળ વિદ્યાના ઊંડા અભ્યાસ દ્વારા વરસાદનું સચોટ અનુમાન લગાવતા રમણીકભાઈ વામજાએ આ વર્ષના ચોમાસાને લઈને મહત્વની આગાહી કરી છે. તેમણે અખાત્રીજના પવિત્ર દિવસે વાતાવરણમાં સર્જાયેલી સ્થિતિ અને પવનની દિશાના આધારે જણાવ્યું છે કે આ વર્ષે મેઘરાજા સૌરાષ્ટ્ર પર મહેરબાન થશે. ખાસ કરીને પશ્ચિમ અને વાયવ્ય દિશાના પવન ફૂંકાયા હોવાથી તેમજ આકાશમાં વાદળોની જે પ્રકારની ગોઠવણ જોવા મળી છે, તે જોતા ખેડૂતો માટે આ વર્ષ ખુશખાલ સાબિત થવાનું છે. ​ચોમાસું વહેલું શરૂ થશે અને લાંબુ ચાલશે- રમણિક વામજા​આગાહીકાર અનુસાર વરસાદની શરૂઆત વહેલી થઈ શકે છે. આગામી 18 મેના રોજ કૃતિકા નક્ષત્રના પ્રભાવ હેઠળ માવઠાની શક્યતા વર્તાઈ રહી છે. જોકે, મુખ્ય ચોમાસું ઘણું લાંબુ ચાલશે તેવું અનુમાન છે. આ વર્ષે ચોમાસું અંદાજે 50 થી 55 દિવસ સુધી સક્રિય રહે તેવી શક્યતા છે, જેને કારણે ખેતી અને જળ સ્તરમાં મોટો ફાયદો થશે. રમણીકભાઈએ લાલબત્તી ધરતા એમ પણ કહ્યું છે કે જુલાઈ મહિનામાં અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાઈ શકે છે. ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થાય તેવી પણ શક્યતા છે, પરંતુ તેની સાથે જ સૌરાષ્ટ્રના તમામ ડેમ, નદી અને નાળા છલકાઈ જશે જે ભવિષ્ય માટે સારા સંકેત છે. ​ભાદરવા મહિનાના અંત ભાગમાં પણ વરસાદનો જોર યથાવત રહેશે. હાથીયા નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ પડતા ખેતીના પાકોને જીવનદાન મળશે. જોકે, ચોમાસાના અંતિમ તબક્કામાં એટલે કે નવરાત્રી દરમિયાન ચિત્રા નક્ષત્રમાં વરસાદ પડવાની સંભાવના છે, જે અમુક પાકો માટે ચિંતાનો વિષય બની શકે છે. ખાસ કરીને જે ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું હશે, તેમને નવરાત્રીના વરસાદથી નુકસાન થવાની ભીતિ છે. મગફળી અને સોયાબીનનું વાવેતર ફાયદો કરાવી શકે- આગાહીકાર​ખેતીના પાકો વિશે વિસ્તૃત સલાહ આપતા વંથલીના આ આગાહીકારે જણાવ્યું હતું કે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ પાકની પસંદગી સમજી-વિચારીને કરવી જોઈએ. આ વર્ષે મગફળી અને સોયાબીનનું વાવેતર કરનાર ખેડૂતોને મોટો આર્થિક ફાયદો થઈ શકે છે, કારણ કે આ પાકોને વરસાદની અનુકૂળતા રહેશે. બીજી તરફ, કપાસના પાકમાં આ વર્ષે જીવાતનો ઉપદ્રવ વધવાની પૂરેપૂરી શક્યતા છે. કપાસના વાવેતરમાં જોખમ વધારે હોવાથી ખેડૂતોએ મગફળીને પ્રથમ પસંદગી આપવી જોઈએ તેવું તેમનું મંતવ્ય છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 2:41 pm

અમદાવાદમાં BMW કાર ચાલકે પૂર ઝડપે રિક્ષાને ટક્કર મારી:ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત, BMW કાર AMTS બસ સ્ટેન્ડમાં ઘૂસી જતા કારનો કચ્ચરઘાણ

અમદાવાદમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. નિકોલમાં ભક્તિ સર્કલ પાસે એક BMW કાર ચાલકે પૂર ઝડપે રિક્ષાને ટક્કર મારી હતી. અકસ્માતમાં રીક્ષા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. અકસ્માત બાદ BMW કારનો ચાલક કાર મુકીને ફરાર થઈ ગયો છે. અકસ્માતમાં BMW કાર AMTS બસ સ્ટેન્ડમાં ઘૂસી જતા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બનાવ અંગેઆઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી છે. રિક્ષા પલટી ખાઈને દૂર પડી, કાર ઘૂસતાં બસ સ્ટેશન તૂટી ગયું અમદાવાદના નિકોલમાં ભક્તિ સર્કલ પાસેથીના AMTS બસ સ્ટેશન પાસે BMWની EV કાર પૂર ઝડપે આવી રહી હતી. આ કારે રિક્ષા ચાલકને પુર ઝડપે ટક્કર મારી હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા પલટી ખાઈને દૂર પડી હતી. જ્યારે કાર બસ સ્ટેશનમાં ઘૂસી જતા આખું બસ સ્ટેશન તૂટી ગયું છે. રિક્ષા ચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઅકસ્માત થતા ચાલક કાર મુકીને નાસી ગયો છે. જ્યારે રિક્ષા ચાલકને માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવની જાણ થતા આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોચી હતી. અકસ્માત કરનાર કાર મહારાષ્ટ્રની હોવાનું સામે આવ્યું આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ એસ. આઈ. સુમરાએ જણાવ્યું હતું કે, અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો છે. રિક્ષાચાલકને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો છે. અમારી એક ટીમ હોસ્પિટલમાં ફરિયાદ લેવા પહોંચી છે, જ્યારે બીજી ટીમ કાર ચાલકની તપાસ કરી રહી છે. અકસ્માત કરનાર કાર મહારાષ્ટ્રની હોવાનું સામે આવ્યું છે. અમે સમાચાર અપડેટ કરી રહ્યા છીએ….

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 2:34 pm

AAPનો સ્થાનિક સ્વરાજ ચૂંટણી મેનિફેસ્ટો જાહેર, ગ્રામ વિકાસને મુખ્ય પ્રાથમિકતા:ઈસુદાન ગઢવીએ કહ્યું, ભાજપ ડરી ગઈ છે અને કોંગ્રેસ સાથે મળીને લડી રહી છે

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઇને રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટીએ આજે પોતાના ચૂંટણી મેનીફેસ્ટોની જાહેરાત કરીને તૈયારી કરી છે. પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે રાજ્યભરમાં કુલ 5266 ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે, કેટલાક સ્થળોએ ઉમેદવારી ફોર્મ રદ કરાવવા માટે ષડયંત્રો પણ કરવામાં આવ્યા છે, છતાં પાર્ટીના કાર્યકરો મજબૂતાઈથી લડી રહ્યા છે.ભાજપ ડરી ગઈ છે અને કોંગ્રેસ સાથે મળીને લડી રહી છે રસ્તા, શિક્ષણ અને આરોગ્ય સહિતના મુદ્દા સાથે મેનિફેસ્ટો જાહેરપાર્ટીએ પોતાના મેનિફેસ્ટોમાં ગ્રામ વિકાસને મુખ્ય પ્રાથમિકતા આપી છે. જિલ્લા અને તાલુકા સ્તરે વિકાસ માટે આયોજન કરવામાં આવશે. ખરાબ હાલતમાં રહેલા રસ્તાઓને સુધારવા અને વાડી વિસ્તારોમાં એક વર્ષમાં રોડ સુધારવાની ખાતરી આપવામાં આવી છે. શિક્ષણ ક્ષેત્રે સરકારી શાળાઓનું સંચાલન સુધારવા, શિક્ષકોની ભરતી કરવા અને નવા વર્ગખંડો બનાવવા વચન આપવામાં આવ્યું છે. આરોગ્ય સેવાઓમાં CHC અને PHC કેન્દ્રોને મજબૂત બનાવવામાં આવશે, ડોકટરોની હાજરી સુનિશ્ચિત કરવામાં આવશે અને પૂરતી દવાઓ ઉપલબ્ધ કરાશે. કૃષિ ક્ષેત્રે આધુનિક ખેતી માટે ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવા અને ખેડૂતની આવક વધારવા યોજનાઓ અમલમાં મૂકવાની જાહેરાત કરવામાં આવી છે. ભૂગર્ભ જળ સ્તર ઊંચું લાવવા પણ આયોજન કરવામાં આવ્યું છે. પશુપાલન માટે રસીકરણ અને સુવિધાઓ વધારવા પર ભાર મૂકાયો છે. ગરીબી ઘટાડવા અને જરૂરિયાતમંદોને સરકારી પેન્શન યોજનાઓનો લાભ પહોંચાડવાની પણ ખાતરી આપવામાં આવી છે. 'ભાજપ ડરી ગઈ છે અને કોંગ્રેસ સાથે મળીને લડી રહી છે'ઇસુદાન ગઢવીએ મતદારોને લોભ-લાલચમાં ન આવવા અપીલ કરી અને ભાજપ તથા કોંગ્રેસ બંને પક્ષો પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા. તેમણે કહ્યું કે, બંને પક્ષોએ વર્ષો સુધી શાસન કર્યું છતાં લોકો માટે પૂરતું કામ કર્યું નથી. આંગડિયા પેઢી મામલે તેમણે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, ભાજપ ડરી ગઈ છે અને કોંગ્રેસ સાથે મળીને લડી રહી છે. સાથે જ તેમણે આક્ષેપ કર્યો કે 150થી વધુ કાર્યકર્તાઓ સામે ફરિયાદ નોંધાવી તેમને જેલમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે અન્ય પક્ષોના નેતાઓ સામે કોઈ કાર્યવાહી થતી નથી. આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ચૂંટણી લડી રહી છે અને ભાજપ તેને દબાવવા પ્રયાસ કરી રહી છે, એવો આરોપ પણ ઇસુદાન ગઢવીએ લગાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 2:26 pm

જામનગર મનપાની ચૂંટણીમાં પ્રચાર તેજ:ઉમેદવારો ધાર્મિક સ્થળોની મુલાકાત સાથે સંતોના આશીર્વાદ લઈ રહ્યા છે

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને શહેરમાં પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. રાજકીય પક્ષોના ઉમેદવારો મતદારો સુધી પહોંચવા માટે વિવિધ માધ્યમો અપનાવી રહ્યા છે, જેમાં ધાર્મિક સ્થળોના દર્શન અને સંતો-મહંતોના આશીર્વાદ મેળવવાનું એક મહત્વપૂર્ણ પાસું બન્યું છે. ભારતીય જનતા પાર્ટી (BJP), આમ આદમી પાર્ટી (AAP), કોંગ્રેસ સહિતના મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારો તેમજ કેટલાક અપક્ષ ઉમેદવારો શહેરના જુદા જુદા મંદિરો અને ધાર્મિક સ્થળોએ જઈ રહ્યા છે. તેઓ સંતો અને મહંતોના આશીર્વાદ મેળવીને પોતાના ચૂંટણી પ્રચારને ગતિ આપી રહ્યા છે. ચૂંટણીના આ માહોલ વચ્ચે, ઉમેદવારો ધાર્મિક આસ્થાનો સહારો લઈને જનસંપર્ક મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ધાર્મિક સ્થળોએ ઉમેદવારોની મુલાકાતો વધતા પ્રચારને એક નવી દિશા મળી રહી છે. આમ, જામનગરમાં ચૂંટણી પ્રચારમાં ધાર્મિક સ્થળો અને સંતોના આશીર્વાદ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે, જે ઉમેદવારો માટે પ્રચારનું એક અસરકારક માધ્યમ સાબિત થઈ રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 2:17 pm

અસારવામાં ભાજપના ઉમેદવારોએ રિક્ષામાં પ્રચાર કર્યો:MLA અમિત ઠાકરે કહ્યું, મકતમપુરામાં ચંડોળા નહીં બનવા દઈએ, બુટલેગરો સાથે મિટિંગ કરી મત નથી લેતાં

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે. અમદાવાદમાં અસારવા વોર્ડમાં ભાજપે રિક્ષાચાલક દશરથ પટણીને ટિકિટ આપી છે, ત્યારે આજે અસારવા વોર્ડમાં ભાજપે રિક્ષા રેલી યોજી હતી. જેમાં અંદાજિત 100 જેટલા રિક્ષાચાલકો જોડાયા હતા. ચારેય ઉમેદવારોએ રિક્ષામાં બેસી અને પ્રચાર કર્યો હતો. અસારવામાં રામેશ્વર ચાર રસ્તાથી નેતાજીનગર સુધી યોજવામાં આવી હતી. મકતમપુરામાં ચંડોળા નહીં બનવા દઈએ- MLAઅમદાવાદ મનપાની ચૂંટણીમાં ચંડોળા તળાવનો મુદ્દો વેજલપુરના ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે ઉપાડ્યો હતો. વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે મકતમપુરા વોર્ડના ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટનમાં કહ્યું હતું કે, અહીંયા જમીનો ખુબ ખાલી પડી છે. અમને આપો અમે અહીંયા ગાર્ડન બનાવીશું પરંતુ બીજું ચંડોળા તો નહીં જ બનાવવા દેવાનું. જેને ગાર્ડન જોઈએ એ ભાજપને મત આપશે અને જેને ચંડોળા જોઈએ એ કોંગ્રેસને મત આપશે. વોટ આપવો હોય તો ડંકાની ચોટ આપજો. તેને વધુમાં કહ્યું કે, બુટલેગરો સાથે મીટીંગ કરી અને અમે મત લેનારા નથી. બુટલેગરો સાથે વોટિંગ કરાવવાનું સેટિંગ કરીને પછી પાંચ વર્ષ શું કરવા ફોન ઉપાડવા ?? સુશિક્ષિત લોકો જેવા કે ડોક્ટરો, પ્રિન્સિપાલ, એન્જિનિયરો વગેરે આવો અને આપણે જુહાપુરાને બદલીએ. 'કોંગ્રેસ અને AIMIM વાળા વિકાસ નથી કરતા'અમિત ઠાકરે કહ્યું હતું કે, ભાજપે કરોડો રૂપિયાના ખર્ચે મકતમપુરામાં પાર્ટીપ્લોટ, ઓડિટોરિયમ, ગટરલાઇનો વગેરે નાખી છે. કોંગ્રેસ અને AIMIM વાળા વિકાસ કરતા નથી. જો ભાજપનો ઉમેદવાર મકતમપુરામાં જીતશે તો વધુ ઝડપથી અને સારો વિકાસ થશે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 1:55 pm

‘ભાજપનો ઈરાદો મહિલા સશક્તિકરણનો નહીં, ભ્રમ ફેલાવવાનો છે’:RSSમાં 100 વર્ષમાં કોઈ મહિલા સરસંઘચાલક નથી બની, ભાજપે પણ ક્યારેય મહિલાને રાષ્ટ્રીય અધ્યક્ષ પદ આપ્યું નથીઃ વાસનિક

મહિલા અનામત બિલને લઈને દેશના રાજકારણમાં ગરમાવો તેજ બન્યો છે. ભાજપ જ્યારે કોંગ્રેસને આ મામલે જવાબદાર ઠેરવી રહી છે, ત્યારે કોંગ્રેસે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર વળતા આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસનો દાવો છે કે સંસદમાં રજૂ થયેલું બિલ મહિલાઓના હિતમાં નહીં પરંતુ લોકોમાં ભ્રમ ફેલાવવા માટે છે. RSS અને ભાજપમાં મહિલાઓનું સ્થાન ક્યાં?: મુકુલ વાસનિકગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકે ભાજપની નીતિને મહિલા વિરોધી ગણાવતા પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, RSSને સ્થપાયાને 100 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે, પરંતુ આટલા સમયમાં ક્યારેય કોઈ મહિલાને 'સરસંઘચાલક' બનાવવામાં આવી નથી. તેવી જ રીતે, ભાજપ પણ અનેક દાયકાઓથી સક્રિય છે, છતાં ક્યારેય કોઈ મહિલાને રાષ્ટ્રીય અધ્યક્ષ પદ સોંપવામાં આવ્યું નથી. આના પરથી તેમનો મહિલાઓ પ્રત્યેનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ થાય છે. ‘ભાજપ શાસિત રાજ્યોમાં મહિલાઓને ન્યાય માટે રસ્તા પર ઉતરવું પડ્યું’મુકુલ વાસનિકે વધુમાં જણાવ્યું હતું કે, સંસદમાં જે વિધેયક રજૂ કરવામાં આવ્યું છે તે ખરેખર મહિલાઓને તાત્કાલિક અનામત આપવા માટે નથી. ભાજપ માત્ર તોડી-મરોડીને વાતો રજૂ કરી રહી છે. તેમણે હાથરસ કાંડ, મણિપુર હિંસા અને મહિલા પહેલવાનોના આંદોલનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભાજપ શાસિત રાજ્યોમાં મહિલાઓને ન્યાય મેળવવા માટે રસ્તા પર ઉતરવું પડે છે. ‘દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે’કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ મહિલાઓને સશક્ત કરવામાં ક્યારેય વિશ્વાસ રાખતી નથી અને આ બિલ માત્ર આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યું છે. વાસનિકે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગુજરાતની જનતા ભાજપના આ 'ખોટા ઈરાદા' સમજી ગઈ છે અને સમય આવ્યે સત્ય સામે આવશે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 1:49 pm

સુરતમાં PSI પરીક્ષામાં ચોરીનો પર્દાફાશ:મધુવન ઈન્ટરનેશનલ સ્કૂલમાં ઉમેદવાર મોબાઈલ સાથે ઝડપાયો; ગૂગલ પરથી જવાબ શોધતો હતો

સુરતના અમરોલી વિસ્તારમાં રવિવારે યોજાયેલી પીએસઆઈ (PSI) ભરતીની પરીક્ષા દરમિયાન ચોરીનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. પરીક્ષામાં કડક સુરક્ષાના દાવાઓ વચ્ચે એક ઉમેદવાર મોબાઈલ ફોન સાથે વર્ગખંડમાં પ્રવેશ મેળવવામાં સફળ રહ્યો હતો અને પરીક્ષા દરમિયાન ગૂગલની મદદ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. ઘટનાની વિગતોઅમરોલીની મધુવન ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે પરીક્ષા આપી રહેલા શિવમ રામકુમાર યાદવ નામના ઉમેદવારે પોતાની બેઠક વ્યવસ્થા પાસે મોબાઈલ ફોન છુપાવી રાખ્યો હતો. પેપર શરૂ થયા બાદ તે મોબાઈલ ફોન પર ગૂગલ સર્ચ કરીને પ્રશ્નોના જવાબ શોધી રહ્યો હતો. પરીક્ષા સુપરવાઈઝરની નજર પડતા જ તેને અટકાવવામાં આવ્યો હતો અને તેની પાસેથી પ્રતિબંધિત મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો હતો. સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થપરીક્ષા કેન્દ્રો પર મેટલ ડિટેક્ટર અને સઘન શારીરિક ચેકિંગ હોવા છતાં, ઉમેદવાર મોબાઈલ ફોન અંદર લઈ જવામાં કઈ રીતે સફળ રહ્યો? આ ઘટનાએ પરીક્ષા કેન્દ્રના સંચાલકો અને ચેકિંગ સ્ટાફની કામગીરી સામે મોટા સવાલો ઉભા કર્યા છે. આ ઘટના બાદ પરીક્ષા સંચાલકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. સુરત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આરોપી શિવમ યાદવ વિરુદ્ધ પરીક્ષામાં ગેરરીતિ અને પ્રતિબંધિત સાધનોના ઉપયોગ બદલ કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે તેને અંદર કોઈની મદદ મળી હતી કે કેમ.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 1:44 pm

નવસારીમાં હુમલાના 3 આરોપી હથિયાર સાથે ઝડપાયા:વિરાવળ નાકા પાસે યુવાન પર જીવલેણ હુમલો કર્યો હતો

નવસારીના વિરાવળ નાકા પાસે યુવાન ઇમરાન શેખ પર જીવલેણ હુમલો કરનાર ત્રણ આરોપીઓને પોલીસે હથિયારો સાથે ઝડપી પાડ્યા છે. નવસારી ટાઉન પોલીસે પીછો કરીને તેમને મરોલી-ઉભરાટ રોડ પરથી દબોચી લીધા હતા. આ ઘટના જૂની અદાવતમાં બની હોવાનું સામે આવ્યું છે. આ ઘટના 17 એપ્રિલ, 2026ના રોજ રાત્રિના સમયે વિરાવળ નાકા પાસે આવેલી 'હિંદ ચા-નાસ્તા'ની દુકાન નજીક બની હતી. કાગદીવાડના રહેવાસી ઇમરાન તૈયબ શેખ પર આસિફ ઉર્ફે ફ્રૂટ પઠાણ, કિશન દુબે અને અન્ય એક સાગરીતે ચપ્પુ વડે હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ઇમરાનને શરીર પર આડેધડ ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઇમરાન હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત રેન્જ આઈજી પ્રેમવીર સિંહ અને નવસારી એસપી રાહુલ પટેલે તાત્કાલિક આરોપીઓને પકડવા સૂચના આપી હતી. ટાઉન પીઆઈ કે.ડી. નકુમ અને વી.આર. ભરવાડના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ઘુઘા અને જીતુને બાતમી મળી હતી કે, આરોપીઓ સુરતથી ઉભરાટ તરફ જઈ રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે મરોલી-ઉભરાટ રોડ પર 'વેલકમ હોટલ' પાસે વોચ ગોઠવી હતી. આરોપીઓની કાર પસાર થતાં જ પોલીસે કોર્ડન કરીને ત્રણેયને હથિયારો સાથે ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં મોહંમદ આસિફ ઉર્ફે ફ્રૂટ પઠાણ (ઉંમર 30, રહે. મરીયમપુરા, નવસારી, મૂળ ઉત્તરપ્રદેશ), કિશન અખીલેશ દુબે (ઉંમર 25, રહે. ઘેલખડી, નવસારી) અને સૂરજ રાજકુમાર દુબે (ઉંમર 22, રહે. ડીંડોલી, સુરત, મૂળ ઉત્તરપ્રદેશ)નો સમાવેશ થાય છે. પોલીસે ગુનામાં વપરાયેલા બે તીક્ષ્ણ ચપ્પુ પણ કબજે કર્યા છે. નવસારી પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 109(1), 54 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ દ્વારા અગાઉ એપીએમસી પાસે પણ મારામારી કરવામાં આવી હતી. ટાઉન પોલીસની આ સતર્કતાને કારણે ગંભીર ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલાઈ ગયો છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 1:36 pm

પાલનપુર દિલ્હીગેટ પાસે ખુલ્લા પાર્કિંગમાં વાહનોમાં આગ:એક કાર અને જીપ બળીને ખાખ, ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો

પાલનપુરના દિલ્હીગેટ વિસ્તારમાં આજે બપોરે ખુલ્લા પાર્કિંગમાં ત્રણ વાહનોમાં આગ લાગી હતી. આ ઘટનામાં એક કાર અને જીપ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે, કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટના દિલ્હીગેટ નજીક સંજય ચોક, અમીર રોડ પર આવેલા ડીપી પાસેના ખુલ્લા પાર્કિંગમાં બની હતી. આગ લાગવાને કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા, જેને પગલે આસપાસના લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. પાલનપુર ફાયર સ્ટેશનને બપોરે આશરે 12 વાગ્યાની આસપાસ આગ લાગ્યાનો કોલ મળ્યો હતો. ફાયર અધિકારી રોહિતે જણાવ્યું કે, માહિતી મળતા જ પાલનપુર ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ અડધાથી પોણા કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનાને પગલે બજારના ભરચક વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાસ્થળે પોલીસ, ફાયર વિભાગ અને UGVCની ટીમો પણ પહોંચી હતી. જોકે, આગ કયા કારણોસર લાગી તે અંગેની તપાસ હજુ ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 1:31 pm

‘તમારા ધારાસભ્ય વિધાનસભામાં મૂંગા બેસી રહે છે’:ગીર સોમનાથના આદ્રી વાવડી ગામે જગદીશ વિશ્વકર્માનો કટાક્ષ, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં માહોલ ગરમાયો

ગીર સોમનાથ જિલ્લાના આદ્રી વાવડી ગામે આદ્રી જિલ્લા પંચાયત બેઠક માટે યોજાયેલી ચૂંટણી સભામાં રાજકીય માહોલ ગરમાયો હતો. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સોમનાથના કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાનું નામ લીધા વિના તેમની કાર્યશૈલી પર સીધા સવાલો ઉઠાવ્યા હતા. સભામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, “તમારા ધારાસભ્ય જ્યારે મત માંગવા આવે ત્યારે એક જ પ્રશ્ન પૂછજો—વિધાનસભામાં સોમનાથ વિસ્તાર માટે કેટલા પ્રશ્નો પૂછ્યા?” તેમણે કટાક્ષ કર્યો કે ધારાસભ્ય વિધાનસભામાં “મૂંગી માફક” બેસી રહે છે અને સત્ર દરમિયાન વિસ્તારના પ્રશ્નો અંગે એક શબ્દ પણ બોલતા નથી. ભાજપ પ્રદેશ અધ્યક્ષે આરોપ લગાવ્યો કે વિસ્તારના રોડ-રસ્તા અને અન્ય સુવિધાઓ માટે ધારાસભ્ય દ્વારા યોગ્ય રજૂઆતો કરવામાં આવતી નથી. તેમણે ઉમેર્યું કે, “આ વિસ્તારના વિકાસ માટે ભાજપના સાંસદ અને જિલ્લા પ્રમુખ સતત પ્રયત્નશીલ છે. તેઓ જનતાની ચિંતા લઈને સરકાર સમક્ષ રજૂઆત કરે છે, જેના આધારે રાજ્યના મુખ્યમંત્રી વિકાસના કામોને મંજૂરી આપે છે.” વિશ્વકર્માના આ નિવેદનથી સભામાં રાજકીય તીવ્રતા સ્પષ્ટપણે જોવા મળી હતી. ભાજપે વિકાસના મુદ્દાને કેન્દ્રમાં રાખીને કોંગ્રેસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા અને સ્થાનિક મતદારોને ‘કાર્યના આધારે નિર્ણય લેવા’નો સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો હતો. આ ચૂંટણીસભા માત્ર પ્રચાર પૂરતી ન રહી, પરંતુ સોમનાથ વિસ્તારમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચેની રાજકીય લડતને વધુ તીવ્ર બનાવતી સાબિત થઈ છે. આગામી સમયમાં મતદારો કોના પક્ષે વળે છે તે સ્પષ્ટ થશે, પરંતુ હાલ રાજકીય પાટા પર આરોપ-પ્રત્યારોપનો દોર તેજ બન્યો છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 1:31 pm

અમરેલીમાં ધંધૂકા જેવો બનાવ, CCTV:બીનાકા ચોકમાં પાનની દુકાને ઊભેલા શખસને એક્ટિવા ટકરાવ્યું, ઠપકો આપતા છરીના 3 ઘા ઝિંક્યા

અમરેલી શહેરના ભરચક ગણાતા બીનાકા ચોક પાસે આવેલી ડિલક્સ પાનની દુકાન નજીક એક યુવક પર ત્રણ શખસે જાહેરમાં છરી વડે જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. એક્ટિવા અથડાવા બાબતે યુવકે ટોક્યા હતા. સામાન્ય બોલાચાલીમાં થયેલી આ મારામારીની લાઈવ ઘટના દુકાનના CCTV કેમેરામાં કેદ થઈ હતી, જેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અમદાવાદના ધંધૂકામાં બાઈક ઓવરટેક કરવા મુદ્દે યુવકની છરી મારી હત્યા કરાઈ હતી. આખો બનાવ કેવી રીતે બન્યો?ફરિયાદ મુજબ, સિરાજ મહેબૂબ કુરેશી જ્યારે ડિલક્સ પાનની દુકાન પર હાજર હતા, ત્યારે ત્રણ શખસ એક્ટિવા લઈને ત્યાં આવ્યા હતા. આ શખસે બેદરકારીપૂર્વક વાહન ચલાવી પાનની દુકાન સાથે અથડાવ્યું હતું. સિરાજ કુરેશીએ તેમને વાહન સરખી રીતે ચલાવવાની સલાહ આપતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. ઉશ્કેરાયેલા શખસે એક્ટિવામાંથી છરી કાઢી સિરાજ કુરેશી પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ પીઠના ભાગે છરીના 3 ઘા ઝીંકી દીધા હતા અને ઢીકાપાટુનો મૂંઢ માર માર્યો હતો. આ સાથે જ આરોપીઓએ જાહેરમાં ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્રણેય આરોપીઓને પોલીસ રાઉન્ડ અપ કર્યાભોગ બનનાર યુવકે આ મામલે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીઓની અટકાયત કરી છે: દાદલીમિયા રફીકમિયા સૈયદ ઇરફાન રફીક સૈયદ અજુમિયા રફીક સૈયદ સામાન્ય બાબતે હુમલાથી ફફડાટઅમરેલી પોલીસે ત્રણેય આરોપીઓને રાઉન્ડઅપ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ઘટનાસ્થળના CCTV ફૂટેજ પણ કબજે કર્યા છે અને આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે. જાહેરમાં થયેલા આ આતંકને પગલે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 1:27 pm

સરદાર પટેલની પ્રતિમાને પગે પડીને માસ્કમેને ભાજપના ઉમેદવારનો વિરોધ કર્યો:કાર રેલી સાથે મતદાન જાગૃતિ માટે પ્રચાર, માસ્ક મેન ફરી ચર્ચામાં આવ્યો

વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને વોર્ડ નં. 10માં રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. ક્રાંતિકારી સેનાના એક માસ્ક પહેરેલા યુવાને સરદાર પટેલની પ્રતિમાને પગે પડીને ભાજપના ઉમેદવાર નીતિન દોંગા અને અવની સ્ટેમ્પવાલા વિરુદ્ધ તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. ‘હિસાબ આપો’ના નારા લગાવ્યાતેઓએ આક્ષેપ કર્યો છે કે, નીતિન દોંગાએ અગાઉ સ્ટેટમેન્ટ પેપરમાં ચૂંટણી ન લડવાનું જાહેર કર્યું હતું, છતાં તેઓ ત્રીજી વખત ટિકિટ મેળવીને ઉમેદવાર બન્યા છે. આ કાર્યને તેમણે ‘જૂઠાણું’ ગણાવ્યું છે. સાથે માસ્ક મેને વાસણાથી ભાયલી ગામ સુધી કારમાં રેલી કાઢીને મતદાન જાગૃતિ અભિયાન ચલાવ્યું અને નીતિન દોંગા તેમજ અવની સ્ટેમ્પવાલા વિરુદ્ધ સ્લોગનો આપ્યા હતા. સરકારી આવાસ યોજનાના ફ્લેટમાં લીફલેટ વહેંચીને ‘હિસાબ આપો’ના નારા લગાવવામાં આવ્યા હતા. માસ્કમેન PM નરેન્દ્ર મોદીની વિચારધારાથી પ્રેરિત હોવાનો દાવોઆ સાથે ઉમેદવારોના હોળીંગ (પોસ્ટર/બેનર) પર નીતિન દોંગાના સ્ટેટમેન્ટ પેપરના કટિંગ લગાવીને પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જેથી વોર્ડ-10નું રાજકારણ વધુ ગરમાયું છે. તેઓએ સવાલ ઉઠાવ્યા કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ મામલે કોઈ એક્શન લેશે કે કેમ? કારણ કે આ વિરોધ વડોદરા ભાજપના વોર્ડ-10ના ઉમેદવારો વિરુદ્ધ છે અને માસ્ક મેન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિચારધારાથી પ્રેરિત હોવાનો દાવો કરે છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર અને નીતિન દોંગા વચ્ચે વિવાદઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી માસ્ક મેન અને ભાજપના પૂર્વ કોર્પોરેટર અને હાલના ઉમેદવાર નીતિન દોંગા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. અગાઉ પણ ક્રાંતિકારી સેનાના આ માસ્ક મેન દ્વારા ઉમેદવારનો વિરોધ કરવામાં આવ્યો હતો. ફરી એકવાર મતદાન જાગૃતિ માટે પ્રચાર કરનાર માસ્ક મેન ચર્ચમાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 1:23 pm

અમલેથા બેઠક પર ભાજપે રશ્મિતા વસાવાને રિપીટ કર્યા:જિલ્લા પંચાયતમાં ફરી ટિકિટ મેળવનાર એકમાત્ર ઉમેદવાર, કોંગ્રેસના મુકેશ વસાવા સામે જંગ

નર્મદા જિલ્લાની અમલેથા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપે રશ્મિતાબેન વસાવાને ફરીથી ઉમેદવાર બનાવ્યા છે. તેઓ અગાઉ આરોગ્ય સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે. જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર નવા ચહેરા ઉતારવામાં આવ્યા છે, ત્યારે રશ્મિતાબેન એકમાત્ર એવા ઉમેદવાર છે જેમને ભાજપે રિપીટ કર્યા છે. ગત ટર્મમાં ભાજપે તેમને પ્રથમવાર ટિકિટ આપી હતી, જેમાં તેમણે કોંગ્રેસના એક દિગ્ગજ નેતાની દીકરીને હરાવ્યા હતા. વિપક્ષના નેતાઓ દ્વારા ભાજપ વિરોધી સોશિયલ મીડિયા પોસ્ટ મૂકવામાં આવતા, રશ્મિતાબેને સોશિયલ મીડિયા પર વિપક્ષને મજબૂત જવાબ આપ્યો હતો. તેમની આ કામગીરીને ધ્યાનમાં રાખીને ભાજપે તેમને ફરી મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. અમલેથા બેઠક જિલ્લાના જંગલ વિસ્તારમાં આવેલી છે, જ્યાં પ્રચાર કરવો પડકારજનક હોય છે. તેમ છતાં, ભાજપના આ ઉમેદવાર જાતે જંગલ વિસ્તારમાં જઈ પ્રચાર કરી રહ્યા છે. તેમની સામે કોંગ્રેસે નાંદોદ તાલુકા કોંગ્રેસના પ્રમુખ મુકેશ વસાવાને ઉમેદવાર બનાવ્યા છે. આ બેઠક પર બંને પક્ષે મજબૂત ઉમેદવારો હોવાથી રસાકસીભર્યો જંગ જોવા મળી રહ્યો છે અને જિલ્લામાં સૌની નજર આ બેઠક પર છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 1:20 pm

જૂનાગઢ દામોદર કુંડ સફાઈ માટે બે દિવસ શ્રદ્ધાળુઓ માટે બંધ:​પિતૃ તર્પણ માટે પ્રખ્યાત દામોદર કુંડ આગામી 21 અને 22 એપ્રિલના બે દિવસ બંધ રહેશે, ચૈત્ર માસની ભીડ બાદ તીર્થ ક્ષેત્રમાં સફાઈ અભિયાન હાથ ધરાશે

જૂનાગઢની ગિરનાર તળેટીમાં આવેલો દામોદર કુંડ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. પુરાણો મુજબ, આ કુંડમાં સ્નાન કરવાથી અને પિતૃઓનું તર્પણ કરવાથી તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જે પવિત્ર દામોદર કુંડ આગામી 21 અને 22 એપ્રિલના દિવસે બંધ રહેશે.આ એજ પવિત્ર સ્થાન છે જ્યાં નરસિંહ મહેતા દરરોજ પ્રભાતિયા ગાતા સ્નાન કરવા આવતા હતા અને ભગવાન શ્રીકૃષ્ણએ પોતે અહીં સ્નાન કર્યું હોવાની માન્યતા છે. આ કુંડના પાણીમાં હાડકાં ઓગળી જવાની ચમત્કારિક શક્તિ હોવાનું કહેવાય છે, તેથી જ હજારો લોકો પોતાના સ્વજનોના અસ્થિ વિસર્જન માટે અહીં આવે છે. ગિરનારની ગોદમાં આવેલું આ તીર્થ હરિ અને હરના મિલનનું પ્રતીક મનાય છે. ​જૂનાગઢમાં આવેલું અને પિતૃઓના મોક્ષ માટે પરમ પવિત્ર મનાતું દામોદર કુંડ તીર્થ ક્ષેત્ર આગામી બે દિવસ માટે ભાવિકો માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય ખાસ કરીને કુંડની સ્વચ્છતા અને જાળવણી માટે લેવાયો છે. તાજેતરમાં જ પૂર્ણ થયેલા ચૈત્ર માસ દરમિયાન ગુજરાતભરમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પિતૃ તર્પણ અને અસ્થિ વિસર્જન જેવી ધાર્મિક વિધિઓ માટે ઉમટી પડ્યા હતા. આ વિશાળ જનમેદનીને કારણે કુંડના પાણી અને આસપાસના ઘાટ પર સફાઈની તાતી જરૂરિયાત ઊભી થઈ છે, જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને ટ્રસ્ટ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. ​દામોદર કુંડ તીર્થ ક્ષેત્રના પ્રમુખ નિલેશભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે, આગામી તારીખ 21 અને 22 એપ્રિલના રોજ કુંડના ઘાટ પર થતી તમામ ધાર્મિક પ્રવૃત્તિઓ જેવી કે પિતૃ તર્પણ અને પૂજા-અર્ચના સંપૂર્ણપણે બંધ રહેશે. આ બે દિવસો દરમિયાન કુંડના તળિયાની ઊંડાણપૂર્વક સફાઈ કરવામાં આવશે અને વર્ષોથી જમા થયેલો કાંપ તેમજ અન્ય કચરો દૂર કરવામાં આવશે. ત્યારબાદ 23 એપ્રિલના રોજ કુંડમાં નવું અને શુદ્ધ નીર ભરવામાં આવશે અને ફરી એકવાર શ્રદ્ધાળુઓ માટે તીર્થ ખુલ્લું મૂકવામાં આવશે. ​આ સફાઈ પાછળનું એક મહત્વનું કારણ આગામી સમયમાં આવતો પુરુષોત્તમ માસ પણ છે. હિન્દુ ધર્મમાં પુરુષોત્તમ માસનું વિશેષ મહત્વ હોય છે અને તે સમયે અહીં આવનારા યાત્રિકોની સંખ્યામાં અનેકગણો વધારો થતો હોય છે. આ પવિત્ર માસની શરૂઆત પૂર્વે કુંડની પવિત્રતા અને શુદ્ધતા જળવાઈ રહે તે માટે અત્યારથી જ આ આયોજન કરવામાં આવ્યું છે. નિલેશભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, વ્યવસ્થાના ભાગરૂપે લેવાયેલા આ નિર્ણયમાં ભાવિકો સહકાર આપે અને આ બે દિવસ દરમિયાન દૂર-દૂરથી આવતા પ્રવાસીઓ પોતાની યાત્રાનું આયોજન ગુરુવાર પછી કરે તેવી નમ્ર વિનંતી છે. ગુરુવાર સવારથી તમામ વિધિઓ રાબેતા મુજબ શરૂ થઈ જશે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 1:18 pm

પાટણ ભાજપે 26 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કર્યા:પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ 6 વર્ષ માટે સભ્યપદ રદ, શિસ્તનો ભંગની કાર્યવાહી

પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં પક્ષની શિસ્તનો ભંગ કરી પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ 26 કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રદેશ ભાજપના આદેશ અનુસાર, આ કાર્યકર્તાઓને પક્ષના પ્રાથમિક અને સક્રિય સભ્ય પદેથી 6 વર્ષ માટે દૂર કરવામાં આવ્યા છે. પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતેથી જાહેર કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણીમાં પક્ષના સત્તાવાર ઉમેદવારો સામે જે કાર્યકર્તાઓએ અન્ય પક્ષ અથવા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી, તેઓ સામે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ યાદી પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ દ્વારા જાહેર કરવામાં આવી છે. સસ્પેન્ડ કરાયેલા 26 સભ્યોમાં જિલ્લા પંચાયતના 2, ચાણસ્મા તાલુકા પંચાયતના 1, શંખેશ્વર તાલુકા પંચાયતના 1, રાધનપુર તાલુકા પંચાયતના 1, સાંતલપુર તાલુકા પંચાયતના 4, સિધ્ધપુર તાલુકા પંચાયતના 2, પાટણ નગર પાલિકાના 7 અને સિધ્ધપુર નગર પાલિકાના 8 કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે. સસ્પેન્ડ કરવામાં આવેલા મુખ્ય નામોમાં બિલીયા જિલ્લા પંચાયત બેઠક પરથી પટેલ ભગવતીબેન કનુભાઈ અને નેદરા જિલ્લા પંચાયત બેઠક પરથી રાજપૂત માનજી પ્રતાપજીનો સમાવેશ થાય છે. પાટણ શહેરના વિવિધ વોર્ડમાંથી લીંબાચીયા શુશીલભાઈ આત્મારામ, રાવલ છાયાબેન મયુરકુમાર, રાજપુત ગોપાલસિંહ ગંગાસિંહ, પ્રજાપતિ ચેતનાબેન કમલેશભાઈ, ફારુકી મહમદકુસેન અતાહુસેન, સોલંકી પિનલબેન વિપુલભાઈ અને ઠાકોર ભવાનજી વરસાજીને પક્ષમાંથી દૂર કરાયા છે. આ પૈકીના મોટાભાગના સભ્યો પૂર્વ નગર પાલિકા સદસ્ય અથવા સક્રિય સભ્યો તરીકેની જવાબદારી સંભાળતા હતા. સિધ્ધપુર શહેરમાં પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ બદલ વાઘેલા કનુભા દલાજી, ઠાકોર નિરમાબેન સેધુસિંગ, પ્રજાપતિ હસમુખભાઈ હરગોવનભાઈ, પ્રજાપતિ વિકાસભાઈ હસમુખભાઈ, ભટ્ટ હેતલબેન રાકેશકુમાર, વ્યાસ દિપીકાબેન કિરણકુમાર, ઠાકર ગાયત્રીબેન મિતેશકુમાર અને ઠાકોર સજનબેન રાજુજીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તાલુકા કક્ષાએથી ઠાકોર હંસાબેન માધવસિંહ (ધાણોધરડા), ઠાકોર ભેમાજી અમથાજી (શંખેશ્વર), સોલંકી મુકેશભાઈ પચાણભાઈ (કામલપુર), ઠાકોર જમુબેન ધિરાજી (ઝઝામ), પ્રજાપતિ દિનેશભાઈ ખેમાભાઈ (લોદરા), ચૌધરી મઘાભાઈ દેવણભાઈ (વારાહી-2), આહીર રાણીબેન નારણભાઈ (મઢુત્રા), પટેલ અગ્નિભાઈ રણછોડભાઈ (કુવારા) અને રાઠોડ ધનજીભાઈ વિરાભાઈ (ડીંડરોલ) સામે પણ શિક્ષાત્મક પગલાં ભરી તેઓનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 1:13 pm

ફિલ્મી ઢબે કારનો પીછો કરી પોલીસે દારૂ ઝડપ્યો:વાળુકડ ચોકડી પાસેથી 1152 બોટલ સહિત 7 લાખનો મુદ્દામાલ જપ્ત, ચાર સામે ગુનો નોંધાયો

ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વોડે સિદસર વિસ્તારમાં વાળુકડ ચોકડી પાસેથી કારનો ફિલ્મી ઢબે પીછો કરીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જે મામલે બે શખ્સોની ધરપકડ પણ કરી હતી. આરોપીઓની પૂછપરછમાં અન્ય બે શખસના નામ પણ ખૂલ્યા હતા. દારૂ, કાર અને મોબાઈલ સહિત 7,09,424 રુપિયાનો મુદ્દામાલ કબજે કરી વરતેજ પોલીસ મથકે ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કારનો અટકાવવાનો પ્રયાસ કર્યોમળતી વિગતો અનુસાર, 19 એપ્રિલે રાત્રિના સમયે પેરોલ ફર્લોસ્ક્વોડની ટીમ શહેરના સિદસર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન તેમને ચોક્કસ માહિતી મળતા વાળુકડ ચોકડી પાસે વોચ ગોઠવી હતી. એ દરમિયાન એક કાર નંબર GA-10-A 5757 આવતા તેને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે ચાલકે ત્યાંથી ગાડી પૂરપાટ ઝડપે ભગાવી હતી. ત્યારે પોલીસ જવાનોએ આ કારનો ફિલ્મીઢબે પીછો કરી ઝડપી લીધી હતી.કારમાં સવાર ગોપાલ મેર (રહે.સિદસર) તથા અરજણ ચભાડ (રહે. સિદસર)ની અટકાયત કરી હતી. કારની તપાસ હાથ ધરતા વિના પરમિટે વિદેશી દારૂની નાની-મોટી અલગ અલગ બ્રાન્ડની 1,152 નંગ બોટલ મળી આવી હતી. સુરતના શખસે દારૂ ભરેલી ગાડી આપી હતીઆ દારૂ અંગે પૂછતા બંન્ને શખસોએ જણાવ્યું હતું કે સુરત રહેતા રઘુ ચભાડે આ દારૂનો જથ્થો ભરેલી ગાડી આપી હતી. જેને શહેરના ફુલસર વિસ્તારમાં આવેલ ખારામાં બાપાની મઢૂલી પાછળ રહેતા હરેશ અલગોતરે મંગાવી હતી. આથી પેરોલ ફર્લોસ્ક્વોડની ટીમે વિદેશી દારૂની બોટલ અને કાર સહિત રૂપિયા 7,09,424નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગોપાલ મેર અને અરજણ ચભાડ, રઘુ ચભાડ, હરેશ આલગોતર સામે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 1:12 pm

મહિલા અનામત બિલને લઇ રિવાબા જાડેજાનું નિવેદન:17 એપ્રિલનો દિવસ નારી શક્તિના સન્માન માટે સુવર્ણ દિવસ બની શક્યો હોત, કોંગ્રેસના વિરોધથી દિવસ મહિલાઓ માટે કાળો દિવસ બન્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શનિવારે રાત્રે રાષ્ટ્ર જોગ સંબોધન કરી મહિલા અનામત બિલ પાસ ન થઇ શક્યું એ માટે વિપક્ષને જવાબદાર ગણાવ્યા બાદ આજ રોજ ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી રિવાબા જાડેજાએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, નારી શક્તિનું સન્માન માટેનો અવસર હતો 17 એપ્રિલનો એ દિવસ ઇતિહાસમાં નારી શક્તિના સન્માન માટે સુવર્ણ અક્ષરે લખાયો હોત પરંતુ કોંગ્રેસ પક્ષે વિરોધ કરતા આ દિવસ નારી શક્તિ માટે કાળો દિવસ બની ગયો છે આ દેશની 70 કરોડ મહિલાઓનું અપમાન છે. રાજ્યકક્ષાના મંત્રી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, 17 એપ્રિલનો દિવસ મહિલાઓના સન્માન માટે સુવર્ણ અક્ષરે લખાઈ શક્યો હોત પરંતુ કોંગ્રેસે વિરોધ કરતા આ દિવસ મહિલાઓના સન્માન માટે કાળો દિવસ સાબિત થયો છે. સંસદમાં જે થયું એ માત્ર બિલની હાર ન હતી પરંતુ એ દેશની 70 કરોડ મહિલાઓ દીકરીઓએ જોયેલા સપનાઓ ઉપર કોંગ્રેસનો આઘાત જનક પ્રહાર હતો. દેશ આખાએ જોઈ લીધું કે ભાજપ સરકાર મહિલાઓ માટે અને કોંગ્રેસ સરકાર મહિલાઓના માર્ગમાં સતત અવરોધ બનીને આગળ વધી રહ્યું છે. કોંગ્રેસ અને બાકીના વિપક્ષોએ વીલ પસાર ન થતા જે આનંદ વ્યક્ત કર્યો પાટલી થપથપાવી આ મહિલાઓનું અપમાન નથી તો શું છે.? તેમને વધુમાં જણાવ્યું હતું કે, મહિલાઓના અધિકાર રોકવા એ કોંગ્રેસની જીત બની ગઈ છે. કોંગ્રેસનો ઇતિહાસ મહિલાઓ સાથે છડ, વિલંબ અને દગાનો રહ્યો છે. કોંગ્રેસે 60 વર્ષ સતામાં રહી માતૃ શક્તિનું અપમાન કરી વોટબેન્કની રાજનીતિ કરી છે. મહિલાઓના અધિકાર એ કોંગ્રેસ માટે માત્ર ભાષણનો વિષય રહ્યો છે નિર્ણયની બાબતમાં કોંગ્રેસ ક્યારે પણ મહિલા શક્તિને આગળ વધવા નથી દીધી. બિલ પાસ ન થવા દેવું એ કોંગ્રેસનું પૂર્વનિયોજિત રાજકીય ષડયંત્ર હતું. જે લોકોએ OBC અને દલિત મહિલાઓના શશક્તિકરણ માટે કહી જ નથી કર્યું તેમના નામે હવે આ બિલને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસને ડર છે કે દેશની સામાન્ય પરિવારની મહિલાઓ સાંસદમાં અને વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરશે અને તેમની પરિવારવાદની રાજનીતિને પડકારશે. સતા પરિવાર પૂરતી સીમિત રાખવી એ તેમની માનસિકતા છે. પોતાના પરિવારની મહિલાઓને જ આગળ વધારવી એ જ એમની માનસિકતા છે. માતૃશક્તિ ને માત્ર રસોડા સુધી સીમિત રાખવાની માનસિકતા આ કોંગ્રેસ પક્ષની છે. આ એજ કોંગ્રેસ છે જેને 370 કલમનો વિરોધ કર્યો, રામ મંદિરનો વિરોધ કર્યો, ત્રિપલ તલાકનો વિરોધ કર્યો, CAAનો વિરોધ, GSTનો વિરોધ, UCCનો વિરોધ કર્યો, સર્જીકલ સ્ટ્રાઇક અને ઓપરેશન શિંદુરનો વિરોધ, નર્મદા ડેમનો વિરોધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ વિરોધ કર્યો. કોંગ્રેસની માનસિકતા એ જ છે કોઈપણ રિફોમેશન આવે એમાં જૂઠું બોલો, ભ્રમ ફેલાવવો અને આગળ વધવા ન દેવું.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 1:00 pm

અરવલ્લી LCB એ 1608 બોટલ વિદેશી દારૂ ઝડપ્યો:નાંદીસણ સીમમાંથી દારૂ ભરેલી કોમ્પાસ જીપ પકડી, એક ઝડપાયો

અરવલ્લી જિલ્લા LCB એ ટીંટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના નાંદીસણ ગામની સીમમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 1608 બોટલ વિદેશી દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. LCB ગદાધર ગામથી જીવણપુર જતા વાહનોનું ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન એક કોમ્પાસ જીપને રોકવાનો પ્રયાસ કરાતા ચાલકે ગાડી ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે જીપના ચાલકને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય એક ઈસમ ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. તપાસ દરમિયાન જીપમાંથી 4.88 લાખ રૂપિયાની કિંમતની વિદેશી દારૂની કુલ 1608 બોટલો મળી આવી હતી. પોલીસે દસ લાખ રૂપિયાની કિંમતની કોમ્પાસ જીપ પણ જપ્ત કરી છે. આમ, પોલીસે કુલ 14.88 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં પોલીસે રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના રહેવાસી બસુભાઈ કાવાજી ભગોરા નામના આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 1:00 pm

ચૂંટણી પૂર્વે 'રાજકીય હવાલા કાંડ'નો પર્દાફાશ:પનીરના વેપારીના નામે દિલ્હીથી આંગડિયા પેઢી મારફતે ₹90 લાખ સુરત મોકલાયા; પૂર્વ મંત્રીનો PA સીસીટીવીમાં કેદ

સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે શહેરના રાજકારણમાં એક મસમોટા હવાલા કાંડના ઘટસ્ફોટે સનસનાટી મચાવી દીધી છે. મહીધરપુરા વિસ્તારમાં આવેલી અરવિંદભાઈ હિરેનભાઈ આંગડિયા પેઢી મારફતે છેલ્લા ચાર મહિનામાં આશરે સવા કરોડ રૂપિયા જેટલી માતબર રકમ દિલ્હીથી સુરત મોકલવામાં આવી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ સમગ્ર પોલિટિક્સ હવાલા કાંડનો માસ્ટર માઈન્ડ દિલ્હીનો હિમાંશુ પાહુજા હોવાનું સામે આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, હિમાંશુ પોતે આમ આદમી પાર્ટીનો નેતા હોવા છતાં આંગડિયા પેઢીમાં પોતાની ઓળખ એક 'પનીરના વેપારી' તરીકે આપતો હતો. આ પૈસા સુરતમાં દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનો PA રહી ચૂકેલો આકાશ મિશ્રા દ્વારા મેળવવામાં આવતા હતો, જેના સીસીટીવી પુરાવા હવે પોલીસના હાથમાં છે. આંગડિયા સંચાલકની કબૂલાતમહીધરપુરાની અરવિંદભાઈ હિરેનભાઈ આંગડિયા પેઢીના સંચાલક અલ્પેશ પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ખુલાસો કરતા કહ્યું કે, દિલ્હીથી હિમાંશુ નામની વ્યક્તિ દ્વારા છેલ્લા ત્રણ-ચાર મહિનાથી નિયમિત રીતે પેમેન્ટ મોકલવામાં આવતું હતું. હિમાંશુ આંગડિયા પેઢીમાં પોતાની ઓળખ એક મોટા પનીરના વેપારી તરીકે આપતો હતો, પરંતુ આ નાણાંનો અસલી હેતુ રહસ્યમય હતો. આ રોકડ રકમ લેવા માટે પૂર્વ મંત્રીનો PA આકાશ મિશ્રા પોતે દર મહિને આંગડિયા પેઢી પર આવતો હતો. અલ્પેશભાઈના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં અંદાજે 80થી 90 લાખ રૂપિયા આ રીતે મોકલવામાં આવ્યા છે, જેની છેલ્લી ડિલિવરી 10મી તારીખે લેવામાં આવી હતી. હાલમાં પોલીસે આંગડિયા પેઢીના રેકોર્ડ્સ અને એન્ટ્રીઓની તપાસ હાથ ધરી છે. પનીર વેપારીના સ્વાંગમાં હિમાંશુનો માસ્ટર પ્લાનતપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, દિલ્હીમાં બેઠેલો હિમાંશુ પાહુજા આ આંગડિયા પેઢીનો રેગ્યુલર કસ્ટમર હતો. આંગડિયા પેઢીના સંચાલક અલ્પેશભાઈના જણાવ્યા અનુસાર, હિમાંશુએ તેમને વિશ્વાસમાં લીધા હતા કે દિલ્હીમાં તેની પનીર બનાવવાની મોટી ફેક્ટરી અને દુકાન છે. આ વેપારના બહાને તે નિયમિત અંતરે સુરત પેમેન્ટ મોકલતો હતો. જોકે, પડદા પાછળની સત્યતા કંઈક અલગ જ હતી. પનીરના વેપારના નામે મોકલવામાં આવતા આ લાખો રૂપિયા વાસ્તવમાં ચૂંટણીલક્ષી પ્રચાર અને અન્ય ગુપ્ત રાજકીય ગતિવિધિઓ માટે વપરાતા હોવાની પ્રબળ આશંકા છે. અજય તિવારી નામનો અન્ય એક કાર્યકર પણ સામેલઆ હવાલા કાંડમાં સુરતનું કનેક્શન પીપલોદ વિસ્તાર સાથે જોડાયેલું છે. દિલ્હીથી મોકલવામાં આવેલા નાણાં મેળવવા માટે આકાશ મિશ્રા નામનો યુવક આંગડિયા પેઢી પર આવતો હતો. નોંધનીય છે કે, આકાશ મિશ્રા દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનો PA રહી ચૂક્યો છે. આકાશ છેલ્લા ચાર મહિનામાં અનેકવાર આંગડિયા પેઢી પર રૂબરૂ આવીને લાખોની રોકડ રકમ લઈ ગયો હતો. તેની સાથે અજય તિવારી નામનો અન્ય એક સક્રિય કાર્યકર પણ સામેલ હતો. આ બંને યુવકો મૂળ પરપ્રાંતીય છે, પરંતુ વર્ષોથી સુરતમાં સ્થાયી થઈ રાજકીય રીતે સક્રિય છે. સીસીટીવી ફૂટેજમાં કેદ થયો 'કાળો કારોબાર'આ સમગ્ર મામલામાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે 10 એપ્રિલના સીસીટીવી ફૂટેજ વાઇરલ થયા. આ ફૂટેજમાં આકાશ મિશ્રા અને અજય તિવારી આંગડિયા પેઢીમાંથી નાણાં રિસિવ કરતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. પોલીસ તપાસમાં આંગડિયા પેઢીના માલિકે કબૂલાત કરી છે કે છેલ્લા ત્રણ-ચાર મહિનામાં આશરે 8થી 90 લાખ રૂપિયા આકાશ મિશ્રાને હેન્ડઓવર કરવામાં આવ્યા છે. પોલીસ હવે આ સીસીટીવી ફૂટેજ અને આંગડિયા પેઢીના ચોપડાઓના આધારે તપાસનો વ્યાપ વધારી રહી છે. ચૂંટણી પૂર્વે ફંડિંગનો ખેલ: ક્યાં વપરાયા આટલા પૈસા?ક્રાઈમ બ્રાંચ અને ઉમરા પોલીસની પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે આ ફંડિંગ ખાસ કરીને આગામી ચૂંટણીઓના પ્રચાર-પ્રસાર અને કાર્યકર્તાઓના નેટવર્કને મજબૂત કરવા માટે મોકલવામાં આવ્યું હતું. સવાલ એ ઊભો થાય છે કે, જો આ વ્યવહાર કાયદેસરનો હતો, તો તેને હવાલા અને આંગડિયા મારફતે કેમ કરવામાં આવ્યો? શા માટે હિમાંશુએ પોતાની ઓળખ છુપાવી પનીરનો વેપારી બનવું પડ્યું? પોલીસની કડક પૂછપરછ અને ટેકનિકલ સર્વેલન્સમહીધરપુરા પોલીસ અને અન્ય એજન્સીઓએ આંગડિયા પેઢીના સંચાલક અલ્પેશભાઈ પટેલની સઘન પૂછપરછ કરી છે. પોલીસે નામની એન્ટ્રીઓ, દિલ્હી ઓફિસ સાથે થયેલા સંપર્કો અને વ્યવહારના સમયગાળાની સંપૂર્ણ વિગતો એકત્ર કરી છે. આ ઉપરાંત, આકાશ મિશ્રા અને હિમાંશુ પાહુજાના મોબાઈલ લોકેશન અને કોલ ડિટેઈલ્સનું ટેકનિકલ સર્વેલન્સ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. પોલીસને આશંકા છે કે માત્ર એક જ નહીં, પરંતુ અન્ય આંગડિયા પેઢીઓ મારફતે પણ કરોડો રૂપિયા સુરતની ધરતી પર ઠાલવવામાં આવ્યા હોઈ શકે છે. આગામી દિવસોમાં મોટા માથાના નામ ખુલવાની શક્યતાઆ હવાલા કાંડ માત્ર આકાશ મિશ્રા કે હિમાંશુ સુધી સીમિત નથી. પોલીસ માની રહી છે કે આ એક મોટા સિન્ડિકેટનો ભાગ છે. દિલ્હીથી ગુજરાત સુધી ફેલાયેલા આ નેટવર્કમાં અનેક 'સફેદપોશ' ચહેરાઓ સામેલ હોવાની પૂરેપૂરી શક્યતા છે. જેમ જેમ તપાસ આગળ વધશે, તેમ તેમ આ ફંડિંગના અસલી લાભાર્થીઓ અને રાજકીય આકાઓના નામ બેનકાબ થશે. સુરત પોલીસ હવે ઇન્કમ ટેક્સ વિભાગને પણ આ મામલે જાણ કરે તેવી શક્યતા છે, જેથી નાણાકીય ગેરરીતિઓની ઊંડી તપાસ થઈ શકે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 12:58 pm

ભરૂચમાં કોંગ્રેસની પ્રચાર સભા યોજાઈ:ગ્યાસુદ્દીન શેખે ભાજપ પર કર્યા આકરા પ્રહાર, પરિવર્તનનો દાવો

ભરૂચ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. આ અંતર્ગત ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા એક પ્રચાર સભાનું આયોજન કરાયું હતું. આ સભામાં અમદાવાદના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સભાને સંબોધતા ગ્યાસુદ્દીન શેખે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે રાજ્યમાં સત્તારૂઢ ભાજપ એન્ટી-ઇન્કમ્બન્સીનો સામનો કરી રહી છે. શેખે આરોપ લગાવ્યો કે હારના ડરથી ભાજપ સરકારી તંત્રનો દુરુપયોગ કરી રહી છે અને શાસક પક્ષ લોકોનો વિશ્વાસ ગુમાવી રહ્યો છે. શેખે આમ આદમી પાર્ટી (AAP) અને AIMIM પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે આ પક્ષો મતવિસ્તારમાં મત વિભાજન કરીને ભાજપને પરોક્ષ રીતે ફાયદો પહોંચાડી રહ્યા છે. આ સભામાં શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, ઝુબેર પટેલ, યુસુફ મલેક સહિતના અગ્રણી નેતાઓ અને ઉમેદવારો હાજર રહ્યા હતા. આ નેતાઓએ ભાજપ સરકારની નીતિઓની ટીકા કરી સ્થાનિક વિકાસના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. તેમણે મતદારોને કોંગ્રેસને સમર્થન આપવા અપીલ કરી હતી. કોંગ્રેસના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે નગર સેવા સદનની આ ચૂંટણીમાં જનતા પરિવર્તન ઈચ્છી રહી છે. તેમણે દાવો કર્યો કે આ વખતે ભાજપને સત્તાથી દૂર રાખવાનો લોકોનો મિજાજ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 12:55 pm

ભાજપના ઉમેદવાર નરેશ પટેલના કાફલા પર રાત્રે પથ્થરમારો:એક કાર્યકર ઘાયલ થતાં હોસ્પિટલમાં દાખલ, મહેસાણાના મગુના પાસેની ઘટના

મહેસાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. 19 એપ્રિલની રાત્રે મગુના જિલ્લા પંચાયત સીટના ભાજપના ઉમેદવાર નરેશ પટેલના કાર કાફલા પર મોડી રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ભાજપના એક કાર્યકરને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે કાફલાની બે કારના કાચ તૂટ્યા છે. સાંથલ પોલીસે આ મામલે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ફરિયાદ અને હોસ્પિટલમાં દાખલ ઘાયલ કાર્યકર પંકજ પટેલના જણાવ્યા અનુસાર તેઓ ચૂંટણીની પ્રચાર સભા પૂર્ણ કરી રામનગરથી મગુના તરફ જઈ રહ્યા હતા. ત્યારે રોડ પર આવેલી ડેરીની સામે અંધારાનો લાભ લઈ અજાણ્યા શખ્સોએ તેમની ટાટા પંચ પર જોરદાર પથ્થરમારો કર્યો હતો. ડ્રાઈવર સાઈડનો કાચ તોડી પથ્થર સીધો તેની જમણી આંખ ઉપર વાગ્યો હતો. જેના કારણે તેઓ લોહીલુહાણ બન્યા હતા. તેમની પાછળ આવતી અન્ય એક અર્ટીગા કાર પર પણ પથ્થર પડતા ઘોબો પડ્યો હતો. હાલ પંકજભાઈ મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમને ત્રણ ટાંકા લેવા પડ્યા છે. પંકજભાઈએ આ હુમલા પાછળ કોંગ્રેસના કાર્યકરોનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરી છે. કોંગ્રેસના લોકોએ હતાશામાં હુમલો કર્યો હોય શકે: નરેશ પટેલઆ સમગ્ર મામલે મગુના સીટના ભાજપના ઉમેદવાર નરેશ પટેલે જણાવ્યું હતું કે, ભાજપની જીત નિશ્ચિત જણાતા કોંગ્રેસના લોકોએ હતાશામાં આવીને આ હુમલો કર્યો હોઈ શકે છે. જોકે અગાઉ તેમની પોતાની ટિકિટ ફાળવણી સમયે થયેલા વિરોધ અંગે પૂછતા તેમણે બચાવ કરતા કહ્યું હતું કે પક્ષના કાર્યકર્તાઓએ ટિકિટ માંગી હતી પરંતુ હવે કોઈ આંતરિક વિરોધ નથી. મહેસાણાના મગુના પંથકમાં બનેલી આ ઘટનાએ શાંત ચૂંટણી માહોલમાં અચાનક ગરમાવો લાવી દીધો છે. એક તરફ ભલે ઉમેદવાર અને કાર્યકર આક્ષેપ કોંગ્રેસ પર કરી રહ્યા હોય પરંતુ ટિકિટ ફાળવણી વખતના આંતરિક વિરોધ અને ભાજપના ઉકળતા ચરુની વાતોએ પણ સ્થાનિક કક્ષાએ જોર પકડ્યું છે. હાલમાં સાંથલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 125(એ), 118(1), 324(2) મુજબ ગુનો દાખલ કરીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હવે પોલીસ તપાસમાં જ બહાર આવશે કે આ હુમલા પાછળ ખરેખર કોનો હાથ છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 12:54 pm

ગોધરામાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા 3 ઝડપાયા:SOG ટીમે 8 સિલિન્ડર, 2 રીક્ષા સહિત 87 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

ગોધરા SOG ટીમે ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી બે ઓટો રીક્ષા, આઠ ગેસ સિલિન્ડર સહિત કુલ 87 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. SOG ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગોધરાના દેવ તલાવડી વિસ્તારમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીઓ રાંધણગેસના સિલિન્ડરોમાંથી ગેરકાયદેસર રીતે અન્ય સિલિન્ડરોમાં ગેસ રિફિલિંગ કરતા હતા.ઝડપાયેલા આરોપીઓમાં ઓમ પ્રકાશ તારાની, મુકેશ સોલંકી અને આરીફ સદામસનો સમાવેશ થાય છે. આ ત્રણેય વિરુદ્ધ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 12:53 pm

તાપી નદીમાં કૂદી આપઘાતનો પ્રયાસ:કાપોદ્રા બ્રિજ પરથી યુવકે છલાંગ લગાવી, ફાયર જવાનોએ રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો

સુરત શહેરમાં આત્મહત્યાના પ્રયાસોની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે મોડીરાત્રે વધુ એક યુવકે કાપોદ્રા બ્રિજ પરથી તાપી નદીમાં કૂદીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કાપોદ્રા અને મોટા વરાછા ફાયર સ્ટેશનના જવાનોની સમયસૂચકતા અને તાત્કાલિક કામગીરીને કારણે યુવકનો જીવ બચી ગયો હતો. ફાયર વિભાગે યુવકને સહી-સલામત નદીમાંથી બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. રાહદારીઓએ બૂમાબૂમ કરી અને તંત્ર દોડતું થયુંમળતી માહિતી મુજબ, શહેરના કાપોદ્રા બ્રિજ પરથી રાત્રે એક અજાણ્યા 25 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર તાપી નદીમાં પડતું મૂક્યું હતું. બ્રિજ પરથી પસાર થતા રાહદારીઓની નજર આ યુવક પર પડતા જ ભારે હોબાળો મચી ગયો હતો. જાગૃત નાગરિકોએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ અને ફાયર બ્રિગેડને જાણ કરતા તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું. ફાયર બ્રિગેડનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશનઘટનાની ગંભીરતાને જોતા કાપોદ્રા અને મોટા વરાછા ફાયર સ્ટેશનની ટીમો રિંગ બોયા અને લાઈફ જેકેટ જેવા અત્યાધુનિક સાધનો સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ નદીના પ્રવાહમાં ડૂબતા યુવક સુધી પહોંચવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. અંતે ફાયર જવાનોએ ફિલ્મી ઢબે નદીમાં ઉતરીને યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધો હતો. આત્મહત્યાના પ્રયાસનું કારણ અકબંધફાયર વિભાગે યુવકને બચાવી લીધા બાદ તેને અશ્વિનીકુમાર પોલીસ ચોકીને સોંપવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવકની ઉંમર 25 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ તેણે કયા કારણોસર આ અંતિમ પગલું ભરવાનો પ્રયાસ કર્યો તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસ હાલ યુવકના પરિવારજનોનો સંપર્ક કરી રહી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 12:24 pm

વાડજમાં હાથમાં છરો લઈને યુવકનો આતંક, પોલીસને ગાળો આપી:રસ્તે જતાં રાહદારીઓને ધમકાવ્યાં, ‘અહીં માત્ર ચિકનની દુકાનો જ ચાલુ રહેશે’ કહી દુકાનદારોને ડરાવ્યાં

અમદાવાદના વાડજ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વાડજમાં રામાપીરના ટેકરા પાસે એક યુવક હાથમાં મોટો છરો લઈને જાહેર રસ્તા પર આતંક મચાવતો અને રાહદારીઓને ધમકાવતો જોવા મળ્યો હતો. આ યુવકે પોલીસ અને BRTS તંત્રને પણ બીભત્સ ગાળો ભાંડી હતી. ‘અહીં નહીં આવવાનું, બધું બંધ કરી દો’, આરોપીની દાદાગીરીવાઇરલ વીડિયો મુજબ, યુવક BRTS બસ સ્ટેન્ડ પાસે રસ્તાની વચ્ચે છરો લહેરાવીને નીકળતા વાહનચાલકોમાં ભય ફેલાવી રહ્યો હતો. તેણે દુકાનદારોને ધમકી આપતા કહ્યું હતું કે, બધું બંધ કરી દો, આ બધું મારું છે. અહીં માત્ર ચિકનની દુકાનો જ ચાલુ રહેશે. રાહદારીઓને છરો બતાવી તે અહીં નહીં આવવાનું કહીને ધમકાવી રહ્યો હતો. નવા PI માટે અસામાજિક તત્ત્વોનો પડકારવાડજ વિસ્તારમાં લાંબા સમય સુધી કાર્યરત PI વી. આર. ડાંગરની બદલી થયા બાદ, નવા આવેલા PI એચ. પી. ગરાસિયા માટે આ કિસ્સો એક મોટો પડકાર સાબિત થયો છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે પોલીસ અધિકારીઓની બદલી થતા જ અસામાજિક તત્ત્વોએ ફરી માથું ઊંચક્યું છે. આ ઘટનાએ પોલીસ પેટ્રોલિંગની ક્ષમતા પર પણ સવાલો ઊભા કર્યા છે. પોલીસ કાર્યવાહી: ગુનો નોંધવાની તજવીજઆ અંગે વાડજ પોલીસ સ્ટેશનના PI એચ. પી. ગરાસિયાએ જણાવ્યું હતું કે, વીડિયો વાઇરલ થયા બાદ યુવકની ઓળખ કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ (હથિયાર ધારા) હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 12:20 pm

'વ્યવસાય વેરો નાબૂદ કરો, નહીં તો મત નહીં':'જે સુરતને અમે ચમકાવ્યું, આજે ત્યાં જ અમારો અવાજ રૂંધાય છે', 100 કરોડનો ટેક્સ વસૂલતી મનપા સામે રત્નકલાકારોનો મોરચો

સુરતની ઓળખ સમાન હીરા ઉદ્યોગના રત્નકલાકારોમાં ભારે આક્રોશમાં છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના 26 એપ્રિલના મતદાન પૂર્વે રત્નકલાકારોએ મહાનગરપાલિકા દ્વારા વસૂલવામાં આવતા વ્યવસાય વેરા વિરુદ્ધ મોરચો માંડ્યો છે. તેમની સ્પષ્ટ માંગ છે કે પગારમાંથી કપાતો માસિક રૂ. 200નો વેરો તાત્કાલિક બંધ કરવામાં આવે. 'દર મહિને રૂ. 200નો બોજ'ઓમકાર સોરઠિયાએ જણાવ્યું હતું કે, મારી 20,000ની સેલેરીમાંથી 200 રૂપિયા કપાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાને 'નંબર વન' કહે છે, પણ મજૂરો પાસેથી વેરો ઉઘરાવવો એ ક્યાંનો ન્યાય છે? જે સુરતને અમે ચમકાવ્યું, આજે ત્યાં જ અમારો અવાજ રૂંધાય છે. વેરો માલિકોનો કે કારીગરોનો?રત્નકલાકાર હરિ મહારાજે પોતાની વ્યથા ઠાલવી કે, ખરેખર તો આ વ્યવસાય વેરો માલિકોએ ભરવાનો હોય છે, તો પછી કારીગરોના પગારમાંથી કેમ કાપવામાં આવે છે? અત્યારે ચૂંટણીનો માહોલ છે ત્યારે સત્તા પક્ષ અને વિપક્ષ બંનેએ આ ગંભીર મુદ્દા પર ધ્યાન આપવું જોઈએ. 'મહાનગરપાલિકા વિશ્વની આઠમી અજાયબી'રત્નકલાકાર રમેશભાઈ પાલિકાની નીતિઓ પર કટાક્ષ કર્યો હતો કે, મહાનગરપાલિકા વિશ્વની આઠમી અજાયબી છે જે કામદારો પાસેથી ટેક્સ લે છે. રત્નકલાકારો કામદારની કેટેગરીમાં આવે છે. તેમ છતાં રત્નકલાકારોને PF, PSI, હક રજા, ગ્રેજ્યુઈટી કે બોનસ જેવા કોઈ લાભો મળતા નથી. કામદારોને તેમના હક આપવાના બદલે તેમની પાસેથી ટેક્સ લેવો એ તદ્દન ખોટું છે. આ ચૂંટણીમાં રત્નકલાકારોનો મિજાજ સ્પષ્ટ છે કે વેરો નાબૂદ નહીં તો મત નહીં. '100 કરોડનો વેરો એ BRTSની નુકસાનીની ભરપાઈ'ડાયમંડ વર્કર યુનિયનના વાઈસ પ્રેસિડેન્ટ ભાવેશ કાકનું કહેવું છે કે, સુરતના રત્નકલાકારો દર વર્ષે અંદાજે 80થી 100 કરોડ રૂપિયા વ્યવસાય વેરો મહાનગરપાલિકાને ચૂકવે છે. બીજી તરફ, પાલિકાની BRTS બસ સેવા વર્ષે 100 કરોડનું નુકસાન કરે છે. શું રત્નકલાકારોના ટેક્સના પૈસાથી આ નુકસાની ભરપાઈ કરવામાં આવે છે? પરિવર્તનના મૂડમાં રત્નકલાકારોસુરતના લાખો રત્નકલાકારો જે શહેરની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે, તેઓ હવે પરિવર્તનના મૂડમાં જણાય છે. ડાયમંડ વર્કર યુનિયન અને અન્ય સંગઠનો દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં એ વાત સામે આવી છે કે, કારીગરોમાં શાસક પક્ષ પ્રત્યે ભારે નારાજગી છે. મધ્યમ અને ગરીબ વર્ગના આ કારીગરો માટે દર મહિને 200 રૂપિયાની બચત પણ મોટી વાત હોય છે. જ્યારે મોંઘવારી આસમાને છે ત્યારે વધારાના વેરાનો બોજ તેમને અસહ્ય લાગે છે. આ ચૂંટણીમાં રત્નકલાકારો એકજૂથ થઈને પોતાની તાકાત બતાવવા તૈયાર છે. ચૂંટણીલક્ષી કમીટમેન્ટની રાહ: રાજકીય પક્ષો માટે કસોટીઆગામી દિવસોમાં જ્યારે ઉમેદવારો પ્રચાર માટે રત્નકલાકારોના વિસ્તારોમાં જશે. ત્યારે તેમને આ વેરાના પ્રશ્નોનો સામનો કરવો જ પડશે. અત્યાર સુધી માત્ર આશ્વાસનો મળ્યા છે, પરંતુ આ વખતે રત્નકલાકારો 'કમિટમેન્ટ' માંગે છે. જે પક્ષ લેખિતમાં અથવા જાહેર મંચ પરથી વ્યવસાય વેરો નાબૂદ કરવાની જાહેરાત કરશે, તેના પક્ષે રત્નકલાકારોનું પલડું નમી શકે છે. હીરા નગરીના આ કારીગરોનો અવાજ ગાંધીનગર અને દિલ્હી સુધી પહોંચશે કે કેમ તે તો સમય જ બતાવશે. પણ હાલ પૂરતો તો રત્નકલાકારોએ વિરોધનું રણશિંગુ ફૂંકી દીધું છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 12:17 pm

બસ સ્ટેશનની લિફ્ટમાં ફસાઈ ગયા, ઈમરજન્સી બટન બંધ છે:રાજકોટના આધુનિક બસપોર્ટની લિફ્ટ બંધ થતા 4 લોકો જીવ બચાવવા કરગર્યાનો વીડિયો વાયરલ, સદનસીબે જાનહાનિ ટળી

રાજકોટનું આધુનિક બસપોર્ટ ફરી એક વખત વિવાદમાં આવેલું છે. અહીં ગત શનિવારે સાંજના સમયે લિફ્ટ બંધ થઈ ગયાનો વિડીયો વાયરલ થયો છે. જેમાં જાગૃત યુવાન વીડિયોમાં બોલે છે કે અમે લિફ્ટમાં ફસાઈ ગયા છીએ અને ઈમરજન્સી બટન પણ બંધ હાલતમાં છે. જોકે આ દરમિયાન ઇમરજન્સી નંબર પર જાણ કરવામાં આવતા લિફ્ટના મેન્ટેનન્સ સ્ટાફ દ્વારા લિફ્ટ ચાલુ કરી ફસાયેલા 4 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. બસપોર્ટમાં દુકાનો કે હોટેલમાં જવા માટેની લિફ્ટમાં કેપેસિટી કરતા વધુ સામાન લઈ જવામાં આવતા આ ઘટના બની હોવાનું બિલ્ડીંગ એસોસિયેશનનું કહેવું છે. જ્યારે ડેપો મેનેજર દ્વારા આ લિફ્ટના મેન્ટેનન્સની જવાબદારી અમારામાં આવતી ન હોવાનું કહી હાથ ખંખેરી લીધા હતા. રાજકોટ એસટી બસપોર્ટમાં શનિવારે સાંજના સમયે શહેરના મુખ્ય બસ સ્ટેન્ડના પ્રીમાઈસીસમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં બિલ્ડીંગમાં ચોથા માળેથી નીચે ઉતરતી લિફ્ટ અચાનક અધવચ્ચે જ થંભી ગઈ હતી. જેને લીધે લિફ્ટમાં ફસાયેલા 4 લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જેમાંના એક વ્યક્તિએ વીડિયો બનાવી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેમાં તે યુવાન કહે છે કે, 'અમે રાજકોટ બસ સ્ટેશનની લિફ્ટ માં ફસાઈ ગયા છીએ.' લિફ્ટની અંદર રહેલું ઈમરજન્સી બટન વારંવાર દબાવવા છતાં લીફ્ટ ખુલી રહી નથી. યુવાન કહે છે કે 'અમે રાજકોટના બસ સ્ટેન્ડમાં ચોથા માળેથી લીફ્ટમાં નીચે આવતા હતા અને અચાનક લીફ્ટ બંધ થઈ ગઈ છે, અમે લિફ્ટમાં ચાર લોકો ફસાયા છીએ, અમે હેલ્પ માટે જાણ કરી છે, લિફ્ટના ઈમરજન્સી બટન કામ નથી કરતા, અમે ઘણી ટ્રાય કરી પરંતુ લિફ્ટ ખુલતી નથી'. લિફ્ટમાંથી બહાર નીકળવા માટે લોકો લાંબા સમય સુધી કરગરતા જોવા મળ્યા હતા. બસ સ્ટેશનની લિફ્ટ બંધ થઈ જવા મામલે રોષ જોવા મળી રહ્યો છે કે કરોડોના ખર્ચે બનેલા બિલ્ડિંગની જાળવણીનો અભાવ શા માટે છે? અગાઉ પણ અહીં અનેક ક્ષતિઓ સામે આવી ચુકી છે ત્યારે આ લિફ્ટની ઘટનાએ સુરક્ષા સામે ગંભીર પ્રશ્નાર્થ ઉભા કર્યા છે. જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી છે પરંતુ તંત્રની આ લાપરવાહી અહીંના વેપારીઓ અને લોકો માટે જીવલેણ સાબિત થાય તેમ છે. આ અંગે ડેપો મેનેજર ઘનશ્યામ ચગનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે, જે લિફ્ટનો વિડીયો વાયરલ થયો છે તેનું સંચાલન એસટી વિભાગ પાસે નથી. તે બિલ્ડિંગ એસોસિએશનના મેનેજમેન્ટ હેઠળ આવે છે. જે બાદ બસ સ્ટેશન બિલ્ડીંગ એસોસિએશનના પ્રમુખ કશ્યપ પંચોલીનો સંપર્ક કરાતા તેમણે જણાવ્યું હતું કે, બસપોર્ટમાં આવેલી 400 દુકાનોનું અમારું એસોસિયેશન છે. આ લિફ્ટ બંધ થઈ ગઈ તે શનિવારે રાતની ઘટના છે. લિફ્ટમાં વધુ પડતો સામાન લઈ જવા તો હોવાને કારણે આવું બન્યું છે. જોકે 15 મિનિટમાં લિફ્ટ માં ફસાયેલા 4 લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 12:12 pm

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે મહીસાગરની મુલાકાતે:સંતરામપુરમાં વિકાસ સંકલ્પ સભા અને બેઠકનું આયોજન

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે મહીસાગર જિલ્લાના સંતરામપુરની મુલાકાત લેશે. તેઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 અંતર્ગત વિકાસ સંકલ્પ સભાને સંબોધશે. આ ઉપરાંત, તેઓ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને સામાજિક આગેવાનો સાથે મહત્વપૂર્ણ બેઠક પણ યોજશે. કાર્યક્રમ અનુસાર, મુખ્યમંત્રી પ્રથમ સંતરામપુરના પ્રતાપપુરા ગ્રાઉન્ડ ખાતે યોજાનારી વિકાસ સંકલ્પ સભાને સંબોધન કરશે. ત્યાર બાદ તેઓ સવારે રામદ્વારા ખાતે સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને સામાજિક આગેવાનો સાથે મુલાકાત કરશે. આ કાર્યક્રમને લઈને જિલ્લા તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. મુખ્યમંત્રીના આગમનને પગલે કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો સભા સ્થળ પ્રતાપપુરા ખાતે ઉપસ્થિત થયા છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 11:53 am

પાટણના રાધનપુર-વારાહી હાઈવે પર ટ્રેલરમાં ભીષણ આગ:મોટી પીપળી ગામ પાસે વાહનવ્યવહાર ખોરવાયો, કોઈ જાનહાનિ નહીં

પાટણ જિલ્લાના રાધનપુર-વારાહી નેશનલ હાઈવે પર મોટી પીપળી ગામ નજીક એક ચાલુ ટ્રેલરમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનાને કારણે હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાયો હતો, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. આજે રાધનપુરથી વારાહીને જોડતા નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલા ટ્રેલરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાની સાથે જ ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી વાહન ઉભું રાખી નીચે ઉતરી ગયો હતો, જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી આખા ટ્રેલરને લપેટમાં લઈ લીધું હતું. નેશનલ હાઈવે પર ચાલુ વાહનમાં આગ લાગવાની આ ઘટનાને પગલે અન્ય વાહનચાલકોમાં ભય ફેલાયો હતો. આગની તીવ્રતાને કારણે રસ્તાની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના પરિણામે થોડા સમય માટે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. સ્થાનિક લોકો અને રાહદારીઓ ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને તંત્રને જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આ દુર્ઘટનામાં ટ્રેલરને મોટાપાયે નુકસાન થયું હોવાનું જણાઈ રહ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા સેવાઈ રહી છે. ઘટના બાદ બળી ગયેલા વાહનને હાઈવે પરથી હટાવી ટ્રાફિક સામાન્ય કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 11:50 am

મોડાસા સાકરિયા હનુમાન મંદિરે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ:22 થી 24 એપ્રિલના ત્રિદિવસીય મહોત્સવની માહિતી અપાઈ

મોડાસાના સાકરિયા ગામે આવેલા સ્વયંભૂ અને સુતેલા હનુમાન દાદાના મંદિરે 22 થી 24 એપ્રિલ દરમિયાન ત્રિદિવસીય મહા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં જીર્ણોદ્ધાર અને પ્રાણ પ્રતિષ્ઠા સહિતના કાર્યક્રમો યોજાશે. આ અંગેની વિગતવાર માહિતી આપવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના મંત્રી અને અરવલ્લી જિલ્લાના પત્રકાર વૈભવ રાઠોડ તેમજ સ્વયંસેવક અને પત્રકાર કૌશિક પટેલના આયોજન હેઠળ યોજાયેલી આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લાના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકારોને કાર્યક્રમની સંપૂર્ણ રૂપરેખા આપવામાં આવી હતી. મંદિર ટ્રસ્ટના પ્રમુખ હેમંત પટેલે સમગ્ર કાર્યક્રમની વિગતો રજૂ કરી હતી. ત્રિદિવસીય મહોત્સવ અંતર્ગત મંદિરમાં જીર્ણોદ્ધાર, મારુતિયાગ અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા જેવા મુખ્ય ધાર્મિક વિધિઓ યોજાશે. આ ઉપરાંત, ભક્તો માટે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવનો પ્રારંભ 21 એપ્રિલે ધવલ કુમારના સ્વરે ભવ્ય સુંદરકાંડના આયોજનથી થશે. 22 એપ્રિલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મહાયાગ અને અગિયાર કુંડાત્મક હવન યજ્ઞશાળાનું ઉદ્ઘાટન કરશે. તે જ રાત્રે જીગ્નેશદાદાની સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. 23 એપ્રિલે લોક સાહિત્યકાર રાજભા ગઢવી દ્વારા ડાયરા કાર્યક્રમ યોજાશે. મહોત્સવની પૂર્ણાહુતિ 24 એપ્રિલે મહાપ્રસાદ સાથે થશે. મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરી શકે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હાલમાં મંદિર પરિસરમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 11:46 am

પાર્ટ-ટાઈમ જોબના બહાને વસ્ત્રાલના યુવક સાથે ₹30.49 લાખની છેતરપિંડી:હોટેલ-રેસ્ટોરન્ટમાં ગુગલ રિવ્યૂ આપવાનું કહી શરૂઆતમાં નાની રકમનો નફો અપાવ્યો; સાયબર ક્રાઈમમાં ફરિયાદ

અમદાવાદમાં સાયબર ગુનેગારોએ વધુ એક નિર્દોષ નાગરિકને પોતાની જાળમાં ફસાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે. વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા 38 વર્ષીય યુવકને હોટેલ-રેસ્ટોરન્ટના ગુગલ રિવ્યૂ આપવાના બહાને કમાણી કરવાની લાલચ આપી સાયબર ઠગોએ ₹30.49 લાખ પડાવી લીધા છે. છેતરપિંડીની મોડસ ઓપરેન્ડીવસ્ત્રાલમાં રહેતા 38 વર્ષીય યુવકે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે કે તે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. યુવકને ફોન પર અજાણ્યા નંબર પરથી વોટ્સએપમાં મેસેજ આવ્યો હતો, જેમાં પાર્ટટાઈમની જોબ ઓફર કરી હતી. આ જોબમાં મોબાઈલ ફોનથી ગુગલ મેપમાં જઈને હોટેલ અને રેસ્ટોરન્ટમાં રિવ્યુ આપવાના હતા. જે રિવ્યુ આપવાથી શરૂઆતમાં 50 રૂપિયાનો ટાસ્ક મળશે અને એડવાન્સ પૈસા જમા કરાવવાથી 100 રૂપિયાનો એક ટાસ્ક સામેથી આપવામાં આવશે, તેવું જણાવ્યું હતું. વિશ્વાસ કેળવી લાખોનું રોકાણ કરાવ્યુંયુવકે અજાણ્યા વ્યક્તિની વાતોમાં આવીને ટાસ્ક પૂરુ કરવાનું શરૂ કર્યું. જે બદલ યુવકને શરૂઆતમાં પુરા કરવાના પૈસા આપવામાં આવતા હતા, જે બાદ યુવકને ટેલિગ્રામના ગ્રુપમાં એડ કરવામાં આવ્યો હતો. આ ગ્રુપમાં એડ કર્યા બાદ રોજના 21 ટાસ્ક આપવામાં આવશે, કહીને યુવક પાસેથી એડવાન્સ 2000 લીધા હતા. જે પૈસા લીધા બાદ યુવકે ટાસ્ક પૂરા કરતા યુવકને 2630 રૂપિયા પરત આપવામાં આવ્યા હતા, જેથી યુવકને વિશ્વાસ આવી ગયો હતો. 30.49 લાખ ગુમાવ્યા બાદ ભાંડો ફૂટ્યો13 માર્ચ, 2026થી 1 એપ્રિલ, 2026 સુધીમાં ઠગોએ અલગ-અલગ બહાને યુવક પાસેથી પૈસા પડાવ્યા. યુવકને જણાવવામાં આવ્યું કે તેનો નફો ઘણો વધી ગયો છે, તેથી 'VIP કસ્ટમર' બનવા માટે વધુ ₹16 લાખ જમા કરાવવા પડશે. લાલચમાં આવી યુવકે આ રકમ પણ ભરી દીધી હતી. 20 દિવસમાં ટુકડે-ટુકડે કુલ ₹30.49 લાખ જમા કરાવ્યા બાદ જ્યારે યુવકે પોતાનો નફો ઉપાડવાનો પ્રયત્ન કર્યો, ત્યારે ઠગોએ 'પ્રોસેસિંગ ફી'ના નામે વધુ પૈસાની માંગણી કરી હતી. યુવકને છેતરપિંડીનો અહેસાસ થતાં તેણે તાત્કાલિક સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 11:45 am

જ્યાં ગઈકાલે મુસાફરોની ભીડ હતી ત્યાં આજે કાગડા ઉડે છે:ઉધના સ્ટેશન પર બીજા દિવસે સ્થિતિ સામાન્ય, વેકેશનમાં સમયમાં અઠવાડિયામાં ત્રણ દિવસ ભીડ રહેવાની શક્યતા

દક્ષિણ ગુજરાતની સ્કૂલ-કોલેજોમાં ગરમીની રજા, કારખાનાઓમાં રજા અને યુદ્ધની સ્થિતિ વચ્ચે રાંધણગેસની અછતને લીધે હજારો ઉત્તરપ્રદેશ, બિહાર અને ઓડિસાવાસીઓએ વતનની વાટ પકડી છે. દરમિયાન રવિવારે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર પરપ્રાંતીય શ્રમિકોની ભારે ભીડ ઉમટી હતી. આજે બીજા દિવસે એટલે કે સોમવારે ઉધના રેલ્વે સ્ટેશન ખાતે કાગડા ઉડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ભીડ માત્ર એક જ દિવસની હોય તે પ્રકારની હાલ સ્થિતિ સામે આવી રહી છે. ગઈકાલે શું ઘટના બની હતી?ગતરોજ ઉધના રેલવે સ્ટેશ. ખાતે અંદાજે 28 હજારથી વધુ મુસાફરો સ્ટેશન પર પહોંચ્યા, પરંતુ તેમાં માત્ર 23 હજારને જ ટ્રેનોમાં જગ્યા મળી શકી, જ્યારે 5 હજારથી વધુ મજૂરો નિરાશ થઈ પરત ફરવા મજબૂર બન્યા હતા. શનિવારે મોડી સાંજથી મોટી સંખ્યામાં મુસાફરોએ ઉધના સ્ટેશને ધામો નાંખ્યો હતો. મુસાફરોની સંખ્યા વધી રહી હતી. હાલાકી એટલી વધી ગઈ કે ટ્રેનમાં જગ્યા મેળવવા માટે મુસાફરો બેરિકેટ પર ચઢી ગયા હતા. જેને કારણે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આજે કાગડાઓ ઉડતા જોવા મળ્યાસવારે રેગ્યુલર દિવસોની જેમ ઉધના રેલવે સ્ટેશન પર સામાન્ય મુસાફરો દેખાયા હતા. આજે પણ થોડા ઘણા આજે મુસાફરો આવ્યા હતા તેમને લાઈનબધ ટ્રેનમાં બેસાડવામાં આવ્યા હતા. ગતરોજ જ્યાં મુસાફરો ની ભીડ હતી ત્યાં આજે કાગડાઓ ઉડતા જોવા મળ્યા હતા. ઉધના રેલવે સ્ટેશનના બંને હોલ્ડિંગ એરિયામાં એક પણ મુસાફર ન હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વેકેશનમાં ત્રણ દિવસ ભીડ રહેવાની શક્યતારવિવારના દિવસે જે અફરાતફરી અને ભાગદોડના દ્રશ્યો સર્જાયા હતા. જોકે આજે સોમવારના દિવસે સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે. આ પ્રકારની સ્થિતિ વેકેશન દરમિયાન શનિવાર, રવિવાર અને મંગળવારના રોજ થવાની શક્યતા છે. વેકેશન દરમિયાન થતી પરિસ્થિતિને લઈને રેલવે વિભાગ દ્વારા આ ત્રણેય દિવસોમાં સ્પેશિયલ ટ્રેન પણ દોડાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્રણ જેટલી ટ્રેન અન રિઝલ્ટ સાથે જનરલ કોચવાળી ટ્રેન દોડાવવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 11:45 am

બોટાદમાં પરશુરામ જન્મોત્સવ શોભાયાત્રા નીકળી:સર્વ સમાજના લોકો જોડાયા, ધામધૂમથી ઉજવણી

બોટાદ શહેરમાં 19 એપ્રિલ, 2026 ના રોજ ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા બોટાદ જિલ્લા સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ અને શ્રી મહાકાળીધામ બોટાદ દ્વારા યોજવામાં આવી હતી. અખિલ ભારતીય સંત સમિતિના બોટાદ જિલ્લા અધ્યક્ષ શ્રી ભાવેશબાપુ શુકલનો પણ આ આયોજનમાં સહયોગ રહ્યો હતો. આ શોભાયાત્રા શ્રી મસ્તરામજી મંદિરથી શરૂ થઈ હતી. તે દિનદયાળ ચોક, હવેલી ચોક, એસ.ટી. ડેપો અને પંજવાણી વેબ્રિજ સહિત શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી. રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેમાં સર્વ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરી હતી. શોભાયાત્રાનું સમાપન વર્લ્ડ મલ્ટીપ્લેક્સ સામે આવેલા શ્રી મહાકાળી ધામ ખાતે થયું હતું. રેલી પૂર્ણ થયા બાદ શ્રી મહાકાળી ધામ દ્વારા મહાઆરતી અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 11:45 am

રૂ. 2 લાખનું આવાસ લેવામાં લોકોને રસ નથી !:રાજકોટ મનપાને 1 BHKનાં કુલ 1057 આવાસ માટે પખવાડિયામાં માત્ર 454 ફોર્મ મળ્યા, 2 અને 3 BHK આવાસ લેવા ફોર્મનો ઢગલો થયો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના પશ્ચિમ અને ઉત્તર વિસ્તારના છેવાડે આવેલા પ્રેમમંદિર અને પોપટપરા વિસ્તારમાં વર્ષો જૂના ખંઢેર આવાસોનું રીનોવેશન કરીને માત્ર રૂ. 2 લાખમાં 1BHK આવાસ વેચવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે માત્ર રૂ. 2 લાખનું આવાસ લેવામાં લોકોને રસ ન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, મનપાને 1 BHKનાં 1057 આવાસ માટે પખવાડિયામાં માત્ર 454 ફોર્મ મળ્યા છે. બીજીતરફ LIG તેમજ MIG કેટેગરીનાં 2 અને 3 BHK આવાસ લેવા ફોર્મનો ઢગલો થયો છે. આ બંને કેટેગરીના મળી માત્ર 23 આવાસોની સામે અંદાજે 4 હજાર ફોર્મનો ઢગલો થયો છે. પ્રાપ્ત વિગત મુજબ જુના આવાસોને નવો ઓપ આપીને વેંચવાની યોજના અત્યારે ઊંધા માથે પછડાઈ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. વર્ષ 2006માં બીએસયુપી (BSUP) યોજના હેઠળ નિર્મિત આ 1057 આવાસોનાં રીનોવેશન બાદ માત્ર રૂ. 2 લાખની નજીવી કિંમતે ઓફર કરવા છતાં જનતાએ તેમાં કોઈ ખાસ રસ દાખવ્યો નથી. છેલ્લા બે સપ્તાહથી ચાલતી ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયામાં અત્યાર સુધીમાં આટલી મોટી સંખ્યાના આવાસો સામે માત્ર 454 ફોર્મ જ ભરાયા છે, જોકે આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 મેં છે. ત્યારે 1057 કરતા વધુ ફોર્મ ભરાય છે કે નહીં તેનાં પર સૌની મીટ મંડાયેલી છે. મનપાની નિષ્ફળતા પાછળનું મુખ્ય કારણ આવાસોનું અતિશય જૂનું માળખું માનવામાં આવે છે. પ્રેમમંદિર પાસે અને પોપટપરામાં આવેલા આ આવાસો મૂળભૂત રીતે ઝૂંપડપટ્ટી મુક્ત શહેર અભિયાન અંતર્ગત વિસ્થાપિતોને વસાવવા માટે બનાવવામાં આવ્યા હતા. જોકે ભૌગોલિક સ્થિતિ સહિતના અગમ્ય કારણોસર તત્કાલીન લાભાર્થીઓએ આ મકાનોમાં રહેવા જવાનું મુનાસિબ માન્યું નહોતું. જેના પરિણામે લાંબા સમય સુધી માનવ વસવાટ વિનાના આ મકાનો અસામાજિક તત્વોનો અડ્ડો અને 'ભૂતિયા બંગલા' જેવા ખંઢેરમાં ફેરવાઈ ગયા હતા. બિલ્ડિંગના બારી-બારણાં ચોરાઈ ગયા હતા, પ્લાસ્ટર ઉખડી ગયું હતું અને આખું સ્ટ્રક્ચર જોખમી જણાતું હતું. સામાન્ય એન્જિનિયરિંગ સિદ્ધાંત મુજબ, જ્યારે કોઈ ઈમારત 20-25 વર્ષ જૂની થાય ત્યારે તેનું રિ-ડેવલપમેન્ટ કરવું હિતાવહ હોય છે. રાજકોટના મોકાના ગણાતા પ્રેમમંદિર વિસ્તારમાં જમીનની કિંમત ખૂબ ઊંચી છે, ત્યારે તંત્ર પાસે તક હતી કે આ જૂના સ્ટ્રક્ચરને તોડી પાડીને ત્યાં 12 થી 14 માળના આધુનિક હાઈરાઈઝ બિલ્ડિંગો બનાવવામાં આવે. જો ત્યાં કોમર્શિયલ સેન્ટર અને નવા આધુનિક આવાસો બનાવવામાં આવ્યા હોત તો મનપાની તિજોરીમાં કરોડોની આવક થઈ શકી હોત અને જરૂરિયાતમંદોને સુરક્ષિત મકાન મળે તેમ હતું. પરંતુ, સત્તાધીશોએ જૂના જોખમી માળખા ઉપર જ થીગડાં મારીને, લાખો રૂપિયાનો ખર્ચ કરી રસોડાના પ્લેટફોર્મ, ઇલેક્ટ્રિક વાયરિંગ અને કલરકામ કરાવી તેને 'નવા' તરીકે રજૂ કરવાની નીતિ અપનાવી, જે હવે મનપા માટે 'લાખના બાર હજાર' જેવી સાબિત થઈ રહી છે. એકતરફ વધતી જતી મોંઘવારીના જમાનામાં મધ્યમ વર્ગ એક ઘર માટે વલખાં મારી રહ્યો છે, ત્યાં રૂ. 2 લાખમાં ઘર મળતું હોવા છતાં લોકો પાછા પડી રહ્યા છે. લોકોમાં એવી દહેશત છે કે જે બિલ્ડિંગ 20 વર્ષ સુધી બિનવારસી હાલતમાં પડી રહ્યું હોય તેની મજબૂતી કેટલી હશે? જોકે બીજી તરફ, આ ફોર્મ વિતરણમાં એલઆઇજી (LIG) અને એમઆઇજી (MIG) કેટેગરીના મકાનો માટે પડાપડી જોવા મળી રહી છે. માત્ર 6 એલઆઇજી આવાસો માટે 1882 અરજીઓ અને 17 એમઆઇજી આવાસો માટે 2171 અરજીઓ આવી છે. ઉલ્લેખનીય છે કે, આ આંકડાકીય તુલના સ્પષ્ટ કરે છે કે જનતાને સસ્તા કરતાં સુરક્ષિત અને આધુનિક આવાસ મળે તેમાં વધુ રસ છે. રાજકોટ મહાનગરપાલિકાના આ ફ્લોપ શો એ સાબિત કરી દીધું છે કે જૂના ખંઢેરને માત્ર કલર કરવાથી તે રહેવા લાયક બની જતું નથી. હવે જોવાનું એ રહે છે કે આવનારી 6 મેં સુધીમાં 1 BHKનાં આવાસો લેવા માટે કેટલા ફોર્મ આવે છે. જો કદાચ આ માટે જરૂરી અરજીઓ નહીં મળે તો મુદ્દત વધારવામાં આવે તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 11:37 am

ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ 9 ગામોની મુલાકાત લીધી:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પ્રચારમાં ગ્રામ્ય વિસ્તારોમાં સભાઓ યોજી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને સમગ્ર જિલ્લામાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. મતદાનને હવે ગણતરીના દિવસો બાકી હોવાથી વિવિધ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર કાર્યક્રમો, જનસભાઓ અને મતદારો સાથેના સંપર્ક અભિયાન જોરશોરથી ચાલી રહ્યા છે, જેના કારણે રાજકીય માહોલ ગરમાયો છે. વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પ્રચાર અર્થે વઢવાણ તાલુકાના 9 ગામોની મુલાકાત લીધી હતી. આ ગામોમાં ખોડુ, બાળા, અણિન્દ્ર, કરનગઢ, કટુડા, પ્રાનગઢ, રૂપાવટી અને વેળાવદરનો સમાવેશ થાય છે.આ ઉપરાંત, તેમણે સુરેન્દ્રનગર શહેરના 5 અલગ-અલગ સ્થળોએ જાહેર સભાઓ યોજી હતી. આ સભાઓ દરમિયાન સ્થાનિક પ્રશ્નો, વિકાસ સંબંધિત મુદ્દાઓ, જાહેર સુવિધાઓ અને ચૂંટણી પ્રક્રિયા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. ઉપસ્થિત લોકોએ પણ પોતાના પ્રશ્નો અને અભિપ્રાયો રજૂ કર્યા હતા, જેને ધ્યાનપૂર્વક સાંભળવામાં આવ્યા હતા.ધારાસભ્યના આ સતત પ્રવાસ અને વિવિધ સ્થળોએ યોજાયેલા કાર્યક્રમોને કારણે વિસ્તારમાં તેમની મુલાકાતો અંગે ચર્ચાઓ જોવા મળી રહી છે. ટૂંકા ગાળામાં અનેક વિસ્તારોમાં પહોંચવાના તેમના પ્રયાસો સ્થાનિક સ્તરે ધ્યાન ખેંચી રહ્યા છે.આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર વધુ ગતિમાન બનવાની શક્યતા છે. વિવિધ રાજકીય પક્ષો દ્વારા જનસભાઓ, ઘરેઘરે સંપર્ક અને અન્ય જાહેર કાર્યક્રમો દ્વારા મતદારો સુધી પહોંચવાના પ્રયાસો વધુ તેજ બનશે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 11:19 am

મેવાણીને કાળા ઝંડા બતાવ્યા, હાય હાયના નારા લાગ્યા:સરસપુર-રખિયાલ વોર્ડમાં કોંગ્રેસના જ કાર્યકર્તાઓએ સ્ટાર પ્રચારકનો વિરોધ કર્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ઉમેદવારોના પ્રચાર માટે રેલી યોજી રહ્યા છે, પરંતુ ઠેર ઠેર ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે(19 એપ્રિલ) જીગ્નેશ મેવાણી રખિયાલ-સરસપુર વોર્ડની પેનલના પ્રચાર માટે આવ્યા હતા. જે દરમિયાન રેલી પણ યોજવામાં આવી હતી. રેલીના રૂટ પર સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા કાળા ઝંડા ફરકાવી વિરોધ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ હાય હાયના નારા લગાવીને જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસના ઉમેદવારનો વિરોધ કર્યો હતો. ઉમેદવારની સાથે સ્ટાર પ્રચારકનો વિરોધઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ટિકિટ વહેંચણીનો વિવાદ ચૂંટણી પ્રચારમાં પણ જોવા મળી રહ્યો છે. સિનિયર નેતાઓએ પોતાના નજીકના લોકોને ટિકિટ અપાવવા સક્રિય કાર્યકર્તાઓની ટિકિટ કાપી દીધી હતી. સરસપુર રખિયાલ વોર્ડમાં પણ સિનિયર નેતાઓની જીદના કારણે અંતિમ ઘડીએ મેન્ડેટ બદલી દેવામાં આવ્યું હતું. જેથી સક્રિય કાર્યકર્તાઓની ટિકિટ કપાતા હવે સ્થાનિક કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેવી હવે સરસપુર રખિયાલ વોર્ડમાં ઉમેદવારોની સાથે સાથે સ્ટાર પ્રચારકનો પણ વિરોધ થઈ રહ્યો છે. મેવાણીનો વિરોધગઈકાલે સ્ટાર પ્રચારક જીગ્નેશ મેવાણી સરસપુર રખિયાલ વોર્ડના ઉમેદવારોના પ્રચાર માટે રેલી યોજી હતી. જેમાં પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ સહિતના નેતાઓ પણ જોડાયા હતા. પરંતુ ટિકિટના વિવાદના કારણે રેલી જ્યારે મન્સૂરીની ચાલી પાસે પહોંચી ત્યારે કેટલાક સ્થાનિક કાર્યકર્તાઓએ સ્ટાર પ્રચારક અને ઉમેદવારનો વિરોધ કર્યો હતો. મોટી સંખ્યામાં કોંગ્રેસના સ્થાનિક કાર્યકર્તાઓએ કાળા ઝંડા ફરકાવી વિરોધ નોંધાવ્યો હતો. તો બીજી તરફ રેલીમાં જોડાયેલા કાર્યકર્તાઓએ જીતેગા ભાઈ જીતેગા પંજા વાલા જીતેગાના નારા લગાવ્યા હતા. તેમજ વિવાદ વધારે ન થયા તે માટે મોટી સંખ્યામાં પોલીસ પણ રાખવામાં આવી હતી. મારી પત્નીની છેલ્લી ઘડીએ ટિકિટ કાપી હતી: શકીલ ઘાંચીગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરીટી સેલના પૂર્વ મહામંત્રી શકીલ ઘાંચીએ જણાવ્યું હતું કે, સરસપુર રખિયાલ વોર્ડમાં મારી પત્નીને ટિકિટ આપવાનું નક્કી થયું હતું. તેમજ મેન્ડેટ લેવા માટે પણ આવવા કહેવામાં આવ્યું હતું. જેથી અમે બધી જગ્યાએ પોસ્ટ મુકીને ટિકિટ મળી ગઈ છે તેવી ઉજવણી પણ કરી દીધી હતી. પરંતુ છેલ્લી ઘડીએ અમારી ટિકિટ કાપીને અન્ય મહિલાને ટિકિટ આપવામાં આવી હતી. હિંમતસિંહ પટેલ પાસે ગયા હતા તો તેમણે એવું કહ્યું કે તે ઉપરથી વાત કરાવીને ટિકિટ લઈને આવ્યા છે. જેથી સક્રિય કાર્યકર્તા છીએ છતાં ટિકિટ કાપતા મેં રાજીનામું આપી દીધું હતું. જેથી ગઈકાલે રેલી દરમિયાન અમારા સ્થાનિક કાર્યકર્તાઓને સાથે રાખીને કાળા ઝંડા ફરકાવી વિરોધ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 10:43 am

પીરછલ્લા વોર્ડમાં જંગ 'પંજા'નો પરિવર્તનનો નારો vs ભાજપનો 'વિકાસ'નો દાવો:વિપક્ષનો 'ગાયબ નેતાઓ' પર પ્રહાર, તો શાસક નો ગાર્ડન અને પાણીના સહિત અનેક વિકાસના કામોના જોરે જીતનો વિશ્વાસ

30 વર્ષના શાસનમાં જનતા ત્રાહિમામ, આ વખતે પરિવર્તન નક્કી, વોટ લીધા પછી ભાજપના નેતાઓ દેખાયા નથી, અમે હારીએ કે જીતીએ જનતા સાથે રહીશું.. કરોડોના ખર્ચે પાણીની લાઈનો અને ગાર્ડન બનાવ્યા, વિકાસના જોરે જનતા ફરી જીતાડશે - કુમાર શાહ આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને શહેર ભરમાં રાજકીય માહોલ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર જોરોશોરથી પ્રચાર પ્રસાર થઇ રહ્યો છે ત્યારે પીરછલ્લા વોર્ડ નંબર 6ના મતદારોનો મિજાજ અને ઉમેદવારોના દાવાઓ વચ્ચે રસાકસીભરી સ્થિતિ જોવા મળી રહી છે, એક તરફ સત્તાધારી પક્ષ ભાજપ 10 વર્ષમાં થયેલા કરોડોના વિકાસ કાર્યો, નવી પાઈપલાઈન અને આધુનિક ગાર્ડનનો હવાલો આપી રહ્યો છે, તો બીજી તરફ વિપક્ષી ઉમેદવારો જનતાની પાયાની સમસ્યાઓ જેવી કે પાણીની અછત, ગટર અને રસ્તાના મુદ્દે પરિવર્તનની હાકલ કરી રહ્યા છે, ​વોર્ડના પ્રવાસ દરમિયાન જનતાનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે નળ છે પણ પાણી નથી, વેરો ભરો છતાં સુવિધા નથી અને વર્ષો જૂના રહેણાંક મકાનો પર ફરેલા જેસીબીના કારણે લોકોમાં રોષની લાગણી સ્પષ્ટ દેખાઈ રહી છે, કોંગ્રેસના ઉમેદવારો જનતાના આક્રોશને 'પરિવર્તનની લહેર' ગણાવી રહ્યા છે, જ્યારે ભાજપના ઉમેદવારો કરેલા કાર્યોના આધારે ફરી એકવાર ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે પીરછલ્લાની જનતા 'વિકાસ' ના નામે મત આપે છે કે પછી 'પરિવર્તન' ને તક આપે છે. પીરછલ્લા વોર્ડ કોંગ્રેસના ઉમેદવાર સલીમ રાધનપુરીએ જણાવ્યું હતું કે, ચૂંટણી નજીક આવી રહી છે પરંતુ લોકોના જ્યારે ભાવનગર મહાનગરપાલિકાનું ઇલેક્શન હોય ત્યારે લોકોના મુખ્ય પ્રશ્નો પાણી, નળ, ગટર અને રસ્તાના હોય છે અમે આ વિસ્તારમાં આવ્યા, આ વિસ્તારમાં અમે લોકોની સમક્ષ અમારો પ્રચાર કરવા ગયા ત્યારે લોકોએ અમને સ્પષ્ટ એવું કીધું કે 5 વર્ષ થયા અમને અહીંયા કોઈ મળવા આવ્યું નથી, ​અમે એમને એવી ગેરેન્ટી આપી છે કે અમે જીતીએ કે હારીએ, તમારા પ્રશ્નો સોલ્વ કરવા માટે અમે હંમેશા તૈયાર રહેશું અને આ વિસ્તારની અંદર સૌથી મહત્વનો પ્રશ્ન પાણીનો છે, દરેક વ્યક્તિઓએ એવું કીધું કે ભાઈ અહીંયા પાણી આવતું નથી, પણ ભાવનગરની જનતાને એવી અમે અપીલ કરીએ છીએ કે દરેક જગ્યાએ આ પ્રશ્ન ભાવનગરમાં છે તો હવે પરિવર્તનની લહેર ફૂંકાઈ ગઈ છે તો 'પંજા' ને વોટ આપી અને પરિવર્તન જરૂરી હોય, પરિવર્તન એક વખત લાવીને બતાવો. આ વખત ખૂબ જ સરસ રિસ્પોન્સ છે અને ખૂબ જ... કારણ કે લોકોમાં તકલીફ છે અને રોષ છે, ગુસ્સો છે, એ અમારી ઉપર ઠાલવે છે કે અહીંયા તમે આવો છો એક વખત મત માંગવા, પછી ક્યારેય આવતા નથી. એટલે અમે સ્પષ્ટ એવું કીધું કે 30 વર્ષથી ભાજપનું શાસન છે એટલે અમને મોકો નથી મળ્યો, આ વખતે મોકો આપો અને પછી જોઈ જોજો. તમારી ફરિયાદ હશે તો તમારે અમને કહેવા નહીં આવવું પડે, એ પહેલા ફરિયાદ સોલ્વ થઈ જશે. આ અંગે શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહએ જણાવ્યું હતું કે, આ વિસ્તારની અંદર રોડ હોય, બ્લોક હોય કે પાણીની જે સમસ્યાઓ હતી એ 10 વર્ષ દરમિયાન પૂરા કરવાના પૂરા પ્રયત્ન કર્યા છે, આ વોર્ડની અંદર બે કે ત્રણ વિસ્તાર એવા હતા કે જ્યાં થોડીઘણી પાણીના વિસ્તારની તકલીફ હતી, થોડોક ઊંચાણવાળો વિસ્તાર સેનોટેરિયમની હતી ત્યાં પણ થોડી તકલીફ હતી ત્યારે ત્યાં આગળ પાણીની નવી લાઈન નાખી છે સેનોટેરિયમની અંદર લગભગ અંદાજે 25 લાખના ખર્ચે પાણી ની લાઈન નાખી છે, સ્વસ્તિકનો સોસાયટીનો જે આંબાવાડીની અંદર ત્યાં પણ 45 લાખના ખર્ચે પાણીની લાઈન સ્વસ્તિક સોસાયટીની અંદર નાખવાનું કામ ચાલુ છે, એ જ રીતે ચારભાઈ બીડી વાળો ખાંચો છે ત્યાં આગળ પણ પાણીનો થોડો ઘણો પ્રેશરનો પ્રોબ્લેમ હતો ત્યાં આગળ પણ લાખ 60 થી 65 લાખના ખર્ચે પાણીની લાઈન નખાવી છે ​એ જ રીતે ડ્રેનેજ લાઈન જે વર્ષોથી રાજાશાહી વખતની હતી તે ડ્રેનેજ લાઈન પણ મંગળા માતાનું મંદિર હોય કે અલગ અલગ વિસ્તાર હોય ત્યાં આગળ બદલવાનું કામ કર્યું છે, મહિલા કોલેજ બગીચો આ વોર્ડની અંદર આવતો હોય છે ત્યારે આ મહિલા કોલેજ અઢી થી પોણા ત્રણ કરોડના ખર્ચે ડેવલપ કરવાનું કામ કર્યું છે, વધુમાં જણાવ્યું હતું કે, ટર્મ પૂરી થઈ એ પહેલા જ તે મહિલા કોલેજના વિસ્તારની અંદર યશવંતરાય નાટ્યગૃહની બાજુની અંદર જે જર્જરિત સ્કૂલ હતી તેને તોડી પાડીને અત્યારે પીક્યુસી એટલે કે સીએચસી સેન્ટર ત્યાં આગળ બનાવવા જઈ રહ્યા છીએ ત્રણ માળનું જેથી લોકોને નાનામાં નાની કાંઈ પણ હોસ્પિટલની અગવડતા હોય તો ત્યાં આગળ મળી રહે, ​આ સિવાય મેઈન બજાર હોય, રસાલા કેમ્પ હોય તમામની અંદર રોડ રસ્તા કર્યા છે અને નાનામાં નાની ગલીઓની અંદર કોઈપણ બ્લોક પણ બાકી ન રહી જાય તેની ચિંતા કરી છે ચારેય નગરસેવકોને જે અભૂતપૂર્વ પિરછલ્લા વોર્ડના મતદારોએ જે આવકાર આપ્યો છે એ આવકાર આગામી જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે તેમને પણ મળશે જ કામ કારણ કે અમે નાનામાં નાના લોકો સુધી પાણી માટે થઈ કે ડ્રેનેજ હોય કે રોડ રસ્તા તેની માટે થઈ અને નાનામાં નાના લોકો સુધી પહોંચ્યા છીએ ત્યારે આ તકે તમામ મતદારો સાથ આપશે, એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે, 10 વર્ષ સુધી જે રીતે વિકાસ કાર્યો કર્યા છે આ વિકાસ કાર્યોને વેગવંતુ ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યું છે આ વેગવંતુને આગામી દિવસોમાં મતદારો ચાલુ રાખશે.. ઈકબાલભાઈ ફ્રુટવાળાએ જણાવ્યું હતું કે, નવાપરા ગ્રીન આ વોર્ડમાં પાણીની થોડીક તકલીફ છે અને સફાઈની પણ છે, અમે ઘરવેરો અને અન્ય તમામ વેરા ભરીએ છીએ, તેમ છતાં પાણી અને સફાઈ કામની સમસ્યા રહે છે અમારા નવાપરા રાજપૂત વાડી પાસેનો જે વિસ્તાર છે ત્યાં જો સફાઈ સારી રીતે થાય તો સારું રહે, જેથી કરીને બાળકો બીમાર ન પડે.. પીરછલ્લા વોર્ડ કોંગ્રેસના ઉમેદવાર કલ્પેશ મણિયાર એ જણાવ્યું હતું કે, ખાસ તો પાણીના પ્રશ્નો આવે છે બીજું કહેવાનું કે 2010 માં આ વિસ્તારમાં રાજેશ જોશી જ્યારે કોર્પોરેટર હતા, ત્યારે અહીં મહિલા કોલેજમાં ઓવરહેડ ટાંકી બનાવી, ઓવરહેડ ટાંકી અહીંથી 200-300 ફૂટ આઘી છે, છતાં ભારતીય જનતા પાર્ટીના શાસકોને પાણીની લાઇન આપવામાં પણ તકલીફ પડે છે, ​અહીં એક વડીલ હતા, જેમણે અમને ખુદ કીધું કે આ વિસ્તારમાંથી કુમાર શાહ કોર્પોરેટર હતા પણ એ એક વાર મત લઈને હજી સુધી દેખાયા નથી. એવું ન બને એટલે અમે એ લોકોને ખાતરી આપી કે ચૂંટણી આજે છે, કાલે પતી જશે, અને અમે ચૂંટણી હારીએ કે જીતીએ, અમે તમારા પ્રશ્નો માટે 24 કલાક તૈયાર રહીશું... વિસ્તારમાં રહેતી સંધ્યાએ જણાવ્યું હતું કે, અહીંયા તમે જોઈ શકો છો કે ઘણા મકાનના ડિમોલેશન થઈ ગયા છે અને કેટલાય વર્ષોથી અમે વાલ્મિકી સમાજ અહીંયા રહેણાક કરતા હતા અને છતાં જ અચાનક કરીને ડિમોલેશન આવી ગયા, અહીંયા કરીને કેટલાય મજૂર હોય, મજૂરી કરીને પોતાના 7-7, 8-8 લાખના મકાનો કર્યા હોય અને તમે ડાયરેક્ટ આવીને મકાન જેસીબીથી તમે પાડી દો છો, તો તમે આ વિકાસ કર્યો કહેવાય છે?, ​અને મારી પાછળ જ તમે જોઈ શકો છો કે અહીંયા જોગર્સ પાર્ક છે, તમે જોઈ શકો છો, મસ્ત આમ કઈ હરિયાળી છે, સ્વચ્છતા અને પાછળ જ ગંદકી છે તો આ તમારો વિકાસ છે? નળ અને પાણીની સુવિધા તો સરસ કરી છે, પણ પાણી આવતું નથી, મોટર ચડાવવી પડે છે. આ છે વિકાસ? ​હવે અમારે વિકાસ નથી જોતો પણ હવે અમારે પરિવર્તન જોઈએ છે, હવે સમાજ અને વાલ્મિકી સમાજ બહુ કંટાળી ગયા છે, ખરેખર જે આ વિસ્તારનું જે ડિમોલેશન થયું છે ને એનાથી તો ખરેખર બહુ દુઃખ થયું છે. જે માણસોએ તો નવા નવા મકાન કર્યા હતા એનું પણ ડિમોલેશન કરવામાં આવ્યું છે. અને વોટ માંગવો હોય ત્યારે સફાઈ કામદાર, ત્યારે વાલ્મિકી સમાજ યાદ આવે છે! ભાજપના પીરછલ્લા વોર્ડ ના ઉમેદવાર વૈભવ પારેખએ જણાવ્યું હતું કે, લગભગ દરેક પ્રકારના કામ વોર્ડમાં થયા છે અને હજી પણ કાર્ય ગતિમાં જ છે તમે મહિલા કોલેજ ગાર્ડન જુઓ, ગંગાજળિયા તળાવ જુઓ કે જે ક્યારેય પહેલા લોકોએ જોયું નહોતું એવું અદ્યતન બનાવી દીધું છે. અને હજી પણ આવા જ દરેક કામ ચાલુ રહેશે. એટલે દરેક જગ્યાએ સ્ટ્રીટ લાઈટનો અત્યારે કોઈ જગ્યાએ પ્રોબ્લેમ નથી, ગલીના ખૂણે ખૂણેમાં સ્ટ્રીટ લાઈટ પહોંચી ગઈ છે. એવી જ રીતે વિકાસના દરેક કાર્યો પીરછલ્લા વોર્ડ સહિત સમગ્ર ભાવનગરમાં ચાલુ જ રહેવાના છે, ભાજપની સરકાર આવતા દરેક વોર્ડમાં આ કાર્ય ચાલુ જ રહેશે. અમે આટલા દિવસોથી પ્રચાર કરી રહ્યા છીએ પણ હજી કોઈ આવા પ્રશ્નો નથી આવ્યા, દરેક જગ્યાએથી અમને ખૂબ જ સરસ આવકાર મળ્યો છે અને સામેથી એમ કહે છે કે આ વસ્તુ અમારી થઈ ગઈ, તમે ખૂબ સારું કામ કરી દીધું. બ્લોકની અમને જે ફરિયાદ હતી કે હવે આ જૂના થઈ ગયા છે તો તમે નવા પણ નાખી દીધા. એટલે ખૂબ જ સરસ અમને રિસ્પોન્સ મળી રહ્યો છે, કોંગ્રેસના પીરછલ્લા વોર્ડ ના ઉમેદવાર દર્શના જોષીએ જણાવ્યું હતું કે, આ વોર્ડમાં મુખ્ય પ્રશ્ન પાણીનો છે ક્યાંક ખૂબ મોટર મૂકીને બહુ પ્રેશરથી કરે ત્યારે એમને પાણી આવે છે અને ઘણા વિસ્તાર એવા છે કે પાણી નથી આવતું અને પાણીનું બિલ રૂપિયા 1800 ભરી રહ્યા છે, વેરો અને પાણીને બધું બિલ નો ભરે તો ઈ લોકો ઇરરેગ્યુલરમાં આવે અને ભરે છે છતાં પાણી નથી આવતું. અને ઘણા સુખી સમૃદ્ધ મકાનો દેખાય છે પણ એમાં પાણીની સમસ્યા મુખ્ય છે, ​અને લોકો આ શાસનથી ત્રાહિમામ પોકારી ગયા છે કે જેને કારણે એમને કહે છે, એ લોકો તો સમજતા નથી કે કોણ અમારે ત્યાં આવ્યા છે, ઘણા તો અભણ બૈરાઓ હોય, એને ખબર નથી કે આ ભાજપવાળા છે કે કોંગ્રેસવાળા છે એન તો એમ કહે છે કે અમે આટલા ટાઈમથી મત દઈએ છીએ તમે અમારું કામ નથી કર્યું, હકીકતમાં કામ આ લોકોએ નથી કર્યું ને એનું અમારે સાંભળવું પડે છે મહિલાઓ બહુ ત્રાહિમામ પોકારી ગયેલી છે. 2021માં જીતેલા ઉમેદવાર પૂર્વ નગરસેવક અને મેળવેલ મત કુલ મનીષાબેન અમિતભાઇ વાધેલા 9605 ભાજપયોગીતાબેન પર્યકભાઈ ત્રિવેદી 10,162 ભાજપકૃણાલ ખાંતિલાલ શાહ 11,144 ભાજપ દિલીપ નારાયણદાસ જોબનપુત્રા 9605 ભાજપ પીરછલ્લા વોર્ડ માં આવતા વિસ્તારો આંબાવાડી, ઘોઘા સર્કલ, છાપુરૂ હોલ, ક્રેસન્ટ, બોરડીગેટ, ચારભાઈ બીડીવાળો ખાંચો, તિલકનગર, વાલ્મિકી વાસ, ગીતાચોક, નવાપરા, શેલારશા ચોક, રસાલા કેમ્પ, પીરછલ્લા, સંત કવરરામ ચોક, મહિલા કોલેજ, ડોન ચોક તથા મુનિ ડેરી સહિતના વિસ્તારો પીરછલ્લા વોર્ડ માં મતદારો પુરુષ મતદારો - 18,787સ્ત્રી મતદારો - 18,158કુલ મતદારો - 36,945 મતદાન મથકો -36

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 10:43 am

કર્ણાવતીમાં ધર્મ-સંસ્કૃતિ સંરક્ષણ માટે હિન્દુ સંમેલન:પરશુરામ જયંતિ નિમિત્તે 19 એપ્રિલે યોજાશે

કર્ણાવતીના ઉસ્માનપુરા વિસ્તારમાં ધર્મ અને સંસ્કૃતિના સંરક્ષણ માટે એક હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલન આગામી રવિવાર, 19 એપ્રિલ 2026ના રોજ યોજાશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક જાગૃતિ ફેલાવવાનો છે. સંમેલનમાં હિંદુ એકતા અને સંસ્કૃતિના સંરક્ષણનો સંદેશ આપવામાં આવશે, જેમાં સંતો, મહંતો અને ધાર્મિક આગેવાનો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ સંમેલન ઉસ્માનપુરા (કર્ણાવતી) સ્થિત ગોકુલ નગર સોસાયટીમાં યોજાશે. કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો અને ધાર્મિક પ્રવચનોનું આયોજન કરાયું છે. આ આયોજન સનાતન જનજાગૃતિ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. આયોજનમાં મોટી સંખ્યામાં માતૃશક્તિની બહેનો અને બાળકો પણ જોડાશે, જેઓ દ્વારા પ્રદર્શન પણ કરવામાં આવશે. આયોજકોએ સૌને આ કાર્યક્રમમાં હાજરી આપી ધર્મ અને સંસ્કૃતિના રક્ષણનો સંકલ્પ લેવા અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 10:38 am

દામનગરમાં જીવદયા નંદી સેવા ટ્રસ્ટ દ્વારા છાસ વિતરણ:ઉનાળામાં દૈનિક 500 પરિવારોના 2000 લોકોને મળે છે લાભ

દામનગરની પટેલ વાડી ખાતે જીવદયા નંદી સેવા ટ્રસ્ટ દ્વારા ઉનાળામાં વિનામૂલ્યે છાસ વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ સેવા દ્વારા દરરોજ 500 પરિવારોના અંદાજે 2000 લોકોને લાભ મળે છે. આ છાસ વિતરણ દૈનિક સવારે 6:00થી 7:00 કલાક દરમિયાન કરવામાં આવે છે. ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી આવતા લાભાર્થીઓને નિયમિતપણે છાસ પૂરી પાડવામાં આવે છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં શીતળતા આપતી આ છાસ સેવા અનેક લોકો માટે રાહતરૂપ બની છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ગરમીમાં લોકોને તાજગી અને પોષણ પૂરું પાડવાનો છે. આ સેવાકાર્યમાં મનસુખભાઈ નારોલા, જયંતિભાઈ નારોલા, કાંતિભાઈ આસોદરિયા, લાભુભાઈ નારોલા, બુધાભાઈ વનરા, નિખિલભાઈ દીક્ષિત, દીપકભાઈ રાવલ, નટુભાઈ ભાતિયા, ગોરધનભાઈ આસોદરિયા, બી.એલ. ચાવડા અને રવજીભાઈ લાભુભાઈ નારોલા સહિતના સ્વયંસેવકો નિયમિતપણે યોગદાન આપી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 10:27 am

વેરાવળમાં ભગવાન પરશુરામની જન્મજયંતી ઉજવાઈ:બ્રહ્મ સમાજે શોભાયાત્રા યોજી, બિલેશ્વર મંદિરે મહાપ્રસાદ કરાયો

વેરાવળમાં ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર શ્રી પરશુરામની જન્મજયંતી ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવી. આ પ્રસંગે બ્રહ્મ સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે બિલેશ્વર મંદિરે મહાપ્રસાદ સાથે સમાપ્ત થઈ હતી. સવારથી જ વેરાવળના વિવિધ બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામની પૂજા-અર્ચના કરવામાં આવી હતી અને વિવિધ મંદિરોમાં ભોગ ધરાવવામાં આવ્યો હતો. ગીર સોમનાથ બ્રહ્મ સમાજના યુવા સુજલ પાઠકની આગેવાની હેઠળ શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા વેરાવળના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થઈ હતી. જેમાં બહેનો, દીકરીઓ અને બાળકોએ વિવિધ વેશભૂષા ધારણ કરી હતી, જ્યારે બહેનો દ્વારા રાસ-ગરબા રજૂ કરવામાં આવ્યા હતા. શોભાયાત્રાનું વિવિધ સમાજના અગ્રણીઓ, વેપારીઓ, સંગઠનો અને રાજકીય આગેવાનો દ્વારા પુષ્પવર્ષા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રભાસ પાટણ બ્રહ્મ સમાજના સુજલભાઈ પાઠક, કપિલ મહેતા, મિલનભાઈ જોશી, ધર્મેશભાઈ જોશી, દેવેન્દ્રભાઈ ઓઝા સહિતના અગ્રણીઓ શોભાયાત્રામાં જોડાયા હતા. વેરાવળ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ પણ શોભાયાત્રાનું સ્વાગત કરી આગેવાનોનું અભિવાદન કર્યું હતું. આ શોભાયાત્રા બજરંગ મંદિરથી શરૂ થઈ, રેયોન ફેક્ટરી પાસેથી પસાર થઈ અને બિલેશ્વર મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. બિલેશ્વર મંદિરે પહોંચ્યા બાદ સમસ્ત બ્રહ્મ સમાજે પરિવાર સાથે ઉપસ્થિત રહી જ્ઞાતિ એકતાના દર્શન કરાવ્યા હતા અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. પરશુરામ ભગવાનની જન્મજયંતીની ઉજવણીમાં યુવા વર્ગ સહિત તમામ આગેવાનોએ સક્રિય ભૂમિકા ભજવી હતી. શોભાયાત્રા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે વેરાવળ સીટી પીઆઈ ગઢવી સાહેબ, પીએસઆઈ પ્રજાપતિ સાહેબ સહિતના પોલીસ વિભાગના સ્ટાફે બંદોબસ્ત પૂરો પાડ્યો હતો. આ બદલ સમસ્ત બ્રહ્મ સમાજે પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 10:18 am

અમદાવાદમાં 149મી રથયાત્રાની તૈયારીઓ શરૂ:જમાલપુરના જગન્નાથજી મંદિરે ચંદનયાત્રાની શરૂઆત, અક્ષય તૃતીયાના પાવન દિવસે રથ પૂજન વિધિ યોજાઈ

શહેરમાં પ્રસિદ્ધ રથયાત્રા મહોત્સવને લઈને ધાર્મિક ઉત્સાહ છવાઈ ગયો છે. 149મી રથયાત્રાની તૈયારીઓનો આજે 20 એપ્રિલના પવિત્ર પ્રારંભ થયો છે. જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિર ખાતે ચંદનયાત્રાની શરૂઆત કરવામાં આવી છે. અક્ષય તૃતીયાના પાવન દિવસે રથ પૂજન વિધિ યોજાઈ, જેમાં સવારે 9:15 વાગ્યે વૈદિક મંત્રોચ્ચાર સાથે કાર્યક્રમ શરૂ થયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો મંદિર પરિસરમાં ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન જગન્નાથજીને ચંદન અર્પણ કરીને શુભ શરૂઆત કરવામાં આવી. જગન્નાથજીની રથયાત્રાનું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે અક્ષય તૃતીયાના દિવસે રથયાત્રાની સફળતા માટે ચંદનયાત્રા કરીને વિશેષ પ્રાર્થનાઓ પણ કરવામાં આવી હતી. સાથે જ અમદાવાદ શહેરમાં સત્તાવાર રીતે રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ પવિત્ર પ્રસંગને લઈને સમગ્ર શહેરમાં ધાર્મિક અને ભક્તિભાવનો માહોલ સર્જાયો છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 9:58 am

અમરેલીમાં ફાયર એક્ઝિબિશન યોજાયું:કલેક્ટર અને SP સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

અમરેલી ફાયર ઇમરજન્સી સર્વિસ દ્વારા એક શામ શહીદ કે નામ કાર્યક્રમ અંતર્ગત ફાયર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈ ડોકયાર્ડ આગની ઘટનામાં શહીદ થયેલા 66 જવાનોની સ્મૃતિમાં ઉજવાતા ફાયર સર્વિસ ડે નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ જાગૃત સમાજનું નિર્માણ કરવાનો અને આગ જેવી આપત્તિઓ સામે લોકોમાં સજાગતા ફેલાવવાનો હતો. આ એક્ઝિબિશનમાં આગ નિવારણના ઉપાયો, બચાવ કામગીરી અને આધુનિક સાધનો અંગે લોકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા જનતા કેટલી સલામત છે તે સ્પષ્ટ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ અને SP સંજય ખરાત સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સમગ્ર એક્ઝિબિશન નિહાળી ફાયર વિભાગની કામગીરીને બિરદાવી હતી. કલેક્ટરે વર્ષ દરમિયાન ફાયર વિભાગે કરેલા જાંબાઝ કાર્યોને યાદ કરીને ફાયર જવાનોને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના સમર્પણની પ્રશંસા કરી હતી. અમરેલી કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લાના ફોરવર્ડ સર્કલ ઉપર નેશનલ ફાયર ડેના ઉપલક્ષમાં જિલ્લામાં મોજૂદ ફાયરના બધા ઇક્વિપમેન્ટનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે. તેમણે નાગરિકોને અહીં આવીને ફાયર વિશે જાણકારી મેળવવા અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, અમારી ફાયર ટીમ રાત-દિવસના સમયમાં, ખૂબ ટૂંકા સમયમાં સારો પ્રતિસાદ આપે છે અને છેલ્લા ઘણા વર્ષોમાં ઘણી સારી કામગીરી કરીને ઘણા લોકોના જીવ બચાવ્યા છે. અમરેલી SP સંજય ખરાતએ જણાવ્યું હતું કે, ફાયર સર્વિસ વિભાગ તરફથી આ વર્ષે 14 એપ્રિલથી 20 એપ્રિલ સુધી ફાયર સર્વિસીસના ફરજના ભાગરૂપે જે ફાયર સર્વિસીસના જવાનો, અધિકારીઓ, શહાદત ભૂતકાળમાં આપેલી છે એને યાદ કરવા સારું, સાથે-સાથે જાહેર જનતાને, ફાયર સર્વિસ ડિપાર્ટમેન્ટનું જે કામ છે, જાહેર જનતાની જે ફરજ છે, આ ડિપાર્ટમેન્ટનું કામ આપણા સૌના જાન-પ્રોપર્ટીના રક્ષણ માટે કેટલું જરૂરી છે એ જાણવા માટે કોઈ પણ આગનો બનાવ બને, તે બનાવ બનતા અટકાવવા સારું, બનાવ બનેલ હોય ત્યારે કેવી રીતે પ્રક્રિયા કરવી જોઈએ, બન્યા પછી શું તાકીદારી રાખવી જોઈએ તેના ભાગરૂપે આજે અમરેલીમાં ચાર રસ્તા, ફોરવર્ડ સર્કલ ઉપર બહુ સુંદર ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી, ગઢવી સાહેબ તરફથી બહુ સુંદર પ્રદર્શનનું આયોજન કરેલ છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 9:41 am

પાટણના ખેડૂતોએ અખાત્રીજે ખેતીનું મુહૂર્ત કર્યું:બળદને બદલે ટ્રેક્ટરનું પૂજન કરી ધરતી પૂજી

પાટણ જિલ્લાના ખેડૂતોએ અખાત્રીજના પવિત્ર દિવસે નવા કૃષિ વર્ષનો પ્રારંભ કર્યો છે. આધુનિક ખેતી પદ્ધતિ અપનાવીને, ખેડૂતોએ પરંપરાગત બળદને બદલે ટ્રેક્ટરનું પૂજન કરી ધરતી પૂજન કર્યું હતું. અખાત્રીજને ખેડૂતો માટે નવા કૃષિ વર્ષની શરૂઆતનો દિવસ માનવામાં આવે છે. આ વણજોયા મુહૂર્તના દિવસે ખેડૂતો ખેતીમાં ઉપયોગમાં લેવાતા ઓજારો અને ટ્રેક્ટર સહિતની વસ્તુઓની પૂજાવિધિ કરે છે. પરિવારની દીકરીઓના હસ્તે પૂજા કરાવીને તેઓ ખેતીનો પ્રારંભ કરે છે અને સારા વર્ષ માટે પ્રાર્થના કરે છે. ખેડૂતો ધરતીને માતા સમાન માને છે અને સારો પાક ઉતરે તે માટે શ્રદ્ધાપૂર્વક ધરતી પૂજન કરે છે. અગાઉ ખેડૂતો હળ-બળદથી ખેતી કરતા હતા અને બળદોની પૂજા કરતા હતા. ત્યારબાદ ધરતી માતાને સ્વસ્તિક દોરી પૂજા કરી ગોળ-ધાણા વહેંચી ખેતીનો પ્રારંભ કરતા હતા. જોકે, ખેતીની પદ્ધતિ આધુનિક બનતા હવે હળ-બળદના બદલે ટ્રેક્ટરનો ઉપયોગ કરીને મુહૂર્ત કરવામાં આવે છે. પાટણના ખેડૂતોએ પણ ખેતરમાં ઉગમણી દિશાએ ટ્રેક્ટર દ્વારા ખેતીનું મુહૂર્ત કર્યું હતું. આ પૂજાવિધિ દરમિયાન ખેડૂતોએ ટ્રેક્ટરને કંકુ-તિલક કર્યા બાદ ધરતી માતાની પૂજા કરી હતી. ત્યારબાદ લાલ નાડાછડી બાંધી, ગોળ અને ધાણા વહેંચ્યા હતા. ટ્રેક્ટર પર શ્રીફળ વધેરી, ધરતી માતા અને ખેતીના ઓજારોની આરતી કરવામાં આવી હતી. આ સાથે જ આવનારું વર્ષ સારું રહે અને કુદરત મહેરબાન રહે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 9:19 am

પરશુરામ જન્મોત્સવ શોભાયાત્રાનું સુરેન્દ્રનગરમાં ભવ્ય સ્વાગત:મુસ્લિમ ભાઈઓએ પુષ્પવર્ષા કરી કોમી એકતાનો સંદેશ આપ્યો

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા ઔદિચ્ય બ્રહ્મ સમાજથી પ્રસ્થાન કરીને પરશુરામ ચોક ખાતે પહોંચી હતી. પરશુરામ ચોક ખાતે ભગવાન પરશુરામની ફરસીને ફૂલહાર અર્પણ કરીને પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી, જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ શોભાયાત્રા દરમિયાન મુસ્લિમ ભાઈઓએ ભગવાન પરશુરામની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને કોમી એકતાનો ઉત્તમ સંદેશ આપ્યો હતો. આ દ્રશ્યએ સર્વધર્મ સમભાવનું પ્રતિક પૂરું પાડ્યું. યાત્રાની પૂર્ણાહુતિ બ્રહ્મ સમાજની વાડી ખાતે ભગવાનની મહાઆરતી કરીને કરવામાં આવી હતી. આ અવસરે શહેરના અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. વીરેન્દ્ર આચાર્ય, જીજ્ઞાબેન પંડ્યા, પંકજભાઈ, દીપકભાઈ સહિત સમાજના કર્મનિષ્ઠ કાર્યકરોએ યાત્રાને સફળ બનાવવા માટે સઘન પ્રયાસો કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 9:19 am

પાટણ ચૂંટણી: કિરીટ પટેલે ભ્રષ્ટાચારમુક્ત વહીવટની ખાતરી આપી:વોર્ડ 5 કોંગ્રેસ કાર્યાલય ઉદ્ઘાટન, ભાજપ પર મોંઘવારી મુદ્દે પ્રહાર

પાટણ નગરપાલિકાની આગામી ચૂંટણીને અનુલક્ષીને વોર્ડ નંબર 5ના કોંગ્રેસના ઉમેદવારોના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન ધારાસભ્ય કિરીટ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. શાંતિનિકેતન સ્કૂલ પાસે પ્રાઈમ આર્કેડ ખાતે યોજાયેલા આ પ્રસંગે ધારાસભ્યએ ભ્રષ્ટાચાર મુક્ત અને પારદર્શક વહીવટ આપવાની ખાતરી આપી હતી. આ કાર્યાલય વોર્ડ નંબર 5ના ઉમેદવારો દીપક બાબુભાઈ પટેલ, ચંદ્રકાન્ત દયારામભાઈ શ્રીમાળી, દક્ષાબેન કિરણભાઈ પટેલ અને રેખાબેન ભરતજી ઠાકોરના પ્રચાર માટે ખુલ્લું મુકાયું છે. જનમેદનીને સંબોધતા ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે, પાંચ વર્ષના શાસનથી જનતા કંટાળી ગઈ છે અને આ વખતે નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવશે. ધારાસભ્ય કિરીટ પટેલે તેમના આઠ વર્ષના કાર્યકાળનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, તેમણે પાટણમાં 3,000 કરોડથી વધુના વિકાસલક્ષી કામો કર્યા છે. આ કામોમાં અનેક સોસાયટીઓના રોડ, હાઈવે, રીંગરોડ અને સરસ્વતી નદી પર રિવરફ્રન્ટની દરખાસ્તનો સમાવેશ થાય છે. તેમણે પોતાની પ્રમાણિકતા અંગે પડકાર ફેંકતા કહ્યું કે, જો પાટણ નગરપાલિકાના 11 વોર્ડ કે 110 ગામમાંથી કોઈ પણ વ્યક્તિ કે કોન્ટ્રાક્ટર સાબિત કરી દે કે તેમણે એક પણ રૂપિયાની લાંચ કે ટકાવારી માંગી છે, તો જનતા તેમને આજીવન મત ન આપે. કિરીટ પટેલે વધતી જતી મોંઘવારી મુદ્દે ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, જ્યારે પરિવારમાં લગ્ન જેવા પ્રસંગો હોય અને પાંચ તોલા સોનું ખરીદવાની વાત આવે, ત્યારે મોંઘવારીના કારણે સામાન્ય માણસને કમળનું બટન દેખાતું બંધ થઈ જશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 8:47 am

બાળકને અપાયું નવજીવન:શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ સ્ટાફે ચાર બાળકોના જીવ બચાવ્યા

ગુરુદેવ રાકેશજીની પ્રેરણાથી કાર્યરત સુરેન્દ્રનગર સ્થિત શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ ખાતે તાજેતરમાં બાળકો દ્વારા ગળી લેવાયેલી જોખમી વસ્તુઓના ચાર ગંભીર કેસોમાં એન્ડોસ્કોપી દ્વારા સફળ સારવાર આપવામાં આવી હતી. સમયસર નિદાન અને અદ્યતન એન્ડોસ્કોપિક ટેક્નિકના ઉપયોગથી તમામ બાળકોને કોઈ જટિલતા વિના સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા હતા. એક કેસમાં બાળક દ્વારા બે લોહચુંબક ગળી જવાથી આંતરડાંને ગંભીર નુકસાન થવાની શક્યતા હતી, જ્યારે બીજા કેસમાં બટન બેટરી ગળી જવાથી અંદરના અંગોમાં કેમિકલ બર્ન થવાનો ભય હતો. ત્રીજા કેસમાં ખિલ્લી ગળી જવાથી પેટમાં ઈજા થઈ હતી અને ચોથા કેસમાં બાળક સિક્કો ગળી ગયું હતું, જે પેટમાં પહોંચી જતા તેને અટકી રહેવાની અથવા આગળ વધવાની શક્યતા હતી. ચારેય કેસોમાં કોઈ મોટી જટિલતા નોંધાઈ નહોતી, જે હોસ્પિટલની અદ્યતન એન્ડોસ્કોપી સુવિધા, નિષ્ણાત ટીમની કાર્યક્ષમતાનું પ્રતિબિંબ છે. જેમાં ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગના નિષ્ણાતો ડૉ. ચિંતન ટેઇલર, ડૉ. નુપુર મહેતા અને એનેસ્થેસિયા વિભાગના ડૉ. નંદન ઉપાધ્યાયની ટીમે એન્ડોસ્કોપી દ્વારા બાળકોના પેટમાંથી લોહચુંબક, બટન, ખિલ્લી, સિક્કા જેવી વસ્તુઓ સફળતા પૂર્વક કાઢી હતી અને બાળકોને ગંભીર સ્થિતિમાં જતા બચાવ્યા હતા. આમ, સુરેન્દ્રનગરની શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલમાં આ પ્રકારની સુવિધા દર્દીઓ માટે જીવન ઉદ્ધારક સાબિત થઇ છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 8:32 am

વ્યાજખોરોનો આતંક:બહેનની સગાઇ માટે રૂ. અઢી લાખ વ્યાજે લીધા સામે 3 લાખ ચૂકવ્યા છતાં પત્ની-બહેન વિશે અભદ્ર ટિપ્પણી

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં વ્યાજખોરોનો ભરડો યથાવત હોય તેમ વધુ એક ગંભીર ફરિયાદ નોંધાઈ છે. લીંબડીમાં મજૂરી કામ કરતા યુવકે બહેનની સગાઈ માટે લીધેલા અઢી લાખ રૂપિયાના બદલામાં વ્યાજખોર દંપતીએ ત્રણ લાખ વસૂલ્યા હોવા છતાં વધુ નાણાં માટે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ઘટનાની વિગત એવી છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામે રહેતા કમલેશભાઈ સોંડાભાઈ ચાવડાએ ગત ડિસેમ્બર મહિનામાં બહેનના દાગીના છોડાવવા માટે માલણપુરના રાજુભાઈ ભીખાભાઈ પાસેથી 10 ટકા વ્યાજે રૂ. 2.50 લાખ લીધા હતા. જેની સામે રાજુભાઈએ શરૂઆતમાં જ રૂ. 20,000 વ્યાજ કાપીને માત્ર રૂ. 2.30 લાખ આપ્યા હતા. ત્યારબાદ કમલેશભાઈએ ટુકડે-ટુકડે અંદાજે રૂ. 3 લાખ જેટલી માતબર રકમ વ્યાજ અને મૂડી પેટે ચૂકવી દીધી હતી. રાજુભાઈને આટલી રકમથી સંતોષ ન થતાં અવારનવાર ફોન કરી ગાળો આપી ધમકી આપતા હતા. ગત 9 એપ્રિલના રોજ આરોપી રાજુભાઈ અને તેમની પત્ની રિંકુબેન છેક લીંબડી કમલેશ ભાઈના ઘરે પહોંચ્યા હતા. ત્યાં તેમણે ઉઘરાણી કરી ધમકી આપી કે, જો પૈસા ન હોય તો તારી પત્ની અને બહેનને ધંધો કરવા મોકલી દે. આટલેથી ન અટકતા, આરોપીઓએ કમલેશભાઈના પિતાને પણ ધમકાવ્યા હતા. અને કહ્યું કે, જો પૈસા નહીં મળે તો તમારા દીકરાને કંઈ પણ થશે તો અમારી પાસે આવતા નહીં. વ્યાજખોર દંપતી વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી હાથ ધરાઈ વ્યાજખોરોના અસહ્ય માનસિક ત્રાસ અને પરિવાર વિશેની અપમાનજનક ટિપ્પણીઓથી કંટાળીને અંતે કમલેશભાઈએ રાણપુર પોલીસ સ્ટેશનમાં રાજુભાઈ ભીખાભાઈ અને રિંકુબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે મની લોન્ડરિંગ અને ધમકીના કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાજખોરો, દારૂના વેપલો કરતા ઇસમો સહિત ગુનાહિત ગેર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરૂદ્ધ બોટાદ પોલીસે લાલ આંખ કરી છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 8:31 am

હુમલો:કારખાનામાં આવતા અટકાવ્યા કેમ? 4 શખ્સનો સિક્યોરિટી ગાર્ડ પર હુમલો

મોરબીના જૂના ઘુટું રોડ ઉપર આવેલા એક કારખાનામાં ચાર શખ્સ શંકાસ્પદ રીતે દરવાજો કૂદીને અંદર ઘૂસતા કારખાનાના સિક્યુરિટી ગાર્ડ જોઇ જતાં આ ચારેયને કારખાનામાં જતા અટકાવ્યા હતા. જેથી ચારેય શખ્સે ઉશ્કેરાઈને ચાર પૈકીના એકે લાપી ભરવાના ધારવાળા પતરાથી હુમલો કરી સિક્યુરિટી ગાર્ડના પેટના ભાગે મારીને ગંભીર ઇજા પહોંચાડી હતી. તેમજ અન્ય ત્રણ શખ્સએ ઇજાગ્રસ્ત સિક્યુરિટી ગાર્ડને ઢીકાપાટુનો ઢોર માર મારી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ હોલો સેનેટરી કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા મૂળ જામનગર જિલ્લાના વાગુદળ ગામના રહેવાસી અરવિંદભાઈ રામભાઈ રામાવત (ઉ.વ.45) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે માનવ કાથરાણી, નવાજ કટિયા, શેરમામદ કટિયા અને ફેજાન મોવર રહે. બધા મોરબી સામે ફરિયાદ નોંધાવી હતી કે, તે હોલો સેનેટરી કારખાનામાં પોતાની સિક્યુરિટી ગાર્ડ તરીકેની ફરજ ઉપર હતો ત્યારે માનવ કાથરાણી કંપનીના ગેટ પાસે હાજર હતો અને બાકીના ત્રણ આરોપી બાઈક લઈને કંપનીના ગેટ પાસે આવ્યા હતા ગેટ બંધ હોય ગેટને કૂદીને તે શખ્સએ કંપનીના ગ્રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો ત્યારે ફરિયાદીએ પૂછ્યા વગર કંપનીની અંદર જવાની ના પાડી હતી જેથી ચારેય શખ્સ ઉશકેરાઈ ગયા હતા અને માનવ કાથરાણીએ લાપી ભરવાનું ધાર વાળું પતરું ફરિયાદીને પેટના ભાગે ઘા મારીને જીવલેણ ઇજા કરી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો જ્યારે અન્ય ત્રણ આરોપીએ માર મારી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેથી સિક્યુરિટી ગાર્ડે સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 8:27 am

મંડે પોઝિટીવ:મોરબી શહેરમાં પરિવારની તમામ જવાબદારી વહન‎કરતાં શિક્ષિત મહિલાએ લીધો મૂક સેવાનો ભેખ‎

મોરબીના એક મહિલા કે જે કોઇ સેલિબ્રિટી નથી તેમ છતાં પોતાની વિચારસરણી અને મૂક સેવાના લીધે તે સમગ્ર નારી જાતિ કરતા અલગ અને મુઠી ઉંચેરું વ્યક્તિત્વ ધરાવે છે. કોઇ ગરીબ બાળકની ફી ભરવાની હોય કે દર્દીની મોંઘી સારવાર કરાવવાની હોય કે પછી વૃધ્ધોને ભોજન પહોંચાડવાનું હોય, આ મહિલા સદૈવ અગ્રેસર જ હોય.અહીં વાત થઇ રહી છે સાધનાબેન જગદીશભાઇ ઘોડાસરાની. તેઓ ગેજ્યુએટ છે, બે પુત્રી છે અને પતિ ઉદ્યોગ ધંધામાં સારું કમાતા હોય ખાધેપીધે સુખી સંપન્ન પરિવારના છે. એમનું અંતર-મન હમેશા જે ખુશીઓથી વંચિત હોય એવા બીજા લોકોનું ભલું કરવામાં જ રચ્યું પચ્યું રહે છે તેઓ દ્રઢપણે માને છે કે સમાજનો મોટો સમૂહ જે કોઈને કોઈ અભાવોથી પીડિત છે અને એમને મદદ કરવા માટે ઈશ્વરે આપણને લાયક બનાવ્યા છે. તો આપણે આવા લોકોનું ભલું કરવામાં નિમિત્ત કેમ ન બનીએ ? તેઓએ અનેક ગરીબ બાળકોની શિક્ષણ ફી, જરૂરિયાત મંદ દર્દીઓની મોંઘીમાં મોંઘી હોસ્પિટલમાં સઘન સારવારનો ખર્ચ,ઘર વિહોણા ગરીબોને સ્વપ્નનું ઘર બનાવવામાં તમામ સહયોગ પૂરો પાંડવા જેવી અનેકવિધ સેવપ્રવૃત્તિઓ કરી રહ્યા છે. નાનપણથી માતાપિતા તરફથી બીજાને મદદરુપ થવાનો સદગુણ વારસામાં મળ્યો છે. ઇચ્છા હોય તો એક ટુકડો રોટલી આપીને મદદ થાય‎સાધનાબેનકહે છે કે, તેઓએ ઘણી બધી નારીઓને એવી ફરિયાદ કરતા સાંભળી છે કે એક નારી આખરે કેટલા મોરચે લડી શકે ? લગ્ન પહેલા શિક્ષણ, કેરિયર બનાવવી, ઘરની પણ જવાબદારી તેમજ લગ્ન પછી વર્કિંગ વુમનને સંતાનો ઉછેર, સાસુ સસરા અને પતિની જવાબદારી, પરિવારિક સંબંધો વગેરે. ત્યારે તેઓ કહે છે કે,જહાં ચાહ હે વહા રાહ હે.. મતલબ કોઈને મદદ કરવાની અંતર મનથી ઈચ્છા હોય તો એક ટુકડો રોટલીમાંથી પણ મદદ કરી શકાય છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 8:25 am

લીંબુના ભાવમાં તોતિંગ ઉછાળો:ગરમી વધતાં લીંબુ શરબતની ડિમાન્ડ વધી પરંતુ ભાવ સાંભળીને ચક્કર આવી જાય તેવી સ્થિતિ

મોરબીમાં કાળઝાળ ગરમીને કારણે ચારેકોર ગરમ લૂ ફૂંકાતા ગરમ લૂથી બચવા જન આરોગ્ય માટે લીંબુ સરબત શ્રેષ્ઠ આરોગ્ય વર્ધક ગણાય, પણ હાલ આગઝરતી ગરમી કરતા લીંબુના ભાવો લોકોને વધુ દઝાડી રહ્યા છે. તેજ સૂર્ય પ્રકોપને કારણે ભાવો આસમાને પહોંચી ગયા છે. જેમાં હાલ દરેક ઘરે લીંબુ માંગ વધી છે, શહેરમાં લીંબુ સરબત સોડાની રેંકડી, દુકાનો, અન્ય ખોરાકમાં લીંબુની જરૂરિયાત હોવાથી એટલી બધી ડિમાન્ડ નીકળી છે કે રાતોરાત ભાવ ઉંચકાયા છે, ભાવ સાંભળીને જ દાંત ખાટા થઇ જાય કે ચક્કર આવી જાય તેવી નોબત આવી પડી છે. ગરમી વધતાં લોકો લીંબુ સરબતના શરણે જઇ રહ્યા છે તો વળી અમુક લોકો લીંબુનો જબરો સ્ટોક કરવા જથ્થાબંધ ખરીદી કરી રહ્યા છે. પાંચ દિવસના ભાવનો સરેરાશ રેશિયોલીંબુના મણ દીઠ ભાવ ક્રમશ: જોઈએ તો પાંચ દિવસ પહેલા લીંબુના મણના 2100 રૂપિયા ભાવ હતો. તેમાંથી એના બીજા દિવસે વધીને 2800 રૂપિયા થયા હતા અને ત્રીજા દિવસે તો લીંબુના મણના ભાવ 3 હજાર રૂપિયાને આંબી ગયા હતા અને ગઈકાલે મણના રૂ.3040 ભાવ થઈ ગયા બાદ શનિવારે મોરબી યાર્ડમાં લીંબુના ભાવ રૂ.3080 એ પહોંચી જતા સામાન્ય અને મધ્યમવર્ગીય લોકોને ગરમીથી બચવા લીંબુ સરબત પીવું દાંત ખાટા કરવા સમાન બની ગયું હતું. માર્ચમાં 2000 આસપાસના ભાવ હતા માર્ચ મહિના પહેલા એટલે માગશર મહિનામાં ઠંડીમાં મણના 1200ની આસપાસ ભાવ હતા. પણ માર્ચ મહિનો શરૂ થતાં ગરમી વધવાની ધીરેધીરે ભાવ વધીને લીંબુના મણના ભાવ રૂ.2000ની આસપાસ થયા હતા. જો કે દસેક દિવસ પહેલા માવઠાને કારણે વાતાવરણ ઠંડુ થતા લીંબુના ભાવોમાં થોડી રાહત થઈ હતી.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 8:23 am

સુરેન્દ્રનગરમાં બજરંગ દળનો હુંકાર:રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ અને લેન્ડ જિહાદ સામે કલેક્ટરને આવેદન

દેશમાં વધતી જતી વિકૃત જેહાદી માનસિકતા અને રાષ્ટ્રીય સુરક્ષા સામે ઉભા થયેલા જોખમોના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા જિલ્લા કલેક્ટર માધ્યમથી રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સંગઠન દ્વારા દેશના સામાજિક તાણાવાણાને તોડવાના ષડયંત્રો સામે કઠોર કેન્દ્રીય કાયદો બનાવવાની માંગ કરવામાં આવી છે. બજરંગ દળના કાર્યકર્તાઓએ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યુ હતુ.જેમાં મુખ્યત્વે પાંચ ગંભીર મુદ્દાઓ પર સરકારનું ધ્યાન દોર્યું છે. જેમાં વ્યવસાયિક ક્ષેત્રો અને સુશિક્ષિત સમાજમાં ફેલાઈ રહેલા ‘લવ જિહાદ'ના જાળા, હિન્દુ કન્યાઓનું શારીરિક શોષણ અને ધર્માંતરણના કિસ્સાઓનો ઉલ્લેખ કરાયો છે. આ ઉપરાંત, સરકારી, વન અને રેલવેની જમીનો પર થઈ રહેલા ગેરકાયદેસર ‘લેન્ડ જિહાદ'ને રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો ગણાવ્યો છે. આવેદનપત્રમાં ખાનગી રાહે ચાલી રહેલી અપવિત્ર ખાન- પાનની ઘટનાઓનો પણ ઉલ્લેખ છે. જે નાગરિકોના સ્વાસ્થ્ય અને ધાર્મિક લાગણીઓ સાથે ખીલવાડ હોવાનું જણાવાયું છે. આ કાર્યક્રમમાં બજરંગ દળના જિલ્લા સંયોજક અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને શાંતિ-સદભાવ જાળવવા અસામાજિક તત્વો પર કાર્યવાહી કસવા વહીવટી તંત્રને અપીલ કરી હતી. બજરંગદળની મુખ્ય માગણીઓ‎રાષ્ટ્રવિરોધી તત્વોને ચિહ્નિત કરી ત્વરિત કઠોર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે. સરકારી અને જાહેર જમીનો પરથી તમામ ગેરકાયદેસર દબાણો તાત્કાલિક હટાવવામાં આવે. લવ જિહાદ અને જબરન ધર્માંતરણ રોકવા માટે કડક કેન્દ્રીય કાયદો લાગુ કરવામાં આવે. જનજાતીય વિસ્તારોમાં શોષણ અટકાવવા વિશેષ સુરક્ષા તંત્ર વિકસાવવામાં આવે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 8:17 am

તડબૂચના ભાવ અને માંગ વધી:સુરેન્દ્રનગર જિલ્લામાં દૈનિક અંદાજે 250 મણ તરબુચનુ વેચાણ‎

સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીના પ્રકોપ વધવા સાથે ઠંડક આપતા કુદરતી ફળોની માંગ વધી છે.જેમાં તરબુચ એ ઉનાળાનું અમૃત કહેવાય તેવુ ફળ હોવાથી તેનીમાંગ વધુ રહે છે.હાલ શહેરમાં ઠેરઠેર તંબુ નાંખી વેચાણ થઇ રહ્યુ છે.ત્યારેગત વર્ષની સરખામણીએ મણે 100રૂપીયા ભાવ વધારો છે.જ્યારે રીટેઇલમાં 25થી 30ના ભાવે વેચાઇ રહ્યા છે.ત્યારે ઉનાળો વધે તેમ માંગ વધવાની વેપારીઓને આશા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ઉનાળો માર્ચના મહિનાના અંતિમ પડાવ તરફ વધવા સાથે સતત ગરમીનો પારો પણ વધી રહ્યો છે.ત્યારે 42 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જવા સાથે જનજીવનને અસર થઇ રહી છે.આથી બપોર પડ્યે રસ્તાઓ સુમસામ થઇ જાય છે.ત્યારે ગરમીની અસરથી બચવા લોકો પ્રયાસો હાથ ધરતા હોય છે. જેમાં ઉનાળાની સીઝનનું અમૃત ફળ કહેવાતા તરબુચનું શહેરમાં સુરેન્દ્રનગર, વઢવાણ, રતનપર, જોરાવરનગર, સુરેન્દ્રનગર મુળી રોડ હાઇવે સહિત ઠેરઠેર તંબુ નાંખી વેપારીઓ વેચાણ કરી રહ્યા છે.ત્યારે તાઇવાન જાતના, કીરન, અને બેગ્લોરના પટ્ટાવાળા સાથે ગોળ આકારના દેશી તરબુચની માંગ ઉઠી રહી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષ તરબુચના ભાવોમાં વધારો થવા પામ્યો છે. આ અંગે તરબુચના વેપારી રામજીભાઇ ગાબુએ જણાવ્યુ કે ગત વર્ષે તરબુચના 20 કિલો એટલેકે એક મણના ભાવ 250થી 300 હતા જે આ વર્ષે રૂ.300થી 350 પહોંચ્યા છે.જ્યારે ગત વર્ષે રીટેઇલમાં એક કિલોના ભાવ રૂ.20થી 25 હતા.જે બાદમાં 20 થયા હતા અને આ વર્ષ રૂ.25થી 30 રૂપીયા કિલોએ રીટેઇલ વેચાણ થઇ રહ્યુ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તરબુચ સોમનાથ, દ્વારકા,વેરાળવળ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર,સોલાપુર સહિતથી આવતા હોય છે.માર્ચ મહિનાની શરુઆત સાથે સીઝન સરૂ થાય તો મેના અંત સુધી ચાલતી હોય છે.હાલ દરરોજ બે ટ્રક આવતી હોય છે જેટલો દૈનિક 250 મણ તરબુચનું વેચાણ થતુ હોય છે. જેમ જેમ ઉનાળો આગળ વધે અને ગરમી વધુ પડે તેમ માંગ વધતી રહેશે. ધ્રાંગધ્રા અને ચૂડામાં તરબુચનું વાવેતરસુરેન્દ્રનગર જિલ્લામાં તરબુચની ખેતીમાં પણ ખેડૂતો નવતર પ્રયોગ કરવા સાથે વાવેતરની શરૂઆત થવા પામીછે.જેમાં જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગામોમાં તરબુચનું વાવેતર થયુ છે જ્યારે ચૂડાના ચાચકા ગામે ખેડૂત તરબુચનું વાવેતર કર્યુ છે. આમ જિલ્લો તરબુચની ખેતીમાં પણ આત્મનિર્ભરતા તરફ ડગ માંડી રહ્યો છે. ઠંડી પ્રકૃતિનું તરબુચ નેચરલ સુગરવાળુ હોવાથી ડાયાબીટીસ હોય તે પણ આહારમાં લઇ શકેઉનાળાની સિઝનમાં પરસેવાના કારણે શરીરમાં પાણી ઓછુ થતુ હોવાથી ગળામાં શોર્ષ પડવો, લૂ લાગવી, તકડાના કારણે માથુ દુ:ખવુ, નબળાઇ રહેવી, શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટવાથી શરીરમાં ફેરફારો થાય છે. તરબુચએ ઠંડી પ્રકૃતિનુ ફળ હોવા સાથે તેમાં 70 ટકા પાણી અને નેચરલ સુગર હોય છે.જેના કરણે ડિહાઇડ્રેશન કે બપોરના સમયે ગરમીથી રાહતમાટે ઉનાળામાં શ્રૈષ્ઠ ફળ છે.જે લોકોને યુરીનલ તકલીફ, કબજીયાત રહેતો હોય તો તરબુચનું સેવનથી લાભ રહે છે.જ્યારે નેચરલ સુગરવાળુ હોવાથી ડાયાબીટીસ હોય તે પણ આહારમાં લઇ શકે છે. > ડો.અક્ષય રાવલ વૈદ્ય પંચકર્મ આયુર્વેદાચાર્ય

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 8:16 am

કરુણાંતિકા સર્જાઈ:લીંબડી આગને કારણે યુવાન દંપતીની અંતિમયાત્રામાં સમાજ હિબકે ચડ્યો

શુક્રવારની રાત લીંબડીના વ્હોરા પરિવાર માટે ખરાઅર્થમાં કાળરાત્રિ સાબિત થઈ હતી. વ્હોરા સોસાયટીમાં રહેતાં બુરહાનુદ્દીન લોખંડવાલા, પત્ની તસનીમબેન, 32 વર્ષિય મોટોપુત્ર શબ્બીર, 29 વર્ષિય પુત્રવધુ રસીદા, નાનોપુત્ર મુફુદલ, પુત્રવધુ અમૃતલ્લા અને 1 વર્ષનો પ્રપૌત્ર હસન સાથે દોઢ વર્ષ પહેલાં બનાવેલા આલીશાન બંગલોમાં હાજર હતા. ત્યારે મોડીરાતે 11:30 વાગ્યે નીચેના માળે હોલમાં સોફા ઉપર ચાર્જીંગમાં મૂકેલ ચાઈનીઝ રમકડું બ્લાસ્ટ થયું હતું. સોફાની આગ કાર્પેટ, પડદા અને પીઓપીમાં પ્રસરી ગઈ હતી. શબ્બીર માતા-પિતાને ઘરની બહાર મૂકી ઉપરના માળે સુતેલા નાનાભાઈ તેના પરિવાર તથા પત્નીને બચાવવા દોડી ગયો હતો. આગ અને શોર્ટ સર્કિટને કારણે ડિજિટલ લોકવાળા દરવાજા કામ કરતા બંધ થઈ ગયા હતા. દરવાજો ખખડાવી ભાઈને ઘટના અંગે જાણ કરી પત્નીના રૂમમાં પ્રવેશ્યા ત્યાં સુધીમાં તેમના બેડરૂમમાં આગ પહોંચી ગઈ હતી. આગમાં સપડાયેલી પત્ની રસીદાને બચાવતી વખતે શબ્બીર પણ દાઝી ગયો હતો. ગુંગળામણ અને દાઝી જવાથી દંપતીનું મૃત્યુ થયું હતું. હિન્દુ પાડોશીઓએ મુફુદલ સાથે પરિવારનું રેસક્યું કરી બચાવી લીધા હતા. આગ લાગ્યાની જાણ થયા પછી અડધી કલાક બાદ આવેલા લીંબડી પાલિકાના તળિયું તુટેલા ફાયર બ્રાઉઝરે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે ત્યાં સુધીમાં તો વ્હોરા પરિવારે પુત્ર અને પુત્રવધૂને ગુમાવી દીધા હતા. દંપતીની અંતિમયાત્રામાં વ્હોરા સમાજ હિબકે ચડ્યો હતો. બનાવને લઈને સ્થાનિકોએ સુધરાઈના નકામા પુરવાર થયેલા ફાયર સાધનોને લઈને રોષ વ્યક્ત કર્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈએ ચીફ ઓફિસર સાગર રાડિયા, એસઆઈ જગદીશ પરમારને કચેરીએ બોલાવ્યા હતા. ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી કે લીંબડી પાલિકાના ફાયરના 3 વાહનોની વયમર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. 15 મહિનાથી સરકારમાં નવા ફાયર સાધનો આપવા લેખિત રજૂઆત કરાઈ છતાં સરકારે ફાયરના સાધનો આપ્યા નથી. વ્હોરા દંપતિના અપમૃત્યુ માટે કોને જવાબદાર ગણવા તે સૌથી મોટો સવાલ છે. કદાચ આ સવાલનો જવાબ વણઉકેલ્યો રહેશે તે લખવામાં કોઈ અતિશયોક્તિ નહીં ગણાય! ભવિષ્યમાં આવી કોઈ દૂર્ઘટના ન બને તે માટે સરકાર જાગૃત બની લોકો પ્રત્યેની જવાબદારી સમજી લીંબડી પાલિકામાં ફાયરના સાધનો પર્યાપ્ત કરાવે તે જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 8:14 am

ઉંમર, સંપત્તિ અને શિક્ષણનો તફાવત:જિલ્લા પંચાયતના 98માંથી 38 ઉમેદવાર નિરક્ષર !‎

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની 32 બેઠકો માટે મેદાનમાં ઉતરેલા 98 ઉમેદવારોએ પોતાની કુંડળી સોગંદનામું રજૂ કરી દીધી છે. જેમાં ઉંમર, સંપત્તિ અને શિક્ષણનો તફાવતની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ ચૂંટણીમાં એક તરફ 23 વર્ષના યુવાનોનું જોશ છે, તો બીજી તરફ 69 વર્ષના વડીલોનો અનુભવ છે. આર્થિક રીતે પણ આ લડાઈ અસમાન છે, જ્યાં એક ઉમેદવાર પાસે બે કરોડથી વધુની મિલકત છે, તો બીજા એક ઉમેદવાર પાસે માત્ર 5000 રૂપિયા જ છે. 98માંથી 38 ઉમેદવારે પોતાના શૈક્ષણિક લાયકાતના ખાનામાં નથી એટલે કે અભણ હોવાનું જાહેર કર્યું છે. જેમાં 28 મહિલા અને 10 પુરુષોનો સમાવેશ થાય છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની 32 બેઠકો પર મુખ્ય પક્ષોમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેના આ જંગમાં સૌથી વધુ ધ્યાન ઉમેદવારોની લાયકાત અને તેમની મિલકતો પર કેન્દ્રિત થયું છે. સૌથી યુવાન ઉમેદવાર માત્ર 23 વર્ષના છે, સૌથી વધુ ઉંમરના ઉમેદવાર 69 વર્ષના છે, જેઓ દાયકાઓનો રાજકીય અનુભવ ધરાવે છે. એક તરફ એમ.એ. એલ.એલ.બી. અસુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની 32 બેઠકો પર યોજાનારી આગામી ચૂંટણી માટે મેદાનમાં ઉતરેલા 98 ઉમેદવારોના સોગંદનામાનું વિશ્લેષણ કરતા અનેક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. સૌથી વધુ અને ઓછી ઉંમરનું ગણિત આ ચૂંટણીમાં યુવા લોહી અને અનુભવનો સંગમ જોવા મળી રહ્યો છે. વિશ્લેષણ મુજબ, જિલ્લા પંચાયતની આ રેસમાં સૌથી યુવાન ઉમેદવાર માત્ર 23 વર્ષના છે, જે લોકશાહીમાં યુવાનોની વધતી ભાગીદારી દર્શાવે છે. તેની સામે સૌથી વધુ ઉંમરના ઉમેદવાર 69 વર્ષના છે, જેઓ દાયકાઓનો રાજકીય અનુભવ ધરાવે છે. શિક્ષણ: ‘અંગૂઠા છાપ’ થી લઈને ‘વકીલ’ સુધીના મેદાનમાં શૈક્ષણિક લાયકાતની દ્રષ્ટિએ ઉમેદવારોમાં મોટું અંતર છે. એક તરફ એમ.એ. એલ.એલ.બી. અને એમ.એસસી. જેવી ઉચ્ચ પદવી ધરાવતા પ્રોફેશનલ ઉમેદવારો મેદાનમાં છે, તો બીજી તરફ એવા પણ ઉમેદવારો છે જેઓ નિરક્ષર છે અથવા માત્ર પ્રાથમિક શાળા સુધીનો જ અભ્યાસ ધરાવે છે.સંપત્તિ અને દેવું 30 થી 2.14 કરોડ સુધીની મિલકત આર્થિક વિશ્લેષણમાં ભારે વિરોધાભાસ જોવા મળ્યો છે. સૌથી શ્રીમંત ઉમેદવાર પાસે 2,14,50,000 બે કરોડથી વધુની જંગમ અને સ્થાવર મિલકત છે. જ્યારે આશ્ચર્યજનક રીતે, એક ઉમેદવાર પાસે સોગંદનામા મુજબ માત્ર 5000 જ છે. લોનની વાત કરીએ તો, એક ઉમેદવાર પર 3.17 કરોડથી વધુનું દેવું છે, જે આ ચૂંટણીમાં સૌથી વધુ છે.ને એમ.એસસી. જેવી ઉચ્ચ પદવી ધરાવતા પ્રોફેશનલ ઉમેદવારો મેદાનમાં છે. એક ઉમેદવાર સામે સૌથી વધુ 6 પોલીસ કેસ કુલ 98 ઉમેદવારોમાંથી 10 કોર્ટ કેસ પુરૂષો પર છે એક પુરુષ ઉમેદવાર એવા છે જેમના પર સૌથી વધુ 6 પોલીસ કેસ નોંધાયેલા છે. અન્ય કેટલાક ઉમેદવારો પર 1 કે 2 કેસ છે. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 48 મહિલા ઉમેદવારો મેદાનમાં છે. સોગંદનામાના વિશ્લેષણ મુજબ, આ પૈકીની એક પણ મહિલા ઉમેદવાર સામે કોઈ પણ પ્રકારનો ગુનાહિત કેસ નથી. ચાર બેઠકો પર અપક્ષ આવતા ચોપાંખીયો જંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહાનગર પાલિકા, પાલિકા, તા.પંચાયત સહિતમાં કોઇને કોઇ ઉમેદવાર બીનહરીફ થયા છે. જેમાં જિલ્લા પંચાયતમાં એક પણ ઉમેદવાર બીનહરીફ નથી જેમાં દરેક બેઠકપર ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે સીધી ટક્કર છે. અને જ્યારે ચાર બેઠકોપર તો અપક્ષ ઉમેદવારે પણ જંપલાવતા ત્યાં ચોપાંખીયો ચૂંટણી જંગ જામશે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 8:13 am

મંડે પોઝિટીવ:શિક્ષણનો નવો આયામ: પીએમ નવાગામ પ્રાથમિક શાળા બની રાજ્યની ‘મોડેલ સ્કૂલ’

થાન નવાગામ પ્રાથમિક શાળામાં પ્રવેશતા જ વિજ્ઞાન અને પ્રકૃતિનો સંગમ જોવા મળે છે. શાળામાં સ્થાપિત સોલાર ઊર્જાથી ચાલતો ઓટોમેટિક ફુવારો બાળકો માટે કૌતૂહલની સાથે ઉનાળામાં પક્ષીઓ માટે જળધારા બની રહ્યો છે. પર્યાવરણ જાગૃતિના ભાગરૂપે શાળાએ ‘વેસ્ટમાંથી બેસ્ટ'નો મંત્ર અપનાવ્યો છે. ભંગારમાં પડેલી જૂની બેન્ચોમાંથી આકર્ષક પગરખાં સ્ટેન્ડ બનાવીને બાળકોમાં શિસ્ત અને સ્વચ્છતાના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે.જગ્યાના અભાવ વચ્ચે પણ હરિયાળી ઉભી કરવા માટે નકામી પીવીસી પાઈપ્સમાં વેલીઓ અને ફૂલછોડનું વાવેતર કરીને ‘ વર્ટિકલ ગાર્ડન' તૈયાર કરાયું છે. આ ઉપરાંત, શાળા પરિસરમાં તૈયાર કરાયેલી પારંપરિક ‘હટ' ઝૂંપડી એક ઓપન ક્લાસરૂમ તરીકે કાર્ય કરે છે, જ્યાં બાળકો પ્રકૃતિના ખોળે બેસીને જ્ઞાન મેળવે છે. આ સર્વાંગી પરિવર્તન પાછળ શાળાના આચાર્ય અને ઉત્સાહી શિક્ષકોની મહેનત રહેલી છે. તેમના ઇનોવેટિવ વિચારોને કારણે આજે ગામલોકો અને ઉચ્ચ અધિકારીઓ પણ શાળાની મુલાકાત લઈને સંતોષ વ્યક્ત કરી રહ્યા છે. શાળાનું આ મોડેલ અન્ય શૈક્ષણિક સંસ્થાઓ માટે માર્ગદર્શક બની રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 8:11 am

લુણાવાડાનો 593મો સ્થાપના દિન:લુણાવાડાના 593મા સ્થાપના દિને શોભાયાત્રા, લૂણેશ્વર દાદાની મહાપૂજા

વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજના પવિત્ર દિવસે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક એવા ઐતિહાસિક નગર લુણાવાડાનો 593મો સ્થાપના દિન અત્યંત હર્ષોલ્લાસ અને પરંપરાગત શ્રદ્ધા સાથે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમગ્ર નગર ઉત્સવના રંગે રંગાયું હતું, ​ આજથી 593 વર્ષ પૂર્વે, ઈ.સ. 1434માં મહારાજા ભીમસિંહે લૂણનાથ બાબાની પ્રેરણા અને નગરદેવતા લૂણેશ્વર દાદાની કૃપાથી ‘લાવણ્યપુરી' આજના લુણાવાડા નગરનો પાયો નાખ્યો હતો. 5 સદીઓ વિત્યા પછી પણ આ નગર તેની ભવ્યતા અને સંસ્કારિતા માટે જાણીતું છે. આ મંગલમય દિવસની ઉજવણીના પ્રારંભે સવારે નગરના આદ્ય દેવ લૂણેશ્વર મહાદેવના મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના અને મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. લૂણેશ્વર મહાદેવના આશીર્વાદ લીધા બાદ મહારાજા સિધ્ધરાજસિંહ, નગર સ્થાપના દિન ઉત્સવ સમિતિના ચેરમેન અને પાલિકા પ્રમુખ તેમજ નગરપાલિકાના સભ્યો અને શહેરના અગ્રણી નાગરિકોની ઉપસ્થિતિમાં પાલખી પૂજન કરી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું. નગરના મુખ્ય માર્ગો પર નીકળેલી આ શોભાયાત્રામાં બુરહાની બેન્ડની સૂરાવલિઓએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. આ શોભાયાત્રા નગરના વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરીને નગરપાલિકા કચેરી ખાતે સંપન્ન થઈ હતી. આ પ્રસંગે મહાનુભાવો અને નગરજનોએ લુણાવાડાના પ્રજાવત્સલ રાજવીઓને આદરપૂર્વક યાદ કર્યા હતા. લુણાવાડાના શાસકોએ શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ અને પીવાના પાણીની સુવિધાઓની સાથે જે આધુનિક નગરરચના અને દીર્ઘદ્રષ્ટિ દાખવી હતી, તેને કારણે જ આજે લુણાવાડા એક સુવ્યવસ્થિત અને સમૃદ્ધ વારસો ધરાવે છે. કાર્યક્રમના અંતે રાજવી પરિવાર સહિતના મહાનુભાવોએ શુભેચ્છાઓ પાઠવી હતી. લુણાવાડાનો ઇતિહાસ ...લુણાવાડાનું પ્રાચીન નામ આનત્તપુર હતું. ત્યાર પછી સાહિત્યકારોએ તેને લાવણ્યપુર તરીકે ઓળખાવ્યુ અને હાલમાં લુણાવાડા નામ પ્રચલિત છે. મહારાજા ભીમસિંહ પછી મહારાજા ન્હારસિંહે સાશન કર્યું. તેમના સમયમાં લુણાવાડાને ફરતો કિલ્લો ઇ.સ. 1718માં બન્યો હતો. કિલ્લાને તે સમયે પાંચ દરવાજા હતા. જેમાંથી આજે ત્રણ દરવાજા જેમાં બે દરકોલી દરવાજા અને એક શહેરા દરવાજો હયાત છે. લુણાવાડામાં તોપખાનું ઘણુ જ મોટું હતું.રાજા દલેલસિંહે લુણેશ્વર મંદિરની પાછળવાવ બંધાવી, કિસનસાગર અને વસંતસાગર તળાવપણ તેઓએ બંધાવ્યા મહારાણા વખતસિંહને મહારાણી વિકટોરીયાતરફથી KCIEનો ખિતાબ આપવામાં આવ્યો હતો. મહારાણા વખતસિંહના અવસાન પછી રણજીતસિંહના પુત્ર વિરભદ્રસિંહ ઇ.સ. 1930માંગાદીએ આવ્યા હતા. રાજા દલેલસિંહજીએ લુણેશ્વર મંદિરની પાછળ વાવ બંધાવી, કિસનસાગર અને વસંતસાગર તળાવ પણ તેઓએ બંધાવ્યા મહારાણા વખતસિંહજીને મહારાણી વિકટોરીયા તરફથી K.C.I.E.નો ખિતાબ આપવામાં આવ્યો હતો. મહારાણા વખતસિંહના અવસાન પછી રણજીતસિંહના પુત્ર વિરભદ્રસિંહ ઇ.સ. 1930માં ગાદીએ આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 8:07 am

સખી વન સ્ટોપ સેન્ટરની સરાહનીય કામગીરી:સંજેલીની ઘર ભૂલેલી અસ્વસ્થ દીકરીને ‘સખી વન સ્ટોપે’ પરિવાર સાથે મિલાવી

દાહોદ જિલ્લામાં સરકારી સેવાઓ સંવેદના સાથે કાર્યરત છે તેનો જીવંત દાખલો ‘સખી વન સ્ટોપ સેન્ટર' દ્વારા પૂરો પાડ્યો છે. સંજેલી તાલુકાના એક માનસિક અસ્વસ્થ બહેન રસ્તો ભટકીને ફતેપુરાના બલૈયા પહોંચ્યા હતા. માતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી અને પિતાના વ્યસનનો ભોગ બનેલી આ દીકરી માટે સખી વન સ્ટોપ સેન્ટર ખરા અર્થમાં ‘સખી' સાબિત થયું છે. ગત 17 એપ્રિલે 181 મહિલા હેલ્પલાઇન દ્વારા આ બહેન નિરાધાર હાલતમાં મળી આવ્યા હતા. તેમની સલામતી માટે તુરંત ‘સખી વન સ્ટોપ સેન્ટર' ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો. જિલ્લા મહિલા અને બાળ અધિકારી રોહનકુમાર ચૌધરી તેમજ દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી પંકજ પટેલના માર્ગદર્શન હેઠળ બહેનને તબીબી સારવાર અને કાઉન્સિલિંગ આપવામાં આવ્યું. કાઉન્સિલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે કેન્દ્ર સંચાલકોએ સંજેલીના સ્થાનિક પ્રતિનિધિઓની મદદથી પરિવારની શોધખોળ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આ બહેનની સ્થિતિ અત્યંત દયનીય છે. માતાનું અવસાન થયું છે અને પિતા વ્યસનને કારણે દીકરીનું ધ્યાન રાખી શકતા નથી. ભાઈ-ભાભી આર્થિક તંગીને કારણે મજૂરી અર્થે બહારગામ છે. પરિવારની સ્થિતિ એટલી ખરાબ હતી કે તેઓ દીકરીને લેવા દાહોદ આવી શકે તેમ પણ નહોતા. આથી, અધિકારીઓની સૂચનાથી સેન્ટરનો સ્ટાફ પોતે ગાડી લઈને બહેનને તેમના ઘર સુધી સુરક્ષિત પહોંચાડી આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 8:03 am

શૈક્ષણિક ક્ષેત્રે કરાશે ભગીરથ કાર્ય:દાહોદના બિરસા મુંડા ભવનમાં ₹20 લાખના ખર્ચથી આધુનિક લાઈબ્રેરી બનશે

આદિવાસી સમાજના યુવાનો શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ શિખરો સર કરે તેવા ઉમદા હેતુ સાથે દાહોદ સ્થિત બિરસામુંડા ભવનના બીજા માળે આધુનિક લાયબ્રેરી કમ રીડિંગ રૂમના બાંધકામનો આજે 19 એપ્રિલે શુભારંભ કરવામાં આવ્યો છે. અંદાજે ₹20 લાખના ખર્ચે તૈયાર થનારા આ પ્રોજેક્ટ માટે ટ્રસ્ટીઓ અને સમાજની ઉપસ્થિતિમાં કામગીરી શરૂ કરાઈ છે. આ લાયબ્રેરીની સૌથી મોટી વિશેષતા એ છે કે અત્યાર સુધી અહીં અભ્યાસ કરી ચૂકેલા 60થી 70 જેટલા યુવાનો વિવિધ સરકારી વિભાગોમાં નોકરી મેળવવામાં સફળ રહ્યા છે. હાલમાં પણ અંદાજે 70 જેટલા વિદ્યાર્થીઓ અહીં નિયમિત 10થી 12 કલાક વાંચન કરે છે. વધતી જતી સંખ્યાને પહોંચી વળવા મેનેજમેન્ટ દ્વારા બીજા માળે વધુ આધુનિક સુવિધાઓ વિકસાવવાનો નિર્ણય લેવાયો છે. આ ભગીરથ કાર્ય માટે સમાજના અગ્રણીઓએ ઉમળકાભેર ફાળો નોંધાવ્યો છે. અત્યાર સુધીમાં અંદાજે ₹3 લાખનું યોગદાન મળ્યું છે, જેમાં રૂપેશભાઈ ગરોડ દ્વારા ₹1,11,111 તથા અગ્રણીઓ દ્વારા પ્રત્યેક ₹25,000નું વિશેષ યોગદાન અપાયું છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 8:01 am

ગુજરાતના ચૂંટણીના રણમેદાનમાં વિકાસના મુદ્દાઓ ગૌણ બન્યા:મતદારોને આકર્ષવા રાજકીય પક્ષોએ ઇતિહાસના પાના ઊથલાવ્યા, વ્યક્તિગત આક્ષેપો અને આંતરિક બળવાએ માહોલ ગરમ કર્યો

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને રાજકીય ગતિવિધિઓને કારણે માહોલ ચરમસીમા પર છે ત્યારે સવારે કડીના નંદાસણમાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે કહ્યું હતું કે, ભાજપના શાસનમાં યુવાનોને દારૂના રવાડે ચઢાવવાનું કામ થઈ રહ્યું છે, ભાજપે રાજકરણને વેપારમાં બદલી નાખ્યું છે. ભાજપે નીતિનકાકાને ખૂણામાં મૂકી દીધા છે. જ્યારે ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અંગે બફાટ કરતા કહ્યું કે, જવાહરલાલ નહેરુ પંડિત હતા જ નહીં મુસ્લિમના દીકરા હતા. આ નિવેદનનો જડબાતોડ જવાબ આપતા કોંગ્રેસના પ્રગતિ આહિરે જણાવ્યું કે, તમારી બુદ્ધિમતા દેખાઈ ગઈ. થોડી શરમ તો કરો. ભાજપમાં આવા જ નેતા ભર્યા છે? ઉલ્લેખનીય છે કે, હરિ પટેલ પોરબંદરના સાંસદ રહી ચૂક્યા છે. ગઈકાલે ગાંધીનગરમાં પણ દ્રશ્યો કંઈ અલગ નહોતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસેએ મહિલા અનામત બિલને લઈને કોંગ્રેસને આડે હાથ લીધી હતી. જ્યાં સત્તાધારી પક્ષ કોંગ્રેસને 'નારી શક્તિ વિરોધી' ગણાવી રહ્યો છે, ત્યાં કોંગ્રેસ તેને ભાજપની રાજનીતિ ગણાવે છે. પરંતુ, આ વાકયુદ્ધમાં મૂળ પ્રશ્ન એ છે કે, શું આ રાષ્ટ્રીય સ્તરના મુદ્દાઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નાગરિકોની પાયાની જરૂરિયાતોને ઢાંકી દેવા માટેનું શસ્ત્ર બની રહ્યા છે? આંતરિક બળવા અને જનઆક્રોશનો જ્વાળામુખીજ્યારે નેતાઓ સ્ટેજ પરથી મોટા દાવા કરી રહ્યા હતા ત્યારે બીજી તરફ મેદાનમાં સ્થિતિ કંઈક અલગ જ હતી. ચાંદખેડામાં 'પેરાશૂટ ઉમેદવાર'નો વિરોધ હોય કે પછી રામોલ-હાથીજણમાં પૂર્વ કોર્પોરેટરને મહિલાઓએ ખદેડી મૂક્યા હોય – આ તમામ ઘટનાઓ સ્પષ્ટ કરે છે કે ભાજપના ગઢમાં પણ કાર્યકર્તાઓ અને મતદારોમાં ભારે અસંતોષ છે. વડોદરાના વોર્ડ નંબર 10માં પેમ્ફલેટ દ્વારા ઉમેદવારોના ફોટા પર ચોકડી મારીને કરાયેલો વિરોધ એ વાતનો સંકેત છે કે હવે મતદારો માત્ર આશ્વાસનોથી સંતોષાવા તૈયાર નથી. આ તમામ હોબાળા વચ્ચે, કોંગ્રેસે પોતાનું 'વિઝન ડોક્યુમેન્ટ' જાહેર કરીને વિકાસના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કર્યો છે. અમિત ચાવડાએ 'પરિવર્તનનો સંકલ્પ' અને 'પંજો' લાવવાની હાકલ કરી છે, પરંતુ ચૂંટણીના માહોલમાં ચાલી રહેલા ગરમાગરમ વિવાદો વચ્ચે આ દસ્તાવેજ મતદારોના મન સુધી કેટલો પહોંચશે, તે એક મોટો પ્રશ્ન છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 8:00 am

'અમે શહેરનો ભાગ છીએ કે નહીં?':ટેક્સ વસૂલાતમાં ‘નંબર વન’, સુવિધાઓમાં ‘શૂન્ય’; વિકાસના દાવાઓ વચ્ચે વોર્ડ 13ના લોકોનો આક્રોશ

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો માહોલ ભલે જામ્યો હોય, પણ વોર્ડ નં. 13ની ગલીઓમાં ફરતી વખતે જે અનુભવાય છે તે રાજકીય ઉત્સાહ નથી, પણ વર્ષોથી દબાયેલી વેદના અને તંત્ર પ્રત્યેનો ગહેરો આક્રોશ છે. ભોગાવાના કાંઠેથી લઈને સંસ્કાર કેન્દ્ર સ્કૂલ અને રસાલા સ્કૂલ સુધીના વિસ્તારોમાં રહેતા લોકો એકસૂરે એક જ વાત કરી રહ્યા છે: વહીવટી તંત્રના મતે અમે કદાચ શહેરનો હિસ્સો જ નથી. અહીંના રહીશો જ્યારે ફરિયાદ લઈને જાય છે, ત્યારે તેમને મળતો જવાબ તેમની આંખ ખોલનારો હોય છે – 'તમે તો પછાત વિસ્તારમાં રહો છો, ગામ બહાર છો, તો તમારે કઈ સુવિધા જોઈએ?' આ વાક્ય જ તંત્રની માનસિકતા દર્શાવે છે કે, જેણે આ વિસ્તારને વિકાસની મુખ્યધારાથી કેટલો દૂર રાખ્યો છે. સૌથી મોટી ફરિયાદ ટેક્સ-સુવિધા વચ્ચે વિરોધાભાસ અહીંના લોકોની સૌથી મોટી અને પાયાની ફરિયાદ ટેક્સ અને સુવિધા વચ્ચેના વિરોધાભાસની છે. રહીશો પૂછે છે કે, માર્ચ એન્ડિંગમાં જ્યારે ટેક્સ ભરવાની વાત આવે ત્યારે મ્યુનિસિપાલિટીના માણસો ઘરે પહોંચી જાય છે, પણ જ્યારે પીવાના પાણી માટે ટેન્કરની જરૂર હોય ત્યારે તેમને કેમ પછાત વિસ્તારના બહાના હેઠળ ફગાવી દેવામાં આવે છે? છેલ્લા એક દાયકાથી પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં વોર્ડ નં. 13માં રહેતા ભરત પરમાર જેવા અનેક લોકો છે, જેઓ છેલ્લા એક દાયકાથી પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે. સ્ટ્રીટ લાઈટ હોય, ડોર-ટુ-ડોર કચરો ઉપાડવાની વ્યવસ્થા હોય કે ગટર લાઈન – આ વિસ્તાર માટે આ બધું હજુ પણ સ્વપ્ન સમાન છે. ટેક્સના પૈસા વસૂલવામાં તંત્ર પાછું પડતું નથી, પણ લોકોની પ્રાથમિક સુવિધાઓ પૂરી કરવામાં તેનું કામ હંમેશા 'ઝીરો' રહ્યું છે. પાણી એટલું ગંદું કે પશુઓ પણ બીમાર પડી જાય ગંદવાડા તળાવની હાલત આ વિસ્તારની દુર્દશાનું જીવંત ઉદાહરણ છે. સ્થાનિક રહીશ મુળજી કાટોડીયા જે દૃશ્ય વર્ણવે છે તે હચમચાવી દે તેવું છે. જે તળાવ 20 વર્ષ પહેલાં તમામ જ્ઞાતિની મહિલાઓ માટે વપરાશનું મુખ્ય કેન્દ્ર હતું અને જેનું પાણી પીવાલાયક હતું, તે આજે ગંદકીથી એટલું ખદબદી રહ્યું છે કે ત્યાં પશુઓ પણ જાય તો બીમાર પડી જાય છે. વિકાસના બણગા ફૂંકતી સરકારના કાન સુધી કદાચ આ તળાવની દુર્ગંધ નથી પહોંચી, કારણ કે ત્યાં કોઈ જઈ શકે તેવી સ્થિતિ પણ નથી. આ સ્થિતિ કોઈ કુદરતી હોનારત નથી, પણ તંત્રની લાંબા સમયની ઉપેક્ષાનું પરિણામ છે. શાકભાજી વેચનારાઓની રોજીરોટી છીનવાઈ ગઈ આર્થિક અને સામાજિક રીતે પણ આ વોર્ડના લોકો પાયમાલ થઈ રહ્યા છે. ભાવેશ દલવાડી પોતાની વાત રાખતા કહે છે કે, વોર્ડમાં 180 જેટલા નાના વેપારી હતા. જે શાકભાજી વેચીને ગુજરાન ચલાવતા હતા, પણ માર્કેટ તોડી પાડતાં તેમની રોજીરોટી છીનવાઈ ગઈ છે. ટ્રાફિકની સમસ્યાથી તો લોકો પહેલાથી જ તોબા પોકારી ગયા છે. મહિલા મતદારોની વાત કરીએ તો મંગુબેન જેવા અનેક બહેનોનો અવાજ છે કે, અહીં સફાઈ કરવા વાળું કોઈ નથી આવતું. જ્યારે પાણીની તંગી હોય અને ગંદકીના ગંજ હોય ત્યારે કોઈ નેતા કે અધિકારી તેમની સુધ લેવા આવતા નથી. રાજકારણીઓ આવશે, વાયદા કરશે ને ચાલ્યા જશે ચૂંટણીના સમયે જ્યારે રાજકીય પક્ષો મત માંગવા નીકળશે, ત્યારે વોર્ડ નં. 13ના આ લોકો સામે એક મોટો પ્રશ્ન હશે. અહીંના લોકોનું માનવું છે કે રાજકારણીઓ તો આવશે, વાયદા કરશે અને ચાલ્યા જશે, પણ શું આ વિસ્તારના લોકોને ક્યારેય શહેરના નાગરિક તરીકેનો દરજ્જો મળશે? શું તેમને ક્યારેય એવું અહેસાસ થશે કે તેઓ પણ આ શહેરનો હિસ્સો છે અને તેમને પણ સુવિધાઓ મેળવવાનો પૂરો અધિકાર છે? આ ચૂંટણી માત્ર બેઠકો જીતવાની નથી, પણ આ વિસ્તારમાં રહેતા હજારો લોકોની ગરિમા અને તેમના જીવનધોરણને સુધારવાની છે. લોકો હવે માત્ર નેતાઓને સાંભળવા નથી માંગતા, તેઓ હવે નક્કર કામ અને તેમની સમસ્યાઓનો અંત જોવા માંગે છે. ---- આ પણ વાંચો વોર્ડ નં.2માં બિસ્માર રસ્તા, ગટર, પાણી સહિતની સમસ્યાથી રોષ દિવ્યભાસ્કર ડિજિટલની ટીમ મતદારોનો મિજાજ જાણવા માટે સુરેન્દ્રનગરના વોર્ડ નં 2માં પહોંચી હતી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વોર્ડ નં 2માં વોર્ડ-2માં જૂની સર્કિટ હાઉસ વિસ્તાર, મહાદેવ મંદિર વિસ્તાર, ચર્ચ વિસ્તાર, સરદાર સોસાયટી સહિત કેટલીય સોસાયટીઓનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં બિસ્માર રસ્તા, ગટર, પાણી, સફાઈ સહિતની સમસ્યાઓ જોવા મળી રહી છે. વેરો ભરવા છતાં પણ પ્રાથમિક સુવિધાઓ ન મળવાથી લોકોમાં ખુબ આક્રોશ જોવા મળ્યો હતો. વોર્ડ નંબર 2નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… વોર્ડ નં. 4 માં સુવિધાઓના નામે 'મીંડું' વોર્ડ નં. 4, જે રાજકીય રીતે અત્યંત મહત્વનો ગણાય છે, ત્યાં સ્થાનિકોમાં તંત્ર અને શાસકો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોના મતે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ વેરામાં તો તોતિંગ વધારો થયો છે, પરંતુ પાયાની સુવિધાઓ કથળી ગઈ છે. વોર્ડ નંબર 4નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… રસ્તા પર ઢોરનો આતંક અને નળમાં પાણીની તંગી:શું આ જ છે સુરેન્દ્રનગરની 'મહાનગરપાલિકા'? રાજ્ય સરકાર દ્વારા સુરેન્દ્રનગરને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ હવે પ્રથમવખત ચૂંટણીનો જંગ ખેલાવા જઈ રહ્યો છે. એપ્રિલ માસની કાળઝાળ ગરમીની સાથે અહીં રાજકીય પારો પણ ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને શહેરનો વોર્ડ નંબર 9, જેમાં ખેરાડી, ભોગાવો નદી કાંઠાનો વિસ્તાર, જંબુદ્વીપ નગર, સંજીવની સોસાયટી અને માંડવરાયજી નગર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે, ત્યાં અત્યારે જનતામાં શાસકો સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. દિવ્યભાસ્કર ડિજિટલની ખાસ સિરીઝ અંતર્ગત જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર તપાસ કરવામાં આવી ત્યારે, વિકાસના પોકળ દાવાઓની પોલ ખુલી ગઈ હતી. વોર્ડ નંબર 9નો ગ્રાઉન્ડ રીપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… ટેક્સ વધારા સામે સુવિધાની અપેક્ષા રાખતા મતદારો દિવ્ય ભાસ્કર ડિજિટલની ખાસ શ્રેણીમાં આજે આપણે વાત કરીશું સુરેન્દ્રનગરના વોર્ડ નં. 10 ની, જે રાજકીય દ્રષ્ટિએ અત્યંત વ્યૂહાત્મક અને મહત્વનો ગણાય છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. 10ના સીમાંકનમાં રતનપર મોરબી પુલ વિસ્તાર, મિલન ચાલી, રતનપર શેરી 8થી 17, રેલવે લાઈન, સ્વામિનારાયણ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, મહાલક્ષ્મી મંદિર વિસ્તાર, રેલવે સ્ટેશન, દેરાસર અને મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વોર્ડ નંબર 10નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… '15 વર્ષથી અહિં રોડ બન્યા નથી, ગટરની કોઈ સુવિધા નથી' મતદારોનો મિજાજ જાણવા માટે દિવ્યભાસ્કરની ટીમ સુરેન્દ્રનગરના વોર્ડ નં 11માં પહોંચી હતી. રાજકીય દ્રષ્ટિએ આ વોર્ડ અત્યંત મહત્વનો ગણાય છે. આ વિસ્તારના મતદારોએ વિવિધ મુદ્દે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં સાંસદ, 5 વિધાનસભા, 1 જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને 5 નગરપાલિકા આ તમામ જગ્યાએ ભાજપનું એકહથ્થુ શાસન છે. સંયુક્ત પાલિકા હતી જેમાં પણ ભગવો જ લહેરાયો હતો. ગત ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર હતી. જોકે, આ વખતે ચૂંટણીમાં AAPએ પણ ઝંપલાવ્યુ છે. જેથી હવે અહિં ત્રિપાખીયો જંગ જોવા મળશે. વોર્ડ નંબર 11નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… 'વઢવાણને સ્મશાન બનાવી દીધું' સુરેન્દ્રનગર મનપાનો વોર્ડ નં. 12, જે ઐતિહાસિક વઢવાણનો મુખ્ય હિસ્સો છે, ત્યાં વિકાસની વાતો વચ્ચે સ્થાનિકોમાં ભારે આઘાત અને આક્રોશ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરની તમામ મહત્વની સંસ્થાઓ પર ભાજપનું શાસન છે, પરંતુ વોર્ડ નં. 12માં આ વખતે રસ્તો આસાન નથી. વોર્ડ નંબર 12નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો…

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 8:00 am

શ્રધ્ધાળુઓએ ઠેર-ઠેર ફેંક્યો‎ કચરો:નર્મદાની પંચકોશી પરિક્રમાનું સમાપન‎પણ આસપાસના ગામડાઓમાં ગંદકી‎

નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમાનું સમાપન થયું છે પણ શ્રધ્ધાળુઓએ ફેકેલા કચરાના કારણે 21 કિમીના રૂટ પર ઠેર ઠેર કચરો જોવા મળી રહયો છે. વહેલી તકે સફાઇ કરી ગામડાઓને ફરીથી સ્વચ્છ બનાવવામાં આવે તેવી સ્થાનિકોએ માગણી કરી છે. નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમા પૂર્ણ થઇ ચૂકી છે. એક મહિનામાં 9 લાખ કરતાં વધારે શ્રધ્ધાળુઓએ 21 કિમીની પરિક્રમા કરીને ધન્યતા અનુભવી છે. રામપુરાથી શરૂ કરી માંગરોળ, ગુવાર, શહેરાવ થઇ નદી પાર કરી તિલકવાડા રેંગણ ઘાટ આમ 21 કિમિની યાત્રામાં 5 થી 6 ગામો આવે છે. પરિક્રમાની પહેલા તડામાર તૈયારીઓમાં તંત્ર કામે લાગી ગયું હતું અને સરકારે પણ 20 કરોડ રૂપિયા પરિક્રમા માટે ફાળવ્યા હતા. અમદાવાદ અને વડોદરાની એજન્સીઓને કામો સોંપાયા હતા. સુવિધા સજ્જ માર્ગ અને પરિક્રમા માં પ્રવાસીઓને કોઈ તકલીફ પડી ન હતી. ખાસ કરીને શનિવાર અને રવિવારના રોજ સૌથી વધારે લોકો નર્મદા મૈયાની પરિક્રમા કરવા માટે આવ્યાં હતાં. પરિક્રમા પૂર્ણ થયા બાદ આ રૂટ પર આવેલાં 6 ગામડાઓમાં ઠેર ઠેર કચરો જોવા મળી રહયો છે. નદીકિનારે અને ગામડાઓ માં ઠેર ઠેર પ્લાસ્ટિક અને કચરો ફેંકીને શ્રધ્ધાળુઓ તો જતાં રહયાં છે પણ આ ગામડાઓમાં રહેતાં લોકો હાલાકી ભોગવી રહયાં છે. નદી કિનારે તથા 6 ગામોમાં વિશેષ અભિયાન ચલાવીને સફાઇ કરવામાં આવે તેવી સ્થાનિકો માગણી કરી રહયાં છે. જિલ્લા કલેકટર મિટિંગ બોલાવી ને સફાઈ અને જરૂરી સૂચનાઓ આપે તેવી સ્થાનિકોની માગણી છે. તંત્રએ આખો મહિનો ઉત્સાહથી કામો તો કર્યા પરંતુ સફાઈ કરાવવાનું ભૂલી ગયા છે. પરિક્રમા કરવા માટે આવેલાં 9 લાખ લોકો તથા સ્થાનિક લારીગલ્લા ધારકોએ તેમનો કચરો નદી કિનારે અથવા ગામડાઓની આસપાસ નાખી દીધો છે ત્યારે વહેલી તકે સફાઇ કરાવવી જરૂરી બની છે. સેવાભાવી સંસ્થાઓ પણ આગળ આવી ને સફાઈ કરી શકે અથવા ગ્રામ પંચાયતો પણ સફાઈ ઝુંબેશ કરી શકે અને જેતે વિસ્તામાં ચૂંટણીમાં ઉભા રહેલ ઉમેદવારો પણ સફાઈ કરી શકે તો સમાજમાં ઉદાહરણરૂપ દાખલો બેસશે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 7:54 am

PMMVY યોજનાના નામે ઠગાઈ:લીમડી તાલુકાના કાળીમહુડી ગામમાં 5 મહિલાઓ સાઇબર ઠગનો શિકાર બની

દાહોદ જિલ્લાના લીમડી તાલુકાના કાળીમહુડી ગામમાં સાયબર ગઠિયાઓએ આયોજનબદ્ધ રીતે ગરીબ મહિલાઓને નિશાન બનાવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાના પૈસા જમા કરાવવાના બહાને ઠગોએ ગામની 5 મહિલાઓના ખાતામાંથી ₹3,000 થી ₹8,000 સુધીની રકમની ઉચાપત કરી છે. આ ભેજાબાજોએ મહિલાઓને ફોન કરીને જણાવ્યું હતું કે,અમે PMMVY ઓફિસથી બોલીએ છીએ અને તમારા સહાયના હપ્તાના પૈસા બાકી છે.’ મહિલાઓને વિશ્વાસમાં લેવા માટે આરોપીઓએ જે-તે મહિલાએ ફોર્મમાં આપેલા ખાનગી કાગળો અને વિગતો વોટ્સએપ પર મોકલી હતી. પોતાના જ સરકારી કાગળો મોબાઈલ પર જોઈને મહિલાઓને ખાતરી થઈ હતી કે આ ફોન સત્તાવાર કચેરીએથી જ આવ્યો છે. ત્યારબાદ ‘એકાઉન્ટ વેરિફિકેશન'ના નામે એક લિંક મોકલી તેના પર ક્લિક કરવાનું કહેતા જ ગણતરીની મિનિટોમાં ખાતામાંથી પૈસા સાફ થઈ ગયા હતા આ ઘટનામાં સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે આ ગઠિયાઓ પાસે લાભાર્થીઓના નામ, મોબાઈલ નંબર અને તેમણે ફોર્મ સાથે જોડેલા ખાનગી દસ્તાવેજો ક્યાંથી આવ્યા? શું આ ગોપનીય ડેટા કોઈ સરકારી કચેરી કે એજન્સીમાંથી લીક થયો છે? કાળી મહુડી ગામની 5 નિર્દોષ મહિલાઓ શિકાર બન્યા બાદ હવે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 7:52 am

ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો:ભીંટોડીમાં કાર 110ની સ્પીડે ઊભેલા કન્ટેનર પાછળ ઘૂસી જતાં 3 બાળકના મોત, 9ને ઈજા

દાહોદ શહેર નજીક હાઈવે પર ભીંટોડી ગામ પાસે રવિવારે બપોરે એક અત્યંત કરૂણ અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. પાવાગઢ ખાતે કાળકા માતાના દર્શન કરી મધ્યપ્રદેશ પરત ફરી રહેલા એક પરિવારની કાર માર્ગમાં ઊભેલા બંધ કન્ટેનર પાછળ અંદાજે 110 કિમીની પૂરઝડપે ધડાકાભેર ઘૂસી જતાં ત્રણ માસૂમ બાળકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ ભયાનક દુર્ઘટનામાં અન્ય 9 લોકો ગંભીર રીતે ઘાયલ થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના કૈડાવદ ગામનો શ્રદ્ધાળુ પરિવાર નેક્સોન ગાડીમાં સવાર થઈ પાવાગઢ દર્શન કરવા માટે આવ્યો હતો. માતાજીના આશીર્વાદ લઈ રવિવારે તેઓ પરત ઘરે જઈ રહ્યા હતા ત્યારે બપોરના 3.30 વાગ્યાના અરસામાં ભીંટોડી પાસે કાળ ભેટ્યો હતો. રસ્તા પર ઊભેલા એક બંધ કન્ટેનર પાછળ કાર પૂરઝડપે અથડાતા કારના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત એટલો ભીષણ હતો કે ગાડીના સેન્સર્સ એક્ટિવેટ થતા આગળની સાથે સાઈડની એરબેગ્સ પણ ખુલી ગઈ હતી. અંદર ક્ષમતા કરતા વધુ 12 લોકો સવાર હોવાથી અને ટક્કરની તીવ્રતા વધુ હોવાથી સુરક્ષાના સાધનો નિરર્થક સાબિત થયા હતા. આ ટક્કરમાં માસૂમ બાળકો પ્રિયાંશી ભાભોર, 3 વર્ષીય શુષ્ટિ ગણાવા અને 1 વર્ષીય મોહિની ગણાવા ઈજાઓને કારણે પ્રાણ પંખેરા ઊડી ગયા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 7:51 am

નર્મદામાં ભાજપનું ચૂંટણી પ્રચાર અભિયાન તેજ‎:રાજપીપળામાં પ્રદેશ પ્રમુખે કાર્યકરોને જીતનો મંત્ર આપ્યો

રાજપીપળા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના શ્રીગણેશ કરવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. રાજપીપળા સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે તેમણે જિલ્લાના સહકારી આગેવાનો અને પ્રબુદ્ધ નાગરિકો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી ચૂંટણીની વ્યૂહરચના ઘડી હતી. બેઠક દરમિયાન જગદીશ વિશ્વકર્માએ સંગઠનાત્મક માળખાને મજબૂત કરવા અને જનસંપર્ક વધારવા પર ભાર મૂક્યો હતો. તેમણે કાર્યકરોને સંદેશ આપ્યો હતો કે, તમામ મતભેદો ભૂલી એકજૂટ થઈ વિકાસના કામોને લોકો સુધી પહોંચાડવા જોઈએ. જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ, ઘનશ્યામ પટેલ અને જિલ્લા પ્રભારી અર્જુન ચૌધરી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 7:48 am

હવામાન વિભાગની આગાહી:ભરૂચ જિલ્લામાં 22 મીએ 14 મિમી વરસાદની આગાહી

ભરૂચ જિલ્લામાં ફરી 22 મીએ 14 મીમી વરસાદ ની આગાહી કરવામાં આવી છે. જિલ્લામાં આ વર્ષે ભર ઉનાળામાં બીજી વખત વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ફરી ખેડૂતોને માથે આફત મંડરાઈ રહી છે. ભરૂચ કૃષિ યુનિવર્સિટી કપાસ સંશોધન કેન્દ્ર ના હવામાન વિભાગના ધવલ કમાણીના જણાવ્યા મુજબ આગામી 22 એપ્રિલે ફરી છૂટા છવાયા કેટલાક સ્થળોએ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં જિલ્લામાં અંદાજે 14 મીમી સુધી વરસાદ પડી શકે છે ત્યારે આ માવઠાથી ખેડૂતોના પાકને નુકસાન નહી થાય તે માટે ખાસ કરીને કેટલીક બાબતો ખેડૂતોને ધ્યાન આપવા માટે સલાહ આપતા જણાવ્યુ છે. કે , પાક સંરક્ષણ માટે ખુલ્લામાં રાખેલા અથવા લણણી કરેલા પાકને તાત્કાલિક તાડપત્રીથી ઢાંકી દો અથવા સુરક્ષિત સૂકી જગ્યાએ ખસેડો જેથી ભેજ અને ફૂગથી નુકસાન ન થાય. બાગાયતી પાકોને તેજ પવન અને અચાનક વરસાદથી કેરીમાં ફળ ખરી પડવાની સમસ્યા થઈ શકે છે અને કેળના પાકને નુકસાન થઈ શકે છે. કેળના છોડને પવનથી બચાવવા યોગ્ય ટેકો આપો પિયત આપવાનું હાલ પૂરતું ટાળો. રાસાયણિક ખાતર, નીંદણનાશક કે જંતુનાશક દવાઓનો છંટકાવ હાલ પૂરતો બંધ રાખો. વરસાદ અને પવનને કારણે દવા ધોવાઈ જશે અને તેની અસરકારકતા ઘટશે. વરસાદ અને પવનને કારણે જંતુનાશક દવાઓ ધોવાઈ જવાની શક્યતા હોવાથી હાલમાં કોઈ પણ પ્રકારનો છંટકાવ કરવો નહીં. આ ઉપરાંત ખેતરમાં પિયત આપવાનું પણ હાલ પૂરતું બંધ રાખવું જોઈએ.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 7:47 am

કચ્છનું ગૌરવ:મૂળ કચ્છના દિનેશ ત્રિવેદી બાંગ્લાદેશમાં નવા હાઈકમિશનર

કચ્છના માંડવી તાલુકાના બિદડા ગામના અને વરિષ્ઠ રાજનેતા દિનેશ ત્રિવેદીને ભારત સરકારે એક અત્યંત મહત્વની અને વ્યૂહાત્મક જવાબદારી સોંપી છે. પૂર્વ કેન્દ્રીય રેલમંત્રી દિનેશ ત્રિવેદીની બાંગ્લાદેશમાં ભારતના નવા હાઈકમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ પ્રણય વર્માનું સ્થાન લેશે. દિનેશ ત્રિવેદીનો પરિવાર મૂળ કચ્છના માંડવી તાલુકાના બિદડા ગામનો વતની છે. તેમના પિતા ભાગલા પૂર્વે કરાચીમાં સ્થાયી થયા હતા, પરંતુ દેશના વિભાજન બાદ તેઓ દિલ્હી આવ્યા અને ત્યારબાદ કોલકાતામાં સ્થાયી થયા હતા. 4 જૂન, 1950ના રોજ જન્મેલા દિનેશ ત્રિવેદીએ એમબીએ બાદ કોમર્શિયલ પાયલોટની તાલીમ પણ લીધી હતી. તેમણે 1990માં પ્રથમ વખત રાજ્યસભાના સાંસદ તરીકે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 1996માં તેઓ કચ્છ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે પુષ્પદાનભાઈ ગઢવી સામે ચૂંટણી લડ્યા હતા. ત્યારબાદ લાંબો સમય TMC (તૃણમૂલ કોંગ્રેસ)માં રહ્યા બાદ 2021માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તેઓ 2009 થી 2019 સુધી લોકસભાના સાંસદ અને કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી તેમજ 2012માં રેલમંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. બાંગ્લાદેશમાં તાજેતરમાં થયેલા રાજકીય પલટા બાદ ભારત માટે આ નિમણૂક અત્યંત મહત્વની છે. શેખ હસીના બાદ મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર અને હવે તારિક રહેમાન વડાપ્રધાન બન્યા બાદ બદલાતા સમીકરણો વચ્ચે દિનેશ ત્રિવેદીની ભૂમિકા નિર્ણાયક રહેશે. કચ્છના આ વિરલ નેતાની નિમણૂક રાજકીય અને રાજદ્વારી બંને દ્રષ્ટિએ માસ્ટરસ્ટ્રોક માનવામાં આવી રહી છે. આવી રીતે સમજો નિમણૂક પાછળના મુખ્ય કારણો ઇનસાઇડ ગાંધીધામમાં રેલ્વે કોચ ફેક્ટરીની જાહેરાત કરી હતી વર્ષ 2012-2013માં દિનેશ ત્રિવેદી કેન્દ્રીય રેલ્વે મંત્રી હતા, ત્યારે ગાંધીધામમાં રેલ્વે કોચ ફેક્ટરી બનાવાની જાહેરાત કરી હતી, પરંતુ તેઓ માત્ર એકાદ વર્ષ સુધી રેલ્વે મંત્રીના પદ પર રહ્યા હોવાથી તેમના કાર્યકાળમાં કોચ ફેક્ટરી શરૂ કરાવી શક્યા ન હતા. અને ત્યાર બાદ યુપીએ કે એનડીએની સરકારે આ જાહેરાતના અમલી કારણ માટે કોઈ પગલા ન લેતા ગાંધીધામમાં રેલ્વે કોચ ફેક્ટરી બની શકી નથી, તેમના જ કાર્યકાળ સમયે ભુજ શાલીમાર ટ્રેનની જાહેરાત કરીને તેમને જન્મ ભૂમિ અને કર્મભૂમિ વચ્ચેનો ટ્રેનના માધ્યમથી સેતુ બાંધ્યો હતો. ઇન્ટરનેશનલ ડિપ્લોમેસીમાં દિનેશભાઈની મહારત: હેમત રાંભિયાબિદડા ગામના વતની અને પૂર્વ કેન્દ્રીય રેલમંત્રી દિનેશ ત્રિવેદીની બાંગ્લાદેશમાં ભારતના નવા હાઈકમિશનર તરીકે નિમણૂક થતા સમગ્ર જિલ્લામાં ગૌરવની લાગણી ફેલાઈ છે. ખાસ કરીને બિદડા અને સર્વોદય ટ્રસ્ટ સાથે તેમનો અતૂટ નાતો રહ્યો છે. આ નિમણૂક અંગે ખુશી વ્યક્ત કરતા બિદડા સર્વોદય ટ્રસ્ટના ટ્રસ્ટી હેમંતભાઈ રાંભિયાએ જણાવ્યું હતું કે, ત્રિવેદી પરિવાર અને તેમના પરિવાર વચ્ચે વર્ષો જૂનો પારિવારિક સંબંધ છે. દિનેશભાઈ સર્વોદય ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓમાં વર્ષોથી સક્રિય છે. તાજેતરમાં જ જાન્યુઆરી માસમાં યોજાયેલા મેડિકલ કેમ્પમાં પણ તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે બાંગ્લાદેશમાં નવી સરકાર સાથે સંબંધોને વધુ મજબૂત કરવા માટે દિનેશ ત્રિવેદીની પસંદગી પાછળ તેમનું ઇન્ટરનેશનલ ડિપ્લોમેસી પરનું પ્રભુત્વ મુખ્ય છે. અગાઉ ‘ઓપરેશન સિંદૂર બાદ જ્યારે ભારતીય ડિપ્લોમેટ્સનું પ્રતિનિધિમંડળ વિદેશ મોકલવામાં આવ્યું હતું, ત્યારે તેઓ તેમાં સામેલ હતા.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 7:41 am

મુલાકાત:મુસ્લિમ અગ્રણીઓની અજીત ડોભાલ સાથે મુલાકાત: કચ્છના આગેવાન પણ રહ્યા ઉપસ્થિત

સમગ્ર ભારતના મુસ્લિમ સમાજના ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદો, આરોગ્ય અને સમાજ સેવા સાથે સંકળાયેલા આગેવાનોના એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે તાજેતરમાં નવી દિલ્હી ખાતે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ સાથે વિશેષ મુલાકાત કરી હતી. આ બેઠકમાં મુસ્લિમ સમાજના શિક્ષણ, આરોગ્ય અને રોજગારી જેવા મહત્વના પ્રશ્નો પર સઘન ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને આ રાષ્ટ્રીય સ્તરની મુલાકાતમાં કચ્છના અગ્રણી પણ સામેલ હોવાથી સ્થાનિક સ્તરે આ બાબત ભારે ચર્ચાનો વિષય બની છે. આશરે દોઢ કલાક સુધી ચાલેલી આ મહત્વપૂર્ણ મિટિંગમાં દેશભરમાંથી 20 જેટલા પ્રતિષ્ઠિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્યત્વે ઝફર શરેશવાલા, કે.પી. ગ્રુપના ફારુક પટેલ, જર્મન સ્ટીલના ઈનામુલ હક ઈરાકી, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર, દિલ્હી હજ કમિટીના ચેરમેન કૌશર જહાં, અલ્તાફ વોરા તેમજ ઝુમ મીડિયા અને અંજુમન મુંબઈના પ્રતિનિધિઓ જોડાયા હતા. વિશેષ રૂપથી કચ્છમાંથી હાજી જુમા રાયમાએ આ બેઠકમાં પ્રતિનિધિત્વ કર્યું હતું. NSA અજીત ડોભાલે આ પ્રતિનિધિમંડળને ખૂબ જ સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. તેમણે દેશની એકતા અને અખંડિતતા પર ભાર મૂકતા એક સુંદર ઉદાહરણ આપ્યું હતું કે, “ભારતની મિસાલ એક જહાજ જેવી છે, જેમાં હિંદુ અને મુસ્લિમ બંને સવાર છે. જો આ જહાજ કિનારે લાગશે તો બધા જ પાર પડશે અને જો ડૂબશે તો બધા સાથે જ ડૂબશે.” વધુમાં તેમણે જણાવ્યું હતું કે દેશના નિર્માણમાં મુસ્લિમ સમાજ પાયાનો પથ્થર છે. વિશ્વના અન્ય મુસ્લિમ દેશોની સરખામણીમાં ભારતનો મુસ્લિમ સમાજ વધુ સુખી અને આઝાદ છે. સરહદી કચ્છ માટે બેઠક વ્યુહાત્મકનોંધનીય છે કે તાજેતરમાં જ હાજી જુમ્મા રાયમા ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા તેઓએ ચારિત્રને બદનામ કરાતા હોવાના આરોપ હેઠળ 14 શખ્સો સામે પોલીસમાં ગુનો નોંધાવ્યો છે. જેના વિરોધમાં તેની સામે કચ્છના વિવિધ મુસ્લીમ સમાજના લોકોએ પોલીસ કચેરીએ આવેદનપત્ર પણ આપ્યું હતું. તે બધાની વચ્ચે હાજી જુમ્મા રાયમાની અજીત ડોભાલ સાથેની મુલાકાત અનેક ચર્ચા ઊભી કરે છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 7:32 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:માંડવીમાં ચૂંટણીને લઈને પાલિકા અચાનક જાગી

માંડવી નગરપાલિકાની ચૂંટણી નજીક આવતા શહેરના આઠ વોર્ડમાં રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચ્યું છે. પરંતુ આ વખતે ગરમી ભાષણો અને વચનોમાં જ નહીં, રસ્તાઓ પર પણ સ્પષ્ટ વિકાસ રૂપે દેખાઈ રહી છે. “રાત ઓછી ને કામ વધારે”નો નારો હવે માત્ર પોસ્ટરો સુધી મર્યાદિત નથી રહ્યો તંત્રે તેને અચાનક જ ગ્રાઉન્ડ પર ઉતારી દીધો છે, એ પણ ત્યાં જ્યાં છેલ્લા એક વર્ષથી લોકોના અવાજને માત્ર આશ્વાસનોનો જ સહારો મળતો હતો. વોર્ડ નંબર 6ના ધર્મશાળા રોડ પર સ્થાનિક લોકો લાંબા સમયથી નાના બાળકોની સલામતી માટે જમ્પર બનાવવાની માંગ કરી રહ્યા હતા. ત્રણથી પાંચ વર્ષના નાનકડા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા ફુલવાડી શાળા અને બહુચરાજી વિસ્તારમાંથી આવતા ભૂલકાઓ માટે આ રસ્તો જોખમકારક બન્યો હતો. પરંતુ તંત્રની ઘેરી નિંદ્રાને ચૂંટણીના ઢોલે એવી રીતે જગાડી કે હવે વિકાસનો સ્પીડ બ્રેકર મોડ ફુલ સ્પીડમાં ચાલુ થઈ ગયો છે. ચૂંટણીના પ્રચાર સાથે જ એક વર્ષથી અધૂરું રહેલું કામ રાતોરાત પૂર્ણ કરવામાં આવ્યું. એક જ જમ્પરની માંગ સામે હવે બે મજબૂત સિમેન્ટના જમ્પર નિયમ કરતા વધારે ઊંચા કરી દેવાયા છે અને સાથે એક જૂનો રબર કોટિંગવાળો જમ્પર ઉમેરાયો છે. પરિણામે હવે માત્ર 30 ફૂટના વિસ્તારમાં ત્રણ ત્રણ જમ્પર ઉભા થઈ જતા રસ્તો ઓછો અને “એડવેન્ચર ટ્રેક” વધુ લાગવા માંડ્યો છે. આ પ્રકારની ચૂંટણીપૂર્વ વિકાસ ગાથા માત્ર એક જ વોર્ડ સુધી મર્યાદિત નથી. શહેરના આઠ વોર્ડમાં સમાન દૃશ્યો જોવા મળી રહ્યા છે. વર્ષો સુધી ફાઇલોમાં ઊંઘતું વિકાસ હવે મતના મોસમમાં દોડતું જોવા મળે છેએ પણ ક્યારેક એટલી ઝડપથી કે લોકો સમજી ન શકે કે આ સુવિધા છે કે નવી સમસ્યા. માંડવીની જનતા હવે વધુ સમજદાર બની છે. તેઓ વિકાસના આઅચાનક પ્રેમને જોઈને સ્મિત સાથે કહે છે ચૂંટણી આવે ત્યારે જ 108ની સ્પીડમાં અમને યાદ કરનારાઓ, હવે અમે પણ મત આપતા પહેલા ‘સ્પીડ બ્રેક’ લગાવીને વિચાર કરીશું લોકોનો વ્યંગ : ડ્રાઈવર જ પડી જાય તેવો પ્લાનસ્થાનિક લોકો વ્યંગમાં કહે છે, અકસ્માત ટાળવા માટે જમ્પર બનાવ્યા કે હવે વાહન ધીમું ચલાવતા ચલાવતા ડ્રાઈવર જ પડી જાય તેવો પ્લાન છે બીજી તરફ મત માંગવા આવતા ઉમેદવારો હવે નતમસ્તકે હાથ જોડીને મતદારોને મનાવવા પ્રયત્નશીલ છે, જ્યારે જનતાના મનમાં એક જ પ્રશ્ન ગૂંજે છે ચૂંટણી પછી ફરી કામ માટે કોને હાથ જોડવા પડશે ?

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 7:30 am

ભાસ્કર એક્સક્લુસિવ:કચ્છમાં માવઠાનો ફટકો: મીઠાના ઉત્પાદનમાં 20% ઘટાડાની ભીતિ, છતાં અછત નહીં સર્જાય

કચ્છ જિલ્લો મીઠું પકવવામાં સમગ્ર દેશમાં મોખરે છે અને આ ઉદ્યોગ દેશને વિપુલ પ્રમાણમાં વિદેશી હૂંડિયામણ રળી આપતો સૌથી મોટો ધંધો છે. જોકે, આ વર્ષે કુદરતી પરિબળોની નકારાત્મક અસર નમક ઉદ્યોગ પર જોવા મળી રહી છે. આ વર્ષે ચોમાસાની સીઝન લાંબી ચાલતા અને ઉપરથી પડેલા કમોસમી વરસાદ (માવઠા) ના મારથી મીઠાના ઉત્પાદનમાં 20 ટકાની મોટી ઘટ નોંધાવવાની શક્યતા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વરસાદ અને માવઠાને કારણે સમયસર મીઠાના અગરો રિપેર થઈ શક્યા ન હતા. પરિણામે મીઠું પકવવાની કામગીરી મોડી શરૂ થઈ હતી, જેની સીધી અસર પ્રોડક્શન પર જોવા મળી રહી છે. સામાન્ય સંજોગોમાં દર વર્ષે કચ્છમાંથી 3 કરોડ ટન મીઠાનું ઉત્પાદન કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે ઉત્પાદન મોડું શરૂ થવાના કારણે તેમાં 20% નો ઘટાડો થવાનો અંદાજ છે. આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો, આ વર્ષે અંદાજિત 50 થી 60 લાખ ટન મીઠું ઓછું પાકશે. જેથી આ સિઝનમાં કુલ ઉત્પાદન ઘટીને અઢી (2.5) કરોડ ટન આસપાસ રહેવાની સંભાવના છે. ઉત્પાદનમાં આટલો મોટો ઘટાડો હોવા છતાં, ગ્રાહકો અને બજાર માટે રાહતની વાત એ છે કે મીઠાની કોઈ અછત નહીં સર્જાય. મીઠાનું ઉત્પાદન ઓછું છે પણ માલની કોઈ કમી નથીઆ અંગે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના યુવા પાંખના કન્વીનર અભિષેકભાઈ પારેખ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, “આ વર્ષે વરસાદની સિઝન લાંબી ચાલી અને માવઠાના કારણે મીઠાના અગરો મોડા ચાલુ થયા છે. તેના કારણે પ્રોડક્શનમાં 20 થી 25% જેટલું ઉત્પાદન ઓછું થવાનો અંદાજ છે. જોકે, તેમ છતાં બજારમાં માલની કોઈ કમી કે અછત રહેશે નહીં.”

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 7:29 am

શ્રીહરિસ્મૃતિ પંચાહ્ન પારાયણ જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું:સ્વામિ. મંદિરમાં ઘનશ્યામ જન્મોત્સવ સોનાના પારણામાં ઝુલ્યા ભગવાન

ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે બિરાજમાન નરનારાયણદેવનાં આગામી તા.21 એપ્રિલનાં 203મા પાટોત્સવની ઉજવણી અંતર્ગત હાલે શ્રીહરિસ્મૃતિ પંચાહ્નપારાયણ જ્ઞાન યજ્ઞનું હરિભક્તો શ્રધ્ધાભેર શ્રવણ કરી રહ્યા છે. ત્યારે કથા દરમ્યાન ઘનશ્યામ જન્મ પ્રસંગની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભગવાનને સોનાના પારણામાં ઝુલાવવામાં આવ્યા હતાં. ફુલ વર્ષા સાથે ઘનશ્યામ જન્મોત્સવનાં વધામણા કરવામાં આવ્યા હતાં. જ્યારે રાત્રિનાં સમયે નિશાદભાઈ સોની એન્ડ ગ્રૂપ દ્વારા મહારાસોત્સવની રમઝટ બોલાવવામાં આવી હતી. જેમાં મોટીસંખ્યામાં હરિભક્તો જોડાયા હતાં અને રાસની મોજ માણી હતી. તા. 20નાં સાંજે ફૂલડોત્સવમાં આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ હાજર રહેશે, તા. 21 એપ્રિલનાં સવારે 6:30 કલાકે ઠાકોરજીનો અભિષેક અને બાદમાં અન્નકૂટ ઉત્સવ આરતી કરાશે. આ તકે મંદિરનાં કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજીએ જણાવ્યું હતું કે, મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી ભગવજીવનદાસજી, પાર્ષદ કોઠારી જાદવજી ભગવતની આજ્ઞાથી આગામી તા. 21 એપ્રિલનાં નિજ મંદિરમાં બિરાજમાન નરનારાયણ દેવનો પાટોત્સવ ઉજવણી અંતર્ગત ચાલી રહેલી પાંચ દિવસીય શ્રીહરિસ્મૃતિ કથા દરમ્યાન ઘનશ્યામ જન્મોત્સવની ધુમધામથી ઉજવણી કરવામાં આવી હતી. ઘનશ્યામનાં બાલ સ્વરૂપને પારણામાં ઝુલાવવામાં આવ્યા હતાં. ત્યારે સંતો, કથાનાં યજમાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો તો. તો ભક્તો પણ ઘનશ્યામ જન્મોત્સવનાં રંગે રંગાઈ ગયા હતાં. ઘનશ્યામ જન્મોત્સવને લઈને રાત્રિનાં સમયે મહારાસોત્સવ યોજાયો હતો. જેમાં પણ મોટીસંખ્યામાં હરિભક્તો ઉત્સાહભેર જોડાયા હતાં અને રાસની રમઝટ બોલાવી હતી.કથાનાં વક્તા તરીકે શા.સ્વામી આનંદવલ્લભદાસજી, શા.સ્વામી પ્રેમવલ્લભદાસજી, શા.સ્વામી કૃષ્ણવલ્લભદાસજી સવારે 8:30થી 11:00અને બપોરે 3:30થી 6:30 સુધી કથાનું રસપાન કરાવી રહ્યા છે. જેમાં સ્વામી વાસુદેવપ્રિયદાસજી અને સ્વામી નીલકંઠમુનિદાસજી સંગીતમાં સાથ આપ રહ્યા છે, જ્યારે સભા સંચાલન શા.સ્વામી હરિકૃષ્ણદાસજી અને કૃષ્ણવિહારીદાસજી કરી રહ્યા છે. તેમ જણાવી ઉમેર્યું હતું કે, આવતી કાલે તા. 20નાં સાંજે ફૂલડોત્સવમાં આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ હાજર રહેશે, તા. 21 એપ્રિલનાં સવારે 6:30 કલાકે ઠાકોરજીનો અભિષેક અને બાદમાં અન્નકૂટ ઉત્સવ આરતી કરાશે. ઠાકોરજીની શોભાયાત્રા પણ યોજાશે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 7:28 am

મંડે પોઝિટીવ:બાઈક પર મ્યુઝિક સાથે રોજ 100થી વધુ શ્વાનો-ગાયોની સેવા

શહેરમાં રોજ રાત્રે એક વાહનચાલક પોતાના બાઇક પર મ્યુઝિક સિસ્ટમ ચાલુ રાખી, કુતરાઓ અને ગાયોને ખવડાવતા લોકોએ જોયું હશે. રોજ રાત્રે 10 વાગ્યાથી લઈને 1-2 વાગ્યા સુધી ચાલતી આ સેવા એક જીવદયાની જીવંત પ્રેરણા છે. જીગ્નેશભાઈ ખેતશીભાઈ પીઠડીયા (દરજી) માટે આ સેવા એક લાગણીની ઘટના પરથી શરૂ થઈ. પિતાના અવસાન બાદ તેમને સમજાયું કે જીવનમાં સારા કાર્યો જ સાચી મૂડી છે. ત્યારબાદ ઘરે 11 વર્ષથી રહેલી ‘માજી’ નામની કુતરીના અવસાનએ તેમની અંદર સેવાકાર્યનું બીજ બોયું. આજે તેઓ માત્ર કુતરાઓને જ નહીં, પણ ગાયોની પણ સેવા કરે છે. રોજ લગભગ 100થી 120 કુતરાઓ અને 50થી 60 ગાયોને ખવડાવે છે. સવારે શાકભાજી લાવી સાંજે પરિવાર સાથે કટિંગ કરીને તૈયાર કરે છે અને સાથે 15 કિલો પેડિગ્રી પણ આપે છે. બાઈક પર મ્યુઝિક સિસ્ટમ રાખવાનું કારણ પણ રસપ્રદ છે, તેમનું માનવું છે કે, મ્યુઝિક સાંભળીને કુતરાઓ તેમને ઓળખી જાય અને પાસે આવી દોડે છે. શરૂઆતમાં થોડો ડર હતો, પરંતુ હવે પ્રાણીઓ તેમને ઓળખી ગયા છે. ઘણી વખત એવા વિસ્તારોમાં લોકો કહે છે કે, આ કુતરાઓ કોઈની પાસે ખાતા નથી, માત્ર તમારી રાહ જોતાં હોય છે. આ સેવાકાર્યમાં પરિવાર અને મિત્રોનો ઘણો સહકાર છે. લોકો પણ મદદ કરે છે. સાથે જ ક્યારેક નકારાત્મકતા પણ મળે છે, પરંતુ તેઓ એ બધું જતું કરીને સેવા યાત્રા ચાલુ રાખે છે. તેમના માટે સેવાનો સૌથી ક્ષણ એ છેકે, જ્યારે ભૂખ્યા કુતરાઓને ખવડાવ્યા પછી તેમની આંખોમાં જે ખુશી જોવા મળે છે. તે જોઈને પોતાનો બધો થાક ઓગળી જાય છે. દરરોજ 28 કિમીનો રૂટહરસિદ્ધિ સોસાયટીથી શરૂઆત કરી મંગલમ રોડ – મીરજાપર હાઇવે – ત્યાંથી મોટા બંધ નીચે –જ્યુબિલી સર્કલ – મિલિટરી સ્ટેશન અને અંતે કેસર રોડ તથા આરટીઓથી અંદર સિદ્ધિવિનાયક મંદિર રોડ સુધીનો કુલ 14 કિમી સાથે જવાના 14 મળી કુલ 28 કિમીનો રૂટ કવર કરે છે. દિવસભર નોકરી બાદ પણ 2.5 વર્ષથી અવિરત સેવા ચાલુ છેતે છેલ્લા 2.5 વર્ષથી રોજ આ સેવા કાર્ય કરે છે. દિવસભર પ્રાઇવેટ નોકરીમાં મહેનત કરીને થાક લાગ્યો હોવા છતાં, તેમની સેવા પ્રત્યેની લાગણી ક્યારેય ઓછી પડી નથી. આ સેવા કાર્યનો જ્યારથી તેમણે નિર્ણય લીધો છે ત્યારથી, રાત્રિના કોઈ લગ્ન પ્રસંગ હોય કે સામાજિક કાર્યક્રમમાં હાજરી આપવાનું પણ ટાળ્યું છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 7:25 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:કુકમાથી વાવડી વચ્ચે 9 કિમીનો 6 કલાક સુધી ચક્કાજામ

ભુજ અને અંજારને જોડતો મુખ્ય ધોરીમાર્ગ અત્યારે વાહનચાલકો માટે આશીર્વાદને બદલે અભિશાપ સાબિત થઈ રહ્યો છે. ભીમાસરથી ધર્મશાળા ધોરીમાર્ગ અંતર્ગત ભુજ- અંજાર ધોરિમાર્ગ પર પડતર રહેલા રેલડી ઓવરબ્રિજના કામને કારણે સર્જાયેલી અવ્યવસ્થાએ હવે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. રવિવારે કુકમાથી વાવડી પાટિયા સુધીના 9 કિલોમીટર લાંબા પટ્ટામાં 6 કલાક સુધી ટ્રાફિકના પૈડાં થંભી ગયા હતા, જેને જોતા લોકોમાં ચર્ચા જાગી છે કે રેલડી હવે ભુજોડી જેવી જ ગંભીર ટ્રાફિક સમસ્યાની ‘બેલડી’ બની ગઈ છે. રવિવારે સાંજે સ્થિતિ અત્યંત સ્ફોટક બની હતી. માલવાહક ટ્રકો, એસ.ટી. બસો અને ખાનગી વાહનો કલાકો સુધી રસ્તા પર જ જકડાઈ ગયા હતા. ગરમી વચ્ચે વાહનચાલકોના નાકે દમ આવી ગયો હતો. રાજકોટથી કચ્છ આવેલા મૌલિક શાહના જણાવ્યા અનુસાર, સાડા ચારેક વાગ્યાથી તેઓ આ ટ્રાફિકજામમાં રાત્રે સાવ દસ સુધી ફસાયેલ રહ્યા હતા. ટ્રાફિકના સમાચાર ધ્યાને આવતા મુસાફરોએ પધ્ધર અને ધાણેટી રસ્તો પસંદ કરી મુસાફરી ચાલુ રાખી હતી. માત્ર ટ્રાફિક જ નહીં, પરંતુ સુરક્ષાનો પ્રશ્ન પણ એટલો જ ગંભીર છે. વન-વે રસ્તાઓ અને અચાનક આવતા ડાયવર્ઝનને કારણે રાત્રિના સમયે અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. પૂરતી સાઈનબોર્ડની સુવિધા કે લાઈટિંગના અભાવે વાહનચાલકો મૂંઝવણમાં મુકાય છે. રાત્રે પધ્ધર પોલીસ ઇન્સ્પેકટર એ.ડી ખાંટએ ભાસ્કરથી વાત કરતા જણાવ્યું હતું કે, ભુજ અંજાર ધોરીમાર્ગ પર લાંબો ટ્રાફિકજામ થતા સૂચના મળતા જ પધ્ધર પોલીસ સ્થિતિ નિયંત્રણ માટે પહોંચી છે. બીજીતરફ કુકમા ટોલ પ્લાઝા સુધી આ જામની અસર વર્તતા વન વે બ્લોક જેવી સ્થિતિ સર્જાઈ હતી. જો કે ઘણીવખત અહીં સ્લો પ્રોસેસના કારણે પણ ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય છે. જેના કારણે ટ્રાફિકજામ સર્જાયો તે ટ્રકને 6 કલાક બાદ રસ્તા પરથી ખસેડવામાં આવી હતી. બ્રિજનું અધૂરું કામ, વાહનચાલકો વન-વેનો ભોગભુજ-અંજાર હાઈવે નવો બન્યો હોવાના દાવા વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ છે. રેલડી પાસે છેલ્લા બે વર્ષથી નકશા થકી ઓવરબ્રિજ ન બનતા વાહનોને સાંકડા સર્વિસ રોડ અથવા ડાયવર્ઝન પરથી પસાર થવું પડ્યું હતું. તેમાંય વળી, કુકમા, રતનાલ અને સાપેડા પાસે રસ્તાઓ પર ઠેર-ઠેર ખાડા પડી ગયા હોવાથી તંત્ર દ્વારા અનેક જગ્યાએ વન-વે જાહેર માર્ગ બનાવી દેવામાં આવ્યો છે. એક તરફથી આવતો ટ્રાફિક બીજી તરફ અટવાતા કુકમા ટોલ પ્લાઝા પાસે વાહનોની લાંબી કતારો દૈનિક ઘટના બની ગઈ છે. ગૂગલમાં પોણો રસ્તો રેડઝોન, ગ્રીનઝોનમાં પણ ટ્રાફિકરવિવારના ટ્રાફિકજામમાં ગૂગલ મેપમાં કેટલાક ભાગમાં મુખત્વે રેડ ઝોન દર્શાવતું હતું, જો કે કે ક્યાંક ગ્રીન ઝોન પણ હતું જ્યાં હકીકતમાં ટ્રાફિકજામ હતો. તેનું કારણ એ છે કે, ગૂગલ મેપ મુખ્યત્વે ક્રાઉડસોર્સિંગ અને આધુનિક અલ્ગોરિધમ પર કામ કરે છે. જ્યારે આપણે સ્માર્ટફોનમાં લોકેશન ચાલુ રાખીને મુસાફરી કરીએ છીએ ત્યારે આપણો ફોન અનામી રીતે ગૂગલને ડેટા મોકલે છે કે આપણે કેટલી ઝડપે આગળ વધી રહ્યા છીએ. જો કોઈ એક ચોક્કસ રસ્તા પર ઘણા બધા ફોન સામાન્ય ગતિ કરતા ધીમી ગતિએ ચાલતા હોય તો ગૂગલનું સર્વર સમજી જાય છે કે ત્યાં ટ્રાફિક જામ છે. આ માહિતીને તે લીલા, નારંગી અને લાલ રંગો દ્વારા નકશા પર દર્શાવે છે. જો કોઈ રસ્તા પર જામ હોય પણ ત્યાં હાજર લોકોના ફોનમાં ઇન્ટરનેટ કે જીપીએસ બંધ હોય તો ગૂગલને એ જામની જાણકારી મળતી નથી અને મેપમાં રસ્તો ખાલી દેખાય છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 7:25 am

આજે માવઠાની આગાહી:બપોરે તાપમાન ઘટીને 37.8 ડિગ્રી થયું

ભાવનગર શહેર અને જિલ્લામાં આવતી કાલ તા.20 અને 21 એપ્રિલ બે દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી લંબાવવામાં આવી છે. ત્યારે આજે માવઠાની આગાહી વચ્ચે સાંજ સુધી તાપમાન ઘટીને 37.8 ડિગ્રી સેન્ટીગ્રેડ રહ્યું હતુ જો કે રાતનું ઉષ્ણતામાન વધીને 26.8 ડિગ્રી થઇ ગયુ હતુ. આજે રવિવારે સાંજે શહેરમાં પવનની ઝડપ 20 કિલોમીટર નોંધાઇ હતી. હાલમાં રાજસ્થાન-મધ્યપ્રદેશ અને પાકિસ્તાનમાં સાઈક્લોનિક સરક્યુલેશન અને ભેજની પટ્ટી (ટ્રફ)ની સિસ્ટમ સક્રિય છે, જેથી 20 અને 21 એપ્રિલે 20થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડી શકશે અને 23 એપ્રિલ સુધી વાદળિયું વાતાવરણ રહેવાની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે. ભાવનગર શહેરમાં ગઇ કાલેુ મહત્તમ તાપમાન 39.2 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે ઘટીને. 37.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જો કે રાતનું લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 25.6 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે વધીને 26.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા રાત્રે ભેજ સાથે બફારો વધ્યો હતો. શહેરમાં આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 51 ટકા હતુ જે સાંજે 22 ટકા નોંધાયુ હતુ. આજે સાંજે પવનની ઝડપ 20 કિલોમીટર નોંધાઇ હતી. જેથી ગરમીમાં રાહત રહી હતી. રાત્રે વધતું તાપમાન

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 7:21 am

વીજકાપ:ભાવનગરમાં કાલે શિવનગર ફીડરમાં છ કલાકનો વીજકાપ

પી.જી.વી.સી.એલ. ભાવનગર સિટી-2 ડિવિઝન નીચે આવતા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન સહિત વીજળી લાઈન મરામત કામગીરી અનુસંધાને આગામી તા.20મી થી 24મી એપ્રિલ-2026 સુધી ચાર દિવસ તબક્કાવાર વીજકાપ લદાયો છે. શહેરમાં તા.21મી એપ્રિલને મંગળવારે 11 કે.વી. શિવનગર ફિડરમાં મરામત કામગીરી દરમિયાન સ્વસ્તિક આર્કેડ, પ્લેટિનમ કોમ્પ્લેક્ષ, માધવનગર 1-2-3, નંદગ્રામ સોસાયટી 1-2, રાધેશ્યામ સોસાયટી, ભક્તિનગર 1-2-3, પરમેશ્વરપાર્ક, ટોપ-થ્રી, નંદવિલેજ, લુહાર જ્ઞાતિની વાડી, અમિધારા, શિવપાર્વતિ, શિવસાગર 1-2, તરસમિયા, ખારશી, ટોપ-થ્રી થી ગોપાલનગર, શિવનગર પાટીયા, સ્વપ્નસૃષ્ટી, શિવસૃષ્ટી, ઘનશ્યામનગર, ખોડિયારનગર અને ચંદ્રપાર્ક આજુબાજુનો સમગ્ર વિસ્તારમાં વીજળીનો પુરવઠો બંધ રહેશે. તા.22મી એપ્રિલને બુધવારે સંસ્કાર મંડળ ફિડર નીચે આવતા રૂપાણી સર્કલ, ગુલીસ્તા મેદાન, ગોળીબાર હનુમાન મંદિરની આસપાસનો વિસ્તાર, આતાભાઈ ચોક, જવાહર મેદાન, તપસીબાપુની વાડીની આસપાસનો વિસ્તાર, કસ્ટમ ઓફિસ આસપાસનો વિસ્તાર, રિલાયન્સ પેટ્રોલ પંપથી સહકારી હાટ સુધીનો રોડ, જોગર્સ પાર્કની આસપાસનો વિસ્તાર, સુરભી મોલ, ઈવા સુરભી, ઘોઘા સર્કલના વિસ્તારમાં વીજકાપ રહેશે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 7:20 am

NEP:3 વર્ષે સ્નાતક અભ્યાસક્રમ પૂરા કર્યા પછી વિદ્યાર્થીઓને બે વિકલ્પ મળશે

નવી શિક્ષણ નીતિ NEP-2020 માં સ્નાતક કક્ષાના કોર્સ ચાર વર્ષના કરવામાં આવ્યા છે. આમ ત્રણ વર્ષના સ્નાતક અભ્યાસક્રમ પૂરા કર્યા પછી વિદ્યાર્થીઓ માટે મૂળભૂત રીતે બે વિકલ્પ રહેલા છે. જેમાં પહેલા વિકલ્પ અંતર્ગત સ્નાતક કક્ષાએ અભ્યાસ ચાલુ રાખી ચાર વર્ષ પછી સ્નાતકની પરીક્ષા આપી ઓનર્સની ડિગ્રી લેવી જ્યારે બીજા વિકલ્પમાં 3+2 પદ્ધતિ પ્રમાણે અનુસ્નાતક કોર્સમાં પ્રવેશ લઈ બે વર્ષનો અનુસ્નાતકનો કોર્સ કરવો. રિસર્ચ અને OJTના વિકલ્પમાં યુનિવર્સિટીઓ યુજીસીની ગાઈડલાઈન અને ગુજરાત રાજ્યના આદેશ મુજબ 22 ક્રેડિટનો થીયરી અને પ્રેક્ટીકલનો અભ્યાસક્રમનો વિકલ્પ આપી શકશે. જો વિદ્યાર્થી ચાર વર્ષ કરી અનુસ્નાતકમાં એડમિશન મેળવવા માંગે તો તેને ઓછામાં ઓછી 176 ક્રેડિટ મેળવવી પડશે અને જો ત્રણ વર્ષ પછી અનુસ્નાતકના બે વર્ષના કોર્સમાં એડમિશન લેવું હોય તો તેની ક્રેડિટ મિનિમમ 132 થવી જોઈએ. વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષાના તેમના મેજર અથવા માઇનોર જે વિષય હોય તેમાંથી કોઈ પણ વિષયમાં અનુસ્નાતક માં પ્રવેશ મેળવી શકે છે, આ માટે યુનિવર્સિટી દ્વારા પ્રવેશ પરીક્ષાનું આયોજન પણ કરી શકે. NEP-2020 પ્રમાણે સાતમા સેમેસ્ટરમાં વિદ્યાર્થીએ કુલ 22 ક્રેડિટ મેળવવી પડશે આમાંથી 16 ક્રેડિટ વિદ્યાર્થી થીયરી અને પ્રેક્ટીકલના વિષયો દ્વારા મેળવશે, જ્યારે એક 4 ક્રેડિટ માઇનોર વિષયમાં મેળવશે જે મુખ્ય વિષય સિવાયનો વિષય હશે. આમ, 22માંથી 16 ક્રેડિટ ચાર મેજર અને એક માઈનોર વિષય દ્વારા વિદ્યાર્થી પ્રાપ્ત કરી શકશે. હવે, જો ચોથા વર્ષમાં એક મેજર વિષય અને એક SEC આપવામાં આવે તો કોલેજ માટે થોડી અનુકૂળતા રહેશે, પણ જો OJT અથવા ઇન્ટરનશીપ આપવામાં આવે તો તેને માટે ઇવેલ્યુશન રૂબરિક્સ પ્રમાણે તેનું મૂલ્યાંકન કરવામાં આવશે, જેમાં કુલ માર્ક 100 છે. જેમાંથી 60 ટકા સ્કીલ નોલેજ પ્રોવાઇડર એટલે કે SKP દ્વારા આપવામાં આવશે અને 40% ઇવેલ્યુશન ફેકલ્ટી આપશે. ક્લસ્ટર રચી ઓનર્સ વિથ રિસર્ચમાં પ્રવેશ આપી શકાયગુજરાતની ઘણી બધી કોલેજોમાં ચોથા વર્ષ માટે જરૂરી વ્યવસ્થા ન હોય તો એક ક્લસ્ટર બનાવી તેમાં દરેક વિદ્યાર્થીઓને ઓનર્સ વિથ રિસર્ચના પ્રોગ્રામ હેઠળ પ્રવેશ આપી શકાય. હવે ઘણી બધી યુનિવર્સિટીમાં ચોથા વર્ષને ચલાવવા માટે જરૂરી સંસાધનો ફેકલ્ટીની કમી વગેરે હોવાથી અને અનુસ્થાનક કક્ષાએ ફાજલનો પ્રશ્ન ન થાય તે માટે અનુસ્નાતકના પ્રથમ વર્ષનો અભ્યાસક્રમ અને ઓનર્સનો ચોથા વર્ષનો અભ્યાસક્રમ એક સરખો અથવા 70% સુધીનો સરખો રાખી શકે છે. > રોહિત દવે, શિક્ષણવિદ

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 7:20 am

ગમખ્વાર અકસ્માત સર્જાયો:નવાગામના ઢાળ નજીક કાર ચાલકે વૃદ્ધને અડફેટે લેતા મોત

વલભીપુરના મોણપુર ગામે રહેતા એક વૃદ્ધ પાન પાર્લરની દુકાનેથી મજુરી કામ કરી ઘરે પરત ફરતા હતા તે વેળાએ કાર ચાલકે પુરપાટ ઝડપે કારને ચલાવી રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધ સાથે ગમખ્વાર અકસ્માત સર્જતા વૃદ્ધને ફંગોળાયા હતા. જે ઘટનામાં વૃદ્ધને શરીરના ભાગો ઉપર ગંભીર ઇજાઓ થતાં તેમને સારવારમાં ખસેડાયા બાદ મોત નિપજ્યું હતું. વલભીપુર તાલુકાના મોણપુર ગામે રહેતા અનિરૂદ્ધસિંહ જોરૂભા રાયજાદા (ઉ.વ.55) નવાગામના ઢાળ પાસે મારૂતી પાન પાર્લરની દુકાને મજુરીકામ કરતા હતા. જે દરમિયાન તેઓ મજુરીકામ કરતી મોડી સાંજે ઘરે પરત ફરતા હતા. તે વેળાએ નવાગામના ઢાળ પાસે રોડ ક્રોસ કરતી વેળાએ એક પુરપાટ ઝડપે કાર ધસી આવી હતી અને અનિરૂદ્ધસિંહ કંઇ સમજે એ પહેલા જ કારના ચાલકે અનિરૂદ્ધસિંહ સાથે કારનો ગમખ્વાર અકસ્માત સર્જયો હતો. જે અકસ્માતની ઘટનામાં અનિરૂદ્ધસિંહ રાયજાદા ફંગોળાઇને રોડ ઉપર પટકાતા તેમને શરીરના ભાગો ઉપર ગંભીર ઇજાઓ થવા પામી હતી. જે બાદ તેમને ગંભઈર હાલતે સારવારમાં ખસેડાયા હતા જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનામાં ફરાર થયેલા કાર નં. GJ 01 HR 9048નો ચાલક અકસ્માત સર્જી ફરાર થઇ ગયો હતો. જે મામલે અનિરૂદ્ધસિંહના પુત્ર જયપાલસિંહ રાયજાદાએ અજાણ્યા કાર ચાલક વિરૂદ્ધ વલભીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 7:19 am

મહિલાઓનું કરાયું સન્માન:ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે \નારી શક્તિ વંદન કાર્યક્રમ'' યોજાયો

વિદ્યાવિહાર કેળવણી મંડળ દ્વારા ભાવનગરના 304માં સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત આયોજિત 'નારી શક્તિ વંદન કાર્યક્રમ' આજે ભાવનગર શહેરમાં સંપન્ન થયો હતો. આ અવસરે શહેરના રેલવે સ્ટેશન ખાતે સવારે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભાવનગરનું રેલવે સ્ટેશન કે જ્યાં મહિલા કુલી કામ કરી રહી છે જેની સાથો સાથ પેરા ઓલમ્પિક અને નેશનલ લેવલની રમતોમા વિજેતા થયેલા મહિલાઓના યોગદાનને સન્માનિત કરવાનો હતો. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ગૌરવમય બની ગયું હતું. ઉપસ્થિત મહેમાનો દ્વારા નારી શક્તિના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો અને મહિલાઓના સશક્તિકરણ માટે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો. આ કાર્યક્રમનું સંચાલન વિદ્યા વિહાર કેળવણી મંડળના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. ધર્મિષ્ઠાબેન દવેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. તેમણે કાર્યક્રમને સફળ બનાવવા માટે સહકાર આપનાર તમામ કાર્યકરો અને ઉપસ્થિત નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ અંતે સૌએ નારી સન્માન અને સમાનતાના સંદેશને આગળ વધારવાનો સંકલ્પ કર્યો હતો. સમગ્ર આયોજન ભાવનગર શહેર માટે એક પ્રેરણાદાયી અને યાદગાર ક્ષણ બની રહ્યું હતું.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 7:19 am