SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

27    C
...

ભાજપના કોર્પોરેટરની ફરિયાદ સામે આપનો આક્રમક મિજાજ:પોલીસ તંત્રના દુરુપયોગના આક્ષેપ સાથે કમિશનરને રજૂઆત, પોસ્ટર વોરથી સુરતનું રાજકારણ ગરમાયું

ગુજરાતના રાજકારણનું એપીસેન્ટર ગણાતા સુરતમાં ફરી એકવાર ભાજપ અને આમ આદમી પાર્ટી સામસામે આવી ગયા છે. AAPના ઉમેદવાર શ્રવણ જોશી વિરુદ્ધ ભાજપના કોર્પોરેટર અમિત રાજપૂતે બદનક્ષીની ફરિયાદ નોંધાવતા સુરતનું રાજકારણ ગરમાયું છે. આ મામલે આજે આમ આદમી પાર્ટીના ઉચ્ચ નેતૃત્વ અને કાર્યકરોએ પોલીસ કમિશનરને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી અને આ FIRને રાજકીય કિન્નાખોરી ગણાવી હતી. શ્રવણ જોશી જનસંપર્ક અભિયાન ચલાવી રહ્યા હતાઆ વિવાદની શરૂઆત સુરતના ગોડાદરા વિસ્તારથી થઈ હતી. આમ આદમી પાર્ટીના ઉમેદવાર શ્રવણ જોશી છેલ્લા ચાર દિવસથી ગોડાદરા વિસ્તારમાં જનસંપર્ક અભિયાન ચલાવી રહ્યા હતા. આ અભિયાન દરમિયાન તેઓ હાથમાં પોસ્ટરો લઈને સ્થાનિક ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર જનતાને અવગત કરી રહ્યા હતા. અમિત રાજપૂતે આક્ષેપ કરીને બદનક્ષીની ફરિયાદ નોંધાવી ભાજપના કોર્પોરેટર અમિત રાજપૂતનો આક્ષેપ છે કે, શ્રવણ જોશીએ પ્રદર્શનમાં એવા પોસ્ટરોનો ઉપયોગ કર્યો હતો જેમાં કોર્પોરેટરનો ચહેરો દર્શાવવામાં આવ્યો હતો અને તેમની સામે ભ્રષ્ટાચારના પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ બાબતને પોતાની વ્યક્તિગત અને સામાજિક છબી ખરડવાનો પ્રયાસ ગણાવી અમિત રાજપૂતે પોલીસમાં બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે. 'ઉમેદવારોની યાદી જાહેર કરી ત્યારથી ભાજપમાં ગભરાટ ફેલાયો'પોલીસ ફરિયાદ બાદ આમ આદમી પાર્ટી રક્ષણાત્મક મોડમાં આવવાને બદલે આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. પાર્ટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જ્યારથી આમ આદમી પાર્ટીએ આગામી મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા સંભવિત ચૂંટણીઓ માટે 75 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, ત્યારથી ભાજપના નેતાઓમાં ગભરાટ ફેલાયો છે. શ્રવણ જોશીની લોકપ્રિયતા અને તેઓ જે રીતે ભ્રષ્ટાચારના પુરાવા જનતા સમક્ષ મૂકી રહ્યા છે તેનાથી ભાજપના પેટમાં તેલ રેડાયું છે. 'ભારતીય જનતા પાર્ટી અમારા ઉમેદવારોના નામ સાંભળીને ડરી ગઈ 'AAP શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, ગુજરાતની ચૂંટણી જાહેર થઈ ગઈ. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગુજરાતની 15 મહાનગરપાલિકાઓમાં ચૂંટણીનું આયોજન થઈ ગયું. ચૂંટણી પંચે જાહેરાત કરી દીધી, આચારસંહિતા લાગુ થઈ ગઈ. આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા, થોડાક ઉમેદવારો બાકી છે જે બે દિવસમાં અમે જાહેર કરી દઈશું. તેને વધુમાં કહ્યું કે, ગઈકાલે સુરત મહાનગરપાલિકાના ચૂંટણી લડવા માટેના ઈચ્છુક ઉમેદવારો પૈકી અલગ-અલગ 75 સીટ ઉપર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા. ભારતીય જનતા પાર્ટી અમારા ઉમેદવારોના નામ સાંભળીને ડરી ગઈ છે. અમારા કેમ્પેનને એન-કેન પ્રકારે રોકવાના દુષ્પ્રયાસો કરી રહી છે અને એ કેમ્પેનો રોકવા માટે ભાજપ રીતસરનું પોલીસનો દુરુપયોગ કરી રહી છે, પોલીસ તંત્રને આગળ કરી રહી છે. 'ગુજરાતના લોકો એક જ સાદે કહી રહ્યા છે...'તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોની પ્રથમ પસંદગી બની રહી છે. ગુજરાતના લોકો એક જ સાદે કહી રહ્યા છે કે હા, અમે ભાજપના ભ્રષ્ટાચારથી, ભાજપના કુશાસનથી, ભાજપની મોંઘવારીથી, ડ્રગ્સ-દારૂના વેપારથી, મોંઘા શિક્ષણથી અમે થાકી ગયા છીએ અને અમે આ વખતે આમ આદમી પાર્ટીના ઝાડુના નિશાન ઉપર બટન દબાવી અને આમ આદમી પાર્ટીને જંગી લીડથી જીતાડવાના છીએ. 'અમારા કેમ્પેનને રોકવાના એન-કેન પ્રકારે પ્રયાસ'ધર્મેશ ભંડેરીએ કહ્યું કે, આ ભાજપને ખબર પડી ગઈ છે એટલે અમારા કેમ્પેનને રોકવા માટે પોલીસ તંત્રનો સહારો લઈ, પોલીસનો દુરુપયોગ કરી અમારા કેમ્પેનને રોકવાના એન-કેન પ્રકારે પ્રયાસ કરી રહ્યા છે ત્યારે, આમ આદમી પાર્ટી સુરત શહેરના સંગઠનના તમામ પદાધિકારી, સંગઠનના તમામ સાથીઓ પોલીસ કમિશનરને રૂબરૂ મળી રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે દરેક ઉમેદવારને આ લોકશાહીમાં પોતાનો પ્રચાર કરવાનો અબાધિત અધિકાર છે. 'ભાજપના પેટમાં આ સ્લોગનો, આ વાત ખૂંચે છે'ભંડેરીએ વધુમાં કહ્યું કે, સરકારની ખોટી નીતિઓ લોકો સુધી પહોંચાડવી જોઈએ એવું લોકતંત્ર માને છે અને દરેક વ્યક્તિનો આ અબાધિત અધિકાર છે અને એ અબાધિત અધિકારના કારણે અમે અમારો પ્રચાર કરી રહ્યા છીએ. પ્રચાર કરવા માટેના સાહિત્યમાં જે સ્લોગનો છાપવામાં આવ્યા છે આ તમામે તમામ સ્લોગન છે ઓફિશિયલ જાહેરાત કરી અને અમે આને જાહેરાતમાં મૂક્યા છે, લોકો સુધી અમે આ વાત પહોંચાડી રહ્યા છીએ પણ ભાજપના પેટમાં આ સ્લોગનો, આ વાત ખૂંચે છે એટલે એમણે પોલીસ તંત્રને આગળ કરી અમારા ઉમેદવારને ડરાવવાના, ધમકાવવાના અને ખોટી ફરિયાદો કરી, ખોટી FIR દાખલ કરી અમને હેરાન કરવાના અને ડરાવવાના પ્રયાસો કરી રહ્યા છે જે લોકશાહી માટે ઘાતક છે. એટલે અમે કમિશનરને રૂબરૂ મળીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે પોલીસ તંત્રનો દુરુપયોગ બંધ કરવામાં આવે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:58 pm

જંગલેશ્વરમાં ગુડ્ઝ લિફટમાં ફસાઈ જતાં ધો.8ના વિદ્યાર્થીનું મોત:દારૂ ભરેલી કાર લઈને ભાગેલા બુટલેગરે બે બાઈક સવારને હડફેટે લીધા, એકનું મોત

સરધાર નજીક આવેલા લોધિડા ગામે રહેતાં દિનેશભાઈ બચુભાઈ સોલંકી (ઉ.વ.49) નામના આધેડ આજે બપોરે પોતાનું બાઈક લઈ વાડીએ જતાં હતાં ત્યારે સરધાર તરફથી પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે બાઈકને હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક દિનેશભાઈને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં પરંતુ અહિં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સરધાર તરફથી પુરપાટ ઝડપે આવતી કારમાં દારૂનો જથ્થો ભરેલો હતો અને પોલીસ તેનો પીછો કરતી હોવાથી કાર ચાલકે પુરપાટ ઝડપે ચલાવી બે બાઈક સવારોને હડફેટે લીધા હતાં. અગાઉ ગઢડીયા ગામ નજીક એક બાઈક સવારને હડફેટે લીધા બાદ લોધિડા નજીક દિનેશભાઈને હડફેટે લેતાં તેમનું મોત નિપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે આજીડેમ પોલીસે દારૂ ભરેલી કારના ચાલકને ઝડપી કારની તલાસી લેતાં તેમાંથી 100 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂ અને કાર કબજે કરી કાર ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે. જંગલેશ્વરમાં ગુડ્ઝ લિફટમાં ફસાઈ જતાં ધો.8ના વિદ્યાર્થીનું મોત સામાકાંઠે દૂધની ડેરી પાસે ગામેતી હોલ નજીક શેરી નં.1માં રહેતો રહેમાન હનીફભાઈ નગરીયા (ઉ.વ.14) નામનો સગીર આજે સવારે 11 વાગ્યાના આસપાસ જંગલેશ્વર વિસ્તારમાં આવેલા ગોકુલનગર શેરી નં.3માં બફ વર્કસ નામના કારખાને હતો ત્યારે ચાલુ લીફટમાં ફસાઈ જતાં માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ભક્તિનગર પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક રહેમાન બે ભાઈમાં નાનો અને ધો.8માં અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યું છે. આજે સવારે તે જંગલેશ્વરમાં ગોકુલનગરમાં આવેલા કાકા નાસીરભાઈના કારખાને આંટો મારવા ગયો ત્યારે અકસ્માતે ગુડઝ લીફટમાં ફસાઈ જતાં તેનું મોત નિપજ્યું હતું. રૂ.6.50 લાખના ચેક રિટર્ન કેસમાં કીચનવેર ધંધાર્થી હર્ષિત સોજીત્રા જેલ હવાલે રાજકોટના વેરાવળ-શાપર ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં ફરીયાદી જેનીસભાઈ વિજયભાઈ રાદડીયા, ‘આર.ડી. એન્ટરપ્રાઈઝ’ના નામથી કિચનવેરની વસ્તુઓ બનાવવાનો ધંધો કરે છે. આરોપી હર્ષિતભાઈ એમ. સોજીત્રા ‘ગજાનન એચ.એમ.એન્ટરપ્રાઈઝના નામથી ધંધો કરે છે. ફરીયાદી પાસેથી આ કામના આરોપીએ કિચનવેરના માલની ખરીદી કરી હતી જેનું બાકી નીકળતું પેમેન્ટ રૂ.6,53,984 ચુકવવા માટે આરોપીએ પોતાની પેઢીના બે ચેક આપ્યા હતા. બન્ને ચેક રિટર્ન ફરિયાદ કોર્ટમાં થઈ હતી જેમાં કોર્ટે આરોપી હર્ષિત સોજીત્રાને 1 વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ 60 દિવસમાં ન ચુકવે તો વધુ 1 વર્ષની સજાનો હુકમ કર્યો હતો. જે સજાના હુકમ સામે આરોપીએ રાજકોટ સેશન્સ કોટમાં અપીલ દાખલ કરી હતી જે અપીલમાં પણ આરોપી સામે થયેલ સજાનો હુકમ કોર્ટે યથાવત રાખતા હર્ષિદભાઈ સોજીત્રાને સજા ભોગવવા જેલ હવાલે કર્યો છે. આ કેસમાં મુળ ફરીયાદી તરફે વકીલ આર.સી.ફળદુ, અજય કે. જાધવ, ચાર્મી કે. પંડયા રોકાયા હતા.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:55 pm

Editor’s View: યુદ્ધ જીતવા ટ્રમ્પ ભગવાન ભરોસે:ગાળો અને ગોળાનું ડેડલી કોમ્બિનેશન, ચીનની હોર્મુઝ ચાલ અને તોતિંગ વૉર બજેટ, ભારત પર ખતરાનું એનાલિસિસ

દોઢ ટ્રિલિયન ડોલર...આ આંકડો છે ઈરાન સામે યુદ્ધ લડવા માટે માટે ટ્રમ્પ અમેરિકા પાસે રૂપિયા માગી શકે તેનો. દોઢ ટ્રિલિયન ડોલરને સાદી રીતે સમજીએ તો આટલા રૂપિયાથી 3300 જેટલી સરદાર સાહેબની નવી સ્ટેચ્યૂ ઓફ યુનિટી બનાવી શકાય, 20 હજારવાર મંગળયાન મોકલી શકાય, 1200 નવા IIT અને 2700 નવા IIMના કેમ્પસ બનાવી શકાય. અધૂરામાં પૂરું ગઈકાલે ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એવી પોસ્ટ મૂકી છે જે કોઈ રાષ્ટ્રપતિ પદને શોભે જ નહીં. રોજના અંદાજે 16 હજાર રૂપિયાનો ખર્ચો કર્યા પછી ગોળી બાદ હવે ટ્રમ્પ ગાળો પર આવી ગયા છે. આટલું તો ઠીક હતું પણ હવે તો ભગવાન ભરોસે આવી ગયા છે. રવિવારે તેમણે અલ્લાહને યાદ કરી ઈરાનને નરકની ધમકી આપી, ઈસ્ટરના દિવસે ઈસુને પણ યાદ કર્યા. ટ્રમ્પનો આ આંધળો જુગાર હવે ખરા અર્થમાં બાઈબલના જજમેન્ટ ડે જેવો લાગી રહ્યો છે. ટ્રમ્પ જ્યારે યુદ્ધમાં ફસાયેલા છે ત્યારે પડદા પાછળ ચીન હોર્મુઝની ગલીમાં તેલની ચાવી આંચકવા બેઠું છે. એવામાં ખુદ અમેરિકાના નેતાઓ જ ટ્રમ્પને પાગલ કહી રહ્યા છે અને રાષ્ટ્રપતિ પદથી હટાવી દેવાની ધમકીઓ આપી રહ્યા છે. આ વાતથી આપણને શું અસર પડી શકે તેની વાત કરીએ તો સોનું-ચાંદી-પેટ્રોડ-ડીઝલ અને મોંઘવારીનો મારો ચલાવી શકે છે. ચાલો આજે રૂપિયાને ડોલર સામે 100ને પાર પહોંચાડી શકે તેવા યુદ્ધની વિગતવાર વાત કરીએ... નમસ્કાર... ગઈકાલે રવિવારની સાંજનો સમય હતો, દુનિયા ઈસ્ટરની શાંતિમાં હતું ને સાંજે સાડા પાંચ વાગ્યે ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ લખી જેણે પેન્ટાગોનથી લઈને તહેરાન સુધીમાં ભૂકંપ લાવી દીધો. ટ્રમ્પે લખ્યું... ટ્રમ્પનું ઈરાનને ભયાકન અલ્ટીમેટમ આ કોરી ધમકી જ ન હતી પણ એક ક્રૂર અલ્ટીમેટમ હતું. 7 એપ્રિલને ટ્રમ્પે જજમેન્ટ ડે જાહેર કર્યો છે. અહીં એક જોવા જેવી વાત એ છે કે ઈરાને હોર્મુઝ ન ખોલ્યું તો ગોળીવાળા ટ્રમ્પ હવે ગાળો પર ઉતરી આવ્યા છે. છેલ્લે તેમણે અલ્લાહની વાત લખી તે એક પ્રકારનો કટાક્ષ હતો કે યુદ્ધ હવે સરહદ પૂરતું નથી હવે આ ધર્મ યુદ્ધ છે. ટ્રમ્પને ખબર છે કે ઈરાનને પાયમાલ કરવું હોય તો તેમના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વીજળીના મથકો પર હુમલો કરવો જોઈએ એટલે ઈરાન ભીંસમાં આવીને યુદ્ધ પૂરું કરી દે. પણ આનાથી હજારો માસૂમ નાગરિકોના મોત થઈ શકે છે જેને યુદ્ધ સાથે કંઈ લેવાદેવા પણ નથી. ઈરાન યુદ્ધ વિશ્વ યુદ્ધનો સંકેત? આપણે સૌ જાણીએ છીએ કે યુદ્ધ ભલે મેદાનમાં લડાય પણ તેની કિંમત જે તે દેશની તિજોરી અને સામાન્ય જનતાને ભોગવવી પડે છે. એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પ યુદ્ધ લંબાવવા માટે આવનાર બજેટમાં 1.5 ટ્રિલિયન ડોલરનું ડિફેન્સ બજેટ માગી શકે છે. આ આંકડો કેટલો મોટો છે તે તો આપણે શરૂઆતમાં જ સમજી લીધું પણ તેને વધુ સારી રીતે સમજવા આપણે અમેરિકાની 31.4 ટ્રિલિયન ડોલરની ઈકોનોમીને પણ સમજવી પડશે. અમેરિકાની જીડીપીના પાંચ ટકા જેટલો હિસ્સો જો ખાલી યુદ્ધ માટે જ ખર્ચવો પડે તો એક પ્રકારે આ આવનાર વર્લ્ડ વોરનો સંકેત પણ હોઈ શકે છે. ગાળો અને ગોળાનું ડેડલી કોમ્બિનેશન હવે આપણે સમજીએ કે ટ્રમ્પ 1.5 ટ્રિલિયન ડોલરનું શું કરશે. વાત એવી છે કે પાછલા ડિફેન્સ બજેટને કમ્પેર કરીએ તો આ 44 ટકાનો સીધો વધારો છે. આ રકમ એટલે ભારત જેવા દેશની કૂલ જીડીપીના ત્રીજા ભાગ જેટલી થઈ જાય. આ ડિફેન્સ બજેટથી ટ્રમ્પને અમેરિકાનું ગોલ્ડન ડોમ શિલ્ડ વધારવું છે. જેથી કરીને કોઈ મિસાઈલ તેના પર હુમલો કરે તો તેને હવામાં જ તોડી પાડી શકા. તેના માટે અબજો ડોલર ફાળવવામાં આવશે. 125 બિલિયન ડોલરના નવા હથિયારો ખરીદવામાં આવશે જેની રિસર્ચ અને ડેવલોપમેન્ટનો ખર્ચો અંદાજે 125 બિલિયન ડોલર માનવામાં આવી રહ્યો છે. યુદ્ધની ભારે કિંમત અમેરિકા ને દુનિયાને ચૂકવશે કહેવાય છે કે આ બજેટથી તેઓ અમેરિકાના સૈનિકોના પગારમાં 5-7 ટકાનો વધારો પણ કરી શકે છે. 65 બિલિયન ડોલરની નવી 34 બેટલ શીપ અને સબમરીન પણ લવાશે તેવી ચર્ચાઓ થઈ રહી છે. પણ બજેટ તો છે તેટલું જ છે એટલે જો એક ભાગ વધારાય તો બીજો ભાગ ઘટાડવો પડશે. હેલ્થ કેરના બજેટના રૂપિયા ઘટી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. નાસાના બજેટમાં પણ 23 ટકાનો ઘટાડો થશે તેવી વાત છે. ડિફેન્સ સિવાયના બીજા બજેટમાં 10 ટકા જેટલો કાપ લાગી શકે છે. એટલે જો બંદર કે રેલ બનાવવમાં 100 રૂપિયા ખર્ચાતા હોય તો હવે 90 રૂપિયા જ ખર્ચાશે, બાકીના 10 રૂપિયા વધેલા ડિફેન્સ બજેટમાં જતા રહેશે. ટ્રમ્પે અમેરિકાના વિકાસનું ગળું દબાવ્યું પણ એક સવાલ થાય કે આ યુદ્ધની કિંમત કોને ચૂકવવી પડશે? એક દમ ક્લિયર વાત છે કે સીધી રીતે અમેરિકાના લોકોને અને આડકતરી રીતે દુનિયાને. મંગળ પર જવાનું નાસાનું સપનું છે તે મંગળવારે ઈરાનમાં લોહી વહાવીને વસૂલ કરાશે. આ છે ટ્રમ્પનું અમેરિકા ફર્સ્ટ મોડલ. હવે દુનિયા ડિફેન્સ માટે કેટલા રૂપિયા ખર્ચે છે તેની વાત કરીએ. દુનિયામાં હથિયારો વધારવાનો નવો ક્રેઝ જો દુનિયાના સૌથી વધુ ડિફેન્સ બજેટવાળા દેશોનું ડિફેન્સ બજેટ ભેગું કરવામાં આવે તો પણ તે અમેરિકાના ડિફેન્સ બજેટ જેટલું નહીં થાય. આ ખતરનાક વિષય છે. આ ઈરાન અને દુનિયા સહિત ભારત માટે પણ ચિંતાનો વિષય છે કારણ કે એક વર્ષમાં ભારત જેટલું ડિફેન્સમાં ખર્ચ કરે છે તેના 9 ગણા જેટલું બજેટ અમેરિકા એક જ વર્ષમાં સ્વાહા કરી દેશે. અને આ એક પ્રકારનું ચેઈન રિએક્શન છે. કારણ કે જો એક દેશ પોતાની રક્ષા માટે વધારે ખર્ચ કરે તો બાકીના દેશો પણ પોતાની રક્ષા માટે વધુ ખર્ચો કરશે. જેના કારણે એન્વાયરમેન્ટ, ગરીબી જેવી વસ્તુ સાઈડમાં રહી જશે અને વિનાશનો ખર્ચ વધતો જશે. વિચાર કરો યુદ્ધમાં અંદાજે રોજ સરેરાશ 2 બિલિયન ડોલર વપરાઈ રહ્યા છે. આટલા રૂપિયાથી તો કેટલાય દેશનો ભૂખમરો મીટાવી શકાય છે. ટ્રમ્પની જીદ અને ઈરાનના ડગ ન દેવાના વલણના કારણે રૂપિયો 100ને પાર પહોંચી શકે તેવા હાલ ઉભા થવા આવ્યા છે. યુદ્ધને યોગ્ય ઠેરવવા બાઈબલનો સહારો આ યુદ્ધ પણ મધ્યયુગીન ક્રુસેડ્સ એટલે કે ધર્મ યુદ્ધની ઝાંખી અપાવી રહ્યું છે. આ બહુ મહત્વની વાત છે જે આપણે બીટવીન ધ લાઈન્સ ચૂકી જઈએ છીએ કે ટ્રમ્પ હવે ઈરાનને પાડી દેવા ધર્મનો સહારો લઈ રહ્યા છે. યુદ્ધને ધર્મ યુદ્ધમાં ખપાવવા ટ્રમ્પની પ્લાનિંગ? પેન્ટાગોન અને અમેરિકાના સૈન્ય અંદરથી સમાચારો આવી રહ્યા છે કે સેનાના મોટા અધિકારીઓ હવે સૈનિકોને બાઈબલના જજમેન્ટ ડેના પાઠ ભણાવી રહ્યા છે. માત્ર આટલું જ નહીં બાઈબલની હોલી વોર અટલે કે પવિત્ર યુદ્ધને ટ્રમ્પ સરકાર ઈરાન સામે જોડવાનો એજેન્ડા ફેલાવી રહી છે. જેમ આપણા પૂરાણોમાં પૃથ્વીનો જળપ્રલય અને જ્વાળામુખીથી નાશની વાત છે તેમ બાઈબલમાં પણ આર્માગેડન એટલે કે વિશ્વના અંતિમ વિનાશની વાત છે. અમેરિકાના સૈનિકોના મગજમાં એવી વાત ઘૂસાવવામાં આવી રહી છે કે આ યુદ્ધ ઈશ્વરની દૈવીય શક્તીનો ભાગ છે. જો સૈનિકો માનવા લાગશે કે તેઓ ધર્મના નામે લડી રહ્યા છે તો યુદ્ધના મેદાનમાં જીનેવા કન્વેન્શન કે હ્યુમન રાઈટ્સની વાતો ગૌણ બની જશે. 7 એપ્રિલના ટ્રમ્પના પાવર પ્લાન્ટ ડેને પણ આવી જ વિચારધારા હેઠળ જોવામાં આવી રહ્યો છે. ચીનનો હોર્મુઝ ગેમપ્લાન હવે વાત ચીનની પણ કરી લઈએ. આ આખા ખેલમાં પડદા પાછળ સૌથી મોટો ખેલ જો કોઈ ખેલી રહ્યું છે તો તે ચીન છે. NDTVનો એક રિપોર્ટ છે જેમાં માર્સેલસ ઈન્ટ એડવાઈઝર્સના સૌરભ મુખર્જી કહે છે કે ચીન યુદ્ધમાં માત્ર મધ્યસ્થી નથી કરી રહ્યું પણ હોર્મુઝમાં ટેરેફિક કૂનો પણ પ્લાન કરી રહ્યું છે. એક બાજુ અમેરિકા અબજો ડોલર અને સૈનિકોના જીવ વેડફી રહ્યું છે તો બીજી બાજુ ચીન તહેરાન સાથે મળીને હોર્મુઝ પર પોતાની શક્તિ વધારવા મથામણ કરી રહ્યું છે. આપણે સૌ જાણીએ જ છીએ કે હમણા થોડા દિવસ પહેલા જ ટ્રમ્પે એવું કહ્યું હતું કે હોર્મુઝ ખોલાવવાની જવાબદારી અમારી નથી, જેને તેલ જોતું હોય તે હોર્મુઝ ખોલાવી દે. હોર્મુઝ ખોલવા ચીનનું લશ્કરી ગતકડું! જો ચીન અને ઈરાન સાથે મળીને હોર્મુઝમાં કોઈ મોટી કામગીરી ચાલુ કરે તો વિશ્વના 20-22 ટકા તેલ સપ્લાયની ચાવી બેઈજિંગ પાસે આવી શકે તેમ છે. આ અમેરિકાને ફસાવવા માટે નથી પણ આવનાર સદીઓ સુધી ગ્લોબલ બિઝનેસ સપ્લાયમાં પાવર વધારવાની ચાલ છે. ભારતે તેલ-ગેસ ખરીદવા માટે હોર્મુઝ સિવાયના દેશો પાસેથી તૈયારીઓ કરી લીધી છે પણ આપણી ઘણી સપ્લાય હોર્મુઝથી આવે જ છે. જો ચીનનું અહીં ડોમિનન્સ વધે તો ભારત માટે આ એક નેગેટિવ વાત છે. સૌરભ મુખર્જીનું માનીએ તો ભારત અત્યારે સાગર મંથનમાંથી પસાર થઈ રહ્યું છે. આ ઈકોનોમિક મંથનમાં જો ભારત એનર્જીની ડિપેન્ડેન્સી નહીં ઘટાડે તો યુદ્ધ ભારતને દાયકાઓ પાછળ ધકેલી શકે તેમ છે. ભારત માટે એક બાજુ ટ્રમ્પની હઠ છે અને બીજી બાજુ ચીનની ચાલ છે. ટ્રમ્પ પાગલ અને દુષ્ટઃ માર્જરી ટેલર ગ્રીન પણ જ્યારે ટ્રમ્પની આક્રમકતા આસમાને છે ત્યારે અમેરિકાની અંદર જ મોટી તરાડ સામે આવી છે. જે માર્જરી ટેલર ગ્રીન એક સમયે ટ્રમ્પના સૌથી મોટા સમર્થક હતા તેમણે જ ટ્રમ્પને પાગલ અને દુષ્ટ કહી દીધા છે. ગ્રીનનું કહેવું છે કે ટ્રમ્પ માગા એટલે કે મેક અમેરિકા ગ્રેટ અગેઈનના રસ્તે નથી પણ અમેરિકાના વિનાશના રસ્તે છે. ટ્રમ્પના ડિફેન્સ સચિવ પીટ હેગસેથે પેન્ટાગોનમાં હિંસા માટે જે આશીર્વાદ માગ્યા છે તેનાથી ખ્રિસ્તી ધર્મગુરુઓ પણ નારાજ છે. પોપ લીઓએ ચોખ્ખું કીધું છે કે ભગવાન યુદ્ધખોરોની પ્રાર્થના નથી સાંભળતા. ટ્રમ્પના યુદ્ધ મામલે અમેરિકામાં રાજકીય ભૂકંપ! આ ડબલ રોલ કહી જાય છે કે અમેરિકામાં પણ યુદ્ધ મામલે બે ફાટા પડી ગયા છે. એક પક્ષનું કહેવું છે કે યુદ્ધ જ હવે કલ્યાણ જ્યારે બીજો પક્ષ આને અમેરિકાના પતન તરીકે જોઈ રહ્યો છે. સેનેટર ક્રિસ મર્ફી અને ચક શૂમરે આના જ કારણે ટ્રમ્પને ઉન્નત દરજ્જાના પાગલ કહી દીધા છે. આ પોલિટિકલ નિવેદન નથી પણ એક માહોલ એવો ઉભો કરવામાં આવી રહ્યો છે જેથી ટ્રમ્પને પાગલ ગણાવી દેવામાં આવે અને સત્તા પરથી હટાવી શકાય. ટ્રમ્પને પાગલ કરાર કરવાની હિલચાલ તેજ? જ્યારે કોઈ દેશના વડાના હાથમાં પરમાણુ બટન હોય અને તેમની માનસિક હાલત ઠીક ન હોય તેવી વાતો ચાલી રહી હોય ત્યારે માત્ર તે દેશ માટે જ નહીં પણ પૂરી દુનિયા માટે ખતરો બની જાય છે. એવામાં હવે ચર્ચા એ વાતને લઈને ઉભી થઈ રહી છે કે શું ટ્રમ્પને હટાવી શકાય કે રોકી શકાય? પણ શું ટ્રમ્પને હટાવી શકાય? હાં... અમેરિકાના બંધારણ મુજબ બે રીતે ટ્રમ્પને હટાવી શકાય છે. એક તો મહાભિયોગ લાવીને જેમાં બંને ગૃહમાં બહુમતિ સાથે ટ્રમ્પને હટાવી શકાય. બીજી રીત છે ટ્રમ્પને પાગલ તરીકે ખપાવીને. તેનું નામ છે ટ્વેન્ટી ફિફ્થ એમેન્ડમેન્ટ. શું ટ્રમ્પ પર ત્રીજીવાર મહાભિયોગ લવાશે? આ એટલા માટે ચર્ચામાં છે કારણ કે સેનેટર ક્રિસ મર્ફીએ ઈસ્ટરની રજાઓના દિવસે પણ અમેરિકાના દિગ્ગજ વકીલોને ફોન કરીને આ વિશે પૂછપરછ કરી છે. આ સુધારો ત્યારે લાગુ થાય જ્યારે રાષ્ટ્રપતિ શારીરિક કે માનસિક રીતે રાષ્ટ્રપતિ પદની સત્તા સંભાળવા માટે યોગ્ય ન હોય. અમેરિકાના ઈતિહાસમાં અત્યાર સુધી 3 રાષ્ટ્રપતિઓ સામે મહાભિયોગ લાવવામાં આવ્યો છે, પણ એકેયને હટાવી શકાયા નથી. ટ્રમ્પ પોતે 2 વાર મહાભિયોગનો સામનો કરી ચૂક્યા છે. પરંતુ, આ વખતે જે ટ્વેન્ટી ફિફ્થ એમેન્ડમેન્ટનીની વાત છે તે વધુ ગંભીર છે. કારણ કે મહાભિયોગ ગુના પર આધારિત હોય છે, જ્યારે 25મો સુધારો માનસિક અક્ષમતા પર. માર્જરી ટેલર ગ્રીન જેવા જૂના સાથીઓ જ્યારે ટ્રમ્પને પાગલ કહેવા લાગે, ત્યારે ઉપરાષ્ટ્રપતિ અને કેબિનેટ માટે આ સુધારો લાવવો એ કાનૂની રીતે વધુ સરળ બની જાય છે, જોકે રાજકીય રીતે તે હજુ પણ અગ્નિપરીક્ષા સમાન છે. કારણ કે ટ્રમ્પ પાસે બહુમતિ છે. ઈરાની તેલના કૂવા સળગાવવા અમેરિકન ધમકી ટ્રમ્પનું ઈરાન માટેનું 48 કલાકનું અલ્ટીમેટમને આવતીકાલે મંગળવારે પૂરું થાય છે. ઈરાન ડગ આપવા તૈયાર નથી અને આપણે શરૂઆતમાં પાવર પ્લાન્ટ અને બ્રિજ ડેની વાત કરી જ છે. જો હુમલા થાય પણ તો તે સામાન્ય નહીં હોય. આનાથી ઈરાન અને દુનિયા બંનેમાં ભૂકંપ આવી શકે તેમ છે. જો ઈરાનની પાવર ગ્રીડ ઠપ્પ થાય તો ઈરાન દિવસના અજવાળામાં પણ અંધારામાં આવી જશે. હોસ્પિટલથી લઈને વોટર સપ્લાય સહિતની બધુ વસ્તુઓ પર મોટી અસર થશે. ઉપરથી બ્રિજ તૂટે તો ટ્રાન્સપોર્ટેશન ઠપ્પ થઈ શકે તેમ છે. જો તેલના કૂવા સળગાવવાની ધમકી આપી તે પણ સાચી સાબિત થાય તો બાઈબલના આર્માગેડન જેવું થઈ જાય અને ઈરાનને કોઈ બચાવી નહીં શકે. અને છેલ્લે... ટ્રમ્પે ઈરાનને ગાળ આપીને અલ્ટીમેટમ આપ્યું કે હોર્મુઝનો સમુદ્રી રસ્તો ખોલી દે. નહીંતર પાવર પ્લાન્ટ અને પુલ પર હુમલો કરવામાં આવશે અને ઈરાનને નરક બનાવી દેવામાં આવશે. આ વાત પર ઈરાનની એમ્બસીએ ટ્રમ્પને ટોણો માર્યો છે કે હોર્મુઝ સ્ટ્રેટની ચાવી અમારી પાસે નથી, ખોવાઈ ગઈ છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ-સમીર પરમાર)

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:55 pm

નવસારીમાં યુવકની હત્યા કરનાર 6 આરોપીઓ ઝડપાયા:LCBએ 300 CCTV ફૂટેજ તપાસી ગુનાનો ભેદ ઉકેલ્યો; છેતરપિંડીથી ગેમમાં રૂપિયા જીત્યા હોવાની શંકાએ યુવકની હત્યા કરાઈ

નવસારી જિલ્લાના ગણેશ સિસોદ્રા ગામમાં ગેમ રમવા બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. રૂપિયા હારવાની અદાવતમાં છ શખ્સોએ ઉત્તર પ્રદેશના 43 વર્ષીય યુવકને બેલ્ટ અને દોરડા વડે માર મારી હત્યા કરી હતી. નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) ગણતરીના કલાકોમાં તમામ છ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ઘટના 04/04/2026ના રોજ ગણેશ સિસોદ્રા ગામની સીમમાં બની હતી. મૂળ ઉત્તર પ્રદેશના અલીગઢના અને હાલ નવસારીમાં રહેતા દિલશેર ઉર્ફે રાજુ મલ્લુખાન (ઉંમર 43) સામે આરોપીઓ ગેમમાં રૂપિયા હારી ગયા હતા. આરોપીઓને શંકા હતી કે, રાજુએ છેતરપિંડી કરીને રૂપિયા જીત્યા છે, જેમાંથી અદાવત ઊભી થઈ હતી. આ અદાવતમાં આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ રાજુ પર હુમલો કર્યો હતો. તેમણે રાજુને દોરડાથી બાંધી, ઢીકામુક્કી અને બેલ્ટ વડે નિર્દયતાથી માર માર્યો હતો. ગંભીર ઈજાઓને કારણે રાજુનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ અંગે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 103(1), 115(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત રેન્જ IG પ્રેમ વીર સિંહ અને નવસારી SP રાહુલ પટેલે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. LCB પીઆઈ વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે ગુના સ્થળને જોડતા રસ્તાઓ પરના 300 જેટલા CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા.ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીઓ કારમાં ભાગી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે પીછો કરીને તમામ છ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં મંથન રમેશ બોરાડ (રહે. વેદાંત હાઇટ્સ, ગણેશ સિશોદ્રા), ભૌતીક શૈલેષ પ્રજાપતી (રહે. વેદાંત હાઇટ્સ, ગણેશ સિશોદ્રા), અશોક ઉર્ફે હસલો દલુ હળપતિ (રહે. વેરાઇ ફળીયુ, ગણેશ સિસોદ્રા), જીગ્નેશ ઉર્ફે જીગો રવજી પટેલ (રહે. રંગ ટેકરી, ગણેશ સીસોદ્રા), પ્રતિક ઉર્ફે કાતર સંદીપ હળપતિ (રહે. વેરાઇ ફળીયુ, ગણેશ સીસોદ્રા) અને કેવીન મુકેશ પટેલ (રહે. જશોદાનગર, ગણેશ સીસોદ્રા)નો સમાવેશ થાય છે. હાલમાં નવસારી પોલીસે તમામ આરોપીઓનો કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલા આરોપીઓ પૈકી ત્રણ રીઢા ગુનેગારો છે: ભૌતીક પ્રજાપતી: અગાઉ લૂંટ અને અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ છે અશોક હળપતિ: અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે પ્રતિક ઉર્ફે કાતર: બારડોલી, માંડવી અને નવસારી રૂરલમાં જુગારધારાના અનેક ગુનાઓ નોંધાયેલા છે

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:53 pm

વેરાવળમાં ભાજપ સ્થાપના દિનની ઉજવણી:ઘરેઘરે ધ્વજ ફરક્યા, મહા જનસંપર્ક અભિયાન પણ યોજાયું

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે વેરાવળ શહેર અને ગીર સોમનાથ જિલ્લામાં ભાજપ કાર્યકરો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી દરમિયાન શહેરમાં કેસરિયો માહોલ જોવા મળ્યો હતો. શહેર સ્થિત ભાજપના મુખ્ય કાર્યાલય ઉપરાંત કાર્યકરોએ પોતાના ઘરો પર પણ પાર્ટીનો ધ્વજ ફરકાવ્યો હતો. આ પ્રકારે સ્થાપના દિનની ઉજવણીને યાદગાર બનાવવામાં આવી હતી, જેનાથી અનેક વિસ્તારોમાં પક્ષ પ્રત્યેની લાગણીનો માહોલ સર્જાયો હતો. સાંજે વેરાવળ ખાતે જિલ્લા કાર્યાલયમાં એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રદેશ અગ્રણી દીપક વઘાસિયાએ ભાજપના સ્થાપનાથી લઈને આજ સુધીની વિકાસયાત્રા અંગે વિસ્તૃત વક્તવ્ય આપ્યું હતું. તેમણે પાર્ટીના સિદ્ધાંતો, કેન્દ્ર અને રાજ્ય સરકારના વિકાસકાર્યો તેમજ સંગઠનની શક્તિ વિશે કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે જિલ્લા, શહેર અને તાલુકા મંડળના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે જિલ્લા કાર્યાલયને ધ્વજો, બેનરો અને લાઈટિંગ દ્વારા વિશેષ રીતે શણગારવામાં આવ્યું હતું, જેના કારણે ઉત્સવનો માહોલ સર્જાયો હતો. આ ઉજવણીના ભાગરૂપે ભાજપ દ્વારા મહા જનસંપર્ક અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ કાર્યકરો જુદા જુદા વિસ્તારોમાં ઘરેઘરે જઈને ભાજપની વિકાસગાથા રજૂ કરતી પત્રિકાઓનું વિતરણ કર્યું હતું. આ અભિયાનને જનતા તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. ગીર સોમનાથ જિલ્લામાં ભાજપના સ્થાપના દિનની ઉજવણી ઉમંગ અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી, જેમાં કાર્યકરોમાં પક્ષ પ્રત્યેનો જુસ્સો સ્પષ્ટપણે જોવા મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:46 pm

ખજોદ ડમ્પિંગ સાઇટ બની 'સાઇટ ઓફ બર્નિંગ':સુરતમાં કચરાના ઢગલામાં બીજી વાર લાગેલી આગમાં ત્રીજીવાર ભભૂકી આગ, દૂર દૂરથી ધુમાડાના ગોટે ગોટા દેખાયા

સુરતના ખજોદ વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ડમ્પિંગ સાઇટ હવે સુરતીઓ માટે 'સળગતી મુસીબત' બની ગઈ છે. એકવાર આગ કાબૂમાં આવ્યા બાદ ફરી બીજી અને હવે ગણતરીના કલાકોમાં ત્રીજીવાર આગ ભભૂકતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. આકાશમાં 3 કિલોમીટર દૂર સુધી દેખાતા ધુમાડાના ગોટેગોટાએ વેસુ-મગદલ્લા, સરસાણા વિસ્તારના રહીશોની ઉંઘ હરામ કરી દીધી છે. બે દિવસ પહેલા આગ ઠરી, આજે ફરી જ્વાળાઓ નીકળીબે દિવસ પહેલા ફાયર બ્રિગેડની 2થી વધુ ગાડીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હોવાનો દાવો કર્યો હતો. જોકે, કચરાના પહાડમાં અંદર દબાયેલો મિથેન ગેસ અને વધતા તાપમાનને કારણે સવારે ફરી એકાએક જ્વાળાઓ ફાટી નીકળી હતી. પવનની ગતિ તેજ હોવાને કારણે આગ જોતજોતામાં ડમ્પિંગ સાઇટના મોટા હિસ્સામાં ફેલાઈ ગઈ હતી. ઝેરી ધુમાડાથી 'ગેસ ચેમ્બર' જેવી સ્થિતિઆગને કારણે નીકળતો સફેદ અને કાળો ધુમાડો ઝેરી હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. પવનની દિશા શહેર તરફ હોવાથી વેસુ, પીપલોદ, વીઆઈપી રોડ, સરસાણા અને અલથાણ વિસ્તારમાં ધુમ્મસ જેવી સ્થિતિ સર્જાઈ છે. આગને લઈને ફાયરનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. ફાયર વિભાગ હવે નવી રણનીતિ અપનાવી રહ્યું છે કે, કચરાના ઢગલાને જેસીબીથી ખોદીને તેની અંદર પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. માત્ર પાણીથી આગ નથી બુઝાઈ રહી, તેથી તેના પર માટીના પડ ચડાવવાની કામગીરી શરૂ કરાઈ છે જેથી ઓક્સિજન કટ-ઓફ કરી શકાય. કરોડોના ખર્ચ છતાં કાયમી ઉકેલ નહીંસુરત મહાનગરપાલિકા દર વર્ષે કચરાના નિકાલ માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે, છતાં દર ઉનાળે ખજોદ કેમ સળગે છે? આ તમામ સવાલોની વચ્ચે કચરા કૌભાંડના પણ આક્ષેપો થતા રહે છે. વિપક્ષ દ્વારા જ્યારે પહેલી વાર આગ લાગી ત્યારથી જ કચરા કૌભાંડના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને આગ લગાવવામાં આવતી હોવાનો પણ આક્ષેપો કરાઈ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:41 pm

જામનગર મનપાની ચૂંટણીનું રાજકારણ ગરમાયું:વોર્ડ નં.2ના AAPના ઉમેદવાર હનીફ જતમલેકે રાજીનામું આપ્યું, કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા; ચૂંટણી પહેલા સમીકરણો બદલાયા

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ફટકો પડ્યો છે. શહેર ઉપપ્રમુખ હનીફ હસન જતમલેકે પોતાના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેઓ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે. આમ આદમી પાર્ટીએ હનીફ જતમલેકને વોર્ડ નંબર 2માં ઉમેદવાર તરીકે જાહેર કર્યાં હતા. હનીફ જતમલેક જામનગર શહેરના મુસ્લિમ સમાજના ચહેરા અને AAP સંગઠનના પાયાના કાર્યકર હતા. તેમણે એકલા નહીં, પરંતુ તેમની સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક હોદ્દેદારોએ પણ AAPમાંથી રાજીનામા આપ્યા છે. રાજીનામા પત્રમાં તેમણે જણાવ્યું કે, આમ આદમી પાર્ટીએ મને કોર્પોરેશનની ટિકિટ આપી તે બદલ હું આભાર માનું છું, પરંતુ હાલના સંજોગોમાં હું મારા તમામ હોદ્દા અને સભ્યપદેથી સ્વેચ્છાએ રાજીનામું આપી રહ્યો છું. જતમલેક અગાઉ વોર્ડ નંબર 2માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર થયા હતા. હવે તેઓ પોતાના સમર્થકો સાથે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે. તેમની સાથે AAPના 100 થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે, જેના કારણે આગામી ચૂંટણીમાં વોર્ડ નંબર 2 અને તેની આસપાસના વિસ્તારોમાં રાજકીય સમીકરણો બદલાઈ શકે છે. મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતા જ જામનગરમાં પક્ષપલટાનો દોર શરૂ થયો છે. AAPના સંગઠનમાં પડેલું આ ગાબડું પક્ષ માટે ચિંતાનો વિષય બની શકે છે. ખાસ કરીને લઘુમતી મતો અને સ્થાનિક નેતૃત્વ પર આ રાજીનામાની સીધી અસર જોવા મળશે. આ ઉપરાંત, AAP અને ભાજપના અન્ય કેટલાક હોદ્દેદારો પણ કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસમાં જોડાયેલા અન્ય હોદ્દેદારોમાં AAPના શહેર લીગલ સેલ વિભાગના દિપાલીબેન મંગે, વોર્ડ નંબર 14ના પ્રમુખ કિશોર રતડા અને ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના વોર્ડ નંબર 8ના ઉપપ્રમુખ વિવિધાબેન ભટ્ટનો સમાવેશ થાય છે. હનીફ હસન જતમલેકે જણાવ્યું કે, હું આમ આદમી પાર્ટીનો પૂર્વ ઉપપ્રમુખ હતો. અત્યારે હું કોંગ્રેસ સાથે જોડાવું છું. આ પહેલા પણ હું કોંગ્રેસ સાથે જ જોડાયેલો હતો અને મેં 21 વર્ષ કોંગ્રેસમાં વિતાવ્યા હતા. ગયા વખતે પક્ષના આંતરિક મતભેદોને કારણે અમે નારાજ થઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને છેલ્લી ચૂંટણી મેં ‘આપ’ માંથી લડી હતી પરંતુ હવે સમીકરણો એવા બન્યા છે કે મારા વિસ્તારના લોકોની ઈચ્છા છે કે હું કોંગ્રેસમાંથી ચૂંટણી લડું. જો કોંગ્રેસ પક્ષ મને ટિકિટ આપશે અને લડાવવા માંગશે, તો લોકોના આગ્રહને માન આપીને હું કોંગ્રેસમાં જોડાઈ રહ્યો છું. આમ આદમી પાર્ટીએ મને ઉમેદવાર જાહેર કર્યો હતો, તે બદલ હું તેમનો ખૂબ આભાર માનું છું. તેમણે મારામાં કંઈક જોઈને જ મને ટિકિટ આપી હશે, પરંતુ બદલાતા સમીકરણોને કારણે મારે હવે ‘આપ’ છોડીને કોંગ્રેસમાં જોડાવું પડ્યું છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:33 pm

16 વર્ષથી પોલીસને થાપ આપતો આરોપી મહેસાણા હાઈવે ઝડપાયો:એકાઉન્ટન્ટની નોકરી છોડી ડ્રાઈવર બન્યો, 2009 માં ટેક્સટાઈલની ઓફિસમાંથી 3.60 લાખની ચોરી કરી હતી

સુરતના મહિધરપુરા વિસ્તારમાં વર્ષ 2009માં પોતાના શેઠનો વિશ્વાસ તોડી ₹3.60 લાખની ચોરી કરી ફરાર થયેલા આરોપી સોહનલાલ બિશ્નોઈને ઝોન-5 LCBની ટીમે 16 વર્ષ અને 3 મહિના બાદ મહેસાણા-પાલનપુર હાઈવે પરથી ઝડપી પાડ્યો છે. સફેદ કોલર જોબ છોડી ડ્રાઈવર બની ઓળખ છુપાવનાર આ આરોપી ટેકનિકલ સર્વેલન્સ અને પોલીસની સતર્કતાને કારણે આખરે જેલના સળિયા પાછળ પહોંચ્યો છે. શું છે સમગ્ર મામલો?વર્ષ 2009માં, રાજસ્થાનના બાડમેર જિલ્લાના ચંપાબેરી ગામનો વતની સોહનલાલ બિશ્નોઈ સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલી ચંદુમલ તેજવાણીની ટેક્સટાઇલ એજન્સીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતો હતો. ઓફિસના હિસાબ-કિતાબ અને રોકડની તમામ જવાબદારી સોહનલાલના શિરે હતી. આ વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવી, તેણે ઓફિસમાંથી રોકડ અને ચેક મળી કુલ ₹3.60 લાખની ઉચાપત કરી હતી અને રાતોરાત સુરત છોડીને પલાયન થઈ ગયો હતો. આ મામલે મહિધરપુરા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો અને તેની સામે સી.આર.પી.સી. કલમ-70 મુજબનું વોરંટ પણ બહાર પાડવામાં આવ્યું હતું. ઓળખ બદલીને પોલીસને 16 વર્ષ સુધી થાપ આપીપોલીસની પકડથી બચવા માટે સોહનલાલે પોતાની જીવનશૈલી અને વ્યવસાય સંપૂર્ણપણે બદલી નાખ્યા હતા. એકાઉન્ટન્ટની નોકરી છોડી તેણે ડ્રાઈવિંગનો વ્યવસાય અપનાવ્યો હતો અને અલગ-અલગ રાજ્યોમાં છુપાઈને રહેતો હતો. 40 વર્ષીય સોહનલાલને એમ હતું કે દોઢ દાયકા જેટલો લાંબો સમય વીતી ગયો હોવાથી પોલીસ તેને ભૂલી ગઈ હશે, પરંતુ સુરત પોલીસની ટીમ સતત તેના મૂળ શોધવામાં કાર્યરત હતી. મહેસાણા-પાલનપુર હાઈવે પરથી આરોપીની ધરપકડઝોન-5 LCB ના અધિકારી લખધીર સિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ દરમિયાન પોલીસને સચોટ બાતમી મળી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા જાણવા મળ્યું કે સોહનલાલ હાલ ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના વિસ્તારોમાં ડ્રાઈવર તરીકે અવરજવર કરે છે. બાતમીના આધારે પોલીસે મહેસાણા-પાલનપુર હાઇવે પર આવેલી 'ધરતી સતી માતા હોટલ' પાસે સાદા વેશમાં વોચ ગોઠવી હતી. જેવો સોહનલાલ હોટલના મેદાનમાં દેખાયો, પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી લીધો હતો. પોલીસે આરોપીની અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓની તપાસ હાથ ધરીધરપકડ બાદ આરોપી સોહનલાલને આગળની કાર્યવાહી માટે મહિધરપુરા પોલીસને સોંપવામાં આવ્યો છે. પોલીસ હાલ એ દિશામાં પૂછપરછ કરી રહી છે કે 16 વર્ષના આ લાંબા સમયગાળા દરમિયાન તેણે અન્ય કયા સ્થળોએ આશરો લીધો હતો અને શું તેણે અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ આચરી છે કે કેમ. આ કામગીરી દ્વારા સુરત પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુનેગાર ગમે તેટલો સમય ભાગતો રહે, પણ કાયદો તેને શોધી જ લે છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:31 pm

વેરાવળ પોલીસે ₹27.39 લાખનો મુદામાલ પરત કર્યો:તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ SP જાડેજાની અધ્યક્ષતામાં કાર્યક્રમ

રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા અમલમાં મુકાયેલ “તેરા તુજકો અર્પણ” અભિયાન અંતર્ગત વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ચોરી થયેલ, ગુમ થયેલ તેમજ સાયબર ઠગાઈમાં ગયેલ કુલ ₹27,39,724 કિંમતનો મુદામાલ 121 અરજદારોને પરત સોંપવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ આ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી. પરત કરાયેલા મુદામાલમાં વિવિધ કેટેગરીનો સમાવેશ થાય છે. જેમાં આશરે 54.9 ગ્રામ વજનના સોનાના દાગીના (કિંમત ₹5,75,000), બે અલગ અરજીઓ અંતર્ગત કુલ ₹5,85,000 રોકડ રકમ, અને 29 અરજદારોને સાયબર ફ્રોડ દ્વારા ગુમાવેલા કુલ ₹4,08,585 પરત મળ્યા હતા. આ ઉપરાંત, 50 મોબાઇલ હેન્ડસેટ (કુલ કિંમત ₹8,05,138), 4 ગુમ થયેલ બાઇકો (કુલ કિંમત ₹1,55,000) અને વિદ્યાર્થીઓના એડમિશન સંબંધિત 35 મહત્વના અસલ દસ્તાવેજો પણ તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા. આ અભિયાન અંતર્ગત કોડીનાર પોલીસ સ્ટેશન દ્વારા પણ નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી, જેમાં અંદાજે ₹8 લાખનો મુદામાલ સંબંધિત અરજદારોને પરત સોંપવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ગુમ થયેલ કિંમતી વસ્તુઓ પરત મળતાં નાગરિકોમાં સંતોષની લાગણી જોવા મળી હતી. આ અભિયાનથી પોલીસ પ્રત્યે નાગરિકોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે અને પોલીસની સેવાભાવની ભાવના પ્રગટ થઈ છે. આ પ્રસંગે પોલીસ અધિકારીઓએ નાગરિકોને ખાસ કરીને સાયબર ક્રાઇમ અંગે સાવચેત રહેવા અપીલ કરી હતી. તેમણે અજાણ્યા કોલ, લિંક્સ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન વખતે સાવચેતી રાખવા અને કોઈ પણ અનિચ્છનીય ઘટનામાં તરત પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો. તેરા તુજકો અર્પણ અભિયાન માત્ર એક સરકારી પહેલ નથી, પરંતુ નાગરિકોને ન્યાય અને વિશ્વાસ પરત આપતી એક માનવિય પહેલ તરીકે ઉભરી આવ્યું છે. વેરાવળ પોલીસની આ કામગીરી અન્ય જિલ્લાઓ માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:31 pm

કરોડોના ખર્ચે બનેલું 24-કલાક પાણીનું નેટવર્ક પહેલા જ ભંગાણે હાંફ્યુ:અમદાવાદથી પાઈપનો ટુકડો મગાવી સમારકામ કરાયું, બે દિવસથી પાણીનો કકળાટ

ગાંધીનગરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ 325 કરોડના માતબર ખર્ચે તૈયાર કરવામાં આવેલી 24 કલાક પાણી પુરવઠાની યોજના પ્રથમ કોળિયે જ મક્ષિકા જેવી સાબિત થઈ રહી છે. સેક્ટર-5/13ની ચોકડી પાસે મેઈન લાઈનમાં સર્જાયેલા ભંગાણને પગલે રવિવાર બાદ આજે સોમવારે પણ નવા સેક્ટરોમાં પાણીની રામાયણ યથાવત રહી હતી. તંત્ર દ્વારા ગઈકાલથી જ મરામતની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી, જે આજે સોમવાર સુધી ચાલી હતી. ત્યારે આજ સાંજથી પાણી પુરવઠો યથાવત થવાના દાવા વચ્ચે આવતીકાલે મંગળવારે પણ નળમાં પાણી આવશે કે કેમ તે ચિંતા નગરજનોને સતાવી રહી છે. 325 કરોડ જેવી જંગી રકમ ખર્ચ્યા હોવા છતાં નવા સેક્ટરોમાં સમષ્યાગાંધીનગરના સેક્ટર-5/13ની ચોકડી પાસે મેઈન લાઈનમાં સર્જાયેલા ભંગાણને પગલે રવિવાર બાદ આજે સોમવારે પણ નવા સેક્ટરોમાં પાણીની રામાયણ યથાવત રહી હતી. આ સમગ્ર ઘટનામાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. અંદાજે 325 કરોડ જેવી જંગી રકમ ખર્ચ્યા હોવા છતાં નવા સેક્ટરોમાં નવી પાઈપલાઈનોને બદલે દાયકાઓ જૂની લાઈનો પર જ આખી યોજનાનો ભાર લાદી દેવામાં આવ્યો છે. મેઇન ટ્રંક લાઇનમાં ભંગાણ સર્જાતા લોકોને તકલીફઆ જૂની લાઈનો સતત પાણીના ફોર્સને સહન કરવા માટે સક્ષમ નથી. જેના કારણે વારંવાર ભંગાણની સમસ્યા સર્જાતી રહેશે તેવી ભીતિ નગરજનો સેવી રહ્યા છે. ત્યારે મેઇન ટ્રંક લાઇનમાં ભંગાણ સર્જાતા તેના સમારકામ માટે પાટનગર યોજના વિભાગની ટીમો ગઈકાલ રવિવારથી કામે લાગી હતી. 10 મીટર પાઈપનો ટુકડો અમદાવાદથી મંગાવવો પડ્યોઆશ્ચર્યની વાત એ છે કે જૂની ડિઝાઈનની પાઈપ હોવાથી તેનો 10 મીટરનો ટુકડો છેક અમદાવાદથી મગાવવો પડ્યો હતો. જેના પગલે લાંબી જહેમત બાદ લાઈન રિપેર કરવામાં આવી છે અને આજ સોમવાર સાંજથી પાણી પુરવઠો રાબેતા મુજબ થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. જોકે રવિવાર અને સોમવાર એમ બે દિવસના પાણીના કકળાટ બાદ હવે આવતીકાલે મંગળવારે પણ નળમાં પાણી આવશે કે કેમ તે ચિંતા નગરજનોને સતાવી રહી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:31 pm

એપ્રિલ મહિનાના પ્રથમ પાંચ દિવસમાં રોગચાળો વકર્યો:શહેરમાં ઝાડા-ઉલટીના 106, ટાઈફોઈડના 22 અને કમળાના 6 કેસ નોંધાયા

એપ્રિલ માસના પ્રથમ પાંચ દિવસમાં જ અમદાવાદમાં ઝાડા-ઉલટીના 106 કેસ નોંધાયા હતા. પાણીજન્ય રોગોમાં ટાઈફોઈડના 22 કેસ, કમળાના 6 કેસ નોંધાયા હતા, જ્યારે એપ્રિલના આ સમયગાળામાં કોલેરાનો એકપણ કેસ નોંધાયો નથી. પ્રથમ સપ્તાહમાં ડેન્ગ્યુના 2 કેસ નોંધાયા હતા. આ પાંચ દિવસમાં ચિકનગુનિયા કે ઝેરી મેલેરિયાનો કોઈ કેસ નોંધાયો નથી. પાણીના 1,004 સેમ્પલમાંથી 6 નમૂના અનફિટ જાહેરજાન્યુઆરી 2026થી 5 એપ્રિલ સુધીના કુલ આંકડા જોઈએ તો શહેરમાં ડેન્ગ્યુના કુલ 80 કેસ અને સાદા મેલેરિયાના 21 કેસ નોંધાઈ ચૂક્યા હતા. આ રોગચાળાને કાબૂમાં લેવા માટે મહાનગરપાલિકા તંત્ર દ્વારા મહત્વના પગલાં લેવામાં આવ્યા હતા. જેમાં બેક્ટેરિયોલોજીકલ તપાસ માટે પાણીના 1,004 નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી 6 સેમ્પલ અનફિટ જાહેર થયા હતા. એપ્રિલના પ્રથમ પાંચ દિવસમાં કુલ 6,675 રેસીડ્યુઅલ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. શહેરના 26 જેટલા હાઈ-રિસ્ક વિસ્તારોમાં ઈજનેર અને આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત રીતે સઘન કામગીરી કરવામાં આવી રહી છે. AMCનું ડ્રેનેજ અને પાણી પ્રદૂષણની ફરિયાદો પર વિશેષ ધ્યાનAMCના ડેટા મુજબ, અમરાઈવાડી, બહેરામપુરા, દાણીલીમડા, જમાલપુર, સરસપુર અને વટવા જેવા વિસ્તારોમાં ડ્રેનેજ ચોકિંગ અને પાણીના પ્રદૂષણની ફરિયાદો પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસ દરમિયાન આ વિસ્તારોમાં ડ્રેનેજ અને પાણીની લાઈનોના લિકેજને લગતી કામગીરીમાં ગત વર્ષની સરખામણીએ સુધારો જોવા મળ્યો છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:22 pm

ભાવનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 398 બેઠકો પર મતદાન યોજાશે:17.31 લાખ મતદારો 1984 મથકો પર વોટ આપી શકશે, ઉમેદવારોની પ્રચાર-પ્રસાર માટે તૈયારીઓ શરૂ

આગામી તા. 26 એપ્રિલના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેમાં ભાવનગર મહાનગર પાલિકા, તાલુકા પંચાયત- જિલ્લા પંચાયત, 3 નગરપાલિકા મળી કુલ 398 બેઠકોમાં 1984 મતદાન મથકો પર કુલ 17,31,169 મતદારો દ્વારા પોતાના મતાધિકારીનો ઉપયોગ કરવામાં આવશે.જેનું તા. 28 એપ્રિલના રોજ પરિણામ જાહેર થશે. મનપાના 13 વોર્ડમાં 52 બેઠકો હાલમા જ સ્થાનિક સ્વરાજની સમય મર્યાદા પૂર્ણ થતાં ગુજરાત રાજ્યના ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો નક્કી થતા વહીવટી તંત્ર તેમજ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી લડવા ઉમેદવારો પ્રચાર-પ્રસાર માટેની જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે તેમજ ભાવનગર જિલ્લામાં ભાવનગર મનપા, જિલ્લાપંચાયત, નગરપાલિકા ચૂંટણી અંગે વહીવટી તંત્ર દ્વારા પણ બેઠકોનો દોર તમેજ તૈયારીઓનો આરંભ કર્યો છે. જેમાં 10 તાલુકા પંચાયતમાં 210, જિલ્લા પંચાયતની 40 બેઠક, વલ્લભીપુર, પાલીતાણા અને મહુવા મળી કુલ 3 નગરપાલિકા માટે 96 બેઠકો, ભાવનગર મહાનગર પાલિકાના 13 વોર્ડમાં 52 બેઠકો મળી કુલ 398 બેઠકો પર આગામી 26 એપ્રિલના મતદાન યોજાનાર છે. 1984 મતદાન મથકો, 17.31 લાખ મતદારોજેમાં ભાવનગર મહાનગર પાલિકામાં કુલ 445 મતદાન મથકો પર કુલ 4,58,376 મતદારો, તાલુકા પંચાયત- જિલ્લા પંચાયતના કુલ 1394 મતદાન મથકો પર 11,40,294 મતદારો, 3 નગરપાલિકામાં 145 મતદાન મથકો પર 1,32,499 મતદારો પોતાના મતાધિકારીનો મતદાન કરી ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. ભાવનગર મહાનગર પાલિકા કુલ 13 વોર્ડ - 52 બેઠક વોર્ડ - 1 મતદાન મથકની સંખ્યા : 36મતદારોની સંખ્યા : 38429સેવા મતદારો : 46 વોર્ડ - 2મતદાન મથકોની સંખ્યા : 24મતદારોની સંખ્યા : 27178સેવા મતદારો : 29 વોર્ડ -3 મતદાન મથકની સંખ્યા : 32મતદારોની સંખ્યા : 34611સેવા મતદારો : 10 વોર્ડ - 4 મતદાન મથકની સંખ્યા : 37મતદારોની સંખ્યા : 38226સેવા મતદારો : 10 વોર્ડ -5 મતદાન મથકની સંખ્યા : 34મતદારોની સંખ્યા : 35006સેવા મતદારો : 10 વોર્ડ -6 મતદાન મથકની સંખ્યા : 36મતદારોની સંખ્યા : 36945સેવા મતદારો : 6 વોર્ડ - 7મતદાન મથકની સંખ્યા : 33મતદારોની સંખ્યા : 33052સેવા મતદારો : 9 વોર્ડ - 8 મતદાન મથકની સંખ્યા : 25મતદારોની સંખ્યા : 24955સેવા મતદારો : 6 વોર્ડ - 9 મતદાન મથકની સંખ્યા : 32મતદારોની સંખ્યા : 33168સેવા મતદારો : 55 વોર્ડ -10મતદાન મથકની સંખ્યા : 41મતદારોની સંખ્યા : 40499સેવા મતદારો : 11 વોર્ડ - 11મતદાન મથકની સંખ્યા : 31મતદારોની સંખ્યા : 32537સેવા મતદારો : 14 વોર્ડ -12મતદાન મથકની સંખ્યા : 42મતદારોની સંખ્યા : 40302સેવા મતદારો : 15 વોર્ડ -13 મતદાન મથકની સંખ્યા : 42મતદારોની સંખ્યા : 43468સેવા મતદારો : 26કુલ : 445 મતદાન મથક - કુલ મતદારોની સંખ્યા - 458376 - સેવા મતદારો - 247 ભાવનગર તાલુકા પંચાયત 210 બેઠક - જિલ્લા પંચાયત 40 બેઠક ભાવનગર ગ્રામ્ય તાલુકા પંચાયત : 20જિલ્લા પંચાયત : 4મતદાન મથકોની સંખ્યા : 128મતદારોની સંખ્યા : 111649સેવા મતદારોની સંખ્યા : 89 ઘોઘા તાલુકા પંચાયત : 18જિલ્લા પંચાયત : 3મતદાન મથકોની સંખ્યા : 96મતદારોની સંખ્યા : 79085સેવા મતદારોની સંખ્યા : 118 સિહોર તાલુકા પંચાયત : 22જિલ્લા પંચાયત : 4મતદાન મથકોની સંખ્યા : 160મતદારોની સંખ્યા : 128401સેવા મતદારોની સંખ્યા : 127 ઉમરાળા તાલુકા પંચાયત : 16જિલ્લા પંચાયત : 2મતદાન મથકોની સંખ્યા : 89મતદારોની સંખ્યા : 72295સેવા મતદારોની સંખ્યા : 45 વલ્લભીપુર તાલુકા પંચાયત : 16જિલ્લા પંચાયત : 3મતદાન મથકોની સંખ્યા : 75મતદારોની સંખ્યા : 57995સેવા મતદારોની સંખ્યા : 34 પાલીતાણા તાલુકા પંચાયત : 20જિલ્લા પંચાયત : 4મતદાન મથકોની સંખ્યા : 143મતદારોની સંખ્યા : 115730સેવા મતદારોની સંખ્યા : 133 ગારીયાધાર તાલુકા પંચાયત : 16 જિલ્લા પંચાયત : 2મતદાન મથકોની સંખ્યા : 84મતદારોની સંખ્યા : 66744સેવા મતદારોની સંખ્યા : 33 તળાજાતાલુકા પંચાયત : 32જિલ્લા પંચાયત : 8મતદાન મથકોની સંખ્યા : 268મતદારોની સંખ્યા : 214243સેવા મતદારોની સંખ્યા : 406 મહુવા તાલુકા પંચાયત : 34 જિલ્લા પંચાયત : 8મતદાન મથકોની સંખ્યા : 281મતદારોની સંખ્યા : 241110સેવા મતદારોની સંખ્યા : જેસર તાલુકા પંચાયત : 16જિલ્લા પંચાયત : 2મતદાન મથકોની સંખ્યા : 70મતદારોની સંખ્યા : 53042સેવા મતદારોની સંખ્યા : 20 કુલ 1394 મતદાન મથક - કુલ મતદારોની સંખ્યા - 1140294 - સેવા મતદારો - 1150 મહુવા-પાલીતાણા-વલ્લભીપુર નગરપાલિકાની 96 બેઠકો મહુવા નગરપાલિકા વોર્ડ : 9બેઠક : 36મતદાન મથકોની સંખ્યા : 74મતદારોની સંખ્યા : 73942 પાલીતાણા નગરપાલિકા વોર્ડ : 9બેઠક : 36 મતદાન મથકોની સંખ્યા : 56મતદારોની સંખ્યા : 45417 વલ્લભીપુર નગરપાલિકા વોર્ડ : 6બેઠક : 24 મતદાન મથકોની સંખ્યા : 15 મતદારોની સંખ્યા : 13140 કુલ 145 મતદાન મથકો - કુલ મતદારોની સંખ્યા - 132499

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:18 pm

પ્રેમ પ્રકરણનો કરૂણ અંત:રાજકોટમાં પ્રેમલગ્ન બાદ પ્રેમીકાએ અન્યત્ર લગ્ન કરી લેતા પ્રેમીએ ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કર્યો

રાજકોટમાં વધુ એક વખત પ્રેમ પ્રકરણનો કરુણ અંત આવ્યો છે. રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતા એક યુવાને પ્રેમમાં નિષ્ફળતા અને વિરહના આઘાતમાં આવી ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 9 વર્ષથી યુવક અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હતો થોડા સમય પહેલા કોર્ટ મેરેજ પણ કરી લીધા હતા જો કે પ્રેમિકાના જામનગર ખાતે લગ્ન કરી લેતા યુવકે આઘાતમાં આવી આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું છે. હાલ બી ડિવિઝન પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ શહેરના ભગવતીપરા શેરી નંબર 10માં રહેતા યુનુસ અલારખાભાઈ ઘેલડા (ઉ.વ.42) નામના યુવાને આજે બપોરના સમયે ઘર પાસે આવેલા જૂના રેલવે સ્ટેશન નજીકથી પસાર થતી એક માલગાડી નીચે ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતક યુનુસ બે ભાઈઓમાં નાનો હતો અને વ્યવસાયે ફૂલ ડેકોરેશનનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. યુનુસને છેલ્લા 9 વર્ષથી તેના જ વિસ્તારમાં રહેતી અને પોતાના જ સમાજની એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. આ લાંબા ગાળાના સંબંધને લગ્નમાં પરિણમવા માટે બંને મક્કમ હતા જેના પગલે ગત બે મહિના પહેલા જ બંનેએ પરિવારની જાણ બહાર કોર્ટમાં લગ્ન પણ કરી લીધા હતા. લગ્ન કર્યા હોવાના પુરાવા તરીકે ગત શનિવારે જ યુનુસે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લગ્નના ડોક્યુમેન્ટ્સ અને કંકોત્રી રજૂ કરી હતી. યુનુસ આશા રાખતો હતો કે કાયદેસરના લગ્ન બાદ તે તેની પત્ની સાથે સુખી જીવન જીવશે પરંતુ ગઈકાલે યુવતીના પરિવારજનોએ યુનુસ સાથેના તેના લગ્નને માન્ય રાખવાને બદલે તેની જાણ બહાર યુવતીના લગ્ન જામનગર ખાતે અન્ય યુવક સાથે કરી નાખ્યા હતા. પોતાના નવ વર્ષના પ્રેમ અને કાયદેસરની પત્નીને કોઈ અન્ય સાથે પરણાવી દેવામાં આવી હોવાની જાણ થતા યુનુસ આઘાતમાં સરી પડ્યો હતો અને આજે બપોરે માલગાડી નીચે પડતું મૂકી અંતિમ પગલું ભરી લીધું હતું હાલ પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:17 pm

જૂનાગઢ માંથીસીરપની બોટલો સાથે ‘લપ’ ઝડપાયો:મજેવડી દરવાજા નજીક રાત્રીના અંધકારમાં એક્ટિવા પર નશીલી સિરપ વેચવા નીકળેલા શખ્સને એસ.ઓ.જી.એ દબોચ્યો, મોરબી સુધી ખૂલ્યા તાર.

​જૂનાગઢના રસ્તાઓ પર રાત્રિના સમયે છૂપી રીતે નશીલી દવાઓનું ઝેર પીરસતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. ખાસ કરીને યુવા પેઢીને નશાના રવાડે ચડાવતી કફ સિરપ જેવી દવાઓના ગેરકાયદે વેચાણને રોકવા માટે જૂનાગઢ પોલીસે એક સચોટ ઓપરેશન પાર પાડ્યું છે. શહેરના ખીચોખીચ વિસ્તાર ગણાતા મજેવડી દરવાજા પાસે મોડી રાત્રે ફિલ્મી ઢબે વોચ ગોઠવીને પોલીસે એક એવા શખ્સને કુલ 68,183 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે, જે એક્ટિવા પર નશીલી દવાઓની હોમ ડિલિવરી કરવા નીકળ્યો હતો. ​જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશનને ચોક્કસ બાતમી મળી હતી કે ચુનારાવાસ વિસ્તારમાં રહેતો એસાન ઉર્ફે 'લપ' નામનો ૨૦ વર્ષનો યુવાન મોટા પાયે નશીલી સિરપના વેચાણમાં સક્રિય છે. બાતમી એવી હતી કે એસાન પોતાના હોન્ડા એક્ટિવા પર નશીલી દવાઓનો જથ્થો લોડ કરીને મજેવડી દરવાજાથી ખામધ્રોળ ફાટક તરફ ગ્રાહકોને માલ આપવા જવાનો છે. આ બાતમી મળતા જ પોલીસે મજેવડી રોડ પર આવેલી ગેબનશા પીરની દરગાહ પાસે વ્યુહાત્મક રીતે છટકું ગોઠવ્યું હતું. ​રાત્રિના સમયે જ્યારે રસ્તા પર અવરજવર ઓછી હતી, ત્યારે બાતમી આધારે પોલીસે એસાન ઉર્ફે લપને અટકાવ્યો હતો. પોલીસને જોઈને ગભરાઈ ગયેલા એસાનની જ્યારે તલાશી લેવામાં આવી ત્યારે તેના વાહનમાંથી પ્રતિબંધિત કોડીન ફોસ્ફેટ યુક્ત 'REXCRON-T' કફ સિરપની 100 ml ની કુલ 53 બોટલો મળી આવી હતી. આ સીલબંધ બોટલો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી કારણ કે આ દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર રાખવી કે વેચવી એ ગંભીર ગુનો છે. ​પોલીસે ઘટનાસ્થળેથી સિરપની 53 બોટલો જેની કિંમત 8,183 રૂપિયા છે, 10,000 રૂપિયાની કિંમતનો મોબાઈલ અને 50,000 રૂપિયાનું એક્ટિવા મળીને કુલ 68,183 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે બી ડીવીઝન પોલીસ મથકે NDPS એક્ટ હેઠળ કડક કલમો લગાવી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.​આરોપી એસાનની પૂછપરછમાં મોરબીનું કનેક્શન સામે આવ્યું. એસાને કબૂલ્યું કે આ માલ તેને મોરબીના કેતન નામના શખ્સે પૂરો પાડ્યો હતો. આ ખુલાસા બાદ પોલીસની એક ટીમ મોરબીના કેતનને પકડવા માટે રવાના કરવામાં આવી છે. પોલીસનું માનવું છે કે આ માત્ર એક નાની કડી છે, આની પાછળ કોઈ મોટું ડ્રગ રેકેટ હોઈ શકે છે જે મોરબીથી સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાં નશીલી દવાઓ સપ્લાય કરે છે. ​જૂનાગઢ પોલીસની આ સફળતાથી શહેરમાં નશીલા પદાર્થોનું વેચાણ કરતા તત્વોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે શહેરની શાંતિ ડહોળતા અને યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરતા કોઈપણ શખ્સને છોડવામાં આવશે નહીં. હાલ તો આ કેસમાં મોરબીના સપ્લાયરને પકડવા અને આ નેટવર્ક કેટલું ઊંડું છે તે તપાસવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જૂનાગઢની જનતાએ પણ પોલીસની આ કામગીરીને આવકારી છે અને શહેરને નશામુક્ત બનાવવાની અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:12 pm

ચૂંટણી માટે ફોર્મ ઉપાડવાનો આજથી પ્રારંભ:ભાવનગરમાં મનપા ના 13 વોર્ડ માટે પેહલાં દિવસે 165 ઉમેદવારોએ ફોર્મ ઉપાડ્યા

ભાવનગર મહાનગરપાલિકાની આગામી યોજાનાર ચૂંટણી ને સંદર્ભે મનપાના 13 વોર્ડ માટે આજથી ફોર્મ ની શરૂઆત થઈ હતી, જેમાં ચાર અલગ અલગ જગ્યાએ ફોર્મ ઉપાડ ની પ્રક્રિયા આજથી હાથ ધરવામાં આવી હતી, જેમાં 1 થી 13 વોર્ડમાં કુલ 165 ઉપાડ્યા હતા, મહાનગરપાલિકા ના 1 થી 13 વોર્ડ માટે અલગ અલગ ચાર જગ્યાએ ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેમાં વોર્ડ નંબર 1 થી 3 માટે પ્રાંત અધિકારીની કચેરી કલેકટર ઓફીસ, વોર્ડ નંબર 4 થી 6 માટે સ્ટેમ્પ ડ્યુટી અને મૂલ્યાંકન તંત્ર બહુમાળી ભવન, વોર્ડ નંબર 7 થી 10 જિલ્લા પુરવઠા કચેરી કલેકટર ઓફીસ તથા વોર્ડ નંબર 11 થી 13 માટે જિલ્લા આયોજન કચેરી કલેક્ટર કચેરી ખાતે ફોર્મ વિતરણ, ફોર્મ ભરાશે, ફોર્મ ખેંચવાના સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી ચૂંટણીઓમાં મહાનગરપાલિકા ની 13 વોર્ડ ના 52 બેઠકો પર ચૂંટણી યોજાશે, ભાવનગરના 10 તાલુકા પંચાયતની 210 બેઠકો માટે, જિલ્લા પંચાયતની 40 બેઠકો માટે તથા જયારે 3 નગરપાલિકાઓની 96 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા નો આજથી પ્રારંભ થયો હતો, જેમાં તા.6 ના રોજ ફોર્મ ઉપાડશે તથા તા.11 એપ્રિલ સુધીમાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે, જ્યારે તા.15 ના રોજ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે, મતદાન પ્રક્રિયા તા.26/4 ને રવિવાર ના રોજ યોજાશે, તથા ચૂંટણી તા.28/4 ના રોજ ચૂંટણી પરિણામ યોજાશે. જેમાં પ્રથમ દિવસે 165 જેટલા ફોર્મ ઉપડયા હતા, જેમાં જુદા જુદા ત્રણ વોર્ડ ને વિભાજીત કરવામાં આવ્યા છે જેમાં 1 થી 3 વોર્ડ માં 69 ફોર્મ ઉપાડ્યા હતા, 4 થી 6 વોર્ડ માં 27 ફોર્મ ઉપાડ્યા, 7 થી 10 વોર્ડમાં 52 તથા 11 થી 13 વોર્ડ માં 17 ફોર્મ ઉપાડ્યા હતા.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:06 pm

હિંમતનગરમાં ભાજપનો 47મો સ્થાપના દિવસ ઉજવાયો:જનસંઘના કાર્યકરોના બલિદાનને યાદ કરાયું, વિકાસની રાજનીતિ પર ભાર

હિંમતનગરમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીનો 47મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે જનસંઘના કાર્યકરોએ દેશ માટે આપેલા યોગદાન અને બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું. ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ જણાવ્યું હતું કે, જનસંઘની સ્થાપના બાદ કાર્યકરોએ દેશના હિત માટે અનેક બલિદાનો આપ્યા છે, જેને ભૂલી શકાય નહીં. તેમણે કાર્યકરોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપને સત્તા પર લાવવા માટે એકજૂટ થઈ મતદારોનો સંપર્ક કરવા અને પક્ષની વિચારસરણી તથા વિકાસની વાતો લોકો સુધી પહોંચાડવા હાકલ કરી હતી. પંડ્યાએ ઈન્દિરા ગાંધીના શાસનકાળ દરમિયાન લાદવામાં આવેલી કટોકટીનો ઉલ્લેખ કર્યો હતો, જ્યારે જનસંઘના અનેક કાર્યકરોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, શરૂઆતના તબક્કામાં ભાજપને મળેલી બેઠકો દર્શાવતી હતી કે પ્રજા પરિવર્તન ઈચ્છે છે. ત્યારબાદ અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન બન્યા, પરંતુ દેશના સિદ્ધાંતો માટે તેમણે રાજીનામું આપ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે વિકાસની રાજનીતિ અપનાવીને ઐતિહાસિક નિર્ણયો લીધા છે. જેમાં કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવી, ઓપરેશન સિંદૂર અને દેશહિત માટે લીધેલા અન્ય નિર્ણયોનો સમાવેશ થાય છે, જેને દેશવાસીઓ આજે પણ યાદ કરે છે. ભૂતકાળમાં કોંગ્રેસે આ નિર્ણયો સામે કરેલા અપપ્રચારથી નાગરિકો ભ્રમિત થયા ન હતા, જે ભાજપની લોકપ્રિયતા દર્શાવે છે. આ ઉજવણીમાં ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા, જિલ્લા પ્રમુખ કનુ પટેલ, સંગઠન પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલા, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, સાબરકાંઠા અને અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયા, ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ, મહામંત્રી બિપિન ઓઝા, ગણપતસિંહ ઝાલા, પ્રેમલ દેસાઈ સહિતના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:53 pm

ભ્રષ્ટાચાર અને અણઘડ આયોજનનું પર્યાય બન્યું જુનાગઢ !:​‘રોડમાં ઢાળ રહી ગયો છે’ કહી ખુદ બાંધકામ સમિતિના ચેરમેને ભૂલ સ્વીકારી નવો રોડ તોડાવ્યો;વિપક્ષી નેતાનો ભાજપ પર પ્રહાર - ‘યાદશક્તિ વધારવા નેતાઓને કાજુ-બદામ ખવડાવો’

​નરસિંહ મહેતાની નગરી જૂનાગઢમાં હાલમાં વિકાસના નામે વિનાશ અને ભ્રષ્ટાચારના ગાણા ગવાઈ રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જૂનાગઢ મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓની મિલીભગત તેમજ અણઘડ આયોજનના કારણે જનતાના ટેક્સના કરોડો રૂપિયા પાણીમાં જઈ રહ્યા છે. શહેરના વોર્ડ નંબર 7 માં આવેલી ગિરીરાજ નગર સોસાયટી અને અમૃત પેલેસ વિસ્તારમાં તાજેતરમાં જ લાખોના ખર્ચે બનાવવામાં આવેલો સીસી રોડ ફરીથી તોડી પાડવામાં આવતા સ્થાનિક રહીશોમાં તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે. નવાઈની વાત તો એ છે કે, આ રોડ તોડવા પાછળ જે કારણ આપવામાં આવ્યું છે તે તંત્રની ઘોર બેદરકારી અને ટેકનિકલ નિષ્ફળતાની ચાડી ખાય છે. ​આ સમગ્ર મામલે જ્યારે વિવાદ વકર્યો ત્યારે વોર્ડ નંબર 7 ના કોર્પોરેટર અને જૂનાગઢ મહાનગરપાલિકાની બાંધકામ સમિતિના ચેરમેન જયેશભાઈ બોઘરાએ પોતે જ આ ભૂલ સ્વીકારતા જણાવ્યું હતું કે, અમૃત પેલેસ અને વ્હાઈટ ગોલ્ડ સોસાયટીના રસ્તાઓ અંદાજે દોઢેક વર્ષ પહેલા નવા બનાવવામાં આવ્યા હતા, પરંતુ તે સમયે ટેકનિકલ ખામીને કારણે રોડનું લેવલિંગ એટલે કે 'ઢાળ' યોગ્ય રીતે જળવાયો ન હતો. ઢાળ ઉંધો હોવાને કારણે વરસાદી પાણીનો નિકાલ થવાને બદલે ત્યાં ભરાઈ રહેતું હતું. આ કબૂલાત બાદ પ્રશ્ન એ ઉભો થાય છે કે જ્યારે આ રસ્તો બની રહ્યો હતો ત્યારે મહાનગરપાલિકાના એન્જિનિયરો અને સુપરવાઈઝરો શું કરી રહ્યા હતા? શું કોન્ટ્રાક્ટરને લેવલિંગની સમજ નહોતી કે પછી જાણીજોઈને બિલ બનાવવા માટે ઉતાવળમાં કામ પૂરું કરવામાં આવ્યું હતું ? ​સ્થાનિક રહીશોની પીડા પણ આ મામલે પરાકાષ્ઠાએ પહોંચી છે. વ્હાઈટ ગોલ્ડ સોસાયટીમાં રહેતા મધુભેન પોપટ અને દિનેશભાઈ જેવા અનેક નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે. સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે, રોડ ખોદી નાખવાને કારણે બાળકોને શાળાએ મૂકવા જવા માટે કે બીમારીના સમયે વાહન બહાર કાઢવા માટે પણ જગ્યા રહી નથી. ગેટની સામે જ ઉંડો ખાડો કરી નાખવામાં આવ્યો છે. વળી, તંત્ર દ્વારા ૧૦ દિવસમાં કામ પૂરું કરવાની ખાતરી અપાઈ હતી, પરંતુ અત્યારે કામ અધૂરું મૂકીને કોન્ટ્રાક્ટરના માણસો ગાયબ થઈ ગયા છે. ચોમાસું નજીક હોવાથી સ્થાનિકોને ફાળ પડી રહી છે કે જો આ રસ્તો જલ્દી નહીં બને તો આખું ચોમાસું નરકાગાર જેવી સ્થિતિમાં વિતાવવું પડશે. ​રસ્તાની આ સમસ્યામાં માત્ર લેવલિંગ જ નહીં, પણ આયોજનનો પણ અભાવ જોવા મળે છે. માધવી પારેખ નામના રહીશે જણાવ્યું કે છેલ્લા બે-ત્રણ વર્ષથી આ વિસ્તારમાં ક્યારેક ગેસ લાઇન, ક્યારેક પાણીની લાઇન તો ક્યારેક ગટરના નામે સતત ખોદકામ ચાલતું રહે છે. એક વાર રસ્તો સરખો થાય એટલે થોડા દિવસમાં ફરી કોઈ ને કોઈ બહાને તેને ખોદી નાખવામાં આવે છે. તેમણે પોતાનો કડવો અનુભવ શેર કરતા કહ્યું કે, રસ્તો ખોદાયેલો હોવાથી વૈકલ્પિક માર્ગે જતા તેઓ પોતે ખાડામાં પડ્યા હતા. આ પ્રકારની બેદરકારી કોઈનો જીવ પણ લઈ શકે છે. તંત્ર માત્ર કાગળ પર વિકાસના દાવા કરે છે, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ છે. ​બીજી તરફ જૂનાગઢ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ શાસક પક્ષ ભાજપ અને અધિકારીઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓની યાદશક્તિ કદાચ નબળી પડી ગઈ છે, તેમને હવે 'કાજુ-બદામ' ખવડાવવાની જરૂર છે જેથી તેમને યાદ રહે કે કયા રસ્તાઓ હમણાં જ બન્યા છે અને કયા તોડવાના છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે જૂનાગઢમાં નવા રસ્તા બનાવીને તેને ટૂંકા ગાળામાં તોડી નાખવાની એક પરંપરા બની ગઈ છે, જે માત્ર કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટેની રમત છે. જે વોર્ડમાં ખુદ બાંધકામ સમિતિના ચેરમેન અને ધારાસભ્ય જેવા જવાબદાર નેતાઓ રહેતા હોય, ત્યાં જ જો આવા ભ્રષ્ટ કામો થતા હોય તો સામાન્ય જનતાએ કોની પાસે અપેક્ષા રાખવી ? વિપક્ષી નેતા લલિત પરસાણાએ વધુમાં ઉમેર્યું કે રાજ્યના મુખ્યમંત્રીએ વારંવાર સૂચના આપી છે કે તમામ ભૂગર્ભ કામો જેવા કે ગટર અને પાણીની પાઈપલાઈન પૂર્ણ થયા પછી જ રસ્તાઓ બનાવવા જોઈએ, જેથી જનતાના પૈસાનો બગાડ ન થાય. છતાં જૂનાગઢમાં મુખ્યમંત્રીના આદેશોને નેવે મૂકીને આડેધડ કામો કરવામાં આવી રહ્યા છે. અગાઉ કરોડોના ખર્ચે બનેલી સ્ટોર્મ વોટર ગટરને તોડીને હવે ત્યાં ફરીથી ગટર નાખવામાં આવી રહી છે. આ માત્ર ભ્રષ્ટાચારની મિલીભગત છે.પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ જેવી મોંઘીદાટ એજન્સીઓ રાખવા છતાં જો રસ્તાના લેવલ ન જળવાતા હોય, તો આવી એજન્સીઓનો પગાર જનતાના ખિસ્સામાંથી શા માટે ચૂકવવો જોઈએ ? ​હાલ તો ગિરીરાજ હોસ્પિટલ પાસેનો આ રોડ ખોદાયેલી હાલતમાં પડ્યો છે. બાંધકામ સમિતિના ચેરમેન જયેશ બોઘરાએ ખાતરી આપી છે કે આગામી 10 થી 15 દિવસમાં યોગ્ય ઢાળ સાથે નવો રોડ તૈયાર કરી દેવામાં આવશે, પરંતુ જનતા હવે આ ખાતરીઓથી કંટાળી ગઈ છે. લોકોનો પ્રશ્ન એ છે કે જે ભૂલ એન્જિનિયરોએ કરી, તેની સજા જનતા શા માટે ભોગવે? અને જે પૈસાનો બગાડ થયો તેની વસૂલાત જવાબદાર અધિકારીઓ પાસેથી કેમ કરવામાં આવતી નથી ? જૂનાગઢની જનતા હવે જાગૃત થઈ છે અને સોશિયલ મીડિયા તેમજ અન્ય માધ્યમો દ્વારા પોતાનો રોષ ઠાલવી રહી છે. જો આગામી દિવસોમાં આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે અને ભ્રષ્ટાચારીઓ સામે કડક પગલાં નહીં લેવાય, તો આગામી ચોમાસામાં જૂનાગઢ મહાનગરપાલિકાએ જનતાના રોષનો ભોગ બનવું પડશે તે નક્કી છે. વિકાસના નામે થતા આ પ્રકારના વહીવટી લોચા અને આર્થિક ભ્રષ્ટાચારને કારણે જૂનાગઢ શહેરની છબી ખરડાઈ રહી છે, જેની ગંભીર નોંધ ઉચ્ચ કક્ષાએ લેવી અનિવાર્ય બની છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:47 pm

વડોદરા જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ સહિત ચાર ભાજપમાં જોડાયા:ભાજપના સ્થાપના દિવસે જ પ્રહલાદ પટેલ, કુલદીપસિંહ રાજ સહિતના આગેવાનોએ પક્ષપલટો કર્યો

ચૂંટણી પહેલા ભાજપ - કોંગ્રેસમાં જોડતોડનું રાજકારણ વધુ તેજ બન્યું છે, ત્યારે આજે વડોદરા જિલ્લા કોંગ્રેસના ચાર આગેવાનો ભાજપમાં જોડાયા હતા. ભાજપના સ્થાપના દિવસે જ ચાર આગેવાનોને ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ ભાજપનો ખેસ પહેરાવી આવકાર આપ્યો હતો. ડભોઇ તાલુકાના આગેવાનોએ કોંગ્રેસનો હાથ છોડ્યો ડભોઇ તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી સક્રિય અને કોંગ્રેસના હોદ્દા ઉપર રહેલા કાર્યકરોએ આજે કોંગ્રેસનો હાથ છોડી દીધો હતો અને ભાજપનો ભગવો ધારણ કર્યો હતો., કોંગ્રેસનો હાથ છોડનાર ચાર આગેવાનોમાં જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ અને બરોડા ડેરીના પૂર્વ ડિરેક્ટર પ્રહલાદ પટેલ, કોંગ્રેસના મહામંત્રી કુલદીપસિંહ રાજ, કોંગ્રેસના બક્ષીપંચ મોરચાના પ્રમુખ જયેશ ઠાકોર અને જિલ્લા કોંગ્રેસના મહામંત્રી નિલેશ રાઠોડનો સમાવેશ થાય છે. ભાજપના જિલ્લા કાર્યાલય ખાતે તમામને ભાજપનો ખેસ પહેરાવી આવકાર આપવામાં આવ્યો હતો. પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલના ખાસ હતા પ્રહલાદ પટેલ ડભોઈના પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલના ખાસ કહેવાતા પ્રહલાદ પટેલ હાલમાં કોંગ્રેસના જિલ્લા ઉપપ્રમુખ છે. તાજેતરમાં યોજાયેલી બરોડા ડેરીની ચૂંટણનીમાં પણ તેઓએ ઉમેદવારી નોંધાવી હતી જો કે તેઓ હારી ગયા હતા. ત્યારે આજરોજ તેઓએ ભાજપમાં જોડાઈને પોતાના રાજકારણને નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો છે., તેઓ સાથે યુવા આગેવાનો પણ ભાજપમાં જોડાયા છે. ભાજપના સ્થાપના દિવસે હું ભાજપમાં આવકારું છું- MLA શૈલેષ મહેતાધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે, આ કાર્યકરોના આવવાથી ડભોઇમાં ભાજપ વધુ મજબૂત બનશે. તમામને આજે ભાજપના સ્થાપના દિવસે હું ભાજપમાં આવકારું છું. અને તેઓનું સ્વાગત કરતા આનંદની લાગણી અનુભવું છું. તમામ કાર્યકરો હાલમાં કોંગ્રેસ સાથે જોડાયેલા છે પરંતુ તેઓ ભાજપની વિચારધારાથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાયા છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:47 pm

જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યનું રાજીનામું:સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા હેમાક્ષીબેન રાદડિયાએ ભાજપના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું

અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય હેમાક્ષીબેન રાદડિયાએ ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે જિલ્લા ભાજપ પ્રમુખને લેખિતમાં રાજીનામું સુપરત કર્યું છે. હેમાક્ષીબેન રાદડિયા તેમજ રાહુલ રાદડિયાએ પાર્ટીને અલવિદા કહી દીધું છે. આ રાજીનામાને કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અસંતોષ અને પક્ષપલટાની મોસમ ફરી ખીલશે તેવી અટકળો ચાલી રહી છે. હેમાક્ષીબેન રાદડિયા સાવરકુંડલા તાલુકાની મોટા ઝીંઝુડા જિલ્લા પંચાયત બેઠક પરથી વર્ષ 2021માં જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાયા હતા. તે પહેલા, તેઓ 2015થી 2020 સુધી તાલુકા પંચાયતના સદસ્ય પણ રહી ચૂક્યા છે. રાજીનામાના કારણો અંગે હજુ સ્પષ્ટતા નથી. દિવ્યભાસ્કરે હેમાક્ષીબેન રાદડિયાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો ફોન રિસીવ ન થતાં જવાબ મળી શક્યો ન હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તેમને જિલ્લા પંચાયતની ટિકિટ મળવાની શક્યતા ન હોવાને કારણે તેમણે રાજીનામું આપ્યું હોઈ શકે છે. સ્થાનિક સ્તરે આ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:46 pm

રાજકોટમાં આધ્યાત્મિક શક્તિનું ઘોડાપૂર:દેશ-વિદેશના લાખો ભાવિકોની ઉપસ્થિતિમાં આત્મજ્ઞાની મહાપુરુષને અપાઈ ભાવભીની સ્મરણાંજલિ

અધ્યાત્મ જગતના તેજસ્વી નક્ષત્ર અને પરમકૃપાળુદેવ તરીકે પૂજિત રાજચંદ્રજીનો આજે 125 મો સમાધિદિન છે. વિક્રમ સંવત 1957 ના ચૈત્ર વદ પાંચમના દિવસે રાજકોટની ભૂમિ પર તેમણે દેહત્યાગ કરી સમાધિસ્થપણે મહાપ્રયાણ કર્યું હતું. આ અવસરે રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે 4 એપ્રિલ થી 7 એપ્રિલ 2026 દરમિયાન ભવ્ય ‘પરમકૃપાળુદેવ પરમ પ્રયાણ પર્વ’ ઉજવાઈ રહ્યું છે. રાજકોટમાં આધ્યાત્મિક શક્તિનું ઘોડાપૂરરાજચંદ્ર જ્ઞાન મંદિર ટ્રસ્ટ અને વિવિધ આશ્રમોના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મહોત્સવમાં હજારો ભાવિકો રૂબરૂ અને લાખો મુમુક્ષુઓ ઓનલાઇન જોડાઈને આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ કરી રહ્યા છે. આ પર્વમાં રાજપરિવારના અગ્રણી સંતો જેવા કે, રાજચંદ્ર મિશન ધરમપુરના સ્થાપક ગુરુદેવ રાકેશજી, સાયલાના નલીનભાઈ, દિલ્હીના રત્નાપ્રભુ અને કોબા આશ્રમના સુરેશજીની પાવન નિશ્રામાં વાતાવરણ ભક્તિમય બની ગયું છે. ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક અને ‘આત્મસિદ્ધિ’ના રચયિતારાજચંદ્રજી માત્ર એક સંત નહોતા, પરંતુ આર્ષ દ્રષ્ટા હતા. તેમણે માત્ર 28 વર્ષની વયે ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર’ની રચના કરી હતી, જે આજે 140 થી વધુ ભાષાઓમાં અનૂદિત થઈ વિશ્વભરના જિજ્ઞાસુઓને માર્ગ બતાવે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીમાં સત્ય અને અહિંસાના બીજ રોપનાર અને તેમના ચારિત્ર્યનું ઘડતર કરનાર રાજચંદ્રજી જ હતા. ગાંધીજીએ તેમને પોતાના આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે સ્વીકાર્યા હતા. વૈશ્વિક સ્તરે પ્રસ્તુત અને પ્રાસંગિક વિચારધારારાજચંદ્રજીનું જીવન અને ‘વચનામૃત’ ગ્રંથ આજે પણ એટલા જ પ્રાસંગિક છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ યુવાનોને તેમના જીવન પર સંશોધન કરવા અનુરોધ કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પર્વમાં હાજરી આપી જણાવ્યું હતું કે, આ અવસર માત્ર સ્મરણનો નથી પણ આત્મમંથન અને આધ્યાત્મિક ઉન્નતિનો છે. આજે વિશ્વભરમાં તેમના નામે હોસ્પિટલો, શાળાઓ, એનિમલ સેન્ટર્સ અને યુનિવર્સિટી ચેર કાર્યરત છે, જે તેમના ‘સર્વજીવ હિત’ના સંદેશને સાર્થક કરે છે. મહોત્સવનું ભવ્ય સમાપનઆ ચાર દિવસીય પર્વમાં નાટ્ય પ્રસ્તુતિ, શોભાયાત્રા અને અનુષ્ઠાનોનું આયોજન કરાયું હતું. આજે સમાધિદિનના અંતિમ દિવસે સવારે 10.30 થી 12.30 દરમિયાન ગુરૂદેવ રાકેશજી અને ત્યારબાદ નલિનભાઈના પ્રેરક પ્રવચનો યોજાશે. બપોરે 2.00 થી 3.00 ના સમયે, જે ક્ષણે તેમણે મહાપ્રયાણ કર્યું હતું, તે સમયે ભાવવાહી ભક્તિ અને મહાઆરતી સાથે આ દિવ્ય પર્વનું સમાપન થશે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:43 pm

સાબરકાંઠા LCBએ NDPS આરોપીને ઝડપ્યો:એક વર્ષથી ફરાર માલજી ડાભીની ધરપકડ, સ્થાનિક સ્વરાજ ચૂંટણીને નાસતા ફરતા આરોપીઓને પકડવા ખાસ ડ્રાઇવ

સાબરકાંઠા LCB એ NDPS ના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી માલજીભાઈ મેઘાભાઈ ડાભી (ઉંમર 39) ને ઝડપી પાડ્યો છે. આરોપીને તેના ઘરેથી પકડીને પોશીના પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. LCB PI ડી.સી.સાકરીયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. આ ડ્રાઇવ દરમિયાન, જશુભાઈ અને નિલેષકુમારને મળેલી બાતમીના આધારે LCB ટીમે કાર્યવાહી કરી હતી. પોશીના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS ગુનામાં વોન્ટેડ માલજીભાઈ ડાભી, જે લાખીયા (નાની સોનગઢ), તા.પોશીના, જી.સાબરકાંઠાનો રહેવાસી છે, તેને તેના ઘરેથી પકડી પાડવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:32 pm

સુરતના સૌથી વ્યસ્ત રસ્તા કાપોદ્રા રોડ પર મસમોટો ભુવો પડ્યો:વાહનચાલકોને ભારે મુશ્કેલી, થોડા સમય પહેલા જ કરોડોના ખર્ચે નવો બનાવામાં આવ્યો'તો

સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો જંગ જામ્યો છે અને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે શહેરના પાયાના માળખાની પોલ ખોલતી એક ગંભીર ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા કાપોદ્રા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર ભરઉનાળે મસમોટો ભુવો પડતા સ્થાનિકોમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે. મુખ્ય માર્ગ પર મોટો ભુવો પડ્યોસામાન્ય રીતે સુરતમાં ચોમાસા દરમિયાન માર્ગો ધોવાઈ જવા કે ભુવા પડવા એ સામાન્ય બાબત બની ગઈ છે, પરંતુ એપ્રિલ મહિનાની કાળઝાળ ગરમીમાં જ્યારે વરસાદનો છાંટો પણ નથી, ત્યારે મુખ્ય માર્ગ પર મોટો ભુવો પડવો એ આશ્ચર્ય અને આઘાતજનક છે. કાપોદ્રા મેઈન રોડ પર અચાનક જ જમીન ધસી પડતા રસ્તાની વચ્ચે વિશાળ ગાબડું પડી ગયું હતું. સદનસીબે કોઈ મોટી જાનહાનિ ટળી હતી. રસ્તો ટૂંકા ગાળામાં કેવી રીતે બેસી જાય? આ રોડ હજુ થોડા સમય પહેલા નવો બનાવવામાં આવ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રસ્તાઓ આટલા ટૂંકા ગાળામાં કેવી રીતે બેસી જાય? દિવસ દરમિયાન હજારો વાહનોની અવરજવર હોય કાપોદ્રા મેઈન રોડએ સુરતનો સૌથી વ્યસ્ત રસ્તો છે, જે વરાછા અને અન્ય વિસ્તારોને જોડે છે. દિવસ દરમિયાન અહીં હજારો વાહનોની અવરજવર હોય છે. રસ્તાની બરોબર વચ્ચે ભુવો પડતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહનચાલકોને ભારે મુશ્કેલી ને રોષસુરત મનપાની ચૂંટણીમાં 120 બેઠકો માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. ભાજપ, કોંગ્રેસ અને આપ જેવા પક્ષો વિકાસના મુદ્દે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. શાસક પક્ષ દ્વારા સતત સ્માર્ટ સિટી અને વિકાસના બણગા ફૂંકવામાં આવે છે, પરંતુ કાપોદ્રાની આ ઘટનાએ વાસ્તવિકતા દર્શાવી દીધી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:30 pm

સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર શખ્સ બે મહિને ઝડપાયો:આરોપી સગીરાને લઈને મધ્યપ્રદેશ નાસી જવાની ફિરાકમાં હતો, પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી દબોચ્યો

સુરતના ચોકબજાર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે બે મહિનાની સઘન તપાસ બાદ, વેડ રોડ વિસ્તારમાંથી 15 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરનાર 19 વર્ષીય શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી સગીરા પર દુષ્કર્મ ગુજારી તેને મધ્યપ્રદેશ ભગાડી જવાની પેરવીમાં હતો, પરંતુ પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે પંડોળ ફુલવાડી વિસ્તારમાંથી તેને દબોચી લીધો હતો. શું છે સમગ્ર મામલો?ગત 28 જાન્યુઆરી, 2026ના રોજ વેડ રોડ પર આવેલી ત્રિલોક સોસાયટીમાંથી એક 15 વર્ષીય સગીરા અચાનક ગુમ થઈ હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે કોઈ અજાણ્યો શખ્સ તેને લલચાવી ફોસલાવી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી પી.આઈ. એસ.ડી. રાતડાના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસ ટીમે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોના અંદાજે 50 જેટલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. ટેકનિકલ એનાલિસિસની મદદથી પોલીસને શંકાસ્પદ શખ્સનું નામ 'ગુરુ' હોવાનું અને તેનું લોકેશન બારડોલીથી સુરતના પંડોળ ફુલવાડી વિસ્તાર તરફ હોવાનું જાણવા મળ્યું હતું. ફિલ્મી ઢબે ઓપરેશન અને ધરપકડપોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી ગુરુ તેના મિત્ર પાસે પૈસા લેવા માટે ફુલવાડી વિસ્તારમાં આવવાનો છે અને ત્યાંથી સગીરાને લઈને મધ્યપ્રદેશ નાસી જવાની ફિરાકમાં છે. આ બાતમીના આધારે પોલીસે જીલાની બ્રીજ પાસે વોચ ગોઠવી હતી અને આરોપી ત્યાં પહોંચતા જ તેને સગીરા સાથે ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીની ઓળખ ગુરુકુમાર ગોવિંદ શાહ (ઉ.વ. 19) તરીકે થઈ છે. તે મૂળ બિહારના શિવાન જિલ્લાનો રહેવાસી છે અને સુરતમાં છાપરાભાઠા રોડ પર મજૂરી કામ કરતો હતો. પૂછપરછમાં તેણે લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કર્યું હોવાની કબૂલાત કરી છે. આરોપીને પોક્સો એક્ટ હેઠળ જેલભેગો કર્યોચોકબજાર પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2), 65(2), 64 તેમજ પોક્સો (POCSO) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી જેલભેગો કર્યો છે. આ સફળ ઓપરેશનમાં પી.એસ.આઈ. વી.ટી. ડોડીયા અને તેમની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:17 pm

સુરતમાં UCC બિલનો ઉગ્ર વિરોધ:મુસ્લિમ હિત રક્ષક સમિતિએ કલેક્ટરને આવેદન આપ્યું, કાયદો રદ કરવાની માંગ સાથે કાયદાકીય લડતની ચીમકી ઉચ્ચારી

ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં પસાર થયેલા 'ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ 2026' (UCC) બિલના વિરોધમાં ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા આજે સુરત ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સમિતિએ આ કાયદાને ગેરબંધારણીય, લઘુમતી વિરોધી અને ધાર્મિક સ્વતંત્રતા પર તરાપ સમાન ગણાવી તેને તાત્કાલિક રદ કરવાની માંગ સાથે કાયદાકીય લડતની ચીમકી ઉચ્ચારી છે. બંધારણીય અધિકારોના ઉલ્લંઘનનો દાવોસમિતિના જણાવ્યા અનુસાર, ભારતીય બંધારણના આર્ટિકલ 25 હેઠળ દરેક નાગરિકને પોતાનો ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. મુસ્લિમ સમુદાય માટે નિકાહ, તલાક અને મિલકતની વહેંચણી જેવા પારિવારિક વિષયો પવિત્ર કુરાન અને શરીયતના આદેશો મુજબ ચાલે છે. UCC ના અમલીકરણથી આ વર્ષો જૂની ધાર્મિક પરંપરાઓમાં સીધી દખલગીરી થશે, જે મૂળભૂત બંધારણીય અધિકારોનું હનન છે. સમાનતાના સિદ્ધાંત પર પ્રશ્નાર્થઆવેદનપત્રમાં સરકારની 'સમાનતા'ની વ્યાખ્યા સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. સમિતિનો આક્ષેપ છે કે, આ કાયદામાંથી આર્ટિકલ 342 અને 366 હેઠળ અનુસૂચિત આદિજાતિ (ST) ને બાકાત રાખવામાં આવ્યા છે. જ્યારે એક મોટા વર્ગને મુક્તિ આપવામાં આવે, ત્યારે તે 'યુનિફોર્મ' એટલે કે સમાન નાગરિક સંહિતા રહી શકતી નથી. આ જોગવાઈ આર્ટિકલ 14 (કાયદા સમક્ષ સમાનતા) ના સિદ્ધાંત વિરુદ્ધ છે અને માત્ર એક ચોક્કસ સમુદાયને ટાર્ગેટ કરવા માટે બનાવવામાં આવી હોય તેમ જણાય છે. લિવ-ઈન રિલેશનશિપ સામે સામાજિક આક્રોશબિલમાં લિવ-ઈન રિલેશનશિપની નોંધણી અને તેને કાનૂની માન્યતા આપવાની જોગવાઈ સામે પણ ભારે રોષ જોવા મળ્યો છે. અસલમ સાયકલવાલા અને અન્ય અગ્રણીઓએ આ જોગવાઈને 'વ્યભિચાર' સમાન ગણાવીને ભારતીય સંસ્કૃતિ તથા લગ્ન જેવી પવિત્ર સંસ્થા માટે ખતરો ગણાવી છે. આ જોગવાઈ સામાજિક માળખું તોડવાનો પ્રયાસ હોવાનો દાવો સમિતિ દ્વારા કરાયો છે. કાનૂની લડત અને ભવિષ્યની રણનીતિમૌલાના ખાદીમ લાલપુરી અને એડવોકેટ મોહમ્મદ આરિફ અંસારીએ જણાવ્યું હતું કે, આ કાયદો 'અલ્ટ્રા વાયરસ' (સંવિધાન વિરુદ્ધ) છે. દેશના અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ કાયદાઓ હોવાથી રાષ્ટ્રીય સ્તરની એકરૂપતાનો અભાવ દેખાય છે. જો સરકાર આ બિલ પાછું નહીં ખેંચે, તો સમિતિ સત્ય અને અહિંસાના માર્ગે આંદોલન કરવાની સાથે વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતમાં કાયદાકીય લડાઈ લડવા પણ મક્કમ છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:09 pm

સાબરકાંઠાના 4 જળાશયોમાંથી રવિ સિઝનનું પાંચમું પાણ પૂર્ણ:હાથમતી પિકઅપ વિયર ખાલી, પાણીનો વપરાશ અને વર્તમાન સ્થિતિ જાહેર

સાબરકાંઠા જિલ્લામાં રવિ સિઝન માટે ચાર મુખ્ય જળાશયોમાંથી સિંચાઈના પાંચ પાણ પૂર્ણ થયા છે. દિવાળી બાદ શરૂ થયેલ પાણી વિતરણ એપ્રિલ મહિનામાં સમાપ્ત થયું છે. સાબરકાંઠા સિંચાઈ વિભાગ દ્વારા હાથમતી, ગુહાઈ, હરણાવ અને ખેડવા જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન મુજબ જળવિતરણ કરવામાં આવ્યું. પાંચ પાણ પૂર્ણ થતાં હાથમતી જળાશયમાંથી પાણીનો પ્રવાહ બંધ કરવામાં આવ્યો છે. પરિણામે, હિંમતનગર નજીક આવેલો હાથમતી પિકઅપ વિયર ખાલી થઈ ગયો છે. સિંચાઈના પાંચ પાણ દરમિયાન જળાશયોમાંથી થયેલા પાણીના વપરાશની વિગતો પણ જાહેર કરવામાં આવી છે. ગુહાઈ જળાશયમાંથી 28 ટકા, હાથમતીમાંથી 28 ટકા, હરણાવમાંથી 49 ટકા અને ખેડવામાંથી 58 ટકા પાણીનો ઉપયોગ થયો છે. ગત વર્ષે 15 ઓક્ટોબર, 2025ના રોજ આ જળાશયોમાં પાણીની સ્થિતિ નીચે મુજબ હતી: ગુહાઈ 97 ટકા, હાથમતી 100 ટકા, હરણાવ 100 ટકા અને ખેડવા 76 ટકા ભરાયા હતા. તાજેતરમાં 6 એપ્રિલ, 2026ના રોજ નોંધાયેલ માહિતી મુજબ, જળાશયોમાં પાણીનો સંગ્રહ આ પ્રમાણે છે: ગુહાઈ 69 ટકા, હાથમતી 72 ટકા, હરણાવ 51 ટકા અને ખેડવા 18 ટકા.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:08 pm

મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ:નવસારીના વોર્ડ 13ની ટિકિટ ફાળવણીમાં ‘પરિવારવાદ’નો વિરોધ, સક્ષમ અને નવા યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવા માગ

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપમાં ટિકિટ ફાળવણીને લઈને આંતરિક વિરોધ શરૂ થયો છે. ખાસ કરીને વોર્ડ નંબર 13માં પૂર્વ નગરસેવક અને પૂર્વ ચીફ ઓફિસરના પરિવારજનોને ટિકિટ આપવાની ચર્ચા સામે સ્થાનિક કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ વિરોધના ભાગરૂપે, વોર્ડ નંબર 13ના 10થી વધુ સક્રિય કાર્યકરોએ ધારાસભ્ય રાકેશ દેસાઈની ઓફિસે પહોંચી લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે, જે ચહેરાઓને જનતા ઓળખતી નથી, તેમને ટિકિટ આપવાથી પક્ષને નુકસાન થઈ શકે છે. કાર્યકરોએ ચેતવણી આપી હતી કે જો વિવાદિત કે અજાણ્યા નામો જાહેર કરાશે, તો પક્ષે ચૂંટણીમાં હારનો સામનો કરવો પડી શકે છે. કાર્યકરોનો મુખ્ય આક્રોશ એ વાત પર કેન્દ્રિત છે કે, જે પરિવારો 30 વર્ષથી પંચાયત અને નગરપાલિકામાં સત્તા ભોગવી રહ્યા છે, તેમને જ ફરીથી ટિકિટ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે આક્ષેપ કર્યો કે નવા અને સક્ષમ યુવાનોને તક આપવાને બદલે પરિવારવાદને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે. કાર્યકરોએ વધુમાં જણાવ્યું કે, સ્થાનિક સ્તરે જનતામાં જેની કોઈ ઓળખ નથી તેવા ઉમેદવારોને લાદવામાં આવી રહ્યા છે. નિષ્ઠાવાન કાર્યકરોની અવગણના પક્ષના ભવિષ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે. અસંતુષ્ટ કાર્યકરોએ ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરતા કહ્યું કે, જનતા મોદી અને યોગીના નામે વોટ આપે છે તે સાચું છે, પરંતુ જો ઉમેદવાર સક્ષમ નહીં હોય તો મતદારોમાં નકારાત્મક સંદેશ જશે. અમને ગામના વિકાસ માટે સ્થાનિક અને નિષ્ઠાવાન ચહેરા જોઈએ છે. નવસારીમાં ભાજપના આ આંતરિક વિખવાદને કારણે ટિકિટ ફાળવણીની પ્રક્રિયા વધુ જટિલ બની છે. ધારાસભ્ય રાકેશ દેસાઈએ કાર્યકરોની રજૂઆત સાંભળીને યોગ્ય ન્યાયની ખાતરી આપી છે. જોકે, હવે જોવાનું રહેશે કે ભાજપ હાઈકમાન્ડ કાર્યકરોની લાગણીઓને માન્ય રાખે છે કે પછી જૂના નેતાઓના પરિવારજનોને જ ટિકિટ આપે છે. ચૂંટણીના માહોલમાં કાર્યકરોની આ નારાજગી અન્ય વોર્ડમાં પણ પ્રસરી શકે તેવી શક્યતાને જોતા ભાજપ સંગઠન સક્રિય બન્યું છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:02 pm

પાલિકા-પંચાયત ચૂંટણી, AAPની પાંચમી યાદી જાહેર:મહાનગરપાલિકાના 26 ઉમેદવારો સહિત નગરપાલિકા, જિલ્લા અને તાલુકાના ઉમેદવાર જાહેર

26 એપ્રિલે યોજાનારી પાલિકા-પંચાયતની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. અલગ-અલગ મહાનગરપાલિાક માટે જાહેર કરાયેલા ઉમેદવાર વિવિધ નગરપાલિકા માટે જાહેર કરાયેલા ઉમેદવારોનું લિસ્ટ વિવિધ તાલુકા પંચાયત માટે જાહેર કરાયેલા ઉમેદવારોનું લિસ્ટ વિવિધ જિલ્લા પંચાયત માટે જાહેર કરાયેલા ઉમેદવારોનું લિસ્ટ

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:00 pm

મહાનગરપાલિકાના નામોની યાદી આજે તૈયાર થઇ જશે:ભાજપના ઉમેદવારોની યાદી એક બે દિવસમાં જાહેર થાય એવી શક્યતા, પેનલમાં નામ હશે તેઓને ગાંધીનગર બોલાવવાની તૈયારી

વડોદરા મહાનગરપાલિકાની ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઇ ગયા બાદ હવે ફાઇનલ યાદી તૈયાર કરી દેવામાં આવશે.આજે પ્રદેશ કક્ષાએ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી જે બાદ વડોદરામાં પણ પ્રદેશ કક્ષાએથી ખાસ નિરીક્ષકો આવીને સેન્સ પ્રક્રિયા દરમિયાન તૈયાર થયેલી યાદીમાંથી ફાઇનલ નામો તૈયાર કરશે તેવી માહિતી હતી. જોકે, જે દાવેદારોના નામ પેનલમાં હશે તેઓને ગાંધીનગર ખાતે બોલાવવાની પણ શક્યતા જોવા મળી રહી છે. આગામી એક બે દિવસમાં નામોની જાહેરાત થાય તેવી શક્યતાઓ છે. નિરીક્ષકો નામોની છણાવટ કરશેવડોદરા મહાનગરપાલિકાની 76 બેઠક માટે ભાજપ દ્વારા બે દિવસ સેન્સ પ્રક્રિયા ચાલી હતી જેમાં ચાર ઝોનમાં દાવેદારોને સંભાળવામાં આવ્યા હતા. નિરીક્ષકો દ્વારા આ યાદી તૈયાર કરવામાં આવી છે જેમાંથી હવે છણાવટ કરવામાં આવશે. જાણવા મળ્યા મુજબ આજે મોડી સાંજે વડોદરા શહેરમાં નિરીક્ષકો વડોદરા આવવાના હતા. જો કે કોઈક કારણોસર અંતિમ ક્ષણે આ કાર્યક્રમ રદ થયો હોવાની માહિતી છે. ત્યારે જેઓના પેનલમાં નામો હશે તેઓને ગાંધીનગર ખાતે બોલાવવાની પણ તૈયારીઓ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અને ત્યાર બાદ નામોની જાહેરાત કરવામાં આવશે. ભાજપમાંથી 1434 જેટલા દાવેદારોવડોદરા મહાનગરપાલિકાની 76 બેઠક માટે ભાજપમાંથી 1434 જેટલા દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. જેમાંથી સેન્સ લેવા આવેલા નિરીક્ષકો દ્વારા અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો. આ અહેવાલ બાદ હવે પ્રદેશમાંથી નક્કી થયેલા નિરીક્ષકો ફાઇનલ પેનલ નક્કી કરશે. જાણવા મળ્યા મુજબ આ નિરીક્ષકોમાં કેબિનેટ મંત્રી, રાજ્યકક્ષાના મંત્રીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત સહપ્રભારી અને પ્રભારીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એક-બે દિવસમાં યાદી જાહેર કરાય એવી શક્યતાભાજપ દ્વારા આગામી એક બે દિવસમાં પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવે એવી શક્યતાઓ જોવા મળી રહી છે. પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં લગભગ નક્કી થઇ ગયું છે અને તેના આધારે નિરીક્ષકો દ્વારા પણ કામગીરી આગળ ધપાવવામાં આવશે ત્યારે ભાજપના દાવેદારોએ પણ પોતાના રાજકીય ગુરુઓના ચરણ સ્પર્શ કરી દીધા છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:43 pm

લગ્નની લાલચ આપી યુવતીને પ્રેમજાળમાં ફસાવી:રાજકોટમાં મોબાઇલની દુકાન ધરાવતાં શખ્સે સબંધીના ઘરે લઇ જઈ એક જ રાતમાં ચાર વખત દુષ્કર્મ આચરી હું પરિણીત છું કહી તરછોડી દીધી

રાજકોટ શહેરના માંડાડુંગર વિસ્તારમાં 20 વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી નરાધમે એક જ રાતમાં ચાર વખત દુષ્કર્મ આચરી તરછોડી દેતાં આજીડેમ પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મોબાઇલની દુકાન ધરાવતાં શખ્સે રસ્તામાં ચાલી જતી યુવતીને નંબરની કાપલી આપી સંપર્ક કર્યો બાદમાં હું તારી સાથે જ લગ્ન કરીશ કહીં ત્રણ દિવસ પહેલા યુવતીને ભગાડી સબંધીને ઘરે લઈ જઈ ચાર વખત દુષ્કર્મ આચરી બીજા દિવસે હું પરિણીત છું, તારી સાથે લગ્ન નહિ કરી શકું કહી યુવતીને તરછોડી દિધી હતી. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સોહિલ ઈબ્રાહીમ નોતીયારનું નામ આપતાં આજીડેમ પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણી માતા પિતા સાથે રહી ઘરકામ કરે છે. 6 મહિના પહેલા બપોરના 11 વાગ્યા આસપાસ તે ઘરેથી દાદીના ઘરે જતી હતી ત્યારે ભવાની ચોકમાં રોડ ઉપર એક છોકરો ઉભો હતો તેને એક કાગળ આપ્યો જે ખોલી જોતા તેમાં મોબાઇલ નંબર હતા. બે ત્રણ દિવસ બાદ મમ્મીના ફોનમાંથી કાગળની કાપલીમાં લખેલા મોબાઈલ નંબર ઉપર ફોન કર્યો હતો અને તેની સાથે વાતચીત કરતા તેણે જણાવ્યું કે, તેનુ નામ સોહીલ ઇબ્રાહિમ નોતીયાર હોવાનું અને પોતે માંડાડુંગરમાં રહેતો હોવાનુ જણાવ્યું હતું તેમજ પોતાને ભાવાની ચોકમાં એ.પી.મોબાઇલ નામની મોબાઇલ રીપેરીંગ કરવાની દુકાન હોવાનુ જણાવ્યું હતુ. ત્યાર બાદ બંને ફોનમાં અવાર નવાર વાતચીત કરતા હતા. બંનેને મિત્રતા થઇ અને ધીમે ધીમે બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો તેમજ સોહીલ તેને મળવા દુકાને બોલાવતો. 15 દિવસ પહેલા સોહીલે તેની દુકાને બોલાવી મોબાઇલ ફોન આપ્યો હતો તેમાં પણ વાતચીત કરતા. ત્યાર બાદ ગઇ તા.27.03.2026ના ફોનમાં વાતચીત કરતાની જાણ ઘરે થતા તેના પિતાએ ઠપકો આપી ફોન તોડી નાખ્યો હતો, ત્યાર બાદ આ વાત સોહીલને કરતા તારા ઘરે કોઈ ન હોય ત્યારે નીકળી જાજે અને મારી પાસે આવતી રહેજે તેમ વાત કરી હતી. ત્યાર બાદ ગઈ તા.31.03.2026ના રાત્રીના 8 વાગ્યે ઘરે કોઈ ન હોય જેથી ઘરેથી નીકળી અને બહાર જઈ સોહીલને ફોન કર્યો જેથી તેને કહ્યું કે તું પ્રણામી ચોકમાં આવી જા હું ત્યાં આવુ છું, જેથી તેણી પ્રણામી ચોકમાં ગઈ અને થોડીવાર પછી આ સોહીલ બાઈક લઈને આવ્યો હતો. માંડાડુંગર ભીમરાવનગર ખાતે તેઓના કોઈ સગાને ત્યા લઇ ગયો અને ત્યા રાત્રીના 11 વાગ્યા આસપાસ સોહીલે હું તારી સાથે લગ્ન કરી લઇશ તેમ કહી તેણીના કપડા ઉતારી શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ તે જ રાત્રી દરમ્યાન આવી રીતે સોહીલે કુલ ચાર વખત શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ બીજા દિવસે બપોરે 3 વાગ્યે સોહીલે કહ્યું કે, તુ તારા ઘરે જતી રહે, મારા લગ્ન અગાઉથી થઇ ગયેલ છે, જેથી હું તારી સાથે લગ્ન કરી શકીશ નહીં તેમ કહી ત્યાથી મોકલી દીધી હતી જેથી તેણી ઘરે આવતી રહી અને ઘરે આવી મમ્મી પપ્પાને તેણી સાથે બનેલ બનાવની વાત કરી હતી.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:40 pm

પેથાપુરના તળાવનો નવો અવતાર:જંગલી ઝાડીઓ દૂર કરાતા જળસંગ્રહ ક્ષમતામાં 150 ટકાનો વધારો થયો, 5 નેસ્ટીંગ આયલેન્ડથી પક્ષીઓ માટે બન્યું આશ્રયસ્થાન

ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાં આવેલા સર્વે નંબર 2709ના 1.21 એકરના તળાવને નવજીવન મળ્યું છે. ખાસ હાથ ધરાયેલા આ પ્રોજેક્ટમાં પર્યાવરણીય સુધારણા સાથે જળસંચયની દિશામાં મોટું પગલું ભરવામાં આવ્યું છે. વર્ષોથી જંગલી વનસ્પતિ અને કચરાથી ભરાયેલા આ જળાશયને સાફ કરી તેની ક્ષમતામાં 150 ટકાનો વધારો કરવામાં આવતા તેની જળસંગ્રહ શક્તિ 8030 ઘનમીટર થઈ ચૂકી છે. સફાઈ અભિયાનમાં અડધા ટનનો કચરો તળાવમાંથી દૂર કરાયોપેથાપુર વિસ્તારમાં આવેલા સર્વે નંબર 2709ના 1.21 એકરના તળાવના નવીનીકરણ અંતર્ગત તળાવમાંથી વર્ષો જૂની જંગલી ઝાડીઓ જેવી કે નેલ્ટુમા જુલિફ્લોરા અને અન્ય બિનજરૂરી વનસ્પતિઓ દૂર કરવામાં આવી છે. સફાઈ અભિયાન દરમિયાન અડધા ટન જેટલો કચરો બહાર કાઢવામાં આવ્યો હતો. અગાઉ માટીના ધોવાણને કારણે આ તળાવની ક્ષમતા ઘટીને માત્ર 3200 ઘનમીટર રહી ગઈ હતી, પરંતુ 4800 ઘનમીટરથી વધુ ડિસીલ્ટીંગની કામગીરી બાદ હવે આ જળાશય 8030 ઘનમીટર પાણી સંગ્રહવા માટે સજ્જ બન્યું છે. ઉપરાંત તળાવના 230 મીટર લાંબા કાંઠાને ડબલ પાળા દ્વારા મજબૂત કરવામાં આવ્યો છે જેથી ભવિષ્યમાં માટીનું ધોવાણ અટકે. તળાવમાં માત્ર જળસંચય જ નહીં પરંતુ, જૈવવિવિધતાના જતન માટે પણ અહીં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પક્ષીઓના આશ્રયસ્થાન માટે તળાવમાં 5 નેસ્ટીંગ આયલેન્ડ તૈયાર કરાયા છે જે સફેદ કાંકણસાર, બગલા, ટીટોડી અને કંસારા જેવા સ્થાનિક તેમજ પ્રવાસી પક્ષીઓ માટે આદર્શ ઇકો-સિસ્ટમ પૂરી પાડશે. જ્યારે સમગ્ર તળાવની સુરક્ષા માટે 285 મીટરની કમ્પાઉન્ડ વોલનું નિર્માણ કરી તેને સુરક્ષિત કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટથી પેથાપુરના ભૂગર્ભ જળસ્તરમાં સુધારો થવાની સાથે સ્થાનિક પર્યાવરણમાં પણ હકારાત્મક પરિવર્તન આવશે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:40 pm

એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:સિંગણપોર-ડભોલીમાં લગ્નના એક વર્ષમાં જ દંપતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી, મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર

દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:30 pm

અમીપરામાં જુગારના અડ્ડા પર પોલીસનો દરોડો:રેલવે સ્ટેશન રોડ પરથી જુગાર રમતા 9 શખ્સો ઝડપાયા, ₹21,290ની રોકડ જપ્ત

ભાવનગર શહેરના નિલમબાગ પોલીસ મથકના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે રેલવે સ્ટેશન રોડ પર આવેલા અમીપરા વિસ્તારમાં દરોડો પાડી, જાહેર જગ્યામાં જુગાર રમતા 9 શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે તમામ શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બાતમી મળતા જ દરોડો પાડ્યોનિલમબાગ પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને બાતમી મળી હતી કે અમીપરા વિસ્તારમાં રામ સાયકલ સામેની ગલીમાં કેટલાક શખ્સો એકઠા થઈ જુગાર રમી રહ્યા છે. પોલીસે તુરંત સ્થળ પર રેડ કરતા, ગોળ કુંડાળું વળી હાર-જીતનો તીન પત્તીનો જુગાર રમતા 9 શખ્સો મળી આવ્યા હતા. ઝડપાયેલા શખ્સોના નામપોલીસે સ્થળ પરથી નીચે મુજબના વ્યક્તિઓની ધરપકડ કરી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:29 pm

ભરૂચમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી: ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા શરૂ:6 થી 11 એપ્રિલ સુધી નોંધણી, 15 એપ્રિલ સુધી ફોર્મ પાછા ખેંચી શકાશે

ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આગામી ચૂંટણીઓ માટે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તારીખોની જાહેરાત બાદ, આજે 6 એપ્રિલથી ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણીઓ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ માટે યોજાશે. ભરૂચ જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકો, જિલ્લાની 4 નગરપાલિકાઓની 132 બેઠકો અને 9 તાલુકા પંચાયતોની 182 બેઠકો માટે ઉમેદવારો પોતાના ઉમેદવારીપત્રો ભરી શકશે. નગરપાલિકાના ઉમેદવારીપત્રો મેળવવા અને ભરવા માટે ભરૂચ કલેક્ટર કચેરીના ત્રીજા માળે આવેલી પ્રાંત કચેરી ખાતે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયા સુચારુ રીતે સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા વહીવટી તંત્ર દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. ઉમેદવારીપત્રો ભરવાની અંતિમ તારીખ 11 એપ્રિલ નક્કી કરવામાં આવી છે. ત્યારબાદ 13 એપ્રિલે ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવશે, જ્યારે ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખ 15 એપ્રિલ રાખવામાં આવી છે. રાજકીય દૃશ્ય પર નજર કરીએ તો, આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જોકે, ભાજપ અને કોંગ્રેસ સહિતના અન્ય પક્ષો દ્વારા હજુ ઉમેદવારોના નામોની જાહેરાત બાકી છે. આગામી દિવસોમાં ઉમેદવારોના નામ જાહેર થતાં જ રાજકીય પક્ષોમાં ઉમેદવારીપત્રો લેવા અને ભરવા માટે ભારે ગતિવિધિ જોવા મળશે તેવી સંભાવના છે. આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર પણ સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:17 pm

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપની નવી સ્ટ્રેટેજી:50%થી વધુ નવા ચહેરા, ઝોન-વોર્ડ વાઈઝ મંથન તેજ; પાર્લામેન્ટ્રી બોર્ડની 3 દિવસીય બેઠકથી અંતિમ મહોર

સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીને લઈને રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે ભાજપે સ્પષ્ટ સ્ટ્રેટેજી સાથે મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ કરવામાં આવી છે અને ગમે ત્યારે ઉમેદવારોના નામ જાહેર થવાની શક્યતા છે. હાલમાં ઝોન વાઈઝ અને વોર્ડ વાઈઝ બેઠકઓ યોજાઈ રહી છે, જેમાં સંભવિત ઉમેદવારોના નામો પર વિસ્તૃત ચર્ચા થઈ રહી છે. 50 ટકાથી વધુ નવા ચહેરાઓને પ્રાધાન્યમાહિતી મુજબ, ભાજપ આ વખતે 50 ટકાથી વધુ નવા ચહેરાઓને પ્રાધાન્ય આપવાની સ્ટ્રેટેજી પર કામ કરી રહ્યું છે. સાથે જ લગભગ 30 ટકા વર્તમાન સભ્યોને ફરી તક આપવામાં આવશે, જ્યારે 20 ટકા સંપૂર્ણ નવા અને યુવા ચહેરાઓને સ્થાન આપવાની યોજના છે. દરેક ઝોનમાંથી નક્કી થયેલા નામોને પ્રદેશ ચૂંટણી સમિતિને મોકલવામાં આવશે, જ્યાંથી અંતિમ મંજૂરી મળ્યા બાદ ઉમેદવારોના નામ પર મહોર મારાશે. કાલથી 3 દિવસીય પાર્લામેન્ટ્રી બોર્ડની મહત્વપૂર્ણ બેઠકઆવતી કાલથી મુખ્યમંત્રીના નિવાસ સ્થાને પાર્લામેન્ટ્રી બોર્ડની મહત્વપૂર્ણ બેઠક શરૂ થવાની છે, જે સતત ત્રણ દિવસ સુધી ચાલશે. આ બેઠકમાં તમામ બેઠકો પર ચર્ચા કરીને તબક્કાવાર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે. ભાજપની આ નવી સ્ટ્રેટેજી દ્વારા ચૂંટણીમાં નવી તાજગી અને જીતનો આત્મવિશ્વાસ ઊભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:15 pm

'કોંગ્રેસ પ્રમુખ ખડગેને ખબર નથી, આપણે ભણેલા-ગણેલા છીએ':ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે CMનો કટાક્ષ સાથે આક્રમક પ્રહાર, કહ્યું- 'ગુજરાતની જનતા આનો જવાબ આપશે'

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેરળની એક ચૂંટણી રેલીમાં ગુજરાતના લોકોને ‘અભણ’ કહીને આપેલા વિવાદાસ્પદ નિવેદનથી ગુજરાતના રાજકારણમાં તોફાન મચી ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિવેદનને “અત્યંત આપત્તિજનક અને દુર્ભાગ્યપૂર્ણ” ગણાવીને કડક પ્રતિક્રિયા આપી છે. ભાજપના સ્થાપના દિવસે કાર્યકર્તાઓને સંબોધતા CMએ કટાક્ષ કરતાં કહ્યું હતું કે, “આપણે બધા ભણેલા-ગણેલા છીએ અને એ તો કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને ખબર નથી.” બીજી તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આકરા પ્રહાર કરતાં ખડગેના નિવેદનને “કોંગ્રેસની બીમાર માનસિકતા” અને “ગુજરાતીઓ પ્રત્યે નફરત” તરીકે વર્ણવ્યું હતું. તેમણે કોંગ્રેસને જાહેર માફી માગવાની માંગ કરી છે અને કહ્યું છે કે, આ નિવેદન કોંગ્રેસની હાર અને નિરાશાનું પ્રતિબિંબ છે. ગુજરાતની અસ્મિતા અને 6 કરોડ ગુજરાતીઓના ગૌરવ પર પ્રહાર સમાન આ સાથે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાત અંગેના નિવેદન પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક પ્રતિક્રિયા આપતા ટ્વીટ કરીને પણ જણાવ્યું કે, આ પ્રકારની ટિપ્પણીઓ સમગ્ર ગુજરાતની અસ્મિતા અને 6 કરોડ ગુજરાતીઓના ગૌરવ પર પ્રહાર સમાન છે. તેમણે ઉમેર્યું કે, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ ની પવિત્ર ધરતી પર આવા શબ્દો અસ્વીકાર્ય છે. ગુજરાત હંમેશા દેશના વિકાસ અને એકતામાં અગ્રણીઓમાં રહ્યું છે અને નરેન્દ્ર મોદી ના નેતૃત્વમાં વિકાસની રાજનીતિને મળતું જનસમર્થન જોઈ કોંગ્રેસ ગભરાઈ ગઈ છે, પરંતુ ગુજરાતની જાગૃત જનતા આવા નિવેદનોનો યોગ્ય જવાબ આપશે. कांग्रेस के राष्ट्रीय अध्यक्ष श्री मल्लिकार्जुन खड़गे जी द्वारा गुजरात के लोगों के संदर्भ में दिए गए बयान अत्यंत आपत्तिजनक और दुर्भाग्यपूर्ण हैं। इस प्रकार की टिप्पणी न केवल 6 करोड़ गुजरातवासियों का अपमान है, बल्कि महात्मा गांधी और सरदार पटेल की पावन धरती की गरिमा को भी ठेस…— Bhupendra Patel (@Bhupendrapbjp) April 5, 2026 'ભલે બે સીટ આવી હોય તો પણ અમે હલબલ્યા નથી'મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓને જુસ્સો અને સંયમ જાળવીને આગળ વધવાનો સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે, ભલે બે સીટ આવી હોય તો પણ અમે હલબલ્યા નથી. અમારો જુસ્સો અને વિચારધારા અમારો મૂળ આધાર છે. કાર્યકર્તાઓ સાથે મજાક કરતાં તેમણે કહ્યું કે, સામે બેઠેલા માત્ર કાર્યકર્તાઓ નથી, અમે પણ કાર્યકર્તાઓ જ છીએ અને આપણે કોઈને ઓર્ડર આપી દઈએ કે પોસ્ટર લગાવી દે જો અને પોસ્ટર લાગી પણ જાય છે. અહીંયા બેઠેલા બધા એટલા માટે હસે છે કે પહેલા તપેલું લઈને જતા અને પછી પોસ્ટર લગાડતા એટલે એ આનંદ જુદો હતો. પાછું નાસ્તાના પૈસા ના હોય એટલે કોઈના ઘરેથી મમરા વઘાર્યા હોય, સીંગ-દાળીયા લઈને રાત્રિના સમયે કામ કરતા અને ત્રણ-ચાર જણા સાથે ખાઈને રાત્રે 2-3 વાગે પોસ્ટરો લગાડતા. 'લોકો ખોટા વાયદા કરીને કશું કરતાં નથી' વિરોધ પક્ષ પર કટાક્ષ કરતાં તેમણે જણાવ્યું કે, જેમ-જેમ લોકોને ખબર પડતી જાય છે કે લોકો ખોટા વાયદા કરીને કશું કરતાં નથી ત્યારે જે લોકો બુમો પાડે છે, તે ખામીઓ શોધવામાં લાગી જાય છે. ખામીઓ શોધીને તેમાંથી આગળ વધવાનો પ્રયાસ કરે છે, પરંતુ ખામીઓ કેવી રીતે થાય? કામ કરીએ તો ખામીઓ થવાની જ ને અને કામ ના કરીએ તો ખામીઓ કેવી રીતે થાય? એટલે તેમની ખામીઓ નથી કેમ કે તેઓ કામ જ નથી કરતા અને આપણી ખામીઓ લઈને દોડે છે. 'આપણે બધા ભણેલા-ગણેલા છીએ એ કોંગ્રેસ પ્રમુખને ખબર નથી'બહેનો કાર્યકર્તાઓની મોટી ભીડ જોઈને રમૂજ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે 33 ટકા અનામત લાવ્યા છે તેનો લાભ બહેનો લઈ રહી છે અને તે અહીં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અત્યારે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે એટલે તમારી સક્રિયતા વાજબી છે. અહીંયા આવો તો હા પાડવા થાય ને કે હા મેં જોયા છે, દરેક વખતે આવે છે એવું કહેવાનું થાય ને આપણે બધાને પ્રેક્ટિસ હોય છે. આપણે બધા ભણેલા-ગણેલા છીએ અને એ તો કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ને ખબર નથી. આપણે કેટલાય લોકોની હાજરી પુરાવી દીધી છે, કોલેજમાં મિત્રો માટે હાજરી આપી છે, એકબીજાનું સાચવીએ છીએ. ભલે પક્ષમાં પ્રમુખ તરીકે આપણું નામ ના આવે તો ઝઘડીએ એ વાત જુદી છે, એ તો આપણી વચ્ચેનો હક્ક છે જેમ ઘરમાં પણ થતો હોય છે. 'હાલ એવો સમય નથી કે રાજકારણ થાય'વધુમાં તેઓએ જણાવ્યું કે, અત્યારે વૈશ્વિક સંકટની પરિસ્થિતિ છે, છતાં આપણી પાસે સારું નેતૃત્વ છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ આપણી પરિસ્થિતિ પર પુરતું ધ્યાન રાખે છે અને તેના આધારે અમને પણ રાહત મળે છે. પેટ્રોલ-ડીઝલના ભાવ ન વધે તે માટે એક્સાઈઝ ડ્યુટી ઘટાડીને ધ્યાન આપવામાં આવ્યું છે. હવે ધીરજ રાખવાનો સમય છે અને કોઈપણ પરિસ્થિતિમાં આપણો સંયમ ગુમાવવો નહીં, કારણ કે અફવા ફેલાવીને પણ આપણને ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ થાય છે અને એ લોકો હજુ સમજ નથી કે, હાલ એવો સમય નથી કે રાજકારણ થાય છતાં પણ રાજકારણ કરે છે. વધુમાં જણાવ્યું કે, હમણાં વિપક્ષના ધારાસભ્યો મળવા આવ્યા હતા અને સરકાર તરફથી હેરાનગતિ થાય છે એવી રજુઆત કરી હતી. ત્યારે મેં તેમને કહ્યું કે અન્ય રાજ્યોમાં જ્યાં તમારું શાસન છે ત્યાં ભાજપ સાથે કેવી વર્તણૂક થાય છે તે જોયું છે ખરા? તમે થોડા લોકો ભેગા થઈને મંડ્યા છો અને તમને લાગે છે કે, અમે 162 લોકો એમને એમ બેસી રહીશું? સરકાર તો સરકાર જ રહે, ભૂપેન્દ્રભાઈ ખમવાની તાકાત વધારે હોય તો બે ઝટકા વધારે ખાધા પછી સરકાર થાય પરંતુ, સરકારમાં આઘું-પાછું કંઈ ચાલતું નથી, અંતે સરકાર પોતાનો દમ બતાવે જ છે. કોંગ્રેસના DNAમાં ગુજરાતીઓ પ્રત્યે નફરત ભરેલી છેઆ મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ખડગેના નિવેદનને “કોંગ્રેસની બીમાર માનસિકતા” ગણાવી અને કહ્યું કે, કોંગ્રેસના DNAમાં ગુજરાતીઓ પ્રત્યે નફરત ભરેલી છે. આ નિવેદન કોંગ્રેસની હાર અને નિરાશાનું પ્રતિબિંબ છે અને રાજ્યની જનતાએ આવા નિવેદનોથી ડરવાની જરૂર નથી. તેમણે કોંગ્રેસને પડકાર આપ્યો કે, તેઓ ગુજરાતીઓ પ્રત્યેની નફરત વિશે સ્પષ્ટતા કરે અને માફી માગે. ભાજપે સવાલ ઉઠાવ્યો કે ખડગેનું આ નિવેદન તેમના પોતાના વિચારો છે કે પછી રાહુલ ગાંધી અથવા ગુજરાત કોંગ્રેસના નેતાઓએ તૈયાર કરાવ્યું છે. આ સાથે જ રાજ્યની જનતાની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ કોંગ્રેસને જાહેર માફી માંગવાની માંગ ઉઠી રહી છે. રાજકીય માહોલ ગરમ બનતા ભાજપે ચેતવણી આપી છે કે, આવનારી ચૂંટણીઓમાં જનતા કોંગ્રેસને યોગ્ય જવાબ આપશે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:12 pm

બહુચરાજીના શંખલપુર મંદિરના ગેટ પાસેથી ચોરી:દંપતી મંદિરના ગેટ પાસે બાઈક મુકી દર્શન કરવા ગયું, પરત ફરતા વાહન ગાયબ; પોલીસની અજાણ્યા ચોર સામે ફરિયાદ

યાત્રાધમ બહુચરાજીમાં રહેતા અને મંદિરમાં યજમાનવૃત્તિ કરી પરિવારનું ગુજરાન ચલાવતા એક શ્રદ્ધાળુનું મોટર સાયકલ શંખલપુર બહુચર માતાજીના મંદિર પાસેથી ચોરાયું હોવાની ઘટના સામે આવી છે. આ અંગે ભોગ બનનાર દ્વારા બેચરાજી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગેટ પાસે બાઈક મુકી દંપતી દર્શન કરવા મંદિરમાં ગયુંબહુચરાજીના હરગોવનપુરા વિસ્તારમાં રહેતા નરેન્દ્રકુમાર ઉમીયાશંકર જાની ગત તારીખ 3 એપ્રિલ 2026ના રોજ રાત્રિના સમયે પોતાની પત્ની સાથે શંખલપુર ખાતે બહુચર માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા. તેમણે પોતાનું હીરો કંપનીનું એચ.એફ. ડીલક્ષ મોટર સાયકલ નંબર GJ-02-EB-2968 મંદિરના પ્રથમ ગેટ પાસે પાર્ક કર્યું હતું. દંપતી દર્શન કરી અને મેળાની મુલાકાત લઈને રાત્રિના આશરે 11 વાગ્યાના સુમારે પરત ફર્યું ત્યારે પાર્ક કરેલી જગ્યાએ તેમનું વાહન મળી આવ્યું નહોતું. બેચરાજી પોલીસમાં અજાણ્યા ચોર સામે ફરિયાદઆસપાસના વિસ્તારોમાં અને શંખલપુર ગામમાં શોધખોળ કરવા છતાં મોટર સાયકલનો કોઈ પતો લાગ્યો નહોતો. અંદાજે 50,000 રૂપિયાની કિંમતનું આ બાઈક કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી નાસી છૂટ્યો હોવાનું જણાતા અંતે નરેન્દ્રકુમારે પોલીસનો સંપર્ક કર્યો હતો. બેચરાજી પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:10 pm

દાંતામાં વન અધિકારીઓ-પોલીસ ઉપર હુમલાનો કેસ:હાઇકોર્ટે કહ્યું- વહીવટી તંત્રે આદિજાતિઓને સમજાવવાને બદલે ફોર્સની તાકાત બતાવી, 13 એપ્રિલે કોર્ટમાં અધિકારીઓ હાજર રહે

ગુજરાત હાઇકોર્ટમાં બનાસકાંઠાથી સાયબાભાઈ ડુંગાસિયા દ્વારા જામીન અરજી મુકવામાં આવી હતી. જેમની સામે ડિસેમ્બર મહિનામાં અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ BNS અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ અંતર્ગત નોંધવામાં આવી હતી. તેઓ દાતાના પાડલીયા ગામના રહેવાસી છે. 500 લોકોએ ધારીયા, તલવાર જેવા સાધનોથી હુમલો કર્યોઆ કેસમાં વન વિભાગના અધિકારીઓ પોલીસ કર્મચારીઓ સાથે રોપા રોપવા માટે ખાડા ખોદવા ગયા હતા. જ્યાં 500 જેટલા આદિજાતિ લોકોએ તેમની ઉપર ફરિયાદમાં જણાવ્યા મુજબ ધારીયા, તીર, તલવાર, કુહાડી, લાકડી અને ધોકા જેવા સાધનો વડે હુમલો કર્યો હતો. જેમાં સરકારી વાહનોને નુકસાન પહોંચ્યું હતું, તેમજ અધિકારીઓને ઈજા થઈ હતી. ફરિયાદમાં સરકારી અધિકારી પાસેથી લૂંટ કરવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ અરજદારે ગામના લોકોને ઉશેકરવાનો આક્ષેપ કરવામાં આવેલ છે. આરોપીઓએ પોલીસ-વન વિભાગની ફરજમાં રૂકાવટ ઊભી કરીસરકારી વકીલે જણાવ્યું હતું કે, 28 આરોપીઓ સામે નામજોગ અને 500 ના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં 10 જેટલી મહિલાઓનો સમાવેશ થતો હતો. આરોપીઓએ પોલીસ અને વન વિભાગના કર્મચારીઓની સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી. આ ઘટનામાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને પણ ઇજાઓ થઈ હતી. સરકારી વાહનોને સળગાવવામાં આવ્યા હતા. ઝાડ અને પથ્થરોની આડસ મૂકીને વધારાની ફોર્સને મદદ માટે બોલાવતી રોકવા પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ગ્રામજનો સરકારી જમીન ઉપર રોપા વાવવા ઇચ્છતા નહોતાજો કે, હાઇકોર્ટે પૂછ્યું હતું કે, આ ઘર્ષણનું કોઈ કારણ ફરિયાદમાં દેખાતું નથી. સરકારી વકીલે જણાવ્યું હતું કે ગ્રામજનો સરકારી જમીન ઉપર રોપા વાવવા ઇચ્છતા નહોતા, તેમના કહ્યાં મુજબ આ જમીન તેમની છે અને ગ્રામસભાના ઠરાવ વગર તેઓ રોપા વાવી શકે નહીં. જો કે કોર્ટે કહ્યું હતું કે આટલા મોટા પોલીસ પ્રોટેકશન સાથે વહીવટી તંત્ર ગયું હોય તો કંઈક કારણ હશે! 500 લોકોએ શા માટે વન વિભાગના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ ઉપર હુંમલો કર્યો? વળી વહીવટી તંત્ર પણ શા માટે આટલા મોટા પોલીસ ફોર્સ સાથે રોપા વાવવા એક ગામમાં ગયું હતું? વળી તેમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની જરૂર શા માટે પડી? આ વ્યક્તિગત નહીં, પરંતુ સામાજિક મુદ્દો છેવહીવટી તંત્ર જાણતું હતું કે, અહીંયા પ્રશ્ન છે, જેથી કરીને જો ફાયરીંગ કરવાની નોબત આવી પડે તો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હુકમ આપી શકે! હાઇકોર્ટે સરકારને જણાવ્યું હતું કે, આ વ્યક્તિગત નહીં, પરંતુ સામાજિક મુદ્દો છે. આ અગાઉ પણ એક ફરિયાદ નોંધાઇ હતી. જેમાં ગ્રામજનોએ રોપા રોપવા અંગે ગ્રામસભાની મંજૂરી લીધી હતી કે કેમ તે સંદર્ભે વહીવટી તંત્રને પ્રશ્ન કર્યો હતો. લોકોને સમજાવવા તંત્રે શું કર્યું?કોર્ટે કહ્યું હતું કે, તંત્ર એ પ્રશ્ન ઉકેલવાની જગ્યાએ મોટી સેના લઈને ગયું હતું. જેથી તેઓ પોતે શક્તિશાળી છે તેમ ગ્રામજનો સામે પ્રસ્થાપિત કરી શકે. આ માહિતીના આદાન પ્રદાનને ગેપ હતો. લોકોને સમજાવવા તંત્રે શું કર્યું? તમે કલેક્ટર જોડે વાત કરી? આ આપણા નાગરિકો છે, તેઓ કાયદો હાથમાં ના લઈ શકે, પરંતુ તમે શક્તિ બતાવવાની કોશિશ કેમ કરી? તમે પોલીસ ફોર્સનો પાવર કેમ બતાવ્યો? એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને ગોળી ચલાવવાનો પરવાનો લેવા લઈને ગયા હતા? તમે લોકોને શું મેસેજ આપવ માંગતા હતા કે તમે લોકોને મારવા આવ્યા છો? આ તો ભારતના નાગરિકો છે ને? 6 ડિસેમ્બર અને 13 ડિસેમ્બરની FIR વચ્ચે તમે શું કર્યું? આ મુદ્દે વધુ સુનાવણી 13 એપ્રિલે રાખવામાં આવી છે, જ્યાં વન વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:01 pm

'ફેકુ' કહેતા કોહલીને જાડેજાએ જવાબ આપ્યો:હાર્દિકની EX જુના સાસરે કેમ ગઈ?; CSK-RCBની મેચમાં સટાસટી બોલી ગઈ

IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા.’

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 4:59 pm

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસનો મેનિફેસ્ટો:ફ્રી બસ સેવા અને ટેક્સમાં રાહત જેવા અનેક વચનો, માડમે કહ્યું- આ માત્ર વચનપત્ર નથી પરંતુ જનતા સાથેનું મજબૂત કમિટમેન્ટ છે

આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેર કોંગ્રેસ દ્વારા રવિવારે પોતાનો ચૂંટણી ઢંઢેરો (મેનિફેસ્ટો) પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. સત્ય, સમાનતા, વિકાસ અને સામાજિક ન્યાય ના સૂત્ર સાથે જાહેર કરાયેલા આ મેનિફેસ્ટોમાં શહેરીજનોને અનેક આકર્ષક વચનો આપવામાં આવ્યા છે. પાર્ટીના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, આ માત્ર વચનપત્ર નથી પરંતુ જનતા સાથેનું મજબૂત કમિટમેન્ટ છે, જેનો અમલ સત્તામાં આવ્યાના પ્રથમ દિવસથી જ શરૂ કરવામાં આવશે. મેનિફેસ્ટોમાં શું શું કહેવાયું?પાણી અને સ્વચ્છતા: શહેરમાં દરરોજ 2 વખત સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે. આ ઉપરાંત ગટર અને પીવાના પાણીની પાઇપલાઇન અલગ કરવાની વ્યવસ્થા તેમજ દરરોજ ડોર-ટુ-ડોર કચરો ઉઠાવવાની કામગીરી સુનિશ્ચિત કરાશે. આંતરમાળખાકીય સુવિધા: વરસાદી પાણીના ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ અને જામનગરમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાનું વચન અપાયું છે. આવાસ અને રોજગાર: સ્લમ વિસ્તારોમાં પહેલા પુનર્વસન, પછી ડિમોલિશન નીતિ અમલી બનશે. આ ઉપરાંત કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી કાયમી ભરતી કરવામાં આવશે. શિક્ષણ અને આરોગ્ય: મહાનગરપાલિકાની શાળાઓનું આધુનિકરણ કરી અંગ્રેજી માધ્યમની શરૂઆત કરવામાં આવશે. નવા હેલ્થ સેન્ટરો સાથે 24 કલાક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાશે. પરિવહન અને રાહત: મહિલાઓ, વિદ્યાર્થીઓ અને વરિષ્ઠ નાગરિકો માટે મફત બસ સેવા શરૂ કરવામાં આવશે. તેમજ પ્રોપર્ટી ટેક્સના દરોમાં રાહત આપવાની જાહેરાત કરાઈ છે. ડિજિટલ સેવાઓ પર ભારકોંગ્રેસે JMC ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા તમામ વહીવટી સેવાઓને ડિજિટલ અને પારદર્શક બનાવવાનો સંકલ્પ કર્યો છે. નાના ધંધાર્થીઓને કાયદેસરના લાયસન્સ આપી સુરક્ષા પૂરી પાડવાની ખાતરી પણ આપવામાં આવી છે. અગ્રણીઓની ઉપસ્થિતિઆ સંકલ્પ પત્રની જાહેરાત પ્રસંગે પૂર્વ સાંસદ વિક્રમ માડમ, શહેર પ્રમુખ દિગુભા જાડેજા, પૂર્વ વિપક્ષ નેતા ધવલ નંદા, મંત્રી ભરત વાળા સહિતના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શહેરના સર્વાંગી વિકાસ માટે કોંગ્રેસે જનતા પાસે સમર્થન માંગ્યું છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 4:50 pm

ટ્રમ્પની ધમકી બાદ પણ ઈરાન અડીખમ! સીઝફાયર અને હોર્મુઝ સ્ટ્રેટ અંગે પાકિસ્તાનનો પ્રસ્તાવ ઠુકરાવ્યો

Iran Rejects Ceasefire : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ઈરાનના પાવર પ્લાન્ટ્સ પર ભીષણ હુમલાની ધમકી આપી છે. એવામાં બીજી તરફ પાકિસ્તાન દ્વારા કરવામાં રહેલા મધ્યસ્થીના પ્રયાસ નિષ્ફળ રહ્યા છે. ઈરાનના વિદેશ મંત્રાલયે પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવેલા 15-મુદ્દાના શાંતિ પ્રસ્તાવને સત્તાવાર રીતે ઠુકરાવી દીધો છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે કોઈ પણ દેશના દબાણ કે ધમકી હેઠળ આવીને ડીલ કરશે નહીં.

ગુજરાત સમાચાર 6 Apr 2026 4:49 pm

વેરાવળમાં પ્રિ-મોન્સુન સમારકામ:આવતીકાલે સવારે 8થી બપોરે 2 સુધી વીજ પુરવઠો બંધ રહેશે

વેરાવળ શહેરમાં પ્રિ-મોન્સુન સમારકામના કારણે આવતીકાલે, 7 એપ્રિલ 2026, મંગળવારે વીજ પુરવઠો બંધ રહેશે. સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી 11 કેવી ટાવર ફીડર પર મરામત કામગીરી હાથ ધરાશે, જેનાથી શહેરના અનેક વિસ્તારો પ્રભાવિત થશે. વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરી દ્વારા જાહેર કરાયા મુજબ, રેયોન હાઉસિંગ સોસાયટી, આઝાદ સોસાયટી, બજરંગ સોસાયટી, સલાટ સોસાયટી, કલ્યાણ સોસાયટી, કોડીવાડા વિસ્તાર, પ્રકાશ કોમ્પ્લેક્સ, સાઈનાથ કોમ્પ્લેક્સ, 80 ફુટ રોડ અને બેંક કોલોની સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠા પર અસર પડશે. વીજ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, ચોમાસા દરમિયાન વીજ પુરવઠો સ્થિર અને અવરોધમુક્ત રહે તે માટે પ્રિ-મોન્સુન સમારકામ અત્યંત જરૂરી છે. આ કામગીરી દ્વારા વીજ લાઇન, સાધનો અને ફીડરોની તપાસ તથા મરામત કરવામાં આવે છે, જેથી ભારે વરસાદ અને પવનથી થતા વિક્ષેપો ઘટાડી શકાય. વીજ વિભાગે નાગરિકોને આગોતરું આયોજન કરવા અને જરૂરી ઇલેક્ટ્રિકલ કામકાજ સમયસર પૂર્ણ કરવા અનુરોધ કર્યો છે. સમારકામ પૂર્ણ થયા બાદ કોઈપણ પૂર્વ જાણ કર્યા વિના વીજ પુરવઠો ફરી શરૂ કરવામાં આવશે, તેથી સાવચેતી રાખવા પણ સૂચના અપાઈ છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 4:34 pm

સાંતલપુરના પીપરાળામાં ઘર બહાર સૂતેલા દંપતીને તસ્કરોએ નિશાન બનાવ્યાં:45 હજાર રોકડ તેમજ 60 હજારની કિંમતની સોનાની ચેન લૂંટી ફરાર

સાંતલપુર તાલુકાના પીપરાળા ગામે ઘરની બહાર સૂતેલા એક વૃદ્ધ દંપતીને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો કુલ રૂ. 1,05,000ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ચોરીમાં રૂ. 45,000 રોકડા અને રૂ. 60,000ની સોનાની ચેનનો સમાવેશ થાય છે. સાંતલપુર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પીપરાળા ગામના 67 વર્ષીય દાનસંગજી પાંચાજી સમા તેમના પત્ની રત્નાબાઈ સાથે રાત્રિના સમયે ઘરની બહાર ખુલ્લામાં સૂતા હતા. રાત્રિના 10:00 વાગ્યાથી વહેલી સવારના 02:00 વાગ્યાના સમયગાળા દરમિયાન આ ઘટના બની હતી. ચોરોએ દાનસંગજીના શર્ટના ખિસ્સામાં રાખેલા રૂ. 45,000 રોકડા અને તેમના પત્ની રત્નાબાઈના ગળામાં પહેરેલી આશરે રૂ. 60,000ની કિંમતની સોનાની ચેનની ચોરી કરી હતી. રાત્રિના આશરે બે વાગ્યે દંપતી જાગી જતાં તેમણે બે અજાણ્યા શખ્સોને ખેતરો તરફ ભાગતા જોયા હતા. વૃદ્ધ હોવાને કારણે દંપતી ચોરોનો પીછો કરી શક્યું ન હતું. સવારે તપાસ કરતાં ઘરની પાછળના રણ વિસ્તારમાં મોટરસાયકલના ટાયરના નિશાન મળી આવ્યા હતા. આ બનાવ અંગે દાનસંગજીએ મુંબઈ રહેતા તેમના પુત્રને જાણ કરી હતી. પુત્ર પીપરાળા આવી પિતા સાથે સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સાંતલપુર પોલીસે બી.એન.એસ. કલમ 303(2) અને 54 હેઠળ ગુનો નોંધી પોલીસ ઇન્સ્પેક્ટર નકુલકુમાર પંચાલને વધુ તપાસ સોંપી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 4:34 pm

પાટણ નગરપાલિકા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મનું વિતરણ શરૂ:દસ્તાવેજો અને પુરાવાની યાદી જાહેર, શૌચાલય, બાળકોની સંખ્યા અંગેના એકરારનામા સહિત 19 મુદ્દાઓનો સમાવેશ

પાટણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી-2026 માટે ઉમેદવારી નોંધાવવા ઈચ્છતા ઉમેદવારો માટે જરૂરી દસ્તાવેજો અને પુરાવાની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં સોગંદનામાથી લઈને શૌચાલય અને બાળકોની સંખ્યા અંગેના એકરારનામા સહિત કુલ 19 મુદ્દાઓનો સમાવેશ થાય છે. ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. ઉમેદવારે નિયત નમૂના નંબર 3 મુજબના ઉમેદવારી પત્ર સાથે ભાગ-8 મુજબનું સોગંદનામું રજૂ કરવું પડશે. ઓળખના પુરાવા તરીકે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ અને રેશન કાર્ડની પ્રમાણિત નકલ જોડવી ફરજિયાત છે. વય મર્યાદાની ચકાસણી માટે જન્મ તારીખનો દાખલો અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને શૈક્ષણિક લાયકાતના પુરાવા પણ રજૂ કરવાના રહેશે. આ ઉપરાંત, ઉમેદવારે બે બાળકો અંગેનું એકરારનામું તથા ઘરે ફલશ જાજરુ ધરાવતા હોવા અંગેનું એકરારનામું અને નગરપાલિકાનો તે અંગેનો દાખલો રજૂ કરવો પડશે. ઉમેદવારે નગરપાલિકામાં કોઈ પણ પ્રકારનું લ્હેણું બાકી ન હોવા અંગેનું નો-ડ્યુ સર્ટિફિકેટ અને પોલીસ વિભાગ દ્વારા ઇસ્યુ કરાયેલ કોઈ પણ ગુનામાં સંડોવાયેલ ન હોવાનો દાખલો પણ ફોર્મ સાથે જોડવો પડશે. અનામત બેઠક પરથી ચૂંટણી લડવા માંગતા SC, ST અને OBC ઉમેદવારોએ સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ જાતિના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ આપવાની રહેશે. ડિપોઝિટની રકમ પેટે સામાન્ય કેટેગરીના ઉમેદવારે 2000 રૂપિયા અને સ્ત્રી તેમજ અનામત વર્ગના ઉમેદવારે 1000 રૂપિયા જમા કરાવવાના રહેશે. જો ઉમેદવાર કોઈ રાજકીય પક્ષ તરફથી લડતા હોય તો નિયત નમૂના નંબર ‘ક’ અને ‘ખ’ મુજબ મેન્ડેટ રજૂ કરવું પડશે. ફોર્મમાં દરખાસ્ત કરનાર અને ટેકો આપનાર વ્યક્તિના ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડની પ્રમાણિત નકલ પણ સામેલ કરવાની રહેશે. વધારાના દસ્તાવેજોમાં સંતાનોની વિગત ધરાવતું પેઢીનામું, સામાન્ય માહિતીનું ફોર્મ, સામાજિક-આર્થિક અને શૈક્ષણિક વર્ગીકરણનું પત્રક તેમજ તાજેતરના પાસપોર્ટ સાઇઝના 2 ફોટા રજૂ કરવાના રહેશે. તમામ પુરાવાઓ પૂર્ણ હોય તેવા જ ઉમેદવારી પત્રો માન્ય રાખવામાં આવશે. પાટણ પ્રાંત કચેરી ખાતેથી પ્રથમ દિવસે 25 જેટલા ઉમેદવારી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. પાટણ નગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો માટે આગામી 26 એપ્રિલે ચૂંટણી યોજાશે. આ માટે પાટણ પ્રાંત કચેરી ખાતે આજથી 11 એપ્રિલ સુધી ફોર્મ વિતરણ અને સ્વીકારવાની કામગીરી સવારે 10:30 થી બપોરના 3 વાગ્યા સુધી કરવામાં આવશે. ફોર્મની ફી 50 રૂપિયા નિર્ધારિત કરાઈ છે અને ફોર્મ લેવા આવનાર વ્યક્તિ પાસેથી આધાર કાર્ડની ઝેરોક્ષ લેવામાં આવે છે પ્રાંત અધિકારી હિરેન ચૌહાણને પાટણ નગરપાલિકાના ચૂંટણી અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 4:25 pm

ગઢડામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે AAP સક્રિય:7 જિલ્લા, 22 તાલુકા પંચાયત બેઠકો માટે ઉમેદવારોએ ફોર્મ ઉપાડ્યા

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પ્રવૃત્તિઓ તેજ બની છે. આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આજે ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ઉપાડવામાં આવ્યા છે. ગઢડા તાલુકાની કુલ સાત જિલ્લા પંચાયત બેઠકો અને બાવીસ તાલુકા પંચાયત બેઠકો માટે ઉમેદવારી પ્રક્રિયા શરૂ થઈ છે. AAP આ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારશે. ગઢડા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ મહેન્દ્ર સાચીયાએ જણાવ્યું હતું કે, પાર્ટી આ ચૂંટણીમાં મજબૂતીથી મેદાનમાં ઉતરશે. તેમણે ઉમેર્યું કે, જીત હાંસલ કરવા માટે સંપૂર્ણ શક્તિ લગાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 4:11 pm

વાપી મહાપાલિકા ચૂંટણી: પ્રથમ દિવસે 130 ફોર્મ ઉપડ્યા:રાજકીય માહોલ ગરમાયો, 13 વોર્ડમાં 52 બેઠકો પર ચૂંટણી જંગ

વાપી મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ઉમેદવારી ફોર્મ વિતરણના પ્રથમ જ દિવસે 130 જેટલા ઉમેદવારોએ ફોર્મ ઉપાડ્યા હતા, જે દર્શાવે છે કે આ ચૂંટણી રસાકસીભરી બનશે. મહાનગરપાલિકા કચેરી ખાતે ફોર્મ વિતરણ શરૂ થતાં જ સવારથી ઉમેદવારોની ભીડ જોવા મળી હતી. સત્તાવાર આંકડા મુજબ, યુવા ચહેરાઓથી લઈને અનુભવી રાજકીય આગેવાનો સુધીના 130 જેટલા ઉમેદવારોએ પ્રથમ દિવસે ફોર્મ ઉપાડ્યા હતા. વાપી મહાનગરપાલિકામાં કુલ 13 વોર્ડ અને 52 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. દરેક વોર્ડમાં 4 બેઠકો હોવાથી, દરેક રાજકીય પક્ષ માટે મજબૂત પેનલ ઊભી કરવી પડકારજનક રહેશે. રાજકીય પક્ષોની ગતિવિધિઓ તેજ બની છે. કોંગ્રેસે ચૂંટણી રેસમાં પહેલ કરીને એક ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. બીજી તરફ, ભાજપ અને આમ આદમી પાર્ટી હાલ ઉમેદવારોના નામ પર મંથન કરી રહ્યા છે અને ટૂંક સમયમાં યાદી જાહેર કરે તેવી શક્યતા છે. નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનેલા વાપીમાં આ પ્રથમ ચૂંટણી હોવાથી લોકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમ મેયર કોણ બનશે તે મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને મધ્યમ વર્ગના પ્રશ્નો આ વખતે ચૂંટણીના મુખ્ય મુદ્દા બની શકે છે. પ્રથમ દિવસે જ ફોર્મ લેવા ઉમટેલી ભીડે સ્પષ્ટ કરી દીધું છે કે આ વખતે વાપીની ચૂંટણી એક જબરદસ્ત રાજકીય મુકાબલો સાબિત થશે. દરેક પક્ષ માટે આ પ્રતિષ્ઠાનો જંગ બની રહ્યો છે, જેમાં જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 3:59 pm

છોટા ઉદેપુરના ફતેપુરામાં એક મકાનમાં આગ:રહેણાંક મકાનમાં ભીષણ આગમાં ઘરવખરી સહિતનો સામાન બળીને ખાખ થયો, જીવનભરની મૂડી રાખમાં ફેરવાઈ

છોટા ઉદેપુર નગરના ફતેપુરા વિસ્તારમાં સોમવારે એક રહેણાંક મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં મકાનમાં રાખેલી તમામ ઘરવખરી અને કિંમતી સામાન બળીને ખાખ થઈ ગયો છે. મહેનત મજૂરી કરીને ભેગી કરેલી જીવનભરની મૂડી નષ્ટ થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. બંધ મકાનમાં આગ લાગીમળતી માહિતી મુજબ, ફતેપુરા વિસ્તારમાં રહેતા મંગીબેન ધનજીભાઈ તડવીના પરિવારના સભ્યો જ્યારે પડોશમાં ગયા હતા, તે દરમિયાન બંધ મકાનમાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખા ઘરને લપેટમાં લઈ લીધું હતું. ફાયર વિભાગની કામગીરીઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને પરિવારજનોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ એટલી ભીષણ હતી કે ફાયર વિભાગ પહોંચે તે પહેલા જ ઘરમાં રહેલી અનાજની ગુણીઓ, કપડાં અને અન્ય ઘરવખરી બળીને રાખ થઈ ગઈ હતી. પરિવારમાં આક્રંદઆખી જિંદગીની મહેનતથી વસાવેલો સામાન નજર સામે જ નાશ પામતા પરિવારજનોના કરુણ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ આ ઘટનામાં પરિવારને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 3:56 pm

જેલમાં બંધ જૂનાગઢ કોર્પોરેટરનું સભ્યપદ રદ.:ગુજસીટોક ગુનામાં જેલમાં બંધ નગરસેવક અબ્બાસ કુરેશીનું કોર્પોરેટર પદ છીનવાયું, વોર્ડ નંબર 3 ની બેઠક ખાલી જાહેર.

​જૂનાગઢ મહાનગરપાલિકાના રાજકીય વર્તુળોમાં ભારે હલચલ મચી ગઈ છે. શહેરના વોર્ડ નંબર 3 ના ભાજપના ચૂંટાયેલા નગરસેવક અબ્બાસ ઈબ્રાહીમભાઈ કુરેશીને મ્યુનિસિપલ કમિશનર દ્વારા સભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. કમિશનરે જી.પી.એમ.સી. એક્ટ 1949 ની વિવિધ કલમો હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને અબ્બાસ કુરેશીનું કોર્પોરેટર પદ તાત્કાલિક અસરથી રદ કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ અબ્બાસ કુરેશી મહાનગરપાલિકાની સામાન્ય સભાઓમાં કોઈ પણ પૂર્વ મંજૂરી વગર સતત ગેરહાજર રહ્યા હોવાનું સામે આવ્યું છે. ​આ સમગ્ર મામલાના મૂળમાં અબ્બાસ કુરેશીનો ગંભીર ગુનાહિત ઈતિહાસ અને હાલનો જેલવાસ જવાબદાર છે. અગાઉ જૂનાગઢ પોલીસે કુરેશી ગેંગ વિરુદ્ધ સંગઠિત અપરાધ નિવારણ ધારા (ગુજસીટોક) હેઠળ કડક કાર્યવાહી કરી હતી. ગુજરાતના રાજકીય ઈતિહાસમાં આ એક વિરલ કિસ્સો છે જેમાં સત્તાધારી પક્ષના ચાલુ કોર્પોરેટર વિરુદ્ધ આવા કડક કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોય. અબ્બાસ કુરેશી અને તેમના ભાઈ પૂર્વ કોર્પોરેટર અસલમ ઉર્ફે લાલો કુરેશી સહિતના શખ્સો આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ અને અન્ય અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. ​અબ્બાસ કુરેશી હાલમાં સાબરમતી જેલમાં બંધ હોવાથી તેઓ છેલ્લા લાંબા સમયથી કોર્પોરેશનની કામગીરીમાં હાજરી આપી શક્યા ન હતા. મ્યુનિસિપલ કમિશનરના આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે અબ્બાસ કુરેશી સતત ત્રણ મહિના સુધી કોર્પોરેશનની સામાન્ય સભાઓમાં ગેરહાજર રહ્યા હતા. કાયદાકીય જોગવાઈ મુજબ, જો કોઈ ચૂંટાયેલા સભ્ય વગર મંજૂરીએ સતત બેઠકોમાં ગેરહાજર રહે તો તેમનું સભ્યપદ રદ થઈ શકે છે. સેક્રેટરી શાખાના સત્તાવાર રિપોર્ટના આધારે કમિશનરે આ આખરી કાર્યવાહી કરી છે. ​કુરેશી ગેંગના ગુનાહિત નેટવર્કની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. ડિસેમ્બર 2025 માં નોંધાયેલા 305 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડમાં આ ગેંગની સંડોવણી જોવા મળી હતી. આ નેટવર્ક દ્વારા કરોડો રૂપિયાની રકમ આંગડિયા મારફતે ભાવનગર મોકલી ત્યાંથી ક્રિપ્ટોકરન્સી દ્વારા દુબઈ ટ્રાન્સફર કરવામાં આવતી હતી. આ કેસમાં પોલીસે 'ઓપરેશન મ્યુલ હન્ટ' ચલાવીને અનેક શંકાસ્પદ બેંક ખાતાઓ શોધી કાઢ્યા હતા. આર્થિક ગુનાઓ ઉપરાંત આ ટોળકી સામે હત્યાની કોશિશ અને પોલીસ પર હુમલા જેવા ગંભીર કેસો પણ નોંધાયેલા છે. ​અબ્બાસ કુરેશીનું સભ્યપદ રદ થતા હવે વોર્ડ નંબર 3 ની બેઠક સત્તાવાર રીતે ખાલી પડી છે. કમિશનરના હુકમ મુજબ 20 માર્ચ 2026 થી આ બેઠક ખાલી ગણવામાં આવશે, જેની જાણ રાજ્ય ચૂંટણી પંચને કરી દેવામાં આવી છે. વોર્ડ નંબર 3 માં ભાજપની આખી પેનલ બિનહરીફ ચૂંટાઈ આવી હોવા છતાં, કાયદાના પાલનમાં કોઈ બાંધછોડ કરવામાં આવી નથી. હવે આગામી સમયમાં આ ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણી યોજવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવશે. ​વહીવટી તંત્રના આ કડક નિર્ણયથી અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં પણ એક સ્પષ્ટ સંદેશ ગયો છે કે લોકશાહીના માળખામાં પદ અને સત્તાની સાથે નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. જૂનાગઢના રાજકીય અને સામાજિક વર્તુળોમાં આ મુદ્દો અત્યારે સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 3:52 pm

અમરેલીમાં ભાજપે ઉમેદવારો જાહેર થયા પહેલા પ્રચાર શરૂ કર્યો:શહેરમાં ઢોલ-નગારા સાથે રાત્રીના ડોર-ટુ-ડોર અભિયાનનો પ્રારંભ

અમરેલી શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા હજુ ઉમેદવારોની સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ પક્ષે શહેરમાં રાત્રીના સમયે ઢોલ-નગારા સાથે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો છે. આગામી સમયમાં ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. ભાજપના દાવેદારો અને કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં સમર્થકો સાથે આ પ્રચાર અભિયાન શરૂ કર્યું છે. મતદારો સાથે સીધો સંપર્ક સાધવા માટે ડોર-ટુ-ડોર પ્રચારને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ દરમિયાન વિકાસના મુદ્દાઓ તેમજ પક્ષની નીતિઓ અંગે મતદારોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. અમરેલી શહેરમાં આ ચૂંટણી વધુ રસપ્રદ બની રહી છે, કારણ કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) વચ્ચે ત્રિપાંખિયો જંગ જામવાની સંભાવના છે. ત્રણેય પક્ષો જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 3:44 pm

છાત્રાઓનું ABVP સાથે કલેક્ટરને આવેદન:વેરાવળ ડો. આંબેડકર કન્યા છાત્રાલયમાં સુવિધાઓના નામે મીંડું, ભોજન અને સુરક્ષા મુદ્દે તંત્રને 10 દિવસનું અલ્ટીમેટમ

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં હરસિદ્ધ સોસાયટી વિસ્તારમાં આવેલી ડો. બાબાસાહેબ આંબેડકર સરકારી કન્યા છાત્રાલયમાં ગેરરીતિ અને બેદરકારીનો મોટો વિવાદ સામે આવ્યો છે. છાત્રાલયની કથળતી જતી હાલત અને તંત્રની ઉદાસીનતા સામે રોષે ભરાયેલી વિદ્યાર્થિનીઓએ ABVPના નેજા હેઠળ જિલ્લા કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યો છે કે સરકાર દ્વારા અપાતી સુવિધાઓ માત્ર કાગળ પર જ મર્યાદિત છે, જ્યારે વાસ્તવિકતામાં તેઓ નરકાગાર જેવી સ્થિતિમાં રહેવા મજબૂર છે. સડેલું ભોજન પીરસાતું હોવાનો આક્ષેપવિદ્યાર્થિનીઓએ રજૂઆત કરતા જણાવ્યું કે છાત્રાલયમાં પીરસાતા ભોજનની ગુણવત્તા અત્યંત નિમ્ન કક્ષાની છે. રસોડામાં ઘણીવાર સડેલા ડુંગળી અને બટાટાનો ઉપયોગ કરવામાં આવે છે. આરોગ્ય માટે જોખમી એવું આ ભોજન આરોગવા છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારનું નિરીક્ષણ કે દેખરેખ રાખવામાં આવતી નથી. અસામાજિક તત્વોનો ત્રાસસુવિધાઓની સાથે સુરક્ષાને લઈને પણ ગંભીર સવાલો ઉઠ્યા છે. વિદ્યાર્થિનીઓના જણાવ્યા અનુસાર, છાત્રાલયની આસપાસ અસામાજિક તત્વોની અવરજવર વધી ગઈ છે. રાત્રિના સમયે વાતાવરણ અસુરક્ષિત હોવાથી વિદ્યાર્થિનીઓમાં ફાળ પડી છે. આ ઉપરાંત, હોસ્ટેલમાં રૂમોની સ્વચ્છતા અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓનો પણ ઘોર અભાવ જોવા મળી રહ્યો છે. પ્રશાસનને અલ્ટીમેટમABVP જિલ્લા સંયોજક પ્રિયા બારડની આગેવાનીમાં કલેક્ટર કચેરીએ પહોંચેલી વિદ્યાર્થિનીઓએ સૂત્રોચ્ચાર કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થિની દીપિકા જાદવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ ગેરરીતિઓ લાંબા સમયથી ચાલી રહી છે પરંતુ કોઈ સાંભળવા તૈયાર નથી. ઉગ્ર આંદોલનની ચીમકીઆંદોલનકારીઓએ તંત્રને સ્પષ્ટ ચીમકી આપી છે કે આગામી 10 દિવસમાં તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવે. જો નિર્ધારિત સમયમાં સુધારો નહીં થાય, તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર અને વ્યાપક આંદોલન કરવામાં આવશે. હવે જોવાનું એ રહે છે કે જિલ્લા વહીવટી તંત્ર આ ગંભીર બાબતે કેટલી ઝડપે તપાસ કરી જવાબદારો સામે પગલાં લે છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 3:43 pm

વડોદરાના અરુશનો પાણીમાં નેશનલ રેકોર્ડ:અમદાવાદમાં રમાયેલી રાષ્ટ્રીય સ્વિમિંગ સ્પર્ધામાં ગુજરાતના તરવૈયાએ કુલ 5 મેડલ જીત્યા

કહેવાય છે કે ‘અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’. આ વાક્યને વડોદરાના યુવા તરવૈયા અરુશ લાંજેવારે અમદાવાદના આંગણે સાચું સાબિત કર્યું છે. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ સ્વિમિંગ પૂલ ખાતે 20 થી 23 માર્ચ 2026 દરમિયાન યોજાયેલી 27મી નેશનલ ડેફ સિનિયર સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં અરુશે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા મેડલ્સની વણઝાર લગાવી દીધી છે. મેડલ્સની હેટ્રિક અને નવો નેશનલ રેકોર્ડઆ સ્પર્ધામાં અરુશે પોતાની કુશળતાથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેણે કુલ 5 મેડલ્સ જીત્યા છે, જેમાં 100 મીટર બટરફ્લાય ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવી નવો નેશનલ રેકોર્ડ સ્થાપ્યો છે. આ ઉપરાંત, તેણે 50 મીટર ફ્રીસ્ટાઇલ, 50 મીટર બટરફ્લાય અને 100 મીટર ફ્રીસ્ટાઇલમાં સિલ્વર મેડલ્સ, જ્યારે 200 મીટર ઇન્ડિવિજ્યુઅલ મેડલીમાં બ્રોન્ઝ મેડલ જીતીને પોતાની સર્વાંગી પ્રતિભાનો પરિચય આપ્યો છે. સફળતા પાછળની મહેનત અને માર્ગદર્શનવડોદરાના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પ્રેક્ટિસ કરતા અરુશની આ સફળતા પાછળ તેના કોચ વિવેક સિંહ બોરલિયા, કૃષ્ણ પંડ્યા તેમજ ટ્રેનર્સ સુબોધ કુમાર અને બિપિન કુમારનું મહત્વનું માર્ગદર્શન રહ્યું છે. ઓલ ઇન્ડિયા સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધ ડેફ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં દેશભરના ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ અવસરે ડીએસડીઓ વડોદરા વિસ્મય વ્યાસે અરુશ અને તેના પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. અરુશની આ સફર સાબિત કરે છે કે જો સંકલ્પ મજબૂત હોય, તો શારીરિક મર્યાદાઓ ક્યારેય આડે આવતી નથી.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 3:38 pm

ઈરાન સામે અમેરિકા-ઈઝરાયલના યુદ્ધથી 800 કન્ટેનર ફસાયા:મોરબીની પેપર મિલોની US અને GCCથી કાચા માલની આયાત, હવે 75માંથી 54 મિલ કાર્યરત, ઉત્પાદનમાં 40 ટકાનો ઘટાડો

ઈરાન સામે અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ છે. મોરબીની પેપર મિલો માટે US અને GCC (ગલ્ફ દેશો)થી આયાત કરવામાં આવેલા વેસ્ટ પેપરના અંદાજે 800થી વધુ કન્ટેનરો હાલ વિશ્વના વિવિધ દરિયાઈ બંદરો પર ફસાયેલા છે. કાચા માલની આ તંગીને કારણે ઉત્પાદન પ્રક્રિયા પર સીધી અસર પડી છે. 75માંથી 54 મિલ કાર્યરત છે અને ઉત્પાદનમાં 60 ટકા જેટલું જ થઈ રહ્યું છે. ઉત્પાદનમાં 40%નો ઘટાડો મોરબી પેપર મિલ એસોસિએશનના જણાવ્યા અનુસાર, વિસ્તારની કુલ 75 પેપર મિલોમાંથી હાલ માત્ર 54 મિલો જ કાર્યરત છે. ચાલુ રહેલી મિલો પણ તેમની 100% ક્ષમતા સામે માત્ર 60% ઉત્પાદન કરી રહી છે. માગના અભાવે અને કાચા માલની અછતને લીધે સરેરાશ મહિનામાં માત્ર 10 દિવસ જ કામકાજ ચાલી રહ્યું છે. ખર્ચમાં તોતિંગ વધારો અને માગમાં ઘટાડોયુદ્ધની સ્થિતિને લીધે પેપર ઉદ્યોગમાં ઈંધણ તરીકે વપરાતા કોલસાના ભાવમાં વધારો થયો છે. સાથોસાથ, શિપિંગ લાઈનો દ્વારા કન્ટેનરના ભાડામાં પણ જંગી વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ, મોરબીના અંદાજે 600 જેટલા સિરામિક એકમો અને પેકેજિંગ એકમો બંધ હોવાથી તૈયાર માલ (ક્રાફ્ટ પેપર)ની સ્થાનિક માગ પણ તળિયે પહોંચી ગઈ છે. ઉદ્યોગકારો માટે 'બેવડો માર' શ્રમિકોનો ખર્ચ: ઉત્પાદન ઓછું હોવા છતાં કુશળ શ્રમિકોને સાચવી રાખવા માટે ઉદ્યોગકારોએ પગાર સહિતના દૈનિક ખર્ચાઓ ભોગવવા પડી રહ્યા છે. બેંક લોનનું ભારણ: મોટાભાગના એકમો બેંક લોન પર કાર્યરત છે. વેપાર ઠપ્પ હોવા છતાં વ્યાજ અને હપ્તાની ચૂકવણી ઉદ્યોગકારો માટે ચિંતાનો વિષય બની છે. જો યુદ્ધની સ્થિતિ લાંબો સમય ચાલશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે નૂર ભાડા (ફ્રેઈટ રેટ્સ-Freight rates)માં ઘટાડો નહીં આવે, તો મોરબીનો પેપર મિલ ઉદ્યોગ મોટા દેવા હેઠળ દબાઈ જાય તેવી ભયંકર સ્થિતિ સર્જાઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 3:25 pm

પુણા નદીમાં કૂદેલા યુવકનો જીવ બચ્યો:ફાયર વિભાગે 20 મિનિટમાં રેસ્ક્યૂ કરી જીવનદાન આપ્યું

નવસારી જિલ્લાના આમડપોર ગામ નજીક પુણા નદીમાં રવિવારે રાત્રે એક યુવકે અગમ્ય કારણોસર ઝંપલાવ્યું હતું. જોકે, નદી કિનારે માછીમારી કરી રહેલા શખ્સની સતર્કતા અને ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને કારણે યુવકનો જીવ બચી ગયો હતો. રવિવારે રાત્રે આશરે 10 વાગ્યાના સુમારે આમડપોર ગામનો રહેવાસી 30 વર્ષીય યુવક પુણા નદીના પુલ પર પહોંચ્યો હતો અને નદીના ઊંડા પાણીમાં છલાંગ લગાવી હતી. આ સમયે નદી કિનારે ડાભેલ ગામના શાહિદ સલીમ મનસૂર માછલી પકડી રહ્યા હતા. તેમણે યુવકને નદીમાં કૂદતો જોતા જ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ નવસારી ફાયર વિભાગની 6 સભ્યોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રાત્રિનો સમય, કાદવ અને પાણીનું પ્રમાણ વધુ હોવા છતાં, જવાનોએ વિલંબ કર્યા વગર નદીમાં ઉતરી શોધખોળ શરૂ કરી. માત્ર 20 મિનિટના ટૂંકા ગાળામાં જવાનોએ યુવકને શોધી કાઢી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. હાલ યુવક સુરક્ષિત છે અને તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું તે જાણી શકાયું નથી, અને સ્થાનિક પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 3:24 pm

સુરત માટે કોંગ્રેસનો મેનિફેસ્ટો જાહેર:મનપામાં 10,000 નોકરી, ટેક્સમાં 50 % રાહત અને સામાજિક ન્યાયનું જનતાને કમિટમેન્ટ્સ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સુરત શહેરના ભવિષ્યને સુનિશ્ચિત કરવા અને સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે જનતાનો મેનિફેસ્ટો વિધિવત રીતે જાહેર કરવામાં આવ્યો છે. 'કોંગ્રેસ આપને દ્વાર અને જનમંચ' જેવા અભિયાનો થકી સીધો જનસંપર્ક કરીને તૈયાર કરવામાં આવેલો આ મેનિફેસ્ટો માત્ર રાજકીય દસ્તાવેજ નથી,પરંતુ સુરતના નાગરિકોની આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે.પક્ષના નેતૃત્વએ દાવો કર્યો છે કે આ મેનિફેસ્ટો સુરતના દરેક વર્ગ મહિલાઓ,યુવાનો,વડીલો અને શ્રમિકોના હિતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી કોંગ્રેસના કાર્યકરોએ સુરતના તમામ મહાનગરોમાં ઘરે-ઘરે જઈને શિક્ષણ,સ્વાસ્થ્ય,રસ્તા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા પાયાના પ્રશ્નો પર જનતાના સીધા સૂચનો મેળવ્યા હતા.રાજકીય ઇતિહાસમાં પ્રથમ વખત લોકોની વચ્ચે જઈને તૈયાર કરાયેલા આ મેનિફેસ્ટો અંગે પક્ષના નેતૃત્વએ જણાવ્યું હતું કે,જે લોકોની રજૂઆતો સરકારી કચેરીઓમાં સાંભળવામાં આવતી નથી, તેમના માટે જનમંચ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું.આ દરમિયાન મળેલી ફરિયાદો અને ભ્રષ્ટાચારના પુરાવાઓના આધારે ભાજપ સરકાર સામે એક ‘ચાર્જશીટ’ પણ તૈયાર કરવામાં આવી છે. સુરત શહેર માટેના કોંગ્રેસના મેનિફેસ્ટોના મુખ્ય મુદ્દા 1.મહિલા સશક્તિકરણ અને સન્માન મિલકત વેરામાં રાહત: મહિલાઓના નામે રજિસ્ટ્રર મિલકતમાં 50 % ટેક્સ માફીવાહન ટેક્સમાં છૂટ:મહિલાઓના નામે રહેલા વાહનો પર ટેક્સમાં વિશેષ છૂટછાટક્રિચ (પારણા ઘર)ની સુવિધા:કામકાજી મહિલાઓના બાળકો માટે દરેક વોર્ડમાં પારણા ઘરવિધવા સહાય: વિધવા બહેનો માટે આર્થિક મદદ અને તેમના બાળકોના શિક્ષણ માટે વિશેષ યોજનાપિંક ફેસિલિટીઝ: શહેરના દરેક જાહેર સ્થળે પિંક પાર્કિંગ અને પિંક ટોયલેટની સુવિધા 2.આરોગ્ય અને વડીલ વંદના વરિષ્ઠ નાગરિકો માટે સુવિધા:સિનિયર સિટિઝન કાર્ડ હેઠળ ફ્રી હેલ્થ ચેક-અપ,ડાયાબિટીસ અને બીપીની દવાઓ મફતમલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ:દરેક ઝોનમાં એક નવી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલસ્મીમેર (SMIMER) નું આધુનિકીકરણ:સ્મીમેર હોસ્પિટલની સેવાઓનો વ્યાપ વધારવો24 કલાક હેલ્થ સેન્ટર:દરેક વોર્ડમાં 24 કલાક કાર્યરત હેલ્થ સેન્ટર, એમ્બ્યુલન્સની સુવિધા 3.યુવા રોજગાર અને શિક્ષણ કાયમી ભરતી: મહાનગરપાલિકામાં 10,000થી વધુ જગ્યાઓ પર કાયમી ભરતીઆઉટસોર્સિંગનો અંત: કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરી સીધી નોકરીડિજિટલ શિક્ષણ: દરેક ઝોનમાં હાઈ-ટેક ડિજિટલ લાઈબ્રેરી અને સ્ટડી સેન્ટર 4.પર્યાવરણ અને તાપી શુદ્ધિકરણ તાપી નદી:તાપી શુદ્ધિકરણ માટે અલગ બજેટ ફાળવણીગ્રીન કવર:બગીચાઓ અને ગ્રીન કવરમાં વાર્ષિક 10% નો વધારોપાણી અને ડ્રેનેજ:દરેક ઘરને 24 કલાક શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પીવાનું પાણી, ખાડી પૂરની સમસ્યાનો કાયમી ઉકેલ 5.ટ્રાફિક અને માળખાગત સુવિધાઓખાડામુક્ત રસ્તા: રસ્તાઓને ખાડામુક્ત, ‘જનતા ઓડિટ’ કરવાની પદ્ધતિ દાખલ કરાશેપરિવહન: BRTS અને સિટી બસ સેવાને વધુ સુદ્રઢ બનાવી ઈલેક્ટ્રિક બસોથી સજ્જસ્માર્ટ ટ્રાફિક: નવા ફ્લાયઓવર,બહુમાળી પાર્કિંગ વ્યવસ્થા, ટ્રાફિકની સમસ્યા હલ કરાશે 6.સામાજિક કલ્યાણ અને સુરક્ષાકોંગ્રેસે મેનિફેસ્ટોમાં સામાજિક સમરસતા અને સુરક્ષા પર પણ ભાર મૂક્યો છે. નવરાત્રિ, દિવાળી, ઈદ અને ક્રિસમસ જેવા તહેવારોની ઉજવણી માટે શહેરમાં ‘ફેસ્ટિવલ પાર્ક’ બનાવવાનું વચન આપ્યું છે. આ ઉપરાંત, રખડતા પશુઓની સારવાર માટે આધુનિક પશુ હોસ્પિટલ અને શ્રમિકો, નાના ફેરિયાઓ માટે સુરક્ષિત ‘વેન્ડિંગ ઝોન’ બનાવવાની વાત કહી છે. સુરતને સાયબર ગુનાઓથી બચાવવા માટે તેને ‘સાયબર ફ્રી સિટી’ બનાવવાના પગલાં પણ આ મેનિફેસ્ટોનો હિસ્સો છે. મહિલા સશક્તિકરણથી લઈને યુવાનો માટે રોજગારીનું વચનપૂર્વ સાંસદ યમી યાજ્ઞિકે જણાવ્યું હતું કે, જે કોંગ્રેસે સુરત શહેર માટે મેનિફેસ્ટો આપ્યો છે અને કોંગ્રેસ શું કરશે, તો સૌથી પહેલા અમે જઈને લોકોને પૂછીને આ મેનિફેસ્ટો બનાવ્યો છે. 'જનમંચ' કરીને અમે એક સુવિધા આપી હતી કે જેમને જેટલા પ્રશ્નો હોય તે અમને પૂછી શકે છે અને તે પ્રશ્નોમાંથી અને નાગરિકોને શું જોઈએ છે આ શહેર માટે, તે પૂછીને અમે આ મેનિફેસ્ટો બનાવ્યો છે. ખાસ કરીને અમે મહિલાલક્ષી બનાવ્યો છે કે મહિલાઓનું સશક્તિકરણ કેવી રીતે થાય, કેવી રીતે થઈ શકે. તેમને ટેક્સમાં ક્યાં બેનિફિટ મળી શકે છે. તેમને ઘોડિયાઘર (Crche) કેવી રીતે મળી શકે છે જેને 'ઘોડિયાઘર' કહીએ છીએ જ્યારે તેઓ કામ પર જાય. બીજું અમે સિનિયર સિટિઝન્સ માટે લીધું છે કે સિનિયર સિટિઝન્સને શું જોઈએ, દવા જોઈએ, સુવિધા જોઈએ, હોસ્પિટલ જવા માટે નિઃશુલ્ક સુવિધા જોઈએ, તો તેમની વાત કરી છે અને મેન્ટેનન્સની વાત કરી છે.ત્રીજું અમે લીધું છે કે યુવાઓમાં બેરોજગારી બહુ છે, તો તેમને રોજગાર કેવી રીતે મળવો જોઈએ. કઈ રીતે અમે યુવાઓને સશક્ત કરી શકીએ, તેમને શિક્ષણ વ્યવસ્થા સાથે જોડી શકીએ, તેમને શિક્ષણ આપી શકીએ. તાપી નદી શુદ્ધિકરણનું કોંગ્રેસનું કમિટમેન્ટ અને ખાસ કરીને પર્યાવરણ, જે તાપી નદીમાં પ્રદૂષણ થઈ રહ્યું છે, તો આ પર્યાવરણનો મુદ્દો અમે લીધો છે કે સ્વચ્છ પાણી, શુદ્ધ પાણી હોવું જોઈએ, ક્લીન વોટર હોવું જોઈએ, પીવાનું પાણી સાફ હોવું જોઈએ, તો તેની વાત અમે મેનિફેસ્ટોમાં કરી છે, અમે લઈને આવ્યા છીએ કે 'વી વિલ ગીવ પ્રોપર ક્લીન વોટર'. અને સૌથી મહત્વનું સામાજિક ન્યાયની વાત કરી છે કે સોસાયટીના તમામ લોકોને, તમામ સેક્શનને એક સમાન ન્યાય મળવો જોઈએ, સામાજિક ન્યાય મળવો જોઈએ. કોંગ્રેસ પાર્ટી સોશિયલ વેલફેર અને સોશિયલ જસ્ટિસ માટે છે. તો આ અમે લોકોને પૂછીને, તેમના જે પ્રશ્નો છે તેને લીધા છે અને તેને અમારા મેનિફેસ્ટોમાં રાખ્યા છે કે આ પ્રશ્નો લઈને અમે તમારા પ્રશ્નોનું સમાધાન લાવીશું. તમે અમને ચૂંટશો તો અમે આ બધા કામ તમારા કરીશું, તમારું શહેર છે અને તમારા માટે અમારે કામ કરવાનું છે, તો આ અમારો મેનિફેસ્ટો છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 2:56 pm

ભુજ RTO કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:ઈમેલ મળતા પોલીસની બોમ્બ અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ, અગાઉ ભુજની કોર્ટને પણ ધમકી મળી હતી

કચ્છના મુખ્ય શહેર ભુજમાં આવેલી આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આ ઈમેલ મળતા જ કચેરીમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ધમકીભર્યો ઈમેલ આજે સવારે પશ્ચિમ કચ્છની મુખ્ય આરટીઓ કચેરીને મળ્યો હતો. ઈમેલ મળ્યા બાદ તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે સમગ્ર આરટીઓ કચેરીને ખાલી કરાવી દેવામાં આવી હતી. ધમકી મળ્યાની જાણ થતા જ પશ્ચિમ કચ્છ પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની વિવિધ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. આ ટીમો દ્વારા આરટીઓ કચેરી પરિસરમાં સઘન ચેકિંગ અને તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા 5 માર્ચના રોજ ભુજની કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેના પગલે પણ વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 2:54 pm

CCE ભરતીમાં CBRT પદ્ધતિ સામે ઉમેદવારોનો વિરોધ:નોર્મલાઇઝેશનથી અન્યાયના આક્ષેપ સાથે OMR પદ્ધતિની માગ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરાયેલી CCE (ગ્રુપ-A અને ગ્રુપ-B) ભરતી પ્રક્રિયામાં CBRT (Computer Based Response Test) પદ્ધતિ સામે ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો છે. ઉમેદવારોએ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરીને MCQ-OMR પદ્ધતિથી પરીક્ષા લેવાની માગ કરી છે. ભૂતકાળમાં ઓનલાઇન પરીક્ષા અને નોર્મલાઇઝેશન ફોર્મ્યુલાના કારણે થયેલા અન્યાયને કારણે આ વિરોધ ઉઠ્યો છે. મંડળ દ્વારા તાજેતરમાં CCE ગ્રુપ-A અને ગ્રુપ-B (જાહેરાત ક્રમાંક: 37/202526) ની વિગતવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ જાહેરાતના મુદ્દા નંબર-21 મુજબ, તબક્કા-1 ની પ્રાથમિક પરીક્ષા CBRT પદ્ધતિથી લેવાનું નક્કી કરાયું છે. આ નિર્ણયથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ઉમેદવારોનું કહેવું છે કે, અગાઉની CCE (જા.ક્ર. 212/2023-24) અને વનરક્ષકની પરીક્ષાઓમાં CBRT પદ્ધતિને કારણે અનેક વિવાદો સર્જાયા હતા. ભૂતકાળમાં 71 જેટલી અલગ-અલગ શિફ્ટમાં પરીક્ષા લેવાઈ હતી, જેમાં નોર્મલાઇઝેશન ફોર્મ્યુલા લાગુ પડતા ઉમેદવારોના ગુણમાં 2 થી 37 ગુણ સુધીનો તફાવત જોવા મળ્યો હતો. આ ઉપરાંત, 300 થી વધુ પ્રશ્નોના જવાબ ખોટા હોવાના વિવાદોને કારણે મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો, જેમાં પરીક્ષા લેનાર એજન્સીને બ્લેકલિસ્ટ કરવા સુધીની માગણી થઈ હતી. ઉમેદવારોએ રજૂઆત કરી છે કે, CBRT પદ્ધતિ નિષ્ફળ નીવડી છે, જ્યારે રેવન્યુ તલાટીની પરીક્ષામાં MCQ-OMR પદ્ધતિ વધુ પારદર્શક અને ઝડપી સાબિત થઈ હતી. વર્તમાન ભરતી પ્રક્રિયામાં પણ CBRT પદ્ધતિનો ઉલ્લેખ હોવાથી ઉમેદવારોમાં રોષ વ્યાપ્યો છે. આગામી CCE પરીક્ષા ઓફલાઇન OMR પદ્ધતિથી લેવામાં આવે તેવી ઉમેદવારો દ્વારા વિનંતી કરવામાં આવી છે, જેથી મહેનતુ ઉમેદવારોને અન્યાય ન થાય અને ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 2:51 pm

ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો ભાજપમાં ભડકો:કોંગ્રેસે મેનિફેસ્ટો જાહેર કર્યો, ભાજપના પૂર્વ નગરસેવિકા સેજલબેન કોંગ્રેસમાં જોડાયા

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, આ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસે જનતા માટે પોતાનું 'કમિટમેન્ટ' (મેનિફેસ્ટો) જાહેર કરવામાં આવ્યો હતો, સાથે ભાજપમાં મોટું ગાબડું પાડતા વડવા બ વોર્ડના પૂર્વ નગરસેવિકાને પક્ષમાં સામેલ કર્યા છે, શહેર ​કોંગ્રેસના પ્રમુખ લાલભા ગોહિલએ જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં જનતાને પાયાની સુવિધાઓ મળી નથી. જો કોંગ્રેસ સત્તા પર આવશે તો નીચે મુજબના કાર્યો કરવાની ખાતરી આપી છે જેમાં શહેરમાં હાલ માત્ર 6 વેન્ડર ઝોન છે, જેને વધારીને 120 વેન્ડર ઝોન કરવામાં આવશે. જેનાથી 5000 થી વધુ લારી-ગલ્લા ધારકોને રોજગારી અને ન્યાય મળશે, શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને ઝોનમાં 24 કલાક કાર્યરત મલ્ટી-લેવલ હોસ્પિટલ બનાવવામાં આવશે, ઉપરાંત, દરેક વોર્ડમાં સુવિધાયુક્ત આરોગ્ય કેન્દ્રો ઊભા કરાશે, ભાવનગરની જનતાને સવાર-સાંજ બંને ટાઈમ શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડીશું સહિત અલગ અલગ 17 જેટલા કમિટમેન્ટ આપ્યા હતા, ​ભાજપના પૂર્વ નગરસેવિકા સેજલબેનનો કોંગ્રેસમાં પ્રવેશ ​આ પત્રકાર પરિષદ વેળા એ ભાજપના પૂર્વ નગરસેવિકા વડવા 'બ' વોર્ડ ના સેજલબેન મહેશભાઈ ગોહેલ એ કોંગ્રેસ પ્રવેશનો ખેસ ધારણ કર્યો હતો, તેમણે ભાજપ છોડવા પાછળ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા, જેમાં ભાજપમાં મહિલાઓ અને સંવિધાન સુરક્ષિત નથી, હું પોતે નગરસેવિકા હોવા છતાં મારા પર બુટલેગરોએ હુમલો કર્યો હતો, પરંતુ પક્ષ તરફથી મને કોઈ રક્ષણ કે પ્રતિસાદ મળ્યો નહોતો, જો એક નગરસેવિકા સુરક્ષિત ન હોય, તો સામાન્ય મહિલાઓનું શું ? ​તેમણે વધુમાં જણાવ્યું કે તેમના વોર્ડમાં ચાલતા ગેરકાયદેસર ધંધાઓ અને બુટલેગરોના ત્રાસ વિરુદ્ધ અવાજ ઉઠાવવા છતાં ભાજપે તેમને સાથ આપ્યો નહોતો. હજી ઘણા ભાજપના નેતાઓ સંપર્કમાં ​કોંગ્રેસ પ્રતિનિધિએ દાવો કર્યો હતો કે ભાજપના હજી ઘણા કોર્પોરેટરો કોંગ્રેસના સંપર્કમાં છે અને આગામી દિવસોમાં વધુ 'તોડફોડ' જોવા મળી શકે છે. પબ્લિક વચ્ચે જવાની રણનીતિ અત્યારે ગુપ્ત રાખવામાં આવી છે, જે યોગ્ય સમયે મીડિયા સમક્ષ જાહેર કરવામાં આવશે, ભાવનગર કોર્પોરેશનની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસે આક્રમક મૂડ ધારણ કર્યો છે એક તરફ મેનિફેસ્ટો દ્વારા જનતાને આકર્ષવાનો પ્રયાસ છે, તો બીજી તરફ ભાજપના નારાજ નેતાઓને પક્ષમાં લાવીને શાસક પક્ષને મજબૂત ટક્કર આપવાની તૈયારી કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 2:49 pm

પંચમહાલ LCB-SOGએ પ્રોહિબિશનના 2 વોન્ટેડ આરોપી ઝડપ્યા:અલગ-અલગ દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

પંચમહાલ જિલ્લામાં પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા બે વોન્ટેડ આરોપીઓને પંચમહાલ LCB અને SOG પોલીસે અલગ-અલગ દરોડા પાડી ઝડપી પાડ્યા છે. પોલીસ અધિક્ષક ડો. હરેશ દૂધાતની સૂચના બાદ પોલીસે આ કાર્યવાહી કરી હતી. ગોધરા LCBના પી.આઈ. એ.બી. વોરાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. દિગ્પાલસિંહ અને તેમની ટીમે ખાનગી બાતમીના આધારે વોચ ગોઠવી હતી. તેમણે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં વોન્ટેડ આરોપી જીગરસિંહ ઉર્ફે જીગેશ ઉર્ફે જીગો ગુલાબસિંહ રાઠોડને પરવડી ચોકડી પાસેથી ઝડપી પાડ્યો હતો. જીગરસિંહ રાઠોડ રામપુર જોડકા (મહેલોલ), તા. ગોધરાનો રહેવાસી છે. બીજી તરફ, પંચમહાલ SOG ગોધરાના પી.આઈ. એમ.એ. વાઘેલાની ટીમે પણ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. SOGની ટીમે રાજગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ રાહુલ ટેટાભાઈ બારીયાને ઘોઘંબા તાલુકાની કાંટુ ચોકડી પાસેથી દબોચી લીધો હતો. રાહુલ બારીયા દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના વાવ લવારીયાનો રહેવાસી છે. ઝડપાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાહુલ બારીયાને દામવાવ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ ચાલી રહી છે. પંચમહાલ પોલીસની આ સક્રિય કામગીરીથી જિલ્લામાં ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 2:37 pm

જામનગર RTO કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળ્યો:કચેરીમાં સુરક્ષાના કારણોસર કામકાજ બંધ, તપાસમાં કંઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા રાહત

ગુજરાતની જામનગર, રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત સહિતની મુખ્ય આરટીઓ કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળ્યા બાદ આજે કામકાજ બંધ રાખવામાં આવ્યું હતું. સુરક્ષાના કારણોસર તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કામગીરી સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો હતો. જામનગર આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો હતો. આ ઈમેલ મળતાની સાથે જ પોલીસ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી. જામનગર આરટીઓ કચેરી ખાતે નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સમગ્ર પરિસરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. માત્ર સ્ટાફને જ પ્રવેશ અપાયો હતો. કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિ ટાળવા માટે આ પૂર્વ સાવચેતીના પગલાં લેવાયા હતા. જામનગર આરટીઓ કચેરી સહિત અન્ય સ્થળોએ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા બિલ્ડિંગ અને પરિસરના દરેક ખૂણાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. તપાસના અંતે, કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી ન હતી, જેથી આરટીઓ કચેરીઓ 'સબ સલામત' જાહેર કરવામાં આવી હતી. આ બનાવને કારણે આજના દિવસ દરમિયાન અરજદારો અને સેવાઓ માટે આવેલા નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તંત્ર દ્વારા નાગરિકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ પરિસ્થિતિ મુજબ કામકાજ ફરી શરૂ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 2:33 pm

ગુજરાતમાં RTO કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:પાટણ RTO કચેરી સાવચેતીના ભાગરૂપે ખાલી કરાવાઈ: પોલીસનું સઘન સર્ચ ઓપરેશન

ગુજરાતની વિવિધ RTO કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેલ મળ્યા છે. આ ઘટના બાદ પાટણ RTO કચેરી ખાતે તાત્કાલિક તકેદારીના પગલાં લેવામાં આવ્યા હતા. કચેરીને ખાલી કરાવીને પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. પાટણ LCB PI આર. જે. ઉનાગરના જણાવ્યા અનુસાર, અન્ય જિલ્લાઓમાં મળેલી ધમકીઓને પગલે પાટણ RTO કચેરીને સાવચેતીના ભાગરૂપે ખાલી કરાવવામાં આવી હતી. સુરક્ષાના કારણોસર, કચેરીના કર્મચારીઓ અને મુલાકાતીઓને પરિસરની બહાર મોકલી દેવાયા હતા. હાલમાં, પાટણ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો કાફલો RTO કચેરી ખાતે હાજર છે. પોલીસ દ્વારા સમગ્ર કચેરી પરિસરમાં સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ ધમકીભર્યા ઈ-મેલના મૂળ સ્ત્રોત સુધી પહોંચવા માટે સાયબર ક્રાઈમની પણ મદદ લેવામાં આવી રહી છે. RTO કચેરી અચાનક ખાલી કરાવી દેવાના કારણે કામકાજ અર્થે આવેલા અનેક અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, પોલીસ તંત્ર દ્વારા કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે સુરક્ષા વ્યવસ્થાને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 2:27 pm

નાગધરા ગામે દીપડો પાંજરે પુરાયો:લાંબા સમયથી ફફડાટ ફેલાવનાર દીપડો અંતે પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહત અનુભવી

નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીમાં આવેલા નાગધરા ગામમાં લાંબા સમયથી ભય ફેલાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો છે. વન વિભાગની સતર્કતાને કારણે ગતરાત્રિએ આશરે સાડા ત્રણ વર્ષનો દીપડો પકડાઈ જતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા કેટલાક દિવસોથી નાગધરા ગામના વિવિધ વિસ્તારોમાં દીપડો દેખાઈ રહ્યો હતો. દીપડાએ અલગ-અલગ જગ્યાએ મરઘાનું મારણ કરવાનું શરૂ કરતા પશુપાલકો અને સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ બાબતે ગ્રામજનોએ ગામના સરપંચને જાણ કરી હતી, જેમણે તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કર્યો હતો. સરપંચની રજૂઆત બાદ નવસારી સામાજિક વન વિભાગની સુપા રેન્જ દ્વારા દીપડાને પકડવા માટે વ્યૂહરચના ઘડવામાં આવી હતી. વન વિભાગ દ્વારા ગામમાં દીપડાની અવરજવરવાળા વિસ્તારમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. ગતરાત્રિ દરમિયાન, નાગધરા ગામના રહેવાસી કાન્તુ પટેલના ઘરના વાડામાં ખોરાકની શોધમાં આવેલો દીપડો પાંજરામાં કેદ થઈ ગયો હતો. વન વિભાગના જણાવ્યા અનુસાર, પાંજરે પુરાયેલો દીપડો આશરે સાડા ત્રણ વર્ષની ઉંમરનો છે. દીપડો પકડાયાની જાણ થતા જ સુપા રેન્જના રાઉન્ડ ફોરેસ્ટર અમિષા પટેલ તથા વન રક્ષક નવલસિંહ રાઠોડ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને દીપડાનો કબજો લીધો હતો. હાલમાં સામાજિક વન વિભાગ દ્વારા દીપડાની જરૂરી ડોક્ટરી તપાસ હાથ ધરવામાં આવી છે, જે પૂર્ણ થયા બાદ તેને સુરક્ષિત રીતે ઊંડા જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરાશે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 2:22 pm

IPL મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો:પેરોલફ્લો સ્ક્વોર્ડે મોબાઈલ સાથે એકને દબોચ્યો, સટ્ટો રમાડતા અને આઈડી આપનાર સામે ફરિયાદ

ભાવનગર પેરોલફ્લો સ્ક્વોર્ડે IPLની મેચમાં એપ ડાઉનલોડ કરી સટ્ટા શોખીન લોકોને આઈડી પાસવૉર્ડ આપી જુગાર-સટ્ટો રમતા શખ્સને એક મોબાઈલ સાથે ઝડપી લીધો છે. આ સટ્ટા અંગેની શખ્સની પ્રાથમિક પૂછપરછ કરતા આ સટ્ટો રમાડવા માટે આઈડી વરતેજ ગામના શખ્સ પાસેથી મેળવી હોવાનું જણાવ્યું હતું.જે મામલે પોલીસે બન્ને શખ્સ સામે જુગાર અધિનિયમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. હૈદરાબાદ-લખનઉ વચ્ચેની મેચ પર સટ્ટો રમાડતોઆ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકથી મળતી માહિતી મુજબ પેરોલફ્લો સ્ક્વોર્ડના પોલીસ સ્ટાફ શહેર વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ચિત્રા-સીદસર રોડના સતનામ ચોક નજીક રેઈડ કરી હતી. જ્યાંથી ચિત્રાવાડી ફુલસર ગામના રહેવાસી રાકેશભાઈ ખીમજીભાઈ બારૈયાને ઝડપી પાડ્યો હતો.મોબાઈલ ફોન મારફતે IPLની સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપર જાયન્ટ વચ્ચેની મેચ પર “Allpanel777 now” આઈડી દ્વારા રનફેરના સોદાઓ કરી અન્ય લોકોને આઈડી આપી રૂપિયા લઈ જુગાર રમાડતો હતો. પોલીસે બે સામે ફરિયાદ નોંધીપોલીસે તેના પાસેથી એક મોબાઈલ ફોન કબ્જે કર્યો હતો.શખ્સની વધુ પૂછપરછમાં આ આઈડી વરતેજ ગામના દરબારગઢ વિસ્તારના નરેન્દ્રસિંહ ઉર્ફે એન.જી. ગોહીલ પાસેથી મેળવેલી હોવાનું બહાર આવ્યું હતું. જેથી પેરોલફ્લો સ્ક્વોર્ડે શખ્સને આગળની કાર્યવાહી માટે બોરતળાવ પોલીસને સોંપ્યો હતો. જે મામલે પોલીસે રાકેશ બારૈયા અને નરેન્દ્રસિંહ ઉર્ફે એન.જી ગોહીલ સામે જુગાર અટકાયતી અધિનિયમ કલમ 12(A) હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 2:12 pm

ભર ઉનાળે ચોથુ માવઠુ, 18 જિલ્લામાં કાલે વરસાદની આગાહી:ભારે પવન સાથે વીજળી પડવાની પણ શક્યતાં, બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા આવતીકાલે એટલે કે, 7 એપ્રિલે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં છૂટાછવાયા હળવાથી માધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર અને દ્વારકામાં વરસાદની સંભાવના છે. બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઅત્યારે બે સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના હોવાથી આગામી 2 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને વાદળછાયુ વાતાવરણ રહેશે. સૌથી વધારે રાજકોટમાં 36.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 34.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 2:03 pm

જૂનાગઢ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ તંત્ર સજ્જ:જૂનાગઢમાં જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીનો શંખનાદ, કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જાહેર કર્યું સંપૂર્ણ ચૂંટણી જાહેરનામું અને વ્યવસ્થાતંત્રનું માળખું.

જૂનાગઢ જિલ્લામાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ મહત્વપૂર્ણ ચૂંટણી પ્રક્રિયાના સુચારુ સંચાલન માટે જૂનાગઢના જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ એક પત્રકાર પરિષદ સંબોધી હતી. આ બેઠક દરમિયાન તેમણે ચૂંટણી કાર્યક્રમની વિગતવાર રૂપરેખા આપી હતી અને જણાવ્યું હતું કે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 1 એપ્રિલના રોજ ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. કલેક્ટરે ખાતરી આપી હતી કે મુક્ત અને ન્યાયી વાતાવરણમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટે તંત્ર સજ્જ છે. ​ચૂંટણીના કાર્યક્રમ મુજબ ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા આજથી જ શરૂ કરી દેવામાં આવી છે. જે ઉમેદવારો ચૂંટણી લડવા ઈચ્છતા હોય તેઓ 11 એપ્રિલ સુધીમાં પોતાની ઉમેદવારી નોંધાવી શકશે. ત્યારબાદ 13 એપ્રિલના રોજ ભરાયેલા તમામ ઉમેદવારી પત્રોની ઝીણવટભરી ચકાસણી હાથ ધરવામાં આવશે. જો કોઈ ઉમેદવાર પોતાનું નામ પરત ખેંચવા માંગતા હોય તો તેના માટે 15 એપ્રિલની અંતિમ તારીખ નક્કી કરવામાં આવી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ થશે અને પ્રચાર કાર્ય વેગ પકડશે. ​જૂનાગઢ જિલ્લામાં આ ચૂંટણી જંગ ખૂબ જ વ્યાપક સ્તરે ખેલાવાનો છે. જેમાં જિલ્લા પંચાયતની 30 બેઠકો અને જિલ્લાની 9 તાલુકા પંચાયતોની કુલ 158 બેઠકો માટે મતદાન થશે. આ ઉપરાંત કેશોદ નગરપાલિકાના 9 વોર્ડ અને બાંટવા નગરપાલિકાના 1 વોર્ડ માટે પણ ચૂંટણી યોજાવાની છે. લોકશાહીના આ પર્વમાં મતદાન માટે 26 એપ્રિલનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે. તે દિવસે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 28 એપ્રિલના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે અને તે જ દિવસે પરિણામો જાહેર થશે. ​ચૂંટણી વ્યવસ્થાપન માટે કલેક્ટર દ્વારા અધિકારીઓની મહત્વની નિમણૂંકો કરવામાં આવી છે. સમગ્ર પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે 9 આર.ઓ. એટલે કે રિટર્નિંગ ઓફિસર અને તેમને સહયોગ આપવા માટે 18 એ.આર.ઓ. કાર્યરત રહેશે. આ સાથે જ વહીવટી કામગીરીને સરળ બનાવવા માટે 9 નોડલ ઓફિસરોની પણ નિયુક્તિ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે જિલ્લા અને તાલુકા પંચાયત હેઠળ કુલ 7,71,029 મતદારો નોંધાયેલા છે, જ્યારે કેશોદ નગરપાલિકામાં 53,495 અને બાંટવા નગરપાલિકાની પેટાચૂંટણી માટે 1,262 મતદારો પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે. ​મતદાન મથકો અને ઈવીએમ મશીનોની વ્યવસ્થા અંગે માહિતી આપતા કલેક્ટરે ઉમેર્યું હતું કે જિલ્લા અને તાલુકા પંચાયત માટે કુલ 950 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે અને તેના માટે 2,138 ઈવીએમ મશીનો ફાળવવામાં આવ્યા છે. તેવી જ રીતે નગરપાલિકાની ચૂંટણીઓ માટે 60 મતદાન મથકોની વ્યવસ્થા છે જ્યાં 81 ઈવીએમ મશીનોનો ઉપયોગ કરવામાં આવશે. તંત્ર દ્વારા દરેક મથક પર પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે જેથી મતદારોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે. ​ચૂંટણીમાં થતા નાણાકીય ખર્ચ પર અંકુશ રાખવા માટે પણ મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે. જિલ્લા પંચાયતની ચૂંટણી લડતા ઉમેદવારો વધુમાં વધુ 6 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકશે. તાલુકા પંચાયતના ઉમેદવારો માટે ખર્ચની આ મર્યાદા 3 લાખ રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે નગરપાલિકાના ઉમેદવારો 2.25 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકશે. આ ખર્ચ પર દેખરેખ રાખવા માટે પણ અલગથી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેથી આચારસંહિતાનો ભંગ ન થાય. ​અંતમાં જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જૂનાગઢના તમામ નાગરિકોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે ખાસ કરીને યુવા અને નવા મતદારોને અપીલ કરી હતી કે તેઓ અત્યારથી જ મતદાર યાદીમાં પોતાનું નામ ચકાસી લે જેથી મતદાનના દિવસે કોઈ મુશ્કેલી ન પડે. વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન અને ઓનલાઇન પોર્ટલની સુવિધા પણ આપવામાં આવી છે જેના દ્વારા મતદારો પોતાની વિગતો ચકાસી શકે છે. જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પૂર્ણ થાય તે માટે પોલીસ તંત્ર સાથે મળીને પણ સુરક્ષાનું આયોજન કરી લેવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 1:40 pm

પત્નીને બેટથી ફટકારી બોચી પકડી બેસી ગયો, VIDEO:રાણીપમાં ફોઈનું ઉપરાણુ લેતા જ પરિણીતાને પતિએ ફટકારી; દીકરી છોડાવવા જતાં તેને પણ મારી

રાણીપમાં પૈસા બાબતે ફોઈનું ઉપરાણુ લેતી પરિણીતાને પતિએ બેફામ મારતા મામલો રાણીપ પોલીસ સ્ટેશન પહોચ્યો છે. આશુતોષ રેસિડેન્સીમાં રહેતી કંચન શાહે પતિ અમિત શાહ વિરૂદ્ધ હુમલાની ફરિયાદ કરી છે. કંચન પતિ અમિત અને બે દીકરી સાથે રહે છે. કંચનના પ્રથમ લગ્ન દીપક મકવાણા સાથે થયા હતાં, જેમાં છુટાછેડા થઈ ગયા હતાં. ત્યારબાદ 2007માં તેણે અમિત સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા. પત્નીની વાત સાંભણી પતિ મારવા લાગ્યોગઈકાલે કંચન ઘરે હાજર હતી, ત્યારે તેની ફોઈ ભાનુબેન તેને મળવા માટે આવ્યાં હતા. કંચનને ગુજરી બજારમાં જવાનું હોવાથી તે તૈયાર થઈ રહી હતી, ત્યારે ભાનુબેને જણાવ્યુ કે, હું અમિત પાસે રૂપિયા માગુ છું. ભાનુબેનની વાત સાંભણીને કંચને જવાબ આપ્યો કે, તમારા પૈસા છે તો માંગી લો. કંચનની વાત સાંભણીને અમિત સાંભણી ઉશ્કેરાઈને ગાળો આપવા લાગ્યો હતો. કંચને ફોઈનું ઉપરાણુ લેતા અને પૈસા આપી દેવાની વાત કરતા તે વધુ ગિન્નાયો હતો. મહિલા સારવાર હેઠળ, વીડિયો પણ સામે આવ્યોઅમિતે તરત જ મેટલનુ શો-પીસ હાથમાં લઈને કંચનના માથામાં મારી દીધુ હતું. બાદમાં બેટથી મારવાનું શરૂ કરી દીધુ હતું. કંચનની દીકરી વચ્ચે પડતા તેને પણ માર માર્યો હતો. કંચને બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. કંચનને ઈજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. રાણીપ પોલીસે આ મામલે અમિત વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બીજી તરફ કંચનને અમિત માર મારતો હોય તેવો વીડિયો પણ સામે આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 1:22 pm

અમદાવાદમાં ઢોસા ખાવાથી બે બાળકોના મોતનો આક્ષેપ:માતા-પિતાની હાલત ગંભીર, પરિવારે કહ્યું- સાંજે ખીરામાંથી ઢોસા બનાવીને ખાધા તો સવારે બધાને ઊલટીઓ થવા લાગી હતી

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે દિવસ પહેલા એક પરિવારે બજારમાંથી ઢોસા બનાવવા માટેનું ખીરું મંગાવ્યું હતું. ઢોસા બનાવીને ખાધા બાદ પરિવારના સભ્યોની તબિયત અચાનક બગડી હતી. આ ઘટનામાં સારવાર દરમિયાન 3 મહિના અને 4 વર્ષની બે બાળકીના મોત નિપજ્યાં છે. જ્યારે માતા-પિતા હાલ ખાનગી હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. પરિવારે કહ્યું છે કે, સાંજે ખીરામાંથી ઢોસા બનાવીને ખાધા તો સવારે બધાને ઊલટીઓ થવા લાગી હતી. બે નાની દીકરીઓના મોતથી પરિવારમાં શોકનો માહોલ આ સમગ્ર ઘટનામાં તંત્રની નિષ્ક્રિયતા પણ સામે આવી રહી છે. ફૂડ કોર્પોરેશન વિભાગ અને સ્થાનિક આરોગ્ય તંત્ર ચૂંટણીના કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાનું કહેવાઈ રહ્યું છે, અને અસરગ્રસ્ત પરિવારની યોગ્ય રીતે સંભાળ લેવામાં આવી નથી. બે નાની દીકરીઓના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ચાંદખેડા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને ખીરાની ક્વોલિટી તેમજ કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. 'મારો દીકરો અને પૌત્રવધૂ કે.ડી હોસ્પિટલમાં દાખલ છે'ગૌરીશંકર પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ખીરુમાંથી ઢોસા બનાવીને ખાધા તો મારા દીકરા, પુત્રવધુ, 2 પૌત્રીને ઊલટી થવા લાગી હતી. જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન પહેલા 3 મહિનાની બાળકીનું મોત થયું હતું. જે બાદ 4 વર્ષની બાળકીનું મોત થયું હતું. મારો દીકરો અને પૌત્રવધૂ કે.ડી હોસ્પિટલમાં દાખલ છે. આ મામલે પોલીસ કાર્યવાહી કરે તેવી માંગણી છે. 'અમે તપાસ કરી રહ્યા છીએ'- AMCઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારી ડો. તેજસ શાહે જણાવ્યું હતું કે, ચાંદખેડા વિસ્તારમાં બનેલી આ ઘટના અંગે અમે તપાસ કરી રહ્યા છીએ.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 1:19 pm

કાળમુખી સ્કોર્પિયો ટ્રેક્ટર સાથે ધડાકાભેર અથડાઈ:તોતીંગ ટાયર નીચે દબાઈ જવાથી ખેડૂતનું મોત, આઈશરની ટક્કરે બાઇકચાલકનો જીવ ગયો, સાબરકાંઠામાં અકસ્માતોની વણઝાર

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પંથકમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ ગમખ્વાર અકસ્માતમાં બેનાં મોત અને ચાર લોકો ઘાયલ થયા છે. હિંમતનગર-વિજાપુર હાઈવે અને નેશનલ હાઈવે 48 પર બનેલી આ ઘટનાઓએ ચકચાર મચાવી દીધી છે. 1. કૃષ્ણનગર પાટિયા પાસે સ્કોર્પિયોની ટક્કરે ખેડૂતનું મોત હિંમતનગર-વિજાપુર સ્ટેટ હાઈવે પર સોમવારે (6 એપ્રિલે) સવારે એક કાળમુખી સ્કોર્પિયો કારે ટ્રેક્ટર-ટ્રેલરને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. સ્કોર્પિયોની ઝડપ એટલી વધારે હતી કે, ટ્રેક્ટર રસ્તાની સાઈડમાં જઇને પડ્યુ હતું. અકસ્માત બાદ ટ્રેક્ટરચાલક ખેડૂત રાકેશસિંહ અર્જુનસિંહ મકવાણા (ઉં.વ. આશરે 40, રહે મોર ડુંગરા તા.હિંમતનગર) ટાયર નીચે દબાઈ ગયા હતા. હિંમતનગર ફાયર વિભાગના ઓફિસર મયંક પટેલે જણાવ્યું કે, કોલ મળતાં જ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને 15 મિનિટની જહેમત બાદ ટાયર નીચે દબાયેલા ખેડૂતના મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ અકસ્માતમાં ખેડૂતનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિને ઈજાઓ પહોંચતાં સારવાર માટે ખસેડાયા હતા. હિંમતનગર રૂરલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 2. રણાસણ ત્રણ રસ્તા પાસે આઈશર-બાઈક અકસ્માત: એક યુવાનનું મોત બીજી ઘટના હિંમતનગરના ગાંભોઈ નજીક રણાસણ ત્રણ રસ્તા ઓવરબ્રિજ પાસે બની હતી. શામળાજી તરફથી આવતી એક આઈશર ટ્રકે રોડ ક્રોસ કરી રહેલા બાઈકને અડફેટે લીધું હતું. બાઈક પર સવાર ત્રણેય યુવાન હિંમતનગરના વાટડા ગામના હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં નીતીનસિંહ રંગુસિંહ પરમાર (ઉં.વ. 35)નું મોત નિપજ્યું હતું. જ્યારે નારણસિંહ વજેસિંહ પરમાર (ઉં.વ. 36)ને ગંભીર ઈજા અને દલપત પરમાર (ઉં.વ. 37)ને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ગાંભોઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી આઈશર ટ્રક કબજે લીધી છે અને ઘાયલોને સારવાર અર્થે ગાંભોઈ આરોગ્ય કેન્દ્રમાં ખસેડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. 3.વિરાવાડા પાસે બેફામ ટ્રકે કારનો કચ્ચરઘાણ વાળ્યો, પરિવારનો બચાવ હિંમતનગર-શામળાજી નેશનલ હાઈવે 48 પર રવિવારે રાત્રે 1:40 વાગ્યાની આસપાસ એક ચમત્કારિક ઘટના બની હતી. અમદાવાદના નરેન્દ્ર ચૌહાણ પોતાના પરિવાર સાથે વેરના કાર લઈને ઉદેપુર જઈ રહ્યા હતા. વિરાવાડા પાસે આવેલી હોટલ સર્વોત્તમ પાસે પરિવારે કાર પાર્ક કરી અને જમવા માટે હોટલમાં ગયા. આના ગણતરીની મિનિટોમાં જ એક બેફામ દોડતી ટ્રકે રોડ સાઈડનો વીજ થાંભલો તોડીને પાર્ક કરેલી કારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જો પરિવાર કારની અંદર હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત, પરંતુ પરિવાર હોટલમાં હોવાથી તમામનો આબાદ બચાવ થયો છે. ગાંભોઈ પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. સાબરકાંઠામાં વધતા જતાં માર્ગ અકસ્માતો ચિંતાનો વિષય બન્યા છે. ખાસ કરીને હાઈવે પર ઓવરસ્પીડ અને બેદરકારીભર્યું ડ્રાઈવિંગ નિર્દોષ લોકોના જીવ લઈ રહ્યું છે. પોલીસ દ્વારા વાહનચાલકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 1:17 pm

ગૌમાંસ કેસના બાતમીદાર પર હુમલો:દ્વારકાના રૂપેણબંદરમાં પાંચ શખ્સોએ છરીના ઘા ઝીંક્યા

દ્વારકાના રૂપેણબંદર વિસ્તારમાં ગૌમાંસના કેસમાં પોલીસને માહિતી આપનાર 24 વર્ષીય યુવક પર પાંચ શખ્સોએ જાહેરમાં છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. રૂપેણબંદરના છપરાબજારમાં રહેતા જેનુલ ઇશાભાઈ લુચાણીએ અગાઉ ગૌમાંસના એક કેસમાં પોલીસને મહત્વપૂર્ણ માહિતી આપી હતી. આ બાબતને લઈને આરોપીઓએ મનમાં અદાવત રાખી હતી. આ ઘટના 5 એપ્રિલ, 2026ના રોજ રાત્રે આશરે 8 વાગ્યે બની હતી. જેનુલ દતારી ચોક ખાતે પ્રાથમિક શાળા નજીક હાજર હતો, ત્યારે પાંચ શખ્સોનું ટોળું ત્યાં પહોંચ્યું હતું. હુમલાખોરોમાં હાજી સિદીક ભેસલીયા, જાવીદ જાકુબ ઇસબાણી, ઇબ્રાહીમ ઉર્ફે નાના ઉમર ભેસલીયા, સલીમ આલી ભેસલીયા અને ડાડા જુમા ભેસલીયાનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓએ ફરિયાદી અને સાહેદોને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર માર્યો હતો. આ હુમલા દરમિયાન, જાવીદ ઇસબાણીએ સાહેદના માથામાં છરીનો ઘા ઝીંક્યો હતો, જેના કારણે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ દરમિયાન આરોપીઓએ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા હથિયારબંધીના આદેશનો પણ ભંગ કર્યો હતો. ઘટના અંગે જેનુલ લુચાણીની ફરિયાદના આધારે દ્વારકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હાલ આ કેસની તપાસ પીએસઆઈ નરેન્દ્રસિંહ સુરુભા ગોહિલ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 1:13 pm

‘કોંગ્રેસ આપને દ્વાર’ અને ‘જનમંચ’ થકી રાજકોટના પ્રશ્નોને વાચા આપી:કોંગ્રેસે જનતાના સૂચનોને આધારે તૈયાર કરેલો ‘જનતાનો મેનિફેસ્ટો’ રજૂ કર્યો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે રાજ્યના સર્વાંગી વિકાસ અને સામાજિક ન્યાયના સંકલ્પ સાથે ‘જનતાનો મેનિફેસ્ટો’ જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી રાજ્યભરમાં ચલાવવામાં આવેલા ‘કોંગ્રેસ આપને દ્વાર’ અભિયાન અંતર્ગત કોંગ્રેસના કાર્યકરોએ દરેક ઘર સુધી પહોંચીને શિક્ષણ, રસ્તા, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા પાયાના પ્રશ્નો પર જનતાના સીધા સૂચનો મેળવ્યા હતા, જેના આધારે મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવ્યો છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજકીય ઇતિહાસમાં પ્રથમ વખત પ્રજાની વચ્ચે જઈને તૈયાર કરાયેલા આ મેનિફેસ્ટો અંગે પક્ષના નેતૃત્વએ જણાવ્યું હતું કે, જે લોકોની રજૂઆતો સરકારી કચેરીઓમાં સાંભળવામાં આવતી નથી, તેમના માટે વોર્ડ દીઠ ‘જનમંચ’ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. આ મંચ પરથી મળેલી ફરિયાદો અને ગેરવહીવટના પુરાવાઓને આધારે ભાજપ સરકારના સત્તાધીશો સામે કમિટમેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આ મેનિફેસ્ટો એટલે સત્ય, સમાનતા, વિકાસ અને સામાજિક ન્યાય પ્રત્યેની અમારી કટિબદ્ધતા છે. કોંગ્રેસ પાર્ટીનો ઈતિહાસ છે કે તેણે જ્યારે પણ જે કંઈ કહ્યું છે તે કરીને બતાવ્યું છે. આજના આધુનિક ભારતનો પાયો કોંગ્રેસે જ નાખ્યો છે અને નગર રચનામાં કોંગ્રેસનો ફાળો અભૂતપૂર્વ રહ્યો છે. રાજકોટ શહેર માટે કોંગ્રેસના મુખ્ય કમિટમેન્ટ્સ (1) નવા ભળેલા વિસ્તારો માટે વિશેષ વિકાસ પેકેજ માધાપર, મણહરપુર-1, ઘંટેશ્વર, મુંજકા અને મોટામવા જેવા નવા સમાવેશ કરાયેલા વિસ્તારો માટે વિશેષ વિકાસ પેકેજનું આયોજન કરીશું. (2) ઘરવેરો અને આવાસ 70 વાર સુધીના મકાનો પર ઘરવેરો સંપૂર્ણ માફ કરીશું અને દસ્તાવેજ ધરાવતા રહેણાંક મકાનો માટે વેરામાં 50% સુધી રાહત આપીશું. 'પહેલા રિહેબિલીટેશન, પછી જ ડિમોલિશન'ના સિદ્ધાંતને અનુસરી વૈકલ્પિક આવાસ આપ્યા વગર ડિમોલિશન નહીં કરીએ. (3) પાણી વ્યવસ્થાપન 15 મિનિટના પાણી વિતરણને વધારી 45 મિનિટ કરીશું. ગટર અને પીવાની લાઈનો અલગ કરી ગંદા પાણીથી મુક્તિ અપાવીશું તથા વોટર ટાસ્ક ફોર્સ બનાવી રાજકોટને પૂરતું પાણી આપીશું. (4) ટ્રાફિક અને પાર્કિંગ દરેક ઝોનમાં ફ્રી પાર્કિંગ સુવિધા ઊભી કરીશું. પાર્કિંગની જગ્યાઓ દબાણમુક્ત કરી ફૂટપાથોને ફરી ચાલવાલાયક બનાવીશું. (5) સિટી બસ સેવા બસ સેવાને સોસાયટીઓ અને નવા વિસ્તારો સુધી પહોંચાડીશું. મહિલાઓ, વિદ્યાર્થીઓ અને સિનિયર સિટિઝનોને વિનામૂલ્યે મુસાફરીની સુવિધા આપીશું. (6) શિક્ષણ દરેક વોર્ડમાં આધુનિક ડિજિટલ શાળા શરૂ કરી તેનું CBSE કે સેન્ટ્રલ બોર્ડ સાથે જોડાણ કરીશું. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ફ્રી કોચિંગ સેન્ટર અને શિક્ષણ માટે WiFi ઝોન ઊભા કરીશું. (7) રમતગમત ઝોન પ્રમાણે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ બનાવી ફ્રી પ્રોફેશનલ કોચિંગ આપીશું. દરેક ગાર્ડનમાં નાના બાળકો માટે ટોડલર ઝોન હેઠળ વિશેષ સુવિધાઓ ઊભી કરીશું. (8) રિઝર્વ પ્લોટ SC, ST, OBC અને EWS વર્ગ માટેના રિઝર્વ પ્લોટ્સને તે જ વર્ગના હિત માટે ઉપયોગમાં લઈશું. (9) મહિલા વિશેષ યોજના મહિલાઓ માટે મહિલા કોચ ધરાવતું ફ્રી જીમ, લાઈબ્રેરી મેમ્બરશિપ અને સુરક્ષિત પિન્ક ટોઈલેટ બનાવીશું. કોર્પોરેશનની ભરતીમાં મહિલાઓને 50% પ્રાધાન્ય આપીશું. (10) આરોગ્ય સેવાઓ દરેક વોર્ડ દીઠ 24/7 આરોગ્ય કેન્દ્રો અને નવી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરીશું. સિનિયર સિટિઝનને વાર્ષિક ફૂલ બોડી ચેક-અપ અને ફ્રી દવાઓ આપીશું. (11) પર્યાવરણ અને AQI શહેરનું ગ્રીન કવર વધારવા માટે મોટા પાયે વૃક્ષારોપણ કરીશું અને હવાની ગુણવત્તા (AQI) સુધારી પ્રદૂષણનું સ્તર ઘટાડીશું. આ ઉપરાંત શહેર પ્રમુખે જણાવ્યું હતું કે, સફાઈ કામદારોની કાયમી ભરતી, લારી-ગલ્લા ધારકોને વ્યાપારિક દરજ્જો, ધાર્મિક સ્થળો માટે વિશેષ ફંડ અને પૂર્વ ઝોન માટે અલગ ટાસ્ક ફોર્સની રચના. ભ્રષ્ટાચાર કરનારા નેતાઓ અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસ કટિબદ્ધ છે. અમારો આ મેનિફેસ્ટો માત્ર વચન પત્ર નથી આ અમારું જનતા સાથેનું કમિટમેન્ટ છે. જેને અમે સત્તામાં આવતા જ પૂર્ણ કરવા માટે કટિબધ્ધ છીએ.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 1:06 pm

'પતિ સંતાનોની ફી ભરતા નથી, ઘરે અપશબ્દો બોલે છે':'શંકા રાખીને નોકરી છોડી દેવા મજબૂર કરી', પતિનું કાઉન્સેલિંગ કરી અભયમે મહિલાનું ઘર તૂટતા બચાવ્યું

વડોદરા શહેરમાં એક મહિલાએ અભયમ હેલ્પલાઇન પર કોલ કરી પતિ દ્વારા થતા માનસિક અને શારીરિક ત્રાસ અંગે ફરિયાદ નોંધાવી હતી.કોલ મળતા જ અભયમની ટીમ તાત્કાલિક મહિલાના નિવાસ સ્થાને પહોંચી હતી અને કાઉન્સેલિંગ હાથ ધર્યું હતું.જેના કારણે પતિએ ભૂલ સ્વીકારતા મામલો થાળે પડ્યો હતો. 'બાળકોની સ્કૂલ વાનની ફી પતિ ભરતા નથી'કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ જણાવ્યું હતું કે,તેના લગ્ન સામાજિક રીત-રિવાજ મુજબ આશરે સાત વર્ષ પહેલાં થયા હતા, તે સંયુક્ત કુટુંબમાં રહે છે. તેને બે સંતાનો છે. પતિ છૂટક મજૂરી કરે છે,પરંતુ છેલ્લા એક વર્ષથી તે સતત માનસિક અને શારીરિક ત્રાસ આપે છે.છેલ્લા બે મહિનાથી બાળકોની સ્કૂલ વાનની ફી બાકી હોવા છતાં પતિ ફી ભરવા તૈયાર નથી અને બાળકોને ભણવા મોકલવા અંગે પણ નિરસતા દર્શાવે છે. 'શંકા કરીને નોકરી છોડવા મજબૂર કરે છે'મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, ઘરમાં આર્થિક તંગી છે અને બે દિવસથી અનાજ પણ નથી.તાજેતરમાં જેઠના અવસાનને એક મહિનો થયો છે,જેના કારણે પરિસ્થિતિ વધુ વિકટ બની છે.પતિ વ્યસન કરીને ઘરે આવી અપશબ્દો બોલે છે,મારઝૂડ કરે છે અને શંકા રાખી નોકરી પણ છોડી દેવા મજબૂર કરી છે.સાથે જ પિયર જવા માટે ધમકીઓ આપી ઘરમાંથી કાઢી મુકવાની ધમકી આપે છે. અભયમે દંપતી વચ્ચે સમાધાન કરાવ્યુંઆ સમગ્ર મામલે અભયમ ટીમે પતિને કાયદાકીય માર્ગદર્શન આપી પત્ની અને બાળકો પ્રત્યે હિંસા ન કરવા કડક ચેતવણી આપી હતી.આર્થિક સંકટ હોવા છતાં પરિવારજનો પર અત્યાચાર કરવો યોગ્ય નથી અને બાળકોના ભણતર પર તેની અસર ન થવી જોઈએ તે બાબતે સમજાવવામાં આવ્યું હતું. અંતે પતિએ પોતાની ભૂલ સ્વીકારી પત્ની સાથે સમાધાન કર્યું હતું અને ભવિષ્યમાં આવી ઘટના પુનરાવર્તિત થશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 1:03 pm

પરીક્ષાના પહેલા દિવસે જ નવા વાડજની સૌરભ સ્કૂલમાં વિવાદ:ફી બાકી હોય તેવા વિદ્યાર્થીઓને શાળા બહાર ઊભા રાખ્યાનો વાલીનો આક્ષેપ, કોઈ ભૂલ વાલીથી થયાનો સ્કૂલનો લૂલો બચાવ

આજથી ધોરણ 3થી 5ની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે. જે આગામી 11 એપ્રિલના રોજ પૂર્ણ થવાની છે. ત્યારે પરીક્ષાના પહેલા દિવસે જ નવા વાડજ વિસ્તારમાં આવેલી શાળામાં વિવાદ સર્જાયો છે. સૌરભ સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ છેલ્લા સેમેસ્ટરની ફી ન ભરનાર વિદ્યાર્થીઓને બહાર ઊભા રાખવામાં આવ્યા હતા. 20 કરતા વધુ વિદ્યાર્થીઓએ ફી ભરી ન હોવાથી પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા ન હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે.ફી ક્યારે ભરશો તેની બાહેંધરી વાલીઓ પાસેથી લીધા બાદ જ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા દેવામાં આવી હોવાનો પણ વાલીઓએ દાવો કર્યો છે. જો કે સ્કૂલે લૂલો બચાવ કરીને જણાવ્યું હતું કે કોઈ વિદ્યાર્થીને બહાર ઉભા રાખવામાં આવ્યા નથી. મારી દીકરીને પરીક્ષા આપવાની ના પાડી:વાલીવાલીએ જણાવ્યું હતું કે, મારી દીકરી અહીંયા શાળામાં અભ્યાસ કરે છે. સવારે 7.30 વાગ્યે મારી દીકરીના બે ફોન આવે છે. એક ફોન ઉપાડી ન શકી જે બાદ બીજો કોલ ઉપાડ્યો હતો. મારી દીકરીએ એવું કહ્યું હતું કે મને પરીક્ષા આપવાની ના પાડવામાં આવી છે.ફી અત્યારે ભરશો તો જ પરીક્ષા આપવા મળશે તેવું કહેવામાં આવ્યું હતું. છેલ્લા સેમેસ્ટરની 6 હજાર રૂપિયા ફી બાકી છે,બાકી બધી ફી ભરી દીધી છે.માત્ર મારી દીકરી જ નહીં અન્ય જે વિદ્યાર્થિઓની ફી બાકી હતી તે તમામને પરીક્ષા આપવાની ના પાડવામાં આવી હતી. 'ફી ભરવાની ખાતરી આપ્યા બાદ પરીક્ષા આપવા દીધી'વધુમાં વાલીએ જણાવ્યું હતું કે, મેં સર સાથે વાત કરી તો તેમણે એવું કહ્યું કે તમારે ફી ભરવી જ પડશે તો જ પરીક્ષા આપવા મળશે.જેથી મેં કહ્યું કે હું આજે ફી ભરી દઈશ તમે પરીક્ષા આપવા દો હું અત્યારે પહોંચી શકું તેમ નથી થોડીવારમાં આવીને ફી ભરી દઈશ. જેથી તરત આવીને કહ્યું કે 27 કલાકમાં હું ફી ભરી દઈશ જે બાદ મારી દીકરીને પરીક્ષામાં બેસવા દીધી હતી. બાકી બીજા વિદ્યાર્થીઓને બહાર ઊભા રાખવામાં આવ્યા હતા.જેના માતા પિતા આવ્યા તેમને કહ્યું કે ફી ભરી દઈશું તેવા જ વિદ્યાર્થીઓને અંદર જવા દેવામાં આવ્યા હતા. 8.30 વાગ્યા સુધી તો જવા દેવામાં પણ આવતા નહતો. એક સાથે ભરવી હોય તો એક સાથે પણ ભરી શકાય છે અને અલગથી ભરવી હોય તો અલગથી પણ ભરી શકાય છે. પરંતુ બધી ભરી દીધી છે ખાલી છેલ્લી સેમેસ્ટરની જ ફી જ બાકી હતી. વાલીઓથી કોઈ ભૂલ થઈ હશે:ઇન્ચાર્જ પ્રિન્સિપાલસૌરભ સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તુલિકા શાહે જણાવ્યું હતું કે, આજથી પરીક્ષા શરૂ ગઈ છે તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જે વિદ્યાર્થીઓની ફી બાકી હતી તેમના વાલીને ફોન કરવામાં આવ્યો છે, પરંતુ તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા આપી રહ્યા છે. અત્યારે તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.એવું નથી કે ફી બાકી હોય તો પરીક્ષા નહીં આપવા દઈએ. કોઈપણ વિદ્યાર્થીને બહાર ઊભા રાખવામાં આવતા ન હતા વાલીઓથી કોઈ ભૂલ થઈ હશે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 1:00 pm

ખારાઘોડા રણમાં મીઠું ખેંચવાની સીઝન પુરજોશમાં:40 ડિગ્રી તાપમાનમાં જેસીબી-ડમ્પરોથી કામગીરી ચાલુ

ખારાઘોડા-ઝીંઝુવાડા રણમાં મીઠું ખેંચવાની સીઝન પુરજોશમાં ચાલી રહી છે. હાલમાં જેસીબી અને ડમ્પરો દ્વારા મીઠું ખેંચવાની કામગીરી થઈ રહી છે. રણમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચતા અગરિયાઓ અને મીઠા મજૂરોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી રણકાંઠા વિસ્તારમાં અસહ્ય બફારા વચ્ચે ગરમીનો પારો 40 ડિગ્રી વટાવી ગયો છે. રણમાં ક્યાંય છાંયડાનું નામોનિશાન ન હોવાથી અગરિયાઓ, ખાસ કરીને મહિલાઓ અને બાળકો, આકરી ગરમીમાં અકળાઈ ઉઠ્યા છે. અગાઉ રણમાં ટ્રકોમાં પાવડા અને બખડીયા દ્વારા મીઠું ભરવામાં આવતું હતું. ખારાઘોડા ગંજે પણ મજૂરો દ્વારા મીઠું ખાલી કરીને ગંજો બનાવવામાં આવતો હતો. જોકે, યાંત્રિક યુગ આવતા હવે જેસીબી, બુલડોઝર અને ડમ્પરો જેવા સાધનોએ આ કામદારોની જગ્યા લઈ લીધી છે, જેના કારણે અનેક મીઠા કામદારો બેકાર બન્યા છે. મીઠું ખેંચવાની આ સીઝન આગામી અઢીથી ત્રણ મહિના સુધી ચાલવાનો અંદાજ છે. મીઠાના વેપારીઓના મતે, આ વર્ષે રણમાંથી ખારાઘોડા ગંજે અંદાજે 15 લાખ મેટ્રિક ટન મીઠું આવવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 12:50 pm

યુવક કોંગ્રેસ, NSUI દ્વારા RTE ફોર્મ ભરવા હેલ્પ સેન્ટર શરૂ:જામનગરમાં વાલીઓને મફત પ્રવેશ પ્રક્રિયામાં વિનામૂલ્યે મદદ મળશે

જામનગર: આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ મળી રહે તે હેતુથી અમલમાં આવેલા 'રાઈટ ટુ એજ્યુકેશન' (RTE) એક્ટ હેઠળ વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. આ પ્રક્રિયામાં વાલીઓને મદદરૂપ થવા માટે યુવક કોંગ્રેસ અને NSUI જામનગર દ્વારા વિનામૂલ્યે હેલ્પ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કોંગ્રેસની UPA સરકાર દ્વારા ૨૦૦૯માં અમલમાં મુકાયેલા આ કાયદા હેઠળ ખાનગી શાળાઓમાં ૨૫% બેઠકો આર્થિક રીતે નબળા બાળકો માટે અનામત રાખવામાં આવે છે. આ યોજના અંતર્ગત ધોરણ ૧ થી ૮ સુધીનું શિક્ષણ સંપૂર્ણ મફત આપવામાં આવે છે. ઉપરાંત, વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને સ્ટેશનરી માટે વાર્ષિક ₹૩,૦૦૦ની સહાય સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. RTEના ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા તારીખ 04/04/2026થી 17/04/2026 સુધી ચાલશે. વાલીઓની સુવિધા માટે યુવક કોંગ્રેસ અને NSUI દ્વારા શરૂ કરાયેલા આ હેલ્પ સેન્ટર પર કોઈ પણ પ્રકારના ચાર્જ વગર ફોર્મ ભરી આપવામાં આવશે. આ હેલ્પ સેન્ટર જામનગરમાં ઝવેર ચેમ્બર, ઓફિસ નંબર ૫૦૨, પાંચમો માળ, અંબર ટૉકીઝ રોડ, માણેક સેન્ટરની બાજુમાં કાર્યરત છે. વાલીઓ સાંજે ૪:૦૦ થી ૭:૦૦ વાગ્યા દરમિયાન આ સેવાનો લાભ લઈ શકશે. વધુ જાણકારી કે સહાય માટે ડો. તોષીફખાન પઠાણ (88660 55555), શક્તિસિંહ જેઠવા (93268 11111), મહિપાલસિંહ જાડેજા (95585 49999) અને રવિરાજસિંહ ગોહિલ (95325 22222) નો સંપર્ક કરી શકાય છે. આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ વાલીઓને સમયમર્યાદામાં આ સેવાનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 12:49 pm

પાટણ પાલિકાએ 2026-27ના વેરા વસૂલાતનો પ્રારંભ કર્યો:એડવાન્સ વેરો ભરવા અરજદારોની ભીડ, 6 કાઉન્ટર પર વ્યવસ્થા

પાટણ નગરપાલિકાએ નાણાકીય વર્ષ 2026-27 માટે વેરા વસૂલાતનો સોમવારથી પ્રારંભ કર્યો છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં કરદાતાઓ એડવાન્સ વેરો ભરવા પાલિકા કચેરી અને સિવિક સેન્ટર ખાતે ઉમટી પડ્યા હતા. પાલિકા તંત્ર દ્વારા અરજદારોની સુવિધા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વેરા વસૂલાતની પ્રક્રિયા સુચારુ રીતે ચાલે તે માટે કુલ 6 કાઉન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. આ વ્યવસ્થાને કારણે અરજદારોનો વેરો માત્ર 2 થી 4 મિનિટના ટૂંકા સમયમાં સ્વીકારીને પાવતી આપી દેવામાં આવે છે. વેરા શાખાના સુપ્રિટેન્ડેન્ટ લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું કે, સોમવારે સવારથી જ અરજદારોની ભારે ભીડ જોવા મળી હતી, જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. પાટણ નગરપાલિકાની વેરા શાખાની કચેરીમાં સવારે 10:30 થી સાંજે 05:00 વાગ્યા સુધી વેરો સ્વીકારવામાં આવે છે. આ ઉપરાંત, ગાંધી બાગ સ્થિત સિવિક સેન્ટર ખાતે સવારે 10:30 થી બપોરે 04:00 વાગ્યા સુધી કરદાતાઓ પોતાનો વેરો ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. કર્મચારીઓ માટે દિવસમાં 2 થી 3 વખત રિસેસ ટાઈમ પણ રાખવામાં આવ્યો છે, જેથી કામગીરીની સાતત્યતા જળવાઈ રહે. પાલિકા તંત્ર દ્વારા વેરો ભરવા આવતા નાગરિકોની સવલતનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે. ખાસ કરીને સિનિયર સિટીઝન અરજદારોને ઊભા ન રહેવું પડે તે માટે બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ઉનાળાની સિઝન અને ગરમીને ધ્યાનમાં રાખીને તમામ અરજદારો માટે ઠંડા મિનરલ પાણીની બોટલની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આગામી નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી ભરનાર દાવેદારો પણ પોતાનો વેરો ભરવા માટે દોડી આવ્યા હતા. 10% સીધું વળતર: 6 એપ્રિલ 2026 થી પાલિકાના 5 વિશેષ કાઉન્ટરો શરૂ થશે. જે કરદાતા પોતાની મિલકતનો સંપૂર્ણ વેરો સાથે ભરશે, તેમને 10% વળતર (ડિસ્કાઉન્ટ) આપવામાં આવશે. નોટિસ ફી માંથી મુક્તિ: 30 જૂન 2026 સુધી પાણી અને ગટર વેરામાં કોઈ પણ પ્રકારની નોટિસ ફી લાગશે નહીં. એટલે કે, જૂન મહિના સુધીમાં વેરો ભરનારને વધારાના ચાર્જમાંથી મુક્તિ મળશે. 20% દંડ (પેનલ્ટી) થી બચો: જો તમે 1 જુલાઈ 2026 સુધી વેરો નહીં ભરો, તો પાણી અને ગટર વેરામાં 20% નોટિસ ફી (પેનલ્ટી) લાગુ થશે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 12:46 pm

ઉમરગામ નગરપાલિકા ચૂંટણી: 26 એપ્રિલે મતદાન:7 વોર્ડની 28 બેઠકો માટે રાજકીય ગરમાવો તેજ બન્યો

ઉમરગામ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે, જેના પગલે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આગામી 26 એપ્રિલના રોજ પાલિકાના 7 વોર્ડની કુલ 28 બેઠકો માટે મતદાન યોજાશે. આ ચૂંટણીમાં 50 ટકા મહિલા અનામત બેઠકો હોવાથી મહિલા ઉમેદવારોની ભૂમિકા મહત્વની રહેશે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર, કુલ 28 બેઠકો માટે અનામતનું માળખું નક્કી કરાયું છે. જેમાં પછાત વર્ગ (OBC) માટે 8 બેઠકો, અનુસૂચિત આદિજાતિ (ST) માટે 4 બેઠકો અને અનુસૂચિત જાતિ (SC) માટે 1 બેઠક અનામત રાખવામાં આવી છે. કુલ 14 બેઠકો (50 ટકા) મહિલાઓ માટે અનામત છે, જ્યારે 7 બેઠકો સામાન્ય વર્ગ માટે ફાળવવામાં આવી છે. ઉમરગામ નગરપાલિકા વિસ્તારની કુલ વસ્તી 27,859 છે. વસ્તીના વિશ્લેષણ મુજબ, વોર્ડ નંબર 6 સૌથી વધુ વસ્તી ધરાવે છે, જ્યાં 6,514 લોકો વસવાટ કરે છે. જ્યારે વોર્ડ નંબર 7 સૌથી ઓછી વસ્તી ધરાવતો વોર્ડ છે, જેની વસ્તી 2,900 છે. ઉમરગામ નગરપાલિકા પર વર્ષોથી ભારતીય જનતા પાર્ટી (BJP)નું પ્રભુત્વ રહ્યું છે. જોકે, આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) પણ સત્તા મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે, અત્યાર સુધી એકપણ પક્ષ દ્વારા સત્તાવાર રીતે ઉમેદવારોના નામ જાહેર કરાયા નથી. તમામ રાજકીય પક્ષો હાલમાં ઉમેદવારોની પસંદગીને લઈને 'વેઈટ એન્ડ વોચ'ની સ્થિતિમાં છે. જ્ઞાતિગત સમીકરણો અને મહિલા અનામત બેઠકોને ધ્યાનમાં રાખીને મજબૂત દાવેદારોની પસંદગી માટે પક્ષના મોવડી મંડળમાં ચર્ચાઓ ચાલી રહી છે. ટૂંક સમયમાં જ પક્ષો દ્વારા તેમના ઉમેદવારોના નામની જાહેરાત થવાની સંભાવના છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 12:45 pm

સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી, 26 એપ્રિલે મતદાન:12.77 લાખથી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે, કંટ્રોલરૂમ કાર્યરત

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આગામી 26 એપ્રિલ, 2026ના રોજ યોજાશે. આ માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લાના અંદાજે 12.77 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 30 એપ્રિલ સુધીમાં પૂર્ણ થશે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026નું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સહિત જિલ્લાની વિવિધ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં લોકશાહીના પર્વની ઉજવણી થશે. વહીવટી તંત્ર દ્વારા નિષ્પક્ષ અને પારદર્શી રીતે ચૂંટણી સંપન્ન કરવા માટે સુદ્રઢ આયોજન કરાયું છે. રાજ્ય ચૂંટણી આયોગની જાહેરાત મુજબ, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ઉપરાંત ધ્રાંગધ્રા, પાટડી, ચોટીલા અને લીંબડી નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી યોજાશે. થાનગઢ નગરપાલિકાના વોર્ડ નં. 1ની ખાલી પડેલી બેઠક માટે પેટા ચૂંટણી પણ યોજાશે. પંચાયત સ્તરે, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની 32 બેઠકો અને જિલ્લાના 10 તાલુકાઓની કુલ 180 તાલુકા પંચાયત બેઠકો માટે સામાન્ય ચૂંટણીનું આયોજન કરાયું છે. ચૂંટણી પ્રક્રિયાના નિર્ધારિત સમયપત્રક મુજબ, 6 એપ્રિલ, 2026ના રોજ સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ થશે. ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા 11 એપ્રિલ, 2026 સુધી ચાલશે, ત્યારબાદ 13 એપ્રિલ, 2026ના રોજ ચકાસણી હાથ ધરાશે. ઉમેદવારો 15 એપ્રિલ, 2026 સુધીમાં ફોર્મ પરત ખેંચી શકશે. મતદાન 26 એપ્રિલ, 2026ના રોજ સવારે 07:00 થી સાંજના 06:00 કલાક દરમિયાન યોજાશે. મતગણતરી 28 એપ્રિલ, 2026ના રોજ થશે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 30 એપ્રિલ, 2026 સુધીમાં સંપન્ન થશે. ચૂંટણીના સુચારુ સંચાલન માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ કક્ષાએ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા પંચાયતની બેઠકો માટે 10 ચૂંટણી અધિકારીઓ અને 20 મદદનીશ ચૂંટણી અધિકારીઓ કાર્યરત રહેશે. તાલુકા પંચાયત માટે 20 ચૂંટણી અધિકારીઓ અને 20 મદદનીશ અધિકારીઓ, નગરપાલિકાઓ માટે 5 ચૂંટણી અધિકારીઓ અને 5 મદદનીશ અધિકારીઓ, તેમજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા માટે 3 ચૂંટણી અધિકારીઓ અને 3 મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરાઈ છે. જિલ્લામાં કુલ 12,77,560 મતદારો નોંધાયેલા છે. જેમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં 1,94,359, નગરપાલિકાઓમાં 1,10,456 અને જિલ્લા/તાલુકા પંચાયતોમાં 9,72,745 મતદારોનો સમાવેશ થાય છે. ચૂંટણી સંબંધિત કોઈપણ ફરિયાદ અથવા પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે કલેક્ટર કચેરી, સુરેન્દ્રનગરના ડિઝાસ્ટર શાખા ખાતે 24 કલાક કાર્યરત જિલ્લા કક્ષાનો કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. નાગરિકો 02752-284300, 285300 અથવા 285400 પર સંપર્ક કરી શકે છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 12:44 pm

જૈન સમાજની પ્રભુત્વ વાળી બે બેઠકો પર ટિકિટને લઈ વિવાદ:સાબરમતીમાં BJPમાંથી જૈન પુરુષ ઉમેદવાર ઉભો કરવા માગ; પાલડીમાં કોંગ્રેસે લઘુમતી મહિલાને ટિકિટ આપતા ભાજપના પ્રહાર

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રાજકીય પાર્ટીઓ દ્વારા ઉમેદવારો જાહેર કરવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે ભાજપના બાકી છે. આ વચ્ચે જ સાબરમતી અને થલતેડ વોર્ડમાં ટિકિટને લઈ ભાજપમાં આંતરિક વિવાદ જોવા મળી રહ્યો છે. સાબરમતી વોર્ડમાં જૈન સમાજે પુરુષ ઉમેદવારની ટિકિટ આપવા માગ કરી છે. બીજી તરફકોંગ્રેસ દ્વારા 5 એપ્રિલના રોજ મહાનગરપાલિકાઓમાં ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં પાલડી વોર્ડમાં લઘુમતી સમાજના મહિલાને ટિકિટ આપવામાં આવી છે, જેને લઈને એલિસબ્રિજ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ અમિત શાહ દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી લખ્યું કે, ‘વાહ રે કોંગ્રેસ વાહ, પાલડી વિસ્તારમાં લઘુમતી ઉમેદવાર, અશાંતધારાનો કડક અમલ થશે અને ડંકાની ચોંટે થશે.’ સાબરમતી વોર્ડમાં જૈન પુરુષને ટિકિટ આપવા માગગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આગામી ત્રણથી ચાર દિવસમાં ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. અમદાવાદમાં ભાજપમાંથી ટિકિટ મેળવવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો છે, ત્યારે સાબરમતી વોર્ડમાં સામાન્ય પુરુષ સીટ પરથી જૈન સમાજને ટિકિટ આપવા અંગેની માગ ઉઠી છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યાં મુજબ, સાબરમતી વિસ્તારના જૈન સમાજ દ્વારા ભાજપમાં સામાન્ય સીટ ઉપરથી જૈન સમાજના કોઈ કાર્યકર્તા કે હોદ્દેદારને ટિકિટ આપવા અંગે રજૂઆત કરવામાં આવી છે. અહીં પાટીદાર અને જૈન સમાજનું પ્રભુત્વમદાવાદ મહાનગરપાલિકાની 2021ની ચૂંટણીમાં સાબરમતી વોર્ડમાંથી સામાન્ય મહિલા સીટ ઉપરથી જૈન સમાજના મહિલાને ટિકિટ આપવામાં આવી હતી અને તેઓની જીત થઈ હતી. જોકે આ ચૂંટણીમાં જૈન સમાજમાંથી મહિલાની જગ્યાએ પુરુષને ટિકિટ આપવાની માગ ઉઠી છે. સાબરમતી વિસ્તારમાં સામાન્ય સીટ ઉપરથી અને પુરુષ ઉમેદવારમાં સૌથી વધારે પાટીદાર અને જૈન સમાજના મત હોવાના કારણે ભાજપ દ્વારા બંને સમાજના કાર્યકર્તાને ટિકિટ આપવામાં આવે છે. જોકે, ચાલુ વર્ષે જૈન સમાજ દ્વારા પુરુષ ઉમેદવારની માગ કરવામાં આવી છે, જેની પાછળનું કારણ છે કે તેમના સમાજના કામો અને સ્થાનિક લોકોના કામો પુરુષ ઉમેદવાર કરી શકે છે. મહિલા ઉમેદવાર સમય આપી ન શકતા હોવાના કારણે ઉપર સુધી રજૂઆત થતી નથી, જેને લઇને પુરુષ ઉમેદવારની માગ ઉઠી છે. વિવાદીત અને ત્રણ ટર્મ ચૂંટણી લડેલાને ટિકિટ નહિઅમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 2500થી વધારે દાવેદારો દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકામાં પૂર્વ કોર્પોરેટરોના નામોની ચર્ચા શહેર સંકલન બેઠકમાં કરવામાં આવી હોવાનું સૂત્રો મુજબ જણાવવામાં આવ્યું છે. જે ઉમેદવારો સ્વચ્છ છબી ધરાવે છે અને નિર્વિવાદિત કોર્પોરેટરોના નામોની ચર્ચા કરવામાં આવી છે. ત્રણ ટર્મ થઈ ચૂકેલા અને 60 વર્ષથી ઉપરના એક પણ ઉમેદવારની ચર્ચા કરવામાં આવી નથી. થલતેજ વોર્ડમાં ટિકિટને લઈને આંતરિક વિવાદસ્થાનિક સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, થલતેજ વોર્ડમાં ટિકિટને લઈને આંતરિક વિખવાદો સામે આવી રહ્યા છે. થલતેજ વોર્ડમાં તાજેતરમાં યોજાયેલી ભાજપની બેઠક દરમિયાન બિલ્ડરનાં પત્નીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. મહિલા કાર્યકર્તાએ આ વોર્ડમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી છે, પરંતુ પાર્ટી દ્વારા હજુ સુધી તેમના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. છતાં, બેઠક દરમિયાન કેટલાક કાર્યકરો દ્વારા તેમને આગળ વધીને અભિનંદન આપવામાં આવ્યા હતા. જેનાથી અન્ય કાર્યકરોમાં અસંતોષ ફેલાયો છે. પાલડીમાં કોંગ્રેસે લઘુમતિને ટિકિટ આપતા ભાજપે મુદ્દો બનાવ્યોપાલડી વિસ્તારમાં જૈન અને હિન્દુ ધર્મની વસ્તી સૌથી વધારે છે, તેમ છતાં કોંગ્રેસ દ્વારા પાલડી વોર્ડમાંથી લઘુમતી સમાજના મહિલાને ટિકિટ આપવામાં આવતા હવે ભાજપ દ્વારા મુદ્દો ઉભો કરવામાં આવ્યો છે. પાલડી વિસ્તારમાં ધીમે-ધીમે લઘુમતી સમાજનું પ્રભુત્વ વધી રહ્યું છે અને કેટલાક લોકો દ્વારા ત્યાં બાંધકામો ઉભા કરવા અથવા મકાનો ખરીદવામાં આવી રહ્યા હોવાને લઈને ભાજપના ધારાસભ્ય દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ‘કોંગ્રેસે મુસ્લિમ મહિલાને ટિકિટ આપી મેસેજ આપ્યો કે- તમારી સાથે છીએ’અમદાવાદના એલિસબ્રિજ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ અમિત શાહે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા પાલડી વોર્ડમાં મુસ્લિમને ટિકિટ આપવામાં આવી છે, ત્યારે પાલડી વોર્ડમાં 73 હજારથી વધારે હિન્દુ મતદારો અને 4200 જ મુસ્લિમ મતદારો છે. કોંગ્રેસ દ્વારા પાલડી વોર્ડમાં મુસ્લિમ સમાજના મહિલા ઉમેદવારને ટિકિટ આપતા કોંગ્રેસે એક મેસેજ આપ્યો છે કે, અમે તમારી સાથે જ છીએ અને પાલડીને જુહાપુરા બનાવવાના છે. જમાલપુરથી જુહાપુરા વાયા પાલડી વાસણા કરવામાં આવી રહ્યું છે. આમ આદમી પાર્ટીની ચોથી યાદી જાહેર, જિલ્લા પંચાયતનાઉમેદવાર આમ આદમી પાર્ટીની ચોથી યાદી જાહેર, તાલુકા પંચાયતના ઉમેદવાર યાદી 1 આમ આદમી પાર્ટીની ચોથી યાદી જાહેર, તાલુકા પંચાયતના ઉમેદવાર યાદી 2

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 12:41 pm

સુરતમાં પતિ-પત્નીનો આપઘાત:ઘરમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું; એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા

સુરતના સિંગણપોર ડભોલી વિસ્તારમાં પતિ-પત્નીએ ઘરમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. એક વર્ષ પહેલા જ બંનેના લગ્ન થયા હતા. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 12:38 pm

હનુમાનજીની કથા સ્થળે લઘુમતીના રાઈડ્સ સંચાલનથી હોબાળો:હિન્દુ સંગઠને રાઈડ્સ બંધ કરાવી એક-એકના નામ પૂછ્યા, 50 % ભાગીદારીનો કોન્ટ્રાક્ટર હિન્દુ હોવાનો કાર્યકરોનો આક્ષેપ

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં હનુમંત ચરિત્ર કથાની બહાર રાઈડ્સના સંચાલન મુદ્દે વિવાદ ઊભો થયો છે.કથા સ્થળે નાના બાળકો માટે રાખવામાં આવેલી રાઇડ્સનું સંચાલન લઘુમતી સમાજના લોકોને આપ્યું હોવાનો કોન્ટ્રાક્ટર પર સ્થાનિક હિન્દુ સંગઠને આક્ષેપ કર્યો છે.આ મુદ્દે સંગઠનના યુવાનોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને હોબાળો મચાવીને રાઇડસ બંધ કરાવી હતી. ઘનશ્યામ વાવડિયા નામના વ્યક્તિએ આ કોન્ટ્રાક્ટમાં લઘુમતી સમાજના લોકો સાથે ભાગીદારી કરી હોવાનો પણ હિન્દુ સંગઠને આક્ષેપ કર્યો છે. રાત્રિના સમયે કથા સ્થળે સંગઠનના લોકો પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. એટલું જ નહીં રાઇડ્સ બંધ કરાવી દીધી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસને બોલાવવામાં આવી હતી. ‘હિન્દુઓની ધાર્મિક લાગણીઓ દુભાવી’હિન્દુ સંગઠનના યુવાનોનો આક્ષેપ છે કે, લઘુમતી સમાજના લોકોને રાઈડ્સનું સંચાલન આપીને હિન્દુઓની ધાર્મિક લાગણીઓ દુભાવી છે,જેના કારણે ભારે રોષ ફેલાયો છે.આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે,જેને પગલે મામલો વધુ ચર્ચાનો વિષય બન્યો છે. ‘કથા સ્થળે અમારા કાર્યકરોએ ચેકિંગ કર્યું’હિન્દુ એકતા સંગઠનના સભ્ય નયન સકપાલએ જણાવ્યું હતું કે, રવિવારના રોજ હિન્દુ સંગઠન ગોત્રી દ્વારા આ સમગ્ર વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.અત્યારે કલાનગરી ગ્રાઉન્ડ ઉપર હનુમાનજીની કથા ચાલી રહી છે. ત્યાં શાંતિનો ભંગ ન થાય અને અપવિત્રતા ન ફેલાય તે હેતુથી અમે અહીં આવ્યા હતા. અમે કથા સ્થળે મેળાની અંદર અને બહાર એમ બંને બાજુ ચેકિંગ કર્યું.આ દરમિયાન અમને જાણવા મળ્યું કે,મેળામાં જેટલી પણ રાઈડ્સ છે, તે તમામ રાઈડ્સના માલિકો લઘુમતી સમાજના લોકો છે. ‘હિન્દુ કોન્ટ્રાક્ટર 50 ટકા ભાગીદારીમાં છે’નયન સકપાલે વધુમાં જણાવ્યું હતું કે,આ રાઈડ્સના કોન્ટ્રાક્ટર ઘનશ્યામભાઈ નામના એક હિન્દુ વ્યક્તિ છે.તેમણે 50 ટકાની ભાગીદારીમાં આ લોકોને હનુમાનજીની કથાની બાજુમાં જ રાઈડ્સનું સંચાલન આપેલું છે.આ બાબતને ધ્યાનમાં રાખીને અને હિન્દુત્વની પવિત્રતા જળવાઈ રહે તે માટે અમે અત્યારે આ બધી જ રાઈડ્સ બંધ કરાવી દીધી છે. આ સમગ્ર મુદ્દે કોન્ટ્રાક્ટર ઘનશ્યામ વાવડિયાએ જણાવ્યું હતું કે,કથામાં આપણે રાઈડ્સ ચલાવવા માટે માણસો રાખેલા છે.એમાં બે-ત્રણ છોકરાઓ હતા.જે યુપીના છોકરાઓ હતા,તે વતનમાં ગયા હોવાથી આ નવા છોકરાઓ રાખ્યા હતા.એ બાબતે કોઈકે માથાકૂટ કરી હશે પણ હવે બધું પતી ગયું છે.એમની સાથે કોઈ ભાગીદારી નથી.એ માત્ર મારા માણસો જ છે અને રાઈડ્સ પણ મારી પોતાની જ છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 12:33 pm

રાજકોટ કોંગ્રેસના વોર્ડ નં.13ના પૂર્વ કોર્પોરેટર નારાજ:અમને વિશ્વાસમાં લીધા વગર પાર્ટીએ અંજનાબેનને ટિકિટ આપી, ક્યારે પણ પાર્ટીના કોઈ કાર્યક્રમમાં જોયા નથી, ચૂંટણી પરિણામમાં અસર થઇ શકે

રાજકોટ મનપાની ચૂંટણીને લઇ કોંગ્રેસ દ્વારા ગઈકાલે 40 ઉમેદવારોના નામની જાહેરાત કરતાની સાથે જ નારાજગીના સુર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર 13ના પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે નારાજગી વ્યક્ત કરી વોર્ડ નંબર 13ના મહિલા ઉમેદવાર અંજનાબેન પંચાસરાને કોઈ ઓળખતું નથી આ પાર્ટીના કોઈ કાર્યક્રમમાં જોયા નથી. આ ચૂંટણીમાં અમે કમલેશ કોઠીવારને ટિકિટ ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી અને તેમને ટિકિટ ન આપવામાં આવે તો તેમને પોતાને ફાળવવામાં આવે તેવી માંગ પાર્ટી સમક્ષ રાખી હતી. જો કે પાર્ટીએ કમલેશ કોઠીવારને વોર્ડ નંબર 12માં ટિકિટ ફાળવી 13 નંબરમાં મિસ્ત્રી સમાજના અંજનાબેનને ટિકિટ ફાળવી છે જેને કોઈ ઓળખતું નથી માટે અમારી સાથ સંકલન કરી ટિકિટ ફાળવી હોત તો પરિણામ યોગ્ય આવી શકત જો કે આ ટિકિટ ફાળવણીથી ચૂંટણીના પરિણામ પર અસર ચોક્કસ થશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. રાજકોટ શહેર કોંગ્રેસમાં ટિકીટ જાહેર થયાની ગણતરીની કલાકોમાં જ વિવાદ સામે આવ્યો છે. જેમાં રાજકોટના પૂર્વ કોર્પોરેટર જાગૃતિ ડાંગરે વોર્ડ નંબર 13ના ઉમેદવારને લઇને નારાજગી વ્યક્ત કરી છે. જાગૃતિબેન દ્વારા વોર્ડ નંબર 13માં કમલેશ કોઠીવાલને ઉમેદવાર તરીકે જાહેર કરવાની માંગ કરી હતી જો કે કમલેશ કોઠીવાલના બદલે અંજના પંચાસરાને જાહેર કરતા જાગૃતિબેન દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. પાર્ટી દ્રારા અમને સંકલનમાં લીધા વગર જ નામો જાહેર કર્યાં છે જે ઉમેદવારને જાહેર કર્યા તેઓ પાર્ટીના કોઇ કાર્યક્રમમાં હાજર રહ્યા નથી. કોંગ્રેસના નેતા જ ઓળખતા નથી તો કેવી રીતે લોકો ઓળખે તે મોટો સવાલ છે. ટિકિટ ફાળવણી એ પાર્ટીનો નિર્ણય છે માટે પાર્ટીના નિર્ણય સાથે છીએ પરંતુ અમને વિશ્વાસમાં લીધાં હોત તો પરિણામ સારૂ મળ્યું હોત એવું અમારું ચોક્કસ માનવું છે. ચૂંટણી પરિણામ પર આની અસર જોવા મળે તો નવી નહિ કારણ કે લોકો વચ્ચે રહેતા નેતાને ટિકિટ ફાળવવામાં આવી નથી. હું 10 વર્ષથી આ વિસ્તારમાં કામ કરું છું મેં આ બહેનને ક્યારે પણ જોયા નથી. કમલેશને આ વોર્ડમાં ટિકિટ આપવાની માંગ એટલા માટે કરી હતી કારણ કે તે સ્થાનિક ઉમેદવાર છે અને લોકો વચ્ચે રહે છે 25 વર્ષથી પાર્ટીનો કાર્યકર છે. જ્ઞાતિ સમીકરણ આધારે અમે આ વિસ્તારમાં કમલેશને ટિકિટ આપવા માંગ કરી હતી.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 12:13 pm

જામનગરમાં નેવી અધિકારીઓની કારનો અકસ્માત, એકનું મોત:વ્હીલ છૂટું પડતાં કાર પલટી, તાલીમાર્થી ગાડીમાંથી બહાર ફંગોળાઈ જતાં મોતને ભેટ્યો, બેને ઈજા

જામનગરના વાલસુરા રોડ પર રવિવારે થયેલા માર્ગ અકસ્માતમાં નેવીના એક તાલીમાર્થી અધિકારીનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય બે અધિકારીને સામાન્ય ઈજાઓ પહોંચી છે. આ ઘટના આઈ.એન.એસ. વાલસુરા નજીક મેઈન ગેટથી લગભગ એક કિલોમીટર દૂર બની હતી. પ્રાથમિક વિગતો મુજબ, ત્રણ નેવી તાલીમાર્થી અધિકારીઓ પુણેમાં તાલીમ પૂર્ણ કરીને મુંબઈથી ફ્લાઈટ દ્વારા જામનગર પહોંચ્યા હતા અને કારમાં વાલસુરા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. ફરિયાદ અનુસાર, કાર ચાલક અનુવ્રત પાંડે ગાડી પૂરઝડપે ચલાવી રહ્યા હતા. અચાનક ગાડીનું એક વ્હીલ રસ્તાની બહાર ઉતરી જતાં સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે, કાર પલટીઓ મારીને રસ્તાની બાજુએ ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં પાછળની સીટ પર બેઠેલા તાલીમાર્થી અધિકારી અંશુ ગાડીમાંથી બહાર ફંગોળાઈ ગયા હતા. તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તાત્કાલિક જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ગાડી ચલાવતા અનુવ્રત પાંડે અને બાજુમાં બેઠેલા સબ લેફ્ટનન્ટ સૌમ્યારંજન સાહુએ સીટ બેલ્ટ બાંધેલા હોવાથી તેઓને સામાન્ય ઈજાઓ સાથે બચાવી લેવામાં આવ્યા હતા. આ મામલે સબ લેફ્ટનન્ટ સૌમ્યારંજન સાહુ દ્વારા જામનગર પોલીસમાં કારચાલક અનુવ્રત પાંડે વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 12:12 pm

‘નેતાઓની તિજોરી ભરાઈ ને પ્રજા માટે ગટરો ઉભરાઈ’:‘ઉપરથી નીચે સુધી બધા પૈસા ખાવામાં મશગૂલ; ચૂંટણી ટાણે ‘બાપા-બાપા’ ને જીત્યા પછી ‘ટાટા-બાય બાય’, હવે તો ‘પહેલા કામ, પછી જ વોટ’

પાટણ નગરપાલિકાની આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી ચૂંટણીને પગલે રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમે પાટણના વોર્ડ નંબર 1ના મતદારોનો મિજાજ જાણ્યો હતો. આ વોર્ડમાં જ્ઞાતિના જટિલ સમીકરણો અને પાયાની સુવિધાઓનો અભાવ આ વખતે મુખ્ય મુદ્દો બનીને ઉભર્યો છે. આ એવો વોર્ડ છે જ્યાં, સત્તાધારી પક્ષ ભાજપના પૂર્વ પ્રમુખો અને દિગ્ગજ નેતાઓ વસે છે છતાં અહીંની જનતા ગટર, પાણી અને ગંદકીના પ્રશ્ને ત્રસ્ત છે. દિગ્ગજ નેતાઓનું નિવાસસ્થાન, છતાં સુવિધાઓ 'રામ ભરોસે' વોર્ડ નંબર 1માં ભાજપના બે પૂર્વ શહેર પ્રમુખ સુરેશ પટેલ અને મનોજ પટેલ તેમજ વર્તમાન મહામંત્રી સંજય પટેલ જેવા કદાવર નેતાઓ રહે છે. ગત ટર્મમાં અહીં ભાજપે ત્રણ અને કોંગ્રેસે એક બેઠક જીતી હતી. આ વખતે પૂર્વ કોર્પોરેટર મનોજ પટેલ ચૂંટણી લડવાના નથી, ત્યારે ભાજપમાંથી જ ટિકિટ મેળવવા માટે 20થી વધુ દાવેદારોએ લાઈન લગાવી છે. પરંતુ, પાયાના પ્રશ્નો ઉકેલાયા ન હોવાથી ઉમેદવારો માટે પ્રચારમાં જવું લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થશે. સ્થાનિકોનો રોષ: નેતાઓ ફક્ત ચૂંટણીમાં જ દેખાય છે વોર્ડમાં આવેલા ધનાવાડા, ધાંધલના છાપરા અને કાલિકા મંદિર વિસ્તારમાં વર્ષોથી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા યથાવત્ છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે, વિકાસના નામે માત્ર ભ્રષ્ટાચાર જ થયો છે. નાગરિકોના અવાજમાં તેમની વ્યથા: નિકેશ ઠાકોર (સ્થાનિક રહીશ)એ જણાવ્યું હતું કે, કાળકા બાગ એક સમયે બાળકોથી ધમધમતો હતો, આજે ત્યાં દારૂડિયાઓ અને જુગારીઓનો અડ્ડો છે. બગીચામાં દારૂની બોટલો પડી હોય છે. આ બગીચા માટે 6 કરોડ રૂપિયા પાસ થયા હતા, પણ એ પૈસા લોકોના ખિસ્સામાં ભરાઈ ગયા હોય તેવું લાગે છે. નેતાઓ અને અધિકારીઓ ફક્ત પૈસા ખાવાની જ વાતો કરે છે. બાબુભાઈ પરમાર (ત્રીસેરિયા વિસ્તાર)એ જણાવ્યું હતું કે, ગંદકીની સમસ્યા એક વર્ષથી સતત ચાલુ છે. કોર્પોરેટરો ચૂંટણી આવે ત્યારે જ આંટા મારે છે, બાકી કોઈ દિવસ ડોકાતા નથી. 'આજ કરીએ, કાલ કરીએ' કહીને આશ્વાસન આપીને ચાલ્યા જાય છે. નગરપાલિકાનું ખાતું સાવ રામ ભરોસે ચાલે છે, કોઈ પૂછવા વાળું નથી. લલિતાબેન ઠાકોરે જણાવ્યું હતું કે, ચોમાસું આવશે એટલે અમે ડૂબશું. થોડા દિવસ પહેલાં નેતાઓ આવ્યા હતા, હાથમાં કોદાળી પકડાવીને ફોટા પડાવ્યા અને ચાલ્યા ગયા, હજી કામ ચાલુ નથી કર્યું. હવે તો અમારો એક જ મિજાજ છે - પહેલાં રસ્તો અને પાણીના નિકાલની વ્યવસ્થા કરો તો જ વોટ આપીશું, નહિતર વોટ આપવો જ નથી. ગટર અને પીવાના પાણીની વિકટ સમસ્યા વોર્ડમાં માત્ર રસ્તા જ નહીં, પણ પીવાનું શુદ્ધ પાણી મેળવવું પણ મુશ્કેલ બન્યું છે. 3-4 દિવસે માંડ પાણી આવે છે અને ગટરો ઉભરાવી એ રોજની સમસ્યા છે. ભુગુબેને જણાવ્યું હતું કે, અમે નાનો-મોટો ધંધો કરીને ગુજરાન ચલાવીએ છીએ, પણ દુકાનમાં વરસાદી પાણી ઘુસી જાય છે. ગટર ઉભરાવવાને કારણે છોકરાઓને શાળાએ જવામાં રજા પાડવી પડે છે, તેમનું ભણતર બગડે છે. ત્રણ-ચાર દિવસે પીવાનું પાણી આવે છે, નળવેરો ભરીએ છીએ છતાં આ હાલત છે. વોટ લેવા માટે નેતાઓ 'બાપા-બાપા' કરતા આવે છે, પણ ગરજ સરી જાય એટલે કોઈ ખબર લેતું નથી. કોકિલાબેને જણાવ્યું હતું કે, ગટરનું પાણી સીધું ઘરમાં ભરાય છે. ગંદકીમાં અમારે રાંધવાનું અને ગંદકીમાં જ રહેવાનું? નેતાઓ વોટ લઈને જતાં રહે છે પણ આ નરક જેવી સ્થિતિમાંથી અમને કોઈ બહાર નથી કાઢતું. અમને માત્ર પાણીનો નિકાલ જોઈએ છે. રમેશભાઈ પરમારે જણાવ્યું હતું કે, ગટર ઉભરાવાને કારણે આંગણવાડીના બાળકોને પણ તકલીફ પડે છે. મરણ પ્રસંગ હોય તો પણ નીકળવું મુશ્કેલ છે. રસ્તાઓ બિસ્માર છે. જે નેતાઓ આવશે તેમને અમે સ્પષ્ટ કહીશું કે કામ થશે તો જ મત મળશે. ધાર્મિક અને પ્રવાસન સ્થળોની અવદશા વિશ્વવિખ્યાત રાણકીવાવ આ વોર્ડની નજીક હોવા છતાં પાલિકા પાસે કોઈ આયોજન નથી. જગતજનની કાલિકા માતાના મંદિર પાસે પણ સ્થિતિ દયનીય છે. અશોકભાઈ વ્યાસ (કાલિકા મંદિર વિસ્તાર)એ જણાવ્યું હતું કે, મંદિર અને વાઘેરીવાસ વચ્ચેનો હેરીટેજ રોડ સામાન્ય વરસાદમાં પણ તળાવ બની જાય છે. અધિકારીઓ અને નેતાઓ આ જ પાણીમાંથી પસાર થાય છે, છતાં કોઈના પેટનું પાણી હલતું નથી. કલેક્ટર અને ચીફ ઓફિસરને અનેક અરજીઓ આપી, પણ પરિણામ શૂન્ય છે. વોર્ડ નંબર 1ના 9627 મતદારો આ વખતે પરિવર્તન અથવા કડક અમલવારીના મૂડમાં છે. પાટીદાર, ઠાકોર અને મુસ્લિમ સમાજ સહિતના જ્ઞાતિ સમીકરણો વચ્ચે અસંતોષનો આ સૂર કયા પક્ષને નુકસાન પહોંચાડશે તે જોવું રહ્યું. 'પહેલા કામ અને પછી વોટ'નો ગુંજતો આ અવાજ સત્તાધારી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ બંને માટે ચિંતાનો વિષય છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 11:48 am

AAP ગુનેગારો-આયાતી પર મહેરબાન?:સુરતમાં ખંડણી-ઉઘરાણા સાથે પોસ્ટરકાંડના આરોપીની પત્નીને પણ ટિકિટ મળી, કોંગ્રેસ છોડી આવેલા 7 માટે લાલ જાજમ ખોલી

સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરતા ભારે ચર્ચાનું કેન્દ્ર બની છે. ખંડણી, ઉઘરાણાના આરોપીઓ અથવા તો પોસ્ટર કાંડના ગુનેગારના પત્નીને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી છે. વિવાદાસ્પદ, ગુનાહિત ઇતિહાસ ધરાવતા અથવા તો કોઈ ઓળખતું જ ન હોય એવા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. આ સાથે કોંગ્રેસમાંથી આવેલાને ટિકિટ અપાતા કાર્યકરોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. શ્રવણ જોષી (વોર્ડ નં.26ના ઉમેદવાર) સસ્તા અનાજની દુકાનોમાં માલિકોને ધમકાવવાનો મામલો ભારે ગાજ્યો હતો. ચંપત ચૌધરીના વીડિયો બાદ શ્રવણ જોષીની સંડોવણી ખૂલી હતી. આ મામલે લિંબાયત પોલીસ મથકમાં તે અંગે ગુનો દાખલ થયો હતો. આરોપીઓ સામે વેપારીઓએ કડક કાર્યવાહીની માગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. બાદમાં ગોડાદરા પોલીસ મથકમાં પણ ગુનો નોંધાયો હતો. આ સાથે પાસાની પણ કાર્યવાહી થઈ હતી. જ્યારે હવે ભાજપના નેતાએ જ શ્રવણ જોષી સામે બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે. શ્રવણે AI ટેક્નોલોજીનો ઉપયોગ કરી બદનક્ષીભર્યો વીડિયો વાઇરલ કર્યો હતો, જેથી તેના વિરુદ્ધ ત્રણ ફરિયાદ થઈ છે. ગઈકાલે જાહેર થયેલી યાદીમાં આપે શ્રવણ જોષીને વોર્ડ નં.26માંથી ટિકિટ આપી છે. તુલસી લાલૈયા (વોર્ડ નં.2ના ઉમેદવાર)સંગઠન મહામંત્રી તુલસી લાલૈયાએ વેપારી પાસેથી 10 લાખની માગ કરી ગુનાહિત કાવતરું રચ્યું હતું. ઇજ્જત-આબરૂ બચાવવા પૈસા ન આપે તો ખોટા બળાત્કાર કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ફરિયાદીના પુત્ર પાસેથી 1 લાખ રૂપિયા પડાવી લીધા હતા. બાદમાં માંગણી મુજબ નાણાં ન આપતા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ખોટી માહિતી રજૂ કરી ફરિયાદીની પ્રતિષ્ઠા ખરડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતે ફેબ્રુઆરી-2026માં ઓલપાડ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. દયા કે. પાનસુરિયા (વોર્ડ નં.2ના ઉમેદવાર)પાર્ટીએ આરોપીઓને જ નહીં, પરંતુ આરોપીઓની પત્નીઓને પણ ટિકિટ આપવામાં ભારે રસ દાખવ્યો છે. હાલમાં ભાજપ વિરુદ્ધ પોસ્ટર લગાડવાનો કાંડ ભારે ગુંજ્યો છે. પોસ્ટરમાં નામ, ઠામ નહીં લખવા બદલ ઉત્રાણ પોલીસમાં ગુનો દાખલ થયો છે અને આપ કાર્યકર કિરીટ પાનસુરિયાની ધરપકડ થઇ છે. ધરપકડના બીજા જ દિવસે પાર્ટીએ કિરીટ પાનસુરિયાની પત્ની દયા પાનસુરિયાને વોર્ડ નંબર 2માંથી ટિકિટ આપી છે. રિંકલ પોશીયા (વોર્ડ નં.3ના ઉમેદવાર)ભુતકાળમાં ગુનાહિત પ્રવૃત્તિઓ બાદ આપ પાર્ટીનું શરણું લીધું હોય એવા ઘણા કિસ્સા છે. તે પૈકીના એક કિસ્સામાં કઠોરની પ્રાથમિક સ્કૂલમાં સિક્યોરિટી કાંડમાં ગાજેલા કાળુ પોશીયાની પત્ની રિંકલ પોશીયાને પાર્ટીએ ટિકિટ આપી છે. તે વખતે સ્કૂલમાં મૂકેલી સિક્યોરિટીના ખર્ચમાં સ્કૂલ સંચાલન સમિતિના કર્તાહર્તા કાળુ પોશીયાનું નામ ગાજ્યું હતું અને મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. કોંગ્રેસમાંથી આવેલા સાતને AAPમાંથી ટિકિટસુરતમાં કોંગ્રેસનો છેડો ફાડનારા, વિવિધ કેસમાં વગોવાયેલાઓને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી છે. તેમાં કલ્પેશ બારોટ, ફિરોઝ મલેક, પ્રતિક કાકલોતર, રઇશા શેખ, આરીફ શાહ, રમેશ જિંજાલા, મહેન્દ્ર રાજપુરોહિત જેવાનો સમાવેશ થાય છે. પાર્ટી બદલુઓને ટિકિટ અપાતા પાર્ટીનો નિર્ણય હાંસીપાત્ર બન્યો છે. હજુ માંડ થોડા સમય પહેલા કોંગ્રેસ છોડી આપમાં ભળેલા ઉમેદવારોને ટિકિટ આપી દેવાતાં પક્ષમાં લાંબા સમયથી કામ કરતા કેટલાંક કાર્યકરોમાં નારાજગી પણ જોવા મળી રહી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 11:30 am

સચિન હાઈવે પર હિટ એન્ડ રન, યુવતીનું મોત:ત્રિપલ સવાર બાઈકને ટ્રકે ટક્કર મારી; પરિવારના અન્ય બે સભ્યને ગંભીર ઈજાઓ

શહેરના સચિન વિસ્તારમાં રવિવારે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. સચિનના વાંજ ગામ પાસેથી એક જ બાઈક પર સવાર થઈને પરિવારના ત્રણ સભ્ય પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી બેફામ ગતિએ આવી રહેલી એક ટ્રકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ટ્રકચાલકે કાબૂ ગુમાવતા બાઈક સવારો રસ્તા પર પટકાયા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ઘટનાસ્થળે લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. ટક્કર માર્યા બાદ પણ ટ્રકચાલક વાહન રોકવાને બદલે ઝડપ વધારી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. 23 વર્ષીય લક્ષ્મીનું ઘટનાસ્થળે મોત, માતાની હાલત ગંભીરઆ અકસ્માતમાં બાઈક પર સવાર 23 વર્ષીય લક્ષ્મી રમેશભાઈ રાઠોડ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી અને તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. મૃતક યુવતીની માતા હંસાબેન અને પરિવારના અન્ય એક સભ્યને પણ શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માતને પગલે હાઈવે પર ચીસાચીસ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તુરંત એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યાં હતાં. ફરાર ટ્રકચાલક વિરુદ્ધ સચિન પોલીસે ગુનો નોંધ્યોઘટનાની જાણ થતા જ સચિન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક લક્ષ્મીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે અકસ્માત સ્થળના પંચનામાની કામગીરી પૂર્ણ કરી ફરાર ટ્રકચાલક વિરુદ્ધ હિટ એન્ડ રનનો ગુનો દાખલ કર્યો છે. પોલીસ દ્વારા હાઈવે પર લાગેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. હાઈવે પર વારંવાર બનતી આવી ઘટનાઓને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 11:12 am

બાઇક ને ટ્રકની ટક્કરમાં 2ના મોત, એક ગંભીર:શોભાસણથી ટેચાવા હાઇવે પર અકસ્માત, ટ્રક મૂકી ડ્રાઇવર ફરાર

સાબરકાંઠાના વડાલી તાલુકાના પહાડી પોલ ગામના બે રહીશોના શોભાસણથી ટેચાવા હાઇવે પર સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. Iગઇકાલે(5 એપ્રિલ) સવારે અમૃતજી પુંજાજી વાઘેલા, ભાલાભાઈ મણાભાઈ વાઘેલા અને રણજીતજી વાઘેલા મોટરસાઇકલ પર તમાકુના સેમ્પલ બતાવવા જઈ રહ્યા હતા, તે દરમિયાન સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રકે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અમૃતજી અને ભાલાભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અકસ્માત સર્જી ટ્રક ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હતો. લાડોલ પોલીસે અજયકુમાર વાઘેલાની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, તો બીજી તરફ આ ઘટનાને પગલે પહાડી પોલ ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. તમાકુના સેમ્પલ બતાવવા માટે બાઇક પર નીકળ્યા હતાસાબરકાંઠા જિલ્લાના પહાડી પોલના રહીશ અજયકુમાર વાઘેલાના પિતા અમૃતજી પુંજાજી વાઘેલા અને તેમના ગ્રામજન ભાલાભાઈ મણાભાઈ વાઘેલા રવિવારે સવારે તમાકુના સેમ્પલ બતાવવા માટે મોટરસાઇકલ GJ-07-DR-8441 લઈને નીકળ્યા હતા. તેમની સાથે રણજીતજી પોપટજી પણ સવાર હતા. ટ્રકે બાઇકને ટક્કર મારીગઇકાલે સવારના આશરે 11:30 વાગ્યાની આસપાસ શોભાસણથી ટેચાવા વચ્ચેના હાઇવે પર સામેથી પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી એક ટાટા કંપનીની ટ્રક GJ-12-BY-1391ના ચાલકે મોટરસાઇકલને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે અમૃતજી વાઘેલા અને ભાલાભાઈ વાઘેલાને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ અથવા હોસ્પિટલ લઈ જતી વખતે મોત નીપજ્યું હતું. અન્ય એક ગંભીર ઈજાગ્રસ્તને અમદાવાદ રીફર કરાયાઅકસ્માત બાદ ટ્રક ચાલક પોતાનું વાહન મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા રણજીતજી વાઘેલાને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવ્યા છે. લાડોલ પોલીસે અજય કુમારની ફરિયાદના આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે પહાડી પોલ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 10:22 am

ઇન્ટરનેશનલ એરપોર્ટનું ટેગ માત્ર નામનું રહી ગયું:સુરત-બેંગકોક ફ્લાઈટ 1 જુલાઈથી બંધ, હવે માત્ર બે જ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ, ત્રણ ફ્લાઇટ બંધ થતાં મુસાફરોમાં રોષ

સુરત એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટીને વધુ એક ઝટકો લાગવાની તૈયારી છે. એર ઈન્ડિયા એક્સપ્રેસે 1 જુલાઈ, 2026થી સુરત-બેંગકોક સેક્ટર પર ફ્લાઇટ્સ માટે બુકિંગ બંધ કરી દીધું છે. રૂટ નફાકારક ન હોવાથી આ નિર્ણય લેવાયું હોવાની વાત છે. આ નિર્ણયને પગલે મુસાફરોમાં રોષની લાગણી ફેલાઇ ગઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત એરપોર્ટથી કુલ 5 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન થતું હતું, જે પૈકી ત્રણ બંધ કરી દેવામાં આવી છે. સુરત બેંગકોકની ફ્લાઇટ અઠવાડિયામાં ચાર દિવસ સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે સવારે 10.50 વાગ્યે સુરતથી ઉપડતી હતી અને સાંજે 5.10 વાગ્યે બેંગકોક પહોંચતી હતી. હવે, બુકિંગ બંધ થતાં આ રૂટ પર ફ્લાઇટ્સ જુલાઈથી સંપૂર્ણપણે બંધ થઈ જશે. શિયાળાના સમયપત્રક દરમિયાન, અહીંથી કુલ પાંચ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન થતું હતું, જેમાં બેંગકોક, દુબઈ અને શારજાહની ફ્લાઇટ્સનો સમાવેશ થતો હતો. સુરતથી બેંગકોકની ફ્લાઈટ બંધહવે 29 માર્ચથી 24 ઓક્ટોબર દરમિયાન લાગુ થયેલા ઉનાળાના સમયપત્રકમાં ફ્લાઇટની સંખ્યા ઘટાડીને ત્રણ કરાઈ હતી, બે દુબઈ અને એક બેંગકોકની ફ્લાઈટ. જોકે, બેંગકોકની ફ્લાઈટ બંધ કરવાના નિર્ણયને પગલે હવે જુલાઈથી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી માત્ર બે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ઓપરેટ થશે. અગાઉ, 29 માર્ચથી શારજાહ ફ્લાઇટ્સ પણ સંપૂર્ણપણે બંધ કરવામાં આવી હતી, જ્યારે દુબઈની એક વધારાની લાઇટન ફ્લાઇટને પણ સમયપત્રકમાંથી દૂર કરવામાં આવી હતી. આ અંગે સ્થાનિક લોકોમાં પણ રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. સુરતની આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી વધુ બગડી શકેઃ સંજય જૈનવી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ એટ સુરત ગ્રુપના સંજય જૈનએ જણાવ્યું કે, ટાટા ગ્રુપના એરલાઈનની ઇન્ડિયાને દૂર કરવામાં આવી, પછી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ધીમે ધીમે ઘટાડવામાં આવી. હૈદરાબાદ, ચેન્નાઈ, કોલકાતા, ગોવા અને શારજાહના રૂટ બંધ કરવામાં આવ્યા અને બેંગલુરુ અને દુબઈની ફ્રીક્વન્સીઝ ઘટાડવામાં આવી છે. આ સતત ફેરફારનો ભોગ મુસાફરો બની રહ્યા છે. નિષ્ણાતો માને છે કે, જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે, તો સુરતની આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી વધુ બગડી શકે છે. ‘આ સુરત સાથે સ્પષ્ટ અન્યાય’દેશના નવમા સૌથી મોટા શહેર સુરત સાથે હવાઈ સેવાઓના મામલે જે વર્તન થઈ રહ્યું છે, તેને હવે “અવગણના” કહેવાથી પણ વાત પૂર્ણ થતી નથી, આ સ્પષ્ટ અન્યાય છે. તાજેતરમાં Air Indiaએ 15 મે, 2026થી દિલ્હી–લુધિયાણા વચ્ચે નવી ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી છે, જેમાં એરબસ A320 વિમાનનો ઉપયોગ થશે. સવાલ સીધો છે દેશના ટોપ 10 શહેરમાં સ્થાન ધરાવતું સુરત હજુ પણ તેમની પ્રાથમિકતામાં કેમ નથી? શું સુરત ભારતનો ભાગ નથી? ‘આ નિર્ણયોમાં કોઈ લોજિક જ નથી’ખાસ વાત એ છે કે, લુધિયાણા જેવી સિટી, જેના વસ્તી આંકડા માત્ર 20-25 લાખ આસપાસ છે, ત્યાં નવી ફ્લાઈટ શરૂ થાય છે, જ્યારે સુરત જેવી લગભગ 90 લાખ વસ્તી ધરાવતી મેગાસિટી આજે પણ અવગણાઈ રહી છે. તો શું Air Indiaને એવું ભ્રમ છે કે, 25 લાખની સિટી 90 લાખની સિટી કરતા વધુ નફાકારક છે? કે પછી આ નિર્ણયોમાં કોઈ લોજિક જ નથી? વાસ્તવિકતા એ છે કે, થોડા વર્ષો પહેલાં Air Indiaએ સુરતને સાવ સાઈડલાઇન કરી દીધું અને તેની તમામ ફ્લાઈટ્સ પોતાની સબસિડિયરી Air India Expressને સોંપી દીધી. આ પગલું એ સ્પષ્ટ સંકેત આપે છે કે સુરતને “બજેટ ક્લાસ શહેર” તરીકે ગણવામાં આવે છે. આજે સ્થિતિ એવી છે કે, એર ઇન્ડિયા એક્સપ્રેસ સુરતથી માત્ર દિલ્હી અને બેંગલુરુ માટે મર્યાદિત ફ્લાઈટ્સ ચલાવે છે, એ પણ શહેરની વાસ્તવિક જરૂરિયાતોની સામે નગણ્ય છે. ‘ઘણી ફ્લાઈટ્સ 90 ટકા ભરેલી ઉડી રહી છે’બીજી તરફ, દેશની સૌથી મોટી એરલાઇન્સ IndiGo સુરતથી સૌથી વધુ ફ્લાઈટ્સ ચલાવી રહી છે અને તેની ઘણી ફ્લાઈટ્સ 90 ટકા લોડ સાથે ભરીને ઉડી રહી છે. સુરત એરપોર્ટ પર દર મહિને સરેરાશ 85 ટકા ઓક્કુપન્સી નોંધાય છે, આંકડા ચીસો પાડી ને કહી રહ્યા છે કે માગ છે, મુસાફરો છે, અને વિકાસની તકો છે. તો પછી પ્રશ્ન વધુ ગંભીર બને છે, આટલો મજબૂત અને સતત ટ્રાફિક આપતા સુરત પ્રત્યે Air India અથવા તેનું મેનેજમેન્ટ શું સૂગ ધરાવે છે? ‘હવાઈ જોડાણના મામલે શહેરને પાછળ ધકેલવામાં આવી રહ્યું છે’જ્યારે દેશના અનેક શહેરોમાં Air India અને Air India Express બંનેની ફ્લાઈટ્સ સાથે-સાથે ઓપરેટ થાય છે, ત્યારે સુરત માટે આ મોડલ કેમ લાગુ પડતું નથી? સુરત કરતા નાના શહેરોમાં પણ એર ઇન્ડિયા નિયમિત સેવા આપે છે, તો પછી સુરતનું નામ આવતાં શું ઊપડે છે? શું આ ખુલ્લી ભેદભાવની નીતિ નથી? સુરત આજે દેશના સૌથી ઝડપી વિકસતા શહેરોમાંથી એક છે. હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગથી લઈને આંતરરાષ્ટ્રીય વેપાર સુધી, સુરતનું મહત્વ દિવસેને દિવસે વધી રહ્યું છે. છતાં હવાઈ જોડાણના મામલે શહેરને પાછળ ધકેલવામાં આવી રહ્યું છે, આ હવે સહન શક્તિની બહાર છે . એરલાઇન્સ સામે મજબૂત વલણ અપનાવવામાં નહીં આવે, તો સુરતને તેનું યોગ્ય સ્થાન ક્યારેય નહીં મળે. વિકાસના મોટા મોટા દાવા ત્યારે જ અર્થપૂર્ણ બને, જ્યારે શહેરને તેની જરૂરી સુવિધાઓ મળે, નહીંતર આ બધું માત્ર ખાલી શબ્દો જ રહેશે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 10:20 am

અમદાવાદ RTOને બોમ્બથી ઉડાવવાની ધમકી:ટ્રેક ટેસ્ટ માટે આવેલા લોકોને પરત મોકલાયા, બોમ્બ-ડોગ સ્કવોડ ઘટનાસ્થળે

અમદાવાદમાં સ્કૂલ,કોર્ટ,પાસપોર્ટ ઓફિસ બાદ RTOને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ધમકી મળતા RTO દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી રાણીપ પોલીસ સ્થળ પર પહોચી છે. પોલીસ દ્વારા RTO ખાલી કરાવવામાં આવ્યું છે. ટ્રેક ટેસ્ટ માટે આવેલા લોકોને પણ પરત મોકલવામાં આવ્યા છે. RTOમાં પોલીસ દ્વારા બોમ્બ-ડોગ સ્કવોડને સાથે રાખીને તપાસ કરવામાં આવી રહી છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 10:18 am

વન્યજીવો માટે સ્પેશિયલ કૂલિંગ વ્યવસ્થા:ઈન્દ્રોડા પાર્કમાં પ્રાણીઓને કાળઝાળ ગરમી-લૂથી બચાવવા મીટકુલ્ફી અને પાંજરામાં કૂલર ફોગર્સની સુવિધા

ગાંધીનગરના ઈન્દ્રોડા નેચર પાર્કના અબોલ વન્યજીવોને ગરમીની લૂ ન લાગે તે માટે ગીર ફાઉન્ડેશન દ્વારા વીઆઈપી કક્ષાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પાર્કમાં વસતા સિંહ, વાઘ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓથી લઈને નાના પક્ષીઓ સુધીના તમામ જીવો માટે ઉનાળાને હરાવવા ખાસ સમર પ્લાન અમલી બનાવવામાં આવ્યો છે. આકરી ગરમીમાં પ્રાણીઓ તણાવમુક્ત રહે અને તેમનું તાપમાન જળવાઈ રહે તે માટે ટેકનોલોજી અને કુદરતી પદ્ધતિઓનો સમન્વય કરવામાં આવ્યો છે. ઠંડક આપતા ખોરાકનું પણ આયોજનરાજ્યભરમાં ઉનાળાનો પ્રકોપ વધતા અને તાપમાનનો પારો આસમાને પહોંચતા માત્ર મનુષ્યો જ નહીં, પરંતુ અબોલ વન્યજીવો પણ હીટવેવની ચપેટમાં આવી જતા હોય છે. ગાંધીનગર સ્થિત પ્રસિદ્ધ ઈન્દ્રોડા નેચર પાર્કમાં ઉનાળાની આ આકરી ગરમીથી વન્યજીવોને રક્ષણ આપવા માટે ગીર ફાઉન્ડેશન દ્વારા યુદ્ધના ધોરણે ખાસ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. પાર્કમાં વસતા 600થી વધુ પશુ-પક્ષીઓ અને સરીસૃપોને ગરમીથી બચાવવા માટે આધુનિક કૂલિંગ સિસ્ટમથી લઈને ઠંડક આપતા વિશિષ્ટ ખોરાક સુધીનું આયોજન કરવામાં આવ્યું છે. પાંજરાઓમાં ગરમી ઘટાડવા વોટર કૂલર લગાવાયાગરમીના લીધે તાપમાન વધતા વન્યજીવો પર તેની સીધી શારીરિક અસર જોવા મળતી હોય છે, જેને નિયંત્રિત કરવા માટે ઈન્દ્રોડા પાર્કના સત્તાવાળાઓ દ્વારા પાંજરાઓમાં ગરમી ઘટાડવા માટે વોટર કૂલર અને આશરે 80 જેટલી ખસની ટટ્ટીઓ લગાડવામાં આવી છે. આ ખસની ટટ્ટીઓ પર સમયાંતરે ઠંડા પાણીનો છંટકાવ કરવામાં આવે છે, જેનાથી પાંજરાની અંદરનું તાપમાન બહારના વાતાવરણ કરતા 3થી 4 ડિગ્રી જેટલું નીચું રહે છે. ખોરાકમાં પણ ઉનાળા અનુરૂપ ફેરફારો કરાયાઆ ઉપરાંત હવામાં ઠંડક પ્રસરાવવા માટે પાંજરામાં વૃક્ષોની ડાળીઓ વચ્ચે ફોગર્સ અને સ્પ્રિંકલર્સ ગોઠવવામાં આવ્યા છે. આ ફુવારાઓ દ્વારા થતો પાણીનો ઝીણો છંટકાવ વાતાવરણને આહલાદક બનાવે છે અને પ્રાણીઓને લૂ લાગવાથી બચાવે છે. ઉપરાંત પ્રાણીઓની જીવનશૈલી અને ખોરાકમાં પણ ઉનાળાને અનુરૂપ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. જેમ કે માંસાહારી અને હિંસક પ્રાણીઓ જેવા કે સિંહ, વાઘ અને દીપડા માટે ગીર ફાઉન્ડેશને એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. આ હિંસક પ્રાણીઓને આઈસ ક્યુબમાં થીજવેલું મીટ એટલે કે માંસના ટુકડા આપવામાં આવે છે. જે એક પ્રકારે તેમના માટે આઈસ કુલ્ફી સમાન સાબિત થાય છે. આ પદ્ધતિથી પ્રાણીઓના શરીરનું તાપમાન જળવાઈ રહે છે અને તેઓને પૂરતું હાઈડ્રેશન પણ મળે છે. અન્ય નાના કદના પ્રાણીઓ માટે પણ વિશિષ્ટ ડાયેટ ચાર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. વન્યજીવોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે ઇન્દ્રોડા નેચર પાર્ક સંપૂર્ણ સજ્જજેમના રહેઠાણની વ્યવસ્થામાં પણ કુદરતી અને કૃત્રિમ સંતુલન જાળવવામાં આવ્યું છે. ઈન્દ્રોડા પાર્કના પાંજરાઓમાં પૂરતા પ્રમાણમાં ઘટાદાર વૃક્ષો હોવાથી પ્રાણીઓને કુદરતી છાંયો તો મળે જ છે પરંતુ વરુ, શિયાળ અને ઝરખ જેવા પ્રાણીઓ માટે ખાસ ઠંડી ગુફાઓ બનાવવામાં આવી છે, જ્યાં તેઓ બપોરના સમયે આરામ કરી શકે છે. જ્યારે રાત્રિના સમયે પણ ઉકળાટ ન થાય તે માટે નાઈટ શેલ્ટરમાં પંખા અને વધારાના કૂલરની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. આમ ગરમી સામેના આ જંગમાં વન્યજીવોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે ઇન્દ્રોડા નેચર પાર્ક સંપૂર્ણ સજ્જ બન્યું છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 9:57 am

પિયરમાં છઠ્ઠા માળેથી કૂદીને પરિણીતાનો આપઘાત:પતિ અવારનવાર હેરાન કરી ડિવોર્સ આપવાની ધમકી આપતો હતો, અમદાવાદમાં પતિ સામે ગુનો નોંધાયો

અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતી યુવતીએ પતિના ત્રાસથી આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. યુવતીના લગ્નના 15 વર્ષ થયા છતાં પતિ અવારનવાર હેરાન કરી ત્રાસ આપતી હતો. યુવતીનો પતિ યુવતીને ડિવોર્સ આપવાની ધમકી આપતો હતો જેથી યુવતીએ માનસિક રીતે કંટાળીને પિયરમાં આવી છઠ્ઠા માળેથી કુદીને આપઘાત કર્યો છે. આ અંગે વાડજ પોલીસે યુવતીના પતિ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણ ગુનો નોધી તપાસ શરૂ કરી છે. પિયરમાં છઠ્ઠા માળેથી કુદીને પરિણીતાનો આપઘાતનવા વાડજમાં રહેતા દિપક શર્માએ ફરિયાદ નોંધાવી છે કે તેની બહેન આશાના 15 વર્ષ અગાઉ વિપુલ શર્મા નામના ચિતોડગઢના યુવક સાથે લગ્ન થયા હતા.બંનેને એક બાળક પણ છે.20 માર્ચના રોજ દીપક કામ પર હતો ત્યારે તેને તેની પત્નીનો ફોન આવ્યો અને જણાવ્યું હતું તે આશા કૂદી ગઈ છે તેથી તમે જલ્દી ઘરે આવો.દીપક ઘરે આવવા નીકળ્યો ત્યારે તેને જાણ થઇ કે તેની બહેન આશાને સારવાર માટે રાણીપની ત્રિશા હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. દીપક ત્રિશા હોસ્પિટલ પહોંચ્યો હતો.હોસ્પિટલમાં સારવાર દરમિયાન આશાનું મોત થયું હતું. પતિ ડિવોર્સની ધમકી આપતો હતોદિપકએ ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ આશાના 15 વર્ષ અગાઉ ચિત્તોડગઢમાં રહેતા વિપુલ શર્મા સાથે લગ્ન થયા હતા.નવેમ્બર 2025માં આશાના સાસુએ આશાની માતાને ફોન કરીને જણાવ્યું હતું કે તમે આશાને લઈ જાવ.જેથી આશાના માતા તેને લઈને અમદાવાદ આવ્યા હતા.આશા પરત આવી ત્યારે તેની માનસિક સ્થિતિ સારી નહોતી જેથી વસ્ત્રાપુર ખાતે માનસિક સારવાર ચાલી રહી હતી.આશા જ્યારે પિયરમાં આવી ત્યારે આશાએ પરિવારની હાજરીમાં જણાવ્યું હતું કે લગ્નના ચાર પાંચ દિવસ બાદથી વિપુલે માનસિક ટોર્ચર કરવાનું શરૂ કર્યું છે.આશાની સારવાર ચાલુ હતી ત્યારે પણ વિપુલ આશાને ફોન કરીને માનસિક રીતે ત્રાસ આપતો હતો અને ડિવોર્સ આપવાની ધમકી પણ આપતો હતો. ‘મને યોગ્ય લાગશે તો જ સાથે રાખીશ નહીંતર ડિવોર્સ આપી દઇશ’13 ફેબ્રુઆરીના રોજ આશાને મળવા વિપુલ અમદાવાદ આવ્યો હતો ત્યારે વિપુલ ગુસ્સે થઈ ગયો હતો,વિપુલે આશા અને પરિવારને ધમકી આપી હતી કે હું આશાને લઈ જઈશ તો એક જ શરત ઉપર લઈ જઈશ,હું તેને મારી સાથે એક વર્ષ સુધી રાખીશ અને મને યોગ્ય લાગશે તો સાથે રાખીશ નહીં તો ડિવોર્સ આપી દઈશ.આશાના આપઘાતના એક દિવસ પહેલા પણ વિપુલે આશાને ફોન કરીને માનસિક ત્રાસ આપી ડિવોર્સની ધમકી આપી હતી.જે બાબતે લાગી આવતા આશાએ નવા વાડજના મંગલા ગૌરી રેસીડેન્સીમાં છઠ્ઠા માટેથી કુદીને આપઘાત કર્યો હતો.આ સમગ્ર મામલે વાડજ પોલીસે વિપુલ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 9:45 am

ઉમંગ ટીમે મીઠાપુરમાં મહિલા બોક્સ ક્રિકેટમાં હેટ્રિક વિજય મેળવ્યો:ટાટા કેમિકલ્સ દ્વારા આયોજિત સ્પર્ધામાં 10 ટીમોએ ભાગ લીધો

મીઠાપુરમાં ટાટા કેમિકલ્સ દ્વારા મહિલાઓ માટે આયોજિત બોક્સ ક્રિકેટ સ્પર્ધામાં ઉમંગ ટીમે વિજય મેળવી હેટ્રિક નોંધાવી છે. આ સ્પર્ધામાં કુલ 10 ટીમોએ ભાગ લીધો હતો.મહિલાઓ દ્વારા સંચાલિત સંસ્થા દ્વારા આ બોક્સ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતા ટીમ ઉમંગને ટ્રોફી, પ્રમાણપત્ર અને રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.ઉમંગ ટીમે સતત ત્રીજા વર્ષે આ સ્પર્ધા જીતીને હેટ્રિક નોંધાવી છે. આ ટીમમાં અંજલીબેન પાટીલ, આરતીબેન સામાણી, સીમાબેન ધોકાય, સંગીતા કામળ અને કામિનીબેન નાયર જેવી મહિલાઓનો સમાવેશ થાય છે, જેઓ ઘર અને રમતગમત બંને ક્ષેત્રે સક્રિય રહે છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 9:43 am

'શરમ આવે છે?, આ વિસ્તાર ભૂલી જજો, વોટ નહીં મળે':સુરતમાં પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના BJP નેતાઓ સામે કાળા પાણીની ડોલ લઈ જનતા ઉતરી, 20 વર્ષનો રોષ ઠાલવ્યો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે અને રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવારોની જાહેરાત સાથે જનતા વચ્ચે જઈને પ્રસાર-પ્રચાર શરૂ કર્યો છે. આ વચ્ચે સુરતમાં ભાજપના નેતાઓ માટે જનતા વચ્ચે જવું પડકારજનક બની રહ્યું હોય તેવું દ્રશ્ય સામે આવ્યું છે. સુરત મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ભાજપના અગ્રણી નેતા રાજન પટેલ 5 એપ્રિલના રોજ અન્ય નેતાઓ સાથે જ્યારે પોતાના વિસ્તાર (વોર્ડ નં.9)માં પ્રચાર અને જનસંપર્ક માટે નીકળ્યા, ત્યારે તેમને સ્થાનિકોના ભારે રોષનો સામનો કરવો પડ્યો હતો. કરોડો રૂપિયાના બજેટ રજૂ કરનાર અને વિકાસના દાવા કરનારા પૂર્વ ચેરમેનને જનતાએ પાયાની સુવિધાઓ મુદ્દે આડેહાથ લીધા હતા. ભાજપના નેતાઓને સ્થાનિકોએ ઘેરી સવાલોનો મારો ચલાવ્યોરાંદેર ગામમાં રાંદેર ઝંડા ચોક વિસ્તારમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરવા નીકળેલા રાજન પટેલ અને તેમની સાથે રહેલા ભાજપના કાર્યકર્તાઓને સ્થાનિક લોકોએ રસ્તામાં જ અટકાવી દીધા હતા. લોકોનો આક્રોશ એટલો હતો કે તેમણે નેતાઓને ચારેબાજુથી ઘેરી લીધા હતા. સ્થાનિકોએ સીધો સવાલ કર્યો હતો કે, ‘તમે આટલા વર્ષોમાં અહીં ક્યારેય દેખાયા છો? આજે મતોની જરૂર પડી ત્યારે જ કેમ આવ્યા?’ લોકોએ મોઢામોઢ કહી દીધું હતું કે, વિસ્તારમાં લાંબા સમયથી રોડ-રસ્તાનું કામ બાકી છે, છતાં કોઈ દરકાર લેવા આવ્યું નથી. નેતાઓ જ્યારે આશ્વાસન આપવાનો પ્રયાસ કરતા હતા, ત્યારે લોકોએ વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, આવા વાયદાઓ તો અમે છેલ્લા 20 વર્ષથી સાંભળીએ છીએ. ગંદા પાણીની ડોલ લઈને વિરોધ, પૂર્વ ચેરમેન જોતા જ રહી ગયાવિરોધનું સૌથી ઉગ્ર સ્વરૂપ ત્યારે જોવા મળ્યું, જ્યારે સ્થાનિક રહીશ હાથમાં ગંદા પાણીની ડોલ લઈને રાજન પટેલની સામે આવી પહોંચ્યા હતા. આ ડોલમાં કાળા રંગનું અને અત્યંત દુર્ગંધ મારતું પાણી હતું, જે સ્થાનિકોના ઘરે નળમાં આવી રહ્યું છે. લોકોએ આ ગંદા પાણીની ડોલ બતાવીને નેતાઓને પૂછ્યું હતું કે, ’શું આ પાણી પીવાલાયક છે? તમે કરોડોના બજેટની વાતો કરો છો પણ અમને પીવાનું શુદ્ધ પાણી પણ આપી શકતા નથી.’ આ દૃશ્ય જોઈને ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા અને કોઈ ઉત્તર આપી શક્યા નહોતા. કરોડોનું બજેટ રજૂ કરનાર રાજન પટેલ સામે લોકરોષઉલ્લેખનીય છે કે, રાજન પટેલ સુરત મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રહી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે સુરત શહેર માટે કરોડો રૂપિયાના વિકાસલક્ષી બજેટ મંજૂર કર્યા હતા. જોકે, તેમના જ મતવિસ્તારમાં જ્યારે પાયાની સુવિધાઓ જેવી કે રસ્તા અને પીવાના પાણીની સમસ્યા વણઉકેલાયેલી જોવા મળી, ત્યારે જનતાએ તેમને આ બાબતે ઘેર્યા હતા. લોકોમાં એવી લાગણી જોવા મળી હતી કે કાગળ પરના કરોડોના બજેટ સામાન્ય માણસના ઘર સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યા છે. મહિલાઓ- વૃદ્ધોએ સીધુ જ કહી દીધુ- ‘આ વખતે વોટ નહીં મળે’આ વિરોધ પ્રદર્શનમાં માત્ર યુવાનો જ નહીં, પરંતુ મોટી સંખ્યામાં મહિલાઓ અને વૃદ્ધો પણ જોડાયા હતા. મહિલાઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગંદા પાણીને કારણે બીમારીઓ ફેલાઈ રહી છે અને રસ્તાઓની હાલત એટલી ખરાબ છે કે અવરજવર કરવી મુશ્કેલ બની છે. રોષે ભરાયેલા સ્થાનિકોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી હતી કે, આ એરિયાને આજે તમે ભૂલી જજો, અહીંથી કોઈ વોટ આપવાનું નથી. લોકોએ નેતાઓને સાફ કહી દીધું હતું કે માત્ર ચૂંટણી સમયે જ દેખા દેતા નેતાઓને હવે જનતા સ્વીકારવાના મૂડમાં નથી. આ પણ વાંચો… ઘરની બહાર નીકળતાં જ ગંદા પાણીમાં પગ મૂકવા મજબૂર, પાયકવાડમાં 20 વર્ષથી ડ્રેનેજની સમસ્યા, ચૂંટણી બહિષ્કારની ચીમકીકાર્યકર્તાઓ અને સ્થાનિકો વચ્ચે તીખી તકરારજ્યારે જનતાનો રોષ વધી રહ્યો હતો, ત્યારે ભાજપના કેટલાક કાર્યકર્તાઓએ બચાવ કરવાની કોશિશ કરી હતી. એક કાર્યકર્તાએ જ્યારે સ્થાનિકોને એમ કહ્યું કે, તમે આ બાબતે સત્તાવાર ફરિયાદ કેમ નથી કરતા?, ત્યારે લોકો વધુ ઉશ્કેરાયા હતા અને કહ્યું હતું કે અમે અગણિત વાર ફરિયાદો કરી છે, પણ કોઈ સાંભળતું નથી. આ દરમિયાન જ્યારે કોઈએ મોબાઈલ ફોનમાં આ ઘટનાનો વીડિયો ઉતારવાનું શરૂ કર્યું, ત્યારે ભાજપના કાર્યકર્તાએ તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેના પર સ્થાનિકો ભડક્યા હતા અને કહ્યું હતું કે, અમે કેમ વીડિયો ન ઉતારીએ? તમારી પોલ ખુલ્લી પડી રહી છે એટલે તમે ડરો છો?

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 9:29 am