સ્થાનિકોની આંદોલનની ચીમકી:સિલોટવાડમાં ગટરના પાણી રસ્તા પરફરી વળતા રહીશોમાં ભારે આક્રોશ
નવસારી શહેરના સિલોટવાડ વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી પાસે છેલ્લા એક સપ્તાહથી ગટર લાઇન ઉભરાવાની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ગટરના ગંદા પાણી જાહેર રસ્તાઓ પર ફરી વળતા સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે, જેના કારણે સ્થાનિક રહીશોનું જીવવું મુશ્કેલ બન્યું છે. આ વિસ્તારમાં અનેક રહેણાંક મકાનો આવ્યા છે. ગટરના ગંદા પાણીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને વિસ્તારમાં ગંભીર રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યાનુસાર આ ગંભીર સમસ્યા અંગે નવસારી મનપામાં વારંવાર રજૂઆતો અને ફરિયાદો કરાઇ છે તેમ છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કામગીરી કે સફાઈ અભિયાન હાથ ધરાયું નથી. તંત્રની આ ઘોર નિષ્ક્રિયતાને કારણે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જો વહેલી તકે આ ગંદકીનો નિકાલ કરવામાં નહીં આવે, તો આગામી ચૂંટણીમાં આ જનરોષના ઘેરા પડઘા પડશે. રોષે ભરાયેલા સ્થાનિકોએ હવે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. ફરિયાદ કરવા છતાં કોઇ સાંભળતું નથી અમે છેલ્લા એક અઠવાડિયાથી નર્ક જેવી સ્થિતિમાં જીવી રહ્યાં છીએ. ગટરના ગંદા પાણી ઘરના દરવાજા સુધી આવી ગયા છે અને દુર્ગંધના કારણે શ્વાસ લેવો પણ ભારે છે. મહાપાલિકામાં વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ સાંભળતું નથી. જો આવી જ હાલત રહી તો અમે ચૂંટણીમાં વોટ બાબતે વિચાર કરીશું. > નજમાબેન, સ્થાનિક
મુસાફરો થયા પરેશાન:અસારવા સ્ટેશને જયપુર એક્સપ્રેસ આખો દિવસ રોકી રખાતા પેસેન્જરોને હાલાકી
અસારવા સ્ટેશને સવારે આવતી જયપુર–અસારવા એક્સપ્રેસને પ્લેટફોર્મ નંબર 1 પર આખો દિવસ ઊભી રાખવાના કારણે અન્ય ટ્રેનોના મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સવારે 8:40 વાગે આવતી આ ટ્રેન સાંજે 7:55 વાગ્યા સુધી પ્લેટફોર્મ પર જ રહેતાસર્જાઈ રહી છે. જયપુર એક્સપ્રેસને કારણે ઈન્દોર–અસારવા વીરભૂમિ એક્સપ્રેસ જે સવારે 10:40 વાગે આવી બપોરે 2:10 વાગે ઉપડે છે અને આગરા–અસારવા એક્સપ્રેસ જે સવારે 11:00 આવી બપોરે 3:00 વાગે ઉપડે છે તેને પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર મુકવામાં આવે છે. પરિણામે મુસાફરોને સીધો એક્ઝિટ મળતો નથી. પ્લેટફોર્મ 2 અને 3 પર ઉતરતા મુસાફરોને ફૂટ ઓવરબ્રિજ દ્વારા અથવા લાંબો ચક્કર મારીને બહાર નીકળવું પડે છે. લગેજ સાથે પેસેન્જરોને 500થી 600 મીટર સુધી વધારે ચાલવું પડે છે. જયપુર–અસારવા એક્સપ્રેસને પ્લેટફોર્મ-1 પરથી યાર્ડમાં ખસેડવામાં આવે તો અન્ય ટ્રેનોને પ્લેટફોર્મ-1 મળી શકે અને મુસાફરોને સીધો એક્ઝિટ મળી રહેશે. કનેક્ટિંગ ટ્રેન પકડવા માટે દોડાદોડી કરવી પડે છેરાજસ્થાન તરફથી આવતા ઘણા મુસાફરોને અમદાવાદ મુખ્ય સ્ટેશન પરથી દક્ષિણ ભારત તરફ જવા કે અન્ય ટ્રેન પકડવાની હોય છે. પરંતુ અસારવા સ્ટેશને ઉતર્યા બાદ બહાર નીકળવામાં વધુ સમય લાગતા તેમને તાત્કાલિક વાહન શોધીને અમદાવાદ પહોંચવા દોડાદોડ કરવી પડે છે. આવી પરિસ્થિતિમાં પરિવાર સાથે આવેલા મુસાફરો, વૃદ્ધો અને બાળકો માટે હાલત વધુ કફોડી બની જાય છે.
વાતાવરણ:ભેજનું પ્રમાણ વધતાં 41 ડિગ્રી ગરમીમાં 46 ડિગ્રી જેવો અનુભવ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી શહેરમાં ગરમીનો પારો 40થી 41 ડિગ્રીની આસપાસ રહેતાં લોકો ઉનાળાની ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. પરંતુ, મંગળવારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 3.5 ડિગ્રી ઉંચકાતા શહેરમાં દિવસ દરમિયાન લોકોએ કાળઝાળ ગરમી અને બફારાનો અનુભવ કર્યો હતો. આગામી 24 કલાકમાં શહેરના વાતાવરણમાં પલટો આવશે. હવામાન વિશેષજ્ઞ એ.ટી. દેસાઇએ કહ્યું કે, , મંગળવારે મહત્તમ તાપમાન 41.4 ડિગ્રી હોવા છતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ 47 ટકા હતું, જેને કારણે 41 ડિગ્રીએ પણ લોકોને 45થી 46 ડિગ્રીનો અનુભવ થતાં ગરમી વર્તાઇ હતી. પરંતુ, બુધવારથી ચાર દિવસ શહેરમાં વાદળિયા વાતાવરણ વચ્ચે દિવસે ગરમીમાં ઘટાડો થશે. પરંતુ, ભેજમાં વધારો થતાં રાત્રિનું તાપમાન વધતાં અસહ્ય બફારાનો અનુભવ થઇ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે વાદળિયું વાતાવરણ સર્જાશેપાકિસ્તાનમાં સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજસ્થાન સુધી પહોંચીને સાઈક્લોનિક સરક્યુલેશનમાં પરિવર્તિત થયું છે, તેની સાથે ટ્રફની સિસ્ટમ હોવાથી મંગળવારે વાતાવરણમાં ભેજમાં વધારો થયો હતો. શહેરના મહત્તમ તાપમાન સામાન્યથી 2 ડિગ્રી વધીને 41.4 ડિગ્રી નોંધાયું હતું. પરંતુ, ભેજની અસરથી લઘુતમ તાપમાન એક જ દિવસમાં 23.5 ડિગ્રીથી 3.5 ડિગ્રી ઉંચકાઇને 27 ડિગ્રી નોંધાયું હતું.
રજૂઆત:વલસાડ પાલિકાના શોપિંગ સેન્ટરો મરામત ન થતાં માલિકીથી સોંપવા વેપારીઓની માગ
વલસાડ પાલિકાના મોટા બે શોપિંગ સેન્ટરનો વિવાદ ચરમસીમાએ પહોંચી રહ્યું છે. રોડને લાગૂ નિર્માણ પામેલા કરોડોની વેલ્યુએશન ધરાવતા શોપિંગ સેન્ટરોનું બાંધકામ જર્જરિત થતાં વિવાદ વકરી રહ્યો છે. આના કારણે 200થી વધુ વેપારીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. વેપારી સંગઠનની એક બેઠક મંગળવારે મળી જેમાં તમામ જર્જરિત હિસ્સાની મરામત કરવાની અથવા માલિકી ધોરણે સોંપણી કરવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. જો કામગીરી હાથ ધરવામાં નહિ આવે તો વેપારીઓ દ્વારા પાલિકા સામે નિષ્કાળજી મામલે કાર્યવાહી હાથ ધરવા નિર્ણય લેવાયો છે. મરામત કરાવવામાં આવે અથવા માલિકી ધોરણે દૂકાનો સોંપી દેવાનો મુદ્દો ઉઠાવ્યો છે. વલસાડ શહેરમાં સૌથી પ્રાઇમ લોકેશન ધરાવતાં સ્ટેશન રોડ,ગાંધી લાયબ્રેરી સામે રોડ ટચ જગ્યામાં ડીએન શોપિંગ સેન્ટર અને ઇન્દિરા ગાંધી શોપિંગ સેન્ટરનું નિર્માણ કરાયું હતું. જેમાં અંદાજિત 200થી વધુ દૂકાનોની જે તે સમયે ફાળવણી કરી હતી. માલિકી હક્ક આપો પાલિકાના શોપિંગ સેન્ટરોમાં દૂકાનો ધરાવતા વેપારીઓ 30 વર્ષ બાદ યોગ્ય રિપેરિંગના અભાવે મુશ્કેલીમાં છે. ચોમાસામાં બાંધકામ જર્જરિત થતાં તૂટી જવાની ભીતિ છે. મરામત કરી ઠીકઠાક કરીને આપો અથવા માલિકીથી લેવા વેપારીઓ તૈયાર છે. > કેતન શાહ, અગ્રણી વેપારી શોપિંગ સેન્ટર જ જર્જરિત પાલિકાની માલિકીના શોપિંગ સેન્ટરો પબ્લિક પ્રોપર્ટી હોવા સાથે આવક વધારવા માટે જે તે સમયે શાસકોએ બાંધકામ કર્યું હતું.પરંતું તેની જાળવણીના અભાવે જૂના થઇ જતાં દૂકાનદારો હવે પોતાના ખર્ચે મરામત કરવાની માગ કરી રહ્યા છે. પાલિકા મરામત કરે અને તેમ નહિ કરે તો વેપારીઓને આ દૂકાનો માલિકી ધોરણે સોંપી દેવા મળેલી બેઠકમાં વેપારીઓએ પાલિકા તંત્રને ઢંઢોળ્યા છે.
તપાસ:વાસણ બેઠકના ઉમેદવાર ગુમ થયા બાદ નાટકીય ઢબે હાજર થઇ ગયો
વલસાડ તાલુકાના વાસણ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવારની અપહરણની વાતો વચ્ચે નાટકિય ઢબે 24 કલાકમાં ઘરે હાજર થઇ જતાં આ કેસમાં રહસ્યમય વળાંક આવી ગયો હતો.ઉમેદવાર ભીખુભાઇ ખંડુભાઇ પટેલે ઘરે પહોંચીને વાત માડી કહ્યું કે,મને કોઇ ઉપાડી ગયું ન હતું,મારી રીતે હું સાળા સાથે તેના ઘરે ચાલી ગયો હતો. મારા પરિવાર સાથે શાંતિથી જીવવા હું ચૂંટણી લડવાનો નથી,ફોર્મ પરત ખેંચી લેવાનો છું.કોઇ ટોર્ચર કરે તે માટે સાળા સાથે નિકળી ગયો હતો. વલસાડમાં મામલતદાર કચેરીમાં સોમવારે ફોર્મ ચકાસણી માટે વાસણ બેઠકના ઉમેદવાર ભીખુભાઇ ખંડુભાઇ પટેલનું ફોર્મ માન્ય થઇ ગયા બાદ ગાયબ થઇ જતાં તેમનું અપહરણ કરાયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.આ ઘટનાને 24 કલાક બાદ નાટકિય ઢબે ઘરે આવી પહોંચ્યા હતા.મીડિયા સાથે વાત કરતા આપ પાર્ટીના ઉમેદવારે કહ્યું કે મારું ફોર્મ સિલેક્ટ થઇ ગયા બાદ મામલતદાર કચેરીની બહાર નિકળી લીંબું શરબત પીને સાળા સાથે તેના ઘરે ચાલી ગયો હતો.મને કોઇ ઉપાડી ગયું ન હતું,કોઇએ અપહરણ કર્યું નથી.કોઇ ટોર્ચર ન કરે તે માટે નિકળી આવ્યો હતો.એક રાત રહીને મારા ઘરે આવી ગયો,મારો મોબાઇલ ચાલૂ જ છે. મારા ઘરે છું, મને કોઇ ઉપાડી ગયો હતો તેવું અપક્ષો કહે છે.મને કોઇ ઉપાડી ગયું નથી. ચૂંટણી લડવાના કે કેમ તેવો પ્રશ્નમાં તેમણે કહ્યું,ના હવે હું ચૂંટણી લડવાનો નથી.જીવનમાં એ જોવાનું છે કે, મારી બે દીકરી છે,તેમનું ભવિષ્ય જોવાનું છે મને કંઇ થઇ જાય તો કોઇ જવાબદારી લેવાવાળું નથી.આમ આદમી પાર્ટીવાળા મને ચૂંટણી લડી લેવા કહે છે.પણ હવે ફોર્મ પરત ખેંચી લેવાની વાત પણ કરી હતી.
નિર્ણય:તા.પં.ની સરીગામ બેઠક માટે ચૂંટણી અધિકારીએ અપક્ષનું ફોર્મ માન્ય કર્યુ
ઉમરગામમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા પંચાયતની સરીગામ બેઠક ઉપર અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ કરવા ભાજપે વાંધા અરજી રજૂ કરી હતી. આ ઉપરાંત ચૂંટણી અધિકારી અને મામલતદાર દલપતભાઇ બ્રાહમણકાચ્છ ઉપર રાજકીય પક્ષ દ્વારા સતત દબાણ કરાતા તેમણે આપઘાત કર્યો હોવાની ચર્ચા ચાલી છે. આ સંજોગમાં મામલતદારના આપઘાતના બીજા દિવસે ચૂંટણી અધિકારીએ અપક્ષ ઉમેદવારનું ફોર્મ માન્ય રખાયું હોવાનો નિર્ણય કર્યો છે. ઉમરગામ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 23 સરીગામ 2 બેઠક પર હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ રાકેશ રાય સામે રજૂ કરાયેલ વાંધો આગ્રહ્ય રખાયો. ઉમેદવાર રાકેશભાઈ નું રજૂ કરેલું ફોર્મ માન્ય કરતો હુકમ કરાયો. ઉમરગામ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ ફોર્મ ચકાસણીની પ્રક્રિયા દરમિયાન 23 સરીગામ બે બેઠકો પર હાઇવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. અપક્ષ ઉમેદવાર રાકેશ રાય સામે વાંધો રજુ કરાયો હતો ત્યારબાદ મોડી સાંજ સુધી બંને પક્ષો દ્વારા દલીલો રજૂ કરાઈ હતી. અંતિમ નિર્ણય જાહેર કરવા નિર્ધારિત સમય નક્કી કરાયો હતો. તારીખ 14 એપ્રિલના રોજ ઉપરોક્ત મામલે મદદનીશ ચૂંટણી અધિકારી 23-સરીગામ-2 (બિન અનામત સામાન્ય) ઉમરગામ તાલુકા પંચાયત મતદાર વિભાગ અને સર્કલ ઓફીસર ઉમરગામના હસ્તાક્ષર સાથે હુકમ કરાયો હતો જે મુજબ લેખિત હુકમમાં જણાવ્યું હતું કે, રજુ થયેલ વાંધા અરજી “અગ્રાહ્ય” રાખવામાં આવે છે અને રાકેશ કમલાંશકર રાય દ્વારા ઉમેદવારી ફોર્મ સાથે રજુ થયેલ તમામ વિગતો યોગ્ય જણાતી હોય તેમનું ઉમરગામ તાલુકા પંચાયત મતદાર મંડળની 23-સરીગામ-2 (બિન અનામત સામાન્ય) બેઠક માટે રજુ થયેલ ઉમેદવારી પત્ર “માન્ય” રાખવા હુકમ કરવામાં આવે છે. સોમવારે રાત્રે 9 વાગ્યે મામલતદાર દલપતભાઇ બંને પક્ષોને 11 કલાકે નિર્ણય જણાવવાનું કહી નિકળી જઇ ટ્રેન નીચે પડતુ મુકી આપઘાત કર્યો હતો. દબાણ કરનારા સામે તપાસ થવી જરૂરી ઉમેદવારી પત્રક ચકાસણીના દિને અપક્ષનું ઉમેદવારી પત્રક રદ કરવા માટે સર્જાયેલા હાઈ વોલ્ટેજ ડ્રામામાં મામલતદાર કચેરીના સીસીટીવી કેમેરા અને ચૂંટણી માટેની વિડીઓગ્રાફીનો રેકોર્ડ તથા મામલતદારના ફોન રેકોર્ડ તપાસ કરવા જરૂરી છે. જે બાબતે જવાબદારી નક્કી કરી કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે. દબાણ કરવા કોણ ગયું હતું. કોના ધમકી ભર્યા કે માનસિક તાણ આપતા કોલ આવ્યા હશે. સાહેબના ઘરે 9 વાગ્યે ટિફિન આપ્યું, ફરી ગયો તો તાળું હતુંકચેરીથી અચાનક મામલતદાર 500 મીટર અંતરે આવેલા ફ્લેટમાં પહોંચી ગયા હતા. હાલ પરિવાર વતનમાં ગયો હોવાથી રાત્રિના નવ વાગ્યે ડ્રાઈવર ઉમેશ પવારે ટિફિન પહોંચાડ્યો હતો. ત્યારબાદ મામલતદાર તાળું મારી ચાલી જતા રાત્રિના 11 વાગ્યે ઉમરગામ રેલવે સ્ટેશન પ્લેફોર્મ નંબર 1ના એક છેડે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. સાહેબના ઘરે 9 વાગ્યે ટિફિન આપ્યું હતું. થોડા સમય પછી પરત ગયો તો દરવાજે તાળું લટકતું જોવા મળ્યું હતું.> ઉમેશ પવાર, મામલતદારના ડ્રાઈવર રાત્રે મામલતદારે પત્નીને ફોન કરી કહ્યું ‘‘ તમે સ્ટ્રોંગ રહેજો’’રાત્રિના નવ વાગ્યેના સમયે મામલતદાર દલપતભાઇએ તેમના પત્નીને ટેલિફોનીક સંપર્ક કરી તમે સ્ટ્રોંગ રહેજો એમ કહ્યું હતું. આવા શબ્દ જણાવતા તેમના પરિવારને કંઇક અજુગતું લાગતા વલસાડથી ઉમરગામ આવી પહોંચ્યા હતા. પત્ની અને તેમના દીકરા સાથે મામલતદાર કચેરીના સ્ટાફે શોધખોળ કરતા ઉમરગામ રેલવે ટ્રેક ઉપર મૃત અવસ્થામાં મામલતદાર મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતા વાપી વિભાગના ડીવાયએસપી બી.એન. દવે, રેલવે પોલીસ, કલેક્ટર સ્થળ ખાતે દોડી આવ્યા હતા. મૃતદેહને પરિવારને સોંપાયો હતો. મૂળ ધરમપુરનાં વતની પરંતુ વલસાડ અબ્રામા ખાતે મકાન ધરાવતા મામલતદારના પરિવારે મંગળવારે વલસાડમાં અંતિમક્રિયા કરી હતી.પરિવારે હાલ આ મુદ્દે કઇપણ કહેવાનો ઇનકાર કર્યો હતો.
ઓડિટ પ્રક્રિયા સામે સવાલો:દર વર્ષે ઓડિટ થતું હોવા છતાં પણ લિકર પરમિટનું કૌભાંડ પકડાયું નહીં
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગાજેલા લિકર પરમિટ કૌભાંડના પ્રત્યાઘાતો હવે રાજ્યના આરોગ્ય વિભાગ સુધી પહોંચ્યા છે. રોગી કલ્યાણ સમિતિ (RKS) દ્વારા દર વર્ષે થતા ઓડિટ છતાં આટલું મોટું કૌભાંડ પકડાયું ન હોવાથી ઓડિટ પ્રક્રિયા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સિવિલ હોસ્પિટલમાં વર્ષ 1998થી લિકર પરમિટ આપવાની પ્રક્રિયા ચાલે છે. વર્ષ 2025માં આરોગ્ય વિભાગ દ્વારા પરમિટના દરમાં ધરખમ વધારો કરાયો હતો, જેમાં નવી પરમિટ માટે ₹25,000 અને રિન્યુઅલ માટે ₹20,000 નક્કી કરાયા હતા. આ કૌભાંડમાં આઉટસોર્સ એજન્સી ‘વિશ્વા એન્ટરપ્રાઇઝ’ના ત્રણ કર્મચારીઓની સંડોવણી બહાર આવી છે, જેઓ વર્ષ 2023થી આ વિભાગમાં કાર્યરત હતા. દર વર્ષે થતા ઓડિટમાં આ ગોટાળો કેમ ન પકડાયો? સૂત્રોના મતે ઓડિટમાં માત્ર આવક-જાવકના આંકડા તપાાતા હોવાથી આર્થિક ગેરરીતિ નજરે ચઢી ન હતી. હોસ્પિટલના એડિશનલ સુપરિટેન્ડેન્ટ ડો. જસ્મીન દિવાને પણ કબૂલાત કરી છે કે પરમિટથી અત્યાર સુધી કેટલા નાણાં મળ્યા તેની કોઈ માહિતી તેમની પાસે નથી. આગામી સમયમાં રાજ્યની અન્ય સિવિલમાં પણ રોગી કલ્યાણ સમિતિના હિસાબોની તપાસ માટે કમિટી રચાય તેવી પૂરી શક્યતા છે. સિવિલ પાસે જમા થયેલા નાણાની માહિતી નથીસિવિલમાં દર વર્ષે રોગી કલ્યાણ સમિતિનું ઓડિટ થતું હોવા છતાં લિકર પરમિટનું આર્થિક કૌભાંડ પકડાયું નથી. ઓડિટમાં માત્ર આંકડાકીય મેળવણું થતું હોવાથી ગેરરીતિ બહાર આવી નથી. છેલ્લાં બે વર્ષમાં હોસ્પિટલને અંદાજે રૂ.16.50 કરોડની આવક થઈ હોવા છતાં, તંત્ર પાસે આ પેટે જમા થયેલા નાણાંની કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી.
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના અનેક ગામડાઓ હજી વિકાસથી વંચિત રહી ગયાં છે. નાની મોગરી, મોટી મોગરી અને ગુદવાણ ગામના રહેવાસીઓને પાયાની સુવિધાઓ ન મળતા ચૂંટણીનો બહિષ્કાર ચીમકી ઉચ્ચારી છે. સાગબારા તાલુકાના ત્રણ ગામોના આગેવાનો અને ગ્રામજનોએ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચેતવણી આપી છે. નાની મોગરી, મોટી મોગરી અને ગુદવાણ ગામના રહેવાસીઓએ પાયાની સુવિધાઓ ન મળતા આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે. આ મુદ્દે ગ્રામજનોએ દેડિયાપાડાના નાયબ કલેકટરને આવેદનપત્ર આપી સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ આઝાદીના 78 વર્ષ બાદ પણ ગામમાં અનેક મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. મોટીમોગરી (ગુદવાણ) વિસ્તારમાં પાણી પુરવઠા યોજના હેઠળ બનાવાયેલી પાણીની ટાંકી અને પાઈપલાઈન તકલાદી રીતે બનાવવામાં આવી હોવાનું ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. ટાંકીમાં લીકેજ છે અને તે તૂટી પડે તેવી હાલતમાં છે, જેના કારણે આજદિન સુધી નિયમિત પાણીની સુવિધા મળતી નથી. તે ઉપરાંત ગામના રસ્તાઓ વર્ષો બાદ પણ બન્યા નથી અને જે બનાવાયા છે તેમાં પણ ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે. નાની મોગરીથી મોટીમોગરી (ગુદવાણ) અને દેવમોગરા–કણબીપીઠા જોડતો માર્ગ એક વર્ષથી અધૂરો પડ્યો છે. ગુદવાણથી દેવમોગરા તરફનો રસ્તો પણ હજુ સુધી બનાવવામાં આવ્યો નથી. ચોમાસા દરમિયાન નાળા ઉપરથી પાણી વહી જવાથી મોટીમોગરી અને નાની મોગરીના ગ્રામજનનું જનજીવન દર વર્ષે ખોરવાઈ જાય છે. ખાસ કરીને શાળા અને કોલેજ જતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જેના કારણે તેમના અભ્યાસ પર પણ અસર પડે છે. ગ્રામજનોનું કહેવું છે કે આજદિન સુધી ફળિયાના રસ્તાઓ બન્યા નથી, આંગણવાડીનું મકાન બનાવાયું નથી તેમજ શૌચાલય માટે સહાય પણ મળતી નથી. સમસ્યાઓનો ઉકેલ ન આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય ગ્રામજનો દ્વારા લેવામાં આવ્યો હોવાનું આવેદનપત્રમાં જણાવાયું છે. અધિકારી આશ્વાસનો આપે છે, કામ કરતાં નથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે અન્ય ચૂંટણી આવે ત્યારે આદિવાસી વિસ્તારોમાં લોકોને રોડ રસ્તા અને પાણી, શિક્ષણ જેવી પાયાની સુવિધા ન મળતાં વિરોધ સ્વરૂપે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવે છે. ત્યારે સરકારી અધિકારીઓ તેમજ નેતાઓ દ્વારા લોકોને કામ થઇ જશે તેવો લોલીપોપ આપવામાં આવે છે પરંતુ ચૂંટણીના પરિણામ બાદ પણ સ્થાનિકોમાં પ્રશ્નો ઉકેલાતા નથી. ગત લોકસભા વખતે ડેડીયાપાડાના સાબુટી ગામના લોકોએ શાળાના મકાન ન હોવાને કારણે ચૂંટણી બહિષ્કાર કર્યો હતો. પરંતુ અધિકારો દ્વારા જલ્દી મકાન બની જશે તેવા વાયદાઓ આપ્યા પરંતુ હજુ સુધી સાબુટી ગામની શાળાનું નવું મકાન બન્યું નથી.
અસમાજિક તત્વો બેફામ:માલપુર ચાર રસ્તા પાસે ચા ની દુકાનમાં બે શખ્સોનો યુવાન પર હિચકારો હુમલો
માલપુર ચાર રસ્તા પાસે આવેલી ચાની દુકાન પર બે યુવાનોએ અચાનક યુવાન ઉપર હુમલો કરી કોઈક કારણોસર મારમાર્યાની ઘટનાથી ચકચાર મચી છે. ચૂંટણી પૂર્વે માલપુરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાની લોકોની બૂમ ઉઠી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ છે. ઝઘડાની આ ઘટનામાં સૌ પ્રથમ ચાની દુકાન ઉપર આવેલા બે શખ્સો યુવાન સાથે હાથ મિલાવીને ખુશી ખુશીથી વાતચીત કરી રહેલા દેખાઈ રહ્યા છે. ત્યારબાદ કોઈ કારણોસર અચાનક બે શખ્સો દ્વારા યુવાન ઉપર હુમલો કરી તેને માર મરાયો હોવાની ઘટના બહાર આવતાં માલપુરના લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે ઝઘડાના પગલે આજુબાજુથી એક મહિલા સહિત અન્ય લોકો પણ દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહેલા શખ્સોની ઓળખ કરી તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માલપુરના જાગૃત નાગરિકોની માંગ ઉઠી છે. ચાની દુકાનમાં મારમારવાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.
મોટી દુર્ઘટના ટળી:કૃષ્ણગઢ ગામે ઘર પાછળ લઘુશંકા કરવા ગયેલા યુવાન પર સિંહે હુમલો કરીને સાથળ ફાડી ખાધો
લાઠી તાલુકાના કૃષ્ણગઢ ગામની સીમમાં આજે સવારે એક યુવાન ઘરની પાછળની બાજુ લઘુશંકા કરવા ગયો હતો. ત્યારે એક સિંહે પાછળથી હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કરી દેતા આ યુવકને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો છે. યુવાન પર સિંહના હુમલાની આ ઘટના સવારે આઠેક વાગ્યાના સુમારે લીલીયા તાલુકાના કૃષ્ણગઢ ગામે બની હતી. મુળ કૃષ્ણગઢના વતની અને હાલમાં સૂરતમાં રહેતા હરેશભાઈ ભીમજીભાઈ ચૂડાસમાં (ઉ.વ.45) નામના યુવાન પર સિંહે હુમલો કર્યો હતો. હરેશભાઈ સવારના સમયે ઘરની પાછળની બાજુ લઘુશંકા કરવા માટે ગયા હતા. તે સમયે અચાનક પાછળથી સિંહ ધસી આવ્યો હતો અને તેમના પગ અને સાથળના ભાગે બટકા ભરી ગંભીર ઈજા પહોંચાડી હતી. જો કે હુમલો કર્યા બાદ સિંહ નાસી ગયો હતો. હરેશભાઈ ચૂડાસમાંને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અગાઉ લાઠીના લુવારીયામાં સિંહે એક યુવાનને ફાડી ખાદ્યો હતો. હરેશભાઈ પર હુમલો કરનાર સિંહ આ જ હોવાનું માનવામાં આવે છે.
ઉનાળાનો આકરો મિજાજ દેખાયો:19 અને 20મીએ ફરી માવઠાની આગાહી 41.1 ડિગ્રીથી બપોરે 2થી 4 રસ્તા સુમસામ
ચાલુ ઉનાળામાં અમરેલી પંથકમાં વારંવાર માવઠા થયા હોય તાપમાનનો પારો 40 ડિગ્રીથી નીચે રહેતો હતો અને ઉનાળાનો અસલી મીજાજ દેખાતો ન હતો. પરંતુ હવે છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ઉંચકાયો છે અને 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. આજે અમરેલી શહેરનું મહત્તમ તાપમાન 41.1 ડિગ્રી નોંધાયું હતું. બળબળતા તાપની જન જીવન પર પણ અસર થઈ છે. અમરેલી પંથકમાં ઉનાળાની આકરી ગરમીની શરૂઆત થઈ ચુકી છે. આમ પણ અમરેલી જિલ્લામાં દર વર્ષે રાજ્યના અન્ય વિસ્તારોની સરખામણીમાં ગરમી વધુ પડે છે. જો કે ચાલુ સાલે હજુ સુધી અમરેલી પંથકમાં આકરી ગરમીનો રાઉન્ડ આવ્યો ન હતો. કારણ કે પાછલા એક મહિના દરમિયાન આ વિસ્તારમાં વારંવાર માવઠા થયા હતા. જેના કારણે તાપમાન 40 ડિગ્રીથી નીચે જ રહેતું હતું. 10 દિવસ પહેલા સુધી મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ રહેતું હતું. જો કે છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો એકદમ જ ઉંચકાયો છે. મંગળવારે અમરેલી શહેરનું મહત્તમ તાપમાન 41.1 ડિગ્રી પર પહોંચી ગયું હતું. જ્યારે ન્યુનત્તમ તાપમાન 24 ડિગ્રી જેટલું હતું. હવામા ભેજનું પ્રમાણ પણ 60 ટકાથી વધુ હતું. તથા પવનની ગતિ પ્રતિ કલાક સરેરાશ 6.7 કિ.મીની રહી હતી. આકરી ગરમીના કારણે અમરેલી શહેરની બજારો બપોરના સમયે સુમસામ બની ગઈ હતી. બપોરના 2 વાગ્યાથી લઈ 4 વાગ્યા સુધીના સમયગાળામાં રસ્તા પર વાહનો અને લોકોની પાંખી અવરજવર હતી. ગરમીના કારણે ચૂંટણી પ્રસાર પર પણ અસર પડી છે. બપોરે ચૂંટણી કાર્યાલયો સુમસામ દેખાતા હતા. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા અમરેલી જિલ્લામાં ફરી 19 અને 20 તારીખે માવઠાની આગાહી કરી છે. 3 માવઠાથી કેરીના પાક પર વિપરીત અસર થશેઅત્યાર સુધીમાં ત્રણ માવઠાના કારણે અમરેલી જિલ્લામાં કેરીના પાક પર વિપરીત અસર થઈ ચુકી છે. હજુ પણ પવન સાથે માવઠાની આગાહી હોય કેરીનો પાક લેનારા ખેડૂતો ચિંતત છે. અમરેલી અને ભાવનગર જિલ્લામાં બે દિવસ માવઠું દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી 19 અને 20મી તારીખે માવઠાની આગાહી કરાય છે. અમરેલી ઉપરાંત ભાવનગર જિલ્લા સહિત રાજ્યના 5 જિલ્લામાં કમોસમી વરસાદ ખાબકશે.
રજૂઆત કરાઈ:સાવરકુંડલા નગરપાલિકા દ્વારા અધૂરી માહિતી આપતા જવાબદારો સામે કાર્યવાહીની માંગ
માહિતીનો અધિકાર અધિનિયમ 2005 હેઠળ અરજદાર અતુલભાઈ જાની દ્વારા સાવરકુંડલા નગરપાલિકા પાસેથી જાહેર હિતમાં અત્યંત મહત્વપૂર્ણ માહિતી માંગવામાં આવી હતી. અરજીમાં કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓની સંપૂર્ણ વિગત, ગ્રાન્ટ સંબંધિત માહિતી, ટેન્ડર પ્રક્રિયા, નગરપાલિકાના ઠરાવો, જનરલ મિટિંગની મિનિટ્સ તથા છેલ્લા બે વર્ષમાં થયેલ RTI અરજીઓ અને ફરિયાદોની વિગતો સહિતના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ નગરપાલિકા દ્વારા આ માહિતી પ્રોએકટીવ ડિસકલોઝર ની માહિતી હોય અને તે ઓનલાઈન અને ઓફલાઈન નગરપાલિકાએ જાતે જ પ્રસિદ્ધ કરવાની હોવા છતાં માહિતી અરજીનો જવાબ અત્યંત અધૂરો, ગેરમાર્ગે દોરતો અને કાયદાની જોગવાઈઓને અવગણતો હોવાનું સ્પષ્ટ થાય છે. માંગવામાં આવેલી વિગતોની પ્રમાણિત નકલો, પુરાવા અને સ્પષ્ટતા આપવામાં આવી નથી, જે માહિતીનો અધિકાર અધિનિયમના સ્પષ્ટ ભંગ સમાન છે. માહિતીનો અધિકાર અધિનિયમની કલમ 6(1) મુજબ દરેક નાગરિકને માહિતી મેળવવાનો અધિકાર છે. જ્યારે કલમ 7 મુજબ 30 દિવસની અંદર પૂર્ણ અને સચોટ માહિતી આપવી ફરજિયાત છે. તેમ છતાં સાવરકુંડલા નગરપાલિકા દ્વારા આ કાનૂની ફરજનું પાલન કરવામાં નિષ્ફળતા દાખવાઈ છે. આ મામલે સ્પષ્ટપણે જાહેર સત્તા દ્વારા પારદર્શિતાનો અભાવ અને બેદરકારી સામે આવે છે જે લોકશાહી મૂલ્યો માટે ચિંતાજનક બાબત છે. અરજદાર અતુલભાઈ જાની દ્વારા પ્રથમ અપીલ સત્તા ધિકારીશ્રી ભાવનગરને પ્રથમ અપીલ કરવામાં આવેલ છે. આ સાથેજ, જરૂરી હોય તો આ મુદ્દે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવાની ચેતવણી પણ આપવામાં આવી છે, જેથી નાગરિકોને યોગ્ય અને સંપૂર્ણ માહિતી મળી રહે અને જવાબદારી નક્કી થાય.
અકસ્માત:લાઠી રોડ પર ડમ્પરે બાઇકને ટક્કર મારતા પત્નીની નજર સામે જ પતિનું મોત નિપજ્યું
અમરેલી લાઠી રોડ પર ઈશ્વરીયા ગામ પાસે બાઇક પર ભુરખિયા દર્શને જઈ રહેલા પરિવારને પૂરઝડપે આવતા એક ડમ્પરે અડફેટે લેતા પત્નીની નજર સામેજ પતિનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અમરેલી હનુમાન પરામાં રહેતા મનોજભાઈ મોહનભાઈ દેસાઈ (ઉ.વ.34) તેમની પત્ની નિમિષાબેન અને પુત્ર દિકરા શિવાંશ સાથે બાઇક પર ભુરખિયા હનુમાન મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. તે સમયે ઈશ્વરીયા ગામ થી એક કી.મી. દૂર પહોચતા જ કાળ બનીને પૂરઝડપે આવતું GJ 14 AT 9989 નંબરના ડમ્પરે તેઓની બાઇક સાથે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મનોજભાઈ દેસાઈને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું. જ્યારે પત્ની અને દીકરા શિવાંશને માથા અને પગમાં ઇજાઓ પહોચતા ઇમરજન્સી 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ અંગે તેઓના મોટાભાઈ રાજેશભાઈ મોહનભાઈ દેસાઈએ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. અમરેલી વિસ્તારમાં બે લગામ ચાલતા ડમ્પરો વિરુદ્ધ કડક પગલા લેવામાં તંત્ર વમળું સાબિત થયું છે. ઓવરલોડ ખનીજ ભરીને આવતા ડમ્પર ચાલકો કોઈની પણ પરવાહ કર્યા વિના બે રોક ટોક ચાલતા વારંવાર અકસ્માતો સર્જતા રહે છે અને લોકોના મોત થઈ રહ્યા છે.
રાજકીય માહોલ ગરમાયો:મોરબી મનપાના ઉમેદવારોને તોડવા ભાજપપ્રયાસ કરતું હોવાનો કોંગી ઉમેદવારનો આક્ષેપ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં હાલ ઉમેદવારોની ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે અને ચકાસણીની કામગીરી પૂર્ણતાને આરે છે. આવતીકાલે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે અને તે પૂર્વે જ મોરબીમાં કોંગ્રેસે ભાજપ પર ગંભીર આક્ષેપ કરતાં રાજકીય માહોલ ગરમાયો છે. મોરબીમાં મનપાની ચુંટણી લડતા કોંગ્રેસના ઉમેદવાર જયેશ કાલરીયાએ ભાજપના નેતા પર આક્ષેપ કર્યા હતા કે ભાજપના નેતા દ્વારા તેમના સાથી ઉમેદવારોને ફોન કરીને અને અન્ય રીતે ફોર્મ પરત ખેંચવા દબાણ કરવામાં આવી રહ્યું છે. ફોર્મ પરત ખેંચાવી બિન હરીફ વિજેતા થવાની ભાજપની ચાલ હોવાની અમને ફરિયાદ મળતાં અમારે સક્રિય થવાની ફરજ પડી છે. અમારા ઉમેદવાર સાથે દબાણ કરી ફોર્મ પરત ખેંચાવી ન લે અને તેમના ઉમેદવાર સરળ જીત મેળવી લે તેવી સ્થિતિ ન સર્જાય તે માટે અમારે અમારા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઇ જવા પડ્યા હોવાનો કોંગ્રેસે દાવો કર્યો હતો. કોંગ્રેસના આક્ષેપ મુજબ, મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧, ૧૧, ૧૨ અને ૧૩ના ૪ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા છે. ભાજપના કાર્યકર્તાઓ તેમનો સંપર્ક કરીને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કારણે ઉમેદવારોને અસુરક્ષિતતા અનુભવાતાં તેમને અજ્ઞાત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત માળિયા તાલુકા પંચાયત 3 બેઠકના ઉમેદવારને પણ અજ્ઞાત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે. કોંગી અગ્રણીએ દાવો કર્યો હતો કે હજુ ઉમેદવારોના જણાવ્યા મુજબ તેમના ઉમેદવાર પાસે સગા સંબંધીઓ થકી દબાણ ઉભું કરવાના પ્રયાસ છે, જો ભાજપમાંથી કાયદાનો ભંગ થાય તેવા પ્રયાસ થશે તો ફરિયાદ કરવામાં આવશે. કોંગ્રેસના આક્ષેપો પાયા વિહોણા આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ જયંતી રાજકોટિયા કોંગ્રેસ દ્વારા માત્ર પાયા વિહોણા આક્ષેપ કરી રહ્યા છે અને આવી વાત મારા સુધી પણ પહોંચી નથી. હારના ડરથી કોંગ્રેસ આવા ખોટા દાવા કરે છે. અમારી પાર્ટીના કાર્યકરો અને આગેવાનો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે અને આવા આક્ષેપો તદન ખોટા છે.
યુવાશક્તિ ફાઉન્ડેશન અને જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે જડેશ્વરના જંગલ વિસ્તારમાં પર્યાવરણ સુરક્ષા અને જીવદયા માટે એક સરાહનીય પહેલ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત નાના જીવજંતુઓ, ખાસ કરીને કીડીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી. સભ્યો દ્વારા 1000 કરતાં વધુ સુકા નાળિયેરમાં છિદ્ર કરીને તેમાં ‘કીડિયારું’ ભરીને જંગલના વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવ્યા હતા, જેથી આ નાનકડા જીવજંતુઓને સરળતાથી ખોરાક મળી રહે અને તેમનું જીવન સુરક્ષિત રહી શકે. ઉનાળો આકરા તેવર બતાવી રહ્યો છે અને અબોલ પશુ, પંખીઓની ખોરાક, પાણીની વ્યવસ્થા કરવી એ માનવતા સહજ સ્વભાવ બનવો જોઇએ તેવી વિચારસરણી સમાજમાં વહેતી કરવામાં આ ફાઉન્ડેશન અને જડેશ્વર જીવદયા ગ્રુપ મોખરે છે. આ ઉપરાંત, પક્ષીઓ માટે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. વૃક્ષોની ડાળીઓ પર કૂંડા બાંધી તેમાં દાણા નાખવામાં આવ્યા, જેથી પક્ષીઓને સતત ખોરાક મળી રહે અને તેઓ માટે અનુકૂળ વાતાવરણ સર્જાય. આ સમગ્ર પહેલ માત્ર એક પ્રવૃત્તિ પૂરતી મર્યાદિત નથી, પરંતુ દરેક જીવ પ્રત્યે દયા, કરુણા અને સહઅસ્તિત્વનો સંદેશ આપે છે. સંસ્થાના સભ્યોએ સાથોસાથ ઉમેર્યું હતું કે, આવી માનવતાભરી કામગીરી આગળ પણ ચાલુ રાખવામાં આવશે, જેથી સમાજમાં જીવદયા, પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ અને જાગૃતિ વધુ મજબૂત બને. યુવાનોએ તડકાની પરવા કર્યા વિના હોંશભેર કરી કામગીરીઆ પહેલમાં યુવાનોનો ઉત્સાહ પણ નોંધપાત્ર રહ્યો હતો. અનેક સેવાભાવી લોકો અને સ્વયંસેવકોએ સક્રિય ભાગ લઇને જંગલ વિસ્તારમાં અલગ અલગ સ્થળોએ આ વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી. પર્યાવરણ અને જીવદયા પ્રત્યેની જવાબદારી માત્ર વાતોમાં નહીં પરંતુ કાર્યરૂપે પણ દેખાડવાની જરૂર છે — તેવો સકારાત્મક સંદેશ આ કામગીરી દ્વારા સમાજને મળ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ આવી પ્રવૃત્તિઓ વધે તો પ્રકૃતિ અને જીવસૃષ્ટિ વચ્ચેનું સંતુલન જાળવવામાં મદદરૂપ થઈ શકે છે.
શિક્ષણ:મોરબી જિલ્લાની 197 ખાનગી શાળામાં આરટીઇઅંતર્ગત અપાતી 1692 બેઠક માટે 2559 અરજી
ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં નિશુલ્ક પ્રાથમિક શિક્ષણની તક આપતા કેન્દ્ર સરકારના રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત મોરબી જિલ્લામાં આ વર્ષે પણ ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ છે. મોરબી જિલ્લાની ૧૯૭ ખાનગી શાળાઓમાં કુલ ૧૬૯૨ સીટ માટે ૪ એપ્રિલથી ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે, જે ૧૭ એપ્રિલ રાત્રે ૧૨ વાગ્યા સુધી ચાલુ રહેશે.મોરબી જિલ્લામાં આ વર્ષે ૩૧ અંગ્રેજી માધ્યમની ખાનગી શાળાઓમાં ૪૧૫ બેઠકો તથા ૧૬૫ ગુજરાતી માધ્યમની શાળાઓમાં ૧૨૭૭ બેઠકો માટે અરજીઓ ભરાઈ રહી છે. ૧૩ એપ્રિલ સુધીમાં જિલ્લામાં કુલ ૨૫૫૯ અરજીઓ નોંધાઈ છે. જેમાંથી ૨૪૮૭ અરજીઓ મંજૂર થઈ છે, જ્યારે ૩૨૯ અરજીઓ કોઈક કારણસર રિજેક્ટ થઈ છે. આ ઉપરાંત ૭૩૧ અરજીઓ અરજદારો દ્વારા કેન્સલ કરવામાં આવી છે અને ૧૭ અરજી સોમવાર સુધી પેન્ડિંગ સ્થિતિમાં હતી. આ વખતે સિનારિયો અલગ સર્જાશે તે નક્કી છે. જિલ્લાની માત્ર ૧૬૯૨ બેઠકો સામે ૨૫૫૯ અરજીઓ નોંધાતા અરજીઓની સંખ્યા બેઠકો કરતાં ઘણી વધારે છે. પોર્ટલ ૧૭ એપ્રિલ રાત્રે ૧૨ વાગ્યા સુધી ખુલ્લું રહેવાનું હોવાથી અરજીઓની સંખ્યામાં વધુ વધારો થવાની પ્રબળ શક્યતા છે.એડમિશનની આ પ્રક્રિયા રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી અલગ અલગ કેટેગરી મુજબ પ્રાથમિકતાના ધોરણે કરવામાં આવશે. જો કે તેના અરજદારોએ પોતાની અરજી નિયમ મુજબ તેમજ તેમાં માંગવામાં આવેલી તમામ વિગત સંપૂર્ણ પણે ભરાયેલી હોવી ખાસ જરૂરી છે. અરજીની મુદ્દત પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા પ્રથમ તબક્કામાં મંજૂર અરજી અંગેનું લીસ્ટ જાહેર કરવામાં આવશે અને તેના માટે અરજી કર્તાએ RTEના અધિકૃત પોર્ટલ પર નિયમિત તપાસવી પડશે.
ધરપકડ કરાઈ:સુદર્શન સેતુ પાસે નશાકારક 232 કેપ્સ્યુલ સાથે પાલિકાનો રોજમદાર કર્મી ઝડપાયો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા નજીક સુદર્શન સેતુ પાસથી સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપની ટીમે પ્રતિબંધિત નશાકારક ટ્રામાડોલ હાઇડ્રોકલોરાઇડ ઘટક ધરાવતી 232 કેપ્સ્યુલ સાથે પાલિકાના રોજમદાર કર્મચારીને પકડી પાડયો હતો.પોલીસ પુછપરછમાં આ જથ્થો ખાવડીના પરપ્રાંતિય શખસે સપ્લાય કર્યાનુ ખુલતા એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી સપ્લાયરની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરાઇ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપના પીઆઇ વી.એ.રાણાના નેતૃત્વ હેઠળ પીએસઆઇ ડી.એ.વાળા તથા સ્ટાફ ઓખા-બેટ દ્વારકા પંથકમાં પેટ્રોલિંગ કરી રહયો હતો. જે વેળાએ સ્ટાફના હરદાસભાઇ મોવર, અશોકભાઇ સવાણી, કાનાભાઇ માડક સહિતની ટીમને ચોકકસ બાતમી મળી હતી કે, બેટ દ્વારકા પાસે પાર્કિગમાં ફરજ બજાવતા એક ઇસમ પાસે નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી નશાકારક ટેબલેટ પોતાના આર્થિક ફાયદા માટે યુવાનોને વેચાણ કરે છે. જે બાતમીના આધારે પોલીસ ટુકડીએ પાર્કિગ વિસ્તારમાં ધસી જઇ રાજેશભા ટપુભા કેર નામના શખસને અટકાવી તપાસ કરતા તેના કબજામાંથી પ્રતિબંધિત નશાકારક ટ્રામાડોલ હાઇડ્રોકલોરાઇડ ઘટક ધરાવતી 232 કેપ્સ્યુલ મળી આવી હતી.આથી પોલીસે નગરપાલિકામાં રોજમદાર તરીકે ફરજ બજાવતા આરોપી રાજેશભા કેરની ધરપકડ કરી તેની પ્રાથમિક પુછપરછ કરી હતી. જે પોલીસ પુછપરછમાં ઉકત નશાકારક કેપ્સ્યુલનુ પોતે પણ સેવન કરતો હોય તથા નશો કરવાની ટેવવાળા ગ્રાહકોને વેચાણ કરતો હોવાની પોલીસને કબુલાત આપી હતી.પોલીસ પુછપરછમાં આ કેપ્સ્યુલ ખાવડી ગામેથી રવિ ગુપ્તા નામના પરપ્રાંતિય શખસે સપ્લાય કર્યાનુ ખુલ્યુ હતુ.પોલીસે નશાકારક કેપ્સ્યુલ ઉપરાંત મોબાઇલ અને બાઇક સહિત 56 હજારથી વધુનો મુદામાલ કબજે કરી બંને સામે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી સપ્લાયરની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે. ખાવડીના મેડિકલ સ્ટોર્સવાળાએ સપ્લાય કર્યાનું ખૂલ્યું પોલીસ પુછપરછમાં પકડાયેલા આરોપીએ નશાકારક કેપ્સ્યુલનો આ જથ્થો ખાવડી ગામે લક્ષ્મી મેડીકલ સ્ટોર્સવાળા રવિ ગુપ્તાએ સપ્લાય કર્યાનુ કબુલ્યુ હતુ.આથી પોલીસે નશાકારક કેપ્સ્યુલનો જથ્થો પુરો પાડનારા પરપ્રાંતિય સપ્લાયર શખસને સકંજામાં લેવા કવાયત હાથ ધરી છે.
પોરબંદર મનપાની ચૂંટણીમાં 13 વોર્ડમાં ભાજપે 52 ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે જે ઉમેદવારોની સંપતિ, અભ્યાસ અને ગુન્હાની વિગતોનું એનાલિસિસ કરતા 4 ઉમેદવાર કરોડપતિ છે ભાજપના વિક્રમ ઓડેદરા પાસે રૂ.19.94 કરોડની સંપતિ અને રાજેશ લોઢારી પાસે રૂ.10 હજાર રોકડા છે. જયારે કે, મનપાના ભાજપી ઉમેદવાર માંથી એક 4 ધોરણ પાસ, પંદર ઉમેદવાર ધોરણ 9 પાસ અને 21 ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કર્યો છે. 4 ઉમેદવાર કરોડપતિ છે, અને 2 ઉમેદવાર પર ગુન્હા નોંધાયેલા છે. વોર્ડ નંબર 2 પર લડી રહેલા ભાજપના મહિલા ઉમેદવાર માત્ર 4 ધોરણ ભણેલા છેપોરબંદર મનપાના વોર્ડ નં. 2 મા ઉમેદવારી કરી ચૂંટણી લડી રહેલા ભાજપના મહિલા ઉમેદવાર નિમુબેન ચનાભાઈ પાંડાવદરા સૌથી ઓછું ભણેલા છે. તેઓ માત્ર ધોરણ 4 પાસ છે. ભાજપના વોર્ડ નં 11 ના ઉમેદવાર કે જેમની પર ગુન્હા નોંધાયાપોરબંદર મનપાના વોર્ડ નં. 11 મા ઉમેદવારી કરી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર વનરાજ પરબતભાઇ કેશવાલા પર 2 ગુન્હા નોંધાયેલ હોવાનું તેમણે આપેલા સોગંદનામાં પરથી જાણવા મળે છે. પોરબંદર મનપાના વોર્ડ નં. 5 મા ઉમેદવારી કરી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર ધર્મેશ સુકાભાઈ પરમાર પર 1 ગુન્હો નોંધાયેલ હતો જે ડિઝાસ્ટર ગુન્હો એટલેકે માસ્ક પહેર્યા વિના નિકળ્યા હતા તેનો ગુન્હો હતો. પોરબંદર મનપાના 9 નંબર વોર્ડમાં ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર વિક્રમભાઈ ઓડેદરા સૌથી વધુ સંપતી ધરાવતા ઉમેદવાર હોવાનું તેના સોગંદનામાં પરથી જાણવા મળે છે. તેમની પાસે રોકડ રૂ.2.25 કરોડ છે, જ્યારે 1.25 કરોડ બેન્કમાં છે, 3 કાર છે જેની મીનીમમ કિંમત રૂ.30 લાખ, 15.89 કરોડ ખેતી પ્લોટના અને 77 દાગીના દર્શાવ્યા છે. જ્યારે તેઓ પર રૂ. 1.30 કરોડની લોન છે. પોરબંદર મનપાના વોર્ડ નંબર 8 મા ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર રાજેશ અરજન લોઢારી નામના ઉમેદવાર સૌથી ઓછી સંપતી ધરાવતા ઉમેદવાર છે. તેમણે દાખલ કરેલા સોગંદનામાં મુજબ તેમની પાસે રોકડ રૂ.10 હજાર, 2 વાહન અને 1 દાગીનો દર્શાવેલ છે. અન્ય વધુ સંપતિ ધરાવનાર ભાજપના ઉમેદવારો વોર્ડ નંબર 5ના ઉમેદવાર ધર્મેશ સુકાભાઈ પરમાર પાસે રૂ. 9.05 લાખની સયુંકત રોકડ, રૂ.20 લાખની એફડી, રૂ.5.79 બેન્કમાં, 2 કાર, 1 સ્કૂટર, રૂ.5.15 લાખની પત્નીની એફડી, રૂ.4.50 લાખના પોતાના અને રૂ. 11.30 લાખના પત્નીના દાગીના, રૂ.15 લાખની જમીન સહિત અંદાજિત રૂ.95.30 લાખની સંપતિ છે અને રૂ.25 લાખની લોન બાકી છે. આ ઉપરાંત વોર્ડ નંબર 7માં ભાવિકાબેન દીપક જુંગી પાસે વારસાઈ સંયુક્ત મિલકત ઉપરાંત અંદાજિત રૂ.90 લાખની સયુંકત સંપતિ છે. વોર્ડ નંબર 3ના નીરવ ભાગ્યવિજય દવે પાસે રૂ. 60 લાખ રોકડા સંયુક્ત, રૂ.52 લાખનો ગાંધીનગર ખાતે ફ્લેટ, સંયુક્ત દાગીના સહિત અંદાજિત રૂ.76 લાખની સંપતિ છે અને રૂ.42 લાખની લોન બાકી છે. જ્યારે વોર્ડ નંબર 11માં વનરાજ પરબતભાઇ કેશવાલા પાસે રૂ.1.17 લાખ રોકડા, રૂ.35.59 લાખ બેન્કમાં, રૂ.16.35 લાખના ખેતી પ્લોટ તેમજ 3 કાર સહિત અંદાજિત રૂ. 83 લાખથી વધુની સંપતિ છે. જયારે વોર્ડ નંબર 9માં સાગરભાઈ રાજેશભાઈ મોદીએ રૂ.5 લાખ કેશ, રૂ.9.45 લાખ બેન્કમાં, 3 કાર, 4 બાઇક, 5 દાગીના , પ્લોટ તેમજ વારસદાર મકાનની સંપતિ દર્શાવી છે.
પોરબંદર મહાનગર પાલિકામાં અત્યાર સુધીમાં 9 બેઠકો ભાજપના ખોળે બિનહરીફ જાહેર થઈ છે ત્યારે ફોર્મ પરત ખેંચાવની મુદત પૂરી ન થાય ત્યાં સુધી કોંગ્રેસે પોતાના 35 ઉમેદવારોને છુપાવી દીધા છે.કોંગ્રેસ પોરબંદર મનપામાં 1 વોર્ડમાં ઉમેદવારો ઉભા કરી શકી નહીં તો 2 ઉમેદવારોના ઉમેદવારી પત્ર રદ થયા હતા ત્યારે બાકીની વિકેટ ન પડે તે માટે કોંગ્રેસે ઉમેદવારોને અન્ડર ગ્રાઉન્ડ કરી દીધા છે. પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો સીધો જંગ થવાનો છે ત્યારે ભાજપના 9 જેટલા ઉમેદવારો ફોર્મ પરત ખેંચવાની મુદત પૂરી ન થાય તે પૂર્વે જ બિનહરીફ થયા છે. આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે કોંગ્રેસે મહાનગરપાલિકા તમામ 35 જેટલા ઉમેદવારોને અજ્ઞાત જગ્યા પર છુપાવી દેવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકામાં ઉતરેલા 35 જેટલા ઉમેદવારોને સોમવારે રાત્રિના જ પોરબંદર થી દુર અન્ડરગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યા છે અને આ ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવાનો સમય પુરો ન થાય ત્યાં સુધી પોરબંદર પરત ન લાવવા પણ હાઈ કમાન્ડની સૂચના હોવાનું જાણવા મળ્યું છે. પોરબંદર જિલ્લામાં તોડજોડની રમતની આશંકા : ચર્ચા જાગી પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે તમામ બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે તો કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી અમુક બેઠકો પર જ ઉમેદવારો ઉતાર્યા છે ત્યારે હાલ જિલ્લામાં તોડજોડની રમતો શરૂ થઈ હોવાની પણ ચર્ચા જાગી છે જેને લઈને કૉંગ્રેસે તમામ ઉમેદવારો છુપાવી દીધા હોવાની ચર્ચા જાગી છે.
ધરપકડ:બામરોલીખુર્દમાં વિધવા માતાના સહાયના પૈસાની બાબતે ભાઈએ ભાઈની હત્યા કરી
ગોધરા તાલુકાના બામરોલી ખુર્દ ગામે વિધવા માતાના સહાયના પૈસા આપતી નથી. તેમ કહીને એક ભાઈએ જ પોતાના મોટા ભાઈની લાકડી વડે હત્યા કરી નાખ્યાની ફરીયાદ તાલુકા પોલીસ મથકે નોંધાઇ હતી. તાલુકા પોલીસ મથકના પીઆઇ અને તેમની ટીમે ગણતરીના કલાકોમાં હત્યારા ભાઇને પકડીને કાર્યવાહી કરી હતી. ગોધરાના બામરોલીખુર્દ ગામે રહેતા અમરસિંહ અનોપસિંહ પટેલ અને તેમના નાના ભાઈ અશ્વિનભાઈ અનોપસિંહ પટેલ વચ્ચે વડીલોપાર્જીત જમીનની વહેંચણી બાબતે લાંબા સમયથી મતભેદ ચાલતા હતા. ઉપરાંત, તેમની માતા સમરતબેનને મળતી વિધવા સહાયના પૈસા અશ્વિનભાઈને આપતા હતા. જેથી પેસા બાબતે બે ભાઇઓ વચ્ચે બોલાચાલી થતી હતી. 12 એપ્રિલે સાંજે બંને ભાઈઓ વચ્ચે ફરીથી ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં અમરસિંહ પોતાની માતાને પૈસા અને જમીનના ભાગ અંગે પ્રશ્ન પૂછતા હતા. ઝઘડો ઉગ્ર બનતા અશ્વિનભાઈએ લાકડી વડે અમરસિંહ પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન અમરસિંહને માથાના પાછળના ભાગે તથા છાતીમાં ગંભીર ઈજાઓ થતા સ્થળ પર જ તેમનું મોત નીપજ્યું હતું. મૃતકની પત્ની રશીલાબેન દ્વારા ગોધરા પોલીસ સ્ટેશનમાં તેમના દિયર અશ્વિનભાઈ વિરુદ્ધ હત્યાની ફરીયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગણતરીના કલાકોમાં હત્યાના આરોપી અશ્વિનભાઈની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ચુંટણી:ગોધરા પાલિકાના અપક્ષો મોબાઇલ બંધ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા...!
ગોધરા નગર પાલિકાના 11 વોર્ડમાં ચુંટણીનો માહોલ હજુ છવાયો નથી. સોમવારે ઉમેદવારી ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ગોધરા નગર પાલિકાના 11 વોર્ડમાં 186 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા.ચકાસણી કરવામાં આવતા રાજકીય પક્ષોના ડમી સહીત ભુલો ધરાવતા 42 ફોર્મ અમાન્ય ગણવામાં આવ્યા હતા. ઉમેદવારી ફોર્મ ચકાસણીમાં કોગ્રેસના 3 અને આપ પાર્ટીના 1 મળીને 4 ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા છે.જયારે 142 ફોર્મ માન્ય થયા હતા. આજે 15 મીના બુધવારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો દિવસ છે. તે પહેલા હરીફ ઉમેદવારોને ફોર્મ ખેંચવા બંધ બારણે બેઠકોનો દોર ચાલુ થયો હતો.જયારે કોગ્રેસના ઉમેદવારોને અજ્ઞાન સ્થળે લઇ ગયા હોવાનુ જાણવા મળી રહ્યું છે.તો અપક્ષ ઉમેદવારોના મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરીને ભુગર્ભમાં ઉતરી ગયા છે. વોર્ડમાં પોતાના ઉમેદવારને બિનહરીફ કરવા શામ,દામ અને દંડની નીતીઓ ચાલુ થઇ હોવાની માહિતી મળી છે. જેમાં કેટલાક હરીફ ઉમેદવારો ઉમેદવારી ફોર્મ પરત ખેચવાની તૈયારીઓ બતાવી છે. આજે બુધવારે ગોધરા પાલીકાના 3 જેટલા ઉમેદવાર બીનહરીફ થવાની શકયતાઓ સેવાઇ રહી છે.
હિંમતનગર સિવિલનો 4.37 કરોડનો વેરો બાકી:સિવિલના વહીવટી વિભાગને સીલ કરવા ગ્રામ પંચાયતની તૈયારી
હિંમતનગર જીમર્સ મેડિકલ કોલેજ અને સિવિલ સંકુલનો હડીયોલ પંચાયતમાં લાંબા સમયથી બાકી રહેલ 4.37 કરોડના વેરાનો મામલો હવે ગરમાયો છે. સરકાર ખાલી હૈયાધારણાં આપી રહી હોવાથી સિવિલના વહીવટી વિભાગને તા.8-5-26ના રોજ સીલ મારવાની હડીયોલ પંચાયતે નોટિસ પણ તૈયાર કરી દીધી છે. હિંમતનગરના જીમર્સ મેડિકલ કોલેજ અને સિવિલ સંકુલ માટે હડીયોલ ગામની જમીન ફાળવાયા બાદ સૈદ્ધાંતિક રીતે હડીયોલ પંચાયતમાં 1.12 કરોડની આસપાસ વેરો ભરવાની આકારણી થઈ હતી. તે પૈકી મેડિકલ કોલેજ દ્વારા ત્રણ વર્ષ સુધી 98 લાખ દર વર્ષે વેરા પેટે નિયમિત ચૂકવી અપાયા હતા. પરંતુ સિવિલ દ્વારા વેરો ન ચૂકવતાં મેડિકલ કોલેજે પણ વેરો ચૂકવવાનું બંધ કરી દીધું હતું. હડીયોલ પંચાયત દ્વારા તત્કાલીન ડીડીઓ રાજેન્દ્ર પટેલનો સંપર્ક કરતાં તેમણે ગ્રામસભા બોલાવી આકારણી ફરીથી નક્કી કરવા સલાહ આપતાં ગ્રામસભા બોલાવી સિવિલ અને મેડિકલ કોલેજનો રૂ.30-30 લાખ વેરો નક્કી કરાયો હતો. તા.1-01-24ના રોજ જીમર્સ મેડિકલ કોલેજ અને સિવિલ સંકુલવાળી જગ્યા પાલિકામાં સમાવિષ્ટ થઈ ત્યાં સુધી સિવિલઅને મેડિકલ કોલેજ દ્વારા વેરો ચૂકવાયો હતો. આરોગ્યમંત્રી સુધી રજૂઆતો કરી ચૂક્યા છીએ હડીયોલ તલાટી ઘનશ્યામભાઈએ જણાવ્યું કે 4.37 કરોડની વેરા વસૂલાત માટે સિવિલના વહીવટી વિભાગને તા.13-04-26ના રોજ સીલ કરવા નોટિસ આપ્યા બાદ ચૂંટણી જાહેર થતાં હવે વહીવટી વિભાગને તા.8-05-26ના રોજ સીલ કરવા સરપંચ દ્વારા નોટિસ તૈયાર કરાઈ છે. ગામના અગ્રણી મહેન્દ્રભાઈ ભુદરભાઈ પટેલે જણાવ્યું કે સામાન્ય નાગરિકનું બાકી લ્હેણું હોય તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરાય છે. આરોગ્યમંત્રી સુધી રજૂઆતો કરી ચૂક્યા છીએ. ન છૂટકે ગ્રામજનોના અભિપ્રાય મુજબ કાયદાકીય સલાહ લઈને પંચાયત દ્વારા નોટિસ આપી ચૂંટણી પૂર્ણ થયા બાદ સિવિલના વહીવટી વિભાગને સીલ કરવા આખું ગામ ઉપસ્થિત રહેશે.
સમસ્યા:હિંમતનગર પાલિકાના વોર્ડ-3માં નિયમિતસફાઈ અને રસ્તાની સુવિધાઓનો અભાવ
હિંમતનગર શહેરનો વોર્ડ-3 મુસ્લિમ બહુલ વિસ્તાર છે અને આ વોર્ડમાંથી જ કોંગ્રેસને દર વખતે પ્રતિનિધિત્વ મળે છે. ભાજપને અહીં ઉમેદવાર મળતા નથી. આ વિસ્તારના મતદારો વિરોધ પક્ષને જ ચૂંટીને મોકલતા હોવા છતાં પાલિકા દ્વારા મળતી સુવિધાઓ અંગે રહીશો દ્વારા એકંદરે સંતોષ વ્યક્ત કરાઈ રહ્યો છે. કાઉન્સિલરોને એક ફોન કરતાં હાજર થઈ જતાં હોવાનું અને નિયમિત સફાઈની તથા રસ્તાની સમસ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે. મોટાભાગના વિસ્તારોમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા આવતું ટ્રેક્ટર નિયમિત ન આવતું હોવાનું અને મોડું આવતું હોવાનું જણાવાઈ રહ્યું છે. મતદારોની સંખ્યા : 10,493 બેઠક વિવરણ : 1-પછાતવર્ગ 2-સામાન્ય 3-અનુસૂચિત જાતિ 4-સામાન્ય
સુરેન્દ્રનગર મનપાની ચૂંટણીનો શંખનાદ વાગી ચૂક્યો છે. ગત ટર્મમાં નગરપાલિકા તરીકે લડેલા અને આ વખતે મહાનગરપાલિકાના જંગમાં ઉતરેલા ઉમેદવારોની આર્થિક સ્થિતિમાં છેલ્લા 5 વર્ષમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યા છે. ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવેલા એફિડેવિટ મુજબ, અનેક નેતાઓની સ્થાવર અને જંગમ મિલકતોમાં લાખોનો વધારો થયો છે, તો બીજી તરફ દેવાનો બોજ પણ વધ્યો હોવાનું સામે આવ્યું છે. ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરાયેલી વિગતો તપાસતા જાણવા મળે છે કે, ભાજપ અને કોંગ્રેસના મુખ્ય ઉમેદવારોની જીવનશૈલી અને આર્થિક ગ્રાફમાં પાંચ વર્ષમાં મોટો બદલાવ આવ્યો છે. અમુક ઉમેદવારોની લોન 13 લાખથી વધીને 98 લાખે પહોંચી છે, તો બીજી તરફ તેમની સ્થાવર મિલકત શૂન્યમાંથી વધીને 1.15 કરોડથી વધુ થઈ છે. તેવી જ રીતે જેઓ અગાઉ કોંગ્રેસમાં હતા અને હવે ભાજપમાં છે, તેમની બેંક સેવિંગમાં 13 હજારથી વધીને 45 લાખ સુધીનો જંગી ઉછાળો જોવા મળ્યો છે.મહિલા ઉમેદવારોમાં પણ આર્થિક સધ્ધરતા વધી છે. જ્યારે મહિલા ઉમેદવારના દાગીના 8 લાખથી વધીને 48 લાખના થયા છે. જ્યારે એક મહિલા ઉમેદવારના જવેરાત 4.50 લાખથી વધીને 24 લાખે પહોંચ્યા છે. આ સરખામણી દર્શાવે છે કે રાજકીય સફરની સાથે ઉમેદવારોની સંપત્તિના સમીકરણો પણ ઝડપથી બદલાયા છે.મોટાભાગના ઉમેદવારોની સ્થાવર મિલકત મકાન, જમીન, ઓફિસમાં 20%થી 50% સુધીનો વધારો જોવા મળ્યો છે. મહિલા ઉમેદવારોના સોનાના દાગીનાની કિંમતમાં 2026માં મોટો તફાવત દેખાય છે, જેમાં સોનાના ભાવમાં વધારો પણ કારણ હોઈ શકે છે. સંપત્તિ વધવાની સાથે-સાથે અનેક ઉમેદવારોએ બેંક લોન પણ મોટી લીધી હોવાનું સોગંદનામામાં દર્શાવ્યું છે. ઉમેદવારો પાસે ટ્રેક્ટર અને કોંક્રિટ મિક્સર જેવા વ્યવસાયિક વાહનો પણ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં માત્ર પક્ષની લડાઈ નથી, પરંતુ આ આર્થિક આંકડાઓ મતદારોમાં ચર્ચાનો વિષય બન્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ સમૃદ્ધિની અસર મતદાન પર કેવી પડે છે.
રાજકારણ ગરમાયુ:BJPમાં ભળી જવાના ડરે 30 કોંગી ઉમેદવારોને અજ્ઞાતવાસ
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના 13 વોર્ડમાં ભાજપે 21 નવા અને 31 જુના જોગીને મેદાને ઉતર્યા છે. સામે કોંગ્રેસના 50 ઉમેદવારે ફોર્મ ભરતાં મનપામાં પોતાના વધુમાં વધુ ઉમેદવારો બીનહરીફ થાય અથવા કોંગ્રેસના ઉમેદવારો હટી જાય તે માટે ભાજપ અંદરખાને જોરદાર પ્રયાસ કરી રહયુ છે.અને આથી જ ભાજપના જુવાળથી બચાવવા માટે કોંગ્રેસને તેના 30 વધુ ઉમેદવારોને રાજસ્થાન અજ્ઞાત સ્થળે લઇ જવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં કુલ 13 વોર્ડના 52 ઉમેદવારોની સામે કોંગ્રેસે પોતાના કુલ 50 ઉમેદવારોને ફોર્મ ભરાવ્યા છે. ત્યારે ભાજપે જાણે કોંગ્રેસ મુકત ચૂંટણી કરવાનું બીડુ ઝડપ્યુ હોય તેમ એક પછી એક કોંગ્રેસના કાંગરા ખેરવી રહ્યું છે. પાટડી નગર પાલિકામાં કોંગ્રેસના એકસાથે 9 ઉમેદવારને ભાજપનો ખેસ પહેરાવીને મોટુ ગાબડુ પાણી દીધુ હતુ.ત્યારે હવે સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના વોર્ડ નં 1,2,3,4,5,6,7,10ના કોંગ્રેસના 30 થી વધુ ઉમેદવારો ઉપર ભાજપની ધોસ વધતા કોંગ્રેસની ચિંતા વધી ગઇ છે.અને આથી જ ભાજપના જુવાળથી પોતાના ઉમેદવારોને કોંગ્રેસ રાજસ્થાનના અજ્ઞાત રીસોર્ટમાં લઇ ગઇ છે. આટલુ જ નહી પરંતુ તમામ ઉમેદવારોના ફોન પણ સ્વીચ ઓફ કરાવી દવામાં આવ્યા છે. ફોર્મ પાછુ ખેચવાની તા.15 બાદ આ ઉમેદવારોને પરત સુરેન્દ્રનગર લાવવામાં આવશે. જે કોંગ્રેસી ઉમેદવારો મકકમ છે ભાજપનો દાવ ચાલે તેમ નથી તેવા વોર્ડ નં 11,12,12 અને 9 ના કેટલાક ઉમેદવારોને રાજસ્થાન લઇ જવામાં આવ્યા નથી. તે ઉમેદવારો સુરેન્દ્રનગરમાં જ છે. તોડ જોડની નીતીને લઇને રાજકારણ ગરમાયુ છે. આ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષભાઇ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપની આવી નીતી બાબતે અમે ચૂંટણી પંચમાં પણ રજૂઆત કરી છે.ઉમેદવારના ઘરે ગુંડા મોકલવા,દબાણ કરવુ તે બાબત કોઇ સંજોગોમાં ન ચલાવી લેવાય. ભાજપના પ્રેશરથી બચવા અમારે આ કરવું પડ્યુંઅમારા ઉમેદવારોને ભાજપમાં ભળી જવા ઘણું પ્રેશર આવે છે. સારા હોદ્દા આપવાની પણ લાલચ અપાય છે. સામ,દામ અને દંડ,ભેદની નીતી અપનાવીને કોઇ પણ સંજોગોમાં કોંગ્રેસના ઉમેદવારને તોડવાનો પ્રયાસ થઇ રહ્યો છે. > ઝરણાબેન જાની, જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ કોંગ્રેસને તેમના ઉમેદવાર ઉપર વિશ્વાસ નથીઆ વાત ધ્યાને પણ આવી છે પરંતુ ભાજપ આવી કોઇ પ્રવૃત્તિ કરતુ નથી. કોંગ્રેસને તેના ઉમેદવારો ઉપર વિશ્વાસ ન હોય અને આથી જ અજ્ઞાત સ્થળે લઇ ગયા હોય તેવુ બની શકે છે. કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ પાછુ ખેચવા કહેતા હોય. > દેવાંગભાઇ રાવલ, શહેર ભાજપ પ્રમુખ ભાજપ મિત્રો, સગાને હાથો બનાવી કોંગેસ ઉપર દબાણ લાવે છેકોંગ્રેસના ઉમેદવારો તુટી જાય અને ભાજપ બીનહરીફ થઇ જાય તો એકતો પક્ષમાં વજન વધે અને બીજુ કે ચૂંટણી લડવાથી રાહત થઇ જાય.કોંગ્રેસના ઉમેદવારોને તોડવા માટે ભાજપના નેતાઓ સીધા સામે આવતા નથી.પરંતુ સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી ઉમેદવારના સગા અને ખાસ મિત્રોનો સંપર્ક કરીને ફોર્મ પાછુ ખેચીને ભાજપમાં ભળી જવા માટે દબાણ કરવામાં આવે છે.જેથી ભાજપ ચિત્રમાં ન આવે અને કામ પણ થઇ જાય.
રેસ્ક્યુ:કતલખાને લઈ જવાતા 38 પાડા ભરેલા આઈશરનો 60 કિમી પીછો કરી ઝડપ્યું
ધ્રાંગધ્રા નજીક ફલકુ બ્રિજ પરથી કતલખાને લઈ જવાતા 38 પાડા ભરેલી આઇશર જીવદયા પ્રેમીઓ દ્વારા ઝડપી હતી. માળીયા પુલથી 6 જીવદયાપ્રેમીએ બે કાર લઇને આઇસરનો 60 કિમી પીછો કર્યો હતો. અને છેક ધ્રાંગધ્રા પહોંચતા તેને ઝડપી પાડી હતી. પીછો કરી રહેલા જીવદયા પ્રેમીઓએ ધ્રાંગધ્રા વિસ્તારમાં રહેતા જીવદયા પ્રેમીઓને આ આઇશર વાહન અંગે જાણ કરતા રસ્તા પર ખિલ્લાવાળા પટ્ટા નાખી દેવામાં આવ્યા હતા. આથી આઇસરના ટાયર ફાટી જતા આઇશરચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને પુલની ગ્રીલ સાથે ભટકાયું હતું. કચ્છ જિલ્લાના અંજારથી પશુઓને લઇ જતી આઇશરનો મોરબીના જીવદયા પ્રેમીઓ દ્વારા પીછો કરવામાં આવ્યો હતો. આઇશરમાં 38 નંગ પાડા ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા. ઘટનામાં ઇજાગ્રસ્ત આઇશર ચાલક અમદાવાદના જાવિદખાન ઇકબાલખાન પઠાણને ઝડપ્યો હતો. રસ્તા પર ખિલ્લાવાળા પટ્ટા નાંખતા ટાયર ફાટ્યું જીવદયા પ્રેમીઓ દ્વારા જીવના જોખમે આઈસરનો 60 કિમી પીછો કર્યો હતો. ધ્રાંગધ્રા વિસ્તારમાં રહેતા જીવદયા પ્રેમીઓને આઇશર અંગે જાણ કરાતા રસ્તા પર ખિલ્લાવાળા પટ્ટા નાંખ્યા હતા જેથી આઇસરના ટાયર ફાટતા અકસ્માત થયો હતો. અને 38 પાડાને નિર્દય રીતે બાંધેલી હાલતમાં મુક્ત કરી પાંજરાપોળ મોકલી આપવામાં આવ્યા હતા.
ઉમેદવારો દ્વારા જાહેર કરવામાં આવેલી મિલકતો:હિંમતનગરના વોર્ડ-7માં ભાજપના ઉમેદવાર 23.52 કરોડના આસામી
હિંમતનગર પાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન ઉમેદવારો દ્વારા જાહેર કરવામાં આવેલી મિલકતો ચર્ચાનું કેન્દ્ર બની છે. હિંમતનગર પાલિકામાં વોર્ડ-7માં ભાજપમાંથી ઉમેદવારી નોંધાવનાર અમૃતભાઈ પુરોહિતે પોતાની અને તેમના પત્નીની 23.52 કરોડોની સંપતિ જાહેર કરી છે. જે મુજબ તેઓ કરોડપતિ ઉમેદવારોની યાદીમાં સ્થાન પામ્યા છે. અમૃતભાઈ અને તેમના પત્ની પાસે કુલ 21.01 કરોડથી વધુની જંગમ મિલકતો છે. જેમાં સૌથી મોટો હિસ્સો શેર અને મ્યુચ્યુઅલ ફંડનો છે. જેની કિંમત અંદાજે 14.51 કરોડ જેટલી થાય છે. આ ઉપરાંત બેંક ડિપોઝિટ બંનેના મળીને 41.98 લાખથી વધુ દંપતી પાસે કુલ 2.04 કરોડથી વધુનું સોનું-ચાંદી ઝવેરાત છે. તેમની પાસે 3.31 કરોડના મૂલ્યના વાહનો છે. અમૃતભાઈ જમીન-મકાનમાં પણ મોટું રોકાણ ધરાવે છે. તેમની પાસે 2.50 કરોડથી વધુની સ્થાવર મિલકત છે. જેમાં ખેતીની જમીન બે વિશાળ ગોડાઉન કિંમત 1.37 કરોડ, કોમર્શિયલ મિલકત અને 80.37 લાખનું રહેણાંક મકાન સામેલ છે. અમૃતભાઈ પર 92.78 લાખની કાર લોન અને મિલકત વેરા સહિત કુલ 97.78 લાખનું દેવું પણ છે. આમ, તમામ મિલકતો ગણતા તેમની કુલ સંપત્તિ 23.52 કરોડથી વધુ થાય છે. જંગમ મિલકતો : વિગત અમૃતભાઈ પત્ની રોકડ 3,18,534 1,52,316 બેંકમાંથાપણો 35,22,381 6,76,343 શેરઅનેમ્યુચ્યુ.ફંડ 14,51,18,110 LICપોલિસી 15,00,000 53,00,000 વાહનો 2,38,77,824 92,73,250 ઝવેરાત 1,24,50,000 80,00,000 કુલ 18,67,86,849 2,34,01,909 જંગમ મિલકતોનો કુલ સરવાળો : 21,01,88,758
રજૂઆત કરાઈ:છાત્રો ન મળતાં અરવલ્લીની 11, સા.કાં.ની 4 કોલેજો બંધ કરવા પાટણ યુનિ.માં દરખાસ્ત
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા ભૂતકાળના વર્ષોમાં જરૂરિયાતને ધ્યાને લીધા વિના જ આડેધડ કોલેજોને મંજૂરી કરવાની સિસ્ટમને લઈ હવે તેની અસરો શરૂ થવા પામી છે.જેમાં લાંબા સમયથી સંખ્યા ના મળવાના કારણે વિવિધ જિલ્લાઓની કુલ 21 કોલેજોએ કાયમી ધોરણે બંધ કરવા માટે યુનિવર્સિટીમાં દરખાસ્ત કરી છે. સૌથી વધુ 11 કોલેજો અરવલ્લી જિલ્લાની છે અને સાબરકાંઠાની 4 કોલેજોનો સમાવેશ થાય છે. યુનિવર્સિટી સંલગ્ન કોલેજો બંધ થવાના વિશ્લેષણ મુજબ સૌથી વધુ હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર કોર્સની કોલેજો બંધ કરવા દરખાસ્ત થઈ છે. આ ઉપરાંત, રોજગારલક્ષી ગણાતા ફાયર એન્ડ સેફ્ટીની કોલેજો અને કોમ્પ્યુટર શિક્ષણ સહિતના ટેકનિકલી કોર્સનો પણ સમાવેશ થાય છે. યુનિવર્સિટી દ્વારા કોલેજો લાંબા સમયથી પ્રવેશ પ્રક્રિયા ના કરી હોય અને એક્ટિવ ના હોય પરંતુ માત્ર કાગળ ઉપર જ ચાલુ હોય તેમને બંધ કરવા ભરવાના થતાં બોન્ડ રકમમાં 50 ટકા ઘટાડો કરી માત્ર 50હજાર ભરીને બંધ કરવા માટે રાહત આપતાં એક સાથે ઉત્તર ગુજરાતની 21 કોલેજોએ બંધ કરવા અરજી કરી છે.જેને લઇ યુનિવર્સિટી દ્વારા બંધ કરવા પ્રક્રિયા શરૂ કરાઇ છે. તેવું યુનિવર્સિટીના આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. અરવલ્લી જિલ્લો : 11 કોલેજો : ટી.એસ.પટેલ પીજીડીએમએલટી કોલેજ, આંબલિયારા, તા.બાયડ,ટી.એસ.પટેલ ડી.એચ.એસ.આઇ કોલેજ, આંબલિયારા, તા.બાયડ,ટી.એસ. પટેલ ડી.એફ એસ કોલેજ, આંબલિયારા, તા.બાયડ,એસ.વી.ટી. ડિપ્લોમા ઇન ફાયર એન્ડ સેફ્ટી કોલેજ, ઉજળેશ્વર, તા.ધનસુરા,મધર કેર ઇન્સ્ટીટયુટ ઓફ ડિપ્લોમા ઇન હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર, માલપુર વાલીબા,પી.જી.ડી.એમ.એલ.ટી. કોલેજ, તખતપુર, તા.માલપુર,અક્ષર ડિપ્લોમા ઇન હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર કોલેજ, મોડાસા,ટી.એસ.પટેલ બીસીએ એન્ડ પીજીડીસીએ કોલેજ, આંબલિયારા, તા.બાયડ,એસ.વી.ટી. પીજીડીસીએ કોલેજ, ઉજળેશ્વર, તા.ધનસુરા,મંગલમ એમ.એસસી. કોલેજ, ઊંટરડા, તા.બાયડ,ડી.કે.રાવ સાયન્સ કોલેજ, ભિલોડા એક્સપર્ટ વ્યૂ . કડકથી નિયમો બંધપૂર્વે ઇસી સભ્ય અને સિનિયર પ્રોફેસરે જણાવ્યું હતું કે વર્ષ 2021 થી 23 - 24 ના ગાળામાં વિસ્તારમાં કોલેજોની જરૂરિયાત ધ્યાને લીધા વિના ફાયર સેફ્ટી , SI અને સાયન્સ અને આર્ટસની ઢગલો કોલેજો મંજૂર કરી જેથી દરેક વિસ્તારમાં કોલેજોની સંખ્યામાં બે ઘણો વધારો થતાં સંખ્યા મર્યાદિત હોય દરેક કોલેજોમાં સંખ્યા ઘટી છે.સંખ્યા ઘટવા સામે સંચાલનનો ખર્ચ ઘણો વધ્યો છે. બીજી તરફ યુજીસી અને યુનિવર્સિટીના સ્ટાફ અને સુવિધા લક્ષી કડક નિયમો કરતાં કોલેજો શરૂ રાખવી મુશ્કેલ છે.જેને લઇ કોલેજો બંધ થઈ છે.હજુ પણ અનેક કોલેજો બંધ થવા ઉપર આવીને ઊભી હોય આંકડો વધશે. તેવું મારું તારણ છે.
નકલી દારૂ બનાવતી મિની ફેક્ટરીનો પર્દાફાશ:કેમિકલથી દારૂ બનાવીને બ્રાન્ડના સ્ટીકર લગાવતી ફેક્ટરી ઝડપાઈ
થરા નજીક માંડલામાં નકલી દારૂ બનાવતી મિની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. અહીં થરા પોલીસે રેડ કરી નકલી દારૂ બનાવતી મિની ફેક્ટરીનો ભાંડો ફોડ્યો છે. અને દારૂ બનાવટ માટે વપરાતી મશીનરી કબજે કરવામાં આવી છે. ફેક્ટરીમાં બેરલમાં કેમિકલ ભેળવી ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર અને મોનોબ્લોક મોટરની મદદથી દારૂ તૈયાર થતો હતો. થરા પોલીસના સ્ટાફે માંડલા ગામની સીમમાં ચેલાભાઈ અણદાભાઈ પટેલના ખેતરમાં આવેલા પાકા ઢાળિયામાં દરોડો પાડ્યો હતો. અહીં જયેશજી ભાવાજી ઠાકોર દ્વારા મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ ચાલતું હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ઘટનાસ્થળેથી અંદાજે 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે રેડ દરમિયાન 492 બોટલ રોયલ ચેલેન્જ, 3 બોટલ રોયલ સ્ટેગ અને 100 લીટર ખુલ્લું કેમિકલયુક્ત પ્રવાહી, 500 લીટરની પ્લાસ્ટિકની ટાંકી, ઇલેક્ટ્રોનિક ગ્લેન્ડર, મોનોબ્લોક મોટર, 65 ખાલી કાચની બોટલો અને બ્રાન્ડેડ દારૂના ડુપ્લીકેટ પૂંઠાં-ખોખાં જપ્ત કર્યા હતા. મુખ્ય આરોપી જયેશજી ભાવાજી ઠાકોર થરા પોલીસની રેડ દરમિયાન ભાગી છૂટ્યો હતો. પોલીસ જયેશ ઠાકોર તેની અને આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય મળતિયાઓની શોધખોળ કરી રહી છે. આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ રીતે તૈયાર થતો હતો ડુપ્લીકેટ દારૂ આરોપીઓ કેસરી રંગના મોટા બેરલમાં કેમિકલયુક્ત પ્રવાહી મિક્સ કરી ઇલેક્ટ્રિક ગ્લેન્ડર અને મોનોબ્લોક મોટરની મદદથી ડુપ્લીકેટ દારૂ તૈયાર કરતા હતા. ત્યારબાદ આ પ્રવાહીને પ્લાસ્ટિકની નળીઓ દ્વારા ખાલી બોટલોમાં ભરી, તેના પર રોયલ ચેલેન્જ અને રોયલ સ્ટેગ જેવી જાણીતી બ્રાન્ડના ડુપ્લીકેટ સ્ટીકર લગાવીને તેને સીલ કરવામાં આવતો હતો.
ભાસ્કર વિશ્લેષણ:પાલનપુરમાં ભાજપના રિપિટ પૂર્વનગરસેવકોમાં 4ની મિલકત વધી
પાલનપુર નગરપાલિકાની ચૂંટણીના જંગમાં ઉમેદવારોના સોગંદનામામાં કેટલીક રસપ્રદ વિગતો સામે આવી છે. 2021થી 2026ના 5 વર્ષના સમયગાળામાં ભાજપના 5 રિપીટ ઉમેદવારો પૈકી 4ની મિલકતમાં તોતિંગ વધારો થયો છે. જ્યારે એક મહિલા કોર્પોરેટરની સંપત્તિમાં ઘટાડો નોંધાયો છે. આ વિશ્લેષણમાં પૂર્વ ઉપપ્રમુખનું શેરબજારમાં ₹11 લાખનું એસ.આઈ.પી.રોકાણ અને અન્ય ઉમેદવારની નવી મળેલી લાખોની જમીન છે. બીજી તરફ, ટિકિટ ન મળતા બળવો કરી અપક્ષ તરીકે મેદાનમાં ઉતરેલાં પૂર્વ સભ્યોની આર્થિક સ્થિતિ પણ ખાસ્સી ચર્ચામાં છે. કોઈની લોનનો આંકડો કરોડને પાર કરી ગયો છે, તો કોઈની બેંક બેલેન્સમાં મોટો ઉછાળો આવ્યો છે. સોના-ચાંદીના વધતા ભાવ વચ્ચે ઉમેદવારોની બદલાતી આર્થિક પ્રોફાઇલ પાલનપુરના રાજકારણમાં ચર્ચાનો વિષય બની છે. પાલનપુર નગર પાલિકાની ચૂંટણીમાં રિપિટ કરેલા ઉમેદવારોની સંપત્તિનું વિવરણ નાગજીભાઈ દેવકરણભાઈ દેસાઈ વોર્ડ નં.- 7પાલનપુર પાલિકામાં અઢી વર્ષથી ઉપપ્રમુખ પદે રહેનારા નાગજીભાઈ (ઉ.41 વર્ષ) પાલનપુરમાં માર્બલના વેપારી ઉપરાંત અન્ય વેપારી એકમોમાં પણ ભાગીદારી ધરાવે છે. તેઓ બી કોમ સુધીનો અભ્યાસ કરેલો છે. પાછલી ચૂંટણીમાં તેમણે બેંકમાં રૂ.17.66 લાખ દર્શાવ્યા હતા, 5 તોલા સોનુ પત્ની પાસે, 15 તોલા સોનું, કોમર્શિયલ 6 દુકાનોમાં 33%નો ભાગ સહિત રૂ.7 લાખની કિંમત દર્શાવી હતી. આ વખતે નવા સોગંદનામામાં રોકડ રૂ.6 લાખ, બેંકમાં રૂ.19.60 લાખ, શેર બજારમાં એસ.આઈ.પી દ્વારા રૂ.11.7 લાખનું રોકાણ, એક કરોડનો ટર્મ પ્લાન, અગાઉની 6 દુકાનોમાં 33 ટકાનો હિસ્સા ઉપરાંત વધારાની અન્ય 3 દુકાનોમાં 50%ની ભાગીદારી મળી કુલ રૂ.50 લાખથી વધુની મિલકત દર્શાવી છે જ્યારે પત્નીના નામે મકાનમાં 50% હિસ્સો દર્શાવી રૂ.35 લાખની મિલકત દર્શાવી છે. ભારતીબેન અંબાલાલ રંગવાણી વોર્ડ નં-2 ભારતીબેન અંબાલાલ રંગવાણી ઉ.62 અને ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કરેલો છે. પાછલી ચૂંટણીમાં ભારતીબેને બેંકમાં રૂ.1.36 લાખ, જ્યારે રૂ.2.48 લાખની થાપણ દર્શાવી હતી જ્યારે પતિ અંબાલાલની રૂ.1.71 લાખની થાપણ દર્શાવી હતી જ્યારે આ વખતની ચૂંટણીમાં બેંકમાં પણ રૂ.1.83 લાખ જ્યારે પતિની બેંક થાપણ મામૂલી દર્શાવાઈ હતી. પાછલી ચૂંટણીમાં 6 તોલા સોનું રૂ.2.70 લાખનો દર્શાવ્યું હતું જ્યારે આ વખતે 4 તોલા સોનું ઘટીને બે તોલા રૂ.3.10 લાખનું દર્શાવ્યું છે. નરેશ રાણા વોર્ડ નં.-3 પાલિકાએ જે રિપીટ કર્યા હતા તેમાં આદિવાસી બેઠક પરથી ઉમેદવાર તરીકે નરેશ મોતીભાઈ રાણા(ઉ.40)ને ટિકિટ આપી હતી. તેઓ આંબેડકર ઓપન યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કરેલું છે. જેમાં અગાઉ જાહેર કરાયેલી વિગતોમાં પત્ની પાસે 10 તોલા સોનુ અને 1 કિલો ચાંદી હોવાનું દર્શાવ્યું હતું. જ્યારે આ વખતે જાહેર કરાયેલા આંકડાઓમાં પત્ની પાસે 1 કિલો ચાંદી અને 8 તોલા સોના ઉપરાંત અમીરગઢના આવલમાં રૂ.55 લાખની કિંમતની અંદાજિત 4.20 વિઘા જમીન દર્શાવાઇ છે. રીનાબેન પ્રવીણભાઈ ઠાકોર વોર્ડ નં.-7 રીનાબેન પ્રવીણભાઈ ઠાકોર ધો-5 સુધી અભ્યાસ કરેલો છે. રીનાબેને 2021માં ત્રણ તોલા સોનુ અને 500 ગ્રામ ચાંદી દર્શાવી હતી જ્યારે બેંકમાં રૂ.56 હજાર હોવાનું દર્શાવ્યું હતું જ્યારે તેમના પતિના એકાઉન્ટમાં રૂ.1.40 લાખ દર્શાવ્યા હતા જ્યારે આ વખતે સોનામાં કોઈ ફેરફાર આવ્યો નહીં. જોકે, 500 ગ્રામ ચાંદી વધીને એક કિલો દર્શાવાઇ હતી. ભાજપમાંથી ચૂંટાયા હતા પરંતુ આ વખતે તેમને ટિકિટ મળી નથી અને ભાજપ સામે ઉભા રહ્યા છે સાગર પ્રવીણચંદ્ર પરમાર વોર્ડ નં. 2 ઉ.42 અભ્યાસ ધોરણ 12 અગાઉ ભાજપમાંથી ચૂંટાયેલા પરંતુ આ વખતે ટિકિટ ન અપાતા ભાજપ સામે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. પાછલી ચૂંટણીમાં તેમણે કુલ રૂ.37.69 લાખની લોન દર્શાવી હતી. જે જુદી જુદી લોનમાં આ વખતે વધારો થઈ 1. 15 કરોડની વાહન લોન, કાર લોન, પર્સનલ લોન, એકાઉન્ટ લોન, બિઝનેસ લોન અને ગોલ્ડ લોન દર્શાવાઇ છે. જોકે અત્યારે રજૂ કરેલા ઉમેદવારી ફોર્મમાં બેંકમાં રૂ.86 લાખ હોવાનું પણ દર્શાવ્યું છે. જ્યારે ગઈ વખતની ચૂંટણીમાં માત્ર રૂ.1.53 લાખ દર્શાવ્યા હતા. કૌશલ અમૃતલાલ જોશી(ઉ.38) વોર્ડ નં-8 અભ્યાસ-FYBAપાલિકાની ભૂગર્ભ સમિતિમાં વર્ષો સુધી ચેરમેન પદે રહેનારા કૌશલભાઈએ તેમના અને તેમની પત્નીના બેંક રોકડ તેમજ અન્ય રોકાણો અંગેની વિગતો દર્શાવી હતી જેમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગઈ ચૂંટણીમાં હાથ પર રોકડ રૂ.2.49 લાખ, બેંકમાં રૂ.7.56 લાખ, પતિ પત્નીના શેર બજારમાં રૂ.4.18 લાખ, પતિ પત્નીના પોસ્ટમાં રૂ.3.77 લાખ અને પત્ની પાસે 200 ગ્રામ સોનુ દર્શાવ્યું હતું. જ્યારે આ વખતે પતિ પત્ની બંને પાસે રૂ.7 લાખ રોકડ, રૂ.6 લાખ સંયુક્ત રીતે બેંકમાં તેમજ શેર બજારમાં સંયુક્ત રીતે રૂ.3.80 લાખ, જ્યારે પોસ્ટ અને પોલીસી મળી અંદાજિત રૂ.19 લાખ દર્શાવ્યા છે.
નિર્ણય:કોંગ્રેસે મહિલા શહેર પ્રમુખને અભદ્ર વર્તન અને પક્ષ વિરોધી પ્રવૃતિ બદલે સસ્પેન્ડ કર્યા
પાટણ શહેરમાં મેન્ડેટના આપવા મામલે મહિલા શહેર કોંગ્રેસ પ્રમુખ અને ચૂંટણી કન્વીનર મધુભાઈ પટેલ વચ્ચે થયેલી બબાલ મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે મહિલા શહેર કોંગ્રેસ પ્રમુખ મુમતાજબેન અને તેમના પતિ દ્વારા ઉમેદવાર જાહેર કરવા પૂર્વે જ જાહેર ગ્રુપમાં પક્ષ વિરોધી કોમેન્ટ કરતા હતા. મહિલા પ્રમુખે ફોર્મ ચકાસણી સમયે પ્રાંત કચેરી બહાર ચૂંટણી કન્વીનર મધુભાઈ પટેલ સાથે તેમને ના બોલવાના શબ્દોમાં વાતચીત કરી તેમનું અપમાન કર્યું હતું. અભદ્ર અને અશોભનીય વર્તન બદલ તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.તેમને લાફો મારવા માટે સસ્પેન્ડ કર્યા નથી.અને તેમને લાફો પણ માર્યો નથી.માત્ર હાથ ઉગામ્યો હતો પણ તેઓ દૂર હતા. મમતાજ બાનુને લાફો માર્યો છે કેમ આ બાબતે પૂછતા તેમણે પોતાનું આપેલું નિવેદન બદલીને મેં માર્યો નથી માત્ર હાથ ઉગામ્યો તેવું જણાવ્યું હતું.
કરુણાંતિકા સર્જાઈ:ચાણસ્માના ગંગાપુરામાં તળાવમાં ડૂબી જતાં દાહોદના શ્રમિકનું મોત
ચાણસ્મા તાલુકાના ગંગાપુરા (ધિણોજ) ગામે રોડ બનાવવાની કામગીરી માટે આવેલા દાહોદ જિલ્લાના શ્રમિક પરિવાર પર આભ ફાટ્યું છે. તળાવમાં ન્હાવા ગયેલા 48 વર્ષીય શ્રમિકનું ડૂબી જવાથી કરુણ મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૂળ દાહોદ જિલ્લાના ભે.પાટીયા ગામના વતની કનુભાઈ નારસંગભાઈ ઉહુનિયા પરિવાર સાથે મજૂરી અર્થે ચાણસ્મા પંથકમાં આવ્યા હતા.ગંગાપુરા ગામે ચાલી રહેલા રોડના કામમાં તેઓ શ્રમિક તરીકે ફરજ કામ કરતા હતા અને ત્યાં જ મુકામ કર્યો હતો.ગતરોજ કનુભાઈ રહેણાંક ઘરના નજીકમાં આવેલા તળાવમાં ન્હાવા માટે ગયા હતા. જોકે, કલાકો વીતી જવા છતાં તેઓ પરત ન ફરતા ચિંતાતુર બનેલા પરિવારે તેમની શોધખોળ શરૂ કરી હતી.પરિવારજનો જ્યારે શોધતા તળાવ કિનારે પહોંચ્યા ત્યારે ત્યાં કનુભાઈના કપડાં પડેલા જોવા મળ્યા હતા. આ જોઈ પરિવારને કોઈ અશુભ ઘટનાની આશંકા ગઈ હતી.સ્થાનિકોની મદદથી તળાવના ઊંડા પાણીમાં તપાસ હાથ ધરતા કનુભાઈનો મૃત દેહ મળી આવ્યો હતો. પિતાનો મૃતદેહ જોતા જ સંતાનો અને પત્નીના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઘટના બાદ મૃતદેહને તાત્કાલિક લણવા સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે મૃતકના પુત્રએ ચાણસ્મા પોલીસ મથકે જાણ કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમની વિધિ પૂર્ણ કર્યા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો.રોજીરોટી કમાવવા આવેલા પરિવારે ભારે હૈયે કનુભાઈના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે વતન દાહોદ ખાતે રવાના થયો હતો.
પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે જાહેર કરેલા ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયામાં સંપત્તિ અને શિક્ષણની વિગતો અંગે રજૂ કરેલા એફિડેવિટનું એનાલિસિસ કરતા અનેક રસપ્રદ બાબતો સામે આવી છે. જેમાં 11 વોર્ડના 44 ઉમેદવારો આ વખતે ચૂંટણી મેદાનમાં છે.જેમાં આઈ.ટી અને સિવિલ એન્જિનિયર,2 ડૉક્ટર,બિલ્ડર,વકીલ તો ધો 2 પાસથી PHD સુધીના અભ્યાસ કરેલ અને સામાન્ય શાકભાજી અને ભંગારનો ધંધો કરતા ઉમેદવાર થી લઈ કરોડોની જંગમ મિલકત ધરાવતા ધનાઢ્યો પ્રથમવાર મેદાનમાં ઉતર્યા છે. વિશેષમાં મહિલાઓમાં ડૉક્ટર અને વકીલ પણ છે.સાથે 1 તોલા થી 466 ગ્રામ સોનાના લાખોના ઘરેણા ધરાવતી સુખી સંપન્ન પરિવારની મહિલાઓને છે.સૌથી વધુ વોર્ડ-5 ના ઉમેદવાર રીટા પટેલ પાસે 466 ગ્રામ સોનાના દાગીના એટલે કે લાખોનુ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. પુરુષમાં સૌથી વધુ પૈસાદાર દિલીપભાઈ પટેલ ( એક્ટિવ ગ્રુપ ) બિલ્ડર જેમને કરોડોની સંપત્તિ દર્શાવવામાં આવી છે. તો આ વખતે વિશેષ ભાજપે 25 વર્ષથી 59 વર્ષના જ તમામ ઉમેદવારોને ટિકિટ આપી છે.જેમાં 50% ચેહરા 25 થી 40 વર્ષના યુવા ચહેરા છે.60 વર્ષના નિયમનું પાલન થયું હોય તે અહીંયા દેખાય છે.પાટણમાં કેટલા ઉમેદવાર કરોડપતિ છે.તો કેટલાક સામાન્ય . 22 પુરુષ ઉમેદવારોમાં શૈક્ષણિકઅને આર્થિક સ્તરે વૈવિધ્યભાજપે ચૂંટણી મેદાનમાં ઉતારેલા 22 પુરુષ ઉમેદવારોમાં શૈક્ષણિક અને આર્થિક સ્તરે ભારે વૈવિધ્ય જોવા મળે છે. બાબુ પ્રજાપતિ સહિત બે ઉમેદવારો Ph.D , મનોજ ઠાકોર ડૉક્ટર જેવી ઉચ્ચ પદવી ધરાવે છે. અભ્યાસમાં ઉત્કર્ષ પટેલ અને વિવેક પટેલ એન્જિનિયર છે. અન્ય ઉમેદવાર વકીલાતથી લઈને 10 પાસ ખેડૂત સુધીના ઉમેદવારોનો સમાવેશ થાય છે. સૌથી વિશેષ પટ્ટણી સમાજના ત્રણ ઉમેદવાર શાકભાજી અને ભંગાર જેવા વ્યવસાય સાથે સંકળાયેલા છે.
ભાસ્કર એનાલિસિસ:મનપાના વોર્ડ 1,12 અને 13માં સમાવિષ્ટ 13ગામના મતદારો પહેલીવાર 4-4 મત આપશે
મહેસાણા મહાનગરપાલિકાની સીમા હવે કુલ 19 ગામ અને 5 ગામના ઓજી (સોસાયટી) વિસ્તાર સુધી વિસ્તરેલી છે. નવી રચાયેલ 13 વોર્ડમાંથી વોર્ડ નં. 1, 12 અને 13માં કુલ 13 ગામ (ઓજી) સમાવાયા છે અને તેમાં થોડો પાલિકાનો જૂનો વિસ્તાર પણ છે. આ ત્રણ વોર્ડના મતદારો પહેલીવાર 4 મત આપીને મનપાનું શાસન નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. મતદારો માટે પંચાયતથી અલગ કોર્પોરેશનના નવા સમીકરણનો આ પ્રથમ ચૂંટણી અનુભવ રહેશે, જ્યારે ઉમેદવારો માટે વિસ્તારને ગઢ બનાવવા ભારે પ્રયત્નો કરવાની જરૂર પડશે. ગામ અને સોસાયટી (ઓજી) વિસ્તારોમાં ઉમેદવારો માટે આ ચૂંટણી એક પ્રકારની લીટમસ ટેસ્ટ સાબિત થશે. વોર્ડ નંબર-1માં સૌથી વધુ 191 સોસાયટીઓવોર્ડ નં.1માં ચાર ગામની 191 સોસાયટીઓ અને દેદીયાસણ ગામનો સમાવેશ થાય છે. અહીં પાલિકાના જૂના વોર્ડ નં.5નો માત્ર 10 ટકા વિસ્તાર છે, જ્યારે 90 ટકા વિસ્તાર નવા ભળેલા ગામોનો છે. આમાં પાંચોટના રાધનપુર રોડ, સી-લિંક રોડ અને બાવન સ્ટ્રીટ વિસ્તારમાં સૌથી વધુ 120 સોસાયટીઓ છે. ઉપરાંત, રામોસણાની 35 અને દેદીયાસણની 35 સોસાયટીઓ તેમજ દેદીયાસણ ગામનો સમાવેશ થાય છે. જ્ઞાતિ સમીકરણ : રાજકીય સૂત્રો મુજબ, આ વોર્ડમાં પાટીદાર 8500, ઠાકોર 1300, પ્રજાપતિ 800, મોદી 300, સુથાર 200, રાવળ 210 તથા અન્ય મતદારો. વોર્ડ નં.12માં 14,207 મતદારો, 4 ગામના વધુ મનપાના વોર્ડ નં.12માં કુલ 14,207 મતદારો છે, જેમાંથી 4 ગામના 8,770 મતદારોનો પ્રભાવ વધુ છે. આ વોર્ડમાં જૂના પાલિકાના વોર્ડ નં.4નો કસ્બા, ભાગોળ, માર્કેટયાર્ડ પાછળનો જનતાનગર તથા ઓજી સોસાયટીઓનો લગભગ 10 ટકા વિસ્તાર છે. જ્યારે શોભાસણ, હનુમંત હેડુવા, પાલાવાસણા અને હેબુવા ગામનો સમાવેશ થાય છે. સુખપરડા ઓજી પણ અહીં છે, પરંતુ ત્યાં મતદારો ઓછા છે. જ્ઞાતિ સમીકરણ : રાજકીય સૂત્રો મુજબ, આ વોર્ડમાં ઠાકોર 2000, પટેલ 1300, પ્રજાપતિ 1000, મુસ્લિમ 1200, દલિત 300, રબારી 250 અને રાજપૂત 300 મતદારો મુખ્ય છે. મતદાન બુથ અને મતદારો : કસ્બા-શોભાસણ : 5 બુથ 5056 મતદારો પાલાવાસણા : 4 બુથ 3173 મતદારો શોભાસણ : 2 બુથ 2164 મતદારો હનુમંત હેડુવા : 2 બુથ 1955 મતદારો હેબુવા : 2 બુથ 1478 મતદારો વોર્ડ નંબર-13માં પરા વિસ્તારનો પ્રભાવ વધુ મનપાના વોર્ડ નં.13માં નગર પાલિકાના જૂના વોર્ડ નં.11નો પરા વિસ્તાર અને આસપાસનો વિસ્તાર લગભગ 50 ટકા વિસ્તારનો સમાવેશ કરાયો છે, જેમાં 8 બુથના 8,972 મતદારો છે. જ્યારે ચાર ગામના 6 બુથમાં કુલ 5,219 મતદારો છે. એટલે કે, વિસ્તાર મોટો હોવા છતાં મતદારોમાં જૂના વિસ્તારનો પ્રભાવ વધુ રહેવાની શક્યતા છે. તે જોતા રાજકીય ઉમેદવારોએ અહીં થોડી રાહત રહેશે. જ્ઞાતિ સમીકરણ: રાજકીય સૂત્રો મુજબ, આ વોર્ડમાં દલિત 2200, ચૌધરી 2500, ઠાકોર 1700, પટેલ 800 અને પ્રજાપતિ 300થી વધુ મતદારો મુખ્ય વોટબેન્ક છે. મતદાન બુથ અને મતદારો પરા-ઓજી : 8 બુથ 8972 મતદારો કુકસ ગામ : 2 બુથ 1405 મતદારો લાખવડ રોડ : 2 બુથ 2101 મતદારો કુકસ (રૂપાલ) : 1 બુથ 734 મતદારો રામપુરા : 1 બુથ 978 મતદારો કુલ : 14 બુથ 14,201 મતદારો બે વિધાનસભા ક્ષેત્રનો પ્રભાવ: મહાનગરપાલિકામાં સમાવાયેલા મોટા ભાગના ગામો મહેસાણા વિધાનસભામાં આવે છે. જ્યારે પાંચોટની ઓજી સોસાયટીઓ, રામોસણા ગામ અને ફતેપુરા બહુચરાજી વિધાનસભામાં આવે છે. આથી મહાનગરપાલિકાની ચૂંટણીમાં મહેસાણા અને બહુચરાજી વિસ્તારના એમએલએને મતદારો સુધી પહોંચવા સક્રિય બનવું પડશે.
ખેતરમાંથી ઘરે પરત ફરી રહેલા ખેડૂતની સતર્કતા અને 181 અભયમ ટીમની સમયસર કામગીરીથી છેલ્લા ત્રણ દિવસથી મહેસાણા વિસ્તારમાં ઝાંડી-ઝાંખરામાં રાત પસાર કરતી માનસિક અસ્વસ્થ મહિલા આખરે પરિવાર સાથે મળી શકી હતી. મહિલા પાસે મળેલી એસટી બસની ટિકિટ ઓળખનું સૂત્ર બનતાં ટીમે પરિવાર સુધી પહોંચીને સંવેદનાસભર પુનર્મિલન કરાવ્યું છે. બન્યું એવું કે, મોડી સાંજે ખેતરનું કામ પતાવીને ઘરે પરત ફરી રહેલા એક જાગૃત ખેડૂતની નજર રસ્તાની બાજુમાં આવેલી ઝાડીઓ પર પડી. તપાસ કરતા ત્યાં એક આધેડ મહિલા અસહાય અવસ્થામાં મળી આવ્યા. પ્રાથમિક પૂછપરછમાં જ મહિલાની માનસિક સ્થિતિ નાજુક હોવાનું જણાયું. સ્થાનિકો પાસેથી જાણવા મળ્યું કે આ અજાણ્યા માજી છેલ્લા ત્રણ દિવસથી આ વિસ્તારમાં ભટકી રહ્યા છે, માંગીને પેટનો ખાડો પૂરે છે અને રાત્રે ઝાડીઓમાં સૂઈ જાય છે. પરિસ્થિતિની ગંભીરતા સમજી ખેડૂતે તુરંત 181 અભયમ હેલ્પલાઈનને કોલ કર્યો. અભયમની ટીમ સ્થળ પર પહોંચી અને કાઉન્સિલિંગ શરૂ કર્યું. જોકે, માનસિક અસ્વસ્થતાને કારણે મહિલા પોતાનું નામ કે સરનામું જણાવી શકતા નહોતા. જ્યારે બધું અંધકારમય લાગતું હતું, ત્યારે તેમની પાસે રહેલી એક થેલીની તપાસ કરવામાં આવી. તેમાંથી મળેલી એસટી બસની એક જૂની ટિકિટ આશાનું કિરણ બની.
વાતાવરણ:ઉ.ગુ.માં હીટવેવ જેવી ગરમી,7 કલાક તાપમાન 35 ડિગ્રી પાર રહ્યું
ઉત્તર ગુજરાતમાં ગરમીનો મિજાજ વધુ આકરો બન્યો છે. મંગળવારે દિવસ અને રાતના તાપમાનમાં અસામાન્ય ફેરફાર સાથે ભેજના વધતા પ્રમાણને કારણે સિઝનની પહેલીવાર વધુ ઉકળાટભરી ગરમીનો અનુભવ થયો હતો. ડીસાને બાદ કરતાં મહેસાણા, પાટણ, હિંમતનગર અને મોડાસા સહિત ચાર શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર રહ્યું હતું. જ્યારે સવારે 11.30 થી સાંજે 6.30 કલાક સુધી સતત 7 કલાક તાપમાન 35 ડિગ્રી પાર રહ્યું હતું. હવામાન વિભાગે 17 એપ્રિલ સુધી આ જ સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં મંગળવારે દિવસ-રાતના તાપમાનમાં અસામાન્ય ફેરફાર જોવા મળ્યો હતો. લઘુત્તમ તાપમાન અઢી ડિગ્રી સુધી ઉચકાતાં રાત્રીનું તાપમાન 24.4 થી 25.6 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. સવારે 8.30 કલાકે 27.4 ડિગ્રી તાપમાન રહ્યું હતું. આ દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 55 ટકાની આસપાસ રહેવાના કારણે સિઝનમાં પહેલીવાર અનુભવાતી ગરમીનો પારો 28.5 ડિગ્રીની આસપાસ રહ્યો હતો. બીજી તરફ ડીસા, પાટણ અને મહેસાણા શહેરમાં દિવસનું તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. જ્યારે હિંમતનગર અને મોડાસામાં તાપમાન અડધા ડિગ્રી સુધી ઉંચકાયું હતું. તેમ છતાં ડીસાને બાદ કરતાં 4 શહેરોનું તાપમાન 40 ડિગ્રી પાર રહ્યું હતું. તેમજ બપોરે ભેજનું પ્રમાણ 25 ટકાની આસપાસ રહેતાં ઉકળાટના કારણે આકરા તાપનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે સરેરાશ 10 કિલોમીટરને ઝડપે ફૂંકાયેલા ગરમ પવનના કારણે વાતાવરણ ગરમ લાહ્ય રહ્યું હતું.
કાર્યવાહી:તાપી જિલ્લા પોલીસમાં 196 હથિયાર જમા, 5 વોન્ટેડ ઝડપાયા
વ્યારાની પત્રકાર પરિષદમાં તાપી જિલ્લા પોલીસ અધિક્ષક જે.એન. દેસાઈએ જિલ્લામાં કાયદો-વ્યવસ્થા જાળવવા હાથ ધરાયેલી કાર્યવાહી અંગે સંક્ષિપ્ત માહિતી આપતા જણાવ્યું હતું કે હથિયાર જમા કરાવવાની પ્રક્રિયા, નાસ્તા ફરતા આરોપીઓની ધરપકડ, અટકાયતી પગલાં અને પ્રોહીબિશન કેસમાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. વ્યારા ખાતે વિગતવાર માહિતી આપતા જે.એન દેસાઈએ જણાવ્યું કે જિલ્લામાં કુલ 245 લાયસન્સવાળા હથિયારોમાંથી 196 હથિયાર જમા લેવાયા છે, જ્યારે 29 હથિયારને મુક્તિ આપી છે. બાકી હથિયારો જમા લેવા માટે કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું. વધુમાં જણાવ્યું કે તા. 01/04/2026થી અત્યાર સુધી નાસ્તા ફરતા 192 આરોપીમાંથી 5ને ઝડપી લેવાયા છે. ખાસ કરીને એક આરોપી છેલ્લા 25 વર્ષથી અને બીજો 12 વર્ષથી નાસ્તો ફરતો હોવાનું સામે આવ્યું છે. તડીપાર માટે 4 અને પાસા હેઠળ 1 દરખાસ્ત કરવામાં આવી છે. પ્રોહીબિશન સંબંધિત કામગીરી અંગે તેમણે જણાવ્યું કે કુલ 216 કેસ નોંધાયા છે, જેમાં દેશી દારૂના 160 કેસ અને ઇંગ્લિશ દારૂના 56 કેસનો સમાવેશ થાય છે. પોલીસે મોટા પ્રમાણમાં દારૂ જપ્ત કરીને કાયદાની કડક અમલવારી કરી હોવાનું તેમણે જણાવ્યું હતુ.
નમસ્તે, અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે PM મોદીને ફોન કરીને 40 મિનિટ વાતચીત કરી હતી. બીજી તરફ, સમ્રાટ ચૌધરી બિહારના નવા મુખ્યમંત્રી બની ગયા છે. મોર્નિંગ ન્યૂઝમાં તમને જણાવીશું 'ધુરંધર' ની કમાણી વિશે… ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. કોંગ્રેસ નેતા પવન ખેડાને તેલંગાણા હાઈકોર્ટમાંથી મળેલી ટ્રાન્ઝિટ આગોતરા જામીન સામે આસામ સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. 2. જૂલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રા 2026 માટે રજિસ્ટ્રેશન શરૂ થશે. કાલના મોટા સમાચારો 1. ટ્રમ્પે PM મોદીને ફોન કર્યો, 40 મિનિટ વાત કરી:ઈરાન યુદ્ધ પર ચર્ચા, બંનેએ કહ્યું- હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો રહેવો ખૂબ જ જરૂરી છે PM મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે લગભગ 40 મિનિટ સુધી ફોન પર વાતચીત થઈ. અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ પછી બંને નેતાઓ વચ્ચે આ પહેલી વાતચીત હતી. ફોન કોલ દરમિયાન PM મોદીએ ટ્રમ્પને કહ્યું, “ભારતના લોકો તમને પસંદ કરે છે.” PM મોદીએ આ વાતચીત અંગે સોશિયલ મીડિયા પર લખ્યું- મને મારા મિત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ફોન આવ્યો. અમે બંને દેશો વચ્ચે અલગ-અલગ ક્ષેત્રોમાં થયેલા કામ અને પ્રગતિ પર વાત કરી. અમે એ પણ કહ્યું કે આગળ જતાં ભારત અને અમેરિકાના સંબંધોને વધુ મજબૂત કરીશું. આ સાથે, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર ચર્ચા થઈ અને આ વાત પર ભાર મૂકવામાં આવ્યો કે હોર્મુઝ ખુલ્લું અને સુરક્ષિત રહેવું ખૂબ જ જરૂરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. સમ્રાટ ચૌધરી બિહારના નવા મુખ્યમંત્રી:ભાજપ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા, આવતીકાલે શપથ લેશે; PM મોદી હાજર રહેશે સમ્રાટ ચૌધરી બિહારના નવા CM હશે. તેમને પહેલા ભાજપ અને પછી NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. સમ્રાટ રાજભવન પહોંચ્યા અને રાજ્યપાલને મળીને તેમણે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. આવતીકાલે 15 એપ્રિલે લોકભવનમાં શપથગ્રહણ સમારોહ યોજાશે. આ સાથે બિહારમાં પહેલીવાર ભાજપના મુખ્યમંત્રી હશે. વિધાનસભાના સેન્ટ્રલ હોલમાં NDAની બેઠકમાં નીતિશ સમ્રાટના પ્રસ્તાવક બન્યા. નીતિશે તેમને માળા પહેરાવી. સમ્રાટે પણ પગે લાગીને તેમના આશીર્વાદ લીધા. ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ તેમણે કહ્યું, 'મેં નીતિશજી પાસેથી રાજનીતિ શીખી છે. મેં તેમની સાથે કામ કર્યું છે. તેમના સમૃદ્ધ બિહારને વધુ આગળ લઈ જવાનું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. 'બાહુબલી'ના સામ્રાજ્ય પર હવે 'ધુરંધર'નું રાજ!:બંને ભાગે વર્લ્ડવાઇડ ₹3000 કરોડ કમાણી કરી રેકોર્ડ બનાવ્યો; મોટા આંકડા સુધી પહોંચનાર પહેલી ભારતીય ફ્રેન્ચાઈઝ રણવીર સિંહ સ્ટારર 'ધુરંધર' અને 'ધુરંધરઃ ધ રિવેન્જ' ફિલ્મોએ અનેક રેકોર્ડ્સ બનાવ્યા છે અને ઘણી ફિલ્મોના રેકોર્ડ્સ તોડ્યા પણ છે. તેવામાં બંને ફિલ્મોએ મળીને વિશ્વભરમાં ₹3,000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. પરિણામે તે ₹3,000 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરનારી પ્રથમ ભારતીય ફિલ્મ ફ્રેન્ચાઇઝી બની ગઈ છે. જ્યારે કોઈ એક ફિલ્મની સફળતા પછી, તેના એકથી વધુ ભાગ બનાવવામાં આવે છે, ત્યારે તે એક ફ્રેન્ચાઇઝીનું રૂપ લઈ લે છે. 'ધુરંધર' ફ્રેન્ચાઇઝે 'બાહુબલી', 'પુષ્પા', 'ટાઇગર' સહિતની ફિલ્મ ફ્રેન્ચાઇઝને પાછળ છોડી દીધી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. પેટ્રોલ ₹18 અને ડીઝલ ₹35 મોંઘું થઈ શકે છે:બંગાળ સહિત 5 રાજ્યોમાં ચૂંટણી પછી દેશમાં ભાવ વધી શકે છે, તેલ કંપનીઓને નુકસાન ક્રૂડ ઓઇલની વધતી કિંમતોને કારણે પેટ્રોલ ₹18 અને ડીઝલ ₹35 પ્રતિ લિટર સુધી મોંઘું થઈ શકે છે. વિદેશી બ્રોકરેજ ફર્મ મેક્વાયરીના રિપોર્ટમાં જણાવાયું છે કે ક્રૂડ ઓઇલ મોંઘું હોવા છતાં દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર છે. આનાથી કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યોમાં ચૂંટણી પૂરી થયા પછી કંપનીઓ ભાવ વધારી શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. નોઈડામાં સતત બીજા દિવસે પોલીસ સાથે ઝપાઝપી, પથ્થરમારો:વિવિધ જગ્યાએ ફ્લેગ માર્ચ, 300ની ધરપકડ; સરકારે કર્મચારીઓનો પગાર વધાર્યો નોઇડામાં મંગળવારે ફરીથી હોબાળો થયો. બીજા દિવસે પણ ફેક્ટરીના કર્મચારીઓ કેટલીક જગ્યાએ રસ્તાઓ પર ઉતરી આવ્યા. પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો તો અથડામણ થઈ. ભીડે 2-3 જગ્યાએ પોલીસની ગાડીઓ પર પથ્થરમારો કર્યો. પોલીસે થોડી જ વારમાં પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો. પ્રદર્શનકારીઓને ત્યાંથી ભગાડી દીધા. હાલમાં, પોલીસ અને અર્ધસૈનિક દળોના જવાનો ઔદ્યોગિક વિસ્તારોમાં સવારે 5 વાગ્યાથી ફ્લેગ માર્ચ કરી રહ્યા છે. CCTV અને ડ્રોનથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આજે મોટાભાગની કંપનીઓ બંધ છે. આ દરમિયાન, ડીજીપી રાજીવ કૃષ્ણએ કહ્યું - હિંસા અને આગચંપીમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નુકસાનગ્રસ્ત સંપત્તિની ભરપાઈ પણ ઉપદ્રવીઓ પાસેથી કરાવવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. માતા-પિતા બંનેનું ખીરું ખરાબ હોવાનું રટણ:પૂછપરછમાં સરખા નિવેદનથી પોલીસ ગોથે ચડી: ચાંદખેડામાં શંકાસ્પદ ખીરું-ઢોસા કેસમાં બાળકીઓના મોતનું રહસ્ય હવે FSL રિપોર્ટમાં જ ખુલશે અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના શંકાસ્પદ મોત મામલે પોલીસ તપાસ કરી રહી છે.બાળકીઓ માતા પિતાની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી રહી છે. પરંતુ બંનેના એક સરખા જ નિવેદનથી પોલીસ પણ ગોથે ચડી છે. બંને નિવેદનમાં ખીરું ખરાબ હોવાનું એક જ રટણ કરી રહ્યા છે. જેથી પોલીસની તપાસ હવે FSLના રિપોર્ટ પર અટકી છે. FSLનો રિપોર્ટ આવ્યા બાદ શંકાસ્પદ બે બાળકીના મોતનું રહસ્ય ખુલી શકે છે.વાંચો સંપૂર્ણ સમાચાર 7. જીમટ્રેનરે પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી પતિ પાસે 5 લાખની ખંડણી માંગી:શબ્બીરે કહ્યું, તારી પત્નીના અંગત વીડિયો વાઇરલ કરીશ; ગળે કાચ રાખી 50 હજાર લૂંટ્યા સુરતના પાલ વિસ્તારમાં રહેતી એક 45 વર્ષીય પરિણીત મહિલાને જીમ ટ્રેનરે પોતાની પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેલ કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપી જીમ ટ્રેનરે મહિલાના પતિને ધમકાવી 5 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સુરત શહેર SOGએ આ મામલે ત્વરિત કાર્યવાહી કરી આરોપી શબ્બીર અસગરભાઈ ટૂંકવાલાની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઈલર ફાટતા 9નાં મોત:30થી વધુ મજૂરો દાઝ્યા, 12ની હાલત ગંભીર; પરિવારજનોએ હોબાળો કર્યો વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ઈલોન મસ્કની કોવિડ વેક્સિનની આડઅસરની ટિપ્પણીથી સનસનાટી:કહ્યું- રસીના બીજા ડોઝથી મને મોત નજીક હોવાનો અનુભવ થયો વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ગુજરાત-રાજસ્થાન-MP સહિત 6 રાજ્યોમાં પારો 40C ને પાર:15 એપ્રિલથી હીટવેવનું એલર્ટ; સિક્કિમ અને અરુણાચલમાં ભારે વરસાદ પડી શકે છે વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : પાકિસ્તાનમાં હોસ્પિટલની બેદરકારીથી 331 બાળકો HIV પોઝિટિવ:8 વર્ષના બાળકના મૃત્યુ બાદ ખુલાસો, સિરીંજના વારંવાર ઉપયોગથી ફેલાયું સંક્રમણ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ઈરાન યુદ્ધની અસર- ખાદ્ય તેલ 7% મોંઘું:સાબુ-બિસ્કિટના પેકેટ નાના થયા, વોશિંગ મશીન, ફ્રિજ અને LEDના ભાવ 15% સુધી વધ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : હવે વિમેન્સ T-20 વર્લ્ડ કપની વિજેતા ટીમને મળશે ₹21.8 કરોડ!:પ્રાઇઝમની 10% વધી, ICC એ ટુર્નામેન્ટની કુલ રકમ ₹82 કરોડ નક્કી કરી વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ રાજસ્થાનમાં હવે ‘ઘસીટારામ’ જેવા નામ બદલી શકાશે રાજસ્થાનમાં હવે ‘ઘસીટારામ’, ‘ખોજારામ’ જેવા વિચિત્ર નામ બદલી શકાશે. રાજસ્થાન સરકાર ‘સાર્થક નામ અભિયાન’ હેઠળ 2950 વધુ સારા નામોના વિકલ્પ આપશે. આનો હેતુ બાળકોનો આત્મવિશ્વાસ વધારવાનો છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. પારકી પંચાત: ‘તું ગમે તે હોય બોલતો નહીં પાડી દઈશ’:રાજકોટમાં બા બગડ્યાં, સ્નેહલતા સ્ટાઇલમાં કહી દીધું 'હાલતીનો થા', તડકામાં તમ્મર ચઢે એવો વિરોધ, ભાજપના નેતાઓ ભાગ્યા 2. ભાસ્કર સિરીઝ : આસારામના ગુંડાએ ACPને બોમ્બથી ઉડાવવાનું કાવતરું ઘડ્યું: બીજી બાજુ આસારામના ફોનમાંથી પોર્નોગ્રાફી-બ્લુ ફિલ્મો મળી આવી, જુઓ સિરીઝનો થ્રિલિંગ એપિસોડ-36 3. હમ લોગ : નાચતી છોકરીનો હાથ પકડ્યો અને છોકરો ભગાડી ગયો:મૈતેઈ લોકોમાં લગ્નની અનોખી પરંપરા, જન્મતાની સાથે જ બાળકને ખવડાવે છે મીઠું 4. પૂર્વ સરપંચને રસ્તામાં આંતરી મોતને ઘાટ ઉતાર્યા:7 વર્ષ પહેલાંનું વેર વાળવા 6 શખસો તૂટી પડ્યા, સરકારે IPS નિર્લિપ્ત રાયને તપાસ સોંપી ને કેસની દિશા બદલાઇ 5. 'જેને ગદ્દારી કરવી છે તેને કોણ રોકી શકે?':ઉમેદવારોએ દગો દેતા લાચાર કોંગ્રેસનું દુઃખ છલકાયું, ભાજપ પર લગાવ્યો સામ, દામ, દંડ, ભેદની નીતિનો આરોપ 6. હિંદુ પિતા-પુત્રને કાપી નાખ્યા, બંગાળમાં ચૂંટણીનો મુદ્દો નથી:હિંસાવાળી 76 બેઠકો, લોકો બોલ્યા- પોલીસ છુપાઈ જાય છે, મમતા બચાવતી નથી 7. ભાસ્કર એનાલિસિસ : હવે આજની મિટિંગ પર યુદ્ધનો મદાર:ઈઝરાયલ અને લેબનોન વચ્ચે અમેરિકામાં વાટાઘાટો; બંને દેશ વચ્ચે ડીલ થઈ જાય તો હિઝબુલ્લાહની પાંખો કપાઈ જાય 8. સાવધાન, ઝેરમાં જબોળી કેરીને પકવવામાં આવે છે!:10 સેકન્ડમાં 5 સરળ રીતથી ઓળખો કુદરતી છે કે કેમિકલયુક્ત; ખાતા પહેલાં 11 ટિપ્સ ફોલો કરો કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ બુધવારનું રાશિફળ:તુલા-વૃશ્ચિક રાશિના જાતકોને પ્રમોશનના યોગ, વૃષભ રાશિના લોકો માટે રોકાણ કરવાનો ઉત્તમ દિવસ વાંચો સંપૂર્ણ રાશિફળ
સુરતમાં છેલ્લા 24 કલાકમાં આપઘાતના બે બનાવ સામે આવ્યા છે. જેમાં અમરોલી વ્રજ રેસીડેન્સીમાં રહેતા યુવકે લગ્ન થતા ના હોવાથી હતાશામાં આવી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકે મારતા પહેલા લખેલી સુસાઇડ નોટમાં હું જીવનથી કંટાળી ગયો છું. મારે જીવનમાં એક પણ રૂપિયાનું લેણું નથી અને મમ્મી-પપ્પા હું હારી ગયો છું. હું આ પગલું ભરી લઉં છું, મને માફ કરી દેજો સહિતનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે બોટાદના રહેવાસી અને હાલ વેડરોડ ખાતે રહેતા બીસીએના વિદ્યાર્થીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. યુવકે અભ્યાસના તણાવમાં આવી અંતિમ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું. આપઘાતનો પહેલો બનાવમળતી માહિતી અનુસાર, મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ગામના વતની અને હાલ અમરોલી છાપરાભાઠા ખાતે આવેલી વ્રજ રેસીડેન્સીમાં રહેતા 29 વર્ષીય સચિન રમેશભાઈ પીપલીયા હીરાના કારખાનામાં મશીન રીપેરીંગનું કામકાજ કરી માતા-પિતા સહિતના પરિવારનું ભરણપોષણ કરતો હતો. સાંજે સચિને ઘરમાં એકલતાનો લાભ ઉઠાવી પંખા સાથે દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. અમરોલી પોલીસે સચિને મારતા પહેલા લખેલી સુસાઇડ નોટ કબજે કરી હતી. જેમાં સચિને હું જીવનથી કંટાળી ગયો છું. મારે જીવનમાં એક પણ રૂપિયાનું લેણું નથી અને મમ્મી-પપ્પા હું હારી ગયો છું. હું આ પગલું ભરી લઉં છું, મને માફ કરી દેજો સહિતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે એક પેજમાં ગુજરાતીમાં સુસાઇડ નોટ લખેલી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સચીને તેમના લગ્ન થતા ન હોવાથી હતાશામાં આવી આપઘાતનું પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું. આપઘાતનો બીજો બનાવમળતી માહિતી અનુસાર, મૂળ બોટાદ જિલ્લાના સમઢીયાળા ગામના વતની અને હાલ વેડરોડ વિસ્તારમાં આવેલ ભગુનગર સોસાયટી વિભાગ-૧માં ૨૨ વર્ષીય શર્મિલ મુકેશભાઈ માંડવીયા પરિવાર સાથે રહેતો હતો. શર્મિલ બીસીએના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેમના પિતા વતનમાં ખેતી કામ કરે છે. બપોરે શર્મિલે ઘરે લોખંડના પાઇપ સાથે પ્લાસ્ટિકની દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાને પગલે ચોકબજાર પોલીસ સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં શર્મિલએ અભ્યાસના તણાવમાં આવી અંતિમ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું.
સુરતના ડુમસ રોડ પર જાણીતા 'વુપ (Woop) એમ્યુઝમેન્ટ પાર્ક' ના માલિકો રજત રાજેશ મહીન્દુ અને નિશા રાજેશ મહીન્દુ સામે છેતરપિંડીની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, સુરતના ડુમસ રોડ પર 'વુપ એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ' ચલાવતા રજત રાજેશ મહીન્દુ અને નિશા રાજેશ મહીન્દુ સામે છેતરપિંડીની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ થયો છે. રજત મહીન્દુ આ કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર છે. પોલીસમાં આપેલી ફરિયાદ મુજબ, આરોપીઓએ પોતાની કંપનીમાં હિસ્સો આપવાના બહાને સદાનંદ મંધ્યાન પાસેથી ટુકડે-ટુકડે રૂ. 6.75 કરોડની રકમ મેળવી હતી. ફરિયાદમાં એવો આક્ષેપ છે કે આરોપીઓએ ફરિયાદી સાથે મિત્રતાનો સંબંધ હોવાનો ફાયદો ઉઠાવી વિશ્વાસઘાત કર્યો છે. દસ વર્ષ જૂની મિત્રતાનો ગેરફાયદો ઉઠાવ્યાનો આક્ષેપસદાનંદ મંધ્યાન દ્વારા પોલીસમાં કરવામાં આવેલી ફરિયાદ મુજબ, આરોપી નિશા મહીન્દુ અને ફરિયાદીની પત્ની વચ્ચે છેલ્લા 10 વર્ષથી મિત્રતા હતી. આ પારિવારિક સંબંધોને કારણે એકબીજાના ઘરે આવવા-જવાના સંબંધો હતા. જુલાઈ-2024માં રજત અને નિશા મહીન્દુ ફરિયાદીના ઘરે ગયા હતા અને જણાવ્યું હતું કે તેમનો બેંગલુરુ ખાતેનો નવો ગેમઝોન પ્રોજેક્ટ પૂર્ણ થવાના આરે છે અને તેમાં નાણાંની જરૂર છે. જો તેઓ રોકાણ કરશે તો કંપનીમાં 25% શેર આપવાની ખાતરી ફરિયાદ મુજબ આરોપીઓ દ્વારા આપવામાં આવી હતી. ટુકડે-ટુકડે 6.75 કરોડ પડાવ્યાફરિયાદમાં જણાવ્યા અનુસાર, વિશ્વાસમાં આવીને ફરિયાદીએ શરૂઆતમાં નિશા મહીન્દુના ખાતામાં 2.50 લાખ રૂપિયા મોકલ્યા હતા. ત્યારબાદ રજત મહીન્દુએ કંપની માટે વધુ નાણાંની માંગણી કરતા ઓગસ્ટ-2024થી મે-2025 દરમિયાન અલગ-અલગ તારીખે કુલ 6.75 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પોલીસ ફરિયાદ મુજબ, આરોપીઓએ આ રકમ અનસિક્યોર્ડ લોન પેટે મેળવી હતી અને તેના બદલામાં કંપનીના 25,000 શેર આપવાનું વચન આપ્યું હતું. ખોટા દસ્તાવેજો બનાવી ગેરમાર્ગે દોર્યાફરિયાદીએ પોલીસને જણાવ્યું કે, રજત મહીન્દુએ વિશ્વાસ જીતવા માટે મેનેજિંગ ડિરેક્ટર તરીકેની સહીવાળા પત્રો અને શેર ટ્રાન્સફરના SH-4 ફોર્મ મોકલી આપ્યા હતા. ફરિયાદ મુજબ, આ પત્રોમાં એવું દર્શાવવામાં આવ્યું હતું કે ફરિયાદીની કંપની 'કામધેનુ ન્યુટ્રિયન્ટ્સ' હવે વુપ એમ્યુઝમેન્ટમાં 25%ની ભાગીદાર છે. જોકે, આરોપીઓએ આ દસ્તાવેજો માત્ર વિશ્વાસ કેળવવા માટે જ બનાવ્યા હોવાનું પોલીસ ફરિયાદમાં લખાવવામાં આવ્યું છે. શેર સર્ટિફિકેટમાં છેડછાડ કર્યાની પોલીસમાં રજૂઆતફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ, સપ્ટેમ્બર-2025માં આરોપીઓએ 18,000 શેરનું જે સર્ટિફિકેટ (SH-1) વોટ્સએપ પર મોકલ્યું હતું તેમાં ડિસ્ટિન્ક્ટિવ નંબર લખેલા નહોતા અને કંપનીના નામમાં પણ ભૂલ હતી. ફરિયાદીએ પોલીસને જણાવ્યું કે જ્યારે તેમણે 25,000 શેર અંગે પૂછ્યું ત્યારે આરોપીઓએ પ્રોજેક્ટનો ખર્ચ વધી ગયો હોવાનું બહાનું બતાવીને ગેરમાર્ગે દોર્યા હતા. ROCમાં નોંધણી ના કરી હોવાનું તપાસમાં ખુલ્યાની ફરિયાદસદાનંદ મંધ્યાનની ફરિયાદ મુજબ, જાન્યુઆરી-2026માં જાણવા મળ્યું કે આરોપીઓએ ROC (રજીસ્ટ્રાર ઓફ કંપનીઝ) માં આ શેર ટ્રાન્સફરની કોઈ સત્તાવાર નોંધણી કરી જ નથી. ફરિયાદમાં એવું પણ જણાવાયું છે કે કંપનીના MGT ફોર્મમાં તેમને માત્ર 14,000 શેરના ધારક જ દર્શાવવામાં આવ્યા હતા. એટલે કે, ફરિયાદીએ આપેલા કરોડો રૂપિયા લીધા બાદ પણ તેમને કાયદેસરનો હિસ્સો આપવાને બદલે માત્ર કાગળ પર જ શેર બતાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. કંપનીમાંથી પણ હાંકી કાઢ્યા હોવાનો ઉલ્લેખસૌથી ગંભીર આક્ષેપ ફરિયાદમાં એ છે કે, જ્યારે ફરિયાદીના CA દ્વારા હિસાબ માંગવામાં આવ્યો ત્યારે આરોપીઓએ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો. ત્યારબાદ, 12 ફેબ્રુઆરી 2026ના રોજ રજત મહીન્દુએ ઇમેઇલ કરીને એવી જાણ કરી કે તમે ફોર્મ જમા કરાવ્યું નથી. તેથી તમને શેર હોલ્ડર ગણવામાં આવતા નથી અને તમે જનરલ મીટિંગમાં પણ આવી શકશો નહીં. આમ, નાણાં પડાવી લીધા બાદ પણ તેમને છેતરી દેવામાં આવ્યા હોવાની હકીકત પોલીસ ફરિયાદમાં વર્ણવવામાં આવી છે. વેસુ પોલીસે ગુનો નોંધી આરોપીઓ સામે તપાસ શરૂ કરીફરિયાદી સદાનંદ મંધ્યાને પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, રજત અને નિશા મહીન્દુએ ખોટા દસ્તાવેજો બનાવી, તેનો સાચા તરીકે ઉપયોગ કરી 6.75 કરોડની છેતરપિંડી આચરી છે. આ ફરિયાદના આધારે વેસુ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ આઈપીસી/બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ હવે આરોપીઓએ આપેલા બેંક ખાતાઓની વિગતો અને ROC ના રેકોર્ડની ઝીણવટભરી તપાસ કરી રહી છે.
સુરત શહેર દિવસેને દિવસે વિકસી રહ્યું છે. શહેરમાં લોકોને પ્રાથમિક સુવિધા મળી રહે તે ખૂબ જરૂરી બનતું હોય છે અને તેને જ લઈને હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. આ ચૂંટણી સંગ્રામ લોકોને મળતી પ્રાથમિક સુવિધાના કારણે હાર જીત નક્કી થતી હોય છે. ત્યારે મહાનગરપાલિકાના વોર્ડ નંબર પાંચમાં લોકોની સમસ્યા જાણવા દિવ્ય ભાસ્કરની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર લોકો વચ્ચે પહોંચી હતી અને તેમની સમસ્યા જાણવાનો પ્રસાસ કર્યો હતો. મિલોના ધુમાડાથી રહીશો ત્રાહિમામઅશ્વિનીકુમાર રોડ વિસ્તારનું સૌથી મોટી સમસ્યા છે રહેણાંક વિસ્તારમાં કાપડની મિલો. આ મિલોમાંથી નીકળતો ધુમાડો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો છે. ઘરની દીવાલો પણ કાળી થઈ જતી હોય એટલો ધુમાડો રોજ થાય છે. આ સાથે જ દારૂ, ડ્રગ્સ, ગાંજો અને જુગારનું દુષણ પણ મોટા પ્રમાણમાં છે. ફુલપાડા વિસ્તારમાં આવેલા નંદઘરમાં જીવના જોખમે ભૂલકાઓ ભણી રહ્યા છે. રજૂઆત છતા રોડ યોગ્ય રીતે બનતા નથીઆ વિસ્તારની મહિલાઓએ પોતાના વિસ્તારમાં ચોપાટી, રસ્તા, શાળા તેમજ વૃદ્ધોને બેસવા માટે શાંતિકુંજ ગાર્ડન બનાવવામાં આવે તેવી આશા વ્યક્ત કરી હતી. છેલ્લા પાંચ વર્ષમાં કોર્પોરેટરો દ્વારા જે કામ કરવામાં આવ્યા છે. એ કામ તકલાદી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે રોડ-રસ્તાની ખૂબ જ તકલીફ છે. અનેક વખત રજૂઆત કરવા છતાં પણ રસ્તા યોગ્ય રીતે બનતા નથી. હવે કોઈ પણ મત માંગવા આવે તો પહેલા અમારી મુખ્ય માંગણી રોડ બનાવવાની રહેશે ત્યારબાદ જ અમે મત આપવા જશું. 'સ્કૂલ ફીમાં ઘટાડો કરવામાં આવે'ગૃહિણી શીતલ ગજેરાએ જણાવ્યું હતું કે, આરોગ્ય કેન્દ્ર સારું હોવું જોઈએ, સ્કૂલ સારી હોવી જોઈએ. નાના-મોટા ગાર્ડન બનાવી આપે તો સારું રહે. સ્થાનિક લુણાગરીયા કિરણબેને જણાવ્યું હતું કે, અહીંયા સ્કૂલમાં ફી બહુ વધારે છે. અત્યારે નાના માણસો પાસે પૈસા નથી હોતા. એટલે ફી ઓછી કરે એવી અમારી માગ છે. નવા રોડ બનાવવામાં આવે છે પરંતુ 4-6 મહિનામાં જ ફરીથી એવી જ પરિસ્થિત થઈ જાય છે. 'એક વાર AAPને મોકો આપવો જોઈએ'સ્થાનિક પીપળિયા અનસૂયાબેને જણાવ્યું હતું કે, એક વખત સરકારને પણ બદલવી જોઈએ અને એક વખત બીજાને પણ મોકો આપવો જોઈએ. AAP વાળાને મોકો આપો તો એ શું કામ કરે છે એ આપણને પણ ખબર પડે. અત્યારે તો બધી સુવિધા આપે છે પણ ચૂંટણી જતી રહે એટલે બધા બધું જ ભૂલી જાય છે અને કોઈ કામ વ્યવસ્થિત કરતા નથી. AAP વાળા એમ કહે છે કે અમે કરી આપીશું, તો એને પણ એક મોકો આપવો જોઈએ કે એ કેવું કામ કરે છે. આ વિસ્તારમાં મહિલાઓ માટે કોઈ સુરક્ષા નથી. એટલું જ નહીં અનસૂયાબેને ગેસ સિલિન્ડર ન મળતા હોવાની વ્યથા ઠાલવી હતી. 'દર વર્ષે મોદી મહોલ્લામાં પાણી ભરાઈ છે'કરિયાણાના વેપારી ગૌતમભાઈ જૈને જણાવ્યું હતું કે, અહીંયા દર વર્ષે મોદી મહોલ્લામાં પાણી ભરાઈ જાય છે. પાણીનો નિકાલ બરાબર થતો નથી. આ વિસ્તારના કોર્પોરેટરને ક્યારેય નથી જોયા. આવે તો કહેવું જ પડશે કે આ નિકાલ કરાવો, વોટ તો માંગવા આવો છો તમે અહીંયા! આ દર વર્ષે પાણી દુકાનમાં ભરાય તો શું મતલબ છે? દર વર્ષે એકની એક રામાયણ છે અમારે તો પાણીની કરવાની હોય છે. 'સારી સુવિધા મળે તો જ વોટ આપીશું'સ્થાનિક પ્રવીણ ઝાલાવાડિયાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં બસ મોટી આ સમસ્યા, રોડની આ સમસ્યા છે. આરોગ્ય કેન્દ્ર છે પણ દૂર છે. પહેલા અમારી જે પાયાની જે સુવિધા છે, એની ઉપર જો ગવર્મેન્ટ, સરકાર, મ્યુનિસિપલ કોર્પોરેશન ધ્યાન આપે તો જ અમે વોટિંગ કરીશું. 'મિલોના ધુમાડાથી શ્વાસ લેવામાં તકલીફ'દુકાનદાર ગૌતમભાઈ પરમારે જણાવ્યું હતું કે, હું આ વિસ્તારમાં 40 વર્ષથી રહું છું. સમસ્યા એવી છે કે આ વિસ્તારની અંદર આજે કેટલાય વર્ષોથી મીલો ચાલુ છે. મીલોનો ધૂમાડો એટલો બધો ત્રાસ આપે છે કે માણસ બિમાર પડી જાય. 50 વર્ષની ઉંમરના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે. વિદ્યાર્થીઓને પરીક્ષાનો ટાઇમ હોય, તેમને સ્ટડી કરવાનું હોય અને બારી ખોલીને ચોખ્ખી હવા લેવાની હોય, જેથી તેમનું મગજ ચાલે, તો એ લોકો શ્વાસ નથી લઈ શકતા. ‘સમસ્યા સાંભળવા કોઈ નથી’ટેરેસ પર જઈએ તો ટેરેસ પર એકદમ કાળું ડીબાંગ જેવું હોય અને હાથ લગાડીએ તો ધૂમાડાના રજકણો હાથમાં આવે છે. ઘણી રજૂઆતો કરી, સ્થાનિક કોર્પોરેટરોને પણ માહિતી આપી, પણ કોઈ ધ્યાન દેતું નથી. જ્યારે કામ હોય ત્યારે 'હા' પાડીને જાય છે પણ કામ પત્યા પછી મીલના ધૂમાડા ચાલુ જ રહે છે. અમારા જેવા સામાન્ય નાગરિકો પીડાઈ રહ્યા છે, સાંભળવા વાળું કોઈ નથી. ‘મહિલાઓની સામે ગાંજા, દારૂની હેરાફરી’આ ઉપરાંત, અહીં દારૂ અને ગાંજો પણ બેફામ મળે છે. વૃદ્ધો અને બહેનો નીકળતા હોય તેમની સામે ગાંજાની સપ્લાય અને દારૂનું વેચાણ થાય છે. અમે સવારે શોપ ખોલીએ તો સામે દારૂની 8-10 બોટલો પડી હોય છે. અમને દેખાય છે તો શું બીજા લોકોને કે સ્થાનિક તંત્રને નથી દેખાતું?
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે,ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા અસારવા વોર્ડમાં શું સ્થિતિ છે. આ વિસ્તારનો વિકાસ કેવો થયો છે. અહીં સ્થાનિકો કોર્પોરેટરની શું ફરિયાદ કરી રહ્યા છે, તે માટે દિવ્ય ભાસ્કર દ્વારા અસારવા વોર્ડનો ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. ચોમાસામાં પાણી ભરાવાની ગંભીર સમસ્યાઅસારવા વોર્ડમાં અસારવા ચકલા,મેઘાણીનગર, કલાપી નગર,ચમનપુરા સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે.અહીંયા મોટાભાગે વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી યથાવત છે. સાથે જ કેટલાક વિસ્તારમાં ગટરના પાણીની સમસ્યા પણ છે. અસારવામાં સ્થાનિકોનું કહેવું છે કે અમારા ત્યાં તો વર્ષોથી વરસાદના પાણીની સમસ્યા હતી. જે અત્યારે ઓછી થઈ છે. બાકી વિસ્તારમાં મોન્ટુ ભાઈ (પૂર્વ કોર્પોરેટર - દિશાંત ઠાકોર)અમારી બધી સમસ્યા પર નજર રાખે છે. 'સફાઈ થાય તો માનીએ કે કામ થયું'સ્થાનિક ઈન્દુબેને જણાવ્યું હતું કે, આ ગટર લાઈનનું રોજે પાણી નીકળે છે. છેલ્લા સાત આઠ મહિનાથી આ સમસ્યા છે. જોવા આવે, પણ કોઈ કામ થતું નથી અહીયા. રજૂઆત તો કેટલી કરી અમે, પણ કોઈ સાંભળતું નહી. રાતનું કામ ચાલે છે શું કરીને જાય છે શું નહીં અમને ખબર નહી. પણ અમારે તો સફાઈ થાય ત્યારે કહેવાય કે કામ કર્યું કહેવાય. બાકી અમે ના માનીએ કે કામ કર્યું. 'કોર્પોરેટર તો અહીંયા આવતા જ નથી'મોઈદુદ્દીન કુરેશીએ જણાવ્યું હતું કે, સમસ્યા પાણીની છે. પાણી પહેલા ભરાતું હતું, પછી બંધ થઈ ગયું. અને આ 15-20 દિવસથી ફરીથી ગટરનું પાણી આવે છે.વરસાદમાં તો કમરસમા પાણી ભરાઈ છે અહીંયા. એ બધાની તકલીફ છે, મારી એકની નથી. રજૂઆત કરી હતી પણ કોઈ સુનાવણી નથી થતી ભાઈ, સમજી ગયા તમે? એવું છે. અમારી તો કોઈ સાંભળતું પણ નથી. અમે ગટરવાળાને બોલાવીએ તો એ લોકો કહે 'અમે શું કરીએ?'. કોર્પોરેટર તો અહીંયા આવતા જ નથી. 'મેઘાણીનગરમાં પાણીની ટાંક બનાવાઈ'અસારવા વોર્ડથી પૂર્વ કોર્પોરેટર દિશાંત ઠાકોરે કહ્યું કે, પાંચ વર્ષની અંદર અસારવા મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે મેં જે અસારવા વોર્ડમાં સૌથી મોટો પાણીનો જે પ્રશ્ન હતો, એના માટે આપણે મેઘાણીનગર પાણીની ટાંકી જે બનાવી એ સૌથી મુખ્ય કામ હતું. એ પછી જે મુખ્ય STP પ્લાન્ટનું હતું, STP પ્લાન્ટ 18 કરોડના ખર્ચે જે પમ્પિંગ સ્ટેશનની બહાર બની રહ્યો છે. પમ્પિંગ સ્ટેશન એ સાડા ત્રણ કરોડના ખર્ચે નવીનીકરણ કર્યું. ‘ચાલીમાં ડ્રેનેજના પાણીનો પ્રશ્નનો ઉકેલ આવશે’રિહેબના કામો હતા જે અસારવા વોર્ડમાં ઘણા સમયથી કામ બાકી રહી ગયા હતા. એ રિહેબના કામોનું પોલ્યુશન અંતર્ગત 68 કરોડ રૂપિયાનું કામ જે અસારવા વોર્ડમાં (હું વોટર સપ્લાય કમિટીમાં હતો) અમે ચારેય કાઉન્સિલરોએ ભેગા થઈને કામ લાવ્યા અને ધારાસભ્ય દર્શનાબેને આ કામમાં મદદ કરી હતી. એ કામ થવાથી અસારવામાં જે ચાલીઓમાં ડ્રેનેજના ગંદા પાણીનો પ્રશ્ન છે એનો હલ આવશે અને એનું કાયમી સોલ્યુશનનો નિકાલ થશે. વરસાદમાં જે આજથી 15 વર્ષ પહેલા ત્રણ-ત્રણ દિવસ સુધી પાણી ભરાયેલા રહેતા હતા, એનું કાયમી સોલ્યુશન અસારવા તળાવ બનવાથી આવી ગયેલું છે. અને બીજું જે STP પ્લાન્ટ બનશે એમાં પર-ડે 20 લાખ લીટર (2 MLD)નો પ્લાન્ટ બની રહ્યો છે, તો એ તરત જ પાણી ઉતરી જશે અને એકાદ કલાકમાં જે વિસ્તાર નાનો હોવા છતાં જે જગ્યામાં પાણી ભરાય છે એમાં રાહત મળશે. 'વેપારીઓ અને સ્થાનિકો ત્રસ્ત છે' જયપાલસિંહએ જણાવ્યું હતું કે, પ્રથમ યાદી આમ આદમી પાર્ટીની જે ઉમેદવારની આવી, એમાં મારું નામ હતું. અસારવા વોર્ડનો ચમનપુરા અને ઓમ નગરનો વિસ્તાર છે, જ્યાં આ ગટરની સમસ્યા છેલ્લા 6 મહિનાથી છે. વચ્ચે 15 દિવસ પાણી બંધ થયું હતું અને પાછું અત્યારે 15 દિવસથી કોન્સ્ટન્ટ ગટરનું પાણી આવે છે. અહીંયા વેપારીઓ હેરાન થઈ રહ્યા છે અને પબ્લિક પણ ખાસી હેરાન થઈ રહી છે. 'ખાલી દેખાડો કરવા પૂરતી કામગીરી ચાલુ કરી'જયપાલસિંહે વધુમાં જણાવ્યું હતું કે, અડધો ઈંચ વરસાદ પડે ને, તો પણ કમર સુધી પાણી ભરાઈ જાય છે. અત્યારે હવે ખબર છે કે ચૂંટણીના ઢોલ વાગ્યા છે એટલે કામગીરી ચાલુ કરી છે ખાલી દેખાડો કરવા પૂરતી. અને કહે છે કે રોજ 20,000 લિટર પીવાનું ચોખ્ખું પાણી મળશે. પણ જે પાંચ વર્ષથી તમે કંઈ કામ નથી કર્યું, એનો રિપોર્ટ તો આપો જનતાને! અત્યારે હું તો એ જ કહેવા માગું છું કે આમ આદમી પાર્ટી એટલી મજબૂતાઈથી આ વખતે લડશેને કે બધું બદલી નાખશે. ‘ગંદા પાણીના કારણે છોકરાઓ બિમાર પડે છે’સ્થાનિક દિનેશભાઈએ જણાવ્યું હતું કે, જ્યારથી ત્યાંથી ખોદકામ કર્યું છે (ક્રોસિંગ જોડેથી), ત્યારનું પાણી નીકળ્યા જ કરે છે. એ પાણી અમારે જાતે જ કાઢવું પડે છે અહીંયા. આની કોઈ તપાસ લેતું નથી ને કોઈ જોવા પણ ઊભા રહેતા નથી. તમે આ વીડિયો બતાવી દો એટલે એમને ખબર પડે કે આ કેટલું પાણી ભરાયું છે અને આગળ કેટલું પાણી ભરાય છે! નકરું પાણી દેખાય ને. એટલે અમારા નાના-નાના છોકરાઓ હોય, દુકાન લઈને બેઠેલા હોય અને અમારા છોકરા બીમાર થાય છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવા માટેની અંતિમ તારીખ આજે 15 એપ્રિલ છે ત્યારે વિરોધી ઉમેદવારને ફોર્મ પરત ખેંચાવી બિનહરીફ થવા માટેના કાવાદાવા થઈ રહ્યા છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ 11ના ભાજપના ઉમેદવાર બિનહરીફ બને તે માટે કોંગ્રેસના ઉમેદવારને ધાકધમકી મળી હોવાની ચર્ચા છે. જો કે આ અંગે કોંગ્રેસના પ્રમુખે કહ્યું છે કે, અનેક ઉમેદવારોને ધાકધમકી મળી રહી છે અને અમે તેઓને સલામત ખસેડવાની તજવીજ કરી રહ્યા છે. વોર્ડ 11માં ધનકુબેર પિતાના પુત્ર મેદાનમાં છે વોર્ડ 11માં ભાજપમાંથી ઉપેન્દ્ર પ્રજાપતિએ ઉમેદવારી નોંધાવી છે. ઉપેન્દ્ર પ્રજાપતિએ શહેરના ધનકુબેરો પૈકીના એક દલસુખ પ્રજપતિના પુત્ર છે. ગત ટર્મમાં તેઓના અન્ય પુત્ર કોર્પોરેટર હતા અને આ ચૂંટણીમાં તેઓના બીજા પુત્રને ટિકિટ આપવામાં આવી છે. તેની સામે કોંગ્રેસમાંથી કનુભાઈ પ્રજાપતિએ ઉમેદવારી નોંધાવી છે. કનુભાઈ પ્રજાપતિ ગાયબ થઇ ગયા!જોકે ઉપેન્દ્ર પ્રજાપતિ બિનહરીફ બને તે માટેના કાવાદાવાઓ કરવામાં આવી રહ્યાં છે. કનુભાઈ પ્રજાપતિ સવારથી જ પોતાના ઘરે નથી અને તેઓ ક્યાંક ગાયબ થઇ ગયા છે. તેઓના પરિવારજનોને પણ ખ્યાલ નથી કે તેઓ ક્યાં છે. તેના પરિવારજનો માત્ર એમ જ કહી રહ્યા છે કે તેઓ ચૂંટણી લડશે કે નહીં તે આવતીકાલે ખબર પડશે. કનુભાઈ પ્રજાપતિ અમારા સંપર્કમાં નથી કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિજ જોષીએ આ સમગ્ર મામલે જણાવ્યું હતું કે, વોર્ડ 11ના અમારા ઉમેદવાર ગઈકાલ(14 એપ્રિલ) સવારથી અમારા સંપર્કમાં નથી. તેઓ સંપર્ક વિહોણા થઇ ગયા છે. અન્ય વોર્ડમાં પણ ઉમેદવારી પરત ખેંચવા ધાકધમકી મળી રહી છે જેઓને પણ અમે સલામત સ્થળે ખસેડવા માટેની તજવીજ કરી રહયા છે. આજે જ ખબર પડશે કે કનુભાઈ પ્રજાપતિ ક્યાં હતા અને તેઓ ચૂંટણી લડશે કે નહીં. ભાજપના ઉમેદવારના પિતાની આખા ગુજરાતમાં સૌથી વધુ જમીન?વોર્ડ 11માં ભાજપના ઉમેદવાર ઉપેન્દ્ર ઉર્ફે વિષ્ણુ પ્રજાપતિના પિતા દલસુખ પ્રજાપતિ આખાયે ગુજરાતમાં સૌથી વધુ જમીન ધરાવતા ધનકુબેર હોવાનું કહેવાય છે. અને તેના કારણે જ તેઓ શામ, દામ, દંડ, ભેદ જેવી નીતિઓ અપનાવી રહયા હોવાની પણ ચર્ચા છે. કોંગ્રેસના ઉમેદવાર પણ પ્રજાપતિ સમાજમાંથી જ આવે છે જેથી તેઓ ઉપર સમાજમાંથી પણ દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. જો કનુ પ્રજાપતિ ફોર્મ પરત ખેંચશે તો ઉપેન્દ્ર પ્રજાપતિ બિનહરીફ જાહેર થઇ જશે અને તેઓના વોર્ડમાં બાકીના 3 ઉમેદવારો જ ચૂંટણી જંગમાં ઝંપલાવશે.
બુધવારે શેરબજારમાં મોટો ઉછાળો થવાના એંધાણ, આ 5 સંકેતથી સેન્સેક્સ-નિફ્ટીમાં આવશે તેજી
Indian Market Positive Signal : દેશમાં સોના-ચાંદીમાં અને શેરબજારના રોકાણકારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. આમ તો મંગળવારે સેન્સેક્સ-નિફ્ટી સહિતના માર્કેટ બંધ રહ્યા હતા, જ્યારે અન્ય દેશોમાં માર્કેટો ખુલ્લા રહ્યા હતા. જોકે આ જ સમયગાળા દરમિયાન જે અહેવાલો સામે આવ્યા છે, તેના કારણે બુધવારે ભારતીય શેરમાર્કેટ રોકેટ ગતિએ દોડવાના સંકેત મળ્યા છે. જે પાંચ કારણો સામે આવ્યા છે, તેનાથી આશા જાગી છે કે, બુધવારે શેરબજારમાં શાનદાર તેજી જોવા મળવાની છે. વૈશ્વિક શેરમાર્કેટમાં તેજી
પ્રભાસ પાટણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ મતદારો નિર્ભયતાથી મતદાન કરી શકે તે હેતુથી શહેરમાં વ્યાપક ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પ્રભાસ પાટણ સિટી વિસ્તારના મુખ્ય માર્ગો, બજારો અને રાજમાર્ગો પર પોલીસના મોટા કાફલાએ પગપાળા પેટ્રોલિંગ કર્યું હતું. આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ અસામાજિક તત્વો પર નજર રાખવાનો અને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાનો વિશ્વાસ ઊભો કરવાનો હતો. આ કામગીરીમાં પ્રભાસ પાટણ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. વનારકા, પી.એસ.આઈ શક્તિસિંહ સોલંકી અને એસ.ડી. વડારીયા સહિતના પોલીસ અધિકારીઓ જોડાયા હતા. તેમની સાથે સર્વેલન્સ સ્ક્વોડ અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો પણ સક્રિય રહ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, ચૂંટણી દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે. ફૂટ પેટ્રોલિંગ દ્વારા કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સતર્કતા વધારવામાં આવી છે. સ્થાનિક લોકો દ્વારા પોલીસની આ કામગીરીને આવકાર મળ્યો હતો. તેમણે નિર્ભય વાતાવરણમાં મતદાન થાય તેવી આશા વ્યક્ત કરી હતી.
મહેન્દ્રનો જન્મ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા એક નાના ગામમાં થયો હતો. માતા‑પિતાએ તેને શાળામાં મોકલ્યો હતો પરંતુ અભ્યાસમાં ધ્યાન ન આપવાના કારણે તે પ્રાથમિક પરીક્ષામાં નિષ્ફળ રહ્યો. અભ્યાસમાં આગળ ન વધ્યો પણ તેને હસ્તકલામાં રસ હતો. જેથી તેણે ગામની નાની વર્કશોપમાં સુથારકામ શીખવાનું શરૂ કર્યું હતું. પડકારો વચ્ચે ભાષા શીખીસમય જતાં તેને કેન્યાના નૈરોબીના એક મોટા વર્કશોપમાં કામ કરવાની તક મળી પણ અહીં તેના માટે સૌથી મોટો પડકાર ભાષાનો હતો. સ્થાનિક ભાષા સ્વાહિલી બોલવામાં સરળ હતી પરંતુ તેનું અંગ્રેજી અક્ષરોમાં લખાતી હતી એટલે આ ભાષા શીખવા માટે તેણે પહેલાં અંગ્રેજી શીખવી જરૂરી હતી. મહેન્દ્રએ દૃઢ નિશ્ચય સાથે પુસ્તકો, યુટ્યુબ અને ઇન્ટરનેટની મદદથી અંગ્રેજી શીખવાનું શરૂ કર્યું. થોડા જ મહિનામાં તેણે અંગ્રેજી અને સ્વાહિલી બંને ભાષાઓ વાંચતા, લખતા અને બોલતા શીખી લીધી હતી. 1 વર્ષ પછી મહેનતનું ફળ મળ્યુંએક વર્ષ પછી તેની મહેનતનું ફળ મળ્યું અને તેને વર્કશોપ ફોરમેન તરીકે પ્રમોશન મળ્યું. ટીમનું સંચાલન કરતાં‑કરતાં તેણે બારીઓ, દરવાજા અને વોર્ડ રોબ બનાવવા માટે જરૂરી એવી માપણી અને ગણતરીઓમાં કુશળતા મેળવી લીધી. સાથે‑સાથે તેણે CNC મશીનો ચલાવવાની કળા પણ શીખી અને ઇન્ટરનેટ તથા યુટ્યુબની મદદથી વિવિધ ડિઝાઇન અને પેટર્ન બનાવવાનું શરૂ કર્યું. ઇંગ્લેન્ડ સ્થળાંતર કરવાનો નિર્ણયવર્ષો પસાર થતાં વર્કશોપ ખૂબ સફળ બન્યો. જેમાં લગભગ 50 લોકો કામ કરતા હતા. લગભગ 10 વર્ષ પછી કંપનીના ડિરેક્ટરે નિવૃત્ત થવાનો નિર્ણય કર્યો અને વ્યવસાય વેચવાનો વિચાર કર્યો. મહેન્દ્ર પણ જીવનમાં આગળ વધવા ઇચ્છતો હતો તેથી તેણે ઇંગ્લેન્ડ સ્થળાંતર કરવાનો નિર્ણય કર્યો. તેના અનુભવને કારણે તેને ત્યાં આવું જ કામ શોધવામાં કોઇ મુશ્કેલી ન પડી. તેને સેશ વિન્ડોઝ અને વોર્ડરોબ બનાવવામાં નિષ્ણાત વર્કશોપમાં નોકરી મળી. એક વિચાર આવ્યો અને એપ બનાવીઆ કામમાં દરેક પ્રોજેક્ટ માટે લાકડાની માપ‑માપણી અને ગણતરીમાં ઘણો સમય જતો હતો. જેનાથી ઉત્પાદન ધીમું પડતું હતું. મહેન્દ્રના મનમાં વિચાર આવ્યો કે શું કોઇ સોફ્ટવેર અથવા એપ્લિકેશન આવી ગણતરીઓ સેકન્ડોમાં કરી શકે? કમ્પ્યુટર પ્રત્યે વધતા રસને કારણે તેણે પ્રયોગો શરૂ કર્યા. AIની મદદથી અને પોતાના અનુભવના આધારે તેણે બે એપ બનાવી. એક બારીઓ માટે અને એક વોર્ડરોબ માટે. જે હવે સેકન્ડોમાં લાકડાની જરૂરી માપણી કરે છે. તેણે આ એપ્સ પ્લે સ્ટોર પર પણ લોન્ચ કરી. જે આજે વિશ્વભરના લોકોને મદદરૂપ બની રહી છે. પ્રાથમિક શાળામાં નિષ્ફળ થયેલા, ક્યારેય હાઇસ્કૂલ, કોલેજ કે યુનિવર્સિટીમાં ન ગયેલા અને અંગ્રેજી ભાષા ક્યારેય ન શીખેલા એક ગુજરાતી યુવાને ભાષાઓ શીખી, મોટી ટીમ સંભાળી, આધુનિક મશીનો ચલાવ્યા અને વિશ્વભરમાં ઉપયોગ થતી ડિજિટલ એપ્સ બનાવી. જે સાબિત કરે છે કે ગુજરાતી ક્યાંય અટકતો નથી. પ્લે સ્ટોર પર લોન્ચ થયા પછીના માત્ર 5 અઠવાડિયામાં વોર્ડ્રોપ એપને 1.12 હજાર ડાઉનલોડ મળ્યા છે. દિવ્ય ભાસ્કર માટે સૂર્યકાંત જાદવાનો રિપોર્ટ
દક્ષિણ ગુજરાતમાં ભાજપના 'કિંગ મેકર' અને ચૂંટણી વ્યૂહરચનાના 'ચાણક્ય' ગણાતા અશોક ધોરાજીયા આ વખતે પોતે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. છેલ્લા 42 વર્ષથી ભાજપમાં નિષ્ઠાવાન કાર્યકર તરીકે અનેક નેતાઓને ચૂંટણી જીતાડવામાં પાયાની ભૂમિકા ભજવનાર ધોરાજીયા આ વર્ષે નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2 માંથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. વોર્ડ નંબર 2 ના ભાજપના ચારેય ઉમેદવારોએ ગાયત્રી મંદિર ખાતે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને પ્રચાર અભિયાનનો પ્રારંભ કર્યો હતો. અશોક ધોરાજીયાએ પોતાના સમર્થકો સાથે બંદર રોડ, રાયચંદ રોડ અને ફોક્સી ચાલ જેવા વિસ્તારોમાં ડોર-ટુ-ડોર પ્રચાર કરી મતદારોનો સંપર્ક સાધ્યો હતો. પ્રચાર દરમિયાન તેમણે સ્થાનિક બાળકો સાથે ક્રિકેટ રમીને પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. વોર્ડ નંબર 2 માં લાંબા સમયથી રસ્તા, ગટર અને પીવાના પાણીની સમસ્યાઓ પ્રવર્તી રહી છે. ભાજપના ઉમેદવારો જ્યારે મતો માંગવા નીકળ્યા છે ત્યારે જનતાની આ પાયાની જરૂરિયાતોને પૂર્ણ કરવાનું આશ્વાસન તેમના માટે સૌથી મોટો પડકાર બની રહેશે. પ્રચાર દરમિયાન અશોક ધોરાજીયાએ કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ પોતાના કાર્યકરોને સાચવી શકતો નથી. તેમણે કહ્યું કે, જેમ ગુનેગારોને જેલમાં પૂરવા પડે તેમ તેમણે પોતાના જ માણસોને રિસોર્ટમાં પૂરવા પડ્યા છે. જે પક્ષ પોતાનો પરિવાર નથી સાચવી શકતો તે જનતાને શું સાચવશે? ઉલ્લેખનીય છે કે અશોક ધોરાજીયાએ છેલ્લા ચાર દાયકાથી દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં નિરીક્ષક અને કન્વીનર તરીકે પક્ષ માટે પાયાનું કામ કર્યું છે. સંગઠનમાં મજબૂત પકડ ધરાવતા આ નેતા પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરી રહ્યા છે, ત્યારે આ 'ચાણક્ય' પોતાની બેઠક કેવી રીતે અંકે કરે છે તેના પર સૌની નજર રહેશે.
જામનગર જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-2026 માટે EVM ફાળવણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જિલ્લા સેવા સદનના સ્ટ્રોંગરૂમ ખાતેથી જિલ્લા ચૂંટણી અધિકારી પી.બી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ કુલ 2137 EVM મશીનોની ફાળવણી કરવામાં આવી હતી. આ પ્રક્રિયા કડક સુરક્ષા વ્યવસ્થા અને રેન્ડમાઇઝેશન પદ્ધતિથી હાથ ધરવામાં આવી હતી. ફાળવવામાં આવેલા EVM પૈકી, જામનગર મહાનગરપાલિકા માટે 747, જામનગર જિલ્લા પંચાયત માટે 808, જામનગર તાલુકા પંચાયત માટે 824 અને સિક્કા નગરપાલિકા માટે 31 EVMનો સમાવેશ થાય છે. જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડમાં 4,42,829 મતદારો માટે 414 મતદાન મથકો ગોઠવવામાં આવ્યા છે. જ્યારે જિલ્લા પંચાયતની 24 બેઠકો અને 6 તાલુકા પંચાયતની 112 બેઠકો માટે 712 મતદાન મથકો પર 5,26,569 મતદારો મતદાન કરશે. સિક્કા નગરપાલિકાના 7 વોર્ડમાં 22 મતદાન મથકો પર 19,409 મતદારો નોંધાયા છે. જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ, પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે પાર પાડવા માટે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મતદાન મથકો પર આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને સુરક્ષા વ્યવસ્થા પણ કડક બનાવવામાં આવી છે. EVM ફાળવણી પ્રક્રિયા દરમિયાન અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેકટર શારદા કાથડ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દીપા કોટક સહિત ચૂંટણીલક્ષી કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લીંબડીમાં 'SVEEP' અંતર્ગત મતદાર જાગૃતિ અભિયાન:રંગોળી અને સ્લોગન દ્વારા અનોખો સંદેશ અપાયો
લીંબડીમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદાનની ટકાવારી વધારવા અને નાગરિકોને મતાધિકાર પ્રત્યે જાગૃત કરવા વહીવટી તંત્ર દ્વારા વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ અંતર્ગત બી.આર.સી. ભવન લીંબડી દ્વારા તાલુકા કક્ષાના 'સ્વીપ' (SVEEP) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ડૉ. બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે યોજાયો હતો. ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે એક વિશાળ અને આકર્ષક રંગોળી તૈયાર કરવામાં આવી હતી, જે દ્વારા મતદાનનું મહત્વ કલાત્મક રીતે સમજાવવામાં આવ્યું હતું. બી.આર.સી. ભવનની ટીમે સ્ટેચ્યુ પરિસરમાં મતદાન અવશ્ય કરો અને અમારો મત, અમારો અધિકાર જેવા મતદાર જાગૃતિના સ્લોગન પણ લખ્યા હતા. આ સૂત્રો દ્વારા નાગરિકોને મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરાઈ હતી. ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ યોજાયેલા આ કાર્યક્રમે સ્થાનિકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. બી.આર.સી. કો-ઓર્ડિનેટરના માર્ગદર્શન હેઠળ શૈક્ષણિક સ્ટાફ અને સ્થાનિક જાગૃત નાગરિકોએ આ અભિયાનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક હોવાથી, બી.આર.સી. ભવન લીંબડી દ્વારા ગામડાઓ અને શહેરી વિસ્તારોમાં છેવાડાના મતદાર સુધી જાગૃતિ પહોંચાડવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મજબૂત લોકશાહી માટે 'શત પ્રતિશત મતદાન'ના સંકલ્પને સાકાર કરવાનો છે. ઉપસ્થિત સૌએ પોતે મતદાન કરવા અને અન્યોને પણ પ્રેરિત કરવાનો ઉત્સાહ દર્શાવ્યો હતો.
પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1 ના અપક્ષ ઉમેદવાર સુશીલ લીમ્બાચીયાની રેલીની મંજૂરી વહીવટીતંત્ર દ્વારા રદ કરવામાં આવી હતી. સુરક્ષા કારણોસર આ નિર્ણય લેવાયો હતો. મંજૂરી રદ થયા બાદ, તેમના સમર્થકો અને ખાસ કરીને મહિલાઓએ ડોર-ટુ-ડોર પ્રચાર કરીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં 44 કોર્પોરેટરો માટે ઉમેદવારો મેદાનમાં છે. આ પ્રચાર દરમિયાન, વોર્ડ નંબર 1 માં અપક્ષ ઉમેદવાર સુશીલ લીમ્બાચીયાએ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલી માટે વહીવટીતંત્રની પૂર્વ પરવાનગી લેવામાં આવી હતી. મોટી સંખ્યામાં સમર્થકો બાઈકો, ઊંટલારીઓ અને રિક્ષાઓ સાથે એકઠા થયા હતા. જોકે, રેલી શરૂ થાય તે પહેલાં જ વહીવટીતંત્ર દ્વારા તેની મંજૂરી રદ કરવામાં આવી. ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ અને સુરક્ષા કારણોસર આ નિર્ણય લેવાયો હોવાનું જણાવાયું હતું. મંજૂરી રદ થવા છતાં, સુશીલ લીમ્બાચીયાના સમર્થકોનો ઉત્સાહ જળવાઈ રહ્યો. રેલીની મનાઈ બાદ, ઉમેદવારની ગેરહાજરીમાં વોર્ડની મહિલાઓ અને કાર્યકરોએ પ્રચારની કમાન સંભાળી હતી. અસંખ્ય બાઈકો, રિક્ષાઓ અને બેનરો સાથે મહિલાઓએ વોર્ડ નંબર 1 માં ડોર-ટુ-ડોર પ્રચાર કર્યો. અપક્ષ ઉમેદવારના આ પ્રચાર અને જનસમર્થનને કારણે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોમાં ચિંતા જોવા મળી રહી છે. વહીવટીતંત્ર દ્વારા છેલ્લી ઘડીએ લેવાયેલા આ નિર્ણય અંગે શહેરમાં વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1 માં અપક્ષ ઉમેદવાર સુશીલ લીમ્બાચીયાએ આ અવરોધો વચ્ચે પણ પોતાની ઉપસ્થિતિ નોંધાવી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે જામનગર ભારતીય જનતા પાર્ટીમાં ભડકો થયો છે. પક્ષના સમર્પિત અને પાયાના કાર્યકરોએ શહેર સંગઠનની કાર્યપદ્ધતિ અને ટિકિટ ફાળવણી સામે બગાવતનો સૂર છેડ્યો છે. મૂળ ભાજપ'ના નામે લખાયેલા એક વિગતવાર પત્રમાં શહેર સંગઠન પર ગંભીર આક્ષેપો કરી, તેની નકલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના ઉચ્ચ નેતાઓને મોકલવામાં આવી છે. વિચારધારાની 'હત્યા' અને આયાતી ઉમેદવારોનો દબદબોનારાજ કાર્યકર્તાઓનો મુખ્ય આક્ષેપ છે કે જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે જાહેર કરાયેલા 56 ઉમેદવારોમાંથી 21 ઉમેદવારો મૂળ ભાજપના નથી આ વિશ્લેષણ મુજબ: પત્રમાં જણાવાયું છે કે જે કોંગ્રેસની ગુંડાગીરી સામે કાર્યકરો આજીવન લડ્યા, આજે તેમના જ પાપ ધોવા માટે અને તેમના ઝંડા ઉઠાવવા માટે મૂળ કાર્યકરોને આદેશ અપાઈ રહ્યા છે, જે 'વિચારધારાની હત્યા' સમાન છે. નિયમો માત્ર વફાદારો માટે? 'નવો પરિવારવાદ' ઊભો થયોકાર્યકરોએ પક્ષમાં ચાલી રહેલા બેવડા ધોરણો સામે પણ સવાલ ઉઠાવ્યા છે. પત્રમાં આક્ષેપ છે કે પક્ષના વરિષ્ઠ અને વફાદાર કાર્યકર્તાઓને 'ઉંમર અને ટર્મની મર્યાદા' જેવા નિયમો બતાવીને ઘરે બેસાડી દેવાયા છે. બીજી તરફ, અન્ય પક્ષમાંથી આવેલા નેતાઓના ભત્રીજાઓ અને સગા-સંબંધીઓને ટિકિટ આપીને પક્ષમાં 'નવો પરિવારવાદ' ઉભો કરવામાં આવ્યો છે. શહેર સંગઠન પર ગંભીર આક્ષેપોસંગઠનની વર્તમાન સ્થિતિને કાર્યકરોએ 'ખાનગી પેઢી' સાથે સરખાવી છે. શહેર પ્રમુખ અને તેમની ટીમ પર આકરા પ્રહારો કરતા જણાવાયું છે કે સંગઠનમાં નિષ્ઠાવાન કાર્યકરોને બદલે કોર્પોરેશનના મોટા કોન્ટ્રાક્ટરો અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વોનો પ્રભાવ વધી ગયો છે. શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા કોર્પોરેશનના સિક્યુરિટી કોન્ટ્રાક્ટર છે. અન્ય એક મહામંત્રી મૃગેશ દવે પર 'બોગસ તબીબ' તરીકે પ્રેક્ટિસ કરવાના ગંભીર આક્ષેપો અને ભૂતકાળમાં સસ્પેન્શનની કાર્યવાહી થઈ હોવાનો ઉલ્લેખ છે.ભાવેશ ઠુમ્મર સામે અગાઉ ખોટું આધારકાર્ડ રજૂ કરવાના મામલે શિસ્તભંગના પગલાં લેવાયા હોવા છતાં તેમને જવાબદારી સોંપાઈ છે. ચૂંટણી જીતવા 'આયાતી' ચહેરાઓનો સહારોપત્રમાં વોર્ડ વાઈઝ આયાતી ઉમેદવારોના નામ સાથેની યાદી બિડાણ તરીકે જોડી છે. જેમાં મૌન તોડવું એ પક્ષ પ્રત્યેની વફાદારીનારાજ જૂથે ચેતવણી આપી છે કે જો સંગઠનમાં તાત્કાલિક ધરખમ ફેરફાર કરવામાં નહીં આવે અને આ 'ભ્રષ્ટ' સંગઠનનું વિસર્જન નહીં કરાય, તો પાયાના કાર્યકરો નિષ્ક્રિય થઈ જશે. પત્રના અંતે લખ્યું છે કે, અમે પક્ષના શિસ્તબદ્ધ સૈનિક છીએ એટલે અત્યાર સુધી મૌન રહ્યા, પણ હવે મૌન રહીશું તો એ પક્ષ પ્રત્યેની ગદ્દારી ગણાશે. આ મામલે હવે પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વ શું પગલાં લે છે તેના પર સૌની મીટ મંડાણી છે.
સુરત શહેરમાં ચોમાસાના આગમન પૂર્વે જ વહીવટી તંત્રમાં ભારે હલચલ મચી ગઈ છે. દર વર્ષે હજારો પરિવારોને વિસ્થાપિત કરતું અને કરોડોની માલમિલકતને નુકસાન પહોંચાડતું ખાડી પૂર આ વર્ષે સુરતવાસીઓની ઊંઘ ન બગાડે તે માટે મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન મેદાનમાં ઉતર્યા છે. બેઠકમાં કમિશનરે તમામ ઝોનલ અધિકારીઓના ક્લાસ લીધા હતા અને અત્યાર સુધી થયેલી પ્રી-મોન્સૂન કામગીરીનો હિસાબ માગ્યો છે. કમિશનરે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો આગામી 48 કલાકમાં સંતોષકારક એક્શન રિપોર્ટ રજૂ કરવામાં નહીં આવે તો જવાબદાર અધિકારીઓ સામે કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. ખાડી સફાઈમાં વેઠ ઉતારનારા અધિકારીઓ સામે લાલ આંખસુરતની ભૌગોલિક રચનાને કારણે મીઠી ખાડી, કાંકરા ખાડી અને ભેદવાડ ખાડી જેવી જળવાહિનીઓ શહેરના મધ્યમાંથી પસાર થાય છે. ચોમાસા દરમિયાન જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદ પડે છે ત્યારે આ ખાડીઓ પોતાની ભયજનક સપાટી વટાવી જાય છે. કમિશનર એમ. નાગરાજને સમીક્ષા બેઠકમાં અવલોકન કર્યું હતું કે, ભૂતકાળમાં ખાડી સફાઈના નામે માત્ર કાગળ પર જ કામગીરી બતાવવામાં આવતી હતી, જેના પરિણામે સામાન્ય વરસાદમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. આધુનિક પોકલેન્ડ મશીનોનો ઉપયોગ વધારવા સૂચનાકમિશનરે આદેશ આપ્યો છે કે દરેક ઝોન સ્તરે ચાલી રહેલી સફાઈની કામગીરીનું વિડીયો શૂટિંગ અને ફોટોગ્રાફી સાથેનો રિપોર્ટ રજૂ કરવો. ખાસ કરીને ખાડીઓમાં જમા થયેલો વર્ષો જૂનો કાદવ અને વનસ્પતિને દૂર કરવા માટે આધુનિક પોકલેન્ડ મશીનોનો ઉપયોગ વધારવા સૂચના આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, ચોમાસું માથે છે ત્યારે હવે બેદરકારી માટે કોઈ સ્થાન નથી. ખાડીનું પાણી નદીમાં ઠલવાય તે પહેલા જ કુદરતી વહેણમાં અવરોધોસુરતના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં આવતા સણિયા હેમાદ, પરવત પાટિયા અને લિંબાયત જેવા વિસ્તારો માટે મીઠી ખાડી આશીર્વાદને બદલે અભિશાપ સાબિત થાય છે. આ અહેવાલમાં સૌથી ચોંકાવનારી વિગત એ છે કે, ખાડીનું પાણી નદીમાં ઠલવાય તે પહેલા જ કુદરતી વહેણમાં ગંભીર અવરોધો ઉભા થયા છે. મીંઢોળા નદીના પટમાં ફેલાયેલા અસંખ્ય ગેરકાયદે જિંગા તળાવોએ પાણીનો માર્ગ રોકી દીધો છે. ગેરકાયદે દબાણો હટાવવા માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ જ્યારે ખાડીનું પાણી મીંઢોળા નદીમાં જાય છે, ત્યારે આ જિંગા તળાવોના પાળાને કારણે પાણી પાછું મારે છે, જેને પરિણામે લિંબાયત અને પરવત પાટિયાની સોસાયટીઓમાં પાંચ-પાંચ ફૂટ પાણી ભરાઈ જાય છે. આ મામલે મ્યુનિસિપલ કમિશનરે સિંચાઈ વિભાગ સાથે સંકલન સાધીને અત્યંત કડક વલણ અપનાવ્યું છે. સિંચાઈ વિભાગ દ્વારા આ ગેરકાયદે દબાણો હટાવવા માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવાની ખાતરી અપાઈ છે, પરંતુ કમિશનરે આ પ્રક્રિયાને યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા જણાવ્યું છે. અધિકારીઓને 48 કલાકનું અલ્ટીમેટમકમિશનરના 48 કલાકના અલ્ટીમેટમને કારણે પાલિકાના વિવિધ ઝોનના ઇજનેરો અને આરોગ્ય વિભાગના અધિકારીઓમાં દોડધામ મચી ગઈ છે. રજાના દિવસોમાં પણ અધિકારીઓને ફિલ્ડમાં રહીને કામગીરી પૂર્ણ કરવા આદેશ અપાયા છે. પાલિકા આ વખતે માત્ર સફાઈ પર જ નહીં, પરંતુ ખાડીના કિનારે આવેલા ગેરકાયદે દબાણો અને જે તે સ્તરે થતા નિકાલ પર પણ નજર રાખી રહી છે. શું આ વર્ષે પૂરની તારાજી વેઠવી નહીં પડે?સણિયા હેમાદ અને પરવત પાટિયાના રહીશો દર વર્ષે ચોમાસામાં ભયના ઓથાર હેઠળ જીવે છે. પાલિકાના આ કડક વલણથી સ્થાનિકોમાં એક આશા જાગી છે કે કદાચ આ વર્ષે તેમને પૂરની તારાજી વેઠવી નહીં પડે. જોકે, સફળતાનો સંપૂર્ણ આધાર સિંચાઈ વિભાગ કેટલી ઝડપથી મીંઢોળા નદીમાંથી જિંગા તળાવો હટાવે છે તેના પર રહેલો છે. ખાડી પૂરનું એમ. નાગરાજને સીધું મોનિટરિંગ હાથમાં લીધુંઆગામી બે દિવસ સુરત મહાનગરપાલિકા માટે લિટમસ ટેસ્ટ સમાન છે. મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને જે રીતે સીધું મોનિટરિંગ હાથમાં લીધું છે, તે જોતા લાગે છે કે આ વખતે વહીવટી તંત્ર કોઈ પણ બાંધછોડ કરવાના મૂડમાં નથી. ખાડી પૂર એ સુરત માટે માત્ર કુદરતી આફત નથી, પરંતુ માનવસર્જિત અવરોધોનું પરિણામ પણ છે. જો આ દબાણો દૂર થશે અને ખાડી સફાઈ સુવ્યવસ્થિત થશે, તો જ સુરતવાસીઓ સુરક્ષિત ચોમાસાની આશા રાખી શકશે.
મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના મામલે જામીન મેળવવા માટે એક પ્રોફેસરે કરેલી અરજી હાઇકોર્ટે રદ કરી છે. આરોપી કોલેજનો પ્રોફેસર છે અને તેના પર જાતીય સતામણી અને વોટ્સએપ પર અયોગ્ય સંદેશા મોકલવા અને વિદ્યાર્થીની જોડેથી અયોગ્ય જાતીય માંગણી કરવાના આક્ષેપ છે. પીડિતા પાસેથી જાતીય માંગણીઓ કરવાનો આરોપહાઇકોર્ટે આદેશમાં રેકોર્ડ પરના દસ્તાવેજો તેમજ કલમ 183 હેઠળ પીડિતાના નિવેદન સહિત ચાર્જશીટનો ઉલ્લેખ કર્યો હતો અને નોંધ્યું હતું કે કોર્ટ જામીન આપવા માટે તૈયાર નથી. કેમ કે આ ગુનો ખૂબ જ ગંભીર છે. અરજદાર જે કોલેજમાં પ્રોફેસર છે, તેના પર પીડિતા પાસેથી જાતીય માંગણીઓ કરવાનો આરોપ છે. આરોપોને પ્રથમ દૃષ્ટિએ ચાર્જશીટના પેપર્સમાં સમર્થન મળે છે. ખાસ કરીને અરજદાર દ્વારા તેની ધરપકડના એક દિવસ પહેલા એટલે કે 25 નવેમ્બર, 2025 ના રોજ કોલેજના આચાર્યને સંબોધીને માફીપત્ર વાંચ્યો હતો. આ પત્રમાં અરજદારે તેના અયોગ્ય વર્તન અને પીડિત સહિત વિદ્યાર્થીઓ સાથે અયોગ્ય વાતચીત માટે માફી માંગી હતી. અરજદાર પીડિતાને તેની સાથે સંબંધ બાંધવા દબાણ કરતોહાઇકોર્ટે નોંધ્યું હતું કે, રેકોર્ડ પર મુકવામાં આવેલી ચેટ્સની નકલ સ્પષ્ટપણે દર્શાવે છે કે હાલના અરજદાર દ્વારા પીડિતાને અયોગ્ય માંગણીઓ કરવામાં આવી છે. એવું લાગે છે કે અરજદાર પીડિતાને તેની ચેમ્બરમાં આવવા દબાણ કરી રહ્યો હતો અને પીડિતાને તેની સાથે સંબંધ બાંધવા દબાણ કરી રહ્યો હતો. એવું પણ જણાય છે કે અરજદાર બીજા વિદ્યાર્થીનીને તેની ચેમ્બરમાં આવવા દબાણ કરી રહ્યો હતો જ્યાં વોટ્સએપ ચેટ્સ દર્શાવે છે કે અરજદાર દ્વારા કરવામાં આવેલા વોઇસ કોલ પછી સંબંધિત વિદ્યાર્થીનીએ તેનો મોબાઇલ નંબર બ્લોક કરી દીધો હતો. પીડિતાને અયોગ્ય રીતે સ્પર્શ પણ કર્યો હતોહાઇકોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે આ કોર્ટે BNSS ની કલમ 183 હેઠળ પીડિતાના નિવેદનનો પણ અભ્યાસ કર્યો છે અને એવું લાગે છે કે પીડિતા સ્પષ્ટપણે તેના એ નિવેદન પર અડગ છે, જે મૂળ તપાસ અધિકારી સમક્ષ નોંધવામાં આવ્યું હતું. કારણ કે, હાલના અરજદારે પીડિતા પાસેથી જાતીય તરફેણની માંગ કરી હતી અને તેણે પીડિતાને અયોગ્ય રીતે સ્પર્શ પણ કર્યો હતો. ફરિયાદીના નિવેદનનો અભ્યાસ કરતા પ્રથમ દૃષ્ટિએ, એવું લાગતું નથી કે ફરિયાદી સંપૂર્ણપણે હોસ્ટાઇલ થઈ ગઈ છે.
વેરાવળ નગરપાલિકા ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. વેરાવળમાં ભાજપ સામે અસંતોષનો ચરુ હવે વધુ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે. પહેલા સિંધી સમાજ અને હવે પ્રજાપતિ સમાજ પણ ખુલ્લેઆમ ભાજપ સામે બંડ પોકારી રહ્યો છે, જેના કારણે રાજકીય સમીકરણોમાં ભારે હલચલ સર્જાઈ છે. સમસ્ત સોરઠીયા પ્રજાપતિ સમાજ દ્વારા યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં ભાજપ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરી આવનારી નગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો બહિષ્કાર કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે. ટીકીટ ફાળવણીમાં સમાજની અવગણના થતા આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો હોવાનું આગેવાનો દ્વારા જણાવાયું હતું. મળતી માહિતી મુજબ, વેરાવળ પાલિકામાં દર વખતે વોર્ડ નંબર 1 અને 8માં પ્રજાપતિ સમાજને પ્રતિનિધિત્વ મળતું હતું, પરંતુ આ વખતે માત્ર વોર્ડ નંબર 1માં જ ટીકીટ ફાળવાતા વોર્ડ નંબર 8માં ટીકીટ કપાતા સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. વેરાવળ, પાટણ અને ભાલકા વિસ્તારના સમાજના હોદેદારોની બેઠકમાં ભાજપના “અન્યાય”નો જડબાતોડ જવાબ આપવાનો સંકલ્પ લેવાયો હતો. સમાજના અગ્રણીઓ—પ્રમુખ મનીષ વિસાવડીયા, ઉપપ્રમુખ શરદ ટાંક, સોમનાથ પ્રજાપતિ સમાજના પ્રમુખ વિજય દેવળીયા અને યુવા અગ્રણી જીગ્નેશ ટાંક સહિતના આગેવાનો દ્વારા ભાજપ સામે કડક નિવેદનો આપવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “ભાજપે અમારા સમાજની અવગણના કરી છે. આ અન્યાયનો જવાબ હવે મતદાનમાં આપવામાં આવશે અને સમાજ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે.” ઉલ્લેખનીય છે કે, વેરાવળ-સોમનાથ વિસ્તારમાં પ્રજાપતિ સમાજના અંદાજે 4 હજારથી વધુ મતદારો છે, જે ચૂંટણીમાં મહત્વપૂર્ણ ફેક્ટર બની શકે છે. આગળ સિંધી સમાજ અને હવે પ્રજાપતિ સમાજના ખુલ્લા વિરોધને કારણે ભાજપ માટે આવનારી ચૂંટણીમાં પડકારો વધ્યા છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, જો સમયસર ડેમેજ કન્ટ્રોલ નહીં કરવામાં આવે તો ભાજપને આ વખતે નગરપાલિકા ચૂંટણીમાં મોટો ઝટકો લાગી શકે છે. બીજી તરફ, આ સમગ્ર વિવાદ પાછળ જિલ્લા ભાજપના કેટલાક હોદેદારોની અંગત રાજનીતિ અને સ્વાર્થ જવાબદાર હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે, જેના કારણે પાર્ટી માટે આંતરિક વિસ્ફોટ જેવી સ્થિતિ સર્જાઈ છે. હવે જોવું રહ્યું કે ભાજપ આ અસંતોષને કઈ રીતે શાંત કરે છે કે પછી આ બળવો ચૂંટણી પરિણામોમાં મોટો ફેરફાર લાવે છે.
ગોધરાના બહુચર્ચિત રાયોટિંગ કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે. રિમાન્ડ પર રહેલા મુખ્ય આરોપી ઝાકીર ઝભ્ભાને સાથે રાખી પોલીસે તેના નિવાસસ્થાને મોબાઈલ ફોન શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે, મહત્વનો પુરાવો ગણાતો મોબાઈલ ફોન પોલીસને મળ્યો નથી. ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા આ કેસમાં, પોલીસે ઝાકીર ઝભ્ભાને કડક સુરક્ષા વચ્ચે પોલીસ સ્ટેશનથી ગોધરાના વાલી ફળિયા નં. ૩ સુધી પગપાળા લઈ જઈને તપાસ કરી હતી. પોલીસની આ કાર્યવાહી જોવા માટે સ્થાનિકોમાં પણ કુતૂહલ જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ઝાકીર ઝભ્ભા હાલ દસ દિવસના પોલીસ રિમાન્ડ પર છે. રિમાન્ડ દરમિયાન કરવામાં આવેલી સઘન પૂછપરછમાં ઝાકીરે કબૂલાત કરી હતી કે તેનો મોબાઈલ ફોન તેના ઘરે જ છે. આ નિવેદનના આધારે બી ડિવિઝન પોલીસની ટીમે આરોપીને સાથે રાખીને તેના નિવાસસ્થાને પંચોની હાજરીમાં વિગતવાર 'ઝડતી પંચનામું' કર્યું હતું. તપાસ બાદ પણ આરોપીના ઘરેથી તેનો મોબાઈલ ફોન મળી આવ્યો નથી. બી ડિવિઝન પોલીસ દ્વારા આ મામલે વધુ ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે. રિમાન્ડના બાકીના દિવસોમાં અન્ય કયા મોટા ખુલાસા થાય છે તેના પર સૌની નજર છે.
દેશમાં વીજ વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ટેક્નોલોજીથી સજ્જ કરવા માટે કેન્દ્ર સરકારે કમર કસી છે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (CEA) દ્વારા સ્માર્ટ મીટરના અમલીકરણ માટે નવી અને સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ ગાઈડલાઈન મુજબ, હવે દેશના તમામ વીજ ગ્રાહકોના ઘરે તબક્કાવાર પરંપરાગત મીટર હટાવીને સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. આ ફેરફાર માત્ર ટેકનિકલ નથી, પરંતુ ગ્રાહકોને આર્થિક રીતે સદ્ધર બનાવવા માટેનો એક મોટો પ્રયાસ છે. ખાસ વાત એ છે કે, સ્માર્ટ મીટર લાગ્યા બાદ ગ્રાહકે પૈસા પહેલા ભરવા (Prepaid) કે વપરાશ કર્યા પછી (Postpaid), તેનો નિર્ણય લેવાની સત્તા ગ્રાહકને સોંપવામાં આવી છે. જૂના મીટરોનું સ્થાન લેશે સ્માર્ટ ટેક્નોલોજીCEAના રિપોર્ટ અનુસાર, હાલના પરંપરાગત મીટરોને આધુનિક કોમ્યુનિકેશન સુવિધાવાળા સ્માર્ટ મીટર સાથે રિપ્લેસ કરવામાં આવશે. આ મીટરો માત્ર રીડિંગ જ નહીં લે, પરંતુ વીજ કંપની અને ગ્રાહક વચ્ચે ટુ-વે કોમ્યુનિકેશન સ્થાપિત કરશે. તેનાથી વીજ વપરાશ પર સચોટ નજર રાખી શકાશે અને બિલિંગમાં થતી ભૂલો કે, માનવીય હસ્તક્ષેપને કારણે થતી ફરિયાદોનો અંત આવશે. ગ્રાહકોને મોબાઈલ એપ દ્વારા રિયલ-ટાઈમ ડેટા મળશે, જેનાથી તેઓ જાણી શકશે કે કયા સમયે કેટલો વીજ વપરાશ થઈ રહ્યો છે. 46 લાખથી વધુ સ્માર્ટ મીટર કાર્યરતસ્માર્ટ મીટર સ્થાપિત કરવામાં ગુજરાત દેશના અન્ય રાજ્યોની સરખામણીએ અગ્રેસર રહ્યું છે. અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં 46 લાખથી વધુ ઘરોમાં સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત વિજ કંપની (DGVCL) ના કાર્યક્ષેત્રમાં આવતા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં 12 લાખ જેટલા મીટર લાગી ચૂક્યા છે. જો ઔદ્યોગિક હબ સુરતની વાત કરીએ તો, સુરત શહેર અને જિલ્લામાં જ 6 લાખથી વધુ સ્માર્ટ મીટર ગ્રાહકોના ઘરે ધબકી રહ્યા છે. આ આંકડો સૂચવે છે કે ગુજરાત ઝડપથી ડિજિટલ પાવર ગ્રીડ તરફ વધી રહ્યું છે. ગ્રાહકોની પસંદગી સર્વોપરી, મનોહર લાલ ખટ્ટરની સ્પષ્ટતાસ્માર્ટ મીટરને લઈને ગ્રાહકોમાં રહેલી મુંઝવણ દૂર કરતા કેન્દ્રિય ઊર્જા પ્રધાન મનોહર લાલ ખટ્ટરે જણાવ્યું હતું કે, ટેક્નોલોજી ગ્રાહકોની સુવિધા માટે છે, દબાણ માટે નહીં. નવી ગાઈડલાઈન મુજબ, સ્માર્ટ મીટર લાગ્યા પછી બિલિંગ પ્રક્રિયા કેવી રાખવી તે ગ્રાહક પોતે પસંદ કરશે. જો કોઈને પ્રીપેડ સિસ્ટમ પસંદ ન હોય, તો તે પોસ્ટપેડ સુવિધા ચાલુ રાખી શકશે. આ નિર્ણયથી વીજ કંપનીઓની મનસ્વીતા પર રોક લાગશે અને ગ્રાહકોને લોકશાહી ઢબે સેવાનો લાભ મળશે. બપોરના સમયે વીજ વપરાશ પર 60 પૈસાની મોટી રાહતગુજરાતના વીજ ગ્રાહકો માટે ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (GERC) દ્વારા એક આકર્ષક પ્રોત્સાહન જાહેર કરવામાં આવ્યું છે. નવી વ્યવસ્થા હેઠળ, સવારે 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન જે વીજ વપરાશ થશે, તેના પર પ્રતિ યુનિટ 60 પૈસાની સીધી છૂટ આપવામાં આવશે. આ 'ટાઈમ ઓફ ડે' ટેરિફનો હેતુ દિવસ દરમિયાન સોલર પાવરના મહત્તમ વપરાશને પ્રોત્સાહન આપવાનો અને ગ્રાહકોના બિલમાં ઘટાડો કરવાનો છે. પ્રીપેડ વિકલ્પ પસંદ કરનારને 3% વધારાનું વળતર મળશેજો કોઈ ગ્રાહક સ્માર્ટ મીટરમાં પ્રીપેડ મોડ એટલે કે 'પહેલા રિચાર્જ અને પછી વપરાશ'નો વિકલ્પ પસંદ કરે છે, તો તેને આર્થિક ફાયદો થશે. સરકારની યોજના મુજબ, પ્રીપેડ ગ્રાહકોને તેમના એનર્જી ચાર્જ પર 3% સુધીની વધારાની છૂટ આપવામાં આવશે. આ વ્યવસ્થાથી જે લોકો નિયમિત વીજ વપરાશનું બજેટ બનાવીને ચાલે છે, તેમને વાર્ષિક ધોરણે મોટી બચત થઈ શકે છે. વીજ કંપનીઓ હાલમાં આ ડિસ્કાઉન્ટ સિસ્ટમને સોફ્ટવેરમાં અપડેટ કરવાની કામગીરી કરી રહી છે. વીજ વિતરણ વ્યવસ્થામાં સ્માર્ટ મીટર કેમ અનિવાર્ય?નિષ્ણાતોના મતે, સ્માર્ટ મીટર એ ભવિષ્યની જરૂરિયાત છે. તેનાથી વીજ ચોરી અટકાવવામાં મદદ મળશે અને ગ્રીડ પર આવતા લોડનું મેનેજમેન્ટ સરળ બનશે. ઘણીવાર ગ્રાહકોને એવી ફરિયાદ હોય છે કે બિલમાં ભૂલ છે, પરંતુ સ્માર્ટ મીટરના ડેટા રિઅલ-ટાઇમ હોવાથી વિવાદની શક્યતા નહિવત રહેશે. વીજ કંપનીઓને મીટર રીડિંગ લેવા માટે ઘરે-ઘરે જવાની જરૂર નહીં પડે, જેનાથી ઓપરેશનલ ખર્ચ ઘટશે અને લાંબે ગાળે આ ફાયદો સસ્તા વીજ દર તરીકે ગ્રાહકોને જ મળશે.
ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ના પાંચમા પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને 562 વિદ્યાર્થીઓને સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી.ની પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલને માનદ ડોક્ટરેટની પદવીથી સન્માનિત કરાયા હતા. સાયબર સુરક્ષા અને ડિજિટલ ટ્રસ્ટ પર ભારરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુરક્ષાના બદલાતા પરિપ્રેક્ષ્યમાં જણાવ્યું હતું કે, આજના ડિજિટલ યુગમાં સુરક્ષા માત્ર ભૌતિક સીમાઓ પૂરતી સીમિત નથી. તેમણે સાયબર સુરક્ષા અને ડેટા પ્રોટેક્શનને ‘ડિજિટલ વિશ્વાસ’નો આધાર ગણાવતા કહ્યું કે, દેશને સાયબર ગુનાઓ સામે લડવા ટેકનિકલી સજ્જ પોલીસ અને ફોરેન્સિક નિષ્ણાતોની તાતી જરૂર છે. આ સાથે તેમણે સુરક્ષા સાધનોના ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવવા પર પણ ભાર મૂક્યો હતો. સુરક્ષામાં ‘સિલ્વર મેડલ’નું સ્થાન નથી: અજીત ડોવાલમાનદ ડોક્ટરેટ સ્વીકારતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલે યુવાનોને માર્મિક સંદેશ આપતા કહ્યું કે, સુરક્ષાના ક્ષેત્રમાં ‘સિલ્વર મેડલ’ જેવું કંઈ હોતું નથી—અહીં માત્ર જીત કે હાર જ હોય છે. તેમણે સુરક્ષા માટે દેશના મનોબળ અને જનજાગૃતિને ટેકનોલોજી જેટલા જ અનિવાર્ય ગણાવ્યા હતા. રાષ્ટ્ર નિર્માણ અને યુવા શક્તિરાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રધાનમંત્રીના વિઝનથી સ્થાપિત આ યુનિવર્સિટીના મહત્વને બિરદાવ્યું હતું, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને ‘રાષ્ટ્ર પ્રથમ’ના મંત્ર સાથે ‘વિકસિત ભારત @2047’ના લક્ષ્યને સાકાર કરવા આહવાન કર્યું હતું. સમારોહમાં ખાસ કરીને એન્જિનિયરિંગ અને સુરક્ષા ક્ષેત્રે દીકરીઓની સિદ્ધિઓને વિશેષરૂપે બિરદાવવામાં આવી હતી. સમારોહ દરમિયાન રાષ્ટ્રપતિએ રુદ્રાક્ષના છોડનું વાવેતર કર્યું હતું અને મહાત્મા ગાંધી તેમજ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમ રાષ્ટ્રીય સુરક્ષા, ટેકનોલોજી અને આત્મનિર્ભરતાના સમન્વયનું પ્રતીક બની રહ્યો.
બાલાસિનોર ડમ્પિંગ સાઇટ પર આગ ભભૂકી:આગને કારણે વિસ્તારમાં અફરાતફરી મચી, ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે
મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરપાલિકાની વેસ્ટ કચરાના નિકાલ માટેની ડમ્પિંગ સાઇટ પર અચાનક આગ લાગી છે. આગને કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ બાલાસિનોર નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તેઓએ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા. આગનું સ્વરૂપ વધુ ગંભીર બનતા લુણાવાડા નગરપાલિકાની ફાયર ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. આકસ્મિક આગની ઘટનાને પગલે નગરપાલિકાના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. તેઓએ પરિસ્થિતિ પર નજર રાખી હતી અને આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસો ચાલુ રાખવામાં આવ્યા છે.
રાજકોટનાં 52 વર્ષીય મીનાબેન ચોઈથરામ ખટ્ટર તા. 20 માર્ચના રોજ પોતાના ઘરે હતા. ત્યારે રાત્રે 9 વાગ્યા આસપાસ કેરોસીન છાંટીને પોતાની જાતે આગ લગાવી દીધી હતી જેના કારણે તેઓ શરીરે ગંભીર રીતે દાઝી જતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જો કે 25 દિવસની લાંબી સારવાર બાદ આજે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. મીનાબેનના પતિ હેમગઢવી હોલ પાસે દાળ-પકવાનની રેંકડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. બનાવના દિવસે ચેટીચાંદનો તહેવાર હોવાથી મીનાબેને તેમના પતિ પાસે રામનાથપરામાં આવેલા ઝૂલેલાલ મંદિરે દર્શન કરવા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે, પતિએ મીનાબેનને સાથે લઈ જવાને બદલે જણાવ્યું હતું કે, હું બાળકોને લઈને જઈશ, તારે આવવું નથી. પતિના આ જવાબથી મીનાબેનને લાગી આવ્યું હતું અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મીનાબેને બાથરૂમમાં જઈ પગલું ભર્યું હતું. મીનાબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. રાજકોટમાં અકસ્માતે ઘવાયેલ જેતપુરના વિજય મેરણનું મોત વિજય કાળુભાઈ મેરણ (ઉં.વ.38) તા.12.04.2026ના રોજ સાંજે 7 વાગ્યાં આસપાસ બાઈક લઈને મવડી કણકોટ રોડ પર જતા ત્યારે ડ્રિમ સિટી ચોકમાં પુરપાટ ઝડપે આવતી કારે બાઇકને હડફેટે લીધું હતું જેમાં બાઈક ચાલક વિજયભાઈને ગંભીર ઈજા પહોંચી હતી આ સમયે વિજયભાઈની ઓળખ થઈ ન હતી અને 108 મારફત તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ પછી તેમના પરિવારજનોનો સંપર્ક થતા તે જેતપુર ખાતે રહેતા હોવાનું સામે આવ્યું હતું. આજે સવારે 5.30 વાગ્યા આસપાસ વિજયભાઈએ સારવારમાં દમ તોડી દીધો હતો. વિજયભાઈને સંતાનમાં એક 20 વર્ષની દીકરી અને 12 વર્ષનો દીકરો છે. પોતે 2 ભાઈ અને 2 બહેનમાં નાના હતા. તેઓ રાજકોટના મવડીમાં આવેલ માર્વેલ મોલમાં નોકરી કરતા હતા. વિજયભાઈના અકાળે મોતથી બે સંતાને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક છવાયો હતો.
મોડાસાના વણીયાદ રોડ પર ટ્રકમાં આગ:આગથી ટ્રક સંપૂર્ણ બળીને ખાખ, કારણ હજુ અકબંધ
મોડાસાના વણીયાદ રોડ પર આજે એક ટ્રકમાં અચાનક આગ લાગી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે ટ્રક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, ટ્રકમાંથી પહેલા ધુમાડા નીકળતા દેખાયા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આખો ટ્રક આગની લપેટમાં આવી ગયો હતો. આ ઘટનાને કારણે વણીયાદ રોડ પર થોડા સમય માટે ટ્રાફિક જામ થયો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા અરવલ્લી જિલ્લાનું પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. શામળાજી નજીક આવેલી અણસોલ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા વાહનોનું રાઉન્ડ ધ ક્લોક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ચૂંટણીના માહોલ દરમિયાન પરપ્રાંતમાંથી વિદેશી દારૂ અને અન્ય માદક દ્રવ્યો ગુજરાતમાં ઘુસાડવાના પ્રયાસો થતા હોય છે. આવા ગેરકાયદેસર પદાર્થો રાજ્યમાં પ્રવેશી ન શકે તે સુનિશ્ચિત કરવા માટે પોલીસ દ્વારા આ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગુજરાત-રાજસ્થાન સરહદે આવેલી અણસોલ ચેકપોસ્ટ પરથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને હરિયાણા તરફથી હજારો વાહનો પસાર થાય છે. બુટલેગરો વિવિધ યુક્તિઓ અજમાવીને દારૂ સહિતના નશીલા પદાર્થો ગુજરાતમાં લાવવાનો પ્રયાસ કરતા હોય છે. આથી, ચેકપોસ્ટ પર આવતા-જતા નાના-મોટા તમામ વાહનોને રોકીને કડકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને અરવલ્લી પોલીસ તંત્ર તમામ સરહદી વિસ્તારો પર સતર્ક બન્યું છે અને કાયદો તથા વ્યવસ્થા જાળવવા માટે પ્રતિબદ્ધ છે.
પાટણ જિલ્લાના સમી તાલુકાની દુદાખા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી હમીર રાયસંગ ઠાકોરને ACBએ 70,000 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. 14 એપ્રિલ, 2026ના રોજ શંખેશ્વર ખાતેથી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી કોન્ટ્રાક્ટનો વ્યવસાય કરતા હોવાથી તેમને પુરણ કામ માટે માટીની જરૂરિયાત હતી. આ માટે તેમણે દુદાખા ગ્રામ પંચાયતના તલાટી હમીર ઠાકોરનો સંપર્ક કર્યો હતો. તલાટીએ તળાવમાંથી માટી લઈ જવા માટે જરૂરી પંચાયતનો ઠરાવ કરી આપવા બદલ 70,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી તેમણે પાટણ એ.સી.બી.નો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે, એ.સી.બી.એ શંખેશ્વરના રાધે શોપિંગ આર્કેડ ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ ટ્રેપ દરમિયાન, આરોપી તલાટીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને 70,000 રૂપિયાની લાંચની રકમ સ્વીકારતા જ એ.સી.બી.ની ટીમે તેમને સ્થળ પરથી ઝડપી લીધા હતા. એ.સી.બી.એ લાંચની તમામ રકમ રિકવર કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સફળ કાર્યવાહી પાટણ એ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. ગઢવી અને તેમની ટીમ દ્વારા મદદનીશ નિયામક કે.એચ. ગોહિલ તથા નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
ગીર સોમનાથ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ ખર્ચ પર નિયંત્રણ લાવવા કડક પગલાં લીધા છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ 26 એપ્રિલ, 2026ના રોજ યોજાવાની છે. આ ચૂંટણીઓમાં ઉમેદવારોના ખર્ચ પર અંકુશ લાવવા માટે જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજી વિગતવાર રેટ ચાર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ચૂંટણીમાં થતા બિનજરૂરી ખર્ચ અને મતદારોને પ્રભાવિત કરવાની પ્રવૃત્તિઓ પર રોક લગાવવાનો છે. તંત્ર દ્વારા આ પગલાંને ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને નિષ્પક્ષતા જાળવવા માટે મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યું છે. જાહેર કરાયેલા રેટ ચાર્ટ મુજબ, ભોજન વ્યવસ્થા માટે પણ મર્યાદા નક્કી કરવામાં આવી છે. મીઠાઈ અને ફરસાણ વગરની ભોજનની થાળીનો દર 120 રૂપિયા જ્યારે મીઠાઈ-ફરસાણ સાથેની થાળીનો દર 150 રૂપિયા નક્કી કરાયો છે. આ ઉપરાંત, ચા માટે 15 રૂપિયા, કોફી માટે 20 રૂપિયા અને ઠંડા પીણા માટે 20 રૂપિયાનો દર રાખવામાં આવ્યો છે. નાસ્તાની એક ડિશ માટે 50 રૂપિયા અને નાળિયેર પાણી માટે 55 રૂપિયાનો દર નિર્ધારિત કરાયો છે. ચૂંટણી પ્રચારમાં વધતા ડિજિટલ માધ્યમોના ઉપયોગને ધ્યાનમાં રાખીને, ફોટોગ્રાફી માટે પ્રતિ કલાક 900 રૂપિયા અને વિડીયોગ્રાફી માટે પ્રતિ કલાક 1500 રૂપિયાનો દર નક્કી કરવામાં આવ્યો છે. આ ખર્ચ મર્યાદા ઉપરાંત, વાહન વ્યવહાર અને અન્ય ચૂંટણીલક્ષી વ્યવસ્થાઓ માટે પણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ઉમેદવારોને સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, નક્કી કરેલા ધોરણો બહારનો કોઈપણ ખર્ચ આચાર સંહિતાના ભંગ તરીકે ગણવામાં આવશે. તંત્રનો ઉદ્દેશ્ય ચૂંટણીને ખર્ચાળ સ્પર્ધાને બદલે નીતિ આધારિત લોકશાહી પ્રક્રિયા બનાવવાનો છે. કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને આચાર સંહિતાનું સંપૂર્ણ પાલન કરવા અને કાયદો તથા વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા કડક સૂચના આપવામાં આવી હતી. તંત્રએ સ્પષ્ટ કર્યું કે કોઈપણ પ્રકારની અનિયમિતતા કે નિયમભંગ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ સહિત માર્ગ-મકાન વિભાગ, શિક્ષણ વિભાગ અને વાહન વ્યવહાર વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને પણ ખર્ચ અને નિયમોની સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી હતી. ચૂંટણી પહેલા જ ખર્ચ પર કાબૂ લાવવા માટે તંત્ર દ્વારા લેવાયેલા આ પગલાંથી રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા શરૂ થઈ છે. આ કાર્યવાહીથી ચૂંટણીમાં નાણાંનો પ્રભાવ ઘટશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
રાજકોટ શહેર માટે આ વર્ષે ઉનાળો આકરો હોવા છતાં પીવાના પાણીની કોઈ સમસ્યા સર્જાશે નહીં. છેલ્લા કેટલાક વર્ષોથી વરદાન સાબિત થયેલી 'સૌની' યોજનાને કારણે શહેરના મુખ્ય જળસ્ત્રોતો એવા આજી-1 અને ન્યારી-1 ડેમમાં નર્મદાના નીર ઠાલવવામાં આવતા હાલ જળસંકટના વાદળો વિખેરાઈ ગયા છે. સિંચાઈ વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ચોમાસા સુધી ચાલે તેટલો પર્યાપ્ત જળજથ્થો હાલ ઉપલબ્ધ છે. તાજેતરમાં જ આજી-1 ડેમને નર્મદાના નીરથી 100 ટકા ભરી દીધા બાદ પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું હતું. ન્યારી-1 ડેમમાં પણ સતત પાણીની આવક ચાલુ રાખવામાં આવી હતી. જોકે 25 ફૂટે છલકાતા ન્યારી-1 ડેમની સપાટી હાલ 23 ફૂટ સુધી પહોંચી ગઈ છે, એટલે કે આ જળાશય 80 ટકા જેટલું ભરાઈ ગયું હોવાથી ત્યાં પણ નર્મદાના નીરની આવક હાલ બંધ કરાઈ છે. વર્તમાન સ્થિતિએ આજી-1 ડેમમાં 90 ટકાથી વધુ અને ન્યારી-1માં 80 ટકા જેટલો જથ્થો છે. આ ઉપરાંત, શહેરની ત્રીજી જીવાદોરી સમાન ભાદર-1 ડેમમાં પણ ચોમાસા સુધી ચાલે તેટલું પીવાનું પાણી ઉપલબ્ધ છે. જો ભવિષ્યમાં જરૂર જણાય અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માગ કરવામાં આવશે, તો તુરંત જ 'સૌની' યોજના હેઠળ જળાશયોમાં ફરીથી પાણી ઠાલવવાની તૈયારી રાખવામાં આવી છે. આમ, રાજકોટીયનોને હવે ઉનાળામાં પીવાના પાણી બાબતે કોઈ મુશ્કેલી રહેશે નહીં. જંકશન પ્લોટ વિસ્તારમાં ડ્રેનેજની લાઈન લીકેજ થતા ગંદકીનું સામ્રાજ્ય, સ્થાનિકોમાં રોગચાળાનો ફય રાજકોટના જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલ કર્મભૂમિ એપાર્ટમેન્ટ પાસે છેલ્લા એક મહિનાથી ડ્રેનેજ લાઈન લીકેજ થવાની સમસ્યા સર્જાઈ છે. આ લીકેજને કારણે માર્ગો પર આખો દિવસ ગંદા પાણી અને ગંદકી ફેલાયેલી રહે છે, જેના પરિણામે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ પ્રસરી રહી છે. હાલ ઉનાળાની શરૂઆતમાં જ ગંદકીના કારણે મચ્છરો અને માખીઓનો ઉપદ્રવ વધતા ભયંકર રોગચાળો ફેલાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક રહીશો દ્વારા આ બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી અને દિવસેને દિવસે ગંદકીનું પ્રમાણ વધી રહ્યું છે. સામાજિક કાર્યકર્તા યોગેશ માખેચાના જણાવ્યા મુજબ, તંત્રની ઘોર બેદરકારીને કારણે નિર્દોષ નાગરિકોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું છે. એક મહિના જેટલો લાંબો સમય વીતી જવા છતાં ડ્રેનેજ લાઈનનું સમારકામ કરવામાં આવ્યું નથી, જે શાસકોની નિષ્ફળતા દર્શાવે છે. જો આ સમસ્યાનો તાત્કાલિક નિકાલ કરી લાઈન રીપેરીંગ કરવામાં નહીં આવે, તો આ વિસ્તારમાં ઝાડા-ઊલટી અને ટાઈફોઈડ જેવા પાણીજન્ય રોગો ફાટી નીકળવાની પૂરી શક્યતા છે. તેમજ સ્થાનિકોએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. રાજકોટની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેન્ગવેજ ટીચીંગને UGC એ સ્વાયત સંસ્થાનો દરજ્જો આપ્યો રાજકોટ સ્થિત પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેન્ગ્વેજ ટીચિંગ (ILT) ને University Grants Commission (યુજીસી) દ્વારા સ્વાયત્ત (Autonomous) દરજ્જો એનાયત કરવામાં આવ્યો છે. આ દરજ્જો શૈક્ષણિક વર્ષ 2026-27 થી 2030-31 સુધીના 5 વર્ષ માટે માન્ય રહેશે. યુજીસીની દિલ્હીની બેઠકમા સ્ટેન્ડિંગ કમિટીની ભલામણને સ્વીકારીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિદ્ધિ સંસ્થાના આચાર્ય અને અધ્યાપકોના ગુણવત્તાસભર શિક્ષણ, શૈક્ષણિક નવીનતા અને સતત વિકાસ માટેના પ્રયત્નોની માન્યતા છે. સ્વાયત્ત દરજ્જો મળવાથી ILT B.Ed. કોલેજના વિદ્યાર્થીઓને વિશેષ લાભો મળશે. જેમાં અપડેટેડ અભ્યાસક્રમ - NEP 2020 મુજબ નવીન કોર્સિસ 2026 થી અમલમાં આવશે. કૌશલ્ય આધારિત શિક્ષણ - પ્રેકિટકલ, ઇન્ટર્નશિપ અને પ્રોજેકટ આધારિત અભ્યાસ કરાવાશે. કોલેજની પોતાની સ્વતંત્ર પરીક્ષા પદ્ધતિ – સમયસર પરિણામ અને પારદર્શક મૂલ્યાંકન થશે. આ ઉપરાંત મલ્ટી-ડિસિપ્લિનરી અભ્યાસની તક ઊભી થશે. આ સાથે જ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહયોગની તકો ઊભી થશે. એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ (ABC) નો લાભ મળશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માર્કશીટ અને ડિગ્રી વિદ્યાર્થીઓને મળશે. જ્યારે સંસ્થાને થતા લાભોમા સંસ્થા હવે પોતાનો સિલેબસ, પરીક્ષા અને મૂલ્યાંકન પદ્ધતિ સ્વતંત્ર રીતે નક્કી કરી શકશે. નવા ડિપ્લોમા, સર્ટિફિકેટ અને ડિગ્રી પ્રોગ્રામ્સ શરૂ કરવાની તક રહેશે. શોધ અને નવીનતામાં વધારો થશે. NAAC ગ્રેડિંગ અને ગુણવત્તા સુધારણામાં વધુ ગતિ આવશે. NEP 2020 મુજબ મલ્ટિડિસિપ્લિનરી યુનિવર્સિટી બનવાની દિશામાં આગળ વધશે.
અમદાવાદ એસ.ઓ.જી. (SOG) ક્રાઈમ બ્રાન્ચે બાપુનગર વિસ્તારમાં દરોડો પાડી નકલી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ₹500ના દરની 133 નકલી નોટો અને પ્રિન્ટિંગ સામગ્રી સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આ કૌભાંડનું મૂળ સુરેન્દ્રનગરના લીંબડી સુધી લંબાયેલું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. બાતમીના આધારે દરોડો અને મુદ્દામાલની જપ્તીSOGની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ગુજરાત હાઉસિંગ બોર્ડના એક મકાનમાં નકલી નોટો કાપવાની કામગીરી ચાલી રહી છે. આ બાતમીના આધારે દરોડો પાડી પોલીસે ભાવેશ મકવાણા, અનિલ અશ્વાર અને જીતેન્દ્ર પ્રજાપતિને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ₹500ના દરની 133 નકલી નોટો, પ્રિન્ટ કરેલી નોટોની આખી શીટ્સ, નોટો કાપવા માટેના સાધનો અને અન્ય મુદ્દામાલ જપ્ત કરાયો છે. દેવું ચૂકવવા બનાવ્યો નકલી નોટોનો પ્લાનપૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે કે મુખ્ય આરોપી અનિલ મોરબીમાં સિરામિકનો વેપાર કરતો હતો. ધંધામાં ₹30 લાખનું દેવું થઈ જતાં તેણે રાતોરાત રૂપિયા કમાવવા માટે પોતાના મિત્રો સાથે મળીને આ ગુનાહિત રસ્તો અપનાવ્યો હતો. ભાવેશે તેની મુલાકાત લીંબડીના રાહુલ ઉર્ફે કાલિયા સાથે કરાવી હતી, જેણે ઝેરોક્ષ મશીન પર આ નોટો પ્રિન્ટ કરી આપી હતી. ફરાર આરોપી રાહુલની શોધખોળઝડપાયેલા તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હાલમાં પોલીસ ફરાર આરોપી રાહુલની શોધખોળ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સુરતથી ₹2.5 કરોડની નકલી નોટો ઝડપી હતી, જેનું કનેક્શન છેક ચાઈના સુધી ખૂલ્યું હતું, ત્યારે આ નવી ગેંગની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ની ટીમે અમરેલી જિલ્લાના દામનગરમાં દારૂના કટિંગ પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં કુલ 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે દારૂ, વાહનો અને રોકડ સહિત કુલ રૂ. 57.89 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. SMC ટીમને આર.કે. કરમટાના નેતૃત્વ હેઠળ દામનગરમાં દારૂનું કટિંગ થવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે લાઠી તાલુકાના દામનગર નજીક આવેલા શ્રી સહજાનંદ ગુરુકુળ પાસેના એક ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન, 7,686 વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી, જેની કિંમત આશરે રૂ. 16.91 લાખ થાય છે. આ ઉપરાંત, પોલીસે રૂ. 40.40 લાખની કિંમતના 4 વાહનો, રૂ. 55,000ની કિંમતના 7 મોબાઈલ ફોન અને રૂ 3,240 રોકડા પણ જપ્ત કર્યા હતા. આમ, કુલ રૂ 57,89,864નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં કૌશિક કાવો ભરતભાઈ ગોહિલ, વિષ્ણુપરી હિંમતપુરી ગૌસ્વામી, સિકંદર ભાભા કાળુભાઈ પઠાણ, જયેશ જગજીવન જાદવ, હરિહર દીપકભાઈ ભાટ અને સ્વરૂપ ચીટુ દશરથભાઈ ગાવીતનો સમાવેશ થાય છે. આ આરોપીઓમાં દારૂના રીસીવર, ટ્રક ડ્રાઈવર અને ક્લીનરનો સમાવેશ થાય છે. આ કેસમાં વિરાજ પ્રવીણચંદ્ર રાણા સહિત અન્ય 6 આરોપીઓ હજુ ફરાર છે, જેમાં મુખ્ય સપ્લાયર અને વિવિધ વાહનોના માલિકોનો સમાવેશ થાય છે. પોલીસે ફરાર આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
સુરત મનપાની આગામી ચૂંટણી પૂર્વે શહેરના પોશ વિસ્તાર ગણાતા વેશુ-ભરથાણામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વેશુની ખ્યાતનામ આશીર્વાદ વિલા કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહીશોએ તંત્ર અને શાસકો સામે મોરચો માંડ્યો છે. 20 વર્ષથી પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં મારતા રહીશોએ આ વખતે મક્કમ નિર્ધાર સાથે સોસાયટીની બહાર 'NO VOTE, NO ENTRY' ના બેનરો લગાવી દીધા છે, જેના કારણે પ્રચાર માટે આવતા નેતાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પૂર્વ MLA અને ઉમેદવાર હિમાંશુને નારાજગીનો સામનો કરવો પડ્યોચૂંટણી પ્રચાર માટે વિસ્તારમાં નીકળેલા પૂર્વ ધારાસભ્ય વિવેક પટેલ અને વર્તમાન ઉમેદવાર હિમાંશુ રાહુલજીને આજે આશીર્વાદ વિલામાં ભારે નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. રહીશોએ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી સમયે વાયદા કરવા આવતા નેતાઓ જીત્યા પછી મોઢું બતાવતા નથી. 'સમસ્યાઓનો ઉકેલ નહીં આવે, ત્યાં સુધી સોસાયટીમાં પગ મૂકવો નહીં'સ્થાનિકોએ નેતાઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે, જ્યાં સુધી અમારી સમસ્યાઓનો ઉકેલ નહીં આવે, ત્યાં સુધી સોસાયટીમાં પગ મૂકવો નહીં. નેતાઓએ રહીશોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ રોષે ભરાયેલા લોકોએ એકપણ વાત સાંભળવાનો ઇનકાર કરી દીધો હતો. 20 વર્ષથી માત્ર અસુવિધાઓ, ટાઉન પ્લાનિંગના નામે છેતરાયાનો આક્ષેપસોસાયટી દ્વારા લગાવવામાં આવેલા બેનરમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. રહીશોનું કહેવું છે કે છેલ્લા 20 વર્ષથી તેઓ એકતરફી મતદાન કરીને શાસક પક્ષને ખોબે-ખોબે મત આપતા આવ્યા છે. જોકે, બદલામાં તેમને માત્ર હાડમારી જ મળી છે. ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમના નામે વર્ષોથી માત્ર અસુવિધાઓ જ ભોગવવી પડી છે. રહીશોએ જણાવ્યું કે, તેમની જીવાદોરી સમાન મુખ્ય રોડ અને ગાર્ડન જેવી પાયાની જરૂરિયાતો રિઝર્વેશનમાંથી છીનવીને અન્યને અલોટ કરી દેવામાં આવી છે, જે સીધો અન્યાય છે. ગેટ પર જે બેનર લગાવવામાં આવ્યા છે તેમાં લખ્યું છે કે, 2500થી વધુ રહીશો દ્વારા ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કારઆશીર્વાદ વિલા સોસાયટીમાં અંદાજે 2500થી વધુ રહીશો વસવાટ કરે છે. સોસાયટીના તમામ સભ્યોએ સર્વાનુમતે નિર્ણય લીધો છે કે આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં તેઓ મતદાન પ્રક્રિયાથી અળગા રહેશે. રહીશોએ જણાવ્યું કે, અમે દર વખતે લોકશાહીના પર્વમાં ભાગ લઈએ છીએ, પરંતુ અમારી પાયાની જરૂરિયાતો પ્રત્યે તંત્ર અને રાજકીય પક્ષો ઉદાસીન છે. જો અમને સુવિધા ન મળતી હોય તો અમારો કિંમતી મત આપવાનો કોઈ અર્થ નથી. આટલી મોટી સંખ્યામાં લોકોના બહિષ્કારથી વોર્ડ નંબર 22 ના ચૂંટણી સમીકરણો બગડી શકે તેમ છે. 'NO VOTE NO ENTRY': નેતાઓ માટે સોસાયટીના દ્વાર બંધસોસાયટીના ગેટ પર જ મોટા અક્ષરે 'NO VOTE NO ENTRY' ના બેનરો લગાવી દેવામાં આવ્યા છે. જેમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે કોઈપણ રાજકીય પક્ષના નેતા કે કાર્યકર્તાએ પ્રચાર માટે સોસાયટીની અંદર પ્રવેશ કરવો નહીં. મહાનગરપાલિકા દ્વારા છેલ્લા બે દાયકાથી આપવામાં આવતી આનાકાની અને હેરાનગતિથી કંટાળીને આ આખરી પગલું ભરવામાં આવ્યું છે. આ વિરોધ માત્ર એક સોસાયટી પૂરતો મર્યાદિત ન રહેતા આસપાસના વિસ્તારોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. તંત્રની ઉદાસીનતા સામે રહીશોનો આક્રોશસ્થાનિકોનો મુખ્ય રોષ સુરત મહાનગરપાલિકા (SMC) સામે પણ છે. રહીશોનું કહેવું છે કે ટેક્સ નિયમિત ભરવા છતાં તેમને રોડ-રસ્તા અને બગીચા જેવી પાયાની સુવિધાઓ માટે આંદોલન કરવું પડે છે. 2007 માં રજીસ્ટર થયેલી આ સોસાયટી આજે 2026 માં પણ પોતાની હકની સુવિધાઓ માટે લડી રહી છે. હવે જોવાનું એ રહેશે કે 2500 મતદારોનો આ હુંકાર સત્તાધીશોની ઊંઘ ઉડાડે છે કે પછી આ વખતે પણ આશ્વાસનો આપીને મામલો થાળે પાડવામાં આવે છે.
હારીજ શહેરમાં દુકાનોના વેચાણ અંગે નાણાં ન ચૂકવી, તાળા તોડી ગેરકાયદે કબજો જમાવવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ત્રણ શખ્સો વિરુદ્ધ હારીજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટના એસ.આર. પેટ્રોલ પંપ સામે આવેલી અંબેશ્વર રેસીડેન્સીની દુકાનોને લઈને બની છે. હારીજના જલારામ પાર્ક ખાતે રહેતા અને જમીન લે-વેચ તથા કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા બાબુ ઈશ્વર ઠક્કરે આ અંગે ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે, હારીજમાં સર્વે નંબર 293/11 પૈકી 1 ની મિલકત પર આવેલી અંબેશ્વર રેસીડેન્સીમાં તેમણે મકાનો અને દુકાનો બનાવી છે. વર્ષ 2020માં રમેશ અમરત રબારી, હાર્દિક જયરામ રબારી અને હિરેન જયરામ રબારીએ દુકાન નંબર 3, 4 અને 5 રાખવાનું નક્કી કર્યું હતું. આ ત્રણ દુકાનોની કુલ કિંમત રૂપિયા 29,43,000 નક્કી થઈ હતી. આરોપીઓએ વર્ષ 2025 સુધીમાં ટુકડે-ટુકડે રૂપિયા 12,00,000 ચૂકવ્યા હતા, પરંતુ બાકી નીકળતી રકમ ચૂકવી ન હતી. ફરિયાદીએ બાકી રકમની ઉઘરાણી કરી દસ્તાવેજ કરી આપવાની શરત રાખી હતી, છતાં આરોપીઓએ નાણાં ચૂકવ્યા નહોતા. ગત તારીખ 20/02/2026 ના રોજ આરોપીઓએ સાઈટ પર આવી ગેરવર્તણૂક કરી હતી. ત્યારબાદ 21/02/2026 ના રોજ બપોરના સમયે હાર્દિક અને હિરેન રબારી લાકડી જેવા હથિયારો સાથે અંબેશ્વર રેસીડેન્સીની દુકાન નંબર 3, 4 અને 5 ના તાળા તોડી ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. તેમણે પોતાના તાળા મારી દીધા હતા અને હાજર સાહેદોની રૂબરૂમાં ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. આ મામલે ફરિયાદીએ સામાજિક રીતે સમાધાનના પ્રયત્નો કર્યા હતા, પરંતુ આરોપી રમેશ રબારી અને હાર્દિક રબારીએ ફરિયાદીના પાર્ટનર ભાર્ગવ દેસાઈને વોટ્સએપ પર બિભત્સ ગાળો અને ધમકી આપતા ઓડિયો રેકોર્ડિંગ મોકલ્યા હતા. અંતે, બાબુ ઠક્કરે રમેશ અમરત રબારી, હાર્દિક જયરામ રબારી અને હિરેન જયરામ રબારી વિરુદ્ધ હારીજ પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ 351(3), 296(b), 329(3), 54 તથા જી.પી.એ. એક્ટની કલમ 135 હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડ જિલ્લાના ડુંગરી પોલીસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ પરથી લોખંડની પ્લેટો ચોરનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ચોરી ખજુરડી ગામ પાસે થઈ હતી. પોલીસે તેમની પાસેથી બોલેરો કેમ્પર ગાડી સહિત કુલ રૂ. 6.14 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીથી વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીનો ગુનો ઉકેલાયો છે. ડુંગરી P I યુ એચ પટેલના નેતૃત્વમાં ડુંગરી પોલીસની ટીમ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે ડુંગરી ઓવરબ્રિજ પાસે એક શંકાસ્પદ બ્રાઉન કલરની મહિન્દ્રા બોલેરો કેમ્પર ગાડી અટકાવી હતી. ગાડીની તલાશી લેતા તેમાંથી લોખંડની ભારે પ્લેટો મળી આવી હતી. ચાલકોની કડક પૂછપરછ કરતા તેમણે કબૂલાત કરી હતી કે, આ પ્લેટો ખજુરડી ગામે બુલેટ ટ્રેનના પિલર નંબર 204 P02 પાસેથી ચોરી કરી હતી. ઝડપાયેલા આરોપીઓમાં સુભાષકુમાર શ્રવણકુમાર (ઉંમર 25, હાલ રહે. નવસારી અને દેવેન્દ્ર જગદીશ પુરી (ઉંમર 25, હાલ રહે. નવસારી નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી 21 નંગ લોખંડની પ્લેટો (વજન 1235 કિલો, કિંમત રૂ. 74,100), એક મહિન્દ્રા બોલેરો કેમ્પર (કિંમત 5 લાખ અને બે મોબાઈલ ફોન (કિંમત 40 હજાર) સહિત કુલ રૂ. 6.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2), 54 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નેશનલ 'ફાયર સર્વિસ ડે':નિર્મળનગર ફાયર સ્ટેશનથી શરૂ થઈ વાઘાવાડી રોડ સુધી ફાયર બ્રિગેડની રેલી પસાર થઈ
દેશભરમાં દર વર્ષે 14મી એપ્રિલને 'નેશનલ ફાયર સર્વિસ ડે' તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસના માનમાં ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા નાગરિકોમાં આગના અકસ્માતો સામે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી શહેરના મુખ્ય માર્ગો પર અદ્યતન વાહનો અને સાધનો સાથે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહીદોને શ્રદ્ધાંજલિ અને ઐતિહાસિક મહત્વરેલીના પ્રારંભ પૂર્વે નિર્મળનગર સ્થિત ફાયર સ્ટેશન ખાતે ફરજ દરમિયાન શહીદ થયેલા ફાયર ફાઈટરોને પુષ્પાંજલિ અર્પણ કરી મૌન પાળવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, 14 એપ્રિલ 1944ના રોજ મુંબઈ બંદરે થયેલા ભીષણ વિસ્ફોટમાં અનેક જવાનોએ જીવ ગુમાવ્યા હતા, જેમની યાદમાં દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અદ્યતન કાફલા સાથે શહેરના માર્ગો પર જનજાગૃતિફાયર વિભાગના કાફલામાં સામેલ તમામ નાના-મોટા અદ્યતન વાહનો સાયરનના નાદ સાથે માર્ગો પર ઉતર્યા હતા. હાઈડ્રોલિક પ્લેટફોર્મ, હેવી બ્રાઉઝર, વોટર ટેન્ક, ફોમ ટેન્ડર, રેસ્ક્યુ વાન અને એમ્બ્યુલન્સ સાથે નિર્મળનગર ફાયર સ્ટેશનથી શરૂ થઈ નીલમબાગ, પાનવાડી, જશોનાથ ચોક, ક્રેસન્ટ સર્કલ, ઘોઘા સર્કલ અને વાઘાવાડી રોડ સહિતના શહેરના વિવિધ વિસ્તારોમાં આ રેલી પસાર થઈ હતી.
રાજપીપળા: નર્મદા પંચકોષી પરિક્રમા તેના અંતિમ ચરણમાં છે અને આગામી અમાસના દિવસે પૂર્ણ થશે. છેલ્લા શનિવાર, રવિવાર અને સોમવારની રજાઓમાં, જેમાં આંબેડકર જયંતિની પૂર્વ રાત્રિનો પણ સમાવેશ થાય છે, અંદાજે દોઢ લાખ જેટલા પરિક્રમાવાસીઓ નોંધાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં કુલ પરિક્રમાવાસીઓની સંખ્યા આઠ લાખ સુધી પહોંચી છે. વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થતાં પરિક્રમાવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં ભક્તો રાત્રિના સમયે પણ પરિક્રમા કરવા ઉમટી પડ્યા હતા, જેના કારણે પાર્કિંગ સ્થળો પણ ભરાઈ ગયા હતા. ભીડને નિયંત્રિત કરવા માટે પોલીસે પરિક્રમાવાસીઓને થોડા-થોડા અંતરે રોકીને આગળ વધવા દીધા હતા. આ દરમિયાન કેટલાક સ્થળોએ લોકો વચ્ચે ઘર્ષણના બનાવો પણ બન્યા હતા. જોકે, પોલીસે સમયસર હસ્તક્ષેપ કરીને પરિસ્થિતિને થાળે પાડી હતી અને કોઈ અનિચ્છનીય ઘટના બનવા દીધી ન હતી. પરિક્રમા પૂર્ણતાના આરે હોવાથી છેલ્લા દિવસોમાં ભક્તોની ભીડ વધુ રહેવાની શક્યતા છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ હોવાથી વહીવટી તંત્ર અને સુરક્ષા માટે તૈનાત કરાયેલા સરકારી કર્મચારીઓને ચૂંટણી ફરજ પર મૂકવામાં આવ્યા છે. હાલમાં નર્મદા પોલીસ દ્વારા પરિક્રમાની સુરક્ષા વ્યવસ્થા સંભાળવામાં આવી રહી છે, અને ભક્તો શ્રદ્ધાપૂર્વક પોતાની પરિક્રમા પૂર્ણ કરી રહ્યા છે.
શું તમારા ખિસ્સામાં રહેલા પૈસાની કિંમત આજે બદલાઈ જશે? આ સવાલ એટલા માટે કારણ કે આજે વોશિંગ્ટનમાં મોટો ખેલ ખેલાવાનો છે. 1948 પછી પહેલીવાર ઈઝરાયલ અને લેબનોન એક ટેબલ પર બેસવાના છે અને યુદ્ધ રોકવા અમેરિકા મધ્યસ્થી કરશે. જો આ બેઠક સક્સેસફુલી પૂરી થઈ જશે તો ઈરાનના સમર્થનવાળા હિઝબુલ્લાહનો લેબનોનમાંથી સફાયો બોલી શકે તેમ છે. ઈસ્લામાબાદમાં જે ઈઝરાયલ ઈરાનની યુદ્ધ રોકવાની મીટિંગ હતી તે ફેલ થઈ ગઈ છે. જેના કારણે હોર્મુઝમાં અમેરિકા અને ઈઝરાયલના જહાજોના થપ્પા લાગી ગયા છે. ટેન્શન વધતા ક્રૂડ ઓઈલની કિંમતો પણ વધી છે અને ભારત સહિત દુનિયાના દેશોમાં પણ બની શકે કે પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવ વધી શકે. આ વાત જાણવી આપણા માટે એટલા માટે જરૂરી છે કારણ કે આપણા ખિસ્સાને સીધી અસર કરી જાય છે. નમસ્કાર... 14 એપ્રિલ, 2026. આજે વિશ્વની નજર બે મોટા શહેરો પર ટકેલી છે પાકિસ્તાનનું ઇસ્લામાબાદ અને અમેરિકાનું વોશિંગ્ટન. ઇસ્લામાબાદમાં ઇસ્લામાબાદ ટોક્સ મુજબ ઈઝરાયલ અને ઈરાનનું યુદ્ધ રોકવા ન્યૂક્લિયર ડિપ્લોમસી ચાલી, જો કે ફેલ ગઈ પણ હજુ આગળ ચાલી રહી છે તેવા સમાચાર છે જેથી યુદ્ધ રોકી શકાય. આ મીટિંગમાં પ્રોબ્લમ છે ટાઈમ. અમેરિકા ઈરાન પાસે 20 વર્ષના ન્યૂક્લિયર ફ્રીઝની માંગ કરી રહ્યું છે, જ્યારે ઈરાન માત્ર 5 વર્ષની ઓફર આપીને અડી ગયું છે. અમેરિકાએ કહી દીધું 20 વર્ષથી ઓછું કંઇ ના ખપે અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે ઇસ્લામાબાદમાં સ્પષ્ટ કહી દીધું છે કે ટ્રમ્પ સરકાર માટે 20 વર્ષથી ઓછો કોઈપણ સમયગાળો સ્વીકાર્ય નથી. આ માંગ પાછળનું તર્ક ઊંડું છે. અમેરિકા ઈચ્છે છે કે 20 વર્ષના લાંબા ગાળામાં ઈરાનની વર્તમાન સેન્ટ્રિફ્યુજ ટેકનોલોજી એટલી હદે જૂની થઈ જાય કે જ્યારે આ સમયગાળો પૂરો થાય ત્યારે ઈરાન માટે ફરીથી ન્યૂક્લિયર એન્રિચમેન્ટ કરવું ટેકનિકલી અશક્ય થઈ જાય. આ સિવાય, વોશિંગ્ટન એવી ગણતરી કરી રહ્યું છે કે આવનાર બે દાયકામાં ઈરાનમાં પેઢીગત પરિવર્તન આવશે, જે કદાચ પરમાણુ શસ્ત્રો પ્રત્યેના વલણને કાયમી ધોરણે બદલી નાખશે. ઓફર પાછળનું ગણિત પણ સમજો અમેરિકાની 20 વર્ષની ઓફરમાં જનરલ લાયસન્સ Hનું રિસ્ટોરેશન એક મોટી લાલચ છે. આ લાઇસન્સ હેઠળ અમેરિકન કંપનીઓની સબસિડિયરીઝ ઈરાનના ગેસ ફિલ્ડ્સને મોડર્નાઈઝ કરી શકશે. ઈરાન અત્યારે જૂની ટેકનોલોજીને કારણે તેના 40% ગેસનું ઉત્પાદન ગુમાવી રહ્યું છે. 5 વર્ષની ડીલમાં અમેરિકા આ ટેકનોલોજી ટ્રાન્સફર કરવા તૈયાર નથી, જે ઈરાન માટે સૌથી મોટું નુકસાન છે. પણ તેહરાન માટે આ રાષ્ટ્રીય સાર્વભૌમત્વનું સમર્પણ છે. ઈરાને ઓફર કરેલા 5 વર્ષના સમયગાળા પાછળની ગણતરી એવી છે કે તેઓ તાત્કાલિક પ્રતિબંધોમાંથી મુક્તિ મેળવી પોતાની અર્થવ્યવસ્થાને શ્વાસ લેવાની જગ્યા આપવા માંગે છે, જ્યારે પોતાની ન્યૂક્લિયર ક્ષમતાને કાયમી ધોરણે નષ્ટ કરવા માંગતા નથી. 12 એપ્રિલના રોજ જ્યારે 21 કલાકની મેરેથોન મંત્રણાઓ નિષ્ફળ ગઈ, ત્યારે વિશ્વએ તેની સૌથી ભયાનક અસર જોઈ... અમેરિકાએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર નૌકાકાફલો ગોઠવીને ઈરાનની આર્થિક નાકાબંધી શરૂ કરી દીધી છે. અમેરિકાની દરિયાઈ નાકાબંધી ખાલી તેલ રોકવા માટે નથી, પણ તે ઈરાનના પેટ્રોકેમિકલ અને એગ્રીકલ્ચર સેક્ટરને પણ નિશાન બનાવવાનો પ્લાન કરી રહી છે. કેટલાક મુદ્દાઓ પર ઇરાન ટસનું મસ નહીં સમયગાળા સિવાય, બીજો મોટો પ્રોબ્લમ ઈરાનના સ્ટોકપાઈલ એટલે કે સંવર્ધિત યુરેનિયમના જથ્થાનો છે. અમેરિકાની માંગ છે કે ઈરાન તેની ધરતી પરથી તમામ સંવર્ધિત યુરેનિયમ હટાવીને કોઈ ત્રીજા દેશ જેમ કે રશિયા અથવા ચીનને સોંપી દે. ઈરાન આ માટે સ્પષ્ટ મનાઈ કરી રહ્યું છે. તેઓ માત્ર જથ્થાને મંદ કરવાની તૈયારી બતાવી રહ્યા છે. આ પરિસ્થિતિએ પરમાણુ મડાગાંઠને વધુ અઘરી બનાવી દીધી છે. અમેરિકાને ડર છે કે જો યુરેનિયમ ઈરાનની ધરતી પર રહેશે, તો કોઈપણ કટોકટીમાં ઈરાન થોડા જ અઠવાડિયામાં બોમ્બ બનાવવાની કેપેસિટી હાંસલ કરી શકે છે. વાત બનશે નહીં તો દુનિયાએ ભોગવવું પડશે આ ડિપ્લોમેટિક નિષ્ફળતાની સૌથી મોટી કિંમત અત્યારે દુનિયાની સામાન્ય જનતા ચૂકવી રહી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, જે વિશ્વના તેલ વેપારની મુખ્ય ધમની છે, ત્યાં અમેરિકન નૌકાદળની હાજરી અને ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ IRGCની ઘેરાબંધીએ ક્રૂડ ઓઈલના ભાવને ભડકાવ્યા છે. આજે તેલના ભાવ 8% થી વધુ ઉછળીને $104.43 પ્રતિ બેરલ પર પહોંચી ગયા છે. માર્કેટ એનાલિસ્ટ્સ માની રહ્યા છે કે જો ઇસ્લામાબાદ ટોક્સમાં 21 એપ્રિલ સુધીમાં કોઈ મિડલ નંબર જેમ કે 10 કે 12 વર્ષ પર ઈરાન અને અમેરિકા વચ્ચે સંમતિ નહીં સધાય, તો તેલના ભાવ $120 ને પાર કરી શકે છે. આ માત્ર ઈરાન માટે જ નહીં, પણ ભારત જેવા દેશો માટે ફુગાવાનું નવું મોજું લાવી શકે છે. ઈરાનનો દાવો છે કે તેઓ હોર્મુઝને એક ડેડલી વોર્ટેક્સમાં ફેરવી નાખશે, જેનો અર્થ છે કે કોઈપણ લશ્કરી હિલચાલ વૈશ્વિક સપ્લાય ચેઈનને કાયમી ધોરણે ખોરવી શકે છે. ઇરાન માટે અસ્તિત્વની લડાઇ ઈરાન માટે આ મંત્રણાઓ માત્ર રાજનીતિ નથી, પરંતુ અસ્તિત્વની લડાઈ છે. 2026ના આંકડા મુજબ, ઈરાની રિયાલ અમેરિકન ડોલર સામે 10 લાખને પાર કરી ગયો છે. ફુગાવો 40% થી ઉપર છે. અમેરિકાની નાકાબંધીને કારણે ઈરાનને દર મહિને અંદાજે $13 અબજનું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. ઈરાનમાં અત્યારે ફુગાવો એટલો વધ્યો છે કે જીવનજરૂરી ચીજોના ભાવમાં દર અઠવાડિયે 15-20% નો વધારો થઈ રહ્યો છે. જો આ નાકાબંધી વધુ બે અઠવાડિયા ચાલશે, તો ઈરાનની સેન્ટ્રલ બેંક પાસે વિદેશી હૂંડિયામણની અછતને કારણે ઇમ્પોર્ટ ક્રેડિટ આપવાની કેપેસિટી ખતમ થઈ જશે. અમેરિકાની વ્યૂહરચના અહીં ગાજર અને લાકડીની છે. જો ઈરાન 20 વર્ષની શરત માને છે, તો તેને આશરે $1 ટ્રિલિયનના GDP ફાયદાની ઓફર કરવામાં આવી છે. આમાં અમેરિકન ટેકનોલોજી, એવિએશન અને એનર્જી સેક્ટરમાં મોટા રોકાણો પણ સામેલ થાય છે. પણ ઈરાનનો ઇતિહાસ તેને આ લાંબા ગાળાના વાયદાઓ પર વિશ્વાસ કરવા દેતો નથી. કારણ કે તેમને ડર છે કે જો તેઓ 20 વર્ષ માટે હથિયાર હેઠા મૂકશે, તો મધ્યમાં કોઈ નવો અમેરિકન રાષ્ટ્રપતિ ફરીથી આ સમજૂતી તોડી શકે છે. 2018માં ટ્રમ્પ આવું કરી ચૂક્યા છે. 21 એપ્રિલની ડેડલાઈન પર સૌની નજર આ સંકટમાં પાકિસ્તાન, ઈજિપ્ત અને તુર્કી અત્યારે શાંતિ દૂતની ભૂમિકા ભજવી રહ્યા છે. ઇસ્લામાબાદમાં બીજી રાઉન્ડની વાતચીતની તૈયારીઓ થઈ રહી છે. તેમનો મેઈન મોટિવ 21 એપ્રિલના સીઝફાયર ડેડલાઈન પહેલા બંને પક્ષોને કોઈ મધ્ય માર્ગ પર લાવવાનો છે. જો આ મધ્યસ્થી ફેલ જાય તો પશ્ચિમ એશિયામાં એક એવું મહાયુદ્ધ ફાટી નીકળશે જેની આંચ સીધી દુનિયા પર પડવાની છે. આ તો થઈ ઇસ્લામાબાદની વાત, પણ આજની સૌથી મોટી બ્રેકિંગ સ્ટોરી વોશિંગ્ટનમાં આકાર લઈ રહી છે. ભારત રશિયા પાસેથી તેલ લે છે કે ઈરાન પાસેથી, તેની અસર કરતા વધુ મોટી અસર આજે રાત્રે 8:30 વાગ્યે ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે થનારી બેઠકની પડશે. આ બેઠક શા માટે હિઝબુલ્લા અને ઈરાન માટે મૃત્યુઘંટ સાબિત થઈ શકે છે. ઈઝરાયેલના રાજદૂત યેચિલ લીટર અને લેબનોનના રાજદૂત નાદા હમાદેહ મોઆવદ આમને-સામને બેસવાના છે. 1948 પછીના દાયકાઓમાં આ પ્રથમ એવી તક છે જ્યારે આ બંને દેશો પરોક્ષ સંદેશાઓ છોડીને સીધી ડિપ્લોમસી કરી રહ્યા છે રાજદ્વારી નિષ્ણાતો આ બેઠકને 1979ના ઈજિપ્ત-ઈઝરાયેલ શાંતિ કરાર સાથે સરખાવી રહ્યા છે. જે રીતે ત્યારે ઈજિપ્ત આરબ જગતમાં ઈઝરાયેલને માન્યતા આપનાર પ્રથમ દેશ બન્યો હતો, તેમ આજે લેબનોન પણ ઈરાનના ખેમામાંથી છૂટું પડીને પોતાનો સ્વતંત્ર રસ્તો શોધી રહ્યું છે. લેબનોન માટે આ બેઠક મજબૂરી આ બેઠકની સફળતાનો સીધો અર્થ એ છે કે લેબનોન હવે ઈરાનના પ્રોક્સી વોર અને ગ્રુપ હિઝબુલ્લાહનું મેદાન બનવા તૈયાર નથી. લેબનોન માટે આ કોઈ શોખ નથી, પણ મજબૂરી છે. દેશ આર્થિક રીતે તહસ-નહસ થઈ ચૂક્યો છે અને માર્ચ મહિનાથી ચાલી રહેલા ઈઝરાયેલી હુમલામાં 2,000 થી વધુ નાગરિકોના મોત થયા છે. અને 10 લાખથી વધુ લોકોને ઘર છોડીને સેફ જગ્યા પર જવું પડ્યું છે. બેરૂત હવે જાણે છે કે જો તે ઈરાન અને હિઝબુલ્લાના ભરોસે રહેશે, તો લેબનોન નકશા પરથી ભૂંસાઈ જશે. અમેરિકામાં થનાર ઈઝરાયલ અને લેબનોનની આ બેઠક હિઝબુલ્લા માટે ત્રણ દિશામાં ઘાતક સાબિત થવાની છે. એક્સપર્ટ્સ તેને પોલિટિકલ ડેકેપિટેશન કહી રહ્યા છે: 1) સોવેર્નિટી પરનો વીટો ખતમ દાયકાઓથી લેબનોનમાં યુદ્ધ અને શાંતિના નિર્ણયો હિઝબુલ્લા લેતું હતું, લેબનોન સરકાર નહીં. આજે જ્યારે લેબનોનના સત્તાવાર રાજદૂત વોશિંગ્ટનમાં ઈઝરાયેલ સામે બેસે છે, ત્યારે લેબનોન કેબિનેટ એ સંદેશ આપી રહી છે કે રાજ્ય હવે સર્વોપરી છે, કોઈ મિલિશિયા ગ્રુપ નહીં. 2) લિટાની બફર અને હથિયાર હેઠા મૂકવા: ઈઝરાયેલની મુખ્ય માંગ છે કે યુએન ઠરાવ 1701નું કડક પાલન થાય. જે મુજબ હિઝબુલ્લાએ લિટાની નદીની ઉત્તરે હટી જવું પડશે. અમેરિકા આ વખતે માત્ર કાગળ પરની ખાતરી નથી માંગતું, પરંતુ એક ઇન્ટરનેશનલ એન્ફોર્સમેન્ટ ટાસ્ક ફોર્સ બનાવવાની તૈયારી કરી રહ્યું છે જે હિઝબુલ્લાના હથિયારના જથ્થા પર સીધા હુમલા કરી શકશે. 3) ગઝા-ઈરાન ફ્રન્ટથી અલગાવ: અત્યાર સુધી હિઝબુલ્લા એમ કહીને હુમલા કરતું હતું કે જ્યાં સુધી ગઝામાં યુદ્ધ ચાલશે ત્યાં સુધી અમે લડતા રહીશું. આજના વોશિંગ્ટન ટ્રેકનો ઉદ્દેશ્ય લેબનોનને આ યુનિટી ઓફ ફ્રન્ટ્સમાંથી તોડવાનો છે. જો લેબનોન અલગથી યુદ્ધવિરામ કરે છે, તો હિઝબુલ્લા બનાવવાનો મેઈન મોટિવ કે તર્ક જ ખતમ થઈ જશે. તો હિઝબુલ્લાહનો સફાયો નક્કી આ મીટિંગ પહેલા બેરૂતમાં લેબનોન કેબિનેટે એક ખૂબ જ મહત્વનો આદેશ આપ્યો છે કે બેરૂતમાં હથિયારો માત્ર સરકારી સંસ્થાઓ પાસે જ રહેશે. આ સીધો હિઝબુલ્લાના નેતા નાઈમ કાસેમ માટે પડકાર છે. હિઝબુલ્લા અત્યારે પોતાના ઈતિહાસના સૌથી નબળા તબક્કે છે. 2025ના ઓપરેશન મિડનાઈટ હેમરમાં તેમની સૈન્ય તાકાતને જે ફટકો પડ્યો છે, તેના કારણે તેમની અંદર પણ ભાગલા પડ્યા છે. વોશિંગ્ટન આજે લેબનોનને માત્ર શાંતિ નથી આપી રહ્યું, પણ એક ઈકોનોમિક લાઈફલાઈન આપી રહ્યું છે. જો આ વાટાઘાટો સફળ થાય છે તો... ગ્લોબલ એનર્જી માર્કેટ માટે 14 એપ્રિલ રાતે 8:30નો સમય મેક ઓર બ્રેક જેવો છે. $104 પર ટ્રેડ કરતું ક્રૂડ ઓઈલ વોશિંગ્ટનમાંથી આવતા એક પોઝિટિવ સિગ્નલથી $10-$15 ગબડી શકે છે. બીજી બાજુ, જો આ મીટિંગમાં કોઈ સહમતી નહીં સધાય, તો હિઝબુલ્લા 21 એપ્રિલની ડેડલાઈન પહેલા ઈઝરાયેલ પર મોટો હુમલો કરીને આ ડિપ્લોમેટિક ટ્રેકને તોડવાનો પ્રયાસ કરશે. ઈરાન માટે લેબનોન એ તેની ફર્સ્ટ લાઈન ઓફ ડિફેન્સ છે. હિઝબુલ્લા ઈરાનનું સૌથી મજબૂત પ્રોક્સી છે. જો લેબનોન ઈઝરાયેલ સાથે હાથ મિલાવે છે, તો ઈરાનનો ઈઝરાયેલને ઘેરી લેવાની રણનીતિનો સૌથી મજબૂત છેડો તૂટી જશે. આનાથી ઈરાન ઇસ્લામાબાદની પરમાણુ મંત્રણામાં એકલું પડી જશે. તેની પાસે રહેલું સૌથી મોટું લિવરેજ એટલે કે હિઝબુલ્લાની મદદથી યુદ્ધ છેડવાની ધમકી ખતમ થઈ જશે. અમેરિકા માને છે કે 2015નો કરાર એક શોર્ટ-ટર્મ બેન્ડ-એઇડ હતો. 2015ના કરારની મર્યાદાઓ 10 થી 15 વર્ષમાં ખતમ થવાની હતી. 2026માં આ મર્યાદાઓ હવે ઈરાનને ફરીથી સંવર્ધન માટે રસ્તો સાફ કરી રહી છે. એટલે, હવે 20 વર્ષનો યુનિફોર્મ ફ્રીઝ માંગવામાં આવી રહ્યો છે. જૂના કરારમાં મિસાઈલ ટેકનોલોજી પર કોઈ નિયંત્રણ નહોતું. 2026ના નવા પ્રસ્તાવમાં નેક્સસ ક્લોઝ ઉમેરાયો છે, જે મુજબ ઈરાને ન્યુક્લિયર ફ્રીઝની સાથે લાંબા અંતરની મિસાઈલ ટેસ્ટિંગ પણ બંધ કરવી પડશે. અગાઉ IAEAને લશ્કરી થાણાઓ પર જવા માટે 24 દિવસની લાંબી પ્રોસેસ કરવી પડતી હતી. હવે અમેરિકા ઇન્સ્ટન્ટ એટલે કે માત્ર 24 કલાકની નોટિસ પર કોઈપણ સ્થળની તપાસ કરવાની સત્તા માંગી રહ્યું છે. 2015માં પ્રતિબંધો હટતા જે અબજો ડોલર ઈરાનને મળ્યા, તેનો ઉપયોગ હિઝબુલ્લા અને હૂતીઓ માટે થયો. આ વખતે અમેરિકા રીજનલ નોન-એગ્રેશન પેક્ટની શરત મૂકી રહ્યું છે. અગાઉ ઈરાનને પોતાની ધરતી પર લિમિટેડ ન્યૂક્લિયર સંવર્ધનની છૂટ હતી. હવે અમેરિકા રિજનલ ફ્યુઅલ બેન્કનો આગ્રહ રાખે છે, જેથી ઈરાનને બહારથી ન્યુક્લિયર ફ્યુઅલ મળે પણ તે પોતે ક્યારેય યુરેનિયમ સંવર્ધિત ન કરી શકે. આ સંઘર્ષ માત્ર મિસાઈલોનો નથી, પણ બે વિરોધી વિચારધારાઓના નેતાઓની માનસિકતાનો છે. આપણે અલી ખામૈની અને બેન્જામિન નેતન્યાહુની માનસિકતા સમજીએ. બેન્જામિન નેતન્યાહુ: તેઓ અત્યારે ટોટલ વિક્ટ્રીના મૂડમાં છે. તેમનો ઉદ્દેશ્ય 2023 પહેલાની સ્થિતિમાં પાછા ફરવાનો નથી. તેઓ ઈચ્છે છે કે તેમનો વારસો એવો હોય કે તેમણે ઈરાનના પ્રોક્સી નેટવર્કને કાયમી ધોરણે તોડી નાખ્યું. આથી જ તેઓ અમેરિકા પર દબાણ કરી રહ્યા છે કે 20 વર્ષની શરતથી એક પણ ઇંચ પાછળ ન હટવું. મોજતબા ખામૈની: 86 વર્ષની વયે પોતાની પિતાની હત્યા તેમના માટે મોટો આઘાત છે અને બદલાની આગ પણ છે. સમાચારો મુજબ તે ભલે સર્વૌચ્ચ નેતા બની ગયા પણ આજની તારીખે પણ નિર્ણયો ઈરાની સેના જ લઈ રહી છે. 2018માં ટ્રમ્પે જે રીતે કરાર તોડ્યો હતો, તે તેમના માટે એક મોટો ટ્રોમા હતો. તેઓ અમેરિકાને ભરોસાપાત્ર માનતા નથી. 5 વર્ષની ઓફર પાછળ તેમનો તર્ક એવો છે કે 2029માં અમેરિકામાં નવી સરકાર આવશે, ત્યારે તેમની પાસે ફરીથી ન્યુક્લિયર લિવરેજ હોવું જોઈએ. આ પૂરી જીઓપોલિટિકલ ગેમનો તાર અમેરિકાની આંતરિક રાજનીતિ સાથે પણ જોડાયેલો છે. 3 નવેમ્બર 2026ના રોજ અમેરિકામાં મિડ-ટર્મ ઇલેક્શન છે. ટ્રમ્પ વહીવટીતંત્ર માટે આ યુદ્ધ એક બેધારી તલવાર છે. એકબાજુ પીસ થ્રુ સ્ટ્રેન્થની છબી છે, તો બીજી બાજુ $104 પ્રતિ બેરલ તેલના ભાવે સામાન્ય અમેરિકન મતદારોના ખિસ્સા પર ભાર મૂક્યો છે. જો વોશિંગ્ટનમાં આજે રાત્રે 8:30 વાગ્યે ઈઝરાયેલ-લેબનોન વચ્ચે કોઈ બ્રેકથ્રુ મળે છે, તો ટ્રમ્પ સરકાર તેને પોતાની મોટી જીત તરીકે રજૂ કરશે. અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો માટે આ એક મોટી મુસિબત છે કે ગમે તેમ કરીને તેમને ઈઝરાયલ અને લેબનોન વચ્ચે સમાધાન કરાવવાનું છે. જે તેમને 2026ની ચૂંટણીમાં પણ મોટો ફાયદો કરાવી શકે છે. જો નવેમ્બર 2026 ની ચૂંટણી પહેલા વધેલા ભાવ કે મોંઘવારી નીચે નહીં આવે, તો ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ ગુમાવી શકે છે. આ જ કારણ છે કે જેડી વેન્સ ઇસ્લામાબાદમાં આક્રમક હોવા છતાં, અંદરખાને એક મિડલ ગ્રાઉન્ડ શોધી રહ્યા છે. ઈઝરાયેલ-લેબનોનએ ટ્રમ્પ માટે એક એક્ઝિટ પ્લાન છે. જો લેબનોનમાં શાંતિ થાય, તો તેઓ દાવો કરી શકશે કે મિડલ ઈસ્ટમાં યુદ્ધ પૂરું થઈ ગયું છે, જે તેલના ભાવ ઘટાડવા માટે પૂરતું હશે. અને તે યુદ્ધ મેં એટલે કે ટ્રમ્પે કરાવ્યું છે. ભારત જેવા દેશો માટે આ સંઘર્ષના બે પાસા છે. ટૂંકા ગાળે તેલના વધતા ભાવ ફુગાવો વધારશે, પરંતુ જો લાંબા ગાળે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે કોઈ સ્થિર સમજૂતી થાય છે, તો તે ગ્લોબલ સપ્લાય ચેઈન અને એનર્જી સિક્યુરિટી માટે વરદાન સાબિત થશે. અને છેલ્લે… યુદ્ધવિરામ વચ્ચે આજે લેબનોન અને ઈઝરાયલ વચ્ચે ઐતિહાસિક મીટિંગ થશે. બે દિવસ પછી અમેરિકા-ઈરાન ફરી મીટિંગ કરવાના છે. 21 એપ્રિલની ડેડલાઇન પહેલાં બધા મીટિંગ-મીટિંગ રમે છે. જો આ બન્ને મીટિંગ પણ ફેલ ગઇ તો દુનિયાનું અર્થતંત્ર વેન્ટિલેટર પર આવી જશે એ નક્કી છે. જો કે એક વાત એ પણ છે કે, આવી કોઇ એકાદ બે મીટિંગોથી આવા વિવાદનો હલ આવતો નથી. સોમવારથી શુક્રવાર રોજ રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર (રિસર્ચ- સમીર પરમાર)
સુરતના કતારગામ વિસ્તારમાં એક વેપારી પાસે તેમનું નવું બાંધકામ અટકાવી દેવાની ધમકી આપી 20 લાખ રૂપિયાની ખંડણી માંગવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સહજાનંદ સોસાયટીના ઉપપ્રમુખે પોતાની વગનો ઉપયોગ કરી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજીઓ કરી બાંધકામ અટકાવ્યા બાદ વેપારી પાસેથી નાણાં પડાવ્યા હતા. આ મામલે ચોકબજાર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. સોસાયટીના લેટરપેડનો દુરુપયોગવેડરોડ પર રહેતા 60 વર્ષીય વેપારી મનસુખભાઇ પાનસુરીયાએ પોતાની જર્જરિત મિલકત પર મે-2025થી નવું બાંધકામ શરૂ કર્યું હતું. આ દરમિયાન સોસાયટીના ઉપપ્રમુખ પ્રશાંત કાનજીભાઇ કાછડીયાએ બાંધકામને ગેરકાયદે ગણાવી સોસાયટીના લેટરપેડ પર કતારગામ ઝોન કચેરીમાં અરજીઓ કરી હતી. SMCએ આ અરજીઓના આધારે કામ અટકાવી દેતા આરોપીએ બાંધકામ ફરી શરૂ કરવાના બદલામાં 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી. ધમકાવીને 50 હજાર પડાવ્યાગઈ તા. 7 એપ્રિલ 2026ના રોજ આરોપીએ વેપારીના પુત્ર રવિને શ્યામવાડી ગેટ પાસે બોલાવી ધમકાવ્યો હતો અને તેની પાસેથી બળજબરીપૂર્વક 50,000 રૂપિયા પડાવી લીધા હતા. આ સાથે જ બાકીના 19.50 લાખ રૂપિયા તા. 10 એપ્રિલ સુધીમાં આપી દેવા અલ્ટીમેટમ આપ્યું હતું. આ સમગ્ર વ્યવહારનો વીડિયો પણ પુરાવા તરીકે સામે આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરીવેપારીએ આરોપીની માથાભારે છબીને કારણે શરૂઆતમાં ડર અનુભવ્યો હતો, પરંતુ અંતે પરિવારની સમજાવટથી ચોકબજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે આરોપી પ્રશાંત કાછડીયા વિરુદ્ધ BNS ની કલમ 308(2) હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિજયકુમાર ડોડીયાએ આ કેસની તપાસ હાથ ધરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
વડોદરા શહેરમાં વિદેશ મોકલવાના બહાને છેતરપિંડીનો એક અન્ય બનાવ સામે આવ્યો છે. કેનેડાના વિઝા અપાવવાની લાલચ આપી એક એજન્ટે યુવક પાસેથી તબક્કાવાર 17.09 લાખ રૂપિયા પડાવી લીધા બાદ ખોટા દસ્તાવેજો આપ્યા હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર મામલે યુવક દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. કેનેડા માટે વર્ક પરમિટ વિઝા કરાવી આપવાનું કહીને 17 લાખ પડાવ્યાવડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં રહેતા ભાવીન જંયતીલાલ અંકોલા (ઉંમર 31), જે પાદરા ખાતે એક ફાર્મા કંપનીમાં નોકરી કરે છે, તેમણે વિદેશ જવાની ઈચ્છા ધરાવતા હતાં. ફેબ્રુઆરી 2023 દરમિયાન તેમના મિત્ર મારફતે કારેલીબાગ સ્થિત અક્ષર ફોરેન એજ્યુકેશન નામની એજન્સી સાથે સંપર્ક સાધ્યો હતો. ભાવીનએ તબક્કાવાર રૂપિયાની ચુકવણી કરી હતીઆ એજન્સીના સંચાલક અતિત જિતેન્દ્ર બારોટે કેનેડા માટે વર્ક પરમિટ વિઝા કરાવી આપવાની ખાતરી આપી તેમની પાસેથી રૂપિયા 17.09 લાખમાં કામ કરવાની વાત કરી હતી. ત્યારબાદ ભાવીન અંકોલાએ તબક્કાવાર રૂપિયાની ચુકવણી શરૂ કરી હતી. તેમણે પ્રથમ 4 ફેબ્રુઆરીના રોજ રૂ.1 લાખ અને 27 ફેબ્રુઆરીના રોજ રૂ.2 લાખના ચેક આપ્યા હતા. બાદમાં 29 સપ્ટેમ્બરના રોજ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન દ્વારા રૂ.8 લાખ અને ફેબ્રુઆરી 2024 દરમિયાન વિઝા પ્રોસેસ ફી તરીકે રૂ.1.97 લાખ આરટીજીએસ મારફતે ચૂકવ્યા હતા. આમ મળીને આરોપીને અંદાજે રૂ.17.97 લાખ આપવામાં આવ્યા હતા. LMIA લેટર સહિતના દસ્તાવેજ ખોટાઆ દરમિયાન આરોપીએ ભાવીનને કેનેડાની CNRL કંપનીનું LMIA લેટર મોકલી વિશ્વાસમાં લીધા હતા. પરંતુ આ લેટર પર શંકા જતા ભાવીને પોતાના ઇમેઇલ દ્વારા કેનેડાની કંપનીને સંપર્ક કરતા એવો કોઈ LMIA લેટર તેઓએ જારી કર્યો નથી અને આપેલા દસ્તાવેજ પણ ખોટો છે. અતીત બારોટે ખોટા દસ્તાવેજો તૈયાર કરી વિદેશ મોકલવાના બહાને રૂપિયા પડાવી લીધા હોવાનો ઘટસ્ફોટ થયો હતો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરાના નંદેસરી પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરીંગ સેલ (SMC) દ્વારા કરવામાં આવેલી મોટી રેડના મામલે વધુ એક સફળતા મળી છે. કરોડો રૂપિયાના દારૂના જથ્થાના કેસમાં છેલ્લા કેટલાક સમયથી વોન્ટેડ અને લાલુ સિંધી ગેંગના સક્રિય સભ્ય સુનિલ ઉર્ફે અદાને SMCની ટીમે હરિયાણાના ગુડગાંવથી દબોચી લીધો છે. શું હતો સમગ્ર બનાવ?ગત 29 માર્ચ, 2026ના રોજ સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે વડોદરાના રઢીયાપુરા ગામે એક ઓપરેશન પાર પાડ્યું હતું. આ દરોડા દરમિયાન પોલીસે ₹43 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વાહનો અને અન્ય સામગ્રી મળી કુલ ₹1.40 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સ્થળ પરથી લિસ્ટેડ બુટલેગર મનોજ ઉર્ફે પાપડ સહિત 6 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આ નેટવર્ક સાથે જોડાયેલા લાલુ સિંધી, સુનિલ ઉર્ફે અદો અને કાલુ ટોપી સહિત 11 આરોપીઓના નામ ખુલ્યા હતા, જેમને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરાયા હતા. ગુડગાંવમાં સંતાયો હતો મુખ્ય સૂત્રધારદારૂના આ મોટા નેટવર્કમાં સુનિલ ઉર્ફે અદો અને લાલુ સિંધી મુખ્ય કડી હોવાનું સામે આવ્યું હતું. ધરપકડથી બચવા સુનિલ સતત લોકેશન બદલી રહ્યો હતો. અંતે તે હરિયાણાના ગુડગાંવમાં હોવાની ચોક્કસ બાતમી SMCને મળી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ટીમે ત્યાં વોચ ગોઠવી સુનિલને ઝડપી પાડ્યો છે. હાલ SMC દ્વારા આરોપી સુનિલ ઉર્ફે અદાની ધરપકડ કરી તેને વધુ પૂછપરછ અને તપાસ અર્થે અમદાવાદ લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં હજુ પણ લાલુ સિંધી સહિતના અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
સુરત પી.સી.બી (પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ) શાખાને મોટી સફળતા મળી છે. સુરતના વરાછા પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી વર્ષ 2005માં ફિલ્મી ઢબે ભાગી જનાર આરોપી વિનય ઉર્ફે અમરતલાલ ધોબીને 21 વર્ષ બાદ ફરી લોકઅપમાં ધકેલી દેવામાં આવ્યો છે. આ આરોપી છેલ્લા બે દાયકાથી પોલીસને હાથતાળી આપી મહારાષ્ટ્રમાં છુપાઈને રહેતો હતો. સુરત પી.સી.બી.ની ટીમે બાતમીના આધારે મુંબઈના બદલાપુર ખાતે ઓપરેશન પાર પાડીને આ વોન્ટેડ ગુનેગારને દબોચી લીધો છે. આરોપી વરાછા લોકઅપમાંથી ભાગ્યો હતોઘટનાની વિગત મુજબ, વર્ષ 2005માં વરાછા પોલીસ દ્વારા વિનય સરમનલાલ ધોબી (દિવાકર) અને તેના મિત્ર અમિતસિંહ પરિહારને વાહન ચોરીના એક ગુનામાં ઝડપી પાડવામાં આવ્યા હતા. ધરપકડ બાદ તેઓને પૂછપરછ માટે વરાછા પોલીસ સ્ટેશનના લોકઅપની બાજુના રૂમમાં રાખવામાં આવ્યા હતા. તે સમયે ત્યાં હાજર પોલીસકર્મીઓની નજર ચૂકવીને, આ બન્ને આરોપીઓએ ભાગવાનો પ્લાન બનાવ્યો હતો. આરોપીઓએ રૂમની બારીની ગ્રીલ પર ચાદર બાંધી હતી અને તે સહારે બારીમાંથી કૂદીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આ મામલે વરાછા પોલીસ મથકે ઇ.પી.કો. કલમ 224 મુજબ ગુનો નોંધી આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રમાં ઓળખ છુપાવી રહેતો હતોપોલીસ ધરપકડથી બચવા માટે વિનય ધોબી સીધો ગુજરાત છોડીને મહારાષ્ટ્ર ભાગી ગયો હતો. તે મૂળ ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લાના વૈશાલીઘાટનો વતની હતો, પરંતુ તેણે પોતાનું ઠેકાણું વારંવાર બદલ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી તે મુંબઈના કાશીવીરા, થાણે વિસ્તારમાં દત્તામંદીર પાસે જનતાનગર સોસાયટીમાં વસવાટ કરતો હતો. તેણે ત્યાં પોતાની ઓળખ છુપાવીને સામાન્ય જીવન જીવવાનું શરૂ કર્યું હતું, જેથી પોલીસ તેના સુધી પહોંચી શકે નહીં. જોકે, સુરત પોલીસ તેના જૂના રેકોર્ડને આધારે સતત તપાસ કરી રહી હતી. પી.સી.બી.ની ટીમે મુંબઈના ડમ્પિંગ સ્ટેશનથી દબોચ્યોસુરત પી.સી.બી.ના પી.આઈ. આર.એસ. સુવેરા અને તેમની ટીમને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો પાસેથી સચોટ માહિતી મળી હતી કે, 2005નો વોન્ટેડ આરોપી વિનય ધોબી મુંબઈના બદલાપુર વિસ્તારમાં હાજર છે. બાતમીની ખરાઈ કર્યા બાદ પી.સી.બી.ની એક ટીમ મુંબઈ રવાના થઈ હતી. મુંબઈના બદલાપુર સ્થિત ડમ્પિંગ સ્ટેશન પાસે આરોપીની ગતિવિધિ જણાતા પોલીસે વોચ ગોઠવી હતી અને તેને ઘેરો ઘાલીને ઝડપી પાડ્યો હતો. 21 વર્ષ બાદ પોલીસને સામે જોઈને આરોપી પણ સ્તબ્ધ થઈ ગયો હતો. મિત્ર સાથે મળીને વાહન ચોરી કરી હતીપકડાયેલા આરોપી વિનયની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, 2005માં તે અને તેનો મિત્ર અમિતસિંહ બંને રીઢા ગુનેગારની જેમ વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા હતાં. ધરપકડ બાદ કાયદાના સકંજામાંથી બચવા માટે જ તેને બારીની ગ્રીલ તોડી ભાગવાનો રસ્તો અપનાવ્યો હતો. ત્યારથી તે સતત પોલીસથી ભાગતો ફરતો હતો. પી.સી.બી.એ આરોપીને પકડીને તેની વધુ પૂછપરછ હાથ ધરી છે અને તે આટલા વર્ષો દરમિયાન અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ હતો કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. વરાછા પોલીસને સોંપવાની તજવીજસુરત પી.સી.બી. દ્વારા કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આરોપી વિનય ધોબીનો કબજો વરાછા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વર્ષ 2005ના ગુનામાં તે મુખ્ય આરોપી હોવાથી હવે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા કરવામાં આવશે. સુરત પોલીસની આ કામગીરીથી એ સાબિત થયું છે કે ગુનેગાર ગમે તેટલા વર્ષો સુધી ભાગતો રહે, પણ અંતે તે કાયદાના સકંજામાં જરૂર આવે છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પોલીસ તંત્ર પર સત્તાધારી પક્ષના ઈશારે ઉમેદવારોને ધમકાવવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. રાજ્ય ચૂંટણી આયોગને પાઠવેલી ફરિયાદમાં કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે પોલીસ અધિકારીઓ દ્વારા ઉમેદવારો પર ફોર્મ પરત ખેંચવા માટે અન્યાયી દબાણ કરવામાં આવી રહ્યું છે, જે લોકશાહીની ગરિમા વિરુદ્ધ છે. રાજ્યભરમાં દબાણ અને ધમકીની ઘટનાઓનો આક્ષેપકોંગ્રેસની ફરિયાદ અનુસાર, ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા દરમિયાન પોલીસ તંત્રનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. કલોલમાં પોલીસ દ્વારા ઉમેદવારોને સીધી ધમકી આપી ફોર્મ ખેંચવા મજબૂર કરાયા હોવાના આક્ષેપ છે. સુરતમાં સ્થાનિક પોલીસ અને SOG દ્વારા ઉમેદવારો પર સતત દબાણ અને દેખરેખ રાખવામાં આવતી હોવાનું જણાવાયું છે. ફરિયાદમાં ઉલ્લેખ છે કે પોલીસ ઉમેદવારોને પોલીસ સ્ટેશન બોલાવી રહી છે અને ફોર્મ પરત ન ખેંચે તો ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. વેરાવળ-પાટણ નગરપાલિકામાં એક ઉમેદવારનું નામ યાદીમાં ન હોવા છતાં ફોર્મ માન્ય રાખવામાં આવ્યું હોવાનો આરોપ લગાવી કોંગ્રેસે નિયમોમાં પક્ષપાત થતો હોવાનું જણાવ્યું છે. આચારસંહિતાનું સરેઆમ ઉલ્લંઘનકોંગ્રેસે આ સ્થિતિને “બંધારણીય છેતરપિંડી” અને આચારસંહિતાનું સરેઆમ ઉલ્લંઘન ગણાવ્યું છે. પક્ષે માંગ કરી છે કે, ચૂંટણી આયોગ આ મામલે તાત્કાલિક તપાસ સમિતિની રચના કરે. ઉમેદવારોને ધમકાવતા દોષિત પોલીસ અધિકારીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને તટસ્થતા જળવાય તે માટે તાકીદના પગલાં લેવામાં આવે.
અમદાવાદના સરખેજમાં પોલીસને યુવકની સળગાવી દીધેલી લાશ મળી હતી. જે મામલે પોલીસે તપાસ કરતા યુવકની ત્રણ શખ્સોએ છરી મારી હત્યા કરીને લાશ સળગાવી હોવાનું સામે આવ્યું હતું. મૃતક પોલીસનો બાતમીદાર હતો અને આરોપીની બાતમી આપી હોવાની શંકાએ યુવકની હત્યા કરવામાં આવી હતી. પોલીસે હત્યા મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે સળગેલી લાશનું પીએમ કરાવતા હત્યાનો ઘટસ્ફોટસરખેજ પોલીસ પેટ્રોલિંગમાં હતી, ત્યારે વણઝર ગામ પાસે કંઇક સળગતુ હોવાથી પોલીસ ત્યાં નજીક પહોંચી હતી અને તપાસ કરતા એક વ્યક્તિને સળગાવી દીધો હોવાનું સામે આવ્યુ હતું. પોલીસે અજાણ્યા વ્યક્તિની લાશનું પોસ્ટમોર્ટમ કરાવતા તેની હત્યા થઇ હોવાનો ખુલાસો થયો હતો. જેથી પોલીસે વધુ તપાસ કરતા લાશને પેટ્રોલ કે ડીઝલથી સળગાવી હોવાની હકીકત ખુલી હતી. સીસીટીવીમાં બે લોકો કેરબામાં ડીઝલ ખરીદતા નજરે પડ્યાપોલીસે નજીકના એક પેટ્રોલપંપ પર તપાસ કરતા સીસીટીવીમાં બે લોકો કેરબામાં ડીઝલ ખરીદતા નજરે પડ્યા હતાં. જે આધારે પોલીસે બંનેની શોધખોળ કરીને કમોડ ગામના ઠાકોરવાસમાં રહેતા જગદીશ ઉર્ફે કપિલ ઠાકોર અને દિપક રાવળની અટકાયત કરી હતી. બંનેની પૂછપરછ કરાતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો. મારી નાખીને લાશ ફેંકી દેવાની જીતુએ ટીપ આપી હોવાની કબૂલાતઆરોપીઓએ કબૂલાત કરી કે, સરખેજ ગામના જીતેન્દ્ર ઉર્ફે જીતુએ તેના ઘર નજીક રહેતા જાવેદ ઉર્ફે મરઘી સિપાઇને મારી નાખીને લાશ ફેંકી દેવા ટીપ આપી હતી. જેથી સરખેજ પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર એલ.એલ. ચાવડા અને ઝોન-7 એલસીબી પીએસઆઇ એચ.ડી. વાઘેલાની ટીમે જીતેન્દ્ર ઉર્ફે જીતુ ફોન બંધ કરીને ભાગે તે પહેલા ઝડપી લીધો હતો. ત્રણેય આરોપીએ રીક્ષા ચાલક યુવકને છરી મારી હત્યા કરીઆરોપી પૈકી બે આરોપીઓ મૃતક યુવકની રીક્ષામાં ધોળકાથી બેઠા હતાં, ત્યારબાદ મુસાફર બનીને સરખેજ સુધી આવ્યા હતાં. સરખેજમાં ત્રીજો આરોપી હાજર હતો. ત્રણેય આરોપીએ રીક્ષા ચાલક યુવકને છરી મારી હત્યા કરી હતી. ત્યારબાદ નદીમાં ફેકી હતી, જેને ત્રણેયએ બહાર કાઢી લાકડા મૂકી 10 લિટર ડીઝલ નાખી સળગાવી દીધી હતી. મર્ડર કેસનો ભેદ ઉકેલાયો, 3 શખસની ધરપકડઆમ, અજાણ્યા શખ્સની સળગતી લાશ મળી આવવા મામલે ગણતરીના સમયમાં મૃતકની ઓળખ કરીને મર્ડર કેસનો ભેદ ઉકેલીને પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. આ પણ વાંચો 2 મહિના પહેલાં સગીરે ચોટીલાથી છરો ખરીદી અમદાવાદમાં યુવકની હત્યા કરી 22 ફેબ્રુઆરીએ અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં શનિવારે રાત્રિના સમયે હિમેશ પરમાર નામના યુવકની થયેલી હત્યાનો ભેદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી નાખ્યો હતો. થોડા દિવસ પહેલા હિમેશ પરમારે પોતાના ઘરના ઓટલા પર બેસવા બાબતે સગીરને ઠપકો આપ્યો હતો. જે બાબતનો ખાર રાખી સગીરે તેના મિત્ર સાથે મળી હત્યા નિપજાવી હોવાનો ખુલાસો થયો. હત્યાને અંજામ આપવા માટે સગીરે ચોટીલાથી છરાની ખરીદી કરી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર)
ગોધરામાં આંબેડકર જયંતીની ભવ્ય ઉજવણી:વિશાળ બાઇક રેલીમાં ઉમટી જનમેદની, લોકોએ પુષ્પવર્ષા કરી
ભારતીય બંધારણના ઘડવૈયા અને ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતી નિમિત્તે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શહેરમાં એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ બાઇક રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. રેલીમાં યુવાનોની સાથે વડીલો પણ ઉત્સાહભેર જોડાયા હતા. શિસ્તબદ્ધ રીતે નીકળેલી આ રેલીનું જે માર્ગો પરથી પસાર થઈ, ત્યાં સ્થાનિક લોકોએ પુષ્પવર્ષા કરીને સ્વાગત કર્યું હતું. આ ઉજવણી દ્વારા ગોધરા શહેરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના યોગદાન અને વિચારોને યાદ કરવામાં આવ્યા હતા.
અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ શીલજ સર્કલ પાસે દરોડો પાડી પ્રતિબંધિત હાઇબ્રીડ ગાંજાના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. ટુ-વ્હીલર પર ગાંજાનું છૂટક વેચાણ કરવા નીકળેલા આ શખ્સો પાસેથી ₹8.57 લાખની કિંમતનો નશાકારક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે. SOG પોલીસે 245 ગ્રામ હાઇબ્રીડ ગાંજા સાથે બેની ધરપકડ કરીઅમદાવાદ ગ્રામ્ય DySP આસ્થા રણાના જણાવ્યા અનુસાર, SOGની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે બે શખ્સો ટુ-વ્હીલર પર શીલજ સર્કલથી ગામ તરફ નશાકારક પદાર્થ લઈને જઈ રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી યશ ચૌહાણ (ઉં.વ. 27) અને નીરજ પટેલ (ઉં.વ. 42) ને આંતરીને તપાસ કરી હતી. તેમની પાસેથી 245 ગ્રામ હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે ₹8,57,000 થાય છે. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી નીરજ પટેલ નોકરી કરે છે, જ્યારે યશ ચૌહાણ રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલો છે. બંને આરોપીઓ નશાની લત ધરાવે છે અને આ વ્યસનને કારણે જ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. આ બંને શખ્સો ટુ-વ્હીલર પર ગાંજાના જથ્થાનું છૂટકમાં વેચાણ કરવાના ઈરાદે નીકળ્યા હતા. આરોપીઓ નશાકારક પદાર્થનો જથ્થો ક્યાંથી લાવ્યા?પોલીસે આ મામલે બોપલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપીઓ આ નશાકારક પદાર્થનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને અગાઉ કેટલી વખત આવા પ્રતિબંધિત પદાર્થોની હેરાફેરી કરી ચૂક્યા છે.
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે આવેલા શ્રી જોગમાતા મંદિરે સમસ્ત ચંદ્રુમાણા રોહિત વાસ દ્વારા વાર્ષિક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં ચાવડા હિતેશભાઈ ખેંગારભાઈએ મુખ્ય યજમાન તરીકે લાભ લીધો હતો. યજ્ઞ વિધિ નરેશભાઈ શ્રીમાળી અને લાલજીભાઈ દ્વારા સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ જેવા કે પૂર્વ સરપંચ બાબુભાઈ ચાવડા, ખેંગારભાઈ ચાવડા, કાંતિભાઈ ચાવડા અને ગણપતભાઈ ચાવડા સહિત અનેક જ્ઞાતિજનોએ યજ્ઞમાં આહુતિ આપી હતી. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના નીતિનભાઈ વ્યાસ અને મહાદેવભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો પણ આ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવાઈ:ઢસાથી ધોળા સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી, સમાજના લોકો જોડાયા
તારીખ 14 એપ્રિલ, 2026 ના રોજ સમસ્ત રોહીદાસ વંશી વઢીયારા સમાજ 212 દ્વારા ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની 135મી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ઢસાથી ધોળા સુધી ભવ્ય શોભાયાત્રા અને રેલીનું આયોજન કરાયું હતું. ઢસા ગામમાં વઢીયારા સમાજની વાડી ખાતે મોટી સંખ્યામાં સમાજના લોકો એકઠા થયા હતા, જ્યાંથી રેલીનું પ્રસ્થાન થયું હતું. ડી.જે. સાથે નીકળેલી આ શોભાયાત્રાનું માંડવા અને જાળીયા ગામે સરપંચ જયાબેન રાઠોડ, પ્રવિણભાઈ રાઠોડ અને સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા માંડવા, જાળીયા, લીમડા, રંઘોળા ચોકડી, પરવાળા, ડેડકડી અને ધોળા સહિતના ગામોમાંથી પસાર થઈ હતી. ઠેર ઠેર ગ્રામજનો અને સમાજના લોકો દ્વારા શોભાયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. ધોળા ગામે રોહીદાસ વંશી વઢીયારા સમાજની વાડી ખાતે શોભાયાત્રાનું સમાપન થયું હતું. અહીં ડૉ. બાબાસાહેબ આંબેડકરને પુષ્પહાર અર્પણ કરી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને એક સભાનું આયોજન કરાયું હતું. વક્તાઓએ ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવન સંઘર્ષ અને યોગદાન વિશે પ્રવચનો આપ્યા હતા. ત્યારબાદ સૌએ સાથે સમૂહ ભોજન લીધું હતું. આ પ્રસંગે રામજીભાઈ ચાવડા, મોહનભાઈ રાઠોડ, પ્રવિણભાઈ રાઠોડ, દિપેશભાઈ રાઠોડ, કાનજીભાઈ ચૌહાણ, કિશોરભાઈ માકેશા, વી.કે. ઝાલા, અશ્વિનભાઈ મેરિયા, આશિષભાઈ સોલંકી, નરેશભાઈ ચૌહાણ, નારણભાઈ મેરીયા તેમજ સમતા બુદ્ધ વિહાર બોટાદના પ્રમુખ બોધિરાજ બૌદ્ધ ઉર્ફે પરેશભાઈ રાઠોડ સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો શોભાયાત્રામાં જોડાયા હતા.
મહેસાણા શહેર માટે વિકાસના નવા દ્વાર ખોલતા રાજ્ય સરકારે તેને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની સત્તાવાર જાહેરાત કરી છે. મહેસાણાના 'કમલમ' ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં મંત્રી ઋષિકેશ પટેલે આ ઐતિહાસિક નિર્ણયની માહિતી આપી હતી. આ જાહેરાતના બીજા જ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહેસાણાની મુલાકાતે આવી રહ્યા છે, જેને લઈને વહીવટી તંત્ર અને ભાજપ સંગઠન દ્વારા પૂરજોશમાં તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમોની વિગતમુખ્યમંત્રી આવતીકાલે મહેસાણામાં ત્રણ મુખ્ય કાર્યક્રમોમાં હાજરી આપશે. 62 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયાસ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે વિગતો આપતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, કુલ 467 બેઠકોમાંથી 62 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. તેમણે દાવો કર્યો હતો કે બાકીની તમામ બેઠકો પર પણ ભાજપ પ્રચંડ વિજય મેળવી ભગવો લહેરાવશે. પક્ષમાં આંતરિક વિખવાદ કે ખેડૂતોના વિરોધના આક્ષેપોને નકારી મંત્રીએ ઉમેર્યું કે કાર્યકરો એકજૂથ છે અને ભારે ઉત્સાહ સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.
ગુણવંતીબાઈ મહાસતીજી કાળધર્મ પામ્યા:અમદાવાદમાં બોટાદ સંપ્રદાયના, પાલખીયાત્રા બુધવારે સવારે 9:30 કલાકે
બોટાદ સંપ્રદાયના મધુરવક્તા ગુણવંતીબાઈ મહાસતીજીનું અમદાવાદમાં કાળધર્મ થયું છે. તેઓ 84 વર્ષના હતા અને 59 વર્ષનો દીક્ષા પર્યાય ધરાવતા હતા. તેમની પાલખીયાત્રા બુધવારે, 15 એપ્રિલે સવારે 9:30 કલાકે નીકળશે. પૂ. ગુણવંતીબાઈ મહાસતીજીએ મંગળવારે, 14 એપ્રિલના રોજ સાંજે 5:15 કલાકે સંથારા સહિત અંતિમ નિર્યામણા કરી હતી. આ ઘટના માણેક ગુરુ ધર્મસ્થાનક, દેવેન્દ્ર પાર્ક, અમદાવાદ ખાતે ઉપાધ્યાય જયેશમુનિ મ.સા. અને અન્ય મહાસતીજી વૃંદની નિશ્રામાં બની હતી. ગુણવંતીબાઈ મહાસતીજીનો જન્મ બોટાદના પાળિયાદ ગામે માતા કાંતાબેન અને પિતા ચીમનલાલ પ્રેમચંદ ગોપાણીના ઘરે થયો હતો. તેમણે 13 માર્ચ, 1967ના રોજ આચાર્ય નવીનચંદ્રજી મ.સા.ના હસ્તે અને પારસમૈયાની નિશ્રામાં ચંપાબાઈ મ.સ.ની સમીપે દીક્ષા અંગીકાર કરી હતી. અગાઉ એમ્બીવેલીમાં ધીરગુરુદેવે 'ગુણાંજલિ' કાર્યક્રમમાં દીર્ઘ સંયમી મહાસતીજીના સંયમ જીવનની અનુમોદના કરી હતી.
અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આવતીકાલે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ છે તે પહેલા જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને તોડવા અને બેઠકો બિનહરીફ કરવાના પ્રયાસો થઈ રહ્યા હોવાના ગંભીર આક્ષેપો સાથે કોંગ્રેસે પોતાના અનેક ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવાની ફરજ પડી છે. સરખેજ, ચાંદખેડા અને ઘાટલોડીયા જેવા વિસ્તારોમાં ઉમેદવારોને ધાક-ધમકી અને નાણાકીય લાલચ આપવામાં આવતી હોવાની ફરિયાદો પ્રદેશ સમિતિ સુધી પહોંચી છે. ઉમેદવારનું રાજીનામું અને અન્યનો 'અજ્ઞાતવાસ'સરખેજ વોર્ડમાં કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા વિવાદ સર્જાયો છે. આ ઉમેદવારનો વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર સાથેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તેમણે ભાજપને સમર્થન જાહેર કર્યું છે. આ જ વોર્ડના અન્ય બે ઉમેદવારો છેલ્લા ત્રણ દિવસથી સંપર્ક વિહોણા છે. તેમના ફોન સ્વીચ ઓફ હોવાથી તપાસ કરતા માલૂમ પડ્યું છે કે તેમને પરિવાર સાથે કોઈ અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે. 'મારા પત્ની બે દિવસથી ઘરે નથી'ઉમેદવાર કંચનબેન પ્રજાપતિના પતિ કરસનભાઈએ જણાવ્યું હતું કે, મારા પત્ની બે દિવસથી ઘરે નથી. ત્રણ દિવસ પહેલા પરિવાર સાથે ગાડીમાં લઈ જવામાં આવ્યા છે. મારા પાસે ફોન નથી એટલે કોઈ સંપર્ક થઈ શક્યો નથી. ગઈકાલે કેટલાક લોકો કંચનબેન ઘરે છે કે નહીં તે પૂછવા માટે આવ્યા હતા. પરંતુ મારા પત્ની ઘરે ન હોવાથી તે લોકો પરત જતા રહ્યા હતા. આવતીકાલે આવી જશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે. મને પણ મળ્યા વગર તેમણે ક્યાંક લઈ જવામાં આવ્યા છે. કોને મોકલ્યા છે તેવું મને ખબર જ નથી. 'ફોર્મ પરત ખેંચવા દબાણ કરવામાં આવી રહ્યું છે'વધુમાં કરસનભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આસપાસના કેટલાક લોકો કંચન છે કે નહીં પૂછવા માટે અને જોવા મળે આવે છે. અમે તો વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છીએ. આ તો મારી પત્નીને કોંગ્રેસે ટિકિટ આપી દીધી છે. અમે વર્ષોથી ભાજપને જ વોટ આપતા હતા. એક પણ રૂપિયો લીધા વગર ભાજપને જ વોટ આપીએ છીએ. બીજી કોઈ પાર્ટીને વોટ આપ્યો નથી પરંતુ હવે પત્નીને ટિકિટ આપી દીધી છે એટલે વોટ આપવો પડશે. ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. ફોર્મ પાછું ખેચવા માટે દબાણ કરવામાં આવતું હોવાથી લાગે ક્યાંક લઈ ગયા છે. પૈસાની ઓફર અને ધાક-ધમકીના આક્ષેપોચાંદખેડા, ઘાટલોડીયા અને જોધપુર વોર્ડના કોંગ્રેસના ઉમેદવારોએ પ્રદેશ સમિતિને લેખિત અને મૌખિક ફરિયાદો કરી છે. ઉમેદવારોનો આક્ષેપ છે કે વિનોદભાઈ પટેલના માણસો દ્વારા ફોર્મ પરત ખેંચવા માટે મોટી રકમની ઓફર કરવામાં આવી રહી છે. ભાજપના નેતાઓના કથિત ત્રાસ અને દબાણને કારણે ઉમેદવારો પોતાના નાના બાળકો સાથે ઘર છોડીને ભાગવા મજબૂર બન્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ સત્તાના જોરે લોકશાહી ઢબે થતી ચૂંટણીને પ્રભાવિત કરી વોર્ડ બિનહરીફ કરવાના પેતરા કરી રહી છે.
બનાસકાંઠા જિલ્લામાં ચેન સ્નેચિંગ અને વાહન ચોરીની ઘટનાઓ આચરતી ચીખલીગર ગેંગ સામે પોલીસને મોટી સફળતા મળી છે. એલસીબીની ટીમે ગેંગના એક મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી ₹1.36 લાખની સોનાની ચેઇન જપ્ત કરવામાં આવી છે. એલસીબીની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે રાજાસિંહ નરસિંગ બાધા નામના આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પર 24થી વધુ ચેન સ્નેચિંગના ગુનાઓ નોંધાયેલા છે. આરોપીનો ભાઈ અને અન્ય સાથીઓ હાલ ફરાર છે. તેમને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો કામે લાગી છે. આ બંને ભાઈઓ છેલ્લા દસ વર્ષથી વાહન ચોરી અને ચેન સ્નેચિંગના ગુનાઓને અંજામ આપતા હતા. આ ગેંગ મહેસાણા, રાધનપુર, જૂનાગઢ, ભુજ, મોરબી અને ડીસા સહિત અનેક શહેરોમાં સક્રિય હતી. હાલમાં ઝડપાયેલા આરોપીની પૂછપરછ ચાલી રહી છે અને વધુ ગુનાઓ ઉકેલાય તેવી શક્યતા છે.
દિવ્ય ભાસ્કર એપ અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
15 એપ્રિલ સુધી સામ,દામ,દંડ અને ભેદનો ખેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારો ક કોંગ્રેસને હોર્સ ટ્રેડિંગનો ભય.. કોંગ્રેસના મોટાભાગના ઉમેદવારોના ફોન બંધ થઈ ગયા છે. કોંગ્રેસે ઉમેદવારોને અજ્ઞાત સ્થળે છુપાવી દીધા છે. આ તરફ ભાજપ ઉમેદવારી પાછી ખેંચાવી વધુમાં વધુ બેઠક બિનહરીફ કરાવવાની ફિરાકમાં છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અમિત ચાવડાના ભાજપ પર ગંભીર આક્ષેપ અમિત ચાવડાએ ભાજપ પર કર્યા ગંભીર આક્ષેપ.. કહ્યું ભાજપના નેતાના ત્રાસથી અને ફોર્મ રદ કરાવવાના દબાણમાં ચૂંટણી અધિકારીએ આત્મહત્યા કરી લીધી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આપના ઉમેદવારે આપ્યો પડકાર સુરતથી આપના ઉમેદવાર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સરે ચેલેન્જ આપતા કહ્યું કે મેયર હોય કે નરેન્દ્ર મોદી, મારે શું ફરક પડે. 'વારાણસીથી ટિકિટ આપે તો 2.51 લાખ મત ન લાવું તો રાજનીતિ છોડવા તૈયાર છું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પ્રચાર કરવા નીકળેલા ઉમેદવારનો વિરોધ વડોદરામાં પ્રચાર કરવા નીકળેલા ભાજપના ઉમેદવાર શ્વેતા ચૌહાણનો વિરોધ .. વોર્ડ નંબર- 7માં શ્વેતા ચૌહાણને રિપીટ કરવામાં આવ્યા છે. ત્યારે લોકો તેમની નિષ્ક્રિયતાને લઈને રોષે ભરાયા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 'આપ'ના 40 ઉમેદવારો અજ્ઞાત સ્થળે ખસેડાયા કોંગ્રેસ બાદ હવે 'આપ'ના 40 ઉમેદવારો અજ્ઞાત સ્થળે ખસેડાયા.. ભાજપ તોડજોડની રાજનીતિ બાબતે ભાજપે કહ્યુ કે અમે માત્ર વિકાસની રાજનીતિ કરીએ છીએ. અમારી લીટી લાંબી કરવામાં અમને રસ છે. બીજાની ભૂંસવામાં કોઈ રસ નથી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ-2માં ભીષણ આગ સુરતના મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ-2માં અને આગ લાગી વેડ રોડ પર ઘડિયાળના કારખાનામાં ભીષણ આગ લાગી .. બન્ને ઘટનામાં કોઇ જાનહાનિ નહી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રોંગ સાઈડ આવતી કાર અને બાઈક વચ્ચે અકસ્માત મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર રોંગ સાઈડ આવતી કાર સાથે બાઈક ધડાકાભેર અથડાઈ. જેમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું..જ્યારે મહિલા અને બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાડાની સ્કોર્પિયોથી ત્રણ મહિલાઓેને ઉડાવી સુરતના મોટા વરાછામાં ભાડાની સ્કોર્પિયોએ 3 મહિલાઓને અડફેટમાં લીધી. .અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે જ મોત થયું છે. જ્યારે 2 ગંભીર રીતે ઘાયલ થઈ છે. સ્કોર્પિયો 19 વર્ષનો યુવક ચલાવી રહ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પરિણીત પ્રેમી યુગલનો આપઘાત ભરૂચના ઝગડિયામાં એક પરિણીત પ્રેમી યુગલે આત્મહત્યા કરી લીધી.. મૃતક યુવક અને યુવતી 4 એપ્રિલથી જ ગુમ હતા .. .બંનેને 2-2 સંતાનો હતા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વધુ એક કમોસમી વરસાદનો માર રાજ્ય પર વધુ એક કમોસમી વરસાદની ઘાત..19-20 એપ્રિલે છ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. એક બાદ એક કમોસમી વરસાદના ઝાપટા પડી રહ્યા છે, પણ આ વર્ષે રાજ્યમાં સામાન્યથી ઓછો વરસાદ રહેશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
વેરાવળમાં શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ:સીતારામ મહિલા મંડળ દ્વારા આયોજન, રાકેશભાઈ પંડયા કથાકાર
વેરાવળના જુનાગઢ હાઈવે પર આવેલી હુડકો સોસાયટીમાં શ્રી શિવ મહાપુરાણ કથા મહોત્સવનો પ્રારંભ થયો છે. શ્રી સીતારામ મહિલા ધુન મંડળ દ્વારા આયોજિત આ કથા ૧૧ એપ્રિલ, ૨૦૨૬ થી ૧૭ એપ્રિલ, ૨૦૨૬ દરમિયાન યોજાશે. ભોજદે (ગીર) ના શાસ્ત્રી રાકેશભાઈ પંડયા (શ્રીરાધે) દરરોજ બપોરે ૩:૩૦ થી ૬:૩૦ વાગ્યા સુધી કથાનું રસપાન કરાવશે. હુડકો સોસાયટીના શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિર પાસે શ્રી સીતારામ મહિલા ધુન મંડળ છેલ્લા બાર વર્ષથી સક્રિય છે. આ મંડળ સોસાયટીના તમામ વર્ગના લોકોને સાથે રાખીને સાંસ્કૃતિક, શૈક્ષણિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરી સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. તેઓ દર વર્ષે રાસ-ગરબા, રામધુન, ભજન-કીર્તન સહિત આરોગ્યલક્ષી સેવાઓ પણ પૂરી પાડે છે. કથા દરમિયાન વિવિધ પાવન ઉત્સવો ઉજવાશે. ૧૧ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ દેહશુદ્ધિ (હેમાદ્રી) અને પોથીયાત્રા યોજાઈ હતી, જેમાં શિવ માહાત્મ્ય કથા અને શિવલિંગ પ્રાગટ્ય થયું હતું. કથાના મુખ્ય ઉત્સવોમાં ૧૩ એપ્રિલે શિવપૂજા માહાત્મ્ય, ૧૪ એપ્રિલે સતી પ્રાગટ્ય, ૧૫ એપ્રિલે શિવ વિવાહ, ૧૬ એપ્રિલે તારકાસુર વધ અને ૧૭ એપ્રિલે દ્વાદશ જ્યોતિર્લિંગ કથાનો સમાવેશ થાય છે. કથાનું સમાપન ૧૭ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ સાંજે ૬:૦૦ વાગ્યે થશે. કથાના બીજા દિવસે, ૧૩ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ, શ્રી સીતારામ ધુન મંડળના આમંત્રણથી વેરાવળ સીટી પીઆઈ ગઢવીસાહેબ, દેવાયતભાઈ ઝાલા, અતુલભાઈ કોટેચા, મુકેશભાઈ ચોલેરા, અનિસ રાચ્છ, જનકભાઈ પારેખ (નિરાધારના આધાર) સહિત શહેરના અનેક શ્રેષ્ઠીઓ અને મહાનુભાવોએ કથાનું શ્રવણ કર્યું હતું. આ મહાનુભાવોએ વ્યાસપીઠે શાસ્ત્રીજીને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. શિવ મહાપુરાણના અંતિમ દિવસે સમૂહ મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. યજમાનો અને દાતાઓને પ્રસાદનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અનુદાન તેમજ પ્રસાદી સામગ્રી સ્વીકારવા માટે મહાકાલેશ્વર મહાદેવ મંદિરના પુજારી ભરત બાપુ ગૌસ્વામી અને રાજુભાઈ શર્માનો સંપર્ક કરવા આયોજકોએ જણાવ્યું છે.

29 C