સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશન નજીકના બે ગેસ્ટ હાઉસમાં ચાલી રહેલા દેહવ્યાપારના ધંધા પર એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) દ્વારા મોટા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં બે બાંગ્લાદેશી સહિત કુલ પાંચ મહિલાઓને મુક્ત કરાવવામાં આવી છે. પોલીસે બે સંચાલકો અને ત્રણ ગ્રાહકોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ હાથ ધરી છે. ગેસ્ટહાઉસમાં બહારથી મહિલાઓને બોલાવી દેહ વ્યાપાર ચલાવાતો હતોAHTUને 08/11/2025ના રોજ એક આધારભૂત બાતમી મળી હતી કે, સુરત રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ પારસ ગેસ્ટ હાઉસ અને વિજય ગેસ્ટ હાઉસમાં બાંગ્લાદેશી મહિલાઓને રાખીને દેહવ્યાપારનો વ્યવસાય કરાવવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે, AHTUની ટીમે મહિધરપુરા પોલીસના માણસોને સાથે રાખીને માહિતીનું વેરીફિકેશન કરાવ્યું હતું. માહિતી હકીકતલક્ષી જણાતા, સંયુક્ત પોલીસ ટીમે સુરત સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન નજીકના આ બંને ગેસ્ટ હાઉસમાં એકસાથે રેઇડ કરી હતી. ગેસ્ટહાઉસ સંચાલક અને 3 ગ્રાહકો સહિત 5 ઝડપાયારેઇડ દરમિયાન ગેસ્ટ હાઉસમાં દેહવ્યાપારના વ્યવસાયનું સંચાલન કરતા અને મહિલાઓને મળતી રકમમાંથી કમિશન મેળવતા પારસ ગેસ્ટ હાઉસના સંચાલક નરેશ અમાલાભાઈ ગામીતને પોલીસે સ્થળ પરથી પકડી પાડ્યો હતો. તેની સાથે રાત્રી દરમિયાન હોટલ સંભાળવામાં અને મદદગારી કરવામાં સંડોવાયેલા અન્ય એક ઈસમની પણ ધરપકડ કરવામાં આવી હતી. બંને ગેસ્ટ હાઉસમાંથી કુલ 3 ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી હતી, જેઓ દેહવ્યાપાર માટે આવ્યા હતા. 2 બાંગ્લાદેશી મહિલાઓ અને 3 પશ્ચિમ બંગાળ (કલકત્તા)ની મહિલાઓ મળી કુલ પોલીસે પાંચેય મહિલાઓને દેહ-વ્યાપારના વ્યવસાયમાંથી મુક્ત કરાવી હતી અને તેમને યોગ્ય કાઉન્સેલિંગ પણ પૂરું પાડ્યું હતું. ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કરાયારેઇડ દરમિયાન વિજય ગેસ્ટ હાઉસનો સંચાલક નાસી છૂટ્યો હતો. તેને તથા અન્ય બે ઈસમોને પોલીસે વોન્ટેડ જાહેર કરીને તેમની સઘન શોધખોળ શરૂ કરી છે. પોલીસે ગુન્હાના કામે કુલ રૂ. 50,500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે, 10, 500 રૂપિયાના 6 મોબાઈલ, રોકતા 10,500, અન્ય વસ્તુઓ જેવી કે પોસ્ટર, કોન્ડમ, Paytm QR કોડ, PhonePe QR કોડ, અને હોટલ રજીસ્ટર કબ્જે કરવામાં આવ્યું છે. આ ઘટનાએ સુરત શહેરના રેલવે સ્ટેશન જેવા સંવેદનશીલ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર દેહવ્યાપારના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2019 થી સાંસદ ખેલ મહોત્સવ સમગ્ર દેશમાં શરૂ કરાવવામાં આવ્યો હતો. રાજકોટમાં પુરૂષોતમ રૂપાલા લોકસભાના સાંસદ બન્યા બાદ પ્રથમ વર્ષે આ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. જોકે કાર્યક્રમના ઉદ્ઘાટક કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા અને કાંતિ અમૃતિયા ગેરહાજર રહ્યા હતા. જ્યારે લાંબા સમયથી ભૂગર્ભમાં રહેલા પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલ અને અરવિંદ રૈયાણી જાહેર કાર્યક્રમમાં સ્ટેજ ઉપર જોવા મળ્યા હતા. ખેલાડી ભાઈઓ અને બહેનોની કબડ્ડી સ્પર્ધા સાથે ખેલ મહોત્સવનો પ્રારંભ થયો હતો. આ તકે સાંસદે આ ખેલ મહોત્સવમાંથી ખેલાડીઓને હારવા કે જીતવાને બદલે શીખવાની સલાહ આપી હતી. જ્યારે આ તમામ ખેલકૂદ કાર્યક્રમોને કોમનવેલ્થ ગેમ્સની તૈયારી ગણાવી હતી. આ સાથે જ રાજકોટમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના મેદાનોથી ખેલકૂદનું સ્તર ઊંચું આવ્યું હોવાનું જણાવ્યું હતુ. વડાપ્રધાનની પ્રેરણાથી દેશનાં દરેક સાંસદ પોતાના મત ક્ષેત્રમાં 17 વર્ષની ઉંમરના કિશોર-કિશોરીઓથી માંડી સિનિયર સિટિઝન સુધીના કોઈપણ ભાઈઓ-બહેનો પોતાનું ખેલ કૌશલ્ય બતાવી શકે તે માટે સાંસદ ખેલ મહોત્સવ યોજાતા રહે છે. રાજકોટના સાંસદ પુરૂષોતમ રૂપાલા આયોજિત ખેલ મહોત્સવના ઉદઘાટન અવસરે કાર્યક્રમના અધ્યક્ષ તેમજ ઉદઘાટક તરીકે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર કેબીનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને રાજયકક્ષાના મંત્રી કાંતી અમૃતિયા હતા પરંતુ તેઓ હાજર રહ્યા ન હતા. જ્યારે મુખ્ય મહેમાન તરીકે રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, મેયર નયનાબેન પેઢડિયા, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, કેશરીદેવસિંહ ઝાલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. લાંબા સમય બાદ પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ગોવિંદ પટેલ તેમજ અરવિંદ રૈયાણી જાહેર કાર્યક્રમમાં સ્ટેજ પર દેખાયા હતા.આ સાથે જ એથ્લેટીકસ નેશનલ પ્લેયર યશ દવે, નેશનલ પેરાશૂટિંગ પ્લેયર ભૂમિબેન મહેતા, નેશનલ કબડ્ડી પ્લેયર સાગર ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. આજથી શરૂ થયેલો સાંસદ ખેલ મહોત્સવ રાજકોટ ઉપરાંત મોરબી અને જસદણમાં પણ રમાડવામાં આવશે. જેમાં કબડ્ડી, ખોખો અને એથ્લેટીકસની રમતો સમાવિષ્ટ કરવામાં આવી છે.આ રમતોત્સવમાં 17 વર્ષથી નીચેના ભાઈઓ-બહેનો માટે એક ગ્રુપ અને 17 વર્ષથી માંડી સિનિયર સિટિઝન સુધીના ભાઈઓ-બહેનોનું બીજું ગ્રુપ ભાગ લેશે. ભારત સરકારના રમત-ગમત મંત્રાલયની નિગરાની તળે યોજાતો આ રમતોત્સવ શહેરી અને ગ્રામ્ય લોકોના જીવનમાં રમત-ગમતનું મહત્વ વધારવા અને તેમને પ્રોત્સાહિત કરવા તથા સ્વાસ્થ્ય સુધારણા માટે ખૂબ ઉપયોગી છે. આ ખેલ મહોત્સવમાં હાલ 10 હજારથી વધુ રમતવીરોનું રજિસ્ટ્રેશન થયેલું છે. સૌપ્રથમ તાલુકા કક્ષાએ બાદમાં ઝોન કક્ષાએ અને છેલ્લે ડીસ્ટ્રીકટ કક્ષાએ આ રમતોત્સવ થશે. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થનારને મેડલ, ટ્રોફી અને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવશે. સમગ્ર દેશમાં યોજાનારા આ સાંસદ ખેલ મહોત્સવનો કલોઝીંગ સેરેમની તા.25 ડીસેમ્બર-2025 ના રોજ યોજાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુલી જોડાઈને દેશભરના રમતવીરોને પ્રેરિત કરશે.
ડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2019માં ‘ફિટ ઇન્ડિયા અભિયાન’ની શરૂઆત કરી હતી, જેનો મુખ્ય હેતુ દેશવાસીઓની જીવનશૈલીમાં સ્વસ્થ અને હકારાત્મક પરિવર્તન લાવવાનો છે. પ્રેરણા રૂપ બનેલી એક અનોખી પહેલ રૂપે આ અભિયાન અંતર્ગત સાયકલિસ્ટ દ્વારા ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સમર્પિત “કશ્મીર ટુ કન્યાકુમારી સાયક્લિંગ એક્સપેડિશન - અ રાઈડ ફોર યુનિટી” નું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્તરના આ અભિયાનમાં દેશના વિવિધ રાજ્યોમાંથી 1 સાઇક્લિસ્ટ ભાગ લઇ રહ્યા છે. આ 150 સાઇક્લિસ્ટ શ્રીનગરથી કન્યાકુમારી સુધીનું અંદાજે 4480 કિમીનું અંતર કાપશે. યાત્રાનો હેતુ દેશની એકતા, અખંડિતતા અને “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંદેશને સાકાર કરવાનો છે. યાત્રા દરમિયાન રાઈડર્સે વિવિધ રાજ્યો અને શહેરોમાંથી પસાર થઈ લોકોમાં ફિટ ઇન્ડિયા મુવમેન્ટ, એકતા અને સ્વસ્થ જીવનશૈલી વિશે જાગૃતિ ફેલાવી છે. ગોધરાથી 145 કિમીની સફર પૂર્ણ કર્યા બાદ રાઈડર્સની ટુકડી સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતાનગર ખાતે પહોંચી હતી, જ્યાં વિવિધ રમત કોચ દ્વારા તેમનું ઉષ્માસભર સ્વાગત કરાયું હતું. વધુમાં નર્મદા જિલ્લા રમત વિકાસ અધિકારી દિનેશભાઈ ભીલે સાઇક્લિસ્ટ ટીમને સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિકૃતિ સ્મૃતિચિન્હ રૂપે ભેેટ આપી હતી. રાઈડર્સે એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા - સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી અને સરદાર સાહેબના અવિસ્મરણીય યોગદાનને નમન કર્યો હતો. રાઈડર્સ સરદાર સાહેબની પ્રતિમાની ભવ્યતા જોઈને અભિભૂત થયા હતા.
જૂનાગઢના ઐતિહાસિક મુક્તિ દિવસ અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીના અવસરે થઈ રહેલી ઉજવણીના ભાગરૂપે આજે જૂનાગઢથી 'યુનિટી માર્ચ' પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢના સરદાર ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી ભાવવંદના કરી હતી. ત્યારબાદ, તેઓ ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતે પહોંચ્યા હતા અને પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. 8.6 કિલોમીટરની યુનિટી માર્ચ ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતેથી પ્રારંભ થઈને મુખ્ય માર્ગો પર ફરીને સરદાર ચોક જીમખાના ખાતે સમાપન થઈ હતી. સાધુ-સંતોએ 51 લાખ રૂપિયાનો ચેક મુખ્યમંત્રીને અર્પણ કર્યોબહાઉદ્દીન કોલેજ સ્થિત આરઝી હકુમત દ્વારા મળેલી મુક્તિના સ્મરણ સ્મૃતિ સ્મારક ખાતે મુખ્યમંત્રીએ સ્વાતંત્ર્ય વીરોને યાદ કરીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રેલીના પ્રસ્થાન પૂર્વે તેમણે આરઝી હકુમતનો ઇતિહાસ દર્શાવતી ફોટો પ્રદર્શની પણ નિહાળી હતી. આ અવસરે મુખ્યમંત્રીએ જૂનાગઢની આઝાદીની ચળવળમાં યોગદાન આપનાર આરઝી હકુમતના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. જૂનાગઢની નાગરિક સેવાઓના પ્રોજેક્ટ માટે સાધુ-સંતોએ 51 લાખ રૂપિયાનો ચેક મુખ્યમંત્રીને અર્પણ કરી જનભાગીદારીની પહેલને સાર્થક કરી હતી. મુખ્યમંત્રીએ 'એક ભારત'નો સંકલ્પ દોહરાવ્યોપદયાત્રામાં જોડાનાર હજારો નાગરિકોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, યુનિટી માર્ચ સર્વ સમાજને સાથે જોડીને 'આત્મનિર્ભર ભારત' માટેની પ્રેરણા આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના નિર્માણ દ્વારા દેશે સરદાર પટેલને સાચી અંજલિ આપી છે. આ યુનિટી માર્ચ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અને ‘આત્મનિર્ભર ભારત’ની વિભાવનાને ચરિતાર્થ કરી એકતાનો પાયો વધુ મજબૂત બનાવશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં કલમ 370ની નાબૂદી દ્વારા સરદાર સાહેબનું અખંડ ભારતનું સ્વપ્ન સાકાર થયું છે. મુખ્યમંત્રી પણ બહાઉદીન કોલેજથી પદયાત્રામાં જોડાયા હતારાજ્યના રમતગમત અને યુવા સાંસ્કૃતિક ઉપક્રમે આયોજિત આ 8.6 કિલોમીટરની યુનિટી માર્ચ ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતેથી પ્રારંભ થઈને મુખ્ય માર્ગો પર ફરીને સરદાર ચોક જીમખાના ખાતે સમાપન થઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ બહાઉદીન કોલેજથી પદયાત્રામાં જોડાયા હતા. સમગ્ર રૂટ પર 19 સ્ટેજ બનાવવામાં આવ્યા હતા, જ્યાં વિવિધ સમાજ સંસ્થાઓના સાંસ્કૃતિક પ્લેટફોર્મ પર મુખ્યમંત્રી સહિત સૌનું અભિવાદન કરાયું હતું. આ સ્ટેજો પર જૂનાગઢનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો દર્શાવતી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્રના સંકલનથી આ વિશાળ પદયાત્રા સફળ બની હતી. વિવિધ મહાનુભાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાઆ ઐતિહાસિક કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાના પ્રભારી અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા, રાજ્યમંત્રી કૌશિક વેકરિયા, સાંસદ રાજેશ ચુડાસમા, મેયર ધર્મેશ પોશિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમર, ધારાસભ્યો સંજય કોરડીયા, ભગવાનજી કરગઠિયા, દેવાભાઈ માલમ, અરવિંદ લાડાણી, મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, તેમજ સંતો-મહંતો, વિવિધ સમાજના લોકો અને હજારોની સંખ્યામાં નગરજનો સહભાગી થયા હતા.
શહેરના વટવા વિસ્તારમાં નવાપુરા પાસે દરબાર નગરમાં રાત્રે પિતા અને પુત્ર સહિતના લોકો દ્વારા મકાન અને વાહનમાં આગ લગાવવાની ઘટના બની હતી. ઘરની પાસે પડેલા લાકડા બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખીને બોલાચાલી બાદ વાહનમાં આગ લગાડી દેવામાં આવી હતી. ત્યારબાદ બાઈકનું સીટ કવર ઘરમાં ફેકતા ઘરમાં આગ લાગી હતી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. મુખ્ય આરોપી રાજા અગાઉ પણ ગુના નોંધાયેલા છે. પોલીસે ચાર લોકો વિરુદ્ધ તપાસ હાથ ધરી છે. વટવામાં ઝઘડાની અદાવતમાં વાહન-મકાનમાં આગ લગાડીમળતી માહિતી મુજબ શહેરના વટવા વિસ્તારમાં આમીના મસ્જિદ પાસે આવેલા દરબાર નગરમાં વહીદાબા નું શેખ પોતાના પરિવાર સાથે રહે છે તેમની બાજુમાં આમન ઉર્ફે રાજા અસલમખાન પઠાણ પણ પરિવાર સાથે રહે છે. રાજા અને તેમના પરિવારના સભ્યો ઘરની આગળ આવેલી જગ્યામાં ઘરનો સામાન રાખવા બાબતે બોલાચાલી અને ઝઘડો કરતા હતા છેલ્લા કેટલાક દિવસથી ઘરની આગળની આવેલી જ ખુલ્લી જગ્યામાં લાકડા પડેલા હતા જે કોઈ વ્યક્તિ લઈ ગયું હતું. શનિવારે સવારના સમયે રાજા અને તેના પિતા અસલમખાન પઠાણ સહિત બીજા બે સભ્યો દુકાન પર જઈને લાકડા લઈ જવા બાબતે મહિદાબાનુના પતિ અને તેના પિયર સાથે બોલાચાલી કરી મારા મારી કરી હતી જેથી બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. ઘરની બહાર પડેલી બાઈક સળગાવી દીધીહોસ્પિટલમાં હતા ત્યારે સાંજે 7:30 વાગ્યાની આજુબાજુ વહીદા બાનુના પતિના મોબાઈલ પર પરિચિત નો ફોન આવ્યો હતો કે તમારી બાજુમાં રહેતા રાજા અને તેમના પિતા અસલમખાન પઠાણ તથા કુવા કાલુ અને હિના ચારેય જણા તમારું ઘર સળગાવવા માટે આવ્યા છે. રાજા તમારા ઘરની બહાર પડેલી બાઈક સળગાવી દીધી છે અને સળગતી વસ્તુ તમારા બંધ મકાનની જાળીમાં નાખતા ઘરમાં આગ લાગી છે. આ બાબતે સ્થાનિક લોકો દ્વારા પોલીસ અને ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યોહોસ્પિટલથી ચારેય લોકો ઘરે આવ્યા હતા ત્યારે પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર હાજર હતી અને આગને કાબુમાં લઈ લીધી હતી. આગ લાગવાના કારણે ઘરમાં રહેલુ ફર્નિચર બળી ગયું હતું અને બે બાઈક પણ બળી ગઈ હતી. આ મામલે વટવા પોલીસ દ્વારા રાજા સહિત ચાર લોકો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિને 'જનજાતીય ગૌરવ વર્ષ' તરીકે ઉજવવામાં આવી રહી છે. આ અંતર્ગત અંબાજીથી શરૂ થયેલી જનજાતીય ગૌરવ રથયાત્રા યાત્રાધામ શામળાજી પહોંચી હતી, જ્યાં તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. શામળાજીમાં ભગવાન બિરસા મુંડાના જીવન અને સંઘર્ષો પર આધારિત નાટ્ય રજૂઆતનું આયોજન કરાયું હતું. આ નાટકમાં તેમના 'ઉલગુલાન' આંદોલન અને આદિવાસી અસ્મિતાના જાગરણની કથા દર્શાવવામાં આવી. આ ઉપરાંત, આદિવાસી ગીતો, લોકનૃત્યો અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા, જેણે આદિવાસી સંસ્કૃતિનું ગૌરવ પ્રદર્શિત કર્યું. આ પ્રસંગે મંત્રી પી.સી. બરંડાએ સંબોધન કરતા જણાવ્યું કે, 'ભગવાન બિરસા મુંડા આદિવાસી સમાજના અમર નાયક અને સ્વાભિમાનના પ્રતીક છે. તેમની ૧૫૦મી જન્મજયંતિને 'જનજાતીય ગૌરવ વર્ષ' તરીકે ઉજવીને આપણે તેમના વિચારોને જીવંત કરીએ છીએ.' તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. ગુજરાત સરકાર દ્વારા પીવાનું પાણી, શિક્ષણ, આરોગ્ય, કૃષિ વિકાસ અને જમીન હક્કોનું વિતરણ જેવી સુવિધાઓ પૂરી પાડીને આદિવાસી બંધુઓનું જીવનધોરણ ઊંચું લાવવામાં આવી રહ્યું છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ યાત્રા દ્વારા વિકાસની વાતને ઘરઘર સુધી પહોંચાડવામાં આવશે અને યુવા પેઢીને રાષ્ટ્રનિર્માણમાં પ્રેરણા મળશે. આ યાત્રાથી આદિવાસી સમાજમાં નવો ઉત્સાહ અને એકતાની ભાવના જાગી છે, જે રાષ્ટ્રીય એકતા અને વિકાસના માર્ગને મજબૂત બનાવશે. આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, વહીવટી અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
બનાસકાંઠાના ધાનેરાના મૂળ વતની અને હાલ નવસારીમાં રહેતા હિતેશ રાજપૂતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) ફાઇનલની પરીક્ષા પ્રથમ પ્રયાસમાં જ પાસ કરીને નવસારી જિલ્લામાં પ્રથમ રેન્ક મેળવ્યો છે. સામાન્ય પરિવારમાંથી આવતા હિતેશની આ સિદ્ધિથી તેના માતા-પિતા ગૌરવ અનુભવી રહ્યા છે. તેના પિતા ઉત્તમ સિંહ રાજપૂત એપાર્ટમેન્ટમાં સુપરવાઇઝર તરીકે કાર્યરત છે, જ્યારે માતા હંસાબેન સિલાઈ કામ કરીને પરિવારને આર્થિક મદદ કરે છે. હિતેશ વાંચે ત્યારે તેની માતા પણ આખી રાત જોડે બેસતીહિતેશના પિતા ઉત્તમ સિંહ રાજપૂત અગાઉ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા, પરંતુ હીરા ઉદ્યોગમાં મંદી આવતા તેમણે નોકરી છોડીને સુપરવાઇઝર તરીકેની નોકરી સ્વીકારી હતી. માતા હંસાબેને જણાવ્યું કે તેઓ અગાઉ ત્રણ પતરાંવાળી નાની ઝૂંપડીમાં રહેતા હતા. હિતેશ જ્યારે વાંચવા બેસતો ત્યારે તેની માતા પણ આખી રાત તેની સાથે બેસીને તેને સહકાર આપતા હતા. હિતેશે નાનપણથી જ શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરવાનું સ્વપ્ન જોયું હતું. હિતેશ રાજપૂતની શૈક્ષણિક યાત્રા પણ પ્રેરણાદાયી રહી છે. તેણે ધોરણ 10માં 89% ગુણ મેળવ્યા હતા, ત્યારે ઘણા લોકોએ તેને વિજ્ઞાન પ્રવાહ પસંદ કરવાની સલાહ આપી હતી. જોકે, CA બનવાના દ્રઢ નિશ્ચયને કારણે તેણે ધોરણ 11થી કોમર્સ પ્રવાહ પસંદ કર્યો. તેણે કોલેજની સાથે જ CAની તૈયારી શરૂ કરી દીધી હતી, જેમાં CA ફાઉન્ડેશન અને ઇન્ટરમીડિએટ પણ પ્રથમ પ્રયાસમાં જ પાસ કર્યા હતા. હિતેશ દરરોજ લગભગ 12 કલાક અભ્યાસ કરતો હતોપોતાની સફળતાનું રહસ્ય જણાવતા હિતેશે કહ્યું કે તેણે સુરતથી CA રવિ છાવછરિયાના ક્લાસિસ કર્યા હતા. શરૂઆતથી જ ક્લાસિસની સાથે નિયમિત સ્વ-અભ્યાસ પર પણ ધ્યાન આપ્યું હતું, જેના કારણે ફાઇનલ પરીક્ષામાં તેને સરળતા રહી. પિતા ઉત્તમ સિંહ રાજપૂતે જણાવ્યું કે, હિતેશ દરરોજ લગભગ 12 કલાક અભ્યાસ કરતો હતો. પરીક્ષાના છેલ્લા પાંચ મહિના દરમિયાન તેણે સોશિયલ મીડિયા સહિત તમામ માધ્યમોથી દૂર રહીને એકાગ્રતાથી મહેનત કરી હતી. 'દિકરાનું સપનું હતું કે, એનું કોઈ ઈન્ટરવ્યૂ લે': માતા માતા હંસાબેને ઉમેર્યું, મને એટલો વિશ્વાસ હતો કે મારો છોકરો કહેતો હતો કે, એક દિવસ મારું ઇન્ટરવ્યૂ લેવા પત્રકાર આવશે અને આજે અમારું સપનું પૂરું થયું છે. મધ્યમ વર્ગના સંઘર્ષમાંથી આવીને હિતેશ રાજપૂતે મેળવેલી આ સિદ્ધિ અન્ય યુવાનો માટે પણ એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે. નવસારીના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રાજુભાઈ દેરાસરિયા જણાવે છે કે સૌથી વધારે આનંદ તો મને એ વાતનો છે કે ઉત્તમસિંહજી જે મારી વીરભદ્ર કોમ્પ્લેક્સ બિલ્ડિંગ છે, એના સુપરવાઇઝર છે. છેલ્લા પાંચ-સાત વર્ષથી અહીંયા જોબ કરે છે. હીરામાંથી બેરોજગાર બન્યા પછી અહીંયા આવ્યા છે અને એમનો છોકરો નવસારી જિલ્લામાંCA ની પરીક્ષામાં પ્રથમ આવ્યો છે, તો મને ખૂબ આનંદ થયો છે. અને હું નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝનો પ્રમુખ છું, રાજેન્દ્ર દેરાસરીયા, અને એને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને અભિનંદન આપું છું.
કચ્છમાં ઠંડીની શરૂઆત: નલિયા 14.2, ભુજ 18 ડિગ્રી:લઘુતમ તાપમાન ઘટતા લોકોએ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો
કચ્છ જિલ્લામાં શિયાળાની ધીમી શરૂઆત થઈ ગઈ છે. ખાસ કરીને સંધ્યાકાળ બાદ લોકો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગના સત્તાવાર આંકડા મુજબ, સરહદી નલિયાનું લઘુતમ તાપમાન 14.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે જિલ્લા મથક ભુજમાં તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું હતું. નલિયા વડોદરા બાદ રાજ્યનું બીજા ક્રમનું સૌથી ઠંડું મથક બન્યું છે. ભુજ શહેરમાં પણ ગઈકાલથી તાપમાન એક ડિગ્રી ઘટ્યું છે, જે ઠંડીની શરૂઆતનો સંકેત આપે છે. જોકે, ગત વર્ષની સરખામણીમાં આ વખતે ઠંડીની તીવ્રતા ઓછી જણાઈ રહી હોવાનું સ્થાનિકોનું કહેવું છે. દિવસ દરમિયાન સૂર્યનો તાપ હજુ પણ આકરો રહે છે, પરંતુ સવારના સમયે લોકો તડકામાં બેસી સૂર્યસ્નાનનો આનંદ માણી રહ્યા છે. હવામાન વિભાગના મતે, આ વર્ષે અતિશય ઠંડીથી રાહત મળવાની શક્યતા છે.
આણંદ જિલ્લાના મનરેગા લોકપાલ સુનિલકુમાર વિજયવર્ગીય આવતીકાલે, 10 નવેમ્બર, સોમવારના રોજ પેટલાદ ખાતે ગ્રામજનોની ફરિયાદો સાંભળશે. તેઓ બપોરે 1:30 થી 2:30 કલાક દરમિયાન તાલુકા પંચાયત કચેરી, પેટલાદ ખાતે ઉપસ્થિત રહેશે. ગ્રામજનો મનરેગા યોજના સંબંધિત કોઈપણ રજૂઆત કે ફરિયાદ હોય તો રૂબરૂ મળી શકશે. આમાં શ્રમિકોને વેતન ન મળતું હોય, ઓછું મળતું હોય, અથવા યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોય તેવા પ્રશ્નોનો સમાવેશ થાય છે. રાજ્ય સરકાર દ્વારા આણંદ જિલ્લામાં મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળની કામગીરીમાં ઉદ્ભવતી સમસ્યાઓના નિરાકરણ માટે સુનિલકુમાર વિજયવર્ગીયની લોકપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમની નિમણૂક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, આણંદ ખાતે કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં મનરેગા યોજના હેઠળની કામગીરીનું નિરીક્ષણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કરવામાં આવે છે. ગ્રામ પંચાયત કક્ષાએ તાલુકા વિકાસ અધિકારી દેખરેખ રાખે છે અને શ્રમિકોના વેતનનું ચુકવણું આધાર આધારિત કરવામાં આવે છે. પેટલાદ ઉપરાંત, મનરેગા હેઠળ કામ કરતા શ્રમિકોને કોઈપણ પ્રકારની સમસ્યા, અનિયમિત વેતન, ગેરરીતિ કે ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદ હોય તો કોઈપણ વ્યક્તિ જિલ્લા પંચાયત, આણંદ ખાતે લોકપાલને રૂબરૂ મળી શકે છે અથવા પત્ર દ્વારા ફરિયાદ કરી શકે છે.
વડગામના શહીદ જીગ્નેશ ચૌધરીને વતનમાં શ્રદ્ધાંજલિ:બિકાનેર નજીક ટ્રેનમાં હત્યા બાદ કેન્ડલ માર્ચ યોજાઈ
બનાસકાંઠાના વડગામ તાલુકાના મોટી ગીડાસણ ગામના શહીદ જવાન જીગ્નેશ ચૌધરીને તેમના વતન અને આસપાસના ગામોમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી. મોટી ગીડાસણ, ચુડાસણ, રૂપાલ સહિતના ગામોમાં કેન્ડલ માર્ચ યોજી શહીદને યાદ કરાયા હતા. આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં યુવાનો, વડીલો, મહિલાઓ અને બાળકો જોડાયા હતા. શ્રદ્ધાંજલિ અર્પણ કરતી વખતે 'વંદે માતરમ' અને 'ભારત માતા કી જય'ના નારા લગાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે શહીદ જવાન જીગ્નેશ ચૌધરીની બિકાનેર નજીક ટ્રેનમાં હત્યા કરવામાં આવી હતી. ટ્રેનના કોચ એટેન્ડન્ટે સામાન્ય બાબત, એટલે કે ચાદર માંગવા જેવી વાતમાં, ચાકુના ઘા મારીને તેમની હત્યા કરી હતી. આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો અને સ્થાનિક લોકોએ શહીદ જવાનના હત્યારાઓને કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે.
દાહોદ શહેરને વર્ષ 2016માં ભારત સરકારની મહત્વાકાંક્ષી સ્માર્ટ સિટી યોજના અંતર્ગત ત્રીજા રાઉન્ડમાં સ્માર્ટ સિટી તરીકે પસંદગી પામ્યું હતું. ત્યારથી આજે નવ વર્ષ વીતી ગયા છતાં શહેરના અનેક વિસ્તારોમાં સ્માર્ટનેસનો કોઈ અણસાર નથી. ખાસ કરીને વોર્ડ નંબર 3ના સ્ટેશન રોડ પાસે આવેલી મારવાડી ચાલના રહીશો સ્માર્ટ સિટીમાં રહેતા હોવાની શરમ અનુભવે છે. દાહોદ નગરપાલિકાની ઘોર બેદરકારી, અધિકારીઓની ઉદાસીનતા અને કાઉન્સિલરોની અનુપસ્થિતિને કારણે આ વિસ્તારના લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. અહીં ગંદકીનું સામ્રાજ્ય છે –માણસો તો ઠીક, પશુઓ પણ રહી શકે તેમ નથી. સ્થાનિક રહીશોની વેદના આજે છલકાઈ પડી છે, અને તેઓ સરકાર અને તંત્રને જગાડવા માટે ચૂંટણીમાં વોટ ન આપવાની ચેતવણી આપી રહ્યા છે. ગટરો ઉભરાય, દુર્ગંધ ફેલાય, રહીશોનું જીવન નર્કસમાન બન્યુંકે.કે. સર્જીકલ હોસ્પિટલની બાજુની સાંકડી ગલીમાં ભૂગર્ભ ગટર લાઇનનું ગંદું, દુર્ગંધયુક્ત પાણી રસ્તા પર રીલાય છે. એક જ ચેમ્બરમાં ચારથી પાંચ કનેક્શન આપવામાં આવ્યા હોવાથી ગટરો વારંવાર ઉભરાઈ જાય છે. હોસ્પિટલોના શૌચાલયના કનેક્શન પણ આ જ લાઇનમાં જોડાયેલા હોવાથી દુર્ગંધ અને ગંદકીનો આતંક સતત ફેલાયેલો રહે છે. રસ્તાઓ તૂટેલા છે, કચરાના ઢગલા ચારેય તરફ વેરાયેલા છે અને મચ્છરજન્ય રોગોના કારણે રહીશો વારંવાર બીમાર પડે છે. નાના બાળકો ઘરની બહાર નીકળી શકતા નથી, ગંદા પાણીમાં રમવું પડે તો સ્વાસ્થ્ય જોખમાય છે, આર્થિક બોજ વધે છે અને પરિવારોનું જીવન નર્કસમાન બની ગયું છે. અમારા નાના બાળકો વારંવાર બીમાર પડે છેસ્થાનિક રહીશ જાકીરભાઈએ વેદના ઠાલવતાં જણાવ્યું, આ વિસ્તારમાં ખૂબ જ ગંદકી અને ગટરના ગંદા, દુર્ગંધ મારતા પાણીની ગંભીર સમસ્યા છે. હોસ્પિટલ સંચાલકોએ કનેક્શન આપ્યા છે, જેના કારણે ગટરમાંથી પાણી બહાર આવે છે અને રોડ પર રીલાય છે. આ દુર્ગંધ અને ગંદા પાણીથી અમારું જીવવું મુશ્કેલ બન્યું છે. અમારા નાના બાળકો વારંવાર બીમાર પડે છે. અમે નગરપાલિકાને વારંવાર રજૂઆત કરી છે, પરંતુ આજદિન સુધી કોઈ સફાઈ કરવા આવ્યું નથી. સફાઈ કર્મચારીઓ આવતા નથી, કાઉન્સિલરો અજાણ્યા બન્યાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ આ વિસ્તારમાં પગ મૂકતા પણ નથી. ડોર-ટુ-ડોર કચરા વાન પણ અહીં ક્યારેય પહોંચતી નથી. સ્થાનિકોએ અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, પરંતુ નગરપાલિકા તંત્ર સ્થાનિકોની સમસ્યાનો નિરાકરણ કરવાના બદલે આંખ આડા કાન કરે છે. સ્થાનિક મહિલા જેનાબેન વર્માએ વેદના સાથે જણાવ્યું, દાહોદને સ્માર્ટ સિટી જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ અહીં સ્માર્ટ સિટી જેવું કંઈ જ નથી. વર્ષોથી જે સમસ્યાઓનો અમે સામનો કરીએ છીએ, તે આજે પણ યથાવત છે. ગટરો ઉભરાઈ રહી છે, રોડ પર ગંદા અને દુર્ગંધ મારતા પાણી રેલાય છે, જેના કારણે અવરજવરમાં ખૂબ તકલીફ પડે છે. નગરપાલિકા દ્વારા કચરો લેવા કે સફાઈ માટે કોઈ કર્મચારી આજદિન સુધી આવ્યા નથી. અમારે પોતાની ગંદકી જાતે સાફ કરવી પડે છે. અમારી રજૂઆતો પર નગરપાલિકા કોઈ ધ્યાન આપતું નથી. અન્ય એક સ્થાનિક મહિલા કપીલાબેને નિરાશા ઠાલવતાં કહ્યું, અમારા વિસ્તારમાં કોઈ પ્રકારની સફાઈ નથી. અમે આ ગંદકીમાં રહેવા મજબૂર છીએ. નગરપાલિકાના કાઉન્સિલરને અમે ઓળખતા પણ નથી. તેઓ કોઈ દિવસ અહીં આવતા નથી, અમારી સમસ્યાઓના નિવારણ અંગે કોઈ કામ કરતા નથી. ચૂંટણી આવે ત્યારે ‘કાકી-બાબી’ કરીને પગમાં પડીને વોટ લઈ લે છે, પછી ચૂંટણી પૂરી થાય એટલે અમારા વિસ્તારમાં કોઈ નેતા આવતા નથી. નગરપાલિકાના કર્મચારીઓને પણ અનેક વખત રજૂઆતો કરી છે પરંતુ કંઈ કામ કરતા નથી, અમારી રજૂઆત સાંભળતા નથી. ચીફ ઓફિસરનો જવાબ- 'મારે કશું નથી કહેવું'દિવ્ય ભાસ્કરએ આ બાબતે ચીફ ઓફિસર દીપસિંહ હઠીલા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. તેમણે કેમેરા સામે કંઈપણ કહેવાનો સીધો ઇનકાર કર્યો અને કહ્યું, “હું આ બાબતે કોઈ જવાબ આપવા તૈયાર નથી. એક તરફ રહીશો હેરાન-પરેશાન છે, તો બીજી તરફ ચીફ ઓફિસર મીડિયા અને લોકોના પ્રશ્નોનો જવાબ આપવા તૈયાર નથી. સ્વચ્છ ભારત મિશનને લાગ્યુ ગ્રહણ: કરોડોની ગ્રાન્ટ છતાં સફાઈ નહિકેન્દ્ર સરકારે સ્વચ્છ ભારત મિશન માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ અને સ્માર્ટ સિટી માટે હજારો કરોડની ફાળવણી કરી છે. છતાં દાહોદ નગરપાલિકા સ્વચ્છતા અને વિકાસમાં ઘોર નિષ્ફળ નીવડી છે. વડાપ્રધાનના સ્વચ્છ ભારત મિશનને જાણે ગ્રહણ લાગ્યું હોય તેમ આ વિસ્તાર અબોલ છે. વિકાસના નામે અહીં કોઈ કામગીરી થઈ નથી, ના રસ્તા, ના ગટર, ના સફાઈ. સ્થાનિક રહીશ કિશન સિસોદિયાએ નેતાઓને સીધી ચેતવણી આપતાં જણાવ્યું, અમારા વિસ્તારમાં કોઈ પ્રકારની વિકાસ કામગીરી આજદિન સુધી થઈ નથી. આવનારી ચૂંટણીઓમાં જે નેતાઓ વોટ માંગવા આવશે, તેમને અમારી એક જ રજૂઆત હશે, રોડ, ગટરના ગંદા પાણી અને સફાઈની સમસ્યાઓનો નિકાલ કરો, તો જ વોટ આપીશું. જો સમસ્યાનું સમાધાન નહીં થાય, તો અમે નેતાઓને વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરીને અમારા વિસ્તારમાં વોટ માંગવા આવશો નહીં. પહેલા કામ કરો, પછી વોટ લેવા આવો. 'સુવિધા નહીં મળે તો ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર'દાહોદ શહેરના વોર્ડ નંબર-3ના રહીશોની એક જ માંગ છે કે, અન્ય વિસ્તારોની જેમ અમારા વિસ્તારનો પણ સંપૂર્ણ વિકાસ કરો. નવા રસ્તા, યોગ્ય ગટર વ્યવસ્થા, નિયમિત સફાઈ અને સ્વચ્છતા સહિતની પ્રાથમિક સુવિધાઓ અમને પણ તાત્કાલિક આપો. નેતાઓને સ્પષ્ટ ચેતવણી આપીએ છીએ કે, જો આ સુવિધાઓ નહીં મળે, તો આવનારી નગરપાલિકા અને અન્ય ચૂંટણીઓમાં અમે મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરીશું. નેતાઓને વોટ માંગવા આવવાની પણ અમારા વિસ્તાર મા મનાઈ છે.
બોલુન્દ્રા કાલભૈરવ મંદિરે કાલભૈરવ જયંતિ ઉજવાશે:યાગ, 301 વાનગીનો ભોગ દર્શન અને ભવ્ય ડાયરાનું આયોજન
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના બોલુન્દ્રા ગામે આવેલા ગુજરાતના પ્રથમ શિખરબંધી કાલભૈરવ મંદિરે કાલભૈરવ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે કાલભૈરવ યાગ, 301 વાનગીઓનો ભોગ દર્શન અને ભવ્ય રંગ કસુંબલ ડાયરાનું આયોજન કરાયું છે. શ્રી ભૈરવજી મંદિર ટ્રસ્ટ, બોલુન્દ્રા દ્વારા 12 નવેમ્બર, બુધવારે કાલભૈરવ જયંતિની ઉજવણી કરાશે. સવારે 11 કલાકે કાલભૈરવ મંદિરે કાલભૈરવ હવનનો પ્રારંભ થશે, જે સાંજે શ્રીફળ હોમ સાથે પૂર્ણ થશે. આ ઉપરાંત, ભૈરવ દાદાને 301 વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવશે. સાંજે 7 કલાકે મંદિર પરિસરના મેદાનમાં ભવ્ય રંગ કસુંબલ ડાયરો યોજાશે. આ ડાયરામાં કલાકાર અને ગાયક જીગ્નેશ કવિરાજ, ગમન સાંથલ (ભુવાજી), લોકગાયિકા તેજલ ઠાકોર ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનું મંચ સંચાલન હાસ્ય કલાકાર સુખદેવ ગઢવી કરશે, જ્યારે ભીખુદાન ગઢવી સહિતના કલાકારો કાર્યક્રમનું સંકલન કરશે. આ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તોને લાભ લેવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે. વહેલી સવારે અને રાત્રિના સમયે ગુજરાતના અલગ અલગ શહેરોમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. રાજ્યના 17 જેટલા જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. ગાંધીનગરમાં 14 ડિગ્રી નોંધાયું સૌથી નીચું તાપમાન ગાંધીનગરમાં 14 ડિગ્રી નોંધાયું છે. તો અમદાવાદમાં 14.7 ડિગ્રી, ડીસામાં 15.8 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 17 ડિગ્રી, વડોદરામાં 15.6 ડિગ્રી, નલિયામાં 15.4 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 15.5 ડિગ્રી, અમરેલીમાં 16.0 ડિગ્રી, રાજકોટમાં 16.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 17.6 મહુવામાં 17.7 ડિગ્રી, કેશોદમાં 17.5 ડિગ્રી, સુરતમાં 18.6 ડિગ્રી, ભુજમાં 19.4 ડિગ્રી, પોરબંદરમાં 18.5 ડિગ્રી, ભાવનગરમાં 19.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કડકડતી ઠંડી, તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટશેહિમાચલ પ્રદેશ અને કાશ્મીરના અનેક શહેરોમાં તાપમાન માઇનસમાં જતું રહ્યું છે, જેના કારણે ત્યાં કડકડતી ઠંડીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. જેના કારણે રાજ્યમાં આગામી કેટલાક દિવસ ખૂબ ઠંડા રહેવાની આગાહી કરવામાં આવી છે. તેમજ આગામી દિવસમાં તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડીનો ચમકારોપરંતુ હવામાન વિભાગની આગાહી અનુસાર હજી પણ ગુજરાતમાં બેવડી ઋતુનો માર સહન કરવો પડશે. વહેલી સવારે અને રાત્રિના સમયે ગુજરાતના અલગ અલગ શહેરોમાં ઠંડીનો ચમકારો જોવા મળશે.
ગુજરાત ATS દ્વારા આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ત્રણ શખ્સની અડાલજ પાસેથી ધરપકડ કરવામાં આવી છે. ATSની ટીમને બાતમી મળી હતી કે, કેટલાક શખ્સો આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે જેથી તેના ઉપર વોચ રાખવામાં આવી હતી. જે બાદ ATSની ટીમ દ્વારા ISIS સાથે જોડાયેલા ત્રણેય આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની દેશના અનેક સ્થળે હુમલો કરવાની યોજના હતીઆ આતંકીઓ હથિયારોની આપ-લે કરવા માટે ગુજરાત આવતા હતા, અને તેમની યોજના દેશના અનેક સ્થળો પર હુમલા કરવાની હતી. ધરપકડ કરાયેલા આતંકીઓ બે અલગ-અલગ મોડ્યુલનો ભાગ હોવાનું સામે આવ્યું છે. ATSની રડારમાં રહેલા આતંકીઓ દેશના કયા સ્થાનો પર હુમલો કરવાના હતા તે અંગેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. બપોરે 1:00 વાગ્યે સત્તાવાર રીતે ગુજરાત ATS દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપવામાં આવશે. આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યાં છીએ... થોડા મહિના અગાઉ AQISનો પ્રચાર પ્રસાર કરતા 4ની ધરપકડ કરાઈ હતીગુજરાત ATSએ ચાર મહિના પહેલા અલકાયદા સાથે જોડાયેલા ચાર લોકોની ધરપકડ કરી હતી. આ ચારમાં બે વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાના હતા, જ્યારે બે વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું સામે આવ્યું હતું. અલકાયદાના દક્ષિણ એશિયા ક્ષેત્ર સાથે જોડાયેલા AQIS(અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ)ની વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરતા હતા. તેઓ સોશિયલ મીડિયા અને કેટલીક સસ્પેક્ટ એપ્લિકેશન દ્વારા અલકાયદાની વિચારધારા સાથે જોડાઈને એને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હતા. (સંપૂર્ણ સમાચાર વાંચો) આતંકવાદી સંગઠન AQIS કેટલું ખતરનાક છે?2020માં એક ટોચના આતંકવાદવિરોધી અધિકારીએ યુએસ ધારાસભ્યોને જણાવ્યું હતું કે AQIS નાના પાયે આતંકવાદી હુમલાઓ કરવામાં સક્ષમ છે. નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરના ડાયરેક્ટર ક્રિસ્ટોફર મિલરે યુએસ સેનેટ કમિટીને જણાવ્યું હતું કે 2019માં યુએસ હુમલામાં AQIS ચીફ અસીમ ઉમરના માર્યા જવાથી દક્ષિણ એશિયામાં આ આતંકવાદી સંગઠન નબળું પડી ગયું છે. જોકે તે હજુ પણ નાના પાયે પ્રાદેશિક હુમલાઓ કરી શકે છે. જોકે નિષ્ણાતો ભારતીય ઉપખંડમાં AQIS અને અલકાયદાના જોખમને ઓછો અંદાજ આપે છે. ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ફોર કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટના અજય સાહની કહે છે, અલકાયદાએ સૌપ્રથમ 1996માં ભારતને ટાર્ગેટ તરીકે નામ આપ્યું હતું. એ સમયે ઓસામા બિન લાદેને જમ્મુ-કાશ્મીર અને આસામ બંનેનું નામ લીધું હતું. આ પછી પણ આ આતંકવાદી સંગઠન આ બંને રાજ્યોમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપી શક્યું નથી. નિષ્ણાતોનું કહેવું છે કે AQISએ હજુ ભારતના યુવાનોમાં વધુ અસર કરી નથી, પરંતુ તે ઈસ્લામિક સ્ટેટના અંતનો ફાયદો ઉઠાવી શકે છે. આ દિવસોમાં AQISએ ભારતમાં પણ તેની પ્રચારપ્રવૃત્તિઓ વધારી છે. તાજેતરમાં જ પયગંબર પરના વિવાદાસ્પદ નિવેદન બાદ AQIS દ્વારા ધમકીભર્યો પત્ર જાહેર થયા બાદ ગુપ્તચર એજન્સીઓ એલર્ટ પર છે. એજન્સીઓએ આ અંગે દિલ્હી, મહારાષ્ટ્ર, યુપી અને ગુજરાતને જાણ કરી છે અને એલર્ટ રહેવા જણાવ્યું છે.
કમોસમી વરસાદે રાજ્યભરના 16000 ગામના 13 લાખ ખેડૂતોની હાલત દયનિય બનાવી છે. ત્યારે રાજ્ય સરકારે પણ ગત વર્ષોની સરખામણીએ વધુ રાહત પેકેજ મંજૂર કરી 10 હજાર કરોડનું રાહત પેકેજ મંજુર કર્યું છે. તેમ છતાં ખેડૂતોમાં હજુ પાક નુકસાન વળતર, દેવું સંપૂર્ણ માફ, પાક વીમો શરૂ કરવો, નકલી બિયારણ-દવાઓ મામલે અસંતોષ હોય, ત્યારે કોંગ્રેસ દ્વારા 6 નવેમ્બરથી ગીર સોમનાથથી ‘ખેડૂત આક્રોશ રેલી’નો પ્રારંભ કર્યો છે, જે સૌરાષ્ટ્રના 11 જિલ્લામાંથી પસાર થઈ 13 નવેમ્બરના રોજ દ્વારકા ખાતે પૂર્ણ થશે. ગતરોજ સાંજે (8 નવેમ્બર) આ ખેડૂત આક્રોશ રેલી રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલના ગામે લીમડા (તા. ઉમરાળા, જિ. ભાવનગર) પહોંચી હતી. અહીં સભાને સંબોધતા શક્તિસિંહ ‘ઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા તો ખેડૂત નો શું વાંક?’ કહી સરકાર પર સીધુ નિશાન તાક્યું હતું. કૃષિમંત્રી જીતુ વાઘાણીને આડેહાથ લેતા જેનીબેન ઠુમ્મરે કહ્યું કે, કૃષિમંત્રી ભાવનગરના પનોતા પુત્ર છે, જો તેઓ ભાવનગરની પીડા ન સમજતા હોય તો પછી રાજ્યની પીડા કેવી રીતના સમજી શકે! આ સભામાં પાલભાઈ આંબલિયા, પ્રતાપ દુધાત, લલિત વસાવા સહિતના લોકો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતાં. ખેડૂતોના દેવા માફ અને સહાયને લઈ શક્તિસિંહ ગોહિલે રાજ્ય સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, પાક નુકસાની ખૂબ થઈ છે, જેની સરખામણીમાં વળતર ખૂબ ઓછું છે, જેથી સરકારે યોગ્ય વળતર આપવું જોઈએ. એટલે કે સંપૂર્ણ દેવા માફી કરવી જોઈએ. ભૂતકાળમાં અનેક ઉદ્યોગપતિઓના સંપૂર્ણ દેણા માફ કર્યા છે, ત્યારે ખેડૂતોના પણ દેણા માફ કરવા જોઈએ. ખાસ રાજ્ય સરકારે ગુજરાતમાં વર્ષ 2020થી બંધ કરેલો ખેડૂત પાક નુકસાની વીમો જો શરૂ હોય તો આ તમામ નુકસાનીનું પૂરતું વળતર ખેડૂતોને મળ્યું હોત. ત્યારે સરકારે આ પાક વીમો ફરી શરૂ કરવો જોઈએ. અનેક ખેડૂતો અત્યારે પાક નુકસાની મામલે આત્મહત્યા કરી રહ્યા છે, ત્યારે ખેડૂતોએ આવું પગલું ન ભરવા અપીલ પણ કરી છે. તેમજ આવી ઘટનામાં ભોગ બનેલા ખેડૂત પરિવારને રૂપિયા 25 લાખનું વળતર સરકાર આપવા માગ કરી છે. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુમ્મરે સભાને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણી ભાવનગરના પનોતા પુત્ર છે. જો કૃષિમંત્રી ભાવનગરની પીડા ના સમજતા હોય તો પછી રાજ્યની પીડા કેવી રીતના સમજી શકે? આ સાથે જ ખેડૂતોને હાકલ કરતા જેનીબેને કહ્યું હતું કે, મંત્રીના ઘરે જઈને ઢોલ વગાડીને કહેજો કે તમે ભાવનગરના પુત્ર છો, પહેલા ભાવનગરને ન્યાય આપજો. આ કાર્યક્રમમાં અમરેલીના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત પણ હાજર હતા તેમને પણ સરકારની પાક વીમા પોલિસી ઉપર સવાલો ઉઠાવ્યા હતાં. સાથે સરકાર દ્વારા ઐતિહાસિક 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, તેને લઈ પણ કટાક્ષ કર્યો હતો. ખેડૂતોને પોતાના માટે અવાજ ઉઠાવવા અને સરકાર સામે મોરચો માંડવા પણ હાકલ કરી હતી. પ્રતાપ દુધાત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 2027 સુધીમાં ભાજપ સરકારે ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવું જ પડશે, આની માટે કોંગ્રેસ આવનારા દિવસોમાં વિરોધ પ્રદર્શન સહિતના કાર્યક્રમ પણ આપે તે પ્રકારની રણનીતિ જોવા મળી રહી છે. આ કાર્યક્રમમાં રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ તેમજ કોંગ્રેસના અન્ય દિગ્ગજ નેતા લલિત વસોયા, પ્રતાપ દુધાત, જેનીબેન ઠુંમર તેમજ બોટાદ, અમરેલી અને ભાવનગરના વિપક્ષ નેતા અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. કોંગ્રેસ દ્વારા સરકાર સામે ખેડૂતોના મુદ્દે ખેડૂત આક્રોશ યાત્રા શરૂ કરવામાં આવી છે, તેની માટે સભા યોજાઈ હતી. આવનારા દિવસોમાં કોંગ્રેસ પાક વીમા પોલિસી તેમજ કૃષિ રાહત પેકેજને સહિતના ખેડૂતલક્ષી મુદ્દાઓને લઈ મેદાનમાં ઊતરશે અને ભાજપ સરકારને ધેરશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો પણ વિવિધ જિલ્લાઓમાંથી પહોંચ્યા હતા. તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા 10,000 કરોડનો કૃષિ રાહત પેકેટ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ ખેડૂતોનું અને કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે, જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, તેનાથી ખેડૂતોને મામુલી રકમ જ મળવા પાત્ર છે, જેના કારણે ખેડૂત પગભર પણ થઈ શકે તેવું આ કૃષિ રાહત પેકેજ નથી. આ ઐતિહાસિક નહિ લોલીપોપ વાળું રાહત પેકેજ છે.
લખપતમાં 14 વર્ષના બાળકના ખિસ્સામાં ફોન ફાટ્યો:ભાડરામાં મોબાઈલ બહાર કાઢ્યા બાદ પણ બે ધડાકા થયા
કચ્છના લખપત તાલુકાના ભાડરા ગામમાં 14 વર્ષના બાળક રાજવીર અરવિંદ પાયરના ખિસ્સામાં સ્માર્ટફોન ફાટવાની ઘટના બની છે. આ ઘટનામાં બાળકને સામાન્ય ઈજા થઈ હતી. બાળકે મોબાઈલ ફોન પોતાના પેન્ટના ખિસ્સામાં રાખ્યો હતો. થોડી જ ક્ષણો બાદ ફોન અચાનક ધડાકા સાથે ફાટ્યો હતો. ફોન ખિસ્સામાંથી કાઢી બહાર ફેંકી દેવાયા બાદ પણ તેમાં શોર્ટ સર્કિટ થઈ હતી અને વધુ બે ધડાકા થયા હતા. ભાડરા ગામના યુવા આગેવાન બળુભા તુંવરે જણાવ્યું હતું કે, રાજવીરના ખિસ્સામાં રહેલો મોટોરોલા કંપનીનો સ્માર્ટ મોબાઈલ કોઈ કારણોસર ફાટ્યો હતો. આ બનાવમાં બાળકને સાથળના ભાગે સામાન્ય ઈજા થઈ હતી. આ ઘટનાથી ગ્રામ્ય વિસ્તારમાં ચિંતા ફેલાઈ છે, ખાસ કરીને સ્માર્ટફોનના વધુ પડતા ઉપયોગને કારણે બાળકોની સુરક્ષા અંગે વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે.
બોડેલીમાં દારૂ ભરેલી i20 ગાડી ઈકો સાથે ટકરાઈ:પોલીસ પીછો કરતાં એક ફરાર, એક ઝડપાયો
બોડેલીના અલીપુરા ચાર રસ્તા પાસે ગત રાત્રિ દરમિયાન વિદેશી દારૂ ભરેલી હ્યુન્ડાઈ i20 ગાડી ઈકો કાર સાથે અથડાઈ હતી. પોલીસે પીછો કરતા આ ઘટના બની હતી, જેમાં ગાડીમાં સવાર બે વ્યક્તિમાંથી એક ફરાર થઈ ગયો હતો જ્યારે બીજાને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા પીછો કરવામાં આવતા i20 ગાડીનો ચાલક હાલોલ રોડ તરફ જઈ રહ્યો હતો. ખોડિયાર માતાના મંદિર સામે તેણે આગળ ઉભેલી ઈકો ગાડીને ટક્કર મારી હતી, જેના કારણે i20 ગાડી ત્યાં જ અટકી ગઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ ગાડીમાંથી એક વ્યક્તિ ઉતરીને ભાગી ગયો હતો, જ્યારે અન્ય એકને પોલીસે પકડી પાડ્યો હતો. છોટા ઉદેપુર સરહદી જિલ્લો હોવાથી અહીં વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો વારંવાર થતા રહે છે. બોડેલીમાં એક જ દિવસમાં દારૂ ભરેલી ગાડી અથડાવાની આ બીજી ઘટના છે. આ પહેલા વહેલી સવારે આંબા લોઢણ પાસે પણ આવી જ એક ઘટના બની હતી. આવી ઘટનાઓ દર્શાવે છે કે બોડેલી વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરી મોટા પાયે થઈ રહી છે. થોડા દિવસો અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પણ મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. તેમ છતાં દારૂની આટલી મોટી માત્રામાં ઘુસણખોરી જિલ્લા પોલીસની કામગીરી પર સવાલો ઉભા કરે છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટી-20 શ્રેણી પૂર્ણ થયા બાદ હવે રાજકોટમાં ક્રિકેટ ફીવર શરૂ થવા જઈ રહ્યો છે, જ્યાં ભારત-એ અને સાઉથ આફ્રિકા-એ ટીમ વચ્ચે રાજકોટમાં રમાનારી ત્રણ વનડે મેચની શ્રેણી 13 નવેમ્બરથી શરૂ થશે. આ માટે બંને ટીમના ખેલાડીઓનું આવતીકાલે, 10 નવેમ્બર 2025ના રોજ, રાજકોટમાં આગમન થશે અને તેઓ કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલમાં 10 દિવસ સુધી રોકાણ કરશે. હોટલ સયાજી ખાતે ખેલાડીઓ માટે રોયલ રજવાડી થીમ પર સજાવટની સાથે જ, તેમને ગાંઠિયા, જલેબી, થેપલા અને સયાજી સ્પેશિયલ ગુજરાતી થાળી જેવી મનપસંદ વાનગીઓ પીરસવાની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. જ્યારે અહીં યોજાનાર ત્રણેય મેચ નિહાળવા પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. ટીમ ઇન્ડિયા કેપ્ટન તિલક વર્માની આગેવાનીમાં રમશેભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી-20 શ્રેણીમાં ભારતે 2-1થી ઓસ્ટ્રેલિયાને કારમી હાર અપાવી છે. આ પછી હવે ભારત એ-ટીમ અને સાઉથ આફ્રિકા એ-ટીમ વચ્ચે ત્રણ વનડે મેચની શ્રેણી રમાવા જઇ રહી છે. રાજકોટમાં રમાનાર વનડે મેચની શ્રેણીમાં ટીમ ઇન્ડિયા કેપ્ટન તિલક વર્મા અને વાઇસ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની આગેવાનીમાં રમશે. બેટિંગ પીચ હોવાથી ત્રણેય મેચ હાઈ સ્કોરિંગ થાય તેવી આશાતાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે સારું પ્રદર્શન કરી સૌથી ઝડપી 1000 રન બનાવનાર અને મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ મેળવનાર અભિષેક શર્મા ઉપરાંત તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, અને અર્શદીપ સિંહ સહિતના ખેલાડીઓ ધમાકેદાર પર્ફોમન્સ આપશે. રાજકોટની પીચ બેટિંગ પીચ માનવામાં આવે છે માટે ટીમ ઇન્ડિયાના ફૂલ ફોર્મમાં રહેલા ખેલાડીઓ મારફતે તમામ ત્રણેય મેચ હાઈસ્કોરિંગ થવાની આશા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારોએ વ્યક્ત કરી છે. હોટલના દરેક રૂમ રોયલ રજવાડી થીમ પર સજાવાયાહોટલ સયાજી ખાતે ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને કોચને સ્પેશિયલ રૂમ ફાળવવામાં આવશે. આ હોટલના દરેક રૂમ રોયલ રજવાડી થીમ પર સજાવવામાં આવ્યા છે. જેમાં રૂમની અંદર ગુજરાત અને ભારતના હેરિટેજ પેલેસની અલગ અલગ તસવીરો મુકવામાં આવી છે. સાથે જ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ માટે જીમ, સ્વિમિંગ પૂલ સહિતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ટીમ ઇન્ડિયાના કેટલાક ખેલાડીઓ અગાઉ પણ રાજકોટની સયાજી હોટેલ ખાતે રોકાણ કરી ચુક્યા છે. માટે તેમને મનપસંદ વાનગીઓ પણ પીરસવા માટે હોટેલ સ્ટાફ દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે. ખેલાડીઓને ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે. ઇન્ડિયા-એ ટીમના ખેલાડીઓ તિલક વર્મા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ (વાઇસ કેપ્ટન), અભિષેક શર્મા, પ્રભસિમરન સિંહ, રિયાન પરાગ, ઈશાન કિશન (વિકેટકીપર), આયુષ બડોની, નિશાંત સિંધુ, વિપરાજ નિગમ, માનવ સુથાર, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રસિધ્ધ કિષ્ના, ખલીલ અહેમદ સાઉથ આફ્રિકા-એ ટીમના ખેલાડીઓમાર્ક્વેસ એકરમેન (કેપ્ટન), જોર્ડન હર્મન, સિનેથેમ્બા ક્વેશિલ, જેસન સ્મિથ, ડેલાનો પોટગીટર, કોડી યુસુફ, રુબિન હર્મન, રિવાલ્ડો મૂનસામી, લ્યુઆન-ડ્રે પ્રેટોરિયસ, ઓટ્ટનીલ બાર્ટમેન, બ્યોર્ન ફોર્ટ્યુન, ક્વેના માફાકા, ત્શેપો મોરેકી, મિહલાલી મ્પોંગવાના, એનકાબાયોમ્ઝી પીટર ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં રાજકોટનાં ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કુલ 11 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. જેમાં 3 ટેસ્ટ, 5 ટી-20 અને 4 વન-ડેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તાજેતરમાં જાન્યુઆરી 2025માં પ્રથમ વખત ભારતની વુમન્સ ટીમ પણ રાજકોટની મહેમાન બની હતી. જેમાં ભારતીય મહિલા ક્રિકેટરોએ આયર્લેન્ડ સામે રેકોર્ડ સ્થાપિત કરી શાનદાર જીત મેળવી 3-0થી વન-ડે ઇન્ટરનેશનલ શ્રેણી પર કબ્જો મેળવ્યો હતો.
પાટણમાં પદ્મનાભજી રાત્રીમેળો:હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, મેળાની રંગત જામી
પાટણ શહેરમાં પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન પદ્મનાભજીનો સપ્તરાત્રી મેળો ચાલી રહ્યો છે. આ મેળામાં પ્રજાપતિ સમાજ સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે અને ભગવાનના દર્શનનો લાભ લઈ રહ્યા છે. છેલ્લા છ દિવસથી ચાલી રહેલા આ રાત્રી મેળામાં હજારો દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડતાં મેળાની રંગત જામી છે. કાર્તિકી પૂનમથી શરૂ થયેલા આ મેળામાં છઠ્ઠા દિવસે ભારે ભીડ જોવા મળી હતી. દૂર દૂરથી આવેલા પ્રજાપતિ સમાજના શ્રદ્ધાળુઓ મેળાની મજા માણી રહ્યા છે. પાટણ શહેર અને આજુબાજુના ગામોમાંથી આવેલા લોકોએ ચકડોળ, ચકરડી સહિતની વિવિધ રાઇડ્સમાં મનોરંજન મેળવ્યું હતું. આખો મેળો રોશનીથી ઝળહળી ઉઠ્યો હતો. ખાણી-પીણીના સ્ટોલ પર પણ લોકોએ વિવિધ વાનગીઓની મજા માણી હતી.
રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ વચ્ચે બ્રાહ્મણ સમાજમાં પણ સંગઠનાત્મક ચળવળ શરૂ થઈ છે. ગુજરાતમાં આશરે 70 લાખની વસ્તી ધરાવતો આ સમાજ રાજકીય અવગણનાનો ભોગ બનતો હોવાની લાગણી વ્યક્ત થઈ રહી છે. ભાજપના શાસનકાળ દરમિયાન બ્રાહ્મણ સમાજના આગેવાનોને રાજકીય રીતે અવગણવામાં આવી રહ્યા હોવાના આરોપો વચ્ચે સમાજે સંગઠિત થવાનો નિર્ધાર કર્યો છે. આ સંદર્ભે સોમનાથ બ્રહ્મપુરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજના અગ્રણી મિલન શુક્લા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ગીર સોમનાથ જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ તુષાર પંડ્યા, સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજના પ્રમુખ હેમલચંદ્ર ભટ્ટ, ઉપપ્રમુખ જયપ્રકાશ જાની, સુજલ પાઠક અને મિલન જોશી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. બેઠકમાં મુખ્યત્વે રાજકીય ક્ષેત્રે સમાજની અવગણના અંગે ચર્ચા થઈ હતી. ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું કે રાજ્યના 95 ટકા બ્રાહ્મણો ભાજપ સાથે જોડાયેલા હોવા છતાં, મંત્રીમંડળ કે સંગઠન સ્તરે બ્રાહ્મણ નેતાઓને પૂરતું સ્થાન મળતું નથી. આ પરિસ્થિતિમાં બ્રહ્મ સમાજે સંગઠિત થઈને પોતાના રાજકીય હક્કો માટે આંદોલનાત્મક રીતે માંગણી કરવાનો સંકલ્પ લીધો છે. આ માંગણીઓને વાચા આપવા માટે રાજ્યભરના બ્રાહ્મણ સમાજના આગેવાનો દ્વારા 7 ડિસેમ્બરના રોજ રાજકોટ ખાતે એક વિશાળ બ્રહ્મ સમાજ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાસંમેલનને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતના બ્રાહ્મણ પરિવારોને જોડવા માટે વિવિધ જિલ્લાઓમાં બેઠકો યોજાઈ રહી છે. ગીર સોમનાથની બેઠકમાં સ્થાનિક આગેવાનોએ સમાજને આ સંમેલનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા હાકલ કરી હતી. રાજકીય નિષ્ણાતોના મતે, બ્રાહ્મણ સમાજનું આ સંગઠન રાજ્યના રાજકીય સમીકરણો પર અસર કરી શકે છે. હાલ રાજકીય પક્ષોની નજર પણ બ્રહ્મ સમાજની આ ગતિવિધિઓ અને આગામી મહાસંમેલન પર કેન્દ્રિત છે.
છોટા ઉદેપુરમાં શિયાળાની શરૂઆતમાં જ ઠંડીનો પારો ગગડ્યો:લોકો તાપણાનો સહારો લેવા મજબૂર બન્યા
છોટા ઉદેપુર જિલ્લામાં શિયાળાની શરૂઆત થતાં જ ઠંડીનો પારો ગગડ્યો છે. કડકડતી ઠંડીથી બચવા માટે લોકો તાપણાનો સહારો લેવા મજબૂર બન્યા છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો, પરંતુ આજે અચાનક ઠંડીમાં વધારો થયો છે. આજે વહેલી સવારે 6 વાગ્યે તાપમાન ઘટીને 18 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. ઠંડીના આ ચમકારાને કારણે વહેલી સવારે લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે તાપણા કરતા જોવા મળ્યા હતા.
વલસાડમાં વિદેશમાં નોકરી અપાવવાના બહાને એક વ્યક્તિ સાથે ₹1.30 લાખની છેતરપિંડી થઈ છે. આ મામલે વલસાડ શહેર પોલીસ મથકે મીત ટ્રાવેલ્સના સંચાલક ઈશ્વરભાઈ ભરૂચા વિરુદ્ધ BNSની કલમ 318(4) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદી પ્રવિણ પટેલ ડ્રાઇવર તરીકે કાર્યરત છે. આશરે એક વર્ષ પહેલા તેઓ વિદેશમાં નોકરી મેળવવા ઈચ્છતા હતા. તેમના મિત્ર મુકેશ ભગુ પટેલ મારફતે તેમની ઓળખ વલસાડ સ્ટેશન રોડ પર આવેલી મીત ટ્રાવેલ્સના સંચાલક ઈશ્વરભાઈ ભરૂચા સાથે થઈ હતી. ઈશ્વરભાઈએ પ્રવિણભાઈને મંગોલિયા ખાતેની “Respected Mega Engineering Infrastructures Ltd.” કંપનીમાં હેવી ડ્રાઇવર તરીકે નોકરી અપાવવાનું આશ્વાસન આપ્યું હતું. આ માટે તેમણે કુલ ₹1.30 લાખનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. પ્રવિણભાઈએ ઈશ્વરભાઈ ભરૂચાના બેંક ખાતામાં કુલ ₹1.30 લાખની રકમ ટ્રાન્સફર કરી હતી. જેમાં 29 નવેમ્બર 2024ના રોજ ₹50 હજાર અને 12 ડિસેમ્બર 2024ના રોજ ₹80 હજારનો સમાવેશ થાય છે. આ રકમ મળ્યા બાદ, ઈશ્વરભાઈએ વોટ્સએપ દ્વારા ઓફર લેટર, વિઝા અને એરટિકિટ મોકલ્યા હતા. જોકે, મુસાફરીના નિર્ધારિત સમય પહેલાં ઈશ્વરભાઈએ 'ટિકિટ કન્ફર્મ નથી' તેમ કહી પ્રવાસ રદ કર્યો હતો. ત્યારબાદ તેમણે પ્રવિણભાઈને નોકરી કે પૈસા પરત આપ્યા નહોતા. પાસપોર્ટ પરત મળ્યા છતાં પૈસા પરત ન મળતા, પ્રવિણભાઈ પટેલે વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વલસાડ શહેર પોલીસે આ છેતરપિંડીના મામલે ઈશ્વરભાઈ ભરૂચા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડ જિલ્લામાં ₹5.29 કરોડથી વધુ કિંમતનો 1.99 લાખથી વધુ વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે. આ દારૂ 1લી જુલાઈથી 30મી સપ્ટેમ્બર, 2025 દરમિયાન પ્રોહીબિશન એક્ટ હેઠળ ઝડપાયો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા કડક ચેકિંગ અભિયાન ચલાવીને આ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ઝડપાયેલા દારૂના મુદ્દામાલનો નાશ કરવા માટે નિયમ મુજબ SOP પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હતું. સંબંધિત કોર્ટના હુકમો મેળવી પ્રાંત અધિકારીઓને રજૂઆત કરાઈ હતી. મંજૂરી હુકમો મળ્યા બાદ ભીલાડ RTO ચેક પોસ્ટ ખાતે પારડી, ધરમપુર અને વલસાડ વિભાગના પ્રાંત અધિકારીઓ, નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ તેમજ તમામ થાણા અધિકારીઓની હાજરીમાં આ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો. સરકારના ગૃહ વિભાગના ઠરાવ મુજબ કરવામાં આવેલી આ કાર્યવાહી દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર દારૂના ધંધા સામે કડક સંદેશો પહોંચાડવામાં આવ્યો છે.
અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા ફ્લેટમાં આધેડ સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે રાત્રિ દરમિયાન એન્ટ્રી કર્યા વગર એક ડિલિવરી બોય ફ્લેટ અંદર પ્રવેશતા તેને અટકાવતા રોષે ભરાયો. બોલાચાલી બાદ ડિલિવરી બોય અને બહારથી આવેલા તેના પિતાએ મળીને ગાર્ડને માર માર્યો અને મેઈન ગેટનું બેરિયર પણ તોડી નાખ્યું હતું. ડિલિવરી બોયે તેના મિત્રોને બોલાવ્યા હતા અને એક વ્યક્તિએ છરી વડે આધેડને હાથ અને આંખ પાસે ઈજા પણ પહોંચાડી હતી. સમગ્ર મારામારી અને તોડફોડની ઘટના CCTVમાં કેદ થઈ હતી. સરખેજ પોલીસે ડિલિવરી બોય અને અન્ય પાંચ સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી. ડિલિવરી બોય એન્ટ્રી વગર પ્રવેશ કરતા સિક્યુરિટી ગાર્ડે ટોક્યોસરખેજમાં રહેતા 52 વર્ષીય મહમંદ સમીર શેખ સરખેજ ફતેવાડીમાં આયમન 52માં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. તેઓ રાતના સમયે નોકરી પર હાજર હતા, ત્યારે ફ્લેટ બહાર દુકાનની લાઇટ બંધ કરવા ગયા હતા ત્યારે એક ઝેપટો કંપનીનો ડિલિવરી બોય મેઈન ગેટ તરફ આવતો હતો. જેને સમીરભાઇએ ઊભો રાખ્યો હતો અને કહ્યું કે એન્ટ્રી કર્યા વિના અંદર કેમ ગયો. ડિલિવરી બોયે કહ્યું કે, તમે હાજર નહોતા તો ડિલિવરી કરવા નહીં જવાનું. જેથી સમીરભાઈએ કહ્યું કે, હવે પછી એન્ટ્રી કર્યા વગર ગેટમાં પ્રવેશ કરવો નહીં. ડિલિવરી બોયના પિતાએ લોખંડની પાઇપ વડે હુમલો કર્યોબાદમાં ડિલિવરી બોય સિક્યુરિટી ગાર્ડ સમીરભાઈ સાથે બોલાચાલી કરી મારામારી કરવા લાગ્યો હતો. આ દરમિયાન એક વ્યક્તિ બહારથી આવ્યો અને કહેવા લાગ્યો કે, કેમ મારા દીકરા સાથે બોલાચાલી કરે છે. કહી મેન ગેટનું બેરિયર તોડીને આવ્યો અને સમીરભાઈ સાથે મારામારી કરી લોખંડની પાઇપ દ્વારા સમીરભાઈને માર મારવા લાગ્યો હતો. જે દરમિયા આસપાસના લોકો ભેગા થઈ જતાં સમીરભાઈને વધુ માર મારવાથી છોડાવ્યા હતા. આરોપીએ અન્ય સાગરીતોને બોલાવી લાવી ફરી માર માર્યોસમીરભાઈ એ-બ્લોકની સીડી તરફ જતા રહ્યા ત્યારે ડિલિવરી બોય તેના અન્ય સાગરીતો સાથે ફરી આવ્યો અને સમીર ભાઈને માર મારવા લાગ્યો હતો. એક વ્યક્તિ છરી લઈને આવ્યો હતો જેણે સમીરભાઈને હાથ ઉપર અને આંખ પાસે છરી પણ મારી હતી. મારામારી દરમિયાન આસપાસના લોકો ભેગા થઈ ગયા જેમણે સમીરભાઈને છોડાવ્યા હતા. સમીરભાઈને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે વી.એસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે ડિલિવરી બોય અને અન્ય પાંચ સામે ગુનો નોંધ્યોસમીરભાઈએ ડિલિવરી બોય અને અન્ય પાંચ વ્યક્તિઓ સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. સમગ્ર મારામારી અને તોડફોડની ઘટના પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
પગલાં લેવા માંગણી:પાલનપુરના ગોબરી રોડ પર જાહેરમાં નાખી, બાળીને પ્રદૂષણ ફેલાવાય છે
પાલનપુર થી જગાણા ગામ તરફ જતા ગોબરી રોડ પર માર્કેટ યાર્ડ નજીક જાહેર માર્ગ પર કચરો ઠાલવવામાં આવે છે જોકે આ કચરો ઉઠાવવા માટેની સેનિટેશન વિભાગ દ્વારા કોઈ વ્યવસ્થા ન હોવાથી સ્થાનિક રહિશો રોજ અહીં કચરો બાળીને પ્રદુષણ સર્જે છે. આસપાસની સોસાયટીના રહીશોએ આક્રોશ વ્યક્તિ કરતાં જણાવ્યું કે અવારનવાર અહીં કચરો સળગાવવામાં આવે છે ક્યારેક ક્યારેક તો ટાયર પણ સળગાવવામાં આવે છે. શિયાળામાં સાંજના સમયે ધુમાડો ઉપર જતો નથી અને હવામાં નીચેજ ફરતો રહે છે અને રોજ રોજ આ રીતે કચરો બળવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ રહ્યું છે. સેનીટેશન શાખા દ્વારા જાહેરમાં કચરો સળગાવવાની કામગીરી કરતા તત્વો સામે પગલાં ભરવામાં આવે તે જરૂરી છે.
ખાતર ડેપો પર કતારો:અમીરગઢમાં શિયાળુ પાકનું મોટાપાયે વાવેતર છતાં ખાતરની અછત
અમીરગઢ તાલુકામાં શિયાળુ પાકની વાવણી જોરશોરથી ચાલી રહી છે. ઘઉં, બટાકા, રાયડો અને એરંડા જેવા પાક માટે યુરિયા ખાતરની માંગમાં ભારે વધારો થયો છે. પરંતુ હાલ તાલુકાના વિવિધ ખાતર ડેપો પર ખાતરની અછતના કારણે ખેડૂતો લાંબી કતારોમાં ઉભા રહીને ખાતર મેળવવા મથામણ કરી રહ્યા છે. અમીરગઢ તાલુકામાં હાલ યુરિયા ખાતરની તંગી સર્જાતા ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે. શિયાળુ પાકનું મોટાપાયે વાવેતર શરૂ થતાં ખાતરની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે ખેડૂતો વહેલી સવારથી જ ખાતર ડેપો પર લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે.આ તાલુકામાં ઘઉં, બટાકા, રાયડો અને એરંડા જેવા પાકનું મોટા પાયે વાવેતર થયું છે. આ પાકોને વાવણી સમયે તેમજ વાવણી પછી પણ યુરિયા ખાતર જરૂરી રહે છે. હાલ પુરવઠાની અછતને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.અરણીવાડા ગામના ખેડૂત મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે,સારા વરસાદને કારણે આ વર્ષે યુરિયા ખાતરની થોડી શોર્ટેજ જોવા મળી રહી છે. સરકારને વિનંતી છે કે અગાઉના વર્ષોની જેમ તાત્કાલિક પુરવઠો સુનિશ્ચિત કરીને ખેડૂતોને રાહત આપવામાં આવે.
કામગીરી:પાલનપુર મીરા દરવાજા બગીચો તોડી હવેઅંડર ગ્રાઉન્ડ સંપ અને ટાંકી બનાવવાનું શરૂ
પાલનપુર શહેરમાં પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા વધુ અસરકારક બને તે માટે નવા સંપ અને ઓવરહેડ ટાંકી બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેને લઇ મીરા ગેટ બગીચો તોડીને હવે અહીં અંડરગ્રાઉન્ડ સંપ બનાવવામાં આવનાર છે. જેને લઇ એજન્સી દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. પાલિકાના સૂત્રોએ જણાવ્યું કે અગાઉ પાલિકાની સાધારણ સભામાં પીવાના પાણીની સંગ્રહ ક્ષમતામાં વધારો કરવા માટે નવા ટાંકા અને સંપ મંજૂર કરવામાં આવ્યા હતા. જેને લઇ કામગીરી ચાલી રહી છે. સંગ્રહ ક્ષમતા વધતા પીવાના પાણીની જે જરૂરિયાતો છે તે આવનારા સમયમાં પહોંચી વળાશે.
કાર્યવાહી:5 કરોડની નશીલી દવાઓ વેચી દેનાર કંપનીનું આરોપી દંપતી ઝબ્બે
બનાસકાંઠામાં નશીલા પદાર્થોના કાળા વેપાર મામલે કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરો (CNB)ની નિમચ ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી ગેરકાયદેસર દવાઓના ઉત્પાદન અને વિતરણના કેસમાં વધુ બે આરોપીઓ અમદાવાદની એનડી ફાર્માસ્યુટિકલ કંપનીના માલિક પત્ની સમીક્ષા મોદી અને તેના પતિ માર્કેટિંગ ડાયરેકટર સુનિલ મોદીની શનિવારે ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી રૂ. 3.80 લાખ રોકડા અને દવાઓનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સુનિલ મોદી અને સમીક્ષા મોદીએ નશીલી દવાઓના વેચાણ માટે બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ ગામડાઓના યુવકોનો સંપર્ક કર્યો હતો. ધાનેરા અને થરાદથી અગાઉ જે બે યુવકો ઝડપાયા હતા તે હાલ પાલનપુર ની જેલમાં છે. કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોની ટીમે ફેબ્રુઆરી મહિનામાં ધાનેરા અને થરાદ વિસ્તારમાં રેડ કરીને બે આરોપીઓને પકડી પાડ્યા હતા, જ્યાંથી અંદાજે 5 કરોડ રૂપિયાની પ્રતિબંધિત દવાઓ જપ્ત કર્યો હતો. તે પછીની તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે આરોપીઓએ અમદાવાદની એન.ડી. ફાર્માસ્યુટિકલ કંપની ખોલી NDPS એક્ટ હેઠળની દવાઓનું ગેરકાયદેસર ઉત્પાદન અને સપ્લાય કર્યું હતું. તપાસમાં એ પણ સામે આવ્યું કે નશીલી અને ગર્ભપાત માટે પ્રતિબંધિત દવાઓનું ઉત્પાદન અને વેચાણ કરી રહ્યા હતા. પોલીસે આરોપીઓના ઘરો અને ગોડાઉનમાં પ્રતિબંધિત દવાઓ સહિત 3.80 લાખ રૂપિયાની રોકડ રકમ તથા પ્રતિબંધિત દવાઓ જપ્ત કરી હતી. પોલીસ તપાસ મુજબ અત્યાર સુધી આરોપીઓએ પાંચ કરોડની 42.51 લાખ ટેબ્લેટ માર્કેટમાં વેચાણ કરી દીધી છે. ઉપરાંત 15500 કોડીન દવા પણ માર્કેટમાં સપ્લાય કરી છે. સમગ્ર કાર્યવાહી બાદ કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોની ટીમ અમદાવાદથી દંપતીની ધરપકડ કરીને પાલનપુરની કોર્ટમાં રજૂ કરી 7 દિવસની રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જ્યાં કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોના અધિકારી પ્રવીણ ધૂલે જણાવ્યું કે અમે જ્યારે થરાદ અને ધાનેરાથી આરોપીઓને પકડ્યા એના પછી જે દવાઓ મળી હતી તે લેબમાં પરીક્ષણ કરાવ્યું હતું અને તેમાં પ્રતિબંધિત ડ્રગ હોવાનું સામે આવ્યું હતું. અમે ત્યારથી જ દવાઓનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેને લઈ આરોપીઓની શોધખોળ કરી રહ્યા હતા. આખરે અમને સફળતા મળી છે. નશીલા પદાર્થોના નેટવર્કમાં જોડાયેલા અન્ય આરોપીઓની શોધખોળ પણ ચાલી રહી છે. અમદાવાદના ગોતામાં 2017માં ફાર્મા કંપનીની ઓફિસ ખોલી, ત્રણ વર્ષથી NDPS ડ્રગનું વેચાણ ચાલુ કર્યું હતું જુલાઈ 2017 માં સમીક્ષા સુનિલકુમાર મોદીએ રિટેલ બિઝનેસ અને હોલસેલ બિઝનેસમાં કંપનીનું રજીસ્ટ્રેશન કરાવ્યું. વાર્ષિક 10 કરોડના ટર્ન ઓવરની એનડી ફાર્માસ્યુટિકલ્સ કંપની ગોતામાં શરૂ કરીને શરૂઆતના વર્ષોમાં ફાર્મા કંપનીની દવાઓ સપ્લાય કરતા પરંતુ પાછલા ત્રણ વર્ષથી માર્કેટમાં પ્રતિબંધિત દવાઓ સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું. જેમાં અત્યાર સુધી પાંચ કરોડ ની 42.51 લાખ ટેબલેટ માર્કેટમાં સપ્લાય કરી વેચી હોવાનો ખુલાસો નાર્કોટિક્સ બ્યુરો એ કર્યો છે.
અટકાયત:વરાણા પાસેથી 2.58 લાખનો દારૂ ભરેલી ક્રેટા ગાડી પકડાઈ
સમી રાધનપુર હાઇવે પર વરાણા પીકઅપ સ્ટેન્ડ નજીકથી એલસીબીએ રૂ.2,58,960ના પર પ્રાંતીય દારૂનો જથ્થો ભરેલી ક્રેટા ગાડી પકડી પાડી હતી. દારૂ સાથે રાજસ્થાનના એક શખ્સની ધરપકડ કરી હતી. જોકે દારૂનો જથ્થો ભરી આપનાર સહિત ત્રણ શખ્સો વોન્ટેડ છે. પાટણ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વખતે મળેલી બાતમી આધારે વરાણા પીકઅપ સ્ટેન્ડ નજીકથી એક ક્રેટા ગાડી પકડી હતી તેમાં તપાસ કરતા રૂ.2,58,960ની પરપ્રાંતિય દારૂની 1200 બોટલ મળી આવી હતી જેને પગલે પોલીસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના લાલપુર ગામના મહેન્દ્રસિંહ તનસિંગ રત્નુની અટકાયત કરી હતી. જ્યારે દારૂનો જથ્થો ભરી આપનાર ભવાની સિંહ જોધપુર તેમજ વીરાવાના શ્રીરામ બિશ્નોઇ અને છાણિયાથર ગામના મહેશ માતમભાઈ ભરવાડ સામે સમી પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરી હતી. દારૂ, ગાડી અને મોબાઇલ મળી કુલ રૂ.12,88,960નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો
ચાર શખ્સો પકડાયા:રાધનપુર પંથકમાં સોલાર પ્લાન્ટમાંથી ચોરેલા કેબલના જથ્થા સાથે ચાર શખ્સો પકડાયા
રાધનપુર વિસ્તારમાં આવેલા સોલાર પ્લાન્ટ માંથી ચોરાયેલા કેબલ સાથે રાધનપુર પોલીસે ચાર શખ્સોને પકડી પાડ્યા હતા તેમની પાસેથી રૂ.35,000નો કેબલનો જથ્થો જપ્ત કર્યો હતો. આરોપીઓએ સોલાર પ્લાન્ટમાંથી કેબલની ચોરી કરી રાધનપુરમાં ભંગારના વાડામાં આપી દીધો હતો. રાધનપુર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વખતે પોલીસને બાતમી મળી હતી કે કેટલાક શખ્સો સોલાર પ્લાન્ટ માંથી કેબલ વાયરની ચોરી કરી રાધનપુર બજાજ શોરૂમની બાજુમાં આવેલા રામદેવ સ્ક્રેપ નામના ભંગારના વાડામાં ચોરી કરેલો કેબલ વેચ્યો છે જેને પગલે પોલીસે તે ભંગારના વાડામાં તપાસ કરતા ભરત જેઠાભાઈ મકવાણા નામનો શખ્સ મળી આવ્યો હતો જેની પોલીસે પૂછપરછ કરતા કેબલ નો જથ્થો ભાડીયાના વિપુલ વિનોદભાઈ ઠાકોર શ્રવણ વીરચંદભાઈ ઠાકોર પરેશ અમરતભાઈ ઠાકોર આપી ગયા હોવાનું જણાવતા પોલીસે તે ત્રણેય શખ્સો સાથે રાધનપુરના ભરત જેઠાભાઇ મકવાણાની અટકાયત કરી હતી અને રાધનપુર પોલીસ મથકે ચારેય શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ઉ.ગુ.માં ઠંડીનો દબદબો:ધ્રુજાવતી સવાર અને ઠંડકભર્યો દિવસ
ઉત્તર ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીનો માહોલ સતત ઘેરાતો જાય છે. રાત્રીના તાપમાનમાં રોજબરોજ ઘટાડો નોંધાતાં લોકો હવે ધ્રુજાવતી ઠંડીનો અનુભવ કરવા લાગ્યા છે. શનિવારે પણ અડધા ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો, જેના પરિણામે મુખ્ય પાંચ શહેરોમાં રાત્રીનું તાપમાન સરેરાશ 15.5 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. શુક્રવારના સૂર્યાસ્ત સાથે જ ઠંડકભર્યું વાતાવરણ છવાયું હતું, જે રાતભર યથાવત રહેતાં શનિવારની સવાર ધ્રુજાવતી ઠંડી સાથે શરૂ થઇ હતી. બીજી બાજુ, દિવસના તાપમાનમાં પણ પોણા ડિગ્રીનો ઘટાડો નોંધાતાં પારો 32.5 ડિગ્રીની આસપાસ રહ્યો હતો. ઉત્તર-પૂર્વ દિશાથી સરેરાશ 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા ઠંડા પવનના કારણે અનુભવાતું તાપમાન 29.5 ડિગ્રી સુધી ઘટી ગયું હતું. પરિણામે દિવસ દરમિયાન પણ ઠંડકનો અહેસાસ રહ્યો હતો. દિવસ-રાતના તાપમાનમાં થયેલા આ તફાવતને કારણે હવે લોકો એસી અને પંખા બંધ કરી ગરમ કપડાંનો સહારો લેવા લાગ્યા છે. હવામાન વિભાગ મુજબ, આગામી એક સપ્તાહ સુધી રાત્રીના તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી, એટલે ઉત્તર ગુજરાતમાં ઠંડીનો દબદબો યથાવત રહેશે.
ભાસ્કર ઈનસાઈડ:પાટણમાં નવા બસ સ્ટેન્ડ પાસે ડમ્પરચાલકે એક્ટિવાને ટક્કર મારતાં યુવકનું મોત થયું
પાટણના નવા બસસ્ટેન્ડ પાસે ગુરુવારે સાંજે ડમ્પર અને એક્ટિવા વચ્ચે અકસ્માતમાં એક્ટિવા ચાલક 25 વર્ષીય યુવાનનું ગંભીર ઇજાઓ થતાં મહેસાણાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૂળ સાબરકાંઠાના પોશીના તાલુકાના આંબામહોડા ગામના વતની અને પાટણનાં ધારપુર સિવિલ હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતાં યુવક 25 વર્ષીય આકાશભાઈ પંકજભાઈ સોલંકી 6 નવેમ્બર, 2025ના રોજ સાંજે 6:00નાં સુમારે પાટણ શહેરના ઊંઝા ત્રણ રસ્તા નજીક નવા બસસ્ટેન્ડ પાસેથી તેમના મિત્રનું એક્ટિવા લઈને પસાર થઈ રહ્યા હતાં તે વખતે ડમ્પરે પાછળથી ટક્કર મારી હતી. આ ટક્કરના કારણે આકાશભાઈને કમરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, વધુ સારવાર માટે તેમને મહેસાણા રીફર કરાયા હતા, જ્યાં મહેસાણાની ભગવતી ICUમાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. આકાશ સોલંકીએ અકસ્માત થયાની જાણ તેમના બનેવી પ્રવીણભાઈ તરાલને ફોન કરીને કરી હતી. પ્રવીણભાઈ ધારપુર સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ બ્રધર્સ તરીકે ફરજ બજાવે છે અને આકાશ તેમની સાથે જ ધારપુર સિવિલના સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતા હતા. પ્રવીણભાઈ મૂળ ખેડબ્રહ્માના મોટાબાવળ ગામના વતની છે. આ બનાવ અંગે પાટણ બી ડિવિઝન પોલીસમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બેફામ દોડતાં ડમ્પરોથી થતાં અકસ્માતોમાં લોકોના મોત થઈ રહ્યા છે છતાં તંત્ર દરકાર લેતું નથી બનાસ નદીમાંથી રેતી ભરી ઊંઝા, મહેસાણા, અમદાવાદ સુધી બેફામ દોડતાં ડમ્પરોના કારણે પાટણ અને સરસ્વતી પંથકમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે. પાટણમાં જ સિદ્ધપુર ચોકડી, ઊંઝા ત્રણ રસ્તા, ધારપુર સિવિલ હોસ્પિટલ, શિહોરી ત્રણ રસ્તા, લીલીવાડી સહિતના વિસ્તારમાં ડમ્પરોનાં અકસ્માતોની ઘટના બની ચુકી છે. ડમ્પર સાથે થતાં અકસ્માતમાં લોકોના મોત થવાની ઘટનાઓ વધારે બને છે. અકસ્માતો ઘટે તે માટે તંત્ર દ્વારા કોઈ ગંભીરતા પૂર્વકનાં પગલાં લેવાતાં નથી.
આમને-સામને:પાટણ પાલિકામાં ભાજપના સભ્યોના બે જૂથો પ્રદેશકક્ષાએ સામસામે રજૂઆત કરતાં વિવાદ વધુ વકર્યો
પાટણ નગરપાલિકામાં સામાન્ય સભામાં એજન્ડા ઉપર કામોના લેવાના મુદ્દે સત્તા પક્ષ ભાજપની બોડીમાં શરૂ થયેલો વિવાદ શાંત પડવાના બદલે હવે બે જૂથમાં આમને સામને આવી એકબીજા ઉપર ગંભીર આરોપો મૂકી બન્ને જૂથ અલગ અલગ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખને કાર્યવાહી અંગે રજૂઆત કરતા વિવાદ વધુ વકર્યો છે. જેમાં જાહેરમાં સભ્યો વિકાસના કામના બદલે અંગત કામો સૌને રસ હોવાના એકબીજા સામે નિવેદનોના વિડીયો સોશિયલ મીડિયામાં ફરતા થતા લોકોમાં પણ ભારે ચર્ચાનો વિષય બન્યો છે. નગરપાલિકાના પ્રમુખ હિરલ પરમાર દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે.જેમાં ભાજપના 6 સભ્યો કોંગ્રેસ સાથે મળીને વિકાસના કામો અટકાવી રહ્યા હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી છે. સામે પક્ષે ભાજપના સભ્યો દ્વારા વળતા પ્રહાર રૂપે પાલિકા પ્રમુખ દ્વારા પોતાના અંગત કામો કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય તેમ જ તેમના ગ્રુપના સભ્યો પણ ભ્રષ્ટાચાર કરતા હોય તેના પુરાવા પણ હોવાના રાવ સાથે તેમની સામે કાર્યવાહી કરવા પ્રદેશ પ્રમુખને રજૂઆત કરવામાં આવી છે. જેમાં પાલિકા પ્રમુખ સામે કાર્યવાહી કરવા શૈલેષ પટેલ, મનોજ પટેલ, મુકેશ પટેલ મનોજ કે.પટેલ, હિના શાહ, બિપીન પરમાર, નરેશ દવે, સ્મિતા પટેલ, આશા ઠાકોર, રાજેન્દ્ર હિરવાણી, રમેશ પટેલ,ધર્મેશ પ્રજાપતિ,અનિલા મોદી 12 કોર્પોરેટરો સહીઓ કરી છે. ભાજપના 6 સભ્યો કોંગ્રેસ સાથે મળી કામો અટકાવી રહ્યા છે : નગર પાલિકા પ્રમુખપાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું કે ભાજપના જ 6 નગરસેવકો વિકાસ વિરોધી ટોળકી બની વિરોધ કરી રહી છે.જ્યારથી મેં પ્રમુખ પદ સંભાળ્યું તે દિવસથી ભાજપના આ 6 નગરસેવકો વિકાસનાં કામોમાં રોડા નાખતાં આવ્યા છે.જે કોંગ્રેસના 5 સભ્યોની મદદ લઈને બહુમતિ સાથે વિકાસના કામો નામંજૂર કરાવે છે.જેથી તેમની સામે કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. પ્રમુખે ભ્રષ્ટાચાર કર્યો છે તેના પુરાવા હોય કાર્યવાહી કરવા રજૂઆત કરી છે : સભ્યો પાટણ નગરપાલિકાના સભ્યોના ગૃપ પૈકીના કોર્પોરેટર મનોજ પટેલે જણાવ્યું હતું કે પાલિકા પ્રમુખ તેમના ગુરુજી કહે તે પ્રમાણે નિવેદન બાજી કરી રહ્યા છે. આ પ્રમુખ પાટીદાર સમાજ વિરોધી માનસિકતા ધરાવે છે. અગાઉ પણ તેમણે પાલિકાના 10 કર્મચારીઓની બદલી કરી હતી. તેમાંથી 8 પાટીદાર હતા.પ્રમુખ મોટા ભ્રષ્ટાચાર કર્યા છે.જેના પુરાવા ફોટા સ્વરૂપે અને વીડિયો સ્વરૂપે છે.તેમની સામે પગલાં ભરવા માટે અમો 20 જેટલા સભ્યોએ મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષને રજુઆત કરી છે પાલિકા પ્રમુખની વિરોધમાં ભાજપના આ 6 સભ્યોકોર્પોરેટર શૈલેષ પટેલ,મનોજ પટેલ,મુકેશ પટેલ,મનોજ એન.પટેલ,બિપીનભાઈ નરેશ દવે
ટ્રાફિક જામ:બલોલ રોડ પર ખાડો કરવા જેસીબી રોડ પર ઊભું કરી દેતાં ટ્રાફિક
હાલ પાલાવાસણા-કાલરી હાઇવેને ફોરલેન બનાવવાનું કામ ચાલી રહ્યું છે અને મીઠાથી કાલરી સુધીના રોડ પર ગણ્યે ગણાય નહીં તેટલા ખાડા પડેલા છે. જેને કારણે એસટી સહિતનાં વાહનોને સર્પાકાર ચલાવવા પડે તેવી જોખમી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યાં શનિવારે બપોરે બલોલ પાસે રોડ પર પાઇપલાઇન માટે ખાડો ખોદવા જેસીબી રોડ પર ઊભું કરી દેતાં બંને બાજુ અડધો કિમી જેટલી વાહનોની લાઇન લાગી હતી. અડધા કલાક સુધી ટ્રાફિક બંધ રહેતાં લોકોને ભારે હાલાકીનો ભોગ બનવું પડ્યું હતું.
મુસાફરો મુશ્કેલીમાં:મહેસાણા રેલવે સ્ટેશનના શૌચાલય બંધ
મહેસાણા રેલવે સ્ટેશન પર આવેલા મહિલા અને પુરુષ શૌચાલય છેલ્લા 10 દિવસથી તાળાબંધ હોવાથી મુસાફરો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. ખાસ કરીને મહિલા મુસાફરો માટે આ સ્થિતિ વધુ તકલીફજનક બની છે. સ્ટેશન પર આવનારા મુસાફરોને સ્વચ્છતા અને આરામની સુવિધાનો અભાવ અનુભવાઈ રહ્યો છે. મુસાફરોએ રેલવે અધિકા રીઓને શૌચાલય ખુલ્લા કરવા માંગ કરી હતી.
મહેસાણાના મુખ્ય હાઇવે પર બની રહેલા બ્રિજના કામને લઇ નાગલપુર પાટિયા પાસે વાહન વ્યવહારમાં ફેરફાર કરાયો છે. શનિવારે નાગલપુર પાટિયાની બીજી બાજુ પણ નવું ડાયવર્ઝન શરૂ કરાયું છે. મહેસાણાથી અમદાવાદ તરફ જતાં વાહનોને હવે મોઢેરા અંડરપાસથી નીકળ્યા બાદ પસાભાઇ પેટ્રોલપંપથી સર્વિસ રોડ થઇ વિકાસનગર પાટિયા સુધી જવાનું રહેશે. જ્યારે અમદાવાદ તરફથી આવતાં વાહનોને વિકાસનગર પાટિયાની સામેથી પકવાન હોટલ સુધી સર્વિસ રોડનો ઉપયોગ કરવાનો રહેશે. જોકે, નાગલપુર પાટિયા પર સામાન્ય વાહન વ્યવહાર ચાલુ રહેશે, જેથી હાઇવેની બંને બાજુથી આવતાં વાહનો નાગલપુર તથા બાયપાસ સુધી અવરજવર કરી શકશે. હજુ નાગલપુર પાટિયા નજીકનો રોડ અગાઉથી જ ખરાબ હાલતમાં હોઇ વાહનચાલકો માટે માથાનો દુઃખાવો બન્યો છે. તેવામાં હવે ડાયવર્ઝન લંબાતાં રોંગ સાઇડથી આવતાં વાહનો અને આડેધડ પાર્કિંગના કારણે વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થશે.
કાર્યવાહી:કટોસણ રોડ માંથી 3.67 લાખનો દારૂપકડાયો
દેત્રોજ પોલીસ નાઈટ રાઉન્ડ પ્રેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સાથે બાતમી આધારે કટોસણ રોડ બજારમાંથી ગાડીમાં વિદેશી દારૂની બોટલ નંગ-1080 કિં. 3.67 લાખનો મુદ્દામાલ સાથે કુલ કિં.18,97,200ના મુદ્દામાલ સાથે ભજનલાલ બાબુલાલ બિશ્નોઈ (32) સો. રોહિલા વેસ્ટ તા.ધોરીમના જિ.બાડમેર રાજસ્થાન અને મુકેશ ભગવાનારામ બિશ્નોઈ (25)રહે. પુનાસા તા. ભીનમાલ જિ. જાલોરને પકડી લીધા હતા.
કમોસમી વરસાદે મહેસાણા જિલ્લાની 68907 હેક્ટરના પાકને અસરગ્રસ્ત કર્યો છે. જ્યારે 27686 હેક્ટરના પાકને 33% કે તેથી વધુ નુકસાન થયું છે. પાક નુકસાનીના સર્વે બાદ શુક્રવારે સરકારે રૂ.10 હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે. ચાર મહિનાની માવજત બાદ છેલ્લી ઘડીએ ખેડૂતોના મોંનો કોળિયો કમોસમી વરસાદે છીનવી લીધો છે. પાકની સાથે તેમાંથી નીકળતો ઘાસચારો પણ નથી બચ્યો. આ સ્થિતિમાં આર્થિક નુકસાનની સાથોસાથ હવે પશુઓને પૂરતો ઘાસચારાનું ગણિત પણ ખોટકાયું છે. એક બાજુ સિઝન બગડવાનું દુ:ખ અને બીજી બાજુ પશુઓની ઘાસચારાની ચિંતા કરતાં ખેડૂતો સાથે દિવ્ય ભાસ્કર દ્વારા સહાયને લઇ વાતચીત કરી હતી. જેમાં ખેડૂતોને હેક્ટર દીઠ રૂ.22 હજારની સહાય ઓછી લાગી છે અને ખેડૂતોનું ત્રણ લાખ રૂપિયાનું દેવું માફ કરવા કે સહાયની આ રકમમાં વધારો કરવા કહી રહ્યા છે. આ સહાય નહીં ખેડૂતોની મશ્કરી છેસરકારે જાહેર કરેલ રકમ બિલકુલ યોગ્ય નથી. કારણ આ સહાય નહીં પણ ખેડૂતોની મશ્કરી કરી છે. હાલ ખેડૂતોની સ્થિતિ માવઠું પડ્યા પછી બહુ જ ગંભીર છે. પાક બગડવાની સાથે ભાવ પણ મળતા નથી, પાકનો યોગ્ય ભાવ અને પૂરેપૂરું વળતર મળે તો જ સહાય મળી કહેવાય>. અલ્પેશભાઇ સાંકળચંદ પટેલ, ફતેહ દરવાજા, વિસનગર ખેતી ખર્ચ સામે સહાય બહુ જ ઓછીસરકારે જાહેર કરેલી સહાય ખેતી કરવામાં થતાં ખર્ચ સામે બહુ જ ઓછી છે. કમોસમી વરસાદથી કપાસ, તલ અને ગવારના પાકને નુકસાન થતાં ખેડૂતોને ભારે મુશ્કેલી સહન કરવી પડી છે. સરકાર દ્વારા દવાઓ, ખાતર સબસિડી વધારવી જોઇએ અને વીજળીમાં હોર્સપાવરનો ભાવ ઘટાડવો જોઇએ.> પટેલ ગાંડાભાઇ ત્રિભોવનભાઇ, કુવાસણા, તા. વિસનગર ખેડૂતોને વ્યાજ સહાય કરવી જોઈએ કોઈ સરકારે દેવું માફ કરાય જ નહીં. સબસિડી, બિયારણ, વ્યાજ સહાય કરવી જોઈએ. સરકાર સહાય આપવાનું આયોજન કેવી રીતે કરશે એ સમજાતું જ નથી. જાહેરાત કરી દીધી છે. કેન્દ્ર સરકાર દરેક ખેડૂતને સહાય આપે જ છે તો એ પ્રમાણે રાજ્ય સરકાર સીધી ખેડૂતને સહાય બેન્ક ખાતામાં આપી શકે છે.> વિષ્ણુભાઈ પટેલ, કોલાદ, ઘાસચારો ખરીદવા પૈસા નથી બોરતવાડાનાં ખેડૂત મહેશભાઈ ચૌધરીએ જણાવ્યું કે માવઠું થતાં ઘાસચારો સહિત મુખ્યત્વે અડદ મગ ગવાર જેવા પાક નિષ્ફળ ગયા છે.તેમાંય ખાસ કરીને પશુઓ માટે ખેતરોમાં કાપણી કરેલો તૈયાર ઘાસચારો પલડી જતાં ખરાબ થઈ ગયો છે. સહાય આભને થીગડું માર્યા બરાબરસરકારે કરેલી સહાય આભને થીગડું માર્યા બરાબરછે. ખેડૂતોના ખર્ચાની સામે આ કંઇ જ નથી. ખેડૂતોજે દવા, ખાતર અને બિયારણ ઉપર જીએસટી લે છેતે પ્રમાણે વળતર મળતું નથી. કમોસમી વરસાદથીચોમાસુ પાકો બગડ્યા છે અને નવા પાકના વાવેતરમાટે સમય રહ્યો નથી. સરકાર ખેડૂતોની મંડળીઓ કેબેન્કોની લોન માફ કરે તો જ સાચી સહાય ગણાય.> તુષારભાઇમોહનભાઇ પટેલ, વાલમ, તા.વિસનગર આટલી સહાયથી વાવેતર ખર્ચેય ન નીકળેમગફળીનો પાક નિષ્ફળ ગયો છે, ઘાસચારો પણ નથી બચ્યો. કોઇ પણ સરકાર ખેડૂતને ક્યારેય પૂરતું વળતર આપી ન શકે. સરકાર જે વળતર આપશે તે ઘાસચારાની ખરીદીમાં ટેકો સાબિત થશે. આટલી સહાયથી ખેડૂતોનો વાવેતરનો ખર્ચ પણ ન નીકળે. સરકાર જે આપે તે ખરું. > ચૌધરી ડાહ્યાભાઇ મોતીભાઇ, મેઉ, તા.મહેસાણા ગઈ સિઝનનું નુકસાન હજુ મળ્યું નથીકડી તાલુકામાં ડાંગરના પાકને ખૂબ નુકસાન થયું છે. 10 હજાર કરોડના સહાય પેકેજમાં કડી તાલુકાના ખેડૂતોને શું મળશે. ગઈ સિઝનમાં નુકસાન થયેલું એ પણ હજુ ચુકવ્યું નથી.> પ્રવિણ પટેલ, માણેકલાલ પટેલ, કડી ખેતરમાં બટાટાનું વાવેતર ફેલ થયુંદાંતીવાડા તાલુકાના રતનપુર ગામના મિથુનજી ઠાકોરે જણાવ્યું હતું કે ખેડૂતો માટે જે સહાય મંજૂર કરાઇ છે, તે પૂરતી નથી. પુર અને બાદમાં કમોસમી વરસાદથી વાવેતર નિષ્ફળ ગયા ખેડૂતો પાયમાલ બની ગયા છે. જેના લીધે આર્થિક વ્યવહારો સચવાઈ શકે તેમ નથી. વિસ્તારમાં બટાકાનું વાવેતર કર્યું હતું, તે પણ કમોસમી વરસાદથી ફેલ ગયું છે.હવે ફરી ખર્ચ કરી ખેતી કરવી પડશે.સરકાર હેકટર દીઠ સહાયની રકમ વધારે એવી અમારી માંગ છે. ઘાસચારો ખરીદવા પૈસા નથી : ખેડૂત
ધમકી આપી:આડાસંબંધની શંકાએ દંપતિને ધમકી આપી
ભાવનગર જિલ્લામાં આડાસંબંધની શંકાએ ધાક ધમકીના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે જેથી દાંમ્પત્ય જીવનમાં પણ ખલેલ સર્જાઈ છે. આવો જ એક કિસ્સો તળાજામાં તાજેતરમાં નોંધાયો હતો. તળાજા પંથકમાં રહેતા એક મહિલાને તેના ખેતર માલિક સાથે આડા સંબંધ હોવાની શંકા રાખી કઠવા ગામે રહેતો ઘનશ્યામ મથુરભાઇ ચુડાસમાએ મહિલાને ખેતરના માલિક સાથે સંબંધ નહીં રાખવાનું જણાવી, મહિલા તેમજ તેના પતિને ધારીયાથી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને મહિલાના યુવક સાથેના આડાસંબંધના ફોટો તેમજ વિડીયો કુટુંબીઓને દેખાડવાનું કહી, ચારીર્ત્રય ઉપર જેમતેમ બોલતા મહિલાએ કઠવા ગામના ઘનશ્યામ મથુરભાઇ ચુડાસમા વિરૂદ્ધ અલંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
બિસ્માર માર્ગ:સિહોરમાં અત્યંત બિસ્માર થયેલા રોડથી રહીશો ત્રસ્ત
સિહોર નગરપાલિકા પાછળના ભાગમાંથી ભાવનગર રાજકોટ રોડનો ડાયવર્જન અહીં કાઢવામાં આવેલ ત્યારે પણ ખૂબ મરામત કર્યા બાદ વાહનો ચાલતા થયા હતા તેમજ પાણી લાઇન,ગટર લાઇન વગેરેના ખોદકામ બાદ હાલ આ રોડ અત્યંત ખરાબ થઈ ચૂક્યો છે નાના વાહન ચાલકો વારંવાર વાહનો પરથી ગબડી રહ્યા છે એક બાજુ ગટરના પાણી વહેતા થઈ ગયા છે છતાં કોર્પોરેટરોના પેટના પાણી હાલતા નથી. આ વોર્ડમાં આવતી સોસાયટીઓ પુનિત નગર,શિવશક્તિ, આંજનેય પાર્ક,વૃંદાવન,કૈલાસનગર,શ્રીજી નગર,કેશવ પાર્ક સહિત અનેક સોસાયટીઓના રહીશોમાં કચવાટ છે ત્યારે તંત્ર દ્વારા આ રોડ તાત્કાલિક રિપેરિંગ કરાવવા માંગ ઉઠી છે નવો રોડ બનતા પહેલા ગટર તથા પાણીની તૂટેલી લાઇનો પણ રિપેરિંગ કરવી જરૂરી છે.
પ્રજાજન પરેશાન:મહુવામાં ડ્રેનેજ લાઇન, કચરો સહિતની સમસ્યાથી જનતા ત્રસ્ત
મહુવા શહેરના વોર્ડ નં.1-2-3 માં ડ્રેનેજ લાઇન તથા કચરો ઉપાડવા તથા વિવિધ પ્રશ્ને આપ દ્વારા મહુવાના ચીફ ઓફિસરને પત્ર લખી રજુઆત કરવામાં આવેલ છે. મહુવા શહેરના વોર્ડ નં.1 માં ડ્રેનેજ કનેક્શન તેમજ ડ્રેનેજ લાઇનનો તથા પાણીની લાઇનોનું ખોદકામ કરેલ છે પરંતુ તેનું પુરાણ કે આવી જગ્યાઓ ઉપર ગારો ન થાય, વોર્ડ નં.2માં ગટરના પાણી રોડ ઉપર ન વહે તેની વ્યવસ્થા કરવામાં આવે તથા સુકો કચરો અને ભીંના કચરાની ડોલો મુકવા, ગટરની લાઇનો સાફ કરવી તેમજ વોર્ડ નં.3માં ખરેડીયા મહોલ્લામાં પીવાના પાણીમાં ગટરનું પાણી વારંવાર ભળી જાય છે. કચરાની ગાડીઓ અંદર સુધી પહોચે અને તરવાડી કબ્રસ્તાનથી લઇ અને ભાદ્રોડના ઝાંપા સુધીના વિસ્તારમાં સાઇડના બ્લોક નાખવા તથા નીચાણવાળા વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે ઘરોમાં પાણી ઘુસ્યા હતા અને હજુ ઘણા વિસ્તારોમાં પાણી ભરાયેલો હોય જેના નિકાલ કરવો વગેરે વિવિધ પ્રશ્નોનુ વહેલી તકે યોગ્ય કરવામાં આવે તેવી માંગ સાથે આપ દ્વારા ચીફ ઓફિસરને લેખીત રજુઆત કરવામાં આવેલ છે.
મારમાર્યો:વલભીપુર પાલિકામાં મુકાદમને મારમાર્યો
વલભીપુર નગર પાલિકામાં અરૂણાબેન અશોકભાઇ વેગડ નોકરી કરતા હોય અને જે નગરાપાલિકામાં ટાઇમસર નોકરીમાં હાજર થતાં ન હોય જેથી નગરપાલિકાના મુકાદમ સુનીલભાઇ રાજેશભાઇ વેગડે નોકરીમાં સમય મુજબ આવવાનું કહેતા, અરૂણાબેનના પતિ અશોકભાઇ ઉર્ફે વીલીયમ બાલાભાઇ વેગડ અને તેમના પુત્ર પારસ અશોકભાઇ વેગડે એક સંપ કરી, વલભીપુર નગરપાલિકાના દાદરમાં જ સુનીલભાઇ વેગડ ઉપર જીવલેણ હુમલો કરી, ગંભીર મારમારી, ઇજા કરી ફરાર થતાં સુનીલભાઇ વેગડે પિતા-પુત્ર વિરૂદ્ધ વલભીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
સંતવાણી સન્માન સમારોહ:ભજનથી ભૂત ભાગે, ભવિષ્ય જાગે અને વર્તમાન રહે આગે
ચિત્રકુટધામ તલગાજરડામાં યોજાયેલ સંતવાણી સન્માન સમારંભ પ્રસંગે મોરારિબાપુએ પ્રસન્નભાવે કહ્યું કે ભજનથી ભૂત ભાગે, ભવિષ્ય જાગે અને વર્તમાન રહે આગે, એમ ભજનાનંદી હંમેશા મોજમાં જ હોય છે. મોરારિબાપુએ સંતવાણી સન્માન પ્રસંગે યોજાતા આ ઉપક્રમ અને ભજન અને ભજનિકો પ્રત્યેનાં પોતાના લગાવનો ઉલ્લેખ કરી પ્રસન્નભાવે કહ્યું કે ભજનથી ભૂત ભાગે એટલે ભૂતકાળની ચિંતા જાય, ભવિષ્ય જાગે એટલે ભવિષ્યકાળ ઊજળો થાય અને વર્તમાન રહે આગે એટલે વર્તમાનકાળ પ્રગતિમાં રહે છે. મોરારિબાપુએ કહ્યું કે ભજનાનંદીને ભય, ભ્રમ કે ભેદ રહેતો નથી. વેર, વ્યસન કે વિગ્રહ હોતાં નથી અને મર્મ, ધર્મ અને કર્મ સમજાઈ જાય છે. કારતક વદ બીજ એ મોરારિબાપુનાં પિતા પ્રભુદાસબાપુની પુણ્યતિથિ પ્રસંગે તલગાજરડા ચિત્રકુટધામમાં સંતવાણી સન્માન સમારંભ યોજાઈ ગયો. આ સંતવાણી વંદના સમારોહમાં સંતવાણીના આદિ સર્જકની વંદનામાં ભક્ત કવિ ગેમલદાસજી - ગેમલજી ગોહિલ ( પ્રતિનિધિ નરેન્દ્રસિંહ ગોહિલ (કુકડ), ભજનિક પરસોત્તમપુરી ગોસ્વામી (જામ ખંભાળિયા), તબલા વાદક રમેશપુરી ગોસ્વામી (કળમ લખતર), વાદ્ય વાદક (બેન્જો) ધીરજસિંહ અબડા (જખૌ કચ્છ) તથા મંજીરા વાદક હર્ષદગિરિ ગોસ્વામી (વલ્લભીપુર) વર્ષ 2025 માટે મોરારિબાપુના હસ્તે સન્માનિત થયાં. મોરારિબાપુની પ્રેરણા સાથે યોજાયેલ આ સંતવાણી સન્માન સમારોહમાં સંચાલનમાં હરિશ્ચંદ્ર જોષીએ પ્રાસંગિક વાતમાં ગેમલજીબાપુની રચનાઓનો સાથે ચરિત્ર ઉલ્લેખ કર્યો તેમજ આ ઉપક્રમણની તબ્બક્કા વાર ઉમેરણની વિગત જણાવી હતી. આ સન્માન અર્પણ વિધિ સમારોહમાં સંતો, મહંતો અને વિદ્વાનો તથા કલાકારોની ઉપસ્થિતિમાં ભજનિકો દ્વારા તેમની વાણીમાં સંતવાણીનો લાભ મળ્યો હતો.
નાની રાજસ્થળીની સરદાર ઇન્ડસ્ટ્રીઝ ખેડૂતો માટે દેવદૂત બની:ખેડૂતોની મગફળી 75 ટકા વળતર સાથે ખરીદાશે
પાલિતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામમાં આવેલ સરદાર ઇન્ડસ્ટ્રીઝના માલિક યુનુસભાઈ મતવા દ્વારા ખેડૂતોની પોતાની મગફળી જે પણ કન્ડિશનમાં હોય બગડી ગયેલી, ખરાબ થઈ ગયેલી, પલળી ગયેલી હોય તેવી મગફળી ખરીદવા માટે નાની રાજસ્થળી ગામે આવેલ સરદાર ઇન્ડસ્ટ્રીમાં 75 ટકાના વળતર સાથે સારા ભાવ આપી ખરીદી કરવામાં આવશે. સરદાર ઇન્ડસ્ટ્રીઝના માલિક યુનુસભાઈ મતવાએ જણાવેલ કે ગુજરાત ભરના ખેડૂતોને જે નુકસાની થઈ છે. તેના અનુસંધાને ખેડૂતોના પ્રેરણા સ્તોત્ર બની ખેડૂતોને પૂરતો ભાવ મળે અને ખેડૂતોને નુકસાનીમાંથી ઉભો કરવામાં આવે તે માટેના પ્રયાસો કરવામાં આવશે તેમજ ગમે તેવી પલળી ગયેલી, ઉગી ગયેલી,ગોગડા થઈ ગયેલી અને ખરાબ થઈ ગયેલી મગફળી આખા ગુજરાતમાંથી વિના સંકોચે ખેડૂતોના હિતમાં 75 ટકા સાથે ખરીદવામાં આવશે અને પૂરતો ભાવ આપવા પ્રયાસ કરાશે. સવારના 8 કલાકથી રાત્રિના 10 કલાક સુધી અમારા મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકશે તેમ યુનુસભાઇ મતવા દ્વારા જણાવવામાં આવેલ છે. તેમનો મોબાઈલ નંબર અને 90 99 91 91 91 તેમજ 98 98 75 65 80 છે તેના ઉપર ખેડૂતો ફોન કરી સંપર્ક કરી શકશે. આમ પાલિતાણાની નાની રાજસ્થળી ગામની સરદાર ઈન્ડ્રસ્ટ્રીઝ ખેડૂતો માટે દેવદૂત સમાન સાબિત થઈ છે.
વિપક્ષ નેતા દ્વારા ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત:પાલિતાણા શહેરમાં ગટર સમસ્યા નિવારવા આંદોલનની ચેતવણી
પાલીતાણા શહેરમાં ઉતી થયેલી ગટર ઉભરાવાની ગંભીર સમસ્યાને લઈને નગરપાલિકા વિપક્ષ નેતા દ્વારા ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરાઈ હતી. તંત્રની બેદરકારીને કારણે શહેરમાં ઊભા થયેલા રોગચાળાના ગંભીર ભય અંગે તાત્કાલિક ધ્યાન દોર્યું હતું વિપક્ષ નેતા કિરીટ સાગઠીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી ગટર ઉભરાવાની ફરિયાદોની સંખ્યા 350 થી વધુ સુધી પહોંચી ગઈ છે, શહેરના મોટાભાગના વિસ્તારોમાં ગટરો ઉભરાઈને ગંદુ પાણી લોકોના ઘરો સુધી પહોંચ્યું છે. ખારો નદી ભરેલી હોવાથી ગટરનું પાણી શહેરમાં પાછું મારે છે, જેના પરિણામે સમગ્ર શહેરમાં અસહ્ય ગંદકી ફેલાઈ છે.ગંદા પાણીના કારણે શહેરમાં મોટા પાયે રોગચાળો ફેલાવવાનો મોટો ભય ઊભો થયો છે. બાળકો, મહિલાઓ અને વડીલોનું સ્વાસ્થ્ય ગંભીર જોખમમાં મુકાયું છે અને અનેક વિસ્તારોમાં માંદગીના કિસ્સાઓ જોવા મળી રહ્યા છે કિરીટ સાગઠીયાએ આક્ષેપ કર્યો કે અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર માત્ર કાગળ પર કામગીરી કરે છે અને સમસ્યાના કાયમી નિરાકરણ માટે કોઈ નક્કર યોજના બનાવતું નથી. ત્યારે વિપક્ષ નેતા કિરીટ સાગઠીયાએ ચીફ ઓફિસરને સ્પષ્ટપણે જણાવ્યું છે કે, નગરપાલિકાનું વહીવટી તંત્ર આ ગંભીર સમસ્યાનું યુદ્ધના ધોરણે નિરાકરણ લાવે અને ગટરના કાયમી નિકાલ માટે યોગ્ય યોજના બનાવે અન્યથા જો આગામી 7 દિવસમાં આ બાબતે યોગ્ય કાર્યવાહી કરીને લોકોને પડતી હાલાકી દૂર કરવામાં નહીં આવે, તો શહેરના સ્થાનિક લોકો સાથે મળીને ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે, જેની સમગ્ર જવાબદારી તંત્રની રહેશે તેવી રજૂઆત વિપક્ષ નેતા દ્વારા ચીફ ઓફિસરને ગટરના પ્રશ્ન બાબતે કરવામાં આવી છે
મહુવા શહેરમાં ભારે વરસાદ પડતા શહેર અને તાલુકામાં પાણીનું સ્તર જમીનના તળ ઉંચા આવેલ છે. શહેરમાં છેલ્લા એકાદ માસથી કોમર્શિયલ બિલ્ડીંગોના બેઝમેન્ટમાં પાણી ભરાતા મોટર દ્વારા પાણી રોડ રસ્તાઓ ઉપર વહેતુ મુકવામાં આવે છે જેના કારણે મચ્છરનો ઉપદ્રવ વધે અને રોગચાળો ઉભો થાય તેવી શહેરીજનોમાં દહેશત ઉભી થવા પામી છે. શહેરના મોટાભાગના કોમર્શિયલ બિલ્ડીંગોના બેઝમેન્ટમાં પાણી નિકળતા ગોઠણ કરતા પણ વધારે પાણી ભરાય છે અને ભારે મોટુ નુકશાન પણ થવા પામેલ છે. આવા દુકાનધારકો દ્વારા પાણી બહાર કાઢવા માટે મોટર મુકી રોડ રસ્તાઓ ઉપર છોડવામાં આવે છે. જે પાણી રસ્તાઓ ઉપર એકથી બે કીમી સુધી વહેતુ હોય છે. જેના કારણે વાહનચાલકો રાહદારીઓને આવન-જાવન કરવામાં પણ ભારે તકલીફ પડી રહી છે અને આ પાણી રોડ ઉપર ખાડાઓમાં દિવસો સુધી પડી રહેવાથી મચ્છરનો ત્રાસ પણ વધી રહ્યો છે અને રોગચાળો ફેલાય તેવી શક્યતાઓ જોવાઇ રહી છે. પાણી રોડ ઉપર છોડવાના બદલે આસ પાસમાં આવેલ ડ્રેનેજ લાઇનમાં છોડવામાં આવે તો રોડ ઉપર પાણી વહેતુ બંધ થાય જે અંગે નગરપાલિકા સત્તાધીશો દ્વારા ત્વરિત દંડનાત્મક કાર્યવાહી કરી યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માંગ નગરજનો કરી રહ્યાં છે. રોડના પાણી સાથે ગટરનું પાણી ભળતા ગંદકી શહેરમાં રસ્તાઓ ઉપર પાણી વહેતુ હોય જેની સાથે ગટરનું પણ પાણી ભળતુ હોય છે. જેથી વહેલી સવારે મંદિરે દર્શન માટે જતા દર્શનાર્થીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. રસ્તાઓ ઉપર પાણી રહેવાથી ગંદકી ફેલાઇ રહી હોય નગરપાલિકા દ્વારા સાફ સફાઇ કરી ડી.ડી.ટી., દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ નગરજનોમાં ઉભી થવા પામી છે.
ભાસ્કર સૂચન:ઊંઝાની ઐઠોર ચોકડી નજીક ગાય સાથે બાઈક અથડાતાં પત્નીનું મોત, પિતા અને પુત્રને ઇજા
ગાંધીનગરથી બાઇક ઉપર બનાસકાંઠાના કીડોતર ગામે વતન જવા નીકળેલા પરિવારનું બાઈક ઐઠોર ચોકડી નજીક ગાય સાથે અથડાઈને સ્લીપ ખાઈ જતાં સવાર પત્નીનું મોત નીપજ્યું હતું. જ્યારે પિતા, પુત્રને ઇજા પહોંચી હતી. અકસ્માત અંગે ઉનાવા પોલીસે બાઈકચાલક સામે ગુનો નોંધ્યો છે. અમીરગઢ તાલુકાના કીડોતર ગામના કિસ્મતસિંહ ડાભી હાલ ગાંધીનગરના સરગાસણ ખાતે કેશવ પરિસરમાં રહે છે. 5 નવેમ્બરના રોજ બપોરે કિસ્મતસિંહ તેમની પત્ની આનંદબા અને પુત્ર ભદ્રવીરસિંહ સાથે બાઇક પર ગાંધીનગરથી કીડોતર જવા નીકળ્યા હતા. તેઓ મહેસાણા- ઊંઝા હાઇવે પર ઐઠોર ચોકડી નજીકથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે ગાય અચાનક રોડ પર આવતાં તેમણે બાઇકની બ્રેક મારી હતી. પરંતુ સ્પીડના કારણે બાઈક ગાય સાથે ભટકાઈને સ્લીપ મારી જતાં કિસ્મતસિંહ સહિત ત્રણેય જણા રોડ પર પટકાયા હતા. ત્રણેયને 108માં ઉનાવા સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેમની પત્ની આનંદબાનું મોત નીપજ્યું હતું. ટુવ્હીલરની સ્પીડ 50ની મર્યાદામાં હોય તો બચાવ થઇ શકેમુસાફરી દરમિયાન અચાનક બ્રેક મારતાં કાર સહિતનું ચાર પૈડાંવાળું વાહન કાબૂમાં આવી શકે. પરંતુ, વધુ સ્પીડમાં બાઇક સહિત ટુ વ્હીલર સ્લીપ ખાઈ જાય છે. હાઇવે પર ટુવ્હીલરની સ્પીડ 50ની મર્યાદામાં ચલાવવામાં આવે તો અચાનક બ્રેક મારતાં કાબૂમાં આવી શકે છે.
મકાનને આગચંપી દેવાઈ:બોરડીગેટમાં મકાન સળગાવાયું
બોરડીગેટ વિસ્તારમાં મેલડી માતાના મંદિરવાળા ખાંચામાં રહેતા મહેશભાઇ બચુભાઇ રાઠોડની માલિકીના મકાને જુની અદાવતની દાઝ રાખી સુનિલ, નિતો, હાર્દિક અને અમન તેમજ અજાણ્યા શખ્સો ધસી આવી, ઘર ખાલી કરવાનું કહી, મકાનને આગચાંપી દેતા ભારે ભયનો માહોલ સર્જાયો હતો. મકાનમાં આગ લાગતા આગની ભયાવળ જ્વાળાઓ ઉઠવા પામતા ફાયર બ્રિગેડને જાણ કરાઇ હતી. જે મામલે ફાયર બ્રિગેડે ઘટના સ્થળે ધસી જઈ, પાણીનો મારો ચલાવી આગને બુઝાવતા, જાનહાની ટળી હતી.
સિંહ દેખાયા:પાલિતાણા શેત્રુંજય ડુંગર પર બે સિંહોએ દેખા દીધા
પાલિતાણા ક્ષેત્રીય વન વિભાગમાં પાલિતાણા રાઉન્ડ હેઠળ શેત્રુંજય ડુંગર તરીકે ઓળખાતા અને તેની આજુ-બાજુના આદપુર, ઘેટી, જીવાપુર, રોહીશાળા, ગણધોળ, ડુંગરપુર જેવા ગામોના ગૌચરણ તથા માલિકીના ડુંગરના સર્વે નંબર આવેલા છે. સિંહ, દીપડા, ઝરખ તેમજ અન્ય હિંસક પ્રાણીઓ વસવાટ કરી રહ્યા છે. શેત્રુંજય ડુંગર પર કુલ અલગ-અલગ ધાર્મિક સ્થાનો આવેલા છે. ડુંગર ઉપર તથા આજુ-બાજુમાં કુલ 18 સિંહો પરિવાર વસવાટ કરે છે જે દરરોજ પોતાના લોકેશન બદલતા રહે છે ત્યારે આજે શેત્રુંજય ગીરીરાજ ઉપર આજે સવારના આઠ વાગ્યા આસપાસના સમયે કુમાર કુંડ પાસે સિંહ જોવા મળ્યો હતો જ્યારે સાંજના અરસામાં પદ્માવતી ટુંક આગળથી ચાલવાના રસ્તા ઉપર પણ જોવા મળેલ હતો. સિંહને જોતા યાત્રિકો અને ડોળીવાળાઓ થંભી ગયા હતા અને ભયનો માહોલ સર્જાયો હતો. આ બનાવને શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રાદેશિક પ્રતિનિધિ મનીષભાઈ કનાડીયાએ પણ સમર્થન આપેલ છે.
પાણી નહીં છોડાય:રૂપેણ નદીમાં ચેકડેમના કામને લઇ સિંચાઇ માટે પાણી નહીં છોડાય
સિરીઝ ઓફ ચેકડેમ અંતર્ગત રૂપેણ નદી ઉપર મહેસાણા તાલુકાના મોટીદાઉ તથા પાલોદર ગામે ચેકડેમનું કામ એકાદ મહિનામાં હાથ ધરાનાર છે. જેથી કામ શરૂ થયેથી પૂર્ણ ન થાય ત્યાં સુધી રૂપેણ નદીમાં સિંચાઇ માટે પાણી છોડવામાં નહીં આ વે તેવી જાહેરાત સુજલામ સુફલામ પેટા વિભાગ-6 મહેસાણા દ્વારા કરાઇ છે. અને તે અંગેની લેખિત જાણ નદીકાંઠાના 50થી વધુ ગામોના સરપંચોને કરાઇ છે. રવિ સિઝનના આરંભે જ તંત્રના આ નિર્ણયથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું હોઇ, રવિ સિઝન માટે સિંચાઈનું પાણી ચાલું રાખવા અને ચેકડેમનું કામ રવિ સિઝન પૂરી થયા બાદ શરૂ કરવા પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે વિભાગને લેખિત રજૂઆત કરી છે.
પોલીસ કાર્યવાહી:ઘરફોડ ચોરી કરનાર સિક્યુરીટી જબ્બે
ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ રચના ફ્લેટમાં એકી સાથે બે ફ્લેટના તાંળા તોડી કોઇ અજાણ્યો શખ્સ સાડા ચાર લાખથી વધુની મત્તાના ઘરેણાંની ચોરી કરી ફરાર થઇ જવાની ઘટના બનતા જેની નિલમબાગ પોલીસ મથકમાં અજાણ્યા તસ્કર વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. જે પગલે પોલીસે તપાસ હાથ ધરતા રચના ફ્લેટના સિક્યુરીટી તરીકે ફરજ બજાવતો હર્ષદિપ ભુપતભાઇ ડાભી જ તસ્કર હોવાનું ખુલતા પોલીસે સિક્યુરીટી ગાર્ડની ધરપકડ કરી, તસ્કરીમાં ગયેલા ઘરેણાં કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ભાસ્કર વિશેષ:યાદી સુધારણા માટે પહેલીવાર મતદાર નહીં મળે તો વધુ બે વખત BLO તેમના ઘરની મુલાકાત લેશે
જિલ્લામાં SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) મતદાર યાદી સુધારણા ઝુંબેશ મંગળવારથી શરૂ થઈ છે. જે 4 ડિસેમ્બર સુધી ચાલશે. જેમાં BLO (બૂથ લેવલ ઓફિસર) ઘરે-ઘરે જઈ સુધારણાની કામગીરી કરશે. 6 તબક્કાની કામગીરી બાદ 7 ફેબ્રુઆરી, 2026ના રોજ ફાઈનલ મતદાર યાદી પ્રકાશિત કરાશે. યાદી સુધારણા માટે પ્રથમવાર મતદાર નહીં મળે તો વધુ બે વખત મતદારની મુલાકાત લેશે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અભિષેક પરમારે જણાવ્યું કે, એક મહિના દરમિયાન BLO પાસેથી મતદારે એન્યુમરેશન ફોર્મ ભરી આપવાનું રહેશે. ડ્રાફ્ટ યાદી બને ત્યાં સુધીમાં ફોર્મ નહીં ભરે તો નામ નીકળી જશે
પરિણીતાને અપાયો ત્રાસ:પરિણીતા ગર્ભવતી હોય સાસરિયાઓ દ્વારા મારકૂટની ફરિયાદ
ભાવનગર શહેરના રબર ફેક્ટરી પાછળ પિતાના ઘરે રિસામણે રહેતા શિફાબેન અલ્ફાઝભાઈ લાખાણી ના લગ્ન એકાદ વર્ષ પહેલા અમદાવાદ સરખેજ મુકામે રહેતા સલીમભાઈ હબીબભાઈ લાખાણી ના દીકરા અલ્ફાજ સાથે થયા હતા. બાદ તેના પતિ અલ્ફાઝભાઈ સલીમભાઈ લાખાણી, સસરા સલીમભાઈ હબીબભાઈ લાખાણી, સાસુ યાસ્મીનબેન સલીમભાઈ લાખાણી તથા નણંદ જુવેરીયાબેન અસરફભાઈ લોહિયા તેણીને ઘરકામ બાબતે તથા અન્ય નાની-મોટી વાતોમાં અવારનવાર હેરાન પરેશાન કરી મેણા ટોણા બોલી તથા ઝઘડો કરી માર કુટ કરી પિયર જતા રહેવાનું કઈ તેમજ છૂટાછેડા માટે દબાણ કરી શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાથી પહેરેલ કપડે પિયરમાં જતી રહેલ. તેમજ હાલમાં તેણીને સાત માસનો ગર્ભ હોવા છતાં તેણીની સાથે પતિ સહિત સાસરિયાંઓનો અસહ્ય ત્રાસ હોવાની ફરિયાદ તેણીએ મહિલા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
ગુજકેટની પરીક્ષા:29 માર્ચે રાજ્યમાં જિલ્લા કક્ષાએ પરીક્ષા સેન્ટરમાં લેવાશે ગુજકેટ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પાસ કર્યા બાદ ડિગ્રી ઇજનેરી ડિગ્રી કે ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજિયાત કરવામાં આવી છે. આગામી વર્ષે બોર્ડની પરીક્ષા લેવાયા બાદ ગુજકેટ તા. 29 માર્ચને રવિવારે લેવામાં આવશે. સવારના 10 વાગ્યાથી સાંજના 4 વાગ્યા દરમિયાન પરીક્ષા લેવાશે. ગુજકેટના આવેદનપત્ર ઓનલાઇન ભરવાની તારીખ તથા માહિતી પુસ્તિકા બોર્ડની વેબસાઇટ www.gseb.org પર હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે. ગુજકેટ તા. 29 માર્ચને રવિવારે ભાવનગર સહિતના સેન્ટરો પર લેવામાં આવશે આ પરીક્ષા સવારે 10 વાગ્યાથી સાંજના 4 દરમિયાન જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે લેવાનું આયોજન કરવામાં આવશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન તેમજ ગણિત વિષયોમાં એનસીઈઆરટીના પાઠ્યપુસ્તકોનો અમલ થયો છે અને ncert આધારિત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા નિયત થયેલા પ્રવર્તમાન અભ્યાસક્રમ મુજબ ગુજકેટ પરીક્ષા લેવાશે. ત્રણ માધ્યમમાં ગુજકટે લેવામાં આવશેભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનના પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે એટલે કે 40 પ્રશ્નો ફીઝિક્સ અને 40 પ્રશ્નો કેમેસ્ટ્રીના હશે ઓએમઆર શીટમાં પણ 80 પ્રત્યુતર આપી શકો તે મુજબની રહેશે અને તે માટે બે કલાક ફાળવાશે. જ્યારે જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે તે માટેની OMR આન્સરશીટ અલગ અલગ અપાશે. OMR શીટ પ્રત્યેક વિષય માટે 40 પ્રત્યુતરની રહેશે. ગુજકેટ પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ 3 માધ્યમોમાં અપાશે. ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાનનું પ્રશ્નપત્ર સંયુક્તગુજકેટમાં ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનું પ્રશ્નપત્ર સંયુક્ત લેવામાં આવશે આ બંને માટે 120 મિનિટ ફાળવાશે અને ભૌતિક વિજ્ઞાનના 40 અને રસાયણ વિજ્ઞાનના 40 પ્રશ્નો પૂછાશે. એવી જ રીતે આ બંનેના 40-40 મળીને 80 ગુણ રહેશે. જ્યારે જીવ વિજ્ઞાનના 40 પ્રશ્નો માટે 40 ગુણ હશે અને તેના માટે 60 મિનિટ અપાશે અને ગણિતના પ્રશ્નપત્રમાં પણ 40 ગુણ હશે અને તેના 40 પ્રશ્નોના જવાબ લખવા માટે 60 મિનિટ અપાશે.
શહેરના કાળીયાબીડ વિસ્તારમાં ભગવતી સર્કલ પાસે આવેલ અષ્ટ વિનાયક સિધ્ધિ વિનાયક મંદિરે શનિવારે વર્ષ 2082ની પ્રથમ સંકટ ચતુર્થીની ઉજવણી હજારો ભકતોના ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી અને સંકટ હરનારા દાદા પાસે આવીને શિશ નમાવ્યા.ભાવનગર જિલ્લામાં એક માત્ર કાળીયાબીડમાં ગણપતિ મંદિર અષ્ટવિનાયક સિધ્ધિ વિનાયક મંદિર આવેલુ છે. જીવનના તમામ સંકટોના નાશ કરવા માટે અષ્ટ વિનાયક સિધ્ધિ વિનાયક મંદિરે ગણપતિ દાદાને ભકતો દ્વારા લાડુ ધરવામાં આવ્યા હતા., પુષ્પના હાર ચડાવવા, બહેનોનો સત્સંગ અને સમુહ ગણપતિ પાઠ કરી 108 દિવાની દિપ માળા સાથે ઉત્સવ આરતી કરીને ઉજવણી કરવામાં આવી હતી. સંકટ ચર્તુથીના દિવસે જે લોકોને જીવનમાં સંકટ આવતા હોય તે લોકોએ મંદિરએ આવીને મુશક દેવના કાનમાં મનોકામના કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. તેવી શ્રધ્ધા સાથે ભાવનગર સહિત આજુ-બાજુના શહેરમાંથી પણ ભકતોએ આવીને મનોકામના કરી હતી. શનિવારે હજારો ભાવિકો ભકિત સાથે વ્રત રાખી પૂજન અર્ચન કર્યુ હતુ. વિધ્ન દૂર કરવા વ્રત કરાયા> બાળકોએ અભ્યાસ સિદ્ધિ માટે ચોથ રાખવી.> સૌભાગ્યવતી સ્ત્રીઓએ પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના સાથે વ્રત કર્યુ હતુ.> ધંધામાં રૂકાવટ અને વિધ્નને દૂર કરવા ભાઇઓએ પુજા પાઠ કર્યા> આ દિવસે લોકો સંકટ ચોથમાં. આખો દિવસ ફળ, જયુસ અને લીકવીડ પર રહ્યા બાદ રાત્રે ચંદ્રના દર્શન કરી ગણપતિ દાદાની ગોળ, ભાખરીનો લાડુ ધરી લાડુની પ્રસાદી લઇ ચોથની પૂર્ણાહુતી કરી આ ચોથ કરવાથી સંકટોનો નાશ થાય છે.
ચિન્તેષ વ્યાસ, પ્રમોદ શાહ મહેસાણા મહાનગર પાલિકાની હદમાંથી પસાર થતી લગભગ 12 કિલોમીટર લાંબી ખારી નદીના અસ્તિત્વ, પ્રદૂષણ અને દબાણ અંગે મહેસાણાના આરટીઆઇ એક્ટિવિસ્ટ કૌશિક પરમારે જાહેર માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી માંગી હતી. જળસંપતિ નિગમ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને મહાનગરપાલિકા ત્રણેય સરકારી વિભાગોએ નિરાશાજનક જવાબો આપ્યા બાદ નદીની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે દિવ્ય ભાસ્કર દ્વારા લગભગ 12 કિલોમીટરના પટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં નદીમાં પ્રદૂષણ અને ગેરકાયદે જોડાણો જોવા મળ્યા હતા. નાગલપુર સ્થિતિ કોઝ-વે દુર્ગંધ મારતાં ગંદા પાણીથી ખદબદતો જોવા મળ્યો હતો. નાગલપુર સ્નેહ કુટીર પાછળ, આરટીઓ નજીક ખારી નદીના ડાયવર્ઝન રોડની બાજુમાં, બ્રહ્માણીનગર, કસ્બા, રોહિતવાસ, કુકસ રોડ, પરા-સાંઇબાબા રોડ અને ગાંધીનગર લીંક રોડ સહિત 8 જેટલા સ્થળોએ પાઇપોના જોડાણ સાથે ગંદુ પાણી નદીમાં ઠલવાઇ રહ્યું હોવાનું બહાર આવ્યું છે. વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપોમાં પણ ગંદા પાણીનું જોડાણ આપીને નદીને દૂષિત કરાઇ રહી છે. આ ઉપરાંત, નદીના પટમાં ઠેર-ઠેર કચરો પણ જોવા મળ્યો હતો. જેને લઇ નદીમાં રહેલું પાણી દુર્ગંધ મારી રહ્યું છે. સાંજના સમયે નદીના પટ નજીક જવું પણ મુશ્કેલ બન્યું છે. 3 સરકારી વિભાગોનાબેજવાબદાર જવાબો
GSEB:26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી ધો.10-12ની પરીક્ષા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા.29 ફેબ્રુઆરીથી ધો.10, સંસ્કૃત પ્રથમા અને ધો. 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ, ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમા પરીક્ષાનો આરંભ થશે. આ પરીક્ષા 16 માર્ચ સુધી લેવામાં આવશે. આ પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મુકવામાં આવ્યો છે. ધો.10માં વોકેશનલ કોર્સ સિવાયના તમામ વિષયના પ્રશ્નપત્રો 80 ગુણના રહેશે. તે માટે સમય સવારે 10 વાગ્યાથી બપોરના 1.15 કલાક દરમિયાન રહેશે. જેમાં પ્રથમ 15 મિનિટ પેપર વાંચવા માટે રહેશે. પરીક્ષાના પ્રથમ દિવસે સેન્ટર પર 30 મિનિટ વહેલા પહોંચી જવાનુ઼ રહેશે. બાકીના દિવસોમાં 20 મિનિટ વહેલા પહોંચવાનું રહેશે. ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં તમામ વિષયોની પરીક્ષા બે ભાગમાં લેવામાં આવશે. જેમાં પ્રથમ ભાગમાં બહુવૈકલ્પિય એટલે કે ઓએમઆર પદ્ધતિથી 50 પ્રશ્નો હશે અને તેના ગુણ પણ 50 અને સમયગાળો 60 મિનિટ રહેશે. બીજા ભાગમાં 50 ગુણના વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નો હશે. કમ્પ્યૂટર અધ્યયન સૈદ્ધાંતિકની પરીક્ષા ફક્ત ઓએમઆર પદ્ધતિએ લેવાશે અને તેમાં બહુવૈકલ્પિય પ્રકારના 100 પ્રશ્નો અને 100 ગુણ રહેશે. તે માટે 120 મિનિટનો સમય મળશે. ઓએમઆર શીટમાં ફક્ત કાળી કે ભુરી શાહીવાળી બોલપેનનો જ ઉપયોગ કરવાનો રહેશે. વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન વિષયોની પ્રાયોગિક પરીક્ષા બોર્ડ દ્વારા તા.5 ફેબ્રુઆરીથી કમ્પ્યૂટર અધ્યયન (પ્રાયોગિક) વિષયની પ્રાયોગિક પરીક્ષા જે તે શાળા દ્વારા જ લેવાની રહેશે જેના ગુણ શાળાએ બોર્ડને તા.20 ફેબ્રુઆરી, 2026 સુધીમાં ઓનલાઇન મોકલવાના રહેશે. ધો.12 વિજ્ઞાન પ્રવાહ ક્યા વિષયની પરીક્ષા ક્યારે લેવાશે ? ધો.12 સા.પ્ર.માં ક્યા વિષયની પરીક્ષા ક્યારે લેવાશે ?26 ફેબ્રુઆરી સહકાર પંચાયત, અર્થશાસ્ત્ર, 27 ફેબ્રુઆરી કૃષિ વિદ્યા, ગૃહ જીવન, તત્વ જ્ઞાન, 28 ફેબ્રુઆરી વાણિજ્ય વ્યવસ્થા 4 માર્ચ ઇતિહાસ, નામાના મૂળ તત્વો, 5 માર્ચ મનો વિજ્ઞાન, 6 માર્ચ સમાજશાસ્ત્ર, 7 માર્ચ ગુજરાતી અને અંગ્રેજી દ્વિતીય ભાષા, 9 માર્ચ રાજ્ય શાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર, 10 માર્ચ ગુજરાતી, હિન્દી સહિતની પ્રથમ ભાષા, 11 માર્ચ હિન્દી દ્વિતીય ભાષા, 12 માર્ચ એસપી અને વાણિજ્ય પત્ર વ્યવહાર, 13 માર્ચ ભૂગોળ, 14 માર્ચ ચિત્રકામ, કમ્પ્યૂટર અધ્યયન સહિતના વિષય, 16 માર્ચ સંસ્કૃત, ફારસી, અરબી, પ્રાકૃત ભાસ્કર નોલેજપરીક્ષામાં કોઇ પણ સાહિત્ય, પુસ્તક, ગાઇડ, ચાર્ટ તેમજ મોબાઇલ ફોન, ડિઝિટલ ઘડિયાળ જેવા ઇલે. સાધનો પરીક્ષા સ્થળ કે પરીક્ષા ખંડમાં લઇ જવા પર મનાઇ છે. પરંતુ ધો.12 સાયન્સની પરીક્ષામાં સાદું કેલ્ક્યુલેટર લઇ જવાની છૂટ રહેશે. કોઇ પણ સાહિત્ય મળશે તો જરૂરી શિક્ષા કરવામાં આવશે. પ્રવેશિકા સિવાય કોઇ પણ પ્રકારનું હાથે લખેલું કે છાપેલું સાહિત્ય પરીક્ષાર્થી પાસેથી મળશે તો ગેરરીતિનો કિસ્સો નોંધવામાં આવશે. ધો.10માં ક્યા વિયષની પરીક્ષા ક્યારે લેવાશે ?26 ફેબ્રુઆરી ગુજરાતી, 28 ફેબ્રુઆરી વિજ્ઞાન, 4 માર્ચ સામાજિક વિજ્ઞાન, 6 માર્ચ બેઝિક ગણિત, 9 માર્ચ સ્ટાન્ડર્ડ ગણિત, 11 માર્ચ અંગ્રેજી, 13 માર્ચ ગુજરાતી દ્વિતીય ભાષા, 14 માર્ચ હેલ્થકેર, ટ્રાવેલ સહિતના વિષયો, 16 માર્ચ હિન્દી, સંસ્કૃત સહિતની દ્વિતીય ભાષા નોંધ : સમય સવારે 10થી બપોરના 1.15 સુધી રહેશે
હુમલો:કેવડિયામાં ગોડબોલે ગેટની સફાઇ કરતાં કર્મચારી પર મગરે બે વખત હુમલો કર્યો
સરદાર સરોવર નર્મદા ડેમ નજીક ગોડબોલે ગેટની સફાઈ કરનાર કર્મચારી પર અચાનક મગરે હૂમલો કરી દેતા કર્મચારી ઘાયલ થયો હતો.તેને સારવાર અર્થે એકતાનગરના ટ્રોમાં સેન્ટરમાં લઈ જવાયો હતો અને ત્યાંથી વધુ સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયો હતો. નર્મદા ડેમ ખાતે કામ કરતો રમેશ ધના તડવી (ઉ.43 વર્ષ) ગત રોજ ડેમથી ત્રણ કિમી દૂર આવેલો ગોડબોલે ગેટની સફાઈ કરી રહ્યો હતો.રમેશે એક પછી એક 4 ગેટની સફાઈ તો કરી લીધી હતી અને 5 માં ગેટની સફાઈ કરી રહ્યો હતો એ દરમિયાન મગરે અચાનક પાછળથી હુમલો કરી દીધો હતો. એ દરમિયાન રમેશે સમય સૂચકતા વાપરી ગેટની જાળી પકડી લેતા મગર એને પાણીમાં ખેંચી શક્યો ન્હોતો.જો કે ગેટની ઉપર ઊભેલા અન્ય કર્મચારીઓએ પથ્થરો મારતા મગર રમેશને છોડી દીધો હતો. જે બાદ પાછો બીજી વાર પણ મગરે હુમલો કર્યો હતો પરંતુ ત્યાં હાજર કર્મચારીઓએ મોટા મોટા પથ્થરો મારતા અંતે મગર પાણીમાં જતો રહ્યો હતો.આ ઘટનામાં રમેશને પીઠના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી.આ ઘટના બાદ રમેશને તાત્કાલિક એકતાનગર સ્થિતિ ટ્રોમા સેન્ટર ખાતે સારવાર માટે લઈ જવાયો હતો.અને ત્યાંથી વધુ સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયો હતો.હાલ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં રમેશની સારવાર ચાલી રહી છે.
રોષ:ભરૂચના સિંધી સમાજે છત્તીસગઢના નેતા માફી માગે તેવી માગણી સાથે રેલી યોજી
છત્તીસગઢના નેતા અમિત બધેલે ભગવાન સાઈ ઝુલેલાલજી અને સિંધી સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીને કારણે ભરૂચ સહિત દેશભરના સિંધી સમાજમાં રોષ જોવા મળ્યો છે.29 ઓક્ટોબરના રોજ અમિત બધેલે સોશિયલ મીડિયા પર ભગવાન સાઈ ઝુલેલાલજી વિશે અભદ્ર અને આક્ષેપાત્મક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ ઘટનાથી સિંધી સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હતી.આ ઘટનાના વિરોધમાં ભરૂચના સિંધી સમાજના અગ્રણીઓ, મહિલા સભ્યો અને યુવાનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. તેઓએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સમાજના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટર મારફતે વડાપ્રધાન અને છત્તીસગઢના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમાં જણાવાયું હતું કે જો અમિત બધેલ તાત્કાલિક જાહેર માફી નહીં માંગે તો તેની વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે. વિરોધ પ્રદર્શન દરમિયાન જય ઝુલેલાલના નારા લગાવવામાં આવ્યા હતા. સમાજના સભ્યોએ આક્ષેપિત વ્યક્તિને સજા કરવાની માંગ કરી હતી.
એક રાતમાં તાપમાનમાં વધુ 1 ડિગ્રીનો ઘટાડો:શહેરમાં રાતે ઠંડીનો પારો ગગડીને 19.2 ડિગ્રી થઇ ગયો
અરબી સમુદ્રમાં સર્જાયેલી ડિપ્રેશનની અસર ઘટવાથી વાતાવરણમાં ભાવનગર શહેરમાં હવે ભેજનું પ્રમાણ ઘટ્યું છે અને સૂકા તેમજ ઉત્તરના ઠંડા પવન શરૂ થતાં શહેરમાં ઠંડીનો પારો એક દિવસમાં વધુ એક ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને આજે 19.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા રાતના સમયે અને વહેલી સવારે ઠંડીનો ચમકારોનો અનુભવ થયો છે. આગામી દિવસોમાં શહેરમાં ઠંડીનો પારો વધુ ગગડતા ઠંડીની તીવ્રતામાં વધારો થશે. ઉત્તર-પૂર્વથી પૂર્વના સૂકા ઠંડા પવનો શરૂ થતાં રાતના સમયે 24 કલાક અગાઉ લઘુત્તમ ઉષ્ણતામાન 20.2 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે 1 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 19.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા ઠંડીનો ચમકારાનો આરંભ થયો હતો. વહેલી સવારે અને મોડી રાત્રે શહેરમાં ઠંડા પવન સાથે શિયાળાનો આરંભ થયો છે. શહેરમાં મહત્તમ તાપમાન 30.9 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ. શહેરમાં આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 64 ટકા નોંધાયું જ્યારે સાંજના સમયે હવામાં ભેજનું પ્રમાણ ઘટીને 43 ટકા થઇ ગયું હતુ. સવારે પવનની ઝડપ 8 કિલોમીટર હતી તે આજે સાંજે વધીને 12 કિ.મી. થઇ ગઇ હતી.
ભાવનગર સાથે અન્યાય:ભાવનગરની મુસાફરી જનતાને વંદે ભારત ટ્રેનની ફાળવણીમાં અન્યાય
સમગ્ર ભારતમાં 160 વંદે ભારત ટ્રેનોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે અને જામનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદ, ઓખા, વેરાવળને તેની ફાળવણી કરવામાં આવેલી છે. ભાવનગરથી સુરત વચ્ચે વંદે ભારત ટ્રેન ચલાવવાની લાંબા સમયથી પડતર માંગણી હોવા છતા પ્રીમિયમ ટ્રેન ફાળવણીમાં સરકાર અને રેલવે તંત્ર દ્વારા સુગ અનુભવાઇ રહી છે. વંદે ભારત ટ્રેન મુસાફરોની સુવિધાઓને ખાસ ધ્યાનમાં રાખી અને બનાવવામાં આવી છે, ઉપરાંત તેથી ગતિને કારણે મુસાફરીના કલાકો ઓછા થઇ જાય છે. ભારતમાં વર્ષ 2019માં વંદે ભારત ટ્રેનો શરૂ થયા બાદ મુસાફરોમાં ભારે લોકપ્રિય બની રહી છે. ભાવનગર-સુરત વચ્ચે સામાજીક અને વ્યાવસાયિક વ્યવહારો દૈનિક ધોરણે હોય છે, અને તેના કારણે તેને ટ્વિન સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. સડક માર્ગે આ બંને શહેરો વચ્ચે દૈનિક ધોરણે હજારો મુસાફરોની આવન-જાવન રહે છે. તેથી દૈનિક ટ્રેનની ફાળવણી માટે લાંબા સમયથી માંગણી કરવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી સંતોષવામાં આવી નથી. તાજેતરમાં ભાવનગર-અયોધ્યા ટ્રેનને લીલીઝંડી આપવા ભાવનગર આવેલા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈશ્નવે પણ ભાવનગર-સુરત વચ્ચે વંદે ભારત ટ્રેન ફાળવવાની ઘોષણા કરી હતી. હાલમાં અમદાવાદ અને સુરત રેલવે સ્ટેશન પર નવિનીકરણની કામગીરી ચાલી રહી હોવાનું કારણ આપવામાં આવ્યુ હતુ પરંતુ આ બંને સ્ટેશનો પર નવી ટ્રેનો તો ફાળવવામાં આવેલી જ છે તો શા માટે ભાવનગર-સુરત ટ્રેન માટે વિલંબ કરવામાં આવી રહ્યો છે તેના અંગે પણ પ્રશ્નો ઉપસ્થિત થઇ રહ્યા છે. ગુજરાતના અનેક શહેરો અને નગરો હાલમાં દેશમાં કાર્યરત સૌથી ઝડપી ટ્રેન, વંદે ભારત એક્સપ્રેસ સાથે કનેક્ટિવિટી મેળવી ચૂક્યા છે. ગુજરાત અને પડોશી રાજ્યો રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે દોડતી આ પાંચ સેમી-હાઈ-સ્પીડ ટ્રેનો સાથે, રાજ્યના 18 શહેરો અને નગરો હવે વંદે ભારત એક્સપ્રેસ દ્વારા જોડાયેલા છે. આ ટ્રેનો દ્વારા જોડાયેલા ગુજરાતના શહેરો અને નગરો ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, વાપી, પાલનપુર, મહેસાણા, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, જામનગર, દ્વારકા, ઓખા, જૂનાગઢ અને વેરાવળ છે. આ શહેરોમાં, અમદાવાદ પાંચેય વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો સાથે કનેક્ટિવિટી ધરાવે છે, જ્યારે વડોદરા, સુરત, વાપી, રાજકોટ, વિરમગામ, સુરેન્દ્રનગર અને વાંકાનેર બે વંદે ભારત ટ્રેનો સાથે જોડાયેલા છે. તેનાથી વિપરીત, પાલનપુર, મહેસાણા, જામનગર, જૂનાગઢ, વેરાવળ, સોમનાથ અને દ્વારકા જેવા બાકીના શહેરોમાંથી ફક્ત એક જ વંદે ભારત ટ્રેન પસાર થાય છે. આમ ભાવનગરને રેલવેની આ સુવિધાની ફાળવણીમાં અન્યાય થઈ રહ્યો છે. વંદે ભારત ટ્રેન વિષે જાણો...વંદે ભારત એક્સપ્રેસ એ ભારતીય રેલ્વે દ્વારા સંચાલિત મધ્યમથી લાંબા અંતરની સેમી-હાઈ સ્પીડ એક્સપ્રેસ ટ્રેન સેવા છે. તે એક આરક્ષિત, વાતાનુકૂલિત ચેર કાર સેવા છે જે 800 કિમી (500 માઇલ) કરતા ઓછા અંતરે આવેલા શહેરોને જોડે છે અથવા હાલની સેવાઓ સાથે મુસાફરી કરવામાં દસ કલાકથી ઓછા સમય લે છે. આ વાણિજ્યિક સેવાનું સત્તાવાર રીતે 15 ફેબ્રુઆરી 2019 ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
રેલવેમાં ટિકિટ વિના મુસાફરી કરી રહેલા, બૂક કર્યા વિના માલસામાનની હેરફેર કરી રહેલા લોકો સામે ઓક્ટોબર માસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અને 7075 કેસ કરવામાં આવ્યા છે. રેલ્વે પર તમામ વાસ્તવિક નાગરિકોને મુશ્કેલીમાં મુક્તિ, મુસાફરી અને શ્રેષ્ઠ સેવાઓ સુનિશ્ચિત કરવા માટે ભાવનગર મંડલ દ્વારા સતત સઘન ટ્રેનની તપાસ અભિયાન ચલાવવામાં આવે છે. ભાવનગર મંડલના ઉચ્ચ વ્યાપારી તંત્રની દેખરેખમાં ટિકિટ તપાસ દળો દ્વારા એપ્રિલથી ઑક્ટોબર 2025ના સમયગાળામાં વિવિધ ટિકિટ તપાસ અભિયાનના માધ્યમથી કુલ રૂપિયા 4 કરોડની રકમ પ્રાપ્ત થઈ છે, જે ગત વર્ષની તુલનામાં 73% થી વધુ છે, સાથે જ રેલવે બોર્ડ દ્વારા નિર્ધારિત લક્ષ્ય થી 34% થી વધુ છે. ભાવનગર મંડલના ઉચ્ચ મંડલના વાણીજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા પ્રમાણે, ઓક્ટોબર 2025ના સમયગાળામાં ટિકિટ વિના મુસાફરી કરી રહેલા, બુક કર્યા વિના માલસામાનની હેરફેર કરવાના 7075 કેસ દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં રૂપિયા 83.05 લાખ વસૂલ કરવામાં આવ્યા હતા, જે ગયા વર્ષે ઓક્ટોબરના આંકડાની સરખામણીમાં 136% થી વધુ છે. ગત વર્ષની તુલનામાં ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા ટિકિટ ચેકિંગની કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે, અને ચેકિંગ સ્ટાફ સતત ચાલુ ટ્રેનમાં, પ્લેટફોર્મ પર કાર્યરત હોય છે અને ચેકિંગ કરવામાં આવે છે. ઉપરાંત અનુમતિ હોય તેનાથી વધુ વજનના જથ્થામાં સામાન લઇ જતા-આવતા મુસાફરો સામે પણ દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રજૂઆત:લાંબા સમયથી ભાવનગર હવાઇ માર્ગે મેઇન શહેરોથી છુટુ પડી ગયું
સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ભાવનગરની એર કનેક્ટિવિટી પુનઃ સ્થાપિત થાય તે માટે વિવિધ સ્તરે રજૂઆત કરવામાં આવી છે. વિમાની સેવાના અભાવે હાલ લાંબા સમયથી ભાવનગર જાણે હવાઇ માર્ગે મેઇન શહેરોથી છુટુ પડી ગયું હોય તેવી પરિસ્થિતિ છે. સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ભાવનગરની એર કનેક્ટિવિટી પુનઃ સ્થાપિત થાય તે માટે સતત અને સઘન પ્રયત્નો થઇ રહ્યા છે. આ બાબતોને ધ્યાનમાં લઇ ગુજરાત રાજ્ય અને ભારત સરકારના વિવિધ વિભાગોને ચેમ્બર અનુરોધ કરવામાં આવેલ છે. રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી મમતા વર્મા, પર્યટન વિભાગના સેક્રેટરીશ્રી રાજેન્દ્રકુમાર, ધોલેરા-સરના મેનેજીંગ ડાયરેક્ટર કુલદીપ આર્યા અને ગુજરાત મેરીટાઇમ બોર્ડના ઉપાધ્યક્ષ અને સી.ઈ.ઓ. રાજકુમાર બેનીવાલ તથા કેન્દ્ર સરકારના એમએસએમઈ મંત્રાલયના સેક્રેટરી એસ.સી.એલ. દાસ, સાંસ્કૃતિક મંત્રાલયના સેક્રેટરી વિવેક અગ્રવાલ તથા પોર્ટ્સ, શીપીંગ અને વોટરવેઈઝ મંત્રાલયનાં સેક્રેટરી વિજયકુમારને પત્ર પાઠવવામાં આવેલ છે. પાઠવવામાં આવેલ દરેક પત્રોમાં ભાવનગરની એર કનેક્ટિવિટી પુનઃ સ્થાપિત થાય તે માટે પ્રયત્નો કરવા અને તે અંગે તેમના તરફથી ભલામણ પત્રો ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયને મોકલવામાં આવે તેવી ભારપૂર્વક રજૂઆત કરવામાં આવેલ છે. શું ભાવનગરને એર કનેક્ટિવિટી જરૂરી ?ભાવનગર ખાતે એશિયાનું સૌથી મોટું શીપ બ્રેકીંગ યાર્ડ, પ્લાસ્ટિક, ફૂડ પ્રોસેસિંગ, કેમિકલ, ડાયમંડ, સોલ્ટ જેવા અનેક ઉદ્યોગો આવેલા છે. નજીકના ભવિષ્યમાં CNG અને કન્ટેનર ટર્મિનલનું નિર્માણ થનાર છે, જયારે વડાપ્રધાનનાં મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા ધોલેરા-સર તથા લોથલ હેરીટેજ પ્રોજેક્ટ ભાવનગરથી નજીકના અંતરે આવેલા છે. આ ઉપરાંત પાલિતાણા, નિષ્કલંક મહાદેવ, ગોપનાથ, સાળંગપુર જેવા યાત્રાધામોનું ભાવનગર પ્રવેશદ્વાર છે તેથી ભાવનગર ખાતેથી એર કનેક્ટિવિટી સત્વરે પુનઃ સ્થાપિત થવી જોઈએ. હવાઈ સેવાની અન-ઉપલબ્ધીના કારણે વેપાર, મૂડીરોકાણ અને પર્યટન પ્રવૃત્તિઓને વિપરીત અસર પડેલ છે.
ભાસ્કર ગાઈડ:દેવ અગ્રવાલ સીએ ઇન્ટરમીડીએટની પરીક્ષામાં ઉર્તિણ
ભરૂચના માત્ર 20 વર્ષીય દેવ અગ્રવાલે સીએની ઇન્ટરમીડીએટ પરીક્ષામાં દેશમાં 33મો ક્રમ મેળવ્યો છે. તેેણે 600માંથી 443 ગુણ પ્રાપ્ત કર્યા છે. દિવ્યભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં દેવે તેની સફળતાના રહસ્યોને ઉજાગર કર્યા હતાં. દેવે જણાવ્યું હતું કે, તેઓ માત્ર 20 જ વર્ષ ના છે અને ધોરણ- 10માં અભ્યાસ વખતે જ નકકી કરી લીધું હતું કે, વિજ્ઞાન પ્રવાહમાં જવાના બદલે તેઓ ચાર્ટડ એકાઉટન્ટ બનવા માગે છે. સીએ બનાવવા લક્ષ્ય સાથે તેમણે મહેનત શરૂ કરી હતી અને ધોરણ-12માં આવતાની સાથે સીએના કલાસીસ શરૂ કરી દીધાં હતાં.તેઓના માતા અને પિતા તરફથી ઘણો સહયોગ રહ્યો છે. તેઓ દિવસમાં 10થી 12 કલાક માત્ર સીએના અભ્યાસ માટે ફાળવતાં હતાં. ચાર્ટડ એકાઉટન્ટ બનવા માટે પહેલાં સીએ ફાઉન્ડેશનની પરીક્ષા આપવાની હતી. જેમાં સપ્ટેમ્બર 2024માં પહેલા પ્રયાસમાં જ 400માંથી 314 ગુણ મેળવ્યા હતા. જે બાદ સીએ ઇન્ટરમીડિએટ પરીક્ષામાં ઉતીર્ણ થવાની મહેનત કરવાનું શરુ કરી દીધું હતું. હાલ પરિણામ આવ્યું છે તેમાં તેણે 600માંથી 443 ગુણ મેળવી દેશમાં 33 મો ક્રમ મેળવ્યો છે. વધુમાં દેવે જણાવ્યું કે, આપણને જે વિષયમાં રસ હોય તે વિષયમાં જ આગળ વધવું જોઇએ. મને રીટર્ન ઓફ વેલ્યુ વાળો વિષય ઘણો જ રસપ્રદ લાગે છે અને ઘણો સંઘર્ષ ભર્યો વિષય હોવાથી આ વિષય પસંદ કર્યો છે. સીએની પરીક્ષા માટે આ રીતે તૈયારી કરો કોરોના કાળમાં દરેક વસ્તુ ઓનલાઇન થઇ ગઈ હતી તેમ હાલ સીએ માટેના કોચિંગ ઓનલાઇન શરૂ થઇ ગયા છે. ભરૂચ શહેરમાં હાલ સીએ માટે કોઈ પણ કોચિંગ કલાસ નથી પણ ઓનલાઇન શિક્ષણ મેળવી શકાય તેમ છે. વિદ્યાર્થીઓએ આઇસીએઆઇની બોર્ડ ઓફ સ્ટડીઝની વિનામુલ્યે ઉપલબ્ધ ઇ- લર્નિંગ વેબસાઇટનો ઉપયોગ કરવો જોઇએ. દરરોજ ઓછામાં ઓછા 8 થી 10 કલાક નિયમિત અભ્યાસ કરવો. છેલ્લાં ત્રણ મહિના ફક્ત પુનરાવર્તન માટે ફાળવવા અને મૉક ટેસ્ટ પેપર્સ લખવાનો મહાવરો અત્યંત જરૂરી છે. સીએની એક્ઝામ ત્રણ તબક્કામાં લેવામાં આવે છે - ફાઉન્ડેશન- એન્ટ્રેન્સ, ઇન્ટર અને ફાઇનલ. પરીક્ષામાં પાસ થવા ટોટલના 50% અને દરેક વિષયમાં ઓછામાં ઓછા 40% માર્ક ફરજીયાત લાવવાના હોય છે. આ ગુણ મેળવવા માટે સ્માર્ટ વર્ક કરવું ખૂબ જરૂરી છે. ખાસ પેપર લખવાનો મહાવરો કરવામાં આવે તો આ ગુણનો રેસિયો જળવાઈ રહે છે. > વ્રિન્દા વખારીયા, અધ્યક્ષ,ભરુચ બ્રાન્ચ ઓફ ડબલ્યુઆઇઆરસી ઓફ આઇસીએ
શહેરના વિકાસની અવળીગતિ:ટનાટન રોડને સિલકોટ અને 2 મહિના પહેલા બનાવે રોડમાં ગાબડા
ભાવનગર કોર્પોરેશન દ્વારા આગામી ચૂંટણીને ધ્યાને રાખી વિકાસ કામોને આંધળો વેગ આપી રહ્યા છે. શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં લાંબા સમયથી રોડ બન્યા નથી અથવા તો અતિશય બિસ્માર હાલતમાં છે. ત્યારે બીજી તરફ જ્યાં જરૂર જ નથી તેવા ટનાટન રોડને નવા બનાવવામાં આવી રહ્યા છે. ચોમાસા પૂર્વે ગત જુન માસના અંતમાં શહેરનો સત્યનારાયણ રોડ અને કમિશનરના બંગલાની બાજુમાં અશોક દવે માર્ગ બનાવવામાં આવ્યો હતો. ચોમાસાના વરસાદ બાદ પણ રોડની સ્થિતિ સારી હતી. ત્યારે હવે બંને રોડને સીલકોટ કરતા હાલત બગાડી નાખી છે. રોડ ધૂળધાણી થઈ ગયા છે. ત્યારે બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરની મુલાકાતે આવ્યા ત્યારે એરપોર્ટ થી રૂપાણી સર્કલ સુધીના રોડ ટનાટન બનાવ્યા હતા. પરંતુ ઉતાવળે આંબા ન પાકે તેની જેમ રાતો રાત બનાવેલા રોડની ગુણવત્તા પણ જળવાઈ ન હતી. અને હજુ બે મહિના પણ નથી થયા ત્યાં મહિલા કોલેજ સર્કલ પાસેના રોડની અંદરથી નબળી ગુણવત્તા રોડ ફાડીને બહાર આવી છે. ડાયવર્ઝનને કારણે હેવી વાહનોના વાહન વ્યવહારને કારણે પણ રોડ તૂટવા લાગ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા પાંચ વર્ષમાં 486 કરોડના રોડ અને બ્લોકના કામ થયા છે. તે પૈકી અનેક રોડના હાલ બેહાલ થઈ ગયા છે.
ભાસ્કર નોલેજ:આમોદ તાલુકાના 15 ગામમાં વીજ કંપનીનાદરોડા, 25 લાખની વીજચોરી બહાર આવી
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં 10 થી15 જેટલા ગામમાં ડીજીવીસીએલની વીજીલન્સની 41 ટીમે દરોડો પાડી વીજ ચોરી કરનાર 44 ને 25 લાખનો દંડ ફટકાર્યો. આમોદ તાલુકાના 15 જેટલા ગામમાં વહેલી સવારે લોકો મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિજીલન્સ ટીમે આમોદ તાલુકાના આછોદ, મછાસરા, રોઝા ટંકારીયા, નાહિયેર, ઇંટોલા, બુવા, નવાવાડીયા, માતર, તેગવા, નિણમ, રોધ, શ્રીકોઠી જેવા ગામોમાં દરોડા પાડી લંગર નાંખીને તેમજ મીટર સાથે છેડછાડ કરી વીજ ચોરી કરતા 44 કેસ ઝડપી પાડ્યા હતા. જેમાં વીજ ચોરોને કુલ 25.4 લાખનો વીજ દંડ ફટકારવામાં આવ્યો હતો. દક્ષિણ ગુજરાત વીજ કંપનીની 41 વીજીલન્સ ટીમે પોલીસ સાથે રાખીને દરોડો પાડતા વીજ ચોરી કરતા તત્વો માં ફફડાટ ફેલાઇ ગયો હતો. વીજ કંપનીએ મીટર તેમજ સર્વિસ વાયર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. વીજચોરી કેવી રીતે પકડવામાં આવે છેદર મહિને ફીડરના લોસીસ થતાં હોય છે એટલે કે વીજ વિભાગ 100 યુનિટ આપે તો તેની સામે બિલ કેટલા થયા જો 100ની સામે 80 યુનિટના બિલ થયા તો 20 ટકા વીજચોરી જે તે વિસ્તારમાં થતી હોવાનું સાબિત થાય છે. આવા ફીડરો અને તેમાં સમાવેશ કરાયેલાં ગામોને શોધી દરોડાઓ પાડવામાં આવે છે.તપાસ દરમિયાન વીજ વિભાગના કાયદાની કલમ 135 મુજબ ચોરી કરે છે તે સાબિત થઇ જાય તો મીટર અને સર્વિસ વાયર જપ્ત કરવામાં આવે છે. ત્યારબાદ કોર્ટે રીકવરી માટે જણાવે તે મુજબ કાર્યવાહી કરવામાં આવે છે. વીજ ચોરી કરનાર આપેલો દંડ ભરી દેવાથી ફરી મીટર લગાવી આપવામાં આવે છે.
વીજળીનું ડિજીટલાઈઝેશન:વીજળીના 623 ફિડરોનું ‘સ્કાડા’થી થશે મોનિટરીંગ
ભારત સરકારના ઊર્જા મંત્રાલય નિદર્શિત માર્ગદર્શિકા અનુસાર પી.જી.વી.સી.એલ. દ્વારા વીજળી સંબંધિત પ્રશ્નોના તાત્કાલિક નિકાલ થાય તેવા આશય સાથે કરોડો રૂપિયાના ખર્ચે સ્કાડા (સુપરવિઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન) સિસ્ટમ હેઠળ વીજ વ્યવસ્થાપન તંત્રનું ડીજીટલાઇઝેશન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પી.જી.વી.સી.એલ.ના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૈકીના સ્કાડાના પાયલોટ પ્રોજેક્ટને લઈ પસંદ કરાયેલા ભાવનગરમાં 11 કે.વી.ના 623 ઇલેક્ટ્રિક ફિડરોના પ્રારંભિક તબક્કાનું પરીક્ષણ શરૂ કરાયું છે. સ્કાડા દ્વારા વીજ વ્યવસ્થાપનના ડીજીટલાઇઝેશન સાથે ભાવનગર જિલ્લા સહિતના બોટાદ, અમરેલી અને સુરેન્દ્રનગર શહેરના ગ્રાહકોને વીજળી પુરી પાડતા 11 કે.વી.ના 623 ઇલેક્ટ્રિક ફિડરોનું મોનિટરીંગ કરાશે . સ્કાડા પ્રોજેક્ટ અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોનમાં પસંદ કરાયેલ ભાવનગર, રાજકોટ અને જૂનાગઢ તેમજ જામનગરમાં પાર્ટ-1 અને પાર્ટ-2માં હયાત વીજ વ્યવસ્થાપન તંત્રને અપગ્રેડ કરવા, આર.એમ.યુ. યુનિટ લગાવવા અને વીજળીના સ્માર્ટ મીટરો લગાવવા સહિતની અનેક મૂળભૂત કામગીરી તબક્કાવાર કરવામાં આવી રહી છે ત્યારે સંભવતઃ વર્ષ-2026ના અંત સુધીમાં સ્કાડા પ્રોજેક્ટ સંપૂર્ણપણે કાર્યરત બનશે. પીજીવીસીએલના ‘સ્કાડા’ પ્રોજેક્ટની ફેક્ટ ફાઈલ 4 સબ સ્ટેશનોનું પ્રારંભિક તબક્કાનું પરીક્ષણપી.જી.વી.સી.એલ.ના સૌરાષ્ટ્ર ઝોનમાં પસંદ કરાયેલ ભાવનગર શહેરમાં સ્કાડા પ્રોજેક્ટની પ્રારંભિક તબક્કાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હાલ ભાવનગર જિલ્લાના સિટી સબ સ્ટેશન, વરતેજ સબ સ્ટેશન અને સુરેન્દ્રનગર જિલ્લાના બે મળી કુલ ચાર સબ સ્ટેશનોનું પ્રારંભિક તબક્કાનું પરીક્ષણ શરૂ છે. > યશપાલસિંહ જાડેજા અધિક્ષક ઈજનેર, PGVCL ભાવનગર વર્તુળ કચેરી, ભાવનગર
સમારંભ:કેવડિયામાં તા. 13મીએ ગૌરવ યાત્રાઓનો સમાપન સમારંભ
ભગવાન બિરસા મુંડાની150મી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત તા.7મી નવેમ્બરે અંબાજીથી મુખ્યમંત્રી ભૂપન્દ્ર પટેલની ઉપસ્થતિમાં પ્રારંથ થયો હતો. તેવી જ રીતેઉમરગામથી પણ આ ગૌરવ રથનો પ્રારંભ થયો છે. બે રૂટ પરથી પસાર થઈ રહેલી આ ગૌરવ યાત્રાનું નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે તા.13મી નવેમ્બરે સમાપન થશે.અંબાજી અને ઉમરગામથી પ્રારંભ થયેલી ગૌરવ યાત્રા વિવિધ જિલ્લાઓમાંથી પસાર થઈ રહી છે. આ યાત્રા પૈકી રૂટ નંબર-01ની યાત્રા હાલ વલસાડ-નવસારી જિલ્લામાંથી પસાર થઈ રહી છે. આ ગૌરવયાત્રા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જાવલી ખાતે તા. 11મી નવેમ્બરે પ્રવેશ કરશે. ત્યારબાદ પુનઃસુરત અને ભરૂચ જિલ્લાના ગામોમાંથી ભ્રમણ તા.12મી તારીખે નાંદોદ તાલુકાના ધારીખેડા ખાતે પહોંચશે. આ યાત્રા તા.13મી નવેમ્બરે ધારીખેડાથી નીકળી એકતાનગર ખાતે પહોંચશે. તેવી જ રીતે રૂટ નંબર-2ની અંબાજીથી નીકળી વિવિધ જિલ્લામાં ભ્રમણ કરી રહેલી ગૌરવ યાત્રા છોટાઉદેપુરના નસવાડી તાલુકામાંથીતા. 13મી નવેમ્બરે નર્મદા જિલ્લામાં પ્રવેશ કરશે. આદિવાસી વિસ્તારોમાં બન્ને યાત્રાઓ ભ્રમણ કરી રહી છે. જેનું ઠેર-ઠેર સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે. યાત્રાઓની સાથે મહાનુભવો પણ જોડાઇ રહ્યા છે.
બેઠક:દેડિયાપાડામાં વડાપ્રધાનના કાર્યક્રમમાં આદિવાસી ઢબના આમંત્રણ પત્ર અપાશે
દેડિયાપાડામાં 15મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીના અવસરે આયોજીત કાર્યક્રમમાં હાજરી આપશે. વડાપ્રધાનના આગમન પહેલાં શનિવારે રાજયના ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભરૂચના જીએનએફસી સરકીટ હાઉસમાં પાંચ જિલ્લાના અધિકારીઓ તથા પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે સુરક્ષા વ્યવસ્થાની કામગીરી અને વિવિધ સમિતીઓ દ્વારા કરવામાં આવી રહેલી પૂર્વતૈયારીઓની સમીક્ષા કરી હતી. જાહેરસભા, રોડ – શોનો રૂટ સહિત તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થાઓ, ટ્રાફિક મેનેજમેન્ટ, પાર્કીંગ અને વાહન વ્યવહારના રૂટ સહિતના આયોજન અંગેની વિગતવાર જાણકારી મેળવી હતી. તેમણે આદીવાસી સમાજના રીત - રિવાજ અને સ્થાનિક આદીવાસી સંસ્કૃતિ મુજબ ગામડાંનાલોકોને શુભ પ્રસંગે આપવામાં આવતા આમંત્રણની વ્યવસ્થા અંગે રચનાત્મક માર્ગદર્શન આપ્યું હતું. જાહેર સ્થળો સહિત ડેડીયાપાડા ખાતે સાથે થનારા આદીવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા વારલીપેઈન્ટીંગ સહિતના ભિંતચિત્રો અને સ્વાગત ગેટ બનાવવા સહિતની વ્યવસ્થા ઉભી કરી સ્થાનિકલોકો પણ આ કાર્યક્રમમાં જોડાય અને રોજગારી પણ મેળવે તેવી વ્યવસ્થા કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન દેવમોગરામાં મંદિરમાં દર્શન કર્યા બાદ દેડિયાપાડા ખાતે જાહેર સભાને સંબોધિત કરશે.
ભાસ્કર ન્યૂઝ | ભરૂચ ભરૂચ જિલ્લામાં માવઠાને કારણે ડાંગર સહિતના પાકને નુકશાન પહોચ્યું છે. જેમાં ખાસ કરીને ડાંગરના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે. ત્યાર બાદ ગત રોજ સરકારે માવઠાને કારણે જે ખેડૂતોને ખેતી પાકમાં નુકશાન થયું છે. તેના માટે સરકારે રૂપિયા 10 હજાર કરોડના સહાય પેકેજની જાહેરાત કરી છે. જોકે આ નિર્ણયથી ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. તેને લઈને દિવ્ય ભાસ્કરની ટીમે ખેડૂતો સાથે વાતચીત કરી હતી તેમાં તેઓએ જણાવ્યું હતું છે. કમોસમી વરસાદના કારણે ભરૂચ જિલ્લામાં અંદાજે 1 લાખથી વધુ ખેડૂતોએ તેમનો મહામૂલી પાકમાં નુકસાન થતાં તેમના પર આર્થિક ભારણ વધ્યું છે. આ નુકશાની માટે તેઓ લાંબા સમયથી સરકાર પાસે પૂરતી સહાયની માગ કરી રહ્યા છે પણ સરકારે કરેલી સહાય ની જાહેરાત ખેડૂતોના કરેલા ખર્ચ કરતાં પણ અડધી છે.સહાયની રકમમાં વધારો કરીને એકર દીઠ રૂપિયા 50 થી 60 હજાર તેમજ પિયત ખેતી કરતાં ખેડૂતોનો ખર્ચ વધુ હોવાના કારણે એક હેકટરે 1 લાખ જેટલું આપવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. આમ ખેડૂતોને માવઠાના કારણે થયેલા નુકસાનની ભરપાઈ માટે ખેડૂતોનું ધિરાણ માફ કરવું, પિયત વિસ્તારમાં વળતર ડબલ કરવામાં તેવી માગ કરી રહ્યા છે. વરસાદ આધારિત ખેતી કરતાં ખેડૂતો વરસાદ પર આધાર રાખતા હોય છે. જેથી ઓછા ખર્ચ અને ઓછો લાભ થતો હોય છે. જ્યારે પિયત ખેતી કરતાં ખેડૂતો બારે માસ ખેતી પાક કરે છે. જે પાણી માટે મોટર સહિતના મશીનો તેમજ ખેતર તૈયાર કરવા સહિત કાપણી કરવા માટે વધુ મજૂરો પહેલેથી જ રોકવા પડે છે જેવા કારણોથી પિયત ખેતી કરતાં ખેડૂતોને વધુ ખર્ચ થાય છે. જેથી સહાયની રકમ ની માગણી પણ ડબલ આપવા માટે કરી રહ્યા છે. પિયત ખેતી કરતાં ખેડૂતો ડબલ વળતરની માગ કેમ કરી રહ્યા છેવરસાદ આધારિત ખેતી કરતાં ખેડૂતો વરસાદ પર આધારરાખતા હોય છે. જેથી ઓછા ખર્ચ અને ઓછો લાભ થતોહોય છે. જ્યારે પિયત ખેતી કરતાં ખેડૂતો બારે માસ ખેતીપાક કરે છે. જે પાણી માટે મોટર સહિતના મશીનો તેમજખેતર તૈયાર કરવા સહિત કાપણી કરવા માટે વધુ મજૂરોપહેલેથી જ રોકવા પડે છે જેવા કારણોથી પિયત ખેતી કરતાંખેડૂતોને વધુ ખર્ચ થાય છે. જેથી સહાયની રકમ ની માગણીપણ ડબલ આપવા માટે કરી રહ્યા છે. સરકારે હેકટરે 60 હજાર ઓછામાંઓછી સહાય આપવી જોઈએસરકારે જાહેર કરેલી સહાય અમારા છોકરા ની ફી ભરવા જેટલી સહાય જાહેર કરવામાં આવી છે. ખેડૂતને કેટલું નુકસાન થયું છે તે કોઈને ખબર નથી. ડાંગરના પાકમાં 75 હજાર જેટલો ખર્ચ થાય છે. તેની સામે 22 હજાર સહાય આપે એતો રોપણી અને કાપણી માં ખર્ચ થઈ જાય જેથી સરકાર હેકટરે રૂપિયા 60 હજાર ઓછામાં ઓછા આપવું જોઈએ જેથી ખેડૂતોને થોડી રાહત થાય. > હરેશ પટેલ, મોટવાણ ખેડૂત પાકને નુકસાન થતાં ઘરચલાવવું મુશ્કેલ બન્યુંખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જે ઘણું ઓછું છે. મોટાભાગના ખેડૂતોએ વ્યાજે પૈસા લઈને ખેતી પાક ઉગાડયો હતો પણ માવઠાને કારણે પાકને નુકસાન થતાં ખેડૂતોને હવે ઘર ચલાવવું પણ મુશ્કેલ બનશે. તેમજ વ્યાજે પૈસા લીધા છે તે ની ભરપાઈ હવે કેવી રીતે કરશે તેવા મુઝવણમાં ખેડૂત મુકાયો છે. > બિપિન વસાવા, ખેડૂત પિયત ખેતી કરતા ખેડૂતોને હેક્ટરે 1 લાખ સહાય આપોમારે 4 હેક્ટરમાં ડાંગરના પાકમાં નુકસાન થયું છે. અને અમારા ગામમાં મોટા ભાગના ડાંગરના પાકમાં નુકસાન થયું છે. તેની સામે સરકારે કરેલી હેકટરે 22 હજાર સહાયની જાહેરાત ખૂબ જ ઓછી છે. તેમાં પણ પિયત ખેતી કરતા ખેડતોને ખેતી માટે ખર્ચ પણ વધુ થાય છે. જેથી સરકારે પિયત ખેતી કરતા ખેડૂતોને હેકટરે 1 લાખ સહાય આપવી જોઈએ. > હનીફ ભાઈ, ખેડૂત
ભાસ્કર ઈનસાઈડ:ગોધરામાં શહેરા ભાગોળ પાસેના રેલવે અંડરપાસમાં શ્રમિકોની જોખમી કામગીરી
ગોધરા શહેરના શહેરા ભાગોળ નિર્માણાધિન રેલવે અંડરપાસ ખાતે વરસાદી પાણીને બહાર કાઢવા માટે ચાલી રહેલી કામગીરીમાં શ્રમિકોના જીવ સાથે જોખમી ખેલ ખેલાઈ રહ્યો છે. સુરક્ષાના તમામ ધારાધોરણોને નેવે મૂકીને, શ્રમિકો દ્વારા જે રીતે પાણીના ઊંડા ભરાવમાં ઊતરીને જોખમી કામગીરી કરવામાં આવી રહી છે, તે જોતાં કોઈ પણ ક્ષણે મોટી હોનારત સર્જાવાનો ભય તોળાઈ રહ્યો છે. ગોધરા શહેરા ભાગોળ ખાતે નિર્માણાધિન રેલવે અંડર પાસમાં કામગીરી દરમિયાન બેદરકારી ભરેલા દૃશ્યો સામે આવ્યા છે. શ્રમિકો ઊંચાઈ પરથી ઊંડા પાણીમાં ઊતરવા માટે માત્ર દોરડાનો સહારો લઈ રહ્યા છે. જે સ્પષ્ટ દર્શાવે છે કે તેમના જીવની કિંમત શૂન્ય આંકવામાં આવી રહી છે. પાણીમાં ઇલેક્ટ્રિકલ કે અન્ય કોઈ જોખમ ઊભું થાય તો, શ્રમિકોનો જીવ બચાવવો લગભગ અશક્ય બની જાય તેમ છે. સ્થાનિક નાગરિકો અને જાગૃત લોકો આ બેદરકારી ભરેલા દૃશ્યને નિહાળીને વહીવટી તંત્રની ઘોર નિષ્કાળજી સામે સવાલો ઉઠાવી રહ્યા છે. જો આ જીવલેણ કામગીરી દરમિયાન કોઈ અકસ્માત સર્જાય અને કોઈ શ્રમિક જાન ગુમાવે, તો તેની સંપૂર્ણ જવાબદારી કોની રહેશે? સ્થાનિક સત્તાધીશો અને રેલવે વિભાગે તાત્કાલિક આ બાબતની ગંભીર નોંધ લઈ શ્રમિકોને પૂરતા સુરક્ષા સાધનો પૂરા પાડે અને નિયમ અનુસાર કામગીરી થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ. જ્યાં સુધી આ જોખમી પ્રથા બંધ ન થાય, ત્યાં સુધી આ અંડરપાસ મોતનો કૂવો સાબિત થઈ શકે છે. શ્રમિકોને પુરતા સાધનો પુરા નહિ પડાય તો મોતનો કૂવો સાબિત થઇ શકે છેસ્થાનિક સત્તાધીશો અને રેલવે વિભાગે તાત્કાલિક આ બાબતની ગંભીર નોંધ લઈને, શ્રમિકોને પૂરતા સુરક્ષા સાધનો પૂરા પાડવામાં આવે અને નિયમ અનુસાર કામગીરી થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ. જ્યાં સુધી આ જોખમી પ્રથા બંધ ન થાય, ત્યાં સુધી આ અંડરપાસ મોતનો કૂવો સાબિત થઈ શકે છે.
સફળ પ્રસૂતિ:રેંટિયા PHCમાં 1 જ દિવસમાં 4 બાળકી અને 1 બાળકનો જન્મ
દાહોદ તાલુકાના રેંટિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તબીબી સ્ટાફની ઉત્કૃષ્ટ સેવા અને તત્પરતાના કારણે આરોગ્ય વિભાગે એક જ દિવસમાં એક મોટી સફળતા હાંસલ કરી છે. રેંટિયા PHCમાં એક જ દિવસે કુલ પાંચ ડિલિવરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આરોગ્ય કેન્દ્રની ટીમે સમયસર તબીબી સહાય અને જરૂરી સંભાળ પૂરી પાડતા આ તમામ પ્રસવો દરમિયાન ચાર બાળકી અને એક બાળકનો જન્મ થયો છે. સૌથી આનંદની વાત એ છે કે, આ તમામ માતાઓ અને નવજાત બાળકો સંપૂર્ણ સ્વસ્થ છે. આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારીઓ, નર્સો અને સહાયક સ્ટાફે દિવસભર સતત સેવા આપીને તમામ પ્રસવોને સુરક્ષિત રીતે પૂર્ણ કર્યા હતા. પરિવારજનોએ આરોગ્ય ટીમના કાર્ય અને સમર્પણની પ્રશંસા કરતાં આનંદ અને સંતોષ વ્યક્ત કર્યો હતો. આ સફળ કામગીરી માટે રેંટિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સમગ્ર ટીમને તબીબી તંત્ર તરફથી અભિનંદન અને પ્રશંસા મળી રહી છે. મહિલા અને બાળકના આરોગ્ય માટે ગ્રામ્ય સ્તરે કાર્યરત આરોગ્ય સેવાઓના આવા સફળ પ્રયત્નો ગ્રામ્ય આરોગ્ય વ્યવસ્થાને મજબૂત બનાવી રહ્યા છે અને સામાન્ય જનતામાં સરકારી આરોગ્ય સેવાઓ પ્રત્યે વિશ્વાસ વધારી રહ્યા છે.
નકલી ઘડિયાળ વેચનાર પોલીસના સકંજામાં:બ્રાન્ડેડના નામે મુંબઇથી લવાયેલી નકલી ઘડિયાળ વેચનાર ઝડપાયો
મહિધરપુરામાં બ્રાન્ડેડના નામે નકલી ઘડિયાળોનું વેચાણ કરતા 22 વર્ષીય જતીન હરીશ ચોપરા( રાંદેર ગુજરાત હાઉસિંગ બોર્ડ)ને એસઓજીએ પકડી 3.93 લાખની નકલી ઘડિયાળો જપ્ત કરી છે. આરોપી પાસેથી ટાઇટન કંપનીની ફાસ્ટ્રેક બ્રાન્ડેડની નકલી 875 ઘડિયાળો મળી છે. આ નકલી ઘડિયાળો આરોપી મુંબઈના મનીષ માર્કેટ અને આલ્ફા શોપમાંથી લાવ્યો હતો. ટાઇટનના લીગલ એડવાઇઝર ગૌરવ તિવારીની ફરિયાદ પર મહિધરપુરા પોલીસે જતીનની ધરપકડ કરી છે. 3.93 લાખની 875 ઘડિયાળો કબજે કરાઈબ્રાન્ડેડ કંપનીની ઘડિયાળ બાબતે કંપનીના લીગલ એડવાઇઝરે જણાવ્યું કે ઓરિજનલ કંપનીની બ્રાન્ડેડ ઘડિયાળમાં 6 નંબરના આંકડાની નીચે મોડલ નંબર લખેલો હોય છે એટલું જ નહિ ઘડિયાળના પટ્ટા પર કંપનીનો લોગો હોય છે, નકલી ઘડિયાળ વજનમાં હલકી હોય છે. જ્યારે બ્રાન્ડેડ કંપનીની ઘડિયાળ વજનમાં ભારે હોય છે. બ્રાન્ડેડ કંપનીની નકલી ઘડિયાળના મશીન ચીનમાં બને છે. જ્યાંથી લાવી અહિંયા તેને ફિટ કરવામાં આવે છે.
અમરેલીના બાબરાના ફૂલઝર ગામે 5 નવેમ્બરરાત્રે લગ્નના ફુલેકામાં ઘોડીને ટ્રેક્ટર અડી જતાં થયેલી બબાલમાં એકની હત્યા થઇ હતી, અને 10ને ઇજાઓ પહોંચી હતી. સામસામે 50થી વધુ સામે ફરિયાદ થઇ હતી. એમાં 29 પાટીદાર સામે ફરિયાદ થઈ છે. બે એવા લોકોનાં નામ છે, જેમાંથી એક હોટલમાં અને એક હોસ્પિટલમાં દાખલ હતા. આ જૂથઅથડામણના પડઘા સુરતમાં પડ્યા છે. આ મામલે બેઠક યોજાઈ હતી. બેઠકમાં પાટીદારો સામે લાગેલી 307ની કલમ નહીં દૂર કરવામાં આવે તો સુરતથી ફૂલઝર જવાની પણ તૈયારીઓ કરાઇ છે. આ બેઠકમાં અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે, લુખ્ખા સામે લુખ્ખા જ પેદા કરો, હવે ફરિયાદી નહીં આરોપી બનો. આ વખતની તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ 75 વર્ષની ચૂંટણી કરતાં અલગ હશે. આ વખતે 27 ટકા રિઝર્વેશન સાથે ચૂંટણી લડાશે. મારી સૌને વિનંતી છે કે તૈયાર રહેવું. તમારે સિસ્ટમમાં અને સત્તામાં ભાગીદારી બનાવવી પડશે. બંને મોરચે આગળ વધવાનું છે. આ મામલે પાટીદાર અગ્રણી વિજય માંગુકિયાએ કહ્યું કે ફૂલઝરની ઘટના સીસીટીવીમાં કેદ છે. જો એના આધારે ગુનો નોંધાયો હોય તો પાટીદાર યુવાનો નિર્દોષ સાબિત થાય છે. ‘સૌરાષ્ટ્રના હજારો ગામમાં આ જ સ્થિતિ છે’બેઠકમાં અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે પરિસ્થિતિ સુધારવા દિવાળીમાં ગામ જઈએ ન ચાલે. ગામ કમિટીની રચના કરવી પડશે. મહિને 10-10 યુવાનોએ ગામડે જવાનું, સૌરાષ્ટ્રનાં 10,000થી વધુ ગામમાં 500 ગામને બાદ કરો તો બધે આ જ પરિસ્થિતિ છે. અમદાવાદની ચિંતન શિબિર બાદ માંગ મૂકી હતી કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ 68 જેટલા સમાજથી પણ વધારે સમાજ જ્ઞાતિજનોનો ઈડબલ્યુએસમાં લાભ મળી રહ્યો છે, તો એમને પણ આ ચૂંટણીઓમાં લાભ મળે એની વ્યવસ્થા કરવી જોઈએ. દરેક મોરચે આગળ આવવાનું છે. આ રાજકારણનો કે કોઈ પાર્ટીનો વિષય નથી. પક્ષ કોઈપણ હોય, પણ આપણો માણસ હોવો જોઈએ.
શહેરમાં લારી ગલ્લા તો ઠીક હવે આમલેટની દુકાન અને પંકચરની દુકાનો પર પણ ગાંજો વેચાઇ રહ્યો છે. ડિંડોલીમાં પંકચરની દુકાન પરથી અને ઉત્રાણમાં આમલેટની લારી પરથી ગાંજો પકડાયો છે. ઉત્રાણ પોલીસને બાતમી મળી હતીકે, ઉત્રાણ વીઆઇપી સર્કલ એલીટા સ્કવેર પાસે પતરાના શેડમાં આમલેટની લારી પર ગાંજો વેચાઇ રહ્યો છે. પોલીસે દરોડો પાડી લારી ચલાવતા મોહિત નાગેશ્વર મહાજન (દિવ્યલોક એપાર્ટમેન્ટ રાજપુત ફળિયા ઉત્રાણ) અને ચિરાગ સાગર સોલંકી (કિર્તીનગર ઉત્રાણ)પાસેથી 66.62 ગ્રામ ગાંજો મળ્યો હતો. બંને જણા ભાગીદારીમાં આમલેટની લારીની આડમાં ગાંજો વેચતા હતા. નવાગામ ડિંડોલી મણીનગર રેલવે ટ્રેક પાસે સાયકલ રિપેરીંગ અને પંકચરની દુકાન પર ગાંજો વેચાઇ છે. પોલીસે દરોડા પાડી દુકાન ચલાવનાર રાધાકાંત ભોલા પ્રસાદ પાસેથી રૂ.40,200ની કિંમતનો 804 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આ ગાંજો અને મોબાઇલ ફોન મળીને કૂલ રૂ.45,880ની કિંમતનો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસની પ્રાથમિક પુછપરછમાં આરોપીઓ કતારગામ ઉત્કલનગર રેલવે ટ્રેક પાસેથી ગાંજો લાવ્યા હોવાનું અને છુટક વેચતા હોવાની કબુલાત કરી હતા. ઉત્રાણ, ડિંડોલી સહિત 3.20 લાખનો ગાંજો જપ્તશહેર પોલીસમાં દ્વારા એક જ દિવસમાં 3.20 લાખની કિંમતનો ગાંજો પકડી પાડ્યો છે. જેમાં ડિંડોલી પોલીસે રૂ.40,200, ઉત્રાણ પોલીસે રૂ.3,351નો, વરાછા પોલીસે પાટીચાલમાંથી રૂ.2.76 લાખનો અને ભેસ્તાન પોલીસે રૂ.10,600ની કિમતનો ગાંજો પકડી પાડ્યો હતો.
સેવાકાર્ય:પથવિજય ભગવાન ધર્મચક્ર ટ્રસ્ટે નવાપુર પંથકના ગામોમાં ચીજ-વસ્તુ વિતરણ કરી
પથ વિજય ભગવાન ધર્મચક્ર ચેરીટેબલ ટ્રસ્ટના સેવા કાર્યો અવિરત પણે ચાલતા જ રહે છે. પન્યાસ પદ્મબોધિ વિજયજી મહારાજની આચાર્ય પદવી નિમિત્તે મહારાષ્ટ્રમા બલસાણા ડોનડાઈચા, વીસારવાડી, નવાપુર તથા સોનગઢ માં બાળકોને રમકડા, કપડા, નોટબુક તેમજ ગ્લાસ અને મીઠાઈનું વિતરણ પ્રમુખ વજુભાઈ પારેખ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. બલસાણામાં ગૌશાળામાં ગાયોને ઔષધી યુક્ત લાડુ ખવડાવવામાં આવ્યા હતા. લમપી ગાયોની ઔષધીથી સારવાર કરવામાં આવી તેમજ સ્ટાફના માણસોને રોકડ રકમ તથા બક્ષીસ આપવામાં આવી. આ સેવા યજ્ઞ 6થી 21 નવેમ્બર 2025 સુધી અલઞ અલઞ વિસ્તારોમાં ચાલશે. 21 નવેમ્બરના રોજ પન્યાસ પદ્મબોધિ વિજયજી મહારાજની આચાર્ય પદવી નિમિતે પ્રભુજીની સુંદર અંગ રચના પણ કરવામા આવશે.
સ્નેહમિલન સમારોહ:મોઢ વણિક હિતવર્ધક મંડળનો સ્નેહમિલન સમારોહ યોજાયો
સુરતી મોઢ વણિક હિતવર્ધક મંડળનો સ્નેહમિલન કાર્યક્રમ નાનપરા, જમરૂખ ગલી, કે.જે. વૃદ્ધાશ્રમ ખાતે પ્રમુખ હસમુખ લાલવાલાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.જેમાં અમેરિકા નિવાસી ડો. અરવિંદ લાપસીવાળા ચીફ ગેસ્ટ તરીકે અને મહેમાન તરીકે પીપલ્સ કો .ઓપ. બેન્કના ચેરમેન અમિત ગજ્જર સાથે હરીશ જાડાવાલા, એડવોકેટ રમેશભાઈ ગાંધી ઉપસ્થિત રહયા હતા. પ્રમુખ હસમુખ લાલવાલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું જ્યારે ઉપસ્થિત મુખ્ય મહેમાન અને અન્ય મહેમાનોની સાથે એડવોકેટ ધર્મેશ ગાંધી અને દાતા હરીશ જાડાવાળાનું સન્માન કરવામાં આવ્યું હતું 200થી વધારે સભ્યોની હાજરીમાં સ્નેહમિલન યોજાયું હતું. મંત્રી મનહર લાપસીવાળાએ હિતવર્ધક મંડળની સ્થાપનાથી 100 વર્ષ જૂની યશગાથા યાદ કરી અને મહેમાનો દ્વારા હિતવર્ધક મંડળની પ્રવૃત્તિઓ જેમાં દર માસે 400થી વધુ આર્થિક નબળા પરિવારોને અન્ન સહાય , વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક સહાય સ્કૂલ અને ટ્યુશન ફી જેવી નિયમિત સેવાઓને બિરદાવી હતી.સભાના અંતે શ્રીવાસ ઘીવાળાએ આભાર વિધિ કરી કાર્યક્રમ સમાપન કરવામાં આવ્યો હતો.
દેહદાન:લોકદ્રષ્ટિ ચક્ષુબેંકના માધ્યમથી 25થી વધારે મેડિકલ કોલેજોને 1432 દેહદાન પ્રાપ્ત થયા
લોકદ્રષ્ટિ આઇબેન્ક, રેડક્રોસ બ્લડ બેન્ક અને લાયન્સ ક્લબ ઓફ સુરત ઈસ્ટને દેહદાન તેમજ ચક્ષુદાન દેસાઇ પરિવાર દ્વારા દેહદાન નેત્રદાન અર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચ મેડિકલ કોલેજની અર્પણ કરાવ્યું અને ચક્ષુદાન લોકસિદ્ધિ સ્વીકાર્યું હતું. મુળ વતન સુરનગર તાલુકો ગારીયાધાર, જીલ્લો ભાવનગર, હાલ ડી 1102 ગ્લોરી હિલ્સ, અબ્રામા રોડ, મોટા વરાછામાં રહેતા સ્વ.લીલાબેન રવજીભાઈ દેસાઈનુ અવસાન થતા પતિ રવજીભાઈ હિરજીભાઈ દેસાઈ અને પરીવારની ઉપસ્થિતિમાં દેહદાન કરાયું હતું. અજયભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે મારા માતાનું અવસાન થતા પરિવારે ચક્ષુદાન કરવાનો નિર્ણય લીધો હતો ચક્ષુદાન કર્યા પછી તુરંત મારા પિતા રવજીભાઈ દેસાઈ અને અમારા પરિવારે દેહને અગ્નિ સંસ્કાર આપવા કરતાં મેડિકલ કોલેજમાં દેહદાન કરી તબીબી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ઉપયોગી બને એવું વિચારીને દેહદાન કરી સમાજને પ્રેરણા આપી હતી. નેત્રદાન, દેહદાન, અંગદાન માટેની લોકોને સમજ આપોડો. પ્રફુલ શિરોયાએ જણાવ્યું હતું કાળી કીકીને લીધે જેમને અંધાપો છે એવા લોકોની જિંદગીમાં ફરીથી ઉજાસ લાવવા માટે આપણે દરેકે કોઈપણ દુઃખદ પ્રસંગે જવાનું થાય તો નેત્રદાન, દેહદાન અને અંગદાન માટેની સમજ જરૂરૂ આપવી જોઈએ. ભાસ્કર એનાલિસિસતબીબી વિદ્યાર્થીઓને ઉપયોગીદેહદાન કરવાથી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને શરીરની આંતરિક રચનાઓનો અભ્યાસ કરવામાં ઉપયોગી થાય છે. લોકદ્રષ્ટિ ચક્ષુબેંક અને તેમની સાથી સંસ્થાના માધ્યમથી અત્યાર સુધીમાં કુલ 1432 દેહદાન અર્પણ કરવામાં આવ્યા છે. સુરત ઉપરાંત વડોદરાથી વલસાડ સુધી દક્ષિણ ગુજરાતની લગભગ 25થી વધારે સરકારી મેડિકલ કોલેજ, ફિઝિયોથેરાપી, હોમિયોપેથીક, આયુર્વેદિક વગેરે કોલેજોના ત્રણ હજારથી વધારે વિદ્યાર્થીઓને માનવ શરીરની આંતરિક રચનાઓના અભ્યાસમાં આ દેહદાન ઉપયોગી સાબિત થયા છે.
SIRની પ્રક્રિયા:મતદાર સુધારણા અંતિમ તબક્કામાં જિલ્લામાં 15 લાખ ફોર્મનું વિતરણ
સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. જિલ્લામાં 15 લાખ ફોર્મનું વિતરણ કરાયું છે. આગામી 3 દિવસમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થશે. બૂથ-લેવલ અધિકારીઓ ઘરે ઘરે જઈને ફોર્મ એકત્રિત કરી રહ્યા છે. આ પ્રક્રિયા 4 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે ત્યારબાદ 9 ડિસેમ્બરે મતદાર યાદીનો પ્રથમ ડ્રાફ્ટ પ્રકાશિત કરાશે. જેના નામ કે વિગતોમાં ભૂલ હશે તેઓ 9 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી સુધી સુધારા કરી શકશે કે વાંધા રજૂ કરી શકશે. આ બાબતે અધિકારીઓએ જણાવ્યું હતું કે ચૂંટણી દરમિયાન કોઈપણ સમસ્યા ટાળવા માટે દરેક પાત્ર નાગરિકે ખાતરી કરવી જોઈએ કે તેમનું નામ મતદાર યાદીમાં યોગ્ય રીતે દાખલ થયેલ છે. અંતિમ મતદાર યાદી 7 ફેબ્રુઆરી, 2026 ના રોજ પ્રકાશિત કરવામાં આવશે.
અડાજણના લોનધારકે હોમ લોનના 9 લાખ બાકી હતા ત્યારે હપ્તા બંધ કરતા બેંકે ફ્લેટનો કબજો લીધો હતો. બાદમાં અરજદારે ફ્લેટ વેચવાનો છે કહી બેંક પાસે ડોકયુમેન્ટ માંગ્યા હતા. બેંકે થોડા દિવસ કાઢી નાંખતા તેણે અરજી કરીને લોન માફ કરી 25 લાખનું વળતર અપાવવા કોર્ટમાં અરજી કરી હતી. જો કે, દલીલો બાદ કોર્ટે અરજી ફગાવી હતી. બેંકમાં ધક્કા ખાતા અરજદારને આપઘાતનો વિચાર આવ્યો હતો. આમ, સેવામાં ખામી કહી અરજી કરી દીધી હતી. ભાસ્કર એક્સપર્ટસરફેસી એક્ટ બાદ કાર્યવાહી કરવાની હકૂમત રહેતી નથીએડવોકેટ શ્રેયસ દેસાઈએ કહ્યું કે, સરફેસી એક્ટની કલમ-34ની જોગવાઈ તેમજ સુપ્રીમ કોર્ટ અને નેશનલ કમિશનના ચુકાદાથી પ્રસિધ્ધ થતા કાનૂની સિદ્ધાંતો મુજબ સરફેસી એક્ટની કાર્યવાહી થઈ ગયા બાદ કોઈ પણ કોર્ટને કાનૂની કાર્યવાહી સાંભળવાની હકૂમત રહેતી નથી. આ સંજોગોમાં ફરિયાદ સાંભળવાની પણ જિલ્લા કમિશનને હકૂમત નથી તેથી જ ફરિયાદ પ્રાથમિક તબક્કે રદ કરી હતી.
સ્ટેન્ડિંગ કમિટીમાં માંગ:‘હીરામંદી હોવાથી 5મા વર્ષે પણ વેરાબિલમાં વ્યાજ માફી આપો’
કોરોનામાં ધંધા-રોજગાર ઠપ્પ થતાં શાસકોએ પ્રથમ વર્ષે જ સુઓમોટો દરખાસ્ત લાવી વર્ષ-2021-22માં વ્યાજ માફી યોજના જાહેર કરી શહેરીજનોને 25 કરોડ રૂપિયાની રાહત આપી હતી. તે પછી પણ સતત વર્ષ-2022-23, 2023-24 અને 2024-25માં પણ મિલકત વેરા પર વ્યાજ માફીની પ્રોત્સાહક યોજનાનો લાભ આપ્યા બાદ શાસકોએ હવે સામી ચૂંટણીએ વધુ એક વખત મિલકત વેરા પર વ્યાજ માફી યોજના જાહેર કરવા બાકી મિલકત વેરા અને વ્યવસાય વેરાના ડેટા ઉથલાવવાનું શરૂ કરી દીધું છે. વ્યાજ પેટે 80 કરોડ રૂપિયાની રાહત 400 કરોડની રિકવરી4 વર્ષ વ્યાજ પેટે 80 કરોડની રાહત અપાઈ છે. તેની સામે વર્ષોથી જમા ન થઇ રહેલો વેરો આ યોજનાને પગલે 399.11 કરોડ રૂપિયાની રિકવરી પણ થઇ હતી. 2.76 લાખ લોકોએ સીધો લાભ લીધો હતો. માફી યોજના જાહેર કરી બાકી વ્યાજના ડેટા મેળવવા જોઈએસ્ટેન્ડિંગની બેઠકમાં સભ્ય નરેશ ધામેલિયાએ કહ્યું હતું કે, વ્યાજ માફી જાહેર કરી બાકી વ્યાજના ડેટા પણ ઉપસ્થિત કરવા અને લોકોને કેટલો લાભ થશે તે મુદ્દે ચર્ચા કરાઇ હતી.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો સુરત-ખારેલ વચ્ચેનો 55 કિમીનો રોડ ડિસેમ્બર સુધીમાં ખુલ્લો મૂકાશે, જેથી સુરતથી સાપુતારા, દમણ, વલસાડ, મુંબઈ તરફ જવા સમયની બચત થશે. હાલમાં ખારેલ પહોંચતા 66 મિનિટ લાગે છે. નવા રૂટ પર 43 મિનિટમાં પહોંચી શકાશે. ખારેલ પાસે બાંધકામ માટે માટી ઉલેચતાં ખાડો પડ્યો હતો, જેને બ્યુટિફિકેશન માટે તળાવમાં તબદિલ કરાયો હતો. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર રાજ્યમાં આ પહેલું સ્થળ છે જ્યાં તળાવ પણ બનાવવામાં આવ્યું છે. ખારેલને NH 48 સાથે જોડતા સર્વિસ રોડને પહોળો કરવાની કામગીરી અંતિમ તબક્કામાંએનાથી ખારેલ સુધીનું બાંધકામ, ટોલ પ્લાઝા તૈયાર થઈ ગયા છે. ઉપરાંત ખારેલને NH 48 સાથે જોડતા સર્વિસ રોડને પહોળો કરવાનું કામ પણ લગભગ પૂર્ણ થઈ ગયું છે. આ માર્ગ અંડરપાસમાંથી પસાર થતો હોવાથી ટેકનિકલી જટિલ છે. ભરૂચથી ખારેલ સુધીનો રસ્તો 40 દિવસમાં ખુલ્લો મુકાશે. જેથી અમદાવાદ-નવસારી વચ્ચે ખુલ્લો, સીધો અને સરળ પ્રવાસ શક્ય બનશે.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:વળતર વધારો અથવા દેવુ માફ કરો
વર્ષે ચોમાસું મુસીબત લઈને આવ્યું છે. કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેતરોમાં તૈયાર થયેલા ડાંગર, સોયાબીનના ઊભા અને કાપીને ખેતરમાં રાખી મુકેલા પાકને વ્યાપક નુકસાન થયું છે. મબલખ પાકની આશા રાખીને બેઠેલા ખેડૂતોને હવે રવિપાક માટે બીયારણના પૈસા પણ ભેગા થાય તેવી પરિસ્થિતિ રહી નથી. રાજ્ય સરકારે રૂ. 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. જેમાં પ્રતિ હેક્ટર રૂ. 22,000 નું વળતરની જાહેરાત કરી છે. પરંતુ મોટા ભાગના ખેડૂતોને આ વળતર અપૂરતું જણાઈ રહ્યું છે. કેટલાંક ખેડુતોના મતે રૂ. 22,000નું વળતર તેમની ખેતીની મજૂરી અને મજૂરોના પૈસા પણ પૂરા પાડે તેમ નથી. આ માત્ર આંશિક રાહત આપી શકે તેમ છે. ખેડૂતો હવે સરકાર પાસે પ્રતિ હેક્ટર રૂ. 50,000 નું વળતર ચૂકવવાની ઇચ્છા રાખી રહ્યા છે. જો સરકાર વળતરની રકમમાં વધારો ન કરી શકે તો ખેડૂતોનું તમામ દેવું માફ કરવામાં આવે. રવિપાક માટે બિયારણનાપૈસા પણ ભેગા થાય તેવીપરિસ્થિતિ નથીહમણાં તમામ ખેડૂતોની પરિસ્થિતિનબળી છે. મકાઈ ડાંગર સોયાબીન ,પાકને નુકસાનની, પશુને ખાવા માટેઘાંચ ચારો બગડી ગયો છે. સડી ગયોછે. વાસ મારે છે. જે ઢોર ઢાકર ખાતાનથી. જોઈએ એટલી અનાજમાંઉપજની આવી અને જે પાક થયો છે તેપણ ખરાબ થઈ ગયો છે.જે માર્કેટમાંવેપારી લેવા તૈયાર નથી અને અનાજલેતો એનો પૂરો ભાવ આપતા નથી.જેથી રવિપાક માટે બીયારણના પૈસાપણ ભેગા થાય તેવી પરિસ્થિતિ નથી.સરકાર જલ્દી જલ્દી સર્વે કરી ખાતામાંપૈસા જમા કરાવે એવી માગ છે.અશોકભાઈ તેરસિગભાઈ મુનિયા, ગાંગરડા પરાળ વેચાતું લાવવાની નોબત આવી છેસરકાર દ્વારા જે સહાય આપવામાં આવી છે તનો ખરેખરઅમને સંતોષ નથી અને સરકારે જે વળતર જાહેર કર્યું છેતે પણ યોગ્ય નથી. હાલ અમે વાર્ષિક ખેતી ઉપર આધારરાખીએ છીએ. જે વરસાદના કમોસમી માવઠા કારણેખરાબ થઈ છે.સોયાબીનનો પાક ખરાબ થતા અમારેખારિયુ તેમજ ડાંગર પાક ખરાબ થતા પરાળ વેચાતુંલાવવાની નોબત આવી છે. સરકાર દ્વારા ખેડૂતને પૂરતુંવળતર મળે અને યોગ્ય વળતર મળે તેવી માંગ છે.પંકજભાઈ અભેસિંગ રાઠોડ, નવાગામ 50 હજાર આપવા જોઇએ કેદેવુ માફ કરવું જોઇએસરકારે પ્રતિ હેક્ટર 22000 રૂપિયા વળતર ચૂકવવાનીજાહેરાત જે કરી છે. તેમાં મારે દોઢ હેક્ટર જમીનમાંડાંગરની ખેતી કરેલ છે. જેમાં મારી મજૂરી અનેદાળિયાના પૈસા પણ નીકળે એવા નથી. તો સરકારને 50હજાર રૂપિયા આપવા જોઈએ નહી તો દેવુ માફ કરવુંજોઈએ લખમણભાઇ લબાના, બલૈયા ખેડૂત લોન નથી લીધીતેવા ખેડૂતોને100% વળતરચુકવોસરકારે જાહેર કરેલ સહાયપાકના નુકશાન સામે યોગ્યતો નથી અંશત: યોગ્યકહેવાય. ચોમાસાનો પાકફેલ ગયો હતો. ત્યાર બાદડાંગરનો પાક પણ કમોસમીવરસાદથી ફેલ ગયો છે.એટલે લોન લીધી હોય તેવાખેડુતોની લોન 100 ટકામાફ કરવી જોઇએ અને જેખેડુતે લોન નથી લીધી તેવાખેડુતોને 100 ટકા વળતરસરકારે ચુકવવુ જોઇએ -અરવિંદસિંહ પરમાર, વડેલાવ. ખેડૂત અને પશુ બંને ઉપવાસ કરી રહ્યા છેસરકારે વિધા દીઠ રૂા.20000 ચુકવવા જોઇએ, સરકારની સહાય મુજબ ફક્ત રૂા.5000 થાય છે. ખેતરમાં તૈયાર થયેલ પાકને નુકશાન થવાથી ખેડુતના મોંમા કોળીયો ઉતરતો નથી . પશુ ભીનુ ધાસ ખાતા નથી. જેથી અત્યારે તો ખેડુત અને પશુ બંને ઉપાવાસ કરી રહ્યા છે. - અમૃતભાઇ કાંકણપુર સરકારની સહાય ભાઇમાં વિખવાદ કરાવે તેવી છે સરકારની સહાયની જાહેરાત સમગ્ર ખેડુતોને આવરીલે તેવી નથી. જે ખેડુતોએ લોન લીધી હોય તેવા ખેડુતોની લોન માફ કરવી જોઇએ અને લોન નથી લીધી તેવા ખેડુતોને 1 હેક્ટર દીઠ વિમા પેટે રૂા.1 લાખ આપવા જોઇએ. સરકારની સહાય ભાઇમાં વિખવાદ કરાવે તેવી છે. - હસમુખભાઇ પટેલ, ભારતીય કિસાન સંધ મહામંત્રી, હરકુંડી
ધારાસભ્ય કુમાર કાનાણીએ ભેળસેળિયા વેપારીઓ સામે કાર્યવાહી કરવા તથા કાયદો કડક બનાવવા આરોગ્ય મંત્રી, મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કર્યા બાદ પાલિકાની ઊંઘ ઊડી છે અને અઠવાડિયાથી તપાસ અભિયાન શરૂ કરાયું છે. પાલિકાના આરોગ્ય વિભાગ અને ઝોનના સેનિટેશન સ્ટાફે 3થી 8 નવેમ્બર દરમિયાન કુલ 238 સંસ્થાની તપાસ કરી 6 સંસ્થા સામે પગલાં લીધાં છે. તપાસ દરમિયાન સ્વચ્છતા તથા ખોરાકની ગુણવત્તા જાળવવા આરોગ્ય અધિકારીઓ અને ઇજનેરોની ટીમોએ વિવિધ ખાણીપીણીની દુકાનો, રેસ્ટોરાં, બેકરી તથા ફૂડ પ્રોડક્શન યુનિટોની ચકાસણી કરી હતી. આ અભિયાન દરમિયાન કુલ 138 કિલોગ્રામ ભેળસેળયુક્ત ખાદ્યસામગ્રીનો નાશ કરાયો હતો. વિવિધ સંસ્થાઓ પાસેથી કુલ 1.65 લાખનો દંડ પણ વસૂલ કરાયો છે. ભાસ્કર નોલેજઅસલી પનીર નરમ હોય છે, ચીઝ ઓગળી જાય છેફૂડ વિભાગના અધિકારીના જમાવ્યા મુજબ, પનીરને ગરમ પાણીમાં થોડી વાર ઉકાળી ઠંડુ પાડી આયોડીન ટીંચરનાં ટીંપાં નાંખતા જો વાદળી રંગ થાય તો તે નકલી પનીર છે. રબર જેવું કડક જણાય, કેમિકલની વાસ આવે તો પણ નકલી છે. ઓરિજનલ પનીર નરમ અને દૂધની ગંઘ આવે છે. સ્વાદમાં મલાઇ જેવું લાગે છે. જ્યારે નકલી ચીઝ સખત અને રબર જેવું બને છે. અસલી ચીઝ મોંમાં નાંખતાં જ ઓગળી જાય છે. પનીર, ચીઝ, ઘી, મરી-મસાલાના 43 નમૂના લેબમાં મોકલાયા, 427 કિલો સીઝઆરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, પનીર, ચીઝ એનાલોગ, ઘી, મરી-મસાલાનું બનાવતી તથા વેચતી કુલ 31 સંસ્થાની તપાસ કરી પનીરના 14, ચીઝ એનાલોગના 7, ઘીના 17, મરી-મસાલાના 3, ચીઝના 2 નમૂના લઇ પૃથ્થ્કરણ માટે પબ્લિક હેલ્થ લેબોરટરી ખાતે મોકલી અપાયા હતા, જેના રિપોર્ટ બાદ ફૂડ સેફટી એકટ-2006 અને તેના નીતિ-નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરાશે. પનીર, ચીઝ એનાલોગ, ઘી મળી કુલ 426.9 કિલો જેની કિંમત આશરે 1.44 લાખનો જથ્થો ફૂડ વિભાગે સીઝ કર્યો હતો અને 138 કિલોગ્રામ અખાઘ્ય પદાર્થોના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
ભાસ્કર ઈનસાઈડ:ઉદયપુર-રતલામના એન્જિને પિપલિયામાં લોડ ન ખેંચ્યો
રતલામ મંડળમાં ડેમૂ ટ્રેનની ડ્રાઇવિંગ પાવર કા(ડીપીસી) સાથે હવે ટ્રેનો સાથે ઇલેક્ટ્રીક એન્જિનોમાં વારંવાર ખામી સર્જાઇ રહી છે. ઉદયપુરથી રતલામ આવી રહેલી 19328 ઉદયપુર સિટી-રતલામ એક્સપ્રેસનું એન્જિન પિપલિયા સ્ટેશન ઉપર ફેલ થઇ જતાં દોડધામ મચી ગઇ હતી. આ ટ્રેન 36 મિનિટ મોડી પરોઢે 5.33 વાગ્યાના બદલે 6.09 વાગ્યે પિપલિયા પહોંચી હતી. એક મિનિટના સ્ટોપેજ બાદ ટ્રેનને આગળ વધવા માટે ગ્રીન સિગ્નલ પણ આપી દેવામાં આવ્યું હતું. જોકે, સિગ્નલ ગ્રિન છતાં એન્જિન ટ્રેનને ખેંચી નહીં શકતાં લોકો પાયલટના અનેક પ્રયાસ નિષ્ફળ રહેતાં અંતે કંટ્રોલને જાણ કરવામાં આવી હતી. થોડી વાર બાદ ટેક્નિકલ સ્ટાફે પિપલિયા ધસી આવીને એન્જિનની ખામી શોધવાનો પ્રયાસ કર્યો હતો. તપાસ બાદ પુન: ટ્રેનને આગળ વધારવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ સફળતા મળી ન હતી. ફરીથી સમારકામ શરૂ કરીને આશરે અડધા કલાકની મહેનત બાદ ફરી પ્રયાસ કરવામાં આવતાં ટ્રેન આગળ વધી શકી હતી. ડેપોના સ્ટોરમાં જરૂરી પાર્ટસનો અભાવમહુ ડેપોના સ્ટોરમાં જરૂરી પાર્ટસ અને સાધનોના અભાવે ડેમૂ ટ્રેનો એન્જિનમાં આંતર- તીસરે નાની- મોટી ખામીઓ સામે આવી રહી છે. સાધનોના અભાવે ટેક્નિકલ સ્ટાફની ઇચ્છા હોવા છતાં તેઓ મજબુરીમાં જુગાડથી કામ ચલાવી રહ્યા છે. રેલવેએ મુખ્યાલને મેમુ રેકની ડિમાન્ડ મોકલી છે પણ એલોટમેન્ટ થયુ નથી.
કરુણાંતિકા સર્જાઈ:ઝોલાછાપ તબીબ પાસે 4 દિવસ સારવાર લેવામાં પરિવારે 4 વર્ષની બાળકી ગુમાવી
પાંડેસરામાં ઝોલાછાપ તબીબ પાસે ચાર દિવસ તાવનની સારવાર લીધા બાદ ખાનગી હોસ્પિટલમાં અને ત્યાર બાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયેલી ચાર વર્ષની બાળકીનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. જો કે, સિવિલમાં તબીબની બેદકારીના કારણે બાળકીનું મોત થયું હોવાની માતાએ આશંકા વ્યક્ત કરી હતી. સચિન રહેતા અને ડાઈંગ મિલમાં નોકરી કરતા પંકજ કુમારની 4 વર્ષીય પુત્રી અંજલિને 5 દિવસથી તાવ આવતો હોવાથી ઘર નજીકના ક્લિનિકમાં સારવાર ચાલતી હતી. શુક્રવારે તબિયત લથડતા તેને સચિનની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, ખર્ચ વધુ જણાતાં રાત્રે સિવિલ લવાઈ હજી. જો કે, ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. પંકજ કુમારે કહ્યું કે ઝોલાછાપ ડોક્ટર પાસે સારવાર લઈ રહ્યા હતા. જો કે, માતા રોશનીએ કહ્યું કે 11 વાગ્યા પહેલાં તે વાત કરતી હતી અને રાત્રે 1 વાગ્યે મોતની જાણ કરવામાં આવી હતી, જેથી તબીબની જ સ્પષ્ટ બેદરકારી છે. લાવ્યા ત્યારથી જ તબીયત એકદમ ક્રિટિકલ હતીપીડિયાટ્રિક તબીબે જણાવ્યું કે, બાળકીને લાવ્યા ત્યારે જ ધબકારા વધુ હતા. હાથ-પગ ઠંડા પડી ગયા હતા. ઓક્સિજન લેવલ 85થી 90 ટકા વચ્ચે હતું. શ્વાસનળીમાં લોહી આવી રહ્યું હતું. ફેફસાંમાં ભારે ન્યૂમોનિયા અને કિડનીમાં સોજો હતો. ધબકારા બંધ થઈ જતાં CPR આપી બચાવવાનો પણ પ્રયાસ કરાયો હતો. શંકાનું સમાધાન થયા બાદ મૃતદેહ સોંપાયો હતો.
આજીવન કેદની સજા:પ્રેમિકાની હત્યા બાદ લાશ સળગાવનાર પ્રેમીને આજીવન કેદ
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ભાણપુરના જંગલમાંથી વર્ષ 2021માં યુવતીની સળગેલી લાશ મળી હતી. આ ચકચારી હત્યા કેસમાં દાહોદની નામદાર સેશન્સ કોર્ટે ચુકાદો જાહેર કરી આરોપી પ્રેમી મેહુલ પરમારને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ દાહોદના વાંદરીયા ગામના મેહુલ પરમારને દાહોદ શહેરની 19 વર્ષની કૃતિકા બંરડા સાથે પ્રેમ સંબંધ હતો. પ્રેમ સંબંધમાં મનદુઃખ થતાં મેહુલે બે સગીર મિત્રો સાથે ગુનાહિત કાવતરું રચ્યું હતું. પૂર્વ આયોજિત કાવતરા મુજબ મેહુલે કૃતિકાને દાહોદના પરેલ વિસ્તારમાં બોલાવી જાનથી મારી નાખવાના ઇરાદે બંને હાથમાં છરીના ઘા મારી અને ગળું દબાવી તેની હત્યા કરી દીધી હતી. હત્યા બાદ આરોપીઓએ યુવતીના મૃતદેહને ટુ વ્હીલર પર ભાણપુરના જંગલમાં લઈ જઈ પેટ્રોલ છાંટી સળગાવી દીધો હતો. 23 નવેમ્બર 2021ના રોજ કૃતિકાની સળગેલી લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને આરોપી મેહુલ પરમારની સંડોવણી બહાર આવી હતી. નામદાર સેશન્સ કોર્ટે ચુકાદો આપતા આરોપી મેહુલ પરમારને આજીવન કેદની સજાની સાથે રૂ. 1 લાખનો દંડ પણ ફટકાર્યો છે. દંડની આ રકમ મૃતક કૃતિકાબેનના માતા-પિતાને ચૂકવવામાં આવે તેવો કોર્ટે ખાસ હુકમ કર્યો હતો.
ભાસ્કર એક્સક્લુસિવ:RFOના 4 વર્ષના પુત્રએ કહ્યું વાગ્યું એ પહેલા ફટાકડા જેવો અવાજ આવ્યો હતો
કામરેજમાં મહિલા આરએફઓ સોનલ સોલંકી પર થયેલા ફાયરિંગ કેસમાં હજુ પણ તેના આરટીઓ ઇન્સ્પેક્ટર પતિ નિકુંજ ગૌસ્વામી પોલીસ પકડથી ભાગી રહ્યા છે. બીજી તરફ આરએફઓ સોનલ સોલંકીના ચાર વર્ષના પુત્રએ ચાઇલ્ડ વેલફેર અધિકારીની હાજરીમાં પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું કે, ‘મને ફટાકડા જેવો અવાજ આપ્યો હતો અને પછી મારી મમ્મી અને મને બંનેને વાગ્યું હતું. ’ 6 તારીખે સવારે જ્યારે ઘટના બની ત્યારે કારમાં સોનલ સોલંકી સાથે તેમનો ચાર વર્ષનો પુત્ર હતો. તેને સ્કૂલે મુકવા જ તેઓ નીકળ્યા હતા અને ફાયરિંગ થયું હતું. આ દિવસે સવારે જ 9 વાગ્યાના અરસામાં તેમના પતિ નિકુંજ પણ ઘરેથી નીકળી ગયા હતા. તેના બંને મોબાઇલનું છેલ્લું લોકેશન ઘરનું જ બતાવે છે અને પછી ફોન સ્વીચઓફ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. ફાયરિંગ કેસમાં RTO અધિકારી પતિ ફરાર, પત્ની કોમામાં6 તારીખે સવારે ઘટના બન્યા પછીથી સોનલ સોલંકીના આરટીઓ ઇન્સ્પેક્ટર પતિ નિકુંજ ગૌસ્વામી ઘરેથી નીકળી ગયા હતા. હજુ સુધી તેમનો કોઈ પતો મળ્યો નથી. ફરિયાદમાં સોનલ સોલંકીના ભાઈએ સ્પષ્ટ લખાવ્યું છે કે તેમના પતિએ જ ગોળી મરાવી દીધી છે. બીજી તરફ ઘટનાને 72 કલાક વીતિ ગયા છતાં સોનલ સોલંકી હજુ કોમામાં જ છે. તેમને માથામાં ગોળીવાગી હતી.
કાર્યવાહી:નાની સારસીથી દેશી તમંચા સાથે એક ઇસમ ઝડપાયો
દાહોદ એસઓજીની ટીમે નાની સારસી ગામ નજીક રેડ ચલાવી એક ઇસમને દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી પાડ્યો હતો. દાહોદ એસઓજીની ટીમ મેળેલી ચોક્કસ બાતમીના આધારે નાની સારસી ગામ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ચકાસણી માટે પહોંચી હતી. બાતમી મુજબ, મુવાલીયા તળાવ તરફ જતા રસ્તા પર એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં બેઠેલો હતો. ટીમે વ્યુહાત્મક રીતે દરોડો પાડી તેને પકડી પાડ્યો હતો. પકડાયેલ બદુભાઇ છગનભાઇ ડામોર ઉંમર 47 રહે. મુવાલીયાની અંગઝડતી દરમ્યાન તેના પાસેથી એક દેશી હાથ બનાવટનો 5 હજારનો તમંચો મળ્યો હતો. આ હથિયાર ગેરકાયદે રાખવામાં આવ્યું હોવાનું જણાતા પોલીસએ તાત્કાલિક તેને કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી. તેની વિરુદ્ધ દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારાની સંબંધિત કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
દાહોદમાં વાતાવરણમાં અચાનક પલટો:ઠંડીએ જમાવટ કરી, મધરાતે પારો 12 ડિગ્રીએ પહોંચ્યો
દાહોદ શહેરમાં શિયાળાની ઋતુનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. શહેરના હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. જેના કારણે દિવસના અંતે અને રાત્રિ દરમિયાન ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. દાહોદ શહેર સાહિત જિલ્લામા રાતના સમયે પારો ગગડીને 12 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. આ નીચું તાપમાન દાહોદના રહેવાસીઓને ગરમીમાંથી રાહત આપી રહ્યું છે અને શિયાળાના આગમનની અનુભૂતિ કરાવી રહ્યું છે. હાલમાં પવન ઉત્તર-પૂર્વ દિશામાંથી 7કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે.જે ઠંડીની અસરને વધારી રહ્યો છે. આ ઉપરાંત પવન 13 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી રહ્યા છે. જેનાથી શીતલહેર જેવો અહેસાસ થઈ રહ્યો છે. હવાની ગુણવત્તા અને ભેજ ઠંડા હવામાનની સાથે જ દાહોદમાં હવાની ગુણવત્તા ચિંતાનો વિષય બની છે. હવામાં પ્રદૂષણનું સ્તર ઊંચું છે. જે શ્વાસ સંબંધિત બીમારીઓ ધરાવતા લોકો માટે અને સામાન્ય નાગરિકો માટે પણ સ્વાસ્થ્યને લગતા જોખમો ઊભા કરી શકે છે. હવામાં ભેજનું પ્રમાણ 35% નોંધાયું છે. સામાન્ય રીતે શિયાળામાં ભેજ ઓછો થતો હોય છે, જે આંકડો ઠંડીની તીવ્રતા સાથે સુસંગત છે. દાહોદમાં અચાનક વધેલી ઠંડી અને પ્રદૂષિત હવાને ધ્યાનમાં રાખીને નાગરિકોને ગરમ કપડાં પહેરવા, રાત્રે ઠંડીથી બચવા માટે જરૂરી પગલાં લેવા અને હવાની ગુણવત્તાને કારણે સવારે વહેલા બહાર નીકળવાનું ટાળવા માટે અપીલ કરવામાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી શિયાળાની મોસમમાં વરસાદી માહોલ રહ્યો હતો. ત્યારે અચાનક જ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીએ પગપેસારો કર્યો હતો.

29 C