હવામાન વિભાગ દ્વારા જણાવેલ આગાહી મુજબ, ન્યૂનતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો જોવા મળ્યો છે. ગઈકાલે રાજ્યના મોટાભાગના શહેરોમાં રાત્રિના અને વહેલી સવારના તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, એટલે કે ઠંડીમાં વધારો થયો છે. સૌથી ઓછું ન્યૂનતમ તાપમાન નલિયા ખાતે 12 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. રાજકોટમાં 15, તો અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયુંત્યારબાદ રાજકોટ જ્યાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 18.3 ડિગ્રી સેલ્સિયસ અને પોરબંદરમાં 16.4 ડિગ્રી સેલ્સિયસ અને વડોદરા 19.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સમગ્ર ગુજરાતમાં સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું અને ન્યૂનતમ તાપમાન પણ સામાન્ય કરતાં નીચું રહેતા, રાજ્યમાં ઠંડકનો અનુભવ વધી રહ્યો છે. જ્યારે સૌથી ઓછું ઠંડુ ઓખા જ્યાં 22 અને સુરત ન્યૂનતમ તાપમાન 20.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદમાં બેવડી ઋતુનો અનુભવ જ્યારે અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 18.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને મહત્તમ તાપમાન 30.6 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. એટલે કહી શકાય કે અમદાવાદ શહેરમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અને રાત્રે ઠંડીનો માહોલ અને બપોરે ગરમી અનુભવાઈ રહી છે. રાજ્યમાં હાલમાં બેવડી સીઝનનો અનુભવ થશે. રાજ્યમા મોટાભાગના જિલ્લાઓનું તાપમાન સામાન્ય કરતા નીચું નોંધાયું છે. જાણો ક્યાં કેટલું તાપમાન નોંધાયુંઅમદાવાદ 18.3 ડિગ્રી સેલ્સિયસ, વડોદરા 19.8 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગર 19 ડીગ્રી સેલ્સિયસ, ભુજ 15.4 ડિગ્રી સેલ્સિયસ, દમણ 21.8 ડિગ્રી સેલ્સિયસ, ડીસા 16.4 ડિગ્રી સેલ્સિયસ, દીવ 17 ડિગ્રી સેલ્સિયસ, દ્વારકા 19.4 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગર 16 ડીગ્રી સેલ્સિયસ, કંડલા 17.2 ડિગ્રી સેલ્સિયસ, નલિયા 12 ડિગ્રી સેલ્સિયસ, ઓખા 22 ડિગ્રી સેલ્સિયસ, પોરબંદર 16.4 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટ 15 ડિગ્રી સેલ્સિયસ, સુરત 20.2 ડિગ્રી સેલ્સિયસ અને વેરાવળ 19.7 ડિગ્રી સેલ્સિયસ ન્યૂનતમ તાપમાન નોંધાયું હતું.
ગોધરામાં 4.64 કરોડની ખનીજ ચોરી:સરકારી અને ગૌચર જમીનમાંથી માટી-મોરમનું ગેરકાયદેસર ખનન
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નદીસર ગામે સરકારી અને ગૌચર જમીનમાંથી કરોડો રૂપિયાની ખનીજ ચોરીનું કૌભાંડ સામે આવ્યું છે. ખાણખનીજ વિભાગે GPS મશીનથી માપણી કરતા કુલ 4.64 કરોડ રૂપિયાની માટી અને મોરમની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું છે. આ મામલે ગઈકાલે ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પંચમહાલ જિલ્લાના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી નીરજ ગામીતની સૂચનાથી માઈન્સ સુપરવાઈઝર કેયુરકુમાર સેંજલીયાએ નદીસર ગામે તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં ગામની ગૌચર જમીન અને સરદાર સરોવર પુનઃવસવાટ માટે ફાળવેલ જમીનના વિવિધ સર્વે નંબરોમાં ગેરકાયદેસર ખોદકામ ચાલતું હોવાનું જણાયું હતું. GPS મશીન દ્વારા કરાયેલી માપણીમાં કુલ 1,89,003 મેટ્રિક ટન સાદી માટી અને મોરમનું બિન-અધિકૃત ખનન થયું હોવાનું સામે આવ્યું છે. નદીસર ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીએ પણ આ મામલે લેખિત રજૂઆત કરી હતી. તેમણે કબીરપુરના રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ જોગાભાઈ ભરવાડ, અજયભાઈ જોગાભાઈ ભરવાડ અને વિરમભાઈ ગોકલભાઈ ભરવાડ દ્વારા આ ગેરકાયદેસર ખનન કરાઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું. ખાણખનીજ વિભાગે કરેલી ગણતરી મુજબ, ખનીજની કિંમત 3.33 કરોડ રૂપિયા અને પર્યાવરણીય નુકસાનનો દંડ 1.31 કરોડ રૂપિયા મળી કુલ 4,64,67,563 રૂપિયાની વસૂલાત માટે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 324(3), 54 અને માઈન્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદની સાબરમતી નદીમાં આપઘાતનો પ્રયાસ કરનાર યુવકનો લોકોએ જીવ બચાવ્યો છે. વાડજના દધીચિબ્રિજ પર ગઇકાલે(25 નવેમ્બર) રાત્રે એક યુવક બ્રિજની રેલિંગ કૂદીને નદીમાં આપઘાત કરવાનો પ્રયાસ કરવા જતો હતો, પરંતુ ત્યાં હાજર લોકોએ તેને પકડી લીધો હતો. યુવક બ્રિજની પાળી પર લગાવેલી જાળી ક્રોસ કરી નદીમાં કૂદવા જ જતો હતો. આ દરમિયાન હાજર લોકોએ તેને પકડી તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જોકે ફાયરબ્રિગેડ આવે ત્યાં સુધીમાં ત્યાંથી પસાર થતા એક JCBને હાજર લોકોએ બ્રિજની નજીક લાવી તેના પર ચડીને યુવકને ઉપર ખેંચી બચાવી લીધો હતો. દધીચિબ્રિજની રેલિંગ ઉપર ચડીને નદીમાં કૂદી આપઘાતનો પ્રયાસશહેરના વાડજ વિસ્તારમાં સાબરમતી નદી પર આવેલા દધીચિબ્રિજ ઉપર ગઈકાલે રાત્રે 8:45 વાગ્યાની આસપાસ એક યુવક બ્રિજની રેલિંગ ઉપર ચડીને બ્રિજ પરથી નદીમાં કૂદી આપઘાતનો પ્રયાસ કરવા જતો હતો. આ દરમિયાન બ્રિજ ઉપરથી પસાર થતાં લોકોએ તે યુવકને તરત જ પકડી લીધો હતો. બ્રિજની જાળીની એક તરફ આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને બીજી તરફ બચાવનારઆ દરમિયાન જીવ સટોસટનાં દૃશ્યો સર્જાયાં હતાં. એક તરફ નદીમાં બ્રિજની જાળી પર આપઘાતનો પ્રયાસ કરનાર યુવક લટકી રહ્યો હતો તો બીજી તરફ બ્રિજ ઉપર તેને બચાવનાર લોકો યુવકને પકડીને ઊભા હતા. જો યુવક કોઈપણ રીતે પોતાની જાતને છોડાવી નદીમાં કૂદી ગયો હોત તો કોઈ અઘટિત ઘટના બની જાત. નદીમાં કૂદી ના જાય એ માટે લોકોએ યુવકને કપડાં વડે બાંધી દીધોયુવક નદીમાં કૂદી ના જાય તે માટે લોકોએ તેને કપડાં વડે બાંધી દીધો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થતા લોકો પણ બે ઘડી થંભી ગયા હતા અને મદદે આવ્યા હતા. દધીચિબ્રિજ પર અફરાતફરીની સ્થિતિ વચ્ચે લોકોનાં ટોળેટોળાં ભેગાં થઈ ગયાં હતાં. ફાયરબ્રિગેડને જાણ કરાતાં જ એક રેસ્ક્યૂ બોટ દધીચિબ્રિજ તરફ રવાના કરાઈઆ દરમિયાન કેટલાક લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરી. જેવી જાણ થઈ એવી તરત જ એક રેસ્કયૂ બોટને તાબડતોડ દધીચિબ્રિજ તરફ રવાના કરાઈ હતી. જીવ સટોસટની સ્થિતિ વચ્ચે JCB નીકળ્યુંએક તરફ યુવક નદીની ઉપર જાળી પર લટકી રહ્યો હતો, તો બીજી તરફ બ્રિજ પર ઉભેલા લોકો તેને કોઈ પણ રીતે પકડી રાખ્યો હતો. પરંતુ આ સ્થિતિ લાંબી ચાલે તેમ નહોતી. આ દરમિયાન બ્રિજ પરથી એક JCB જાણે કે ભગવાને મોકલ્યું હોય એમ પસાર થાય છે. JCBને રોકી તેની મદદથી યુવકને બચાવવાનો નિર્ણયબસ પછી શું ત્યાં હાજર કેટલાક લોકોએ સમય સૂચકતા વાપરી ફાયરબ્રિગેડની રાહ જોયા વિના JCBને રોકી તેની મદદથી યુવકને બચાવવાનો નિર્ણય લીધો. JCB પર ત્રણ યુવક ચડે છે અને એક યુવક બ્રિજની રેલિંગ પર ચડે છેJCBનો આગળનો ભાગ બ્રિજની રેલિંગ પર હોય એવું વીડિયોમાં જોઈ શકાય છે. બાદમાં JCB પર ત્રણ યુવક ચડે છે અને એક યુવક જીવના જોખમે બ્રિજની રેલિંગ પર ચડે છે. આમ સાવચેતીપૂર્વક યુવકને પકડી રેલિંગ કુદાવી બ્રિજ તરફ લાવવામાં આવે છે. જીવના જોખમે રેસ્કયૂ કરનારા યુવકોને તાળીઓથી વધાવી લીધાયુવક સહીસલામત બ્રિજ પર આવતા જ ત્યાં હાજર લોકોના ટોળાએ જીવના જોખમે રેસ્કયૂ કરનાર યુવકોને તાળીઓથી વધાવી લીધા હતા. લોકો આપઘાત ન કરે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશને નદી પરના તમામ બ્રિજ પર રેલિંગ લગાવી છેઉલ્લેખનીય છે કે સાબરમતી નદીમાં કૂદીને લોકો આપઘાત ન કરે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદી પર આવેલા તમામ બ્રિજ ઉપર રેલિંગ લગાવવામાં આવી છે, છતાં પણ કેટલાક લોકો રેલિંગના ઉપર ચડી અને ત્યાંથી નીચે નદીમાં કૂદી આપઘાતનો પ્રયાસ કરે છે. અગાઉ પણ દધીચિબ્રિજ ઉપર આ જ પ્રમાણે આપઘાતના પ્રયાસની ઘટના સામે આવી હતી, તથા કેટલાક લોકો કૂદી ગયા હોય તેવા બનાવ પણ સામે આવ્યા છે.
ભાવનગર શહેરના કરચલીયાપરા વિસ્તારમાં ગત મોડી રાત્રે નાણાંકીય બાબતે એક યુવાન પર ચાર શખ્સોએ તીક્ષણ હથિયારો વડે હુમલો કરી યુવાનની હત્યા કરી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી જવા પામી છે. ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થા ના નામે અસામાજિક તત્વો બેફામ બન્યા હોય એવું લાગી રહ્યું છે એક બાજુ એક હત્યા સહિતના ગંભીર બનાવોને લઈને સંસ્કારી નગરી કલંકિત થઈ છે ત્યારે ગઈકાલે મોડી રાત્રે વધુ એક હત્યાનો બનાવ બનતા ભારે ચકચાર મચી જવા પામી છે, આ બનાવ અંગે ગંગાજળીયા પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર કરચલીયા પરમવા આવેલ ધનાનનગરમાં રહેતો અને મજૂરી કામ કરતા મોહિત નરેશભાઈ ટેભાણી ને આ વિસ્તારમાં રહેતા કાનજી ઉર્ફે કાનો કાળુ બારૈયા, કિશન ઉર્ફે કાળો કોથમરી, રામ ઉર્ફે કાળીયો, અને આર્યન બારૈયા સાથે આર્થિક લેવડ દેવડને લઈને માથાકૂટ ચાલતી હતી ગઈકાલે રાત્રે 11:30 ના સમયે મરણ જનાર મોહિત તેના મિત્ર સાથે આ જ વિસ્તારમાં આવેલ મેલડી માતાનું મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે ચારેય આરોપીઓએ તેની સાથે ઝઘડો કરી તેના પર છરી સહિતના તીક્ષણ હથિયારો વડે હુમલો કરી હથિયારોના આડેધડ ઘા ઝીંકી બાઈક તથા સ્કૂટર લઈને ફરાર થઈ ગયા હતા, જ્યારે લોહીના ખાબોચિયામાં તરફડીયા મારતા મોહિત ને સારવાર અર્થે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું, વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મૃતકના પિતાનું પણ ચાર વર્ષ પૂર્વે મૃત્યુ થયું છે અને મૃતક તેની માતા, બહેનોને પત્ની તથા પુત્ર સાથે રહેતો હોય અને મજૂરી કામ કરી પરિવારની ભરણપોષણ કરતો હોવાનું જાણવા મળ્યું છે, આ બનાવની જાણ ગંગાજળીયા પોલીસને થતા પોલીસ કાફ્લો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને તપાસ હાથ ધરી હતી સમગ્ર બનાવને લઈને મૃતકના કાકા મહેશ ઉર્ફે પાગો બટુકભાઈ ટેભાણીએ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ચારેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આજે તેમની કર્મભૂમિ કરમસદ ખાતેથી 'રાષ્ટ્રીય એકતા યાત્રા'નો શુભારંભ થવા જઈ રહ્યો છે. આ ઐતિહાસિક યાત્રાને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી પ્રસ્થાન કરાવશે. રાષ્ટ્રીય એકતા યાત્રા' 152 કિમીનું અંતર કાપી કેવડિયા જશેઆ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ત્રિપુરાના મુખ્યમંત્રી માણેક સાહા વિશેષરૂપે ઉપસ્થિત રહેશે. બંને મુખ્યમંત્રીઓ પદયાત્રામાં જોડાઈને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. આ યાત્રા કુલ 152 કિલોમીટરનું અંતર કાપીને સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા ખાતે સંપન્ન થશે. શાસ્ત્રી મેદાનમાં જનસભા યોજાશેઆજના કાર્યક્રમની શરૂઆત વીવીઆઈપી મહેમાનો દ્વારા કરમસદ સ્થિત સરદાર પટેલના પૈતૃક ઘરની મુલાકાત લઈને કરવામાં આવશે. ત્યારબાદ આણંદ નજીક વિધાનગર ખાતેના શાસ્ત્રી મેદાનમાં એક ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાંથી આ રાષ્ટ્રીય એકતા યાત્રાનું વિધિવત પ્રસ્થાન થશે. સુરક્ષા અને વ્યવસ્થાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ પદયાત્રા આગળ વધશે. યાત્રાનો પ્રથમ રાત્રિ પડાવ આણંદ જિલ્લાના નાવલી ગામ ખાતે નક્કી કરવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર - કચ્છના 61 લાખ ગ્રાહકોને વીજ પુરવઠો પૂરો પાડતાં PGVCL તંત્રના સરકારી કચેરીઓના બાકી લેણા વસૂલવામાં આંખ મિચામણા સામે આવ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના 11 સર્કલ હેઠળ આવતી 69 નગરપાલિકાઓ પાસે પીજીવીસીએલ અધધ રૂ. 398 કરોડ માંગે છે. એટલે કે છેલ્લાં 2 વર્ષથી 69 નગરપાલિકાએ કરોડોનું લાઈટબિલ ચૂકવ્યું નથી. આમ છતાં છેલ્લા બે વર્ષથી નગરપાલિકાઓ દ્વારા વોટર વર્ક્સ અને સ્ટ્રીટ લાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો તેનો વિજ વેરો ચૂકવવામાં આવ્યો નથી. કરોડોનું લાઈટબિલનું ચૂકવણું બાકીસામાન્ય ગ્રાહકો જો બિલ ભરવામાં મોડું કરે તો તેમને વોર્નિંગ આપી તુરંત જ વીજ કનેક્શન કાપી નાખવામાં આવે છે. જ્યારે સરકારી કચેરીઓ માટે વીજ તંત્રના બેવડા ધોરણો સામે આવ્યા છે. કરોડોનું લાઈટબિલનું ચૂકવણું બાકી હોવા છતાં નગરપાલિકાઓને કોઈપણ પ્રકારનો દંડ કે વિજ કનેક્શન કાપવાની તૈયારી PGVCL એ બતાવી નથી. હાલ તો આ નગરપાલિકાઓ રાજ્ય સરકારની વ્યાજમુક્ત લોનની રાહમાં છે. જો તે લોન આવી જાય તો લાઈટ બિલ ભરી શકાય તેમ છે. 69 નગરપાલિકાઓનો 398.45 કરોડનો લાઈટ બિલ બાકીરાજકોટ પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર કેતન જોશીએ જણાવ્યું હતું કે, રિજિયોનલ કમિશનર ઓફ મ્યુન્સિપાલટી દ્વારા આ દરખાસ્ત રાજ્ય સરકારમાં પહોંચાડી આપવામાં આવી છે. જે લોન મળી ગયા બાદ નગરપાલિકાઓ દ્વારા બિલના નાણાં અમને ભરપાઈ કરી દેવામાં આવશે. PGVCLની એવી તૈયારી છે કે નાણાકીય વર્ષ પૂરું થાય તે પહેલા આ નાણાં ચૂકવાઇ જાય તેવી અમને ચોક્કસથી આશા છે. બે વર્ષના લાઈટ બિલ ભરપાઈ કરવાના બાકીતેમણે વધુમાં જણાવ્યુ હતું કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે નગરપાલિકાઓ આવેલી છે તેના અલગ અલગ સમયના લાઈટ બિલો બાકી છે. જેમાં મોટાભાગની નગરપાલિકાઓના એક વર્ષથી લઈ અને બે વર્ષના લાઈટ બિલ ભરપાઈ કરવાના બાકી છે. જોકે આ નાણા લાંબા સમયથી બાકી નથી કારણકે અગાઉના વર્ષોનું લાઈટ બિલ નગરપાલિકાઓ દ્વારા ચૂકવી દેવામાં આવેલું છે. બે વર્ષથી વોટરપાર્ક અને સ્ટ્રીટ લાઈટનો વીજવેરો ભરવામાં આવ્યો નથીરાજકોટ ગ્રામ્યની 6, પોરબંદરની 7, મોરબીની 5, જામનગરની 10, સુરેન્દ્રનગરની 6, અમરેલીની 12, ભુજની 4, અંજારની 4, ભાવનગરની 6, બોટાદની 3 અને જૂનાગઢની 6 એમ કુલ 69 નગરપાલિકાઓ દ્વારા છેલ્લા એકથી બે વર્ષ સુધીમાં વોટરપાર્ક અને સ્ટ્રીટ લાઈટનો વીજવેરો ભરવામાં આવ્યો નથી. પીજીવીસીએલના 11 સર્કલ હેઠળ આવતી આ નગરપાલિકાઓ દ્વારા લાઈટ બિલ ચૂકવવામાં ન આવતા વિજ કચેરીને મોટું બાકી લેણુ સરકારી ચોપડે બોલી રહ્યું છે. સૌથી વધુ વેરો સુરેન્દ્રનગરની નગરપાલિકાઓનો બાકી સૌરાષ્ટ્ર અને કચ્છની તમામ નગરપાલિકાઓમાં સૌથી વધુ વેરો સુરેન્દ્રનગરની નગરપાલિકાઓનો બાકી છે જેમાં તેમના દ્વારા રૂ.101.36 કરોડનો વીજ વેરો ભરવામાં આવ્યો નથી. જ્યારે અમરેલીનો રૂ.91.49 કરોડ, અંજારનો રૂ.70.30 કરોડ, ભુજનો રૂ.64.46 કરોડ, પોરબંદરનો રૂ.17.59 કરોડ, ભાવનગરનો રૂ.17.49 કરોડ, મોરબીનો રૂ.14.07 કરોડ, રાજકોટ રૂરલનો રૂ.8.15 કરોડ, જૂનાગઢનો રૂ.6.51 કરોડ, જામનગરનો રૂ.4.91 કરોડ અને બોટાદનો રૂ.2.10 કરોડનો વિજ વેરો બાકી છે. સૌથી વધુ 6 નગરપાલિકાઓનો 101.36 કરોડનો વેરો બાકી PGVCL દ્વારા સૌરાષ્ટ્ર - કચ્છની નગરપાલિકાઓ પાસે વીજ વેરો માંગવામાં આવી રહ્યો છે પરંતુ છેલ્લા બે વર્ષથી નગરપાલિકાઓ વેરો ભરતી નથી ત્યારે સૌરાષ્ટ્ર - કચ્છમાં સુરેન્દ્રનગરની 6 નગરપાલિકાઓનો સૌથી વધુ રૂ.101.36 કરોડનો વેરો બાકી છે. જ્યારે બીજા ક્રમે અમરેલી આવે છે. જેનો રૂ.91.49 કરોડનો વેરો બાકી છે. સરકારી કચેરીઓમાં PGVCL કનેક્શન કાપશે કે નહીં? નોંધનીય છે કે પીજીવીસીએલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજ પુરવઠો પૂરો પાડવાનું કામ કરે છે અને તેના હેઠળ અંદાજે 61 લાખથી વધુ વિજ ગ્રાહકો છે. જોકે કોઈપણ સામાન્ય ગ્રાહક લાઈટ બિલ ન ભરે અથવા તો તે ભરવામાં થોડું પણ મોડું કરે તો પીજીવીસીએલની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી જાય છે અને વીજ કનેક્શન કાપી નાખે છે. જોકે આ નિયમ સરકારી કચેરીઓ માટે લાગુ ન પડતો હોય તેવું સામે આવ્યું છે.
દુનિયાના સૌથી ધનિકોની યાદીમાં ઉથલ-પાથલ, કોનો રુતબો ઘટ્યો અને કોણે ગુમાવી સંપત્તિ?
Elon Musk News : સતત બીજા દિવસે વિશ્વના ટોચના 10 અબજોપતિઓની યાદીમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. અમેરિકન શેરબજારોમાં ટેક શેરોમાં આવેલી તેજીના કારણે અબજોપતિઓની સંપત્તિમાં મોટો વધારો-ઘટાડો નોંધાયો છે. ક્યારેક ઈલોન મસ્કના નંબર વન સ્થાન માટે ખતરો બનેલા ઓરેકલના લેરી એલિસન હવે યાદીમાં ઘણા પાછળ રહી ગયા છે. ગૂગલના સહ-સ્થાપક સર્ગેઈ બ્રિને તેમને પછાડીને ચોથું સ્થાન મેળવી લીધું છે. મંગળવારે કોણે કેટલી કમાણી કરી?
કેનેડામાં ખાલિસ્તાનીઓ બેફામ, ભારત વિરોધી નારેબાજી, ત્રિરંગાનું અપમાન કરાયું
Canada Khalistan News : કેનેડાના ઓટાવામાં ખાલિસ્તાની સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ (એસએફજે) દ્વારા આયોજિત ખાલિસ્તાન જનમત સંગ્રહ દરમિયાન ભારતીય રાષ્ટ્રધ્વજ તિરંગાનું અપમાન કરવામાં આવ્યું હતું. આ ભારત વિરોધી કાર્યક્રમમાં મારી નાખો જેવા સુત્રોચ્ચાર પણ થયા હતા. જ્યારે 23 નવેમ્બરે આખો દિવસ ચાલેલી જનમત સંગ્રહ પ્રક્રિયામાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હોવાનો પણ સંગઠને દાવો કર્યો હતો. કેનેડાના ઓટાવાના મેકબેન કોમ્યુનિટી સેન્ટર પર આ જનમત સંગ્રહની પ્રક્રિયા હાથ ધરાઇ હતી, જેમાં ભાગ લેવા માટે કેનેડાના વિવિધ પ્રાંતો જેમ કે ઓન્ટારિયો, અલ્બર્ટા, બ્રિટિશ કોલંબિયા અને ક્યૂબેકના 50 હજારથી વધુ ખાલિસ્તાની સમર્થકો આવ્યા હોવાનો દાવો કરાઇ રહ્યો છે. ભારત દ્વારા દેશ વિરોધી પ્રવૃત્તિઓ બદલ આ સંગઠન પર પ્રતિબંધ મુકી દેવાયો છે.
રજૂઆત:પાટણના ઊંઝા ત્રણ રસ્તા નજીક ખોડીયાર પારામાં દુષિત પાણી આવતું હોવાની ફરિયાદ
પાટણના ઊંઝા ત્રણ રસ્તા પાસે આવેલા ખોડીયાર પરા વિસ્તારમાં રહેતી મહિલાઓ મંગળવારે પાટણ નગરપાલિકા ખાતે પીવાનું પાણી અત્યંત દુષિત, ડોહળું અને દુર્ગંધયુક્ત આવી રહ્યું હોવાની લખિત રજૂઆત કરી હતી. સાથે જ વિસ્તારમાં આંતરિક રોડ ની સ્થિતિ પણ ખરાબ છે તે અંગે શરૂઆત કરી હતી. પાટણ શહેરમાં આવેલ ખોડીયાર પરા વિસ્તારમાં રહેતી ભારતીબેન સહિત 15 મહિલાઓ તેમના સોસાયટીમાં આવતા દૂષિત અને લીલવાડા પાણી ના પ્રશ્ન પાલિકા પ્રમુખ ચીફ ઓફિસર ને રજૂઆત કરવા આવ્યા હતા પણ કોઈ હોદ્દેદાર હાજર ન હોય એટલે વોટર વર્ક શાખામાં ક્લાર્ક પાસે પોતાની રજૂઆત કરતા જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષથી આ વિસ્તારની લીલવાળું પાણી મળી રહ્યું છે. પહેલા હાશાપુર નું પાણી આવતું હતું તે સારું આવતું હતું પણ ક્યારથી સિદ્ધિ સરોવરનું પાણી આવે છે એ ખરાબ પાણી આવી રહ્યું છે એટલે એ પાણી બંધ કરી ફરીથી હાશાપુવાળું પાણી શરૂ કરવા માંગ કરી હતી અને સાથે સાથે સોસાયટીના રોડ રસ્તાની પણ રજૂઆત કરી હતી. વોટર શાખા ના અધિકારીઓએ મહિલાઓને સાત્વના આપી ઝડપથી તમારા પ્રશ્નો નિરાકરણ લાવવાની આશા વ્યક્ત કરી હતી.
પાટણ તાલુકાના નોરતાવાંટા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શાળામાં રમવા માટે મેદાન ના હોવાથી ગામના ગૌચરમાં શિક્ષકના માર્ગદર્શન હેઠળ પ્રેક્ટિસ કરીને અંતે જિલ્લા કક્ષાની અંડર-14 ભાઈઓની કબડી સ્પર્ધામાં વિજય મેળવી ચેમ્પિયન બની છે.રાજ્ય કક્ષાએ ભાગ લેવા માટે પસંદગી થવા પામી છે. જેમાં આ વિદ્યાર્થીઓની ટીમ હવે રાજ્ય કક્ષા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. ખેલ મહાકુંભ 2025 અંતર્ગત પાટણ જિલ્લાના 9 તાલુકાની 16 ટીમો વચ્ચે ભાઈઓની અંડર-14 કબડી સ્પર્ધાનું આયોજન થયું હતું.જેમાં સિદ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે નોરતા વાંટા પ્રા.શાળા અને સાંતલપુર પ્રા.શાળાની ફાઈનલ મેચ યોજાઈ હતી.જેમાં સાતલપુરની ટીમને હરાવીને નોરતાવાંટાની ટીમ વિજેતા બની હતી. આગામી સમયમાં આ ટીમ રાજ્યકક્ષાએ પાટણ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.શાળામાં આચાર્યે પીનેશભાઈ પટેલે જણાવ્યું હતું.કે શાળામાં કબડ્ડીની પ્રેક્ટિસ કરવા માટે મેદાન ના હોવાના કારણે શાળાના કોચ દિનેશભાઇ ગોહિલ અને દીપકભાઈ પરમાર આ બન્ને કોચ છેલ્લા 3 વર્ષ થી ગામના ગૌચરની અંદર મેદાનમાં શાળા સમય બાદ એક કલાક પ્રેક્ટિસ કરાવતા હતા.કઠોર પરિશ્રમ કરીને 3 વર્ષ બાદ આ તનતોડ મહેનતનું ફળ મળ્યું છે.વિદ્યાર્થીઓ ખેતી અને મજૂર વર્ગના પરિવારમાંથી આવે છે. શાળાની ટીમ વિજેતા થઈ છે.આગામી સમયમાં આ ટીમ રાજ્યકક્ષાએ પાટણ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારાઅનુસ્નાતક સેન્ટર કે કોલેજનાઅધ્યાપકોને પીએચડીનીગાઈડશીપ આપવાના યુજીસીનાનિયમને નેવે મૂકી સ્નાતકકોલેજોના અધ્યાપકોનેપીએચડીની ગાઈડશીપફાળવણી કરી વિદ્યાર્થીઓનાભવિષ્ય સાથે ચેડા કરવામાંઆવ્યા હોવાના એક મહિલાઅરજદાર દ્વારા ગંભીર આક્ષેપોસાથે રાજ્યપાલ અનેયુનિવર્સિટીને લેખિતમાં રજૂઆતકરવામાં આવી છે.અગાઉ પણ આવાકિસ્સામાં ગાઇડ શીપરદ કરાઇ હતી. હવે ફરીનિયમોનું ઉલલંઘઘન કરી2022થી 2025 સુધીમાં યુથકોલેજના પ્રોફેસરોને પણગાઇડશીપ આપી દેવાઇ છે જેનીતપાસ થઇ રહી છે.અરજદારે રજૂઆતમાં જણાવ્યું છે કે (UGC)ના 7 નવેમ્બર 2022નાનવા રેગ્યુલેશન ( પરિપત્ર)માં પીએચડી ગાઈડશીપ ફાળવણી માટે મુદાનંબર 6, પેજ 11 તથા HNGU ના Ph.D. ઓર્ડિનન્સ 2025-26 મુદાનંબર 6, પેજ 10) અનુસાર ફક્ત યુનિવર્સિટીઓ અને અનુસ્નાતક(PG) કૉલેજો જ સંશોધન સુપરવાઇઝર તરીકે લાયક ગણાય છે. UGકૉલેજો, જે ફક્ત અંડરગ્રેજ્યુએટ સ્તરે શિક્ષણ આપે છે, તેમના ફેકલ્ટીસભ્યોને Ph.D. સુપરવાઇઝર તરીકે માન્ય ગણાતા નથી .છતાંઅંડરગ્રેજ્યુએટ (UG) કૉલેજોમાં કાર્યરત અંદાજે 7 થી વધુ ફેકલ્ટીસભ્યોને Ph.D. સંશોધન સુપરવાઇઝર તરીકે માન્ય રાખી Ph.D.સ્કોલરને ફાળવવામાં આવ્યા છે.યુનિ.ના આસી. રજીસ્ટ્રાર ડૉ. કમલ મોઢે જણાવ્યું હતું કે યુજીસીનાનિયમ મુજબ જ પી જી સેન્ટર ના અધ્યાપકને જ ગાઈડશીપ અપાય છે.સ્નાતક ના સ્ટાફને ગાઈડશિપ આપવામાં આવી હોય એવું શક્યનથી.છતાં રજૂઆત આવી છે તો ગાઈડોની ફાળવણી થાય તે પૂર્વે2022 નવા પરિપત્ર બાદ અપાયેલી તમામ ગાઇડ શીપ ફાળવણીનીસમીક્ષા કરવામાં આવશે. નિયમ વિરુદ્ધ હશે તો રદ કરાશે. સ્નાતક કોલેજના પ્રોફેસર અનુસ્નાતકમાં માત્ર ભણાવવાજઈ PG અધ્યાપક બતાવી માન્યતા લઈ રહ્યા છેપીએચડીના સિનિયર એક ગાઈડ એ જણાવ્યું હતું કે યુનિવર્સિટીનાગાઈડો પીજી કોલેજ કે સેન્ટરના અધ્યાપક બની શકે છે. પરંતુ યુનિસંલગ્ન સરકાર માન્ય એક પણ પી જી કોલેજ નથી. આપણે અહીંયાસ્નાતક કોલેજોમાં પીજીના સેન્ટરો મંજૂર કરેલા છે. જેથી સ્નાતકકોલેજમાં અધ્યાપક તરીકેફરજ બજાવતા હોય પરંતુ પોતાના અનુભવ આધારે પીજીનાસેન્ટરોમાં ભણાવવા જતા હોય તેવા અધ્યાપકો કોલેજ પાસેથીપીજીના અધ્યાપક હોવાના પત્ર મેળવીને યુનિવર્સિટીમાં રજૂ કરીનેપીએચડીની ગાઈડશીપ મેળવી રહ્યા છે તે ખરેખર યોગ્ય નથી. UGCનો નવો રૂલ્સ મુજબ તે પીજી સેન્ટર કે કોલેજના કાયમી અધ્યાપકહોવા સાથે તેમના ત્રણ કે પાંચ સંશોધન પત્ર રજૂ થયેલા પણ હોવાજોઈએ તો જ પીએચડી ગાઈડ માટે માન્ય રહે છે.યુનિવર્સિટી યોગ્યરીતે તપાસ કરે તો અનેક અધ્યાપકો ની ગાઈડશીપો રદ થઈ શકે છે. સ્નાતક કોલેજૉના 5 થી વધુ અધ્યાપકોને ગાઇડ શીપ આપીહોવાની આશંકા , ડિગ્રી માન્યતા અંગે ચિંતા : અરજદારઅરજદારે રજૂઆતમાં જણાવ્યું છે કે (UGC)ના 7 નવેમ્બર 2022નાનવા રેગ્યુલેશન ( પરિપત્ર)માં પીએચડી ગાઈડશીપ ફાળવણી માટે મુદાનંબર 6, પેજ 11 તથા HNGU ના Ph.D. ઓર્ડિનન્સ 2025-26 મુદાનંબર 6, પેજ 10) અનુસાર ફક્ત યુનિવર્સિટીઓ અને અનુસ્નાતક(PG) કૉલેજો જ સંશોધન સુપરવાઇઝર તરીકે લાયક ગણાય છે. UGકૉલેજો, જે ફક્ત અંડરગ્રેજ્યુએટ સ્તરે શિક્ષણ આપે છે, તેમના ફેકલ્ટીસભ્યોને Ph.D. સુપરવાઇઝર તરીકે માન્ય ગણાતા નથી.છતાંઅંડરગ્રેજ્યુએટ (UG) કૉલેજોમાં કાર્યરત અંદાજે 7 થી વધુ ફેકલ્ટીસભ્યોને Ph.D. સંશોધન સુપરવાઇઝર તરીકે માન્ય રાખી Ph.D.સ્કોલરને ફાળવવામાં આવ્યા છે. આ શકય નથી : આસી.રજીસ્ટ્રારયુનિ.ના આસી. રજીસ્ટ્રાર ડૉ. કમલ મોઢે જણાવ્યું હતું કે યુજીસીનાનિયમ મુજબ જ પી જી સેન્ટર ના અધ્યાપકને જ ગાઈડશીપ અપાય છે.સ્નાતક ના સ્ટાફને ગાઈડશિપ આપવામાં આવી હોય એવું શક્યનથી.છતાં રજૂઆત આવી છે તો ગાઈડોની ફાળવણી થાય તે પૂર્વે2022 નવા પરિપત્ર બાદ અપાયેલી તમામ ગાઇડ શીપ ફાળવણીનીસમીક્ષા કરવામાં આવશે. નિયમ વિરુદ્ધ હશે તો રદ કરાશે.
કાર્યવાહી:ચાણસ્માની પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝમાંથી 83 હજારનો શંકાસ્પદ ઘઉંનો જથ્થો સિઝ કર્યો
ચાણસ્મા GIDCમાં આવેલી પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝમાં પુરવઠા વિભાગે દરોડા પાડી ઘઉંનો મોટો જથ્થો સીઝ કર્યો છે. કંપનીના સ્ટોકપત્રકમાં દર્શાવેલા જથ્થા કરતાં વધુ ઘઉં મળી આવતા આ કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા પુરવઠા તંત્રની ટીમે પુરવઠા ચાણસ્મા GIDC વિસ્તારમાં આવેલી પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન, કંપનીના સ્ટોકપત્રક અને ભૌતિક જથ્થાની ખરાઈ કરવામાં આવી હતી. ખરાઈ કરતાં ઘઉંના જથ્થામાં 29.880 ક્વિન્ટલ જેટલો વધારો જણાઈ આવ્યો હતો.આ વિસંગતતાને પગલે નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ વધારાના ઘઉંના જથ્થાની આશરે કિંમત રૂ. 83,664 થાય છે. આ જથ્થાને ગુજરાત આવશ્યક ચીજવસ્તુઓના(વેપારીઓના નિયમન કરવા બાબતના) હુકમ-1977 ની કંડિકા-11 મુજબ સીઝ કરવામાં આવ્યો છે.તેવુ જિલ્લા પુરવઠા તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું. 10દિવસમાં પાંચ સ્થળે શંકાસ્પદ અનાજ પકડ્યુંપાટણ જિલ્લામાં લાંબા સમય બાદ અચાનક જિલ્લા પુરવઠા તંત્રની ટીમ શતર્ક થઈ છે.છેલ્લા દસ દિવસમાં જ લગભગ રાધનપુર હારીજ અને પાટણ તેમજ ચાણસ્મા માં પાંચ સ્થળે રેડ કરી અનાજ નો જથ્થો સીઝ કર્યો છે.આ કેસો સાબિત થશે તો આવશ્યક ચીજ વસ્તુ ધારા હેઠળ દંડની સજા કરવાની જોગવાઈ છે.
પાટણના બોરસણ ગામના અશ્વપ્રેમી પરિવાર સભ્યની જેમ સાચવતા અશ્વનું અવસાન થતા મૃત્યુની તમામ વિધિ હિન્દૂ સંસ્કૃતિ પ્રમાણે કરાવીને સભ્યની જેમ વિદાય આપી સાથે બેસણું સહિતના કાર્યક્રમો કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પરિવારના અશ્વ પ્રત્યેના પ્રેમને લઈ ગામમાં ચર્ચાનો વિષય બન્યો હતો. બોરસણ ગામના સામાજીક આગેવાન સોમાભાઈ દેસાઈ(ભુવાજી)વર્ષોથી અશ્વ રાખે છે.વર્ષો પૂર્વે તેઓ એક અશ્વબાળ(વછેરો)લાવ્યા હતા.જેનું નામ વિકી રાખવામાં આવ્યું હતું. તેની સાથે પરિવારને લાગણીઓ બંધાતા કયારેય ન વેચવા ની ટેક લીધી હતી.આ વિકી અશ્વએ પાલનપુર અને લાખણી તાલુકાના જસરા તેમજ મહારાષ્ટ્રના સારંગખેડા ખાતે યોજાયેલી દોડ સ્પર્ધાઓમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.ત્યારબાદ આ અશ્વના 11 લાખ રૂપિયા કિંમત લાગી હતી.પરંતુ આપ્યો નહોતો. આ અશ્વ માટે અલગ રૂમ બનાવી શિયાળામાં તલની ધાણી,અને કચરિયું ઉનાળામાં ફળો ભેંસનું ઘી તેમજ કુલર અને પંખાની વ્યવસ્થા અને ચોમાસામાં બીટ,ગાજર આમ ત્રણેય ઋતુ પ્રમાણે રહેવા-ખાવાની વ્યવસ્થા કરવામાં આવતી હતી.21મી નવેમ્બરે વિકી અશ્વ 25 વર્ષની ઉંમર દેવલૉક પામતા ફૂલાભાઈ અને તેમના પરીવારે ભારે હૈયે વિદાય આપી સમાધી આપી હતી.તેમજ વીકી અશ્વનું વયોવૃદ્ધ વડિલ ની જેમ સામાજિક રીતી રીવાજ મુજબ બેસણું રાખતા સામાજીક સંબંધીઓ તેમજ દુરદુર થી અશ્વપ્રેમીઓ આવીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.તેમજ રાત્રે ભજન યોજી શ્રદ્ધાંજલિ રાખી અશ્વની પ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી.
પાટણ જિલ્લામાં ગૌશાળાઓ દ્વારા તંત્રમાં વાર્ષિક ઓડિટ રિપોર્ટ સમયસર રજૂના કરતા 36 ગૌશાળા પાંજરાપોળોને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના ની એપ્રિલ થી જૂન માસ ની 4.63 કરોડ સહાય અટવાઈ પડી હોવાથી સંચાલકો આર્થિક તંગી અનુભવી રહી હોવાથી પશુઓ માટે ઘાસચારની ખરીદી સહિત ની મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે.જોકે છ જેટલી ગૌશાળા પાંજરાપોળો નાં વાર્ષિક ઓડિટ રિપોર્ટ રજુ થયા ન હોઇ જિલ્લાની તમામ 36 સંસ્થાઓ ની સહાય અટવાઈ પડી છે. પશુઓના નિભાવ માટે ગૌશાળા પાંજરાપોળોને આર્થિક મદદ કરવા અને દેશી ગાયના સંવર્ધનને પ્રોત્સાહન મળે તે માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માં ગૌશાળા પાંજરાપોળોને દરેક પશુ દીઠ રોજના 30 પ્રમાણે મહિને 900 ની સહાય આપવામાં આવે છે.પરંતુ પાટણ જિલ્લા ની 36 ગૌશાળા પાંજરાપોળોને એપ્રિલથી જૂન માસની 18073 પશુઓનાં 4.63 કરોડ ની સહાય પાંચ માસથી મળી નથી. જોકે જુલાઈ થી સપ્ટેમ્બર માસની સહાય માટેની અરજીઓ પણ તંત્રને મળી ગઈ છે.પરંતુ તેમાં પણ હજુ કમિટી દ્વારા ગૌશાળા પાંજરાપોળોમાં ચકાસણીની કામગીરી બાકી છે. આમ લાંબા સમયથી ગૌશાળા પાંજરાપોળોને સહાય ન મળતાં સંસ્થાઓ આર્થિક તંગી અનુભવી રહી છે. નાયબ પશુપાલન નિયામક ડો.બી.એમ સરગરા એ જણાવ્યું હતું કે છ જેટલી સંસ્થાઓનાં વાર્ષિક ઓડિટ રિપોર્ટ મળ્યા ન હતા જેના કારણે કમિટી સમક્ષ ઓડિટ રિપોર્ટ રજૂ ન થતાં એપ્રિલથી જૂન સુધીની સહાય ચૂકવવામાં વિલંબ થયો છે. જોકે હવે તે રિપોર્ટ આવી ગયા છે. એટલે ટૂંક સમયમાં સહાય ચૂકવાઇ જશે. જ્યારે જુલાઈથી સપ્ટેમ્બર સુધીની સહાય માટે આઇ ખેડૂત પોર્ટલ પર સંસ્થાઓની અરજીઓ મળી છે. તાલુકા કક્ષાની કમિટી દ્વારા સંસ્થાઓમાં રજીસ્ટર ની તપાસ અને પશુઓની ગણતરી કર્યા બાદ ચકાસણી રિપોર્ટ આપશે અને તે જિલ્લાની કમિટીમાં મૂકવામાં આવશે ત્યારબાદ જુલાઈ થી સપ્ટેમ્બર ની સહાય ચૂકવાશે. વરસાદના કારણે ઘાસચારો બગડ્યો ગૌશાળાઓમાં દાન ઘટ્યુંગૌશાળા નાં ગૌભક્તોએ જણાવ્યું હતું કે ચોમાસામાં પડેલા ભારે વરસાદના કારણે ખેતરોમાં ખેડૂતો નો ઘાસચારો બગડ્યો છે. જેના કારણે ગૌશાળા પાંજરાપોળો ને દાનમાં જે ઘાસચારો મળતો હતો તેમાં ધરખમ ઘટાડો થયો છે. જેના કારણે આ સંસ્થાઓને ઘાસચારો ખરીદવો પડી રહ્યો છે.પરંતુ હજુ સહાય મળી ન હોવાથીસંસ્થાઓ આર્થિક તંગી અનુભવી રહી છે. પ્રથમવાર રખડતા પશુઓ સ્વીકારે છે તેવા પાલિકાનાઅભિપ્રાય બાદ જ સહાય ચૂકવણીનો નિર્ણય કર્યોકેટલીક ગૌશાળા પાંજરાપોળો બિનવારસી અને રખડતા પશુઓ સ્વીકારતી ન હોવાની કલેકટરને રજૂઆતો મળી હતી. જેને પગલે પાંજરાપોળ ગૌશાળાઓ બિન વારસી રખડતા પશુઓ સ્વીકારે છે કે કેમ તેવા પાટણ સિધ્ધપુર ચાણસ્મા હારીજ અને રાધનપુર પાલિકા પાસે અભિપ્રાય માગવામાં આવ્યા છે. પાલિકાઓ નાં હકારાત્મક અભિપ્રાય હોય તો જ આ સહાય આપવાનો તાજેતરમાં મળેલી મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના ની જિલ્લા કક્ષાની કમિટીમાં નિર્ણય કરાયો હતો.જોકે તેમાં પાલિકાઓ પાસેથી તંત્રએ અભિપ્રાય મંગાવતા મોટાભાગે હકારાત્મક રિપોર્ટ મળ્યા હોવાનું જાણવા મળ્યું છે.
મહેસાણાના શોભાસણ રોડ પર ટી.પી. 3 વિસ્તારમાં આવેલી મીમ રેસીડન્સી 2 ના 100 જેટલા પરિવારો કાયમી રસ્તાની સુવિધાથી વંચિત છે.આ સોસાયટીના રહીશોને મેઈનરોડ પર જવા માટે હાલમાં ઓએનજીસીવેલના રસ્તાનો ઉપયોગ કરવો પડે છે, જેના કારણે તેમને લગભગ અડધો કિલોમીટરનુંવધુ અંતર કાપવું પડે છે વળી, આ વૈકલ્પિક રસ્તા પર રાત્રે સ્ટ્રીટલાઈટની સુવિધા નહોવાથી અંધારપટ્ટ છવાયેલો રહે છે, જેસુરક્ષાની ચિંતા વધારે છે.મહત્વનું છે કે મહાનગરપાલિકા દ્વારાટી.પી. સ્કીમ 3 માં 12 મીટરનો રોડ ખુલ્લોકરવા માટે ફાઇનલ પ્લોટ નં. 63, 64 અને65 ના ધારકોને નોટિસ આપવામાં એકમહિનો વીતી ગયો હોવા છતાં, તંત્ર દ્વારા હજુ સુધી રસ્તો ખુલ્લો કરાયો નથી.સોસાયટીના રહીશો માટે સમસ્યા એ છે કે મનપાએ આ વિસ્તારના રહેવાસીઓ પાસેથી ચાલુ વર્ષથી મિલકત વેરાની વસૂલાત શરૂ કરી દીધી છે અને 50% થી વધુ રહીશોએ વેરો ભર્યો પણછે. જોકે, વેરો ભર્યા પછી પણ તેમને પાણીનીલાઈન, સ્ટ્રીટ લાઇટ કે પાકા રસ્તા જેવીમૂળભૂત સુવિધાઓ મળી નથી. ટી.પી.સ્કીમમાં અત્યાર સુધીમાં રૂ. 1 કરોડ જેટલોબેટરમેન્ટ ચાર્જ ભરાયો છે અને તંત્રે પાંચરસ્તા ખુલ્લા કર્યા છે, પરંતુ મીમ રેસીડન્સી 2ને સ્પર્શતો મુખ્ય 12 મીટરનો રસ્તો હજુ પણબંધ છે. મનપાએ રસ્તો ખુલ્લો નહીં કરતાં કાયમી રસ્તાની સુવિધાથી વંચિતશો ભાસણ રોડ ટીપી સ્કીમ નંબર ત્રણવિસ્તારમાં નકશામાં લાલ લાઈન કરી એટલીજગ્યા રસ્તાની ખુલ્લી કરવાની બાકી છેસોસાયટીના રહીશોને ઓએનજીસી વેલનારસ્તેથી અડધો કિલોમીટર અંતર વધુ કાપી મેનરસ્તા પર આવવું પડી રહ્યું છેમનપાએ બેટરમેન્ટ ચાર્જ વસુલ્યો પણ પાકા રસ્તા હજુ ન આપ્યા
બદલી:જિલ્લામાં પાંચ પી.આઇ.ની આંતરિક બદલીઓ કરાઈ
જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્વારા 25 નવેમ્બરે 5 પી.આઇ.ની આંતરિક બદલીના હુકમો કર્યા હતા જેમાં વિજાપુર પીઆઈ કે કે ચૌધરીને લીવ રિઝર્વ માં અને તેમના સ્થાને વસઈ પોલીસ મથકનાના વનરાજસિંહ ચાવડાને લીવ રિઝર્વ માં રહેલા ડીઆર રાવને વસઈ પોલીસ સ્ટેશનમાં,જ્યારે સાંથલ પીઆઈ એસ જે શ્રીપાલને લીવ રિઝર્વમાં અને લીવ રિઝર્વમાં રહેલા એમ એમ.વરચંદને સાંથલ પોલીસ મથકમાં મૂકવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે વિજાપુર શહેરમાં આઠ વર્ષની બાળકી સાથે બનેલી ઘટના બાદ થયેલા હોબાળાને પગલે પીઆઇ કે. કે ચૌધરીની બદલી કરાઇ હોવાનું મનાઈ રહ્યું છે.
દૂધસાગર ડેરીની ચૂંટણી:ડેરીની ચૂંટણીમાં 3 ઉમેદવારના ટેકેદારોએ પોતાની સહી ખોટી હોવાનો વાંધો આપ્યો
મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીમાં ભરાયેલા 66 ઉમેદવારી પત્રો ચકાસણી કર્યા બાદ 25 નવેમ્બર મંગળવારના રોજ ચૂંટણી અધિકારી દેવાંગ રાઠોડ એ 63 ઉમેદવાર પૈકી 60 ના ફોર્મ માન્ય રખાયા હતા જ્યારે ત્રણ ઉમેદવારના ફોર્મ સામે પાંચ જેટલા લેખિત વાંધા રજૂ થતા તેનો નિર્ણય 26 નવેમ્બર બુધવારના રોજ કરવામાં આવશે મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીમાં 15 મતદાર મંડળના વિભાગમાં ભરાયેલા 63 ઉમેદવારના 66 ફોર્મની ચકાસણી પ્રક્રિયા ચૂંટણી અધિકારી દેવાંગ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી જેમાં વિસનગરના ખરવડાના ઉમેદવાર અરુણ દલસંગ ભાઈ ચૌધરી, પાટણ વિભાગના મલાલપુરાના ચેતનાબેન ઠાકોર અને સમી હારીજ વિભાગ માં ખાખડીના રબારી રામજીભાઈ આ ત્રણ ઉમેદવારો સામે તેમને ટેકો આપનાર તેમજ દરખાસ્ત કરનાર તેમની ખોટી સહીઓ કરી હોવાનો તેમજ ઉમેદવાર ગેરલાયકાત ધરાવતા હોય સહિત કુલ 5 વાંધા રજૂ કરવામાં આવ્યા હતા જેને પગલે 63 ઉમેદવારના 60 ફોર્મ માન્ય રાખ્યા બાદ વાંધા આવેલા ત્રણ વિભાગના ત્રણ ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવા કે નહીં તેનો નિર્ણય 26 નવેમ્બરે કરવામાં આવશે. ચૂંટણી બિનહરીફ કરવા પાંચ લાખ રૂપિયા આપીને મતો ખરીદ્યા: જિલ્લા કોંગ્રેસના પ્રમુખ દૂધસાગર ડેરીની ચૂંટણી બિનહરીફ થવા જઈ રહી છે ત્યારે મહેસાણા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ભાજપનું નામ લીધા વિના ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે, ડેરીની ચૂંટણી બિનહરીફ કરવા એક એક મતનો ઠરાવ કરવાના પાંચ પાંચ લાખ રૂપિયા આપીને મતો ખરીદ્યા છે.
પ્રાથમિક સુવિધાનો અભાવ:વઢવાણના વિરાટનગરમાં રસ્તા, પાણી, ગટર,લાઇટ સહિતની પ્રાથમિક સુવિધાનો અભાવ
વઢવાણના મૂળચંદ રોડ પર આવેલી વિરાટનગર સોસાયટીમાં પ્રાથમિક સુવિધાના અભાવે રહીશો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ત્યારે અંદાજે 20 વર્ષથી બનેલી આ સોસાયટીમાં હાલમાં પાકો રસ્તો, લાઇટો, ગટર સહિતની સમસ્યાની રજૂઆતો બાદ પરિણામ શૂન્ય રહેતા રહીશોમાં રોષ સાથે યોગ્ય કરવાની માંગ ઉઠી હતી. વઢવાણ મૂળચંદ રોડ મોંઘીબેન કન્યા છાત્રાલય પાછળ અંદાજે 20 વર્ષ પહેલા વિરાટનગર સોસાયટી બની હતી. પરંતુ આ સોસાયટી બન્યાને હાલની સ્થિતિએ પણ કાચા અને ઉબડખાબડ રસ્તા પરથી રહીશોને પસાર થવું પડે છે. આ સોસાયટીમાં હાલમાં પણ અંદાજે 25થી વધુ મકાનના રહીશો વસવાટ કરી રહ્યા છે. આ વિસ્તારમાં પાલિકા દ્વારા સ્ટ્રીટલાઈટની પણ સુવિધા ન હોવાથી લોકોને રાત્રે ઘરની બહાર નીકળવું મુશ્કેલીરૂપ બન્યું છે. આ અંગે વિજયભાઈ, ઇશ્વરભાઈ, રવિભાઇ, પ્રવિણભાઈ, અશોકભાઈ, રમણભાઈ વગેરેએ જણાવ્યું કે, કાચો અને ખરાબ રસ્તાના કારણે વૃદ્ધો, બાળકો, મહિલાઓ અને દર્દીઓને અવરજવર માટે ખૂબ તકલીફ પડે છે. જ્યારે ગટર ન હોવાથી લોકોને હાડમારી ભોગવવી પડે છે. આ વિસ્તારમાં પાણીની લાઈન છે પણ પાણી અનિયમિત આવતું હોવાથી નછૂટકે પૈસા ખર્ચીને પાણી લાવવું પડે છે. વર્ષો જૂની આ સોસાયટી માટે વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ સુવિધા પ્રાપ્ત હજુ નથી થઇ. આ ઉપરાંત સોસાયટીના મકાનો અને રસ્તાઓ પર બાવળોના ઝૂંડથી આવારા તત્વોનો ડર રહે છે. આ વિસ્તારની આજુબાજુ શાળા, છાત્રાલાયને પણ હાલાકી વઢવાણ મૂળચંદ રોડ પર અનેક રહેણાક સોસાયટીઓ તેમજ અભ્યાસો માટે શૈક્ષણિક છાત્રાલયો અને શાળાઓ પણ આવેલી છે. ત્યારે આ વિસ્તારોમાં પણ પ્રાથમિક સુવિધાઓ ન હોવાથી અભ્યાસ માટે આવ-જા કરતા વિદ્યાર્થીઓ, રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે રસ્તાઓ, લાઇટો તેમજ ગટરોની જો સુવિધા ઉભી કરવામાં આવે તો મુશ્કેલીઓ દૂર થાય તેવી રાવ ઉઠી હતી.
છેતરપિંડી:વિજયે છેતરપિંડીના પૈસે 1 કાર ખરીદી કોર્ટમાં હાજર થયો પહેલા વેચી દીધી
સુરેન્દ્રનગર શહેરના બેકાર લોકોને અમદાવાદ મનપામાં નોકરી અપાવવાના બહાને રૂ.35.15 લાખનો ચૂનો લગાવનાર ત્રિપુટીને પોલીસે પકડી લીધી છે. જેમાં મુખ્ય સુત્રધારને ભાગે રૂ.15 લાખ જેટલી રકમ આવી હતી. ત્યારે આરોપી વિજય વાઘેલાની ધરપકડ બાદ કોર્ટમાં 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. જેમાં તેની પૂછપરછમાં નવા ખુલાસા થયા છે. જેમાં છેતરપિંડી કરી મેળવેલા રૂપિયામાંથી તેણે 1 ગાડીની ખરીદી કરી હતી કે જ્યારે કોર્ટમાં હાજર થયો તે પહેલા ગાડીની વેચી દીધી હતી. આ ઉપરાંત આરોપી ચાંદખેડા માના જ્વેલર્સને ત્યાંથી 2 લાખ રૂપિયાના ઘરેણાના ખરીદી કરી મામેરું પણ ભર્યું હતું તેવું બહાર આવ્યું છે. મૂળ કારોલ ગામનો વતની વિજય વાઘેલા કૃષ્ણનગરમાં ભાડે રહેતો હતો. તેવી જ રીતે કાનજી કુણપરા અને કિરણ સરવાડીયા પણ કૈલાસ પાર્કમાં સાથે રહેતા હતા. કિરણના લગ્ન સુરત થયા હતા પરંતુ ત્યા છૂટાછેડાનો કેસ ચાલે છે. આથી તે કાનજી સાથે રહેતી હતી. વિજય અને કાનજી પરિચયમાં હોય નોકરી અપાવવાના બહાને લોકોને ચૂનો લગાવવાનો પ્લાન બનાવ્યો હતો. તેના માટે તેમણે અનુસંધાન પાના નં. 3 ઉપર
ઈથોપિયામાં ફાટેલા જ્વાળામુખીએ પશ્ચિમ ભારતને બાનમાં લીધું !
- જ્વાળામુખીની રાખ 24 કલાકમાં 4500 કિ.મીનો પ્રવાસ કરીને ભારત થઈ ચીન સુધી પહોંચી - દિલ્હી, ગુજરાત, રાજસ્થાન, યુપી અને અન્ય કેટલાક રાજ્યો તથા હિમાલય સુધી આકાશમાં રાખનું સામ્રાજ્ય છવાયું છે. પથ્થરો, માટી, રેતી અને અન્ય કચરા ઉપરાંત જ્વાળામુખીમાંથી વિશાળ માત્રામાં રાખ ઉડી છે. તેની સાથે સાથે મોટા જથ્થામાં સલ્ફર ડાયોક્સાઈડ પણ નીકળ્યો છે. સલ્ફર ડાયોક્સાઈડ એક એવો પદાર્થ છે જે સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર ઉપજાવી શકે છે: સબ ટ્રોપિકલ વેસ્ટર્લી જેટ સ્ટ્રીમના કારણે આ બધું થયું છે.
ગાંજાના છોડ કબજે કરાયા:કૃષિ સહાયનું ફોર્મ ભર્યું તે ખેતરમાંથી 600 કિલો ગાંજાના 180 છોડ પકડાયા
સુરેન્દ્રનગર એસઓજી ટીમે સાયલાના ખીટલા ગામથી 12 વીઘાના ખેતરમાં કપાસની આડમાં ઉગાડેલા 180 છોડ 559 કિલો ગાંજાે ઝડપાયો હતો. ભાસ્કરની તપાસમાં આ ખેતર આરોપીના પિતાના નામે હતું. જેમાં આ વર્ષે ઓક્ટોબરમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનાનીના સહાય માટેનું ફોર્મ પણ ભરવામાં આવ્યું હતું. આરોપીએ ચોમાસુ વાવેતરથી સાથે જ ગાંજો ઉગાડ્યો હતો. કપાસના 4 છોડ બાદ એક છોડ ગાંજાનો ઉગાડતાં 6 મહિનામાં 12 ફૂટ ઉંચા થઇ ગયા હતા. આરોપી રૂ.2.79 કરોડના મુદ્દામાલ સાથે ઝડપાયો છે. સાયલા ખીટલા ગામના રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ ભુપતભાઇ ખવડના સીમ વિસ્તારમાં આવેલા ખેતરમાં સઓજીના પીએસઆઇ એન.એ.રાયમા, આર.જે.ગોહીલ, એએસઆઇ અનિરૂધ્ધસિંહ સહિત એસઓજી પોલીસ ટીમે રેડ કરી હતી. પકડાયેલા શખ્સ રાજેશભાઇ ખવડની પુછપરછ કરતા આ વાડી તેમના વડીલો પાર્જીત છેે ગત વર્ષ તે જૂનાગઢ શિવરાત્રીના મેળામા સાધુ પાસેથી ગાંજાના બી લીધાની કબુલાત કરી હતી.અને ચોમાસાની સીઝનમાં વાવેતર કર્યુ હતુ અને ગાંજો પાક્યા પછી તેનો ઉપયોગ તે પીવા અને બીજાને વેચાણ કરવા કબુલાત કરી હતી. આરોપીને 10 વર્ષની સજા, રૂ. 2 લાખનો દંડગાંજોનું વેચાણ કે ખેતીને લગતા ગુનામાં આરોપી પકડાય તો આ ગુનો બીનજામીન પાત્ર ગુનો છે.જેમાં એડીપીસી એક્ટની કલમ 8(બી)(સી), 20(એ) (બી), 29 મુજબ ગુનો નોંધવામાં આવે છે.જેમાં આરોપી સામે ગુનો સાબીત થાય તો 10 થી 20વર્ષ સુધીની સજા અને 1 થી 2 લાખનો દંડની સજાની જોગવાહી છે. > હીરેન મહેતા (એડવોકેટ સુરેન્દ્રનગર) 180 છોડ મૂળમાંથી ઉખેડતાં 12 કલાક લાગ્યાએક એક છોડને ઉખેડી સીલ કરાયો એક ડઝન જીઆરડી જવાનની મદદ લેવાઇ નર્કેટીકસનો જયારે કેસ દાખલ કરવામાં આવે છે ત્યારે ખાસ કરીને કાગળ વર્કની સાથે પંચનામુ કરવામાં ખુબ સમય જાય છે. સાયલામાં ગાંજા વાવેતર પકડાયુ છે. ત્યારે ગાંજાના છોડ ઉખેડવા માટે એક ડઝન જીઆરડી જવાનોની મદદ લેવામાં આવી જે ગ્રામ્ય વિસ્તારના હોય અને ખેતીકામથી માહિતગાર હોય એસઓજી ટીમે સતત 12 કલાક સમયમાં એક એક છોડને જાતે ઉખેડી અને સીલ કર્યો હતો. અમુક ગાંજાના છોડમાં મધ બેસી ગયું હતું.આથી મધ ઉડેતો ધુમાડો કરી મધમાખીઓ ઉડાડીને છોડ કબ્જે લેવામાં આવ્યા હતા. છોડથી એક ટ્રેક્ટર ભરાયું, કોથળા ટુંકા પડ્યાઆ કાર્યવાહી દરમિયાન ગાંજાના લીલા છોડની સંખ્યા વધારે હતી આથી એક ટ્રેકટર ભરી મુદામાલ કબજે કર્યો હતો.જેમાં ગાંજો કબ્જે લેવા કોથળા ટુંકા પડ્યા હતા.12 ફૂટની લાંબા ગાંજાના છોડ કબ્જે લેવા, સિલીંગ પેકિંગ કરવા પ્લાસ્ટિકના 15*20ના કંતાનનો ઉપયોગ થયો હતો. જે પણ નાના પડ્યા હતા. આરોપી ગાંજો વેચતો પણ હતો. ઝાલાવાડમાં 12 મહિનામાં 9 વખત ગાંજો પકડાયો, 2 કેસમાં 1 100 કિલો ગાંજો જપ્ત
વાવણી:ભરૂચ જિલ્લામાં 14 દિવસમાં 50હજાર હેક્ટરમાં રવી પાકનું વાવેતર
ભરૂચ જિલ્લામાં માવઠાથી નુકસાનીનો સામનો કરી રહેલાં ખેડૂતો ફરીથી વાવણી કાર્યમાં જોતરાયાં છે. જિલ્લામાં 14 દિવસમાં 50 હજાર હેકટર જમીનમાં રવિ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લામાં બે અઠવાડિયાથી શિયાળુ પાકનું વાવેતર કરવાનું આરંભ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 50 હજાર હેક્ટર વિસ્તારમાં રવિ પાકનું વાવેતર કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે માવઠાને કારણે ખેડૂતોને તૈયાર પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું હતું. ત્યારબાદ સરકારે રાહત પેકેજ જાહેર કરતાં સહાય માટે ફોર્મ ભરી રહ્યા છે. સાથે સાથે ખેડૂતોએ રવિ સીઝન માટે ખેતરમાં વાવેતરની પ્રક્રિયા પણ હાથ ધરી છે. અત્યાર સુધી અંદાજે 14 દિવસમાં 50 હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર કરી દેવામાં આવ્યું છે. જેમાં શેરડી, ઘઉં, જુવાર, કઠોળ, શાકભાજી અને ઘાસચારો કરવામાં આવ્યો છે. રવિ સિઝનમાં સૌથી વધુ શેરડી અને ઘઉંનું વાવેતર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ઘઉં 5997 હેક્ટર અને શેરડીનું નવું વાવેતર 11470 હેક્ટરમાં કરવામાં આવ્યું છે. આમ જિલ્લામાં સૌથી વધુ વાગરા તાલુકામાં 9551 હેક્ટર વિસ્તારમાં જ્યારે સૌથી ઓછું નેત્રંગ તાલુકામાં 2565 હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે. ઉલેખનીય છે કે, ખેડૂતો રવિ સીઝનમાં વાવેતર કરીને ખરીફ સીઝનમાં માવઠાને કારણે થયેલ નુકસાન ને પહોંચી વળવાનો પ્રયાસ કરશે.
વીજચોરી ઝડપાઈ:ઉમલ્લાથી રાજપીપળા સુધીના ગામોમાંદરોડા, 80 ગ્રાહકોને ~ 52 લાખનો દંડ
ભરૂચ નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો અને રાજપીપળા શહેરમાં વીજ ચોરી કરતા ગ્રાહકો ને ઝડપી પાડવા ડીજીવીસીએલ ના એક્ઝિક્યુટિવ ઇજનેર બી.બી.પટેલે એક એક્શન પ્લાન બનાવી વડોદરા અને સુરત વીજ વિભાગના ઈજનેરો અને વીજ કર્મચારીઓ અને રાજપીપળાની મળી કુલ 51 ટીમો બનાવી હતી. જે વહેલી સવારે 5.30 કલાકે એક સાથે ત્રણ ઝોનમાં રેડ કરી હતી. તપાસ દરમિયાના કુલ 2427 કનેક્શન ચેક કર્યા જેમાં 80 જેટલા ઘરોમાં વીજ ચોરી ઝડપાઈ હતી. વીજ ચોરી કરતા ઝડપાયેલા ગ્રાહકો સામે દંડાત્મક પગલાં લેતા રૂપિયા 52.04 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. રાજપીપળા એક્ઝિક્યુટિવ એન્જિનિય રજણાવ્યું હતું કે અમે 51 ટીમો બનાવી એક ઝોન રાજપીપળા સબ ટાઉન સાથે ગોપાલપુરા વાવડી, જીતનગર મોટા રાયપુરા અને મ કલી મકવાણા જેવા ગામોમાં ચેકીંગ કરી વીજ ચોરી ઝડપી છે. જ્યારે રાજપીપળા 2 સબ ડિવિઝનની ટીમો સિસોદરા, કાંદરોજ, નવાપુરા નિકોલી, કુંવારપુરા અને રાણીપુરા ગામો માં ચેકીંગ કરી વીજ ચોરી ઝડપી પાડી હતી. રાજપારડી સબ ડિવિઝન ની ટીમે ઉમ્મલા, વાઘપુરા રાયસિંગ પૂરા, ઉચ્ચબ, હરીપુરા અને તેજપુર કપાટ સહિતના ગામોમાં તપાસ કરાઇ હતી. ફીડર પરનો લોસ વીજચોરી બતાવેદર મહિને ફીડરના લોસીસ થાત હોય છે - એટલે કે વીજ વિભાગ 100 યુનિટ આપે તો તેની સામે બિલ કેટલા થયા જો 100 ની સામે 80 યુનિટના બિલ થયા તો 20 ટકા ચોરી જે તે વિસ્તારમાં થતી હોવાનું સાબિત થાય છે. તેવા ફીડરને શોધવામાં આવે છે અને તેના પર આવતા કેટલા ગામ છે તે શોધીને તે વિસ્તારમાં વીજ વિભાગની ટીમ તપાસ કરીને વીજ ચોરી કરનાર તત્વોને પકડી ને દંડ કરવામાં આવે છે. તપાસ દરમિયાન વીજ 135 ની કલમ મુજબ ચોરી કરે છે તે સાબિત થઈ જાય તો મીટર તેમજ સર્વિસ વાયર જપ્ત કરવામાં આવે છે.
ભાસ્કર ફોલોઅપ:ભરૂચના વૃદ્ધના ફેફસાં અને હૃદય ફાટીજતાં વધુ પડતા રકતસ્ત્રાવથી મોત થયું
ભરૂચના દહેગામ વિસ્તારમાં આવેલી શુકુન બંગલોઝમાં પાડોશમાં રહેતી યુવતીના મંગેતરે હદયરોગની બિમારીથી પીડાતા વૃધ્ધને ઢીકાપાટુનો માર માર્યો હતો. યુવતીના નિકાહ હોવાથી જોરજોરથી સંગીત વગાડવામાં આવી રહયું હોવાથી મૃતક યુવતીને કહેવા માટે ગયાં હતાં. યુવતીએ ફોન કરીને તેના મંગેતરને બોલાવ્યો હતો. યુવતી, યુવક અને એક સગીરે ભેગા મળીને વૃધ્ધને ઢીકાપાટુનો માર માર્યો હતો. બનાવ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ગયેલાં 62 વર્ષીય વૃધ્ધ ઢળી પડતાં તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જયાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતાં. બનાવ અંગે પોલીસે યુવતીના મંગેતરની ધરપકડ કરી છે. દહેગામ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં સ્થિત શુકુન બંગ્લોઝમાં રહે. ઐયુબ ઇબ્રાહિમ ગુરુજી (ઉ.વ. 62)ને હૃદયરોગની સમસ્યા હતી. પાડોશમાં રહેતા ગજાબાબાનું ઈમરાનભાઈ મન્સુરી દ્વારા સતત તેજ અવાજે સાઉન્ડ સિસ્ટમ વગાડવામાં આવતી હતી.જેથી ઐયુબભાઈએ અવાજ ધીમો રાખવા જણાવ્યું ત્યારે બંને પરિવારો વચ્ચે તકરાર સર્જાઈ,જે થોડા જ સમયમાં મારામારી સુધી પહોંચી ગઈ હતી. તકરાર વધતા ગજાબાબાનુંએ પોતાના મંગેતર મહોમદ સોબાન ઈમ્તિયાઝ શેખને ફોન દ્વારા બોલાવ્યો હતો. ઘટના સ્થળે પહોંચેલા મહોમદસોબાને ઐયુબભાઈને છાતીના ભાગે ઢીકાપાટુનો માર મારી દીધો હતો. તે બાદમાં ઐયુબભાઈ ફરિયાદ નોંધાવવા તાલુકા પોલીસ મથક પહોંચ્યા હતાં ત્યાં જ તેઓ અચાનક ઢળી પડ્યા.જેથી તેમને સારવાર માટે ખસેડાયા છતાં તેઓને બચાવી શકાયા ન હતા. વૃધ્ધનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું જેમાં ઢીકાપાટુના મારના કારણે તેમના હદય અને ફેફસા ફાટી જતાં રકતસ્ત્રાવના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું હતું. ભરૂચ તાલુકા પોલીસે હત્યાનો ગુનો દાખલો કરી મુખ્ય આરોપી મહોમદ સોબાન ઇમ્તિયાઝને ઝડપી પાડયો હતો. 23 દિ' બાદ નિકાહનો ઉજવણીમય માહોલ બનવાનો હતો, ત્યાં હવે બંને પરિવારો પોલીસ મથકના ચક્કર લગાવી રહ્યા છે. સગીર અને યુવતી સામે પણ ગુનો દાખલ કરાશે તાલુકા પોલીસ મથકના પીઆઈ ધર્મેન્દ્રસિંહ ઝાલાએ મુખ્ય આરોપી મહોમદ સોબાન ઈમ્તિયાઝ શેખને ઝડપી પાડી હત્યા નો ગુનો નોંધ્યો છે.ભરૂચ એસટીએસ સી સેલના ડીવાયએસપી ડો.અનીલ સીસારાએ જણાવ્યું કે,મુખ્ય આરોપી સામે કાર્યવાહી શરૂ કરી છે, તેમજ ગજાબાબાનુ સહિત અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર સામે પણ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવશે. ભાસ્કર ન્યૂઝ | ભરૂચ
કાર્યવાહી:ખંગેલાથી પશુદાણની આડમાં પોરબંદર લઇ જવાતી દારૂની 557 પેટી સાથે ટ્રક ચાલક ઝબ્બે
ખંગેલા ચેકપોસ્ટ પરથી પશુ દાણની આડમાં પોરબંદર લઇ જવાતો વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રક ચાલકને કતવારા પોલીસે પકડી પાડ્યો હતો. 78,32,400 રૂા.નો દારૂ, પશુ દાણ, મોબાઇલ, ટ્રક મળી કુલ 93,56,650 રૂા.નો મુદ્દામાલ જપ્ત કરી પોરબંદરના બે સામે કતવારા પોલીસે ગુનો દાખલ કર્યો હતો . દાહોદ જિલ્લાના કતવારા પોલીસ ખંગેલા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન સાંજના 7 વાગ્યાના અરસામાં એક બંધ બોડીનો ટાટા કંપનીનો ટ્રક જેનો નંબર જીજે-25-એસયુ-6999 એમ.પી.ના ઝાબુઆ થઇ પિટોર તરફથી ગુજરાત તરફ આવે છે તેવી બાતમીના.પો.અધિ. જે.પી.ભંડારીએ આપી હતી. જે બાતમીના આધારે બાતમીવાળી ગાડીની વોચમાં હતા. તે દરમિયાન ટ્રક આવતાં ઉભી રખાવી ડ્રાઇવરને શું ભરેલ છે પુછતાં ટ્રકના ડ્રાઇવરે પશુ આહાર ભરેલાનું જણાવ્યું હતું. પરંતુ જવાબ આપવામાં ગલ્લા તલ્લા કરતો હોય ડ્રાઇવરને ટ્રકમાંથી નીચે ઉતારી તેની પુછપરછ કરતાં પોતાનું નામ વિરાભાઇ રૈયાભાઇ કટારા (રબારી) રહે. પોરંબદર જિલ્લાના કાટવાણાનો જણાવ્યું હતું. ટ્રકમાં તપાસ કરતાં પશુ આહાર દાણાના કટ્ટા સાઇડમાં રાખી તેની આડમાં નીચે સંતાડીને લઇ જવાતો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ટ્રક અને ડ્રાઇવરને ટાંડા આઉટ પોસ્ટ પર લઇ જઇ ઇંગ્લિશ દારૂની કુલ 557 પેટીઓ નીચે ઉતારી હતી. 78,32,400 રૂા.ની ઇંગ્લિશ દારૂની કુલ 14496 બોટલ, પશુ આહાર દાણાના કટ્ટા 57 જેની કિમત 14,250 અને 10,000 રૂા.નો મોબાઇલ અને ગાડી મળી કુલ 93,56,650 રૂા.નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા ચાલક તથા પોરબંદરના નાગકાના જીવા બધા મોરી સામે કતવારા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ઈમાનદાર રીક્ષાચાલક:રિક્ષા ચાલકે સોનાના દાગીના ભરેલું પર્સ પરત કરી માનવતા મહેકાવી
આજના સ્વાર્થી યુગમાં પણ ઈમાનદારી અને માનવતા જીવંત છે, તેનું એક ઉત્તમ ઉદાહરણ ગોધરા શહેરમાં જોવા મળ્યું છે. એક સામાન્ય રીક્ષા ચાલક ફિરદૌસભાઈ શકલાએ તેમના વ્યવસાય પ્રત્યેની નિષ્ઠા અને ઉમદા ચારિત્રનો પરિચય કરાવ્યો છે. કોઈ પણ પ્રકારનો લોભ રાખ્યા વિના તેમણે તુરંત જ મહિલાના ઘરની શોધખોળ શરૂ કરી દીધી હતી. મહિલાને તેમનો કિંમતી સામાન પરત કર્યો હતો. ગોધરાના મોદીની વાડી નં.1 પાસે રહેતા ધ્રુવીકાબેન હર્ષલભાઈ પટેલ સ્વામિનારાયણ મંદિર પાસે આવેલી સહજાનંદ સોસાયટી જવા માટે ફિરદૌસભાઈની રીક્ષામાં બેઠા હતા. ઉતરતી વખતે ધ્રુવીકાબેન ઉતાવળમાં પોતાનું કિંમતી પર્સ રીક્ષાની સીટ પર જ ભૂલી ગયા હતા. આ પર્સમાં સોનાના દાગીના અને રોકડ રકમ હતી. મુસાફરને ઉતારીને ફિરદૌસભાઈ આગળ વધી ગયા હતા. થોડા સમય બાદ જ્યારે તેમની નજર રીક્ષામાં પડેલા પર્સ પર પડી, ત્યારે તેમણે તરત જ રીક્ષા ઊભી રાખી. પર્સ ખોલીને તપાસ કરતાં તેમાં સોનાના દાગીના અને રોકડ જોઈને ફિરદૌસભાઈની ઈમાનદારી જાગી ઉઠી. કોઈ પ્રકારનો લોભ રાખ્યા વિના તેમણે તુરંત જ મહિલાના ઘરની શોધખોળ શરૂ કરી દીધી હતી. ફિરદૌસભાઈએ ધ્રુવીકાબેનનું ઘર શોધીને તેમનો સંપર્ક કર્યો અને તેમનો કિંમતી સામાન સહી-સલામત પરત કર્યો હતો. એક સામાન્ય રીક્ષા ચાલક ફિરદૌસભાઈએ ઈમાનદારી અને માનવતા જીવંત છે, તેનું એક ઉત્તમ ઉદાહરણપૂરું પડ્યું હતું. કિંમતી સામાન સન્માન સાથે પરત અમારાબેન ધ્રુવીકાબેન મોદીની વાડી નં.1 થી સહજાનંદ સોસાયટી ખાતે જવા માટે ફિરદૌસભાઈના રિક્ષામાં બેઠા હતા. બેન તેમનું પર્સ ભૂલી ગયા હતા. બાદમાં ફિરદૌસભાઈએ શોધખોળ કરીને અમારો સંપર્ક કર્યો હતો. તેમાં અમોને સહી સલામત સોનાના દાગીના તેમજ રોકડ રકમ પરત કરેલ હતી. અમારા શું પરિવારે ફિરદૌસભાઈનું સન્માન કરીને ઇનામ આપ્યું હતું. - વિરેન પટેલ, ગોધરા
ભાસ્કર ફોલોઅપ:છોકરીના અવાજમાં પ્રેમાલાપ કરી બોલાવી લૂંટ કરનારી ટોળકીના 3 ઈસમોની ધરપકડ કરાઇ
સુખસર તાલુકાના પીપલારા ગામના 21 વર્ષીય યુવાનને અજાણી યુવતીનો અવાજ બનાવી ફોન દ્વારા પ્રેમભરી વાતો કરીને વાંસિયાકુઈ ગામની વેળા પાસે બોલાવી લૂંટ ચલાવનાર ટોળકીનો સુખસર પોલીસ દળે પર્દાફાશ કર્યો છે. ચાર ઈસમોની ટોળકી દ્વારા યુવાન અને તેના બે મિત્રોને બાનમાં લઈ ચાંદીના કડા, મોબાઈલ ફોન, દસ્તાવેજો તથા રોકડ મળી કુલ રૂા.1,00,300ની લૂંટ ચલાવવામાં આવી હતી. ફરિયાદ બાદ પોલીસની ઝુંબેશ દરમ્યાન ચાર પૈકી ત્રણ આરોપીઓને ગણતરીના સમયમાં ઝડપી લેવામાં આવ્યા છે જ્યારે એક આરોપી ફરાર છે અને તેની શોધખોળ હાથ ધરાઈ છે. મળતી માહિતી મુજબ પીપલારા ગામના 21 વર્ષીય ઘનશ્યામ દિનેશભાઈ ગરાસીયાના મોબાઈલ યુવતીના અવાજમાં તેને વાંસિયાકુઈ વેળા પાસે મળવા બોલાવવામાં આવ્યો હતો. જેના અનુસંધાને ઘનશ્યામ પોતાના મિત્રો ડેવિલકુમાર પારંગી અને સતિષ પારગી સાથે રાત્રે સાડા 8 વાગ્યે ત્યાં પહોંચ્યો હતો. તે સમયે 4 અજાણ્યા ઈસમોએ ત્રણેને બાનમાં લઈ ઘનશ્યામના હાથમાંથી ચાંદીના બે કડા, પર્સ, ઓળખ દસ્તાવેજો, ચાર એટીએમ કાર્ડ, મોબાઈલ અને રોકડ મળી લૂંટ ચલાવી હતી. આ મામલે યુવકે સુખસર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનાની તપાસને વેગ આપી વોઇસ ચેન્જરનો ઉપયોગ કરી છોકરીનો અવાજ કાઢીને યુવાનોને ફસાવતી ટોળકી સુધી પહોંચ્યું હતું. પોલીસે વાસિયાકુઇના સંજય પુનાભાઈ ડામોર, રાજેશ બાબુભાઈ ડામોર અને ટાઢીગોળીના નરેશ હરસિંહ મછારને ઝડપી પાડ્યા હતા. જ્યારે ટાઢીગોળી પ્રકાશ હડવાભાઈ ગરાસીયા ફરાર છે. પૂછપરછ દરમ્યાન અગાઉની લૂંટ અને ચોરીમાં મેળવેલા મોબાઈલ પણ આરોપીઓ પાસેથી મળી આવ્યા હતા. પોલીસે ત્રણેયને ફતેપુરા કોર્ટમાં રજુ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને રિમાન્ડ દરમ્યાન વધુ ગુનાઓ ખુલવાની શક્યતા છે.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:દાહોદના પરેલમાં સ્થળાંતરિત 3 હજારમતદારોના સરનામા શોધ્યા જડતા નથી !
ઇરફાન મલેક દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં સી સાઇડ, ધોબીઘાટ અને મહુડા ચાલ સહિતના વિસ્તારોમાં તબક્કાવાર600થી વધુ રેલવે ક્વાર્ટર તોડીનાખવામાં આવ્યા છે. આ ક્વાર્ટરોમાંરહેતા રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારોને મજબૂરીવશ શહેરના અન્ય વિસ્તારોમાં વસવાટ માટે જવું પડ્યું હતું. આખા પરેલ વિસ્તારમાં આશરે 7000 જેટલા મતદારો છે. તેમાંથી અંદાજે3000 મતદારો એવા છે જેમનાસરનામાં હાલમાં શોધ્યા જડતા નથી. આ સ્થિતિના કારણે પરેલ વિસ્તારમાં મતદાર યાદી સુધારણાની કામગીરીની પ્રગતિ હાલ સુધી માત્ર 13 ટકા જ થઈશકી છે. જે આખા તાલુકામાં સૌથીઓછી છે. રેલવે કર્મચારીઓની સતત ટ્રાન્સફરે પણ આ સમસ્યામાં મોટોવધારો કર્યો છે. જે કર્મચારીઓ ટ્રાન્સફર થઈને દાહોદ આવે છે તેઓ જાગૃતતા બતાવી પોતાનું નામ મતદાર યાદીમાંનોંધાવી દે છે પરંતુ જ્યારે તેમની બદલીઅન્ય સ્થળે થાય છે, ત્યારે તેઓ પોતાનુંનામ યાદીમાંથી કઢાવવાની તસ્દી લેતાનથી. 2002ની મતદાર યાદીમાં જેમતદારો પરેલમાં હતા તેમાંથી મહત્તમનામો 2025ની યાદીમાં જોવા મળતાનથી. તેની સામે 2002ની યાદીમાંનામાત્ર 20 ટકા નામો જ 2025ની યાદીમાંબચ્યા છે. આ જ રીતે 2025ની યાદીમાંજે નામો છે તે 2002ની યાદીમાં જોવામળી રહ્યા નથી. વર્તમાન પરીસ્થિતિજોતા પરેલ વિસ્તારોની મતદારયાદીમાંથી 3 હજાર જેટલાં નામો નીકળીજવાનો અંદાજ છે. તયારે આ ગાયબથયેલા મતદારો માટે તંત્ર શુ કાર્યવાહી કરેછે તેની પર સૌની નજર મંડાઇ રહી છે. અમે 4-5 લોકો મદદકરીએ છીએ પરેલમાં ટ્રાન્સફર અને રેલવે ક્વાર્ટર તોડીનાખતાં મતદારો માઇગ્રેટ કરી ગયાહોવાથી તેમના સરનામા નથી મળી રહ્યા.આખા પરેલમાં દસ બુથના બીએલઓખુબ જ મહેનત કરી રહ્યા છે. હું અનેઅન્ય પાંચેક લોકો મતદારો શોધવા માટેતેમની મદદમાં જોતરાયા છે. -જીતેન્દ્રસિંહ હાડા, સ્થાનિક યુવક ક્યાંક તૂટેલા મકાનોતો ક્યાંક બીજુ રહે છેબીએલઓના પ્રયાસોને સફળતા મળી રહીનથી. જ્યાં ક્વાર્ટર તોડી પડાયા છે ત્યાં ઘરજ નથી અને જ્યાં ક્વાર્ટર છે ત્યાં ટ્રાન્સફરબીજું જ કોઈ રહેતું હોવાનું સામે આવે છે.ટ્રાન્સફર થઈ ગયેલા અને પરેલમાંથીસ્થળાંતર થયેલા આ મતદારોના સરનામાંશોધવા એ તંત્ર માટે પડકાર બની ગયો છે.
ભાસ્કર ઈનસાઈડ:અમદાવાદની મહિલા બૂટલેગર માટે દારૂ લઇ જતો કાર ચાલક ઝડપાયો
ફતેપુરા પોલીસે માહિતી મળી હતી કે રાજસ્થાની દારૂ ભરીને કાર આવી રહી છે. જેના આધારે પીપલારા ગામની નદીના બ્રીજ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન રાત્રીના કાર આવતાં તેને ઉભી રખાવી હતી. ગાડીના ચાલકની પુછપરછ કરતાં તેને પોતાનું નામ મહેશકુમાર રામકિશોર ભાવસાર રહે. અમદાવાદના જણાવ્યું હતું. જ્યારે ગાડીમાં માંથી ઇંગ્લિશ દારૂની પેટીઓ મળી આવી હતી. 3,59,040 રૂપિયાની દારૂની કુલ 1056 બોટલ, 10,000નો મોબાઇલ અને પાંચ લાખની ગાડી મળી કુલ 8,69,040 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ફતેપુરા પોલીસે મહિલા બુટલેગર સહિત ત્રણ સામે ગુનો નોંધ્યો હતો. રાજસ્થાનના આનંદપુરીથી દારૂ ભર્યો હતો અમદાવાદમાં રહેતી મહિલા બુટલેગર જીલ કુવરબા રાજેન્દ્રસીંગ સોલંકીએ છુટકમા વેચાણ માટે મંગાવેલો દારૂનો જથ્થો રાજસ્થાનના આનંદપુરીથી ભરી લઇ જતો હતો. રાજસ્થાનથી ગુજરાત તરફ આવતા રૂટ પર કેટલાક સમયથી વધતી હિલચાલને કારણે પોલીસે ખાસ નજર રાખી હતી.
ભાસ્કર એક્સક્લુઝિવ:તણાવ વગર, વેકેશનમાં મતદારોનું વેરિફિકેશનકરી 4 બીએલઓએ 100 % કામગીરી પૂર્ણ કરી
પ્રતિક સોની ગોધરા વિધાન ભામાં અત્યાર સુધી 71 ટકા એસઆઇ આરની કામગીરી પુર્ણ થઇ છે. ત્યારે મત વિસ્તારના 4 બીએલઓ તણાવમાં આવ્યા વગર પ્લાનીંગથી કામ કરતા એસઆઇ આરની 100 ટકા કામગીરી પૂર્ણ કરી દીધી છે. જયારે 12 થી વધુ બીએલઓએ 90 કટા જેટલી એસઆઇ આરની કામગીરી કરી દીધી છે. રાજયમાં એસઆઇ આરની કામગીરી દરમ્યાન અમુક બીએલઓ માનસીક તાણમાં આવીને અઘટીત પંગલુ ભરે છે.એસ ઇઆરની કામગીરી કરવામાં કેટલાક બીએલઓ દબાણથી કામ કરતા હોય છે. ત્યારે ગોધરા વિધાનસભા વિસ્તારના એવા પણ બીએલઓ છે. જેઓ કોઇ પણ તાણ વગર પ્લાનીંગથી કામ કરતા તેઓને સોપેલી એસઆઇ આરની કામગીરી 15 દીવસમાં 100 ટકા પુર્ણ કરી દીધી છે. ગોધર વિધાનસભા મત વિસ્તારમાં 2,91,014 મતદારોની એસઆઇ આરની કામગીરી કરવા 294 બીએલઓ સાથે સહાયક મુકવામાં આવ્યા છે. ગોધરા મત વિસ્તારની 71 ટકા કામગીરી પુર્ણ થઇ ગઇ છે. એસઆઇઆર કામગીરીમાં નો મેપીંગ થયેલ 45,798 મતદારો છે. વિધાન સભાના 4 બીએલઓએ તણાવ વગર પ્લાનીંગ કરીને એસઆઇ આરની કામગીરી કરીને 100 ટકા કામગીરી પૂર્ણ કરી દીધી છે. તેમજ તાજેતરમાં સોસિયલ મીડીયા આપઘાત કરવાની ચીમકી આપનાર બીએલઓની એસઆઇ આરની 53.48 ટકા જ કામગીરી થઇ છે. જયારે 12 જેટલા બીએલઓએ 90 ટકા જેટલી એસઆઇ આરની કામગીરી પુર્ણ કરી દીધી છે. રાજ્યભરમાં હાલમાં એસઆઇઆર હેઠળ જોરશોરથી કામગીરી ચાલી રહી છે. 15 દિવસ સુધી 18 કલાક કામ કર્યુંહું સ્થાનિક બીએલઓ હોવાથી મોટા ભાગના મતદારોને ઓળતો હોવાથી કામગીરી ઝડપી થઇ હતી.ગામમાં વર્ષ 2002 મતદાર યાદીમાં નામ છે કે નહિ તેની તપાસ કરતા હતા. ઓનલાઇન સર્ચ કરીને મતદારોના નામ શોધીને ફોર્મ ભરીને અપલોડ કર્યા છે. મેં 15 દિવસ સુધી 18-18 કલાક કામ કરીને 100 ટકા કામગીરી પૂર્ણ કરી છે: રાજેન્દ્રકુમાર પટેલ બીએલઓ, સાંપા-6 ઓનલાઇનમતદારોના નામશોધ્યાઅંબાલા-1 મત વિસ્તારનાઆગેવાનોને સાથે રાખીનેકામગીરી કરતા ઝડપ થઇહતી.વર્ષ 2002ની મતદારયાદીમાં નામ ન મળતાઓનલાઇન શોધવામાં તકલીફપડતી હતી.ગામના 40મતદારોના માતાપિતા ,દાદાદાદી વર્ષ 2002 પહેલા મૃતપામેલા હોવાથી યાદીમાં નામ નહોવાથી ફોર્મમાં ત્રીજા ઓપ્શનમુજબ ફોર્મ ભરીનેએસઆઇઆરની 100 ટકાકામગીરી કરી દીધી છે: વસંતભાઇપટેલ, બીએલઓ, અંબાલી-1 રાત્રે સોસા.ઓ જઇ ફોર્મ ભરતી હતીમારી પાસે મીનાક્ષી, એસઆરપી સહીતના વિસ્તાર હતા. દિવસે હું એસઆરપીમાં જતી અને રાત્રે સોસાયટી વિસ્તારમાં જઇને ફોર્મ ભરતી હતી. એસઆરપીમાં કેટલાક મતદારોની બદલીઓ થતી હોવાથી 2002 ની યાદીમાં નામ મળતા ન હતા. અમે તેઓને છેલ્લ કયાં નોકરી કરતા હતા તે જાણીને વોટર આઇડીમાંસર્ચ કરીને તેઓના નામ શોધીને ફોર્મ ભરતા હતા. લોકોના સહકારથી 100 ટકા કામગીરી પૂર્ણ કરી છે: અપેક્ષાબેન શાહ, બીએલઓ, ગોધરા-18 સહાયક વગર 100 ટકા કામગીરી કરીમારા પાસેના 884 મતદારોની એસઆઇઆરની કામગીરી સોંપી હતી. પણ મેં દિવાળીના વેકેશનમાં મતદારોનું 100 ટકા વેરીફીકેશન કરી દેતા ફોર્મ ભરવામાં સરળતા રહી હતી.અમુક મતદારો બહાર ગયા હોવાથી કોઇ માહીતી ના મળતા તેઓને નો મેપીંગમાં મુકી દીધા છે.મે સહાયક લીધા વગર એસઆઇઆરની 100 ટકા કામગીરી પૂર્ણ કરી છે: ચિતલ પટેલ, બીએલઓ,અંબાલી-2
રક્તદાન શિબિર:209 શહેરોમાં 29 નવેમ્બરે રક્તદાન શિબિર યોજાશે
દૈનિક ભાસ્કર સમૂહના ચેરમેન સ્વ. રમેશચંદ્ર અગ્રવાલના 81મા જન્મદિવસને ‘પ્રેરણા ઉત્સવ’ તરીકે ઉજવવા જઇ રહ્યાં છે. રમેશજીનાં જનસેવાના વિચારોને આગળ ધપાવતા ભાસ્કર પરિવાર 29 નવેમ્બર શનિવારના રોજ દેશનાં 209 શહેરોમાં રક્તદાન શિબિર આયોજિત કરી રહ્યું છે. આ શિબિરોમાં એકત્રિત લોહી સ્થાનિક સરકારી બ્લડ બેન્કોને આપવામાં આવશે જેથી જરૂરિયાતવાળા લોકોની મદદ થઈ શકે.એક અનુમાન મુજબ એક યુનિટ લોહી 3 લોકોનું જીવન બચાવી શકે છે. એના આ જ અભિયાનની સૌથી મોટી તાકાત છે. ગોધરામાં રેડક્રોસ સોસાયટી, ગોધરા ખાતે સવારે 9થી બપોરના 3.00 અને દાહોદમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, એલ. આઈ.સી. ની પાછળ, જળ ભવન સામે, પોલીસ લાઇન રોડ, દાહોદ ખાતે આયોજીત કરવામાં આવ્યો છે. આ બ્લડ ડોનેશન કેમ્પ વિશે કોઈ પણ માહિતી મેળવવા માટે ગોધરા- 9427659656 અને દાહોદમાં 9099203204 પર સંપર્ક કરવો. રક્તદાનથી લાભ- માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ વ્યક્તિ, જેમનું વજન 45 કિલોથી વધુ અને ઉંમર 18થી 65 વર્ષની વચ્ચે છે તે રક્તદાન કરી શકે છે.
ઓરીનો વાવર પ્રસર્યો:બનાસકાંઠામાં ઓરીના 50 કેસ, માતાજી પધાર્યા હોવાનું માની હોસ્પિટલ જતા નથી
બનાસકાંઠા જિલ્લામાં છુટા છવાયા વિસ્તારોમાં ઓરીનો વાવર પ્રસર્યો છે. જેની ધાનેરા તાલુકામાં સૌથી વધુ અસર વર્તાઈ રહી છે. અત્યાર સુધીમાં 50થી વધુ કેસો સામે આવ્યા છે. જોકે, ગ્રામીણ વિસ્તારમાં મોટાભાગે લોકો ઓરીને માતાજી પધાર્યા હોવાનું માની હોસ્પિટલમાં સારવાર લેતા નથી. નવ દિવસે નમાડી દેતા હોવાનું પણ સામે આવી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં ઓરીનો વાવર પ્રસરી રહ્યો છે. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર ભારમલ પટેલે જણાવ્યું હતું કે, છુટાછવાયાં વિસ્તારમાં ઓરીના કેસો જોવા મળી રહ્યા છે. આ સપ્તાહમાં 2 કેસો સામે આવ્યા છે. જોકે જુદા જુદા ગામોના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે આ કેસોની સંખ્યા 50થી વધારે છે. પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં ઓરીને માતાજી પધાર્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ અંગે ધાનેરાના કરસનભાઈ સાધુએ જણાવ્યું હતું કે,પરિવારમાં બે બાળકોને ઓરી છે. જોકે, અમારા સમાજમાં માન્યતા છે કે, માતાજી પધાર્યા હોઇ બાળકને 9 દિવસ ઘરમાં રાખે છે. આભડછેટ ન પડે તેની ખાસ કાળજી રાખે છે. 9 દિવસે માતાજીની થાળી કરી બાળકને નમાડે છે. સાદિકભાઈ કુરેશીએ જણાવ્યું કે, મારા પુત્રને ઓરીનો ચેપ છે. હોસ્પિટલની દવા લીધી નથી. નવ દિવસ પછી મહોલ્લાના બાળકોને દૂધ અને ચાવલનો પ્રસાદ આપીશુ. એ બાળકો હાથ ધોઇ પાણીના છાંટા બાળક ઉપર છાંટશે. 9 દિવસ દરમિયાન તેના શરીર ઉપર સોનું બાંધી રાખીશુ, સ્નાન નહીં કરાવીએ. આ વિધી મોટાભાગના ચેપગ્રસ્ત બાળકોના માતા- પિતા કરી રહ્યા છે. 0થી 5 વર્ષના દરેક બાળકને વિટામિન Aના બે ડોઝ ફરજિયાત આપવાં જોઈએ ઓરી ખાસ કરીને નાનાં બાળકોમાં ઝડપથી અસર કરે છે. 0 થી 5 વર્ષના દરેક બાળકને વિટામિન Aના બે ડોઝ ફરજિયાત આપવાં જોઈએ. લક્ષણો દેખાતાં જ તાત્કાલિક તબીબનો સંપર્ક કરવો જરૂરી છે. ઓરીમાં શરીર ઉપર નાના ચમકા, તાવ, આશક્તિ, ઝાડાના લક્ષણો જોવા મળે છે. અંધશ્રદ્ધામાં ન રાચતા દર્દીને તુરંત જ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવું જોઈએ ત્યાં તદ્દન વિના મૂલ્યે સારવાર થાય છે. ડો.અજય ચૌધરી,બાળરોગ નિષ્ણાંત
છેતરપિંડી:પાલનપુરમાં બેંક મેનેજર બની ઠગે મહિલા પોસ્ટલ અસિસ્ટન્ટના ખાતામાંથી રૂ.99,947 ઉપાડી લીધા
પાલનપુરમાં ઠગે બેંક ઓફ ઇન્ડિયાનો બ્રાન્ચ મેનેજર બની મહિલા પોસ્ટલ અસિસ્ટન્ટને કૉલ કરીને નેટ બેન્કિંગ બંધ હોવાનું કહીં વિશ્વાસમાં લીધાં હતાં.અને નેટ બેન્કિંગ બંધ હોવાનું કહીં વોટ્સએપ લીંક મોકલી હતી જેના પર ક્લિક કરતા જ ખાતામાંથી રૂ.99,947 ઉપડી ગયા હતા. પાલનપુર પોસ્ટ ઓફિસમાં પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતી મહિલાને 21 જૂન 2025ના રોજ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો.કોલ કરનાર વ્યક્તિએ પોતે બેંક ઓફ ઇન્ડિયાની ડીસા હાઇવે શાખાનો મેનેજર હોવાનું કહીને મહિલાને વિશ્વાસમાં લીધા હતા. જે બાદ તમારું નેટ બેન્કિંગ બંધ છે, તેથી તમારો ચેક કલીયર થયો નથી. તેમ જણાવી ઠગે વોટ્સએપ પરથી અજાણી લીંક મોકલી હતી. મહિલાએ જેવું લીંક પર ક્લિક થતાં જ તેમનું બેંક ખાતું હેક કરી તેમાંમાંથી રૂ.99,947 ઉપાડી લેવાયા હતા. મહિલાને તરત જ ફ્રોડ થયું હોવાની જાણ થતાં તેણે 1930 હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી હતી.જેના બે બાદ દિવસ બાદ રૂ.117 હોલ્ડ થયાનો મેસેજ આવતા મહિલાએ સોમવારે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પૂર્વ સાયબર ક્રાઇમ અધિકારી નિલેશ પટેલે જણાવ્યું હતું કે, બેંક મેનેજર તરીકે ઓળખ આપી એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લેવાય છે. આ પ્રકારની ઠગાઈ હાલમાં સૌથી ઝડપથી વધતી ગુનાહિત પદ્ધતિઓમાંની એક છે. ઠગ ફોન દ્વારા પોતાને બેંક મેનેજર તરીકે રજૂ કરે છે, નેટ બેન્કિંગ બંધ થઈ જશે, જે બાદ વોટ્સએપ/એસએમએસ દ્વારા લીંક મોકલીને ગ્રાહકના લોગીન ડિટેઈલ હસ્તગત કરે છે. બેંક ક્યારેય પણ લિંક મોકલી ક્લિક કરવા કે PIN આપવાનું કહેતી નથી નિવૃત બેંક મેનેજર વિશાલભાઈ રાવલે જણાવ્યું કે, બેંક ક્યારેય WhatsApp કે SMS દ્વારા કોઈ લિંક પર ક્લિક કરવા કે PIN અથવા OTP આપવા કહેતી નથી.આવી માંગ કરે તો 100 ટકા ફ્રોડ કોલ માનવો. અને 1930 હેલ્પલાઈન પર તરત ફરિયાદ કરી. સાયબર સેલમાં ફરિયાદ કરવી જેથી રકમ ફ્રીઝ થવાની શક્યતા વધુ રહે છે
ભાસ્કર ઈનસાઈડ:પાલનપુરમાં દૂધ લઈ જતી મહિલા સહિત 3ને કારચાલકે અડફેટે લેતાં મહિલાનું મોત
પાલનપુરમાં હનુમાન ટેકરી વિસ્તાર પર મંગળવારે સવારે ફરી એકવાર ગંભીર અકસ્માત સર્જાયો હતો. મંગળવાર સવારના લગભગ સાડા આઠ વાગ્યે સરસ્વતી સ્કૂલ સામેના સર્વિસ રોડ પર દૂધ લેવા ગયેલી 56 વર્ષીય ભારતીબેન ઠક્કરને ટોયોટો કરોલા કારના ચાલકે ટક્કર મારતા ઘટના સ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં અન્ય બે પુરુષોને પણ શરીર પર ગંભીર ઈજાઓ થતા પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પાલનપુરના હનુમાન ટેકરી નજીક ગાયત્રી નગર વિસ્તારમાં રહેતા ભારતીબેન ચંદુભાઈ ઠક્કર રોજની જેમ નજીકના ‘પવાયા મિલ્ક સેન્ટર’ પર દૂધ લેવા માટે ઘરની બહાર નીકળ્યા હતા. પરત ન ફરતા કુટુંબના તુષાર તેમને શોધવા નીકળ્યો હતો. જ્યાં હનુમાન ટેકરી નજીક લોકોની ભીડ ભેગી જોવા મળતા તેને અકસ્માતની જાણ થઈ હતી અને પરિવારજનોને જાણ કરતા પરિવારજનો પાલનપુર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ડોક્ટરોએ ભારતીબેનને મૃત જાહેર કર્યા હતા. GJ-18-AC-7581 નંબરનો કાર ચાલક એરોમા સર્કલ તરફથી પુરઝડપે આવી રહ્યો હતો. મોટા વાહનને ઓવરટેક કરતી વખતે તેણે નિયંત્રણ ગુમાવતા સર્વિસ રોડ પર ચાલતા ત્રણ રાહદારીઓને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ ઘટના સ્થળેથી કારને પશ્ચિમ પોલીસ મથકે લઈ જવાઈ હતી ઘાયલોના નામ રમેશભાઈ હીરાભાઈ રાવળ અને રાકેશભાઈ યોગી બંને રહે.પાલનપુર કારચાલક ઈશ્વરભાઈ પાટીલ (રહે. બ્રહ્માકુમારી આશ્રમ, આબુરોડ) હનુમાન ટેકરી બ્લેક સ્પોટ, 5 થી વધુના મોત થયા છેહનુમાન ટેકરી–આબુ હાઈવેનો આ સર્વિસ રોડ છેલ્લા ઘણા વર્ષોથી અકસ્માતના બનાવો વધી ગયા છે. બે મહિના પૂર્વે મોદી સમાજનો યુવક, થોડા મહિના પૂર્વે એક્ટિવા પર માતા અને પુત્રીનું નિધન, એની પહેલા પણ એક મહિલાનું એક્ટિવાથી પડી જતા અકસ્માતમાં નિધન થયું હતું. અહીં ભારે વાહનોની સતત અવરજવર અને ઝડપી ગતિથી આવતા વાહનોને કારણે ગંભીર અકસ્માતોમાં લોકો જીવ ગુમાવી રહ્યા છે. સીપીઆર આપી જીવ બચાવવાનો પ્રયાસસવારે હનુમાન ટેકરી પાસે અકસ્માત સર્જાયો હોવાનો કોલ મળતા 108ની ટીમ દોડી આવી હતી જ્યાં ઈએમટી જાયદાબેન સિપાહીએ ગંભીર ઘાયલ ભારતીબેન ઠક્કરને સીપીઆર આપીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડીને જીવ બચાવવાનો પ્રયત્ન કરાયો હતો પરંતુ ઇજાગ્રસ્ત મહિલાનું મોત નિપજ્યું હતું. બાયપાસનું કામ ઝડપી પૂરું કરો: સ્થાનીકો પાલનપુર શહેરમાં ભારે વાહનોની અવરજવર સતત વધી રહી છે. સ્થાનીકો ફરી એકવાર માંગ ઉઠાવી રહ્યા છે કે વહેલી તકે બાયપાસનું કામ પૂરું કરવામાં આવે અને જ્યાં સુધી બાયપાસનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી હાઈવે પર સ્પીડ કંટ્રોલ, સચોટ સિગ્નલ વ્યવસ્થા વધુ કડકાઈ પૂર્વક કરવામાં આવે જેથી જાનહાની અટકાવવામાં આવે.
રજિસ્ટ્રેશન:સાબરકાંઠામાં પાક સહાય મેળવવા 45 હજારથી વધુ ખેડૂતોની અરજી
કમોસમી વરસાદથી ખેતીપાકોને થયેલા નુકસાન સામે રાજ્ય સરકારે સહાય પેકેજની જાહેરાત કરી હતી. જેમાં તા. 14 નવેમ્બર 2025થી સરકારે ઓનલાઇન ફોર્મ ભરવા પોર્ટલ શરૂ કર્યુ હતું. સાબરકાંઠા જિલ્લામાં ઓનલાઇન અરજીઓ સ્વીકારવાની શરૂઆતથી લઇને આજ સુધીમાં 8 તાલુકાઓમાં 45 હજારથી વધુ ખેડૂતોએ સહાય મેળવવા અરજીઓ કરી હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું. રાજ્ય સરકારે હેક્ટરદીઠ રૂ. 22 હજારની સહાય લેખે બે હેક્ટરની મર્યાદામાં સહાય પેકેજ જાહેર કરેલ છે. આ સહાય પેકેજનો લાભ મેળવવા માંગતા ખેડૂતો માટે તા. 14 નવેમ્બર 2025થી ઓનલાઇન અરજીઓ મંગાવાઇ હતી. જિલ્લા ખેતીવાડી વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર હિંમતનગરમાં 9800, ઇડરમાં 13700, ખેડબ્રહ્મામાં 5000, પોશીનામાં 400, પ્રાંતિજમાં 4000, તલોદમાં 5200, વડાલી 5600 તથા વિજયનગરમાં 1500 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં સૌથી વધુ ઇડરમાં 13700 અને સૌથી ઓછું પોશીનામાં 400 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. સાબરકાંઠામાં સર્વે ટીમ દ્વારા જિલ્લાના 8 તાલુકાના 710 ગામમાં સર્વે કરાયો હતો. સર્વે બાદ 70,000 હેક્ટરમાં મગફળી, સોયાબીન, અડદ, શાકભાજી, મકાઇ અને કપાસને નુકસાન થયાનું બહાર આવ્યું હતું.
માગણી:સરની કામગીરીને લઇ શિક્ષકો માનસિક તણાવમાં
શૈક્ષિક મહાસંઘે એસઆઈઆરની કામગીરીમાં બુથ લેવલ ઓફિસરો પર વધતા કામનો બોજ, ટેકનિકલ અવ્યવસ્થા અને વહીવટી દબાણ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી તમામ મુદ્દાઓને આવરી લઈને આયોગને સંવેદનશીલ બની તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. અખિલ ભારતીય અધ્યક્ષ પ્રો. નારાયણલાલ ગુપ્તાએ જણાવ્યું કે બીએલઓને સતત 16–18 કલાક મેદાનમાં તથા પોર્ટલ પર કામ કરવું પડી રહ્યું છે. જ્યારે એપ અને પોર્ટલ વારંવાર ક્રેશ થવું, નેટવર્કનો અભાવ અને ટેકનિકલ સહાય ન મળવાને કારણે કામ વધુ મુશ્કેલ બન્યું છે. અનેક જિલ્લાઓમાંથી અધિકારીઓ દ્વારા ધમકીભર્યો ભાષા પ્રયોગ, નોટિસ, પગાર અટકાવવાની ચેતવણી અને અપમાનજનક વર્તનની ફરિયાદો મળી છે જેના કારણે શિક્ષકોમાં ભારે માનસિક તણાવ સર્જાયો છે. આત્મહત્યાની દુઃખદ ઘટનાઓ પણ સામે આવી છે, જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે. મહાસંઘની મહામંત્રી પ્રો. ગીતા ભટ્ટે જણાવ્યું કે બીએલઓને જરૂરી સાધનો, ટેકનિકલ તાલીમ અને સહાયક સ્ટાફ ન મળવાને કારણે તેમને પોતાના ખાનગી સાધનોના આધારે કામ પૂરું કરવું પડે છે. દૂરદષ્ટ, પર્વતીય અને રણપ્રદેશ જેવા વિસ્તારોમાં નેટવર્કની અછતને કારણે ઑનલાઇન વેરીફિકેશન અને ડેટા અપલોડ કરવું લગભગ અશક્ય બની જાય છે. 20 વર્ષ જૂના દસ્તાવેજોની માંગણીને કારણે સામાન્ય જનતામાં ગૂંચવણ અને અસહકારની સ્થિતિ ઉભી થઈ છે. શૈક્ષણિક મહાસંઘે માંગણીઓ કરી {છેલ્લી તારીખ આગળ વધારવામાં આવે, જેથી બીએલઓ વિના દબાણ ગુણવત્તાપૂર્વક કામ કરી શકે. {અકાળ મૃત્યુ પામેલા અથવા આત્મહત્યા કરનારા BLO શિક્ષકોના પરિવારોને 1 કરોડનું અનુગ્રહ સહાય તેમજ એક આધારિતને સરકારી નોકરી. {તમામ ઘટનાઓની ઉચ્ચસ્તરીય તપાસ કરીને દોષિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી. {દરેક બુથ અને બ્લોક સ્તરે ટેકનિકલ સહાયક, કમ્પ્યુટર ઓપરેટર અથવા BLO સહયોગી ઉપલબ્ધ કરાવવા {બીએલઓને 5G નેટવર્ક, ટેબ્લેટ/લેપટોપ, પ્રવાસ ભથ્થું અને અન્ય જરૂરી સાધનો પૂરા પાડવા {અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવે કે તેઓ ધમકી, દબાણ અથવા અપમાનજનક ભાષાનો ઉપયોગ ન કરે. {બીએલઓ સાથે સન્માનપૂર્ણ વર્તન સુનિશ્ચિત કરવામાં આવે
અકસ્માત:તલોદના ઉજેડીયા ચોકડી નજીક વાહનની ટક્કરે બે કિશોરનાં મોત
તલોદ તાલુકાના ઉજેડિયાથી તલોદ રોડ ઉપર લઘુશંકા કરવા બાઈક ઉભું રાખ્યા બાદ થોડીવારમાં અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં બાઈક ચાલક યુવક અને અન્ય બે કિશોરોને ગંભીર ઇજાઓ થતાં બે કિશોરનાં મોત થયા હતા.ત્રણે પિતરાઈ ભાઈ ખેરોલ ગામે રામદેવપીરના મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા. તા.22-11-25ના રોજ દેવુસિંહ દલપતસિંહ સોલંકી (21) (રહે.નવાવાસના છાપરા તા.તલોદ) તેમના કુટુંબી ભાઈ ઈન્દ્રજીતસિંહ રમેશસિંહ સોલંકી (16) અને અનિલ કુમાર ઉર્ફે અનિશકુમાર ભાથીજી સોલંકી (17) સાથે બાઈક નંબર જીજે-09-ડીએમ-9153 લઈ ખેરોલ ગામે રામદેવપીરના મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા અને ઉજેડિયા ચોકડી ખાતે ત્રણેય જણાએ નાસ્તો કરી ખેરોલ જવા ઉજેડિયાથી તલોદ રોડ ઉપર નીકળવા દરમિયાન એક ફેક્ટરી નજીક લઘુશંકા કરવા ઉભા રહ્યા હતા અને ત્રણેય જણા બાઈક આગળ ઉભા રહીને વાતચીત કરી રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે પાછળથી ટક્કર મારતા દેવુસિંહ સોલંકી રોડ ઉપર ફેંકાઈ ગયા હતા અને બેભાન થઈ જતાં તેમને સારવાર અર્થે હિંમતનગરની સિવિલમાં લઈ જવાયા હતા જ્યારે તેમની સાથેના અનિલ કુમાર ઉર્ફે અનિશ કુમારનો જમણો પગ કમરના ભાગેથી જુદો પડી જતાં મોત નિપજ્યું હતું. જ્યારે ઇન્દ્રજીતસિંહ રમેશજી સોલંકીને સિવિલમાંથી પ્લુટો હોસ્પિટલમાં લઈ જતાં તેનું પણ મોત નિપજ્યું હતું.
વિરોધ:પોલીસ પરિવારોના સૂત્રોચ્ચાર સામે કોંગ્રેસે પણ સૂત્રોચ્ચાર કર્યા દારૂ - ડ્રગ્સ બંધ કરાવો
કોંગ્રેસની જનઆક્રોશ રેલી હિંમતનગરમાં પ્રવેશી ટાવર ચોક થઇ મહાવીનગર સર્કલ પહોંચતા પોલીસ પરિવારની મહિલાઓ અને નિવૃત્ત પોલીસ કર્મીઓએ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વાહનો અટકાવ્યા હતા અને જિજ્ઞેશ મેવાણી હાય હાયનો સૂત્રોચ્ચાર કરતાં કોંગી કાર્યકર નેતાઓએ પણ દારૂ બંધ કરાવો ના નારાથી જવાબ આપ્યો હતો. કોંગ્રેસની જનઆક્રોશ રેલી અને ટાવર ખાતેના કાર્યક્રમમાં સ્થાનિક કોંગી કાર્યકરો અને અગ્રણીઓની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ખેડબ્રહ્મા ધારાસભ્ય તુષાર ચૌધરી , જિલ્લા પ્રમુખ રામભાઇ સોલંકી વગેરેનો કાફલો હિંમતનગરમાં પ્રવેશી પ્રતિમાઓને ફૂલહાર કરી મહાવીર નગર પહોંચતા પોલીસ પરિવારની મહિલાઓ અને નિવૃત્ત પોલીસ કર્મીઓએ વાહનો રોકી બેનરો સાથે જિજ્ઞેશ મેવાણી હાય હાયના નારા લગાવતા કોંગી કાર્યકરો અને અગ્રણીઓએ દારૂ, ડ્રગ્સ સહિતનો નશાનો વેપાર બંધ કરાવોનો સૂત્રોચ્ચાર કર્યો હતો. અમિતભાઇ ચાવડાએ સ્પષ્ટતા કરી હતી કે આ વ્યકિતગત નથી, દારૂ ડ્રગ્સની બદી બંધ થવી જોઇએ કે નહીં પૂછતાં મહિલાઓએ પણ બંધ થવી જોઇએ નો જવાબ આપ્યો હતો. ભાજપની મહિલાઓ પણ વિરોધ કરવા આવી હતીસા.કાં. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, પોલીસ પરિવારની બહેનો સાથે ભાજપની મહિલાઓ પણ વિરોધ કરવા આવી હતી. ગાડી ઉભી રાખી હતી. મહિલાઓ સાથે વાતચીત કરી સ્પષ્ટતા કરી હતી કે આ વ્યકિત ગત વાત નથી દારૂ ડ્રગ્સના વેચાણને બંધ કરાવવાની વાત છે. પોલીસ સામે વ્યકિતગત આપેલ નિવેદન નથી. પ્રામાણિક પોલીસ સામેની વાત નથી પરંતુ દારૂ ડ્રગ્સનું ખૂલ્લેઆમ વેચાણ થઇ રહ્યું છે તે બંધ થવું જોઇએ તે સંદર્ભે આ નિવેદન આપવામાં આવ્યું છે. દરેક પોલીસ માટે વ્યકિતગત નથી. દારૂ ડ્રગ્સ પકડાય ત્યારે રેન્જ આઇ.જી, એસ.પી. જેવા અધિકારીઓ કેમ સસ્પેન્ડ થતા નથી. ફકત કોન્સ્ટેબલ લેવલના પોલીસ જ સસ્પેન્ડ થાય છે આવું કેમ? પોલીસ ધારે તો ગુજરાતમાં દારૂ ડ્રગ્સનું વેચાણ બંધ કરાવી શકે છે. ગૃહમંત્રી બુટલેગરના વકીલો જેવી ભાષા બોલે છેહિંમતનગર પહોંચેલી ''જન આક્રોશ યાત્રા'' દરમિયાન વિરોધ કરવાબુટલેગર અને ભાજપના મળતિયાઓ આવ્યા હતા. ગુજરાતમાંબેરોટકોટ દારૂ - ડ્રગ્સનો કાળો કારોબાર થાય છે. દારૂ એક વ્યાપાર બનીગયો છે.વારંવાર કરોડોનું ડ્રગ્સ પકડાય છે. બહેન દીકરીઓ વિધવાથાય છે. યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે. થરાદમાં વડગામનાધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જે રજૂઆત કરી એ ગુજરાતનીમહિલાઓની રજૂઆત હતી. મુખ્યમંત્રી, ગૃહ મંત્રીમાં થોડી પણ શરમહોત તો કહ્યું હોત તો કહ્યું હોત કે જે પણ પોલીસ સ્ટેશનની હદમાં એકપણ ટીપું દારૂ મળ્યું તો આખા સ્ટેશનના લોકોને સસ્પેન્ડ કરી દેવાશે.પરંતુ બુટલેગરના વકીલ હોય , હપ્તાખોરોના ભાગીદાર હોય તેવુંવર્તન કરી રહ્યા છે.: > અમિત ચાવડા, પ્રદેશ પ્રમુખ,કોંગ્રેસ
જો તમે એવું વિચારતા હોવ કે 2030માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાય તો સામાન્ય અમદાવાદી તરીકે તમને શું ફાયદો? તો જવાબ એ છે કે આ માત્ર રમતનો ઉત્સવ નથી, પણ શહેરના વિકાસનો બૂસ્ટર ડોઝ છે. 2030માં સાબરમતીના કિનારે 56 દેશોના ઝંડા લહેરાશે અને 6,000થી વધુ ખેલાડીઓ ગુજરાતી મહેમાનગતિ માણશે. ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા દેશો આયોજનથી પાછા હટ્યા છે, ત્યારે અમદાવાદનું નામ જાહેર થવાની હવે માત્ર ઔપચારિકતા રહી છે. આ આયોજનથી તમને ઘરઆંગણે વર્લ્ડ ક્લાસ રસ્તા, મેટ્રો કનેક્ટિવિટી અને અંદાજે 20,000 જેટલી નવી રોજગારીની તકો મળશે. બીજા દેશો ભાગ્યા તો અમદાવાદ કેમ આગળ આવ્યું? વર્ષ 1930માં કેનેડાના હેમિલ્ટનથી શરૂ થયેલી કોમનવેલ્થ ગેમ્સને 2030માં 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયાએ 2026ની અને કેનેડાએ 2030ની યજમાની આર્થિક કારણોસર પાછી ખેંચી લીધી છે. ત્યારે ભારતે હિંમત બતાવી છે. અમદાવાદ 2036 ઓલિમ્પિકની દાવેદારી કરી રહ્યું છે, તેના માટે કોમનવેલ્થ ગેમ્સ એક પરફેક્ટ 'ટેસ્ટ રન' સાબિત થશે. આ 56 દેશોનું શક્તિ પ્રદર્શન હશે જેમાં ભારત ગ્લોબલ લીડર તરીકે ઉભરી શકે છે. કોમનવેલ્થ ગેમ્સનો ઇતિહાસઃ આ ગેમ્સને 'ફ્રેન્ડલી ગેમ્સ' પણ કહેવાય છે. સમયાંતરે તેના ચાર નામ બદલાયા છે: દેશ 56 તો ટીમ કેમ 70થી વધુ? ભલે સભ્ય દેશો 56 છે, પણ ટીમો 70થી વધુ હોય છે. કારણ કે UK એક નહીં, પણ ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધન આયરલેન્ડ અલગ-અલગ ટીમ મોકલે છે. બરમુડા અને કેમેન આઈલેન્ડ્સ જેવા નાના પ્રદેશો પણ ભાગ લે છે. તમારા ખિસ્સા પર શું અસર? આ ઈવેન્ટ માત્ર ખર્ચ નથી, પણ રોકાણ છે. 2022ની બર્મિંગહામ ગેમ્સમાં ₹7,800 કરોડનો ખર્ચ થયો હતો, પરંતુ સામે અર્થવ્યવસ્થામાં ₹12,000 કરોડ પરત આવ્યા હતા. ગેમ્સના રસોડાનું ગજબ મેનેજમેન્ટ અમદાવાદમાં 6,000 ખેલાડીઓ માટે બનનારું 'ગેમ્સ વિલેજ' એક હાઈટેક નાનું ગામડું હશે. જેમાં 24 કલાક મિની-હોસ્પિટલ, જિમ, સ્વિમિંગ પૂલ અને એન્ટરટેઇનમેન્ટ ઝોન હશે. ભૂતકાળની ભૂલોથી શું શીખ? લોકોને 2010ની દિલ્હી કોમનવેલ્થ ગેમ્સના કૌભાંડોનો ડર છે. 2003માં અંદાજિત ખર્ચ ₹1620 કરોડ હતો જે 2010માં વધીને ₹70,000 કરોડે પહોંચ્યો હતો. સુરક્ષા અને રમતનો રોમાંચ 1930 થી 2030: ગાંધી અને સરદારનું અનોખું કનેક્શન આ 100 વર્ષની સફરમાં એક ગજબનો સંયોગ છે: આટલું ખાસ યાદ રાખો
અરજી:જિલ્લાના પાક નુકસાનગ્રસ્ત ખેડૂતો ડિજિ.ગુજ. પોર્ટલ પર અરજી કરી શકશે
ઓક્ટોબર માસમાં પડેલા વરસાદને કારણે થયેલા નુકસાનના પેકેજમાં નવસારી જિલ્લાના તમામ તાલુકાઓનો સમાવેશ કરાયો છે. ખરીફ ઋતુ 2025માં વાવેતર હેઠળ પાકોમાં જેમાં 33 % કે તેથી વધુ નુકસાન થયેલ હોય તેના માટે રૂ. 22000 પ્રતિ હેક્ટર લેખે વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે. આ પેકેજમાં સમાવેશ થયેલ તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં વાવેતર હેઠળના પાકોમાં થયેલ પાક નુકસાનીવાળા અસરગસ્ત ખેડૂતોએ આ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે કેઆરપી પોર્ટલ પર અરજી કરવાનો સમયગાળો તા. 14/11/2025ના રોજ બપોર 12 કલાકથી 15 દિવસ સુધી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન વીસીઇ/વીએલઇ મારફત જ કરવાની રહેશે. આ નિયત સમયમર્યાદા પૂર્ણ થયા બાદ સહાય માટે અરજીઓ થઇ શકશે નહી. આ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે પાક નુકસાનીવાળા અસરગ્રસ્ત ખેડૂતો પાસે ઓનલાઈન ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવા માટે હવે ખુબ જ ઓછો સમય બાકી હોય જિલ્લાના પાક નુકસાનીવાળા અસરગ્રસ્ત ખેડૂતોને સહાય માટેના ફોર્મ ભરવા માટે તાકિદ કરવામા આવે છે. વધુ જાણકારી માટે ગામના તલાટી કમ મંત્રી-ગ્રામસેવક, વી.સી.ઈ. તેમજ તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી(ખેતી)/ તાલુકા વિકાસ અધિકારી, મામલતદારનો સંપર્ક કરવા નવસારી જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે.
જાહેર માર્ગ બનાવવા મનપા ઉદાસીન:નવસારીના હોટલ સુપ્રીમની પાછળ બિસ્માર રસ્તાથી લોકોને હાલાકી
નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નં-5માં આવેલ સુપ્રીમ હોટલની પાછળ આવેલ જર્જરિત અને બિસમાર માર્ગ (રોડ) બનાવવા બાબતે સ્થાનિકોએ મનપાને ફરિયાદ કરી છે. સ્થાનિકોએ વસીમ પાનવાળાની સાથે મનપા કમિશનરને આપેલ ફરિયાદમાં જણાવ્યું કે નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નં-5 માં હોટેલ સુપ્રીમની પાછળનો રોડ ખૂબજ જર્જરિત અને બિસમાર છે, આ રોડ આશરે આજુબાજુ આવેલ 20થી 22 જેટલી સોસાયટીના રહીશો લોકો ઉપયોગ કરે છે અને આ વિસ્તારમાં 2 શાળા પણ આવી છે. ખરાબ રોડ ને કારણે ચોમાસામાં રહીશો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. દરરોજ ખરાબ રોડના કારણે નાના મોટા અકસ્માતો પણ થાય છે અને શાળામાં ભણતા બાળકો પણ ખરાબ રસ્તાના લીધે સાઇકલ તેમજ ગાડી પરથી કાબૂ ગુમાવી ઇજાગ્રસ્ત થતા રસ્તો તાત્કાલિક બનાવાય તેમ જણાવ્યું છે. વિકાસના કામોની ઘોર ઉપેક્ષા વોર્ડ-5માં ગટર લાઇન, રસ્તા, પાણીની સુવિધા આપવામાં મનપા નિષ્ફળ ગઈ છે. પાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરોને પણ રજૂઆત કરવા છતાં આ પ્રશ્નનું કોઈ નિરાકરણ આવ્યું નહતું. સ્થાનિક લોકોના પ્રશ્નનું તાકીદે નિરાકરણ લાવી ન્યાય અપાવે એ માગ છે. > વસીમ (જોનીભાઇ) પાનવાલા, પ્રદેશ સહમંત્રી, આપ
ભાસ્કર ઈનસાઈડ:નવસારી પૂર્વ-પશ્ચિમને જોડતા ગરનાળાપાસેના રસ્તા પર ખાડા અને પશુઓનો ત્રાસ
નવસારી મહાનગરપાલિકામાં આવેલ પૂર્વ-પશ્ચિમથી જોડનાર ગરનાળાની બન્ને બાજુ જોડનાર રસ્તા પર ખાડા પૂરવા માટે જાગૃત એડવોકેટ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી હતી. એડવોકેટ કનુભાઈ સુખડિયાએ મનપાને રજૂઆત કરતા જણાવ્યું કે મનપા બન્યા બાદ એક વર્ષ થવા આવ્યું પણ રસ્તાઓ ખાડા અને સાંકળા બનવાના કારણે લોકોને તકલીફ પડી રહી છે. પૂર્વ-પશ્ચિમને જોડનારા એકમાત્ર ગરનાળાની બન્ને બાજુના રસ્તા પર ખાડા પડ્યા છે. રસ્તા પર ગાય ભેંસ, કૂતરા આવી જતા અકસ્માતોની સંખ્યા વધી છે અને અકસ્માતગ્રસ્ત વ્યક્તિ લાંબા સમય સુધી પથારીવશ થઈ જાય છે. વાહનો સાથે શહેરીજનો કેવી રીતે પગપાળા ચાલી શકે તેમ હોય આ રસ્તો પહોળો કરી રસ્તા પર પશુઓની હાજરી ન દેખાય તેવી વ્યવસ્થા કરવા પણ જણાવ્યું હતું. ફૂટ ઓવરબ્રિજ ટૂંક સમયમાં બનાવશેગરનાળામાંથી દરરોજ 30 હજારથી વધુ લોકો પસાર થાય છે. આ સમસ્યાને લઇ હાલમાં જ ફૂટ ઓવરબ્રિજ બનાવવા માટે પાલિકા કમિશનરે સ્થળની મુલાકાત પણ લીધી હતી. જેથી આવનારા સમયમાં ફૂટ બ્રિજ બનાવીને મનપા લોકોની સમસ્યા દૂર કરશે.
કોમનવેલ્થ ગેમ્સ2030ની યજમાની ભારતને મળવાની જાહેરાત થવા આડે ગણતરીના કલાકો બાકી છે અને તેનું આયોજન આપણાં અમદાવાદમાં થશે. આ કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે હવે સ્પોર્ટસની દુનિયામાં લંડન-પેરિસને પણ ટક્કર આપવા અમદાવાદ તૈયાર છે. મોદી સ્ટેડિયમ અમદાવાદની વૈશ્વિક ઓળખ છે, પણ આ તો માત્ર ટ્રેલર છે. મોદી સ્ટેડિયમની આજુબાજુમાં તેના જેવા જ નવા 6 હાઈટેક વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ બનવા જઈ રહ્યા છે. 6 હજાર કરોડના ખર્ચે રિવરફ્રન્ટના કિનારે બની રહેલા સરદાર સ્પોર્ટ્સ એન્કલેવને જોતા જ લોકો મોઢામાં આંગળા નાખી દેશે. આ સિવાય કરાઈ પોલીસ એકેડમીમાં 143 એકરમાં સ્પોર્ટ્સ હબ બનશે. ગુજરાતમાં 10 જગ્યાએ કોમનવેલ્થની વિવિધ ગેમ રમાશે. અમદાવાદ-ગાંધીનગર સિવાય સ્ટેચ્યુટી ઓફ યુનિટીમાં પણ અમુક ગેમ રમાશે. ભારતનું પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદ વેપાર, ધંધા, વૈભવની સાથે હવે ભારતની સ્પોર્ટસ કેપિટલ બનવા પણ તૈયાર છે. દુનિયાનું સૌથી મોટું મોદી ક્રિકેટ સ્ટેડિયમ, ભારતનું સૌથી મોટું નારણપુરા સ્પોર્ટસ કોમ્પલેક્સ અને આખા ભારતમાં ક્યાંય ના હોય તેવી સ્પોર્ટસ ફેસિલિટી સાથેના સ્પોર્ટસ એન્કલેવ, સ્પોર્ટસ કોમ્પલેક્સ હવે અમદાવાદની નવી ઓળખ બનવા તૈયાર છે. વિકાસનો પર્યાય બનેલા સાબરમતીના કાંઠે હાઇફાઈ સ્પોર્ટસ સ્ટેડિયમ આકાર લઈ રહ્યા છે. રાજ્યનું સૌથી મોટું મલ્ટીપર્પઝ ઇન્ડોર એરેના હોય કે પછી વિશ્વકક્ષાનું એકવાટિસ સેન્ટર હોય. હાઇફાઇ ટેનિસ કોર્ટની સાથે સોકરનો શોર પણ તમને અહીં સાંભળવા મળશે. સાબરમતીના કિનારે ગરબા, યોગ, ઉત્સવ ને ઓપન બજાર પણ ખેલાડીઓને એક નવી એનર્જી આપશે. કહેવાય છે કે ‘જબ કુત્તે પે સસ્સા આયા તબ જાકે બાદશાહને યહ શહર બસાયા’ અમદાવાદના કોટ વિસ્તારમાં છાતી કાઢીને ઉભેલા એ ઝાઝરમાન કિલ્લા આજે પણ અમદાવાદના વૈભવની સાક્ષી પૂરે છે. મહાત્મા ગાંધીને સંતનું બિરૂદ અપાવનાર એ સાબરમતી નદી પૌરાણિક ઈતિહાસની સાથે સ્વર્ગના વૈભવને પણ ઝાંખો પાડે તેવા પળની સાક્ષી બનવા સજ્જ છે. આ સાબરમતી નદીની આસપાસ જ દુનિયાની આંખો અંજાઈ જાય તેવા સ્ટેડિયમ અને કોમનવેલ્થ ગેમ વિલેજ બનશે. દુનિયાની સૌથી હાઇફાઇ સુખ-સુવિધા ભોગવી ચૂકેલા ખેલાડીઓ જ્યારે આ સ્પોર્ટસ કોમ્પલેક્સ, એન્કલેવ ને વિલેજનો જાત અનુભવ કરશો ત્યારે ક્યારેય ના ભૂલાય તેવો અનુભવ મળશે. જેટ, મેટ્રો, બુલેટ આ વણથંભ્યા વિકાસને રોકેટ ગતિ આપશે. જ્યારે કોમનવેલ્થ યોજાશે ત્યારે જાણે કે સાબરમતીના વહેણને ચીરતી હોય તેમ આંખના પલકારામાં જ મુંબઈ પહોંચી જતી બુલેટ ટ્રેન ‘ઉડતી’ થઈ જશે. બુલેટનો રોમાંચક અનુભવ, ગુજરાતની મહેમાનગતિ ને આધુનિક સ્પોર્ટસ સ્ટેડિયમની વાઇબ્સ મહેમાનોને સ્વર્ગનો અનુભવ કરાવી દેશે. તો મેટ્રો એક સ્ટેડિયમથી બીજે સ્ટેડિયમ પહોંચાડવામાં એટલી ઝડપ કરશે કે તમે એક પણ મેચની એક પણ મોમેન્ટ નહીં ચૂકો. તો અમદાવાદ એરપોર્ટ પણ તેની બાહો ફેલાઈ દુનિયાભરના અતિથીઓને કહેશે કે ‘ભલે પધાર્યા’. આમ આવકારાના રાજ્ય એવા ગુજરાતમાં એક પણ અમદાવાદના અતિથિને અગવડતા ના પડે તેનું પુરે-પુરુ ધ્યાન રખાશે અને અકલ્પનીય અદભૂત અનુભવ સાથે તેમને વિદાય અપાશે. મોદી સ્ટેડિયમની આસપાસ 6 સ્પોર્ટસ કોમ્પ્લેક્સ તૈયાર કરાશે4600 કરોડના ખર્ચે 215 એકરમાં સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલેવ બની રહ્યું છે. જે કોમનવેલ્થનું મુખ્ય કેન્દ્ર બનશે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ જ અલગ અલગ એરેના અને સ્ટેડિયમ બનશે. મોદી સ્ટેડિયમની આસપાસ 6 સ્પોર્ટસ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવશે. રિંગ ઓફ યુનિટી તૈયાર કરાશેકોમનવેલ્થ માટે 6,000થી 10,000 લોકોની કેપેસિટીવાળું મલ્ટિપર્પઝ એરેના તૈયાર કરવામાં આવશે. 5,000 લોકોની કેપેસિટીવાળું રિંગ ઓફ યુનિટી તૈયાર કરાશે. જ્યાં ગરબા, યોગ, ઉત્સવ અને ઓપન બજાર પણ હશે. 18,000 લોકોની કેપેસિટીવાળું મલ્ટિપર્પઝ ઇન્ડોર એરેના, 10,000 પ્રેક્ષકોની કેપેસિટીવાળું ટેનિસ સેન્ટર, સ્વિમિંગ સહિતની ગેમ માટે 12,000 લોકોની કેપેસિટીવાળું એકવાટિસ સેન્ટર તૈયાર કરાશે. 50,000 પ્રેક્ષકોની કેપેસિટીવાળું ફૂટબોલ સ્ટેડિયમ પણ તૈયાર કરાશે. દબાણ કરેલી જગ્યા ખાલી કરવા આસારામ આશ્રમને નોટિસરાજ્ય સરકારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે ઓલિમ્પિક વિલેજ બનાવવાની તૈયારીના ભાગ રૂપે કરાવેલા સરવેમાં આસારામ આશ્રમ ઉપરાંત ભારતીય સેવા સમાજ અને સદાશિવ આશ્રમે કરોડો રૂપિયાની જમીન કબજે કરી હોવાનું ધ્યાને આવ્યું હતું. સરકારે આ ત્રણ આશ્રમ ઉપરાંત દોઢસો જેટલાં રહેણાક મકાનોને પણ નોટિસ ફટકારી છે. કુલ 15,778 ચોરસ મીટર જગ્યા ખાલી કરાવાશેસિટી મામલતદાર દ્વારા ફટકારવામાં આવેલી નોટિસમાં જણાવ્યું છે કે આસારામ આશ્રમે સરવે નંબર 282- અ પૈકી 6,489, ગામ તળની 3,185 અને સાબરમતી નદીની 6,104 ચોરસ મીટર મળી કુલ 15,778 ચોરસ મીટર જગ્યા પર ગેરકાયદે કબજો કર્યો છે. જાણકારોનું કહેવું છે કે ચારેક દાયકા પહેલાં સરકારે આસારામ આશ્રમ માટે મોટેરામાં અંદાજે 33,980 ચોરસ મીટર જગ્યા ફાળવી હતી. ગત વર્ષના અંતમાં જ્યારે સરકારે ફરી સરવે કરાવ્યો ત્યારે આસારામ આશ્રમની કુલ જગ્યા 49,758 ચોરસમીટર સામે આવી હતી. જેથી ગેરકાયદે કબજા અંગે જે તે સમયે શરતોને આધીન અપાયેલી જગ્યામાં શરતભંગની નોટિસ આપી છે. સદાશિવ પ્રજ્ઞામંડળને પણ 2,561 ચોરસમીટર જગ્યા ખાલી કરવા નોટિસઆ જ રીતે આસારામ આશ્રમની નજીક આવેલા ભારતીય સેવા સમાજને પણ શરતભંગની નોટિસ ફટકારાઈ છે. જ્યારે સદાશિવ પ્રજ્ઞામંડળને પણ 2,561 ચોરસમીટર પર ગેરકાયદે દબાણ બદલ શરતભંગની નોટિસ અપાઈ છે. આમ આ જગ્યા ખાલી કરાવીને તેનો ઉપયોગ પણ સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલેવમાં કરાશે. 5.50 લાખ ચોરસ મીટર જગ્યાનો કબજો મેળવવામાં આવશેસરકાર કોમનવેલ્થ માટે મોટેરા સ્ટેડિયમ પાસેની જગ્યા ઉપરાંત કોટેશ્વરની જગ્યાનો પણ ઉપયોગ કરશે તેમ સૂત્રોનું કહેવું છે. કોટેશ્વરમાં પણ મોટી સંખ્યામાં પડેલી જગ્યાઓ સરકાર હસ્તગત કરી શકે છે. સરવે નંબર 282નું ક્ષેત્રફળ 7,79,686 ચોરસમીટર જેટલું છે. જે પૈકી ક્રિકેટ સ્ટેડિયમ 2 લાખ ચોરસ મીટરમાં બન્યું છે. તેને બાદ કરતા અંદાજે 5.50 લાખ ચોરસમીટર જગ્યા ખાલી કરાવવામાં આવશે. કોને નોટિસ અપાઈ સુઘડ-ભાટ ખાતે 136 એકર જમીનમાં કોમનવેલ્થ વિલેજ બનશેસ્પોર્ટ્સ એન્ક્લેવ પાસે સુઘડ-ભાટ ખાતે 136 એકર જમીનમાં કોમનવેલ્થ વિલેજ બનશે. જેમાં ખેલાડીઓ, કોચ અને રમત અધિકારીઓના રહેણાંક સહિત માળખાગત સુવિધાઓ હશે. અહીંથી એન્ક્લેવ સુધી પહોંચવા માટે માત્ર થોડી મિનિટોનો જ સમય લાગશે. આ ઓલ્મિપિક વિલેજમાં રમતવીરો અને સહાયક સ્ટાફ માટે આશરે 3,000 ઘરો હશે, જે આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. કરાઈ સ્પોર્ટસ કોમ્પ્લેક્સગાંધીનગરના કરાઈમાં ગુજરાત પોલીસ એકેડેમી ખાતે 143 એકરમાં એક અત્યાધુનિક સ્પોર્ટસ કોમ્પલેક્સ આકાર પામશે. ₹1,200-1,500 કરોડના પ્રોજેક્ટના મૂળમાં એક અત્યાધુનિક એથ્લેટિક્સ સ્ટેડિયમ છે, જે 50,000થી 55,000 દર્શકોને સમાવી શકશે. ઇન્ડોર મલ્ટીયુઝ મેદાનમાં રિટ્રેક્ટેબલ સીટિંગ હશેઆ સાથે કરાઈમાં ઇન્ડોર મલ્ટીયુઝ મેદાન બનાવાશે જેમાં રિટ્રેક્ટેબલ સીટિંગ હશે. જે વિવિધ ઇવેન્ટ્સનું સાક્ષી બનશે. 5,000થી 6,000 દર્શકોને બેસવા માટે બનાવેલા આ મેદાનમાં વેઇટલિફ્ટિંગ ઇવેન્ટ્સ સહિત અન્ય ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવશે, જે વિવિધ પ્રકારની રમતો અને મનોરંજન સુવિધાઓ પૂરી પાડશે. સાથે જ એક શૂટિંગ સેન્ટર પણ બનશે. જે ફ્રેશર્સની સાથે પ્રોફેશનલ શૂટર્સ બંનેની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સજ્જ હશે. નારણપુરામાં ઈન્ટરનેશનલ કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રેડીનારણપુરા વિસ્તારમાં ગુજરાતનું સૌથી મોટું ભવ્યાતિભવ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનીને તૈયાર છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઈન્ટરનેશનલ કક્ષાનું છે. તમામ પ્રકારની ઈન્ડોર ગેમ્સની વ્યવસ્થા અહીં છે. કેન્દ્ર સરકારની મદદથી અંદાજે 823 કરોડના ખર્ચે બનેલા આ ભવ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને 2036ના ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. 21 એકરથી વધુની જમીનમાં બનાવાયું વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સઆ કોમ્પ્લેકસમાં અત્યાધુનિક સુવિધા સાથે વિવિધ પ્રકારની ઈન્ટરનેશનલ રમતોનું આયોજન કરી શકાય એ પ્રકારની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. નારણપુરામાં આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નામ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રાખવામાં આવ્યું છે અને તે અંદાજે 21 એકરથી વધુની જમીનમાં બનાવાયું છે. 6 ભાગમાં વહેંચાયેલું છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને 6 ભાગમાં વહેંચવામાં આવ્યું છે, જેમાં એક્વાટિક સ્ટેડિયમ, સેન્ટર ફોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ઈન્ડોર સ્પોર્ટ્સ એરેના અને કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર નામના અલગ અલગ 4 બ્લોક બનાવવામાં આવ્યા છે. એમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો ડાઈવિંગ પૂલ, સ્વિમિંગ પૂલ, બાસ્કેટબોલ, વોલીબોલ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ, રેસલિંગ કોર્ટ, ટેનિસ, ટેબલ ટેનિસ, ઝુડો-કરાટે, કબડ્ડી, કેરમ, ચેસ, સ્નૂકર સહિતની વિવિધ પ્રકારની આંતરરાષ્ટ્રીય રમતો રમી શકાય એવી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કુલ 4 બિલ્ડિંગ અને 6 ગેટસ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કુલ 4 બિલ્ડિંગ અને 6 ગેટ બનાવાયાં છે. 850 ટૂ-વ્હીલર અને 800 ફોર-વ્હીલર પાર્ક થઈ શકે એવું વિશાળ પાર્કિંગ બનાવાયું છે. અહીં આવવા માટે લોકોને ટ્રાન્સપોર્ટેશનની સરળ વ્યવસ્થા મળી રહે એ માટે અમદાવાદ શહેરની વચ્ચોવચ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઊભું કરાયું છે. હવે આપણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના 6 ભાગ વિશે વિગતવાર સમજીએ... બ્લોક A : એક્વાટિક સ્ટેડિયમસ્પોર્ટસ કોમ્પ્લેક્સના બ્લોક-Aને એક્વાટિક સ્ટેડિયમ નામ અપાયું છે, જેની અંદર આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્વિમિંગ પૂલ અને ડાઈવિંગ પૂલ બનાવાયો છે, જેમાં 1500 પ્રેક્ષકની બેસવાની વ્યવસ્થા કરાઈ છે. આ બ્લોકમાં વિશાળ કોમ્પિટિશન પૂલ-ડાઈવિંગ પૂલ બનાવાયો છે. આ સ્વિમિંગ પૂલ FINA નોર્મ્સ મુજબ બનાવાયો છે. FINA એ ફ્રેન્ચ શબ્દનું શોર્ટ ફોર્મ છે. એનું ફ્રેન્ચમાં આખું નામ છે - ફેડરેશન ઈન્ટરનેશનલ દે નાટાશન. સ્વિમિંગ પૂલ અને ડાઈવિંગ પૂલના નિયમો બનાવતી આ ઈન્ટરનેશનલ ગવર્નિંગ બોડી છે. એના નિયમ મુજબ અહીં સ્વિમિંગ પૂલ અને ડાઈવિંગ પૂલ બનાવાયો છે. જે મર્થા ટેક્નોલોજીથી સ્વિમિંગ પૂલ બનાવાયો છે એ શું છે? સામાન્ય રીતે આપણે જોયું છે કે સ્વિમિંગ પૂલ બનાવવા માટે ખાડો ખોદવામાં આવે. બ્લૂ કલરની ટાઈલ્સ ફિટ કરવામાં આવે અને પછી પાણી ભરવામાં આવે, પણ મર્થા ટેક્નોલોજીમાં એવું નથી. એમાં પહેલા ખાડો ખોદવામાં આવે. પછી ટાઈલ્સ ફિટ કરવામાં આવે. પછી હાઈટવાળા સ્ટીલના ગર્ડર અને સ્ટીલની પ્લેટ મૂકવામાં આવે છે. આ ગર્ડર અને પ્લેટ PVC કોટેડ હોય છે. ગર્ડર મૂક્યા પછી એના પર ખાસ પ્રકારની પીવીસી કે રબર જેવા મટીરિયલની શીટ મૂકવામાં આવે. આ શીટ ઉપર પાણી ભરવામાં આવે, એટલે કોઈ સ્વિમર ડાઈ મારે કે ઝડપથી તરે તોપણ એને જમીનની ટાઈલ્સ વાગે નહીં. કોઈ પ્રકારની ઈજા થાય નહીં. મર્થા ટેકનોલોજી હોય તેવા પૂલમાં જ કોમનવેલ્થ કે ઓલિમ્પિક જેવી ગેમ્સ રમી શકાય છે. મર્થા પૂલ ટેક્નોલોજીમાં પૂલને કસ્ટમાઈઝ કરી શકાય છે, એટલે કે પૂલને એની કેપેસિટી મુજબ નાનો મોટો કરી શકાય છે. બ્લોક B : સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સલન્સબીજા બ્લોક-Bને સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સલન્સ નામ અપાયું છે. એમાં 42 બાય 24ના બે મોટા હોલ છે, જેમાં 2 બાસ્કેટ બોલ કોર્ટ, 2 વોલી બોલ કોર્ટ, અથવા 8 બેડમિન્ટન કોર્ટનો એક સમયે ઉપયોગ થઈ શકશે. આ સેન્ટરના મલ્ટીસ્પોર્ટ્સ હોલમાં 2 ટેકવાન્ડો કોર્ટ અથવા બે કબડ્ડી કોર્ટ, બે રેસલિંગ અથવા 12 ટેબલટેનિસની મેચ એક જ સમયે યોજી શકાશે. બ્લોક C : ઈન્ડોર મલ્ટીસ્પોર્ટ્સ એરેનાત્રીજો C બ્લોક સૌથી મોટો બ્લોક છે. આ ઈન્ડોર મલ્ટીસ્પોર્ટ્સ અરેનામાં 81 બાય 45ની સાઈઝના વિશાળ હોલમાં વિવિધ ઈન્ટરનેશનલ કક્ષાની ઓલિમ્પિક સહિતની ઈવેન્ટ કરવામાં આવશે, જેમાં કુલ 16 બેડમિન્ટન કોર્ટ, 4 બાસ્કેટબોલ કોર્ટ, 4 વોલીબોલ કોર્ટ, 4 જિમ્નેસ્ટિક મેટ આ સિવાય ટેબલ ટેનિસ, કબડ્ડી, કુસ્તી સહિતની મલ્ટીપર્પઝ હોલની સુવિધા કરવામાં આવી છે. એકસાથે 5200 પ્રેક્ષક બેસીને મેચ નિહાળી શકે એવી વ્યવસ્થા છે. બ્લોક D : કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટરઆ કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર એક પ્રકારનું ક્લબ હાઉસ હશે, જે નાગરિકો માટે બનાવાયું છે. એમાં ક્લબની મેમ્બરશિપ લઈને કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટરમાં અલગ અલગ રમતો રમી શકાશે. એની અંદર કાફેટેરિયા, લાઈબ્રેરી, જિમ-એરોબિક્સ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય 6 બેડમિન્ટન કોર્ટ, 6 ટેબલટેનિસ, 6 કેરમ ટેબલ, 9 ચેસ અને સ્નૂકર અને બિલિયર્ડના 10 ટેબલનો સમાવેશ કરી શકે તેવો મલ્ટીપર્પઝ હોલ બનાવાયો છે. જેની ઓડિયન્સ કેપેસિટી 300 લોકોની છે તેમજ 6 સ્કવોશ કોર્ટ અને ઈન્ડોર શૂટિંગ રેન્જ માટેનું પણ આયોજન કરાય એવી વ્યવસ્થા ઊભી કરાઈ છે.
ક્રાઇમ ફાઇલ્સના પહેલા ભાગમાં તમે વાંચ્યું કે ગીર સોમનાથના એક નાનકડા ગામમાં રહેતા વૃદ્ધા ગુમ થઈ ગયા હતા. 80 વર્ષના માજી ઘરેથી બેંક જવા માટે નીકળ્યા હતા, તેમણે બેંકમાંથી માત્ર 1200 રૂપિયા ઉપાડ્યા અને પછી તેમનો કોઈ અતોપતો ન લાગ્યો એટલે ગુમ થયાના ચોથા દિવસે પરિવારના લોકોએ પોલીસને જાણ હતી. ત્રણ અઠવાડિયા સુધી પોલીસના હાથ ખાલી રહ્યા. પછી અચાનક એક દિવસ ઘરથી 40 કિલોમીટર દૂર અંતરિયાળ વિસ્તારમાંથી એક કંકાલ મળ્યો. સાથે જ કપડા અને ચાવીનો ગુચ્છો પણ હતો. (પહેલો ભાગ વાંચવા માટે અહીં ક્લિક કરો) હવે આગળનું ઇન્વેસ્ટિગેશન વાંચો…પોલીસે પરિવારના લોકોને આ વાતની જાણ કરી અને ઓળખ માટે બોલાવ્યા. 3 સપ્ટેમ્બર, 2025ના રોજ જીવીબેનના ત્રણેય દીકરા પોલીસ સ્ટેશન પહોંચી ગયા. જાફરાબાદ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર વી.એન.મોરવાડિયાએ પરિવારને પોલીસ સ્ટેશનમાં એકબાજુ બેસાડ્યો અને સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને ધીમા અવાજે કહ્યું, મેપાભાઇ, અમે તમારી લાગણી સમજીએ છીએ. પણ તમારે મજબૂત મન રાખવું પડશે. આ માનવ કંકાલ જ્યાંથી મળ્યું છે ત્યાંથી કેટલાક કપડાં પણ મળી આવ્યા છે. તમારે એની ઓળખ કરવાની છે. પોલીસે ધીમેથી એક પ્લાસ્ટિકની થેલીમાંથી ફાટેલાં અને કાદવથી ખરડાયેલાં કપડાં બહાર કાઢ્યાં. પોલીસ સ્ટેશનમાં સન્નાટો છવાઈ ગયો. પરિવારના દરેક સભ્યની નજર એ કપડાં પર ચોંટી ગઈ. લાલ રંગની જિમી અને લાલ રંગનું બ્લાઉઝ હતું. ચુંદડીના એક છેડે સખત ગાંઠ મારેલી હતી. એ ગાંઠની અંદર પીળા કલરના ભગવાન ગણપતિના આકારના કી-ચેઇન સાથે ચાવીઓનો એક જૂડો બાંધેલો હતો. મેપાભાઇ ઢીલા પડી ગયા. ગળે ડૂમો ભરાઈ ગયો, બોલ્યા, સાહેબ આ અમારા બાની જ ચાવીઓ છે. એ હંમેશા ચુંદડીના છેડે ગાંઠ મારીને રાખતાં. પરિવારના લોકોએ કપડા અને ચાવીનો ગુચ્છો જોઈને કંકાલ જીવીબેન બાબરીયાનું જ હોવાનું સ્વીકાર્યું. જો કે પોલીસે વૈજ્ઞાનિક રીતે આ વાતને સાબિત કરવી જરૂરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.એન.મોરવાડિયાએ કહ્યું, કપડાંની ઓળખ થઈ ગઈ છે. પણ આ હાડપિંજર ખરેખર તમારા માતાનું છે કે નહીં, તે સાબિત કરવા માટે DNA ટેસ્ટ કરાવવો પડશે, એ માટે તમારે સેમ્પલ આપવાના થશે. મેપાભાઇ અને મનુભાઈ, બંનેએ ભારે હૈયે આ પ્રક્રિયા માટે સહમતિ આપી. તરત જ પોલીસે નિયમ મુજબ હાડપિંજરના અવશેષોના અને બંને ભાઈઓના DNA સેમ્પલ ભેગા કરવા માટે મેડિકલ ટીમને જાણ કરી. આ નમૂનાઓને વધુ તપાસ અને મેચિંગ માટે ગાંધીનગર FSL ખાતે મોકલી આપવામાં આવ્યા. હવે જીવીબેનનો આખો પરિવાર ગાંધીનગરથી આવનારા રિપોર્ટની રાહ જોઈ રહ્યો હતો. કારણ કે એક કાગળથી નિર્ણય થવાનો હતો કે જીવીબેન જીવે છે કે પછી હાડપિંજર અને કપડા મળ્યા એ જ તેમની છેલ્લી નિશાની છે. થોડાક દિવસો વીતી ગયા. જીવીબેનના મૃત્યુ અંગે સસ્પેન્સ ખોલતો એક સીલબંધ પત્ર ગાંધીનગરથી ગીર સોમનાથ પહોંચ્યો. પોલીસ ઇન્સ્પેક્ટરે રિપોર્ટ ખોલ્યો અને વાંચવા લાગ્યા. રિપોર્ટમાં લખ્યું હતું કે આપેલા બન્ને સેમ્પલના DNA મેચ થઈ રહ્યા છે. આ રિપોર્ટ મુજબ હાડપિંજર જીવીબેન બાબરીયાનું જ છે એ સાબિત થઈ ગયું. જીવીબેન ટ્રેક્ટરમાં આંચકા લાગશે એવું કારણ આપીને પગપાળા ઘરે જઈ રહ્યા હતા. ત્રણેક અઠવાડિયા સુધી તેમનો કોઈ અતોપતો ન લાગ્યો અને છેલ્લે હાડપિંજર મળ્યું. પરિવારના સભ્યોમાં ગમગીની છવાઈ ગઈ. પોલીસે નિયમ પ્રમાણે જીવીબેનની છેલ્લી યાદ રૂપે જે પણ વસ્તુ મળી હતી એ પરિવારને સોંપી અને પરિવાર હવે અંતિમવિધિના કામ માટે જોતરાઈ ગયો. પણ પોલીસના મનમાં સવાલ હતો કે આખરે જીવીબેન સાથે એવું તો શું થયું? ઘરથી 40 કિલોમીટર દૂર મળેલા હાડપિંજર પાછળનું સત્ય શોધવું પોલીસ માટે કોયડા સમાન હતું. પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ.મોરવાડિયાને મનમાં એક સવાલ ઘૂમી રહ્યો હતો કે આ અકસ્માત છે કે મર્ડર? પોલીસ સ્ટેશનમાં ગીર સોમનાથ જિલ્લાનો એક નકશો લટકતો હતો. તેના પર ઇન્સ્પેક્ટર મોરવાડિયાની નજર ગઈ. ખુરસીમાંથી ઉભી થયા અને અલગ-અલગ ગામડાઓના નામ વાંચવા લાગ્યા. તેમણે વિચાર્યું કે જીવીબેન છેલ્લે ક્યાં જોવા મળ્યા હતા? એસ.આઈ.મોરવાડિયાએ ગણિત માંડ્યું. જીવીબેન 11 વાગ્યાની આસપાસ ગુમ થયા હોવાનું પરિવાર કહે છે. એ પછી તેમનો દીકરો એ જ રસ્તે ટ્રેક્ટર પર નીકળ્યો હતો. એટલે જીવીબેન સાથે 11થી 12 વાગ્યાના અરસામાં જ કંઈક બન્યું હોઈ શકે. તેમણે સ્ટાફને ઓર્ડર આપ્યો, 8 સપ્ટેમ્બરે એક કલાકના અરસામાં બંધારડા ગામની આસપાસથી જેટલા પણ વાહનો પસાર થયા હોય તેની માહિતી કાઢો. સીસીટીવી ફૂટેજ ચેક કરો. એક પણ ગાડી છૂટવી ન જોઈએ. આ ઘટનાને મહિના કરતા પણ વધુ સમય થઈ ચૂક્યો હતો. છતાં પોલીસની તનતોડ મહેનત કામ આવી અને એક સીસીટીવી ફૂટેજમાં બે ગાડીઓ નીકળતી દેખાઈ. એક ગાડી બંધારડા ગામમાં રહેતા સ્થાનિક જ હતી. પોલીસે તેની પૂછપરછ કરી પરંતુ તેની પાસે જીવીબેન વિશે કોઈ જ માહિતી ન હતી. એટલે તેને જવા દીધો. હવે પોલીસે બીજી એક શંકાસ્પદ કાર પર ફોકસ કર્યું. પોલીસે RTOમાંથી ગાડીનો ડેટા કાઢ્યો અને તપાસનો રેલો ગીર સોમનાથથી છેક ગાંધીનગર સુધી પહોંચ્યો. કારણ કે સરકારી રેકોર્ડ પર આ કાર ગાંધીનગરમાં રહેતી એક વ્યક્તિની હોવાની જાણ થઈ હતી. એટલે પોલીસની એક ટીમ ગાંધીનગર આવી. જ્યારે પોલીસ કારમાલિકના ઘરે પહોંચી ત્યારે જે સત્ય બહાર આવ્યું, તેનાથી વધુ એક ગૂંચવણ ઊભી થઈ. RTOના રેકોર્ડ પર જે વ્યક્તિનું નામ કારના માલિક તરીકે હતું તેણે પોલીસને કહ્યું, સાહેબ, મેં આ કાર તો 2020માં જ વેચી નાખી હતી. એ પછી ક્યાં ગઈ, મને ખબર નથી. પોલીસે તમામ ડોક્યુમેન્ટની ખરાઈ ગઈ અને કાર અત્યારે કોની પાસે છે એ તપાસમાં વધુ ઉંડાણથી કામ કર્યું. જાણવા મળ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં શંકાસ્પદ કારના સાત માલિકો બદલાઈ ચૂક્યા છે. પોલીસ કારના સાતમા માલિક સુધી પહોંચવામાં સફળ રહી. પોલીસ પાસે કારમાલિકનું નામ અને સરનામા સહિતની વિગતો આવી ગઈ. પોલીસ કારમાલિકના ઘરે પહોંચી પરંતુ દરવાજે તાળું લટકતું જોવા મળ્યું. અત્યાર સુધી ચાલતા તપાસના ધમધમાટમાં આ સૌથી મોટું સ્પીડબ્રેકર હતું. DNA રિપોર્ટ બાદ કેસની ગંભીરતા વધી ગઈ હતી. હત્યા ઉપરાંત એટ્રોસિટીની કલમો પણ ઉમેરવામાં આવી હતી. એટલે તપાસનું કમાન હવે ગીર સોમનાથના SC/ST સેલના DySPને સોંપવામાં આવી હતી. જો કે પોલીસ ઇન્સ્પેક્ટર મોરવાડિયાની ટીમ હજી હત્યારાને શોધવામાં લાગેલી જ હતી. DySP અને મોરવાડિયા માટે હવે પડકાર બમણો હતો, હત્યારાનું નામ તો ખબર હતું, પણ તે ક્યાં છે અને જીવીબેનની હત્યા કેમ કરી હતી? તપાસના ચક્રો પૂરી ઝડપે ફરી રહ્યા હતા. પોલીસની ટીમ ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતી પર કામ કરી રહી હતી. પણ સફળતા નહોતી મળતી. અઢી મહિના વીતી ગયા હતા. ત્યારે નવસારીમાં એક ઘટના બની અને ગીર સોમનાથના કેસમાં નવો વળાંક આવ્યો. નવસારી પોલીસે લૂંટ અને ધાડના એક ગુનામાં એક કુખ્યાત ગેંગને પકડી પાડી હતી. આ ગેંગે ગુનામાં એક કારનો ઉપયોગ કર્યો હતો. એટલે નવસારી પોલીસ પણ ગીર સોમનાથ પોલીસની જેમ ગાંધીનગરમાં રહેતા કારના મૂળ માલિક સુધી પહોંચી હતી. અગાઉ જ્યારે ગીર સોમનાથ પોલીસ આ યુવાન પાસે આવી હતી ત્યારે કોઈપણ અપડેટ મળે તો જાણ કરવા માટે કહ્યું હતું. એટલે ગાંધીનગરમાં રહેતા કારમાલિકે ગીર સોમનાથ પોલીસને ફોન કર્યો. કારમાલિકે કહ્યું, સાહેબ, તમને જે કારની તપાસ હતી, એ કાર નવસારી પોલીસે લૂંટના કેસમાં પકડી છે! પોલીસ ઇન્સ્પેક્ટરે પૂરી વાત સાંભળ્યા પછી તરત જ નવસારી પોલીસને સંપર્ક કર્યો. મોરવાડિયાએ નવાસારી પોલીસ સ્ટેશનના અધિકારીને કહ્યું, અમે એક ગંભીર હત્યા કેસની તપાસ કરી રહ્યા છીએ, એમાં તમારી કસ્ટડીમાં રહેલી કારનો ઉપયોગ થયો હોવાની પ્રબળ શંકા છે. મહેરબાની કરીને એ આરોપીઓની પૂછપરછ કરો કે તેમણે ક્યાંક કોઈ વૃદ્ધાનું અપહરણ કે હત્યા નથી હતી? પોલીસની પૂછપરછમાં આરોપીઓ લાંબો સમય ટકી શક્યા નહીં અને છેલ્લા 77 દિવસથી ધરબાયેલું સત્ય સામે આવી ગયું. નવસારી પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપી મહેશ અને કલ્પેશે 8મી સપ્ટેમ્બરે બનેલી આખી ઘટના વિગતવાર કહી. 8મી સપ્ટેમ્બરની સવારે ઇન્ડિકા વિસ્ટા કારમાં પાંચ લોકો સવાર થયા. મહેશ નામનો આરોપી કાર ચલાવતો હતો. ક્યાં જવું એ નક્કી ન હતું. બસ પાંચેયે એવું નક્કી કરી લીધું હતું કે રસ્તામાં કોઈ મળે તો તેને લૂંટી લેવો અને ફરાર થઈ જવું. આ જ મોડ્સઓપરેન્ડીથી આરોપીઓએ અગાઉ કેટલાક લૂંટ કરી હતી. રસ્તે જતા લોકોને લૂંટવા અને એ રૂપિયાથી મોજશોખ કરવી એ તેમનું કામ. ગીરગઢડાના કાચા રસ્તા પર મહેશે કાર હંકારી મૂકી. રસ્તામાં તેમને જીવીબેન પગપાળા ચાલતા જતા જોવા મળ્યા. એટલે મહેશના મનમાં લાલચ જાગી. તેણે માજીની પાસે જઈને કાર ઉભી રાખી દીધી. અચાનક કાર રોકાઈ જતા જીવીબેન પણ ચોંકી ઉઠ્યા. જીવીબેન કંઈક સવાલ કરે એ પહેલાં જ મહેશે કહ્યું, માજી બંધારડા બાજુ જ જઈએ છે, બેસી જાવ તો ચાલવું ન પડે. આવી રીતે વાહનો મળી જવા એ આખા ગામના લોકો માટે ખૂબ સામાન્યા બાબત હતી. એટલે સુરક્ષાની જરા પણ ચિંતા કર્યા વગર જીવીબેન કારમાં પાછલી સીટ પર કલ્પેશ નામના યુવકની પાસે બેસી ગયા. કાર ઉપડી અને થોડી જ વારમાં આરોપીઓએ અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું. જીવીબેનને કડક અવાજે કહ્યું, માજી જેટલા ઘરેણા પહેર્યા છે એ ઉતારી લેવા દ્યો. આ સાંભળતા જ જીવીબેને બૂમાબૂમ કરી મૂકી. આસપાસ ખેતરો હતા અને અગિયાર વાગ્યાની આસપાસ ઘણા ખેતમજૂરો પણ ત્યાં હોય. એટલે જીવીબેનનો અવાજ કોઈ સાંભળી ન જાય એ માટે કલ્પેશે મોઢુ દબાવી દીધું. બચવા માટે હવે જીવીબેને જેટલું જોર લગાવી શકતા હતા એટલું લગાવી દીધું. કલ્પેશને લાગ્યું કે હવે પરિસ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે. એટલે તે ગુસ્સામાં આવ્યો અને જોરથી જીવીબેનનું માથુ કારમાં ભટકાડી દીધું. જીવીબેનના માથામાંથી લોહીનો રેલો છૂટ્યો અને બેભાન થઈ ગયા. માંડ બેથી પાંચ મિનિટમાં આખો ઘટનાક્રમ પૂરો થઈ ગયો. પાંચેય આરોપીઓેએ વિચાર્યું હતું કે માજીને ધાકધમકી આપીને ઘરેણા પડાવી લઈશું અને પછી રસ્તે મૂકીને ફરાર થઈ જઈશું. પણ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. મહેશે કાર ઉભી રાખી. જોયું તો જીવીબેન જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા. કોઈ આવી જાય એવો મનમાં ડર હતો એટલે પાંચેય આરોપીઓએ ભેગા મળીને કારની ડિકીમાં જીવીબેનને પૂરી દીધા અને પછી જાફરાબાદના દરિયાકાંઠા બાજુ ગાડી હાંકી મૂકી. ચોમાસુ પૂરું થવા આવ્યું હતું. પણ જાફરાબાદના કાંઠા નજીક એવો અંતરિયાળ વિસ્તાર હતો જ્યાં હજુ પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયેલું હતું. વળી લોકોની અવરજવર પણ ન હતી. એટલે ત્યાં જઈને મહેશે કાર ઉભી રાખી. એ સમયે જીવીબેનનું મોત થઈ ચૂક્યું હતું. જરા પણ દયાભાવ રાખ્યા વગર આરોપીઓએ તમામ ઘરેણા કાઢી લીધા અને લાશને ધાબડામાં વીંટીને ઝાળીઝાંખરા વચ્ચે પાણીમાં નાખીને ત્યાંથી ફરાર થઈ ગયા. મહેશ સુરતમાં કલરકામ કરતો હતો. જ્યારે કલ્પેશ મહેશનો સાળો છે. હવે લૂંટી લીધેલા ઘરેણા ક્યાં અને કેવી રીતે વેચવા એની ગણતરી સાથે આરોપીઓ અમદાવાદ તરફ આવવા નીકળ્યા. મહેશનો ભાઈ ચોટીલામાં તેની માતા સાથે રહે છે. એટલે ચોટીલા પહોંચતા જ મહેશને એક વિચાર આવ્યો અને સોનીની દુકાને પહોંચી ગયો. સોનીને જઈને કહ્યું, આ મારા દાદીને ઘરેણા છે, સાતમ આઠમનો તહેવાર આવે છે એટલે રૂપિયાની જરૂર છે. તો મારે વેચવા છે. સોનીને મહેશની વાત સાચી લાગી એટલે સોનાની વીંટી, સોનાનો દોરો અને બ્રેસલેટ એમ કુલ ત્રણ વસ્તુનો 47 હજાર રૂપિયામાં સોદો કર્યો અને રોકડા લઈને ત્યાંથી મહેશ ફરાર થઈ ગયો. જો કે અઢી મહિના બાદ આવી રીતે લૂંટના એક કેસમાં નવસારી પોલીસે મહેશ અને કલ્પેશની ધરપકડ કરી. એમાં જીવીબેનની હત્યાનો ભાંડો ફૂટ્યો. ગીર સોમનાથ પોલીસે નવસારીથી બે આરોપીઓની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી અને ત્યાર બાદ વધુ પૂછપરછ કરતા વધુ ત્રણ આરોપીઓના નામ ખૂલ્યા. આમ આ કેસમાં અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.
ગોધરામાં બામરોલી રોડ પર આવેલા ગંગોત્રીનગર વિસ્તારમાં આવેલા કમલભાઈ દોશીના બંગલામાં ઉત્સાહનો માહોલ હતો. 24 વર્ષના મોટા દીકરા દેવ દોશીની સગાઈ હતી. રાત્રે બધું પેકિંગ કરી લીધું. સવારમાં 6:30 વાગ્યે ગોધરાથી વાપી જવા નીકળવાનું હતું. ઘરમાં પૈસા, ઘરેણાં, સરસ મજાનાં કપડાં, મીઠાઈ, ભેટ-સોગાદ બધું તૈયાર હતું. તૈયારી કરીને પરિવાર નિયમ મુજબ ઊંઘી ગયો. પરિવારમાં 50 વર્ષના કમલ દોશી, પત્ની દેવલ દોશી, મોટો પુત્ર 24 વર્ષનો દેવ અને નાનો પુત્ર 22 વર્ષનો રાજ હતાં. કમલભાઈ અને તેનાં પત્ની નીચેના રૂમમાં સૂતા. ઉપર તેમના બંને જુવાન દીકરા સૂતા. આ ચારેય સૂતા તે સૂતા. એમની સવાર પડી જ નહિ. રાતના સમયે કાળ આગ બનીને ત્રાટક્યો ને ચારેયને ભરખી ગયો. એવું તે શું થયું કે રાતોરાત આગ લાગી? એ પણ એ જ દિવસે કે જ્યારે સગાઈ માટે નીકળવાનું હતું. ખરેખર આગ લાગી, લગાવવામાં આવી, ચારેયે આપઘાત કરી લીધો કે કોઈએ ફૂલપ્રૂફ પ્લાન સાથે ઠંડા કલેજે પરિવારની હત્યા કરી નાખી? ચર્ચા ઘણી છે, સવાલો ઘણા છે. રહસ્યના તાણાંવાણાં સર્જતી આ ઘટના અંગે ગ્રાઉન્ડ રિપોર્ટ કરવા ભાસ્કર ગોધરા પહોંચ્યું. આસપાસના લોકોને અમે મળ્યા. જ્યાં ઘટના બની તે ઘરમાં ગયા. પણ સર્વગ્રાહી રીતે જોતાં આ આખી ઘટના રહસ્યથી ભરેલી જણાઈ. દિવ્ય ભાસ્કરની ટીમ ગંગોત્રીનગર વિસ્તારમાં આવેલા કમલભાઈ દોશીના ઘરે પહોંચી. ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો. ઘરમાંથી કેટલાક જુવાન છોકરાઓ થેલા ભરીને બહાર નીકળી રહ્યા હતા. દિવ્ય ભાસ્કરનો કેમેરો જોઈને એ યુવાનો હાથમાંથી થેલા નીચે મૂકીને એક બાજુ સાઈડ જતાં રહે છે. ભાસ્કરે ઘરમાં રિપોર્ટિંગ માટે જવાનો પ્રયાસ કર્યો તો અમારી ટીમને અંદર જતાં અટકાવવામાં આવી. એ લોકોએ કહ્યું કે અંદર જવાની કોઈને મંજૂરી નથી. જ્યારે અમે તે હાજર આ યુવાનોને પૂછ્યું તો તેમણે કહ્યું કે અમને તો પોલીસે ના પાડી છે કે અંદર કોઈને જવા દેવાના નહીં. આ વાતચીત ચાલે છે ત્યાં એક બહેન આવે છે. પોતાની ઓળખ આપતાં કહે છે કે આ મૃતક પરિવારની હું ભત્રીજી છું, એટલું કહેતાંની સાથે તેઓ અમને કોઇની સાથે ફોન પર વાત કરવાનું કહે છે. જ્યારે અમે ફોન પર વાત કરી તો સામે બોલી રહેલા વ્યક્તિ પોલીસ અધિકારી હતા. તેમણે ભાસ્કરને ફોનમાં કહ્યું કે અંદર જવાની મંજૂરી નથી અને જો તમારે રિપોર્ટિંગ કરવું હોય તો પોલીસની મંજૂરી લેવી પડે. એ પછી અમે ગોધરાના એસ.પી. હરેશ દૂધાતને સાથે ટેલિફોનિક વાત કરી તો તેઓ કહે છે કે આ ઘટના બાદ પોલીસે પંચનામું કરી દીધું છે અને FSLની ટીમે તેમનું કામ પણ કરી દીધું છે. સરકારી કામ પત્યા બાદ અમે તાળું મારીને ઘરની ચાવી પરિવારના સભ્યોને આપી દીધી છે એટલે હવે ઘરના સભ્યો તમને અંદર જવા દે કે ના જવા દે, તેમાં પોલીસનો કોઈ રોલ નથી. થોડીવાર ભાસ્કરની ટીમ અહિયાં ઊભી રહી અને એક વ્યક્તિ આવે છે અને કહે છે કે ચાલો હું તમને ઘરમાં અંદર લઈ જાઉં. એ વ્યક્તિ અમને ઘરમાં લઈને જાય છે અને ચાલતાં ચાલતાં કહે છે કે આ ઘટનાની સાચી હકીકત લોકો સમક્ષ આવે અને પોલીસ સમક્ષ પણ આવવી જોઈએ. જ્યારે દિવ્ય ભાસ્કરની ટીમ ઘરમાં પ્રવેશી તો ઘરનો મુખ્ય રૂમ બળીને ખાક થઈ ગયો હતો. દીવાલો કાળી પડી ગઈ હતી. અહિયાં રૂમમાં એક પોર્ટબેલ ફેન પડયો હતો તે પણ બળી ગયો હતો. ત્યારબાદ અમને જે વ્યક્તિ રૂમમાં લઈ ગયા તે આખી ઘટના વિશે અમને જણાવે છે કે, મુખ્ય રૂમની જમણી બાજુમાં એક રૂમ આવેલો છે. તે રૂમ કમલભાઈ અને તેમનાં પત્ની દેવલબેનનો છે. અને ઉપર માળ પર તેમના બને દીકરાના અલગ અલગ રૂમ હતા. તેઓ વધુમાં કહે છે કે નીચેના ડ્રોઈંગરૂમમાં કોઈ કારણોસર સોફામાં આગ લાગે છે સોફામાં રેક્ઝિન હોવાના કારણે આગથી વધારે કાર્બનનો ધુમાડો વધુ થાય છે. તે આખા ઘરમાં ફેલાય જાય છે અને થોડા સમય બાદ આ ઘટનાની જાણ નીચેને રૂમમાં સૂતેલા કમલભાઈ અને તેમના પત્નીને થાય છે. તેઓ બચવાનો પ્રયાસ કરે છે. કમલભાઈ અહિયાં નીચે રસોડાં તરફ દોડે છે અને તેમનાં પત્ની ઉપરના માળ પર દીકરાને બચવવા માટે દોડે છે. કોઈ બહાર નીકળી શકતું નથી એટલે બંને દીકરા અને માતા પિતાનાં મોત થઈ જાય છે. આ ઘટના પછી કેટલાક સવાલો ઉઠે છે… જ્યારે દિવ્ય ભાસ્કરની ટીમ મૃતકના ઘરે પહોંચી તો ઘરમાંથી સામાનના થેલા ભરીને નીકળી રહેલા કેટલાક યુવાનો કોણ હતા? જો મૃતકના પરિવારજનો હતા તો પરિવારના વડીલ સભ્યો કેમ હાજર નહોતા? દિવ્ય ભાસ્કરની ટીમ મૃતકના ઘરમાં જઈને જે જોયું તેના જોતાં અનેક પ્રશ્નો ઉઠતા હતા અને ઘટનામાં ઘણા રહસ્યના તાણાંવાણાં દેખાતાં હતા. તેમાં જો કમલભાઈ દોશી નીચેના રૂમમાં સૂતા હતા જ્યાં મેઇન હાલમાં રાખેલા સોફામાં આગ લાગી હતી. તેના કારણે આખા રૂમમાં ધુમાડો ફેલાઈ જાય છે આ ઘટના રાતે અંદાજે બે ત્રણ વાગે બની હોવાનું પ્રાથમિક અનુમાન છે. ઘરમાં જે સોફો હતો તેમાં રેક્ઝિન અથવા તો ફોમનો બનેલો હોવો જોઇએ. અને જો તેમાં આગ લાગે તો કાળા કલરનો ધુમાડો નીકળે છે અને તે ધુમાડામાં કાર્બન મોનોક્સાઇડ નામનો ઝેરી ગેસ નીકળે છે. જો કોઈ 10-15 મિનિટમાં બહાર ના નીકળો તો મોત પણ થઈ જાય છે. જ્યારે કમલભાઈ દોશીને ખબર પડે છે તો ઘરમાં અંધારું થઈ ગયું હતું. કાળા ધુમાડાના લીધે અને તેઓ રસોડાં તરફ દરવાજો ખોલવા માટે દોડે છે. કેમ કે એક દરવાજો રસોડામાં પણ હતો જે પાછળના આંગણા તરફ ખુલતો હતો. પણ સવાલ એ છે કે રસોડામાં જતાં પહેલાં ડાબી બાજુ મુખ્ય દરવાજો આવી જાય છે તો તે દરવાજો કેમ ના ખોલ્યો? અને જો ધુમાડાના કારણે દરવાજો તેમને ના દેખાયો તો તેઓ રસોડામાં કેવી રીતે પહોંચી ગયા ? રસોડામાં પહોંચ્યા તે જગ્યાએ જે રૂમમાં આગ લાગી હતી ત્યાં ટીવી પણ હતું. જે બળીને ખાક થઈ ગયું છે, એટલે તેમાં પણ આગ લાગી હોવી જોઇએ. રસોડામાં જતાં પહેલાં તો આ દીવાલ આવી જાય છે જ્યાં ટીવી બળી ગયું હતું, તો આગ લાગેલી હોવા છતાં પણ કમલભાઈ રૂમમાંથી રસોડામાં કેવી રીતે પહોંચ્યા? એક મોટો પ્રશ્ન છે. કમલભાઈ દોડીને રસોડામાં ગયા તો તેમના રૂમથી રસોડુ અંદાજે દસ પગલાં દૂર હતું અને રૂમથી મુખ્ય દરવાજો માત્ર પાંચ પગલાં જ દૂર હતો, તો દરવાજો કેમ ના ખોલ્યો? માની લઈએ કે દરવાજો તેમણે આટલા બધા ધુમાડામાં દેખાયો નહીં હોય તો તેમનાં પત્ની અંદર પહેલે માળે જવા માટે પગથિયાં કેવી રીતે ચડી ગયા? અને જો ગમે તેમ કરીને પગથિયાં ચડી ગયા હતા તો તેમના બે દીકરાના રૂમ સુધી કેમ ના પહોંચી શક્યા ? પહેલા માળથી ધાબા પર જતાં ચોથા દાદરે દેવલબેનની લાશ મળી હતી, જેના નિશાન પણ હજુ છે. એનો મતલબ એવો થયો કે દેવલબેને બચવા માટે પ્રયાસ કર્યો હતો. ઉપર પહેલા માળે બે દીકરાના અલગ અલગ રૂમ હતા. જો આ ઘટનાની જાણ તેમને થઈ હોય તો તેમણે તેમનો રૂમનો દરવાજો બંધ કરીને રૂમની બારી કેમ ના ખોલી નાખી? જેનાથી ધુમાડો બહાર નીકળી શકતો હતો અને બારી ખોલીને બચાવા માટે બૂમો કેમ ના પાડી? એક તબક્કે માની લઈએ કે સોફામાં આગ લાગી. તો આ પરિવાર દીવા-બત્તી કરતો નહિ. ઘરમાં પૂજાગૃહ નહોતું. એટલે આગ લાગવાની શક્યતા ઘટી જાય છે. સૌથી મહત્વનો સવાલ એ છે કે આખા ઘરમાં એકલો સોફો જ સળગ્યો છે. વાયરિંગ સારું છતાં ટીવીમાં આગ લાગી છે અને બંગલામાં હાઈટેક સીસીટીવી છે પણ ડીવીઆર સળગી ગયું છે. જો માત્ર સોફામાં જ આગ લાગી હતી તો ડીવીઆર કેવી રીતે સળગી ગયું? હવે આગળની દિશામાં વાતચીત કરી… આ ઘટના શૉટ સર્કિટથી બની છે કે કેમ તે જાણવા માટે દિવ્ય ભાસ્કરે MGVCL ના નાયબ ઇજનેર ચેતન કલાલ સાથે ટેલિફોનિક વાત કરી. ચેતનભાઈ જણાવે છે કે MGVCLનો સર્વિસ વાયર અને મીટર બરાબર છે તેમાં કોઈ ખામી નથી. તેમાં ય સર્વિસ લાઈન તો સાવ નવી છે. વાયરિંગ કન્સિલ્ડ છે એટલે બારબોર શોર્ટ સર્કિટ થઈ હોય તેવું પણ માની શકાય નહિ. મને પણ આ બનાવમાં કાંઈક અજુગતું જ થયું હોય તેવું લાગે છે. કારણ કે પરિવારના લોકો દરવાજો તો ખોલી શકતા હતા એટલે શૉટ સર્કિટની સંભાવના બની હોય તેવું હાલ પ્રાથમિક રીતે લાગતું નથી. ત્યારબાદ દિવ્ય ભાસ્કરની ટીમ રાની મસ્જિદ વિસ્તારમાં આવેલી બજારમાં પહોંચી. જ્યાં મૃતક કમલભાઈ દોશીની સોના ચાંદીની પેઢી ‘શાંતિલાલ લલ્લુભાઈ દોશી’ છે. ત્યાં અત્યારે તાળાં મારેલા હતાં અને દુકાનના દરવાજા પર એક નાનો કાગળ લગાવેલો હતો તેમાં લખ્યું હતું કે ‘’આજે દુકાન બંધ છે. કોઈએ ફોન કરવો નહીં.’’ કમલભાઈની દુકાનની બાજુમાં જ તેમના નાનપણના મિત્ર મિતુલ શાહની દુકાન છે. તે પણ સોના ચાંદીનો વેપાર કરે છે. અમે તેમની સાથે વાત કરી. મિતુલભાઈએ ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે, મેં અને કમલે સાથે ક્લબ મહિન્દ્રાની મેમ્બરશિપ લીધી હતી. અમે 2017માં સાથે સહપરિવાર દુબઈ ફરવા ગયા હતા. કમલના દીકરાની સગાઈ હતી તે તેણે કોઈને જણાવ્યું નહોતું. તેમણે બહાર જ નહોતું પાડયું કે તેના દીકરાની સગાઈ છે. મિતુલભાઈ કહે છે કે ઘટના બની તે આઘાત જનક છે અને જે થયું તે ખોટું થયું છે. કમલ અને હું જોડે મોટા થયા છીએ તે અને તેનો પરિવાર આનંદમાં રહેનારો હતો. કમલભાઈ પણ ખુશહાલ રહેનારા હતા. કમલભાઈની દુકાનની સામે એક નાની દુકાન આવેલી છે અને ત્યાં અમને મોટી ઉંમરના ચેતનભાઈ શાહ મળે છે. તેઓ કહે છે કે હું અહિયાં છેલા 60 વર્ષથી દુકાન ચાલવું છું. કમલભાઈ મોજીલા અને રમૂજી વ્યક્તિ હતા. થોડા દિવસ પહેલાં અહિયાં ગાડી મૂકવા બાબતે અમારા વચ્ચે મીઠી તકરાર થતી હતી અને મજાક મસ્તી પણ કરતાં. બજારમાંથી થઈને દિવ્ય ભાસ્કરની ટીમ ફાયર સ્ટેશનએ પહોંચી. અમને અહિયાં ફાયર ઓફિસર પી.એફ.સોલંકી મળ્યા. તેઓ કહે છે કે અમને ફાયરનો પહેલો કોલ સવારે 7 વાગે મળ્યો હતો. તરત અમારો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અંદર જઈને જોયું તો ધુમાડા નીકળતા હતા. અમે આગળથી દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો પણ ખૂલ્યો નહીં એટલે અમે પાછળના દરવાજાની જાળી તોડીને ઘરમાં પ્રવેશ કર્યો. અંદર જમીન પર પડેલા માણસોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. અમે જોયું તો નીચેના રૂમમાં આગ ચાલુ જ હતી. આ રિપોર્ટ પબ્લિશ થયો તે પહેલાં અમે ગોધરા પોલીસ સાથે પીએમ રિપોર્ટ અંગે વાત કરી. પોલીસ સ્ટેશનમાંથી માહિતી મળી કે પીએમ રિપોર્ટમાં એવું આવ્યું છે કે, ચારેય વ્યક્તિનાં મોત કાર્બન મોનોક્સાઈડના પાર્ટીકલ્સ ગળામાં અને ફેફસાંમાં ફસાઈ ગયા હતા અને શ્વાસ રૂંધાઈ ગયો હતો. તેથી મોતનું કારણ સફોકેશન છે. સોફા જેવા પદાર્થ જ્યારે સળગે ત્યારે તેમાંથી કાળા નાનાં દાણાં ધુમાડાની સાથે હવામાં ઊડે છે અને આ મટીરિયલમાંથી હવામાં કાર્બન મોનોક્સાઈડ નામનો ગેસ ફરે છે. કાર્બન મોનોક્સાઈડ વધારે સમય સુધી શ્વાસમાં જાય તો માણસનું મૃત્યુ થઈ શકે છે.
ગુજરાત માટે આજનો દિવસ ખૂબ ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે. એક રીતે મિનિઓલિમ્પિક તરીકે ગણાતી કોમનવેલ્થ ગેમ્સની 2030ની યજમાની અમદાવાદને આપવાનો આજે નિર્ણય આવી શકે છે. સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં આજે મહત્વની મિટિંગ છે. જેમાં ભાગ લેવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારત તરફથી એક ડેલિગેશન ત્યાં પહોંચી ચૂક્યું છે. અમદાવાદને ઇન્ટરનેશનલ ગેમ્સની યજમાની મળવાની પૂરેપૂરી સંભાવના છે. કોમનવેલ્થ સ્પોર્ટ એ એવી સંસ્થા છે જે કોઈ દેશને યજમાની આપવાનો નિર્ણય લે છે. કોઈપણ દેશ માટે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવું એ માત્ર રમતગમતના દૃષ્ટિકોણથી જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે તેની સમૃદ્ધિ, વિઝન અને ઇફ્રાસ્ટ્રક્ચરની રીતે પણ મહત્વનું માનવામાં આવે છે. અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઇંગ્લેન્ડ, ભારત, ન્યૂઝીલેન્ડ વગેરે સહિત નવ અલગ-અલગ દેશો કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી ચૂક્યા છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ 5 વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું છે. ભારતે અત્યાર સુધીમાં 3 મલ્ટિસ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન કર્યું છે. જેમાં 1951 અને 1982 એશિયન ગેમ્સ અને 2010ની કોમનવેલ્થ ગેમ્સનો સમાવેશ થાય છે. આ ત્રણેય રમતોનું આયોજન દિલ્હીમાં જ થયું હતું. જો અમદાવાદને યજમાની મળે છે તો પહેલીવાર એવું બનશે કે કોઈ ઇન્ટરનેશનલ લેવલની મલ્ટિસ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન દિલ્હી બહાર થાય. એટલું જ નહીં, 2030 માટે અમદાવાદને યજમાની મળે તો એક સંયોગ એવો પણ છે કે ત્યારે કોમનવેલ્થ ગેમ્સના આયોજનની 100મી વર્ષગાંઠ પણ હશે. આમ તો છેલ્લા ત્રણેક વર્ષથી અમદાવાદમાં ઓલિમ્પિક યોજવા માટેની તૈયારીઓમાં સરકાર લાગી ગઈ છે. એટલા માટે જ કોમનવેલ્થ ગેમ્સના આયોજનને એક ટેસ્ટ ઇવેન્ટ તરીકે જોવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં કોમનવેલ્થ યોજાય એટલે વડાપ્રધાન મોદીથી માંડીને કેન્દ્રીય ખેલ મંત્રાલય તેમજ ગુજરાત સરકાર ઘણા સમયથી પ્રયાસરત છે. લંડનમાં હર્ષ સંઘવીની આગેવાનીમાં 3 વખત પ્રેઝન્ટેશન થયુંઅમદાવાદને 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળે એ માટે લાંબા સમયથી મિટિંગ અને મુલાકાતોનો દોર ચાલતો રહ્યો. જેમાં કોમનવેલ્થની ટીમ બે વખત ગુજરાતની મુલાકાતે આવી અને તેમણે માળખાકીય સુવિધાઓ તેમજ તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ સિવાય લંડનમાં ત્રણ વખત પ્રેઝન્ટેશન પણ થયા હતા. 23 સપ્ટેમ્બર, 2025નો એ દિવસ હતો. અમદાવાદમાં 2030ની કોમલવેલ્થ ગેમ્સનું આયોજન થાય એ માટે લંડનમાં મહત્વની બેઠક મળી રહી હતી. ભારત તરફથી તેની આગેવાની એ સમયના ગુજરાતના રમતગમત મંત્રી (હાલના નાયબ મુખ્યમંત્રી) હર્ષ સંઘવી કરી રહ્યા હતા. કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશ 2030ની યજમાનીમાંથી બહાર થઈ ગયા બાદ અમદાવાદ અને નાઇજિરિયાના અબુજા શહેરમાંથી કોને મેજબાની મળવી જોઈએ તેના પર ચર્ચા ચાલી રહી હતી. સવાલ ઉઠ્યો, અમદાવાદમાં એવું તો શું છે જેના કારણે તેને કોમનવેલ્થની મેજબાની મળવી જોઈએ? વૈશ્વિકમંચ પર થયેલા આ સવાલનો જવાબ ભારતના ડેલિગેશનનું પ્રતિનિધિત્વ કરી રહેલા હર્ષ સંઘવીએ આપવાનો હતો. તેમણે કહ્યું,અમે એવું આયોજન કરવા માગીએ છીએ જે લાંબા ગાળાની અસર ઊભી કરે, નહીં કે ટૂંકા ગાળાનો તમાશો. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ધોરણનાં સ્ટેડિયમ્સ, નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ, નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે. આગામી સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એનક્લેવ જેવી સુવિધાઓ ઊભી કરવાની તૈયારી છે. કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનને સોંપવામાં આવેલી બિડમાં અમદાવાદને એક કોમ્પેક્ટ અને આધુનિક ગેમ્સ ફૂટપ્રિન્ટ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. જે ખેલાડીઓ, અધિકારીઓ અને દર્શકો માટે એકદમ અનુકૂળ અને સુવિધાપૂર્ણ હોય. આમ હોસ્ટ સીટી તરીકે અમદાવાદ ઘણા પેરામિટર્સ પર ખરું ઉતરે એમ છે. મિટિંગમાં હાજર કોમનવેલ્થ ગેમ્સના પ્રતિનિધિઓ અને અધિકારીઓ તેમજ અન્ય દેશથી આવેલા લોકોને પણ આ વાત ગળે ઉતરી. આમ, વૈશ્વિકપટલ પર અમદાવાદની દાવેદારી મજબૂત બની. અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ-2030ની મેજમાની મળે એ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની એક ટીમે 7 જૂન, 2025ના રોજ લંડન પહોંચી હતી. જ્યાં કોમનવેલ્થ ગેમ્સના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતની ભારતીય ટીમ દ્વારા અમદાવાદમાં મેજમાની માટે અત્યાર સુધી શું-શું તૈયારીઓ કરવામાં આવી તેની માહિતી અધિકારીઓને આપવામાં આવી હતી. લંડન ખાતે કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા અને ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના પ્રતિનિધિઓ પણ સામેલ હતા. આ બેઠક પછી નક્કી થયું હતું કે મેજમાની માટેનો સત્તાવાર પ્રસ્તાવ 31 ઓગસ્ટ, 2025 સુધીમાં સબમિટ કરવો. લંડનમાં થયેલી મિટિંગ બાદ ભારત કોમનવેલ્થ ગેમ્સ 2030ની સત્તાવાર દાવેદારી માટે કેન્દ્રીય રમતગમત મંત્રાલયે એક પ્રસ્તાવ બનાવ્યો, જેને કેન્દ્રીય કેબિનેટમાં રજૂ કર્યો હતો. PM મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે બિડ રજૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આમ, અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજવા માટે કેન્દ્ર સરકારની સત્તાવાર મંજૂરી મળી હતી. લંડનમાં જૂન મહિનામાં થયેલી મિટિંગ અને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી બાદ બીજી મહત્વની બેઠક ઓગસ્ટ મહિનાની 29મી તારીખે મળી. આ દિવસે હોકી લેજેન્ડ મેજર ધ્યાનચંદના સન્માનમાં ભારતમાં નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવવામાં આવે છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત એક ડેલીગેશન લંડન પહોંચ્યું હતું. આ ડેલિગેશનમાં ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના અધ્યક્ષ પી.ટી.ઉષા, ગુજરાતના યુવા અને સાંસ્કૃતિક વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સામેલ હતા. તેમણે 2030ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા માટે લંડન ખાતે કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન સમક્ષ ઔપચારિક પ્રપોઝલ સબમિટ કર્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને IOAના પ્રમુખ પી.ટી. ઉષાના નેતૃત્વમાં એક ડેલિગેશને લંડનમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ મૂલ્યાંકન સમિતિ સમક્ષ ઔપચારિક રીતે અમદાવાદનો પ્રસ્તાવ રજૂ કર્યો. આ પ્રપોઝલમાં અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સની સેન્ટેનરી એડિશન એટલે કે 100 વર્ષની ઉજવણી માટે હોસ્ટ સિટીના દાવેદાર તરીકે પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું. કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની માટે અમદાવાદની જેમ નાઇજીરીયાના અબુજા શહેર માટે પણ દાવેદારી કરવામાં આવી છે. એટલે કોમનવેલ્થ ગેમ્સના પદાધિકારીઓએ આ બન્નેમાંથી કોઈ એક વેન્યૂ પસંદ કરવાનો રહેશે. કોમનવેલ્થ ગેમ્સની 2030ની યજમાનીના સંદર્ભમાં અમદાવાદ અને નાઇજીરીયાના અબુજા શહેરની તુલના બન્ને શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સરકારનું વલણ, વસતિ અને ઇતિહાસ જેવા મુદ્દે સમજો. ગુજરાતના આંગણે કોમનવેલ્થ જેવી પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ ગેમ્સ રમાય એ સપનું આજકાલનું નથી. વર્ષો પહેલાં જેવામાં આવ્યું હતું. વર્ષ 2001માં નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીનો કાર્યભાર સંભાળ્યો ત્યારે ગુજરાતમાં રમતગમતનું માળખું અત્યંત મર્યાદિત હતું. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના કાર્યકાળ દરમિયાન રમતગમતના માળખાકીય વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો. જેમાં ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ સુવિધાઓ ઉભી કરવાનો પ્રયાસ થયો. રાજ્યમાં માત્ર મોટા શહેરો જ નહીં પરંતુ નાના સેન્ટર પર પણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્ટેડિયમ બનાવવાની નીતિ અપનાવવામાં આવી, જેથી યુવાનોને વિવિધ રમતો માટે સારી રીતે તાલીમ આપી શકાય. અમદાવાદના મોટેરામાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમ તોડીને આંતરરાષ્ટ્રીય કક્ષાનું નવું સ્ટેડિયમ બનાવવામાં આવ્યું. સવા લાખ પ્રેક્ષકોની ક્ષમતાવાળુ આ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. જેણે માત્ર રમતગમતની દુનિયામાં જ નહીં, ઇફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પણ અમદાવાદની આગવી ઓળખ ઉભી કરી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે સરદાર પટેલ એક્લ્વેવની 350 એકરની જગ્યા છે. જ્યાં બીજા સ્ટેડિયમ બનાવીને અન્ય રમતોનું આયોજન થઈ શકે છે. કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપરાંત બીજું મહત્વનું સ્થળ એટલે નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. જેનું ખાતમુહૂર્ત 29 મે, 2022ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હાથે કરવામાં આવ્યું હતું. સમય જતાં કેન્દ્ર અને રાજ્ય સરકારના રમતગમત વિભાગ તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આપેલાં સૂચનો મુજબ ફેરફાર કરવામાં આવ્યા હતા, જેથી એના બિલ્ટ-અપ એરિયામાં વધારો થતાં હાલમાં 1,16,821 ચોરસ મીટર બિલ્ટઅપ એરિયામાં કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે. અંદાજે 20.38 એકરથી વધુની જમીનમાં આ કોમ્પ્લેક્સ બનીને તૈયાર થયું છે. (અમિત શાહે ઉદ્ધાટન કરી દીધું છે 000 ) આ સંકુલમાં છ ટેનિસ કોર્ટ, બાસ્કેટબોલ કોર્ટ, વોલીબોલ કોર્ટ અને ફિટ ઇન્ડિયા ઝોન સહિતની આઉટડોર સુવિધાઓ છે. આ ઉપરાંત જોગિંગ ટ્રેક, જિમ્નેશિયમ તેમજ ચિલ્ડ્રન પ્લે એરિયા પણ બનાવવામાં આવ્યો છે. ગુજરાતમાં રમતગમત અને શારીરિક શિક્ષણને એકેડેમિક સ્તરે પ્રોત્સાહન આપવા માટે વર્ષ 2011માં ગુજરાત સરકારે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. વડોદરા જિલ્લાના દેસર ખાતે આવેલી આ યુનિવર્સિટીનો મુખ્ય ઉદ્દેશ્ય રમતગમત અને શારીરિક શિક્ષણના ક્ષેત્રમાં ખેલાડીઓ, કોચ તેમજ રમતગમત શિક્ષકો તૈયાર કરવાનો છે. જેમાં UG, PG, અને ડોક્ટરલ સ્તરે વિવિધ અભ્યાસક્રમો ભણાવવામા આવે છે. જેના થકી B.P.Ed, M.P.Ed, B.Sc. (ફિઝિકલ એજ્યુકેશન), સ્પોર્ટ્સ મેનેજમેન્ટ, સ્પોર્ટ્સ કોચિંગ અને યોગા જેવા કોર્સની ડિગ્રી મળે છે. SGSUમાં એથ્લેટિક્સ, વોલિબોલ, બાસ્કેટબોલ, કબડ્ડી, ક્રિકેટ વગેરેમાં વિદ્યાર્થીઓને કોચિંગ આપવામાં આવે છે. આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા ઇન્ટર-કોલેજ અને ઇન્ટર-યુનિવર્સિટી સ્પર્ધાઓ, સ્પોર્ટ્સ સેમિનાર અને વર્કશોપ્સનું આયોજન થાય છે. ગુજરાતમાં રમતગમત બાબતે ઉત્સાહ વધારવામાં સૌથી મોટો ફાળો ખેલ મહાકુંભનો રહ્યો છે. 2010માં ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં રાજ્યભરની સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓને ભાગ લેવાનો અને પોતાની પ્રતિભા રાજ્યસ્તરે બતાવવાનો બહોળો મોકો મળ્યો. ખેલ મહાકુંભ દ્વારા શહેરી ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાંથી પ્રતિભાશાળી ખેલાડીઓને શોધી કાઢવા અને તેમને રાજ્ય સ્તરે તાલીમ આપવા માટે એક મજબૂત મિકેનિઝમ ઊભું કરવામાં આવ્યું. ભારતે આ પહેલા માત્ર એક જ વાર વર્ષ 2010માં નવી દિલ્હી ખાતે કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી હતી. જેમાં 71 દેશના 6081 ખેલાડીઓએ અલગ-અલગ 17 પ્રકારની રમતોમાં ભાગ લીધો હતો. છેલ્લી બર્મિંગહામ 2022 ગેમ્સમાં 19 જેટલી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં સ્વિમિંગ, એથ્લેટિક્સ, બેડમિન્ટન, બોક્સિંગ, સાયકલિંગ, હોકી, કુસ્તી, જુડો, લોન બાઉલ્સ, નેટબોલ, રગ્બી સેવન્સ, સ્ક્વોશ, ટેબલ ટેનિસ, ટ્રાયથલોન, વેટલિફ્ટિંગ, કુસ્તી, બાસ્કેટબોલ, બીચ બોલીબોલ, મહિલા ક્રિકેટ T20 તેમજ પેરા-સ્પોર્ટ્સ પણ હતી. જેમાં લગભગ 72 દેશોના 5 હજારથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. 2030માં આ સંખ્યા વધીને અંદાજે 6થી સાડા 6 હજાર સુધી પહોંચવાનો અંદાજ છે. 2022માં બર્મિંગહામમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે કુલ વિવિધ 13 પ્રકારની રમતોમાં 61 મેડલ જીત્યા હતા. જેમાંથી 22 ગોલ્ડ મેડલ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ હતા. ભારતે કુલ 61માંથી 30 મેડલ તો માત્ર રેસલિંગ, વેટલિફ્ટિંગ અન એથલેટિક્સ એમ ત્રણ ગેમ્સમાં જ જીતી લીધા હતા. જ્યારે ક્રિકેટમાં ભારતને અહીં સિલ્વર આવશે. ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે રનરઅપ રહ્યાં હતાં. બીજું આમાં એ ઉમેરી શકો કે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં માત્ર વુમન્સ ટીમે જ ભાગ લીધો હતો. મેડલ મળ્યો હતો. નોંધવા જેવી વાત એ પણ છે કે બજેટની મર્યાદાઓને કારણે 2026ના ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાંથી શૂટિંગ, કુસ્તી, હોકી અને T20 ક્રિકેટ જેવી રમતો રમાડવામાં નહીં આવે. આ નિર્ણય એક રીતે ભારત માટે મોટો ફટકો ગણી શકાય. કારણ કે પડતી મૂકાયેલી રમતોમાં ભારતનું પ્રદર્શન સારું રહ્યું છે. પરંતુ 2030માં પણ કઈ કઈ રમતો રમાડવી કે કે કઈ રમતો પડતી મૂકવી તેનો નિર્ણય યજમાન દેશ લેશે. એટલે સંભાવના છે કે ભારતના ખેલાડીઓનો જે ગેમ્સમાં દબદબો છે એને સામેલ કરવામાં આવે. કોમનવેલ્થના ઇતિહાસ પર એક નજરકોમનવેલ્થ એ મલ્ટિસ્પોર્ટ્સ ઇન્ટરનેશનલ ગેમ છે. જેમાં અંગ્રેજોએ ભૂતકાળમાં જે દેશ-પ્રદેશો પર રાજ કર્યું એ દેશોના એથ્લેટ્સ ભાગ લે છે. હાલમાં આ સંગઠનમાં હાલમાં 54 સભ્ય દેશો છે. દર ચાર વર્ષે આયોજિત થતી આ ગેમ્સનું પહેલીવાર વર્ષ 1930માં આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ ગેમ્સ કેનેડાના હેમિલ્ટન શહેરમાં યોજાઈ હતી. શરૂઆતમાં આ ગેમ્સને બ્રિટિશ એમ્પાયર ગેમ્સ તરીકે ઓળખવામાં આવતી હતી. સમય જતાં તેના નામમાં ફેરફાર થયા અને 1978થી કોમનવેલ્થ ગેમ્સ તરીકે ઓળખાય છે.
સરકારી નાણાંનો વ્યય:ઇંટ તૂટી જાય છે, રેતી પણ હલકી કક્ષાની.. આમ થાય છે પંચાયત ઘરની કામગીરી!
શિનોર તાલુકાના અવાખલ ગામે રૂપિયા 25 લાખના ખર્ચે પંચાયત ઘર કમ તલાટી કમ મંત્રી આવાસનું કામ શરૂ થયેલ છે. જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા તદ્દન હલકી કક્ષાની ગુણવત્તાવાળી ઈંટો, સિમેન્ટ તથા રેતી વપરાતી હોઇ લોકોમાં રોષ ફેલાયો છે. આ અંગે ગ્રામજનોએ તપાસની માંગ કરી છે. જિલ્લા પંચાયત વડોદરાની વર્ષ 2024-25ની સ્ટેમ્પ ડ્યૂટી ગ્રાન્ટમાંથી અવાખલ તથા ટીંબરવા ગામે પંચાયત ઘર કમ તલાટી કમ મંત્રી આવાસ માટે રૂા.25 લાખના ખર્ચે વહીવટી મંજૂરી 8 ઓક્ટોબર 2024ના રોજ કાર્યપાલક ઇજનેર વડોદરા દ્વારા મળેલ છે. ટીંબરવામાં બે માળનું મકાન પૂર્ણતાને આરે છે. ઝાંઝડ ગામે પણ મકાન પૂર્ણતાને આરે છે. જ્યારે અવાખલ ગામે જિલ્લા પંચાયત સદસ્યા સુમિત્રાબેન વસાવા તથા સરપંચ એકતાબેન પટેલ દ્વારા 21 ઓગસ્ટ 2025ના રોજ ખાતમુહૂર્ત કરાયું હતુ. પરંતુ મંગળવારે સ્થળ મુલાકાત લેતાં કોન્ટ્રાક્ટર દ્વારા તદ્દન હલકી કક્ષાની ઈંટો અને રફ રેતી સાથે અપૂરતા સિમેન્ટથી કામગીરી થઇ રહી હોવાનું જોવા મળ્યું હતું. સ્થળ પર જવાબદાર કોઇ વ્યક્તિ નથી. ત્યારે જિલ્લા તથા તાલુકા પંચાયતના જવાબદાર અધિકારી તથા લાગતા વળગતા પદાધિકારી તાત્કાલિક સ્થળ પર આવીને ગુણવત્તા વગરના મટિરિયલને પરત મોકલીને, નવા મટિરિયલથી કામ શરૂ કરાવે એવી માંગ છે. હલકી કામગીરીથી નવા થનારા પંચાયત ઘરની દુર્દશા થઇ શકે છેઅવાખલમાં રૂપિયા 25 લાખના ખર્ચે પંચાયત ઘર કમ તલાટી કમ મંત્રી આવાસનું કામ ચાલી રહ્યું છે. જેમાં વપરાતી ઇંટો મુક્કો મારવાથી તેના ફાડિયા બની જાય તેટલી હલકી કક્ષાની છે. તો રેતી પણ સેકન્ડ ગ્રેડની છે. જ્યારે સિમેન્ટ પણ એસ્ટિમેટ મુજબ વપરાતો નથી. ત્યારે બનાવવામાં આવેલ ખાળ કૂવો તથા પ્લિન્થના પાયામાં અને પ્લિન્થ લેવલમાં આ કન્ડમ ઈંટો વપરાવાથી નવા બનનારા પંચાયત ઘરની દુર્દશા થશે એ નક્કી છે. આ રીતે સરકારી નાણાંનો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓના મેળાપીપણાને કારણે વેડફાટ થઇ રહ્યો હોવાનું જણાઇ આવે છે.
આરોપીઓને સજા:માંડવીના 1.94 કરોડના હેરોઈન કેસમાં ૩ આરોપીને 20 વર્ષની કેદ
2019માં માંડવીમાંથી એટીએસે રૂપિયા 1.94 કરોડના હેરોઈન સાથે ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા, જે ગુનામાં ભુજની સ્પે.એનડીપીએસ કોર્ટે ત્રણેય આરોપીઓને 20 વર્ષની સખત કેદ અને રૂપિયા 2-2 લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ એટીએસની ટીમને મળેલ બાતમીને આધારે 28 જુલાઈ 2019 ના કોડાય ત્રણ રસ્તા નજીકથી બાઈક પર જતા માંડવી તાલુકાના કાઠડા ગામનો આરોપી ઉમર હુસેન વાઘેર અને માંડવીના આરોપી નાદીર હુસેન ઉર્ફે રાજા અબ્દુલ સતાર સમેજાને રૂપિયા 97.60 લાખની કિંમતના 976 ગ્રામ હેરોઈન સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપીઓની પૂછ પરછ કરતા તેઓને દરિયા કિનારેથી આ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેને વેચવા માટે ગ્રાહક શોધી રહ્યા હતા. તેમજ બન્ને આરોપીઓએ માંડવીના આરોપી ઇમરાન અબ્દુલકાદર મણીયારને વેચાણ કરવા માટે રૂપિયા 96.50 લાખની કિંમતનો 965 ગ્રામ હેરોઈન આપ્યો હોવાનું સામે આવતા એટીએસે 1 ઓગષ્ટ 2019ના તેને પણ મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. જે મામલે ત્રણેય આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં પ્રોસીક્યુશન તરફે 51 દસ્તાવેજી પુરાવા તથા 19 સાક્ષી તપાસવામાં આવ્યા હતા. જેમાં ભુજની સ્પે.એનડીપીએસ કોર્ટે ત્રણેય આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 2-2 લાખનો દંડ ફટકાર્યો છે. જો આરોપીઓ દંડની રકમ ન ભરે તો વધુ 2 વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં પ્રોસીક્યુશન તરફે સ્પે.એનડીપીએસ કાયદાના અધિક જિલ્લા સરકારી વકીલ સુરેશ.એ.મહેશ્વરી હાજર રહ્યા હતા.
એક બાજુ અમેરિકા દ્વારા પ્રતિબંધો વચ્ચે પણ ભારત પોતાની રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને રશિયા પાસેથી ક્રુડની ખરીદી જારી રાખી છે. જેનું મુખ્ય આયાત કેન્દ્ર કચ્છનું અખાત જ રહ્યું છે. આ બધાની વચ્ચે હવે આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોરનો ઉપયોગ કરી રશિયાએ કચ્છના મુન્દ્રા સુધી શિપનો ઉપયોગ કરી ભારતને સીધી માલગાડી મોકલી છે. રશિયન રેલ્વે લોજિસ્ટિક્સે રશિયન યુરલ્સ ક્ષેત્રમાં ચેલ્યાબિન્સ્કથી ભારતના ગુજરાતના મુન્દ્રા બંદર સુધી INSTC રૂટ પર એક સંપૂર્ણ કન્ટેનર ટ્રેન મોકલી છે. જે ઇરાન સુધી માલગાડી અને ત્યાંથી કાર્ગો સમુન્દ્ર માર્ગે મુન્દ્રા પહોંચ્યું છે ! અનાજથી ભરેલા વીસ ફૂટના 62 કન્ટેનર ધરાવતી આ ટ્રેન, આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ કોરિડોરના પૂર્વીય રેલ રૂટને અનુસરીને ઈરાનના બંદર અબ્બાસ સુધી ગઈ અને પછી તેને મુન્દ્રા મોકલવામાં આવી. ચેલ્યાબિન્સ્કથી ભારત સુધીનો પરિવહન સમય માત્ર ૩૦ દિવસનો છે, જે અગાઉના પરિવહન માર્ગો કરતા 5 દિવસ ઝડપી છે. ટ્રેનમાં કન્ટેનરની સંખ્યા 31 થી 62 યુનિટ સુધી બમણી કરવાથી લોજિસ્ટિક્સ સેવાનું સ્કેલિંગ અને કાર્યકારી કાર્યક્ષમતામાં વધારો થાય છે. રશિયન રેલ્વે ભારતમાં કૃષિ ઉત્પાદનોના પરિવહનના જથ્થામાં વધારો કરવાનું ચાલુ રાખી રહી છે. આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ કોરિડોર રૂટનો ઉપયોગ કાર્ગો ડિલિવરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો, ખર્ચ ઘટાડવા અને બંને દેશો વચ્ચે વેપાર સંબંધોના વિકાસને સરળ બનાવવા માટે પરવાનગી આપે છે. સુએઝ નહેરના માર્ગના વિકલ્પ અને ખર્ચ ઓછોઆંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોરએ 7,200 કિલોમીટર લાંબો નેટવર્ક છે, જે જહાજ, રેલ અને માર્ગ દ્વારા અઝરબૈજાન, મધ્ય એશિયા, યુરોપ, ભારત, ઈરાન અને રશિયા વચ્ચે માલસામાનની હેરફેર માટેનો માર્ગ પૂરો પાડે છે. આ કોરિડોરનો મુખ્ય ઉદ્દેશ મુંબઈ, મુન્દ્રા, મોસ્કો, તેહરાન, બાકુ, બંદર અબ્બાસ, અસ્ટ્રાખાન, બંદર અંઝલી જેવા મુખ્ય શહેરો વચ્ચે વેપાર જોડાણ વધારવાનો છે. આ માર્ગમાં મુખ્યત્વે ભારત, ઈરાન, અઝરબૈજાન અને રશિયન ફેડરેશનથી માલસામાનને જહાજ, રેલ અને રોડ દ્વારા ખસેડવાનો સમાવેશ થાય છે. આ રૂટથી પરિવહન ખર્ચમાં “પ્રતિ 15 ટન કાર્ગોએ $2,500” નો ઘટાડો થયો છે. આ કોરિડોરનો મુખ્ય હેતુ સુએઝ નહેરના માર્ગના વિકલ્પ તરીકે છે. ફેડરેશન ઓફ ફ્રેઈટ ફોરવર્ડર્સ એસોસિએશન્સ ઇન ઇન્ડિયાના સર્વે મુજબ, INSTC એ સુએઝ નહેરના પરંપરાગત માર્ગ કરતાં 30 ટકા સસ્તો અને 40 ટકા ઓછો સમય લેનારો છે.
ભાસ્કર એક્સક્લુઝિવ:કચ્છમાં 20 જ્વાળામુખી 6.6 કરોડ વર્ષથી નિષ્ક્રિય : હવે ફાટવાની કોઇ સંભાવના નથી
ઇથિયોપિયામાં એક જ્વાળામુખી 12 હજાર વર્ષ પછી અચાનક રવિવારે ફાટ્યો છે. આ વિસ્ફોટમાંથી નીકળેલી રાખનાં વાદળ રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી સુધી ફેલાઈ ગયાં છે. એનો એક ભાગ કચ્છ અને ગુજરાતને પણ સ્પર્શી શકે છે. જ્યાં સુધી જ્વાળામુખીની વાત છે તો કચ્છનો તેની સાથે કરોડો વર્ષ જૂનો સંધંધ છે. કચ્છમાં આવેલા અંદાજે 20 ડુંગરો પરથી 6.6 કરોડ વર્ષ પૂર્વે જ્વાળામુખીનો વિસ્ફોટ થયો હતો. ત્યારે કચ્છ સહીત મહારાષ્ટ્ર અને વેસ્ટર્ન અને સાઉથ ઇન્ડિયાનો વિસ્તાર જ્વાળામુખીની ચપેટમાં આવ્યો હતો. જોકે ત્યારથી જ આ તમામ જ્વાળામુખી નિષ્ક્રિય છે. જે હવે ફાટવાની કોઇ સંભાવના ન હોવાનું નિષ્ણાંતો દાવા સાથે કહે છે. કચ્છમાં જ્યારે જ્વાળામુખી વિસ્ફોટ થયો તે સમયગાળાને ‘ક્રિટેશિયસ યુગ’નો અંત કહેવાય છે. આ એ જ સમય હતો જ્યારે પૃથ્વી પરથી ડાયનોસોરનો નાશ થયો હતો. કચ્છમાં ધીણોધર, વરાર ડુંગર, ભુજીયો ડુંગર, વિથોણ, નનામો ડુંગર, કાળી તલાવડી અને ચંદરવા ડુંગર સહીતના 20 ડુંગર જ્વાળામુખીના મુખ છે. જ્વાળામુખી અને કચ્છનો જુનો નાતો રહ્યો છે. કચ્છના તમામ જ્વાળામુખી હાલ નિષ્ક્રિય છે. એટલે કચ્છમાં આગામી વર્ષોમાં કોઈ જ્વાળામુખી વિસ્ફોટ થવાની શક્યતા નથી. તે સમયે હિંદ મહાસાગરમાં જમીનની નીચે એક અત્યંત ગરમ લાવાનો સ્ત્રોત હતો, જે આજે ‘રીયુનિયન આઈલેન્ડ’પાસે છે. કચ્છ અને પશ્ચિમનો ભાગ આ હોટસ્પોટ પરથી પસાર થયો, ત્યારે જમીન નીચેથી ભયાનક ગરમી ઉપર આવી ગઈ હતી. આપણે જ્વાળામુખી એટલે એક શંકુ આકારનો પર્વત કલ્પીએ છીએ, પણ કચ્છમાં એવું નહોતું થયું. ત્યાં પ્રચંડ દબાણને કારણે જમીનમાં લાંબી તિરાડો પડી હતી. આ તિરાડોમાંથી ધગધગતો લાવા પાણીની જેમ બહાર નીકળ્યો અને ચારે બાજુ ફરી વળ્યો. આ લાવા ઠરવાથી જે કાળા પથ્થરો બન્યા હતા. તેને આપણે હાલ તેને બ્લેક ટ્રેપ પથ્થર તરીકે ઓળખીએ છીએ. કચ્છમાં બ્લેક ટ્રેપ પથ્થરની સેકંડો ખાણ આવેલી છે. તે બ્લેક ટ્રેપ જ્વાળામુખીનો એક ભાગ છે કચ્છ અને જ્વાળામુખીનો જૂનો નાતોકચ્છ અને જ્વાળામુખીનો જુનો નાતો રહ્યો છે. કચ્છમાં 6.6 કરોડ વર્ષ પૂર્વે જ્વાળામુખી ફાટ્યો હતો. કચ્છમાં ભચાઉ, અંજાર, ગઢશીશાથી ઘડુલી સુધીના પટ્ટાને ડેક્કન ટ્રેપ્સ વિસ્તાર કહેવામાં આવે છે. અને તે દુનિયાના સોથી મોટા વોલ્કેનોમાનો એક વોલ્કેનો માનવામાં આવે છે. પણ હવે કચ્છમાં જ્વાળામુખી ફાટવાની કોઈ સંભાવના નથી. કેમ કે તે હાલ નિષ્ક્રિય છે. પણ ઇથોપિયામાં હાલ જે જ્વાળામુખી વિસ્ફોટ થયો છે તે એક્ટીવ છે અને ત્યાં આવેલી ૩ પ્લેટ એકબીજાથી દુર ખસી રહી છે. જેથી પ્લેટ વચ્ચે મોટી ખાડી થશે અને ભયંકર ભૂકંપની શક્યતા છે. પણ આ ઘટનાને લાખો કરોડો વર્ષે લાગી શકે છે. ધીણોધર ડુંગર કેવી રીતે બન્યો?જ્યારે જ્વાળામુખી શાંત પડવા આવ્યો, ત્યારે છેલ્લે નીકળતો લાવા બહાર આવવાને બદલે જ્વાળામુખીની નળીમાં (મુખમાં) જ ઠરી ગયો. આ લાવા ત્યાં જામીને લોખંડ જેવો સખત પથ્થર બની ગયો. કરોડો વર્ષો સુધી પવન અને વરસાદને કારણે આજુબાજુની પોચી માટી અને ખડકો ધોવાઈ ગયા, પણ વચ્ચે જામી ગયેલો પેલો સખત પથ્થરનો ભાગ અડીખમ ઊભો રહ્યો. આજે આપણે જેને ‘ધીણોધર ડુંગર’ તરીકે જોઈએ છીએ, તે વાસ્તવમાં આ જામી ગયેલો લાવાનો સ્તંભ છે. ભારતનો આ ભાગ જ્યારે ગરમ લાવાના કૂવા પરથી પસાર થયો ત્યારે કચ્છમાં લાવા પથરાયો હતો અને તેના જ અવશેષ રૂપે આજે ધીણોધર અને કાળો ડુંગર જોવા મળે છે. બેન્ટોનાઈટ જ્વાળામુખીની રાખકચ્છના અનેક તાલુકાઓમાં બેન્ટોનાઈટની મોટી ખાણ આવેલી છે. પણ બેન્ટોનાઈટએ જ્વાળામુખીની રાખ હોવાનું ખનિજશાસ્ત્રીઓ અને ભૂસ્તરશાસ્ત્રીઓ માને છે. કરોડો વર્ષે પૂર્વે જયારે જ્વાળામુખીનો વિસ્ફોટ થયો હશે અને તેની રાખ કચ્છમાં પડી હશે.એ જ રીતે હાલ જે ઇથોપિયાની જ્વાળામુખીની રાખ જ્યાં પડશે ત્યાં લાખો કરોડો વર્ષ પૂર્વે ત્યાં બેન્ટોનાઈટ મળી શકશે તેવી સંભાવના છે.
ખનીજચોરોમાં ફફડાટ:માંડવીમાં ટાસ્ક ફોર્સે ખનીજ માફિયાઓ પર તવાઈ બોલાવી 21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
કચ્છ જિલ્લામાં ખનીજ ચોરીની બદીને ડામવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા સખત વલણ અપનાવવામાં આવ્યું છે. કલેક્ટરની સૂચના અને માર્ગદર્શન હેઠળ રચવામાં આવેલી જિલ્લા ટાસ્ક ફોર્સની ટીમે માંડવી તાલુકામાં રાત્રે સપાટો બોલાવીને ખનીજ ચોરી કરતા તત્વો સામે લાલ આંખ કરી છે. ટાસ્ક ફોર્સે એક જ રાતમાં અલગ-અલગ જગ્યાએ દરોડા પાડીને 21 લાખનો મુદ્દામાલ જપ્ત કરતા ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ખનીજ ચોરી અટકાવવા માટે ટાસ્ક ફોર્સ દ્વારા તા. 24/11ની રાત્રે માંડવી પંથકમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન માંડવી શહેરમાં જી.ટી. ગ્રાઉન્ડ પાસેથી પસાર થતી એક શંકાસ્પદ ટ્રકને અટકાવીને તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આ ટ્રકમાંથી અંદાજિત 40 થી 45 ટન જેટલી સાદી રેતીનો જથ્થો મળી આવ્યો હતો, જે ગેરકાયદેસર રીતે વહન કરાતું હોવાનું સામે આવતા ટાસ્ક ફોર્સ રેતી અને ટ્રક સહીત અંદાજે રૂ.15 લાખનો મુદ્દામાલ સ્થળ પર જ જપ્ત કર્યો હતો. કાર્યવાહીનો દોર અહીં અટક્યો ન હતો. ટીમે ચેકિંગ આગળ વધારતા મોટી રાયણ ગામ પાસેથી પસાર થતી નદીમાં પણ તપાસ હાથ ધરી હતી. ત્યાં નદીના પટમાં કોઈપણ જાતની પરવાનગી વગર ગેરકાયદેસર રીતે સાદી રેતી ભરતા બે ટ્રેક્ટરો ઝડપાઈ ગયા હતા. આ બંને ટ્રેક્ટરમાં અંદાજે 2 થી ૩ ટન રેતી ભરેલી હતી. ટાસ્ક ફોર્સે ત્વરિત કાર્યવાહી કરી રેતી અને ટ્રેક્ટર સહિત કુલ રૂ. 6 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આમ સમગ્ર રાત્રિ દરમિયાન ચાલેલી આ ડ્રાઈવમાં માંડવી તાલુકામાંથી કુલ 21 લાખનો મુદ્દામાલ જપ્ત કરી, પકડાયેલા વાહનોને હાલ માંડવી સીટી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે. ખનીજ ચોરી થતી હોય તો અહી કરો સંપર્કજિલ્લા કલેક્ટર દ્વારા રચાયેલી આ ટાસ્ક ફોર્સનો મુખ્ય ઉદ્દેશ્ય ખાણ-ખનીજમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવાનો છે. તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, જો કોઈ નાગરિકને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોવાની જાણ થાય, તો તેઓ તાત્કાલિક મોબાઈલ નંબર 87589 79966 તથા 7076315455 પર સંપર્ક કરી જાણ કરી શકે છે. માહિતી આપનારની વિગતો ગુપ્ત રાખવામાં આવશે.
કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની બીજી આવૃત્તિની જાહેરાત કરાઈ છે, જે 8 થી 9 જાન્યુઆરી 2026ના રાજકોટમાં યોજાશે. આ સાથે જ તે સ્થળે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન પણ યોજાશે, જે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના ઉદ્યોગો, MSMEs, સરકારી સંસ્થાઓ અને ઉદ્યોગસાહસિકો માટે એક ઉચ્ચ પ્લેટફોર્મ પ્રદાન કરશે. આ કોન્ફરન્સ સિરામિક્સ, એન્જિનિયરિંગ, બંદરો અને લોજિસ્ટિક્સ, મત્સ્ય ઉદ્યોગ, પેટ્રોકેમિકલ્સ, કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ, ખનિજો સહિતના મુખ્ય વિકાસ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે. વ્યૂહાત્મક ભાગીદારી, પોલિસી સપોર્ટ અને રોકાણકારોના સહયોગ દ્વારા આ કાર્યક્રમનો ઉદ્દેશ ગુજરાતના પશ્ચિમ પટ્ટામાં સમાવિષ્ટ વિકાસ અને ટકાઉપણું સુનિશ્ચિત કરવાની સાથે ઔદ્યોગિક વિકાસને વેગ આપવાનો છે.ઉત્તર ગુજરાતમાં આયોજિત પ્રથમ કોન્ફરન્સમાં 18,000 ચોરસ મીટરથી વધુનો વિસ્તાર આવરી લેવાયો હતો, 6 થીમેટિક પેવેલિયન બનાવાયા હતા, 170થી વધુ MSMEs સહિત 410થી વધુ એક્ઝિબિટર્સે હિસ્સો લીધો હતો, અને આ કોન્ફરન્સમાં 80,000થી વધુ મુલાકાતીઓ આવ્યા હતા.કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં યોજાનારી કોન્ફરન્સમાં 6 અત્યાધુનિક ડોમ સાથે 20,000 ચોરસ મીટરથી વધુના વિસ્તારને આવરી લેવાશે, જેમાં ક્ષેત્રીય પ્રદર્શન, નવીનીકરણ પ્લેટફોર્મ અને બિઝનેસ નેટવર્કિંગ તકોનો સમાવેશ થશે. આ એક્ઝિબિશનમાં એગ્રો, ફૂડ પ્રોસેસિંગ અને ફિશરીઝ, રિન્યુએબલ એનર્જી, એન્જિનિયરિંગ, બંદરો અને લોજિસ્ટિક્સ, હાથશાળ અને હસ્તકલા, રસાયણો અને પેટ્રોકેમિકલ્સ, બેંકો અને નાણાકીય સંસ્થાઓ અને શિક્ષણ સંસ્થાઓ સહિત ઉચ્ચ વિકાસ ક્ષેત્રોની અગ્રણી કંપનીઓ અને સંસ્થાઓ ભાગ લેશે. આ ઉપરાંત, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, કૃષિ વિભાગ, ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી, ગુજરાત ખનિજ વિકાસ નિગમ, વન વિભાગ, ગુજરાત મેરીટાઇમ બોર્ડ, શિક્ષણ વિભાગ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પ્રવાસન વિભાગ અને સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર્સ જેવા અનેક મુખ્ય સરકારી વિભાગો અને એજન્સીઓ પણ ભાગ લેશે. દૈનિક લકી ડ્રો યોજવામાં આવશેક્રાફ્ટ વિલેજ અને બહોળી સંખ્યામાં MSMEની ભાગીદારીથી આ વિસ્તારની સમૃદ્ધ કૌશલ્ય પરંપરા અને ઉદ્યોગસાહસિકતા ઉજાગર થશે. મુખ્ય આકર્ષણ વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ, રિવર્સ બાયર-સેલર મીટ અને ઉદ્યમી મેળો હશે, જેનો ઉદ્દેશ્ય માર્કેટમાં નવી તકો ઊભી કરવાનો અને સ્થાનિક MSMEs, કારીગરો તેમજ હાથશાળ અને હસ્તકલા વ્યવસાયોને વૈશ્વિક ખરીદદારો સાથે જોડવામાં મદદ કરવાનો છે. મુલાકાતીના અનુભવને સમૃદ્ધ બનાવવા દૈનિક લકી ડ્રૉ યોજવામાં આવશે.
રોમાંચક તાલીમ:પ્રથમ વખત કચ્છના NCCના 3 કેડેટ્સે આગ્રામાં પેરાશેઇલિંગની તાલીમ મેળવી
એનસીસીમાં સાહસિકતા, સતર્કતા શિસ્ત અને નેતૃત્વના ગુણો વિકસાવવાના ભાગરૂપે તાજેતરમાં જામનગર એનસીસી ગ્રુપ હેડ ક્વાર્ટર્સ અંતર્ગતના આર્મી તથા નેવી એનસીસી કેડેટ્સ દ્વારા સૌપ્રથમ વખત આગ્રામાં આર્મી પેરા ટ્રેનિંગ સ્કૂલમાં પેરાશેઇલિંગની રોમાંચક તાલીમ લેવામાં આવી હતી. જેમાં કચ્છના 3 કેડેટ્સ જોડાયા હતા તેઓએ ટ્રેનિંગ દરમ્યાન 1500 ફૂટની ઊંચાઈએથી છલાંગ લગાવી હતી. પેરાજમ્પિંગમાં AN 32 હવાઈ જહાજ દ્વારા 1500 ફૂટની ઊંચાઈએથી કૂદવાની આ તાલીમમાં ભુજના 36 એનસીસી બટાલિયનનાં કેડેટ ઓઢેજા અમાનત અને 5 નેવલ યુનિટની કેડેટ જયશ્રી તથા ગાંધીધામનાં 6 નેવલ યુનિટની કેડેટ હેમા શર્માએ 4 નવેમ્બર થી 24 નવેમ્બર સુધી તાલીમ લીધી હતી. યુવાનોમાં સાહસિકતાનો ગુણ વિકસે એ માટે આ આયોજન કરવામાં આવ્યું હતું.કચ્છના 3 કેડેટસે ઉત્સાહભેર ભાગ લીધો હતો.ખાસ આ પ્રકારના આયોજનો વિદ્યાર્થીઓને NCCમાં જોડાવવા માટે પણ પ્રેરણા આપે છે.
ભાસ્કર ફોલોઅપ:કચ્છના મતદારો માટે એન્યુમરેશન ફોર્મ જમા કરાવવાની છેલ્લી તક
કચ્છ જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદી સુધારણા અને ડિજીટાઇઝેશનની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જે નાગરિકોએ હજુ સુધી પોતાના એન્યુમરેશન ફોર્મ સંબંધિત બુથ લેવલ ઓફિસર પાસે જમા નથી કરાવ્યા, તેમના માટે તંત્ર દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ કરવા માટે હવે મતદારો પાસે છેલ્લી તક છે. તંત્ર દ્વારા આગામી તારીખ 29 અને 30 નવેમ્બરના રોજ સમગ્ર કચ્છ જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓ ખાતે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય ડ્રાઈવ દરમિયાન જે નાગરિકોની નોંધણી બાકી હોય અથવા જેમણે ફોર્મ જમા ન કરાવ્યા હોય, તેઓ રૂબરૂ જઈને પોતાના ફોર્મ જમા કરાવી શકશે. આ અંગે માહિતી આપતા કચ્છના નાયબ ચૂંટણી અધિકારી વિવેક બારહટે જણાવ્યું હતું કે, “જિલ્લામાં અત્યાર સુધીમાં કામગીરી ખૂબ જ સંતોષકારક રહી છે. કચ્છમાં 65 ટકા મતદારોનું ડિજીટાઇઝેશન કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. આ ઉપરાંત, જે 5 ટકા લોકો સ્થળાંતર કરીને અન્યત્ર વસવાટ કરવા ચાલ્યા ગયા છે, તેવા લોકોની પણ યોગ્ય નોંધણી કરી લેવામાં આવી છે. આમ, કુલ મળીને 70 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. બાકી રહેલી ૩૦ ટકા કામગીરીને સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે તંત્ર કટિબદ્ધ છે. લોકશાહીના પર્વમાં કોઈ પણ લાયક મતદાર યાદીમાં નામ નોંધાવવાથી કે વિગતો સુધારવાથી વંચિત ન રહી જાય તે હેતુથી આ કેમ્પનું આયોજન કરાયું હોવાનું તેમણે જણાવ્યું હતું. સાથે જ તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ કેમ્પનો મહત્તમ લાભ લે અને વહેલી તકે પોતાના ફોર્મ જમા કરાવે.
ઉજવણી:દરબાર ગઢ ખાતે સુધરાઈ ઉપપ્રમુખે ખીલી પૂજન કરી સ્થાપના દિવસની પરંપરા જાળવી
કચ્છના પાટનગર ભુજ શહેરની ઇ.સ.1510 માં મહારાઓ ખેંગાજી પ્રથમે દરબારગઢ ખાતે ખીલી ખોડીને સ્થાપના કરી હતી. આ શહેર આજે 478મું વર્ષ ઉજવી રહ્યું છે. ચતુર દિશામાં ભુજનો વિકાસ થયો છે. પાંચ નાકાની અંદરનું ભુજ હવે ચાર ગણું બહાર વિકસિત છે. ભુજનો સ્થાપના દિવસ દર વર્ષની જેમ ધાર્મિક પરંપરા સાથે તેરા ઠાકોર મયુર ધ્વજસિંહ જાડેજા, ભુજ પાલિકાના ઉપપ્રમુખ ઘનશ્યામ સી. ઠક્કર તેમજ કારોબારી સભ્યો, નગર સેવકો અને અગ્રણીઓના હસ્તે ખીલી પૂજન વિધિ કરાવી હતી. પ્રાગ મહેલના પ્રાંગણમાં કેક કટીંગ કરીને ભુજના નાગરિકોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. 2001ના ભૂકંપમાં ભુજમાં ભારે તારાજી સર્જાઈ હતી. આ શહેર મહાનગરપાલિકા માટે હકદાર છે. સુધરાઈ દ્વારા ભુજના સ્થાપના દિનની ઉજવણી વખતે નગરપાલિકા ઉપપ્રમુખ ઘનશ્યામ ઠક્કરે રાજાશાહી વખતથી પરંપરા મુજબ પ્રથમ રાજ પરિવારના સભ્યો અને શહેરના પ્રથમ નાગરિક એટલે કે પાલિકા પ્રમુખ દ્વારા પૂજન વિધિ કરવામાં આવે છે તે અવસર પ્રાપ્ત થયો છે તે માટે ખુશી વ્યક્ત કરી હતી. તેરા ઠાકોર મયુર ધ્વજસિંહ જાડેજાએ જણાવ્યું કે ભુજનું એક અલાયદુ ઐતિહાસિક મહત્વ છે. શહેરની ધરોહરને સાચવવાની જવાબદારી તમામ શહેરીજનની છે. પૂજન વિધિ વખતે નરેન્દ્ર પ્રજાપતિ, કશ્યપ ગોર, ભૌમિક પછરાજાની, મનિષાબેન સોલંકી, રેશમાબેન ઝવેરી, મનુભા જાડેજા, કમલ ગઢવી, કિરીટ સોમપુરા સહિતના રાજકીય નેતાઓ અને અગ્રણીઓ હાજર રહ્યા હતા.
કચ્છ જિલ્લામાં વિદ્યાસહાયકની સ્પેશીયલ ભરતી ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ માટે તા.8/5/2025ની જાહેરાતના ઉમેદવારો માટે ફાઈનલ મેરીટયાદી અને કોલ-લેટ૨ મેળવવા સૂચના જાહેર કરાઈ છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા યાદી બહાર પાડવામાં આવી છે ધો. 6 થી 8 પ્રથમ તબક્કાની ગણિત વિજ્ઞાન વિષયની ફાઈનલ મેરીટયાદી પ્રસિધ્ધ કરાઈ છે. આ સાથે મેરીટમાં આવતાં ઉમેદવારોને પોતાના કોલ લેટ૨ વેબસાઈટ પરથી મેળવી લેવા સૂચના અપાઈ છે. કચ્છ જિલ્લામાં વિદ્યાસહાયકની સ્પેશીયલ ભરતી 2025 (ધો. 6 થી 8 ગુજરાતી માધ્યમ) માં ગણિત વિજ્ઞાન વિષયના અનામત / બિન અનામત કેટેગરીમાં 73.4566 મેરીટ સુધીના ઉમેદવારો ઓન લાઈન કોલ લેટર મેળવી શકશે. આ ઉમેદવારોને તા.27/11 થી તા.28/11 દરમ્યાન જિલ્લા પસંદગી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ગાંધીનગર બોલાવાયા છે. જે અંગે તારીખ, સમય અને સ્થળ ઉમેદવારના કોલ લેટરમાં દર્શાવેલ છે. જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઈટ પરથી જ ઓનલાઈન કોલલેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલલેટર મોકલવામાં આવશે નહિ જેની ઉમેદવારોએ નોંધ લેવા જણાવાયું છે.આ સાથે ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દ૨૨ોજ આ વેબસાઈટ જોવા વિનંતી કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લામાં ખાસ ભરતી અંતર્ગત ધો. 1 થી 5 ની તેમજ ધો. 6 થી 8 માં સામાજિક વિજ્ઞાન અને ભાષાના વિષયોના વિધાસહાયકોની ભરતી થઈ ગઈ છે. હવે ગણિત વિજ્ઞાન વિષયના ઉમેદવારોની ભરતી ટૂંક સમયમાં થઈ જશે. જેથી જિલ્લામાં શિક્ષક ઘટની સમસ્યા મહદ્અંશે ઉકેલાઈ જાશે આ ભરતીમાં કચ્છ જિલ્લાને 500 જેટલા શિક્ષકો મળવાની સંભાવના હોવાનું ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લામાં શિક્ષકોની વ્યાપક ઘટ છે ત્યારે સરકાર દ્વારા ખાસ કિસ્સામાં કચ્છમાં નિમણુંક ત્યાં નિવૃત્તિની શરતે શિક્ષકોની ભરતીનો હુકમ કરવામાં આવ્યો હતો. એક બાદ એક ભરતી પ્રક્રિયામાં કચ્છને શિક્ષકો મળી રહ્યા છે, જેથી આ ઘટ ઉકેલાઇ જશે.
: બીએસએફના 60માં રાઇઝિંગ ડે નિમિત્તે ભુજમાં રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી કરવામાં આવી, જેમાં પ્રથમ વખત કરવામાં આવેલી પેરાગ્લાઇડિંગ આકર્ષણનું કેન્દ્ર બની હતી. દેશમાં પ્રથમ વખત આવો પ્રયોગ ભુજમાં કરવામાં આવ્યો, 6 જવાનોએ સખત મહેનત કરી તૈયારી કરી હતી. ખાસ 6 કિલોમીટરની ઊંચાઈએથી હેલિકોપ્ટરમાંથી 6 જવાનોએ કૂદકો માર્યો હતો. બીએસએફ દ્વારા આ દિલધડક કરતબનો વિડિઓ જાહેર કરવામાં આવ્યો છે. ખાસ આ ટીમ તૈયાર કરવાનો હેતુ એ છે કે કોઇપણ આકસ્મીક પરિસ્થિતિમાં જવાનો સ્કાય ડાઇવિંગ કરીને ઇચ્છીત સ્થળે પહોંચી દુશ્મનને કરારો જવાબ આપી શકે. આ ટીમના કરતબની ખુદ ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ સરાહના કરી હતી.
ધરપકડ:વડોદરા રહેતા નિવૃત્ત ભૂસ્તરશાસ્ત્રી એક કરોડની અપ્રમાણસર મિલકતમાં ઝબ્બે
નવસારીમાં વર્ષ 1 જાન્યુઆરી, 2009થી 30 નવેમ્બર, 2018 દરમિયાન ખાણ ખનીજ વિભાગના વર્ગ-2 ના અધિકારી મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી સંદીપ મધુકર ખોબકર સામે એન્ટીકરપ્શન બ્યુરોએ પોતાની કાયદેસરની કુલ આવક સામે 1,02,46,949 ની અપ્રમાણસર મિલકત તેઓએ આર્થિક ફાયદા માટે જાહેર સેવક તરીકે મળેલ સત્તાનો દૂરઉપયોગ કરી ગેરકાયદે રીતે પોતે નાણા મેળવી સ્થાવર-જંગમ મિલકતોમાં રોકાણ કરી અપ્રમાણસર મિલકત વસાવી હોવાનું તપાસમાં બહાર આવતા કાયદેસરની આવકની સરખામણીમાં 62.13 ટકા જેટલી વધુની અપ્રમાણસર મિલકત વસાવી હોવાનું બહાર આવતા એસીબીની ટીમે તેમની ધરપકડ કરી છે. નવસારીના પૂર્વ ભૂસ્તર શાસ્ત્રી હાલ સંદીપ વડોદરાના માંજલપુર વિસ્તારમાં આમ્રપાલી સોસાયટીમાં રહે છે. હાલ તેઓ નિવૃત્ત છે. નવસારી એસીબી પીઆઇ બી.ડી. રાઠવાએ તેમની સામે ફરિયાદ નોંધાવી છે અને તેમની 24 નવેમ્બર, 2025 ના રોજ ધરપકડ કરી છે. સુરત શહેરના એસીબી પોલીસ ઇન્સ્પેકટર કે.જે.ધડુક કરી રહ્યા છે. જ્યારે તેનું સુપરવિઝન મદદનીશ નિયામક એસીબી અધિકારી આર.આર. ચૌધરી કરી રહ્યા છે.નવસારીમાં પૂર્વ ભૂસ્તર શાસ્ત્રી સંદીપ ખોબકર ફરજ પર હતા તે દરમિયાન અપ્રમાણસર મિલકત વસાવી હોવાનુ એસીબીની ટીમે કરેલ તપાસમાં ખુલવા પામ્યું હતું. જેને લઇ તેમની સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તાંદલજામાં પતિની હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન:ગુલબાનુને 3 દિવસના રિમાન્ડ,પ્રેમીની તપાસ શરૂ
તાંદલજામાં પત્નીએ પ્રેમી તથા તેના મામા સાથે મળીને પતિની હત્યા કરી દીધી હતી. ત્યારે જે.પી રોડ પોલીસે મહિલાની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. મંગળવારે પોલીસ દ્વારા એફએસએલ સહિતને સાથે રાખી ઘટનાનું રિકંસ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. મહિલાએ તેના પતિની કેવી રીતે હત્યા કરી, તે પોલીસ સમક્ષ નિદર્શન કર્યું હતું. તાંદલજા ગામમાં રહેતા ઈર્શાદ કરીમ બંજારાની પત્ની ગુલબાનુની પૂછપરછમાં હત્યાનો ઘટસ્ફોટ થયો હતો. ગુલબાનુનો મુંબઈના મોહમદ તોસીફ સાથે પ્રમસબંધ હતો. જ્યારે તે તોસીફ સાથે જતી રહેવા માગતી હતી. તા.18એ તોસીફ અકોટા મીલન હોટલમાં આવ્યો હતો, જ્યાં તેને ગુલબાનુને બોલાવી ઉંઘની ગોળી આપી હતી અને તેમને હત્યાનું પ્લાનિંગ કર્યું હતું. પોલીસે ગુલબાનુને કોર્ટમાં રજૂ કરી આરોપીઓને પકડવા જરૂરી માહિતી લેવા, રિકંસ્ટ્રક્શન, કોલ ડિટેઇલની તપાસ કરવા સહિત વિગતો જણાવી હતી. જેને ધ્યાને લઈ પોલીસે રિમાન્ડ મંજૂર કર્યા હતા. વધુ પૂરાવા એકત્ર કરવા કાર્યવાહીમહિલાને કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પૂરાવા એકત્ર કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે.> નિલેશ સુહાગિયા, પીઆઈ, જે.પી.રોડ પોલીસ સ્ટેશન હત્યા બાદ બધુ શાંત પડી જાય, હું તને ટિકિટ મોકલી દઈશતોસીફ હત્યા બાદ ગુલબાનુ તથા છોકરાઓને પાસે બોલાવા ટિકિટ મોકલવાનો હતો, જોકે તે પહેલાં ભેદ ઉકેલાયો તોસીફ અકોટાની હોટલમાં ગુલબાનુને મળ્યો હતો. જ્યાં તેણે ગુલબાનુને જણાવ્યું હતું કે, હત્યા બાદ બધુ શાંત પડી જાય, હું તને ટિકિટ મોકલી દઈશ. તું બાળકોને સાથે લઈને આવી જજે. જોકે ગુલબાનુ ભાગી જાય તે પહેલાં જ હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. પોલીસ સુત્રો મુજબ તેઓ છ મહિનાથી વધુ સંપર્કમાં રહેવા લાગ્યા હતા અને ભાગી જવાનું આયોજન કર્યું હતું.
ભાસ્કર ઈમ્પેક્ટ:એટીએસના નામે ધમકી બાદ ખેડૂતના આપઘાત કેસમાં આખરે ગુનો નોંધાયો
ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામે ખેડૂત અતુલભાઇ હિરાભાઈ પટેલને ડિજિટલ એરેસ્ટ બાદ આત્મહત્યાના ગંભીર કેસમાં પોલીસે આખરે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. ખેડૂતને એટીએસ અધિકારીના નામે વારંવાર ધમકી આપી બ્લેકમેલિંગ તથા માનસિક ત્રાસ ગુજારી તેમને આપઘાત માટે મુજબુર કરાયા હતા. ત્યારબાદ ખેડૂત દ્વારા ઝેરી દવા પીને આપઘાત કરી લેવાયો હતો. ભાસ્કરના અહેવાલ બાદ ડભોઈ પોલીસે આપઘાતના અઠવાડિયા પછી આપઘાત અંગે દુષ્પ્રેરણા, ધમકી, છેતરપિંડી તથા આઈટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. ડભોઈ કાયાવરોહણમાં રહેતા અતુલભાઇ હિરાભાઈ પટેલે તા.17 નવેમ્બરે આપઘાત કર્યો હતો. ફરિયાદ મુજબ તા.16 નવેમ્બરે અજાણ્યા ઈસમ દ્વારા પોતે એ.ટી.એસમાંથી હોવાનું કહી વારંવાર અતુલભાઇને ફોન કરી ધમકી આપી હતી. ભત્રિજા અંશ પટેલ મુજબ તેને અતુલભાઈને તા.16 નવેમ્બરે કોઈની સાથે રૂ.40 કરોડનું ફ્રોડની વાતચીત કરતા સાંભળ્યા હતા. અતુલભાઈએ અંશને કહ્યું હતું કે, કોઈ એટીએસના અધિકારી હોવાની ઓળખ આપી વારંવાર વીડિયોકોલ કરે છે. કોઈ બીજાએ તમારા નંબરેથી ફ્રોડ કર્યો છે, તેમ જણાવે છે. કાકાએ સવારે પતિ જશે અને કોઈને કહિશ નહીં તેમ કહ્યું હતું. કાકા મિત્રો સાથે બેસવા ગયા હતા અને ત્યાં પણ મિત્રોએ કેમ બેચેન રહો છો? તેમ પૂછ્યું હતું. પરંતુ તેમને કશું કહ્યું નહોતું. ત્યારે બીજા દિવસે તેમને આપઘાત કરી લીધો હતો. મોત બાદ તેમના પરિવારજનોએ અતુલભાઈને એટીએસ અધિકારીના નામે ધમકાવી ડિજિટલ એરેસ્ટ કરાયા હોવાના આક્ષેપ કર્યા હતા. પોલીસ ઘટના અંગે તપાસ કરી રહી છે.
કોર્પોરેશન ખાતે રિવ્યૂ બેઠક યોજાઇ હતી. જેમાં સ્વચ્છતા સહિતના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને કમાટીબાગ-ગોત્રી ગાર્ડનમાં સહેલાણીઓને રજિસ્ટરમાં એન્ટ્રી કરીને પ્રવેશ આપવામાં આવશે. મોર્નિંગ વોકર્સને પણ રજિસ્ટરમાં એન્ટ્રી કરીને પ્રવેશ લેવો પડશે. જેનો અમલ ટૂંક સમયમાં જ થશે. જો કે આ નિર્ણયને પગલે મુલાકાતીઓ તથા મોર્નિંગ વોકર્સ દ્વારા વિરોધ થાય તેવી શક્યતાઓ પણ સેવાઇ રહી છે. ઉપરાંત મ્યુ.કમિશનરે સિનિયર સિટિઝનો સાથે પણ બેઠક યોજી હતી. જેમાં તેમને સ્વચ્છતામાં ભાગીદાર થવા માટે કહેવામાં આવ્યું હતું. મ્યુ.કમિશનરે યોજેલી બેઠક વિશે માહિતી આપી હતી જેમાં જણાવ્યું હતું કે સ્વચ્છતા માટે પાલિકાની સાથે નાગરીકોની જવાબદારી પણ છે. સેગ્રીગેશન પર સીસ્ટમ શરૂ કરી છે. ઇસ્ટ ઝોન અને સાઉથ ઝોનમાં નવી સીસ્ટમ શરૂ કરી છે. સોસાયટીમાં નાગરીકોને સમજાવાનું કે ભીનો અને સૂકો કચરો અલગ કરવામાં આવે. વેસ્ટ અને નોર્થમાં પણ કામગીરી શરૂ કરાશે. પહેલા તબક્કામાં સોસાયટીના પ્રમુખોને બોલાવામાં આવ્યા હતા. ડોર ટુ ડોરમાં ખામી હોય તો તેની પણ જાણ કરે. સોસાયટીના રહીશો સોસાયટી તથા બહારના રસ્તા પર સફાઇનું ધ્યાન રાખે તેવી જવાબદારી પણ આપી છે. મેઇન રોડમાં બિલ્ડિંગના ઓનર્સને બોલાવામાં આવશે. ચા-પાન ગલ્લાવાળાને પણ સમજાવામાં આવશે. બીજા તબક્કામાં ના સાંભળે તો દંડની પ્રક્રિયા કરવામાં આવશે. ત્રીજા તબક્કામાં જાહેર પ્લોટમાં સીસીટીવી સહિત સોસાયટીના પ્રમુખેને પણ જવાબદારી સોંપવામાં આવશે. 30 લાખની વસ્તી છે જે એકલુ પાલિકા ન કરી શકે જેથી નાગરીકોએ પણ સહકાર આપે તેવી વિનંતી છે. કમાટીબાગ-ગોત્રી ગાર્ડનમાં સહેલાણીઓને રજિસ્ટરમાં એન્ટ્રી કરીને પ્રવેશ આપવામાં આવશે કારણ કે, અસામાજિક તત્વો ઘૂસી જાય છે. બંને ગાર્ડનની નવીનકરણની કામગીરી કરવામાં આવી રહી છે. સ્ટ્રીટ વેન્ડર્સના મુદ્દે લોકોને વેચાતો ખોરાક સારો છે કે નહિ તેની તકેદારી રાખવા માટે આરોગ્ય વિભાગને કહ્યું છે. તળાવોમાં ગંદકી ના થાય તે માટે પાલિકાના તમામ સેનેટરી ઇન્સપેકટરોને સુચના આપવામાં આવી છે. 15 વર્ષથી વ્હાઇટ કોલર અધિકારીઓ કામ જ ન્હોતા કરતાં, ફિલ્ડમાં પણ ઓછા જતાકોર્પોરેશન ખાતે મળેલી રીવ્યુ બેઠકમાં પાલિકા જ એક અધિકારીએ મ્યુ.કમીશ્નરની સામે અન્ય અધિકારી વિશે ટોળો મારતા અધિકારીઓમાં રોષ વ્યાપી ગયો હતો. અધિકારીએ કહ્યું હતું કે છેલ્લા 15 વર્ષથી વ્હાઇટ કોલર અધિકારીઓ કામ જ નહોતા કરતાં અને ફિલ્ડ વર્કમાં પણ ઓછા જતા હતા. તેમના નોલેજનો ઉપયોગ થતો ના હોય તેવા આશયથી આ અધિકારી બોલ્યા હોવાનો પાછળથી તેમેણે ખુલાસો કર્યો હતો. જોકે મ્યુ.કમીશ્નરની સામે ઉચ્ચ અધિકારીઓ સામેની ટીપ્પળીથી અગામી સમયમાં અધિકારીઓ વચ્ચે નવો વિવાદ સર્જાય તેવી શકયતાઓ છે. ઐતિહાસીક ઇમારત માટે કન્સલન્ટ લાવવામાં આવશેપાણીગેટ, તાંબાકેર વાડા, સહિતની ઐતિહાસીક ઇમારત માટે કન્સલન્ટ લાવવામાં આવશે તથા ઓરીએન્ટલ ઇન્સ.સાથે એમઓયુ કરાશે. ડિસેમ્બર મહિનામાં એક હિસ્ટ્રી ફેસ્ટીવલનું પણ આયોજન કરવાનું આયોજન કરાયું છે. ફૂડ ફેસ્ટીવલનું પણ આયોજન છે.
ભાસ્કર ઈનસાઈડ:ઈલ્યાસ ઈદ્રિશના ઘરે 1.62 કરોડની નકલી નોટો અને ત્રણ કિલો સોનું મૂકી ગયો હતો
કર્ણાટકના વેપારી સહિત 13 જણા પાસેથી સસ્તા ભાવે સોનું તથા લોન અપાવવાના બહાને ટોળકીએ રૂ.4.92 કરોડની ઠગાઈ કરી હતી. ટોળકીનો મુખ્ય સુત્રધાર ઈલ્યાસ અજમેરીના ભાઈ ઈદ્રીશના ઘરેથી પોલીસે 3 નકલી સોનું તથા રૂ.1.62 કરોડની નોટો કબ્જે કરી હતી. જોકે ગુનો નોંધાતા ઈલ્યાસ ઠગાઈ માટે ઉપયોગ કરાતું સોનુ તથા નોટો ચાર દિવસ પહેલાં તેના ભાઈના ઘરે આ સામાન મુકજે તેમ કહી મુકી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. તે સમય બાદ ઈલ્યાસ ફરાર થઈ ગયો હતો. સોમવારે પોલીસે તાંદલજા ચાંદપાર્ક હાઇટ્માં રહેતા ઈલ્યાસ અજમેરીના ભાઈ ઈદ્રિશના ઘરે તપાસ કરી હતી અને ત્યાંથી 3 કિલો(50 નંગ બિસ્કિટ), સાથે જ રૂ.1.62 કરોડની ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયા લખેલી નકલી ચલણી નોટો મળી હતી. પોલીસે ઈદ્રિશની અટકાયત કરીને તેની પૂછપરછ કરી હતી. જેમાં તેણે પોલીસને કહ્યું હતું કે, 4 દિવસ પહેલાં ઈલ્યાસ આ સામાન મૂકી ગયો હતો. પોલીસ દ્વારા ઈલ્યાસના તાંજલજા તહીબા રેસીડિન્સીના ઘરે તપાસ કરી હતી. બીજી બાજુ અલકાપુરી તથા ઓપી રોડની બંને ઓફિસે પણ બંધ હોવાનું જાણવા મળ્યું હતું. 3 વર્ષ પહેલાં ડાકોરથી પકડાયેલો ઈલ્યાસ ફરી ત્યાં કેમ છુપાયો તેની તપાસ થશેત્રણ વર્ષ પહેલાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઈલ્યાસ અજમેરીને ડાકોરમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. અગાઉ ઈલ્યાસે કર્ણાટક તથા દિલ્હીના વેપારીને આ જ પેટર્ન મુજબ સસ્તા ભાવે સોનું અપાવવાના બહાને ઠગાઈ કરી હતી. ઈલ્યાસ અજમેરીના ડાકોરમાં કોઈ સંબંધી છે કે કેમ? તેના મિત્રો છે કે કેમ? સહિત તપાસીને પોલીસ સંભવિત સ્થળો પર શોધખોળ કરનાર છે. પોલીસ તેના લોકેશન તથા કોલ ડિટેઇલ મેળવીને તપાસ કરી રહી છે. ડાકોરની ડિટેઇલ મળતા ત્યાં શોધખોળ કરવા જશે તેમ જાણવા મળ્યું હતું.
ભાસ્કર નોલેજ:બીસીસીઆઈએ કોટંબી સ્ટેડિયમની બાકી રહેલી રૂ.49.61 કરોડની સબસિડી મંજૂર કરી
બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા સફળતાપૂર્વક 85મી એજીએમમાં તમામ એજન્ડા પાસ કરવામાં આવ્યા હતા. ત્યારે તેને સંલગ્ન જરૂરી દસ્તાવેજો બીસીસીઆઈમાં જમા કરાવાતા સ્ટેડિયમના બાંધકામના બાકીના રૂ.49.61 કરોડ, પ્લસ જીએસટી મંગળવારે મંજૂર કરવામાં આવ્યા હતા. બીસીએના જણાવ્યા મુજબ, બીસીસીઆઈ દ્વારા બીસીએના કોટંબી સ્ટેડિયમના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ સંબંધિત બાકી રહેલી સબસિડીને મંજૂરી આપી દેવામાં આવી હતી. બીસીસીઆઈ દ્વારા રૂ.49.61 કરોડ પ્લસ જીએસટી આપવામાં આવશે. આ સબસિડી દ્વારા સ્ટેડિયમમાં વિવિધ સુવિધા તથા ઓપરેશનલ પ્લાનિંગને વધુ મજબુત અને સારી બનાવવામાં મદદરૂપ બનશે. બીસીએના ખજાનચી શિતલ મહેતાએ જણાવ્યું કે, આ વળતરની મંજૂરી આગામી જરૂરિયાતોને અપગ્રેડ કરવામાં ઉપયોગી થશે. અમારી પ્રાથમિક્તા તમામ કાર્યોમાં પારદર્શિતા જાળવવાની છે અને તે મુજબ આગળના કામો કરાશે. બાંધકામના 50 ટકા રૂ.100 કરોડ સુધી મંજૂર થાય છેબીસીસીઆઈ દ્વારા તેના બાંધકામ ખર્ચના 50 ટકા રૂ.100 કરોડ સુધી સબસિડી અપાય છે. અગાઉ રૂ.50 કરોડની આસપાસ સબસિડી આવી હતી. એજીએમ સમયસર કરવાથી તથા એજન્ડા પાસ થવાથી બીસીસીઆઈ તરફથી રૂપિયા મંજૂર કરાય છે. આગામી સમયમાં બીજી સુવીધા માટે વધુ રૂ.150 કરોડ આવે તેવી સંભાવના છે. તેમ બીસીએના સુત્રોએ કહ્યું હતું. સ્ટેડિયમને ઉચ્ચ-ગુણવત્તાની સાથે બનાવાશેઅમે આગામી આંતરરાષ્ટ્રીય મેન્સ ઓડિઆઈનું આયોજન કરવાની તૈયારી કરીએ છીએ. અમારું ધ્યાન સતત સ્ટેડિયમના વાતાવરણને ખેલાડીઓ તથા દર્શકો માટે આધુનિક અને ઉચ્ચ-ગુણવત્તાનો અનુભવ પ્રદાન કરાવે તેમ બનાવવાનો છે.> પ્રણવ અમિન, પ્રમુખ, બીસીએ.
મકરપુરાના રાજસ્થાની વેપારીની 21 વર્ષીય દીકરી ઘરેથી ભાગી જતાં માતા-પિતા પોલીસ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. બીજી બાજૂ યુવતીએ અભયમને કોલ કરી જણાવ્યું કે, ‘મારા માતા-પિતાએ જ્યાં લગ્ન નક્કી કર્યા છે ત્યાં પરણવું નથી, બોયફ્રેન્ડ સાથે ભાગી જવું છે. કોર્ટ મેરેજ કરવા માટે મારા દસ્તાવેજો જોઈએ છે, તમે મને મારા માતા-પિતા પાસેથી લઈ આપો.’ અભયમે યુવતી અને તેના માતા-પિતાનું કાઉન્સેલિંગ કર્યું હતું, જે બાદ યુવતીને તેના માતા-પિતા ઘરે લઈ ગયા હતા. બિઝનેશમેનની દીકરીના લગ્ન તેમના જ સમાજના યુવક સાથે નક્કી થયા હતા. જોકે લગ્ન બાબતે દીકરીની સહમતી વિના માતા-પિતાએ લગ્ન નક્કી કર્યા હતા. દીકરી ઘરેથી માત્ર મોબાઈલ લઈને જતી રહી હતી. યુવતીએ અભયમને કોલ કરીને જણાવ્યું હતું કે, મારા પિતા મારા જબરજસ્તી લગ્ન કરાવવા માંગે છે, મારે મારા બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા છે મને ઘરેથી દસ્તાવેજો મેળવવા માટે મદદ કરો. જેથી અભયમે માતા-પિતાનો સંપર્ક કરીને તેમને અને યુવતીને પોલીસ મથકે બોલાવ્યા હતા. યુવતીએ અભયમની ટીમને જણાવ્યું હતું કે, હું નોકરી કરી લઈશ, ગમે ત્યા રહી લઈશ પણ હુ માતા-પિતા સાથે નહી જાઉં. કાઉન્સેલિંગમાં ખબર પડી હતી કે, યુવતીના બોયફ્રેન્ડે પહેલાથી જ યુવતીને સમજાવી દીધી હતી. ઘરેથી ડોક્યુમેન્ટ લેવા અભયમની મદદ લેવી અને તેમની જ મદદથી માતા-પિતા પર દબાણ કરવું તેમ બોયફ્રેન્ડે જણાવ્યું હતું. ટીમે યુવતીનું કાઉન્સેલિંગ કરીને સમજાવ્યું હતું કે, લગ્ન વિશે ઉતાવળભર્યા નિર્ણય લેવા યોગ્ય નથી, માતા-પિતા સાથે વાત કરીને બાદમાં નિર્ણય લો. માતા-પિતા દીકરીને ઘરે લઈ જવા માંગતા હતા અને કાઉન્સેલિંગ બાદ યુવતી પણ ઘરે જવા માટે તૈયાર થતાં દીકરીને ઘરે મોકલી હતી. ઘરેથી નીકળવાનું પૂર્વાયોજિત હતું, 3 દિવસ પહેલાં જ યુવતીએ નોકરી છોડી દીધી હતીયુવતી નોકરી કરતી હતી. ઘરમાંથી નીકળી જવું તે પૂર્વાયોજીત હતું. તેણે ઘરેથી નીકળ્યાના 3 દિવસ પહેલા જ નોકરી છોડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, યુવતની તેના માતા-પિતા માર મારતા હતા અને તેનો મોબાઈલ પણ લઈ લીધો હતો.
‘સર’નું માઈક્રો પ્લાનિંગ:નવોઢાનું નામ ઉમેરવાથી લઇને ફોર્મમાં ભાજપના કાર્યકરો મદદે
ચૂંટણી સમયે બુથ લેવલે માઈક્રો લેવલું કામ કરતા ભાજપે ‘સર’ની કામગીરીમાં માઈક્રો પ્લાનિંગ કરી જિલ્લા ભાજપમાં પ્રત્યેક બીએલઓ સાથે કાર્યકરને મુક્યો છે. બીએલઓ સાથે ભાજપનો કાર્યકર તેના વોર્ડમાં મતદારોને ફોન કરીને કોઇનું નામ કમી કરાવવાનું હોય, નવોઢાનું નામ દાખલ કરાવવાનું હોય, ફોર્મ ભરવાનું હોય, તેમાં મદદ કરે છે. ભાજપે સરની પ્રક્રિયાનો લાભ લઇ મતદારો સાથે જોડાવવાની તૈયારી આદરી છે. પ્રક્રિયા અંગે મધ્ય ઝોનની સમીક્ષા બેઠક જિલ્લા વંદે કમલમમાં યોજાઇ હતી જેમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ, પ્રદેશ સંગઠનના મહામંત્રી રત્નાકરજી, સરના ઈન્ચાર્જ-સાંસદ ડો.હેમાંગ જોષી બેઠકમાં જોડાયા હતા. સમીક્ષા બેઠકમાં ચર્ચા કરાયેલા મુદ્દા
દુર્ઘટના:ST બસનું લાઇનર તૂટવા છતાં હંકારી, આગ લાગતાં 20 મુસાફર દોડીને ઉતર્યાં
મંગળવારે બપોરે કીર્તિસ્તંભ બસ સ્ટોપ પર એસટી બસમાં આગ ભભૂકી હતી. આ આગ ટાયરમાં ફેલાઇ હતી. 20 યાત્રી જીવ બચાવી ભાગ્યા હતા. ફાયરબ્રિગેડની ટીમે આવીને આગ બુઝાવી હતી. બસના સૂત્રો અનુસાર જંબુસરથી આવેલી બસનું કીર્તિસ્તંભ સ્ટોપ નજીક લાઇનર તૂટી ગયું હતું. જેમાં બસ જામ થઇ જતી હોય છે પણ ડ્રાઇવરે બસ હંકાર્યે રાખતાં કીર્તિસ્તંભ બસ સ્ટોપ પાસે બસની પાછળ ધૂમાડો નીકળવા લાગ્યો હતો. મુસાફરોને જાણ થતાં જ તેઓ દોડીને ઉતરી ગયા હતા. એક રિક્ષાચાલકે ફાયરબ્રિગેડને જાણ કરતા ટીમે 10 મિનિટમાં જ આવી આગ પર કાબૂ મેળવ્યો હતો. એસટીના સૂત્રોના જણાવ્યા મુજબ બસની પાછળના ટાયરનું એક લાઇનર તૂટી ગયું હતું. અમે બૂમો પાડતાં મુસાફરો ઉતરીને ભાગ્યા, રિક્ષાચાલકોએ રિક્ષાઓ દૂર લઇ લીધીહું કીર્તિસ્તંભ બસ સ્ટોપ પર હતો. બસ આવી ત્યારે મેં જોયું કે ધુમાડો નીકળતો હતો. અમે બુમ પાડતાં મુસાફરો બસમાંથી ઉતરવા માંડ્યા અને બસથી દૂર ભાગવા માંડ્યા હતા. 20થી 25 મુસાફરો હશે. પહેલા પાછળથી ધુમાડો નીકળતો હતો પણ ટાયરમાંથી ધુમાડો નીકળતાં અમે ગભરાયા, કારણ કે તે ગમે ત્યારે ફાટી શકે. અમે રિક્ષાઓ દૂર લઇ ગયા હતા. મેં ફાયરબ્રિગેડને ફોન કર્યો હતો. (બનાવને નજરે જોનાર રિક્ષાચાલક આમિદ પઠાણ) જંબુસર એસટી વર્કશોપમાં કરાયેલા મિકેનિકલ ચેકિંગ સામે પ્રશ્નાર્થ સર્જાયોઘટનાને પગલે જંબુસર એસટી વર્કશોપના મિકેનિકલ ચેકિંગ સામે પ્રશ્નાર્થ સર્જાયો છે ત્યારે, વડોદરા ડિવિઝનના કંટ્રોલર એસ.એન.પટેલે જણાવ્યું કે, ઘટનાની જાણ જંબુસર ડેપો, હેડ ઓફિસે કરી છે, મિકેનિકની ટીમે રિપેરિંગ કર્યું છે.
ભાસ્કર નોલેજ:પાલિકામાં ‘બંદિશ’: સામાન્ય સભામાં ખાલી બેઠક પર નિમણૂક અંગે સસ્પેન્સ
પાલિકામાં સ્થાયી સમિતિના સભ્ય અને વોર્ડ-7ના કાઉન્સિલર બંદિશ શાહને બે મહિના ગેરહાજર રહેતા સભ્યપદેથી દૂર કરવામાં આવ્યા છે. ત્યારે નવા સભ્યની નિમણૂક વિશે સસ્પેન્સ સર્જાયું છે. સ્થાયીની એક બેઠક ખાલી પડતા ડિસેમ્બરની સામાન્ય સભામાં પદ અપાશે કે નહિ તેના પર પ્રશ્નાર્થ સર્જાશે. જો કે માર્ચમાં ટર્મ પૂરી થતી હોવાથી અઢી મહિના માટે સભ્યપદ રહેશે. જો કે આ ઘટના બાદ ભાજપના સભ્યો અને હોદ્દેદારો વચ્ચે ચાલતી જૂથબંધી ફરી ઉભરી આવી છે. નિયમો આગળ ધરી સ્થાયી સભ્યને સભ્યપદેથી દુર કર્યાની ઘટના ઇતિહાસમાં પ્રથમવાર છે. બંદીશ શાહ 20 સપ્ટેમ્બર બાદ સળંગ બે માસ માટે એટલે કે, 20 નવેમ્બર 2025 સુધીની કોઇ મિટીંગમાં હાજર ન રહેતાં કાયદા મુજબ સ્થાયીના સભ્ય પદેથી દૂર થયા હતા. શહેર ભાજપ પ્રમુખ ડો.જયપ્રકાશ સોની ઘટના સંદર્ભે પ્રતિક્રિયા આપવાનું ટાળી રહ્યા છે. જોકે પ્રદેશ કક્ષાએ આ ઘટનાની ગંભીર નોંધ લેવામાં આવી છે. કાઉન્સીલરો વચ્ચે ચાલતી જૂથબંધી ચરમસીમાએ છે. પાલિકાની ચૂંટણી ભાજપ V/S ભાજપની શકયતાઓશહેર ભાજપમાં જૂથબંધી ચરમસીમાએ છે. 2026માં પાલિકાની ચૂંટણી છે ત્યારે 5 વર્ષમાં વકરેલી જૂથ બંધીના પડઘા તેમાં પડશે તેવું ભાજપના જ કાર્યકરો કહે છે. ભાજપ વર્સીસ ભાજપ થાય તેવી પૂરે પૂરી શકયતાઓ છે. સ્થાયી સમિતિના સભ્ય પદેથી દૂર થઇ ગયા પછી શું થઇ શકે છે1 સ્થાયી સમિતિમાં 12 સભ્યો છે, એક સભ્ય ન હોય તો તેવા સંજોગોમાં સ્થાયીની કામગીરી અટકી શકે નહીં2 સ્થાયી સમિતિમાં નવા સભ્યની નિમણૂક કરવા માટે સામાન્ય સભામાં દરખાસ્ત લાવવી પડશે, તેમાં સવાર્નુમતે નામ નક્કી થયા બાદ મંજૂરી મળે3 સ્થાયી સમિતિના સભ્ય તરીકે બે મહિના ગેરહાજર રહેનાર બંદિશ શાહને ફરીથી રીપીટ કરી શકાય છે. નવા સભ્યની નિમણૂક પણ કરી શકાય છે.4 ડિસેમ્બરમાં સામાન્ય સભામાં નવા સભ્યની નિમણીક કરવામાં આવે ત્યાર પછી માર્ચમાં ટર્મ પૂરી થતી હોવાથી અઢી મહિના સુધી ટર્મ રહેશે
ભાસ્કર એક્સક્લુઝિવ:રિકવરીના નામે દાદાગીરી,લોન ધારકોને રોડ પર રોકી ઉઘરાણી
વાહનની લોન રિકવરી માટે એજન્ટો, સીઝરોની દાદાગીરી ફરી શરૂ થઈ છે. સીઝરો લોન ધારકના ઘરે જઈ કે રસ્તા પર પસાર થતાં, વાહનો જપ્ત કરવાના બહાને મોટી રકમ માગતા હોવાનું બહાર આવ્યું છે. પોલીસ પીડિતોને સહકાર આપતી ન હોવાનો આરોપ લાગી રહ્યો છે. ગાજરાવાડીના ઉત્તમકુમાર જયસ્વાલના ફ્લેટના પાર્કિગમાંથી સીઝરો કાર ઉઠાવી ગયા હતા. કાર માલિકે પાણીગેટ પોલીસમાં અરજી આપી ફરિયાદ કરવા માંગ કરી હતી. પરંતુ કોઈ કાર્યવાહી નહીં થઇ નહીં હોવાનો આરોપ તેમણે મૂક્યો છે અને પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી છે. તરસાલીના રવિન્દ્ર પટેલ બાઇક લઈને જીઆઈડીસી નોકરી પર જતા હતા ત્યારે જીઆઈડીસીના નાકે સીઝરોએ અટકાવી બાકી હપ્તા ભરવા દબાણ કર્યું હતું. નહીં આપે તો બાઇક જપ્ત કરીશું તેમ કહ્યું હતું. જોકે અન્ય લોકો આવી જતા સીઝરો ઉચ્ચક રકમ લઈ જતા રહ્યા હતાં. અગાઉ લોન રિકવરી એજન્ટ અને સીઝરોની દાદાગીરી અને ગુંડાગીરી અંગે ગૃહ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. ગૃહ વિભાગે પોલીસ મથકોને આવી પ્રવૃત્તિ અટકાવવા સૂચના આપી ત્યારે દાદાગીરી બંધ થઈ હતી. જોકે ફરી આ લોકો સક્રિય થયા છે. ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ બાકી હોય, પર્સનલ લોનના હપ્તા બાકી હોય કે વાહનની લોનના હપ્તા બાકી હોય એવા લોકો ઉપર રિકવરી એજન્ટો અને સીઝરોની દાદાગીરી વધી છે. લોન ધારકના ઘરે કે ઓફિસે જઈ દાદાગીરી ઉપરાંત અસભ્ય વર્તન કરતા હોય છે. લોન ધારકના ઘરમાં મહિલા સહિતના પરિવારજનો હાજર હોય છતાં અપશબ્દો બોલાય છે. વાહનો જપ્ત કરવામાં આવે છે. દિવાળી બાદ એક જ મહિનામાં સિઝરોએ બાઇક, કાર, રિક્ષા, ટેમ્પો, કાર સહિતના 50થી વધુ વાહનો માત્ર જપ્ત કર્યા છે. જોકે બદનામીના ડરથી પોલીસ ફરિયાદ માટે પીડિત જતા નથી, ફરિયાદ કરે તેનું પોલીસ સંભાળતી ન હોવાનો આરોપ લાગ્યો છે. કિસ્સો - 1 : હપ્તા ભરતો છતાં પાર્કિંગમાંથી કાર ઉઠાવી ગયામેં ફ્લેટના ભોંયરામાં પાર્કિંગમાં કાર પાર્ક કરી હતી. આ કાર ચાલુ લોન સાથે હપ્તા ભરવાની શરતે ખરીદી હતી અને હપ્તા પણ ભરતો હતો. કોઈ વાર વહેલું મોડું થતું હતું. સીઝરો દ્વારા પાર્કિંગમાંથી મારી કાર ઉઠાવી જવામાં આવી હતી. જે સીસીટીવી કેમરામાં ઝડપાયું હતું. આ અંગે પોલીસને અરજી આપવામાં આવી છે. > ઉત્તમભાઈ જયસ્વાલ, કાર માલિક કિસ્સો - 2 : બાઈક રોકી જપ્ત કરી લેવાની ધમકીઓ આપીદિવાળીમાં ખર્ચાને કારણે બેંકમાંથી લોન પર લીધેલી બાઇકના બે હપ્તા ચડી ગયા હતા. મેં બેંકમાં ભરી દેવા ખાતરી આપી હતી. છતાં રિકવરી એજન્ટો આવ્યા હતા. તેમને મેં બેન્કમાં રકમ ભરવા તૈયારી દર્શાવી હતી.છતાં બે દિવસ બાદ હું નોકરીએ જતો હતો ત્યારે જીઆઇડીસીના નાકે અટકાવી હપ્તો માંગ્યો હતો. નહીતો બાઇક જપ્ત કરવા ધમકી આપી હતી. અમુક રકમ આપી મેં છુટકારો લીધો હતો. > રવિન્દ્ર પટેલ, તરસાલી આ મામલે તપાસ કરીશું : પીઆઇગાજરાવાડીમાંથી કાર ઉઠાવવાના મામલે પાણીગેટ પીઆઈ એ.બી.પટેલે જણાવ્યું કે, વાહન જપ્તીમાં ગેરરીતિ કે કાયદાનો ભંગ થયો હોય તો પોલીસ કાર્યવાહી કરે છે. ગાજરાવાડીનો મામલો ધ્યાને આવ્યો નથી. તપાસ કરીશ.
ઘરમાં ઘૂસણખોર:કલ્યાણનગરમાં ફાળવણી વિનાના 106 ઘરમાં ઘૂસણખોરી, લોકોને સામાન સાથે બહાર કઢાયા
પાલિકાએ કલ્યાણનગરમાં બનાવેલા એર્ફોડેબલ હાઉસીંગના ઇડબ્યુએસના ડ્રો થયા વિનાના કે ફાળવાયા વિનાના આવાસમાં લોકો ઘૂસી ગયાનું બહાર આવ્યું હતું. પાલિકાને જાણ થતાં દબાણ શાખાની મદદથી 106 મકાનોમાંથી ઘૂસી ગયેલા લોકોને સમાન સાથે બહાર કઢાયા હતા. તમામ મકાનોને તાળા મારી નોટીસ લગાવી હતી. ઘણાં ફલેટ્સમાં તો લોકોએ પોતાનો સામન મૂકી દીધો હતો. સ્થાનિકોની ફરીયાદના આધારે ટીમે 106 મકાનોમાં ચેકીંગ કરતાં લોકો પરિવાર સાથે ઘૂસી ગયા હોવાનું મળ્યું હતું. પાલિકાના અધિકારીઓએ તેઓનો સામાન બહાર કઢાવી ઘર ખાલી કરાવ્યું હતું. ઘણા ઘરોમાં ટીવી, ફ્રીજ, પંખા, ગાદલા, પલંગ સહિતનો સામાન હતો. જ્યારે એર્ફોડેબલ હાઉસીંગ વિભાગે નોટીસ મારી હતી કે, કોઇ પણ ગેરકાયદેસર પ્રવેશ કરશે તો કાયદેસરની કાર્યવાહી થશે. કલ્યાણનગરમાં વર્ષો પહેલા આ આવાસ યોજના તૈયાર થઇ હતી. ઉલ્લેખનિય છે કે, ઇડબ્યુએસના જે મકાનોમાં લોકો ઘૂસી ગયા હતા તેનો ડ્રો સુદ્ધાં હજુ થયો નથી. જેને પગલે લોકોને ઘૂસણખોરીનો છૂટો દોર મળ્યો હતો. જો કે લાભાર્થીઓએ રૂપિયા ન ભરતાં ડ્રો કરવામાં વિલંબ થયો હોવાનું જાણવા મળ્યું છે. પાલિકાને ફરિયાદ મળીપાલિકાના અધિકારીએ જણાવ્યું કે, સ્થાનીક રહીશોએ અહીં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિથી કંટાળીને ફરીયાદ કરી હોવાનું અનુમાન છે. આવાસો બનાવી રેઢા મૂકી દેવાયા, પાલિકાએ મોનિટરિંગ જ ન્હોતું કર્યુંઆવાસો બનાવી દિધા પછી જે જગ્યાએ મકાનો વેચાઇ રહ્યા ન હોય તેવી જગ્યાઓ પર મેઇન્ટન્સ ઠીક ત્યાં કોઇ પણ પ્રકારનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું નથી. જેના પગલે ગેરકાયેદેસર રહેતા લોકોને છૂટો દૌર મળી જાય છે. આવાસ યોજના બની ગયા પછી કોઇ સીકયોરીટી વ્યવસ્થા પણ યોગ્ય હોતી નથી. કલ્યાણનગરના ઇડબ્યુએસના જે મકાનોમાં ગેરકાયદેસર રીતે લોકોએ પ્રવેશ લીધો હતો અથવા તો સમાન મૂકયો હતો તેની સામે પોલીસ ફરીયાદ કરવાની પણ તસ્દી તંત્રએ લીધી ન હતી. કોઈ મિલકતમાં અનધિકૃત પ્રવેશ કરે તો 3 માસથી ત્રણ વર્ષ સુધીની કેદ-દંડ થઈ શકે
બાળકનું મોત:દમણમાં 6 દિવસનું બાળક હોસ્પિટલેથી ઘરે પહોંચે એ પૂર્વે અકસ્માતે મોતને ભેટ્યું
મોટી દમણ બ્રિજ નજીક મંગળવારે સવારે એક કરૂણ ઘટનામાં 6 દિવસના નવજાત બાળકનું મોત થયું હતું. હોસ્પિટલમાં ઘરે જતી વખતે રીક્ષા ડિવાઇડર સાથે અથડાયને પલટી જતા બાળક માતાના ખોળામાંથી નીચે પટકાતા મોતને ભેટ્યું હતું. દમણના કચીગામ ખાતે રહેતા શ્રમિક પરિવારની મહિલાને ડિલિવરી માટે મોટી દમણ સ્થિત સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. કચીગામ ખાતે રહેતા ઉત્તમ પાસવાનની 25 વર્ષીય પત્ની સુમિતાએ 6 દિવસ અગાઉ બાળકને જન્મ આપ્યો હતો. ડિલિવરી બાદ જરૂરી સારવાર પુરી કરીને મંગળવારે સાંજે સુમિતા પાસવાનને રજા આપવામાં આવી હતી. સુમિતા તેમની નાની બહેન સાથે નવજાત બાળકને લઇને રીક્ષામાં ઘરે આવવા નીકળ્યા હતા. આ દરમિયાન મોટીદમણ સ્થિત બ્રિજ નજીક રીક્ષા ચાલકે કોઇક કારણોસર કાબુ ગુમાવી રીક્ષાને ડિવાઇડર સાથે અથડાવી પલટાવી દીધી હતી આ અકસ્માતમાં માતા અને માસીનો બચાવ થયો હતો જ્યારે 6 દિવસનું બાળક માતા ખોળામાંથી ઉછળીને રોડ ઉપર પટકાતા મોતને ભેટ્યું હતું. આ અકસ્માતમાં માતાની નાની બહેનના એક પુત્રને પણ ઇજા પહોંચી હતી. અકસ્માતની જાણ થતા જ તાત્કાલિક દમણ પોલીસ ઘટના સ્થળે પહોંચીને બચાવની કામગીરી કરી હતી. હાલ તો કોસ્ટલ પોલીસે આકસ્મિક મોતની ફરિયાદ લઇ વધુ તપાસ હાથ ધરી છે.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ચીનના દાવા સાથે જોડાયેલા રહ્યા. તેણે કહ્યું કે અરુણાચલ પ્રદેશ અમારું છે. બીજા મોટા સમાચાર રામ મંદિર પર ધર્મધ્વજા ફરકાવવાને લઈને રહ્યા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. સમગ્ર દેશમાં સંવિધાન દિવસ (બંધારણ દિવસ) મનાવવામાં આવશે. ૨૬ નવેમ્બર ૧૯૪૯ના રોજ બંધારણ અપનાવવામાં આવ્યું હતું. 2. કેરળમાં SIR સ્થગિત કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. કાલના મોટા સમાચારો 1. અમદાવાદમાં બનેલી ધર્મધ્વજા રામ મંદિર પર લહેરાઈ, PM ભાવુક થયા:મોદીએ કહ્યું, સદીઓ જૂના ઘા રુઝાઈ ગયા; PMએ કુરુક્ષેત્રમાં શહીદી દિવસ પર સિક્કો જાહેર કર્યો PM નરેન્દ્ર મોદી આજે, 25 નવેમ્બરના રોજ હરિયાણાના પ્રવાસે છે. કુરુક્ષેત્રમાં તેમણે જ્યોતિસર અનુભવ કેન્દ્રનું લોકાર્પણ અને પાંચજન્ય શંખ સ્મારકનું શુભારંભ કર્યું. તેમણે અનુભવ કેન્દ્રની મુલાકાત લઈને મહાભારતની વાર્તાઓ નિહાળી. ત્યારબાદ વડાપ્રધાન શ્રી ગુરુ તેગ બહાદુરજીના ૩૫૦મા શહીદી દિવસ પર આયોજિત સમાગમમાં પહોંચ્યા. ગુરુ ગ્રંથ સાહિબ મંચથી લગભગ અઢી ફૂટ ઉપર વિરાજમાન હતા. PM મોદીએ જમીન પર બેસીને કીર્તન સાંભળ્યું. ત્યારબાદ શ્રી ગુરુ તેગ બહાદુરજીને સમર્પિત પુસ્તકનું વિમોચન કર્યું અને સિક્કો પણ રિલીઝ કર્યો. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ચીને કહ્યું- અરુણાચલ અમારું, ભારતનો ગેરકાયદેસર કબજો:ગઈ કાલે ભારતની દીકરીને 18 કલાક ટોર્ચર કરી, આજે કહ્યું- અમે ગેરવર્તણૂક નથી કરી ચીને ફરી એકવાર અરુણાચલ પ્રદેશને પોતાનો પ્રદેશ ગણાવ્યો છે. મંગળવારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે જણાવ્યું હતું કે ઝાંગનાન (અરુણાચલ પ્રદેશ) અમારો ભાગ છે. તેમણે ઉમેર્યું હતું કે ચીને ક્યારેય ભારતના ગેરકાયદેસર રીતે હસ્તગત કરેલા અરુણાચલ પ્રદેશને માન્યતા આપી નથી. ચીનનું આ નિવેદન શાંઘાઈ એરપોર્ટ પર ભારતીય મહિલા પેમ વાંગજોમ થાંગડોક સાથે દુર્વ્યવહારના આરોપોના જવાબમાં આવ્યું છે. ચીને પેમ સાથે દુર્વ્યવહારના આરોપોને પણ નકારી કાઢ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. કેનેડામાં PM મોદીને ‘મારી નાખો’ની નારેબાજી:ખાલિસ્તાન સમર્થકોએ તિરંગાનું અપમાન કર્યું; પંજાબને ભારતથી અલગ કરવા પર મતદાન થયું કેનેડાના ઓટાવામાં રવિવારે ખાલિસ્તાની જનમત સંગ્રહ દરમિયાન ભારતીય ધ્વજ 'તિરંગા'ને નીચે પાડીને અપમાનિત કરવામાં આવ્યો. ભારતીય પીએમ અને અધિકારીઓને મારી નાખવાના નારા લગાવવામાં આવ્યા. કડકડતી ઠંડી હોવા છતાં હજારો કેનેડિયન શીખોએ આ રેલીમાં ભાગ લીધો. લોકો સવારથી સાંજ સુધી પીળા રંગના ખાલિસ્તાન ઝંડા હાથમાં લઈને લગભગ બે કિલોમીટર લાંબી કતારમાં ઊભા રહ્યા. આ લોકો એક અનૌપચારિક અને ગેરકાયદેસર મતદાનમાં ભાગ લઈ રહ્યા હતા, જેને 'ખાલિસ્તાન રેફરન્ડમ' કહેવામાં આવી રહ્યું છે. આ મતદાનમાં એક પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો હતો કે 'શું પંજાબને ભારતથી અલગ કરીને એક નવો સ્વતંત્ર દેશ ખાલિસ્તાન બનાવવો જોઈએ?' વાંચો સંપૂર્ણ સમાચાર 4. રાબડી દેવીને સરકારી આવાસ ખાલી કરવાની નોટિસ:સરકારે બીજો બંગલો ફાળવ્યો; 20 વર્ષથી અહીં જ રહે છે લાલુ પરિવાર 20 વર્ષ પછી લાલુ પરિવારને 10 સર્ક્યુલર રોડ સ્થિત સરકારી આવાસ (રાબડી આવાસ) ખાલી કરવાની નોટિસ મળી છે. બિહાર ભવન નિર્માણ વિભાગે આ નોટિસ મોકલી છે. આના બરાબર 10 દિવસ પહેલા એટલે કે 15 નવેમ્બરે લાલુની દીકરી રોહિણી આચાર્યા આ જ ઘરમાંથી રડતા-રડતા નીકળી હતી. આ પછી વધુ ત્રણ દીકરીઓએ રાબડી આવાસ છોડી દીધું હતું. તેજપ્રતાપને લાલુ યાદવ પહેલાથી જ પાર્ટી અને પરિવારમાંથી બહાર કરી ચૂક્યા છે. ત્યારથી તેઓ પોતાના આ જ સરકારી આવાસમાં રહી રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. T20 વર્લ્ડ કપ-2026 શેડ્યૂલ જાહેર:ઈન્ડિયા-પાકિસ્તાન મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાશે; 8 માર્ચે અમદાવાદમાં ફાઈનલ યોજાશે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ T20 વર્લ્ડ કપ 2026નું શેડ્યૂલ રિલીઝ કર્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રૂપ સ્ટેજની મેચ 15 ફેબ્રુઆરીના રોજ કોલંબોમાં યોજાશે. જ્યારે ફાઈનલ 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જો પાકિસ્તાન ફાઈનલમાં પહોંચ્યું તો ટાઇટલ મેચ કોલંબોમાં યોજાશે ટુર્નામેન્ટ ભારત અને શ્રીલંકામાં 7 શહેરોના 8 વેન્યૂ પર રમાશે. 29 દિવસમાં કુલ 55 મેચ થશે. ભારતના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન રોહિત શર્માને ટુર્નામેન્ટનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. મુંબઈમાં ICCની સેરેમની યોજાઈ, જ્યાં કમિટીએ જણાવ્યું કે ઓપનિંગ મેચ ભારત અને USA વચ્ચે થશે. ગ્રૂપ સ્ટેજમાં દરરોજ 3 મેચ રમાશે. ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જો પાકિસ્તાન નૉકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કરશે, તો તેના મેચ શ્રીલંકામાં યોજાશે. ટુર્નામેન્ટમાં 20 ટીમ છે, જેમને 4 અલગ-અલગ ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. કપાસની આડમાં ગાંજાનું વાવેતર, પોણાત્રણ કરોડના છોડ જપ્ત:SOGએ છોડ ઉખેડવા 12 GRD જવાનની મદદ લીધી, મુદ્દામાલ કબજે કરવા કોથળા ખૂટ્યા સુરેન્દ્રનગરના સાયલામાંથી કપાસની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું છે. SOGની ટીમે પોણાત્રણ કરોડની કિંમતના છોડ જપ્ત કર્યા છે. ગાંજાનો મદ્દામાલ કબજે કરવા કોથળા પણ ખૂટી પડ્યા હતા. પોલીસે 559 કિલો વજનના લીલા ગાંજાના 180 છોડ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમે સાયલાના ખીટલા ગામમાં દરોડા પાડ્યા હતા, જ્યાં કપાસના વાવેતરની આડમાં ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું હતું. SOGની ટીમે સતત 19 કલાક સુધી રેડની કાર્યવાહી કરી હતી. ખેતરમાં ગાંજાના છોડ ઉખેડવા માટે એક ડઝન GRD જવાનની મદદ લેવામાં આવી હતી. જે ગ્રામ્ય વિસ્તારના હોય અને ખેતીકામથી માહિતગાર હોય તેવા જવાનોની મદદથી ગાંજાના તમામ છોડને ખેતરમાંથી ઉખેડી જપ્ત કરાયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 7. સુરતમાં પનીરના નમૂના ફેલ થતાં પ્રથમવાર ડેરીમાલિક વિરુદ્ધ ગુનો નોંધાયો:શૈલેષ પટેલ વિરુદ્ધ કાર્યવાહી; સુરભિ ડેરીનું 754 કિલો પનીર જપ્ત કરાયું હતું, સસ્તા ભાવે વેચતા હતા સુરતમાં પનીરના નમૂના ફેલ થતાં પ્રથમવાર કોઈ ડેરીમાલિક વિરુદ્ધ ગુનો નોંધાયો છે. સુરભિ ડેરીમાંથી લેવાયેલા પનીરના નમૂના ફેલ થતાં એસ.ઓ.જી. પોલીસે ખટોદરા પોલીસ મથકમાં સુરભિ ડેરીના માલિક શૈલેષ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. પોલીસે 754 કિલો જેટલું પનીર પણ જપ્ત કર્યું હતું, જે અલગ-અલગ હોટલો અને લારીઓ પર સસ્તા ભાવે વેચાણમાં આપવામાં આવતું હતું. સુરત શહેરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા નકલી ખાદ્ય પદાર્થોનું વેચાણ કરનારાઓ સામે ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે, ખટોદરા પોલીસે સુરભી ડેરીના માલિક શૈલેષ પટેલની ધરપકડ કરી છે. શૈલેષ પટેલ પર રોજેરોજ 300 કિલો નકલી પનીર બનાવીને વેચવાનો આરોપ છે. આ કાર્યવાહી સુરત પોલીસ માટે એક મોટી સફળતા ગણાય છે, કારણ કે શહેરમાં પ્રથમ વખત કોઈ ડેરી સંચાલક વિરુદ્ધ આવા ગંભીર આરોપોસર પગલાં લેવાયાં છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : સિંગર ઝુબીનનું મર્ડર થયું હતું:આસામ CMએ વિધાનસભામાં કહ્યું, મોત દુર્ઘટના નહોતી; એક આરોપીએ જીવ લીધો, બાકીનાઓએ મદદ કરી; અત્યારસુધીમાં 7 અરેસ્ટ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ઇથોપિયામાં 12,000 વર્ષ પછી જ્વાળામુખી ફાટ્યો:15 કિમી ઊંચા ઊઠેલા રાખના વાદળ દિલ્હી સુધી પહોંચ્યાં, ગુજરાતને પણ સ્પર્શી શકે છે; અનેક ફ્લાઇટ્સ રદ વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : 205 દિવસ પછી બદ્રીનાથના કપાટ બંધ:12 ક્વિન્ટલ ફૂલોથી સજાવાયું મંદિર, આ વર્ષે સાડા 16 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : પાકિસ્તાને ફરી અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઈક કરી:ઘર પર બોમ્બમારામાં 10 લોકોના મોત, જેમાં 9 બાળકો અને એક મહિલા સામેલ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ભારત છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી ઓછું રશિયન-તેલ ખરીદશે:ડિસેમ્બરમાં 18 લાખને બદલે 6 લાખ બેરલ-પ્રતિ-દિવસ ક્રૂડ આયાતનો અંદાજ; અમેરિકા-EU પ્રતિબંધોની અસર વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : 'ગંભીરને ટેસ્ટમાંથી હટાવો, દ્રવિડને પાછો બોલાવો':એક્સપર્ટ્સે ભારતીય હેડ કોચને બદલવાની માગણી કરી, કહ્યું- પૂજારા જેવા ખેલાડીને પ્લેઇંગ-11માં પરત લાવો વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન ખબર હટકે અંતિમ સંસ્કાર પહેલાં જીવિત થઈ મહિલા થાઇલેન્ડમાં 65 વર્ષની એક મહિલાને મૃત જાહેર કરીને તાબૂત (શબપેટી)માં મૂકી દેવામાં આવી હતી, પરંતુ અંતિમ સંસ્કારના બરાબર પહેલાં તાબૂતની અંદરથી અવાજ આવ્યો અને તે જીવિત મળી. આ ઘટનાએ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા. વર્ષ 2024માં ઓડિશાની 52 વર્ષની બુજ્જી અમ્મા પણ અંતિમ સંસ્કારના બરાબર પહેલાં બોલી ઉઠી હતી. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor's View: નવાં યુદ્ધના ભણકારા:પાકિસ્તાને ભારતનો ગુસ્સો અફઘાનિસ્તાન પર ઉતાર્યો!; એર સ્ટ્રાઈક પછી તાલિબાનનો ખુલ્લો પડકાર 2. સ્વપ્નદૃષ્ટા-2 : મોરારજી દેસાઈ સ્વમૂત્ર પીને 100 વર્ષ જીવ્યા!:લગ્નના બે દિવસ પહેલાં પિતાએ આપઘાત કર્યો, 81મે વર્ષે PM બન્યા, CIAના એજન્ટ હોવાનો આક્ષેપ લાગ્યો 3. ગીર સોમનાથનાં વૃદ્ધાની મર્ડરમિસ્ટ્રીએ પોલીસને ગૂંચવી:બેંકમાંથી રૂ.1200 ઉપાડ્યા પછી ગુમ થયા, પરિવારે ચોથા દિવસે પોલીસને જાણ કરી, 40 કિમી દૂર હાડપિંજર મળ્યું 4. શું નૂર હુસૈન ભારતની 'સીમા હૈદર' સાબિત થશે?:9 વર્ષનો પ્રેમ, લાહોર પહોંચી અને પછી ગાયબ; પાકિસ્તાન પોલીસને શંકા કે તે RAW એજન્ટ છે 5. આજનું એક્સપ્લેનર:એક બટનથી કેવી રીતે લહેરાશે રામ મંદિરની ધજા, તોફાન-વરસાદ કંઈ બગાડી નહીં શકે; એમાં બનેલા કોવિદાર વૃક્ષની પણ ખાસ કહાની કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ બુધવારનું રાશિફળ: તુલા જાતકોને અટકેલાં કામને પૂરું કરવા માટે યોગ્ય સમય છે; મીન જાતકોને બિનજરૂરી ખર્ચાઓ પર કાબૂ રાખવો (સંપૂર્ણ રાશિફળ વાંચો)
મતદાર યાદીનું કમઠાણ:વલસાડમાં BLO -પંચાયત માજી સભ્યના નામ જ યાદીમાં નથી
હાલમાં વિશેષ સઘન મતદાર યાદી સુધારણાંનીભારે ચહલપહલ ચાલી રહી છે ત્યારે 2002નીમતદાર યાદી ખુબ મહત્વનું સ્ત્રોત ગણવામાં આવ્યુંછે.પરંતું વલસાડમાં ગ્રામપંચાયતની ચૂંટણી લડીચૂકેલા માજી સભ્યના પરિવારના જ નામો યાદીમાંમળ્યા નથી,આટલું જ નહિ તો એક બીએલઓ પણ2002ની યાદીમાં ફરજિયાત નામ જરૂરી હોવાનાનિયમનો ભોગ બન્યા છે. 2002ના વર્ષનીવિધાનસભા મત ક્ષેત્રની મતદાર યાદીમાં જ જો નામોન હોય તો તેના નામ કાઢી નાંખવામાં આવવાનીબીકે જેમના નામો તે યાદીમાં નથી મળ્યા તે મતદારોખુબ ચિંતામાં મૂકાયા છે.મતદાર યાદીના 2002નાઆધારે નામોની વિગતો સાથે ભરવાના ગણતરીફોર્મમાં જે મતદારનો નામો તેમાં નથી તેઓમુશ્કેલીમાં મૂકાયા છે.ખુદ જેના શિરે બીએલઓનીજવાબદારી સોંપવામાં આવી છે તે બીએલઓ પણ2002ની મતદાર યાદીમાં નામથી વંચિત રહ્યા છે.8 જાન્યુ. સુધી દાવા કરી શકાશેહાલે સરની કાર્યવાહી દરમિયાન કોઇ કારણ સર નામ અટકવિગેરેના પ્રશ્નો હશે કે યાદીમાં નામ કે અન્ય વિગત ઉપલબ્ધહોય તેવા અનેક મતદારો જોવા મળી રહ્યાં છે.જો કે નોંધણીકાર્યક્રમની અવધિ બાદ હક દાવા માટે 6 ડિસેમ્બર 2025થી 8જાન્યુઆરી 2026 વચ્ચે અરજી કરી શકાશે.જેમાં જે મતદારોનાપ્રશ્નો છે તે અંગેની પ્રક્રિયા હાથ ધરાશે. કેસ-1 : પાલિકાના કર્મીBLO પણ નામ નથીવલસાડ પાલિકામાં ફરજ બજાવતા ફકીર શેખચૂંટણી તંત્ર દ્વારા બીએલઓ નિયુક્ત થયેલાછે.આ અગાઉની ચૂંટણીઓમાં તેઓ પાલિકાનાસ્ટાફ સહિત ચૂંટણી લક્ષી ફરજો બજાવી ચૂક્યાહતા.પરંતું સઘન મતદાર યાદી સુધારણાકાર્યક્રમ હેઠળ ફોર્મ ભરવા માટે તેમનાપરિવારના નામ 2002ની યાદીમાં નથી. કેસ-2 : આખા પરિવારનાનામો જ ગાયબ થયાગ્રીનપાર્ક-3માં વસવાટ કરતાં ઇસ્માઇલ શેખઅગાઉ કોસંબા રોડ પર આવેલા મુસ્તાકનગરમાં પરિવારજનો સાથે વસવાટ કરતાંહતા.છતાં 2002ની યાદીમાં નામો જ નથી. 2002ની યાદીમાં નામ નહિ મળ્યા પણ ફોર્મ તો સબમિટ કર્યા,હક દાવાના વિકલ્પને લઇ હવે પૂરાવાઓ રજૂ કરવા પડશે-2002ની યાદી ZIP File રૂપે Main Page પરથી ડાઉનલોડથશે.ZIP File → MyFiles માં જઈ Extract કરશો →ફાઇલ PDF માં ખુલશે.2002ની યાદીમાંથી યોગ્ય માહિતીફોર્મમાં ભરી → Relation પસંદ કરો → Searchકરો.-સંબંધીની માહિતીનીચે દેખાશે → તેનાનીચેના Box માં Tick કરીને Continue કરો. હવે ફોર્મ ખુલશે— જેમાં તમારી જન્મતારીખ,આધાર નંબર,અન્ય જરૂરી વિગતોભરવાની રહેશે.તમારો 2 MB સુધીનો પાસપોર્ટ સાઇઝનોફોટો Upload કરવો.નીચે Submit પર ક્લિક કરવું.Submitપછી Aadhaar Verification આવશે → આધાર નંબરનાખવો → Get OTP→ OTP નાખવો.નીચે Terms Conditions માં Tick કરવું.છેલ્લે ફરી Submit કરીદેવું.-Acknowledgmen t ફોર્મ સફળતાપૂર્વક સબમિટ થયાપછી તમને નીચેનો સંદેશ દેખાશે.
લેવલિંગ કામનો પ્રારંભ:વલસાડના મોગરાવાડીમાં રોડ પહોળો કરવા દબાણ દૂર કરાયા
વલસાડ મોગરાવાડી હાઇવે થઇ અબ્રામાના કેટલાક વિસ્તારોમાં થઇ પારડીસાંઢપોર કૈલાસ રોડને જોડતાં 4 કિમી લાંબા અને સાંકડા રોડને પહોળો કરવા માટે નગરપાલિકા દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.જેમાં પ્રથમ તબક્કે રોડને પહોળો કરવા માટે વચ્ચે જે દબાણ આવી રહ્યા છે તેને દૂર કરવાની કામગીરી કરી માટી ખોદીને લેવલિંગ હાથ ધરાયું છે. વલસાડ નેશનલ હાઇવેના ગીરીરાજ હોટલની બાજૂમાંથી મોગરાવાડી અબ્રામા જવા માટે નિકળતો રસ્તો વર્ષોથી સાંકડો અને અત્યંત ખાડા ટેકરાવાળો હતો. રોડ પર મોગરાવાડી થઇ પારડીસાંઢપોર એન્કર થઇ કૈલાસ રોડને કનેક્ટ થતાં ખેરગામ ગુંદલાવના વાહનચાલકોને પણ મોગરાવાડી ટૂંકા રસ્તે જવાની સરળતા પડશે. 15 વર્ષથી આ રસ્તો બન્યો ન હતો.આ રસ્તા માટે માજી સભ્યો ગીરીશ દેસાઇ,ઝાકીર પઠાણ,સંજય ચૌહાણ,વિજય પટેલ ગાંધીનગર નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ તથા ધારાસભ્ય ભરતભાઇ પટેલને પણ રજૂઆત કરી હતી. પાલિકા ભાજપ સત્તાધીશોએ આ રોડ પહોળો કરવા સામાન્ય સભામાં ઠરાવ કર્યો હતો.નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ તેમજ ધારાસભ્ય ભરતભાઇ પટેલના પ્રયાસોથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મંજૂરી મળતાં નગરપાલિકાના આ રોડ માટે 10.50 કરોડની ગ્રાન્ટ ફાળવાઇ હતી.જેની કામગીરી માટે ચીફ ઓફિસર કોમલ ધાનૈયાના માર્ગદર્શન હેઠળ રસ્તાની પહોળાઇ વધારવાની કામગીરીનો પ્રારંભ મંગળવારથી કરાયો છે. વચ્ચે જે ઓટલા કે પગથિયા જે નડતર હોય તેને દૂર કરવા માટે અને સાઇડ સોલ્ડરના ખોદાણની કામગીરી હાથ ધરવામાં આવતાં અનેક લોકો સ્થળ પર ભેગા થયા હતા.આ રોડ 12 મીટરથી વધુ પહોળો કરવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું.
રાહત:વલસાડમાં 71.14 કરોડના ડાંગરના પાકને નુકસાની પૈકી પ્રથમ તબ્બકે 3 કરોડ મળ્યા
વલસાડ જિલ્લામાં ડાંગરના પાકને થયેલા નુકસાન બદલ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કુલ રૂ.71.74 કરોડની સહાય મંજૂર કરવામાં આવી છે. આ સહાયનો લાભ 40,950 ખેડૂતોને મળશે. પ્રથમ તબક્કે રૂ.3 કરોડની રકમ ફાળવવામાં આવી છે, જેની ચુકવણી શરૂ થઈ ગઈ છે. નવરાત્રી બાદ અચાનક પડેલા વરસાદ અને ભારે પવનને કારણે જિલ્લામાં ડાંગરના તૈયાર પાકને ગંભીર નુકસાન થયું હતું. વલસાડ જિલ્લામાં કુલ 75 હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગરની રોપણી થઈ હતી, જેમાંથી 73 હજાર હેક્ટર વિસ્તારમાં ખેતીને ભારે અસર પહોંચી હતી.ખેડૂતોની રજૂઆત બાદ આ સહાય મંજૂર કરાઈ છે. જિલ્લા કલેક્ટરે રાજ્ય સરકાર પાસે રૂ.72 કરોડની નુકસાનીની માંગણી કરી હતી. ત્યારબાદ, પ્રથમ તબક્કે રૂ.3 કરોડની રકમ ખેતીવાડી વિભાગને ફાળવવામાં આવી છે. આ રકમ લાભાર્થી ખેડૂતોના ખાતામાં સીધી જમા થવા લાગી છે.ખેતીવાડી વિભાગે માત્ર 7 દિવસમાં 37 હજાર હેક્ટર વિસ્તારમાં થયેલી નુકસાનીનો સર્વે પૂર્ણ કર્યો હતો. ખેડૂતોએ ''આઈ ખેડૂત પોર્ટલ'' પર પોતાની અરજીઓ અને ખેતરમાં થયેલી નુકસાનીના ફોટોગ્રાફ્સ અપલોડ કર્યા હતા. અત્યાર સુધીમાં 25 હજારથી વધુ અરજીઓ મંજૂરી માટે મોકલાઈ છે અને બાકીની અરજીઓની પ્રક્રિયા ચાલુ છે. વલસાડ, પારડી, કપરાડા, ઉમરગામ અને વાપી તાલુકાના ખેડૂતોને ખાસ અસર થતા સંસદસભ્ય ધવલ પટેલ અને તમામ ધારાસભ્યોએ મુખ્યમંત્રી સમક્ષ વળતર માટે રજૂઆત કરી હતી. રાજ્ય સરકારે ગુજરાતમાં પાકને થયેલી કુલ રૂ.10 હજાર કરોડની નુકસાની માટે સિદ્ધાંતિક મંજૂરી આપી છે. હાલ સેટેલાઇટ સર્વે દ્વારા વાસ્તવિક નુકસાનીની તપાસ ચાલુ છે. આગામી દિવસોમાં તમામ પાત્ર ખેડૂતોને સરકારના નિયમ અનુસાર સહાયની રકમ સીધી જ તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે.
જૂનાગઢ જિલ્લામાં દારૂ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓને જડમૂળમાંથી ડામી દેવાના પોલીસ તંત્રના અભિયાન વચ્ચે, ક્રાઇમ બ્રાન્ચે એક જ દિવસમાં ત્રણ જુદા જુદા સ્થળો પર ત્રાટકીને 21,23,850ની કુલ કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા અન્ય મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે પ્લાસવા, લાઠોદ્રા, અને માંડોદરા જેવા ગ્રામ્ય વિસ્તારોમાંથી કુલ 1512 બોટલો સહિત 21.23 લાખનો માલ કબજે કરીને બૂટલેગરોના નેટવર્ક પર સપાટો બોલાવ્યો છે. પ્રથમ રેડજૂનાગઢ તાલુકાના પ્લાસવા ગામની સીમમાં પાર પડ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, ગાંધીગ્રામ, સંજયનગરમાં રહેતો કિશન રામા કોડિયાતર ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો વાહનમાં મંગાવી રેલવે પાટા પાસેના ખરાબામાં કટિંગ કરવાની પેરવીમાં છે. PIએ તેમની ટીમ સાથે દરોડો પાડતા અલગ અલગ બ્રાન્ડની કુલ 1512 બોટલ/ચપટા જેની કિંમત 5,56,800 હતી, તે ઉપરાંત દારૂ ભરેલી મહિન્દ્રા બોલેરો પીક-અપ કિંમત 5,00,000 પણ જપ્ત કરવામાં આવી હતી. પ્લાસવાના આ કેસમાં કુલ 10,56,800નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે અને કિશન રામા કોડિયાતરને ફરાર આરોપી જાહેર કરાયો છે. બીજી રેડક્રાઇમ બ્રાન્ચે માળીયા હાટીના તાલુકાના લાઠોદ્રા ગામની સીમ વિસ્તારમાં રહેણાંક મકાનના ઢાળિયામાં છુપાવેલા દારૂના જથ્થા પર દરોડો પાડ્યો હતો. પોલીસે ત્યાં પહોંચીને વિવિધ બ્રાન્ડની કુલ 1414 બોટલ, ચપટા તથા બિયર ટીન જપ્ત કર્યા હતા, જેની કિંમત ₹5,67,050/- હતી. આ કેસમાં કુલ 5,67,050 નો મુદ્દામાલ કબજે કરાયો છે અને બાલુ ઉર્ફે મામો બચુભાઈ લાખાણી નામનો આરોપી ફરાર છે. ત્રીજી રેડમાણાવદર તાલુકાના માંડોદરા ગામની સીમમાં કરવામાં આવી હતી. બાતમીના આધારે પોલીસે ખેતરમાં આવેલા રહેણાંક મકાનમાં દરોડો પાડતા ખીમાભાઈ ઉકાભાઈ ભારાઈ નામના એક આરોપીને રૂમમાં દારૂની પેટીઓ ગોઠવતા પકડી પાડ્યો હતો. આ સ્થળેથી કુલ 1308 બોટલ/ચપટા/બિયર ટીન જપ્ત થયા હતા, જેની કિંમત 4,35,600 હતી. આ કાર્યવાહીમાં કિશન રામા કોડીયાતર, સાંગા ખીમાભાઈ ભારાઈ અને એક અજાણ્યો શખ્સ ફરાર જાહેર કરાયા છે. આમ, એક જ દિવસમાં ક્રાઇમ બ્રાન્ચે જૂનાગઢ, માળીયા હાટીના અને માણાવદર જેવા ત્રણ જુદા જુદા વિસ્તારોમાંથી સફળતાપૂર્વક કુલ 21,23,850નો વિપુલ જથ્થો કબજે કરીને બૂટલેગરોમાં ફફડાટ ફેલાવી દીધો છે. પોલીસે ત્રણેય કેસમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરીને ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ વડોદરા (MSU) અને ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન (IIT) બોમ્બે વચ્ચે અન્વેષણ નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન (ANRF)ના ‘પાર્ટનરશિપ ફોર એક્સેલરેટેડ ઇનોવેશન એન્ડ રિસર્ચ’ (PAIR) કાર્યક્રમ હેઠળ મહત્વના સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર થયા છે. આ કાર્યક્રમ અંતર્ગત IIT બોમ્બેને મુખ્ય હબ તરીકે અને MSU વડોદરાને દેશભરમાં પસંદ થયેલા સાત સ્પોક્સમાંથી એક તરીકે નિયુક્ત કરવામાં આવી છે. આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ દેશની યુનિવર્સિટીઓમાં ઉચ્ચ ગુણવત્તાવાળા સંશોધનને પ્રોત્સાહન આપવું અને શૈક્ષણિક સંશોધન સંસ્કૃતિને મજબૂત કરવાનો છે. MoU પર હસ્તાક્ષર સમારોહ ANRFના CEO ડૉ. કુમાર કલ્યાણારામણની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. ડૉ. કલ્યાણારામણે જણાવ્યું કે, “PAIR કાર્યક્રમનો હેતુ સંસ્થાઓ વચ્ચે લાંબા ગાળાનો સહયોગ વધારવો, સંસાધનોનો સહભાગી ઉપયોગ કરવો, સંશોધકોની ક્ષમતા વધારવી અને બહુવિધ ક્ષેત્રોમાં અસરકારક સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે. MSU તરફથી રજિસ્ટ્રાર પ્રોફેસર કે. એમ. ચુડાસમા અને IIT બોમ્બે તરફથી ડીન (RD) પ્રોફેસર એસ. પટવર્ધન દ્વારા MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ANRFના નિયમો મુજબ, PAIR કાર્યક્રમ હેઠળ મંજૂર થયેલા તમામ અત્યાધુનિક વૈજ્ઞાનિક સાધનો IIT બોમ્બે દ્વારા ખરીદીને MSU વડોદરામાં સ્થાપિત કરવામાં આવશે, જેથી યુનિવર્સિટીના શિક્ષકો અને સંશોધકોને વિશ્વકક્ષાની પ્રયોગશાળા સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહે. કાર્યક્રમમાં MSUના કુલપતિ પ્રોફેસર બી. એમ. ભનાગે પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે IIT બોમ્બે સાથે વધુ શૈક્ષણિક સહકારની ચર્ચા કરી અને ANRFની તાજેતરની જાહેરાત ‘2D મટિરિયલ રિસર્ચ ફેબ એન્ડ ઇનોવેશન હબ’માં MSUની ભાગીદારીની ઇચ્છા વ્યક્ત કરી હતી. IIT બોમ્બેએ આ પ્રસ્તાવનું સ્વાગત કરતાં જરૂરી સહયોગ આપવાની તૈયારી દર્શાવી હતી. MSUના સંશોધકોની ટીમ હાલ આ માટે વિગતવાર પ્રોજેક્ટ પ્રપોઝલ તૈયાર કરી રહી છે. આ MoUને MSU વડોદરા માટે ઐતિહાસિક શૈક્ષણિક સિદ્ધિ ગણાવતાં કુલપતિએ કહ્યું કે, આ ભાગીદારીથી અમારી યુનિવર્સિટીનું સંશોધન કાર્ય વિશ્વકક્ષાએ પહોંચશે અને દેશના ઇનોવેશન ઇકોસિસ્ટમમાં MSUની ભૂમિકા વધુ મજબૂત બનશે. આ ભાગીદારીથી આવનારા સમયમાં નવા સંશોધન પ્રોજેક્ટ્સ, શિક્ષક-વિદ્યાર્થી આદાન-પ્રદાન અને અસરકારક શૈક્ષણિક પ્રવૃત્તિઓને મોટું પ્રોત્સાહન મળે તેવી શક્યતા છે.
સુરતમાં કોરોના મહામારી દરમિયાન માસ્કના નામે એડવાન્સ રૂપિયા લઈને કૌભાંડ આચરનાર અને પાંચ વર્ષથી ગુમ આરોપી આખરે ઝડપાયો છે, જેને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો છે. બીજી તરફ, શહેરના વેસુ વિસ્તારમાં નજીવી બાબતે યુવક પર જીવલેણ હુમલો થયો છે, જ્યારે લિંબાયત વિસ્તારમાં પતિએ તેની પત્નીના ભાઈની હત્યા કરી નાખતા મામલો ગરમાયો છે. 3.50 કરોડની લોન લેનાર ભાગેડુ આરોપી જેલ હવાલેકોરોના મહામારીના સમયે જ્યારે માસ્કની ભારે માંગ હતી, ત્યારે માસ્કના એડવાન્સ રૂપિયા લઈને તેનું પેમેન્ટ ન કરનાર એક આરોપીને પોલીસે પાંચ વર્ષ બાદ ઝડપી પાડ્યો છે. સુરતનો આ આરોપી છેલ્લાં પાંચ વર્ષથી પોલીસ અને ફરિયાદી બંનેથી દૂર ભાગતો ફરતો હતો, જેના કારણે કોર્ટે ફરિયાદીને કેસ કાઢી નાંખવાની સૂચના પણ આપી હતી. આ કેસમાં ફરિયાદીએ N-95 સહિતના માસ્કનો મોટો જથ્થો મંગાવવા માટે આરોપી અરવિંદ જીવરાજ ભાયાણીને એડવાન્સમાં 27.92 લાખ આપ્યા હતા. જોકે, આરોપીએ માસ્કનો જથ્થો ન આપતાં ફરિયાદીને બે ચેક આપ્યા હતા, જે બેન્કમાં બાઉન્સ થયા હતા. આ ઘટના બાદ આરોપી અરવિંદ ભાયાણી સતત પાંચ વર્ષ સુધી ગાયબ રહ્યો હતો. પોલીસ કે ફરિયાદી પૂછપરછ માટે જતા, ત્યારે આરોપીની પત્ની અને મકાન માલિક પણ તે સંપર્કમાં ન હોવાનું કે મોબાઈલ બંધ હોવાનું કહી હાથ અધ્ધર કરી દેતા હતા. આરોપીને કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલ્યોપાંચ વર્ષની લાંબી શોધખોળ બાદ ફરિયાદી તરફેના એડવોકેટ નરેશ ગોહિલે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો સંપર્ક કર્યો અને આરોપીનો પાનકાર્ડ ચેક કરાવ્યો. આ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે આરોપી અરવિંદ ભાયાણીએ અંકલેશ્વરની એક બેન્કમાંથી 3.50 કરોડની લોન લીધી હતી. આનાથી પણ વધુ આશ્ચર્યજનક બાબત એ હતી કે આ લોનમાં ગેરેન્ટર તરીકે તેની પત્ની જ હતી, જે પોલીસને તે સંપર્કમાં ન હોવાનું જણાવતી હતી. સમગ્ર મામલો પોલીસ કમિશનરના ધ્યાન પર લાવવામાં આવતા, તેમણે તાત્કાલિક ઉતરાણ પોલીસને આરોપીની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. પોલીસે તુરંત કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો. કોર્ટમાં રજૂ કરાતા તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીનો હુકમ કરવામાં આવ્યો છે. એડવોકેટ નરેશ ગોહિલે ફરિયાદી તરફે મજબૂત દલીલો કરી હતી. વેસુ વીઆઇપી રોડ પર 6 શખસોનો યુવક પર જીવલેણ હુમલોસુરતના વેસુ વિસ્તારમાં વીઆઈપી રોડ ચાર રસ્તા પાસે રવિવારે મોડી રાત્રે એક ગંભીર ઘટના બની હતી, જ્યાં રિક્ષામાં આવેલા છ બદમાશોએ એક યુવક પર વગર વાંકે ચપ્પુના ઘા ઝીંકીને તેને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકનું નામ જીગર શશીકાંત પટેલ છે, જે વેસુના પારસી મોહલ્લામાં રહે છે અને લગ્નના પ્રસંગોમાં બગી અને લાઈટિંગનું કામકાજ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. બનાવ સમયે જીગર પટેલ લગ્નનો ઓર્ડર પૂરો કરીને બગી લઈને પોતાના ઘરે પરત આવી રહ્યા હતા. રસ્તામાં રિક્ષામાં આવેલા 6 બદમાશોએ તેમને રોકીને ઝઘડો કર્યો હતો અને જીગર પટેલ પર ચપ્પુ વડે 9 જેટલા ઘા ઝીંકી દીધા હતા. હુમલા બાદ હુમલાખોરો રિક્ષામાં ભાગી ગયા હતા, પરંતુ સ્થાનિક લોકો દોડી આવતા તેમણે એક બદમાશને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત જીગર પટેલને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં સોમવાર સાંજ સુધીમાં તેની સર્જરી કરવામાં આવી હતી. હાલમાં તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. વેસુ પોલીસે આ બનાવ અંગે હત્યાની કોશિશઅને રાયોટિંગની કલમો હેઠળ ગુનો નોંધીને તમામ 6 બદમાશોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાંથી બલજીત યાદવ અને અનુજ યાદવ કોલેજમાં અભ્યાસ કરે છે, જ્યારે અભિષેક બચત પર રિક્ષા ચલાવે છે. બાકીના 3 આરોપીઓ નોકરી કરે છે. પોલીસે રિક્ષા અને મોબાઈલ કબજે કરીને આરોપીઓને એક દિવસના પોલીસ રિમાન્ડ પર લીધા છે. પત્નીના ભાઈને સિમેન્ટના બ્લોક મારી પતિએ મોતને ઘાટ ઉતાર્યોશહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા છત્રપતિ શિવાજી નગરમાં એક કમકમાટીભરી હત્યાનો બનાવ સામે આવ્યો છે, જ્યાં પતિએ અંગત અદાવત રાખીને તેના સાળાની જીવલેણ હુમલો કરી હત્યા કરી નાખી છે. ભોગ બનનાર પરણિત મહિલાએ તેના પતિ સામે જ હત્યાની ફરિયાદ નોંધાવી છે. મૂળ મહારાષ્ટ્રના જલગાવ જિલ્લાના વતની સમસુદ્દીન શેખની દીકરી સાબીરાના લગ્ન સલાબતપુરાના અનવર નગરમાં રહેતા અકીલ સલીમ શાહ સાથે થયા હતા. લગ્ન બાદ સાબીરા પતિ સાથે રહેતી હતી, પરંતુ થોડા દિવસ પહેલા તે પિતાના ઘરે પરત આવી હતી. તા. 23 નવેમ્બર 2025ના રોજ રાત્રે અંદાજે 11:30 વાગ્યે પતિ અકીલ શાહ સાબીરાના ઘરે આવ્યો હતો અને તેની સાથે ઝઘડો કરીને ગાળો આપી ધમકી આપી હતી. આ દરમિયાન સાબીરાના ભાઈ સાબિરે, અકીલને શાંત પાડી સાબીરાને લઈને ઘરે જવાનું કહ્યું હતું, પરંતુ સાબીરાએ ના પાડી હતી. આ વાતને લઈને થોડીવાર પહેલા સાબીરાના ભાઈએ તેને થપ્પડ મારી હતી, જે વાતની અદાવત પતિ અકીલના મનમાં હતી. આ જૂની અદાવતને કારણે અકીલ ઉશ્કેરાઈ ગયો અને તેણે સાબીરાના ભાઈ સાબિરને ગાળો આપી ગળેથી પકડી લીધો. બાદમાં તેને બાઇક સાથે ભટકાવી દીધો અને છોડીને નજીકમાંથી એક સિમેન્ટનો બ્લોક લાવ્યો. આ બ્લોક તેણે સાબિરના માથામાં મારતા તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આખરે, ભોગ બનનાર પરણીતા સાબીરાએ તેના પતિ અકીલ શાહ સામે લિંબાયત પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આશારામને આપવામાં આવેલા જામીનની શરતોમાં ફેરફાર કરવા માટે તેણે હાઇકોર્ટમાં અરજી કરી છે. જે અરજીમાં હાઇકોર્ટે ઓથોરિટીને નોટિસ પાઠવી છે અને કેસની સુનાવણી 1 ડિસેમ્બરના રોજ રાખી છે. દુષ્કર્મના કેસમાં તેમની આજીવન કેદની સજા ભોગવી રહેલા આશારામને 6 મહિના માટે હંગામી જામીન આપવામાં આવ્યા છે. જો કે, આ 6 મહિનાના જામીનના સમયગાળા દરમિયાન તેની આસપાસ 3 પોલીસ કર્મચારીઓની હાજરીની શરતમાં ફેરફાર કરી આપવા અથવા તો તેને કાઢી નાખવાની માગ કરવામાં આવી છે. 'પોલીસની 24 કલાક હાજરી જરૂરી છે કે નહીં તેના પર વિચાર કરો'6 નવેમ્બરના રોજ હાઈકોર્ટે આશારામને 2013ના દુષ્કર્મ કેસમાં 6 મહિનાના હંગામી જામીન આપ્યા હતા. તેને મુક્ત કરતી વખતે લાદવામાં આવેલી એક શરત એ હતી કે તે તેના અનુયાયીઓને જૂથમાં નહીં મળે અને પોલીસ અધિકારીઓના રૂપમાં 3 સુરક્ષા કર્મચારીઓ તેની આસપાસ હાજર રહેશે. અગાઉ 21મી નવેમ્બરના રોજ સુનાવણી દરમિયાન કોર્ટે રાજ્યને નોટિસ જારી કરતી વખતે વકીલને મૌખિક રીતે કહ્યું હતું કે પોલીસ અધિકારીઓની 24 કલાક હાજરી જરૂરી છે કે નહીં તેના પર વિચાર કરો. હાઈકોર્ટે આસારામની તબીબી સ્થિતિ પર જવાબ આપવા કહ્યુંરાજ્ય સરકાર તરફથી વકીલે કહ્યું હતું કે, ગયા મહિને રાજસ્થાન હાઈકોર્ટે આશારામની તબીબી સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમની સજા સ્થગિત કરી હતી. તે નોંધ્યા પછી હાઈકોર્ટે આ મહિનાની શરૂઆતમાં સજા સ્થગિત કરી હતી. સાથે જ તબીબી કારણોસર આસારામને વચગાળાના જામીન પર મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો હતો. અગાઉ હાઈકોર્ટે રાજ્યને આસારામની તબીબી સ્થિતિ પર જવાબ આપવા કહ્યું હતું.
રેલવેમાં મોટાભાગના લોકો મુસાફરી કરતા હોય છે. ત્યારે રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગરથી ચમારજ વચ્ચે નવો રોડ ઓવર બ્રિજ (ROB–48) બનાવવામાં આવી રહ્યો છે. જેને કારણે કેટલીક ટ્રેનોને માર્ગમાં રોકવી પડશે. આ કામ માટે રેલવે દ્વારા 29 નવેમ્બરથી 1 ડિસેમ્બર, 2025 સુધી ત્રણ દિવસનો બ્લોક લેવામાં આવશે. આ બ્લોક દરમિયાન અનેક ટ્રેનોના સમયપત્રકમાં ફેરફારો થશે અને કેટલીક ટ્રેનોને માર્ગમાં રોકવી પડશે. રેલવે તંત્રએ મુસાફરોને આગોતરા માહિતી આપી છે કે યાત્રા કરતા પહેલા ફેરફારો જાણી લે. 29 નવેમ્બર, 2025ના રોજ ફેરફારો 30 નવેમ્બર, 2025ના રોજ ફેરફારો 1 ડિસેમ્બર, 225ના રોજ ફેરફારો
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં આજે ખેલકૂદનો મહોત્સવ શરૂ થયો છે. અમદાવાદ મંડળ સ્પોર્ટ્સ એસોસિયેશન (ADSA) દ્વારા આયોજિત છઠ્ઠી DRM ચેમ્પિયનશીપનો શુભારંભ આજે એટલે કે 25 નવેમ્બરના રોજ સાબરમતીના સ્પોર્ટ્સ મેદાનમાં કરવામાં આવ્યો. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ડીવીઝનલ રેલવે મેનેજર વેદ પ્રકાશે કર્યું હતું. વર્ષ 2025–26 માટેની આ ચેમ્પિયનશીપમાં 10 રમતો અને કુલ 38 ઇવેન્ટ્સ થશે. અમદાવાદ મંડળના 16 વિભાગોમાંથી લગભગ 1100–1200 સુધીના રેલવે કર્મચારીઓ ઉત્સાહ સાથે ભાગ લઈ રહ્યા છે. આ કારણે આ ચેમ્પિયનશીપ પશ્ચિમ રેલવેની સૌથી મોટી રમત સ્પર્ધાઓમાંની એક બની છે. સ્પર્ધામાં ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, કેરમ, શત્રંજ અને ઍથ્લેટિક્સ જેવી લોકપ્રિય રમતો સામેલ છે. કુલ 16 ટીમો. જેમાં વિવિધ વિભાગો, કારખાનાઓ, સાબરમતી સ્ટોર અને ગાંધીધામ એરિયા મેનેજરની ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. DRM ચેમ્પિયનશીપનો મુખ્ય હેતુ કર્મચારીઓમાં રમત ગમત, ટીમવર્ક અને ફિઝિકલ ફિટનેસ વધારવાનો છે. આવા કાર્યક્રમો કર્મચારીઓને પોતાની પ્રતિભા દેખાડવાનો મોકો મળશે.
NDPS કેસમાં 3 આરોપીઓને 15 વર્ષની કેદ:ત્રણેય આરોપીઓ રાજસ્થાનથી MD ડ્રગ્સ લાવી અમદાવદામાં વેચતા હતા
અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી NDPSની વિશેષ અદાલતે ત્રણ આરોપીઓ હિમેશ ગરાંગે તેના ભાઈ મોનેશ ગરાંગે અને ચાણક્ય ઘમંડેને 15 વર્ષની કેદ અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આરોપીઓ સામે વર્ષ 2023માં DCB પોલીસ મથકે NDPS એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો. 15 સાહેદ અને 51 દસ્તાવેજી પુરાવાઓ ચકાસી આરોપીઓ સજા ફટકારીજે સંદર્ભનો કેસ અમદાવાદ સેશન્સ કોર્ટમાં આવલી જજ વી.બી. રાજપૂતની કોર્ટમાં ચાલી જતા કોર્ટે સરકારી વકીલ દિલીપસિંહ.એમ.ઠાકોરની દલીલો, 15 સાહેદ અને 51 દસ્તાવેજી પુરાવાઓ ચકાસીને આરોપીઓને ઉપરોક્ત સજા ફટકારી હતી. 118 ગ્રામ જેટલું 11.82 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું હતુંઆ કેસની વિગતમાં પોલીસને બાતમી મળી હતી કે ઉપરોક્ત ત્રણેય આરોપીઓ જે અમદાવાદના રહેવાસી છે. તેઓ રાજસ્થાનના અજય ગેહલોત પાસેથી ડ્રગ્સ લાવી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે અમદાવાદના ઈન્દિરા બ્રિજ ખાતે નાકાબંધી કરતા આરોપીઓ ગાડીમાં આવતા ઝડપાઈ ગયા હતા. જેમની પાસેથી 118 ગ્રામ જેટલું, 11.82 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું હતું.
AMCની આવક વધી:ખાનગી મિલકતો કરતા મ્યુનિસિપલ કોર્પોરેશનની મિલકતો પર લાગેલા હોર્ડિંગ્સની આવક વધારે
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ખાનગી મિલકતો ઉપર હોર્ડિંગ્સ લાગેલા છે. જેમાં ખાનગી મિલકતો પર 1773 અને મ્યુનિસિપલ કોર્પોરેશનની મિલકતો પર 303 હોર્ડિંગ્સ લાગેલા છે. જેમાં ખાનગી મિલકતોમાં છેલ્લા પાંચ વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂ. 42.55 કરોડની આવક થઈ છે. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની મિલકતોમાં 84 કરોડની આવક થઈ છે. AMCને ચાલુ વર્ષે ખાનગી મિલકતો પર રૂ. 24.34 કરોડની આવક થઇ છે. 5 વર્ષની સરખામણીમાં ગત 4 વર્ષની કુલ આવક માંડ રૂ. 18.21 કરોડ સામે ચાલુ વર્ષે વધારે આવક થઇ છે. આજે મળેલી ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીમાં આગામી દિવસોમાં હોડીંગ્સ મામલે ડ્રાફ્ટ પોલીસી તૈયાર કરવા અને કોમનવેલ્થ ગેમ કે ઓલમ્પીકને અનુલક્ષીને એક સુચારુ નીતિ તૈયાર કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. કયા વર્ષે કેટલી આવક થઇ
ગોધરા પોલીસ સ્ટેશન હુમલા પ્રકરણમાં પંચમહાલ જિલ્લાની મુખ્ય સેશન્સ કોર્ટે નગરપાલિકાના કાઉન્સિલર સહિત 6 આરોપીઓની નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે આ કૃત્યને પૂર્વયોજિત કાવતરું ગણી જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. આ ચકચારી કેસ ગત તા.19 સપ્ટેમ્બર, 2025 ના રોજ બન્યો હતો. આરોપી ઝાકીર અહેમદ ઝભાને સોશિયલ મીડિયા પર વાંધાજનક વીડિયો ન મૂકવા અંગે સમજાવવા માટે પોલીસ સ્ટેશન બોલાવાયો હતો. જોકે, ઝાકીરે પોલીસ માર મારે છે તેવો ખોટો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. આ વીડિયો વાયરલ થતાં 300થી 400 લોકોનું ટોળું ઉશ્કેરાઈને ગોધરા શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન પર ધસી આવ્યું હતું. ટોળાએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યો હતો, પોલીસ ચોકી નં.4માં પ્રવેશ કરી સરકારી રેકોર્ડ સળગાવી દીધા હતા અને પોલીસકર્મીઓના વાહનો તેમજ સીસીટીવી કેમેરામાં તોડફોડ કરી હતી. જિલ્લા સરકારી વકીલ રાકેશ એસ. ઠાકોરની દલીલોને ગ્રાહ્ય રાખીને, પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સી.કે. ચૌહાણે નોંધ્યું હતું કે, આ કૃત્ય અચાનક આવેશમાં આવીને થયું ન હતું. તે આગામી તહેવારોમાં અશાંતિ ફેલાવવાના ઇરાદે ઘડાયેલું પૂર્વયોજિત કાવતરું જણાય છે. કોર્ટે ખાસ નોંધ લીધી હતી કે, એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ (કાઉન્સિલર) હોવા છતાં, આરોપીએ ટોળાને શાંત કરવાને બદલે ઉશ્કેરવાનું કૃત્ય કર્યું હતું. આ કૃત્ય કાયદાના શાસન અને દેશની અખંડિતતાને પડકારરૂપ છે. જામીન નામંજૂર થયેલા આરોપીઓમાં સોહેલ ઐયુબ ભાઈજમાલ ઉર્ફે દેવો, ઈસ્માઈલ અમીન ચરખા, મોહમ્મદ સાહીદ સિરાજ રેન્જર, અશ્ફાક મોહમ્મદ કુરકુર, જાબીર તૈયબ રશીદભાઈ (મ્યુનિસિપલ કાઉન્સિલર) અને હારૂનરસીદ એહમદ હયાતનો સમાવેશ થાય છે. કોર્ટે તા.20 અને 21 નવેમ્બર, 2025ના રોજ આપેલા ચુકાદામાં તમામ દલીલોને ધ્યાને લઈ, ગુનાની ગંભીરતા જોતા આરોપીઓને જામીન મુક્ત કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.
વર્તમાન સમયમાં વાલીઓ મોંઘી ફી ભરીને પોતાના સંતાનોને ઉત્તમ શિક્ષણ અને સુરક્ષા મળે તે માટે ખાનગી શાળાઓમાં મોકલે છે. જોકે, જૂનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલી જાવ્યા સ્કૂલની ગંભીર બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમના ધોરણ-1માં ભણતો એક માસૂમ બાળક શાળામાંથી અચાનક ગાયબ થઈ ગયો હતો. સંચાલકોને બે કલાક સુધી જાણ પણ નહોતી, જ્યારે બાળક એકલો ચાલતો સ્કૂલથી 4 કિલોમીટર દૂર ચોબારી ફાટક નજીક મળી આવતા વાલીઓએ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. આ સમગ્ર મામલે આજે જુનાગઢ જિલ્લા બાર સુરક્ષા વિભાગ અને જુનાગઢ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તપાસના આદેશો અપાયા છે. શિક્ષણ વિભાગે તાત્કાલિક તપાસ સોંપીજૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયે જણાવ્યું કે, વાલી દ્વારા આજે શિક્ષણ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી છે. આ બાળક ઇંગ્લિશ મીડિયમમાં પહેલા ધોરણમાં ભણે છે અને એક્સ્ટ્રા ક્લાસના બહાને રોકાયા બાદ સ્કૂલની હદમાંથી બહાર નીકળી ગયું હતું. જિલ્લા શિક્ષણ અધિકારીના જણાવ્યા મુજબ, પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે બાળક એકલું ચાલતા ચાલતા આટલો લાંબો રસ્તો કાપીને ચોબારી ફાટક નજીક પહોંચી ગયું હતું. આ મામલે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને તાત્કાલિક તપાસ સોંપવામાં આવી છે. વાલીએ કરેલી તમામ ફરિયાદોની હકીકત તપાસ બાદ જે સામે આવશે, તે અનુસાર નિયમો મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ પણ વાંચો: જાવિયા સ્કૂલની બેદરકારી, બાળક સ્કૂલમાંથી ગાયબ, સંચાલકોને બે કલાક સુધી ખબર ન પડી બાળ સુરક્ષા અધિકારીએ પણ તપાસ કમિટી રચીજૂનાગઢ બાળ સુરક્ષા લીગલ ઓફિસર ડો. કિરણ રામાણીયે જણાવ્યું કે, આર.ટી.ઇ. હેઠળ અભ્યાસ કરતા ધોરણ-1ના આ વિદ્યાર્થીના ગુમ થવા મામલે હાલ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. તપાસમાં ખાસ કરીને બાળક સ્કૂલમાંથી કેવી રીતે ચાલીને 4 કિલોમીટર દૂર પહોંચ્યું, તે સમગ્ર મામલે તપાસ કરાશે. ડો. રામાણીયે જણાવ્યું કે, સીસીટીવી ફૂટેજમાં પણ જોવા મળે છે કે, બાળક પોતાની જાતે જ સ્કૂલમાંથી નીકળી ગયું છે. સ્કૂલના ટીચર, સંચાલક કે સિક્યુરિટીને આ મામલે શા માટે ખબર ન પડી, તેની વિશેષ તપાસ ખૂબ જરૂરી છે. જો શાળાની બેદરકારી સામે આવશે તો, શાળા વિરુદ્ધ કડક કાર્યવાહી અને કાયદાકીય જોગવાઈ મુજબ ગુનો નોંધવાની પણ શક્યતા છે. શાળા સંચાલકનો લૂલો બચાવ: 'બેદરકારી નથી, ગેરસમજ છે'જાવ્યા સ્કૂલના સંચાલક રમેશ જાવિયાએ આ ઘટના અંગે પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું કે, 'બેદરકારીનો કોઈ પ્રશ્ન જ નથી, પરંતુ વાલી અને શિક્ષક વચ્ચેની મિસ અન્ડરસ્ટેન્ડિંગ છે. તેમણે કહ્યું કે, જે બાળકોનું પર્ફોમન્સ નબળું હોય તેમના માટે સ્કૂલ વિનામૂલ્યે 45થી 50 મિનિટના એક્સ્ટ્રા ક્લાસનું આયોજન કરે છે, જેના માટે વાલીની પરમિશન લેવાય છે. જે બાળક એક્સ્ટ્રા ક્લાસ માટે રોકાવાનું હતું, તે બાળક શરતચૂકથી અન્ય બાળકો સાથે સ્કૂલમાંથી નીકળી ગયું. તેની નિયમિત સ્કૂલ વાન ન આવતા તે પોતાની રીતે ઘરે જવા માટે રોડ પર નીકળી ગયો હતો. સંચાલકે અંતે જણાવ્યું કે, આ ઘટના મારી જાણમાં આવી છે અને આ મામલે મારી તપાસ પણ શરૂ છે. જો સિક્યુરિટી કે શિક્ષકોની બેદરકારી દેખાશે તો તેમની સામે કડક પગલાં ભરશું અને હવે પછી સ્કૂલ દ્વારા આવી બાબત ન બને તેની ખાસ તકેદારી લેવામાં આવશે. એક્સ્ટ્રા ક્લાસના નામે રોકાયેલો બાળક સ્કૂલથી ગાયબગઈકાલે બનેલા આ બનાવને લઈ બાળકના પિતાએ પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેમણે સવારે 7 વાગ્યે પોતાના દીકરાને સ્કૂલમાં મોકલ્યો હતો. શાળામાંથી શિક્ષકનો ફોન આવતાં તેમણે બાળકને એક્સ્ટ્રા ક્લાસ માટે રોકવાની સંમતિ આપી હતી અને જરૂરી ફોર્મ પણ ભરી દીધું હતું. શિક્ષકે તેમને ખાતરી આપી હતી કે, તે સ્કૂલ વાનના ડ્રાઇવરને ના પાડી દેશે. પિતા જ્યારે બપોરે 1 વાગ્યે દીકરાને લેવા સ્કૂલે આવ્યા, ત્યારે એક કલાક રાહ જોઈ પણ બાળક હાજર ન થયો. તેમણે શિક્ષકને પૂછપરછ કરી ત્યારે શિક્ષકોને પણ ખ્યાલ ન આવ્યો કે બાળક ક્યાં છે. પિતાનો આક્ષેપ છે કે, જ્યારે તેમણે પોતાના બાળકને શોધવા જવાની કોશિશ કરી, ત્યારે સંચાલકો દ્વારા તેમને શોધવા જવા દેવામાં પણ નહોતા આવતા. સ્કૂલથી 4 કિમી દૂર એકલો ચાલતો મળ્યોપિતાએ તાત્કાલિક તેમના મોટાભાઈને આ ઘટનાની જાણ કરી. બાળકના મોટા બાપુ જ્યારે સ્કૂલ તરફ આવી રહ્યા હતા, તે સમયે તેમને તેમનો ભત્રીજો સ્કૂલથી લગભગ 4 કિલોમીટર દૂર ચોબારી ફાટક નજીક આવેલી અગત્ય હોસ્પિટલ પાસે એકલો ચાલતો મળી આવ્યો હતો. બાળક સ્કૂલમાંથી ગાયબ થયાના લગભગ બે કલાક બાદ પરિવારને પરત મળ્યો હતો. બાળકના પિતાએ આક્ષેપ કર્યો કે, સ્કૂલના સંચાલકો અને ટીચરો હાલ જુઠ્ઠાણા ચલાવી રહ્યા છે કે મારો દીકરો એક્સ્ટ્રા ક્લાસમાં રોકાયો જ નહોતો. શાળા સંચાલકો ખોટું બોલીને પોતાની ઘોર બેદરકારી છુપાવી રહ્યા છે. બાળકોની સુરક્ષા મામલે થયેલી આ ગંભીર ભૂલ બદલ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ.
રાજકોટ ક્રાઇમ ન્યુઝ:ઝેરી દવા પી યુવાનનો આપઘાત, બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
ભરત વિનુભાઈ ઝિંઝુવાડીયા (ઉં.વ.33) ગઈકાલે સાંજે 5.30 વાગ્યા આસપાસ બામણબોર ગામના પાટીયા પાસે હતો ત્યારે ઝેરી દવા પી જતા પ્રથમ કુવાડવા બાદ બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા ડોકટરે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. ભરત ટ્રક ડ્રાઇવિંગ કરતો તેને સંતાનમાં બે પુત્ર છે. ગઈકાલે સાંજે 4.30 વાગ્યાં આસપાસ ભરતે પોતાના ભાઈ લવજીને ફોન કરી જાણ કરી હતી કે તેણે બામણબોર પાટીયા પાસે ઝેરી દવા પી લીધી છે. ભાઈઓ અને સગા સંબંધીઓ શોધતા શોધતા બામણબોર પાટીયા પાસે પહોંચ્યા હતા જ્યાં ભરતનો ટ્રક પડ્યો હતો તેમાં ઉપર ભરત બેભાન હાલતમાં મળ્યો હતો. એરપોર્ટ પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. માલીયાસણ નજીક રોડ ક્રોસ કરતી મહિલાને કારે હડફેટે લેતા મોત રાજકોટ અમદાવાદ હાઇવે પર માલીયાસણ નજીક ત્રિમંદિર પાસે રોડ ક્રોસ કરતી મહિલાને કારે હડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું. ચંદ્રિકાબેન રાવત (ઉ.વ.40) ખાખરાના કારખાનેથી કામ કરી પરત ઘરે જતા હતા ત્યારે બનાવ બન્યો હતો. મૃતકના દીકરી લલીતાદેવી રાવતએ જણાવ્યું કે, તેઓ મૂળ રાજસ્થાનના વતની છે અને હાલ રાજકોટ તાલુકાના માલીયાસણ ગામે પૂજા પાર્કમાં રહે છે. મારા માતા-પિતા બાજુમાં જ રહે છે. મારા માતા ચંદ્રિકાબેન ત્રિમંદિર પાછળ આવેલ ખાખરાના કારખાનામાં મજૂરી કામ કરતા હતા. ગઈકાલે સાંજના 6.45 વાગ્યા આસપાસ હું તથા મારા પતિ બંને એસ.એન.જી. કારખાનું હડાળા ગામ ખાતે હતા ત્યારે મારા ભાઈ યુવરાજનો મારા પતિના ફોનમાં ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, માતા રાજકોટ અમદાવાદ હાઈવે પર ત્રિમંદિર સામે રોડ ક્રોસ કરતા હતા ત્યારે કુવાડવા તરફથી આવતી ફોરવીલ ગાડી હડફેટે લેતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ લાવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા છે. હાલ બનાવ અંગે જાણ થતા કુવાડવા પોલીસે અકસ્માત સર્જનાર કાર જીજે.13.એએક્સ.6639ના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ચંદ્રિકાબેનને સંતાનમાં 2 પુત્ર અને 1 પુત્રી છે. પતિ કિશનસિંહ ટ્રક ડ્રાઇવર છે. તેઓ ટ્રક લઈ ચેન્નઈ ગયા હતા બનાવ બાદ તેમને પત્નીના મોત અંગે જાણ કરવામાં આવી હતી. સોની બજારમાં દુકાનમાં ઘુસી બંગાળી દંપતી પર હુમલો, તોડફોડ રાજકોટ શહેરની સોની બજારમાં કોઠારીયા હોસ્પિટલ પાછળ ગોલ્ડન ગેટ પાસે અયાન ટુલ્સ નામની દુકાન ધરાવતા અને ત્યાં જ રહેતા અસ્માબેન આસિફભાઇ શેખ (ઉ.વ.28)એ ફરિયાદમાં આરોપી તરીકે તેમની દુકાનની સામે જ રહેતા અસલમ પરમાર તેની પત્ની અને તેના 15 વર્ષના પુત્રનું નામ આપી જણાવ્યું હતું કે, ગઈ તા.23ના બપોરના સમયે તેમનો 8 વર્ષીય પુત્ર અયાન બાજુમાં વ્રજવાટિકા ફ્લેટમાં રમતો હતો ત્યારે દુકાનની સામે રહેતા અસલમભાઈના પુત્રએ અયાનને માર માર્યો હતો જેથી પતિ-પત્ની બન્ને અસલમના ઘરે સમજાવવા માટે ગયા હતા. દરમિયાન અસલમની પત્નીએ ઉશ્કેરાઈ ગાળો આપી બાદમાં પોતાના પતિ અસલમને ફોન કર્યો હતો. ત્યારબાદ આરોપી દંપતી દુકાને આવી જતા થોડીવાર બાદ અસ્લમ ફરીયાદી પાસે આવ્યો હતો અને ફરિયાદીના પતિ આસિફભાઇને ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો જેથી તેઓ દુકાની અંદર આવી મારામારી કરવા લાગ્યા હતા. અસ્લમની પત્નીએ દુકાનમાં લેપટોપ અને મોબાઈલ ઘા કરીને તોડી નાખ્યા હતા. જયારે તેના પુત્રએ દુકાનમાં રહેલ ટૂલ્સ સાધનનો છૂટો ઘા કરતા મહિલાને આંખના ભાગે ઈજા પહોંચી હતી. બાદમાં ત્રણેય શખ્સો ત્યાંથી જતા રહ્યા હતાં. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓ સામે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. દારૂ ભરેલ કારનો ક્રાઈમ બ્રાન્ચે ફિલ્મી ઢબે પીછો કર્યો, પલ્ટી મારી જતા રોડ પર શરાબની રેલમછેલ રાજકોટ-અમદાવાદ હાઈવે તરફથી એક ઈકો ગાડી નંબર જીજે.10.ડીએન.2949 રાજકોટ તરફ આવે છે અને તે ગાડીમા વિદેશી દારૂ ભરેલ છે તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ટીમ ગ્રીનલેન્ડ ચોકડી પાસે વોચમાં હતી. દરમિયાન ત્યાંથી પસાર થયેલ ઈકો ગાડીને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસ હોવાની જાણ થઈ જતાં તેમણે પોતાની ઈકો ગાડી મોરબી રોડ તરફ જવાના રસ્તા પર ભગાડી હતી જેથી પોલીસ સ્ટાફે ખાનગી વાહનમાં તેમનો પીછો કર્યો હતો દરમ્યાન ઈકો વાહન મોરબી રોડ જૂના જકાતનાકાથી બેડી ચોકડી તરફ જવાના રસ્તે શ્રી હાર્ડવેર એન્ડ પેઈન્ટ્સ નામની દુકાન સામે રોડ પર પલ્ટી ખાઈ જતા રોડ પર પડી ગઈ હતી અને તેમાથી વિદેશી દારૂની બોટલો વેર વિખેર નીચે પડી ગઈ હતી. પોલીસે ઈકો કારને કોર્ડન કરી બાદમાં કારના ચાલકનુ નામ પુછતા નઈમ ઈકબાલ જતમલેક (ઉ.વ.25) હોવાનુ જાણવા મળ્યું હતું. જે બાદ કારમાં અને કાર બહાર પડેલ દારૂની 96 બોટલ રૂ.1.15 લાખ અને ઇક્કો કાર મળી કુલ રૂ.2.65 લાખનો મુદામાલ કબ્જે કરી આરોપીની પૂછતાછ હાથ ધરી હતી. પકડાયેલ આરોપી ચુડાથી દારૂ ભરીને આવતો હતો અને તે દારૂનો જથ્થો મેટોડાના જીતુ રાણા નામના બુટલેગરને પહોંચાડવાનો હતો જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે જીતુ રાણાને પકડવા ચક્ર ગતિમાન કર્યા છે.
લીમખેડા તાલુકાના જાદા ગામના પરમાર ફળિયામાં મંગળવારે બપોરે આશરે 2 વાગ્યે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં ત્રણ મકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા અને લાખો રૂપિયાનો સામાન ભસ્મીભૂત થયો હતો. આ ઘટના માલા પરમારના મકાનમાં બની હતી. આગ એટલી વિકરાળ હતી કે તેણે તેમના ભત્રીજા અજીતભાઈ લલ્લુભાઈ પરમાર અને લક્ષ્મણભાઈ સબુરભાઈ પરમારના મકાનોને પણ પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. ઘટના સમયે માલાભાઈ અને તેમની પત્ની પાર્વતીબેન ઘરમાં હાજર હતા, પરંતુ સદનસીબે તેઓ સમયસર બહાર નીકળી શક્યા હતા. આગ લાગતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 122 હેલ્પલાઈન પર જાણ કરી હતી. દાહોદથી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, કારણ કે ઘરના સભ્યો અને પશુઓ સમયસર સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા. આ ભીષણ આગમાં ત્રણેય પરિવારની ઘરવખરી, અનાજ, રોકડ રકમ, દાગીના તેમજ આધાર કાર્ડ, રેશનકાર્ડ અને બેંક પાસબુક જેવા મહત્વના દસ્તાવેજો પણ બળીને રાખ થઈ ગયા હતા. પ્રાથમિક અંદાજ મુજબ, આ ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ઘટનાની જાણ થતાં જ જાદા ગામના સરપંચ ભારતીબેન અને તલાટી કમ મંત્રી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે પંચનામું તૈયાર કરીને તાલુકા વિકાસ અધિકારીને રિપોર્ટ સુપરત કર્યો હતો. અસરગ્રસ્ત માલાભાઈ ગલાભાઈ પરમારે લીમખેડા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે, અને પોલીસ તથા ફાયર વિભાગના અધિકારીઓ આગ લાગવાના કારણોની તપાસ કરી રહ્યા છે. કડકડતી ઠંડીમાં આ ત્રણેય પરિવારો હાલ બેઘર બન્યા છે. સ્થાનિક લોકો અને પરિવારજનોએ સરકાર તરફથી તાત્કાલિક સહાય પૂરી પાડવાની માંગ કરી છે.
સુરત શહેરની જીવાદોરી ગણાતી તાપી નદીના બંને કાંઠે પૂર નિયંત્રણ માળખાને મજબૂત કરવા અને શહેરની ગટર વ્યવસ્થાના પાણીને નદીમાં જતું અટકાવવા માટેના મહત્વકાંક્ષી 'તાપી નદીના પાળ અને ઇન્ટરસેપ્ટર' પ્રોજેક્ટના બાકી કામોને અસરકારક રીતે પૂર્ણ કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 526.95 કરોડના આ વિશાળ પ્રોજેક્ટના 50% કામ પૂર્ણ થયા બાદ, બાકી રહેલા 254 કરોડના કામ માટે હવે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલટન્સીની નિમણૂક કરવામાં આવશે, જેના પર 2.26 કરોડનો ખર્ચ થશે. પ્રોજેક્ટની વિસ્તૃત રૂપરેખા અને PMCની જરૂરિયાતસુરત મનપા દ્વારા મંજૂર કરાયેલો આ પ્રોજેક્ટ હયાત વિયર કમ કોઝવેથી લઈને સુચિત કન્વેન્શનલ બેરેજ સુધીના વિસ્તારમાં તાપી નદીના ડાબા અને જમણા બંને કાંઠે હાથ ધરવામાં આવી રહ્યો છે. આ કામગીરીમાં મુખ્યત્વે બે હેતુઓ સિદ્ધ કરવાના છે: આ પ્રોજેક્ટની કામગીરીમાં ડિઝાઈન કન્સલટન્ટ, પ્રૂફ ચેકિંગ એજન્સી, ગુજરાત મેરીટાઇમ બોર્ડ , ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ , સુરત ઈરીગેશન સર્કલ જેવા વિવિધ વિભાગો અને એજન્સીઓ સાથે સતત સંકલન સાધવું જરૂરી છે. આ સ્પેશ્યલાઈઝ્ડ અને જટિલ કામગીરીના સુચારુ સંચાલન, ગુણવત્તા નિયંત્રણ અને સમયસર પૂર્ણ કરવા માટે જ મનપાએ PMCની નિમણૂક કરવાનું નક્કી કર્યું હતું. PMCની નિમણૂક પ્રક્રિયાપ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલટન્સીની નિમણૂક માટે મનપાએ ટેન્ડર બહાર પાડ્યા હતા. આ ટેન્ડર પ્રક્રિયાના ત્રીજા પ્રયાસે આખરે મલ્ટી મેનટેક ઈન્ટરનેશનલ પ્રા. લિ. કંપનીને કામ સોંપવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. આ કંપનીને અંદાજે 2.26 કરોડના ખર્ચે PMC તરીકેની કામગીરી સોંપવામાં આવશે. PMCની નિમણૂક થવાથી બાકી રહેલા ફ્લડ કંટ્રોલ સ્ટ્રક્ચરના મજબૂતીકરણ અને નવા માળખાના નિર્માણ જેવા અગત્યના કામોને ગતિ મળશે. સુરત ખાતે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સની રાષ્ટ્રીય બેઠકનું આયોજનઆ પ્રોજેક્ટની કામગીરી વચ્ચે, સુરત શહેર માટે અન્ય એક ગૌરવશાળી પ્રસંગનું આયોજન થવા જઈ રહ્યું છે. સુરત મહાનગર પાલિકા દ્વારા ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સની 116મી કારોબારી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મેયર દક્ષેશ માવાણીની અધ્યક્ષતામાં આ મહત્વપૂર્ણ બેઠક આગામી 13 અને 14 ડિસેમ્બર 2025ના રોજ શનિવાર અને રવિવારના રોજ સુરત ખાતે યોજાશે. મેયર દક્ષેશ માવાણી દ્વારા કરવામાં આવી રહેલા આ આયોજનમાં દેશભરના તમામ મેયરઓ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં રાષ્ટ્રીય સ્તરના શહેરી વિકાસના મુદ્દાઓ, સુશાસન અને સ્થાનિક સ્વરાજ્યને લગતી નીતિઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે, જે સુરત શહેરને રાષ્ટ્રીય ફલક પર એક મહત્વપૂર્ણ સ્થાન અપાવશે. આમ, એક તરફ સુરત મહાનગરપાલિકા તાપી નદીના વિકાસ અને સુરક્ષા માટેના અતિ મહત્વપૂર્ણ પ્રોજેક્ટને અંતિમ સ્વરૂપ આપવા માટે સક્રિય છે, તો બીજી તરફ રાષ્ટ્રીય કક્ષાના મેયર્સના સંમેલનની યજમાની કરીને શહેરના વિકાસલક્ષી અભિગમને દેશ સમક્ષ રજૂ કરવા તૈયાર છે.
રાજકોટ સમાચાર:રાજકોટનું માર્કેટિંગ યાર્ડ વ્હાઇટ ગોલ્ડ (કપાસ)થી છલકાયું, 42,000 મણની આવક
હવામાન સ્વચ્છ અને અનુકૂળ થતાંની સાથે જ રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતો દ્વારા કૃષિ પેદાશો લાવવાની ગતિમાં નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે યાર્ડમાં તમામ પ્રકારની જણસોના ઢગલા જોવા મળી રહ્યા છે. આજે રાજકોટનું માર્કેટ યાર્ડ ખાસ કરીને કપાસની પુષ્કળ આવકને કારણે છલકાઈ ગયું હતું. કપાસને બજારમાં 'વ્હાઇટ ગોલ્ડ' તરીકે ઓળખવામાં આવે છે, અને તેની એક જ દિવસમાં 42000 મણની અત્યાર સુધીની સૌથી મોટી આવક નોંધાઈ છે, જે યાર્ડ માટે એક સારો સંકેત છે. કપાસ ઉપરાંત અન્ય મહત્વની ખરીફ કૃષિ પેદાશોની આવક પણ મોટા પ્રમાણમાં ચાલુ જ છે. જેમાં સોયાબીનની 7500 મણ, જ્યારે ઘઉંની આવક 6500 મણ જેટલી રહી હતી. આ ઉપરાંત, ચણાની આવક 4500 મણ, લસણની 4220 મણ, અને મગની 4000 મણની આવક નોંધાઈ છે. આ સાથે અડદની 8200 મણ અને તલની 5000 મણની આવક થતાં યાર્ડમાં બધી બાજુ ચિકકાર માલ જોવા મળી રહ્યો છે. જોકે, યાર્ડના સૂત્રોએ સ્પષ્ટ કર્યું હતું કે, હાલ મગફળીની આવક બંધ રાખવામાં આવી છે, કારણ કે હજુ પણ મગફળીનો જૂનો પડતર માલ વેચાયા વગર પડ્યો છે. આ પડતર માલનો સંપૂર્ણ નિકાલ થયા બાદ જ નવી મગફળીની આવક માટે ખેડૂતોને ફરીથી છૂટ આપવામાં આવશે. પશ્ચિમ રેલવેનાં સુરેન્દ્રનગર-ચમારજ સેક્શનમાં બ્લોકને કારણે ટ્રેન વ્યવહારને અસર રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-ચમારજ સેક્શનમાં નવા રોડ ઓવર બ્રિજ (ROB-48)ના નિર્માણ માટે બ્લૉક લેવામાં આવશે. આ કાર્યને કારણે 29 નવેમ્બરથી લઈને 01 ડિસેમ્બર, 2025 સુધી રેલવે વ્યવહાર પ્રભાવિત થશે. 29 નવેમ્બર, 2025 ના રોજ પ્રભાવિત થનારી ટ્રેનો: ટ્રેન નંબર 11466 જબલપુર-વેરાવળ એક્સપ્રેસ તેના માર્ગમાં 02.00 કલાક રેગ્યુલેટ (અટકાવવામાં/નિયંત્રિત) કરવામાં આવશે. ટ્રેન નંબર 16337 ઓખા-એર્ણાકુલમ એક્સપ્રેસ તેના માર્ગમાં 30 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે. ટ્રેન નંબર 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ તેના માર્ગમાં 30 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે. 30 નવેમ્બર, 2025 ના રોજ પ્રભાવિત થનારી ટ્રેનો ટ્રેન નંબર 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ વેરાવળથી તેના નિર્ધારિત સમય 07:30 વાગ્યાને બદલે 2 કલાક વિલંબથી, એટલે કે 09:30 વાગ્યે ઉપડશે. ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલથી તેના નિર્ધારિત સમય 10:25 વાગ્યાને બદલે 2 કલાક વિલંબથી, એટલે કે 12:25 વાગ્યે ઉપડશે. 01 ડિસેમ્બર, 2025 ના રોજ પ્રભાવિત થનારી ટ્રેનો ટ્રેન નંબર 11464 જબલપુર-વેરાવળ એક્સપ્રેસ તેના માર્ગમાં 03.00 કલાક રેગ્યુલેટ કરવામાં આવશે. ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલથી તેના નિર્ધારિત સમય 10:25 વાગ્યાને બદલે 1 કલાક વિલંબથી, એટલે કે 11:25 વાગ્યે ઉપડશે. ટ્રેન નંબર 16337 ઓખા-એર્ણાકુલમ એક્સપ્રેસ તેના માર્ગમાં 55 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે. ટ્રેન નંબર 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ તેના માર્ગમાં 45 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે. ક્રિસ્ટલ મોલના રેસ્ટોરન્ટમાંથી 4 નમુના લેવાયા, ઓમ નગરમાં 21 ધંધાર્થીને ત્યાં ચેકિંગ રાજકોટ મનપાની ફૂડ શાખાએ શહેરમાં ખાદ્ય ચીજોની ગુણવત્તા ચકાસવા માટે કડક કાર્યવાહી હાથ ધરી છે. કાલાવડ રોડ પર આવેલા ક્રિસ્ટલ મોલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત રેસ્ટોરન્ટ રીબેલ ફૂડસ પ્રા.લી. માંથી ફૂડ શાખા દ્વારા ચાર નમુના લેવામાં આવ્યા છે. આ નમુનાઓમાં ચીપોટલ સ્લો સોસ, સ્પાઇસી ઇન્ડી ચટપટા આલુ વ્રેપ, ચીઝ ડ્રેસીંગ અને પેરી પેરી સ્પ્રીન્કલટ (સીઝનીંગ)નો સમાવેશ થાય છે. આ નમુનાઓને લેબોરેટરી પરીક્ષણમાં મોકલવામાં આવ્યા છે, જ્યાં તેમાં રહેલા ચીઝ, મસાલા સહિતના ઘટકોની ગુણવત્તા અને ભેળસેળની ચકાસણી કરવામાં આવશે. દરમ્યાન, ફૂડ વિભાગની ટીમે શહેરના ઓમનગર વિસ્તારમાં ખાદ્ય ચીજોનું વેચાણ કરતા કુલ 21 ધંધાર્થીઓને ત્યાં પણ આકસ્મિક તપાસ હાથ ધરી હતી અને 17 નમુનાની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 9 ધંધાર્થીઓને ફૂડ લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી છે. જેમાં ખોડિયાર સ્વીટ માર્ટ, ઝલક ફાસ્ટ ફૂડ, મારુતિ ઘૂઘરા, જય ખોડિયાર ઘૂઘરા, ક્રિષ્ના મારવાડી પાણીપૂરી, જય અંબે લાઈવ વેફર્સ, ચામુંડા પ્રોવિઝન સ્ટોર, મિતલ ડેરી ફાર્મ અને ગાંધી સોડા શોપનો સમાવેશ થાય છે. ગીરગંગા પરિવાર દ્વારા 111 પવિત્ર નદીઓના જળસાથે જલકળશયાત્રાનો પ્રારંભ સૌરાષ્ટ્ર અને ગુજરાતને જળસંચય દ્વારા ફરીથી હરિયાળું બનાવવાના ઉમદા હેતુ સાથે રાજકોટમાં કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા 1,11,111 જળ સ્ટ્રકચરો તૈયાર કરવાનો મહાસંકલ્પ લેવામાં આવ્યો છે. આ વિશાળ લક્ષ્યને ગતિ આપવા તરફના ઐતિહાસિક પગલા રૂપે ટ્રસ્ટ દ્વારા અખંડ ભારતની 111 પવિત્ર નદીઓનું જલ એકત્ર કરી તેની ’જલ કળશયાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. સોમવારે બપોરે ચાર વાગ્યે રાજકોટમાં ભવ્ય પ્રસ્થાન કરવામાં આવ્યું હતું સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોક, વીવાયઓ શ્રીનાથ ધામ હવેલી ખાતેથી ગીરગંગા બેન્ડ પાર્ટી સાથે ઉત્સાહભર્યા વાતાવરણ વચ્ચે આ યાત્રાનો શુભારંભ થયો હતો. પીજીવીસીએલના એમડી કેતનભાઇ જોષીએ હવેલીમાં પવિત્ર જલકળશનું પૂજન કરીને યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. જલયાત્રા હવેલીથી જીવરાજ પાર્ક સ્થિત અંબાજી મંદિરે પહોંચી હતી, આજથી આ યાત્રા રાજકોટભરમાં જળકળશ પૂજન માટે ફરશે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આગામી 15, 16 અને 17 ડિસેમ્બરના દરરોજ રાત્રે 7 થી 12 દરમિયાન યોજાનાર વિખ્યાત તત્વચિંતક અને કથાકાર ડો. કુમાર વિશ્વાસની યોજાનારી ’જલકથા’ પૂર્વે આ એક જનજાગૃતિ અભિયાન બની રહેશે.
અમદાવાદના વાસણા વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં દારૂ પીધેલા ટ્રકચાલકે એક્ટિવા લઈને શાળાએ જતી બે શિક્ષિકાઓને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક શિક્ષિકાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય શિક્ષિકા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ટ્રકમાં ગેસની બોટલો ભરેલી હોવા છતાં ટ્રકચાલક દારૂ પીને ચલાવી રહ્યો હતો, સદનસીબે બ્લાસ્ટ ન થતાં મોટી દુર્ઘટના ટળી હતી, પરંતુ બેફામ ટ્રક ચાલકે બંને શિક્ષિકાને 35 ફૂટ સુધી ઢસડી હતી અને તેના પર ટ્રક ચડાવી દીધી હતી. અકસ્માત બાદ ભાગી રહેલા ટ્રકચાલકને સ્થાનિકોએ પકડીને મેથીપાક ચખાડ્યો હતો અને ટ્રાફિક પોલીસને સોંપી દીધો હતો. પ્રાથમિક તપાસમાં ટ્રકચાલક દારૂના નશામાં હોવાનું જાણવા મળતા ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ટ્રકની ટક્કરના કારણે બંને શિક્ષિકા 35 ફૂટ સુધી ઢસડાઈરૂપલબેન અને ધ્વનિ શાહ શાંતિપુરામાં આવેલી એક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. દરરોજની જેમ શાળાના સમયે બંને સાથે એક એક્ટિવા લઈને શાળાએ જતા હોય છે. જેથી આજે બંને શિક્ષિકા શાંતિપુરામાં આવેલી ખાનગી શાળામાં જવા માટે નીકળ્યા હતા. જે દરમિયાન વાસણા વિસ્તારમાં આવેલા બસ સ્ટેન્ડ પાસે એક બેફામ ટ્રકચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી. બેફામ ટ્રકચાલકની જોરદાર ટક્કરના કારણે બંને શિક્ષિકા 35 ફૂટ સુધી ઢસડાઈ હતી. જો કે, બેફામ ટ્રકચાલકે ટ્રક ઉભી રાખવાની જગ્યાએ મહિલાઓ પર ટ્રક ચડાવી દીધી હતી. જેમાં રૂપલબેનનું ઘટના સ્થળે જ મોત થયું હતું અને ધ્વનિબેન નામના શિક્ષિકા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ટ્રકચાલક દારૂના નશામાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુંઅકસ્માત થતાં જ લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તાત્કાલિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત શિક્ષિકાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જે દરમિયાન અકસ્માત સર્જી ટ્રકચાલકે ભાગવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ ભાગી જાય તે પહેલા સ્થાનિકોએ દબોચી લીધો હતો અને મેથીપાક પણ ચખાડ્યો હતો. જે બાદ ટ્રકચાલકને ટ્રાફિક પોલીસને સોંપવામાં આવ્યો હતો. જેથી ટ્રાફિક પોલીસે ટ્રકચાલકની ધરપકડ કરી પૂછપરછ કરતા પોતાનું નામ મીઠુલાલ ભાટ હોવાનું જણાવ્યું હતું. તેમજ ટ્રાફિક પોલીસે તપાસ કરતા ટ્રકચાલક દારૂના નશામાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જો કે, પોલીસે ગુનો નોધી વધુ તપાસ પણ શરૂ કરી છે. તેમજ એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે ટ્રકચાલકનો મેડિકલ રિપોર્ટ કરવાની પણ તજવીજ હાથ ધરી છે.
સુરત શહેરના હજીરા વિસ્તારના મોરા અને દામકા ગામના દરિયાકિનારે ફરી એકવાર મોટી સંખ્યામાં મૃત માછલીઓ મળી આવવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ ઘટનાને પગલે મોરા-દામકાના ગ્રામજનોએ સુરત પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી. ગ્રામજનોનો આક્ષેપ છે કે, છેલ્લા ઘણા સમયથી આ દરિયાકાંઠે નિયમિતપણે મૃત માછલીઓ મળી રહી છે, જેના કારણે સ્થાનિક પર્યાવરણ અને માછીમારોની આજીવિકાને ગંભીર અસર પહોંચી રહી છે. અગાઉ પણ બેથી ત્રણ વખત આ પ્રકારના બનાવો બની ચૂક્યા છે, પરંતુ કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. ડ્રેનેજનું દૂષિત પાણી સીધું દરિયામાં છોડાતું હોવાનો આક્ષેપઆ મૃત્યુનું મુખ્ય કારણ મોરા ગામમાંથી પસાર થતી ડ્રેનેજ લાઇનનું દૂષિત પાણી સીધું દરિયામાં છોડવામાં આવી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. અગાઉ જ્યારે આ પ્રકારનો બનાવ બન્યો હતો, ત્યારે GPCB (ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ)ના અધિકારીઓએ પાણીનું સેમ્પલિંગ કર્યું હતું. આ સેમ્પલિંગના રિપોર્ટમાં દરિયાના પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ '0' હોવાનું સામે આવ્યું હતું, જે સ્પષ્ટ દર્શાવે છે કે પાણીમાં ભળેલા પ્રદૂષકોને કારણે માછલીઓને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેઓ મૃત્યુ પામે છે. જો દરિયાકાંઠે આ પ્રકારની ભયજનક સ્થિતિ હોય, તો દરિયાની અંદરની જળચર જીવસૃષ્ટિની પરિસ્થિતિ કેટલી ખરાબ હશે, તે અંગે મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે. જવાબદાર તમામ તત્વો સામે ગુનો નોંધી સજા કરવા માગપોલીસ કમિશનરને રજૂઆત કરવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે, આ પર્યાવરણીય પ્રદૂષણ માટે જવાબદાર લોકો અને સંસ્થાઓ વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ગ્રામજનોએ માગ કરી છે કે, મૃત માછલીઓ અને દરિયાઈ જીવસૃષ્ટિના નુકસાન માટે જવાબદાર તમામ તત્વો સામે ગુનો નોંધીને તેમને સખત સજા કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આ રીતે ગેરકાયદેસર પ્રદૂષણ ફેલાવતા તત્વો પર લગામ કસી શકાય.

27 C