SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

24    C
... ...View News by News Source

નવા DGPની નિમણૂક બાદ 14 IPSને પ્રમોશન:વડોદરાના પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને રાજકુમાર પાંડિયનને ડીજીપીનું પ્રમોશન, જુઓ સંપૂર્ણ લિસ્ટ

ગુજરાતમાં ડીજીપી તરીકે વિકાસ સહાયની વિદાય બાદ ઈન્ચાર્જ ડીજીપી તરીકે ડો. કે.એલ.એન. રાવની નિમણૂક કરવામાં આવી છે. નવા ડીજીપી તરીકે રાવની નિણમૂક કરાયાના કલાકોમાં જ ગુજરાતના 14 IPS અધિકારીના પ્રમોશનના ઓર્ડર કરાયા છે.

દિવ્ય ભાસ્કર 1 Jan 2026 12:48 am

નવા વર્ષના પહેલા દિવસે ગુજરાતમાં IAS-IPS અધિકારીઓને બઢતીના આદેશ

Gandhinagar News: નવા વર્ષના પ્રથમ દિવસે જ ગુજરાત સરકાર દ્વારા વહીવટી ક્ષેત્રે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર નોટિફિકેશન મુજબ, 1996 બેચના 5 વરિષ્ઠ IAS અધિકારીઓને પ્રિન્સિપલ સેક્રેટરી ગ્રેડમાંથી એડિશનલ ચીફ સેક્રેટરી (ACS) તરીકે બઢતી આપવામાં આવી છે. આ સાથે14 IPSની બઢતી પણ કરવામાં આવી છે. બઢતી મેળવનાર અધિકારીઓની યાદી અને તેમના વિભાગ

ગુજરાત સમાચાર 1 Jan 2026 12:29 am

કાશ્મીર જેવો અદભૂત નજારો, ફુલોએ મનડા મોહ્યા:આજથી ફ્લાવર શોનો આરંભ, સરદાર પટેલની પ્રતિકૃતિથી વર્લ્ડ રેકોર્ડ બનશે, જાણો ફ્રી પાર્કિંગ ક્યાં મળશે

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આજે 1 જાન્યુઆરીથી 14મા ઇન્ટરનેશનલ ફ્લાવર શો-2026નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. આ વર્ષે 'ભારત એક ગાથા' થીમ પર આયોજિત આ શોમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિથી લઈને આધુનિક સિદ્ધિઓ સુધીની સફરને લાખો રંગબેરંગી ફૂલો દ્વારા જીવંત કરવામાં આવી છે. આ શોનું મુખ્ય આકર્ષણ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે તૈયાર કરવામાં આવેલું 30 મીટરનું ભવ્ય ફૂલ મંડળ અને સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફ્લાવર પોટ્રેટ રહેશે. 22 જાન્યુઆરી સુધી ચાલનારા આ મહોત્સવમાં રાષ્ટ્રીય એકતા, પૌરાણિક કથાઓ, ભારતના વિવિધ નૃત્યો અને બાળકો માટેના વિશેષ ઝોન સહિત કુલ 6 ઝોનમાં અદ્ભુત ફૂલોથી બનેલા પ્રકલ્પો મન મોહી લેશે, જેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓનલાઇન અને ઓફલાઇન ટિકિટ તેમજ પાર્કિંગની વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે. ત્યારે દિવ્ય ભાસ્કર આપને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોનું આયોજન કેવું કરવામાં આવ્યું છે અને કેવો છે ફ્લાવર શો તેની સફર કરાવશે. સરદાર પટેલની પ્રતિકૃતિ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાપિત કરાશેફ્લાવર શોમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જવામાં આવશે, જેમાં એક મુખ્ય કેન્દ્રબિંદુ રાષ્ટ્રીય એકતાનું પ્રતીકાત્મક ઝોન રહેશે. જેમાં 30 મીટર વ્યાસનું ભવ્ય ફૂલ મંડળ બનાવવામાં આવ્યું છે. જેમાં સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફૂલ ચિત્ર રજૂ કરવામાં આવશે. ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર પટેલના રાષ્ટ્રીય એકતામાં આપેલા યોગદાનને સન્માન આપતી આ પ્રતિકૃતિ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. સ્ત્રી સશક્તિકરણ ની થીમ પર 14મો ઇન્ટરનેશનલ ફ્લાવર શોમેયર પ્રતિભા જૈન અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત 14મો ઇન્ટરનેશનલ ફ્લાવર શો-2026 આ વર્ષે ભારતની સમૃદ્ધ, વૈવિધ્યસભર અને ગૌરવસભર સંસ્કૃતિને રજૂ કરતો એક અનોખો અને ભવ્ય ઉત્સવ બનવા જઈ રહ્યો છે. 'ભારત એક ગાથા' થીમ હેઠળ આયોજિત આ ફ્લાવર શો 1 જાન્યુઆરી 2026થી 22 જાન્યુઆરી 2026 દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા ફ્લાવર ગાર્ડન તેમજ ઇવેન્ટ સેન્ટર પાલડી યોજાશે. મુખ્યમંત્રી દ્વારા ફ્લાવર શોનું ઉદઘાટન કરી સ્ત્રી સશક્તિકરણ ની થીમ પર તૈયાર કરવામાં આવેલા સ્કલ્પચરનું પણ અનાવરણ કરશે. આ ફ્લાવર શો માત્ર ફૂલોનું પ્રદર્શન નહીં, પરંતુ ભારતની પ્રાચીન પરંપરાથી લઈને આધુનિક પ્રગતિ સુધીની યાત્રાનું જીવંત અને કલાત્મક દૃશ્યપટ રજૂ કરશે. ઝોન વાઈસ 'એકતામાં વિવિધતા'ની ભાવનાને નજીકથી અનુભવાશે'ભારત એક ગાથા' થીમ હેઠળ આ ફ્લાવર શોમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિથી લઇને આધુનિક વિકાસ સુધીની સમગ્ર યાત્રાને એક જીવંત અને કલાત્મક વાર્તા તરીકે પરિકલ્પિત કરવામાં આવ્યો છે. જેમાં ફૂલ, કલા અને કલ્પનાના સંગમથી ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ, સિદ્ધિઓ અને ભાવનાઓને એક જ મંચ પર રજૂ કરવામાં આવશે. પ્રદર્શનના વિવિધ ઝોન ભારતના અલગ-અલગ આયામોને ઉજાગર કરશે, જેમાં પ્રાચીન જ્ઞાન, ઉત્સવોનો ઉલ્લાસ, કલાત્મક તેજસ્વિતા અને આધુનિક વિકાસની ગાથા સમાયેલ હશે. મુલાકાતીઓ એક ઝોનમાંથી બીજા ઝોનમાં આગળ વધતા ભારતની સમયયાત્રાનો અનુભવ કરશે અને 'એકતામાં વિવિધતા'ની ભાવનાને નજીકથી અનુભવી શકશે. પ્રવેશદ્વાર પર બે વિશાળ ફૂલોના સિંહો સ્વાગત કરશેફ્લાવર શોની યાત્રા ભવ્ય પ્રવેશદ્વારથી શરૂ થશે, જ્યાં બે વિશાળ ફૂલોના સિંહો મુલાકાતીઓનું સ્વાગત કરશે. આ સિંહો ભારતની હિંમત, ગૌરવ અને અડગ આત્માનું પ્રતીક બની રહેશે. પ્રવેશ ઝોનમાં કમળના ફાઉન્ટેન દ્વારા રાષ્ટ્રીય ગૌરવને ફૂલોથી સજાવી રજૂ કરવામાં આવશે, જે સમગ્ર પ્રદર્શનના થીમને અનુરૂપ ગૌરવસભર વાતાવરણ સર્જશે. બાળકો માટે મનોરંજન અને કલ્પનાનું વિશ્વ સર્જવામાં આવશેપ્રદર્શનમાં ભારતના વિવિધ ઉત્સવોને સમર્પિત વિશેષ ઝોન પણ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં ફૂલકળાના માધ્યમથી દિવાળીના પ્રકાશ અને આશાનો સંદેશ, હોળીના રંગો અને ઉલ્લાસ, ઓણમની પરંપરાગત સૌમ્યતા અને બિહુના લયબદ્ધ ઉત્સવોને જીવંત સ્વરૂપ આપવામાં આવશે. આ ઝોન ભારતની સાંસ્કૃતિક વિવિધતાને ઉજાગર કરી એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવશે. તે સાથે જ બાળકો માટે વિશેષ રંગીન અને આનંદમય ઝોન પણ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં કાર્ટૂન પાત્રો દ્વારા બાળકો માટે મનોરંજન અને કલ્પનાનું વિશ્વ સર્જવામાં આવશે. 'શાશ્વત ભારત' ઝોન ફ્લાવર શોનું મુખ્ય આકર્ષણ બનશેભારતની પૌરાણિક ધરોહરને રજૂ કરતો 'શાશ્વત ભારત' ઝોન પણ ફ્લાવર શોનું મુખ્ય આકર્ષણ બનશે. આ આધ્યાત્મિક રીતે સમૃદ્ધ ઝોનમાં સમુદ્ર મન્થન, ગીતા સાર, ગોવર્ધન લીલા, ગંગા અવતરણ અને રામ સેતુ જેવા પૌરાણિક પ્રસંગોને ફૂલોના શિલ્પો દ્વારા કલાત્મક રીતે પુનઃરચિત કરવામાં આવશે, જે મુલાકાતીઓને ભારતની પ્રાચીન સાંસ્કૃતિક કથાઓ સાથે ફરી જોડશે. આ સાથે ભારતીય શાસ્ત્રીય અને લોકનૃત્ય પરંપરાઓને સમર્પિત ઝોનમાં કુચિપુડી, ભાંગડા, ગરબા અને કથકલી જેવા નૃત્ય સ્વરૂપોની સૌમ્યતા રજૂ થશે. આ ઝોનના કેન્દ્રમાં ભગવાન નટરાજનું ભવ્ય પ્રતિનિધિત્વ રહેશે, જે ભારતની કલાત્મક સમૃદ્ધિ, પરંપરાની સતતતા અને તાલની સર્વવ્યાપી ભાષાનું પ્રતીક બની રહેશે. આધુનિક ભારતની પ્રગતિને દર્શાવતો 'ભારતની સિદ્ધિઓ' ઝોન ફૂલોના માધ્યમથી દેશની હાઈ-સ્પીડ રેલ, નવનીકરણીય ઊર્જા, સ્પોર્ટ્સ ક્ષેત્રની સિદ્ધિઓ, અંતરિક્ષ ટેકનોલોજી અને શિક્ષણ ક્ષેત્રમાં પ્રાપ્ત થયેલી ઉત્તમતાને રજૂ કરશે. આ ઝોન ભારતના વારસા અને ભવિષ્યમુખી નવીનતાના સંતુલિત વિકાસની શક્તિશાળી ગાથા રજૂ કરશે. 10524 સ્ક્વેર.મીટર એરિયામાં સ્પ્રીન્ક્લીંગ ઇરીગેશન નેટવર્ક સિસ્ટમઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા ફલાવર શો-2026 અંતર્ગત સાબરમતી રિવરફ્રન્ટ પર ઇવેન્ટ ગ્રાઉન્ડમાં ડીસ્પ્લે માટે લગાવવામાં આવેલા સિઝનલ પ્લાન્ટ્સની જાળવણી માટે દર વર્ષની જેમ ટ્રેક્ટર કે પાઈપ જેવી પરંપરાગત વોટરીંગ પદ્ધતિના બદલે 10524 સ્ક્વેર.મીટર એરિયામાં સ્પ્રીન્ક્લીંગ ઇરીગેશન નેટવર્ક સિસ્ટમ લગાવવામાં આવી છે. ફ્લાવર શોમાં બેંક ઓફ બરોડા, અરવિંદ સ્માર્ટ સ્પેસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, અદાણી એન્ટરપ્રાઈઝ, ઔદ્યોગિક ગૃહો દ્વારા વિવિધ ઝોનને સ્પોન્સર કરવામાં આવ્યા છે. જાણો મુલાકાતીઓ માટે કયા સમયે કેટલો ટિકિટનો દર?ફ્લાવર શોની પ્રવેશ ફી સોમવારથી શુક્રવાર સુધી 12 વર્ષથી ઉપરના મુલાકાતીઓ માટે રૂ. 80 તથા શનિવાર, રવિવાર તેમજ જાહેર રજાના દિવસે રૂ. 100 રહેશે. વધુમાં, તમામ પ્રકારના દિવ્યાંગો, સૈનિકો, 12 વર્ષ તથા નીચેની વયના બાળકો તથા અ.મ્યુ.કો. હસ્તકની શાળાના બાળકો માટે તમામ દિવસોએ નિ:શુલ્ક પ્રવેશ રહેશે. AMC સિવાયની સ્કૂલના બાળકો માટે સોમવારથી શુક્રવાર સવારે 9થી 1 સુધી રૂ. 10 રહેશે. મુલાકાતીઓ માટે સવારે 8થી 9 તેમજ રાત્રે 10 થી 11 સુધી પ્રાઈમ ટાઈમ સ્લોટમાં ટિકિટ રૂ. 500 રહેશે. AMC દ્વારા ઓનલાઇન ટિકિટ માટે QR કોડ જાહેર કરાયોમ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓનલાઇન ટિકિટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેના માટે QR કોડ જાહેર કરવામાં આવ્યો છે. જે સ્કેન કરી વિગતો ભરીને ઓનલાઇન પેમેન્ટ બાદ ટિકિટ મેળવી શકાશે, જે ટિકિટ બતાવીને ફ્લાવર શોમાં પ્રવેશ મેળવી શકાશે. ઓફલાઈન અને ઓનલાઇન બંને માધ્યમથી ટિકિટ ઉપલબ્ધમ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓફલાઈન અને ઓનલાઇન એમ બંને લોકો ટિકિટ મેળવી શકે તે મુજબ વ્યવસ્થા કરી છે. સાબરમતી રિવરફ્રન્ટ પરની સામેના ભાગે ખુલ્લા પ્લોટમાં ટિકિટ બારી બનાવવામાં આવેલી છે. જ્યાંથી લોકો ફિઝિકલ ટિકિટ મેળવીને ફ્લાવર શોમાં પ્રવેશ મેળવી શકે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા QR કોડ જાહેર કરવામાં આવ્યો છે. જે કોડ સ્કેન કરતાની સાથે પેજ ખુલશે. જેમાં ટિકિટના ભાવથી લઈને તમામ માહિતી આપવામાં આવી છે. ટિકિટ મેળવવા માટે નાગરિકોએ તેમનું નામ અને મોબાઈલ નંબર આપવાનો રહેશે. ત્યારબાદ ફ્લાવર શોમાં જવા માટે અને અટલ બ્રિજ તેમજ ફ્લાવર શો એમ બંને ઓપ્શન આપવામાં આવેલા છે. જેમાંથી લોકોને જ્યાં જવું હોય તે સિલેક્ટ કરી અને તેનું ઓનલાઇન પેમેન્ટ કરવાનું રહેશે. ઓનલાઇન ટિકિટ ન દેખાય તો કેવી રીતે ડાઉનલોડ કરવીપેમેન્ટ કર્યા બાદ તેની ટિકિટ ઑનલાઇન તેના મોબાઈલ નંબર પર મળી જશે. જે ટિકિટ બતાવીને ફ્લાવર શોમાં એન્ટ્રી મળશે. ફ્લાવર શોની ટિકિટ નોન રિફંડેબલ રહેશે. એક વખત ટિકિટ બુકિંગ કરાવ્યા બાદ તેને કેન્સલ કરી શકાશે નહીં. ઓનલાઇન ટિકિટ બુકિંગના પૈસા કપાયા બાદ જો કોઈપણ વ્યક્તિને ટિકિટ ન મળે તો તેના માટે ડાઉનલોડ ટિકિટ મેનૂમાં જવાનું રહેશે. ત્યાં પોતાનો મોબાઈલ નંબર નાખીને ટિકિટને ડાઉનલોડ કરી લેવાની રહેશે. મુલાકાતીઓને પ્રવેશ માટે ભીડ ન થાય તે માટે 4 એન્ટ્રી ગેટફ્લાવર શો જોવા આવનાર મુલાકાતીઓને પ્રવેશ મેળવવા માટે ભીડ ન થાય તેના માટે 4 એન્ટ્રી ગેટ રાખવામાં આવ્યા છે. જેમાં એલિસ બ્રિજ પાસે ફ્લાવર પાર્ક ગેટ નંબર 1થી પ્રવેશ મેળવી શકશે. મલ્ટી લેવલ કાર પાર્કિંગ ફૂટ ઓવર બ્રિજ ઉપરથી અને સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતેથી પણ પ્રવેશ મેળવી શકશે. જે નાગરિકો રિવરફ્રન્ટ પૂર્વ છેડા તરફથી આવે છે તેઓ અટલ બ્રિજના પૂર્વ તરફના છેડા પર અટલ બ્રિજ પર થઈને પણ પ્રવેશ મેળવી શકશે. ફ્લાવર શો જોવા જાઓ છો તો ક્યાં વાહન પાર્ક કરશો તે જાણી લોસાબરમતી રિવરફ્રન્ટ પર યોજાયેલા ફ્લાવર શોને જોવા જનાર લોકોએ રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરની સામે આવેલા બે પાર્કિંગ પ્લોટમાં પોતાના વાહન પાર્ક કરવાના રહેશે. જોકે વાહન પાર્ક કરવા માટે નાગરિકોએ ફી ચૂકવવાની રહેશે. પ્રથમ બે કલાક માટે ટુ વ્હીલરના રૂ. 10 અને ફોર વ્હીલરના રૂ. 20 ચૂકવવાના રહેશે. 2 કલાકથી 4 કલાક સુધીના સમયગાળા માટે ટુ વ્હીલરના રૂ. 20 અને ફોર વ્હીલરના રૂ. 40 જ્યારે 4 કલાકથી વધુ સમય માટે ટુ વ્હીલરના રૂ. 30 અને ફોર વ્હીલરના રૂ. 50 ચૂકવવા પડશે. લોકો મલ્ટી લેવલ પાર્કિંગમાં પોતાના વાહન પાર્ક કરી શકશે. જો પે એન્ડ પાર્કિંગમાં વાહન ન મૂકવું હોય તો નેહરુ બ્રિજ અને એલિસ બ્રિજની વચ્ચે આવેલા રિવરફ્રન્ટ તરફના ખુલ્લા પ્લોટમાં અને સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ પાસેના ખુલ્લા પ્લોટમાં પોતાના વાહન પાર્ક કરી અને ફ્લાવર શોમાં જઈ શકશે.

દિવ્ય ભાસ્કર 1 Jan 2026 12:05 am

હેપ્પી ન્યૂ યર...: અમદાવાદમાં ભવ્ય આતશબાજી સાથે 2026નું સ્વાગત, ગુજરાતના અનેક શહેરોમાં ઉજવણી

Happy New Year Celebration: મધરાતે 12 વાગ્યે ઘડિયાળના ટકોરે વર્ષ 2026નું આગમન થઈ ચૂક્યું છે. ત્યારે ભારત સહિત ગુજરાતમાં પણ નવા વર્ષની હર્ષોલ્લાસ સાથે ઉજવણી શરૂ થઈ ગઈ છે. અમદાવાદમાં સી.જી.રોડ અને સિંધુ ભવન રોડ 'હેપ્પી ન્યુ યર'ના ગુંજારવ અને આનંદની ચિચિયારીઓ ગાજી ઉઠ્યો છે. આખું અમદાવાદ જાણે નવા વર્ષના વધામણાં કરવા રોડ પર ઉતરી ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

ગુજરાત સમાચાર 1 Jan 2026 12:01 am

થર્ટી ફર્સ્ટની રાત્રે નવસારી પોલીસનું સઘન ચેકિંગ:ફાર્મ હાઉસ અને અંતરિયાળ વિસ્તારોમાં ડ્રોનથી તપાસ કરાઈ, બ્રેથ એનેલાઇઝરથી પીધેલા વાહનચાલકો સામે કાર્યવાહી

નવસારી જિલ્લા પોલીસે થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. વર્ષના અંતિમ દિવસે કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને નશાખોરો પર અંકુશ કસાય તે હેતુથી જિલ્લાના તમામ એક્ઝિટ અને એન્ટ્રી પોઇન્ટ્સ પર મોડી રાત સુધી સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લાના મરોલી, ટાઉન, જલાલપોર, ગ્રામ્ય, વિજલપોર, બીલીમોરા, ગણદેવી, ખેરગામ, વાંસદા અને ચીખલી સહિતના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પોલીસ જવાનો દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી. ખાસ કરીને જિલ્લામાં પ્રવેશતા મુખ્ય માર્ગો પર પોલીસ કાફલો તૈનાત કરીને દરેક શંકાસ્પદ વાહનોની તલાશી લેવામાં આવી હતી. પોલીસે માત્ર વાહનોની જ નહીં, પરંતુ વાહનચાલકોની પણ ગંભીરતાથી તપાસ કરી હતી. બ્રેથ એનેલાઇઝર મશીન દ્વારા વાહનચાલકોએ દારૂ પીધો છે કે કેમ તેની સ્થળ પર જ ચકાસણી કરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન દારૂ પીને વાહન ચલાવતા શખ્સો સામે MV Act 185 મુજબ ગુના નોંધવામાં આવ્યા હતા. રસ્તા પર સ્ટંટ કરતા અને નિયમભંગ કરતા ચાલકો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. ઉજવણીના બહાને થતી પાર્ટીઓ પર નજર રાખવા માટે પોલીસે આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કર્યો હતો. જિલ્લાના તમામ ફાર્મ હાઉસ અને અંતરિયાળ જંગલ વિસ્તારોમાં અગાઉથી જ ડ્રોન મશીન દ્વારા આકાશી સર્વે કરવામાં આવ્યો હતો. કોઈપણ જગ્યાએ ગેરકાયદેસર પ્રવૃત્તિ કે દારૂની મહેફિલ ન જામે તે માટે પોલીસે પૂરતી તકેદારી રાખી હતી. જિલ્લા પોલીસની આ કડક કાર્યવાહીને પગલે નશાખોરોમાં ફફડાટ ફેલાયો હતો. તંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં નવા વર્ષનું સ્વાગત થાય તે માટે પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 11:52 pm

હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી સાંજે કમોસમી વરસાદ:શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતિત

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે મોડી સાંજે કમોસમી વરસાદ શરૂ થયો હતો. ગણતરીની કલાકોમાં જ લોકોના ઘર અને શેરીઓમાં વરસાદી પાણી વહેવા લાગ્યા હતા. આ અણધાર્યા વરસાદથી શિયાળુ પાકનું વાવેતર કરનારા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે, કારણ કે પાકને નુકસાન થવાની શક્યતા છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ આગાહી વચ્ચે, હળવદ તાલુકાના કોયબા અને ઘનશ્યામપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભર શિયાળે વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. શિયાળુ પાક લેવા માટે ખેડૂતોએ કરેલી મહેનત, મજૂરી અને વાવેતરમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સમગ્ર મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલમાં છૂટોછવાયો કમોસમી વરસાદ પડી રહ્યો છે. આ વરસાદથી ખેતરમાં ઉભા પાક તેમજ મગફળી અને કપાસ જેવા તૈયાર થયેલા અને વેચાણ માટે બાકી રહેલા પાકોને પણ નુકસાન થવાની સંભાવના છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 10:46 pm

પોરબંદરમાં નવા વર્ષની ઉજવણી પહેલા પોલીસનું સઘન ચેકિંગ:કમલાબાગ વિસ્તારમાં બ્રેથ એનાલાઈઝરથી તપાસ, કાળા કાચવાળા વાહનો સામે કાર્યવાહી

નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને પોરબંદર જિલ્લામાં પોલીસ તંત્ર સંપૂર્ણ એક્શનમાં આવ્યું છે. 31 ડિસેમ્બરના દિવસે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુસર પોરબંદર પોલીસે શહેરભરમાં ઠેર-ઠેર વાહન ચેકિંગ શરૂ કર્યું છે. ગાંધીભૂમિ પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા મુખ્ય ચાર રસ્તાઓ પર સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન બ્રેથ એનાલાઈઝરની મદદથી દારૂ પીને વાહન ચલાવતા ચાલકોની ખાસ તપાસ કરવામાં આવી હતી. કમલાબાગ પોલીસ ઇન્સ્પેક્ટર (પી.આઈ.) સહિતના પોલીસ કાફલાએ જાતે હાજરી આપીને વાહન ચેકિંગની કામગીરી કરી હતી. પોલીસે ખાસ કરીને કાળા કાચ લગાવેલી ગાડીઓ, નંબર પ્લેટ વગર ફરતા વાહનો તેમજ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, નવા વર્ષની ઉજવણી દરમિયાન જાહેર સુરક્ષા જળવાઈ રહે અને અકસ્માતો અટકાવી શકાય તે માટે આ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં પણ આવા ચેકિંગને વધુ કડક બનાવવામાં આવશે. પોરબંદર પોલીસે નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને જવાબદાર રીતે ઉત્સવ ઉજવવા અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 10:36 pm

વેરાવળમાં દાગીના સાફ કરવાના બહાને સોનાની છેતરપિંડી:એલસીબીએ રૂ.40 હજારના સોના સહિત પોણા લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

વેરાવળમાં દાગીના સાફ કરવાના બહાને સોનાની છેતરપિંડી આચરતી ટોળકીના બે શખ્સોને એલસીબીએ ઝડપી પાડ્યા છે. આ શખ્સો મૂળ બિહારના રહેવાસી છે અને ઘણા વર્ષોથી કેમિકલનો ઉપયોગ કરીને સોનાની છેતરપિંડી કરતા હતા. પોલીસે તેમની પાસેથી રૂ. 40 હજારના સોના સહિત કુલ રૂ. 70 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ચાર દિવસ પહેલા વેરાવળના ગંગાનગરમાં એક વૃદ્ધાના ઘરે બપોરના સમયે બે શખ્સો આવ્યા હતા. તેમણે વાસણ અને દાગીના સાફ કરવાની વાત કરી હતી. વૃદ્ધાએ તેમની સોનાનું પડ ચડાવેલ બે બંગડીઓ સાફ કરવા આપી હતી. આરોપીઓએ કેમિકલવાળા પાણી અને બ્રશનો ઉપયોગ કરીને બંગડીઓ પરથી આશરે દસ ગ્રામ સોનું (અંદાજે રૂ. 40 હજારની કિંમતનું) કેમિકલવાળા પાણીમાં ઓગાળી લીધું હતું અને ત્યાંથી ચાલ્યા ગયા હતા. થોડા સમય પછી વૃદ્ધાને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેમણે સિટી પોલીસને જાણ કરી હતી. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એસપીની સૂચનાથી એલસીબીએ તપાસ હાથ ધરી હતી. પીઆઈ એસ.વી. રાજપૂત અને પીએસઆઈ એ.સી. સિંધવ સહિતના સ્ટાફે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ રિસોર્સિસની મદદથી છેતરપિંડી આચરનાર મુકેશ જુલામી બીરંચી પાસવાન (ઉ.વ. 38) અને અભિમન્યુ નીરજ પોલો યાદવ (ઉ.વ. 24) ને ઝડપી લીધા હતા. આ બંને મૂળ ભાગલપુર, બિહારના રહેવાસી છે. પકડાયેલા બંને પરપ્રાંતીય શખ્સો દાગીના સાફ કરવાના બહાને કેમિકલથી સોનું ઓગાળીને છેતરપિંડી કરવાની પદ્ધતિ ધરાવે છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓ ઘણા વર્ષોથી બિહારથી ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં આવીને આવી ઘટનાઓને અંજામ આપતા હતા. પોલીસે આ અગાઉ ગુજરાતના અન્ય શહેરોમાં પણ આવી છેતરપિંડી આચરી હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તેમની ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 10:34 pm

મોરબીમાં મુમુક્ષુ વિધિ મહેતાની સંયમ અનુમોદના શોભાયાત્રા યોજાઈ:લીંબડીમાં 1 ફેબ્રુઆરીએ દીક્ષા ગ્રહણ કરશે

મોરબીમાં મુમુક્ષુ વિધિ અશ્વિનભાઈ મહેતાની સંયમ અનુમોદના શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેઓ આગામી 1 ફેબ્રુઆરીના રોજ લીંબડી અજરામર સંપ્રદાયમાં દીક્ષા ગ્રહણ કરશે. શ્રી સોની બજાર સંઘ દ્વારા આ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં મોરબીના સમસ્ત જૈન સંઘોના ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. શોભાયાત્રા નેહરુગેટ ચોકથી પ્રસ્થાન કરીને ગ્રીનચોક થઈને સોની બજાર ઉપાશ્રય ખાતે સંપન્ન થઈ હતી. ધર્મનાથ મિત્ર મંડળના બેન્ડના સથવારે આ યાત્રા નીકળી હતી. શોભાયાત્રા બાદ ધર્મસભાનું આયોજન થયું હતું, જ્યાં પૂજ્ય મહાસતીજીઓએ આશીર્વાદ પાઠવ્યા હતા. મોરબીના વિવિધ સંઘો અને મંડળો દ્વારા મુમુક્ષુ વિધિ મહેતાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુમુક્ષુ વિધિબેને પોતાના ભાવો વ્યક્ત કરતા કહ્યું હતું કે, “આ પાપમય સંસાર છોડી હું શ્રમણ ક્યારે બનવું??” કાર્યક્રમના અંતે, સોની બજાર તરફથી ઉપસ્થિત તમામ શ્રાવક-શ્રાવિકાઓ માટે નવકારશીનું આયોજન કરાયું હતું, જ્યારે સ્થાનકવાસી જૈન યુવક મંડળ તરફથી પ્રભાવનાનું આયોજન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 10:27 pm

31 ડિસેમ્બરે હિંમતનગરમાં પોલીસનું સઘન ચેકિંગ:નશાની હાલતમાં એક શખ્સ ઝડપાયો, વધુ કાર્યવાહી હાથ ધરાઈ

31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં પોલીસે મોડી સાંજે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન હિંમતનગરના મોતીપુરા સર્કલ પરથી નશાની હાલતમાં એક શખ્સ ઝડપાયો હતો. હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં બુધવારે મોડી સાંજે એ ડિવિઝન PI પી.એમ. ચૌધરી, PSI, LCB PI ડી.સી. સાકરીયા, PSI એસ.જે. ચાવડા, આર.જે. જાડેજા, ટ્રાફિક પોલીસ અને હાઈવે પોલીસની મોટી ટીમે ચેકિંગ શરૂ કર્યું હતું. પોલીસ દ્વારા વાહનચાલકોનું બ્રેથ એનેલાઈઝર વડે નશાની તપાસ કરવામાં આવી રહી હતી, સાથે વાહન ચેકિંગ પણ ચાલી રહ્યું હતું. આ ચેકિંગ દરમિયાન એક કારમાં ચાલક પાસે બેઠેલો શખ્સ નશાની હાલતમાં મળી આવતા તેને ઝડપી લેવાયો હતો. ઝડપાયેલા શખ્સને હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઘટના બાદ પોલીસની ટીમે વાહનો સાથે હિંમતનગરના વિવિધ માર્ગો પર પેટ્રોલિંગ શરૂ કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 10:24 pm

હિંમતનગર પાલિકામાં જન્મ-મરણ ક્લાર્કનો નિવૃત્તિ સમારોહ:પ્રમુખ, ચીફ ઓફિસર સહિત મહાનુભાવોએ સન્માન કર્યું

હિંમતનગર નગરપાલિકાના જન્મ-મરણ નોંધણી ક્લાર્ક નલીનકુમાર મંગળદાસ પંચાલનો વય નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો હતો. આ સમારોહ ૩૧ ડિસેમ્બર, બુધવારે હિંમતનગરમાં આવેલા ડૉ. નલીનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય, કારોબારી અધ્યક્ષ જીનલ પટેલ, પૂર્વ પાલિકા પ્રમુખ અનિરુદ્ધભાઈ સોરઠીયા અને યતીનીબેન મોદી ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવીએ પણ હાજરી આપી હતી. આ મહાનુભાવો દ્વારા નલીનકુમાર પંચાલને વય નિવૃત્તિ નિમિત્તે ૧૨ લાખનો ચેક અને સન્માન પત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. પાલિકાના કર્મચારીઓ દ્વારા નલીનકુમાર પંચાલને મોમેન્ટો અર્પણ કરીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ ઉપરાંત, પાલિકાની વિવિધ સમિતિના ચેરમેન, સદસ્યો, સમાજના અગ્રણીઓ અને પરિવારજનો પણ ઉપસ્થિત રહીને નિવૃત્ત થતા નલીનકુમારને શુભકામનાઓ આપી હતી.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 10:16 pm

તાપી પોલીસનું થર્ટી ફર્સ્ટ માટે સઘન ચેકિંગ:દારૂ અને માદક પદાર્થોની હેરાફેરી રોકવા બાજ નજર

તાપી પોલીસે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને સઘન વાહન ચેકિંગ શરૂ કર્યું છે. મહારાષ્ટ્ર સરહદને અડીને આવેલા તાપી જિલ્લામાં દારૂ અને અન્ય માદક પદાર્થોની હેરાફેરી રોકવા માટે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. સોનગઢથી માત્ર 4 કિલોમીટર દૂર મહારાષ્ટ્રનું લક્કડકોટ ગામ આવેલું છે, જ્યાં સુરત સહિત આસપાસના વિસ્તારોમાંથી લોકો ફરવા જાય છે. આ સ્થળોએથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા દરેક વાહનનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રથી આવતી બસોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર સરહદને અડીને આવેલા તાપી જિલ્લાના ગામોમાં પણ સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. આ ઉપરાંત, જિલ્લાના પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ, હોટલો અને અવાવરુ જગ્યાઓ પર કડક પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરમિટ પર લઈ જવામાં આવતા દારૂની પરમિટની પણ બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. પરમિટ કરતાં વધુ દારૂ લઈ જનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. નાયબ પોલીસ અધિક્ષક પ્રમોદ નરવાડેએ જણાવ્યું હતું કે, આગામી થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ રીતે થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તાપી જિલ્લા પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે, મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલી જગ્યાઓ પર વિવિધ ચેકપોસ્ટ બનાવી વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, અને પાર્ટી પ્લોટ, અવાવરુ જગ્યાઓ તથા ફાર્મ હાઉસ પર પણ તકેદારીના ભાગરૂપે પેટ્રોલિંગ ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 10:10 pm

વાહન વ્યવહાર વિભાગમાં મોટા પાયે બઢતી:RTOના વર્ગ-2ના અધિકારીઓને દિવાળી જેવો માહોલ; વર્ગ-1 સંવર્ગમાં પ્રમોશન સાથે નવી નિમણૂકો જાહેર

બંદરો અને વાહન વ્યવહાર વિભાગ હેઠળના મોટર વાહન ખાતામાં ફરજ બજાવતા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી તથા નાયબ વાહન વ્યવહાર નિયામક વર્ગ-2ના અધિકારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે વર્ગ-2 અધિકારીઓને બઢતી આપી તેમને પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી તથા નાયબ વાહન વ્યવહાર નિયામક વર્ગ-1 સંવર્ગમાં નિમણૂક આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી લાંબા સમયથી બઢતીની રાહ જોતા અધિકારીઓમાં ખુશીની લહેર ફરી છે. બઢતી બાદ અધિકારીઓને વધુ જવાબદારીસભર પદ પર ફરજ બજાવવાની તક મળશે, સાથે સાથે વિભાગીય કામગીરીમાં ગતિ અને કાર્યક્ષમતામાં વધારો થવાની અપેક્ષા છે. વિભાગીય સ્તરે આ નિમણૂકોને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે રાજ્યભરમાં વાહન વ્યવહાર સંચાલન, માર્ગ સલામતી અને પરમિટ પ્રક્રિયાઓને વધુ મજબૂત બનાવવા માટે અનુભવી અધિકારીઓની ભૂમિકા મહત્વની રહેશે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 10:08 pm

31stએ 7.710 ગ્રામના MDMA ડ્રગ્સ સાથે એક ઝડપાયો:મુંબઈથી ડિલિવરી કરવા સિગારેટના પેકેટમાં છુપાવીને આવ્યો હતો, મુંબઈના કેપશોપના માલિક સંતોષે મોકલ્યું હોવાનું સામે આવ્યું

31stના દિવસે જ ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગાયકવાડ હવેલી પોલીસે MDMA ડ્રગ્સના જથ્થા સાથે પોલીસે મુંબઈના આરોપીને દબોચી પાડ્યો છે. પોલીસે મુંબઈના આરોપી પાસે તપાસ કરતા 7.710 ગ્રામ MDMA ડ્રગ્સનો જથ્થો મળી આવતા તે પણ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે મુંબઈની કેકશોપના માલિકે આ જથ્થો ગ્રાહકને પહોચાડવા માટે આરોપીને મોકલ્યો હતો. MD ડ્રગ્સના નશા કરતા 10 ગાળો નશો MDMA ડ્રગ્સના કારણે થતો હોય છે. જેથી તેની ડિમાન્ડ પણ વધુ હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. જો કે પોલીસે અત્યારે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગાયકવાડ હવેલી પોલીસે ડ્રગ્સની હેરાફેરી કરનાર શખ્સને દબોચ્યો31stના દિવસે નશો કરવા માટે ડ્રગ્સ સહિતની વસ્તુઓ બહારથી મંગાવવામાં આવી રહી છે. ગુજરાત પોલીસ સક્રિય હોવાથી ડ્રગ્સ જેવા દૂષણને રોકવામાં આવી રહ્યું છે. ત્યારે ગાયકવાડ હવેલી પોલીસે ડ્રગ્સની હેરાફેરી કરનાર શખ્સને દબોચી લીધો છે. ગાયકવાડ હવેલી પોલીસને બાતમી મળી હતી કે એક વ્યક્તિ MDMA ડ્રગ્સની પહોચાડવા માટે આવ્યો છે. જેથી બાતમીના આધારે જમાલપુર ફાયર સ્ટેશન પાસ એક વિચ ગોઠવવામાં આવી હતી. જે બાદ જ્યારે ડ્રગ્સની હેરાફેરી પહોંચ્યો ત્યારે તેને પોલીસે દબોચી લીધો હતો. પોલીસે પૂછપરછ કરતા મુંબઈનો સૌરભ જોશી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે 7.710 ગ્રામ MDMA ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યોજે બાદ પોલીસે આરોપીની તપાસ કરી હતી. જે દરમિયાન એક સિગારેટના બોક્સમાંથી કેટલીક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી. જેથી પોલીસે શંકાસ્પદ વસ્તુઓની ચકાસણી કરવા માટે FSL ની મદદ લીધી હતી. FSLની ટીમે શંકાસ્પદ વસ્તુની તપાસ કરતા MDMA ડ્રગ્સ હોવાનું સામે આવ્યુ હતું. જેથી પોલીસે 7.710 ગ્રામ MDMA ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરતા MDMA ડ્રગ્સ મુંબઈના કેકશોપ માલિક સંતોષ ભોઈતે પાસેથી લાવ્યો હોવાનું આરોપીએ કબૂલ્યું હતું. આરોપી પાસેથી મળી આવેલા સિગારેટના પેકેટમાં પ્લાસ્ટિકની કોથળીમાં MDMA ડ્રગ્સની બે ગોળીના ચાર ટુકડા હતા. ડ્રગ્સ લેનાર ગ્રાહકો અને ડ્રગ્સ બનાવનારની ચેઇન સુધી પહોંચવા તપાસપોલીસે વધુ તપાસ કરતા તે જે કલ્યાણ હોટલમાં રોકાયો હતો ત્યાં પણ કેટલોક જથ્થો હોવાનું સામે આવતા પોલીસે ત્યાંથી પણ ડ્રગ્સ કબ્જે કર્યું હતું. ત્યારે પોલીસે ફરાર આરોપી, ડ્રગ્સ લેનાર ગ્રાહકો અને આ ડ્રગ્સ બનાવનારની ચેઇન સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે. MDMA એક સિન્થેટીક ડ્રગ્સ છે. કેટલાક લોકો તેને પાવડરના ફોર્મમાં, ગોળીના ફોર્મમાં, ગરમ કરીને કે નાકથી લેવાની ટેવ ધરાવે છે. કેપશોપ ધરાવવાની સાથે ડ્રગ્સ સપ્લાય કરનાર સંતોષ સાથે બે વર્ષથી પરિચયમાં હતો. સંતોષે અત્યાર સુધી અનેકવાર સૌરભને ડ્રગ્સનો જથ્થો આપીને વિવિધ રાજ્યોમાં મોકલ્યો હતો. સંતોષ સિગારેટના પેકેટ તૈયાર કરીને પ્લાસ્ટિકથી પેક કરીને ડ્રગ્સનો જથ્થો ડિલીવરી માટે આપતો હતો. સૌરભ જોષી એક ડિલીવરીના 15 હજાર રૂપિયા લેતો હતો. પેડલર બીજા રાજ્યમાં પણ ડિલિવરી કરતો હોવાનું આરોપીએ કબૂલ્યુંપીઆઈ સી.વી ગોસાઈએ જણાવ્યું હતું કે, ડ્રગ્સ કોને આપવા આવ્યો હતો તેની તપાસ અને ડ્રગ્સ જેને મોકલાવ્યું હતું તેની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ડિલિવરી માટે હતો તેવું જણાવ્યું હતું. 31st ડિસેમ્બરના કારણે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ પેડલર બીજા રાજ્યમાં પણ ડિલિવરી કરતો હોવાનું આરોપીએ કબૂલ્યું છે. ટેલીફોનિક વાતચીત કરીને તે લોકો સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં કોને આપવા આવ્યો હતો તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 10:05 pm

ગોધરામાં ક્રિસમસ કાર્નિવલ 2025નું આયોજન:રેવ આશિષ રાઠોડની અધ્યક્ષતા હેઠળ ખ્રિસ્તી સમાજે ઉજવ્યો તહેવાર

ગોધરા શહેરમાં રેવ આશિષ રાઠોડની અધ્યક્ષતા હેઠળ ક્રિસમસ કાર્નિવલ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. ખ્રિસ્તી સમાજ દ્વારા 25 ડિસેમ્બર 2025 થી 1 જાન્યુઆરી 2026 સુધી નાતાલ અને નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ખ્રિસ્તી સમાજ માટે નાતાલ એક મોટો અને પવિત્ર તહેવાર છે. આ કાર્નિવલમાં ગરબા, નાટ્ય, ગ્રુપ ડાન્સ, એક્શન સોંગ અને સિંગિંગ જેવી સ્પર્ધાઓ તથા કાર્યક્રમોનો સમાવેશ થતો હતો. ગોધરા ડિસ્ટ્રિક્ટ સુપ્રિટેન્ડેન્ટ રેવ આશિષ રાઠોડ અને ડિસ્ટ્રિક્ટ ટીમના પાસ્ટર તેમજ મિશનરી ભાઈઓએ સાથે મળીને આ ક્રિસમસ કાર્નિવલનું આયોજન કર્યું હતું. પંચમહાલ જિલ્લાના વિવિધ ચર્ચાઓમાંથી મોટી સંખ્યામાં લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિતો માટે પ્રેમભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, તેમજ વિવિધ પ્રકારના ઇનામો પણ ગોઠવવામાં આવ્યા હતા. ગોધરા ડિસ્ટ્રિક્ટ સુપ્રિટેન્ડેન્ટ રેવ આશિષ રાઠોડે જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમોનો મુખ્ય હેતુ સમાજમાં એકતા લાવવાનો, જાગૃતિ ફેલાવવાનો અને લોકોને હળીમળીને રહેવા પ્રોત્સાહિત કરવાનો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરેલા કાર્યો અને બલિદાનને યાદ કરવા માટે પણ આવા કાર્યક્રમો મહત્વના છે. ક્રિસમસ કાર્નિવલ ઉપરાંત, ગોધરા શહેરમાં આવેલી સચ્ચિદાનંદ સોસાયટીના ખ્રિસ્તી સમાજના રહીશો દ્વારા પણ ગરબાનું આયોજન કરાયું હતું. મહેમાનો માટે નાસ્તાની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી. આ રીતે, ગોધરા શહેર સહિત ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 9:53 pm

પોક્સો એક્ટ હેઠળના ગુનામાં આરોપી ઝડપાયો:મહિસાગર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 76 હેઠળ કાર્યવાહી કરી

મહીસાગર જિલ્લામાં પોક્સો એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ નોંધાયેલા ગુનામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કડાણા પોલીસે આ કાર્યવાહી કરી હતી. જિલ્લા પોલીસ વડા સફીન હસન અને મદદનીશ પોલીસ વડા, સંતરામપુર વિભાગની સૂચના મુજબ, નોંધાયેલા ગુનાઓના આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા આદેશ અપાયા હતા. આ ગુનો ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 76 તથા જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ અધિનિયમ (પોક્સો એક્ટ)–2012ની કલમ 8 અને 12 હેઠળ નોંધાયો હતો. આ ગુનામાં આરોપીને પકડી પાડવા કડાણા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ કરતા તેણે ગુનો કર્યાની કબૂલાત આપી હતી. ત્યારબાદ તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરીને આરોપીને સબ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 9:46 pm

રાજકોટ સિવિલે નવજાતને નવજીવન આપ્યુ:20 દિવસના બાળકની જન્મજાત ગાંઠની દુર્લભ સર્જરી કરાઈ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જન્મજાત શ્વાસની તકલીફ ધરાવતા બાળકની જટિલ સર્જરી કરવામાં આવી છે. જનાના હોસ્પિટલમાં 20 દિવસના બાળકને મોઢામાં નેઝોફેરિંક્સમા દુર્લભ ગાંઠ હોવાથી શ્વાસ અને ફીડિંગ કરવામાં તકલીફ પડતી હતી. જોકે તબીબો એ સફળતાપૂર્વક જટિલ સર્જરી કરી બાળકને નવજીવન આપ્યુ હતુ. જન્મ સમયે માત્ર 1.8 કિલોગ્રામ વજન ધરાવતા બાળકને જન્મથી જ શ્વાસ લેવામાં ગંભીર તકલીફ હતી. શરૂઆતમાં બાળકને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતુ. જ્યાં બાળકને સતત વેન્ટિલેટર પર રાખવું પડ્યું હતુ. જે બાદ વધુ સારવાર માટે બાળકને ગત તા.26 ડિસેમ્બરના રોજ જનાના હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતુ. જનના હોસ્પિટલમાં વિગતવાર તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, બાળક રડે ત્યારે મોંની અંદરથી એક મોટો ગાંઠ જેવો ભાગ બહાર દેખાતો હતો. જે શ્વાસ લેવામાં ગંભીર અવરોધ ઊભો કરતો હતો. ખાનગી હોસ્પિટલમાંથી બાળકને ઈસોફેજિયલ ફાઇબ્રો-વાસ્ક્યુલર પોલિપની શંકા સાથે, એન્ડોટ્રેકિયલ ટ્યુબ મૂકેલી સ્થિતિમાં રિફર કરવામાં આવ્યું હતુ. જનાના હોસ્પિટલમાં બાળકને ઇએનટી વિભાગની તપાસ બાદ પીડિયાટ્રિક સર્જરી વિભાગને રિફર કરવામાં આવ્યું. આગળની તપાસ માટે સીઇસીટી નેક અને ઓરલ કેવિટી કરવામાં આવી. જેમાં ગાંઠ નેઝોફેરિંક્સમાંથી ઊભી થતી હોવાનું સ્પષ્ટ થયું. પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં રાખીને બાળકને તાત્કાલિક ઈમરજન્સી ઓપરેશન થિયેટરમાંલઈ જવાયું. જ્યાં પીડિયાટ્રિક સર્જન ડૉ. જયદીપ ગણાત્રા દ્વારા અત્યંત કુશળતાપૂર્વક શસ્ત્રક્રિયા કરીને ગાંઠને સફળતાપૂર્વક દૂર કરવામાં આવી હતી. શસ્ત્રક્રિયા બાદ બાળકને 24 કલાક માટે મેકેનિકલ વેન્ટિલેશન પર રાખવામાં આવ્યુ. જે બાદ તેને સફળતાપૂર્વક એક્સ્ટ્યુબેટ કરવામાં આવ્યું હતુ. હાલ બાળકની સ્થિતિ સંપૂર્ણ રીતે સ્થિર છે. વેન્ટિલેટર વગર શ્વાસ લઈ રહ્યું છે અને ફીડિંગ શરૂ કરવામાં આવ્યું છે.નવજાત શિશુની સફળ સારવાર માટે જનાના હોસ્પિટલની સંયુક્ત ટીમનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. જેમાં એનેસ્થેસિયા વિભાગના ડૉ. ધ્વની અને તેમની ટીમ, પીડીયાટ્રીક હેડ ડૉ. પંકજ બુચ, ડૉ. મનાલી વિરપરિયા, ઓ.ટી. સ્ટાફ અને તેમની ટીમનો ઉત્તમ સહકાર મળ્યો હોવાનું સિવિલના આર.એમ.ઓ. ડો. હર્ષદ દૂસરાએ જણાવ્યુ છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 9:45 pm

હાઈકોર્ટે નબળી ગુણવત્તાવાળા પશુઆહારની ફરિયાદ ઉપર નોટિસ આપી:અરજદારનું કહેવું છે કે નબળી ગુણવત્તાનો પશુ આહાર આરોગ્યને નુકસાન કરે છે, છેવટે મનુષ્યને પણ અસર કરે છે

ગુજરાત હાઈકોર્ટે કેન્દ્રીય અને રાજ્ય અધિકારીઓને નોટિસ જારી કરી છે, જેમાં એક અરજીમાં ફરિયાદ કરવામાં આવી છે કે ભારતીય માપદંડ બ્યુરો (BIS) કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) ના કોઈપણ અધિકારી નબળી ગુણવત્તાવાળા મિશ્રિત પશુઆહારની ફરિયાદો પર કાર્યવાહી કરવા તૈયાર નથી,જેનું ઉત્પાદન અને વેચાણ ગુણવત્તા ચિહ્ન વિના થાય છે. જુનાગઢના પશુપાલકે ફરિયાદ કરી છે કે નબળા પશુઆહારનું વેચાણ પશુઓમાં આરોગ્ય સમસ્યાઓ ઉભી કરશે અને તેના કારણે ડેરી ઉત્પાદનો ખાતા મનુષ્યો પણ પ્રભાવિત થશે. અરજદારે વકીલ દીપલ રવૈયા દ્વારા અરજી કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે BIS અધિકારીઓને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટની કલમ 16(5) હેઠળ નબળા મિશ્રિત પશુઆહાર બનાવનાર અને વેચનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા કહેવામાં આવ્યું હતું. નબળા પશુ આહાર બનાવનાર અને વેચનારની યાદી અધિકારીઓને આપી RTI અને નિયમોની વિગતોRTI હેઠળ તપાસ કરીને અરજદારે નબળા પશુ આહાર બનાવનાર અને વેચનારની યાદી અધિકારીઓને આપી છે, કારણ કે આવું વેચાણ પશુઓના આરોગ્ય, ડેરી ઉત્પાદન અને જનતા માટે જોખમી છે. અરજદારના વકીલે હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરી કે BISમાં નોંધણી ફરજિયાત છે અને પશુઆહારના ઉત્પાદન-વેચાણ માટે IS 2052 ચિહ્ન જરૂરી છે, પરંતુ ઉત્પાદનો મોટા ભાગે વિના પાલન કરીને વેચાય છે . અરજદારે FSSAI, BIS, તેમના કાર્યાલયો અને ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનના કમિશનરને પશુઆહાર બનાવનારને માર્ગદર્શિકાઓનું પાલન કરાવવા અને ખોટા વેપારને રોકવા દિશા-નિર્દેશ માંગ્યા છે. આ માંગનું કારણ એમ કહેવામાં આવ્યું કે નબળો આહાર પશુઓમાં મેટાબોલિક ડિસઓર્ડર, ઝેરીતા અને નિર્બંધ્યતા પેદા કરે છે, જે મનુષ્ય આરોગ્યને પણ અસર કરી શકે છે.પ્રારંભિક સુનાવણી પછી હાઇકોર્ટે અધિકારીઓને નોટિસ જારી કરી અને 29 જાન્યુઆરી સુધી જવાબ માંગ્યો છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 9:41 pm

શ્રીજીધામ મંદિરમાં 1111 કિલો પ્રસાદનો ભોગ ધરાવાયો:અમદાવાદમાં શિક્ષાપત્રી દ્વિ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા શ્રીજીધામ સ્વામિનારાયણ મંદિરમાં પુત્રદા એકાદશીના દિવસે શિક્ષાપત્રી દ્વિ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થયો. આ પ્રસંગે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહોત્સવ અંતર્ગત ભગવાનને 1111 કિલો ગોળનો મહાપ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. આ વિશાળ પ્રસાદના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા.ભગવાનને ધરાવવામાં આવેલો આ ગોળનો પ્રસાદ શુક્રવારે હરિભક્તોને વિતરણ કરવામાં આવશે. આ પ્રસંગે ઉપસ્થિત હરિભક્તોએ શિક્ષાપત્રીનું પઠન અને ભજન કીર્તન કર્યા હતા. શ્રીજીધામ મંદિર તેની ભવ્ય કલા કોતરણી માટે જાણીતું છે. મંદિરમાં સવાર-સાંજ આરતી ઉતારવામાં આવે છે અને દરરોજ સવારે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લે છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 9:40 pm

CM ભૂપેન્દ્ર પટેલની ગ્રામ્ય વિકાસને મોટી ભેટ!:34 જિલ્લા પંચાયત પ્રમુખોને મળશે 1 કરોડની ગ્રાન્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નવો વેગ મળશે

રાજ્યના ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી અને સર્વસમાવેશી વિકાસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ જનહિતલક્ષી નિર્ણય લીધો છે. રાજ્યની તમામ 34 જિલ્લા પંચાયતોના પ્રમુખોને સ્થાનિક અગત્યતા ધરાવતા વિકાસ કામો માટે વાર્ષિક રૂ. 1 કરોડની વિવેકાધીન ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ રાજ્યમાં ધારાસભ્યોને વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત વિકાસ કામો માટે રૂ. 2.5 કરોડની ગ્રાન્ટ આપવામાં આવે છે. તે જ રીતે ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસને વધુ વેગ મળે અને સ્થાનિક જરૂરિયાતોને પ્રાથમિકતા આપી શકાય તે હેતુથી જિલ્લા પંચાયત પ્રમુખોને પણ વિવેકાધીન ગ્રાન્ટ ફાળવવાની રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા પંચાયત પ્રમુખોની રજૂઆતોને સકારાત્મક અને ત્વરિત પ્રતિસાદ આપતાં સામાન્ય વહીવટ વિભાગને આ નિર્ણય અમલમાં મૂકવા દિશાનિર્દેશો આપ્યા છે. આ નિર્ણયથી ગામડાઓમાં જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સુવિધાઓ અને વિકાસ કામોને નવી ગતિ મળશે તેમ માનવામાં આવી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 9:39 pm

ગોધરામાં ત્રણ અલગ ઘટનાઓ: જુગાર, રજીસ્ટર ભંગ, બિભત્સ વીડિયો વાયરલ:પોલીસે 3ની ધરપકડ કરી, 2 દુકાનદારો સામે કાર્યવાહી, IT એક્ટ હેઠળ ફરિયાદ

ગોધરા શહેરમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ ત્રણ અલગ-અલગ ઘટનાઓ નોંધાઈ છે. પોલીસે જુગાર રમતા ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા છે, જ્યારે બે સ્ક્રેપ દુકાનદારો સામે ખરીદ-વેચાણનું રજીસ્ટર ન નિભાવવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, એક યુવાનનો બિભત્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવા બદલ એક ઈસમ સામે ફરિયાદ નોંધાઈ છે. જુગારના દરોડામાં ત્રણ ઝડપાયાપંચમહાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચના બાદ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે જુગાર વિરોધી ઝુંબેશ હાથ ધરી હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે, પોલીસે 30 ડિસેમ્બરના રોજ પોલન બજાર, ડોડપા ફળિયામાં આવેલી જય અંબે બેકરી પાસે અને બળિયાદેવ મંદિર નજીકની ખુલ્લી જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં પોલન બજારમાંથી મોહસીન ઝિયાઉદ્દીન ટપલા (રોકડ ₹220), જય અંબે બેકરી પાછળથી સચિન રાજેન્દ્રભાઈ રાણા (રોકડ ₹360) અને બળિયાદેવ મંદિર પાસેથી કિરીટભાઈ અંબાલાલ પારેખ (રોકડ ₹310) આંકડાનો જુગાર રમતા ઝડપાયા હતા. તેમની પાસેથી જુદા-જુદા આંકડા લખેલી સ્લીપ બુક પણ મળી આવી હતી. પોલીસે ત્રણેય ઈસમોની અટકાયત કરી જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે. ગોધરા શહેરના બે સ્ક્રેપ દુકાનદારો સામે કાર્યવાહીબીજી એક ઘટનામાં, પંચમહાલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસે ગોધરા શહેરના બે સ્ક્રેપ દુકાનદારો સામે કાર્યવાહી કરી છે. આ દુકાનદારો જૂના વાહનોના સ્પેરપાર્ટ્સના ખરીદ-વેચાણનું રજીસ્ટર નિભાવવામાં નિષ્ફળ રહ્યા હતા, જે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ હતો. SOG સ્ટાફના પેટ્રોલિંગ દરમિયાન ગોધરા શહેરના સિમલા વિસ્તારમાં આવેલી હનીફ સ્ક્રેપ ટ્રેડર્સ અને ગોદડ સ્ક્રેપ ટ્રેડર્સ નામની દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી. દુકાન સંચાલકો મોહમ્મદ હનીફ અબ્દુલ મજીદ ભાઈજમાલ અને મોહમ્મદ શોએબ ફારુક ગોદડ પાસે ખરીદ-વેચાણનું રજીસ્ટર ન મળતા, 30 ડિસેમ્બરના રોજ તેમની સામે જાહેરનામા ભંગ હેઠળ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. એક યુવાનનો અજાણી સ્ત્રી સાથેનો બિભત્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલત્રીજી ઘટનામાં, ગોધરા શહેરના સિગ્નલ ફળિયા વિસ્તારમાં રહેતા એક યુવાનનો અજાણી સ્ત્રી સાથેનો બિભત્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેને પગલે ફરિયાદ નોંધાઈ છે. મીમ મસ્જિદ પાછળ રહેતા 41 વર્ષીય આધેડે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું કે 27 ડિસેમ્બરના રોજ સાંજે તેમના દીકરાનો અજાણી સ્ત્રી સાથેનો બિભત્સ વીડિયો રોહિલ ગુણીયા નામના ઈસમે વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કર્યો હતો, જેના કારણે તે સોશિયલ મીડિયામાં ફેલાઈ ગયો હતો. પોલીસે વીડિયો વાયરલ કરનાર ઈસમ સામે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 9:39 pm

નવા વર્ષને આવકારવા રાજકોટીયન્સ તૈયાર:પોલીસ દ્વારા વાહન ચેકિંગની સાથે મોબાઈલ ફોરેન્સિક વાનમાં શકમંદનું ટેસ્ટિંગ; બોલિવૂડ સોન્ગ પર ઝૂમવા યુવાઓ તૈયાર

રાજકોટમાં વર્ષ 2025ને ગુડબાય કરી વર્ષ 2026નું વર્ષનું ધમાકેદાર વેલકમ કરવા શહેરીજનો તૈયાર થઈ ગયા છે. શહેરના ક્લબો-પાર્ટી પ્લોટ અને ઠેર ઠેર રાત્રિના સમયે નવા વર્ષની ઉજવણી કરવા મોટી જનમેદની જોવા પડશે. બોલિવૂડ સોન્ગ્સ પર લોકો ઠુમકા લગાવતા જોવા મળશે. આ સાથે જ રાત્રિના 12 વાગતા જ શહેરના રસ્તાઓ અને આકાશ રોશનીથી ઝળહળી ઉઠશે અને ભવ્ય આતશબાજી જોવા મળશે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 9:28 pm

મહીસાગર પોલીસે ₹1.42 કરોડનો દારૂનો નાશ કર્યો:આઠ તાલુકાના પોલીસ મથકોમાં પકડાયેલ જથ્થો નષ્ટ કરાયો

મહીસાગર જિલ્લા પોલીસે મોટા પાયે કાર્યવાહી કરી છે. જિલ્લાના આઠ તાલુકાના પોલીસ મથકોમાં પકડાયેલ આશરે ₹1.42 કરોડના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. આ દારૂનો નાશ સંતરામપુર અને બાલાસિનોર એમ બે સ્થળોએ કરવામાં આવ્યો હતો. સંતરામપુર, કડાણા અને ડીટવાશ પોલીસ મથકો દ્વારા જપ્ત કરાયેલો દારૂ વાજિયાખુટ જંગલ વિસ્તારમાં નષ્ટ કરાયો, જ્યારે બાલાસિનોર, વિરપુર અને લુણાવાડા પોલીસ મથકોનો દારૂ મુલતાનપુરા-ભાંથલા વિસ્તારમાં નાશ કરાયો. આ કાર્યવાહીમાં કુલ આશરે 54,000 વિદેશી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસને જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ-ચાર મહિનામાં પ્રોહિબિશન એક્ટ હેઠળ જપ્ત કરાયેલા વિદેશી દારૂનો મુદ્દામાલ નામદાર કોર્ટના આદેશ અનુસાર નાશ કરવામાં આવ્યો છે. લુણાવાડા, સંતરામપુર અને બાલાસિનોર પ્રાંતના સહયોગથી આશરે ₹1.42 કરોડથી વધુ કિંમતની 54,000 બોટલોનો નાશ કરાયો. તેમણે 31મી ડિસેમ્બરના સંદર્ભમાં જિલ્લાના નાગરિકોને ઘરમાં પરિવાર સાથે શાંતિપૂર્ણ ઉજવણી કરવા વિનંતી કરી હતી. પોલીસ વડાએ ચેતવણી આપી હતી કે, કોઈપણ કાયદા કે નિયમોનો ભંગ કરનાર સામે મહીસાગર પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરશે અને આવી પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહીં.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 9:26 pm

થર્ટી ફર્સ્ટને લઈ ભરૂચ પોલીસ એલર્ટ:નશેડીઓને પકડવા માટે જિલ્લામાં તમામ પોલીસ મથકો અને ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ

ભરૂચ જિલ્લામાં 31 ડિસેમ્બર અને નવા વર્ષ 2026ના સ્વાગતને લઈ પોલીસ વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયો છે. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સંધ્યાકાળથી જ સઘન વાહન ચેકિંગ તથા પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. વર્ષના અંતિમ દિવસે લોકોમાં ઉજવણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભરૂચ શહેરના સિટી સેન્ટર તેમજ નર્મદા કોલેજ નજીક 31 ડિસેમ્બરની પાર્ટીઓનું આયોજન કરવામાં આવતાં પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. ભરૂચ શહેર એ-ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં પીઆઈ આર.એમ.વસાવાની હાજરીમાં પાંચબત્તી સર્કલ, શક્તિનાથ અને શ્રવણ ચોકડી વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું હતું. જ્યારે સી-ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં પીઆઈ વી.એ.ડોડીયાની દેખરેખ હેઠળ કસક સર્કલ, ઝાડેશ્વર ચોકડી અને એબીસી સર્કલ સહિતના વિસ્તારોમાં વાહનચાલકોની ચેકિંગ કરવામાં આવી હતી. બી ડિવીઝન પોલીસ મથકના પીઆઈ વી.એસ. વણઝારા દ્વારા વિસ્તારમાં દહેજ હાઈવે, બાયપાસ ચોકડી અને મહોમદપુરા વિસ્તારમાં વાહન ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં વાહન ચાલકોને બ્રેથ મશીન દ્વારા ચેક પણ કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત 31 ડિસેમ્બરના રોજ જિલ્લામાં આવતા ફાર્મહાઉસો તથા હોટલો પર પણ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહી છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડક નજર રાખવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 9:25 pm

મોરબી મહાનગરપાલિકાને એક વર્ષ પૂર્ણ:સનાળા ગામે આતિશબાજી કરી ભવ્ય ઉજવણી કરાઈ, ધારાસભ્ય-કમિશનર હાજર

મોરબી મહાનગરપાલિકાની રચનાને એક વર્ષ પૂર્ણ થતાં સનાળા ગામ પાસે આવેલી પટેલ સમાજ વાડી ખાતે આતિશબાજીનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે, ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા અને સંજય સોની સહિતના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે મહાપાલિકાને સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થયું છે. આ ઉજવણીના ભાગરૂપે ૪.૫૦ લાખ રૂપિયાના ખર્ચે ૪૦ મિનિટ સુધી આતિશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આગામી સમયમાં મોરબીના લોકોને સારા ગાર્ડન, સારી લાઇબ્રેરી, કોમ્યુનિટી હોલ અને સારા રોડ રસ્તા સહિતની અનેક સુવિધાઓ પૂરી પાડવા માટે વિકાસ કામો હાથ ધરવામાં આવશે. રાજ્યમાં ગત તા. ૧/૧/૨૫ પહેલા આઠ મહાનગરપાલિકાઓ હતી. ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા એકીસાથે નવ નવી નગરપાલિકાઓની રચના કરવામાં આવી હતી, જેમાં મોરબી નગરપાલિકાને પણ મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો હતો. મોરબી મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર તરીકે સ્વપ્નિલ ખરેની નિમણૂક કરવામાં આવી હતી. છેલ્લા એક વર્ષથી તેમના માર્ગદર્શન હેઠળ મોરબી શહેરના લોકોની સુખાકારીમાં વધારો કરવા તેમજ ગેરકાયદેસર બાંધકામો તોડવા સહિતની કામગીરી જુદા જુદા વિસ્તારોમાં કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 9:23 pm

નવા વર્ષને આવકારવા વડોદરાવાસીઓ તૈયાર:દુમાડ, વાઘોડિયા અને તરસાલી સહિત મુખ્ય માર્ગો પર પોલીસનો લોખંડી બંદોબસ્ત, વાહનોનું ચેકિંગ શરૂ

વડોદરાવાસીઓ વર્ષ 2025ને ગુડબાય કરવા અને વર્ષ 2026નું ધમાકેદાર વેલકમ કરવા તૈયાર થઈ ગયા છે. થર્ટી ફર્સ્ટને લઈ શહેરના ક્લબો-પાર્ટી પ્લોટ સહિત ઠેર ઠરે ડીજે પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે નવા વર્ષની ઉજવણી કરવા મોટી સંખ્યામાં શહેરી જનો ઉમટી પડશે અને બોલિવૂડ સોન્ગ્સ પર યુવાધન ઠુમકા લગાવશે. આ સાથે જ રાત્રિના 12 વાગતા જ શહેરના રસ્તાઓ અને આકાશ રોશનીથી ઝળહળી ઉઠશે અને ભવ્ય આતશબાજી જોવા મળશે. થર્ટી ફર્સ્ટની ઉજવણીને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સખત કરી દેવામાં આવી છે. શહેરમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને અને નશાખોરો પર લગામ કસી શકાય તે માટે શહેરના તમામ પ્રવેશદ્વારો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને આજવા ચેક પોસ્ટ ખાતે પોલીસ દ્વારા કડક જાપ્તો ગોઠવવામાં આવ્યો છે, જ્યાં ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર સહિતના તમામ વાહનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 9:12 pm

2025ની વિદાયને આડે ગણતરીની જ કલાકો બાકી:પાર્ટીની મજા સાથે નવા વર્ષને આવકારવા સુરતીઓ તૈયાર; પોલીસે વાહનચાલકોનું ચેકિંગ શરૂ કર્યું, નશેડીઓની ખેર નહિ

2025ને ગુડબાય કરી નવા વર્ષ 2026નું ધમાકેદાર વેલકમ કરવા સુરતીલાલાએ તૈયાર થઈ ગયા છે. શહેરના ક્લબો-પાર્ટી પ્લોટ અને ઠેર-ઠેર રાત્રિના સમયે નવા વર્ષની ઉજવણી કરવા મોટી જનમેદની ઉમટી પડશે. યુવાધન બોલિવૂડ સોન્ગસ પર ઠુમકા લગાવતું જોવા મળશે. રાત્રિના 12 વાગતાની સાથે જ આકાશ રોશનીથી ઝળહળી ઉઠશે સુરતની ‘સૂરત’માં ચાર ચાંદ લાગી જશે. નવા વર્ષની ભવ્ય આતશબાજીના આયોજનને પગલે પોલીસ પણ એકશનમાં જોવા મળી રહી છે. હાલમાં જાહેર માર્ગો પર પોલીસ દ્વારા વાહનચાલકોનું કડક ચેકિંગ થઈ રહ્યું છે. સુરત શહેરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી સુરક્ષિત રીતે સંપન્ન થાય તે હેતુથી સુરત પોલીસ અત્યારે સંપૂર્ણ રીતે એલર્ટ મોડ પર છે, જેના ભાગરૂપે તમામ પાર્ટી પ્લોટ અને ઉજવણીના સ્થળો પર અત્યાધુનિક AI કેમેરા ગોઠવવામાં આવ્યા છે. આ કેમેરાનું સીધું જોડાણ સુરત પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ સાથે કરવામાં આવ્યું છે, જ્યાંથી પોલીસ અધિકારીઓ દ્વારા દરેક ગતિવિધિનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે. આ ટેકનોલોજીની મદદથી નિર્ધારિત મર્યાદા કરતા વધુ ભીડ એકઠી ન થાય, લોકોની અવર-જવર પર ચોકસાઈપૂર્વક નજર રહે અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાતા ત્વરિત પગલાં ભરી શકાય તે માટે પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 8:40 pm

વર્ષ 2026ને આવકારવા અમદાવાદીઓ તૈયાર:દર્ષણ છ રસ્તા સહિત શહેરમાં ઠેર-ઠેર પોલીસનું વાહન ચેકિંગ, ડીજેના તાલે યુવાધન હિલોળે ચડશે

અમદાવાદીઓ વર્ષ 2025ને ગુડબાય કરવા અને વર્ષ 2026નું ધમાકેદાર વેલકમ કરવા તૈયાર થઈ ગયા છે. થર્ટી ફર્સ્ટને લઈ શહેરના ક્લબો-પાર્ટી પ્લોટ સહિત ઠેર ઠરે ડીજે પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે નવા વર્ષની ઉજવણી કરવા મોટી સંખ્યામાં શહેરી જનો ઉમટી પડશે અને બોલિવૂડ સોન્ગ્સ પર યુવાધન ઠુમકા લગાવશે. જોકે, થર્ટી ફર્સ્ટની રાત્રે નશો કરનારાઓને ઝડપવા માટે બ્રેથ એનેલાઈઝર અને ડ્રગ્સ ડીકેક્શન કિટ સાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પાર્ટી દરમિયાન યુવતીઓની સુરક્ષા માટે 'શી' ટીમની મહિલા જવાનો ઓફડ્રેસમાં જ પાર્ટીમાં હાજર પણ જોવા મળશે. તો બીજી તરફ સી.જી. રોડના સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધી 31 ડિસેમ્બરના સાંજે 6 વાગ્યાથી મોડીરાતના 3 વાગ્યા સુધી તમામ પ્રકારનાં વાહનો માટે પ્રવેશ બંધી લગાવવામાં આવી છે. જ્યારે સિંધુ ભવન રોડ પર ઝાઝરમાન ચાર રસ્તાથી તાજ સ્કાય લાઈન ચાર રસ્તા સુધીનો બંને તરફનો માર્ગ બંધ રહેશે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 8:40 pm

‘ઇંગ્લિશની વાત કરો છો?, અત્યારે દેશીવાળા ફાંફા મારે છે’:કેમેરામાં કેદ થયા બુટલેગર, સેકન્ડોમાં દારૂના બોટલની ડિલ, અમદાવાદમાં 31st પર દારૂનો ધીકતો ધંધો

ગુજરાતમાં દારૂ ખરીદવો એ શાકભાજી ખરીદવા જેટલું સરળ હોય એમ લાગી રહ્યું છે. તેનો જીવતો જાગતો દાખલો દિવ્ય ભાસ્કરને કેમેરામાં કેદ થયો છે. ગુજરાતમાં દારૂબંધી ભલે હોય પણ કદાચ કોઈ એવો દિવસ બાકી નથી જ્યારે ક્યાંયથી પણ દારૂ ઝડપાય નહીં. એક સાથે કરોડો રૂપિયાનો દારૂ પકડાયાના કેસ ગુજરાતમાં નજીકના ભૂતકાળમાં બની ચૂક્યા છે અને એમાં પણ વાત જ્યારે 31stની ઉજવણી આવે તો પોલીસે દારૂપીધેલા લોકોને ઝડપવા માટે ખાસ ડ્રાઇવ ચલાવવી પડે છે. આ વખતે પણ બ્રેથ એનલાઇઝર લઈને પોલીસકર્મીઓની તૈનાતી કરી દેવામાં આવી છે. દિવ્ય ભાસ્કરે અમદાવાદમાં બે અલગ-અલગ પ્રકારે બુટલેગરોને સંપર્ક કર્યો અને તેમની પાસેથી દારૂ ખરીદવા માટેનો પ્રસ્તાવ મૂક્યો. ગણતરીની મિનિટોમાં જ બુટલેગર દારૂ આપવા માટે તૈયાર થઈ ગયા અને કઈ બ્રાંડની કેટલી બોટલ જોઈએ છે એ પણ પુછીને જાણે ઓર્ડર લખતા હોય એ રીતે તત્પરતા દર્શાવી. સૌથી પહેલાં અમને અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાંથી એક સ્થાનિક વ્યક્તિ મળી. જેણે એક બુટલેગર સાથે વાત કરી અને ત્યાર બાદ બુટલેગરનો નંબર આપીને ડિલ કરી લેવા માટે કહ્યું. ફોન પર બુટલેગર સાથે થયેલી વાતચીત પરથી તમને અંદાજો આવી જશે કે ગુજરાતના સૌથી મોટા શહેર એવા અમદાવાદમાં બુટલેગર કેવી રીતે બેફામ થઈને દારૂનો ધંધો કરી રહ્યા છે. રિપોર્ટર: કાલ (31 ડિસેમ્બર) માટે માલ (દારૂ) જોઇએ છે. બુટલેગર: અત્યારે બંધ છે. રિપોર્ટર: બીજા પાસેથી કરવી આપો. બુટલેગર: બીજા પાસેથી મંગાવવું હોય તો મંગાવી દઉં. કયું (બ્રાંડ) જોઈએ છે? રિપોર્ટર: કયું-કયું મળશે? મને એમાં ઓછો આઇડિયા છેબુટલેગર: તમારે જે રીતે કયુ કયુ જોઈએ છે એ નામ કહી દો એટલે હું સામે #$%# પૂછી જોઉં. રિપોર્ટર: R@#$% (બ્રાંડનું નામ) મળશે? બુટલેગર: એ તો ચાલો પુછી જોઉં રિપોર્ટર: અને B*$# (બ્રાંડનું નામ) મળશે? બુટલેગર: એ પણ પૂછીને તમને કહું કે આ છે રિપોર્ટર: પણ ભાવ વ્યાજબી કરાવડાવજો. બુટલેગર: હા… હા… વાંધો નહીં. બુટલેગર એકદમ અજાણ્યો હતો તેમ છતાં જાણે તેના માટે આવા ગ્રાહકો મળવા એકદમ સામાન્ય બાબત હોય એ રીતે વાતચીત કરી રહ્યો હતો. ફોન પર વાતચીત થયા બાદ અમે નક્કી કર્યું કે હવે બીજા બુટલેગર સાથે રૂબરૂ મળીને ડિલ કરવી જોઈએ. અમને સૂત્રો મારફતે જાણકારી મળી કે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં જાહેરમાં કેટલાક લોકો બેઠાં હોય છે અને તેઓ મોટા બુટલેગર વતી ડિલ કરતા હોય છે. જો કે તેઓ અજાણ્યા માણસને માલ (ઇંગ્લિશ દારૂની બોટલ ) આપતા નથી. પરંતુ તમે પ્રયાસ કરો અને વધારે પૈસાની લાલચ આપશો તો કદાચ તમારી પાસેથી વધારે રૂપિયા લઈને તમને માલ આપશે. પ્લાન મુજબ અમે 30 ડિસેમ્બરની રાત્રે અમરાઈવાડી વિસ્તારમાં ગયા. અમે અમરાઈવાડી મેટ્રો સ્ટેશન નીચે એક બાઇક પર વ્યક્તિ બેઠો હતો. અમે સીધા જ જઈને તેને મળ્યા અને દારૂ ખરીદવાની વાત કરી. અમે અજાણ્યા હોવાથી તેણે શરૂઆતમાં તો અમારી સાથે ખુલીને વાત ન કરી. પરંતુ થોડી વાતચીત થયા બાદ તેના મનમાંથી કદાર ડર નીકળી ગયો અને ખુલીને દારૂ બાબતે વાતચીત કરવા લાગ્યો. પહેલાં તો પોતે ધંધો છોડી દીધા હોવાનું રટણ કર્યું અને ત્યાર બાદ બીજી કોઈ વ્યક્તિ પાસેથી અપાવી દેવાના નામે ફોન ઘુમેડવા લાગ્યો. બુટલેગરના સ્ટિંગ ઓપરેશન સમયની વાતચીત વાંચો. રિપોર્ટર: માલ (ઇંગ્લિશ દારૂની બોટલ ) મળશે? બુટલેગર: બંધ છે હાલ તો. રિપોર્ટર: પુછી જુઓને કોઈની પાસેથી મળી જાય. બુટલેગર: અહીંયાંથી લઈને તુંરિપોર્ટર: ક્યાંથીબુટલેગર: ગાંધીનગરથી રિપોર્ટર: મને ત્યાં કોઈ નથી ઓળખતુંબુટલેગર: ઓળખવાનું નહીં… ત્યાં ગિફ્ટ સિટીમાં મળે છે. રિપોર્ટર: એ તો ત્યાં બેસીને પીવા માટે મળે છે, બહાર લઈ જવા માટે નથી મળતુંબુટલેગર: તારે જોઇએ છે કેટલી બોટલ? રિપોર્ટર: મારે… દસેક નંગ.. જે થતું હશે એ આપી દઈશુંબુટલેગર: બધી હાઇફાઇ જ જોઈતી હશે ને? રિપોર્ટર: ના…ના… જે મળી જાય એ ચાલશે. મને ડિલિવરી આપી દેતા હોય તો પણ વાંધો નથી.બુટલેગર: અત્યારે કોઈ ડિલિવરી ન આપે. આટલી વાતચીત થયા પછી બુટલેગરે કોઈને ફોન કર્યો અને દારૂ લાવવા માટે વાતચીત કરી. સામેવાળી વ્યક્તિ શું બોલે છે એ તો સંભળાયું નહીં. પણ બુલટેગરની વાતચીત પરથી અંદાજો લગાવી શકાય છે કે શું-શું વાતચીત થઈ હોઈ શકે! બુટલેગર: આટલામાં ક્યાંક ચાલુ હોય?સામેની વ્યક્તિ-બુટલેગર: બોટલસામેની વ્યક્તિ-બુટલેગર: એવું છે? સામેની વ્યક્તિ-બુટલેગર: નંગ જોઈએ છે નંગ. મારો ભાઈબંધ છે. 10 જોઈએ છે. સામેની વ્યક્તિ-બુટલેગર: એણે મને ફોન કર્યો. બાકી મારે જોઈતું હોય તો શું જોઈતું હતું. મારું જ બંધ છે પછી તો… સામેની વ્યક્તિ-બુટલેગર: સારું વાંધો નહીં. તું આવ તો ખરો. ફોન મૂક્યા પછી બુટલેગરે કહ્યું, બધેય 31stને લીધે લોચાવાળુ કામકાજ છે. તું ઇંગ્લિશની વાત કરે છે, અત્યારે તો દેશીવાળા ફાંફા મારે છે. બુટલેગરે બાઈક પર બેઠાં-બેઠાં ન જાણે કોની સાથે વાત કરી, પરંતુ થોડી જ વારમાં અન્ય કેટલાક લોકો અમે ઉભા હતા ત્યાં પહોંચી ગયા. આવતાની સાથે જ તેમણે અમને ફોન બંધ કરીને ખીસ્સામાં મૂકી દેવા કહ્યું. ત્યાર બાદ સવાલ કર્યો કે તમારે કયો માલ ક્યારે જોઈએ છે? અમે કહ્યું, આવતીકાલે એટલે કે 31 ડિસેમ્બરે સાંજે ચાર વાગ્યા સુધીમાં મળી જાય એવી રીતે ગોઠવી આપો. બુટલેગરના માણસોએ હામી ભરી અને નક્કી કરેલા સમયે રોકડા રૂપિયા લઈને આવી જવા માટે કહ્યું. આટલી વાતચીત થયા બાદ અમે ત્યાંથી નીકળી ગયા. ત્યાર બાદ બુટલેગરનો કોઈ પણ પ્રકારે સંપર્ક કર્યો નથી. પરંતુ બે અલગ-અલગ જગ્યાએ કરેલા પ્રયાસોથી એટલું તો સ્પષ્ટ થઈ ગયું કે અમદાવાદમાં અનેક જગ્યા પર આવી રીતે દારૂનો ધંધો ચાલી રહ્યો છે. અમરાઈવાડી મેટ્રો સ્ટેશન નીચે ખુલ્લેઆમ બુટલેગરો દારૂ માટે ગ્રાહક સાથે ડીલ કરે છે. આ જ રીતે અમે રબારી કોલોની વિસ્તારમાં પણ કેટલાક એવા લોકો સાથે વાત થઈ જેઓ દારૂનો ધંધો કરે છે. જો કે આ ઘટનાક્રમ કેમેરામાં કેદ થઈ શક્યો નથી. પરંતુ ત્યાં પણ એવું જાણવા મળ્યું કે ત્યાં બારેમાસ દારૂ વેચે છે. અનેકવાર પોલીસના દરોડા પણ પડે ત્યારે થોડા દિવસ ધંધો બંધ રહે છે, પછી પાછું ચાલુ કરી દે છે. DGPના સીધા માર્ગદર્શન હેઠળ સ્ટેટ મોનિટરિંગ સેલ કામ કરે છે. 2024માં વર્ષના 365 દિવસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વાર રાજ્યભરમાં દારૂ અને જુગારના 534 કેસ કરવામાં આવ્યા હતા, જેમાં દારૂના સૌથી વધુ કેસ ગાંધીનગર રેન્જ, અમદાવાદ શહેર અને બોર્ડર રેન્જમાં કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરના ચોક્કસ વિસ્તારો ઉપરાંત રિંગ રોડ અને શહેરના છેવાડાનાં પોલીસ મથકોની હદમાંથી દરરોજ રાત્રે દારૂના સંખ્યાબંધ વાહનો પસાર થઇ રહ્યાં હોવાની વિગતો ગાંધીનગર બેઠેલા સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓને મળી જાય છે, પરંતુ સ્થાનિક પોલીસ એનાથી અજાણ હોય છે. વળી, સ્થાનિક પોલીસ દ્વારા પકડવામાં આવતા દારૂના કેસોને પણ આમાં સામેલ કરવામાં આવે તો આંકડો અનેકગણો વધી શકે છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 8:39 pm

જૂનાગઢમાં સહાયના નામે VCEએ લાખોનું કૌભાંડ આચર્યું:મૃતક ખેડૂતોના નામે ફોર્મ ભરી 9.49 લાખ હડપવાનો ખેલ રચ્યો, તપાસમાં 6 મૃતકો અને 12 ડબલ અરજીઓ મળતાં ભાંડો ફૂટ્યો

જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ખજુરી હડમતીયા ગામે સરકારી ખેતી સહાયમાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો પર્દાફાશ થયો છે, જેમાં ગ્રામ પંચાયતના VCE જયેશ ખંખાળીયાએ વર્ષો પહેલા મૃત્યુ પામેલા ખેડૂતો અને બોગસ આધારકાર્ડના આધારે આશરે 9.50 લાખ રૂપિયા હડપવાનું ષડયંત્ર રચ્યું હતું. ઓક્ટોબર-2025ના ભારે વરસાદ બાદ ખેડૂતો માટે જાહેર થયેલા રાહત પેકેજમાં આરોપીએ 30 જેટલી બોગસ અરજીઓ કરી, જેમાં પોતાની પત્ની સહિતના પરિચિતોના ડેટા સાથે ચેડાં કરી સરકારી તિજોરીને ચૂનો લગાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ગ્રામ સેવકની સતર્કતા અને TDOની તપાસમાં આ સમગ્ર ભ્રષ્ટાચાર બહાર આવતા ભેંસાણ પોલીસે વી.સી.ઈ. સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સરકારી તિજોરીને કરોડોનો ચૂનો લગાવવાનું ષડયંત્ર રચ્યુંઓક્ટોબર-2025માં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોનો તૈયાર પાક નિષ્ફળ ગયો હતો. આ નુકસાનીના વળતર રૂપે સરકારે પ્રતિ હેક્ટર સહાયની જાહેરાત કરી હતી. આ સહાય મેળવવા માટે ઓનલાઇન પોર્ટલ પર અરજી કરવાની જવાબદારી ગ્રામ પંચાયતના વી.સી.ઈ જયેશ રામજીભાઈ ખંખાળીયાને સોંપવામાં આવી હતી. આ પ્રક્રિયાનો લાભ ઉઠાવી જયેશ ખંખાળીયાએ સરકારી તિજોરીને કરોડોનો ચૂનો લગાવવાનું ષડયંત્ર રચ્યું હતું. ​મૃતક ખેડૂતોના નામે બોગસ અરજીઓ કરી કોભાંડ આચર્યુંતાલુકા પંચાયત કચેરીના ગ્રામ સેવક કેયુરકુમાર પ્રવિણભાઈ કથિરીયા દ્વારા કરવામાં આવેલી ચકાસણીમાં સ્તબ્ધ કરી દે તેવી વિગતો બહાર આવી. તપાસ દરમિયાન કુલ 30 જેટલી અરજીઓમાં ગંભીર વિસંગતતાઓ જણાઈ હતી. જે ખેડૂતો વર્ષો પહેલા મૃત્યુ પામ્યા હતા, તેમના નામે પણ સહાયના ફોર્મ ભરી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, આ ફોર્મમાં મૃતકોના બદલે અન્ય વ્યક્તિઓના અંગૂઠાના નિશાન અને ખોટી સહીઓ કરી તેને સાચા દસ્તાવેજ તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. 30 અરજીઓ દ્વારા 9,49,370ની રકમ હડપવાની કોશિશકૌભાંડ આચરવા માટે VCEએ ટેકનોલોજીનો દુરુપયોગ કર્યો હતો. સરકારી પોર્ટલ પર ડેટા એન્ટ્રી કરતી વખતે તેણે અસલી ખાતેદારોના આધારકાર્ડના બદલે પોતાના પરિવારના સભ્યો, મિત્રો અથવા પરિચિતોના આધારકાર્ડ નંબર એડિટ કરીને નાખ્યા હતા. તપાસમાં ખુલ્યું છે કે, આરોપીએ અરજીમાં પોતાની પત્ની સપનાબેન ખંખાળીયાના નામનું આધારકાર્ડ પણ જોડી દીધું હતું. આ રીતે કુલ 30 અરજીઓ દ્વારા 9,49,370ની રકમ હડપવાની કોશિશ કરવામાં આવી હતી.​ગ્રામ પંચાયત સ્તરે થતી આવી છેતરપિંડીથી અનેક પ્રશ્નો ઉભા થયાઆ ગેરરીતિની ગંધ આવતા તાલુકા વિકાસ અધિકારી (TDO) ભેંસાણ અને જિલ્લા ખેતીવાડી અધિકારી જૂનાગઢ દ્વારા ખાસ તપાસ ટીમની નિમણૂક કરવામાં આવી હતી. તપાસ સમિતિએ જ્યારે ગામમાં જઈને રૂબરૂ ચકાસણી કરી અને 20 જેટલા અરજદારોના નિવેદનો લીધા, ત્યારે સત્ય બહાર આવ્યું હતું. ઘણા ખેડૂતોએ જણાવ્યું કે, તેમણે ક્યારેય આવી કોઈ અરજી કરી જ નથી. તપાસમાં 6 મૃતકો અને 12 ડબલ અરજીઓ મળી આવી હતી. હાલ જ્યારે સરકાર ખેડૂતોને ઓનલાઇન વળતર ચૂકવી રહી છે, ત્યારે ગ્રામ પંચાયત સ્તરે થતી આવી છેતરપિંડીથી અનેક પ્રશ્નો ઉભા થયા છે. ખેડૂતોના નામે આવતી સહાય વચેટિયાઓ ખાઈ જાય તેવો આ ઘાટ ઘડાયો હતો. જો ગ્રામ સેવક દ્વારા સમયસર ચકાસણી કરવામાં ન આવી હોત, તો આ લાખોની રકમ આરોપીના મળતિયાઓના ખાતામાં જમા થઈ ગઈ હોત. અન્ય કોઈ મોટા માથાઓની સંડોવણી છે કે કેમ? તે અંગે તપાસજિલ્લા ખેતીવાડી શાખાના આદેશ બાદ, ગ્રામ સેવક કેયુરકુમાર કથિરીયાએ ભેંસાણ પોલીસ સ્ટેશનમાં વી.સી.ઈ. જયેશ રામજીભાઈ ખંખાળીયા સામે ગુનો દાખલ કરાવ્યો છે. પોલીસે આ મામલે છેતરપિંડી અને વિશ્વાસઘાતની વિવિધ કલમો હેઠળ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથાઓ કે સરકારી કર્મચારીઓની સંડોવણી છે કે કેમ?, ​આ ઘટનાને પગલે સમગ્ર ભેંસાણ પંથકમાં ચકચાર મચી ગઈ છે અને અન્ય ગ્રામ પંચાયતોમાં પણ ચાલી રહેલી ઓનલાઇન કામગીરી પર શંકાની સોય સેવવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 8:38 pm

જંગલેશ્વરના દબાણકર્તાઓનું હિયરિંગ પૂર્ણ:વહિવટી તંત્ર સમક્ષ 1350માંથી 900 મિલકત ધારકો હાજર; સરધારમાં બાબા સાહેબની પ્રતિમા હટાવવા મામલે 2 જાન્યુ.એ રેલી

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર 1350 જેટલા દબાણો ખડકાઈ ગયા હતા. આજે (31 ડિસેમ્બર) રિવરફ્રન્ટના નિર્માણ માટે વહીવટી તંત્ર દ્વારા અંદાજે રૂ.400 કરોડની જમીન ખુલ્લી કરાવવા કવાયત્ હાથ ધરવામાં આવી છે. ત્યારે દબાણકર્તાઓને પૂર્વ વિભાગના મામલતદાર દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને 29, 30 અને 31 ડિસેમ્બર એમ ત્રણ દિવસ હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી હતી. આ દરમિયાન કોંગ્રેસની આગેવાનીમાં જંગલેશ્વરના સ્થાનિકો દ્વારા સરકાર અને વહીવટી તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. જે બાદ ત્રણ દિવસ થયેલા હિયરિંગમાં 1350 મિલકત ધારકોને બોલાવવામાં આવ્યા હતાં. જોકે તેમાંથી 900 જેટલા મિલકત ધારકો હાજર રહ્યા હતા, જેમના દ્વારા લાઈટ બિલ અને વેરા બિલ રજૂ કરવામાં આવ્યા હતા. હવે ગેરહાજર રહેતા મિલકત ધારકોને ક્યારે બોલાવવામાં આવશે અને ફરી નોટિસ ક્યારે આપવામાં આવશે તેનો નિર્ણય વહીવટી તંત્ર દ્વારા એક-બે દિવસમાં લેવામાં આવશે. સરધારમાં બાબા સાહેબની પ્રતિમા હટાવનારા સામે રોષ, 2 જાન્યુઆરીએ રેલીરાજકોટ તાલુકાના સરધાર ગામે ડો. આંબેડકરની પ્રતિમા હટાવી નાખનારા સામે કડક પગલા લેવાની માગ સાથે આગામી 2 જાન્યુઆરીને શુક્રવારે સવારે 10 કલાકે રાજકોટના અમુલ સર્કલથી પોલીસ કમિશનર કચેરી સુધી સમસ્ત અનુસુચિત જાતિ સમાજના આગેવાનો રેલી યોજી આવેદનપત્ર સુપ્રત કરશે. સરધાર ગામે સર્વે નં.194ની આશરે 5 એકર જમીન ભાડા પટ્ટે છે, તેમાં 27/10/19ના સમાજના આગેવાનોએ ડો. આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કર્યુ હતુ. ગત 22/12/25ના રોજ આંબેડકરની પ્રતિમા ઉખેડી નખાતા જે અંગેની પોલીસમાં ફરિયાદ કરી હતી. આ પ્રતિમાને નુકશાન પહોંચાડનાર સ્વામીનારાયણનાં સાધુઓ માફી માગે છે, પરંતુ આ પ્રતિમાને ઉખેડી નાખનારને પકડી તેનું પોલીસ સરઘસ કાઢે, જેસીબીની જપ્તી, ડ્રાઈવરની ધરપકડ કરવી જેવી માંગણી છે. જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરવની ચીમકી ઉચ્ચારી છે. કલેક્ટર દ્વારા હવે સપ્તાહમાં ત્રણ દિવસ રેવન્યુ બોર્ડરાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા જિલ્લાના મહેસૂલી પ્રશ્નોના ઝડપી અને પારદર્શક ઉકેલ માટે એક મહત્વપૂર્ણ અભિગમ અપનાવવામાં આવ્યો છે. કલેકટરે હવેથી સપ્તાહમાં ત્રણ દિવસ રેવન્યુ બોર્ડ ચલાવવાનો નિર્ણય લીધો છે, જેના પરિણામે તાજેતરમાં જમીન તકરાર અને શરતભંગ સહિતના કુલ 58 જેટલા મહત્વના કેસોમાં ફાઇનલ ચુકાદો આપવામાં આવ્યો છે. રાજકોટ શહેર પ્રાંત-1 ના અધિકારી સમક્ષ ચાલી રહેલા કેસ નં. 11/25 માં, રૈયાના સ.નં. 318 પૈકી ‘સમન્વય કો.ઓ.હા.સો. લી.’ ના પ્લોટ નં. 16માં રહેણાંક હેતુ માટે ફાળવેલ જમીનમાં બાંધકામની શરતોનું પાલન ન થતા શરતભંગ જાહેર કરવામાં આવ્યો છે. આ મામલે સામાવાળા વિક્રમસિંહ દશરથસિંહ ગોહિલને શરતભંગ બદલ દંડની રકમ વસૂલવાનો અને આગામી 2 વર્ષમાં બાંધકામ પૂર્ણ કરી આધાર રજૂ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરની આ ઝડપી કાર્યપદ્ધતિ અને અઠવાડિયામાં ત્રણ દિવસ સુનાવણી રાખવાના નિર્ણયને કારણે લાંબા સમયથી પડતર પડેલા જમીન મહેસૂલ કેસો મોટાભાગના કેસોનો નિકાલ થયો છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 8:02 pm

ગોગા મહારાજ અને સધીમાતાના મંદિરમાં 6 લાખની ચોરી:ચિત્રોડીપુરા ગામે તસ્કરો છત્તર-નાગ સહિતના સોના-ચાંદીના આભૂષણો લઈ ફરાર

મહેસાણા તાલુકાના ચિત્રોડીપુરા ગામે આઠમણા મહોલ્લામાં આવેલા ગોગા મહારાજ અને સધીમાતાજીના મંદિરમાં રાત્રિ દરમિયાન અજાણ્યા તસ્કરોએ તાળા તોડી સોના-ચાંદીના આભૂષણો અને દાનપેટી મળી કુલ 5 લાખથી વધુના મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થયા છે. સમગ્ર ચોરીની ઘટના અંગે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદી રાતે મંદિર બંધ કરી ઘરે ગયાં હતાંમહેસાણા તાલુકામાં આથમણા વાસમાં રહેતા ઠાકોર પોપટજીએ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જણાવ્યું છે કે, 24 અને 25 ડિસેમ્બરની રાતે મહોલ્લામાં આવેલા સધી માતાજી અને ગોગા મહારાજના મંદિરે તેઓના કુટુંબી ભાઈઓ રમેણ કરવા માટે ભેગા થયા હતા. ત્યારબાદ એક વાગ્યા વાદ તમામ લોકો ઘરે ચાલ્યા ગયા હતાં, જ્યાં ફરિયાદીએ પણ મંદિર બંધ કરી પોતાના ઘરે ગયા હતા. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી25 ડિસેમ્બરના સવારે તેઓ મંદિરે આરતી કરવા આવ્યા એ દરમિયાન મંદિરનો નકુચો તૂટેલો જોઈ મંદિરમાં તપાસ કરી તો ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. તસ્કરો મંદિરમાંથી 1.80 લાખ કિંમતનું એક ચાંદીનું છત્તર,100 ગ્રામના 10,000 કિંમતના બે ચાંદીના છત્તર, બે તોલાનું સોનાનું છતર કિંમત 1 લાખ, ચાંદીના ઘોડિયા 4 નંગ કિંમત 20,000, ચાંદીના ઘોડિયા નાના 10 નંગ કિંમત 20 હજાર, ચાંદીના નાગ મોટા 4 નંગ કિંમત 1 લાખ, ચાંદીના નાગ નંગ 25 કિંમત 1.20 લાખ, ત્રિશૂળ કિંમત 500, એક દાન પેટી કિંમત 5 હજાર મળી કુલ 5 લાખ 55 હજાર 500 રૂ.ના મત્તાની તસ્કરો ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા. સમગ્ર ચોરીની ઘટના અંગે મહેસાણા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 8:02 pm

Editor’s View: વિશ્વગુરુની છબીને ખરડવાનો પ્રયાસ:ભારત-પાક. યુદ્ધ ટ્રમ્પે રોકાવ્યું? કોણ છે રિક્કી સિંઘ ગીલ? ચીનની એન્ટ્રી અને પાક. મંત્રી ધ્રુજ્યા

અમેરિકાના સર્વેસર્વા ટ્રમ્પે 70થી વધુ વાર દાવો કર્યો છે કે ઓપરેશન સિંદૂર બાદ ભારત પાકિસ્તાન વચ્ચે સરહદી સંઘર્ષ મેં બંધ કરાવ્યો છે. એવામાં હવે યશ ખાટવા માટે ચીન પણ મેદાનમાં આવ્યું છે. બેઈજિંગ દાવો કરી રહ્યું છે કે તેમના દબાણને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ સ્થપાઈ. 6-7 મેની રાતે જ્યારે લશ્કરી સંઘર્ષ વધ્યો હતો ત્યારે ચીને સંયમ રાખવા અપીલ કરી હતી અને ફક્ત એટલું જ કહ્યું હતું કે, અમારી તમામ પરિસ્થિતિ પર નજર છે. આ બધુ જ ચાલી રહ્યું હતું એવામાં હમણા અમેરિકાએ ભારતીય મૂળના રણજિત સિંઘ ગીલ ઊર્ફે રિક્કીને મોટો એવોર્ડ આપ્યો છે. એવોર્ડ આપવાનું કારણ જણાવ્યું છે કે રિક્કીએ જ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલો લશ્કરી સંઘર્ષ અટકાવ્યો હતો. વધુમાં લખ્યું છે સીઝફાયર કરાવવામાં તેમની અસાધારણ ભૂમિકા રહી છે. શું છે પૂરો મામલો? કોણ સાચું કોણ ખોટું? શું આપણાથી કંઈ છૂપાવવામાં આવી રહ્યું છે? વિગતે વાત કરીએ… નમસ્કાર... ભારતીય બંધારણના આમુખના ઘણા મહત્વના શબ્દોમાં એક શબ્દ છે, સોવર્નિટી જેનો ગુજરાતીમાં અર્થ થાય છે સાર્વભૌમત્વ. ઉદાહરણ તરીકે સમજવું હોય તો મારા ઘરના નિર્ણયો હું જ લઈશ, પાડોશી મને શીખામણ કે દબાણ કરશે નહીં. એવામાં અમેરિકાએ છાતી પીટીને કહ્યું છે કે અમારા માણસે ઓપરેશન સિંદૂર બાદ ભારત પાકિસ્તાન વચ્ચે સરહદી સંઘર્ષ અટકાવ્યો હતો. અમેરિકાન VP ભારતમાં અને પાકિસ્તાનો હુમલો વિગતવાર વાર્તાની શરૂઆત થાય છે 22 એપ્રિલ 2025ના રોજ. પહેલગામમાં 26 નિર્દોષ પ્રવાસીઓની ઘાટીમાં ધોળા દિવસે હત્યા કરવામાં આવી. ભારતનો પારો સાતમા આસમાને હતો. આ એ જ સમય હતો જ્યારે અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ પોતાના પરિવાર સાથે ભારત મુલાકાતે આવેલા હતા. જવાબી કાર્યવાહીમાં વડાપ્રધાન મોદીએ ઓપરેશન સિંદૂરને લીલી ઝંડી આપી. ભારતે પાકિસ્તાન પર ચલાવ્યો ડ્રોન્સનો મારો 7 મે 2025ના રોજ ભારતીય મિસાઇલો અને વાયુસેનાએ PoKમાં 9 આતંકવાદી કેમ્પોને તબાહ કરી દીધા. પણ આ વખતે ભારત ત્યાં જ ન અટક્યું. ભારતે રાવલપિંડીમાં પાકિસ્તાની લશ્કરી મુખ્યાલયની નજીક આવેલા નૂર ખાન એરબેઝને નિશાન બનાવ્યું. 36 કલાકમાં 80થી વધુ ડ્રોન્સનો મારો ચલાવ્યો. પાકિસ્તાનની લશ્કરી સરકાર હચમચી ગઈ હતી. IAF ચીફ એ.પી. સિંઘના જણાવ્યા મુજબ, ભારતે પાકિસ્તાનના 6 ફાઈટર જેટ્સ તોડી પાડ્યા હતા. ઓપરેશન સિંદૂરથી પાક. મંત્રી ધ્રુજ્યા બીજી તરફ, પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડારે હમણા થોડા દિવસો પહેલા જ દાવો કર્યો હતો કે ઓપરેશન સિંદૂર સમયે નૂર જહાં એરપોર્ટના માળખાને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ એ જ એરપોર્ટ છે જે પાકિસ્તાની સેનાના હેડ ક્વાર્ટરની નજીક આવેલું છે. નૂર જહાં એરપોર્ટ હુમલા સમયે લશ્કરી કર્મચારીઓને ઇજાઓ પણ થઈ હતી. બીજી બાજુ તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેઓએ ભારતના 7 જેટ્સ તોડ્યા છે. અમેરિકાના દાવા મુજબ ત્યારે વૉશિંગ્ટનના NSC ઓફિસથી રિક્કી સિંહ ગીલ એક્ટિવ થયા અને તેમણે ભારત પાકિસ્તાન વચ્ચે લશ્કરી સંઘર્ષ અટકાવ્યો. પણ આ રિક્કી સિંહ કોણ છે, અને તેમની રગમાં દોડતું લોહી ભારત માટે છે કે અમેરિકા માટે? કોણ છે રિક્કી સિંઘ ગીલ? ગીલ જ્યારે 17 વર્ષના હતા ત્યારે તત્કાલીન ગવર્નર આર્નોલ્ડ શ્વાર્ઝેનેગરે તેમને કેલિફોર્નિયા સ્ટેટ બોર્ડ ઓફ એજ્યુકેશનમાં વિદ્યાર્થી સભ્ય તરીકે નિયુક્ત કર્યા હતા. એક મહત્વની વાત અત્યારે અહીં કરવી બને કે ગીલ માત્ર ટ્રમ્પના સલાહકાર જ નથી. તેઓ ટ્રમ્પના પર્સનલ આસિસ્ટન્ટ પણ છે. આ સાથે તે NSCમાં દક્ષિણ અને મધ્ય એશિયાનો પોર્ટફોલિયો પણ ધરાવે છે. DGMO ચર્ચા બાદ સરહદી ઘર્ષણ રોકાયું ભારતે ઓપરેશન સિંદૂરમાં ગજબ અને અભૂતપૂર્વ લશ્કરી તાકાત બતાવી હતી. અમેરિકાના દાવા મુજબ ભારત પાકિસ્તાનને વધુ નબળું પાડશે તો ચીન લદ્દાખમાં ભારત માટે મુસીબત ઊભી કરશે. ત્યારે રિક્કી સિંઘે ભારતને પાકિસ્તાન અને ચીનના ટુ ફ્રન્ટ વોરના જોખમથી બચાવ્યું. જો કે આપણા એટલે કે ભારતીય વિદેશ મંત્રાલય મુજબ ઓપરેશન સિંદૂર પછી ભારતનો હાથ જ ઊપર હતો અને ભારત અને પાકિસ્તાનની સેનાની વાતચીત પછી જ લશ્કરી સંઘર્ષ વિરામ કર્યો. સામેની બાજુ અમેરિકાના દાવા મુજબ રિક્કી ગીલે ભારત-પાકિસ્તાન અને ચીન વચ્ચે લશ્કરી સંઘર્ષ રોકાવ્યું. સંઘર્ષ રોકવા ટ્રંપની ભારતને ધમકી આ એ સમય છે જ્યારે ટ્રમ્પે ભારતને ધમકી આપી હતી કે જો ભારત લશ્કરી સંઘર્ષ નહીં અટકાવે તો ભારત પર 350 ટકા ટેરિફ નાખવામાં આવશે. અમેરિકાની તૈયારી એ હદે હતી કે ભારતની આઈટી નિકાસ અને રશિયન તેલની આયાત પર પણ પ્રતિબંધ મૂકવામાં આવે. પણ અમેરિકાના કહ્યા મુજબ રિક્કી સિંઘે ભારતને સમજાવ્યું કે લશ્કરી સંઘર્ષ ચાલુ રાખવા કરતાં અમેરિકન ડોક્યુમેન્ટ પર સહીઓ કરવામાં આવે. અમેરિકાનો દાવો છે કે ત્યાર બાદ મહત્વના ડોક્યુમેન્ટ પર ભારતે સહીઓ કરી હતી જેની બ્લુપ્રિન્ટ રિક્કી સિંઘ ગીલની ઓફિસમાં તૈયાર થઈ હતી. અગેઈન! આ અમેરિકાનો દાવો છે. રિક્કી ગીલ ઓગસ્ટ 2025માં ભારત આવ્યા હતા જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ અને ટેરીફ બાબતે મડાગાંઠ હતી. વિશ્વગુરુની છબી પર તમતમતો તમાચો આ જ મામલે અમેરિકા રિક્કી સિંહને એવોર્ડ આપીને દુનિયાને બતાવવા માંગે છે કે દક્ષિણ એશિયામાં શાંતિનો માર્ગ વૉશિંગ્ટનથી પસાર થાય છે. જ્યારે એક ભારતીય મૂળનો વ્યક્તિ જ ભારત વિરુદ્ધ મધ્યસ્થી કરે, ત્યારે તે ભારતના આત્મસન્માન અને વિશ્વગુરુની છબી પર તમાચો છે. ભારત-પાક. વિવાદ પર ત્રીજો કોઈ ન ફાવે અમેરિકાનું કહેવું છે કે તેણે દક્ષિણ એશિયામાં શાંતિ સ્થાપી. રિક્કી સિંઘે લાખોના જીવ બચાવ્યા? તો જવાબ છે ભારત એક નો ફર્સ્ટ યુઝ પોલિસીમાં માનનારો દેશ છે. ટૂંકમાં કંઈ પણ થાય ભારત ક્યારેય પહેલો હુમલો ન કરે. ભારતીય સેના પાકિસ્તાનના ભારત સરહદ નજીકના તમામ કેમ્પોને તબાહ કરવા માટે પૂરતી સક્ષમ છે. ભારતના રિક્કી સિંઘની મધ્યસ્થી કે શાંતિની ભારતને કોઈ જરૂર નથી. રિક્કીને મળેલા એવોર્ડમાં સીઝફાયરનો ઉલ્લેખ કરવો એ ભારતની લશ્કરી જીતને કૂટનીતિક ટેબલ પર નબળી પાડવાની કોશિશ છે. ભારતનો ઈન્કાર સાચો છે, કારણ કે જો આજે કોઈ ભારત પાકિસ્તાન મામલે મધ્યસ્થી કરે, તો 1972 ના શિમલા કરારનું ગળું ટૂંપાઈ જશે અને આવતીકાલે કાશ્મીર પર પણ ત્રીજો પક્ષ ફેંસલા લેતો થઈ જશે. અમેરિકા શું સાબિત કરવા માગે છે? માર્કો રુબિયોએ ગીલને NSC ડિસ્ટિંગ્વિશ્ડ એક્શન એવોર્ડ આપ્યો છે. બીટવીન ધ લાઈન્સ શું આવું કરીને અમેરિકા ભારત અને પાકિસ્તાનને એક જ ત્રાજવે તોલે છે? બંનેને એક જ નજરે જુએ છે? જો ભારત રશિયા પાસેથી તેલ લેશે, તો અમેરિકા પાકિસ્તાનનું કાર્ડ વાપરીને ભારતને દબાવશે? શું ભારત માટે રિક્કી ગીલના એવોર્ડ સાઇટેશન પાછળ આ પ્લાન છૂપાયેલો છે? રૂબિયોએ પાકિસ્તાન ફોન ઘૂમાવ્યો પાકિસ્તાની અધિકારીઓએ દાવો કર્યો હતો કે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ 10 મેની સવારે પાકિસ્તાનના વિદેશ મંત્રીને ફોન ઘૂમાવ્યો અને કહ્યું કે ભારત લશ્કરી સંઘર્ષ વિરામ માટે તૈયાર છે. જો કે આપણા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ અને વિદેશ સચિવ વિક્રમ મિસરીએ સ્પષ્ટ કહ્યું છે કે લશ્કરી સંઘર્ષનો નિર્ણય ભારત અને પાકિસ્તાનના DGMO વચ્ચે વાતચીત બાદ થયો છે. આ વિષય પર પૂર્વ વિદેશ સચિવ કન્વલ સિબ્બલની એક ટ્વીટ ભારે ચર્ચામાં આવી હતી. ટ્રંપે પોતાની જ પીઠ થાબડીઃ પૂર્વ ભારતીય વિદેશ સચિવ જેમાં તેમણે લખ્યું હતું કે ટ્રમ્પનો 50થી વધુ વાર દાવો છે કે તેણે ટ્રેડ અને ટેરિફની ધમકીઓ આપીને ભારત પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવ્યું હતું. સિબ્બલે ટ્રંપના આ દાવાને ગુંચવણ ભર્યો કહ્યો છે અને સવાલ ઉઠાવ્યો છે કે શું એક મિડલ લેવલના અધિકારી ભારત અને પાકિસ્તાનના વડાઓને સમજાવી શકે? સિબ્બલ માને છે કે આ ભારતને ચીઢાવવાનો પ્રયાસ છે. વધુ પડતા અમેરિકન બનતા મૂળ ભારતીયો રિકી ગીલ અને સૌરભ શર્મા જેવા ભારતીય મૂળના અધિકારીઓ ટ્રમ્પના સલાહકાર બન્યા છે, જે ભારત માટે ગૌરવની વાત હોઈ શકે છે, પરંતુ વાસ્તવિકતા જટિલ છે. ગીલ જેવા અધિકારીઓ પર ઘણીવાર 'વધુ પડતા અમેરિકન' સાબિત થવાનું દબાણ હોય છે. તેથી, તેઓ H-1B વિઝાના મુદ્દે ભારતીયોની મુશ્કેલીઓ પર મૌન રહે છે અથવા કડક વલણ અપનાવે છે. રિક્કી સિંહ ગીલના પૂર્વજો પંજાબના છે, પણ આજે તેઓ એવા નિર્ણયો લઈ રહ્યા છે જે ગુજરાત કે ભારતના લોકોના હિતોને સ્પર્શે છે. પણ ખરેખર તો રિક્કી સિંઘ આપણી નબળાઈઓ ટ્રમ્પના ટેબલ પર મૂકી છે. અને છેલ્લે… તમને જાણીને નવાઈ લાગશે પણ રિક્કીના મૂળિયાં તે જ ગામમાં છે જે ગામમાં સ્વતંત્રતા સેનાની લાલા લજપત રાયનો જન્મ થયો હતો. તેમના પૂર્વજોએ (પરદાદાના પિતરાઈ ભાઈ) અમેરિકા અને કેનેડામાં ભેદભાવ સહન કર્યો છે. પણ આજે તેનો જ 37 વર્ષનો વંશજ આજે ઈનસાઈડર ઈન્ટેલિજન્સ બનીને વૉશિંગ્ટનમાં ભારત પર ટેરિફ અને શાંતિના દબાણના કાવતરાં ઘડી રહ્યો છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ... આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચ સમીર પરમાર)

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 8:01 pm

AMCએ પેટ ડોગ રજિસ્ટ્રેશનની તારીખ 3 મહિના લંબાવી:અમદાવાદમાં પેટ ડોગ માલિકોને રસ નહીં, 1 વર્ષમાં 18,962 રજિસ્ટ્રેશન થયા; હજી પોલિસી નક્કી નહીં

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેટ ડોગના રજિસ્ટ્રેશનની કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ શહેરમાં પેટ ડોગ ધરાવનારા માલિકો દ્વારા હજી પણ રજિસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા ખૂબ ધીમી છે. 1 જાન્યુઆરી 2025થી ડોગ રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, 1 વર્ષમાં 18,962 જેટલા ડોગના રજિસ્ટ્રેશન થયા છે. જેથી ડોગ રજિસ્ટ્રેશન કરાવવામાં પેટ ડોગના માલિકો નિષ્ક્રિય છે. ઉલ્લેખનીય છે કે, 25,000થી વધારે પેટ ડોગ ગુજરાતમાં હોવાની શક્યતા છે. જોકે, પેટ ડોગના માલિકો દ્વારા રજિસ્ટ્રેશન કરાવવામાં આવી રહ્યું નથી અને આ મામલે કોર્પોરેશન તંત્ર માત્ર મુદ્દો લંબાવી રહી છે. રજિસ્ટ્રેશન ન કરાવનારાઓ સામે કોઈ કડક કાર્યવાહી કે પોલિસી નક્કી કરી શકી નથી. ડોગ રજિસ્ટ્રેશનની તારીખ વધુ ત્રણ મહિના લંબાવાઇ1 જાન્યુઆરી 2025થી 31 ડિસેમ્બર 2025 સુધીમાં 16,674 જેટલા પેટ ડોગના માલિકો દ્વારા 18,962 જેટલા ડોગનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. સૌથી વધારે લેબ્રાડોર પ્રજાતિના પેટ ડોગ લોકો ધરાવતા હોવાનું સામે આવ્યું છે. જર્મન શેફર્ડ અને શિત્ઝુ તેમજ ગોલ્ડન રોટવીલર પ્રજાતિના પેટ ડોગ સૌથી વધારે લોકો રાખી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અત્યાર સુધીમાં નોંધાયેલા પેટ ડોગમાં સૌથી વધારે આ ચાર પ્રજાતિના છે. ડોગ રજિસ્ટ્રેશન માટેની તારીખ વધુ ત્રણ મહિના માટે લંબાવાઇ છે. હવે જે લોકો પેટ ડોગનું રજિસ્ટ્રેશન કરાવશે તેમને 2,000 રૂપિયાની ફી ભરવી પડશે. છેલ્લા એક મહિનામાં માત્ર 89 જેટલા જ પેટ ડોગનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. છેલ્લા 6 મહિનાથી 1000 કરતા પણ ઓછા પેટ ડોગના રજિસ્ટ્રેશન થયા છે. સૌથી વધુ પશ્ચિમ અને સૌથી ઓછું મધ્ય ઝોન વિસ્તારમાં રજિસ્ટ્રેશનશહેરમાં પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ ડોગ રજિસ્ટ્રેશન છે. સૌથી વધારે ન્યુ રાણીપ, નવાવાડજ, બલોલનગર, જજીસ બંગલો, ગુલાબ ટાવર, ચાંદલોડિયા, સતાધાર, જોધપુર, સેટેલાઈટ, ઘાટલોડિયા, ગોતા, થલતેજ, બોપલ, ઘુમા, વાસણા, નારણપુરા, નવરંગપુરા, સાબરમતી, ચાંદખેડા, મોટેરા સહિતના વિસ્તારોમાં થયા છે. સૌથી વધારે જર્મન શેફર્ડ, લેબ્રાડોર, ગોલ્ડન રોટવીલર, સિબેરીયન અને ડોબરમેન સહિતના ડોગનું રજિસ્ટ્રેશન થયું છે. સૌથી ઓછું મધ્ય ઝોન વિસ્તારમાં શાહીબાગ, ડફનાળા, શાહપુર, અસારવા, ખાડિયા, દિલ્લીદરવાજા જેવા વિસ્તારોમાંથી લેબ્રાડોર, જર્મન શેફર્ડ અને પામેરીયન ડોગનું રજિસ્ટ્રેશન થયું છે. રજિસ્ટ્રેશન ન કરાવનાર સામે નળ, ગટર કનેક્શન કાપવા સુધીની કાર્યવાહીઅમદાવાદના હાથીજણ વિસ્તારમાં પાલતુ શ્વાન (પેટ ડોગ)એ 4 માસની બાળકી પર હુમલો કર્યો હતો જેમાં તેનું મૃત્યુ થયું હતું. પેટ ડોગના હુમલાથી બાળકીના મૃત્યુની ઘટના બાદ પેટ ડોગ રાખનારા લોકો માટે ચોક્કસ પોલિસી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી રહી છે. જેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પોલિસી બની અને તેને લાગુ કરવાની વિચારણા હાથ ધરવામાં આવી છે. પેટ ડોગ પોલિસી અંતર્ગત જો ડોગનું રજિસ્ટ્રેશન નહીં હોય તો ડોગ માલિકના નળ, ગટર કનેક્શન કાપવાથી લઈ ડોગને જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. ચાલુ મહિનામાં જ આ પોલિસી લાગુ થઈ શકે છે. પેટ ડોગ પોલીસી અંગે હાલ વિચારણા ચાલુ: નરેશ રાજપૂત CNCD વિભાગના વડા નરેશ રાજપૂતે જણાવ્યું હતું કે, શહેરમાં જે નાગરિકો ઘરમાં શ્વાન પાળતા હોય (પેટ ડોગ) એવા શ્વાનની ગણતરી કરવામાં નહોતી આવતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ દ્વારા હવે પેટ ડોગની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 1 જાન્યુઆરી 2026થી 31 માર્ચ 2026 સુધી કરવામાં આવી છે. શહેરમાં પશુઓના રજિસ્ટ્રેશન માટે જેમ કેટલ પોલિસી બનાવવામાં આવી હતી તેમ પાલતુ શ્વાન (પેટ ડોગ) માટે રજિસ્ટ્રેશન અને લાયસન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આગામી દિવસોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેટ ડોગના અંતિમ સંસ્કાર માટે ડોગ સ્મશાન બનાવવામાં આવશે. જેના ઉપયોગ અને ડોગ લઈને ફરવા પ્રતિબંધ જેવા નિયમો પણ બનાવવામાં આવશે. જોકે, આ પોલીસી અંગે હાલ વિચારણા હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં આ બાબતે ચર્ચા વિચારણા કરીને પોલિસી લાગુ થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે. પેટ ડોગનું રજિસ્ટ્રેશન 31 માર્ચ 2026 સુધીમાં કરાવી શકાશેમ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા મુજબ સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન અને એનીમલ બર્થ કંટ્રોલ (ABC) ડોગ્સ રૂલ્સ- 2023 તથા National Action Plan for Dog Mediated Rabies Elimination from India, 2030 (NAPRE), Rabies free Ahmedabad city ની ગાઈડલાઈન અનુસાર શહેરમાં રાખવામાં આવતા પાલતુ શ્વાન (પેટ ડોગ)નું રજિસ્ટ્રેશન 31 માર્ચ 2026 સુધીમાં કરાવવાનું રહેશે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 7:55 pm

રાજ્યના નવા પોલીસ વડાની જાહેરાત:કે.એલ.એન રાવ બન્યા ઇન્ચાર્જ ડીજીપી, લાંબા સમય સુધી રહ્યા છે જેલના વડા

નવા DGP તરીકે ડો.કે.એલ.એન. રાવનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના હાલના DGP વિકાસ સહાય સત્તાવાર રીતે તો 6 મહિના પહેલાં જ નિવૃત્ત થવાના હતા, પરંતુ તેમને 31 ડિસેમ્બર સુધીનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું, જે હવે પૂરું થઈ ગયું છે. રાજ્ય પોલીસ વડા તરીકે અત્યારે કાયમી ડીજીપી નહીં પરંતુ ઇન્ચાર્જ ડીજીપી તરીકે ડો. કે. એલ એન.રાવને મૂકવામાં આવ્યા છે. રાજ્ય પોલીસવાળા વિકાસ સહાય આજે 31 ડિસેમ્બરના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે તેમની જગ્યાએ ચાર્જ આપવા માટે ઇન્ચાર્જ પોલીસવડાની નિમણૂક કરવાની હોવાથી અત્યારે હાલમાં ડો. કે. એલ. એન. રાવને ઇન્ચાર્જ ડીજીપી બનાવવામાં આવ્યા છે. ગુજરાત રાજ્ય પોલીસ વડા તરીકે કોને મૂકવા તેની અવઢવ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી હતી, ત્યારે રાજ્યના નવા કાયમી પોલીસ વડાની જગ્યાએ હાલમાં ઇન્ચાર્જ ડીજીપી તરીકે ડો. કે. એલ. એન.રાવને મૂકવામાં આવ્યા છે. મુખ્ય પોલીસ વડા તરીકે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક પણ ડીજીપીની રેસમાં હતા પરંતુ અત્યારે હાલમાં સરકાર તરફથી કાયમી ડીજીપી અંગે કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નહીં. જેથી વિકાસ સહાયના નિવૃત્તિના છેલ્લા કલાકોમાં ઇન્ચાર્જ ડીજીપી મુકવા અંગેનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. સિનિયર મોસ્ટ આઈપીએસ અધિકારી તરીકે ડો. રાવ હોવાના કારણે તેમને ઇન્ચાર્જ ડીજીપી તરીકે હાલમાં મૂકવામાં આવ્યા છે. કે.એલ.એન. રાવ હાલ CID ક્રાઈમમાં કાર્યરત ડો.કે.એલ.એન.રાવ ઓક્ટોબર, 2027માં નિવૃત્ત થશે. તેમણે જિલ્લા પોલીસવડા તરીકે હિંમતનગર, ખેડા, મહેસાણા જેવા જિલ્લાઓમાં નોકરી કરી હતી. જ્યારે રાજકોટ રેન્જ ડીઆઈજી અને અમદાવાદમાં જોઈન્ટ પોલીસ કમિશનર પણ રહી ચૂક્યા છે. ઘણા સમય સુધી ગુજરાતની જેલોના વડા તરીકે રહી ચૂકેલા રાવ હાલમાં CID ક્રાઈમ અને રેલવેમાં ડીજીપી તરીકે ફરજ બજાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 7:51 pm

વલસાડમાં દારૂબંધીની કડક અમલવારી:વિવિધ વિસ્તારોમાં વાહન ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું, ત્રણ દિવસમાં 400થી વધુ 'ડ્રિંક એન્ડ ડ્રાઇવ' કેસ

વલસાડ જિલ્લામાં દારૂબંધીના કાયદાની કડક અમલવારી માટે જિલ્લા પોલીસે વિશેષ કાર્યવાહી હાથ ધરી હતી. આ ઝુંબેશ અંતર્ગત ત્રણ દિવસમાં 'ડ્રિંક એન્ડ ડ્રાઇવ' સહિત 400થી વધુ કેસ નોંધવામાં આવ્યા છે. પોલીસે દારૂના નશામાં વાહન ચલાવતા ચાલકો સામે કડક પગલાં લેવા માટે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં 17થી વધુ સ્થાયી અને હંગામી ચેકપોસ્ટ ઊભી કરી હતી. આ ચેકપોસ્ટ પર વ્યાપક વાહન ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ કામગીરી 28, 29 અને 30 ડિસેમ્બર, 2025 દરમિયાન વલસાડ જિલ્લાના અલગ-અલગ પોલીસ મથક વિસ્તારોમાં કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન મોટર વાહન અધિનિયમની કલમ 185 ('ડ્રિંક એન્ડ ડ્રાઇવ' ) હેઠળ તેમજ દારૂનો નશો કરેલા અન્ય ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ વિભાગે જણાવ્યું છે કે, આ ત્રણ દિવસની સઘન ઝુંબેશમાં કુલ 400થી વધુ કેસ નોંધાયા છે. જિલ્લા પોલીસે ચેતવણી આપી છે કે, દારૂબંધીના કાયદાનો ભંગ કરનારાઓ સામે ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 7:20 pm

જૂનાગઢ જેલમાં હિંસક અથડામણ:'આપ'ના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા પર ગટરના ઢાંકણાથી હુમલો; હરેશ સાવલિયા અને સાગર ચાવડાએ સામ સામે નોંધાવી

જૂનાગઢ જિલ્લા જેલ અત્યારે કોઈને કોઈ કારણોસર વિવાદમાં રહેતી હોય છે, ત્યારે ગઈકાલે જેલના પરિસરમાં જ ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એટ્રોસિટી અને છેડતીના કેસમાં જેલમાં બંધ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા અને અન્ય કેદીઓ વચ્ચે હિંસક અથડામણ થતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. આ ઘટનામાં ગટરના ઢાંકણા વડે હુમલો કરવામાં આવ્યો હોવાની અને જ્ઞાતિસૂચક અપશબ્દો બોલાયા હોવાની સામસામી ફરિયાદો નોંધાઈ છે. ગટરના ઢાંકણાથી જીવલેણ હુમલાનો પ્રયાસ મૂળ કોડીનારના અને હાલ કાચા કામના આરોપી સાગર કાનજીભાઈ ચાવડાએ જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ મથકમાં હરેશ સાવલિયા વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે.સાગરના તે જેલના દવાખાના પાસે ઉભો હતો ત્યારે હરેશ સાવલિયા ત્યાંથી જ્ઞાતિ પ્રત્યે અપશબ્દો બોલતા નીકળ્યા હતા. જ્યારે સાગરે તેમને અટકાવ્યા ત્યારે હરેશ સાવલિયા ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. વધુમાં આક્ષેપ છે કે હરેશ સાવલિયાએ તમે લોકોએ મારી ઉપર ખોટો એટ્રોસિટીનો કેસ કર્યો છે તેમ કહીને મારી નાખવાના ઇરાદે ગટરનું ઢાંકણું ઉપાડી સાગરના માથામાં માર્યું હતું. સાગર હટી જતાં તેનો બચાવ થયો હતો. પરંતુ નીચે પછાડી દઈને તેને જીવલેણ ઈજા પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો. હરેશ સાવલિયાએ 8 કેદીઓ વિરુદ્ધ નોંધાવી વળતી ફરિયાદ બીજી તરફ, 'આપ'ના નેતા હરેશ સાવલિયાએ પણ સાગર ચાવડા અને અન્ય 7 અજાણ્યા કેદીઓ વિરુદ્ધ વળતી ફરિયાદ નોંધાવી છે.સાવલિયાના જણાવ્યા મુજબ, તેઓ પોતાની મુલાકાત પૂરી કરીને પરત ફરી રહ્યા હતા.ત્યારે સાગર અને તેની ટોળકીએ ગેરકાયદેસર મંડળી રચી તેમને રોક્યા હતા. કોઈપણ કારણ વગર આ શખ્સોએ તેમને આડેધડ ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હરેશ સાવલિયાને ઈજાઓ પહોંચતા તેમને પોલીસ જાપ્તા હેઠળ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જેલ અધિક્ષકનું નિવેદન: 'બે મિનિટની બોલાચાલીમાં ખેલાયો ખેલ' આ સમગ્ર હિંસક ઘટના અંગે જૂનાગઢ જેલ અધિક્ષક ડી.એમ. ગોહિલે જણાવ્યું હતું કે ગઈકાલે સાંજે હરેશ સાવલિયા મુલાકાત લઈને પાછા વળતા હતા ત્યારે સાગર અને તેની સાથેના અન્ય કેદીઓ સામે મળ્યા હતા. માત્ર બે મિનિટની બોલાચાલી થઈ અને મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. જેલ સ્ટાફે તુરંત દોડી જઈને બંને પક્ષોને છૂટા પાડ્યા હતા. જેલના મેડિકલ ઓફિસરની તપાસ બાદ હરેશ સાવલિયાને વધુ સારવારની જરૂર જણાયતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. આ ઘટનાએ જૂનાગઢ જેલની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા કર્યા છે. જેલ અધિક્ષકે સ્વીકાર્યું હતું કે જૂનાગઢ જેલની ક્ષમતા માત્ર 265 કેદીઓની છે, પરંતુ હાલ ત્યાં 610 કેદીઓને રાખવામાં આવ્યા છે. ક્ષમતા કરતા બમણાથી વધુ કેદીઓ હોવાને કારણે જેલ પ્રશાસન માટે વ્યવસ્થા જાળવવી પડકારજનક બની રહી છે. જેલની અંદર ગટરના ઢાંકણા જેવા સાધનો હુમલા માટે વપરાય તે બાબત પણ જેલની સુરક્ષામાં ક્ષતિ સૂચવે છે. જૂનાગઢ એ-ડિવિઝન પોલીસે સાગર ચાવડાની ફરિયાદ પરથી હરેશ સાવલિયા વિરુદ્ધ BNS ની નવી કલમો તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. જેમાં કલમ 109(1), 115(2), 296(B) અને એટ્રોસિટીની વિવિધ કલમોનો સમાવેશ થાય છે. જ્યારે હરેશ સાવલિયાની ફરિયાદ પરથી સાગર ચાવડા અને અન્ય 8 શખ્સો વિરુદ્ધ BNS કલમ 189(2), 115(2) અને 351(3) મુજબ ગુનો નોંધી એ.એસ.આઈ. આર.એ. બાબરીયાએ વધુ તપાસ હાથ ધરી છે. આ હિંસક અથડામણને પગલે રાજકીય આલમમાં પણ ચર્ચાઓ તેજ બની છે, કારણ કે હરેશ સાવલિયા આમ આદમી પાર્ટીના જિલ્લા સ્તરના મોટા ગજાના નેતા છે. હાલમાં જેલ પ્રશાસને બંને જૂથના કેદીઓને અલગ-અલગ બેરેકમાં ખસેડી સુરક્ષા સઘન બનાવી છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 7:19 pm

ડોક્ટર પર હૂમલા પ્રકરણમાં તબીબોની હડતાલ:રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીને બ્લડ ચઢાવવા મામલે લાફા મારતા પરિચિતની ધરપકડ ન કરતી પોલીસ સામે રોષ, ઈમરજન્સી સિવાયની સારવાર બંધ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બે દિવસ પહેલા ન્યુરો સર્જરી વિભાગના રેસિડેન્ટ તબીબ પાર્થ પંડ્યા ઉપર હુમલો થયા પછી 48 કલાક બાદ પણ આરોપી ન પકડાતાં જુનીયર ડોક્ટર એસોસિએશનમાં રોષ ફેલાઇ ગયો છે. ડોક્ટર પર હુમલો કરતો આરોપી ન પકડતા જુનિયર ડોકટર્સ એસોસિએશને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજથી હડતાળ શરૂ કરી દીધી છે. જેથી 200 જેટલા જુનિયર ડોક્ટર આજે બુધવારે સાંજે 6 વાગ્યાથી હડતાલ પર ઉતરી ગયા છે. હવે માત્ર ઈમરજન્સી સેવા જ ચાલુ રહેશે તેવું જાહેર કરાયું છે. પ્રાપ્ત વિગત મુજબ, તા.29 ના રાત્રીના ન્યુરો સર્જરી વિભાગના રેસિડેન્ટ ડો.પાર્થ પંડ્યા પીએમએસએસવાય બિલ્ડીંગના ત્રીજા માળે પોતાની ફરજ પર હતા ત્યારે જયદીપ ચાવડા નામના શખસે પરિચિત નેપાળી દર્દીને બ્લડ સંબધિત ચીઠ્ઠી લખી આપવા બાબતે માથાકૂટ કરી વોર્ડની અંદર ઘુસી ડો.પાર્થ પંડ્યાને બેફામ માર માર્યો હતો. આ બનાવમાં પ્રદ્યુમનનગર પોલીસ મથકમા ડોક્ટર દ્વારા જયદીપ ચાવડા વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. જે બાદ પોલીસે અયોધ્યા ચોકમાં રહેતા અને ટુર એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા શખ્સની શોધખોળ શરૂ કરી છે. જોકે આરોપી પોલીસ પકડથી દૂર હોવાથી તબીબોમાં રોષ ફેલાયો છે અને જુનિયર ડોક્ટર એસોસિએશનના 200થી વધુ તબીબોએ હડતાલનું એલાન કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે આ પ્રકરણમાં તબીબ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવ્યા બાદ જયદીપ ચાવડાના પરિવારજનો દ્વારા પોલીસ કમિશનરને ડોક્ટર દ્વારા માર મારવામાં આવ્યો હોવાની રજૂઆત કરવામાં આવી હતી. જોકે હવે ગુરૂવારથી સિવિલ હોસ્પિટલમાં હડતાલને કારણે દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 7:19 pm

ભાજપના નવનિયુક્ત મહામંત્રીઓને જવાબદારી સોંપાઈ:પૂર્વ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાની જગ્યા ડો. પ્રશાંત કોરાટે લીધી, સિનિયર- અનુભવી નેતાને સૌરાષ્ટ્ર ઝોન સોપાયું

ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર કરવામાં આવી છે. મહામંત્રીઓ, ઉપ-પ્રમુખ, મંત્રી અને વિવિધ મોરચાના પ્રમુખની નિમણૂક કરી દેવામાં આવી છે. ત્યારે આજે 31 ડિસેમ્બરના રોજ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા ચારેય મહામંત્રીને વિવિધ ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે. યુવા મોરચાના પ્રમુખથી લઈને મહામંત્રીની જવાબદારી નિભાવનાર પૂર્વ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાની જગ્યા ગુજરાત ભાજપ સંગઠનમાં ડો. પ્રશાંત કોરાટને આપવામાં આવી છે. ગાંધીનગર કમલમના એટલે કે મુખ્યમથકના પ્રભારી તરીકે ડો. પ્રશાંત કોરાટને જવાબદારી આપવામાં આવી છે સાથે જ્યાંથી સૌથી ઓછા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે એવા દક્ષિણ ગુજરાતની પણ જવાબદારી સોંપવામાં આવી છે. ચારેય મહામંત્રીઓને ઝોન વાઈઝ જવાબદારી સોંપાઈભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા આજે ચારે મહામંત્રીને વિવિધ ઝોનના પ્રભારી અને મુખ્ય મથકના એટલે કે કમલમના પ્રભારી તરીકેની જવાબદારીઓની વહેંચણી કરવામાં આવી છે. સિનિયર અને અનુભવી મહામંત્રી અનિરુદ્ધ દવેને સૌરાષ્ટ્રની જવાબદારી સોંપવામાં આવી છે. અજય બ્રહ્મભટ્ટને ઉત્તર ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને ગાંધીનગરના કમલમ એટલે કે હેડ ક્વાર્ટર ની મહત્વની જવાબદારી ડો. પ્રશાંત કોરાટને સોંપવામાં આવી છે. મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણને મધ્ય ઝોનની જવાબદારી આપવામાં આવી છે. ડો. પ્રશાંત કોરાટને મહત્વની જવાબદારીચારેય મહામંત્રીઓને જે રીતે ઝોનની ફાળવણી કરવામાં આવી છે તેમાં ખાસ કરીને ડો. પ્રશાંત કોરાટને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ભૂતકાળમાં પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ રહી ચૂકેલા એવા પ્રદિપસિંહ વાઘેલાને મહામંત્રી પદ આપવામાં આવ્યું હતું તેમ હવે યુવા મોરચાના પ્રમુખ રહી ચૂકેલા ડો. પ્રશાંત કોરાટને પણ આ મહામંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રદિપસિંહ વાઘેલા ગાંધીનગર કમલમ ખાતેના પ્રભારી હતા ત્યારે હવે ડો. પ્રશાંત કોરાટને પણ પ્રભારી બનાવવામાં આવતા હજી પણ દબદબો યથાવત હોવાની ચર્ચા જાગી છે. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સંગઠનને મજબૂત કરવા માટે ઝોનની વહેંચણી કરવામાં આવી છે તેમાં સૌરાષ્ટ્રમાં સંગઠનને વધુ મજબૂત કરવા અનુભવી અને સિનિયર નેતા એવા અનિરુદ્ધ દવેને મૂકવામાં આવ્યા છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્રમાં જે રીતે આમ આદમી પાર્ટીની સાથે કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં ક્યાંકને ક્યાંક ભાજપને નુકસાન પહોંચાડી શકે તેમ છે ત્યારે ભાજપના સંગઠનને વધુ મજબૂત કરી ચૂંટણી જીતવા તેઓને મૂકવામાં આવ્યા છે. મધ્ય ગુજરાતમાં યુવા નેતા હિતેન્દ્રસિંહ ચૌહાણને જવાબદારી આપવામાં આવી છે. જેમાં ખરી કસોટી હવે તેમની શરૂ થશે જ્યારે પાટીદારો અને ચૌધરી સમાજ સૌથી વધારે જ્યાં વસે છે એવા ઉત્તર ગુજરાતમાં સંગઠનને મજબૂત કરવા અજય બ્રહ્મભટ્ટને કમર કસવી પડશે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 7:04 pm

ભરૂચના બી.જી. ટ્રેડ સેન્ટરનો દાદર ધરાશાયી:વિસ્તારમાં અફરાતફરી મચી, પાલિકાએ ત્રણ વખત નોટિસ આપી છતાં જાળવણીના કોઈ પગલા ન લેવાયા

ભરૂચના વ્યસ્ત પાંચબત્તી સર્કલ પાસે આવેલા બી.જી. ટ્રેડ સેન્ટરનો દાદર આજે ધરાશાયી થયો હતો. આ ઘટનાને કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ શોપિંગ સેન્ટર વર્ષ 1987માં બન્યું હતું અને લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે. ભરૂચ નગરપાલિકા દ્વારા આ શોપિંગ સેન્ટરને અગાઉ ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં સંચાલકો દ્વારા તેની જાળવણી માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નહોતા. દાદર ધરાશાયી થવાથી ડોક્ટર માલજીવાલા અને ડોક્ટર અંતાણી તરફ જતો માર્ગ જોખમી બન્યો છે, જ્યાંથી રોજ દર્દીઓની અવરજવર રહે છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને નગરપાલિકાના ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી દાદરને સીલ કરી સુરક્ષાના પગલાં લીધા હતા. આશ્ચર્યજનક રીતે, રોડ તરફ આવેલી દુકાનોના દુકાનદારોએ પણ ઇમારતની જર્જરિત હાલત પ્રત્યે ગંભીરતા દાખવી નથી. પાલિકાની વારંવારની નોટિસ છતાં યોગ્ય કાર્યવાહી ન થતા ભવિષ્યમાં મોટી જાનહાનિ થવાનો ભય વ્યક્ત થઈ રહ્યો છે. જ્યાં સુધી આ જર્જરિત શોપિંગ સેન્ટરને સંપૂર્ણપણે સીલ કરીને કડક કાર્યવાહી કરવામાં ન આવે ત્યાં સુધી પાંચબત્તીથી સેવાશ્રમ રોડ વિસ્તાર જોખમી ગણી શકાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. હવે નગરપાલિકા તંત્ર આ મામલે કેવા કડક પગલાં લે છે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 6:57 pm

ડાલામથ્થાના દર્શન માટે સાસણમાં પ્રવાસીઓનું ઘોડાપૂર:10 જાન્યુઆરી સુધી તમામ સફારી પરમિટ ફૂલ, મુલાકાતીઓએ કહ્યું 'એકવાર ગીરની મુલાકાત અવશ્ય લેવી જોઈએ'

'ડણકે ગાજે ડુંગરા, વહે નદીએ હેંજળ નીર,પાણે-પાણે વાતો પડી, એવી ગાંડી અમારી ગીર જૂનાગઢ નજીક આવેલો ગાંડી ગીરનો વિસ્તાર, જે આજે ડાલામથ્થા સાવજોની પવિત્ર જન્મભૂમિ તરીકે ઓળખાય છે, ત્યાં પક્ષીઓના કલરવ અને વન્ય પશુઓના પગરવ વચ્ચે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. સાસણ ગીરના જંગલમાં સાવજોની ડણકથી વાતાવરણ ગુંજી ઉઠે છે. આ દિવ્ય દ્રશ્યોનો લહાવો લેવા માટે વર્ષના અંતિમ દિવસોમાં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. 10 જાન્યુઆરી સુધી બુકિંગ ફૂલ, હોટલોમાં હાઉસફૂલવર્ષ 2025ના અંતિમ મહિનામાં રજાઓનો આનંદ માણવા પ્રવાસીઓએ સાસણ ગીરને પ્રથમ પસંદગી આપી છે. હાલમાં ગીર જંગલ સફારી અને દેવળિયા સફારી પાર્કના તમામ ઓનલાઇન બુકિંગ 10 જાન્યુઆરી, 2026 સુધી ફૂલ થઈ ગયા છે. સાસણ અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલી હોટલો, રિસોર્ટ અને ફાર્મ હાઉસમાં પણ અત્યારે ‘હાઉસફુલ’ની સ્થિતિ જોવા મળી રહી છે. પ્રવાસીઓ પોતાના પરિવાર, મિત્રો અને સ્નેહીજનો સાથે જિપ્સીમાં બેસીને ગીર નેચર સફારી અને દેવળિયા પાર્કની મુલાકાત લઈ રહ્યા છે. સૌરાષ્ટ્રનો મીઠો આવકારો પ્રવાસીઓ માટે સંભારણુંગીરની પ્રકૃતિ જેટલી જ અદભૂત અહીંની સંસ્કૃતિ છે. સિંહ સદન ખાતેથી જિપ્સી ધારકો પ્રવાસીઓને શિસ્તબદ્ધ રીતે જંગલમાં લઈ જાય છે. સૌરાષ્ટ્રની માણસાઈ અને મહેમાનગતિના જીવંત ઉદાહરણો પ્રવાસીઓને અહીં જોવા મળે છે. સ્થાનિક લોકોનો મીઠો આવકારો અને મદદરૂપ થવાની ભાવના પ્રવાસીઓના મન જીતી લે છે. 'દરેક વ્યક્તિએ જીવનમાં એકવાર તો ગીર આવવું જ જોઈએ'પુણેથી પરિવાર સાથે આવેલા ચેતના સાવંતે પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું કે, 'અત્યાર સુધી સાસણગીર વિશે માત્ર સાંભળ્યું હતું, પરંતુ આજે પહેલીવાર ઓપન જિપ્સીમાં સિંહ અને અન્ય વન્યજીવોને નજીકથી જોવાનો લહાવો મળ્યો. આ પ્રકૃતિ ખરેખર આહલાદક છે. દરેક વ્યક્તિએ જીવનમાં એકવાર તો ગીર આવવું જ જોઈએ.' નોંધનીય છે કે, 2025ની વસ્તી ગણતરી બાદ ગીરની આસપાસના ત્રણ જિલ્લાઓમાં સિંહોની સંખ્યા 900ને પાર પહોંચી ગઈ છે, જે વન વિભાગની મોટી સફળતા છે. સાઉથ આફ્રિકા કરતા સાસણની સફારી શ્રેષ્ઠ: પ્રવાસી મુંબઈથી આવેલા ભગવતસિંહ દેવરાએ ગીરના મેનેજમેન્ટના પેટભરીને વખાણ કર્યા છે. તેમણે જણાવ્યું કે, 'અહીં ટ્રાફિક અને બુકિંગની વ્યવસ્થા ખૂબ જ ઉત્તમ છે. મેં સાઉથ આફ્રિકામાં પણ સિંહ જોયા છે, પરંતુ ત્યાં તે ઘણા દૂરથી દેખાય છે. સાસણ ગીરમાં સાવજો ખૂબ જ નજીકથી અને મુક્ત અવસ્થામાં જોવા મળે છે. સિંહોને પાંજરામાં જોવા કરતા તેમને પોતાની મસ્તીમાં વિહરતા જોવા એ જિંદગીનો સૌથી મોટો લાહવો છે. જેઓ વિદેશમાં સિંહ જોવા જાય છે તેમને હું કહીશ કે આપણા ભારતની આ ધરતી એકવાર ચોક્કસ જુઓ. પ્રવાસીઓ માટે ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા પણ ખૂબ સરળસફારી દરમિયાન પ્રવાસીઓને માત્ર સિંહ જ નહીં, પરંતુ હરણ, દીપડા, ચિત્તલ અને વિવિધ પ્રકારના પક્ષીઓ તેમજ નાચતા મોર જોવા મળી રહ્યા છે. વન વિભાગ દ્વારા ઓનલાઇન બુકિંગની જે સુવિધા કરવામાં આવી છે તેનાથી પ્રવાસીઓને ખૂબ જ સરળતા રહે છે. વહેલી સવારની ઠંડીમાં જંગલની સફારી કરવી એ દરેક પ્રવાસી માટે એક યાદગાર સંભારણું બની રહે છે. સાસણ ગીર આજે માત્ર એશિયાટિક સિંહોનું નિવાસસ્થાન જ નહીં, પરંતુ વિશ્વભરના પ્રવાસીઓ માટે ગૌરવ અને આકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યું છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 6:49 pm

કાલથી ‘સ્પિરિટ ઓફ ગાંધીનગર’ મહોત્સવમાં સંગીત અને મસ્તીની મહેફિલ જામશે:નવા વર્ષની ભવ્ય ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ,કબીર કાફે અને ધ જોગી એક્સપિરિયન્સ મચાવશે ધૂમ

નવા વર્ષ 2026ના સ્વાગત માટે ગાંધીનગર સજ્જ થયું છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે કાલે તા. 1લી જાન્યુઆરીથી સેક્ટર-11 સ્થિત ભાગવત કથા મેદાન ખાતે ત્રિ-દિવસીય ‘સ્પિરિટ ઓફ ગાંધીનગર’ મહોત્સવનો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવનું ઉદ્ઘાટન મેયર મીરાબેન પટેલના હસ્તે કરવામાં આવશે. તંત્ર ધ્વારા આ ભવ્ય ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. 'સ્પિરિટ ઓફ ગાંધીનગર' મહોત્સવ 3 દિવસ ચાલશેગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે કાલે તા. 1લી જાન્યુઆરીથી સેક્ટર-11 સ્થિત ભાગવત કથા મેદાન ખાતે ત્રિ-દિવસીય ‘સ્પિરિટ ઓફ ગાંધીનગર’ મહોત્સવનો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ત્રણેય દિવસ દરમિયાન જાણીતા કલાકારો નગરજનોને મનોરંજન પૂરું પાડશે. જે અન્વયે આવતીકાલે પ્રથમ દિવસે ગાંધીનગરનું પ્રખ્યાત ‘રામસખા મંડળ’ અને ત્યારબાદ સૂફી બેન્ડ ‘ધ જોગી એક્સપિરિયન્સ’ સૂફી સંગીતની સુરાવલીઓ રેલાવશે. બીજો દિવસે એટલે કે 2જી જાન્યુઆરીએ લોકગાયક કુશલ ગઢવી લોકસાહિત્ય અને સંગીતની રમઝટ બોલાવશે. 3 જાન્યુઆરીએ કબીર કાફેનો કાર્યક્રમજ્યારે 3જી જાન્યુઆરીએ દેશભરમાં જાણીતું ‘નીરજ આર્યાનું કબીર કાફે’ પોતાના ફ્યુઝન મ્યુઝિકથી મહોત્સવનું શાનદાર સમાપન કરાવશે.નગરજનો માટે આ ઉત્સવ ખાસ બની રહે તે માટે બાળકો માટે વિનામૂલ્યે ‘કિડ્સ ઝોન’ બનાવવામાં આવ્યો છે. જેમાં જાયન્ટ સાપસીડી, ટ્રેમ્પોલિન અને બલૂન હાઉસ જેવા આકર્ષણો હશે. આ સાથે જ સ્વાદપ્રિય નાગરિકો માટે વિવિધ વાનગીઓના ફૂડ સ્ટોલ્સ પણ રાખવામાં આવ્યા છે.મહાનગરપાલિકા દ્વારા આ મહોત્સવમાં નગરજનો માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે અને નગરજનોને મોટી સંખ્યામાં ઉમટી પડવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 6:47 pm

બિલ્ડરના ઘરમાંથી લોડેડ રિવોલ્વર, 16 જીવતા કારતૂસની ચોરી:નોકરે સુરતથી કોલકાતા જઈ ઇન્સ્ટાગ્રામ પર ફોટા મુક્યાં; પૈસાની ચોરી કરતા ઝડપાતા કાઢી મૂક્યો હતો

સુરતના પોશ ગણાતા વેસુ કેનાલ રોડ પર રહેતા બિલ્ડર અને હીરાના વેપારી મનુ માંગુકીયાના ઘરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. વેપારીએ પોતાની લાઈસન્સવાળી રિવોલ્વર જમા કરાવવા માટે લોકરમાં શોધખોળ કરી ત્યારે 50 હજારની કિંમતની રિવોલ્વર અને 16 જીવતા કારતૂસ ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઘરમાં કામ કરતા નોકર દ્વારા 15મી ડિસેમ્બરે આ રિવોલ્વર કબાટમાં જોઈ હતી, પરંતુ ત્યાર બાદ ઘરમાંથી રિવોલ્વર ગાયબ થઈ ગયો. ડોક્યુમેન્ટ વગર નોકરીએ રાખેલો નોકર નીકળ્યો રીઢો ચોરવેપારી મનુ માંગુકીયાને ત્યાં અગાઉ મહેશ નામનો નોકર કામ કરતો હતો, જે ગત 10 ઓક્ટોબરે વતન જતા પોતાની જગ્યાએ પ્રવિણ નામના શખસને નોકરી પર મૂકી ગયો હતો. વેપારીએ વિશ્વાસમાં આવીને પ્રવિણના કોઈ પણ ઓળખના દસ્તાવેજો લીધા ન હતા. 20મી ડિસેમ્બરે પ્રવિણ 8 હજારની રોકડ ચોરી કરતા રંગેહાથ પકડાયો હતો, જેથી વેપારીએ તેને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. તે સમયે કોઈને અંદાજ નહોતો કે પ્રવિણ જતા-જતા જીવલેણ હથિયાર પણ સાથે લઈ ગયો છે. ઈન્સ્ટાગ્રામ પર હથિયાર સાથેના ફોટા અપલોડ કર્યાચોરી કરીને વતન ભાગી ગયેલા પ્રવિણે એક મોટી ભૂલ કરી દીધી. તેણે વેપારીના ઘરેથી ચોરેલી લોડેડ રિવોલ્વર અને 16 જીવતા કારતૂસ સાથેના ફોટા પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પર અપલોડ કર્યા હતા. આ ફોટા વેપારીના ધ્યાને આવતા જ હકીકત સામે આવી ગઈ કે રિવોલ્વર બીજું કોઈ નહીં પણ પ્રવિણ જ ચોરી ગયો છે. સોશિયલ મીડિયા પર હથિયારનું પ્રદર્શન કરીને તે રોફ જમાવવા માંગતો હતો, પરંતુ આ ફોટા જ તેના જેલ જવાના રસ્તાનું કારણ બન્યા છે. આરોપીને પકડવા માટે ટીમ કોલકાતા રવાનાવેપારીએ આ ગંભીર મામલે અલથાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રવિણ સામે ગુનો દાખલ કર્યો છે. ચોરાયેલું હથિયાર લોડેડ હોવાથી અને તે ગુનાહિત માનસ ધરાવતા શખશ પાસે હોવાથી પોલીસે આ કેસને ગંભીરતાથી લીધો છે. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે જાણવા મળ્યું છે કે, આરોપી હાલ કોલકાતામાં છુપાયેલો છે. પોલીસની એક વિશેષ ટીમ તાત્કાલિક કોલકાતા રવાના થઈ ગઈ છે. નોકર રાખતા પહેલા સાવચેત રહેવું જરૂરીઃ સુરત પોલીસઆ ઘટના બાદ સુરત પોલીસે ફરી એકવાર શહેરના બિલ્ડરો અને વેપારીઓને અપીલ કરી છે કે ઘરમાં કે ઓફિસમાં કોઈપણ વ્યક્તિને નોકરી પર રાખતા પહેલા તેના આધાર કાર્ડ, ફોટો અને વતનની વિગતો લેવી અનિવાર્ય છે. પ્રવિણના ડોક્યુમેન્ટ ન હોવાથી પોલીસને શરૂઆતમાં મુશ્કેલી પડી હતી, પરંતુ ડિજિટલ ફૂટપ્રિન્ટને કારણે તે પકડાઈ જશે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી એક-બે દિવસમાં આરોપીની ધરપકડ કરી સુરત લાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 6:43 pm

CBI કોર્ટે લોન છેતરપિંડીના કેસમાં ત્રણ આરોપીને 3 વર્ષની કેદ:બાલમુકુંદ દુબે, ધર્મેશ ધૈર્યા અને અલ્પેશ ઠક્કરે વિજયા બેંક સાથે 7.85 લાખની છેતરપિંડી આચરી હતી

અમદાવાદની CBI કોર્ટે બાલમુકુંદ દુબે, ધર્મેશ ધૈર્યા અને અલ્પેશ ઠક્કરને બેંક છેતરપિંડીના કેસમાં 3 વર્ષની કેદ અને દરેકને 50 હજાર રૂપિયાનો દંડ કર્યો છે. CBI એ આ કેસ 15 ડિસેમ્બર, 2009 ના રોજ જયેશ પ્રજાપતિ અને વિજયા બેંકના અજ્ઞાત કર્મચારીઓ વિરુદ્ધ નોંધ્યો હતો. ખોટા દસ્તાવેજો રજૂ કરી 4.78 લાખની હાઉસિંગ લોન મેળવી હતીતેઓની ઉપર આરોપ હતો કે આરોપી જયેશ પ્રજાપતિએ વિજયા બેંકના અજ્ઞાત કર્મચારીઓ સાથે ષડયંત્ર કરીને માર્ચ, 2004 માં પોતાના ખોટા વેતનની વિગતો, નોકરી સંબંધિત વિગતો અને જલવીહાર સોસાયટીના ફ્લેટ સંબંધિત ખોટા દસ્તાવેજો રજૂ કરીને 4.78 લાખ રૂપિયાની હાઉસિંગ લોન મેળવી હતી. લોનની રકમ ટ્રાન્સફર કરવા નકલી ખાતું ખોલ્યું હતુંતપાસમાં જાણવા મળ્યું હતુ કે આરોપી જયેશ પ્રજાપતિ, અલ્પેશ ઠક્કર, બાલમુકુંદ દુબે અને ધર્મેશ ધૈર્યાએ ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા અને તેને અસલી તરીકે વાપરીને બેંકમાંથી લોન મેળવી હતી. તેમજ તમામ રકમ ટ્રાન્સફર કરવા માટે નકલી ખાતું ખોલ્યું હતું. જેથી વિજયા બેંકને ઠગી શકાય. વિજયા બેંકને 7.85 લાખ રૂપિયાનું નુકસાન થયું હતુંતપાસમાં વધુ ખુલ્યું હતુ કે આ લોન ખાતામાં અંદાજે 7.85 લાખ રૂપિયાની બાકી રકમ છે, જેમાં નહીં ભરાયેલા હપ્તા અને તેના વ્યાજનો સમાવેશ થાય છે. તેથી વિજયા બેંકને 7.85 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. તપાસ પૂર્ણ થયા પછી CBI એ 31 ડિસેમ્બર, 2010 ના રોજ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. આરોપી જયેશ પ્રજાપતિ તપાસ દરમિયાનથી ભાગી ગયેલ હોવાથી તેનો અલગ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 6:36 pm

માળીયા હાટીનામાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો:વડિયાગીર પંથકમાં વરસાદથી ઘઉં, ચણા અને ધાણાના પાકને નુકસાનની ભીતિ

​સમગ્ર રાજ્યમાં બદલાતા હવામાનની વચ્ચે જૂનાગઢ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. માળીયા હાટીના પંથકના વડિયા ગીર વિસ્તારમાં આજે બપોર બાદ અચાનક વાદળછાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદના ઝાપટાં પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. માળીયા હાટીના પંથકના વાડી વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાને કારણે અત્યારે ખેતરમાં ઉભેલા રવિ પાકો પર જોખમ તોળાઈ રહ્યું છે. ખાસ કરીને ખેડૂતોએ કરેલા ઘઉં, ચણા, તુવેર અને ધાણા જેવા મોંઘા પાકોમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, જો વરસાદનું પ્રમાણ વધશે તો પાકની ગુણવત્તા બગડી શકે છે અને ઉત્પાદનમાં મોટો ઘટાડો આવી શકે છે. જોકે રાહતની વાત એ છે કે, આ વરસાદ માત્ર સામાન્ય ઝાપટાં સ્વરૂપે હોવાથી હાલના તબક્કે કોઈ મોટા નુકસાનના સમાચારો પ્રાપ્ત થયા નથી. પરંતુ સતત વાદળછાયા વાતાવરણને કારણે આગામી દિવસોમાં રોગચાળો ફેલાવાની અને પાક નિષ્ફળ જવાની ચિંતામાં ખેડૂતો રાત-દિવસ એક કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 6:30 pm

બોટાદમાં 50 કરોડના ખર્ચે જિલ્લા જેલનું નિર્માણ:ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી

બોટાદ જિલ્લામાં લાંબા સમયથી જિલ્લા જેલની અછત હતી. આ જરૂરિયાત પૂરી કરવા શહેરના અળવ રોડ પર આધુનિક સુવિધાઓથી સજ્જ જિલ્લા જેલનું નિર્માણ કાર્ય પ્રગતિમાં છે. અંદાજે 50 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલી આ જેલનું લગભગ 70 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ નિર્માણાધીન જિલ્લા જેલની મુલાકાત લીધી હતી. તેમણે જેલના નિર્માણ કાર્ય અને તેની કામગીરીની સમીક્ષા કરી. ધારાસભ્યએ જણાવ્યું કે આ જિલ્લા કક્ષાની જેલ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે. આ જેલમાં કેદીઓ માટે લાઈબ્રેરી, દવાખાના અને રોજગારીલક્ષી વિવિધ વ્યવસ્થાઓ કરાઈ રહી છે. જેલમાં 38થી વધુ કેદીઓને સમાવવાની ક્ષમતા હશે. મહિલા કેદીઓ માટે અલગ બેરેક, ઘોડિયા ઘર અને આંગણવાડી જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાશે. ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વધુમાં જણાવ્યું કે, 50 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બની રહેલી આ જિલ્લા જેલ 2026 સુધીમાં સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે. આ જેલ શરૂ થવાથી બોટાદ જિલ્લાના કેદીઓને આધુનિક અને સુવિધાજનક વ્યવસ્થા મળશે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 6:20 pm

ગુજરાત એસ.ટી.ના ભાડામાં ત્રણ ટકાનો વધારો, નવા વર્ષે મોંઘવારીની ભેટ:આજ મધરાતથી જ અમલ, 27 લાખ મુસાફરો પર ભાડાનો બોજ વધ્યો

ગુજરાત એસ.ટી.ના ભાડામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેનો 27 લાખ મુસાફરો પર પ્રભાવ પડશે. જેનો આજ મધરાતથી જ અમલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 28 માર્ચ, 2025ના રોજ ભાડામાં 10 ટકાનો વધારો કર્યો હતો(વાંચો સંપૂર્ણ અહેવાલ). આમ 9 મહિનામાં બીજીવાર ભાડા વધારો કરવામાં આવ્યો છે.() ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) એટલે કે, ST નિગમ દ્વારા મુસાફરોને વધુ સારી સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્યથી 31 ડિસેમ્બર 2025ની મધ્યરાત્રીથી એટલે કે 1 જાન્યુઆરી 2026થી 3% ભાડા વધારો કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 6:11 pm

કોઠારીયામાં રૂ.2 કરોડની સરકારી જમીન ખૂલ્લી:ULC ફાજલ જમીન પર ખડકાયેલા કારખાના પર બુલડોઝર ફેરવી તોડી પડાયું

રાજકોટ જિલ્લામાં સરકારી જમીન પર દબાણ કરનારા તત્વો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કોઠારીયામાં આવેલી રૂ.2 કરોડની કિંમતની 250 મીટર ULC એટલે કે શહેરી જમીન ટોચ મર્યાદા હેઠળ આવતી સરકારી ફાજલ જમીન ઉપર ગેરકાયદેસર રીતે કારખાનું ખડકાઈ ગયું હતું. જોકે તાલુકા મામલતદાર તંત્રને ધ્યાને આવતા નોટિસ આપ્યા બાદ આજે અહીં ડિમોલિશન કરવામાં આવ્યું હતું અને સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. રમેશ સાવલિયા નામના શખસે દબાણ કર્યું હતુંરાજકોટ તાલુકા મામલતદાર મકવાણાની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ આજે તાલુકા મામલતદારની ટીમ દ્વારા કોઠારીયા વિસ્તારમાં ત્રાટકીને યુએલસીની ફાજલ જમીન ખુલ્લી કરાવવાની મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. કોઠારીયામાં આવેલી અંદાજે 250 ચોરસ મીટર જેટલી યુએલસીની ફાજલ જમીન પર રમેશ સાવલિયા નામના શખ્સ દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. આ જમીન પર તંત્રની પરવાનગી વગર આખો કારખાનાનો શેડ ઉભો કરી દેવામાં આવ્યો હતો. અંદાજે 2 કરોડની કિંમતની જમીન ખુલ્લી કરાઈઆ બાબત ધ્યાન પર આવતા જ વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું હતુ અને નોટિસ આપ્યા બાદ આજે પોલીસ કાફલા સાથે ડિમોલિશન કરવામાં આવ્યું હતુ. તાલુકા મામલતદારની સૂચના બાદ મામલતદાર ભૂમિબેન લાવડીયા, નાયબ મામલતદાર જોશી અને તલાટી કલ્પના ગોરની ટીમ પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. તંત્રની ટીમે જેસીબીની મદદથી ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા કારખાનાના શેડને તોડી પાડ્યો હતો. અંદાજે 2 કરોડની કિંમતની જમીન ખુલ્લી કરાઈ તંત્રની આ કડક કાર્યવાહીને પગલે ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 6:06 pm

DGP વિકાસ સહાયએ સો. મીડિયા પર ભાવુક વીડિયો શેર કર્યો:લાંબા સેવાકાળના અનુભવો, યાદો અને અમદાવાદ સાથે જોડાયેલી લાગણીઓને વીડિયોમાં સંવેદનશીલ રીતે રજૂ કરી

રાજ્યના DGP વિકાસ સહાયની નિવૃતિ બાદ 6 મહિનાનું એક્સટેન્શન મળ્યું હતું, જે આજે 2025ના છેલ્લા દિવસે પૂર્ણ થઈ રહ્યું છે. આજે (31 ડિસેમ્બર) વિકાસ સહાયએ સોશિયલ મીડિયા પર એક ભાવુક વીડિયો શેર કર્યો છે, જે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. પોતાના લાંબા સેવાકાળ દરમિયાનના અનુભવો, યાદો અને અમદાવાદ શહેર સાથે જોડાયેલી લાગણીઓને તેમણે આ વીડિયોમાં ખૂબ જ સંવેદનશીલ રીતે રજૂ કરી છે. વીડિયોમાં વિકાસ સહાય ભાવુક બન્યાં36 વર્ષની કારકિર્દીમાંથી અમદાવાદમાં વિતાવેલા વર્ષોને યાદ કરતા વિકાસ સહાય વીડિયોમાં ભાવુક બનતા નજરે પડે છે. વર્ષો પહેલાં જ્યાં ફરજ બજાવી હતી તે કાર્યાલયોની મુલાકાત, જૂના સહકર્મીઓ સાથેની મુલાકાત અને સેવાના દિવસોની યાદોએ તેમને અંદરથી સ્પર્શી લીધા હોવાનું વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે. જવાબદારી-સમર્પણનો સંદેશો આપ્યોવિકાસ સહાયનો આ વીડિયો માત્ર વ્યક્તિગત સ્મૃતિઓનો દસ્તાવેજ નથી, પરંતુ જાહેર સેવામાં લાગણી, સમર્પણ અને જવાબદારી કેટલી અગત્યની છે, તેનો જીવંત સંદેશ પણ આપે છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 6:01 pm

31stની ઉજવણીને લઈ પોલીસ સતર્ક:પોરબંદર, દ્વારકા, કચ્છમાં વરસાદી ઝાપટાં, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જાગી કોંગ્રેસ

રાજ્યભરમાં 31stની ઉજવણીનો થનગનાટ રાજ્યભરમાં આજે અલગ અલગ ફાર્મ હાઉસ અને પાર્ટીપ્લોટમાં 31સ્ટની ઉજવણી કરવામાં આવશે.યુવાધન ન્યુ યર 2026ને આવકારવા માટે થનગની રહ્યું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નશેડીઓ અને રોમિયો પર રખાશે નજર તો બીજી તરફ રાજ્યની પોલીસ પણ આ ઉજવણીમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સજ્જ છે. ડ્રોન કેમેરા, શી ટીમ વગેરે સાથે પોલીસ નશેડીઓ અને રોમિયો પર ચાંપતી નજર રાખશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પોરબંદર,દ્વારકા અને કચ્છમાં વરસાદી ઝાપટા હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે પોરબંદર,દ્વારકા અને કચ્છમાં વરસાદી ઝાપટા પડ્યા.. તો અમદાવાદમાં પણ દિવસ દરમિયાન ધુમ્મસભર્યું વાતાવરણ રહ્યું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સ્થાનિક સ્વરાજ પહેલા એક્શન મોડમાં કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસનો એક્શન પ્લાન..કોંગ્રેસ પહેલી જાન્યુઆરીથી સમગ્ર રાજ્યમાં મહાજનસંપર્ક અભિયાન શરુ કરશે..જાન્યુઆરીના અંત સુધીમાં કૉંગ્રેસના નવા પ્રદેશ માળખાની પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગોપાલ ઈટાલિયાએ સરકરા પર કર્યો આક્ષેપ આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આપ નેતા હરેશ સાવલિયા પર થયેલી ખોટી ફરિયાદ મામલે પત્રકાર પરિષદ કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અસામાજિક તત્ત્વો સામે બુલડોઝર કાર્યવાહી ભાવનગરમાં પાંચ અસામાજિક તત્ત્વોના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. આરોપીઓ પ્રોહિબિશન, મારામારી અને અન્ય ગુનાઓ સાથે સંકળાયેલા હતા.. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ટ્રાફિક સિગ્નલ પર યુવકની શરમજનક હરકત વડોદરામાં જાહેરમાં પેશાબ કરતા યુવકનો વીડિયો વાયરલ થયો..ટ્રાફિક સિગ્નલ પર જ યુવકે આ શરમજનક હરકત કરી.. પોલીસે આરોપીને પકડી તેની પાસે ઉઠક બેઠક કરાવી.. આરોપી નશામાં હોવાનું સામે આવ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજકોટમાં આપઘાતના બે બનાવ રાજકોટમાં આપઘાતના બે બનાવ સામે આવ્યા..લાપાસરી ગામે 19 વર્ષીય યુવતી અને રૂડાનગર વિસ્તારની 15 વર્ષીય સગીરાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ટેમ્પો અને કાર વચ્ચે ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વડોદરાના છાણી GSFC બ્રિજ પાસે ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માત થયો.. કાર ચાલકને ગંભીર ઇજાઓને લઈ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, ટક્કર એટલી ભયાનક હતી કે કારના કર્ચેકુર્ચા ઉડ્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આવતીકાલથી શરુ થશે ફ્લવાવર શો આવતી કાલથી અમદાવાદમાં શરુ થશે ફ્લાવર શો શરુ થશે.. આ વખતે ટિકિટમાં 20 રુ.નો વધારો કરવામાં આવ્યો છે.12 વર્ષથી ઉપરના લોકો માટે રૂ.80 ને શનિ-રવિની ટિકિટ 100 રુ. રહેશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 6:00 pm

મુકેશ અંબાણી પરિવાર દ્વારકાધીશના દર્શને પહોંચ્યો:નવા વર્ષ પૂર્વે મુકેશ, અનંત અને રાધિકાએ લીધા આશીર્વાદ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, તેમના પુત્ર અનંત અંબાણી અને પુત્રવધૂ રાધિકા અંબાણી નવા વર્ષના સ્વાગત પૂર્વે જગતમંદિર દ્વારકા ખાતે દર્શનાર્થે પહોંચ્યા હતા. વર્ષ ૨૦૨૫ સુખ, શાંતિ અને સમૃદ્ધિદાયક રહે તેવી મનોકામના સાથે અંબાણી પરિવારે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. પરિવારે ભક્તિભાવપૂર્વક ભગવાન કાળિયા ઠાકોરના દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી. આ મુલાકાત દરમિયાન, અંબાણી પરિવારે જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદજી સરસ્વતીજી મહારાજના શિષ્ય બ્રહ્મચારી નારાયણ નંદજીની પણ મુલાકાત લીધી હતી. તેમણે બ્રહ્મચારી નારાયણ નંદજી પાસેથી આધ્યાત્મિક આશીર્વાદ મેળવ્યા હતા. અંબાણી પરિવાર હંમેશા મહત્ત્વના પ્રસંગો કે વર્ષના પ્રારંભે દ્વારકાધીશના આશીર્વાદ લેવાનું ચૂકતો નથી. આ મુલાકાતને પગલે દ્વારકા મંદિરે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સ્થાનિકોમાં પણ અંબાણી પરિવારના આગમનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 5:59 pm

દ્વારકામાં કમોસમી વરસાદથી પાકને નુકસાન:જીરું, ચણા સહિતના શિયાળુ પાકને વ્યાપક નુકસાનની ભીતિ

દ્વારકા જિલ્લામાં યાત્રાધામ દ્વારકા સહિત આસપાસના વિસ્તારોમાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, વહેલી સવારથી જ આકાશ વાદળોથી ઘેરાયેલું હતું અને ત્યારબાદ ભારે પવન સાથે વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. આ કમોસમી વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. વરસાદ એટલો વેગીલો હતો કે દ્વારકાના મુખ્ય બજારના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વર્ષના અંતિમ દિવસોમાં યાત્રાળુઓનો ભારે ધસારો હોવાથી, અચાનક આવેલા વરસાદને કારણે ભક્તોમાં પણ દોડધામ મચી ગઈ હતી. ઠંડા પવન સાથેના આ માવઠાને કારણે વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ હતી. શિયાળાના ભરપૂર તડકાની જરૂરિયાત વચ્ચે પડેલા આ વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. હાલ ખેતરોમાં જીરું, ચણા, ઘઉં અને ધાણા જેવો શિયાળુ પાક તૈયાર થઈ રહ્યો છે. પવન સાથેના વરસાદથી પાક આડો પડી જવાની અને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હવામાન નિષ્ણાતોના મતે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં હજુ પણ આવો જ માહોલ રહી શકે છે. વરસાદી માહોલ શમ્યા બાદ રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની પણ શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 5:37 pm

જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ:ઠંડા પવનોની લહેરો સાથે વાતાવરણમાં પલટો

જામનગરમાં હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. બપોર સુધી વાદળછાયા વાતાવરણ બાદ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો હતો. જામનગર શહેર નજીક તેમજ દડીયા, ઠેબા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો હતો. વરસાદ સાથે શીતળ અને ઠંડા પવનોની લહેરો પણ જોવા મળી હતી, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જામનગર જિલ્લામાં ફરી એકવાર કમોસમી વરસાદ પડ્યો છે. અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, જેણે વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર લાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 5:34 pm

પોરબંદરમાં 24 કલાકમાં દારૂબંધીના 24 ગુન્હા નોંધાયા:પોલીસે વિવિધ વિસ્તારોમાં કડક કાર્યવાહી કરી

પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન દારૂબંધીના કાયદાના ભંગ બદલ કુલ 24 ગુન્હા નોંધવામાં આવ્યા છે. જિલ્લા પોલીસે દારૂની હેરાફેરી અને વેચાણ સાથે સંકળાયેલા આરોપીઓ સામે વિવિધ વિસ્તારોમાં કડક કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી હેઠળ નિલેશ ધનજીભાઈ ગોહેલ, સંજય કરશન ચુડાસમા, કરશન ઉગાભાઈ સાદિયા, ગોપાલ રાણા ચાવડા, અમિત કરશન સાદિયા, પ્રકાશ વાલજીભાઈ બામણીયા, રવી ઉર્ફ ભૂરો બચુભાઈ શીંગરખીયા, મંજુ ધીરુભાઈ ગોહેલ, દેવી મેરામણભાઈ કડછા, મંજુ લીલા લાખા કેશવાલા, સલમા અહમદશાહ રફાઈ, ભીકા કાનાભાઈ ભરાઈ, ભીમાં ઉર્ફ ભીમકી રામાભાઈ ઓડેદરા, રામ અરહીભાઈ ઝુંડારીયા, સુરેશ સીતારામ મકવાણા, બાબુ મેનંદભાઈ સોલંકી, રામ બચુભાઈ મોતીવરસ, કલ્પેશ ઉર્ફ ભામઠો રાજુભાઈ છેલાવાડા, અશોક ગોવિંદભાઈ લોઢારી, ગોવિંદ વેલજીભાઈ સિંધવ અને પરેશ ધનજીભાઈ વરવાડીયા સહિતના આરોપીઓ સામે ગુન્હા દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું છે કે વીરા મેપા કોડીયાતર, હેમંત એભાભાઈ મારૂ, વિનુ ભનાભાઈ કોડીયાતર અને ભરત બાઘાભાઈ છેલાણા હાલ ફરાર છે. તેમની શોધખોળ ચાલી રહી છે. પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જિલ્લામાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે અને ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 5:32 pm

આણંદના અયાન વ્હોરાએ અબાકસ વર્લ્ડ કપમાં ગોલ્ડ જીત્યો:યુરોપમાં યોજાયેલ સ્પર્ધામાં ભારતને રનર્સઅપ બનાવવામાં યોગદાન આપ્યું

આણંદના 13 વર્ષીય અયાન મોહસીન વ્હોરાએ યુરોપના જ્યોર્જિયામાં યોજાયેલ યુસીમાસ અબાકસ વર્લ્ડ કપ-2025 સ્પર્ધામાં ભારતનું ગૌરવ વધાર્યું છે. તેણે વ્યક્તિગત વિભાગમાં ગોલ્ડ ટ્રોફી જીતી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ સ્પર્ધામાં અયાને ટીમ ઇવેન્ટમાં ભારતને રનર્સઅપ બનાવવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. વિશ્વના 84થી વધુ દેશોના 1500થી વધુ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આણંદની યુસીમાસ અબાકસ સંસ્થામાં છેલ્લા ચાર વર્ષથી તાલીમ લઈ રહેલા અયાને આઠ મિનિટમાં 200 જેટલા જટિલ ગણિતના દાખલાઓ પેપર, પેન કે કેલ્ક્યુલેટર વિના ઉકેલી પોતાની અદભૂત માનસિક ક્ષમતા સાબિત કરી હતી. વર્લ્ડ કપ માટે તેણે દરરોજ 2થી 3 કલાક અને સ્પર્ધા પૂર્વે 8થી 10 કલાક કઠોર મહેનત કરી હતી. ભારત તરફથી માત્ર ચાર વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી, જેમાં આણંદના અયાન ઉપરાંત અમદાવાદ અને મુંબઈના ત્રણ અન્ય કિશોરો સામેલ હતા. અયાન આણંદની આનંદાલય શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરે છે. અયાન વ્હોરાના પિતા ડૉ. મોહસીન વ્હોરા અમૂલ ડેરીમાં વેટરનરી ડૉક્ટર તરીકે ફરજ બજાવે છે, જ્યારે તેની માતા ગૃહિણી છે. અયાને અગાઉ જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં પણ પ્રથમ સ્થાન મેળવી 18થી વધુ ટ્રોફી અને પ્રમાણપત્રો મેળવ્યા છે. જ્યોર્જિયાની નેશનલ યુનિવર્સિટીમાં યોજાયેલી આ સ્પર્ધામાં મલેશિયાના યુસીમાસ પ્રેસિડેન્ટ, સીઈઓ, સાઉદી અરેબિયા અને કઝાકિસ્તાનના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં અયાન અને તેની ટીમે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. અયાન ભવિષ્યમાં ગણિતશાસ્ત્રી બનવા સાથે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાનો સંકલ્પ ધરાવે છે. તેની આ સિદ્ધિએ આણંદ જિલ્લા સાથે સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 5:15 pm

250 બાળકોએ 'પર્વત બચાવો' સંદેશ આપ્યો:પાટણ શાળાના બાળકોએ માનવ રચિત કૃતિ દ્વારા પર્યાવરણ જાગૃતિનો અનોખો પ્રયાસ કર્યો

ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત બોમ્બે મેટલ પ્રાથમિક શાળા, પાટણ ખાતે 31 ડિસેમ્બર, 2025 ના રોજ 250 બાળકો દ્વારા 'પર્વત બચાવો' (SAVE MOUNTAINS) નો સંદેશ આપવામાં આવ્યો. બાળકોએ માનવ રચિત કૃતિ દ્વારા આ પર્યાવરણ જાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું. આ માનવ રચિત કૃતિનો મુખ્ય ઉદ્દેશ્ય પર્વતોના ઘટતા અસ્તિત્વ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. પર્વતમાળાઓ, જેમ કે અરવલ્લી રેન્જ, માત્ર પથ્થરોનો સમૂહ નથી, પરંતુ તે ભારતીય ઉપખંડનો સૌથી જૂનો ભૂસ્તરશાસ્ત્રીય વારસો છે. પર્વતમાળાઓ આબોહવા, જળ સુરક્ષા અને ઐતિહાસિક વારસાના રક્ષક છે. તે પાણી અને ભક્તિનો સ્ત્રોત છે, રણના આક્રમણ સામે ઢાલ સમાન છે. ભૌગોલિક, ઐતિહાસિક અને પર્યાવરણીય દૃષ્ટિએ તેમનું અત્યંત મહત્વ છે. પર્વતો નદીઓનું ઉદ્ભવ સ્થાન હોવા ઉપરાંત ધાર્મિક મહત્વ, પર્યટન સ્થળો, ખનીજ સંપત્તિ, રણને રોકતી દીવાલ, જળ વિભાજક અને જૈવ વિવિધતા માટે પણ અનિવાર્ય છે. આજે ગેરકાયદેસર ખનન અને શહેરીકરણને કારણે પર્વતમાળાઓનું અસ્તિત્વ જોખમમાં છે. આથી, તેમનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે. શાળાના બાળકોએ આ સંદેશ દ્વારા સમાજને પર્વતોના સંરક્ષણ માટે પ્રેરિત કરવાનો પ્રયાસ કર્યો.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 5:09 pm

SGVP ગુરુકુલ મેમનગર ખાતે બ્રહ્મચોરાસીનું આયોજન:સુવર્ણ જયંતી મહોત્સવ અંતર્ગત 600 ભૂદેવોનું સન્માન કરાયું

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર, અમદાવાદ ખાતે સંસ્થાના સુવર્ણ જયંતી મહોત્સવ નિમિત્તે બ્રહ્મચોરાસીનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે વડતાલ, ડભાણ, અમદાવાદ, જૂનાગઢ, રાજકોટ સહિત વિવિધ શહેરોમાંથી આશરે 600 ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા. વિશાળ જોગી સ્વામી સત્સંગ ભવનમાં એક સાથે 600 બાજોઠની હરમાળા રચાઈ હતી. ભૂદેવોનું ચંદન તિલક, પુષ્પહાર, ટ્રાવેલિંગ બેગ, કાંડા ઘડિયાળ, ગરમ શાલ તથા દક્ષિણાથી પૂજન કરવામાં આવ્યું. ત્યારબાદ સંતો, હરિભક્તો અને વિદ્યાર્થીઓ દ્વારા ભૂદેવોને વિવિધ પકવાનોથી ભોજન કરાવવામાં આવ્યું હતું. દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો દ્વારા ચાર વેદોની પારાયણ પણ કરવામાં આવી હતી. મેમનગર ગુરુકુલની સ્થાપના 50 વર્ષ પૂર્વે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવન દાસજી સ્વામીએ કરી હતી. ભગવાન શ્રી સ્વામિનારાયણના સદ્દવિદ્યા અને સર્વજીવહિતવાહના સંદેશાના પ્રસાર માટે આ સંસ્થાની સ્થાપના થઈ હતી. તેની જવાબદારી પરમ પૂજ્ય શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીને સોંપવામાં આવી હતી. ગુરુકુલના સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 17 થી 22 ડિસેમ્બર 2026 દરમિયાન સુવર્ણ જયંતી મહોત્સવનું આયોજન કરવામાં આવશે. આ મહોત્સવ અંતર્ગત 21 દિવસીય 51 કુંડી મહાવિષ્ણુયાગ પણ યોજાઈ રહ્યો છે. આ પ્રસંગે પરમ પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, “બ્રાહ્મણો ધરતીના દેવ સમાન છે. તેમણે આપણી સંસ્કૃતિ અને સંસ્કૃતના રક્ષણ માટે અતુલ્ય સમર્પણ કર્યું છે. ભૂતકાળમાં શાસ્ત્રોના રક્ષણ માટે તેમના વડવાઓએ બલિદાન આપ્યાં છે. એ જ પરંપરા આજે પણ ગુરુકુલમાં જીવંત છે. હાલમાં ગુરુકુલમાં 200 જેટલા ભૂદેવો વિદ્યાભ્યાસ સાથે સંસ્કૃતિના સંરક્ષણ માટે કટિબદ્ધ છે.” સંસ્થાના અધ્યક્ષ પરમ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ પણ ઉપસ્થિત તમામ ભૂદેવોને વંદન સાથે શુભેચ્છા પાઠવી હતી. વિવિધ પ્રદેશોમાંથી આવેલા ભૂદેવો સંસ્થા દ્વારા કરાયેલ પૂજન અને માન-સન્માનથી અત્યંત પ્રસન્ન થયા હતા.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 5:05 pm

નંદનવન શાળામાં ઉર્જા જાગૃતિ કાર્યક્રમ:GEDA અને નિસર્ગ સેન્ટરના સહયોગથી ચિરસ્થાયી ઉર્જા વિશે જાગૃતિ યોજાયો

ગાંધીનગરની નંદનવન અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, સેક્ટર–13 ખાતે ચિરસ્થાયી ઉર્જા વિશે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી (GEDA) દ્વારા પ્રેરિત આ કાર્યક્રમ નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, ગાંધીનગરના સહયોગથી યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં ચિરસ્થાયી અને નવનીકરણીય ઉર્જા પ્રત્યે જાગૃતિ વધારવાનો તેમજ ઊર્જા સંરક્ષણનું મહત્વ સમજાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને સોલાર ઉર્જા, ઊર્જા બચત, પર્યાવરણ સંરક્ષણ અને ચિરસ્થાયી વિકાસ અંગે સરળતાથી માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ માટે ઉર્જા જાગૃતિ ક્વિઝનું પણ આયોજન કરાયું હતું. ક્વિઝમાં ઉત્તમ પ્રદર્શન કરનાર વિજેતા વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય અને શિક્ષકમિત્રોએ આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધારવાની મહત્તા પર ભાર મૂક્યો હતો. તેમણે આયોજકો અને સહયોગ આપનાર સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 5:03 pm

દિગંબર જૈન સમાજ મહાસંઘની ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન:ઉત્તર ગુજરાત ઝોને હિંમતનગરમાં પ્રથમ વખત આયોજન કર્યું

ગુજરાતી દિગંબર જૈન સમાજ મહાસંઘ ઉત્તર ગુજરાત ઝોન અંતર્ગત હિંમતનગર ડિવિઝન દ્વારા હિંમતનગર ખાતે 27 અને 28 ડિસેમ્બરના રોજ ગ્રાઉન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝોન દ્વારા આ પ્રકારની આ પ્રથમ ટુર્નામેન્ટ હતી. આ ટુર્નામેન્ટમાં પુરુષોની 12 ટીમો અને મહિલાઓની 4 ટીમોએ ભાગ લીધો હતો. હિંમતનગરના ધારાસભ્ય શ્રી વી. ડી. ઝાલાએ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. બે દિવસીય ટુર્નામેન્ટ દરમિયાન શામળાજી મંદિરના ટ્રસ્ટી શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ, હિંમતનગર નાગરિક બેંકના પૂર્વ ચેરમેન શ્રી હિરેનભાઈ ગોર અને ડિરેક્ટર શ્રી રાકેશભાઈ સોની પણ હાજર રહ્યા હતા. ઉત્તર ગુજરાત ઝોનના ગવર્નર શ્રી અજીતભાઈ મહેતા, અન્ય ડિવિઝનના પ્રમુખો, તેમના કારોબારી મિત્રો અને ખેલાડીઓના પરિવારજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ટુર્નામેન્ટનું સફળ આયોજન હિંમતનગર ડિવિઝનના પ્રમુખ શ્રી દિલીપભાઈ મહેતા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. એન્કર ઝલકબેન શાહ અને કોમેન્ટેટર શ્રી શુભમ શુક્લાએ તેમની સુંદર કોમેન્ટરી દ્વારા ટુર્નામેન્ટને વધુ રોમાંચક બનાવી હતી.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 5:00 pm

હોટેલ શ્રીજી સયાજીએ વંચિત બાળકો માટે નાતાલ ઉજવી:ચૈતન્ય ટ્રસ્ટના 50 બાળકો માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું

જામનગરમાં ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત 'હેપ્પી ચિલ્ડ્રન સેન્ટર'ના 50 વંચિત બાળકો માટે આ વર્ષની નાતાલ યાદગાર બની રહી હતી. ટ્રસ્ટના લાંબા સમયના CSR પાર્ટનર હોટેલ શ્રીજી સયાજીના સહયોગથી આ બાળકો માટે એક ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાળકોએ રમતગમત, બાઉન્સી કેસલ અને જાદુગરના ખેલનો ભરપૂર આનંદ માણ્યો હતો. હોટેલ શ્રીજી સયાજી દ્વારા બાળકોને સ્વાદિષ્ટ ભોજન અને નાસ્તો પણ પીરસવામાં આવ્યો હતો, જેનાથી તેમના ઉત્સાહમાં વધારો થયો હતો. નાતાલની પરંપરા મુજબ દરેક બાળકને વિશેષ 'રિટર્ન ગિફ્ટ' આપવામાં આવી હતી. આ ભેટો સ્વીકારતી વખતે બાળકોના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાતી હતી. આ આયોજનનો મુખ્ય હેતુ બાળકોમાં આત્મવિશ્વાસ જગાડવાનો અને તેમને સમાજનો એક મહત્વનો ભાગ હોવાનો અહેસાસ કરાવવાનો હતો. આ કાર્યક્રમની સફળતા પાછળ ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક હિતેશ પંડ્યા અને કાજલ પંડ્યાનું સતત માર્ગદર્શન રહ્યું હતું. હોટેલ શ્રીજી સયાજીની ટીમ, જેમાં મેનેજિંગ ડિરેક્ટર શ્રી ભરત મોદી, જનરલ મેનેજર શ્રી સિદ્ધાર્થ ધાર, એચ.આર. શ્રી જાવેદ પાસ્તા, યુ.એફ.સી. શ્રી નઈમ જુવારિયા અને પરચેઝ વિભાગના શ્રી રાજેશ રાઠોડનો સમાવેશ થાય છે, તેમણે પણ સક્રિય સહયોગ આપ્યો હતો. ટ્રસ્ટના શિક્ષિકા રીટા દરિધણિયા અને સ્વયંસેવકો જ્યોતિ, સંજના, નિલેષ ફફલ અને દેવાંગ બથવારે પણ કાર્યક્રમમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 4:57 pm

ઊંઝા માનવ મંદિર દિવ્યાંગ કેન્દ્રની મુલાકાત:SK મેડિકલ કોલેજની ફિઝિયોથેરાપિસ્ટ ટીમે દિવ્યાંગ બાળકો સાથે કરી મુલાકાત

ઊંઝાના માનવ મંદિર દિવ્યાંગ બાળકોના ડે કેર સેન્ટરની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત વિસનગરની SK મેડિકલ કોલેજના ફિઝિયોથેરાપિસ્ટ ડોકટરોની એક ટીમ દ્વારા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 4:55 pm

MLA ઇટાલિયાના આક્ષેપો:વિસાવદરના પ્રમુખ સાવલિયા સામે ખોટી FIR થઈ, પ્રવીણ રામના જન્મદિવસે જેલમાં મળવા ન દેવાયા

રાજકોટ આવેલા AAPના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિસાવદરના આપના પ્રમુખ હરેશ સાવલીયા સામે ખોટી FIR દાખલ કરી હોવાનો આક્ષેપ કર્યો છે. આજે જેલમાં બંધ AAPના નેતા પ્રવીણ રામનો જન્મદિવસ હતો, આમ છતાં પણ તેના પરિવારજનોને મળવા દેવાયા નહોતા. ગુજરાતમાં ખેડૂતો માટે લડત ચલાવતા નેતાઓને ભાજપ જેલમાં પુરવાનું કામ કરી રહી હોવાનો ઇટાલિયાએ આક્ષેપ કર્યો હતો. જેથી ફરી એક વખત રાજકારણ ગરમાયુ છે. રાજકોટમાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, જુનાગઢ જિલ્લાના વિસાવદરમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશભાઈ સાવલિયા વિરુદ્ધ ખોટી રીતે પોલીસ દ્વારા છેડતીની ખોટી FIR દાખલ કરવામાં આવી. જે બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવતા પોલીસ દ્વારા રિમાન્ડ માંગવામાં આવ્યા. જોકે કોર્ટે રિમાન્ડ મંજૂર ન કર્યા. ત્યાર બાદ હરેશભાઈ સાવલિયાને ગઈકાલે જેલમાં અન્ય કેદીઓ દ્વારા માર મારવામાં આવ્યો અને એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે વિસાવદર AAPના પ્રમુખ ખેડૂતો માટે લડત ચલાવી રહ્યા છે. ગુજરાતમાં ખેડૂતો માટે જે કોઈ પણ લડત ચલાવે તેમને ભાજપ દ્વારા જેલમાં મોકલવાનું આયોજન ગોઠવાયેલું છે. રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ સહિતના નેતાઓ હજુ પણ રાજકોટ જેલમાં છે. ભેંસાણ જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય દ્વારા તાલુકા પંચાયતના સરકારી અધિકારીને માર મારી ભ્રષ્ટાચાર કરેલા ખોટા બિલો પર સહી કરવા માટેનું દબાણ કરવામાં આવતું હતું. જેમાં મામૂલી બોલાચાલીની ફરિયાદ દાખલ કરવામાં આવી. ગુજરાત પોલીસના કેટલાક અધિકારીઓ કમરનો પટ્ટો ગળામાં પહેરી કાર્યવાહી કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે આજે અમારા નેતા પ્રવીણભાઈ રામનો જન્મદિવસ હતો અને તેથી જેલમાં તેમને મળવા માટે ગયા હતા તેમને મળવા માટે અમે ફોર્મ પણ કર્યુ. મારી સાથે પ્રવીણભાઈના પિતા અને કાકા પણ હતા. આમ છતાં પણ મળવા ન દેવાયા અને જ્યારે આ બાબતે પૂછવામાં આવ્યું તો જવાબ મળ્યો કે અમને ઉપરથી મળવા દેવાની ના પાડવામાં આવી.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 4:54 pm

વિદ્યાર્થીઓએ સાયણ સુગર ફેક્ટરીની મુલાકાત લીધી:પરીયા શાળાના વિદ્યાર્થીઓએ ખાંડ ઉત્પાદન પ્રક્રિયા વિશે પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યું

પરીયા પ્રાથમિક શાળાના ધોરણ પાંચ થી આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સાયણ સુગર ફેક્ટરીની શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાતનો મુખ્ય હેતુ બાળકોને ઔદ્યોગિક એકમની કાર્યપ્રણાલી અને ઉત્પાદન પ્રક્રિયા વિશે પ્રત્યક્ષ જ્ઞાન પૂરું પાડવાનો હતો. ફેક્ટરીમાં વિદ્યાર્થીઓને શેરડીના આગમનથી લઈને ખાંડના અંતિમ ઉત્પાદન સુધીની સંપૂર્ણ પ્રક્રિયા વિગતવાર દર્શાવવામાં આવી હતી. બાળકોએ રૂબરૂ નિહાળીને ખાંડ કેવી રીતે બને છે તેની જટિલ પ્રક્રિયાને સમજવાનો અનુભવ મેળવ્યો હતો. આ શૈક્ષણિક પ્રવાસમાં શાળા પરિવારના સભ્યો અને એસએમસી (સ્કૂલ મેનેજમેન્ટ કમિટી) અધ્યક્ષ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને આવા પ્રત્યક્ષ અનુભવોના શૈક્ષણિક મહત્વ પર ભાર મૂક્યો હતો.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 4:50 pm

હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓને ગરમ હુડીનું વિતરણ:શિયાળાની ઠંડીમાં બાળકોને રક્ષણ આપવામાં મદદરૂપ થશે

હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા ગ્રામીણ વિસ્તારોની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિયાળાની ઠંડીથી બચાવવા ગરમ હુડીનું વિતરણ કરવામાં આવ્યું છે. આ પહેલ ખાસ કરીને એવા બાળકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે, જેઓ ઠંડીના કારણે શાળાએ આવવામાં મુશ્કેલી અનુભવતા હતા. આ ગરમ હુડી મળવાથી બાળકોને ઠંડીથી રક્ષણ મળે છે અને તેઓ શરદી, ખાંસી, તાવ જેવી બીમારીઓથી બચી શકે છે. સ્વસ્થ બાળકો નિયમિતપણે શાળામાં હાજર રહીને પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકે છે, જે તેમની શૈક્ષણિક પ્રગતિ માટે અત્યંત જરૂરી છે. હુડી વિતરણથી બાળકોમાં આત્મવિશ્વાસ અને ખુશીનો સંચાર થાય છે. જ્યારે કોઈ સંસ્થા તેમની કાળજી લે છે, ત્યારે બાળકોને લાગે છે કે સમાજ તેમની સાથે છે. આ ભાવના તેમને ભણતર પ્રત્યે વધુ ઉત્સાહિત બનાવે છે અને શાળા પ્રત્યેનો તેમનો લગાવ વધે છે. આ સહાય ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે પણ ખૂબ મહત્વપૂર્ણ છે. શિયાળાના ગરમ કપડાં ખરીદવા એ ઘણા પરિવારો માટે આર્થિક બોજ હોય છે. હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા મળતી આ હુડીથી પરિવાર પરનું આર્થિક ભારણ ઘટે છે. સમગ્ર રીતે જોતાં, હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા ગ્રામીણ શાળાના બાળકોને ગરમ હુડીનું વિતરણ માત્ર કપડાં આપવાનું કાર્ય નથી, પરંતુ તે માનવતા, કરુણા અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ પ્રયાસ બાળકોના સ્વાસ્થ્ય, શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્યને સુરક્ષિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 4:47 pm

સુરતની શાળામાં કેન્સર અને કિશોરાવસ્થા અંગે સેમિનાર:ધોરણ 11ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો, નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું

સુરતની શ્રીમતી આઈ.એન. ટેકરાવાળા હાઈસ્કૂલમાં તાજેતરમાં 'મિશન આરોગ્ય જાગૃતિ' સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં 11મા ધોરણના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શ્રીમતી આઈ.એન. ટેકરાવાળા હાઈસ્કૂલ અને પ્રાણવાયુ મેડિકલ મેગેઝીનના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો. સેમિનારમાં કેન્સર અને કિશોરાવસ્થા સંબંધિત સમસ્યાઓ પર વ્યાખ્યાનો આપવામાં આવ્યા હતા. સુરતના જાણીતા ઓન્કોસર્જન ડૉ. આનંદ શાહે સર્વાઇકલ કેન્સર વિશે માહિતી આપી હતી. મનોચિકિત્સક ડૉ. પ્રણવ પચ્ચીગર અને સેક્સોલોજિસ્ટ ડૉ. રૂહી પટેલે કિશોરાવસ્થાની મૂંઝવણો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વ્યાખ્યાનો બાદ પ્રશ્નોત્તરી સત્ર પણ યોજવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ વિવિધ પ્રશ્નો પૂછીને સાચી અને સચોટ માહિતી મેળવી હતી.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 4:45 pm

મોરબીના નેસડામાં પાણી જતન માટે ગ્રામસભા:ગીરગંગા પરિવાર ટ્રસ્ટે ચેકડેમ અને બોર રિચાર્જિંગનું મહત્વ સમજાવ્યું

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નેસડા ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીના જતન માટે એક ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખિયાએ ગ્રામજનોને ચેકડેમ દ્વારા વરસાદી પાણી કેવી રીતે બચાવવું તે સમજાવ્યું. તેમણે વરસાદી પાણીનું મહત્વ, તેના સંગ્રહથી જમીનના જળસ્તરને ઊંચા લાવવામાં ચેકડેમની અસરકારકતા વિશે માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું કે ચેકડેમથી જળસ્તર વધશે, ખેતી માટે સતત પાણી ઉપલબ્ધ થશે, ખેતી ખર્ચ ઘટશે અને ખેડૂતો એકથી વધુ સિઝનમાં ખેતી કરી શકશે. આ પ્રસંગે ટ્રસ્ટના અગ્રણી ભાવેશભાઈ સખિયાએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં પાણીની કટોકટી ટાળવા માટે અત્યારથી જ જાગૃત થવું અનિવાર્ય છે. આકાશમાંથી વરસતા વરસાદી પાણીના દરેક ટીપાનો સંગ્રહ કરી તેને જમીનમાં ઉતારવો એ શ્રેષ્ઠ ઉપાય છે. તેમણે ઉમેર્યું કે, જો આજે પાણીનું જતન કરીશું તો જ ભવિષ્યની પેઢીને પૂરતું પાણી મળી રહેશે. તેમણે ખેત તલાવડી, ચેકડેમ અને બોર રિચાર્જિંગ જેવી પદ્ધતિઓ અપનાવીને ગામનું પાણી ગામમાં જ રોકવા ગ્રામજનોને આહ્વાન કર્યું. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સમગ્ર ગુજરાતમાં લોકભાગીદારીથી પૃથ્વીની જીવસૃષ્ટિના રક્ષણ માટે કાર્યરત છે. સંસ્થા જમીનના તળમાં બોર-કુવામાં વરસાદી મીઠા પાણીના સ્તરને ઊંચા લાવવા માટે અનેક ચેકડેમનું સમારકામ, ઊંચા, ઊંડા અને નવા ચેકડેમ બનાવવાનું કાર્ય કરે છે. ટ્રસ્ટ દ્વારા બોર રિચાર્જિંગની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવે છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટે કુલ ૧,૧૧,૧૧૧ ચેકડેમ તૈયાર કરવાનો સંકલ્પ કર્યો છે. આ ગ્રામસભામાં નેસડા ગામના સરપંચ પંકજભાઈ ભાડજા, કિસાન સંઘના પ્રમુખ મહાદેવ મગનભાઈ, હરજીવનભાઈ ભાડજા, ગંગાભાઈ ભાડજા, લાલજીભાઈ ભાડજા, જશમંતભાઈ ચીકાણી, નંદલાલભાઈ ભાડજા સહિત અનેક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 4:44 pm

તેરા તુજ કો અર્પણમાં રેકોર્ડબ્રેક કામગીરી:વડોદરા પોલીસે વર્ષ-2025માં 22 કરોડનો મુદ્દામાલ અરજદારોને પરત અપાવ્યો, અરજદારે કહ્યું- મારા 36 લાખ પરત અપાવ્યા

વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે આજે(31 ડિસેમ્બર) તેરા તુજ કો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં 698 જેટલા અરજદારોને તેમનો 1.41 કરોડ રૂપિયાનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો. જેમાં વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ચોરી, લૂંટ અને ઠગાઇમાં ગયેલા ઘરેણાં, મોબાઇલ અને રોકડ રકમ અરજદારોને પરત કરવામાં આવી હતી. જેના કારણે અરજદારોમાં ખુશી જોવા મળી હતી. આ ઉપરાંત અરજદારોએ પોતાનો ગુમાવેલા મોબાઇલ સહિતનો સામાન લેવા માટે પડાપડી કરી હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ-2025માં તેરા તુજ કો અર્પણના 87 કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેમાં 1840 લાભાર્થીઓને 22.84 કરોડ રૂપિયાનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો. વડોદરા શહેર પોલીસે તેરા તુજ તો અર્પણમાં રેકોર્ડબ્રેક કામગીરી કરી છે. આ ઉપરાંત ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસકર્મીઓ અને અધિકારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં ગુનાઓમાં 6 ટકાનો ઘટાડોવડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, ગુનાઓને અટકાવવા માટે પ્રિવેન્ટીવ મેજર્સ લીધા હતા. આજે વડોદરા શહેરમાં ગુનાઓમાં 6 ટકાનો ઘટાડો થયો છે અને બનેલા ગુનાઓમાં 73.5 ટકા ડિટેક્શન કરવામાં સફળતા મળી છે. ડિકોય 100 ટકા, લૂંટ 100 ટકા, ઘરફોડ ચોરી 76 ટકા, ચેઇન સ્નેચિંગા 96 ટકા અને અન્ય ગુનાઓમાં 73.5 ટકા કેસોને ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે. એક વર્ષમાં 22 કરોડ રૂપિયાથી વધુ મુદ્દામાલ લોકોને પરત કર્યાંતેઓેએ વધુમાં જણાવ્યું હતું કે, નાગરીકોને ચોરાયેલો મુદ્દામાલ પરત મળે તે માટે વડોદરા શહેર પોલીસ એક્ટિવ છે. એક વર્ષમાં 22 કરોડ રૂપિયાથી વધુ મુદ્દામાલ લોકોને પરત કર્યાં છે. જેમાં 18.14 કરોડ રૂપિયાનો પણ સમાવેશ થાય છે. આજે 1.41 કરોડ રૂપિયાનો મુદ્દામાલ અરજદારોને પરત કર્યો છે. જેમાં સાયબર ક્રાઇમના ગુનાઓમાં પરત કરાવેલા 44.08 લાખ રૂપિયાનો પણ સમાવેશ થાય છે. જેમાં 1243 મોબાઇલ, વાહનો, સોના-ચાંદીના ઘરેણા, રોકડ રકમનો સમાવેશ થાય છે. રાત્રે 11 વાગ્યે સાયબર ક્રાઇમ પોલીસમાં સંપર્ક કર્યો, 5 મિનિટીમાં ગાંધીનગરથી ફોન આવ્યોઅરજદાર જોયબ્રતો મુખર્જીએ જણાવ્યું હતું કે, હું ઓગસ્ટ મહિનામાં સાયબર ફ્રોડનો શિકાર બન્યો હતો. હું 36 વર્ષ સુધી એબીબી કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટ રહ્યો હતો. છતાં મારી સાથે સાયબર ફ્રોડ થતાં મારો કોન્ફિડેન્સ હલી ગયો હતો. સ્ટોક ઇન્વેસ્ટમેન્ટના નામેે 35.05 લાખ રૂપિયા મેં ગુમાવી દીધા હતા. મારા મિત્રએ મને કહ્યું હતું કે, તમે સાયબર ક્રાઇમ પોલીસમાં સપર્ક કરો. મેં રાત્રે 11 વાગ્યે સાયબર ક્રાઇમ પોલીસમાં સંપર્ક કર્યો હતો. સામેથી 5 મિનિટીમાં ગાંધીનગરથી ફોન આવ્યો હતો. તેઓએ મારા ડોક્યુમેન્ટ માંગ્યા હતા. પોલીસે માત્ર 4 મહિનામાં જ મારા 36 લાખ રૂપિયા પરત અપાવ્યાતેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હું કહેવા માંગુ છું કે, વડોદરા શહેર પોલીસ પ્રોફેશનલ રીતે કામ કરે છે. તેઓએ સતત મહેનત કરીને મારા 36 લાખ રૂપિયા પરત અપાવ્યા છે. આ મારા માટે મિરેકલથી ઓછું નથી. મે આશા છોડી દીધી હતી. પણ પોલીસે માત્ર 4 મહિનામાં જ મારા 36 લાખ રૂપિયા પરત અપાવ્યા છે. હું વડોદરા પોલીસનો આભાર માનુ છું.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 4:44 pm

રાહી ફાઉન્ડેશને આદિવાસી છાત્રાલયને સ્વેટર, ટોપી, તિજોરી આપ્યા:બનાસકાંઠાના ઈકબાલગઢમાં બાળકોને ગરમ કપડાં, સંસ્થાને પલંગ પણ મળ્યા

અમદાવાદના રાહી ફાઉન્ડેશન દ્વારા બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગઢ ખાતે આવેલા પછાત વર્ગ ઉત્કર્ષ સેવા સંઘ સંચાલિત આદિવાસી કુમાર છાત્રાલયને વિવિધ ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવી હતી. આ અંતર્ગત છાત્રાલયના વિદ્યાર્થીઓ માટે 30 ગરમ સ્વેટર અને ગરમ ટોપીઓ તેમજ છાત્રાલય માટે એક ઓફિસ કબાટ અને એક પલંગનું દાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ અને નિહારિકા પરીખ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સામાજિક અગ્રણીઓ પ્રવીણભાઈ પટેલ, સરૂપાજી દેસાઈ, અમીચંદભાઈ શ્રીમાળી, જીતુભાઈ જોષી અને શનિભાઈ રાવલ પણ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંકલન પછાત વર્ગ ઉત્કર્ષ સેવા સંઘના સતીષભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં શાળાના વિદ્યાર્થીઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યા હતા. સતીષભાઈ જોષીએ સ્વાગત પ્રવચન આપ્યું હતું, જ્યારે અમીચંદભાઈ શ્રીમાળીએ પણ પ્રવચન આપ્યું હતું. રાહી ફાઉન્ડેશનના પ્રમુખ જયેશ પરીખે વિદ્યાર્થીઓને જીવન ઉપયોગી, પર્યાવરણ બચાવો અને શાળા માટે ઉપયોગી બનવાની શીખ આપી હતી. તેમણે માતા-પિતાને ભગવાન માની સવારે બહાર નીકળતા પહેલા તેમના ચરણોમાં નમીને નીકળવાની પ્રેરણા આપી હતી. રાહી ફાઉન્ડેશન દ્વારા ભવિષ્યમાં શાળાને લાઇબ્રેરી અને સ્ટેશનરીની મદદ કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાહી ફાઉન્ડેશનના કાર્યકર્તાઓનું સંસ્થા તરફથી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. મહેમાનોને જયેશ પરીખ લિખિત પ્રેરણાત્મક પુસ્તક સુખનો સૂર્યોદય ભેટ આપવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 4:42 pm

છઠીયારડા શાળા-આંગણવાડીના બાળકોને તિથિ ભોજન અપાયું:ઐયુબખાન પઠાણના દીકરાના લગ્ન પ્રસંગે આયોજન કરાયું

છઠીયારડા ગામમાં ઐયુબખાન યાકુબખાન પઠાણના દીકરા નોમાનખાનના લગ્ન પ્રસંગ નિમિત્તે તિથિ ભોજનનું આયોજન કરાયું હતું. આ ભોજન છઠીયારડા ગામની પ્રાથમિક કુમાર શાળા, પ્રાથમિક કન્યા શાળા અને તમામ આંગણવાડી કેન્દ્રોના બાળકોને પીરસવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય જયપ્રકાશ સથવારાએ પ્રાર્થના સભામાં શ્રી ઐયુબખાન પઠાણના સેવાભાવી કાર્યને બિરદાવ્યા હતા. તેમણે ઐયુબખાનના દીકરા નોમાનખાનને તેમના ભાવિ વૈવાહિક જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આચાર્ય સથવારાએ જણાવ્યું હતું કે આવા કાર્યો બાળકોમાં સંસ્કાર અને સામાજિક ભાવનાનો વિકાસ કરે છે. શાળા પરિવારે શ્રી ઐયુબખાન પઠાણનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તિથિ ભોજન કાર્યક્રમથી બાળકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 4:38 pm

દર્શના બુટાલા 27 વર્ષની સેવા બાદ સન્માનિત:કોમ્યુનિટી ઓન્કોલોજી સેન્ટર વાસણા ખાતે હાયર ઘેન હોપ ફાઉન્ડેશન દ્વારા સન્માન

કોમ્યુનિટી ઓન્કોલોજી સેન્ટર, વાસણા ખાતે છેલ્લા 27 વર્ષથી સેવા આપનાર શ્રી દર્શનાબેન બુટાલા નિવૃત્ત થતા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. અમદાવાદની સામાજિક સંસ્થા 'હાયર ઘેન હોપ ફાઉન્ડેશન' દ્વારા આ સન્માન કરાયું હતું.ગુજરાત કેન્સર સોસાયટી (ફાઉન્ડેશન) દ્વારા સંચાલિત આ સેન્ટરમાં દર્શનાબેન બુટાલા પી.આર.ઓ., સોશિયલ વર્કર, કેન્સર એજ્યુકેશન અવેરનેસ અને પ્રદર્શન વિભાગના વડા તરીકે કાર્યરત હતા. તેમણે ૨૭ વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક સેવાઓ આપી હતી. આ સન્માન સમારોહમાં 'હાયર ઘેન હોપ ફાઉન્ડેશન'ના સ્થાપકો પરેશ શેઠ અને ક્ષિતિજ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સંસ્થાના કેતકીબેન શાહ, જાગૃતિબેન પટેલ અને અન્ય કર્મચારીઓ પણ હાજર હતા. દર્શનાબેનને શાલ ઓઢાડી અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને તેમની સેવાઓ અને સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી દર્શનાબેન બુટાલાએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 4:35 pm

સંત નિર્વાણ સાહેબની 512મી સમાધિજયંતિ ઉજવાઈ:સુરતમાં 'જ્ઞાન ગોદડી મેળો' યોજાયો, હજારો ભક્તો ઉમટ્યા

સુરતના બેગમપુરા સ્થિત નિર્વાણ અખાડા ખાતે સંત સદગુરુ શ્રી નિર્વાણ સાહેબની 512મી જીવંત સમાધિજયંતિ નિમિત્તે આધ્યાત્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ 30-12-2025 થી 31-12-2025 દરમિયાન યોજાયો હતો. આ અવસરે 'જ્ઞાન ગોદડી મેળા'નું પણ આયોજન થયું હતું. આ મેળાના દર્શન માટે સુરત તેમજ મહારાષ્ટ્રથી હજારો ભક્તો વહેલી સવારથી બસો દ્વારા ઉમટી પડ્યા હતા. ભક્તોએ સંત નિર્વાણ સાહેબની સમાધિના દર્શન કરી પ્રસાદીનો લાભ લીધો હતો. સંત નિર્વાણ સાહેબની સમાધિ આવેલો આશ્રમ 545 વર્ષથી વધુ જૂની ભૂમિ તરીકે ઓળખાય છે. ઇતિહાસ મુજબ, વિ. સં. 1537માં જ્યારે સુરત પર નવાબનું શાસન હતું અને હિન્દુ સાધુ-સંતોને શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો, ત્યારે કુંભમેળાની ચર્ચા બાદ સંત નિર્વાણ સાહેબ સુરત આવ્યા હતા. તેમના ચમત્કારોના પરિણામે નવાબ સ્વયં તેમના ભક્ત બન્યા અને ત્યારબાદ સુરતમાં ધર્મ-સહિષ્ણુતાનો નવો અધ્યાય શરૂ થયો. સંત નિર્વાણ સાહેબે 33 વર્ષ સુધી સુરતમાં નિવાસ કર્યો. આ સમયગાળા દરમિયાન નિર્વાણ આશ્રમમાં જાહેર અન્નક્ષેત્ર, હાથીઓનું સંરક્ષણ, હજારો ભક્તોની દૈનિક સેવા અને 'જ્ઞાનીજીનો મેળો' જેવી પરંપરાઓની શરૂઆત થઈ. આજના સુરતના ગોપીપુરા, ગોપીતળાવ, હાથી ફળીયા, દુકાળપોળ અને દાણાપીઠ જેવા વિસ્તારોના નામકરણનો ઈતિહાસ પણ સંત નિર્વાણ સાહેબ સાથે જોડાયેલો હોવાનું આશ્રમ સંચાલકો જણાવે છે. નવાબી યુગના પુરાતન દસ્તાવેજો અનુસાર, નિર્વાણ અખાડાની જમીન નવાબના મહેલથી મોતી ટોકીઝ દાણાપીઠ સુધી વિસ્તરેલી હતી. આ આશ્રમમાં હનુમાનજી, યોગી ભર્તુહરી, યોગી ગોપીચંદ, ગેબીનાથ, મલ્લીનાથ, ગોરખનાથ સહિત અનેક મહાન સંતો સંત નિર્વાણ સાહેબને મળવા આવતા. ઉપરાંત ગુરુ નાનકજી, સંત કમાલ સાહેબ, મીરાબાઈ, કબીર સાહેબ અને સંત નામદેવ જેવા મહાત્માઓ સાથેના સમાગમના પ્રસંગો અનેક ગ્રંથોમાં વર્ણવાયેલા છે. સ્વયં સહજાનંદ સ્વામી પણ સંત નિર્વાણ સાહેબની સમાધિના દર્શન માટે અહીં આવ્યા હતા. આ વર્ષે યોજાયેલા મહોત્સવે સુરતની સંત પરંપરાને ફરી એકવાર ઉજાગર કરી.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 4:34 pm

સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજીને દિવ્ય શણગાર:ધનુર્માસ નિમિત્તે વૃંદાવનના વાઘા ધરાવાયા, અન્નકૂટ કરાયો

સાળંગપુરધામ ખાતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને પવિત્ર ધનુર્માસ નિમિત્તે દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત આ યાત્રાધામમાં 30 ડિસેમ્બર, 2025, મંગળવારના રોજ આયોજન કરાયું હતું. પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી દાદાને વૃંદાવનમાં તૈયાર થયેલા એમ્બ્રોઈડરી વર્કવાળા ફૂલની ડિઝાઈનના વાઘા ધરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, મંદિરના સિંહાસનને પણ સુશોભિત કરવામાં આવ્યું હતું. સવારે 5.30 કલાકે મંગળા આરતી અને 7 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. દાદાને ૫૧ ડઝન કેળાનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. સાંજે 4 કલાકે દાદાના દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરાયું છે. મંદિરની યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર ધનુર્માસ (૧૬ ડિસેમ્બર, ૨૦૨૫ થી ૧૪ જાન્યુઆરી, ૨૦૨૬) દરમિયાન વિશ્વ કલ્યાણ અને પારિવારિક શાંતિના અર્થે વિશેષ જાપ યજ્ઞનો પ્રારંભ કરાયો છે. આ જાપ યજ્ઞમાં “શ્રી હનુમાન ચાલીસાના પાઠ” તેમજ “ૐ નમો હનુમતે ભયભંજનાય સુખમ્ કુરુ ફટ્ સ્વાહા” મંત્રનો જાપ દરરોજ સવારે ૭ થી ૧૨ અને સાંજે ૩ થી ૬:૩૦ કલાક દરમિયાન કરવામાં આવે છે. આ દિવ્ય દર્શનનો લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 4:30 pm

ભરૂચ ક્રિકેટ એસોસિએશનનો ગ્રીષ્મા ટ્રોફીમાં વિજય:નવસારીમાં આયોજિત ગર્લ્સ ટુર્નામેન્ટમાં ટ્રોફી જીતી

નવસારી ખાતે છાપરા સ્પોર્ટ્સ દ્વારા આયોજિત ગ્રીષ્મા ટ્રોફી ગર્લ્સ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં ભરૂચ ક્રિકેટ એસોસિએશને વિજય મેળવ્યો છે. આ ફાઇનલ મુકાબલો આર ડી ક્રિકેટ અકાદમી અને ભરૂચ ક્રિકેટ એસોસિએશન વચ્ચે યોજાયો હતો. આ ફાઇનલ મેચમાં ભરૂચ ક્રિકેટ એસોસિએશનની મહિલા ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ટ્રોફી પોતાના નામે કરી. ટુર્નામેન્ટ દરમિયાન મહિલા ખેલાડીઓએ એકાગ્રતા, મહેનત અને આત્મવિશ્વાસ સાથે રમતનું પ્રદર્શન કર્યું હતું. ભરૂચ ક્રિકેટ એસોસિએશનની ટીમે શરૂઆતથી જ મજબૂત રમત રજૂ કરી વિજય સુનિશ્ચિત કર્યો. આ પ્રસંગે ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલે વિજેતા મહિલા ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ભવિષ્યમાં પણ વધુ સિદ્ધિઓ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. પ્રમુખ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં મહિલાઓ માટે યોજાતા આવા ટુર્નામેન્ટોનું વિશેષ મહત્વ છે. તેમાં ભરૂચની મહિલા ખેલાડીઓએ ઉત્તમ પ્રદર્શન કરીને ટ્રોફી જીતવી એ ગૌરવની બાબત છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા મહિલાઓને વ્યવસ્થિત અને ગુણવત્તાયુક્ત કોચિંગ આપવામાં આવે છે. જેના પરિણામે ભરૂચની મુસ્કાન વસાવાએ વેસ્ટ ઝોન અને કૃપા પ્રજાપતિએ ગુજરાતની ટીમમાં પસંદગી મેળવી છે. તેઓ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન દ્વારા ભરૂચનું નામ રાજ્ય અને દેશ સ્તરે રોશન કરી રહી છે. આ વિજય બદલ મહિલા ક્રિકેટ ટીમના ચેરમેન તથા સિલેક્ટર વિપુલ ઠક્કર, સેક્રેટરી ઇશ્તિયાક પઠાણ, વાઇસ પ્રેસિડન્ટ મનીષ નાયક, સંકેત પટેલ તેમજ ભરૂચ ક્રિકેટ એસોસિએશનના અન્ય સભ્યોએ પણ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. ગ્રીષ્મા ટ્રોફી ટુર્નામેન્ટમાં મળેલો આ વિજય ભરૂચની દીકરીઓની પ્રતિભા, અવિરત મહેનત અને અડગ આત્મવિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 4:28 pm

ફતેગંજ બ્રિજ ખુલ્લો મુકાયો:કાર્પેટીંગ કામગીરી પૂરી થતાં વર્ષના અંતિમ દિવસે બ્રિજ ખોલાયો, થર્ટી ફસ્ટની ઉજવણી માટે આવતા લોકોને રાહત

વડોદરા શહેરના પૂર્વ-પશ્ચિમ વિસ્તારને જોડતા ફતેગંજના પ્રમુખ સ્વામી બ્રિજ કાર્પેટીંગની કામગીરીને કારણે બ્રિજ છેલ્લા કેટલાક દિવસોથી બંધ હતો. ત્યારબાદ હવે ખુલ્લો થતા વાહનચાલકોએ ટ્રાફિક સમસ્યાથી મુક્તિ મેળવી રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, ચોમાસાની ઋતુમાં વરસાદના કારણે ભારે નુકસાન થયું હતું. પરિણામે આ બ્રિજ કેટલાક દિવસોથી વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો. ગોરવા ગેંડા સર્કલ અને કારેલીબાગ જતા વાહનચાલકોને રાહતઆ દરમિયાન કાર્પેટિંગની કામગીરી પૂરી થતાં જ તંત્ર દ્વારા બ્રિજ વાહન ચાલકો માટે ખુલ્લો કરાયો હતો. પરિણામે ગોરવા ગેંડા સર્કલ અને કારેલીબાગ જતા વાહનચાલકોને ખૂબ રાહત થઈ હતી. આજે વર્ષનો અંતિમ દિવસ છે અને તેની ઉજવણી નિમિત્તે ફતેગંજ વિસ્તારમાં ખૂબ જ ટ્રાફિક રહેતો હોય છે. જેથી આ વિસ્તારના રોડ રસ્તા બંધ કરવા પણ પોલીસ તંત્રને ફરજ પડે છે. ફતેગંજ વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા હળવી થશેજ્યારે બીજી બાજુ ફતેગંજનો આ પ્રમુખસ્વામી બ્રિજ ખુલ્લો થતાં નવા વર્ષની ઉજવણી નિમિત્તે ફતેગંજ વિસ્તારમાં થતા ટ્રાફિક જામની સમસ્યા પણ હળવી થવાની શક્યતા નકારી શકાતી નથી. આજે થનાર ઉજવણીમાં આ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થશે ત્યારે ટ્રાફિક પોલીસે પણ આ માર્ગ ખુલ્લો કરવામાં આવતા રાહતનો શ્વાસ લીધો છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 4:27 pm

ટાઉન હોલ ધોવા માટે ફાયર બ્રિગેડ અને કર્મીઓનો દુરુઉપયોગ:નોન યુઝ ગાડી છે કહીને મહેસાણાના ફાયર ઇન્સ્પેક્ટરે ગોળ ગોળ જવાબ આપ્યા

મહેસાણા મહાનગરપાલિકા ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. પાલિકાના તંત્ર અને તેની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે, જેમાં ફાયર બ્રિગેડ જેવા ઈમરજન્સી વિભાગના સાધનોનો અંગત કે બિનજરૂરી કામો માટે દુરુપયોગ થતો હોવાનું બહાર આવ્યું છે. મનપા દ્વારા ટાઉન હોલ ધોવા માટે મીની ફાયર બ્રિગેડ અને ફાયરકર્મીનો ઉપયોગ કરવામાં આવતા વિવાદ ઉભો થયો છે. ટાઉનહોલની સફાઈ કરવા ફાયર બ્રિગેડનો દુરઉપયોગમળતી વિગતો અનુસાર મહેસાણા આવતીકાલે મુખ્યમંત્રી આવનારા હોવાથી અને ટાઉન હોલમાં કાર્યક્રમ હોવાથી મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા ગતરાત્રી દરમિયાન શહેરના ટાઉનહોલની સફાઈ કરવા માટે ફાયર બ્રિગેડના સાધનોનો અને એક-બે ફાયર કર્મીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, જે સાધનો માત્ર આગ જેવી કટોકટીની સ્થિતિમાં લોકોના જીવ અને મિલકત બચાવવા માટે ફાળવવામાં આવ્યા છે, તેને ટાઉનહોલ ધોવા જેવા સામાન્ય કામમાં જોતરી દેવામાં આવ્યા હતાં. મીની બ્રાઉઝરનો ઉપયોગ કરીને ટાઉનહોલના પરિસરને ધોવાયુંઆ ઘટનામાં ફાયર બ્રિગેડના 'મીની બ્રાઉઝર'નો ઉપયોગ કરીને ટાઉનહોલના પરિસરને ધોવામાં આવ્યું હતું. સ્વચ્છતાના બહાને સરકારી મશીનરી અને પાણીનો આ પ્રકારે વ્યય કરવામાં આવ્યો હતો.નિયમ મુજબ ફાયર ફાઈટર કે મીની બ્રાઉઝરનો ઉપયોગ માત્ર આગ ઓલવવા કે રેસ્ક્યુ ઓપરેશન માટે જ કરવાનો હોય છે. ફાયર ઇન્સ્પેક્ટરે ગોળ ગોળ જવાબ આપ્યાફાયર ઇન્સ્પેક્ટર હરેશ પટેલે જણાવ્યું કે, જો ફાયર વિહિકલ અને ફાયર સ્ટાફ હોય તો જ્યારે કોઈ પણ ઇમરજન્સી આવે આગ બુઝાવવા માટેની કે એ કામગીરી દરમિયાન આપણે ફાયર વિહિકલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. વધુમાં જણાવ્યું કે જે, ગાડીનો ઉપયોગ હતો એ અમે એની કાર્યક્ષમતાના હિસાબે ફાયરમાં અત્યારે ઉપયોગ કરતા નથી અને નોન-યુઝ ગાડી છે અમારી ફાયરની. એના અંદર હાઈ પ્રેશર પંપ છે તો અમે એને ટૂંક સમયમાં કન્વર્ટ કરી છે પ્રેશર પંપ માટે બીજું કે જે સ્ટાફ હતો એ ટેકનિકલ કઈ રીતે ચાલુ કરવું કે શું કરવું એના માટે ફાયરનો સ્ટાફ ત્યાં આગળ હતો એ ગાડીમાં. એ તો પ્રેશર પંપ તરીકે ઉપયોગ કરેલો છે અને હાલ ફાયર માટે અમે બિલકુલ એ ગાડીનો ઉપયોગ કરતા નથી, એની જગ્યાએ અમે નવી ગાડી વસાવેલી છે.આમ ફાયર ઇન્સ્પેક્ટર દ્વારા ગોળ ગોળ જવાબ આપવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 4:27 pm

જંબૂરી હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ:વલસાડ કોર્ટે વિપુલ હળપતિને દોષિત ઠેરવી સજા ફટકારી

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના જંબૂરી ગામમાં થયેલી હત્યાના કેસમાં વાપીના બીજા એડિશનલ સેશન્સ જજે આરોપી વિપુલ નારણભાઈ હળપતિ (ઉં.વ. 35)ને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. આરોપીએ ફરિયાદી અંજુબેન વારલીના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી તેમના પુત્ર કલ્પેશ વારલીની લાકડાના ફટકા મારી હત્યા કરી હતી. કેસની વિગત અનુસાર, 5 ફેબ્રુઆરી 2022ના રોજ સાંજે લગભગ 7 વાગ્યે ઘરની બહાર થયેલી બોલાચાલીની અદાવત રાખી આરોપી વિપુલ હળપતિ લાકડાનું ફાડચું લઈને ફરિયાદીના ઘરમાં ઘૂસ્યો હતો. તેણે ઘરની પેજારીમાં ચૂલા પાસે બેઠેલા કલ્પેશ વારલીના માથા પર ઉપરાછાપરી ત્રણ ફટકા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ હુમલામાં મૃતકની બહેન કવિતા વારલીને પણ ગંભીર ઈજાઓ થઈ હતી. પબ્લિક પ્રોસિક્યુટર અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને અદાલતે આરોપીને IPC કલમ 302 હેઠળ આજીવન કેદ અને ₹10,000નો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત, IPC કલમ 449 હેઠળ 10 વર્ષની કેદ અને ₹2,000નો દંડ તથા કલમ 324 હેઠળ એક વર્ષની કેદ અને ₹1,000નો દંડ પણ કરવામાં આવ્યો છે. અદાલતે ગુજારનારના આશ્રિતોને વળતર આપવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને કેસ રિફર કરવાનો પણ આદેશ આપ્યો છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 4:27 pm

K.P.E.S. ઇંગ્લિશ સ્કૂલ ખાતે 'પ્રજ્ઞાન એક્સપો'નું આયોજન:ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીતૈ 110 જેટલા પ્રોજેક્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓએ બતાવી પ્રતિભા, ભાવનગર ના યુવરાજ ઉપસ્થિત રહ્યા

ચંદ્રયાન, મિશન ટુ માર્સ, ઇકો બ્રિક્સ, ટેકનોલોજી, સોલર એનર્જી તથા ડાયાલિસિસની પ્રક્રિયા સમજાવતો પ્રોજેક્ટ રજૂ કર્યા અન્ય શાળાઓના વિદ્યાર્થીઓ અને વાલીઓ સહિત ભાવનગરના અંદાજે 2500 થી વધુ નાગરિકો ઉમટી પડ્યા ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ ધ કેપીએસ ઇંગ્લિશ સ્કૂલ દ્વારા આજરોજ 'પ્રજ્ઞાન એક્સપો 2025' વિજ્ઞાન પ્રદર્શનનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્સપોમાં પ્રી-પ્રાયમરીથી લઈને ધોરણ 11 સુધીના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને વિવિધ વિષયો પર 110 જેટલા નવીનતમ પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા, ​આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ભાવનગરના યુવરાજસિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમણે વિદ્યાર્થીઓના કૌશલ્ય અને વૈજ્ઞાનિક અભિગમને બિરદાવ્યો હતો, આ સમગ્ર આયોજન સ્કૂલના ટ્રસ્ટીઓ, આચાર્ય તરૂણભાઈ વ્યાસ અને પ્રાયમરી સેક્શનના હેડ મલ્લિકાબેનના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. ​​વિદ્યાર્થીઓએ માત્ર મોડેલ જ નહીં, પરંતુ વર્તમાન અને ભવિષ્યની સમસ્યાઓના ઉકેલ સમાન પ્રોજેક્ટ્સ તૈયાર કર્યા હતા, જેમાં મુખ્ય આકર્ષણોઓમાં ​સ્પેસ સાયન્સ ચંદ્રયાનનું આબેહૂબ મોડેલ અને 'મિશન ટુ માર્સ' (મંગળ અભિયાન) ના પ્રોજેક્ટ્સ, ​પર્યાવરણ સુરક્ષા, પ્રદૂષણ ઘટાડવા માટે પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી તૈયાર કરેલી 'ઇકો બ્રિક્સ', ​આરોગ્ય અને ટેકનોલોજી, ડાયાલિસિસની પ્રક્રિયા સમજાવતો પ્રોજેક્ટ અને સોલર એનર્જીના વિવિધ ઉપયોગો સહિતના 110 જેટલા પ્રોજેકટો બાળકો દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા, ​કેપીઈએસ સાયન્સ એકેડમીના એડમિનિસ્ટ્રેટિવ પ્રણવ દેવલુકએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ પ્રદર્શનને નિહાળવા માટે સંસ્થાના વિદ્યાર્થીઓ ઉપરાંત અન્ય શાળાઓના વિદ્યાર્થીઓ અને વાલીઓ સહિત ભાવનગરના અંદાજે 2500 થી વધુ નાગરિકો ઉમટી પડ્યા હતા, તમામ વિભાગના હેડ્સ અને શિક્ષકોના સહિયારા પ્રયાસોથી આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે જ્ઞાનનો ઉત્સવ બની રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 4:17 pm

મોરબીના શાપર પાસે કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ઘુસ્યા:ખેડૂતોના વાવેતરને મોટું નુકસાન; અધિકારીઓ ફોન ઉપાડતા હોવાના આક્ષેપ

મોરબી તાલુકાના શાપર ગામ પાસે માઈનોર કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી ગયું છે. આ ઘટનાને કારણે ખેડૂતોએ વાવેલા પાકને મોટા પાયે નુકસાન થયું છે. પ્રાથમિક માહિતી અનુસાર, પ્રસાદ મિનરલ્સની પાછળથી પસાર થતી આ માઈનોર કેનાલની યોગ્ય રીતે સફાઈ કરવામાં આવી ન હતી. કેનાલમાં પાણી છોડતા પહેલા તેની સફાઈ ન થવાને કારણે પાણી ઓવરફ્લો થઈને આસપાસના ખેતરોમાં ફરી વળ્યું હતું. શાપર ગામના અજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ અંગે અધિકારીઓને જાણ કરવા માટે ફોન કરવામાં આવ્યા હતા, પરંતુ અધિકારીઓએ ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી. ખેડૂતો અધિકારીઓના બિનજવાબદાર વલણથી નારાજ છે. મોરબી જિલ્લામાંથી પસાર થતી કેનાલોમાં પાણી ઓવરફ્લો થવાની અને ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી જવાની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. ગત વર્ષે પણ ચોમાસામાં પાછોતરા વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું હતું. આવી પરિસ્થિતિમાં કેનાલના પાણીથી પાકને નુકસાન થતા ખેડૂતોને 'પડ્યા ઉપર પાટુ' જેવો ઘાટ સર્જાયો છે. ખેડૂતો આ કાયમી સમસ્યામાંથી મુક્તિ મળે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 4:16 pm

ભાગવત કથામાં ચોરી કરતી મહિલા ઠગ ગેંગ ઝડપાઈ:પોલીસ પર હુમલો કરવામાં પણ નથી અચકાતી આ મહિલાઓ, ગેંગની માસ્ટરમાઈન્ડનો ગુનાહિત ઈતિહાસ

સુરતના વેસુ વિસ્તારમાં આયોજિત ભાગવત કથા દરમિયાન સાત મહિલાઓના ગળામાંથી લાખોની કિંમતના સોનાના ઘરેણાની તફડંચી કરનાર દિલ્હીની કુખ્યાત મહિલા ઠગ ગેંગનો સુરત ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. કથામાં શ્રદ્ધાળુ બનીને ઘૂસેલી વનિતા ઉર્ફે વનિદા રંગાસ્વામી અને તેની ટોળકીએ અંદાજે રૂ. 6.77 લાખની કિંમતના 140 ગ્રામ સોનાની ચેઈન ચોરી કરી પલાયન થઈ ગઈ હતી, જેને ક્રાઈમ બ્રાન્ચે કીમ ચાર રસ્તા પાસેથી ફિલ્મી ઢબે દબોચી લીધી છે. મહિલાઓ માત્ર ગુજરાત જ નહીં ગોવા સહિતના રાજ્યોમાં વોન્ટેડધરપકડ કરાયેલી આ મહિલાઓ માત્ર ગુજરાત જ નહીં પરંતુ ગોવા સહિતના અનેક રાજ્યોમાં વોન્ટેડ છે અને પોલીસ પર હુમલો કરવા જેવી હિંમત ધરાવતી રીઢા ગુનેગાર છે, જેઓ જેવો દેશ તેવો વેશ ધારણ કરી ધાર્મિક પ્રસંગોમાં ચોરીની ઘટનાને અંજામ આપતી હતી. ભાગવત કથામાં શ્રદ્ધાળુ મહિલાઓને નિશાન બનાવવામાં આવી હતીસુરતના વેસુ વિસ્તારમાં નંદીની-1 એપાર્ટમેન્ટ ખાતે આયોજિત ભાગવત કથામાં શ્રદ્ધાળુ મહિલાઓને નિશાન બનાવવામાં આવી હતી. ગત 27 ડિસેમ્બરના રોજ કથાના ધમધમાટ વચ્ચે તસ્કરોએ સાત મહિલાઓના ગળામાંથી આશરે 140 ગ્રામ સોનાની ચેઈન (અંદાજે કિંમત 6.77 લાખ) ચોરી લીધી હતી. આ ઘટનામાં સંડોવાયેલી ગેંગ એટલી વ્યવસ્થિત હતી કે કથાના વાતાવરણમાં કોઈને શંકા સુદ્ધાં ગઈ નહોતી. વેસુ પોલીસે આ મામલે ભારતીય ન્યાય સહિંતાની કલમ-303(2) મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. વનિતા કોઈ સામાન્ય ચોર નહીં, પરંતુ એક રીઢી ગુનેગારઆ ટોળકીની મુખ્ય સૂત્રધાર દિલ્હીની વનિતા ઉર્ફે વનિદા રંગાસ્વામી છે. વનિતા કોઈ સામાન્ય ચોર નથી, પરંતુ એક રીઢી ગુનેગાર છે. તેના નામે ગુજરાતના અમદાવાદ (ગાયકવાડ હવેલી), ભુજ, વલસાડ અને સુરત (અલથાણ)માં અનેક ગુનાઓ નોંધાયેલા છે. એટલું જ નહીં, તેની ગુનાખોરીની સીમાઓ ગુજરાત બહાર ગોવા સુધી ફેલાયેલી છે. ગોવા પોલીસના મરગાઉ, માપુસા અને કેનાકોના પોલીસ સ્ટેશનમાં પણ તે ચેઈન સ્નેચિંગ અને લૂંટના ગુનામાં વોન્ટેડ હતી. અન્ય બે મહિલાઓ પોલીસ પર હુમલો કરી ભાગી છૂટવાની ટેવ ધરાવનારધરપકડ કરાયેલી અન્ય બે મહિલાઓ, રાધા અને મનિષા પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ખાસ કરીને રાધા સામે સુરતના અલથાણ પોલીસ મથકે અગાઉ ચોરીનો ગુનો નોંધાઈ ચુક્યો છે, જેમાં તે લાંબા સમયથી વોન્ટેડ હતી. આ મહિલાઓ માત્ર ચોરી જ નથી કરતી, પરંતુ જ્યારે પોલીસ તેમને પકડવા જાય ત્યારે પોલીસ ટીમ પર હુમલો કરી ભાગી છૂટવાની પણ ટેવ ધરાવે છે. આ ગેંગ 'ઠગ' ગેંગ તરીકે ઓળખાય છે, જે ભારતના વિવિધ રાજ્યોમાં સક્રિય છે. મહિલાઓ તક મળતા જ સેકન્ડોમાં ચેઈન તોડીને પલાયન થઈ જતીઆ ગેંગની સૌથી મોટી ખાસિયત તેમની 'વેશપલટો' કરવાની કળા છે. તેઓ જે રાજ્યમાં જાય અને જે ધાર્મિક પ્રસંગ (હિન્દુ, જૈન કે અન્ય) માં જાય, ત્યાંના લોકો જેવા જ પારંપરિક કપડાં પહેરી લે છે. આથી ભીડમાં તેઓ સામાન્ય શ્રદ્ધાળુ જેવા જ લાગે છે. કથા કે લગ્ન જેવા પ્રસંગોમાં તેઓ સોનાના ભારે દાગીના પહેરેલી મહિલાઓની ઓળખ કરી અને તક મળતા જ સેકન્ડોમાં ચેઈન તોડીને પલાયન થઈ જાય છે. પોલીસે ફિલ્મી ઢબે વોચ ગોઠવી ત્રણેય મહિલાઓને દબોચી લીધીસુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, આ મહિલાઓ સુરત ગ્રામ્યના કીમ ચાર રસ્તા પાસેથી પસાર થવાની છે. ગેંગના હિંસક ઈતિહાસને જોતા પોલીસે મહિલા કોન્સ્ટેબલો સાથે એક મજબૂત સંયુક્ત ટીમ બનાવી હતી. પોલીસે ફિલ્મી ઢબે વોચ ગોઠવી આ ત્રણેય મહિલાઓને દબોચી લીધી હતી. આ ઓપરેશનથી માત્ર વેસુની ચોરીનો જ નહીં, પણ ગોવા અને અન્ય શહેરોમાં થયેલી અનેક ચોરીઓના ભેદ ઉકેલાવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 4:11 pm

હિંમતનગર પાલિકાએ 12 દબાણ દૂર કર્યા:ભોલેશ્વર અને મોતીપુરા વિસ્તારમાં રસ્તાઓ ખુલ્લા કરાયા

હિંમતનગર નગરપાલિકાએ ભોલેશ્વર અને મોતીપુરા વિસ્તારોમાં દબાણ વિરોધી ઝુંબેશ હાથ ધરી હતી. બુધવારે ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કુલ 12 દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીથી સોસાયટીના અને ટીપી રોડના રસ્તાઓ ખુલ્લા થયા હતા. પાલિકા દ્વારા ભોલેશ્વર ખાતે આવેલી શિવધારા અને સુંદરમ સોસાયટીઓમાં કાર્યવાહી કરવામાં આવી હતી. અહીં 20 ફૂટના રસ્તા પરના કાચા અને પાકા દબાણો, જેમાં ઓટલા, પગથિયાં અને શૌચાલયોનો સમાવેશ થતો હતો, તે હટાવીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, મોતીપુરા વિસ્તારમાં આવેલી શરણમ સોસાયટીમાં પણ દબાણ હટાવવામાં આવ્યા હતા. રસ્તા પર બનાવેલા પાકા કોટ દૂર કરવામાં આવ્યા હતા. 9 મીટરના ટીપી રોડ પરના દબાણો પણ હટાવી દેવાયા હતા, જે હાઈવેના સર્વિસ રોડને ટીપી રોડ સાથે જોડે છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 4:08 pm

પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ બન્યા:છોટા ઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સન્માન સમારંભ યોજાયો

છોટા ઉદેપુરના પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવાની ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક બાદ છોટા ઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે તેમનો સન્માન સમારંભ યોજાયો હતો. આ સન્માન સમારંભમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગીતાબેન રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા, સાંસદ જશુભાઈ રાઠવા સહિત જિલ્લા ભાજપના અન્ય હોદ્દેદારો અને અગ્રણી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગીતાબેન રાઠવાએ જણાવ્યું હતું કે, તેઓ પાર્ટી દ્વારા સોંપવામાં આવેલી તમામ જવાબદારીઓ સુપેરે નિભાવશે. તેમણે આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપને જંગી બહુમતીથી જીતાડવા માટે કામગીરી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 4:06 pm

ગોધરા રેલવે સ્ટેશન પર સઘન સર્ચ ઓપરેશન:થર્ટી ફર્સ્ટની સુરક્ષા માટે BDDS અને પોલીસે તપાસ કરી

ગોધરા રેલવે સ્ટેશન પર થર્ટી ફર્સ્ટની સુરક્ષા વ્યવસ્થાને વધુ ચુસ્ત બનાવવા માટે રેલવે પોલીસ, આર.પી.એફ. અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) દ્વારા સંયુક્ત રીતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ અભિયાન અંતર્ગત સ્ટેશન પર આવતી-જતી તમામ પેસેન્જર ટ્રેનોના ડબ્બાઓમાં મુસાફરોના સામાનની બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત, પ્લેટફોર્મ, મુસાફરખાના અને પાર્સલ ઓફિસ જેવા સંવેદનશીલ સ્થળોએ પણ સુરક્ષા એજન્સીઓએ આધુનિક સાધનોની મદદથી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. સમગ્ર ચેકિંગ પ્રક્રિયા દરમિયાન કોઈ પણ શંકાસ્પદ ચીજવસ્તુ કે બિનવારસી સામાન મળી આવ્યો ન હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. નવા વર્ષની ઉજવણીના માહોલમાં કોઈ અઘટિત ઘટના ન બને તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા આ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા. આ સુરક્ષા વ્યવસ્થાને પગલે રેલવે સ્ટેશન પર હાજર મુસાફરોમાં પણ સુરક્ષાનો ભાવ જોવા મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 4:05 pm

થર્ટી ફર્સ્ટે કષ્ટભંજન દેવના દર્શને લાઈનો લાગી:દુનિયા આખી મોજ-મસ્તી કે પાર્ટીમાં મસ્ત ત્યારે સાળંગપુરમાં ભક્તોનું ઘોડાપૂર, વર્ષના છેલ્લા દિવસે દાદાના આશીર્વાદનું ભાથું

આજે 2025નો અંતિમ દિવસ છે, જ્યારે વિશ્વભરમાં પશ્ચિમી સંસ્કૃતિ મુજબ ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે, ત્યારે બોટાદના સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર, સાળંગપુર ખાતે શ્રદ્ધાનો ઘોડાપૂર ઉમટ્યો હતો. થર્ટી ફર્સ્ટ એટલે કે વર્ષના વિદાયના દિવસે લાખો ભક્તોએ મોજ-મસ્તી કે પાર્ટીઓના બદલે દાદાના આશીર્વાદ મેળવી આધ્યાત્મિક રીતે વર્ષ પૂર્ણ કરવાનું પસંદ કર્યું હતું. વહેલી સવારથી ભક્તોની લાંબી કતારોવર્ષના છેલ્લા દિવસે દાદાના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા. હનુમાન દાદાના દિવ્ય અને ભવ્ય શણગારના દર્શન કરવા માટે મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ દાદાના ચરણોમાં શીશ ઝુકાવી આગામી વર્ષ સૌ માટે સુખદ, સમૃદ્ધ અને શાંતિપૂર્ણ રહે તેવી પ્રાર્થના કરી હતી. સમગ્ર મંદિર પરિસર 'જય હનુમાન' અને 'કષ્ટભંજન દેવની જય'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. યુવાધનમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિસામાન્ય રીતે થર્ટી ફર્સ્ટના દિવસે યુવાનો ક્લબ, રિસોર્ટ કે સિનેમાઘરોમાં પાર્ટી કરતા જોવા મળે છે. જોકે, આ વખતે સાળંગપુરમાં ચિત્ર અલગ જોવા મળ્યું હતું. દેશ અને વિદેશમાંથી મોટી સંખ્યામાં યુવાનોએ પોતાની પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખવા માટે સાળંગપુરની મુલાકાત લીધી હતી. યુવા ભક્તોએ જણાવ્યું હતું કે, પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણ કરતા પોતાની સંસ્કૃતિ મુજબ ભગવાનની ભક્તિ સાથે વર્ષની વિદાય આપવી વધુ ગૌરવશાળી છે. કોઠારી વિવેક સ્વામીનું નિવેદનમંદિરના કોઠારી વિવેક સ્વામીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, થર્ટી ફર્સ્ટ એ પશ્ચિમી સંસ્કૃતિનો હિસ્સો હોવા છતાં, આજે હિન્દુ સમાજમાં મોટી જાગૃતિ જોવા મળી રહી છે. હજારોની સંખ્યામાં ભક્તો, ખાસ કરીને યુવાનો, નિજાનંદ અને ભક્તિ માટે સાળંગપુર આવ્યા છે તે ગૌરવની વાત છે. આ રીતે હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરી ભક્તિમય વાતાવરણમાં વર્ષની પૂર્ણાહુતિ કરવી એ સરાહનીય છે. પરિવાર સાથે આવેલા શ્રદ્ધાળુઓએ પણ ભાવભીના હૈયે વર્ષ 2025ને 'બાય બાય' કહી નવા વર્ષના મંગલ વધામણાં માટે દાદાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 3:58 pm

ટેમ્પો-કાર વચ્ચે જોરદાર ટક્કરમાં કારના કર્ચેકુર્ચા ઉડ્યા:કારચાલકને ગંભીર ઇજાઓને પગલે હોસ્પિટલ ખસેડાયો, વડોદરાના છાણી GSFC બ્રિજ પાસે અકસ્માત

વડોદરા શહેરના છાણી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા GSFC બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ફોર વ્હીલર અને ટેમ્પો વચ્ચે ટક્કર થતા કારના કુર્ચેકુર્ચા ઉડી ગયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં કારચાલકને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક 108 મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. આ મામલે છાણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. છાણી GSFC બ્રિજ પાસે ફોર વ્હીલર અને ટેમ્પો વચ્ચે જોરદાર ટક્કરવડોદરા પાસેથી પસાર થતો નેશનલ હાઈવે 48 દિવસે ને દિવસે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. આ માર્ગ પર અકસ્માતની ભયાનક ઘટનાઓ સામે આવી રહી છે. આજે છાણી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ટાટા મોટર્સ સામે છાણી GSFC બ્રિજ પાસે ફોર વ્હીલર અને ટેમ્પો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં ફોર વ્હીલર ચાલક રાજનાથ શિવપ્રસાદ પાલ (ઉંમર વર્ષ 42, રહે કૃષ્ણાપાર્ક નવાયાર્ડ વડોદરા) ને ગંભીર સ્થિતિમાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ટ્રાફિક જામ થાય તે પહેલા બંને વાહનોને દૂર કરવામાં આવ્યાઆ અકસ્માત સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત કારચાલક રાજનાથ પાલને કારમાંથી કાઢી તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને લઈ છાણી પોલીસની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી બંને વાહનોને રસ્તાની સાઈડમાં ખસેડવાની કામગીરી કરી હતી. આ માર્ગ પર ભારે ટ્રાફિક જામ થાય તે પહેલા આ બંને વાહનોને દૂર કરવામાં આવ્યા હતા. પોલીસે ટેમ્પોચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરીઆ અંગે છાણી પોલીસે અકસ્માત સર્જનાર ટેમ્પોચાલકને ઝડપી પાડ્યો છે. આ ઘટનામાં ટેમ્પોચાલકને ઇજાઓ પહોંચી નથી. હાલમાં આ મામલે છાણી પોલીસે અકસ્માત અંગે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ નેશનલ હાઈવે 48 પર થતા અકસ્માતો જોતા ફરી એકવાર નેશનલ હાઈવે મોતનો હાઈવે હોય તેવું લાગી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 3:53 pm

બોટાદમાં રેન્જ આઈજીનું ઇન્સ્પેક્શન:ગૌતમ પરમારે પરેડ નિરીક્ષણ કરી પોલીસને માર્ગદર્શન આપ્યું

ભાવનગર રેન્જના આઈજી ગૌતમ પરમારે બોટાદ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે ઇન્સ્પેક્શન કર્યું. આ દરમિયાન તેમણે પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ પરેડમાં જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. પોલીસે વિવિધ પ્રકારની મુવમેન્ટ અને ડ્રિલનું પ્રદર્શન કર્યું હતું. આઈજી ગૌતમ પરમારે પરેડના નિરીક્ષણ દરમિયાન પોલીસની શિસ્ત, તૈયારી અને કામગીરીની સમીક્ષા કરી. તેમણે અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું. આ ઇન્સ્પેક્શન અને પરેડથી પોલીસ કર્મચારીઓમાં ઉત્સાહ અને શિસ્તબદ્ધ કામગીરીનો સંદેશ મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 3:52 pm

સગીરાનું અપહરણ કરી છેડતી કરનાર 'સંબંધી'ને 3 વર્ષની કેદ:ઘરે મુકવાના બહાને ગુનાને અંજામ આપ્યો હતો, કલોલ સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને જેલભેગો કર્યો

કલોલ શહેર પોલીસ મથકની હદ વિસ્તારમાં પારિવારિક સંબંધનો ગેરફાયદો ઉઠાવી 17 વર્ષની સગીરાનું ઘરે મૂકી જવાના બહાને કારમાં અપહરણ કરી નિર્જન જગ્યાએ લઈ જઈ ગોંધી રાખીને તેની સાથે અડપલાં કરનાર શખ્સને કલોલની સ્પેશિયલ પોકસો કોર્ટે 3 વર્ષની સખત કેદ અને દંડની સજા ફટકારી છે. સગીરાને ઘરે મૂકી જવાની લાલચ આપી સ્વિફ્ટ ગાડીમાં બેસાડી​કેસની વિગત મુજબ, ગત 10 ઓગસ્ટ 2023ના રોજ બપોરે ભોગ બનનાર 17 વર્ષીય સગીરા માય લાઈફ હોસ્પિટલ પાસેથી પસાર થઈ રહી હતી. આ સમયે કૌટુંબિક સબંધી હોવાનો લાભ ઉઠાવી વિજય હિરાજી રાઠોડે (ઉ.વ. 24, હાલ રહે. મટવાકુવાથી તેરસા પરા રોડ ખાતે આવેલ એક શોરૂમની ઓરડીમાં) સગીરાને ઘરે મૂકી જવાની લાલચ આપી સ્વિફ્ટ ગાડીમાં બેસાડી હતી. ગાડીમાં ગોંધી રાખી છેડતી કરી જાનથી મારી નાખવાની ધમકી આપીબાદમાં ​આરોપીએ સગીરાને ઘરે લઈ જવાને બદલે કે.આઈ.આર.સી. કોલેજ પાછળના સૂમસામ રોડ પર લઈ જઈ ગાડીમાં ગોંધી રાખી હતી. ત્યાં સગીરાની છેડતી કરી જાતીય સતામણી કરી હતી. જેનો સગીરાએ પ્રતિકાર કરતા ઉશ્કેરાયેલા આરોપીએ તેને ગાળો આપી મોઢા પર ફેટો મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. ઘટના અંગે કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વકીલે આરોપીને કડક સજા કરવા ધારદાર દલીલો કરી​આ મામલે કલોલ પોલીસે આઈ.પી.સી. અને પોકસો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ચાર્જશીટ રજૂ કરી હતી. જે કેસ પાંચમાં એડિશનલ સેશન્સ જજ બી.આર. રાજપૂતની કોર્ટમાં ચલાવવામાં આવ્યો હતો. જેની ​સુનાવણી દરમિયાન સરકારી વકીલ જે.એચ. જોષી અને રાકેશ એલ. પટેલ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી. તેમણે રજૂઆત કરી હતી કે, સમાજમાં સગીરાઓ પર થતા અત્યાચારના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે આરોપીને કડકમાં કડક સજા કરી સમાજમાં દાખલો બેસાડવો અનિવાર્ય છે. આરોપીને 3 વર્ષની સખત કેદ અને દંડ ભોગવવાનો હુકમસ્પેશિયલ પોક્સો કોર્ટે ભોગ બનનારની જુબાની, તબીબી પુરાવા અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી વિજય રાઠોડને ગુનેગાર ઠેરવી 3 વર્ષની સખત કેદ અને દંડ ભોગવવાનો હુકમ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 3:47 pm

“મજુર પિતાનું વર્દી પહેરવાનું સ્વપ્ન સાકાર કર્યું”:ચેન્નાઈમાં કઠિન ટ્રેનિંગ પૂર્ણ કરી ભાવનગરનું ગૌરવ વધાર્યું, પી.ટી.આઈ. પારૂલબેન મકવાણા એરફોર્સ NCCમાં ફ્લાઈંગ ઓફિસર બન્યા

સામાન્ય પરિવારની યુવતી એ ભાવનગર નું નામ રોશન કર્યું કોલેજ દ્વારા ઓફિસર રેન્ક મેળવી ને પરત આવ્યા બાદ ભવ્ય સ્વાગત કરાયું નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે એરફોર્સ યુનિટની મંજુરી બાદ આ યુનિટ ના કેરટેકર તરીકે કોલેજના પી.ટી.આઈ. પારૂલબેન મકવાણાને સોપવામાં આવી હતી, ત્યારબાદ કેરટેકર પારૂલબેન મકવાણાએ વર્ષ દરમિયાન સખત મહેનત કરી સૌથી કઠીન ટ્રેનીંગ માટે ચેન્નાઈ(તમિલનાડુ) ખાતે પસંદગી પામી હતી, આ ટ્રેનીંગ દરમિયાન શ્રેષ્ઠ દેખાવ કરી સેલ્ફ ફાઈનાન્સ કોલેજ માંથી સૌ-પ્રથમ વખત ફ્લાઈંગ ઓફિસર નો રેન્ક મેળવ્યો હતો. ભાવનગર ના રેલ્વે સ્ટેશન જેવા પછાત વિસ્તાર વડવા વિસ્તાર માં મજુરી કામ કરતા પિતા જેન્તીભાઈને ત્યાં દીકરી તરીકે પારૂલબેન મકવાણાનો 1994 માં જન્મ થયો. બાળપણ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં પસાર કરી પ્રાથમિક શિક્ષણ સરકારી શાળામાં પ્રવેશ મેળવી બાદ હાઇસ્કુલ નો અભ્યાસ સેન્ટ મેરી હાઇસ્કુલમાં શિષ્યવૃતિ મેળવી ને પૂર્ણ કર્યો હતો, પિતા જેન્તીભાઈ મકવાણાનું સ્વપ્ન હતું કે, પારૂલ એક સારી ક્રિકેટર બને અથવા વર્દી પહેરીને દેશ ની સેવા કરે, પારૂલબેન મકવાણાએ પિતાનું સ્વપ્ન સાકાર કરવા માટે નાનપણથી ક્રિકેટ રમી ને રણજી ટ્રોફી સુધી પસંદગી પામીને ભાવનગરનું નામ રોશન કર્યું હતું, પારૂલબેન મકવાણા ની સંઘર્ષભરી જીંદગી માં અચાનક તેમના પિતાના અવસાન બાદ નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે પી.ટી.આઈ. તરીકે પોતાની સેવા આપવાનું શરુ કર્યું હતું, નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર એરફોર્સ એન.સી.સી. યુનિટ ની મંજુરી બાદ કેરટેકર તરીકે પારૂલબેન મકવાણાએ જવાબદારી સ્વીકારી હતી. ત્યારબાદ અથાગ મહેનત અને ટ્રેનીંગને કારણે ફ્લાઈંગ ઓફિસરની રેન્ક મેળવી કોલેજ અને ભાવનગર નું ગૌરવ વધાર્યું હતું, નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ભાવનગર ખાતે વિધાર્થીનીના સર્વાંગી વિકાસ માટે વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમો કરવામાં આવે છે. આ કાર્યક્રમ થાકી વિધાર્થીનીઓ શારીરિક અને માનસિક રીતે મજબુત બનાવવાના ઉદ્દેશથી વિવિધ નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શક શિબિર કરવામાં આવે છે, નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર છેલ્લા દસ વર્ષથી સ્પોર્ટ્સમાં યુનિવર્સીટી માં જનરલ ચેમ્પિયન, કલ્ચરલ, એન.એસ.એસ. અને એન.સી.સી. માં અવ્વલ નંબરે છે અનેક વિધાર્થીનીઓ આર.ડી.સી. કેમ્પમાં ભાગ લઈને કોલેજનું ગૌરવ વધાર્યું છે, એકેડમિક વર્ષ 2024-25 થી એર-ફોર્સ એન.સી.સી.નું 50 વિધાર્થીનીઓનું યુનિટ મંજુર કરવામાં આવતા વિધાર્થીનીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે, પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રીટીશરો એ યુનિવર્સીટી કોપર્સ ની રચના કરી હતી, આ યુનિવર્સીટી રચના કરવાનો ઉદ્દેશ સંરક્ષણ માટેની બીજી હરોળ તૈયાર કરવાનો હતો, આમ ભારતની સ્વતંત્રતા પહેલાજ એન.સી.સી.ની કલ્પના કરવામાં આવી હતી. 1948 ના રોજ વિધિવત રીતે એન.સી.સી. ની સ્થાપના કરવામાં આવી અને ત્યારબાદ ભારતના વિવિધ રાજ્યોની કોલેજો શાળાઓની અંદર ની શરૂઆત કરવામાં આવી. એન.સી.સી. માં વિધાર્થીઓને સર્વાંગી વિકાસ થાય અને સ્વતંત્ર બને તે હેતુ થી એન.સી.સી. માં એર-ફોર્સ, નેવી અને આર્મી ના વિગની રચના કરવામાં આવી હતી, પારૂલબેન મકવાણાની આ સિદ્ધિ બદલ કોલેજના મેં.ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ તથા મેં.ડાયરેક્ટર ડો. રવિન્દ્રસિંહ સરવૈયાએ અને કોલેજના સમગ્ર પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 3:43 pm

દાહોદમાં બિશ્નોઇ ગેંગના મુખ્ય સૂત્રધાર સાથે એન્કાઉન્ટર જેવી સ્થિતિ:PSIને ગળાફાંસો આપવાનો પ્રયાસ કરતા બચાવમાં આરોપીના પગમાં ગોળી મારી, DIG નિર્લિપ્ત રાયે સમગ્ર ઘટનાનો ખુલાસો કર્યો

દાહોદ જિલ્લામાં બિશ્નોઇ ગેંગના મુખ્ય સૂત્રધાર અશોક બિશ્નોઇ અને પોલીસ વચ્ચે થયેલા ફાયરિંગ મામલે સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ના વડા અને DIG નિર્લિપ્ત રાયે સમગ્ર ઘટનાનો ખુલાસો કર્યો છે. અશોક બિશ્નોઇ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતી ટોળકીનો મુખ્ય નેતાDIG નિર્લિપ્ત રાયે જણાવ્યું કે, ગત 29 ડિસેમ્બરના રોજ આસામના ગુહાટીથી આરોપી અશોક બિશ્નોઇની SMC દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અશોક બિશ્નોઇ ગુનાહિત ઇતિહાસ ધરાવતો અને આંતરરાજ્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતી ટોળકીનો મુખ્ય નેતા છે. આરોપીની ધરપકડ માટે 25 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આરોપીને પકડવા SMCએ યુપી-લખનઉમાં બે ટીમો દોડાવી હતીતપાસમાં ખુલ્યું હતું કે, આરોપી ગોવાથી નકલી અને વિદેશી દારૂના વેપારમાં સંકળાયેલો હતો અને ગુજરાતમાં વિદેશી નકલી દારૂનું પરિવહન કરાવતો હતો. તે નકલી આઇડેન્ટિટી કાર્ડના આધારે વિવિધ હોટલોમાં રોકાતો હતો. આરોપીને ઝડપી લેવા માટે SMC દ્વારા યુપી અને લખનઉમાં બે ટીમો પણ દોડાવવામાં આવી હતી. અચાનક PSI પર હુમલો કરી ગળાફાંસો આપવાનો પ્રયાસ કર્યોઆરોપીને ગુહાટીથી ગુજરાત લાવવામાં આવી રહ્યો હતો તે દરમિયાન દાહોદ જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘટના બની હતી. પોલીસ વાહન પસાર થતું હતું ત્યારે અશોક બિશ્નોઇએ અચાનક PSI કે.ડી. રાબિયા પર હુમલો કરી, ચાલતી ગાડીએ તેમને ગળેફાંસો આપવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા માટે પોલીસ અધિકારીએ આરોપીના પગમાં ગોળી મારીસાથી પોલીસ કર્મચારીના જીવને જોખમમાં મૂકવાની પરિસ્થિતિ સર્જાતા, તેમની સુરક્ષા માટે અન્ય પોલીસ અધિકારીએ આરોપીના પગમાં ગોળી મારી હતી. ફાયરિંગ સંપૂર્ણપણે આત્મરક્ષા અને ફરજ નિભાવવાના ભાગરૂપે કરવામાં આવ્યું હોવાનું DIG નિર્લિપ્ત રાયે સ્પષ્ટ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, બિશ્નોઇ ગેંગ સામે અગાઉની કાર્યવાહી દરમિયાન બે PSI શહીદ થયા હતા. આ કારણે બિશ્નોઇ ગેંગ સામે SMC દ્વારા વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ ખાતરી DIGએ આપી છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 3:41 pm

પાટણના 70 દિવ્યાંગ બાળકોએ ગાંધીનગરની મુલાકાત લીધી:વિધાનસભા, ઇન્દ્રોડા પાર્ક અને અક્ષરધામનો શૈક્ષણિક પ્રવાસ કર્યો

સમગ્ર શિક્ષાના આઈ.ઈ.ડી. યુનિટ (પાટણ), બી.આર.સી. પાટણ અને ઉદાર દાતાઓના સંયુક્ત ઉપક્રમે પાટણ તાલુકાના દિવ્યાંગ બાળકો માટે એક વિશેષ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગ બાળકોનો સર્વાંગી વિકાસ સાધવાનો અને તેમને રાજ્યના ઐતિહાસિક તેમજ રાજકીય વારસાથી અવગત કરાવવાનો હતો. આ એક દિવસીય પ્રવાસમાં ધોરણ 1 થી 8 ના આશરે 70 જેટલા દિવ્યાંગ બાળકો અને તેમના વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રવાસ દરમિયાન પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ દ્વારા બાળકોને ગાંધીનગર વિધાનસભાની મુલાકાત કરાવવામાં આવી હતી, જ્યાં બાળકોએ રાજ્યની રાજકીય ગતિવિધિઓ વિશે જીવંત માહિતી મેળવી હતી. આ પ્રસંગે બાળકો અને વાલીઓએ રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી હતી. વિદ્યાર્થી સમીક્ષા કેન્દ્ર ખાતે ભોજન લીધા બાદ, બાળકોને ગાંધીનગરના પ્રસિદ્ધ ઇન્દ્રોડા પાર્ક (પ્રાણી સંગ્રહાલય) અને અક્ષરધામ મંદિરના દર્શને લઈ જવામાં આવ્યા હતા. વન્યજીવો અને ભવ્ય સ્થાપત્ય જોઈ બાળકોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો. નિષ્ણાતોના મતે, પાઠ્યપુસ્તકના સ્થળોની પ્રત્યક્ષ મુલાકાત લેવાથી દિવ્યાંગ બાળકોમાં આત્મવિશ્વાસ વધે છે અને માનસિક વિકાસ ઝડપી બને છે. આ પ્રવાસને સફળ બનાવવા માટે અનેક સેવાભાવી દાતાઓએ આર્થિક સહયોગ આપ્યો હતો, જેમાં વેદાંતભાઈ પટેલ, અંકિતભાઈ પરીખ, વિજયભાઈ વ્યાસ, હેમાંગીબેન પટેલ, કામિનીબેન પટેલ, કોમલબેન પરમાર, રાજુભાઈ મોદી, વિષ્ણુભાઈ દેસાઈ, જીગરભાઈ પટેલ અને પ્રહલાદભાઈ ઝાલાનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં જિલ્લા આઈ.ઈ.ડી. કો-ઓર્ડિનેટર મધુબેન જાદવ, બી.આર.સી. કો-ઓર્ડિનેટર મીનાબેન પટેલ તેમજ પાટણ તાલુકાના સ્પેશિયલ શિક્ષકોએ હાજર રહીને સમગ્ર પ્રવાસનું સંચાલન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 3:35 pm

અમદાવાદમાં હિટ એન્ડ રનના બે અકસ્માતમાં 2નાં મોત:ઇસ્કોન બ્રિજ પર આધેડનું, જ્યારે વસ્ત્રાલમાં અજાણ્યા વાહનની ટક્કરે 44 વર્ષીય શ્રવણે જીવ ગુમાવ્યો

અમદાવાદમાં હિટ એન્ડ રનની બે કાળઝાળ દુર્ઘટનાઓમાં બે લોકોએ જીવ ગુમાવતા ચકચાર મચી છે. શહેરના વ્યસ્ત ગણાતા ઈસ્કોન બ્રિજ પર ગત રાતે(30 ડિસેમ્બર) પૂરપાટ ઝડપે આવતા વાહને એક આધેડને અડફેટે લેતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે બીજી તરફ વસ્ત્રાલ વિસ્તારમાં પણ એક અજાણ્યા વાહને 44 વર્ષીય શ્રવણ નામના વ્યક્તિને જોરદાર ટક્કર મારી હતી, જેમાં ગંભીર ઈજાઓ થવાને કારણે ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. આ બંને કિસ્સાઓમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પકવાનથી ઇસ્કોન બ્રિજ પર વાહનચાલકે જોરદાર ટક્કર મારી એસ.જી. હાઈવે પરના ઇસ્કોન બ્રિજ પર ગત રાતે ફરી એકવાર હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. પકવાનથી ઇસ્કોન બ્રિજ પર થઈ જઈ રહેલા આધેડને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી, જેના કારણે આધેડનું ઘટના સ્થળે જ મોત થયું છે. બનાવ અંગે એસ.જી. 2 ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વસ્ત્રાલમાં પણ અજાણ્યા વાહને ટક્કર મારતા આધેડનું મોત થયું છે. આધેડનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું30 ડિસેમ્બરના રાતના આશરે 9.30 વાગ્યાની આસપાસ, પકવાન ચાર રસ્તાથી સરખેજ તરફ જતા ઇસ્કોન બ્રિજ પરથી પસાર થઈ રહેલા રાહદારી વિક્રમભાઇ હેમચંદભાઇ પરમારને કોઈ અજાણ્યા વાહન ચાલકે જોરદાર ટક્કર મારી હતી. કડીયાકામ કરી ગુજરાન ચલાવતા 50 વર્ષીય વિક્રમભાઇ (રહે. રૂપાલ, મૂળ વતન. દાહોદ)ને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા બ્રિજ પરના સીસીટીવી ફૂટેજ ચકાસવાની અને ફરાર ચાલકને ઝડપી પાડવાની તપાસ ચાલુ છે. વસ્ત્રાલમાં શ્રવણને ગંભીર ઇજા થતાં સ્થળ પર જ મોતબીજી તરફ વસ્ત્રાલમાં પણ હીટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે, વસ્ત્રાલ RAF કેમ્પ સામે 44 વર્ષીય શ્રવણકુમાર ચૌધરી જ્યારે જઈ રહ્યા હતાં. ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારી હતી. વાહનની ટક્કર એટલી જોરદાર હતી કે, શ્રવણ કુમારને ગંભીર ઇજા થતાં સ્થળ પર જ મોત હતું અજાણ્યો વાહન ચાલક અકસ્માત બાદ વાહન લઈને ફરાર થઈ ગયો હતો આ અંગે આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 3:31 pm