SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

29    C
...

ગેસ્ટ હાઉસના બેડ પર 500-500ના બંડલનો ઢલગો કર્યો, VIDEO:બે યુવકને વિદેશ મોકવાના બહાને દિલ્હી બોલાવ્યાં; મહેસાણામાં પિતાને પિસ્તોલ બતાવી કબૂતરબાજો 64 લાખ લૂંટી ફરાર

મહેસાણાના વિજાપુર તાલુકાના વસઈ ગામના બે યુવાનોને ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટે રૂ. 64 લાખમાં સોદો કર્યો હતો. દરમિયાન, એજન્ટે બંને યુવાનોને દિલ્હી બોલાવી લીધા બાદ વસઈ ગામની ડાભલા ચોકડી પરના ગેસ્ટ હાઉસમાં પોતાના માણસો મોકલી પિસ્તોલની અણીએ પરિવાર પાસેથી લાખોની લૂંટ ચલાવી કારમાં ભાગી છૂટ્યા હતા. વસઇ પોલીસે એજન્ટ અને રૂપિયાની લૂંટ કરનાર બે શખ્સ સહિત ત્રણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ સમગ્ર પૈસાની લેણદેણ સમયનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં આરોપી ગેસ્ટહાઉસના બેડ પર રૂ. 500-500ના બંડલ ગણી રહ્યો છે. થોડીવારમાં પરિવારને પિસ્ટોલ બતાવી લૂંટ કરી હતી, જેના પણ સીસીટીવી સામે આવ્યાં છે. શું છે સમગ્ર ઘટના?વસાઈ સ્વામિનારાયણ મંદિર પાસે રહેતા ખેડૂત બળવંતસિંહ સતુજી ચાવડાને કોલેજ કરતા દીકરા સિદ્ધાર્થને વિદેશ મોકલવાની ઈચ્છા હતી. તેમના ગામના મુકેશ મોતીભાઈ વણઝારાનો દીકરો દોઢ વર્ષ અગાઉ ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યો ત્યારે બળવંતસિંહને નિલેશ બ્રહ્મભટ્ટ નામના વ્યક્તિ સાથે પરિચય થયો હતો. બળવંતસિંહે નિલેશના નંબર ઉપર વ્હોટ્સએપ કોલથી વાત કરી પોતાના દીકરા અને અન્ય એક વ્યક્તિને ઓસ્ટ્રેલિયા મોકલવા રૂ.64 લાખમાં નક્કી કર્યું હતું. જેને પગલે 18 એપ્રિલના રોજ નિલેશે ટિકિટ કરાવી સિદ્ધાર્થ અને મુકેશ વણઝારાને ઓસ્ટ્રેલિયા મોકલવા માટે દિલ્હી બોલાવતાં બંને દિલ્હી જવા રવાના થયા હતા. એજન્ટે પૈસા તૈયાર રાખવાનું કહી બે શખ્સને મોકલ્યાંદરમિયાન 19 એપ્રિલે સવારે નિલેશે વ્હોટ્સએપ કોલ કરી તમારા દીકરા અને મુકેશને ઓસ્ટ્રેલિયા મોકલવાના છે, તમે પૈસા તૈયાર રાખો. મેં દિલ્હીથી મારા બે માણસોને મોકલી દીધા છે. તેમને તમારો નંબર આપ્યો છે તે આવીને તમને ફોન કરશે. આ વાત બાદ બપોરે બળવંતસિંહ ઉપર સાદો કોલ આવતાં નિલેશે મોકલેલા બે માણસોને તેઓ ગોઝારિયા લેવા ગયા હતા અને પોતાની ગાડીમાં બેસાડી ડાભલા ચાર રસ્તા પરના રાધે ગેસ્ટ હાઉસમાં લઈ ગયા હતા. આરોપીઓને ગેસ્ટ હાઉસ 64 લાખ રૂપિયા બતાવ્યાં તેમની સાથે વાત કરતાં તેમણે સિદ્ધાર્થ અને મુકેશને રાત્રે 1 વાગ્યાની દિલ્હીથી ઓસ્ટ્રેલિયાની ફ્લાઈટ છે, તમે પૈસા બતાવશો તો ઓસ્ટ્રેલિયા મોકલી આપીશું તેવું કહ્યું હતું. જેથી મુકેશ વણઝારાના ભાઈ ઈશ્વર વણઝારા અને બળવંતભાઈએ ઘરેથી રૂ.64 લાખ લઈ આવી, રાધે ગેસ્ટ હાઉસના રૂમમાં બેસીને બંને શખ્સને બતાવ્યા હતા. રાતના પૈસા લઈ બન્ને શખ્સો ફરાર, ગેસ્ટ હાઉસમાં બૂમાબૂમરાત્રે સાહિલ વણઝારા પોતાના કાકાના દીકરા જગદીશ વણઝારા સાથે ગેસ્ટ હાઉસ આવ્યા હતા. ત્યારે રાત્રે 9 વાગ્યે બળવંતસિંહ અને ઈશ્વર વણઝારા નીચેની હોટેલ પર જમીને પરત ગેસ્ટ હાઉસ જતા હતા, તે સમયે જ ગેસ્ટ હાઉસમાં રહેલા સાહીલે બૂમ પાડીને આ બંને લોકો પૈસા લઈ ગાડીમાં ભાગ્યા છે, તેમને પકડો એવું કહેતાંની સાથે જ બંને શખ્સો નંબર પ્લેટ વિનાની સ્વીફ્ટ ગાડીમાં બેસીને ડાભલા ચાર રસ્તા તરફ ભાગી છૂટયા હતા. લૂંટ બાદ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યોગેસ્ટ હાઉસમાં રહેલા સાહિલ અને જગદીશે એજન્ટ નિલેશે મોકલેલા બંને માણસે પિસ્તોલ જેવું હથિયાર બતાવી, 64 લાખ રૂપિયાની લૂંટ કરી નાસી ગયા હોવાનું જણાવતાં બળવંતસિંહ ચાવડાએ વસઈ પોલીસ મથકમાં એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટ સહિત ત્રણ શખ્સ સામે લૂંટની ફરિયાદ નોંધાવી હતી. એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટનો નંબર થાઇલેન્ડનો નીકળ્યોપોલીસની પ્રાથમિક તપાસમાં એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટ નડિયાદનો હોવાનું અને તે જે નંબર ઉપરથી બળવંતસિંહ અને મુકેશ વણઝારા સાથે વાત કરતો હતો તે નંબર ઇન્ટરનેશનલ થાઈલેન્ડનો હોવાનું બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, દોઢ વર્ષ પૂર્વે ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળેલ મુકેશ વણઝારાને મલેશિયાથી ત્યાંની સરકાર દ્વારા ડિપોર્ટ કરાયો હતો અને ત્યારબાદ નિલેશ બ્રહ્મભટ્ટ તેને મેસેજ કરીને પોતે તેનું ઓસ્ટ્રેલિયા જવાનું કામ કરી દેશેનું કહેતો હતો. દાગીના વેચી અને સગાંવ્હાલાં પાસેથી લાવેલા રૂપિયા લૂંટાયાપુત્રને વિદેશ મોકલવાની ઘેલછામાં ઘરના દાગીના વેચીને અને સગાં-વ્હાલાં પાસેથી ભેગા કરેલા લાખો રૂપિયા લૂંટાતાં બંને પરિવારો હેબતાઈ ગયા હતા. નાસી છૂટેલા બંને શખ્સને પકડવા એલસીબીએ ચાર ટીમો બનાવીને અન્ય રાજ્યોમાં મોકલી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 10:56 am

મોરબીમાં મંત્રી અમૃતિયાનો પૂર્વ પ્રમુખને આકરો જવાબ:'અખંડ દીવામાં હરામનું ઘી, બંદૂક લઈને આવો' નિવેદનથી રાજકારણ ગરમાયું

મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી પ્રચારમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ટિકિટ કાપવાના મુદ્દે રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને પાલિકાના પૂર્વ પ્રમુખ દેવાભાઈ અવાડિયા વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે. મંત્રી અમૃતિયાએ પૂર્વ પ્રમુખના 'અખંડ દીવા'ના નિવેદન પર આકરા પ્રહારો કર્યા હતા. બે દિવસ પહેલા મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દેવાભાઈ અવાડિયાએ પોતાની ચૂંટણી સભામાં ટિકિટ કાપવા મુદ્દે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ટિકિટ કપનારની આત્માને ભગવાન શાંતિ આપે તે માટે ઘરે 111 દિવસ સુધી અખંડ દીવો ચાલુ રાખ્યો છે. દેવાભાઈના પુત્ર સહિત ચાર લોકોને ભાજપની ટિકિટ ન મળતા તેઓ વોર્ડ નં. 1 માંથી અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. આ નિવેદનનો રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ એક જાહેર સભાના મંચ પરથી સણસણતો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, દીવામાં ઘી હરામના પૈસાનું છે, ઘરના પૈસાનું નથી. તમે દીવો રાખવા કરતાં બંદૂક લઈને સામે આવોને, આ વેપારીનું ગામ છે. આ નિવેદન બાદ મોરબીના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. મોરબી મહાનગરપાલિકાની કુલ 52 બેઠકો માટે ભાજપમાંથી 427થી વધુ આગેવાનોએ ટિકિટની માંગણી કરી હતી. તેમાંથી અનેક આગેવાનોને ટિકિટ મળી ન હતી, જેના કારણે કેટલાક અપક્ષ ઉમેદવારી કરીને ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે કેટલાક શાંત થઈ ગયા છે. વોર્ડ નં. 1 માંથી પાલિકાના પૂર્વ પ્રમુખ દેવાભાઈ અવાડિયાએ પોતાના, તેમના પુત્ર અમિતભાઈ અવાડિયા અને તેમની જૂની પેનલના ત્રણ સભ્યો માટે ભાજપ પાસે ટિકિટ માંગી હતી. જોકે, દેવાભાઈ, તેમના પુત્ર કે તેમની જૂની પેનલમાંથી કોઈને પણ ટિકિટ આપવામાં આવી ન હતી. આથી દેવાભાઈ અવાડિયાના પુત્ર સહિત કુલ ચાર આગેવાનોએ અપક્ષ પેનલ બનાવીને વોર્ડ નં. 1 માંથી ઉમેદવારી નોંધાવી છે. મોરબીના વોર્ડ નં. 1 માં અપક્ષ ઉમેદવારોના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું વાવડી રોડ પર આવેલ સરદાર ચેમ્બર ખાતે બે દિવસ પહેલા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સભાને સંબોધતા દેવાભાઈ અવાડિયાએ પોતાના વિસ્તારમાં કરેલા કામોની યાદી રજૂ કરી હતી અને ત્યારબાદ ટિકિટ કપાવવા બાબતે ઉપરોક્ત નિવેદન આપ્યું હતું.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 10:48 am

સુરતમાં પાટીલે 'AAP'ને ફેંકી ખુલ્લી ચેલેન્જ:‘તાકાત હોય તો ગત ચૂંટણીની 27 બેઠકો જાળવી બતાવો, જનતા પસ્તાઈ રહી છે, કોંગ્રેસનું ખાતું પણ નહીં ખુલે‘

સુરત મહાનગરપાલિકાની આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપના ગઢ ગણાતા સુરતમાં ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ એક્શન મોડમાં આવી ગયા છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આયોજિત ‘ચાય પે ચર્ચા’ કાર્યક્રમમાં પાટીલે વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આમ આદમી પાર્ટીને ખુલ્લી ચેલેન્જ આપતા જણાવ્યું હતું કે, જો તમારામાં દમ હોય તો ગત ચૂંટણીમાં મેળવેલી ૨૭ બેઠકો આ વખતે બચાવીને બતાવો. પાટીલના આ નિવેદનથી સુરતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ‘આપ’ના ગઢમાં ગાબડું પાડવા પાટીલની રણનીતિસી.આર. પાટીલે વોર્ડ નંબર 23, 24, 28 અને 29ના કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ ગયા વખતે અચાનક 27 બેઠકો મેળવીને જે દેખાવ કર્યો હતો, તે માત્ર એક સંજોગ હતો. તેમણે પડકાર ફેંકતા કહ્યું કે, હું આપના નેતાઓને ચેલેન્જ આપું છું કે જો તાકાત હોય તો આ 27 સીટો જાળવી બતાવો. પાટીલે ઉમેર્યું કે, જે લોકોએ 'આપ'ને મત આપ્યા હતા, તેઓ આજે પસ્તાઈ રહ્યા છે. પાટીલના મતે આમ આદમી પાર્ટીના કાર્યકરોની કામ કરવાની પદ્ધતિથી જનતા કંટાળી ગઈ છે અને આ વખતે ભાજપ આ તમામ બેઠકો પર ભગવો લહેરાવશે. કોંગ્રેસનું અસ્તિત્વ જોખમમાં: “આ વખતે પણ ખાતું નહીં ખુલે”કોંગ્રેસ પર પ્રહાર કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સુરત શહેર ગયા વખતે જ કોંગ્રેસમુક્ત બની ગયું હતું. 2021ની મનપા ચૂંટણીમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી ન હતી અને આ વખતે પણ સ્થિતિમાં કોઈ ફેરફાર થવાનો નથી. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે કોંગ્રેસના નેતાઓ મોટા મોટા દાવાઓ કરે છે, પરંતુ જમીની હકીકત એ છે કે જનતાએ તેમને નકારી દીધા છે. પાટીલે દાવો કર્યો હતો કે કોંગ્રેસ આ વખતે પણ સુરતમાં પોતાનું ખાતું ખોલાવવા માટે ફાંફા મારશે, પરંતુ સફળતા મળશે નહીં. જનતાનો ભરોસો માત્ર ભાજપ પર: પાટીલચર્ચા દરમિયાન સી.આર. પાટીલે ગુજરાતમાં ભાજપના શાસન અને જનતાના અતૂટ વિશ્વાસનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકા-મહાનગરપાલિકા, તમામમાં ભાજપે અભૂતપૂર્વ વિજય મેળવ્યો છે. ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો સાક્ષી છે કે ગુજરાતની જનતા વિકાસની રાજનીતિમાં માને છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. ભાજપના કાર્યકરોની મહેનત જ પક્ષને વિજય અપાવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. ચાય પે ચર્ચામાં કાર્યકરો સાથે સીધો સંવાદપાંડેસરામાં આયોજિત આ કાર્યક્રમમાં સી.આર. પાટીલે કાર્યકર્તાઓ સાથે ચાની ચુસ્કી લેતા લેતા ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરી હતી. તેમણે કાર્યકરોને માર્ગદર્શન આપતા કહ્યું કે, આપણે ઘરે-ઘરે જઈને સરકારની યોજનાઓ પહોંચાડવાની છે. વિપક્ષો ભલે ગમે તેટલા પ્રલોભનો આપે, પરંતુ સુરતની જનતા જાગૃત છે. પાટીલે કાર્યકરોને પેજ સમિતિના માધ્યમથી વધુમાં વધુ મતદારો સુધી પહોંચવા અને ગત વખતના 'આપ'ના દેખાવને ધૂળ ચાટતો કરવા આહ્વાન કર્યું હતું. ‘5 વર્ષના કામોનો હિસાબ જનતા માંગશે’પાટીલે ‘આપ’ના કોર્પોરેટરો પર નિશાન સાધતા કહ્યું કે, જો તેમણે ખરેખર 5 વર્ષ કામ કર્યું હોત તો તેમને હારવાનો ડર ન હોત. પરંતુ વાસ્તવિકતા એ છે કે તેમણે માત્ર વિરોધની રાજનીતિ કરી છે. તેમણે કહ્યું, જો તમે 27 સીટો ફરી જીતી શકો તો જ કહી શકાય કે તમે કામ કર્યું છે, પરંતુ મને એવી કોઈ શક્યતા દેખાતી નથી. મતદારો હવે લોભ-લાલચમાં આવ્યા વગર ભાજપના વિકાસના કામોને જોઈને મતદાન કરશે તેવું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. વિપક્ષોનું ગુજરાતમાં કોઈ વજૂદ નથી: મંત્રીનો આક્ષેપલેખના અંતે પાટીલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું કોઈ વજૂદ બચ્યું નથી. સમગ્ર રાજ્યમાં વિપક્ષ પાસે કોઈ નક્કર વિઝન નથી. સુરત મહાનગરપાલિકાની આ ચૂંટણી ભાજપ માટે માત્ર ઔપચારિકતા સમાન છે કારણ કે જનતાએ મન બનાવી લીધું છે. પાટીલે અંતમાં વિજયી વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે સુરત ફરી એકવાર સો ટકા ભાજપમય બનશે અને વિરોધ પક્ષોના સૂપડા સાફ થઈ જશે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 10:34 am

બે વિદ્યાર્થીના ઝઘડામાં પડેલા વિદ્યાર્થીને આંખમાં પરિકર માર્યું:અમદાવાદમાં ઈસનપુર પબ્લિક સ્કૂલમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ બે વિદ્યાર્થી વચ્ચે મારામારી

દિન પ્રતિદિન સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોમાં મારામારી હવે સામાન્ય બાબત બની ગઈ છે. શહેરના નારોલ- વટવા રોડ પર આવેલી ઇસનપુર પબ્લિક સ્કૂલમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ બે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. કલાસરૂમમાં બે વિદ્યાર્થીઓના ઝઘડામાં વચ્ચે પડેલા વિદ્યાર્થીને એક વિદ્યાર્થીએ આંખમાં પરિકર મારી દેતા ગંભીર ઈજા થઈ હતી. વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીના પિતાએ સમગ્ર મામલે નારોલ પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ‘વિદ્યાર્થીને આંખમાં પરિકર માર્યું’અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઇસનપુર પબ્લિક સ્કૂલમાં આ ઘટના બની હતી. જેને લઇને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ડો. એલ.ડી. દેસાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઇસનપુર પબ્લિક સ્કૂલમાં બનેલી ઘટનાને લઈને દક્ષિણ ઝોનના મદદનીશ શાસનાધિકારી-1 અને ઇન્ચાર્જ આચાર્ય લક્ષ્મીબેન શર્મા પાસે પ્રાથમિક રિપોર્ટ મંગાવ્યો હતો. જેમાં ક્લાસરૂમમાં આ ઘટના બની નથી. બે વિદ્યાર્થીઓ વચ્ચે કેમ્પસની બહાર કોઈ ઝઘડો થયો હોઈ શકે. આંખમાં પરિકર જેવું સાધન મારવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે મદદની શાસન અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને પોલીસ તપાસમાં સમગ્ર હકીકત અને સત્ય બહાર આવશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતોશહેરના નારોલ વિસ્તારમાં 14 વર્ષીય સગીર તેના માતા પિતા સાથે રહે છે અને નારોલ-વટવા રોડ પર આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઇસનપુર પબ્લિક સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરે છે. 20 એપ્રિલના રોજ સવારે વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે સ્કૂલે ગયો હતો. 11:30 વાગ્યે પરીક્ષા પૂર્ણ થઈ હતી તે દરમિયાનમાં તેના એક મિત્રને અન્ય સાથી વિદ્યાર્થી સાથે બોલાચાલી થઈ હતી. મિત્ર સાથે બોલાચાલીના ઝઘડામાં આ વિદ્યાર્થી પડ્યો હતો અને બંનેને છોડાવવા લાગ્યો હતો, જેથી ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએ અચાનક જ તેની પાસે રહેલું પરિકર કાઢ્યું હતું અને તેના આંખમાં મારી દીધું હતું. ‘વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડાયો’આંખમાં પરિકર મારતાની સાથે જ સ્કૂલના વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઈ હતી અને શિક્ષકોને જાણ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી તેને વધુ સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. વિદ્યાર્થીના માતા-પિતાને પણ જાણ કરવામાં આવી હતી. જેથી તેના માતા પિતા પણ તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. વિદ્યાર્થીની માતાએ પૂછતા બે વિદ્યાર્થીઓ ઝઘડતા હતા અને તેમને વચ્ચે છોડાવવા પડતા આ ઘટના બની હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવતા નારોલ પોલીસ પણ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. નારોલ પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. ‘આંખના ઉપરના ભાગે અને અંદરના ભાગે ઈજા થઈ’વિદ્યાર્થીની માતાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઇસનપુર પબ્લિક સ્કૂલમાં ધોરણ.8માં અભ્યાસ કરતા બે બાળકો ઝઘડી રહ્યા હતા અને તેના મિત્રના ઝઘડામાં મારો પુત્ર છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો તેમાં વિદ્યાર્થીએ ક્લાસરૂમમાં બેન્ચ પર ચડીને મારા પુત્રને આંખમાં પરિકર માર્યું હતું. એક આંખના ઉપરના ભાગે અને અંદરના ભાગે ઈજા થઈ છે. હાલમાં તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને ઓપરેશન કરવામાં આવ્યું છે. છોકરી બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ ચોક્કસ કારણ હજી જાણવા મળ્યું નથી. આંખમાં ઈજા થઈ છે અને તેનું ઓપરેશન કરવામાં આવ્યું છે અને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. બે વિદ્યાર્થીના ઝઘડામાં પડેલા વિદ્યાર્થીને આંખમાં પરિકર મારવાની ઘટના બની: PIનારોલ પોલીસ સ્ટેશનના પી.આઈ જે.બી.અગ્રાવતે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઇસનપુર પબ્લિક સ્કૂલમાં ક્લાસરૂમમાં બે વિદ્યાર્થીઓ વચ્ચેના ઝઘડામાં પડેલા વિદ્યાર્થીને આંખમાં પરિકર મારવાની ઘટના બની છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ મામલે વિદ્યાર્થી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 9:49 am

કેરીનો રસ-પનીર સબ્જી ખાધા બાદ 400થી વધુ લોકોની તબિયત લથડી:દાહોદમાં લગ્નપ્રસંગે જમણવાર બાદ ઝાડા-ઊલટી થવા લાગ્યા, આરોગ્ય વિભાગ દોડતું થયું

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામમાં યોજાયેલા એક લગ્નપ્રસંગમાં જમણવાર લીધા બાદ મોટી દુર્ઘટના સર્જાઈ છે. લગ્ન દરમિયાન પીરસવામાં આવેલા ભોજન બાદ 400થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો શિકાર બનતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. મોટી સંખ્યામાં લોકો અચાનક બીમાર પડતાં ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જમણવાર બાદ તબિયત લથડતાં દોડધામ પ્રાપ્ત વિગતો અનુસાર, ગામમાં લગ્નપ્રસંગ હોવાથી મોટી સંખ્યામાં મહેમાનો જમવા માટે એકત્ર થયા હતા. જોકે, ભોજન લીધાના થોડા સમય બાદ જ લોકોને ઝાડા-ઊલટીની ગંભીર તકલીફો શરૂ થઈ હતી. એકસાથે મોટી સંખ્યામાં લોકો બીમાર પડતાં પરિવારજનો અને ગ્રામજનો ગભરાઈ ગયા હતા. તાત્કાલિક અસરથી 108 એમ્બ્યુલન્સ સેવા અને ખાનગી વાહનોની મદદથી અસરગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. દર્દીઓની સ્થિતિ અને સારવાર આ બનાવમાં કુલ 400થી વધુ લોકો પ્રભાવિત થયા છે, જેમના માટે વિવિધ સ્તરે સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે: સદનસીબે, અત્યાર સુધી આ ઘટનામાં કોઈ પણ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ કેટલાક દર્દીઓની તબિયત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસ અને ફૂડ સેફ્ટીની કાર્યવાહી ઘટનાની જાણ થતાં જ જિલ્લા આરોગ્ય વિભાગ અને ફૂડ સેફ્ટી વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પ્રાથમિક તપાસ અને લોકોના નિવેદનોના આધારે, લગ્નમાં પીરસવામાં આવેલા 'કેરીનો રસ' અને 'પનીરનું શાક' ફૂડ પોઈઝનિંગનું કારણ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગની ટીમે સ્થળ પરથી શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ એકત્ર કરી તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. જવાબદાર વ્યક્તિઓ અને કેટરર્સ સામે તપાસના આધારે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી તંત્ર દ્વારા આપવામાં આવી છે. અમે આ સમાચારને સતત અપડેટ કરી રહ્યા છીએ…

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 9:25 am

સેવંતીલાલ પટેલનો કોંગ્રેસ પર આકરો પ્રહાર:પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન; ભાવનામાં વહ્યા વગર મતદાન કરવા અપીલ

પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં ભાજપના ઉમેદવારો ઉત્કર્ષ પટેલ, છાયાબેન પટેલ, મનીષાબેન પટેલ અને રાજેશભાઈ ઝાલાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ નગરપાલિકા પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, સ્નેહલ પટેલ, મોહનભાઈ પટેલ, મહામંત્રી સંજય પટેલ, ડો. સેવંતીલાલ પટેલ અને મનોજ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ડો. સેવંતીલાલ પટેલે કોંગ્રેસ પક્ષ અને તેના નેતૃત્વ પર આકરા પ્રહારો કર્યા હતા, જેના કારણે પાટણના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સેવંતીલાલ પટેલે કોંગ્રેસ પક્ષને ગધેડા અને મુસ્લિમ તુષ્ટિકરણ કરનારી પાર્ટી ગણાવી હતી. તેમણે જણાવ્યું કે કોંગ્રેસના ઉમેદવારો વ્યક્તિગત રીતે સારા અને ઘોડા જેવા છે, પરંતુ તેમણે ગધેડાનું મહોરું પહેર્યું છે. તેમણે કાર્યકરોને અપીલ કરી હતી કે સગા-વહાલા જોઈને નહીં, પરંતુ પક્ષ જોઈને મતદાન કરવું જોઈએ. તેમણે ઉમેર્યું કે જ્યારે મત આપો છો ત્યારે તમે તમારા સગા-વહાલાને નહીં, પરંતુ મલ્લિકાર્જુન ખડગેને મત આપો છો. સેવંતીલાલ પટેલે મલ્લિકાર્જુન ખડગેના કથિત નિવેદનની ટીકા કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે ખડગેએ કેરળની એક સભામાં RSS અને BJP ને ઝેરીલો સાપ કહીને મુસ્લિમોને તેમને ખતમ કરી નાખવા ઉશ્કેર્યા હતા. સેવંતીલાલે RSS ને દેશપ્રેમી સંસ્થા ગણાવીને ખડગેના નિવેદનને સનાતન ધર્મનું અપમાન ગણાવ્યું હતું. તેમણે ભવિષ્યની સમસ્યાઓ અંગે ચેતવણી આપતા કહ્યું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો કચરાની ગાડીઓ બંધ થઈ જશે, પાણીની અછત સર્જાશે અને બેંકમાંથી પૈસા ઉપાડવા પણ મુશ્કેલ બનશે. કોંગ્રેસના ગેસના બાટલાના ભાવ 1500 રૂપિયા થવાના દાવા સામે તેમણે વળતો પ્રહાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોલર સબસિડીની વ્યવસ્થા કરી છે, જેના કારણે 3500 રૂપિયાની ઇલેક્ટ્રિક સગડીથી કામ ચાલશે અને ગેસના બાટલાની જરૂર જ નહીં રહે. તેમણે પાટણમાં ઘૂસણખોરો મુદ્દે રેલી કાઢી કલેક્ટરને આવેદન આપવા બદલ પણ કોંગ્રેસની ટીકા કરી હતી. ભાષણના અંતે, તેમણે સનાતન ધર્મના જાગરણ અંગે વિવાદાસ્પદ નિવેદન આપતાં કહ્યું કે કોંગ્રેસ મુસ્લિમ તુષ્ટિકરણ કરનારી ભ્રષ્ટ પાર્ટી છે. તેમણે મતદારોને ભાવનામાં વહ્યા વગર માત્ર મહોરું (પક્ષની વિચારધારા) જોઈને મતદાન કરવા ભારપૂર્વક જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 9:25 am

રાજકોટમાં નણંદને ભાભીની શુભેચ્છા:અમદાવાદમાં ભાજપનો વિરોધ અને વડોદરામાં 'બિનહરીફ'ના દાવાઓ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ તેમ ગુજરાતના રાજકીય મંચ પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક જંગ તીવ્ર બન્યો છે. ગઈકાલે રાજ્યના અલગ-અલગ શહેરોમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કેટલાક રસપ્રદ દ્રશ્યો જોવા મળ્યા હતા. ક્યાંક નણંદ-ભાભી વચ્ચેની રાજકીય સૌજન્યતા જોવા મળી, તો ક્યાંક ભાજપના નેતાઓ વિરોધનો સામનો કરતા જોવા મળ્યા હતા. રાજકીય રણમેદાનમાં આક્રમક દેખાયા રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની આ ચૂંટણીમાં નણંદ-ભાભીના સંબંધો ચર્ચાનો વિષય બન્યા છે. ભાજપના ઉમેદવાર અને ધારાસભ્ય રીવાબા જાડેજાએ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહેલા પોતાના નણંદ નયનાબાને શુભેચ્છા પાઠવી હતી. જોકે, રાજકીય રણમેદાનમાં તેઓ આક્રમક દેખાયા હતા. રીવાબાએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, મને ભાજપના કાર્યકર્તાઓ પર પૂર્ણ વિશ્વાસ છે કે, 26 તારીખે ભાજપની પેનલને જંગી બહુમતી સાથે જીતાડશે અને કોંગ્રેસને જડબાતોડ જવાબ આપશે. સામે પક્ષે નયનાબાએ ભાભીની શુભેચ્છાનો સ્વીકાર કરીને સ્પષ્ટ કર્યું હતું કે, જીત કોની થશે એ તો 28 તારીખે પરિણામો જ નક્કી કરશે. હું ધારત તો 24 બેઠકોમાંથી કેટલીય બેઠકો બિનહરીફ કરાવી શક્યો હોતવડોદરામાં ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે પોતાના અંદાજમાં એક વિવાદાસ્પદ શેખી મારી હતી. તેમણે જાહેર મંચ પરથી કહ્યું હતું કે, હું ધારત તો 24 બેઠકોમાંથી કેટલીય બેઠકો બિનહરીફ કરાવી શક્યો હોત, પરંતુ આપણે તો લોકશાહીમાં ચૂંટણી પ્રક્રિયા ચાલુ રાખવી છે. તેમના આ નિવેદનને લઈને રાજકીય ગલીઓમાં ચર્ચાઓ શરૂ થઈ છે. એક તરફ ભાજપ પોતાનો ગઢ સાચવવા માટે કવાયત કરી રહ્યો છે, તો બીજી તરફ કોંગ્રેસ આકરા તેવર સાથે મેદાનમાં ઉતરી છે. આગામી 26 એપ્રિલે મતદાન અને 28 એપ્રિલે આવનારા પરિણામો જ નક્કી કરશે કે જનતા કોના પર વધુ ભરોસો મૂકે છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 8:00 am

ભાવનગર પોલીસ એકશન મોડમાં:4921 આરોપી સામે અટકાયતી પગલાં, પાંચને પાસામાં ધકેલાયા

ગુજરાતમાં 26મી એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા ભાવનગર પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે એક્શન મોડમાં આવી ગયું છે. ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતા લાગું કરવામાં આવી છે અને પોલીસે ભાવનગર જિલ્લામાં ચેકપોસ્ટ, પેટ્રોલીંગ અને પ્રિવેન્ટિવ એક્શનને વેગ આપ્યો છે. પોલીસે છેલ્લા વીસ દિવસ દરમિયાન 4921 થી વધુ લોકો સામે અટકાયતી પગલાં ભરી ઝીરો ટોલરન્સની નિતી અપનાવી રહી છે. ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પાર પડે તે માટે મોટા ભાગના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલીંગ હાથ ધરી સતત નજર રાખવામાં આવી રહી છે તેમજ ભાવનગર શહેર અને વરતેજમાં 23 જેટલા સંવેદનસીલ વિસ્તારોમાં પોલીસ બાજ નજર રાખશે. ભાવનગર શહેર અને જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઇને પોલીસ તંત્ર સાબદું બન્યું છે. અને હજારો શખ્સો વિરૂદ્ધ અટકાયતી પગલાં ભરવામાં આવી રહી છે. ચુંટણી દરમિયાન કોઇપણ પ્રકારની ખલેલ ન પહોંચે જેને લઇને પોલીસે કડક કામગીરી શરૂ કરી છે. છેલ્લા વીસ દિવસ દરમિયાન 4921 લોકો વિરૂદ્ધ અટકાયતી પગલાં ભરી 11 માથાભારે શખ્સો વિરૂદ્ધ પાસાની દરખાસ્ત મોકલવામાં આવી હતી. જે મામલે શહેરના ચાર અને મહુવાના એક આરોપીને પાસા હેઠળ ધકેલી જુદી જુદી જેલમાં મોકલી આપ્યા છે. તદ્દઉપરાંત શહેર અને વરતેજમાં 23 જેટલા સંવેદશનશીલ વિસ્તારોની પણ ઓળખ કરવામાં આવી છે જ્યાં ચાંપતો પોલીસ બંદોબસ્ત મુકવામાં આવનાર છે. આગામી ચુંટણીમાં એક હજારથી વધુ પોલીસ જવાનો કાર્યરત રહેશે તેમ પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા મહુવા ગ્રામ્યમાં માઢીયા, ખુંટવડામાં આસરાણા ચોકડી, ગારિયાધારમાં નાની વાવડી, વેળાવદર ભાલમાં અધેલાઇ ચોકડી, ઘોઘામાં ઘોઘા મરીન, વલ્લભીપુરમાં કેરીયાના ઢાળ તેમજ ઉમરાળામાં રંઘોળા ચોકડી પાસે ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે. આ ચુંટણી દરમિયાન ભાવનગર પોલીસ દ્વારા ત્રિસ્તરીય બંદોબસ્ત જાળવવામાં આવનાર છે. આ સિવાય શહેર અને જિલ્લામાં થાણા અધિકારીઓ દ્વારા પોતાના પોલીસ મથકના સ્ટાફને સાથે રાખીને જુદા જુદા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ યોજી કાયદા અને વ્યવસ્થાની જાળવણીનો તાગ મેળવવામાં આવી રહ્યો છે. જે મામલે હિસ્ટ્રીશીટરોમાં ફફડાટ ફેલાયો છે. ભાવનગરના દરિયામાં બોટ દ્વારા સતત પેટ્રોલિંગભાવનગર જિલ્લમાં 152 કિલોમીટર લાંબો દરિયાકિનારો છે. જેમાં ભાવનગર પોર્ટ મરીન દ્વારા 12 નોટીકલ માઇલમાં બોટ દ્વારા સતત પેટ્રોલીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પોર્ટ મરીનના એક પી.એસ.આઇ. અને ત્રણ પોલીસ કર્મચારીઓ દ્વારા સતત માછીમારોની બોટ તેમજ અજાણ્યા લોકો ઉપર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. પોલીસ એક્શન આંકડાની નજરે

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:41 am

ઘરફોડ ચોરીનું બનાવ:પ્રસંગમાં ગયેલા પરિવારના ઘરેથી 2 લાખના ઘરેણાં ચોરી

શહેરના જ્વેલર્સ સર્કલ વિસ્તારમાં રહેતા પરિવારના સભ્યો મકાન બંધ કરી બપોરના સમયે પ્રસંગમાં જમવા ગયા બાદ ધોળા દિવસે બંધ મકાનમાં તસ્કર પ્રવેશી કબાટમાં રાખેલ રૂપિયા બે લાખની આસપાસ ના સોના ચાંદીના ઘરેણા ની ચોરી કરી નાસી છૂટ્યા ની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ભાવનગર શહેરના વિક્ટોરિયા રોડ જ્વેલર્સ સર્કલ પાસે આવેલ સરદાર નગર પટેલ સોસાયટી નંબર 1 ના પ્લોટ નંબર ત્રણ માં રહેતા ઉષાબેન નરેશભાઈ જોશી ગત તારીખ 7 એપ્રિલના રોજ બપોરે બાર વાગ્યા બાદ તેના દીકરા સાથે પોતાના મકાનના મુખ્ય દરવાજા ને તાળું મારી રેલ્વે સ્ટેશન પાસે આવેલ વાડીમાં પ્રસંગના કારણે જમણવારમાં ગયા હતા ત્યારબાદ જમીને બે વાગ્યે ઘરે આવ્યા ત્યારે ઘરના દરવાજા નો નકુચો તોડી કોઈ અજાણ્યો તસ્કર ઘરમાં પ્રવેશી કબાટ નું તાળું તોડી ઘરની તમામ વસ્તુઓ વેર વિખેર પડી હતી. બાદ સિક્યુરિટીમાં નોકરી એ ગયેલ તેમના પતિને બોલાવી તપાસ કરતા કબાટમાં રાખેલ રૂપિયા 1,97,709 ની કિંમત ના સોના ચાંદીના ઘરેણા ઉઠાવી કોઈ તસ્કર ધોળા દિવસે નાસી છૂટ્યો હતો. ઉષાબેન એ આ અંગે બોરતળાવ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતીં.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:39 am

કરદાતાની હાલત કફોડી બની:ડેડલાઇનના દિવસે જ GSTN ડાઉન રિટર્ન ફાઇલિંગમાં અફરાતફરી મચી

એક તરફ જીએસટી રિટર્ન ફાઇલ કરવાની મુદ્દત ઢુંકડી હોય અને બીજી તરફ જીએસટીએન સર્વર સમસ્યાઓ ઉભી કરી રહ્યું હોય તેવા અરસામાં કરદાતા અને ટેક્સ પ્રોફેશનલોની હાલત કફોડી બની જાય છે. GSTN પોર્ટલ છેલ્લા કેટલાંક દિવસોથી સતત ધીમું ચાલે છે, વારંવાર બંધ થઈ જાય છે તેમજ યોગ્ય રીતે કાર્યરત નથી રહેતું. જેના કારણે ટેક્સ પ્રોફેશનલ્સ તથા વેપારીઓને માર્ચ-2026ના GSTR-3B રિટર્ન ભરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. માર્ચ-2026ના GSTR-3B રિટર્નની ફાઇલ કરવાની અંતિમ તારીખ 20મી એપ્રિલ હતી, સવારથી જ પોર્ટલ ડચકા ખાવા લાગ્યુ હતુ અને સતત એરર પ્રદર્શિત કરી રહ્યું હતુ. રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા ટપ્પ બની ગઇ હતી. વેપારીઓ પર લેટ ફી અને પેનલ્ટીના જોખમ તોળાઇ રહ્યા છે. દરમિયાન સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ દ્વારા માનનીય કેન્દ્રીય નાણામંત્રી, ચેરમેન સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સેસ એન્ડ કસ્ટમ્સ તથા કમિશનર ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ નેટવર્કને ઈ-મેલ મારફતે રજૂઆત કરવામાં આવી છે કે, માર્ચ-2026ના GSTR-3B રિટર્નની નિયત તારીખમાં વધારો કરવામાં આવે, તેમજ GSTN પોર્ટલની ખામીને કારણે વેપારીઓ પર કોઈપણ પ્રકારની લેટ ફી અથવા દંડ લાગુ ન કરવામાં આવે. ઉપરાંત, GST પોર્ટલ સુચારુ અને સતત કાર્યરત રહે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે જેથી આવનારા સમયમાં આવા પ્રશ્નો વારંવાર ઊભા ન થાય તેવી રજૂઆતો કરવામાં આવે છે. રિટર્ન સબમિટ કરતી વખતે સર્વર એરર આવતા આખો ડેટા ફરીથી પ્રોસેસ કરવો પડે છે. વર્ષાંતની કામગીરીમાં એક ભૂલ પણ વેપારીને મોટી પેનલ્ટી તરફ દોરી શકે છે. આ સંજોગોમાં સરકાર તાત્કાલિક મુદત વધારાની જાહેરાત કરે તો જ લાખો કરદાતાઓને વ્યાજ અને દંડમાંથી મોટી રાહત મળી શકે તેમ છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:38 am

ભાવનગર એસ.ટી. ડિવિઝનના તંત્રવાહકોનો કડક મિજાજ:એસ.ટી. ડેપોમાં ગંદકી ફેલાવતા 256 મુસાફરોને ફટકારાયો દંડ

ભાવનગર એસ.ટી. વિભાગ દ્વારા આમ જનતાને સારી સુવિધા આપવાની સાથે એસ.ટી. બસ સ્ટેશનના પરિસર અને એસ.ટી. બસોમાં સ્વચ્છતા જાળવવા કાર્યવાહી કરવામાં આવતી હોય છે. 'સ્વચ્છતા હી સેવા'ના ઉદેશ્યને સાચા અર્થમાં સાર્થક કરવા ભાવનગર એસ.ટી. ડિવિઝન દ્વારા સ્વચ્છતા જાળવણી અંગે માર્ચ-2026ના મહિનામાં કરાયેલી કાર્યવાહીમાં એસ.ટી. ડેપોના પરિસરમાં ગંદકી ફેલાવતા 256 મુસાફરોને દંડ ફટકારાયો છે. ભાવનગર એસ.ટી. ડિવિઝન નીચેના 8 એસ.ટી. ડેપોમાં કરાયેલી કાર્યવાહીમાં એક માસમાં રૂ.6470નો દંડ વસૂલાયો હતો. એસ.ટી. ડેપોના પરિસર અને બસોમાં જયાં ત્યાં પાન મસાલાની પીંચકારી મારી ગંદકી ન ફેલાવવા તેમજ જાહેરમાં ધૂમ્રપાન ન કરવા અનુરોધ કરવામાં આવે છે. આમ છતાં અનેક મુસાફરો દ્વારા નિયમોનું પાલન ન કરાતું હોય એસ.ટી. પ્રસાશન દ્વારા દંડાત્મક કાર્યવાહી હાથ ધરવા ઝુંબેશ ચલાવવામાં આવે છે. એસ.ટી. વિભાગ દ્વારા એસ.ટી. ડેપોના પરિસર અને એસ.ટી. બસોમાં ગંદકી ફેલાવવા બદલ મુસાફરને રૂ.10થી લઈને રૂ.200 સુધીનો દંડ ફટકારાય છે. STના સ્વચ્છતા અભિયાનમાં મુસાફરો સહયોગ આપેસ્વચ્છતા ત્યાં પ્રભુતા સાથે દેશભરમાં ખાસ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે. એસ.ટી. ડેપો પરિસર જેવા જાહેર સ્થળોએ સ્વચ્છતાની જાળવણી કરવી આપણા સૌ કોઈની નૈતિક ફરજ બને છે ત્યારે એસ.ટી.ના સ્વચ્છતા અભિયાનમાં મુસાફરો સહયોગ આપે તે ખુબજ જરૂરી બાબત છે. > આર.ડી.પીલવાઈકર, ડિવિઝન કન્ટ્રોલર, ભાવનગર એસ.ટી. ડિવિઝન

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:38 am

ભાવનગર પોર્ટની હાલત ક્ષીણ થઇ:ભાવનગર બંદર મરણપથારીએ

ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી) હસ્તકના બારમાસી બંદર ભાવનગર પોર્ટની હાલત ક્ષીણ થઇ રહી છે. બેસિનની અંદર છેલ્લા 6 માસથી ડ્રેજીંગ બંધ હાલતમાં હોવાને કારણે દરિયામાંથી ઢસડાઇને આવતા કાંપના ઢગલા થવા લાગ્યા છે, ઓટના સમયે જો લોકગેટ ખુલ્લો હોય તો બેસિન ખારના મેદાન જેવી લાગવા લાગે છે. ભાવનગર નવા બંદર પર 2210 મીટરનો ક્વે છે, જેમાં નોર્થ ક્વે અને કોંક્રિટ જેટી વિસ્તાર આવેલા છે. ભરતી અને ઓટની અસર બેસિનની અંદર કાર્યરત બાર્જના ઓપરેશન પર પડે નહીં તેના માટે લોકગેટની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકગેટની અંંદર બેસિન વિસ્તારમાં માલવાહક બાર્જ આસાનીથી કાર્યરત રહે તેના માટે સતત ડ્રેજીંગ કરવામાં આવે તેવી વ્યવસ્થા હોય છે, પરંતુ 6 માસથી બેસિનની અંદરનું ડ્રેજીંગ કાર્ય કરી રહેલા કટર સક્શન ડ્રેજર ક્રિષ્નામણીમાં તકનીકી સમસ્યાઓ સર્જાતા તેની ક્ષમતા મુજબનું કામ કરવામાં અસક્ષમ છે. જ્યારે હોપર બાર્જ માત્ર ચેનલમાં ક્ષુલ્લક ડ્રેજીંગ કરે છે, જે સમગ્ર બેસિન માટે પર્યાપ્ત નહીં હોવાને કારણે કંાપના થર સતત વધતા જ ગયા છે, અને અત્યારે હાલત એવી છે કે ઓટના સમયે 1200થી 1500 ટન માલ ભરેલા બાર્જને પણ બેસિનમાં કામ કરવા માટે મુશ્કેલી નડે છે. ડ્રેજીંગની સમસ્યાથી ભાવનગર બંદર લાંબા સમયથી પિડાઇ રહ્યું હોવા છતા તેનો કાયમી અને વ્યવહારૂ ઉકેલ લાવવામાં આવી રહ્યો નથી. તાજેતરમાં પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગના ચિફ સેક્રેટરી હરિત શુક્લાની ભાવનગર પોર્ટની મુલાકાત દરમિયાન સબ સલામતના દ્રશ્યો ઉભા કરાયા હતા. ડ્રેજિંગ મટિરિયલ ડિસ્ચાર્જની લાઇન બદલાય છેભાવનગર નવા બંદરની બેસિનમાં અગાઉ નોર્થ ક્વે તરફ ડ્રેજીંગ મટિરીયલ ડિસ્ચાર્જની લાઇન હતી, જ્યાં હવે સીએનજી ટર્મિનલ સહિતની કામગીરી શરૂ થવાની હોવાથી આ લાઇનનું શિફ્ટિંગ કામ ચાલુ છે, અને સમગ્ર લાઇન અકવાડા જેટીથી આગળ લઇ જવાની છે. હાલ હોપર બાર્જથી મર્યાદિત ડ્રેજીંગ થાય છે. > ઇશ્વર મઢીયા, ડિવિઝનલ એન્જીનિયર, જીએમબી

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:36 am

સિટી એન્કર:એમ્બ્યુલન્સ ચાલકના સૂચનથી 74 વર્ષીય વૃદ્ધાનું ચક્ષુદાન

ભાવનગર સર ટી. હોસ્પિટલમાં માનવતાને ઉજાગર કરતી એક હૃદયસ્પર્શી ઘટનામાં, એમ્બ્યુલન્સ ચાલકના સૂચનથી એક પરિવારે પોતાના 74 વર્ષીય વૃદ્ધાના ચક્ષુદાનનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. સર ટી. હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ સારવાર દરમિયાન થયેલા વૃદ્ધાના અવસાન બાદ મૃતદેહને વડોદરા લઈ જવા આવેલા ખાનગી એમ્બ્યુલન્સના ચાલકે પરિવારજનોને ચક્ષુદાન અંગે સમજાવી પ્રેરણા આપી હતી. ભાવુક પરિસ્થિતિ હોવા છતાં પરિવારે માનવતાને પ્રાથમિકતા આપતા આ ઉમદા કાર્ય માટે સંમતિ આપતા અંતિમ વિદાયમાં માનવતાના અનોખા સ્પર્શથી હવે બે લોકોના જીવનમાં ફરી ઉજાસ પથરાશે. મૂળ ભાવનગરના વતની અને હાલ વડોદરા સાસરું ધરાવતા 74 વર્ષીય માલિનીબેન હરેશકુમાર બેલાણી શનિવારે ભાવનગર પોતાના ભાઈના ઘરે આવ્યા હતા. જેને રવિવારે રાત્રે હૃદય સંબંધિત તકલીફોને લઈ ભાવનગર સર ટી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મોડીરાત્રે 2:30 કલાકે તેમનું અવસાન થતા પરિવારજનો દ્વારા ખાનગી એમ્બ્યુલન્સ મારફતે માલિનીબેનના નશ્વર દેહને વડોદરા લઈ જવા તજવીજ હાથ ધરી હતી. સર ટી. હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ લઈ આવેલા ખાનગી એમ્બ્યુલન્સના ચાલક તોફીકભાઈ ખોખરે પરિવારજનોને અંગદાન અને ચક્ષુદાન અંગે સમજાવી તેની કાર્ય પદ્ધતિથી વાકેફ કર્યા હતા. પરિવારજનોએ ભાવુક પરિસ્થિતિ વચ્ચે પણ એમ્બ્યુલન્સ ચાલકના સૂચનથી 74 વર્ષીય વૃદ્ધાના બંને ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કરતા ભાવનગર સરકારી મેડિકલ કોલેજ અને ભાવનગર સર ટી. હોસ્પિટલ સંચાલિત ચક્ષુબેંકની ટીમને બોલાવવામાં આવી હતી. ચક્ષુબેંક તબીબી ટીમના ડો.શિવાલી અને ડો.ભાવિકાએ દસ્તાવેજી કાર્યવાહીને અંતે માલિનીબેનના ચક્ષુઓ કાઢી ચક્ષુબેંકમાં જમા કરાવ્યા હતા ત્યારે માલિનીબેનના બંને ચક્ષુઓની મદદથી અંધારથી ભરેલા બે લોકોના જીવનમાં ફરી ઉજાસ પથરાશે. વૃદ્ધાના પરિવારજનોના ઉમદા નિર્ણયથી એમ્બ્યુલન્સ ચાલકે રૂ.9000 જેટલું માતબર ભાડું લેવાને બદલે માત્ર ડિઝલ ખર્ચ લઈ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડી અન્ય લોકોને પણ પ્રેરણારૂપ બન્યા છે. ભાવનગરનું ચક્ષુદાન અને દેહદાનમાં અનેરૂ પ્રદાનમેડિકલ ક્ષેત્રે ભાવનગરનું અંગદાન, ચક્ષુદાન અને દેહદાનનું ખુબ પ્રદાન છે. ભાવનગર જિલ્લામાંથી અત્યાર સુધીમાં 83 જેટલા લોકોએ અંગદાન, 1000થી વધુ ચક્ષુદાન તથા 1100થી વધુ લોકોએ દેહદાન કર્યું છે. દર્દીઓના બ્રેઇનડેડ જેવા કિસ્સામાં પરિવારજનો અંગદાન કરી અન્ય જરૂરિયાતવાળા લોકોની જિંદગીમાં ઉજાસ લાવી શકે છે. અંગદાન અંગેની વધુ જાણકારી મો. 95123-04381 પરથી મળશે. > ડો.યશ દવે, કોઓર્ડિનેટર, ઓર્ગન ડોનેશન અવેરનેસ પ્રોગ્રામ, સર ટી.હોસ્પિટલ.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:36 am

મહાપાલિકા ચૂંટણી 2026નો પડકાર:21 ફેબ્રુઆરી 2021 ચૂંટણીના દિવસે તાપમાન 32 ડિગ્રી હતું છતાં 49% મતદાન, આ વખતે 26 એપ્રિલે 40 ડિગ્રી હશે!

આગામી તા.26 એપ્રિલને રવિવારે ભાવનગર મહાનગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો માટે મતદાન છે ત્યારે રાજકીય પક્ષો અને તંત્ર માટે મતદારોને મતદાન મથક સુધી પહોંચતા કરવા જાગૃતિ ફેલાવવામાં ત્રણ મુખ્ય પરિબળો આડખીલીરૂપ બની શકે તેમ છે. મતદાન વધારવા માટે ગરમી, વેકેશન અને લગ્નસરા ત્રણ કોઠા વિંધવા પડે તેમ છે ત્યારે સૌરાષ્ટ્ર સમાચાર નાગરિકોને અપીલ કરે છે કે સામાજિક પ્રસંગો કે ગરમી વચ્ચે પણ મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વની ઉજવણીને સાર્થક કરીએ. કારણ કે 21 ફેબ્રુઆરી 2021 ચૂંટણીના દિવસે તાપમાન 32 ડિગ્રી હતુ છતા 49% મતદાન જ થયુ હતું. જ્યારે આ વખતે 26 એપ્રિલે તાપમાન 40 ડિગ્રી પાર કરવાની આગાહી છે ત્યારે મતદાનની ટકાવારી વધારવાનો પડકાર રહેશે. ત્રણ કોઠામાં એક તો છે એપ્રિલના અંતે 40 ડિગ્રી સેન્ટીગ્રેડ ગરમીની હવામાન વિભાગની આગાહી, બીજો કોઠા છે લગ્ન ગાળો અને તેમાં 26મી એપ્રિલને રવિવાર લગ્ન માટે શ્રેષ્ઠ મુહૂર્ત પૈકીનું એક છે. ત્રીજો કોઠો છે વેકેશન, હવે પરીક્ષાઓ પૂર્ણ થઇ ગઇ છે અને વાલીઓ પોતાના બાળકો સાથે વેકેશનમાં હળવા ફરવા કે પોતાના વતનમાં જાય તે સ્વાભાવિક છે. આ પાસું પણ મતદાનની ટકાવારીની સામે પડે તેવું છે. આ સ્થિતિમાં સ્વયંભૂ મતદાન જાગૃતિ ફેલાઈ તેવો પ્રયાસ કરવો પડશે. ગત 2021ની મહાપાલિકાની ચૂંટણીમાં મતદાન 21મી ફેબ્રુઆરીએ હતુ એટલે કે હજી ઉનાળો જામ્યો ન હતો અને બપોરે મહત્તમ તાપમાન 32.6 ડિગ્રી હતુ, પરીક્ષાઓ બાકી હતી તેમજ ઉનાળુ લગ્નોત્સવ પણ શરુ થયો ન હતો છતાં મતદાન 49.47 ટકા થયું હતુ. વળી 2021માં તો કોરોનાની ગાઇડલાઇન પણ હતી એટલે બહારગામ હરવા ફરવા જવાનો સવાલ પણ ન હતો. જ્યારે આ વખતે તાપમાન 40 ડિગ્રી પાર થઈ શકે છે, લગ્નસરા અને વેકેશન પણ મતદાન પર અસર કરી શકે છે. ભાવનગર ચૂંટણી વિશ્લેષણ મહાપાલિકાની છેલ્લી ચાર ચૂંટણીમાં મતદાનની ટકાવારી 1995ની મહાપાલિકા ચૂંટણીમાં 50.02 ટકા મતદાનનો વિક્રમ હજુ અતૂટ ભાવનગર મહાનગરપાલિકામાં ઇ.સ.1995ની ચૂંટણીમાં સૌથી વધુ 50.02 ટકા મતદાન થયેલું હતુ. ગત 2021ની ચૂંટણીમાં 49.47 ટકા મતદાન થતાં આ વિક્રમ માત્ર 0.55 ટકાના અંતરે તૂટતા રહી ગયો હતો. 2021માં જો થોડી મુશ્કેલી વોર્ડ વિભાજનની ન નડી હોત તો 2021ની મહાપાલિકાની ચૂંટણીમાં 1995માં સર્વાધિક મતદાનનો વિક્રમ ભૂતકાળ બની જાત. હવે આ વખતે જોઇએ કેટલી ટકાવારી થાય છે. ધંધા-રોજગાર માટે સ્થળાંતર ભાવનગરમાંથી ધંધા કે રોજગારની તક ઓછી થતા છેલ્લાં 5 વર્ષમાં ઘણા લોકો બહારગામ કમાવા માટે ગયા છે. આવા લોકો કામધંધા માટે બહાર રહેતા હોય છે, જેના કારણે તેઓ મતદાન દિવસે હાજર રહી શકતા નથી. આથી પણ મતદાન ઓછું થવાની શક્યતા હોય છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:34 am

રેલવે સેવાઓમાં હંગામી અવરોધ સર્જાયો:ડોંબિવલીમાં લોકલ પાટા પરથી ઊતરી : પીક અવર્સમાં અવરોધ

ડોમ્બીવલી રેલ્વે સ્ટેશન ના પ્લેટફોર્મ નંબર 1 પર સોમવારે સવારે લગભગ 8:10 વાગ્યે એક ખાલી લોકલ ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટના બની હતી, જેના કારણે સવારના વ્યસ્ત પીક અવર્સ દરમિયાન ઉપનગરીય રેલવે સેવાઓમાં હંગામી અવરોધ સર્જાયો હતો. મધ્ય રેલ્વેના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ખાલી રેક કલ્યાણ તરફ જઈ રહી હતી ત્યારે તેનો એક કોચ અચાનક પાટા પરથી ઉતરી ગયો હતો. સદભાગ્યે, ટ્રેન ખાલી હોવાના કારણે કોઈ મુસાફર હાજર ન હતો અને આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા નોંધાઈ નથી. આ ઘટનાની અસર ડાઉન લાઇન પર ચાલી રહેલી ઓછામાં ઓછી બે લોકલ ટ્રેનો પર પડી હતી. ટ્રેનોને સમયસર ચલાવવા માટે રેલ્વે તંત્રએ તરત જ કાર્યવાહી કરીને તેમને અન્ય ટ્રેક પર ડાયવર્ટ કરી હતી. કેટલાક મુસાફરોને ટ્રેનમાંથી ઉતરીને પાટા પરથી ચાલીને સ્ટેશન સુધી પહોંચતા પણ જોવા મળ્યા હતા, જેના કારણે થોડી ગભરાટની સ્થિતિ ઉભી થઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ડાઉન લાઇન સેવાઓને પ્લેટફોર્મ નંબર 4 તરફ ફેરવવામાં આવી હતી અને વૈકલ્પિક માર્ગો દ્વારા ટ્રેનોની અવરજવર ફરી શરૂ કરવામાં આવી હતી. મધ્ય રેલ્વે ના મુખ્ય જનસંપર્ક અધિકારી ડૉ. સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે, આ ઘટના છતાં અપ લાઇન સેવાઓ, ખાસ કરીને કલ્યાણથી મુંબઈ જતી ટ્રેનો પર કોઈ અસર પડી નથી. હાલમાં રેલ્વેની ટેકનિકલ ટીમો પાટા પરથી ઉતરેલા કોચને દૂર કરવા અને ટ્રેકને ફરી સામાન્ય સ્થિતિમાં લાવવા માટે કામ કરી રહી છે. જોકે સેવાઓ સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવી નહોતી, તેમ છતાં સવારના કામકાજના વ્યસ્ત સમયમાં મુસાફરોને થોડી અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:21 am

ધરપકડ:બેંક ઠગાઈ કેસમાં અનિલ અંબાણીની કંપનીના બે એક્ઝિક્યુટિવની ધરપકડ

17 જાહેર ક્ષેત્રની બેંકો અને નાણાકીય સંસ્થાઓને રૂ. 19,694.33 કરોડનું ખોટી રીતે નુકસાન કરવામાં આવ્યું હોવાની એસબીઆઈની ફરિયાદની તપાસ કરતી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા ઉદ્યોગપતિ અનિલ ડી. અંબાણી દ્વારા નિયંત્રિત મેસર્સ રિલાયન્સ કમ્યુનિકેશન્સ (આર.કોમ)ના બે સિનિયર એક્ઝિક્યુટિવ ડી. વિશ્વનાથ અને અનિલ કાલ્યાની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈ દ્વારા મેસર્સ રિલાયન્સ કમ્યુનિકેશન્સ લિ., અનિલ અંબાણી અને અન્ય અજ્ઞાત વ્યક્તિઓ વિરુદ્ધ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ફરિયાદ પરથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બેંકનો આરોપ છે કે તેણે આરોપી કંપનીને ધિરાણ સુવિધાઓ મંજૂર કરી હતી, પરંતુ આરોપી ઋણદારો દ્વારા છેતરામણી પ્રવૃત્તિઓને લીધે બેંકને રૂ. 2929.05 કરોડનું નુકસાન થયું હતું. એસબીઆઈની જ ફરિયાદ અનુસાર 17 જાહેર ક્ષેત્રની બેંકોને રૂ. 19,694.33 કરોડનું નુકસાન થયું હતું. હમણાં સુધીની તપાસમાં એવું બહાર આવ્યું છે કે આર.કોમે કંપનીના અધિકારીઓ દ્વારા નિયંત્રિત શેલ (બોગસ કંપનીઓ) કંપનીઓ થકી આડકતરા વ્યવહારો કર્યા હતા અને તેની ગ્રુપની કંપનીઓ સાથે બોગસ સેવા સંબંધી લેણદેણ માટે ડિસ્કાઉન્ટેડ એલસી (લેટર ઓફ ક્રેડિટ) પણ મેળવ્યા હતા, જે હસ્તાંતરિત થતાં બેંકોને મોટું નુકસાન થયું હતું.ડી. વિશ્વનાથ જોઈન્ટ પ્રેસિડેન્ટ હતો. તે ગ્રુપની બેંકિંગ કામગીરીઓનો એકંદર ઈનચાર્જ હતો અને તેના નિર્દેશ હેઠળ ભંડોળનો દુરુપયોગ કરાયો હતો. તે આરોપી કંપનીને સુવિધાની મંજૂરી અને વિતરણ માટે બેંકો સાથે સમન્વય કરતો હતો. વાઈસ પ્રેસિડેન્ટ અનિલ કાલ્યાએ ડી. વિશ્વસનાથને સક્રિય રીતે ટેકો આપ્યો હતો અને આ બંને આર.કોમ ગ્રુપના મહત્ત્વપૂર્ણ કારોબારીઓ હોઈ કોર્પોરેટ ફાઈનાન્સ, બેંકિંગ કામગીરીઓ, ભંડોળના પેમેન્ટ/ ઉપયોગ વગેરેનું વ્યવસ્થાપન કરતા હતા. નોંધનીય છે કે વિવિધ જાહેર ક્ષેત્રની બેંકો અને એલઆઈસી દ્વારા હજારો કરોડો રૂપિયાની છેતરપિંડી સંબંધે અનિલ અંબાણીની આગેવાની હેઠળના રિલાયન્સ ગ્રુપ સામે સાત કેસ છેલ્લા થોડા મહિનામાં દાખલ કર્યા છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:21 am

6 કરોડનું ડ્રગ્સ જપ્ત:મ્યુઝિક કોન્સર્ટમાં ડ્રગ્સ કાંડ પછી પોલીસ સક્રિય

ગોરેગાવ સ્થિત નેસ્કો એક્ઝિબિશન સેન્ટરમાં યોજાયેલા મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન બે એમબીએ વિદ્યાર્થી- વિદ્યાર્થિનાં દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ બાદ પોલીસે મોટા પાયે કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ શહેરમાં ડ્રગ્સના વધતા પ્રસાર અંગે ચિંતા વધારી છે, જેના પગલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી-નાર્કોટિક્સ સેલ (એએનસી) એ સક્રિય તપાસ શરૂ કરી છે.તાજેતરમાં એએનસીએ ટિટવાલામાંથી એક મહિલા ડ્રગ સપ્લાયરને ઝડપી પાડી છે. તેની પાસેથી અંદાજે ₹6 કરોડની કિંમતની 5,000 એમડીએમએ ગોળીઓ જપ્ત કરવામાં આવી છે, જેને શહેરમાં અત્યાર સુધીની સૌથી મોટી સિંગલ-સોર્સ રિકવરી માનવામાં આવી રહી છે. ધરપકડ કરાયેલી મહિલા, જે 40 વર્ષની આસપાસની છે, ભૂતપૂર્વ બાર ડાન્સર હોવાનું સામે આવ્યું છે. તેણે મુંબઈ અને થાણે વિસ્તારમાં એક દાયકાથી વધુ સમય સુધી કામ કર્યા બાદ લગભગ ત્રણ વર્ષ પહેલા ડ્રગ્સના ધંધામાં પ્રવેશ કર્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે એક વેપારીએ તેને નાર્કોટિક્સ નેટવર્ક સાથે જોડાવી હતી અને ઊંચા નફાની લાલચ આપી હતી. દરોડા દરમિયાન પોલીસે તેના નિવાસસ્થાનમાંથી પાંચ મોબાઇલ ફોન અને આઠ સિમ કાર્ડ પણ જપ્ત કર્યા છે. હાલ પોલીસ આ ઉપકરણોના કોલ ડેટા રેકોર્ડનું વિશ્લેષણ કરી રહી છે જેથી મુખ્ય સૂત્રધાર સુધી પહોંચી શકાય અને સમગ્ર સપ્લાય ચેઇનનો પર્દાફાશ થઈ શકે.આ કાર્યવાહી અગાઉ 16 એપ્રિલે સાકીનાકાના જરીમારી વિસ્તારમાંથી ઈરફાન અલી અંસારી (40) ની ધરપકડ સાથે જોડાયેલી છે, જેને 200 એમડીએમએ ગોળીઓ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. અંસારી અગાઉ 2021માં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને લગભગ ચાર વર્ષ જેલમાં રહી ગયા વર્ષે જામીન પર બહાર આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, છૂટ્યા બાદ તેણે ફરી ડ્રગ્સનું વિતરણ શરૂ કર્યું હતું.હાલમાં અંસારી અને અન્ય આરોપીઓને 22 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:20 am

મોહન ભાગવતની 'ઝેડ પ્લસ' સુરક્ષા કવચ અંગે વિવાદ:ભાગવતની સુરક્ષાનો ખર્ચ સરકાર કેમ ઉઠાવી રહી છે? કોર્ટમાં અરજી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને તેના સરસંઘચાલક મોહન ભાગવતને આપવામાં આવેલી 'ઝેડ પ્લસ' સુરક્ષા કવચ અંગે મોટો વિવાદ ઊભો થયો છે. મુંબઈ હાઈ કોર્ટની નાગપુર બેન્ચમાં એક જાહેર હિત અરજી (પીઆઈએલ) દાખલ કરવામાં આવી છે, જેમાં માગણી કરવામાં આવી છે કે આ સુરક્ષા કવચનો ખર્ચ સંબંધિત વ્યક્તિ પાસેથી વસૂલ કરવામાં આવે અને સરકારી તિજોરીમાંથી નહીં. આ અરજીએ રાજકીય અને વહીવટી સ્તરે ચર્ચા જગાવી છે. આ અરજી નાગપુર સ્થિત સામાજિક કાર્યકર્તા લાલન કિશોર સિંહ દ્વારા દાખલ કરવામાં આવી છે. તેમણે પોતાની અરજીમાં સ્પષ્ટતા કરી છે કે આરએસએસ રજિસ્ટર્ડ સંગઠન ન હોવા છતાં તેને ઉચ્ચ સ્તરની સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. આ સુરક્ષાનો ખર્ચ કરદાતાઓના પૈસામાંથી સીધો ચૂકવવામાં આવી રહ્યો હોવાથી, તે સરકારી તિજોરી પર મોટો નાણાકીય બોજ નાખી રહ્યો છે. તેથી, એવી માગણી કરવામાં આવી છે કે કોર્ટ સંબંધિત વ્યક્તિ પાસેથી આ ખર્ચ વસૂલવાનો નિર્દેશ આપે. અરજીમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ), રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને રાજ્ય સરકારના નાણાં વિભાગને પ્રતિવાદી તરીકે નામ આપવામાં આવ્યા છે. આ મામલાની સુનાવણી 20 એપ્રિલે મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખરની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ થશે. તેથી, બધાનું ધ્યાન આ સુનાવણી પર છે. અરજદારના મતે, 'ઝેડ પ્લસ' સુરક્ષાનો ખર્ચ દર મહિને આશરે 40 થી 45 લાખ રૂપિયા છે. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ ખર્ચ કરદાતાઓના પૈસામાંથી થઈ રહ્યો હોવાથી, તે જાહેર ભંડોળનો દુરુપયોગ છે. તે 27 ફેબ્રુઆરી, 2023 ના રોજ સુપ્રીમ કોર્ટના એક મહત્ત્વપૂર્ણ ચુકાદાનો પણ ઉલ્લેખ કરે છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે આવી સુરક્ષાનો ખર્ચ સંબંધિત વ્યક્તિ પાસેથી વસૂલ કરવો જોઈએ. દાવો કરો કે અરજી જાહેર હિતમાં છેઅરજદારે જણાવ્યું છે કે આ અરજી સંપૂર્ણપણે જાહેર હિતમાં છે અને એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેમાં કોઈ વ્યક્તિગત હિત નથી. સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ કરવાની અને ‘ઝેડ પ્લસ’ સુરક્ષાનો ખર્ચ તાત્કાલિક સંબંધિત પક્ષો પાસેથી વસૂલ કરવાની માગ કરવામાં આવી છે. હવે સમગ્ર રાજ્ય હાઈકોર્ટ આ અંગે શું નિર્ણય લેશે તેના પર નજર રાખી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:20 am

સિટી એન્કર:ઝૂંપડપટ્ટી પરિસરમાં શૌચાલયની સ્વચ્છતા માટે 5 નવા વાહન

ઝૂંપડપટ્ટી ભાગના શૌચાલયોની સ્વચ્છતા માટે મહાપાલિકાના ઘનકચરા વ્યવસ્થાપન વિભાગે પાંચ નવા વાહન ખરીદી કરવાનો નિર્ણય લીધો છે. મહાપાલિકા પાસેના પહેલાંના વાહનોનું આયખુ પૂરું થયું હોવાથી નવા વાહનોની ખરીદી કરવામાં આવશે. આ વાહનો માટે લગભગ 2 કરોડ રૂપિયા ખર્ચ અપેક્ષિત છે. આ બાબતના પ્રસ્તાવને સ્થાયી સમિતિની મંજૂરી મળ્યા પછી ટૂંક સમયમાં આ વાહનો ઘનકચરા વ્યવસ્થાપન વિભાગના કાફલામાં દાખલ થશે. મુંબઈ સ્વચ્છ અને સુંદર રહે એ માટે મહાપાલિકા તરફથી સતત વિવિધ ઉપક્રમ અને ઉપાયયોજના અમલમાં મૂકવામાં આવે છે. તેમ જ મુંબઈની ગંદકી દૂર કરવા મહાપાલિકાનું ઘનકચરા વ્યવસ્થાપન વિભાગ વિવિધ પ્રયત્ન કરે છે. ઝૂંપડપટ્ટી ભાગના સાર્વજનિક શૌચાલયની ગંદા પાણીની ટાંકીઓની સ્વચ્છતા માટે મહાપાલિકા વિશેષ વાહનનો ઉપયોગ કરે છે. હાલની સ્થિતિમાં મહાપાલિકાના કાફલામાં શૌચકૂપ સ્વચ્છ કરતા પાંચ વાહન છે. આ બધા વાહન આઠ વર્ષ જૂના થયા છે. પ્રાદેશિક પરિવહન પ્રાધિકરણના નિયમ અનુસાર વાહનની આયુમર્યાદા આઠ વર્ષ થયા બાદ એનો ઉપયોગ કરી શકાતો નથી. પહેલાંના પાંચ વાહનોનું આયખુ પૂરું થયું હોવાથી હવે નવા વાહનોની ખરીદી કરવી જરૂરી છે. આ વાહનો માટે મહાપાલિકાએ ડિસેમ્બર 2025માં ટેંડર જારી કર્યા હતા. આ વાહનો માટે લગભગ 2 કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે. એના માટે ત્રણ ટેંડર મળ્યા હતા. એમાંથી એક કોન્ટ્રેક્ટરને મહાપાલિકાએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. આ બાબતનો પ્રસ્તાવ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કર્યો. વિવિધ મુદ્દા ધ્યાનમાં લઈને ચર્ચાના અંતે સ્થાયી સમિતિએ આ પ્રસ્તાવને મંજૂરી આપી. એ અનુસાર હવે ટૂંક સમયમાં શૌચકૂપ સ્વચ્છ કરતા પાંચ નવા વાહન મહાપાલિકાના કાફલામાં દાખલ થશે. વોર્ડ દીઠ વાહનની માગણીદરમિયાન નવા વાહનોના સમાવેશથી ઝૂંપડપટ્ટી ભાગના સ્વચ્છતા કામ વધુ કાર્યક્ષમતાથી પાર પાડી શકાશે એવો વિશ્વાસ મહાપાલિકાના અધિકારીઓએ વ્યક્ત કર્યો છે. જો કે સંપૂર્ણ મુંબઈ માટે ફક્ત પાંચ વાહન ઓછા પડતા હોવાથી મહાપાલિકાના દરેક પ્રશાસકીય વોર્ડ દીઠ એક વાહન ઉપલબ્ધ કરવું એવી માગણી મહાપાલિકા સમક્ષ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:19 am

ડીઆરઆઈ દ્વારા કાર્યવાહી:મુંબઈમાં 209 કરોડના દાણચોરીનાં કલીંગડ બીજ, લીલા વટાણા અને ચીની ફટાકડા જપ્ત

ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) દ્વારા ન્હાવા શેવા બંદર ખાતે જોરદાર કાર્યવાહી કરવામાં આવી. છેલ્લા બે દિવસમાં બે પ્રકરણમાં 139 કરોડના આયાત કરાયેલા કલીંગડ બીજ અને લીલા વટાણાની દાણચોરી સંબંધે કંપનીના ડાયરેક્ટરની ધરપકડ કરવામાં આવી છે તેમ જ બીજા કેસમાં 70 કરોડના ચીની ફટાકડા જપ્ત કર્યા છે. વિશ્વસનીય માહિતીને આધારે ડીઆરઆઈ દ્વારા ન્હાવા શેવા બંદર ખાતે કન્ટેઈનરોની તલાશી લેવામાં આવી હતી. તે સમયે તુવેર દાળ તરીકે ઘોષિત કરાયેલાં 132 કન્ટેઈનરોમાંથી 3029 મેટ્રિક ટન કલીંગડ બીજ અને લીલા વટાણા મળી આવ્યા હતા. તુવેર દાળ હોવાનું દર્શાવીને 2710 મે.ટન કલીંગડ બીજ તાંઝાનિયા અને સુદાનથી આયાત કરાયા હતા, જ્યારે 319 મે.ટન લીલા વટાણા કેનેડાથી આયાત કરાયા હતા, એમ ડીઆરઆઈના અધિકારીએ સોમવારે જણાવ્યું હતું. નોંધનીય છે કે ઘરઆંગણાના ખેડૂતોનું આછી કિંમતની આયાતોથી રક્ષણ કરવા માટે સરકાર દ્વારા આ ચીજો પર સખત આયાત નિયંત્રણ લાદ્યાં છે. આ અંગે નોટિફિકેશન જારી કર્યાં છે. આયાત લઘુતમ કિંમતને આધીન અને કોલકતા બંદર થકી જ નિયંત્રિત છે. આમ છતાં આયાતી કંપનીના ડાયરેક્ટરે તુવેરની આડમાં આ દાણચોરીનો પ્રયાસ કર્યો હતો, જેથી રવિવારે તેની ધરપકડ કરાઈ હતી. બીજા એક કેસમાં પ્રતિબંધ છતાં ચીની ફટાકડા દાણચોરીથી ભારતમાં લાવવામાં આવી રહ્યા છે એવી માહિતીને આધારે ડીઆરઆઈના મુંબઈ ઝોનલ યુનિટે ન્હાવા શેવામાં તલાશી હાથ ધરી હતી. આ ઓપરેશનને ‘‘ઓપરેશન પાયરો હિસ્ટ’’ નામ આપવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં શંકાસ્પદ કન્ટેઈનરોની તલાશી લેવામાં આવી હતી. બારીકાઈથી તલાશી લેવામાં આવતાં અમુક કન્ટેઈનરોમાંથી 70 મે.ટન ચીની ફટાકડા મળી આવ્યા હતા, જેનું મૂલ્ય આશરે રૂ. 17.07 કરોડ થાય છે. આ દાણચોર ટોળકીના બે જણની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં એવું બહાર આવ્યું છે કે આ ટોળકીએ કસ્ટમ્સ અધિકારીઓને ગેરમાર્ગે દોરવા માટે ઉત્તમ નિયોજનબદ્ધ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. કેન્સાઈનમેન્ટને નિરુપદ્રવી માલો તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. ઉપરાંત આરોપીઓએ કન્ટેઈનર ફ્રેઈટ સ્ટેશનમાંથી આ દાણચોરીનો માલ ચાલાકીપૂર્વક કાઢીને ફેરબદલી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આયાતી કન્ટેઈનરોમાંથી ફટાકડા અન્ય વાહનમાં લાદવામાં આવતા હતા ત્યારે તેમને રંગેહાથ ઝડપી લેવાયા હતા. આ માટે કન્ટેઈનરના સીલમાં તેમણે ચેડાં કર્યાં હતાં, એમ અધિકારીએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:18 am

મહેસૂલ વિભાગ દ્વારા સુધારેલું નવું ધોરણ:સરકારી ભૂખંડ ભાડે આપવા હવે 30ના બદલે 49 વર્ષની મર્યાદા

રાજ્યના વિવિધ સરકારી વિભાગો આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેથી ઉપાય તરીકે આવક વધારવા સરકારી ભૂખંડ હવે 49 વર્ષ માટે ભાડે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એ સાથે જ ભાડે આપેલી સરકારી જમીનના કરારનું નૂતનીકરણ કરવા છૂટ આપવામાં આવી છે. મહેસૂલ વિભાગે આ સંદર્ભે સુધારેલું ધોરણ જાહેર કર્યું છે. સરકારી જમીન ભાડે આપવાનો સમય 30 વર્ષથી વધારીને 49 વર્ષ કરવા જાન્યુઆરી મહિનામાં મંત્રીમંડળ બેઠકમાં માન્યતા આપવામાં આવી હતી. આ નિર્ણય અનુસાર મહેસૂલ વિભાગે સરકારના વિવિધ પ્રશાસકીય વિભાગ અને તેમની અખત્યાર હેઠળના મહામંડળ, પ્રાધિકરણોની જમીન વ્યવસાયિક કારણોસર ભાડે આપવા બાબતે નવો નિર્ણય જાહેર કર્યો છે. એ અનુસાર હવે રાજ્યના વિવિધ વિભાગના અને ઉપક્રમની માલિકીના મોટા ભૂખંડ હવે 49 વર્ષના સમયગાળા માટે ભાડે આપી શકાશે. મહેસૂલ વિભાગે જારી કરેલા પરિપત્ર અનુસાર આ પહેલાં ભાડે આપવામાં આવેલા ભૂખંડના કરારની શરતો અને ધોરણનું ઉલ્લંઘન થયું ન હોય તો ભાડાકરારની મુદત વધારી શકાશે. વધુમાં વધુ બે વખત 49 વર્ષ માટે સરકારી ભૂખંડ ભાડેથી આપી શકાશે. મહેસૂલ વિભાગ તરફથી સીધા ભાડે આપેલા ભૂખંડોને આ નિયમ લાગુ રહેશે. તેમ જ જેમના ભાડાકરાર અત્યારે અસ્તિત્વમાં છે એવા વિભાગોને કરારનું ઉલ્લંઘન થયું હોય તો તે નિયમિત કરીને જ નૂતનીકરણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. વ્યવસાયિક વપરાશ માટે ભૂખંડ આપતા નવી સમયમર્યાદાનું પાલન કરવું ફરજિયાત રહેશે. જિલ્લાધિકારીઓ પર જવાબદારીકોઈ પણ સરકારી વિભાગ અથવા ઉપક્રમ યોગ્ય ભાડુ નક્કી કરીને પોતાનો ભૂખંડ ભાડેથી આપી શકે છે. આ પ્રક્રિયા પર નિયંત્રણ રાખવાની જવાબદારી જિલ્લાધિકારીઓ પર સોંપવામાં આવી છે. ભાડાની રકમ સમયસર સરકારી તિજોરીમાં જમા કરવી અને ભાડામાં સમયાંતરે સુધારો કરવામાં આવ્યાની ખાતરી કરવાનો નિર્દેશ જિલ્લાધિકારીઓને આપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:16 am

સામાન્ય પ્રજા પરેશાન:RTOમાં તમામ સેવા ઓનલાઈન હોવા છતાં નાગરિકોને આંટાફેરાથી હેરાનગતિ

દેશમાં આરટીઓ સેવા સારથી અને વાહન 4.0 ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરીને પ્રક્રિયા સરળ કરવાનો સરકારનો પ્રયત્ન છે છતાં વાસ્તવિકતામાં નાગરિકોએ આરટીઓ કાર્યાલયમાં આંટાફેરા કરવા પડે છે. ઓનલાઈન 105 સેવા ઉપલબ્ધ છે છતાં ટેકનિકલ અડચણ, અધુરી માહિતી, પ્રક્રિયામાં ગુંચવાડાના લીધે નાગરિકોની હેરાનગતિ યથાવત છે. ડ્રાઈવિંગ લાયસંસ, વાહન નોંધણી, નૂતનીકરણ, સરનામામાં ફેરફાર, ડુપ્લિકેટ આરસી, ઈ-ચલાન, વાહન માલિકી હસ્તાંતરણ જેવી મહત્વની સેવા ઓનલાઈન થઈ છે. જો કે અરજી ભર્યા પછી દસ્તાવેજોની ચકાસણી, બાયોમેટ્રીક નોંધણી, ફોટો સહી, અંતિમ મંજૂરી માટે અનેક વખત જાતે હાજર થવું ફરજિયાત બને છે. તેથી ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણપણે ઘેરબેઠા થતી નથી એવી નાગરિકોની ફરિયાદ છે. સારથી પોર્ટલ પર લર્નિંગ અને પાકુ લાયસંસ માટે સ્લોટ મેળવવા અડચણ આવતી હોવાનું અનેક જણ જણાવે છે. ઘણી વખત વેબસાઈટ ધીમી ચાલવી, પેમેન્ટ ફેલ થવું અથવા અરજી સબમિટ ન થવી જેવી ટેકનિકલ સમસ્યા પણ વારંવાર ઉદભવે છે. પરિણામે નાગરિકોએ ફરીથી આરટીઓ કાર્યાલયમાં જવું પડે છે. કેટલાક આરટીઓ કાર્યાલયમાં ટેકનિકલ મદદ કેન્દ્ર (હેલ્પડેસ્ક) ઓછા હોવાથી નાગરિકોને યોગ્ય માર્ગદર્શન મળતું નથી. વરિષ્ઠ નાગરિકો અને ગ્રામીણ ભાગના લોકો માટે ઓનલાઈન પ્રક્રિયા વધુ મુશ્કેલીવાળી બને છે. નિષ્ણાતોના મતે ડિજિટલ સિસ્ટમના લીધે પારદર્શકતા અને ઝડપ વધવાની ક્ષમતા છે પણ એના માટે પોર્ટલની કાર્યક્ષમતા સુધારવી, સ્લોટ ઉપલબ્ધતા વધારવી, નાગરિકોને યોગ્ય માર્ગદર્શન આપવું જરૂરી છે. નહીં તો ના આંટાફેરા કે ન એજન્ટ ઝુંબેશનો ઉદ્દેશ ફક્ત કાગળ પર જ રહેવાની શક્યતા રહે છે. અરજી નકારના કારણઓનલાઈન પ્રક્રિયા હોવા છતાં અનેક નાગરિકોને જરૂરી દસ્તાવેજોની ચોક્કસ માહિતી નથી હોતી. તેથી અરજી નકારવી, ફરીથી પ્રક્રિયા કરવી અથવા એજન્ટની મદદ લેવી પડે છે. એજન્ટ તરફથી અતિરિક્ત શુલ્ક લેવામાં આવે છે એવી ફરિયાદ પણ હજી યથાવત છે. ફિટનેસ માટે વાહન દેખાડવું અનિવાર્યવાહન 4.0 પ્લેટફોર્મ પર વાહન નોંધણી, માલિકી હસ્તાંતરણ, ફિટનેસ પ્રમાણપત્ર, લાયસંસ અને ઈ-ચલાન જેવી સુવિધા છે છતાં કેટલીક સેવા માટે સ્થાનિક આરટીઓ તરફથી વાસ્તવિક તપાસ જરૂરી હોય છે. ખાસ કરીને વાહન ટ્રાન્સફર, હાયપોથિકેશન (કરજ) કાઢવું અથવા ફિટનેસ માટે વાહન વાસ્તવિકતામાં દેખાડવું પડે છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:15 am

નાશિક ટીસીએસમાં થયેલો ચર્ચિત મામલો:ટીસીએસમાં જાતીય શોષણ મામલે મુખ્ય સૂત્રધાર નિદા ખાન સસ્પેન્ડ

નાશિકમાં એક જાણીતી આઈટી કંપનીમાં થયેલા જાતીય શોષણ અને ધર્મ પરિવર્તન સંબંધિત ગંભીર મામલે સમગ્ર રાજ્યમાં ચકચાર મચી છે. આ કેસમાં મુખ્ય આરોપી તરીકે સામે આવેલી નિદા ખાન હાલમાં તપાસ એજન્સીઓના રડાર પર છે, અને ફરાર હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. આ મામલે સોમવારે નાશિક જિલ્લા સેશન્સ કોર્ટમાં નિદા ખાનની આગોતરા જામીન અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. લગભગ એક કલાક સુધી બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અદાલતે વધુ સુનાવણી 27 એપ્રિલ સુધી મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. પોલીસના પ્રાથમિક તપાસ મુજબ, નિદા ખાન પર નાશિકમાં ધર્મ પરિવર્તન સાથે જોડાયેલું ગેરકાયદેસર નેટવર્ક ચલાવવાનો આરોપ છે. તપાસકર્તાઓ તેને આ સમગ્ર રેકેટની મુખ્ય સૂત્રધાર ગણાવી રહ્યા છે. સાથે જ, કેસમાં જાતીય શોષણના ગંભીર આક્ષેપો પણ સામેલ છે, જેને કારણે મામલો વધુ સંવેદનશીલ બન્યો છે. મહત્ત્વની વાત એ છે કે, નિદા ખાન ગર્ભવતી હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે, જેને ધ્યાનમાં રાખીને તેની તરફથી આગોતરા જામીન માટે અરજી દાખલ કરવામાં આવી છે. જોકે, પોલીસ તેની શોધખોળ માટે સતત પ્રયાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:14 am

2 કેબિનેટ અને 5 રાજ્યમંત્રીને પણ ઓફિસ મળશે:નવા મંત્રાલયમાં સૌથી વધુ ઓફિસ સ્પેસ સીએમઓને

મહાયુતિ સરકારના મંત્રીઓ માટેની મંત્રાલયની ઈમારતમાં જગ્યા ઓછી પડી રહી છે. તેથી મંત્રાલયની બાજુમાં જ નવી એનેક્સ 2 ઈમારત ઊભી થઈ રહી છે. આ ઈમારતમાં બે કેબિનેટ અને પાંચ રાજ્યમંત્રીને કાર્યાલય મળશે. એનેક્સ 2માં સંપૂર્ણ પહેલા માળ પર મુખ્યમંત્રી કાર્યાલયને એટલે કે સીએમઓને સાત હજાર સ્કવેર ફૂટ જગ્યા ફાળવવામાં આવી છે. મંત્રાલયની અત્યારની ઈમારતમાં સીએમઓ પાસે 9 હજાર સ્કવેર ફૂટ જગ્યા છે. હવે બંને ઈંમારતમાં મળીને સીએમઓને કુલ 16 હજાર સ્કવેર ફૂટ જગ્યા મળશે. અત્યારે અનેક સરકારી કાર્યાલય નરિમાન પોઈંટથી જીટી હોસ્પિટલ ખાતેના મિની મંત્રાલયમાં છે. તેથી લગભગ 110 કરોડ રૂપિયા ખર્ચ કરીને ગાર્ડન ગેટ નજીક નવી પાંચ માળાની એનેક્સ ઈમારત બાંધવામાં આવી. આમ તો આ ઈમારત પ્રી ફેબ ટેકનોલોજીથી 100 દિવસમાં પૂરી કરવાનો ઉદ્દેશ હતો. પણ કોન્ટ્રેક્ટરનું કામ ધીમી ગતિએ ચાલુ છે. હવે 31 જુલાઈ સુધી ઈમારત પૂરી કરવાનો નિર્દેશ સાર્વજનિક બાંધકામ વિભાગે આપ્યો છે. પણ કોન્ટ્રેક્ટરે 31 ઓગસ્ટ સુધીની મુદત માગી છે. જો કે એનેક્સ 2માં અત્યારથી જ જગ્યાની વહેંચણી કરવામાં આવી છે. સંબંધિત વિભાગોને કાર્યાલયના કામ કરવા માટે વહેંચણી કર્યાનું જણાવવામાં આવે છે. નવી ઈમારતમાં કેબિનેટ મંત્રીઓને 1600થી 1700 સ્કવેર ફૂટ જગ્યા તો રાજ્યમંત્રીઓને 1400થી 1500 સ્કવેર ફૂટ જગ્યા ફાળવવામાં આવી છે. ઉપરાંત મંત્રાલયની બહારના તબીબી શિક્ષણ, સાર્વજનિક આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓને નવી ઈમારતમાં જગ્યા ઉપલબ્ધ થઈ છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:13 am

કમિશ્નરનો આદેશ:ચોમાસામાં લોકોની હેરાનગતિ ટાળવા 30 એપ્રિલ પછી રસ્તા ખોદકામ બંધી

શહેર અને ઉપનગરોમાં અત્યારે રસ્તાઓનું કોંક્રિટીકરણ, ડામરીકરણના કામ ઝડપી કરવામાં આવ્યા છે. જો કે ચોમાસામાં નાગરિકોને હેરાનગતિ ન થાય એ માટે 30 એપ્રિલ પછી કોઈ પણ ખોદકામ કરવા નહીં અને 15 મે પહેલાં અત્યારે ચાલી રહેલા કામ પૂરા કરવા એવી સૂચના મુંબઈ મહાપાલિકા કમિશનર અશ્વિની ભીડેએ અધિકારીઓને આપી છે. મહાપાલિકાના રસ્તા કોંક્રિટીકરણ પ્રકલ્પના તબક્કા 1 અને 2 અંતર્ગત 1204 રસ્તાઓનું, 327.69 કિલોમીટર લાંબા રસ્તાઓનું કામ પૂરું થયું છે. 532 રસ્તાઓના કામ અંશતઃ પૂરા થયા છે તો 169.14 કિમી રસ્તાઓનું કોંક્રિટીકરણ થયું છે. એકંદરે અત્યાર સુધી કુલ 73.39 ટકા રસ્તાઓનું કોંક્રિટીકરણ પૂરું થયું છે. મુંબઈને ખાડામુક્ત કરવા સાથે પરિવહન વધુ સુરક્ષિત, ઝડપી, થવાના ઉદ્દેશથી આ પ્રકલ્પ હાથમાં લેવામાં આવ્યો છે. કોંક્રિટ રસ્તા પર ચોમાસામાં ખાડા પડવાનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. તેથી દેખભાળ અને રિપેરીંગ ખર્ચ પણ ઓછો થશે. જો કે એક જ સમયે અનેક ઠેકાણે રસ્તાઓનું કામ ચાલુ છે. તેથી એ ચોમાસા પહેલાં પૂરા કરવાની સૂચના કમિશનરે આપી છે. આઈઆઈટી દ્વારા ઓડિટરસ્તા કોંક્રિટીકરણના કામ દરજ્જાવાળા અને ગુણવત્તાપૂર્ણ કરવામાં આવી રહ્યા છે. જો કે એની તપાસ કરવા મહાપાલિકાએ કરાર દ્વારા આઈઆઈટી મુંબઈની થર્ડ પાર્ટી તરીકે નિયુક્તી કરી છે. કોંક્રિટ મિશ્રણ બનાવવાથી લઈને રસ્તાઓના કામ પૂરા થાય ત્યાં સુધીના તબક્કામાં ટ્યુબ ટેસ્ટ, કોર ટેસ્ટ, ડ્યુરેબિલિટી ટેસ્ટ, ફિલ્ડ ડેન્સિટી ટેસ્ટ, વગેરે ટેસ્ટ આઈઆઈટીએ કરી છે. કોંક્રિટીકરણ પછી ખાડા ખોદવા મનાઈરસ્તાઓના કામ પૂરા કરતા મહાપાલિકા વોટર એન્જિનિયર, પાઈપલાઈન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, મળનિસણ પ્રચલન, મળનિસરણ પ્રકલ્પ, વગેરે વિવિધ વિભાગ અને વિદ્યુત, ગેસ વિતરણ, મોબાઈલ વગેરે સંબંધિત કંપનીઓ સાથે સમન્વય રાખવામાં આવે છે. કોંક્રિટીકરણ થયેલા રસ્તાઓ પર કોઈ પણ સંસ્થાને ખોદકામ કરવાની સખત મનાઈ ફરમાવવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:13 am

સિટી એન્કર:ઉત્તન-વિરાર સીલિન્ક દ્વારા નરિમાન પોઈંટથી સીધા વિરાર-પાલઘર

મુંબઈના કોસ્ટલ રોડના ઉત્તર તરફના ભાગમાં ઉત્તન-વિરાર સીલિન્ક પ્રકલ્પ હાથમાં લેવામાં આવ્યો છે. એના માટે રાજ્ય સરકારે વિગતવાર પ્રકલ્પ અહેવાલને મંજૂરી આપી છે. પર્યાવરણ સંબંધિત તમામ પરવાનગીઓ પણ આપવામાં આવી છે. આ પ્રકલ્પ માટે મે 2026થી ટેંડર મગાવવાની શરૂઆત કરવામાં આવશે. મુંબઈના અટલ સીલિન્ક કરતા પણ લાંબો આ પ્રસ્તાવિત સીલિન્ક હશે. ઉત્તન-વિરાર સીલિન્ક પ્રકલ્પ 55.12 કિલોમીટર લાંબો હશે. આ રોડના કારણે દક્ષિણ મુંબઈના નરિમાન પોઈંટથી વિરાર અને આગળ પાલઘર સુધીનો પ્રવાસ સહેલો અને ઝડપી થશે. ઉત્તર અને દક્ષિણ કિનારાપટ્ટીના જોડતો આ રોડ આઠ લેનનો હશે. અત્યારે 90 મિનિટમાં થતો આ પ્રવાસી સીલિન્કના લીધે 30 થી 40 મિનિટમાં પૂરો થશે. આ રોડ પર એક મુખ્ય સીલિન્ક, એપ્રોચ રોડ, અનેક ઈંટરચેન્જનો સમાવેશ હશે. પણ આ સીલિન્ક પ્રકલ્પ માટે 100 હેકટર મેનગ્રોવ્ઝ બાધિત થશે. આ પ્રકલ્પનું કામ બે તબક્કામાં કરવામાં આવશે. પહેલા તબક્કામાં ઉત્તનથી વિરાર દરમિયાન 24.35 કિલોમીટર લાંબો સીલિન્ક ભાઈંદર નજીક જોડવામાં આવશે. એમાં સીલિન્ક અને એપ્રોચ રોડ એમ બે મહત્વના રોડનો સમાવેશ છે. ઉત્તનને જોડતો 9.32 કિમી રોડ, વસઈને જોડતો 2.5 કિમી રોડ અને વિરાર સુધી 18.95 કિમી લાંબા રોડનો સમાવેશ છે. આ પ્રકલ્પ માટે અત્યારે 58 હજાર 754 કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે. દરમિયાન આ પ્રકલ્પના બીજા તબક્કામાં આ રોડને આગળ પાલઘર સુધી જોડવામાં આવશે. આ રોડના લીધે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, એસવી રોડ અને લિન્ક રોડ પરનો ટ્રાફિકજામ ઓછો થવામાં મદદ થશે. અનેક મહત્વકાંક્ષી પ્રકલ્પ ચાલુમુંબઈમાં અત્યારે અનેક મહત્વકાંક્ષી પ્રકલ્પના કામ ચાલુ છે. એનો જ એક ભાગ ઉત્તન-વિરાર સીલિન્ક પણ છે. બીજા મહત્વના પ્રકલ્પોમાં મુંબઈનો કોસ્ટલ રોડ, બાન્દરા-વરલી સીલિન્ક, અટલ સેતુ, ઓરેંજ ગેટ ટનલ, વર્સોવા-બાન્દરા સીલિન્ક, ઉત્તર કોસ્ટલ રોડ, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે અને શિવરી-વરલી કનેક્ટરનો સમાવેશ છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:12 am

મહારાષ્ટ્રમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું:આજે સુરત, આવતીકાલે મુંબઈ-પુણે? ગેસની અછત અંગે મહારાષ્ટ્રને ચેતવણી

ગુજરાતના સુરત શહેરમાં ગેસની ગંભીર અછતની સ્થિતિની અસર હવે મોટા પાયે જોવા મળી રહી છે, જેના કારણે મહારાષ્ટ્રમાં પણ ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ મહિલા અધ્યક્ષ રોહિણી ખડસેએ આ સંદર્ભમાં રાજ્ય સરકારને સીધી ચેતવણી આપી છે. મધ્ય- પૂર્વમાં યુદ્ધને કારણે એલપીજી સંકટ ભારતના ઘણા ભાગોને અસર કરી રહ્યું છે, અને તેની ગંભીર અસરો સુરતમાં જોવા મળી રહી છે. ઉદ્યોગો બંધ થઈ રહ્યા છે અને મજૂરો તેમની નોકરી ગુમાવી રહ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું.સુરતમાં પરિસ્થિતિ એટલી ભયાનક બની ગઈ છે કે ઘણી કંપનીની ઇમારતોને તાળા લાગી ગયા છે. હજારો દૈનિક વેતન કામદારો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને રસોઈ ગેસની અછતને કારણે, સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓ, નાની હોટલો અને ઢાબા બંધ થઈ ગયા છે. આનાથી આ વ્યવસાય પર નિર્ભર પરિવારોની આવક સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. પરિણામે, મોટી સંખ્યામાં કામદારોને તેમના ગામોમાં પાછા ફરવાનો નિર્ણય લેવો પડી રહ્યો છે.આ પરિસ્થિતિની સીધી અસર સુરતના ઉધના રેલવે સ્ટેશન પર જોવા મળી. ઉત્તર પ્રદેશ અને બિહાર જતી ટ્રેનોમાં સીટ મેળવવા માટે હજારો મજૂરો અને મુસાફરો સ્ટેશન પર એકઠા થયા હતા. આ વિશાળ ભીડને કારણે અરાજકતાનું વાતાવરણ સર્જાયું હતું. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, જેના કારણે થોડા સમય માટે નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે પરિસ્થિતિ કેટલી ગંભીર છે.રોહિણી ખડસેએ સોશિયલ મિડિયા પર આ સંદર્ભમાં એક વિડિયો શેર કરીને પોતાની તીવ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે સુરતનાં દ્રશ્યો ખૂબ જ પીડાદાયક છે. ગેસની અછતને કારણે મજૂરોના હાથમાંથી રોજગાર અને ખોરાક બંને છીનવાઈ ગયા છે. હજારો લોકો તેમના પરિવારો સાથે પાછા ફરતા જોવા મળે છે તે ચિંતાજનક છે. આવી સ્થિતિમાં, સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ, એમ તેમણે સમજાવ્યું. આ સાથે તેમણે મહારાષ્ટ્રની પરિસ્થિતિ અંગે પણ ચેતવણી આપી છે. થોડા દિવસો પહેલાં ગેસની અછતને કારણે મુંબઈ અને પુણે શહેરોમાં હોટલ અને રેસ્ટોરાં બંધ થઈ ગયા હતા. રોજગાર માટે મોટા શહેરોમાં આવેલા યુવાનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમણે ભય વ્યક્ત કર્યો છે કે આ પરિસ્થિતિ સુરત જેવી જ હોઈ શકે છે. મુંબઈ અને પુણેમાં વિકટ સ્થિતિરોહિણી ખડસેએ સરકારની ટીકા કરતા કહ્યું કે જ્યારે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હોય છે ત્યારે સરકાર નિષ્ક્રિય લાગે છે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો મુંબઈ અને પુણે જેવા શહેરોમાં સુરત જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. તેથી, તેમણે સરકારને ગેસ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા અને મજૂરોની સમસ્યાઓ પર ગંભીર ધ્યાન આપવાની અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:12 am

લાશ મળી:ચાર દિવસથી ગુમ પરિણીતાની લાશ કૌટુંબિક જેઠની વાડીના કૂવામાંથી મળી

રાજકોટ શહેરના છેવાડે આવેલા જામગઢ ગામે ચાર દિવસથી ગુમ થયેલી પરિણીતાનો મૃતદેહ પોતાના જ ખેતરના કૂવામાંથી મળી આવતા પરિવારમાં શોક છવાઈ ગયો છે. બનાવથી ચાર દીકરી અને એક દીકરાએ માતાની મમતા ગુમાવી છે. કુવાડવા પંથકના જામગઢમાં રહેતી રેખાબેન કિશોરભાઈ ગોહેલ(ઉં.વ.38) ગત 16 એપ્રિલની રાત્રે અંદાજે દશેક વાગ્યે ઘરેથી નીકળી ગયા બાદ પરત ફર્યા નહોતા. પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ કોઇ પત્તો ન મળતાં કુવાડવા રોડ પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. સોમવારે સવારે આશરે 11 વાગ્યે રેખાબેનનો મૃતદેહ તેમના કૌટુંબિક જેઠ હરેશ પ્રાગજીભાઈ ગોહેલની વાડીમાં આવેલા કૂવામાંથી મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો હતો. કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઈ એમ.જી. સોલંકી સહિતના સ્ટાફે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતકના પતિ ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. મોતનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:10 am

આયુષ્માન કાર્ડ રિન્યૂ કરાવવા બન્યું જરૂરી:રાજ્યમાં લાખો આયુષ્માન કાર્ડ રદ થવાની શક્યતા કાર્ડ રિન્યૂ કરાવવાની મુદત લંબાવી 30 એપ્રિલ કરાઈ

ગરીબ પરિવારોને આરોગ્ય ક્રક્ષેત્રે ક્ષા પૂરી પાડવા સરકારે આયુષ્માન (PMJAY) યોજના અમલમાં મુકી છે. જોકે, આ યોજનાનો લાભ લેતા હજારો એવા પરિવારો છે જેમની આવક મર્યાદા વર્ષો બાદ વધી ગઈ હોવા છતાં તેઓ હજુ પણ જૂના કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. સરકારના નિયમ મુજબ આવક મર્યાદાની બહાર જનાર આસામીઓના કાર્ડ રદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અગાઉ આ કાર્ડ રિન્યૂ કરાવવા માટે 31/03/2026 સુધીની મુદત આપવામાં આવી હતી, પરંતુ અનેક લોકો જાણકારીના અભાવે આ પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નહોતા. હવે લાખો લોકોના હિતને ધ્યાને રાખીને સરકારે રિન્યૂઅલની મુદત એક માસ લંબાવીને 30/04/2026 કરી છે. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, જે અરજદારોએ આવકના દાખલાના આધારે કાર્ડ કઢાવ્યા છે અને જેમના દાખલાની મુદત પૂર્ણ થઈ છે, તેઓએ ફરજિયાતપણે કાર્ડ રિન્યૂ કરાવવું પડશે. જો 30 એપ્રિલ સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં નહીં આવે, તો કાર્ડ સરકાર સ્થગિત અથવા રદ કરી દેશે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આગામી સમયમાં આયુષ્માન યોજનામાં વધુ કડક નિયમોની અમલવારી થવાની સંભાવના છે, જેનાથી માત્ર પાત્રતા ધરાવતા લોકોને જ લાભ મળે તે સુનિશ્ચિત કરવામાં આવશે. ભાસ્કર એક્સપ્લેનર | કાર્ડ રિન્યૂઅલ ગાઈડલાઈન આવકના દાખલાની સાથે જ કાર્ડની મુદત પૂર્ણ થશેસરકારે આયુષ્માન યોજનાની સિસ્ટમમાં મોટો ટેક્નિકલ ફેરફાર કર્યો છે. અગાઉ કાર્ડ અને આવકના દાખલાની મુદત અલગ-અલગ રહેતી હતી, પરંતુ હવે બંનેને લિંક કરી દેવામાં આવ્યા છે. નવા નિયમ મુજબ, જે દિવસે તમારા આવકના દાખલાની મુદત પૂર્ણ થશે, તે જ દિવસે આયુષ્માન કાર્ડ પણ પોર્ટલ પર આપોઆપ નિષ્ક્રિય થઈ જશે. અરજદારે સરકારી વર્ષ મુજબ દાખલાની મુદત ગણીને નવો આવકનો દાખલો રજૂ કરવો પડશે અને ત્યારબાદ જ કાર્ડ ફરી સક્રિય થઈ શકશે. આ ફેરફારને કારણે હવે કાર્ડધારકોએ દર વર્ષે પોતાની આવકની સ્થિતિ પ્રમાણિત કરવી પડશે. સરકારી કર્મીઓ સામે કાર્યવાહીના નિર્દેશઆ યોજનાનો લાભ અનેક એવા સરકારી કર્મચારીઓ પણ લઈ રહ્યા છે જેમના પગાર અને ભથ્થામાં છેલ્લા થોડા વર્ષોમાં મોટો વધારો થયો છે. નિયમ મુજબ જે કર્મચારીઓની આવક નિર્ધારિત મર્યાદાથી વધી ગઈ છે, તેઓ હવે આ યોજના માટે પાત્ર નથી. છતાં લાભ લેતા હશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:09 am

આપઘાત:રાજકોટના આંબેડકરનગરમાં યુવકનો ફાંસો ખાઈ આપઘાત

શહેરના ગોકુલધામ સોસાયટી નજીક આવેલ આંબેડકરનગરમાં રહેતા 25 વર્ષીય યુવકે બપોરે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા પરિવારમાં શોક છવાયો છે. આ અંગેની વિગતો મુજબ, આંબેડકરનગર મેઇન રોડ રવિ પ્રોવિઝન સ્ટોરની બાજુમાં રહેતા રોહન હેમંતભાઈ ચૌહાણ(ઉં.વ.25)નામના યુવકે સોમવારે બપોરે બારેક વાગ્યા આસપાસ ઘરે ગળાફાંસો ખાઈ લેતા બનાવ અંગે જાણ થતા પરિવારે તુરંત 108 બોલાવી હતી. 108ના સ્ટાફે જોઈ તપાસી યુવકને મૃત જાહેર કર્યો હતો. જે બાદ માલવિયાનગર પોલીસ મથકના જમાદાર સારંગભાઈ ઓગાણિયા સહિતના સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક એક બહેન એક ભાઇમાં નાનો હતો તેણે દર્શન એન્જિનિયરિંગ કોલેજમાંથી ડિપ્લોમાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો ત્યારે યુવકે ક્યાં કારણસર આ પગલું ભર્યું તે અંગે પરિવારને કોઈ જાણ ન હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:07 am

હિંસક બનાવ સામે આવ્યો:દારૂ પકડાવ્યાની શંકાએ તલવાર-ધારિયાથી હુમલો: ગરુડ ગરબી ચોકમાં ધમાલ

રાજકોટ | રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે દારૂના જથ્થા અને તેના સંબંધિત વિવાદો વચ્ચે હિંસક બનાવ સામે આવ્યો છે. ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી ક્રાઇમ બ્રાન્ચે દારૂ ભરેલી રિક્ષા ઝડપી લેતાં બાતમી આપ્યાની શંકાએ ચાર શખ્સે સમાધાનના બહાને બોલાવી તલવાર અને ધારિયાથી હુમલો કરતાં બે કૌટુંબિક ભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. રામનાથપરા વિસ્તારના સાકીરીખાન હમીદખાન યુસુફીને રાત્રે ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી કે, દારૂના કેસમાં પકડાયેલા બિલાલ મામલે ગરુડ ગરબી ચોક ખાતે સમાધાન માટે ટીકુ પઠાણ, તેનો ભાઈ ચંગો, સાહિલ પરમાર અને અસીમ પરમાર ભેગા થવાના છે. જેથી સાકીરીખાન ત્યાં પહોંચ્યો હતો. ચારેય શખ્સ વાહનોમાં તલવાર અને ધારિયા જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા અને નોઇનખાન સાથે ગાળો આપી મારકૂટ શરૂ કરી હતી. વચ્ચે પડેલા સાકીરીખાનને પણ નિશાન બનાવી તેના પગમાં ધારિયા અને તલવારના ઘા ઝીંકી દેતાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. વધુ હુમલો ટાળવા માટે બૂમાબૂમ કરતાં આસપાસના લોકો ભેગા થઈ જતા આરોપીઓ ભાગી છૂટ્યા હતા. જતા જતા જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે ફરિયાદ આધારે ટીકુ પઠાણ, ચંગો, સાહિલ પરમાર અને અસીમ પરમાર સામે ગુનો નોંધી તેમની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:06 am

JEE મેઈન:AIR 16 અને 100 PR સાથે રાજકોટનો નિમય પુરોહિત ગુજરાત ટોપર બન્યો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા સોમવારે રાત્રે જેઈઈ મેઈન-2026નું ફાઈનલ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટે ફરી એકવાર શૈક્ષણિક ક્ષેત્રે દેશમાં પોતાની ધાક જમાવી છે. એલન રાજકોટના તેજસ્વી વિદ્યાર્થી નિમય પુરોહિતે જાન્યુઆરીના પ્રથમ સત્ર બાદ એપ્રિલમાં લેવાયેલી બીજા સત્રની પરીક્ષામાં પણ 100 પર્સેન્ટાઈલ (NTA સ્કોર) પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. નિમયે દેશભરના 15.38 લાખથી વધુ વિદ્યાર્થીઓ વચ્ચે ઓલ ઈન્ડિયા 16મો રેન્ક પ્રાપ્ત કરી રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ વર્ષે JEE મેઈન માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 15,38,468 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. ગુજરાતની વાત કરીએ તો આશરે 1,56,038 વિદ્યાર્થી (SC, ST, OBC, EWS અને જનરલ કેટેગરી) મેદાનમાં હતા, જેમાં રાજકોટ સેન્ટર પરથી 2,000થી વધુ વિદ્યાર્થીએ જેઈઈ મેઈન્સની પરીક્ષા આપી હતી. આ સ્કોર સાથે દેશના ટોચના 2,50,000 વિદ્યાર્થી હવે જેઈઈ એડવાન્સ્ડ માટે લાયક ઠર્યા છે. રાજકોટના સફળ થયેલા વિદ્યાર્થીઓમાં અત્યારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટના ડોક્ટર દંપતીનો પુત્ર હવે દેશની ટોચની IITમાં ભણશે એન્જિનિયરિંગનિમય પુરોહિતના માતા-પિતા બંને સફળ ડોક્ટર છે. પિતા ડૉ.હર્ષલ પુરોહિત અને માતા ડૉ.દર્શના પુરોહિત તબીબી વ્યવસાય સાથે જોડાયેલા હોવા છતાં, નિમયે નાનપણથી જ ગણિત અને એન્જિનિયરિંગમાં રસ દાખવ્યો હતો. ડોક્ટર દંપતીએ પણ પુત્રની રુચિને માન આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. નિમય છેલ્લા 4 વર્ષથી મહેનત કરી રહ્યો હતો. તેને સોશિયલ મીડિયાથી દૂરી બનાવી રાખવી અને દરરોજ 10થી 12 કલાકના સતત પરિશ્રમનું આ ફળ મળ્યું છે. હવે તે દેશની ટોચની IIT મુંબઈમાં કમ્પ્યૂટર સાયન્સમાં એન્જિનિયરિંગ કરવાનો લક્ષ્યાંક છે. કેટેગરી વાઈઝ ક્વોલિફાઈંગ કટ-ઓફ જાહેર કરાયું JEE મેઇનના બીજા સત્રમાં દેશમાં 26 વિદ્યાર્થીને 100 PR મળ્યા, ગુજરાતમાંથી એકમાત્ર નિમયNTA દ્વારા જાહેર કરાયેલા ડેટા મુજબ, આ વર્ષે દેશભરમાંથી કુલ 26 વિદ્યાર્થીએ 100 પર્સેન્ટાઈલ સ્કોર મેળવ્યો છે. આ યાદીમાં ગુજરાતમાંથી એકમાત્ર નિમય પુરોહિતે જ ટોપ ટેબલ પર સ્થાન મેળવ્યું છે. નોંધનીય છે કે, જાન્યુઆરીના પ્રથમ સત્રમાં પણ નિમયે 100 PR મેળવ્યા હતા અને એપ્રિલમાં તે જ દેખાવનું પુનરાવર્તન કર્યું છે. NTAના નિયમ મુજબ, બંને સત્રમાં હાજર રહેલા વિદ્યાર્થીઓનો જે સત્રમાં સ્કોર વધુ હોય તેને ધ્યાનમાં લેવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:05 am

ભાજપને વહાલા થવા માટે સ્કૂલ સંચાલકોની ચેષ્ટા:ઈનોવેટિવ સ્કૂલના સંચાલકોએ શિક્ષિકાઓના ફોનમાંથી વાલીઓને ભાજપને મત આપવા માટેના મેસેજ કર્યા!

ભાજપને વહાલા થવા માટે સ્કૂલ સંચાલકો મહિલાઓના નંબર પરથી પ્રચાર કરવા સુધીની ચેષ્ટા કરવામાં શરમાતા નથી તેવી બાબત સામે આવી છે. ઈનોવેટિવ સ્કૂલના સંચાલક નિરેન જાની કે જેના દર્શિત જાની પણ ભાજપમાં સક્રિયા છે તેઓએ પોતાની શાળાની શિક્ષિકાઓના મોબાઇલ પ્રચારના ટૂલ તરીકે ઉપયોગકર્યા છે. ઇનોવેટિવ સ્કૂલના સંચાલક નિરેન જાની છે. તેમણે ભાજપના પ્રકાર માટે શિક્ષિકાઓના નંબર જાહેર કરવાની વિકૃત ચેષ્ટા કરી છે. સ્કૂલના કર્મચારી રાજેશ જોટવાએ શિક્ષિકાઓ પાસેથી મોબાઈલ જમા કરાવવા માટે માગ્યા હતા. મોબાઈલ લેવા માટે રેખાબેન નામના મહિલાકર્મીને મોકલ્યા હતા. જ્યારે શિક્ષિકાઓ પાસે ફોન આવ્યો તો ખબર પડી કે તેમના મોબાઈલમાંથી 50-50 લોકોને ભાજપના પ્રચારના મેસેજ પહોંચી ગયા છે અને ઘણાએ તો ફોન અને મેસેજ કરી મતદાર સ્લિપ માગવાનું ચાલુ કરી દીધું છે. જેમને મેસેજ ગયા તે પૈકીના ઘણા અજાણ્યા તો અમુક વિદ્યાર્થીઓના વાલીઓ છે. આ ઘટનાએ શિક્ષિકાઓને સ્તબ્ધ કરી દીધી હતી જોકે રાજેશ જોટવાએ બધાને મૌન રહેવા કહી દીધું હતું. આ મામલે ભાસ્કરે સંપર્ક કરવાનો પ્રયાસ કરતા નિરેન જાનીએ તો ફોન જ સ્વિચ ઓફ કરી દીધો છે. જોટવાએ પહેલા નિરેનનું નામ દીધું પછી દર્શનાબેન બોલી ના પાડી દીધી!રાજેશ જોટવાને ભાસ્કરે સવાલ કર્યો હતો કે, શિક્ષિકાઓના નંબર પરથી મેસેજ કરાયો તેની શિક્ષિકાઓ પાસેથી લેખિત મંજૂરી લીધી હતી તો તેમણે ના પાડી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે નિરેનભાઈને કીધું તો તેમણે હા પાડી હતી. ત્યારબાદ કહ્યું કે, સીધા તેમણે નથી કીધું પણ તેમનું સંભાળતા દર્શનાબેને કીધું છે. બાદમાં ફાળ પડતા ફોન જ કટ કરી નાખ્યો હતો. જાની બંધુ અને હિરેન ખીમાણિયા છે ભાગીદારભાજપના ઉમેદવાર હિરેન ખિમાણિયા તેમજ ભાજપના આગેવાન દર્શિત જાની અને નિરેન જાની ધંધાકીય રીતે ભાગીદારો છે. આ જ કારણ છે કે મહિલાઓના નંબર પરથી વાલીઓને મેસેજ કરાવીને તેમણે હલકી કક્ષાના પ્રચાર કરવામાં શરમ અનુભવી નથી.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:03 am

STને અખાત્રીજ ફળી:લગ્નગાળો અને વેકેશનને કારણે એક્સ્ટ્રા 30 બસ દોડાવી

રાજ્યભરમાં અખાત્રીજના વણજોયા મુહૂર્તમાં સૌથી વધુ લગ્નો યોજાયા હતા, જેની સીધી અસર ST નિગમની તિજોરી પર થઈ હતી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની બસ હાઉસફૂલ દોડી, પરંતુ તેનાથી વધુ 30 એક્સ્ટ્રા બસ મૂકવી પડી હતી. રાજકોટ ડિવિઝનને અખાત્રીજના દિવસે રૂ.73 લાખથી વધુની જંગી આવક થઈ છે, જે સામાન્ય દિવસોની સરખામણીએ રૂ.13 લાખ વધુ છે. આગામી દિવસોમાં મુસાફરોને હાલાકી ન પડે તે માટે 100 જેટલી વધારાની બસ દોડાવાશે. આ રૂટ ઉપર સૌથી વધુ ટ્રાફિક રહ્યો નિયમભંગ : આચારસંહિતાના અમલના 17 દિવસ પછી પણ ST બસમાં PM-CMની તસવીરો!સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત સાથે જ 1 એપ્રિલથી આચારસંહિતા લાગુ હોવા છતાં એસ.ટી. નિગમમાં તેનો સરેઆમ ભંગ જોવા મળી રહ્યો છે. રાજકોટ બસપોર્ટ પર જોવા મળેલી કેશોદ ડેપોની બસ (GJ-18-ZT-3040) માં દરવાજાની સામે જ PM અને CMની તસવીરો તથા મુસાફરો માટેના હેન્ડલ પર સરકારી જાહેરાતો હજુ પણ યથાવત્ છે. આટલું જ નહીં, ઉપલેટા ડેપોની બસ (GJ-18-ZT-1802 અને GJ-18-Z-1963) માં પણ ડ્રાઈવરની પાછળ મુખ્યમંત્રી-પ્રધાનમંત્રીના ફોટાવાળી પત્રિકાઓ દૂર નથી કરાઈ. 17 દિવસ વીત્યા છતાં તસવીરો પર પડદા ન પાડતા કેશોદ અને ઉપલેટા ડેપોના જવાબદાર અધિકારીઓ સામે નોટિસ પાઠવી કાર્યવાહી કરવા માંગ ઊઠી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:00 am

સાબરમતીમાં સોનુ-ચાંદી અને સિક્કાઓ મળે છે?, VIDEO:'અમને આવા જૂના પૈસા મળે છે', ધૂળ ફંફોસતા લોકોએ શું શું કહ્યું?

સાબરમતી નદી પરના વાસણા બેરેજના દરવાજાનું રીપેરીંગ કરવાનું હોવાથી 15 એપ્રિલથી ત્રણ મહિના સુધી નદી ખાલી કરી દેવામાં આવી છે. તેની સાથે સાથે સુભાષબ્રિજનું સુપર સ્ટ્રકચરને પણ તોડી પડાશે. નદી ખાલી થતાં જ કેટલાક લોકો ધૂળમાં સોનુ-ચાંદી અને સિક્કાઓ શોધતા જોવા મળ્યા હતા. જેને લઈ દિવ્ય ભાસ્કરે તેમને પૂછ્યું કે, શું શું મળે છે અને તેની કેટલી કિંમત ઉપજે છે? આ જવાબો જાણવા ઉપરની તસવીર પર ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:00 am

રાજકોટમાં લેન્ડ ગ્રેબિંગનો મામલો ગરમાયો:ઇમિટેશનના વેપારીના પ્લોટ પર કબજો કરનાર પિતા-પુત્ર સામે ફરિયાદ નોંધાઈ

રાજકોટના લાખાજીરાજ ઉદ્યોગનગર વિસ્તારમાં એક 33 વર્ષીય ઈમિટેશન વેપારીના પ્લોટ પર ગેરકાયદે કબજો કરી ધમકી આપવાના આક્ષેપો સાથે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં થોરાળા પોલીસ મથકમાં પ્રશાંતભાઈ સુરેશભાઈ જાદવ(ઉ.વ.33) નામના ઈમિટેશનના વેપારીએ આરોપી તરીકે ભૂપત અનક ખાચર અને રવિ ભૂપત ખાચરના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમણે ફેબ્રુઆરી 2023માં નોંધાયેલા દસ્તાવેજથી ખુલ્લો પ્લોટ ખરીદી કબજો સંભાળ્યો હતો. ફરિયાદ મુજબ, ખરીદી બાદ થોડા જ દિવસોમાં પ્લોટ પર આવેલી જૂની ઓરડીને પાકી બનાવવા કામ શરૂ કરવામાં આવ્યું હતું. સ્થળ પર હાજર ભૂપતભાઈ અનકભાઈ ખાચર અને તેમના પુત્ર રવિભાઈ ભૂપતભાઈ ખાચરે પ્લોટ પોતાનો હોવાનું કહી ફરિયાદી અને તેમના 59 વર્ષીય પિતા, નિવૃત્ત વૃદ્ધ સામે ધમકીઓ આપી હતી. “આ વિસ્તારમાં રહેવું હોય તો પ્લોટ પાસે દેખાતા નહીં, નહીં તો ટાંટિયા ભાંગી નાખીશું” એવી ધમકી અપાઈ હોવાનું જણાવાયું છે. વધુમાં ફરિયાદમાં ઉલ્લેખ છે કે, રાત્રે ઘરે આવી રવિભાઈએ રૂ.22 લાખની માગણી કરી હતી અને “પ્લોટ જોઈએ તો પૈસા આપ, નહીં તો જાનથી મારી નાખીશ” કહી ધમકાવી ગયો હતો. ફરિયાદીએ કલેક્ટર કચેરી, પીજીવીસીએલ તેમજ સિવિલ કોર્ટમાં રજૂઆતો કર્યા બાદ અંતે સેશન્સ કોર્ટે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ ગુનો નોંધવા આદેશ આપ્યો છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં પોલીસે અગાઉ ઢીલી નીતિ અપનાવી હોય તેવું ચિત્ર સ્પષ્ટ થયું છે. કારણ કે, સેશન્સ કોર્ટના હુકમના આધારે આ ગુનો પોલીસે નોંધવો પડ્યો છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 6:59 am

ગાંજો ઝડપાયો:રાજકોટમાં હવે પાનના ગલ્લે પણ ગાંજો વેચાય છે, ધંધાર્થી પકડાયો: સપ્લાયર ફરાર

શહેરમાં યુવાધનને બરબાદ કરવા ડ્રગ્સ પેડલરો અવનવા નુસખા અપનાવી રહ્યા છે. ત્યારે રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં પાન-બીડીના ધંધાની આડમાં નશાનો સામાન વેચાતો હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. ગાંધીગ્રામ પોલીસે પાનની કેબિન ચલાવતા એક શખ્સને છૂટકમાં ગાંજાની પડીકીઓ વેચતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. આ શખ્સને ગાંજો પૂરો પાડનાર કોઈ મોટો માફિયા નહીં, પણ રાજકોટનો જ એક સફાઈ કામદાર હોવાનું ખૂલતા પોલીસે તે દિશામાં તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ હર્ષાબેન ગઢવીની સૂચનાથી પીએસઆઈ વી.ડી. રાવલિયા અને તેમની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ રોહિતદાન ગઢવીને સચોટ બાતમી મળી હતી કે, એસ.કે. ચોક પાસે આવેલી ગંગેશ્વર મહાદેવ મંદિરવાળી શેરી નં.2/બ માં નરસી નાગર નામનો શખ્સ ગાંજાનો જથ્થો લઈને આવવાનો છે. બાતમીના આધારે પોલીસે તુરંત વોચ ગોઠવીને શંકાસ્પદ હાલતમાં પસાર થતા નરસિંહ મુળજી નાગર (ઉ.વ.45, રહે. ગાંધીગ્રામ) ને આંતરી લીધો હતો. તેની તલાશી લેતા તેની પાસેથી 16 હજારની કિંમતનો 320 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તેની આકરી પૂછપરછ કરતા તેણે કબૂલ્યું હતું કે, એક સફાઈ કામદાર તેને આ જથ્થો આપી ગયો હતો અને તે પોતાની પાનની કેબિનેથી બંધાણીઓને છૂટકમાં પડીકીઓ વેચતો હતો. પોલીસે સફાઈ કર્મચારીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે. બીજી તરફ આ સફાઈ કામદાર ગાંજાનો વેપલો કઈ-કઈ જગ્યાએ કરતો અને જથ્થો ક્યાંથી મગાવતો તે સહિતની બાબતો તેની ધરપકડ બાદ જ બહાર આવશે. હાલ પોલીસે આરોપીનો મોબાઈલ જપ્ત કરી ફરાર સપ્લાયરની શોધખોળ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પકડાયેલો નરસિંહ નાગર પોલીસ માટે કોઈ નવો ચહેરો નથી. તે અગાઉ શહેરના પોશ વિસ્તાર ગણાતા રેસકોર્સ નજીકથી પ્ર.નગર પોલીસના હાથે પણ ગાંજા સાથે પકડાઈ ચૂક્યો છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 6:59 am

સિટી એન્કર:MSME નિકાસકારો માટે મોટા સમાચાર! હવે વૈશ્વિક તણાવમાં પણ વેપાર સુરક્ષિત, ‘વોર રિસ્ક સરચાર્જ’માં મળશે 50% રિમ્બર્સમેન્ટ

વર્તમાન વૈશ્વિક તણાવ અને બે દેશ વચ્ચે ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિઓ વચ્ચે રાજકોટના MSME નિકાસકારોને રાહત આપતો અને તેમના વેપારને જોખમમુક્ત બનાવતો એક અત્યંત મહત્ત્વપૂર્ણ સેમિનાર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે યોજાયો હતો. જેમાં નિકાસકારોને વર્તમાન વૈશ્વિક પડકારો વચ્ચે સુરક્ષિત વેપાર કઈ રીતે કરવો અને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ કઈ રીતે લેવો તે અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં વોર રિસ્ક સરચાર્જમાં 50 ટકા રિમ્બર્સમેન્ટ સહિતના સારા સમાચાર ઉદ્યોગકારોને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આપવામાં આવ્યા હતા. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, જોઈન્ટ ડીજીએફટી (રાજકોટ), એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (ECGC) અને ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (FIEO)ના સંયુક્ત ઉપક્રમે 17 એપ્રિલે આ માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જોઈન્ટ ડીજીએફટી રોહિત સોની, ECGC બ્રાન્ચ મેનેજર બિજેન્દ્રકુમાર ત્રિપાઠી, એક્ઝિક્યુટિવ ઓફિસર તુષાર વર્મા અને મેનેજર પીયૂષ પલ્લવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રાએ સૌનું સ્વાગત કરી જણાવ્યું હતું કે, આ સેમિનાર ખાસ કરીને નાના અને મધ્યમ કદના (MSME) નિકાસકારો માટે ગેમ-ચેન્જર સાબિત થશે. નિકાસકારોને ક્યા લાભ મળશે?નિકાસ દરમિયાન વસૂલવામાં આવતા ‘વોર રિસ્ક સરચાર્જ’ પર 50 ટકા રિમ્બર્સમેન્ટ કેવી રીતે મેળવવું તેનું સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું. ECGC અને DGFTના અધિકારીઓએ નિકાસકારોને સરકાર દ્વારા જાહેર કરાયેલી રિલીફ સ્કીમ અને ECGC દ્વારા મળતા વીમા કવચની વિગતવાર માહિતી આપી હતી. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે, નિકાસકારોએ કોઈપણ કોમર્શિયલ અને પોલિટિકલ રિસ્ક (જેમ કે દેશો વચ્ચે તણાવ) સામે રક્ષણ મેળવવા ECGC ની સેવાઓનો અચૂક લાભ લેવો જોઈએ. આ પ્રસંગે ECGCના એક્ઝિક્યુટિવ ઓફિસર તુષાર વર્માએ જણાવ્યું હતું કે, “અમારી સંસ્થા દ્વારા નિકાસકારોને વિકટ પરિસ્થિતિઓમાં થતી નુકસાની સામે સીધી વીમા સુરક્ષા આપવામાં આવે છે. ’ આ ઉપરાંત, સરકાર દ્વારા જાહેર કરાયેલા ‘રિઝિલિયન્સ લોજિસ્ટિક્સ ઇન્ટરવેન્શન ફોર એક્સપોર્ટ ફેસિલિટેશન’ પેકેજના ત્રણ મુખ્ય ઘટકો અંગે પણ વ્યાપારીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 6:58 am

એમ્બરગ્રીસ ઝડપાયું:ભરૂચથી ડિંડોલી આવેલું એક કરોડનું એમ્બરગ્રીસ ઝડપાયું

SOGએ ડિંડોલીમાંથી 1 કરોડ રૂપિયાનું અંદાજે 1.071 કિલો એમ્બરગ્રીસ (વ્હેલ માછલીની ઊલટી) ઝડપી પાડી 3 આરોપીની ધરપકડ કરી હતી. SOGને બાતમી મળી હતી કે ડિંડોલીમાં RJD બિઝનેસ પ્લાઝા પાસે કેટલાક લોકો પ્રતિબંધિત ‘એમ્બરગ્રીસ’ લઈને ગ્રાહક શોધી રહ્યા છે. ટીમે વોચ રાખી 3 શંકાસ્પદ યુવકોની તપાસ કરતાં બેગમાંથી 1.071 કિલો પદાર્થ મળી આવ્યો હતો, જેને FSL અને નિષ્ણાતોએ એમ્બરગ્રીસ જણાવ્યું હતું. પોલીસે અમરીશ જયપ્રકાશ મિશ્રા, સોનુ ઉર્ફે બબલુ ઉપાધ્યાય અને સંદીપ ઉપાધ્યાયની ધરપકડ કરી હતી. ત્રણેય યૂપી- જૌનપુરના રહેવાસી છે. આ એમ્બરગ્રીસની આંતરરાષ્ટ્રીય કિંમત 1.07 કરોડ થાય છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે એમ્બરગ્રીસ ભરૂચના કાવી કંબોઈના માછીમારો પાસેથી મળ્યું હતું. વોન્ટેડ આરોપી ધીરુ વાઘેલા અને ઉમેશ ભાલિયાને આ પદાર્થ દરિયામાંથી મળ્યો હતો. અમરીશ, ધીરુનો સંબંધી છે. 3 મહિનાથી તે ગ્રાહક શોધી રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 6:45 am

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે આપ્યા નિર્દેશ:‘ગરમીમાં ભીડ નિયંત્રિત કરવા મોડી રાતથી સવાર સુધી ટ્રેન ચલાવો, હોલ્ડિંગ એરિયાની ક્ષમતા 10 હજાર કરાશે’

ઉધના સ્ટેશન પર રવિવારે મુસાફરોની ભીડ અનિયંત્રિત થઈ સ્થિતિ બગડ્યા બાદ તંત્ર સતર્ક થઈ ગયું હતું. ઘટનાના બીજા જ દિવસે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાંડે ટીમ સાથે ઉધના સ્ટેશને પહોંચી નિરિક્ષણ કર્યું હતું. આ દરમિયાન DRM પંકજ સિંહ સહિત મંડળના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. નિરીક્ષણ દરમિયાન તેમણે પેસેન્જર મેનેજમેન્ટ, ભીડ નિયંત્રણ અને સુરક્ષા વ્યવસ્થાઓનું બારીકાઈથી આકલન કર્યું. તેમણે અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યા કે વીકેન્ડ અને પીક સીઝન દરમિયાન મુસાફરોની સંખ્યાનું અગાઉથી આકલન કરી નક્કર રણનીતિ બનાવવામાં આવે, જેથી કોઈ પણ સ્થિતિમાં ગેરવ્યવસ્થા ન ફેલાય. તેમણે કહ્યું કે, મુસાફરોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ. ઘટના બાબતે ચેમ્બરની રેલવે કમિટીના ચેરમેન રાકેશ શાહે જીએમને વિવિધ રજૂઆતો કરી હતી. સીધીવાત - રામાશ્રય પાંડે, જનરલ મેનેજરસવાલ: રવિવારે સ્થિતિ અનિયંત્રિત કેવી રીતે થઈ?જવાબ: 28 હજાર લોકો સ્ટેશન પર આવી ગયા હતા. તેમની વચ્ચે એક ભ્રમ ફેલાઈ ગયો કે સવારે 11.30 વાગ્યા વાળી સ્પેશિયલ ટ્રેન પછી કોઈ સ્પેશિયલ ટ્રેન નહીં ચાલે, જેથી એક જ ટ્રેનમાં ચઢવા માટે લાઇન તોડીને ભાગવા લાગ્યા હતા. સવાલ: પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો?જવાબ: સુરક્ષા કર્મીઓએ ફેન્સિંગ પર ડંડા માર્યા હતા, જેથી લોકો પાછળ હટે, અનિયંત્રિત હાલત ન થાય, કોઈ પણ પેસેન્જરને ક્યાંય પણ ઈજા થઈ નથી. સવાલ: આવી ભીડ ન ઉમટે તે માટે શું કરાશે? જવાબ: રોજ વધારાની ટ્રેનો દોડે છે, પરંતુ હવે એક-બે દિવસ પહેલાં જ ટ્રેનોની જાહેરાત કરીશું જેથી એડવાન્સમાં જાણકારી મળે. જેને કારણે મુસાફરો પોતાની યાત્રા અગાઉથી સુનિશ્ચિત કરી શકશે. સવાલ: કાળઝાળ તડકામાં પણ ઊભા હતા જેનાથી આવી સ્થિતિ થઈ તેના માટે શું યોજના છે? જવાબ: અમે એવી તૈયારી કરી રહ્યા છીએ કે હવે મોટાભાગની સ્પેશિયલ ટ્રેનોને વહેલી સવારે અથવા આકરો તડકો થાય તે પહેલા જ ચલાવવામાં આવે. જેનાથી લોકો વધુમાં વધુ નીકળી જશે. આ સિવાય હોલ્ડિંગ એરિયા હવે આવનારા 3 મહિનામાં પૂરી રીતે અપગ્રેડ થઈ જશે. સવાલ: ઘણા મુસાફરો ટિકિટ હોવા છતાં ન જઈ શક્યા, તેમને રિફંડ પણ ન મળ્યું? શું કહેશો? જવાબ: અત્યાર સુધીમાં અમને આવી કોઈ જાણકારી મળી નથી કે ન તો આવી કોઈ ફરિયાદ મળી છે. 11.30 પછી સ્પેશિયલ ટ્રેન નહીં ચાલે તેવી અફવા ફેલાતાં સ્થિતિ કથળી‘વોટર્સ સ્પેશિયલ ટ્રેન’માં 1300 લોકો બંગાળ ગયાઉધના સ્ટેશન પર રાત્રે અલગ જ નજારો જોવા મળ્યો હતો. અંદાજે 1300થી વધુ બંગાળી શ્રમિક મતદારો ‘વોટર્સ સ્પેશિયલ’ ટ્રેન દ્વારા વતન રવાના થયા હતા. પ્લેટફોર્મ 5 પર મુસાફરોના હાથમાં તિરંગો અને આખું સ્ટેશન ‘વંદે માતરમ્’ તેમજ ‘જય શ્રી રામ’ના નારાથી ગુંજી ઉઠ્યું હતું. આ વ્યવસ્થા સુરત ભાજપ અને ‘સુરત બંગાળી સમાજ’ દ્વારા કરવામાં આવી હતી. કુલ 4 સ્પેશિયલ ટ્રેનો દ્વારા અંદાજે 5000 મતદારોને ફ્રીમાં કોલકાતા પહોંચાડાશે. પ્રથમ ટ્રેન રવાના થઈ ચૂકી છે. હવે બીજી ટ્રેન 24 એપ્રિલે રવાના કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 6:31 am

આમ આદમી પાર્ટીનો હવાલા કાંડ:દિલ્હીથી 4 મહિનામાં રોકડા સવા કરોડ ટ્રાન્સફર થયા

સુરતમાં પોલીસે આમ આદમી પાર્ટીનું હવાલા કૌભાંડ બહાર પાડ્યું છે. આંગડિયા પેઢી પર વોચ ગોઠવી આકાશ મિશ્રા નામની વ્યક્તિને પોલીસે પકડી લેતાં તે આમ આદમી પાર્ટી માટે અન્ય સ્થળેથી આવતા રૂપિયાનો વહીવટ કરતો હોવાનું અને છેલ્લાં ચાર મહિનામાં ગુજરાતમાં આપને પ્રચાર કરવા માટે હવાલા થકી સવા કરોડ રૂપિયા મોકલાયા હોવાનું ખૂલ્યું હતું. મિશ્રા દિલ્હીના પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનો પીએ રહી ચુક્યો છે. આપના હવાલા કાંડ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે આકાશ મિશ્રાને પૂછપરછ માટે બોલાવ્યો હતો. સોમવારે આકાશ મિશ્રાના છેલ્લા 6 મહિનાના કોલ ડિટેલ્સની તપાસ માટે ડેટા મંગાવાયો છે. આ સાથે જ શંકાના આધારે તેના મોબાઈલના વોટ્સએપ ચેટ અને વોટ્સએપ કોલની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન માહિતી આવી છે કે તે ગુજરાત સહિત અન્ય રાજ્યોના આપ નેતાઓ સાથે સતત સંપર્કમાં હતો, પોલીસે સોમવારે ઇન્કમ ટેક્સ વિભાગને પત્ર લખીને આ વિષયમાં જાણકારી આપી હતી, આ હવાલા કાંડનો માસ્ટરમાઇન્ડ દિલ્હીનો હિમાંશુ પાહુજા હોવાનું કહેવાય છે. હિમાંશુ પોતે આપનો નેતા હોવા છતાં આંગડિયા પેઢીમાં પોતાની ઓળખ ‘પનીર વેપારી’ તરીકે આપતો હતો. તેણે મોકલેલી રકમ આકાશ સુરતની ઓફિસમાંથી લઇ લેતો, જેના CCTV પુરાવા પોલીસ પાસે છે. આંગડિયા પેઢીના સંચાલક અલ્પેશ પટેલે ખુલાસો કર્યો હતો કે, દિલ્હીથી હિમાંશુ નામનો વ્યક્તિ છેલ્લા ત્રણ-ચાર મહિનાથી નિયમિત રીતે નાણાં મોકલતો હતો. રકમનો અસલી ઉદ્દેશ્ય શંકાસ્પદ હતો. આ રોકડ લેવા માટે આકાશ મિશ્રા દર મહિને આવતા હતા. અલ્પેશભાઈના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી આશરે 80 થી 90 લાખ રૂપિયા આ રીતે મોકલવામાં આવ્યા હતા, જેની છેલ્લી ડિલિવરી 10 તારીખે થઈ હતી. પનીરની ફેક્ટરી-દુકાન હોવાનું કહી પૈસા મોકલતો હતોઆ પોલિટિકલ હવાલા કેસમાં હાલમાં પોલીસ રેકોર્ડ, એન્ટ્રી અને CCTV ફૂટેજના આધારે તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, દિલ્હીમાં બેઠેલો હિમાંશુ પાહુજા અરવિંદભાઈ હીરેનભાઈ આંગડિયા પેઢીનો નિયમિત ગ્રાહક હતો. પેઢીના સંચાલકના જણાવ્યા મુજબ, તેણે ભરોસો અપાવ્યો હતો કે તેની પનીર બનાવવાની મોટી ફેક્ટરી અને દુકાન છે. આ બહાને તે નિયમિત સુરત પૈસા મોકલતો રહ્યો, જ્યારે હકીકત કંઈક અલગ જ હતી. આશંકા છે કે આ રકમ ચૂંટણી પ્રચાર અને અન્ય ગુપ્ત રાજકીય ગતિવિધિઓમાં ઉપયોગમાં લેવાતી હતી.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 6:27 am

ઉધનાની ઘટના:જમવા મામલે ઝઘડો થતાં પુત્રે 70 વર્ષીય માતાની હત્યા કરી

ઉધના વાત્સલ્ય એવન્યુમાં રહેતા મેહુલ ઉર્ફે મોન્ટુ વાણિયાએ ગત રાત્રે પોતાના માટે અને તેની પુત્રી હિયા માટે “જમવાનું કેમ નથી બનાવ્યું” તેમ કહી પોતાની 70 વર્ષીય માતા પ્રતિક્ષા અને પિતા હર્ષદ શાહ સાથે ઝઘડો કર્યો હતો. આવેશમાં મેહુલે પોતાના પિતા હર્ષદનું ગળું દબાવવા જત માતા પ્રતિક્ષા તેમને છોડાવવા માટે પહોંચી ત્યારે મેહુલે માતા સાથે ઝપાઝપી કરી જોરથી ધક્કો મારી દીધો, જેથી તેઓ ત્યાં જ બેભાન થઈ ગયા.108 આવી ત્યાં સુધીમાં પ્રતિક્ષાબેનનું અવસાન થઈ ગયું હતું. ઉધના પોલીસ ઘટનાસ્થળે પહોંચી પ્રતિક્ષાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો છે. પોલીસે આરોપી 33 વર્ષીય મેહુલ ઉર્ફે મોન્ટુ વિરુદ્ધ પોતાની માતાની હત્યાનો ગુનો નોંધી તેની અટકાયત કરી હતી. પાંચ વર્ષ પહેલા પત્ની છોડીને જતી રહી હતીઉધના પીઆઇ આર.એમ. રાઠોડે જણાવ્યું કે આરોપીની પત્ની 5 વર્ષ પહેલા તેના વર્તનથી કંટાળીને તેને છોડીને જતી રહી હતી. તેને 8 વર્ષની દીકરી છે અને તે બેરોજગાર છે. આરોપી દરરોજ આ જ રીતે ઘરમાં હોબાળો કરીને ઝઘડો કરતો હતો. પિતાએ અકસ્માતમાં પગ ગુમાવ્યો હતો5 વર્ષ પહેલા આરોપીના પિતા પ્રાઈવેટ નોકરી કરતા હતા. આ દરમિયાન એક અકસ્માતમાં તેમનો પગ કાપવો પડ્યો હતો. ત્યારથી તેઓ પણ કામ પર જઈ શકતા નહોતા. દીકરીના લગ્ન થઈ ગયા છે અને તે પરિવારને મદદરૂપ થતી હતી.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 6:25 am

પુસ્તકિયા જ્ઞાનનો અંત આવશે:હવેથી CBSE સ્કૂલોમાં સ્કિલ લેબ ફરજિયાત, હુનરના પાઠ ભણાવીને આત્મનિર્ભર બનાવાશે

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ નવી શિક્ષણ નીતિ હેઠળ સ્કૂલોમાં કોમ્પોઝિટ સ્કિલ લેબ ફરજિયાત બનાવી છે. આ નિર્ણયનો હેતુ ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓને પુસ્તકિયા જ્ઞાનને બદલે લર્નિંગ બાય ડુઈંગ થકી હુનરના પાઠ ભણાવી આત્મનિર્ભર બનાવવાનો છે. નિયમ મુજબ, દરેક સ્કૂલે 600 ચોરસ ફૂટમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મશીનરી સાથેની લેબ તૈયાર કરવી પડશે. નવી સ્કૂલો માટે આ શરત એફિલિએશન પૂર્વે જ લાગુ થશે, જ્યારે હાલની સંસ્થાઓને ઓગસ્ટ 2027 સુધીની ડેડલાઇન આપવામાં આવી છે. આ વ્યવહારિક અભિગમથી વિદ્યાર્થીઓમાં વાસ્તવિક કૌશલ્યો વિકસશે અને સૈદ્ધાંતિક તથા પ્રાયોગિક શિક્ષણ વચ્ચેનો ગેપ દૂર થશે. સ્કૂલો પર આર્થિક બોજ પડતા જ ફી વધવાની શક્યતા આ ફાયદો વિદ્યાર્થીને મળશે માત્ર માર્કશીટ નહીં, માર્કેટમાં ટકી શકે તેવું હુનર શીખવાડાશેસ્કૂલમાં સ્કિલ લેબ એ એવું પ્રાયોગિક કેન્દ્ર છે, જ્યાં વિદ્યાર્થીઓ આધુનિક સાધનો, ટૂલ્સ-મશીનની મદદથી વોકેશનલ વિષયોનું જીવંત શિક્ષણ મેળવે છે. અત્યાર સુધી વિદ્યાર્થીઓ માત્ર થીયરી ભણતા હતા, પણ હવે લેબમાં ઈલેક્ટ્રોનિક્સ, કોડિંગ કે રોબોટિક્સ જેવા વિષયો જાતે પ્રેક્ટિકલ કરીને શીખી શકશે. હાલના સમયમાં માત્ર માર્કશીટથી નોકરી મળવી મુશ્કેલ છે. ઈન્ડસ્ટ્રીઝમાં એવા યુવાનોની જરૂર છે જેમનામાં ટેકનિકલ સૂઝબૂઝ હોય. વિદ્યાર્થીઓ સ્કૂલ લેવલથી જ આત્મનિર્ભર બને અને હાલની દુનિયાના પડકારો માટે તૈયાર થાય તે હેતુથી લેબ બનશે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 6:24 am

પરીક્ષામાં ઝડપાઈ ગેરરીતિ:PSI પરીક્ષામાં ચોરી કરવા બેંચ સાથે ચોંટાડેલો મોબાઈલ ફોન પડી જતાં ઉમેદવાર પકડાઇ ગયો

રવિવારે યોજાયેલી પીએસઆઇની પરીક્ષામાં ઉમેદવાર મોબાઇલથી ચોરી કરવાનો પ્રયાસ કરે તે પહેલાં જ બેંચ સાથે ચોંટાડેલો ફોન સેલો ટેપ ઢીલી પડતા પડી ગયો હતો. જેથી અંકલેશ્વરના રહેવાસી PSI પરીક્ષાના ઉમેદવાર રિષભ યાદવનો પરીક્ષા શરૂ થાય તે પહેલા ભાંડો ફૂટી ગયો હતો. પોલીસ ફરિયાદ અનુસાર, આરોપીનું નામ રિષભ રાજકુમાર યાદવ (22, ઘર નંબર A-19, કુંભણી રેસીડેન્સી, અંકલેશ્વર) છે. તે 19 એપ્રિલ 2026 ના રોજ અમરોલી સ્થિત મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ (સેન્ટર નંબર 101) માં PSI ની પરીક્ષા આપવા આવ્યો હતો. તેણે અગાઉથી જ ગેરરીતિનું મોટું ષડયંત્ર રચ્યું હતું. પરીક્ષાના સમયે રિષભ સવારે 07:30 વાગ્યે ગેટ ખુલવાની રાહ જોવાને બદલે સવારે 06:30 વાગ્યે જ સ્કૂલની પાછળ પહોંચી ગયો હતો. તે પાછળનો દરવાજો કૂદીને પાર્કિંગમાં દાખલ થયો અને ત્યાંથી અંદાજે 8 થી 10 ફૂટ ઊંચો બેઝમેન્ટનો દરવાજો કૂદીને અંદર ઘૂસી ગયો. કોઈ ગાર્ડની નજરમાં આવ્યા વિના તે ચોથા માળે પહોંચીને પોતાના પરીક્ષા ખંડમાં બેસી ગયો હતો. ફોનનું વજન વધારે હોવાથી ટેપ નીકળી ગઇપોતાની બેંચ પાસે પહોંચીને રિષભે સ્માર્ટફોન સેલોટેપથી બેંચની નીચે છુપાવી દીધો હતો. પરીક્ષા દરમિયાન તે ગુગલ કે સોશિયલ મીડિયાની મદદથી જવાબ લખશે. પરંતુ મોબાઈલનું વજન વધારે હોવાથી ટેપ નીકળી ફોન ધડામ કરતાં નીચે પડી ગયો. સ્ટાફની નજર આના પર પડતા જ રિષભનો પ્લાન ફેલ થઈ ગયો.પોલીસે રિષભ વિરુદ્ધ ગુજરાત જાહેર પરીક્ષા અધિનિયમ-2023 ની કલમ 3 અને 12(1) હેઠળ ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત બીએનએસની કલમ 329(3) અને 223 પણ ઉમેરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 6:18 am

આપનું હવાલા કાંડ:આકાશ મિશ્રા ગુજરાતના આપના તમામ મોટા નેતાઓના સંપર્કમાં હતો

આપના હવાલા કાંડ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે આકાશ મિશ્રાને પૂછપરછ માટે બોલાવ્યો હતો. સોમવારે આકાશ મિશ્રાના છેલ્લા 6 મહિનાના કોલ ડિટેલ્સની તપાસ માટે ડેટા મંગાવાયો છે. આ સાથે જ શંકાના આધારે તેના મોબાઈલના વોટ્સએપ ચેટ અને વોટ્સએપ કોલની પણ તપાસ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસે સોમવારે ઇન્કમ ટેક્સ વિભાગને પત્ર લખીને આ વિષયમાં જાણકારી આપી હતી, જેનો અર્થ છે કે આગામી સમયમાં આ કેસની તપાસમાં ઇન્કમ ટેક્સ વિભાગની ટીમ પણ સામેલ થશે. મહિધરપુરાની અરવિંદભાઈ હીરેનભાઈ આંગડિયા પેઢીએ છેલ્લા ચાર મહિનામાં આશરે સવા કરોડ રૂપિયા દિલ્હીથી સુરત મોકલ્યા હોવાનો ખુલાસો થયો હતો. આ પોલિટિકલ હવાલા કાંડનો માસ્ટરમાઇન્ડ દિલ્હીનો હિમાંશુ પાહુજા હોવાનું કહેવાય છે. ચોંકાવનારી વાત એ છે કે, હિમાંશુ પોતે આપનો નેતા હોવા છતાં આંગડિયા પેઢીમાં પોતાની ઓળખ ‘પનીર વેપારી’ તરીકે આપતો હતો. આ રકમ સુરતમાં પૂર્વ મંત્રીના પીએ રહી ચૂકેલા આકાશ મિશ્રા દ્વારા લેવામાં આવતી હતી, જેના CCTV પુરાવા પોલીસ પાસે છે. આંગડિયા પેઢીના સંચાલક અલ્પેશભાઈ પટેલે વાતચીતમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે, દિલ્હીથી હિમાંશુ નામનો વ્યક્તિ છેલ્લા ત્રણ-ચાર મહિનાથી નિયમિત રીતે નાણાં મોકલતો હતો. હિમાંશુ પોતાને પનીરનો મોટો વેપારી ગણાવતો હતો, પરંતુ રકમનો અસલી ઉદ્દેશ્ય શંકાસ્પદ હતો. આ રોકડ લેવા માટે પૂર્વ મંત્રીના પીએ આકાશ મિશ્રા દર મહિને આવતા હતા. અલ્પેશભાઈના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી આશરે 80 થી 90 લાખ રૂપિયા આ રીતે મોકલવામાં આવ્યા હતા, જેની છેલ્લી ડિલિવરી 10 તારીખે થઈ હતી. હવાલા કાંડની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાશે દિલ્હીથી કરોડો રૂપિયા સુરતની ચૂંટણીના પ્રચાર-પ્રસાર માટે આંગડિયા મારફત હવાલાથી મોકલવાનું રેકેટ સુરત પોલીસે પકડી પાડ્યું હતું. આકાશ મિશ્રાને ક્રાઇમ બ્રાંચની પૂછપરછ પણ કરી હતી તેમાં તે રૂપિયા બાબતે કોઈ ચોક્કસ જવાબ આપી શક્યો ન હતો. બીજીતરફ, તે ગુજરાતના ટોચના આપના નેતાઓ સાથે સંપર્કમાં હતો. આ ઉપરાંત ક્રાઇમ બ્રાંચને શંકા છે કે દિલ્હીથી જે રૂપિયા ગુજરાતમાં આવ્યા છે તેવી જ રીત હરિયાણા, એમપી, યુપી સહિતના રાજ્યોમાં પણ મોકલવામાં આવ્યા છે કે જ્યાં આગામી દિવસોમાં ચૂંટણીઓ છે. આ કેસની ગંભીરતા જોઈને તટસ્થ અને યોગ્ય તપાસ થાય તે માટે સુરત ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપવામાં આવી છે. પનીરની ફેક્ટરી-દુકાન હોવાનું કહી પૈસા મોકલતો હતોઆ પોલિટિકલ હવાલા કેસમાં હાલમાં પોલીસ રેકોર્ડ, એન્ટ્રી અને CCTV ફૂટેજના આધારે તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, દિલ્હીમાં બેઠેલો હિમાંશુ પાહુજા અરવિંદભાઈ હીરેનભાઈ આંગડિયા પેઢીનો નિયમિત ગ્રાહક હતો. પેઢીના સંચાલકના જણાવ્યા મુજબ, તેણે ભરોસો અપાવ્યો હતો કે તેની પનીર બનાવવાની મોટી ફેક્ટરી અને દુકાન છે. આ બહાને તે નિયમિત સુરત પૈસા મોકલતો રહ્યો, જ્યારે હકીકત કંઈક અલગ જ હતી. આશંકા છે કે આ રકમ ચૂંટણી પ્રચાર અને અન્ય ગુપ્ત રાજકીય ગતિવિધિઓમાં ઉપયોગમાં લેવાતી હતી.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 6:16 am

બેઝમેન્ટમાં શોર્ટસર્કિટ થતાં વાયરિંગ ડક્ટને અસર:પુણા પોલારીસ મોલમાં આગ 4 માળનું વાયરિંગ બળી ગયું

પુણાના પોલારીસ મોલના બેઝમેન્ટમાં શોર્ટસર્કિટ થતાં 4 માળનું વાયરિંગ સળગી ગયું હતું. ફાયરબ્રિગેડે 2 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. બેઝમેન્ટની આગ જોતજોતામાં ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી. વાયરિંગ ભડકે બળતાં તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જો કે, ધુમાડો વધુ હોવાથી ફાયરના જવાનો બીએ સેટ સાથે અંદર પહોંચ્યા હતા અને બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો. દુકાનમાં ઈન્વર્ટર ચાલુ થતાં જવાનો ફરી દોડ્યાફાયરની ટીમ પરત ફર્યા બાદ એક દુકાનદારે ઈન્વર્ટર શરૂ કરતાં ફરી વાયરિંગમાં આગ પકડાઈ ગઈ હતી. દુકાનની બહારના પેસેજમાં પીઓપીમાંથી ધુમાડો નીકળતાં ફરી ફાયરબ્રિગેડને જાણ કરાઈ હતી. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ બનાવમાં મોલનું વાયરિંગ સંપૂર્ણપણે બળી ગયું હતું. જો કે, વાયરિંગમાં લાગેલી આગ દુકાનો સુધી પહોંચી ન હતી, જેથી કોઈ નુકશાન કે કોઈને ઈજા થઈ ન હતી.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 6:07 am

'FBI મારી પાછળ 12 વર્ષથી પડી છે':USમાં $32 મિલિયન કૌભાંડના આરોપી ભાસ્કર સવાણીઃ 'અમરેલીના ફાર્મમાં રેડ પાડી, ગુજરાતી હોવાથી હેરાન કરાયો, પગમાં GPS ટ્રેકર છે'

''2018માં 26 ઓક્ટોબરે અમેરિકામાં અમારી 12 જેટલી ડેન્ટલ ઑફિસમાં FBIના 180 એજન્ટ કૂતરાઓ સાથે દરોડા પાડવા ધસી આવ્યા હતા. તેમણે ગન પોઇન્ટ પર ડૉક્ટર્સને હેન્ડ્સ અપ કરાવીને પેશન્ટ્સને બહાર કાઢી મૂક્યા. 40 ફૂટના કન્ટેન્ટરમાં ઑફિસમાંથી તમામ ડોક્યુમેન્ટ્સ ને કમ્પ્યુટર- લેપટોપનો સામાન લઈ ગયા ને હજી સુધી અમને ડોકુયમેન્ટ્સ પાછા આપ્યા નથી. લેપટોપ ને કમ્પ્યુટર તો સાત દિવસ બાદ આપી દીધા. આ ઘટનાને કારણે ડૉક્ટર્સ ઘણા ડરી ગયા ને ઘણાએ અમારી સાથે કામ કરવાનું બંધ કરી દીધું. અમેરિકામાં રહેતી વ્યક્તિ FBIના નામ માત્રથી ડરી જાય છે, પરંતુ અમે તેમની સામે પડ્યા ને લડ્યા એટલે તેઓ અમારી પર છંછેડ્યા તે વાત નક્કી છે. તેઓ યેનકેન પ્રકારે અમારી વિરુદ્ધ પુરાવા ભેગા કરવા માગતી હતી ને છેલ્લે તેમણે અમારી પર રેકેટિંગનો માફિયાધારો લગાવ્યો.....'' આ શબ્દો છે ડૉ. ભાસ્કર સવાણીના. થોડા દિવસો પહેલા જ ભાસ્કર સવાણી ને અરુણ સવાણીને અમેરિકામાં 400 વર્ષથી વધુની સજા થશે તેવી વાતો થઈ રહી છે. બંને ભાઈઓને વિઝા ફ્રોડ, હેલ્થકેર ફ્રોડ સહિત ફૂડ, ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટનું ઉલ્લંઘન, રેકેટિંગ હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. દિવ્ય ભાસ્કરે તાજેતરમાં જ ભાસ્કર સવાણી સાથે વાત કરીને તેમનો પક્ષ જાણ્યો હતો. વાતની શરૂઆત કરતા મૂળ અમરેલીના ભાસ્કર સવાણી કહે છે, 'અમદાવાદમાંથી B.Sc ને વડોદરામાં માસ્ટર કર્યું ને સાથે સાથે વર્લ્ડ વાઇડ લાઇફમાં એજ્યુકેશન ઑફિસરની નોકરી કરી. મલેશિયામાં મામાની રબરની ફેક્ટરીમાં કામ કર્યું. આ દરમિયાન 1988માં પરિવાર અમેરિકા આવીને વસ્યો ને હું 1990માં અમેરિકાના પેન્સિલવેનિયામાં આવ્યો. હું 20 ડૉલર લઈને નીકળ્યો હતો, પરંતુ ઇટલીમાં છ ડૉલર પિત્ઝા ને કોલ્ડ ડ્રિંકમાં વપરાયા. અમેરિકાના ન્યૂ યોર્ક એરપોર્ટ પર ઊતર્યો ત્યારે ખિસ્સામાં માત્ર 14 ડૉલર હતા. ડેન્ટિસ્ટ બનવાની ઈચ્છા હતી તો ત્યાંની જાણીતી ટેમ્પલ યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું ને 1995માં ડેન્ટિસ્ટ થયો ને તરત જ બે ડૉક્ટર્સના ત્યાં કામ કરવા લાગ્યો. 1996માં ફ્રેન્ડે ઑનર ફાઇનાન્સિંગ કરતા ફિલાડેલ્ફિયામાં મારું પોતાનું દવાખાનું શરૂ કર્યું.' '1999માં ત્રણેય ભાઈઓ ડેન્ટલ બિઝનેસમાં જોડાયા'વાતને આગળ વધારતા ભાસ્કર સવાણી જણાવે છે, 'મારો નાનો ભાઈ નિરંજન ડેન્ટિસ્ટ ને બીજા નંબરનો ભાઈ અરુણ એન્જિનિયર છે. અમે ત્રણેય ડેન્ટલ બિઝનેસમાં સાથે કામ કરવાનું નક્કી કર્યું. ચીન ને ભારતથી ડેન્ટલ મટિરિયલ આઉટ સોર્સ કરાવતા એટલે અમને કોસ્ટ ઘણી જ ઓછી પડતાં સેવિંગના પૈસાથી બિઝનેસ એક્સપાન કર્યો. અમે ડેન્ટલ લેબ, ડેન્ટલ સોફ્ટવેરનો બિઝનેસ શરૂ કર્યો. અમદાવાદ- વડોદરામાં પણ ઑફિસ છે. ધીમે ધીમે અમેરિકાના છ રાજ્યો પેન્સિલવેનિયા, ન્યૂ જર્સી, સાઉથ કેરોલીના, મિશિગન, ટેક્સાસ તથા આયોવામાં અમારી ડેન્ટલ ઑફિસ શરૂ કરી અને એક સમયે અમારી 76 ડેન્ટલ ઑફિસ હતી. પ્રાઇવેટ સેક્ટરમાં અમારો ફેમિલી બિઝનેસ લાર્જેસ્ટ હતો. અમે ડેન્ટલ સર્વિસ ઓર્ગેનાઇઝેશન (DSO) તરીકે કામ કર્યું એટલે કે અમે ડૉક્ટર્સને હાયર કરીએ અને તેમને તમામ પ્રકારની સર્વિસ જેમ કે આસિસ્ટન્ટ, ડેન્ટલ ચેર મેઇન્ટેનન્સ, બ્રેસિસ, ડેન્ટલના સાધનો આપતા. 2012માં અમારા બિઝનેસને અમેરિકન ડેન્ટલ મેનેજમેન્ટના નામથી રી-ઓર્ગેનાઇઝ કર્યો.' 'વાર્ષિક 50-60 મિલિયન ડૉલરની કમાણી હતી'ભાસ્કર સવાણી વધુમાં કહે છે, 'અમારી વાર્ષિક કમાણી 50-60 મિલિયન ડૉલરની હતી ને આ કમાણી સતત વધતી હતી અને અચાનક કોરોનામાં આવક ઘટી પણ પાછી આવક વધવા લાગી. અમે 150 ડેન્ટલ ઑફિસ કરવાના ધ્યેય સાથે રાત-દિવસ કામ કરતા.' 'સરકારી વીમાનું કામ પણ કરતા''અમેરિકામાં ડેન્ટિસ્ટ મોટાભાગે સરકારી વીમાનું કામ પસંદ કરે નહીં. ત્યાં ઓછી આવક ધરાવતા લોકોને સરકાર મેડિકેડ ને 65થી વધુ ઉંમરના લોકોને મેડિકેર મળે. સામાન્ય રીતે સરકારી વીમો ધરાવતા દર્દીમાં 100 ડૉલરનું બિલ બને ત્યારે 25 ડૉલર ડૉક્ટરને મળે અને વારંવાર ઑડિટની મગજમારી પણ રહેતી તેમ છતાં અમે કમ્યુનિટી સર્વિસ માટે આ કામ લેવાનું શરૂ કર્યું. જ્યાં સામાન્ય રીતે ડેન્ટિસ્ટના ત્યાં બે કે પાંચ ચેર હોય, પરંતુ અમારી મોટાભાગની ઑફિસમાં 25થી 45 જેટલી ચેર રહેતી અને તમામ પ્રકારના લોકો માટે દરેક રીતની સારવાર મળી રહેતી. સામાન્ય રીતે અમેરિકામાં ડેન્ટલની અલગ-અલગ ટ્રીટમેન્ટ માટે સ્પેશિયલ ડૉક્ટરની મોનોપોલી રહેતી, પરંતુ મેં આ મોનોપોલી તોડીને એક જ છત નીચે તમામ સારવાર ઉપલબ્ધ કરાવતાં ત્યાંના લોકોને આ ગમ્યું નહીં. પેન્સિલવેનિયામાં જ મારી 54 ઑફિસ હતી.' '2014થી FBI મારી પાછળ પડી છે'ભાસ્કર સવાણીએ પોતાને દોષિત કેવી રીતે જાહેર કરવામાં આવ્યા તેના મૂળમાં જતાં કહે છે, 'FBI (ફેડરલ બ્યુરો ઇન્વેસ્ટિગેશન) 2014થી મારી પાછળ પડી છે. તે વર્ષે અમારી વિરુદ્ધ ફરિયાદ થઈ. વડોદરામાં એમ. એસ યુનિવર્સિટીમાં મારો રૂમ પાર્ટનર હતો તેણે આજીજી કરતાં મેં H1B વિઝા આપ્યા ને નાના ભાઈની જેમ રાખ્યો. અમે ભારતમાં ડેન્ટલ લેબ કરીને વિવિધ ડેન્ટલ સાધનો 14 દેશોમાં વેચતા. અમારી વેલ્યૂએશન વધારે આવતી. ખબર નહીં તે રૂમ પાર્ટનરના મનમાં લાલચ જાગી અને તેણે મુંબઈ સ્થિત અમારા પાર્ટનર સાથે સાંઠગાંઠ કરીને અમારા અકાઉન્ટ્સ ચોર્યા. 2012માં તે રૂમ પાર્ટનરે હાર્ટ પ્રોબ્લમ્સને કારણે રિઝાઇન આપીને ફ્લોરિડા સેટલ થવાની વાત કરી પણ તે સીધો સુરત ને પછી મુંબઈ ગયો. આ સમયે અમારે પાર્ટનરશિપ એગ્રીમેન્ટ રિન્યૂ કરવાનો હતો, પરંતુ તેણે ઓછા પૈસામાં કામ કરવાની વાત કરીને એગ્રીમેન્ટ પોતાના નામે કર્યો ને ન્યૂ જર્સીમાં પોતાની લેબ બનાવી. તેણે પીઠ પાછળ ઘા કર્યો એટલે અમે તેની પર કેસ કરતાં તે હારી ગયો પણ તેણે અમને ત્યારે એવી ધમકી આપી હતી કે તે અમને ગમે તેમ રીતે ફસાવીને જ રહેશે. અમે ત્યારે તેને ખાસ ગંભીરતાથી લીધી નહીં' 'રૂમ પાર્ટનરે પીઠ પાછળ ખંજર ભોંક્યું''કેસ હાર્યા પછી તેણે ખોટા આક્ષેપો શરૂ કર્યા. FBIને કહ્યું કે અમારી પાસે બિલિયન્સ ડૉલર્સ છે, અમે ભારતમાં બધું છુપાવ્યું છે ને જમીનો લીધી છે. તેણે એવું પણ કહ્યું કે અમે કેરીના વેચાણના માફિયા છીએ. હકીકતમાં અમે તમામ ટ્રાન્ઝેક્શન બેંક મારફતે કરતા અને થર્ડ પાર્ટી ઑડિટિંગ હોવાથી અમને વિશ્વાસ હતો. અમે 2000થી વધુ લોકોને રોજગાર આપ્યો અને એજ્યુકેશન સેન્ટર પણ ચલાવ્યું. અમને અમેરિકન સરકાર પર વિશ્વાસ હતો કે તે આટલી મૂર્ખ નહીં હોય કે કોઈના ખોટા આક્ષેપોને સાચા માનીને અમારી વિરુદ્ધ ફરિયાદ કરશે.' ભાસ્કર સવાણી કહે છે, 'મારા ભાઈ અરુણે વેબસાઇટ બનાવી, જેમાં ગુજરાતના બિલ્ડર્સની સ્કિમની માહિતી હતી, જેથી NRI ગુજરાતમાં રોકાણ કરી શકે. રૂમ પાર્ટનરે FBIના ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસને કહ્યું કે આ તમામ સ્કિમ સવાણી બ્રધર્સની છે.' 'અમને માફિયા જાહેર કર્યા'‘જૂન 2015 પછી તપાસમાં વેગ આવ્યો. ઇન્ટરપોલમાં પણ અમે ક્રિમિનલ નથી તે જોવામાં આવ્યું. અમારા ફેમિલી બિઝનેસને માફિયા બિઝનેસ જાહેર કર્યો ને રેકેટિંગ અને મોનોપોલીના આરોપ લગાવ્યા. FBIએ 2015-16માં ભારતમાં ડિટેક્ટિવ રાખીને વેબસાઇટની સ્કિમ્સ અમારી છે કે નહીં તેની તપાસ કરી, જ્યારે એમ્બેસી મારફતે સરળતાથી આ વાત જાણી શકાઈ હોત. અમદાવાદમાં જાસૂસો અલગ-અલગ સાઇટ પર જઈ ત્યાંના ચોકીદારને પૂછતા કે આ પ્રોપર્ટી સવાણી બ્રધર્સની છે? હવે ચોકીદાર શું જવાબ આપે? પછી હાથથી કાગળમાં નોંધ લખતા. છેલ્લે તેઓ અમદાવાદમાં મારી ઑફિસ આવ્યા અને મેનેજરને સવાલો કરતાં તેને શંકા ગઈ ને તેણે જાસૂસોના હાથમાંથી કાગળો છીનવીને ફોટા પાડ્યા, જેમાં એક કાગળમાં FBIનો મેઇલ મળતાં ખ્યાલ આવ્યો કે આ લોકો આ રીતે તપાસ કરે છે. પછી તો તેમણે ચીનમાં પણ તપાસ કરી. ગામડે પપ્પાના બેંક અકાઉન્ટ્સ ચેક કર્યા. આટલું જ નહીં, અમારા ફાઇનાન્સમાં મદદ કરતી મૂળ પોલેન્ડની ઓલાના અકાઉન્ટ્સ પણ ચેક કર્યા. અમે જે દેશમાં બિઝનેસ કરતા ત્યાં પણ તપાસ કરી. આ ઉપરાંત સાન ફ્રાન્સિસ્કોથી ડિપાર્ટમેન્ટ ઑફ એગ્રીકલ્ચરની એક મહિલા 2017માં અમારું ખેતર જોવા ખાસ અમરેલી આવી. આ બધું જ અમારી આંખ સામે થતું હતું, પરંતુ અમને એમ હતું કે ખોટું કર્યું નથી તો ચિંતા શેની?’ '12 વર્ષની કમાણી 500 મિલિયન ડૉલર્સની હતી'ભાસ્કર સવાણી કહે છે, 'છેલ્લા 12 વર્ષમાં 500 મિલિયન ડૉલર કમાયા. FBIએ H1B વિઝા ફ્રોડનો કેસ કર્યો. અમારી 76 ઑફિસમાં 2200 કર્મચારીઓમાં માત્ર 48 H1B ધરાવતા, જેમાં 20 ભારતીય અને તેમાંથી 18 ગુજરાતી હતા, એટલે અમે H1B પર નિર્ભર નહોતા. અમે તેમને પૂરો પગાર અને ટેક્સ ચૂકવ્યો, પરંતુ છ લોકો પાસેથી વિઝા ફી પરત લીધી, જેના સ્પષ્ટ નિયમો ન હોવાથી અમે ફસાયા. આ ફી ગ્રીન કાર્ડ સ્પોન્સર પેટે લીધી હતી. ઉપરાંત, આ છ લોકોને જોબ ડિસ્ક્રિપ્શન મુજબ કામ ન આપવાના આરોપ લાગ્યા. મારી ઇઝી બાયોટેક કેમિકલ કંપની પણ હતી અને તેમાં કેમિસ્ટ તરીકે આ છ લોકોને રાખ્યા હતા. કેમિસ્ટ ત્યાં આખો દિવસ રિસર્ચ ના કરે એટલે અમને ડેન્ટલ મેનેજમેન્ટમાં પણ મદદ કરે. એકવાર એવું થયું કે FBIવાળા મારા ત્યાં આવ્યા ને મારી કઝિન સિસ્ટરના હસબન્ડ એટલે કે મારા બનેવી ઑફિસના કંઈક માળિયે ચઢ્યા હતા. તેઓ ડિસઇન્ફેક્ટના ઇનચાર્જ હતા. માળિયે ચઢવું એ જોબ ડિસ્ક્રિપ્શન સિવાયનું કામ કહેવાય અને તે જ કારણે FBIએ મારી પર હ્યુમન ટ્રાફિકિંગનો પણ આક્ષેપ કર્યો. છ લોકોના જોબ ડિસ્ક્રિપ્શનમાં વાંધો કાઢ્યો તે તમામ ગુજરાતી ને તેમાંથી ત્રણ તો મારા રૂમ પાર્ટનરના જ સગાં છે.' 'FBIથી ડરીને ગુજરાતીઓએ અમારી વિરુદ્ધ જુબાની આપી'વાતને આગળ વધારતા ભાસ્કર સવાણીએ જણાવ્યું, 'FBIએ આ છ લોકોને ધાકધમકી આપી કે તમે કોર્ટમાં સવાણી વિરુદ્ધ નહીં બોલો તો તમારું ગ્રીન કાર્ડ રદ કરી દઈશું. મારા બનેવીને પણ આ રીતની ધમકી આપી હતી એટલે અમને આ વાતની જાણ થઈ. આ છ લોકોએ એવું કહ્યું કે અમારી પાસે જોબ ડિસ્ક્રિપ્શન ઉપરાંતનું કામ કરાવતા. અમારી વિરુદ્ધ બોલ્યા તે તમામને ગ્રીન કાર્ડ આપ્યા ને છમાંથી એકના તો વિઝા કેન્સલ થયા હતા તો તેને S વિઝા આપ્યા. (S વિઝા અમેરિકાની લો એજન્સીને મદદરૂપ થયા હોય તે વ્યક્તિને આપવામાં આવે છે) FBIએ અમારી વિરુદ્ધ બોલનારને મદદ કરી. તે લોકો બસ એટલું જ ઈચ્છતા કે સવાણીનું ગ્રુપ મોટું છે તો તેને તોડીને મોટી પેનલ્ટી વસૂલ કરીએ.' 'અમારો કેસ એડમિનિસ્ટ્રેટિવ કેસ છતાં FBI હેરાન કરે છે''અમેરિકામાં ઘણાના ત્યાં ગેરકાયદેસર રીતે લોકો કામ કરે છે અને તેઓ પકડાય ત્યારે FBI 5-10 હજારનો દંડ ફટકારી છોડી મૂકે છે. ખરી રીતે તો અમારી વિરુદ્ધ જે પણ છે તે માત્ર એડમિનિસ્ટ્રેટિવ બાબત છે અને તે સહજતાથી સોલ્વ થઈ જાય એમ છે, પરંતુ FBIએ જાણી જોઈને અમારી પર કેસ કરીને દોષિત જાહેર કર્યા. FBIએ જાતે જ નક્કી કર્યું કે અમે 4.1 મિલિયન ડૉલર્સનો ટેક્સ ભર્યો નથી, પરંતુ છેલ્લે મારી પર 48 હજારનો ટેક્સ બાકી હોવાનું સાબિત થઈ. આ કેસમાં એવું છે કે H1B વિઝા ધારકોને મેં પગાર ઉપરાંત બોનસ આપ્યું હતું. હવે આ બોનસ પર જે-તે કર્મચારીએ ટેક્સ ચૂકવવાનો હોય, પરંતુ કર્મચારીએ તે આવક બતાવી નહીં ને તેમાં મારો વાંક કાઢ્યો ને મેં ટેક્સ ભર્યો નથી તેવું સાબિત કર્યું. અમેરિકામાં તેને એક્સપેન્સ રિએમ્બર્સમેન્ટ કહેવાય. મને હવે એમ કહેવામાં આવ્યું કે તમારે પગાર કરીને ટેક્સ ચૂકવ્યા બાદ બોનસ આપવાની જરૂર હતી. અમારા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ એમ કહે છે કે તમે એક્સપેન્સ રિએમ્બર્સમેન્ટ નિર્ધારિત માપદંડ પ્રમાણે આપી શકો. FBI આ વાતને ટેક્નિકલ મેટર પર લઈ ગયા. આ છ લોકોએ જ બોનસ ડિક્લેર ના કર્યું અને તે અંદાજે એકાદ લાખ ડૉલરની આસપાસ છે. ' 'સૌથી મોટો ગુનો 32 મિલિયન ડૉલરનો નોંધ્યો છે'ભાસ્કર સવાણી જણાવે છે, 'અમારી પર 32 મિલિયન ડૉલર્સનો મેડિકેડના કોન્ટ્રાક્ટ્સનો ગુનો સૌથી મોટો છે. અમે પણ મેડિકેડના કોન્ટ્રાક્ટ્સ લેતા હતા. સરકારે અમારી પર કોઈ જાતનો પ્રતિબંધ મૂક્યો નહોતો. અમારા જ એક પાર્ટનરે મેડિકેડનો કોન્ટ્રાક્ટ લીધો પણ તેની પાસે કોઈ સુવિધા નહોતી એટલે તેણે સબ કોન્ટ્રાક્ટ અમને આપ્યો. અમે પેશન્ટ્સની સંખ્યા વધારે દેખાય અને જ્યારે આ પેશન્ટ્સ મેડિકેડમાંથી બહાર આવે તો અમારી પાસે જ સારવાર લેવાનું ચાલુ રાખે એટલે આ કામ સ્વીકાર્યું. અમેરિકામાં દરેક DSO આ રીતે જ ચાલે છે. અમારા પાર્ટનર ડૉક્ટર્સે છ વર્ષ માટે આ કોન્ટ્રાક્ટ્ લીધો હતો અને તેમાંથી અમને 32 મિલિયનની કમાણી થઈ. અમે પૈસા ઇન્ટર સ્ટેટ બેંક ટ્રાન્સફર કર્યા હોવાનું કહીને વાયર ફ્રોડ એટલે કે મની લોન્ડરિંગનો કેસ કર્યો. જો અમે ફ્રોડ કર્યું હોય તો થોડા વર્ષ પછી પાછો મેડિકેડનો કોન્ટ્રાક્ટ અમને કેમ મળ્યો? છ વર્ષ અમને એટલા માટે કોન્ટ્રાક્ટ ના મળ્યો, કારણ કે ઇન્શ્યોરન્સના યહૂદી અધિકારીએ ભૂતકાળમાં મારી પાસે જૉબ માગી ને મેં નહોતી આપી. આ જ વ્યક્તિએ મારો ઇન્શ્યોરન્સનો કોન્ટ્રાક્ટ ટર્મિનેટ કર્યો ને મારા જ પાર્ટનરને આપ્યો. અમે સર્વિસ પ્રમાણે જ બિલ બનાવ્યું છે. પેશન્ટ્સને સહેજ પણ નુકસાન થયું નથી. આ ઉપરાંત અમને એક કેસમાં એવું કહ્યું કે અમે લાઇસન્સ ધરાવતા ડેન્ટિસ્ટ પાસે ક્રેડેન્શિયલ (અમેરિકામાં ડૉક્ટરે લેવું પડતું એક સર્ટિફિકેટ) નહોતું છતાં નોકરીએ રાખ્યા. સાચું કહું તો અમેરિકામાં ક્રેડેન્શિયલ આવતા આઠ-દસ મહિના થઈ જાય છે અને ડૉક્ટર પાસે લાઇસન્સ તો હોય જ છે તો સામે એમ કહેવામાં આવ્યું કે અમારે આ ડૉક્ટર્સને પેશન્ટ્સ આપવના નહોતા, કારણ કે તેમની પાસે ક્રેડેન્શિયલ નહોતું.' 'FDAએ કોર્ટમાં જુબાની આપી છતાં દોષિત માન્યા''મારી પાસે FDA (ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન) લિસ્ટેડ કંપની છે. આ કેસ સાબિત થયો નથી છતાં જ્યુરીએ દોષિત ઠેરવ્યા. અમે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સના સ્ક્રૂમાં સહેજ ફેરફાર કર્યો હતો. FDAના અધિકારીએ કોર્ટમાં કહ્યું કે મટિરિયલ ચેન્જ નથી એટલે નવો નંબર જરૂરી નથી. માર્કેટમાં પહેલેથી એક પ્રોડક્ટ હતી, તેથી પ્રોડક્ટ એકબીજા સાથે મિક્સ ના થાય એટલે તેના પર નોટ ફોર હ્યુમન યુઝ લખ્યું હતું. એક કન્સલ્ટન્ટે આ ઇમ્પ્લાન્ટ્સ પેશન્ટ્સમાં ફિટ કર્યા, પરંતુ મેં લેખિત કે મૌખિક રીતે આનો ઉપયોગ કરવાનું કહ્યું નહોતું. 25 પેશન્ટ્સમાં ઇમ્પ્લાન્ટ્સ નખાયા, જેમાં એક મારા ભાઈ નિરંજને કર્યું હતું. નિરંજનના પેશન્ટે કોર્ટમાં કહ્યું કે નિરંજન બેસ્ટ ડૉક્ટર છે અને ઇમ્પ્લાન્ટથી કોઈ તકલીફ નથી. તેની પરમિશન લઈને જ ઇમ્પ્લાન્ટ્સ મૂકાયા હોવાથી નિરંજનને નિર્દોષ જાહેર કર્યો.' 'કડકડતી ઠંડીમાં FBI મારા ઘરનો દરવાજો તોડતી હોય તેમ લાગ્યું'ભાસ્કર સવાણી જણાવે છે, '2018માં FBIએ ઘરે-ઑફિસે દરોડા પાડ્યા, પરંતુ કંઈ મળ્યું નહીં. અમેરિકામાં વ્યક્તિદીઠ 10 હજાર ડૉલર ઘરમાં રાખી શકાય છે, જ્યારે મારા ઘરમાં ચાર વ્યક્તિ હોવા છતાં 10-12 હજાર ડૉલર જ હતા. 20 જાન્યુઆરી, 2023ની વહેલી કડકડતી ઠંડીમાં FBI દરવાજો તોડતી હોય તેવા અવાજથી અમે જાગી ગયા. 12 પાર્ટનરના ઘરે પણ દરોડા પાડીને અમારી ધરપકડ કરીને ડિટેન્શન સેન્ટર લઈ ગયા, જ્યાં ફિંગરપ્રિન્ટ અને ફોટો લેવામાં આવ્યા. ભાગી ન જઈએ તે માટે મારા અને ભાઈના પગે GPS મોનિટરિંગ ડિવાઇસ લગાવાયા. બાદમાં વકીલે એક-એક મિલિયનના બોન્ડ પર જામીન અપાવ્યા અને અમારી વિરુદ્ધ 108 પાનાંની ચાર્જશીટ દાખલ થઈ. મારી સામે પહેલા 42, પછી 33 કાઉન્ટ અને ભાઈ પર 32 તેમજ પોલેન્ડની વતની ઓલા પર 5 કાઉન્ટ મૂકાયા. કાઉન્ટ એટલે કે મેં જે અલગ-અલગ ગુના કર્યા છે તે. બેંક અકાઉન્ટ સીલ થયા અને 2023થી ધંધો તૂટી ગયો. 76માંથી માત્ર 20 ઑફિસ ચાલે છે. ઇન્શ્યોરન્સ કોન્ટ્રાક્ટ્સ મળતા બંધ થયા. 9 માર્ચ, 2026એ જ્યુરીએ દોષિત જાહેર કર્યા અને જુલાઈ, 2026માં સજા સંભળાવાશે. હજી લાઇસન્સ રદ થયું નથી, તે ચુકાદા સુધી હોલ્ડ પર છે. બધા ક્રેડિટ કાર્ડ બંધ કરી દેવાયા.ઘણી પ્રોપર્ટી ફ્રોઝન છે. કેટલીક પ્રોપર્ટી વેચીને ગુજરાન ચલાવવાનો પ્રયાસ છે. ભાડું ચૂકવી શકતા ન હોવાથી ભાડે લીધેલી પ્રોપર્ટી બંધ કરી છે.' '400 વર્ષની સજા થવાની નથી''9 માર્ચ પછી એવી વાતો વહેતી થઈ કે મને 420 અને મારા ભાઈને 415 વર્ષની સજા થશે, પરંતુ આ ખોટું છે. કાઉન્ટ પર સજા મળે છે, પણ તેમાં પોઇન્ટ સિસ્ટમથી સજા નક્કી થાય. FBIએ સરકારને કેટલું નાણાકીય નુકસાન થયું તે સાબિત કરવું પડશે. અમારા કેસમાં સરકારી લોસ શૂન્ય છે, તેથી જેલ સજા શક્ય નથી. હોમ અરેસ્ટ અથવા 10-12 મહિનાની સજા થઈ શકે છે. સજા મળશે તો અમે ઉપલી કોર્ટમાં અપીલ કરીશું. હાલમાં કેસ ઇસ્ટન ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં છે અને ફેડરલ લેવલનો છે. ત્યાંથી સર્કિટ કોર્ટ અને જરૂર પડે તો સુપ્રીમ કોર્ટમાં જઈશું. સુપ્રીમ સુધી પહોંચવામાં મહિનાઓ લાગી શકે, છતાં અમે લડીશું. ત્યાં પણ હારીએ તો કોર્ટની સજા સ્વીકારવી પડશે. સુપ્રીમમાં હાર્યા છતાં 400 વર્ષની સજા નહીં થાય. ફાઇનાન્સિયલ પેનલ્ટી થશે તો નેગોશિયેટ કરીશું. અમે સત્ય માટે અંત સુધી લડીશું.' મોનિટરિંગ ડિવાઇસ પગમાં હોય તો શુ્ં કરી શકાય ને શું નહીં?ભાસ્કર સવાણી જણાવે છે, 'જાન્યુઆરી, 2023થી 9 માર્ચ, 2026 સુધી હું પેન્સિલવેનિયાની 9 કાઉન્ટી (જિલ્લા)માં સવારના સાતથી રાતના 10 વાગ્યા સુધી છૂટથી જઈ શકતો હતો. ઘરે આવનારા દરેક વ્યક્તિની યાદી દર અઠવાડિયે પોલીસને આપવી પડતી. મોનિટરિંગ ડિવાઇસ હોવાથી મંદિરે જવા અગાઉથી પરમિશન લેવી પડતી. 9 માર્ચે દોષિત જાહેર થયા પછી હવે હું ઘર બહાર મારી પોતાની મેડિકલ ઇમર્જન્સી સિવાય નીકળી શકતો નથી. રિલેક્સેશન માટે અપીલ કરવાની છે. ઓક્ટોબર, 2026માં દીકરીના લગ્ન હોવાથી કોર્ટને હિયરિંગ અને સજા ઓક્ટોબર પછી રાખવાની અપીલ કરી છે.' 'અમેરિકામાં DSO આ જ રીતે કામ કરે છે'ભાસ્કર સવાણી કહે છે, 'કોર્ટે કેસ લૉ આધારે મને દોષિત જાહેર કર્યો. સુપ્રીમમાં થોડા સમય પહેલા કુસીસીસ (Kousisis) વિરુદ્ધ કેસ થયો હતો. કુસીસીસ પેઇન્ટર હતો અને બ્રીજ-રસ્તાઓને પેઇન્ટ કરવાના કોન્ટ્રાક્ટ લેતો. તે માઇનોરિટી કમ્યુનિટીમાંથી હોવાથી તેને ઘણા કોન્ટ્રાક્ટ મળ્યા. એક બ્રીજ પેઇન્ટ કરવાનો કોન્ટ્રાક્ટ અન્ય માઇનોરિટી વ્યક્તિને મળ્યો, પરંતુ તેની પાસે સાધનો ન હોવાથી સબ કોન્ટ્રાક્ટ કુસીસીસને આપ્યો. સુપ્રીમમાં સાબિત થયું કે કુસીસીસે હક વગર કોન્ટ્રાક્ટ લીધો, જે ફ્રોડ ગણાયો અને તેને સજા મળી. આ ચુકાદો હવે અમેરિકામાં કેસ લૉ છે, એટલે આવું કરનારને સજા થાય છે. આ જ આધારે અમારી સામે છ વર્ષ સુધી અન્યના નામે કોન્ટ્રાક્ટ લીધા હોવાનું સાબિત કરાયું, પરંતુ અમે આવું કર્યું નથી અને લીગલી કામ કર્યું છે. અમેરિકામાં દરેક DSO આ જ સ્ટ્રક્ચરથી કામ કરે છે.' 'પોલિટિકલ ટાર્ગેટ પણ કર્યો છે'ભાસ્કર સવાણી કહે છે, 'અમેરિકામાં બિઝનેસમેન બનતા લોકો સામાન્ય રીતે રિપબ્લિક પાર્ટી (ડોનાલ્ડ ટ્રમ્પ)ને વોટ આપે. મેં શરૂઆતમાં બિલ ક્લિન્ટનને મત આપ્યો, પરંતુ ભારત પર બૅન મૂકતા વૉટ આપવાનું બંધ કર્યુ. કમલા હેરિસ પોતાને ભારતીય માનતી નથી અને કાશ્મીર મુદ્દે મેં તેમનો વિરોધ કર્યો હતો. મેં તુલસી ગબાર્ડને સપોર્ટ કર્યો હતો. FBIએ મારું કમ્પ્યુટર-લેપટોપ જપ્ત કર્યું ત્યારે 1300 ડોક્યુમેન્ટ્સમાં તેની સાથેના ફોટા પણ હતા. તે મારા ઘરે આવી ચૂકી છે અને મેં તેના માટે ફંડ રાઇઝિંગ કર્યું હતું. તેના સપોર્ટ બદલ મને હેરાન કરવામાં આવ્યો. 2022માં કમલા હેરિસે ઇસ્ટન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જેકલીન રમેરોની નિમણૂક કરી. જેકલીનના હાથમાં જ ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ છે. 2014માં કેસ થયો અને 2023માં પગમાં બેડીઓ બાંધવામાં આવી. હું દેશ છોડીને ક્યાંય નાસી જવાનો નથી. આટલું જ નહીં, તુલસી ગબાર્ડનું નામ લીધા વગર મારા પોલિટિકલ કનેક્શનનો પણ ઉલ્લેખ થયો, પરંતુ તેને કેસ સાથે શું સંબંધ?' 'ગુજરાતી હોવાને કારણે ટાર્ગેટ કર્યો'ભાસ્કર સવાણી માને છે, 'મને ગુજરાતી હોવાને કારણે ટાર્ગેટ કરવામાં આવ્યો. એક ગુજરાતીએ મારી પીઠ પાછળ ઘા કર્યો. આપણામાં હજી પણ અન્યનો ધંધો કબજે કરવાની માનસિકતા છે. ડૉક્ટર તરીકે મેં ક્યારેય વંશીય ભેદભાવનો સામનો કર્યો નથી અને દરેક કમ્યુનિટીને રોજગાર આપ્યો છે. પરંતુ અમેરિકાના લોઅર લેવલના અધિકારીઓમાં હજુ પણ ભેદભાવ છે અને તેઓ ભારતીય-ગુજરાતીઓને આગળ વધતા કેવી રીતે રોકવા તેનો સતત પ્રયત્ન કરે છે. હોટલ-મોટલ બિઝનેસમાં ઘણા ગુજરાતીઓને ટાર્ગેટ કરીને હેરાન કર્યા છે, કેટલાક સેટલમેન્ટ કરે છે, તો કેટલાકને જેલમાં ધકેલે છે. ઇન્ડિયન ડૉક્ટર્સને પણ હેરાન કરવામાં આવે છે. 'ડૉ. બોથરા' મૂવી સત્ય ઘટના પર આધારિત છે. ડૉ. નીલ આનંદને જેલમાં નાખ્યો. શિવા અકુલા ગંભીર દર્દીઓની સારવાર કરે છે તો તેને એમ કહીને જેલમાં પૂર્યો કે તે ખોટા બિલ બનાવે છે. જો ભારતીય ડૉક્ટર પેઇન કિલર દવા વધારે લખે તો તેને અંદર કરી દે છે. અમેરિકામાં પણ જજ નિષ્પક્ષ રહીને કામ કરતા નથી.' 'ગુજરાતીઓમાં એકતા નથી'ભાસ્કર સવાણી કહે છે, 'વ્યક્તિગત રીતે અમે મજબૂત છીએ, પરંતુ ગુજરાતી-ભારતીયોમાં એકતા નથી. સમાજમાં ઇર્ષ્યા, જ્ઞાતિવાદ અને જાતિવાદ હજુ પણ છે. કોઈ મુશ્કેલીમાં આવે ત્યારે આપણે સાથે ઊભા રહેતા નથી, જ્યારે યહૂદીઓ એકતા સાથે લડે છે. મારા કેસમાં લોકો FBIના ડરથી મદદ કરતા નથી, કારણ કે ગ્રીન કાર્ડ અને વિઝા રદ કરવાની ધમકી મળે છે. આપણે ડરપોક બનીને વિવાદથી દૂર રહેવામાં માનનારા છીએ. કેટલાક ગુજરાતીઓ મારી સ્થિતિ જોઈને ખુશ થાય છે અથવા માને છે કે મેં કંઈ ખોટું કર્યું હશે. અમે ટૂંક સમયમાં માસ કમ્યુનિટી પિટિશન કરીશું અને આશા છે કે ભારતીયો-ગુજરાતીઓ સાથ આપશે.' આ કેસને કારણે પરિવારની સ્થિતિ અંગે વાત કરતાં ભાવુક થઈ ગયેલા ભાસ્કર સવાણી કહે છે, 'પપ્પા 84 ને માતા 83 વર્ષના છે અને તેઓ ભાંગી પડ્યા છે. અમારી નાણાકીય સ્થિતિ સારી નથી. અમે તો કફન લઈને નીકળેલા ગુજરાતીઓ છીએ અને લડીશું એ નક્કી છે. બંને દીકરીઓ હચમચી ગઈ છે. બંને જમાઈઓ અમેરિકન છે, એક જમાઈ ડૉક્ટર ને એક ડિફેન્સ કંપનીમાં કામ કરે છે. સાચું કહું તો હાલમાં મેં બધું જ ભગવાન પર છોડ્યું છે. 14 ડૉલર લઈને આવ્યો ત્યારે મારી પાસે શું હતું?' 'બ્રાઉન પીપલ હેરાન થાય જ છે''અમેરિકન મીડિયા હવે ગુજરાતી કમ્યુનિટીને ઓળખતી થઈ છે. તેમને ખ્યાલ આવ્યો કે આ કમ્યુનિટી સફળ ને પૈસાદાર છે. આ જ કારણે હવે સફળ ગુજરાતી કે ભારતીયને ટાર્ગેટ કરવામાં આવે છે. આ ઉપરાંત અમેરિકામાં બ્રાઉન કે બ્લેક પીપલને પણ ટાર્ગેટ કરવામાં આવે છે. વ્હાઇટ પીપલને વાંધો આવતો નથી. ઇમિગ્રન્ટ્સનો દેશ હોવા છતાં અધિકારીઓ હવે ઇમિગ્રન્ટ્સને જોઈ મોં ચઢાવે છે. અમારી નાની મેટરને વિકરાળ સ્વરૂપ આપી અમને માફિયા જાહેર કર્યા.' 'જીવનનો અભિગમ બદલાયો'ભાસ્કર સવાણી કહે છે, 'આ મુશ્કેલીએ જીવન પ્રત્યેનો અભિગમ બદલ્યો અને પેરેન્ટ્સની વધુ ચિંતા થાય છે. હવે હું જે પણ કરીશ તે ભારતમાં જ કરીશ. જીવનનું ચેપ્ટર 2 ભારતમાં શરૂ થશે. કોર્ટમાંથી છૂટ્યા પછી પાસપોર્ટ રિન્યૂ કરીને તરત જ પેરેન્ટ્સને મળવા આવીશ.' 'ભારતમાં અડધી રોટલી મળે તો ત્યાં જ રહો'‘અમેરિકામાં સરકાર બદલાય ત્યારે નીતિઓ પણ ચેન્જ થાય અને અમેરિકનના મનમાં ભારતીયો પ્રત્યે ઇર્ષ્યા છે. ભારતમાં રહીને પણ વિદેશમાં બિઝનેસ કરી શકાય છે. સારું ભણતર હોય તો ભારતમાં અડધી રોટલી ખાઈને પણ સુખી રહેવું વધારે સારું. આવતી સદી એ ભારતની છે.’ 'કાશ પટેલ-ટ્રમ્પ સાથે કનેક્શન છે'FBIના વડા કાશ પટેલ બન્યા ત્યારે ભાસ્કર સવાણીએ તેમની તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરી હતી. તેઓ કહે છે, 'અમે કાશ પટેલને લાંબા સમયથી ઓળખીએ છીએ અને ટ્રમ્પ સાથે પણ કનેક્શન છે. ડોનાલ્ડ ટ્રમ્પનો પુત્ર ને મારા કઝિનના છોકરાઓ ક્લાસમેટ હતા અને તેના ગ્રેજ્યુએશનમાં હું હાજર હતો. હાઇ લેવલ પર અમારી સારી ઓળખાણ છે. કાશ પટેલ સાથેની તસવીર જોયા બાદ ઘણા લોકો એવું કહે છે કે ઓળખાણ હોવા છતાં FBIએ કાર્યવાહી કરી. અમને તો કાશ પટેલ પણ બચાવી શકતો નથી. ટ્રમ્પ શાસનના લૉઅર લેવલના અધિકારીઓમાં ઇર્ષ્યા છે. મેં ડોનાલ્ડ ટ્રમ્પને પણ પત્ર લખ્યો છે. હું હવે કાશ પટેલને પણ લેટર લખીને મારી વિરુદ્ધ થયેલી તપાસની તપાસ કરવામાં આવે તેમ કહેવાનો છું. એ વાત નક્કી છે કે હું શાંતિથી બેસીશ નહીં. મેં કંઈ જ ખોટું કર્યું નથી કે મારે દબાઈને રહેવાની જરૂર પડે.' '6 મિલિયન ડૉલરનો ખર્ચ થયો'ભાસ્કર સવાણી કહે છે. 'અમે 2018થી લડી રહ્યા છીએ ને અત્યાર સુધી અમે અંદાજે છ મિલિયન ડૉલર (ભારતીય રૂપિયા પ્રમાણે અંદાજે 50-55 કરોડ રૂપિયા)નો ખર્ચ કર્યો છે અને હજી પણ વધશે. અમારે લડવા પ્રોપર્ટી વેચવી પડશે તે નક્કી છે. અમારા ત્યાં વકીલ કલાકના 1800 ડૉલર ચાર્જ કરે છે. ' હાલમાં કેવી રીતે સમય પસાર કરે છે'આ મુશ્કેલ ઘડી કેવી રીતે પસાર કરે છે તે અંગે ભાસ્કર સવાણી કહે છે, 'સ્ટ્રેન્થ માટે મોટિવેશનલ બુક્સ વાંચુ ને આધ્યાત્મિક હોવાથી પૂજા પાઠ કરું. છેલ્લા 30 વર્ષથી સતત દોડધામ કરતો એટલે લાગે છે કે ભગવાને શાંતિનો સમય શોધ્યો. મેડિટેશન પણ કરું. હવે તો હનુમાન ચાલીસા મોઢે આવડી ગયા. ગીતા પાઠ તો નાનપણથી કરતો આવ્યો છું. કર્મનો સિદ્ધાંત ને લૉ ઑફ એનર્જીમાં માનું છું.' નિરાશા સાથે ભાસ્કર સવાણી કહે છે, 'વકીલોએ ખાસ પગલાં લીધા નહીં, તેથી 2023માં આખી ટીમ બદલવી પડી. તેઓ કહેતા કે તમે કંઈ ખોટું કર્યું નથી, એટલે સજા નહીં થાય. અર્નેસ્ટ એન્ડ યંગ પાસેથી ફાઇનાન્સિયલ રિવ્યૂ કરાવ્યો ને ક્લિન રિપોર્ટ મળ્યો, તેથી મને પણ વિશ્વાસ રહ્યો. પરંતુ વકીલોએ મને જ્યુરી સામે બોલવા દીધો નહીં, કારણ કે ક્રોસ એક્ઝામિનેશનમાં ફસાઈ જવાનો ડર વકીલને હતો.' 'આર્થિક સ્થિતિ નબળી હોવાથી કોલેજની સાથે જૉબ કરી'ભાસ્કર સવાણીના પેરેન્ટ્સ માધવરાય અને નર્મદાબેન અમરેલીના દામનગરમાં પ્રાથમિક શાળાના શિક્ષક હતા. માતા દિવ્યાંગ હોવા છતાં નોકરી અને ઘર સંભાળતા. આર્થિક સ્થિતિ સામાન્ય હોવા છતાં ત્રણેય સંતાનોના શિક્ષણ પર ભાર મૂક્યો અને જરૂરિયાતમંદો બાળકોને મફતમાં ભણાવતા. '1990માં અમેરિકામાં હું પિત્ઝા ડિલિવરી બોય તરીકે કામ કરતો. ત્રણેય ભાઈઓને પિતા સાથે મળીને ન્યૂઝ પેપર નાખવા જતા. વીકએન્ડમાં ગેસ સ્ટેશનમાં નાઇટ જૉબમાં જાગીને ડેન્ટલ એક્ઝામની તૈયારી કરતો. કોલેજની સાથે સાથે ડેન્ટલ આસિસ્ટન્ટ પણ હતો. તે સમયે વીકમાં 40-42 કલાક કામ કરતો. ડેન્ચર બનાવતા શીખ્યો. મામા અમને લઈ અમેરિકા આવ્યા એટલે પિતાએ તેમની પાસે કોઈ આર્થિક મદદ માગી નહીં. પપ્પા એમ જ કહેતા કે અડધી રોટલી ખાઈને જીવીશું પણ કોઈની પાસે હાથ લાંબો કરીશું નહીં. અમે ભાડાના મકાનમાં રહી લોન લઈને અભ્યાસ પૂરો કર્યો.' અમેરિકામાં કેરીનો પ્રતિબંધ ભાસ્કર સવાણીને કારણે ઉઠાવવામાં આવ્યોબહુ ઓછાને ખ્યાલ હશે કે 2006માં અમેરિકાએ ભારતીય કેરી પરનો બૅન ઊઠાવ્યો તેમાં ભાસ્કર સવાણીનો મહત્ત્વનો ફાળો છે. તેમણે છ વર્ષ સુધી આ અંગે કામ કર્યું ને 2006માં પ્રેસિડન્ટ બુશે કેરી પરનો પ્રતિબંધ ઉઠાવ્યો. આ જ કારણે 27 એપ્રિલ, 2007માં અમેરિકામાં ભારતની કેરી આવી. તે સમયે ગુજરાતની કેસરને કોઈ ઓળખતું નહોતું તો ભાસ્કર સવાણીએ તેને ત્યાં લોકપ્રિય કરી. તેમણે ક્વીન કેસર ને કિંગ આલ્ફાન્ઝા નામકરણ કર્યું છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 6:00 am

કાજલ મહેરિયાની માતાએ કહ્યું, છોકરાનો પરિવાર ગેમ રમી રહ્યો છે:સિંગરના લવ મેરેજનો વિવાદ વધુ વકર્યો, બંનેએ 6 મહિના પહેલા લગ્ન કર્યા હતા; આ રહ્યું સર્ટિફિકેટ

સિંગર કાજલ મહેરિયાના લવ મેરેજ મામલે વિવાદ વધુ વકર્યો છે. ગઈકાલે 20 એપ્રિલે કાજલ મહેરિયાની માતાનો સોશિયલ મીડિયામાં વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ અલ્પેશ ઠાકોર સામે આક્ષેપો કરતા જોવા મળી રહ્યા છે. કાજલની માતા શારદાબેન મહેરિયાએ કહ્યું કે, છોકરાનો પરિવાર ગેમ રમી રહ્યો છે. મળતી વિગત અનુસાર, બંનેએ 6 મહિના પહેલા લગ્ન કર્યા હતા, તેનું મેરેજ સર્ટિફિકેટ સામે આવ્યું છે. જેમાં મેરેજ સર્ટિફિકેટ મુજબ 10 ઓકટોબર, 2025ના કિંજલબેન મહેરિયા ઉર્ફે કાજલ મહેરિયાએ અલ્પેશ ઠાકોર સાથે લગ્ન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, 19 એપ્રિલે મહેરિયા પરિવાર અને સમાજના લોકો અલ્પેશ ઠાકોરના ઘરે કાજલને લેવા પહોંચ્યા હતાં. જ્યાં સામે પક્ષના પરિવારે મહેરિયા પરિવારને ઉશ્કેરીને કાઢી મૂક્યાં હોવાના આક્ષેપ કાજલ મહેરિયાની માતાએ કર્યા છે. 'ત્યાં ગયા એટલે અમને ઉશ્કેરીને કાઢી મૂક્યા હતાં'કાજલ મહેરિયાની માતા શારદાબેન મહેરિયાએ સોશિયલ મીડિયા મારફતે વીડિયોમાં જણાવ્યું છે કે, ​મારું એટલું જ કહેવું છે કે મારી દીકરી જે બનાવ બન્યો એના માટે અમે સેરથા ગામમાં ગયા હતાં. હું અને મારો સમાજ અને મારા સગા સંબંધી, ત્યાં ગયા એટલે અમે કહ્યું કે ભાઈ મારી છોકરી અમને સોંપી દો એટલે અમને અમને ઉશ્કેરીને કાઢી મૂક્યા હતાં. ‘અમારી વિનંતી છે કે ગમે તે કરીને મને આનો રસ્તો કાઢી આપો’શારદાબેન મહેરિયાએ કહ્યું કે, મારી સમાજને અને મારી અઢારે આલમને મારી એટલી જ નમ્ર વિનંતી કે મારી છોકરી એક સિંગર છે. હવે કઈ રીતે આ બનાવ બન્યો એ અમને કોઈ ખબર નથી. આ એના પરિવારના પૈસા માટેની ગેમ રમી રહ્યો છે. તો મારી દલિત સમાજ અને અઢારે આલમને અમારી વિનંતી છે કે ગમે તે કરીને મને આનો રસ્તો કાઢી આપો. ચારેક દિવસ પછી કાજલનો પ્રોગ્રામ વિજાપુર ખાતે છેઆ અંગે ગાંધીનગરમાં સૂત્રોએ જણાવ્યું કે, ચારેક દિવસ પછી કાજલનો પ્રોગ્રામ મહેસાણાના વિજાપુર ખાતે યોજાશે. ત્યારબાદ આવતા મહિને કાજલ ઓસ્ટ્રેલિયા જવાની છે. અડાલજ પોલીસ મથકના પીઆઇ એસ.જી.દેસાઈએ જણાવ્યું કે, કાજલ મહેરિયાના લગ્નનું સર્ટિફિકેટ 20 એપ્રિલે મળી ગયું છે. સિંગર કાજલ મહેરિયાના લવ મેરેજનો વિવાદ વધુ વકર્યોગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા હાલ પોતાના ગીતોને કારણે નહીં પરંતુ પોતાના અંગત જીવનમાં સર્જાયેલા હાઈવોલ્ટેજ ડ્રામાને કારણે ચર્ચામાં છે. પરિવારની સંમતિ વિના પ્રેમલગ્ન કરી લેવાના આક્ષેપ સાથે કાજલ મહેરિયાના પરિવારે સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કર્યો હતો. જેના પગલે મહેરિયા સમાજ અને ચાહકોમાં ખળભળાટ મચી ગયો છે. 19 એપ્રિલે મહેરિયા પરિવાર સહિત સમાજના 70 જેટલાનું ટોળું કાજલની સાસરી શેરથા પહોંચી જતા પોલીસ કાફલો દોડતો થઈ ગયો હતો. પરિવાર કે સમાજને વિશ્વાસમાં લીધા વગર લગ્ન કરી લીધા- સંદિપ મહેરિયાસોશિયલ મીડિયા પર વાયરલ થયેલી વિગતો અને કાજલના ભાઈ સંદિપ એન. મહેરિયા દ્વારા કરવામાં આવેલી જાહેર અપીલ મુજબ, સિંગરે પરિવાર કે સમાજને વિશ્વાસમાં લીધા વગર લગ્ન કરી લીધા છે. ગોઢવા ગામના રહેવાસી મહેરિયા પરિવારે આ નિર્ણયને સામાજિક મર્યાદાનો ભંગ ગણાવ્યો છે. પરિવારે 18 આલમ અને મહેરિયા સમાજને એકઠા થઈ આ મામલે સમર્થન આપવા વિનંતી કરી છે. જેને પગલે વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. 'તમારી છોકરી પાછી આવતી હોય તો લઈ જાઓ'અલ્પેશ ઠાકોરના માતા તારાબેન ઠાકોરે ગઈકાલે(20 એપ્રિલે) એક પ્રાઈવેટ મીડિયાને જણાવ્યું હતું કે, '20-25 લોકો આવ્યા હતા, ને કહ્યું છોકરાને પાછો વાળી લો'કાજલ મહેરિયાના જેની સાથે લગ્ન થયા એ અલ્પેશ ઠાકોરના ભાઈ રાહુલ ઠાકોરે 20 એપ્રિલે જણાવ્યું હતું કે, કાલે(19 એપ્રિલ) 20-25 લોકો આવ્યા હતા. તમારા છોકરાને બોલાવો અને પાછો વાળી લો અને અમારી છોકરી ભલે મરી જતી. અમે ફરિયાદ નોંધાવી છે. 6-7 મહિનાથી અમદાવાદમાં સાથે રહે છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ) હાલ આ મામલે કાજલ-અલ્પેશનું કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથીઉલ્લેખનીય છેકે,કિંજલ દવે અને ગીતા રબારી જેવી સુપરસ્ટાર ગાયિકાઓ બાદ હવે કાજલ મહેરિયાના અંગત જીવનના વિવાદે સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે. એક તરફ ચાહકો આને કાજલનો અંગત નિર્ણય ગણાવી રહ્યા છે. તો બીજી તરફ મહેરિયા પરિવાર આને સામાજિક પ્રતિષ્ઠાનો પ્રશ્ન ગણાવી વિરોધ કરી રહ્યો છે. હાલ કાજલ મહેરિયા અને અલ્પેશ ઠાકોર તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. કોણ છે કાજલ મહેરિયા? કાજલ મહેરિયા વિસનગરના ગોઠવા ગામની વતની કાજલ મહેરિયાનો જન્મ વિસનગર તાલુકાના ગોઠવા ગામમાં 21 નવેમ્બર 1992ના જન્મ થયો હતો. તેમના પિતાનું નામ નગીનભાઈ મહેરિયા છે. કાજલ મહેરિયા ઉત્તર ગુજરાતમાં લોકગાયિકા તરીકે સારી એવી ખ્યાતિ ધરાવે છે. તે સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ રહે છે. તે લોકગીતો, ભજન કે લગ્ન ગીતો ઉપરાંત હાલના નવા ગુજરાતી ગીતોને તેનો અવાજ આપીને સુમધુર બનાવી દે છે. કાજલના અનેક ગીતોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે. જ્યારે કાજલ મહેરિયાના ‘મળ્યાં માના આશીર્વાદ’ સોંગે ગુજરાતમાં ધૂમ મચાવી હતી. જે સમયે કાજલે આ સોંગ ગાયું ત્યાર બાદ કાજલ ગુજરાતમાં ફેમસ થઈ ગઈ હતી.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 6:00 am

રિવાબાના કોન્ફિડન્સ પર નયનાબા ભડક્યાં:EVMમાં સેટિંગની વાત કરીને સંભળાવ્યું; MLA ટણીમાં બોલ્યા, ‘હું ધારું તો કેટલીય સીટ બીનહરીફ કરાવી દઉં’

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 6:00 am

બંધ દરવાજા, બહારથી આંકડી અને અંદર લાશ:શરીરે ઘા નહીં, લોહીના ટીપાં નહીં, પોલીસ પણ કન્ફ્યૂઝ થઇ, સ્નીફર ડોગ આગળ જઇને અટકી ગયો

11મી એપ્રિલની એ સવાર એક ઘરના બંધ દરવાજા પાછળ ધરબાયેલી હત્યાનો પર્દાફાશ કરવાની હતી. બહેને ખાટલામાં સૂતેલા ભાઇને જોયો પણ તેને ખબર નહોતી કે વ્હાલો વીરો કાયમ માટે પોઢી ગયો છે. શરીરે કોઇ ઇજા નહોતી. લોહીના કોઇ ડાઘ નહોતા તો પછી એ યુવાન કેવી રીતે મૃત્યુ પામ્યો હતો? પોલીસની એન્ટ્રી થયા બાદ આ કેસ અકસ્માતે મોતમાંથી હત્યાના ગુનામાં ફેરવાઇ ગયો. અત્યારના સમયમાં પતિ, પત્ની ઓર વોના કિસ્સા સૌથી વધુ બની રહ્યાં છે. આડા સબંધોને કારણે ઘણીવાર પતિ કે પત્નીનું મર્ડર થાય છે અને આખા પરિવાર પર અસર થાય છે. આ કિસ્સો પણ આવો જ છે. દોઢ વર્ષના આડા સંબંધો, રાતે થયેલો કકળાટ અને આવેશમાં આવીને ભરાયેલા એક પગલાંએ 3 માસૂમ બાળકોની છત્રછાયા છીનવી લીધી. ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના આજના એપિસોડમાં વાત કાતિલ પ્રેમ કહાનીની. જેનો અંતે જેલના સળિયા પાછળ આવ્યો છે. સવારે સાતેક વાગ્યાનો સમય હશે. સાણંદના પરા વિસ્તારમાં આવેલા ઇન્દિરા આવાસમાં પણ સામાન્ય રીતે જ દિવસ શરૂ થયો હતો. એક યુવતી એના ઘરેથી નીકળીને ચાલતી ચાલતી જતી હતી. રસ્તામાં તેના ભાઇ સંજયનું ઘર આવ્યું. બહારથી આંકડી મારેલી હતી. તેણે મનોમન વિચાર્યું કે આટલી વહેલી સવારે આંકડી? ભાઇ સંજય અને પાયલ ભાભી ક્યાં ગયા? લાવ, ઘરમાં જઇને જોવા દે.. આ યુવતીના લગ્ન સાટા પદ્ધતિથી થયા હતા પરંતુ તેને પતિ સાથે બનતું ન હોવાથી એ છેલ્લા કેટલાય સમયથી માતા પિતા સાથે રહેતી હતી. જેના ઘરની બહાર આંકડી મારેલી હતી તે સંજયના લગ્ન પાયલ સાથે થયા હતા. તેને સંતાનમાં 2 પુત્રી અને એક પુત્ર હતા. સંજયની 2 પુત્રીઓ દાદા-દાદી સાથે જ રહેતી હતી. આમ તો સંજય દરરોજ સવારે કામ પર નીકળી જતો એટલે ઘર પર તાળું હોય પણ આ વખતે ફક્ત આંકડી મારેલી હતી. જે શંકાસ્પદ લાગતા એ યુવતી દરવાજો ખોલીને અંદર ગઇ. સંજય હજી ખાટલામાં સૂતો હતો. જે જોઇને યુવતીને આશ્ચર્ય થયું અને મનમાં સવાલ- અત્યારમાં પાયલ ભાભી ક્યાં ગયા હશે? મનમાં ચાલતા વિચારો અને સવાલોને એકબાજુ મૂકીને તે સંજયની નજીક ગઇ અને જગાડવાનો પ્રયત્ન કર્યો પણ તે જાગ્યો નહીં. સંજય... સંજય... બૂમ પાડીને 2-3 વાર હલબલાવ્યો પણ ફરીથી નિષ્ફળતા મળી. હવે તે ગભરાઇ ગઇ. તરત જ પિતાને ફોન કર્યો અને સંજયની સ્થિતિ વિશે વાત કરી. તેના માતા-પિતા પણ નજીકમાં જ રહેતા હતા. દીકરાની હાલત વિશે જાણીને તે હાંફળા-ફાંફળા થતા તરત ત્યાં પહોંચી ગયા. માતા-પિતાએ પણ સંજયને જગાડવાનો પ્રયાસ કર્યો પણ તે ન જાગ્યો. આગલી રાતે તો ઘરે બનાવેલાં ભજિયાં લઇને સંજય પિતાના ઘરે આપવા ગયો હતો. ત્યારે તેને કશું નહોતું પણ બીજા દિવસની સવારે તેની આ હાલત જોઇને પરિવારને ફાળ પડી. સૌએ બૂમાબૂમ કરી મૂકી. જે સાંભળીને આસપાસના લોકો એકઠા થઇ ગયા. હવે એક જ ઉપાય હતો સંજયને જેમ બને તેમ જલ્દી દવાખાને લઇ જવો કેમ કે ત્યાં પહોંચ્યા પછી જ કંઇક ખબર પડે તેમ હતું એટલે બધા ભેગા મળીને સંજયને CHC સેન્ટર લઇ ગયા. જો કે કોઇને ખબર નહોતી કે તે ક્યારનોય મૃત્યુ પામ્યો છે. CHC સેન્ટરમાં ફરજ પરના ડૉક્ટરે તપાસ કરીને જાહેર કર્યું કે સંજય તો મૃત્યુ પામ્યો છે. સૌથી મોટો સવાલ એ હતો કે તેના શરીરે ઇજાના કોઇ નિશાન નહોતા તો મોત થયું કેવી રીતે? ડૉક્ટરને આ કેસ શંકાસ્પદ લાગતા રૂટિન કાર્યવાહી પ્રમાણે પોલીસને જાણ કરી અને FSL દ્વારા તપાસ કરવાનું પણ સૂચવ્યું. ડૉક્ટર તરફથી જાણ થયા બાદ સાણંદ પોલીસનાં કેટલાક જવાનો હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલમાં પોલીસ અને પરિવાર વચ્ચે કંઇક આ રીતનો સંવાદ થયો.‘કોણ છે આ’‘અમારો દીકરો છે,સાહેબ.’‘શું નામ છે?’ ‘સંજય’‘શું થયું છે?’ ‘અમને ખબર નથી.’ જેમ જેમ પોલીસ પોતાની સ્ટાઇલમાં પરિવારને સવાલો પૂછતી ગઇ તેમ તેમ ઘટના સ્પષ્ટ થતી ગઇ. હોસ્પિટલમાં હાજર પોલીસ જવાનોએ તરત જ પોલીસ સ્ટેશનમાં જાણ કરી એટલે PI સહિત પોલીસ સ્ટેશનનો વધારાનો કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો. આખો મામલો જાણી લીધો. FSL રિપોર્ટ કરવાનો આદેશ અપાયો અને પોલીસે અકસ્માતે મોત થયાનો ગુનો દાખલ કર્યો. ગુનો દાખલ થયા બાદ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો. પોલીસની એક ટીમ સંજયના ઘરે પહોંચી. સૌથી પહેલા સંજયને જોનાર બહેનની પૂછપરછ કરી. જેમાં કેટલાક તથ્યો સામે આવ્યા. ઘરનો દરવાજો બહારથી બંધ હતો જેથી એટલું તો સ્પષ્ટ થયું કે મરનાર કોઇ દિવસ ઘરનો દરવાજો બહારથી બંધ ન કરે. બીજું, મૃતકની પત્ની પાયલ દેખાતી નહોતી. પોલીસે પાડોશમાં પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે પાયલનું બાજુમાં જ રહેતા રાહુલ નામના યુવાન સાથે અફેર ચાલતું હતું. આ માહિતીએ રાહુલને પોલીસના રડાર પર લાવી દીધો. હવે પોલીસને રાહુલની શોધ હતી. તપાસ કરી તો રાહુલ ઘરે નહોતો. આ તપાસ ચાલતી જ હતી ત્યાં એક નવો જ ટ્વીસ્ટ આવ્યો. પાયલની માતાએ કડીના બાવલુ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને આરોપ લગાવ્યો કે મારી દીકરીને તેનો પતિ અને સસરા બન્ને હેરાન કરે છે. બીજીતરફ સાણંદ પોલીસે ફટાફટ 4 ટીમ બનાવી દીધી. એક ટીમ પાયલ અને રાહુલને શોધવામાં લાગી હતી. બીજી ટીમ બાવલુ પોલીસ સ્ટેશનમાં મોકલી આપી. ત્રીજી ટીમને CCTVની તપાસમાં લગાવી હતી. ચોથી ટીમ ટેકનિકલ સોર્સિસ માટે હતી. આમ સાણંદ પોલીસના તમામ 50 જવાનોનો સ્ટાફ આ કેસનું કોકડું ઉકેલવામાં લાગી ગયો હતો. પોલીસ કોઇ જોખમ લેવા માગતી નહોતી કેમ કે મોટાભાગે કેસમાં એવું બનતું હોય છે કે આરોપીને પકડવામાં જેટલું મોડું થાય એટલો જ આરોપી પોલીસની પકડથી દૂર થતો જાય છે. સૌથી મોટી વાત એ હતી કે સંજય અને પાયલને 2 છોકરી અને એક છોકરા સહિત 3 નાના સંતાનો હતા. ડર એ વાતનો હતો કે જો પાયલ નહીં મળે તો એ સંતાનોનું શું થશે? પોલીસે FSLની ટીમ અને ડોગ સ્ક્વોડને ઘટનાસ્થળે બોલાવી લીધી હતી. ડોગને સંજયના ઘરે લઇ ગયા. જ્યાંથી તે સીધો રાહુલના ઘરે ગયો. રાહુલના ઘરમાં થઇને પાછળના રસ્તેથી બહાર નીકળીને પીપળ પાટિયા તરફ ગયો પણ આગળ કંઇ પગેરૂં ન મળ્યું. આ કેસમાં પ્રાથમિક તથ્યોના આધારે પાયલ અને રાહુલ બન્ને શંકાના ઘેરામાં હતા પરંતુ ચોક્કસ કારણ જાણવા ન મળે ત્યાં સુધી કોઇના તરફ આંગળી ચિંધી શકાય તેમ નહોતી કારણ કે સામાન્ય ઝઘડામાં પણ ક્યારેક કોઇને ડરના માર્યા એટેક આવી જાય તો બાકીના ગભરાઇને ભાગી જતાં હોય છે. સાણંદ PI ગોહિલ બોપલમાં હતા એ સમયે આવો જ એક બનાવ બન્યો હતો. બધા મિત્રો વોલીબોલ રમવા ગયા હતા, ત્યાં CCTV હતા. એક યુવાનને વોલીબોલ રમતા-રમતા એટેક આવી ગયો. જોકે અન્ય લોકો હાજર હતા. જેમની સામે આ ઘટના બની હતી. આવી ઘટનામાં કોઇ સાક્ષી ન હોય તો તરત ખબર ન પડે કે માણસ કેવી રીતે મર્યો. ફોરેન્સિક રિપોર્ટ ન આવે ત્યાં સુધી એવું ચોક્કસ ન કહી શકાય કે મર્ડર જ છે. જો કે સંજયના મોતનું કારણ સાંજ સુધીમાં સ્પષ્ટ થઇ ગયું. FSLને તપાસ આપ્યા બાદ એક ટીમ સતત અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ખડેપગે હતી ત્યાંથી સાંજે રિપોર્ટ પણ આવી ગયો. જેમાં સંજયના મોતનું કારણ સ્પષ્ટ હતું કે ગળું દબાવવાથી આ મોત થયું છે. પાયલ અને રાહુલ ગાયબ હતા એટલે પોલીસે કોલ ડિટેલ મેળવવાનો પ્રયત્ન કર્યો પણ એ તમામના ફોન નંબર બંધ આવતા હતા. જેથી કઇ દિશામાં ગયા હશે એની ખબર પડી શકે એમ નહોતી. મૂંઝવણમાં મૂકાયેલી પોલીસ હવે શું કરવું તેનો વિચાર કરતી હતી તેવામાં જ CCTVની તપાસ કરતી ટીમને પહેલી સફળતા મળી. બાવળા તરફ જતાં માર્ગ પર લાગેલા એક CCTVમાં પાયલ, રાહુલ દેખાઇ ગયા ત્યાંથી આગળ તેમને ટ્રેક કરવામાં આવ્યા. CCTVમાં બન્ને ક્યારેક રિક્ષા, ક્યારેક ડમ્પર તો ક્યારેક ચાલીને જતાં દેખાયા. એમની સાથે 3 વર્ષનો છોકરો હતો. પોલીસની ટીમે બન્નેને ટ્રેક કરવાનું ચાલુ જ રાખ્યું. આમ કરતા કરતા પોલીસ થાનગઢ સુધી પહોંચી ગઇ. થાનગઢ અને રાહુલને એક કનેક્શન ખૂલ્યું. અહીં તેના મામાનું ઘર હતું. પોલીસ રાહુલના મામાના ઘરે પહોંચી તો ત્યાં પાયલ, રાહુલ અને રાહુલના માતા-પિતા, ભાઇ, દાદા સહિત આખો પરિવાર ત્યાંથી મળી આવ્યો. અચાનક પહોંચેલી પોલીસને જોઇને સૌ સ્તબ્ધ થઇ ગયા. તેમના ચહેરાએ પોલીસને એ વાતની સાબિતી આપી દીધી કે હવે કેસ સોલ્વ થઇ ગયો છે. પોલીસ તમામને પકડીને સાણંદ લઇ આવી. અહીં પોલીસે તમામની પૂછપરછ શરૂ કરી. શરૂઆતમાં પાયલ અને રાહુલ કહેતા રહ્યાં કે અમને કંઇ ખબર નથી પણ જ્યારે પોલીસે તેમને અમૂક પુરાવા બતાવ્યા તો બન્ને ભાંગી પડ્યા. બન્નેએ પોલીસ સામે જે કબૂલાત કરી તે ચોંકાવનારી હતી. તેમણે કહ્યું, હા, સાહેબ અમે જ સંજયને મારી નાખ્યો છે. અમારે રોજનો કકળાટ થતો હતો. પોલીસ જે કેસને સવારથી ચેઝ કરી રહી હતી તેનો અંત આ શબ્દોએ લાવી દીધો. અકસ્માતે મોતનો દાખલ થયેલો ગુનો હવે મર્ડરના ગુનામાં ફેરવાઇ ગયો હતો. બન્નેના મોં પર પસ્તાવાનો ભાવ હતો. તેમને ખબર હતી કે પોતાના કારણે 3 કુટુંબ વિખેરાઇ ગયા છે પણ હવે પોલીસે એ ઉકેલવાનું હતું કે આખરે ઘટના કેવી રીતે ઘટી. એવું તો શું બની ગયું કે પાયલે પોતાના જ પતિની હત્યા કરી નાખી? આવા સવાલોના જવાબ પરથી પડદો ઊંચકાશે ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના બીજા એપિસોડમાં.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 6:00 am

ખાનગી કંપનીના મેનેજર સાથે ઠગાઈ:હોટેલના રેટિંગનાં ટાસ્ક પૂરાં કરી રૂપિયા કમાવવાની લાલચમાં 30 લાખ ગુમાવ્યા

હોટેલ-રેસ્ટોરાંના રેટિંગના ટાસ્ક પૂરા કરી પૈસા કમાવવાની લાલચમાં ખાનગી કંપનીના જનરલ મેનેજરે રૂ.30.49 લાખ પડાવ્યા હતા. 50 રૂપિયાથી શરુ કરવામાં આવેલા ટાસ્ક ક્રિપ્ટો કરન્સીના રોકાણ સુધી પહોંચ્યા હતા. તેમાં મેનેજરને એપમાં 1 મિલિયન બેલેન્સ બતાવી રૂ.1.6 મિલિયન જમા કરાવડાવ્યા હતા. પૈસા પાછા ન મળતા આ અંગે તેમણે સાઈબરમાં ફરિયાદ નોંધાવી હતી. વસ્ત્રાલમાં રહેતા રામભાઈ લાડુમોર(38) વટવા જીઆઈડીસીમાં આવેલી ખાનગી કંપનીમાં જનરલ મેનેજર તરીકે નોકરી કરે છે. તેમને 11 માર્ચ 2026એ મેસેજ આવ્યો હતો. તેમાં પાર્ટ ટાઈમ જોબની ઓફર કરી હતી. આ જોબમાં ફોનથી ગુગલ મેપમાં જઈને હોટેલ - રેસ્ટોરાંમાં રિવ્યુના ટાસ્ક પૂરા કરવાનાં હતાં, જેમાં એક ટાસ્કના રૂ.50 મળશે અને એડવાન્સ પૈસા જમા કરાવીને ટાસ્ક પૂરો કરશે તો એક ટાસ્કના રૂ.100 મળશે તેવી વાત કરી હતી. જોકે રૂ. 50થી શરૂ થયેલી છેતરપિંડી રૂ. 30 લાખ સુધી પહોંચી હતી. ફ્રીઝ એકાઉન્ટ અનફ્રીઝ કરવા પૈસા ભરાવડાવ્યા1 મહિના પછી રામભાઈ પાસેથી પૈસા વિડ્રો કરવા રિકવેસ્ટ નાખી હતી, પરંતુ પૈસા વિડ્રો થયા ન હતા, જેથી ગઠિયાઓએ તેમને મેસેજ કરીને કહ્યું હતું કે, તમારું બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું છે, જેથી તમારા એકાઉન્ટમાં જમા થયેલા પૈસા વિડ્રો કરવા તમારે એકાઉન્ટ અનફ્રીઝ કરાવવું પડશે. તેવું કહીને પૈસા ભરવા દબાણ કરવામાં આવતું હતું.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:55 am

પશ્ચિમ બંગાળની ચૂંટણીને પગલે રેલવેનો નિર્ણય:21, 26 એપ્રિલે સાબરમતીથી દુર્ગાપુર માટે વધુ 1 વિશેષ ટ્રેન

પશ્ચિમ બંગાળમાં 23, 29 એપ્રિલે યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા મતદારોને પોતાના વતન સુધી પહોંચવામાં સરળતા રહે તે માટે વિશેષ ટ્રેનો દોડાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ટ્રેન નંબર 09421/09422 સાબરમતી-દુર્ગાપુર-સાબરમતી સમર સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા સાથે ચલાવવાનો નિર્ણય લેવાયો છે. ટ્રેન નં. 09421 સાબરમતી-દુર્ગાપુર સ્પેશિયલ 21, 26 એપ્રિલે સવારે 10.35 વાગ્યે સાબરમતીથી પ્રસ્થાન કરી ત્રીજા દિવસે રાત્રે 1 વાગ્યે દુર્ગાપુર પહોંચશે. જ્યારે ટ્રેન નં. 09422 દુર્ગાપુર-સાબરમતી સ્પેશિયલ 23, 28 એપ્રિલે સવારે 4 વાગ્યે દુર્ગાપુરથી નીકળી બીજા દિવસે સાંજે 7.30 વાગ્યે સાબરમતી પહોંચશે. અગાઉ વટવાથી હાવડા અને સાબરમતીથી આસનસોલ માટે ટ્રેનો જાહેર કર્યા બાદ હવે વધુ એક ટ્રેન દુર્ગાપુર માટે જાહેર કરાઈ છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:52 am

વેજલપુરના ધારાસભ્યનું નિવેદન:મકતમપુરાને ચંડોળા નહિ બનવા દઉં, ખાલી જમીનો પર ગાર્ડન બનાવીશું: અમિત ઠાકર

મ્યુનિ. ચૂંટણીમાં એકતરફ ભાજપ ઠેર ઠેર વિકાસની વાતો કરી રહ્યો છે તો તો બીજી તરફ કોંગ્રેસમાં હજુ ટિકિટ મુદ્દે આંતરિક કલહ છે. મકતમપુરા વોર્ડમાં ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન કરતી વખતે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે કોંગ્રેસ અને અસદુદ્દીન ઓવૈસી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જુહાપુરા અને મકતમપુરાના વિકાસની વાત કરતા જણાવ્યું કે વિસ્તારમાં ખૂબ જ ખાલી જગ્યા છે. અમે અહીં ખાલી જમીનો પર ગાર્ડન બનાવીશું, પણ બીજું ચંડોળા તળાવ નહીં બનવા દઈએ, જેને વિકાસ જોઈએ એ ભાજપને મત આપે. તેમણે વધુમાં ઉમેર્યું કે ભાજપ બુટલેગરો સાથે સેટિંગ કરીને મતો મેળવવામાં માનતી નથી. ધારાસભ્યે દાવો કર્યો હતો કે ભાજપે મકતમપુરામાં કરોડોના ખર્ચે પાર્ટી પ્લોટ અને ડ્રેનેજ લાઈનો નાખી છે, જે કામ વિપક્ષો કરવામાં નિષ્ફળ રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસમાં ટિકિટ વહેંચણી મુદ્દે સર્જાયેલો આંતરિક અસંતોષ સપાટી પર જોવા મળી રહ્યો છે. ચાંદખેડામાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક જિગ્નેશ મેવાણીએ વિરોધના કારણે કાર્યક્રમ સ્થળ બદલવો પડ્યું હતું અને તેમની સાથે પેનલના ફક્ત એક જ ઉમેદવાર સુબોધ કુમુદ જ હાજર રહ્યાં હતાં. ત્યારે હવે રખિયાલ- સરસપુર વોર્ડમાં પણ કાળા વાવટા બતાવીને મેવાણીનો વિરોધ કરાયો છે. રખિયાલ-સરસપુર વોર્ડમાં કોંગ્રેસ માટે પ્રચાર કરવા પહોંચેલા સ્ટાર પ્રચારક અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો સ્થાનિક કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો. ટિકિટ વહેંચણીમાં થયેલા અન્યાયથી નારાજ કાર્યકર્તાઓએ રેલી દરમિયાન કાળા ઝંડા ફરકાવ્યા હતા અને નારા લગાવ્યા હતા. સિનિયર નેતાઓની જદના કારણે સક્રિય કાર્યકર્તાઓની ટિકિટ કાપવામાં આવતા હવે કોંગ્રેસના ઉમેદવારો અને સ્ટાર પ્રચારકોને જનતા વચ્ચે જવા માટે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિ વણસે નહીં તે માટે રેલીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવો પડ્યો હતો. અસારવાના ઉમેદવારે 100 રિક્ષા સાથે રેલી યોજીભાજપે અસારવા વોર્ડમાં એક અનોખો પ્રયોગ કર્યો હતો. ભાજપે અહીં રિક્ષાચાલક દશરથ પટણીને ટિકિટ આપી છે, જેમના સમર્થનમાં સોમવારે 100 જેટલી રિક્ષાઓની રેલી યોજવામાં આવી હતી. ભાજપના ચારેય ઉમેદવારોએ રિક્ષામાં બેસીને રામેશ્વર ચાર રસ્તાથી નેતાજીનગર સુધી જનસંપર્ક કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:51 am

ભાસ્કર એક્સક્લુસિવ:વિદ્યાર્થીઓને આઈપી પ્રોગ્રામ દ્વારા સ્કિલફુલ ગ્લોબલ પ્રોફેશનલ્સ બનાવવા માટેની કવાયત

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા શૈક્ષણિક વર્ષ 2011થી 2025 સુધીમાં ઈજનેરી-મેનેજમેન્ટ-ફાર્મસી, એમસીએમાં ભણતા આશરે 2521 વિદ્યાર્થીઓએ અમેરિકા,કેનેડા, જર્મની, ઓસ્ટ્રેલિયા, મલેશિયા, રશિયા, બલ્ગેરીયા સહિતના દેશોની 9 યુનિ.માં આઈઈપી હેઠળ 1 મહીનાની શૈક્ષણિક ટ્રેનિગનો લાભ લીધો છે. વર્ષ 2026માં પણ ઈજનેરી,મેનેજમેન્ટ, ફાર્મસી, એમસીએ સહિતની વિદ્યાશાખામાં ફાઈનલ યરમાં ભણતાં 150થી વધુ વિદ્યાર્થીઓએ ઓસ્ટ્રેલિયા, જર્મની, મલેશિયા,વિયેટનામ, મલેશિયા જેવા દેશોની આઈઈપી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ રજીસ્ટ્રેશનનો આંકડો 250 સુધી પહોંચે તેમ લાગી રહ્યું છે. ઈજનેરી, ફાર્મસી, એમબીએ, એમસીએ સહિતના વિદ્યાર્થીને ઓસ્ટ્રેલિયા, જર્મની, મલેશિયા, સહિતના દેશોની શિક્ષણ સંસ્થાઓમાં જુલાઈ,ઓગષ્ટ મહીનામાં 2 મુખ્ય વિષયોનો અભ્યાસ કરવાની અને સ્થાનિક ઈન્ડસ્ટ્રીઝમાં ઈન્ટર્નશીપ કરવાની તક મળશે. વિદ્યાર્થીઓ આ વૈશ્વિક યુનિવર્સિટીમાં પ્રોગ્રામ હેઠળ જશે IPP પ્રોગ્રામથી નોકરી-વ્યવસાય માટેની સ્કિલ ડેવલપ થાય છેફ્યૂચર ઓફ જોબ રીપોર્ટ 2025 પ્રમાણે લીડરશીપ અને સોશિયલ ઈન્ફ્લુએન્સ,ક્રિટિકલ થિન્કિંગ,ફ્લેક્સિબિલીટી સહિતની સ્કિલ્સને 2030ની સાલ સુધીની સૌથી મહત્વની સ્કિલ તરીકે જોવામાં આવે છે. આ પ્રોગ્રામ હેઠળ વિદ્યાર્થીઓ વૈશ્વિક યુનિવર્સિટીઓમાં એક મહીના માટે રહેશે તેથી ઉપરોકત વિવિધ પ્રકારની સ્કિલ ડેવલપ કરવાની તક મળે છે.> કે એન ખેર, રજીસ્ટ્રાર, GTU

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:45 am

GSTમાં પોર્ટલમાં ખામીથી કરદાતા હેરાન:વ્યાજની ગણતરીમાં ભૂૂલ થતાં 3B રિટર્ન ચેક કરવા એડવાઈઝરી

જીએસટી પોર્ટલ પર આવેલી ટેકનિકલ ખામીને કારણે ફેબ્રુઆરી અને માર્ચ 2026ના રિટર્નમાં વ્યાજની ગણતરી ખોટી થઈ રહી છે. કરદાતાઓને વધારાનો આર્થિક બોજ ન પડે તે માટે GSTN દ્વારા રિટર્ન ફરી ચેક કરી સુધારવા માટે એડવાઈઝરી જાહેર કરાઈ છે. પોર્ટલ પર ડેટા પ્રોસેસિંગની એરરને કારણે GSTR-3Bમાં વિલંબિત ફાઈલિંગ પરનું વ્યાજ આપોઆપ વધી ગયું હોવાનું સામે આવ્યું છે. કરદાતાઓને વાસ્તવિક રકમ કરતા અનેકગણું વ્યાજ પોર્ટલ પર દેખાય છે. ગંભીર છબરડા બાદ જીએસટીએનએ સ્પષ્ટતા કરી છે કે કરદાતા માટે પોર્ટલ પર કોષ્ટક 5.1 હેઠળ ‘વ્યાજની પુનઃ ગણતરી’નો વિકલ્પ અપાયો છે. વ્યાજની રકમ ખોટી હોય તો સુધરવાની તક મળશેકરદાતાઓ હવે અપડેટેડ સિસ્ટમ મુજબ વ્યાજની નવેસરથી ગણતરી કરી શકશે. જો સિસ્ટમ-જનરેટેડ વ્યાજ હજુ પણ ખોટું જણાય, તો કરદાતાઓ તેને મેન્યુઅલી એડિટ કરીને સુધારી શકે છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:39 am

વટવાના સવિતાનગરમાં રોજ સવારનું આ દૃશ્ય:પાણીનું બજેટ 795 કરોડ, 293 કરોડ વેરો લીધો, છતાં મોટર વિના પાણી ખેંચાતું નથી

છેલ્લાં 5 વર્ષમાં નાગરિકોએ લોકોએ કુલ 1003 કરોડ અને છેલ્લા વર્ષમાં 293 કરોડ પાણી વેરો ભર્યો છે, એટલે કે એક દિવસમાં અમદાવાદીઓ સરેરાશ 55 લાખ રૂપિયા પાણી વેરો ભરે છે. ઉપરાંત મ્યુનિ.ના બજેટમાં પાણી સંબંધિત કામો માટે કુલ 795 કરોડ ફાળવાયા છે છતાં વટવા જેવા ઘણા વિસ્તારોમાં મોટરો ચાલુ કર્યા વિના પાણી ઘરના નળ સુધી ખેંચાતું નથી. વટવામાં આજે પણ નાગરિકો મૂળભૂત સુવિધા એવી પીવાનાં પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે. સવિતાનગરમાં આશરે એક હજાર મકાનો છે, જેમાંથી લગભગ 250 મકાનમાં પાંચ વર્ષથી નિયમિત પાણી પહોંચતું નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે રોજ સવારે પાણી આવવાના સમયે મોટર લગાવવી પડે છે, ત્યારે જ ઘરમાં પીવાનું પાણી ભરી શકાય છે. જો સમયસર મોટર ન લગાડાય તો દિવસભર પાણી વગર રહેવાની ફરજ પડે છે. નિયમિત ટેક્સ ચૂકવવા છતાં પીવાનું પાણી મળી રહ્યું નથી. 1 હજારમાંથી 250 મકાન પાંચ વર્ષથી પાણી માટે સંઘર્ષ કરે છે, મોટર વિના માટલુંય ભરાતું નથી ગટરોનાં પાણી ભળતાં નવી પાઇપલાઇન નખાઈ હતીવર્ષ 2020 પહેલાં જૂની પાણીની લાઇનમાં ગટરનાં પાણી ભળવાની ફરિયાદો આવતી હતી. ત્યાર બાદ નવી પાઇપલાઇન નાખવામાં આવી હતી, પરંતુ ત્યાર બાદ પાણી મળવાનું જ બંધ થઈ ગયું છે. પરિણામે દરરોજ સવારના સમયે પાણી માટે પડોશીઓ વચ્ચે ઝઘડા સર્જાય છે. આ અંગે વારંવાર ફરિયાદ કરવામાં આવી છતાં પરિણામ મળ્યું નથી. વટવામાં અન્ય ઘણા વિસ્તારોમાં પણ પીવાના પાણીમાં ડ્રેનેજનું મિશ્રિત પાણી આવે છે. નવા જોડાયેલા વિસ્તારોમાં હજુ પણ ગટર કનેક્શન ઉપલબ્ધ નથી. વટવા સહિત 26 વિસ્તાર પાણીજન્ય રોગના હોટ સ્પોટમ્યુનિ.એ થોડા સમય પહેલાં વટવા, દાણીલીમડા, લાંભા, ગોમતીપુર, બાપુનગર, ખાડિયા, શાહપુર, બહેરામપુરા, રામોલ, જમાલપુર, અમરાઈવાડી, મણિનગરમાં આવતા 26 વિસ્તારોને પાણીજન્ય રોગોના હોટસ્પોટ તરીકે જાહેર કર્યા હતા. જૂની અથવા લિકેજ હોય તેવી પાણીની લાઇનો, ગટરનાં પાણી પીવાના પાણીમાં ભળવાને કારણે તથા ખુલ્લી નાળીઓને કારણે પાણીજન્ય રોગ વધુ હોવાનું તારણ કાઢવામાં આવ્યું હતું. આથી આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારોમાં રોજ સવારે પાણી પુરવઠા વખતે સેમ્પલ ચેકિંગ, ક્લોરિન ટેસ્ટિંગ, ગાર્બેજ ક્લિનિંગ અને સ્વચ્છતા કામગીરી વધુ સઘન બનાવાઈ છે. શહેરમાં એક દિવસમાં 171 કરોડ લિટર પાણી સપ્લાયજાસપુર, રાસ્કા, કોતરપુરમાં આવેલા મ્યુનિ.ના ત્રણ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કુલ ક્ષમતા 175 કરોડ લિટર છે, જ્યારે શહેરનો દૈનિક વપરાશ 171 કરોડ લિટર છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:32 am

ઉંદરોનો ત્રાસ:1200 બેડમાં ફોલ્સ સીલિંગ લગાવાતાં ફરી ઉંદરો આવ્યા

સિવિલની 1200 બેડ હોસ્પિટલમાં ઉંદરોના ત્રાસને કારણે લાખોના ખર્ચે લાગેલી ફોલ્સ સીલિંગ તોડી પડાઈ હતી, જેથી ઉંદરોને છુપાવાની જગ્યા ન મળે, પરંતુ સિવિલના ટ્રોમા સેન્ટર, લોબી, ત્રીજા-ચોથા માળે આવેતી ઓટીમાં તાજેતરમાં નવી ફોલ્સ સીલિંગ બનાવાઈ છે, જેથી અત્યારે ટ્રોમા સેન્ટરના સર્જન રૂમ, લોબી અને વોર્ડમાં ઉંદરો દોડાદોડ કરી રહ્યા છે. ફોલ્સ સીલિંગનો પ્રત્યેક સ્કેવર મીટર અંદાજિત ખર્ચ 1200 છે, તે પ્રમાણે ટ્રોમા સેન્ટરની લોબી, વોર્ડ અને સર્જન રૂમમાં ફોલ્સ સીલિંગનો ખર્ચ અંદાજે રૂ.30થી 40 લાખની આસપાસ થયાનો અંદાજ છે. પીઆઈયુના એન્જિનિયર રોમેશ રાવલને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, જૂની સિવિલ બિલ્ડિંગ અને ટ્રોમા સેન્ટરમાં તાજેતરમાં ફોલ્સ સીલિંગ બનાવાઈ તેની કોઇ માહિતી મારી પાસે નથી. જ્યારે એડિ. સુપરિન્ટેન્ડન્ટ ડો. જસ્મીન દીવાનનો સંપર્ક થઈ શક્યો નહોતો. અગાઉ ઉંદરોને ભગાડવા હટાવી દેવાઈ હતી હોસ્પિટલમાં ફોલ્સ સીલિંગ કેમ રાખવી જોઈએ નહિ?ફોલ્સ સીલિંગ અને મૂળ છત વચ્ચે ખાલી જગ્યા રહેતી હોવાથી ઉંદરો માટે છુપાવાની જગ્યા બની જા છે. એસી ડક્ટ, વાયરિંગને કારણે ઉંદરને અહીં હુંફાળું વાતાવરણ મળે છે અને પાઇપલાઇન માટે બનાવેલા છીદ્રો જો સારી રીતે સીલ ન થાય તો ઉંદરોનો રસ્તો બની જાય છે. રોગનું જોખમ: ઉંદરોના પેશાબ અને મળથી દર્દીને લિપ્ટોસ્પાયરોસિસ જેવો જીવલેણ રોગ થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:30 am

હથિયાર સાથે ઇસમની ધરપકડ:કુતિયાણામાંથી જામગરી સાથે શખ્સ ઝડપાયો

કુતિયાણા પોલીસે બાતમી આધારે એક શખ્સને દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્રારા જીલ્લામાં ગેરકાયદેસર હથિયાર રાખતા શખ્સ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સુચના અન્વયે ડીવાયએસપી ધુવલ સી. સુતરીયાએ હથિયારના કેસો શોધી કાઢવા સુચના કરેલ હોય જે અંગે કુતિયાણા પોલીસ મથકના પીઆઈ એમ.ડી.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગ હતા. તે દરમ્યાન મળેલ ચોકકસ હકિકત આધારે ડૈયર ગામના આરોપી સીદિ ઉર્ફે રાજેશ ગગુભાઈ સોલંકીને કુતિયાણા મહોબતપરા રોડ,કેશુપરા પ્રાથમિક શાળા સામેથી ઝડપી લઇ તલાસી લેતા શખ્સના કબ્જા માંથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદુક મળી આવતા આ શખ્સ સામે હથીયાર ધારા કલમ સહિતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:30 am

ઝેરી મધમાખી:આશાપુરા ચોકડી પાસે દુકાન પાસે 5 અસામાજિક તત્વોએ બબાલ મચાવી

પોરબંદરના આશાપુરા ચોકડી પાસે દુકાન નજીક આરોપીઓએ યુવાનોને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી બબાલ મચાવી હતી. આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે 5 આરોપી સામે ગુન્હો નોંધ્યો છે. પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર પાછળ રાધેશ્યામ પાર્કમાં રહેતો પ્રતાપ રાજશી મોઢવાડીયા નામના યુવાનને તેના મિત્ર ભરતભાઈ મૈયારીયા સાથે સારા સબંધ હોય તે વાતનું મનદુ:ખ રાખી આરોપીઓ મયુર ઉર્ફે મયલો હરદાસ ઓડેદરા, વિશાલ ઉર્ફે વાકીડોક નાગાજણ ગોરાણીયા, માલદે ઉર્ફે જગીરો રામ કુછડિયા, કિશોર સાજણ ગુરગુટિયા અને કાંધલ ઓડેદરાએ એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચીને પોતાનો સમાન ઈરાદો પાર પાડવા માટે યુવાન પાસે જઈને પોતાની દુકાને ન આવવા કહેલ અને આરોપીઓએ યુવાનને બેફામ ભુંડી ગાળો કાઢી હતી જેથી યુવાને ગાળો બોલવાની ના પાડતાં પાંચેય આરોપીઓએ સાથે મળીને યુવાનને લાફાલુફી કરીને શરીરે ઢીકાપાટુનો મારમારી મુંઢ ઈજા પહોંચાડી હતી. આ દરમ્યાન નયન કેશવાલા ફરિયાદી વચ્ચે પડતાં પાંચેય આરોપીઓએ નયન કેશવાલાને ધક્કા મારીને દુર કરી નાખી પાંચેય આરોપીઓએ યુવાન તથા નયનને બેફામ ભુંડી ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે પાંચેય આરોપી સામે ગુન્હા નોંધી આગળની કાર્યવાહી ઉદ્યોગનગર પોલીસ ચલાવી રહી છે. રાયોટિંગના ગુનાના આરોપીઓની અટક કરી રાયોટિંગના ગુનાના આરોપીઓ મયુર ઉર્ફે મૈલો હરદાસ ઓડેદરા, વિશાલ ઉર્ફે વાંકીડોક નાગજનભાઈ ગોરાણીયા, કાંધલ હાજા ઓડેદરા, માલદે ઉર્ફે જગીરો રામભાઈ કૂછડિયાને એલસીબીએ ઝડપી લઇ અટક કરી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:30 am

ધમકી આપી:પોરબંદરના પૂર્વ સુધરાઇ સભ્ય અને તેની દીકરીને આરોપીએ ફોન પર ધાક ધમકી આપી

પોરબંદરના મીલપરા શેરી નંબર 1માં રહેતા ભરત ઉર્ફે ભલો મુળુભાઇ મૈયારીયા નામના પૂર્વ સુધરાઇ સભ્યની દીકરી ભૂમિના ફોનમાં ગઇ તા.19/4ના રોજ રાત્રીના આશરે એકાદ વાગ્યાના સમયે મયુર હરદાસ ઓડેદરાએ કોલ કરી અને જણાવેલ કે હુ તારા પિતાનો મિત્ર મયુર ઓડેદરા બોલુ છુ તારા પિતા મારો ફોન ઉપાડતા નથી. જેથી તુ મને તારા પિતા સાથે કોન્ફરન્સમા વાત કરાવ જેથી ભુમીએ કહેલ કે મારા પિતા ચુંટણીના કામમા છે. અને હું અહી અમદાવાદ અભ્યાસ કરવા આવેલ છે, એટલે તમે મને મોડી રાત્રીના ખોટા વારંવાર ફોન ના કરો, હવે તમે મને વારંવાર ફોન કરી હેરાન કરશો તો પોરબંદરના એસપી અને અમદાવાદના કમીશ્નરને ફોન કરીશ. ફરીયાદ આપીશ જેથી મયુર ઓડેદરા ઉશ્કેરાઇ જઇ બેફામ ભૂંડી ગાળો આપી જેમફાવે તેમ બોલી સ્ત્રી સન્માનને ઠેસ પહોંચાડેલ અને બાદ રાત્રિના આશરે 2 વાગ્યાના સમયે ભલાભાઈ મૈયારિયાને આરોપીએ ફોન કરી ભુંડી ગાળો બોલેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ભલાભાઈ મૈયારિયાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં વધુમાં જણાવ્યું છેકે, મયુર હરદાસભાઈ ઓડેદરા ઇરાદાપૂર્વક મારા પરિવારને હેરાન કરે છે. હાલમાં ચૂંટણીનો માહોલ હોવાથી ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ મયુર ગમે ત્યારે મારા પર હુમલો કરી શકે છે તેવું ફરિયાદમાં દર્શાવ્યું છે.પોલીસે મયુર હરદાસ ઓડેદરા સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:30 am

જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ડ્રાય ડે અંગે જાહેરનામું જાહેર:જિલ્લામાં દારૂબંધી હોય,લીકર શોપ ન હોવા છતાં દારૂના વેચાણ પર પ્રતિબંધ

પોરબંદર જિલ્લામાં દારૂબંધી હોય અને જિલ્લામાં લીકર શોપ ન હોવાછતાં પોરબંદરમાં મતદાન અને મતગણતરીના દિવસોમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ડ્રાય ડે અંગે જાહેરનામું જાહેર કર્યું છે. પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્યપેટા ચુંટણીઓ એપ્રિલ- ૨૦૨૬ હેઠળના વિસ્તારોમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. મતદારો નિર્ભયપણે મતદાનકરી શકે તે માટે દારૂ તથા નશાકારક ચીજોના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. આજુબાજુના વિસ્તારોમાંથી પણ એક સ્થળેથી બીજા સ્થળે દારૂની ચોરી છુપીથી ગેરકાયદેસર હેરાફેરી ન થઇ શકે તે માટે જરૂરી પગલા ભરવાના રહે છે. તેમજ મતગણતરીના દિવસને પણ ડ્રાય ડે તરીકે જાહેર કરવા પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.ડી.ધાનાણી દ્વારા પોરબંદર સ્થાનિક સ્વરાજ્યની પોરબંદર જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારોમાં નિયત દિવસોને ડ્રાય ડે જાહેર કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:30 am

પોલીસ કાર્યવાહી:રાણાવાવમાં જમીન પચાવી પાડવાના ગુનામાં વધુ એક આરોપી ઝડપાયો

રાણાવાવ પોલીસ મથકે નોંધાયેલ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ મુજબના ગુન્હામાં વધુ એક આરોપીને રાણાવાવ પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરના સુતારવાડા વિસ્તારમાં રહેતા ઐબાણી મુહમ્મદ હનીફ અબ્દુર રહેમાન નામના વૃધ્ધની માલીકીની રાણાવાવ શહેરમાં આવેલ જમીન જેની અંદાજીત જંત્રી મુજબ કીમત રૂપીયા 20 લાખની જમીન પર ખીમા પોલા ગરચર અને મહિલાઓ સહિત 11 આરોપીઓએ જમીન પર અનઅધિકૃત રીતે કબ્જો કરી ગેરકાયદેસર જમીન પચાવી પાડી એકબીજાને મદદગારી કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલાઓ સહિત 11 શખ્સ સામે ગુજરાત જમીન પચાવી પાડવા અધિનિયમની કલમો હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ ડીવાયએસપી ધ્રુવલ સુતરીયા ચલાવી રહ્યા છે, ત્યારે આરોપીને ઝડપી લેવા આપેલ સુચના અન્વયે રાણાવાવના પીઆઇ બી.જી.ડાંગર સહિતનો સ્ટાફ સતત પ્રયત્નશીલ હતા તે દરમ્યાન બાતમી આધારે પોલીસે આરોપી દેવા ગોગન ગરચરને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુન્હામાં અગાઉ કયો આરોપી ઝડપાયો હતો ? રાણાવાવ શહેરમાં આવેલ જમીન જેની અંદાજીત જંત્રી મુજબ કીમત રૂપીયા 20 લાખની જમીન પર મહિલાઓ સહિત 11 આરોપીઓએ અનઅધિકૃત રીતે કબ્જો કરી જમીન પચાવી પાડી હતી. આ અંગેના ગુન્હામાં પોલીસે અગાઉ કારા પોલા ગરચરને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:30 am

ગર્વની વાત:વી.જે. મોઢા કોલેજના વિદ્યાર્થીને માય ભારત બજેટ ક્વિઝ 2026ના ફાઇનલિસ્ટમાં સ્થાન

પોરબંદરની વી. જે. મોઢા કોલેજના એમ.એસસી. (આઈ.ટી.) સેમેસ્ટર-4ના વિદ્યાર્થી ઉત્સવ ગૌતમભાઈ ભટ્ટે ભારત સરકારના યુવા અને રમતગમત મંત્રાલય દ્વારા આયોજિત ‘માય ભારત બજેટ ક્વિઝ – 2026’માં ભાગ લીધો હતો. તા. 12 અને 13 એપ્રિલે યોજાયેલી સ્પર્ધામાં તેઓ અંતિમ તબક્કા સુધી પહોંચીને દેશના 600 ફાઇનલિસ્ટમાં સ્થાન મેળવ્યું હતું. સ્પર્ધા ત્રણ તબક્કામાં યોજાઈ હતી. પ્રથમ તબક્કામાં દેશભરમાંથી અંદાજે 12 લાખ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. દ્વિતીય તબક્કામાંથી 50 હજાર સ્પર્ધકો પસંદ થયા હતા. અંતિમ તબક્કામાં 600 સ્પર્ધકોની પસંદગી થઈ હતી. અંતિમ તબક્કામાં ફાઇનલિસ્ટોએ વડાપ્રધાન સાથે વર્ચ્યુઅલ સંવાદમાં ભાગ લીધો હતો, જેમાં બજેટ અને વિકાસ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. છાત્રની સિધ્ધિ બદલ કોલેજના પ્રમુખ, ટ્રસ્ટીઓ, પ્રિન્સિપાલ પરેશભાઈ સવજાણી, ડાયરેક્ટર ડો. વિશાલભાઈ પંડયા, એકેડમિક હેડ ડો. ઝલકભાઈ ઠકરાર તથા સ્ટાફ દ્વારા નોંધ લેવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:30 am

મતદાર જાગૃતિ માટે અનોખો પ્રયાસ:પોરબંદરમાં ફળથી લઈને ફ્યુઅલ પંપ સુધી મતદાર જાગૃતિનો અનોખો મેસેજ

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી પોરબંદર જિલ્લામાં મતદાર જાગૃતિ માટે અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. શહેરના જાહેર સ્થળોથી લઈને રોજિંદા જીવનમાં વપરાતા ફળો સુધી મતદાનનો સંદેશો પહોંચાડવા માટે સ્ટીકરો લગાવવામાં આવતા લોકોમાં વિશેષ આકર્ષણ ઉભું થયું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ સ્વેપ ટીમ દ્વારા સતત મતદાર જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સ્વેપ નોડલ અધિકારી તથા જિલ્લા શિક્ષણાધિકારી વી. કે. પરમારની ટીમ દ્વારા શાળાઓ, કોલેજો, મહિલા મંડળો અને વિવિધ એન.જી.ઓ.ના સહકારથી લોકજાગૃતિનું અભિયાન આગળ વધારવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત વહેલી સવારથી જ સુદામા ચોક સહિત શહેરના અનેક વિસ્તારોમાં નવતર રીતે મતદાર જાગૃતિ ફેલાવવામાં આવી હતી. સિટી બસ, રિક્ષા, પેટ્રોલ પંપ, સી.એન.જી. પંપ અને વિવિધ વાહનો પર સ્ટીકરો લગાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં, લીલા નાળિયેર, કેરી, પપૈયા અને ખાસ કરીને તરબૂચ જેવા ફળો પર પણ મતદાન જાગૃતિના સ્ટીકરો લગાવી લોકો સુધી સીધો સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોરબંદર સિવાય રાણાવાવમાં પણ આ પહેલ જોવા મળી હતી, જ્યાં સ્વેપ ટીમના કિશોરભાઈ રામ દ્વારા તરબૂચની લારીઓ પર સ્ટીકરો લગાવી મતદાન માટે પ્રેરણા આપવામાં આવી હતી. આ પ્રકારના નવતર પ્રયાસને કારણે બજારો અને જાહેર સ્થળો પર લોકોનું ધ્યાન આકર્ષાયું હતું અને મતદાન અંગે ચર્ચા પણ જોવા મળી હતી. શહેરના મુખ્ય સ્થળોએ લગાવવામાં આવેલા હોર્ડિંગો સાથે આ સ્ટીકરો લોકો માટે પ્રેરણાનું કેન્દ્ર બન્યા છે.આ કામગીરીને સફળ બનાવવા માટે સ્વેપ મદદનીશ નોડલ અધિકારી સંદીપ સોની, ડૉ. જીગ્નેશ પ્રશ્નાણી અને કિશોર રામ સહિત ટીમે જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:30 am

સુજલામ સુફલામ જળ‎ અભિયાન:જિલ્લાના 10 વિભાગ દ્વારા 156 જળસંચયના કામો થશે

પોરબંદર જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ પોરબંદર જિલ્લાના વિવિધ 10 સરકારી વિભાગ દ્વારા તળાવ,નદી, ડેમ,વૉકળા ઊંડા કરવાના કામો ખેડૂતોએ સ્વખર્ચે પ્રારંભ કર્યો છે.જિલ્લામાં હાલ 156 કામોને મજૂરી આપવામાં આવી છે ત્યારે આગામી દિવસોમાં આ કામોમાં પણ વધારો થવાની શક્તયા જોવા મળી રહી છે. પોરબંદર જિલ્લામાં દર વર્ષે ઉનાળાના પ્રારંભે જ સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ જિલ્લામાં આવેલ તળાવ,નદી,વૉકળા,કેનાલ સહિતના પાણીના સ્ત્રોતને ઊંડા ઉતારવાની કામગીરી કરવામાં આવે છે. ત્યારે પોરબંદર જિલ્લામાં પણ ઉનાળાના પ્રારંભે જ ક્ષાર અંકુશ વિભાગ, પંચાયત, જળ સંપત્તિ વિભાગ, મનરેગા, વૉટર શેડ, પાણી પુરવઠા વિભાગ,વન વિભાગ, પોરબંદર મહાનગરપાલિકા, રાણાવાવ નગરપાલિકા અને કુતિયાણા નગરપાલિકા સહિત 10 વિભાગ દ્વારા નદી, તળાવ, વૉકળા,ડેમ સહિત 156 સ્થાનિક જળ સ્ત્રોતને ઊંડા ઉતારવાની કામગીરી ખેડૂતો દ્વારા પોતાના સ્વખર્ચે શરૂ કરવામાં આવી છે. જોકે આ તમામ કામો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જ મજૂર થઈ જતા હાલ કામગીરી ચાલુ છે.આ કામગીરી બાદ ચોમાસામાં પડતા વરસાદી પાણીનો સંગ્રહમાં વધારો થશે. કામોમાં વધારો થશે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આચારસહિતને લીધે કામોને મજૂરી આપવામાં આવી નથી ત્યારે ચૂંટણીની આચારસહીતા પૂર્ણ થયે હજુ પણ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ કામોમાં વધારો થશે.જોકે હાલ જે કામો ચાલી રહ્યા છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જ મજૂરી મળી ગઈ હતી.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:30 am

આપમાં પડ્યું ભંગાણ:જિલ્લાના મહિલા વિંગના આપના ઉપપ્રમુખ ભાજપ પક્ષમાં જોડાયા

પોરબંદર જિલ્લાના આમ આદમી પાર્ટીના મહિલા વિંગ ના ઉપ્રમુખ અને સ્થાનિક સ્વરાજ્ય ચુંટણીમાં વિસાવાડા જિલ્લા પંચાયત અને વિસાવાડા તાલૂકા પંચાયત સીટ ના પ્રભારી ભાજપમાં જોડાયા છે.પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખે મહિલા આગેવાનને ખેસ પહેરાવી આવકાર્ય છે. પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તોડજોડની રાજનીતિ ચાલી રહી છે ત્યારે તાજેતરમાં શહેરમાં આમ આદમી પાર્ટીના 2 ઉમેદવારો ભાજપમાં જોડાયા હતા. ત્યારે સોમવારે પોરબંદર જીલ્લાના આમ આદમી પાર્ટીના મહિલા વિંગના ઉપ્રમુખ અને સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી માં વિસાવાડા જિલ્લા પંચાયત અને વિસાવાડા તાલૂકા પંચાયત સીટ ના પ્રભારી નીતાબેન સદીયા ( એડવોકટ ) ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપી ભારતીય જનતા પાર્ટી માં જોડાયા હતા. આ આગેવાનોને પોરબંદર જિલ્લા ભાજપ પ્રભારી વિમલભાઈ કગથરા, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણભાઈ ખોરાવાએ ભાજપમાં આવકારી ખેસ પહેરાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:30 am

જિલ્લામાં 187000 પશુને ‎વેક્સિન આપવાનું લક્ષ્યાંક:ખરવામોવાસા વેક્સિન આપવાની કામગીરી માત્ર 14 ટકા જ થઈ

પોરબંદર જિલ્લામાં ગાય અને ભેંસ વર્ગના પશુને ખરવા મોવાસા નામનો રોગ અટકાવવા વેક્સિન આપવાનું આયોજન કર્યું છે. પોરબંદર જિલ્લામાં 187000 પશુને વેક્સિન આપવાનું લક્ષ્યાંક છે અને આ કામગીરી પશુધન નિરીક્ષક કરે છે. માર્ચ માસમાં કામગીરી શરૂ કરી છે પરંતુ ગોકળગાયની ગતિએ કામગીરી થઈ રહી છે. હજુ સુધીમાં માત્ર 14 ટકા કામગીરી થઈ છે, ત્યારે સરકારે તા.15/5/2026 સુધી સમય મર્યાદા વધારી છે પરંતુ આ સમય મર્યાદામાં પણ 100 ટકા કામગીરી પૂરી કરવી કપરી બની છે. સરકારે ખરવા મોવાસા રોગને અટકાવવા વેક્સિન આપવાનું આયોજન કર્યું છે અને પોરબંદર જિલ્લામાં 187000 ગાય અને ભેંસ વર્ગના પશુને વેક્સિન આપવા માટેનો ટાર્ગેટ આપ્યો છે અને આ કામગીરી માટે 45 દિવસનો સમય આપ્યો હતો. માર્ચ માસમાં કામગીરી શરૂ થઈ હતી..મહત્વની વાત એ છે કે, આ કામગીરી પશુધન નિરીક્ષક કરી શકે છે અને જિલ્લામાં અલગ અલગ ગામમાં કેન્દ્ર દીઠ કુલ 10 જ પશુધન નિરીક્ષક છે. અત્યાર સુધીમાં જિલ્લામાં માત્ર 14 ટકા જ કામગીરી કરી છે. એટલે કે જિલ્લામાં 26180 પશુને વેક્સિન આપી છે, સરકારે હવે તા.15/5/2026 સુધીની સમય મર્યાદા વધારી છે, પરંતુ આ સમય મર્યાદામાં પણ 100 ટકા કામગીરી શક્ય નથી. હિસાબ કરીએ તો 10 પશુધન નિરીક્ષક છે અને સમય મર્યાદામાં કામ કરે તો ટાર્ગેટ પૂરો કરવા એક પશુધન નિરીક્ષકને 21 કલાક કામ કરવું પડે. હકીકતમાં ગામ કે શહેરમાં પશુ પકડવામાં સમય લાગે, માલિક શોધવો પડે, રેકોર્ડ રાખવો પડે એક સ્થાનથી બીજે જવામાં સમય જાય એટલે સરેરાશ 1.5 થી 2 મિનિટ પ્રતિ પશુ લાગી શકે જો 2 મિનિટ પ્રતિ પશુ 640 2 = 1280 મિનિટ એટલે કે 21 કલાક થાય, એક પશુધન નિરીક્ષક રોજના 640 પશુને વેક્સિન આપે તો આ કામગીરી 100 ટકા પૂર્ણ થાય તેમ છે, જે શક્ય નથી તેવું ગોકળગાયની ગતિએ થતું કામ પરથી જણાઈ આવે છે.. ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવશે - અધિકારી પશુઓને વેક્સિન કામગીરી ઝુંબેશ સ્વરૂપે કરવામાં આવશે. પોરબંદરમાં મહાનગરપાલિકા અને રાણાવાવ કુતિયાણામાં પાલિકામાં તેઓના સંકલનમાં રહી પશુઓને વેક્સિન આપવામાં આવશે. પશુઓને ઝડપી ગતિએ વેક્સિન આપવામાં આવે તેવા પૂરતા પ્રયાસ કરશું. > હાર્દિક બેઘડિયા, અધિકારી, પશુપાલન વિભાગ, પોરબંદર

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:30 am

યાર્ડમાં વિવિધ જણસીઓની આવક:યાર્ડમાં સૌથી વધુ ઘઉંની 17,100 અને ધાણાની 16,900 કિલોની આવક નોંધાઈ

પોરબંદરના યાર્ડમાં રજા બાદ જણસીની આવકમાં વધારો થયો છે.યાર્ડમાં સૌથી વધુ ઘઉંની 17,100 અને ધાણાની 16,900 કિલોની આવક નોંધાઈ છે.તેમજ યાર્ડમાં મગફળી, ચણા, જીરું,અડદની આવક પણ નોંધાઈ હતી. પોરબંદર જિલ્લામાં એકમાત્ર પોરબંદરમાં માર્કેટયાર્ડ આવેલ છે.આ યાર્ડમાં અલગ અલગ વિભાગમાં ખેડૂતોના પાકની આવક થતી હોય છે.પોરબંદર જિલ્લામાં વાવેતર થયેલ રવીપાક તૈયાર થઈ જતા માર્કેટયાર્ડ હાલ વિવિધ પાકની જણસીની આવકમાં વધારો નોંધાયો છે. યાર્ડમાં આવેલ તેલીબિયાં વિભાગ,શાકભાજી વિભાગ,ફ્રૂટ વિભાગ સહિતના વિભાગ આવેલ છે ત્યારે પોરબંદરના યાર્ડમાં તેલીબિયાં વિભાગમાં આવતી જણસીની આવકમાં વધારો નોંધાયો છે. યાર્ડમાં સોમવારે મગફળીની 3000 કિલો,મગની 100 કિલો,ચણાની 7000 કિલો અને જીરુની 2000 કિલો,ઘાણાની 16,900 કિલો,ઘઉંની 17,100 કિલો,જુવારની 400 કિલો તેમજ અડદની 800 કિલો આવક જોવા મળી રહી છે. યાર્ડમાં મગફળીના પ્રતિમણે રૂ.1155 થી 1450 ભાવ,મગના રૂ.1910 ભાવ,જીરુના રૂ.3450 થી 4100 ભાવ,ધાણાના પ્રતિમણે રૂ.1500 થી 2550 ભાવ અને ચણાના રૂ.975 થી 1375 ભાવ બોલાયા હતા.પોરબંદરના યાર્ડમાં હાલ વિવિધ જણસીની આવકમાં વધારોજોવા મળી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા પંથકમાંથી 1100 કિલો સૂકા મરચાની આવક થઈ પોરબંદરના યાર્ડમાં દેવભૂમિ દ્વારકા પંથકના ગામોમાંથી સોમવારે 1100 કિલો લાલ સૂકા મરચાની આવક નોંધાઈ હતી.આ મરચાનો પ્રતિમણે રૂ.1200 થી 6300 ના ભાવ બોલાયા હતા.જોકે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે મરચાની આવકમાં ઘટાડો નોંધાયો છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:30 am

મહત્વના દસ્તાવેજો રાખ થવાનો ખતરો:પાણી પૂરવઠા બોર્ડની કચેરીના 8 ફાયર સેફ્ટી બાટલાઓ 11 માસથી એક્સપાયર

પોરબંદર પાણી પૂરવઠા બોર્ડની કચેરીમાં ફાયર સેફ્ટી અંગે ચોંકાવનારી બેદરકારી સામે આવી છે. કચેરીમાં ગ્રાઉન્ડ ફ્લોર અને ઉપરના માળે વિવિધ વિભાગ આવેલા છે અને અહીં મૂકેલા તમામ 8 ફાયર સેફ્ટી બાટલાઓ તા. 31/05/2025થી એક્સપાયર થઈ ગયા હોવા છતાં હજુ સુધી તેને રિફિલિંગ કરવામાં આવ્યા નથી. છેલ્લા 11 મહિનાથી કચેરી સંપૂર્ણપણે ફાયર સેફ્ટી વગર ચાલી રહી છે. જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, ગુજરાત પાણી પૂરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, કાર્યપાલક ઇજનેર કચેરી પોરબંદર ખાતે આવેલ છે. આ કચેરીમાં વિભાગીય કાર્ય, બિલ ચેકિંગ, તાલુકા સ્તરની કામગીરી, વાર્ષિક એક્શન પ્લાન તૈયાર કરવાની પ્રક્રિયા તેમજ ત્રણેય સબ ડિવિઝનમાંથી આવતી માહિતી મર્જ કરી મોકલવાની મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવે છે. ઉપરાંત સબ ડિવિઝન કચેરીઓમાં મહત્વપૂર્ણ ફાઈલો, એસ્ટીમેટ અને એકાઉન્ટ બ્રાન્ચની દસ્તાવેજી કામગીરી પણ અહીં સંભાળવામાં આવે છે. જ્યારે કચેરીના ઉપરના માળે વાસ્મો વિભાગ તેમજ મેકેનિકલ સબ ડિવિઝન અને નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ તેમજ જાહેર આરોગ્ય યાંત્રિક પેટા વિભાગ કચેરી કાર્યરત છે, જ્યાં દરરોજ અધિકારીઓ અને કર્મચારીઓની અવરજવર રહે છે. આવા સંજોગોમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ફાયર સેફ્ટીના 4 બાટલા તેમજ ઉપરના માળે પણ ફાયર સેફ્ટીના 4 બાટલા મૂકવામાં આવ્યા છે. મહત્વની વાત એ છેકે, આ તમામ ફાયર સેફ્ટીના બાટલા તા. 31/5/2025 થી એક્સપાયરી થયા છે. અહીં અધિકારીઓ અને કર્મીઓ અવર જવર કરે છે પરંતુ 11 માસથી ફાયર સેફ્ટીના બાટલા એક્સપાયર થયા હોવા છતાં અધિકારીઓએ જાણે આંખ આડા કાન કર્યા હોય તેમ 11 માસ જેટલો સમય વીતી ગયો છતાં હજુસુધી રિફિલિંગ કરાવ્યા નથી. વહેલી તકે રિફિલિંગ‎કરાવવામાં આવશે - અધિકારી‎પાણી પૂરવઠા બોર્ડ કચેરી ખાતે ગ્રાઉન્ડ ફ્લોર પર‎અને ઉપરના માળે એક્સપાયર થયેલ ફાયર સેફ્ટીના‎બાટલા વહેલી તકે એજન્સીને કહીને રિફિલિંગ‎કરાવવામાં આવશે. બાકી સંવેદનશીલ લેબોરેટરી‎વિભાગની અંદર ફાયર સેફ્ટી બાટલો ગત માસે‎રિફિલિંગ કરાવ્યો હતો. > વી.સી. રંજન, કાર્યપાલક‎ઇજનેર, પાણી પૂરવઠા અધિકારી કચેરી, પોરબંદર‎

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:30 am

ભાસ્કર એનાલિસિસ:પોરબંદર કોર્પોરેશન ચૂંટણીમાં ભાજપે ખારવા, મહેર, લોહાણા અને બ્રાહ્મણને સૌથી વધુ 39 સીટ ફાળવી

પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે જ્ઞાતિગત ચૂંટણી સમીકરણ મુજબ ટીકીટ ફાળવણી કરવામાં આવી છે જેમાં જે જ્ઞાતિના સૌથી વધુ છે તે જ્ઞાતિને ભાજપે 39 સીટ ફાળવી છે અને બાકીના જ્ઞાતિને 13 સીટ ફાળવી છે. પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ખારવા, મહેર ,લોહાણા અને બ્રાહ્મણને 39 સીટ,એસ.સી.ને 4,એસ.ટી.ને 2,જનરલને 10 અને લઘુમતીને 2 બેઠકો ફાળવી 52 બેઠકો કબ્જે કરવા વ્યૂહરચના ગોઠવી છે તો કોગ્રેસે 13 વૉર્ડમાં 31 અને આપે 29 ઉમેદવારો ઉતાર્યા છે. પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હાલ પ્રચાર તેજ બન્યો છે.પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં અત્યાર સુધીમાં ભાજપને 11 બેઠકો બિનહરીફ પોતાના ખાતામાં આવી ગઈ છે તો કૉંગ્રેસ અને આપના ઉમેદવારો તૂટી રહ્યા હોય તેમ ફોર્મ પરત ખેંચી લીધા હતા ત્યારે હાલ પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે અને પ્રચાર પણ તેજ બન્યો છે. પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે જ્ઞાતિગત ચૂંટણી સમીકરણ મુજબ જ ટીકીટ ફાળવણી કરવામાં આવી છે.પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં જે જ્ઞાતિના મત વધુ છે તે જ્ઞાતિના ભાજપે 39 ઉમેદવારોને ટીકીટ આપી છે તો બાકીના જ્ઞાતિના 13 ઉમેદવારોને ટીકીટ આપી છે. જેમાં ખારવા, મહેર,લોહાણા અને બ્રાહ્મણ જ્ઞાતિના 39 ઉમેદવારો, એસ.સી.ના 4 ઉમેદવારો, એસ.ટી.ના 2 ઉમેદવારો, જનરલ કેટેગરીની જ્ઞાતિના 10 ઉમેદવારો તથા લઘુમતી સમાજના 2 ઉમેદવારોને ટીકીટ ફાળવી 52 બેઠકો કબ્જે કરવા વ્યૂહરચના ગોઠવી છે તો કોગ્રેસે 13 વૉર્ડમાં 31 અને આપે 29 ઉમેદવારો ઉતાર્યા છે. વિધાનસભાની તૈયારી‎ મુજબ ટિકીટ ફાળવણી‎પોરબંદર વિધાનસભા સૌથી વધુ મહેર સમાજના મતદારો રહેલ છે જેથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે સૌથી વધુ મહેર સમાજના ઉમેદવારોને ટિકીટ ફાળવી આગામી 2027માં આવતી વિધાનસભા ચૂંટણીની તૈયારી કરી હોવાનું તજજ્ઞો જણાવી રહ્યા છે. ભાજપે અનેક દિગ્ગજ આગેવાનની ટિકીટ કાપી તો કોંગ્રેસ અને આપને પૂરતા ઉમેદવારો ન મળ્યામનપાની ચૂંટણીમાં ભાજપે અનેક દિગજ્જ આગેવાનની ટિકીટ કાપી છે અને અમુક બેઠકમાં નવા ઉમેદવારોને ટીકીટ ફાળવી છે તો કોંગ્રેસે 52 બેઠકમાં માત્ર 31 અને આપે માત્ર 29 ઉમેદવારો ઉતાર્યા છે ભાજપે દિગજ્જ આગેવાનોની ટીકીટ કાપી છે તો આપ અને કોંગ્રેસને પૂરતા ઉમેદવારો મળ્યા ન હતા.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:30 am

પતિ બન્યો હિંસક:મોટા કાજલીયાળામાં સસરાના ઘરમાં ઘુસી પત્ની, સસરા-સાસુને જમાઈએ છરી ઝીંકી

વંથલીના મોટા કાજલીયાળાના 27 વર્ષીય પરિણીતા જયશ્રીબેન નિતિનભાઈ પરમારની ફરિયાદ અનુસાર તેઓએ તેમના ગામના નીતિન ધનજી પરમાર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ છેલ્લા 4 મહિનાથી તેના પિતા જીવણભાઈ મકવાણાના ઘરે રિસામણે હતા. જયશ્રીબેન તેના પતિ નિતિનભાઈ ધનજીભાઈ પરમાર સાથે છૂટાછેડા લેવા માંગતા હતા. જેનું મનદુઃખ રાખી પતિ ગત તા. 20 એપ્રિલના રોજ રાત્રે 2 વાગ્યે, છૂપી રીતે ઘરમાં પ્રવેશ્યો હતો. ​જયશ્રીબેન જ્યારે સંતાનો સાથે ઊંઘમાં હતા ત્યારે કોઈ આવ્યાનો અવાજ થતા જાગી ગયા હતા. એવામાં પતિ નિતિનએ કબાટ આડેથી આવી આજે તને મારી નાખવી છે તેમ કહીને પોતાની પાસે રહેલી છરી વડે જયશ્રીબેનના ગુપ્ત ભાગે, સાથળ અને હાથની આંગળીઓ પર ગંભીર ઘા ઝીંક્યા હતા. દીકરીની બૂમો સાંભળીને વચ્ચે છોડાવવા પડેલા સસરા જીવણભાઈ અને સાસુ શારદાબેન પર પણ શખ્સે છરીથી હુમલો કરી તેમને લોહીલુહાણ કરી નાખ્યા હતા. હુમલા બાદ પતિ નીતિન દિવાલ કૂદી નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા ત્રણેયને સારવારમાં ખસેડાયા હતા. વંથલી પોલીસે પરિણીતાની ફરિયાદ આધારે તેના પતિ નીતિન ધનજી પરમાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:30 am

મહાદેવની પાલખીયાત્રાનું આયોજન‎:સાળાએ બહેન સાથે બોલાચાલી કરતા બનેવીનું માથું ફોડી નાખ્યું

જૂનાગઢમાં રહેતા 21 વર્ષીય પાર્થ સુરેશભાઈ સોલંકી નામનો ગત તા. 14 એપ્રિલના રોજ બપોરના પોતાના ઘરે હતો. તેને અને તેની પત્ની વચ્ચે ઘરમાં બોલાચાલી થતી હતી અને સમાધાનના પ્રયત્નો ચાલી રહ્યા હતા. તે દરમિયાન, પાર્થના સાળા જયેશ ભુપતભાઈ મકવાણા અને તેનો મિત્ર રોહિત ભુપતભાઈ જીલીયા ત્યાં આવી પહોંચ્યા હતા. ​વાતચીત દરમિયાન મામલો બિચક્યો હતો અને ઉશ્કેરાયેલા સાળા જયેશે પથ્થર ઉપાડી પાર્થના માથામાં ઝીંકી દીધો હતો. હુમલા સમયે રોહિતે યુવકને પકડી રાખ્યા હતા અને ઢીકાપાટુનો પણ માર માર્યો હતો. માથામાં ગંભીર ઈજા થતા પાર્થને સારવારમાં ખસેડાયો હતો. ​યુવકની ફરિયાદ આધારે પોલીસે કાર્યવાહી આદરી હતી.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:30 am

કચરા‎ કલેકશનની વધશે કેપેસીટી:કચરો વધુ સમાય તેવી 90 નવી CNG ગાડી દોડશે

જૂનાગઢ મહાનગર પાલિકા કચરા દ્વારા નવી 90 કચરા કલેકશન સીએનજી ગાડીની રવિવારે ફાળવણી કરવામાં આવી છે. હવે શહેરમાં પ્રદૂષણથી રાહત અને વધુમાં વધુ કચરો સમાય શકે તેવી કેપેસેટીવાળી ગાડી દોડશે. એજન્સીના જગદીશ બારડે જણાવ્યુ કે, જૂનાગઢ શહેરમાં સીએનજીવાળી કુલ 90 કચરા કલેકશન ગાડીની ફાળવણી કરવામાં આવી છે. સીએનજીવાળી ગાડીનો મુખ્ય હેતુ એ છે કે, ઇંધણની બચત થાય અને પ્રદૂષણ ઓછુ ફેલાય. ઉપરાંત નવી ગાડીમાં કચરાપેટીની કેપેસીટી પણ વધારી છે. અગાઉ જે 700 કિલોની હતી તે વધારીને 1250 કિલોની કચરા ટોપલી કરી નાખી છે. ઉપરાંત હવે લોકો બંને સાઇડ ભીનો અને સુકો કચરો નાખી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:30 am

ભાસ્કર એક્સક્લુસિવ:અડધો માસ વીતી ગયો છતા 3498 પ્રા. શિક્ષકોનો પગાર હજુ થયો નથી

જૂનાગઢ જિલ્લાના 3498 પ્રાથમિક શિક્ષકો એપ્રિલ માસ અડધો વિતી ગયો છતા માર્ચ મહિનાના પગારથી વંચિત બન્યા છે. દર મહિને તારીખ 1 થી 10માં પગાર થઇ જાય છે. શિક્ષકોએ જણાવ્યુ કે, શિક્ષણ વિભાગ દ્વારા દર મહિનાનો પગાર સમયસર તારીખ 1 થી 10ની અંદર જમા કરી દેવામાં આવે છે. પરંતુ આ મહિને એટલે કે માર્ચ મહિનાનો પગાર એપ્રિલ મહિનો અડધો વીતી ગયો છતા હજુ થયો નથી. કચેરીમાં પુછતા ઉપરથી ગ્રાન્ટ આવી નથી એવો જવાબ આપવામાં આવ્યો છે. ઉલેખનીય બાબત એ છે કે, એસઆઇઆર, ચુંટણી કે વસ્તીગણતરી સહિતની તમામ કામગીરીમાં સરકારી કર્મચારીઓને સોંપવામાં આવતી હોય છે. પરંતુ આ કામગીરીમાં સરકારી અન્ય શાખાના કર્મચારી કરતા શિક્ષકોની ફાળવણી વધારે થતી હોય છે. બાળકોના શિક્ષણ ઉપરાંત અન્ય જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવે છે પરંતુ માસિક પગારમાં શિક્ષકોને જ મોડો ફાળવાતા જિલ્લાભરના શિક્ષકોમાં રોષ છવાયો છે. ઉપરથી જ ગ્રાન્ટ મોડી આવી છે માર્ચ મહિનાના પગાર માટેની ગ્રાન્ટ ગાંધીનગરથી જ કોઇ કારણોસર મોડી આવી છે. બે દિવસ પહેલા ગ્રાન્ટ મળતા જ શિક્ષણાધિકારી કચેરી દ્વારા તાલુકા મુજબ ફાળવણી કરી દેવામાં આવી છે. એક થી બે દિવસમાં શિક્ષકોને પગાર મળી જશે. > અશોક વાણવી, નાયબ શિક્ષણાધિકારી- જૂનાગઢ

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:30 am

ભાસ્કર વિશેષ‎:જૂનાગઢમાં મંદિરોમાંથી નીકળતી સામગ્રી હવે કચરામાં નહીં‎ જાય : ભક્તિ રથ ફરશે અને સખી મંડળો સુધી પહોંચાડશે !‎

જૂનાગઢની પવિત્ર ધરા પર હવે ભક્તિની સાથે સ્વચ્છતાનો પણ પવિત્ર સંગમ જોવા મળશે. શહેરના અઢીસોથી વધુ મંદિરોમાં શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવતા ફૂલ-હાર, નાળિયેર અને પૂજાપાની સામગ્રીને સન્માનપૂર્વક એકત્રિત કરવા માટે મહાનગરપાલિકાએ ખાસ વાહન સેવાનો પ્રારંભ કર્યો છે. આ પહેલથી હવે ધાર્મિક અવશેષો ગમે ત્યાં ફેંકવાને બદલે શિસ્તબદ્ધ રીતે એકત્રિત કરવામાં આવશે, જે શહેરની સુંદરતામાં વધારો કરશે. આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે તે વેસ્ટમાંથી વેલ્થ અને મહિલા સશક્તિકરણનો આદર્શ પૂરો પાડે છે. એકત્રિત થયેલો સામાન સખી મંડળની બહેનોને આપવામાં આવશે, જેઓ તેમાંથી સુગંધિત અગરબત્તી અને સુંદર ધાર્મિક શો-પીસ બનાવશે. આમ, આ કચરો નહીં પણ રોજગારીનું માધ્યમ બનશે.આ વ્યવસ્થા દ્વારા જૂનાગઢે પરંપરાગત મૂલ્યોને આધુનિક મેનેજમેન્ટ સાથે જોડ્યા છે. મંદિરોમાંથી એકત્રિત થતા લાકડા અને અન્ય પૂજા સામગ્રી હવે કચરાપેટીમાં જવાને બદલે શ્રદ્ધાળુઓના ઘરની શોભા બનશે. સખી મંડળની બહેનોના કૌશલ્યથી તૈયાર થયેલી વસ્તુઓ બજારમાં વેચાશે, જેનાથી અનેક પરિવારોને આર્થિક ટેકો મળશે. એ ગ્રેડની મનપામાં આ સુવિધા, બી-ગ્રેડમાં પ્રથમ !‎અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા મહાનગરોમાં આ સુવિધા છેલ્લા એક વર્ષથી ચાલુ કરવામાં આવી છે. રાજ્યની તમામ બી-ગ્રેડ કોર્પોરેશનમાં જૂનાગઢ આ પ્રકારનો પ્રયોગ કરનાર પ્રથમ શહેર બન્યું છે. > કલ્પેશ ટોલીયા , સેક્રેટરી , મનપા જુનાગઢ ટેન્ડરમાં ઉલ્લેખ ન હતો, પછી વધારાની ગાડી ખરીદી‎આ ટેન્ડર થયું ત્યારે તેમાં આવો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો, પરંતુ અધિકારીઓના સૂચન પછી આ ગાડી ખરીદવામાં આવી હતી. અત્યાર સુધી આ મંદિરોમાંથી જે વસ્તુઓ આવતી હતી તે કચરામાં જતી હતી. જ્યારે હવે તે નાગરિકોના ઘરમાં આવશે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:30 am

ભાસ્કર એક્સક્લુસિવ:ટેકા'ને તાળા : સોરઠમાં ઘઉં ખરીદીના તમામ નવેનવ કેન્દ્રો ચૂંટણીના લીધે 7 દિવસમાં જ બંધ કરવા પડ્યા

સોરઠ પંથકમાં મગફળી, સોયાબીન, ચણા બાદ ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરવામાં આવી છે.પરંતુ તેમાં ચૂંટણીનું વિઘ્ન આવ્યું છે અને હાલ ખરીદી બંધ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સરકાર દ્વારા વિવિધ જણસની ખરીદી કરવામાં આવી રહી છે. અને ઘઉંની પણ ખરીદીના નિર્ણય બાદ ઓનલાઈન પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું હતું જેમાં કેશોદ તાલુકામાં જ 4200 ખેડૂતોએ ઘઉં વેચવા માટે નોંધણી કરાવી હતી અને ખરીદી પણ થોડા દિવસ પહેલા શરૂ કરવામાં આવી હતી. જોકે બાદમાં સ્ટાફ ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાયો હોય ખરીદી બંધ કરવાની નોબત આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. અને કેશોદ તાલુકામાં 4100 ખેડૂતોએ નોંધણી કરાવી હોય જેમાંથી 140 ને મેસેજ નાખી કેન્દ્ર પર બોલાવવામાં આવ્યા હતા અને 39ની ખરીદી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. બજારમાં 450, ટેકામાં 517નો ભાવસોરઠ પંથકમાં ખુલ્લા બજારમાં 450 થી 70 આસપાસ ભાવ મળી રહ્યા છે.જે પણ ગુણવત્તા મુજબ પરંતુ ટેકામાં પ્રતિમણ 517 રૂપિયા ભાવ હોવાનું જાણવા મળી રહ્યું છે. રોજ 100નો તોલ થાય તો પણ 40 દિ’ લાગેહાલ તો ચૂંટણીના લીધે ખરીદી બંધ થઈ છે જો દરરોજ 100 ખેડૂતોને બોલાવી તોલ કરવામાં આવે તો પણ 40 દિવસનો સમય લાગી શકે છે જેથી તોલમાં શ્રમિકો કે કાંટા વધારી વેગ આપવામાં આવે તો સમયસર કામગીરી થઈ શકે તેમ છે. લાંબો સમય રહે તો જીવાત પડી જશેસોરઠ પંથકના ખેડૂતોએ ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ખુલ્લામાં ઘઉંને લાંબો સમય સુધી સાચવી શકાય નહિ. જેમ જેમ ચોમાસુ નજીક આવતુ જશે તેમ ઘઉંમાં જીવાત પડી શકે છે અને ખેડૂતોને આર્થિક ફટકો પડી શકે છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:30 am

મોટા કાજલીયાળામાં હત્યાનો બનાવ:સસરાના ઘરમાં ઘુસી પત્ની, સસરા ‎સાસુને જમાઈએ છરી ઝીંકી દીધી‎

વંથલી તાલુકાના મોટા કાજલીયાળા ગામે રાત્રિના છૂટાછેડા મુદે રાત્રિના ઘરમાં છુપાઈને પતિએ પત્નીની હત્યાની કોશિષ કરી સાસુ-સસરા પર પણ છરી વડે હુમલો કરતા ત્રણેયને જૂનાગઢ સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઇ પોલીસે આરોપી સામે હત્યાની કોશિષ સહિતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મોટા કાજલીયાળાના 27 વર્ષીય પરિણીતા જયશ્રીબેન નિતિનભાઈ પરમારની ફરિયાદ અનુસાર તેઓએ તેમના ગામના નીતિન ધનજી પરમાર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ છેલ્લા 4 મહિનાથી તેના પિતા જીવણભાઈ મકવાણાના ઘરે રિસામણે હતા. જયશ્રીબેન તેના પતિ નિતિનભાઈ ધનજીભાઈ પરમાર સાથે છૂટાછેડા લેવા માંગતા હતા. જેનું મનદુઃખ રાખી પતિ ગત તા. 20 એપ્રિલના રોજ રાત્રે 2 વાગ્યે, છૂપી રીતે ઘરમાં પ્રવેશ્યો હતો. ​જયશ્રીબેન જ્યારે સંતાનો સાથે ઊંઘમાં હતા ત્યારે કોઈ આવ્યાનો અવાજ થતા જાગી ગયા હતા. એવામાં પતિ નિતિનએ કબાટ આડેથી આવી આજે તને મારી નાખવી છે તેમ કહીને પોતાની પાસે રહેલી છરી વડે જયશ્રીબેનના ગુપ્ત ભાગે, સાથળ અને હાથની આંગળીઓ પર ગંભીર ઘા ઝીંક્યા હતા. દીકરીની બૂમો સાંભળીને વચ્ચે છોડાવવા પડેલા સસરા જીવણભાઈ અને સાસુ શારદાબેન પર પણ શખ્સે છરીથી હુમલો કરી તેમને લોહીલુહાણ કરી નાખ્યા હતા. હુમલા બાદ પતિ નીતિન દિવાલ કૂદી નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા ત્રણેયને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વંથલી પોલીસે પરિણીતાની ફરિયાદ આધારે તેના પતિ નીતિન ધનજી પરમાર સામે હત્યાની કોશિશ સહિતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:30 am

ભારે અરેરાટી:શેરડીનો રસ પીતા દંપતી અને પિતા-પુત્રને કારે ઠોકરે ચડાવ્યા, મહિલા-કિશોરના મોત, બે ગંભીર

કાલાવડની ભાગોળે નવા માર્કેટીંગ યાર્ડ પાસે સોમવારે બપોરે ગમખ્વાર અકસ્માતમાં બે મહામુલી માનવ જીંદગી ભરખાઇ જવા પામી છે. શેરડીના રસના ચિચોડે રસ પીતા દંપતિ ઉપરાંત પિતા-પુત્ર સહિત ચાર લોકોને કારે ઠોકરે ચડાવતા સર્જાયેલા અકસ્માતમાં દંપતિ ખંડિત થયુ હતુ.જેમાં દંપતિ પૈકી મહિલાનુ ઘટનાસ્થળ પર જ મૃત્યુ નિપજયુ હતુ.જયારે પિતા-પુત્ર પૈકી તેર વર્ષીય કિશોરનુ પણ ગંભીર ઇજાથી મૃત્યુ નિપજયુ હતુ.અકસ્માતમાં મૃતક મહિલાના પતિ અને મૃતક કિશોરના પિતાનને ગંભીર હાલતમાં સારવાર અર્થે રાજકોટ અને જામનગરની હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવના પગલે કાલાવડ સહિત હાલારભરમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે. પોલીસે અકસ્માત સર્જનારા કારચાલકને સકંજામાં લીઘો છે. સુમાહિતગાર સુત્રોમાંથી મળતી વિગત અનુસાર કાલાવડની ભાગોળે નવા માર્કેટીંગ યાર્ડ પાસે શેરડીના રસતના ચિચોડે સોમવારે બપોરના સુમારે કાલાવડમાં રહેતુ મુળ દ્વારકાનુ એક દંપતિ તથા ડેરી ગામના પિતા-પુત્ર સહિત ચાર લોકો રસ પી રહયા હતા જે વેળાએ પુરપાટ દોડતી કારના ચાલકે સંભવત કાબુ ગુમાવતા ચારેય લોકોને ઠોકરે ચડાવ્યા હતા. જે ગોઝારા અકસ્માતના પગલે ગંભીર ઇજાગ્રસ્ત કિર્તીબેન હરીભાઇ ચાનપા (રે.કાલાવડ, મુળ મીઠાપુર, દ્વારકા) અને અયાન અશરફભાઇ ઠાસરીયા (ઉ.વ. 13)ના મૃત્યુ નિપજયા હતા.જયારે મૃતક મહિલાના પતિ હરીભાઇ ચાનપાને પણ ગંભીર ઇજા થતા વધુ સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા છે.જયારે મૃતક કિશોરના પિતાને પણ ગંભીર હાલતમાં સધન સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં લઇ જવાયા છે. કારની ભયાનક ટકકરના પગલે સ્થળ પર ભારે દેકારા સાથે અફડા તફડી મચી જવા પામી હતી.જયારે બનાવની જાણ થતા જ આજુબાજુના લોકો પણ ત્વરીત મદદઅર્થે દોડી આવ્યા હતા.જયારે સ્થાનિક પોલીસ ઉપરાંત 108ની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોચી હતી. આગળ જતી બસની સાઇડ કાપી ઓવર ટેઇક કરવા જતા કાર રોડ પરથી કાચા રસ્તે ઉતરી અકસ્માત સર્જયો હોવાનુ જાણવા મળ્યુ છે. આ ગોઝારા અકસ્માતના પગલે ચાલક સ્થળ પર વાહન મુકી નાશી છુટયાનુ સામે આવ્યુ હતુ.જેમાં પોલીસે અકસ્માત સર્જનારા ચાલકને પણ સકંજામાં લીઘો હોવાનુ જાણવા મળ્યુ છે. દંપતી દવા લેવા જામનગર આવ્યું’તું, પરત જતા તા.. મૃતક મહિલા કાલાવડની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા હતા,તેણીને પગમાં દુ:ખાવો થતો હોવાથી દંપતિ જામનગર દવા લેવા આવ્યુ હતુ.જાણવા મળ્યા મુજબ જે બાદ કાલાવડ પરત પહોચી યાર્ડ સામે ઉભા છીએ એમ કહી પુત્રને તેડી જવા માટે જાણ પણ કરી હતી.જે દરમિયાન જ જામનગર તરફથી આવતા કાળમુખી કારે દંપતિ સહિત ચારને ઠોકરે ચડાવતા મહિલાએ જીવ ગુમાવ્યો હોવાનુ જાણવા મળ્યુ છે. યાર્ડ આજુબાજુ ગેરકાયદે કેબીનોનો અડીંગો...કાલાવડ પંથકમાં રોડ સાઇડમાં રસપાન કરતા બે પરીવારના ચાર લોકોને કારે ઠોકરે ચડાવી બે લોકોનો ભોગ લીધો છે.માર્કેટીંગ યાર્ડ નજીક જ ગેરકાયદે મનાતી કેબીનો વગેરે કથિત દબાણોના કારણે પણ અકસ્માત સર્જાતા હોવાની બુમરાળ સ્થાનિકોમાં ઉઠી છે.અવાર નવાર અરજીઓ કરવા છતા તંત્ર દ્વારા નિકાલ કરાયો ન હોવાનો આક્રોશ પણ સ્થાનિકોમાં ઉઠયો હતો.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:30 am

તંત્રની તૈયારી:મહાનગરપાલિકાના 5 વોર્ડમાં 14 કરતા વધુ ઉમેદવારો હોવાથી બે ઈવીએમ મશીન મુકાશે

જામનગર વહીવટી તંત્રએ સોમવારે ઉમેદવારોની જાહેરની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં જામ્યુકોના વોર્ડ વાઈઝ ફાઈનલ ઉમેદવારોની યાદી પણ મુકવામાં આવી છે. જેમાં જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડના 64 સભ્યો પૈકીના 1 બિનહરીફ થતાં હવે 63 સભ્યો માટેની ચુંટણીમાં 206 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. આગામી 26 એપ્રિલના રોજ થનાર મતદાન માટે ઈવીએમ મશીનની પણ ફાળવણી કરવામાં આવી છે. જેમાં જામ્યુકોના 16 વોર્ડમાં 14થી વધુ ઉમેદવારો હોય તેવા 10 વોર્ડ છે. જેમાં 2 ઈવીએમ મશીન મુકવામાં આવશે. જેમ કે વોર્ડનં-1માં 20, વોર્ડનં-2માં 8 તેમજ વોર્ડનં-3માં 9, વોર્ડનં-4માં 12, વોર્ડનં-5માં 11, વોર્ડનં-6માં 19, વોર્ડનં-7માં 12, વોર્ડનં-8માં 12, વોર્ડનં-9માં 14, વોર્ડનં-10માં 11, વોર્ડનં-11માં 11, વોર્ડનં-12માં 12, વોર્ડનં-13માં 13, વોર્ડનં-14માં 10, વોર્ડનં-15માં 17 અને વોર્ડનં-16માં 15 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં સૌથી વધુ ઉમેદવારો વોર્ડનં-1માં 20 અને સૌથી ઓછા ઉમેદવારો વોર્ડનં-2માં માત્ર 8ઉમેદવારો મેદાનમાં છે. હાલ 16 પૈકીના 5 વોર્ડમાં 2 ઈવીએમ અને 11 વોર્ડમાં 1 ઈવીએમ મશીન મુકવામાં આવશે. જે અંગેની વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે અને ઈવીએમ મશીનની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. જામ્યુકોને 474 ઈવીએમ મશીનની ફાળવણી કરવામાં આવી... જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી પી.બી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ સ્ટ્રોંગરૂમમાંથી કડક સુરક્ષા વ્યવસ્થામાં EVM મશીનો બહાર કાઢી રેન્ડમાઇઝેશન પ્રક્રિયા દ્વારા તમામ મતદાન મથકો માટે કુલ 2137 મશીનોની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં જામ્યુકોને 474 ઈવીએમ તેમજ જામનગર જિલ્લા પંચાયતના 808 તેમજ જામનગર તાલુકા પંચાયતના 824 ઈવીએમ અને સીક્કા નગરપાલિકાના 31 ઈવીએમ મશીન ફાળવવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:30 am

આત્મહત્યા:શેરબજારમાં રૂા. 25 લાખના નુકસાનથી યુવાનનો આપઘાત

જામનગર શહેરમાં શેર બજાર ટ્રેડીંગ કરતા યુવાનને રૂ.25 લાખનું નુકશાન થતાં પોતાના ઘરે ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે. બનાવ અંગેની મૃતકના પત્નીએ પોલીસમાં જાહેર કર્યુ છે. શહેરના રાજપાર્ક ડિવાઈન હોસ્પિટલની પાછળ રહેતા દેવાંગભાઈ પ્રવિણભાઈ પોપટ (ઉ.વ.35) નામના યુવાન છેલ્લા છએક માસથી શેર બજારમાં ટ્રેડીંગ કરતા હતા. તેઓને આશરે પચ્ચીસેક લાખ જેટલુ નુકશાન થયું હતું. જેના કારણે ચિંતામાં રહેતા હતા અને ગત તા.7ના રોજ પોતાના ઘરે ઝેરી દવા પી લેતાં સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું લાંબી સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું. બનાવ અંગેની મૃતકના પત્ની દિવયાબેન દેવાંગભાઈ પોપટએ પોલીસમાં જાહેર કર્યુ હતું. પોલીસ હેડ કોન્સ્ટેબલ પી.કે.વાઘેલાએ મૃતદેહનો કબજો સ઼ંભાળીને પીએમ માટે મોકલી દીધો હતો. વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવથી સમાજમાં તેમજ શહેરમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. વધુમાં જાણવા મળ્યું છે કે, યુવાન ખાનગી નોકરી કરતા હોય અને તેમના પિતાને નાસ્તાની લારી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:30 am

સમસ્યા:ઓનલાઈન ફુડ વેચાણ કરતી પેઢી નિયમોનો ભંગ કરતા વેંચાણ બંધ

જામનગર શહેરમાં આવેલી બ્લીનકીટ કોર્મશિયલ પ્રાઈવેટ લીમીટેડ ઓનલાઈન ફુડ સપ્લાય કરતી પેઢી લાયસન્સના નિયમોનું પાલન ન કરતા સોમવારે જામ્યુકોની ફુડ શાખાની ટીમે દરોડો પાડ્યો હતો અને ચેકીંગ કરીને હાલ ઓનલાઈન વેંચાણની સાઈટ બંધ કરવામાં આવી છે. નિયમોનું પાલન થયા બાદ જ વેચાણ અંગેની પરમીશનની છુટ અપાશે તેવી સુચના આપવામાં આવી છે. શહેરમાં વેજ અને નોનવેજ ઓનલાઈનનું વેચાણ કરતી બ્લીનકીટ હાઈઝેનીક પેઢીમાં શરતોનો ભંગ થતો હોવાની જામ્યુકોની ફુડ શાખાની ટીમને ફરિયાદ મળી હતી. જેના આધારે સોમવારે બપોર બાદ ફુડ શાખાની ટીમે દરોડો પાડીને ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં લાયસન્સની શરતોનું પાલન કરવામાં આવતું ન હતું. જેથી ફુડ શાખાની ટીમે ઓનલાઈન વેંચાણની સાઈટ બંધ કરી દેવામાં આવી છે. પેઢીમાં પેસ્ટ કંટ્રોલ સર્ટીફિકેટ અને સફાઈ લાયસનસ મેળવીને જામ્યુકોની ફુડ શાખાની કચેરીએ રજુ કર્યાદ બાદ વેચાણ અંગેની પરમીશન આપવામાં આવશે, તેવી સુચના આપવામાં આવી છે. જેથી હાલ પેઢીમાં ઓનલાઈન ડીલેવરી કરતા માણસો પણ પહોંચી ગયા હતા. તમામ ઓનલાઈન વેંચાણની સાઈટ બંધ કરાવી દીધી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:30 am

હાલાકી:નાગમતી નદી પર દડિયા અને મોખાણાને જોડતો પુલ બન્યો ભયજનક, તંત્રના આંખ આડા કાન

જામનગર શહેરના ભાગોળે રણજીતસાગર ડેમની નીચે આવેલી નાગમતી નદી ઉપર આવેલા દડીયા અને મોખાણા ગામને જોડતા પુલ બે વર્ષથી ખખડધજ બની ગયો છે. પુલ બન્યાના બીજા જ વર્ષે તુટી જતાં તંત્રએ મૌન ધારણ કરી લીધું છે. આ પુલનું મરામત પણ કરવામાં આવતું નથી. હાલ આ પુલ પરથી વાહન લઈને પસાર થવામાં લોકોમાં ભય ફેલાઈ રહ્યો છે. રણજીતસાગર ડેમમાંથી પસાર થતી નાગમતી નદીમાં ચારેક વર્ષ પહેલા નવો પુલ બનાવવામાં આવ્યો છે. જે પુલ દડીયા-મોખાણા ગામના લોકોને આવન-જાવન માટે ઉપયોગી છે, તો ત્યાં આવેલા આશ્રમમાં જતાં લોકો માટે આ પુલ બહુ ઉપયોગી છે. આ પુલ બન્યાના બીજા જ વર્ષે આવેલા ભારે વરસાદના કારણે રણજીતસાગર ડેમ છલકાયો હતો અને પુલ ઉપરથી પાણી પસાર થયું હતું. જેથી પુલના પાછળના ભાગે મોટું બાકોરૂં પાડી નાંખવામાં આવ્યું છે. ઉપર પુલ એમને-એમ છે, પરંતુ નીચે ખોખલું બની ગયું છે. જેથી અડધા પુલ પરથી વાહન ચલાવવું જોખમી બની ગયું છે. આ અંગેની લોકોએ રજુઆત કરી છે, તો અધિકારીઓને પણ આ બાબતે જાણ છે, તેમ છતાં કોઈ પગલા લેવામાં આવતા નથી. તો પુલ બન્યાના બીજા ચોમાસામાં પુલ તુટી જાય તો બનાવનારની કોઈ જવાબદારી ન બને..? તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે. હાલ આ પુલ ખખડધજ બની ગયો છે, તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી. કોન્ટ્રાકટરને બચાવવામાં આવી રહ્યો છે કે, પછી ખુદ અધિકારીઓએ કડકી મેળવી લીધી હોવાથી પોતાનો બચાવ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:30 am

મોટી દુર્ઘટના ટળી:જામનગરમાં ટ્રેનનો પાટો તુટી જતાં દુર્ઘટના ટળી, ટ્રેન રોકાવી

જામનગર શહેરમાં અંધાશ્રમ નજીક રેલ્વે ટ્રેક પર અચાનક પાટો તૂટી જતાં રેલ્વે તંત્રમાં દોડધામ મચી ગયો હતો. રેલ્વેના ટેકનિકલ સ્ટાફે સ્થળ પર પહોંચીને સવા કલાકની જહેમતે પાટાનું રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આવેલી માલ ગાડીને થોંભાવી દેવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી. તડકાના કારણે ટ્રેનનો પાટો તુટ્યાનું રેલ્વે અધિકારીઓએ તારણ આપ્યું છે. શહેરના ગાંધીનગર રેલ્વે સ્ટેશનથી કાનાલુસ રેલ્વે ટ્રેક ઉપર અંધાશ્રમ પાસે પાટો તુટી ગયો હતો, અને સવારમાં રેલ્વે સ્ટાફ આજે સોમવારે સવારે રૂટીન ચેકીંગમાં નિકળ્યા હતા. સવારે 9:50 મીનીટે કીમેન અશોકકુમારને જાણ થતાં તેમણે રેલ્વેના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. રેલ્વેનો ટેકનિકલ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. લોખંડના પાટાનું રીપેરીંગ કામ હાથ ધરીને અંદાજે 11:10 કલાકે કામ પુર્ણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આવેલી માલગાડીને થોભાવી દેવામાં આવતા મોટી દુર્ધટના ટળી હતી. ટ્રેનને ગાંધીનગર રેલ્વે સ્ટેશનથી આગળ જ થોભાવી દેતાં અંદાજે થોડી મીનીટો જ મોડી થઈ હતી. જે બાદ ટ્રેનને પસાર કરવામાં આવી હતી. આ ઘટનાથી મોટી દુર્ઘટના અટકી હતી. જામનગર શહેરના અંધાશ્રમ પાસે રેલ્વેના પાટો અચાનક તુટી ગયો હતો. જે હાલ તડકાના કારણે તુટી શકવાનું કારણ રાજકોટના પીઆરઆઈ વિવેક તિવારીએ જણાવ્યું હતું. પરંતુ હાલ આ પાટા તુટી જવાથી મોટી દુર્ઘટના ટળી હતી.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:30 am

ચોમાસા પહેલા મ્યુ. તંત્ર એક્શનમાં:જામનગર શહેરમાં 225થી વધુ ભયજનક ઈમારતો, 26 ઈમારતોનું ડિમોલિશન કરાયું

જામનગર શહેરમાં 225 જેટલી આવેલી જર્જરિત ઈમારતોની સર્વેની કામગીરી મ્યુ.તંત્રના ટીપીઓ શાખાએ શરૂ કરી છે. ભયજનક જણાતી ઈમારતોના ભાગોને દુર કરવા માટેની નોટિસ બજવણીની કામગીરી હાથ ધરી છે અને 8 ભયજનક ઈમારતોના માલિકોને નોટિસ આપી છે. તો ગત વર્ષે આપેલી નોટિસો પૈકીના 26 મિલકતોનું ડીમોલિશન કરવામાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકાની ટીપીઓ શાખાની જુદી જુદી 6 ટીમોએ શહેરમાં આવેલી જર્જરિત અને ભયજનક ઈમારતોની સર્વેની કામગીરી હાથ ધરી છે અને આગામી ચોમાસા પહેલા તે ઈમારતો અથવા ઈમારતોનો જે તે જર્જરિત ભાગ દુર કરવા માટેની નોટિસો આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે ગત વર્ષે શહેરમાં 225 જર્જરિત ઈમારતોને નોટિસો આપવામાં આવી હતી. જેમાં અમુક વ્યક્તિઓએ પોતાની ઇમારતોનું રીનોવેશન કરાવી તેમજ અમુક ભાગ દુર કરીને ભયમુક્ત કરી હતી. તેમ છતાં મોટા ભાગના વ્યક્તિઓએ પોતાની જર્જરિત ઈમારતો તેમજ અમુક હિસ્સો દુર કરવામાં આવ્યો ન હતો. જેથી તેવો ટીપીઓ શાખા દ્વારા 26 મિલ્કતોનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું. જર્જરિત ઈમારતો તેમજ ભયજનક હિસ્સો દુર કરવામાં આવ્યો હતો. ચાલુ વર્ષ 2026માં ટીપીઓ શાખાની 6 ટીમોએ આવી જર્જરિત અને ભયજનક ઈમારતોની સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં 8 જર્જરિત મિલકતધારકોને નોટિસ આપવામાં આવી છે. તો ગત વર્ષની જર્જરિત ઈમારતોનો સર્વે કરવામાં આવી રહ્યો છે. નોટિસમાં વર્ષ 2026ની પ્રિ-મોન્સુન કામગીરીના ભાગરૂપે આવા જામનગર મહાનગરપાલીકાની હદ વિસ્તારમાં આવેલ ભયજનક, જર્જરિત ઈમારતો કે ઈમારતોના ભાગમાં રહેઠાણ કરનાર તમામ આસામીઓને તાત્કાલિક બાંધકામને સેઈફ સ્ટેજે લાવી જામ્યુકોના માન્ય સ્ટ્રક્ચર એન્જીનીયર પાસેથી સ્ટેબીલીટી અંગેનું સર્ટીફીકેટ મેળવી ટાઉન પ્લાનીંગ શાખામાં રજુ કરવું. અન્યથા કોઇપણ હોનારતને લીધે જાનહાનિ થશે તો તેની સંપુર્ણ જવાબદારી જે-તે ઈમારતનો ભોગવટો ધરાવનાર અથવા આસામીની રહેશે. વર્ષે જર્જરિત 6 ઈમારતોનો અમુક ભાગ તુટ્યો'તો જામનગર શહેરમાં ગત વર્ષ 2025માં 225 આસામીઓને જર્જરિત ઈમારતોના માલિકોને નોટિસો આપી હતી. તેમ છતાં જર્જરિત ઈમારતોના અમુક હિસ્સાઓ દુર ન કરાતા 6 જેટલી ઈમારતોમાં દુર્ઘટના સર્જાય હતી. પરંતુ કોઈ મોટી દુર્ઘટના સર્જાય ન હતી. જેમાં મોટી જાનહાની થવા પામી ન હતી.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:30 am

દરોડો:જાફરાબાદમાં જુગાર રમતી 4 મહિલાઓ ઝડપાઈ

જાફરાબાદ ગઈ કાલે સાંજે આશરે 06:00 વાગ્યે પોલીસ કોન્સ્ટેબલ બરવીનભાઈ જયંતિભાઈ ચૌહાણ તેની ટીમે જાફરાબાદની ગાયત્રી સોસાયટી વિસ્તારમાં બહાદુરભાઈ હસનાણીના ઘરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં દરોડો પાડ્યો હતો. જ્યાં ચાર મહિલાઓ જાહેરમાં ગંજીપત્તાનો હારજીતનો તીનપત્તીનો જુગાર રમતી હોવાનું જણાયું હતું. પોલીસે સ્થળ પરથી ફરીદાબેન અફજલભાઈ મંસુરી (ઉ.વ.55) રહે. નવઘરા બજાર, મીનાજબેન બહાદુરઅલી હસનાણી (ઉ.વ.50) રહે. સાંઇનાથ સોસાયટી, જુબીબેન જેઠવા (ઉ.વ.40) જાફરાબાદ તથા નુરબાનુબેન ઇસ્માઇલભાઈ પદમાણી (ઉ.વ.58) રહે. ઉના ખોજા સોસાયટી મળી કુલ ચાર મહિલાને રોકડ રૂપિયા 13720 સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:30 am

હુમલો:માંડણ ગામમાં 3 શખ્સોનો પથ્થર વડે યુવાન પર હુમલો

રાજુલા તાલુકાના માંડણ ગામે દલીત યુવાન પર હુમલાની ઘટના સામે આવી છે. ગાળો આપી મારપીટ કરવા તથા પથ્થર મારી માથામાં ઈજા પહોંચાડવાના મામલે ત્રણ આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. માંડણ ગામે રામાપીર મંદિરવાળી શેરીમાં રહેતા લલીતભાઈ મોહનભાઈ વાળા (ઉં.વ.23) તા. 16 એપ્રિલના રોજ બપોરે આશરે 3:30 વાગ્યે મચ્છુંદડા રોડ પર સરકારી પડતર જમીન પર સુજલમ સુફલમ યોજનાનું કામ ચાલતું હતું. ત્યારે ત્યાં JCB ડ્રાઈવરને માવો આપવા ગયા હતા. તે દરમિયાન છગન ઉકાભાઈ હડીયા ત્યાં આવી તેઓને ગાળો આપી અહીં આવવાનું નહીં કહી ધમકી આપી હતી. આ જ દિવસે રાત્રે આશરે 10:30 વાગ્યે લલીતભાઈ માંડણ ગામના શાક માર્કેટ પાસે બેઠા હતા ત્યારે છગન હડીયા ત્યાં આવી બોલાચાલી કરી ઢીકા-પાટુનો માર માર્યો હતો. તેમજ ગઈ કાલે રાત્રે આશરે 8:30 વાગ્યે ઉકા બોઘાભાઈ હડીયા અને બાબુ હડીયા સમાધાન માટે લલીતભાઈના મોટા બાપુ અને સરપંચ ગોવિંદભાઈ કાનાભાઈ વાળાના ઘરે આવ્યા હતા. ત્યારે ફરી બોલાચાલી થઈ હતી. લલીતભાઈ ઘરની બહાર ઉભા હતા ત્યારે આ શખ્સોએ પથ્થર મારી માથામાં ઈજા પહોંચાડી હતી. જેને સારવાર માટે રાજુલા સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. આ અંગે છગન ઉકાભાઈ હડીયા, ઉકા બોઘાભાઈ હડીયા અને બાબુ બોઘાભાઈ હડીયા વિરુદ્ધ રાજુલા પોલીસમાં ગુન્હો નોંધાવવામાં આવ્યો છે જેની આગળની તપાસ નાયબ પોલીસ અધિક્ષક એન.બી. ગોરડીયા ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:30 am

પાટોત્સવ‎:1.50 કરોડના ખર્ચે નિર્માણ પામેલા રામજી મંદિરનો પાટોત્સવ

અમરેલીના લાપાળીયામાં 1.50 કરોડના ખર્ચે નિર્માણ પામેલા નૂતન રામજી મંદિરનો પ્રથમ પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. આ પ્રસંગે સુરતથી પણ મોટી સંખ્યામાં લોકો વતનમાં ઉમટી પડ્યા હતા. ગામ સમસ્ત ધુમાડાબંધ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. દાતાઓ દ્વારા વિવિધ રકમનું દાન જાહેર કરવામાં આવ્યું હતું. સવારે 8 કલાકે ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાજીની મૂર્તિઓનું વૈદિક મંત્રોચ્ચાર સાથે અભિષેક અને પૂજન કરવામાં આવ્યું હતું. પૂજનવિધિમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. બે કલાક સુધી ગામના વિવિધ વિસ્તારોમાં કીડીયારૂં કરવામાં આવ્યું હતું. ગાયોને ચારો નાખવામાં આવ્યો હતો. બપોરના સમયે લાપાળીયા ગામના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં ધાર્મિક ઝાંખીઓ, ભજન મંડળીઓ અને પરંપરાગત વાદ્યો સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. ગામ સમસ્ત દ્વારા ધુમાડા બંધ ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌએ એકસાથે ભોજન લીધું હતું. સમસ્ત ગામ દ્વારા રાસ-ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:30 am

ભૂમિપૂજન:રાજુલાના રામપરા ખાતે ગ્રામજનો દ્વારા પ્રવેશદ્વારનું મકરાયુ

રાજુલા તાલુકાના રામપરા ર ગામે સ્વ. જીકારભાઈ ભગવાનભાઈ વાઘના સ્મરણાર્થે ગામના પ્રવેશદ્વારના નિર્માણ માટે ભૂમિપૂજન વિધિ યોજાઈ હતી. મુખ્ય પ્રવેશ સ્થાને બનનાર આ ગેટ આવનારા સમયમાં ગામની ઓળખરૂપ બની રહેશે. રાજુલાના રામપરા ગામે બનનાર આ પ્રવેશદ્વાર માટે ગામના દાતા લાલાભાઈ જીકારભાઈ વાઘ, તથા વિશાલભાઈ જીકારભાઈ વાઘ દ્વાર ભૂમિદાન કરવામાં આવ્યું છે. તેમજ ગેટના નિર્માણ માટે પણ સહયોગ આપવામાં આવ્યો છે. આ પ્રસંગે પૂજન વિધિ નિર્મોહી અખાડા પરિષદના અધ્યક્ષ મહંત રાજેન્દ્રદાસ બાપુની હાજરીમાં યોજાઈ હતી. ઉપરાંત કળાઈના ગઢ વાઢ સુવાઈ માંના પુજારી પ્રકાશદાદાએ પણ હાજરી આપી આશીર્વાદ આપ્યા હતા. ભૂમિપૂજન કાર્યક્રમ દરમિયાન સાવજભાઈ ભગવાનભાઈ વાઘ, દેસુરભાઈ વાઘ, બાબુભાઈ એ. વાઘ, લખમણભાઈ વાઘ, ઉપસરપંચ સાવજભાઈ વાઘ, ભગવાન ભાઈ વાઘ, જયેશભાઈ, તેમજ સેવક દુલાભાઈ વૃંદાવન બાગ ખાસ ઉપસ્થિત રહ્યા હતા..

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:30 am

વિદ્યાર્થીઓને અપાયું માર્ગદર્શન:પોલીસે સાઈબર ક્રાઈમ અંગે છાત્રોને સમજણ આપી

ચલાલા ખાતે આવેલી રક્ષા શક્તિ ગર્લ્સ સ્કૂલમાં પોલીસ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને સાઇબર ક્રાઇમ અંગે જાગૃત કરવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ચલાલા પોલીસ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આધુનિક યુગમાં વધી રહેલા ઓનલાઈન ગુનાઓથી કેવી રીતે બચવું તે અંગે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ચલાલા પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને ગુડ ટચ અને બેડ ટચ અંગે સમજાવવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને સચેત રહેવા અને કોઈપણ શંકાસ્પદ ઘટના બને ત્યારે તરત જ માતા-પિતા અથવા શિક્ષકોને જાણ કરવાની સલાહ આપી હતી. આ સાથે સાઇબર ક્રાઇમના વિવિધ પ્રકારો અને તેના નિવારણ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાંથી મહત્વપૂર્ણ માહિતી મેળવી સાઇબર સુરક્ષા અંગે વધુ જાગૃત બનવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:30 am

ભેજ 76 ટકા રહેતા બફારો વધ્યો:ગરમીનો પારો 40.9 ડિગ્રી પર પહોંચતા આકરો તાપ પડ્યો

ઉનાળાએ આજે જિલ્લામાં ગરમીએ પોતાનો અસલી મિજાજ બતાવતા મહત્તમ તાપમાનનો પારો 40.9 ડિગ્રી પર પહોંચતા આકરો તાપ પડ્યો હતો. જેના કારણે બપોરના સમયે આકરા તાપને લીધે રસ્તાઓ સુમસામ બન્યા હતા. માત્ર ગરમી જ નહીં પણ હવામાં ભેજનું ઊંચું પ્રમાણ પણ લોકોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યું છે. આજે અમરેલીમાં હવામા ભેજનું પ્રમાણ 76 ટકા નોંધાતા બફારાનું પ્રમાણ વધુ હતુ. પવનની ગતિ પણ માત્ર પ્રતિ કલાક 4.0 કિલોમીટર રહી હતી. જેના કારણે ગરમીમાં કોઈ ખાસ રાહત મળી ન હતી. બપોરે 12 થી 4 દરમિયાન તાપમાનમાં ઉછાળો આવતા શહેરના મુખ્ય માર્ગો પર કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. તબીબોએ આકરા તાપમાં બિનજરૂરી બહાર ન નીકળવા અને વધુ પ્રમાણમાં પ્રવાહી લેવા લોકોને અપીલ કરી છે. આ ઉપરાંત અમરેલી જિલ્લામાં આજે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. પરંતુ જિલ્લામાં ક્યાય વરસાદ પડ્યો ન હતો.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:30 am