SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

31    C
... ...View News by News Source

પૂજારીના મોબાઇલમાંથી વૃદ્ધાઓના 150થી વધુ ફોટો મળ્યાં:પાણી પીવા બોલાવી દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા, 15 તોલા સોનું લૂંટ્યું, જૂનાગઢની ગુમ વૃદ્ધાનો કેસ 7 મહિને ઉકેલાયો

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ખમીદાણા ગામના છેવાડે આવેલા એક અવાવરૂ કૂવામાંથી માનવકંકાલ અને કીમતી દાગીના મળતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે કૂવામાંથી કચરાની ભરેલી થેલીમાંથી હાડપિંજરનાં ટુક્ડા બહાર કાઢ્યાં હતા. ત્યારે સાત મહિના પહેલા રહસ્યમય રીતે ગુમ થયેલા 65 વર્ષીય સુમરીબેન ઉર્ફે મણીબેન બારૈયાના કેસમાં મોટો ખુલાસો થયો છે. ખમીદાણ ગામનો પુજારી મહેશ વ્યાસ નામના આરોપીએ લૂંટના ઈરાદે વૃદ્ધની કરપીણ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં આરોપીએ વૃદ્ધા પર દુષ્કર્મનો પ્રયાસ પણ કર્યો હતો. જૂનાગઢ આર.આર. સેલની ટીમે સતત મહેનત બાદ આ વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પાંચ કલાકની સઘન પૂછપરછ બાદ આરોપીએ ગુનો કબુલ્યોઆ મામલે આર.આર. સેલના પીઆઇ સી.વી. નાયકે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, રેન્જ આઇજીની સૂચના મુજબ વણશોધાયેલા ગુનાઓ પર કામ કરતા ખમીદાણના આ કેસમાં ઊંડાપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સમાં વૃદ્ધા પાસે સાદો ફોન હોવાથી કોઈ કડી મળતી નહોતી. તેથી પોલીસે માનવ સંસાધનોનો ઉપયોગ કર્યો. ખમીદાણ અને આસપાસના 450 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મહેશ મુકેશભાઈ વ્યાસના વર્તન પર શંકા ગઈ હતી. પાંચ કલાકની સઘન પૂછપરછ અને યુક્તિ-પ્રયુક્તિ બાદ મહેશે પોતાનો ગુનો કબુલ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, સુમરીબેન જ્યારે હોસ્પિટલથી પરત ફરી રહ્યા હતા, ત્યારે મહેશ વ્યાસ જે મંદિરનો પૂજારી હતો તેમને ઓળખતો હોવાથી તેણે પાણી પીવાના બહાને પોતાના ઘરે બોલાવ્યા હતા અને હત્યા કરી લૂંટી લીધા હતા. પકડાયેલા આરોપી મહેશ વ્યાસના મોબાઇલમાંથી ઉમર લાયક મહિલાઓના 150 વધુ ફોટાઓ મળી આવ્યા છે. જેને તેની હલકી માનસિકતા છતી કરી હતી. 'મહેશે વિશ્વાસઘાત કરીને તેમની હત્યા કરી નાખી'મૃતક સુમરીબેનના ભત્રીજા નાથાભાઈ વાઢીયાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા ફોઈ સુમરીબેન ગત 7 જૂન 2025ના રોજ આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે હોસ્પિટલ ગયા હતા. અમે પોલીસમાં વારંવાર રજૂઆતો કરી અને ન્યાય માટે હાઈકોર્ટનો સહારો પણ લીધો હતો. ફોઈ પોતાની સાથે હંમેશા 15 તોલા સોનું અને રોકડ રાખતા હતા. જેની જાણ ગામના જ મહેશ વ્યાસને હતી. મહેશે વિશ્વાસઘાત કરીને તેમની હત્યા કરી નાખી. આજે સાત મહિના બાદ સત્ય સામે આવ્યું છે. અમે માગ કરીએ છીએ કે આ આરોપીને ફાંસીની સજા મળે. પાણી પીવાના બહાને બોલાવી હત્યા કરી લૂંટી લીધાનાથાભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, મહેશ લાદી બતાવવાના બહાને ફોઈને રૂમમાં લઈ જઈ તેમની સાથે દુષ્કર્મ આચરવાની કોશિશ કરી હતી. જ્યારે વૃદ્ધાએ પ્રતિકાર કર્યો ત્યારે મહેશે તેમના જ ઓઢણાથી ગળે ટૂંપો દઈ તેમની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ આરોપીએ વૃદ્ધાના 15 તોલા સોનાના દાગીના અને 2 લાખની રોકડ લૂંટી લીધી હતી. આરોપીએ લૂંટના પૈસે ઘરમાં રિનોવેશન અને સોલાર પ્લાન્ટ ફીટ કરાવ્યોહત્યા કર્યા બાદ મહેશ વ્યાસે લાશને પ્લાસ્ટિકના બાચકામાં ભરી દોરીથી બાંધી દીધી હતી. તેણે આ લાશને પોતાની મોટરસાયકલ પર લઈ જઈ ગામની સીમમાં આવેલા એક અવાવરૂં કૂવામાં ફેંકી દીધી હતી. બીજી તરફ લૂંટના પૈસાથી તેણે પોતાના ઘરમાં રિનોવેશન કરાવ્યું અને સોલાર પ્લાન્ટ પણ ફીટ કરાવ્યો હતો. તેની અચાનક બદલાયેલી રહેણી-કહેણી જ પોલીસ માટે શંકાનું મુખ્ય કારણ બની હતી. કૂવાથી 100 મીટર દૂર બાવળીયામાંથી વૃદ્ધાનું કંકાલ મળ્યુંઆરોપીની કબુલાત બાદ જ્યારે પોલીસ તેને કૂવા પાસે લઈ ગઇ અને તાપસ કરી ત્યારે ત્યાંથી વૃદ્ધાની ચીજવસ્તુઓ તો મળી આવી પરંતુ લાશ કે કંકાલ મળ્યા નહીં. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન નદીના પૂરને કારણે કૂવો છલગાઈ ગયો હતો. આ માહિતી મળતા જ પોલીસ ટીમે કૂવાની આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અંતે કૂવાથી 100 મીટર દૂર બાવળની જાળીમાંથી કોથળામાં બંધાયેલું વૃદ્ધાનું કંકાલ મળી આવ્યું હતું. પોલીસે ગાંઠિયા, વેફર અને બિસ્કીટ ખાઈને પણ પોતાની ફરજ બજાવીનાથાભાઈ વાઢીયાના જણાવ્યા મુજબ પોલીસે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. તપાસના 17 દિવસ દરમિયાન પોલીસ સ્ટાફ સાંજ-સવાર જોયા વગર ગામમાં જ રહ્યો હતો. ઘણીવખત જમવાનો સમય ન મળતા પોલીસે ગાંઠિયા, વેફર અને બિસ્કીટ ખાઈને પણ પોતાની ફરજ બજાવી હતી. આ ઝીણવટભરી તપાસને કારણે જ આજે ગુનેગાર પાંજરે પુરાયો છે. આરોપી વિરૂદ્ધ હત્યા અને લૂંટનો ગુનો દાખલકેશોદ પોલીસ સ્ટેશનમાં આરોપી મહેશ મુકેશભાઈ વ્યાસ વિરૂદ્ધ BNS કલમ 103(1), 309(4), 62 અને 238(એ) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા વૃદ્ધાના દાગીના કબેજ કરવાની અને વધુ પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી ચાલુ છે. ગામના પૂજારી તરીકે ઓળખાતા વ્યક્તિએ આચરેલા આ જઘન્ય કૃત્યથી સમગ્ર ખમીદાણા ગામમાં આરોપી સામે ફિટકારની લાગણી વરસી રહી છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 6:28 pm

પાટણ વન વિભાગે વિશ્વ જળ પ્લાવિત દિવસની ઉજવણી કરી:નાયબ વન સંરક્ષક એન.જે. પરમારના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો

પાટણ વન વિભાગ વિસ્તરણ રેન્જ દ્વારા વિશ્વ જળ પ્લાવિત દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ નાયબ વન સંરક્ષક પાટણના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. દર વર્ષે 2 ફેબ્રુઆરીએ વિશ્વ જળ પ્લાવિત દિવસની ઉજવણી થાય છે. કાર્યક્રમમાં મદદનીશ વન સંરક્ષક ટી.એચ. ચૌધરીએ જળ પ્લાવિત વિસ્તારો વિશે સવિસ્તાર માહિતી આપી હતી. ત્યારબાદ, કાર્યક્રમના અધ્યક્ષ અને નાયબ વન સંરક્ષક એન.જે. પરમારે જળ પ્લાવિત વિસ્તારોનું મહત્વ અને તેના સંરક્ષણ અંગે સરળ અને સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પરમારે વેટલેન્ડની જાણકારી, તેનું મહત્વ, ગુજરાતમાં આવેલી રામસર સાઇટ્સ અને તાજેતરમાં જાહેર થયેલી નવી રામસર સાઇટ છારીઢંઢ વેટલેન્ડ વિશે પણ માહિતી આપી હતી. આ ઉજવણીમાં નાયબ વન સંરક્ષક એન.જે. પરમાર, મદદનીશ વન સંરક્ષક ટી.એચ. ચૌધરી, પરિક્ષેત્ર વન અધિકારી પી.એમ. ચૌધરી (પાટણ), પાટણ વિસ્તરણ રેન્જ અને સિદ્ધપુર વિસ્તરણ રેન્જના તમામ સ્ટાફ તેમજ પર્યાવરણ પ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ નાયબ વન સંરક્ષક પાટણના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 6:16 pm

વલસાડ સાયબર ક્રાઈમે મ્યુલ એકાઉન્ટ રેકેટનો પર્દાફાશ કર્યો:સાયબર ફ્રોડના રૂ. 7.60 લાખ સગેવગે કરનાર એક આરોપી ઝડપાયો

વલસાડ સાયબર ક્રાઈમ પોલીસે ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે. આ ઓપરેશનમાં સાયબર છેતરપિંડીના નાણાં સગેવગે કરવા માટે વપરાતા ‘મ્યુલ એકાઉન્ટ’ના રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે રૂ. 7.60 લાખની ફ્રોડ રકમ શોધી કાઢી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધારની શોધખોળ ચાલુ છે. પોલીસે ભારત સરકારના I4C (Indian Cyber Crime Coordination Center) તરફથી મળેલી ચોક્કસ માહિતીના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન, વલસાડના મોગરાવાડી વિસ્તારના શાહીદ સમસાદખાનના બેંક ખાતામાં સાયબર ફ્રોડની શંકાસ્પદ રકમ જમા થતી હોવાનું જણાયું હતું. આ રકમ ATM અને ચેક દ્વારા ઉપાડવામાં આવતી હતી. પોલીસ પૂછપરછમાં શાહીદ સમસાદખાને કબૂલ્યું કે, તેણે પોતાનું બેંક ખાતું મુખ્ય આરોપી અબ્દુલ્લા આરીફ અન્સારીને આપ્યું હતું. અબ્દુલ્લા અને તેની ટોળકી પાર્ટ-ટાઈમ જોબ, ઇન્વેસ્ટમેન્ટ અને વર્ક ફ્રોમ હોમની લાલચ આપી લોકોને છેતરતી હતી. છેતરપિંડીથી મેળવેલી રકમ મ્યુલ એકાઉન્ટમાં જમા કરાવી આગળ ટ્રાન્સફર કરવામાં આવતી હતી. આ કેસમાં પોલીસે શાહીદ સમસાદખાન (રહે. સલાબત મંઝિલ, મોતીવાડી, મોગરાવાડી, વલસાડ)ની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી અબ્દુલ્લા આરીફ અન્સારી (રહે. સુધાનગર, વલસાડ) હાલ ફરાર છે અને તેને પકડવા માટે કાર્યવાહી ચાલી રહી છે. વલસાડ સાયબર ક્રાઈમ પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે, નાની રકમની લાલચમાં આવીને કોઈ પણ વ્યક્તિએ પોતાનું બેંક ખાતું કે સીમકાર્ડ અન્યને ઉપયોગ માટે આપવું નહીં. ખાતાનો ગેરકાયદેસર ઉપયોગ થવા પર તેની સંપૂર્ણ જવાબદારી ખાતાધારકની રહેશે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 6:13 pm

બોટાદમાં બાળકીનો જન્મ દાખલો 3 વર્ષથી અટક્યો:હોસ્પિટલે ડેટા ઓનલાઈન દાખલ ન કરતા પરિવાર સરકારી લાભોથી વંચિત

બોટાદમાં શ્રદ્ધા વુમન્સ હોસ્પિટલની કથિત બેદરકારીને કારણે એક બાળકીનો જન્મ દાખલો છેલ્લા ત્રણ વર્ષથી અટવાયેલો છે. જન્મ પ્રમાણપત્ર મેળવવા માટે બાળકીના માતા-પિતા હોસ્પિટલ અને નગરપાલિકા વચ્ચે હાલાકી ભોગવી રહ્યા છે. બાળકીના માતા-પિતાએ જણાવ્યું કે, તેમની બાળકીનો જન્મ શ્રદ્ધા વુમન્સ હોસ્પિટલમાં સિઝેરિયન દ્વારા થયો હતો. હોસ્પિટલના રજિસ્ટરમાં જન્મની નોંધણી થઈ હોવા છતાં, હોસ્પિટલ દ્વારા નગરપાલિકામાં જન્મ સંબંધિત ઓનલાઈન ડેટા મોકલવામાં આવ્યો નથી. આ કારણે નગરપાલિકાના જન્મ નોંધણી રેકોર્ડમાં બાળકીનું નામ આજદિન સુધી નોંધાયું નથી. પરિવારે આ બાબતે વારંવાર હોસ્પિટલનો સંપર્ક કર્યો છે, પરંતુ તેમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. નગરપાલિકાના જન્મ-મરણ નોંધના સબ-રજિસ્ટરે જણાવ્યું કે, હોસ્પિટલ દ્વારા ઓનલાઈન ડેટા ન મોકલવામાં આવવાને કારણે જન્મ પ્રમાણપત્ર કાઢી શકાય તેમ નથી. જન્મ પ્રમાણપત્રના અભાવે બાળકી સરકારી યોજનાઓ, શૈક્ષણિક લાભો અને અન્ય આવશ્યક સુવિધાઓથી વંચિત રહી છે. ત્રણ વર્ષથી સતત રજૂઆતો છતાં આ મામલે કોઈ ઉકેલ આવ્યો નથી. આ પરિસ્થિતિ હોસ્પિટલની કથિત બેદરકારી અને સંબંધિત તંત્રની કાર્યપદ્ધતિ પર સવાલો ઉભા કરે છે. આ મામલે શ્રદ્ધા હોસ્પિટલના ડોક્ટર ગુંજન બદ્રુકીયાએ કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 5:56 pm

આજ રાત પડતા પડતા તાપમાન ત્રણ ડિગ્રી ઘટશે:જંગલેશ્વરમાં ડિમોલીશન પર રોક લાગતા 1358 પરિવારોને રાહત, દાહોદના પરિવાર સાથે ટ્રેનમાં મારામારી, વધુ એક વાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતી મહોત્સવ વડોદરામાં મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતી મહોત્સવ મનાવાઈ રહ્યો છે. 13 લાખ એનઆરઆઈ સાથે બે લાખ ભક્તો હાજર..15000થી વધુ બાળકોએ સત્સંગદીક્ષા ગ્રંથના શ્લોકોનું મુખપાઠ કરી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ડિમોલીશન પર રોક લગાવતા 1388 પરિવારોને રાહત રાજકોટના જંગલેશ્વરમાં થનાર ડિમોલીશન પર હાઈકોર્ટે રોક લગાવતા 1358 પરિવારોને ત્રણ મહિનાની રાહત મળી.. સાથે જ 2010ના પુનર્વસન સરક્યુલરને ધ્યાને લેવાની પણ તાકીદ કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કલેક્ટર ઓફિસ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટને મળી ધમકી રાજકોટ કલેક્ટર કચેરી અને જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. તંત્રએ તાત્કાલિક પરિસર ખાલી કરાવી અને બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને સાથે રાખી સઘન ચેકિંગ હાથ ધર્યું.. જો કે કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પહેલા દીકરીની છેડતી બાદમાં પરિવાર સાથે મારામારી અસ્થિવિસર્જન કરવા ઉજ્જૈન જતા દાહોદના પરિવાર સાથે ટ્રેનમાં વિધર્મી યુવકે મારપીટ કરી..યુવકે પરિવારની દીકરી પર સિગરેટનો ધૂમાડો છોડતા બોલાચાલી થઈ, જે બાદ યુવકે તેની કોમના અન્ય ટોળાને બોલાવી લીધું અને મારામારી કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો યુવકને ગાડીમાંથી ઉતારી ઢોર માર મારી વીડિયો બનાવ્યો આ તરફ ગીર ગઢડામાં સલીમ બુટલેગરના પુત્ર અને તેની ટોળકીએ કોળી સમાજના યુવકને ગાડીમાંથી ઉતારી ઢોર માર માર્યો અને તેનો વીડિયો બનાવ્યો..યુવકે લખાવ્યા મુજબ પોલીસે ફરિયાદ ન લેતા કોળી સમાજના લોકોએ પોલીસ સ્ટેશન પહોંચી રોષ વ્યક્ત કર્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ફૂલ સ્પીડમાં પાંચ વાહનો ઉડાવ્યા,પછી ખેંચનું બહાનું સુરતના મગદલ્લા ડુમસ રોડ પર વિરલ દેસાઈ નામના નબીરાએ મહિન્દ્રા BE-6 કારથી 5 વાહનોને અડફેટમાં લીધા. કોઈ જાનહાની નથી થઈ, પણ વાહનોને મોટું નુક્શાન થયું છે. તો નબીરાની કરતૂત છુપાવવા તેને ડ્રાઈવિંગ કરતા સમયે ખેંચ આવી ગઈ હોવાનું બહાનું કાઢ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કચોરીમાંથી જીવતો વંદો નીકળ્યો વડોદરાની 'હનુરામ ફૂડ્સ'ની કચોરી ચાટમાંથી જીવતો વંદો નીકળ્યો, જે જોઈ ગ્રાહકને ઉલટીઓ થવા લાગી. ફૂડ વિભાગે સેમ્પલ લઈ 10 હજાર રુ.નો દંડ ફટકાર્યો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પિતરાઈ કાકા અને બહેનોને કરી યુવકની હત્યા દ્વારકામાં પિતરાઈ કાકા અને બે બહેનોએ મળીને યુવકની હત્યા કરી... બાદમાં યુવકના પિતાને ફોન કરી કહ્યું, અમે તારા દીકરાને મારી નાખ્યો છે. પ્રેમ પ્રકરણમાં હત્યા કરાઈ હોવાનું અનુમાન છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઓનલાઈન ગેમિંગથી દોસ્તી કરી દુષ્કર્મ આચર્યું અમદાવાદની સગીરા પર પ.બંગાળના એક યુવકે દુષ્કર્મ આચર્યું. બંને ફ્રી ફાયર ગેમથી સંપર્કમાં આવ્યા હતા. ..યુવક સગીરાને ફોસલાવી તેને પ.બંગાળ લઈ જઈ રહ્યો હતો. જો કે પોલીસે અધવચ્ચેથી જ તેને ઝડપી પાડ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્યના તાપમાનમાં થથે 3 ડિગ્રી સુધીનો ઘટાડો આજ રાતથી રાજ્યમાં તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થશે..વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફરી ઠંડીનું પ્રમાણ વધશે.. તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 5:55 pm

પાટણ ભાજપમાં સંગઠનાત્મક ફેરફાર, ત્રણ મહામંત્રીઓને જવાબદારી:પ્રદેશ ભાજપની સૂચનાથી ઝોન પ્રભારી તરીકે નિમણૂક

પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવે ત્રણ મહામંત્રીઓને ઝોન પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. પ્રદેશ ભાજપની સૂચના અનુસાર આ નિમણૂકો તાત્કાલિક અસરથી અમલમાં આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપની સૂચના મુજબ પાટણ જિલ્લા ભાજપમાં સંગઠનાત્મક ફેરફારો કરાયા છે. આ ફેરફારનો મુખ્ય હેતુ સંગઠનની કામગીરીને પાયાના સ્તર સુધી વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવાનો છે. નિમણૂકો મુજબ, સંજયભાઈ પટેલને ઝોન-1 ના પ્રભારી બનાવાયા છે. આ ઝોનમાં પાટણ શહેર, પાટણ તાલુકો, સરસ્વતી તાલુકો, સિદ્ધપુર શહેર અને સિદ્ધપુર તાલુકાનો સમાવેશ થાય છે. બાબુજી ઠાકોરને ઝોન-3 ની જવાબદારી સોંપાઈ છે, જેમાં રાધનપુર શહેર, રાધનપુર તાલુકો અને સાંતલપુર તાલુકાનો સમાવેશ થાય છે. લાલજીભાઈ દેસાઈને ઝોન-2 ના પ્રભારી તરીકે નિયુક્ત કરાયા છે, જેમાં ચાણસ્મા શહેર, ચાણસ્મા તાલુકો, હારીજ શહેર, હારીજ તાલુકો, શંખેશ્વર તાલુકો અને સમી તાલુકાનો સમાવેશ થાય છે. આ નિમણૂકો અંગે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય ઉચ્ચ પદાધિકારીઓને પત્ર દ્વારા જાણ કરાઈ છે. આ નવી જવાબદારીઓથી આગામી સમયમાં જિલ્લામાં પક્ષની ગતિવિધિઓ અને સંગઠન લક્ષી કાર્યોને વેગ મળશે તેવી અપેક્ષા છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 5:54 pm

ભરૂચમાં લારીધારકોને યોગ્ય જગ્યા ફાળવવા AAPનું આવેદનપત્ર:કલેક્ટરને રજૂઆત: ટ્રાફિકના નામે હેરાનગતિનો આક્ષેપ

ભરૂચ શહેરમાં ફ્રૂટ અને શાકભાજીનું વેચાણ કરતા લારીધારકોને યોગ્ય જગ્યા ફાળવવા માટે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. AAPના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ અને ચિરાગસિંહ ગોહિલ સહિતના આગેવાનોએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આવેદનપત્રમાં જણાવાયું હતું કે, ભરૂચ શહેરમાં ઘણા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો નાની લારીઓ દ્વારા ફ્રૂટ અને શાકભાજી વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. અત્યાર સુધી નગરપાલિકા કે સરકારી તંત્ર દ્વારા આ લારીધારકોને કોઈ નિશ્ચિત જગ્યા ફાળવવામાં આવી નથી. આથી, તેઓ રોડ અને જાહેર માર્ગો પર ઉભા રહીને વ્યવસાય કરવા મજબૂર છે. આવી પરિસ્થિતિમાં ટ્રાફિકના નિયમભંગના નામે પોલીસ દ્વારા તેમની લારીઓ વારંવાર જપ્ત કરવામાં આવે છે અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં લારીધારકો પર દંડ પણ કરવામાં આવે છે. આમ આદમી પાર્ટીએ માંગ કરી છે કે, શહેરના લારીધારકોને તેમના વ્યવસાય માટે યોગ્ય વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે. આનાથી તેઓ નિર્ભય રીતે રોજગાર કરી શકશે અને ગરીબ તથા મધ્યમ વર્ગના પરિવારોના જીવનનિર્વાહ પર કોઈ અસર નહીં થાય.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 5:47 pm

રાજકોટમાં વંદે ભારત ટ્રેનની અડફેટે 3 વ્યક્તિ આવી:1નું મોત, ગોંડલ ચોકડી પાસે બની કરુણ ઘટના, અકસ્માત કે આત્મહત્યા?

રાજકોટના ગોંડલ ચોકડી પાસે એક કરુણ ઘટના બની છે, જેમાં વંદે ભારત ટ્રેને 3 વ્યક્તિઓને હડફેટે આવ્યા છે. આ ગંભીર અકસ્માતમાં હડફેટે આવેલા 3 વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર મામલો અકસ્માત છે કે આત્મહત્યાનો પ્રયાસ, તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. અમે સમાચાર સતત અપડેટ કરી રહ્યા છીએ……

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 5:44 pm

વિજયસ્તંભ સ્થાપના:સ્વામિનારાયણ જેતલપુરધામના રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠાના દ્વિશતાબ્દી પાટોત્સવ નિમિત્તે આયોજન

ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વહસ્તે જે નવ મંદિરો નિર્માણ કર્યા તેમાંનાં પાંચમાં જેતલપુરધામમાં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠા કરી તેને આગામી વિ. સ. 2082 ફાગણવદ આઠમ તા. 11-03-2026ના શુભમંગલ દિવસે 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેના ભાગરુપે નરનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. 1008 આચાર્ય કોશલેન્દ્રપ્રસાદજી મહારાજ તથા મોટા મહારાજ પ.પૂ. તેજેન્દ્રપ્રસાદજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી ભાવી આચાર્ય પ.પૂ.108 વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજના અધ્યક્ષ પદે દ્વિશતાબ્દી પાટોત્સવની તા.05-03-2026 થી તા.11-03-2026 સુધી ધામધૂમથી ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે મોટા મહારાજ પ.પૂ. તેજેન્દ્રપ્રસાદજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી નરનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. 1008 આચાર્ય કોશલેન્દ્રપ્રસાદજી મહારાજ દ્વારા ભાવી આચાર્ય પ.પૂ. 108 વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજ, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો, યજમાનો અને ગ્રામજનોની ઊપસ્થિતીમાં વિજયસ્તંભનું સ્થાપન કરવામાં આવ્યું હતું. વિજયસ્તંભની ઉંચાઇ 51 ફુટ છે જેની ઉપરની બાજુ સ્વામિનારાયણ સંપ્રદાયની ધજા લહેરાશે, આ સ્તંભને કાંસામાંથી નિર્માણ કરવામાં આવેલ છે. આ પ્રસંગે ભાવી આચાર્ય પ.પૂ. 108 વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજએ કહ્યું હતું કે આ ભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવ સમાજમાં આધ્યાત્મિકતા અને સામાજિક એકતાનો સંદેશ આપશે તથા આ મહોત્સવ માત્ર એક ધાર્મિક આયોજન નહીં, પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયની વર્ષો જૂની પરંપરા અને સંસ્કારોને ઉજાગર કરતો એક પર્વ બની રહેશે. આ દ્વિશતાબ્દી પાટોત્સવ દરમ્યાન શ્રીમદ સત્સંગી ભૂષણ સપ્તાહ પારાયણ, 200 કુંડી મહાવિષ્ણુયાગ, પોથી યાત્રા । પાલખી યાત્રા, નિત્ય ઠાકોરજીને કેસર અભિષેક, સ્વામિનારાયણ મહામંત્રની અખંડ ધૂન, નિત્ય સમૂહ મહાપુજા, નિત્ય ગૌમાતાનું પૂજન, સાંસ્કૃતિક પ્રદર્શન, ફ્લાવર શો, નવ ધામ મંદિરોના દર્શન, ચાર વેદની ચાર યજ્ઞશાળા, ઠાકોરજીને પુષ્પ અભિષેક, ઠાકોરજી નો મહા અભિષેક, ઠાકોરજીને છપ્પન ભોગનો અન્નકૂટ, ધર્મકુળ સ્થાપના દ્વિશતાબ્દી ઉત્સવ, જેતલપુર ધામ ડૉક્યુમેન્ટરી દર્શન, ધર્મકુળ પરંપરા ડોક્યુમેન્ટરી દર્શન, લાઈટ એન્ડ સાઉન્ડ શો ઉપરાંત રેવતી બળદેવજી નો લગ્ન ઉત્સવ અને દરરોજ જુદા જુદા વિષય પર પરીસંવાદ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ મહોત્સવ નિમિત્તે સ્વામિનારાયણધામ, જેતલપુર દ્વારા મંદિર પરીસરની આસ-પાસનાં ગામમાં આવેલી શાળાઓમાં ભણતાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા 15000 સ્કુલબેગનું વિતરણ કરવામાં આવશે. આ ભવ્ય મહોત્સવમાં દેશ-વિદેશમાંથી શ્રદ્ધાળુ ભક્તો અને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 5:44 pm

પાટણમાં પીવાના પાણીની કેનાલની સફાઈ શરૂ:ચીફ ઓફિસરના આદેશ બાદ 24 કલાકમાં પાણી આપવાની ખાતરી

પાટણ શહેરમાં પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે નગરપાલિકા દ્વારા સિંચાઈ કેનાલની સફાઈનું અભિયાન શરૂ કરાયું છે. ચીફ ઓફિસર હીરલબેનની સૂચનાથી આ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે, જેથી શહેરનો પાણી પુરવઠો પુનઃસ્થાપિત કરી શકાય. પાટણ નગરપાલિકા શહેરના રહેવાસીઓને સિંચાઈ કેનાલ મારફતે પીવાનું પાણી પૂરું પાડે છે. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી કેનાલમાં પાણીનો પ્રવાહ બંધ થતાં શહેરમાં પાણીની અછત સર્જાઈ હતી. આ પરિસ્થિતિને ધ્યાને લઈ, ચીફ ઓફિસર હીરલબેને કેનાલની તાત્કાલિક સફાઈના આદેશ આપ્યા હતા. જેના પગલે, કોર્પોરેટર દેવચંદભાઈ, જયેશ પટેલ અને અન્ય વોર્ડના કોર્પોરેટરોની હાજરીમાં બાંધકામ વિભાગના મજૂરો, સફાઈ કામદારો અને જેસીબી મશીનરીની મદદથી કચરો તથા કાંપ દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે. નગરપાલિકાના સત્તાધીશોએ જણાવ્યું છે કે, આ સફાઈ અભિયાન આગામી 24 કલાક સુધી સતત ચાલુ રહેશે. કેનાલ સંપૂર્ણપણે સાફ થયા બાદ પાટણ શહેરને ઝડપથી અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટેની તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કેનાલ સાફ થતાં જ પાણીનો પ્રવાહ શરૂ કરાશે, જેથી નાગરિકોને પડતી હાલાકીનો અંત આવશે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 5:40 pm

કાર-ટ્રેક્ટર અકસ્માતમાં સિક્યુરિટી સુપરવાઇઝર ગંભીર ઘાયલ:જમણા પગની ઢાકણીના ત્રણ ટુકડા થયા, બે તબક્કામાં સફળ ઓપરેશન કરાયું

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના નાગેલ ગામના 33 વર્ષીય શૈલેષભાઈ રાવત, જેઓ પાલનપુર જનરલ સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે, તેઓ પોતાના ગામથી પાલનપુર જઈ રહ્યા હતા. આ દરમિયાન વણસોલ–ઢેલાણા માર્ગ પર કાર અને ટ્રેક્ટર વચ્ચે ટક્કર થતાં તેમને પગના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માત બાદ શૈલેષભાઈને તાત્કાલિક ખાનગી વાહન મારફતે પાલનપુર બનાસ જનરલ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબોએ જમણા પગની ઢાકણીમાંથી વહી રહેલું લોહી રોકવા માટે સફાઈ કરી ટાંકા લીધા હતા. પગમાં અસહ્ય દુખાવો હોવાથી એક્સ-રે સહિતના જરૂરી રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા, જેમાં જમણા પગમાં ગંભીર ફ્રેક્ચર હોવાનું સામે આવ્યું હતું. આથી તેમને ઓર્થોપેડિક વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે જમણા પગની ઢાકણી (ની-કેપ) ત્રણ ટુકડામાં તૂટી ગઈ હતી. ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. સુનિલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ બીજા દિવસે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઓર્થો વિભાગના ડો. આશિષ પુરોહિત, ડો. દેવેન્દ્ર દેસાઈ, ડો. દર્શિત શાહ, ડો. રિયાઝ મસીયા સહિતના ડૉક્ટર સ્ટાફની ટીમે લગભગ એક કલાકની જહેમત બાદ વાયરનો ઉપયોગ કરીને બે તબક્કામાં સફળ ઓપરેશન કર્યું હતું. ઓપરેશન બાદ ત્રણ દિવસ સુધી નિયમિત ડ્રેસિંગ કરવામાં આવ્યું હતું. જોકે પગમાં હલનચલનમાં તકલીફ રહેતાં એક મહિના સુધી ફિઝિયોથેરાપી ચાલુ રાખવાની સલાહ આપવામાં આવી હતી. ફિઝિયોથેરાપીના ડો. સોનાલી કૌશિકે જણાવ્યું હતું કે, દર્દી જ્યારે હોસ્પિટલમાં આવ્યો ત્યારે પગમાં અસહ્ય દુખાવો હતો અને હલનચલનમાં ભારે મુશ્કેલી હતી. આધુનિક સાધનોની મદદથી દરરોજ એક કલાક સુધી વિવિધ કસરતો કરાવવામાં આવતાં એક મહિના બાદ દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ થયો છે અને હવે પોતાની જાતે ચાલી શકે છે. આ અંગે શૈલેષભાઈ રાવતે જણાવ્યું હતું કે, અકસ્માત બાદ તેમને પગ સાજો થશે કે નહીં તેની ભારે ચિંતા હતી. પરંતુ બનાસ જનરલ સિવિલ હોસ્પિટલમાં ઉત્તમ સારવાર અને સુવિધાઓ મળતાં આજે તેઓ ફરીથી પોતાના રોજિંદા કાર્ય પર પરત ફર્યા છે. તેમણે ડૉક્ટરો, ફિઝિયોથેરાપી નર્સિંગ સ્ટાફ અને બનાસ પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 5:33 pm

હિંમતનગરમાં બે આખલાની લડાઈ CCTVમાં કેદ:પાણી છાંટવા છતાં લડાઈ ચાલુ રહી, સ્થાનિકોમાં ભયનો માહોલ

હિંમતનગરના પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં બે આખલા વચ્ચે લડાઈ થઈ હતી. આ ઘટના સોમવારે સવારે બની હતી અને નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના પોલોગ્રાઉન્ડ પાસેની રૂષભદેવ સોસાયટી નજીકના રોડ પર સવારે 8 વાગ્યાની આસપાસ બની હતી, જે શાળાનો સમય હોય છે. આખલાઓની લડાઈ એટલી ઉગ્ર હતી કે આસપાસના લોકો થોડા સમય માટે થંભી ગયા હતા. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહલો જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ આખલાઓને છૂટા પાડવા માટે તેમના પર પાણી પણ છાંટ્યું હતું. તેમ છતાં, બંને આખલાઓ વચ્ચેની લડાઈ ચાલુ રહી હતી અને તેઓ એકબીજા સાથે અથડાતા રહ્યા હતા. આ સમગ્ર ઘટના સ્થાનિક રહેવાસી શ્રવણકુમાર સાંખલાના ઘરે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે રેકોર્ડ થઈ ગઈ હતી.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 5:23 pm

છેડતીના આરોપીની જામીન અરજી રદ:ઉત્તરાયણની રાત્રે કાંકરિયામાં 19 વર્ષીય યુવતીની સાથે આવવાનું કહી છેડતી કરી હતી

અમદાવાદના કાગડાપીઠ પોલીસ મથકે જમાલપુરના રહેવાસી 28 વર્ષીય આરોપી ઇશાન પવાર સામે છેડતીની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે મુજબ સેટેલાઈટની રહેવાસી 19 વર્ષીય યુવતી ઉતરાયણના દિવસે પોતાના મિત્રને ત્યાં આવેલી કનક સોસાયટીમાં પતંગ ઉડાડવા ગઈ હતી. રાત્રિના પોણા દસ વાગે જ્યારે તે સોસાયટીની બહાર ઊભી હતી. ત્યારે આરોપી એક્ટિવા લઈને આવ્યો હતો અને કહ્યું હતું કે 1 હજાર રૂપિયા આપીશ ચલ મારી સાથે. આથી યુવતીએ પોલીસને ફોન કરવાની વાત કરતા આરોપી ત્યાંથી જતો રહ્યો હતો. પરંતુ ત્યારબાદ ફરી તે સોસાયટી પાસે આવ્યો હતો. તેને ફરીથી યુવતી પાસે તે જ પ્રકારની માંગણી કરી હતી. યુવતીને પાછળથી ધક્કો મારીને પાડી દીધી હતીયુવતી સોસાયટીમાં ચાલીને જતા આરોપીએ તેને પાછળથી ધક્કો મારીને પાડી દીધી હતી અને તેના મોઢા પર હાથ રાખીને તેના વાળ ખેંચ્યા હતા. યુવતીએ બૂમાબૂમ કરતા આસપાસના સોસાયટી વાળા દોડી આવ્યા હતા અને આરોપીને ઝડપીને પોલીસના હવાલે કર્યો હતો. આરોપીની કરતૂત જોઈ કોર્ટે જામીન અરજી ફગાવીઆરોપી 15 દિવસથી જેલમાં રહેતા તેને અમદાવાદ સીટી સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેમાં તેના તરફે રજૂઆત કરાઈ હતી કે આ ગુનામાં એક વર્ષથી સજાની જોગવાઈ છે. તેને કોઈ છેડતી કરી નથી, પરંતુ માત્ર બોલાચાલી થઈ હતી. જ્યારે સરકારી વકીલ સુધીર બ્રહ્મભટે સામે દલીલ કરી હતી કે આરોપીને જામીન મળે તો તે ફરી આ પ્રકારની પ્રવૃત્તિ કરી શકે છે. તેમજ ફરિયાદી અને સાહેદોને ધમકાવી શકે છે. કોર્ટે આરોપીની કરતુત જોઈને તેની જામીન અરજી ફગાવી નાખી હતી.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 5:19 pm

ક્રિપ્ટો કરન્સીના નામે 12.20 લાખની છેતરપિંડી:2% થી 10% કમિશન લઈ બેંક ખાતા ભાડે આપનાર અને રોકડ ઉપાડનાર શખસો જામનગરથી પકડાયા

સુરતમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી ટૂંકા સમયમાં ડબલ નફો મેળવવાની લાલચ આપી નિર્દોષ નાગરિકોને શિકાર બનાવતી એક ટોળકીનો સુરત સાયબર ક્રાઇમ સેલે પર્દાફાશ કર્યો છે. જામનગર ખાતેથી આ ગુનામાં સંડોવાયેલા ત્રણ મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરવામાં આવી છે. જેમણે કુલ 12,20,366ની છેતરપિંડી આચરી હતી. પોલીસની આ સફળ કામગીરીથી સાયબર માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. લોભામણી વાતો અને બનાવટી એપ્લિકેશન દ્વારા છેતરપિંડીની જાળઆ આખા કૌભાંડની શરૂઆત ટેલિગ્રામ ગ્રુપ દ્વારા થઈ હતી. આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચીને ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા કે ક્રિપ્ટો કરન્સીના ટાસ્ક પૂર્ણ કરવાથી અને તેમાં રોકાણ કરવાથી ખૂબ જ ઊંચું વળતર મળશે. ફરિયાદીને લાલચમાં લાવવા માટે આરોપીઓએ એક બનાવટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. આ એપમાં રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ, અલગ-અલગ ટાસ્કના બહાને ટુકડે-ટુકડે કુલ 12,20,366.80 વિવિધ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. અંતે વળતર ન મળતા ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થયો હતો. ગોવા-જામનગર ટ્રેનમાંથી મુખ્ય સૂત્રધાર ઝડપાયોસાયબર ક્રાઇમ પોલીસે જ્યારે આ મામલે તપાસ તેજ કરી ત્યારે ટેકનિકલ સર્વેલન્સ અને બેંક ટ્રાન્ઝેક્શનના આધારે મહત્ત્વની કડીઓ હાથ લાગી હતી. તપાસ દરમિયાન સૌથી પહેલા આરોપી તેજસ મહેન્દ્રભાઇ સંઘવીનું નામ સામે આવ્યું હતું. પોલીસને બાતમી મળી હતી કે તે ટ્રેન મારફતે મુસાફરી કરી રહ્યો છે, જેના આધારે તેને ગોવાથી જામનગર જતી ટ્રેનમાંથી દબોચી લેવામાં આવ્યો હતો. તેની સઘન પૂછપરછમાં જામનગરના અન્ય સાગરીતોના નામ ખુલ્યા હતા, જે બેંક એકાઉન્ટ મેનેજ કરવાનું કામ કરતા હતા. કમિશનના ખેલમાં સંડોવાયેલા જામનગરના ત્રણ સાગરીતોની ધરપકડ 1. સચિન અતુલભાઇ આશર: આ આરોપી મોબાઇલ લે-વેચની દલાલી કરે છે. તેણે અગાઉ પકડાયેલ તેજસ પાસેથી 2% કમિશન પર બેંક ખાતા મેળવી અન્ય આરોપીઓને આપ્યા હતા. 2. ચિરાગ હિતેષભાઇ ગુજરાતી: લોન બ્રોકર તરીકે કામ કરતો આ યુવાન ફ્રોડના નાણાં ઉપાડવાનું કામ કરતો હતો. તેણે બેંકમાંથી રૂ. 5.30 લાખ રોકડા ઉપાડી 20,000 કમિશન મેળવ્યું હતું. 3. અશોકભાઇ અમૃતલાલ ખાણધર: ખેતીકામ કરતા આ આરોપીએ 10%ના ઊંચા કમિશનની લાલચે બેંક ખાતા મેળવી નાસતા ફરતા મુખ્ય આરોપીઓ સુધી નાણાં પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. લાખોના ટ્રાન્ઝેક્શન અને કમિશનનું નેટવર્ક આવ્યું બહારઆરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી સચિને બેંકમાંથી લાખો રૂપિયા વિડ્રો કરાવી અશોક ખાણધરને આપ્યા હતા અને તેમાંથી 80,000 જેટલું કમિશન મેળવ્યું હતું. અશોકે આ નાણાં (આશરે 10.20 લાખ) અન્ય નાસતા ફરતા આરોપીઓ સુધી પહોંચાડ્યા હતા. આ ટોળકી માત્ર કમિશન માટે જ બેંક ખાતાઓનો ઉપયોગ કરતી હતી અને છેતરપિંડીના નાણાં સગેવગે કરવામાં સક્રિય ભૂમિકા ભજવતી હતી. સુરત કોર્ટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાપકડાયેલા ત્રણેય આરોપીઓને સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે આ ગુનાના મૂળ સુધી પહોંચવા અને આ નેટવર્ક પાછળ અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તેની તપાસ કરવા માટે દિન-2 ના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે. પોલીસને આશા છે કે રિમાન્ડ દરમિયાન હજુ પણ મોટા ખુલાસા થઈ શકે છે અને અન્ય નાસતા ફરતા આરોપીઓ પણ જલ્દીથી પોલીસના સકંજામાં આવશે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 5:14 pm

આણંદમાં બોર્ડ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને વિશેષ તાલીમ:શાળાઓમાં પ્રેક્ટિસ પેપર દ્વારા મહાવરો કરાવાશે

આણંદ જિલ્લા શિક્ષણ વિભાગે માર્ચ 2026માં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે એક વિશેષ અભિયાન શરૂ કર્યું છે. આ અંતર્ગત, જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદીએ તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં પ્રેક્ટિસ પેપરનું આયોજન કર્યું છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવાનો અને પરીક્ષાનો ભય દૂર કરવાનો છે. આ આયોજન હેઠળ, બોર્ડની પરીક્ષાની પદ્ધતિ મુજબ વિદ્યાર્થીઓને શાળાએ બોલાવીને પેપર લખવાની પ્રેક્ટિસ કરાવવામાં આવશે. આ પ્રેક્ટિસ દ્વારા, પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડના વાતાવરણનો અનુભવ મળશે. તેમને પરીક્ષા ખંડમાં કઈ વસ્તુઓ લઈ જવી અને કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ જિલ્લા શિક્ષણ અધિકારી, શિક્ષણ નિરીક્ષકો અને આચાર્યો દ્વારા કરવામાં આવશે. આ પ્રેક્ટિસ રાઉન્ડ પરીક્ષા શરૂ થવાના આગલા દિવસો સુધી સતત ચાલુ રહેશે. આનાથી વિદ્યાર્થીઓ સમય મર્યાદામાં પેપર પૂર્ણ કરવાની કળા શીખી શકશે અને પોતાની ભૂલો સુધારીને વધુ સારું પ્રદર્શન કરી શકશે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 5:07 pm

મેંદરડા TDO 80,000ની લાંચ લેતા ઝડપાયા:ACBએ ટીવી રાદડિયાની અટકાયત કરી, ATVTના કામો માટે લાંચ માગી હતી

મેંદરડા તાલુકા વિકાસ અધિકારી 80,000 ની લાંચ લેતા ACBના રંગે હાથે હાથે ઝડપાયા છે. [17:05, મેંદરડા તાલુકાના એક ગામે ATVT(આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો)ના કામો મામલે તાલુકા વિકાસ અધિકારી ટી વી રાદડિયા દ્વારા લાંચ માંગવામાં આવી હતી. ACBએ તાલુકા વિકાસ અધિકારીની અટકાયત કરી છે. તાલુકા વિકાસ અધિકારી પર લાંચનું છટકું ગોઠવાતા હાલ વહીવટી તંત્રમાં સોંપો પડી ગયો છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 5:06 pm

NCC ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની મીટ:કેડેટ્સની સંખ્યા છ વર્ષમાં આ સંખ્યા વધીને 1 લાખ 15 હજાર થશે: NCC ડિરેક્ટોરેટ ગુજરાત

NCC ડિરેક્ટોરેટ ગુજરાતે 01 ફેબ્રુઆરી 2026 ના રોજ ઉદ્ઘાટન NCC ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની મીટનું આયોજન કર્યું હતું. એર માર્શલ તેજિન્દર સિંહ AVSM, PVSM, VM, AOC-in-C, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડે, સાબરમતી નદીની પૃષ્ઠભૂમિમાં 800 થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, કેડેટ્સ, નાગરિક અને લશ્કરી મહાનુભાવો સહિત NCC યુનિટી માર્ચને લીલી ઝંડી આપી હતી. એર માર્શલ તેજિન્દર સિંહ, જે પોતે NCCના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, તેમણે રાષ્ટ્ર નિર્માણમાં NCCના અપાર યોગદાનની પ્રશંસા કરી હતી, તેમજ તેમના વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનને આકાર આપ્યો હતો. મનોહર રિવરફ્રન્ટ અને પ્રતિષ્ઠિત અટલ બ્રિજ પર, NCC કેડેટ્સે અનેક કિઓસ્ક સ્થાપ્યા હતા, જ્યાં તેઓએ સાહસ, સમુદાય સેવા, સામાજિક જાગૃતિ અને તાલીમ જેવી NCC પ્રવૃત્તિઓના વિવિધ પાસાઓ પર માહિતી આપી હતી અને પ્રદર્શન કર્યું હતું. બાદમાં, NCC ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તેમના અનુભવો શેર કર્યા હતા અને લો ગાર્ડન ખાતે એક શાનદાર સમારોહમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. મેજર જનરલ બિમલ મોંગા એસએમ, વીએસએમ, એડિશનલ ડાયરેક્ટર જનરલ, એનસીસી ડિરેક્ટોરેટ ગુજરાત, એડીશનલ ડાયરેક્ટર જનરલ, એ મીડિયાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે દર વર્ષે એનસીસી દ્વારા સરહદી અને દરિયાકાંઠાના પ્રદેશો અને દમણ, દીવ, દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશ સહિત ગુજરાતના તમામ 34 જિલ્લાઓમાંથી 85000 કેડેટ્સને તાલીમ આપવામાં આવી રહી છે. આગામી છ વર્ષમાં આ સંખ્યા વધીને 1 લાખ 15 હજાર થશે. વધુમાં, હાલમાં ગુજરાતમાં 10 લાખથી વધુ એનસીસી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે. એ નોંધવું યોગ્ય છે કે મોટી સંખ્યામાં કેડેટ્સ, પરિવારો અને સમગ્ર સમાજ એનસીસી દ્વારા સતત સકારાત્મક અસર કરી રહ્યા છે. તેમણે ખાતરી આપી હતી કે એનસીસી કેડેટ્સમાં શિસ્ત, મિત્રતા, સાહસ અને એકતાની ભાવના જગાડવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે; મુખ્ય ઉદ્દેશ્ય યુવા કેડેટ્સને આદર્શ નાગરિકોમાં પરિવર્તિત કરવાનો છે, જેઓ યોગદાન આપશે અને આપણને સશક્ત અને વિકાસ ભારત તરફ દોરી જશે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:52 pm

ચાંદીના ભાવમાં 1980 જેવો આંચકો : 80 કલાકમાં ભાવ 2 લાખ રૂપિયા ઘટતા રોકાણકારોમાં ફફડાટ

Silver Price : મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીના ભાવમાં દિવસે ને દિવસે ઘટાડો થતાં રોકાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. છેલ્લા પાંચ દિવસમાં ચાંદીના ભાવમાં 1.95 લાખનો કડાકો બોલી જતાં 1980નો રેકોર્ડ તૂટી ગયો છે. 29 જાન્યુઆરીએ MCX પર ચાંદીનો ભાવ 4.20 લાખ રૂપિયાના ઐતિહાસિક ટોચે પહોંચી ગયો હતો. જોકે કોઈને ખબર ન હતી કે, માત્ર 70થી 80 કલાકમાં ચાંદીનો ભાવ જમીન પર આવી જશે.

ગુજરાત સમાચાર 2 Feb 2026 4:51 pm

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ:આરોગ્ય શિબિરનું આયોજન અને દર્દીઓને મફત દવાઓનું વિતરણ

૧ ફેબ્રુઆરીના રોજ રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા કોબડી ગામમાં Indian Red Cross Society તથા NSS કેડેટ્સ – Maharanishree Nandkuvarba Mahila Collegeના સહયોગથી મૂળભૂત તબીબી આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું.આ શિબિરમાં ગ્રામજનોએ માટે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, છાતીના ચેપ તથા હિમોગ્લોબિન જેવી મૂળભૂત તબીબી તપાસ કરવામાં આવી. તપાસ બાદ જરૂરી મુજબ દર્દીઓને મફત દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું.ગ્રામજનો દ્વારા શિબિરનો ઉત્સાહપૂર્વક પ્રતિસાદ મળ્યો અને NSS કેડેટ્સની સક્રિય ભાગીદારીથી આ સેવા કાર્ય સફળ અને સાર્થક બન્યું. આ શિબિર ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય જાગૃતિ અને નિવારક સારવાર તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:50 pm

સુરતના ફાઇનાન્સર મુન્ના ઓલપાડીની ઓફિસ-રહેણાંક પર ITની રેડ:48 કલાક સુધી સર્ચ, બિલ્ડર પાસેથી કરોડોની ઓફિસ રોકડે ખરીદી ને હવાલા-સટ્ટા બજાર સાથે કનેક્શનની તપાસ

સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી આવકવેરા વિભાગ ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. લક્ષ્મી ગ્રુપ અને અનિલ બગદાણા જેવા મોટા માથાઓ બાદ આઇટી વિભાગની ટીમે શહેરના અગ્રણી ફાઈનાન્સર બ્રિજે ઠક્કર ઉર્ફે મુન્ના ઓલપાડીને નિશાન બનાવ્યા હતા. સુરતના પાલ વિસ્તારમાં આવેલી તેમની ઓફિસ અને રહેણાંક સ્થળોએ લગભગ બે દિવસ સુધી સઘન તપાસ હાથ ધરી હતી. જેના કારણે શહેરના નાણાકીય બજારમાં ભારે ફફડાટ ફેલાયો છે. મુંબઇ અને સુરત આઇટીનું સંયુક્ત ઓપરેશનઆ દરોડાની કામગીરીમાં માત્ર સ્થાનિક સુરત આઇટીની ટીમની જ નહીં પરંતુ ખાસ મુંબઇથી આવેલી આઇટીની નિષ્ણાત ટીમ પણ જડાઈ હતી. આ આંતરરાજ્ય સંકલન દર્શાવે છે કે, તપાસનો વ્યાપ માત્ર ગુજરાત પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેના છેડા રાષ્ટ્રીય સ્તરના આર્થિક વ્યવહારો સાથે જોડાયેલો હોઈ શકે છે. કરોડોની હાઈરાઈઝ ઓફિસની કેશમાં ડીલતપાસના કેન્દ્રમાં સુરતના એક અત્યંત પોશ વિસ્તારમાં થયેલો એક રિયલ એસ્ટેટ સોદો છે. આવક વિભાગને એવી પાકી બાતમી મળી હતી કે, બ્રિજેશ ઠક્કરે શહેરના એક મોટા બિલ્ડરના પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાની રોકડ રકમ ચૂકવીને આખી હાઈરાઈઝડ ઓફિસ ખરીદી હતી. આ પ્રકારના મોટા પાયે થતા બ્લેક મનીના રોકાણને પકડવા માટે અધિકારીઓએ રાત્રિના સમયે ઓચિંતા દરોડો પાડ્યો હતો. બિલ્ડર અને ફાઈનાન્સર વચ્ચેના કનેક્શનની તપાસઆઇટીના સૂત્રોના જણાવ્યા મુજબ બ્રિજેશ ઠક્કર સુરતના બિલ્ડરો માટે એક મોટા 'બેકડોર' ફાઈનાન્સર તરીકે જાણીતા છે. તેઓ શહેરના નામી બિલ્ડરોને પ્રોજેક્ટ્સ માટે મોટા પાયે નાણાં ધીરતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. અધિકારીઓ હાલ એ તપાસી રહ્યા છે કે, આ ફાઇનાન્સિંગમાં વપરાતા નાણાંનો સ્ત્રોત શું છે અને શું તે ટેક્સ ચોરી કરીને ભેગા કરવામાં આવ્યા છે? ખાસ કરીને એક બિલ્ડર સાથેની મિલકત ખરીદીની તપાસ અત્યારે પ્રાથમિક તબક્કે છે. પાલની ઓફિસ અને દસ્તાવેજો જપ્ત કર્યાઅધિકારીઓએ સુરતના પાલ વિસ્તારમાં આવેલી 'જુનો મોનેટા' નામની મુન્ના ઓલપાડીની ઓફિસમાં પણ દરોડો પાડીને તમામ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો કબજે કર્યા છે. આ તપાસ દરમિયાન ડિજિટલ ડેટા, બેંક સ્ટેટમેન્ટ અને કાચી ડાયરીઓ પણ મળી આવી છે. જેમાં કેશમાં થયેલા વ્યવહારોની વિગતો હોવાની પૂરી શક્યતા છે. આર્થિક વ્યવહારોની ઝીણવટભરી તપાસ માટે ફોરેન્સિક ઓડિટની પણ મદદ લેવામાં આવી રહી છે. હવાલા અને સટ્ટા બજાર સાથે કનેક્શન?આઇટી તપાસનો કેન્દ્રમાં સૌથી ચોંકાવનારો મુદ્દો હવાલા અને સટ્ટા સાથે જોડાયેલો છે. આવક વેરા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, મુન્ના ઓલપાડીના સંબંધો દેશના એક ટોચના સટોડિયા સાથે હોવાનું જાણવા મળ્યું છે. તપાસકર્તાઓ એ શોધી રહ્યા છે કે, શું સટ્ટા બજારમાંથી કમાયેલા નાણાં હવાલા મારફતે રિયલ એસ્ટેટમાં રોકવામાં આવતા હતા અથવા આમાં બીજા કેટલા મધ્યસ્થીઓ સામેલ છે? આગામી સમયમાં મોટા ખુલાસા થવાની શક્યતાબે દિવસની સતત તપાસ બાદ હાલ અધિકારીઓ જપ્ત કરેલા ડેટાનું વિશ્લેષણ કરી રહ્યા છે. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર બ્રિજેશ ઠક્કરની આખી 'કરમ કુંડલી' ખંખેરવામાં આવી રહી છે. જે રીતે ડેટા અને પુરાવાઓ હાથ લાગ્યા છે તે જોતા આગામી દિવસોમાં સુરતના અનેક મોટા ગજાના બિલ્ડરો અને ઉદ્યોગપતિઓના નામ સામે આવી શકે છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:45 pm

પાલેજમાં કેબલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો:પોલીસે મુદ્દામાલ અને વાહન સાથે આરોપીને ઝડપ્યો

પાલેજ પોલીસ સ્ટેશનની હદમાં થયેલી ઇલેક્ટ્રિક કેબલ ચોરીના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પાલેજ પોલીસે ચોરીમાં ગયેલા સમગ્ર મુદ્દામાલ તેમજ ચોરી માટે વપરાયેલા વાહન સાથે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે 31 જાન્યુઆરીના રોજ ડી.જી.વી.સી.એલ. પાલેજ સબ ડિવિઝનના કર્મચારી દ્વારા પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ મુજબ, વરેડિયા ગામની સીમમાં હોટલ બલદેવ નજીકથી પસાર થતી બંધ હાલતમાં રહેલી ઇલેક્ટ્રિક લાઇન પરથી 55 સ્ક્વેર એમ.એમ. કન્ડક્ટર (એલ્યુમિનિયમ વાયર)ના કુલ 360 મીટર વાયરની ચોરી થઈ હતી, જેની અંદાજિત કિંમત રૂ. 14,040 હતી. ગુનાનો ભેદ ઉકેલવા માટે પાલેજ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના આધારે નેશનલ હાઈવે નં. 48 ઉપર વરેડિયા ચોકડી નજીક વોચ ગોઠવી આરોપી સુનિલ મોહન કાલબેલીયા (જોગી)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી પાસેથી ચોરીમાં ગયેલા 55 સ્ક્વેર એમ.એમ. એલ્યુમિનિયમ વાયરના 360 મીટર (કિંમત રૂ. 14,040) તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલા થ્રી-વ્હીલર છકડો ટેમ્પો (નં. GJ-06-ZZ-4467) જેની કિંમત રૂ. 30,000 છે, તે સહિત કુલ રૂ. 44,040 નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:34 pm

વડોદરાની 'હનુરામ ફૂડ્સ'ની કચોરી ચાટમાંથી જીવતો વંદો નીકળ્યો, VIDEO:ગ્રાહકને ઉલટીઓ થવા લાગી, ફૂડ વિભાગે સેમ્પલ લઈ રૂ. 10 હજારનો દંડ ફટકાર્યો

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી ‘હનુરામ ફૂડ્સ’ના કચોરી ચાટમાંથી જીવતો વંદો નીકળ્યાનો ગ્રાહક દ્વારા આક્ષેપ કરાયો છે. કચોરી ચાટમાં નીકળેલા વંદાનો વીડિયો વાઈરલ થતા ફૂડ વિભાગની ટીમે રેસ્ટોરન્ટ પર ચેકિંગ કરી સેમ્પલ લીધા હતા અને રૂ. 10 હજારનો દંડ ફટકાર્યો છે. ગ્રાહકે કહ્યું હતું કે, અમે સારી હોટલ સમજીને અહીં નાસ્તો કરવા આવ્યા હતા પણ અમને ખરાબ અનુભવ થયો. સરકારે આ મામલે કાર્યવાહી કરવી જોઈએ. વેપારી સામે કડક કાર્યવાહીની માગરઘુવીરસિંહ ગોહિલ નામના ગ્રાહકે જણાવ્યું કે, તેઓ કાર સર્વિસ કરાવવા આવ્યા હતા. બાદમાં હનુરામમાં નાસ્તો કરવા મળી બે દીકરી સાથે આવ્યો હતો. કચોરી ચાટામા વંદો જોતા તેઓ ચોંકી ગયા હતા. દીકરીને તે દરમ્યાન ઉલટી પણ થઈ ગઈ હતી.અમે સારી હોટેલ સમજી અહીંયા આવ્યા અને અહીંયા આવો અનુભવ થયો છે.. તેમણે આ બેજવાબદાર વ્યાપારી સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી હતી. ફૂડ વિભાગે સેમ્પલ લઈ રૂ. 10 હજારનો દંડ ફટકાર્યોઆ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ (ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ)એ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. અધિકારીઓએ સ્થળ પરથી કચોરીના નમૂના લીધા છે અને વેપારીને શિડ્યુઅલ ચારની નોટિસ પણ આપવામાં આવી છે આ ઉપરાંત, નિયમોના ઉલ્લંઘન બદલ રૂપિયા 10,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ અંગે ફૂડ અધિકારી ભરત ખાંટે જણાવ્યું હતું કે, આ મામલે અમને જાણ થતા આજે અમે તપાસ કરી હતી. અમારી ટીમે અહીંયા તપાસ કરી જરૂર જણાતા શિડ્યુલ ચાર મુજબ સ્વચ્છતાને લઈ નોટિસ આપી છે. સાથે આ વેપારીને રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો છે. આ સાથે કચોરીમાં વંદો નીકળ્યો તે બાબતે અમે નમૂના લઈ પબ્લિક હેલ્થ સેન્ટરમાં તપાસ અર્થે મોકલી દેવામાં આવ્યા છે. આ સમાચાર પણ વાંચોઃઅમદાવાદમાં ખાઉધરા પોઇન્ટના સંભારમાંથી વંદો નીકળ્યો ખાણીપીણીની ચીજવસ્તુઓમાંથી જીવજંતુ નીકળવાનો સિલસિલો યથાવત્ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા ખાઉધરા પોઇન્ટ નામના એક ફૂડ કોર્ટમાં જમવા ગયેલા ગ્રાહકે મગાવેલા ઢોંસાના સંભારમાં વંદો નીકળ્યો હતો. આ મામલે સ્ટાફને જાણ કરવામાં આવી હતી. સ્ટાફ અને મેનેજર દ્વારા પણ આ બાઉલ લઈને બચાવનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ગ્રાહક દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી. (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:28 pm

મોટી બાણુંગારમાં સાયબર સુરક્ષા જાગૃતિ સેમિનાર યોજાયો:'બેટી બચાવો' હેઠળ વિદ્યાર્થીનીઓને ડિજિટલ સુરક્ષાનું માર્ગદર્શન મળ્યું

જામનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ધ્રોલ તાલુકાના મોટી બાણુંગાર ગામની માધ્યમિક શાળામાં 'સાયબર સુરક્ષા અને સાયબર ક્રાઈમ' વિષય પર એક વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ NSS ના સંકલન સાથે આયોજિત કરાયો હતો. 'બેટી બચાવો બેટી પઢાવો' યોજના અંતર્ગત આ સેમિનારમાં ધોરણ 10 થી 12ના વિદ્યાર્થીઓ તેમજ બી.એડ.ના તાલીમાર્થીઓને આધુનિક ડિજિટલ પડકારો સામે સજ્જ કરવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતની મહિલા અને બાળ વિકાસ તથા યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન ભાવનાબેન ભેસદડિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે ડિસ્ટ્રિક્ટ મિશન કોઓર્ડિનેટર બંસીબેન ખોડિયાર દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન આપી મહિલા લક્ષી યોજનાઓ અને સુરક્ષાના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. મુખ્ય વક્તા તરીકે સાયબર ક્રાઈમ બ્રાન્ચના PSI એચ.કે. ઝાલાએ સોશિયલ મીડિયા અને ટેક્નોલોજીના માધ્યમથી થતા વિવિધ ગુનાઓ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને ઓનલાઈન છેતરપિંડીથી બચવાના ઉપાયો અને આધુનિક ડિજિટલ યુગમાં સતર્ક રહીને ટેક્નોલોજીનો સુરક્ષિત ઉપયોગ કરવા અંગે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં સાયબર ટીમ, અલીયાબાડા કોલેજના આચાર્ય, મોટી બાણુંગાર શાળાના આચાર્ય, પ્રોગ્રામ ઓફિસર NSS, DHEW તથા OSC સ્ટાફ અને અધ્યાપકગણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ અને લાભાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:08 pm

સાયલામાં 'સંપૂર્ણતા અભિયાન 2.0'નો પ્રારંભ:કલેક્ટર યાજ્ઞિકે તાલુકાને આકાંક્ષી શ્રેણીમાંથી બહાર લાવવા આહ્વાન કર્યું

સાયલા: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે આશીર્વાદ વિકલાંગ ગૃહમાં 'સંપૂર્ણતા અભિયાન 2.0'નો શુભારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર કે.એસ. યાજ્ઞિકની અધ્યક્ષતામાં આ અભિયાન શરૂ કરાયું હતું. કલેક્ટરે સાયલા તાલુકાને આકાંક્ષી બ્લોક (ABP)ની શ્રેણીમાંથી બહાર લાવી આદર્શ તાલુકો બનાવવા માટે સૌને કટિબદ્ધ થવા હાકલ કરી હતી. કલેક્ટર યાજ્ઞિકે અધિકારીઓ અને કર્મચારીઓને સંબોધતા જણાવ્યું હતું કે, અગાઉના સંપૂર્ણતા અભિયાનમાં સાયલા તાલુકાએ રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પુરસ્કાર મેળવ્યો હતો. આ જ ઉત્સાહ સાથે 'સંપૂર્ણતા અભિયાન 2.0'માં પણ સાયલાને અગ્રેસર રાખવાનો લક્ષ્ય છે. નીતિ આયોગના 'એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ' (ABP) હેઠળ ગુજરાતના ૧૦ જિલ્લાના ૧૩ તાલુકાઓમાં સાયલાનો સમાવેશ થાય છે. આ અભિયાન અંતર્ગત ICDS વિભાગના ચાર મુખ્ય સૂચકાંકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા સૂચના અપાઈ હતી. આંગણવાડી કાર્યકર બહેનોને બાળકોના વજન અને ઊંચાઈના માપનમાં ચોકસાઈ રાખવા તથા બાળકોની સંભાળ રાખવા અપીલ કરાઈ હતી. આરોગ્ય ક્ષેત્રે, શ્રીમદ રાજચંદ્ર મિશનના સહયોગથી ૧૮ વર્ષથી નીચેના તમામ બાળકો અને કિશોરીઓનું હિમોગ્લોબિન ટેસ્ટિંગ કરી જરૂરિયાત મુજબ આઈએફએની ગોળીઓ આપવાનું જણાવાયું હતું. કુપોષિત બાળકો માટે તાલુકા વિકાસ અધિકારી દ્વારા શરૂ કરાયેલ 'સરગવાની ચોકલેટ' આપવાની કામગીરીની પણ સરાહના કરવામાં આવી હતી. શિક્ષણ વિભાગમાં દરેક શાળામાં કુમાર-કન્યાઓ માટે અલગ શૌચાલયની સુવિધા સુનિશ્ચિત કરવા પર ભાર મૂકાયો હતો. શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે ધોરણ ૮માંથી ૯માં પ્રવેશતા બાળકો વંચિત ન રહી જાય તેની કાળજી લેવા શિક્ષકોને તાકીદ કરાઈ હતી. પશુપાલન ક્ષેત્રે ૧૦૦ ટકા રસીકરણનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા સરપંચો અને ગ્રામ પંચાયતના સભ્યોનો સક્રિય સહયોગ લેવા પણ માર્ગદર્શન અપાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.એમ. જાલંધર, જિલ્લા આરોગ્ય અધિકારી બી.જી. ગોહિલ, જિલ્લા શિક્ષણાધિકારી અરવિંદ ઓઝા, ICDS પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન જીડીયા, સંશોધન અધિકારી એ.એમ. પટેલ, સાયલા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:05 pm

બોટાદમાં સ્ટ્રીટ લાઈટના પોલ પર ખુલ્લા વાયર:તૂટેલા ફાઈબર બોક્સથી રાહદારીઓ અને વાહનચાલકોને જોખમ

બોટાદ નગરપાલિકા વિસ્તારમાં ગઢડા રોડ, પાળીયાદ રોડ અને સ્ટેશન રોડ સહિતના મુખ્ય માર્ગો પર સ્ટ્રીટ લાઈટના વીજપોલ પર ખુલ્લા વાયરો જોવા મળી રહ્યા છે. આ પોલ પર લગાવવામાં આવેલા ફાઈબર બોક્સના ઢાંકણા પણ તૂટેલી હાલતમાં છે, જેના કારણે વીજ વાયરો ખુલ્લા પડી ગયા છે. આ મુખ્ય માર્ગો પરથી દરરોજ અસંખ્ય નાના-મોટા વાહનો અને રાહદારીઓ પસાર થાય છે. ખુલ્લા વીજ વાયરો રાહદારીઓ, ખાસ કરીને ડિવાઈડર પરથી રોડ ક્રોસ કરતા લોકો અને રસ્તા પર રમતા બાળકો માટે જીવલેણ જોખમ ઊભું કરી શકે છે. થોડા સમય અગાઉ ગઢડા રોડ પર ખુલ્લા વીજ વાયરના કારણે પશુઓના મોત થયા હોવા છતાં, નગરપાલિકા દ્વારા હજુ સુધી આ ખુલ્લા વાયરોને સુરક્ષિત કરવા માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. આ પરિસ્થિતિ અંગે નગરપાલિકા તંત્ર ક્યારે જાગૃત થશે તે એક મોટો પ્રશ્ન છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:04 pm

વાંસદામાં 650થી વધુ મુસ્લિમ મતદારોના નામ કમી કરવા અરજી:પુરાવા વગર ફોર્મ-7 ભરાતા રોષ, ફોજદારી કાર્યવાહીની માંગ

વાંસદા વિધાનસભા વિસ્તારમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ વિવાદમાં આવ્યો છે. અજાણ્યા શખ્સો દ્વારા પુરાવા વગર 650થી વધુ મુસ્લિમ મતદારોના નામ યાદીમાંથી કમી કરવા માટે અરજીઓ કરવામાં આવતા રોષ ફેલાયો છે. આ મામલે મુસ્લિમ સમાજે કલેક્ટર અને પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી છે. મતદાર યાદીમાં નામ ઉમેરવા અને સુધારવા દરમિયાન, મોટી સંખ્યામાં 'ફોર્મ નંબર-7' (નામ રદ કરવા માટેનું ફોર્મ) અજાણ્યા ઈસમો દ્વારા ભરવામાં આવ્યા છે. આ ફોર્મ્સ ખાસ કરીને મુસ્લિમ મતદારોને નિશાન બનાવીને ભરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં કોઈ નક્કર પુરાવા રજૂ કરાયા નથી. મુસ્લિમ સમાજના અગ્રણીઓએ આક્ષેપ કર્યો છે કે આ એક ચોક્કસ રણનીતિ હેઠળ મુસ્લિમ મતદારોને મતાધિકારથી વંચિત રાખવાનું કાવતરું છે. તેમણે ખોટા ફોર્મ ભરીને સરકારી કામગીરીમાં અવરોધ ઉભો કરનારા તત્વો સામે તાત્કાલિક ફોજદારી ગુનો નોંધવાની માંગ કરી છે. એક સ્થાનિક મુસ્લિમ અગ્રણીએ જણાવ્યું કે, કોઈપણ જાતના આધાર વગર માત્ર હેરાન કરવાના આશયથી આ ફોર્મ ભરવામાં આવ્યા છે. અમે પ્રાંત અધિકારી અને કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે કે આવા તત્વો સામે કડક પગલાં લેવામાં આવે. આ રજૂઆત બાદ વહીવટી તંત્ર દ્વારા મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. જો આ ફોર્મ્સ ખોટી રીતે ભરવામાં આવ્યા હોવાનું સાબિત થશે, તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:02 pm

'મનુવાદ કો મારો લાત, સંવિધાન કી કરો બાત'ના નારા લગાવ્યા:વડોદરામાં સ્વયમ્ સૈનિક દળે UGCના નવા નિયમોના સમર્થનમાં કલેકટરને રજૂઆત કરી, કહ્યું: 'બિલનો વિરોધ SC, ST, OBC, માઈનોરિટીના હક-અધિકારોનું હનન છે'

UGC દ્વારા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતા લાવવા માટે જાહેર કરાયેલા નવા નિયમોના સમર્થનમાં આજે 'સ્વયમ્ સૈનિક દળ' (SSD) ગુજરાત દ્વારા વડોદરા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું અને મનુવાદ કો મારો લાત, સંવિધાન કી કરો બાત અને અમલ કરો, અમલ કરો, UGC બિલ અમલ કરોના નારા લગાવ્યા હતા. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, UGC (Promotion of Equity in Higher Education Institutions) Regulations, 2026માં બંધારણની કલમ 14, 15 અને 16 હેઠળ સામાજિક ન્યાયની વિભાવનાને મજબૂત કરે છે. ‘સ્વયમ્ સૈનિક દળ’ એ રજૂઆત કરી છે કે, આ નિયમો SC, ST, OBC, લઘુમતી અને મહિલાઓ માટે ઉચ્ચ શિક્ષણમાં સમાન તકો અને ગરિમામય વાતાવરણ સુનિશ્ચિત કરશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના અસરકારક અમલીકરણ માટે આ પગલું અત્યંત આવશ્યક છે. સંગઠને આ નિયમોના પારદર્શી અને સમયબદ્ધ અમલીકરણ માટે ભારપૂર્વક સમર્થન જાહેર કર્યું છે. સ્વયં સૈનિક દળના પ્રતિનિધિ નિલેશભાઈએ જણાવ્યું હતું કે, આજે અમે સ્વયં સૈનિક દળના માધ્યમથી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા. હાલમાં સરકાર દ્વારા જે UGC (University Grants Commission) બિલ રજૂ કરવામાં આવ્યું છે, તેના સમર્થનમાં અમે અહીં એકત્રિત થયા છીએ. આ UGC બિલ તો આમ 1956થી અમલમાં હતું જ, પરંતુ હાલની સરકારે તેમાં જે સુધારા કર્યા છે તે અત્યંત આવકારદાયક છે. આ સુધારાઓ દ્વારા OBC, માઈનોરિટી, મહિલાઓ, વિકલાંગો અને દરેક વર્ગના વિદ્યાર્થીઓને વધુ સુરક્ષા પ્રાપ્ત થશે. તેમને પોતાની પ્રતિભા (હુનર) દેખાડવાની એક નવી તક મળશે, જેનાથી તેઓ દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કેટલાક લોકો આ બિલનો વિરોધ કરી રહ્યા છે. તેમનો હેતુ એવો છે કે આ બિલ પાસ ન થાય. વર્ષોથી SC, ST, OBC અને માઈનોરિટીના જે હક અને અધિકારોનું હનન થઈ રહ્યું છે, તેમને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે, તે સ્થિતિ તેવી ને તેવી જ જળવાઈ રહે તેવા તેમના પ્રયાસો છે. અમે UGC બિલને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ અને તે જ હેતુથી આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, 29 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે યુનિવર્સિટી-કોલેજમાં ભેદભાવ રોકવા માટેના UGCના નવા નિયમ પર રોક લગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે નિયમોની જોગવાઈઓ સ્પષ્ટ નથી. આનો ખોટો ઉપયોગ થઈ શકે છે. UGCના 2012ના નિયમમાં ફેરફાર બાદ 13 જાન્યુઆરી 2026 ના રોજ આને જાહેર કરવામાં આવ્યો હતો. સ્ટુડન્ટ્સનો એક વર્ગ આને જરૂરી ગણાવી રહ્યો હતો, જ્યારે બીજો વિરોધમાં હતો.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:00 pm

ધો.6ના વિધાર્થીએ મિત્રની પાણીની બોટલમાં કેમિકલ ભેળવી દીધું:મણીનગરની દૂર્ગા સ્કુલમાં સામાન્ય ઝઘડા બાદ બદલો લેવા કૃત્યુ કર્યુ, મિત્રને ઉલ્ટીઓ થતા ભાંડો ફૂટ્યો

અમદાવાદના મણીનગરની સેવન્થ ડે સ્કુલમાં થોડો સમય પહેલા જ સામાન્ય ઝઘડામાં એક વિધાર્થીએ બીજા વિધાર્થીના પેટમાં ધારદાર પરીકર મારીને તેની હત્યા કરી દીધી હતી. હવે ફરીથી આ પ્રકારની ઘટના જ બહાર આવી છે. જો કે, તેમાં કોઈનો જીવ ગયો નથી પરંતુ જે રીતે ઘટના બની છે તે જોતા એવુ લાગે છે કે, વિધાર્થીઓના જીવ સામે જોખમ ઉભું થયું હતું.બાળકો શા માટે આટલા હીંસક બની રહ્યા છે અને બદલાની ભાવનાથી પીડાઈ રહ્યા છે તે પ્રશ્ન સમાજને સતાવી રહ્યો છે. મણીનગરની દૂર્ગા સ્કુલમાં ભણતા ધો. 6ના કેટલાક વિધાર્થીઓ સાથે રમતા હતા તેમજ સાથે જ ફરતા હતા. થોડા દિવસો પહેલા બે મિત્રો વચ્ચે સામાન્ય વાતને લઈને ઝગડો થયો હતો. આ વાતને ધ્યાનમાં લઈને બીજા મિત્રએ એટેલ ધો. 6ના જ વિધાર્થીએ પોતાના મિત્રને પાઠ ભણાવવાનુ નક્કી કર્યુ હતુ. આ છોકરાના પિતા કેમિકલના બિઝનેસ સાથે સંકળાયેલા છે. મિત્રની પાણીની બોટલમાં કેમિકલ ભેળવી દીધુંઆથી આ વિધાર્થીએ ઘરના સભ્યોને ખબર ન પડે એ રીતે થોડું કેમિકલ પોતાની સાથે લઈ લીધું હતું. ત્યારબાદ તેમણે પોતાના જે મિત્રને પાઠ ભણાવવાનો હતો તેની પાણીની બોટલમાં કેમિકલને નાખીને બોટલના પાણી સાથે મિક્સ કરી દીધું હતું. પાણી પીધું ને મિત્રને ઉલ્ટીઓ થતા ભાંડો ફૂટ્યોઆ ઘટનાની કોઈને ખબર નહોતી. થોડીવાર પછી જેની બોટલમાં કેમિકલ મિકસ કર્યુ હતું તે છોકરાએ પાણી પીધું હતું. સદનસીબે થોડું પાણી પીધા બાદ તેનો સ્વાદ કડવો અને ખરાબ લાગતા તેમણે વધુ પાણી પીધું નહોતું. પાણી પીધાની ગણતરીની મિનિટોમાં જે તેને ઉલટીઓ શરુ થઈ ગઈ હતી. આ બાબતની જાણ થતા જ ટીચરો ભેગા થઈ ગયા હતા. જો કે, છોકરો થોડી મિનિટો પછી સ્વચ્છ થઈ ગયો હતો. કરતુત સીસીટીવીમાં કેદ થઈ ને સ્કૂલને ખબર પડીઆ છોકરાને શંકા હતી કે તેની બોટલમાં તેના જ એક મિત્રએ કશુ મિક્સ કર્યું હોવું જોઈએ. આથી પ્રિન્સિપલે તે છોકરાને બોલાવીને પૂછ્યુ તો તેમણે કહ્યું કે, મે કશું કર્યું નથી. આથી સ્કુલના સીસીટીવીની ચકાસણી કરાઈ. જે જોઈને બધાના પગ નીચેથી જાણે ધરતી સરી ગઈ. કેમકે જે છોકરો ના પાડતો હતો તેમણે જ બોટલમા કશું મિક્સ કર્યુ હતું તેના આ કરતુત સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. માતા પિતાને બોલાવ્યા અને છોકરાને ઠપકો અપાયોઆખો મામલો ગંભીર બની ગયો હતો. આખરે ટ્રસ્ટીએ તે છોકરાના તેમજ જે છોકરાની બોટલમાં કેમિકલ જેવુ પ્રવાહી મિકસ કર્યુ હતુ તેના માતા પિતાને બોલાવ્યા હતાં. છોકરાને ઠપકો અપાયો હતો અને તેમની પાસેથી માફી પત્ર લખાવી લેવાયું હતું. બીજી બાજુ પોતાના સંતાનને કશુ નુકસાન થયુ નહી હોવાથી બીજા માતા પિતાએ પણ મન મોટું રાખીને કોઈ જ કાર્યવાહી નહી કરવાનુ મન બનાવીને સમાધાન કરી લીધું હતું. આ શાળાના આચાર્ય કેતન શાહે પણ આવી ઘટના બની હોવાનો સ્વીકાર કરીને કહ્યુ કે,આ ઘટના સમાજ માટે ખુબ જ ગંભીર છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 3:58 pm

સિલ્વર ઓક લો કોલેજમાં માનવ અધિકારો પર વ્યાખ્યાન:ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ હર્ષ રાવલે માર્ગદર્શન આપ્યું

સિલ્વર ઓક યુનિવર્સિટીની લો કોલેજ દ્વારા મૂટ કોર્ટ હોલ ખાતે “ભારતીય અદાલતોના દ્રષ્ટિકોણથી માનવ અધિકારો” વિષય પર નિષ્ણાત વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કાયદા વિભાગના વિવિધ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સત્ર ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા એડવોકેટ હર્ષ રાવલ દ્વારા આપવામાં આવ્યું હતું. તેમણે માનવ અધિકારોની સંકલ્પના, તેના વિવિધ સ્વરૂપો તેમજ બંધારણીય જોગવાઈઓ અંતર્ગત માનવ અધિકારોના રક્ષણમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની ભૂમિકા અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું. એડવોકેટ રાવલે કલમ 32 અને 226ના માધ્યમથી માનવ અધિકારોના અમલ અને ન્યાયિક અર્થઘટન દ્વારા અધિકારોના વિસ્તરણ અંગે સ્પષ્ટતા કરી હતી. આ કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ સક્રિય રીતે ભાગ લીધો હતો. આ વ્યાખ્યાન કાયદાના વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી અને જ્ઞાનવર્ધક સાબિત થયું.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 3:58 pm

ડૉ. ધનરાજ ઠક્કરે 46મી વખત રક્તદાન કર્યું:જન્મદિવસ નિમિત્તે આયોજિત કેમ્પમાં 31 બોટલ રક્ત એકત્ર થયું

પાટણની શેઠ એમ. એન. હાઈસ્કૂલના આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે પોતાના 54મા જન્મદિવસની ઉજવણી રક્તદાન કેમ્પ યોજીને કરી હતી. આ કેમ્પમાં કુલ 31 બોટલ રક્ત એકત્ર થયું હતું, જેમાં ડૉ. ઠક્કરે પોતે 46મી વખત રક્તદાન કર્યું હતું. ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ. એન. હાઈસ્કૂલના આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે સમાજસેવાના ભાગરૂપે આ જન્મદિવસની ઉજવણી કરી. ચિત્રકૂટ સોસાયટી યુવક મંડળ અને રોટરી ક્લબ ઓફ પાટણના સંયુક્ત ઉપક્રમે આ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. કેમ્પમાં અનેક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઘણા મિત્રોએ પ્રથમવાર રક્તદાન કર્યું હતું. એક યુવાને પેરાલિસિસ હોવા છતાં રક્તદાન કર્યું. ડૉ. ધનરાજભાઈના પુત્ર ડૉ. શિવમે પણ રક્તદાન કર્યું. ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉ. બ્રિજેશ પ્રજાપતિએ પરિવાર સાથે સેવા આપી, જ્યારે ડૉ. ચિન્મય પટેલ ખાસ મહેસાણાથી આવી રક્તદાનમાં જોડાયા. ડૉ. ધનરાજભાઈએ રક્તદાતાઓને પક્ષીના માળા અને પાણીના કુંડા આપી પ્રકૃતિપ્રેમ અને પક્ષી સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં રિજીયોનલ સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે માનવસેવા બદલ ડૉ. ઠક્કરનું સન્માન કર્યું હતું. એસ.કે. બ્લડ બેન્ક દ્વારા પણ તેમનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. નગરસેવકો, વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ, રોટરી મિત્રો, શિક્ષકો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા સ્ટાફ મિત્રોની ઉપસ્થિતિથી આ કેમ્પ સફળ રહ્યો હતો. અંતે, ડૉ. ધનરાજભાઈએ તમામ રક્તદાતાઓ અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 3:57 pm

સિલ્વર ઓક યુનિવર્સિટીમાં 'બ્રેનવેવ' નોલેજ કાર્નિવલ યોજાયો:વિદ્યાર્થીઓમાં જ્ઞાનવર્ધન અને કૌશલ્ય વિકાસનો ઉદ્દેશ્ય

સિલ્વર ઓક યુનિવર્સિટીના સિલ્વર ઓક ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (SOIM)ના બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (BBA) વિભાગ દ્વારા બ્રેનવેવ – ધ નોલેજ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યુનિવર્સિટી-સ્તરીય શૈક્ષણિક તથા કૌશલ્ય આધારિત કાર્યક્રમ બ્લોક-બી નજીક આવેલા ફૂડ કોર્ટ વિસ્તારમાં યોજાયો હતો. આ કાર્યક્રમનું સંકલન સહાયક પ્રાધ્યાપક કલશ પટેલના માર્ગદર્શન હેઠળ થયું હતું. તેનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં જ્ઞાનવર્ધન સાથે વિશ્લેષણાત્મક વિચારસરણી, સંશોધન કુશળતા, નિર્ણયક્ષમતા અને સર્જનાત્મક અભિગમ વિકસાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન જ્ઞાન ક્વિઝ, રિસર્ચ અને એનાલિસિસ રાઉન્ડ, ટ્રેઝર હન્ટ, સ્ક્રિબલ જેવી પ્રવૃત્તિઓ યોજાઈ હતી. KBC-શૈલીનું ગ્રાન્ડ ફિનાલે રોબ યોર મની પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સિલ્વર ઓક યુનિવર્સિટીના વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓએ આ તમામ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બ્રેનવેવ – ધ નોલેજ કાર્નિવલ શિક્ષણ અને મનોરંજનનું સુમેળભર્યું સંયોજન સાબિત થયું, જેનાથી વિદ્યાર્થીઓને પ્રાયોગિક શીખ અને સ્પર્ધાત્મક અનુભવ મળ્યો. આ કાર્યક્રમ BBA વિભાગની શૈક્ષણિક ઉત્તમતા અને નવીન શિક્ષણ અભિગમને દર્શાવે છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 3:52 pm

કુમકુમ આનંદધામમાં મહામાસની પૂર્ણિમાની ઉજવણી:અબજીબાપાની વાતોની પારાયણ સાથે સંતોએ કથામૃતનું પાન કરાવ્યું

હીરાપુર સ્થિત સ્વામિનારાયણ મંદિર કુમકુમ - આનંદધામ ખાતે મહામાસની પૂર્ણિમા અને સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની માસિક પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અબજીબાપાશ્રીની વાતોની પારાયણનું આયોજન કરાયું હતું. પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ કથામૃતનું પાન કરાવ્યું હતું. ઉજવણીના ભાગરૂપે, છત્રી સ્થાન ઉપર સંતો અને હરિભક્તોએ સામૂહિક આરતીનો લાભ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 3:51 pm

નવનીત બાલધીયા પર હુમલો કરનાર બાઈક ચોર નીકળ્યો:સુરત પોલીસે કાનુ કામળીયાનો જેલમાંથી કબજો લીધો, ચોરીની બાઈક અલગ અલગ રાજ્યોમાં વેચી મારતા

સુરતના વરાછા વિસ્તારમાં બાઈક ચોરીના ગુનાઓ ઉકેલવા માટે પોલીસે હાથ ધરેલી તપાસમાં મોટી સફળતા મળી છે. નવનીત બાલધીયા પર હુમલો કરનાર કુખ્યાત આરોપી કાનુ કામળીયા જ આ વાહન ચોરીના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર નીકળ્યો છે. સુરતની વરાછા પોલીસે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કાર્યવાહી કરી બે શખ્સોની ધરપકડ કરી છે. આ શખ્સો સુરતના અલગ-અલગ વિસ્તારોમાંથી બાઈક ચોરી કરી અન્ય રાજ્યોમાં વેચી મારવાનું વ્યવસ્થિત કૌભાંડ ચલાવતા હતા. ધરપકડ કરાયેલ આરોપીઓમાં કાનુ કામળીયા અને અંકુર વાટલિયા (બંને ભાવનગર જિલ્લાના વતની)નો સમાવેશ થાય છે. વરાછા પોલીસે કુલ 8 બાઈક જપ્ત કરી છે, જેની કિંમત અંદાજે 2.06 લાખ થી વધુ થાય છે. વરાછા પોલીસ સ્ટેશનના 7 અને અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનનો 1 ગુનો ઉકેલાયો છે. નવનીત બાલધીયા હુમલા કેસ સાથે કનેક્શનપોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, પકડાયેલ આરોપી કાનુ કામળીયા અગાઉ ભાવનગરના બગદાણા ખાતે થયેલા ચકચારી હુમલા કેસમાં પણ સંડોવાયેલો હતો. તે નવનીત બાલધીયા પર હુમલો કરનારી ટીમનો સભ્ય હતો. જેલમાંથી કાનુ કામળીયાનો કબજો મેળવી વરાછા પોલીસે વાહન ચોરીના ગુનામાં તેની વિધિવત ધરપકડ કરી સુરત લાવી છે. આંતરરાજ્ય કૌભાંડ: અન્ય રાજ્યોમાં વેચતા હતા બાઈકઆલોક કુમાર (ડીસીપી સુરત પોલીસ) એ જણાવ્યું હતું કે વરાછા પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફ અને વરાછા પી.આઈ. ને એક બાતમી મળી હતી કે, એક જે બાઇક ચોરી કરનારી ગેંગ છે, તે વરાછાના અલગ-અલગ વિસ્તારમાં જઈને ત્યાંથી બાઇક ચોરી કરે છે. આ બાતમીના આધારે અને સીસીટીવી તથા ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે અમે આમાં સતત મોનિટરિંગ કર્યું, અલગ-અલગ ટીમ બનાવીને. અને કુલ 8 બાઇક રિકવર થયા છે, જેની કુલ મુદ્દામાલની કિંમત 2.06 લાખ રૂપિયા છે. સ્પેશિયલ ડ્રાઇવ થકી આરોપીઓને જેલ મોકલવાનું કામઆ આરોપીનું નામ કાનુભાઈ કામળીયા છે, જે ભાવનગર જિલ્લાનો રહેવાસી છે અને બીજા આરોપીનું નામ અંકુર વટાલિયા છે, જે પણ ભાવનગર જિલ્લાનો જ રહેવાસી છે. પહેલા પણ અમે ઝોન-1 માં અલગ-અલગ ટીમો બનાવીને, અલગ-અલગ પોલીસ સ્ટેશનથી ટીમોને રાજસ્થાન અને મધ્યપ્રદેશ મોકલી હતી, જેમાં કુલ 10 બાઇક અમે રિકવર કરી હતી. અને આ એક સ્પેશિયલ ડ્રાઇવની જેમ અમે ટુ-વ્હીલર તરફ ધ્યાન આપી રહ્યા છીએ. જેમાં અમે અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં જે પણ બાઇક ચોરી થઈ રહી છે, તેને ડિટેક્ટ કરવા અને આરોપીઓને જેલ મોકલવાનું કામ કરી રહ્યા છીએ.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 3:48 pm

ઉમંગ ફાઉન્ડેશન દ્વારા મેગા મેડિકલ કેમ્પ યોજાયો:જુહાપુરામાં 400 લોકોએ નિઃશુલ્ક તપાસ અને દવાઓનો લાભ લીધો

અમદાવાદના જુહાપુરા ખાતે ઉમંગ ફાઉન્ડેશન દ્વારા 1ફેબ્રુઆરીના રોજ એક ભવ્ય મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કોમ્યુનિટી રિસોર્સિસ સેન્ટર - સહજાદ પાર્ક, ફતેહવાડી ખાતે યોજાયેલા આ કેમ્પમાં 400 જેટલા લોકોએ નિઃશુલ્ક આરોગ્ય તપાસ અને દવાઓનો લાભ લીધો હતો. આ કેમ્પમાં તત્સત ઓર્થોપેડિક હોસ્પિટલના ડૉ. મંથન સોની, એસ.ઓ.એસ. વુમન્સ હોસ્પિટલના સ્ત્રીરોગ નિષ્ણાત ડૉ. રાની સુતારા, અમદાવાદ ચિલ્ડરન હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત ડૉ. સકીલ વડાલીવાલા અને આંખના નિષ્ણાત ડોકટરોએ પોતાની ટીમ સાથે સેવા આપી હતી. દર્દીઓને નિઃશુલ્ક તપાસ ઉપરાંત, IGF ફાઉન્ડેશન તરફથી ડૉ. વસીમભાઈ અને ઇનચાર્જ પ્રકાશભાઈ દ્વારા દવાઓનું પણ મફત વિતરણ કરવામાં આવ્યું હતું. કેમ્પમાં કુલ 400 જેટલા લોકોએ લાભ લીધો હતો. જેમાં ૧૦૦ ઓર્થોપેડિક દર્દીઓ, 150થી વધુ ચશ્માના દર્દીઓ, 30થી વધુ મહિલાઓ અને 30 બાળકોનો સમાવેશ થાય છે. આ આંકડા કેમ્પની સફળતા દર્શાવે છે. કેમ્પને સફળ બનાવવામાં ઉમંગ ફાઉન્ડેશનના સભ્યો દાઉદભાઈ કોઠારીયા, ઝુબેરભાઈ શેખ, યુનુસભાઈ મનસુરી, ઇરફાનભાઈ શેખ, નઝીરભાઈ પટેલ, ગુલામ મોહંમદ શેખ, અમીનાબેન શેખ, નફીસાબેન કાદરી અને સલમાબેન ખોખરે મહત્વનું યોગદાન આપ્યું હતું. કોમ્યુનિટી રિસોર્સિસ સેન્ટર - જુહાપુરાના ઝુબેરભાઈ શેખ અને તેમની ટીમે રવિવારના દિવસે પણ સમય ફાળવીને કેમ્પનું ઉત્તમ આયોજન કર્યું હતું. આયોજકો દ્વારા તમામ વિશેષજ્ઞ ડોકટરો, તેમની ટીમ અને કોમ્યુનિટી રિસોર્સિસ સેન્ટર - જુહાપુરાના સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઉમંગ ફાઉન્ડેશનની આવી સેવાઓથી સમાજમાં આરોગ્યનો ઉજાસ ફેલાય અને દરેક વ્યક્તિ સ્વસ્થ જીવન જીવી શકે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 3:47 pm

DDOએ શિક્ષિકાનું અપમાન કરતા રાજપૂત સમાજ મેદાને:ભુજ કલેક્ટર કચેરીનો ઘેરાવો, કહ્યું- 'અધિકારી જાહેરમાં માફી માગે અથવા બદલી કરવામાં આવે'

ભુજ શહેરમાં જિલ્લા વિકાસ અધિકારી (DDO) સામે ગંભીર આક્ષેપો ઉઠતાં મામલો ગરમાયો છે. મિરઝાપર વિસ્તારમાં નવનિર્મિત શાળાના કમિશનિંગ સર્ટિફિકેટ મુદ્દે એક મહિલા શિક્ષિકાને દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો વચ્ચે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે. સમગ્ર ઘટનાને લઈને મહિલાઓ તેમજ શિક્ષણ જગતમાં અસંતોષની લાગણી સ્પષ્ટ દેખાઈ રહી છે. આજે બહોળી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી ડીડીઓની બદલી અથવા માફી માંગે એવી માંગ કરી છે. ઓફિસમાં બોલાવી અપમાન કર્યાનો આક્ષેપઆક્ષેપ મુજબ, શાળાના બાંધકામમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે પ્રશ્નો હોવા છતાં, સંબંધિત મહિલા શિક્ષિકાને ઓફિસમાં બોલાવી કમ્પ્લિશન સર્ટિફિકેટ પર સહી કરવા માટે દબાણ કરાયું હતું. શિક્ષિકાનો દાવો છે કે, તેમને ઓફિસમાં બોલાવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો અને માનહાનિકારક ટિપ્પણીઓ કરવામાં આવી હતી. વધુમાં, તેમને ચેમ્બરમાં પ્રવેશતા પહેલાં મોબાઇલ ફોન અને પર્સ બહાર રાખવા કહેવામાં આવ્યું હતું, તેમજ ખુરશી પર બેસવા દેવામાં પણ અનિચ્છા દર્શાવવામાં આવી હતી. ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયોઆ વર્તનથી મહિલા સન્માનને ઠેસ પહોંચી હોવાની લાગણી વ્યક્ત કરતાં વિવિધ મહિલા સંગઠનોમાં પણ અસંતોષ ફેલાયો છે. ક્ષત્રિય સમાજના આગેવાનોના જણાવ્યા અનુસાર, આ ઘટના માત્ર એક વ્યક્તિનું અપમાન નહીં પરંતુ સમગ્ર સમાજની મહિલાઓની અસન્માન સાથે જોડાયેલી છે. કચ્છ જિલ્લા શિક્ષક સંઘે પણ મહિલા શિક્ષિકાના સમર્થનમાં આગળ આવી સત્તાવાર આવેદનપત્ર આપ્યું છે. સંઘના પ્રતિનિધિઓએ જણાવ્યું કે, શૈક્ષણિક તંત્રમાં કાર્યરત મહિલા શિક્ષિકાઓ સાથે આવી ભાષા અને વર્તન સ્વીકાર્ય નથી. 'ડીડીઓ હાય હાય'ના નારા લાગ્યાઆજે વિરોધ પ્રદર્શન દરમિયાન અંદાજે 200થી 300 લોકો જોડાયા હતા. 'ડીડીઓ હાય હાય' જેવા નારાઓ સાથે કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાજપૂત સમાજે માંગણી કરી છે કે સંબંધિત અધિકારી જાહેરમાં માફી માગે અથવા રાજ્ય સરકાર દ્વારા શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે. હાલ તંત્ર તરફથી સત્તાવાર પ્રતિક્રિયા મળી નથી, પરંતુ સમગ્ર મામલો જિલ્લાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. લોકોની નજર હવે પ્રશાસનની આગળની કાર્યવાહી પર ટકેલી છે. અગાઉ પણ આ અધિકારીને લઇ વિવાદ થયો હતોરાજપૂત સમાજના આગેવાનોનું કહેવું છે કે, આ પ્રથમ પ્રસંગ નથી. અગાઉ માંડવી ખાતે યોજાયેલી એક બેઠકમાં પણ ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે અધિકારી દ્વારા અભદ્ર વર્તન થયાનો વિવાદ ઊભો થયો હતો, જેને કારણે ભારે વિરોધ નોંધાયો હતો. તે સમયે સ્થિતિ નિયંત્રણ બહાર જતાં પોલીસ સુરક્ષા પણ મંગાવવી પડી હતી.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 3:45 pm

દિવ્યાંગજનો માટે સંપૂર્ણ સુવિધા:આણંદમાં નવા મહેસૂલી ભવનની અધિક મુખ્ય સચિવે મુલાકાત લીધી

આણંદ-સોજીત્રા રોડ પર નિર્માણાધીન નવા મહેસૂલી ભવનની મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતિ એસ. રવિએ મુલાકાત લીધી હતી. તેમણે ભવનમાં ઉપલબ્ધ થનારી વિવિધ સુવિધાઓ, ખાસ કરીને દિવ્યાંગજનો માટેની વિશેષ વ્યવસ્થા અંગે જાણકારી મેળવી હતી. કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે, નવા મહેસૂલી ભવનના બ્લોક A અને બ્લોક B માં કુલ 174થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ માટે બેઠક વ્યવસ્થા હશે. આ કામ માર્ચ 2026 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. આ ભવનમાં પ્રાંત અધિકારી, શહેર અને ગ્રામ્ય મામલતદાર કચેરી, જનસેવા કેન્દ્ર, સિટી સર્વે કચેરી અને સબ રજિસ્ટ્રાર કચેરીનો સમાવેશ થશે. માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર હિતેશ ગઢવીએ ડો. જયંતિ રવિને ભવનમાં ઉપલબ્ધ થનારી મુખ્ય સુવિધાઓ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, 8718 ચોરસ મીટર જમીન પર બે નવા મહેસૂલી ભવન તૈયાર થઈ રહ્યા છે. બ્લોક A અને બ્લોક B પ્રત્યેક 2487.90 ચોરસ મીટરના બાંધકામ સાથે કુલ 4975.80 ચોરસ મીટરનું નિર્માણ થશે. આ ભવનમાં 100થી વધુ વ્યક્તિઓની બેઠક વ્યવસ્થા ધરાવતું અધ્યતન જનસેવા કેન્દ્ર અને 25થી વધુ બેઠક વ્યવસ્થા ધરાવતું ઈ-ધરા કેન્દ્ર હશે. બંને ભવનમાં 13 વ્યક્તિની ક્ષમતા ધરાવતી પેસેન્જર લિફ્ટ, ત્રણ કોન્ફરન્સ રૂમ, 200થી વધુ ટુ-વ્હીલર અને 50થી વધુ ફોર-વ્હીલર માટે પાર્કિંગ, ફાયર સિસ્ટમ, ઇન્ટર્નલ રોડ, પાર્કિંગ શેડ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ, કમ્પાઉન્ડ વોલ, સંપ અને પંપની સુવિધાઓ ઉપલબ્ધ થશે. શ્રી ગઢવીએ દિવ્યાંગજનો માટેની વિશેષ સુવિધાઓ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આણંદ જિલ્લાનું આ એકમાત્ર કેમ્પસ છે જે દિવ્યાંગજનો માટે સંપૂર્ણ સુવિધાથી સજ્જ હશે. તેમાં દિવ્યાંગજનો માટે રેમ્પ, ટેકટાઈલ ફ્લોરિંગ, અલાયદી પાર્કિંગ વ્યવસ્થા, બ્રેઇલ સાઈનેજીસ, વ્હીલચેર અને અલાયદા શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. વધુમાં, બંને ભવનના દરેક ફ્લોર પર પુરુષો, સ્ત્રીઓ, દિવ્યાંગજનો અને સ્ટાફ માટે અલગ-અલગ શૌચાલય બ્લોકની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 3:44 pm

સેનામાંથી નિવૃત્ત પ્રિતેશ ત્રિવેદીનું રવિનગરમાં સન્માન:17 વર્ષની સેવા બાદ વતન પરત ફરતા ગામલોકોએ કર્યું સ્વાગત

રવિનગર ગામ, વિભાગ-૧, જીવરાજપાર્કના રહેવાસી પ્રિતેશ ત્રિવેદી ભારતીય સેનામાં 17 વર્ષની ઉત્કૃષ્ટ સેવા બાદ નિવૃત્ત થયા છે. તેમના વતન પરત ફરવા બદલ, રવિનગરગામલોકો દ્વારા તેમના સન્માનમાં એક ભવ્ય સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રિતેશભાઈ માત્ર 17 વર્ષની ઉંમરે ભારતીય સેનામાં જોડાયા હતા. તેમણે દેશની સરહદો પર બહાદુરી અને સમર્પણ સાથે ફરજ બજાવી હતી. તેમની સરાહનીય કામગીરી અને સેવા બદલ તેમને પાંચ સર્વિસ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. સેનામાંથી નિવૃત્તિ બાદ તેમના વતન પરત ફરવા બદલ, રવિનગર ગામના સ્નેહીજનો અને ગ્રામજનો દ્વારા આ સ્વાગત સમારોહ યોજીને તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 3:43 pm

આચાર્ય અભયચંદ્રસૂરીશ્વરજીના સંયમ જીવનના 50 વર્ષ:રાજનગરમાં 385 દિવસીય શ્રુત સામાયિક મહોત્સવનો પ્રારંભ

અમદાવાદના રાજનગરમાં આચાર્ય શ્રીમદ વિજય અભયચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સંયમ જીવનના 50મા વર્ષની ઉજવણી નિમિત્તે ૩૮૫ દિવસીય શ્રુત સામાયિક મહોત્સવનો પ્રારંભ થયો છે. આ મહોત્સવ પરમ પૂજ્ય સંયમૈકલક્ષી આચાર્ય દેવ વિજય જગચ્ચંદ્રસૂરીશ્વરજી મહારાજાની પાવન નિશ્રામાં શરૂ કરવામાં આવ્યો છે. મહોત્સવનો પ્રારંભ ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬, શનિવારના રોજ મહા સુદ ચૌદસના દિવસે સવારે ૭:૦૨ કલાકે શ્રી જૈન નગર જૈન સંઘ, પાલડી, અમદાવાદ ખાતે થયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક જનો શ્વેત સામાયિક વસ્ત્રોમાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રભુ પરિવાર દ્વારા આયોજિત આ મહોત્સવ પરમ પૂજ્ય આ. ભ. રિદ્ધિસિદ્ધિ સૂ. મ.સા. આદિ ગુરુભગવંતોની પ્રેરણાથી તા. ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ થી ૧૯ ફેબ્રુઆરી, ૨૦૨૭ સુધી કુલ ૩૮૫ દિવસ ચાલશે. આ સમયગાળા દરમિયાન ૧,૦૦,૦૦૦ થી વધુ સામાયિક અને ૩,૦૦,૦૦,૦૦૦ થી વધુ નમસ્કાર મહામંત્રના જાપ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. નમસ્કાર મહામંત્રના કુંભમાં ગચ્છાધિપતિ આ.ભ. રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા., આ.ભ. રત્નસુંદર સૂરીશ્વરજી મ.સા., આ.ભ. જગચ્ચંદ્ર સૂરીશ્વરજી મ.સા., આ. ભ. જયસુંદર સૂરીશ્વરજી મ.સા. સહિત ૧૦૦ થી વધુ પદસ્થ ભગવંતો, સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતોનો નવકારથી અભિમંત્રિત વાસક્ષેપ રાખવામાં આવ્યો છે. આ કુંભ સમક્ષ હજારો શ્રાવક અને શ્રાવિકાઓ કરોડો નવકાર મંત્રનો જાપ કરશે. વિશ્વકલ્યાણની શુભ ભાવના સાથે શરૂ થયેલા આ મહોત્સવમાં અમદાવાદ રાજનગરના ૫૦ થી વધુ જૈન સંઘો જોડાશે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 3:42 pm

ક્ષત્રિય વિકાસ પરિષદ ગુજરાત દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન:નિકોલ-વિરાટનગર રોડ પર શહીદ મંગલ પાંડે હોલમાં કાર્યક્રમ યોજાયો

અમદાવાદના નિકોલ-વિરાટનગર રોડ પર આવેલા શહીદ વીર મંગલ પાંડે હોલમાં ક્ષત્રિય વિકાસ પરિષદ ગુજરાત દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સન્માન અને પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 1 થી લઈને સ્નાતક, અનુસ્નાતક, ટેકનિકલ અને નોન-ટેક્નિકલ અભ્યાસક્રમોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ડેપ્યુટી કમિશનર સેલ્સટેક્સ ડૉ. અરુણસિંહ ઠાકુર ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે એલ.ડી. આર્ટ્સ કૉલેજના પ્રિન્સિપાલ અને પૂર્વ કુલપતિ ડૉ. મહિપતસિંહ ચાવડાએ અધ્યક્ષ સ્થાન શોભાવ્યું હતું. ક્ષત્રિય વિકાસ પરિષદ ગુજરાતના અધ્યક્ષ મહેશ સિંહ કુશવાહએ સૌ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સમાજના આગેવાનો, દાતાઓ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સંગઠનના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 3:37 pm

મહેસુલ અધિક મુખ્ય સચિવ ડો. જયંતિ રવિએ આણંદ ભવનની મુલાકાત:દિવ્યાંગજનો માટે સંપૂર્ણ સુવિધા ધરાવતું જિલ્લાનું પ્રથમ કેમ્પસ બનશે

આણંદ-સોજીત્રા રોડ પર નવા મહેસૂલી ભવનનું બાંધકામ ચાલી રહ્યું છે. મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતિ એસ. રવિએ આ ભવનની મુલાકાત લીધી હતી. તેમણે અહીં તૈયાર થનાર વિવિધ સુવિધાઓ, ખાસ કરીને દિવ્યાંગજનો માટેની વિશેષ સુવિધાઓ અંગે જાણકારી મેળવી હતી. કલેકટર પ્રવીણ ચૌધરીએ ડો. જયંતિ રવિને માહિતી આપતા જણાવ્યું હતું કે, નવા મહેસૂલી ભવનના બ્લોક A અને બ્લોક B માં કુલ 174 થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ માટે બેઠક વ્યવસ્થા હશે. આ ભવનનું કામ માર્ચ 2026 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. તેમાં પ્રાંત અધિકારીની કચેરી, મામલતદાર શહેર અને ગ્રામ્યની કચેરી, જનસેવા કેન્દ્ર, સિટી સર્વેની કચેરી અને સબ રજિસ્ટ્રાર કચેરીનો સમાવેશ થશે. માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર હિતેશ ગઢવીએ નવા મહેસૂલી ભવનની મુખ્ય સુવિધાઓ અને જમીન ફાળવણી વિશે ડો. જયંતિ રવિને જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, 8718 ચોરસ મીટર જમીનમાં બે નવા મહેસૂલી ભવન તૈયાર થઈ રહ્યા છે. બ્લોક A અને બ્લોક B પ્રત્યેક 2487.90 ચોરસ મીટરના બાંધકામ સાથે કુલ 4975.80 ચોરસ મીટરનું બાંધકામ થશે. આ બંને ભવનોમાં 100 થી વધુ વ્યક્તિઓની બેઠક વ્યવસ્થા ધરાવતું જનસેવા કેન્દ્ર અને 25 થી વધુ બેઠક વ્યવસ્થા ધરાવતું ઈ-ધરા કેન્દ્ર જેવી અધ્યતન સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, 13 વ્યક્તિની ક્ષમતા ધરાવતી પેસેન્જર લિફ્ટ, ત્રણ અધ્યતન કોન્ફરન્સ રૂમ, 200 થી વધુ ટુ-વ્હીલર અને 50 થી વધુ ફોર-વ્હીલર માટે પાર્કિંગ, ફાયર સિસ્ટમ, ઇન્ટર્નલ રોડ, પાર્કિંગ શેડ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ, કમ્પાઉન્ડ વોલ, સંપ અને પંપની સુવિધાઓ પણ હશે. ઇજનેરે દિવ્યાંગજનો માટેની વિશેષ સુવિધાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, આણંદ જિલ્લામાં દિવ્યાંગજનો માટે સંપૂર્ણ સુવિધા ધરાવતું આ એકમાત્ર કેમ્પસ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં દિવ્યાંગજનો માટે રેમ્પ, ટેકટાઈલ ફ્લોરિંગ, અલગ પાર્કિંગ વ્યવસ્થા, બ્રેઇલ સાઈનેજિસ, વ્હીલચેર અને અલગ ટોયલેટની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે.વધુમાં, બંને ભવનના દરેક ફ્લોર પર પુરુષો, સ્ત્રીઓ, દિવ્યાંગજનો અને સ્ટાફ માટે અલગ ટોયલેટ બ્લોકની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 3:37 pm

અશોકભાઈ પરીખે કરવેરા સલાહકાર તરીકે 50 વર્ષ પૂર્ણ કર્યા:ઇન્કમટેક્સ બાર એસોસિએશને સુવર્ણ જયંતિની ઉજવણી કરી

કરવેરા સલાહકાર અશોકભાઈ પરીખે તેમના વ્યવસાયિક જીવનના 50 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. તેમની કારકિર્દીની સુવર્ણ જયંતિની ઉજવણી નિમિત્તે તાજેતરમાં ઇન્કમટેક્સ બાર એસોસિએશન દ્વારા એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્નાતક થયા બાદ પરીખે કાયદાનો અભ્યાસ (LLB) કર્યો હતો. તેમણે તેમની કારકિર્દીની શરૂઆત નામાંકિત કરવેરા સલાહકાર પેઢીઓમાં કામ કરીને કરી હતી. અનુભવ મેળવ્યા પછી, તેમણે સ્વતંત્ર સલાહકાર તરીકે અનેક કરદાતાઓને સેવાઓ પૂરી પાડી છે. આ સમારોહમાં ઇન્કમટેક્સ બાર એસોસિએશનના પ્રમુખ કાર્તિકેય શાહ અને સચિવ શિવમ ભાવસારના હસ્તે અશોકભાઈ પરીખનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમને સ્મૃતિચિહ્ન પણ એનાયત કરવામાં આવ્યું હતું. 85 વર્ષની વયે પણ પરીખ કરવેરાના ક્ષેત્રમાં સક્રિય અને ઉત્સાહી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 3:36 pm

વડોદરામાં વિશ્વકર્મા પ્રાગટ્ય પર્વની ઉજવણી:સતવારા-કડિયા જ્ઞાતિપંચે મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કર્યું

વડોદરામાં ભગવાન વિશ્વકર્માના પ્રાગટ્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે સતવારા-કડિયા જ્ઞાતિપંચ વડોદરા દ્વારા સોમવારે ગાજરાવાડી ખાતે આવેલી સતવારા-કડિયા સમાજની વાડી ખાતે મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશ્વકર્મા ભગવાનની પૂજા કરવામાં આવી હતી. જ્ઞાતિપંચ દ્વારા સમાજના સભ્યો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું. રૂપેશ સથવારાએ જણાવ્યું હતું કે, આ પ્રસંગે ઉપસ્થિત સમાજના સભ્યોએ એકબીજાને મદદરૂપ થઈ સમાજને આગળ વધારવા માટે કટિબદ્ધ બનવાનો સંકલ્પ લીધો હતો. સતવારા-કડિયા જ્ઞાતિપંચ વડોદરા દ્વારા આ એક નવી પહેલ હતી. ઉલ્લેખનીય છે કે, વિશ્વકર્મા ભગવાનનું મંદિર સતવારા-કડિયા સમાજની વાડી, રામનાથ સ્મશાન પાસે, ગાજરાવાડી, વડોદરા ખાતે આવેલું છે. આ મંદિર ગાયકવાડી સમયનું, 150 વર્ષથી પણ વધુ જૂનું અને પૌરાણિક છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 3:34 pm

સુરતમાં 33મા સમૂહલગ્ન, વિશ્વકર્મા જયંતિ ઉજવાઈ:સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર જ્ઞાતિ મંડળે 3 યુગલોના લગ્ન કરાવ્યા

સુરતમાં સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર જ્ઞાતિ મંડળ દ્વારા શ્રી વિશ્વકર્મા જયંતિ અને 33મા સમૂહલગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રામવાડી ફાર્મ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ત્રણ નવયુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા. આ પ્રસંગે છ હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. સુથાર સમાજના ટ્રસ્ટી અજય સોંડાગરે જણાવ્યું હતું કે, છેલ્લા 33 વર્ષથી સુરતમાં શ્રી વિશ્વકર્મા જયંતિના દિવસે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે. આ પરંપરાના ભાગરૂપે આ વર્ષે પણ કાર્યક્રમ યોજાયો હતો. આ સમારોહમાં સુરતના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી, સમાજ અગ્રણી મહેશભાઈ સવાણી, કોળી સમાજના અગ્રણી રાજુભાઈ જોળીયા, સમાજ અગ્રણી રામભાઈ ધડુક, લુહાર સમાજના યુવા અગ્રણી વિજયભાઈ ડોડીયા, એડવોકેટ મમતાબેન કાકલોતર, ડો. બીના ગજ્જર, સાગર ધારૈયા, ડો. ક્રિષ્ના જાદવાણી સહિત અનેક મહેમાનો હાજર રહ્યા હતા. સમાજના પૂર્વ પ્રમુખો અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ભગવાન વિશ્વકર્માની પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ ઉપરાંત, એક મીની એક્ઝિબિશન અને સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ ભોજન પ્રસાદ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું મંચ સંચાલન ટ્રસ્ટી અજય સોંડાગર, ગોપાલ ઉચડિયા અને ઘનશ્યામ નાગ્રેચાએ કર્યું હતું. ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ આવા આયોજનોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમોથી સમાજના લોકોના અનેક ખર્ચાઓ બચી જાય છે. તેમણે લોકોને ભવિષ્ય માટે બચત કરવા અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી. સમાજ અગ્રણી મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, સમૂહલગ્ન અનેક પરિવારોના ચહેરા પર ખુશી લાવવાનું માધ્યમ છે અને તેનાથી સમાજની એકતા પ્રસ્થાપિત થાય છે. જાણીતા એડવોકેટ રાજેશ જોળીયાએ શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો અને યુવાનોને અભ્યાસમાં ધ્યાન આપી સરકારી અધિકારી બનવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અધ્યક્ષ બકુલભાઈ ધારૈયા, પ્રમુખ દશરથભાઈ જાદવાણી, ઉપપ્રમુખ અરુણભાઈ સોંડાગર, મંત્રી કાનજીભાઈ તલસાણીયા, સહમંત્રી ગોપાલભાઈ ઉચડિયા, ખજાનચી કૌશલ ખંભાયતા સહિતના હોદ્દેદારો, વ્યવસ્થાપક સમિતિના સભ્યો અને સ્વયંસેવકોએ યોગદાન આપ્યું હતું.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 3:32 pm

મહેસાણામાં બે બાઇક ચોરી કરીને શખ્સ પલાયન થયો:ઓફિસની બહાર પાર્ક કરેલું ચોરાયું અને પીલાજી ગંજના ગેસ્ટ હાઉસ નીચેથી બાઇક ગુમ

મહેસાણા શહેરમાં તસ્કરોએ જાણે પોલીસનો ડર ગુમાવ્યો હોય તેમ એક જ દિવસમાં બે અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે બાઇકની ચોરી કરી પલાયન થઈ ગયા છે. શહેરના લકી પાર્ક સોસાયટી અને પીલાજી ગંજ વિસ્તારમાંથી અજાણ્યા તસ્કરો મોટરસાયકલ ઉઠાવી જતાં વાહન માલિકોએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ઓફિસની બહાર પાર્ક કરેલું બાઈક ચોરાયુંમહેસાણા શહેરના ગોકુલધામ ફ્લેટમાં રહેતા અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સામે 'શ્રી વિશ્વકર્મા વુડન' નામની ઓફિસ ધરાવતા રાજભાઈ સુથારે મહેસાણા બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ગત 26 જાન્યુઆરીના રોજ સાંજે તેમણે પોતાનું હોન્ડા કંપનીનું સીબી હોરનેટ બાઇક નંબર GJ.02.CH.4185 ઓફિસની બહાર પાર્ક કર્યું હતું. બીજા દિવસે સવારે જ્યારે તેઓ ઓફિસ ખોલવા આવ્યા ત્યારે બાઇક ગુમ જણાયું હતું. આશરે રૂ. 25 હજારની કિંમતના બાઇકની ચોરી અંગે તેમણે ઓનલાઇન ઇ-એફઆઇઆર બાદ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પીલાજી ગંજના ગેસ્ટ હાઉસ નીચેથી બાઇક ગુમચોરીની બીજી ઘટના શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. મૂળ રાજસ્થાનના વતની અને હાલ પીલાજી ગંજમાં આવેલ નટરાજ ગેસ્ટ હાઉસમાં રોકાયેલા દેવાભાઈ બાસડે પોતાની હીરો સ્પ્લેન્ડર બાઇક RJ 12 SV 7973 ગેસ્ટ હાઉસની નીચે રોડ પર પાર્ક કરી હતી. 29 જાન્યુઆરીની રાત્રે રોકાણ કર્યા બાદ સવારે જ્યારે તેઓ કામ અર્થે બહાર નીકળ્યા ત્યારે બાઇક ચોરાઈ ગયું હોવાનું માલૂમ પડ્યું હતું. આશરે રૂ. 20 હજારની કિંમતનું બાઇક કોઈ અજાણ્યો તસ્કર ઉઠાવી ગયો હતો. મહેસાણા પોલીસે બંને મામલે ગુનો નોંધી વાહન ચોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. શહેરમાં સતત વધતી જતી વાહન ચોરીની ઘટનાઓને પગલે સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ફાળ પડી છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 3:32 pm

UBBNનું પ્રથમ સ્થાપના વર્ષ ઉજવાયું:ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા અમદાવાદમાં આયોજન કરાયું

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ (UBVP) દ્વારા સંચાલિત ઉત્તર ભારતીય બિઝનેસ નેટવર્ક (UBBN)ના પ્રથમ સ્થાપના વર્ષની ઉજવણી અમદાવાદમાં કરવામાં આવી. આ કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. UBBNની સ્થાપના ગત વર્ષ 2025માં કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં વસતા ઉત્તર ભારતીય વેપારીઓને એક મંચ પર લાવી તેમના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. આ કાર્યક્રમ ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષ મહેશ કુશવાહની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં સમાજના આર્થિક વિકાસ સાથે સામાજિક અને સાંસ્કૃતિક વિકાસને મહત્વ આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઉત્તર ભારતીય વિકાસ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્યામસિંહ ઠાકુરે ઉત્તર ભારતના તમામ ઉદ્યોગપતિઓ અને વેપારીઓને એક મંચ પર આવી આર્થિક વિકાસ સાથે સામાજિક વિકાસમાં સહયોગ આપવા અપીલ કરી હતી. બાપુનગરના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 3:30 pm

અમદાવાદમાં ઘાંચી સમાજની બિઝનેસ સમિટ સંપન્ન:આર્થિક વિકાસ અને રોજગારની નવી તકો પર ભાર મૂકાયો

અમદાવાદમાં સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજ દ્વારા બે દિવસીય બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ૨૯ જાન્યુઆરીના રોજ સંપન્ન થઈ. આ સમિટનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના ઘાંચી સમાજના આર્થિક વિકાસને વેગ આપવાનો હતો. કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં રાજ્યના વિવિધ ભાગોમાંથી ઉદ્યોગપતિઓ અને ઘાંચી સમાજના અગ્રણીઓએ હાજરી આપી હતી. તેમણે યુવાનોને પ્રોત્સાહિત કર્યા. રાજ્યભરમાંથી આવેલા ભાઈ-બહેનોએ પોતાના ઉત્પાદનો અને માલસામાનના વેચાણ માટે સ્ટોલ લગાવ્યા હતા. આ સમિટને સફળ બનાવવા માટે નીચે મુજબની કમિટીના સભ્યોએ સઘન પ્રયાસો કર્યા હતા: અસરફભાઈ દાઉદભાઈ ઘાંચી – ચેરમેન, સઈદભાઈ સબ્બીરભાઈ શેખ (મેત્રાલવાલા) – વાઇસ ચેરમેન, સલીમભાઈ પરમાર (દામનગર) – કોમ્યુનિકેશન ચેરમેન, ડો. જાવેદ મોજણીદાર – સેક્રેટરી, અને અમીનભાઈ બિલખીયા – એકાઉન્ટન્ટ ખજાનચી. સમાજના પૂર્વ પદાધિકારીઓ અને વરિષ્ઠ અગ્રણીઓ જેવા કે અબ્દુલ કાદર દલાલ, મુસ્તુફા ખેડૂવોરા, દાઉદભાઈ ઘાંચી (ત્રણેય પૂર્વ જનરલ સેક્રેટરી) અને પૂર્વ પ્રમુખ ફરીદ દુરવેશ સહિત અન્ય ઉપસ્થિત અગ્રણીઓએ આ કાર્યને બિરદાવી યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. ઉદ્ઘાટન સમારોહમાં કારોબારી સભ્યો અને સમાજના વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ યુસુફભાઈ સોરઠીયા અને જનરલ સેક્રેટરી સલીમભાઈ અગોલીયાએ યુવાનોને મુક્તપણે કામ કરવા અનુરોધ કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સુંદર કાર્યક્રમના આયોજનથી સમાજમાં એકતા, વિશ્વાસ અને ભવિષ્યના વિકાસ માટે એક ઉજળી તક ઊભી થઈ હોવાનો સર્વસંમતિથી મત વ્યક્ત કરવામાં આવ્યો. આ પ્રોજેક્ટ કાર્યરત થતાં યુવાનોને રોજગાર અને વ્યવસાયમાં નવી તકો મળશે, વેપારીઓ વચ્ચે સહકાર અને ભાઈચારો વધશે, અને સમાજની પ્રગતિ માટે એક મજબૂત મંચ ઊભો થશે. આ સમિટમાં કાપડ, ડ્રેસ મટીરીયલ, બાળકોના કપડાં, કાચી ઘાણીનું શુદ્ધ તેલ, તલનું તેલ, મીઠાઈઓ, વિવિધ પ્રકારના મસાલા, બ્યુટી પ્રોડક્ટ્સ, વિદેશ અભ્યાસ માટેના સ્ટોલ, સ્વાદિષ્ટ વાનગીઓ અને શરબતો સાથેના ફૂડ કાઉન્ટર, રમઝાન સંબંધિત ખરીદી, મોબાઈલ અને ઇલેક્ટ્રિક ઉપકરણો, ઓટો અને બિલ્ડીંગ સામગ્રી, ફ્રોઝન ફૂડ અને ગાયનું શુદ્ધ ઘી સહિત વિવિધ ઉત્પાદનો ઉપલબ્ધ હતા. ઘણા સ્ટોલધારકો દ્વારા ડિસ્કાઉન્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 3:29 pm

ગુજરાતને MSME, GIFT City અને ઇન્ફ્રામાં મોટો ફાયદો:જગદીશ વિશ્વકર્મા:'બજેટ ત્રણ મજબૂત સ્તંભ પર આધારિત, રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મનો મંત્ર'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલું 2026-27નું કેન્દ્રીય બજેટ ‘વિકસિત ભારત 2047’ની સ્પષ્ટ બ્લુપ્રિન્ટ અને આગામી 25 વર્ષના વિકાસ રોડમેપને પ્રતિબિંબિત કરે છે, તેમ ગુજરાત પ્રદેશ ભાજપાના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું. રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મનો મંત્રગાંધીનગરના કોબા સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે, આ બજેટ ભારત માટે ‘Strong Step for Right Direction’ સાબિત થશે. રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના મંત્ર સાથે મોદી સરકારની રિફોર્મ એક્સપ્રેસ સતત ગતિ પકડી રહી છે. 53.5 લાખ કરોડનું સર્વસ્પર્શી અને સર્વસમાવેશી બજેટજગદીશ વિશ્વકર્માએ કહ્યું કે, 53.5 લાખ કરોડનું આ સર્વસ્પર્શી અને સર્વસમાવેશી બજેટ યુવાશક્તિ, નારીશક્તિ, કિસાન શક્તિ, શ્રમિક શક્તિ અને ઉદ્યમી શક્તિને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. Make in India અને Local to Globalના સંકલ્પને આ બજેટ નવી ઊંચાઈ આપે છે. આ બજેટ ત્રણ મજબૂત સ્તંભ પર આધારિતતેમણે ઉમેર્યું કે, કર્તવ્ય ભવનમાં રજૂ થયેલું નિર્મલા સીતારમણનું નવમું બજેટ આર્થિક વિકાસને ગતિ આપવા, નાગરિકોની આશા-આકાંક્ષાઓ પૂર્ણ કરવા અને વિકાસના લાભો સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાના ત્રણ મજબૂત સ્તંભ પર આધારિત છે. ટેક્સટાઈલ ક્ષેત્રની જાહેર થયેલી છ યોજનાઓથી ઉદ્યોગોને બુસ્ટ મળશેગુજરાત માટે આ બજેટ અત્યંત લાભદાયક હોવાનું જણાવી તેમણે કહ્યું કે, MSME અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને મળેલા પ્રોત્સાહનથી રાજ્યમાં રોજગારની નવી તકો સર્જાશે. ટેક્સટાઈલ ક્ષેત્ર માટે જાહેર થયેલી છ યોજનાઓથી ઉદ્યોગોને મોટો બુસ્ટ મળશે. લોથલ અને ધોળાવીરાનો વિકાસGIFT City માટે 20 વર્ષ સુધી ટેક્સ હોલીડે લંબાવવાના નિર્ણયથી વૈશ્વિક કંપનીઓનું રોકાણ વધશે અને મોટા પાયે રોજગારી સર્જાશે. લોથલ અને ધોળાવીરા જેવા પુરાતત્વ સ્થળોના વિકાસ, ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર અને જામનગર સ્થિત WHO ગ્લોબલ મેડિકલ સેન્ટરના અપગ્રેડેશન જેવા નિર્ણય ગુજરાત માટે મહત્વપૂર્ણ છે. મહિલા, યુવા અને ખેડૂત પર ફોકસમહિલા સશક્તિકરણ માટે ‘શી માર્ટ્સ’ની શરૂઆત, દરેક જિલ્લામાં મહિલા હોસ્ટલ, સ્વસહાય જૂથોને વધુ નાણાકીય સહાય અને તાલીમ જેવી જાહેરાતોને તેમણે દુરંદેશી ગણાવી. કન્ટેન્ટ ક્રિએટર લેબ્સયુવાનો માટે AVGC ક્ષેત્રમાં 20 લાખ રોજગારીની સંભાવના સાથે 15,000 શાળાઓ અને 500 કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ સ્થાપવાની જાહેરાત મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું. સરોવરોના વિકાસખેડૂતો માટે AI આધારિત Bharat Vistaar Tool, પશુપાલન અને ડેરી ક્ષેત્રે વિશેષ તાલીમ, મત્સ્ય ઉદ્યોગ માટે નવા જળાશયો અને અમૃત સરોવરોના વિકાસથી આવક વધારવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. પ્રદેશ પ્રમુખે અભિનંદન પાઠવ્યાઅંતમાં જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે, આ બજેટની દરેક જાહેરાત યુવાનોના સપનાઓને, ખેડૂતોની મહેનતને અને સામાન્ય નાગરિકોની આશાઓને પાંખ આપશે. તેમણે આ ઐતિહાસિક બજેટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નાણાંમંત્રી નિર્મલા સીતારમણ અને સમગ્ર NDA સરકારને અભિનંદન પાઠવ્યા.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 3:24 pm

ILSASS કોલેજમાં પ્રથમ એલ્યુમિની મીટ યોજાઈ:પૂર્વ વિદ્યાર્થીઓ ઉમટ્યા, 'Rewind, Relive, Relish' થીમ પર યાદો તાજી કરી

વલ્લભ વિદ્યાનગર સ્થિત CVM યુનિવર્સિટી સંચાલિત ILSASS કોલેજમાં 1 ફેબ્રુઆરીના રોજ પ્રથમ એલ્યુમિની મીટ ‘ધરોહર’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વર્ષો બાદ કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓ એકઠા થયા હતા અને જૂની યાદો તાજી કરી હતી.આ કાર્યક્રમમાં હાસ્ય, આનંદ અને ભાવુક ક્ષણોનો સંગમ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં CVM યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. ઈન્દ્રજિત પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે એલ્યુમિની મીટને પેઢીઓને જોડતો સેતુ ગણાવ્યો હતો અને પૂર્વ વિદ્યાર્થીઓને સંસ્થાના શૈક્ષણિક તથા સામાજિક વિકાસમાં યોગદાન આપવા પ્રેરણા આપી હતી. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. આર્ચના સી. એન. એ પૂર્વ વિદ્યાર્થીઓને સંસ્થાની સાચી તાકાત ગણાવી તેમનું સ્વાગત કર્યું હતું. પુણેની અજિંક્યા ડી.વાય. પાટીલ યુનિવર્સિટીના ડીન અને ILSASSના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સન્ની થોમસ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. તેમણે ભૂતકાળની યાદો તાજી કરી હતી અને પોતાના પૂર્વ વિદ્યાર્થીઓની પ્રગતિ જોઈ ગર્વ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. લવિના ક્રિશ્ચિયન અને તેમની ટીમ (વેદ પટેલ, ધાર્મી પટેલ, હેલી પટેલ) દ્વારા કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમો અને સંવાદોએ આ મિલનને વધુ યાદગાર બનાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 3:22 pm

રાજકોટ કલેકટર કચેરી અને કોર્ટને બોમ્બથી ઉડાવી દેવા ધમકી:તામિલનાડુ પોલીસ દ્વારા છેડતીની ફરિયાદ લેવામાં ન આવતા માઉવાદીઓ સાથે મળી બૉમ્બ પ્લાન્ટ કર્યા છે જે 2.10 વાગ્યે બ્લાસ્ટ થશે લખી ઇમેઇલ કર્યો

રાજકોટ જિલ્લા કલેકટર કચેરી અને કોર્ટ બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા રાજકોટ શહેર SOG પોલીસ, યુનિવર્સીટી પોલીસ તેમજ બૉમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની અલગ અલગ ટિમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં બન્ને જગ્યાએ તપાસ કરતા કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ બનાવ અંગે ઇમેઇલ મારફત મળેલી ધમકી અંગે સાયબર ક્રાઇમ પોલીસે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે તામિલનાડુ પોલીસ છેડતી અંગે ફરિયાદ લેતી ન હોવાથી રોષે ભરાઈ માઉવાદીઓ સાથે મળી બૉમ્બ પ્લાન્ટ કર્યો હોવાં ઇમેઇલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલ કોર્ટ બિલ્ડીંગ અને જિલ્લા કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવા ધમકી મળતા સાથે બનાવ અંગે વહીવટ તંત્ર અને કોર્ટના સત્તાધીશો દ્વારા પોલીસ કંટ્રોલને બનાવ અંગે જાણ કરવામાં આવી હતી જે બાદ તાત્કાલિક રાજકોટ શહેર SOG પોલીસ, બૉમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ તેમજ સ્થાનિક પોલીસની ટિમો દ્વાર કોર્ટ બિલ્ડીંગ અને જિલ્લા કલેકટર કચેરી ખાતે તપાસ શરૂ કરવામાં આવી હતી જો કે તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી ન આવતા તંત્રએ રાહતબો શ્વાસ લીધો છે અને ધમકી ભર્યા ઇમેઇલ અંગે સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી છે. રાજકોટ યુનિવર્સીટી પોલીસ સ્ટેશનના પીઆઇ એચ એન પટેલએ જણાવ્યું હતું કે, રાજકો કોર્ટ બિલ્ડિંગમાં બૉમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા હોવાની ધમકી ભર્યો ઇમેઇ કોર્ટને મળતા જાણ પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક અલગ અલગ ટિમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી જો કે આ તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. કોર્ટને જે ઇમેઇલ મળ્યો છે તે ડી ટી ટી વી દિનાકરણ નામથી મળ્યો છે જેમાં બપોરના 2.10 વાગ્યે 3 બૉમ્બ ફૂટશે તેવી ધમકી આપવામાં આવી છે. તામિલનાડુમાં છેડતીની ફરિયાદ લેવામાં આવતી ન હોવાથી તામિલનાડુ પોલીસ અને DGP સામે રોષના કારણે ગુજરાતમાં અમે માઉવાદીઓ સાથે મળી અલગ અલગ જગ્યાએ બૉમ્બ પ્લાન્ટ કર્યા છે તેવો ઉલ્લેખ ઇમેઇલમાં કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ રાજકોટ જિલ્લા કલેકટર કચેરીને 11 એપ્રિલ 2025ના રોજ બોમ્બથી ઉડાવી દેવા ધમકી મળી હતી જેમાં સૌરભ પારધી નામના વ્યક્તિના ઇમેઇલ એડ્રેસ પરથી જિલ્લા કલેકટર રાજકોટને ધમકી ભર્યો ઇમેઇલ મળ્યો હતો જેમાં લખવામાં આવ્યું હતું કે, આ ગંભીરતા પૂર્વક તાકીદ કરતા જણાવું છું કે, આપત્તિજનક સુરક્ષા ભંગને કારણે માનનીય એડપ્પડી કે. પલાનીસ્વામીની સલામતી સાથે ચેડાં થયા છે. ઇન્ટેલ પુષ્ટિ કરે છે કે ડો. વરુણકુમાર IPS અને તેમની પત્ની, વંદિતા પાંડે IPS, ગુપ્ત રીતે પાકિસ્તાની ISI ઓપરેટિવ્સને મહત્વપૂર્ણ સુરક્ષા પ્રોટોકોલ લીક કર્યા છે. તેમનો ઉદ્દેશ સ્પષ્ટ છે. જાફર સાદિક મેથ સામ્રાજ્યના ખુલાસા પહેલા તમિલનાડુને અસ્થિર કરવા માટે પલાનીસ્વામી અને હરીફ જૂથોને તટસ્થ કરો. ગુજરાતમાં મીડિયાનું ધ્યાન ખેંચવા માટે અન્ય રાજ્યમાં ડાયવર્ઝનરી યુક્તિ તરીકે RDX-આધારિત IED આસપાસમાં મુકવામાં આવ્યું છે બપોરના 3 વાગ્યા સુધીમાં તમામ કર્મચારીઓ અને જોશી સાબને કલેક્ટર ઓફિસમાંથી બહાર કાઢો. વિલંબથી સામૂહિક જાનહાનિ થઇ શકે તેમ છે અને ISIના શેડો નેટવર્કને પ્રોત્સાહન મળે છે. તેમાં વધુમાં લખ્યું હતું કે, આ હુમલો જાફર સાદિક મેથ કેસમાં શ્રીમતી કિરુથિગા ઉધયાનિધિની સંડોવણીને દફનાવવા માટેનો ધુમાડો છે. એવિડન્સ ટ્રેલ્સ ઑફશોર એકાઉન્ટ્સ, એન્ક્રિપ્ટેડ ચેટ્સ અને ચેન્નાઈમાં અપ્રગટ મીટિંગ્સને લિંક કરે છે આ સીધુ ટોચ પર જાય છે. પલાનીસ્વામીના સ્થાનને સુરક્ષિત કરવા NIA/NSG ટીમોને એકત્ર કરો. NSA જોગવાઈઓ હેઠળ વરુણકુમાર IPS અને વંદિતા પાંડેની ધરપકડ કરો-તેમના ઉપકરણોમાં એન્ક્રિપ્ટ કોમ છે. રાજ્યભરમાં રેડ એલર્ટ વધારો કોઈમ્બતુર અને ત્રિચીમાં ISI સ્લીપર સેલ સક્રિય છે. દરેક મિનિટનો વેડફાટ તેમના એજન્ડાને બળ આપે છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 3:16 pm

મોરબીના એડવોકેટ-લેખકે હાજી રમકડુંનું જૂનાગઢમાં સન્માન કર્યું:પદ્મશ્રી નોમિનેટ હાજી મીર કાસમ સાથે મુલાકાત કરી

જૂનાગઢ ખાતે પદ્મશ્રી 2026 માટે નોમિનેટ થયેલા હાજી મીર કાસમ, જે 'હાજી રમકડું' તરીકે જાણીતા છે, તેમની મોરબીના સાહિત્યપ્રેમી યુવાનોએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન યુવાનોએ હાજી રમકડુંનું સન્માન અને અભિવાદન કર્યું હતું. આ મુલાકાતમાં મોરબી જિલ્લાના એડવોકેટ અને સંસ્કાર ભારતીના કલા ધરોહર સંયોજક મિતેષ દિલીપકુમાર દવે, એડવોકેટ દર્શનભાઈ દવે, યુવા લેખક પરમભાઈ જોલાપરા અને તેમના સાથી મિત્રો જોડાયા હતા. તેમણે હાજીબાપા સાથે એક કલાકથી વધુ સમય વિતાવ્યો હતો અને તેમની જૂની યાદોને વાગોળી હતી.આ મુલાકાત દરમિયાન, આગામી સમયમાં મોરબી ખાતે હાજી રમકડુંના ભવ્ય અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 3:09 pm

ઈ-ગ્રામ કર્મચારીઓને હટાવવાના નિર્ણય સામે વિરોધ:સુત્રાપાડા VCE મંડળે સરકારને આવેદનપત્ર આપ્યું, સેવા ચાલુ રાખવા માંગ

સુત્રાપાડા તાલુકામાં ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના હેઠળ ફરજ બજાવતા T.L.E., મેનપાવર (MIS) અને 15 FC કર્મચારીઓની કરાર આધારિત સેવાઓ પૂર્ણ કરવા અંગે વિકાસ કમિશનર દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે. આ નિર્ણયથી ગ્રામ્ય ડિજિટલ સેવાઓ પર પ્રતિકૂળ અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. આ સંદર્ભે, સુત્રાપાડા તાલુકાના 47 ગામના V.C.E. (વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર) મંડળે મામલતદાર મારફતે રાજ્ય સરકારને આવેદનપત્ર પાઠવીને આ કર્મચારીઓને છૂટા ન કરવા વિનંતી કરી છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે, ગુજરાત સરકારે વર્ષ 2007માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની મહત્વાકાંક્ષી ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના શરૂ કરી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ સેવાઓ પૂરી પાડવાનો હતો. આ માટે PPP (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ) મોડેલ હેઠળ ગામ કક્ષાએ V.C.E., તાલુકા કક્ષાએ T.L.E., જિલ્લા કક્ષાએ D.L.E. અને તાલુકા સ્તરે MIS પોસ્ટ પર કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં સરકારની વિવિધ ડિજિટલ સેવાઓ ગ્રામજનો સુધી પહોંચાડવામાં V.C.E.ઓની સાથે તાલુકા કક્ષાએ કાર્યરત T.L.E.ઓનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ રહ્યું છે. T.L.E. કર્મચારીઓ V.C.E.ઓને નવી સેવાઓ અંગે તાલીમ આપે છે, ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડે છે અને ઓનલાઈન કામગીરી દરમિયાન આવતી ખામીઓનું તાત્કાલિક નિવારણ કરે છે. તેઓ કોમ્પ્યુટર કે અન્ય ઉપકરણોમાં થતી ક્ષતિઓનું પણ નિરાકરણ લાવે છે. આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે જો તાલુકા કક્ષાએ ફરજ બજાવતા T.L.E., MIS અને 15 FC કર્મચારીઓને છૂટા કરવામાં આવશે, તો ગ્રામ્ય કક્ષાએ V.C.E.ઓ દ્વારા ગ્રામજનોને અપાતી ડિજિટલ સેવાઓમાં ગંભીર અડચણો ઊભી થશે. આના પરિણામે, સરકારની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના ગ્રામજનો સુધી પહોંચવામાં વિલંબ અને અવરોધ સર્જાઈ શકે છે. છેલ્લા 18 વર્ષથી સતત સેવા આપી રહેલા આ કર્મચારીઓએ 'ડિજિટલ ગુજરાત'ના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આજની તારીખે પણ, ગ્રામ્ય કક્ષાએ ટેકાના ભાવથી ખરીદી, કૃષિ વિભાગની સહાય યોજનાઓ, પંચાયત વિભાગના ઓનલાઈન દાખલાઓ અને વેરા વસૂલાત જેવી વિવિધ ટેકનિકલ અને ઓનલાઈન કામગીરીઓમાં V.C.E.ઓને આવતી મુશ્કેલીઓનું યોગ્ય અને સચોટ માર્ગદર્શન તાલુકા કક્ષાએથી T.L.E.ઓ દ્વારા આપવામાં આવે છે. આથી, સુત્રાપાડા તાલુકાના 47 ગામના V.C.E.ઓ દ્વારા રાજ્ય સરકારને વિનંતી કરવામાં આવી છે કે, ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના હેઠળ વર્ષોથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા આ કર્મચારીઓને છૂટા ન કરવામાં આવે અને તેમને ફરજ પર ચાલુ રાખવા બાબતે પુનર્વિચારણા કરવામાં આવે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 3:06 pm

બાઈક પર જતી વખતે મધમાખી કરડવાથી યુવકનું મોત:હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ શ્વાસ છોડ્યા, પરિવારનો આધારસ્તંભ છીનવાયો, ત્રણ સંતાન નોંધારા

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. ટીંબી ગામથી ગઢડા પરત ફરી રહેલા એક યુવકને રસ્તામાં મધમાખી કરડતા તેનું મોત નીપજ્યું છે. હેર સલૂન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા યુવકના અકાળે અવસાનથી બે પુત્રી અને એક પુત્રએ પિતાનો સહારો ગુમાવ્યો છે, જેના કારણે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પાણી પીવા ઉતર્યા અને કાળ ભેટ્યો મળતી વિગત મુજબ, ગઢડાના વાઢાચોક વિસ્તારમાં રહેતા નાસીરભાઈ (ઉર્ફે લાલો) ફિરોજભાઈ ચૌહાણ (ઉં.વ.30) ગઈકાલે (1 ફેબ્રુઆરી) તેમના પિતા સાથે બાઈક પર ટીંબી ગામથી ગઢડા તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન ખોપાળા ગામ પાસે તરસ લાગતાં નાસીરભાઈ રસ્તામાં આવેલા એક પાણીના પરબ પર પાણી પીવા માટે ઉતર્યા હતા. દુર્ભાગ્યવશ, આ સ્થળે તેમને મધમાખી કરડી હતી. હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ શ્વાસ છોડ્યા મધમાખી કરડ્યા બાદ નાસીરભાઈની તબિયત અચાનક લથડી હતી અને તેઓ ગંભીર બની ગયા હતા. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. મેડિકલ ઓફિસરના જણાવ્યા અનુસાર, યુવકનું મોત મધમાખીના ઝેરની રિએક્શન અથવા ગંભીર અસરને કારણે થયું હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાય છે. જોકે, પરિવારજનોએ મૃતદેહનું પોસ્ટમોર્ટમ (PM) કરાવવાનો ઇનકાર કર્યો હતો. પરિવારનો આધારસ્તંભ છીનવાયો મૃતક નાસીરભાઈ વ્યવસાયે હેર સલૂન ચલાવતા હતા અને પોતાના પરિવારના મુખ્ય કમાનાર વ્યક્તિ હતા. તેમના અચાનક નિધનથી તેમના ત્રણ નાના સંતાન (બે પુત્રી અને એક પુત્ર) પિતા વિહોણા બન્યા છે. ઘરના મોભી અને આધારસ્તંભ સમાન યુવાન પુત્રના મોતે ચૌહાણ પરિવાર પર આભ તોડી પાડ્યું છે. વાઢાચોક વિસ્તારમાં આ ઘટનાને પગલે શોકનું મોજું ફરી વળ્યું છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 3:01 pm

તેલંગણાના રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્માએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા:પાલખીયાત્રામાં ભજન-કિર્તન અને ડમરૂના નાદ સાથે સહભાગી બન્યા

તેલંગણાના રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્માએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના દર્શન કર્યા હતા. તેમણે મંદિર પરિસરમાં યોજાયેલી પરંપરાગત પાલખીયાત્રામાં પણ ભાગ લીધો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા રાજ્યપાલનું મંદિર પરિસરમાં શરણાઈઓના સૂરો વચ્ચે સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યપાલએ પ્રથમ જ્યોતિર્લિંગ સમક્ષ શીશ ઝુકાવી પ્રાર્થના કરી અને ગંગાજળથી જળાભિષેક કર્યો હતો. પૂજારીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર રાજ્યપાલના હસ્તે સોમેશ્વર મહાપૂજા સંપન્ન કરાવવામાં આવી હતી. મંદિરના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ રાજ્યપાલને પ્રસાદ ભેટ અર્પણ કરી હતી. રાજ્યપાલ પાલખીયાત્રામાં ભજન-કિર્તન અને ડમરૂના નાદ સાથે ઉત્સાહપૂર્વક સહભાગી બન્યા હતા. તેમણે બાણસ્તંભ સહિત સમગ્ર મંદિર પરિસરની મુલાકાત લીધી હતી અને મંદિરના ઐતિહાસિક, ધાર્મિક તથા સાંસ્કૃતિક મહત્વ અંગે માહિતી મેળવી હતી.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 2:59 pm

પાઈનેપલની ખરીદી કરતી વખતે પર્સની ચોરી કરનાર ઝડપાયો:વડોદરામાં મહિલાની નજર ચૂકવીને પર્સમાંથી 50 હજારની રોકડ રકમ અને એરપોડ્સની ચોરી કરનાર રિક્ષા ચાલકની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી, 63 હજારનો મુદ્દામાલ જપ્ત

વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં મહિલાની નજર ચૂકવીને તેના પર્સની ચોરી કરીને ભાગી જનાર રીઢા આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. જેથી રૂ. 55,000ની ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરામાં રહેતા ફરિયાદી મહિલા વડોદરા શહેરના વારસીયા રિંગ રોડ પર સર્વાનંદ હોલ પાસેના ફૂટપાથ પર પાઇનેપલ ખરીદી રહી હતી. તે દરમિયાન તેમની એક્ટિવા સ્કૂટર પાસે મૂકેલ પર્સમાં આશરે રૂ. 50,000ની રોકડ અને OnePlus Buds Pro 3 એરબડ્સ સહિત કુલ રૂ. 55,000ની મત્તા હતી. અજાણ્યા ઓટોરિક્ષા ચાલકે ફરિયાદીની નજર ચૂકવીને પર્સ ચોરી લીધું અને ઓટોરિક્ષામાં ભાગી ગયો હતો. આ અંગે વારસીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે CCTV ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે શોધખોળ શરૂ કરી હતી. પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, અગાઉ ચોરીના અનેક ગુનાઓમાં પકડાયેલ શાહરૂખ ઉર્ફે નટુ ઇસ્માઇલભાઇ પઠાણ (રહે. ઇન્દીરાનગર ઝુપડપટ્ટી, હાથીખાના પાસે, બ્રિજ નીચે, વડોદરા) હાથીખાના ઇન્દીરાનગર બ્રિજ પાસે તેની ઓટોરિક્ષા સાથે હાજર છે. તેની પાસે ચોરેલા એરપોડ્સ અને રોકડ રાખેલ હોવાની શંકા હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક સ્થળે પહોંચીને તપાસ કરતાં આરોપીને તેની ઓટોરિક્ષા સાથે ઝડપી લીધો હતો. ઝડતીમાં તેની પાસેથી રોકડ રૂ. 7,600, OnePlus કંપનીના એરબડ્સ, વિવો મોબાઇલ ફોન અને ઓટોરિક્ષા મળી આવી. સઘન પૂછપરછમાં આરોપીએ વારસીયા ખાતેની ચોરીની ઘટના કબૂલી લીધી અને પર્સમાંથી ચોરેલી વસ્તુઓ તેની પાસેથી મળી આવી હોવાનું જણાવ્યું. તેણે ચોરીમાં ઓટોરિક્ષાનો ઉપયોગ કર્યો હોવાનું પણ સ્વીકાર્યું હતું. આરોપી શાહરૂખ ઉર્ફે નટુ પઠાણ સામે અગાઉ ચોરી, રાઇટિંગ, મારામારી, જુગાર, હથિયાર રાખવા જેવા 15 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જેમાં ગોરવા, રાવપુરા, વાડી, કારેલીબાગ, માંજલપુર, વારસીયા, ફતેગંજ, સયાજીગંજ, પાણીગેટ વગેરે પોલીસ સ્ટેશનોનો સમાવેશ થાય છે. આરોપીને વધુ તપાસ અને કાનૂની કાર્યવાહી માટે વારસીયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. કબજે કરાયેલ મુદ્દામાલ: - રોકડ રૂ. 7,600 - OnePlus Buds Pro 3 એરબડ્સ (કિ. રૂ. 5,000) - વિવો મોબાઇલ ફોન (કિ. રૂ. 1,000) - ઓટોરિક્ષા (કિ. રૂ. 50,000) કુલ મુદ્દામાલની અંદાજિત કિંમત: રૂ. 63,600

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 2:53 pm

વેરાવળના આદ્રીમાં આહીર સમાજના સમૂહલગ્નનું આયોજન:54 યુગલો પ્રભુતામાં પગલા માંડશે, ડોક્ટર-સરકારી નોકરીયાત દીકરીઓ બનશે આયોજનની ઓળખ

વેરાવળના આદ્રી ગામે શ્રી આહિર સમાજ દ્વારા મહા વદ 4, ગુરુવાર, 5 ફેબ્રુઆરી, 2026ના રોજ 22માં ભવ્ય સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કુલ 54 યુગલો વૈદિક વિધિ અનુસાર લગ્નગ્રંથિથી જોડાશે. આદ્રી ખાતે આવેલા પ્રાચીન મહાકાળી માતાજીના મંદિરના સાનિધ્યમાં વિશાળ ગ્રાઉન્ડ પર આ ભવ્ય આયોજન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. છેલ્લા બે દાયકાથી વધુ સમયથી આદ્રી આહિર સમાજ દ્વારા સામાજિક ક્રાંતિ સમાન સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. લગ્ન પ્રસંગે થતા ખોટા ખર્ચાઓ અને આર્થિક બોજ ઘટાડવા તેમજ સામાજિક એકતા મજબૂત કરવાના ઉદ્દેશ્યથી શરૂ થયેલી આ પહેલ આજે 22માં વર્ષે પણ સફળતાપૂર્વક આગળ વધી રહી છે. સમાજના પરિવારો આ સમૂહલગ્નમાં ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે. આ 22માં સમૂહલગ્નોત્સવની સૌથી વિશેષ બાબત એ છે કે, 54 દીકરીઓ પૈકી 1 ડોક્ટર, 3 સરકારી નોકરીયાત, 1 ખાનગી નોકરી કરતી અને 32 ગ્રેજ્યુએટ દીકરીઓનો સમાવેશ થાય છે. શિક્ષણ અને આત્મનિર્ભરતા તરફ આગળ વધતી આ દીકરીઓ આદ્રી આહિર સમાજની દૂરંદેશી અને મહિલા સશક્તિકરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. સમૂહલગ્ન જેવી પરંપરાગત સામાજિક વ્યવસ્થામાં ઉચ્ચશિક્ષિત અને કારકિર્દીધારી દીકરીઓનો આત્મવિશ્વાસપૂર્વક સહભાગ એ દર્શાવે છે કે સમાજે ખોટા ખર્ચાઓ અને દેખાદેખી છોડીને શિક્ષણને પ્રાથમિકતા આપવાનો સંદેશ સ્વીકારી લીધો છે. આ દીકરીઓ માત્ર પોતાના પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બની રહી છે. આ શુભ પ્રસંગે જ્ઞાતિજનો સાથે સાધુ-સંતો અને સમાજના અગ્રણી શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહી નવદંપતિઓને સુખ, સમૃદ્ધિ અને સમર્પણના આશીર્વાદ આપશે. તેઓ દંપતિઓના દાંપત્ય જીવનની શોભામાં વૃદ્ધિ કરશે. આજના સમયમાં જ્યાં દરેક સમાજમાં સમૂહલગ્નનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લા અને સમગ્ર રાજ્યને અનોખી તથા પ્રેરક રાહ ચીંધતું આદ્રી ગામ એક ગૌરવપૂર્ણ ઉદાહરણ પૂરું પાડે છે. પ્રાચીન મહાકાળી માતાજીના મંદિરના પવિત્ર સાનિધ્યમાં યોજાતા આ ભવ્ય સમૂહલગ્નોત્સવને સફળ બનાવવા આદ્રી ગામના હજારો યુવકો દિવસ-રાત જહેમત ઉઠાવી રહ્યા છે. આ પ્રયાસ ગામની એકતા, સેવા ભાવના અને સામાજિક ચેતનાનું જીવંત પ્રતિબિંબ બની રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 2:46 pm

પંચમહાલના વિદ્યાર્થીઓનો નેશનલ સ્ટેમ ક્વિઝ ઝોનલ રાઉન્ડમાં દબદબો:28 વિદ્યાર્થીઓ ફાઇનલ માટે પસંદગી પામ્યા

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા આયોજિત ઇન્ડિયા સ્ટેમ ક્વિઝ ૪.૦ માં પંચમહાલ જિલ્લાના વિદ્યાર્થીઓએ ઝોનલ રાઉન્ડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. જિલ્લાના કુલ ૪૭,૪૫૬ વિદ્યાર્થીઓએ આ ક્વિઝ માટે નોંધણી કરાવી હતી. તાજેતરમાં ૨૯ થી ૩૧ જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર ખાતે યોજાયેલા ઝોનલ રાઉન્ડમાં પંચમહાલના જુનિયર લેવલના ૩૩ અને સિનિયર લેવલના ૩૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જુનિયર લેવલમાં, કાલોલની નવરચના ગુરુકુલની પટેલ યશવી પ્રથમ ક્રમે રહી હતી, જ્યારે નારુકોટની જવાહર આશ્રમશાળાનો રાઠવા પ્રકાશ બીજા ક્રમે આવ્યો હતો. સિનિયર લેવલમાં, ગોધરાની ઇકબાલ યુનિયન હાઇસ્કુલનો આમીર ઇરફાન બોકડા પ્રથમ સ્થાને રહ્યો હતો અને હાલોલની MGM સ્કૂલનો પ્રસાદ પ્રિતમકુમાર દ્વિતીય સ્થાને આવ્યો હતો. આ ચારેય વિદ્યાર્થીઓએ સ્ટુડિયો રાઉન્ડમાં પ્રવેશ મેળવી ટ્રોફી જીતી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ઝોનલ રાઉન્ડમાંથી જિલ્લાના દરેક તાલુકામાંથી પ્રથમ અને દ્વિતીય ક્રમ મેળવનાર કુલ ૨૮ વિદ્યાર્થીઓ (૧૪ જુનિયર અને ૧૪ સિનિયર) હવે માર્ચ મહિનામાં અમદાવાદના સાયન્સ સિટી ખાતે યોજાનાર ફાઇનલ રાઉન્ડમાં ભાગ લેશે. આ ક્વિઝ માટે સરકાર દ્વારા ૨ કરોડ રૂપિયા સુધીના ઇનામો રાખવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 2:43 pm

સાબરકાંઠા ભાજપની નવી ટીમ જાહેર:વિવિધ વિભાગો સાથે 36 સભ્યોની સંગઠનાત્મક રચના

સાબરકાંઠા જિલ્લા ભાજપ દ્વારા સોમવારે 36 સભ્યોની નવી સંગઠનાત્મક ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત લાંબા સમયથી પ્રતીક્ષામાં હતી. પ્રદેશ પ્રમુખની જાહેરાત બાદ ફરીથી કવાયત હાથ ધરવામાં આવી હતી. નવી ટીમમાં ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, કોષાધ્યક્ષ, કાર્યાલય મંત્રી, સોશિયલ મીડિયા વિભાગ, આઈટી વિભાગ અને મીડિયા વિભાગના હોદ્દેદારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, યુવા મોરચા, મહિલા મોરચા, બક્ષીપંચ મોરચા, કિસાન મોરચા, અનુસૂચિત જાતિ મોરચા, અનુસૂચિત જનજાતિ મોરચા અને લઘુમતી મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓની પણ નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લા ભાજપમાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી, 8 મંત્રી, એક કોષાધ્યક્ષ અને એક કાર્યાલય મંત્રીની નિમણૂક કરાઈ છે. વિવિધ મોરચા અને વિભાગોમાં પણ પ્રમુખ અને મહામંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે. સંગઠનની નવી ટીમ જાહેર થતાં કાર્યકર્તાઓ દ્વારા નવનિયુક્ત પદાધિકારીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 2:41 pm

અડાજણમાં 22 લીટર પાણીની ટાંકી જોખમી બની:ભાસ્કરના રિયાલિટી ચેકમાં ટાંકીમાં અને સીડીમાં મસમોટી તિરાડો જોવા મળી, તડકેશ્વર અને વલસાડ જેવી દુર્ઘટના સર્જાવાની ભીતિ

ગુજરાતમાં હાલ પાણીની ટાંકીઓના નિર્માણ અને તેની ગુણવત્તા પર મોટા પ્રશ્નાર્થો ઉભા થયા છે. માંડવીના તડકેશ્વરમાં 21 કરોડના ખર્ચે બનેલી નવી ટાંકી લોકાર્પણ પહેલા જ ધરાશાયી થઈ અને વલસાડમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી. આ ઘટનાઓ બાદ જ્યારે ભાસ્કર ટીમ દ્વારા સુરતના અડાજણ વિસ્તારમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું, ત્યારે ચોંકાવનારી હકીકતો સામે આવી છે. અહીં વર્ષ 1997માં બનાવવામાં આવેલી પાણીની ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં છે. ટાંકીની બહારના ભાગેથી પોપડા ઉખડી રહ્યા છે અને અંદરના લોખંડના સળિયા સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે, જે ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે તેમ છે. 22 લાખ લિટર પાણીનો ભાર અને નબળા પીલરઅડાજણ વિસ્તારની આ ટાંકીની ક્ષમતા 22 લાખ લિટરની છે. આટલી વિશાળ ક્ષમતા ધરાવતી ટાંકી પર લાખો પરિવારોના પીવાના પાણીનો આધાર છે. પરંતુ તેની હાલત જોતા એવું લાગે છે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે. ટાંકીના દાદર નજીકના પીલરમાં તિરાડો જોવા મળી છે. જો 22 લાખ લિટર પાણીનો ભાર આ નબળા દાદર સહન ન કરી શક્યા, તો આસપાસના રહેણાંક વિસ્તારોમાં ભારે તબાહી મચી શકે છે. ગંભીર સ્થિતિ હોવા છતાં, આ ટાંકી હજુ પણ કાર્યરત છે, જે વહીવટી તંત્રની ગુનાહિત બેદરકારી સૂચવે છે. કર્મચારીઓ માટે 'મોતનો દાદર' અને અંદરની ગંદકીટાંકીની બાહ્ય સ્થિતિ જેટલી ખરાબ છે, તેટલી જ ભયાનક અંદરની સ્થિતિ છે. ટાંકીના ઉપરના ભાગે ચડવા માટે જે દાદર બનાવવામાં આવ્યો છે, તે એટલો જર્જરિત છે કે તેના પર ચડનાર વ્યક્તિ ગમે ત્યારે નીચે પટકાઈ શકે છે. દાદરના સળિયા કાટ ખાઈ ગયા છે અને તે નબળા પડી ગયા છે. એટલું જ નહીં, ટાંકીની અંદર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. જે પાણી લોકોના ઘર સુધી પહોંચે છે, તેની શુદ્ધતા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. પીલરમાં પડેલી તિરાડો અને અંદરની અસ્વચ્છતા એ વાતનો પુરાવો છે કે વર્ષોથી તેની કોઈ મરામત કરવામાં આવી નથી. જવાબદારી એન્જિનિયરો પ્રશ્નોથી બચતા જોવા મળ્યાજ્યારે આ બાબતે ત્યાંના જવાબદાર એન્જિનિયરોને પૂછવામાં આવ્યું કે છેલ્લે ક્યારે મરામત કરવામાં આવી હતી અને ટાંકીની આ હાલત કેમ છે, ત્યારે તેઓ પ્રશ્નોથી બચતા નજરે પડ્યા હતા. કરોડો રૂપિયાના બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકા પાસે નવી ટાંકી બનાવવા કે જૂની ટાંકીના સમારકામ માટે સમય નથી? કે પછી ભ્રષ્ટાચારના પાપે આ ટાંકીઓને ભગવાન ભરોસે છોડી દેવામાં આવી છે? તડકેશ્વરની ઘટનામાં તો ધરપકડો થઈ, પણ શું અડાજણની આ ટાંકી કોઈનો ભોગ લેશે ત્યારે જ તંત્ર જાગશે? જનતા હવે આ 'ભ્રષ્ટાચારની ટાંકીઓ' સામે કડક તપાસની માંગ કરી રહી છે. આ સમાચાર પણ વાંચોઃવલસાડમાં નિર્માણાધીન ટાંકીનું સ્ટ્રકચર તૂટી પડ્યું વલસાડના કલ્યાણબાગ વિસ્તારમાં નિર્માણાધીન 54 લાખ રૂપિયાની પાણીની ટાંકીનું સ્ટ્રક્ચર ધરાશાયી થયું છે. આ દુર્ઘટનામાં ટાંકીનો સ્લેબ અને સેન્ટિંગનો કેટલોક ભાગ અચાનક તૂટી પડતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. (સંપૂર્ણ સમાચાર વાંચો) સુરતમાં નવી બનાવેલી 11 લાખ લિટરની ટાંકી ટ્રાયલ દરમિયાન તૂટી સુરત જિલ્લાના માંડવી તાલુકાના તડકેશ્વર ગામે પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. 'ગાય પગલાં પાણી પુરવઠા યોજના' અંતર્ગત 21 કરોડના ખર્ચે નિર્માણ પામેલા સંપ અને પાણીની ટાંકીમાંથી 11 લાખ લિટરની ક્ષમતા ધરાવતી અને 15 મીટર ઊંચી પાણીની ટાંકી ટ્રાયલ દરમિયાન જ કકડભૂસ થઈને તૂટી પડી હતી. (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 2:41 pm

પાટણ તાલુકા પંચાયતનું બજેટ રજૂ, વિપક્ષનો વિરોધ:‘લાલિયાવાડી’ અને વિકાસ કાર્યો મુદ્દે આકરા પ્રહાર

પાટણ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં વર્ષ 2025-26નું સુધારેલું બજેટ અને વર્ષ 2026-27નું વાર્ષિક અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું. તાલુકા પંચાયત પ્રમુખ લલીબેન દેસાઈ દ્વારા રજૂ કરાયેલા આ અંદાજપત્રમાં વર્ષ 2026-27 માટે કુલ આવક રૂ. 125.69 કરોડ અને કુલ ખર્ચ રૂ. 107.80 કરોડ દર્શાવવામાં આવ્યો છે, જે રૂ. 17.88 કરોડની પુરાંત દર્શાવે છે. આ બજેટમાં સ્વચ્છ ગુજરાત સ્વસ્થ ગુજરાત અભિયાન, કૃષિ, પશુપાલન, શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓ પર ભાર મૂકવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. જોકે, આ સામાન્ય સભામાં વિપક્ષી સભ્ય સોહન પટેલે બજેટનો સખત વિરોધ નોંધાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે તાલુકા પંચાયતમાં વહીવટી ‘લાલિયાવાડી’ ચાલી રહી છે. સભાના આગલા દિવસ સુધી સભ્યોને મનરેગા કે બજેટની નકલો આપવામાં આવી નહોતી. સભ્યના જણાવ્યા અનુસાર, આ સામાન્ય સભા માત્ર પ્રક્રિયા પૂરી કરવા ખાતર જ યોજવામાં આવી હતી. ઉપરાંત, અગાઉ માંગેલી RTI (માહિતી અધિકાર) હેઠળની વિગતોમાં પણ તંત્ર દ્વારા ગોળ-ગોળ જવાબો આપીને માહિતી છુપાવવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ તેમણે કર્યો. વિકાસના મુદ્દે પ્રહાર કરતા વિપક્ષી સભ્યએ જણાવ્યું કે શંખારી વિસ્તારમાં આવેલી શાળાના 14 ઓરડા 100% જર્જરિત હાલતમાં હોવા છતાં તેને તોડવા માટેનું ડેમેજ સર્ટિફિકેટ આપવામાં આવતું નથી. શિક્ષણ અને ગામની સ્વચ્છતાના સાધનો જેવા પાયાના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનું જણાવી બજેટ સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આમ, એક તરફ શાસક પક્ષે બજેટને વિકાસલક્ષી ગણાવ્યું છે, તો બીજી તરફ વિપક્ષે વહીવટી અનિયમિતતાઓ અને પડતર પ્રશ્નો મુદ્દે તંત્રને ભીંસમાં લીધું છે. પાટણ તાલુકા પંચાયત પ્રમુખ લલીબેન દેસાઈના અધ્યક્ષ સ્થાને આ સામાન્ય સભા યોજાઈ હતી. આ પ્રસંગે ઉપપ્રમુખ સોનલબેન ઠાકોર, કારોબારી ચેરમેન જગતસિંહ રાજપૂત, વિરોધ પક્ષના નેતા સોહન પટેલ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમાર (જેમણે મફતગાળા માટે આવક મર્યાદા વધારવા રજૂઆત કરી હતી), અન્ય તાલુકા પંચાયત સભ્યો અને તાલુકા વિકાસ અધિકારી એ.કે. ઠક્કર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 2:41 pm

અમીરગઢ ચેકપોસ્ટ પર બસમાંથી દારૂ ઝડપાયો:ગુપ્ત ખાનામાં છુપાવેલો વિદેશી દારૂ, ચાલક-ક્લીનરની અટકાયત

અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પરથી રાજસ્થાન તરફથી આવતી એક ખાનગી બસમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો છે. પોલીસે બસમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી આ દારૂ જપ્ત કર્યો હતો. આ મામલે બસના ચાલક અને ક્લીનરની અટકાયત કરવામાં આવી છે. અમીરગઢ ખાતે આવેલી ગુજરાત-રાજસ્થાન સરહદી પોલીસ ચેકપોસ્ટ પર ફરજ પરના પોલીસકર્મીઓ નિયમિત ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી એક ખાનગી ટ્રાવેલ્સ બસને રોકાવી તપાસ કરવામાં આવી હતી. બસમાં મુસાફરો ભરેલા હોવાથી પોલીસે ચાલક અને કંડક્ટરને સાથે રાખી બસની ડીકી ખોલી તપાસ કરી હતી. તપાસ દરમિયાન, મુસાફરોના સામાન સાથે ડ્રાઈવરની સાઈડમાં એક ગુપ્ત ખાનું બનાવેલું હોવાનું જણાયું હતું. આ ગુપ્ત ખાનાની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બસ અને તેમાં સવાર ચાલક-કંડક્ટરને હિરાસતમાં લીધા હતા. પોલીસે કુલ 42 પેટી વિદેશી દારૂની બોટલ નંગ 1344 જપ્ત કરી હતી, જેની કિંમત રૂપિયા 3,65,841 આંકવામાં આવી છે. ટ્રાવેલ્સ બસ સહિત કુલ રૂપિયા 18,85,842 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલે બસના ચાલક રાકેશ મોહનલાલ શર્મા (રહે. બાલાસર, તા. શેરગઢ, જી. જોધપુર) અને કંડક્ટર ભવાનીસિંહ ઉર્ફે મોલસિંહ નારાયણસિંહ રાજપૂત (રહે. ધીરપુરા, તા. સેખાલા, જી. જોધપુર) ને પકડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, કિશનસિંહ દીપસિંહ રાજપૂત વિરુદ્ધ પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 2:36 pm

પંચમહાલના વાતાવરણમાં પલટો:શહેરા પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતુર

પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં આજે વહેલી સવારથી પલટો આવ્યો છે. સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. ખાસ કરીને શહેરા તાલુકાના મોરવા અને રેણાં પંથકમાં હળવા વરસાદી ઝાપટાં પડ્યા હતા. ભરશિયાળે પડેલા આ વરસાદથી જનજીવન પર અસર જોવા મળી છે. કમોસમી વરસાદને કારણે શિયાળુ પાક લેતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ઘઉં, મકાઈ અને તમાકુ જેવા મુખ્ય પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તૈયાર થવા આવેલા પાક પર માવઠું પડતા ખેડૂતો આર્થિક નુકસાનની આશંકાથી ચિંતામાં મુકાયા છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 2:30 pm

ભરૂચમાં પોલીસ-NSUIના કાર્યકરો વચ્ચે ઘર્ષણ:પરવાનગી વગર રેલી કાઢતાં પોલીસે ટીંગાટોળી કરી, વિદ્યાર્થી નેતાઓના કપડાં ફાટી ગયા

ભરૂચમાં ડ્રગ્સ વિરોધી રેલી દરમિયાન પોલીસ અને એનએસયુઆઇના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. રેલીની પૂર્વ પરવાનગી ન હોવાથી પોલીસે આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી. આ ઘર્ષણ દરમિયાન કેટલાક કાર્યકરોના કપડાં ફાટી ગયાના દૃશ્યો પણ સર્જાયા હતા. ડ્રગ્સ વિરોધી રેલીનું આયોજન કરાયું હતુંભરૂચ જિલ્લામાં યુવાધનને નશાની લતમાં ધકેલતા ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થોના કારોબાર સામે સખત કાર્યવાહી કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા એનએસયુઆઇ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. એનએસયુઆઇએ ગુજરાતમાં 'ઉડતું ગુજરાત' જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી હોવાનો આક્ષેપ કર્યો હતો અને ખાસ કરીને ઔદ્યોગિક ભરૂચ જિલ્લામાં ડ્રગ્સ માફિયાઓની સક્રિયતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સરકાર નિષ્ફળ રહી હોવાના આક્ષેપ'ડ્રગ્સ મુક્ત કેમ્પસ' અભિયાન અંતર્ગત એનએસયુઆઇએ શહેરના સ્ટેશન સર્કલથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજવાની જાહેરાત કરી હતી. રેલીના પ્રારંભ પૂર્વે આગેવાનોએ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી ડ્રગ્સ નાબૂદીની પ્રતિજ્ઞા લીધી હતી. રેલી દરમિયાન, ભાજપ સરકાર રાજ્યમાંથી ડ્રગ્સ, દારૂ અને ગાંજાના વધતા દુષણને રોકવામાં નિષ્ફળ રહી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. કાર્યકરોએ સરકાર યુવાધનને નશાની લતમાંથી બચાવવા કડક પગલાં લે તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયુંવહીવટી તંત્ર દ્વારા રેલીને પરવાનગી આપવામાં આવી ન હોવા છતાં એનએસયુઆઇ દ્વારા રેલી આગળ વધારવામાં આવી હતી. રેલી રોટરી ક્લબ પાસે પહોંચતા જ આયોજકો જાહેર માર્ગ પર બેસી ગયા હતા, જેના કારણે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આ ઘર્ષણમાં અનેક કાર્યકરોના કપડાં પણ ફાટી ગયા હતા, જેનાથી પરિસ્થિતિ તંગ બની હતી. પોલીસે તમામ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી તેમને ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. ગુજરાતમાં ડ્રગ્સ-ગાંજા-દારૂનું દુષણ વધ્યું: નરેન્દ્ર સોલંકીઅંગે ગુજરાત એનએસયુઆઇના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં દિવસને દિવસે ડ્રગ્સ, ગાંજા અને દારૂનું પ્રમાણ સતત વધતું જઈ રહ્યું છે, જેના કારણે રાજ્યની યુવા પેઢી બરબાદ થવાની કગાર પર છે. આ ગંભીર મુદ્દા સામે ગુજરાત સરકાર તરફથી કોઈ અસરકારક અંકુશ કે કડક કાર્યવાહી જોવા મળતી નથી અને ખુલ્લેઆમ નશાનો વેપાર ચાલી રહ્યો છે. યુવા પેઢીને આ નશાના દૂષણમાંથી બચાવવા માટે ભરૂચ એનએસયુઆઇ દ્વારા ડ્રગ્સ ફ્રી કેમ્પસ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 'અમે કોઈપણ પગલાં ભરવા તૈયાર'નરેન્દ્ર સોલંકીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતની યુવા પેઢીને બચાવવા માટે એનએસયુઆઇ સંપૂર્ણ રીતે સક્ષમ છે અને જરૂરી હોય તો કોઈપણ પગલાં ભરવા તૈયાર છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, માત્ર વાતો કરવાથી નશાનો ધંધો બંધ થવાનો નથી. સરકાર અને ગૃહમંત્રી દ્વારા જે કડક અને અસરકારક પગલાં લેવા જોઈએ તે લેવામાં આવતાં નથી.જો આ તમામ મુદ્દાઓ પર તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો એનએસયુ આઇ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ રેલીમાં ગુજરાત એનએસયુઆઇના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી, ભરૂચ જિલ્લા એનએસયુઆઇ પ્રમુખ યુવરાજસિંહ ચૌહાણ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા અને યુથ કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણ સહિત અનેક આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 2:30 pm

ઓસ્ટ્રેલિયા જઈને ઓસ્ટ્રેલિયન ખેલાડીને જ હરાવી:એશિયા પેસિફિક એલિટ ટ્રોફી જીતી; જૂનાગઢ જીમખાના ટેનિસ કોર્ટનું નામ હવેથી 'કુમારી જેન્સી કાનાબાર ટેનિસ કોર્ટ'

​જૂનાગઢના રમતગમત ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર આયોજિત પ્રતિષ્ઠિત ‘એશિયા પેસિફિક એલિટ ટ્રોફી’ (U-14) માં ચેમ્પિયન બનીને ભારતનું નામ રોશન કરનાર જૂનાગઢની લાડલી જેન્સી દીપકભાઈ કાનાબારનું આજે(2 ફેબ્રુઆરી) વતનમાં અદભૂત અને અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું હતું. જેન્સીની આ સિદ્ધિ માત્ર એક ખેલાડીની જીત નથી, પરંતુ સમગ્ર ગુજરાત અને દેશ માટે ગૌરવની ક્ષણ છે. તેના આગમન પ્રસંગે જૂનાગઢના મજેવડી દરવાજાથી લઈને સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડ સુધી એક વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રમતપ્રેમીઓ અને નાગરિકો જોડાયા હતા. જૂનાગઢ જીમખાના ટેનિસ કોર્ટનું નામ હવેથી 'કુમારી જેન્સી કાનાબાર ટેનિસ કોર્ટ'વિજયી બનીને પરત ફરેલી જેન્સીના સન્માનમાં આયોજિત કાર્યક્રમમાં જૂનાગઢ કલેક્ટર અનિલ રાણાવસીયાએ એક મોટી અને ઐતિહાસિક જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જેન્સીએ જે ટેનિસ કોર્ટ પરથી રમતની શરૂઆત કરી હતી અને પરસેવો પાડીને પ્રેક્ટિસ કરી હતી, તે જૂનાગઢ જીમખાના ટેનિસ કોર્ટનું નામ હવેથી કાયમી ધોરણે 'કુમારી જેન્સી કાનાબાર ટેનિસ કોર્ટ' રાખવામાં આવશે. આ સાથે જ તેને જીમખાનાની માનદ સભ્યપદ પણ એનાયત કરવામાં આવ્યું છે. કલેક્ટરે ઉમેર્યું હતું કે જેન્સી જેવી દીકરીઓ અન્ય ખેલાડીઓ માટે પ્રેરણાસ્ત્રોત છે અને જિલ્લામાં રમતગમતના વિકાસ માટે સરકાર રૂ. 13 કરોડના ખર્ચે નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ તૈયાર કરી રહી છે. સાડા ત્રણ વર્ષની હતી ત્યારથી ટેનિસ રમું છું: જેન્સી કાનાબારચેમ્પિયન જેન્સી કાનાબારે દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરતા પોતાની ખુશી વ્યક્ત કરી હતી. જેન્સીએ જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયામાં એશિયા પેસિફિક એલિટ ટ્રોફીમાં પાંચ મેચ રમીને ચેમ્પિયન બનવું એ તેના માટે એક સપના જેવું હતું. જૂનાગઢમાં થયેલું આ ભવ્ય સ્વાગત તેના માટે એક સરપ્રાઈઝ સમાન છે અને તે અત્યંત ગર્વ અનુભવી રહી છે. જેન્સીએ પોતાની સફર વિશે વાત કરતા કહ્યું કે તે માત્ર સાડા ત્રણ વર્ષની હતી ત્યારથી ટેનિસ રમી રહી છે. તેને રમત પ્રત્યે આ લગાવ તેના પિતા અને કોચ દીપકભાઈ કાનાબારના કારણે લાગ્યો છે. ​પિતા દીપકભાઈ કાનાબારે વર્ણવ્યો સંઘર્ષ અને વિજયનો માર્ગજેન્સીના પિતા અને તેના કોચ દીપકભાઈ કાનાબારે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં વિજયની ક્ષણો વાગોળી હતી. તેમણે કહ્યું કે આ ટુર્નામેન્ટમાં વિશ્વના ટોચના આઠ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી, જેમાં જેન્સીએ ફાઈનલમાં સ્થાનિક ઓસ્ટ્રેલિયન ખેલાડી લુસિયા ક્લાર્કને કાંટાની ટક્કરમાં હરાવીને ટાઈટલ પોતાના નામે કર્યું હતું. ‘શરૂઆતમાં પિતાએ કોચિંગ આપ્યું’દીપકભાઈ પોતે શિક્ષક તરીકે જૂનાગઢ નજીક આવેલા આણંદપુર ગામમાં ફરજ બજાવે છે. તેમના પરિવારમાં દીપકભાઈ તેમના પત્ની, જેન્સી અને દીપકભાઈના માતા રહે છે. જેન્સી સાડા ત્રણ વર્ષની હતી ત્યારે જ તેને રમવાની શરૂઆત કરી દીધી હતી. દીપકભાઈને તેના એક મિત્રએ કહ્યું હતું કે પિતાથી મોટો કોઈ કોચ હોઈ ન શકે અને ત્યારથી જ દીપકભાઈ જેન્સીને પોતે જ ટેનિસની પ્રેક્ટિસ કરાવતા હતા. સમય જતા જેન્સીએ ટેનીસ રમવાની શરૂઆત કરી અને પિતા દ્વારા અલગ અલગ માર્ગદર્શન આપવામાં આવ્યું. હાલના સમય પ્રમાણે પ્રોફેશનલ ટેનીસ રમવા માટે કોચિંગની પણ ખાસ જરૂરત હોય છે ત્યારે દીપકભાઈ કાનાબાર દ્વારા જ જેન્સીને કોચિંગ કરાવવા માટે અલગ અલગ કોચને બોલાવવામાં આવતા અને તેમની સાથે વાતચીત કરી ચર્ચા વિચારણા કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવતું હતું. દૈનિક 6 કલાક ટેનિસ કોર્ટ પર પ્રેક્ટિસ કરે છે જેન્સીજેન્સી રોજ સવારે 7થી 10 વાગ્યા સુધી અને બપોર બાદ 4થી 7 વાગ્યા સુધી ટેનિસની ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરે છે. હજુ મેળવેલી આ સિદ્ધિથી પણ ઘણું જેન્સીને આગળ વધવાનું છે. વધુ સફળતા મેળવવા તેઓ તેનાથી પણ વહેલા ઉઠીને કઠોર મહેનત કરશે. ‘યોગ્ય માર્ગદર્શન અને સખત પરિશ્રમથી કોઈ પણ લક્ષ્ય અશક્ય નથી’દીપકભાઈએ અન્ય વાલીઓને પણ ખાસ સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે આજના ડિજિટલ અને એઆઈ (AI) ના યુગમાં બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે રમતગમત અનિવાર્ય છે. વાલીઓએ બાળકની રુચિને ઓળખી તેને પ્રોત્સાહન આપવું જોઈએ. જેન્સીની આ જીત એ સાબિત કરે છે કે જો યોગ્ય માર્ગદર્શન અને સખત પરિશ્રમ કરવામાં આવે તો કોઈ પણ લક્ષ્ય અશક્ય નથી. આજે જૂનાગઢમાં જેન્સીનું જે સન્માન થયું છે, તે દરેક યુવા ખેલાડી માટે જીવનભરનું ભાથું બની રહેશે. ​નવા સ્પોર્ટ્સ કલ્ચરનો ઉદય આ પ્રસંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે જૂનાગઢમાં હવે સ્પોર્ટ્સ કલ્ચર ખૂબ જ તેજીથી વિકસી રહ્યું છે. તાજેતરમાં આઈપીએલમાં અંશ ગોસાઈની પસંદગી અને હવે જેન્સીની ટેનિસમાં આંતરરાષ્ટ્રીય સિદ્ધિ એ વાતની સાબિતી છે કે નાના શહેરોમાં પણ પ્રતિભાનો કોઈ અભાવ નથી. રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા મળતા પ્રોત્સાહનને કારણે ખેલાડીઓ હવે વૈશ્વિક સ્તરે ચમકી રહ્યા છે. જેન્સીની સફળતાએ ગુજરાતની અનેક દીકરીઓ માટે રમતગમતમાં કારકિર્દી બનાવવા માટે નવા દ્વાર ખોલી દીધા છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 2:08 pm

યુનિયન બજેટ 2026થી ગિફ્ટ સિટી વૈશ્વિક બૂસ્ટ:20 વર્ષ સુધી ટેક્સ છૂટ, ગ્લોબલ કંપનીઓ માટે દરવાજા ખુલ્યા

ગાંધીનગરની GIFT Cityને યુનિયન બજેટ 2026માં મોટો ફાયદો મળ્યો છે. GIFT Cityના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ CEO સંજય કૌલે બજેટ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, આ બજેટમાં બે અત્યંત મહત્વના અને દીર્ઘકાલીન નિર્ણયો લેવાયા છે, જેનાથી GIFT Cityનું વૈશ્વિક સ્તરે સ્થાન વધુ મજબૂત બનશે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધી આવકવેરા કાયદાની કલમ 147 હેઠળ 15 વર્ષના બ્લોકમાં 10 વર્ષ માટે ટેક્સ છૂટ આપવામાં આવતી હતી, પરંતુ હવે બજેટમાં આ છૂટ વધારીને સીધી 20 વર્ષ માટે આપવામાં આવશે. આ નિર્ણય વૈશ્વિક કંપનીઓને GIFT City તરફ આકર્ષવા માટે ‘ગેમ ચેન્જર’ સાબિત થશે. સંજય કૌલે વધુમાં કહ્યું કે ગ્લોબલ ટ્રેઝરી સેન્ટર્સ માટે પણ મોટી રાહત આપવામાં આવી છે. અગાઉ કેટલીક નિયમનકારી અડચણોને કારણે વિદેશી કંપનીઓ અહીં આવવામાં સંકોચ અનુભવી રહી હતી. ખાસ કરીને ‘ડીમ્ડ ડિવિડન્ડ’ જેવી જોગવાઈ મોટી અડચણ હતી. હવે બજેટમાં આ જોગવાઈ દૂર કરવામાં આવતા ગ્લોબલ ટ્રેઝરી સેન્ટર્સ માટે રસ્તો ખુલ્લો થયો છે. તેમના જણાવ્યા મુજબ, આજના બજેટ સાથે ભારત અને ખાસ કરીને GIFT City વિશ્વના નાણાકીય નકશા પર પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવી રહ્યું છે અને આવનારા સમયમાં અહીં વધુ આંતરરાષ્ટ્રીય રોકાણ જોવા મળશે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 2:03 pm

વઢવાણ GIDC પાસે રાહદારીને બાઈકે ટક્કર મારી:યુવક ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો

સુરેન્દ્રનગરના વઢવાણ-સુરેન્દ્રનગર રોડ પર વઢવાણ GIDC નજીક એક બાઈક ચાલકે રાહદારી યુવકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અહેસાસ શેખ નામના યુવકને હાથ, મોઢા અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક સારવાર અર્થે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, યુવક અહેસાસ શેખ પોતાની દુકાને ચાલીને જઈ રહ્યો હતો તે દરમિયાન બાઈક ચાલકે તેને હડફેટે લીધો હતો. આ ઘટના વઢવાણ GIDC વિસ્તાર પાસે બની હતી. અકસ્માત સર્જાયા બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા. તેમણે ઈજાગ્રસ્ત યુવકને એમ્બ્યુલન્સ મારફતે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં દાખલ કર્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ મામલે પોલીસ વિભાગ દ્વારા બાઈક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 2:01 pm

મોરબીમાં સંત રોહીદાસની જન્મજયંતી ઉજવાઈ:વિવિધ વિસ્તારોના રહીશોએ ભવ્ય શોભાયાત્રા યોજી

મોરબી શહેરમાં સંત શિરોમણી શ્રી રોહીદાસ બાપુજીની 649મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે વિવિધ વિસ્તારોના રહીશો દ્વારા એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં રોહીદાસ પરા, આંબેડકર કોલોની, ગુજરાત સોસાયટી, ભીમરાવ નગર, વિજયનગર અને શાંતિવન સોસાયટીના રહેવાસીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શોભાયાત્રાનું પ્રસ્થાપન વીસી ફાટક ખાતેથી થયું હતું. તે મોરબી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રોહીદાસ પરામાં આવેલા સંત રોહીદાસ બાપુજીના મંદિર ખાતે સંપન્ન થઈ હતી. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ મંદિર પ્રાંગણમાં મહા આરતી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ સંત રોહીદાસ બાપુના દર્શન કર્યા હતા. કાર્યક્રમના અંતે વિસ્તારના રહીશો દ્વારા બટુક ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 1:54 pm

અધિવક્તા પરિષદમાં AI પર વ્યાખ્યાન યોજાયું:પંચમહાલ-ગોધરામાં વકીલ મંડળના હોદ્દેદારોનું સન્માન કરાયું

અધિવક્તા પરિષદ પંચમહાલ-ગોધરા દ્વારા ૧ ફેબ્રુઆરીના રોજ કલરવ સ્કૂલ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના વકીલ મંડળના હોદ્દેદારોનું સન્માન કરાયું હતું. આ સાથે, આજના ડિજિટલ યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો વકીલાતના વ્યવસાયમાં શું રોલ છે તે વિષય પર એક વ્યાખ્યાન પણ યોજાયું હતું. આ વ્યાખ્યાનના મુખ્ય વક્તા અધિવક્તા પરિષદના પ્રદેશ ઉપાધ્યક્ષ અવિનાશજી દધીચ હતા. તેમણે AIના ઉપયોગની આવશ્યકતા, તેના ફાયદા-ગેરફાયદા, કાર્યપ્રણાલી, સાવચેતીપૂર્વકનો ઉપયોગ, ડિજિટલ રિસર્ચ, ડ્રાફ્ટિંગ, સમયની બચત અને કાર્યક્ષમતામાં વૃદ્ધિ જેવા મહત્ત્વના મુદ્દાઓ પર વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. આ કાર્યક્રમમાં અખિલ ભારતીય અધિવક્તા પરિષદના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરિમલભાઈ પાઠક, ડિવિઝન સેક્રેટરી હરેન્દ્રસિંહ વીરપુરા, જિલ્લા પ્રમુખ નિરંજનભાઈ પુરાણી, દાહોદ જિલ્લા પ્રમુખ જયેન્દ્રભાઈ દીક્ષિત, પંચમહાલ જિલ્લા વકીલ મંડળના પ્રમુખ ચિરાગભાઈ પરીખ અને મંત્રી મિહિરભાઈ પુરાણી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, મહીસાગર જિલ્લા પ્રમુખ જયંતીભાઈ મકવાણા, મંત્રી કિરીટભાઈ રાઠોડ, દાહોદ જિલ્લા વકીલ મંડળના મંત્રી સંજયભાઈ ડામોર, પંચમહાલ ડી.જી.પી. રાકેશભાઈ ઠાકોર અને મહીસાગર જિલ્લા ડી.જી.પી. સરજનભાઈ ડામોર પણ હાજર રહ્યા હતા. ત્રણેય જિલ્લામાંથી મોટી સંખ્યામાં વકીલોએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમણે આ વ્યાખ્યાનને વકીલાતના વ્યવસાય માટે અત્યંત ઉપયોગી અને સમયાનુકૂળ ગણાવ્યું હતું. ભવિષ્યમાં પણ આવા વ્યાખ્યાનોનું આયોજન થાય તેવી અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે અધિવક્તા પરિષદ પંચમહાલના મંત્રી રાજેન્દ્ર મકવાણા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અધિવક્તા વેદહીબેન દાણીએ સુંદર રીતે કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 1:51 pm

કોડીનારના યુવકનું પોલીસ બનવાનું સપનું અધૂરું રહ્યું:ગોંડલમાં ભરતી શારીરિક કસોટી પાસ કર્યા બાદ MSC થયેલા યુવાનને હાર્ટ એટેક, 5 કિમીની દોડ 23 મિનિટમાં પૂર્ણ કરી હતી

ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન એક અત્યંત કરુણ અને આઘાતજનક ઘટના સામે આવી છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના વડનગર ગામના 27 વર્ષીય યુવાન નીતિન ચૌહાણ નામના BSC અને MSC કરેલા યુવાનનું દોડ પૂર્ણ કર્યા બાદ હોસ્પિટલના બિછાને મોત નીપજ્યું છે. મૃતક નીતિન છેલ્લા ત્રણ વર્ષથી પોલીસમાં ભરતી થવાનું સપનું સેવી રહ્યા હતા અને તેના માટે સખત મહેનત કરી રહ્યા હતા. આજે સવારે ગોંડલના એસ.આર.પી. ગ્રાઉન્ડ ખાતે તેઓ શારીરિક કસોટી માટે હાજર રહ્યા હતા. 5 કિમીની દોડ 23 મિનિટમાં પૂર્ણ કરી હતી. 25 મિનિટની દોડ 23 મિનિટમાં પાસ કરીતેમણે 5 કિલોમીટરની દોડ (12 રાઉન્ડ) નિર્ધારિત 25 મિનિટના બદલે માત્ર 23 મિનિટમાં પૂર્ણ કરી પરીક્ષા પાસ કરી હતી. પરીક્ષા સ્થળ પરથી બહાર નીકળી મિત્રના રૂમ તરફ જતી વખતે અચાનક તેમના છાતીમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. તેમની સાથે આવેલા અન્ય 6-7 મિત્રો તત્કાલ તેમને બાઈક પર સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. સારવાર દરમિયાન અંતિમ શ્વાસસિવિલ હોસ્પિટલ ખાતે સારવાર શરૂ કરવામાં આવી હતી, પરંતુ કમનસીબે ટૂંકી સારવાર દરમિયાન જ આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ એ-ડિવિઝન પી.આઈ. એલ.આર. ગોહિલ સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. યુવકે 1 વર્ષ પહેલાં PSIની પરીક્ષા આપી હતી ગુજરાત પોલીસ ભરતીમાં યુવકે એક વર્ષ પહેલાં PSIની પરીક્ષા આપી હતી. જેમાં ગ્રાઉન્ડ માટે પરીક્ષા જૂનાગઢ આપી હતી, જેમાં તેઓ પાસ થયા હતા અને ત્યારબાદ નીતિને રાજકોટ લેખિત પરીક્ષા આપી હતી. જેમાં 220 માર્ક્સની પરીક્ષામાં તેઓને 217 માર્ક્સ આવ્યા હતા અને માત્ર 3 માર્ક્સ માટે રહી જતા નીતિને હિમંત ન હારતા ફરી પરીક્ષા આપવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આજરોજ ગોંડલ એસ.આર.પી ગ્રાઉન્ડ ખાતે શારીરિક પરીક્ષા આપવા ગયા હતા. પરીક્ષામાં પાસ થયા બાદ રૂમ પર જતાં સમયે નીતિનને છાતીમાં દુખાવો ઉપડતા હૃદયરોગનો તીવ્ર હુમલો આવતા તેનું મોત નીપજ્યું હતું. પરિવાર પર આભ ફાટ્યુંનીતિનના કરુણ મોતથી પરિવારમાં તથા સમાજમાં માતમ છવાઈ ગયો છે. આ ઘટના સાથે જોડાયેલી કેટલીક હૃદયદ્રાવક વિગતોમાં મૃતક યુવાને BSC થયા બાદ MSC જેવી માસ્ટર ડિગ્રી મેળવી હતી. પિતા ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. નીતિન બે ભાઈઓમાં નાનો હતો. હજુ એક વર્ષ પહેલા જ તેમના લગ્ન થયા હતા, ત્યાં જ આ વજ્રપાત થયો છે. એમ્બ્યુલન્સમાં મૃતદેહ વતન મોકલાયોભરતી માટે બે દિવસ પહેલા જ મિત્રો સાથે ગોંડલ આવેલા આ તેજસ્વી યુવાનના મોતથી સમગ્ર પંથકમાં અને ભરતી માટે આવેલા અન્ય યુવાનોમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ દુઃખદ ઘટનામાં યુવકના મૃતદેહને પોતાના વતન લઈ જવા માટે ફ્રીમાં એમ્બ્યુલન્સ સેવા આપતા શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશ માધડ તેમજ સમગ્ર ટીમનો પરિવારે આભાર માન્યો હતો.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 1:45 pm

પુત્રીએ પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી:પ્રેમ લગ્નનો ખાર રાખી પિતાએ પુત્રી પર કર્યો હુમલો

જાનથી મારી નાખવાની ધમકી આપી શહેરના ઘોઘારોડ વિસ્તારમાં પ્રેમ લગ્ન કરનાર પુત્રી પર તેના પિતાએ હુમલો કરી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતા દીકરી એ પિતા વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, આ બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ મથકે થી જણાવા મળતી વિગતો અનુસાર શહેરના ઘોઘારોડ મારૂતિનગર ખાતે રહેતા અને ઘરકામ કરતા કિષ્ના દિવ્યરાજભાઈ ડાભી એ આશરે એકાદ વર્ષ પહેલા પોતાની જ જ્ઞાતિના દિવ્યરાજ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, આ લગ્ન કિષ્નાબેનના પિતા મનજીભાઈ મકવાણાને મંજૂર ન હોય, તેઓ દીકરી પ્રત્યે મનદુઃખ રાખતા હતા, જેમાં ​ગત તા.31/1/2026 ના રોજ સાંજે આશરે પાંચ વાગ્યે કિષ્નાબેન અને તેમના પતિ દિવ્યરાજ મોટરસાયકલ પર સવાર થઈને મારૂતિનગર શેરી નં-4 માં તેમના દેર દિપકભાઈના લગ્નમાં જઈ રહ્યા હતા, આ દરમિયાન કિષ્નાબેનના પિતા મનજીભાઈ ત્યાં આવી પહોંચ્યા હતા કિષ્નાબેન ગાડી પરથી નીચે ઉતરતા જ પિતાએ પોતાની ગાડી તેમની સાથે ભટકાવી હતી અને ત્યારબાદ ત્યાં ઉભેલી એક ફોર વ્હીલર સાથે પણ અથડાવી હતી, ​પિતાએ ઉશ્કેરાઈ જઈને કિષ્નાબેનને શરીરે આડેધડ માર મારવાનું શરૂ કર્યું હતું અને જાહેરમાં બિભત્સ ગાળો આપી હતી આ સમયે કિષ્નાબેનના સાસરી પક્ષના સભ્યો તથા પતિ વચ્ચે પડતા પિતા મનજીભાઈ જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નાસી છૂટ્યા હતા,​ઘટના બાદ ભોગ બનનાર કિષ્નાબેનને સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક તપાસ બાદ તેમને રજા આપવામાં આવતા, તેમણે પિતા મનજીભાઈ મકવાણા વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 1:43 pm

5 મુસાફરો ઉછળીને રસ્તા પર પટકાયા હતા:વડોદરા - પાદરા રોડ પર રિક્ષા પલટી જવાના કેસમાં રિક્ષાચાલક સામે ગુનો દાખલ, આરોપીની ધરપકડ, રોડની કિનારી પરથી ટાયર નીચે ઉતરી ગયું હતું

વડોદરા પાસે બાંકો કંપનીના મુખ્ય ગેટ પાસે એક ઓટો રિક્ષાને પલટી ખાઈ ગઈ હતી. જેને પગલે રિક્ષામાં બેઠેલા 5 લોકો નીચે પટકાયા હતા. આ મામલે અટલાદરા પોલીસે રીક્ષા ચાલક સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા - પાદરા રોડ પર આવેલ બાંકો કંપની પાસે ગઈકાલે પૂરપાટ ઝડપે જઈ રહેલી રીક્ષા અચાનક પલટી ખાઈ ગઈ હતી અને રિક્ષામાંથી 5 લોકો ઉછળીને નીચે પટકાયા હતા. આ તમામ વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. સદભાગ્યે આ ઘટનામાં કોઈનું મોત થયું નથી. અકસ્માત થતાં જ આસપાસના લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને બાંકો કંપનીના કર્મચારીઓ અને સ્થાનિકોએ મળીને તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે ઈજાગ્રસ્તોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ ઘટના કંપનીની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં રીક્ષા પલટી ખાતી સ્પષ્ઠ જોવા મળી રહી હતી. જેમાં રિક્ષામાંથી લોકો પટકાઈને નીચે પડતા હતા. અદ્રશ્ય જોતા જ આસપાસના લોકો દોડી ગયા હતા અને પલટી ખાઈ ગયેલી રીક્ષાને સીધી કરી હતી.અકસ્માત વડોદરા પાદરા રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. જોકે પોલીસે વાહન વ્યવહારને પૂર્વવત કર્યો હતો. અટલાદરા પોલીસ સ્ટેશનના જણાવ્યા પ્રમાણે GJ-06-BZ-7291 નંબર પ્લેટવાળી ઓટોરિક્ષા અટલાદરાથી પાદરા તરફ જઈ રહી હતી, ઓટો રિક્ષાચાલક સહિત કુલ પાંચ વ્યક્તિ હતા. 1 ફેબ્રુઆરીના રોજ સવારે આશરે 8:30 વાગ્યાના સુમારે બાન્કો કંપનીના ગેટ સામે બાઇક ચાલક રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. તે જ સમયે ઓટોરિક્ષા તેની બાજુમાંથી પસાર થઈ રહી હતી. અચાનક રોડની કિનારી પરથી ઓટોરિક્ષાનું પાછળનું ડાબી બાજુનું વ્હીલ નીચે ઉતરી ગયું હોવાથી રિક્ષા અસંતુલિત થઈને પલટી ખાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસે ઇ-ચલણ એપ્લીકેશન મારફતે ઓટોરિક્ષાના રજિસ્ટર નંબરની તપાસ કરી હતી અને તેના માલિક ભુપેન્દ્રસિંહ પ્રભાતસિંહ ગોહિલ (રહે. ખત્રી કોલોની સામે, ગોહિલપુરા, સાંગમા, વડોદરા)ને સંપર્ક કર્યો હતો. તેમને અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે ઓટોરિક્ષા સાથે હાજર થવા માટે સૂચના આપવામાં આવી હતી. માલિક હાજર થયા બાદ પોલીસે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અંગે પૂછપરછ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 1:35 pm

SPU માં 35 વિદ્યાર્થિનીઓને સર્વાઇકલ કેન્સરની રસી અપાઈ:દિવંગત ભૂતપૂર્વ વિદ્યાર્થીની સ્મૃતિમાં આયોજન કરાયું

સરદાર પટેલ યુનિવર્સિટીના MBA વિભાગ અને વુમન સેલ દ્વારા 'સર્વાઇકલ કેન્સર વેક્સિનેશન ડ્રાઈવ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ અંતર્ગત 35 વિદ્યાર્થિનીઓને સર્વાઇકલ કેન્સર વિરોધી રસી મફતમાં આપવામાં આવી હતી. આ કાર્યક્રમ યુનિવર્સિટી કોલોની સ્થિત MBA ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. આ પહેલ MBA વિભાગના ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્વ. આશિષ શાહની સ્મૃતિમાં અને શ્રદ્ધા શાહના સહયોગથી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમ સામાજિક જવાબદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. (ડૉ.) નિરંજન પટેલે જણાવ્યું હતું કે મહિલાઓના સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ ભવિષ્યની મોટી બીમારીઓને રોકવા માટે અત્યંત જરૂરી છે. તેમણે ગંભીર બીમારીઓ રોકવા માટે રસીકરણને અનિવાર્ય ગણાવ્યું હતું. મહિલાઓમાં વધતા જતા કેન્સરના જોખમ સામે રક્ષણ આપવા માટે 'Protect her for tomorrow' સૂત્ર હેઠળ આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ રસી સામાન્ય રીતે મોંઘી ગણાય છે, જે વિદ્યાર્થિનીઓને વિનામૂલ્યે ઉપલબ્ધ કરાઈ. MBAના ડાયરેક્ટર પ્રો. (ડૉ.) દર્શના દવેએ દાતા શ્રદ્ધા શાહનો આ ઉમદા કાર્ય માટે આભાર માન્યો હતો અને વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવા પ્રેરણા આપી હતી. યુનિવર્સિટી હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડૉ. વૈદેહી પટેલ અને તેમની ટીમે પૂરતી તકેદારી સાથે વિદ્યાર્થિનીઓને રસી આપી હતી. આ રસીકરણ ઝુંબેશને યુનિવર્સિટીના સ્ટાફ અને અન્ય વિદ્યાર્થીઓએ પણ બિરદાવી હતી. એક ભૂતપૂર્વ વિદ્યાર્થીની યાદમાં કરવામાં આવેલું આ સેવાકીય કાર્ય અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ બન્યું છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 1:34 pm

સુરતની 21 કરોડની ટાંકી પડ્યા બાદ હવે વલસાડની વારી!:સ્થાનિકોનો આક્ષેપ- આજે સ્લેબ પડ્યો, કાલે આખી ટાંકી તૂટી પડશે તો? એક જ કંપનીને કેમ મળ્યો કોન્ટ્રાક?

વલસાડના કલ્યાણબાગ વિસ્તારમાં નિર્માણાધીન 54 લાખ રૂપિયાની પાણીની ટાંકીનું સ્ટ્રક્ચર ધરાશાયી થયું છે. આ દુર્ઘટનામાં ટાંકીનો સ્લેબ અને સેન્ટિંગનો કેટલોક ભાગ અચાનક તૂટી પડતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સુરતમાં પણ આજ કંપનીએ ટાંકી બનાવી હતીઆ ઘટના બાદ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસ અગ્રણી મિત દેસાઈએ આક્ષેપ કર્યો છે કે આ ટાંકીનું નિર્માણ 'જયશક્તિ સુપર કન્સ્ટ્રક્શન' નામની કંપની કરી રહી છે. આ એ જ કંપની છે જેણે અગાઉ સુરતના તારકેશ્વર ખાતે 21 કરોડ રૂપિયાની પાણીની ટાંકી બનાવી હતી, જે પણ ધરાશાયી થઈ હતી. આજે સ્લેબ પડ્યો, કાલે ટાંકી તૂટી પડશે તો?મિત દેસાઈએ વધુમાં જણાવ્યું કે, જે કંપનીનો ભૂતકાળ આટલો ખરાબ રહ્યો હોય તેને બ્લેકલિસ્ટ કરવાના બદલે વલસાડમાં ફરીથી કામગીરી કેમ સોંપવામાં આવી? આજે સ્લેબ ધરાશાયી થયો છે, આવતીકાલે આખી ટાંકી તૂટી પડશે તો જવાબદાર કોણ? કોઈ મજૂરનું મોત થાય તો તેનો જવાબદાર કોણ?આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ટાંકી પર કામ કરી રહેલા મજૂરો કોઈપણ પ્રકારના સેફ્ટી બેલ્ટ કે સુરક્ષા ઉપકરણો વિના જોખમી રીતે કામ કરી રહ્યા હતા. વિપક્ષ દ્વારા ગંભીર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે જો કોઈ મજૂરનું મોત થાય તો તેનો જવાબદાર કોણ? માત્ર સ્લેબના પતરા નીકળી ગયા: પ્રાંત અધિકારીબીજી તરફ, વલસાડના પ્રાંત અધિકારી વિમલ પટેલે જણાવ્યું હતું કે, ટાંકીનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે અને માત્ર સ્લેબના પતરા નીકળી ગયા છે. તેમણે ઉમેર્યું કે તેઓ કોઈ ટેકનિકલ એક્સપર્ટ નથી, પરંતુ નગરપાલિકાના અધિકારીઓ સાથે તપાસ કરવામાં આવશે અને જો કોઈ ક્ષતિ જણાશે તો કાયદેસરના પગલાં લેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 1:10 pm

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સતત બીજી મેચમાં વિજય:ચારુચેટ યુનિ.ને 169 રને હરાવી, વિદ્યાનગર યુનિ. સામે વિના વિકેટે જીત મેળવી : વાઇસ કેપ્ટન રામદેવ આચાર્યની સદી, કેપ્ટનની 2 મેચમાં 12 વિકેટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત વેસ્ટ ઝોન ઈન્ટર યુનિવર્સિટી ક્રિકેટ સ્પર્ધાની શરૂઆતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સતત બે મેચમાં શાનદાર જીત મેળવી છે. 1 ફેબ્રુઆરીના પ્રથમ મેચમાં ચારુચેટ યુનિવર્સિટીને 169 રને હરાવ્યુ હતુ. જેમાં વાઇસ કેપ્ટન રામદેવ આચાર્યએ 104 રન ફટકારતા જીત મેળવતા તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. જ્યારે કેપ્ટન આદિત્ય રાઠોડે 1 ફેબ્રુઆરીના મેચમાં 5 વિકેટ ઝડપી હતી તો 2 ફેબ્રુઆરીના વિદ્યાનગર યુનિવર્સિટી સામેના મેચમાં 7 વિકેટ ઝડપતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ વિના વેકેટે વિજેતા બની હતી. જેથી આજે સોમવારની મેચનો હીરો કેપ્ટન રહ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પોતાના પ્રથમ મેચમાં ચારુચેટ યુનિવર્સિટી સામે ટોસ જીતી બેટિંગ કરી અને ચાર વિકેટના નુકસાને 253 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો. આ મેચમાં રામદેવ આચાર્યએ શાનદાર બેટિંગ કરી 104 રન બનાવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે પ્રથમ મેચમાં જ સદી નોંધાવી. ઓપનિંગ બેટ્સમેન કેરવ રાવલે 84 રનની ધમાકેદાર ઇનિંગ રમી ટીમને મજબૂત શરૂઆત આપી હતી. જ્યારે આજે 2 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વિદ્યાનગરની યુનિવર્સિટી સામે મેચ હતો. જેમાં વિદ્યાનગર યુનિવર્સિટીની ક્રિકેટ ટીમ 58 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમે 5 ઓવરમાં 60 રન બનાવી જીત મેળવી લીધી હતી. કેપ્ટન આદિત્ય રાઠોડે રવિવારની મેચમાં 5 અને સોમવારની મેચમાં 7 વિકેટ લીધી. રવિવારની મેચમાં વાઇસ કેપ્ટન રામદેવ આચાર્ય અને આજે સોમવારની મેચમાં કેપ્ટનને મેન ઓફ ધ મેચનો એવોર્ડ અપાયો હતો.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 1:10 pm

રેટ્રો ફિટિંગ દ્વારા હેરિટેજ લુક જાળવી રખાશે:રાજકોટની ઐતિહાસિક લાખાજીરાજ શાક માર્કેટનું અંદાજે રૂ. 6 કરોડના ખર્ચે રિનોવેશન કરવા માટે ટેન્ડર જાહેર, 148 થડા, 22 દુકાનો અને 20 જેટલી વખાર બનશે

રાજકોટની શાન ગણાતી અને ધર્મેન્દ્ર રોડ પર આવેલી અંદાજે 100 વર્ષ જૂની ઐતિહાસિક સર લાખાજીરાજ શાક માર્કેટ હવે નવા અવતારમાં જોવા મળશે. છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં રહેલી આ માર્કેટના રિનોવેશન માટે રાજકોટ મહાપાલિકા દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. આ ઐતિહાસિક માર્કેટનો હેરિટેજ લુક જાળવી રાખવા રેટ્રો ફિટિંગ પદ્ધતિનો ઉપયોગ થશે. આ માટે મનપા દ્વારા જીએસટી સહિત રૂ. 6 કરોડથી વધુ રકમનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. ત્યારબાદ આ મંજુર થયેલું ટેન્ડર સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલવામાં આવશે અને સ્ટેન્ડિંગ દ્વારા મંજૂરીની મહોર લાગ્યા બાદ અંદાજે 18 મહિનામાં લોકોને પોતાની જૂની અને જાણીતી આ માર્કેટ નવા રંગરૂપમાં જોવા મળશે. એસ્ટેટ વિભાગના અધિકારી મેહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, આ એક હેરિટેજ બિલ્ડિંગ હોવાથી તેના મૂળ સ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડ્યા વગર 'રેટ્રો ફિટિંગ' પદ્ધતિથી તેને મજબૂત બનાવવામાં આવશે. બાંધકામ શાખાના સ્ટ્રક્ચરલ એન્જિનિયરના રિપોર્ટ બાદ આ માર્કેટને ખાલી કરાવી રિનોવેશનની કામગીરી હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાપાલિકા દ્વારા આ પ્રોજેક્ટ માટે અંદાજે રૂ. 6 કરોડનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ રિનોવેશન કામગીરીમાં હેરિટેજ મિલકતનો દરજ્જો જાળવી રાખવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગત મુજબ, આ કામગીરી માટે અંદાજે રૂ. 5.63 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. જેના ઉપર GST એડ થતા આ ઐતિહાસિક માર્કેટનાં રીનોવેશનનો ખર્ચ રૂ. 6 કરોડથી વધુ થવાની ધારણા છે. આ હેરિટેજ માર્કેટ હોવાથી તેને તોડી પાડવાને બદલે તેના મૂળ સ્થાપત્યને સાચવીને તેનું આધુનિકીકરણ કરવામાં આવશે. મહત્વનું છે કે, લાખાજીરાજ માર્કેટ રાજાશાહી સમયની હોય તેનું ઐતિહાસિક મહત્વ ખૂબ જ વધારે છે, જેના કારણે તેના રિનોવેશનમાં વિશેષ કાળજી રાખવામાં આવશે. માર્કેટના નવા પ્લાનિંગ મુજબ, સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ અહીં શાકમાર્કેટની અંદર 144 થડા, બહાર 38 થડા, 22 વખાર (ગોડાઉન) અને 4 દુકાન હતી. જોકે આ પૈકી 80 જેટલા થડા અને 16 જેટલી વખાર ચાલુ હતી, રિનોવેશન બાદ અહીં કુલ 148 થડા, 22 દુકાનો અને અંદાજે 20 જેટલી વખારો તૈયાર કરવામાં આવશે. સમગ્ર શાક માર્કેટનો એરિયા કુલ 1380 ચોરસમીટર છે, જેમાં 320 ચો. મીટર વિસ્તારમાં દુકાનોનું નિર્માણ થશે. આ વ્યવસ્થાથી વધુ વેપારીઓને રોજગારી મળી રહેશે. અને ગ્રાહકોને પણ આધુનિક સુવિધાઓ સાથે હેરિટેજ માર્કેટનો અનુભવ મળશે. પ્રોજેક્ટની સમયમર્યાદા અંગે મેહુલ ગાંધીએ સ્પષ્ટતા કરી હતી કે, બાંધકામ શાખા દ્વારા બહાર પાડવામાં આવેલા ટેન્ડર મુજબ આ કામગીરી પૂર્ણ થતા અંદાજે 18 મહિનાનો સમય લાગશે. દિવાળી બાદ તમામ થડા અને વખાર ધારકો પાસેથી માર્કેટનો કબજો મેળવી લેવામાં આવ્યો છે અને હાલ આ વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે જ્યુબેલી માર્કેટમાં ખસેડવામાં આવ્યા છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મળતા જ ગ્રાઉન્ડ લેવલ પર કામ શરૂ કરી દેવામાં આવશે, જેથી રાજકોટવાસીઓને ટૂંક સમયમાં પોતાની જૂની અને જાણીતી માર્કેટ નવા રૂપરંગમાં પરત મળશે. ઉલ્લેખનીય છે કે ગતવર્ષે બજેટમાં શાસકો દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે ધર્મેન્દ્ર રોડ પર આવેલી ઐતિહાસિક લાખાજીરાજ શાક માર્કેટનું રિનોવેશન કરી ત્યાં હોકર્સ ઝોન બનાવવાનો નિર્ણય કરાયો હતો. જોકે આ જાહેરાત બાદ ત્યાં જ થડા તેમજ વખાર ધરાવતા વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો અને મામલો છેક કોર્ટ સુધી પહોંચ્યો હતો જ્યાં મહાપાલિકા દ્વારા જવાબ રજૂ કરાયા બાદ માર્કેટનું રિનોવેશન કરવાનો રસ્તો પણ ખુલ્યો હતો. અને દિવાળી બાદ મહાપાલિકાએ માર્કેટનો કબજો પણ લઈ લીધો હતો. કબજો લીધો તે પહેલાં અહીં 80 જેટલા થડા અને 16 જેટલી વખાર કાર્યરત હતી. હાલમાં લાખાજીરાજ માર્કેટના આ વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે જ્યુબેલી માર્કેટમાં ખસેડવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 12:52 pm

પંચમહાલના 63 વિદ્યાર્થીઓએ સ્ટેમ ક્વિઝ ઝોનલ રાઉન્ડમાં ભાગ લીધો:તેમાંથી 28 વિદ્યાર્થીઓ ફાઇનલ રાઉન્ડ માટે માર્ચમાં અમદાવાદ જશે

પંચમહાલ જિલ્લામાં ઇન્ડિયા સ્ટેમ ક્વિઝ 4.0ના ઝોનલ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાઉન્ડમાં જુનિયર લેવલના 33 અને સિનિયર લેવલના 30 સહિત કુલ 63 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ વાર્ષિક ક્વિઝનું આયોજન ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા કરવામાં આવે છે. આ સ્પર્ધામાં પંચમહાલ જિલ્લાના વિદ્યાર્થીઓનું પ્રદર્શન હંમેશા સારું રહ્યું છે. નેશનલ સ્ટેમ ક્વિઝ 4.0 માટે જિલ્લામાંથી કુલ 47,456 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. સરકાર દ્વારા આ સ્પર્ધાના વિજેતાઓ માટે 2 કરોડ રૂપિયા સુધીના ઇનામો ફાળવવામાં આવે છે. સ્ટેમ ક્વિઝ 4.0નો પ્રિલિમિનરી રાઉન્ડ 21 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી 2026 દરમિયાન ઓનલાઈન માધ્યમથી યોજાયો હતો, જેમાં પંચમહાલ જિલ્લાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. નેશનલ સ્ટેમ ક્વિઝ 4.0 માટે ઝોન લેવલની પરીક્ષા 29 થી 31 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાઈ હતી. પંચમહાલ જિલ્લાના જુનિયર વિદ્યાર્થીઓ માટે 30 જાન્યુઆરી 2026ના રોજ અને સિનિયર લેવલ માટે 31 જાન્યુઆરી 2026ના રોજ ગાંધીનગર ખાતે ઝોન લેવલની પરીક્ષા લેવામાં આવી હતી. ઝોન લેવલની પરીક્ષામાં જુનિયર લેવલના 33 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જેમાં કાલોલની નવરચના ગુરુકુલની પટેલ યશવી આશિષકુમાર પ્રથમ ક્રમે અને નારુકોટની પી.એમ. શ્રી જવાહર આશ્રમશાળાના રાઠવા પ્રકાશભાઈ અશોકભાઈ બીજા ક્રમે રહ્યા હતા. આ બંને વિદ્યાર્થીઓએ સ્ટુડિયો રાઉન્ડમાં સ્થાન મેળવી ટ્રોફી જીતી હતી. સિનિયર લેવલમાં પંચમહાલ જિલ્લાના 30 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગોધરાની ધી ઇકબાલ યુનિયન હાઈસ્કૂલના આમીર ઇરફાન બોકડા પ્રથમ ક્રમે અને હાલોલની એમ.જી.એમ. સ્કૂલના પ્રસાદ પ્રિતમકુમાર ધનંજય બીજા ક્રમે રહ્યા હતા. આ બંને વિદ્યાર્થીઓએ પણ સ્ટુડિયો રાઉન્ડમાં સ્થાન મેળવી ટ્રોફી પ્રાપ્ત કરી હતી. ઝોન લેવલમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. નેશનલ સ્ટેમ ક્વિઝ 4.0ના ઝોન રાઉન્ડમાં જુનિયર અને સિનિયર લેવલમાં પંચમહાલ જિલ્લાના દરેક તાલુકામાંથી પ્રથમ અને બીજો રેન્ક મેળવનાર વિદ્યાર્થીઓ ફાઇનલ રાઉન્ડ માટે પસંદગી પામ્યા છે. પંચમહાલ જિલ્લાના કુલ 28 વિદ્યાર્થીઓ, જેમાં 14 જુનિયર લેવલ અને 14 સિનિયર લેવલના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, તેઓ માર્ચ મહિનામાં અમદાવાદના સાયન્સ સિટી ખાતે યોજાનાર ફાઇનલ રાઉન્ડમાં ભાગ લેશે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 12:46 pm

જામનગરના ઉદ્યોગપતિએ તળાવમાં મોતની છલાંગ લગાવી:ઇલેક્ટ્રિક બાઇક પર ઘરેથી નીકળ્યા, GPSથી પરિવાર સ્થળ પર પહોંચ્યો

જામનગરના જાણીતા ઉદ્યોગપતિએ તળાવમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. વહેલી સવારે ઘરેથી ઇલેક્ટ્રિક બાઇકને નીકળેલા ઉદ્યોગપતિ પરત ઘરે ન ફરતાં પરિવાર બાઇકમાં લગાવેલા GPSથી ઘટનાસ્થળે પહોંચતા આત્મહત્યાની જાણ થઇ હતી. ઇલેક્ટ્રિક બાઇક પર ઘરેથી નીકળ્યાઘટના અંગે મળતી માહિતી મુજબ જામનગરના શરૂ સેક્શન રોડ પર આવેલા અભિલાષા એપાર્ટમેન્ટમાં રહેતા ભરતભાઈ નાથાલાલભાઈ શાહ (ઉંમર 63)એ દરેડ જીઆઇડીસી ઉદ્યોગ નગર વિસ્તારમાં એક કારખાનું ધરાવતા હતા. જેઓ આજે વહેલી સવારે કોઇને કહ્યા વગર ઘરેથી પોતાનું ઇલેક્ટ્રિક બાઇકને નીકળ્યા હતા. GPSથી પરિવાર સ્થળ પર પહોંચ્યોભરત શાહ વહેલી સવારે ઘરેથી નિકળ્યા બાદ મોડા સુધી ઘરે પરત ન ફરતા પરિવારે બાઇકમાં લગાવેલા GPSમાં ચેક કરતા બાઇક નાઘેડી નજીક આવેલા લહેર તળાવ પાસે હોવાનું જાણવા મળતા પરિવાર સ્થળ પર પહોંચ્યો હતો. બાઇક બિનવારસી જોવા મળતા પરિવારને ભરત શાહ તળાવમાં પડ્યા હોવાની શંકા ગઇ હતી. ફાયર ટીમે પાણીમાંથી મૃતદેહ બહાર કાઢ્યોપરિવારે ફાયર બ્રિગેડને જાણ કરાતા, ફાયર ટીમે તળાવમાં શોધખોળ કરીને ભરતભાઈના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. બનાવની જાણ થતાં પંચકોશી બી. ડિવિઝનના પી.આઈ. વી.એ. રાઠોડ અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો સંભાળીને વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 12:43 pm

તડકેશ્વર ટાંકી કૌભાંડ, પોલીસની સાથે CA આર્થિક ભ્રષ્ટાચારની તપાસ કરશે:લેબ ટેસ્ટિંગ રિપોર્ટ ટૂંક સમયમાં આવશે, આરોપીઓએ બનાવેલી 13 ટાંકીઓ પણ શું ધરાશાયી થશે?

સુરત માંડવીના તડકેશ્વર ગામે પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે. આ મામલે સુરત ગ્રામ્ય પોલીસ હવે એક્શન મોડમાં આવી છે. ટેકનિકલ ખામીઓની સાથે સાથે હવે આર્થિક વ્યવહારોમાં થયેલી ગેરરીતિઓને પકડવા માટે પોલીસે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA)ની વિશેષ નિમણૂક કરી છે. આ સાથે જ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ સાઉથ ઝોનમાં અન્ય 13 જેટલી ટાંકીઓનું પણ નિર્માણ કર્યું છે, જે હવે શંકાના દાયરામાં છે. સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા CAની નિમણૂકમાંડવી ટાંકી કૌભાંડની તપાસ કરી રહેલી ખાસ એસઆઈટી (SIT) ટીમે હવે આર્થિક પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા આ કેસમાં ખાસ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે. આ CA કોન્ટ્રાક્ટ સાથે સંકળાયેલા તમામ નાણાકીય વ્યવહારો, બેંક ડિટેલ્સ અને ટેન્ડર પ્રક્રિયામાં થયેલા ખર્ચની ઝીણવટભરી તપાસ કરશે. પોલીસનું માનવું છે કે આ કૌભાંડ માત્ર નબળા બાંધકામ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેમાં મોટા પાયે નાણાકીય હેરાફેરી પણ થઈ હોઈ શકે છે. ટેન્ડરથી લઈને પેમેન્ટ સુધીની વિગતો તપાસાશેઆ તપાસમાં CAની ભૂમિકા અત્યંત મહત્વની રહેશે. CA દ્વારા ટેન્ડર પ્રક્રિયા દરમિયાન કયા પ્રકારની શરતો હતી, કોન્ટ્રાક્ટરને કેટલું પેમેન્ટ કરવામાં આવ્યું, અને તે નાણાંનો ઉપયોગ ક્યાં થયો તેની તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત, આરોપીઓના બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ્સ પણ ચકાસવામાં આવશે જેથી લાંચ કે કમિશનના પુરાવા એકત્ર કરી શકાય. એક્સપર્ટ ઓપિનિયન તરીકે CA દ્વારા આપવામાં આવતો રિપોર્ટ કોર્ટમાં મજબૂત પુરાવા તરીકે રજૂ કરવામાં આવશે. સાઉથ ઝોનની 13 ટાંકીઓ પર જોખમ?તપાસ દરમિયાન એક ચોંકાવનારી વિગત સામે આવી છે કે આ કૌભાંડના આરોપીઓએ સાઉથ ઝોન વિસ્તારમાં અન્ય 13 જેટલી પાણીની ટાંકીઓ બનાવી છે. તડકેશ્વરની ઘટના બાદ હવે આ 13 ટાંકીઓની ગુણવત્તા સામે પણ સવાલો ઉભા થયા છે. શું આ ટાંકીઓમાં પણ ભ્રષ્ટાચાર આચરીને નબળું મટીરીયલ વાપરવામાં આવ્યું છે? તે જાણવા માટે પોલીસ અને વિજિલન્સની ટીમો સક્રિય થઈ છે. આ તમામ ટાંકીઓના સેમ્પલ લઈને ટેકનિકલ તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે. આરોપીઓની ધરપકડસુરત એસપી રાજેશ ગઢીયાએ જણાવ્યું હતું કે, જે ટાંકી પડી જવાની ઘટના હતી એમાં માંડવી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલો અને અમારા ડીવાયએસપી બી.કે. વનાર એની તપાસ કરી રહ્યા છે. તેને વધુમાં કહ્યું કે, અલગ અલગ પ્રકારના સેમ્પલ મેળવવામાં આવ્યા છે એમાં જે તે વિભાગની વિજિલન્સ ટીમ અને એસવીએનઆઈટી દ્વારા અમને ટેકનિકલ મદદ પૂરેપૂરી મળી રહી છે અને જ્યારે એમના લેબ ટેસ્ટિંગના રિપોર્ટ આવશે ત્યારબાદ એનો વધારે સ્ટડી કરવામાં આવશે. તમામ બેંક એકાઉન્ટ અને કેટલું પેમેન્ટ થયુંની વિગત ચેક થશેસાથે એસપીએ જણાવ્યું હતું કે, એ સિવાય જે ફાઇનાન્સીયલ બાબતો છે એના માટે અમે સીએ પણ હાયર કર્યા છે એટલે ટેકનિકલ બાબતો, ફાઇનાન્સીયલ બાબતો અને તમામ પ્રકારના પુરાવા મેળવવાના અમારા જે પ્રયાસો છે એ ચાલુ છે અને યોગ્ય પુરાવા મળી રહ્યા છે. આગળની કાર્યવાહી છે એ અમારા ડીવાયએસપી વનાર કરી રહ્યા છે અને એમની સાથે મદદમાં પણ અન્ય અધિકારીઓ આપવામાં આવેલા છે. મનાણાકીય બાબતો હોય છે, ટેન્ડરને લગતી બાબતો હોય, કેટલું પેમેન્ટ થયું અને એમના બેંક એકાઉન્ટ છે એની તમામ નાણાકીય બાબતોની તપાસ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરશે અને એક્સપર્ટ ઓપિનિયન તરીકે અમને મદદ કરશે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 12:38 pm

બરવાળામાં પત્ની સાથે ફોન પર વાત કરતા યુવકને માર:સાળા અને સાગરિતોએ હુમલો કર્યો, પોલીસ ફરિયાદ નોંધાઈ

બરવાળા શહેરમાં પત્ની સાથે ફોન પર વાત કરવાના મુદ્દે એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. રાવળ શેરી બહાર વિસ્તારમાં રહેતા ૨૯ વર્ષીય નવનીતભાઈ નથુભાઈ કોકરાણીયા પર તેમના સાળા અને એક સાગરિતે હુમલો કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, નવનીતભાઈ પર તેમના સાળા હિતેનભાઈ ખાવડીયા અને પંખુભાઈ દેવીપૂજક દ્વારા લાકડી વડે માર મારવામાં આવ્યો હતો. આ હુમલામાં નવનીતભાઈને ઈજાઓ પહોંચી હતી. હુમલાખોરોએ નવનીતભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આસપાસના લોકોએ સમયસર દરમિયાનગીરી કરીને નવનીતભાઈનો બચાવ કર્યો હતો. ઈજાગ્રસ્ત નવનીતભાઈને તાત્કાલિક સારવાર માટે બરવાળા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે બરવાળા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 12:22 pm

ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બોમ્બ મુકાયાનો ધમકીભર્યો મેલ:પોલીસ, ફાયરની ટીમો ઘટનાસ્થળે; કોર્ટ પરિસર ખાલી કરાવી સર્ચ ઓપરેશન હાથ ધરાયું

​જૂનાગઢ શહેરની સુરક્ષા વ્યવસ્થાને પડકાર ફેંકતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. કોર્ટના સત્તાવાર ઈ-મેલ આઈડી પર મેલ આવ્યો છે કે 2:10 વાગ્યે ત્રણ બોમ્બ કોર્ટમાં ફૂટશે. મેલ મળતાની સાથે જ કોર્ટના અધિકારીઓએ તુરંત પોલીસ વિભાગને જાણ કરી હતી, જેના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે ઉતરી પડ્યો હતો. 2:10 વાગે ત્રણ બોમ્બ કોર્ટમાં ફૂટશેજૂનાગઢ DYSP હિતેશ ધાંધલીયા સાથે વાત કરતા તેમણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે કોર્ટના સત્તાવાર ઈ-મેલ આઈડી પર મેલ આવ્યો છે કે 2:10 વાગ્યે ત્રણ બોમ્બ કોર્ટમાં ફૂટશે. હાલ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે અને પોલીસ સ્ટાફને કોર્ટ પરિસરમાં ગોઠવી દેવામાં આવ્યો છે. જેટલા પણ લોકો અને જે કોર્ટનો સ્ટાફ કોર્ટમાં હાજર છે તેને બહાર ખસેડવામાં આવ્યો છે. ​કોર્ટ પરિસરમાં ભયનો માહોલ અને તાત્કાલિક કાર્યવાહીધમકીભર્યા મેલની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જૂનાગઢ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ધોરણે કોર્ટ પરિસરે પહોંચી ગઈ હતી. સાવચેતીના ભાગરૂપે પોલીસે સમગ્ર કોર્ટ બિલ્ડિંગને ખાલી કરાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. વકીલો, અસીલો અને કોર્ટ સ્ટાફને તાબડતોબ સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી હતી. અચાનક કોર્ટ ખાલી કરાવવામાં આવતા લોકોમાં થોડા સમય માટે ભય અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે કોર્ટના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ સીલ કરી દઈને સુરક્ષા કોર્ડન ગોઠવી દીધું છે. ​ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમ દ્વારા સર્ચ ઓપરેશનઘટનાની જાણ થતા જ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી રહી છે. પોલીસ દ્વારા કોર્ટના દરેક રૂમ, લોબી, પાર્કિંગ એરિયા અને આસપાસના વિસ્તારોમાં ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કોઈ શંકાસ્પદ વસ્તુ કે પાર્સલ મળી આવે તો તેને તુરંત નિષ્ક્રિય કરવા માટેની તૈયારીઓ પણ રાખવામાં આવી છે. ફાયર ફાઈટરોની ટીમ પણ કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે કોર્ટની બહાર તહેનાત કરી દેવામાં આવી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, નાગરિકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે અને તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. ​સાયબર ક્રાઈમની ટીમ મેલના લોકેશનની તપાસમાં વ્યસ્તબીજી તરફ, આ ધમકીભર્યો ઈ-મેલ ક્યાંથી અને કોણે મોકલ્યો છે તે જાણવા માટે જૂનાગઢ સાયબર ક્રાઈમની ટીમ સક્રિય થઈ ગઈ છે. ટેકનિકલ સર્વેલન્સની મદદથી મેલનું આઈપી એડ્રેસ (IP Address) ટ્રેસ કરવામાં આવી રહ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈની તોફાની હરકત હોઈ શકે છે અથવા તો ન્યાયિક પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ હોવાની આશંકા સેવાઈ રહી છે, પરંતુ પોલીસ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી. અગાઉ પણ દેશના વિવિધ શહેરોની કોર્ટ અને શાળાઓને આવા ફેક ઈ-મેલ મળ્યા હોવાની ઘટનાઓ બની છે, ત્યારે જૂનાગઢ પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 12:13 pm

માનસિક રીતે અસંતુલિત દર્દીની એમ્પથી સાથેની સારવાર:બંને આંખના ઓપરેશન બાદ દર્દીમાં સુધારો, દર્દી હોસ્પિટલ છોડવા પણ તૈયાર નહોતા

અમદાવાદ શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપ્થેલ્મોલોજી વિભાગના પ્રોફેસર અને હેડ ડો. દીપિકા સિંઘલે તાજેતરમાં એક એવા દર્દીના ઈલાજનો અનુભવ શેર કર્યો છે, જે માત્ર શારીરિક નહીં પરંતુ માનસિક રીતે પણ અસ્વસ્થ હતો. એક મહિલા દર્દીને બંને આંખમાં ગંભીર મોતિયાની સમસ્યા સાથે મહેસાણાથી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં. પરિવાર તરફથી યોગ્ય સંભાળ ન મળતા અને માનસિક અસ્વસ્થતાના કારણે તેઓ અલગ-અલગ જગ્યાએ ભટકતા રહેતા હતાં. દર્દી માનસિક રીતે સંતુલિત નહોતાહોસ્પિટલમાં દાખલ થયા બાદ ડોક્ટરોને સમજાયું કે દર્દી માનસિક રીતે સંતુલિત નથી. આવી સ્થિતિમાં ઓપરેશન કરવું ખૂબ અઘરું હતું. દર્દી ઓપરેશન ટેબલ પર શાંત રહેતા નહોતા, તેમને સમજાવવું પણ મુશ્કેલ હતું. તેમ છતાં હોસ્પિટલની એનેસ્થેસિયા ટીમ અને ડોક્ટરોની અવિરત મહેનતના કારણે અંતે એક આંખનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું. બંને આંખના ઓપરેશન બાદ દર્દીના જીવનમાં બદલાવ જોવા મળ્યોપહેલા ઓપરેશન પછી દર્દીને થોડો આરામ અનુભવાયો. ત્યારબાદ ડોક્ટરોની ટીમે માનવતાપૂર્ણ તેમની સાથે સારો વ્યવહાર કરીને દર્દીની સંપૂર્ણ સંભાળ લીધી હતી. થોડા દિવસોમાં બીજી આંખનું પણ સફળ ઓપરેશન કરવામાં આવ્યું. બંને આંખોનું ઓપરેશન પૂર્ણ થયા બાદ દર્દીના જીવનમાં બદલાવ જોવા મળ્યો. દર્દી હોસ્પિટલ છોડવા પણ તૈયાર નહોતાઆ સમયગાળામાં દર્દી અને હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો તથા સ્ટાફ વચ્ચે એક અનોખો લાગણીસભર સંબંધ બંધાયો. દર્દી સ્ટાફ પર સંપૂર્ણ વિશ્વાસ મૂકવા લાગ્યા. એટલું જ નહીં, તેઓ હોસ્પિટલ છોડવા પણ તૈયાર નહોતા અને ત્યાં જ રહેવાની જીદ કરવા લાગ્યા. ડિસ્ચાર્જ કરીને ઘરે મોકલ્યા ને ફરી હોસ્પિટલ પરત આવી ગયાઘણી મહેનત બાદ દર્દીને ડિસ્ચાર્જ કરીને ઘરે મોકલવામાં આવ્યા, પરંતુ તેઓ ફરી હોસ્પિટલ પરત આવી ગયા. ઓપીડીમાં પણ તેમની એક જ માંગ હતી. મને અહીં જ રહેવું છે. આ પરથી કહી શકાય છે કે સંવેદનશીલ વર્તન દર્દીના મન પર કેટલી ઊંડી અસર કરી શકે છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 12:13 pm

મહીસાગર જિલ્લામાં વાતાવરણ પલટાયું:સંતરામપુરમાં કમોસમી ઝાપટું, ખેડૂતોની ચિંતા વધી

મહીસાગર જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ સંતરામપુર પંથકમાં હળવું વરસાદી ઝાપટું પડ્યું હતું. જિલ્લા મથક લુણાવાડા સહિત મહીસાગરના તમામ તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. દિવસની શરૂઆતથી જ આકાશ કાળા વાદળોથી છવાયેલું રહ્યું હતું. વાતાવરણમાં આવેલા આ અચાનક પલટાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જો કમોસમી વરસાદ વધુ વરસે તો ખેતીના પાકો, બાગાયતી પાકો અને ઘાસચારાને વ્યાપક નુકસાન થવાનો ભય સેવાઈ રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 12:06 pm

વિદ્યાર્થિનીને લાફો મારનાર શિક્ષિકાને 3 વર્ષની જેલ:એન. સોલંકી કન્યા વિદ્યાલયમાં હોમવર્ક ન કરવા બદલ લાફો મારી કાનનો પડદો ફાડી નાખ્યો હતો

ગાંધીનગર જિલ્લાના દહેગામની એક સ્કૂલમાં શિસ્તના નામે માનવતા ભૂલેલી શિક્ષિકા સામે કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. હોમવર્ક ન કરવા જેવી સામાન્ય બાબતે 14 વર્ષની દીકરીને બેરહેમીથી માર મારી કાનનો પડદો ફાડી નાખનાર વિજ્ઞાનના શિક્ષિકાને ગાંધીનગર કોર્ટે 3 વર્ષ અને 3 મહિનાની જેલની સજા ફટકારી અન્ય સ્કૂલો અને શિક્ષકો માટે એક દાખલો બેસાડ્યો છે. શિક્ષિકાએ હાથ હટાવી બીજો લાફો માર્યોઆ કેસની વિગતો મુજબ, ગાંધીનગરની દહેગામ તાલુકાના લેકવાડા ગામના રમેશભાઈની 14 વર્ષીય દીકરી એન. સોલંકી કન્યા વિદ્યાલયમાં ધોરણ 9માં અભ્યાસ કરતી હતી. 1 જાન્યુઆરી, 2020ના રોજ સ્કૂલમાં વિજ્ઞાનના પિરિયડ દરમિયાન શિક્ષિકા પારૂલબેન પટેલે હોમવર્ક વિશે પૂછપરછ કરી હતી. જોકે બાળકીએ હોમવર્ક નથી કર્યું તેમ કહેતા જ શિક્ષિકા ઉશ્કેરાઈ ગયા હતા. આ વાતે આરોપી શિક્ષિકાએ બાળકીને ડાબા કાન પર જોરદાર લાફો ઝીંકી દીધો હતો, જેથી બાળકી દર્દથી કણસતી હતી અને કાન પર હાથ રાખ્યો હતો. આ છતાં શિક્ષિકાનો ગુસ્સો શાંત થયો નહોતો અને તેમણે બાળકીનો હાથ હટાવી બીજો લાફો મારીને વર્ગખંડની બહાર ઊભા રહેવાની સજા આપી હતી. વિનંતી બાદ આચાર્યએ પણ વિદ્યાર્થિનીની મદદ ન કરીત્યારે વિજ્ઞાનના બે પિરિયડ સુધી બાળકી રઝળપાટ કરતી રહી હતી. બાળકી અસહ્ય પીડા સાથે બે પિરિયડ સુધી ક્લાસની બહાર ઉભી રહેવાથી બેભાન જેવી થઈ ગઈ હતી. આ દરમિયાન સ્કૂલના આચાર્ય ત્યાંથી પસાર થયા હતા. ત્યારે બાળકીએ પિતાને ફોન કરવા વિનંતી કરી હોવા છતાં આચાર્યએ કોઈ ધ્યાન આપ્યું નહીં અને તેને પીડાતી હાલતમાં છોડી દીધી હતી. હોસ્પિટલ લઈ જતાં કાનના પડદામાં કાણું પડ્યાનું સામે આવ્યુંસ્કૂલ છૂટ્યા બાદ જ્યારે પિતા તેને હોસ્પિટલ લઈ ગયા ત્યારે નિદાન થયું કે, મારને કારણે બાળકીના કાનના પડદામાં કાણું પડી ગયું છે. આ ઘટનાને પગલે વિદ્યાર્થિનીના પિતાએ હિંમત દાખવી દહેગામ પોલીસ સ્ટેશનમાં જુવેનાઈલ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. કોર્ટે આરોપી શિક્ષિકાને 3 વર્ષની કેદ અને 25 હજારનો દંડ ફટકાર્યોઆ કેસ ગાંધીનગરના ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટ સમક્ષ ચાલ્યો હતો, જેમાં સરકારી વકીલની દલીલો અને તબીબી પુરાવાઓને ગ્રાહ્ય રાખીને કોર્ટે નોંધ્યું કે શિક્ષકનું કાર્ય બાળકોનું ઘડતર કરવાનું છે, તેમને શારીરિક અપંગતા તરફ ધકેલવાનું નહીં. કોર્ટે આરોપી શિક્ષિકા પારૂલબેન રજનીકાંત પટેલને (રહે. આણંદ) દોષિત ઠેરવી ત્રણ વર્ષની કેદ અને 25 હજારનો દંડ ભોગવવાનો હુકમ કરી અન્ય સ્કૂલો અને શિક્ષકો માટે એક દાખલો બેસાડ્યો છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 12:01 pm

ત્રણ સ્પાના લાયસન્સ કાયમી ધોરણે રદ:ભાવનગરમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપાર પર પોલીસની તવાઈ, 3 સેન્ટરોને હંમેશ માટે લાગ્યા તાળા!

ભાવનગરના વાઘાવાડી રોડ અને કાળાનાળા વિસ્તારમાં મસાજની આડમાં ચાલતા અનૈતિક વ્યવસાયનો પર્દાફાશ થયો છે જેમાં નિલમબાગ પોલીસ, ઘોઘારોડ પોલીસ અને AHTUની સંયુક્ત ટીમે ડમી ગ્રાહકો મોકલી કરેલા ઓપરેશન બાદ નીલમબાગ પોલીસે શહેરના ત્રણ જાણીતા સ્પાના લાયસન્સ રદ કરાવ્યા હતા, જેમાં આઇકોનિક વેલનેસ, ઓશીયન ડેઆર હમામ અને સીટી સ્પાના શોપેક લાયસન્સ કાયમી ધોરણે રદ કરી કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાત સરકારની અનૈતિક પ્રવૃતિઓ નાબૂદ કરવાની હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ભાવનગર પોલીસ દ્વારા શહેરમાં મસાજ પાર્લરની આડમાં ચાલતા અનૈતિક દેહવ્યાપારના નેટવર્કને ખુલ્લું પાડી કાર્યવાહી હાથ ધરાયા સ્પાના સંચાલકોમાં ફફડાટ ફેલાયો હતો,​ભાવનગર રેન્જ આઇ.જી.પી. ગૌતમ પરમાર અને પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયએ જિલ્લામાં સ્પાની આડમાં ચાલતી ગેરકાયદે પ્રવૃતિઓને ડામવા ખાસ અભિયાન છેડવામાં આવ્યું હતું, આ અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ નિલમબાગ પોલીસ, ઘોઘારોડ પોલીસ અને AHTU (એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ) ની સંયુક્ત ટીમ બનાવવામાં આવી હતી. ગત તા.11/10/2025 ના રોજ પોલીસે વાઘાવાડી રોડ પર આવેલા ઇવા સુરભી મોલ અને અન્ય વિસ્તારોમાં ડમી ગ્રાહકો મોકલીને ખરાઈ કરી હતી, તપાસ દરમિયાન મસાજની આડમાં દેહવ્યાપાર થતો હોવાનું સાબિત થતા પોલીસે નીચે મુજબના સ્પા પર કાયદેસરની કાર્યવાહી કરી હતી જેમાં ​આઇકોનિક વેલનેસ સ્પા (ઇવા સુરભી મોલ), ​ઓશીયન ડેઆર હમામ સ્પા (ઇવા સુરભી કોમ્પ્લેક્ષ) તથા ​અવેદા ફેમિલી સ્પા ના લાયસન્સ રદ કરાવ્યા હતા, તેમજ કાયમી પાઠ ભણાવવા માટે નિલમબાગ પોલીસ સ્ટેશન દ્વારા ભાવનગર મહાનગરપાલિકામાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જેના આધારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આઇકોનિક વેલનેસ સ્પા, ઓશીયન ડેઆર હમામ સ્પા અને સીટી સ્પા કાળાનાળા ના શોપેક લાયસન્સ કાયમી ધોરણે રદ કરી દેવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 11:58 am

ગાંધીનગર ભાજપ સંગઠનના નવા માળખમાં જૂના જોગીઓનો દબદબો:8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને 8 મંત્રીઓની નિમણૂક, રિપીટ થીયરીના સ્થાને અનુભવને પ્રાધાન્ય; જાણો કોને ક્યો હોદ્દો મળ્યો

ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશના મોવડી મંડળ સાથે પરામર્શ કર્યા બાદ ગાંધીનગર મહાનગર ભાજપાના અધ્યક્ષ ડૉ. આશિષકુમાર દવે દ્વારા શહેર સંગઠનના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી આ નિમણૂકો જાહેર કરવામાં આવી છે. જેમાં જૂના જોગીઓનો દબદબો જોવા મળ્યો છે. ભાજપાના અધ્યક્ષ ડૉ. આશિષ દવેએ રિપીટ થીયરીના સ્થાને અનુભવને પ્રાધાન્ય આપ્યું છે. ભાજપે નો-રિપીટ થીયરીના સ્થાને અનુભવને પ્રાધાન્યની નીતિ અપનાવીપાટનગર ગાંધીનગરમાં રાજકીય ગરમાવો તેજ થયો છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને મોવડી મંડળના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ પ્રમુખ ડૉ. આશિષકુમાર દવેએ આખરે સંગઠનનું નવું માળખું જાહેર કર્યું છે. આ નિમણૂકોમાં સૌથી નોંધપાત્ર બાબત એ રહી છે કે ભાજપે નો-રિપીટ થીયરીના સ્થાને અનુભવને પ્રાધાન્ય આપવાની નીતિ અપનાવી હોય તેમ જણાય છે. વર્ષોથી પક્ષને વરેલા અને ગ્રાઉન્ડ લેવલ પર મજબૂત પકડ ધરાવતા જૂના જોગીઓને ફરી એકવાર સક્રિય રાજકારણના મુખ્ય પ્રવાહમાં લાવીને જવાબદારીઓ સોંપવામાં આવી છે. 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને 8 મંત્રીઓની નિમણૂક,નવા માળખામાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને 8 મંત્રીઓની જે નિમણૂક કરવામાં આવી છે. તેમાં જ્ઞાતિગત સમીકરણોની સાથે સાથે ભૌગોલિક સંતુલન જાળવવાનો પણ પ્રયાસ થયો છે. રાજકીય વિશ્લેષકો માને છે કે ,આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને સંગઠનને વધુ વેગવંતુ બનાવવા માટે પક્ષે એવા ચહેરાઓ પર પસંદગી ઉતારી છે જેઓ કાર્યકરોમાં લોકપ્રિય છે અને વહીવટી અનુભવ ધરાવે છે. વિવિધ મોરચાઓમાં પણ સક્રિય હોદ્દેદારોની નિમણૂકડો.આશિષ દવેએ માત્ર પાયાના સંગઠનમાં જ નહીં પરંતુ વિવિધ મોરચાઓમાં પણ સક્રિય હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. ખાસ કરીને સોશિયલ મીડિયા, આઈ.ટી. અને મીડિયા વિભાગના ઇન્ચાર્જની નિયુક્તિમાં પક્ષે ખાસ તકેદારી રાખી છે. આજનો યુગ ડિજિટલ પ્રચારનો છે ત્યારે વિરોધ પક્ષોને પછાડવા માટે ટેકનોલોજીના જાણકારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જૂના ચહેરાઓને પદ મળતા સંગઠનમાં રહેલો આંતરિક અસંતોષ શાંત થયો?આ નિમણૂકો દ્વારા ડો. આશિષ દવેએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે પક્ષ માટે મહેનત કરનારા જૂના કાર્યકરોની ક્યારેય અવગણના કરવામાં આવશે નહીં. જાહેર કરવામાં આવેલી આ યાદી બાદ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જૂના ચહેરાઓને પદ મળતા સંગઠનમાં રહેલો આંતરિક અસંતોષ પણ શાંત થશે તેમ મનાય છે. હવે જોવાનું એ રહે છે કે, આ જૂના જોગીઓની નવી ઇનિંગ ગાંધીનગર મહાનગરપાલિકા અને આગામી ચૂંટણીઓમાં ભાજપને કેટલા મતોનું લીડ અપાવે છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 11:58 am

જોડિયાના હડિયાણામાંથી 192 બોટલ દારૂ ઝડપાયો:LCB પોલીસે 8.64 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને પકડ્યા

જામનગર LCB પોલીસે જોડિયા તાલુકાના હડિયાણા ગામની સીમમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹8,64,700ના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. ઝડપાયેલા મુદ્દામાલમાં 192 બોટલ વિદેશી દારૂનો સમાવેશ થાય છે, જેની કિંમત ₹2,59,200 આંકવામાં આવી છે. આ ઉપરાંત, બે મોબાઈલ ફોન (કિંમત ₹5,500) અને એક મારુતિ સ્વિફ્ટ કાર (કિંમત ₹6,00,000) પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસે બિપીનભાઈ વસ્તાભાઈ વકાતર (ઉ.વ. 29, ધંધો ખેતી) અને જેઠાભાઈ કરમાશીભાઈ જૂથર (ઉ.વ. 27, ધંધો ખેતી) નામના બે શખ્સોને પકડ્યા છે. આ બંને હડિયાણા ગામની ધારવાળી સીમમાં રહે છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓએ આ દારૂનો જથ્થો મોરબીના ભીમશીભાઈ પાસેથી લાવ્યા હોવાનું જણાવ્યું છે. પોલીસે ભીમશીભાઈને પકડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પોલીસ કોન્સ્ટેબલ કિશોરભાઈ પરમારે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે એ.એસ.આઈ. ઘનશ્યામભાઈ ડેરવાળિયાએ કાયદેસરની કાર્યવાહી કરી છે. આ સમગ્ર કાર્યવાહી જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રતિભાની સૂચના મુજબ PI વી.એમ. લગારિયાના માર્ગદર્શન હેઠળ PSI સી.એમ. કાંટેલિયા, PSI એમ.વી. ભાટિયા અને LCB સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 11:57 am

પંચમહાલમાં એક જ દિવસમાં ઝેરી દવા પીવાના ત્રણ કેસ:શહેરા અને ઘોઘંબામાં બે યુવકોએ ઝેરી દવા ગટગટાવી, ગોધરામાં મહિલાએ વખ ઘોળ્યું

પંચમહાલ જિલ્લામાં ગઈ કાલે મોડી સાંજે આપઘાતના પ્રયાસના ત્રણ અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. ગોધરા, શહેરા અને ઘોઘંબા તાલુકાના ત્રણ વ્યક્તિઓએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા તમામને સારવાર અર્થે ગોધરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘોઘંબાના દામનપુરા ગામના 19 વર્ષીય યુવકે પોતાના ઘરે પાકમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. તેની હાલત ગંભીર જણાતા પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ગોધરામાં રહેતી મહિલા અને શહેરા તાલુકાના ધાઇકા ગામના 35 વર્ષીય યુવકે પણ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. તેમને પણ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જોકે, આ ત્રણેય કિસ્સાઓમાં ઝેરી દવા પીવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 11:56 am

હિંમતનગરના ગોકુલનગરમાં પીવાના પાણીની સમસ્યા:જેસીબીથી પાઇપલાઇન તૂટતા સમારકામ શરૂ કરાયું

હિંમતનગરના ગોકુલનગર વિસ્તારમાં આજે સવારે પીવાના પાણીનો પુરવઠો ખોરવાઈ ગયો હતો. જેના કારણે સ્થાનિક રહીશોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. આ સમસ્યા ખેડ તાસિયા રોડ પર જૂની નગરપાલિકા સામે હાથમતી વિયરથી આવતી પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ પડવાને કારણે સર્જાઈ હતી. ગઈકાલે જેસીબી દ્વારા ચાલી રહેલા ખોદકામ દરમિયાન આ પાઇપલાઇન તૂટી ગઈ હતી. હિંમતનગર નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના અધિકારી અશ્વિનભાઈ જોશીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, જૂની નગરપાલિકા સામે GUDC દ્વારા નવી પાઇપલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી દરમિયાન જ પાણીની લાઇન તૂટી ગઈ હતી. તેમણે ઉમેર્યું હતું કે, તૂટેલી પાઇપલાઇનના સમારકામ માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવા સૂચના આપી દેવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 11:52 am

પત્નીને તેડવા આવેલા પતિ પર સાળાઓ ધોકા લઇ તૂટી પડ્યા:બાળકોને સાથે લઈ જવાની વાત પર બોલાચાલી થતાં મામલો બિચક્યો, ત્રણ સામે FIR

ગઢડામાં પત્નીને તેડવા આવેલા પતિ પર સાસરીયા પક્ષે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. બોટાદના નરેશભાઈ જીલીયાએ તેમના સાળાઓ અને પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. બોટાદના તુરખા રોડ વિસ્તારમાં રહેતા નરેશભાઈ જીલીયા મજૂરી કામ કરે છે. તેઓ ગઢડાના ખારા વિસ્તારમાં પોતાની પત્નીને તેડવા ગયા હતા. ત્યાં પત્નીએ તેમની સાથે આવવાની ના પાડી હતી અને બાળકોને સાથે લઈ જવાની વાત પર બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી ઉગ્ર બનતા નરેશભાઈના સાળાઓ વિશાલભાઈ વાઘેલા અને અલ્પેશભાઈએ તેમને માર માર્યો હતો. તેમની પત્ની ભારતીબહેને તેમને પકડી રાખ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટના બાદ નરેશભાઈ જીલીયાએ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બોટાદ પોલીસે બંને સાળા અને પત્ની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 11:48 am

રાણપુર અકસ્માતમાં 4 લોકોના મોત:ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાઈ

રાણપુરના કનારા ચોકડી નજીક થયેલા ગંભીર અકસ્માત મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા અને સાત લોકો ઘાયલ થયા હતા. મૃતકના પરિવારજન મંગળભાઈ રાઠવાએ ટ્રકના ચાલક ગફાર હાજીભાઈ સવાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. રાણપુર પોલીસે ટ્રક ચાલક ગફાર હાજી સવાણ વિરુદ્ધ બેદરકારીપૂર્વક ટ્રક ચલાવવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના ગત 31 જાન્યુઆરીના રોજ રાત્રીના સમયે રાણપુરના કનારા ચોકડી નજીક બની હતી. જ્યાં ટ્રક અને ઈકો કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઈકો કારમાં સવાર કુલ 11 લોકો પૈકી 4 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા, જ્યારે અન્ય 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 11:46 am

સુરતમાં નબીરાઓ માટે રસ્તા બન્યા રેસિંગ ટ્રેક:ઇન્ટરનેશનલ એરપોર્ટ રોડ પર મહિન્દ્રા BE 6 કારે મચાવી તબાહી, ત્રણ કાર અને બે મોપેડને ટક્કર મારી, ડ્રાઇવર સહિત ત્રણ ઇજાગ્રસ્ત

ડાયમંડ સિટી સુરતમાં નબીરાઓની બેદરકારી અને તેજ રફ્તારનો કહેર યથાવત છે. શહેરના પોશ ગણાતા મગદલ્લા-ડુમસ વિસ્તારમાં આવેલા એરપોર્ટ રોડ પર અવધ ઉથોપિયા નજીક ગત(1 ફેબ્રુઆરી) મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક માલેતુજાર પરિવારના યુવકે પોતાની પૂરપાટ ઝડપે જતી લક્ઝરી કાર પરથી કાબૂ ગુમાવતા રસ્તા પર ઉભેલા વાહનોના ફુરચા બોલાવી દીધા હતા. આ સાથે ત્રણ કાર અને બે મોપેડને ટક્કર મારતા ત્રણ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. એક સાથે 5 વાહનોને અડફેટે લીધામોડી રાત્રે મહિન્દ્રા BE 6 (ઇલેક્ટ્રિક લક્ઝરી કાર)ના ચાલકે રોડને જાણે રેસિંગ ટ્રેક સમજી લીધો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર કારની ઝડપ એટલી પ્રચંડ હતી કે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. આ બેકાબૂ કારે રોડ પર પાર્ક કરેલી 3 કારને જોરદાર ટક્કર મારી હતી. સાથે 2 મોપેડને પણ ઉડાવ્યા હતા. સદનસીબે આ અકસ્માત મોડી રાત્રે સર્જાયો હોવાથી અને વાહનો પાર્ક કરેલા હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે. મામલો દબાવવા 'ખેંચ'નું બહાનું?અકસ્માત સર્જનાર યુવકની ઓળખ વિરલ દેસાઈ તરીકે થઈ છે, જે પોતે પણ આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયો છે. જેથી તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડીને સારવાર કરવામાં આવી રહી છે. જોકે ઘટનાના થોડા જ સમયમાં મામલો થાળે પાડવા અને નબીરાને બચાવવા માટે પ્રયાસો શરૂ થઈ ગયા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. અકસ્માત બાદ એવી વાત વહેતી કરવામાં આવી હતી કે ચાલક યુવકને ચાલુ ગાડીએ 'ખેંચ' આવી હતી, જેના કારણે અકસ્માત થયો હતો. શું ખરેખર તબીબી કારણોસર અકસ્માત કે પછી ઓવરસ્પીડિંગ જવાબદાર?બનાવની જાણ થતા જ ડુમસ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોનો કબજો લઈ આગળની તપાસ હાથ ધરી છે. શું ચાલક નશાની હાલતમાં હતો? શું ખરેખર તબીબી કારણોસર અકસ્માત થયો કે પછી ઓવરસ્પીડિંગ જવાબદાર છે? આ તમામ પાસાઓ પર તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 11:38 am