SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

30    C
... ...View News by News Source

પત્નીએ લાજ ન કાઢી તો પુત્રીની હત્યા:પિતાએ 3 વર્ષની છોકરીને હવામાં ઉછાળીને રૂમની બહાર ફેંકી દીધી, મૃત્યુ થયું તો છુપાઈને અંતિમ સંસ્કાર કર્યા

મોનિકાના લગ્ન વર્ષ 2013માં પ્રદીપ સાથે થયા હતા,પ્રદીપ દહેજની માંગને લઈને ઝઘડો કરતો હતો

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 5:48 pm

વિવાદાસ્પદ નિવેદન:મુનવ્વર રાણાએ કહ્યું- અફઘાનિસ્તાનથી વધુ ક્રૂરતા હિન્દુસ્તાનમાં; તાલિબાનની તુલના RSS અને બજરંગ દળ સાથે કરી

કહ્યું- તાલિબાની હથિયાર છીનવી લે છે, આપણે ત્યાં માફિયાઓ ખરીદી લે છે,અફઘાનિસ્તાનમાં મોદી સરકારના કામની પ્રશંસા કરી

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 2:44 pm

ચોમાસુ ફરી સક્રિય થશે:ઉત્તરપ્રદેશ-બિહારમાં આજે ભારે વરસાદ, તો દિલ્હીમાં ક્યારથી પડશે વરસાદ; જાણો દેશના હવામાનની સ્થિતિ

ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં અલગ -અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા,હિમાચલ પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદની શક્યતા

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 10:26 am

તપાસ એજન્સીના તંત્રમાં ફેરફારનું સૂચન:પાંજરામાં પૂરેલા પોપટ (CBI)ને સરકાર મુક્ત કરે: મદ્રાસ હાઈકોર્ટ

હાઈકોર્ટે કહ્યું- સીબીઆઈને ચૂંટણીપંચ અને કેગની જેમ આઝાદી મળવી જોઈએ અને તે માત્ર સંસદને જવાબદાર રહે

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 4:00 am

સુપ્રીમ આદેશ:સૈન્ય પૂર્વગ્રહ છોડે, મહિલાઓ પ્રત્યેનું વલણ બદલવું પડશે...

આ વર્ષે NDAની પરીક્ષામાં યુવતીઓ પણ સામેલ થશે,મહિલાઓની ભરતીના મામલે સુપ્રીમની સૈન્ય અને સરકાર અંગે કડક ટિપ્પણી,હવે યુપીએસસી સુધારેલું નોટિફિકેશન જારી કરશે, પ્રવેશ મુદ્દે સુપ્રીમ કોર્ટ બાદમાં નિર્ણય કરશે,વર્ષે 4.5 લાખથી વધુ ઉમેદવાર પરીક્ષા આપે છે, 5 સપ્ટેમ્બરની તારીખ લંબાવાઈ શકે છે

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 4:00 am

માતાએ ગરીબીમાં સપનું જોયેલું, દીકરાએ પૂરું કર્યું:50મા જન્મદિવસ નિમિત્તે દીકરાએ આપ્યું સરપ્રાઇઝ, માતાને હેલિકોપ્ટરમાં બેસાડી સંપૂર્ણ શહેરનું ચક્કર લગાવ્યું

પ્રદીપ ધોરણ-7માં અભ્યાસ કરતો ત્યારે તેના પિતાનું અવસાન થતાં માતાએ ખૂબ જ મુશ્કેલ સમયમાં ત્રણેય બાળકને ભણાવ્યાં

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 12:03 am

ઘરમાં જ બેઠેલા તાલિબાની સમર્થકોને ઓળખો:ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ તાલિબાનની પડખે, 'અસલી રંગ' બતાવ્યો, ભારતના મુસ્લિમો વતી તાલિબાનોની પીઠ થાબડી

ભારતે બાહ્ય તાકાતોની સાથે અંદર ઊભરી રહેલી તાકાતો સામે લાડવા તૈયાર રહેવું પડશે,ઉત્તરપ્રદેશના સાંસદે તાલિબાનનું સમર્થન કરતાં ફરિયાદ દાખલ

દિવ્ય ભાસ્કર 18 Aug 2021 1:53 pm

દેશને મળી શકે છે પ્રથમ મહિલા CJI:જસ્ટિસ બી.વી. નાગરત્ના 2027માં બની શકે છે ચીફ જસ્ટિસ, કોલેજિયમે 9 જજનાં નામની ભલામણ કરી, જેમાં ગુજરાત હાઇકોર્ટનાં જજ બેલા ત્રિવેદીનો પણ સમાવેશ

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથના નામની સુપ્રીમ કોર્ટમાં એલિવેશન માટે ભલામણ કરવામાં આવી છે

દિવ્ય ભાસ્કર 18 Aug 2021 1:02 pm

સુનંદા પુષ્કર ડેથ કેસ:કોંગ્રેસ સાંસદ શશિ થરુરને દિલ્હીની સ્પેશિયલ કોર્ટે નિર્દોષ છોડ્યા, કહ્યું- 7 વર્ષની પીડા સમાપ્ત

સુનંદા પુષ્કરનું મૃત્યુ 17 જુલાઈ 2014ના રોજ દિલ્હીની ફાઈવ સ્ટાર હોટલમાં થયું હતું,પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સુનંદાના શરીરમાં આલ્કોહોલના અંશ હોવાનું આવ્યું ન હતું

દિવ્ય ભાસ્કર 18 Aug 2021 12:14 pm

સુપ્રીમની ટકોર:રાષ્ટ્રીય સુરક્ષા સાથે બાંધછોડ નહીંઃ સુપ્રીમ

જો કાયદેસર જાસૂસી થઈ હોય તો મંજૂરી આપનારો વિભાગ એફિડેવિટ કરે

દિવ્ય ભાસ્કર 18 Aug 2021 4:00 am

માર્કેટમાં તાલિબાની ઇમ્પેક્ટ:ભારત-અફઘાનના ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં ઓટ, સૂકા મેવા મોંઘા થતાં તહેવારો ડ્રાય બનશે

2020-21માં બંને દેશ વચ્ચે 1.4 અબજ ડોલરનો વેપાર થયો છે,ભારતનું 22 હજાર કરોડ રૂપિયાનું રોકાણ ફસાયું

દિવ્ય ભાસ્કર 18 Aug 2021 12:04 am

કાશ્મીરમાં ફરી ભાજપ નેતાની હત્યા:કુલગામમાં આતંકવાદી જાવીદ અહેમદની ગોળી મારી હત્યા,5 દિવસ અગાઉ એક નેતાના ઘરે થયેલા હુમલામાં 2 વર્ષના માસૂમે જીવ ગુમાવેલો

9 ઓગસ્ટના રોજ અનંતનાગમાં આતંકવાદીઓએ ભાજપ નેતા ગુલામ રસૂલ ડાર અને તેમના પત્નીની ગોળી મારી હત્યા કરી નાંખેલી

દિવ્ય ભાસ્કર 17 Aug 2021 7:45 pm

પેગાસસ જાસૂસી કેસ:સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકારી નોટિસ; 10 દિવસની અંદર માંગ્યો જવાબ

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારતાં જવાબ માંગ્યો

દિવ્ય ભાસ્કર 17 Aug 2021 2:12 pm

ભાસ્કર વિશેષ:નાણાંના બદલે સંબંધોને મહત્ત્વ આપી રહ્યાં છે 89.6% યુવા, પોતાની સાથે રહેવા માગે છે; આરોગ્ય, ઘર અને ખાણીપીણીને પ્રાથમિકતાઃ સરવે

એસ્પિરેશન ઇન્ડેક્સ 2021: યુવાનો માટે પરિવારથી નજીકના અને તેમનું ભવિષ્ય સુરક્ષિત કરવું જરૂરી

દિવ્ય ભાસ્કર 17 Aug 2021 4:00 am

સ્કૂલ શરુ કરવા તૈયારી?:70 ટકા બાળકો અને સ્ટાફનું રસીકરણ થઈ જાય તો શાળાઓ શરુ કરી શકાય, નીતિ આયોગનું સૂચન

70% શિક્ષકો અને સ્ટાફને સિંગલ ડોઝ મળી જાય તો સ્કૂલ શરૂ કરોઃ નીતિ આયોગ,રાજ્યો ઈચ્છે તો પ્રતિ 10 લાખની વસતીએ રોજ 10થી ઓછા કેસ આવે તો સ્કૂલો ખોલો

દિવ્ય ભાસ્કર 17 Aug 2021 4:00 am

અફઘાનિસ્તાનની સ્થિતિની ભારત પર અસર:લુધિયાણામાં ભણી રહેલા અફઘાની વિદ્યાર્થીઓની પીડા; કહ્યું- ત્યાં અમારા પરિવાર જોખમમાં, છોકરીઓ સોંપવા માટે તાલિબાન દબાણ બનાવી રહ્યુ છે

અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ પોતાના પરિવાર સાથે સંપર્ક કરી શકતા નથી,તેઓ ભારતમાં સુરક્ષિત છે તે વાતની ખુશી

દિવ્ય ભાસ્કર 16 Aug 2021 7:16 pm

હવે અફઘાનિસ્તાનમાં પેદા થશે હજારો ઓસામા:વિદ્યાર્થીઓની રડી-રડીને ખરાબ હાલત, મહિલાઓ અસુરક્ષિત, 20 વર્ષમાં જે મેળવ્યું તે એળે ગયું

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલથી એરઈન્ડિયાનું વિશેષ પ્લેન AI244 રવિવારે 129 યાત્રિકોને લઈને દિલ્હી પહોંચ્યું છે

દિવ્ય ભાસ્કર 16 Aug 2021 7:15 pm

મેઘાલયમાં મુસીબત:જેના કારણે મેઘાલયમાં હિંસા ભડકી તે ચેસ્ટરફિલ્ડ થાંગખિવ કોણ હતો?, પોલીસના એન્કાઉન્ટર સામે આદિવાસી પ્રજાનું કાઉન્ટર એન્કાઉન્ટર

મેઘાલયમાં આદિવાસી પ્રજાના હક્ક માટે થાંગખિવ લડત આપતો,અનેક જગ્યાએ આઇઈડી બ્લાસ્ટમાં થાંગખિવની સંડોવણી હતી

દિવ્ય ભાસ્કર 16 Aug 2021 4:56 pm

વીડિયો:બે મહિલાએ શેરીમાં સાવરણી યુદ્ધ કર્યું, તો હાથીઓએ ખાડાને લપસણી બનાવીને મજા લીધી

સાથે જ જુઓ 4 વર્ષની બાળકી રબરની જેમ બોડીને વાળીને કેવાં કરતબ કરે છે

દિવ્ય ભાસ્કર 16 Aug 2021 3:40 pm

સુપ્રીમ કોર્ટની બહાર આત્મહત્યાનો પ્રયત્ન:સાંસદ પર રેપનો આરોપ લગાવનારી મહિલા અને સાક્ષીએ સુપ્રીમ કોર્ટના ગેટ પાસે પોતાને આગ ચાંપી, 40% દાઝ્યા

આત્મહત્યાનો પ્રયત્ન કરતી મહિલાએ યૂપીથી ધોસીના સાંસદ અતુલ રાય વિરુદ્ધ રેપ કેસ નોંધાવ્યો હતો

દિવ્ય ભાસ્કર 16 Aug 2021 2:28 pm

વિદેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી:અમેરિકાના રોડ આઈલેન્ડમાં ભારતના 75મા સ્વાતંત્રતી દિવસની ઉજવણી, સ્ટેટ હાઉસ તિરંગાના રંગની લાઈટિંગથી ઝળહળી ઉઠ્યું

વિદેશમાં વસતા ભારતીયો દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી,સ્ટેટ હાઉસ પર તિરંગાના રંગમાં રંગાયું જે દરેક ભારતીય માટે એક ગૌરવની વાત છે: વિકાસ પટેલ

દિવ્ય ભાસ્કર 16 Aug 2021 1:16 pm

આ રીતે ખાસ રહી 15મી ઓગસ્ટ:PM નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર સૌથી વધુ 8 વખત તિરંગો ફરકાવનારા પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન; 17 વખત ધ્વજવંદન સાથે જવાહરલાલ નેહરુના નામે છે રેકોર્ડ

ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ 16 વખત લાલ કિલ્લાના પ્રાચીર પર રાષ્ટ્રધ્વજ ફરકાવેલો,લાલ કિલ્લા પરથી લાંબા સમય 94 મિનિટ સુધી દેશવાસીઓને સંબોધિત કરવાનો રેકોર્ડ PM મોદીના નામે છે

દિવ્ય ભાસ્કર 16 Aug 2021 12:18 am

દિલ્હીની વાત : ઓબીસી ક્રિમી લેયરની આવક મર્યાદા વધારાશે

નવીદિલ્હી : ઉત્તર પ્રદેશની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર ઉપરાછાપરી ઓબીસી કાર્ડ ઉતરી રહી છે. પહેલાં મેડિકલ એડમિશનમાં સેન્ટ્રલ ક્વોટામાં ઓબીસી માટે અનામતનો નિર્ણય લીધો. પછી ઓબીસી જ્ઞાાતિઓની યાદીમાં સુધારો કરવાની સત્તા રાજ્યો આપતો ખરડો સંસદમાં પસાર કર્યો. હવે વધુ એક મોટો નિર્ણય લઈને સરકાર ઓબીસી ક્રીમી લેયરની આવક મર્યાદા ૧૨ લાખ કરશે એવો ભાજપનાં સૂત્રોનો દાવો છે. હાલમાં આવક મર્યાદા ૮ લાખ છે તેથી ઓબીસી હોય પણ ૮ લાખથી વધુ આવક હોય એવા પરિવારોને અનામતનો લાભ મળતો નથી. આ જોગવાઈના કારણે ઓબીસી ક્રીમી લેયર વર્ગ નારાજ છે. ક્રીમી લેયર આવક મર્યાદા વધારીને મોદી તેમને ખુશ કરી દેવા માગે છે. મોદીએ સંબંધિત મંત્રાલયોને સૂચના પણ આપી દીધી છે. યુપીમાં ચૂંટણીની જાહેરાત પહેલાં આ જાહેરાત થઈ જશે એવો સૂત્રોનો દાવો છે. યુપીમાં ઓબીસી મતબેંક નિર્ણાયક છે. આ મતબેંકને તોડવામાં ભાજપ સફળ રહ્યો હતો પણ ઓબીસી મતદારો ફરી સપા તરફ વળતાં તેમને ભાજપ તરફ વાળવા નિર્ણયો લેવાઈ રહ્યા છે. બંગાળમાં ધનખડને સ્થાને યેદુરપ્પાને મૂકાશે પશ્ચિમ બંગાળના ગવર્નર જગદીપ ધનખડને તાત્કાલિક દિલ્હી બોલાવાતાં તેમની વિદાયની વાતો શરૂ થઈ છે. ધનખડના સ્થાને બી.એસ. યેદુરપ્પાને મોકલાશે એવી ચર્ચા ભાજપનાં વર્તુળોમાં ચાલી રહી છે. ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, ધનખડ મમતા બેનરજી પર દબાણ નથી લાવી શકતા એવું હાઈકમાન્ડને લાગે છે તેથી યેદુરપ્પા હા પાડે કે તરત ધનખડની વિદાય નક્કી છે. ધનખડને બુધવારે તાત્કાલિક દિલ્હી બોલાવીને વડાપ્રધાનને મળવા કહેવાયું હતું. ધનખડને ઓફિસમાં કે નિવાસસ્થાને મળવાના બદલે સંસદમાં મળવા બોલાવાયા હતા. વડાપ્રધાને પાંચેક મિનિટમાં જ ધનખડને રવાના કરી દીધા હતા. મોદીની સૂચનાને પગલે ધનખડ અમિત શાહને મળવા ગયા હતા પણ શાહ મળ્યા નહોતા. ગુરૂવારે પણ શાહ ધનખડને મળ્યા વિના જ આંધ્ર પ્રદેશ જતા રહેતાં ધનખડે આખો દિવસ રાહ જોવી પડી હતી. ગુરવારે રાત્રે નવ વાગ્યાની આસપાસ શાહ ધનખડને મળ્યા હતા. શાહે પણ થોડીક મિનિટોમાં ધનખડને રવાના કરી દીધા હતા. તેના કારણે ધનખડ ભાજપ હાઈકમાન્ડની નજરમાંથી ઉતરી ગયા હોવાની વાતો ચાલી રહી છે. મોદી દ્વારા નીતિશની ઉપેક્ષાથી જેડીયુમાં ઉકળાટ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે નરેન્દ્ર મોદીને ૪ ઓગસ્ટે પત્ર લખીને મળવાનો સમય માંગ્યો હતો. એક અઠવાડિયા પછી પણ કોઈ જવાબ ના અપાતાં જેડીયુમાં ઉકળાટ છે. બિહારમાં સર્વપક્ષીય બેઠકમાં નીતિશ વડાપ્રધાન સમક્ષ રજૂઆત કરે એવો નિર્ણય લેવાયો હતો. તેના આધારે નીતિશે મોદીને પત્ર લખ્યો હતો પણ વડાપ્રધાને તેને ગણકાર્યો જ નથી. જેડીયુના કેટલાક નેતાઓએ શુક્રવારે નીતિશને મળીને આક્રોશ ઠાલવ્યો કે, વડાપ્રધાન બિહારના મુખ્યમંત્રીને મળવાનો સમય ના આપે એ સમગ્ર બિહારનું અપમાન છે. બિહાર વિધાનસભાએ જ્ઞાાતિ આધારિત વસતી ગણતરી કરાવવા બે વાર ઠરાવ પણ પસાર કર્યો છે પણ સરકાર તેને પણ ધ્યાનમાં નહીં લઈને બિહારની પ્રજાનું અપમાન કરી રહી છે. આ અપમાન સહન કરવાના બદલે જેડીયુએ ભાજપથી અલગ થઈ જવું જોઈએ. નીતિશ જ્ઞાાતિ આધારિત વસતી ગણતરી અંગે રજૂઆત કરવા મોદીને મળવા માગે છે. નીતિશ આ મુદ્દે બરાબરના ફસાયા છે ત્યારે વિપક્ષના નેતા તેજસ્વી યાદવે પણ મોદીને પત્ર લખીને મળવાનો સમય માગ્યો છે. સરકારી બંગલા માટે ભાજપના બે નેતા બાખડયા ભાજપના જ બે ટોચના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને રમેશ પોખરીયાલ નિઃશંક સરકારી બંગલાને મામલે સામસામે આવી ગયા છે. વડાપ્રધાને પ્રધાનમંડળની પુનર્રચના કરી ત્યારે પોખરીયાલને પડતા મૂક્યા હતા જ્યારે સિંધિયાને સમાવીને નાગરિક ઉડ્ડયન મંત્રાલય આપ્યું હતું. પોખરીયાલ મંત્રી હતા ત્યારે ૨૭, સફદરજંગ બંગલામાં રહેતા હતા. સિંધિયાએ પોતાને આ બંગલો ફાળવવા માગણ કરી હતી કેમ કે તેમના પિતા માધવરાવ રાજીવ સરકારમાં મંત્રી હતા ત્યારે આ બંગલો તેમને ફાળવાયેલો. જ્યોતિરાદિત્યનું બાળપણ આ બંગલામાં વિત્યું હોવાથી તેમણે આ બંગલાની માગણી કરી હતી. મંત્રીપદેથી હટાવી દેવાયા પછી એક મહિનામાં સરકારી બંગલો ખાલી કરી દેવાનો હોય પણ પોખરીયાલે બંગલો ખાલી કર્યો નથી તેથી સિંધિયા લટકી ગયા છે. બીજી તરફ પોખરીયાલે બંગલો ખાલી કરવા તૈયાર નથી. તેમણે આ અંગે પીએમઓમાં રજૂઆત કરવાની ચીમકી આપી છે. એસ્ટેટ ડીપાર્ટમેન્ટે પોખરીયાલની બંગલો ખાલી કરવાની અનિચ્છાની જાણ કરીને જ્યોતિરાદિત્યને બીજા બે વિકલ્પ આપ્યા પણ જ્યોતિરાદિત્યને બીજો બંગલો જોઈતો નથી. ભાજપના બે નેતાની લડાઈમાં અધિકારીઓ ફસાયા છે. યોગીના આશીર્વાદથી મૌર્ય ઘરભેગા થશે ? ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય ભાજપની આંતરિક જૂથબંધીમાં વધેરાઈ જાય એવા સંકેત છે. ભાજપના નેતા દિવાકર ત્રિપાઠીએ કરેલી અરજીને સ્વીકારીને કોર્ટે મૌર્યની માર્કશીટ અને ડીગ્રીની તપાસ કરવાનું ફરમાન કરતાં મૌર્ય માટે કપરા દાડા હોવાનું લાગી રહ્યું છે. મૌર્યે ચૂંટણીની એફિડેવિટમાં શૈક્ષણિક લાયકાત અંગે ખોટી માહિતી આપી હોવાનો આક્ષેપ કરીને ત્રિપાઠીએ કોર્ટમાં અરજી કરી હતી. ત્રિપાઠીનો આક્ષેપ છે કે, મૌર્યે માન્યતા પ્રાપ્ત ના હોય એવી સંસ્થાની ડીગ્રી તો રજૂ કરી જ છે પણ આ ડીગ્રી પણ બોગસ છે કેમ કે ડીગ્રી પર જે એનરોલમેન્ટ નંબર છે એ કોઈ મહિલાનો છે. કોર્ટે ૨૫ ઓગસ્ટ સુધીમાં મૌર્યની માર્કશીટ અને ડીગ્રીની તપાસ કરીને આદેશ આપવા કહ્યું છે. ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે, મૌર્ય સામે ભાજપના નેતા અરજી કરે અને છતાં પક્ષમાં ટકી રહે તેના પરથી જ સ્પષ્ટ છે કે, ત્રિપાઠીને પક્ષમાંથી જ પીઠબળ મળી રહ્યું છે. મૌર્ય અમિત શાહની નજીક હોવાથી યોગી કેમ્પ ત્રિપાઠીની સાથે હોવાનું સ્પષ્ટ છે. સોનિયાની વિપક્ષી નેતાઓની બેઠક પર સૌની નજર લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીમાં ભાજપ સામે એક થઈને લડવાની વાતો વચ્ચે સૌની નજર સોનિયા ગાંધીએ ૨૧ ઓગસ્ટે બોલાવેલી વિપક્ષી નેતાઓની બેઠક પર છે. ખાસ કરીને આમ આદમી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ બેઠકમાં હાજરી આપશે કે નહીં એ જાણવામાં સૌને રસ છે. ગુરૂવારે રાહુલ ગાંધીની સંસદ કૂચમાં તૃણમૂલ કોંગ્રેસ અને 'આપ' બંને જોડાયાં નહોતાં તેથી કોંગ્રેસથી બંને અંતર રાખવા માગે છે એવું લાગ્યું હતું પણ તૃણમૂલે સોનિયાની બેઠકમાં મમતા પોતે હાજરી આપશે એવો સંકેત આપ્યો છે. સોનિયાએ પોતે મમતાને ફોન કર્યો હોવાથી મમતા હાજર રહેશે એવું મનાય છે. કોંગ્રેસનાં સૂત્રોનું કહેવું છે કે, સોનિયાએ મમતાની જેમ 'આપ'ના નેતાઓને ફોન કરે એવી શક્યતા નથી. સોનિયા અને રાહુલ મમતા સાથે સંબંધો ગાઢ કરવા માગે છે કેમ કે તૃણમૂલ સાથેની સ્પર્ધામાં કોંગ્રેસ સાવ ફેંકાઈ ગઈ છે. બીજી તરફ પંજાબ, ઉત્તરાખંડ અને દિલ્હીમાં કોંગ્રેસ માટે 'આપ' હરીફ બનીને ઉભરી છે તેથી સોનિયા તેને મહત્વ આપીને સ્થાનિક નેતાઓને નારાજ કરવા માગતાં નથી. *** યોગીના નાયબ મુખ્યપ્રધાનના શૈક્ષણિક પ્રમાણ ચકાસાશે ભાજપના હોદ્દેદારે દાખલ કરેલી ફરિયાદના આધારે અલ્હાબાદ કોર્ટે પોલીસને જણાવ્યું છે કે ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્યના એકેડેમિક સર્ટિફિકેટ અને માર્કશીટ્સની પ્રમાણભૂતતાની ચકાસણી કરવામાં આવે. રાઇટ ટુ ઇન્ફોર્મેશન (આરટીઆઇ) એક્ટિવિસ્ટ અને જિલ્લા સ્તરના ભાજપના હોદ્દેદાર દિવાકર નાથ ત્રિપાઠીએ એડિશન ચીફ જ્યુડિસિયલ મેજિસ્ટ્રેટ નમ્રતાસિંઘની કોર્ટમાં મૌર્ય સામે બનાવટની ફરિયાદનો કેસ દાખલ કરવાની અરજી કરી હતી. કોર્ટે પોલીસને ૨૫મી ઓગસ્ટની આગામી સુનાવણી પહેલા ઇન્ક્વાયરી રિપોર્ટ આપવા કહ્યું હતું. મૌર્યએ ૨૦૦૭માં અલ્હાબાદ પશ્ચિમમાં વિધાનસભા ચૂંટણી માટે નામાંકન ભર્યુ હતુ. તેમા હિન્દી સાહિત્ય સંમેલનનું ઇન્ટરમીડિયેટ (પ્લસ-ટુ)નું પ્રમાણપત્ર અને બે માર્કશીટ આપી હતી, જેને કોઈપણ શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા આપવામાં આવી નથી, એમ ત્રિપાઠીએ જણાવ્યું હતું. અલ્હાબાદ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટે ભૂતકાળમાં પણ જણાવ્યું છે કે સંમેલનની ડિગ્રીઓ અને પ્રમાણપત્ર અભ્યાસના પ્રમાણપત્રો ન ગણાય. પોતાના જ ઘરેથી કામ કરતાં બોમ્માઈ કર્ણાટકના નવા મુખ્યપ્રધાન બસવરાજ બોમ્માઈ તેમના કુટુંબ અને સ્ટાફને લઈને જઈ રહી શકે તેવું કોઈ સત્તાવાર નિવાસ્થાન નથી. તેથી તેઓ પોતાના આરટી નગર ખાતેના ઘરેથી કામ કરી રહ્યા છે અને સવારની બેઠકોનું આયોજન કરવા માટે કુમારકૃપા ખાતેના સરકારી ગેસ્ટહાઉસનો ઉપયોગ કરી રહ્યા છે. તેમના પુરોગામી બીએસ યેદિયુરપ્પાએ ગયા મહિને સીએમ પદેથી રાજીનામુ આપી દીધું છે, પરંતુ તેઓ આ સત્તાવાર નિવાસ્થાન કાવેરી ખાતે રહેવા ઇચ્છે છે. બ્રિટિશ યુગનો આ બંગલનો મધ્યમ બેંગ્લુરુમાં આવેલો છે. બોમ્માઈ તેમને આ સ્થળ ખાલી કરવા પણ કહી શકે તેમ નથી. વિચિત્ર વાત એ છે કે કર્ણાટકના સીએમ પાસે રાજ્યની રાજધાનીમાં સીએમ હાઉસ કહી શકાય તેવું મકાન નથી. વર્ષો વીતવાની સાથે મુખ્યપ્રધાનોએ બેંગ્લુરુના મધ્ય ભાગમાં બ્રિટિશ યુગના કેટલાય બંગલાઓને પોતાના વસવાટનું સ્થળ બનાવી દીધા છે. તેનું કારણ તેનું વાસ્તુ અને અન્ય જ્યોતિષી માન્યતા છે. તેના લીધે હવે સ્થિતિ એવી આવી છે કે નવા સીએમ પાસે રહેઠાણનું કોઈ સ્થાન નથી, એમ સૂત્રોનું કહેવું છે. ચૂંટણી લડવા અંગે બીકેયુના જૂથે જનમંતવ્યો મંગાવ્યા ભારતીય કિસાન યુનિયન (બીકેયુ)ના ભુપિન્દરસિંઘ માનના જૂથની આગેવાની હેઠળના ખેડૂતોથું જૂથ કૃષિ કાયદાનો જોરશોરથી વિરોધ કરી રહ્યું છે. તેણે ટ્વિટર પર લોકોના મંતવ્યો મંગાવ્યા છે કે તેમણે લોકસભાની ચૂંટણી લડવી જોઈએ કે નહી. આ જૂથ મુખ્યત્વે પંજાબમાં સક્રિય છે. તેણએ જણાવ્યું હતું કે તેણે બીજી વખત આ રીતે મંતવ્યો મંગાવ્યા છે. અગાઉ ગયા વર્ષે ઓગસ્ટમાં કરાયેલા પોલમાં બે તૃતિયાંશ લોકોએ ચૂંટણીમાં ઝંપલાવવા જણાવ્યું હતું. પણ સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ) જે આ વિરોધ પ્રદર્શનનું એકછત્રીય સંગઠન છે તેણે જણાવ્યું હતું કે આ પ્લેટફોર્મ રાજકીય ન બનવું જોઈએ. પરંતુ તેણે જણાવ્યું હતું કે આગામી ચૂંટણીઓમાં ભાજપની સામે મતદાન કરવામાં આવે, જે કેન્દ્ર અને ઉત્તરપ્રદેશ બંનેમાં શાસન કરે છે. પશ્ચિમ બંગાળમાં અભિષેક આગામી મુખ્યપ્રધાન બની શકે પશ્ચિમ બંગાળના વર્તમાન મુખ્યપ્રધાન મમતા બેનરજી માટે ૯૦ દિવસથી પણ ઓછા સમયમાં વિધાનસભ્ય બનવું મુશ્કેલ છે. આ સ્થિતિમાં તે તેના હોદ્દા પરથી રાજીનામુ આપી શકે. આ સંજોગોમાં ટીએમસીના નેશનલ જનરલ સેક્રેટરી અભિષેક બેનરજી એકમાત્ર એવી વ્યક્તિ છે જેની મમતા બેનરજી રાજ્યના આગામી મુખ્યપ્રધાન તરીકે નિમણૂક કરી શકે, એમ ભાજપના વરિષ્ઠ નેતા અને લોકસભાના રાણાઘાટ ખાતેના સાંસદ જગન્નાથ સરકારે જણાવ્યું હતું. તેમણે સમજાવ્યું હતું કે જો મમતા આગામી ૯૦ દિવસમાં વિધાનસભ્ય ન બની શકે તો તેણે મુખ્યમંત્રી પદેથી બંધારણીય નિયમ મુજબ રાજીનામુ આપવું પડશે. કોઈપણ વ્યક્તિ ચૂંટાયા વગર વધુમાં વધુ છ મહિના સીએમ રહી શકે તેનાથી વધારે સમય નહી. પછી તેણે રાજીનામું આપવે પડે. - ઇન્દર સાહની

ગુજરાત સમાચાર 14 Aug 2021 7:05 am

કાર્યવાહી:કાસેઝમાં દુબઈથી આયાત થયેલો 160 ટન બેઝઓઈલનો શંકાસ્પદ જથ્થો સીઝ

DRI અને કસ્ટમનું સેઝમાં જોઈન્ટ ઓપરેશનઃ 8 ટેન્કરમાં 82 લાખના કાર્ગોને થોભાવ્યો, ખરેખર કિંમત કરોડોની હોવાની વકી,મીસ ડિક્લેર કરી ડિઝલ, કેરોસીન આયાત કર્યાનો શક, સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયાઃ એબી વેરહાઉસમાં સ્ટોરેજ, શીવા એન્ટરપ્રાઈઝ ઈમ્પોર્ટર

દિવ્ય ભાસ્કર 14 Aug 2021 5:45 am

દિલ્હીની વાત : ગડકરીની દરખાસ્તથી મોદી સરકાર મૂંઝવણમાં

નવીદિલ્હી : મોદી સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસે પડી રહેલાં વધારાનાં નાણાં હાઈવે સહિતના ઈન્ફ્રાસ્ટ્રક્ટર પ્રોજેક્ટ્સ માટે આપવાની માગણી કરીને મોદી સરકારને મૂંઝવણમાં મૂકી દીધી છે. ગડકરીની દલીલ છે કે, ઈન્ફ્રાસ્ટ્રક્ટર પ્રોજેક્ટ્સ માટે સસ્તા દરની લોન જરૂરી છે. માર્કેટમાં ઓછા વ્યાજે લોન મળવી શક્ય નથી ત્યારે રીઝર્વ બેંકના વધારાના ભંડોળનો ઉપયોગ કરવો જોઈએ. ગડકરીએ તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા માટે અલગ નાણાં સંસ્થા ઉભી કરવાની માગ પણ કરી છે. ઉર્જા ક્ષેત્ર માટે પાવર ફાયનાન્સ કોર્પોરેશન છે એ રીતે હાઈવે માટે પણ ફાયનાન્સ કોર્પોરેશન હોવું જોઈએ એવી ગડકરીની માગણી છે. મોદીને ગડકરીની દલીલ સાચી લાગે છે પણ મૂંજવણ એ વાતની છે કે, એક મંત્રાલયને રીઝર્વ પાસે પડી રહેલું વધારાનું ભંડોળ આપવાની મંજૂરી અપાશે તો બીજાં મંત્રાલય પણ એ માગણી કરશે. મોટા ભાગનાં મંત્રાલયો લોન પેટે મળેલી રકમ પાછી આપી શકતાં નથી તેથી રીઝર્વ બેંકનાં નાણાં ડૂબી જવાનો ખતરો છે. ભ્રષ્ટાચારીઓને બચાવવા પક્ષે પેનલ બનાવી ! એક અભૂતપૂર્વ ઘટનામાં તમિલનાડુમાં એઆઈએડીએમકેએ પોતાના નેતાઓને ભ્રષ્ટાચારના કેસોમાં કાનૂની મદદ કરવા છ વરિષ્ઠ નેતાની પેનલ બનાવી છે. પક્ષના પ્રવક્તા અને ભૂતપૂર્વ પ્રધાન ડી. જયકુમારના અધ્યક્ષપદે બનાવાયેલી આ પેનલ પક્ષના તમામ નેતાઓને કાનૂની મદદ કરશે. કોઈ રાજકીય પક્ષે ભ્રષ્ટાચારના કેસોમાં નેતાઓના બચાવ માટે ખાસ પેનલ બનાવી હોય એવું પહેલી વાર બન્યું છે. કોઈમ્બતુરના નેતા એસ.પી. વેલુમણીને ત્યાં દરોડા પડયા પછી પક્ષે આ નિર્ણય લીધો છે. એઆઈએડીએમકેનો દાવો છે કે, ડીએમકે સરકાર રાજકીય કિન્નાખોરી દાખવીને પક્ષના નેતાઓને નિશાન બનાવી રહી છે અને દરોડા પાડીને પરેશાન કરી રહી છે તેથી આ પગલું લેવું પડયું છે. બીજી તરફ ડીએમકેનો દાવો છે કે, આ પેનલ બનાવીને એઆઈએડીએમકેએ નફ્ફટાઈની તમામ હદો વટાવી દીધી છે. તેમના નેતાઓએ સત્તામાં હતા ત્યારે બેફામ ભ્રષ્ટાચાર કર્યો હતો તેનો આડકતરો સ્વીકાર પેનલ બનાવીને કરી લેવાયો હોવાનો દાવો પણ તેમણે કર્યો છે. ડીએમકેએ એઆઈએડીએમકેના નેતાઓના ભ્રષ્ટાચારના કેસો ચલાવવા ખાસ કોર્ટની રચનાનું એલાન પણ કર્યું છે. ભાજપમાં નવા લોકોને પ્રવેશ માટે સ્ક્રીનિંગ કમિટી ઉત્તર પ્રદેશમાં બસપાના ભૂતપૂર્વ ધારાસભ્ય જીતેન્દ્રસિંહ બબલુના મુદ્દે થયેલા આબરૂના ધજાગરાને પગલે ભાજપે સ્ક્રીનિંગ કમિટી બનાવવી પડી છે. પાંચ સભ્યોની આ કમિટી નવા લોકોને પક્ષમાં લેતાં પહેલાં તેમના ભૂતકાળ અને વિશ્વસનિયતાની ચકાસણી કરશે. હાઈકમાન્ડને તેનો રીપોર્ટ મોકલશે અને હાઈકમાન્ડ મંજૂરી આપે પછી જ પક્ષમાં પ્રવેશ અપાશે. આ સ્ક્રીનિંગ કમિટીના વડા તરીકે યુપી ભાજપના સંગઠન મહામંત્રી સુનિલ બંસલ હોવાનું કહેવાય છે. બાકીના ચાર સભ્યોનાં નામ પણ બે-ચાર દિવસમાં નક્કી કરી દેવાશે. ભાજપે યુપી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બબલુને પક્ષમાં પ્રવેશ આપી દેતાં સાંસદ રીટા બહુગુણ જોશી ભડકી ગયાં હતાં. બબલુ સામે જોશીના ઘરને આગ લગાવવાનો કેસ નોંધાયો હતો અને આ કેસમાં તેની ધરપકડ પણ થઈ હતી. જોશીએ આ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી. ભાજપના ઘણા ટોચના નેતાઓએ જોશીની વાતમાં સૂર પુરાવતાં હાઈકમાન્ડે બબલુનું સભ્યપદ છ દિવસમાં જ રદ કરી દીધું હતું. હવે ફરી આ સ્થિતી ના સર્જાય એટલે ભાજપે ફૂંકી ફૂંકીને આગળ વધવાનું નક્કી કર્યું છે. મમતા પછી માયાવતી પણ ભત્રીજાવાદને રસ્તે મમતા બેનરજીએ પોતાના ભત્રીજા અભિષેક બેનરજીને રાજકીય વારસ તરીકે આગળ કરવા માંડયો છે. બસપાનાં માયાવતી પણ એ જ રસ્તે જઈ રહ્યાં છે અને પોતાના ભત્રીજા આકાશ આનંદને રાજકીય વારસ તરીકે આગળ કરવા માંડયાં છે. અક્ષય આનંદ હાલમાં બસપાના કો-ઓર્ડિનેટર છે અને બસપાના નેતાઓએ માયાવતી સાથે વાત કરવી હોય તો પહેલાં આકાશનો સંપર્ક કરવો પડે છે. બસપામાં માયાવતી પછી સૌથી શક્તિશાળી નેતા મનાતા સતિષચંદ્ર મિશ્રાએ પણ અક્ષય આનંદનો દબદબો વધી રહ્યો હોવાની કબૂલાત કરી છે. મિશ્રાએ કબૂલ્યું કે, આનંદ અક્ષય જ બસપાના નેતાઓ સાથે બેઠકો કરે છે અને મહત્વના નિર્ણયો લે છે. મિશ્રાનો દાવો છે કે, યુપીના યુવાનો અત્યારે અક્ષય સાથે પણ એ માયવતીના ભત્રીજા હોવાના કારણે મહત્વ અપાય છે એ વાત ખોટી છે. સૂત્રોનો દાવો છે કે, માયાવતીએ અક્ષયને વિધાનસભાની ચૂંટણીમાં ઉતારવાનું પણ નક્કી કરી દીધું છે. માયાવતીએ સતિષ ચંદ્ર મિશ્રા સહિતના નેતાઓને અક્ષય માટે એકદમ સલામત બેઠક નક્કી કરવા કહી દીધું છે. રાહુલની કૂચથી વિપક્ષી એકતામાં ભંગાણ સંસદનું સત્ર બે દિવસ વહેલું સમાપ્ત કરવાના વિરોધમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં યોજાયેલી સંસદ કૂચમાં તૃણમૂલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ના જોડાયાં. એટલું જ નહીં પણ બંનેએ આ કૂચના મુદ્દે નારાજગી પણ વ્યક્ત કરી તેના કારણે વિપક્ષી એકતામાં અત્યારથી જ પંક્ચર પડી ગયું હોવાની ચર્ચા છે. રાહુલે તૃણમૂલના કોઈ નેતાને ફોન કરીને કૂચમાં જોડાવા કહ્યું નહોતું તેથી તૃણમૂલ કૂચથી દૂર રહી હોવાનું કહેવાય છે. તૃણમૂલ કોંગ્રેસે કહ્યું કે, વિપક્ષી એકતા બતાવવાનો પણ રસ્તો હોય ને આ રીતે કૂચ કાઢવી એ રસ્તો નથી. બંગાળમાં તૃણમૂલે એકલા હાથે ભાજપને હરાવીને સરકાર બનાવી છે એ કોઈએ ન ભૂલવું જોઈએ અને તૃણમૂલને ટેકન ફોર ગ્રાન્ટેડ ગણી લેવાય એ નહીં ચલાવી લેવાય. રાહુલે કૂચ પહેલાં બોલાવેલી બેઠકમાં આમ આદમી પાર્ટીએ હાજરી આપી હતી પણ કૂચમાં આપ તરફથી કોઈ ના આવ્યું. આપના સંજયસિંહે કહ્યું કે, આપ સંસદમાં વિપક્ષી એકતાના સમર્થનમાં છે પણ સંસદ બહાર વિરોધનો કાર્યક્રમ કોંગ્રેસે આપેલો તેથી અમે નથી જોડાયા. નવિને નીતિશની માગમાં સૂર પૂરાવતા કેન્દ્ર દબાણમાં નીતિશ કુમારની જ્ઞાાતિ આધારિત વસતી ગણતરીની માગમાં હવે નવિન પટનાઈક પણ જોડાતાં મોદી સરકાર પર દબાણ વધ્યું છે. નવિનની બીજુ જનતા દળના સાંસદોએ અમિત શાહને મળીને જ્ઞાાતિ આધારિત મત ગણતરી માટે આવેદનપત્ર આપ્યું. સાંસદોએ રજૂઆત કરી કે, સામાજિક અને આર્થિક રીતે પછાત જ્ઞાાતિઓનાં લોકોની વસતી અંગે ચોક્કસ ડેટા ઉપલબ્ધ નથી તેના કારણે આ સમુદાયનાં લોકોના વિકાસ માટેની ખાસ યોજનાઓ બનાવી શકાતી નથી. પરિણામે સંખ્યાબંધ સરકારી યોજનાઓ હોવા છતાં તેનો લાભ તેમને મળતો નથી. આ સાંસદોએ અનામતનું પ્રમાણ ૫૦ ટકાથી વધારવા માટે કાયદો ઘડવા પણ રજૂઆત કરી છે. વિશ્લેષકોના મતે, મોદી સરકારે મરાઠા અનામત મુદ્દે પોતાની ચામડી બચાવવા માટે ઓબીસી અનામતની યાદીમાં નવી જ્ઞાાતિઓનો ઉમેરો કરવાનો અધિકાર રાજ્યોને આપ્યો તેની આ અસર છે. હવે દરેક પક્ષ જ્ઞાાતિ આધારિત વસતી ગણતરી માટે દબાણ કરશે. તેના આધારે નવી જ્ઞાાતિઓનો ઓબીસી લિસ્ટમાં સમાવેશ કરીને ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં અને પોતાના રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં ફાયદો ઉઠાવવાની સૌની ગણતરી છે. *** વિપક્ષની એક્તાઃ બધાની નજર સોનિયાના ડિનર પર કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધી વિપક્ષના નેતાઓ સાથે ડિનર યોજે તેવી સંભાવના છે. આ અંગેની તારીખ હજી સુધી નક્કી થઈ નથી, પણ તેનો આધાર દિલ્હીમાં નેતાઓની ઉપલબ્ધતા પર છે. જો કે તે વિપક્ષના નેતાઓ સાથે ૨૦મી ઓગસ્ટે વર્ચ્યુઅલ મીટિંગ યોજશે. સીપીએમના વરિષ્ઠ નેતા આ બેઠકને સફળ બનાવવા કામ કરી રહ્યા છે. સોનિયા ગાંધીની પહેલ સૂચવે છે કે ભાજપની સામે ૨૦૨૪ની ચૂંટણીમાં ટકરાવવા માટે વિપક્ષની એક્તામાં કોંગ્રેસ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. આ હિલચાલ ત્યારે થઈ છે જ્યારે સંસદનું ચોમાસુ સત્ર નિયમિત શેડયુલ કરતા બે દિવસ અગાઉ વિવાદો સાથે પૂરુ થયું છે. લાંબા સમયથી સંસદીય કાર્યવાહી અને જાહેર જનજીવનથી દૂર રહેલા સોનિયા ગાંધીએ મંગળવાર અને બુધવારે ગૃહની કાર્યવાહીમાં હાજરી આપી હતી. રાહુલ ગાંધીની નેતાગીરી સામે શંકા સેવાઈ રહી છે ત્યારે સવાલ એ ઉઠે છે કે કોંગ્રેસ ખરેખર વિપક્ષની એક્તાની આગેવાની કરવા માટે સમર્થ છે. તાજેતરમાં જ જી-૨૩ નેતામાં એક કોંગ્રેસના કપિલ સિબલે યોજેલી બેઠકમાં વિપક્ષના મોટાભાગના સભ્યોએ હાજરી આપી હતી. સિબલની બેઠકને વિપક્ષમાં રાહુલ ગાંધીની બેઠક કરતા વ્યાપક માન્યતા મળતા કેટલાય લોકોના ભવા વંકાયા હતા. મોદી-સોનિયાએ એકબીજાનું અભિવાદન કર્યુ પરંતુ વાતચીત ન કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સોનિયા ગાંધી અને બીજા નેતાઓ લોકસભાના સ્પીકરની ચેમ્બરમાં મળ્યા હતા. બે વર્ષમાં તેમની આ પ્રથમ બેઠક હતી. તેઓએ અકબીજાનું અભિવાદન કર્યુ હતું, પરંતુ વીસ મિનિટ ચાલેલી બેઠક દરમિયાન કોઈપણ પ્રકારની વાતચીત કરવાનું ટાળ્યું હતું, એમ આ બેઠકમાં આવેલા બે નેતાઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું. સચીન ભવિષ્યમાં ભાજપમાં જોડાશે ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ એ પી અબ્દુલ કુટ્ટીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના સચીન પાયલોટ સારા નેતા છે અને તે માને છે કે તેો ભવિષ્યમાં ભાજપ જોડાઈ જશે. આ અટકળોએ ત્યારે વેગ પકડયો હતો જ્યારે ગયા વર્ષે મુખ્યપ્રધાન અશોક ગેહલોત સામે તેમણે અને તેમના વફાદારોએ બળવો ફૂંક્યો હતો. જો કે પાયલોટે જણાવ્યું હતું કે તે ભાજપ સાથે નહી જોડાય. તેઓ આકરી મહેનત કરી રાજસ્થાનમાં પક્ષને ફરીથી સત્તા અપાવશે. તાજેતરમાં કોંગ્રેસના નેતાઓ અને એઆઇસીસીના જનરલ સેક્રેટરી અજય માકેને રાજસ્થાનમાં લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે કેબિનેટ ફેરફાર પર ચર્ચા કરી હતી. પાયલોટ કેમ્પના અસંતોષના અહેવાલના પગલે રાજસ્થાનમાં કેબિનેટ વિસ્તરણ અને રાજકીય નિમણૂકોની માંગે વેગ પકડયો હતો. ગયા મહિને પાયલોટે નિર્દેશ આપ્યો હતો કે કોંગ્રેસે તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર યોગ્ય પગલાં લેવા જોઈએ. પરંતુ સૂત્રોનું કહેવું છે કે આ મુદ્દે ખાસ પ્રગતિ થઈ નથી. પોસ્ટર વિવાદઃ તેજપ્રતાપની પત્રકારોને કેસ કરવાની ધમકી તેજપ્રતાપ યાદવે પટણામાં રવિવારે આરજેડીના સ્ટુડન્ટ વિંગની બેઠક યોજી હતી. આરજેડીના પટણા ખાતેના મુખ્યમથક પર કેટલાક મોટા બેનરોે અને પોસ્ટરો મૂકવામાં આવ્યા હતા. તેમા આરજેડીના સુપ્રીમો લાલુપ્રસાદ યાદવ, ભૂતપૂર્વ મુખ્યપ્રધાન રબડી દેવી અને પક્ષના નેતા તેજપ્રતાપ યાદવના ફોટા હતા. પણ નાના ભાઈ તેજસ્વી યાદવના ફોટા ન હતા. તેના પગલે બિહારના રાજકીય વાતાવરણ ગરમાયુ હતુ તેની સાથે બંને ભાઇઓ વચ્ચે પક્ષમાં પ્રભુત્વ સ્થાપવા માટે જંગ ખેલાઈ રહ્યો હોવાનું કહેવાવા માંડયુ છે. તેજપ્રતાપે આ વિવાદને ચગાવનારા પત્રકારો સામે એફઆઇઆર દાખલ કરવાની અને કોર્ટ કેસ કરવાની ધમકી આપી છે. તેજપ્રતાપે જણાવ્યું હતું કે વિરોધીઓને લાગ્યું છે કે ભાઈ તેજ અને તેજસ્વી બિહારમાં પક્ષને સફળ બનાવવામાં જરા પણ કચાશ નહી રાખ, તેના પગલે તેઓ અફવા ફેલાવી રહ્યા છે. ટ્વિટરે પાંચ સિનિયર નેતાઓના હેન્ડલ બ્લોક કર્યાનો કોંગ્રેસનો આક્ષેપ રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ક કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યું તેના પછી કોંગ્રેસે બુધવારે દાવો કર્યો હતો કે તેના બીજા પાંચ વરિષ્ઠ નેતાઓનું ટ્વિટર એકાઉન્ટ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. તેમા મીડિયા હેડ રણદીપ સુરજેવાલાનો પણ સમાવેશ થાય છે. એઆઇસીસીના જનરલ સેક્રેટરી અને ભૂતપૂર્વ પ્રધાન અજય માકન અને લોકસભામાં પક્ષના વ્હીપ માણિકમ ટાગોર, આસામના ઇન-ચાર્જ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર પ્રસાદસિંઘ અને મહિલા કોંગ્રેસના પ્રમુખ સુષ્મિતા દેવનું ટ્વિટર એકાઉન્ટ લોક થઈ ગયું હોવાનું પક્ષે જણાવ્યું હતું. - ઇન્દર સાહની

ગુજરાત સમાચાર 13 Aug 2021 7:05 am

પીએમ મોદીના સંબોધનમાં ઇનોવેશન,ઓલમ્પિક,ઓબીસીના મુદ્દા સમાવશે

- 15 ઓગસ્ટ સંબોધન માટેના લાખો સજેશનો - પ્રસંગપટ - દરેક ઇચ્છે છે કે વડાપ્રધાન દેશને તૂટતો જોવાની ઇચ્છા રાખનારાઓને સીધેસીધા જ હડફેટે લે ૧૫ ઓગસ્ટ માટેનું વડાપ્રધાનનું ભાષણ આજે રાત્રે એટલેકે શુક્રવારે રાત્રે તૈયાર થશે. ભાષણમાં ક્યા મુદ્દા આવરી લેવા તે માટે પ્રજા પાસે મંગાવેલા ઓપિનીયન-સજેશનના વિષય પ્રમાણેની એક શીટ બનાવાશે અને તે મુદ્દા ધ્યાનમાં લેવાશે. કેટલાક મુદ્દા કોમન હશે પરંતુ કેટલાક મુદ્દા ઇનોવેટીવ હશે. આવા મુદ્દા પરથી ભાષણના મુદ્દા તૈયાર થશે. વડાપ્રધાન મોદીએ તાજેતરમાં પ્રધાન મંડળનું વિસ્તરણ કર્યું ત્યારે સમાજના પછાત વર્ગને પ્રભુત્વ આપ્યું હતું. વડાપ્રધાનના કોઇ પણ પગલાંને ચૂંટણી લક્ષી હોવાના ચશ્મા પહેરીને ફરતા વિરોધીઓ માટે આશ્ચર્યની વાત એ છે કે ભાષણના મુદ્દા માટે લોકોના ઓપિનીયન મંગાવાયા છે. ૨૩ વર્ષના નીરજે ભારતમાં નવી લહેરખી ઉભી કરી છે. એક ગોલ્ડ મેળવીને આખું ભારત ઝુમી ઉઠયું છે તો અમેરિકા (૩૯) અને ચીન (૩૮) જેટલા ગોલ્ડ મેડલો મળે તો શું થાય? ઓલિમ્પક મેડલ મેળવવાની ભારતની ક્ષમતા છે પરંતુ તે માટેની તૈયારીની ઉણપ છે જેવા અનેક મુદ્દા ચર્ચાઇ રહ્યા છે. લોકોના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણવા મંગાવેલા સજેશનો લાખોની સંખ્યામાં છે. દરેક મુદ્દાનું પહેલાં સ્ક્રીનીંગ કરાતું હોય છે. તેનાથી લોકોના મનમાં શું ચાલી રહ્યું છે તે પણ જાણવા મળે છે. દરેક કંઇક કહેવા માંગે છે. દરેકના પોતાના આઇડયા હોય છે. સ્કુલમાં નિબંઘ પૂછાતોે હતો કે હું વડાપ્રધાન હોઉં તો..વિધ્યાર્થીઓ માટે આવા નિબંધો આસાન ગણાતા હતા. કમકે તેમાં દેશ સુધારણાની વાતોથી માંડીને રોજીંદી સમસ્યા સમાવાતી હતી. જેમ અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાઇરસરને ચીની વારિસ કે વુહાન વાઇરસ કહીને ચીનની ટીકા કરતા હતા એમ ભારતના નેતાઓ હવે તેમના ભાષણમાં કે વારે તહેવારે ભાષણ આપવાનો પ્રસંંગ આવે ત્યારે પાડોશી દેશ કહેવાના બદલે પાકિસ્તાન કહે છે. ગૃહપ્રધાન અમિત શાહ એવા નેતા છે કે જે મુસ્લિમ શબ્દનો ઉપયોગ જાહેરમાં કરે છે. મોદી સરકારના કેટલાક રત્નો જાહેરમાં રાષ્ટ્રભાવના વ્યક્ત કરતા ક્યારેય ખચકાતા નથી. સંસદમાં ભારતના નેતાઓ વટથી કહે છેે કે પીઓકે ભારતનું છે અને તેની સાથે જોડાયેલી અફધાનિસ્તાનની સરહદના કારણે અફધાનિસ્તાન ભારતનો પાડોશી દેશ છે. ભારતના પાડોશી દેશો ખાસ કરીને ચીન હવે ફૂંફાડા મારતું બંધ થયું છે. પાકિસ્તાનને ભારતે વૌશ્વિક તખ્તા પર એટલું બદનામ કર્યું છે કે તેના પર ત્રાસવાદ ફેેલાવતા દેશ તરીકેનું લેબલ વાગી ગયું છે. પાકિસ્તાન વારંવાર કહે છે કે કેટલાક દેશો અમારૂં અપમાન કરે છે તેની પાછળ ભારતના શાસકો રહેલા છે. ઓબીસીને અનામતનો મુદ્દો પણ સમાવાશે એમ લાગે છે. મોદી સરકાર સામે વિરોધ પક્ષો એક થવા મથી રહ્યા છે પરંતુ તેમનામાં ધીરજનો અભાવ જોવા મળે છે. આ વખતે વડાપ્રધાન સૌથી વધુ મુદ્દા ઓલમ્પિક રમીને આવેલા અને મેડલ લઇને આવેલા યુવાનોને અર્પણ કરશે. ભારત આગામી ઓલમ્પિક માટે અત્યારથીજ તૈયારી કરે તે માટેનું આયોજન કરવા પણ તે જણાવશે. રંમત ગમતના ક્ષેત્રે ભારત કેવી રીતે આગળ આવી શકે તેનો પ્લાન પણ મુકાશે.ઓલમ્પિકમાં ભાગ લેવા ગયેલા તમામને પરેડમાં આમંત્રણ અપાયું છે. આ ખેલાડીઓને જોવાને લ્હાવો અને તેમની પ્રશંસા થતી પણ જોવા મળશે. વડા પ્રધાન મોદીના ભાષણમાં એવા મુદ્દા અપનાવાશે કે જે દરેકના મનની વાત કહેતા હોય. કેટલાક મુદ્દે ખાસ કરીને પાકિસ્તાનની અવળચંડાઇ, પાકિસ્તાનમાંના લઘુમતી હિન્દુઓને હેરાનગતિ, મંદિરો પર હુમલો વગેરે બહુ સંવેદનશીલ વાતો બાબતે લોકો વડાપ્રધાનનો ઓપિનિયન ઇચ્છતા હોય એમ લાગે છે. લોકોના સજેશન આધારીત સંબોધન હોય તે સાંભળવાનું લોકોને ગમેતે સ્વભાવિક છે. ભારત સામે અનેક સળગતી સમસ્યાઓ છે. લોકોને વડાપ્રધાન પાસેથી કેટલાક મુદ્દે આકરાં સંબોધનની અપેક્ષા છે. વડાપ્રધાન દરેકને સાથે રાખીને ચાલવા માંગતા હોઇ બહુ બોલ્ડ નહીં બને પરંતુ પાકિસ્તાનની ઝાટકણી કાઢીને અફધાનિસ્તામાં ચાલતા હિંસાચારનો ઉલ્લેખ કરશે. ભારતની સહન શક્તિ વિષે પણ તે બોલશે. વડાપ્રધાન ૧૫ ઓગસ્ટના સંબોધનમાં ભાગ્યેજ દેશની ઘટનાઓનો ઉલ્લેખ કરશે પરંતુ સંસદનું છેલ્લું સત્ર વિરોધ પક્ષોના સતત વિરોધના કારણે ફ્લોપ ગયું છે તે શરમજનક કહી શકાય. એમ લાગે છે કે સંસદના અપમાનનો આ કિસ્સો પણ વડાપ્રધાન તેમના સંબોધનમાં સમાવશે. લોકોને સ્પર્શતા અનેક વિષયો છે. દરેક ઇચ્છે છે કે વડાપ્રધાન દેશને તૂટતો જોવાની ઇચ્છા રાખનારાઓને સીધે સીધાજ હડફેટે લે અને દેશની પ્રગતિની આડે ના આવે એવો સંકેત આપે.

ગુજરાત સમાચાર 13 Aug 2021 4:45 am

દિલ્હીની વાત : મોદી-સોનિયા પાસપાસે બેઠાં, તબિયતના હાલચાલ પૂછયા

નવીદિલ્હી : સંસદનું સત્ર બે દિવસ વહેલું સમાપ્ત કરી દેવાયું એ પછી લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પોતાની ચેમ્બરમાં બોલાવેલી બેઠકમાં નરેન્દ્ર મોદી અને સોનિયા ગાંધી પાસપાસે બેઠાં હોય એવું અનોખું દ્રશ્ય જોવા મળ્યું. મોદી અને બિરલા એક સોફા પર બેઠા હતા જ્યારે બીજા સોફા પર સોનિયા અને લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી બેઠા હતા. સંસદનું સત્ર સમાપ્ત થાય પછી સ્પીકર દ્વારા બેઠક બોલાવવાની પરંપરા છે. સૂત્રોનો દાવો છે કે, મોદી પહેલાં આવી ગયાં હતાં જ્યારે સોનિયા પછી આવ્યાં હતાં. મોદીએ આગ્રહ કરીને સોનિયાને પાસેના સોફા પર બેસવા કહ્યું હતું. અમિત શાહ સહિતના અન્ય નેતા સામે ખુરશી પર બેઠા હતા. મોદીએ સોનિયાનું હાથ જોડીને અભિવાદન કરીને તેમની તબિયતના હાલચાલ પણ પૂછયા હતા. સ્પીકરે બોલાવેલી બેઠકમાં લોકસભાથી અલગ દ્રશ્ય જોવા મળ્યું હતું. લોકસભામાં દરરોજ સામસામે લડતા નેતા આ બેઠકમાં શાંતિથી બેઠા હતા. તમામ પ્રકારની ઉગ્રતા છોડીને એકબીજાના ખબરઅંતર પૂછીને તેમણે મજાકમસ્તી પણ કરી લીધી હતી. ભાગવતનું નિવેદન વાયરલ, સંઘે સ્પષ્ટતા કરવી પડી ભાજપ ઉત્તર પ્રદેશની ચૂંટણી જીતવા પૂરી તાકાત લગાવી રહ્યો છે ત્યારે ભાજપની પિતૃ સંસ્થા રાષ્ટ્રીય સ્વંયસંવેક સંઘના સહ-સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ સ્પષ્ટતા કરી છે કે, સંઘ અનામતની વિરૂધ્ધ નથી પણ અનામત પ્રથાનું પૂરી તાકાતથી સમર્થન કરે છે. હોસબોલેએ કહ્યું કે, સમાજનો એક વર્ગ જ્યાં સુધી અસમાનતાનો અનુભવ કરતો હોય ત્યાં સુધી અનામત પ્રથા ચાલુ રાખવી જોઈએ. સંઘે અચાનક અનામત પ્રથાની તરફેણ કરી તેનું મોહન ભાગવતનું જૂનું નિવેદન છે. ભાગવતે ૨૦૧૫ની બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં કહેલું કે, અનામત નીતિની સમીક્ષા થવી જોઈએ. આ નિવેદનના કારણે ભારે હોહા થઈ ગઈ હતી અને ભાજપની કારમી હાર થઈ હતી. ભાગવતનું નિવેદન વાયરલ કરાઈને પ્રચાર કરાઈ રહ્યો છે કે ભાજપ અને સંઘ તો અનામત પ્રથા નાબૂદ કરી નાંખવા માગે છે. સમાજવાદી પાર્ટીએ તો એવો પ્રચાર શરૂ કર્યો છે કે, યુપીમાં યોગી સરકાર યાદવ, ગુર્જર અને કુર્મીઓને ઓબીસી લિસ્ટમાંથી કાઢી નાંખશે. આ પ્રચારની અસર ચૂંટણી પર ના પડે એટલે સંઘે સ્પષ્ટતા કરવી પડી છે. નીતિશે ભાજપથી છૂટા પડવાનો તખ્તો ઘડયો ? જ્ઞાાતિ આધારિત વસતી ગણતરીના મુદ્દે આક્રમક વલણ અપનાવીને નીતિશ કુમાર ભાજપથી છેડો ફાડવાનો તખ્તો તૈયાર કરી રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. સૂત્રોનો તો એવો પણ દાવો છે કે, નીતિશ ફરી લાલુ પ્રસાદ સાથે હાથ મિલાવી લેશે. નીતિશે પોતાના સાંસદોને મોકલીને અમિત શાહ સમક્ષ સ્પષ્ટ કર્યું છે કે, જ્ઞાાતિ આધારિત ગણતરીની જેડીયુની માગ જૂની છે અને ભાજપ આ માગ નહીં સ્વીકારે તો જેડીયુએ ભાજપ સાથેના જોડાણ અંગે ફેરવિચારણા કરવી પડશે. શાહે મોદી સમક્ષ રજૂઆત કરવાની ખાતરી આપીને જેડીયુ સાંસદોને શાંત પાડયા હતા પણ મોદી કોઈ પણ સંજોગોમાં આ માગણી સ્વીકારવા તૈયાર નથી તેથી નીતિશ ખપા છે. સૂત્રોનો દાવો છે કે, બિહાર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો પછી જેડીયુમાં એવી લાગણી છે કે, ભાજપ જેડીયુના ભોગે તાકાતવર બની રહ્યો છે. જેડીયુ લાંબો સમય ભાજપ સાથે રહેશે તો ખતમ થઈ જશે. નીતિશના ગળે આ વાત ઉતરી હતી પણ નીતિશ તકની રાહ જોઈ રહ્યા હતા ને હવે એ તક મળી છે. સિબ્બલની બર્થડે પાર્ટીમાં પ્રિયંકા-રાહુલ નહીં રાજકીય વર્તુળોમાં કપિલ સિબ્બલની બર્થ ડે પાર્ટીની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. સિબ્બલની બર્થ ડે પાર્ટીમાં વિપક્ષના ટોચના નેતાઓ હાજર હતા પણ નહેરૂ-ગાંધી ખાનદાનમાંથી કોઈ હાજર નહોતું. સૂત્રોનું કહેવું છે કે, સિબ્બલે જાણી જોઈને પાર્ટી માટે એવો દિવસ પસંદ કર્યો કે જેથી નહેરૂ-ગાંધી ખાનદાનની કોઈ વ્યક્તિ હાજર ના રહી શકે. સોનિયા ગાંધી બિમાર રહે છે તેથી એ નહોતાં આવવાનાં પણ સિબ્બલના બર્થ ડે પર એટલે કે ૮ ઓગસ્ટે રાહુલ અને પ્રિયંકા ગાંધી દિલ્હીમાં જ હતાં તેથી સિબ્બલે એ દિવસે પાર્ટી ના રાખી. પ્રિયંકા બીજા દિવસે વિદેશ જવા રવાના થયાં ને રાહુલ ૧૦ ઓગસ્ટે કાશ્મીર ગયા એ દિવસે જ સિબ્બલે પાર્ટી રાખી કે જેથી કોઈ હાજર ના રહી શકે. સિબ્બલના ભાજપમાં પણ ઘણા મિત્રો છે પણ સિબ્બલે કોઈને પાર્ટીમાં નહોતા બોલાવ્યા. તેના કારણે એવી ચર્ચા ચાલી રહી છે કે, બર્થડેના બહાને સિબ્બલ કોંગ્રેસ અને ભાજપ વિરોધી મોરચાની હિલચાલ તો નથી કરી રહ્યા ? ઓબીસી અનામત મુદ્દે યાદવની આકરી ટીકા મોદી સરકારના મંત્રી ભૂપેન્દ્ર યાદવે ઓબીસીને અનામતનો લાભ ભાજપને કારણે મળ્યો એવી કોમેન્ટ કરી તેના પગલે સોશિયલ મીડિયા પર સૌ તૂટી પડયાં છે. ભાજપે ઓબીસીને અનામત આપનારી સરકારને ગબડાવી દીધી હતી એ પણ યાદ કરો એવી કોમેન્ટ લોકો કરી રહ્યાં છે. યાદવે કહેલું કે, કોંગ્રેસે ૪૦ વર્ષ સુધી ઓબીસીને અનામતનો લાભ નહોતો આપ્યો અને ભાજપના ટેકાથી બનેલી સરકારના કારણે છેવટે ઓબીસીને અનામતનો લાભ મળ્યો. વી.પી. સિંહે ૧૯૯૦માં મંડલ પંચની ભલામણોનો અમલ કરવાની જાહેરાત કરી હતી તેના સંદર્ભમાં આ યાદવે આ કોમેન્ટ કરી હતી. વી.પીના આ મંડલ કાર્ડ સામે ભાજપે કમંડળ કાર્ડ ખેલીને સોમનાથથી અયોધ્યાની રથયાત્રા કાઢી હતી. રથયાત્રા દરમિયાન લાલુ પ્રસાદે અડવાણીની ધરપકડ કરતાં ભાજપે વી.પી. સરકારને ટેકો પાછો ખેંચી લીધો હતો. લોકો એવી પણ કોમેન્ટ કરી રહ્યાં છે કે, ભાજપના નેતા તો એક સમયે અનામત નાબૂદ કરી દેવાની વાતો કરતા હતા. હવે અનામત માટે જશ ખાટવા નિકળ્યા છો. કોંગ્રેસની ચૂંટણી સમિતીમાં હારેલા નેતાઓની ભરમાર ઉત્તર પ્રદેશ માટે સોનિયા ગાંધીએ બનાવેલી ચૂંટણી સમિતી સામે કોંગ્રેસમાં જ ગણગણાટ શરૂ થઈ ગયો છે. સોનિયાએ સમિતીમાં ૩૮ સભ્યો ભરી દીધા છે તેના કારણે ઝાઝા રસોઈયા રસોઈ બગાડે જેવો ઘાટ થશે એવી ટીકા થઈ રહી છે. આ ઉપરાંત કમિટીમાં બહુમતી સભ્યો જૂના જોગીઓ છે. યુપીમાં કોંગ્રેસની કમાન પ્રિયંકા ગાંધીના હાથમાં છે તેના કારણે યુવા નેતાઓને વધારે તક મળશે એવી શક્યતા હતી પણ આ શક્યતા ઠગારી નિવડી છે. સલમાન ખુરશીદ, રાજીવ શુકલા, નિર્મલ ખત્રી, પી.એલ. પુનિયા, વિવેક બંસલ, રાશિદ અલવી, બેગમ નૂરબાનો, આર.પી.એન. સિંહ વગેરે જૂના નેતાઓને સોનિયાએ ચૂંટણી સમિતીમાં ભરી દીધા છે. આ નેતાઓ પોતે જ લોકસભા ને વિધાનસભાની ચૂંટણીમાં જીતી શકતા નથી ત્યારે કોંગ્રેસને શું જીતાડી શકશે એવી ટીકા થઈ રહી છે. પ્રિયંકાની નજીકના નેતાઓનું કહેવું છે કે, જૂના નેતાઓની ચૂંટણી સમિતી શોભાના ગાંઠિયા જેવી છે કેમ કે ઉમેદવારોની પસંદગી પ્રિયંકા જ કરશે. પ્રિયંકા નવા અને યુવા ઉમેદવારોને જ તક આપશે તેથી કોંગ્રેસ સારો દેખાવ કરશે. *** સિધુએ પ્રદેશ પ્રમુખ બન્યા પછી પણ કેપ્ટનની ટીકા જારી રાખી કેપ્ટન અમરિન્દર અને સિધુ વચ્ચે બધુ સમુસૂતરુ થઈ ગયું હોવાનું મનાતું હતું, પરંતુ હજી પણ તેવું નથી. કેપ્ટન તેમની મરજી વિરુદ્ધ સિદ્ધુને પ્રમુખ બનાવાયા પછી કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને મળ્યા હતા. સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે પક્ષ અને સરકારે જોડે રહીને તાલમેળપૂર્વક કામ કરવું જોઈએ. તેમણે સિદ્ધુ અને અમરિન્દર વચ્ચેના તાલમેળની જવાબદારી એઆઇસીસીના જનરલ સેક્રેટરી અને પંજાબના ઇનચાર્જ હરીશ રાવતને સોંપી હતી. પણ અહેવાલો જે રીતના મળી રહ્યા છે તે મુજબ સ્થિતિ સાવ ઉલટી છે. પીસીસીના વડા બન્યા પછી પણ સિધુએ અમરિન્દરસિંઘની સરકારની ટીકા કરવાનું જારી રાખ્યું છે. તેમણે સરકારની વીજ ખરીદીની નીતિની ટીકા કરી છે અને તેને લોકવિરોધી ગણાવી છે. આ ઉપરાંત તેમણે કોટકપુરા ફાયરિંગના બનાવમાં જવાબદારીઓનક્કી ન કરવા બદલ કેપ્ટન અમરિન્દરની આકરી ટીકા કરી છે. તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે સરકારમાં માફિયા રાજ ચાલે છે. આમ સિધુ પોતાની જ સરકારની આકરી ઝાટકણી કાઢતા રહ્યા છે. રાજ્યના મુખ્ય વિપક્ષ આ તાલ જોઈ રહ્યા છે. તેઓનું કહેવું છે કે શાસક પક્ષના પોતાના જ પ્રમુખ જો વિપક્ષની કામગીરી બજાવી રહ્યા હોય તો તેમને સરકારની કામગીરીના નિરીક્ષક બનવાની કોઈ જરુર રહી નથી. બ્રેકફાસ્ટ અને ડિનર મીટિંગથી રાજકીય વર્તુળોમાં ગણગણાટ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ચોથી ઓગસ્ટે વિપક્ષ માટે બ્રેકફાસ્ટ મીટિંગનું આયોજન કર્યુ હતુ. તેના પછી ૯મી ઓગસ્ટે કોંગ્રેસના જ નેતા કપિલ સિબલે વિપક્ષના નેતાઓ માટે ડિનર મીટિંગ યોજી હતી. પરંતુ સિબલના ડિનરમાં મોટા માથાઓની હાજરીના લીધે રાજકીય વર્તુળોમાં ગણગણાટ વધવા માંડયો છે. તેના કારણો છે. એનસીપીના નેતા શરદ પવારે અને તેમની પુત્રી સુપ્રિયા સુળેએ રાહુલની બ્રેકફાસ્ટ મીટિંગમાં હાજરી આપી ન હતી અને પ્રફુલ પટેલે તેમનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ. પરંતુ સિબલના ડિનરમાં પવારે હાજરી આપી હતી. સૂત્રોનું કહેવું છે કે ચૂંટણી વ્યૂહકાર પ્રશાંત કિશોર પવારને આગામી રાષ્ટ્રપતિ બનાવવા લોબીઇંગ કરી રહ્યા છે. સિબલના ડિનરમાં ૨૦૨૪ના એજન્ડા પર ચર્ચા થઈ હતી. પવારે ૨૦૨૪ની ચૂંટણીની આસપાસ વ્યૂહરચના નક્કી કરવા કિશોર સાથે ચર્ચા કરી હતી. સૌથી મહત્ત્વની વાત એ છે કે સિબલ ગુ્રપ ૨૩ સાથે સંલગ્ન છે. આ જૂથના કેટલાક નેતાઓ પણ હાજર હતા. આ ઉપરાંત બીજેડી અને વાયએસઆર પણ હાજર હતા. આ બંને પક્ષો વિપક્ષની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી નથી. સિબલે જણાવ્યું છે કે તેમના રાજશેખર રેડ્ડી (જગન રેડ્ડીના પિતા) સાથે વ્યક્તિગત સંબધ છે. બીજેડી અંગે સિબલે જણાવ્યું હતું કે તે બીજેડીના સાંદ પિનાકી મિશ્રા સાથે ગાઢ સંબંધ ધરાવે છે, જે ચેમ્બરમાં તેમના જુનિયર છે. ચોમાસુ સત્રનો અંત ધાંધલધમાલ સાથે અંત આવશે સંસદના ચોમાસુ સત્રનો અંત ૧૩ ઓગસ્ટે આવશે, આજે સંસદ અચોક્કસ મુદત માટે બંધ રહી હતી. રાજ્યસભાના ચેરમેન વેન્કૈયા નાયડુએ આંચકાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ રાજ્યસભામાં આ સ્થિતિના લીધે રાત્રે ઊઘી શક્યા ન હતા. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું હતું કે ગૃહ તેમની અપેક્ષા મુજબ ચાલ્યું ન હોવાથી તેમણે આંચકો અનુભવ્યો છે, પરંતુ તેમણે જણાવ્યું હતું કે આમ છતાં પણ ૨૩ બિલમાંથી ૨૦ બિલ પસાર થઈ ગયા હતા. આ ઉપરાંત જે બિલની બહુ રાહ જોવાતી હતી તે ક્રિપ્ટોકરન્સી બિલ સંસદમાં આવ્યું જ ન હતુ. લોકસભામાં એક જ બિલ વ્યવસ્થિત રીતે પસાર થયું હતું અને તે ઓબીસી બિલ હતું. રાજ્યસભા ટીવીમાં પણ ધાંધલધમાલ દેખાઈ હતી. વિપક્ષના સભ્યોએ આ ઇવેન્ટ્સ રેકોર્ડ કરી હતી અને પોતાના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરી હતી. રાજ્યો પોતે પણ ઓક્સિજનના અભાવથી થયેલા મોત સ્વીકારવા તૈયાર નથી વિપક્ષે સંસદમાં મોદી સરકારે આપેલા જવાબ બદલ ઝાટકણી કાડી હતી કે ઓક્સિજનની ગેરહાજરીના લીધે કોઈના મોત થયા નથી, પરંતુ કેન્દ્ર સરકારની જેમ રાજ્ય સરકારો પણ આ વાત સ્વીકારતી નથી. સંસદમાં કેન્દ્ર સરકારની ટીકા થયા પછી પણ ૧૩ રાજ્યોએ કોઈના મોત ઓક્સિજનના અભાવના લીધે થયા નથી તેમ કહ્યુ છે. પંજાબે જ જણાવ્યું છે કે કેટલાક શંકાસ્પદ મોત ઓક્સિજનના અભાવના લીધે થયા છે. કોઈપણ રાજ્યએ સ્પષ્ટ જણાવ્યું નથી કે તેમને ત્યાં મોત ઓક્સિજનની અછતના લીધે થયા છે, એમ જોઇન્ટ સેક્રટરી લવ અગરવાલે જણાવ્યું હતું. કેન્દ્રએ ગયા મહિને સંસદમાં જણાવ્યું હતું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોઈપણ મોત ઓક્સિજનના અભાવના લીધે થયા નથી. 16 વર્ષની વયને પુખ્ત વય ગણવાના વિચારને સરકારે નકાર્યો સરકારે ગૃહ વિભાગની સંસદીય પેનલનું બાળક પર જાતીય હુમલાના કેસમાં ૧૬ વર્ષની વયને પુખ્ત વય ગણવાના સૂચનને નકારી કાઢ્યું છે, એમ સમિતિએ સંસદમાં ટેબલ પર મૂકેલા રિપોર્ટમાં જણાવાયું હતું. ભારતમાં ૧૮ વર્ષ સુધીની વયની વ્યક્તિને સગીર ગણવામાં આવે છે. મહિલા અને બાળ કલ્યાણ વિભાગે પેનલને જણાવ્યું હતું કે જુવેનાઇલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ, (જેજે એક્ટ), ૨૦૧૫ બાળકોની કેર એન્ડ પ્રોટેક્શન (સીએનસીપી)ની જરુરિયાત માટે મહત્ત્વનો કાયદો છે અને સૂચનના લીધે આ કાયદામાં વિસંગતિ આવે છે. પોસ્કો (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ) એક્ટ હેઠળ બાળ આરોપીને જેજે એક્ટ ૨૦૧૫ની જોગવાઈઓ હેઠળ રાહત મળી છે. જેજે એક્ટ ૨૦૧૫ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડને આ પ્રકારના કાયદાકીય સંઘર્ષના સંદર્ભમાં નિર્ણય કરવા અધિકાર આપે છે, એમ સરકારે પેનલને તેના જવાબમાં જણાવ્યું હતું. રસીકરણ સર્ટિફિકેટ પર પીએમના ફોટોનો સરકારે બચાવ કર્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રસીકરણ સર્ટિફિકેટ પર ફોટોગ્રાફ અને સંદેશો કોવિડ-૧૯ના રસીકરણ પછીની વર્તમૂક માટે મહત્ત્વનો છે તથા જાહેર હિતમાં છે તેમ દસ્તાવેજોમાં બતાવાયું છે. સરકારે આમ ત્યારે જણાવ્યું જ્યારે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને ભૂતપૂર્વ પત્રકાર કુમાર કેતકરે સંસદમાં આ અંગે સવાલ પૂછ્યો કે કોવિડ-૧૯ રસીકરણ સર્ટિફિકેટ પર વડાપ્રધાનનો ફોટો અને સંદેશો છાપવો જરુરી છે. કેતકરે આ નિર્ણય માટેના કારણ પૂછ્યા હતા અને કોણે તે ફરજિયાત બનાવ્યું તે જાણવા માંગ્યુ હતુ. આ અંગે રાજ્યકક્ષાના કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ભારતી પ્રવીણ પવારે જણાવ્યું હતું કે રોગચાળો અને તેની આગવી લાક્ષણિકતાને જોતા કોવિડ સાનુકૂળ વર્તણૂક તે રોગના ફેલાવવાને અટકાવવા માટેનું અત્યંત મહત્ત્વનું પગલું છે. ફોટોગ્રાફની સાથે સર્ટિફિકેટ પરવડાપ્રધાનનો સંદેશો રસીકરણ પછી પણ કોવિડ-૧૯ યોગ્ય વર્તણૂક માટેના મહત્ત્વને દર્શાવે છે અને તેના અંગેની જાગૃતિ ફેલાવે છે જે વ્યાપક હિતમાં છે. - ઇન્દર સાહની

ગુજરાત સમાચાર 12 Aug 2021 7:05 am

અંગ્રેજોએ ભારતને ક્રિકેટ પ્રેમી બનાવ્યા એટલે બાકીની સ્પોર્ટસ ભુલાઇ ગઇ

- બહુરત્ના વસુંધરાઃ અનેક રત્નો દાટી દેવાયા છે - પ્રસંગપટ - આઝાદી પછી સ્પોર્ટસ પર ધ્યાન આપ્યું હોત તો આજે ભારત પાસે ગોલ્ડ મેડલોની વણઝાર હોત બહુ રત્ના વસુંધરા... ભારતના ઇતિહાસમાં દટાયેલા અનેક રત્નોને જાણી જોઇને વધુ ઉંડે દાટી દેવાયા હોય એમ લાગી રહ્યું છે. મોગલોના રાજ સમયે તેમની સામે લડનારા ભારતના રાજાઓ તેમજ મોગલોના આક્રમણ પહેલાના ભારતના જાંબાજ લોકોની વાતો પણ દાટી દેવામાં આવી છે એમ કહી શકાય. જોકે આવા રત્નો સમય આવે સપાટી પર આવી જતા હોય છે. વર્ષો સુધી જમીનમાં દટાઇ રહેલું રત્ન નામે મેજર ધ્યાનચંદ અચાનક સપાટી પર આવી ગયું છે. અચાનક નિર્ણય લેવાની વડાપ્રધાન મોદીની ટેવના દર્શન રાજીવ ગાંધી ખેલ રત્ન એેવોર્ડનું નામ બદલીને મેજર ધ્યાનચંદ કરાયું ત્યારે થયા હતા. જ્યારે કોચ જેવી કોઇ સવલતો નહોતી ત્યારે ધ્યાનચંદના નામે સિક્કા પડતા હતા. હોકીના જાદુગર તરીકેની તેમની નામના હતી. આજે ગોલ્ડન બોય નિરજ ચોપ્રા પર ઇનામોનો વરસાદ વર્ષી રહ્યો છે પરંતુ ધ્યાનચંદના કાળમાં કોઇ તેમને ખભે ઉંચકીને નહોતું ચાલ્યું. ત્યારે શાસન અંગ્રેજોનું હતું, પરંતુ આઝાદી પછી પણ ધ્યાનચંદની સિધ્ધિ પર કોઇએ ધ્યાન નહોતું આપ્યું. જો ત્યારે ધ્યાનચંદને બોલાવીને સ્પોર્ટસ મિનિસ્ટર બનાવાયા હોત તો આજે ભારત પાસે એક નહીં પણ ૨૧ ગોલ્ડ મેડલ હોત. ભારતના રાજકારણીઓ સત્તા મેળવવા અને તેને ટકાવી રાખવાની ઉરાંગ-ઉટાંગ નિતીમાં એટલા વ્યસ્ત રહે છે કે તેમની નજરમાં સ્પોર્ટસ એટલે ક્રિકેટ એવું વસી ગયું હતું. યથા રાજા તથા પ્રજા જેવું થયું હતું. લોકો પણ ક્રિકેટ પાછળ પાગલ રહેતા હતા. અન્ય રમતોને પ્રોત્સાહન નહોતું અપાતું અને એવા રમતવીરોની કોઇ કદર પણ નહોતી કરાઇ. આઝાદી પછી શહેર અને ગામડાં એમ બે ભાગ પડી ગયા હતા. ગામડાના લોકોના ભાગે કેટલીક સવલતો ભાગ્યેજ આવતી હતી. રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડનું નામ બદલીને ધ્યાનચંદ રખાતા ઘણાના ભવાં સંકોચાયા હતા. કોંગ્રેસે રાજીવ ગાંધીના નામ સાથે જોડાયેલ એવોર્ડ બદલીને ધ્યાનસીંગનુ નામ અપાયું ત્યારે વિરોધ કરતી કોંગ્રેસ સામે અનેક સવાલો ઉભા થયા હતા. ગાંધી પરિવારના નામે અનેક એવોર્ડ અને સંસ્થાએની યાદી બહાર આવવા લાગી હતી. શું ભૂતકાળની સરકારોેને દેશના શહીદો કે રમતવીરોના નામે અવોર્ડ કે સંસ્થાઓ ઉભી કરવાનો કોઇ આઇડયા નહીં આવ્યો હોય? વિરોધ કરીને કોંગ્રેસ ફસાઇ ગઇ હતી. ધ્યાનચંદની હિટલર સાથેની મિટીંગ પણ બહુ જાણીતી છે. ૧૯૩૮માં જ્યારે ધ્યાનચંદની ટીમે જર્મનીને હરાવ્યું ત્યારે ખુદ હિટલર પણ અન્ય પ્રેક્ષકોની સાથે ઉભો થઇને તાળીઓથી અભિનંદન આપતો હતો. ઇતિહાસમાં દબાયેલી સ્ટેારી એવી છે કે બીજા દિવસે હિટલરે ધ્યાનચંદને બોલાવીને તેમનો બાયો ડેટા પૂછ્યો હતો. જ્યારે ધ્યાનચંદે કહ્યું કે તે ભારતના લશ્કરમાં લાન્સ નાયક છે. ત્યારે હિટલરે તેમને કહ્યું હતું કે તમને હું જર્મન સિટીઝન બનાવી દઉં અને અહીં લશ્કરમાં તાત્કાલીક ફિલ્ડ માર્શલ બનાવી દઇશ. કહે છે કે ધ્યાનચંદે આવી ઓફર ઠુકરાવીને કહ્યું હતું કે સોરી,હું ભારતના લશકર સાથે ખુશ છું. આવા દેશને વફાદાર લોકોની કદર કરવાની અક્કલ કોઇને નહોતી આવી. દરેક સત્તા અને પરિવારવાદમાં રચ્યા પચ્યા રહેતા આવ્યા છે. હિટલરે ધ્યાનચંદને ઓફર કરી તે વાત આઝાદી પછી પણ ચર્ચામાં આવી હતી પરંતુ કોઇ પાસે સ્પેાર્ટસ બાબતે ચર્ચાનો સમય નહોતો. દરેક પોલીટીકલ સ્પોર્ટ રમ્યા કરતા હતા. ધ્યાનચંદ જેવા કેટલાક નામોને દબાઇ દેવાયા છે. તેનું કારણ હજુ શોધવાનું બાકી છે પણ સખ્ખત સંધર્ષ કરીને આગળ આવેલા લોકો માટે કોઇ નોંધ નહોતી રખાઇ તે તો ઠીક પણ શિક્ષણ ક્ષેત્રે તેમનું કોઇ નામ ના આવે એવા પ્રયાસો પણ કરાયા હતા. તેમના નામની કોઇ ડોક્યુમેન્ટરી પણ બનાવાઇ નહોતી. કેટલાક મોગલ રાજાઓના નામ અને તેમના વંશજોના નામ લોકોના માથે ફટકારાયા હતા પણ ધ્યાનચંદ જેવાના કોઇ નામ નહોતા. આવું અનેક ક્ષેત્રે થયું હશે એમ માની શકાય. એટલેજ મોદી સરકારે એક સંશોધન કમિટી બેસાડીને ઇતિહાસમાં દટાઇ ગયેલા ધ્યાનચંદ જેવા નામોને બહાર ખેંચી લાવવની જરૂર છે. આઝાદી પહેલાં અને આઝાદી માટેના સંધર્ષ દરમ્યાન અનેક ધ્યાનચંદો એવા હશે કે જેમણે પોતાના બળે સંધર્ષ કર્યા હશે અને દુશ્મનના દાંત ખાટા કર્યા હશે કે સમાજ ઉત્કર્ષ માટે ખપી ગયા હશે. ધ્યાનચંદના સંધર્ષની વાતો વાંચીએ તો ગૌરવ થાય છે. હિટલર જેવાની સામે આ માણસે સ્પષ્ટતાઓ કરીને પોતાનું ખમીર બતાવ્યું હતું. આવા લોકો સેલ્યુટને પાત્ર છે. ખરેખર ભારત એટલે બહુ રત્ના વસુંધરા..

ગુજરાત સમાચાર 12 Aug 2021 5:45 am

વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ:આ 35 સ્થળો પણ બન્યા વિશ્વ વિરાસત, ધોળાવીરા અને રામપ્પા મંદિરની સાથે આ સ્મારકો પણ વિશ્વ વિખ્યાત બનશે

બે વર્ષની યાદી એક સાથે જાહેર કરાઇ : નવા સ્થળોમાં 29 સાંસ્કૃતિક, 5 પ્રાકૃતિક વિરાસત : જ્યારે 3 વિરાસતની સીમા વધારવામાં આ​​​​​​​વી

દિવ્ય ભાસ્કર 11 Aug 2021 7:38 am

દિલ્હીની વાત : યુપીની ચૂંટણી માટે મોદી પોતે મેદાનમાં

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં ભાજપને જીત અપાવવા માટે મોદી પોતે મેદાનમાં આવ્યા છે. મોદીએ પોતાની મોબાઈલ એપ્લિકેશન પર આ ચૂંટણીમાં ક્યા મુદ્દા મહત્વના છે તે અંગે લોકો પાસેથી સીધો ફીડબેક માંગ્યો છે. આ પ્રકારના રાજકીય સર્વે વચ્ચે વડાપ્રધાને ઈલેક્શનનો એજન્ડા સેટ કરી દીધો છે. મોદીએ કોરોના સામે લડવામાં સરકારની કામગીરી, કલમ ૩૭૦ અને રામમદિરના નિર્માણ જેવા પોતાની સરકારે લીધેલાં પગલાં અંગે તો લોકોના અભિપ્રાય માંગ્યા જ છે પણ રાજકીય બાબતો અંગે પણ અભિપ્રાય માંગ્યા છે. વિપક્ષી એકતાની તમારા મતવિસ્તાર પર અસર પડશે એવા મુદ્દે પણ ફીડબેક માંગ્યા છે. સૌથી મોટી વાત એ છે કે, મોદીએ સીધો સવાલ પૂછયો છે કે, તમે નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય નેતૃત્વના આધારે મતદાન કરશો કે પછી રાજ્ય કક્ષાના કે સ્થાનિક મુદ્દાને આધારે મતદાન કરશે ? આ સિવાય ઉમેદવારો નક્કી કરવામાં મદદરૂપ થાય એવા સવાલો પણ પૂછયા છે. કેન્દ્રનાં ઘોડા છૂટયા પછી તબેલાંને તાળાં દેશની ટોચની ખાનગી ટેલીકોમ ઓપરેટર કંપની ડૂબવાના આરે આવીને ઉભી રહેતાં સફાળી જાગેલી મોદી સરકારે ટેલીકોમ ક્ષેત્રને બેઠું કરવા રીવાઈવલ પેકેજ જાહેર કરવાની ક્વાયત શરૂ કરી છે. પીએમઓ દ્વારા ટેલીકોમ્યુનિકેશન ડીપોર્ટમેન્ટને આ પેકેજની દરખાસ્તો તૈયાર કરીને ઝડપથી રજૂ કરવા કહી દેવાયું છે. સરકારે રેવન્યુ શેર લાયસંસ ફીમાં ઘટાડાને આધાર બનાવીને ભલામણ કરવાની સ્પષ્ટ સૂચના આપી છે. એકાદ અઠવાડિયામાં આ દરખાસ્તો આવી જાય પછી ઈન્ટર-મિનિસ્ટરીયલ ગ્રુપને દરખાસ્તો આપી દેવાશે. ગ્રુપ આ દરખાસ્તોને અંતિમ સ્વરૂપ આપે પછી કેબિનેટ તેને મંજૂરી આપશે. ઓગસ્ટના અંત સુધીમાં આ પ્રક્રિયા સમેટી લેવા કહી દેવાયું છે. આર્થિક નિષ્ણાતોના મતે, સરકારની આ ક્વાયત ઘોડા છૂટી ગયા પછી તબેલાંને તાળાં મારવા જેવી છે. ટ્રાઈએ છેક જાન્યુઆરી ૨૦૧૫માં કેન્દ્રને આ પ્રકારની ભલામણો કરી હતી પણ તેના પર કોઈ પગલાં ના લેવાયાં. હવે ખાનગી કંપની ડૂબવાથી સરકાર તથા બેંકોને અબજો રૂપિયાનો ફટકો પડવાનો છે ત્યારે સરકાર રઘવાયી થઈ છે ત્યારે બહુ મોડું થઈ ગયું છે. ભાજપના નાયબ દંડકોમાં પણ જ્ઞાાતિનાં સમીકરણ ઉત્તર પ્રદેશની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે લોકસભામાં છ નવા નાયબ દંડક નિમી દીધા છે. આ છ નાયબ દંડકોમાંથી ચાર તો ઉત્તર પ્રદેશના છે. સતિષ ગૌતમ, ડો. સંઘમિત્ર ગૌતમ, અનુરાગ શર્મા અને પુષ્પેન્દ્રસિંહ ચંદેલ યુપીના ચાર અલગ અલગ વિસ્તારોની લોકસભા બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે. આ નિમણૂકમાં ભાજપ દ્વારા યુપીના ચારેય ઝોનનું ધ્યાન રખાયું છે. ભાજપ દ્વારા યુપીનાં જ્ઞાાતિનાં સમીકરણોને પણ ધ્યાનમાં રખાયાં છે. સતિષ ગૌતમ જાટ છે જ્યારે સંઘપ્રિયા દલિત, અનુરાગ શર્મા બ્રાહ્મણ અને પુષ્પેન્દ્રસિંહ ઠાકુર છે. ભાજપ સવર્ણો અને દલિત મતબેંક પર આધારિત હોવાથી તેમને મહત્વ અપાયું છે. આ છ દંડકને મદદ કરવા બે-બે સાંસદોની પસંદગી કરાઈ છે ને તેમાંથી છ સાંસદ પણ યુપીના જ છે. ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે, યુપીમાં ફરી જીતવામાં ભાજપ કોઈ કસર નથી છોડવા માગતો. યુપીને ધ્યાનમાં રાખીને હજુ બીજી પણ નિમણૂકો થશે કે જેથી યુપીમાં ભાજપના વફાદાર મતદારોમાં કોઈ પ્રકારનો અસંતોષ ના રહે અને મતદારો બીજા પક્ષો તરફ ના વળે. રમતવીરોને આવકારવા કોઈ પ્રધાન ના આવ્યો ઓલિમ્પિક્સમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનારા નીરજ ચોપરા સહિતના રમતવીરોને આવકારવા ભાજપે તેજસ્વી સૂર્યાને મોકલ્યા તેની ભારે ટીકા થઈ રહી છે. સરકાર દેશને ગૌરવ અપાવનારા રમતવીરોને ભાજીમૂળા સમજીને તેમની સાથે વર્તી રહી હોવાની કોમેન્ટ્સ થઈ રહી છે. ચોપરા સહિતના રમતવીરો યશસ્વી દેખાવ પછી સોમવારે દિલ્હી એરપોર્ટ પર આવ્યા ત્યારે તેમને આવકારવા કેન્દ્ર સરકારના કોઈ પ્રધાન કે સ્પોર્ટ્સ મંત્રાલયમાંથી કોઈ ઉચ્ચ અધિકારી હાજર નહોતા. ગોલ્ડ મેડાલિસ્ટ નીરજનું સ્વાગત ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ સૂર્યાએ કર્યું હતું. સૂર્યા સરકારમાં કોઈ હોદ્દા પર નથી ને સામાન્ય સાંસદ છે. રમતવીરોને આવકારવા એક સાંસદને કઈ રીતે મોકલી શકાય એવો સવાલ લોકો કરી રહ્યા છે. રમતગમત મંત્રીના માથે પણ માછલાં ધોવાઈ રહ્યાં છે. પાસવાન કાકા-ભત્રીજા વચ્ચે બંગલા માટે જંગ લોક જનશક્તિ પાર્ટી પર કબજા માટે લડી રહેલા ચિરાગ પાસવાન અને કાકા પશુપતિ પારસ વચ્ચે હવે સરકારી બંગલાના મુદ્દે લડાઈ જામી છે. ચિરાગના પિતા રામવિલાસ પાસવાન કેન્દ્રીય મંત્રી હોવાથી પોશ વિસ્તાર લ્યુટ્ટન્સમાં બંગલો ફાળવાયો હતો. પાસવાનના નિધન પછી ચિરાગ આ બંગલામાં રહેતો હતો. મોદી સરકારે બંગલો ખાલી કરાવવા કોઈ પગલાં નહોતાં લીધાં પણ એલજેપીમાં ભંગાણ પડયું ને પારસ કેન્દ્રીય મંત્રી બનતાં જ ચિરાગને બંગલો ખાલી કરવા નોટિસ મળી ગઈ છે. આ નોટિસ પાછળ પશુપતિ પારસ હોવાનું કહેવાય છે. કેન્દ્રીય હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મિનિસ્ટ્રીએ પારસને બીજો બંગલો આપવા કહેલું પણ પારસને આ જ બંગલો જોઈએ છે. બીજી તરફ ચિરાગ હાલમાં બંગલો ખાલી કરવા તૈયાર નથી. ચિરાગે પોતે બિહારમાં યાત્રા કરી રહ્યો હોવાથી બંગલો ખાલી કરવા ઈન્કાર કરી દીધો હતો. તેના પગલે બીજી નોટિસ મળતાં ચિરાગે રામવિલાસની પહેલી પુણ્યતિથી ૮ ઓક્ટોબર સુધી એક્સટેન્શન આપવા અરજી આપી છે પણ પારસનું દબાણ જોતાં અરજી મંજૂર થવાની શક્યતા નહિવત છે. ગોગોઈને મનાવવા મમતાએ પી.કે.ને જવાબદારી સોંપી આસામમાં ભાજપને હરાવવા માટે અખિલ ગોગોઈનો સાથ લેવા મમતા બેનરજીએ પ્રશાંત કિશોરને મેદાનમાં ઉતાર્યા છે. પી.કે. છેલ્લા એક અઠવાડિયામાં જ ગોગોઈને ત્રણ વાર મળ્યા છે પણ ગોગોઈએ કોઈ ખાતરી આપી નથી. ગોગોઈને પોતાની તરફ ખેંચવા કોંગ્રેસે પણ બે નવા વરાયેલા કાર્યકારી પ્રમુખ રાણા ગોસ્વામી અને ઝાકીર હુસૈન સિકદારને ગોગોઈ પાસે મોકલ્યા હતા. ગોગોઈએ કોંગ્રેસ સાથે બેસવાની તો ઘસીને ના પાડી દીધી છે. સૂત્રોનું કહેવું છે કે, મમતા ઈચ્છે છે કે, અખિલની પાર્ટી રાઈજોર દોલનું તૃણમૂલ કોંગ્રેસમાં વિલીનીકરણ કરીને ગોગોઈ તૃણમૂલ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીપદનો ચહેરો બને પણ ગોગોઈને આ વાત મંજૂર નથી. ગોગોઈએ તૃણમૂલ કોંગ્રેસ સાથે જોડાણની તૈયારી બતાવી છે. અલબત્ત તેના માટે પણ શરત મૂકી છે કે, ૨૦૨૪માં લોકસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પર પોતે કહે તેમને જ જોડાણના ઉમેદવાર બનાવવાના રહેશે. તૃણમૂલની સ્થાનિક નેતાગીરીને આ શરત સામે વાંધો છે તેથી કોકડું ગૂંચવાયું છે. પી.કે. ગોગોઈને નરમ પાડીને વચલો રસ્તો કાઢવા સમજાવશે. * * * લાલુના પુત્રો વચ્ચેના જંગથી બિહારમાં રાજકારણ ગરમાયું લાલુપ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ અને તેજપ્રતાપ યાદવ વચ્ચે પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ બનવા વચ્ચે જંગ ખેલાઈ રહ્યો છે. આરજેડીના વિદ્યાર્થી શાખાએ મહત્ત્વની બેઠક બોલાવી ત્યારે તેના પોસ્ટરોમાંથી તેજસ્વી યાદવનો ચહેરો ગાયબ હતા. આ બેઠકના ચીફ ગેસ્ટ તરીકે તેજપ્રતાપ હતા. પટણામાં આરજેડીના હેડક્વાર્ટર પર કેટલાક મોટા બેનરો અને પોસ્ટરો મૂકવામાં આવ્યા હતા તેમા લાલુપ્રસાદ યાદવ, બિહારના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન રબડી દેવી અને પક્ષના નેતા તેજપ્રતાપ યાદવનો ફોટો હતો. આરજેડીના ઓફિસ હોદ્દેદારો, જિલ્લા પ્રમુખો સ્ટુડન્ટ વિંગની બેઠકમાં હાજર હતા. સૂત્રોનું કહેવું છે કે તેજપ્રતાપ અંગે અટકળો વધી રહી છે, જે રાજ્યના પ્રદેશ પ્રખુખ જગદાનંદની સતત ટીકા કરી રહ્યા છે અને તેઓ પક્ષની અંદર વધારે મહત્ત્વની ભૂમિકા ભજવવા આતુર છે. તેની સાથે તે નાના ભાઈ તેજસ્વી સાથે સ્પર્ધા કરવા પ્રયત્ન કરી રહ્યા છે જેને મહદ અંશે પક્ષના સ્વીકાર્ય ચહેરા તરીકે માન્યતા મળી ગઈ છે. આગામી યુપી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કૃષિ કાયદા રદ થઈ શકે ભાજપના નેતાએ ખેડૂતોના ત્રણ કૃષિ કાયદા સામેના આંદોલનને સમર્થન આપતા જણાવ્યું હતું કે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ કાયદા પાછા ખેંચી શકે છે. ખેડૂતો દ્વારા કરવામાં આવેલી માંગ સાચી છે. તેથી વિધાનસભા ચૂંટણી અને ખેડૂતોના આક્રોશને ધ્યાનમાં રાખતા મોદી સરકાર નવા કૃષિ કાયદા પાછા ખેંચી શકે છે, એમ યુપીની ભાજપની કાર્યકારી સમિતિના સભ્ય રામ ઇકબાલસિંહે જણાવ્યું હતું. કૃષિ કાયદા સામેના વિરોધમાં ભાજપના નેતાઓ પશ્ચિમી ઉત્તરપ્રદેશના ગામડામાં પ્રવેશી શકતા નથી. તેમણે ઉમેર્યું હતું કે ભવિષ્યમાં પણ ખેડૂતો આવા ઘેરાવ કરી શકે છે. સંસદમાં પેગાસસ જાસૂસી મુદ્દે ચાલતી મડાગાંઠ અંગે સિંઘે જણાવ્યું હતું કે લોકશાહી દેશમાં વિપક્ષની માંગ અંગે વિચાર કરવો જોઈએ. સાંસદો અને વિધાનસભ્યો સામેના ફોજદારી કેસમાં 17 ટકા વધારો વર્તમાન અને ભૂતપૂર્વ સાંસદો અને વિધાનસભ્યો સામે છેલ્લા બે વર્ષ દરમિયાના પડતર કેસોમાં ૧૭ ટકા વધારો થયો છે. આ દર્શાવે છે કે ગુનો અને રાજકારણ વચ્ચે કેવી સાંઠગાંઠ છે. સુપ્રીમ કોર્ટ દ્વારા પાંચ વર્ષથી તેમની સામેની ટ્રાયલને ઝડપી બનાવવાના પ્રયત્નો વચ્ચે કેસો વધ્યા છે. આ ગુનાખોર ઇતિહાસ ધરાવતા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ તેમની પાસેના નાણા અને બાહુબળના જોરે તેમની સામેના કેસની ગતિ ધીમી પાડી દીધી છે. સાંસદો અને વિધાનસભ્યો માટે સ્પેશ્યલ કોર્ટ, એમિકસ ક્યુરીની સ્થાપના કરીને કેસોની પ્રક્રિયા ઝડપી કરવા અશ્વની ઉપાધ્યાયે અરજી કર્યાને નવ મહિના પછી તેની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ એન વી રમણે હાથ ધરી છે. વરિષ્ઠ વકિલ વિજય હંસારિયાઓ સુપ્રદ કરેલો રિપોર્ટ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે કાર્યવાહીના મોરચે પ્રવર્તતી ખરાબ સ્થિતિને દર્શાવે છે. અહેવાલ દર્શાવે છે કે નેતાઓ સામેના ટ્રાયલમાં વિલંબ થાય છે. તેમણે જણાવ્યું હતું કે ડિસેમ્બર ૨૦૧૮ના અંતે સાંસદો અને વિધાનસભ્યો સામે પડતર કેસ ૪,૧૨૨ હતા. અપ્કેસ સપ્ટેમ્બર ૨૦૨૦ના અંતે વધીને ૪,૮૫૯ થઈ ગયા હતા. આમ તેમા બે વર્ષમાં ૧૭ ટકાનો વધારો નોંધાયો હતો. ભારતમાં 2024 સુધીમાં એક હજારની વસ્તીએ એક ડોક્ટર હશે ભારત ૨૦૨૪ સુધીમાં દર હજારની વસતીએ એક ડોક્ટરની સ્થિતિએ પહોંચી જવાના યોગ્ય માર્ગ પર છે, એમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (હુ)એ વસ્તીના રેશિયો મુજબ આ ભલામણ કરી છે. નીતિ આયોગના સભ્ય ડો. વિનોદ પોલે જણાવ્યું હતું કે આ જ સમયે બેડની સંખ્યા પણ ૧૧ લાખથી વધીને ૨૨ લાખ થઈ જશે. છેલ્લા ૭૫ વર્ષમાં ભારતે આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ સાધી છે. સ્વતંત્રતા સમયે વ્યક્તિનું સરેરાશ જીવન માંડ ૨૮ વર્ષનું હતું. હવે તે ૭૦ વર્ષની નજીક પહોંચી ગયું છે. જો કે હજી પણ આરોગ્ય સેવામાં લોકોની અપેક્ષાના ધારાધોરણો પૂરા કરવામાં આપણે ઘણા પાછળ છીએ, આ મોટો પડકાર છે એમ પૌલે જણાવ્યું હતું. - ઇન્દર સાહની

ગુજરાત સમાચાર 11 Aug 2021 7:05 am

લઘુતમ જરૂરિયાતવાળી જીંદગી ટેન્શન ફ્રી અને વિવાદ ફ્રી રહે છે

- મેરી જરૂરીયાત હૈ કમ ઇસી લીયે મુઝમેં હૈ દમ - પ્રસંગપટ - આજકાલ મિનિમાલીઝમનો કોન્સેપ્ટ બહુ ચર્ચાઇ રહ્યો છે ગાંધીજીએ અપનાવેલી સાદાઇનું અનુકરણ કોઇએ કર્યું નથી બહુ વખણાયેલી ફિલ્મ સિંઘમનો એક બહુ અભિમાન ઉપજાવતો ડાયલોગ છે કે મેરી જરૂરીયાત હૈ કમ ઇસી લીયે મુઝમેં હૈ દમ.. લોકોને ડાયલોગ સાંભળવાની મજા આવી પરંતુ તેનો મર્મ સમજતાં બહુ વાર લાગી. આજકાલ મિનિમાલીઝમનો કોન્સેપ્ટ બહુ ચર્ચાઇ રહ્યો છે. ઓન લાઇન કેટલાક લાકો તે સમજાવતા હોય છે. જીવનમાં જેટલી ચીજોની જરૂર છે એટલીજ ચીજો સાથે રહેવાનો આગ્રહ રાખવાને મિનિમા લીઝમ સાથે સરખાવાય છે. ટૂંકમાં લઘુત્તમ ચીજ વસ્તુઓ સાથે રહેવાની જરૂર છે. નેટ ફ્લિક્સ પર મિનિમાલિઝમનો એપિસોડ જોનારાઓમાં જાગૃતિનો નવો પવન ફૂંકાઇ રહ્યો છે. ઉદાહરણ એવી રીતે અપાય છે કે જીવનમાં તમારે જેટલી ચીજોની જરૂર છે એટલીજ વસાવો. જો તમે વધુ ચીજો વસાવશો તો તેને સાચવવાની મથામણમાં શાંતિ ગુમાવી દેશો. તમારે શાંત લાઇફ અને તંદુરસ્ત જીવન જીવવું હોય તો તમારી જીવનની જરૂરીયાત ઓછી રાખો. સિમ્પલિસિટી અનેક લોકોમાં જોવા મળે છે.જોઇએ અટેલુંજ વસાવવું અને ખાઇ શકાય એટલુંજ ભાણામાં લેવાની સિસ્ટમ વર્ષોથી ચાલી આવે છે પરંતુ નવી આધુનિકરણની હવામાં આડેધડ વસાવવું અને એંઠુ મુકવાની પ્રથા જાણે અજાણે વિકસી છે. તાજેતરમાં એક બ્રહ્મ સમાજના સંમેલનમાં જોવા મળ્યું હતું કે જમ્યા પછી જ્યાં ડિશ મુકાતી હતી તે જગ્યા પર સમાજના અગ્રણીઓ ઉભા રહી ગયા હતા અને એંઠુ મુકનાર દરેકને ડિશ સાફ કરીને ખાઇ જવાની ફરજ પાડતા હતા. સજા રૂપે તેમની પાસે ડિશ પણ સાફ કરાવતા હતા. જે લોકો એંઠી થાળી મુકવા આવતા હતા તે શરમાઇને બધું ખાઇ જતા હતા અને પોતાની ભૂલ પણ સ્વિકારતા હતા. પડિયા પતરાળાની સિસ્ટમ હતી ત્યારે ગામના અગ્રણી બે પંગતની વચ્ચે ફરતા હતા અને એંઠું નહીં મુકવા જણાવતા હતા. આજે ભલે નેટફ્લિક્સ પર મિનિમાઇઝેશનના વિડીયો સાંભળવા લોકો સમય ફાળવતા હોય પરંતુ આ વિષયને સાદાઇ સાથે સરખાવી શકાય. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સાદાઇનું પ્રતિક હતા. તે પોતાના કપડાં જાતેજ વણતા હતા. પેન્સિલનેા ટુકડો પણ તે સાચવીને વાપરતા હતા. આ એક અલગ વિભૂતિ હતી. ભારતના વડાપ્રધાનો (લાલ બહાદુર શાસ્ત્રી સિવાયના) રાજાશાહી ઠાઠથી જીવ્યા છે. જોકે રાષ્ટ્રપિતા ગાંધીજીએ અપનાવેલી સાદાઇનું અનુકરણ કોઇએ કર્યું નથી. સાદાઇ અપનાવવી આસાન નથી. જ્યારે લોકો આધુનિક જમાનાના નવા વેવમાં ફરતા હોય છે ત્યારે કોલ્ડ ડ્રીંક્સ બોટલમાં થોડું બાકી રાખવું તેને પણ એટીકેટમાં ખપાવવામાં આવે છે. બૂફે ડિનરની પાછળ ગમતો અને જોઇતો ખોરાક વ્યકિગત સ્તરે લઇ શકાય એવો આશય હતો પરંતુ તે એંઠુ મુકવાની પ્રથાને પ્રોત્સાહન આપતી હોય એમ લાગે છે. દરેક બૂફે ડિનરમાં એંઠુ મુકવાની ફેેશન શરૂ થઇ હોેય એમ લાગે છે. લઘુતમ જરૂરિયાત પર કરાયેલા કેટલાક પ્રયોગામાં એક એવો છે કે જરૂરીયાત વાળી આઇટમ ઉદાહરણ તરીકે રસોડામાં વપરાતી વાસણ જેવી ચીજોને એક બોક્સમાં ભરી દેવાઇ હતી. તેમાંથી જોઇતા પ્રમાણમાંજ ચીજો લેવાતી હતી. આ પ્રયોગો એક માસ માટે કરાયો તેના અંતે એવો ખ્યાલ આવ્યો હતો કે કેટલીક ચીજોની જરૂર તો મહિનામાં એક પણ વાર નહોતી પડી. એનો અર્થ એકે રસોડામાં તે વધારાની આઇટમ તરીકે છે. જેમને વસાવવાથી ખર્ચો વધેે છે અને ઘરમાં જગ્યા પણ રોકે છે. જીવનમાં ઓછી ચીજોથી ચલાવી શકાય છે. વિદેશમાં કેટલાક તહેવારોમાં શોપિંગ મોલમાં કોઇ પણ ચીજ એક રૂપિયામાં કે મફતમાં મળતી હોય છે. તેમાં ટીવી અને વોશિંગ મશીન પણ હોય છે. લોકો આખી રાત બેસીને સ્ટોર ખુલે તેની રાહ જુએ છે . સવારે સ્ટોર ખુલતાંજ માલ માટે લૂંટફાટ મચે છે, લોકો મારામારી પર ઉતરી આવે છે. આ લોકોના ઘેર આવી ચીજો હોયજ છે છતાં લાઇનમાં ઉભા રહીને મફત ચીજો લેવા દોડે છે. એક જ કામ માટેના વધુ મશીનો ઘરમાં જગ્યા રોકે છે અને ડસ્ટ વધારે છે. આપણે ત્યાં કાળી ચૌદશના દિવસે માત્ર જુની ચીજો બહાર મુકી દેવાનો કે ડસ્ટબીનમાં પધરાવવનો રિવાજ નથી પણ મનમાં ઘુસી ગયેલા જુના વિવાદોને પણ ચાર રસ્તે નાખી આવવાનો રિવાજ છે. તત્વજ્ઞાાનીઓ કહે છે કે ખેતરમાં ખેડૂત નિંદામણ એટલા માટે કાપતો ફરે છે કે જેથી છોડને ઉછેરવામં કોઇ આડશ ઉભી ના થાય એમ લોકેા એ પણ ઘરમાં રહેલી બીનજરૂરી ચીજોને વારે તહેવારે ડસ્ટબીનમાં પધરાવીને ઘરને બીનજરૂરી ચીજોથી ફ્રી બનાવી દેવું જોઇએ. આમ કરવાથી મન શાંત રહે છે અને ઘરમાં પોઝિટીવીટી પ્રવેશવાનો ચાન્સ રહે છે. લઘુતમ જરૂરિયાત વાળી જીંદગી ટેન્શન ફ્રી રહે છે, વિવાદ ફ્રી રહે છે અને નવા વિચારને પ્રવેશવાની તક આપે છે.

ગુજરાત સમાચાર 11 Aug 2021 5:45 am

દિલ્હીની વાત : યુપીમાં જીતવા કૃષિ કાયદા રદ કરાશે

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી જીતવા માટે મોદી બહુ મોટો દાવ ખેલીને ત્રણેય કૃષિ કાયદા પડતા મૂકે એવો સંકેત મળ્યો છે. યુપી ભાજપની કારોબારીના સભ્ય રામ ઈકબાલ સિંહે કહ્યું કે, યુપીના આગેવાનો દ્વારા કરાયેલી રજૂઆતના પગલે સરકાર આ કાયદા પાછા ખેંચવા વિચારી રહી છે. યુપીની ચૂંટણી અને ખેડૂતોનો આક્રોશ જોતાં કૃષિ કાયદા પાછા ખેંચવામાં આવી શકે છે. ખેડૂતોની કૃષિ કાયદા પાછા ખેંચવાની માગણીને યોગ્ય ગણાવીને સિંહે કહ્યું કે, આ કાયદા સામે ખેડૂતોમાં ભારે આક્રોશ છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં તો ભાજપના નેતા ગામોમાં જઈ શકતા નથી. આ આક્રોશ શમવાનો નથી. ભવિષ્યમાં પણ ખેડૂતો ભાજપના નેતાઓને ઘેરાવ કરશે જ. ભાજપનાં સૂત્રો પણ સિંહની વાતને સમર્થન આપે છે. તેમનું કહેવું છે કે, સુપ્રીમ કોર્ટના આદેશના કારણે કૃષિ કાયદાનો અમલ અત્યારે મોકૂફ જ છે તેથી કાયદો હોય કે ના હોય, કોઈ ફરક પડતો નથી. આ સંજોગોમાં કાયદા પાછા ખેંચીને ખેડૂતોને ખુશ કરવાનો રાજકીય દાવ ખેલવામાં કશું ખોટું નથી. જંતર મંતર પર મુસ્લિમ વિરોધી નારાથી મોદી નારાજ દિલ્હીમાં જંતર મંતર ખાતે રવિવારે 'ભારત જોડો'ના નામે યોજાયેલા કાર્યક્રમમાં મુસ્લિમ વિરોધી નારા લાગતાં મોદી ભડક્યા છે. વડાપ્રધાનના આદેશના પગલે દિલ્હી પોલીસે આ કાર્યક્રમમા લાગેલા નારા અંગે એફઆઈઆર નોંધી છે. કોઈ પણ મંજૂરી વિના યોજાયેલા આ કાર્યક્રમના આયોજકો સામે આકરાં પગલાં ભરવા પણ મોદીએ ફરમાન કર્યું હોવાનું કહેવાય છે. આ કાર્યક્રમ ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાયે યોજ્યો હતો. 'ભારત છોડો' આંદોલનની જ્યંતિ પર અંગ્રેજોએ બનાવેલા અને હજુ અમલી છે એવા કાળા કાયદા નાબૂદ કરવા માટે જાગૃતિ લાવવા આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ મુસ્લિમ વિરોધી બની ગયો. કાર્યક્રમમાં મુસ્લિમો સામે ઉશ્કેરણીજનક ભાષણો થયાં અને મુસ્લિમ વિરોધી નારા પણ લાગ્યા. આ ભાષણો-નારાના સંખ્યાબંધ વીડિયો સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે. ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે, મોદી શાસનમાં મુસ્લિમોને નિશાન બનાવાય છે એવી ટીકા સતત થાય છે. આ કાર્યક્રમના કારણે આ ટીકાઓને વેગ મળશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે મોદીની ઈમેજ બગડશે. યુપીની ચૂંટણીમાં પણ તેની અસર પડશે તેથી મોદી ખફા છે. ઈન્દિરા કેન્ટિનનું નામ બદલવા સામે વિરોધ કર્ણાટકમાં ભાજપ સરકારની ઈન્દિરા કેન્ટિનનું નામ બદલવાની વિચારણા સામે કોંગ્રેસ ઉકળી છે. કોંગ્રેસે ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. મોદી સરકારે ખેલરત્ન એવોર્ડ સાથે રાજીવ ગાંધીનું નામ હટાવીને મેજદ ધ્યાનચંદનું નામ જોડયા પછી ભાજપે ઈન્દિરા કેન્ટિનનું નામ બદલવા માગણી કરી છે. સિધ્ધરામૈયા મુખ્યમંત્રી હતા ત્યારે ગરીબોને સસ્તા ભાવે ભોજન આપવા સમગ્ર રાજ્યમાં શરૂ કરાયેલી યોજના હેઠળ ગરીબોને પાંચ રૂપિયામાં સવારનો નાસ્તો અને દસ-દસ રૂપિયામાં બપોર તથા રાતનું ભોજન અપાય છે. ભાજપે માગણી કરી છે કે, આ યોજનાનું નામ બદલીને અન્નપૂર્ણેશ્વરી કેન્ટિન કરવું જોઈએ કે જેથી લોકોને કટોકટીના કાળા દિવસોની યાદ ના આવે. રાજકીય વિશ્લેષકોના મતે, ખેલરત્ન એવોર્ડનું નામ બદલવા ભાજપ પાસે યોગ્ય તર્ક હતો. રાજીવ રમતવીર નહોતા તેથી તેમના નામે સ્પોર્ટ્સ એવોર્ડ યોગ્ય ના કહેવાય પણ ઈન્દિરા કેન્ટિનનું નામ બદલવા માટે યોગ્ય કારણ નથી. ભાજપ આ હિલચાલ દ્વારા રાજકીય કિન્નાખોરી બતાવી રહ્યો છે. કર્ણાટક કોંગ્રેસનું મજબૂત રાજ્ય છે તેથી ભાજપને આ હિલચાલ ભારે પડી શકે. પાયલોટ ભાજપમાં આવશે જ, અબ્દુલ્લાકુટ્ટીનો દાવો ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ એ.પી. અબ્દુલ્લાકુટ્ટીએ સચિન પાયલોટ વિશે કરેલા દાવાએ રાજકીય અટકળોને તેજ કરી દીધી છે. અબ્દુલ્લાકુટ્ટીએ દાવો કર્યો કે, સચિન પાયલોટ બહુ સારા નેતા છે અને આજે નહીં તો કાલે ભાજપમાં જોડાઈ જશે. તેમણે દાવો કર્યો કે, પાયલોટ સતત ભાજપની નેતાગીરીના સંપર્કમાં છે અને ગમે ત્યારે ગમે તે બની શકે છે. કેરળના અબ્દુલ્લાકુટ્ટી મૂળ સીપીએમના છે અને કન્નુર લોકસભા બેઠક પરથી બે વાર સીપીએમની ટિકિટ પર ચૂંટાયા પણ હતા. જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા સાથે કુટ્ટીના અંગત સંબધો છે. સચિન પાયલોટે ઉમરની બહેન સારા સાથે લગ્ન કર્યાં છે તેથી અબ્દુલ્લાકુટ્ટીની વાતને ગંભીર માનવામાં આવી રહી છે. પાયલોટે ભાજપમાં જોડાવાનો વારંવાર ઈન્કાર કર્યો છે પણ કોંગ્રેસ પાયલોટને ન્યાય આપવા કશું કરતી નથી તેથી પાયલોટ નારાજ હોવાની ચર્ચા ચાલી રહી છે. રાજસ્થાનમાં કેબિનેટ અને સંગઠનમાં વિસ્તરણની પાયલોટની માગણીનો નિવેડો આવતો નથી તેથી અકળાયેલો પાયલોટ ભાજપમાં જોડાવનો વિકલ્પ વિચારતા હોય તો નવાઈ નહીં. રજિબ મમતા સાથે જાય એ પહેલાં સસ્પેન્ડ થશે પશ્ચિમ બંગાળમાં મુકુલ રોય પછી વધુ એક દિગ્ગજ નેતા રજિબ બેનરજીને ભાજપ સસ્પેન્ડ કરી દેશે એવું મનાય છે. રજિબ શનિવારે સાંજે મમતા બેનરજીના ભત્રીજા અને તૃણમૂલના રાષ્ટ્રીય મહામંત્રી અભિષેક બેનરજીને તેમની ઓફિસમાં મળ્યા હતા. આ બેઠક પછી પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષે રજિબને ફોન કર્યો પણ રજિબે ફોન ઉપાડવાની તસદી પણ નહોતી લીધી. અકળાયેલા ઘોષે હાઈકમાન્ડને બેનરજીને સસ્પેન્ડ કરવા ભલામણ મોકલી દીધી છે. રજિબ બેનરજી અગાઉ પણ કૃણાલ ઘોષ સહિતના તૃણમૂલના ટોચના નેતાઓને મળ્યા હતા. ભાજપે તેમને બે વાર શો કોઝ નોટિસ ફટકારી હતી પણ રજિબે તેનો જવાબ આપવાની તસદી નથી લીધી. તેના કારણે ભાજપના નેતા ખફા છે ત્યાં હવે રજિબે ઘોષને અવગણતાં રજિબની હકાલપટ્ટી નક્કી મનાય છે. રજિબ મમતા સરકારમાં મંત્રી હતા ને ચૂંટણી પહેલાં જ ભાજપમાં જોડાયા હતા. ભાજપની કારમી હાર પછી તેમણે ભાજપના કાર્યક્રમોમાં જવાનું જ બંધ કરીને તૃણમૂલ કોંગ્રેસમાં પાછા ફરવાના સ્પષ્ટ સંકેત આપ્યા છે. રજિબ કોઈ પગલું ભરે એ પહેલાં ભાજપ ઘા કરવા માગે છે. * * * ઓબીસી બિલના લીધે વિપક્ષે ચર્ચા કરવાની ફરજ પડી સંસદનું ચોમાસુ સત્ર અંતિમ સપ્તાહમાં પ્રવેશ્યુ છે ત્યારે પ્રારંભથી અત્યાર સુધી સરકાર સામે આક્રમક રહેલા વિપક્ષે ઓબીસી બિલના લીધે પહેલી વખત પારોઠના પગલાં ભરવાની ફરજ પડી હતી. કેન્દ્રીય સામાજિક ન્યાય અને સંપ્રભુત્વ વિભાગના ડો. વિજેન્દ્ર કુમારે બંધારણના ૧૨૭માં સુધારા પેટે ઓબીસી બિલ લોકસભામાં રજૂ કર્યુ હતુ. આ બિલનું મુખ્ય હાર્દ રાજ્યોને સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગના લોકોની ઓળખ કરવાનો અધિકાર પરત આપવાનું છે. વિપક્ષ આ મુદ્દે પહેલી વખત સરકારના સમર્થનમાં આવ્યું હતું. તેના લીધે તેણે આજના દિવસ માટે પેગાસસ અને કૃષિ કાયદા અંગેનો વિરોધ પડતો મૂકીને ચર્ચાની તૈયારી બતાવી હતી. કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે વિપક્ષના બધા નેતા આ બિલને સમર્થન આપશે. ઉલ્લેખનીય છે કે સંસદનું ચોમાસુ સત્ર ૧૯ જુલાઈથી શરુ થયુ ત્યારથી સંસદ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી શકી નથી. મોટાભાગના બિલ એમને એમ પાસ કરી દેવાયા છે. જાતિ આધારિત સેન્સસના લીધે જાતિગત રાજકારણને વેગ મળશે પ્રાદેશિક પક્ષો દ્વારા જાતિ આધારિત સેન્સસની માંગ કરવામાં આવવાના લીધે જાતિગત રાજકારણને વેગ મળે સંભાવના છે. આગામી વર્ષે ઉત્તરપ્રદેશમાં ચૂંટણી યોજાવવાની છે ત્યારે ભાજપના સહયોગી અપના દળ (સોનેલાલ)એ કેન્દ્રીય સામાજિક કલ્યાણ મંત્રાલય પાસે ઓબીસીના કલ્યાણ ઉપરાંત સમગ્ર દેશમાં જાતિ આધારિત સેન્સસની માંગ કરી છે. ઉત્તરપ્રદેશ સ્થિત પાર્ટી અપના દળ (એસ) ઉપરાંત બિહારમાં ભાજપ શાસિત સરકારના મહત્ત્વના ઘટક જેડી(યુ)એ પણ આ માંગ કરી છે. જો કે આવી માંગ કરનારા આ જ બે પક્ષો નથી. આરજેડી, સમાજવાદી પાર્ટી અને ડીએમકેએ પણ જાતિ આધારિત સેન્સસની માંગ કરી છે. સ્વાભાવિક છે કે તેઓ આના આધારે પોતાની જાતિગત વોટબેન્ક બનાવી શકે. ભૂતપૂર્વ ઓબીસી કમિશનના સભ્ય શકિલઉઝમાન અન્સારીએ જણાવ્યું હતું કે દેશે જાણવું જોઈએ કે દેશમાં ઓબીસીની કેટલી વસ્તી છે અને તેમનો સામાજિક દરજ્જો શું છે જેથી કોઈ ખાસ સમાજ માટે કલ્યાણકારી યોજનાઓ રજૂ કરી શકાય. સર્વપક્ષીય બેઠક મહત્ત્વ ગુમાવી રહી છે સંસદમાં હાલમાં ચોમાસુ સત્ર દરમિયાન ગતિરોધ ચાલી રહ્યો છે ત્યારે સર્વપક્ષીય બેઠકનું શું મહત્ત્વ છે તે સવાલ પૂછાવવા માંડયો છે. આ હિલચાલ અંગે જાણકારી ધરાવતા લોકોનું કહેવું છે કે વિપક્ષ દ્વારા પેગાસસ વિવાદ અને કૃષિ કાયદાના લઈને ચાલી રહેલા સત્ર દરમિયાન ચાલતી મડાગાંઠનો અંત લાવવા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહના અધ્યક્ષપદ હેઠળ મળેલી બેઠક ફક્ત એક સંભાવના હતી. જો કે પછી આ બેઠક યોજાઈ ન હતી, કારણ કે વિપક્ષે પેગાસસ મુદ્દે મક્કમ રહેવાનું નક્કી કર્યુ હતુ. સરકારના મેનેજરોને હવે આ બેઠકની ખાસ ઉપયોગિતા લાગતી નથી, કારણ કે તેના પરિણામો પહેલેથી જ નિશ્ચિત છે. ફક્ત એટલુંજ નહી. સંસદના નિરીક્ષકોનું પણ કહેવું છે કે સર્વપક્ષીય બેઠકો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓને લઈને ઘણી મહત્ત્વની હોય છે અને તાજેતરના વર્ષોમાં આવી બેઠકો યોજાતી દેખાતી નથી. સર્વપક્ષીય બેઠકનો હેતુ ગૃહને સુચારી રીતે ચલાવવાનો છે. મોદી સરકારે આવી છેલ્લા સાત વર્ષ દરમિયાન આવી ૨૬ બેઠકો યોજી છે. જ્યારે મનમોહન સિંઘની સરકાર દસ વર્ષમાં આવી ૧૭ બેઠકો યોજી હતી. આંકડા દર્શાવે છે કે છેલ્લા વર્ષો દરમિયાન દર વર્ષે સંસદના સત્રના પ્રારંભમાં સત્ર સુચારુ રીતે યોજાય તે માટે બેઠક કરવામાં આવે છે અને તે સામાન્ય બાબત બની ગઈ છે. ગૃહ જાહેર મહત્ત્વની બાબત પર ચર્ચા કરી શકે પછી ભલે તે કોર્ટમાં હોય સરકારે સંસદમાં પેગાસસ મુદ્દે તેમ કહીને ચર્ચા થવા દીધી નથી કે આ બાબત સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે. તેના અંગે લોકસભાના ભૂતપૂર્વ સેક્રેટરી જનરલ પી.ડી. અચારીએ કોર્ટમાં વિચારાધીન કે સબજ્યુડિસ હોવાના નિયમની મર્યાદાઓ સમજાવી છે. ગૃહ જાહેર મહત્ત્વની કોઈપણ બાબત પર ચર્ચા કરી શકે છે. વિધાનસભ્યોની સ્વતંત્રતા સ્વનિયંત્રણથી મર્યાદામાં લાવી શકાય છે. વિધાનસભા ઇચ્છે તો તે કોર્ટના ચુકાદા પર અસર કરતી ચર્ચા ગૃહમાં ટાળી શકે છે. તેના લીધે ન્યાયિક નિર્ણયની યોગ્યતા અને હેતુલક્ષિતા જળવાઈ શકે. સંસદે સુપ્રીમ કોર્ટ સમક્ષ આ મુદ્દાની ચર્ચા કરવી જોઈએ. ગૃહમાં કેટલાય નાણાકીય કૌભાંડોની ચર્ચા થઈ છે, પછી ભલેને તેનો કેસ કોર્ટમાં ચાલતો રહ્યો. ગૃહ જાહેર મહત્ત્વના બધા જ મુદ્દા પર ચર્ચા કરવા સ્વતંત્ર છે. વધુમાં કાર્યપ્રણાલિના નિયમો પણ જણાવે છે કે ગૃહ સંસદમાં ચર્ચાને અવરોધતા હોય તેવા કોઈપણ નિયમને સસ્પેન્ડ કરી શકે છે. આ રીતે તેને જરુર પડે તો તે સબજ્યુડિસના નિયમને સસ્પેન્ડ કરી શકે છે. હવે જો સબજ્યુડિસના નિયમને સખ્તાઇથી અનુસરવામાં આવે તો ગૃહમાં ચાલતી ચર્ચાને કોીપણ વ્યક્તિ દેશની ગમે તે કોર્ટમાં કેસ કરીને અટકાવી શકે. તેથી સબજ્યુડિસની ટર્મને મૂર્ખામીભરી કહી શકાય તે હદ સુધી ખેંચવાની જરુર નથી, એમ તેમણે જણાવ્યું છે. નીરજ ચોપરાને ગોલ્ડનો કાશ્મીરમાં ઉલ્લેખ પણ નહી જમ્મુ-કાશ્મીર રાજ્ય સરકારમાં ટોચના સ્તરે કામ કરી ચૂકેલા અને નિવૃત્ત અમલદારે જણાવ્યું હતું કે નીરજ ચોપરા અને ભારતને ઓલિમ્પિક ટ્રેક એન્ડ ફિલ્ડમાં પહેલો ગોલ્ડ મળ્યો તે સમાચાર ખીણના રવિવારના અખબારોમાં ક્યાય પહેલા પાને ન હતા. તેમના માટે કંઈ આ દિવસની ચૂકી જવાયેલી સ્ટોરી પણ ન હતી. કાશ્મીરમાં આ પ્રકારની બાબતો છપાતી નથી. નવી દિલ્હી દ્વારા લાદવામાં આવેલી સખ્તાઇનો આ જવાબ છે, એમ શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સીઝ (સ્કીમ્સ)ના પ્રતિષ્ઠિત ડોક્ટરે જણાવ્યું હતું. - ઇન્દર સાહની

ગુજરાત સમાચાર 10 Aug 2021 7:05 am

આઈપીઓની વણઝારે ભાંગતી બજારને ઝાલી રાખી

- અલ્પવિરામ - સંસદના ચાલુ ચોમાસુ સત્રમાં દેશની પ્રવર્તમાન આર્થિક સ્થિતિની સમીક્ષા કે ચર્ચા કરવામાં કોને રસ છે ? કદાચ કોઈને નહિ...! સંસદના ચોમાસુ સત્રમાં દેશની પ્રવર્તમાન આર્થિક સ્થિતિની સમીક્ષા કે ચર્ચા કરવામાં કોને રસ છે ? કદાચ કોઈને નહિ. સરકાર ચાહે તો પણ એવી વાતો કરવા માટેની તક એને વિપક્ષો આપે એમ નથી. આ વખતના વર્ષાસત્રનું બીજું નામ ધમાલ સત્ર છે. સરકારને ભીંસ પડે એવા ઘણા મુદ્દા અને મુસદ્દા છે પરંતુ વિરોધપક્ષો એ રસ્તો લેવાને બદલે માત્ર ધમાલ કરી રહ્યા છે. આ ધમાલને કારણે ભાજપને તો કોઈ નુકસાન નથી. ભાજપના હાઈકમાન્ડ તો મૂછમાં હસતા હોય. પરંતુ વિપક્ષો પાસે સરકારને સાણસામાં લેવાની મોડેસ ઓપરેન્ડી કે વ્યૂહરચના સદંતર નથી. એટલે આ સત્ર પણ દેશના ગંભીર પ્રશ્નોના વિમર્શ વિના કાળના પ્રવાહમાં વહી જશે. ઓગણીસમી જુલાઈએ શરૂ થયેલું આ સત્ર તેરમી ઓગસ્ટ સુધી ચાલશે અને આજ સુધી માત્ર કહેવા ખાતરનું ચપટીક કામ જ થયું છે એ પ્રજાના દુર્ભાગ્ય છે. સંસદના કામકાજમાં અનેક અંતરાયો ઊભા કરીને વિપક્ષ સેલ્ફ ગોલ કરી રહ્યો છે. ઈન્ટરનેશનલ મોનિટરી ફંડે ભારતના વિકાસદરના અંદાજમાં નવો ત્રણ ટકાનો વધારો જાહેર કર્યો છે. જેની આ ચોમાસુ સત્રમાં ચર્ચા થવી જોઈએ પણ રોજની રામાયણ જોતાં એ ચર્ચા નહિ થાય. વિકાસદરના આ નવા અંદાજનો અર્થ એ થાય કે સરકારે જાહેર કરેલા વિવિધ આર્થિક પેકેજનું કોઈ સકારાત્મક પરિણામ આવ્યું નથી અથવા જાહેરાત પ્રમાણે અમલવારી થઈ નથી. દેશમાં તેજીનો દેખાડો વધ્યો છે પણ તેજી નથી. દેશના વિદ્વાન અર્થશાસ્ત્રીઓ ભલે મંદીની સૂસવાટા મારતી આગાહી અને પછી ગવાહી આપતા હોય. તો પણ વિરાટ જનસંખ્યાને કારણે ભારતીય બજારમાં ડિમાન્ડ અને સપ્લાયના ચક્ર એટલા તો ગતિશીલ રહે જ છે કે મંદીની લહેર આવે પણ સરળતાથી મંદી ઘર ન કરી શકે. કેન્દ્રના નાણા મંત્રાલયે રાજ્ય સરકારોને ઠપકો આપતા કહ્યું કે મંદીની વાતો દરેક રાજ્યમાં સાંભળવા મળે છે. લોકડાઉન અને પછી અનલોક પછી બજાર સુધારા તરફી છે પરંતુ કોઇ રાજ્ય સરકાર હજુ કરવેરા ઓછા કરતી નથી. કોરોનાની બીજી અને ત્રીજી લહેર વચ્ચે અત્યારે જે 'રિસેસ' ચાલે છે એમાં બજારમાં સુધારો તો દેખાય છે પરંતુ એને સરકાર તરફથી પૂરતો સપોર્ટ મળતો નથી. ખરેખર તો આ જ સમય છે કે, રાજ્યોએ પોતાના વિવિધ વેરાની જાળ ટૂંકી કરવી જોઇએ. આ વખતે વરસાદ સારો થયો છે અને હજુ થવાનો છે. ટૌટે ઝંઝાવાતને કારણે રાજ્યના કાંઠાળ ૫૦ ટકા વિસ્તારોમાં કૃષિ ક્ષેત્રનું ધોવાણ થઇ ગયું છે. પરંતુ એ સિવાય ખરીફ પાક સારો ઉતરવાનો છે અને હવે પછીની રવિ પાકની મોસમ પણ જમાવટ કરવાની છે. એક રીતે જુઓ તો વરસાદે દેશના અર્થતંત્રને યોગાનુયોગ એક મહત્ત્વનો અને ખરા સમયનો ટેકો કરેલો છે. કેન્દ્રની એનડીએ સરકારનો ઝુકાવ હજુ પણ દેશના કોર્પોરેટ સેકટર તરફ છે અને એ તો રહેવાનો જ છે, કારણ કે એનડીએ સરકારની વિચારધારામાં પહેલેથી એની કિચન કેબિનેટમાં કોર્પોરેટ કિંગ કહેવાય એવા અનેક ઉદ્યોગપતિઓના પડાવ છે. નાણાંપ્રધાન નિર્મલા સીતારામને કરવેરામાં જે રાહતો આપી છે અને મોરેટોરીયમની જે સગવડ આપી હતી એની અસરો બજારમાં હવે દેખાવા લાગી છે. પરંતુ અર્થશાસ્ત્રના સિદ્ધાન્ત પ્રમાણે રાજ્ય સરકારોએ મંદીમાં જે ખર્ચ વધારવો જોઇએ એના બદલે તે ખર્ચ ઘટી રહ્યો છે. રાજ્ય સરકારો ટેકસ ક્યારે ઘટાડશે તે એક કોયડો છે. રાજ્ય અને કેન્દ્ર દ્વારા હાલ લેવામાં આવતા વિવિધ કરવેરા કોઇ પણ રીતે બિઝનેસ પ્રોત્સાહક નથી. મોંઘવારી પણ સતત ઊંચા પગથિયા ચડે છે. દિવાળી આવશે ત્યાં સુધીમાં તો સિંગતેલ, પેટ્રોલ, ડિઝલની લાઇનમાં જ ડુંગળી આવીને ઉભી રહી જશે. છેલ્લા ઘણા વરસોથી આ ક્રમ ચાલે છે, દિવાળી નજીક આવે કે તુરત જ ડુંગળીના ભાવ આસમાનને અડવા માટે 'મહેકી' ઉઠે છે. ડુંગળી તો દેશના ગરીબથી તવંગર સહુના સ્વાદ અને શોખનો વિષય છે. છતાં નાના પરિવારોમાં ડુંગળી મહદ્ અંશે શાકનો વિકલ્પ બનીને દિવસો પસાર કરી આપે છે. રાજ્ય કે કેન્દ્ર પાસે એવી કોઇ વ્યવસ્થા જ નથી કે તે ડુંગળીના ભાવનું નિયમન કરી શકે. ગયા વરસે તો છેલ્લા ચાર વરસમાં ડુંગળીના ભાવ સૌથી વધુ ઊંચે ગયા હતા. ડુંગળીની લાક્ષણિકતા જ આંખમાં આંસુ લાવવાની છે એની પ્રતીતિ બજાર હવે આર્થિક રીતે પણ કરાવે છે. આ વખતની મંદીનું એક કારણ ભલે કોરોનાને નામે હોય પરંતુ એ સિવાયની સરકારની નીતિઓ બહુ પ્રોત્સાહક નથી. જેઓ વેપારધંધા લઈને બેઠા છે એમને ખબર છે. વળી ઓનલાઈન વેપારને કારણે પણ રિયલ માર્કેટને ફટકો પડે છે. દેશમાં પ્રવર્તમાન મંદીનું એક કારણ ગત બજેટ તૈયાર કરવામાં દાખલ કરાયેલી બિનઅર્થશાસ્ત્રીય પ્રણાલિકાઓ પણ છે. એક સર્વેક્ષણ પ્રમાણે ભારતમાં મંદીની શરૂઆત છેલ્લા ત્રણ વરસથી થયેલી છે. છતાં પણ આજ સુધી રાજ્ય સરકારોએ પોતાના ખર્ચના આંકડાઓને અભિવૃદ્ધ કર્યા નથી. એનો બીજો અર્થ છે કે, રાજ્ય સરકારોની નીતિ મંદીને પ્રોત્સાહન આપનારી નીવડી છે. હવે વિકલ્પો બહુ મર્યાદિત છે. વડાપ્રધાન મોદી પોતાની કોઇ વિશ્રામ વેળાએ જો દેશના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજીને નવી રણનીતિ બનાવે અને ખર્ચના યોગ્ય પ્રયોજન માટે ઉદ્દીપકનું કામ કરે તો તેજીના ચક્ર અધિક સજીવન થઇ શકે છે. પરંતુ આપણે ત્યાં સરકાર પોતાના પક્ષે તો કદી બોધપાઠ લેતી જ નથી અને બધા જ બોધપાઠ લેવાના અને ભોગવવાના પ્રજાના ભાગે જ આવે છે. આજકાલ દેશમાં તેર રાજ્યો એવા છે જેની તિજોરીની હાલત ગંભીર છે. છત્તીસગઢ અને કેરળની હાલત વધુ ખરાબ છે. સાત રાજ્યો એવા છે જેની ખોટ પાછલા વરસ કરતા વધારે છે, એમાં ગુજરાત, આન્ધ્ર, કર્ણાટક, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ જેવા મોટા રાજ્યો છે. આ ખોટ વળી આગે સે ચલી આતી હૈ જેવી છે. ઉપરના બધા એ રાજ્યો છે કે જેમણે પોતાના ખર્ચમાં કાપ મૂકીને મંદીને વધુ વેગ આપ્યો છે. શ્રાવણ મહિનો નજીક આવી ગયો છે. બજારમાં હવે તહેવારોને કારણે અને કોરોનાનો ભય હળવો થવાને કારણે જે નવી ચમક દેખાવા લાગી છે એને ટકાવી રાખવી હોય તો રાજ્ય સરકારોએ વિવિધ પરિયોજનાઓને બહાને ખર્ચમાં વધારો કરવો પડશે. તો જ ડિમાન્ડ કાર્યાન્વિત થશે. ડિમાન્ડ ખરેખર તેજીનું પ્રાણતત્ત્વ છે. એક વખત બજારમાં ડિમાન્ડ પ્રજ્વલિત થાય પછી સમગ્ર અર્થતંત્રમાં નવો અજવાસ ફેલાઇ જાય છે. આકાશવાણી અને દૂરદર્શન પર એટલે કે સત્તાવાર સરકારી મીડિયા દ્વારા સપ્તાહમાં ચાર વાર એમ કહેવામાં આવે છે કે દેશનું અર્થતંત્ર પાટે ચડી ગયું છે જ્યારે કે હકીકત જુદી છે. મોટા શહેરોના બિલ્ડરો તો આ મંદીમાં કદાચ બચી જશે પરંતુ ગુજરાતના તાલુકા અને જિલ્લા કક્ષાના સેન્ટરોના બિલ્ડરો આ મંદીમાં રોડ પર આવી જશે. મંદીના માર ઉપરાંત રેરાના કાયદાની વિચિત્ર ભૂલભૂલામણી એમને બાંધકામ ક્ષેત્રમાંથી સન્યાસ લેવરાવશે એ નક્કી છે.

ગુજરાત સમાચાર 10 Aug 2021 5:40 am

ઓનલાઇન બિઝનેસ માટેના કાયદા ગ્રાહકોને રક્ષણ આપશે

- સામાન્ય રીતે સરકારના કાયદા દાંત નહોર વિનાના હોય છે કંપનીઓના હાથ ઉપર રહે એવું આયોજન કરાતું હોય છે ભારતમાં ઇ કોમર્સ કલ્પના બહાર આગળ વધી રહ્યું છે. જે માર્કેટ શરૂઆતમાં ૧.૯ અબજ રૂપિયાનું હતું તે ૨૦૨૪ સુધીમાંતો ૧૮.૦૨ અબજ રૂપિયાને વટાવી જશે. ઇ કોમર્સના માર્કેટને નિયંત્રણમાં રાખવા તેમજ નાના દુકાનદારોના અને ગ્રાહકોના હિત જળવાઇ રહે એટલે સરકાર ઇ કોમર્સ માટેના નવા કાયદા લાવી રહ્યું છે. ઇ કોમર્સ સાથે સંકળાયેલા દરેક નાના મોટા કનેક્શનના ઓપિનીયન સરકારે મંગાવ્યા છે. કહે છે કે ૧૫ ઓગષ્ટની આસપાસ નવા નિયમો આવી જશે. ભારતની ઇ કોમર્સની પ્રગતિને હરણ ફાળ સાથે સરખાવી શકાય. ભારતની નવી પેઢીને ઇકોમર્સ પ્લેટફોર્મ પર ટ્રાન્સફર કરવામાં ઇ કોમર્સ કંપનીઓને સફળતા મળી છે. અમેરિકાની ઇ કોમર્સ જાયન્ટસ વોલમાર્ટે જ્યારે ભારતની ફ્લિપકાર્ટનો હિસ્સેા ખરીદ્યો ત્યારે ઇ કોમર્સ ક્ષેત્રમાં ઉથલ પાથલ મચી હતી. ત્યારબાદ અમેરિકામાં વોલમાર્ટના પ્રતિસ્પર્ધી એમેઝોને પણ ભારતમાં એન્ટ્રી મારી હતી. આ બંને બહુ જાણીતી કંપનીઓને પડકારવા ભારતની કંપનીઓ મેદાનમાં આવી હતી. જેમ સોશ્યલ નેટવર્ક સાથે સંકળાાયેલી કંપનીઓ ભારતના કાયદાથી નારાજ ચાલે છે એવું ઇકોમર્સના ક્ષેત્રે ના થાય તે પણ જરૂરી છે. આમ પણ, વિદેશી કંપનીઓને કોઇ રોકે તે તેને પસંદ નથી હોતું. એટલેજ સોશ્યલ નેટવર્ક સામે સરકારે લાલ આંખ બતાવી ત્યારે ઉહાપોહ કરાયો હતો. આવી કંપનીઓ ફરિયાદ સાંભળે એવા અધિકારીની નિમવાની ફરજ પડાઇ હતી. બે સોશ્યલ નેટવર્ક કંપનીઓે સરકાર સામે કેસ પણ કરી ચૂકી છે. ભારતમાં ઇકોમર્સની ઢગલો વેબસાઇટો છે. રીલાયન્સ, ટાટા જેવા મોટા માથાઓ બજારમાં આવ્યા બાદ ઇ કોમર્સમાં અનેક નવી સ્પર્ધા અને અનેક નવા કોન્સેપ્ટ જોવા મળ્યા હતા. સોયના પેકેટથી માંડીને એ.સી સુધીની ચીજો લોકો ઓનલાઇન મંગાવતા થયા છે. ઇ કોમર્સ પર ચાલતા સેલ તો આકર્ષણનું કેન્દ્ર બનતા હતા. વિશ્વમાં બીજા નંબરની વસ્તી ધરાવતા ભારત પર દરેક ઇ કોમર્સ કંપનીઓની નજર રહી છે. ભારતના લોકોેએ ઇ કોમર્સની ટેકનોલોજી તરત સ્વિકારી લીધી હતી. આજે મોટા શહેરો અને ટાઉન લેવલે એક પણ ઘર એવું નહીં હોય કે જેમણે ઇ કોમર્સનો ઉપયોગ ના કર્યો હોય. એ પણ ના ભૂલવું જોઇએ કે અનેક લોકો ક્વોલિટી બાબતે અને ઓર્ડર વિનાના માલ બાબતે ફરિયાદો આવતી થઇ છે. ઇકોમર્સની સાઇટો મનમાની કરતી અટકે એટલે તેને કાયદાની પકડમાં લાવવી જરૂરી બની ગઇ હતી. વિરોધ પક્ષો પણ ઇકોમર્સ માટે કાયદાની માંગ કરી રહ્યા હતા. ઓન લાઇન માર્કેટ ભરોસો ઉભો કરી રહ્યું છે. એવી વ્યવસ્થા ગોઠવાઇ છે કે કંપનીઓ દરેક મોટા શહેરોમાં પોતાના ડેપો ઉભા કરે છે. એટલે જે દિવસે ઓર્ડર મળે એજ દિવસે ડિલિવરી કરી શકાય. સેમ-ડે ડિલિવરી એ ઓનલાઇન ડિલીંગ કરનારા માટે પડકારજનક હતું. પરંતુ ઓનલાઈન માર્કેટમાં ઉભી થયેલી સ્પર્ઘાના કારણે દરેકે સેમ ડે ડિલિવરીનો પડકાર ઉઠાવી લીધો હતો. જ્યારે માર્કેટમાં અબજો રૂપિયા રોકાઇ રહ્યા છે અને માર્કેટ ૨૦૨૩માં ૧૮ અબજ તરફ જઇ રહ્યું છે ત્યારે ગ્રાહકોનો ભરોસો અકબંધ રહે તે પણ જરૂરી છે. ઇ કોમર્સ જાયન્ટ્સ ભારતના ગ્રાહકોની ફરિયાદોના જવાબો ના આપે એમ પણ બનવા લાગતાં સરકાર ચેતી ગઇ હતી. સરકારને સૌથી વધુ ટેન્શન નાના વેપારીઓનું હતું. ચૂંટણી વખતે નાના વેપારીઓને સરકારે વચન આપ્યું હતું કે તમારા હિતોની રક્ષા કરાશે. જોકે સરકાર કંઇ વિચારે તે પહેલાંતો ઇ કોમર્સનો વ્યાપ કૂદકેને ભૂસકે વધી ગયો હતો. સરકારે ઓન લાઇન ખરીદતા ગ્રાહકોનું હિત અને કરિયાણાની દુકાન ચલાવતા નાના વેપારીઓ કે કરિયાણાની દુકાનો વાળાઓને આપેલા ચૂંટણી પ્રોમિસનું પણ ધ્યાન રાખવાનું હતું. ભારત જે કાયદા બનાવી રહ્યું છે તેના કરતાં વધુ કડક કાયદાતો અન્ય દેશોમાં છે પરંતુ આપણે ત્યાં કાયદા બનતા પહેલાંજ તેનો ડર બતાવાઇ રહ્યો છે. ઇ કોમર્સના વ્યવસાયનો વ્યાપ વધતો જાય છે. લોકો તેની સાથે આસાનીથી ડિલીંગ કરતા થયા છે. બિગ બાસ્કેટ જેવા કંપની ધરેલું બનતી જાય છે. લોકો ઓનલાઇન એ.સી મંગાવતા હોય ત્યારે ઇ કોમર્સની કંપનીઓ માટે કાયદાની જરૂર પડે છે. સામાન્ય રીતે સરકારના કાયદા દાંત નહોર વિનાના હોય છે. આશા રાખીએ કે કંપનીઓ ખોટું કરતા ડરે એવા કડક કાયદા સરકાર બનાવે અને ગ્રાહકોનું કાયદાથી રક્ષણ કરે.

ગુજરાત સમાચાર 9 Aug 2021 2:30 am

મિઝોરમમાં દવાઓની અછત, સરકાર મૂક પ્રેક્ષક

નવીદિલ્હી : આસામ-મિઝોરમ સરહદી વિવાદના પગલે મણિપુર આવતી ટ્રકોને આસામમાં રોકી દેવાતાં મિઝોરમમાં હાલત ખરાબ થઈ રહી છે. સરકાર મિઝોરમને દવાઓ સહિતની જીવન જરૂરીયાતની ચીજો સરળતાથી મળી રહે એવી વ્યવસ્થા કરવાના બદલે મૂક પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહી છે તેની આકરી ટીકા થઈ રહી છે. મિઝોરમે આ પ્રવૃત્તિને માનવાધિકારનો અને દેશના બંધારણનો પણ ભંગ ગણાવીને સરકારને તાત્કાલિક દખલગીરી કરવા કહ્યું છે. મિઝોરમમાં કોરોનાની સારવાર માટેની દવાઓ ખૂટી પડી છે એવો દાવો આરોગ્ય મંત્રી ડો. લાલથાંગલિયાનાએ કર્યો છે. આ દવાઓ તાત્કાલિક નહીં મળે તો મિઝોરમમાં કોરાનાના કારણે થતો મોતનો આંકડો ઝડપથી વધશે એવી ચીમકી પણ તેમણે આપી છે. આ સિવાય દૂધ, ઈંડાં જેવી રોજિંદી જરૂરીયાતની ચીજો પણ મળી રહી નથી. સૂત્રોનો દાવો છે કે, ભાજપ સરકાર એક તરફ મિઝોરમને તમામ સહાયનો દાવો કરે છે જ્યારે બીજી તરફ સહાય મળતી રહે એ માટે કશું કરતી નથી. આ બેવડાં ધોરણોના કારણે લોકોમાં આક્રોશ વધી રહ્યો છે. રેલ્વેનાં ભાડામાં હવે કોઈ રાહત નહીં મળે સરકાર રેલ્વેનાં ભાડામાં પહેલાં અપાતી રાહતો ફરી શરૂ નહીં કરે એવો સ્પષ્ટ સંકેત નવા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી દીધો છે. સરકારનો ઈરાદો જોતાં હવે લોકોએ કાયમ માટે મોંઘા ભાવે રેલ્વેની મુસાફરી કરવાની તૈયારી રાખવી પડશે. ગયા વરસે માર્ચમાં કોરોનાના કારણે લોકડાઉનના પગલે મોદી સરકારે તમામ ટ્રેનો બંધ કરવાની જાહેરાત કરી પછી ટ્રેન સેવા નિયમિત રીતે શરૂ થઈ નથી. સ્પેશિયલ ટ્રેનો જ દોડાવાય છે કે જેમાં કોઈ રાહતો નથી અપાતી. રેલ્વે દ્વારા પહેલાં પ્રવાસી ભાડાંમાં ૫૧ પ્રકારની રાહતો અપાતી હતી. સીનિયર સિટિઝન્સને ૫૦ ટકા સુધી રાહત અપાતી હતી. દિવ્યાંગજનો, વિદ્યાર્થીઓ, દર્દીઓ વગેરેને અલગ અલગ કેટેગરીમાં રાહતો અપાતી હતી. વૈષ્ણવના કહેવા પ્રમાણે આ રાહતો ફરી શરૂ કરવાની હાલમાં કોઈ યોજના નથી. સૂત્રોના મતે, સરકાર રેલ્વેનું ધીરે ધીરે સંપૂર્ણ ખાનગીકરણ કરી નાંખવા માગે છે તેથી હવે સસ્તી મુસાફરી જ શક્ય નહીં રહે ત્યારે હવે કોઈ પણ રાહતની તો વાત જ થાય તેમ નથી. ભાજપ-સંઘ રેટ્રો કર મુદ્દે સામસામે સરકારે મોટી કંપનીઓ પરનો રેટ્રો કર નાબૂદ કરવાનો નિર્ણય લીધો તેનાથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નારાજ છે. આ મુદ્દે સંઘ અને ભાજપ સામસામે આવી ગયાં છે ને ટ્વિટર વોર જામી છે. સંઘ સાથે જોડાયેલા સ્વદેશી જાગરણ મંચે આ નિર્ણયની ઝાટકણી કાઢીને લખ્યું કે, સરકારે આંતરરાષ્ટ્રીય મધ્યસ્થીના દબાણમાં રેટ્રોસ્પેક્ટ્રિવ ટેક્સ નાબૂદ કર્યા વિના છૂટકો જ નહોતો. મીડિયામાં આ સમાચાર 'ચોરોને રાહત' એ હેડિંગ સાથે છપાવા જોઈતા હતા કે જેના કારણે સરકાર તથા પ્રજાને હજારો કરોડ રૂપિયાનો ચૂનો લાગી ગયો છે. વિદેશી રોકાણના ગેરફાયદાનું આ મોટું ઉદાહરણ છે. ભાજપના વિદેશી બાબતોના પ્રભારી ડો. વિજય ચૌથાઈએ સવાલ કર્યો કે, તમે એફડીઆઈ પર સંપૂર્ણ પ્રતિબંધ ઈચ્છો છો ? મંચના અશ્વિની મહાજને સામો સવાલ કર્યો કે, કોઈ પણ નીતિના ફાયદા કે ગેરફાયદા વિશે બોલવું એ ગુનો છે ? ચૌથાઈએ જવાબ આપ્યો કે, અપરાધ ના હોય એ બધું દેશના હિતમાં હોય એ જરૂરી નથી ને આ વાત સમજવામાં તમે નિષ્ફળ ગયા છો. સ્મૃતિની અનિચ્છા છતાં રેખા ફરી મહિલા પંચના ચેરમેન રેખા શર્મા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીની અનિચ્છા છતાં રાષ્ટ્રીય મહિલા પંચનાં ચેરમેન તરીકે ત્રણ વર્ષનું એક્સટેન્શન મેળવવામાં સફળ રહ્યાં છે. સ્મૃતિ આ હોદ્દા પર પોતાની નજીકનાં દિલ્હી ભાજપનાં મહિલા નેતાને મૂકવા માગતાં હતાં પણ સંઘના દબાણના કારણે મોદીએ સ્મૃતિની ઈચ્છાને અવગણીને ફરી શર્માને નિમણૂક આપી હોવાનું કહેવાય છે. સંઘની દલીલ છે કે, શર્મા હિંદુત્વના એજન્ડા પર કામ કરી રહ્યાં છે અને ભાજપને રાજકીય ફાયદો થાય એ રીતે પણ વર્તી રહ્યાં છે ત્યારે તેમને ડિસ્ટર્બ કરવાની જરૂર નથી. અમિત શાહે પણ રેખાની તરફેણ કરી હોવાની ચર્ચા છે. રેખાના લવ જિહાદ તથા ખ્રિસ્તી ધર્મગુરૂઓ સામેના આક્રમક વલણના કારણે સંઘ તેમનાથી ખુશ છે. રેખા શર્માએ ચર્ચમા કરાતાં કન્ફેશનની પ્રથા નાબૂદ કરવા ખુલ્લેઆમ તરફેણ કરી રહ્યાં છે. મહિલા પંચના માધ્યમથી તેમણે લવ જિહાદના ઘણા કેસોનો ભાંડો ફોડયો હોવાનો દાવો છે. મહારાષ્ટ્રમાં લવ જિહાદના કેસો વધી રહ્યા છે એવા દાવા દ્વારા તેમણે ભાજપને રાજકીય મુદ્દો આપ્યો હતો. મૌર્ય ફેક ડીગ્રી કેસમાં દોષિત ઠરશે ? ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપને મોટો ફટકો પડે એવી ઘટનામાં નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય ખોટી ડીગ્રીના કેસમાં દોષિત ઠરીને ગેરલાયક ઠરે એવા અણસાર છે. મૌર્ય સામે નકલી ડીગ્રીના આધારે પેટ્રોલ પંપ લેવાનો અને પાંચ ચૂંટણી જીતવાનો કેસ ભાજપના જ ટોચના નેતા દિવાકર ત્રિપાઠીએ કર્યો છે. પ્રયાગરાજની કોર્ટ ૧૧ ઓગસ્ટે આ કેસમાં ચુકાદો આપવાની છે પણ પુરાવા જોતાં ચુકાદો મૌર્યની વિરૂધ્ધ આવવાની પ્રબળ શક્યતા ભાજપના નેતાઓ જ વ્યક્ત કરી રહ્યા છે. ત્રિપાઠી રાજનાથસિંહના ખાસ ગણાય છે તેથી મૌર્ય સામે કેસ કરવા છતાં હજુ ભાજપમાં જ છે. આ કારણેપણ કોર્ટનો ચુકાદો મૌર્યની વિરૂધ્ધ આવી શકે છે. ત્રિપાઠીનો આક્ષેપ છે કે, મૌર્યે પોતાની શૈક્ષણિક લાયકાત તરીકે હિંદી સાહિત્ય સંમેલન દ્વારા અપાયેલી ડીગ્રી દર્શાવી છે. તેનાં સર્ટિફિકેટ્સ ચૂંટણીની એફિડેવિટમાં જોડયાં છે પણ યુપી સરકાર કે કોઈ પણ બોર્ડે આ ડીગ્રીને માન્યતા નથી આપી. આ ડીગ્રીના આધારે મૌર્યને પેટ્રોલ પંપ પણ ફાળવાયો છે તેથી મૌર્ય સામે છેતરપિંડીનો કેસ થવો જોઈએ. આસામમાં ભાજપને પછાડવા મમતા-ગોગોઈ સાથે મમતા બેનરજીએ ત્રિપુરામાં ભાજપ સામે આરપારનો જંગ છેડયા પછી હવે આસામમાં ભાજપને પડકારવાનું નક્કી કર્યું છે. તૃણમૂલ કોંગ્રેસનો આસામમાં પ્રભાવ વધારવા મમતાએ અપક્ષ ધારાસભ્ય અખિલ ગોગોઈ સાથે જોડાણ માટે પ્રયત્નો શરૂ કર્યા છે. આસામમાં ચાના બગીચા તથા અન્ય ઠેકાણે કામ કરતા કામદારોના નેતા અને આરટીઆઈ એક્ટિવિસ્ટ ગોગોઈને મમતાએ કોલકાત્તા બોલાવીને આસામમાં તૃણમૂલનું નેતૃત્વ કરવા કહ્યું છે. ભાજપ સામે આક્રમકતાથી લડી રહેલા ગોગોઈને મજબૂત પીઠબળની જરૂર છે તેથી હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. આસામમાં ભ્રષ્ટાટાર વિરોધી અનેક ચળવળોનું નેતૃત્વ કરનારા ગોગોઈને સીએએ સામેના વિરોધ બદલ ભાજપ સરકારે જેલમાં પૂરી દીધો હતો. ૧૯ મહિના સુધી જેલમાં રહેલા ગોગોઈએ વિધાનસભાની ચૂંટણી જેલમાં રહીને જ લડી હતી. એક પણ દિવસ પ્રચાર માટે બહાર નહી નિકળેલા ગોગોઈને હરાવવા ભાજપે પૂરી તાકાત લગાવી દીધી હતી છતાં ગોગોઈ સિબસાગર બેઠક પરથી અપક્ષ તરીકે જીતી ગયા હતા. આસામમાં મોટા પ્રમાણમાં મુસ્લિમો અને કામદારો હોવાથી મમતા ભાજપ માટે પડકાર ઉભો કરી શકે છે. *** ટીએમસીને આગેવાન થવું છે, કોંગ્રેસથી અલગ રહેવું છે વિપક્ષ દ્વારા કેન્દ્ર સામે ચોમાસુ સત્ર દરમિયાન કેટલાય મુદ્દાઓને લઈને સંકલિત રીતે કાર્યવાહી કરવામાં આવી, પણ મમતા બેનરજીની ટીએમસી સાવધાનીપૂર્વક આ ગ્રુપની અંદર પોતાની આગવી નેતાગીરીને કંડારી રહી છે. ટીએમસી કમસેકમ કોંગ્રેસની આગેવાની હેઠળના રાજકીય પક્ષ તરીકેની તેની ઇમેજ ઊભી થવા દેવા માંગતી નથી અને પોતાની અલગ જ છાપ ઊભી કરવા માંગે છે. તેથી જ ટીએમસીના સાંસદોએ શુક્રવારે જંતર મંતર પર વિરોધ કરી રહેલા ખેડૂતોની સામેની કિસાન સંસદમાં હાજરી આપી હતી. જ્યારે રાહુલ ગાંધીની આગેવાની હેઠળ સમગ્ર વિપક્ષે દિવસના બીજા ભાગમાં ખેડૂતોની મુલાકાત લીધી હતી. શુક્રવારે કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેીની ચેમ્બરમાં વિપક્ષોની બેઠક યોજાઈ હતી. ટીએમસીના સાંસદ સજેદા ખાતુન અને રાજ્યસભાના સાંસદ નદીમુલ હક્કે તેમા હાજરી આપી હતી, જ્યારે ખરેખર તેમા ફ્લોર લીડર ડેરેક ઓ બ્રાયન (રાજ્યસભા) કે સુદીપ બંદોપાધ્યાય (એલએસ)એ હાજરી આપવાની હતી. રાહુલ સાથે બે દિવસ પહેલાની બ્રેકફાસ્ટ મીટિંગમાં પણ ટીએમસીના સાંસદો સારી સંખ્યામાં હાજર હતા, પરંતુ તેમના ફ્લોર લીડર હાજર ન હતા. ટીએમસીના રાજ્યસભાના સાંસદ સુખદ્દુ શેખર રોયે શુક્રવારે બિઝનેસ એડવાઇઝરી કમિટીની મીટિંગમાંથી બિલને સંસદમાં જે રીતે પસાર કરવામાં આવ્યા તેના વિરોધમાં વોકઆઉટ કર્યુ હતું. વિપક્ષમાંથી આવું પગલું લેનારા તે પ્રથમ હતા. કોંગ્રેસની અંદર સંગઠનાત્મક ફેરફાર ઇચ્છતા પ્રશાંત કિશોર ચૂંટણી વ્યૂહબાજ પ્રશાંત કિશોરે ગુરુવારે પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંઘના સલાહકાર પદેથી રાજીનામુ આપી દઇને સંકેત પાઠવી દીધા છે કે તેઓ હવે ફક્ત સલાહકારની ભૂમિકા સુધી મર્યાદિત રહેવા માંગતા નથી. તેઓ તેના બદલે રાજકીય પક્ષનો હિસ્સો બનીને ૨૦૨૪માં તેમની ક્ષમતા સાબિત કરવા માંગે છે. આંતરિક વર્તુળોનું કહેવું છે કે કિશોર કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીને છેલ્લા એક વર્ષમાં ઘણી વખત મળ્યા છે, પરંતુ તેમની વાતો ચૂંટણીલક્ષી નથી. તેના બદલે તેઓએ કોંગ્રેસની અંદર ધરમૂળથી ફેરફાર કરવા સૂચન કર્યુ છે. કિશોરે ત્રણેય ગાંધીને જણાવ્યું છે કે તેઓનું ધ્યાન સંગઠનાત્મક સુધારા પર હોવું જોઈએ ચૂંટણીઓ જીતવા પર ન હોવું જોઈએ. આરટીઆઇ એક્ટિવિસ્ટને ઓક્સિજન મેનેજમેન્ટનો રિપોર્ટ આપવા ઇન્કાર કેન્દ્રએ રાઇટ ટુ ઇન્ફોર્મેશન (આરટીઆઇ) કાર્યકરને રોગચાળા દરમિયાન ેડિકલ ઓક્સિજનના મેનેજમેન્ટ અંગેના સત્તાવાર રેકોર્ડની વિગતો આપવાનો ઇન્કાર કર્યો છે. તેનું કહેવું હતું કે એપ્રિલ ૨૦૨૦માં આવી કોઈ પેનલ જ સ્થપાઈ ન હતી. આ વર્ષે જૂનમાં સરકારે સૌરવ દાસને બીજા કારણસર આ પ્રકારની માહિતી આપવા ઇન્કાર કર્યો હતો. તેણે કારણ આપ્યું હતું કે આરટીઆઇ એક્ટ હેઠળ અધિકારીઓને તે માહિતી ન આપવાનો અધિકાર છે જે ભારતના રાષ્ટ્રીય હિતોના અસર કરતી હોય. કેન્દ્રએ ગયા વર્ષે માર્ચમાં ડીપીઆઇટીટીના સેક્રેટરી ગુરુપ્રસાહ મોહપાત્રાના અધ્યક્ષ પદ હેઠળ ઇન્ટરમિનિસ્ટરીઅલ એમ્પાવર્ડ ગ્રુપ સ્થાપ્યું હતું. તેમા અન્ય મંત્રાલયના ઓફિસરો પણ હતા. રાજ્યોને મેડિકલ ઓક્સિજનનો પુરવઠો નિયમિત રીતે મળી રહે તે માટે તેને સ્થાપવામાં આવ્યું હતું, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. હવે તે માાર્ચ કે એપ્રિલ ૨૦૨૦માં સ્થપાયું તે બાબત અપ્રસ્તુત છે, મેં તેના સત્તાવાર રેકોર્ડ અંગે જ પૂછ્યું છે, એમ દાસે જણાવ્યું હતું. સાત વર્ષનો રેકોર્ડ યુપીએએ ભાજપ કરતાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધુ વધાર્યા પેટ્રોલના ભાવ દિલ્હીમાં પ્રતિ લિટર ૧૦૦ રુપિયાને વટાવી ગયા છે અને આજે ભારતના કેટલાય શહેરોમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ૧૦૦ રુપિયાને વટાવી ગયો છે. તેના ભાવમાં નોંધપાત્ર વધારો રાજકીય મુદ્દો પણ બની ગયો છે. જો કે છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન હાલના અને અગાઉના શાસનોએ કેટલો વધારો કર્યો તે જોઈએ લઈએ. સરકારે સત્તાના સાત વર્ષ દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૪૦ અને ૫૬ ટકાનો વધારો કર્યો હતો. ભાજપ સરકાર સત્તા પર આવી હતી ત્યારે પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ૭૧.૪૧ અને ડીઝલનો ૫૭.૨૮ હતો, જે હવે ૧૦૦.૨૧ અને ૮૯.૫૩ થયો છે. તેની સામે યુપીએ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૭૭ ટકા અને ૬૬ ટકા વધારો કર્યો હતો. તેનો ભાવ ૨૦૦૪માં પ્રતિ લિટર ૩૬ અને ૨૩ રુપિયા હતો તે વધીને ૬૩ અને ૩૮ રુપિયા થઈ ગયો હતો. જો કે યુપીએના શાસનકાળ દરમિયાન ૨૦૦૪થી ૨૦૧૪ દરમિયાન ક્રૂડ ઓઇલના ભાવ ૨૨૨ ટકા વધી પ્રતિ બેરલ ૩૪.૧૬ ડોલરથી ૧૧૦ ડોલરે પહોંચી ગયા હતા. તેના લીધે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના ભાવ વધારવા પડયા હતા. - ઇન્દર સાહની

ગુજરાત સમાચાર 8 Aug 2021 7:05 am

પિકનીક ટાઈમ:કેનેડાના એડમેન્ટન શહેરમાં દોઢ વર્ષ બાદ ગુજરાતીઓએ માણી હોટ સમરની મજા, ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું

માસ્ક ફ્રી અને સોશિયલ ગેધરિંગની કોઈ લિમિટ ન રહેતા ગુજરાતીઓ મોજમાં જોવા મળ્યાં

દિવ્ય ભાસ્કર 7 Aug 2021 11:00 am

દિલ્હીની વાત : મોદી જેડીયુ સાંસદોને ના મળતાં નીતિશ ખફા

નરેન્દ્ર મોદીએ જેડીયુના સાંસદોને મળવાનો ઈન્કાર કરી દેતાં નીતિશ કુમાર બગડયા છે. બિહારમાં જ્ઞાાતિ આધારિત વસતી ગણતરીની રજૂઆત માટે સાસંદોએ મોદીનો સમય માગ્યો હતો. મોદીએ સાંસદોને સમય ના આપ્યો અને અમિત શાહને મળવાનું કહીને રવાના કરી દીધા. સાંસદોએ શાહને મળીને રજૂઆત કરી પણ શાહે કોઈ ખાતરી આપી નહીં. શાહે કેબિનેટમાં ચર્ચા પછી નિર્ણય લેવાશે એવું કહીને સાંસદોને વિલા મોંઢે રવાના કરી દીધા. બગડેલા નીતિશે જાહેરમાં બળાપો કાઢીને કહ્યું કે, અમારે મોદીને મળવું છે પણ મોદી સાહેબ પાસે સમય તો હોવો જોઈએ ને ? નીતિશે મોદીને પત્ર પણ લખ્યો છે. નીતિશે લખ્યું છે કે, બિહારનું સર્વપક્ષીય પ્રતિનિધીમંડળ જ્ઞાાતિ આધારિત વસતી અંગે રજૂઆત કરવા માગે છે અને આ મુદ્દો બિહારની પ્રજાના હિતને લગતો છે તેથી સત્વરે સમય આપવા વિનંતી છે. સૂત્રોનું કહેવું છે કે, જ્ઞાાતિ આધારિત વસતી ગણતરીના મુદ્દે ભાજપ અને જેડીયુ વચ્ચે મતભેદો વધતા જાય છે એ જોતાં ગમે ત્યારે વિસ્ફોટ થઈ શકે છે. યુપીમાં યોગી વિરોધીઓએ હથિયાર હેઠાં મૂક્યાં ઉત્તર પ્રદેશમાં ભાજપ યોગી આદિત્યનાથને મુખ્યમંત્રીપદના દાવેદાર તરીકે પ્રોજેક્ટ કરે એવી શક્યતા છે. યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યે પોતે આ સંકેત આપ્યો છે. મૌર્યનું કહેવું છે કે, યુપીમાં ભાજપમાં યોગી આદિત્યનાથ સૌથી મોટું નામ છે તેથી મને લાગે છે કે ભાજપ બહુ જલદી તેમના નેતૃત્વમાં જ લડવાનો નિર્ણય લેશે. મૌર્યે યોગીના નેતૃત્વમાં સરકાર જોરદાર કામગીરી કરી રહી હોવાનો પણ દાવો કરીને કહ્યું કે, અમારા મુખ્યમંત્રીનું નેતૃત્વ અદભૂત રહ્યું છે ને મારા મતે આગામી ચૂંટણીમાં પણ યોગી જ અમારા નેતા હશે. મૌર્યની ગણના અમિત શાહની નજીકના માણસ અને યોગીના કટ્ટર હરીફ તરીકે થાય છે. ૨૦૧૭માં મુખ્યમંત્રીપદના પ્રબળ દાવેદાર મૌર્યે યોગીના કારણે મુખ્યમંત્રી બનવાની મહેચ્છા પર બ્રેક મારવી પડી હતી. થોડા સમય પહેલા તેમણે ફરી માથું ઉંચક્યું હતું પણ હવે તેમના તેવર ઢીલા પડી ગયા છે. રાજકીય વિશ્લેષકોના મતે, મૌર્યનું નિવેદન એ વાતનો સંકેત છે કે, યોગી વિરોધીઓએ હથિયાર હેઠાં મૂકવા માંડયાં છે. ભાજપને હરાવવા અખિલેશ 'રાવણ' સાથે હાથ મિલાવશે ઉત્તર પ્રદેશમાં ભાજપને હરાવવા માટે અખિલેશ યાદવ ભીમ આર્મીના ચંદ્રશેખર આઝાદ સાથે હાથ મિલાવે એવી શક્યતા છે. સમર્થકોમાં 'રાવણ' તરીકે જાણીતા ચંદ્રશેખરની આઝાદ સમાજ પાર્ટી દલિતોમાં ધીરે ધીરે પોતાનો પ્રભાવ વધારી રહી છે તેથી અખિલેશને આઝાદમાં રસ પડયો છે. યુપીમાં બહુમતી દલિતો માયાવતીની બસપા સાથે છે જ્યારે બાકીના દલિતો ભાજપ-કોંગ્રેસ વચ્ચે વહેંચાયેલા છે. સમાજવાદી પાર્ટી પાસે દલિતોની મતબેંક નથી તેથી આઝાદના માધ્યમથી દલિત મતબેંકમાં પગપેસારો કરવાની અખિલેશની ગણતરી છે. આઝાદમાં કોંગ્રેસને પણ રસ છે અને પ્રિયંકા ગાંધી સાથે બેઠક પણ થઈ હતી પણ આઝાદને વધારે રસ અખિલેશમાં છે. સપાની ઓબીસી અને પોતાની દલિત મતબેંક એક થાય તો મોટો રાજકીય ફાયદો થાય એવી આઝાદની ગણતરી છે. સપા અને આઝાદ વચ્ચે બેઠકોના મુદ્દે વાંધો પડયો હોવાનો સૂત્રોનો દાવો છે. આઝાદને ઓછામાં ઓછી ત્રીસ બેઠકો જોઈએ છે જ્યારે અખિલેશ દસ કરતાં વધારે બેઠકો આપવા તૈયાર નથી. આઝાદે અખિલેશને જાહેરમાં મોટું મન રાખવા પણ કહ્યું છે. મોદી ના હોત તો ચાનુ મેડલ ના જીતી હોત ! ટોક્યો ઓલિમ્પિક્સમાં વેઈટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતનારી મીરાબાંઈ ચાનૂની જીતનું શ્રેય નરેન્દ્ર મોદીને આપીને મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેનસિંહ વિવાદ સર્જ્યો છે. સિંહે કોમેન્ટ કરી કે, મોદીએ મદદ ના કરી હોત તો ચાનુ મેડલ ના જીતી શકી હોત. સિંહનો દાવો છે કે, મોદીએ ચાનુને અમેરિકા ઈલાજ માટે મોકલી હતી. ચાનુને પીઠનો દુઃખાવો હતો એ વાતની મોદીને ખબર પડતાં જ મોદીએ સ્નાયુના ઓપરેશન તથા પ્રેક્ટિસ માટે ચાનુને અમેરિકા મોકલી હતી. સિંહના દાવા પ્રમાણે ચાનુએ પોતે તેમને આ વાત કહી હતી અને મોદીએ મણિપુરની એક અન્ય એથ્લેટને પણ અમેરિકા મોકલી હતી. સોશિયલ મીડિયા પર લોકો સિંહની કોમેન્ટને હલકી કક્ષાની ગણાવી રહ્યા છે. લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે, નવિન પટનાઈક ત્રણ વર્ષથી હોકી ટીમને મદદ કરી રહ્યા છે ને કદી જશ ખાટવાનો પ્રયત્ન સુધ્ધાં કર્યો નથી જ્યારે ભાજપવાળા ચાનુની સિધ્ધિનો જશ ખાટવા કૂદી પડયા છે. ઘણા કોમેન્ટ કરી રહ્યા છે કે, સરકારે ફરજ બજાવી તેનો ઢંઢેરો પિટવાનો ? ખેલરત્ન મુદ્દે બફાટ પછી કોંગ્રેસની ગુલાંટ કેન્દ્ર સરકારે સ્પોર્ટ્સમાં સર્વોચ્ચ મનાતા રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડનું નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ કર્યું એ મુદ્દે બફાટ કર્યાનો અહેસાસ થતાં કોંગ્રેસે ગુલાંટ લગાવી દીધી. મોદીએ ટ્વિટ કરીને જાહેરાત કરી એ પછી કોંગ્રેસના પ્રવક્તા સુબોધકાન્ત સહાયે વાંધો લીધો હતો. રાજીવ ગાંધીએ સ્પોર્ટ્સ ક્ષેત્રે મોટું યોગદાન આપ્યું હોવાનો દાવો કરીને તેમણે રાજકીય કારણોસર નામ બદલાયું હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. જો કે સોશિયલ મીડિયા પર કેન્દ્રના નિર્ણયને આવકાર મળતાં કોંગ્રેસે બપોર પછી ગુલાંટ લગાવી દીધી. રણદીપ સૂરજેવાલાએ આ નિર્ણયને આવકારીને ટોણો માર્યો કે, રાજીવ ગાંધી પોતાના નામના કારણે નહીં પણ કામના કારણે ઓળખાય છે તેથી તેમનું નામ હટાવી દેવાય તેના કારણે કોઈ ફરક પડતો નથી. સૂરજેવાલાએ આ જ નિયમ લાગુ કરીને દિલ્હીના અરૂણ જેટલી અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમનાં નામ બદલીને ક્રિકેટરોનાં નામ આપવા પણ કેન્દ્રને પડકાર ફેંક્યો છે. આશ્ચર્યજનક રીતે સોશિયલ મીડિયા પર કોંગ્રેસના આ સૂચનને લોકોનું વ્યાપક સમર્થન મળી રહ્યું છે. કોશિયારી પણ બંગાળના રાજ્યપાલના રસ્તે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી મરાઠાવાડની ત્રણ દિવસની યાત્રા નિકળ્યા છે અને અધિકારીઓને મળી રહ્યા છે તેના કારણે ઉધ્ધવ સરકાર ભડકી છે. કોશિયારી પોતાના હોદ્દાનો દુરૂપયોગ કરી રહ્યા છે અને જનાદેશનો અનાદર કરીને લોકશાહીનું અપમાન કરી રહ્યા છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે. કોશિયારી નાંદેડમાં રાજ્ય સરકારના અધિકારીઓને મળ્યા હતા. કલેક્ટર સહિતના અધિકારીઓ પાસેથી તેમણે રાજ્ય સરકારની કામગીરી અંગેનો રીપોર્ટ પણ લીધો. ઉધ્ધવ સરકારનું કહેવું છે કે, પ્રજાના મતથી ચૂંટાયેલી સરકારને જ વહીવટી તંત્ર પાસેથી જવાબ લેવાનો અધિકાર છે. રાજ્યપાલ એ અધિકારને ઉલ્લંઘીને પોતાની મર્યાદા ઓળંગી રહ્યા છે. આ પહેલાં પશ્ચિમ બંગાળમાં રાજ્યપાલ જગદીપ ધનખડ પણ આ રીતે રાજ્યના પ્રવાસે નિકળીને અધિકારીઓને મળતાં વિવાદ થયો હતો. મમતા બેનરજી સરકારે પણ ભારે હોહા કરી હતી. બંધારણીય નિષ્ણાતોના મતે, કોશિયારી ગેરબંધારણીય રીતે વર્તી રહ્યા છે. રાજ્યપાલ રાજ્યના બંધારણીય વડા છે પણ વહીવટીતંત્ર પાસેથી સીધો જવાબ માગવાનો તેમને અધિકાર નથી. ધનખડના રસ્તે ચાલીને કોશિયારી રાજ્યપાલના હોદ્દાનું ગૌરવ ઘટાડી રહ્યા છે. *** પેગાસસ કેસ કોર્ટમાં હોવાથી તેના પર ચર્ચા ન થઈ શકેઃ કેન્દ્ર વિપક્ષ પેગાસસ મુદ્દે ચર્ચા કરવા માટે તેનું વલણ વધુને વધુ આકરું બનાવી રહી છે ત્યારે કેન્દ્ર સરકારનું કહેવું છે કે આ કેસ કોર્ટમાં હોવાથી તેના પર ચર્ચા ન થઈ શકે. આમ હવે સરકારે રાજ્યસભામાં પેગાસસ મુદ્દે સાંસદના સવાલનો જવાબ આપવામાં કોર્ટની પ્રક્રિયાનું બ્હાનું આગળ ધરી દીધું છે. આ હિલચાલ અંગેની જાણકારી ધરાવતા અધિકારીએ જણાવ્યું હતું કે કેન્દ્રનું પેગાસસ મુદદ્દે વલણ એવું છે કે આ મુદ્દો કોર્ટમાં પડતર છે. પેગાસસ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કેટલીક જાહેર હિતની અરજી ફાઇલ કરવામાં આવ્યા પછી સરકારે આ વલણ અપનાવ્યું છે. કેન્દ્રએ રાજ્યસભાના સચિવાલયને જણાવ્યું હતું કે સીપીઆઇ (એમ)ના સાંસદ બિનોય વિશ્વમે પૂછેલા સવાલનો જવાબ ૧૨મી ઓગસ્ટે ઉપલા ગૃહમાં આપવાનો હતો તે નહીં આપી શકાય. વિશ્વમે જણાવ્યું હતું કે મને ઔૈપચારિક રીતે જણાવાયું છે કે મારા સવાલને અમાન્ય ઠેરવવામાં આવ્યો છે, પરંતુ મને હજી સુધી સત્તાવાર જવાબ મળ્યો નથી. સરકાર રાજ્યસભાના નિયમોનો દૂરુપયોગ કરી રહી છે અને સત્ય અંગે વિપરીત વલણ અપનાવી રહી છે. તેઓએ પેગાસસ મુદ્દા અંગે સવાલોનો સામનો કરવો જ જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું. કેપ્ટન માટે નવી તકલીફ પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરના મુખ્ય સલાહકાર અને ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે વિદાય લીધી છે. આ પગલું સીએમ અમરિનદર માટે નવજોતસિંગ સિદ્ધુની પક્ષના પ્રદેશ પ્રમુખપદે નિમણૂક પછી વધુ એક પીછેહઠ તરીકે જોવાઈ રહ્યું છે. પ્રશાંત કિશોરે ૨૦૧૭માં પંજાબની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના વિજયની સ્ક્રિપ્ટ લખી આપી હતી અને પંજાબ દા કેપ્ટન નારો આપ્યો હતો જે ઘણો લોકપ્રિય થયો હતો. આ વર્ષે માર્ચમાં અમરિન્દરે કિશોરની તેમના મુખ્ય સલાહકાર તરીકે નિમણૂક કરી હતી. કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે કિશોર કોંગ્રેસના નેતાઓના સંપર્કમાં છે ત્યારે સીએમથી અલગ પડવાના લીધે સારો સંકેત મળતો નથી. તે હતા ત્યારે માનવામાં આવતું હતું કે આગામી ચૂંટણીમાં તે કેટલાક નવા સૂત્રો આપી શકે જે પક્ષને ચૂંટણીમાં ઉપયોગી નીવડી શકે. ગૃહની અંદરના વિરોધને ન દર્શાવવા સરકાર ટીવી ટ્રિક અપનાવી રહી છેઃ વિપક્ષ વિપક્ષનો આરોપ છે કે શાસક પક્ષ ગૃહની અંદરના વિઝ્યુઅલ્સને બ્લેકઆઉટ કરી હ્યો છે અને આ માટે લોકસભા ટીવીની સાથે ટ્રિક અજમાવી રહ્યો છે. પહેલી વખત ગુરુવારે સંસદના ચોમાસુ સત્રમાં બે મોટા સ્ક્રીન લોકસભાની અંદર રાખવામાં આવ્યા હતા તેમા વિપક્ષના સભ્યો પ્લે કાર્ડ ફરકાવતા ગૃહના વેલમાં ધસી ગયા હોવાનું દર્શાવાયું હતું. વિપક્ષના સભ્યોનો આ આનંદ ક્ષણજીવી નીવડયો હતો જ્યારે તેમણે જોયું કે તેમના વિરોધના વિઝ્યુઅલ્સ ઇન્ટરનેટ સ્ક્રીન પર બતાવાયા હતા પરંતુ લોકસભા ટીવી પર લોકોને દર્શાવાયા ન હતા. અમારા પ્લેકાર્ડ અને સૂત્રોને સ્ક્રીન પર ગૃહની અંદર બતાવાયા હતા. અમને પછી જાણવા મળ્યું હતુ કે તેના વિઝ્યુઅલ્સ બહાર બતાવાયા નથી, જેથી લોકો લોકસભા ટીવી પર તે જોઈ શકે, એમ કોંગ્રેસના સાંસદ સુરેશ કોડિકુન્નિલે જણાવ્યું હતું. ગૃહ વિખેરી નાખવામાંઆવ્યા પછી વિપક્ષે સ્પીકરને આ અંગે ફરિયાદ કરી હતી અને તેમણે ખાતરી આપી હતી કે તેમના વિરોધનો હિસ્સો દર્શાવાશે, એમ સુરેશે જણાવ્યું હતું. જમ્મુ-કાશ્મીર સીમાંકન પંચને 290 સૂચનો મળ્યા કેન્દ્ર સરકારે માર્ચ ૨૦૨૦માં સ્થાપેલી જમ્મુ-કાશ્મીર સીમાંકન પંચને વિવિધ રાજકીય પક્ષો અને હિસ્સેદારો પાસેથી ૨૯૦ સૂચનો મળ્યા છે. રાજ્યમાં ચૂંટણી મતવિસ્તારોની સીમારેખા નવેસરથી આંકવા માટે આ પંચ રચવામાં આવ્યું છે. તેમા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવતી ૨૪ બેઠકો અનફ્રીઝ કરવાની, રાજ્યનો દરજ્જો ફરીથી મળે ત્યાં સુધી તેવું સીમાંકન મોકૂફ રાખવાની અને દરેક વિસ્તારને તેનો અધિકાર મળે તે જોવાની છે. પંચ ગયા મહિને જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર ખાતે બધા મહત્ત્વના રાજકીય પક્ષોને મળ્યું હતું. ફક્ત પીડીપીએ જ આ પ્રક્રિયાનો બહિષ્કાર કર્યો હતો. આ પેનલના વડા તરીકે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ છે, આ સિવાયના સભ્યોમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર સુશીલ ચંદ્ર અને જે એન્ડ કે ચૂંટણી કમિશ્નર કે કે શર્મા છે. આ પંચ પહેલા તો તેમની સમક્ષની રજૂઆતોનો તલસ્પર્શી અભ્યાસ કરશે અને પછી એસોસિયેટ સભ્યો સાથે બેઠક યોજશે. - ઇન્દર સાહની

ગુજરાત સમાચાર 7 Aug 2021 7:05 am

દિલ્હીની વાત : રાહુલે બળાત્કાર પીડિતાની ઓળખ છતી કરી ?

નવીદિલ્હી : દિલ્હીમાં નાંગલ વિસ્તારમાં નવ વર્ષની દલિત બાળકી પર બળાત્કાર બાદ હત્યાનો મુદ્દો ગાજી રહ્યો છે ત્યારે રાહુલ ગાંધીએ આ છોકરીની ઓળખ છતી કરી દીધી હોવાનો આક્ષેપ થયો છે. રાહુલ પીડિતા છોકરીના પરિવારને મળવા ગયા હતા. આ મુલાકાત પછી તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર છોકરીનાં માતા-પિતા સાથેની પોતાની તસવીર મૂકી હતી. તેના કારણે છોકરીની ઓળખ છતી થઈ ગઈ હોવાનો દાવો કરીને એક વકીલે દિલ્હી પોલીસને રાહુલ સામે એફઆઈઆર નોંધવા અરજી આપી છે. રાહુલ સામે પોક્સો એક્ટના ભંગ બદલ કડક કાનૂની કાર્યવાહી કરવા પણ માગ કરાઈ છે. દિલ્હી પોલીસના કમિશ્નરપદે હાલમાં અમિત શાહના માનીતા રાકેશ અસ્થાના છે એ જોતાં આ અરજી સ્વીકારીને રાહુલ સામે એફઆઈઆર નોંધાઈ જાય અને કાનૂની કાર્યવાહી થાય એવી પૂરી શક્યતા છે. આ મુદ્દે ટ્વિટરને પણ અરજી કરીને રાહુલ સામે કાર્યવાહી કરવા કહેવાયું છે. વિશ્લેષકોના મતે, નેતાઓએ સંવેદનશીલ મુદ્દે સતર્કતા બતાવવી જરૂરી છે જ. પીડિતાની ઓળખ કોઈ રીતે છતી ના થાય તેની કાળજી તેમણે રાખવી જ જોઈએ. આસામ-મિઝોરમ વિવાદ માટે કોંગ્રેસ દોષિત ! આસામ અને મિઝોરમ વચ્ચે ચાલી રહેલા સરહદી વિવાદ માટે કોંગ્રેસ પર દોષનો ટોપલો ઢોળવાનો ખેલ ભાજપે શરૂ કરી દીધો છે. ઉત્તર-પૂર્વનાં રાજ્યોના વીસ જેટલા સાંસદોએ કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલના નેતૃત્વમાં નરેન્દ્ર મોદીને મળીને આવેદનપત્ર આપ્યું. આ આવેદનપત્રમાં આક્ષેપ કરાયો છે કે, આ વિવાદ માટે કોંગ્રેસ જવાબદાર છે કે જે ગંદા ખેલ કરી રહી છે. ૨૦૧૮માં કોંગ્રેસે સીએએ અને એનઆરસીને રાજકીય મુદ્દા બનાવવા પ્રયત્ન કર્યો હતો પણ ઉત્તર-પૂર્વનાં રાજ્યોએ તેમને જડબાતોડ જવાબ આપીને નકારી કાઢયા હતા. હવે કોંગ્રેસ આસામ અને મિઝોરમ વચ્ચે ભડકો કરાવવા પ્રયત્ન કરી રહી છે. આ પ્રતિનિધીમંડળમાં સોનોવાલ સહિત આસામના ૧૨ સાંસદો હતા. આ સિવાય ત્રિપુરાના બે, મણિપુરના એક, અરૂણાચલ પ્રદેશના બે પ્રધાનો હતા. સોનોવાલ ઉપરાંત કિરેન રિરિજુ, પ્રતિમા ભૌમિક, રાજકુમાર રંજન સિંહ એટલા તો કેન્દ્રીય પ્રધાનો હતા. ભાજપના આ પ્રધાનો ભાજપને અનુકૂળ આવે એવી જ વાતો કરે તેમાં નવાઈ નથી. વિશ્લેષકોના મતે, બધા માટે કોંગ્રેસ પર દોષારોપણ કરવાની હલકી માનસિકતાનો આ પુરાવો છે. ઘોર બેદરકારી, મંત્રીને ફરી શપથ લેવડાવ્યા કર્ણાટકમાં બનેલી એક વિચિત્ર ઘટનામાં રાજભવને મંત્રી શંકર બી. પાટિલ મુનેનાકોપ્પાને રાજભવનમાં બોલાવીને બીજી વાર શપથ લેવડાવ્યા. મુનેનાકોપ્પા ગુપ્તતાના શપથ લેવાનું ભૂલી જતાં તેમને એક જ દિવસમાં બીજી વાર શપથ લેવડાવવા પડયા. બુધવારે બલવરાજ બોમ્માઈ સરકારના ૨૯ પ્રધાનોએ શપથ લીધા ત્યારે મુનેનાકોપ્પાએ પણ શપથ લીધા હતા પણ તેમણે શપથ લેવામાં લોચો મારી દીધો હતો. શપથવિધીની પરંપરા પ્રમાણે દરેક મંત્રી પોતાના હોદ્દા અને ગુપ્તતાના શપથ લેતા હોય છે. બંને શપથ માટે અલગ અલગ કાગળ અપાય છે ને એ વાંચી જ જવાનો હોય છે. મુનેનાકોપ્પાને પણ બે કાગળ અપાયેલા પણ વારાફરતી બંને વાંચવાના બદલે મુનેનાકોપ્પાએ બંને વાર હોદ્દાના શપથ લઈ લીધા હતા ને ગુપ્તતાના શપથ લીધા જ નહોતા. આશ્ચર્યની વાત એ છે કે, રાજ્યપાલથી માંડીને મુખ્યમંત્રી, અન્ય મંત્રી કે હાજર અધિકારીઓમાંથી કોઈના ધ્યાન પર આ વાત નહોતી આવી. મીડિયામાં આ સમાચાર આવતાં રાજભવનના અધિકારી દોડતા થઈ ગયા. મુનેનાકોપ્પાને માંડ માંડી શોધીને રાજભવન બોલાવીને ફરીથી ગુપ્તતાના શપથ લેવડાવ્યા. ભાજપે બબલુને લેતાં રીટા બહુગુણા બગડયાં ઉત્તર પ્રદેશમાં ભાજપે બસપાના નેતા જિતેન્દ્રસિંહ બબલુને પક્ષમાં લેતાં સાંસદ રીટા બહુગુણા જોશી ભડકી ગયાં છે. રીટાએ આક્ષેપ મૂક્યો છે કે, બબલુએ ૨૦૦૯ના જુલાઈમાં લખનૌમાં મારા ઘરને આગ લગાવીને સળગાવી દીધું હતું. બબલુએ આગ લગાવનારા ટોળાની આગેવાની લઈને આગ લગાવી દીધું હતું એ વાત તપાસમાં પણ સાબિત થઈ છે અને તેની ધરપકડ પણ કરાઈ હતી. જોશીએ સોશિયલ મીડિયા પર વીડિયો મૂકીને સવાલ કર્યો છે કે, આવો ગુનાઈત ઈતિહાસ ધરાવનારી વ્યક્તિને કઈ રીતે ભાજપમાં લઈ શકાય ? રીટાએ બબલુનું પ્રાથમિક સભ્યપદ રદ કરવા માગણી કરી છે. બબલુ બુધવારે પ્રદેશ પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહની હાજરીમાં ભાજપમાં જોડાયો હતો. જોશીની માગને ભાજપના ઘણા નેતાઓએ પણ ટેકો આપ્યો છે. આ ઘટના બની ત્યારે માયાવતી મુખ્યમંત્રી હતાં ને બબલુ ફૈઝાબાદમાંથી બસપાનો ધારાસભ્ય હતો જ્યારે જોશી કોંગ્રેસમાં હતાં. જોશીએ માયાવતી સામે વાંઘાજનક ટીપ્પણી કરી હોવાના આક્ષેપ સાથે બસપાના કાર્યકરોએ જોશીના ઘર પર હુમલો કરીને તેમનું ઘર સળગાવી દીધું હતું. ચીફ સેક્રેટરીની નિમણૂકમાં કોંગ્રેસનું ગંદુ રાજકારણ હિમાચલ પ્રદેશમાં ચીફ સેક્રેટરીની નિમણૂકમાં પણ પ્રદેશવાદનું ગંદુ રાજકારણ ઘૂસાડવા બદલ કોંગ્રેસની ટીકા થઈ રહી છે. હિમાચલના ચીફ સેક્રેટરી તરીકે અનિલ કુમાર ખાચી હતા પણ જયરામ ઠાકુરે તેમને રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશ્નર નિમીને રામ સુભાગ સિંહને ચીફ સેક્રેટરી બનાવ્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, 'બહારના' અધિકારીને પ્રોત્સાહન આપવા માટે હિમાચલ પ્રદેશના પોતાના અધિકારીને તગેડી મૂકાયા છે. કોંગ્રેસે વિધાનસભામાં આ મુદ્દે ભારે હોબાળો કરીને ચર્ચાની માગણી કરી. સ્પીકરે આ માગણી ના સ્વીકારતાં કોંગ્રેસના ધારાસભ્યોએ ધમાલ કરી નાંખી. મુખ્યમંત્રીએ મચક ના આપતાં છેવટે કોંગ્રેસે વોકઆઉટ કરી દીધો. બંધારણીય નિષ્ણાતોના મતે, કોંગ્રેસ વહીવટી તંત્રમાં પણ પ્રદેશવાદ ઘૂસાડીને હલકી કક્ષાનું રાજકારણ રમી રહી છે. રાજ્યના ચીફ સેક્રેટરી સહિતના અધિકારીઓની નિમણૂક રાજ્ય સરકારનો વિશેષાધિકાર છે. કોંગ્રેસ તેની સામે સવાલ કરીને જનાદેશનો અનાદર પણ કરી રહી છે. કોંગ્રેસે સ્થાનિક અને બહારના અધિકારીનો મુદ્દો ઉઠાવ્યો છે એ તો દેશના બંધારણનું પણ અપમાન છે કેમ કે અધિકારી કોઈ રાજ્યના નહીં પણ આખા દેશના હોય છે. પૂરમાં ફસાયેલા મંત્રી મિશ્રા મજાકનું પાત્ર બન્યા મધ્ય પ્રદેશમાં પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા ગયેલા ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રા પોતે જ પૂરમાં ફસાઈ જતાં મજાકનું પાત્ર બની ગયા છે. મિશ્રા દતિયા જિલ્લાનાં પૂરગ્રસ્ત ગામોમાં લોકોને મદદ કરવા માટે ગયા હતા પણ પોતે ફસાઈ જતાં એરફોર્સનું હેલિકોપ્ટર બોલાવવું પડયું. મકાનના ધાબા પર ફસાયેલા મિશ્રાને એરફોર્સના જવાનોએ એરલિફ્ટ કરીને બહાર કાઢયા. મિશ્રાને જવાનોએ એરલિફ્ટ કર્યા તેનો વીડિયો વાયરલ થતાં લોકો તૂટી પડયા. લોકોએ સવાલ કર્યા કે, તમે તો સહીસલામત બહાર નિકળી આવ્યા પણ બીજા હજારો લોકો પૂરમાં ફસાયેલા છે તેમનું શું ? તેમને કોણ બહાર કાઢશે ? કેટલાકે સવાલ પણ કર્યો કે, મંત્રીને બચાવવા માટે એરફોર્સનું હેલિકોપ્ટર બોલાવવું પડે છે એ મંત્રી લોકોને શું બચાવી શકવાના ? આવી સરકાર લોકોનું શું ભલું કરવાની ? મધ્ય પ્રદેશમાં પહેલાં પંદર વર્ષ સુધી ભાજપની સરકાર હતી. તેના સંદર્ભે કેટલાકે કટાક્ષ કર્યો કે, આ જુઓ 'મામા'નો વિકાસ, મિશ્રાને બચાવવા પણ હેલિકોપ્ટર મોકલવામાં આવે છે. *** વિપક્ષે પેગાસસ પર ધ્યાન કેન્દ્રિત કરતાં બીજા પ્રશ્નો પડતર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ યોજેલી બ્રેકફાસ્ટ મીટિંગમાં વિપક્ષમાં સંસદ કરતાં વધારે સંયુક્ત પ્રભાવકતા જોવા મળતી હતી. પરંતુ વિપક્ષનું માનવું છે કે તેણે પેગાસસ મુદ્દે સરકારને બરોબરની ઘેરી લીધી છે, પરંતુ ભાવવધારા, દેશમાં કોવિડ-૧૯ની સ્થિતિ અને આર્થિક મોરચે વણસેલી સ્થિતિ જેવા પ્રશ્નોની તુલનાએ પેગાસસને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે વિપક્ષે કેટલીય રીતે ચૂંટણીમાં અત્યંત મહત્ત્વના બની શકે તેવા મુદ્દાઓ પર સરકારને ફ્રી પાસ આપી દીધો છે. ફક્ત એટલું જનહી તેઓનું કહેવું છે કે સરકારે આ બધા હોબાળા વચ્ચે બિલ તો પસાર કરી દીધા છે. વિશ્લેષકોનું રહેવું છે કે રાહુલ ગાંધી ફરીથી તેવા મુદ્દાઓ પર ધ્યાન આપી રહ્યા છે જે સામાન્ય માનવીને સ્પર્શતા નથી. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં રાહુલ ગાંધીએ રફાલના મુદ્દાને ઘણો ચગાવ્યો હતો અને ચોકીદાર ચોર હે સૂત્ર ચલાવ્યુ હતું. હવે પેગાસસ મુદ્દાની પણ આ જ સ્થિતિ થવાની છે. આ મુદ્દો કંઈ લોકોના દૈનિક જીવનને સ્પર્શતો નથી. આ ઉપરાંત અહેવાલો છે કે વિપક્ષના સાંસદો સંસદ ચલાવવા ઇચ્છે છે, પરંતુ તેઓને નેતાઓ તેમ કરવા દેતા નથી. જમ્મુ-કાશ્મીર અંગે સર્વપક્ષીય બેઠકની કોઈ ફલશ્રુતિ નહીં જમ્મુ-કાશ્મીર રાજ્યનો દરજ્જો છીનવીને તેને કેન્દ્રશાસિત પ્રદેશમાં રુપાંતરિત કરવામાં આવતા અને આર્ટિકલ ૩૭૦ નાબૂદ કરવામાં આવ્યો તેની બીજી તિથિ નિમિત્તે પીપલ્સ એલાયન્સ ફોર ગુપકર ડેક્લેરેશન (પીએજીડી)એ રાજ્યનો વિશિષ્ટ દરજ્જો ફરીથી સ્થાપવાની માંગ કરી હતી. તેમણે જમાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીર ભારતના દિલ્હીથી અને દિલથી દૂર જ રહેવાનું છે. તેમા પણ સરકારના આ પગલાંના લીધે ખાઈ વધુ પહોળી થઈ છે. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠકે જમ્મુ-કાશ્મીરમાં આશા જગાવી હતી, પરંતુ તેવું કશું થયું નથી. તેમણે આરોપ મૂક્યો હતો કે જમ્મુ-કાશ્મીરમાં પરાણે ચૂપકિદી સ્થાપવામાં આવી છે. કાશ્મીરના નિષ્ણાતો માને છે કે મૌનને વાંચવું મોટી ભૂલ ગણાશે. તેમા પણ ખાસ કરીને રોગચાળાના વખતે આ બાબતને મંજૂરી માની લેવી તે મોટી ભૂલ કહેવાશે. કેન્દ્રએ જમ્મુ-કાશ્મીરનો રાજ્યનો દરજ્જો ફરીથી સ્થાપિત કરવો જોઈએ અને ચૂંટણી યોજવી જોઈએ. રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીરની 9મી ઓગસ્ટે મુલાકાત લેશે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ૯મી ઓગસ્ટે શ્રીનગરની મુલાકાત લેશે અને પક્ષના નેતાઓ અને કાર્યકરોને મળશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ નાબૂદ કર્યા પછી રાહુલ ગાંધીની આ પ્રથમ મુલાકાત હશે. રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીર પક્ષપ્રમુખ ગુલાહમ એહમદ મીરના પુત્રના લગ્નમાં હાજરી આપવાના છે. સૂત્રોનું કહેવું છે કે રાહુલ જમ્મુમાં માતા વૈષ્ણોદેવીના મંદિરની મુલાકાત ૮મી ઓગસ્ટે લઈ શકે છે, પરંતુ તેને હજી સુધી અંતિમ સ્વરુપ અપાયું નથી. તે આ ઉપરાંત શ્રીનગરમાં ખીર ભવાની અને હઝારાબાદની મુલાકાત લઈ શકે છે. જો કે તેને પણ હજી અંતિમ સ્વરુપ અપાયું નથી. બિહારનું એનડીએ સહયોગી યુપીમાં ચૂંટણી લડવા માંગે છે એનડીએનો હિસ્સો અને બિહારના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન હિંદુસ્તાની અવામ મોરચા (એચએએમ) ૨૦૨૨માં ઉત્તરપ્રદેશમાં વિધાસભા ચૂંટણી લડવા ઇચ્છુક છે. તેનાથી વિપરીત મુકેશ સાહનીની વિકાસશીલ ઇન્સાન પાર્ટી (વીઆઇપી) મેદાનમાં ઉતરી છે અને તેના લીધે ભાજપનો હાથ મજબૂત થશે. ભાજપના આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ આયોજન એવું છે કે ઉત્તરપ્રદેશમાં સમાજ તરીકે દલિતોને આ પ્રકારના રાજકીય પક્ષોની મદદથી તેને પોતાની સાથે જોડવા માંગે છે માયાવતીની બહુજન સમાજ પાર્ટી (બીએસપી) તેનો જનાધાર ગુમાવી ચૂકી છે. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન જીતન રામ માંજીના પુત્ર અને બિહાર સરકારના પ્રધાન સંતોષ માંઝીની સાથે મુંબઈ સ્થિત આરપીઆઇના રામદાસ આઠવલે પણ ભાજપની નેતાગીરીને અને ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથને મળી ચૂક્યા છે અને ચૂંટણી લડવા અંગે તેમની ઇચ્છા વ્યક્ત કરી છે. ભાજપે આ બંને પક્ષો માટે શરત રાખી છે કે તેણે દલિતોને ભાજપની તરફેણમાં એકત્રિત કરી આપવા પડશે. હવે જે પક્ષ આમાં સફળતા મેળવશે તેની સાથે સીટશેરિંગ ફોર્મ્યુલાની વાત થશે. બદલાની કાર્યવાહીઃ ગૃહમંત્રાલયની આલોક વર્મા સામે પગલાંની ભલામણ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સીબીઆઇના ભૂતપૂર્વ ડિરેક્ટર આલોક વર્માની સામે શિસ્તભંગના પગલા લેવાની ભલામણ કરી છે. આલોક વર્મા નરેન્દ્ર મોદી સરકારને કોર્ટમાં લઈ ગયા હતા અને તેમણે રફાલ ડીલની તપાસ કરી હોવાનું કહેવાય છે. ગૃહ મંત્રાલયે સીબીઆઇના વડા તરીકે તેમણે ચાર્જ સંભાળવાનો ઇન્કાર કર્યો તેના પગલે તેમને સીબીઆઇના વડા તરીકે દૂર કરવામાં આવ્યા હતા. આ ઇન્કાર બદલ તેમની સામે નોકરીના નિયમોનો ભંગ કરવાની કાર્યવાહી કરવામાં આવી શકે છે. જો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આ પ્રકારનું શિસ્તભંગનું પગલું લેવાયું તો તેમા કામચલાઉ કે કાયમી ધોરણે પેન્શન અને નિવૃત્તિના બીજા ફાયદા અટકાવી શકાય છે. વર્માની તાત્કાલિક અસરથી હકાલપટ્ટી એટલા માટે કરવામાં આવી હતી કેમકે તેઓ રફાલ ડીલ અંગે પછપરછ શરુ કરવાના હતા અને તેમણે આની કિંમત ચૂકવી છે. તમે અમને સસ્પેન્ડ કરી શકો, પણ બોલતા બંધ ન કરી શકોઃ અભિષેક ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષક બેનરજીએ રાજ્યસભામાં પેગાસસ જાસૂસી કાંડના વિવાદમાં પક્ષના છ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા તે અંગે જણાવ્યું હતું કે અમે સત્ય માટે લડતા રહીશું. રાજ્યસભાના ચેરમેન એમ વેન્કૈયા નાયડુએ લીધેલા પગલા અંગે બેનરજીએ ટવીટ કર્યુ હતું કે તમે અમને સસ્પેન્ડ કરી શકો પરંતુ અમને બોલતા બંધ ન કરી શકો. નાયડુએ ટીએમસીના છ સાંસદોને પેગાસસ જાસૂસી મુદ્દે પ્લેકાર્ડ બતાવવા બદલ સસ્પેન્ડ કર્યા હતા. તેઓ હાથમાં પ્લેકાર્ડ લઈને ગૃહને વેલમાં ધસી ગયા હતા અને ઇઝરાયેલી બનાવટના મિલિટરી ગ્રેડ પેગાસસ સ્પાયવેર મુદ્દે ચર્ચાની માંગ કરી હતી. તેનો ઉપયોગ વિપક્ષના નેતાઓ, સરકારના ટીકાકારો અને પત્રકારો પર જાસૂસી માટે કરવામાં આવ્યો હતો. - ઇન્દર સાહની

ગુજરાત સમાચાર 6 Aug 2021 7:05 am

મહાભારતના હસ્તીનાપુરની શોધ

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી ઉત્તર પ્રેદશમાં ચૂંટણીના મહાભારતની શરૂઆત થઇ ગઇ છે. જયારે બીજી તરફ ઉત્તર પ્રદેશના મેરઠથી ૪૦ કિલોમીટરના અંતરે મહાભારતમાં કૌરવોની રાજધાની હસ્તીનાપુરનો ઉલ્લેખ છે. તેના ઉત્ખનનની આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા તરફથી ચોમાસા પછી શરૂઆત કરવામાં આવશે. મહાભારત કાળના ઐતિહાસિક પુરાવા મેળવવા માટેના આ પ્રોજેકટને ૭૦ વર્ષના બ્રેક બાદ શરૂ કરવામાં આવશે. આમ તો હસ્તીનાપુર કયાં હતું એ સ્થળ પહેલી વાર ૧૯૫૨માં શોધી કાઢવામાં આવ્યું હતું. પ્રોફેસર બી. બી. લાલ એવા તારણ પર આવ્યા હતા કે ઇ. સ. પૂર્વ ૯૦૦ને મહાભારત કાળ ગણી શકાય. ત્યાર બાદ ગંગા નદીમાં આવેલા વિનાશક પૂરમાં હસ્તીનાપુરનો નાશ થયો હતો. ઉત્ખનન દરમિયાન જમીનમાંથી હસ્તીનાપુર નગરીને લગતા પુરાવા અને અવશેષો મળી આવ્યા હતા. સિનૌલી પાસે જયાં મૃતકોને દાટવામાં આવતા એ દફનભૂમિ મળી આવી હતી. આવી જ લીધે કાંસ્યનો અશ્વરથ મળ્યો હતો. ૧૯૫૨ પછી અટકી ગયેલું કાર્ય સપ્ટેમ્બર પછી આગળ વધારવામાં આવશે. પ્રોફેસર લાલનો ઉલ્લેખ કર્યો એમણે જ બાબરી મસ્જિદની નીચેથી મંદિરના ત્રણ સ્તંભ શોધી કાઢયા હતા અને પુરવાર કર્યું હતું કે બાબરી મસ્જિદ રામ મંદિરનો ધ્વંસ કરી ઉભી કરવામાં આવી હતી. અત્યારે અયોધ્યામાં રામમંદિરનું કાર્ય પણ પૂરજોશમાં આગળ વધી રહ્યું છે અને બીજી તરફ મહાભારત કાળના હસ્તીનાપુરનું શોધકાર્ય આગળ વધારવામાં આવશે. આમ આવનારા દિવસોમાં એક જ રાજ્યમાં મહાભારત કાળ અને રામાયણ કાળ સજીવન થશે. દયાવાન દંપતી સેવા જ જેની સંપત્તિ કોરોના મહામારીમાં સેવાના નામે મેવા ખાવાવાળા અને ફોટા તેમજ સર્ટિકિફેટો ભેગા કરી પોતાને કોરોના વોરિયર્સ ગણાવવાવાળા કેટલાંક ભટકાય છે. પરંતુ બીજી તરફ જીવના જોખમે નિસ્વાર્થભાવે કોરોનાના દરદીઓની સારવાર કરી નવજીવન આપતા ડૉકટરો, નર્સો સહિતના આરોગ્યકર્મીઓની સંખ્યા બની બેસતા 'સેવકો' કરતાં અનેકગણી વધુ છે એટલું સારૂ છે. કોવિડ પેશન્ટની સારવાર આપનારાને સલામ કરવી જ પડે પરંતુ જયારે કોવિડને કારણે કોઇ દરદી મૃત્યુ પામે ત્યારે તેની અંતિમવિધિ કરવાવાળાની પણ કદર થવી જોઇએ. ઓડિશાની રાજધાની ભુબનેશ્વરના દંપતી પ્રદીપ પૃષ્ટી અને મધુસ્મિતા કોવિડથી મૃત્યુ પામે એ દરદીની સન્માનપૂર્વક અંતિમવિધિ કરે છે. કોરોનાને કારણે દરદી મૃત્યુ પામે ત્યારે તેના સ્વજનો પણ નજીક આવતા નથી. આવી સ્થિતિમાં પ્રદીપ અને મધુસ્મિતાએ મૃતકના માનપૂર્વક અંતિમસંસ્કારે કરવાનો જાણે ભેખ જ લીધો છે. પીપીઇ કિટ અને હેન્ડગ્લવ્ઝ તથા માસ્ક પહેરીને આ પતિ-પત્ની નિસ્વાર્થ ભાવે જોખમની પરવા કર્યા વિના આ માનવતાનું કર્યા કરે છે. છેલ્લાં એક મહિના દરમિયાન તેમણે કોવિડથી મૃત્યુ પામેલા ૩૦થી વધુ દરદીઓની અંતિમવિધિ પાર પાડી છે. આ દંપતી અત્યાર સુધી બિનવારસ લાશ મળે તેના અંતિમસંસ્કાર કરતા. રેલવે ટ્રેક પાસે અકસ્માતમાં મૃત્યુ પામેલી વ્યકિતની લાશ મળી આવે અથવા તો રસ્તા કે ફૂટપાથ પર કોઇ ભીખારી મૃત્યુ પામે ત્યારે પોલીસ તરત જ આ સેવાભાવી દંપતીને બોલાવે છે અને આ પતિ-પત્ની વિધિપૂર્વક અંતિમસંસ્કાર કરે છે. મૃતકોને માનપૂર્વક વિદાય આપવાના આ માનવતાના કાર્યનો જોઇને કહેવું પડે કે : મૃતકો કો વિદાય દેના હમારા કામ હૈ બસ જીના ઇસીકા નામ હૈ. ડાકુરાણી ફુલનદેવીની ઠેર ઠેર પ્રતિમાઓ આ દેશમાં મહાન રાજવીઓ, નેતાઓ, સમાજસેવકો અને ધર્મગુરુઓની પ્રતિમાઓના દર્શન થાય છે. પરંતુ હવે ઉત્તર પ્રદેશમાં ચૂંટણીના નગારા વાગવા માંડયા છે ત્યારે ડાકુરાણી ફુલનદેવીની એક નહીં પણ ૧૮ ઠેકાણે ઊંચી પ્રતિમાઓ ઊભી કરવામાં આવશે ઉત્તર પ્રદેશમાં બેન્ડીટ ક્વીનના સ્ટેચ્યૂ સ્થાપવાનું બીડું ઝડપ્યું છે બિહારના પશુસંવર્ધન ખાતાના પ્રધાન મુકેશ સહાનીએ અને આ પ્રતિમાઓ તૈયાર કરવાની કામગીરી તેમના સરકારી બંગલાના કમ્પાઉન્ડમાં પૂરજોશમાં શરૂ કરી દીધી છે. ડાકુરાણી ફુલનદેવી નિષાદ સમાજની હતી. એટલે ઉત્તર પ્રદેશની આગામી ચૂંટણીમાં નિષાદ સમાજના મત અંકે કરવા માટે વીઆઇપી એટલે કે વિકાસશીલ ઇન્સાન પાર્ટીના નેતા મુકેશ સહાનીએ વારાણસી સહિત ૧૮ જગ્યાએ ફુલનદેવીની ઊંચી પ્રતિમાઓ સ્થાપવામાં આવશે. ડાકુરાણી તરીકે જેની હાક વાગતી હતી. જયાં તેની ઉપર અત્યાચાર અને બળાત્કાર કરી જલીલ કરવામાં આવી હતી એ બહેમાઇ ગામ પર ત્રાટકી ફુલન અને તેની ટોળીએ ૨૨ જણને ઠાર કરી હાહાકાર મચાવી દીધો હતો. ૧૯૮૩માં ફુલને શરણાગતી સ્વીકારી ૧૧ વર્ષ જેલમાં ગાળ્યા હતા. ત્યાર બાદ ઉત્તર પ્રદેશમાં મુલાયમસિંહ યાદવ મુખ્ય પ્રધાન હતા એ અરસામાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે ફુલનદેવી બે વાર લોકસભાની ચૂંટણી જીતી ગઇ હતી. ૨૦૦૧માં તેની હત્યા કરવામાં આવી હતી. હવે આ જ ફુલનદેવીના નામે ઉત્તર પ્રદેશની આગામી ચૂંટણીમાં પુતળા - પ્રસ્થાપન ઉપક્રમ હાથ ધરવામાં આવ્યો છે. નાનપણમાં સ્ટેચ્યૂની રમત રમતા ત્યારે સામેવાળો સ્ટેચ્યૂ કહે ત્યારે જરાય હલનચલન કર્યા વગર ઉભું રહેવું પડતું. પણ હવે ફુલનદેવીના સ્ટેચ્યૂ જોઇને પગ જમીનમાં ચોંટી જાય તો કહેવાય નહીં. ભાષાને વળગે શું ભૂર હિંસા ફેલાવે નકસલી ક્રુર લગ્નનો સમય થઇ ગયો છે, પરંતુ હજી આતશબાજીની વ્યવસ્થા નથી થઇ. આતશબાજીની સામગ્રી કયાંથી આવશે ? હાથીની વ્યવસ્થા થઇ ગઇ છે ખરી, પણ એનો મહાવત કોણ બનશે અને હાથીને કયાં ઊભો રાખવામાં આવશે ? આ સંવાદ સાંભળીને કે વાંચીને એવું લાગે કે પુત્રીના લગ્ન બાબત ચિંતીત પિતાએ આ વાત કહી હશે. પણ એવું નથી. આ તો મોતના સોદાગર અને હિંસાચાર ફેલાવતા નકસલવાદીઓની સાંકેતિક ભાષા એટલે કોડ-લેંગ્વેજ છે. હવે શરૂઆતમાં જે વાકયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો તેનો અર્થ કંઇક આવો થાય છે. લગ્નનો સમય થઇ ગયો છે. એટલે કે હુમલાનો સમય થઇ ગયો છે. આતશબાજીની વ્યવસ્થા નથી થઇ એટલે કે હજી હથિયારોની જોગવાઇ નથી થઇ. હાથીની વ્યવસ્થા થઇ ગઇ છે એટલે ક બારૂદી સુરંગની વ્યવસ્થા થઇ ગઇ છે, પણ મહાવત એટલે કે સુરંગનો વિસ્ફોટ કોણ કરશે ? ઝારખંડ અને અન્ય નકસવાદીગ્રસ્ત રાજ્યોમાં નકસલી નેતાઓ જયારે મોબાઇલમાં વાતચીત કરે ત્યારે આવી સાંકેતિક ભાષા વાપરે છે. કારણ કે તેમને ખબર હોય છે કે તેમની વચ્ચે થતી વાતચીતને સુરક્ષાકર્મીઓ આંતરતા જ હશે. એટલે આ જંગલમાં વસતા નકસલીઓ વારંવાર સાંકેતિક ભાષા પણ બદલતા જ રહે છે. એક ઉચ્ચ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ઘણી વખત આ કોડ-લેન્ગવેજ ઊકેલવામાં બહુ સમય લાગી જાય છે. મગજને ખૂબ કસવું પડે છે. જોકે પોલીસ અને સુરક્ષાકર્મીઓ ભારે જહેમત ઉઠાવી સાંકેતિક ભાષા ઉકેલી નકસલીઓને છક્કડ ખવડાવતા રહે છે. આમ સાંકેતિક ભાષાનો અર્થ સમજાય તો તત્કાળ અનર્થ ટાળી શકાય છે. બાકી હુમલા, હિંસાચાર, ગુનાખોરી આચરવામાંથી ઊંચા ન આવતા આ નકસલવાદીઓને હીસાચાર માટે સાંકેતિક ભાષા બદલતા જોઇને કહેવું પડે કે : ભાષાને વળગે શું ભૂર હિંસા ફેલાવે નકસલી ક્રુર મહામારીનો ભય મહિલાઓને બનાવે તંબૂમય એ...... કે લાલ દરવાજે તંબૂ તોણિયા રે લોલ..... હલકભેર આ ગીત ગાતી અને તાલીઓના તાલે ઊલળી ઊલળીને નાચતી ગરવી ગુજરાતણોને જોનારા પણ હરખાઇ જાય છે. પરંતુ તંબૂ તાણ્યા પછી હરખભેર નાચવાને બદલે તંબૂ તાણીને અંદર ફફડતા હૈયે રહેતી સ્ત્રીઓને જોઇને ખરેખર આશ્વર્ય થાય. પણ આંધ્રપ્રદેશના ઇસ્ટ ગોદાવરી જિલ્લાના કડલી ગામના એક પરિવારની ત્રણ સ્ત્રીઓ કોરોનાથી એટલી બધી ડરી ગઇ હતી કે ઘરની બાજુમાં કપડાનો તંબૂ બાંધી છેલ્લાં ૧૫ મહિનાથી ગોંધાઇ રહી હતી. એમાં એવું બન્યું કે ગયા વર્ષે આ પરિવારની પાડોશમાં રહેતા એક માજી કોરોનાની બીમારીમાં મૃત્યુ પામ્યા. બસ ત્યારથી ત્રણેયના મનમાં મહામારીનો ભય એવો પેસી ગયો કે બસ આ તંબૂમાં જ સેલ્ફ આયસોલેશનમાં રહેવા લાગી. ઘરવાળા જમવાનું આપી જાય. તંબૂના એક ખૂણામાં શૌચક્રિયા કરે અને ત્યાં જ નાહી લે. બાકી તંબૂની બહાર ડોકિયું પણ ન કરે. જરા વિચાર કરો પંદર-પંદર મહિના સેલ્ફ આયસોલેશનમાં ગાળ્યા. છેવટે આડોશીપાડોશીઓએ પોલીસની મદદ લીધી. કેટલુંય સમજાવી અને એમના મનમાંથી કોરોનાનો ભય દૂર કર્યો ત્યારે એકાંતવાસમાંથી ત્રણેય સ્ત્રીઓ બહાર આવી. આ કિસ્સો સાંભળીને કહેવું પડે કે : કોરોનાનો કેવો ભય ? ત્રણ સ્ત્રીઓને બનાવે તંબૂમય. પંચ-વાણી પ્રેમ-રોગની મળે નહીં કોઇ રસી આ રોગમાં ભલભલાએ જાતને નાખી ઘસી

ગુજરાત સમાચાર 6 Aug 2021 5:50 am

દિલ્હીની વાત : ઓબીસી અનામત મુદ્દે મોદી સરકારની પીછેહઠ

નવીદિલ્હી: ઓબીસી અનામત મુદ્દે રાજ્યોને અધિકારના મુદ્દે મોદી સરકારે પારોઠનાં પગલાં ભર્યાં છે. ઓબીસી અનામત લાભ કઈ જ્ઞાાતિઓને આપવો તેનો નિર્ણય લેવાની સત્તા હાલમાં કેન્દ્ર સરકાર પાસે છે. ભાજપનાં સૂત્રોનો દાવો હતો કે, આ અધિકાર રાજ્યોને આપવા માટે સંસદમાં કાયદો લાવવાની દરખાસ્તને બુધવારે મળનારી કેબિનેટની બેઠકમાં મંજૂરી આપી દેવાશે. જો કે આ વાત ખોટી સાબિત થઈ અને મોદી સરકારે હાલ પૂરતો આ નિર્ણય મોકૂફ રાખ્યો છે. ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, ભાજપ એવી ગણતરી રાખીને બેઠો છે કે નવી જ્ઞાાતિઓને અનામતથી નવી મતબેંક ઉભી થશે ને ભાજપને ફાયદો મળશે. રાજનાથ સહિતના વરિષ્ઠ પ્રધાનોની દલીલ હતી કે, ભાજપ કરતાં વધારે ફાયદો વિપક્ષને થશે. યુપી અને બિહાર સહિતનાં મોટાં રાજ્યોમાં ઓબીસી અનામતનો મુદ્દો સંવેદનશીલ છે. આ રાજ્યોમાં નવી જ્ઞાાતિઓને ઓબીસીનો ફાયદો આપશે તો તેના કારણે હાલમાં જેમને લાભ મળે છે તેમને પોતાનો અધિકાર છિનવાતો લાગશે. તેમની નારાજગી ભાજપને ભારે પડશે. મોદીને ગળે આ દલીલ ઉતરી હોવાનું કહેવાય છે. શાહે તૃણમૂલના ડેરેકનો પડકાર ના ઉઠાવ્યો તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓબ્રાયને અમિત શાહને સીધો પડકાર ફેંક્યો હતો પણ શાહે આ પડકાર ના ઉઠાવ્યો. દિલ્હીમાં નવ વર્ષની છોકરી પર બળાત્કાર બાદ તેની હત્યા કરવાનો મામલો ગાજી રહ્યો છે. હત્યારાઓને ઝડપીને તેમને ફાંસી આપવાની માગ સાથે આંદોલન પણ શરૂ થયું છે ત્યારે ડેરેકે શાહને આ મુદ્દે સંસદમાં નિવેદન આપવા પડકાર ફેંક્યો હતો. ડેરેકે એલાન કર્યું હતું કે, શાહ બુધવારે સંસદમાં આવીને આ મુદ્દે નિવેદન આપશે તો પોતે પોતાનું માથું મુંડાવીને ટકો કરાવી નાંખશે. દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી કેન્દ્ર સરકારની છે. દિલ્હી પોલીસ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના કાર્યક્ષેત્રમાં આવે છે તેથી શાહે નિવેદન આપવું જોઈએ એવો વ્યાજબી મુદ્દો ડેરેકે ઉભો કર્યો હતો. ડેરેકે બુધવારે સાંજે ફરી પોતાની વાતને દોહરાવીને ગુરૂવારે સંસદમા નિવેદન કરવા શાહને કહ્યું છે. દિલ્હીમાં નવ વર્ષની છોકરીની હત્યાની ઘટનાને કારણે લોકોમાં ભારે આક્રોશ છે. અરવિંદ કેજરીવાલે પણ આ આક્રોશનો બુધવારે ભોગ બનવું પડયું હતું. લોકોએ ધક્કે ચડાવતાં કેજરીવાલ ગબડી પડયા હતા. પી.કે. કોંગ્રેસ પ્રમુખના સલાહકાર બનશે ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરનો કોંગ્રેસમાં પ્રવેશનો તખ્તો તૈયાર છે. પી.કે.ને કોંગ્રેસ પ્રમુખની વિશેષ સલાહકાર સમિતિના પ્રમુખ બનાવીને મોટી જવાબદારી અપાશે. આ સમિતી કોંગ્રેસના બીજા પક્ષોના જોડાણથી માંડીને ચૂંટણી વ્યૂહરચના સુધીની બાબતો અંગે નિર્ણય લેશે. સમિતીના નિર્ણયને અમલમાં મૂકવાની જવાબદારી કોંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબલ્યુસી)ની રહેશે. સીડબલ્યુસી આ નિર્ણયોમાં યોગ્ય લાગે તે ફેરફાર કરી શકશે. કોંગ્રેસનાં સૂત્રોનો દાવો છે કે, પી.કે. રાહુલ-પ્રિયંકાને મળ્યા ત્યારે જ પી.કે.ની ભૂમિકા અંગે નિર્ણય લેવાઈ ગયો હતો. પ્રિયંકા-રાહુલે હા પાડતાં પી.કે.ની સોનિયા સાથે પણ વાત કરાવી દેવાઈ હતી. સોનિયાએ પણ પી.કે.ની ભૂમિકા પર મંજૂરીની મહોર મારી હતી પણ આ સમિતીની બીજા સભ્યો અંગે નિર્ણય ના લઈ શકાતાં હજુ સત્તાવાર રીતે જાહેરાત કરાઈ નથી. પી.કે.નો આગ્રહ છે કે, આ સમિતીમાં પાંચથી વધારે સભ્યો ના હોવા જોઈએ જ્યારે સોનિયા ગાંધી ૧૨ સભ્યો ઈચ્છે છે. પી.કે. જૂના નેતાઓને બદલે યુવા નેતાઓને વધારે મહત્વ આપવાનો મત ધરાવે છે એ મુદ્દે પણ અંતિમ નિર્ણય બાકી છે. મોદીનો પક્ષપાતઃ અસ્થાનાને મજા, વર્માને સજા સીબીઆઈના ભૂતપૂર્વ ડિરેક્ટર આલોક વર્મા સામે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શિસ્તભંગ બદલ કાર્યવાહી કરવાની ભલામણ કરી છે. સૂત્રોનું કહેવું છે કે, ડીપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેઈનિંગને કરાયેલી આ ભલામણ એક ઔપચારિકતા જ છે. બાકી વર્મા સામે પગલાં લેવાનું નક્કી જ છે. ઔપચારિક રીતે કાર્યવાહીની મંજૂરી મળતાં જ વર્માના પેન્શન તથા નિવૃત્તિને લગતા અન્ય લાભો રોકી દેવાશે. વર્મા સામે પોતાના હોદ્દાના દુરૂપયોગ તથા સેવાના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. સીબીઆઈનાં સૂત્રોનું કહેવું છે કે, વર્મા સામે પગલાંની ભલામણ મોદી સરકારના પક્ષપાત અને પૂર્વગ્રહયુક્ત વલણ પુરાવો છે. વર્માને સીબીઆઈમાં હતા ત્યારે મોદી અને અમિત શાહના મોદીના માનીતા રાકેશ અસ્થાના સાથે તેમને સંઘર્ષ થયો હતો. અસ્થાના અને વર્મા બંને સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા. આ કેસમાં અસ્થાનાની સુપ્રીમ કોર્ટે આકરી ટીકા પણ કરી હતી. મોદી સરકારે એ છતાં અસ્થાના સામે કોઈ પગલાં તો ના જ લીધાં પણ દિલ્હીના પોલીસ કમિશ્નર બનાવીને સિરપાવ આપ્યો જ્યારે વર્માને સજા મળી છે. કર્ણાટકમાં ભાજપે જૂથબંધી કરનારાંનાં પત્તાં કાપ્યાં કર્ણાટકમાં બસવરાજ બોમ્માઈના પ્રધાનમંડળની રચના દ્વારા ભાજપ હાઈકમાન્ડે સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે, કર્ણાટકમાં હવે જૂથબંધીને પોષનારા નેતાઓને દરવાજો બતાવી દેવાશે. બોમ્માઈએ પ્રધાનમંડળમાં લીધેલા ૮ નવા ચહેરા ભાજપના વરસો જૂના વફાદાર છે અને કોઈ પણ જૂથ સાથે સંકળાયેલા નથી. બુધવારે થયેલી સપથવિધીમાં સૌથી મોટો આંચકો યેદુરપ્પાને લાગ્યો છે. શપથ લેનારા ૨૯ પ્રધાનોમાં યેદુરપ્પાના પુત્ર વિજયેન્દ્રની બાદબારી કરી દેવાઈ છે એ સૌથી મોટો ઘા છે. સાથે સાથે યેદુરપ્પાના અત્યંત વફાદાર એવા રેણુકાચાર્ય, વિશ્વનાથ અને હલપ્પાને પણ પડતા મૂકાયા છે. યેદુરપ્પા માટે એટલું આશ્વાસન છે કે, તેમના કટ્ટર વિરોધી એવા અરવિંદ બેલ્લાડ, સી.પી. યોગીશ્વર અને બી.આર. પાટિલ યતનાલને પણ કોરાણે મૂકી દેવાયા છે. ભાજપનાં સૂત્રોના મતે, હાઈકમાન્ડે યેદુરપ્પાને કટ ટુ સાઈઝ કરીને મોટો જુગાર ખેલ્યો છે. યેદુરપ્પાનો સ્વભાવ હાઈકમાન્ડને શરણે થઈને તેમના નિર્ણયને માથે ચડાવવાનો નથી. વિજયેન્દ્રને મહત્વ નહી મળે તો યેદુરપ્પા બગાવત કરી શકે છે. લિંગાયત સમુદાય પર તેમનો પ્રભાવ જોતાં ભાજપને તે ભારે પડી શકે. પાયલોટનું હાઈકમાન્ડને એક મહિનાનું અલ્ટિમેટમ સચિન પાયલોટે કોંગ્રેસ હાઈકમાન્ડને પોતાના સમર્થકોને મંત્રીમંડળમાં લેવા મુદ્દે ઝડપથી નિર્ણય લેવા અલ્ટિમેટમ આપ્યું છે. પાયલોટે પોતાની ભૂમિકા અંગે સ્પષ્ટતા કરવા પણ હાઈકમાન્ડને કહ્યું છે. પાયલોટ જૂથનાં સૂત્રોની વાત માનીએ તો પાયલોટે એક મહિનાનો સમય આપ્યો છે. એક મહિનામાં કોઈ નિર્ણય નહીં લેવાય તો પાયલોટ પોતાની રીતે નિર્ણય લેશે. હાઈકમાન્ડે પાયલોટને શાંત પાડવા માટે મંત્રીમંડળના વિસ્તરણ તથા સંગઠનની પુનર્રચના માટેની ફોર્મ્યુલા આપી હતી. અશોક ગેહલોતે તેને માનવાનો ઈન્કાર કરતાં આ ફોર્મ્યુલાનો અમલ ના થઈ શકતાં પાયલોટ બગડયા છે. પાયલોટ છેલ્લાં પાંચ દિવસથી દિલ્હીમાં હતા. દિલ્હીમાં પ્રિયંકા અને રાહુલ ગાંધી ઉપરાંત કે.સી. વેણુગોપાલ અને અજય માકન સાથેની બેઠકો દરમિયાન પાયલોટે પોતાના સમર્થકોને ન્યાય આપવાની માગને દોહરાવી હતી. હાઈકમાન્ડે તેમની વાત સાથે સહમતિ દર્શાવી પણ સમયમર્યાદાની કોઈ ખાતરી ના આપતાં પાયલોટે આકરું વલણ લેવું પડયું છે. બુધવારે જયપુર પાછા ફરીને પાયલોટે પોતાના સમર્થકો સાથે ઉપરાછાપરી બેઠકો શરૂ કરતાં રાજસ્થાન કોંગ્રેસમાં ફરી એક વાર જંગનાં એંધાણ છે. *** ભાજપને હવે તેની જ દવાનો સ્વાદ ચાખવો પડી રહ્યો છે સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ ૧૯ જુલાઈથી થયો છે ત્યારથી બંને ગૃહોમાં મોટાભાગનું કાર્ય અટકેલું છે. વિપક્ષ દ્વારા પેગાસસ જાસૂસી, કૃષિ કાયદા અને અન્ય મુદ્દાઓ પરના આરોપો અંગે ચર્ચાની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ સરકારે પણ ચર્ચામાં ખાસ રસ પ્રદર્શિત કર્યો નથી. ભાજપના સાંસદોને ગઈકાલે સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં સંસદમાં વિપક્ષ દ્વારા કરવામાં આવી રહેલા દેખાવોને બંધારણ તથા લોકશાહી અને લોકોનું અપમાન ગણાવ્યા હતા. પરંતુ મોદીની આ જ વાત તેમના જ પક્ષે વિરોધ પક્ષમાં રહીને આચરેલા વલણથી વિપરીત છે. સંસદીય નિરીક્ષકોનું કહેવું છે કે ભાજપને હવે તેની જ દવા પીવડાવવામાં આવી રહી છે. તેઓએ ભાજપ યુપીએના ૨૦૦૪થી ૨૦૧૪ના સમયગાળા દરમિયાન દાયકા સુધી મુખ્ય વિપક્ષ હતો તે બાબત યાદ કરી છે. તેણે સંસદીય કાર્યવાહીને એવી અટકાવી રાખી હતી તેવી ક્યારેય અટકાવી રખાઈ ન હતી. પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચનું સંશોધન કહે છે કે ૨૦૦૯થી ૨૦૧૪ દરમિયાન ૧૫મી લોકસભાની ઉત્પાદકતા છેલ્લા ૫૦ વર્ષ દરમિયાન સૌથી ખરાબ હતી. યુપીએ-ટુ વખતે એક પછી એક સત્ર સંપૂર્ણ કે અંશતઃ ધોવાતા જ ગયા હતા, ભાજપે સરકાર સામે સંસદમાં ભ્રષ્ટાચાર અંગે સતત વિરોધ પ્રદર્શન કરીને ગૃહ ચાલવા જ દીધું ન હતું. સુષ્મા અને જેટલીએ વિરોધ પ્રદર્શનને યોગ્ય ગણાવ્યા હતા ૨૦૧૨માં કોલ બ્લોક્સની ફાળવણીમાં ભ્રષ્ટાચારને લઈને સંસદનું સમગ્ર ચોમાસુ સત્ર ભાજપના વિરોધ પ્રદર્શનના લીધે ધોવાઈ ગયું હતુ. ભાજપના આ પગલાને વડાપ્રધાન મનમોહન સિંઘે લોકશાહી વિરોધી ગણાવ્યું હતું. લોકસભામાં સુષ્મા સ્વરાજે આ વિરોધ પ્રદર્શનનો બચાવ કરતા જણાવ્યું હતું કે આ રીતે લોકસભા ન ચાલવા દેવી તે પણ લોકશાહીનું જ સ્વરૂપ છે. તે સમયે રાજ્યસભામાં વિપક્ષના નેતા ભાજપના અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે આ રીતે સંસદીય કાર્યવાહી અટકાવવી તે યોગ્ય પગલું છે, સરકારને આ રીતે પણ જવાબદેહ બનાવી શકાય છે. કોંગ્રેસ બૈજિંગના પ્રવક્તા તરીકે કામ કરી રહ્યું છેઃ ભાજપ કોંગ્રેસ પર આક્રમણ કરતા ભાજપની નેતા નુપુર શર્માએ આરોપ મૂક્યો હતો કે વિપક્ષ ચીનના પ્રવક્તા તરીકે કામ કરી રહ્યુ છે અને તેને ચીનના સામ્યવાદીપક્ષ પાસેથી ડોનેશન મળી છે. રાહુલ ગાંધીજી પાસે જાણકારીનો અભાવ છે. કોંગ્રેસના શાસન દરમિયાન ૪૩, ૦૦૦ ચોરસ કિલોમીટરની જમીન ચીને ઘૂસણખોરીથી પચાવી પાડી હતી. હિન્દી-ચીની ભાઈ-ભાઈનું સૂત્ર કોણે આપ્યું? શર્માએ વધુ આરોપ મૂક્યો હતો કે ગાંધીની પાર્ટીને ચીનના સામ્યવાદી પક્ષ પાસેથી ડોનેશન મળે છે. કોંગ્રેસને ચીનના સામ્યવાદી પક્ષ પાસેથી કરોડો રુપિયા મળે છે. રાજીવ ગાંધી ઓર્ગેનાઇઝેશનને ચીનના સામ્યવાદી પક્ષ પાસેથી ડોનેશન મળ્યું છે. મને તે સમજાતું નથી કે તે રાજકારણ કરે છે કે ચીનની તરફેણ કરે છે. મીનાક્ષી લેખીની કાશ્મીરી પંડિત પરની ટિપ્પણીથી વાવાઝોડું કેન્દ્રીય પ્રધાન મીનાક્ષી લેખીએ તાજેતરમાં વિદેશ અને સાંસ્કૃતિક બાબતોનો હવાલો સાંભળ્યો છે. ખીણમાં પરત જવામાં નિષ્ફળ જવા બદલ કાશ્મીરી પંડિતો જવાબદાર છે. તેમણે આ સ્થિતિની તુલના પ્રવાસી મજૂરો સાથે કરે જે કોરોનાની પ્રથમ લહેર પછી પોતાના વતન પરત ફર્યા હતા. કાશ્મીરી પંડિતો સાથેના ઓનલાઇન સંવાદમાં તેમને એક જણે પૂછ્યું હતું કે તેઓ કાશ્મીરી પંડિતોની સંસ્કૃતિ બચાવવા માટે તેમનું પુર્નવસન ક્યારે કરશે. તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે મને ખરેખર આ સવાલથી જ આશ્ચર્ય થયું છે, કારણ કે એક વ્યક્તિ કરીકે તમે ઇચ્છો ત્યાં જવા સ્વતંત્ર છો. તમને તમારા ઘરે પાછા ફરતા કોઈ અટકાવતું નથી. હવે તમને શું પૂરું પાડવાની જરુર છે. તેના પછી લેખીએ જણાવ્યું હતું કે કેટલાય પંડિતોને ખીણમાં પરત ફરવામાં રસ નથી. તેમની ટિપ્પણીથી પંડિતો ધુંઆપુંઆ થઈ ગયા હતા. એકે તો સ્પષ્ટપણે પૂછી લીધું હતું કે પ્રવાસી મજૂરોના પ્રશ્નની તુલના તેમના સ્થળાંતર સાથે થઈ શકે છે. રાજસ્થાનમાં કેબિનેટમાં ફેરફારઃ હરિયાણા કોંગ્રેસની પ્રમુખ કુમારી સેલજા અને કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડી કે શિવકમાર મંગળવારે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતને જયપુરમાં મળ્યા હતા. તેના પગલે રાજ્યના કેબિનેટમાં ફેરફારની અટકળોએ તેજ પકડયો છે. તેમની સતત લેવાયેલી મુલાકાતે ગેહલોત મંત્રીમંડળના વિસ્તરણની સંભાવનાને વેગ મળ્યો છે. તેમાં ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રદાન સચીન પાયલોટના વફાદાર વિધાનસભ્યોને મોટાપાયા પર પ્રતિનિધિત્વ આપવાની માંગ છે. શિવકુમારની મુલાકાત પછી પક્ષના નેતાએ જણાવ્યું હતું કે તેઓ બેંગ્લુરુથી આવ્યા હતા અને મુખ્યમંત્રી નિવાસ્થાને ગેહલોત સાથે ેક કલાક બેઠક યોજી હતી. શિવકુમાર પક્ષની કેન્દ્રીય નેતાગીરીને આ બેઠક અંગે દિલ્હીમાં એઆઇસીસીના નેતાઓની બેઠક થશે ત્યારે જાણકારી આપશે તેમ મનાય છે. ઓનલાઇન ગેમ પર પ્રતિબંધ મૂકવા માટે વડાપ્રધાનને વિનંતી એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ (એડીજે) નરેશ કુમાર લાકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરે છે કે દેશમાં ઓનલાઇન ગેમના દૂષણ પર પ્રતિબંધ મૂકવામાંઆવે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. ન્યાયાધીશે જણાવ્યું હતું કે આ ગેમ બાળકો પર નકારાત્મક અસર ઊભી કરી રહી છે. લાકાએ કમસેકમ બે ઓનલાઇન ગેમ ફ્રી ફાયર અને પબ્જી ઇન્ડિયા પર પર પ્રતિબંધમૂકવા વિનંતી કરી હતી. સરકાર દ્વારા પબ્જી મોબાઇલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો તેના જેવો જ પ્રતિબંધ મૂકવા વિનંતી કરવામાં આવી હતી. - ઇન્દર સાહની

ગુજરાત સમાચાર 5 Aug 2021 7:05 am

મુકેશ અંબાણીની પકડ તરફ સરકી રહેલું ટેલિકોમ ક્ષેત્ર

- વોડાફોન આઇડિયા કંપનીની ટાઇટેનિક જેવી દશા થઇ છે - પ્રસંગપટ - હવે એરટેલ અને જીયો વચ્ચે ગ્રાહકો ખેંચવાની સ્પર્ધા ચાલશે. જીયો પાસેની આર્થિક તાકાત એરટેલ કરતાં વધારે છે કોર્પોરટે ક્ષેત્રને ટેન્શન એ વાતનું છે કે ભારતનો ટિલિકોમ ઉદ્યોગ ધીરે ધીરે રીલાયન્સના મુકેશ અંબાણી પાસે જઇ રહ્યો છે. સસ્તા દરે ટેલિકોમ સર્વિસ આપવાનો સૌથી મોટો લાભ દેશના લોકોને થયો છે અને દેશના ખૂણે ખૂણે જીયો પહોંચી શક્યું છે અને લોકો તેનો ઉપયોગ કરી રહ્યાા છે. પરંતુ તેનો ગેરલાભ એ થયોકે ટેલિકોમ કંપનીઓ સ્પર્ધા કરવામાં થાકી ગઇ હતી અને વોડાફોન આઇડયા જેવી જાયન્ટ કંપનીની ટાઇટેનિક જેવી દશા થઇ છે. શેર બજાર ઉછાળા મારી રહ્યું છે ત્યારે દેશની નામાંંકિત ટેલિકોમ કંપની વોડાફોન આઇડયાના શેર્સના ભાવ ૧૦ ટકા તૂટયા છે. દરેક જાણે છે કે વોડાફોન આઇડયા દેવાના ડુંગર નીચે દબાયેલી છે. અને સરકારને ફટકારી મારવાના ચક્રો ગતિમાન થયા છે. સરકાર હસ્તકની ટેલિકોમ કંપની બી.એસ.એન.એલ અને એમ.ટી.એન એલ બંને પાસે પ્રોફીટની કોઇ અપેક્ષા રાખી શકાય એમ નથી. દેશની મુખ્ય ત્રણ ટેલિકોમ કંપની પૈકી એક વોડાફોન આઇડયા દેવાના ડુંગર નીચે દબાયેલી છે. ભારત સરકાર તેનો હાથ પકડે તોજ તે બચી શકે એમ છે. બ્રિટીશ નેશનલ ટેલિકોમ કંપની વોડાફોન અને આદિત્ય બિરલાની ભાગીદારીવાળી કંપની વોડાફોન આઇડયાનું ભાવિ સુપ્રીમ કોર્ટના એક ઓર્ડરથી બદલાઇ ગયું હતું. એજીઆરની ગણત્રીના મુદ્દે સુપ્રીમ કોર્ટે ફેર વિચારણાની તૈયારી ના બતાવતાં કંપની રોકાણકારો સમક્ષ ખુલ્લી પડી ગઇ હતી. આદિત્ય બિરલાએ જ્યારે એમ કહ્યું કે મારી પાસેના શેર્સ હું સરકારને અથવાતો કોઇ વગદાર કંપનીને વેચીશ. વોડાફોન આઇડયા માટે આ વાત ટેકા સમાન હતી પરંતુ તેના કોઇ પોઝિટીવ પ્રત્યાઘાત પણ પડયા નહોતા. જીયો, એરટેલ અને વોડાફોન આઇડયાની આસપાસ ટેલિકોમ ક્ષેત્ર વણાયેલું છે. મોબાઇલ સબસ્ક્રાઇબરો પૈકી ૮૦ ટકા જીયો, એર ટેલ અને વોડાફોન આઇડિયા પાસે છે જ્યારે માત્ર ૨૦ ટકા સરકાર હસ્તકની BSNL અને MTNL પાસે છે. સરકારની કંપનીઓ બિનકાર્યક્ષમની યાદીમાં આવી છે એટલેતો ટેલિકોમ ક્ષેત્રે પ્રાઇવેટ કંપનીઓ છવાઇ ગઇ હતી. જેBSNLનો ફેન મેળવવા લોકો વેઇટીંગની યાદની રાહ જોતા હતા તે મોબાઇલ ક્ષેત્રે પણ કંઇ ખાસ ઉકાળી શક્યું નથી. વારંવાર એવા પ્રશ્નો પૂછાતા હતા કે પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓ નફો કરે છે તો પછી સરકારની ટેલિકોમ કંપનીઓ કેમ સ્પર્ધામાં ઉતરી નથી શકતી. જ્યારે પ્રાઇવેટ કંપનીઓ તેના સબસ્ક્રીપશન વધારવા સ્કીમો મુકે છે એવું શા માટે સરકારની કંપનીઓ નથી કરી શકતી? અહીં પ્રશ્ન વોડાફોનના છ કરોડ જેટલા ગ્રાહકોનો છે. જો તે સરકાર હસ્તક જાય છે તો ગ્રાહકોને પસ્તાવાનો વારો આવશે. ૪૦,૦૦૦ કરોડ જેવા જંગી દેવા વાળી કંપનીમાં રોકાણ કરવા કોઇ તૈયાર નથી. આદિત્ય બિરલા પોતે વધુ રોકાણ કરીને આગળ વધવા તૈયાર નથી. ટેલિકોમ ક્ષેત્રે જાણે અજાણે વધી રહેલા મુકેશ અંબાણીના વર્ચસ્વ સામે કોર્પોરેટ સર્કલ ચિંતા વ્યકત કરી રહ્યું છે. આજે જીયોના સબસ્ક્રાઈબરની સંખ્યા વધારે છે . બીજા નંબરે સુનિલ મિત્તલનું એરટેલ આવે છે. જો આ બંનેની ભાવોમાં સિન્ડિકેટ થાય તો ગ્રાહકોના માથે બોજ વધી શકે છે. હવે એરટેલ અને જીયો વચ્ચે ગ્રાહકો ખેંચવાની સ્પર્ધા ચાલશે. જીયો પાસેની આર્થિક તાકાત એરટેલ કરતાં વધારે છે. આજે એરટેલ પાસે ૬ કરોડ ગ્રાહકો હોવાનું મનાય છે.કહે છે કે આદિત્ય બિરલાએ સરકારને લખીને આપ્યું છે કે તે વોડાફોનમાંનો પોતાનો હિસ્સો સરકારને આપી દેવા તૈયાર છે. એપ્રિલ-૨૧માં વોડાફોન આઇડયાએ ૧૮ લાખ ગ્રાહકો ગુમાવ્યા છે. એવીજ દશા સરકારી ટેલિકોમ કંપનીBSNL અને MTNLની હતી. એરટેલ અને જીયો વચ્ચેની સ્પર્ધા હવે જોવા મળશે. જો વોડાફોન આઇડયા સરકાર હસ્તક જતી રહેશેે તો તે પણ ભાગ્યેજ સક્રીય જોવા મળશે. આમ, એરટેલ અને જીયો વચ્ચેની સ્પર્ધાનો લાભ ગ્રાહકોને મળશે. જો આ બંને હાથ મિલાવી લે તો તે મન ગમતા પ્લાન મુકી ગ્રાહકોને લૂંટી શકે છે. એરટેલ અને જીયોની આર્થિક તાકાતમાં સ્વભાવિક રીતેજ જીયો ટોપ પર છે. વોડાફોન આઇડયાનું કોકડું ગુંચવાયેલું છે. આ ડૂબતા વહાણનો હાથ સરકાર સિવાય કોઇ પકડી શકે એમ નથી. પરંતુ સરકાર કશુંજ બોલવા તૈયાર નથી. એ સ્વિકારવું રહ્યું કે ટંૂક સમયમાં ભારતનું ટેલિકોમ ક્ષેત્ર મુકેશ અંબાણીની પકડમાં આવી જશે.

ગુજરાત સમાચાર 5 Aug 2021 5:45 am

દિલ્હીની વાત : કોંગ્રેસની સ્વાર્થીવૃત્તિના લીધે વિપક્ષી એકતા શક્ય નહીં

નવીદિલ્હી : રાહુલ ગાંધીએ પેગાસસ જાસૂસી કાંડ સહિતના મુદ્દે મોદી સરકારને ઘેરવા મંગળવારે સવારે બેઠક બોલાવી હતી. રાહુલે કોન્સ્ટિટયુશન ક્લબમાં નાસ્તો કરતાં કરતા વિપક્ષી નેતાઓ સાથે ભાજપને ઘેરવાની ચર્ચા કરી. રાહુલની બેઠકનો ઉદ્દેશ તમામ ભાજપ વિરોધી પક્ષોને એક કરીને વ્યૂહરચના ઘડવાનો હતો પણ આ બેઠકે સાબિત કર્યું કે, કોંગ્રેસ પોતાનાં રાજકીય હિતોને ધ્યાનમાં રાખીને વર્તે તો વિપક્ષી એકતા શક્ય નથી. રાહુલે ૧૭ પક્ષના નેતાને નિમંત્રણ આપેલું પણ આપ અને બસપામાંથી કોઈ હાજર ના રહ્યું. બસપાના સાંસદ રાકેશ પાંડેએ તો પોતાને બેઠકની ખબર જ નથી એમ કહી દીધું. સાથે સાથે સવાલ પણ કર્યો કે, ભાજપને ઘેરવા માટેના મુદ્દા નક્કી જ છે તો પછી બેઠક બોલાવવાની જરૂર જ ક્યાં છે ? યુપીનાં સમીકરણોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે જ બસપાને કોરાણે મૂકી દીધી હોવાનું કહેવાય છે. અકાલી દળને તો નિમંત્રણ જ નહોતું અપાયું. તેના કારણે એવો સવાલ પણ થઈ રહ્યો છે કે, કોંગ્રેસ અકાલી દળને હજુય એનડીએમાં માને છે ? રીટર્નની મુદત લંબાવાઈ છતાં લેટ ફાઈલિંગ ફી મોદી સરકારે કોરોનાની સ્થિતીને ધ્યાનમાં રાખીને ઈન્કમટેક્સ રીટર્ન ભરવાની તારીખ ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવી છે. જો કે કરદાતા ઈન્કમટેક્સ રીટર્ન ભરવા માટે ઈન્કમેટેક્સ વિભાગની વેબસાઈટ ખોલે ત્યારે લેટ ફી ભર્યા વિના વેબસાઈટ ખૂલતી નથી. આ સમસ્યાથી પરેશાન કેટલાક કરદાતાઓએ સોશિયલ મીડિયા પર લેટ-ફાઈલિંગ ફી હટાવવા માટે અભિયાન શરૂ કર્યું છે. મંગળવારે આ મુદ્દો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરતો હતો. ઈન્કમટેક્સના નિયમ પ્રમાણે જેમની આવક પાંચ લાખ રૂપિયા કરતાં વધારે હોય તેમણે લેટ-ફાઈલિંગ માટે પાંચ હજાર રૂપિયાની લેટ-ફાઈલિંગ ફી ચૂકવવી પડે છે. પાંચ લાખથી ઓછી આવક ધરાવનારને એક હજાર રૂપિયા પેનલ્ટી થાય છે. સરકારે મુદત લંબાવ્યા પછી સાઈટ પરથી આ વિકલ્પ હટાવી દેવાનો હોય પણ એવું ના કરાતાં લોકો ખંખેરાઈ રહ્યા છે. ઈન્કમટેક્સ વિભાગનો દાવો છે કે, ટેકનિકલ ખામીના કારણે આ સમસ્યા સર્જાય છે પણ નિષ્ણાતો તેને લુચ્ચાઈ માને છે. લેટ-ફાઈલિંગ ફી ભરો કે તરત સાઈટ ખૂલે છે તેનો અર્થ એ થાય કે જાણી જોઈને ખામી રખાઈ છે. કેન્દ્રના આશીર્વાદથી દિલ્હીના ધારાસભ્યોના પગારમાં વધારો દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે આર્થિક તકલીફોના સમયમાં ધારાસભ્યોના પગાર વધારી દીધા છે. મજાની વાત એ છે કે, આ પગારવધારો કેન્દ્રના આશિર્વાદથી કરાયો છે. કેજરીવાલ સરકારે ધારાસભ્યોનો પગાર દોઢ સો ટકા વધારીને ૧૨ હજાર રૂપિયાથી વધારીને સીધો ૩૦ હજાર રૂપિયા કરવાની દરખાસ્ત કેન્દ્રને મોકલી છે. ધારાસભ્યોને મળી રહેલાં ભથ્થાં પણ ૪૨ હજાર રૂપિયાથી વધારીને ૬૦ હજાર કરવાની ભલામણ છે. પગાર અને ભથ્થાં મળીને દર મહિને દરેક ધારાસભ્યને પહેલાંના ૪૨ હજાર રૂપિયાથી બમણાથી પણ વધારે ૯૦ હજાર રૂપિયા આપવાની ભલામણ છે. કેજરીવાલ સરકારે ગૃહ મંત્રાલયને મોકલેલા પ્રસ્તાવમાં દરેક ધારાસભ્યને મહિને ૨.૧૦ લાખ રૂપિયા પગાર-ભથ્થાંને મંજૂરી આપવા કહેલું પણ ગૃહ મંત્રાલયે આ દરખાસ્ત સ્વીકારી નહોતી. કેન્દ્ર સરકારે ૯૦ હજાર રૂપિયાની મહત્તમ મર્યાદા નક્કી કરતાં છેવટે કેજરીવાલ સરકારે ૯૦ હજારની દરખાસ્ત મોકલી છે. કેજરીવાલ સરકારની દલીલ છે કે, દિલ્હી સિવાયનાં બાકીનાં રાજ્યોમાં ધારાસભ્યનો ઓછામાં ઓછો પગાર ૧.૨૦ લાખ રૂપિયા છે. દિલ્હી સૌથી મોંઘું શહેર હોવાથી હાલના ઓછા પગારમાં ધારાસભ્યોને નથી પરવડતું. યુપીમાં રાજભરને મનાવવા દબંગ દયાશંકર મેદાનમાં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવવાની વીઆઈપીના મુકેશ સાહનીની જાહેરાતના પગલે ભાજપે સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (એસબીએસપી)ના ઓમપ્રકાશ રાજભરને મનાવવાની કોશિશ શરૂ કરી છે. મંગળવારે ભાજપ પ્રદેશ પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહની રાજભર સાથેની મુલાકાતના કારણે બંને વચ્ચે જોડાણની અટકળો શરૂ થઈ છે. અમિત શાહે રાજભરને મનાવવાની જવાબદારી દબંગ નેતા દયાશંકર સિંહને સોંપી છે. સિંહ લાંબા સમયથી રાજભરને મનાવવામાં લાગેલા હતા. અંતે મંગળવારે સિંહની રાજભર સાથે મુલાકાત કરાવવામાં સફળ રહ્યા. યોગી આદિત્યનાથ સરકારમાં મંત્રી રહી ચૂકેલા રાજભરે નાના નાના પક્ષોનો ભાગીદારી સંકલ્પ મોરચો બનાવ્યો છે. આ મોરચામાં દલિત અને અત્યંત પછાત જ્ઞાાતિના નેતાઓના પક્ષો સામેલ થયા છે. પાંચ-સાત બેઠકો પર વર્ચસ્વ ધરાવતા આ નેતાઓ સાથે મળીને લડે તો સો જેટલી બેઠકો પર સમીકરણો બદલી શકે એવું રાજકીય વિશ્લેષકો માને છે. ભાજપ યુપીમાં સમાજવાદી પાર્ટી તરફથી મોટા પડકારનો સામનો કરી રહ્યો છે તેથી જ્ઞાાતિવાદનાં સમીકરણોના કારણે ફટકો ના પડી જાય એટલે તમામ વર્ગોને મનાવવા મથી રહ્યો છે. સિધ્ધુની હરકતોથી સીખ સમુદાય નારાજ નવજોત સિધ્ધુ પંજાબ કોંગ્રેસ પ્રમુખ બન્યા પછી અલગ અલગ ગુરુદ્વારામાં જઈને ગ્રંથ સાહિબ સામે માથું ટેકવે છે. સિધ્ધુ સીખ મતદારોને આકર્ષવા બધું કરી રહ્યો છે પણ ફતેહપુર સાહિબ ગુરૂદ્વારાનો વીડિયો વાયરલ થતાં સીખ સમુદાય સિધ્ધુથી નારાજ છે. સિધ્ધુ ગુરુદ્વારામાં જાય ત્યારે સ્થાનિક કોંગ્રેસી નેતાઓ દ્વારા બહારથી પાઘડી લાવીને સન્માન કરાય છે એ ગુરૂદ્વારાનું અપમાન હોવાનો વિવાદ ચાલુ જ છે ત્યાં હવે આ નવો વિવાદ પેદા થઈ ગયો છે. આ વીડિયોમાં દેખાય છે કે, સિધ્ધુ ગુરૂદ્વારામાં માથું ટેકવી રહ્યો હતો ત્યારે જ એક વૃધ્ધ પણ માથું ટેકવવા આવ્યા હતા. પંજાબ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ કુલજીત નાગરા તથા અન્ય લોકોએ વૃધ્ધને તરત પાછળ ખેંચી લીધા. આ વીડિયો વાયરલ થતાં સીખો બગડયા છે. સિધ્ધુએ ગુરુદ્વારાનું અપમાન કર્યું હોવાની કોમેન્ટ્સ થઈ રહી છે. લોકો સવાલ કરી રહ્યા છે કે, ગ્રંથ સાહિબ સામે બધા સરખા હોય ત્યારે કોંગ્રેસીઓ સિધ્ધુને બધાંથી મોટો માનીને વર્તી રહ્યા છે. આ લોકો પ્રજાનું શું ભલું કરવાના ? *** મોદી વિ. રાહુલ આજનો દિવસ યોગાનુયોગનો દિવસ હતો. એકબાજુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના હાલમાં ચાલી રહેલા સંસદના ચોમાસુ સત્રમાં ભાજપના સંસદીય પક્ષની ત્રીજી બેઠકને સંબોધી રહ્યા હતા અને તેમા તેમણે વિપક્ષ પર સંસદને યોગ્ય રીતે ન ચાલવા દઈને લોકોનું અને લોકશાહીનું અપમાન કરવાનો આરોપ મૂક્યો હતો. આ જ સમયે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સંસદની જોડે આવેલી કોન્સ્ટિટયુશનલ ક્લબ ખાતે ૧૪ વિપક્ષ સાથે બ્રેકફાસ્ટ બેઠક યોજી હતી. આપ અને બીએસપી આ બેઠકમાં આવ્યા ન હતા. તેમાં કોંગ્રેસ અને વિપક્ષના સહિત કુલ ૧૦૦ સાંસદોએ ભાગ લીધો હતો. તેમા ટીએમસી, એનસીપી, શિવસેના, સીપીઆઇ-માર્ક્સવાદી, સીપીઆઇ, આરજેડી, સમાજવાદી પાર્ટીએ હાજરી આપી હતી. પછી રાહુલ ગાંધીની આગેવાની હેઠળ વિપક્ષના કેટલાક સાંસદ ઇંધણના ભાવવધારાનાવ વિરોધમાં સંસદમાં સાઇકલ સુધી ગયા હતા. પેગાસસ મુદ્દે વધુને વધુ ઘેરાતી સરકાર ભાજપના બિહારના સહયોગી અને મુખ્યપ્રધાન નીતિશકુમાર, હિંદુસ્તાન અવામ મોરચા (એચએએમ)ના પ્રમુખ અને બિહારના ભૂતપૂરવ્ મુખ્યપ્રધાન જીતનરામ માંઝીએ પેગાસસ મુદ્દે તપાસની માંગ કરી છે. માજીએ ટવીટ કરી જણાવ્યું છે કે વિપક્ષના સભ્યો દ્વારા દૈનિક ધોરણે સંસદીય કામકાજ અટકાવી દેવાયુ હોવાથી તપાસ જરુરી છે. તેમણે ઉમેર્યુ હતું કે રાષ્ટ્રને તે જાણવાનો અધિકાર છે કે કોણે કોની જાસૂસી કરી. બધાની નજર હવે સુપ્રીમ કોર્ટ પર છે, કારણ કે વરિષ્ઠ પત્રકારોએ પેગાસસ મુદ્દે સરકાર સામે કેસ કર્યો છે. પેગાસસ મુદ્દે ચિદમ્બરમનો સરળ સવાલ પેગાસસ જાસૂસી કાંડનું પ્રકરણ વધુને વધુ ઘેરુ બની રહ્યું છે ત્યારે કોંગ્રેસના સાંસદ પી. ચિદમ્બરમે સરકાર તે સીધા સરળ સવાલનો જવાબ કેમ આપી શકતી નથી કે તે પેગાસસ સ્પાયવેરની માલિક ઇઝરાયેલી કંપની એનએસઓની ગ્રાહક છે કે નહી. એનએસઓ ગુ્રપની ગ્રાહક તરીકે ૪૦ સરકારો અને ૬૦ એજન્સીઓ છે. શું ભારત સરકાર આ ૪૦માં સામેલ છે. ભારત સરકાર માટે આટલા સરળ સવાલનો જવાબ આપવું શા માટે આટલું અઘરું થઈ પડયું છે? પથ્થરબાજોને પાસપોર્ટ અને સરકારી નોકરીના ઇન્કારથી રાજકીય પક્ષો નારાજ ભાજપને બાદ કરતા જમ્મુ-કાશ્મીરના વિવિધ રાજકીય પક્ષોએ પથ્થરબાજો તથા તેવી બીજી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલાઓને પાસપોર્ટ માટે મંજૂરી અને સરકારી નોકરીમાં નિમણૂકનો ઇન્કાર કરવામાં આવતા તેની સામે નારાજગી વ્યક્ત કરી છે. કેટલાક કાયદાકીય નિષ્ણાતોએ જણાવ્યું હતું કે છે કે હતું કે કેન્દ્રીય કર્મચારી મંત્રાલય દ્વારા જુન ૨૦૧૬ના જારી કરવામાં આવેલા આદેશથી વિપરીત કોઈપણ પ્રકારની સરકારી નોકરીમાં નિમણૂકની સત્તા હવે પોલીસ ઓફિસરને આધીન થઈ ગઈ છે. જો કે જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને નેશનલ કોન્ફરન્સ (એનસી)ના નેતા ઓમર અબ્દુલ્લાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની સરકારી સર્વિસના ઇન્કાર કે પાસપોર્ટના ઇન્કાર ફક્ત પોલીસ રિપોર્ટના આધારે ન થઈ શકે, કાયદાકીય રીતે આ બાબત ટકી ન શકે. ઉત્તરપ્રદેશમાં ખેડૂતોનો વિરોધ ભાજપ માટે મોટી ચિંતા ઉત્તરપ્રદેશમાં ચૂંટણી નજીક છે ત્યારે ત્રણ કૃષિ કાયદા સામે ખેડૂત સંગઠનોનો વિરોધ ભાજપને ભારે પડી શકે છે. સમગ્ર રાજ્યમાં ખેડૂતો કેન્દ્ર અને રાજ્ય સરકારની કૃષિ નીતિ સામે દેખાવો કરવાનું આયોજન કરી રહ્યા છે. ભાજપના કેટલાક નેતાઓએ નામ આપવાની શરતે ડર વ્યક્ત કર્યો હતો કે આગામી વિધાનસભા ચૂંટણીમાં ખેડૂતોના દેખાવો ભાજપની ચૂંટણીની સંભાવના પર નકારાત્મક અસર કરી શકે છે. સંયુક્ત કિસાન મોરચાએ ઉત્તરપ્રદેશમાં હવે વિરોધ પ્રદર્શનનું આહવાન કર્યુ છે. તે દિલ્હીની જેમ હવે ઉતરપ્રદેશના વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શનનું આયોજન ધરાવે છે. - ઇન્દર સાહની

ગુજરાત સમાચાર 4 Aug 2021 7:05 am

દિલ્હીની વાત : પીએમઓમાંથી વધુ એક અધિકારીનું રાજીનામું

નવી દિલ્હી : નરેન્દ્ર મોદીના વધુ એક સલાહકાર અમરજીત સિંહાએ રાજીનામું ધરી દીધું છે. મોદી ફરી વડાપ્રધાન બન્યા પછી પીએમઓ છોડનારા સિંહા ત્રીજા ટોચના અધિકારી છે. આ પહેલાં પ્રિન્સિપાલ સેક્રેટરી નૃપેન્દ્ર મિશ્રા અને પછી પ્રિન્સિપાલ એડવાઈઝર પી.કે. સિંહા રાજીનામાં આપી ચૂક્યા છે. સિંહા ૧૯૮૩ની બિહાર બેચના આઈએએસ અધિકારી હતા. ૨૦૧૯માં કેન્દ્ર સરકારમાં ગ્રામીણ વિકાસ મંત્રાલયના સેક્રેટરીપદેથી નિવૃત્ત થયા પછી ૨૦૨૦ના ફેબ્રુઆરીમાં પ્રાઈમ મિનિસ્ટર્સ ઓફિસ (પીએમઓ)માં બે વર્ષ માટે મોદીના સલાહકાર નિમાયા હતા. સિંહાને સામાજિક બાબતોના લગતી બાબતોનો હવાલો અપાયો હતો પણ સિંહાએ મુદતના છ મહિના પહેલા જ રાજીનામું ધરી દીધું છે. સિંહા ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં હતા ત્યારે મોદીની નજીકના અધિકારીઓમા તેમની ગણના થતી હતી તેથી પીએમઓમાં નિમણૂક મળી હતી. સિંહાએ પોતાના રાજીનામા માટે અંગત કારણોને જવાબદાર ગણાવ્યા છે પણ સૂત્રોના મતે સિંહાના રાજીનામાનું કારણે એ છે કે, તેમને સ્વતંત્ર રીતે કામ કરવા નહોતું મળતું. સિંહાએ સૂચવેલી સામાજિક ન્યાયની યોજનાઓ મુદ્દે કોઈ નિર્ણય જ ના લેવાતાં તેમણે હોદ્દો છોડવાનું પસંદ કર્યું. શેખાવતના કાર્યક્રમનો બંગાળમાં ફિયાસ્કો પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય નેતા ગજેન્દ્રસિંહ શેખાવતે સંગઠનને મજબૂત કરવા માટે બોલાવેલી બેઠકનો સાવ ફિયાસ્કો થતાં ભાજપમાં ચિંતાનો માહોલ છે. શેખાવતે બોનગાવમાં બોલાવેલી બેઠકમાં ગણ્યાગાંઠયા કાર્યકરો હાજર હતા. એક પણ ધારાસભ્ય હાજર નહોતા અને કેન્દ્રીય મંત્રી તથા સાંસદ શાંતનુ ઠાકુર પણ ગેરહાજર હતા. શેખાવતની ગણના અમિત શાહના ખાસ માણસ તરીકે થાય છે. શેખાવતને શાહે જ બંગાળ મોકલ્યા હતા પણ ભાજપના ધારાસભ્યો તેમને પણ ઘોળીને પી ગયા. વિશ્વજીત દાસ, સુબ્રતો ઠાકુર અને અશોક કીર્તનયા એ ત્રણેય ધારાસભ્યો તો ફોન પણ બંધ કરીને બેસી ગયા હતા. શેખાવતનો ફોન ઉઠાવવાની તસદી પણ તેમણે ના લીધી. તેના કારણે ત્રણેય ધારાસભ્યો તૃણમૂલ કોંગ્રેસમાં જઈ રહ્યા હોવાની અટકળો પણ શરૂ થઈ છે. સૂત્રોનું કહેવું છે કે, શાંતનુ ઠાકુર મુકુલ રોયની નજીક છે તેથી દિલીપ ઘોષ સાથે તેમને નથી ફાવતું. કેન્દ્ર સરકારે વારંવાર વચન આપવા છતાં સીએએ અંગેના નિયમો ના બનાવતાં ઠાકુર શાહથી પણ ખફા છે. આ નારાજગી તેમણે શેખાવતને અવગણીને વ્યક્ત કરી દીધી. નવિન પટનાયક પાસેથી પ્રેરણા લેવા જેવી ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતીય પુરૂષ અને મહિલા હોકી ટીમે કરેલા જોરદાર દેખાવના કારણે 'સાયલન્ટ સપોર્ટર' નવિન પટનાઈક પર પ્રસંશાનાં પુષ્પ વરસી રહ્યાં છે. પટનાઈકની ઓડિશા સરકારે મુશ્કેલીના સમયમાં મહિલા અને પુરૂષ બંને હોકી ટીમને આર્થિક મદદ કરીને છેલ્લાં ત્રણ વર્ષથી સ્પોન્સરશીપ આપી છે. હોકી ટીમની સ્પોન્સર ખાનગી કંપનીની આર્થિક હાલત ખરાબ થતાં તેણે ૨૦૧૮માં હાથ અધ્ધર કરી દીધા હતા. એ વખતે હોકી ટીમને મદદ કરવા કેન્દ્ર સરકાર સહિત કોઈ તૈયાર નહોતું ત્યારે નવિને સામે ચાલીને સ્પોન્સરશિપ આપી હતી. પટનાઈક સરકાર દર વર્ષે હોકી ટીમને ૨૦ કરોડ રૂપિયા આપે છે. નવિનની પ્રસંશા કરતાં લોકો કટાક્ષ પણ કરી રહ્યા છે કે, પબ્લિસિટી વિના નક્કર કામ કઈ રીતે કરવું એ પટનાઈક પાસેથી શીખવું જોઈએ. પટનાઈક ત્રણ વર્ષથી દેશની બંને હોકી ટીમને મદદ કરે છે પણ કદી તેમણે એ વાતનો પ્રચાર કર્યો નથી. નીતિશનું મોદી સરકાર પર બેવડું દબાણ નીતિશ કુમારે પેગાસસ જાસૂસી કાંડની તપાસની વિપક્ષોની માગણીને ખુલ્લો ટેકો આપીને ભાજપને સ્તબ્ધ કરી દીધો છે. આ માગણી દ્વારા નીતિશે ભાજપ પર બેવડું દબાણ સર્જ્યું છે. એક તરફ જેડીયુ સાંસદોએ અમિત શાહને મળીને જ્ઞાાતિ આધારિત વસતી ગણતરી કરાવવા ઉગ્ર રજૂઆત કરી ને બીજી તરફ નીતિશ ખુલ્લેઆમ વિપક્ષોની પંગતમાં બેસી ગયા છે. નીતિશે સરકારથી એકદમ વિરોધી વલણ અપનાવીને કહ્યું કે, જાસૂસી કાંડની સંસદમાં ચર્ચા થવી જોઈએ ને તેની તપાસ પણ થવી જોઈએ. નીતિશે એવી કોમેન્ટ પણ કરી કે, સાંસદો આટલા બધા દિવસથી આ મુદ્દો ઉઠાવી રહ્યા છે ત્યારે તપાસ કેમ કરાતી નથી એ સમજાતું નથી. નીતિશે આ પહેલાં જાસૂસી કરાતી હોવાની વાત સાચી હોવાનું કહ્યું હતું. સૂત્રોના મતે, ભાજપના પ્રભાવને ખાળવા નીતિશ મરણિયા બન્યા છે. આ માટે તેમણે જ્ઞાાતિ આધારિત વસતી ગણતરીના મુદ્દાને ચગાવ્યો છે ને હવે જાસૂસી કાંડનો મુદ્દો ઉઠાવીને ભીંસ વધારી છે. રાજ્યસભામાં ભાજપ પાસે બહુમતી નથી તેથી નીતિશનું વલણ ભાજપ માટે મુશ્કેલી સર્જશે. બ્રાહ્મણો ભડકતાં ભાજપ સાંસદ સામે એફઆઈઆર ઉત્તરાખંડમાં બ્રાહ્મણો નારાજ ના થઈ જાય એ ડરે ભાજપ સરકારે પોતાના જ સાંસદ ધર્મેન્દ્ર કશ્યપ સામે એફઆઈઆર નોંધવી પડી છે. ધર્મેન્દ્ર કશ્યપે જગેશ્વર ધામ મંદિરમાં પૂજારીઓ સાથે ગાળાગાળી કરીને દુર્વ્યવહાર કરતાં બ્રાહ્મણોમાં આક્રોશ છે. ભાજપના નેતા બ્રાહ્મણોને શાંત પાડવા દોડાદોડી કરી રહ્યા છે. ઓનલાના સાંસદ કશ્યપ પોતાના સમર્થકો સાથે શનિવારે જગેશ્વર ધામ મંદિરમાં પૂજા કરવા ગયા હતા. કોરોનાના કારણે મંદિર છ વાગ્યા સુધી જ ખુલ્લું રખાય છે પણ કશ્યપ સાડા છ વાગ્યા પછી પણ મંદિરમાં જ હતા. મંદિરના પૂજારીઓએ તેમને મંદિરમાંથી બહાર જવા કહેતાં ગુસ્સે થઈને કશ્યપે પૂજારીઓ સાથે ખરાબ વર્તન કર્યું હતું. કશ્યપના સમર્થકોએ પૂજારીઓને ધક્કા મારીને બહાર કાઢી મૂક્યા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં ભડકેલા બ્રાહ્મણોએ ભાજપને અલ્ટિમેટમ આપ્યું હતું. ભાજપ પ્રદેશ પ્રમુખ મદન કૌશિકે બ્રાહ્મણ આગેવાનોને મળીને તેમને સમજાવ્યા છે. કૌશિકે આ ઘટનાનો રીપોર્ટ હાઈકમાન્ડને મોકલવા પણ ખાતરી આપી છે. ઉત્તરાખંડમાં ચૂંટણીને જોતાં કશ્યપનો વારો પડી જશે એવું લાગે છે. * * * કોવિડ-19નો કોઈ ડર નહીઃ કાશી વિશ્વનાથમાં શ્રદ્ધાળુઓ ભાન ભૂલ્યા સત્તાવાળાઓની કોવિડ-૧૯ અંગેના નિયમો અંગેની ચેતવણીઓ છતાં પણ શ્રાવણના પવિત્ર મહિનાના બીજા સોમવારે વારાણસીમાં શ્રદ્ધાળુઓએ ગંગામાં ડૂબકી મારી હતી અને કાશી વિશ્વનાથના દર્શન કર્યા હતા. ભગવાન શિવના સ્થળે હું કશાથી ડરતો નથી. ભગવાન શિવ આપણા બધાની સંભાળ લેશે, એમ માસ્ક ન પહેરનારા એક શ્રદ્ધાળુ રવિન્દર કુમારે જણાવ્યું હતું. આવા જ બીજા શ્રદ્ધાળુરામ પટેલે જણાવ્યું હતું કેતે મંદિરમાં આવી ખુશ છે અને તેને કોવિડ-૧૯નો ડર નથી. ઉત્રપ્રદેશમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા ૧૭,૦૮,૪૭૬ થઈ છે અને ૨૨,૭૬૩ના મોત થયા છે, ૧૬,૮૫,૦૪૯ની રિકવરી થઈ છે અને સક્રિય કેસો ૬૬૪ છે. રાજ્યસભામાં ભાગ્યે જ અમલી બનાવાતા નિયમ 267ને લાવવામાં આવ્યો રાજ્યસભામાં લગભગ છેલ્લા પાંચ વર્ષથી નિયમ ૨૬૭ હેઠળ કોઈ ચર્ચા યોજાઈ નથી. તેમા એક કે વધુ સભ્યો દ્વારા ઉઠાવવામાં આવેલા વિષય પર ચર્ચા કરવાની માંગ કરવામાં આવી હોય છે, જેને લઈને ગૃહની કાર્યવાહી સસ્પેન્ડ કરવામાં આવી હોય છે. પેગાસસ વિવાદ, ખેડૂતોના આંદોલન અને પેટ્રોલના ભાવવધારાને લઈને ચર્ચા કરવા સંસદની કાર્યવાહી સ્થગિત થઈ ગઈ છે ત્યારે આ લાંબા ગેપે બધાનું ધ્યાન ખેંચ્યુ છે. રાજ્યસભામાં ગૃહના વડા એમ વેન્કૈયા નાયડુએ જણાવ્યું હતું કે મને વિવિધ મુદ્દાઓ પર દરરોજે ૧૦થી ૧૫ નોટિસો નિયમ ૨૬૭ હેઠળ મળે છે. મેં સભ્યો પાસેથી મળેલી બધી લેખિત નોટિસો નકારી કાઢી છે. સંસદના રેકોર્ડ મુજબ રાજ્યસભાએ છેલ્લે ૧૬ નવેમ્બર ૨૦૧૬ના રોજ નિયમ ૨૬૭ હેઠળ નોટબંધી હેઠળ ચર્ચા કરી હતી. નાયડુ ૧૧ ઓગસ્ટ ૨૦૧૭થી રાજ્યસભાના ચેરમેન છે. તેમણે રફાલ ડીલથી લઈને જીએસટીના અમલીકરણ સુધીનાવિષયો પર સોથી વધુ નોટિસોને નકારી કાઢી છે. જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ ડીએસપી અંગે સરકાર સ્વચ્છ થઈ બહાર આવેેઃ કોંગ્રેસ કોંગ્રેસે જણાવ્યું છે કે આતંકવાદીઓ સાથેના જોડાણ બદલ જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ પોલીસ ઓફિસર દેવિન્દર સિંઘની હકાલપટ્ટી કરવામાં આવી તે અંગે સરકાર પોતે સ્વચ્છ થઈ બહાર આવ. સવાલ એ છે કેે સરકારે તેમા તપાસ શા માટે ન કરી? રાષ્ટ્રીય સુરક્ષાને લગતી બાબત અંગે તપાસ કેમ ન થઈ? કોંગ્રેસના કમ્યુનિકેશન ચીફ રણદીપ સુરજેવાલાએ ટવીટ કર્યુ હતુ. પુલવામા હુમલામાં તેમની ભૂમિકા જો હોય તો શું હતી? તેમણે કોની ધરપકડ કરી હતી? તેમના સાથીઓના નામ શું છે? સરકાર શું છૂપાઈ રહી છે? રાષ્ટ્રને તે જાણવાનો અધિકાર છે. તેમની ધરપકડના આદેશ પર મનોજ સિંહાએ ૨૦મી મેના રોજ સહી કરી હતી. આમ શું લેફ્ટનન્ટ ગવર્નર પુલવામાના ડીએસપી દેવિન્દરસિં સામે કાર્યવાહી પર સંતુષ્ટ હતા. - ઇન્દર સાહની

ગુજરાત સમાચાર 3 Aug 2021 7:05 am

એલન મસ્ક V/S ટીમ કૂક: ટેસ્લા સોદો મોં-માથા વિનાની અફવાથી વિવાદ

- એલન મસ્ક અને ટીમ કૂક વચ્ચે થયેલા મનઘડંત સંવાદો - પ્રસંગપટ - મસ્ક અને ટીમ કૂકે ક્યારેય એક બીજાને કોઇ પત્ર નથી લખ્યો કે ક્યારેય સામસામે બેસીને કોઇ ચર્ચા પણ નથી કરી અમેરિકાના પ્રમુખ બાઇડનના નિવેદનો કરતાં ટેસ્લાના એલન મસ્ક અને એેપલના ટીમ કૂકના નિવેદનો વધુ વંચાય છે તેમજ તે પર વિવાદો થાય છે . તાજેતરમાં બહાર પડેલા એક પુસ્તક પાવર પ્લેના રિવ્યૂમાં એલન મસ્ક અને ટીમ કૂક વચ્ચે થયેલા સંવાદોને સમાવાયા છે. છેલ્લા કેટલાક સમયથી એવી અફવા ચાલતી હતી કે એેપલના ટીમ કૂક એલન મસ્કની ટેસ્લાને ખરીદી રહ્યા છે. કોર્પોરેટ જગતના આ બે મોટા માથા ટકરાય ત્યારે શું થાય અને કેવા ગપગોળા ઉભા થાય છે તે આ પુસ્તકમાં દર્શાવાયું છે. આ પુસ્તકના પગલે વહેતી અફવાનો ઉલ્લેખ ગુજરાત સમાચારના વેપાર પાને આવતી ડેલી ફીચર કોલમ બજારની વાતમાં પણ કરાયો હતો. પાવર પ્લે પુસ્તકમાં લખ્યા અનુસાર ટીમ કૂક એમ ઇચ્છતા હતા કે એપલ ટેસ્લાને ખરીદી લે. પરંતુ ટેસ્લાના એલન મસ્ક તે બાબતે સંમત થયા નહોતા. સોદાની આ વાત એટલા માટે આગળ નહોતી વધી કે એલન મસ્કે એમ કહ્યું હતું કે મને એપલના સીઇઓ બનાવો. કૂકને આ વાત પસંદ નહોતી પડી એટલે તેમણે કહ્યું હતું કે જા ભાઇ જા બીજી વાત કર. એલન મસ્કને જ્યારે આ પુસ્તકની વિગતો ખબર પડી ત્યારે તેમણે સ્પષ્ટતા કરવી પડી હતી કે સાચી વાતતો એ છે કે મેં અને એપલના ટીમ કૂકે ક્યારેય એક બીજાને કોઇ પત્ર નથી લખ્યો તે તો ઠીક પણ ક્યારેય સામસામે બેસીને કોઇ ચર્ચા પણ નથી કરી. તો પછી કૂકે ટેસ્લા ખરીદવાની ઓફર કેવી રીતે કરી હોય? એલન મસ્કેતો સ્પષ્ટતા કરી દીધી પરંતુ સામે છેડે એપલના ટીમ કૂકે પણ ન્યુયોર્ક ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં કહયું હતું કે મેં પણ ટેસ્લાના માલિક એલન સાથે ક્યારેય વાત નથી કરી. આમ એલન અને મસ્ક બંને એમ કહે છે કે અમારી વચ્ચે કાઇ સંવાદ જ નથી થયો તો પછી અમારી વચ્ચે કંપની ખરીદવાની વાત કેવી રીતે થઇ હોય ? જ્યારે બંને વચ્ચે કોઇ મુદ્દે કોઇજ ચર્ચા ના થઇ હોય ત્યારે આ અફવા કોના ભેજાની ઉપજ છે તે પણ શોધવું જોઇએ. રાજકીય ક્ષેત્રે બંધ બારણે ચાલતી ચર્ચાની વિગતો ભાગ્યેજ બહાર આવે છે એવું કોર્પોરેટ કંપનીઓમાં જોવા મળતું નથી. કોર્પોરેટ કંપનીઓમાં ચાર દિવાલો વચ્ચે લેવાતા નિર્ણયો પણ ભાગ્યે જ બહાર આવતા હોય છે. જ્યારે કંપની કોઇને વેચવાની હોય કે કોઇ કંપની ખરીદવાની હોય તો તે વાત અત્યંત ખાનગી રાખવામાં આવે છે. હજુતો ગઇકાલેજ એપલ એપ્લિકેશન સ્ટેાર પર લેવાતી ફી બાબતે એલન મસ્કે ટીકા કરી છે. તેનો પણ વિવાદ ઉભો થયો છે. પરંતુ ક્યાંય એવો ઉલ્લેખ જોવા નથી મળતો કે એપલે ટેસ્લામાં કોઇ રસ બતાવ્યો હોય. પ.બંગાળમાં ટાટા નેનોની સાઇટ પર ગુંડાઓ તૂટી પડયા ત્યારે ટાટાએ નેનોના પ્રોજેક્ટને ખસેડવાની વાત કોઇને પણ કહી નહોતી. કેટલાક સોદા કોર્પોરેટ કંપનીઓમાં એકદમ ખાનગી રખાય છે કેમકે પ્રતિસ્પર્ધી કંપનીઓ તેનો લાભ ના ઉઠાવેકે ઇનસાઇડર ટ્રેડીંગ જેવી કોઇ ઘટના ના બને. જો ટીમ કૂક અને એલન મસ્ક વચ્ચે કોઇ સોદો થાય તો તે ખાનગી જ રહે તેમાં શંકાને સ્થાન નથી. બંને કંપનીઓ અબજો ડોલરની માર્કેટ કેપ ધરાવે છે. તે બંને વચ્ચે આવું કોઇ ડિલીંગ શેર બજારમાં ઉથલ પાથલ ઉભી કરી શકે છે. ટેસ્લાના એલન મસ્ક અને એપલના ટીમ કૂક બંને વૈશ્વિક અર્થ તંત્રના મોટા માથા છે. ટેસ્લા ઇલેકટ્રીક કારનું ઉત્પાદન ભારતમાં થાય તે માટે ભારત સરકાર તત્પર છે અને એલન મસ્કે ઉભા કરેલા આયાત ડયુટી જેવા વાંધા પણ નિવારવા સરકાર તૈયાર થઇ હોય એમ લાગે છે. બેંગલુરુ નજીક ટેસ્લા કારનું ઉત્પાદન કરાશે એવી જાહેરાત પણ થઇ ચૂકી છે. ભારતના લોકો એલન મસ્ક અને ટીમ કૂકથી પરિચિત છે. મસ્કની ટેસ્લા અને ટીમ કૂકનો એપલ ફોન બંને વચ્ચે પ્રોડક્ટની કોઇ સ્પર્ધા નથી. બંને એક બીજાના પ્રાફેેશનમાં પણ આડે નથી આવતાં છતાં બંનેના નામ પર કોર્પોરેટ સર્કલમાં વિવિધ અફવાઓ ચાલ્યા કરે છે. બંને અબજોપતિ છે બંનેમાં એક બીજાની કંપનીઓ ખરીદવા જેટલા પૈસા છે છતાં બંને એક બીજાની આમન્યા રાખે છે. લોકોેએ તે બંનેના ભ્રામક ટિવીટ્ર સંદેશાઓની આપલે કરીને વિવાદને વધુ ચગાવ્યો હતો. બંને ટોચના લોકોને ખોટા મુદ્દે ભેરવી દઇને વિવાદ ઉભો કરાયો હતો. તેનું પુસ્તક બનાવીને આખા કોર્પોરેટ જગતનું ધ્યાન ખેંચનારાઓથી સાવધ રહેવાની જરૂર છે. કહે છેકે એલન મસ્કને આ પુસ્તક વાંચવા કહ્યું હતું ત્યારે તેમણે આવા પુસ્તકને ર્શહજીહજી કહીને મોં ફેરવી લીધું હતું.

ગુજરાત સમાચાર 3 Aug 2021 5:45 am

વિકાસદરનો અંદાજ ઘટયો પણ તેજીનો દેખાડો વધ્યો

- અલ્પવિરામ - સંસદના ચાલુ ચોમાસુ સત્રમાં દેશની પ્રવર્તમાન આર્થિક સ્થિતિની સમીક્ષા કે ચર્ચા કરવામાં કોને રસ છે ? કદાચ કોઈને નહિ...! સંસદના ચોમાસુ સત્રમાં દેશની પ્રવર્તમાન આર્થિક સ્થિતિની સમીક્ષા કે ચર્ચા કરવામાં કોને રસ છે ? કદાચ કોઈને નહિ. સરકાર ચાહે તો પણ એવી વાતો કરવા માટેની તક એને વિપક્ષો આપે એમ નથી. આ વખતના વર્ષાસત્રનું બીજું નામ ધમાલ સત્ર છે. સરકારને ભીંસ પડે એવા ઘણા મુદ્દા અને મુસદ્દા છે પરંતુ વિરોધપક્ષો એ રસ્તો લેવાને બદલે માત્ર ધમાલ કરી રહ્યા છે. આ ધમાલને કારણે ભાજપને તો કોઈ નુકસાન નથી. ભાજપના હાઈકમાન્ડ તો મૂછમાં હસતા હોય. પરંતુ વિપક્ષો પાસે સરકારને સાણસામાં લેવાની મોડેસ ઓપરેન્ડી કે વ્યૂહરચના સદંતર નથી. એટલે આ સત્ર પણ દેશના ગંભીર પ્રશ્નોના વિમર્શ વિના કાળના પ્રવાહમાં વહી જશે. ઓગણીસમી જુલાઈએ શરૂ થયેલું આ સત્ર તેરમી ઓગસ્ટ સુધી ચાલશે અને આજ સુધી માત્ર કહેવા ખાતરનું ચપટીક કામ જ થયું છે એ પ્રજાના દુર્ભાગ્ય છે. સંસદના કામકાજમાં અનેક અંતરાયો ઊભા કરીને વિપક્ષ સેલ્ફ ગોલ કરી રહ્યો છે. ઈન્ટરનેશનલ મોનિટરી ફંડે ભારતના વિકાસદરના અંદાજમાં નવો ત્રણ ટકાનો વધારો જાહેર કર્યો છે. જેની આ ચોમાસુ સત્રમાં ચર્ચા થવી જોઈએ પણ રોજની રામાયણ જોતાં એ ચર્ચા નહિ થાય. વિકાસદરના આ નવા અંદાજનો અર્થ એ થાય કે સરકારે જાહેર કરેલા વિવિધ આર્થિક પેકેજનું કોઈ સકારાત્મક પરિણામ આવ્યું નથી અથવા જાહેરાત પ્રમાણે અમલવારી થઈ નથી. દેશમાં તેજીનો દેખાડો વધ્યો છે પણ તેજી નથી. દેશના વિદ્વાન અર્થશાસ્ત્રીઓ ભલે મંદીની સૂસવાટા મારતી આગાહી અને પછી ગવાહી આપતા હોય. તો પણ વિરાટ જનસંખ્યાને કારણે ભારતીય બજારમાં ડિમાન્ડ અને સપ્લાયના ચક્ર એટલા તો ગતિશીલ રહે જ છે કે મંદીની લહેર આવે પણ સરળતાથી મંદી ઘર ન કરી શકે. કેન્દ્રના નાણા મંત્રાલયે રાજ્ય સરકારોને ઠપકો આપતા કહ્યું કે મંદીની વાતો દરેક રાજ્યમાં સાંભળવા મળે છે. લોકડાઉન અને પછી અનલોક પછી બજાર સુધારા તરફી છે પરંતુ કોઇ રાજ્ય સરકાર હજુ કરવેરા ઓછા કરતી નથી. કોરોનાની બીજી અને ત્રીજી લહેર વચ્ચે અત્યારે જે 'રિસેસ' ચાલે છે એમાં બજારમાં સુધારો તો દેખાય છે પરંતુ એને સરકાર તરફથી પૂરતો સપોર્ટ મળતો નથી. ખરેખર તો આ જ સમય છે કે, રાજ્યોએ પોતાના વિવિધ વેરાની જાળ ટૂંકી કરવી જોઇએ. આ વખતે વરસાદ સારો થયો છે અને હજુ થવાનો છે. ટૌટે ઝંઝાવાતને કારણે રાજ્યના કાંઠાળ ૫૦ ટકા વિસ્તારોમાં કૃષિ ક્ષેત્રનું ધોવાણ થઇ ગયું છે. પરંતુ એ સિવાય ખરીફ પાક સારો ઉતરવાનો છે અને હવે પછીની રવિ પાકની મોસમ પણ જમાવટ કરવાની છે. એક રીતે જુઓ તો વરસાદે દેશના અર્થતંત્રને યોગાનુયોગ એક મહત્ત્વનો અને ખરા સમયનો ટેકો કરેલો છે. કેન્દ્રની એનડીએ સરકારનો ઝુકાવ હજુ પણ દેશના કોર્પોરેટ સેકટર તરફ છે અને એ તો રહેવાનો જ છે, કારણ કે એનડીએ સરકારની વિચારધારામાં પહેલેથી એની કિચન કેબિનેટમાં કોર્પોરેટ કિંગ કહેવાય એવા અનેક ઉદ્યોગપતિઓના પડાવ છે. નાણાંપ્રધાન નિર્મલા સીતારામને કરવેરામાં જે રાહતો આપી છે અને મોરેટોરીયમની જે સગવડ આપી હતી એની અસરો બજારમાં હવે દેખાવા લાગી છે. પરંતુ અર્થશાસ્ત્રના સિદ્ધાન્ત પ્રમાણે રાજ્ય સરકારોએ મંદીમાં જે ખર્ચ વધારવો જોઇએ એના બદલે તે ખર્ચ ઘટી રહ્યો છે. રાજ્ય સરકારો ટેકસ ક્યારે ઘટાડશે તે એક કોયડો છે. રાજ્ય અને કેન્દ્ર દ્વારા હાલ લેવામાં આવતા વિવિધ કરવેરા કોઇ પણ રીતે બિઝનેસ પ્રોત્સાહક નથી. મોંઘવારી પણ સતત ઊંચા પગથિયા ચડે છે. દિવાળી આવશે ત્યાં સુધીમાં તો સિંગતેલ, પેટ્રોલ, ડિઝલની લાઇનમાં જ ડુંગળી આવીને ઉભી રહી જશે. છેલ્લા ઘણા વરસોથી આ ક્રમ ચાલે છે, દિવાળી નજીક આવે કે તુરત જ ડુંગળીના ભાવ આસમાનને અડવા માટે 'મહેકી' ઉઠે છે. ડુંગળી તો દેશના ગરીબથી તવંગર સહુના સ્વાદ અને શોખનો વિષય છે. છતાં નાના પરિવારોમાં ડુંગળી મહદ્ અંશે શાકનો વિકલ્પ બનીને દિવસો પસાર કરી આપે છે. રાજ્ય કે કેન્દ્ર પાસે એવી કોઇ વ્યવસ્થા જ નથી કે તે ડુંગળીના ભાવનું નિયમન કરી શકે. ગયા વરસે તો છેલ્લા ચાર વરસમાં ડુંગળીના ભાવ સૌથી વધુ ઊંચે ગયા હતા. ડુંગળીની લાક્ષણિકતા જ આંખમાં આંસુ લાવવાની છે એની પ્રતીતિ બજાર હવે આર્થિક રીતે પણ કરાવે છે. આ વખતની મંદીનું એક કારણ ભલે કોરોનાને નામે હોય પરંતુ એ સિવાયની સરકારની નીતિઓ બહુ પ્રોત્સાહક નથી. જેઓ વેપારધંધા લઈને બેઠા છે એમને ખબર છે. વળી ઓનલાઈન વેપારને કારણે પણ રિયલ માર્કેટને ફટકો પડે છે. દેશમાં પ્રવર્તમાન મંદીનું એક કારણ ગત બજેટ તૈયાર કરવામાં દાખલ કરાયેલી બિનઅર્થશાસ્ત્રીય પ્રણાલિકાઓ પણ છે. એક સર્વેક્ષણ પ્રમાણે ભારતમાં મંદીની શરૂઆત છેલ્લા ત્રણ વરસથી થયેલી છે. છતાં પણ આજ સુધી રાજ્ય સરકારોએ પોતાના ખર્ચના આંકડાઓને અભિવૃદ્ધ કર્યા નથી. એનો બીજો અર્થ છે કે, રાજ્ય સરકારોની નીતિ મંદીને પ્રોત્સાહન આપનારી નીવડી છે. હવે વિકલ્પો બહુ મર્યાદિત છે. વડાપ્રધાન મોદી પોતાની કોઇ વિશ્રામ વેળાએ જો દેશના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજીને નવી રણનીતિ બનાવે અને ખર્ચના યોગ્ય પ્રયોજન માટે ઉદ્દીપકનું કામ કરે તો તેજીના ચક્ર અધિક સજીવન થઇ શકે છે. પરંતુ આપણે ત્યાં સરકાર પોતાના પક્ષે તો કદી બોધપાઠ લેતી જ નથી અને બધા જ બોધપાઠ લેવાના અને ભોગવવાના પ્રજાના ભાગે જ આવે છે. આજકાલ દેશમાં તેર રાજ્યો એવા છે જેની તિજોરીની હાલત ગંભીર છે. છત્તીસગઢ અને કેરળની હાલત વધુ ખરાબ છે. સાત રાજ્યો એવા છે જેની ખોટ પાછલા વરસ કરતા વધારે છે, એમાં ગુજરાત, આન્ધ્ર, કર્ણાટક, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ જેવા મોટા રાજ્યો છે. આ ખોટ વળી આગે સે ચલી આતી હૈ જેવી છે. ઉપરના બધા એ રાજ્યો છે કે જેમણે પોતાના ખર્ચમાં કાપ મૂકીને મંદીને વધુ વેગ આપ્યો છે. શ્રાવણ મહિનો નજીક આવી ગયો છે. બજારમાં હવે તહેવારોને કારણે અને કોરોનાનો ભય હળવો થવાને કારણે જે નવી ચમક દેખાવા લાગી છે એને ટકાવી રાખવી હોય તો રાજ્ય સરકારોએ વિવિધ પરિયોજનાઓને બહાને ખર્ચમાં વધારો કરવો પડશે. તો જ ડિમાન્ડ કાર્યાન્વિત થશે. ડિમાન્ડ ખરેખર તેજીનું પ્રાણતત્ત્વ છે. એક વખત બજારમાં ડિમાન્ડ પ્રજ્વલિત થાય પછી સમગ્ર અર્થતંત્રમાં નવો અજવાસ ફેલાઇ જાય છે. આકાશવાણી અને દૂરદર્શન પર એટલે કે સત્તાવાર સરકારી મીડિયા દ્વારા સપ્તાહમાં ચાર વાર એમ કહેવામાં આવે છે કે દેશનું અર્થતંત્ર પાટે ચડી ગયું છે જ્યારે કે હકીકત જુદી છે. મોટા શહેરોના બિલ્ડરો તો આ મંદીમાં કદાચ બચી જશે પરંતુ ગુજરાતના તાલુકા અને જિલ્લા કક્ષાના સેન્ટરોના બિલ્ડરો આ મંદીમાં રોડ પર આવી જશે. મંદીના માર ઉપરાંત રેરાના કાયદાની વિચિત્ર ભૂલભૂલામણી એમને બાંધકામ ક્ષેત્રમાંથી સન્યાસ લેવરાવશે એ નક્કી છે.

ગુજરાત સમાચાર 3 Aug 2021 5:35 am

કોરોના કાળમાં કોર્પેારેટ સર્કલમાં ચાર્ટર્ડ પ્લેનના વપરાશનો ક્રેઝ..

- વિમાન પ્રવાસમાં પણ ભીડભાડ શરૂ થતાં હવે હાઇ નેટવર્થ ધરાવતા લોકો સ્પેશ્યલ પ્લેન અને ચાર્ટર્ડ સવલતો તરફ વળ્યા છે ભારતના હાઇ નેટવર્ક અને અલ્ટ્રા હાઇ નેટવર્ક ધરાવતા લોકો ભલે માંડ ૧૦,૦૦૦ જેટલા હોય પણ આ એ લોકો છે કે જે કરોડોમાં કમાય છે અને પોતાના બિઝનેસ માટે ચાર્ટર્ડ પ્લેન સિવાય ફરતા નથી. નવોદિત વેપારી જેમ બિઝનેસ માટે મુંબઇ જવા એ.સી કોચનો ઉપયોગ કરે એમ ભારતના અતિ પૈસાદારો ખાનગી વિમાનોનો કે હેલિકોપ્ટરોનો ઉપયોગ કરે છે. આવા લોકોને સમયની કિંમત હોય છે. પરંતુ તેમનેા ચાર્ટર્ડ પ્લેન માટેનો શોખ સતત વધી રહ્યો છે. કોરોના કાળમાં તો ભારતના અતિ પૈસાદારો ચાર્ટર્ડ પ્લેનમાંજ મુસાફરી કરે છે. હવે તો પૈસાદારો પોતાનુ ચાર્ટર્ડ પ્લેન નહીં પણ એર લાઇન્સ ઉભી કરવા માંગે છે. ટાટા વાળા એર ઇન્ડિયા ખરીદવા તૈયાર છે પરંતુ અન્ય લોકો પણ તે ખરીદવા તૈયાર હોઇ મામલો ગુંચવાયો છે પરંતુ રાકેશ ઝુનઝુનવાલાએ તો પોતાની એર લાઇન્સ ચાલુ કરવા મનમનાવી લીધું છે. અનેક એર લાઇન્સ ફડચામાં ચાલી રહી છે. આવા ડેડ એકમોને જીવાડવાના પ્રયાસો કરવાના બદલે તેવી કંપનીઓને ફડચામાં લઇ જવી જોઇએ એમ બજારના નિષ્ણાતો માની રહ્યા છે. જેમકે સ્પાઇસ જેટ કરોડોની ખોટ ખાઇને હજુ ઓપરેટ કરી રહી છે. દરેક નબળા એકમો એમ માને છે કે કોરોનાના નિયંત્રણો હટશે એટલે તેજી જોવા મળશે અને ફંડીંગ કરતી કંપનીઓ પણ વહારે આવશે. કારમાં પ્રવાસનું રેન્ટ જેમ કિલોમિટર પર હોય છે એમ ચાર્ટર્ડ પ્લેનનું ભાડું કલાક પર હોય છે. જેમાં વિમાન ટેકઓફથી રિટર્નમાં લેન્ડીંગનો સમય, એરપોર્ટ પર પાર્કીંગ, પાઇલોટ અને સ્ટાફનો ખર્ચો વગેરેનો સમાવેશ થાય છે. કોરોનામાં ચાર્ટર્ડ પ્લેનની ડિમાન્ડ ઉભી થઇ છે. ચાર્ટર્ડ પ્લેનની જેમ સ્પેશ્યલ વિમાનની સવલતો આપતી કંપનીઓ પણ ઉભી થઇ છે. મુંબઇથી ગોવા ૧૫-૨૦ના ગૃપમાં જનારાઓ માટે આવી સેવાઓ કાર્યરત છે. પ્રવાસ બાય રોડ કે બાય ટ્રેન કરવાના બદલે બાય એર જવાનો ટ્રેન્ડ વધવાના કારણેજ સ્પેશ્યલ વિમાનોની સવલતો ઉભી થઇ છે. સ્પેશ્યલ વિમાનની સવલત કે ચાર્ટર્ડ પ્લેન માટે એરપોર્ટ પર બહુ સમય નથી બગડતો અને બધુંજ ઓનલાઇન બુકીંગ થઇ જતું હોય છે. મુંબઇથી શ્રીનાથજી જનારાઓ ઉદેપુર સુધી બાય એર જાય છે અને ત્યાંથી શ્રીનાથજી બાય રોડ પહોંચે છે. જેમ વિમાન મુસાફરો વધ્યા એમ એરલાઇન્સની સંખ્યા વધી હતી. એર પ્રવાસના ભાડાં વધ્યા હોવા છતાં કેટલીક એરલાઇન્સ ખોટ કરી રહી છે તેવું જાણવા મળે છે. સરકાર એર ઇન્ડિયા નામનો ખોટ ખાતો હાથી બાંધીને બેઠી છે. ડિસઇન્વેસ્ટમેન્ટનું શસ્ત્ર ઉઠાવવાની હિંમત સરકારમાં હોય એમ લાગતું નથી. રૂપિયા ૧૦,૦૦૦ કરોડની ખોટ ખાઇને બેઠેલી એર ઇન્ડિયાએ ભારતના ઉડ્ડયન ઉધ્યોગનું નાક કાપ્યું છે. સરકાર ખોેટ ખાતા એકમોને વેચવા માંગે છે પણ વિપક્ષો એમ કહે છે કે મોદી સરકાર સરકારી સંપત્તિ વેચી મારે છે તેવા આક્ષેપોથી ડરે છે. કહે છે કે નવા ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા મધ્યમ વર્ગને પોષાય એવી ફ્લાઇટ ઉભી કરવા માંગે છે તેમજ ઇમર્જન્સી માટે હેલિકોપ્ટરોનો ઉપયોગ થાય તે માટે હેલિપેડ જેવી સવલતો ધાર્મિક સ્થળ અનેે હોસ્પિટલની નજીક ઉભી કરવા માંગે છે . ,જો એમ થાય તો સરકાર એર એમબ્યુલન્સના પ્રોજેક્ટ જેવી સવલતો ઉભી કરવાની દિશામાં આગળ વધી શકે છે. હકીકત તો એ છે કે એર ટ્રાવેલ્સ કોમન બનતી જાય છે. એરપોર્ટ પરની અવર જવર પહેલાં પૈસાદારા પુરતી સિમિત હતી હવે ત્યાં કોમન પીપલના ટોળાં જોવા મળે છે. બિઝનેસ ક્લાસમાં પણ સામાન્ય પ્રજા જોવા મળે છે. અમદાવાદ -મુંબઇ અને અમદાવાદ-દિલ્હી વચ્ચેનો એર ટ્રાફિક ભરચક જોવા મળે છે. એવીજ રીતે અન્ય હવા ખાવાના સ્થળો માટે સવલતો ઉભી કરાઇ છે. ભારતના લોકો ખાસ કરીને ગુજરાતી બિઝનેસમેનને બાય એરની અવર જવરની ફાવટ આવી ગઇ હોય એમ લાગે છે. કેટલાક પૈસાદારોના કુટુંબના સંતાનોએ તો એસ.ટી બસોમાં પ્રવાસ કર્યોજ નથી જેને સમૃધ્ધ ગુજરાતની નિશાની ભલે કહી શકાય પરંતુ ખરું ભારત દર્શનતો એસ.ટી બસ મારફતેજ થાય તે ભૂલવું ના જોઇએ. ચાર્ટર્ડ પ્લેનની સવલતો કોર્પોરેટ સર્કલ અને ટોચના રાજકારણીઓ માટે જોવા મળે છે. વિમાન પ્રવાસને સ્ટેટસ સિમ્બોલ કહેવાતો હતો પરંતુ તેમાં પણ ભીડભાડ શરૂ થતાં હવે હાઇ નેટવર્થ ધરાવતા લોકો સ્પેશ્યલ પ્લેન અને ચાર્ટર્ડ સવલતો તરફ વળ્યા છે. ભારતમાં જ્યારે યુનિકોર્ન કંપનીઓ ઉભી થઇ રહી છે ત્યારે ચાર્ટર્ડ પ્લેનની સંખ્યામાં પણ વધારો થશે તે નક્કી છે.

ગુજરાત સમાચાર 2 Aug 2021 2:30 am

દિલ્હીની વાત : મોદીનો ઓલિમ્પિક્સમાં 10 મેડલનો વીડિયો વાયરલ

નવીદિલ્હી : ભારતનો ઓલિમ્પિક્સમાં દેખાવ રાબેતા મુજબ બહુ સાધારણ અને સ્પષ્ટ કહીએ તો શરમજનક છે. ઓલિમ્પિક્સ અડધો પતી ગયો. ભારતે અત્યાર સુધીમાં મીરાબાઈ ચાનુના સિલ્વર મેડલ સિવાય બીજો મેડલ જીત્યો નથી ત્યારે નરેન્દ્ર મોદીનો ૨૦૧૨નો જૂનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં મોદી કહે છે કે, ઓલિમ્પિક્સ થાય ત્યારે બધે ચર્ચા થાય છે કે આટલો મોટો દેશ હોવા છતાં એક પણ ગોલ્ડ મેડલ ન મળ્યો. મારો સવાલ છે કે, કદી પણ આપણે આ વાતને આપણી શિક્ષણ પધ્ધતિ સાથે જોડી ? યુવાઓને તક આપી ? શું ૧૨૦ કરોડનો દેશ મેડલ ના જીતી શકે ? આપણા લશ્કરના જવાનોને આ કામ સોંપાય, નવા ભરતી થતા અને સ્પોર્ટ્સમાં રસ ધરાવતા જવાનોને ટ્રેઈનિંગ અપાય તો ૫-૧૦ મેડલ તો આપણા જવાનો જ લાવી આપે. લોકો સવાલ કરી રહ્યા છે કે, મોદીજી તમને ૯ વર્ષ પહેલાં ઓલિમ્પિક્સમાં મેડલ જીતવાની ફોર્મ્યુલા ખબર હતી તો તમારા શાસનમાં સાત વર્ષમાં આવેલા બે ઓલિમ્પિક્સમાં તેનો અમલ કેમ ના કર્યો ? કર્ણાટકમાં ડખો, શેટ્ટર મંત્રી બનવા તૈયાર નહીં કર્ણાટકમાં ભાજપે બસવરાજ બોમ્માઈને મુખ્યમંત્રીપદે બેસાડયા તેનાથી નારાજ જગદીશ શેટ્ટીગરે બોમ્માઈ મંત્રીમંડળમાં સામેલ નહીં થવાનું એલાન કર્યું છે. કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શેટ્ટર યેદુરપ્પા સરકારમાં ભારે અને મધ્યમ ઉદ્યોગોના મંત્રાલયના મંત્રી હતા. યેદુરપ્પાની વિદાય પછી શેટ્ટર મુખ્યમંત્રીપદના દાવેદાર હતા પણ ભાજપ હાઈકમાન્ડે તેમની અવગણના કરીને બોમ્માઈને ગાદી પર બેસાડતાં શેટ્ટર બગડયા છે. શેટ્ટરે જાહેરમાં કહ્યું છે કે, હું ભૂતપૂર્વ મુખ્યમંત્રી હોવા છતાં યેદુરપ્પા સરકારમાં મંત્રી બનેલો કેમ કે યેદુરપ્પા કર્ણાટકમાં ભાજપના સૌથી મોટા નેતા છે તેથી તેમના હાથ નીચે કામ કરવામાં મને મૂંઝવણ નહોતી થઈ. હવે હું સીનિયર છું અને બોમ્માઈ જુનિયર છે તેથી હું તેમના હાથ નીચે કામ ના કરી શકું. બોમ્માઈએ શેટ્ટરને મળીને મંત્રીમંડળમાં સામેલ થવા સમજાવ્યા પણ શેટ્ટર તૈયાર નથી. બોમ્માઈએ જૂની મિત્રતાની યાદ અપાવી છતાં શેટ્ટર ટસના મસ ના થયા. શનિવારે બોમ્માઈએ નરેન્દ્ર મોદી સમક્ષ પણ શેટ્ટર મુદ્દે રજૂઆત કરી હતી. મોદી અમિત શાહ અથવા નડ્ડાને શેટ્ટરને સમજાવવા કહેશે એવો સૂત્રોનો દાવો છે. ભાજપના બે મુખ્યમંત્રી શાહને ઘોળીને પી ગયા સરકાર માટે આસામ-મિઝોરમ સરહદ વિવાદ માથાનો દુઃખાવો બની ગયો છે અને ભાજપ શાસિત બે રાજ્યો સામસામે આવી જતાં ભાજપના રાષ્ટ્રવાદના દાવાના ચીંથરે ચીંથરા થઈ ગયાં છે. અમિત શાહે બંને રાજ્યોના મુખ્યમંત્રીઓને ખખડાવીને સંયમથી વર્તવા કહ્યું હતું પણ બંને મુખ્યમંત્રી શાહને ઘોળીને પી ગયા છે. શાહની સૂચના છતાં બંને રાજ્યે એફઆઈઆર નોંધીને એકબીજાના ઉચ્ચ પોલીસ અધિકારીને આરોપી બતાવી દીધા છે. મિઝોરમે તો આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાને આરોપી બનાવીને ફરિયાદ નોંધાવતાં આસામ ભાજપના ધારાસભ્યો આક્રમક મૂડમાં છે. ધારાસભ્ય કૌશિક રાયે તો વીડિયો બહાર પાડીને ધમકી આપી છે કે, અમે પોલીસ કે સરકાર કોઈની વાત સાંભળવાના નથી ને આસામીઓના મોતનો બદલો લઈશું. અમે આર્થિક નાકાબંધી પણ કરી દઈશું ને મિઝોરમ ભૂખે મરી જશે. સામે મિઝોરમના નાગરિક પુરવઠા મંત્રી કે, લાલરિનરિયાલાએ આસામને આર્થિક નાકાબંધી કરવા પડકાર ફેંકીને હુંકાર કર્યો છે કે, મિઝોરમમાં કોઈ વસ્તુની તંગી નહીં સર્જાય કેમ કે અમે મણિપુર અને ત્રિપુરાથી જીવનજરૂરી ચીજોની વ્યવસ્થા કરી છે. મમતા પક્ષપલટુ મોંડલને મળ્યાં પણ નહીં લોકસભાનું સભ્યપદ ગુમાવવાના ડરે ફફડી ગયેલા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સુનિલ મોંડલ તૃણમૂલ કોંગ્રેસમાં પાછા આવવા રઘવાયા થઈ ગયા છે. તૃણમૂલે મોંડલ અને શુભેન્દુના પિતા શિશિરને સાંસદપદેથી ગેરલાયક ઠેરવવા અરજી કરી છે. સ્પીકરે શુક્રવાર સુધીમાં જવાબ આપવા મોંડલને નોટિસ ફટકારી હતી. મોંડલ ૨૦૨૦ના ડીસેમ્બરમાં શુભેન્દુ અધિકારી સાથે ભાજપમાં જોડાયા હતા. મમતાની દિલ્હી યાત્રા દરમિયાન મોંડલે મમતાને મળવા વારંવાર પ્રયત્ન કર્યો પણ મમતાએ ઘસીને ના પાડી દીધી હતી. મમતાના મનાવવા મોંડલે મુકુલ રોયને પણ આજીજી કરી હતી. ગુરૂવારે તો મોંડલ એક જ દિવસમાં ત્રણ વાર મુકુલ રોયને મળવા તેમના ઘરે ગયા હતા. રોયે પણ મમતાને વાત કરી પણ મમતાએ રસ જ ના બતાવ્યો. છેલ્લા ઉપાય તરીકે મમતા શુક્રવારે સાંજે કોલકાત્તા જવા રવાના થયાં ત્યારે મોંડલ એરપોર્ટ પર પહોંચી ગયા હતા. મમતાના આગમનની રાહ જોઈને કલાક લગી મોંડલ ઉભા રહ્યા પણ મમતા તેમના પર નજર નાંખ્યા વિના જતાં રહેતાં મોંડલે ભોંઠા થઈને પાછા જવું પડયું. અસ્થાના મુદ્દે મોદી-શાહે પીછેહઠ કરવી પડશે ? રાકેશ અસ્થાનાને દિલ્હીના પોલીસ કમિશ્નરપદે નિમવાના મુદ્દે નરેન્દ્ર મોદી અને અમિત શાહે પીછેહઠ કરવી પડે એવા સંકેત છે. મોદી-શાહ સામે સુપ્રીમ કોર્ટની અવમાનનાનો કેસ ચલાવવા અરજી થઈ છે. અરજદારની દલીલ છે કે, જે અધિકારીની નિવૃત્તિમાં છ મહિના કે ઓછો સમય બાકી ના હોય એવા અધિકારીને ડીજીપી કે તેના સમકક્ષ કોઈ પણ હોદ્દા પર નિમી ના શકાય એવો સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે. સુપ્રીમ કોર્ટે આ પ્રકારની નિમણૂક માટે પહેલાં યુપીએસસીને જાણ કરવાની રહેશે એવો આદેશ ૩ જુલાઈ, ૨૦૧૮ના રોજ આપ્યો હતો. મોદી સરકારે અસ્થાનાની નિમણૂક પહેલાં યુપીએસસીને જાણ કરી નહોતી. અસ્થાનાની નિવૃત્તિને ત્રણ જ દિવસ બાકી હોવા છતાં તેમની નિમણૂક પણ કરી. આ રીતે સુપ્રીમ કોર્ટના બબ્બે આદેશનું ઉલ્લંઘન કર્યંજ છે. નિષ્ણાતોના મતે, અરજદારે ઉઠાવેલા મુદ્દા કાનૂની રીતે યોગ્ય છે અને સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને ઉઠાવાયા છે. આ સંજોગોમાં મોદી-શાહ સામે અવમાનનાની કાર્યવાહી ભલે ના થાય પણ અસ્થાનાની નિમણૂક રદ થઈ શકે છે. કુશવાહા નહીં લલ્લન, નીતિશે નમતું જોખવું પડયું નીતિશ કુમારની જેડીયુએ અંતે રાજીવ રંજન ઉર્ફે લલ્લન સિંહને રાષ્ટ્રીય પ્રમુખ બનાવી દીધા. આરસીપી સિંહ સરકારમાં મંત્રી બનતાં જેડીયુએ એક વ્યક્તિ એક હોદ્દાના સિધ્ધાંતને આધારે નવા પ્રમુખ નિમવા પડયા છે. નીતિશ દલિત નેતા ઉપેન્દ્ર કુશવાહાને પ્રમુખ બનાવવા માગતા હતા પણ સવર્ણ નેતાઓ તરફથી તેનો ઉગ્ર વિરોધ થતાં નીતિશે પીછેહઠ કરવી પડી. આ નેતાઓની દલીલ છે કે, સવર્ણો આરજેડી-કોંગ્રેસ તરફ જઈ શકે તેમ નથી તેથી ભાજપ અને જેડીયુને મત આપે છે. જેડીયુ દલિતને રાષ્ટ્રીય પ્રમુખ બનાવશે તો સવર્ણો સંપૂર્ણપણે ભાજપ તરફ વળી જશે અને ભવિષ્યમાં ભાજપને જેડીયુની જરૂર જ નહી રહે. જેડીયુએ પોતાની સવર્ણ મતબેંકને જાળવી રાખવા ઉચ્ચ જ્ઞાાતિના નેતાને મહત્વ આપવું જરૂરી છે. નીતિશે મતબેંકના રાજકારણને સ્વીકારીને કમને આ વાત સ્વીકારવી પડી છે. લલ્લન સિંહ પણ નીતિશની અત્યંત નજીક છે અને તેમના વિશ્વાસુ છે. જેડીયુના ટ્રબલ શૂટર લલ્લનને નીતિશ રાજકીય ઓપરેશન્સ માટે ફ્રી રાખવા માગતા હતા પણ પક્ષના ટોચના નેતાઓની લાગણી સામે તેમણે ઝૂકવું પડયું છે. *** 2024માં મોદીને પડકારશે કોણ, મમતા-રાહુલ કે પવાર ભાજપ સામે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં વિપક્ષને એકત્રિત કરવા માટે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ પાંચ દિવસ માટે દિલ્હીમાં ધામા નાખ્યા હતા. મમતાએ જણાવ્યું હતું કે તેમને ભાજપની સામેના સંયુક્ત વિપક્ષની આગેવાની ગમે તે કરે તેની સામે વાંધો નથી. પરંતુ રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે મમતા વડાપ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષા ધરાવે છે. આવું જ રાહુલનું છે. મમતા સોનિયા ગાંધીને સન્માન આપે છે. મમતા અને રાહુલ બીજા લોકોની નેતાગીરી નહીં સ્વીકારે. વિશ્લેષકોનું કહેવું છે કે મમતા જબરજસ્ત કુનેહ અને આંતરસૂઝ ધરાવનારી રાજકારણી છે. તે પોતાની મર્યાદા જાણે છે. હવે તે પોતે રાણી બનવાની છે કે કિંગમેકર બનવાની છે તે કશું કહી શકાય નહીં? રાહુલની પોતાની પક્ષની અંદરની સ્થિતિ હાલકડોલક છે. જી-૨૩નો બળવો તાજેતરમાં માંડ-માંડ શમ્યો છે. પજાબ અને રાજસ્થાનમાં કોંગ્રેસ પૂરેપૂરી જૂથબંધીમાં વિભાજીત છે. પવારનું આરોગ્ય સારુ નથી. તેની તાત્કાલિક ચિંતા તેની પુત્રી સુપ્રિયા સુળેના રાજકીય ભવિષ્ય અંગે હશે, તેનો ભત્રીજો અજીત પવાર ગમે ત્યારે તેના પગ નીચેથી જાજમ ખેંચી શકે છે. પવાર જાણતા નથી કે મમતા કે રાહુલ તેની સાથે કેવી રીતે વર્તશે. મમતા પીએમ બનવાનું સ્વપ્ન પછી જુએ, પહેલા વિધાનસભ્ય બને લોકસભાની ચૂંટણી ૨.૫ વર્ષ દૂર છે. ચૂંટણીલક્ષી રાજકારણને ઘણો સમય છે. મમતાની નજર રાષ્ટ્રીય ફલક પર છે. ભાજપના સોશિયલ મીડિયા હેડ અમિત માલવિયાએ ઇન્ડિયા ટુડે સાથેની ચર્ચામાં જણાવ્યું હતું કે પહેલા મમતા વિધાનસભ્ય બને પછી મોદી અંગે વિચાર કરે. તેમના પક્ષે તાજેતરમાં પૂરી થયેલી ચૂંટણીમાં શાનદાર વિજય મેળવ્યો હતો, પરંતુ મમતા બેનરજી પોતે નંદીગ્રામના પ્રતિષ્ઠિત જંગમાં તેના જ એક સમયના સહયોગી સુવેન્દુ અધિકારી સામે હારી ગઈ હતી. તેણે વિધાનસભામાં પ્રવેશવા પૂર્વે ઓક્ટોબરના અંત પહેલા પેટાચૂંટણી જીતવી પડશે. રાજ્યસભાના ચેરમેન સામે દરખાસ્ત લાવવાનો વિપક્ષનો વિચાર સૂત્રો પાસેથી જાણવા મળેલી વિગત મુજબ વિપક્ષનું એક જૂથ રાજ્યસભાના વડા વેન્કૈયા નાયડુ સામે તેઓને બોલવા ન દેવા બદલ દરખાસ્ત લાવવા વિચારી રહ્યું છે, જ્યારે બીજાનું માનવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને પણ હાલમાં ચાલી રહેલા લોગજામ માટે જવાબદાર માની લક્ષ્યાંક બનાવવા જોઈએ. વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે રાજ્યસભામાં વિપક્ષના નેતા કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભાના ચેરમેનને લખેલા પત્રમાં ફરિયાદ કરી હતી કે પેગાસસ જાસૂસીકાંડ મુદ્દે વિપક્ષને બોલવા દેવાની તક આપવામાં આવી નથી. સરકારી હોદ્દેદારે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે નાયડુ ગૃહમાં ડેકોરમ જાળવી રાખવાના મુદ્દે કોઈ સમાધાન નહીં કરે. ન્યાયાધીશો પર હુમલા ચિંતાજનકઃ સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ (એડીજી) મોહમ્મદ એહમદના થયેલા મૃત્યુ અંગે આપમેળે જ કેસ હાથ પર લીધો છે. ધનબાદમાં તેમને ઓટોએ ટક્કર મારી તે ઘટનાને તેમણે ક્રૂર ગણાવી છે. તાજેતરના ન્યૂઝ એવાલો જણાવે છે કે આવા ઘણા બનાવો બન્યા છે. ઉત્તરપ્રદેશના ફતેહપુર ટાઉનમાં પોસ્ટ થયેલા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજે ફરિયાદ નોંધાવી હતી કે તેમણે તાજેતરમાં એક જામીન અરજી નકારી કાઢી તેના પગલે ગુરુવારે રાત્રે તેમની કારને એસયુવીએ ટક્કર મારી હતી. ૨૫ માર્ચના રોજ ઉત્તરપ્રદેશના વકીલોના જૂથે ઉન્નાવના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ પ્રહલાદ ટંડનથી નારાજ થઈને તેમના પર હુમલો કર્યો હતો. ટંડનનું એટલી હદે અપમાન કરવામાં આવ્યું હતું કે તેમણે રાજીનામુ આપી દીધુ હતુ. ફેબુ્રઆરીમાં કેરળ હાઇકોર્ટના ન્યાયાધીશ વી શિર્કેની સત્તાવાર કાર પર એક વ્યક્તિએ મોટર ઓઇલ ફેંક્યુ હતુ. ધનબાદની મોત પછી બેન્ચે ઝારખંડના મુખ્ય સચિવ અને ડીજીપીને ન્યાયિક અધિકારીઓ, ન્યાયાધીશો અને કાયદાકીય વર્ગનું કોર્ટના સંકુલની અંદર રક્ષણ કરવા કહ્યું છે. હાથે મેલુ ઉપાડવામાં છેલ્લા પાંચ વર્ષમાં કોઈ મોત ન થયાનો દાવો ખોટો ગુરુવારે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સંપ્રભુત્વ વિભાગના પ્રધાન રામદાસ આઠવલેએ રાજ્યસભામાં જાહેરાત કરી હતી કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન દેશમાં હાથે મેલુ ઉપાડવાના કિસ્સામાં કોઈ મોત થયા નથી તેના પ્રતિસાદરુપે સફાઈ કર્મચારી આંદોલનના વડા બેઝવાદા વિલ્સને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારનું આ પ્રકારનું નિવેદન જ અમાનવીય છે. છેલ્લા પાંચ વર્ષમાં આ પ્રકારની ઘટનામાં કમસેકમ ૪૭૨ના મોત થયા છે. એકલા ૨૦૨૧માં જ ૨૧ના મોત થયા છે. તેમણે જણાવ્યું હતું કે વાસ્તવિક આંકડા આપવાના બદલે કેન્દ્ર સરકાર મુશ્કેલીને છાવરી રહી છે. રાકેશ અસ્થાનાની નિમણૂકને લઈને વિવાદ દિલ્હી વિધાનસભાએ આઇપીએસ ઓફિસર રાકેશ અસ્થાનાની દિલ્હી પોલીસ કમિશ્નર પદે નિમણૂકનો વિરોધ કરતો ઠરાવ પસાર કર્યા પછી એડવોકેટે સુપ્રીમ કોર્ટમાં વડાપ્રધાન મોદી અને અમિત શાહ તથા ગૃહ મંત્રાલય પર અસ્થાનાની નિમણૂક અંગે સુપ્રીમ કોર્ટના આદેશોનું જાણીબૂઝીને પાલન ન કરવાનો આરોપ મૂકતો કેસ ફાઇલ કર્યો છે. એડવોકેટ મનોહર લાલ શર્મા જેમણે પેગાસસ જાસૂસી વિવાદમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ માટે અરજી કરી હતી તેમણે આરોપ મૂક્યો હતો કે અસ્થાનાની નિમણૂક તે સુપ્રીમ કોર્ટના નિયમોનો ભંગ છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે બધી જગ્યાઓ યુનિયન સર્વિસ પબ્લિક કમિશન મુજબ ભરવી જોઈએ અને સર્વિસના છ મહિનાથી પણ ઓછો સમય બાકી હોય તેવા કોઈપણ અધિકારીને ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) ન બનાવી શકાય. - ઇન્દર સાહની

ગુજરાત સમાચાર 1 Aug 2021 7:05 am

દિલ્હીની વાત : ભાજપના સરમાએ શરમજનક ઈતિહાસ રચ્યો

નવીદિલ્હી : આસામ સરકારે પોતાના નાગરિકો માટે 'ટ્રાવેલ એડવાઈઝરી' બહાર પાડીને મિઝોરમ નહીં જવા સલાહ આપી છે. આસામના ગૃહ સચિવ મણિવન્નનની સહી સાથેની 'ટ્રાવેલ એડવાઈઝરી'માં અપીલ કરાઈ છે કે, અશાંત પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને મિઝોરમની યાત્રાથી બચવું અને મિઝોરમમાં કામ કનારા આસામીઝ અત્યંત સાવધાની રાખે. આસામ સરકારે આ 'ટ્રાવેલ એડવાઈઝરી' દ્વારા એક શરમજનક ઈતિહાસ રચી દીધો છે. ભારતમાં કોઈ રાજ્યે પોતાના નાગરિકોને બીજા રાજ્યમાં નહીં જવાની સલાહ આપીને 'ટ્રાવેલ એડવાઈઝરી' બહાર પાડી હોય એવું પહેલી વાર બન્યું છે. સામાન્ય રીતે દેશની સરકાર આતંકવાદ કે બીજા હુમલાના ખતરાને ધ્યાનમાં રાખીને પોતાના નાગરિકાને બીજા દેશમાં નહીં જવાની સલાહ આપે છે. વિશ્લેષકોના મતે, દેશના એક રાજ્યની સરકાર બીજા રાજ્યમાં નહીં જવા નાગરિકોને કહે તેનાથી વધારે શરમજનક બીજું કંઈ ના કહેવાય. હિમંત બિસ્વ સરમાએ આ પગલા દ્વારા દેશને શરમજનક સ્થિતીમાં મૂક્યો છે. મોદી સરકારે દરમિયાનગીરી કરીને સરમાને 'ટ્રાવેલ એડવાઈઝરી' પાછી ખેંચવા ફરજ પાડવી જોઈએ કે જેથી વૈશ્વિક સ્તરે ભારતનો ફજેતો થતો બચે. સોનિયાને મહત્વ આપતાં પવાર મમતાથી નારાજ ? મમતા બેનરજી દિલ્હીમાં પાંચ દિવસ ગાળીને શુક્રવારે સાંજે કોલકાત્તા જવા રવાના થઈ ગયાં. મમતા પોતાની દિલ્હી યાત્રા દરમિયાન શરદ પવારને ના મળ્યાં એ મુદ્દો રાજકીય વર્તુળોમાં જોરશોરથી ચર્ચાઈ રહ્યો છે. મમતાની યાત્રા પહેલાં વાતો ચાલેલી કે, મમતા દિલ્હીમાં પવારને મળશે અને ભાજપ વિરોધી મોરચાની રચનાને અંતિમ રૂપ આપશે. નવા મોરચાની વાત તો છોડો પણ બંને વચ્ચે મુલાકાત પણ ના થઈ શકી. તેના કારણે એવી વાતો ચાલી રહી છે કે, મમતાએ નહેરૂ-ગાંધી પરિવારને વધારે મહત્વ આપ્યું તેથી પવાર નારાજ છે. મમતા તરફથી પવારને મળવાની કોઈ પહેલ પણ ના કરાઈ તેના કારણે પવાર શુક્રવારે સવારે જ મુંબઈ જવા રવાના થઈ ગયા. તૃણમૂલનાં સૂત્રોનો દાવો છે કે, પ્રશાંત કિશોર અને તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપપ્રમુખ યશવંત સિંહા બંને પવાર સાથે સીધા સંપર્કમાં છે. પવારે પોતે ભાજપ વિરોધી મોરચાની પહેલ કરાવી છે તેથી મમતા તેમને મળે કે ના મળે કોઈ ફરક પડતો નથી ને તેમની નારાજગીનો સવાલ જ નથી. વિકાસ દર મુદ્દે સરકારના જુદા જુદા દાવા સરકારના મુખ્ય આર્થિક સલાહકાર કે.વી, સુબ્રમણ્યમ આર્થિક વિકાસ દરને મુદ્દે સરકારની ભાટાઈ કરવા જતાં ફસાઈ ગયા છે. સુબ્રમણ્યમે એક સમારોહમાં કહ્યું હતું કે, ૨૦૨૨-૨૩ના નાણાંકીય વર્ષમાં ૬.૫ ટકાથી ૭ ટકાના દરે વિકાસ કરશે જ્યારે એ પછીના વર્ષે મોદી સરકારે લીધેલાં આર્થિક સુધારાનાં પગલાંના કારણે આર્થિક વિકાસ દર ૮ ટકા પહોંચી જશે. સુબ્રમણ્યમે એવી ફિશીયારી પણ મારી કે, કોરોનાની ત્રીજી લહેરની ભારતના અર્થતંત્ર પર બહુ ખરાબ અસર નહીં થાય. સુબ્રમણ્યમના દાવાને પગલે લોકો તૂટી પડયાં છે. લોકો ટીકા કરી રહ્યાં છે કે, સરકારમાં બાર ભાયા ને તેર ચોકા જેવો ઘાટ છે. નિર્મલા સીતારામન આર્થિક વિકાસ દર ૧૧ ટકા રહેવાનો અંદાજ મૂકે છે, રીઝર્વ બેંકના શક્તિકાન્ત દાસ ૧૦ ટકા કહે છે, સુબ્રમણ્યમ ૭ ટકાની વાતો કરે છે. ખરેખર દેશનો આર્થિક વિકાસ દર કેટલો રહેશે એ વિશે સરકાર ચોક્કસ છે કે પછી જેને જે જીભે ચડે એ આંકડા બોલી નાંખે છે ? ભાજપના દિગ્ગજ અનંતનો પરિવાર જેડીએસમાં જોડાશે ? કર્ણાટકમાં ભાજપને મજબૂત બનાવનારા બે નેતા યેદુરપ્પા અને સ્વ. અનંત કુમાર હતા. ભાજપે યેદુરપ્પાને મુખ્યમંત્રીપદેથી વિદાય કર્યા છે ત્યારે જ અનંત કુમારનાં પુત્રી વિજેતાએ કુમારસ્વામીની જેડીએસને મજબૂત રાજકીય તાકાત ગણાવતાં ભાજપમાં ખળભળાટ મચ્યો છે. વિજેતાનાં માતા તેજસ્વિની કર્ણાટક ભાજપમાં ઉપપ્રમુખ છે છતાં તેમની દીકરીએ જેડીએસનાં વખાણ કરતાં મા-દીકરી જેડીએસમાં જોડાવાની તૈયારી કરી રહ્યાં હોવાની ચર્ચા ચાલી રહી છે. વિજેતાએ લખ્યું કે, કર્ણાટકનું રાજકારણ કેમ આટલું રસપ્રદ છે ? કેમ કે જેડીએસ હજુય મજબૂત પરિબળ છે. અનંત કુમાર સરકારમાં કેબિનેટ મંત્રી હતા. ત્રણ વર્ષ પહેલાં તેમનું નિધન થયું હતું. કર્ણાટકમાં ભાજપનો કોઈ ભાવ નહોતું પૂછતું ત્યારે બેંગલોર દક્ષિણ લોકસભા બેઠક જીતીને ભાજપનો પાયો નાંખનારા અનંત કુમારના નિધન પછી તેજસ્વિની આ બેઠક માટે દાવેદાર હતાં. ભાજપે તેમના દાવાને અવગણીને તેજસ્વી સૂર્યાને ટિકિટ આપી ત્યારથી તેજસ્વિની નારાજ હતાં. તેમના સમર્થકોને શાંત પાડવા ભાજપે તેજસ્વિનીને પ્રદેશ ઉપપ્રમુખ બનાવ્યાં પણ આ હોદ્દો શોભાના ગાંઠિયા જેવો હોવાથી તેજસ્વિની પક્ષપલટો કરી શકે છે. હાઈકમાન્ડે ખખડાવતાં યોગી બાગપત દોડી ગયા ઉત્તર પ્રદેશમાં ભાજપે ખેડૂત આંદોલનકારીઓને ધમકી આપતું કાર્ટૂન મૂક્યું તેની સામે આક્રોશ ફાટી નિકળતાં ભાજપ ઢીલો પડી ગયો છે. રાકેશસિંહ ટિકૈત સામે આક્રમક વલણ અપનાવવાની વ્યૂહરચના હાલ પૂરતી પડતી મૂકીને ભાજપે સંરક્ષણાત્મક નીતિ અપવાવનાનું નક્કી કર્યું છે. યોગી આદિત્યનાથ બે દિવસ દિલ્હીમાં જ હતા. ગુરૂવારે આ કાર્ટૂન વાયરલ થયા પછી હાઈકમાન્ડે યોગીને બોલાવીને તતડાવ્યા હોવાની ચર્ચા છે. યોગી પોતાની મર્દાના ઈમેજ જાળવવા માટે ભાજપને નુકસાન ના કરે એવી સ્પષ્ટ ચેતવણી પણ આપી દેવાઈ. યોગી દિલ્હીમાં શુક્રવાર સુધી દિલ્હી રોકાવાના હતા પણ હાઈકમાન્ડના ઠપકાને પગલે સીધા બાગપત દોડી ગયા. બાગપત ટિકૈતનો ગઢ છે. ખેડૂતોની પાર્ટી મનાતા રાષ્ટ્રીય લોકદળનો આ વિસ્તારમાં ભારે પ્રભાવ છે. યોગીએ બાગપતમાં ખેડૂતો સાથે સંવાદ કરીને પોતે ખેડૂત વિરોધી નથી એવો મેસેજ આપવા પ્રયત્ન કર્યો છે. હાઈકમાન્ડના આદેશના પગલે યોગીએ ખેડૂતો માટે પોતાની સરકારે સૌથી વધારે પગલાં લીધાં છે એવું સાબિત કરવા પુસ્તિકા બહાર પાડીને પ્રચાર કરવાનો નિર્ણય પણ લીધો છે. બિહાર સૌથી પછાત, ભાજપ અને જેડીયુ વચ્ચે જામી નીતિ આયોગના ભારત સૂચકાંક રીપોર્ટના મુદ્દે બિહારમાં સત્તાધારી જોડાણના સાથી પક્ષો ભાજપ અને જેડીયુ ફરી સામસામે આવી ગયાં છે. લોકસભામાં જેડીયુના રાજીવ રંજન સિંહે પૂછેલા સવાલના જવાબમાં કેન્દ્રીય મંત્રી રાવ ઈંદ્રજીત સિંહે કહેલું કે, ૨૦૨૦-૨૧ના ભારત સૂચકાંક રીપોર્ટ પ્રમાણે બિહાર ભારતમાં સૌથી પછાત રાજ્ય છે. આ રીપોર્ટ પ્રમાણે તમામ ધારાધોરણોમાં બિહાર પછાત છે અને બિહારને ૧૦૦માંથી ૫૨ માર્ક્સ જ મળ્યા છે. આ રીપોર્ટના પગલે આરજેડી સહિતના વિપક્ષો તો નીતિશ કુમાર પર તૂટી જ પડયા છે પણ ભાજપ અને જેડીયુ પણ સામસામે આવી ગયાં છે. જેડીયુનો આક્ષેપ છે કે, નીતિશ કુમારને નીચાજોણું કરાવવા માટે કેન્દ્ર સરકાર બિહારને પછાત દર્શાવે છે. બાકી નીતિશના શાસનમાં બિહારે વિકાસ કર્યો જ છે. ભાજપે પ્રહાર કર્યો છે કે, આ સવાલ જેડીયુના સાંસદે પૂછયો હતો ને હવે ભાજપ પર દોષારોપણ કરાય છે. જેડીયુના સાંસદે કોના ઈશારે આ સવાલ પૂછીને બિહારના પછાતપણાનો ભાંડો ફોડયો તેની નીતિશે તપાસ કરાવવી જોઈએ. *** પેગાસસકાંડ : સરકારને પહોંચી વળવાનો વિશ્વાસ પેગાસસ જાસૂની વિવાદ મુદ્દે આજે નવમા દિવસે સંસદના બંને ગૃહોમાં હાઇ ડ્રામા ચાલુ રહ્યો. આ વિષે ચર્ચાની માગણી કરતા રહેલા વિપક્ષ સામે સરકારે એક જ રટણ રાખ્યું કે માહિતી ટેકનોલોજી મંત્રીએ આ અંગે નિવેદન કર્યું છે. સંસદની આઇટી પેનલમાં કોંગ્રેસ અને ભાજપના સભ્યો વચ્ચે જંગ જારી છે. સુપ્રીમકોર્ટ વરિષ્ઠ પત્રકાર એન. રામ દ્વારા દાખલ કરાયેલી પેગાસસ તપાસ અરજીને સાંભળવા માટે તૈયાર થઇ હોઇ હવે સૌની નજર ત્યાં છે. સરકારના પહેલી હરોળના ખમતીધરો હજી એમ માનતા જણાય છે કે સરકાર પેગાસસ- પીડાને પહોંચી વળશે. સરકારના આ દાવા સામે રાજકીય વિશ્લેષકો પ્રશ્ન ધરતા કહે છે કે સુપ્રીમ કોર્ટના નિરીક્ષણ હેઠળ તપાસ કરાવવાની વિપક્ષી માગણીને સરકાર નકારી રહી છે. કારણ કે સરકાર જાણે છે કે આ પ્રકારની તપાસથી પોતે વધારે ખુલ્લી પડવાથી એ વધુ ક્ષોભભરી પરિસ્થિતિમાં મૂકાશે. હવે, તમિલ મંત્રી દ્વારા બિહારીઓને તમાચ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ સંસદીય આઇટી સમિતિની બેઠકમાં ભાજપ સાંસદ નિશિકાંત દુબેને 'બિહારી ગુંડા' કહેતા ભારે વિવાદ ઊભો થયો છે. દિલ્હીના સાંસદ અને જાણીતા બિહારી ગાયક મનોજ તિવારીએ આ મુદ્દે મોઇત્રા પાસે ક્ષમાયાચનાની માગણી કરી છે. હવે તમિલનાડુના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના મંત્રી કે.એન. નહેરૂએ બિહારીઓ સામે બદનક્ષીયુક્ત ટિપ્પણી કરતાં જણાવ્યું કે ''બિહારીઓ પાસે મગજ જેવું કંઇ હોતું નથી. ૨૦૦૪-૦૯ દરમિયાન ડો. મનમોહનસિંઘ સરકારમાં રેલવેમંત્રી પદે રહેલા લાલુપ્રસાદ યાદવે બિહારીઓને ચોરી કરાવીને રેલવેની પરીક્ષાઓ પાસ કરાવી દીધી, જેના પરિણામે બિહારીઓને રેલવેમાં નોકરી મળી જતાં હાલમાં ૪૦૦૦ થી વધુ બિહારીઓ તિરૂચિસ્થિત દક્ષિણ રેલવેના ગોલ્ડન રોક વર્કશોપમાં કામ કરી રહ્યા છે. આ બિહારી શ્રમિકો ના તો તમિલ જાણે છે કે ના હિન્દી. અમે તમિલો જે ધરાવીએ છીએ એવું મગજ પણ બિહારીઓ પાસે નથી. આમ છતાં તેઓ તમિલનાડુમાં કાર્યરત છે.'' જિનપિંગની તિબેટ- મુલાકાત, ભારતની ચિંતા ભારતની મુલાકાતે આવેલા અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિન્કેન દિલ્હીમાં તિબેટિયન નેતાઓને મળ્યા એ સામે ચીને વાંધો ઉઠાવ્યો છે. જોકે આ મુલાકાત થવા દઇને ભારતે ચીનને સાવચેત કરતા સંકેતો પાઠવી દીધા છે એમ ઉચ્ચઅધિકારીઓ કહે છે. તજજ્ઞાો ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની તાજેતરની તિબેટ-મુલાકાતને મહત્ત્વપૂર્ણ ગણાવી રહ્યા છે કારણ કે જિનપિંગે એમનો પ્રવાસ અરૂણાચલ પ્રદેશની સામે આવેલા ન્યિન્ગ્ચીથી શરૂ કર્યો. ચીનના સત્તાવાર નકશામાં મોટાભાગના અરૂણાચલ વિસ્તારને, ન્યિન્ગ્ચીની હકૂમત નીચેના વિસ્તારની વહીવટી સીમાઓમાં સમાવાયો છે. આ સંદર્ભમાં ચીન દેશની સીમાઓને નવેસરથી નક્કી કરવાની શી જિનપિંગની માગણી સંબંધિત બની રહે છે. પીપલ્સ લિબરેશન આર્મી યુનિટ, બોર્ડર ડિફેન્સ રેજિમેન્ટ અને મિસાઇલ મથકો વગેરેની હાજરી માટે પણ ન્યિન્ગ્ચી મહત્ત્વપૂર્ણ છે, એમ તજજ્ઞાોએ ઉમેર્યું. 'નાઇસ'ના દાવાઓને નકારતું આયુષ મંત્રાલય નાઇસ (નેટવર્ક ઓફ ઇન્ફલુએન્ઝા કેર એકસ્પર્ટસ) નામના નેચરોપથી સાથે સંબંધ ધરાવતા નેટવર્ક દ્વારા ગેરમાર્ગે દોરવતા કેટલાક દાવા કરાયા છે, જેને કેટલાક મીડિયાએ ચકાસ્યા વિના જ પ્રસિધ્ધ કર્યા છે. મુખ્ય દાવો, કેન્દ્રના આયુષ મંત્રાલયે જેના પર મંજૂરીની મહોર મારી છે એ કોરોનાની સારવારસંબંધી શિષ્ટાચાર વિકસાવવાનો છે. દાવેદારે, ઉપરોક્ત મંજૂરી સાથે નીતિસંબંધી કોઇ ધારાધોરણ વિના, ગેરમાર્ગે દોરાવાય એ રીતે આયુષ મંત્રાલયને સાંકળી દીધું છે. આયુષ મંત્રાલયે નાઇસના આવા દાવાને સંગીનતાપૂર્વક નકારી કાઢ્યા છે, જ્યારે એને લગતી સમાચાર-પ્રસિધ્ધિને સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરનારી અને પાયાવિહોણી ગણાવી છે. સંસદીય સમિતિ નહિ, ટેબલ ટેનિસની રમત ઇન્ફર્મેશન ટેકનોલોજી સંબંધી સંસદીય સમિતિના કેટલાક સભ્યોએ સમિતિને ટેબલ ટેનિસની રમત બનાવી દીધી છે કે જેમાં સંસદીય કોઇ લક્ષણો નથી, એમ સમિતિ અધ્યક્ષ શશી થરુરે જણાવ્યું. પેગાસસ જાસૂસી કૌભાંડના મુદ્દે સમિતિના સભ્યોમાં મતભેદો હોવાનું જાણીતું છે. સમિતિની બેઠકમાં સભ્યોની જરૂરી પૂરતી હાજરી નહિ હોવાથી જાસૂસી વિવાદ બાબતે, સમિતિના સભ્યો દ્વારા સરકારી અધિકારીઓને કરાનારી પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ મોકૂફ રખાયો હતો. મીટિંગ-રૂમમાં ઉપસ્થિત એવા, સમિતિના ભાજપ-સભ્યોએ વિરોધના પગલે હાજરી-પત્રકમાં સહી કરી નહિ, જેના લીધે મીટિંગ યોજવા માટે જરૂરી ક્વોરમ (સભ્યોનું સંખ્યા-બળ) જ થયું નહિ. આથી હતાશ થયેલા સમિતિ અધ્યક્ષ થરુરે કહ્યું કે ''કેટલાક તત્ત્વોએ કેટલાક મુદ્દે આ સમિતિને ટેબલટેનિસની રમત બનાવી દીધી છે.'' યુપી ભાજપના કાર્ટૂનથી ધરતીપુત્રોમાં ઉશ્કેરાટ ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે, યુપી ભાજપે ટ્વિટ કરેલા વિવાદાસ્પદ કાર્ટૂનના પ્રતિભાવમાં કહ્યું કે ઓફિસમાં બેસીને ટ્વિટ કરનારાઓમાં પાયાનું જ્ઞાાન હોતું નથી. પોતે ૬ ઓગસ્ટે ફરીથી લખનૌ આવી રહ્યા હોવાનું જણાવીને કિસાન અગ્રણીએ ઉમેર્યું કે જો સરકાર ખેડૂતોની માગણીઓ અંગે ધ્યાન નહિ આપે તો વિરોધ-દેખાવો યોજવા પડશે. યુપી ભાજપે ટ્વિટ કરેલા કાર્ટૂનમાં એક બાહુહાલીને દર્શાવાયો હતો. બાહુહાલી બીજા એક માણસને કહી રહ્યો હતો કે ''લખનૌ જાવ તો સાચવજો....ત્યાં બેઠેલા યોગીજી ફક્ત એકશન જ લેતા નથી, પરંતુ પોસ્ટરો પણ ચોંટાડે છે.'' - ઇન્દર સાહની

ગુજરાત સમાચાર 31 Jul 2021 7:05 am

દિલ્હીની વાત : હરિયાણામાં ખટ્ટર અને અનિલ વિજ સામસામે

નવીદિલ્હી : ભાજપે કર્ણાટકમાં યેદુરપ્પાને ખસેડીને અસંતોષને શાંત પાડયો ત્યાં હવે હરિયાણામાં ડખો થયો છે. મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર અને ગૃહ અને આરોગ્ય મંત્રી અનિલ વિજ સામસામે આવી ગયા છે. ખટ્ટરે ગૃહ અને આરોગ્ય બંને મંત્રાલયમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે પોતાના માનીતા રાજીવ અરોરાને મૂક્યા છે કે જેથી વિજને કાબૂમાં રાખી શકાય. વિજ લાંબા સમયથી અરોરાને કોઈ પણ એક મંત્રાલયમાં રાખવા કહ્યા કરે છે પણ ખટ્ટર સાંભળતા નથી. વિજની દલીલ છે કે, ગૃહ અને આરોગ્ય બંને મહત્વનાં મંત્રાલય છે પણ એક જ અધિકારી પાસે ચાર્જ હોવાથી કામ અટવાઈ ગયાં છે. ખટ્ટર કોઈ વાત સાંભળવા જ તૈયાર નથી તેથી અકળાયેલા વિજે હાઈકમાન્ડને ફરિયાદ કરી છે. ખટ્ટર અને વિજ આ પહેલાં રાજ્યના પોલીસ વડા તરીકે મનોજ યાદવને ચાલુ રાખવાના મુદ્દે પણ સામસામે આવી ગયા હતા. ખટ્ટર યાદવને ચાલુ રાખવા નહોતા માંગતા પણ વિજે યાદવને એક્સટેન્શન અપાવીને પોતાનો પાવર બતાવ્યો હતો. હવે અરોરા મારફતે વિજને પરેશાન કરીને ખટ્ટર પોતાનો પાવર બતાવી રહ્યા છે. ભાજપ સાંસદ જૂઠ્ઠું બોલીને ફસાઇ ગયા ભાજપ સાંસદ નિશિકાંત દુબે રાજકીય ફાયદા માટે જૂઠાણું ચલાવતાં ફસાઈ ગયા છે. દુબે લોકસભાની આઈ.ટી. પરની સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય છે. દુબેએ આક્ષેપ મૂક્યો કે, તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ મહુઆ મોઈત્રા પોતાના માટે 'બિહારી ગુંડા' શબ્દ વાપરીને બિહારની સાથે સાથે તમામ હિન્દીભાષી લોકોને ગાળ આપી છે. મમતાનાં સાંસદ મહુઆની આ ગાળે ઉત્તર ભારતીય અને ખાસ તો હિન્દીભાષીઓ તરફની તમારી નફરતને દેશ સામે ખુલ્લી કરી દીધી છે. દુબેનો દાવો છે કે, મહુઆ બેઠકમાં ત્રણ વાર 'બિહારી ગુંડા' બોલ્યાં અને સ્પીકરે ૧૩ વર્ષના સંસદીય જીવનમાં પહેલી વાર ગાળ સાંભળી. શશિ થરૂરે પણ સંસદીય પરંપરાને ખતમ કરવાની સોપારી લીધી છે. મહુઆએ સામે પ્રહાર કર્યો છે કે, જે બેઠક થઈ જ નથી તેમાં હું ગાળ કઈ રીતે બોલી ? ભાજપના સાંસદોએ બેઠક શરૂ થતાં પહેલા જ બહિષ્કારનું એલાન કરતાં કોરમના અભાવે આ બેઠક મોકૂફ રખાઈ હતી. મહુઆએ હાજરીપત્ર તપાસવા પણ કહ્યું છે. મહુઆના આ જવાબ પછી દુબેની બોલતી બંધ થઈ ગઈ છે. પી.કે ની ટીમ મુદ્દે મમતાના આકરા તેવર મમતા બેનરજીએ પોતાના ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરની ટીમને ત્રિપુરામાં રોકવામાં આવી એ મુદ્દે આરપારનો જંગ ખેલવાનું એલાન કરી દીધું છે. ત્રિપુરામાં તૃણમૂલ કોંગ્રેસ માટે સર્વે કરવા ગયેલા પી.કે.ની ટીમ સાથે મમતા સરકારના મંત્રીઓ બ્રત્ય બસુ અને મોલોય ઘટક પણ ત્રિપુરા ગયા છે. ભાજપ સરકારે આ ટીમને નજરકેદ કરી હતી ને પછી તેમની સામે ગુનાઈત પ્રવૃત્તિ કરવાનો આરોપ મૂકીને તપાસ શરૂ કરી છે. આ પગલાથી ગિન્નાયેલાં મમતાએ પોતાના ભત્રીજા અભિષેક બેનરજી અને સાંસદ દેરેક ઓબ્રાયન સહિતના સાંસદોને ત્રિપુરા મોકલવાનું એલાન કરીને મુખ્યમંત્રી બિપ્લબ દેબને પડકાર ફેંક્યો છે કે, તાકાત હોય તો આ સાંસદોને રોકીને બતાવો. ત્રિપુરામાં ૨૦૨૩માં વિધાનસભાની ચૂંટણી છે. મમતા આ ચૂંટણીમાં ભાજપને પછાડીને સત્તા કબજે કરવા માગે છે તેથી પી.કે.ને મેદાનમાં ઉતાર્યા છે. મુકુલ રોય તૃણમૂલમાં હતા ત્યારે પક્ષે ત્રિપુરામાં જોરદાર દેખાવ કરેલો પણ રોય ભાજપમાં જતાં તૃણણૂલનું ધોવાણ થઈ ગયું હતું. હવે રોય પાછા આવતાં મમતાને ત્રિપુરામાં શાનદાર દેખાવની આશા છે. આસામ-મિઝોરમ વિવાદમાં મોદી સરકાર ભેરવાઇ આસામ અને મિઝોરમના સરહદી વિવાદમાં મોદી સરકાર બરાબરની ભેરવાઇ ગઇ છે. સોમવાની હિંસા પછી મોદી સરકારે બંન્ને રાજ્યોના ચીફ સેક્રેટરીને દિલ્હી બોલાવીને વિવાદ ઉકેલવા મથામણ કરી પણ બંન્નેમાંથી કોઇ નમતું જોખવા તૈયાર નથી. મોદી સરકાર મૂંઝાઇ છે. ભાજપ આ વિવાદમા મોદી સરકાર આસામની તરફેણ કરે એવું ઇચ્છે છે કેમ કે રાજકીય રીતે આસામ વધારે મહત્વનું છે. આસામમાંથી લોકસભાની ૧૪ બેઠકો છે. મિઝોરમમાં લોકસભાની એક બેઠક છે તેથી મોદી સરકાર આસામની તરફેણમાં ઢળે એવું ભાજપના નેતા ઇચ્છે છે પણ પીએમઓ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિતકુમાર ડોભાલ પણ આસામની ખુલ્લી તરફેણ સામે મોદીને ચેતવણી આપી ચૂક્યા છે. આસામની તરફેણ કરીને વિવાદ ઉકેલવાનો પ્રયત્ન થશે તો મિઝોરમના લોકોમાં અન્યાય થયાની લાગણી પેદા થશે. મિઝોરમનો ઇતિહાસ હિંસાનો છે એ જોતા આતંકવાદ પણ ભડકી શકે એમ ચેતવણી પણ તેમણે આપી છે. મોદીના ગળે પણ આ દલીલ ઉતરી છે તેથી મોદી સરકાર આસામની ખુલ્લી તરફેણ કરવાના બદલે બંન્નેના ગળે ઉતરે એવો રસ્તો શોધવા મથી રહી છે. યુપીમાં જનાધાર ખસતા ભાજપના આક્રમક તેવર ઉત્તર પ્રદેશમાં ભાજપે ખેડૂત આંદોલનકારીઓ સામે અચાનક જ આક્રમક વલણ લઇને આશ્વર્ય સર્જ્યું છે. ભારતીય કિસાન યુનિયનના રાકેશ ટિકૈતે લખનઉ જવાની ચીમકી આપી હતી તેની સામે ભાજપે વળતી ધમકી આપી છે. ભાજપે કહ્યું છે કે લખનઉમાં યોગી બેઠા છે તેથી સાચવીને રહેજો. ભાજપ અત્યાર સુધી ખેડૂતોના મુદ્દે સાચવીને બોલતો હતો પણ હવે તેના તેવર બદલાયા છે. આ અગાઉ મોદી સરકારના મંત્રી મીનાક્ષી લેખીએ પણ આવા જ શબ્દો વાપરીને આંદોલનકારીઓને મવાલી ગણાવ્યા હતા. ભાજપના સૂત્રોનો દાવો છે કે ખેડૂત આંદોલનકારીઓ સામે હવે આક્રમક વ્યૂહરચના અપનાવ્યા વિના છૂટકો નથી. યુપીમાં ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે અને ભાજપનો જનાધાર ધીરે ધીરે ખસી રહ્યો હોવાનું ભાજપના નેતાઓનું માનવું છે. માયાવતીએ સતિષચંદ્ર મિશ્રાની મદદથી બ્રાહ્મણોને ખેરવવાની વ્યૂહરચના અપનાવી છે. જ્યારે ટિકૈત અખિલેશ યાદવ તથા જયંત ચૌધરીને ફાયદો કરાવી રહ્યા છે. તેના કારણે ભાજપના કાર્યકરોમાં હતાશા ના વ્યાપે એટલે ભાજપે તમાચો મારીને ગાલ લાલ રાખવા આક્રમક બન્યા વિના વિકલ્પ નથી. મમતા પ્રાદેશિક નહીં, રાષ્ટ્રીય નેતા તરીકે વર્ત્યા મમતા બેનર્જીએ દિલ્હી યાત્રા દરમિયાન વિપક્ષી નેતાઓ સાથેની વાતચીતમાં લીધેલા વલણની રાજકીય વર્તુળોમાં પ્રશંસા થઇ રહી છે. મમતાની છાપ જિદ્દી અને અહંકારી તરીકેની છે પણ દિલ્હીમાં મમતા એકંદરે નરમાશથી અને સમજદારીથી વર્ત્યા છે. ખાસ કરીને ભાજપને હરાવવા માટે વિપક્ષી એકતા કરવાના મુદ્દે તેમણે અત્યંત વાસ્તવાદી વલણ અપનાવ્યું છે. મમતાએ વિપક્ષો એક થાય તો નેતા કોણ હશે? ક્યો પક્ષ કેન્દ્ર સ્થાને હશે? એ પ્રકારની વાતોને મહત્વ આપવાના બદલે એક થઇને ભાજપને હરાવવાના મુદ્દા પર જ ધ્યાન કેન્દ્રિય કરીને પરિપક્વતા બતાવી હોવાનું રાજકીય વિશ્લેષણો માને છે. વિશ્વેલષકોના મતે મમતા અત્યાર સુધી પ્રાદેશિક નેતા તરીકે વર્તતા હતા પણ પહેલીવાર એ રાષ્ટ્રીય નેતા તરીકે વર્તી રહ્યા છે. બંગાળની ચૂંટણીમાં ભાજપ સામે જીતવા કરવી પડેલી મહેનત અને પ્રશાંત કિશોરની સલાહ કામ કરી રહી હોવાનું વિશ્લેષકોનું માનવું છે. મમતાનું આ મેકઓવર ભાજપને ચિંતા કરાવનારું છે. *** પેગાસસ મુદ્દે સરકારે જવાબ તો આપવો પડશે પેગાસસ જાસૂસી પ્રકરણના કારણે કેન્દ્ર સરકાર ચારેબાજુથી ભીંસમાં આવી ગઈ છે. સંસદની કામગીરી સતત પેગાસસના મુદ્દે ખોરવાઈ જાય છે. સરકારે તેના વિશે કોઈ જ સ્પષ્ટતા કરી નથી. અત્યારે તો ખાસ કોઈ પ્રકારની સ્પષ્ટતા કરવાનું સરકારનું વલણ દેખાતું નથી, પરંતુ રાજકીય નિષ્ણાતો માને છે કે સરકારે આજે નહીં તો કાલે તે મુદ્દે જવાબ તો આપવો પડશે. આખું ચોમાસું સત્ર પેગાસસમાં ધોવાઈ જાય એવી પૂરી શક્યતા છે. મહત્વની બીજી કોઈ ચર્ચા થશે નહીં. વિપક્ષોએ ખુલ્લી ચર્ચાની માગ કરી છે. હેકિંગ ભારતમાં ગેરકાયદે છે અને સંખ્યાબંધ ફોનના હેકિંગની શક્યતાના કારણે તેની ચર્ચા થવી જરૂરી છે. નિષ્ણાતો એવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે કે સરકાર બહુ સમય ચૂપ રહી શકશે નહીં. જો સંસદમાં જવાબ નહીં આપે તો આખરે કોર્ટમાં તો ખુલાસા કરવા જ પડશે. પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાશે? ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર કોંગ્રેસમાં સક્રિય થાય એવી અટકળો ઘણા સમયથી ચાલી રહી છે. તે બાબતે સ્પષ્ટતા કોંગ્રેસે કરી નથી કે પ્રશાંત કિશોરે પણ કરી નથી, પરંતુ સૂત્રોના કહેવા પ્રમાણે પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાય તેવી પૂરી શક્યતા છે. પ્રશાંત કિશોરની બે-ત્રણ શરતો પૂરી થઈ જશે તો એ કોંગ્રેસમાં જોડાઈ જશે. સૂત્રોએ તો ત્યાં સુધી દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીએ કોંગ્રેસના સિનિયર નેતાઓની એક બેઠક બોલાવી હતી અને એમાં પ્રશાંત કિશોરના કોંગ્રેસના જોડાવા બાબતે બધાનો ઓપિનિયન માગ્યો હતો. મોટાભાગના કોંગ્રેસના સિનિયર નેતાઓએ પ્રશાંત કિશોર બાબતે પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો હતો. રાહુલ ગાંધીએ એકે એન્ટોની, મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ, કમલનાથ અને અંબિકા સોનીને પ્રશાંત કિશોર બાબતે પૂછ્યું હતું. કહેવાય છે કે પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જનરલ સેક્રેટરી (ઈલેક્શન મેનેજમેન્ટ)ના હોદ્દા સાથે જોડાશે. અખિલેશની નકલી ટ્વિટ મુદ્દે પોલીસ ફરિયાદ અખિલેશ યાદવના નામે એક ટ્વિટ વાયરલ થઈ હતી. એમાં અખિલેશના નામે દાવો થઈ રહ્યો હતો કે જો અખિલેશની સમાજવાદી પાર્ટી સત્તામાં આવશે તો બાબરી મસ્જિદ ફરીથી બનાવી દેશે. એ ટ્વિટ ફેક હતી. અખિલેશ યાદવે એવું કોઈ જ નિવેદન આપ્યું ન હતું. સમાજવાદી પાર્ટીએ તે બાબતે સ્પષ્ટતા કરવાની સાથે સાથે એ નકલી ટ્વિટ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. સમાજવાદી પાર્ટીના ઉત્તર પ્રદેશના પ્રમુખ નરેન્દ્ર ઉત્તમે ગૌતમ નગર પોલીસ સ્ટેશનમાં જઈને એવા ૧૦ સ્ક્રીનશોટ શેર કર્યા હતા અને માનહાનિની ફરિયાદ દાખલ કરી હતી. આવી ફેક ટ્વિટ બનાવીને ફરતી કરનારાને તાત્કાલિક પકડી પાડવાની પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી. પોલીસે સાઈબર ક્રાઈમ હેઠળ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં એક ફેક ટ્વિટ વાયરલ થઈ હતી. અખિલેશ યાદવની ટ્વિટ હોય એવી રીતે એમાં છેડછાડ કરીને નિવેદન અપાયું હતું કે જો મારી સરકાર આવશે તો હું બાબરી મસ્જિદ ફરીથી બનાવી દઈશ. ત્રણ માસમાં વેક્સિનના 30 કરોડ ડોઝ ઉપલબ્ધ થશે ભારતમાં વેક્સિનેશન અભિયાનને વેગ આપવા માટે આગામી ત્રણ માસ સુધીમાં ૩૦ કરોડ ડોઝ ઉપલબ્ધ બનાવાશે એવું સરકારી કમિટિએ કહ્યું હતું. ઓગસ્ટથી ઓક્ટોબર સુધીમાં આ ડોઝ દરેક રાજ્યોમાં ઉપલબ્ધ બની જશે. નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગુ્રપના વડા ડૉ. એનકે અરોરાએ કહ્યું હતું કે ઓગસ્ટમાં ૧.૫ કરોડથી ૧.૮ કરોડ ડોઝ ઉપલબ્ધ બનશે. તે પછીના એક માસમાં બાકીના ડોઝ અવેલેબલ થઈ જશે. તેમણે દાવો કર્યો હતો કે જુલાઈ માસમાં ૧૩.૫ કરોડ ડોઝ ઉપલબ્ધ કરાવાયા હતા. આ ગુ્રપના વડાએ કહ્યું હતું કે વર્ષના અંતે ૧૮ વર્ષની ઉપરના લગભગ તમામને એક ડોઝ ઉપલબ્ધ થાય તે દિશામાં પ્રયાસો આદરવામાં આવ્યા છે. - ઈન્દર સાહની

ગુજરાત સમાચાર 30 Jul 2021 7:05 am

છત્રપતિ શિવાજી મહારાજના કાળમાં વરસાદ માપવાની વ્યવસ્થા હતી

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી હવામાન વિભાગ પાસે અત્યારે રડાર સહિત અત્યાધુનિક યંત્રો આવી ગયા છે. આ યંત્રોની મદદથી વરસાદ કેટલો પડયો એ માપવાથી માંડીને વરસાદ કે વાવાઝોડાની સચોટ આગાહી કરી શકાય છે. પરંતુ છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં વરસાદ કેટલો પડયો એ કેવી રીતે ખબર પડતી હશે ? એવો સવાલ થાય. તો આ સવાલનો જવાબ મળી ગયો છે. છત્રપતિ શિવાજી મહારાજના કાળમાં રાયગઢ કિલ્લા ઉપર પથ્થરથી બાંધેલું પર્જન્યમાપક યંત્ર મળી આવ્યું છે. છત્રપતિ શિવાજી મહારાજે રાયગઢના કિલ્લા ઉપર આ પર્જન્યમાપક યંત્ર તૈયાર કરાવ્યું હતું. અત્યારે અત્યંત જીર્ણ અવસ્થામાં જોવા મળતા આ પર્જન્યમાપક યંત્રમાં ત્રણ બાજુ દિવાલ છે અને ચોથી બાજુ વરસાદના પાણીને દાખલ થવા માટે ખુલ્લી રાખવામાં આવી છે. ઊપરની બાજુએ ત્રણ મોટા છીદ્રો છે. આ છીદ્રોમાંથી વરસાદનું પાણી અંદર ગયા પછી કેટલો વરસાદ પડયો તેનો અંદાજ કાઢવામાં આવતો હતો એમ આ પર્જન્યમાપક યંત્ર પહેલીવાર જેની નજરે પડયું એ રાયગઢ કિલ્લાના અભ્યાસુ ગોપાળ આંદોરકરે જણાવ્યું હતું. અત્યારે આ પર્જન્યમાપક યંત્ર અત્યંત જીર્ણ અવસ્થામાં છે. હવે રાયગઢ કિલ્લાના સંવર્ધનનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે તેની સાથે પુરાતત્ત્વ ખાતાના માર્ગદર્શન અનુસાર આ પર્જન્યમાપક યંત્રનો પણ જીર્ણોધ્ધાર કરવામાં આવશે. છત્રપતિ શિવાજી મહારાજની દીર્ઘદ્રષ્ટીને દાદ આપવી પડે કે નહીં ? એટલે જ કહેવું પડે કે: જંગમાં પાણી મપાય શૂરવીરનું ચોમાસામાં પાણી મપાય વરસાદનું પ્રથમ તૃતીયપંથી જ્જ આ દેશમાં તૃતીયપંથીઓએ સૌથી વધુ ઉપેક્ષા અને અપમાન સહન કરવા પડે છે. પરિવારજનોનો સાથ ગુમાવે છે, સમાજમાં ડગલેને પગલે તીરસ્કારનો સામનો કરવો પડે છે. જોકે દેશની સર્વોચ્ચ અદાલતે તૃતીયપંથીઓને સ્વતંત્ર દરજ્જો આપ્યા પછી ધીરે ધીરે તેમને માટે 'અચ્છે દિન' આવવા માંડયા છે. હવે તો યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરવાની તક મળી છે, શિક્ષણ અને તાલીમ મેળવી સારા પદ મેળવે છે. પોલીસ ઇન્સ્પેકટરથી માંડીને કોલેજના આચાર્યના પદ પર તૃતીયપંથી ફરજ બજાવે છે. દેશના પહેલવહેલા તૃતીયપંથી જ્જ બનવાનું માન પશ્ચિમ બંગાળના જોઇતા મોંડલને મળ્યું છે. હિન્દુ પરિવારમાં જન્મ્યા પછી નાનપણથી જ તેણે ભેદભાવનો અને અનેક વિટંબણાઓનો સામનો કરવો પડયો. દસમાં ધોરણમાં સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યા પછી ભીખ માગી ગુજારો કરવાનો વખત આવ્યો. રાત પડે ત્યારે બસ-સ્ટેન્ડના બાંકડા પર સૂઇ જવાનું. હિંમત હાર્યા વિના તેણે ઉત્તર દીનાજપુરના ઇસ્લામપુર જઇને તૃતીયપંથીઓના ઉધ્ધાર માટેની વિવિધ પ્રવૃત્તિ શરૃ કરી. સાથે સાથે કોરસપોન્ડન્સ કોર્સના માધ્યમથી કાયદાની ડિગ્રી મેળવી. હિંમત અને મહેનત રંગ લાવી જુલાઇ ૨૦૧૭માં લોકઅદાલતના જ્જ તરીકે નિમણૂંક થઇ. જયેઇતા મોંડલે સંઘર્ષ બાદ મેળવેલી સફળતાને જોઇ દાદ આપતા કહેવું પડે કે: જેના હૈયામાં હોય હામ એ પાર પાડીને રહે છે અઘરૃં કામ સેલફોનના સદુપયોગથી બાળકે મેળવી સિધ્ધી કોરોનાકાળમાં સ્કૂલ બંધ હોવાથી બાળકો મોબાઇલ કે લેપટોપના માધ્યમથી ઓનલાઇન શિક્ષણ લેતા થઇ ગયા છે. ઓનલાઇન શિક્ષણ માટે મોબાઇલનો ઉપયોગ કર્યા સિવાય છૂટકો જ નથી. પરંતુ આજકાલના બાળકો રીતસર મોબાઇલના 'બંધાણી' બની જાય અને સતત વિડિયો ગેમ રમ્યા કરે ત્યારે ખરેખર મા-બાપ ચિંતામાં પડી જાય છે. મુંબઇની સરકારી હોસ્પિટલમાં તો બાળકોને મોબાઇલના વળગણમાંથી મુકત કરવા ખાસ તૈયાર કરવામાં આવેલા ચિલ્ડ્રન વૉર્ડમાં ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તેમની પાસે ચિત્રકામ કરાવવામાં આવે છે, જાતજાતના રમકડાં આપવામાં આવે છે. આ રીતે તેમને મોબાઇલના મોહપાશમાંથી છોડવવામાં આવે છે. બીજી તરફ મોબાઇલના દુરૃપયોગથી નહીં પણ સમજીને સદુપયોગ કરીને કોકણના વેંગુર્લા નજીક તુળસ ગામે રહેતા અને ચોથા ધોરણમાં ભણતા વિજય તુળસકરે કમાલની સિધ્ધિ હાંસલ કરી છે. ભારત, નેપાળ અને અમેરિકા સહિત ૨૦ દેશોના રાષ્ટ્રગીતો તેને મોઢે છે. મોબાઇલ એપના માધ્યમથી તે સ્પેનીશ, ઇટાલિયન અને જર્મન ભાષા શીખે છે એટલું જ નહીં મરાઠી, ઇંગ્લિશ, હિન્દી ભાષા કડકડાટ બોલે છે. પિતા ટેલરિંગનું કામ કરે છે. ૧૦ વર્ષના આ 'વંડર-બોય' વિશે એ કહે છે કે દરરોજ કંઇક નવું શીખવા માટે તે તલપાપડ હોય છે. સ્કૂલનું ભણવાનું પૂરૃં થાય એટલે પછી મોબાઇલ-નેટ પર અભ્યાસ શરૃ થાય છે. ખગોળશાસ્ત્ર તેનો મનગમતો વિષય છે. બધા જ ગ્રહો વિશે તે વાકેફ છે. સૌરમંડળને લગતી સચોટ માહિતી તે આપે છે. ઘરમાં સંગીતનું વાતાવરણ છે એટલે આટલી નાની ઊંમરમાં તે હાર્મોનિયમ વગાડતા શીખી ગયો છે એટલું જ નહીં સૂતા સૂતા અથવા તો હાર્મોનિયમ ઊંધુ રાખી જરા પણ સૂર ચૂકયા વિના વગાડે છે. મોબાઇલ એપમાંથી જે માહિતી મળે તે નોટમાં ટપકાવે છે. એટલું જ નહીં તેની ખરાઇ પણ કરે છે. ટચુકડા ટેણિયાએ મોબાઇલ સદુપયોગથી મેળવેલી આ સિધ્ધી જોઇને કહેવું પડે કે: એક તો ઉપરવાળાએ અખૂટ અક્કલ દીધી એમાં વળી સેલફોનના સદુપયોગથી મેળવી સિધ્ધી. ઇંધણના દઝાડે ભાવ ત્યારે સોલાર સાયકલ ચલાવતા થાવ પેટ્રોલ- ડિઝલના આસમાને ગયેલા ભાવ સાંભળીને આખા દેશના લોકો દાઝી રહ્યાં છે. આ ઇંધણના દામથી જે ડામ સહન કરવા પડે છે એનાંથી લોકોને રાહત પહોંચાડવા માટે સોલાર-એનર્જી એટલે કે સૌરઊર્જાથી ચાલતા જાત જાતના વાહનો ધીરે ધીરે દોડતા થઇ ગયા છે. ઇલેક્ટ્રિક સ્કૂટર અને કાર પણ તૈયાર થવા માંડી છે. પરંતુ આ બધા વૈકલ્પિક વાહનોની કિંમત અત્યારે સામાન્ય લોકોને પરવડે એવી નથી. આ સંજોગોમાં તામિલનાડુના મદુરાઇના એક વિદ્યાર્થી ધનુષકુમારે સોલાર ઇલેક્ટ્રિક સાયકલ બનાવી છે. સાયકલ ઉપર સોલાર પેનલ લગાડી છે. આ સોલાર પેનલની મદદથી સાયકલ એકધારી ૫૦ કિલોમીટર દોડાવી શકાય છે. ચાર્જિંગ ઘટવા મંડે ત્યાર પછી પણ લગભગ વીસેક કિલોમીટર ચાલે છે. ત્યાર પછી ચાર્જિંગમાં મૂકવી પડે છે. આ ચાર્જિંગનો ખર્ચ માત્ર દોઢ રૃપિયો આવે છે. આ સાયકલ કલાકના ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે દોડાવી શકાય છે. સોશ્યલ મિડીયા પર આ સાયકલને જબરો આવકાર મળ્યો છે. આ જોઇને કહેવું પડે કે : ઇંધણના જયારે દઝાડે ભાવ ત્યારે સોલાર સાયકલ ચલાવતા થાવ. ગૌમાતાનું અનોખું મંદિર અને ગાયને આરામ માટે ગાદલા આ દેશમાં પરાપૂર્વથી ગૌમાતાને પૂજનીય ગણવામાં આવે છે. પરંતુ ગાયનું એક અનોખું મંદિર નાગપુર જિલ્લાના સાર્શી ગામે આવેલું છે. ગામમાં ૧૭મી સદીથી ગાયની પૂજાની પરંપરા શરૃ થઇ છે. દરેક ગામવાસીઓ ગાયની માવજત કરે છે અને ઘર ઘરમાં ગાયમાતાના ફોટા પૂજાસ્થાનમાં જોવા મળે છે. એટલે આ ગામનું નામ જ મરાઠીમાં સાર્શી ગાયચી (ગાયનું ગામ સાર્શી) પડયું છે. કેટલાય વર્ષો પહેલાં ગામમાં બેલાના ઝાડ નીચે ગાય બેસતી. ત્યાજ તેનું મૃત્યુ થયુ એટલે આ ઠેકાણે ગાયનું મંદિર બાંધવામાં આવ્યું છે. આ ગાયના વંશની દસમાંથી ચાર ગાય અત્યારે હયાત છે. આ ચાર ગાયની ખૂબ સંભાળ લેવામાં આવે છે. આરામથી બેસી શકે માટે ગ્રામજનો તરફથી રૃના પોચા ગાદલાનું મંદિરને દાન કરવામાં આવે છે. ગાયો નિરાંતે ગાદલા પર બેસીને વિશ્રાંતી લે છે. દોઢ હજારની વસતીવાળા ગામમાં દરેક પરિવાર તરફથી ગાયોની સારસંભાળ લેવામાં આવે છે. પોષ પુર્ણિમાં વખતે ગાયના મંદિરમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવે છે. ગૌભકિત જોઇને કહેવું પડે કે : ગાયના નામથી ઓળખાય ગામ ગૌમાતા પ્રત્યે આદર એ આનું નામ. પંચ-વાણી કહેવત છે કે પહેલો સગો પાડોશી. પણ દગાબાજ પાકિસ્તાને એના કરતૂતથી. કહેવત ફેરવી નાખી છે : પહેલો 'દગો' પાડોશી.

ગુજરાત સમાચાર 30 Jul 2021 5:50 am

મમતાની દિલ્હીમાં લટારથી સત્તાના સપનાના વાવેતર

- 2024ના જંગ માટે કોંગ્રેસને મમતાની સલાહ - પ્રસંગપટ - સીનિયરોની નારાજગી વહોરીને પણ કોંગ્રેસ પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં સમાવવાની ચાલ રમશે મમતા બેનરજી દિલ્હીમાં રાજકીય લટાર મારી રહ્યા છે તે સાથે જ ૨૦૨૪નો જંગ જીતવાના સપનાના વાવેતર શરૃ થઇ ગયા છે. આ સપના એટલે ૨૦૨૪માં વિરોધ પક્ષ લોકસભા જીતી જશે અને મોદી સરકારને હટાવીને વર્તમાન વિપક્ષનો કોઇ ઉમેદવાર વડા પ્રધાન બનશે એટલે દેશ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પકડમાંથી મુક્ત થઇ જશે એવી શેખચલ્લી સમાન સ્ટોરીઓ અખબારોમાં પમ્પ કરાઇ રહી છે. છેલ્લી અફવા એ છે કે ચૂંટણી વ્યૂહરચનાના સ્પેશ્યાલીસ્ટ અને મમતા બેનરજી જેમની વ્યૂહરચનાના કારણે પ.બંગાળમાં ફરી મુખ્ય પ્રધાન બની શક્યા તે પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં લાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. પ્રશાંત કિશોર કોંગ્રેસમાં ચૂંટણી સલાહકાર રહે ત્યાં સુધી ઠીક છે પરંતુ તેમને કોગ્રેસમાં લાવવાની વાતથી પક્ષમાં નિરાશા ઉભી થઈ શકે છે. ભારતનું રાજકારણ ના સમજી શકાય એવું છે. પ્રશાંત કિશોર ચૂંટણી વ્યૂહરચના કરે અને તેમાં પ્રાફેેશનલી નિષ્ણાત સાબિત થાય તેનો અર્થ એ નથી કે તે ભારતના રાજકારણમાં ફીટ થાય. પહેલી નજરે કોંગ્રેસની ચાલ સારી છે પરંતુ તે ચાલ બતાવે છે કે તેમની પાસે ચૂંટણી જીતાડે એવો કોઇ નેતા નથી. આવા ફેરફારો નારાજગી ઉભી કરી શકે છે. સિનીયર નેતાઓની અવગણાના કોંગ્રેસ માટે ભારે પડી શકે એમ છે. પંજાબમાં તો અમરિંદર સિંહ જેવા સિનીયર નેતાની નારાજગી મોવડીમંડળના નવજોત સિંહ સિધ્ધુ પરના પ્રેમના કારણે વધી છે. દેશના સૌથી જુના પક્ષ કોંગ્રેસને સંગઠન નામનો વાઇરસ આભડી ગયો છે. દરેક રાજ્યમાં સંગઠનના ધાંધીયા શરૃ થયા છે. કોંગ્રેસ પાસે પાયાના વર્કરોનો અભાવ દેખાઇ આવે છે. સંગઠન મજબૂત કરવાના બદલે હેલિકોપ્ટર નિતી અપનાવીને કોંગ્રેસ પ્રશાંત કિશોરને સમાવવાના પ્રયાસ કરશે તો પાયાના કાર્યકરોની નારાજગી વહોરી લેશે તેમાં શંકાને સ્થાન નથી. જેને ગૃપ-૨૩ તરીકે ઓળખવામાં આવે છે તેમાંનું કોઇ જાહેરમાં ચર્ચામાં આવતું નથી. આ લોકો પક્ષ વતી કોઇ અભિપ્રાયો પણ આપતા નથી. આ ગૃપમાં ભૂપેન્દ્ર સિંહ હૂડા,શશી થરૃર જેવા નેતાઓ છે. દેખીતી રીતેજ રાહુલ ગાંધી તરફી અને રાહુલ ગાંધી વિરોધી જૂથ બહાર આવી ગયા છે. આ કોલ્ડ વોર ગાંધી પરિવાર ઠારી શક્યો નહોતો. રાહુલ ગાંધી એ કહ્યું હતું કે મારા મધર સોનિયા ગાંધી જ્યારે બિમાર હતા ત્યારેજ પક્ષના પ્રમુખને બદલવાની વાત કરાઇ છે તેનાથી હું બહુ નારાજ છું. અનેક નેતાઓએ કોંગ્રેસને ફરી સક્રીય બનાવવા પ્રયાસ કર્યા હતા. બળવાખોરીના કારણેતો કોંગ્રેસના હાથમાંથી મધ્યપ્રદેશ સરકી ગયું હતું ્અને રાહુલના ખાસ મિત્ર એવા જ્યોતિરાદિત્ય આજે ઉડ્ડયન પ્રધાન બની ગયા છે. રાજસ્થાનમાં પણ બળવાખોરી ભારેલા અગ્નિની અવસ્થામાં બેઠી છે. ટૂંકમાં રાહુલ વિરોધીઓને દુર હડસેલાઈ દેવાયા છે .પ.બંગાળ સહીતના પાંચ રાજ્યોમાં ચૂંટણી વખતે પણ કોઇ સિનિયરને જાહેર સભા સંબોધવા નહોતા મોકલાયા જેની નોંધ પક્ષના વફાદારોએ લીધી હતી. આ પાંચેય રાજ્યમાં કોંગ્રેસ કંઇ ખાસ ઉકાળી શકી નહોતી. અને હવે પ્રશાંત કિશોરને સમાવવાની વાત ચલાવીને ગાંધી પરિવારે રાહુલ વિરોધીઓ સાથે સમાધાનની વાત પર પાણી ફેરવી દેશે એમ લાગી રહ્યું છે. મમતા બેનરજી ભલે સોનિયા ગાંધી સાથે ફોટા પડાવે પણ કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચેના મતભેદ પ.બંગાળના વિધાનસભા જંગ વખતે સપાટી પર આવી ગયા હતા. કોંગ્રેસ પાસે અનેક ચહેરા એવા છે કે જે તકની રાહ જોઇને ૧૦, જનપથની બહાર ઉભા છે. ૨૧ જેટલા સિનીયર નેતાઓએ પ્રમુખ બદલવાની માગણી કરી છે એટલે તેમને દુર હડસેલી દેવાયા છે. માત્ર ગુલામનબી આઝાદને ફરી રાજ્યસભાના સભ્ય બનાવવા કોંગ્રેસ મોવડીમંડળ રાજી થયું હોય એમ લાગે છે. પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં સમાવવા બાબતે બંને પક્ષ તરફથી હજુ સુધી કોઇ સત્તાવાર સમર્થન નથી મળતું પણ ગુરૃવારે સવારથીજ આ વાતે જોર પકડયું છે. કહે છે કે મમતા બેનરજીએ સોનિયા ગાંધીને સજેસ્ટ કર્યું છે કે તમે ભલે રાહુલ ગાંધીને ૨૦૨૪ના મેદાનમાં ઉતારો પણ તેને કોઇ પરફેેક્ટ સલાહકાર સાથે ઉતારો. એવું પણ સજેશન થયું છે કે કોંગ્રેસના કેટલાક નેતાઓની ઇમેજના કારણે રાહુલ ગાંધી પણ બદનામ થઇ રહ્યા છે. જો પ્રશાંત કિશોરને સાથે રાખવામાં આવશે તો તે રાહુલના ખરા માર્ગદર્શક બની શકશે. સોનિયા ગાંધી માની ગયા છે પરંતુ પ્રશાંત કિશોરે વિચારવાનો સમય માંગ્યો છે.

ગુજરાત સમાચાર 30 Jul 2021 5:45 am

દિલ્હીની વાત : સ્વાસ્થ્ય અભિયાન,મોદીએ નડ્ડાને ખખડાવ્યા

નવીદિલ્હી : ભાજપે મોટા ઉપાડે શરૂ કરેલા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાનને ધાર્યો પ્રતિસાદ ના મળતાં મોદીએ જે.પી. નડ્ડાને ખખડાવ્યા હોવાના અહેવાલ છે. નડ્ડાએ સંગઠનના રાષ્ટ્રીય પદાધિકારીઓ અને પ્રદેશ પ્રમુખોને તતડાવીને પોતાને ખાર કાઢયો હોવાનું કહેવાય છે. નડ્ડાએ અઠવાડિયામાં ચાર લાખ સ્વયંસેવકોના ટાર્ગેટને ગમે તે રીતે પૂરો કરવા પણ અલ્ટિમેટમ આપ્યું છે. મોદીના સૂચનના પગલે કોરોનાની ત્રીજી લહેર સામે લડવા માટે ભાજપના સ્વયંસેવકોને તૈયાર કરવા નડ્ડાએ આ અભિયાનની બહુ પહેલાં જાહેરાત કરી હતી. આ અભિયાન હેઠળ બે લાખ ગામોમાં આરોગ્ય સેવાઓ પૂરી પાડવા ૪ લાખ સ્વયંસેવકોને તાલીમ આપીને સ્વાસ્થ્ય સ્વયંસેવક તરીકે તૈયાર કરવાનું એલાન કરાયું હતું. ભાજપ ૧૦ કરોડ કાર્યકરો સાથે વિશ્વમાં સૌથી મોટો રાજકીય પક્ષ હોવાનો દાવો કરે છે તેથી ૪ લાખ સ્વયંસેવકો તો ચપટી વગાડતાં થઈ જશે એવું નડ્ડા માનતા હતા પણ ૪૮ હજાર કાર્યકરોએ જ રજિસ્ટ્રેશન કરાવતાં નડ્ડાએ મોદીનો ઠપકો સાંભળવો પડયો છે. પહેલાંથી જાહેરાત કરાઈ હોવાથી બુધવારે અભિયાન લોંચ કરી દેવાયું પણ ભાજપ ભોંઠો ચોક્કસ પડયો છે. યેદીએ બસવને ગાદીએ બેસાડયા કર્ણાટકમાં ભાજપે અંતે બસવરાજ બોમ્માઈને મુખ્યમંત્રીપદે બેસાડી દીધા. યેદુરપ્પાએ અમિત શાહ અને સંઘના નેતાઓને પછાડીને બોમ્માઈને ગાદી પર બેસાડવામાં સફળતા મેળવી હોવાનો સૂત્રોનો દાવો છે. આ નિમણૂક પહેલાં ભાજપમાં ભારે ખેંચતાણ ચાલી હતી. અંતે મોદીએ દરમિયાનગીરી કરવી પડી હોવાનો પણ દાવો છે. યેદુરપ્પાએ મુખ્યમંત્રીપદ છોડવા તૈયારી બતાવી ત્યારે મોદી સમક્ષ બોમ્માઈનું નામ સૂચવ્યું હતું. અમિત શાહ મુરૂગેશ નિરાનીને ગાદી પર બેસાડવા માગતા હતા. સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ સહિતના સંઘના નેતાઓ પણ નિરાનીના સમર્થનમાં હતા. નિરાની લિંગાયત સમુદાયમાંથી આવે છે તેથી તેમને મુખ્યમંત્રી બનાવાશે તો લિંગાયત સમાજ નારાજ નહીં થાય એવી તેમની દલીલ હતી. બોમ્માઈ મૂળ ભાજપના નથી તેથી પણ તેમને બદલે નિરાનીની પસંદગીનો સૌનો આગ્રહ હતો. આ સમાચાર મળતાં જ યેદુરપ્પાએ મોદીને ફોન કરીને સ્પષ્ટ નારાજગી દર્શાવી હતી. મોદી પોતાનું વચન પાળે એવો તેમનો આગ્રહ હતો. મોદીએ તરત જ બોમ્માઈની પસંદગી માટે ફરમાન કર્યું અને યેદુરપ્પાની નારાજગી દૂર કરવા તેમના યોગદાનને વખાણતું ટ્વિટ પણ અલગથી કર્યું. મમતા જડતા બતાવીને રાષ્ટ્રપતિને ના મળ્યાં પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી જડ વલણના કારણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ના મળી શક્યાં. મમતા બુધવારે રાષ્ટ્રપતિને મળવાનાં હતાં. રાષ્ટ્રપતિએ તેમને બપોર પછી મળવા માટે એપોઈન્ટમેન્ટ પણ આપી દીધી હતી પણ રાષ્ટ્રપતિ ભવને નિયમનો હવાલો આપીને મમતાને આરટી-પીસીઆર ટેસ્ટ કરાવીને નેગેટિવ રીપોર્ટ લઈને આવવા કહ્યું. મમતાએ દલીલ કરી કે, પોતે કોરોનાની રસીના બંને ડોઝ લઈ ચૂક્યાં છે તેથી કોરોનાનો ખતરો નથી પણ રાષ્ટ્રપતિ ભવને આરટી-પીસીઆર ટેસ્ટનો આગ્રહ રાખ્યો. મમતાએ છેલ્લી ઘડીએ પોતાનો આરટી-પીસીઆર ટેસ્ટ શક્ય નથી એવી દલીલ કરી પણ અધિકારીઓ નિયમ પ્રમાણે વર્તવા માટે મક્કમ હતા તેથી મમતાએ જીદ પર આવીને રાષ્ટ્રપતિને મળવાનું જ માંડી વાળ્યું. મમતાની જીદની આકરી ટીકા થઈ રહી છે. વિશ્લેષકોના મતે, મમતાનું વલણ આઘાતજનક છે. મમતા સોમવારે સાંજે જ દિલ્હી આવી ગયાં હતાં એ જોતાં તેમણે રીપોર્ટ કરાવી લીધો હોત તો રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત પહેલાં ટેસ્ટનો રીપોર્ટ આવી ગયો હોત. બંગાળની પ્રજાનાં હિતોને ધ્યાનમાં રાખીને તેમણે જીદ છોડવાની જરૂર હતી. કાશ્મીરમાં છ વર્ષ પછીય પંડિતો માટે કંઈ નહીં જમ્મુ અને કાશ્મીરમાં પંડિતોને ફરી વસાવવા માટે ફ્લેટ બાંધવા જમીન આપવાની જાહેરાત કરી પણ પંડિતોમાં ભારે નારાજગી છે. નારાજગીનું કારણ એ છે કે, જમ્મુ એન્ડ કાશ્મીર એડમિનિસ્ટ્રેટિવ કાઉન્સિલે માત્ર ૨૭૪૪ ફ્લેટ બાંધવા માટે જમીન ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી છે. આતંકવાદના કારણે કાશ્મીર ખીણ છોડનારા પંડિતોની સંખ્યા ૬ લાખની આસપાસ છે જ્યારે આ ફ્લેટ બંધાશે ત્યારે માંડ દસેક હજાર લોકોને રહેવા મળશે. બાકીના લાખો પંડિતોનું શું એવો સવાલ પંડિતો કરી રહ્યા છે. સરકારે ૨૦૧૫માં પંડિતો માટે ૬૦૦૦ મકાનો બાંધવા ૮૨૦ કરોડનું પેકેડ જાહેર કર્યું હતું. સરકારે છ વર્ષ સુધી કંઈ ના કર્યું અને હવે છ હજારના બદલે અડધી સંખ્યામાં મકાન બાંધવાની જાહેરાત કરી છે. આ મકાન પણ દોઢ વર્ષ પછી બંધાશે અને અલગ અલગ પાંચ જિલ્લામાં બંધાશે તેથી સુરક્ષાની પણ સમસ્યા છે. સરકાર પંડિતોને વસાવવાની મોટી મોટી વાતો કરે છે પણ વાસ્તવિક રીતે કશું કરતી નથી એવી ટીકા પંડિતો કરી રહ્યા છે. સ્ટાલિનથી બચવા સ્વામી-સેલ્વમ મોદીના શરણે તમિલનાડુમાં સ્ટાલિન સરકારે એઆઈએડીએમકેના નેતાઓ પર ભ્રષ્ટાચારના કેસોમાં દરોડા શરૂ કરતાં ગભરાયેલા પલાનીસ્વામી અને પન્નીરસેલ્વમ મોદીના શરણે ગયા છે. સ્ટાલિન સરકારે એઆઈએડીએમકેના ભૂતપૂર્વ મંત્રી એમ. આર. વિજયભાસ્કર પર ભ્રષ્ટાચાર બદલ દોરડા પાડતાં એઆઈએડીએમકેને નેતાઓમાં ગભરાટ છે. ડીએમકે વિપક્ષમાં હતો ત્યારે પલાનીસ્વામી સરકારના નેતાઓના ભ્રષ્ટાચારના મુદ્દે સંખ્યાબંધ અરજીઓ કરી હતી. સેલ્વમ અને સ્વામી સામે પણ અરજી કરી હતી. સ્વામી-સેલ્વમ બંનેને ડર છે કે, ભાસ્કર પછી હવે પોતાનો વારો આવશે તેથી બંને દોડતા થઈ ગયા છે. સ્વામી-સેલ્વમે મોદીને મળીને સ્ટાલિન સરકારને નાથવા માટે કેન્દ્રીય એજન્સીઓને મેદાનમાં ઉતારવા વિનંતી કરી હોવાનો સૂત્રોનો દાવો છે. સ્વામી-સેલ્વમે મોદીને એઆઈએડીએમકેને મંત્રીમંડળમાં સ્થાન આપવા પણ વિનંતી કરી કે જેથી સ્ટાલિન સરકાર સામે ઝીંક ઝીલી શકાય અને રાજકીય અસ્તિત્વ ટકાવી શકાય. ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, પલાનીસ્વામી સહિતના એઆઈએડીએમકેના નેતા ચૂંટણી પહેલાં ભાજપને હડધૂત કરતા હતા એ જોતાં મંત્રીમંડળમાં સ્થાન આપવાનો તો સવાલ જ નથી પણ મોદી મદદ કરે એવી શક્યતા પણ નથી. અસ્થાનાની નિમણૂકથી અધિકારીઓમાં કચવાટ મોદી સરકારે રાકેશ અસ્થાનાની દિલ્હીના પોલીસ કમિશનરપદે નિમણૂક કરી તેની ટીકા થઈ રહી છે. આ નિમણૂકે મોદીનાં બેવડાં ધોરણોને છતાં કરી દીધાં છે એવી ટીકાનો મારો ચાલ્યો છે. એક તરફ મોદી ભ્રષ્ટાચારને નાથવાની વાતો કરે છે, ભ્રષ્ટાચારીઓને નહીં છોડાય એવા હુંકાર કરે છે ત્યારે બીજી તરફ જેની સામે ભ્રષ્ટાચારની ફરિયાદ છે એવા અધિકારીને દેશની રાજધાનીના પોલીસ વડા તરીકે નિમે છે. અસ્થાના સીબીઆઈમાં હતા ત્યારે તેમની સામે લાંચ લેવાનો કેસ થયો હતો. સીબીઆઈએ પોતાના જ અધિકારી સામે કેસ નોંધ્યો હોય એવી શરમજનક ઘટના નોંધાઈ હતી. અસ્થાનાની નિમણૂક સામે અધિકારીઓમાં પણ કચવાટ છે કેમ કે સામાન્ય રીતે દિલ્હીના પોલીસ વડા તરીકે અરૂણાચલ પ્રદેશ-ગોઆ-મિઝોરમ અને યુનિયન ટેરિટરિઝ (એજીએમયુટી) કેડરના અધિકારી નિમાય છે. અસ્થાના ગુજરાત કેડરના અધિકારી છે. સરકારે અસ્થાનાને દિલ્હીના પોલીસ વડા બનાવવા તેમની કેડર બદલીને ખોટી પરંપરા સ્થાપિત કરી રહી છે એવું અધિકારીઓનું માનવું છે. સરકાર પણ કોંગ્રેસના રસ્તે ચાલી રહી હોવાનું અધિકારીઓનું માનવું છે. *** મમતા વિ. મોદીઃ બધાની નજર વિપક્ષના આયોજન પર ટીએમસીના ટોચના વર્તુળો નિર્દેશ કરે છે કે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ દિલ્હીમાં હાલમાં ડેરા તાણ્યા છે. તે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાના વિપક્ષના આયોજન માટે મળવાના છે. તેમણે આરજેડીના નેતા લાલુપ્રસાદ યાદવ સાથે વાત કરી લીધી છે. તે વિપક્ષો જોડે રહીને કામ કરે તે માટે રાજકીય પ્લેટફોર્મ બનાવવા માંગે છે. વિપક્ષોએ આ માટે સમયાંતરે મળતા રહેવું પડશે. સૂત્રોનું કહેવું છે કે તેમને આ રાજકીય પ્લેટફોર્મ પર ગમે તે આગેવાની કરે તેની સામે વાંધો નથી. રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે દિલ્હીમાં તેમની હાજરીથી વિપક્ષને મોટું ઉત્તેજન મળશે, જેણે હાલમાં સંસદીય સત્રમાં આક્રમક વલણ દર્શાવ્યું છે. પેગાસસ મુદ્દે સરકાર-વિપક્ષની લડાઈમાં અંતિમ હાસ્ય કોનું રાજધાનીમાં દરેક જણ તે જ સવાલ પૂછી રહ્યું છે કે સરકાર અને વિપક્ષ વચ્ચે પેગાસસ જાસૂસી કાંડ અને કૃષિ કાયદાના મુદ્દે ગજગ્રાહ ચાલી રહ્યો છે તેમા છેલ્લે કોણ વિજેતા નીવડશે. આ સવાલ મહત્ત્વનો એટલા માટે છે કેમકે સરકારે સંસદ ન ચાલવા દેવા બદલ વિપક્ષની ઝાટકણી કાઢી છે. વિપક્ષ દ્વારા સૂત્રોચ્ચારના લીધે સાતમાં દિવસે પણ બંને ગૃહની કામગીરી અવરોધાયેલી રહી હતી. કોવિડ-19 રસીઃ ભારત પાસે ઓગસ્ટ સુધીમાં 15 કરોડ ડોઝ હશે ભારત પાસે ઓગસ્ટમાં કોવિડ-૧૯ રસીના ૧૫ કરોડ ડોઝ હશે, એમ ટોચના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. આ નિર્દેશ કરે છે કે આ આંકડો જુલાઈ કરતા વધારે હશે, પરંતુ તે વર્ષના અંત સુધીમાં પુખ્ત વસ્તીના રસીકરણ માટે પૂરતી નહી હોય. આમ ઓગસ્ટનો પુરવઠો ૧૨ કરોડ ડોઝની અપેક્ષા કરતાં વધારે છે. કેન્દ્રએ જણાવ્યું હતું કે જાન્યુઆરી ૨૦૨૧થી ૩૧ જુલાઈ ૨૦૨૧ વચ્ચે કુલ ૫૧.૭ કરોડ ડોઝ ઉપલબ્ધ હશે. નરેગા હેઠળ કામના દિવસો વધારવાના આયોજનની વાત કેન્દ્રએ નકારી મહાત્માગાંધી નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ (નરેગા) હેઠળ કામના દિવસો વધારવાનું આયોજન હોવાની વાતનો ઇન્કાર કર્યો છે. હાલમાં તેના હેઠળ કૌશલ્યવિહીન કામદારોને ૧૦૦ દિવસનું કામ મળે છે. અર્થશાસ્ત્રીઓ અને સમાજવિદોએ કેન્દ્ર સરકારને લખ્યું છે કે આ કાયદામાં સુધારો કરીને કુટુંબ દીઠ બીજા ૫૦થી ૧૦૦ દિવસની રોજગારી પૂરી પાડવામાં આવે. આ પગલાં દ્વારા લોકોને વધુ નાણા મળતા કોવિડના લીધે અસર પામેલી ગ્રામીણ માંગમાં સ્થિરતા આવશે અને આર્થિક સ્થિતિ હળવી થશે. પણ સરકાર આ માટે આતુર નથી. લોકસભામાં સીપીએમના સાંસદ એસ વેંકટેસને ગૃહમાં પૂછ્યું હતું કે કેન્દ્ર મનરેગા હેઠળ કામકાજના દિવસો વધારવાનું આયોજન ધરાવે છે. તેના અંગે ગ્રામીણ વિકાસ પ્રધાન નિરંજન જ્યોતિએ નકારમાં જવાબ આપ્યો હતો, પરંતુ જણાવ્યું હતું કે રાજ્યો પોતાના બજેટમાંથી વધારાના દિવસોનું કામ પૂરું પાડી શકે છે. મેડિકલ સીટના ઓલ ઇન્ડિયા ક્વોટામાં 27 ટકા ઓબીસી અનામત નિશ્ચિત નરેન્દ્ર મોદી સરકાર મેડિકલ સીટ્સના ઓલ ઇન્ડિયા ક્વોટા (એઆઇક્યુ)માં ૨૭ ટકા ઓબીસી અનામત લાવવાનું સુનિશ્ચિત કરી દીધું છે. આ અંગે ગમે ત્યારે જાહેરનામુ પાડવામાં આવી શકે છે. એઆઇકુયમાં ઓબીસી ક્વોટા તે લાંબા સમયની પડતર માંગ હતી. આ પગલા પાછળનો તર્ક સમજાવતા સૂત્રોએ જણાવ્યું હતું કે સરકારે જણાવ્યું છે કે દરેક રાજ્ય સરકારની મેડિકલ કોલેજમાં અંડરગ્રેજ્યુએટ (એમબીબીએસ)માં ૧૫ ટકા અને અખિલ ભારતીય ક્વોટામાં પોસ્ટ ગ્રેજ્યુએશન સીટ્સમાં સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો મુજબ ૫૦ ટકા સીટ અનામત રાખે. - ઇન્દર સાહની

ગુજરાત સમાચાર 29 Jul 2021 7:05 am

વોડાફોન આઇડયાને સરકાર હસ્તક લેવાની સલાહ : બળતું ઘર કૃષ્ણાર્પણ

- ટેલિકોમ કંપનીઓને છેલ્લા ત્રણ દિવસમાં બે ઝાટકા - પ્રસંગપટ - ટેલિકોમ્યુનિકેશનના ક્ષેત્રે રિવોલ્યુએશનનો પવન ફૂંકાઇ રહ્યો છે ત્યારે બે કંપનીઓ સામે ડુંગર જેવું દેવું ટેલિકોમ કંપનીઓને છેલ્લા ત્રણ દિવસમાં બે ઝાટકા વાગ્યા છે. એક ઝાટકો સુપ્રિમ કોર્ટે વોડાફોન આઇડયાને આપ્યો છે તો બીજો અનિલ અંબાણીની ટેલિકોમ કંપની રીલાયન્સ કોમ્યુનિકેશનનું લાઇસન્સ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશને રિન્યુ નહીં કરવાનો નિર્ણયની દિશામાં આગળ વધીને આપ્યો છે. ભારતનું ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્ર તીવ્ર સ્પર્ધા વાળું હોવા છતાં આ બંને કંપનીઓ ડચકાં ખાઇ રહી છે.એક તરફ ભારતના ફંડ મેનેજરો વોડોફાન આઇડયાને ટકાવી રાખવા ફંડ માટે ફાંફા મારી રહ્યા છે ત્યાં બીજી તરફ વોડાફોન આઇડયા જેવા દેવામાં ડૂબેલા અને બળતા ઘરનું સરકારને કૃષ્ણાર્પણ કરવા માટે પણ વિચારાઇ રહ્યું છે. આર્થિક ક્ષેત્ર અને શેર બજારના નિષ્ણાતો પણ એ મતના છે કે હવે આ કંપનીને નવા ફંડની ફૂંકો પણ જીવાડી શકે એમ નથી. જ્યાં સુધી સુપ્રીમ કોટે એેજીઆર વિશે ચુકાદો નહોતો આપ્યો ત્યાં સુધી વોડાફોન આઇડયામાં ફંડ આપવા માટેની પ્રોસેસ ચાલતી હતી પરંતુ જેવો ચુકાદો આવ્યો કે તરતજ ફંડ આપવાનો વિચાર કરનારા ઠંડા પડી ગયા હતા. કહે છે કે એચડીએફસીના એએમસીના પ્રશાંત જૈન અને આદિત્ય બિરલા એમ એફના મહેશ પાટીલ સહીતના પાંચ ફંડ મેનેજરો મેદાનમાં આવ્યા છે પરંતુ કંપનીનું ડુંગર જેવું દેવું તેના પ્રોગ્રેસને અટકાવી રહ્યો છે. એક તરફ કોમ્યુનિકેશન ક્ષેત્રની ગળા કાપ સ્પર્ધા અને બીજી તરફ નવી ટેકનોલોજીને અપનાવવા માટેનું ફંડ જેવા મુદ્દાઓને કંપની પહોંચી વળે એમ નથી. એક વર્ગ એમ કહે છે કે જો ટેલિકોમ ક્ષેત્રે સ્પર્ધા રાખવી હોય તો વોડાફોન આઇડયા જેવી કંપનીઓને જીવતી રાખવી પડશે. દેવા નીચે ડૂબેલી તો ભારત હસ્તકની ભારત સંચાર નિગમ પણ છે છતાં તેને ચાલુ રખાઇ છે. જો વોડાફોન આઇડિયાાને તાળું વાગશેતો અન્ય ટેલિકોમ કંપનીઓ જેવીકે એરટેલ અને રીલાયન્સ જીયો જેવા નેટવર્ક પોતાની મોનોપોલી ઉભી કરીને લાભ ઉઠાવશે. આમ મોનોપોલી ઉભી થવાથી ગ્રાહકોને કંપનીઓ જે આપશે તે લઇ લેવું પડશે. તેથી ગ્રાહકોને અન્યાય થશે. સરકારનેતો બીએસએનએલ પણ બોજ સમાન લાગે છે. હવે એવી માંગ ઉઠી છે કે સરકારે વોડાફોન આઇડયાને આર્થિક સહાય કરવી જોઇએ. આવી કંપનીઓની કમનસીબી એ હોય છે કે તે તેના ખર્ચા ઘટાડી શકતી નથી અને અમને બચાવો એવા રોદણાં રોવામાંથી ઉંચી નથી આવતી. આવી કંપનીઓની નબળી સર્વિસના કારણેતો તે સ્પર્ધામાં ઉભી નથી રહી શકતી. ગયા શુક્રવારે એડજેસ્ટ ગ્રેાસ રેવન્યૂ (AGR) એટલેકે કંબાઇન રેવન્યૂની ગણત્રીના મામલે સુપ્રિમ કોર્ટે આપેલો ચુકાદાએ વોડાફોન આઇડયા અને ટાટા ટેલિ સર્વિસ જેવાની ઉંઘ હરામ કરી નાખી છે. વોડાફોન આઇડયામાં જે ફંન્ડીગ ચુકાદા પહેલાં આવવાનું હતું તેના પર પણ બ્રેક વાગી ગઇ હતી. આ કંપનીઓ રિવ્યૂ પીટીશન કરવા જઇ રહી છે. આ કંપનીઓ એજીઆર જેવી મહત્વની વાત ફંડ આપનારા સમક્ષ ભાગ્યેજ કરતી હતી. પોતાની કંપનીમાં કોઇ સમસ્યા નથી એવી વાતો કરતી આ કંપનીઓને સુપ્રિમ કોર્ટના ચુકાદાએ ખુલ્લી પાડી દીધી હતી. સરકારની ગણત્રી પ્રમાણે વોડાફોન આઇડયાનું દેવું ૫૮,૪૦૦ કરોડ, એરટેલનું દેવું ૪૩,૯૮૦ કરોડ અને ટાટા ટેલીનું દેવું ૧૬,૭૦૦ કરોડ પર પહોંચ્યું છે. પરંતુ આ કંપનીઓએ પોતે પોતાનું દેવું ઉપરોક્ત રકમ કરતાં ઓછું આંકેલું છે. એટલેકે વોડાફોન આઇડયા દેવાની રકમ ૨૧,૫૩૩ કરોડની બતાવી રહી છે. બજારના નિષ્ણાંતો કહે છે કે કંપનીઓએ પોતે બહાર પાડેલા દેવાના આંકડા સાચા હોય તો તેને બહુ મોટું દેવું ના કહી શકાય પરંતુ કંપનીના આંકડા સાથે કોઇ ખાસ કરીને સરકાર સંમત થવા તૈયારનથી . સ્પેકટ્રમ ખરીદીના વોડાફોન આઇડયાએ એપ્રિલ ૨૦૨૩ સુધીમાં રૂ.૮૨૯૨ કરોડ ચૂકવવાના છે. જો આજે સરકાર આ કંપનીને કોઇ સહાય નહીં કરેતો તે દેવાના ડુંગર નીચે દબાયેલી રહેશે. આપણે ત્યાં ટેલિકોમ્યુનિકેશનના ક્ષેત્રે રિવોલ્યુએશનનો પવન ફૂંકાઇ રહ્યો છે. ભારતમાં 5G આવશે ત્યારે ટેલિકોમ ટેકનોલોજી મહત્વની બની રહેશે. અનેક મોટા શહેરોમાં 5Gના ટેસ્ટીંગ પણ થઇ ગયા છે ત્યારે આપણે ત્યાં કેટલીક ટેેલિકોમ કંપનીઓ સરકારની સહાય માટે રીંગ મારી રહી છે પરંતુ સરકાર ફોન ઉપાડતી નથી.

ગુજરાત સમાચાર 29 Jul 2021 5:45 am

દાહોદના વાંચનપ્રિય વ્યક્તિને અનોખી શ્રદ્ધાંજલિ:ગુજરાતી દૈનિક કુરિયરથી US મંગાવી પિતાના મૃત્યુદેહ સાથે કોફીનમાં મૂકી સંતાનોએ અંજલિ અર્પી

અમેરિકાના પ્રવાસે ગયેલા મૂળ દાહોદના આધેડનું એટેકથી આકસ્મિક અવસાન થયું હતું

દિવ્ય ભાસ્કર 29 Jul 2021 5:27 am

દિલ્હીની વાત : આસામ-મિઝોરમની પોલીસ આમને-સામને

નવીદિલ્હી : આસામ-મિઝોરમ વચ્ચે ચાલી રહેલા દાયકા જૂના વિવાદમાં સોમવારે બંને રાજ્યોની પોલીસ સામસામે આવી જતાં થયેલા ગોળીબારમાં આસામના પાંચ પોલીસોનાં મોત થયાં છે. અમિત શાહ શનિ-રવિ બે દિવસ માટે ઉત્તર-પૂર્વનાં રાજ્યોની મુલાકાતે ગયા હતા. આ મુલાકાત પહેલાં એવો માહોલ ઉભો કરાયો હતો કે, શાહે આ વિવાદ ઉકેલવા પહેલ કરી છે તેથી આ વિવાદ ઉકેલાઈ જશે. વરસો સુધી બીજી સરકારો જે ના કરી શકી એ શાહ ચપટી વગાડીને કરી બતાવશે એવો માહોલ ઉભો કરી દેવાયો હતો. શાહની મુલાકાત દરમિયાન આ વિવાદ ઉકેલવા માટે તો કંઈ ના જ થયું પણ શાહ દિલ્હી પાછા આવ્યા તેના ૨૪ કલાકમાં તો પહેલા કદી નહોતી બની એવી અજુગતી ઘટના બની ગઈ. બે દેશના સૈનિકો સામસામે લડતા હોય એ રીતે પોલીસો સામસામે આવી ગયા. બંને રાજ્યોમાં ભાજપની સરકારો હોવા છતાં વાત આ હદે પહોંચી એ ભાજપ માટે શરમજનક છે. યુપીમાં જીતવા મોદીનું ઓબીસી-ઈડબલ્યુએસ કાર્ડ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી જીતવા માટે નરેન્દ્ર મોદીએ મોટા પાયે ઓબીસી તથા ઈડબલ્યુએસ કાર્ડ રમવાની તૈયારી કરી લીધી છે. તેના ભાગરૂપે મોદીએ મેડિકલ કોલેજોમાં પ્રવેશમાં ઓલ ઈન્ડિયા ક્વોટામાં ઓબીસીને પણ પ્રવેશ આપવાની જોગવાઈ ત્રણ મહિનામાં કરવા અલ્ટિમેટમ આપ્યું છે. સાથે સાથે સવર્ણો માટેની ઈડબલ્યુએસ અનામતનો અમલ કરવા પણ તાકીદ કરી છે. આ મુદ્દો શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ન્યાય મંત્રાલય સાથે જોડાયેલો છે. મોદીએ સોમવારે અચાનક આ તમામ મંત્રાલયની બેઠક બોલાવીને મેડિકલ ક્વોટામાં ઓબીસી અનામતનું શું સ્ટેટસ છે તેની વિગતો માગીને ક્લાસ લઈ લીધો. આ મુદ્દો અત્યારે કોર્ટમાં છે એવી દલીલ કરનારા અધિકારીઓને મોદીએ તતડાવીને કોર્ટ બહાર ઉકેલ લાવવા તાકીદ કરી. હાલમાં મેડિકલ અભ્યાસક્રમોમાં એમબીબીએસ સહિત અંડર ગ્રેજ્યુએટ કોર્સીસમાં ૧૫ ટકા અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ૫૦ ટકા બેઠકો ઓલ ઈન્ડિયા ક્વોટા હેઠળ અનામત રખાય છે આ બેઠકોમાં એસસી-એસટી માટે અનામત છે પણ ઓબીસી માટે અનામત નથી તેથી ઓબીસી નારાજ છે. મોદી આ નારાજગી યુપીની ચૂંટણી પહેલાં દૂર કરવા માગે છે. રાહુલની ટ્રેક્ટર કૂચ, મોદી ભડકતાં પોલીસ ધંધે લાગી રાહુલ ગાંધીએ સોમવારે કરેલી ટ્રેક્ટર કૂચે દિલ્હી પોલીસની ઉંઘ હરામ કરી દીધી છે. રાહુલ ગાંધી ટ્રેક્ટર લઈને છેક સંસદ સુધી પહોંચી ગયા તેના કારણે ભડકેલા મોદીએ અમિત શાહનો જવાબ માગતાં શાહે દિલ્હી પોલીસના અધિકારીઓને ખખડાવી નાંખ્યા. રાહુલની રેલીને મળેલી પબ્લિસિટીના કારણે પણ મોદી ભડક્યા છે. સંસદના ચુસ્ત સુરક્ષા ધરાવતા વિસ્તાર સુધી ટ્રેક્ટર આવી ગયું ને દિલ્હી પોલીસને તેની ગંધ સુધ્ધાં કેમ ના આવી એ મુદ્દે શાહે જવાબ માગતાં દિલ્હી પોલીસ બરાબરની ધંધે લાગી છે. શાહે આ ચૂક માટે જવાબદાર પોલીસોનાં નામ પણ ત્રણ દિવસમાં આપવા ફરમાન કર્યું છે એ જોતાં વીક-એન્ડમાં દિલ્હી પોલીસમાં કેટલાકનો વારો પડી જશે એ નક્કી છે. દિલ્હી પોલીસ અત્યારે સીસીટીવી ચકાસવામાં લાગી છે. સીસીટીવીમાં રાહુલના ઘર સુધી ટ્રેક્ટર મોટી કન્ટેઈનર ટ્રકમાં લવાયું હતું એ ખબર પડી છે. ટ્રકને દિલ્હીમાં આવવા દેવા એક સાંસદે પોલીસના ઉચ્ચાધિકારીને ભલામણ કરી હતી. તપાસ હવે આ અધિકારી કોણ તેના પર કેન્દ્રિત થઈ છે. કોંગ્રેસ-તૃણમૂલ કોંગ્રેસના જોડાણનો તખ્તો તૈયાર દિલ્હી પહોંચેલાં મમતા બેનરજી મંગળવારે સવારે સોનિયા ગાંધીને મળે ત્યારે તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ વચ્ચેના જોડાણને અંતિમ રૂપ અપાશે એવો સૂત્રોનો દાવો છે. મમતાએ મંગળવારે પોતાના ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર સાથે પણ આ મુદ્દે ચર્ચા કરી લીધી છે. બંગાળની ચૂંટણીમાં કારમી હાર પછી સોનિયા બંગાળમાં પોતાનો પગ ટકી રહે એ માટે મમતા જે પણ આપે તે લઈને જોડાણ માટે તૈયાર હોવાનો સૂત્રોનો દાવો છે. મમતા સોમવારે સાંજે દિલ્હી આવ્યાં પછી મમતા સાથે તેમની ફોન પર વાત થઈ હતી. આ વાતચીતમાં સોનિયાએ પોતાના વિશ્વાસુ કમલનાથ અને અભિષેક મનુ સિંઘવી સાથે જોડાણ મુદ્દે ચર્ચા કરવા વિનંતી કરતાં મમતાએ હા પાડી હતી. કમલનાથ અને સિંઘવી મમતાને અલગ અલગ મળ્યા હતા. મમતાએ તેમની સાથે જોડાણની શરતો અંગે પ્રાથમિક ચર્ચા કરી છે. કોંગ્રેસમાંથી આનંદ શર્મા પણ મમતાને મળ્યા હતા. મમતાએ શર્માને સોનિયા ગાંધીના હાથ મજબૂત કરીને ભાજપ સામે પૂરી તાકાતથી લડવા સલાહ આપી હોવાનો સૂત્રોનો દાવો છે. કોંગે્રસના મંત્રીનો પોતાની સરકાર સામે જ વોકઆઉટ છત્તીસગઢમાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને આરોગ્ય મંત્રી ટી.એસ. સિંહદેવની લડાઈ સોનિયાના દરબારમાં પહોંચી છે. બઘેલના સમર્થક ધારાસભ્ય બૃહસ્પતિ સિંહે આક્ષેપ મૂક્યો હતો કે, સિંહદેવ મારી હત્યા કરાવીને છત્તીસગઢમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી ખરાબ છે એવું સાબિત કરીને મુખ્યમંત્રી બનવા માગે છે. આ આક્ષેપથી અકળાયેલા સિંહદેવે મંગળવારે પોતાની જ સરકાર સામે વોકઆઉટ કરીને એલાન કર્યું કે, બઘેલ સરકાર આ મુદ્દે ગૃહમાં નિવેદન નહીં કરે ત્યાં સુધી પોતે ગૃહમાં હાજર નહીં રહે. 'બાબા' તરીકે જાણીતા સિંહદેવના એલાનના પગલે તેમના સમર્થકોમાં આક્રોશ છે. વોકઆઉટ પછી સિંહદેવ દિલ્હી જવા નિકળી ગયા. સિંહદેવ સોનિયા ગાંધી સામે બઘેલ ઉપરાંત પ્રદેશ પ્રભારી પી.એલ. પુનિયાની પણ ફરિયાદ કરશે એવો સૂત્રોનો દાવો છે. બૃહસ્પતિ સિંહના આક્ષેપ પછી રાયપુર આવેલા પુનિયા બઘેલને મળ્યા હતા અને બૃહસ્પતિને પણ મળ્યા પણ સિંહદેવને નહોતા મળ્યા. પુનિયાએ સિંહદેવ સામેના આક્ષેપોને રોકવા કોઈ પગલાં ના લીધાં કે હાઈકમાન્ડને પણ આ મુદ્દે રીપોર્ટ ના મોકલતાં સિંહદેવ તેમના પર પણ બગડયા છે. ગેહલોતના મંત્રીનો દાવો, 4-5 દિવસનો મહેમાન છું..... રાજસ્થાનમાં અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે સમાધાનનો તખ્તો તૈયાર હોવાનો સંકેત ગેહલોતના ખાસ ગણાતા ગોવિંદસિંહ ડોટાસરાએ આપ્યો છે. આ વિસ્તરણમાં પોતાનો ભોગ લેવાઈ જશે એવો સંકેત પણ ડોટાસરાએ આપ્યો છે. ડોટાસરા હાલમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ છે અને સાથે સાથે રાજ્યના શિક્ષણ મંત્રી પણ છે. ડોટાસરાનો એક વીડિયો હમણાં વાયરલ થયો છે જેમાં ડોટાસરા પોતે શિક્ષણ વિભાગમાં ચાર-પાંચ દિવસના મહેમાન હોવાનું કહે છે. કોંગ્રેસના નેતાઓ સાથેની બેઠકમાં ડોટાસરા એવું બોલતા સંભળાય છે કે, તમારી ફાઈલ હોય તો લઈ આવજો, હું એક મિનિટમાં ક્લીયર કરી દઈશ. હું ચાર-પાંચ દિવસનો મહેમાન છું ને એ દરમિયાન મારાથી તમારા માટે બનશે એ બધું હું કરી છૂટીશ. ડોટાસરાને સચિન પાયલોટને હટાવીને પ્રદેશ પ્રમુખ બનાવાયા હતા. ડોટાસરાએ ગેહલોતના ઈશારે પાયલોટ સામે લીધેલા આકરા વલણના કારણે પાયલોટ જૂથ ડોટાસરાને પ્રદેશ પ્રમુખપદેથી હટાવવા માગે છે. સામે ગેહલોત ગને તે ભોગે ડોટાસરાને ચાલુ રાખવા માગે છે કે જેથી સંગઠન પર તેમનું વર્ચસ્વ જળવાઈ રહે. *** મમતા-સોનિયા મુલાકાતમાં રાહુલ ગાંધી જોડાઈ શકે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજી આજે કોંગ્રેસના નેતાઓને મળ્યા હતા. હવે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીની તેમની આવતીકાલે થનારી મુલાકાતને લઈને ઘણી ઉત્સુકતા જોવા મળી રહી છે. ટીએમસીએ પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા પછી બંને નેતાઓ વચ્ચે આ પહેલી બેઠક હશે. જો કે કોંગ્રેસ અને ટીએમસી વચ્ચેના સંબંધો ખરાબ હતા ત્યારે પણ સોનિયા ગાંધી અને મમતા વચ્ચેના સંબંધો ઘણા સારા હતા. બેઠકનો કોઈ એજન્ડા ફિકસ્ડ નથી. બંને નેતાઓે આગામી રાષ્ટ્રીય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વિપક્ષના બ્લોકના લાંબા ગાળાના ધ્યેયો પર ધ્યાન કેન્દ્રિત કરે તેમ મનાય છે. આ બેઠકનું મહત્ત્વ એટલા માટે છે કેમકે હાલમાં સંસદના ચાલી રહેલા સત્રમાં સરકાર સામે વિપક્ષ પેગાસસ જાસૂસી કાંડને લઈને અને ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાને રદ કરવાને લઈને મોટાપાયા પર વિરોધ પ્રદર્શન કરી રહ્યુ છે. આ બેઠકમાં રાહુલ ગાંધી પણ વચ્ચેથી હાજરી આપી શકે છે. બેનરજીના રાહુલ ગાંધી સાથેના સમીકરણ એટલા સારા નથી ત્યારે પ્રશાંત કિશોર તેમા મધ્યસ્થીની ભૂમિકા અદા કરી શકે છે. જુલાઈમાં રસીનો લક્ષ્યાંક ગુમાવશે તેવા અહેવાલોને કેન્દ્રએ ફગાવ્યા સરકારે મંગળવારે ભારત જુલાઈના અંતે ૫૦ કરોડ કોવિડ રસીના ડોઝનો લક્ષ્યાંક ચૂકી જશે તેવા મીડિયા અહેવાલોને ફગાવી દીધા છે. સરકારે આ અહેવાલોને અપૂરતી માહિતીવાળા અને ખોટા ગણાવતા ભારપૂર્વક જણાવ્યું હતું કે ૩૧ જુલાઈના અંત સુધીમાં ૫૧.૬૦ કરોડ ડોઝ પૂરા પાડવામાં આવનાર છે. ભારતમાં અત્યાર સુધીમાં ૪૪.૨ કરોડ લોકોને રસી આપવામાં આવી ચૂકી છે. બિહારના પ્રધાનના દાવાએ નવો વિવાદ છેડયો જદયુ અને ભાજપના સંબંધો વણસી રહ્યા છે ત્યારે બિહારના પંચાયતી રાજપ્રધાન સમ્રાટ ચૌધરીએ વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન દાવો કર્યો છે કે બિહારમાં આગામી મુખ્યપ્રધાન ભાજપનો હશે. તેમણે દાવો કર્યો હતો કે ૨૦૨૫માં બિહારમાં ભાજપ પોતાની સરકાર બનાવશે. તેમણે જણાવ્યું હતું કે બિહારની હાલની સરકાર ભાજપ અને જદયુ વચ્ચે એક સમાધાનથી વિશેષ કશું નથી, જે નીતિશકુમારની આગેવાની હેઠળ ચાલી રહી છે. આના પગલે બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન રાજ્યના રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી હતી કે ભાજપે પાસવાનની એલજેપીનો ઉપયોગ રાજ્યમાં જદયુનો વોટશેર કાપવા માટે કર્યો અને આ રીતે નીતિશકુમારની પાંખો કાપી નાખી હતી. એલજેપીએ નીતિશકુમારને ભારે નુકસાન પહોંચાડયુ હતુ. તેણે જદયુ સામે રીતસરનું અભિયાન આદર્યુ હતું. રાહુલની જીભ ફરીથી લપસીઃ મોદી સરકારના વખાણ કરી દીધા રાજ્યના રાજકીય વર્તુળોમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પોતાની ભૂલો માટે પ્રખ્યાત છે. આ જ મોરચે તેમણે વધુ એક ભૂલ કરી છે. રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આક્રમણ કરતા પીએમ પર તીખો હુમલો કર્યો, પરંતુ અંતે તેમની પ્રશંસા કરતા ભાજપને તેમની ટીકા કરવાનો પૂરતો દારુગોળો મળી ગયો છે. તેમણે પેગાસસ જાસૂસી મુદ્દે મોદી સરકાર પર હુમલો બોલાવ્યો હતો, પણ સંસદની બહાર પત્રકારોએ તેમને પૂછ્યુ હતું કે તેમને આ અંગે ચિંતા છે. તેમણે જણાવ્યું હતું કે મને કોઈ ડર નથી. મને કોઈ ધમકી મળી નથી. આ દેશમાં જો તમે ભ્રષ્ટ હોવ અને ચોર હોવ તો જ તમારે મોદીથી ડરવું પડશે. જો તમે તેમાના કશું ન હોવ તો આસામના મુખ્યપ્રતાન હિમન્તા બિસ્વા સરમાએ આ માટે રાહુલ ગાંધીને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી પોતે સ્વીકારે છે કે ભ્રષ્ટ લોકોએ મોદી સરકારથી ડરવું પડશે. તેની સાથે તેમણે આમ બોલતા રાહુલ ગાંધીનો વિડીયો પણ ટવીટ કર્યો હતો. - ઇન્દર સાહની

ગુજરાત સમાચાર 28 Jul 2021 7:05 am

દિલ્હીની વાત : કેન્દ્ર સરકાર નવી નોટો છાપવા તૈયાર નહીં

નવી દિલ્હી : કોરોનાના કારણે અર્થતંત્રને જોરદાર ફટકો પડયો છે. કેન્દ્ર સરકાર પણ નાણાંભીડનો સામનો કરી રહી છે. ટોચના અર્થશાસ્ત્રીઓએ આ નાણાંભીડમાંથી બહાર આવવા તથા લોકોની નોકરીઓ બચે માટે નવી ચલણી નોટો છાપવા સૂચન કર્યું હતું. ચલણી નોટો બજારમાં આવે તો પ્રવાહિતા વધે અને અર્થતંત્રમાં તેજી આવે એ અર્થશાસ્ત્રનો સરળ સિધ્ધાંત છે પણ કેન્દ્ર સરકારે આ સૂચનને ફગાવીને આશ્ચર્ય સર્જ્યું છે. સરકારે સત્તાવાર રીતે એવું કારણ આપ્યું છે કે, દેશનું અર્થતંત્ર મજબૂત થઈ રહ્યું છે અને આત્મનિર્ભર ભારત અભિયાનના કારણે અર્થતંત્રની ગાડી પાટા પર ચડી રહી છે તેથી ચલણી નોટો છાપવાની જરૂર નથી. સૂત્રોનો દાવો છે કે, કેન્દ્ર સરકાર ચલણી નોટો છાપવાનો ખર્ચ ઉઠાવવા તૈયાર નથી. પીએમઓના અધિકારીઓએ પણ એવી સલાહ આપી છે કે, ચલણી નોટો વધારે ફરતી થશે તો ઈલેક્ટ્રોનિક્સ ટ્રાન્ઝેક્શન્સ ઘટશે. તેના કારણે આર્થિક પ્રવૃતિઓ પર નજર રાખવામાં મુશ્કેલી પડશે તેથી સરકારની આવક ઘટશે. આર્થિક નિષ્ણાતો આ સલાહને મૂર્ખામીપૂર્ણ ગણાવે છે. લોકસભાની 1000 બેઠકો, મહિલાઓ માટે 33 ટકા અનામત મોદી સરકાર લોકસભાની બેઠકો વધારીને ૧૦૦૦ કરવા વિચારી રહી હોવાની ચર્ચા ચાલી રહી છે. હાલમાં લોકસભામાં ૫૪૫ સભ્યો હોય છે, જેમાંથી ૫૪૩ સાંસદને લોકો સીધા મતદાનથી ચૂંટે છે. ભાજપની ઉચ્ચ કક્ષાની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઈ હોવાનું અને લોકસભાની ૨૦૨૪ની ચૂંટણી પહેલાં અમલ કરવાની દિશામાં પગલાં ભરવાનો નિર્ણય લેવાયો હોવાનો સૂત્રોનો દાવો છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખરજીએ લોકસભાની સભ્ય સંખ્યા ૧૦૦૦ કરવાનું સૂચન કરેલું. મોદીને આ સૂચન ગમી જતાં તેનો અમલ કરવાનું નક્કી કરી નાંખેલું એવો પણ દાવો છે. સૂત્રોના મતે, મોદી લોકસભાની ત્રીજા ભાગની એટલે કે ૩૩ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખીને બેઠકો વધારશે. ૨૦૨૪ની ચૂંટણીમાં ભાજપને મહિલાઓના થોકબંધ મતો મળે એ માટે આ વ્યૂહરચના વિચારાઈ છે. મોદી નવી સંસદ બનાવી રહ્યા છે તેમાં એક ગૃહમાં ૧૦૦૦ સાંસદો બેસી શકે એવી વ્યવસ્થા છે. આ પ્રકારની બેઠક વ્યવસ્થા અમસ્તી નથી કરાઈ પણ મોદીના મગજમાં ચોક્કસ ગેઈમ પ્લાન છે એવો દાવો લાંબા સમયથી થયા કરે છે. ભાજપના મંત્રીની અકળામણ, મને મંત્રીપદેથી કાઢી મૂકો... ઉત્તરાખંડમાં શ્રમ મંત્રી હરકસિંહ રાવત અને કર્મકાર કલ્યાણ બોર્ડના પ્રમુખ શમશેરસિંહ સત્યાલ સામસામે આવી જતાં ભાજપ માટે નવો ડખો ઉભો થયો છે. રાવતનો દાવો છે કે, કર્મકાર બોર્ડ શ્રમ મંત્રાલયના તાબા હેઠળ કામ કરે છે છતાં બોર્ડના પ્રમુખ પાસે મંત્રી કરતાં વધારે સત્તા છે. રાવતનું કહેવું છે કે, સત્યાલમાં વધારે લાયકાત હોય તો તેમને જ મંત્રી બનાવી દો. રાવતે સામે ચાલીને પોતાને મંત્રીમંડળમાંથી દૂર કરવાની માગણી કરીને કહ્યું છે કે, મારી પાસે સત્તા જ નથી તો મંત્રીપદે રહીને હું શું કરૂં ? રાવતે પહેલાં પણ સત્યાલને દૂર કરવાની માગણી કરી હતી પણ સત્યાલ તત્કાલિન મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતની નજીક હોવાથી કશું થયું નહોતું. તીરથસિંહ મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ હરકસિંહે બળાપો કાઢયો હતો પણ તીરથસિંહ લાબું ના ટકતાં વાત ભૂલાઈ ગઈ. પુષ્કરસિંહ ધામી મુખ્યમંત્રી બનતાં રાવતે ફરી મુદ્દો ઉઠાવ્યો પણ ધામીએ પણ કશું ના કરતાં હરકસિંહ અકળાયા છે. ભાજપના વરિષ્ઠ નેતા છે અને એક સમયે મુખ્યમંત્રીપદના દાવેદાર હતા. નીતિશે સાથી ધર્મ ના નિભાવતાં સાહની ખફા બિહારમાં એનડીએમાં પાછા ડખા શરૂ થઈ ગયા છે. સોમવારથી વિધાનસભાનું સત્ર શરૂ થતાં નીતિશ કુમારે એનડીએના નેતાઓની બેઠક બોલાવી હતી. નીતિશ સરકારમાં મંત્રી અને વીઆઈપીના પ્રમુખ મુકેશ સાહનીએ આ બેઠકનો બહિષ્કાર કર્યો. સાહનીને ગુસ્સો ભાજપ સામે છે પણ તેના કારણે નીતિશ સરકાર પર સંકટનાં વાદળો ઘેરાઈ રહ્યાં છે. સાહની રવિવારે ફૂલનદેવી જ્યંતિ નિમિત્તે વારાણીસમાં ફૂલનદેવીની પ્રતિમાની સ્થાપના માટે ગયા હતા પણ પોલીસે તેમને એરપોર્ટની બહાર જ ના નિકળવા દીધા. પોતાની સાથે ફૂલનદેવીની પ્રતિમા લઈને ગયેલા સાહનીને પોલીસે કોલકાત્તા જતી ફ્લાઈટમાં બેસાડીને રવાના કરી દીધા. ભડકેલા સાહનીએ નીતિશને આ મુદ્દો ભાજપની નેતાગીરી સામે ઉઠાવીને સાથી પક્ષનો ધર્મ નિભાવવા કહેવું પણ નીતિશે ઈન્કાર કરી દેતાં ફૂંગરાયેલા સાહની બેઠકમાં જ ના આવ્યા. આ પહેલાં ભાજપના નેતા અને મંત્રી સમ્રાટ ચૌધરીએ નીતિશ વિરૂધ્ધ નિવેદન આપેલું કે, ૨૦૧૫માં ભાજપ હારી ગયો તેથી અમારે બીજાનું નેતૃત્વ સ્વીકારવું પડે છે. આ કારણે એનડીએમાં તણાવ છે જ ત્યાં સાહનીએ ગેરહાજર રહીને તણાવ વધાર્યો છે. કોંગ્રેસને હરાવવા અકાલી દળ-આપ હાથ મિલાવશે ? પંજાબમાં કોંગ્રેસને હરાવવા માટે આમ આદમી પાર્ટી અને અકાલી દળ જોડાણ કરશે એવી અટકળો ચાલી રહી છે. અકાલી દળ અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે પહેલાં જ ચૂંટણી જોડાણ થઈ ચૂક્યું છે. હવે 'આપ' પણ આ મોરચામાં જોડાશે એવી ચર્ચા છે. 'આપ' દ્વારા સત્તાવાર રીતે આ વાતને ખોટી ગણાવાઈ છે. પંજાબમાં 'આપ'ના પ્રભારી રાઘ ચઢ્ઢાનો દાવો છે કે, અકાલી દળ સાથે જોડાણનો કોઈ નિર્ણય લેવાયો નથી અને આ પ્રકારની કોઈ ચર્ચા પણ ચાલતી નથી. જો કે સૂત્રોનો દાવો છે કે, 'આપ' અને અકાલી દળ બંને અંદરખાને વાતચીત કરી જ રહ્યાં છે. 'આપ' પંજાબમાં મુખ્ય વિરોધ પક્ષ છે પણ તેનો પ્રભાવ શહેરી વિસ્તારો પૂરતો મર્યાદિત છે જ્યારે અકાલી દળ ગ્રામીણ વિસ્તારોમાં મજબૂત છે. આ કારણે બંનેનાં હિતો એકબીજા સાથે ટકરાતાં નથી. બીજી તરફ કેપ્ટન અમરિન્દરસિંહે ખેડૂત આંદોલનનો ભરપૂર ફાયદો ઉઠાવીને કોંગ્રેસની મતબેંકને મજબૂત કરતાં 'આપ'ની અને અકાલી દળ એક નહીં થાય તો કોંગ્રેસને ફાયદો થઈ જશે. * * * કોરોના દરમિયાન 9 હજારથી વધારે બાળકોનું ટ્રાફિકિંગ નોબેલ વિજેતા કૈલાશ સત્યવર્થીની માલિકીના સ્વયંસેવી સંગઠન બચપન બચાવો આંદોલન (બીબીએ) મુજબ ૯ હજારથી બાળકોને કોરોનાના કારમા સમયગાળા દરમિયાન એપ્રિલ ૨૦૨૦થી જુન ૨૦૨૧ દરમિયાન બળજબરીથી કરવામાં આવતી બાળ મજૂરી તથા ચાઇલ્ડ ટ્રાફિકિંગમાંથી બચાવાયા હતા. પહેલી લહેર વખતે ટ્રાફિક પરિવહન મર્યાદિત હોવા છતાં પણ ચાઇલ્ડ ટ્રાફિકિંગ કરવામાં આવ્યું હતું. ભાજપ સામે લડવા 2024માં પ્રાદેશિક પક્ષોના મોરચાની તરફેણ કરતા સુખબીર ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો સામનો કરવા માટે પ્રાદેશિક પક્ષોએ મોરચો રચીને સંયુક્ત રીતે તેની સામે લડવું જોઈએ. તેમના પક્ષના ભાજપ સાથેના જોડાણની વાત પૂરી થઈ ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતો તેમની વિચારધારાનું હાર્દ છે. બાદલે જણાવ્યું હતું કે તેમનો પક્ષ ખેડૂતોના મુદ્દે ક્યારેય સમાધાન નહીં કરે. ભાજપ સાથે તેનું જોડાણ દાયકાઓ જૂનું હતું, પરંતુ તેમના ખેડૂત વિરોધી કાયદાના પગલે તેમણે ભાજપ સાથેનું આટલું જૂનું જોડાણ તોડી કાઢ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કૃષિ કાયદાનો પંજાબમાં અમલ ન થાય તે માટે તે કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છે. ડિસ્કોમની ખોટમાં જમ્મુ-કાશ્મીર સૌથી મોખરે ભારતમાં વીજવિતરણ કંપનીઓમાં જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશની વીજ વિતરણ કંપનીઓ (ડિસ્કોમ) સૌથી વધારે ખોટ ધરાવે છે. આ ઉપરાંત પૂર્વ અને ઉત્તરપૂર્વની વીજ કંપનીઓ પણ મોટી ખોટ કરી રહી છે. આ બાબત આ બજારોમાં વીજ ક્ષેત્રના સુધારાનો અભાવ દર્શાવે છે. માર્ચ ૨૦૨૦ના અંતે જમ્મુ-કાશ્મીરની (એટી એન્ડ સી) ખોટ ૬૦.૫ ટકા હતી. તેના પછી નાગાલેન્ડની ૫૨.૯ ટકા, અરુણાચલ પ્રદેશની ૪૫.૭ ટકા, બિહારની ૪૦.૪ ૦ટા, ત્રિપુરાની ૩૭.૯ ટકા હતી. નાગાલેન્ડમાં એસીએસ અને એઆરઆર ગેપ પ્રતિ યુનિટ ૫.૬૨ રુપિયા, અરુણાચલ પ્રદેશમાં ૪.૯૨ રુપિયા, જમ્મુ-કાશ્મીરમાં ૧.૮૫ રુપિયા, મેઘાલયમાં ૧.૮૦ રુપિયા અને તમિલનાડુમાં ૧.૨૭ રુપિયા હતો. આપ સરકાર દિલ્હીમાં દરેક મતવિસ્તારમાં ઊંચો ત્રિરંગો ફરકાવશે દિલ્હી સરકાર ૧૫ ઓગસ્ટ સુધીમાં શહેરની અંદર પાંચ અત્યંત ઊંચા તિરંગા ઝંડા ફરકાવશે. તેણે દેશભક્તિ બજેટમાં આની જાહેરાત કરી હતી. પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (પીડબલ્યુડી) આ કામ કરવાનું છે અને તેણે શહેરમાં ૫૦૦ સ્થળોએ ૧૦૦ ફૂટ ઊંચા થાંભલા સાથે રાષ્ટ્રીય ઝંડો તિરંગો સ્થાપવાનો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પહેલા તો તેઓ સેમ્પલ કવાયતના ભાગરુપે પાંચ સ્થળોએ લગાવશે. દેશની આઝાદીના ૭૫મા વર્ષની ઉજવણી નિમિત્તે નવી દિલ્હી અને પતપારગંજના ચારથી પાંચ વિધાનસભા મતવિસ્તારમાં આ તિરંગો લહેરાવવાનું આયોજન છે. અમને ૧૫ ઓગસ્ટ સુધીમાં કાર્ય પૂરું કરવાની આશા છે. પીડબલ્યુડી કુલ આવા ૫૦૦ ફ્લેગ સમગ્ર શહેરમાં સ્થાપશે. આ તિરંગો એટલો ઊંચો લહેરાવાયો હશે કે તે બે કિલોમીટર દૂરથી પણ દેખાશે. સરકાર પાસે ખેડૂતોના મોતના આંકડા નથી પણ બીકેયુ કહે છે 537 મર્યા કેન્દ્ર સરકારે સંસદમાં કદાચ દાવો કર્યો છે તેની પાસે વિરોધ કરી રહેલા ખેડૂતોના મોત અંગના આંકડા નથી. પરંતુ જંતરમંતરથી ૧૫૦ મીટર દૂર પ્રદર્શન કરી રહેલા ખેડૂતો આ વાત માનવા તૈયાર નથી. તેઓનું કહેવું છે કે પંજાબમાં ખેડૂતો અને તેમના કુટુંબીઓ જ જાણે છે કે કેટલા લોકોએ જીવન ગુમાવ્યા છે. એસકેએમ દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ આંદોલનથી આજની તારીખ સુધીમાં ૫૩૭ ખેડૂતોના મોત થયા છે. તોમરે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પાસે વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલા ખેડૂત માર્યા ગયા તેનો કોઈ રેકોર્ડ નથી. તેઓનું કહેવું છે કે પંજાબના ખેડૂતો અને તેમના કુટુંબીઓ જાણતા હશે કે કેટલાકના જીવ ગયા છે. એસકેએમ દ્વારા જારી કરાયેલી નોધ મુજબ આજની તારીખ સુધીમા ૫૩૭ ખેડૂતો માર્યા ગયા છે.૨૦મી જુલાઈના રોજ સાંસદે જ્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન પાસે આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોના મોતના આંકડાનો જવાબ માંગ્યો ત્યારે તોમરે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પાસે વિરોધ પ્રદર્શનમાં માર્યા ગયેલા લોકો અંગેનો કોઈ રેકોર્ડ નથી. તોમરે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પાસે વિરોધ પ્રદર્શનમાં માર્યા ગયેલાઓનો વળતર આપવાની પણ કોઈ દરખાસ્ત નથી. ખેડૂત સંઘોનું કહેવું છે કે સરકાર પાસે ખેડૂતોના મોતનો રેકોર્ડ એટલા માટે નથી, કેમકે તેની તેમને કોઈ ચિંતા જ નથી. - ઇન્દર સાહની

ગુજરાત સમાચાર 27 Jul 2021 7:05 am

અંતે આંખમાં ઝળઝળીયાં સાથે યેદુઆરપ્પાએ સીએમ પદ છોડયું

- પુત્રને સીએમ બનાવવાનું સપનું અઘરૂ રહી ગયું - પ્રસંગપટ - યેદુઆરપ્પાની રાજકીય આબરૂ ના જાય અને બળવાખોરો કોઇ ચાન્સ ના ઉઠાવી જાય એટલે ભાજપે તેમને ખસેડી દીધા હતા કર્ણાટકના મુખ્ય પ્રધાન યેદુઆરપ્પાને ભાજપ કાઢવા માંગતું હતું પરંતુ તેમની રાજકીય આબરૂ ના જાય અને બળવાખોરોનેે કોઇ ચાન્સ ના ઉઠાવી જાય એટલે ભાજપે સાયલન્ટલી તેમને ખસેડી દીધા હતા. યેેદુઆરપ્પાને ને એટલેજ મહેતલ અપાઇ હતી કે સ્વૈચ્છિક રીતે સત્તા પરથી હટી જાવ. રવિવારે સાંજે તેમને અલ્ટીમેટમ આપી દેવાયું હતું. સોમવારે બપોરે ૧૨ વાગ્યા પહેલાં તો તેમણેે પોતેજ જાહેર કર્યું હતું કે તે રાજ્યપાલને મળવા જઇ રહ્યા છે અને રાજીનામું આપી દેશે. છેલ્લા પંદર દિવસથી તેમના દિલ્હીના ધક્કા જોઇને તેમની વિદાય નિશ્ચિત બની ગઇ હતી. ભાજપ માટે યેદુઆરપ્પા મોટું માથું હતા. ભાજપને દક્ષિણના રાજ્યોમાં એન્ટ્રી અપાવવાના શ્રી ગણેશ યેદુઆરપ્પાના હસ્તે થયા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખામાં તૈયાર થયેલા યેદુઆરપ્પા રાજકારણના સુપર ખેલાડી પુરવાર થયા હતા. કોંગ્રેસ અને જનાતાદળ (એસ)ની સરકારને ઉથલાવીને તેેમણે ફરી એકવાર ભાજપની સરકાર રચી હતી. લીંગાયતના કિંગ મનાતા યેદુઆરપ્પાને તેમનું માન સચવાય એ રીતે ખસેડવા જરૂરી હતા.ભાજપના મોવડી મંડળે તેમના પુત્ર અને તેમની ફ્રેન્ડ એવાં શોભાને સારી જગ્યા પર સમાવીને બળવાખોરોને ફાવવા દીધા નહોતા. સીએમનો પુત્ર સીએમ બને તો તે સગાવાદને પ્રોત્સાહન આપવા સમાન બની શકે એમ હતું. ભાજપે તેને ના તો મુખ્ય પ્રધાન બનવા દીધો કે નાતો નાયબમુખ્ય પ્રધાન બનવા દીધો. યેદુઆરપ્પાના વારંવાર દિલ્હી બોલાવીને ભાજપે તેમના મનની વાત જાણી લીધી હતી. યેદુઆરપ્પાએ પણ મોવડીમંડળના વિચારને ટેકો આપ્યો હતો. કોંગ્રેસે પંજાબમાં કરેલી ભૂલની જેમ ભાજપ કર્ણાટકમાં કરવા માંગતું નહોતું. કેંાગ્રેસે પોતાના વફાદાર એવા કેપ્ટન અમરિંદર સિંહના વિરોધી એવા નવજોત સિંહ સિધ્ધુને પ્રદેશ પ્રમુખ બનાવીને વફાદારોમાં નારાજગીનું મોજું ઉભું કર્યું છે. પરંતુ ભાજપે બહુ સિફતથી યેદુઆરપ્પાને હટાવ્યા છે. તેમના પુત્રને પણ યોગ્ય સ્થાન આપીને સગાવાદના આરેાપો ઉભા નથી થવા દીધા. યેદુઆરપ્પાની રજૂઆત એવી હતીકે તેમના પુત્રને મુખ્યપ્રધાન બનાવેા. પરંતુ ભાજપે ના પાડતાં પુત્રને નાયબ મુખ્ય પ્રધાન બનાવવાની જીદ પકડી હતી. જોકે ભાજપે તેમના પુત્ર વિજયેન્દ્રને રાજ્યમાં પક્ષના વાઇસ પ્રસિડેન્ટનો હોદ્દો આપીને મામલો ઠંડો પાડી દીધો હતો. યેદુઆરપ્પા સાથે સમાધાનનો બીજો મુદ્દેા શોભા કરાંદલજીનો હતો. કર્ણાટકનું રાજકારણ જાહેરમાં કહે છે કે યેદુઆરપ્પાની ફ્રેન્ડ શોભાને સારો હોદ્દો મળે એટલે તેમણે અમિતશાહને વિનંતી કરી હતી. યેદુઆરપ્પાને સાચવવા શોભાને રાજ્યકક્ષાના કૃષિ પ્રધાનનો હવાલો અપાયો હતો. સત્તા પર રહેલા મુખ્યપ્રધાનને ખુરશી પરથી ઉતારવા બહુ અઘરા હોય છે. એક તો યેદુઆરપ્પાની ઉંમર ૭૫ને વટાવી ગઇ હતી જે ભાજપના નિયમોની બહાર હતું. બીજું એકે તેમની સરકાર સામેના ભ્રષ્ટાચારના આક્ષેપો વધવા લાગ્યા હતા. જેનો લાભ કોંગ્રેસ ઉઠાવી શકે એમ હોઇ ભાજપે ફેરફારની ફાઇલ હાથમાં લીધી હતી. કર્ણાટકમાં ભાજપ રાજકીય રીતે ઢીલું મુકવા નથી માંગતી એટલેજ યેદુઆરપ્પા ખસવા તૈયાર ના હોવા છતાં તેમને સિફતથી હટાવી દીધા હતા. યેદુઆરપ્પાની જગ્યાએ કોઇ દલીત નેતાને મુકાશે એમ મનાય છે. આ લખાય છે ત્યારે સાંજે પાંચ વાગ્યા સુધી કોઇ નામની જાહેરાત કરાઇ નહોતી. કેન્દ્રીય પ્રધાન મંડળમાં જે રીતે દલિત વર્ગને સ્થાન આપ્યું છે તે જોઇને એમ કહી શકાય કે ભાજપ કર્ણાટકમાં દલિત ચહેરાને સુકાન સોંપશે. યેદુઆરપ્પાને બદલ્યા ત્યારે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ભાજપના મોવડી મંડળને ચેતવ્યું હતું કે લીંગાયત કોમ સાથે સાચવીને રમજો . તે બહુ સંવેદનશીલ લોકો છે. તેમને ખોટું લાગશે તો ભાજપને મુશ્કેલી પડી શકે છે. કર્ણાટકમાં ભાજપે સુકાનીને બદલી નાખવામાં સફળતા મેળવી છે. બળવાખોરી ભાજપમાં ઉભી થાય એમ હતી પરંતુ યેદુઆરપ્પાના પુત્ર અને ફ્રેન્ડને સાચવી લઇને ભાજપે બાજી સંભાળી લીધી હતી. કર્ણાટક ભાજપ માટે મહત્વનું રાજ્ય છે. યેદુઆરપ્પાનો પુત્ર રાજ્યમાં સુપર સીએમ બનીને ફરતો હતો. બાપ બેટા સામેના ભ્રષ્ટાચારના આરોપો પણ માથું ઉંચકે તે પહેલાંજ ભાજપે સુકાની બદલી નાખ્યા છે. પ્રધાનમંડળ વિખેરી દેવાયું છે તે અગાઉ પ્રધાનોને સંબોધન વખતે તેમની આંખોમાં ઝળઝળીયાં આવી ગયા હતા. યેદુઆરપ્પાને રાજ્યપાલ તરીકે ગોઠવવાનું પ્રોમીસ આપ્યું હોવાનું કહેવાય છે.

ગુજરાત સમાચાર 27 Jul 2021 5:50 am

ચીન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તિરાડ

- અલ્પવિરામ - નવ ચીની એન્જિનિયરોને આતંકી હૂમલામાં ઉડાવી દેનારા પાકિસ્તાન માટે હવે કપરા ચઢાણ છે આજકાલ ભારે જળપ્રલયના સંકટના અનુભવ પછી ચક્રવાતની દહેશતથી ચીની પ્રજા ફફડી રહી છે. પરંતુ આંતરરાષ્ટ્રીય સંબંધોના અનેક મોરચે પણ ચીને હવે ચક્રવાતનો સામનો કરવાના દિવસો આવ્યા છે. ચીને અમેરિકાને ભલે એમ કહ્યું કે દુનિયા સામે અમને દૈત્ય જેવા ન આલેખો, હકીકતમાં ચીનની રાક્ષસી વૃત્તિ અને પ્રવૃત્તિ ધમધોકાર ચાલે છે. હવે એમાં પણ અંતરાયની શરૂઆત થઈ છે. આખરે ચીન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી ગઇ છે અને પાકિસ્તાનના કડવા અનુભવથી ચીન હવે વાકેફ થવા લાગ્યું છે. અગાઉ દાયકાઓ સુધી અમેરિકાએ પાકિસ્તાનને અબજો ડોલરનું અનુદાન આપીને ઉછેર્યું અને આજ સુધી પાકિસ્તાન પર આવેલા તમામ સંકટોમાં અમેરિકા એની પડખે રહ્યું છતાં સતત દગાબાજી કરવાને કારણે પાકિસ્તાન ખુલ્લું પડી જતા અમેરિકાએ તેને અપાતું અનુદાન અટકાવી દીધું. આ જ પરિસ્થિતિનું પુનરાવર્તન, અલબત્ત બહુ ટૂંકાગાળામાં હવે ચીન સાથે થઈ રહ્યું છે. જો કે ચીન અને પાકિસ્તાન બન્ને ચોરનો સગો ઘંટીચોર જેવી છે. આજકાલ ચીન અને પાકિસ્તાન વચ્ચેના સિલ્ક રોડ એટલે કે ચાઇના-પાક કોરિડોરનું બાંધકામ તડામાર ચાલે છે. ચીનના હજારો કામદારો આ પ્રોજેક્ટ પર કામ કરે છે. પાકિસ્તાનમાંથી જ અધિક સ્થાનિક મજૂરો લેવાને બદલે ચીન પોતાના કામદારોને મોકલે છે, કારણ કે ચીનના કામદારો સ્કિલ્ડ વર્કર છે. તો પણ પાકિસ્તાની કામદારો ય મોટી સંખ્યામાં આ પ્રોજેક્ટમાં જોડાયેલા દેખાય છે. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા વિસ્તારમાં ચાલતા બાંધકામમાં એક હૂમલામાં એક સાથે ચીનના નવ એન્જિનિયરોને નિશાન બનાવીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. પાકિસ્તાનમાં ઈકોનોમિક કોરિડોરના નામે ચીનાઓની ઘુસણખોરી વધી ગઈ છે અને તે અંગે ડૉન સહિતના પાક મીડિયામાં ભારે ઊહાપોહ ચાલી રહ્યો છે. પાકિસ્તાની પ્રજામાં પ્રવર્તમાન વડાપ્રધાન ઇમરાન ખાન પ્રત્યે ચીની સંદર્ભમાં સખત નારાજગી છે. પાકિસ્તાની પ્રજા એ વાત સારી રીતે સમજી ગઈ છે કે પાકના ભવિષ્ય પર ડ્રેગને બરાબરનો ભરડો લીધો છે. ચીની ચુંગાલમાંથી છટકવાનું હવે પાક માટે મુશ્કેલ છે. પાકિસ્તાનમાં અનેક આતંકવાદી જૂથો સક્રિય છે અને બધાના હેતુઓ અલગ છે. બલુચિસ્તાનના અલગાવવાદી જૂથો પણ આક્રમક છે. ચીને પાકિસ્તાનના મૂલ્યવાન કુદરતી સંસાધનો પણ અંકે કરી લેવાનો ક્રમ જારી રાખ્યો છે. કામદારો સાથે ચીની એન્જિનિયરોનો બહુ મોટો કાફલો છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ નવેસરથી માથું ઊંચક્યું પછી ચીન માટે પોતાનો પ્રોજેક્ટ પૂરો કરવાનું કામ અઘરું બની રહ્યું છે. પાકિસ્તાનની બે સૈન્ય ટુકડીઓ ચીની કારીગરોની સુરક્ષામાં રોકાયેલી હતી પરંતુ તે અપૂરતી સાબિત થઈ છે. ચીને પોતાના કામદારોને સુરક્ષા માટે શસ્ત્રો આપવા પડયા છે. આને કારણે જો કે ચીની કામદારોમાં ભારે ગભરાટ ફેલાયો છે. હવે બહુ ઝડપથી તેઓ કામ છોડીને પોતાના વતન પાછા જવાની ઈચ્છા રાખે છે. પાકમાં ચીનાઓ સામેનો વિરોધી વા-વંટોળ પરાકાષ્ઠાએ છે. એનું કારણ એ છે કે દગાબાજ તરીકે કુખ્યાત પાકિસ્તાન સાથે ચીન ખુદ દગો કરી રહ્યાનો અનુભવ પાક પ્રજાને થવા લાગ્યો છે. સિલ્ક રોડ પ્રોજેક્ટમાં જે કામદારો કામ કરે છે એમાં પાકિસ્તાની કામદારો અને ચીની કામદારોનો મોટો જમેલો જામેલો છે. ચીની એન્જિનિયરો અને ચીની કામદારો છેલ્લા ઘણા લાંબા સમયથી પાકિસ્તાની લોકો સાથે બહુ જ ખરાબ વ્યવહાર કરી રહ્યા છે. એને કારણે સ્થાનિક પ્રજામાં તેની તરફ બહુ જ રોષ ફેલાયો છે. ચીની એન્જિનિયરો તો પાકિસ્તાની કામદારોને પોતાના ગુલામ માને છે અને તેમને રોજી પણ બહુ જ ઓછી ચૂકવવામાં આવે છે. આને કારણે સિલ્ક રોડના બાંધકામમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. હમણાંની એક ઘટનામાં પાકિસ્તાની કામદારોએ એવો હુમલો કર્યો કે એક સાથે નવ ચીની એન્જિનિયરો માર્યા ગયા. આવડો મોટો હત્યાકાંડ સર્જાતા ચીની સરકારમાં સન્નાટો વ્યાપી ગયો છે. ચીની એન્જિનિયરોને લઈ જતી બસને બોમ્બથી ઉડાવી દેવાતા એ એન્જિનિયરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. ચીન બહુ ઝડપથી હવે આ પ્રોજેક્ટ માટે પારોઠના પગલાં ભરવાની ઈચ્છા રાખે છે. ઉક્ત ઘટના પછી સમગ્ર ચીનના વિવિધ સરકારી માધ્યમોમાં પાકિસ્તાન વિરુદ્ધ ધોધમાર દુષ્પ્રચાર શરૂ થઈ ગયો છે. માર્યા ગયેલા નવેનવ એન્જિનિયરોને ચીની સરકારે અંતિમ વિધિ વખતે સૈનિકો જેટલું સન્માન આપ્યું છે. પરંતુ એને કારણે સમગ્ર પ્રજાનું ધ્યાન આ ઘટના તરફ ગયું છે. ચાલુ જુલાઈ માસના અંતમાં વધુ ચાલીસ એન્જિનિયરોનું એક જૂથ હવાઈદળના વિમાનમાં પાકિસ્તાન માટે રવાના થવાનું હતું તે ફ્લાઈટ સરકારે રદ કરી દીધી છે. એનું એક કારણ એ પણ છે કે એ તમામ એન્જિનિયરોએ પાકિસ્તાનના પ્રોજેક્ટમાં કામ કરવાનો કરવાનો ઇન્કાર કરી દીધો છે. ચીનમાં હવે આ રીતે ઈન્કાર થઈ શકે છે એ પણ આમ તો નવાઈની વાત છે. એન્જિનિયરોના મોતની આ ઘટનાને ચીને એટલી ગંભીરતાથી લીધી છે કે ચીનના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને સ્પષ્ટ કહ્યું કે જો પાકિસ્તાન તેના દેશમાં ચીની કામદારો અને એન્જિનિયરોની સુરક્ષા ન જાળવી શકે તો ચીન પોતાના સૈન્યને પાકિસ્તાન મોકલશે. ચીની મંત્રાલયના વિધાનોને કારણે બંને દેશો વચ્ચે તંગદિલી વધી ગઈ છે. ચીને પાકિસ્તાનને કડક સૂચના આપીને નવ એન્જિનિયરોના મોતની ઘટના પર ઝડપથી તપાસ કરવા અને પગલાં લેવા માટે અનુરોધ કર્યો છે, પરંતુ તેને હવે તેના આ નવા મિત્ર બસ ભરોસો રહ્યો નથી. એટલે ચીને પોતે જ તાકીદના ધોરણે સમગ્ર પ્રકરણની તપાસ કરવા માટે પોતાની એક ટીમ રવાના કરી છે. આ ટીમને પોતાની રીતે સ્વતંત્ર તપાસ કરવા પર પાકિસ્તાને પ્રતિબંધ મૂક્યો છે. ઉપરાંત સ્થાનિક કામદારોને કડક સૂચના આપી છે કે હાલ કામ કરી રહેલા ચીની એન્જિનિયરોને તથા તેના કામદારો પ્રત્યે કોઈ પણ વિવાદમાં ન ઉતરે એટલે કે બોમ્બ વિસ્ફોટની ઘટના અંગે કોઈ પણ માહિતી ન આપે. આનાથી ચીન વધુ ખિન્ન થયું છે. વિધિની વક્રતા એ છે કે મસૂદ અઝહર સહિતના અનેક આતંકવાદીઓની વકીલાત કરનાર ચીન ખુદ હવે પાક આતંકવાદનો ભોગ બનવા લાગ્યું છે. અફઘાનિસ્તાનમાં હાલ તુર્કી, પાકિસ્તાની અને ચીની જાસૂસોનો પડાવ છે. અફઘાનિસ્તાન ભીતરથી ભાંગી રહ્યું છે. હજુ ત્યાં ઈઝરાયેલ અને રશિયાના બાજનજરી અધિકારીઓ પણ આવશે. ચીનનો ઈરાદો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બન્નેને ગળી જવાનો છે, ભલે એ માટે એક સદી જેટલો સમય લાગે.

ગુજરાત સમાચાર 27 Jul 2021 5:35 am

છેતરપિંડી:નેધરલેન્ડમાં ડોક્ટર હોવાનું કહીને ગઠિયાએ વસ્ત્રાપુરની યુવતી પાસેથી 1.38 લાખ પડાવ્યા

ગઠિયાએ યુવતીને ડોક્ટર તરીકેનું કાર્ડ, ક્લિનિકના લાઇસન્સના ફોટા મોકલ્યા હતા,મેટ્રિમોનિયલ સાઇટ પરથી માહિતી મેળવી ગઠિયાએ યુવતીનો સંપર્ક કર્યો હતો

દિવ્ય ભાસ્કર 26 Jul 2021 4:00 am

મહિલાઓનું સન્માન:અમેરિકામાં કેલિફોર્નિયા ખાતે ભારતીય મૂળના 24 સફળ પ્રતિભાશાળી મહિલાઓનું સન્માન કરાયું ,સમારોહમાં મહિલાઓની કર્મશીલતાને બિરદાવવામાં આવી

સ્ટેપ ટૂ સ્ટેપઅપ ઇન્ક, અને ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા તથા લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના સહયોગથી સન્માન કરાયું

દિવ્ય ભાસ્કર 25 Jul 2021 1:12 pm

સુવિધા:NRI યુવાને બનાવેલી મેનેજમેન્ટ લર્નીંગ સીસ્ટમ હવે જૂનાગઢમાં

જૂનાગઢની એન. આર. વેકરિયા મેનેજમેન્ટ કોલેજમાં નવી અભ્યાસ પદ્ધતિનું કેન્દ્ર

દિવ્ય ભાસ્કર 25 Jul 2021 4:00 am

દિલીપકુમારને પેશાવરથી મુંબઇ પહોંચાડનાર 'ફ્રન્ટિયર મેલ' 93 વર્ષની મજલ પૂરી કરશે

- મેરા ભારત મહાન : અક્ષય અંતાણી દિલીપકુમારને પેશાવરથી મુંબઇ પહોંચાડનાર 'ફ્રન્ટિયર મેલ' 93 વર્ષની મજલ પૂરી કરશે હાથોં કી ચંદ લકીરોં કા, સબ ખેલ હૈ બસ તકદીરો કા..... ૧૯૮૨માં આવેલી વિધાતા ફિલ્મમાં સ્ટીમ એન્જિનના ડ્રાઇવરના રોલમાં દિલીપકુમાર અને શમ્મી કપૂર જે મસ્તીભર્યા અંદાઝમાં આ ગીત લલકારે છે તેને લોકો આજે પણ ભૂલ્યા નથી. યોગાનુયોગ દિલીપકુમાર (યુસુફ ખાન) અને શમ્મી કપૂર (શમશેર રાજ)ના ખાનદાની સંબંધોનો પાયો અખંડ હિન્દુસ્તાનના પેશાવરમાં નખાયો હતો. ત્યાર પછી ખાન પરિવાર અને કપૂર ખાનદાનના સભ્યો એક જમાનાની સૌથી જાણીતી ટ્રેન ફ્રન્ટિયર મેલમાં બેસી નસીબ અજમાવવા મારે મુંબઇ પહોંચ્યા હતા. વરાળથી ચાલતા એન્જિનવાળી ટ્રેનમાં બેસી યુસુફખાન ચારેક વર્ષની ઊંમરે પરિવાર સાથે મુંબઇ પહોંચ્યા હશે ત્યારે તેમને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે નસીબના પાસાં પલ્ટાશે અને તેમને અભિનયના શહેનશાહ તરીકે મશહૂર કરી દેશે ઃ સબ ખેલ હૈ બસ તકદીરોં કા..... દિલીપકુમારે ૯૮ વર્ષની જૈફ વયે જીવનની સફર પૂરી કરી વિદાય લીધી હતી. યુસુફખાન જે ફ્રન્ટિયર મેલમાં બેસીને મુંબઇ પહોંચેલા એ ટ્રેન લગભગ બે મહિના પછી ૯૩ વર્ષની મજલ પૂરી કરશે. આ ફ્રન્ટિયર મેલનું ઉદ્ઘાટન પહેલી સપ્ટેમ્બર ૧૯૨૮માં થયેલું. ત્યારે પેશાવર અને મુંબઇ વચ્ચે આ ટ્રેન દોડતી હતી. ૧૯૪૭માં દેશનું વિભાજન થયું એ પેશાવર પ્રાંત પાકિસ્તાનમાં ગયા પછી થોડો સમય ફ્રન્ટિયર મેલ દોડતો બંધ થયો હતો. પરંતુ થોડા વખત પછી મુંબઇ સેન્ટ્રલ અને અમૃતસર વચ્ચે આ ટ્રેન ફરી શરૂ કરવામાં આવી હતી. ઠેઠ ૧૯૯૬માં ફ્રન્ટિયર મેલનું નામ બદલીને સવુર્ણ મંદિર મેલ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં સ્ટીમ-એન્જિન ગાડીના ડબ્બાને ખેંચતા, જયારે અત્યારે તો ઇલેકિટ્રક એન્જિન આ ટ્રેનને સડસડાટ દોડાવે છે. અગણિત ચાહકો વચ્ચેથી વિદાય લઇ આજ્ઞાાત સફરે ઉપડી ગયેલા દિલીપકુમારને નસીબે યારી આપી છતાં તેઓ સંઘર્ષ, પશ્ચિમ અને પુરૂષાર્થથી અભિનયના શિખરની ટોચ પર પહોંચ્યા હતા. એટલે ફરી 'વિધાતા' ફિલ્મમાં એન્જિન ડ્રાઇવરે તરીકે તેમણે ગાયેલી કડી યાદ આવે છે : મેં માલિક અપની કિસ્મત કા..... મેં બંદા અપની હિમ્મત કા..... રંગીલા રાજસ્થાનમાં અનોખા રંગની શોધ રંગીલા રાજસ્થાનના લોકસંગીત, લોકનૃત્ય, ઊંચા કિલ્લા અને રાજમહેલો તેમજ રણની રેતીના કણકણમાં જાણે એવો જાદુ છે કે દેશવિદેશના પર્યટકો ખેેંચાઇને આવે છે. આ રંગીલા રાજસ્થાનમાં એક અનોખો રંગ ઉમેરાયો છે. ગાયના છાણમાંથી કુદરતી રંગ બનાવવાની શોધ થઇ છે. ખાદી ગ્રામોદ્યોગ પંચ તરફથી છાણમાંથી પ્રાકૃતિક રંગ તૈયાર કરવાનો દેશનો સર્વપ્રથમ પ્રકલ્પ જયપુરમાં શરૂ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર તરફથી દેશભરમાં આ રંગના ઉત્પાદનકાર્યને પ્રોત્સાહન આપવામાં આવશે. ગાયનું દૂૂધ ગુણકારી છે, ગોમૂત્રમાંથી ઔષધ બને છે, ગાયના છાણમાંથી ગામડામાં છાણા થાપી ઇંધણ તરીકે ઉપયોગમાં લેવાય છે એટલું જ નહીં ગાયના છાણનો કુદરતી ખાતર તરીકે ઉપયોગ થાય છે. આમાં હવે ગાયના છાણમાંથી રંગ બનાવવાની શરૂઆત થતા કહેવું પડે કે : રંગ છે રંગીલા રાજસ્થાનને રંગ શોધી આપી ભેટ હિન્દુસ્તાનને ઉત્તર પ્રદેશમાં ગાડી બુલા રહી હૈ કે ગાદી બુલા રહી હૈ? કોઇ હસીના જબ રૂઠ જાતી હૈ તો ઔર ભી હસીન હો જાતી હૈ..... સ્ટેશન સે ગાડી જબ છૂટ જાતી હૈ તો એક દો તીન હો જાતી હૈ..... 'શોલે'ના આ ગીતમાં સ્ટેશનથી છૂટી જતી ગાડીનો ઉલ્લેખ છે. પરંતુ અત્યારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્ય નાથના ગામ ગોરખપુરની અને ગોરખપુર સ્ટેશનની વાત કરવી છે. ગોરખપુર. સ્ટેશનના પ્લેટફોર્મની ગણના અત્યારે દુનિયાના સૌથી લાંબા પ્લેટફોર્મમાં થાય છે. ગોરખપુર રેલવે પ્લેટફોર્મની લંબાઇ ૧,૩૬૬.૩૩ મીટર (૪૪૮૨.૭ ફૂટ) છે. આ લાંબા પ્લેટફોર્મ ચાલીને પાર કરતા 'લાંબા' થઇ જવાય છે. ગોરખપુર સ્ટેશનેથી રોજ ૧૯૦ ટ્રેન આવ-જા કરે છે. કોઇ વિશેષ તહેવાર પ્રસંગે તો દિવસમાં લગભગ ૪૭૩ ગાડીઓનું ગોરખપુર જંકશન સંચાલન કરે છે. ગોરખપુર સ્ટેશન અને ગાડીની સાથે જ નજીક આવી રહેલી ઉત્તર પ્રદેશની ચૂંટણીને લીધે ગાદી માટેની તડામાર ધ્યાનમાં આવ્યા વગર નથી રહેતી. યોગી આદિત્યનાથ ભાજપનું જ રાજ ટકાવવા મક્કમ ગતિએ આગળ વધી રહ્યા છે. જયારે અગાઉ યુ.પી.માં સત્તા ભોગવી પાટેથી ખડી પડેલી પાર્ટીના નેતાઓ ફરી ગાદી મેળવવા જોર અજમાવી રહ્યા છે. હજી ચૂંટણી વધુ નજીક આવે ત્યારે જોજો, ગાડી માટેની નહીં પણ ગાદી માટેની દોડધામ ઔર જોશમાં શરૂ થઇ જશે. એક ગાડીવાળુ બીજુ ગીત યાદ આવે છે ઃ ગાડી બુલા રહી હૈ..... સીટી બજા રહી હૈ..... પરંતુ અગાઉની ચૂંટણીમાં ફેંકાય ગયા પછી ગાદીથી દૂર રહી રહીને થાકેલા અને ફરી ગાદી મેગળવા અધીરા બનેલા નેતાઓ તો અત્યારથી મનોમન જીતના ઘોડાઘડીને ગાતા હશે ઃ ગાદી બુલા રહી હૈ સીટી બજા રહી હૈ..... અરે ભાઇ આવતા વર્ષે ચૂંટણી થાય અને પરિણામ આવે ત્યારે જ ખબર પડશે કે કોને ગાદી મળશે અને કોની ગાડી ગબડશે. એ વખતે ગાદી ગુમાવનારાએ ગાવાનો વખત આવશે : 'ગાદી' રૂલા રહી હૈ..... બે વર્ષની બેબીએ બચાવ્યો માતાનો જીવ માતા પોતાના બાળક કે બાળકીને મોતના મુખમાંથી બચાવવા જાનની બાઝી લડાવતા અચકાતી નથી. આવા કિસ્સા અવારનાવર જાણવા મળે છે. પણ માત્ર બે વર્ષની બેબી પોતાની બેશુધ્ધ માતાને બચાવે એવું સાંભળી ઘડીભર વિશ્વાસ ન બેસે. પરંતુ આ હકિકત છે ઉત્તર પ્રદેશના મુરાદાબાદ સ્ટેશનની. બન્યુ એવું કે ૩૦ વર્ષની એક યુવતી કાંખમાં છ મહિનાના દીકરીને કાંખમાં તેડી અને બે વર્ષની દીકરીને હાથ ઝાલી ધીરે ધીરે સ્ટેશનમાં પ્રવેશી. મુરાદાબાદ જંકશના પર કોઇ ટ્રેન આવવા જવાનો સમય નહોતો એટલે પ્લેટફોર્મ ખાલી પડયું હતું. એ વખતે કોણ જાણે શું થયું કે પેલી યુવતી બેભાન થઇને ફસડાઇ પડી. છ મહિનાનો દીકરો બાજુમાં બેઠો બેઠો ચીસો પાડી રડયા કરે. બે વર્ષની ચાલાક બેબીએ આમતેમ જોયું પણ મદદ કરે એવું કોઇ ન દેખાયું. ત્યાં આ બાળકીની નજર પ્લેટફોર્મ દૂરના છેડે ઉભેલી આરપીઓફની મહિલાં કોન્સ્ટેબલ પર પડી. બાળકી દોડીને મહિલા કોન્સ્ટેબલનો હાથ પકડી ખેંચવા લાગી. બાળકીને બોલતા આવડતું નહોતું એટલે તેની માતા જયાં બેહોશ થઇને પડી હતી એ દિશામાં કોન્સ્ટેબલને ખેંચવા લાગી. મહિલા કોન્સ્ટેબલે જઇને જોયું તો યુવતી બેભાનવસ્થામાં પડી હતી. તરત જ આરપીએફના જવાનોએ મહિલાને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલે પહોંચાડી અને આમ બે વર્ષની બાળકીની સમજદારીને લીધે તેની માતાનો જીવ બચી ગયો. આરપીએફ અને રેલવે કર્મચારીઓ આ બાળકીની ચાલાકી પર વારી ગયા. આ કિસ્સો સાંભળીને કહેવું પડે કે ઃ લગ્ન વેળાએ મા-બાપ કરે છે પુત્રીનું કન્યાદાન પણ બે વર્ષની ઝીણકીએ માતાને આપ્યું જીવનદાન. ભંગ કા રંગ જમાલો ચકાચક..... હોળીના તહેવારમાં ભાંગ પીને પછી રંગે રમવામાં આવે છે. શિવરાત્રીમાં પણ ભાંગ પીવામાં આવે છે. પણ ભાંગની ચટાકેદાર ચટણી કેટલા લોકોએ ચાખી હશે ? ઉત્તરાખંડમાં તો ભાંગની ચટણી ઘર ઘરમાં બને છે. આપણે જેમ લસણની, કોપરાની, આદુ-કોથમીરની, આમલીની કે લીલા મરચાની ચટણી બનાવીએ છીંએ એમ ઉત્તરાખંડમાં ભાંગના છોડના બીજને વાટીને એકદમ સ્વાદિસ્ટ ચટણી બનાવવામાં આવે છે. આ ચટણીની ખાસિયત એ છે કે ભાંગના ફળની જેમ આ બીજ ખાવાથી નશો નથી ચડતો. આ ચટણી ખૂબ જ આરોગ્યપ્રદ ગણાય છે, કારણ એમાં પ્રોટીન, ફાઇબર, ઓમેગા-૩ અને ઓમેગા -૬ ફેટી એસિડ હોય છે. આ ચટણી ખાવાથી ત્વચા અને વાળમાં ચમક આવે છે, સાંધા દુખતા નથી એટલું જ નહીં હૃદય માટે પણ પોષક છે. આમ ઉત્તરાખંડના લોકો ભાંગના ઉપયોગ માત્ર નશા માટે નથી કરતા. ભાંગના છોડના રેસામાંથી દોરડા તૈયાર કરવામાં આવે છે. અને આરોગ્યપ્રદ ભાંગની ચટણી તો ઉત્તરાંખડના ગઢવાલ હોય કે કમાઉ પ્રદેશ હોય બધે જ ચાખવા મળે છે. ઉત્તરાંખડમાં અને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી નજીક આવી રહી છે એટલે ચટણીને જરાક ચૂંટણીનો પણ રંગ આપી શકાય. ચટણી હાથે વાટવી પડે જયારે ચૂંટણીમાં એકબીજાનુ વાટવું પડે (આક્ષેપબાજી કરવી પડે), ચટણી તૈયાર કરવામાં કંઇ બહુ ખર્ચ ન થાય પરંતુ ચૂંટણીમાં તો આ દેશના કરદાતાઓના કરોડો રૂપિયાની ચટણી થઇ જાય. પંચ-વાણી કહેવત છે કે પહેલો સગો પાડોશી. પણ દગાબાજ પાકિસ્તાને એના કરતૂતથી. કહેવત ફેરવી નાખી છે : પહેલો 'દગો' પાડોેશી.

ગુજરાત સમાચાર 23 Jul 2021 2:30 am

સ્ટાર્ટઅપ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરનારાને ગુરુ બનાવી જુઓ

- ભગવાન દત્તાત્રયે ગણિકાને પણ ગુરુ બનાવી હતી. આપણી આસપાસના સફળ લોકોની જીવન શૈલી નવું શીખવાડતી જાય છે ગુરુ પૂર્ણિમાએ આપણે ધાર્મિક ગુરુઓની પૂજા પરંપરાગત રીતે કરતા આવ્યા છે. કોરાનોનો ડર દુર થતા આવતીકાલે મોટા ભાગના ગુરુ આશ્રમો ભક્તોથી છલકાતા જોવા મળશે. ૫૦૦ વર્ષ પહેલાં મૂર્ધન્ય કવિ અખો પથ્થર એટલા પૂજે દેવ અને તુંજ તારો ગુરુ થા જેવી મહત્વની વાત ંેકહી ગયા પણ તે લગભગ ભૂલાઇ ગઇ છે. ધર્મમાં આંધળૂં અનુકરણ કરતા લોકો રૂઢીવાદી પરંપરાને વળગી રહ્યા છે. કોરોના કાળે દરેકને આઉટ ઓફ ધ બોકસ વિચારવાની તક આપી છે. એટલેજ ધાર્મિક ગુરુઓની સાથે સાથે રાજકારણમાં સફળતા મેળવનારા લોકો તેમજ બિઝનેસ ગુરુઓના જીવન ચરિત્ર વાંચવાનો પ્રયાસ કરવાની જરૂર છે. રાજકારણીઓનું અનુકરણ કરવાની વાતથી ભલે કોઇ મોં બગાડે પરંતુ તેમની સંઘર્ષ કથા અને ધીરજ તેમજ તેમના ફાઇટીંગ સ્પિરીટને જીવનમાં અનુસરવા જેવો હોય છે. રાજકારણીઓની હાર પચાવવાની આવડત પ્રશંસનીય હોય છે. સૌથી વધુ આવું જ્ઞાાન વિરોધ પક્ષમાં રહેલો રાજકારણી આપતો જાય છે. એવીજ રીતે બિઝનેસ ક્ષેત્રે આગળ વધેલા લોકોનું છે. ભારતમાં શરૂ કરાયેલા સ્ટાર્ટઅપ આખાને આખા ખરીદી લેવાય છે. અબજો રૂપિયાના આવા સોદામાં શીખવા જેવું એ હોય છે કે આવા લોકો રેતીમાં વહાણ ચલાવતાં ચલાવતાં મોટી કંપનીઓની નજરમાં આવ્યા હોય છે. બિઝનેસ સ્ટાર્ટઅપ પર નજર કરો તો વારંવારના પ્રયાસો બાદ તેમને સફળતા મળી હોય છે. ઇન્ટરનેટ પર આવા અનેક દાખલા જોવા મળે છે. આ લોકોએ નસીબ ક્યારે ચમકશેની રાહ જોયા વિના પોતાના આઇડયાને વહેતો મુક્યો હતો અને તેની પાછળ મહેનત કરી હતી. જ્યારે કોઇના જીવનમાંથી કશુંક શીખવા મળે છે ત્યારે તે આપણા જીવનનો ગુરુ બને છે. ભગવાન દત્તાત્રયે ગણિકાને પણ ગુરુ બનાવી હતી. આપણી આસપાસ ફરતા અનેક લોકો પાસેથી તેમની સારી વાત જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરવાની જરુર છે. કેટલાકની જીવન શૈલી આપણને નવું શીખવાડતી જાય છે. કોઇને પણ અંધકારમાંથી દુર કરીને પ્રકાશ તરફ લઇ જનારને ગુરુ કહેવામાં આવે છે. આપણું જીવન વધુ સમૃધ્ધ બનાવનારને ગુરુ તરીકે રાખવા જોઇએ. નવી પેઢીને સમજ પડે તે રીતે ગુરુ પૂર્ણિમા ઉજવવાની જરૂર છે. દેશના કોર્પોેરેટ કિંગ નહી પણ દેશમાં નવા સ્ટાર્ટઅપ શરૂ કરીને સફળતા મેળવનારાઓ પાસેથી સંઘર્ષ શીખવા મળી શકે છે. આવા લોકો ગુરુ સમાન હોય છે. આઇએએસ જેવી મહત્વની પરીક્ષાઓમાં ટોપમાં આવેલાઓ મહેનત કરવા માટે ખઇ ખપૂચીને પાછળ પડી જવાનું શીખવાડે છે. તેમજ રાજકીય ક્ષેત્રના નેતાઓ વગેરે અનિશ્ચિત કેરીયરમાં હોવા છતાં સતત સંધર્ષ કરતા અને તકની રાહ જોતા નજરે પડે છે. રાજકારણીઓ પાસેથી ધીરજ નામનો ગુણ અપનાવવા જેવો છે. જ્યારે કોઇ રીક્ષા ચલાક કે ગરીબના ઘરનો કોઇ યુવાન સીએની પરીક્ષા પાસ કરે છે ત્યારે તેની સંધર્ષ કથા વાંચવાની ગમે છે. આવી વાતો જીવનમાં વણી લેવાની જરૂર છે. આવા વિચારોનો અમલ એજ ગુરૂના આશિર્વાદ કહી શકાય. સ્ટાર્ટ અપ સાથે સંકળાયેલા નવા ઉદ્યોગ પતિઓ યુવા સાહસિકો છે. તેમને મળવા એશિયાના સૌથી વધુ પૈસાદાર એવા મુકેશ અંબાણી અને ટાટા બિરલાના પ્રતિનિધિઓ આવતા હોય છે. તેમની કંપનીઓ પરીદવા તેમને અબજો રૂપિયાની ઓફર થતી હોય છે. આવા વિવિધ ક્ષેત્રમાં આગળ આવેલા લોકો પાસેથી પ્રેરણા લેવી અને તેને જીવનમાં ઉતારાય તેને ગુરુ પૂર્ણિમા કહેવી જોઇએ. પોતાના જીવનમાં રહેલો અંધકાર દુર માણસે પોતેજ કરવો પડે છે. માણસે પોતાના ક્ષેત્રના ગુરુ પણ શોધવા પડશે અને તેમનામાં રહેલી પોઝિટીવીટીને અપનાવવી પડશે. ડિજીટલ યુગમાં અનેક ક્ષેત્રોે હરણફાળ ભરે છે. દરેકે સંઘર્ષ કરવો પડે છે અને સફળતા મળે ત્યાં સુધી ધીરજ રાખવી પડે છે. કોઇ મંદિરના ગુરુ પાસે સફળતાનો પાસવર્ડ નથી હોતો કે જાદુઇ લાકડી પણ નથી હોતી. છતાં તેમની પાસેથી જવાથી થોડી માનસિક રાહત મળશે એમ માનીને લોકો વંદના કરવા જતા હોય છે પરંતુ આપણે જે ક્ષેત્રમાં હોઇએ તેમાં આગળ વધેલા લોકો અને ટોચમાં બેઠેલા કોઇનું અનુકરણ કરવાનો વિચાર માત્રને ગુરુ વંદના સાથે સરખાવવો જોઇએ. જમાનો બદલાયો છે એમ કહેવાથી નહીં ચાલે પણ વ્યકિતએ પોતે બદલાવું પડશે. ગુરુના આશિર્વાદ ફળે કે ના ફળે પણ પોતાના ક્ષેત્રમાં કરેલી મહેનત ક્યારેય નિષ્ફળ નથી જતી કે પોતાની જાતના અપલિફમેન્ટ માટે કરેલી મહેનત ક્યારેય નિષ્ફળ નથી જતી.

ગુજરાત સમાચાર 23 Jul 2021 2:30 am

સવિતા ભાભીની એન્ટ્રી પછી પોર્ન ફિલ્મોની માંગ વધી, દૂષણો વધ્યા

- બોલિવુડની સેમી પોર્ન સી-ગ્રેડ ફિલ્મોએ બદી ફેલાવી છે - ડિજીટલ ટેકનોલોજીના પગલે ઉભા થયેલા દૂષણોને અટકાવી શકાતા નથી. ફાઇવ-જી આવશે પછી આવા દૂષણો વધુ વકરશે વિશ્વમાં પોર્નોગ્રાફીનો ધંધો ૪૭,૦૦૦ કરોડ રૂપિયાનો છે. માત્ર એટલ્ટ નહીં પણ હવે યુવાનો પણ તે ખૂણે ખાંચરે બેસીને એન્જોય કરતા હોય છે. સેક્સ એજ્યુકેશનના પાઠ ભણતા ભણતા લોકો ક્યારે પોર્નોના રવાડે ચઢી ગયા તેની તો કોઇને ખબરજ ના પડી. અબજો રૂપિયાનો આ ધંધો ઓનલાઇન કોલ ગર્લ સમાન છે. ભારતમાં પેાર્નોગ્રાફીે બોલિવુડની બાય પ્રોડક્ટ કહી શકાય. ફિલ્મોમાં વધુ કમાણી કરવાના આશયથી સેકસી સીન ઘૂસાડનારાઓ સમાજમાં પોર્નોગ્રાફીની બદી ફેલાવી છે. બોલિવુડની સી ગ્રેડની ફિલ્મો સેમી પોર્ન પ્રકારની હોય છે. વિડીયો સિસ્ટમ પર સવિતા ભાભીના એપિસોડની આજે પણ ડિમાન્ડ છે. લાંબા સમયસુધી ભારતની સરકારે બોલીવુડની આળપંપાળ કર્યા કરી છે. મનોરંજનના નામે બોલિવુડે સમાજમાં અનેક પ્રકારની બદી ફેલાવી છે. મોટી ફિલ્મોમાં કામ કરતાં અભિનેતા અભિનેત્રીઓ પોતાને પોર્નાગ્રાફી વગેરેથી દૂર રાખે છે પરંતુ જે અભિનેત્રીને ફિલ્મોમાં કામ નથી મળતું તે જાણે અજાણે બોલિવુડની પડદા પાછળની ગંદકીનો ભોગ બને છે. આ ગંદકી એટલે સેક્સ રેકેટ, અંધારી આલમના સાથી બનવું પોર્નોગ્રાફી વગેરે. પોર્નોગ્રાફીના કારણે હિંસાચાર, બળાત્કારના કેસો વગેરે વધ્યા છે. ઇન્ટરનેટ પર પોર્નોગ્રાફી, સેક્સ સ્લાઇડ, સેકસ સ્ટોરીના ઓડિયો વિડીયો વગેરે મોટા પ્રમાણમાં જોવા મળે છે. ભારતમાં પોર્નોગ્રાફી બોલિવુડની સેમી પોર્ન સી-ગ્રેડ ફિલ્મોના કારણે ઘૂસ્યો છે. ડિજીટલ સિસ્ટમ આવ્યા બાદ બોલિવુડના પડદા પાછળના સીન જાહેરમાં લોકો સમક્ષ આવી ગયા હતા. વિવિધ આર્ટ અને ભૂતની સ્ટોરી કે કુદરતી સૌંદર્યના નામે ફિલ્મોમાં સેક્સ ઘૂસાડાય છે. આવી વાતો કોઇથી છૂપી નથી છતાં કોઇ તે સ્વિકારવા તૈયાર નથી. સવિતા ભાભી પર પ્રતિબંધ મુકવાના પ્રયાસનો ફિયાસ્કો થયો હતો કેમકે લોકો તે બ્લેકમાં જોતા હતા. બહારના રાજ્યોમાંથી આવતા મજૂરો અને કામદારો તે ટોળેે વળીને જોતાં હોય છે. અહીંથી તેમની માનસિક વિકૃતિની શરૂઆત થાય છે. ડેટિંગ વેબસાઇટોનો રાફડો ફાટયો છે. ભારતમાં ડેટીંગ સાઇટો અને ઇરોટિકા જોનારો બહુ મોટો વર્ગ છે. આવી સાઇટો વિકલી સબસ્ક્રીપશન મારફતે લાખો ડોલર કમાય છે. જ્યારે રાજ કંૂદ્રાને પકડવામાં આવ્યો ત્યારે કેટલીક અભિનેત્રીઓએ પોલીસને કેટલીક ખાનગી વિગતો આપી હતી. મિસ એશિયા બિકિનીની વિનર તેમજ બાલાજી વેબ સિરીઝ ગંદી બાતમાં કામ કરનાર ગેહના વશિષ્ઠની પોર્નોગ્રાફી જેવાજ એક કેસમાં ધરપકડ કરાઇ હતી. હાલમાં તે જામીન પર છૂટેલી છે. એક નિવેદનમાં તેણે જણાવ્યું હતું કે ઇરોટિકા અને પોર્નોમાં ફેેર છે. સેકન્ડ અને થર્ડ ગ્રેડની મનાતી અનેક અભિનેત્રીઓ હોરર ફિલ્મો વગેરે મારફતે સેમિ પેાર્ન માટે સીન આપતી આવી છે. ઇન્ટરનેટ પર આવા ઢગલાબંધ મટીરીયલ જોવા મળે છે. ભારતમાં ઓટીટી પ્લેટફોર્મે પણ સેમિપોર્ન સમાન બની ગયું છે. પોર્ન સાઇટ બનાવવી એ ગુનો છે પરંતુ ફિલ્મોથી માંડીને જાહેર ખબરો સુધીના સેમી પોર્ન લાખો લોકો મોટા પડદે અને ટીવી પડદે રોજ જોઇ રહ્યા છે. મોબાઇલ પર પોર્ન અને ઇરોટિકા બતાવતી હજારો ક્લિપીંગ્સ જોવા મળે છે. જાહેરખબરોની દુનિયામાં દરેક સેક્સી ટચની અપેક્ષા રાખે છે. ન્યુઝ સાઇટો પણ પોતાની હીટ્સ વધારવા સેકસ વિષયક ન્યુઝ વધુ સમાવે છે.ઓન લાઇન માર્કેટમાં સેક્સ ગ્રાહકોને ખેંચી લાવે છે. ડિજીટલ દુનિયાના આગમન પછી કેટલાક દૂષણો સમાજ જીવનમાં પ્રવેશ્યા છે.એક તરફ ભારત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે તો બીજી તરફ કેટલાક દૂષણોનો સામનો પણ કરી રહ્યું છે. રાજ કંૂદ્રાની ઓળખ શિલ્પા શેટ્ટીના કારણે છે. તે પોતાની જાતને એક બિઝનેસમેન તરીકે ઓળખાવતો હતો. કપિલ શર્માના શોમાં એક વાર કપિલે પૂછ્યું હતું કે તમે કરો છો શું કે આટલા બધા પૈસાદાર છેા ? ખરેખર આ માણસ શું કરે છે તેની ખબર તેની પત્ની શિલ્પા શેટ્ટી પણ નહોતી જાણતી. જ્યારે પોલીસે ધરપકડ શરૂ કરી ત્યારે રાજ કૂન્દ્રાનો અસલી ચહેરો લોકોની નજર સામે આવ્યો હતો. આવા કેસો સમાજની આંખોમાં ધૂળ નાખવા સમાન હોય છે. ડિજીટલ ટેકનોલોજીના પગલે ઉભા થયેલા દૂષણો ને અટકાવી શકાતા નથી. ફાઇવ-જી આવશે પછી આવા દૂષણો વધુ વકરશે.

ગુજરાત સમાચાર 22 Jul 2021 2:30 am

પંજાબઃ જીતના જડબામાંથી હારને ખેંચી લાવવાનો કોંગ્રેેસનો પ્રયાસ

- સૌથી મોટી આડઅસર કિસાન આંદોલનને થવાની છે - પ્રસંગપટ - બળવાખોર સાથે કેવી રીતે ડીલીંગ કરવું તે પણ રાજકીય મુત્સુદ્દીગીરીનો એક ભાગ છેઃ કેપ્ટન સામે સિધ્ધુ.. પંજાબની રાજકીય ઉથલપાથલની સૌથી મોટી આડઅસર કિસાન આંદોલનને થવાની છે. કોંગ્રેસે પંજાબના તેના હર્યા ભર્યા શાસનમાં સામે ચાલીને શૂળ ઉભી કરી છે. કિસાન આંદોલનના નેતાઓ પણ હવે નાધણિયાત બની ગયા છે. જે પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદર સિંહનો તેમને ફુલ ટેકો હતો તે તેમની ખુરશી બચાવવામા મથી રહ્યા છે. કિસાન નેતાઓ પણ હવે જાણી ગયા છે કે પંજાબ સરકારના ટેકા વિનાનું આંદોલન ઢીલું પડી જવાનું છે. હવે જ્યારે પંજાબના મુખ્ય પ્રધાન કિસાન આંદોલનને ટેકો આપશે ત્યારે સિધ્ધુ તેનો વિરોધ કરશે. કેમકે અમરિંદર તેને ટેકો આપી રહ્યા છે. કિસાન આંદોલનના પગલે વોટ બેંક મજબૂત બનાવવાના બદલે તે તૂટે આવા પ્રયાસ કરાયા છે. પંજાબમાં નવજોત સિદ્ધુ જેવા બળવાખોરને પ્રોત્સાહન આપીને કોંગ્રેસે વફાદારને પણ ગર્ભિત સંકેત આપી દીધો છે કે ગાંધી પરિવારજ સર્વસ્વ છે. મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહના વિરોધ વચ્ચે રાહુલગાંધીએ નવજોત સિંહને પંજાબ પ્રદેશના પ્રમુખ બનાવી દીધા છે. સિધ્ધુ પાસે એકજ મુદ્દાનું કામ છે કે અમરિંદર સિંહને બદનામ કરીને કેવી રીતે મુખ્ય પ્રધાન બનવું. જો કે આમ કરવાથી આખી કોંગ્રેસ બદનામ થઇ શકે છે. પંજાબના પ્રદેશ પ્રમુખ તરીકે સિધ્ધુને મુકીને કોંગ્રેસે પોતાના પગ પર જ કુહાડો માર્યો છે. પંજાબમાં વિધાનસભામાં જે આસાન જીત કોંગ્રેસ માટે હતી તેને ગુંચવી મારી છે. પંજાબમાં કોગ્રેસને એક તરફા વોટ મળતા હતા હવે તે અન્ય પ્રાદેશિક પક્ષો અને ભાજપમાં વહેંચાઇ જવાના છે. બળવાખોરને ખાસ કરીને વારંવાર રાજકીય રંગ બદલતા સિધ્ધુને પંજાબ સોંપવાનો કોંગ્રેસનો વિચાર પ્રથમ નજરેજ આ બેલ મુજે માર જેવો છે. પંજાબની કેંાગી ઉથલ પાથલમાં ભાજપનો હાથ ક્યાંય નથી. ભાજપ કશું કરી શકે એમ નથી કેમકે પંજાબના બીજા પ્રાદેશિક પક્ષ સાથે ભાજપનો છેડો ફાટી ચૂક્યો છે. કોંગ્રેસના બળવાખોરો પણ ભાજપ સાથે જોડાવવાના બદલે અકાલીદળ વધુ પસંદ કરે છે. પંજાબ કોંગ્રેસનો ગઢ બની ગયેલું સમૃધ્ધ રાજ્ય છે. કહે છે કે અમરિંદર સિંહને સિધ્ધુ નામના બેટથી રાજકીય ફટકા મારવાનો આઇડયા પ્રશાંત કિશેારે આપ્યો છે. પ્રશાંત કિશોર અને રાહુલ-પ્રિયંકા વચ્ચેની બેઠકો વધતી જાય છે. આગામી વર્ષ ચૂંટણીનું વર્ષ છે. ત્યારપછી ૨૦૨૪માં લોકસભાનો જંગ આવશે. કોંગ્રેસ કહે છે કે તેણે અત્યારથીજ વિવાદોની સાફસૂફી શરૂ કરી દીઘી છે. હકીકત એ હતી કે કોંગ્રેસે સિધ્ધુને વધુ પડતું મહત્વ આપી દીધું હતું અને પક્ષને વફાદાર એવા અમરિંદર સિંહને તેમના હાલ પર છોડી દીધા હતા. કહે છે કે ચૂટંણી વ્યૂહરચનાના જાણકાર પ્રશાંત કિશોર ફરી કોંગ્રેસને કેન્દ્રીય સત્તા મેળવવાની લોલીપોપ બતાવી રહ્યા છે. પ.બંગાળમાં મમતાની જીત પ્રશાંત કિશેારની વ્યૂહ રચનાના કારણે થઇ છે એવી ભ્રમણા મમતા બેનરજીએ ફેલાવી હતી. હકીકતે તો આ જીત લઘુમતી કોમની આળપંપાળના કારણે મેળવેલા વોટના કારણે હતી. અનેક રાજકીય ઉથલપાથલો વચ્ચે જ્યારે એનસીપીના નેતા શરદપવાર વડાપ્રધાનને મળે ત્યારે વિવિધ રાજકીય અટકળો ઉભી થાય તે સ્વભાવિક બની જાય છે. જેમ કોંગ્રેસ માટે પંજાબ માથાના દુખાવા રુપ છે એમ ભાજપ માટે કર્ણાટક છે. ભાજપ થીંગડા મારીને યેદુઆરપ્પાને મુખ્ય પ્રધાન તરીકે ચલાવે રાખે છે. કર્ણાટક કોંગ્રેસમાં ભાજપ સરકારના વિધાનસભ્યો તોડીને સરકાર ઉથલાવવાનું જોર નથી. કર્ણાટક ભાજપમાં યેદુઆરપ્પાએ પોતાના પુત્રને સત્તા પર લાવવા માંગે છે. યેદુઆરપ્પાની ખાસ ગણાતા શોભનાને નવા પ્રધાનમંડળમાં સમાવાયા છે. યેદુઆરપ્પા ત્યારેજ ગાદી છોેડશે કે જ્યારે તેમના પુત્રને કેન્દ્રમાં સમાવાશે. બળવાખોર સાથે કેવી રીતે ડીલીંગ કરવું તે પણ રાજકીય મુત્સુદ્દીગીરીનો એક ભાગ છે. રાજકીય પક્ષ વફાદારોના જોરે ચાલતો હોય છે. પંજાબમાં કોંગ્રેસ થાપ ખાઇ રહ્યું છે. પંજાબની ઉથલ પાથલ એટલે જીતના જડબામાંથી હારને ખેંચી લાવવાનો પ્રયાસ. પરંતુ કોંગ્રેસે પોતાના પક્ષમાંજ ગાંધી પરિવાર સામે પ્રમુખ પદ માટે સહી ઝુંબેશ ચલાવનારાઓને પણ સંકેત આપી દીધો છે કે ધાર્યું ધણીનું (ગાંધી પરિવાર) થાય ..

ગુજરાત સમાચાર 20 Jul 2021 5:45 am

ત્રીજી લહેરને તાણી લાવનારાઓ આપણી નજીક છે

- અલ્પવિરામ - માસ્ક એક આરોગ્યદાયી માંગલિક પરિધાન છે. હવે આપણે જે નવી દુનિયામાં છીએ તેમાં સ્ત્રી-પુરુષનું સમાન લઘુ વાભૂષણ આ માસ્ક છે. માસ્ક આપણો નૂતન આરોગ્ય-સંકલ્પ છે, આરોગ્ય-શૃંગાર છે આજથી બે વરસ પહેલા એક વાર ત્રિમાસિક ગાળાનો ભારતીય વિકાસ દર ૪.૫ ટકા જેટલો આવતાં સન્નાટો બોલી ગયો હતો અને દેશના નાણાં પ્રધાનના કાનમાં ધાક પડી ગઈ હતી. છેલ્લા છ વરસમાં એ સૌથી નીચો વિકાસ દર હતો. દેશમાં અનેક પ્રકારની ડિમાન્ડ ઘટવાની એ શરૂઆત હતી. આવક એક વાત છે અને લોકોની ખર્ચ ક્ષમતા એ સાવ બીજી જ વાત છે. આવક તો કાર્યો, બુદ્ધિમત્તા, બિઝનેસ, કે વારસાગત પણ હોઈ શકે. પરંતુ ખર્ચની વાત આવે ત્યાં અર્થશાસ્ત્ર સાથે મનોવિજ્ઞાાન પણ જોડાઈ જાય છે. ઘટતો વિકાસ દર એ વાતનો પણ પુરાવો આપે છે કે પ્રજા હવે જરૂરિયાતો ઘટાડી રહી છે અને અલ્પ સાધને જીવન નિભાવવા તરફ આગળ વધી રહી છે. એમાં બે વરસથી અચાનક ત્રાટકેલા કોરોનાએ વિકાસ દર અંગેની ચર્ચા જ અપ્રસ્તુત બનાવી દીધી છે. એ વળી ઈકોનોમિક્સમાં ઠોઠ નિશાળિયા જેવી સરકારને ગમતી વાત છે. બોલીવૂડ ફિલ્મો પર પણ કોરોનાની ગંભીર અસર થઈ છે જે અબજોનું ટર્નઓવર કરતી હતી. એક માન્યતા એવી પણ છે કે મંદીમાં મનોરંજન ઊંચકાય છે. પરંતુ કોરોનાનું તો કોઈ ગણિત જ નથી. કોરોનાની વિભાવના તો મંદીથી એક ડગલું આગળ છે. આપણે જે મહાકાય મલ્ટીપ્લેક્સ નિર્માણ કર્યા એના ઊંચા ભાવ દર્શકોને હવે જ્યારે પણ થિયેટરો ખુલશે ત્યારે દ્વિધામાં મૂકશે. માઈનસ આસપાસ રમતો ભમતો વિકાસ દર બતાવે છે કે દેશમાં સાર્વત્રિક રીતે ઉત્પાદનમાં કાપ ચાલે છે. દુનિયાના વિખ્યાત અર્થશાસ્ત્રીઓ તો જાહેર થતાં આંકડાઓથી પણ વાસ્તવિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં જાતે એક ટકો ઘટાડીને અંદાજ બાંધે છે. લોકોનો પૈસા પર કાબૂ વધ્યો છે. કોઈક અજ્ઞાાત અને કોરોના જેવા જ્ઞાાત ભયને કારણે લોકોને આર્થિક અસલામતીની દહેશત છે. આંતર-પ્રિનિયોર લોકો પણ બજાર ઠંડી છે એમ માનીને હમણાં નહિ-હમણાં નહિ... વિચારીને પોતાના નવા સાહસોને પાછા ઠેલે છે. ઈંગ્લેન્ડની વર્તમાન અવદશા અને એના નવા લોકડાઉનથી ચિંતિત કદાચ આપણે ન થઈએ તો પણ આગામી મહિનાઓમાં સ્થિતિ સુધરે તોય પસાર થઈ ગયેલા નીચા દરના એક વરસને કારણે વિકાસ દર રાતોરાત તો કૂદકો મારી શકે નહિ, એટલે ચાલુ નાણાંકીય વરસમાં બહુ ઊંચે પહોંચવાની વાત તો માત્ર એક કલ્પના છે. ભારત આ વિશ્વથી બહાર નથી. કેન્દ્ર સરકારે સતત ઉપરાઉપરી લીધેલા ખોટા અને ત્રાસદાયી નિર્ણયોના પરિણામો હજુ તો આવવાના શરૂ થયા ત્યાં જ એમાં કોરોનાએ નકારાત્મક સહાય કરેલી છે. આ ક્રમ લાંબો ચાલવાનો છે. દેશનું કોર્પોરેટ જગત આ બધું સારી રીતે જાણે છે પણ ચૂપ છે. વ્યાપાર અને વાણિજ્ય ક્ષેત્રના દિગ્ગજો પૂંછડી સંતાડીને ફરે છે. દેશમાં વિદ્યુત ઉત્પાદન ૧૨.૫ ટકા ઘટી ગયું છે. એ જ બતાવે છે કે અન્ય ઉત્પાદનો વિપુલ પ્રમાણમાં ઘટી ગયા છે. આ ઘટનું મુખ્ય કારણ ડિમાન્ડનો અભાવ છે. બજારમાં છાને પગલે એક પ્રકારની સ્થગિતતા પ્રવેશી ગઈ છે. જે ચાલે છે તે ફરજિયાતના ધોરણે અને જીવન જરૂરિયાતના કારણે ચાલે છે. ભાજપ પાસે એક તો પરિસ્થિતિનું આર્થિક દ્રષ્ટિએ સતત મૂલ્યાંકન કરવાની યોગ્યતા નથી. પરંતુ યોગ્ય નિષ્ણાતોનો મત લઈ શકાય છે. તો રઘુરામ રાજન અને ઉર્જિત પટેલ જેવા મહારથીઓની વાત અગાઉ સાંભળી નથી અને હજુ એ કક્ષાના જે અર્થશાસ્ત્રીઓ દેશમાં છે એમની વાત પણ સાંભળવી નથી. એવા અનેક નિષ્ણાતો એનડીએ સરકારથી ક્યાં તો વિમુખ થઈ ગયા છે અથવા તો પોતપોતાની દુનિયામાં ગતિ કરી ગયા છે. જે દેશમાં કોર્પોરેટ સેક્ટરના માંધાતાઓ પોતાના સ્પષ્ટ અભિપ્રાય ખુલ્લંખુલ્લા ન આપે અને સરકાર પણ એમને ન સાંભળે ત્યાં આર્થિક નીતિઓ પ્રયોગખોર અને અવાસ્તવિક હોય છે. એવી અનેક ખોટી નીતિઓની બેડીઓએ વિકાસ દરના પગ બાંધી રાખ્યા છે. સરકાર જે રીતે નાણાંકીય સાધનો ઊભા કરવા અને રાજકોષીય ખાધ ઘટાડવા માટે જાહેર સાહસોમાંથી પોતાના હિસ્સાની સરેઆમ વેચવાલી કરી રહી છે એ પણ હકીકતમાં તો એક પ્રકારનો અદ્રશ્ય રિઝર્વ ખજાનો જ છે જેને પણ હવે ખાલસા કરવામાં આવે છે અને દેશમાં એક લોબી છે કે જે ડેલ હાઉસી જેવી આ આર્થિક ખાલસા નીતિની નિત્ય સ્તુતિ અને પ્રશંસા કર્યા કરે છે. દેશના આર્થિક વિકાસને વેગ આપવા માટે શું કરવું જોઈએ એનાથી નાણાં મંત્રાલય અજ્ઞાાત નથી પરંતુ એ રસ્તો એને લેવો નથી. આ મંત્રાલય જેટલીના સમયથી વિપરીત ગતિમાં ચાલે છે અને સીતારામન પણ એ જ ખોટી દિશામાં પોતાનું જહાજ હાંકે છે. સવાલ એ છે કે જે રીતે કેન્દ્ર સરકાર અત્યારે અર્થતંત્ર સુધારણાના આડેધડ પગલા લઈને સંતોષ માને છે ને વાસ્તવની અવગણના કરે છે એ રીતે ગાડી પાટે ચડશે કે નહિ ? વળી નાગરિકોનું જાહેર વર્તન કોઈ રીતે કોરોના પ્રતિરોધક નથી. એ તો કોરોના નિમંત્રણ છે. કેટલાક લોકોને એની જવાબદારી પરત્વે કોઈ ગંભીરતા હોતી નથી. મોટી ઉંમરે પણ મોટા થયા ન હોય તેવા લોકોથી આપણો સમાજ છલકાય છે તે સામ્પ્રતની સૌથી મોટી કરૂણતા છે. માસ્ક ન પહેરનારા લોકો એ જ છે જેમનામાં જવાબદારીનું ભાન નથી. માસ્ક એક આરોગ્યદાયી માંગલિક પરિધાન છે. હવે આપણે જે નવી દુનિયામાં છીએ તેમાં સ્ત્રી-પુરુષનું સમાન લઘુ વસ્ત્રાભૂષણ આ માસ્ક છે. માસ્ક આપણો નૂતન આરોગ્ય-સંકલ્પ છે, આરોગ્ય-શૃંગાર છે. કોરોના વાયરસ ભારતમાં પ્રવેશ્યો તેને હવે દોઢ વરસ કરતા વધુ વખત થયો. કોરોના વાયરસ શું છે અને તે કેટલો જોખમી છે તે હવે લગભગ દરેક ભારતીય જાણે છે. લોકડાઉન હવે રહ્યું નથી, હવે જે પરિસ્થિતિ છે તે અનલોક છે. અનલોક હોવા છતાં લોકોને સતત સૂચના આપવામાં આવે છે કે બેદરકારી ન દાખવે, સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરે અને જરૂર સિવાય બહાર ન નીકળે. લગ્ન પ્રસંગની છૂટ આપવામાં આવી પણ મર્યાદિત લોકોની હાજરીમાં. રાષ્ટ્રીય સ્તરે કોરોના સામે લડાઈ માટે લોકોને તૈયાર કરવામાં આવે છે પણ એક મોટો સમુદાય એવો છે જેને આ પરિસ્થિતિની ગંભીરતાનો ખ્યાલ છે છતાં નથી. આવા લોકોની બેદરકારી સમાજ માટે ભયંકર ખતરારૂપ બની છે. કારણ કે ત્રીજી લહેરને એ લોકો જ તાણીને લઈ આવવાના છે. જેથી નિર્દોષ લોકો શિકાર બનવાના છે. કોરોનાથી બચવા માટેની ગાઈડલાઇન સતત બહાર પાડવામાં આવે છે પરંતુ તેનો સખતાઇથી અમલ કેમ કરાવવામાં આવતો નથી ? સરકાર અને તેના વિભિન્ન ખાતાઓના અધિકારીઓ કેમ કડકપણે નિયમોનું પાલન કરાવતા નથી ? લોકો તો બેદરકારી દાખવી જ રહ્યા છે પણ સ્થાનિક તંત્ર હવે લોકોની ગતિવિધિ પર ચાંપતી નજર રાખવાનું જરૂરી નથી સમજતું. એટલે કે સરકારી અધિકારીઓએ પોતાની જવાબદારી અમુક અંશે પડતી મૂકી છે. આ ગંભીર સ્થિતિ છે. દેશના કોઈ પણ શહેરમાં માસ્ક વિના ફરતા બેવકૂફોની સંખ્યા બહુ મોટી છે. રાજસ્થાનમાં પણ આવા જ એક લગ્ન સમારોહમાં નિયમોનું પાલન થયું ન હતું જે ધ્યાનમાં આવતા પરિવારે છ લાખ રૂપિયાનો દંડ ભરવો પડયો છે. જો આ જ રીતે બેદરકારી વધતી રહી તો સંક્રમિત લોકોની સંખ્યા પણ વધતી રહેશે અને ચેપી લોકો વીજળીક ઝડપે સમાજના મોટા સમુદાય માટે ટાઈમ બૉમ્બ બની જશે જેની સજા બીજી લહેરની જેમ ફરીવાર આખા દેશે ભોગવવાની રહેશે.

ગુજરાત સમાચાર 20 Jul 2021 5:35 am

ઇનસાઇડર ટ્રેડીંગ : સેટેલમેન્ટની રકમથી કૌભાંડનું પિલ્લું વળાય છે

- ઇનસાઇડર ટ્રેડીંગના વાઇરસ શેર બજારમાં સુષુપ્ત અવસ્થામાં પડેલા છે, કેટલાક લોકો તકની રાહ જોતા હોય છે ઇનસાઇડર ટ્રેડીંગનો મામલો શેર બજારને બદનામ કરી રહ્યો છે. શેરબજાર સાથે સંકળાયેલા ટોચના અબજપતિઓના નામ પર જ્યારે ઇનસાઇડર ટ્રેડીંગના આરોપ મુકાય અને પછી સેટેલમેન્ટની રકમ એટલેકે કેસમાં પતાવટની રકમ ચૂકવીને મામલાનું પિલ્લું વાળી દેવાય ત્યારે વિવાદ ઉભો થાય છે. ઇનસાઇડર ટ્રેડીંગ એ પડદા પાછળનો ધંધો છે. ધંધો શબ્દ એટલા માટે વાપર્યો છે કે તેમાં અન્ય રોકાણકારો સુધી કેટલીક વાતો નહીં પહોંચવા દઇને સોદામાં સીધીજ મલાઇ ઝાપટી જવામાં આવે છે. શેર બજાર સાથે સંકળાયેલાએા નાના મોટા કૌભાંડો જોતા આવ્યા છે. રાતોરાત કરોડપતિ બનતા લોકોને પણ જોતા આવ્યા છે. ઇનસાઇડર ટ્રેડીંગ એ સાઇલન્ટલી અને પડદા પાછળ રમાતો આખો ખેલ છે. શેરબજારના રોકાણ કારોને ખબર પણ નથી પડતી અને કંપનીની નજીકના લોકો લાભ ઉઠાવી જાય છે. આવા લોકોને પકડવા અશક્ય છે છતાં રાકેશ ઝુનઝુનવાલા જેવા અનુભવી ક્યારેક સાણસામાં આવી જતા હોય છે. આવા કેસમાં સેટલમેન્ટ સૌથી સરળ ઉપાય છે. જે બદનામી થતા અટકાવે છે. આપણે જેને બાંધી મુઠ્ઠી કહીએ છીએ એવું આવા કિસ્સાઓમાં પણ જોવા મળે છે. સેબીએ લીધેલાં કડક પગલાંના કારણે કેટલાક કિસ્સા પકડાય પણ છે અને સેટલમેન્ટના ટેબલ પર લવાય છે. ઇન્ફોસિસ જેવી નામાંકિત કંપનીઓ માટે ઇનસાઇડર ટ્રેડીંગ બદનામી ઉભી કરતો મુદ્દેા છે. તેના કર્મચારીઓ આ બિઝનેસમાં પકડાયા ત્યારે તે પોતાની કંપનીની આંતરિક વાતોનો લાભ ઉઠાવનારા સામે ગંભીર બને છે. એટલેજ ઇન્ફોસિસે તેની સામે તપાસ શરૂ કરી છે. કંપનીઓમાં કેટલાક નિર્ણયો બંધ બારણે અને કંપનીના વફાદારોની વચ્ચે લેવાય છે. તેમ છતાં ક્યાંક લીકેજનો લાભ ઉઠાવાય છે. જ્યારે આ લાભ અંદરના માણસને મળે છે અને તે પકડાય ત્યારે વિવાદ થાય છે. અમેરિકામાં પણ આવા ઇનસાઇડર ટ્રેડીંગના કિસ્સા પકડાયેલા છે અને તેમને જેલ તેમજ દંડ થયેલા છે. ભારતની કંપનીઓ સાથે સંકળાયેલા લોકો જ્યાં પણ લાભ જુવે છે ત્યાં તરાપ મારે છે. બેઠા બેઠા કરોડો કમાવવા મળતા હોય તો કોણ જવા દે? આવું કામ સામાન્ય રોકાણકારોનું નથી પરંતુ ટોચ પર બેઠેલા કરોડપતિઓનું હોય છે. સેબીના કાયદાઓ સખત્ત બની ચૂક્યા છે. તેની સર્વેલન્સ સિસ્ટમમાં કોઇ સપડાય છે તો પછી તેનું બચવું મુશ્કેલ બની જાય છે. રાકેશ ઝુનઝુનવાલા અને તેમના પત્ની તેમજ અન્ય આંઠ સામે એપટેક કંપનીના શેર્સ બાબતે વિવાદ ઉભો થયો હતો. ઇન્ફોસિસે તેના બે કર્મચારીઓએ ઉઠાવેલા લાભ બાબતે આંતરીક તપાસ શરૂ કરી છે. ઇન્ફોસિસ માને છે કે પકડાયેલા લોકોએ માત્ર શેેરબજારમાંથી લાભ ઉઠાવ્યો છે પરંતુ કંપનીની અન્ય મહત્વની માહિતી નજીકની પ્રતિસ્પર્ધી કંપનીને આપીને કંપનીને મોટું નુકશાન થઇ શકે છે. કંપનીની આંતરિક માહિતી લીક કરીને નજીકનો અને વફાદાર મનાતો સ્ટાફ લાખો રૂપિયા કમાઇ શકે છે. આવો જ એક કેસ એક ડિઝાઇન ફર્મ સાથે સંકળાયેલો છે. જેમાં પિતા પુત્રીએ ઇનસાઇડર ટ્રેડીંગનો લાભ ઉઠાવ્યો હતો. ઇન્ટેલેક્ટ ડિઝાઇન એરિના લિમિટેડના પ્રમેાટર અરૂણ જૈને કંપનીના આઇબીએમ સાથેના કરારની માહિતી પોતાની પુત્રી આરૂશિને આપી હતી અને તેને લાભ થયા એવી વ્યવસ્થા ગોઠવી દીધી હતી. જ્યારે તેમના પર આરોપ થયા ત્યારે અરૂણ જૈનને ૧.૩૫ કરોડ અને આરૂષિ જૈનને સેટેલમેન્ટની રકમ તરીકે ૪૦.૯૩ લાખ ચૂકવવાના આવ્યા હતા. આ કેસમાંતો પ્રમોટરે ખુદેજ લાભ કરી આપ્યો હતો. સેટલમેન્ટની રકમ કરોડોમાં જોઇને એમ થાય છે કે આ લોકોએ ઇનસાઇડર ટ્રેડીંગ મારફતે કરોડોની કમાણી કરી છે. સેટલમેન્ટનો અર્થ એવો થાય છે કે તેમણે ગુનો કબૂલ પણ કર્યો છે અને ગુનો નથી પણ કર્યો. સેબીના આવા પગલાં પ્રસંસનીય એટલા માટે છે કે અન્ય કંપનીઓ આવા કૌભાંડ કરતા અટકે. ભારતમાં અનેક કંપનીઓ એવી છે કે જે પોતે અને પોતાના મળતીયાઓને લાભ કરાવી આપતી આવી છે. ઇનસાઇડર ટ્રેડીંગના વાઇરસ શેર બજારમાં સુષુપ્ત અવસ્થામાં પડેલા છે, કંપની સાથે સંકળાયેલા લોકો તકની રાહ જોતા હોય છે. જો અબજોપતિ એવા રાકેશ ઝુનઝુનવાલા જેવા નામાંકિત રોકાણકાર પણ ઇનસાઇડર ટ્રેડીંગના વાઇરસના ભોગ બનતા હોય તો પછી અન્ય તકસાધુ રોકાણકારને કેવી રીતે રોકી શકાશે?

ગુજરાત સમાચાર 19 Jul 2021 2:30 am

પાટા ઉપર સરકતો આલીશાન શાહી મહેલ

- ગંગાજળમાંથી બનેલી રસીના ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી માટે યાચિકા દાખલ - મેરા ભારત મહાન-અક્ષય અંતાણી - દોનથમશેટ્ટી બાલનાગેશ્વર રાવ નામના સોનીએ લાકડામાંથી કોતરીને દુનિયાનો નાનામાં નાનો ચમચો બનાવીને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. દેશમાં ખૂણે ખૂણે રાજાશાહી યુગના આલીશાન મહેલો, લેક-પેલેસ, નવાબોના મહાલયો અને મોગલ શાસકોએ પ્રજાનો પૈસો પાણીની જેમ વાપરી બાંધેલા આલીશાન આરામગાહો નજરે પડે છે. પરંતુ પાટા ઉપર દોડતા શાહી-મહેલને જોવો હોય તો કયાં જોવા મળે ? એવો કોઇ સવાલ કરે તો કહી શકાય કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે થોડા દિવસ પહેલાં જ દિલ્હીથી કાનપુર અને લખનઉ સુધી ઠાઠમાઠથી જે પ્રેસિડેન્શિયલ ટ્રેનમાં પ્રવાસ કર્યો હતો એ મહારાજા એક્સપ્રેસ ટ્રેન એટલે જાણે પાટા ઉપર દોડતો મહેલ જ છે. મહારાજા એક્સપ્રેસમાં રાષ્ટ્રપતિ માટેનું પ્રેસિડેન્શિયલ સલૂન છે. આ મહારાજા એક્સપ્રેસમાં ૪૩ શાહી કેબિનો છે. ટ્રેનની બધી જ બારીઓ બુલેટપ્રુફ છે. આ શાહી ગાડી ટેલિકોમ્યુનિકેશનથી સજ્જ છે. ટ્રેનની અંદરનું ઇન્ટિરિયર ડેકોરેશન મહેલની ઝાંખી કરાવે છે. આમાં પણ રાષ્ટ્રપતિ માટેનો જે પ્રેસિડેન્શિયલ કોચ છે તેનો તો ઠાઠ જ કંઇક ઔર છે. ટ્રેનમાં મોર મહલ અને રંગ મહલ નામના બે રેસ્ટોરાં છે. મહેમાનોનને સોના-ચાંદી મઢેલા થાળી વાટકામાં ભોજન પીરસાય છે. ટ્રેનની અંદર ડાઇનિંગ રૂમ, વિઝિટિંગ રૂમ, કોન્ફરન્સ રૂમ છે. દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે પહેલી વાર આ ટ્રેનમાં સફર કરી હતી. પછી તો આ ટ્રેનની અંદર અને બહાર ઘણાં ફેરફાર કરવામાં આવ્યા છે. મહાત્મા ગાંધીજી કાયમ ટ્રેનમાં ત્રીજા વર્ગમાં મુસાફરી કરતા કોઇએ પૂછયું કે થર્ડ કલાસમાં કેમ મુસાફરી કરો છો ? ત્યારે ગાંધીજીએ કહેલું કે ટ્રેનમાં ફોર્થ કલાસ નથી એટલે. રાષ્ટ્રપિતાની અને રાષ્ટ્રપતિની સફરમાં તફાવત હોય જને ? બળાત્કારના આરોપીને ફટકારો પાંચ ચપ્પલ બળાત્કાર જેવાં ગંભીર ગુના માટે કાયદામાં સખત સજાની જોગવાઇ છે. છતાં ગુનાખોરી માટે વગોવાતા રહેતા ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લાની અંદર સગીર બાળા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો. એ મામલો ગ્રામપંચાયત પાસે ગયો. કન્યા અને તેના પિતાની ફરિયાદ સાંભળીને પંચાયતે કહ્યું કન્યાને કે આરોપી પાસેથી ૫૦ હજાર રૂપિયા સ્વીકારી લે અને તેના ચહેરા પર કચકચાવીને પાંચ વાર ચપ્પલ ફટકારી દે એટલે વાત પૂરી. ગ્રામપંચાયતના આ તઘલકી ફેંસલાથી પીડિતાના પિતા સમસમી ગયા અને ૫૦ હજાર રૂપિયા સ્વીકારવારી ઘસીને ના પાડી દીધી. પંચાયતને પડતી મૂકી બાપ-દીકરી સીધા પહોંચ્યા પોલીસ થાણામાં અને ફરિયાદ નોંધાવી. બોલો આવા તઘલકી ફરમાન કરી ગંભીર ગુનાને રફેદફે કરવાની હરકત કરે એવી પંચાયતવાળાને જ કાનૂની ફટકાર લગાવવી જોઇએ કે નહીં ? દુનિયાના સૌથી નાના ચમચાનો ચમત્કાર જમવામાં ચમચાનું અને ચમચીનું બહુ મહત્ત્વ છે. નાના ચમચા નાની ચમચી, સ્ટીલ અને ચાંદીના ચમચા કે પછી રાજાશાહીના વખતના નક્કર સોનાના ચમચા આવાં જાત જાતના ચમચા જોવા મળે છે. અને જીવતા ચમચા જોવા હોય તો કોઇ પણ પાર્ટીના મોટા નેતાની આસપાસ ઘૂમતા રહેતા ચમચા નજરે પડે છે. અત્યારે અનોખા ચમચાની વાત કરવી છે. આંધ્ર પ્રદેશના ઇસ્ટ ગોદાવરી ડિસ્ટ્રિકટના મંડપેટા ગામાન સોની દોનથમશેટ્ટી બાલનાગેશ્વર રાવ નામના સોનીએ લાકડામાંથી કોતરીને દુનિયાનો નાનામાં નાનો ચમચો બનાવીને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. લાકડાનો આ ચમચો ૩.૦૯ સેન્ટીમીટરનો છે. ખૂબ મહેનત કરી રાવે ગિનેસ બુકમાં સ્થાન મેળવવા માટે એન્ટ્રી મોકલી. જાન્યુઆરીમાં તેણે અરજી મોકલ્યા બાદ આ દાવો સાચો છે કે નહીં એ ચકાસવા માટે ગિનેસ બુકની ટીમ આવી પહોંચી. આ ટચુકડા ચમચાની સાઇઝ માપી ખરાઇ કર્યા બાદ રાવનો દાવો માન્ય કરવામાં આવ્યો અને તેણે બતાવેલો ચમચો આખી દુનિયામાં નાનામાં નાનો છે. એવું પ્રમાણપત્ર આપ્યું. આમ ચમચાના ચમત્કારે દોનથમશેટ્ટી બાલનામેશ્વર રાવનું નામ ગિનેસ બુકમાં અંકિત કરી દીધું. જોકે રાવનું ૨૫ અક્ષરનું નામ એટલું લાંબુ છે કે ટચુકડા તો શું મોટા ચમચામાં પણ ન સમાય. ખેતરમાં કનડગત કરતા 'ભૂત' સામે પોલીસમાં ફરિયાદ ભૂત, પલિત, ચૂડેલ અને ડાકણ વિશે જાત જાતની વાતો અને કિસ્સા કાને પડે છે. ભૂતનો વળગાડ કાઢવા માટે જાત જાતના મંત્ર-તંત્ર અને કામણ-ટુમણ કરવામાં આવે છે. પરંતુ ભૂત વિરૂધ્ધ પોલીસ થાણામાં ફરિયાદ નોંધવામાં આવે ત્યારે ખરેખર આશ્ચર્ય થાય. પંચમહાલ જિલ્લાના એક ગામના પોલીસ સ્ટેશનમાં એક માણસ ભયથી થરથર કાંપતો પહોંચી ગયો. ધુ્રજતા અવાજે તેણે ફોજદારને ફરિયાદ કરી કે ભૂતોનું એક ગુ્રપ તેની કનડગત કરી રહ્યું છે. ખેતરમાં આ ભૂતો કામ કરવા નથી દેતા. હમણાં જ આ ભૂતોએ મારો પીછો કર્યો ત્યારે માંડ જીવ બચાવીને જેમતેમ પોલીસ થાણામાં દોડી આવ્યો છું. મને ભૂતોથી બચાવો. પોલીસને આ શખસની વાત વિચિત્ર લાગી. પણ ડરના માર્યા ધુ્રજતા શખસને શાંત કરવા માટે ફરિયાદ લખી. ત્યાર પછી પોલીસે આ શખસના પરિવારજનોનો સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે તે મનોઋગ્ણ છે અને તેનો ઇલાજ ચાલુ છે. પણ છેલ્લા ૧૦ દિવસથી તેણે દવા નહોતી લીધી એટલે ભૂતના ભયથી ગભરાઇને તે પોલીસ થાણે પહોંચી ગયો હતો. પોલીસે તેને નિયમિત દવા લેવાની સલાહ આપી પરિવારજનો સાથે ઘરે રવાના કર્યો. આ ફરિયાદીએ કહ્યું કે ભૂતોનું એક ગુ્રપ તેને સતાવે છે. ત્યારે વિચાર આવે ક સોશ્યલ મીડિયામાં જેમ ગુ્રપ બનાવવામાં આવે છે એમ ભૂતો પણ ગ્રુપ બનાવવા લાગ્યા હશે ? ગંગાજળમાંથી કોરોનાની રસી ? ગંગા તેરા પાની અમૃત..... ગંગામૈયા મેં જબ તક યે પાની રહે મેરે સજના તેરી ઝિંદગાની રહે..... ગંગા નદીની ગણના પરાપૂર્વથી દેશની સૌથી પવિત્ર નદીમાં થાય છે. ગંગાના નીરમાં ડૂબકી લગાવવાથી પાપ ધોવાઇ જાય છે, મોક્ષ મળે છે અને મૃત્યુને આરે હોય એવી વ્યકિતને ગંગાજળ પીવરાવવામાં આવે છે, આ સહુ જાણે છે અને માને છે. પરંતુ દેશ અને દુનિયાને ભરડામાં લઇ ચૂકેલી કોરોનાની બીમારીના પ્રતિકાર માટે ગંગાજળમાંથી રસી તૈયાર કરવામાં આવશે એ જાણીને આશ્ચર્ય થયા વિના ન રહે. એક હિન્દી દૈનિકના અહેવાલ મુજબ ગંગાજળમાંથી તૈયાર કરવામાં આવી રહેલી આ રસીના ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી માટે અલાહબાદ કાઇકોર્ટમાં જનહિતની યાચિકા દાયર કરવામાં આવી છે. અરૂણકુમાર ગુપ્તાએ હાઇકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં જણાવ્યું છે કે કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય (વારાણસી)ના ન્યૂરોલોજી વિભાગના પ્રોફેસર ડૉ. વિજયનાથ મિશ્રના નેતૃત્ત્વમાં ડૉકટરોની ટીમે ગંગાજળ પર રિસર્ચ કરીને નેઝલ સ્પ્રે વેક્સિન તૈયાર કરી છે. નાક વાટે આપી શકાય એવી આ રસી કોરોનામાં રાહત આપી શકે છે. આ વેક્સિનની કિંમત માત્ર ૩૦ રૂપિયા છે. એટલે આ રસીની ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી આપવામાં આવે. આ પીઆઇએલને પગલે અલાહાબાદ હાઇકોર્ટે ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ અને ભારત સરકારની એથિક્સ કમિટિને નોટિસ પાઠવી છે. બીજી જુલાઇના અહેવાલમાં જણાવ્યા મુજબ છ સપ્તાહ પછી આ જનહિતની અરજી પર સુનાવણી થશે. અત્યારે કોરોનાના ઇલાજ માટે હજારો રૂપિયાની દવા અને ઇન્જેકશનો ખરીદવા પડે છે અને તેના કાળાબજાર પણ થાય છે. આ વાસ્તવિક સ્થિતિ વચ્ચે માત્ર ત્રીસકે રૂપિયાની રસી મહામારીનો પ્રતિકાર કરવામાં કારગત નિવડે તો એનાંથી મોટું જન-હિત બીજું કયુ હોઇ શકે ? પંચ-વાણી સ) : પરણીને કન્યા સાસરે વળાવે તેને કન્યાદાન કહેવાય, તો પરણીને ઘર-જમાઇ બને તેને શું કહેવાય ? જ) : વર-દાન.

ગુજરાત સમાચાર 16 Jul 2021 5:50 am

કરોડોના ડ્રગ્સ અને ફિદાયીન કાવતરાનો સંકેત

- અલ્પવિરામ - પંજાબ સહિતના ઉત્તરીય ભારતના રાજ્યો હવે ગુનાખોરીની લપેટમાં એવા આવી ગયા છે કે એના નેતૃત્વમાં અને રાજ્ય વ્યવસ્થાપનમાં પાવરફુલ વિજિલન્સ જોઈએ રૂપિયા ૨૫૦૦ કરોડના કેફી દ્રવ્યો ઝડપાયા એના બીજા જ દિવસે દેશભરમાં ફિદાયીન હુમલાનું કાવતરું ઝડપાયું. આ ઘટનાક્રમનો આરંભ મૂળભૂત રીતે પાકિસ્તાની ડ્રોન પ્રકરણથી શરૂ થયો છે. અને અહીં પૂર્ણવિરામ નથી. પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં ચાલતા આતંકવાદીઓના કેમ્પના કમાન્ડરોએ તેમની મોડેસ ઓપરેન્ડી બદલી હોવાના આ સંકેત છે. પંજાબ તો ડ્રગ્સના સપાટામાં બહુ અગાઉથી ફસાઈ ગયેલું રાજ્ય છે. એના છેડા છેક અફઘાનિસ્તાનના અન્ડરવર્લ્ડ સાથે જોડાયેલા છે. જો કે તાલિબાનો છેક કંદહાર (સંસ્કૃતમાં ગાંધાર) ક્ષેત્ર સુધી આવી જતાં અસામાજિક તત્ત્વોને છુટ્ટો દોર મળી ગયો છે. કેપ્ટન અમરિન્દરસિંહનો સત્તાકાળ પંજાબમાંથી ડ્રગ્સ માફિયાઓને પકડવાથી શરૂ થયો છે અને એમાં જ એમની મુદત પૂરી થશે એવું લાગે છે. કારણ કે ઘઉંના લહેરાતાં ખેતરોની વચ્ચે પંજાબની જે પ્રજા દાયકાઓથી મહેનત કરતી તે પ્રજાને પાકિસ્તાનના ડ્રગ માફિયાઓએ વિવિધ પ્રકારના કેફીદ્રવ્યોના રવાડે ચડાવી દીધી ત્યારથી એક તો પંજાબમાં ઘઉંનું ઉત્પાદન ઓછું થવા લાગ્યું અને બીજું પંજાબના યુવાનો જે સૌથી વધુ ભારતીય સૈન્યમાં ભરતી થતાં હતા તેમાં પણ ઓટ આવી. કેપ્ટને મુખ્યમંત્રી પદની ધૂરા સંભાળી ત્યારથી આજ સુધીમાં એમણે ડ્રગ્સના વ્યસની બની ગયેલા પંજાબના લાખો યુવાનોને સામાન્ય અને નિર્વ્યસની જીવન તરફ વાળ્યા છે. હમણાં પંજાબમાં દેશી શરાબ પીવાને કારણે એક સોથી વધુ નાગરિકોના મોત થયા. મૃત્યુ પામનારા કોઈ નિર્દોષ ન હતા, બધા જ દોષિત હતા. તેમનો દોષ એ કે તેઓ જાણતા હતા કે આ લઠ્ઠો છે, જે શરાબ નથી, પરંતુ એને ઘણીવાર દેશી દારૂ તરીકે ઓળખાવવામાં આવે છે. જાણતા હોવા છતાં પંજાબના ગામડાંઓમાં બેફામ લઠ્ઠો પીવાય છે. લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામનારાઓના પરિવારોને અમરિન્દરસિંહે બે - બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. આપણા દેશની આ હાલત છે કે કોઈ લઠ્ઠો પીવે, પછી એમાં મોતને ઘાટ ઉતરે ને પછી વફાદાર કરદાતાઓએ રાજતિજોરીમાં જમા કરાવેલી મહેનતમાંથી એ લઠ્ઠો પીનારાના પરિવારોને આશ્વાસન રકમના કુલ લાખો રૂપિયા આપવાના. કોઈ સજ્જન કરદાતા આખી જિંદગી ટેક્સ ભરશે અને છેવટે ગંગાજળનો ઘૂંટડો પી ને નિંરાતેથી દિવંગત થશે તો સરકાર એના ઘરે એક પોસ્ટકાર્ડ પણ નહિ લખે અને શુકનનો સવા રૂપિયો પણ આશ્વાસનમાં નહિ મોકલે. ભારતમાં ગંગાજળિયો કાંઠો અને શરાબી નદીઓનો કાંઠો અલગ અને સામસામો છે. ભારતની જિંદગી એ બેયની વચ્ચેથી પુરપાટ વહે છે. પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંહે નિવૃત્તિના વરસોમાં અખંડ મહેનત કરીને પંજાબમાં પોતાના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર સ્થાપી છે. સામા પાણીએ તરીને જીત્યા હોવાથી એમનું અભિમાન પણ કંઈ છાનુ રહે એમ નથી. ઈ. સ. ૨૦૨૨ માં એમને ફરી સત્તા પર આવવાની આશા છે. અત્યારે તો પંજાબ કોંગ્રેસમાં ઘોર આંતરકલહ ચાલે છે. પંજાબ સહિતના ઉત્તરીય ભારતના રાજ્યો હવે ગુનાખોરીની લપેટમાં એવા આવી ગયા છે કે એના નેતૃત્વમાં અને રાજ્ય વ્યવસ્થાપનમાં પાવરફુલ વિજિલન્સ જોઈએ. કોઈ સીધા-સાદા મુખ્યમંત્રી ન તો પૂર્વોત્તર રાજ્યોમાં ચાલે કે ન તો ઉત્તર ભારતમાં ચાલે. કેપ્ટન અમરિન્દરસિંહે ગૃહખાતા પાસેથી ખૂબ કામ લીધું છે. રાજકીય વહીવટીય અને વિચક્ષણ બુદ્ધિમત્તાની રીતે તેઓ એકદમ ફિટ છે. પ્રજા તેમને ખરા દિલથી ચાહે છે. પરંતુ પંજાબમાં કલેક્ટરોનું કામ હોતા હૈ ચલતા હૈ જેવું છે. જેટલું કામ પોલીસતંત્ર કરે છે એટલું કામ મહેસુલ, પુરવઠા, નશાબંધી કે આબકારી અધિકારીઓ કરતા નથી. કેપ્ટને એક સાથે દસ બાર ઉચ્ચાધિકારીઓને સસ્પેન્ડ કર્યા. પણ એનાથી બહુ ફેર પડવાનો નથી. જે લઠ્ઠાકાંડ સર્જાયો એમાં ખરેખર તો એમ થવાનો આગોતરો અણસાર મળી ગયો હતો. પરંતુ જિલ્લાતંત્રોની સુષુપ્તિને કારણે કોઈ પગલા લેવાયા નહિ. લઠ્ઠાકાંડ અગાઉ અમૃતસર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના બે ખોબા જેવા ગામડાઓમાંથી લઠ્ઠો પીવાથી મોત તરફ ધકેલાતા પાંચ કેસ સપાટી પર આવ્યા હતા. ત્યારે જ જો આ લઠ્ઠો ક્યાંથી આવ્યો છે એ જાણીને દરોડા પાડવામાં આવ્યા હોત તો બીજા અનેક લોકોની જાનહાનિ નિવારી શકાઈ હોત. લઠ્ઠાથી મૃત્યુ પામનારા પાંચ ગ્રામવાસીઓના સમાચાર સ્થાનિક ચેનલોમાં પણ વહેતા થયા હતા. તો પણ સરકારી તંત્ર જાગ્યું ન હતું. એ ઘટનાના પાંચ દિવસ પછી એ જ લઠ્ઠો અમૃતસર, ગુરદાસપુર અને તરણતારણ જિલ્લાઓના ગામડાંઓમાં ડિલિવર થઈ જતાં એક સાથે સોથી વધુ મોતનો હાહાકાર મચી ગયો અને છેક ત્યારે સરકાર જાગી. આ ઘટના પણ એ વાતની ફરી ખાતરી કરાવે છે કે મુખ્યમંત્રી અમરિન્દરસિંહ ગમે તેટલા તૈયાર હોય પરંતુ દરેક જિલ્લાના વહીવટીતંત્ર હજુ એવા ને એવા જ છે, જેવા અકાલીદળ અને ભાજપની યુતિએ એમને બનાવી મૂક્યા હતા. પંજાબ સરકારે અદાલતી તપાસના આદેશો આપ્યા છે પરંતુ એથી કંઈ આવા દેશી દારૂની ભૂગર્ભ ધારાઓ વહેતી બંધ થઈ જવાની નથી. દેશમાં અનેક બાબતોમાં એવું જોવા મળે છે કે જ્યાં સુધી મોટી જાનહાનિ ન થાય ત્યાં સુધી સરકાર ધ્યાન આપતી જ નથી. પંજાબમાં દારૂબંધી નથી પરંતુ શરાબ બનાવવાના તથા ખરીદ-વેચાણના ચુસ્ત નિયમો છે. જ્યાં શરાબનું ઉત્પાદન થાય છે ત્યાં સરકાર તરફથી ગુણવત્તા નિયમન શિથિલ હોય છે. અને એમાંથી જ આખરે લઠ્ઠો બહાર આવે છે. હકીકત એ પણ છે કે વાંધાજનક શરાબના ઉત્પાદકો પાસે કોઈ લાયસન્સ હોતા નથી. એથી તેઓ હલકી ગુણવત્તા દ્વારા ચિક્કાર નફાની યોજનાઓ ઘડે છે. તેમાં અંધારી આલમના અસામાજિક તત્ત્વો જોડાયેલા હોય છે. પંજાબી પ્રજા લઠ્ઠાને ઝેરી શરાબ કહે છે. ખરેખર એ શરાબમાં કંઈ ઝેર ઉમેરવામાં આવ્યું હોતું નથી. પરંતુ ઘાતક રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં માત્રાભેદને કારણે તથા લાંબો સમય પડયા રહેવાને કારણે રાસાયણિક પ્રક્રિયાઓ વિપરીત થવા લાગે છે. ઉપરાંત ઉત્પાદનના દરેક તબક્કે હલકી ચીજો અને છેલ્લે બનાવટી લેબલ લગાવીને માલ વેચવામાં આવે છે. ગુજરાતમાં આવો લઠ્ઠાકાંડ અગાઉ અનેકવાર બહાર આવેલો છે. હમણાં વરસાદ છે એટલે બંધ હોય પણ એ સિવાય સાબરમતીના કોતરોમાં દેશી શરાબની ભઠ્ઠીઓ ધમધમતી હોય છે. અમદાવાદથી ઉપરવાસમાં ભેદી કોતરોમાં લઠ્ઠો બને છે અને વેચાય છે. આજે પણ વડોદરા, સુરત અને મુંબઈના પછાત વિસ્તારોમાં જે શરાબ મળે છે જે સંબંધિત સત્તાતંત્રો પણ જાણે છે તે પંજાબની ઝેરી શરાબ જેવી જ ગુણવત્તા ધરાવે છે. એના પર કોઈનું નિયમન નથી. દેશમાં અનેક રાજ્યોમાં પંજાબ જેવા લઠ્ઠાકાંડ આકાર લે તો એમાં કોઈ જ નવાઈની વાત નથી કારણે કે દરરોજ ક્યાંક ને ક્યાંક ઝેરી શરાબ જનિત અલ્પસંખ્યામાં મોત તો નોંધાતા જ રહે છે. આટલા બધા લાંબા લોકડાઉન અને હવેના અનલોક પછી પણ જો કોઈ ખરો કુટિર ઉદ્યોગ ભારતમાં ધમધમતો હોય તો તે દેશી દારૂના નિર્માણનો જ છે. સાંભળવી ન ગમે તો પણ આ હકીકત છે.

ગુજરાત સમાચાર 13 Jul 2021 5:35 am

ઇન્ટરનેશનલ પેરા-શૂટર ફૂટપાથ પર ચિપ્સ વેચે છે

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી દિવ્યાંગજનોની સહાય માટે આ દેશમાં કેટકેટલી સહાય યોજનાઓની જાહેરાત થાય છે ? દિવ્યાંગને નોકરી આપવામાં આવે છે અને નાનો વ્યવસાય શરૂ કરવાની મદદ પણ કરવામાં આવે છે. આ વાસ્તવિકતા વચ્ચે દેશની આંતરરાષ્ટ્રીય સ્તરની પહેલવહેલી મહિલા પેરા-શૂટરને ફૂટપાથ પર બેસી પોટેટો ચીપ્સ વેંચવાનો વખત આવે ત્યારે સરકારને અને દેશના એક એક રતમવીરોને શરમ આવવી જોઇએ. આ વસમી વિતકકથા છે ઉત્તરાખંડના દહેરાદૂનમાં રહેતી ૩૪ વર્ષની દિલરાજ કૌર નામની સ્વાભિમાની મહિલાની. દિલરાજે ૨૦૦૪ની સાલમાં પેરા-શૂટર તરીકે કારકિર્દી શરૂ કરી. ત્યાર પછીનો એક પછી એક સ્પર્ધામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેણે સિધ્ધિ હાંસલ કરી દેશની શ્રેષ્ઠ પેરા એર પિસ્તોલ શૂટર તરીકે તેની ગણના થવા માંડી. ગોલ્ડ મેડલ સહિત રાષ્ટ્રીય સ્તરે તેણે ૩૦થી વધુ ચંદ્રકો મેળવ્યા. ૨૦૧૫માં ઇન્ટરનેશનલ પેરાલિમ્પિક કમિટી વર્લ્ડ-કપમાં તેણે ભારતનું પ્રતિનિધિત્ત્વ કર્યું આ વર્ષે દિલ્હીમાં યોજાયેલી ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન વર્લ્ડ કપમાં તેનો સિલેકશન કમિટિમાં સમાવેશ થયો હતો. પરંતુ ત્યાર પછી પરિવારને માથે એક પછી એક આફત આવી પડી. પિતાને કિડનીની બીમારી ઘેરી વળી એટલે ડાયાલીસીસ પર રાખવા પડયા. પિતાની સારવાર પાછળ ભારે ખર્ચ થયો છતાં બચી ન શકયા. આ આઘાતમાંથી પરિવારજન બહાર નહોતા આવ્યા ત્યાં દિલરાજ કૌરના ભાઇ મકાન પરથી પડી જતા ગંભીર રીતે જખમી થયા. ભાઇને બચાવવા બધુ કરી છૂટયા. સારવાર પાછળ લગભગ એક કરોડ રૂપિયા વપરાઇ ગયા. છતાં પિતાને પગલે ભાઇ પણ ફાની દુનિયા છોડી ગયાં પૈસેટકે સાવ ખાલી થઇ ગયેલા દિલરાજ કૌર અને તેની વૃધ્ધ માતાની મદદે સ્પોર્ટસ એસોસિયેશન કે ઉત્તરાખંડ સરકાર તરફથી કોઇ આગળ ન આવ્યું. એટલે પછી દિલરાજે પોટેટો ચીપ્સ વેંચી જે થોડીઘણી આવક થાય એનાથી ગાડુ ગબડાવવાનું શરૂ કર્યું. સ્વમાની દિલરાજ કૌર હાથ લાંબો કરી સરકારી મદદ લેવા તૈયાર નથી. તે સર્ટિફાઇડ કોચ છે એટલું જ નહીં લો-ગ્રેજ્યુએટ છે, એટલે નોકરી મેળવવા માગે આ પેરા-શૂટરની અવદશાથી અજાણ ઉત્તરાખંડના ખેલકૂદ ખાતાના પ્રધાને કહી દીધું કે આ મામલો અમારી સમક્ષ આવ્યો જ નથી. સંબંધિત મહિલા શૂટર અમારો સંપર્ક કરશે તો સરકારી ધારાધોરણ મુજબ તેની મુશ્કેલીનો ઊકેલ લાવશું. દુલ્હારાજા છાપુ ન વાંચી શકયા એટલે છાપે ચડયા કપરા કોરોના કાળમાં પરણથી મરણ સુધી જાત જાતના નિયમોનું પાલન કરવું પડે છે. મૃત્યુ જેવાં દુઃખદ પ્રસંગે કેટલા લોકો હાજર રહી શકે તેની પણ સંખ્યા નક્કી હોય છે. આમાં જો નિયમની ઉપરવટ જઇ લગ્નમાં કોઇ વધુ મહેમાનોને નોતરવાની ભૂલ કરી બેસે તો આકરો દંડ સહેવો પડે છે. કયારેક વરરાજા સહિત જાનૈયાઓને પોલીસ થાણામાં જવું પડે છે. કયારે જમણવાર વખતે પોલીસ રેડ પાડે તો થાળી મૂકીને ભાગવું પડે છે. આવા કિસ્સા અને ફોટા અવારનવાર છાપે ચડતા રહે છે. પણ હમણાં એક વરરાજાનો વિચિત્ર કિસ્સો એટલા ખાતર છાપે ચડયો કે એ લગ્ન-મંડપમાં છાપું ન વાંચી શકયો. ઘણાંને સવાલ થાય કે લગ્નના માંડવે છાપુ વંચવવાની આ વળી કઇ વિધિ હશે ? પણ ફોડ પાડીને કહીએ તો ઊત્તર પ્રદેશના જમાલીપુરા ગામની એક યુવતીના લગ્ન મહારાજપુરના યુવક સાથે નિર્ધાર્યા હતા. લગ્નને દિવસે જાન આવી. દુલ્હારાજને પોંખવામાં આવ્યા અને જયમાળા પહેરાવવાની વિધિ વખતે કન્યાને અને કન્યા-પક્ષવાળાને શંકા ગઇ કે વરરાજાની આંખ નબળી લાગે છે. ચાલાક કન્યાએ તરત જ ખાતરી કરવા છાપું મગાવ્યું અને ભાવિ ભરથારને વાંચવાનું કહ્યું. વરરાજાએ વાંચવામાં પહેલાં ગલ્લાતલ્લા કર્યા અને પછી અસમર્થતા દર્શાવી. આ રીતે આંખની નબળાઇ છેવટ સુધી છૂપાવી તેને કારણે નવવધૂ ખફા થઇ અને લગ્ન ફોક કરી નાખ્યા. સચ્ચાઇ છૂપાવવા બદલ છેવટે જાનને લીલા તોરણે પાછા ફરવું પડયું. છાપામાં આ કિસ્સો વાંચીને દુહો જરા ફેરવીને કહી શકાય. પોથી પઢી પઢી પતિ હુઆ ન કોઇ ઢાઇ અક્ષર ન્યુઝ કે પઢે સો પતિ હોય..... પોતાના હાથે ચિતા ગોઠવી અગ્નિસ્નાન સ્મશાનમાં ચિતા પર કોઇ અજાણી વ્યકિતના મૃતદેહને બળતો જોઇને ઘડીભર જીવનની નશ્વરતાનો વિચાર આવે કે પછી સ્મશાન વૈરાગ્ય પણ આવી જાય. પણ કોઇ વ્યકિત પોતાના હાથે જ લાકડા ખડકી પોતાની ચિતા તૈયાર કરી શાંતીથી ઉપર સૂઇ જઇને અગનજવાળામાં ભસ્મ થઇ જાય એ જોઇને ઘડીભર આંખો ઉપર વિશ્વાસ ન બેસે. પણ આ ઘટના હૈદરાબાદ બાજુ સીધીપેટ જિલ્લાના વેમુલાઘાટમાં બની ત્યારે ચારે તરફ સનસનાટી વ્યાપી ગઇ હતી. બન્યુ એવું કે મલ્લાન્નાસાગર જળાશયના બાંધકામ માટે અનેક લોકોના ઘરો પાડીને તેમના પુનર્વસનની કામગીરી હાથ ધરાઇ હતી. આમાં ૭૦ વર્ષના મલ્લારેડ્ડી નામના વૃધ્ધનું ઘર પણ તોડી પાડવામાં આવ્યું આનાથી કદાચ વ્યથિત થઇને કે પછી કોઇ બીજા બીજા કારણસર મલ્લારેડ્ડીએ તોડી પાડવામાં આવેલા પોતાના ઘરના લાકડા ભેગા કરી ચિતા તૈયાર કરીને પછી દીવાસળી ચાંપી દીધી. જોતજોતામાં તે રાખમાં ફેરવાઇ ગયો બોલો. આશ્વર્યની વાત એ છે કે વૃધ્ધના પરિવારજનોએ તો પુનર્વસનની શરતો માન્ય કરી વળતર સ્વીકાર્યું હતું. તો પછી મલ્લારેડ્ડીએ કયા કારણસર જીવતા અગ્નિસ્નાન કર્યું ? એ એક વણઉકેલ્યો કોયડો બની ગયો છે. એક ડઝન કેરીના ૧.૨ લાખ ઉપજયા સામાન્ય રીતે બસો-ત્રણસો રૂપિયે ડઝનના ભાવે કેરી વેંચાતી હોય છે. તેને બદલે એક ડઝન કેરી ૧.૨ લાખ રૂપિયામાં વેંચાય એ સાંભળીને કાન પર વિશ્વાસ ન બેસે. શું આ કેરી સોનાની હશે ? એવો પણ વિચાર આવે. આ આશ્વર્યજનક દાસ્તાન જમશેદપુરની ૧૧ વર્ષની તુલસીકુમારીની છે. આટલી નાની ઊંમરમાં જમશેદપુરમાં રસ્તા પર કેરી વેંચીને થોડી-ઘણી કમાણી કરતી હતી. આમાંથી પૈસા બચાવી એમાંથી સ્માર્ટફોન લઇ તે ઓનલાઇન ભણવા માગતી હતી. પણ જયાં ઘરના બે છેડા ભેગા કરવાની મુશ્કેલી હોય ત્યાં સ્માર્ટ-ફોન કયાંથી ખરીદી શકે ? પણ તુલસીકુમારીની આ મુશ્કેલી વર્ચ્યુઅલ કલાસની સુવિધા આપતા મુંબઇના અમેય હેટેએ ટીવી ન્યુઝચેનલ પર જોઇ અને તત્કાળ મદદ કરવાનો નિર્ણય લીધો. તુલસીકુમારીના પિતા શ્રીમલકુમારનો સંપર્ક સાધી કેરી વેંચતી કન્યાના ભણતર માટે એક લાખ ૨૦ હજાર રૂપિયા શ્રીમલકુમારના બેન્ક ખાતામાં જમા કરી દીધા. તુલસીકુમારી તો રાજી રાજી થઇ ગઇ અને બોલી ઊઠી કે વાહ વાહ, મુંબઇના એક અંકેલ એક કેરી ૧૦ હજાર રૂપિયા લેખે એક ડઝન ખરીદી લીધી હોય એવું લાગ્યું. તરત આ પૈસામાંથી સ્માર્ટફોન ખરીદી તેણે ઓનલાઇન ભણવાની શરૂઆત પણ કરી દીધી છે. આ દાસ્તાન જાણ 'વકત' ફિલ્મનું ગીત ઃ કૌન આયા કી નિગાહો મેં ચમક જાગ ઉઠી..... ફેરવીને ગાવાનું મન થાય કે ઃ 'ફોન' આયા કી પઢને કી ઉમ્મીદ જાગ ઊઠી..... જન્મોજન્મ આ જ પત્ની મળે એવી પતિદેવોની પ્રાર્થના વટ-સાવિત્રીના તહેવારમાં પતિવ્રતા સ્ત્રીઓ પોતાના પતિદેવોના લાંબા આયુષ્યની પ્રાર્થના કરી વટવૃક્ષની પૂજા કરે છે, અને વૃક્ષની આસપાસ સાત વાર પ્રદક્ષિણા કરે છે, પરંતુ મહારાષ્ટ્રના કોકણ વિસ્તારમાં આવેલા કુડાળ ગામે પુરૂષોને વટવૃક્ષની પ્રદક્ષિણા કરી ધાગો બાંધતા જોઇને ઘણાંને નવાઇ લાગે. પરંતુ કુડાળમાં દર વટ-પૂર્ણિમાને દિવસે 'પત્નીવ્રતા' પતિદેવો આ રીતે વડના વૃક્ષનું પૂજન કરી જન્મોજન્મ સુધી આ જ જીવનસાથી મળે એવી કામના કરે છે. છેલ્લા બાર વર્ષથી પતિદેવો દ્વારા આ રીતે વટ-સાવિત્રીને દિવસે પૂજા અને પ્રદક્ષિણા કરવામાં આવી છે. કુડાળની બેરીસ્ટર નાથ પૈ શિક્ષણ સંસ્થાના ચેરમેન ઉમેશ ગાળવણકર અને ડૉ. સંજય નિગુડકરે સ્ત્રી-પુરૂષ સમાનતાનો સંદેશ લોકો સુધી પહોંચે એ માટે આ અનોખી પ્રથા શરૂ કરી છે. પોતાના પતિદેવોને આ વ્રતની ઉજવણી કરતા જોઇને પત્નીઓ કેવી રાજી થતી હશે ? બાકી તો લગ્નજીવનમાં વમળ સર્જાય ત્યારે એકબીજાને દમ મારતા 'દંપતી' ઘણા જોવા મળે છે. પણ પત્નીની સુખાકારી અને લાંબા આયુષ્યની કામના કરે એવા 'પત્નીવ્રતા' પતિદેવો કુડાળ સિવાય બીજે કયાં જોવા મળે ? એટલે જ કહેવું પડે કે સુખદુઃખમાં સાથ અને સંતોષ સાચી સંપત્તિ છે દમબદમ એકમેકનું નામ જીભે રમે એ સાચા દંપતી છે.

ગુજરાત સમાચાર 9 Jul 2021 5:50 am

દુનિયાના સૌથી મોટા પરિવારના મોભીની વિદાય

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી કુટુંબ નિયોજનનો જોરશોરથી પ્રચાર ચાલતો ત્યારે હમ દો હમારે દો, નાનું કુટુંબ સુખી કુટુંબ અને એક કે બે બસ જેવા સૂત્રો જયાં નજર નાખો ત્યાં જોવા મળતા. એક કે બે બસ એટલે બેથી વધુ સંતાન ન જોઇએ. પરંતુ એક કે બે બસ નહીં પણ ચારથી પાંચ 'બસ' ભરાય એટલો મોટો કોઇ પરિવાર હોય તે માન્યામાં આવે ? પરંતુ આ માનવા ન માનવાની નહીં પરંતુ હકિકત છે, મિઝોરમમાં વસતા દુનિયાના મોટામાં મોટા પરિવારની. આ પરિવારને યાદ કરવાનું કારણ એ કે પરિવારના વડા ઝીઓનાએ ૭૬ વર્ષની ઉંમરે તાજેતરમાં જ દુનિયાથી વિદાય લીધી. મિઝોરમના બક્તાવંગ-થાંગનમ ગામે રહેતા ચાના સંપ્રદાયના વડા ઝીઓના ૩૯ પત્નીઓ અને ૨૦૦થી વધુ પુત્રો અને પૌત્રો, દીકરીઓ અને દોહિત્રીઓને રડતા મેલી ફાની દુનિયા છોડી ગયા. એક પતિના મૃત્યુથી ૩૯ પત્નીઓ વિધવા બની. મિઝોરમની ભાષામાં હોતુપા એટલે લીડર તરીકે ઓળખાતા ઝીઓના ચાના ધાર્મિક સંપ્રદાયના વડા હતા. ૧૫ વર્ષની ઉંમરે તેમણે પહેલા લગ્ન ૧૯૪૪માં કર્યા હતા અને છેલ્લાં લગ્ન ૨૦૦૪માં કર્યા હતા. ધીમે ધીમે પરિવાર વધવા માંડયો. કુટુંબના સભ્યો દિવસે ન વધે એટલાં 'રાતે' વધવા માંડયા. પછી તો જાણે વિશાળ ધર્મશાળા હોય એવું ચાર માળનું મકાન બાંધ્યું અને એમાં ૨૦૦થી વધુ સભ્યોનો સંયુકત પરિવાર રહેવા માંડયો. આ દુનિયાના મોટામાં મોટા ફેમિલીની ખ્યાતી એટલી ફેલાઇ કે દેશ-વિદેશથી મિઝોરમ આવતા ટુરિસ્ટો માટે આ પરિવાર આકર્ષણરૃપ બની ગયો હતો. ઝીઓનાના મૃત્યુ પછી પરિવારના વડા તરીકેની ધૂરા તેના ૬૦ વર્ષના પુત્ર નુનપર્લિયાનાએ સંભાળી છે. તેને બે પત્ની અને ૧૩ સંતાનો છે. ઝીઓના ગામડામાં ભરાતા મેળા જેવો કુટુંબ મેળો છોડીને વિદાય લીધી ત્યારે કદાય કોઇને આ ગીત યાદ આવ્યું હોય તો કહેવાય નહીં : ચલ અકેલા ચલ અકેલા ચલ અકેલા તેરા 'મેલા' પીછે છૂટા રાહી ચલ અકેલા દારૃ ખાતર દીકરી વેંચી શરાબ ચીઝ હી ઐસી હૈ ના છોડી જાયે..... ગઝલના આ શબ્દોની જેમ દારૃની એક વાર લત લાગે પછી સહેલાઇથી છૂટે નહીં. એક વાર એક માણસને શરદી થઇ તેના દારૃડિયા દોસ્તે ઉપાય દેખાડયો કે બે પેગ પી લે, શરદી ચપટી વગાડતા ચાલી જશે. દોસ્તે શંકા દર્શાવતા સવાલ કર્યો કે શું ખરેખર દારૃથી શરદી ચાલી જાય ? ત્યારે દારૃડિયાએ ખોંખારો ખાઇને જવાબ આપ્યો કે કેમ ન જાય ? દારૃને લીધે મારા પૈસા ગયા, પરિવાર ગયો તંદુરસ્તી ગઇ અને બાકી હતું કે ઘર પણ ગયું, દારૃને કારણે આ બધું જાય તો પછી શરદી કેમ ન જાય ? લત હાલત બગાડે છતાં બંધાણ છૂટે નહીં. શરાબની લતમાં સર્વસ્વ ગુમાવી બેઠેલા ઓડિશાના કેન્દ્રાપાડા વિસ્તારના અઠંગ બંધાણીએ દારૃના પૈસા ખલાસ થઇ જતા પાંચ હજાર રૃપિયામાં બે વર્ષની માસુમ દીકરીને વેંચી આવ્યો. આ દારૃડિયાના બાપનો જીવ ઊંચો થઇ ગયો કે વ્હાલી પૌત્રી કયાં ખોવાઇ ગઇ ? ચારે તરફ બેબાકળા બની શોધખોળ કરી, પણ પત્તો ન લાગ્યો. છેવટે દાળમાં કંઇક કાળુ લાગતા દારૃડિયા દીકરાને ધમકાવી પૂછયું બોલ દીકરી કયાં છે ? ત્યારે દીકરાએ એકરાર કર્યો કે દીકરી તો તેણે પાંચ હજાર રૃપિયામાં સંતાનસુખ ઝંખતા દંપત્તીને વેંચી નાખી. પિતાએ જ પુત્રના આ કારસ્તાનની પોલીસને ફરિયાદ કરી અને પોલીસ ટીમે બે વર્ષની માસુમને ઊગારી લીધી. લગ્ન વખતે પિતા કન્યાદાન આપે છે. પણ નશો કરવા પોતાની કન્યાને વેંચી નાખે એવા બંધાણીને જોઇ કહેવું પડે કે : હાલત બગાડે એ લત કેવી ખરાબ નશા ખાતર સંતાનના સોદા કરાવે શરાબ. પિતા કરે ઝાડુથી સફાઇ બેટો કરશે ગનથી દુશ્મનોની સફાઇ આજ હિમાલય કી ચોટી સે ફિર હમને લલકારા હૈ, દૂૂર હટો એ 'ચાયનાવાલો' હિન્દુસ્તાન હમારા હૈ..... દુશ્મન ચીન કે પાકિસ્તાનની કોઇ પણ અવળચંડાઇનો જડબાતોડ જવાબ આપવાં આપણાં જાંબાઝ જવાનો સજ્જ રહે છે. દેશભકિતના અને શોર્યના ગીતો કાને પડે ત્યારે દરેક દેશભકત હિન્દુસ્તાનીના હૈયામાં ઉમળકાનો ઊભરો આવે છે કે દુશ્મનોની ખો ભૂલાવી દેવા કરેકે કંઇક કરી છૂટવું જોઇએ. ઉત્તર ભારતના એક નાનકડા ગામડામાં રહેતા સફાઇ કર્મચારી બીજેન્દ્રકુમારનું એક જ સપનું હતું કે મારા દીકરાને દેશની રક્ષા માટે ફૌજી અફસર બનાવવો છે. અનેક આર્થિક સંકડામણ છતં તેણે પુત્ર સુજીતકુમારને ભણવા માટે ઠેઠ રાજસ્થાનની સ્કૂલમાં મોકલ્યો. ભણવામાં તેજસ્વી સુુજીતે સ્કૂલનું શિક્ષણ પૂરૃં કર્યો પછી તે દહેરાદૂનની ઇન્ડિયન મિલિટરી એકેડેમી (આઇએમએ)માં જોડાયો. યુધ્ધની આકરી તાલીમ લઇ જૂન મહિનાની શરૃઆતમાં જ ગ્રેજ્યુએટ થયો. આમ પિતાના સપનાને સાકાર કરી બસીલા નામના ગામડાનો પહેલવહેલો જવાન ફૌજી અફસર તરીકે સેનામાં જોડાયો ત્યારે પિતાની ખુશીનો કોઇ પાર ન રહ્યો. આંખમાં ખુશીના આંસુ સાથે તે એટલું જ બોલી શકયો કે મેં ભલે ઝાડુથી કચરાની સફાઇ કરી, પણ મારો બેટો હાથમાં ગન લઇ દુશ્મનોની સફાઇ કરશે, જય હિન્દ. કોરોના મૈયાનુ મંદિર જમીનદોસ્ત રક્ષા કરો કોરોના મૈયા..... તુમ્હી રખવાલે તુમ્હી ખેવૈયા..... કપરા કોરોનાકાળમાં કેટલાય અંધશ્રધ્ધાળુઓ કોરોના મૈયાની આરતી ઉતારવા લાગ્યા ને પૂજા કરવા માંડયા. કોરોના મૈયા કોપથી બચાવે માટે માનતા માનવા લાગ્યા. ઉત્તર પ્રદેશના જુહી- સુકલપુર ગામડામાં તો કોરોના માતાનું મંદિર બંધાઇ ગયું. અંધશ્રધ્ધાળુઓ દર્શને આવવા લાગ્યા. ગામડાના લોકોએ આપેલા દાનમાંથી બાંધવામાં આવેલું મંદિર 'ભકતજનો'થી ધમધમવા લાગ્યું. પણ આ ધમધમાટ પોલીસના કાન સુધી પહોંચ્યો. આવી અંધશ્રધ્ધાને પોષવાને બદલે ગામડાના ભલાભોળા લોકોને મહામારીથી કેમ બચવું તેની સાચી જાણકારી પૂરી પાડવાનું કામ પ્રયાગરાજ રેન્જના ઇન્સ્પેકટર જનરલ ઓફપોલીસ, કે. પી. સિંહની દોરવણી હેઠળ પોલીસોએ માથે લીધું એટલું જ નહીં સૌથી પહેલાં તો જિલ્લા પ્રશાસન સાથે મળીને કોરોના માતાના મંદિરને જમીનદોસ્ત કરી નાખ્યું. ખરો સપાટો બોલાવ્યો. ત્યાર પછી કોના કહેવાથી આ મંદિર બાંધવામાં આવ્યું તેની તપાસ શરૃ કરવામાં આવી. ખરા લોકડાઉન વખતે દેશભરના મંદિરો કોરોના ફેલાતો અટકાવવા બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે બીજી તરફ અંધશ્રધ્ધાવશ કોરોના મૈયાનું નવું જ મંદિર બાંધીને પૂજા- આરતી કરવામાં આવે એ કેમ ચલાવી લેવાય ? અત્યારે પોલીસો તરફથી ગ્રામજનોને અંધશ્રધ્ધાના અંધકારમાંથી બહાર લાવી કોરોના વિશે સાચી જાણકારી આપી બચવાના ઉપાયો સૂચવવામાં આવે છે. આ જોઇ કહેવુ પડે કે : પહેલું સુખ તે જાતે નર્યા બીજુ સુખ તે અંધશ્રધ્ધાથી પાછા ફર્યા. ગંગાની પુત્રીને યોગી સરકારે દત્તક લીધી ગંગાના અવતરણ વખતે જેમ શિવજીએ પોતાની જટામાં ઝીલી લીધી હતી એમ ગંગા નદીના વહેણમાં તરતી તરતી આવેલી લાકડાની પેટીમાંથી નીકળેલી માસુમ બેટીને નાવિકે ઝીલી લીધી. મહાભારતમાં જેવી રીતે માતા કુંતીએ કર્ણને ટોપલામાં મૂકી આ ટોપલો ગંગા નદીના વહેણમાં તરતો મૂકયો હતો, એવી જ ઘટના ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં બની. ગંગાના પ્રવાહમાં તરીને આવતી લાકડાની પેટીને ગુલ્લુ ચૌધરી નામના નાવિકે ઉપાડી લીધી. પેટી ખોલીને જોયું તો ખીલખીલાટ કરતી નવજાત બાળકી નીકળી. આશ્ચર્યની વાત એ છે કે પેટીમાંથી અનેક દેવદેવીઓના ફોટા મળ્યા એટલંય જ નહીં ૨૧ દિવસની બાળકીની જન્મકુંડળી પણ મળી. દાદરી ઘાટ પરથી નાવિક આ બાળકીને ઘરે લઇ ગયો અને પછી ગામવાળાને ગંગામૈયાએ ભેટ આપેલી બાળકીની વાત કરી. ગાઝીપુર જિલ્લા પ્રશાસનને જાણ થતા બાળકીને તરત જ સરકારી મહિલા હોસ્પિટલના નીઓનેટલ કેર યુનિટમાં દાખલ કરવામાં આવી. ત્યાર પછી ઉત્તર પ્રદેશના ભગવાધારી મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જાહેર કર્યું કે હવે આ બાળકીના ઊછેરની તમામ જવાબદારી રાજ્ય સરકાર સંભાળશે. આ જોઇને કહેવું પડે કે : પ્રભુ જેને તારવા ધારે તેનાથી મુસીબતો રહે છેટી એટલે જ ગંગામાં તરતી પેટીમાંથી નીકળી જીવતી બેટી. પંચ-વાણી કોરોનાની રસીમાંય રાજકારણ રમાતું જોઇ કહેવું પડે કે : ઇના મીના ડીકા થાય જાત જાતની ટીકા રસીકરણમાંય 'ટીકા' ને રાજકારણમાંય ટીકા.

ગુજરાત સમાચાર 6 Jul 2021 5:50 am